<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Supreme Court: નાબાલિક રેપ કેસમાં આસારામને સુપ્રીમથી ઝટકો, તબિયતનું બહાનું ના ચાલ્યું, જામીન આપવાનો સાફ ઇનકાર ]]></title><link>https://sandesh.com/india/news/supreme-court-asaram-gets-a-big-blow-from-the-supreme-court-in-the-minor-rape-case-health-excuse-not-working-clear-refusal-to-grant-bail</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/supreme-court-asaram-gets-a-big-blow-from-the-supreme-court-in-the-minor-rape-case-health-excuse-not-working-clear-refusal-to-grant-bail</guid><pubDate>Tue, 30 Jun 2026 14:14:12 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નાબાલિક બાળકી સાથે દુષ્કર્મના કેસમાં જેલમાં સજા કાપી રહેલા આસારામને દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ તરફથી તગડો ઝટકો લાગ્યો છે. આસારામે રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા પોતાની સજા યથાવત રાખવાના નિર્ણય વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને તબિયતના આધારે વચગાળાના (અંતરિમ) જામીન આપવાની માંગ કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે હાલ પૂરતી આ મેડિકલ જામીન અરજીને ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તે આ તબક્કે આસારામને કોઈ વચગાળાની રાહત આપવા તૈયાર નથી.</p><h2 style="text-align: justify; "><b>વેકેશન બાદ થશે સુનાવણી</b></h2><p style="text-align: justify; ">આસારામની મુખ્ય અરજી પર સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે, જ્યારે કોઈ વ્યક્તિના જીવનને ખતરો હોય, ત્યારે રાજ્ય સરકારનો પક્ષ સાંભળ્યા બાદ જ અમે જામીન પર વિચાર કરી શકીએ. કોર્ટે આશ્વાસન આપ્યું છે કે જેલમાં આસારામની સારવાર નિયમિત રીતે ચાલુ રહેશે. હવે સુપ્રીમ કોર્ટ ઉનાળાના વેકેશન (છુટ્ટીઓ) બાદ આ કેસની વિગતવાર સુનાવણી હાથ ધરશે. જોકે, કોર્ટે એ પણ ઉમેર્યું કે જો ભવિષ્યમાં આસારામની તબિયત વધુ લથડે અથવા મેડિકલ કંડિશન કટોકટીભરી બને, તો તેઓ વહેલી સુનાવણી માટે ફરીથી અરજી કરી શકે છે.</p><h3 style="text-align: justify; "><b>રાજસ્થાન હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકારાયો</b></h3><p style="text-align: justify; ">ઉલ્લેખનીય છે કે વર્ષ 2013માં પોતાના આશ્રમમાં સગીરા પર દુષ્કર્મ આચરવાના આરોપમાં નીચલી અદાલતે આસારામને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી. આ જ વર્ષે મે મહિનામાં રાજસ્થાન હાઈકોર્ટે આ કેસમાં મોટો ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટે અન્ય સહ-આરોપીઓને મુક્ત કર્યા હતા અને આસારામને ગેંગરેપ તેમજ પોક્સો (POCSO) એક્ટની કેટલીક કલમોમાંથી રાહત આપી હતી. પરંતુ, સગીરા સાથેના રેપ કેસમાં પુખ્ત પુરાવા હોવાનું નોંધીને હાઈકોર્ટે નીચલી અદાલતની આજીવન કેદ (ઉંમરકેદ) ની સજાને અકબંધ રાખી હતી. હાઈકોર્ટના આ જ આદેશને આસારામ તરફથી સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.</p><h4 style="text-align: justify; "><b>પીડિત પક્ષને ન્યાયની આશા અકબંધ</b></h4><p style="text-align: justify; ">આસારામ છેલ્લા ઘણા સમયથી જોધપુર જેલમાં બંધ છે અને અવારનવાર ખરાબ સ્વાસ્થ્ય અને ઉંમરનું બહાનું ધરીને જેલમાંથી બહાર આવવાના પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ સર્વોચ્ચ અદાલતે કાયદાની મર્યાદા અને ગુનાની ગંભીરતાને જોતા તેમને જેલમાં જ રાખવાનો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટના આ કડક વલણથી પીડિત પરિવાર અને ન્યાયતંત્રમાં વિશ્વાસ ધરાવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. હવે દેશની નજર વેકેશન બાદ થનારી આગામી સુનાવણી પર ટકેલી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/business/news/investment-tips-buy-a-house-or-invest-in-sip-what-is-the-safest-way-to-become-a-millionaire-and-where-will-your-money-grow-the-fastest" target="_blank">આ પણ વાંચો:Investment Tips: ઘર ખરીદાય કે SIPમાં રોકાણ કરાઈ? કરોડપતિ બનવાનો સૌથી સુરક્ષિત રસ્તો કયો છે અને તમારા પૈસા ક્યાં ઝડપથી વધશે?