<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Surendranagar News: લીંબડીના શિવશક્તિ નગરમાં 3 મહિનાથી પાણી ન મળતાં પાલિકા તંત્ર સામે સૂત્રોચ્ચાર ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/surendranagar/surendranagar-news-slogans-raised-against-the-municipal-administration-after-not-getting-water-for-3-months-in-shivshakti-nagar-limbdi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/surendranagar/surendranagar-news-slogans-raised-against-the-municipal-administration-after-not-getting-water-for-3-months-in-shivshakti-nagar-limbdi</guid><pubDate>Mon, 29 Jun 2026 17:02:25 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાંથી સ્થાનિક વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે નાગરિકોના આક્રોશની એક મોટી ઘટના સામે આવી છે. લીંબડીના સ્ટેશન રોડ પર આવેલા શિવશક્તિ નગર વિસ્તારમાં રહેતી મહિલાઓએ પ્રાથમિક સુવિધાઓના અભાવે કંટાળીને લીંબડી નગરપાલિકા કચેરી ખાતે મોરચો માંડ્યો હતો. મોટી સંખ્યામાં એકત્રિત થયેલી સ્થાનિક મહિલાઓના ટોળાએ પાલિકા પરિસરમાં ધસી જઈને તંત્ર વિરૂદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.</p><h2 style="text-align: justify; ">દૂર-દૂરથી પાણી લાવવા સ્થાનિકો મજબૂર</h2><p style="text-align: justify; ">આ હલ્લાબોલ પાછળનું મુખ્ય કારણ વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિનાથી પીવાના પાણીની ભારે તંગી છે. આક્રોશિત મહિલાઓએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, શિવશક્તિ નગરમાં છેલ્લા 90 દિવસથી પીવાનું પાણી જ આપવામાં આવ્યું નથી. નળ વગરના કોરા ધાકોર પાઈપોને કારણે સ્થાનિક પરિવારો અને ખાસ કરીને મહિલાઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહી છે. રોજબરોજના વપરાશ અને પીવા માટે લોકાએ દૂર-દૂરના વિસ્તારો સુધી પાણી ભરી લાવવા માટે મજબૂર બનવું પડે છે, જેના કારણે તેમનો કિંમતી સમય અને શક્તિ વેડફાઈ રહ્યા છે.</p><h3 style="text-align: justify; ">રોડ-રસ્તા અને પાણીની સુવિધા આપવા ઉગ્ર માંગ</h3><p style="text-align: justify; ">વિરોધ પ્રદર્શન કરી રહેલી મહિલાઓએ જણાવ્યું હતું કે, લીંબડી નગરપાલિકા પ્રજાને રોડ, રસ્તા અને પીવાનું પાણી જેવી પાયાની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં સાવ નિષ્ફળ નીવડી છે. શિવશક્તિ નગરમાં માત્ર પાણી જ નહીં, પરંતુ રસ્તાઓની હાલત પણ અત્યંત બિસ્માર છે. મહિલાઓએ ચીફ ઓફિસર અને સત્તાધીશો સમક્ષ ઉગ્ર માંગ કરી છે કે આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવીને વિસ્તારમાં નિયમિત પીવાનું પાણી પૂરું પાડવામાં આવે અને રોડ-રસ્તાનું કામ શરૂ કરવામાં આવે. જો આગામી દિવસોમાં આ સુવિધાઓ નહીં મળે, તો આંદોલન વધુ તેજ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/29/iIArewqw3VdXuMUA0ouxuqqXWAlxKyQkZxK0cIxe.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: સ્કૂલ રિક્ષા ચાલકની ગંભીર બેદરકારીનો વીડિયો વાયરલ, ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને બેસાડ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/viral-video-shows-overloaded-school-rickshaw</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/viral-video-shows-overloaded-school-rickshaw</guid><pubDate>Mon, 29 Jun 2026 16:59:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં શાળાએ જતા બાળકોની સુરક્ષાને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરના માર્ગો પર દોડતી સ્કૂલ રિક્ષાઓમાં નિયમોના ધજાગરા ઉડાડીને વિદ્યાર્થીઓને જોખમી રીતે મુસાફરી કરાવવામાં આવતી હોવાનો એક વીડિયો વાયરલ થતાં વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદના વ્યસ્ત માર્ગો પર કેટલીક સ્કૂલ રિક્ષાઓમાં ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને જીવના જોખમે બેસાડવામાં આવે છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>રિક્ષાચાલકોની ગંભીર બેદરકારીનો વીડિયો વાયરલ</b></h2><p style="text-align: justify; ">સ્કૂલના બાળકોને જોખમમાં મુકતા  રિક્ષાચાલકોની ગંભીર બેદરકારીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં રિક્ષામાં બાળકોને ખીચોખીચ ભરેલા જોઈ શકાય છે. વાહનની ક્ષમતા કરતા વધુ બાળકોને બેસાડવાથી રિક્ષાનું સંતુલન બગડવાની અને ગંભીર અકસ્માત થવાની શક્યતાઓ રહેલી છે.