<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Weather Nowcast : આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 16 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી ]]></title><link>https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/weather-nowcast-gujarat-weather-imd-3-hours-rain-forecast-ahmedabad-north-gujarat</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/weather-nowcast-gujarat-weather-imd-3-hours-rain-forecast-ahmedabad-north-gujarat</guid><pubDate>Thu, 18 Jun 2026 07:46:46 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. અમદાવાદ હવામાન વિભાગ દ્વારા સવારે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધીના આગામી 3 કલાક માટે મહત્વનું 'નાઉ કાસ્ટ'  જાહેર કરવામાં આવ્યું છે. આ આગાહી મુજબ, આગામી ત્રણ કલાક દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને તેજ પવન સાથે હળવો વરસાદ પડવાની સંભાવના છે.</p><h2 style="text-align: justify; "><b>રાજ્યના 16 જેટલા જિલ્લાઓમાં પવનની ગતિ પણ ભારે રહેવાની શક્યતા 
</b></h2><p style="text-align: justify; ">હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વરસાદની સાથે-સાથે રાજ્યના 16 જેટલા જિલ્લાઓમાં પવનની ગતિ પણ ભારે રહેવાની શક્યતા છે. આ વિસ્તારોમાં અંદાજે ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે, જેને પગલે વાહનચાલકો અને ખુલ્લામાં રહેતા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
</p><h3 style="text-align: justify; "><b>આ 16 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ
</b></h3><p style="text-align: justify; ">હવામાન વિભાગે જે જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું છે તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, મહેસાણા, ભરૂચ અને સાબરકાંઠાના વિસ્તારોનો સમાવેશ થાય છે. આ તમામ જિલ્લાઓમાં સવારના સમયે જ કાળાડિબાંગ વાદળો ઘેરાવા લાગ્યા છે અને વાતાવરણ એકાએક પલટાઈ ગયું છે.
</p><h4 style="text-align: justify; "><b>સવાર-સવારમાં જ ઠંડા પવનો શરુ
</b></h4><p style="text-align: justify; ">છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને ઉકળાટ સહન કરી રહેલા સ્થાનીય લોકો માટે સવાર-સવારમાં જ ઠંડા પવનો અને વરસાદી માહોલ શરૂ થતાં મોટી રાહત મળી છે. જોકે, સવારના સમયે ઓફિસ અને કામે જતા લોકો તેમજ શાળા-કોલેજના વિદ્યાર્થીઓને વરસાદી ઝાપટાં અને તેજ પવનના કારણે થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે વાદળછાયા વાતાવરણ અને આ હળવા વરસાદથી મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાશે.</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p> 
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/18/oEYxAnmxa8veCK0elHfqJoOsZkR5drywXYPuP3rz.webp'/></item><item><title><![CDATA[Weather Update : ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી, 24 કલાકમાં 62 તાલુકા ધમરોળાયા, બાલાસિનોરમાં પોણા 6 ઇંચ ખાબક્યો ]]></title><link>https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/gujarat-monsoon-rain-updates-last-24-hours-balasinor-north-gujarat</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/gujarat-monsoon-rain-updates-last-24-hours-balasinor-north-gujarat</guid><pubDate>Thu, 18 Jun 2026 07:34:29 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતમાં લાંબા અસહ્ય ઉકળાટ અને બફારા બાદ અંતે મેઘરાજાએ પ્રચંડ એન્ટ્રી કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના 62 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સૌથી વધુ મહીસાગરના બાલાસિનોરમાં પોણા છ ઇંચ (૫.૭ ઇંચ) જેટલો ભારે વરસાદ ખાબકતા સમગ્ર પંથક પાણી-પાણી થઈ ગયો છે. આ સિવાય ભિલોડામાં ૨.૯ ઇંચ, સતલાસણામાં ૨.૮ ઇંચ અને ધનસુરામાં ૨.૬ ઇંચ વરસાદ નોંધાયો છે. સીઝનના આ પ્રથમ ધમાકેદાર વરસાદથી લોકોને ગરમીથી મોટી રાહત મળી છે અને ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.</p><h2><b>બનાસકાંઠા અને સાબરકાંઠામાં વાવણીલાયક વરસાદ:
</b></h2><p>વાવ, થરાદ, લાખણી અને દિયોદર સહિતના સરહદી વિસ્તારોમાં લાંબા સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત હતા, પરંતુ રાત્રિ દરમિયાન મેઘ મહેર થતાં જ ખેડૂતોમાં નવી આશા જાગી છે. લાખણીના કુડા, મોરલ અને વાસણ ગામોમાં ધીમીધારે અમૃત વર્ષા થઈ છે. બીજી તરફ સાબરકાંઠાના ઈડર, હિંમતનગર, કાંકરોલ કંપા અને હડિયોલમાં વીજળીના ચમકારા સાથે વરસાદ તૂટી પડ્યો હતો.
</p><h3><b>અમીરગઢ અને ખેરાલુમાં નુકસાનીની ભીતિ:
</b></h3><p>અમીરગઢ પંથકમાં મોડી રાત્રે ભારે પવન સાથે 3 કલાક સુધી તોફાની વરસાદ વરસ્યો હતો, જેના કારણે ઇકબાલગઢ અંડરબ્રિજમાં 7 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું અને શાળાએ જતા બાળકો મુશ્કેલીમાં મુકાયા હતા. અનેક જગ્યાએ હોર્ડિંગ્સ અને વૃક્ષો જમીનદોસ્ત થયા છે. ખેરાલુ અને સતલાસણા પંથકમાં પણ ભારે પવનના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. વરસાદના કારણે ખેડૂતોનો તૈયાર બાજરીનો પાક પલળી જતાં ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે.
