<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[FIFA WC 2026: 9 કલાકની મુસાફરી, 10 બસની ધક્કામુક્કી, પ્રેક્ટિસ માટે પહોંચતો ખેલાડી આ ટીમનો છે કેપ્ટન ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/mohamed-salah-world-cup-2026-egypt-struggle-story</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/mohamed-salah-world-cup-2026-egypt-struggle-story</guid><pubDate>Mon, 15 Jun 2026 17:20:48 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઈજિપ્ત 16 જૂને બેલ્જિયમ સામે ફિફા વર્લ્ડકપ 2026માં પોતાનું અભિયાન શરૂ કરશે. આ ગ્રુપ G મેચ ભારતીય સમય મુજબ રાત્રે 12:30 વાગ્યે શરૂ થશે, અને બધાની નજર મોહમ્મદ સલાહ પર રહેશે. મોહમ્મદ સલાહ આજે ફૂટબોલ સુપરસ્ટાર છે. તે લિવરપૂલનો હીરો છે અને ઈજિપ્તીયન ફૂટબોલનો સૌથી વિશ્વસનીય ચહેરો છે.&nbsp;</p><p style="text-align: justify; ">ઈજિપ્ત વર્લ્ડકપની 23મી સીઝનમાં આ વિશ્વસનીય ખેલાડી પર આધાર રાખે છે. પરંતુ તમને જણાવી દઈએ કે મોહમ્મદ સલાહએ કેટલી બસ દ્વારા મુસાફરી કરી છે અને તેને આજે જે સ્થાન પર છે તે પહોંચવા માટે દરરોજ કેટલા કલાકો મુસાફરી કરી છે?</p><h2 style="text-align: justify; "><b>9 કલાકની મુસાફરી અને 10 બસની ધક્કામુક્કી</b></h2><p style="text-align: justify; ">જ્યારે મોહમ્મદ સલાહ 14 વર્ષનો હતો, ત્યારે તે પ્રેક્ટિસ માટે દરરોજ 9 કલાક મુસાફરી કરતો હતો. આ મુસાફરી દરમિયાન તેને 10 બસમાં ધક્કા ખાતો હતો. સલાહ સવારે 7 વાગ્યે શાળાએ જતો હતો. શાળાના 2 કલાક પછી, તે તેના ફૂટબોલ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ પર પહોંચતો હતો. મોહમ્મદ સલાહ 4 વર્ષ સુધી આ કરતો રહ્યો. તે સંઘર્ષે તેને વધુ સારો ખેલાડી બનવામાં મદદ કરી.</p><h3 style="text-align: justify; "><b>મોહમ્મદ સલાહે પોતાના સંઘર્ષની વાર્તા વિગતવાર કહી</b></h3><p style="text-align: justify; ">2017ના એક ઈન્ટરવ્યુમાં મોહમ્મદ સલાહે પોતાના કરિયરના શરૂઆતના દિવસો યાદ કરતા કહ્યું કે તે શરૂઆતમાં તેના ગામથી અડધા કલાક દૂર એક ક્લબ માટે રમતો હતો. ત્યારબાદ તે દોઢ કલાક દૂર ટાન્ટા ક્લબમાં જોડાયો. ત્યાંથી તે કૈરોમાં આરબ કોન્ટ્રાક્ટર્સમાં જોડાયો, જે તેના ગામથી 4 કે સાડા ચાર કલાકના અંતરે હતું. તેને કહ્યું કે તે અઠવાડિયામાં 5 દિવસ ત્યાં ટ્રેનિંગ લેતો હતો.</p><h4 style="text-align: justify; "><b>શાળામાં 2 કલાક વિતાવ્યા પછી ટ્રેનિંગ માટે નીકળતો</b></h4><p style="text-align: justify; ">મોહમ્મદ સલાહે ઈન્ટરવ્યુમાં વધુમાં સમજાવ્યું કે તે ટ્રેનિંગ માટે શાળાથી વહેલો નીકળી જતો હતો. તે સવારે 7 વાગ્યે શાળાએ પહોંચે અને સવારે 9 વાગ્યે નીકળી જાય. તેને બપોરે 2 વાગ્યા સુધીમાં ટ્રેનિંગ પર પહોંચવાની ખાસ પરવાનગી હતી.</p><p style="text-align: justify; ">મોહમ્મદ સલાહે કહ્યું કે તે બપોરે 2:00 કે 2:30 વાગ્યાની આસપાસ ટ્રેનિંગ માટે પહોંચતો. ટ્રેનિંગ બપોરે 3:30 કે 4:00 વાગ્યે શરૂ થતી અને સાંજે 6:00 વાગ્યે સમાપ્ત થતી. સાંજે 6:00 વાગ્યા પછી, તે ઘરે જવા નીકળતો અને રાત્રે 10:00 કે 10:30 વાગ્યે પહોંચતો. પછી તે ખાતો, પીતો અને સૂઈ જતો, અને બીજા દિવસે તે એ જ નિત્યક્રમનું પુનરાવર્તન કરતો.</p><h5 style="text-align: justify; "><b>ફિફા વર્લ્ડકપ 2026 માટે મોહમ્મદ સલાહ ઈજિપ્તનો કેપ્ટન છે</b></h5><p style="text-align: justify; ">મોહમ્મદ સલાહ અત્યાર સુધીમાં ઈજિપ્ત માટે 113 મેચ રમી ચૂક્યો છે. ફિફા વર્લ્ડકપ 2026 માટે મોહમ્મદ સલાહ ઈજિપ્તનો કેપ્ટન છે, અને ટીમની આશાઓ તેમના પર ટકેલી છે. પ્રથમ મેચમાં ઈજિપ્ત બેલ્જિયમનો સામનો કરશે, ત્યારબાદ બીજા મેચમાં ન્યુઝીલેન્ડ અને પછી ઈરાનનો સામનો કરશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/entertainment/abhishek-mahira-sharma-dating-rumors-matching-bracelet" target="_blank">Abhishek Sharma માહિરા શર્માને કરી રહ્યો છે ડેટ? ઈન્સ્ટાગ્રામની 'સીક્રેટ' પોસ્ટમાં થયો ખુલાસો!