રિક્ષામાં વિદ્યાર્થીઓને ક્ષમતા કરતાં વધુ પ્રમાણમાં બેસાડવામાં આવે છે જે સીધી રીતે તેમના જીવ સાથેનો ખેલ છે.ટ્રાફિકના નિયમો અને શાળા વાહન સુરક્ષા માર્ગદર્શિકાને ધ્યાનમાં લીધા વિના રિક્ષાઓ બેફામ દોડતી જોવા મળે છે.</p><h3 style="text-align: justify; "><b>આવી રિક્ષાઓ સામે તંત્ર ક્યારે કડક કાર્યવાહી કરશે?</b></h3><p style="text-align: justify; ">શહેરમાં લગાવેલા કેમેરા હેલ્મેટ અને રોડ પર સિગ્નલ બંધ થયા પછી ઉભા રહેલા વાહનોને લાઈન ક્રોસનો મેમો આપી શકે છે. પરંતુ બાળકોને આ પ્રકારે લઈને જતી રિક્ષાઓ કેમેરામાં કેદ નથી થતી તેવા સવાલો વાલીઓમાં થઈ રહ્યાં છે. નફાખોરી માટે રિક્ષાચાલકો બાળકોની સુરક્ષાને ગૌણ ગણી રહ્યા છે જે કાયદાકીય રીતે પણ ગુનો બને છે.સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં જ લોકોમાં આકરી કાર્યવાહી કરવાની માગ થઈ રહી છે. શું ટ્રાફિક પોલીસ અને RTO વિભાગને આ બાબત દેખાતી નથી? કાયદાના ડર વગર ચાલતી આવી રિક્ષાઓ સામે તંત્ર ક્યારે કડક કાર્યવાહી કરશે?</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/heavy-to-very-heavy-rain-forecast-from-july-5-orange-alert-issued" target="_blank">આ પણ વાંચોઃ Gujarat Weather : 2 થી 5 જુલાઈ ભારેથી અતિભારે વરસાદની આગાહી, માછીમારોને સાવચેત કરાયા</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/29/ruh5LmjfwoLtLRtqwd3Bhh73ThKpVZ1ft4JgpUJ7.webp'/></item><item><title><![CDATA[Surat News: મંત્રી જયરામ ગામીતને બારડોલીમાં આવ્યો હાર્ટ એટેક, સુરતની હોસ્પિટલમાં સફળ ઓપરેશન ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/bardoli-gujarat-sports-minister-jayram-gamit-heart-attack</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/bardoli-gujarat-sports-minister-jayram-gamit-heart-attack</guid><pubDate>Mon, 29 Jun 2026 16:57:18 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત જિલ્લા અને રાજ્યના રાજકીય વર્તુળોમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી જયરામ ગામીતને હૃદય રોગનો હુમલો આવ્યો છે. સુરતના બારડોલી ખાતે એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપવા માટે મંત્રી પહોંચ્યા હતા, જ્યાં ચાલુ કાર્યક્રમ દરમિયાન જ અચાનક તેમને છાતીમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો.</p><h2><b>ગ્રીન કોરિડોર કરીને તાત્કાલિક સુરતની ખાનગી હોસ્પિટલ ખસેડાયા</b></h2><p>કાર્યક્રમમાં હાજર સુરક્ષા સ્ટાફ અને પક્ષના કાર્યકરો દ્વારા મંત્રી જયરામ ગામીતની સ્થિતિ બગડતા જ તાત્કાલિક સારવાર આપવાની કવાયત હાથ ધરી હતી. વહીવટી તંત્ર દ્વારા ત્વરિત પગલાં ભરીને તેમને વધુ અને અત્યાધુનિક સારવાર મળી રહે તે માટે બારડોલીથી સીધા જ સુરતની એક સુપર સ્પેશિયાલિટી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મંત્રીને હોસ્પિટલ પહોંચાડવામાં કોઈ વિલંબ ન થાય તે માટે તંત્ર પણ એલર્ટ મોડ પર જોવા મળ્યું હતું.</p><h2><b>કાર્ડિયોલોજિસ્ટની ટીમ દ્વારા સફળ ઓપરેશન</b></h2><p>સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરતાની સાથે જ તજજ્ઞ ડોક્ટરો અને કાર્ડિયોલોજિસ્ટની વિશેષ ટીમ દ્વારા મંત્રીના જરૂરી મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. હૃદયમાં બ્લોકેજ જણાતા ડોક્ટરોએ તાત્કાલિક ઓપરેશન કરવાનો નિર્ણય લીધો હતો. હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મંત્રી જયરામ ગામીતનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું છે.