<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Kalki 2898 ADની સિક્વલમાંથી દીપિકા પાદુકોણ બહાર, બોલીવુડની કઈ અભિનેત્રી લેશે તેની જગ્યા ]]></title><link>https://sandesh.com/entertainment/news/deepika-padukone-out-of-kalki-2898-ad-sequel-this-bollywood-actress-will-replace-her</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/deepika-padukone-out-of-kalki-2898-ad-sequel-this-bollywood-actress-will-replace-her</guid><pubDate>Wed, 17 Jun 2026 10:59:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નાગ અશ્વિનના નિર્દેશનમાં બનેલી સાયન્સ ફિક્શન ફિલ્મ "કલ્કી ૨૮૯૮ એડી" ને દર્શકોએ ખૂબ જ પ્રેમ આપ્યો હતો. પ્રભાસ, અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણ જેવા દિગ્ગજ કલાકારોથી સજ્જ આ બ્લોકબસ્ટર ફિલ્મનો બીજો ભાગ પણ આવવાનો છે, જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ, સિક્વલને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ફિલ્મમાંથી અભિનેત્રી દીપિકા પાદુકોણને બહાર કરી દેવામાં આવી છે, ત્યારથી જ સોશિયલ મીડિયા પર અટકળો તેજ થઈ છે કે હવે ફિલ્મમાં તેમની જગ્યા કોણ લેશે?</p><p style="text-align: justify; "><b>શું આલિયા ભટ્ટની થશે 'કલ્કી ૨' માં એન્ટ્રી?</b></p><p style="text-align: justify; ">છેલ્લા કેટલાક સમયથી અહેવાલો વહેતા થયા હતા કે બોલિવૂડ કવીન આલિયા ભટ્ટ 'કલ્કી'ની સિક્વલમાં જોવા મળી શકે છે. એટલું જ નહીં, એવી ચર્ચાઓ પણ હતી કે આલિયાએ ફિલ્મ માટે કેટલાક સીનનું શૂટિંગ પણ કરી લીધું છે. આ સમાચારો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર યુઝર્સ સતત સવાલ પૂછી રહ્યા છે કે શું આલિયા ફિલ્મમાં દીપિકાની જગ્યાએ જોવા મળશે કે પછી કોઈ નવા જ રોલમાં એન્ટ્રી કરશે?</p><p style="text-align: justify; "><b>વાયરલ સમાચારો પર ફિલ્મના પ્રવક્તાએ શું કહ્યું?</b></p><p style="text-align: justify; ">આલિયા ભટ્ટના કાસ્ટિંગને લઈને ચાલી રહેલી તમામ અફવાઓ પર ફિલ્મના પ્રવક્તાએ પૂર્ણવિરામ મૂકી દીધું છે. સત્તાવાર સ્પષ્ટતા કરતા પ્રવક્તાએ જણાવ્યું કે, "અત્યાર સુધી કોઈ શૂટિંગ થયું નથી. ફિલ્મમાં આલિયાની એન્ટ્રીને લઈને કોઈ ઓફિશિયલ કન્ફર્મેશન નથી. સોશિયલ મીડિયા પર કોઈએ આ ખોટી પોસ્ટ મૂકી અને બાકીના લોકોએ તેને કોપી-પેસ્ટ કરવાનું શરૂ કરી દીધું. કાસ્ટિંગ અંગે હજુ સુધી કશું નક્કી કરાયું નથી."</p><p style="text-align: justify; "><b>નિર્માતાઓએ દીપિકાના બહાર થવા પર લગાવી મહોર</b></p><p style="text-align: justify; ">તમને જણાવી દઈએ કે 'કલ્કી ૨૮૯૮ એડી' ના પહેલા ભાગમાં દીપિકા પાદુકોણે એક ગર્ભવતી મહિલા 'સુમતી'ની મુખ્ય ભૂમિકા ભજવી હતી અને વાર્તા મુજબ બીજા ભાગમાં પણ તેનો રોલ ઘણો મહત્વનો માનવામાં આવતો હતો. જોકે, નિર્માતાઓએ સપ્ટેમ્બર ૨૦૨૫માં જ દીપિકાના ફિલ્મમાંથી બહાર થવાની સત્તાવાર જાહેરાત કરી દીધી હતી.</p><p style="text-align: justify; "><b>'કલ્કી ૨૮૯૮ એડીનો હિસ્સો નથી દીપિકા, મેકર્સ</b></p><p style="text-align: justify; ">"અમે સત્તાવાર રીતે જાહેર કરીએ છીએ કે દીપિકા પાદુકોણ હવે 'કલ્કી ૨૮૯૮ એડી' ની સિક્વલનો હિસ્સો નથી. ઘણી ચર્ચા-વિચારણા બાદ અમે પરસ્પર સહમતીથી અલગ થવાનો નિર્ણય લીધો છે. પહેલા ભાગની લાંબી સફર બાદ, અમે બીજા ભાગમાં સાથે કામ કરી શકીએ તેમ નથી. 'કલ્કી' જેવી ભવ્ય ફિલ્મ માટે મોટા સ્તરે પ્રતિબદ્ધતાની જરૂર હોય છે. અમે દીપિકાને તેના ભવિષ્ય માટે ખૂબ-ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ."હવે જોવાનું એ રહેશે કે મેકર્સ દીપિકા પાદુકોણના સ્થાને કઈ નવી અભિનેત્રીની પસંદગી કરે છે અને ફિલ્મની સિક્વલ ક્યારે ફ્લોર પર આવે છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/UDaEmSyDJBxEA871S6Sv1679hn02iDo8qOBWOvEN.webp'/></item><item><title><![CDATA[Maharashtra Politics: શિવસેના UBTમાં ભંગાણ ! ઉદ્ધવ જૂથના 7 સાંસદોએ કેમ બન્યા બળવાખોર ? ]]></title><link>https://sandesh.com/india/news/maharashtra-politics-disruption-in-shiv-sena-ubt-why-did-7-mps-from-uddhav-faction-become-rebels</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/maharashtra-politics-disruption-in-shiv-sena-ubt-why-did-7-mps-from-uddhav-faction-become-rebels</guid><pubDate>Wed, 17 Jun 2026 10:49:08 +05:30</pubDate><description><![CDATA[<p>મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે. શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મોટો આંચકો આપતા તેમના કુલ 9 સાંસદોમાંથી 7 સાંસદોએ સત્તાવાર નેતૃત્વ સામે મોરચો ખોલી દીધો છે. આ તમામ બળવાખોર નેતાઓ હાલમાં દિલ્હીમાં હોવાના અહેવાલ છે અને તેઓ ટૂંક સમયમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના (શિંદે જૂથ)માં સામેલ થઈ શકે છે.રાજકીય વિશ્લેષકોના મતે, આ ભંગાણ કોઈ તાત્કાલિક ઘટના નથી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી પક્ષની અંદર ધખતા અસંતોષનો વિસ્ફોટ છે.</p><p><br></p><h2><b>બળવો કરનારા 7 સાંસદો કોણ કોણ છે?&nbsp;</b></h2><p>પક્ષથી છેડો ફાડીને શિંદે જૂથ તરફ પ્રયાણ કરી રહેલા અગ્રણી નેતાઓમાં નીચેના સાંસદોનો સમાવેશ થાય છે:</p><p><br></p><ul><li>ઓમરાજે નિંબાલકર</li><li>નાગેશ પાટિલ અષ્ટિકર</li><li>સંજય ઉત્તમરાવ દેશમુખ</li><li>સંજય (બંધુ) જાધવ</li><li>સંજય દિના પાટિલ</li><li>રાજાભાઉ (પરાગ) પ્રકાશ વાજે</li><li>ભૌસાહેબ રાજારામ વાકચૌરે</li></ul><p><br></p><h2><b>શિવસેના (UBT)માં બળવા પાછળના 8 મુખ્ય કારણો</b></h2><p>પાર્ટીના આંતરિક સૂત્રો અને બદલાયેલા રાજકીય સમીકરણો પર નજર કરીએ તો આ આખા બળવા પાછળ નીચેના મહત્વના પરિબળો જવાબદાર રહ્યા છે:</p><p><br></p><h3><b>વિધાનસભા ચૂંટણી બાદ ફેલાયેલી નિરાશા</b></h3><p> મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પક્ષને અપેક્ષા મુજબની જીત ન મળતા સાંસદોમાં ચિંતા હતી. નેતૃત્વ દ્વારા આ પરાજયનું ગંભીર આત્મનિરીક્ષણ ન કરાયું હોવાનો પણ કલહ હતો. વિપક્ષમાં બેસવાને કારણે નેતાઓની રાજકીય સક્રિયતા મર્યાદિત બની ગઈ હતી.</p><p><br></p><h3><b>વિકાસ કાર્યો માટે ફંડની તંગી</b></h3><p> રાજ્યમાં મહાયુતિ સરકાર હોવાને કારણે શિવસેના (UBT)ના સાંસદોને પોતાના મતવિસ્તારના વિકાસ કામો માટે ભંડોળ મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. તેની સામે, ચૂંટણીમાં હારી ગયેલા મહાયુતિના સ્થાનિક નેતાઓને સરકારી સંસાધનો સરળતાથી મળી રહ્યા હતા, જે વર્તમાન સાંસદો માટે રાજકીય રીતે નુકસાનકારક સાબિત થઈ રહ્યું હતું.</p><p><br></p><h3><b>સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કથળતું પ્રદર્શન</b></h3><p>મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા પરિષદ અને નગર પંચાયત જેવી સ્થાનિક ચૂંટણીઓમાં પક્ષનું પ્રદર્શન ઘણું નબળું રહ્યું. ઘણા વિસ્તારોમાં પાર્ટી ચોથા કે પાંચમા ક્રમે ધકેલાઈ જતાં સાંસદોને પોતાના રાજકીય અસ્તિત્વનો ડર સતાવવા લાગ્યો હતો.</p><p><br></p><h3><b>મુંબઈ જેવા પરંપરાગત ગઢમાં પરાજય</b></h3><p>મુંબઈ હંમેશા શિવસેનાનું હૃદય ગણાતું આવ્યું છે. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં એડીચોટીનું જોર લગાવવા છતાં પક્ષને સફળતા ન મળી. મુંબઈમાં ૩ મજબૂત સાંસદો હોવા છતાં આ પ્રકારના પરિણામો આવતા નેતાઓ ભવિષ્યની ચૂંટણીઓ માટે આશંકિત બન્યા હતા.</p><p><br></p><h3><b>નેતૃત્વની શૈલી સામે સવાલો</b></h3><p>કેટલાક નારાજ સાંસદોનું માનવું હતું કે ઉદ્ધવ ઠાકરે પક્ષની રણનીતિને લઈને પૂરતા આક્રમક નથી. પક્ષે રસ્તા પર ઉતરીને જે લોકઆંદોલનો કરવા જોઈએ તે થઈ રહ્યા નહોતા. સાથે જ પ્રમુખ અને સાંસદો વચ્ચેનો સંવાદ સેતુ પણ નબળો પડ્યો હતો.</p><p><br></p><h3><b>એકનાથ શિંદે અને શ્રીકાંત શિંદેનો સમન્વયકારી અભિગમ</b></h3><p> નારાજ જૂથમાં એવી ચર્ચા હતી કે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને સાંસદ શ્રીકાંત શિંદે વિરોધ પક્ષના સાંસદોના વ્યક્તિગત અને રાજકીય કામોમાં પણ મદદરૂપ થતા હતા. આ સકારાત્મક વલણને કારણે સાંસદો શિંદે જૂથ તરફ વધુ આકર્ષાયા.