<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[ગોધરા APMC દ્વારા અટલ ઉદ્યાન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/godhra/godhra-apmc-organized-a-tree-plantation-program-at-atal-udyan</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/godhra/godhra-apmc-organized-a-tree-plantation-program-at-atal-udyan</guid><pubDate>Thu, 02 Jul 2026 02:43:07 +05:30</pubDate><description><![CDATA[<p>કેન્દ્ર અને રાજ્ય સરકારના સહકાર વિભાગના આદેશ અન્વયે તેમજ જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, પંચમહાલ, ગોધરાની સૂચનાઓ અનુસાર સમગ્ર પંચમહાલ જિલ્લામાં તા.29 જૂનથી તા.6 જુલાઈ દરમિયાન સહકાર સપ્તાહક્રની ઉજવણીનું આયોજન કરાયું છે. આ ઉજવણી અંતર્ગત જિલ્લાની તમામ સહકારી સંસ્થાઓમાં સહકારી ભાવનાને વેગ આપતા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.</p><p>સહકાર સપ્તાહની ઉજવણીના પ્રથમ દિવસે જિલ્લા સહકારી સંઘ ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત તમામ હોદેદારો, મહાનુભાવો, અધિકારીઓ અને સભ્યોએ સહકારી પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવવા માટે સામૂહિક સહકાર પ્રતિજ્ઞા લીધી હતી.</p><p>બીજા દિવસે પર્યાવરણ જતનના સંદેશ સાથે અટલ ઉદ્યાન, ગોધરા ખાતે વૃક્ષારોપણના વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, ગોધરાના ચેરમેન માલવદીપસિંહ રાઉલજીના હસ્તે તેમજ વિવિધ સહકારી સંસ્થાઓના અધિકારીઓ અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરીને પ્રકૃતિના જતનનો સંકલ્પ લેવાયો હતો. ત્રીજા દિવસે એ.પી.એમ.સી.ના મુખ્ય યાર્ડ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે. જેમાં વેપારીઓ, ખેડૂતો અને સહકારી આગેવાનો જોડાનાર છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/qwUgrYWbEXxssbamq2KnySVfjRK8jmidQBKTQOPY.webp'/></item><item><title><![CDATA[કાલોલના ડેરોલ ગામના રસ્તા પરના રેલવે અંડરપાસમાં પાણી ભરાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/kalol/the-railway-underpass-on-the-road-to-derol-village-in-kalol-was-flooded</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/kalol/the-railway-underpass-on-the-road-to-derol-village-in-kalol-was-flooded</guid><pubDate>Thu, 02 Jul 2026 02:42:13 +05:30</pubDate><description><![CDATA[<p>કાલોલ હાઈવે સ્થિત બોરુ ચોકડી પાસેથી ડેરોલગામ તરફ્ જવાના રેલવે અંડરબ્રિજમાં બુધવારે સવારે ખાબકેલા વરસાદને પગલે વરસાદી પાણીથી અંડરબ્રીજ ભરાઈ જતાં હાલ સવારથી સાંજ સુધી બન્ને તરફ્નો વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે. તદ્ઉપરાંત તંત્ર દ્વારા જ્યાં સુધી પાણીનો નિકાલ કરવા માટે નહીં આવે ત્યાં સુધી આ રસ્તાનો ઉપયોગ સ્થાનિકોએ ટાળવો પડે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસું સિઝન દરમ્યાન વરસાદી પાણીના ભરાવાની સમસ્યા અવારનવાર સર્જાતી રહે છે, જોકે અંડરબ્રીજ બનાવ્યા પછી રેલવે તંત્ર દ્વારા ગત ચોમાસા દરમ્યાન વરસાદી પાણીના નિકાલ માટે