</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/s3sGDLAp38lgBgNHE2BDuix1sdutMPnB8DWhLkKc.webp'/></item><item><title><![CDATA[UP Elections 2027: ઓવૈસીને ગઠબંધનમાં જોડાવા રસ, પણ કોંગ્રેસ અને સપા આવકારશે ? ]]></title><link>https://sandesh.com/india/news/up-elections-2027-owaisi-interested-in-joining-alliance-but-will-congress-and-sp-welcome-it</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/up-elections-2027-owaisi-interested-in-joining-alliance-but-will-congress-and-sp-welcome-it</guid><pubDate>Mon, 15 Jun 2026 17:09:20 +05:30</pubDate><description><![CDATA[<p>ઉત્તર પ્રદેશમાં 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણીનો ગરમાવો અત્યારથી જ જોવા મળી રહ્યો છે. ભાજપ વિરોધી મોરચો મજબૂત કરવાના નામે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયા' (INDIA) માં જોડાવાના સંકેત આપ્યા છે. જોકે ઓવૈસીની આ એન્ટ્રીના પ્રસ્તાવથી ગઠબંધનના બે મોટા સ્તંભ&nbsp; કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી (SP) વચ્ચેના આંતરિક મતભેદો સપાટી પર આવી ગયા છે.</p><h2><b>સમાન દરજ્જાની શરત અને ગઠબંધનમાં વિવાદ</b></h2><p>લખનૌમાં એક કાર્યક્રમ દરમિયાન ઓવૈસીએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ભાજપને સત્તા પરથી હટાવવા માટે ગઠબંધન કરવા તૈયાર છે, પરંતુ શરત એ છે કે તેમની પાર્ટીને મોરચામાં સન્માનજનક સ્થાન અને બરાબરીનો દરજ્જો મળવો જોઈએ. ઓવૈસીની આ શરતે જ 'ઇન્ડિયા' બ્લોકની અંદર વૈચારિક ટકરાવ ઊભો કરી દીધો છે.</p><h3><b>ઓવૈસીના ઇન્ડિયા બ્લોકમાં જોડાવા અંગે કોંગ્રેસે શું કહ્યું ?&nbsp;</b></h3><p>આ મુદ્દે કોંગ્રેસના સાંસદ ઈમરાન મસુદે જણાવ્યું કે AIMIM ને ગઠબંધનમાં લેવી કે નહીં તે હાઈકમાન્ડ નક્કી કરશે, પરંતુ વૈચારિક સ્તરે કોઈ બાંધછોડ થશે નહીં. તેમણે ઉમેર્યું તમે એક તરફ કોમવાદનો વિરોધ કરો અને બીજી તરફ તેને પરોક્ષ રીતે ઓક્સિજન આપો, તે બંને વસ્તુઓ સાથે ન ચાલી શકે.</p><p>મસુદે દાવો કર્યો કે દેશમાં ખરી લડાઈ સીધી નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાહુલ ગાંધીની છે અને ભાજપને હરાવવાની તાકાત માત્ર રાહુલ ગાંધી પાસે જ છે. તેથી જેઓ સાચે જ ભાજપને રોકવા માગે છે તેમણે રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ જ આવવું પડશે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2066431401818554477"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b style="font-size: 1.75rem;">સપાનું શું કહેવુ છે?&nbsp;</b></p><p>બીજી તરફ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ રામગોપાલ યાદવે આ મુદ્દે તદ્દન વિપરીત વલણ અપનાવ્યું છે. ઉત્તર પ્રદેશના સમીકરણોને જોતાં તેમણે સંકેત આપ્યો કે ભાજપને નબળી પાડતી કોઈ પણ રાજકીય શક્તિનું તેઓ સ્વાગત કરશે. સપાનો મુખ્ય હેતુ ભાજપ વિરોધી મતોનું વિભાજન રોકવાનો છે.</p><p><b style="font-size: 1.75rem;">તાજેતરના પરાજય બાદ વિપક્ષી મોરચાનું મંથન</b></p><p>કોંગ્રેસ અને સપાના આ નિવેદનો એવા સમયે આવ્યા છે જ્યારે પાછલા એક વર્ષમાં દિલ્હી, બિહાર અને પશ્ચિમ બંગાળ જેવા મહત્વના રાજ્યોમાં ગઠબંધનનું પ્રદર્શન નબળું રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં TMC અને દિલ્હીમાં AAP ને મોટો ફટકો પડ્યો છે, જ્યારે બિહારમાં ભાજપ-JDU ગઠબંધન વિજેતા રહ્યું છે. આ નબળા પ્રદર્શન બાદ દિલ્હીમાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં રાહુલ ગાંધીએ સહયોગી પક્ષોને એક થઈને લડવાની સલાહ આપી હતી અને ચેતવણી પણ આપી હતી.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2066365861255127478"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p><b>પ્રાદેશિક પક્ષોને રાહુલ ગાંધીની કડક ચેતવણી</b></p><p>રાહુલ ગાંધીએ સપા, ટીએમસી અને આરજેડી જેવા પ્રાદેશિક પક્ષોને આગાહ કર્યા કે દેશમાં હવે મુક્ત ચૂંટણી જેવો માહોલ રહ્યો નથી, તેથી રાજકારણની જૂની પ્રણાલી અને પ્રચારની પરંપરાગત શૈલી હવે કામ નહીં આવે. તેમણે કોંગ્રેસની ભૂમિકા સ્પષ્ટ કરતા કહ્યું કે પાર્ટી વિપક્ષની આ લડાઈનું નેતૃત્વ ચાલુ રાખશે અને તમામ પડકારો ઝીલવા તૈયાર છે.</p><p><b>યુપીમાં AIMIM નું રાજકીય કદ</b></p><p>વર્ષ 2022ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ઓવૈસીની વ્યૂહરચના નિષ્ફળ સાબિત થઈ હતી</p><ul><li>ચૂંટણી લડેલી બેઠકો: 94 (નાના પક્ષો સાથે ગઠબંધન કરીને)</li><li>જીતેલી બેઠકો: 0 (એક પણ નહીં)</li><li>કુલ વોટ શેર: માત્ર 0.49 ટકા</li></ul><p><a href="https://sandesh.com/gallery/news/lifestyle/this-district-is-considered-the-litchi-capital-of-india-know-which-one" target="_blank">આ પણ વાંચો-  આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?