</p><h4><b>અરવલ્લી, પંચમહાલ અને ગાંધીનગરમાં સાર્વત્રિક માહોલ</b></h4><p>અરવલ્લી જિલ્લાના મોડાસા, ભિલોડા, બાયડ અને મેઘરજમાં રાતભર વરસાદ ચાલુ રહ્યો હતો. જ્યારે ખેડાના ગળતેશ્વરમાં ૨.૨ ઇંચ અને કપડવંજમાં ૨.૧ ઇંચ વરસાદ પડ્યો છે. દહેગામ શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવતા ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. મોટાભાગના વિસ્તારોમાં આ વરસાદ વાવણીલાયક સાબિત થશે.</p><p><br></p><p>
</p><p>આ પણ વાંચો----&nbsp; &nbsp;<a href="https://sandesh.com/india/news/sandesh-digital-explainer-ayodhya-ram-mandir-donation-scam-sit-probe#google_vignette" target="_blank"><b>Sandesh Digital Explainer : રામ નામે પથ્થર તર્યા..! અયોધ્યા રામ મંદિરમાં સવા વર્ષ સુધી કેવી રીતે ચાલ્યું કરોડોનું ' દાન કૌભાંડ'? વાંચો ઇન-ડેપ્થ માહિતી</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/18/2mN4qNdYvy28IJaVnjauvmLmPBkgiQLZL4R71SLC.webp'/></item><item><title><![CDATA[Vadodara: કરજણની ધાવટ ચોકડી પાસે બંને બાજુ પીકઅપ સ્ટેન્ડના શેડ બનાવવાનું શરૂ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-construction-of-pickup-stand-sheds-on-both-sides-near-dhavat-chowkdi-in-karjan-has-begun</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-construction-of-pickup-stand-sheds-on-both-sides-near-dhavat-chowkdi-in-karjan-has-begun</guid><pubDate>Thu, 18 Jun 2026 05:59:31 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કરજણ નેશનલ હાઇવે 48 ધાવટ ચોકડી પાસે કરજણથી વડોદરા અને કરજણથી ભરૂચ તરફ્ જવા માટે બંને સાઈડ એસટી બસોને ઊભા રહેવા માટે પીકઅપ સ્ટેન્ડ આવેલ છે. કરજણ નગર સહિત તાલુકાના દરરોજના હજારોની સંખ્યામાં નોકરી, ધંધાર્થે, વિદ્યાર્થી અભ્યાસ માટે અવરજવર કરતા હોય છે. પરંતુ બંને પીક અપ સ્ટેન્ડ ઉપર શેડ ન હતો. મુસાફરમાં વૃદ્ધો, મહિલાઓ, નાના ભૂલકાંઓ જેઓને ધોમધોખતા તાપમા અને ચોમાસામાં વરસતા વરસાદમા એસટી બસની રાહ જોઈને ઉભા રહેવું પડતું હતું. જેમાં એક જાગૃત નાગરિક દ્વારા પ્રેસ મીડિયાઓને રજૂઆત કરેલ કે, પીકઅપ સ્ટેન્ડ ઉપર શેડ બનાવી આપે તો મુસાફરોને રાહત થાય તેમ છે. આ બાબતે પ્રેસ મીડિયા દ્વારા સમાચારો પ્રસિદ્ધ થતા વર્ષોથી ખુલ્લો પિકઅપ સ્ટેન્ડ પર હાલમાં ધાવટ ચોકડી પર બંને સાઇડ ઉપર પીક અપ સ્ટેન્ડ ઉપર શેડ બનાવવાની કામગીરી હાથ ધરેલ છે. શેડ તૈયાર કરવાની કામગીરી મુસાફરોએ જોતા ખુશી નો માહોલ જોવા મળેલ હતો. મુસાફરોની માંગ છે કે શેડની કામગીરીની સાથે શૌચાલયની વ્યવસ્થા થાય તો મહિલાઓને રાહત થાય.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/18/w8GfATGRRodOEoyG3fxfdf9wddSYQnzG6JlF8sMk.webp'/></item><item><title><![CDATA[Panchmahal: જન કલ્યાણ શિબિરમાં લાભાર્થીઓને વિવિધ યોજનાના ચેકનું વિતરણ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/panchmahal/panchmahal-distribution-of-cheques-of-various-schemes-to-beneficiaries-in-jan-kalyan-shibir</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/panchmahal/panchmahal-distribution-of-cheques-of-various-schemes-to-beneficiaries-in-jan-kalyan-shibir</guid><pubDate>Thu, 18 Jun 2026 05:57:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જાંબુઘોડા સ્થિત મહાત્મા ગાંધી ભવન ખાતે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અને હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈની ઉપસ્થિતિમાં જન કલ્યાણ શિબિર યોજાઈ હતી.</p><p style="text-align: justify; ">રાજ્યની પ્રજા સુધી સરકારની જન કલ્યાણ યોજનાઓની માહિતી બહોળા પ્રમાણમાં પહોંચે અને તે યોજનાઓના મહત્તમ લાભ પ્રજાજનોને મળે તેમજ વિકસિત ભારત 2047ને સિદ્ધ કરવા તા.12 થી 20 જૂન દરમિયાન જન કલ્યાણ શિબિર યોજાઈ રહી છે. આ યોજનામાં આયુષ્યમાન ભારત, વય વંદના, પીએમ, સૂર્ય ઘર યોજના ,સ્વનિધિ યોજના ની માહિતી તથા નોંધણી કરાઈ હતી. શિબીર સ્થળે દરેક વિભાગના સ્ટોલો ઉભા કરાયા હતા. જેથી લાભાર્થીને વિવિધ યોજનાની માહિતી મેળવવામાં સરળતા રહે તેમજ જન કલ્યાણ શિબિરમાં શાળાના બાળકો યુનિવર્સિટી ના વિદ્યાર્થીઓ ને પણ તમામ યોજનાની માહિતી સાથે આરોગ્યને લગતી માહિતી અપાઈ હતી. નિરાધાર વૃદ્ધ, દિવ્યાંગોને તેમજ અન્ય લાભાર્થીઓને ચેકનું વિતરણ મહાનુભાવના હસ્તે કરાયું હતું. ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈ, પ્રાંત અધિકારી, મામલતદાર કલ્પિત કુમાર સેવક,TDO, તાલુકા પંચાયત પ્રમુખ રેશ્મા બેન, જાંબુઘોડા ભાજપ પ્રમુખ રણજીતભાઈ, ભાજપ મહામંત્રી વિક્રમભાઈ, સરપંચ જીતકુમાર દેસાઈ, સરપંચો, ભાજપના હોદ્દેદારો સરકારી કર્મચારીઓ, તથા લાભાર્થીઓ હાજર રહ્યા હતા. બાદમાં મહાદેવ મંદિર ખાતે વૃક્ષારોપણ કરાયું હતું.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/18/i9fCNXxv1SkmqdvikugRsyRtFyV4tOcSF2fksNip.webp'/></item><item><title><![CDATA[Dahod: સંજેલી તાલુકાના હીરોળા ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dahod/dahod--1-1-1-1-1-1-1-1-1-1-1-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dahod/dahod--1-1-1-1-1-1-1-1-1-1-1-1</guid><pubDate>Thu, 18 Jun 2026 05:56:48 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજ્ય સરકારની જન કલ્યાણલક્ષી યોજનાઓનો લાભ વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચે તેમજ આરોગ્ય સેવાઓ લોકોના દ્વાર સુધી પહોંચાડવાના હેતુથી સંજેલી તાલુકાના હિરોળા ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ હતી.</p><p style="text-align: justify; ">શિબિર દરમિયાન તાલુકા પંચાયત પ્રમુખ મહેદીપ પલાસના હસ્તે લાભાર્થીઓને PMJAY(આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) કાર્ડનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જીલ્લા પંચાયત સભ્ય ભૂપેન્દ્રભાઈ, તાલુકા પંચાયત સભ્યો, પાર્ટી પ્રમુખ સુરેશભાઈ, સરપંચો, સીડીપીઓ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત નાગરિકોને યોજનાઓના લાભ, પાત્રતા અને અરજી પ્રક્રિયા અંગે વિસ્તૃત માહિતી અપાઈ હતી. સ્થળ પર જ લાભાર્થીઓના દસ્તાવેજોની ચકાસણી કરી વિવિધ યોજનાઓ હેઠળ નોંધણીની કામગીરી હાથ ધરાઈ હતી. શિબિરમાં ઉપસ્થિત નાગરિકોએ આરોગ્ય સેવાઓ અને વિવિધ સરકારી યોજનાઓનો લાભ લઈ સંતોષ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફ્સિર, ગામના આગેવાનો, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, આશા બહેનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/18/ZltbsKvvqnCSuBUAqmhWPhhLVLTndBUW7aADSmN0.webp'/></item><item><title><![CDATA[વાંચો 18 જૂનના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે ]]></title><link>https://sandesh.com/india/news/gujarat/18-june-top-news-pm-modi-g7-summit-weather-alert</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/gujarat/18-june-top-news-pm-modi-g7-summit-weather-alert</guid><pubDate>Wed, 17 Jun 2026 22:00:00 +05:30</pubDate><description><![CDATA[<p>દેશ અને દુનિયાના ઇતિહાસ તેમજ વર્તમાન રાજકારણ માટે 18 જૂન 2026નો દિવસ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યો છે. એક તરફ જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો વૈશ્વિક પ્રવાસ પૂર્ણ કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ દેશના અનેક રાજ્યોમાં રાજકીય ગરમાવો અને કુદરતી આફતનો બેવડો માહોલ જોવા મળશે.</p><h2><b>PM મોદીનો યુરોપ પ્રવાસ પૂર્ણ: વિવાટેક 2026માં આપશે હાજરી</b></h2><p>18 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફ્રાન્સ અને સ્લોવાકિયાનો છ દિવસીય મહત્વપૂર્ણ પ્રવાસ પૂર્ણ થઈ રહ્યો છે. ફ્રાન્સમાં યોજાયેલી G7 સમિટમાં વૈશ્વિક અર્થતંત્ર, ઊર્જા સુરક્ષા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ગંભીર મુદ્દાઓ પર મંથન કર્યા બાદ, તેઓ પેરિસમાં રાષ્ટ્રપતિ મેક્રોન સાથે પ્રખ્યાત 'વિવાટેક 2026' ઇવેન્ટમાં ભાગ લેશે. ત્યારબાદ સંયુક્ત ઘોષણાપત્ર જાહેર કરવામાં આવશે.