<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Palestineના વિશ્વસનીય ભાગીદાર તરીકે જોડાયેલું રહેશે ભારત, ટૂ-સ્ટેટ સોલ્યુશનને આપ્યું સમર્થન ]]></title><link>https://sandesh.com/india/news/world/india-reaffirms-support-for-palestine-two-state-solution</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/world/india-reaffirms-support-for-palestine-two-state-solution</guid><pubDate>Tue, 14 Jul 2026 16:58:44 +05:30</pubDate><description><![CDATA[<p>બેલ્જિયમના બ્રસેલ્સમાં યોજાયેલી પેલેસ્ટાઈન ડોનર ગ્રુપ (PDG)ની બીજી મંત્રીસ્તરીય બેઠકમાં ભારતે પેલેસ્ટાઈન પ્રત્યેના પોતાના લાંબા ગાળાના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો છે. ભારતે ફરી એકવાર ટૂ-સ્ટેટ સોલ્યુશન અને સંયુક્ત રાષ્ટ્રમાં પેલેસ્ટાઈનના પૂર્ણ સભ્યપદને સમર્થન આપવાની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. યુરોપિયન કમિશન અને પેલેસ્ટિનિયન ઓથોરિટી દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ વિદેશ મંત્રાલયના સચિવ (CPV અને OIA) શ્રીપ્રિયા રંગનાથને કર્યું હતું.</p><h2><b>ભારત અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર કાર્ય કરી રહ્યું છે</b></h2><p>બેઠકને સંબોધતા શ્રીપ્રિયા રંગનાથને જણાવ્યું કે ભારત વર્ષોથી પેલેસ્ટાઈન પ્રજાનો વિશ્વસનીય વિકાસ ભાગીદાર રહ્યું છે. ભારતની સહાય માગ આધારિત છે અને ખાસ કરીને આરોગ્ય, શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને વ્યાવસાયિક તાલીમ જેવા ક્ષેત્રો પર કેન્દ્રિત છે. તેમણે જણાવ્યું કે ભારત હાલમાં પેલેસ્ટાઈનમાં આરોગ્ય સેવાઓ, મહિલા સશક્તિકરણ અને સંસ્થાકીય ક્ષમતા વિકાસ સાથે જોડાયેલા અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર કાર્ય કરી રહ્યું છે. ઉપરાંત પુનર્વસન, આરોગ્ય, શિક્ષણ અને વ્યાવસાયિક તાલીમ સંબંધિત નવી યોજનાઓની પણ જાહેરાત કરવામાં આવી છે.</p><h3><b>વિશ્વસનીય ભાગીદાર</b></h3><p>બ્રસેલ્સ પ્રવાસ દરમિયાન શ્રીપ્રિયા રંગનાથને સંયુક્ત રાષ્ટ્રની રાહત અને કાર્ય એજન્સી (UNRWA)ની સલાહકાર સમિતિની બેઠકમાં પણ ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે પેલેસ્ટાઈનમાં માનવતાવાદી કામગીરી માટે ભારતના સતત સહયોગની ખાતરી આપી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારત ભવિષ્યમાં પણ પેલેસ્ટાઈનની જનતાની માનવીય જરૂરિયાતો પૂરી કરવા માટે વિશ્વસનીય ભાગીદાર તરીકે કાર્ય કરતું રહેશે.</p><p>ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ઈન્ડોનેશિયાની મુલાકાત દરમિયાન પણ ઈઝરાયલ-પેલેસ્ટાઈન વિવાદના શાંતિપૂર્ણ ઉકેલ માટે ટૂ-સ્ટેટ સોલ્યુશનનું સમર્થન વ્યક્ત કર્યું હતું અને વૈશ્વિક મુદ્દાઓ પર ભારત-ઈન્ડોનેશિયા સહયોગ વધુ મજબૂત બનાવવાની વાત કરી હતી.</p><p><b><a href="https://sandesh.com/world/news/lashkar-e-taibas-conspiracy-against-india-training-is-being-given-to-terrorists-in-mangala-dam" target="_blank">આ પણ વાંચો : Lashkar-E-Taiba નું ભારત વિરુદ્ધ ષડયંત્ર, મંગલા ડેમમાં આતંકીઓને આપી રહ્યાં છે ટ્રિનિંગ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/4V3CEsMkhlNK9JL6op8djLR5kOL7rCt4VpHZyp3S.webp'/></item><item><title><![CDATA[Railway માં 1.27 કરોડના બેડરોલની ચોરી, મુસાફરોની ભૂલ પણ ભોગવે છે બિચારા એટેન્ડન્ટ! ]]></title><link>https://sandesh.com/india/news/bedroll-worth-rs-127-crore-stolen-in-railways-poor-attendant-also-suffers-from-passengers-mistake</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/bedroll-worth-rs-127-crore-stolen-in-railways-poor-attendant-also-suffers-from-passengers-mistake</guid><pubDate>Tue, 