&nbsp;</a></p><p><br></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/30FYdMIxNdb9Yy8qoGdqyAjmdwH4unFDudGN0aIT.webp'/></item><item><title><![CDATA[Ahmedabad Rath Yatra 2026: રથયાત્રા પહેલા AMC એક્શન મોડમાં, રૂટ પરના 523 ભયજનક મકાનોને નોટિસ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/rath-yatra-2026-route-amc-notices-to-523-dangerous-buildings</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/rath-yatra-2026-route-amc-notices-to-523-dangerous-buildings</guid><pubDate>Mon, 15 Jun 2026 17:09:15 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરમાં આગામી સમયમાં અષાઢી બીજના પવિત્ર દિવસે યોજાનારી ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાને લઈને વહીવટી તંત્ર અત્યારથી જ એક્શન મોડમાં આવી ગયું છે. રથયાત્રા દરમિયાન લાખોની મેદની ઉમટતી હોવાથી ભક્તોની સુરક્ષાને સર્વોચ્ચ અગ્રતા આપવામાં આવી રહી છે. રથયાત્રાના રૂટ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભયજનક અને જર્જરીત મકાનો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોન દ્વારા રથયાત્રાના સમગ્ર રૂટ પર સઘન સર્વેની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે, જેમાં જોખમી જણાયેલા કુલ 523 મકાનોને નોટિસ ફટકારવામાં આવી છે.</p><h2><b>કોટ વિસ્તારના જૂના મકાનો પર AMCની નજર</b></h2><p>રથયાત્રા પરંપરાગત રીતે જમાલપુર, ખાડિયા, શાહપુર અને દરિયાપુર જેવા કોટ વિસ્તારના સાંકડા અને જૂના વિસ્તારોમાંથી પસાર થાય છે. આ વિસ્તારોમાં વર્ષો જૂના અનેક જર્જરીત મકાનો આવેલા છે, જે ચોમાસાની શરૂઆતમાં કે ભારે ભીડના દબાણને કારણે તૂટી પડવાનો ભય રહે છે. આ જોખમ નિવારવા માટે AMC અત્યંત જર્જરીત અને જોખમી મકાનોને પોતાની દેખરેખ હેઠળ જાતે જ ઉતારી રહી છે.</p><h2><b>રથયાત્રા રૂટ પર મકાનો અને નોટિસની સ્થિતિ</b></h2><ul><li>કુલ મકાનો (રૂટ પર): 4675</li><li>કુલ ભયજનક મકાનો જેને નોટિસ અપાઈ: 523</li></ul><h2><b>કયા વોર્ડમાં કેટલા મકાનો અને કેટલી નોટિસ?</b></h2><ul><li><b>જમાલપુર: </b>કુલ મકાનો 323, ભયજનક મકાનો (નોટિસ) 9</li><li><b>ખાડિયા 1:</b> કુલ મકાનો 582, ભયજનક મકાનો (નોટિસ) 121</li><li><b>ખાડિયા 2:</b> કુલ મકાનો 1238, ભયજનક મકાનો (નોટિસ) 161</li><li><b>દરિયાપુર: </b>કુલ મકાનો 2444, ભયજનક મકાનો (નોટિસ) 221</li><li><b>શાહીબાગ:</b> કુલ મકાનો 70, ભયજનક મકાનો (નોટિસ) 7</li><li><b>શાહપુર:</b> કુલ મકાનો 18, ભયજનક મકાનો (નોટિસ) 4</li></ul><h2><b>ખાડિયા અને દરિયાપુરમાં સૌથી વધુ જોખમ</b></h2><p>અમદાવાદ મનપાના સત્તાવાર આંકડાઓ મુજબ, રથયાત્રાના રૂટ પર સૌથી વધુ ભયજનક મકાનો ખાડિયા વિસ્તારમાં નોંધાયા છે, જ્યાં ખાડિયા-1 અને ખાડિયા-2 મળીને કુલ 282 મકાનોને નોટિસ આપવામાં આવી છે. જ્યારે દરિયાપુર વિસ્તારમાં 221 મકાનો જોખમી જણાતા નોટિસ પાઠવવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ સંબંધિત મકાન માલિકોને વહેલી તકે જરૂરી સમારકામ અથવા ભયજનક ભાગ દૂર કરવા કડક સૂચના આપવામાં આવી છે, જેથી રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં સંપન્ન થઈ શકે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/gandhinagar-farmers-protest-mega-tractors-rally" target="_blank">Gandhinagar Farmers Protest: હજારો ટ્રેક્ટરોના કાફલા સાથે સરકાર સામે મોરચો, ટ્રાફિક ચક્કાજામ!</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/o0LMXD2Pc1MQAaNjy7FM3yjbz54ydMRWxtem9gB7.webp'/></item><item><title><![CDATA[Rajasthan : બિકાનેરના શ્રીડુંગરગઢ પાસે કાર-ટ્રક વચ્ચે ભીષણ ટક્કર, 6 લોકોના થયા મોત ]]></title><link>https://sandesh.com/india/news/rajasthan-bikaner-sridungargarh-car-truck-head-on-collision-6-dead</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/rajasthan-bikaner-sridungargarh-car-truck-head-on-collision-6-dead</guid><pubDate>Mon, 15 Jun 2026 17:06:20 +05:30</pubDate><description><![CDATA[<p>રાજસ્થાનના બીકાનેર જિલ્લામાં સોમવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે, જ્યારે એક યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ છે. શ્રી ડૂંગરગઢ નજીક નેશનલ હાઈવે પર સીઝરાલ હોટલ પાસે કાર અને ટ્રક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતાં આ કરુણ ઘટના બની. અકસ્માત એટલો ભીષણ હતો કે કારના કચ્ચરઘાણ નીકળી ગયા અને તેમાં સવાર 6 લોકોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો.</p><h2><b>કારનો કચ્ચરઘાણ નીકળી ગયો&nbsp;</b></h2><p>મળતી માહિતી મુજબ, નેશનલ હાઈવે પર પૂરઝડપે દોડી રહેલી કાર અને ટ્રક વચ્ચે અચાનક સામસામે અથડામણ થઈ હતી. ટક્કરની તીવ્રતાને કારણે કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. અકસ્માત બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરીમાં જોડાયા હતા.</p><h3><b>ટોલ પ્લાઝાની એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી</b></h3><p>અકસ્માતની જાણ થતાં જ એમ્બ્યુલન્સ તેમજ ટોલ પ્લાઝાની એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. સેવાદારો અને સ્થાનિક લોકોની મદદથી કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી. તમામ મૃતદેહોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલી યુવતીને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે બીકાનેર રિફર કરવામાં આવી હતી. તેની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે.</p><h4><b>પોલીસે મૃતકોની ઓળખ તેમજ અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરી&nbsp;</b></h4><p>મૃતકોમાં ત્રણ પુરુષ, એક મહિલા અને એક યુવતીનો સમાવેશ થાય છે. અકસ્માતમાં ઘાયલ થયેલી અન્ય યુવતી જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહી છે. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ વધુ ઝડપ અને સામસામેની ટક્કર હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે મૃતકોની ઓળખ તેમજ અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરી છે. એક જ અકસ્માતમાં 6 લોકોના મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/delhi-rain-winds-blew-at-a-speed-of-92km-the-mood-of-the-season-changed-in-delhi-ncr" target="_blank">આ પણ વાંચો : Delhi Rain: 92KMની ઝડપે ફૂંકાયો પવન, દિલ્હી NCRમાં બદલાયો મોસમનો મિજાજ</a></b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/NJWuXx7kgwouCAi2ZgnlZ7DtsIgTQscW3MP2Ktry.webp'/></item><item><title><![CDATA[Bollywood : 'ના શોલે, ના ઝંજીર અને ના દંગલ...', 26 વર્ષ પછી પણ કોઈ તોડી શક્યું નથી આ ફિલ્મનો રેકોર્ડ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/kaho-naa-pyaar-hai-unbroken-guinness-world-record-26-years-most-awards</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/kaho-naa-pyaar-hai-unbroken-guinness-world-record-26-years-most-awards</guid><pubDate>Mon, 15 Jun 2026 17:01:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડની ઘણી ફિલ્મો એવી છે, જેણે એકથી ચડિયાતા એક રેકોર્ડ બનાવ્યા છે, પરંતુ શું તમે જાણો છો કે એક હિન્દી ફિલ્મ એવી પણ છે, જેનો રેકોર્ડ આજ સુધી તૂટ્યો નથી.&nbsp; અમે જે ફિલ્મની વાત કરી રહ્યા છીએ, તે કોઈ અન્ય નહીં પરંતુ વર્ષ 2000 માં રિલીઝ થયેલી ફિલ્મ 'કહો ના પ્યાર હૈ' છે. આ એકમાત્ર હિન્દી ફિલ્મ છે, જેનો આજ સુધી રેકોર્ડ તૂટ્યો નથી.</p><h2 style="text-align: justify; "><b>નથી તૂટ્યો રેકોર્ડ</b></h2><p style="text-align: justify; ">ફિલ્મ 'કહો ના પ્યાર હૈ' ના નામે એક એવો રેકોર્ડ છે, જે આજ સુધી તૂટ્યો નથી. આ ફિલ્મે એકલા જ કુલ 92 એવોર્ડ્સ પોતાના નામે કર્યા હતા, જે કોઈ પણ ફિલ્મ માટે બહુ મોટી વાત છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મનો આ રેકોર્ડ હજી સુધી તૂટ્યો નથી. આ કારણે ફિલ્મનું નામ 'ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ' માં પણ નોંધવામાં આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>રિલીઝને થયા 26 વર્ષ</b></h2><p style="text-align: justify; ">ફિલ્મની રિલીઝને 26 વર્ષ થઈ ગયા છે, પરંતુ તેનો આ રેકોર્ડ હજી સુધી તૂટ્યો નથી. આ જ ફિલ્મથી ઋતિક રોશનને સિનેમાની દુનિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. રિલીઝની સાથે જ પિતા-પુત્રની જોડીએ બોક્સ ઓફિસ પર એવો હાહાકાર મચાવ્યો કે રાતોરાત ઇતિહાસ રચી દીધો.