<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Surat News: ઉધનામાંથી 6 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે મહિલા ઝડપાઈ, લાખોનો મુદ્દામાલ જપ્ત ]]></title><link>https://sandesh.com/crime/news/surat/udhana-police-arrested-woman-puja-with-ganja-ndps-act</link><guid isPermaLink="true">https://sandesh.com/crime/news/surat/udhana-police-arrested-woman-puja-with-ganja-ndps-act</guid><pubDate>Fri, 17 Jul 2026 20:05:08 +05:30</pubDate><description><![CDATA[<p>હીરા નગરી સુરતમાં નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. સુરતના ઉધના વિસ્તારમાંથી નશાના કાળા કારોબાર સાથે જોડાયેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉધના પોલીસની ટીમે બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને ગાંજાના મોટા જથ્થા સાથે એક મહિલા પેડલરને રંગેહાથ દબોચી લીધી છે. નશાના આ નેટવર્કમાં મહિલાની ધરપકડ થતાં સ્થાનિક સ્તરે ચકચાર મચી ગઈ છે.</p><h2><b>6 કિલોથી વધુનો ગાંજો અને લાખોનો મુદ્દામાલ જપ્ત</b></h2><p>ઉધના પોલીસ સ્ટેશનની ટીમે પેટ્રોલિંગ અને ખાનગી બાતમીના આધારે ઘેરાબંધી કરીને પૂજા નામની મહિલાને અટકાયતમાં લીધી હતી. પોલીસ દ્વારા તેની ઝડતી લેવામાં આવતા તેની પાસેથી ગેરકાયદે રાખવામાં આવેલો માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે મહિલા પાસેથી કુલ 6 કિલો અને 080 ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે. આ આંતરબજારમાં જપ્ત કરાયેલા ગાંજાની અંદાજિત કિંમત 3,04,000 આંકવામાં આવી છે.</p><h2><b>NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તપાસ તેજ કરાઈ</b></h2><p>લાખો રૂપિયાની કિંમતના ગાંજાના જથ્થા સાથે પકડાયેલી આરોપી મહિલા પૂજા વિરૂદ્ધ ઉધના પોલીસે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તેની સત્તાવાર ધરપકડ કરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ ચલાવી રહી છે કે, આ મહિલા આટલો મોટો ગાંજાનો જથ્થો ક્યાંથી લાવી હતી અને સુરત શહેરમાં તે કોને સપ્લાય કરવાની હતી. આ નેટવર્કની પાછળ અન્ય કયા મોટા માથાઓ સંડોવાયેલા છે, તેની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/surat/surat-deladva-school-illegal-khadi-construction-suda-irrigation-department-action" target="_blank">Surat : ખાનગી સ્કૂલે સુરક્ષાના બહાને આખી ખાડી પર કરી દીધું પાકું બાંધકામ, હોબાળો મચતાં સુડા અને સિંચાઈ વિભાગની તપાસ શરુ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/ukQkjLeOEQunqrJZMiJxNPOSuQOGSwu1k8ukAgWo.webp'/></item><item><title><![CDATA[Supreme Court : ટિકિટ ન હોય તો પણ રેલ દૂર્ઘટનામાં મળશે વળતર, જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યું? ]]></title><link>https://sandesh.com/india/news/supreme-court-even-if-there-is-no-ticket-compensation-will-be-given-in-a-rail-accident-know-what-the-supreme-court-said</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/supreme-court-even-if-there-is-no-ticket-compensation-will-be-given-in-a-rail-accident-know-what-the-supreme-court-said</guid><pubDate>Fri, 17 Jul 2026 19:59:56 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપતાં શુક્રવારે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ રેલ અકસ્માતમાં મૃત્યુ પામેલા મુસાફરના મૃતદેહ પરથી ટ્રેનની ટિકિટ રિકવર ન થાય, તો માત્ર આ એક જ આધાર પર તેના પરિવારજનોને વળતર આપવાનો ઇનકાર કરી શકાય નહીં. સર્વોચ્ચ અદાલતે રેલ્વે ક્લેમ્સ ટ્રિબ્યુનલ (RCT) અને મધ્યપ્રદેશ હાઈકોર્ટના જૂના આદેશોને રદબાતલ ઠેરવ્યા છે. અદાલતે વર્ષ 2015માં ચાલતી ટ્રેનમાંથી પડી જવાને કારણે જીવ ગુમાવનાર એક વ્યક્તિની વિધવા પત્નીને 8 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.</p><h5 style="text-align: justify;"><b>કલ્યાણ કાયદાઓનું ઉદાર અને ઉદ્દેશ્યપૂર્ણ અર્થઘટન કરવું જોઈએ'</b></h5><p style="text-align: justify;">જસ્ટિસ સંજય કરોલે પોતાના ચુકાદામાં અગાઉના ન્યાયિક નિર્ણયોનો ઉલ્લેખ કરતા કહ્યું, કલ્યાણ કાયદાઓનું ઉદાર અને ઉદ્દેશ્યપૂર્ણ અર્થઘટન કરવું જોઈએ જેથી તેમના હેતુ અને વિધાનસભાના ઉદ્દેશ્યને આગળ ધપાવવામાં આવે. તેમનું શાબ્દિક અથવા વધુ પડતા સંકુચિત અર્થઘટન ન કરવું જોઈએ. મૂળભૂત ઉદ્દેશ્ય કાયદા પાછળના ઉદ્દેશ્યના અસરકારક અમલીકરણને સુનિશ્ચિત કરવાનો છે.