સ્થાનિક એક વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપ્યો હતો જે ફાળવેલ પંપનો કોન્ટ્રાકટ ગત દિવાળીએ પુરો થતાં હવે પાણીનો નિકાલ તંત્ર તેમની મરજી પ્રમાણે માણસ મોકલીને કરે છે જેને કારણે પાણીનો નિકાલ કરવાની સમસ્યા વકરતી જોવા મળે છે. ગત 19 જુને આવેલા કમોસમી વરસાદને પગલે એ સમયે અંડરબ્રીજમાં વરસાદી પાણી ભરાાઇ જતાં તંત્ર દ્વારા બે દિવસ પછી પાણીનો નિકાલ કર્યો હતો જેને કારણે બે દિવસ સુધી આ રોડનો વાહનવ્યવહાર બંધ રહ્યો હતો. જેથી જ્યારે પણ વરસાદ પડે ત્યારે વરસાદી પાણીથી અંડરબ્રીજ ભરાઈ જતાં પાણીનો નિકાલ ના કરવામાં આવે ત્યાં સુધી વાહનવ્યવહાર બંધ રહે એ સમસ્યા વકરતી જાય છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/UDp3dMed6b8VuMqvNVSXL2dSM8msPK8FaAND73gB.webp'/></item><item><title><![CDATA[CTM સબઝોનલ કચેરી પાસે બનાવેલો નવો રોડ દબાણોના કારણે શોભાના ગાંઠિયા બન્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/the-new-road-built-near-the-ctm-subzonal-office-became-a-decorative-blemish-due-to-pressure</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/the-new-road-built-near-the-ctm-subzonal-office-became-a-decorative-blemish-due-to-pressure</guid><pubDate>Thu, 02 Jul 2026 02:36:23 +05:30</pubDate><description><![CDATA[<p>CTM પાસે આવેલી AMCની સબઝોનલ કચેરીથી ભાઈપુરા વોર્ડમાં કુલદીપ એપાર્ટમેન્ટ સુધીના માર્ગ પર સ્થાનિક રહીશો અને વાહનચાલકો તંત્રની અણઘડ નીતિનો ભોગ બનીરહ્યા છે. વર્ષોથી લટકતા આ ટી.પી. રોડને ખુલ્લો કરવા માટે એક વર્ષ પહેલાં તંત્રએ ધડાધડ દબાણો દૂર કર્યા હતા અને 20 ફૂટના સાંકડા રસ્તાને મોટો કરી નવો પાકો ડામર રોડ બનાવવાની કામગીરી શરૂ કરી હતી. પરંતુ આશ્ચર્યજનક રીતે, સબઝોનલ કચેરી પાસેના માત્ર 100 ફૂટ જેટલા ભાગમાં આવેલા થોડાક મકાનોના ઓટલા અને દિવાલો દૂર ન કરાતા, કરોડોના ખર્ચે બનેલો આખો રોડ વાહનચાલકો માટે માથાનો દુખાવો બની ગયો છે. મહત્વનું છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલદીપ એપાર્ટમેન્ટથી લઈ સબઝોનલ કચેરી સુધીના આશરે એક કિલોમીટરના માર્ગ પરથી દબાણો હટાવીને નવો ચકચકાટ ડામર રોડ બનાવી દેવામાં આવ્યો છે. પરંતુ મુખ્ય જંકશન એટલે કે CTM સબઝોનલ કચેરી પાસે આવતા જ 100 ફૂટ જેટલા ભાગમાં દબાણો યથાવત રાખવામાં આવ્યા છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/1JS4owsVql7E6cx6M2AyIPgy4M7u7kfEa4AFkdfl.webp'/></item><item><title><![CDATA[પ્રભુના રથોને આખરી ઓપ આપવા કારીગરો રાત-દિવસ વ્યસ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/craftsmen-are-busy-day-and-night-to-give-the-final-touches-to-the-lords-chariots</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/craftsmen-are-busy-day-and-night-to-give-the-final-touches-to-the-lords-chariots</guid><pubDate>Thu, 02 Jul 2026 02:36:11 +05:30</pubDate><description><![CDATA[<p>આગામી સમયમાં યોજાનારી પવિત્ર રથયાત્રાને લઈને જગન્નાથ મંદિર અને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી નગચર્યાએ નીકળવાના હોવાથી રથોની મરામત અને રંગરોગાનની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. રથના પૈડાં, લાકડાના અશ્વ, પિલર અને ઝીણવટભર્યા નકશીકામ પર કલર સ્પ્રે અને બ્રશ વડે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/R6aSnnBejes1gmmxJG0NzJZNbJ6avkajBRInAvbg.webp'/></item><item><title><![CDATA[બેંક ઑફ્ બરોડાએ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને 2,811 કરોડનો ડિવિડન્ડ ચેક અર્પણ કર્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/bank-of-baroda-presents-dividend-cheque-of-rs-2811-crore-to-finance-minister-nirmala-sitharaman</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/bank-of-baroda-presents-dividend-cheque-of-rs-2811-crore-to-finance-minister-nirmala-sitharaman</guid><pubDate>Thu, 02 Jul 2026 02:35:57 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતના આંતરરાષ્ટ્રીય બેંક તરીકે ઓળખાતી બેંક ઑફ્ બરોડાએ 31 માર્ચ, 2026એ સમાપ્ત થયેલા નાણાકીય વર્ષ માટે માનનીય કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના પ્રધાન નિર્મલા સીતારમણને 2,811 કરોડનો ડિવિડન્ડ ચેક અર્પણ કર્યો. બેંક ઑફ્ બરોડાના મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી ડૉ. દેવદત્ત ચાંદે નાણાં પ્રધાનને આ ડિવિડન્ડ રકમનો ચેક સોંપ્યો. નાણાકીય વર્ષ 2025-26 માટે બેંકે 2 પ્રતિ શેરના નામમાત્ર મૂલ્ય પર 8.50 પ્રતિ ઇક્વિટી શેર ડિવિડન્ડ જાહેર કર્યો છે, જે નામમાત્ર મૂલ્યના 425% બરાબર છે. નાણાકીય વર્ષ 2025-26 બેંક ઑફ્ બરોડા માટે એક મહત્વપૂર્ણ વર્ષ રહ્યું, જેમાં બેંકે પ્રથમ વખત વાર્ષિક નફામાં 20,000 કરોડનો આંકડો પાર કરીને 20,021 કરોડનો સ્ટૅન્ડઅલોન નેટ નફો નોંધાવ્યો. 31 માર્ચ, 2026 સુધી બેંકનો વૈશ્વિક વ્યવહારપણ 30 લાખ કરોડથી વધુ રહ્યો છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/z7jfoq2SKQ5ORrMt2B8D4YoIQIIakNuoubujGXuG.webp'/></item><item><title><![CDATA[Pakistanમાં 125 વર્ષ જૂનું ગુરુદ્વારા તોડવામાં આવ્યું, ભારતે આપી કડક પ્રતિક્રિયા ]]></title><link>https://sandesh.com/india/news/world/pakistan-125-year-old-gurdwara-demolished-india-reaction</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/world/pakistan-125-year-old-gurdwara-demolished-india-reaction</guid><pubDate>Wed, 01 Jul 2026 23:44:30 +05:30</pubDate><description><![CDATA[<p>પાકિસ્તાનના ફારૂકાબાદમાં આવેલા લગભગ 125 વર્ષ જૂના ઐતિહાસિક ગુરુદ્વારા શ્રી ગુરુ સિંહ સભા સાહિબના કેટલાક ભાગો તોડી પાડવામાં આવ્યા હોવાના અહેવાલો બાદ ભારત સરકારે કડક નારાજગી વ્યક્ત કરી છે. ભારતે આ ઘટનાને 'અતિશય ચિંતાજનક' અને "નિંદનીય તથા પૂર્વનિયોજિત તોડફોડ' ગણાવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2072323090789593352"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>જવાબદાર લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માગ</b></h2><p>વિદેશ મંત્રાલયે બુધવારે નિવેદન આપતાં કહ્યું કે સીખ સમુદાયના આ પવિત્ર સ્થળને નુકસાન પહોંચાડવું અત્યંત દુખદ છે અને તેની કડક નિંદા કરવામાં આવે છે. ભારતે પાકિસ્તાન સરકારને આ મામલે તાત્કાલિક તપાસ કરવા અને જવાબદાર લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માગ કરી છે. ભારતે વધુમાં જણાવ્યું કે ગુરુદ્વારાના જે ભાગો તોડી પાડવામાં આવ્યા છે, તેમની તાત્કાલિક મરામત અને પુનઃનિર્માણ કરવામાં આવે. સાથે જ સ્થાનિક પ્રશાસન અને ઈવેક્યુઈ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ (ETPB)ની નિષ્ક્રિયતા પર પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.</p><h3><b>ધાર્મિક સ્થળોની રક્ષા માટે કડક પગલાં લે</b></h3><p>વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ પાકિસ્તાનમાં ધાર્મિક અલ્પસંખ્યકો અને તેમના ધાર્મિક સ્થળો પર વારંવાર હુમલા અને નુકસાનના અહેવાલો સામે આવતા રહે છે, જે અત્યંત ચિંતાજનક છે. ભારતે કહ્યું કે આવી ઘટનાઓ ત્યાંની ધાર્મિક સહિષ્ણુતા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.</p><p>ભારતે પાકિસ્તાન સરકારને અપીલ કરી છે કે તે પોતાના દેશમાં વસતા અલ્પસંખ્યક સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરે અને ધાર્મિક સ્થળોની રક્ષા માટે કડક પગલાં લે. સાથે જ વધતી ધાર્મિક અસહિષ્ણુતા અને સાંપ્રદાયિક હિંસા પર સંપૂર્ણ રીતે નિયંત્રણ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/ayodhya-ram-mandir-donation-theft-case-major-recovery-from-accused" target="_blank">આ પણ વાંચો : India News: રામ મંદિરમાં દાન ચોરી કેસમાં આરોપીઓ પાસેથી પોલીસને શું મળ્યુ?</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/uh9W59QeKsLLliEIozJY5EK0YHYyWL5Kp7wWWm2t.webp'/></item><item><title><![CDATA[Whatsapp 'યુઝરનેમ' ફીચર પર સરકાર કડક, METAને મોકલી નોટિસ ]]></title><link>https://sandesh.com/india/news/whatsapp-username-feature-india-government-notice-meta</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/whatsapp-username-feature-india-government-notice-meta</guid><pubDate>Wed, 01 Jul 2026 22:30:56 +05:30</pubDate><description><![CDATA[<p>કેન્દ્ર સરકારે વોટ્સએપના નવા Username ફીચરને લઈને Meta પાસેથી સ્પષ્ટીકરણ માગ્યું છે. મળતી માહિતી મુજબ સરકારે કંપનીને નોટિસ પાઠવી ત્રણ દિવસમાં આ ફીચર સંબંધિત સંપૂર્ણ વિગતો રજૂ કરવા જણાવ્યું છે. સાથે જ સરકારની સમીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી આ ફીચર સામાન્ય યુઝર્સ માટે લોન્ચ ન કરવાની સૂચના પણ આપવામાં આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2072337432016822671"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>વોટસએપ ફીચર રજૂ કરવાની તૈયારીમાં</b></h2><p>WhatsApp ટૂંક સમયમાં એવું ફીચર રજૂ કરવાની તૈયારીમાં છે, જેમાં યુઝર્સ પોતાનું અનોખું યુઝરનેમ બનાવી શકશે અને મોબાઈલ નંબર શેર કર્યા વગર અન્ય લોકો સાથે સંપર્ક કરી શકશે. કંપનીનું કહેવું છે કે આ ફીચરનો હેતુ યુઝર્સની પ્રાઇવસી વધારવાનો અને નંબર જાહેર કર્યા વગર વાતચીતને સરળ બનાવવાનો છે. ફીચર લોન્ચ પહેલાં યુઝર્સને પોતાની પસંદગીનું યુઝરનેમ રિઝર્વ કરવાની તક પણ આપવામાં આવશે.