14 Jul 2026 16:56:50 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય રેલવેના એસી કોચમાં મુસાફરી દરમિયાન મળતા બેડરોલ (ચાદર, ટુવાલ, ધાબળા) મુસાફરોની સુવિધા માટે હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ સુવિધા કર્મચારીઓ માટે આર્થિક બોજ બની ગઈ છે. એક ચોંકાવનારા અહેવાલ મુજબ, વર્ષ 2022 થી મે 2026 વચ્ચે 1.27 કરોડ બેડરોલ ચોરાઈ ગયા છે, અને આ નુકસાનની ભરપાઈ ટ્રેન એટેન્ડન્ટ્સના પગારમાંથી કરવામાં આવે છે.</p><h2 style="text-align: justify; "><b>ચોરીના આંકડા અને તેની ગંભીરતા</b></h2><p style="text-align: justify; ">છેલ્લા ચાર વર્ષમાં થયેલી આ ચોરીઓમાં 56 ટકા જેટલો જંગી વધારો થયો છે. આ ચોરીઓનું કુલ મૂલ્ય આશરે ₹૧૦૪.૫૧ કરોડ જેટલું છે. ચોરાયેલી વસ્તુઓમાં સૌથી વધુ સંખ્યામાં ટુવાલ (46.54 લાખ), ત્યારબાદ બેડશીટ, ઓશિકાના કવર અને ધાબળાનો સમાવેશ થાય છે. આટલી મોટી સંખ્યામાં વસ્તુઓનું ગાયબ થવું એ મુસાફરોની નૈતિક જવાબદારી પર પ્રશ્નાર્થ ચિન્હ મુકે છે.</p><h3 style="text-align: justify; "><b>એટેન્ડન્ટની લાચારી</b></h3><p style="text-align: justify; ">આ આખી પ્રક્રિયામાં સૌથી વધુ નુકસાન તે ગરીબ એટેન્ડન્ટ્સને થાય છે જેઓ દિવસના ₹700 જેટલા નજીવા પગાર પર કામ કરે છે. જો કોઈ કોચમાંથી વસ્તુ ગુમ થાય, તો કોન્ટ્રાક્ટર દ્વારા તેમની પાસેથી વસૂલાત કરવામાં આવે છે. એક એટેન્ડન્ટના જણાવ્યા મુજબ, ચાદર માટે ₹198, ઓશિકા માટે ₹115, ટુવાલ માટે ₹48 અને ધાબળા માટે ₹343 જેવી રકમ તેમના પગારમાંથી કાપી લેવામાં આવે છે. ઘણીવાર તો આ વસૂલાતનું પ્રમાણ બમણું પણ હોય છે.</p><h4 style="text-align: justify; "><b>ચાદર ચોરીને કારણે એટેન્ડન્ટમાંથી કપાય છે પગાર</b></h4><p style="text-align: justify; ">એક એટેન્ડન્ટે વેદના વ્યક્ત કરતા કહ્યું કે, દિવસ-રાત મહેનત કરવા છતાં લિનન (ચાદર, ઓશીકા) ની ચોરીને કારણે તેમને દર મહિને પોતાના પગારમાંથી ₹2,000 થી ₹3,000 ગુમાવવા પડે છે. તેમની પાસે કોઈ વિકલ્પ હોતો નથી કારણ કે તેઓ કોન્ટ્રાક્ટર હેઠળ કામ કરે છે અને જવાબદારી સીધી તેમની માથા પર હોય છે.</p><h4 style="text-align: justify; "><b>રેલવેની મિલકત એ દેશની સંપત્તિ</b></h4><p style="text-align: justify; ">રેલવે પ્રશાસન દ્વારા લેવામાં આવતા આ કડક પગલાં ચોરી અટકાવવા માટે હોઈ શકે છે, પરંતુ તેના કારણે સામાન્ય કામદારોનું શોષણ થઈ રહ્યું છે. મુસાફરોએ એ સમજવું જરૂરી છે કે રેલવેની મિલકત એ દેશની સંપત્તિ છે અને તેની ચોરી કરવાથી કોઈ સરકારી અધિકારીને નહીં, પણ એક સામાન્ય મજૂરને આર્થિક ફટકો પડે છે. આ સમસ્યાનો ઉકેલ માત્ર વસૂલાત નથી, પરંતુ મુસાફરોમાં જાગૃતિ અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની છે. જો મુસાફરોની માનસિકતા નહીં બદલાય, તો આ ગરીબ કર્મચારીઓ પરનો અન્યાય ચાલુ જ રહેશે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/knowledge/news/lifestyle/the-secret-of-shivling-being-made-in-the-freezer-know-what-is-the-technical-reason-behind-it" target="_blank">આ પણ વાંચોઃ ફ્રીઝરમાં બનતા 'શિવલિંગ'નું રહસ્ય, જાણો તેની પાછળનું ટેકનિકલ કારણ શું?</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/AUN2PBaIfhsddl6PmpcUOgRmKqjUh48xWT1NfRAD.