</p><h2><b>10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો પર મતદાન અને પરિણામ</b></h2><p>ચૂંટણી પંચના સત્તાવાર કાર્યક્રમ મુજબ, 18 જૂનના રોજ દેશના 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટે સવારે 9 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. મતદાન પૂર્ણ થયા બાદ તે જ દિવસે સાંજે 5 વાગ્યાથી મતગણતરી શરૂ થશે અને મોડી રાત સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે.</p><h2><b>હવામાન વિભાગનું મોટું એલર્ટ: 13 રાજ્યોમાં તોફાની પવન સાથે ભારે વરસાદ</b></h2><p>દેશભરમાં ચોમાસું તીવ્ર બન્યું છે. હવામાન વિભાગે 18 જૂનના રોજ ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી સહિત 13 રાજ્યોમાં 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. ઉત્તર-પશ્ચિમ ભારત પર નવું 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ' સક્રિય થવાને કારણે પહાડી વિસ્તારોમાં કરા પડવાની પણ સંભાવના છે.</p><h2><b>શિવસેના (UBT) માં મોટું સંકટ: સાંસદો બળવો કરે તેવી આશંકા વચ્ચે હ્વિપ જારી</b></h2><p>મહારાષ્ટ્રના રાજકારણમાંથી ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. શિવસેના યુબીટી (UTB) ગુટે 18 જૂને સંસદીય દળની તાકીદની બેઠક બોલાવી છે. પાર્ટી પાસે કુલ ૯ લોકસભા સાંસદો છે, પરંતુ સૂત્રોના હવાલેથી મોટા સમાચાર મળી રહ્યા છે કે આ તમામ ૯ સાંસદો બાગી (બળવો) થઈ શકે છે. આ સંકટને ટાળવા માટે પાર્ટીએ 'હ્વિપ' જારી કરીને તમામ સાંસદોને બેઠકમાં હાજર રહેવા કડક આદેશ આપ્યો છે.</p><h2><b>દિલ્હીમાં રાહુલ ગાંધીની મોટી સભા</b></h2><p>કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 18 જૂને દિલ્હીના પ્રતિષ્ઠિત ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં એક વિશાળ સભાને સંબોધિત કરશે. અહીં તેઓ લઘુમતી (અલ્પસંખ્યક) નેતાઓ સાથે સીધો સંવાદ સાધશે અને સંગઠનને મજબૂત કરવા ચર્ચા કરશે.</p><h2><b>ભારતમાં ટેલિગ્રામ પર અસ્થાયી પ્રતિબંધ: દિલ્હી હાઈકોર્ટમાં મહત્ત્વની સુનાવણી</b></h2><p>21 જૂન 2026ના રોજ યોજાનારી NEET-UG 2026 ની રી-એક્ઝામિનેશન (પુનઃપરીક્ષા) પહેલાં કેન્દ્ર સરકારે એક મોટો અને અભૂતપૂર્વ નિર્ણય લઈને લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન ટેલિગ્રામ પર 22 જૂન સુધી અસ્થાયી પ્રતિબંધ મૂકી દીધો છે. ટેલિગ્રામે આ આદેશને ગેરબંધારણીય ગણાવીને દિલ્હી હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. બુધવારે કોર્ટે તાત્કાલિક રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સરકાર તરફથી જણાવ્યું હતું કે, પ્લેટફોર્મ વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરતું હતું. હવે આ મામલે 18 જૂને બપોરે 2:30 વાગ્યે દિલ્હી હાઈકોર્ટમાં વ્યાપક સુનાવણી હાથ ધરવામાં આવશે.</p><h2><b>ખગોળ પ્રેમીઓ માટે ખાસ: આકાશમાં દેખાશે 'વેક્સિંગ ક્રેસન્ટ મૂન'</b></h2><p>18 જૂનના રોજ ચંદ્ર એક ખાસ સ્થિતિમાં જોવા મળશે. 18 જૂને ચંદ્ર તેની 'વેક્સિંગ ક્રેસન્ટ' (વધતી જતી બીજની કળા) ફેઝમાં પ્રવેશ કરશે. આજના દિવસે ચંદ્રના અખાતી ભાગનો માત્ર 14.2% હિસ્સો જ સૂર્યપ્રકાશથી પ્રકાશિત જોવા મળશે, જે રાત્રિના સમયે આકાશમાં એક ખૂબ જ સુંદર અને પાતળી ચાંદીની રેખા જેવો આકર્ષક નજારો પૂરો પાડશે. ચંદ્રના 29.5 દિવસના ચક્રમાં આ તેનો 3.63મો દિવસ હશે.</p><h2><b>યુપીમાં સીએમ યોગી આદિત્યનાથનો પ્રવાસ</b></h2><p>ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 18 જૂને કાનપુર અને ઉન્નાવના પ્રવાસે છે. તેઓ આ વિસ્તારોમાં અનેક મહત્વકાંક્ષી વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ ઉપરાંત પ્રશાસનિક બેઠકો યોજીને કાયદો-વ્યવસ્થાની સમીક્ષા પણ કરશે.</p><h2><b>ગોવા ક્રાંતિ દિવસ: આઝાદીના ઇતિહાસનો સુવર્ણ દિવસ</b></h2><p>દર વર્ષે 18 જૂનને 'ગોવા ક્રાંતિ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. 18 જૂન, 1946ના રોજ ડૉ. રામ મનોહર લોહિયાએ ગોવાના લોકોને પોર્ટુગીઝ શાસન સામે અવાજ ઉઠાવવા માટે પ્રેરણા આપી હતી, જેણે આગળ જઈને 19 ડિસેમ્બર 1961ના રોજ ગોવાને સંપૂર્ણ મુક્તિ અપાવી.</p><h2><b>વડોદરામાં રોજગાર મેળો</b></h2><p>વડોદરાના તરસાલી આઈટીઆઈ કેમ્પસ ખાતે 18 જૂનના રોજ સવારે 10 વાગ્યાથી એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાશે, જેમાં ખાનગી કંપનીઓ દ્વારા 150થી વધુ જગ્યાઓ પર સીધી ભરતી કરાશે.