<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[PM Modiએ આર્થિક સલાહકાર પરિષદ બેઠક યોજી, વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે વ્યૂહરચના પર મંથન ]]></title><link>https://sandesh.com/india/news/pm-modi-economic-advisory-council-meeting-growth-strategy-global-uncertainty</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/pm-modi-economic-advisory-council-meeting-growth-strategy-global-uncertainty</guid><pubDate>Sat, 06 Jun 2026 15:25:23 +05:30</pubDate><description><![CDATA[<p>વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્થિક સલાહકાર પરિષદ (EAC)ના સભ્યો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી. બેઠક દરમિયાન દેશના આર્થિક વિકાસને વધુ ગતિ આપવા માટે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. વૈશ્વિક સ્તરે સર્જાઈ રહેલી આર્થિક અને ભૂરાજકીય ઉથલપાથલ વચ્ચે ભારતની વિકાસયાત્રાને મજબૂત બનાવવા માટે જરૂરી વ્યૂહરચનાઓ પર મંથન કરવામાં આવ્યું.</p><h2><b>નીતિગત સુધારાઓ અંગે વિચારવિમર્શ થયો
</b></h2><p>બેઠકમાં ભારતની અર્થવ્યવસ્થાને વધુ સશક્ત બનાવવા માટેના સંભવિત પગલાંઓ અને નીતિગત સુધારાઓ અંગે વિચારવિમર્શ થયો હતો. ખાસ કરીને સામાન્ય નાગરિકોના જીવનને વધુ સરળ બનાવવા માટે 'ઈઝ ઓફ લિવિંગ' સંબંધિત સુધારાઓ અને વેપાર-ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે 'ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ' ક્ષેત્રે અમલમાં મૂકી શકાય તેવા નવા સુધારાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
</p><h3><b>ભારતની સ્થિતિ વધુ મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા
</b></h3><p>આર્થિક સલાહકાર પરિષદના સભ્યોએ વિવિધ ક્ષેત્રોમાં વિકાસને વેગ આપવા માટે પોતાના સૂચનો અને ભલામણો રજૂ કર્યા હતા. બેઠક દરમિયાન ટેકનોલોજી, રોકાણ, ઉત્પાદન, રોજગાર સર્જન તેમજ વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં ભારતની સ્થિતિ વધુ મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા થઈ હતી. આ ઉપરાંત પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની ભારત અને વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પડી રહેલી અસરનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. સભ્યોએ ઊર્જા સુરક્ષા, વેપાર માર્ગો, વૈશ્વિક સપ્લાય ચેઈન અને આંતરરાષ્ટ્રીય બજારો પર સંઘર્ષના સંભવિત પ્રભાવ અંગે પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા હતા. 
</p><p>ભારતના હિતોને સુરક્ષિત રાખવા અને વૈશ્વિક પડકારોનો અસરકારક સામનો કરવા માટે જરૂરી પગલાંઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ઉદ્ભવેલા વિચારો અને સૂચનો ભારતના દીર્ઘકાલીન આર્થિક વિકાસને વધુ મજબૂત બનાવવા તેમજ વૈશ્વિક પડકારો વચ્ચે દેશને નવી તકોનો લાભ અપાવવામાં મદદરૂપ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
<br><br><b><a href="https://sandesh.com/lifestyle/news/knowledge/lpg-gas-cylinder-hack-if-your-gas-cylinder-is-emptying-quickly-be-careful-check-for-leakage-in-just-5-minutes" target="_blank">આ પણ વાંચો : LPG Gas Cylinder Hack: તમારો ગેસ સિલિન્ડર ઝડપથી ખાલી થઈ જતો હોય તો સાવધાન, માત્ર 5 મિનિટમાં લીકેજ ચેક કરો</a></b></p><p><br></p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/bdHWl00kh9bA281nCLCyIfBuiiZQS6cftRiw3lIx.webp'/></item><item><title><![CDATA[Peddi : બોક્સ ઓફિસ પર તૂફાન બની રામ ચરણની પેડ્ડી, બનાવ્યો આ મોટો રેકોર્ડ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/ram-charan-peddi-collection-day-2-crosses-150-crore-worldwide</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/ram-charan-peddi-collection-day-2-crosses-150-crore-worldwide</guid><pubDate>Sat, 06 Jun 2026 15:13:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">તેલુગુ સ્પોર્ટ્સ એક્શન ડ્રામા ફિલ્મ પેડ્ડી એ રિલીઝના બે દિવસમાં ભારતીય બોક્સ ઓફિસ હલાવી દીધી છે. રામ ચરણ અને જાન્હવી કપૂર સ્ટારર આ ફિલ્મને ક્રિટિક્સ તરફથી મિશ્ર રિવ્યુ મળ્યા હતા અને આણે પહેલા દિવસે જ અપેક્ષાઓ કરતાં ક્યાંય વધુ સારું પ્રદર્શન કર્યું હતું. રિલીઝના 48 કલાકની અંદર, બુચી બાબુ સાના દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 2026ની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ટૉલીવુડ ફિલ્મ બની ગઈ છે.