</p><h2><b>સફળ સર્જરી બાદ હાલ મંત્રી ઓબ્ઝર્વેશન હેઠળ આઈસીયુમાં</b></h2><p>ઓપરેશન પૂર્ણ થયા બાદ હાલમાં મંત્રી જયરામ ગામીતને સઘન દેખરેખ માટે હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં રાખવામાં આવ્યા છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, સર્જરી બાદ હવે તેમની તબિયતમાં ધીમે-ધીમે સારો સુધારો જોવા મળી રહ્યો છે અને તેમની સ્થિતિ સંપૂર્ણપણે સ્થિર છે. મંત્રીને હાર્ટ એટેક આવ્યાની જાણ થતાં જ સરકારના ઉચ્ચ અધિકારીઓ અને અનેક રાજકીય આગેવાનો તેમના ખબર-અંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચી રહ્યા છે, જ્યારે તેમના સમર્થકો અને કાર્યકરો તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/surat/mahidharpura-police-seized-20-kg-ganja-marijuana-worth-10-lakh-one-arrested-ndps-act" target="_blank">Surat: મહીધરપુરા પોલીસે 20 કિલો ગાંજા સાથે એક આરોપીને દબોચ્યો, આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/29/cPUKVHyY72SPJwttWAHmGgnFZEnktkFiMdCzVcjj.webp'/></item><item><title><![CDATA[Shaktimaan Actor : રામ મંદિરમાં ચઢાવા કૌભાંડ પર મુકેશ ખન્નાનો ફૂટ્યો ગુસ્સો, કહ્યું- 'લૂંટ મચી છે' ]]></title><link>https://sandesh.com/entertainment/news/mukesh-khanna-reacts-to-ram-mandir-donation-scam-urges-devotees-to-stop-offerings</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/mukesh-khanna-reacts-to-ram-mandir-donation-scam-urges-devotees-to-stop-offerings</guid><pubDate>Mon, 29 Jun 2026 16:55:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અયોધ્યા રામ મંદિરને લઈને SIT ની તપાસમાં મોટો ખુલાસો થયો છે, જેમાં ભેટ કૌભાંડનો મામલો સામે આવ્યો છે. આ મામલો સામે આવ્યા પછી દરેક વ્યક્તિ આઘાતમાં છે. મંદિરમાં ભેટના નામે કરવામાં આવેલી ગેરરીતિ પર દરેક વ્યક્તિએ ગુસ્સો વ્યક્ત કર્યો અને નિંદા કરી છે. આ મામલા પછી ઉત્તર પ્રદેશ સરકાર અને PMO એક્શનમાં આવી ગઈ છે. એવામાં હવે આ વિવાદ પર શક્તિમાન એક્ટર મુકેશ ખન્નાએ પણ રિએક્શન આપ્યું છે. તેમણે લોકોથી મોટી અપીલ કરી છે.</p><h2 style="text-align: justify; "><b>મુકેશ ખન્નાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ લખીને કરી અપીલ</b></h2><p style="text-align: justify; ">રામ મંદિર કૌભાંડને લઈને મુકેશ ખન્નાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આમાં તેમણે લખ્યું, શું તમે જાણો છો, મંદિરોમાં તમારી રોકડ ભેટ, ભગવાન સુધી નથી પહોંચતી! વચ્ચે ક્યાંક ખોવાઈ જાય છે. લૂંટ મચી ગઈ છે. કહેવત છે ને, લૂંટ શકે તો લૂંટ અને લૂંટનારા અહીં ભરેલા પડ્યા છે. મેં એકવાર કહ્યું હતું, ભરેલા પડ્યા છે ચોર, ડાકુ અને બેઈમાન, છતાં મારો દેશ છે મહાન. પરંતુ આ ભેટ લૂંટનારાઓને હું શું નામ આપું? ચોર, ડાકુ કે બેઈમાન? આમાંથી કોઈ નહીં કારણ કે આ લોકો આ બધાથી ઉપર છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DaCw9tyjTmO/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DaCw9tyjTmO/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DaCw9tyjTmO/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DaCw9tyjTmO/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><p style="text-align: justify; ">આની સાથે જ મુકેશ ખન્નાએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું, આ લોકો ભક્તોને જ નહીં, ભગવાનને પણ લૂંટી રહ્યા છે. હું માત્ર ભક્તોને સલાહ આપીશ કે નહીં રહે વાંસ, નહીં વાગે વાંસળી, તેવી જ રીતે નહીં ધરાય ભેટ, નહીં થાય કૌભાંડ, તેથી ભેટ ધરાવવાનું બંધ કરો. ખાસ કરીને પૈસા અને ઘરેણાંનું. ભગવાન ખુશ થશે.</p><h3 style="text-align: justify; "><b>જાણો પૂરો મામલો</b></h3><p style="text-align: justify; ">જો અયોધ્યા રામ મંદિરમાં ભેટના કૌભાંડના પૂરા મામલા વિશે વાત કરવામાં આવે તો SIT તરફથી તાજેતરમાં 15 પાનાનો રિપોર્ટ ફાઈલ કરવામાં આવ્યો છે, જેમાં ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે. આમાં ખુલાસો થયો છે કે છેલ્લા 40 દિવસોમાં મંદિરમાં 70 વાર ભેટ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો. આ મામલામાં જણાવવામાં આવી રહ્યું છે કે પોલીસના દરોડામાં અત્યાર સુધી 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>શું કરી રહ્યા છે મુકેશ ખન્ના?