</p><p><br></p><h3><b>'માતોશ્રી'ની બેઠકનો આકરો આદેશ</b></h3><p>14 જૂનના રોજ ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન 'માતોશ્રી' ખાતે બોલાવાયેલી બેઠકમાં 9 માંથી માત્ર 5 જ સાંસદો ઓનલાઈન જોડાયા હતા. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ કથિત રીતે સ્પષ્ટ કહી દીધું હતું કે, "જેમને પક્ષ છોડીને જવું હોય તે જવા માટે મુક્ત છે." આ વિધાને સળગતા અસંતોષમાં ઘી હોમવાનું કામ કર્યું.</p><p><br></p><h3><b>&nbsp;વર્ષ 2029ની ચૂંટણીની ચિંતા</b></h3><p>સાંસદોને અહેસાસ થઈ ગયો હતો કે આગામી 2029ની લોકસભા ચૂંટણીમાં માત્ર પોતાની લોકપ્રિયતાના જોરે જીતવું અશક્ય છે. સંગઠનની નબળી સ્થિતિ અને સંસાધનોના અભાવને કારણે તેમણે પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે નવો પક્ષ પસંદ કરવો યોગ્ય માન્યો.&nbsp;</p><p><br></p><p><a href="https://sandesh.com/gallery/news/india/why-are-potatoes-and-chickpeas-the-filling-in-panipuri?2" target="_blank">આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/F8pi7BKo5vdZdPXVP9gCVGv759G7gnyKttyfUbOL.webp'/></item><item><title><![CDATA[Bihar Election: ચૂંટણીમાં પાર્ટીઓને મળ્યુ 281 કરોડનું ફંડ, ADR રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો ]]></title><link>https://sandesh.com/india/news/bihar-election-parties-received-funds-worth-rs-281-crore-in-the-elections-shocking-revelation-in-adr-report</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/bihar-election-parties-received-funds-worth-rs-281-crore-in-the-elections-shocking-revelation-in-adr-report</guid><pubDate>Wed, 17 Jun 2026 10:11:05 +05:30</pubDate><description><![CDATA[<p>બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાગ લેનારા અગ્રણી રાજકીય પક્ષોના નાણાકીય વ્યવહારોને લઈને ચૂંટણી સુધારા માટે કામ કરતી સંસ્થા Association for Democratic Reforms (ADR) દ્વારા એક મહત્વનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર, ચૂંટણી મેદાનમાં ઉતરેલા મુખ્ય 10 રાજકીય પક્ષોને મળેલા કુલ દાન અને તેમના દ્વારા કરાયેલા વાસ્તવિક ખર્ચ વચ્ચે આશરે ₹88 કરોડનો મોટો તફાવત જોવા મળ્યો છે.</p><h2><b>પક્ષોની કમાણી અને ખર્ચનું ગણિત</b></h2><p>ADRના વિશ્લેષણ મુજબ, આ ચૂંટણી દરમિયાન 10 પ્રમુખ પક્ષોએ સામૂહિક રીતે ₹281.32 કરોડનું ભંડોળ એકત્ર કર્યું હતું. તેની સામે પક્ષો દ્વારા કુલ ₹193.47 કરોડનો ચૂંટણી ખર્ચ નોંધાવવામાં આવ્યો છે. આમ, પક્ષો પાસે રહેલી બચત અથવા વણવપરાયેલું ભંડોળ અંદાજે ₹88 કરોડ જેટલું થાય છે.</p><p><b style="font-size: 1.75rem;">આ વિશ્લેષણમાં દેશના મુખ્ય પક્ષોનો સમાવેશ કરવામાં આવ્યો હતો</b></p><ul><li>5 રાષ્ટ્રીય પક્ષો: ભાજપ (BJP), કોંગ્રેસ, આમ આદમી પાર્ટી (AAP), બહુજન સમાજ પાર્ટી (BSP), અને CPI-M.</li><li>5 પ્રાદેશિક પક્ષો: RJD, JD-U, લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ), AIMIM અને CPI.</li></ul><p>બિહાર ચૂંટણીમાં કુલ 161 પક્ષોએ (6 રાષ્ટ્રીય, 10 પ્રાદેશિક અને 145 બિનમાન્યતાપ્રાપ્ત) ભાગ લીધો હતો, પરંતુ આ અહેવાલ માત્ર એવા 10 મુખ્ય પક્ષો પર આધારિત છે જેમનો નાણાકીય ડેટા ઉપલબ્ધ હતો. માયાવતીની આગેવાની હેઠળની BSP એકમાત્ર એવો પક્ષ હતો, જેણે કેન્દ્રીય કે રાજ્ય સ્તરેથી મળેલા ભંડોળની કોઈ પણ વિગત જાહેર કરી ન હતી.</p><p><b style="font-size: 1.75rem;">ક્યાં કેટલા પૈસા ખર્ચાયા?