</p><h2 style="text-align: justify; "><b>પેડ્ડીએ બીજા દિવસે કેટલું કર્યું કલેક્શન
</b></h2><p style="text-align: justify; ">શાનદાર ઓપનિંગ ડે પછી પેડ્ડીની કમાણીમાં બીજા દિવસે એટલે કે શુક્રવારે ઘટાડો નોંધાયો હતો. જો કે તમામ નવી રિલીઝ ફિલ્મો સાથે મુકાબલો કરતા હોવા છતાં સેકનિલ્કના અહેવાલ મુજબ, પેડ્ડીએ રિલીઝના બીજા દિવસે 26.90 કરોડ રૂપિયા કમાવ્યા છે. પહેલા દિવસે 51 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે જ આની ભારતમાં કુલ કમાણી 96.40 કરોડ રૂપિયા (નેટ) સુધી પહોંચી ગઈ છે. જ્યારે આનું ગ્રોસ કલેક્શન 114.49 કરોડ રૂપિયા થયું છે.</p><h3 style="text-align: justify; "><b>ઉસ્તાદ ભગત સિંહને આપી માત
</b></h3><p style="text-align: justify; ">પવન કલ્યાણને આ વર્ષની શરૂઆતમાં ઉસ્તાદ ભગત સિંહથી નિરાશા હાથ લાગી હતી, જેણે કુલ મળીને 72.38 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું. માત્ર 48 કલાકમાં, પેડ્ડીએ આને પાછળ છોડીને 2026ની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ટૉલીવુડ ફિલ્મનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. હવે આ પ્રભાસની દ રાજા સાહબને ટક્કર આપવાની રેસમાં છે.
</p><h4 style="text-align: justify; "><b>ભારતીય બોક્સ ઓફિસ પર 2026ની ટોપ 3 હાઇએસ્ટ ગ્રોસિંગ તેલુગુ ફિલ્મો
</b></h4><ul><li style="text-align: justify;">માના શંકરા વર પ્રસાદ ગારૂ - 220.99 કરોડ
</li><li style="text-align: justify;">દ રાજા સાહબ - 146.04 કરોડ
</li><li style="text-align: justify;">પેડ્ડી - 96.40 કરોડ
</li></ul><h5 style="text-align: justify; "><b>ત્રીજા દિવસે 100 કરોડી બની જશે પેડ્ડી</b></h5><p style="text-align: justify; ">રામ ચરણની આ ફિલ્મને દર્શકો તરફથી પોઝિટિવ રિવ્યુ મળી રહ્યા છે. આમ પણ તેલુગુ સિનેમામાં કોઈ અન્ય કમ્પેટિટર ન હોવાને કારણે, આના પહેલા વીકેન્ડમાં સારી કમાણી થવાની આશા છે. આ સ્પોર્ટ્સ એક્શન ડ્રામા આજે આસાનીથી 100 કરોડના ક્લબમાં એન્ટ્રી કરી જશે. આ સાથે જ આ રામ ચરણની અગાઉની રિલીઝ, ગેમ ચેન્જર (131.2 કરોડ) ને માત આપવાની નજીક પહોંચી જશે.
</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gallery/news/entertainment/bollywood-actresses-who-spent-nights-in-jail-rhea-chakraborty" target="_blank">આ પણ વાંચો-ગ્લેમરથી લઈને જેલના સળિયા પાછળ સુધી... કાયદાના સકંજામાં ફસાઈ ચૂકી છે બોલીવુડની આ ટોપ એક્ટ્રેસીસ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/J9CJz64C5kQmsZQDfJNfeHpqtu6vSOYr2l1jRqnA.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: પતિની અટકાયતથી રોષે ભરાયેલી મહિલાએ ફિનાઈલ પીધું, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/motera-demolition-tension-woman-drinks-phenyl-after-husbands-detention-in-ahmedabad</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/motera-demolition-tension-woman-drinks-phenyl-after-husbands-detention-in-ahmedabad</guid><pubDate>Sat, 06 Jun 2026 13:56:36 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા જુના ગામતળમાં ગેરકાયદે મકાનો પર મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હાથ ધરવામાં આવેલા બુલડોઝર એક્શન દરમિયાન એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. તંત્રની આ કામગીરીનો સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો હતો, તે દરમિયાન પોલીસ અને કાયદાકીય કાર્યવાહીથી નારાજ થઈને એક સ્થાનિક મહિલાએ ઝેરી ફિનાઈલ ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે ડિમોલિશન સાઇટ પર ભારે અફરાતફરી અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો હતો.</p><h2><b>મહિલાએ ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો</b></h2><p>મળતી માહિતી મુજબ, મોટેરા ગામતળમાં વર્ષો જૂના બાંધકામો અને સાધકોના મકાનો તોડવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે સ્થાનિક પરિવારો તંત્ર સામે આક્રોશ ઠાલવી રહ્યા હતા. વહીવટી કામગીરીમાં અવરોધ ઊભો થતો અટકાવવા માટે પોલીસે વિરોધ કરી રહેલા કેટલાક પુરુષોની અટકાયત કરી હતી. આ દરમિયાન એક સ્થાનિક વ્યક્તિની પોલીસે ધરપકડ કરતાં તેની પત્ની આઘાતમાં સરી પડી હતી. પતિની અટકાયતથી રોષે ભરાયેલી અને ઘર તૂટવાના ડરથી વ્યાકુળ બનેલી નીતા નામની આ મહિલાએ તુરંત જ ત્યાં પડેલું ફિનાઈલ પી લીધું હતું.