</p><h4 style="text-align: justify;"><b>સુપ્રીમ કોર્ટે અગાઉના નિર્ણયોનો ઉલ્લેખ કર્યો</b></h4><p style="text-align: justify; ">જણાવ્યું હતું કે રેલ્વે કાયદાની કલમ 124A હેઠળ વળતરની કાર્યવાહી 'નો-ફોલ્ટ જવાબદારી' ના સિદ્ધાંત પર આધારિત છે. તેનો હેતુ રેલ્વે અકસ્માતોના પીડિતો અથવા તેમના પરિવારોને બેદરકારીના કોઈપણ પુરાવાની જરૂર વગર તાત્કાલિક વળતર પૂરું પાડવાનો છે. સુપ્રીમ કોર્ટે પોતાના અગાઉના ચુકાદાઓને ટાંકીને કહ્યું હતું કે, "મૃતક પાસેથી ટ્રેન ટિકિટ મળી ન હોવાથી, તેને સાચા મુસાફરનો દરજ્જો આપવાનો ઇનકાર કરી શકાય નહીં.</p><h5 style="text-align: justify;"><b>કોર્ટે કેન્દ્ર સરકારને ચાર અઠવાડિયામાં વળતર ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો</b></h5><p style="text-align: justify; ">આ કેસ ચંદ્રકાંત ઠક્કરના મૃત્યુ સાથે સંબંધિત છે, જે નવેમ્બર 2015 માં રાયપુરથી અમદાવાદ જતી વખતે અમદાવાદ-હાવડા મેઇલમાંથી પડી ગયા હતા. તેમની ટ્રાવેલ બેગ, જેમાં કથિત રીતે ટ્રેન ટિકિટ હતી, તે અકસ્માત પછી ગુમ થઈ ગઈ હતી. તેમની વિધવા વતી એડવોકેટ શ્વેતા પ્રિયદર્શિની દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને સ્વીકારીને, સુપ્રીમ કોર્ટની બેન્ચે રેલ્વે અકસ્માતો અને અનિચ્છનીય ઘટનાઓ નિયમો હેઠળ ₹8 લાખનું વળતર આપવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કેન્દ્ર સરકારને ચાર અઠવાડિયામાં વળતર ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. જો નિર્ધારિત સમયમાં ચુકવણી કરવામાં નહીં આવે, તો દાવાની અરજી દાખલ કરવાની તારીખથી 8 ટકા વાર્ષિક વ્યાજ પણ ચૂકવવું પડશે.</p><h4 style="text-align: justify; "><b>શું સાબિત કરવું પડશે તેની ચર્ચા કરી છે</b></h4><p style="text-align: justify; ">સુપ્રીમ કોર્ટે કહ્યું, અત્યાર સુધી,અમે મુસાફરો અથવા તેમના પરિવારોને વળતર મેળવવા માટે શું સાબિત કરવું પડશે તેની ચર્ચા કરી છે? પરંતુ રેલવેની તેના મુસાફરો પ્રત્યેની જવાબદારી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. આ કિસ્સામાં, એ નોંધવું મહત્વપૂર્ણ છે કે મુસાફરો માટે ટ્રેનમાંથી પડી જવું અને ઇજાઓ અથવા મૃત્યુ થવું અસામાન્ય નથી, ગમે તે કારણોસર</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/india/news/badrinath-temple-prasad-theft--ex-officer-rajendra-chauhan-arrested" target="_blank"> Badrinath મંદિરમાં પ્રસાદની ચોરી મામલે વધુ એક ધરપકડ, રાજેન્દ્ર ચૌહાણની કરી 4 કલાક પૂછપરછ</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/4xPEroOQsvIa5HPzwC2L6EEAYg9F5TrmPrrU40No.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: ઘુમામાં ઘરમાં જ ચાલતું હતું ડ્રગ્સનું નેટવર્ક, 11 લાખના હાઇબ્રીડ ગાંજા સાથે પેડલર ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/bopal-police-arrested-man-with-hybrid-ganja-in-ghuma</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/bopal-police-arrested-man-with-hybrid-ganja-in-ghuma</guid><pubDate>Fri, 17 Jul 2026 19:53:27 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદમાં નશાના કારોબારીઓ સામે પોલીસે વધુ એક મોટી સફળતા મેળવી છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજી અને બોપલ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ઘુમા વિસ્તારમાંથી લાખો રૂપિયાની કિંમતના હાઇબ્રીડ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને રંગેહાથ ઝડપી પાડ્યો છે. પકડાયેલો આરોપી પોતાના જ ઘરમાંથી નશાના આ કાળા કારોબારનું છૂટક નેટવર્ક ચલાવતો હોવાનું સામે આવ્યું છે.</p><h2><b>બાતમીના આધારે બોપલ પોલીસ સાથે સંયુક્ત રેડ</b></h2><p>અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે, ઘુમા બ્રિજ પાસે આવેલા સૂર્યાનગરમાં એક વ્યક્તિ નશીલા પદાર્થનું વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે બોપલ પોલીસને સાથે રાખીને સૂર્યાનગરમાં આવેલા મકાન પર રેડ કરવામાં આવી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસે મૂળ સુરેન્દ્રનગરના અને હાલ ઘુમા ખાતે રહેતા રાજુભાઈ સાપરા નામના આરોપીને દબોચી લીધો હતો.</p><h2><b>રૂ. 11.70 લાખનો મુદ્દામાલ જપ્ત, FSL તપાસમાં મોટો ખુલાસો</b></h2><p>પોલીસે આરોપીના ઘરમાંથી 331 ગ્રામ શંકાસ્પદ પદાર્થ જપ્ત કર્યો હતો, જેની FSL તપાસ કરાવતા તે પ્રતિબંધિત હાઇબ્રીડ ગાંજો હોવાનું સત્તાવાર રીતે બહાર આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય કક્ષાના હાઇબ્રીડ ગાંજાની અંદાજિત કિંમત 11.58 લાખ આંકવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે આરોપી પાસેથી બે મોબાઈલ ફોન, રોકડ રકમ અને ડ્રગ્સ જોખવા માટેનો વજન કાંટો મળીને કુલ 11.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.</p><h2><b>NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ, એક સાગરિત વોન્ટેડ</b></h2><p>આ હાઇબ્રીડ ગાંજાના નેટવર્કમાં વધુ એક અજાણ્યો સાગરિત સંડોવાયેલો હોવાનું ખુલ્યું છે, જેને પોલીસે વોન્ટેડ જાહેર કરીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સમગ્ર મામલે બોપલ પોલીસે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ હાઇબ્રીડ ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને અમદાવાદમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/neet-result-ahmedabad-students-top-rankers" target="_blank">NEET Result 2026: અમદાવાદના 3 વિદ્યાર્થીઓ દેશના ટોપ 30માં, સેમુન ભાટિયા 25મા ક્રમે</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/uewgx9oFscgbTx6vK2Gg0s8sofoHD8kvpF5epgFU.webp'/></item><item><title><![CDATA[Arjun Bijlani: મૌની રોય સાથે નામ જોડાવવા પર ભડક્યો અભિનેતા, અર્જુને આપ્યું મોટું નિવેદન ]]></title><link>https://sandesh.com/entertainment/news/arjun-bijlani-mouni-roy-dating-rumours--actors-team-issues-statement</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/arjun-bijlani-mouni-roy-dating-rumours--actors-team-issues-statement</guid><pubDate>Fri, 17 Jul 2026 19:07:26 +05:30</pubDate><description><![CDATA[<p>ટીવી અને બોલિવૂડ કોરિડોરમાં વારંવાર લિંક-અપ્સ અને અફેર્સના સમાચારો સામે આવતા રહે છે. પરંતુ ક્યારેક આ અફવાઓ એટલી હદે વધી જાય છે કે સ્ટાર્સે પોતે આગળ આવીને સ્પષ્ટતા કરવી પડે છે. ટીવી ઈન્ડસ્ટ્રીના સૌથી પ્રિય કલાકારોમાંના એક અર્જુન બિજલાની સાથે પણ આવું જ થયું છે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા અને વિવિધ મીડિયા રિપોર્ટ્સ દ્વારા અર્જુન બિજલાનીનું નામ તેના નજીકની મિત્ર અને બોલિવૂડ અભિનેત્રી મૌની રોય સાથે જોડવામાં આવી રહ્યું છે.</p><p>અર્જુન બિજલાનીની ટીમે હવે આ અફવાઓને લઈને એક નિવેદન બહાર પાડ્યું છે, જેમા અફવા ફેલાવનારાઓને ફટકાર લગાવી છે. અર્જુનનું આ સત્તાવાર નિવેદનમાં કેહવામાં આવ્યું છે કે, અર્જુન અને મૌની રોય વચ્ચેનો સંબંધ માત્રને માત્ર એક સારી મિત્રતાનો છે.
</p><h3><b>અર્જુને નિવેદનમાં શું કહ્યું?
</b></h3><p>અર્જુન બિજલાની અને મૌની રોયને લઈને ચાલી રહેલી પાયાવિહોણી અફવાઓને અમે સંપૂર્ણપણે નકારી કાઢીએ છીએ. દરેક મિત્રતાને કોઈ પણ રોમેન્ટિક અર્થ આપવો અથવા તેને અફેર તરીકે લેવું સંપૂર્ણપણે ખોટું છે. બંને ખૂબ સારા મિત્રો છે અને વર્ષોથી મજબૂત બોન્ડ શેર કરે છે. આવા બનાવટી સમાચાર ફક્ત સ્ટાર્સને જ ખલેલ પહોંચાડતા નથી પરંતુ તેમના અંગત જીવનને પણ અસર કરે છે.
</p><h5><b>"નાગિન" થી શરૂ થયેલી મિત્રતા
</b></h5><p>તમને જણાવી દઇએ કે અર્જુન બિજલાની અને મૌની રોયની મિત્રતા નવી નથી. તેઓએ એકતા કપૂરના સુપરહિટ સુપરનેચરલ શો "નાગિન" માં મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી. ઋત્વિક અને શિવન્યા તરીકેની તેમની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. ઑફસ્ક્રીન તેઓ ઘણીવાર સાથે પાર્ટી કરતા અને મુશ્કેલીઓમાં એકબીજાની પડખે ઉભા રહેતા જોવા મળે છે. અર્જુન પહેલાથી જ પત્ની નેહા સ્વામી સાથે ખુશહાલ જીંદગી જીવી રહ્યો છે અને તેમનો એક પુત્ર છે. નોંધનીય છે કે, મૌની રોય તાજેતરમાં સૂરજ નામ્બિયારથી અલગ થઈ ગઈ છે. અર્જુને તેમની પવિત્ર મિત્રતા વિશે ઉઠાવવામાં આવેલા પ્રશ્નોનો યોગ્ય જવાબ આપ્યો છે.