</p><h3><b>યુઝરની ઓળખ કેવી રીતે ચકાસવામાં આવશે?</b></h3><p>સરકારની મુખ્ય ચિંતા આ ફીચરના સંભવિત દુરુપયોગને લઈને છે. અધિકારીઓને આશંકા છે કે યુઝરનેમના આધારે કોઈ વ્યક્તિ અન્યની ઓળખ અપનાવી છેતરપિંડી અથવા ભ્રામક પ્રવૃત્તિઓ કરી શકે છે. તેથી સરકારે Meta પાસે પૂછ્યું છે કે આવા કિસ્સાઓ અટકાવવા માટે કયા સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે અને યુઝરની ઓળખ કેવી રીતે ચકાસવામાં આવશે.</p><h4><b>સરકાર કરશે સમીક્ષા&nbsp;</b></h4><p>હાલ સરકાર આ ફીચરના ટેક્નિકલ, સુરક્ષા, ડેટા પ્રોટેક્શન અને પ્રાઈવસી સંબંધિત તમામ પાસાઓની સમીક્ષા કરી રહી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ ભારતામાં WhatsAppના Username ફીચરને મંજૂરી આપવી કે તેમાં ફેરફાર સૂચવવો તે અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. ત્યાં સુધી Metaને સરકારના પ્રશ્નોના જવાબ અને સમીક્ષા પૂર્ણ થવાની રાહ જોવી પડશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/jharkhand-ramgarh-chutupalu-ghati-trailer-brake-failure-major-accident" target="_blank">આ પણ વાંચો : Jharkhand : રામગઢની ચુટ્ટુપાલુ ઘાટીમાં બ્રેક ફેલ થતા ટ્રેલરે મચાવી તબાહી, 10થી વધુ વાહનો અથડાયા</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/Z5TRydSiuBDuLY5F3kMDXvut0dei5jn2neMRRMDh.webp'/></item><item><title><![CDATA[Share Market Trading : 221 કંપનીઓ શેરમાર્કેટમાં નહીં કરી શકે ટ્રેડિંગ, SEBIએ લગાવ્યો પ્રતિબંધ ]]></title><link>https://sandesh.com/business/news/sebi-bans-221-companies-from-stock-market-trading</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/sebi-bans-221-companies-from-stock-market-trading</guid><pubDate>Wed, 01 Jul 2026 19:59:42 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (SEBI)એ પંપ-એન્ડ-ડમ્પ શેરબજાર કૌભાંડ મામલે મોટો નિર્ણય લીધો છે. નિયમનકારે કુલ 221 સંસ્થાઓને શેરબજારમાં 7 વર્ષ સુધી ટ્રેડિંગ કરવા માટે પ્રતિબંધ લગાવી દીધો છે. સાથે જ મુખ્ય આરોપી વ્યક્તિગત રોકાણકાર હનીફ શેખ પર ₹10 કરોડનો દંડ પણ લગાવવામાં આવ્યો છે.</p><h2><b>શેરોમાં મોટા પાયે હેરાફેરી</b></h2><p>પંપ-એન્ડ-ડમ્પ એ એક પ્રકારની બજાર હેરાફેરી છે, જેમાં ઓછી લિક્વિડિટી ધરાવતા શેરો ખરીદી તેમની કિંમત ખોટી રીતે સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમોથી વધારવામાં આવે છે અને બાદમાં ઊંચા ભાવે વેચીને રોકાણકારોને નુકસાન પહોંચાડવામાં આવે છે. SEBIના આદેશ મુજબ 2017થી 2020 દરમિયાન પાંચ શેરોમાં મોટા પાયે હેરાફેરી કરવામાં આવી હતી, જેમાં મૌર્ય ઉદ્યોગ લિમિટેડ, 7NR રિટેલ, દાર્જિલિંગ રોપવે કંપની, GBL ઇન્ડસ્ટ્રીઝ અને વિશાલ ફેબ્રિક્સ લિમિટેડ સામેલ છે.