</b></h3><p style="text-align: justify; ">જો મુકેશ ખન્નાના પ્રોફેશનલ ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તેઓ લાંબા સમયથી એક્ટિંગથી દૂર છે અને હવે પોતાની યુટ્યુબ ચેનલ ચલાવી રહ્યા છે. આમાં તેઓ સેલિબ્રિટી ગેસ્ટ સાથે વાતચીત કરે છે. એક્ટર વ્લોગિંગ કરે છે. તેમને 'મહાભારત' અને 'શક્તિમાન' જેવા શોથી ઓળખ મળી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/welcome-to-the-jungle-box-office-records-akshay-kumar-movie-creates-6-records-in-3-days" target="_blank">આ પણ વાંચો-Akshay Kumarની વેલકમ ટુ ધ જંગલનો ધમાકો, 3 જ દિવસમાં બોક્સ ઓફિસ પર બનાવી દીધા 6 મોટા રેકોર્ડ્સ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/29/Z4RmMvw0wyy0Meli1phuXFZI2ofBwipubjGiFAXG.webp'/></item><item><title><![CDATA[Assam : રેલવે ટ્રેક પર કામ કરી રહેલા 4 મજૂર માલગાડીની અડફેટે આવ્યા, 2 લોકોના મોત ]]></title><link>https://sandesh.com/india/news/assam-goods-train-hits-railway-workers-2-dead-2-injured</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/assam-goods-train-hits-railway-workers-2-dead-2-injured</guid><pubDate>Mon, 29 Jun 2026 16:29:07 +05:30</pubDate><description><![CDATA[<p>આસામના જોગીઘોપા સ્થિત નરનારાયણ સેતુ પર સોમવારે એક દુઃખદ ટ્રેન અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં રેલવેના બાંધકામ અને જાળવણી કાર્ય સાથે જોડાયેલા બે મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે અન્ય બે મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાના પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જાણ થતાં જ રેલવે અધિકારીઓ, સ્થાનિક વહીવટી તંત્ર અને રાહત-બચાવ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.</p><h2><b>બે મજૂરોના ઘટનાસ્થળે જ મોત</b></h2><p>પ્રાપ્ત માહિતી અનુસાર ચારેય મજૂરો રેલવે ટ્રેક પર બાંધકામ અને જાળવણીના કામ માટે પગપાળા જઈ રહ્યા હતા. તે દરમિયાન વિપરીત દિશામાં ટ્રેનોની અવરજવર ચાલી રહી હતી. આ દરમિયાન એક ઝડપી માલગાડીએ ચારેયને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો. ટક્કર એટલી જોરદાર હતી કે બે મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બે અન્ય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા.</p><h3><b>સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી</b></h3><p>પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર અકસ્માત એટલો અચાનક બન્યો કે મજૂરોને બચવાનો કોઈ મોકો જ મળ્યો નહોતો. સ્થાનિક લોકોએ તરત જ બચાવ કામગીરી શરૂ કરી અને ઘાયલોને ટ્રેક પરથી બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી. રેલવે સુરક્ષા દળ અને સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.</p><h4><b>જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે</b></h4><p>રેલવે વિભાગે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં અકસ્માત સમયે સુરક્ષા નિયમોનું પાલન થયું હતું કે નહીં અને ટ્રેક પર કામ કરતા કર્મચારીઓને ટ્રેનોની અવરજવર અંગે અગાઉથી જાણ કરવામાં આવી હતી કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. રેલવે પ્રશાસને મૃતકોના પરિવાર પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે અને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવાની ખાતરી આપી છે. સાથે જ તપાસમાં જો કોઈ બેદરકારી સામે આવશે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.