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના ચાંદખેડામાં આતંક મચાવનાર બુટલેગર પિતા-પુત્ર જેલભેગા, પોલીસે જાહેરમાં સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/father-son-bootlegger-who-created-terror-in-chandkheda-ahmedabad-jailed-police-take-out-public-procession-to-create-awareness-about-the-law</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/father-son-bootlegger-who-created-terror-in-chandkheda-ahmedabad-jailed-police-take-out-public-procession-to-create-awareness-about-the-law</guid><pubDate>Tue, 14 Jul 2026 16:53:34 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી પ્રહલાદ પાર્ક સોસાયટીમાં બુટલેગર દ્વારા સ્થાનિક રહીશો પર કરવામાં આવેલા હિંસક હુમલાના મામલામાં પોલીસે સપાટો બોલાવ્યો છે. સોસાયટીમાં આતંક મચાવી ભયનું વાતાવરણ ઊભું કરનારા મુખ્ય બુટલેગર પિતા-પુત્રની પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીઓની ઓળખ પૃથ્વી પઢિયાર અને તેના પિતા કિશોર પઢિયાર તરીકે થઈ છે, જેમણે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા હાથમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.</p><h2><b>આરોપીઓને સોસાયટીમાં લઈ જઈ કાયદાનું ભાન કરાવ્યું</b></h2><p>ધરપકડ કર્યા બાદ ચાંદખેડા પોલીસ બંને આરોપી પિતા-પુત્રને એ જ પ્રહલાદ પાર્ક સોસાયટીમાં લઈ ગઈ હતી જ્યાં તેમણે સ્થાનિક લોકો પર હિંસક હુમલો કર્યો હતો. સોસાયટીના રહીશોની હાજરીમાં જ બંને આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢીને પોલીસે તેમને કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસની આ કડક અને પ્રશંસનીય કાર્યવાહીને પગલે વર્ષોથી ડરના ઓથાર હેઠળ જીવતા સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે અને ગુનેગારોમાં કાયદાનો ડર પેસ્યો છે.</p><h3><b>પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ શરૂ</b></h3><p>આ મામલામાં પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધીને કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે. આ બુટલેગર પિતા-પુત્ર અન્ય કોઈ ગેરકાયદેસર દારૂના નેટવર્ક કે ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે કે કેમ, તે દિશામાં પણ પોલીસ દ્વારા ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે સ્થાનિક લોકોને સુરક્ષાની ખાતરી આપી છે કે વિસ્તારની શાંતિ ભંગ કરનારા અસામાજિક તત્વો સામે આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.</p><p><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/kceuxzie0yfUmNcFUyFNUDBAPa6btCiONntpglkB.webp'/></item><item><title><![CDATA[Entertainment : નમાઝ પછી દીપિકાએ પુત્રને શીખવ્યા 'અલિફ-બે', ક્યૂટ વીડિયોએ જીત્યાં દિલ, ચાહકોએ કહ્યું- "માશાઅલ્લાહ!" ]]></title><link>https://sandesh.com/entertainment/news/entertainment-after-prayers-deepika-taught-her-son-alif-be-the-cute-video-won-hearts-fans-said-mashallah</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/entertainment-after-prayers-deepika-taught-her-son-alif-be-the-cute-video-won-hearts-fans-said-mashallah</guid><pubDate>Tue, 14 Jul 2026 16:29:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ટીવી અભિનેત્રી દીપિકા કક્કરનો એક ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે પોતાના બે વર્ષના પુત્ર રૂહાનને નમાઝ બાદ 'અલિફ-બે' શીખવતી જોવા મળે છે. આ ખાસ પળે ચાહકોનું દિલ જીતી લીધું છે અને કોમેન્ટ્સમાં "માશાઅલ્લાહ" કહીને પ્રેમ વરસાવ્યો છે. જોકે કેટલાક યુઝર્સે સવાલો પણ ઉઠાવ્યા, પરંતુ મોટાભાગના લોકોએ દીપિકાના સંસ્કાર અને માતૃત્વના વખાણ કર્યા.