&nbsp;</b></p><p><br></p><table class="table table-bordered"><tbody><tr><td><b>ખર્ચનું માધ્યમ</b></td><td><b>ફાળવવામાં આવેલી રકમ</b></td><td><b>કુલ ખર્ચના ટકા (%)&nbsp;&nbsp;</b></td></tr><tr><td>ચૂંટણી પ્રચાર (પબ્લિસિટી)&nbsp;</td><td>₹100.43&nbsp; કરોડ&nbsp;</td><td>36.68 %</td></tr><tr><td>મુસાફરી અને પ્રવાસ (ટ્રાવેલિંગ)</td><td>&nbsp;₹79.51&nbsp; કરોડ&nbsp;</td><td>29.05 %</td></tr><tr><td>ઉમેદવારોને એકમ રકમ (લમ્પસમ પેમેન્ટ)&nbsp;</td><td>₹62.07&nbsp; કરોડ</td><td><br></td></tr><tr><td>સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્રચાર&nbsp;</td><td>₹13.07 કરોડ</td><td><br></td></tr><tr><td>ગુનાહિત રેકોર્ડની જાહેરાત (ECI નિયમ)&nbsp;</td><td>₹9.89&nbsp; કરોડ</td><td><br></td></tr><tr><td>અન્ય પરચૂરણ ખર્ચ&nbsp;</td><td>₹14.80&nbsp; કરોડ</td><td><br></td></tr></tbody></table><h4><b>ડિજિટલ મીડિયા અને કાનૂની નિયમો પાછળ ખર્ચ</b></h4><p>આજના આધુનિક યુગમાં વર્ચ્યુઅલ કેમ્પેઈનિંગનું મહત્વ વધ્યું છે, જેના ભાગરૂપે પક્ષોએ સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ્સ પાછળ ₹૧૩ કરોડથી વધુની રકમ ખર્ચી હતી. આ ઉપરાંત, ચૂંટણી પંચના કડક નિયમોનું પાલન કરીને ઉમેદવારોના ગુનાહિત ઈતિહાસ (Criminal Antecedents) અખબારો કે માધ્યમોમાં પ્રકાશિત કરવા પાછળ પણ પક્ષોએ ₹૩.૮૮ કરોડથી વધુનો ખર્ચ કરવો પડ્યો હતો.<br><br><a href="https://sandesh.com/gallery/news/india/why-are-potatoes-and-chickpeas-the-filling-in-panipuri?2" target="_blank">આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/DnBY9zMBqFes4xdknLkbnlbgYxXlqlDizNANTVdF.webp'/></item><item><title><![CDATA[Surat : ધોરણ-7ના વિદ્યાર્થીએ ધોરણ-6ના માસૂમ પર ઝીંક્યા છરીના ઘા, પોલીસ તપાસ શરૂ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-school-student-attack-udhna-stabbing-case-police-investigation</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-school-student-attack-udhna-stabbing-case-police-investigation</guid><pubDate>Wed, 17 Jun 2026 10:00:39 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે હવે શાળાના વિદ્યાર્થીઓમાં વધતી ગુનાખોરીની એક અત્યંત ચોંકાવનારી અને હચમચાવી દેતી ઘટના સામે આવી છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલી નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્કૂલ બહાર કોઇ સ્થળે એક સગીર વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી ગઈ છે. ધોરણ 7 માં ભણતા એક વિદ્યાર્થીએ સામાન્ય બોલાચાલીમાં ધોરણ ૬ ના વિદ્યાર્થીને ચાકુના ઘા મારી દીધા હતા.</p><h2 style="text-align: justify; "><b>ધોરણ 6 ના વિદ્યાર્થી પર ચાકુ વડે હુમલો 
</b></h2><p style="text-align: justify; ">મળતી વિગતો અનુસાર, આ લોહીયાળ ઘટના ઉધનાની શાળા ક્રમાંક 197 (ગુજરાતી માધ્યમ) અને શાળા ક્રમાંક 202 (મરાઠી માધ્યમ) ની છે. ગુજરાતી માધ્યમમાં ધોરણ 7 માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ કોઈ અગમ્ય કારણોસર મરાઠી માધ્યમના ધોરણ 6 ના વિદ્યાર્થી પર ચાકુ વડે હુમલો કરી દીધો હતો. 
</p><h3 style="text-align: justify; "><b>પોલીસ તપાસ શરુ
</b></h3><p style="text-align: justify; ">હુમલાના પગલે લોહીલુહાણ થયેલા વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. આ ઘટનાને પગલે વાલીઓમાં ભારે ફફડાટ અને રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.
</p><h4 style="text-align: justify; "><b>ઘટના શાળાના કેમ્પસમાં નથી બની
</b></h4><p style="text-align: justify; ">બીજી તરફ આ ગંભીર ઘટના અંગે શાળા વહીવટી તંત્ર દ્વારા સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો છે. શાળાના આચાર્યના જણાવ્યા અનુસાર, "આ દુઃખદ ઘટના શાળાના કેમ્પસમાં નથી બની. શાળા છૂટ્યા બાદ બહાર ક્યાંક આ ઝઘડો થયો હતો, જેની જાણ અમને પણ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી છે." વધુમાં શાળાએ દાવો કર્યો છે કે, સ્કૂલમાં સુરક્ષાને લઈને કોઈ બાંધછોડ કરાતી નથી. રોજ સવારે જ્યારે પણ વિદ્યાર્થીઓ શાળામાં આવે છે ત્યારે સૌપ્રથમ તેમના બેગનું સઘન ચેકિંગ કરવામાં આવે છે અને બેગ ચેક કર્યા પછી જ વર્ગખંડમાં પ્રવેશ અપાય છે.