</p><h2><b>પોરબંદરમાં ઐતિહાસિક પ્રસ્તાવ</b></h2><p>18 જૂનના રોજ પોરબંદરના ઇતિહાસમાં પ્રથમ વખત કોર્પોરેટરો માટે પ્રતિમાસ રૂ. 10,000નું માનદ વેતન અને ભથ્થાં મંજૂર કરવાનો ક્રાંતિકારી પ્રસ્તાવ સામાન્ય સભામાં રજૂ થશે.</p><h2><b>ફીફા વર્લ્ડ કપ 2026: ઇંગ્લેન્ડ અને ક્રોએશિયા વચ્ચે મહામુકાબલો</b></h2><p>18 જૂનના રોજ ફીફા વર્લ્ડ કપમાં રોમાંચક મેચો રમાવાની છે, જેમાં સૌથી મોટો મુકાબલો ભારતીય સમય અનુસાર મોડી રાત્રે (19 જૂનની વહેલી સવારે) 01:30 કલાકે ઇંગ્લેન્ડ અને ક્રોએશિયા વચ્ચે રમાશે. આ સિવાય ઘાના વિરૂદ્ધ પનામા, ઉઝબેકિસ્તાન વિરૂદ્ધ કોલંબિયા અને ચેકિયા વિરૂદ્ધ દક્ષિણ આફ્રિકા વચ્ચે ટક્કર થશે.</p><h2><b>18 જૂનની ઐતિહાસિક ઘટનાઓ</b></h2><ul><li><b>1979: </b>અમેરિકાના રાષ્ટ્રપતિ જિમ્મી કાર્ટર અને સોવિયત રાષ્ટ્રપતિ બ્રેઝનેવ દ્વારા ઐતિહાસિક 'સોલ્ટ-II' (SALT-II) કરાર પર હસ્તાક્ષર કરાયા.</li><li><b>1997:</b> કંબોડિયાના ખૂંખાર ખમેર રુજના નેતા અને 20 લાખથી વધુ લોકોના હત્યારા માઓવાદી પોલ્પોટે આત્મસમર્પણ કર્યું.</li><li><b>1999:</b> 35 યુરોપિયન દેશો વચ્ચે લંડનમાં પીવાના પાણીના કરાર થયા. લાતવિયામાં વિકે ફેબ્રેમાને દેશના નવા મહિલા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા.</li><li><b>2001:</b> પાકિસ્તાને પોતાના ડિફેન્સ બજેટમાં ઘટાડો કર્યો. તાલિબાને અમેરિકા વિરૂદ્ધ ઓસામા બિન લાદેનનો ફતવો રદ કર્યો.</li><li><b>2004:</b> ચાડના સૈનિકોએ 69 સુદાનીઝ સૈનિકોને મારી નાખ્યા. દક્ષિણ કોરિયાએ ઇરાકમાં સૈનિકો મોકલવાનો નિર્ણય લીધો.</li><li><b>2008:</b> કેન્દ્ર સરકારે ગુર્જરોને OBC ક્વોટામાં 5% અનામત આપવાની જાહેરાત કરી. </li><li>2008: ભારત આવેલા સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ અને તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ વચ્ચે 3 કરાર થયા. </li><li>2008: ફાર્મા કંપની રેનબેક્સીએ ફાઈઝર સાથેનો પેટન્ટ વિવાદ પૂરો કર્યો. </li><li>2008: વિયેતનામે ચોખાની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો.</li><li><b>2017:</b> ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાને ભારતને હરાવીને ટાઇટલ જીત્યું હતું.</li></ul><h2><b>મહાન હસ્તીઓની જન્મજયંતિ</b></h2><p><b>ગોડેતી માધવી (1992): </b>આંધ્રપ્રદેશના મહિલા રાજકારણી.</p><p><b>હોમી ડેડી મોતીવાલા (1958): </b>નૌકાયાન ક્ષેત્રના ભારતના શ્રેષ્ઠ ખેલાડી.</p><p><b>કેએસ સુદર્શન (1931):</b> રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પાંચમા સરસંઘચાલક.</p><p><b>દાદા ધર્માધિકારી (1899):</b> પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની, લેખક અને ગાંધીવાદી વિચારક.</p><p><b>અનુગ્રહ નારાયણ સિંહા (1887):</b> સ્વાતંત્ર્ય સેનાની અને આધુનિક બિહારના નિર્માતા.</p><p><b>ફર્નાન્ડો હેનરિક કાર્ડોસો (1931):</b> બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ.</p><p><b>પી. વેંકટસુબૈયા (1921):</b> બિહાર અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ.</p><p><b>સી. વિજય રાઘવ ચારિયાર (1852):</b> ભારતના પ્રખ્યાત રાષ્ટ્રીય નેતા.</p><p><b>જંગ બહાદુર (1817):</b> નેપાળના ભૂતપૂર્વ વડાપ્રધાન.</p><h2><b>પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ</b></h2><ul><li><b>મિલ્ખા સિંહ (2021): </b>ભારતના મહાન દોડવીર, જેમને દુનિયા 'ફ્લાઈંગ શીખ' તરીકે ઓળખે છે.</li><li><b>નસીમ બાનો (2002): </b>હિન્દી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી.</li><li><b>અલી અકબર ખાન (2009): </b>વિશ્વપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક અને સરોદ વાદક.</li><li><b>યુદ્ધવીર સિંહ (1993):</b> સ્વાતંત્ર્ય સેનાની, નેતા અને જાણીતા હોમિયોપેથી ડૉક્ટર.</li><li><b>સેઠ ગોવિંદ દાસ (1974):</b> સ્વાતંત્ર્ય સેનાની, સંસદસભ્ય અને હિન્દી લેખક.</li><li><b>જ્યોર્જી ઝુકોવ (1974): </b>સોવિયત સંઘના પૂર્વ રક્ષામંત્રી.