</p><h2 style="text-align: justify; "><b>પુત્ર સાથે દીપિકાનો વીડિયો થયો વાયરલ</b></h2><p style="text-align: justify; ">ટીવી અભિનેત્રી દીપિકા કક્કર અને શોએબ ઈબ્રાહિમ પોતાના વ્લોગ દ્વારા ચાહકોને તેમના જીવનની ખાસ પળોથી સતત માહિતગાર રાખે છે. તાજેતરમાં શેર કરાયેલા નવા વ્લોગમાં દીપિકાએ પોતાના નવા કલેક્શનની ઝલક બતાવવાની સાથે પરિવાર સાથે વિતાવેલી કેટલીક સુંદર ક્ષણો પણ શેર કરી હતી. તેમાં સૌથી વધુ ધ્યાન ખેંચનાર દૃશ્ય તેના પુત્ર રૂહાન સાથેનું હતું.</p><h3 style="text-align: justify; "><b>રૂહાનને ઘરે જ ભણાવી રહી છે દીપિકા</b></h3><p style="text-align: justify; ">વીડિયોમાં દીપિકા પોતાના બે વર્ષના પુત્ર રૂહાનને ઘરે જ ભણાવતી જોવા મળે છે. તે તેને 'અલિફ-બે' શીખવી રહી છે, જેને જોઈને ચાહકો ખૂબ જ ખુશ થયા હતા. ઘણા લોકોએ દીપિકાને "સુપરમોમ" કહીને વખાણી હતી. એક યુઝરે લખ્યું કે આટલી આધુનિક હોવા છતાં દીપિકા પોતાના વિશ્વાસને ભૂલી નથી અને પુત્રને સિપારા શીખવી રહી છે, જેથી તે ભવિષ્યમાં કુરાન વાંચી શકે.</p><h4 style="text-align: justify; "><b>પ્રશંસા સાથે કેટલાક સવાલો પણ ઉઠ્યા</b></h4><p style="text-align: justify; ">જ્યાં એક તરફ ચાહકોએ "માશાઅલ્લાહ" કહીને પ્રેમ અને શુભેચ્છાઓ વરસાવી, ત્યાં કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે દીપિકાના ધર્મને લઈને પણ સવાલો પૂછ્યા. ચર્ચાઓ વચ્ચે એ પણ સામે આવ્યું કે દીપિકાએ ઉર્દૂ ભાષા પણ શીખી છે. જોકે મોટાભાગના લોકોએ તેના માતૃત્વ અને પુત્રને ધાર્મિક મૂલ્યો શીખવવાના પ્રયાસોની પ્રશંસા કરી હતી.</p><h4 style="text-align: justify; "><b>મુશ્કેલ સમય પછી પરિવારમાં ફરી ખુશીઓ</b></h4><p style="text-align: justify; ">આ પહેલીવાર નથી જ્યારે દીપિકા પોતાના પુત્રને ધાર્મિક મૂલ્યો શીખવતી જોવા મળી હોય. અગાઉ પણ તે રૂહાનને નમાઝ અદા કરવાનું શીખવતી જોવા મળી હતી. કેન્સરની સારવાર દરમિયાન પણ દીપિકાએ સકારાત્મક માનસિકતા જાળવી રાખી હતી, જેની ચાહકોએ ખૂબ પ્રશંસા કરી હતી. હવે મુશ્કેલ સમયમાંથી બહાર આવ્યા બાદ ઇબ્રાહિમ પરિવારના જીવનમાં ફરી ખુશીઓ પરત ફરી છે અને ચાહકો પણ તેમના માટે સતત શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/zareen-khan-got-angry-over-paparazzi-rude-comment-actress-warns-paparazzi" target="_blank">આ પણ વાંચો : Zareen Khan on Paparazzi : અસભ્ય કમેન્ટ પર ભડકી ઝરીન ખાન, કેમેરા સામે જ પાપારાઝીનો ક્લાસ લગાવ્યો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/NbqzkeW1V2iqMcC2A61pf8RNOkzhPY7zjhtwRfRj.webp'/></item><item><title><![CDATA[Mahemadavadના આમસરણ ગામે શાળાએ જતા 11 વર્ષના માસૂમ પર વીજપોલ પડતા કરુણ મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mahemdavad/an-11-year-old-boy-tragically-died-after-falling-on-an-electric-pole-while-going-to-school-in-amasaran-village-of-mahemadavad</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mahemdavad/an-11-year-old-boy-tragically-died-after-falling-on-an-electric-pole-while-going-to-school-in-amasaran-village-of-mahemadavad</guid><pubDate>Tue, 14 Jul 2026 16:27:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના આમસરણ ગામમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગામમાં બનેલી એક અણધારી અને કરુણ દુર્ઘટનામાં 11 વર્ષના એક માસૂમ બાળકનું વીજપોલ નીચે દબાઈ જવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ અકસ્માતને પગલે સમગ્ર આમસરણ ગામમાં ગમગીની વ્યાપી ગઈ છે અને પરિવાર પર આભ તૂટી પડ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>શાળાએ જતી વખતે જ કાળ આંબી ગયો</b></h2><p style="text-align: justify; ">દુર્ઘટનાનો ભોગ બનનાર 