</p><p><a href="https://sandesh.com/india/news/bihar-cylinder-blast-short-circuit-8-houses-fire-6-injured" target="_blank"><b>આ પણ વાંચો : Biharમાં શોર્ટ સર્કિટ બાદ થયો સિલિન્ડર બ્લાસ્ટ, 8 મકાન આગની ઝપેટમાં</b></a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/29/kg1qzCtP0Ja9O09NRPAIcdvsornA8JD5UcKTBCNv.webp'/></item><item><title><![CDATA[Gujarat News : જળ સંગ્રહશક્તિની ક્ષમતામાં આ વર્ષે 20789 લાખ ઘન ફૂટનો વધારો થયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/increases-water-storage-capacity-by-20-789-lakh-cubic-feet-under-sujalam-sufalam-campaign</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/increases-water-storage-capacity-by-20-789-lakh-cubic-feet-under-sujalam-sufalam-campaign</guid><pubDate>Mon, 29 Jun 2026 16:25:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સમગ્ર રાજ્યમાં આ વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન થકી જળ સંગ્રહશક્તિની ક્ષમતામાં 20789લાખ ઘન ફૂટનો વધારો થયો છે.જ્યારે છેલ્લા 8 વર્ષમાં રાજ્યની જળ સંગ્રહશક્તિમાં રેકોર્ડબ્રેક કુલ 138039 લાખ ઘન ફૂટ જેટલો વધારો નોંધાયો છે.પાણી બચાવવા અને તેનો બગાડ અટકાવવા માટે લોકમાનસમાં જાગૃતિ આવે તેવી દીર્ઘદ્રષ્ટિ સાથે છેલ્લા 08 વર્ષથી આ અભિયાન સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી રહ્યું છે.ચાલુ વર્ષે સમગ્ર રાજ્યમાં મે 2026૬ સુધીમાં જુદા જુદા વિભાગોના સંકલનથી કુલ 13315 કામો સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>શ્રમિકો માટે અંદાજે 2.30 લાખ માનવદિનની રોજગારી</b></h2><p style="text-align: justify; ">જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે કહ્યું હતું કે, આ અભિયાન અંતર્ગત પરંપરાગત જળ સ્ત્રોતોના નવીનીકરણ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.જેમાં ચાલુ વર્ષે મુખ્યત્વે તળાવો ઊંડા કરવાના 2450 કામો, ચેકડેમ ડિસિલ્ટીંગના 3661 કામો તથા ચેકડેમ રીપેરીંગના 1160 કામો કરવામાં આવ્યા છે.આ ઉપરાંત 626 કિ.મી. લંબાઈમાં નહેરો તથા 1277 કિ.મી. લંબાઈમાં કાંસોની સાફસફાઈ કરવામાં આવી છે.આ કામો થકી જળ સંગ્રહશક્તિની ક્ષમતામાં 20779 લાખ ઘન ફૂટ જેટલો વધારો થયો છે.આ સાથે શ્રમિકો માટે અંદાજે 2.30 લાખ માનવદિનની રોજગારી ઉત્પન્ન થઈ છે.</p><h3 style="text-align: justify; "><b>8 વર્ષમાં કુલ 123635 કામો હાથ ધરવામાં આવ્યા</b></h3><p style="text-align: justify; ">જળ સંપત્તિ મંત્રી પટેલે જણાવ્યું હતું કે,લાંબાગાળાના આયોજન અને સખત પરિશ્રમના પરિણામે છેલ્લા 8 વર્ષમાં કુલ 123635 કામો હાથ ધરવામાં આવ્યા હતા.જે પૈકી મુખ્યત્વે તળાવો ઉંડા કરવા તેમજ નવા તળાવોના 39770 કામો, ચેકડેમ ડિસિલ્ટીંગના 26873 કામો તથા ચેકડેમ રીપેરીંગના 7810 કામો પૂર્ણ કરવામાં આવ્યા છે.આ ઉપરાંત કુલ 80793 કિ.મી. લંબાઇમાં નહેરોની તથા કાંસની સાફસફાઇના કામો હાથ ધરવામાં કરવામાં આવ્યા હતા.જેના થકી જળ સંગ્રહશક્તિ ક્ષમતામાં  કુલ 138039 લાખ ઘન ફૂટ જેટલો વધારો થયો છે જેમાં 206.73 લાખ માનવદિનની રોજગારી ઉત્પન્ન થઈ છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/vadodara/regional-vibrant-gujarat-summit-cm-bhupendra-patel" target="_blank">આ પણ વાંચો: Vadodara News: રિજનલ વાયબ્રન્ટ સમિટનો પ્રારંભ, CM ભૂપેન્દ્ર પટેલે કરી 8 નવી સ્માર્ટ GIDCની જાહેરાત</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/29/LNPOZ7pSoSyoIzbUFEWNaexAzU000dmlQ2fdnxXj.webp'/></item><item><title><![CDATA[Biharમાં શોર્ટ સર્કિટ બાદ થયો સિલિન્ડર બ્લાસ્ટ, 8 મકાન આગની ઝપેટમાં ]]></title><link>https://sandesh.com/india/news/bihar-cylinder-blast-short-circuit-8-houses-fire-6-injured</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/bihar-cylinder-blast-short-circuit-8-houses-fire-6-injured</guid><pubDate>Mon, 29 Jun 2026 16:13:21 +05:30</pubDate><description><![CDATA[<p>બિહારના શિવહર જિલ્લાના તરિયાણી છપરા પોલીસ સ્ટેશન વિસ્તારના છપરા સિરહા ટોળામાં સોમવારની સવારે શોર્ટ સર્કિટને કારણે ભીષણ આગ લાગી. આગ લાગ્યા બાદ ઘરમાં રાખેલો ગેસ સિલિન્ડર જોરદાર ધડાકા સાથે ફાટતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. થોડી જ વારમાં આગ આસપાસના અનેક મકાનોમાં ફેલાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં 6 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે, જેમાંથી 2 લોકોની હાલત અત્યંત ગંભીર હોવાનું જણાવાયું છે.