</p><h3><b>પતિની અટકાયત થતા આ પગલું ભર્યું</b></h3><p>મહિલાએ ફિનાઈલ પીતા જ તેની તબિયત લથડી હતી અને તે ઢળી પડી હતી. ત્યાં હાજર પોલીસકર્મીઓ અને અન્ય સ્થાનિક લોકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નીતાબેનને સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તબીબો દ્વારા તેમની કટોકટીની સારવાર શરૂ કરવામાં આવી છે. અગાઉ પણ સ્થાનિકોએ તંત્રને આત્મવિલોપનની ચીમકી આપી હતી, અને આજે આ ઘટના ઘટતાં મોટેરા પંથકમાં ભારે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. હાલમાં ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની બાકીની પ્રક્રિયા પર નજર રાખવામાં આવી રહી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/weather/gandhinagar/ambalal-patel-rain-forecast-severe-heatwave-before-monsoon-gujarat-entry-date-announced" target="_blank">આ પણ વાંચો: Gandhinagar: ચોમાસા પહેલા ગુજરાતમાં પડશે આકરી ગરમી, જાણો જૂનની કઈ તારીખથી ધમાકેદાર વરસાદની થશે એન્ટ્રી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/Qq1tgGL7c7QlcmH3yOsMwiqiZlgZUnXxIxW8829D.webp'/></item><item><title><![CDATA[Weather : ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રીની તારીખ જાહેર: 15 જૂન બાદ ધમાકેદાર ચોમાસું બેસશે ]]></title><link>https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/gujarat-monsoon-2026-forecast-june-15-rain-alert-imd</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/gujarat-monsoon-2026-forecast-june-15-rain-alert-imd</guid><pubDate>Sat, 06 Jun 2026 13:44:29 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વાવેતરની રાહ જોઈને બેઠેલા ગુજરાતના ખેડૂતો અને કાળઝાળ ગરમીથી તોબા પોકારી ઉઠેલા નાગરિકો માટે હવામાન વિભાગ તરફથી ચોમાસાને લઈને સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં વિધિવત રીતે ચોમાસું ક્યારે બેસશે તેની સત્તાવાર જાહેરાત હવામાન વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>15 જૂન બાદ ચોમાસુ શરુ થશે
</b></h2><p style="text-align: justify; ">હવામાન વિભાગની નવીનતમ આગાહી અનુસાર, ગુજરાતમાં આગામી 15 જૂન બાદ ગમે ત્યારે સત્તાવાર ચોમાસાનો પ્રારંભ થઈ જશે. જો કે, ચોમાસું બેસે તે પહેલાં જ રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જોરદાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
</p><h3 style="text-align: justify; "><b>હાલ બે સિસ્ટમ સક્રિય 
</b></h3><p style="text-align: justify; ">હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં અરબી સમુદ્ર અને તેની આસપાસ એકસાથે બે શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થઈ છે. આ ડબલ સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી 3 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે. આ સિસ્ટમની સૌથી વધુ અને વ્યાપક અસર સૌરાષ્ટ્રના પંથકો અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળશે, જ્યાં તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબકી શકે છે. જ્યારે બીજી તરફ, રાજ્યના અન્ય ભાગોમાં વરસાદી માહોલ વચ્ચે પણ ગરમી અને અસહ્ય ઉકળાટનું પ્રમાણ યથાવત રહેશે.
</p><h4 style="text-align: justify; "><b>અમદાવાદ સહિતના વિસ્તારોમાં બફારો 
</b></h4><p style="text-align: justify; ">રાજ્યના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદ અને આસપાસના વિસ્તારોની વાત કરીએ તો, અહીં આગામી દિવસોમાં વાદળછાયા વાતાવરણ સાથે અસહ્ય બફારો અને ઉકળાટ લોકોને પરેશાન કરશે. જો કે, બપોર બાદ કે સાંજના સમયે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદી ઝાપટાં પડવાની પણ પૂરેપૂરી સંભાવના છે. હવામાન વિભાગની આ જાહેરાત બાદ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા પણ આગામી 15 જૂનથી શરૂ થનારા ચોમાસાને લઈને પ્રી-મોન્સૂન કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-live--gujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-live-news-and-samachar-06-june-2026-politics-weather-updates-daily-breaking-news-nation" target="_blank"><b> &nbsp;Gujarat Latest News live : ભારત આયર્લેન્ડ ટી20 મેચ માટે શ્રેયસ ઐયર કપ્તાન, વૈભવ સુર્યવંશીની ટીમમા એન્ટ્રી</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/HGIsCrHdBXdv8E75mOIeGSoK2T9wRyVJY0pOYbx1.webp'/></item><item><title><![CDATA[Supreme court News: “તમે કેવા પ્રકારના પુત્ર છો? પોતાના જ પિતા સાથે લડી રહ્યા છો?" જજ કેમ ભડક્યા? ]]></title><link>https://sandesh.com/india/news/ahmedabad/supreme-court-son-and-father-property-case</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ahmedabad/supreme-court-son-and-father-property-case</guid><pubDate>Sat, 06 Jun 2026 13:27:00 +05:30</pubDate><description><![CDATA[<h6><span style="font-size: 14px;">﻿</span><span style="font-size: 14px;">સુપ્રીમ કોર્ટે માતા-પિતા અને વરિષ્ઠ નાગરિક ભરણ-પોષણ અને કલ્યાણ અધિનિયમ, 2007 હેઠળ પિતાની મિલકતમાંથી પુત્રને બેદખલ કરવાના આદેશને પડકારતી અરજી ફગાવી દીધી છે. આ સાથે જ સર્વોચ્ચ અદાલતે રાજસ્થાન હાઈકોર્ટના તે નિર્ણયને યથાવત રાખ્યો છે, જેમાં પિતાના પક્ષમાં બેદખલીનો આદેશ આપવામાં આવ્યો હતો.