&nbsp;</p><h3><b>આ કૌભાંડથી લગભગ 143.79 કરોડનો ગેરકાયદે નફો કમાયો</b></h3><p>તપાસમાં જાણવા મળ્યું કે હનીફ શેખે 200થી વધુ સંકળાયેલી સંસ્થાઓ સાથે મળીને એક સુનિયોજિત યોજના હેઠળ બજારને પ્રભાવિત કર્યું હતું. આ ગઠિત નેટવર્કમાં અલગ-અલગ સંસ્થાઓને ઈન્ફ્લુએન્સર, કોલેબોરેટર અને ઓફલોડર જેવી ભૂમિકાઓ આપવામાં આવી હતી, જેથી ગેરકાયદે નફો વિવિધ માધ્યમો દ્વારા ફરીને મુખ્ય આરોપી સુધી પહોંચી શકે.</p><p>SEBIના જણાવ્યા મુજબ આ કૌભાંડથી લગભગ ₹143.79 કરોડનો ગેરકાયદે નફો કમાયો હતો. નિયમનકારે હનીફ શેખને 7 વર્ષ માટે બજારમાંથી બહાર કર્યો છે, જ્યારે સંબંધિત પાંચ સંસ્થાઓને 6 વર્ષ માટે પ્રતિબંધિત કરી દરેક પર ₹2-2 કરોડનો દંડ ફટકાર્યો છે. ઉપરાંત, તમામ પાસેથી ગેરકાયદે કમાણી વ્યાજ સહિત વસૂલવાની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.</p><p><a href="https://sandesh.com/business/news/us-removes-four-indian-companies-from-sdn-blacklist-relief" target="_blank"><b>આ પણ વાંચો : 4 દિગ્ગજ ભારતીય કંપનીઓને અમેરિકાથી મોટી રાહત, બ્લેકલિસ્ટમાંથી કાઢી બહાર</b></a></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/0ojfENeUY99QiXdlNoinTqLaD8sEx9zD926M6xu6.webp'/></item><item><title><![CDATA[Hit Film : 5 દિવસમાં 25 રેકોર્ડ! બોક્સ ઓફિસ પર વેલકમ 3ની આંધી, વર્લ્ડવાઇડ કરી શાનદાર કમાણી! ]]></title><link>https://sandesh.com/entertainment/news/welcome-to-the-jungle-worldwide-collection-day-5-beats-25-movies</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/welcome-to-the-jungle-worldwide-collection-day-5-beats-25-movies</guid><pubDate>Wed, 01 Jul 2026 18:08:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અહમદ ખાન નિર્દેશિત વેલકમ ટુ ધ જંગલ દુનિયાભરના બોક્સ ઓફિસ પર છવાયેલી છે. આ એક્શન એડવેન્ચર કોમેડી ફિલ્મને દર્શકો તરફથી જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે અને વીકડેઝમાં પણ આને ખુબ ઓડિયન્સ મળી રહી છે, જેની સાથે જ આની કમાણી પણ વધી રહી છે. રિલીઝના પાંચ દિવસમાં વેલકમ ટુ ધ જંગલ એ વર્લ્ડવાઇડ બોક્સ ઓફિસ પર એક મોટો મુકામ હાંસલ કરી લીધો છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>વેલકમ ટુ ધ જંગલ એ વર્લ્ડવાઇડ પાંચ દિવસમાં કેટલું કમાયું?</b></h2><p style="text-align: justify; ">વેલકમ ટુ ધ જંગલને સિનેમાઘરોમાં રિલીઝ થયા બાદ ક્રિટિક્સ તરફથી મિશ્ર રિવ્યૂઝ મળ્યા હતા પરંતુ આ જોતજોતામાં ફેમિલી ઓડિયન્સની ફેવરિટ બની ગઈ. રિલીઝના પાંચ દિવસમાં આણે દેશ અને દુનિયાભરમાં શાનદાર કમાણી કરી લીધી છે. જણાવી દઈએ કે ટ્રેડ વેબસાઇટ સેકનિલ્કના જણાવ્યા અનુસાર, વેલકમ ટુ ધ જંગલએ પાંચમા દિવસે 10 હજાર 616 શોમાં ભારતમાં 9.25 કરોડ રૂપિયાની કમાણી કરી. આની સાથે જ ફિલ્મની કુલ ઇન્ડિયા નેટ કમાણી 81.50 કરોડ રૂપિયા થઈ ગઈ છે, જ્યારે ઇન્ડિયા ગ્રોસ કમાણી 97.17 કરોડ રૂપિયા છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DaM2TmMsvHE/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DaM2TmMsvHE/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DaM2TmMsvHE/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DaM2TmMsvHE/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><p style="text-align: justify; ">ઓવરસીઝમાં પાંચમા દિવસે 3.00 કરોડની કમાણી કરી છે, જેથી આની કુલ વિદેશી કમાણી અત્યાર સુધી 22.95 કરોડ પહોંચી ગઈ છે. આની સાથે જ આનું 5 દિવસનું વર્લ્ડવાઇડ કલેક્શન 120.12 કરોડ થઈ ગયું છે.