</p><h2><b>ગામના લોકોએ અનેક લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા</b></h2><p>ઘટનાની માહિતી મળતા જ ગ્રામજનોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. આગની જ્વાળાઓ એટલી ઝડપથી ફેલાઈ કે અનેક લોકોને ઘરમાંથી બહાર નીકળવાનો પણ સમય મળ્યો નહોતો. ગામના લોકોએ પોતાની જાન જોખમમાં મૂકીને અનેક લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા અને તરત જ ફાયર બ્રિગેડ તેમજ પોલીસને જાણ કરી હતી.</p><h3><b>8 મકાનો સંપૂર્ણપણે બળીને ખાખ&nbsp;</b></h3><p>સૂચના મળતા જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ગ્રામજનોના સહયોગથી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જોકે ત્યાં સુધીમાં કુલ 8 મકાનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. આગમાં અનાજ, કપડાં, ફર્નિચર, વાસણો, રોકડ રકમ સહિત લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.</p><h4><b>ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા</b></h4><p>SDMએ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ મુઝફ્ફરપુરની એસકેએમસીએચ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. સિલિન્ડરનો વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેના ટુકડાઓ દૂર સુધી ઉડી જતા નજીકમાં ઉભેલા કેટલાક લોકો પણ ઈજાગ્રસ્ત થયા હતા. હાલ પ્રશાસને અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત અને વળતર આપવાની પ્રક્રિયા શરૂ કરી છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/delhi-ev-policy-2026-road-tax-registration-fee-exemption" target="_blank">આ પણ વાંચો : Delhi EV Policy : દિલ્હીમાં નવી ઈવી પોલિસી 2026ને મળી મંજૂરી, રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી થશે માફ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/29/BYlVqGw81B60ncYOlLoCdxcL737wmrZ4tNCfML1D.webp'/></item><item><title><![CDATA[Stock Market Closing: શેરબજારમાં ઘટાડો! સેન્સેક્સ 350 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 2400ની નીચે સરક્યો ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-closing-stock-market-declines-sensex-falls-350-points-nifty-slips-below-2400</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-closing-stock-market-declines-sensex-falls-350-points-nifty-slips-below-2400</guid><pubDate>Mon, 29 Jun 2026 15:37:59 +05:30</pubDate><description><![CDATA[<p>સોમવારે પશ્ચિમ એશિયામાં ભૂ-રાજકીય તણાવમાં નવા વધારા વચ્ચે સ્થાનિક શેરબજારો દબાણ હેઠળ કારોબાર કરી રહ્યા હતા. સમગ્ર સત્ર દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં એક સાંકડી રેન્જમાં વધઘટ જોવા મળી હતી, જ્યારે બેંકિંગ અને આઇટી શેરોમાં વેચવાલીનો પ્રભાવ બજાર પર સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો.</p><h2><b>શેરબજારમાં ઘટાડો&nbsp;</b></h2><p>બપોરે 3.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયા. સેન્સેક્સ 372 પોઇન્ટના ઘટાડા સાથે 76,728 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 109.75 પોઇન્ટના ઘટાડા સાથે 23,946.25</p><p>અંકે બંધ થયો.&nbsp; નિફ્ટી 50 ઇન્ડેક્સમાં આઇશર મોટર્સ, કોટક મહિન્દ્રા બેંક અને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના શેર સૌથી વધુ ઘટ્યા હતા. વધુમાં, પીએસયુ બેંક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જેમાં કેટલાક શેર 2 ટકા સુધી ઘટ્યા હતા.&nbsp;</p><p><b style="font-size: 1.75rem;">મિડકેપ અને સ્મોલકેપ શેરો પણ નબળા</b></p><p>વ્યાપક બજારમાં પણ નબળા સેન્ટિમેન્ટ પ્રવર્તી રહ્યા હતા. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ આશરે 0.82 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સ લગભગ 0.92 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.