</span></h6><p><span style="font-size: 14px;">જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે આ વિશેષ અનુમતિ અરજી (SLP)ની સુનાવણી દરમિયાન પુત્રને કડક ઠપકો આપ્યો હતો. સુનાવણી દરમિયાન જસ્ટિસ નાથે ટકોર કરતાં કહ્યું હતું કે, “તમે કેવા પ્રકારના પુત્ર છો? પોતાના જ પિતા સાથે લડી રહ્યા છો? આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. જાઓ અને તમારા પિતાની સંભાળ રાખો. તેમના જીવનનો જેટલો સમય બાકી છે, તેમને શાંતિથી જીવવા દો.”</span></p><p><span style="font-size: 14px;">જ્યારે અરજદારના વકીલ વરુણ ભાટીએ દલીલ કરી કે તેમના મુકદ્દમાકારનો પણ આ વિવાદિત મિલકતમાં હક છે, ત્યારે જસ્ટિસ નાથે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “ના, આગળનો કેસ.” વકીલે વધુમાં દલીલ કરી કે અરજદાર પર તેની પત્ની અને પુત્રના ભરણ-પોષણની જવાબદારી છે, પરંતુ અદાલતે આ મામલામાં હસ્તક્ષેપ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો.</span></p><p><br></p><h5><b>શું છે સમગ્ર વિવાદ?</b></h5><p>આ મામલો રાજસ્થાનના બિલાડા સ્થિત એક રહેણાંક મિલકત સાથે સંબંધિત છે. પિતાએ ભરણ-પોષણ ટ્રિબ્યુનલનો સંપર્ક કરીને આરોપ મૂક્યો હતો કે તેમનો પુત્ર તેમને હેરાન કરે છે. તેમણે પોતાના જ ઘરમાં શાંતિથી રહેવા માટે સુરક્ષાની માંગ કરી હતી.</p><p>ટ્રિબ્યુનલએ ફેબ્રુઆરી 2024માં પિતાની અરજી સ્વીકારી અને પુત્રને ઘર ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ રાજસ્થાન હાઈકોર્ટની સિંગલ જજ બેન્ચ અને પછી ડિવિઝન બેન્ચે પણ આ આદેશને યથાવત રાખ્યો હતો.</p><p><b><br></b></p><h5><b>“પૈતૃક મિલકત પર મારો પણ હક છે”</b></h5><p></p><p>સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી પોતાની અરજીમાં પુત્રે દાવો કર્યો હતો કે આ ઘર એક પૈતૃક અને અવિવાજિત પારિવારિક મિલકત છે, જે મૂળરૂપે 1986માં તેની દાદીના નામે ખરીદવામાં આવ્યું હતું. તેનો તર્ક હતો કે દાદીના અવસાન પછી આ મિલકત અનેક કાનૂની વારસદારોમાં વહેંચાઈ ગઈ છે, તેથી તેને માત્ર તેના પિતાની વ્યક્તિગત મિલકત ગણાવી શકાય નહીં.</p><p>તે પોતાની પત્ની અને બાળકો સાથે વર્ષોથી ત્યાં રહે છે અને મિલકતમાં તેનો પણ હક છે. ઘર ખાલી કરવાના આદેશથી તેના પરિવારનું એકમાત્ર રહેઠાણ છીનવાઈ જશે તેવી દલીલ પણ તેણે કરી હતી.</p><p><br></p><h5><b>સુપ્રીમ કોર્ટે કોઈ દલીલ સ્વીકારી નહીં</b></h5><p>અરજીમાં બેદખલીના કારણે અરજદારની પત્ની અને બાળકો પર થનારી અસર અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. સાથે જ એવો પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો હતો કે મિલકતના માલિકી હક અંગે કાયદેસર નિર્ણય થયા વિના કોઈ સહ-માલિકને આવી સંક્ષિપ્ત કાર્યવાહી દ્વારા ઘરમાંથી બહાર કાઢી શકાય કે નહીં.</p><p>પરંતુ સુપ્રીમ કોર્ટને રાજસ્થાન હાઈકોર્ટના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવા માટે કોઈ મજબૂત આધાર દેખાયો નહીં. અદાલતે અરજી ફગાવી દીધી અને વરિષ્ઠ નાગરિક પિતાના પક્ષમાં આપવામાં આવેલા બેદખલીના આદેશને અંતિમ રીતે યોગ્ય ઠેરવ્યો.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2024/09/12/y8jnJ1Iq9aXbrhIm3SLe9jn4REsTEpLiLIRs70Zy.jpg'/></item><item><title><![CDATA[Supreme court News: “તમે કેવા પ્રકારના પુત્ર છો? પોતાના જ પિતા સાથે લડી રહ્યા છો?" જજ કેમ ભડક્યા? ]]></title><link>https://sandesh.com/india/news/ahmedabad/supreme-court-son-and-father-property-case</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ahmedabad/supreme-court-son-and-father-property-case</guid><pubDate>Sat, 06 Jun 2026 13:27:00 +05:30</pubDate><description><![CDATA[<h6><span style="font-size: 14px;">﻿</span><span style="font-size: 14px;">સુપ્રીમ કોર્ટે માતા-પિતા અને વરિષ્ઠ નાગરિક ભરણ-પોષણ અને કલ્યાણ અધિનિયમ, 2007 હેઠળ પિતાની મિલકતમાંથી પુત્રને બેદખલ કરવાના આદેશને પડકારતી અરજી ફગાવી દીધી છે. આ સાથે જ સર્વોચ્ચ અદાલતે રાજસ્થાન હાઈકોર્ટના તે નિર્ણયને યથાવત રાખ્યો છે, જેમાં પિતાના પક્ષમાં બેદખલીનો આદેશ આપવામાં આવ્યો હતો.