</p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/entertainment/news/raj-kundra-on-2021-case---quot-ready-to-face-punishment-if-guilty-quot-" target="_blank">'મેં કંઈ ખોટું નથી કર્યું...' રાજ કુન્દ્રાએ કર્યો મોટો ખુલાસો</a>
</p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/uqmxCDz2JzENRtGnK9YgCSpF9Y2jaoiAPEqMtfOi.webp'/></item><item><title><![CDATA[Junagadh News: ગિરનારમાં પાંચ ટૂંક ઉપર લાઉડ સ્પીકર કે વાજિંત્રો વગાડી શકાશે નહીં ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/loudspeakers-and-musical-instruments-banned-on-girnar-five-peaks</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/loudspeakers-and-musical-instruments-banned-on-girnar-five-peaks</guid><pubDate>Fri, 17 Jul 2026 18:49:25 +05:30</pubDate><description><![CDATA[<p>જૂનાગઢના ભવનાથ વિસ્તાર તેમજ ગિરનાર ક્ષેત્રમાં શાંતિ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. ગિરનારની પવિત્ર પાંચ ટૂંક ઉપર વહીવટી તંત્ર દ્વારા વિશેષ જાહેરનામું અમલી કરી દેવામાં આવ્યું છે.આ વિસ્તારની ગરિમા જળવાય અને કોઈ પણ સ્તરે ધાર્મિક લાગણી ન દુભાય તે હેતુથી પોલીસ અને પ્રશાસન દ્વારા સુરક્ષા વ્યવસ્થા અભેદ્ય બનાવી દેવામાં આવી છે.</p><h2><b>ગિરનારમાં પાંચ ટૂંક માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું</b></h2><p>જાહેરનામા અનુસાર,ગિરનાર ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારના ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરવા,વિવાદાસ્પદ ભાષણો આપવા તેમજ સક્ષમ અધિકારીની મંજૂરી વિના લાઉડ સ્પીકર કે અન્ય વાજિંત્રો વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.આ ઉપરાંત સમગ્ર ભવનાથ અને ગિરનાર ટૂંક પર કોઈ પણ વ્યક્તિ ઘાતક હથિયારો સાથે રાખી શકશે નહીં.યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક શાંતિ ભંગ ન થાય તે માટે આ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે.</p><h3><b>તાત્કાલિક ધોરણે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે</b></h3><p>વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે આ જાહેરનામાના નિયમોનો ભંગ કરનાર કે કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરનાર કોઈ પણ શખ્સ વિરુદ્ધ સહેજ પણ ચલાવી લેવામાં આવશે નહીં અને તેમની સામે તાત્કાલિક ધોરણે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.સ્થાનિક પોલીસ દ્વારા પણ ભવનાથ અને ગિરનારના રૂટ પર પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે, જેથી અહીં આવતા હજારો શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ માહોલમાં દર્શન કરી શકે.</p><p><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ats-finds-explosive-making-manuals-from-siddhpur-terror-suspects" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: સિદ્ધપુરથી પકડાયેલા શંકાસ્પદ આતંકીઓ પાસેથી મળેલા પુસ્તકોમાં વિસ્ફોટક બનાવવાની માહિતી હતી</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/kIXJIpiJtwubINpC6vQwh0dAuFTjg0vONNp5k1xs.webp'/></item><item><title><![CDATA[Badrinath મંદિરમાં પ્રસાદની ચોરી મામલે વધુ એક ધરપકડ, રાજેન્દ્ર ચૌહાણની કરી 4 કલાક પૂછપરછ ]]></title><link>https://sandesh.com/india/news/badrinath-temple-prasad-theft--ex-officer-rajendra-chauhan-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/badrinath-temple-prasad-theft--ex-officer-rajendra-chauhan-arrested</guid><pubDate>Fri, 17 Jul 2026 18:32:02 +05:30</pubDate><description><![CDATA[<p>બદ્રીનાથ મંદિરમાં પ્રસાદ અને દાન સંબંધિત કથિત ચોરી અને નાણાકીય ગેરરીતિઓની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે શુક્રવારે એક મોટી કાર્યવાહી કરી છે. જેમાં મંદિરના ભૂતપૂર્વ અધિકારી રાજેન્દ્ર ચૌહાણની ધરપકડ કરવામાં આવી. ચૌહાણ 30 જૂન, 2026 ના રોજ નિવૃત્ત થયા. SIT સૂત્રોના જણાવ્યા અનુસાર, બદ્રીનાથમાં રાજેન્દ્ર ચૌહાણની લગભગ ચાર કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ અને ઉપલબ્ધ પુરાવાઓના આધારે તેમની ઔપચારિક ધરપકડ કરવામાં આવી હતી.</p><h2><b>રાજેન્દ્ર ચૌહાણ CCTV પર પ્રસાદ ચોરી કરતા જોવા મળ્યા
</b></h2><p>મળતી માહિતી અનુસાર તપાસમાં SIT દ્વારા મેળવેલા CCTV ફૂટેજમાં રાજેન્દ્ર ચૌહાણ 22, 25 અને 29 જૂનના રોજ મંદિરના ગણતરી ખંડમાંથી કથિત રીતે રોકડ ઉપાડતા દેખાય છે. આ પુરાવાના આધારે ટીમે તેમની ધરપકડ કરી છે. 
</p><h3><b>પ્રસાદ ચોરીમાં અન્ય લોકોની ભૂમિકાની તપાસ
</b></h3><p>SIT હવે તપાસ કરી રહી છે કે કથિત ગેરરીતિઓમાં અન્ય કોઈ વ્યક્તિઓ સામેલ હતા કે નહીં અને સમગ્ર ઘટનામાં સોંપાયેલી જવાબદારી કઈ રીતે નક્કી થાય ચે. આ પહેલા પણ આ મામલામાં વિભાગીય તપાસના આધારે, કોષાધ્યક્ષ-ઇનચાર્જને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા અને ઘણા કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી હતી. SIT અધિકારીઓના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા ભૂતપૂર્વ મંદિર અધિકારી રાજેન્દ્ર ચૌહાણને શનિવારે સક્ષમ કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં આગળની કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે.