</li></ul><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/india/news/sandesh-explainer-how-will-the-g7-summit-held-in-france-prove-to-be-important-for-india" target="_blank">Sandesh Explainer: ફ્રાન્સમાં યોજાયેલી G7 સમિટ ભારત માટે કેવી રીતે મહત્ત્વની સાબિત થશે?</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/r7PH7cKe2PswK2de8EVuN6wzuMdIzuMIKBxKElrq.webp'/></item><item><title><![CDATA[Mumbai-Pune વચ્ચે દોડશે બુલેટ ટ્રેન, 48 મિનિટમાં મુસાફરી થશે પૂર્ણ ]]></title><link>https://sandesh.com/india/news/mumbai-pune-bullet-train-48-minute-travel-time</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/mumbai-pune-bullet-train-48-minute-travel-time</guid><pubDate>Wed, 17 Jun 2026 21:47:53 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ્સને લઈને ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે આગામી વર્ષથી મુંબઈ–પુણે બુલેટ ટ્રેન કોરિડોર પર કામ શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ મુંબઈ અને પુણે વચ્ચેનો 170 કિમીનો પ્રવાસ માત્ર 48 મિનિટમાં પૂર્ણ થઈ શકશે.</p><h2><b>મુંબઈ–પુણે કોરિડોર સંપૂર્ણપણે દેશી ટેકનોલોજીથી વિકસાવવામાં આવશે</b></h2><p>મંત્રીના જણાવ્યા મુજબ ભારત હવે બુલેટ ટ્રેન બનાવવાની ટેકનોલોજી અને ક્ષમતા ધરાવે છે. મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ભારત અને જાપાનના સહયોગથી ચાલી રહ્યો છે, જ્યારે મુંબઈ–પુણે કોરિડોર સંપૂર્ણપણે દેશી ટેકનોલોજીથી વિકસાવવામાં આવશે. આ સાથે સરકારનું લક્ષ્ય અનેક શહેરોને હાઈ-સ્પીડ રેલ નેટવર્ક દ્વારા જોડવાનું છે. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુલ 7 નવા હાઈ-સ્પીડ રેલ કોરિડોરને મંજૂરી આપી છે. તેમાં મુંબઈ–પુણે ઉપરાંત પુણે–હૈદરાબાદ, હૈદરાબાદ–બેંગલુરુ, હૈદરાબાદ–ચેન્નાઈ, ચેન્નાઈ–બેંગલુરુ, દિલ્હી–વારાણસી અને વારાણસી–સિલિગુડી જેવા મહત્વના માર્ગોનો સમાવેશ થાય છે.</p><p>પુણેમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન મંત્રીએ જણાવ્યું કે મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેનના પ્રથમ વિભાગમાં આવતા વર્ષે કામગીરી શરૂ થશે અને ટૂંક સમયમાં તેનું ઉદ્ઘાટન પણ શક્ય છે. હાલ આ 508 કિમી લાંબા પ્રોજેક્ટનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. ગુજરાત વિસ્તારમાં ડક્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ પણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે.&nbsp;</p><h3><b>સમગ્ર રૂટ 2028 સુધી પૂર્ણ થવાની આશા</b></h3><p>અધિકારીઓના જણાવ્યા મુજબ મુંબઈ–અમદાવાદ કોરિડોરમાં સુરત–વાપી સેક્શન પર 2027ના ઓગસ્ટ સુધીમાં ટ્રેન સેવા શરૂ થવાની શક્યતા છે, જ્યારે સમગ્ર રૂટ 2028 સુધી પૂર્ણ થવાની આશા છે. આ ટ્રેનો 320 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે બુલેટ ટ્રેન શરૂ થવાથી મુંબઈ, પુણે, અમદાવાદ, સુરત, હૈદરાબાદ સહિતના શહેરો એક મજબૂત આર્થિક અને સાંસ્કૃતિક ઈકોસિસ્ટમમાં જોડાશે, જે દેશના વિકાસને નવી ગતિ આપશે.<br><br><b><a href="https://sandesh.com/india/news/-political-news/speaker-om-birla-gave-a-big-opportunity-to-mamata-banerjee-will-tmc-be-able-to-survive-the-split" target="_blank">આ પણ વાંચો : સ્પીકર ઓમ બિરલાએ Mamata Banerjeeને આપી મોટી તક, શું TMC ભાગલામાંથી બચી શકશે?</a></b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/9ForeQsmaROuHNUx1RpktoonMbAcJGWKxMjkW9Cr.webp'/></item><item><title><![CDATA[Mohammed Sirajથી લઈને વિજય દેવરકોંડા સુધી, આ સ્ટાર્સને ફટકારવામાં આવી લીગલ નોટિસ ]]></title><link>https://sandesh.com/cricket/news/entertainment/mohammed-siraj-vijay-deverakonda-tg20-league-legal-notice</link><guid isPermaLink="true">https://sandesh.com/cricket/news/entertainment/mohammed-siraj-vijay-deverakonda-tg20-league-legal-notice</guid><pubDate>Wed, 17 Jun 2026 20:45:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર મોહમ્મદ સિરાજથી લઈને દિગ્ગજ એક્ટર વિજય દેવરકોંડા અને વેંકટેશ સુધી, ઘણા સ્ટાર્સને તમિલનાડુ ક્રિકેટ એસોસિએશન દ્વારા કાનૂની નોટિસ ફટકારવામાં આવી છે. શું નોટિસના પરિણામે આ સ્ટાર્સને જેલની સજા થશે?