</p><h5 style="text-align: justify; "><b>&nbsp;બાળમાનસ અને સુરક્ષા સામે મોટા સવાલો
</b></h5><p style="text-align: justify; ">જોકે, શાળા બહાર બનેલી આ ઘટનાએ બાળમાનસ અને સુરક્ષા સામે મોટા સવાલો ઉભા કર્યા છે. હાલ પોલીસ ઘટનાસ્થળના સીસીટીવી અને આસપાસના લોકોની પૂછપરછ કરીને હુમલા પાછળનું અસલ કારણ શોધવા મથી રહી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp;<a href="https://sandesh.com/india/news/sandesh-digital-explainer-india-monsoon-pause-imd-alert" target="_blank"><b> Sandesh Digital Explainer: મેઘરાજા આકાશી ચક્રવ્યૂહમાં ફસાયા..! કેમ અચાનક ગાયબ થઈ ગયા ચોમાસાના વાદળો? જાણો વિન્ડ વોરની ઇનસાઇડ સ્ટોરી</b></a></p><p style="text-align: justify; "><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/nooXFlcS9s9ow5jwVlSZePb4P5KsgBrlDuiWljlb.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026 : આર્જેન્ટિનાએ અલ્જેરિયાને 3-0 થી હરાવીને ધમાકેદાર શરૂઆત કરી ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-argentina-started-with-a-bang-by-defeating-algeria-3-0</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-argentina-started-with-a-bang-by-defeating-algeria-3-0</guid><pubDate>Wed, 17 Jun 2026 09:55:39 +05:30</pubDate><description><![CDATA[<p>જ્યારે દુનિયાને એવું લાગતું હતું કે લિયોનેલ મેસ્સી તેની કારકિર્દીના અંત તરફ આગળ વધી રહ્યો છે,ત્યારે આર્જેન્ટિનાના હીરોએ ફિફા વર્લ્ડ કપ 2026ની પહેલી જ મેચમાં એવું પ્રદર્શન કર્યું જે ફૂટબોલ ચાહકો વર્ષો સુધી યાદ રહેશે.મેસ્સીની ઐતિહાસિક હેટ્રિકને કારણે,ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ અલ્જેરિયાને 3-0 થી હરાવીને ધમાકેદાર શરૂઆત કરી.</p><h5><b>મેસ્સીની હેટ્રિક&nbsp;</b></h5><p>કેન્સાસ સિટી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં મેસ્સીએ સંપૂર્ણ પ્રભુત્વ મેળવ્યું. તેણે ત્રણ શાનદાર ગોલ કર્યા, જેનાથી આર્જેન્ટિનાને માત્ર વિજય જ નહીં, પણ રેકોર્ડ પણ બનાવ્યો છે. આ તેની વર્લ્ડ કપ કારકિર્દીની પહેલી હેટ્રિક હતી, જેમાં ઘણા મહાન ખેલાડીઓના રેકોર્ડ તોડવામાં આવ્યા. વર્લ્ડ કપ ઇતિહાસમાં આ મેસ્સીનો છઠ્ઠો ટુર્નામેન્ટ છે, જે તેને છ અલગ અલગ ફિફા વર્લ્ડ કપમાં રમનાર વિશ્વનો પ્રથમ ફૂટબોલર બનાવે છે. પરંતુ રેકોર્ડ તોડવાનો સિલસિલો ત્યાં જ અટકતો નથી.</p><p><a href="https://x.com/FIFAWorldCup/status/2067084316232798455?s=20" target="_blank">https://x.com/FIFAWorldCup/status/2067084316232798455?s=20</a></p><p><br></p><p><br></p><h4><b>ક્લોઝના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી</b></h4><p>હેટ્રિક સાથે, મેસ્સીએ તેના વર્લ્ડ કપ ગોલની સંખ્યા 16 કરી છે. તેણે જર્મનીના દિગ્ગજ સ્ટ્રાઈકર મિરોસ્લાવ ક્લોઝના 16 વર્લ્ડ કપ ગોલના રેકોર્ડની પણ બરાબરી કરી છે. મેસ્સી અને ક્લોઝ હવે વર્લ્ડ કપ ઇતિહાસમાં ટોચનું સ્થાન શેર કરે છે.મેસ્સી એક જ વર્લ્ડ કપ મેચમાં એકથી વધુ ગોલ કરનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી પણ બન્યો. તેણે કેમરૂનના દિગ્ગજ રોજર મિલાનો અગાઉનો રેકોર્ડ તોડ્યો. 38 વર્ષ અને 357 દિવસની ઉંમરે હેટ્રિક કરીને, તેણે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો રેકોર્ડ પણ તોડ્યો. રોનાલ્ડોએ 33 વર્ષ અને 130 દિવસની ઉંમરે વર્લ્ડ કપ હેટ્રિક કરી હતી, જ્યારે મેસીએ ઘણી મોટી ઉંમરે આ સિદ્ધિ મેળવી હતી.</p><p><a href="https://x.com/FIFAWorldCup/status/2067086294824497509?s=20" target="_blank">https://x.com/FIFAWorldCup/status/2067086294824497509?s=20</a></p><p><br></p><h5><b>પેલેનો રેકોર્ડ પણ તૂટ્યો</b></h5><p>આર્જેન્ટિનાના કેપ્ટને વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી. તેણે બ્રાઝિલના દિગ્ગજ પેલેના વર્લ્ડ કપ ગોલના રેકોર્ડને પણ પાછળ છોડી દીધો. મેચ પહેલા, મેસ્સી અને પેલે બંનેના 21-21 ગોલ હતા, પરંતુ આ મેચમાં ત્રણ ગોલ કર્યા પછી, મેસ્સીનો આંકડો 24 પર પહોંચી ગયો. હવે તેના વર્લ્ડ કપમાં 16 ગોલ અને 8 આસિસ્ટ છે.</p><h4><b>FIFA વર્લ્ડ કપ સૌથી વધુ ગોલ સ્કોર</b></h4><p>16 ગોલ - મિરોસ્લાવ ક્લોઝ, લિયોનેલ મેસ્સી</p><p>15 ગોલ - રોનાલ્ડો (બ્રાઝિલ)</p><p>14 ગોલ - ગેર્ડ મુલર, કાયલિયન એમબાપ્પે</p><p>13 ગોલ - જસ્ટ ફોન્ટેન</p><p>12 ગોલ - પેલે</p><p>11 ગોલ - સેન્ડોર કોસિસ, જુર્ગેન ક્લિન્સમેન</p><p>10 ગોલ - હેલ્મુટ રહન, ગેબ્રિયલ બટિસ્તુતા, ગેરી લિનેકર, ટેફિલો ક્યુબિલાસ, થોમસ મુલર, ગ્રઝેગોર્ઝ લાટો</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-france-beat-senegal-3-1-mbappe-scores-brilliantly" target="_blank">FIFA World Cup 2026 : ફ્રાન્સે સેનેગલને 3-1થી હરાવ્યું, એમબાપ્પેએ પહેલી જ મેચમાં કર્યો