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/30/4KLu207KoPRGyTYyRmlzBv2z7tOK6Rrd6mShwStQ.webp'/></item><item><title><![CDATA["Ikka"ના ટ્રેલર લોન્ચમાં દિયા મિર્ઝાનો ખુલાસો, અક્ષય ખન્ના સાથે આવું કર્યા બાદ હું ખૂબ ડરી ગઈ હતી.... ]]></title><link>https://sandesh.com/entertainment/news/dia-mirza-reveals-at-the-trailer-launch-of-ikka-i-was-very-scared-after-slapping-akshaye-khanna</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/dia-mirza-reveals-at-the-trailer-launch-of-ikka-i-was-very-scared-after-slapping-akshaye-khanna</guid><pubDate>Tue, 30 Jun 2026 14:00:39 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સની દેઓલ અને અક્ષય ખન્નાની આગામી મોસ્ટ-અવેટેડ ફિલ્મ "ઇક્કા" નું શાનદાર ટ્રેલર સોમવારે મુંબઈમાં રિલીઝ કરવામાં આવ્યું છે. સિદ્ધાર્થ પી. મલ્હોત્રા દ્વારા દિગ્દર્શિત આ એક્શન-ડ્રામા ફિલ્મ આગામી ૧૦ જુલાઈના રોજ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર પ્રીમિયર થવા માટે તૈયાર છે. મુંબઈમાં યોજાયેલા ભવ્ય ટ્રેલર લોન્ચ દરમિયાન ફિલ્મની સ્ટાર કાસ્ટ હાજર રહી હતી, જેમાં સની દેઓલ, દિયા મિર્ઝા અને તિલોત્તમા શોમ જોવા મળ્યા હતા.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>દિયા મિર્ઝાના ખુલાસો પર સનીનો મજેદાર જવાબ</b></h3><p style="text-align: justify; ">ફિલ્મમાં સની દેઓલની પત્નીની ભૂમિકા ભજવી રહેલી અભિનેત્રી દિયા મિર્ઝાએ ટ્રેલર લોન્ચ દરમિયાન એક રસપ્રદ ખુલાસો કર્યો હતો. દિયાએ જણાવ્યું કે ફિલ્મમાં તેનો પહેલો જ સીન અક્ષય ખન્ના સાથે હતો અને તે સીનમાં તેણે અક્ષયને થપ્પડ મારવાની હતી. પોતાનો ડર વ્યક્ત કરતા દિયાએ મજાકમાં કહ્યું, "પહેલા મને એ કહો કે અક્ષય ખન્નાને થપ્પડ મારવા બદલ શું હું કોઈ મુશ્કેલીમાં મુકાઈશ? મને બહુ ડર લાગે છે કારણ કે તેના અસંખ્ય ચાહકો છે."</p><h4 style="text-align: justify; "><b>તું મારી પત્ની છે કેમ ડરે છે..સની દેઓલ</b></h4><p style="text-align: justify; ">દિયાની આ વાત સાંભળીને સની દેઓલે તુરંત જ પોતાના અંદાજમાં પ્રતિક્રિયા આપતા કહ્યું, "તું આટલી ચિંતિત કેમ થાય છે? તું ફિલ્મમાં મારી (સની દેઓલની) પત્નીનો રોલ કરી રહી છે." સની દેઓલનો આ દમદાર અને મજેદાર ડાયલોગ સાંભળીને ત્યાં હાજર તમામ લોકોએ જોરદાર તાળીઓ પાડી હતી અને દિયા પણ હસી પડી હતી.</p><h4 style="text-align: justify; "><b>વર્ષો પછી 'બોર્ડર' જોડીનું કમબેક</b></h4><p style="text-align: justify; ">"ઇક્કા" ફિલ્મની સૌથી મોટી ખાસિયત એ છે કે સુપરહિટ ફિલ્મ 'બોર્ડર' ના વર્ષો પછી સની દેઓલ અને અક્ષય ખન્ના ફરી એકસાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. ફિલ્મમાં સની દેઓલ 'અર્જુન મહેરા' નામના મુખ્ય પાત્રમાં નજર આવશે. દર્શકો આ શાનદાર સ્ટાર કાસ્ટવાળી ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. ઇક્કા ફિલ્મના ટ્રેલર લોન્ચમાં ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા અક્ષય ખન્ના હંમેશની જેમ આ મોટી ઇવેન્ટથી પણ દૂર રહ્યા હતા. તેઓ બોલિવૂડની પાર્ટીઓ, એવોર્ડ શો અને પ્રમોશનલ ઇવેન્ટ્સથી અંતર જાળવી રાખવા માટે જાણીતા છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/box-office-akshays-welcome-3-earns-a-lot-in-monday-test-know-whether-shahids-cocktail-2-and-maa-inti-bangaram-are-flops-or-hits" target="_blank">આ પણ વાંચો : Box Office: મંડે ટેસ્ટમાં અક્ષયની 'વેલકમ ૩'ની જોરદાર કમાણી, જાણો શાહિદની 'કોકટેલ-2' અને મા ઇન્તી બંગારામ ફલોપ કે હિટ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/30/C68Ai9Fu48HYdKPg1BVKtIBlXO2Aq46V5ErcysX0.webp'/></item><item><title><![CDATA[Ram Mandir Donation Row: આ મામલે રાજકારણ ન કરો.. દાનચોરી મામલે માયાવતીની રાજકીય પાર્ટીઓને સલાહ ]]></title><link>https://sandesh.com/india/news/ram-mandir-donation-row-dont-politicize-this-matter-mayawatis-advice-to-political-parties-on-donation-theft</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ram-mandir-donation-row-dont-politicize-this-matter-mayawatis-advice-to-political-parties-on-donation-theft</guid><pubDate>Tue, 30 Jun 2026 13:47:06 +05:30</pubDate><description><![CDATA[<p>અયોધ્યામાં રામ મંદિરમાંથી પ્રસાદની ચોરીનો મુદ્દો ચાલી રહ્યો છે. આ મામલે 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવાયા છે. આ મામલે રાજકારણ પણ ગરમાયુ છે. વિપક્ષ આ મામલે ઘરેવાનો પ્રયાસ કરી રહ્યુ છે. ત્યારે આ મામલે બહુજન સમાજ પાર્ટીના પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે.&nbsp;&nbsp;</p><h2><b>દાનચોરી મામલે રાજકારણ ન થવુ જોઇએ- માયાવતી&nbsp;</b></h2><p>બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ કહ્યું કે કે આરોપીઓને કોઈપણ સંજોગોમાં છોડવા જોઈએ નહીં. આ સાથે જ તેમણે આ મુદ્દાના રાજકીયકરણ સામે અપીલ કરી હતી અને સલાહ આપી હતી કે દેશના અન્ય અગ્રણી મંદિરોની વ્યવસ્થાપન પ્રણાલીઓમાંથી બોધપાઠ લેવો જોઈએ. તેમણે વધુમાં ટિપ્પણી કરી હતી કે ધર્મનું રાજકીયકરણ કે રાજકારણનું આંધળું ધાર્મિકકરણ ન હોવું જોઈએ. ઉલ્લેખનીય છે કે&nbsp; રામ મંદિરમાં પ્રસાદની ચોરી અંગે માયાવતીનું આ પહેલું નિવેદન છે.</p><h3><b>સોશિયલ મીડિયા પર કર્યુ ટ્વિટ&nbsp;</b></h3><p>BSP વડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે અયોધ્યામાં શ્રી રામ મંદિરમાંથી પ્રસાદની ચોરી, ઉચાપત અને દુરુપયોગના અહેવાલો અત્યંત ગંભીર અને ચિંતાજનક છે. આ ઉચાપત અને ચોરીમાં સામેલ લોકોને બિલકુલ બક્ષવા જોઈએ નહીં. તેમણે ઉમેર્યું હતું કે આ બાબતનું રાજકીયકરણ કરવું અયોગ્ય છે.</p><p>વધુમાં માયાવતીએ જણાવ્યું હતું કે મંદિરમાં ભક્તિથી આપવામાં આવતા પ્રસાદ અંગે વધુ ફરિયાદો ન થાય તે માટે, દેશભરના અન્ય પ્રખ્યાત મંદિરોમાં પ્રસાદનો હિસાબ રાખવા માટે ઉપયોગમાં લેવાતી પ્રણાલીઓનું અયોધ્યામાં અનુકરણ કરવું જોઈએ. તેમણે ભાર મૂક્યો હતો કે સમગ્ર મામલો ઝડપથી ઉકેલવો જોઈએ.</p><p>રાજકીય પક્ષોને સલાહ આપતા માયાવતીએ ટિપ્પણી કરી હતી કે દેશમાં રાજકારણનું ગુનાહિતકરણ કે ગુનાનું રાજકીયકરણ ન થવું જોઈએ. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે ધર્મનું રાજકીયકરણ કે રાજકારણનું આંધળું ધાર્મિકકરણ ન થવું જોઈએ.<br><br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/Mayawati/status/2071817628705005911"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><br></p><h4><b>કેવી રીતે રામ મંદિર દાનચોરીનો મુદ્દો ઉઠ્યો ?&nbsp;</b></h4><p>નોંધનીય છે કે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે 7 જૂને રામ મંદિરમાં દાનની ચોરીનો મુદ્દો ઉઠાવનાર સૌપ્રથમ હતા. ત્યારબાદ, રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય આગળ આવ્યા અને પોતાની લાક્ષણિક રીતે અખિલેશના નિવેદનનું ખંડન કર્યું. આમ છતાં અખિલેશ યાદવે પોતાના હુમલા ચાલુ રાખ્યા. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ દાનની ચોરીનો મુદ્દો ઉઠાવ્યો. જ્યારે રામ મંદિર આંદોલનમાં ભાગ લેનારા ભક્તો અને કાર્યકરોએ પણ આ મુદ્દો ઉઠાવવાનું શરૂ કર્યું, ત્યારે મંદિર ટ્રસ્ટને તમામ ક્ષેત્રો તરફથી દબાણનો સામનો કરવો પડ્યો. તપાસ SIT ને સોંપવામાં આવી</p><p><b style="font-size: 1.5rem;">8 લોકોની ધરપકડ, ચંપત રાયનું રાજીનામુ</b></p><p>ટ્રસ્ટની અપીલ બાદ, CM યોગીએ આ મામલાની તપાસ માટે SIT ની રચના કરી. જ્યારે SIT એ તેનો પ્રારંભિક અહેવાલ રજૂ કર્યો, ત્યારે તે સ્પષ્ટ થયું કે પ્રસાદ ચોરી થઈ રહ્યો છે. પરિણામે, તાત્કાલિક FIR નોંધવામાં આવી, અને આઠ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી. તેમની પાસેથી ₹80 લાખ પણ વસૂલ કરવામાં આવ્યા. પોલીસ કાર્યવાહી તીવ્ર બનતા, ચંપત રાય અને તેમના સહયોગી અનિલ મિશ્રાએ ટ્રસ્ટમાંથી રાજીનામું આપી દીધું. અયોધ્યાના વકીલો હવે આ મુદ્દા પર અવાજ ઉઠાવી રહ્યા છે, ચંપત રાય, અનિલ મિશ્રા અને વિનોદ રાવ વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરી રહ્યા છે, અને આરોપીઓનું પ્રતિનિધિત્વ ન કરવાનો નિર્ણય લીધો છે. દરમિયાન, મંગળવારે માયાવતી તરફથી એક નિવેદન આપ્યું.&nbsp;</p><p><br></p><p><a href="https://sandesh.com/gallery/news/india/why-are-potatoes-and-chickpeas-the-filling-in-panipuri?" target="_blank">આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/30/wV8ltGRJo21fn9Sq9OYv8dVG1BCm9uytVFuGlRfQ.webp'/></item><item><title><![CDATA[Investment Tips: ઘર ખરીદવું કે SIPમાં રોકાણ કરવું? કરોડપતિ બનવાનો સૌથી સુરક્ષિત રસ્તો કયો છે અને તમારા પૈસા ક્યાં ઝડપથી વધશે? ]]></title><link>https://sandesh.com/business/news/investment-tips-buy-a-house-or-invest-in-sip-what-is-the-safest-way-to-become-a-millionaire-and-where-will-your-money-grow-the-fastest</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/investment-tips-buy-a-house-or-invest-in-sip-what-is-the-safest-way-to-become-a-millionaire-and-where-will-your-money-grow-the-fastest</guid><pubDate>Tue, 30 Jun 2026 13:41:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પોતાની મહેનતની કમાણીમાંથી ભવિષ્ય માટે બચત અને રોકાણ કરવા ઈચ્છતા દરેક વ્યક્તિ સામે એક મોટો પ્રશ્ન હંમેશા ઉભો થાય છે: રિયલ એસ્ટેટ (જમીન-મકાન) માં રોકાણ કરવું કે મ્યુચ્યુઅલ ફંડમાં SIP (Systematic Investment Plan) શરૂ કરવી? પરંપરાગત રીતે ભારતીયો સોનું અને જમીન ખરીદવાને સૌથી સુરક્ષિત માને છે, પરંતુ આજના આધુનિક સમયમાં ફાઇનાન્સિયલ માર્કેટમાં એસઆઈપી તરફ લોકોનો ઝુકાવ ઝડપથી વધી રહ્યો છે. લાંબા ગાળે આ બંનેમાંથી કયો વિકલ્પ તમારા મધ્યમ અને લાંબા ગાળાના નાણાકીય લક્ષ્યોને પૂરા કરવા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે, તેનો સચોટ અભ્યાસ કરવો જરૂરી છે.