<br><img title="Kaho Naa Pyaar Hai Film (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/06/15/PZNvWJTUeQfhuQFfJm75xkr4R0SdXe6jAkgY5CTq.webp"><br></p><h2 style="text-align: justify; "><b>બજેટ અને કલેક્શન</b></h2><p style="text-align: justify; ">ફિલ્મના બજેટની વાત કરીએ તો આ ફિલ્મ 10 કરોડના ખર્ચે બનાવવામાં આવી હતી, પરંતુ તેણે બોક્સ ઓફિસ પર આવતાની સાથે જ ધમાકો કર્યો અને 44 કરોડથી વધુની કમાણી કરી હતી.</p><h2 style="text-align: justify; "><b>કોઈ ફિલ્મ નથી આસપાસ</b></h2><p style="text-align: justify; ">ફિલ્મે એટલા બધા રેકોર્ડ્સ પોતાના નામે કર્યા કે આજ સુધી કોઈ પણ બોલીવુડ ફિલ્મ આ રેકોર્ડની આસપાસ પણ પહોંચી શકી નથી. આ પણ પોતાનામાં એક મોટી વાત છે કે કોઈ ફિલ્મ આટલા વર્ષોમાં પણ આ રેકોર્ડને તોડી શકી નથી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/arbaaz-khan-wife-shura-khan-reply-to-trolls-on-age-gap" target="_blank">આ પણ વાંચો-Arbaaz Khan Wife : 23 વર્ષ મોટા અરબાઝ ખાન સાથે લગ્ન કરી ટ્રોલ થઈ શૂરા, હેટર્સને આપ્યો જડબાતોડ જવાબ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/jSm2OYcHL5AsZZQhSKEuPDr5wcoPEPukk4wXadLY.webp'/></item><item><title><![CDATA[Gujaratની નવી ઔદ્યોગિક પોલિસી 2026 લોન્ચ: જાણો ગ્રીન પ્રોજેક્ટ્સ અને મહિલાઓ માટે શું છે ખાસ? ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarats-new-industrial-policy-2026-launched-red-carpet-instead-of-red-tapism-green-projects-and-special-incentives-for-women</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarats-new-industrial-policy-2026-launched-red-carpet-instead-of-red-tapism-green-projects-and-special-incentives-for-women</guid><pubDate>Mon, 15 Jun 2026 16:59:17 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતને વૈશ્વિક સ્તરે રોકાણ માટેનું સૌથી આકર્ષક રાજ્ય બનાવવાના મક્કમ નિર્ધાર સાથે મુખ્યમંત્રી દ્વારા રાજ્યની 'નવી ઔદ્યોગિક પોલિસી 2026' ની જાહેરાત કરવામાં આવી છે. આ નવી નીતિને 'વિકસિત ભારત 2047' ના વિઝનને સાકાર કરનારી ગણાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ પોલિસી રોકાણો આકર્ષવા પૂરતી સીમિત નથી, પરંતુ રાજ્યના દરેક ઉદ્યોગોને પ્રોત્સાહન પૂરું પાડે તે રીતે તૈયાર કરવામાં આવી છે. ઉદ્યોગ જગત તરફથી મળેલી તમામ માંગણીઓનો સ્વીકાર કરીને જ આ નીતિ ઘડવામાં આવી છે, જે અન્ય રાજ્યોના ઉદ્યોગોને પણ ગુજરાત તરફ આકર્ષિત કરશે.</p><h2 style="text-align: justify; ">વડાપ્રધાનના સુશાસનને અભિનંદન અને ‘રેડ કાર્પેટ’ અભિગમ</h2><p style="text-align: justify; ">નવી નીતિની જાહેરાત કરતાં મુખ્યમંત્રીએ વડાપ્રધાનના સફળ સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવા બદલ ગૌરવભેર અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાનના 12 વર્ષનો આ સમયગાળો દેશ અને રાજ્ય માટે સામાજિક, આર્થિક અને ઔદ્યોગિક ક્ષેત્રે નવા શિખરો સર કરનારો સાબિત થયો છે. વડાપ્રધાને ઉદ્યોગો માટે રેડ ટેપીઝમ નાબૂદ કરી 'રેડ કાર્પેટ' ની સુવિધા આપી છે. જેના કારણે આજે ગુજરાત મેન્યુફેક્ચરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રેસર છે.</p><h3 style="text-align: justify; ">મહિલા સશક્તિકરણ અને પ્રાદેશિક સંતુલન પર ભાર</h3><p style="text-align: justify;">નવી ઔદ્યોગિક પોલિસી 2026માં પર્યાવરણ અને સર્વસમાવેશી વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ નીતિના મુખ્ય આકર્ષણો નીચે મુજબ છે:</p><p style="text-align: justify; ">•<b>	મહિલા કો-ફાઉન્ડર્સ માટે વિશેષ સહાય: </b>ઉદ્યોગોમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે જે કંપનીઓમાં મહિલા કો-ફાઉન્ડર હશે, તેમને સરકાર તરફથી વિશેષ નાણાકીય સહાય અપાશે.</p><p style="text-align: justify; ">•	<b>ગ્રીન અને સસ્ટેનેબલ ઈન્ડસ્ટ્રીઝ: </b>પર્યાવરણનું સંરક્ષણ એ જ સાચો વિકાસ છે, તેથી પ્રદૂષણ મુક્ત અને સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ આધારિત ઉદ્યોગોને સર્વોચ્ચ પ્રાધાન્ય અપાયું છે.