</p><h4><b>તપાસ સમિતિએ અહેવાલ રજૂ કર્યો
</b></h4><p>શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC) એ બદ્રીનાથ મંદિરમાં પ્રસાદની ચોરીની તપાસ માટે એક તપાસ સમિતિની રચના કરી હતી. સમિતિએ ગુરુવારે તેનો અહેવાલ રજૂ કર્યો. BKTC ના મુખ્ય કાર્યકારી અધિકારી સોહન સિંહ રંગડે પુષ્ટિ આપી હતી કે ચાર સભ્યોની ટીમે તેનો 18 પાનાનો તપાસ રિપોર્ટ સોંપ્યો હતો, જેમાં મંદિરમાં પ્રસાદની ચોરી અટકાવવા માટે ઘણી ભલામણો કરવામાં આવી હતી. આ સૂચનોમાં મતગણતરી દરમિયાન ડ્રેસ કોડ લાગુ કરવો, ખુલ્લા વિસ્તારો અને મતગણતરી કેન્દ્રોમાં નવા CCTV કેમેરા સ્થાપિત કરવા, દેખરેખ પ્રણાલીને મજબૂત અને સમાયોજિત કરવી અને ભક્તોને ગણતરી પ્રક્રિયામાં સામેલ કરવા માટે એક પ્રક્રિયા બનાવવાનો સમાવેશ થાય છે. 2 જુલાઈના રોજ સોશિયલ મીડિયા પર મંદિરના પ્રસાદની ઉચાપતના આરોપો સામે આવ્યા બાદ BKTC એ આ સમિતિની રચના કરી હતી.
</p><p>ઉલ્લેખનીય છે કે, કર્મચારી પ્રમોદ નૌટિયાલને તાજેતરમાં બદ્રીનાથ ધામમાં પ્રસાદ ચોરીના સંબંધમાં પોલીસે ધરપકડ કરી હતી. કેસ દાખલ થયા પછીથી તે ફરાર હતો.&nbsp;<br><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/entertainment/news/raj-kundra-on-2021-case---quot-ready-to-face-punishment-if-guilty-quot-#google_vignette" target="_blank"><b>'મેં કંઈ ખોટું નથી કર્યું...' રાજ કુન્દ્રાએ કર્યો મોટો ખુલાસો</b></a>
</p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/3LpSi6hk6MS31xehs1hE1Gsi7NCAhzRgD9VaJl8K.webp'/></item><item><title><![CDATA[Kheda News: કઠલાલના કાણીયલમાં કલેક્ટરની સરપ્રાઇઝ વિઝિટ, શાળામાં નશાખોર આચાર્ય ઝડપાતા પોલીસને સોંપાયા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kheda/kheda-news-collectors-surprise-visit-to-kanial-kathlal-drug-addict-principal-caught-in-school-and-handed-over-to-police</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kheda/kheda-news-collectors-surprise-visit-to-kanial-kathlal-drug-addict-principal-caught-in-school-and-handed-over-to-police</guid><pubDate>Fri, 17 Jul 2026 18:27:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના કાણીયલ ગામેથી સરકારી તંત્રને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કાણીયલ ગામે જિલ્લા કલેક્ટરની સત્તાવાર વિઝિટ (મુલાકાત) ગોઠવાયેલી હતી. આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરે કટોકટીનો સપાટો બોલાવતા કાણીયલ પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ H-TAT આચાર્ય ભગવતસિંહ ઝાલાને ફરજ પર જ દારૂના નશામાં ચુર એટલે કે પીધેલી હાલતમાં રંગેહાથ ઝડપી પાડ્યા હતા. કલેક્ટરે તાત્કાલિક કડક પગલાં ભરીને નશાખોર આચાર્યને કઠલાલ પોલીસના હવાલે કરી દીધા હતા.</p><h2 style="text-align: justify; "><b>અગાઉ પણ વિવાદોમાં રહી ચૂક્યા છે આ આચાર્ય&nbsp;</b></h2><p style="text-align: justify; ">નશાખોર હાલતમાં ઝડપાયેલા આચાર્ય ભગવતસિંહ ઝાલા હાલ ગંગાદાસના મુવાડા ખાતે ફરજ બજાવે છે. આ કોઈ પ્રથમ ઘટના નથી જ્યારે તેઓ વિવાદમાં આવ્યા હોય. આ અગાઉ પણ તેઓ જ્યારે મહેમદાવાદ તાલુકાની રૂદન પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા, ત્યારે પણ શિસ્તભંગ અને વિવિધ વિવાદોમાં આવી ચૂક્યા છે. એક શિક્ષક અને આચાર્ય જેવા જવાબદાર પદ પર હોવા છતાં તેમની આવી બેદરકારી સામે આવતા વાલીઓ અને શિક્ષણ જગતમાં ભારે ફિટકારની લાગણી વ્યાપી છે.