</p><h2 style="text-align: justify;"><b>રિયલ એસ્ટેટમાં રોકાણ</b></h2><p style="text-align: justify;">રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે એક ભૌતિક સંપત્તિ (Physical Asset) છે જે તમને કાયમી માલિકીનો અહેસાસ કરાવે છે. આ ઉપરાંત, જો તમે કોઈ ઘર કે કોમર્શિયલ દુકાન ખરીદો છો, તો તમને નિયમિત ભાડાની આવક (Rental Income) પણ મળી શકે છે. જો કે, રિયલ એસ્ટેટનો સૌથી મોટો માઈનસ પોઈન્ટ એ છે કે તેમાં શરૂઆતમાં જ લાખો-કરોડો રૂપિયાના મોટા મૂડી રોકાણની જરૂર પડે છે. વળી, કટોકટીના સમયે તમે તેને તાત્કાલિક વેચી શકતા નથી, એટલે કે આમાં લિક્વિડિટી (નાણાંની તરલતા) નો મોટો અભાવ જોવા મળે છે. પ્રોપર્ટી ખરીદવામાં રજીસ્ટ્રેશન, સ્ટેમ્પ ડ્યુટી અને મેન્ટેનન્સનો ખર્ચ પણ જોડાયેલો હોય છે.</p><h3 style="text-align: justify; "><b>મ્યુચ્યુઅલ ફંડ SIP: ઓછું જોખમ,</b></h3><p style="text-align: justify;">બીજી તરફ, મ્યુચ્યુઅલ ફંડ SIP એક એવો સરળ વિકલ્પ છે જ્યાં તમે દર મહિને માત્ર 500 રૂપિયા જેવી નાની રકમથી પણ રોકાણની શરૂઆત કરી શકો છો. એસઆઈપીનો સૌથી મોટો ફાયદો કમ્પાઉન્ડિંગ વ્યાજ (Power of Compounding) છે. લાંબા ગાળે (10 થી 15 વર્ષ) શેરબજારના જોખમો હોવા છતાં, મ્યુચ્યુઅલ ફંડે સરેરાશ 12% થી 15% સુધીનું શાનદાર વાર્ષિક રિટર્ન આપ્યું છે. SIP માં તમને અદ્ભુત લિક્વિડિટી મળે છે, એટલે કે જ્યારે પણ પૈસાની જરૂર હોય, તમે ગમે ત્યારે ફંડમાંથી ઓનલાઈન પૈસા ઉપાડી શકો છો અને તે 2-3 દિવસમાં તમારા બેંક ખાતામાં આવી જાય છે. આમાં કોઈ મેન્ટેનન્સ કે મોટું હેડશેડ હોતું નથી.</p><h4 style="text-align: justify;"><b>લાંબા ગાળાના નફા માટે તમારા માટે કયો વિકલ્પ બેસ્ટ?</b></h4><p style="text-align: justify; ">જો તમારી પાસે મોટી રકમ એકસાથે ઉપલબ્ધ છે અને તમે 10-20 વર્ષ સુધી પૈસા રોકી રાખવા તૈયાર છો, તો રિયલ એસ્ટેટ સારો વિકલ્પ હોઈ શકે છે. પરંતુ જો તમે નોકરીયાત છો, તમારી પાસે દર મહિને મર્યાદિત બચત થાય છે અને તમે મોંઘવારીને માત આપીને મોટું ભંડોળ (Corpus) બનાવવા માંગો છો, તો એસઆઈપી તમારા માટે સર્વશ્રેષ્ઠ માધ્યમ છે. નાણાકીય નિષ્ણાતો સલાહ આપે છે કે રોકાણકારોએ પોતાના પોર્ટફોલિયોને સંતુલિત રાખવો જોઈએ; થોડું રોકાણ લિક્વિડિટી માટે એસઆઈપીમાં અને ક્ષમતા મુજબ થોડું રોકાણ રિયલ એસ્ટેટમાં કરવું એ આદર્શ વ્યુહરચના છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/world/news/giorgia-meloni-i-am-not-anyones-puppet-meloni-got-angry-over-trumps-allegations-know-why-he-said-thisE" target="_blank">આ પણ વાંચો:Giorgia Meloni: 'હું કોઈની કઠપૂતળી નથી', ટ્રમ્પના આરોપો પર ભડક્યા મેલોની, જાણો શા માટે તેમણે આવું કહ્યું?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/30/rOAUoodGzoAxv38LAPHrWJmdXII9F8JJvispr0oZ.webp'/></item><item><title><![CDATA[Ahmedabad Rath Yatra 2026 : જય રણછોડના નાદથી ગુંજ્યું સરસપુર, ભગવાન જગન્નાથજી ભાણેજ બની મોસાળે પધાર્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-rath-yatra-lord-jagannath-saraspur-mosal-rath-yatra-preparations</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-rath-yatra-lord-jagannath-saraspur-mosal-rath-yatra-preparations</guid><pubDate>Tue, 30 Jun 2026 13:02:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદની સુપ્રસિદ્ધ રથયાત્રા પૂર્વે અષાઢી દૂજના પવિત્ર અવસરે માહોલ સંપૂર્ણપણે ભક્તિમય બની ગયો છે. ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે પોતાના પરંપરાગત મોસાળ એવા સરસપુર ખાતે પધારી ચૂક્યા છે. મહાપ્રભુજીના આગમન સાથે જ સમગ્ર સરસપુર પંથકમાં ભક્તોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વાતાવરણ 'જય રણછોડ, માખણચોર' ના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું છે. મોસાળના ભક્તોએ ભગવાનના ઉષ્માભર્યા સ્વાગત સાથે તેમને લાડ લડાવવાનું શરૂ કરી દીધું છે.