કમાલ</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/DSLsgtPNsUlmaGbvVNz1u82ykaHh9lMQUT2oRn14.webp'/></item><item><title><![CDATA[Stock Market Opening: શેરબજારમાં હરિયાળી, 76,923.81 અંકે ખૂલ્યો સેન્સેક્સ ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-opening-greenery-in-the-stock-market-sensex-opened-at-7692381-points</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-opening-greenery-in-the-stock-market-sensex-opened-at-7692381-points</guid><pubDate>Wed, 17 Jun 2026 09:38:17 +05:30</pubDate><description><![CDATA[<p>વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેરબજાર આજે (બુધવાર) સુસ્ત શરૂઆતના સંકેત આપી રહ્યું છે. GIFT નિફ્ટીમાં થોડો વધારો જોવા મળ્યો છે, જ્યારે રોકાણકારોની નજર યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજ દરના નિર્ણય પર ટકેલી છે. એશિયન બજારોમાં પણ મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે.</p><h2><b>શેરબજાર નજીવા વધારા સાથે શરૂઆત&nbsp;</b></h2><p>GIFT નિફ્ટી, નિફ્ટી50 ના પ્રારંભિક વલણને સૂચવે છે, શરૂઆતના કારોબારમાં 26 પોઈન્ટના વધારા સાથે 24,025.50 ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો હતો. આ કારણે સ્થાનિક બજારમાં મર્યાદિત વૃદ્ધિ સાથે તેની શરૂઆત થયુ.&nbsp; સવારે 9.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ 115.34  પોઇન્ટના વધારા સાથે 76,923.81 અંકે ખૂલ્યો જ્યારે નિફ્ટી +36.00 પોઇન્ટના ઘટાડા સાથે 24,025.15 અંકે ખૂલ્યો.&nbsp; &nbsp;</p><h3><b>એફઓએમસીના બેઠકના પરિણામોની રાહ&nbsp;</b></h3><p>વિશ્વભરના રોકાણકારો આજે જાહેર થનારી યુએસ ફેડરલ ઓપન માર્કેટ કમિટી (એફઓએમસી)ની બેઠકના પરિણામોની રાહ જોઈ રહ્યા છે. બજારને અપેક્ષા છે કે ફેડ વ્યાજ દરોમાં હાલ કોઈ ફેરફાર કરશે નહીં અને ફેડરલ ફંડ રેટને 3.5 થી 3.75 ટકાની રેન્જમાં રાખશે. રોકાણકારો ફુગાવા અને આર્થિક વૃદ્ધિ પર ફેડ અધિકારીઓની ટિપ્પણીઓ પર પણ નજર રાખશે, જે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાની ભાવિ દિશા સૂચવી શકે છે.</p><h3><b>એશિયન બજારોમાં મિશ્ર વલણ</b></h3><p>એશિયન શેરબજારોમાં મિશ્ર વેપાર જોવા મળ્યો. જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 0.69 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે દક્ષિણ કોરિયાનો KOSPI 0.29 ટકા ઘટ્યો હતો.</p><p><b style="font-size: 1.75rem;">યુએસ બજારોમાં મિશ્ર પ્રદર્શન</b></p><p>મંગળવારે યુએસ બજારોમાં વિવિધ વલણો જોવા મળ્યા. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 328.64 પોઈન્ટ - અથવા 0.64 ટકા - વધીને 51,999.67 પર પહોંચ્યો, જે નવા રેકોર્ડ ઉચ્ચ સ્તરે બંધ થયો. જોકે, S&amp;P 500 માં 0.57 ટકાનો ઘટાડો નોંધાયો હતો, અને નાસ્ડેક કમ્પોઝિટ 1.15 ટકા ઘટ્યો હતો.</p><p><br></p><p><br></p><p><a href="https://sandesh.com/gallery/news/india/why-are-potatoes-and-chickpeas-the-filling-in-panipuri?2" target="_blank">આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2025/09/09/YemUfOx8l1bYuQ88nOSirkfgkqLC1hWUXTGcgsO0.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : સાચવજો..20 અંડરપાસમાં ભરાશે ઘૂંટણસમા પાણી, AMCએ પાણી ઉલેચવા એક જ કંપની પર વરસાવ્યા કરોડો રૂપિયા! ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/ahmedabad-monsoon-underpass-waterlogging-contract-controversy</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/ahmedabad-monsoon-underpass-waterlogging-contract-controversy</guid><pubDate>Wed, 17 Jun 2026 09:36:25 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ચોમાસાની શરૂઆત પહેલાં જ અમદાવાદીઓ માટે ચિંતાજનક અને સાવધ કરનારા અહેવાલો સામે આવ્યા છે. આ ચોમાસામાં પણ અમદાવાદ શહેરના 20 જેટલા અંડરપાસમાં પાણી ભરાવાની પૂરેપૂરી શક્યતા છે, જેના કારણે વાહનચાલકોની મુશ્કેલીઓ વધી શકે છે.</p><h2 style="text-align: justify; "><b>કોર્પોરેશને આગોતરું આયોજન કર્યું 
</b></h2><p style="text-align: justify; ">જોકે, આ પાણીના નિકાલ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગોતરા આયોજનના નામે કરોડો રૂપિયાના આંધણ કરવામાં આવ્યા છે. અંડરપાસમાંથી પાણી ઉલેચવા  માટે મ્યુનિસિપલ તંત્રે એક ચોક્કસ એજન્સી પર મહેરબાની કરી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
</p><h3 style="text-align: justify; "><b>પાણી ઉલેચવા માટે આશરે 1.61 કરોડનો મોટો કોન્ટ્રાક્ટ અપાયો 
</b></h3><p style="text-align: justify; ">તંત્ર દ્વારા મેસર્સ માના ટેકનો કોર્પોરેશન નામની કંપનીને પાણી ઉલેચવા માટે આશરે 1.61 કરોડનો મોટો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, ચોમાસાની સિઝન માત્ર 4 મહિનાની જ હોય છે, પરંતુ તંત્ર દ્વારા આ કંપનીને આખાય એક વર્ષનો કોન્ટ્રાક્ટ પધરાવી દેવાયો છે. 