11 વર્ષીય અજયકુમાર યાદવ આમસરણ ગામની જ પ્રાથમિક શાળામાં ધોરણ-6માં અભ્યાસ કરતો હતો. રોજની જેમ આજે સવારે આશરે 10 વાગ્યે તે પોતાના ઘરેથી ખુશખુશાલ ચહેરે શાળાએ જવા માટે નીકળ્યો હતો. માસૂમ બાળકને સહેજ પણ અંદાજ નહોતો કે શાળાના રસ્તે જ મોત તેનો ઈન્તઝાર કરી રહ્યું છે. તે હજુ રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે જ તેના પર અચાનક કાળ ત્રાટક્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>ડાળી કાપવાની બેદરકારી અને વીજપોલ ધરાશાયી</b></h3><p style="text-align: justify; ">આ અકસ્માત પાછળ ઝાડની ડાળીઓ કાપવાની કામગીરી દરમિયાન થયેલી ચૂક જવાબદાર હોવાનું સામે આવ્યું છે. ગામમાં વીજ લાઈનની એકદમ નજીક આવેલા એક લીલા ઝાડની ડાળીઓ કાપવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન એક મોટી ડાળી અચાનક હાઈટેન્શન વીજ લાઈન પર જઈ પડી હતી. ડાળીના ભારે વજનના કારણે લોડ આવતા જ જર્જરિત વીજપોલ મૂળમાંથી ઉખડીને બરાબર ત્યાંથી પસાર થઈ રહેલા અજયકુમાર પર પડ્યો હતો, જેના ભારે વજન નીચે દબાઈ જવાથી અજયનું ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.</p><h4 style="text-align: justify; "><b>પોલીસ કાફલો ઘટનાસ્થળે અને કાયદાકીય તપાસ</b></h4><p style="text-align: justify; ">આ ગંભીર હોનારતની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને મહેમદાવાદ પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ સંભાળી હતી. પોલીસે માસૂમ બાળકના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ અર્થે મહેમદાવાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. વનવિભાગ કે વીજ કંપનીના કર્મચારીઓની કોઈ બેદરકારી છે કે કેમ, તે દિશામાં પોલીસે ગુન્હો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/wQHgAdCqXSdW4hDn5Ipfqr1uh3Qwle8h51AVVXUF.webp'/></item><item><title><![CDATA[Patan News: વ્યાજખોરો મહિલાને આગ ચાંપવાની ઘટનામાં મહિલા આયોગે સુઓમોટો કાર્યવાહી શરૂ કરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/patan/gujarat-womens-commission-takes-suo-motu-action-in-woman-burned</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/patan/gujarat-womens-commission-takes-suo-motu-action-in-woman-burned</guid><pubDate>Tue, 14 Jul 2026 16:22:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત હોવાના મોટા દાવા કરવામાં આવે છે. ત્યારે મહિલાને જીવતી સળગાવી દેવાની ઘટનાએ આવા પોલા દાવાઓને ખુલ્લા કરી નાંખ્યા છે. પાટણમાં માત્ર પાંચ હજાર રૂપિયાના વ્યાજની ઉઘરાણી મુદ્દે થયેલા વિવાદમાં એક વ્યાજખોરે નિર્દોષ મહિલાને જીવતી સળગાવી દેતાં ચકચાર મચી જવા પામી હતી. ગંભીર રીતે દાઝેલી મહિલાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. મહિલા સુરક્ષાની વાતો કરનારા અત્યારે આ ઘટનાને લઈને શું કાર્યવાહી કરશે તે તો એક સવાલ છે પણ રાજ્ય મહિલા આયોગે આ ઘટનાને લઈને સુઓમોટો એક્શન શરૂ કરી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>રાજ્ય મહિલા આયોગે સુઓમોટો એક્શન શરૂ કરી</b></h2><p style="text-align: justify; ">પાટણમાં માત્ર પાંચ હજાર રૂપિયાના વ્યાજની ઉઘરાણી મુદ્દે ફાટી નીકળેલા વ્યાજખોરે એક નિર્દોષ મહિલાને જીવતી સળગાવી દેતાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઘટનાને લઈને રાજ્ય મહિલા આયોગે સુઓમોટો એક્શન શરૂ કરી છે. મહિલા આયોગે પાટણ પોલીસ પાસે તપાસ અહેવાલ મંગાવ્યો છે. હવે આયોગ પીડિત પરિવારની મુલાકાત લઈ શકે છે. પાટણ પોલીસ સાથે આ ઘટનાને લઈને આયોગ દ્વારા સતત સંકલન શરૂ કરાયું છે. આયોગે આ ઘટનાને અતિ ગંભીર અને ધૃણાસ્પદ ગણાવી છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>મહિલાનું સારવાર દરમિયાન મોત&nbsp;</b></h3><p style="text-align: justify; ">પાટણની રહેવાસી પિંકીબેન પટણી નામના મહિલાએ પોતાના ઘરખર્ચ માટે સ્થાનિક વ્યાજખોર બાબુ રાવળ પાસેથી પૈસા વ્યાજે લીધા હતા. પિંકીબેને વ્યાજખોર બાબુ રાવળ પાસે નાણાં ચૂકવવા માટે થોડી મુદત માંગી હતી. પરંતુ વ્યાજના નશામાં અંધ બનેલા આરોપી બાબુ રાવળે ઉશ્કેરાઈ જઈને મહિલા પર હુમલો કરી દીધો હતો. વિવાદ એટલો વધ્યો કે નરાધમ બાબુએ મહિલા પર જ્વલનશીલ પ્રવાહી રેડીને ક્રૂરતાપૂર્વક આગ ચાંપી દીધી હતી.આ જીવલેણ હુમલામાં ગંભીર રીતે દાઝી ગયેલા પિંકીબેનને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનો જીવ બચી શક્યો ન હતો.<br><br><a href="https://sandesh.com/gujarat/news/surat/illegal-fruit-beer-factory-busted-in-kamrej" target="_blank">આ પણ વાંચોઃ Surat News:કામરેજના ધાતવા ગામે ગેરકાયદેસર ફ્રૂટ બીયર ફેક્ટરી ઝડપાઈ, 1.78 લાખનો મુદ્દામાલ જપ્ત</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/Nydb4tt8scIqXz8LDfDXteDiXf8NivawurAlFSld.webp'/></item><item><title><![CDATA[Digital Rupee: ડિજિટલ રૂપી શું છે? UPI થી કેવી રીતે અલગ? જાણો તફાવત ]]></title><link>https://sandesh.com/knowledge/news/business/digital-rupee-what-is-digital-rupee-how-is-it-different-from-upi-know-the-difference</link><guid isPermaLink="true">https://sandesh.com/knowledge/news/business/digital-rupee-what-is-digital-rupee-how-is-it-different-from-upi-know-the-difference</guid><pubDate>Tue, 14 Jul 2026 16:14:25 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતમાં લોકો ઝડપથી ડિજિટલ પેમેન્ટ અપનાવી રહ્યા છે. મોટાભાગના લોકો સેકન્ડોમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે UPI નો ઉપયોગ કરે છે. જોકે UPI ની દુનિયામાં હવે બીજો શબ્દ લોકપ્રિય થઈ રહ્યો છે: 'ડિજિટલ રૂપી'. ઘણા લોકો  માને છે કે ડિજિટલ રૂપી અને UPI એક જ છે પરંતુ એવું નથી. હા બંનેનો ઉપયોગ ડિજિટલ પેમેન્ટ માટે થાય છે પરંતુ તેની અંતર્ગત પદ્ધતિઓ નોંધપાત્ર રીતે અલગ પડે છે.&nbsp; તો આવો જાણીએ ડિઝિટલ રૂપી શું છે અને તે યુપીઆઇ કરતા કેવી રીતે અલગ પડે છે.&nbsp;</p><h2><b>ડિજિટલ રૂપી શું છે?</b></h2><p>ડિજિટલ રૂપી એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા જાહેર કરાયેલ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) છે. સરળ શબ્દોમાં કહીએ તો, તે ભૌતિક રોકડનું ડિજિટલ રૂપ છે.  જેમ તમે ₹100 ની નોટ રાખી શકો છો તેમ ડિજિટલ રૂપી પણ 100 રૂપિયા બરાબર છે. ફરક માત્ર એટલો છે કે તે મોબાઇલ એપ્લિકેશન અથવા ડિજિટલ વોલેટમાં સંગ્રહિત છે.</p><h3><b>UPI અને ડિજિટલ રૂપી વચ્ચે શું તફાવત છે?</b></h3><p>UPI અને ડિજિટલ રૂપિયા વચ્ચેના તફાવત અંગે સૌથી મહત્વપૂર્ણ તફાવત એ છે કે UPI એક ચુકવણી પ્રણાલી છે, જ્યારે ડિજિટલ રૂપિયા પોતે એક ચલણ છે. જ્યારે તમે UPI દ્વારા પૈસા મોકલો છો, ત્યારે ભંડોળ તમારા બેંક ખાતામાંથી સીધા પ્રાપ્તકર્તાના બેંક ખાતામાં જાય છે. જ્યારે ડિજિટલ રૂપિયામાં પૈસા પહેલા બેંક ખાતામાંથી ડિજિટલ વોલેટમાં લોડ કરવામાં આવે છે અને પછી સીધા બીજા વ્યક્તિના ડિજિટલ વોલેટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. મૂળભૂત રીતે તે રોકડ વ્યવહારની જેમ કાર્ય કરે છે.</p><p><b style="font-size: 1.75rem;">તે કેવી રીતે કાર્ય કરે છે?