</p><h3 style="text-align: justify; "><b>સમગ્ર ઘટના બાદ સ્થાનિક રાજકારણ ગરમાયું</b></h3><p style="text-align: justify; ">આ મામલામાં રાજકીય કનેક્શન સામે આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પકડાયેલા નસેડી મુખ્યશિક્ષક ભગવતસિંહ ઝાલાના પુત્રવધુ ફાલ્ગુનીબેન ઝાલા ખેડા જિલ્લા પંચાયતની છીપડી બેઠકના કોંગ્રેસના સક્રિય સભ્ય છે. તેમના સસરા જ સરકારી શાળામાં દારૂ પીધેલી હાલતમાં પકડાતા વિપક્ષ અને સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટના બાદ જાગૃત નાગરિકો દ્વારા એવી પણ માંગ ઉઠી છે કે કલેક્ટર તંત્ર દ્વારા આવી જ રીતે અન્ય શાળાઓમાં પણ સરપ્રાઇઝ વિઝીટ કરવામાં આવે, જેથી ગુલ્લીબાજ, નશાખોર અને કામચોર શિક્ષકો સામે કડક કાર્યવાહી થઈ શકે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/2arobR9eXuB5cxMloCYrpDTwjBnsFfUhCb0P6FWR.webp'/></item><item><title><![CDATA[Gujarat ATS Probe : મારો દીકરો દેશદ્રોહી નીકળે તો કડક સજા કરો, ફટાકડા અને ઝાડમાં નાખવાના પાવડરથી પ્રયોગો કરતો : આરોપીના પિતા ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/terror-suspects-father-seeks-strict-punishment-if-son-found-guilty</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/terror-suspects-father-seeks-strict-punishment-if-son-found-guilty</guid><pubDate>Fri, 17 Jul 2026 18:12:17 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાત ATS દ્વારા સિદ્ધપુરથી પકડાયેલા શંકાસ્પદ આતંકીઓ અંગે ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. આરોપી મોહમ્મદના પિતાએ કહ્યું હતું કે, જો મારો દીકરો ખરેખર દેશદ્રોહી નીકળે અને આવી પ્રવૃત્તિઓમાં સામેલ હોય તો તેને કડક સજા કરો. તે ફટાકડા અને ઝાડમાં નાખવાના પાવડર લાવીને અલગ અલગ પ્રયોગો કરતો હતો. બીજી તરફ ATS દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે તે ટાઈમ બોમ્બનું પરિક્ષણ કરતો હતો અને તે પોતાના બચતના પૈસાથી સામગ્રી ખરીદતો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.<br></p><p style="text-align: justify; "><b>જુઓ આરોપીના પિતાનું નિવેદન</b></p><p style="text-align: justify; "><b><br></b><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Da5KdXFG_cE/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA%3D%3D" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Da5KdXFG_cE/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA%3D%3D" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a></p><p style="text-align: justify; "><br></p><h2 style="text-align: justify; "><b>ફટાકડા અને ઝાડમાં નાખવાના પાવડર લાવીને અલગ અલગ પ્રયોગો કરતો</b></h2><p style="text-align: justify; ">ATS દ્વારા પકડવામાં આવેલા આરોપી મોહમ્મદના પિતાએ ખુલાસો કર્યો હતો કે તેમનો પુત્ર ઉત્તર પ્રદેશની પ્રખ્યાત દેવબંદ મદ્રેસામાં અભ્યાસ કરી ચૂક્યો છે અને છેલ્લા 6 મહિનાથી તેમની સાથે જ દુકાને કામ પર બેસતો હતો.ઘરમાં તેની પ્રવૃત્તિઓ વિશે વાત કરતા પિતાએ જણાવ્યું કે તે અવારનવાર ફટાકડા અને ઝાડમાં નાખવાના પાવડર લાવીને અલગઅલગ પ્રયોગો કરતો હતો.જેનો હેતુ હવે સ્પષ્ટ થઈ રહ્યો છે.આરોપીના પરિવારે દેશ વિરોધી ગતિવિધિઓથી પોતાને તદ્દન અલગ કરી દીધા છે.</p><h3 style="text-align: justify; "><b>તપાસમાં પૂરેપૂરો સહયોગ આપવાની ખાતરી ઉચ્ચારી</b></h3><p style="text-align: justify; ">પિતા અય્યુબભાઈ અને તેમના પરિવારે સ્પષ્ટ કર્યું છે કે,તેઓ ક્યારેય પણ આવી કોઈ દેશવિરોધી પ્રવૃત્તિમાં સહમત નથી અને દેશ હિત જ તેમના માટે સર્વોપરી છે.આ સાથે જ તેમણે એટીએસ અને સ્થાનિક પોલીસની ચાલી રહેલી તમામ તપાસમાં પૂરેપૂરો સહયોગ આપવાની ખાતરી ઉચ્ચારી છે.હાલમાં એટીએસ મોહમ્મદ અને અમીન શેરાના કનેક્શન તેમજ વિસ્ફોટકો બનાવવાના આ પ્રયોગો કયા મોટા ષડ્યંત્રનો ભાગ હતા તે દિશામાં ઉંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>પાકિસ્તાની હેન્ડલર્સના સંપર્કમાં આરોપીઓ રહેતા હતા</b></h2><p style="text-align: justify; ">ગુજરાત ATS દ્વારા પાટણ અને બનાસકાંઠામાંથી કૂલ 13 આતંકીઓને પકડવામાં આવ્યા છે. તેઓ જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા રહેતા હતાં. ATSના DIG સુનિલ જોશીએ પત્રકારોને જણાવ્યા પ્રમાણે આરોપીઓ પાકિસ્તાની હેન્ડલર્સના સંપર્કમાં રહેતા હતાં. અવાવરૂ સ્થળે બોમ્બ બનાવી પરિક્ષણ કરતા હતાં. મહંમ્મદ અયુબ કાદરી ટાઈમ બોમ્બનું પરિક્ષણ કરતો હતો. આતંકી પોતાના બચતના પૈસાથી સામગ્રી ખરીદતો હોવાનો દાવો કરાયો છે. તેઓ સોશિયલ મીડિયા દ્વારા કાવતરૂ રચતા હતાં.