</p><h3 style="text-align: justify; "><b>વર્લ્ડવાઇડ 25 ફિલ્મોની લાઇફટાઇમ કમાણીને આપી માત</b></h3><p style="text-align: justify; ">વેલકમ ટુ ધ જંગલ એ દુનિયાભરમાં 120 કરોડથી વધુનું કલેક્શન કરીને રામચરણની પેદ્દી (હિન્દી) (26.25 કરોડ), વરુણ ધવનની હૈ જવાની તો ઇશ્ક હોના હૈ (87.78 કરોડ) થી લઈને આયુષ્માન ખુરાનાની પતિ પત્ની ઔર વો દો (77.81 કરોડ) સુધીની ફિલ્મો સહિત વર્ષની 25 મૂવીઝની દુનિયાભરમાં થયેલી લાઇફટાઇમ કમાણીને પાછળ છોડી દીધી છે. હવે આનો ટાર્ગેટ રાજા શિવાજીની 129.7 કરોડની વર્લ્ડવાઇડ કમાણીને માત આપવાનો છે, જેના પછી આ વર્ષની દુનિયાભરમાં સૌથી વધુ કમાણી કરનારી પાંચમી ફિલ્મ બની જશે.</p><h4 style="text-align: justify; "><b>આ છે વર્લ્ડવાઇડ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મો:</b></h4><ul><li style="text-align: justify;">ધુરંધર 2 - 1850.85 કરોડ</li><li style="text-align: justify;">બોર્ડર 2 - 485.3 કરોડ</li><li style="text-align: justify;">ભૂત બંગલા - 292.64 કરોડ</li><li style="text-align: justify;">કોકટેલ 2 - 149 કરોડ</li><li style="text-align: justify;">રાજા શિવાજી - 129 કરોડ</li><li style="text-align: justify;">વેલકમ ટુ ધ જંગલ - 120.12 કરોડ</li></ul><h4 style="text-align: justify; "><b>આ ફિલ્મે ઓરિજિનલ વેલકમને ચટાડી ધૂળ</b></h4><p style="text-align: justify; ">રિલીઝના પાંચમા દિવસે 120.12 કરોડ કમાઈને વેલકમ ટુ ધ જંગલ એ પોતાની ઓરિજિનલ ફિલ્મ વેલકમની લાઇફટાઇમ વર્લ્ડવાઇડ કમાણીનો રેકોર્ડ તોડી દીધો છે. ઓરિજિનલ વેલકમ એ પોતાની થિયેટ્રિકલ રિલીઝ દરમિયાન દુનિયાભરમાં 117.91 કરોડ કમાયા હતા. 2007ની આ કોમેડી ફિલ્મે ભારતમાં પણ પોતાની પૂરી રિલીઝ દરમિયાન 70.15 કરોડ કમાયા હતા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/avatar-movie-beats-dhurandhar-tops-jiohotstar-trending" target="_blank">આ પણ વાંચો-Dhurandharને પછાડીને નંબર-1 બની આ ફિલ્મ, OTTની ટ્રેન્ડિંગ લિસ્ટમાં જમાવ્યો દબદબો!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/55b34D0UONpGgy461AbynwHJTiEEyrxa3zh7RTAF.webp'/></item><item><title><![CDATA[Rohit Yadav New Record : ભાલા ફેંકમાં રોહિતે નીરજ ચોપડાને પાછળ છોડી રચ્યો ઈતિહાસ ]]></title><link>https://sandesh.com/sports/news/rohit-yadav-new-record-rohit-created-history-by-surpassing-neeraj-chopra-in-javelin-throw</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/rohit-yadav-new-record-rohit-created-history-by-surpassing-neeraj-chopra-in-javelin-throw</guid><pubDate>Wed, 01 Jul 2026 14:46:27 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">65મી રાષ્ટ્રીય આંતર-રાજ્ય સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના અંતિમ દિવસે ભાલા ફેંકમાં એક નવો રેકોર્ડ બન્યો. ભારતીય ખેલાડી રોહિત યાદવે 87.05મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો. તેણે 2026એશિયન ગેમ્સ માટે પણ ક્વોલિફાય કર્યું. એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ કલિંગા સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી. રવિવારે રોહિત યાદવ આ સિઝનમાં ભારતનો સૌથી લાંબો થ્રોઅર બન્યો.</p><h4 style="text-align: justify; "><b>રોહિત યાદવ વિશ્વ ફેંકનારાઓની યાદીમાં ક્યાં સ્થાન ધરાવે છે?</b></h4><p style="text-align: justify; ">આ સાથે, તે શ્રીલંકાના ખેલાડી રમેશ થરંગા પથિરાજેના 92.62 મીટરના રેકોર્ડ થ્રો પછી વિશ્વ ફેંકનારાઓની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. ભારતના સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરાનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. નીરજ 85.69 મીટરના થ્રો સાથે ચોથા સ્થાને છે.</p><h5 style="text-align: justify; "><b>રોહિતે સંઘર્ષ કરવો પડ્યો</b></h5><p style="text-align: justify; ">રોહિત માટે આ થ્રો પણ ખાસ હતો કારણ કે તેનો અગાઉનો શ્રેષ્ઠ થ્રો 83.04 મીટર હતો. તેણે 2023 માં આ થ્રો હાંસલ કર્યો. રોહિત યાદવે ફેંક્યો (77.71), (77.63), એક ફાઉલ (કોઈ નિશાન નહીં), (77.51), (79.40), અને પછી તેના અંતિમ પ્રયાસમાં, તેણે ફેંક્યો (87.05). રોહિતે સમજાવ્યું કે તેને ફેંકતી વખતે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો, પરંતુ છેલ્લા થ્રોમાં, તેણે પોતાની લય શોધી કાઢી અને પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું. મેચ પછી, તેણે કહ્યું કે આ પ્રદર્શનથી તેનો આત્મવિશ્વાસ ઘણો વધ્યો છે. રોહિતે વધુમાં સમજાવ્યું કે તાલીમ દરમિયાન, તે 86-87 મીટર ફેંકી રહ્યો હતો, પરંતુ તેના શરૂઆતના પ્રદર્શનમાં, તે પોતાની લય શોધી શક્યો ન હતો. હવે તે આગામી મેચોમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવાની આશા રાખે છે.</p><h5 style="text-align: justify; "><b>યશવીર અને સચિને પણ ક્વોલિફિકેશન હાંસલ કર્યો</b></h5><p style="text-align: justify; ">રોહિત યાદવે ખુશી વ્યક્ત કરી કે તેઓ મોટી સ્પર્ધા પહેલા એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરવામાં સફળ રહ્યા. પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં, યશવીર સિંહ 83.72 મીટરના થ્રો સાથે બીજા સ્થાને રહ્યો, અને સચિન યાદવ 82.32 મીટરના થ્રો સાથે ત્રીજા સ્થાને રહ્યો. બંને ખેલાડીઓએ એશિયન ગેમ્સ ક્વોલિફિકેશન માર્ક પણ હાંસલ કર્યો છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/cricket/news/vaibhav-sooryavanshi-vaibhav-sooryavanshis-storm-before-the-match-he-rained-sixes-in-the-nets" target="_blank"> Vaibhav Sooryavanshi : મેચ પહેલા વૈભવ સૂર્યવંશીનું તોફાન! નેટ્સમાં કર્યો સિક્સરનો વરસાદ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/lLEnyRsOsNV3MTxuKaboywOWunEABMh1uwMl1VoK.webp'/></item></channel></rss>