</span></h6><p><span style="font-size: 14px;">જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે આ વિશેષ અનુમતિ અરજી (SLP)ની સુનાવણી દરમિયાન પુત્રને કડક ઠપકો આપ્યો હતો. સુનાવણી દરમિયાન જસ્ટિસ નાથે ટકોર કરતાં કહ્યું હતું કે, “તમે કેવા પ્રકારના પુત્ર છો? પોતાના જ પિતા સાથે લડી રહ્યા છો? આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. જાઓ અને તમારા પિતાની સંભાળ રાખો. તેમના જીવનનો જેટલો સમય બાકી છે, તેમને શાંતિથી જીવવા દો.”</span></p><p><span style="font-size: 14px;">જ્યારે અરજદારના વકીલ વરુણ ભાટીએ દલીલ કરી કે તેમના મુકદ્દમાકારનો પણ આ વિવાદિત મિલકતમાં હક છે, ત્યારે જસ્ટિસ નાથે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “ના, આગળનો કેસ.” વકીલે વધુમાં દલીલ કરી કે અરજદાર પર તેની પત્ની અને પુત્રના ભરણ-પોષણની જવાબદારી છે, પરંતુ અદાલતે આ મામલામાં હસ્તક્ષેપ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો.</span></p><p><br></p><h5><b>શું છે સમગ્ર વિવાદ?</b></h5><p>આ મામલો રાજસ્થાનના બિલાડા સ્થિત એક રહેણાંક મિલકત સાથે સંબંધિત છે. પિતાએ ભરણ-પોષણ ટ્રિબ્યુનલનો સંપર્ક કરીને આરોપ મૂક્યો હતો કે તેમનો પુત્ર તેમને હેરાન કરે છે. તેમણે પોતાના જ ઘરમાં શાંતિથી રહેવા માટે સુરક્ષાની માંગ કરી હતી.</p><p>ટ્રિબ્યુનલએ ફેબ્રુઆરી 2024માં પિતાની અરજી સ્વીકારી અને પુત્રને ઘર ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ રાજસ્થાન હાઈકોર્ટની સિંગલ જજ બેન્ચ અને પછી ડિવિઝન બેન્ચે પણ આ આદેશને યથાવત રાખ્યો હતો.</p><p><b><br></b></p><h5><b>“પૈતૃક મિલકત પર મારો પણ હક છે”</b></h5><p></p><p>સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી પોતાની અરજીમાં પુત્રે દાવો કર્યો હતો કે આ ઘર એક પૈતૃક અને અવિવાજિત પારિવારિક મિલકત છે, જે મૂળરૂપે 1986માં તેની દાદીના નામે ખરીદવામાં આવ્યું હતું. તેનો તર્ક હતો કે દાદીના અવસાન પછી આ મિલકત અનેક કાનૂની વારસદારોમાં વહેંચાઈ ગઈ છે, તેથી તેને માત્ર તેના પિતાની વ્યક્તિગત મિલકત ગણાવી શકાય નહીં.</p><p>તે પોતાની પત્ની અને બાળકો સાથે વર્ષોથી ત્યાં રહે છે અને મિલકતમાં તેનો પણ હક છે. ઘર ખાલી કરવાના આદેશથી તેના પરિવારનું એકમાત્ર રહેઠાણ છીનવાઈ જશે તેવી દલીલ પણ તેણે કરી હતી.</p><p><br></p><h5><b>સુપ્રીમ કોર્ટે કોઈ દલીલ સ્વીકારી નહીં</b></h5><p>અરજીમાં બેદખલીના કારણે અરજદારની પત્ની અને બાળકો પર થનારી અસર અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. સાથે જ એવો પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો હતો કે મિલકતના માલિકી હક અંગે કાયદેસર નિર્ણય થયા વિના કોઈ સહ-માલિકને આવી સંક્ષિપ્ત કાર્યવાહી દ્વારા ઘરમાંથી બહાર કાઢી શકાય કે નહીં.</p><p>પરંતુ સુપ્રીમ કોર્ટને રાજસ્થાન હાઈકોર્ટના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવા માટે કોઈ મજબૂત આધાર દેખાયો નહીં. અદાલતે અરજી ફગાવી દીધી અને વરિષ્ઠ નાગરિક પિતાના પક્ષમાં આપવામાં આવેલા બેદખલીના આદેશને અંતિમ રીતે યોગ્ય ઠેરવ્યો.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2024/09/12/y8jnJ1Iq9aXbrhIm3SLe9jn4REsTEpLiLIRs70Zy.jpg'/></item><item><title><![CDATA[Gandhinagar : રાંધેજા મર્ડર કેસમાં મોટો ખુલાસો, મહિલા સાથે આડો સંબંધ રાખવા આરોપીએ કરી હતી પતિની હત્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/gandhinagar/gandhinagar-randheja-maganji-thakor-murder-case-pethapur-police-arrest-3-lalji-thakor</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/gandhinagar/gandhinagar-randheja-maganji-thakor-murder-case-pethapur-police-arrest-3-lalji-thakor</guid><pubDate>Sat, 06 Jun 2026 13:15:24 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગાંધીનગરના રાંધેજામાં ગત તારીખ 3 જૂનના રોજ રેલવે ફાટક નજીકથી મળી આવેલા મગનજી ઠાકોર નામના વ્યક્તિના શંકાસ્પદ મૃતદેહ મામલે પેથાપુર પોલીસે ગણતરીના દિવસોમાં મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ ચકચારી હત્યા કેસમાં ગાંધીનગર પોલીસના એએસપી આયુષ જૈને સમગ્ર ઘટના પરથી પડદો ઊંચક્યો છે. પોલીસે આ ગુનામાં મુખ્ય સૂત્રધાર સહિત કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં આ ભયાનક હત્યા પાછળ આડા સંબંધો રાખવાની ઘેલછા જવાબદાર હોવાનું સામે આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>આરોપી આડા સંબંધ રાખવાનો કરતો પ્રયાસ</b></h2><p style="text-align: justify; ">એએસપી આયુષ જૈને આપેલી વિસ્તૃત માહિતી અનુસાર, મુખ્ય આરોપી લાલજી ઠાકોર મૃતક મગનજી ઠાકોરની પત્ની સાથે આડા સંબંધો બાંધવા માટે લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યો હતો. આ બાબતે લાલજી અને મગનજી વચ્ચે બોલાચાલી થઇ હતી અને તેની અદાવતમાં લાલજી અને તેના સાથીદારોએ મગનજીને રસ્તામાંથી હટાવવાનો ક્રૂર પ્લાન ઘડ્યો હતો. 