</p><h2 style="text-align: justify; "><b>15 દિવસ સુધી પ્રભુ માણશે મોસાળનું આતિથ્ય</b></h2><p style="text-align: justify; ">ભગવાન જગન્નાથજી આગામી 15 દિવસ સુધી પોતાના મોસાળ સરસપુરમાં જ મુકામ કરશે. ભાણેજ બનીને આવેલા ત્રણેય ભાઈ-બહેનોની આગતા-સ્વાગતામાં મોસાળવાસીઓ કોઈ કસર છોડવા માંગતા નથી. આ પવિત્ર દિવસો દરમિયાન ભક્તો દ્વારા ભજન, કીર્તન અને ધૂનના તાલે ભગવાનની વિશેષ સેવા-આરાધના કરવામાં આવી રહી છે. ભક્તો અને ભગવાન વચ્ચેનો આવો અલૌકિક પ્રેમ જોઈને સમગ્ર વાતાવરણ ભક્તિના રંગે રંગાઈ ગયું છે.</p><h3 style="text-align: justify; "><b>પરંપરાગત મામેરાની ભવ્ય તૈયારીઓ</b></h3><p style="text-align: justify; ">મોસાળમાં રોકાણ દરમિયાન ભગવાનનું પરંપરાગત અને ભવ્ય મામેરું ભરવા માટેની તૈયારીઓ પણ સરસપુરમાં જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. ભગવાનને અતિપ્રિય એવા વિવિધ પકવાનો અને વાનગીઓનો ભોગ ધરાવવામાં આવશે, તેમજ રથયાત્રાના દિવસે લાખો શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદની  ભવ્ય વ્યવસ્થા પણ અહીના વિવિધ પોળોના રસોડામાં કરવામાં આવશે. ભગવાનના દર્શન કરવા માટે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી રહી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; <a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-gujarat-monsoon-stuck-surat-paresh-goswami-prediction-weather-alerts-meaning" target="_blank">&nbsp;Sandesh Digital Explainer : ચોમાસું આખરે ક્યાં જઈને અટકી ગયું? ગુજરાત માટે આગામી 24 કલાક કેમ અત્યંત રોમાંચક છે, જાણો અસલી રહસ્ય</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/30/XCvaMLXH6Dcfk0YAUeJT44q8LpHAOKaIzH9q121E.webp'/></item><item><title><![CDATA[Vadodara: રક્ષામંત્રી રાજનાથ સિંહ વડોદરા પહોંચ્યા, ડિફેન્સ સેમિનારમાં આપશે હાજરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/defense-minister-rajnath-singh-arrives-in-vadodara-vibrant-gujarat-regional-summit-cm-welcomes</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/defense-minister-rajnath-singh-arrives-in-vadodara-vibrant-gujarat-regional-summit-cm-welcomes</guid><pubDate>Tue, 30 Jun 2026 12:41:00 +05:30</pubDate><description><![CDATA[<p>ભારત સરકારના રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે વહેલી સવારે વિશેષ વિમાન મારફતે વડોદરા એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. એરપોર્ટના વીઆઈપી લાઉન્જમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના મંત્રીઓ, વડોદરાના મેયર અને ઉચ્ચ વહીવટી તેમજ પોલીસ અધિકારીઓએ પુષ્પગુચ્છ આપીને તેમનું ભવ્ય સન્માન કર્યું હતું. આ પ્રવાસ વડોદરા અને સમગ્ર ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.</p><h2><b>ડિફેન્સ અને એરોસ્પેસ સેમિનાર પર વૈશ્વિક નજર</b></h2><p>વડોદરામાં હાલ વાઈબ્રન્ટ ગુજરાત રીજીનલ સમિટ (VGRC) ની શ્રેણી ચાલી રહી છે, જેમાં આજે સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્ર પર કેન્દ્રિત વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરામાં તાજેતરમાં જ સી-૨૯૫ (C-295) મિલિટરી એરક્રાફ્ટના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે રક્ષામંત્રીની આ મુલાકાતથી સંરક્ષણ ક્ષેત્રે કામ કરતી સ્થાનિક એમએસએમઈ (MSME) કંપનીઓને મોટી તકો મળશે. રક્ષામંત્રી સેમિનારમાં ઉપસ્થિત રહીને ભારતના 'મેક ઇન ઇન્ડિયા' અંતર્ગત ડિફેન્સ કોરિડોર અને એરોસ્પેસ સેક્ટરમાં થનારા નવા રોકાણો અને પ્રોજેક્ટ્સની જાહેરાત કરી શકે છે.</p><h3><b>સમિટનું ભવ્ય સમાપન</b></h3><p>આ પ્રવાસના બીજા ચરણમાં રક્ષામંત્રી વાઈબ્રન્ટ ગુજરાત રીજીનલ સમિટના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારા આ સમારોહમાં સમિટ દરમિયાન થયેલા કરોડો રૂપિયાના એમઓયુ (MoU) અને ભવિષ્યના રોકાણોની આખરી રૂપરેખા રજૂ કરવામાં આવશે. રક્ષામંત્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વડોદરા એરપોર્ટથી લઈને કાર્યક્રમ સ્થળ સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-encroachment-drive-sarkhej-sanand-crossing-illegal-structures-demolished" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: સાણંદ ક્રોસિંગ પાસે નડતરરૂપ ધાર્મિક દબાણો જમીનદોસ્ત, ગેરકાયદેસર કબ્જો જમાવનારા સામે તંત્ર આકરા પાણીએ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/30/2GPO3lXlouqAOU5b1TXneSqG1s3FKP92orP61oJ4.