</p><h3 style="text-align: justify; "><b>આઠ આરોપીઓના વધુ સાત દિવસના રિમાન્ડ મંજૂર</b></h3><p style="text-align: justify; ">જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા આઠ આરોપીને કડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. એટીએસ દ્વારા આરોપીના વધુ 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જેની સામે કડી કોર્ટે વધુ સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં.  દેશ વિરોધી પ્રવૃત્તિ સાથે જોડાયેલા આરોપીઓનું નેટવર્ક ક્યાં સુધી ફલાયેલું છે તે તમામની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે સાત દિવસના વધુ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-news-bhaktinagar-railway-station-to-be-renovated-pm-modi-will-virtually-inaugurate-it" target="_blank">આ પણ વાંચોઃ Rajkot News: 26.80 કરોડના ખર્ચે ભક્તિનગર રેલવે સ્ટેશનનું નવીનીકરણ, પીએમ મોદી કરશે વર્ચ્યુઅલી લોકાર્પણ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/0Ae6hvMT27xwj1qaCUJZYmapf4H5Lfe3ChpBDkbl.webp'/></item><item><title><![CDATA[FIFA નો ઐતિહાસિક નિર્ણય, આ વખતે ચેમ્પિયન ટીમને ટ્રોફિ અને મેડલ સાથે આપશે ખાસ ભેટ ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifas-historic-decision-this-time-the-champion-team-will-be-given-a-special-gift-along-with-a-trophy-and-medal</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifas-historic-decision-this-time-the-champion-team-will-be-given-a-special-gift-along-with-a-trophy-and-medal</guid><pubDate>Fri, 17 Jul 2026 16:07:22 +05:30</pubDate><description><![CDATA[<p>FIFA વર્લ્ડ કપ 2026 ફાઇનલના વિજેતાઓને પ્રતિષ્ઠિત ટ્રોફી અને ગોલ્ડ મેડલ ઉપરાંત ખાસ ડિઝાઇન કરેલી ચેમ્પિયનશિપ રિંગ આપવામાં આવશે. પ્રાચીન અમેરિકન રમતગમત પરંપરાથી પ્રેરિત FIFA વેબસાઇટ અનુસાર માહિતી આપવામાં આવી છે. રવિવાર, 19 જુલાઈના રોજ ન્યૂ યોર્ક-ન્યૂ જર્સી સ્ટેડિયમ ખાતે સ્પેન અને આર્જેન્ટિના વચ્ચેની ફાઇનલ પછી આ કસ્ટમાઇઝ્ડ રિંગ્સ ટુર્નામેન્ટ ચેમ્પિયનને રજૂ કરવામાં આવશે. ટુર્નામેન્ટની યાદમાં કુલ 2,026 અનન્ય નંબરવાળી રિંગ્સ બનાવવામાં આવશે. આમાંથી ત્રીસ રિંગ્સ વિજેતા ટીમના સભ્યો માટે અનામત રાખવામાં આવશે, જ્યારે બાકીના 1,996 વિશ્વભરના ચાહકો માટે સત્તાવાર લાઇસન્સ પ્રાપ્ત ઉત્પાદનો તરીકે ઉપલબ્ધ રહેશે.</p><h4><b>રિંગમાં FIFA વર્લ્ડ કપ ટ્રોફી ડિઝાઇન જોવા મળશે</b></h4><p>દરેક રિંગમાં એક બાજુ FIFA વર્લ્ડ કપ ટ્રોફી ડિઝાઇન જોવા મળશે.જ્યારે બીજી બાજુ ચેમ્પિયન ટીમને ઓળખવા માટે કસ્ટમાઇઝ કરવામાં આવશે. દરેક રિંગ અનન્ય રીતે નંબરવાળી, કસ્ટમ-ફિટ કરેલી અને પ્રમાણિકતાનું પ્રમાણપત્ર સાથે હશે.ફાઇનલ પછી તરત જ, વિજેતા ટીમના કેપ્ટન અને મુખ્ય કોચને ઉજવણી દરમિયાન કામચલાઉ ચેમ્પિયનશિપ રિંગ્સ પ્રાપ્ત થશે. બાદમાં, 30 વિજેતાઓને સત્તાવાર રીતે કસ્ટમ-મેઇડ રિંગ્સ આપવામાં આવશે જેથી તેઓ સંપૂર્ણ રીતે ફિટ થાય અને તેમની વર્લ્ડ કપ જીતની યાદમાં રમી શકે.