</p><h3 style="text-align: justify; "><b>કપડા વડે તેનું ગળું દબાવીને હત્યા કરી
</b></h3><p style="text-align: justify; ">ઘટનાના દિવસે આરોપીઓએ મગનજીને પોતાની ગાડીમાં બેસાડ્યો હતો અને ચાલુ ગાડીમાં કપડા વડે તેનું ગળું દબાવીને કમકમાટીભરી હત્યા નીપજાવી હતી. હત્યા કર્યા બાદ પાપ છુપાવવા માટે આરોપીઓએ મગનજીના મૃતદેહને રાંધેજા રેલવે ફાટક પાસે આવેલા એક ખુલ્લા ખેતરમાં ફેંકી દીધો હતો અને ફરાર થઈ ગયા હતા.
</p><h4 style="text-align: justify; "><b>પોલીસે ત્રણ આરોપીને ઝડપ્યા 
</b></h4><p style="text-align: justify; ">3 જૂને મગનજીનો મૃતદેહ મળ્યા બાદ પેથાપુર પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો તપાસમાં જોડાયો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે લાલજી ઠાકોર અને તેના મદદગાર અન્ય બે સાથીદારોની અટકાયત કરી લીધી છે. આ હત્યા કેસમાં હજુ ઘણા રહસ્યો સામે આવી શકે તેમ છે. આ કેસમાં કાવતરાનો ભાગ ભજવવામાં મૃતકની પત્નીની કોઈ સંડોવણી છે કે કેમ, તે જાણવા માટે પોલીસ મૃતકની પત્નીની પણ આકરી પૂછપરછ અને તપાસ કરશે. હાલ પેથાપુર પોલીસે હત્યાના ગુનામાં વપરાયેલી ગાડી જપ્ત કરી વધુ કાયદેસરની તપાસ તેજ કરી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-live--gujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-live-news-and-samachar-06-june-2026-politics-weather-updates-daily-breaking-news-nation" target="_blank"><b>Gujarat Latest News live : અંબાલાલ પટેલની આગાહી,ગરમીમાં થશે વધારો , જૂન અંતમાં ચોમાસુ ગુજરાતમાં પ્રવેશશે</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/shBo9VhVRgOh18dR0GOfkEm44KryuCnhcOk5bjeQ.webp'/></item><item><title><![CDATA[Gandhinagar: કલોલમાં 'લવ જેહાદ', વિધર્મી યુવક હિન્દુ દીકરીને ભગાડી જતાં રોષે ભરાયેલા ગ્રામજનો સાતેજ પોલીસ સ્ટેશને ઉમટ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/kalol/gandhinagar-kalol-jethlaj-village-love-jihad-sheikh-jakwan-imran-satej-police</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/kalol/gandhinagar-kalol-jethlaj-village-love-jihad-sheikh-jakwan-imran-satej-police</guid><pubDate>Sat, 06 Jun 2026 12:48:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા જેઠલજ ગામમાં એક ચકચારી અને ભારે તંગદિલી સર્જનારી ઘટના સામે આવી છે. ગામમાં વસવાટ કરતી એક હિન્દુ સમાજની દીકરી ગુમ થવા મામલે 'લવ જેહાદ'ના ગંભીર આક્ષેપો લાગ્યા છે. એક વિધર્મી યુવક હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી ગયો હોવાની વિગતો પ્રકાશમાં આવતા જ સમગ્ર પંથકમાં અને ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ મામલે ન્યાયની માંગ સાથે આખું ગામ રસ્તા પર ઉતરી આવ્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>યુવતી ગત તારીખ 2 જૂનના રોજ  ગાયબ 
</b></h2><p style="text-align: justify; ">મળતી વિગતો મુજબ, જેઠલજ ગામની આશાસ્પદ યુવતી ગત તારીખ 2 જૂનના રોજ વહેલી પરોઢે અચાનક પોતાના ઘરેથી ગુમ થઈ ગઈ હતી. પરિવારજનોની પ્રાથમિક શોધખોળ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, ગામમાં જ રહેતો શેખ જકવાન ઇમરાન નામનો વિધર્મી યુવક આ હિન્દુ દીકરીને ભગાડી ગયો છે. 
</p><h3 style="text-align: justify; "><b>લોકોમાં ભારે રોષ
</b></h3><p style="text-align: justify; ">આ વાતની જાણ વાયુવેગે ગામમાં પ્રસરતા જ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. દીકરીની સુરક્ષા અને વિધર્મી યુવકની કરતૂતને લઈને ગામના હિન્દુ સંગઠનો અને સ્થાનિકો એકજૂથ થયા હતા.
</p><h4 style="text-align: justify; "><b>ટોળાં એકઠા થઈને સીધા સાતેજ પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા
</b></h4><p style="text-align: justify; ">ઘટનાના વિરોધમાં મહિલાઓ અને પુરુષોના મસમોટા ટોળેટોળાં એકઠા થઈને સીધા સાતેજ પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં હાજર ગ્રામજનો અને પીડિત પરિવારે સાતેજ પોલીસ મથકે લેખિત આવેદનપત્ર આપીને દીકરીને તાત્કાલિક અને હેમખેમ પરત લાવવા માટે ઉગ્ર માંગ કરી છે. 