</p><p><b style="font-size: 1.5rem;">ફાર્મા અને હેલ્થકેરમાં મજબૂતાઈ&nbsp;</b></p><p>ક્ષેત્રીય સૂચકાંકોની દ્રષ્ટિએ, ફાર્મા અને હેલ્થકેર શેરોએ પ્રમાણમાં સારું પ્રદર્શન કર્યું. બીજી તરફ, આઇટી સેક્ટરે સૌથી નોંધપાત્ર દબાણનો સામનો કરવો પડ્યો, જેના કારણે બજાર સેન્ટિમેન્ટ શાંત રહ્યું.<br><br><h4><b>અમેરિકા-ઈરાન તણાવને કારણે એશિયન બજારોમાં દબાણ&nbsp;</b></h4></p><p>સપ્તાહના અંતે, અમેરિકાએ ઈરાની લશ્કરી સ્થળો પર હુમલો કર્યો, જેના કારણે પશ્ચિમ એશિયામાં તણાવ ફરી એકવાર વધ્યો. ત્યારબાદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કડક ચેતવણી આપી, ઈરાન પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો. વધતા ભૂરાજકીય તણાવની અસર એશિયન શેરબજારો પર પણ અનુભવાઈ. શરૂઆતના કારોબારમાં, જાપાનનો નિક્કી 225 આશરે 0.75 ટકા ઘટ્યો, જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.14 ટકા ઘટ્યો.&nbsp;<br><br><a href="https://sandesh.com/gallery/news/india/why-are-potatoes-and-chickpeas-the-filling-in-panipuri?2" target="_blank">આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2024/12/16/2h6Xh71EhWuVNQdmCjBZTZOITGrc0nUfKU87JrKI.jpg'/></item><item><title><![CDATA[વાંચો બપોરે 12થી 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/read-important-news-from-12-pm-to-03-pm-29-june-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/read-important-news-from-12-pm-to-03-pm-29-june-2026</guid><pubDate>Mon, 29 Jun 2026 15:00:00 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-gujarat-monsoon-stuck-surat-paresh-goswami-prediction-weather-alerts-meaning" target="_blank">1. Sandesh Digital Explainer : ચોમાસું આખરે ક્યાં જઈને અટકી ગયું? ગુજરાત માટે આગામી 24 કલાક કેમ અત્યંત રોમાંચક છે, જાણો અસલી રહસ્ય</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/crime/ketan-agrawal-murder-case-pune-ketan-was-an-atm-machine-for-fiancee-sia-why-was-chetan-given-rs-1-crore" target="_blank">2. Ketan Agrawal Murder Case Pune: મંગેતર સિયા માટે કેતન હતો ATM મશીન!, ચેતનને શા માટે આપ્યા હતા 1 કરોડ રૂપિયા?</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/world/indias-strength-in-the-sea-increased-strategic-defense-deal-worth-1250-crore-signed-with-seychelles" target="_blank">3. India Seychelles Deal : સમુદ્રમાં વધી ભારતની તાકાત,સેશેલ્સ સાથે ₹1,250 કરોડની વ્યૂહાત્મક સંરક્ષણ ડીલ કરાઇ!</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/rajkot/jangleshwar-demolition-bill-controversy-mayor-nehal-shukla-orders-inquiry-recovery" target="_blank">4. Rajkot: જંગલેશ્વર ડિમોલિશન બિલ પર મેયરે કહ્યું- દરેક આરોપ સાચા માની શકાય નહીં, નિયમ વિરુદ્ધ વધુ પૈસા ગયા હશે તો થશે રિકવરી</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/vadodara/regional-vibrant-gujarat-summit-cm-bhupendra-patel" target="_blank">5. Vadodara News: રિજનલ વાયબ્રન્ટ સમિટનો પ્રારંભ, CM ભૂપેન્દ્ર પટેલે કરી 8 નવી સ્માર્ટ GIDCની જાહેરાત</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/entertainment/news/akanksha-chamola-opens-up-on-finding-love-again-after-divorce-from-gaurav-khanna" target="_blank">6. Gaurav Khannaથી છૂટાછેડા બાદ શું ફરી પ્રેમમાં પડશે આકાંક્ષા? ડિવોર્સના હંગામા વચ્ચે એક્ટ્રેસે પોતે જ કર્યો ખુલાસો!</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/surat-nasir-nagar-demolition-gujarat-high-court-hearing-smc-officers" target="_blank">7. Surat : નાસિર નગર ડિમોલિશન પર હાઈકોર્ટ લાલઘૂમ, મનપાના અધિકારીઓની ઝાટકણી કાઢતા પૂછ્યું—'માત્ર માપણી હતી તો આટલી પોલીસ કેમ ગઈ?