</p><p style="text-align: justify; ">•	<b>સંતુલિત પ્રાદેશિક વિકાસ:</b> આ નીતિ દ્વારા માત્ર ચોક્કસ શહેરોમાં જ નહીં, પરંતુ ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં પણ ઉદ્યોગો સ્થપાય તે માટે ખાસ પ્રોત્સાહનો આપવામાં આવ્યા છે.</p><p style="text-align: justify;"><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify;"><br></p><p style="text-align: justify;"><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/KDYzCRc5ONsbZuLqFhcTKoeoxRThsvEu84FZuftE.webp'/></item><item><title><![CDATA[Savliના લામડાપુરામાં તલવાર અને પિસ્તોલ લહેરાવવાનો વીડિયો વાયરલ થતાં પોલીસ પોતે બની ફરિયાદી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/vadodara/police-themselves-become-complainants-after-video-of-savli-brandishing-sword-and-pistol-in-lamdapura-goes-viral</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/vadodara/police-themselves-become-complainants-after-video-of-savli-brandishing-sword-and-pistol-in-lamdapura-goes-viral</guid><pubDate>Mon, 15 Jun 2026 16:25:29 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લામડાપુરા ગામે 14 જૂનની રાત્રે હથિયારધારી ટોળકીએ મચાવેલા આતંકના વાયરલ વીડિયો મામલે આખરે મંજુસર પોલીસ સખત એક્શનમાં આવી છે. કાયદો અને વ્યવસ્થાને પડકારતી આ ઘટનાની ગંભીરતાને જોઈને ખુદ પોલીસ સરકાર તરફથી ફરિયાદી બની છે. હેડ કોન્સ્ટેબલ રાજુભાઈની ફરિયાદના આધારે મંજુસર પોલીસે સરપંચના પુત્ર સહિત કુલ 8 ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને આર્મ્સ એક્ટની વિવિધ કડક ધારાઓ હેઠળ ગુનો નોંધી કાનૂની સપાટો બોલાવ્યો છે.</p><h2 style="text-align: justify;">તલવાર, ધારીયા અને પિસ્તોલ જેવા હથિયારો સાથે ધમકી&nbsp;</h2><p style="text-align: justify; ">પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ 14 જૂનની રાત્રે લામડાપુરા ગામે સરપંચના પુત્ર ઉપેન્દ્રસિંહ પરમારે બહારથી ભાડૂતી ગુંડાઓની ટોળકી બોલાવી હતી. આ અસામાજિક તત્વો હાથમાં તલવાર, ધારીયા, ફરસી અને લાકડીઓ જેવા ઘાતક હથિયારો સાથે ગામમાં ત્રાટક્યા હતા. વાયરલ થયેલા વીડિયોમાં એક શખ્સ પોતાની કમર પર પિસ્તોલ જેવું હથિયાર લટકાવીને ફરતો દેખાઈ રહ્યો છે. આ ટોળકીએ જાહેરમાં બિભત્સ ગાળો ભાંડી, વાહનોમાં તોડફોડ કરી હતી અને ગ્રામજનોને "જો ગોળી મારીશું તો મોંમાંથી લોહીનો ફુવારો નીકળશે" જેવી ધમકીઓ આપી ગામમાં દહેશતનો માહોલ ઊભો કર્યો હતો.</p><h3 style="text-align: justify;">આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા</h3><p style="text-align: justify; ">આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અને ગામમાં ભારે તણાવ વ્યાપી જતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મંજુસર પોલીસે તાત્કાલિક પગલાં લીધા છે. કાયદાનું શાસન સ્થાપિત કરવા માટે પોલીસ પોતે જ ફરિયાદી બની ગુનો દાખલ કર્યો છે. હાલમાં મુખ્ય સૂત્રધાર સરપંચ પુત્ર ઉપેન્દ્રસિંહ પરમાર અને તેના સાગરીતો ધરપકડના ડરથી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસે આરોપીઓના સંભવિત આશ્રયસ્થાનો પર દરોડા પાડવા માટે જુદી જુદી ટીમો સક્રિય કરી છે અને તમામ ગુનેગારોને વહેલી તકે જેલના સળિયા પાછળ ધકેલવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify;"><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/Xt6hslpe8Z7UIfsU9IyOs97wprhoObBVWVMcVl1a.webp'/></item><item><title><![CDATA[Sabarkantha News: સપ્તેશ્વર મહાદેવના દર્શને આવેલો યુવાન નદીમાં ડૂબ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/idar/young-man-drowned-in-sabarmati-river-at-sapteshwar-mahadev-sabarkantha</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/idar/young-man-drowned-in-sabarmati-river-at-sapteshwar-mahadev-sabarkantha</guid><pubDate>Mon, 15 Jun 2026 16:10:26 +05:30</pubDate><description><![CDATA[<p>ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે સાબરકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેશ્વરથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં આવેલા સપ્તેશ્વર મહાદેવના દર્શને આવેલો એક આશાસ્પદ યુવાન સાબરમતી નદીના પાણીમાં ડૂબી જતાં તેનું કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે દર્શનાર્થીઓ અને સ્થાનિકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે.</p><h2><b>મિત્રો સાથે ન્હાવા પડ્યો અને કાળ આંબી ગયો</b></h2><p>ઘટનાની મળતી માહિતી અનુસાર, ઉનાળાની સિઝન હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ ઇડર નજીક આવેલા સપ્તેશ્વર મહાદેવના દર્શને આવતા હોય છે. આવો જ એક યુવાન પણ પોતાના મિત્રો સાથે સપ્તેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવ્યો હતો. દર્શન કર્યા બાદ ગરમીથી રાહત મેળવવા માટે યુવાન તેના મિત્રો સાથે મંદિર નજીક વહેતી સાબરમતી નદીના પાણીમાં ન્હાવા માટે પડ્યો હતો. સ્નાન કરતા સમયે અચાનક પાણીના ઊંડાણમાં ગરકાવ થઈ જવાને કારણે યુવાન ડૂબવા લાગ્યો હતો. જે બાદ મિત્રોએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા.</p><h2><b>સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢ્યો મૃતદેહ</b></h2><p>ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક નદીના પાણીમાં કૂદી પડ્યા હતા અને ભારે જહેમત બાદ યુવાનને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. જોકે, કમનસીબે પાણીમાં શ્વાસ રૂંધાઈ જવાના કારણે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.</p><h2><b>પોલીસે હાથ ધરી કાયદેસરની કાર્યવાહી</b></h2><p>ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે યુવાનના મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટ મોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો છે. પવિત્ર યાત્રાધામમાં બનેલી આ ઘટનાથી યુવાનના મિત્રો અને પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/prantij/youth-killed-on-the-spot-in-horrific-car-and-moped-accident-at-vadrad-prantij-sabarkantha-cctv-footage-inside" target="_blank">Sabarkantha: વદરાડ નજીક કાર અને મોપેડ વચ્ચે ભયાનક ટક્કર, યુવકનું મોત</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/8eOKSiarYeSqrzz38wEkFFLsTt0jzJf9yT1XpV9J.webp'/></item><item><title><![CDATA[Export-Import Business : યુદ્ધ વિરામ વચ્ચે ભારત માટે સારા સમાચાર, એક્સપોર્ટમાં થયો બમ્પર વધારો ]]></title><link>https://sandesh.com/business/news/export-import-business-india-exports-jump-18-percent-may-2026-trade-deficit-stable</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/export-import-business-india-exports-jump-18-percent-may-2026-trade-deficit-stable</guid><pubDate>Mon, 15 Jun 2026 16:04:54 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતના એક્સપોર્ટ ક્ષેત્ર માટે સારા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ મે 2026 દરમિયાન દેશનો મર્ચેન્ડાઇઝ એક્સપોર્ટ (માલની નિકાસ) વાર્ષિક ધોરણે 18 ટકા વધીને 45.20 અબજ ડોલર સુધી પહોંચ્યો છે. બીજી તરફ ઈમ્પોર્ટમાં પણ વધારો નોંધાયો છે અને તે 73.41 અબજ ડોલર રહી છે. જોકે ઈમ્પોર્ટમાં વૃદ્ધિ છતાં દેશનો વેપાર ખાધ (ટ્રેડ ડેફિસિટ) લગભગ સ્થિર રહ્યો છે. મે મહિનામાં ટ્રેડ ડેફિસિટ 28.21 અબજ ડોલર નોંધાયો હતો, જે એપ્રિલમાં 28.38 અબજ ડોલર હતો.</p><h2><b>માસિક ઈમ્પોર્ટમાં વધારો જોવા મળ્યો</b></h2><p>વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું કે મે 2026 એવા મહિનાઓમાં સામેલ રહ્યો છે જેમાં સૌથી વધુ માસિક ઈમ્પોર્ટમાં વધારો જોવા મળ્યો છે. તેમના જણાવ્યા અનુસાર મધ્ય પૂર્વના સંકટને કારણે અગાઉ અસરગ્રસ્ત બનેલી નિકાસમાં હવે સુધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને યુએઈ, સાઉદી અરેબિયા, જોર્ડન અને યમન તરફ થતી નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે.</p><h3><b>સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી ખુલવાની શક્યતા વધી</b></h3><p>આ સુધારો એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઘટાડવા માટે પ્રારંભિક સમજૂતીની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ વૈશ્વિક ઊર્જા પુરવઠા માટે અત્યંત મહત્વપૂર્ણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી ખુલવાની શક્યતા વધી છે. તેના કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન અને તેલ વેપારને રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.</p><h4><b>શું નવા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી થશે ફાયદો?