</p><h4 style="text-align: justify; "><b>1.75 કરોડનો ખર્ચ થવાનો અંદાજ 
</b></h4><p style="text-align: justify; ">અમદાવાદના તમામ અંડરપાસ પાછળ કુલ 1.75 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે, જેમાંથી માત્ર 12 અંડરપાસના પાણી નિકાલ માટે જ આ કંપનીને 1.61 કરોડથી વધુની રકમ ચૂકવવામાં આવશે. દર વર્ષે પ્રી-મોન્સૂન કામગીરીના દાવા કરતું તંત્ર આ વર્ષે પણ કરોડોના ખર્ચ બાદ અમદાવાદીઓને પાણી ભરાવાની સમસ્યામાંથી મુક્તિ અપાવી શકશે કે નહીં, તે તો આવનારો વરસાદ જ બતાવશે. ત્યાં સુધી નાગરિકોએ પોતે જ સાવધ રહેવું પડશે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp;<a href="https://sandesh.com/india/news/sandesh-digital-explainer-india-monsoon-pause-imd-alert" target="_blank"><b> &nbsp;Sandesh Digital Explainer: મેઘરાજા આકાશી ચક્રવ્યૂહમાં ફસાયા..! કેમ અચાનક ગાયબ થઈ ગયા ચોમાસાના વાદળો? જાણો વિન્ડ વોરની ઇનસાઇડ સ્ટોરી</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/eXlKJCKFHH9PMF3ll0DGNWY1HzmPBlEJLENxzyed.webp'/></item><item><title><![CDATA[Vadodara ભાજપમાં મોટો રાજકીય ભૂકંપ, વિકાસના નિર્ણયોમાંથી સંગઠન આઉટ! 30 વર્ષ જૂની સંકલન બેઠકની પ્રથા બંધ ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-bjp-sankalan-baithak-discontinued-standing-committee-power</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-bjp-sankalan-baithak-discontinued-standing-committee-power</guid><pubDate>Wed, 17 Jun 2026 08:09:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરાના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરા ભાજપમાં લાંબા સમયથી ચાલી રહેલી આંતરિક ખેંચતાણ અને જૂથવાદનો અંત લાવવા માટે પ્રદેશ ભાજપ હાઇકમાન્ડ દ્વારા એક અત્યંત આકરો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકાના વિકાસના કામો અને મહત્વના નિર્ણયોમાંથી હવે ભાજપ સંગઠનની ધરખમ બાદબાકી કરી દેવામાં આવી છે. પ્રદેશ ભાજપના આ નિર્ણયથી સ્થાનિક સ્તરે મોટો રાજકીય ગરમાવો આવી ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>30 વર્ષ જૂની પરંપરાનો આવ્યો અંત
</b></h2><p style="text-align: justify; ">વડોદરા ભાજપમાં છેલ્લા 30 વર્ષથી એક મજબૂત પ્રથા ચાલી આવતી હતી, જેનો હવે સત્તાવાર રીતે અંત આણી દેવાયો છે. અત્યાર સુધી વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠક મળે તે પહેલાં ભાજપ કાર્યાલય ખાતે ‘સંકલન બેઠક’ યોજાતી હતી. આ બેઠકમાં ભાજપ પ્રમુખ, મહામંત્રી અને સંગઠનના હોદ્દેદારો કોર્પોરેશનના એજન્ડા પર પોતાના વિચારો અને મંતવ્યો મૂકતા હતા. પરંતુ પ્રદેશ ભાજપના નવા આદેશ અનુસાર, હવે ભાજપ કાર્યાલય ખાતે આવી કોઈ સંકલન બેઠક મળશે નહીં.