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: સાણંદ ક્રોસિંગ પાસે નડતરરૂપ ધાર્મિક દબાણો જમીનદોસ્ત, ગેરકાયદેસર કબ્જો જમાવનારા સામે તંત્ર આકરા પાણીએ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-encroachment-drive-sarkhej-sanand-crossing-illegal-structures-demolished</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-encroachment-drive-sarkhej-sanand-crossing-illegal-structures-demolished</guid><pubDate>Tue, 30 Jun 2026 12:25:00 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરના પેરિફેરલ વિસ્તારો અને હાઈવે ટચ વોર્ડમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુગમ બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરની સૂચનાથી શહેરભરમાં સફાયો અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત આજે વહેલી સવારથી જ એસ્ટેટ વિભાગની ટીમનો મોટો કાફલો સરખેજ વોર્ડમાં આવેલા સાણંદ ક્રોસિંગ સર્કલ પાસે ત્રાટક્યો હતો. સાણંદ ક્રોસિંગ એ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત તરફ જતા ભારે વાહનો માટેનું મુખ્ય પ્રવેશદ્વાર હોવાથી અહીં રસ્તાની બંને બાજુએ થયેલા દબાણો અકસ્માતને નોતરું આપતા હતા.</p><h2><b>કોઈ પણ ભેદભાવ વગર નડતરરૂપ ધાર્મિક દબાણો હટાવાયા</b></h2><p>તંત્ર દ્વારા આ ઝુંબેશ દરમિયાન કોઈપણ પ્રકારની શેહશરમ રાખ્યા વિના માર્ગની વચ્ચે કે ફૂટપાથ પર નડતરરૂપ બનતા ધાર્મિક બાંધકામો અને દબાણોને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ હટાવી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત કોર્પોરેશનના ધ્યાને આવ્યું હતું કે કેટલાક ભૂમાફિયાઓ અને સ્થાનિક તત્વો દ્વારા એએમસીની કે સરકારી માલિકીની જમીન પર મંજૂરી વગર રાતોરાત નવા પાકા દબાણો બનાવવામાં આવી રહ્યા હતા. તંત્રએ આ નવા બની રહેલા અડ્ડાઓ પર વહેલી સવારે જ જેસીબી ચલાવીને તેને સંપૂર્ણપણે જમીનદોસ્ત કરી દીધા હતા.</p><h3><b>રસ્તાઓ પહોળા થતાં સ્થાનિકો અને મુસાફરોમાં આનંદ</b></h3><p>અચાનક થયેલી આ કાર્યવાહીથી ગેરકાયદે ધંધો કરતા લારી-ગલ્લા ધારકો અને શેડ બાંધનારા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. એસ્ટેટ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે સાણંદ ક્રોસિંગથી સરખેજ ઉજાલા સર્કલ અને આંતરિક માર્ગો પર દબાણ કરનારાઓ સામે આગામી દિવસોમાં ફોજદારી ગુના પણ દાખલ કરવામાં આવશે. હાલ પૂરતો આખો માર્ગ એકદમ ખુલ્લો અને પહોળો થઈ ગયો છે, જેનાથી પીકઅવર્સ દરમિયાન સર્જાતા ટ્રાફિક જામમાંથી વાહનચાલકોને કાયમી રાહત મળશે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gandhinagar/kudasan-attack-case-political-rivalry-one-crore-for-rajasthan-tourism-chairman-post" target="_blank">આ પણ વાંચો:Gandhinagar: રાજસ્થાનમાં 'ચેરમેન પદ' મેળવવા અપાયા હતા 1 કરોડ, પૈસા પાછા માંગતા જ કરાયો હુમલો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/30/nfTcVjsRKTfQDxhWdKjLtMJIWF7FCIw4pL263OGJ.webp'/></item><item><title><![CDATA[Gandhinagar: રાજસ્થાનમાં 'ચેરમેન પદ' મેળવવા અપાયા હતા 1 કરોડ, પૈસા પાછા માંગતા જ કરાયો હુમલો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gandhinagar/kudasan-attack-case-political-rivalry-one-crore-for-rajasthan-tourism-chairman-post</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gandhinagar/kudasan-attack-case-political-rivalry-one-crore-for-rajasthan-tourism-chairman-post</guid><pubDate>Tue, 30 Jun 2026 11:56:54 +05:30</pubDate><description><![CDATA[<p>ગાંધીનગરના સેક્ટર-વિસ્તારો અને કુડાસણ હબ તરીકે વિકસી રહ્યા છે ત્યારે અહીં બનેલી એક હાઈપ્રોફાઈલ ગુનાહિત ઘટનાએ સમગ્ર રાજ્ય પોલીસ તંત્રને દોડતું કરી દીધું છે. પ્રાથમિક વિગતો મુજબ, ભોગ બનનાર વ્યક્તિને રાજસ્થાન સરકારના પ્રવાસન વિભાગમાં ચેરમેન જેવો મોટો હોદ્દો અપાવવાની લાલચ આપવામાં આવી હતી. આ રાજકીય પદના સોદા પેટે આરોપીઓએ ફરિયાદી પાસેથી અલગ-અલગ હપ્તેથી રૂ. 1 કરોડથી વધુની મસમોટી રકમ પડાવી લીધી હતી</p><h2><b>પૈસા ડૂબતા જોઈ માંગણી કરી અને કાવતરું ઘડાયું</b></h2><p>લાંબો સમય વીતી જવા છતાં પદ ન મળતા અને રાજસ્થાન સરકારમાં કોઈ સળવળાટ ન દેખાતા ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. આથી તેણે આરોપીઓ પાસે જઈને પોતાના 1 કરોડ રૂપિયા સત્વરે પરત આપવા માટે દબાણ વધાર્યું હતું. નાણાં પરત ન આપવા પડે તે માટે આરોપીઓએ કાવતરું ઘડી કુડાસણ ખાતે ફરિયાદીને આંતરી લીધો હતો. પૈસાની લેતીદેતી બાબતે પહેલા ઉગ્ર બોલાચાલી અને તકરાર થઈ હતી, જે બાદમાં ખૂની હુમલામાં ફેરવાઈ ગઈ હતી. આરોપીઓએ તીક્ષ્ણ હથિયારો અથવા હથિયાર વડે ફરિયાદી પર જીવલેણ હુમલો કરી દીધો હતો.