</b></h4><p>રાજેશ અગ્રવાલે વધુમાં જણાવ્યું કે છેલ્લા 12 વર્ષમાં ભારતનો નિકાસ આધાર લગભગ બમણો થયો છે, જ્યારે સેવા ક્ષેત્રની નિકાસમાં લગભગ ત્રણ ગણો વધારો નોંધાયો છે. સરકારને આશા છે કે નવા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) અમલમાં આવ્યા બાદ નિકાસ વૃદ્ધિને વધુ વેગ મળશે. આ માટે સરકાર વિવિધ રાજ્યોમાં વર્કશોપ યોજીને નિકાસકારોને આ કરારોના લાભ વિશે માર્ગદર્શન આપશે. આ દરમિયાન સોનાની આયાતમાં પણ તેજી જોવા મળી છે. એપ્રિલ-મે 2026 દરમિયાન સોનાની આયાતમાં 60 ટકા વધારો નોંધાયો છે અને તે 9.04 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે.<br><br><a href="https://sandesh.com/india/news/us-iran-peace-deal-will-restore-peace-in-the-world-pm-modis-tweet-on-america-iran-deal" target="_blank"><b>આ પણ વાંચો : US Iran Peace Deal: આ સમજૂતી વિશ્વમાં શાંતિ પુનઃસ્થાપિત કરશે, અમેરિકા ઇરાન ડીલ પર PM મોદીનું ટ્વિટ</b></a></p><p><br></p><p><br></p><p>&nbsp;</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/BsJSnfNvsl5VbFEWRkPGJPk9rrk1BhKtwexOi3vU.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ તાપમાનનો પારો ઊંચો રહેશે, અસહ્ય ગરમીથી હાલમાં કોઈ રાહત નહીં મળે ]]></title><link>https://sandesh.com/gujarat/news/weather/ahmedabad/gujarat-weather-forecast-imd-predicts-rain-in-seven-districts-of-south-gujarat-humidity-to-remain-high</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/weather/ahmedabad/gujarat-weather-forecast-imd-predicts-rain-in-seven-districts-of-south-gujarat-humidity-to-remain-high</guid><pubDate>Mon, 15 Jun 2026 15:45:42 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતના નાગરિકો જેઓ કાળઝાળ ગરમીથી બચવા માટે વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે, તેમના માટે હવામાન વિભાગ તરફથી મિશ્ર સમાચાર આવ્યા છે. અમદાવાદ સ્થિત હવામાન કેન્દ્રના ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર, આગામી એક સપ્તાહ સુધી રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ઘટાડો થવાની સંભાવના નથી. તાપ અને ઉકળાટની સ્થિતિ યથાવત રહેશે, પરંતુ અરબી સમુદ્ર તરફથી આવતા ભેજવાળા પવનોને કારણે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો જોવા મળી શકે છે.</p><h2><b>દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની સંભાવના</b></h2><p>હવામાન વિભાગે જાહેર કરેલી સત્તાવાર યાદી મુજબ, દક્ષિણ ગુજરાતના 7 મહત્વના જિલ્લાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. જેમાં સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જેવા પહાડી વિસ્તારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તાપી જિલ્લો તેમજ વલસાડ સરહદે આવેલા દમણ અને દાદરા નગર હવેલીના વિસ્તારોમાં પણ આગામી 7 દિવસ દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ પડવાની પ્રબળ શક્યતા છે. આ વરસાદ સ્થાનિક સ્તરે ભેજનું પ્રમાણ વધારશે, જેના લીધે વરસાદ પડ્યા બાદ પણ લોકોને અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડશે.</p><h3><b>અમદાવાદ સહિત મધ્ય ગુજરાતની સ્થિતિ</b></h3><p>બીજી તરફ, અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વાતાવરણ મુખ્યત્વે વાદળછાયું રહેશે. આકાશમાં વાદળોની અવરજવરને કારણે સીધો તડકો કદાચ ઓછો લાગશે, પરંતુ પવનની ગતિ ધીમી રહેવાના કારણે ઘરોની અંદર અસહ્ય બફારો અનુભવાશે. હવામાન નિષ્ણાતોના મતે, આ બદલાવ ચોમાસાના આગમન પૂર્વેની સામાન્ય પ્રક્રિયા છે, તેથી નાગરિકોએ હજુ થોડા દિવસો સુધી ગરમી સહન કરવા માટે તૈયાર રહેવું પડશે અને ઘરની બહાર નીકળતી વખતે પૂરતું પાણી પીવાની તકેદારી રાખવી હિતાવહ છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dakor/dakor-police-two-head-constables-suspended-by-dgp-after-smc-liquor-raid-at-simalaj" target="_blank">આ પણ વાંચો: Dakor: વિદેશી દારૂની રેડ બાદ વિજિલન્સના રિપોર્ટના આધારે હેડ કોન્સ્ટેબલ હાર્દિક શર્મા અને કિશોરસિંહ સસ્પેન્ડ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/PhgOBt8JahyOVTyERXUkrjhX41VQW6MlZo8mYN58.webp'/></item></channel></rss>