</p><h4 style="text-align: justify; "><b>સાતેજ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યું
</b></h4><p style="text-align: justify; ">આ સાથે જ ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરતા પોલીસ તંત્ર પાસે એવી બાહેધરી પત્રની માંગણી કરી છે કે ભવિષ્યમાં ગામની કોઈ અન્ય દીકરી સાથે આવી અમાનવીય કે લવ જેહાદની ઘટના ન બને. હાલ સાતેજ પોલીસે આવેદનપત્ર સ્વીકારીને ગુમ થયેલી યુવતી અને વિધર્મી યુવકને ઝડપી પાડવા માટે જુદી-જુદી ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો---&nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-live--gujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-live-news-and-samachar-06-june-2026-politics-weather-updates-daily-breaking-news-nation" target="_blank"><b> Gujarat Latest News live : અંબાલાલ પટેલની આગાહી,ગરમીમાં થશે વધારો , જૂન અંતમાં ચોમાસુ ગુજરાતમાં પ્રવેશશે</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/wVO8lLXObZVOmTh3eba1X9naGaWgJAbJdwlqbZyL.webp'/></item><item><title><![CDATA[FIFA 2026 Controversies : ફૂટબોલ વર્લ્ડ કપથી બહાર થશે ઈરાન? USએ વિઝા અટકાવતા ટૂર્નામેન્ટ પર સંકટના વાદળો! ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-2026-controversies-will-iran-be-out-of-the-football-world-cup-us-visa-ban-casts-doubt-on-tournament</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-2026-controversies-will-iran-be-out-of-the-football-world-cup-us-visa-ban-casts-doubt-on-tournament</guid><pubDate>Sat, 06 Jun 2026 10:50:33 +05:30</pubDate><description><![CDATA[<p>વિશ્વના સૌથી મોટા રમત ઉત્સવ પૈકીના એક એવા FIFA ફૂટબોલ વર્લ્ડ કપ 2026ની શરૂઆત આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છેત્યારે રમત જગતમાં એક મોટો રાજદ્વારી અને રમતગમત વિવાદ સામે આવ્યો છે.ઈરાનની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ પર અમેરિકા પ્રવેશવા માટે વિઝા સંકટ ઊભું થયું છે.સંયુક્ત રાજ્ય અમેરિકા (US) તરફથી હજુ સુધી વિઝા ક્લિયરન્સ ન મળવાને કારણે ઈરાનની આખી ફૂટબોલ ટીમ અને સપોર્ટ સ્ટાફ ભારે ચિંતામાં મુકાયા છે.
</p><h3><b>રાજકીય તણાવની રમત પર અસર?
</b></h3><p>અમેરિકા અને ઈરાન વચ્ચેના ભૌગોલિક-રાજકીય (Geopolitical) તણાવની અસર હવે રમતગમતના મેદાન પર પણ દેખાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.વર્ષ 2026નો ફિફા વર્લ્ડ કપ અમેરિકા,કેનેડા અને મેક્સિકો દ્વારા સંયુક્ત રીતે હોસ્ટ કરવામાં આવી રહ્યો છે,જેમાં ઈરાનની ટીમે પણ ક્વોલિફાય કર્યું છે.જોકે,યુએસ વિઝા પોલિસી અને બંને દેશો વચ્ચેના સંબંધોને કારણે ખેલાડીઓના દસ્તાવેજોની પ્રક્રિયા અટકી પડી છે.</p><h4><b>ફૂટબોલ ફેન્સની ચિંતા વધી
</b></h4><p>જો સમયસર અમેરિકા સરકાર ઈરાનની ટીમને વિઝા મંજૂર નહીં કરે, તો ઈરાન વર્લ્ડ કપની પોતાની શરૂઆતની મેચો ગુમાવી શકે છે અથવા ટૂર્નામેન્ટમાંથી બહાર થવું પડી શકે છે. આ મામલે ઈરાન ફૂટબોલ ફેડરેશને ફિફા સમક્ષ પણ સત્તાવાર રજૂઆત કરી છે, કારણ કે ફિફાના નિયમો મુજબ યજમાન દેશે ક્વોલિફાય થયેલી તમામ ટીમોના ખેલાડીઓને દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવી ફરજિયાત હોય છે. હવે આખી દુનિયાની નજર યુએસ વહીવટીતંત્રના આગામી નિર્ણય પર ટકેલી છે.</p><h5><b>ટીમનો બેઝ કેમ્પ મેક્સિકોમાં હશે
</b></h5><p>ઈરાની ટીમના ખેલાડીઓને મેક્સિકોના વિઝા મળી ગયા છે. વર્લ્ડ કપ દરમિયાન ટીમનો બેઝ કેમ્પ તિજુઆના, મેક્સિકોમાં હશે. રસપ્રદ વાત એ છે કે, 2026નો વર્લ્ડ કપ સંયુક્ત રીતે યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા અને મેક્સિકો દ્વારા યોજાઈ રહ્યો છે. જોકે ઈરાનની ટીમ મેક્સિકોમાં રહેશે, પરંતુ તેની ગ્રુપ G ની ત્રણેય મેચ યુનાઈટેડ સ્ટેટ્સમાં રમાશે. પરિણામે, ટીમને દરેક મેચ માટે મેક્સિકોથી USA જવું પડશે, જેમાં યુએસ વિઝાની જરૂર પડશે.</p><h5><b>USA માં ઈરાનનો મેચ શેડ્યૂલ
</b></h5><p>ઈરાની ટીમ ટુર્નામેન્ટનો પોતાનો પહેલો મુકાબલો 16 જૂને ન્યુઝીલેન્ડ સામે રમશે. ત્યારબાદ 21 જૂને તેનો મુકાબલો બેલ્જિયમ સામે થશે. 26 જૂને ઈરાન ઈજિપ્ત સામે રમશે. વિઝાની સમસ્યાઓ વચ્ચે, ઈરાની ફૂટબોલ ટીમ વર્લ્ડ કપ માટે સતત મહેનત કરી રહી છે.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/world-yoga-championship-india-dominates-on-the-first-day-itself-5-out-of-6-gold-medals-in-the-name-of-the-country" target="_blank">World Yoga Championship: પ્રથમ દિવસે જ ભારતનો દબદબો, 6માંથી 5 ગોલ્ડ મેડલ દેશના નામે</a>
</p><p><br></p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/lvOHhfaiEkEhzNNvfJSp2FLBVn06xs8yw5hvRGJY.webp'/></item><item><title><![CDATA[Gold Price Today : સસ્તું થયું સોનું! કિંમતમાં મોટો ઘટાડો, ચાંદીની ચમક પણ પડી ફીકી! ]]></title><link>https://sandesh.com/business/news/india/gold-silver-rate-today-big-drop-in-gold-and-silver-prices</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/gold-silver-rate-today-big-drop-in-gold-and-silver-prices</guid><pubDate>Sat, 06 Jun 2026 10:40:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આજે ભારતીય સર્રાફા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે. અમેરિકામાં મજબૂત રોજગારના આંકડા આવવાને કારણે અને ડોલર મજબૂત થવાને લીધે વૈશ્વિક સ્તરે નફાખોરી (પ્રોફિટ બુકિંગ) થઈ છે. આનાથી સ્થાનિક બજાર (MCX) પર બંનેની કિંમતો ઓછી થઈ છે.