</p><h5><b>આર્જેન્ટિનાએ સેમિફાઇનલમાં વિજય મેળવ્યો</b></h5><p>ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ પર 2-1 થી રોમાંચક વિજય મેળવ્યો. તેઓ પહેલા હાફમાં પાછળ રહીને બરાબરી કરી, અને લૌટારો માર્ટિનેઝે સ્ટોપેજ સમયમાં વિજયી ગોલ કરીને ડિફેન્ડિંગ ચેમ્પિયનને સ્પેન સામે ટાઇટલ મુકાબલામાં આગળ ધપાવ્યું. ઇંગ્લેન્ડ પરની આ જીતથી આર્જેન્ટિના 2026 વર્લ્ડ કપ ફાઇનલમાં સ્થાન મેળવી શક્યું, જ્યારે ઇંગ્લેન્ડની 1966 પછી પહેલી વાર વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચવાની આશા દુ:ખદ રીતે ઠગારી નીવડી. બીજી તરફ, સ્પેને શાનદાર પ્રદર્શન કરીને ફ્રાન્સને 2-0 થી હરાવ્યું અને 2010 ની જીત પછી પ્રથમ ફિફા વર્લ્ડ કપ ફાઇનલ મેળવી. આ જીતમાં લેમિન યામાલે મુખ્ય ભૂમિકા ભજવી</p><h5><b>છઠ્ઠી ક્લીન શીટ મેળવી</b></h5><p>બ્રેક પછી, પેડ્રો પોરોએ દાની ઓલ્મો સાથે શાનદાર સંકલન કરીને સ્પેનની લીડ બમણી કરી, જ્યારે ફ્રાન્સ સ્પષ્ટ ગોલ કરવાની તકો બનાવવામાં સંઘર્ષ કરી રહ્યું હતું. યામાલનો એક ગોલ ઓફસાઇડ માટે નામંજૂર કરવામાં આવ્યો હતો, અને કાયલિયન એમબાપ્પે અને ઓરેલિયન ચૌમેનીના છેલ્લી ઘડીના પ્રયાસો છતાં, સ્પેનના ડિફેન્સે મજબૂતાઈ જાળવી રાખી, ટુર્નામેન્ટની સાત મેચમાં તેમની છઠ્ઠી ક્લીન શીટ મેળવી.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/fifa-world-cup/news/fifa-world-cup-2026-final-the-epic-clash-between-spain-and-argentina-know-when-and-where-to-watch-it-live-in-india" target="_blank">FIFA World Cup 2026 Final: સ્પેન અને આર્જેન્ટિના વચ્ચે મહામુકાબલો, જાણો ભારતમાં ક્યારે Liveજોઈ શકાશે</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/LqXgHChGgrFPEeJhZ2mS6AMKZWcKsJ2XQPt7WGQS.webp'/></item><item><title><![CDATA[Stock Market Closing: શાનદાર તેજી સાથે માર્કેટ બંધ, સેન્સેક્સ 964 પોઇન્ટના ઉછાળા સાથે 78,151.45 અંકે ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-closing-market-closes-with-a-strong-rally-sensex-jumps-964-points-to-7815145</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-closing-market-closes-with-a-strong-rally-sensex-jumps-964-points-to-7815145</guid><pubDate>Fri, 17 Jul 2026 15:44:04 +05:30</pubDate><description><![CDATA[<p>17 જુલાઇએ&nbsp; ઘરેલુ શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી. આઈટી અને બેંકિંગ ક્ષેત્રો તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા હેવીવેઇટ શેરોમાં જોરદાર ખરીદીને કારણે, સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ટ્રેડિંગ સેશન દરમિયાન 1 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો. મોટી કંપનીઓના પ્રથમ ક્વાર્ટર (Q1) ના પરિણામો પહેલા રોકાણકારોનો રસ લાર્જ-કેપ શેરો તરફ વળ્યો, જેનાથી બજારને મજબૂતી મળી.</p><h2><b>શેરબજારમાં તેજી&nbsp;</b></h2><p>શુક્રવારે સેન્સેક્સ અને નિફ્ટી શાનદાર તેજી સાથે બંધ થયા. સેન્સેક્સ +964.59 પોઇન્ટના વધારા સાથે 78,151.45 અંકે બંધ થયો.. જ્યારે નિફ્ટી +261.55 પોઇન્ટના વધારા સાથે 24,334.30 અંકે&nbsp; બંધ થયો.</p><h3><b>આઇટી અને બેંકિંગ શેરોમાં ખરીદી</b></h3><p>ક્ષેત્રીય સૂચકાંકોની દ્રષ્ટિએ, નિફ્ટી આઇટી સૌથી વધુ વધ્યો હતો, જેમાં 1 ટકાથી વધુનો વધારો નોંધાયો હતો. નિફ્ટી બેંક પણ લગભગ 1 ટકા મજબૂત થયો હતો. જોકે, વ્યાપક બજારમાં સમાન સ્તરની મજબૂતાઈ જોવા મળી ન હતી; નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100 સૂચકાંકોમાં અનુક્રમે 0.61 ટકા અને 0.86 ટકાનો ઘટાડો નોંધાયો હતો.</p><p><b style="font-size: 1.5rem;">RIL સૌથી વધુ વધનાર તરીકે ઉભરી આવ્યો</b></p><p>સેન્સેક્સના શેરોમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) એ સૌથી વધુ વધારો નોંધાવ્યો, જે 2 ટકાથી વધુ વધ્યો. શુક્રવારે જાહેર થનારા કંપનીના પ્રથમ ત્રિમાસિક પરિણામો પહેલા રોકાણકારો શેર પર નજર રાખી રહ્યા છે.</p><p><br></p><p>વધુમાં, TCS, કોટક મહિન્દ્રા બેંક, ટેક મહિન્દ્રા, હિન્દુસ્તાન યુનિલિવર, એક્સિસ બેંક, ઇન્ફોસિસ, HDFC બેંક, મહિન્દ્રા અને મહિન્દ્રા, HCL ટેક અને ICICI બેંકના શેરમાં પણ 1 ટકાથી વધુનો વધારો નોંધાયો. આ હેવીવેઇટ શેરોમાં ખરીદીની પ્રવૃત્તિએ બજારના ઉપરના વેગને પ્રોત્સાહન આપ્યું.</p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/03/16/gLJ4WtokoymfX6Y0aSSr5fk0mQbgABzBzdoZamiA.webp'/></item></channel></rss>