&nbsp;</p><p style="text-align: justify;">સમાચાર એજન્સી ANI એ તમિલનાડુ ક્રિકેટ એસોસિએશનના એક સૂત્રને ટાંકીને એક્સ પર જણાવ્યું હતું કે રાજ્ય ક્રિકેટ એસોસિએશને BCCIની પરવાનગી વિના હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનની TG20 લીગનો પ્રચાર કરવા અને કોર્પોરેટ કંપનીઓ સાથે કામ કરવા બદલ કેટલાક ફિલ્મ અને ક્રિકેટ સ્ટાર્સને નોટિસ ફટકારી છે. વિજય દેવરકોંડા અને વેંકટેશ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નામોમાં સામેલ છે, જ્યારે મોહમ્મદ સિરાજ, અંબાતી રાયડુ અને તિલક વર્મા પણ ક્રિકેટ સ્ટાર્સમાં સામેલ છે.&nbsp;</p><h2 style="text-align: justify;"><b>તેલંગાણા ક્રિકેટ એસોસિએશને મોકલી કાનૂની નોટિસ</b></h2><p style="text-align: justify;">પોસ્ટમાં લખ્યું હતું કે, "તેલંગાણા ક્રિકેટ એસોસિએશને એક્ટર વિજય દેવરકોંડા અને વેંકટેશ તેમજ ક્રિકેટરો તિલક વર્મા, અંબાતી રાયડુ અને મોહમ્મદ સિરાજને કાનૂની નોટિસ મોકલી છે."</p><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2067223519088587124"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p style="text-align: justify;">તેમાં આગળ લખ્યું છે કે, "નોટિસમાં જણાવાયું છે કે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન BCCIની પરવાનગી વિના કોર્પોરેટ કંપનીઓ સાથે કામ કરી રહ્યું છે અને HCAની TG20 લીગનો પ્રચાર કરી રહ્યું છે - જેને BCCI દ્વારા મંજૂરી આપવામાં આવી નથી - તે ગુનો છે."</p><h3 style="text-align: justify;"><b>શું જેલ થશે?</b></h3><p style="text-align: justify;">હાલમાં નોટિસ અંગે કોઈપણ એક્ટર કે ક્રિકેટર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. કેસ આગળ વધ્યા પછી જ નક્કી કરવામાં આવશે કે શું કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધી જેલની સજાના કોઈ અહેવાલ નથી. આ કેસમાં આગળ શું થાય છે અને કોઈ નોટિસ પર પ્રતિક્રિયા આપશે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.&nbsp;</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/entertainment/virat-kohli-photos-with-son-akaay-anushka-sharma" target="_blank">Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/chQKrwDcFYTp12GY3rfcmVtqvBYhwukv3mb7u9nM.webp'/></item><item><title><![CDATA[ITR ભરનારા લોકોને ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા 30 જૂન પહેલા મળી શકે છે નોટિસ, જાણો કારણ ]]></title><link>https://sandesh.com/business/news/itr-filers-income-tax-notice-june-30-section-143-2-scrutiny</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/itr-filers-income-tax-notice-june-30-section-143-2-scrutiny</guid><pubDate>Wed, 17 Jun 2026 19:58:43 +05:30</pubDate><description><![CDATA[<p>ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરનારા ટેક્સપેયર્સ માટે ઈન્કમ ટેક્સ વિભાગે આ વર્ષે તપાસ પ્રક્રિયા વધુ કડક બનાવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેસ (CBDT)એ ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 143(2) હેઠળ થતી સ્ક્રૂટિની પ્રક્રિયાને વધુ સખત રીતે અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે. આ પ્રક્રિયાનું મુખ્ય હેતુ ટેક્સપેયર્સ દ્વારા આપવામાં આવેલી માહિતીની ચકાસણી કરીને કોઈપણ પ્રકારની ગેરરીતિ અથવા વિસંગતતા શોધવી છે.</p><h2><b>કેવા ટેક્સપેયર્સને મળી શકે છે નોટિસ?</b></h2><p>વિભાગે નાણાકીય વર્ષ 2025-26 માટેના રિટર્ન્સ માટે સ્ક્રૂટિની નોટિસ જાહેર કરવાની અંતિમ તારીખ 30 જૂન 2026 નક્કી કરી છે. જો આ તારીખ સુધી કોઈ ટેક્સપેયર્સને નોટિસ મળતી નથી તો તેનું રિટર્ન તે નાણાકીય વર્ષમાં વધુ તપાસ માટે પસંદ કરવામાં આવશે નહીં. આવકવેરા અધિનિયમની કલમ 143(2) મુજબ આકલન અધિકારીને અધિકાર છે કે તે ટેક્સપેયર્સના રિટર્નની વિગતવાર તપાસ કરી શકે. જો અધિકારીને લાગે કે આવક ઓછી દર્શાવવામાં આવી છે, નુકસાન વધુ બતાવવામાં આવ્યું છે અથવા ટેક્સ ઓછો ચૂકવવામાં આવ્યો છે તો તે ટેક્સપેયર્સને નોટિસ પાઠવી શકે છે.