</p><h3><b>નામચીન નેતાઓ સાથે તાર જોડાતા તપાસનો ધમધમાટ</b></h3><p>હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં પડેલા ઇજાગ્રસ્તને સ્થાનિક લોકો અને પરિચિતો દ્વારા તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડાયા હતા, જ્યાંથી વધુ ગંભીર હાલત જણાતા અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ કેસમાં સૌથી મોટો વળાંક એ આવ્યો છે કે સંડોવાયેલા આરોપીઓ અમદાવાદના એક મોટા ગજાના રાજકીય નેતાના આશીર્વાદ ધરાવે છે. જેને પગલે પોલીસ પર પણ દબાણ હોવાની ચર્ચાઓ વહેતી થઈ છે. જોકે, ઇન્ફોસિટી પોલીસે ગુનાની ગંભીરતા જોઈને ત્વરિત કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે અને આરોપીઓને પકડી પાડવા માટે જુદી-જુદી ટીમો બનાવી રાજસ્થાન અને અમદાવાદના સંભવિત અડ્ડાઓ પર દરોડા પાડવાનું શરૂ કર્યું છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ambaji/ambaji-temple-encroachment-drive-gate-5-6-7-cleared-for-smooth-traffic-shakti-corridor" target="_blank">આ પણ વાંચો: Ambaji: યાત્રાધામમાં રોડ પરના નડતરરૂપ દબાણોનો સફાયો, ટ્રાફિકની સમસ્યામાંથી નાગરિકોને મળશે કાયમી મુક્તિ</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/30/lZc9FlkNtgjzwZeLMRTZ7V10tgETiyDHLJtki0QS.webp'/></item><item><title><![CDATA[Ambaji: યાત્રાધામમાં રોડ પરના નડતરરૂપ દબાણોનો સફાયો, ટ્રાફિકની સમસ્યામાંથી નાગરિકોને મળશે કાયમી મુક્તિ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ambaji/ambaji-temple-encroachment-drive-gate-5-6-7-cleared-for-smooth-traffic-shakti-corridor</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ambaji/ambaji-temple-encroachment-drive-gate-5-6-7-cleared-for-smooth-traffic-shakti-corridor</guid><pubDate>Tue, 30 Jun 2026 11:07:14 +05:30</pubDate><description><![CDATA[<p>યાત્રાધામ અંબાજી હાલમાં પરિવર્તનના દૌરમાંથી પસાર થઈ રહ્યું છે. અંબાજી મંદિરને વિશ્વકક્ષાનું ભવ્ય સ્વરૂપ આપવા માટે 'શક્તિ કોરિડોર'નું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ બાંધકામને કારણે અંબાજીના આજુબાજુના મુખ્ય હાઈવે અને આંતરિક રસ્તાઓ પર વ્યાપક ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. જોકે, ડાયવર્ઝનવાળા રસ્તાઓ પર પણ સ્થાનિક વેપારીઓ અને અન્ય તત્વો દ્વારા નડતરરૂપ ગેરકાયદેસર દબાણો ખડકી દેવાતા છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી.</p><h2><b>ગેટ નંબર 5, 6 અને 7 પાસે કડક કાર્યવાહી</b></h2><p>શનિ-રવિ અને તહેવારોના દિવસોમાં માઈભક્તોની ભારે ભીડ ઉમટતી હોવાથી આ ટ્રાફિક વ્યવસ્થા સદંતર ખોરવાઈ જતી હતી. આ ગંભીર બાબતને ધ્યાને લઈને અંબાજી મંદિર પ્રશાસન, સ્થાનિક ગ્રામ પંચાયત/નગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. વહેલી સવારે મોટા કાફલા સાથે તંત્રની ટીમો અંબાજીના સંવેદનશીલ ગણાતા મંદિર ગેટ નંબર ૫, ૬ અને ૭ ની આસપાસ ત્રાટકી હતી. રસ્તાની બંને બાજુએ ફૂટપાથ પર કબજો જમાવીને બેસેલા લારી-ગલ્લા અને પાકા શેડને હટાવી દેવામાં આવ્યા હતા. વેપારીઓ સાથે કોઈ ઘર્ષણ ન થાય તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા.</p><h3><b>યાત્રાળુઓ અને સ્થાનિક વાહનચાલકોએ નિર્ણયને વધાવ્યો</b></h3><p>દબાણ હટાવવાની આ કડક ઝુંબેશના કારણે હવે અંબાજીના મુખ્ય પ્રવેશદ્વારો અને ડાયવર્ઝન માર્ગો એકદમ ખુલ્લા અને સુઘડ દેખાઈ રહ્યા છે. વહીવટી તંત્રના અધિકારીઓના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં આ વિસ્તારોમાં કોઈ ફરીથી દબાણ ન કરે તે માટે સ્પેશિયલ સ્ક્વોડ તહેનાત કરવામાં આવશે અને ટ્રાફિક પોલીસ પોઈન્ટ્સની સંખ્યા વધારવામાં આવશે. આ સુધારાથી અંબાજી આવતા અબાલ-વૃદ્ધ તમામ શ્રદ્ધાળુઓની દર્શન યાત્રા વધુ સુગમ અને સરળ બનશે, જેથી મુસાફરો અને સ્થાનિક નાગરિકોએ તંત્રની આ કામગીરીની પ્રશંસા કરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dwarka/jam-khambhalia-dwarka-highway-hanjdapar-car-accident-one-dead-five-injured" target="_blank">આ પણ વાંચો</a></b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dwarka/jam-khambhalia-dwarka-highway-hanjdapar-car-accident-one-dead-five-injured" target="_blank">: Dwarka: દર્શન કરી પરત ફરતા જામનગરના મિત્રોની કારનો હંજડાપર નજીક કચ્ચરઘાણ, અચાનક ઊંટ આડે આવતા 1 યુવાનનું કરૂણ મોત</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/30/gd8yKZ3fLq33x6Uulmyfjxy2QGpaqgQujnQmUsKG.