</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/ayodhya-ram-mandir-donation-theft-case-faizabad-bar-association-lawyers-refuse" target="_blank">8. Ayodhya : રામ મંદિર દાન ચોરી કેસમાં 'પાપીઓ'નો કેસ અયોધ્યાના વકીલો નહીં લડે, SIT દરોડામાં મળી કરોડોની રોકડ</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/sports/news/fifa-world-cup-2026-cape-verdes-problems-increase-serious-allegations-against-captain-will-they-play-the-match-against-argentina" target="_blank">9. FIFA World Cup 2026 : કેપ વર્ડેની મુશ્કેલી વધી, કેપ્ટન પર લાગ્યો ગંભીર આરોપ, આર્જેટિના સામે મેચ રમશે?</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/operation-amistad-operation-amistad-in-venezuela-know-how-india-is-helping-venezuela" target="_blank">10, Operation Amistad: ઓપરેશન એમિસ્ટાડ, જાણો ભારત કેવી રીતે કરી રહ્યું છે વેનેઝુએલાને મદદ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/29/nk9kbYmomqsXW4nzudsnFQTVHMr3MfrmLLhLv5oA.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026 : કેપ વર્ડેની મુશ્કેલી વધી, કેપ્ટન પર લાગ્યો ગંભીર આરોપ, આર્જેટિના સામે મેચ રમશે? ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup-2026-cape-verdes-problems-increase-serious-allegations-against-captain-will-they-play-the-match-against-argentina</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup-2026-cape-verdes-problems-increase-serious-allegations-against-captain-will-they-play-the-match-against-argentina</guid><pubDate>Mon, 29 Jun 2026 14:27:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફિફા વર્લ્ડ કપ 2026 માં શાનદાર પ્રદર્શન કરી રહેલા કેપ વર્ડેની ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે.આર્જેન્ટિના સામેની રાઉન્ડ ઓફ 32 મેચ પહેલા, કેપ્ટન રાયન મેન્ડેસ પર બળાત્કારનો આરોપ મૂકવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર ન્યુઝીલેન્ડ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. હાલમાં તેની સામે કોઈ ગુનાહિત આરોપો મૂકવામાં આવ્યા નથી. અને તપાસ ચાલુ છે.</p><h4 style="text-align: justify; "><b>કેપ વર્ડે ટીમની વધી મુશ્કેલી&nbsp;</b></h4><p style="text-align: justify; ">ફિફા વર્લ્ડ કપ 2026માં શાનદાર પ્રદર્શન કરીને ઇતિહાસ રચનારી કેપ વર્ડેની ટીમ મોટી મુશ્કેલીમાં મુકાઇ ગઈ છે. લિઓનેલ મેસીની આર્જેન્ટિના સામે રાઉન્ડ ઓફ 32ના હાઈવોલ્ટેજ મેચ પહેલા ટીમ સોશિયલ મીડિયા અને મીડિયા ટ્રાયલનો સામનો કરી રહી છે. ટીમના કેપ્ટન રયાન મેંડેસ પર રેપ જેવા ગંભીર આરોપો લાગ્યા છે, જેના કારણે ફૂટબોલ જગતમાં સનસનાટી મચી ગઈ છે.</p><h5 style="text-align: justify; "><b>મહિલાએ ગંભીર આરોપ લાગ્યો</b></h5><p style="text-align: justify; ">મહિલાએ ગંભીર આરોપ લાગ્યો છે કે ઓકલેન્ડની હોટલમાં રયાન મેંડેસ જબરદસ્તીથી તેના રૂમમાં ઘૂસી ગયા હતા અને તેનું શારીરિક તેમજ યૌન શોષણ કર્યું હતું. મેડિકલ રિપોર્ટમાં પણ મહિલાના શરીર પર ઈજાના નિશાન મળી આવ્યા છે. આ અંગે ફિફાએ જણાવ્યું છે કે તેઓ ન્યૂઝીલેન્ડ પોલીસ સાથે સંપર્કમાં છે અને આ મામલાને ગંભીરતાથી લઈ રહ્યા છે. બીજી તરફ કેપ વર્ડે ફૂટબોલ ફેડરેશને હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.</p><h5 style="text-align: justify; "><b>સમગ્ર મામલા પર FIFA એ શું કહ્યું?</b></h5><p style="text-align: justify; ">આ દરમિયાન કેપ વર્ડે ફૂટબોલ ફેડરેશને હજુ સુધી આ મામલે સત્તાવાર નિવેદન જાહેર જારી કર્યું નથી.મીડિયા અનુસાર ટીમ મેનેજમેન્ટનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈ જવાબ મળ્યો નથી. કેપ વર્ડે આ વર્લ્ડ કપની સૌથી મોટી "ડાર્ક હોર્સ" ટીમ તરીકે ઉભરી આવી છે. સ્પેન અને ઉરુગ્વે જેવા હેવીવેઇટ ધરાવતા જૂથમાં અપરાજિત રહીને નોકઆઉટ સ્ટેજ સુધી પહોંચવું એ પોતાનામાં એક ઐતિહાસિક સિદ્ધિ છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-canada-creates-history-wins-first-knockout-match-knocks-out-south-africa" target="_blank">FIFA World Cup 2026: કેનેડાએ રચ્યો ઇતિહાસ, પ્રથમ નોકઆઉટ મેચ જીતી, દક્ષિણ આફ્રિકાને કર્યું બહાર</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/29/7sw9ObDhmGfn8ezR1kgtKSRDbFRnz3rgkNNV615S.webp'/></item></channel></rss>