<br></p><h2 style="text-align: justify;"><b>સોના-ચાંદીમાં ઘટાડો!</b></h2><p></p><p style="text-align: justify; ">ગઈકાલે એટલે કે શુક્રવારે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અને MCXમાં સોનું અંદાજે 1600 થી 1850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી તૂટીને બંધ થયું. ચાંદીનું ક્લોઝિંગ પણ પ્રતિ કિલોગ્રામ 4000-5800 રૂપિયા સુધીના ઘટાડા સાથે થયું. કારણ કે શનિવાર અને રવિવારે IBJA અને MCX વાયદા બજાર બંને બંધ રહે છે, તેથી કિંમતો ગઈકાલના નીચલા સ્તર પર જ બનેલી છે.
<br></p><h3 style="text-align: justify;"><b>મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)</b></h3><p></p><table class="table table-bordered" style="text-align: justify;"><tbody><tr><td><b>શહેર</b></td><td><b>24 કેરેટ સોનાની કિંમત</b></td><td><b>22 કેરેટ સોનાની કિંમત</b></td></tr><tr><td>દિલ્હી</td><td>1,55,910</td><td>1,40,150</td></tr><tr><td>મુંબઈ</td><td>1,52,730</td><td>1,40,000</td></tr><tr><td>કોલકાતા</td><td>1,52,730</td><td>1,40,000</td></tr><tr><td>ચેન્નઈ</td><td>1,54,910</td><td>1,42,000</td></tr><tr><td>અમદાવાદ</td><td>1,55,810</td><td>1,40,050</td></tr><tr><td>રાજકોટ</td><td>1,55,810</td><td>1,40,050</td></tr></tbody></table><h3 style="text-align: justify; "><b>ચાંદીની કિંમત
</b></h3><p style="text-align: justify; ">આજે ભારતમાં ચાંદીની સરેરાશ રિટેલ કિંમત 2,74,900 થી 2,79,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામની વચ્ચે બનેલી છે. દિલ્હીમાં ચાંદીની કિંમત 10 ગ્રામ માટે 2749 રૂપિયા અને એક કિલોગ્રામની કિંમત 2,79,900 રૂપિયા છે. મુંબઈ અને કોલકાતામાં 10 ગ્રામ અને એક કિલો ચાંદીની કિંમત અનુક્રમે 2750 રૂપિયા અને 2,75,000 રૂપિયા છે. વળી, ચેન્નઈમાં કિંમતો થોડી વધારે એટલે કે પ્રતિ ગ્રામ 2800 રૂપિયા અને પ્રતિ કિલોગ્રામ 2,80,000 રૂપિયા છે.
</p><h4 style="text-align: justify; "><b>કેમ ઘટી સોના-ચાંદીની કિંમત?
</b></h4><ol><li style="text-align: justify;"><b>મજબૂત અમેરિકી લેબર ડેટા:</b> અમેરિકામાં મે દરમિયાન અંદાજ કરતાં ક્યાંય વધુ (1.72 લાખ) નવી નોકરીઓ વધી. આનાથી અમેરિકી અર્થતંત્ર મજબૂત દેખાઈ રહ્યું છે. એવામાં અમેરિકી ફેડરલ રિઝર્વ (US Fed) દ્વારા વ્યાજ દરોમાં ટૂંક સમયમાં કાપ મૂકવાની આશા નથી. ઊંચા વ્યાજ દરોની સંભાવનાઓ વચ્ચે રોકાણકારો સોનામાંથી પૈસા નીકાળી રહ્યા છે.
</li><li style="text-align: justify;"><b>આંતરરાષ્ટ્રીય સ્તરે વેચવાલી:</b> વૈશ્વિક બજાર (Spot Market) માં સોનું 4450 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 73 ડોલર પ્રતિ ઔંસની નીચે આવી ગઈ છે, જેના કારણે ભારતમાં કિંમતો ઘટી છે.
</li><li style="text-align: justify;"><b>મિડલ ઇસ્ટમાં શાંતિની આશાઓ: </b>ઇઝરાયેલ અને લેબેનાન વચ્ચે યુદ્ધવિરામ (સીઝફાયર) ના સમાચારોથી પણ બજારમાં રોકાણકારો વચ્ચે ગભરાટ ઓછો થયો છે અને તેમનું વલણ સુરક્ષિત રોકાણ (Safe Heaven) તરફથી થોડું ઓછું થયું છે.</li></ol><h6 style="text-align: justify;"><b>Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.
</b></h6><p style="text-align: justify;"><a href="https://sandesh.com/gallery/news/entertainment/how-much-land-does-amitabh-bachchan-own-ayodhya-alibaug-gujarat-property" target="_blank">આ પણ વાંચો-અમિતાભ બચ્ચન પાસે છે આટલા કરોડોની જમીન! અયોધ્યાથી અલીબાગ અને ગુજરાત સુધી ફેલાયેલી છે પ્રોપર્ટી!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/e5PLL8r70JqJMB9QZx6NQhcu1EzjovAiK2Zw3eBg.webp'/></item></channel></rss>