</p><h3 style="text-align: justify; "><b>સ્થાયી સમિતિને જ આખરી સત્તા, CM-DYCM રાખશે સીધી નજર
</b></h3><p style="text-align: justify; ">નવી વ્યવસ્થા હેઠળ હવે વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિને જ તમામ નિર્ણયો લેવાની આખરી અને સર્વોચ્ચ સત્તા સોંપી દેવામાં આવી છે. સંગઠનની દખલગીરી અટકાવવા માટે હવે કોર્પોરેશનના તમામ એજન્ડા સીધા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી ને મોકલવામાં આવશે. વડોદરા ભાજપના નેતાઓ વચ્ચે ચાલતી આંતરિક લડાઈ અને ખેંચતાણને કારણે વિકાસના કામો રૂંધાતા હોવાની ફરિયાદ ગાંધીનગર સુધી પહોંચી હતી, જેના પગલે પ્રદેશ નેતૃત્વએ આ આકરો કોરડો વીંઝ્યો છે. આ નિર્ણયથી સંગઠનના પંખા કપાયા છે અને ચૂંટાયેલી પાંખ મજબૂત બની છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; <a href="https://sandesh.com/india/news/sandesh-digital-explainer-india-monsoon-pause-imd-alert" target="_blank"><b>Sandesh Digital Explainer: મેઘરાજા આકાશી ચક્રવ્યૂહમાં ફસાયા..! કેમ અચાનક ગાયબ થઈ ગયા ચોમાસાના વાદળો? જાણો વિન્ડ વોરની ઇનસાઇડ સ્ટોરી</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/Np2VjDbIiDuKWacSnksMGJNGroYyrD0Enj9vHAoa.webp'/></item><item><title><![CDATA[Dabhoi: ડભોઇમાં શિનોર ચોકડી ખાતે પોલીસ દ્વારા સઘન વાહનચેકિંગ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dabhoi/dabhoi-intensive-vehicle-checking-by-police-at-shinor-chowkdi-in-dabhoi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dabhoi/dabhoi-intensive-vehicle-checking-by-police-at-shinor-chowkdi-in-dabhoi</guid><pubDate>Wed, 17 Jun 2026 05:55:51 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">માર્ગ અકસ્માતોના પ્રમાણને નિયંત્રિત કરવા અને વાહનચાલકોમાં ટ્રાફ્કિ નિયમો પ્રત્યે જાગૃતિ કેળવવાના ઉદ્દેશ્ય સાથે ડભોઈની વ્યસ્ત ગણાતી શિનોર ચોકડી ખાતે પોલીસ વિભાગના ડીવાયએસપી આકાશ પટેલ અને ડભોઇના પી.આઈ. એ.ટી. પટેલના સીધા માર્ગદર્શનમાં સઘન વાહન ચેકિંગ અભિયાન હાથ ધરાયું હતું.</p><p style="text-align: justify; ">આ વિશેષ ઝુંબેશ દરમિયાન શિનોર ચોકડી પરથી પસાર થતાં તમામ નાના-મોટા વાહનોની ઝીણવટભરી તપાસ કરાઇ હતી. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વાહનોના જરૂરી દસ્તાવેજો (જેવા કે લાયસન્સ, આર.સી. બુક, પી.યુ.સી. અને વીમો), ટ્રાફ્કિ નિયમોનું પાલન તેમજ વાહનોની કાયદેસરની સ્થિતિ ચકાસણી કરાઇ હતી. પોલીસે ખાસ કરીને કાળા કાચ (ટીન્ટેડ ગ્લાસ) ધરાવતી ફેર-વ્હીલર ગાડીઓ સામે કડક ઝુંબેશ ચલાવી હતી. અને સ્થળ પર જ કાળા કાચની ફ્લ્મિ દૂર કરાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જરૂરી દસ્તાવેજો ન હોવાને કારણે 3 મોટરસાઇકલ સ્થળ પર જ ડિટેઈન કરાઇ હતી. ટ્રાફ્કિ નિયમોનો ભંગ કરનારા 5થી વધુ બાઈક ચાલકો સામે દંડ વસૂલવાની કાયદેસરની કાર્યવાહી કરાઇ હતી. જેને પગલે ફફડાટ ફેલાયો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/rZdn82HIBSaFtopRO5cNe3i1aN0ZN4IqUGemoXjd.webp'/></item><item><title><![CDATA[Panchmahal: પંચમહાલ જિલ્લા મુખ્ય શિક્ષકHTATસંઘની ચિંતન શિબિર યોજાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/panchmahal/panchmahal-panchmahal-district-headmaster-htat-associations-chintan-shibir-was-organized</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/panchmahal/panchmahal-panchmahal-district-headmaster-htat-associations-chintan-shibir-was-organized</guid><pubDate>Wed, 17 Jun 2026 05:53:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પંચમહાલ જિલ્લા મુખ્યશિક્ષક HTAT સંઘ (સૂચિત)ની ચિંતન શિબિર અને સંમેલન ગોધરા ખાતે યોજાયું હતું. જેમાં જિલ્લાના તમામ તાલુકામાંથી મોટી સંખ્યામાં મુખ્ય શિક્ષકો હાજર રહ્યા હતાં.</p><p style="text-align: justify; ">ગોધરા સ્થિત મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે પંચમહાલ જિલ્લા HTAT સંઘનું સંમેલન યોજાયું હતું. રાજ્ય મુખ્ય શિક્ષક સંઘના પ્રમુખ અપૂર્વભાઈ શ્રીમાળીના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઈ હતી. પંચમહાલ જિલ્લામાંથી નિવૃત થતાં HTAT મુખ્ય શિક્ષકોનું સન્માનપત્રક દ્વારા સન્માન કર્યું હતું. જિલ્લા મહામંત્રી ચેતનભાઈ પટેલે રાજ્ય કક્ષાએ ચાલતી HTAT સંગઠન્ા વિશેની માહિતી આપી હતી. રાજ્ય મુખ્યશિક્ષકHTATસંઘના સલાહકાર પટેલ જગતસિંહે મુખ્ય શિક્ષકની 2012ની ભરતીથી આજ સુધી થયેલ ફેરફર તેમજ કેડરના લાભ અને ગેરલાભ વિષે માહિતી આપી, સૌને સંગઠિત રહેવાની હાકલ કરી હતી. જિલ્લા પ્રમુખ વિજયસિંહ રાઠોડે પંચમહાલ જિલ્લા સંગઠનની કામગીરી અને વર્તમાન પરિસ્થિતિમાં ચાર્જ સોંપવા બાબતે સેવા સળંગના હુકમો તેમજ વહીવટી બાબતોની ચર્ચા કરી હતી. પ્રમુખ અપૂર્વભાઈએ સંગઠનના અગાઉ કરેલા કામ અને વર્તમાન કામ તેમજ ભવિષ્યના કરવાના કામની ઝાંખી આપી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ અભિનંદન આપ્યા હતાં. કોષાધ્યક્ષ કનુભાઈ પગી, જિલ્લાના હોદ્દેદાર અને તાલુકાના પ્રમુખ મંત્રીઓએ કાર્યક્રમ માટે જહેમત ઉઠાવી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/xjQjfLnSkVWO14uFulTurep1HMiBe4y8pzA9vYs9.webp'/></item></channel></rss>