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026 : પેનલ્ટી શૂટઆઉટમાં મોરોક્કોની ઐતિહાસિક જીત, પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-moroccos-historic-win-in-penalty-shootout-entry-into-pre-quarterfinals</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-moroccos-historic-win-in-penalty-shootout-entry-into-pre-quarterfinals</guid><pubDate>Tue, 30 Jun 2026 10:49:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફિફા વર્લ્ડ કપના 32મા રાઉન્ડમાં વધુ એક મોટો અપસેટ જોવા મળ્યો.મજબૂત નેધરલેન્ડ્સને પેનલ્ટી શૂટઆઉટમાં મોરોક્કોએ  3-2થી હરાવ્યું.મોરોક્કોની જીતનો હીરો ઇસા ડિઓપ રહ્યો હતો, જેણે 91મી મિનિટે ગોલ કરીને પોતાની ટીમને બરાબરી અપાવી અને ત્યારબાદ મોરોક્કોએ પેનલ્ટી શૂટઆઉટમાં ઐતિહાસિક વિજય મેળવ્યો.આ જીત સાથે મોરોક્કો પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો અને હવે 4 જુલાઈએ હ્યુસ્ટનમાં કેનેડાનો સામનો કરશે.</p><h3 style="text-align: justify;"><b>નેધરલેન્ડ્સ માટે કોણે ગોલ કર્યો?</b></h3><p style="text-align: justify;">મેચમાં ગોલ કરવાના અનેક પ્રયાસો થયા,પરંતુ પહેલા હાફમાં સ્કોર 0-0 રહ્યો.જોકે નેધરલેન્ડ્સે આખરે 72મી મિનિટે ગોલ કર્યો.આ ગોલ કોડી ગાકપોએ કર્યો. બોક્સમાં પડી રહેલા ક્રિસેન્સિયો સમરવિલે મહત્વપૂર્ણ સહાય પૂરી પાડી, અને ગાકપોએ પછી શક્તિશાળી શોટથી ગોલ કર્યો.</p><p style="text-align: justify;"><a href="https://x.com/FIFAWorldCup/status/2071807956841123888?s=20" target="_blank">https://x.com/FIFAWorldCup/status/2071807956841123888?s=20</a></p><p style="text-align: justify;"><br></p><h5 style="text-align: justify; "><b>મોરોક્કો માટે કોણે ગોલ કર્યો?</b></h5><p style="text-align: justify; ">એવું લાગતું હતું કે મોરોક્કો મેચ હારી જશે, પરંતુ 91મી મિનિટે એક ચમત્કાર થયો. ઇસા ડિઓપે અદભુત હેડરથી ગોલ કર્યો. તેના શક્તિશાળી હેડરને નેધરલેન્ડ્સના ગોલકીપર બાર્ટ વર્બ્રુગેન માટે રોકવું અશક્ય હતું. ડિઓપના ગોલને કારણે મેચ વધારાના સમયમાં ગઈ, જે 1-1ની બરાબરીમાં સમાપ્ત થઈ. આના કારણે પેનલ્ટી શૂટઆઉટ થયો, જ્યાં ડચ ખેલાડીઓ દબાણ હેઠળ ભાંગી પડ્યા.</p><h4 style="text-align: justify;"><b>નેધરલેન્ડ્સ-મોરોક્કો મેચમાં પેનલ્ટી શૂટઆઉટમાં શું થયું?</b></h4><p style="text-align: justify;">કોપમીનર્સે નેધરલેન્ડ્સ માટે પ્રથમ પેનલ્ટી ગોલ કર્યો.મોરોક્કો માટે એલ અયનાઉઇએ કિક લીધી અને ગોલ કરવામાં નિષ્ફળ રહ્યા.</p><p style="text-align: justify;">નેધરલેન્ડ્સ તેમની બીજી પેનલ્ટી કિક ચૂકી ગયું.આ ભૂલ ક્લુઇવર્ટ દ્વારા કરવામાં આવી હતી.જોકે મોરોક્કોના રહીમીએ શાનદાર ગોલ કર્યો.</p><p style="text-align: justify;">વેઘોર્સ્ટે નેધરલેન્ડ્સ માટે ગોલ કર્યો,અને મોરોક્કોના તાલ્બીએ કોઈ ભૂલ કરી નહીં.</p><p style="text-align: justify;">નેધરલેન્ડ્સ માટે ટિમ્બર ગોલ ચૂકી ગયો અને મોરોક્કોના હકીમીએ પણ ભૂલ કરી.</p><p style="text-align: justify;">સમરવિલે નેધરલેન્ડ્સ માટે પાંચમી પેનલ્ટી કિક લીધી, અને તેણે પણ ભૂલ કરી, અને સાઇબારીએ ગોલ કર્યો, જેનાથી મોરોક્કોને વિજય મળ્યો.</p><h4 style="text-align: justify;"><b>ઇસા ડિઓપ ફ્રાન્સ છોડીને મોરોક્કોમાં જોડાયો</b></h4><p style="text-align: justify;">મોરોક્કોને વિજય અપાવનાર ઇસા ડિઓપ વિશે, તેનો જન્મ ફ્રાન્સમાં થયો હતો. જોકે, તે આ વર્ષે મોરોક્કોમાં જોડાયો કારણ કે ફ્રાન્સે તેને ટીમમાં સામેલ કર્યો ન હતો. ઇસા ડિઓપની માતા મોરોક્કન છે, જેણે તેને ફૂટબોલ ટીમમાં સ્થાન મેળવવામાં મદદ કરી. આ ખેલાડી ફ્રેન્ચ અંડર-16અને અંડર-21 ટીમોનો ભાગ રહી ચૂક્યો છે. હાલમાં તે પ્રીમિયર લીગમાં ફુલહામ માટે રમે છે.</p><p style="text-align: justify;">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-brazil-defeats-japan-2-1-to-enter-pre-quarterfinals" target="_blank">FIFA World Cup 2026 : બ્રાઝિલે જાપાનને 2-1 થી હરાવીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/30/7EJFjuBkBtpalffVu8gyXUiKuo6xRy1hbgov57S3.webp'/></item></channel></rss>