</p><h3><b>ટેક્સપેયર્સે જરૂરી દસ્તાવેજો અને પુરાવા રજૂ કરવા પડશે</b></h3><p>નોટિસ મળ્યા બાદ ટેકસપેયર્સ પોતાના દાવાઓને સમર્થન આપવા માટે જરૂરી દસ્તાવેજો અને પુરાવા રજૂ કરવા પડે છે. તેમાં આવકના પુરાવા, રોકાણ સંબંધિત દસ્તાવેજો, ટેક્સ છૂટના દાવા અને અન્ય નાણાકીય રેકોર્ડનો સમાવેશ થાય છે. વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ AIS, Form 26AS અને ITR વચ્ચે અસંગતતા, મોટા નાણાકીય વ્યવહારો, અસામાન્ય ટેક્સ છૂટના દાવા અથવા જોખમી પ્રોફાઈલ ધરાવતા કેસોને સ્ક્રૂટિની માટે પસંદ કરવામાં આવી શકે છે. જોકે માત્ર તપાસ માટે પસંદ થવું કોઈ ટેક્સ ચોરીનો પુરાવો માનવામાં આવતો નથી.</p><p>ટેક્સ નિષ્ણાતોનું કહેવું છે કે નોટિસ મળતાં જ ગભરાવવાની જરૂર નથી. યોગ્ય સમય પર જવાબ આપવો અને જરૂર પડે તો ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની મદદ લેવી જોઈએ. યોગ્ય દસ્તાવેજો રજૂ કરવામાં આવે તો તપાસ પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ શકે છે.</p><p><b><a href="https://sandesh.com/business/news/rbi-hdfc-bank-chairman-appointment-fast-track-directive-banking-sector" target="_blank">આ પણ વાંચો : HDFC બેન્કને RBIએ આપ્યો આ કડક નિર્દેશ, બેન્કિંગ સેક્ટરમાં મચી ગઈ હલચલ</a></b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/e7SlqYnrlXeng3GbNz4YeFYeZEE9p3yXPsxnKq62.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup: ક્રિસ્ટિયાનો રોનાલ્ડો તેના છઠ્ઠા વર્લ્ડકપમાં રમશે, એક ગોલ કરીને રચશે ઈતિહાસ ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/cristiano-ronaldo-sixth-fifa-world-cup-portugal</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/cristiano-ronaldo-sixth-fifa-world-cup-portugal</guid><pubDate>Wed, 17 Jun 2026 17:33:07 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફિફા વર્લ્ડકપમાં પ્રખ્યાત સ્ટાર્સના શાનદાર પ્રદર્શન વચ્ચે જ્યારે પોર્ટુગલનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો તેની પહેલી મેચમાં કોંગો સામે રમશે, ત્યારે બધાની નજર આ 41 વર્ષના દિગ્ગજ ખેલાડી પર હશે જે પોતાનો છઠ્ઠો વર્લ્ડકપ રમી રહ્યો છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>મેસીએ હેટ્રિક ફટકારીને જર્મનીના મિરોસ્લાવ ક્લોઝના 16 ગોલના રેકોર્ડની બરાબરી કરી</b></h2><p style="text-align: justify; ">ફ્રાન્સના કાયલિયન એમબાપ્પે અને નોર્વેના એર્લિંગ નેધરલેન્ડ્સે પહેલી મેચમાં 2-2 ગોલ કર્યા છે, જ્યારે આર્જેન્ટિનાના લિયોનેલ મેસીએ હેટ્રિક ફટકારીને જર્મનીના મિરોસ્લાવ ક્લોઝના 16 ગોલના રેકોર્ડની બરાબરી કરી છે.</p><p style="text-align: justify; ">રોનાલ્ડો 6 વર્લ્ડકપમાં ગોલ કરનાર પ્રથમ ખેલાડી બનવા પણ માગશે. આ મેસ્સીનો છઠ્ઠો વર્લ્ડકપ પણ છે, પરંતુ તે 2010 માં ગોલ કરવામાં નિષ્ફળ ગયો. ગયા અઠવાડિયે ટીમના પ્રસ્થાન પહેલાં પોર્ટુગલમાં રોનાલ્ડોએ કહ્યું હતું કે, "અમે મેચ દર મેચ અમારી રણનીતિ વિકસાવીશું. સારી શરૂઆત ખૂબ જ મહત્વપૂર્ણ છે."</p><h3 style="text-align: justify; "><b>પોર્ટુગલ માટે રોનાલ્ડોનું ફોર્મ ખૂબ જ મહત્વપૂર્ણ છે</b></h3><p style="text-align: justify; ">રોનાલ્ડો 2022ના કતાર વર્લ્ડકપમાં ફક્ત એક જ ગોલ કરી શક્યો હતો, સાઉથ કોરિયા સામેની મેચ દરમિયાન તેને મેદાનની બહાર મોકલી દેવામાં આવ્યો હતો અને સ્વિટ્ઝર્લેન્ડ સામેની નોકઆઉટ સ્ટેજ મેચમાં પણ તે બેન્ચ પર હતો.&nbsp;</p><p style="text-align: justify; ">યુરો ચેમ્પિયનશિપ 2024માં પણ તે ગોલ કરી શક્યો ન હતો. પરંતુ તેને સ્પેન સામેની ફાઈનલમાં બરાબરીનો ગોલ સહિત 8 ગોલ કરીને પોર્ટુગલને UEFA નેશન્સ લીગ જીતવામાં મદદ કરી હતી. તેને અલ નાસરને તેમના પ્રથમ સાઉદી પ્રો લીગ ટાઈટલ સુધી પણ પહોંચાડ્યું હતું અને ક્લબ માટે 28 ગોલ કર્યા છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/entertainment/virat-kohli-photos-with-son-akaay-anushka-sharma" target="_blank">Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/QnL7ac4RUxRfEEDwrOooz8lfdGyfrqrELCGDeW8B.webp'/></item></channel></rss>