</b></p><p>ડિજિટલ રૂપિયાનો ઉપયોગ કરવા માટે તમારે આ RBI પ્રોજેક્ટમાં ભાગ લેતી બેંક પાસેથી વોલેટની જરૂર છે. તમે તમારા બેંક ખાતામાંથી વોલેટમાં ડિજિટલ રૂપિયા લોડ કરો છો. ત્યારબાદ તમે QR કોડ સ્કેન કરીને અથવા સીધા બીજા વોલેટમાં ટ્રાન્સફર કરીને ડિજિટલ રૂપિયા મોકલી શકો છો.</p><p><b style="font-size: 1.5rem;">જોખમો શું છે?</b></p><p>&nbsp;ડિજિટલ રૂપિયા એકદમ સલામત છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તે સંપૂર્ણપણે જોખમ મુક્ત છે. જો તમે તમારો મોબાઇલ ફોન ગુમાવો છો અને વોલેટ સુરક્ષિત નથી, તો તે મુશ્કેલીમાં પરિણમી શકે છે.&nbsp;</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/hVlcslvgYlRfRdmwan5RBAuDJYH3rqDBAVNEtK6P.webp'/></item><item><title><![CDATA[Ahmedabadમાં પાણીજન્ય રોગચાળો વકર્યો: જુલાઈના પ્રથમ પખવાડિયામાં કેસોમાં મોટો ઉછાળો ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/waterborne-diseases-surge-in-ahmedabad-at-the-beginning-of-monsoon-big-jump-in-cases-in-first-fortnight-of-july</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/waterborne-diseases-surge-in-ahmedabad-at-the-beginning-of-monsoon-big-jump-in-cases-in-first-fortnight-of-july</guid><pubDate>Tue, 14 Jul 2026 15:53:06 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરમાં વરસાદી માહોલની વચ્ચે પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. જુલાઈ મહિનાના પ્રથમ પખવાડિયામાં જ દૂષિત પાણીના કારણે નાગરિકો બીમારીનો ભોગ બની રહ્યા છે અને હોસ્પિટલો ઉભરાવા લાગી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડાઓ મુજબ, શહેરમાં ઝાડા-ઉલ્ટી અને ટાઈફોઈડ જેવા પાણીજન્ય રોગોના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે, જેણે તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે.</p><h2><b>ઝાડા-ઉલ્ટી અને ટાઈફોઈડના કેસોનો રાફડો</b></h2><p>જુલાઈના શરૂઆતના પંદર દિવસમાં જ શહેરમાં ઝાડા-ઉલ્ટીના અધધ 196 કેસ નોંધાઈ ચૂક્યા છે. આ સાથે જ પાણીથી ફેલાતા ગંભીર તાવ એટલે કે ટાઈફોઈડના પણ 127 કેસ સરકારી ચોપડે નોંધાયા છે. પૂર્વ અને મધ્ય ઝોન સહિતના અનેક વિસ્તારોમાં દૂષિત પાણીની ફરિયાદો વચ્ચે આ રોગચાળો ઝડપથી વકરી રહ્યો છે. સામાન્ય નાગરિકો તાવ, નબળાઈ અને પેટના દુખાવા જેવી તકલીફો સાથે ખાનગી તેમજ સરકારી દવાખાનાઓ તરફ દોડી રહ્યા છે.</p><h3><b>પાણીના 26 સેમ્પલ ફેલ, ક્લોરિનની માત્રા 'નીલ'</b></h3><p>રોગચાળો ફાટી નીકળવા પાછળનું મુખ્ય કારણ પીવાના પાણીની ગુણવત્તા હોવાનું પુરવાર થયું છે. જુલાઈ મહિનામાં અત્યાર સુધીમાં લેવામાં આવેલા પીવાના પાણીના નમૂનાઓમાંથી 26 સેમ્પલ બિનઆરોગ્યપ્રદ સાબિત થયા છે એટલે કે ફેલ થયા છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ પૈકીના 22 સેમ્પલમાં ક્લોરિનની માત્રા બિલકુલ શૂન્ય એટલે કે 'નીલ' જોવા મળી છે. ક્લોરિનેશનના અભાવે જંતુયુક્ત પાણી લોકોના ઘર સુધી પહોંચી રહ્યું છે, જે બીમારી ફેલાવવાનું મુખ્ય કારણ બન્યું છે.</p><p><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/Vpft3iqBFqLo4oRErwm8vvKyVJ2O6kse56PtxD4u.webp'/></item><item><title><![CDATA[Surat News:કામરેજના  ધાતવા ગામે ગેરકાયદેસર ફ્રૂટ બીયર ફેક્ટરી ઝડપાઈ, 1.78 લાખનો મુદ્દામાલ જપ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/illegal-fruit-beer-factory-busted-in-kamrej</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/illegal-fruit-beer-factory-busted-in-kamrej</guid><pubDate>Tue, 14 Jul 2026 15:46:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે એક મોટી કાર્યવાહી કરતા કામરેજ તાલુકાના ધાતવા ગામે ધમધમતી એક ગેરકાયદેસર ફ્રૂટ બીયર બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે.ચોક્કસ બાતમીના આધારે પોલીસે પાડેલા આ દરોડામાં નકલી ફ્રૂટ બીયરનો મોટો જથ્થો અને બિનઅધિકૃત સામગ્રી ઝડપી પાડવામાં આવી છે.આ ફેક્ટરીમાં ગેરકાયદેસર રીતે ફ્રૂટ બીયર તૈયાર કરી તેના પર આકર્ષક લેબલ લગાવીને બજારમાં વેચવાનું મોટું કૌભાંડ ચાલી રહ્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>ગેરકાયદેસર ફ્રૂટ બીયર ફેક્ટરી ઝડપાઈ</b></h2><p style="text-align: justify; ">દરોડા દરમિયાન પોલીસને ફેક્ટરીમાંથી બિનઅધિકૃત રીતે તૈયાર કરાયેલી 584 ફ્રૂટ બીયરની બોટલો તેમજ સોડા અને કોલ્ડડ્રિંક બનાવવાની મશીનરી મળી આવી હતી. પોલીસે આ તમામ સાધન સામગ્રી અને બોટલો મળીને કુલ રૂપિયા 1.78 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.બાતમીના આધારે ધાતવા ગામે રેડ કરીને ગેરકાયદેસર રીતે ચાલતી આ ફેક્ટરીને સીલ કરવામાં આવી છે.આ સમગ્ર નેટવર્ક પાછળ ધનાલાલ ગુર્જર નામનો શખ્સ મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે.એક્સપાયરી ડેટવાળી 552 બોટલો પણ રાખવામાં આવી હતી જેનો LCBની ટીમે સ્થળ પર જ તાત્કાલિક નાશ કર્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>મુખ્ય સૂત્રધાર સામે કાયદાકીય ગાળિયો</b></h2><p style="text-align: justify; ">આ ગેરકાયદે ફેક્ટરી ચલાવવામાં ધનાલાલ ગુર્જર મુખ્ય સૂત્રધાર હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.હાલ પોલીસે તેની સામે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ઉનાળાની સિઝનની શરૂઆતમાં જ આ પ્રકારે ઠંડા પીણાના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે LCBની આ કાર્યવાહીથી ગેરકાયદેસર વેપાર કરતા અન્ય તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.<br><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/morbi/class-9-30-students-allegedly-beaten-by-teacher-over-spelling-mistakes" target="_blank">આ પણ વાંચોઃ Morbi News: હળવદમાં ધોરણ 9ના 30 વિદ્યાર્થીઓને સ્પેલિંગ નહીં આવડતાં શિક્ષકે ઢોર માર માર્યો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/jPfTumQXW42QSAqZGiLFdGFkyYEBHgpzfDawCXi9.webp'/></item><item><title><![CDATA[Pakistan Cricket શોએબ અખ્તર અને મોહમ્મદ આસિફ ભારત આવતી વખતે ડ્રગ્સ લાવતા હોવાનો આરોપ ]]></title><link>https://sandesh.com/sports/news/pakistan-cricket-shoaib-akhtar-and-mohammad-asif-accused-of-bringing-drugs-while-coming-to-india</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pakistan-cricket-shoaib-akhtar-and-mohammad-asif-accused-of-bringing-drugs-while-coming-to-india</guid><pubDate>Tue, 14 Jul 2026 15:13:05 +05:30</pubDate><description><![CDATA[<p>કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) ના ભૂતપૂર્વ અંડર સેક્રેટરી આર.વી.એસ. મણિએ પાકિસ્તાની ક્રિકેટરો અને ભારત આવતા પાકિસ્તાની ડેલિગેશનને લઈને એક અત્યંત ચોંકાવનારો અને સનસનીખેજ દાવો કર્યો છે. એએનઆઈ (ANI) ના એક પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે, 2006-07 ના ગાળામાં જ્યારે પણ પાકિસ્તાની ટીમ કે અન્ય પ્રતિનિધિમંડળ ભારત આવતા હતા, ત્યારે તેઓ પોતાની સાથે ડ્રગ્સની હેરાફેરી (ડ્રગ્સ ટ્રાફિકિંગ) કરતા હતા. આ ગંભીર ષડયંત્ર પાછળ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI નો હાથ હોવાનો પણ તેમણે દાવો કર્યો છે.</p><h2><b>શોએબ અખ્તર અને મોહમ્મદ આસિફ પર આરોપ</b></h2><p>વર્ષ 2006 થી 2010 દરમિયાન ગૃહ મંત્રાલયના આંતરિક સુરક્ષા વિભાગમાં કાર્યરત રહેલા નિવૃત્ત અધિકારી આર.વી.એસ. મણિએ પાકિસ્તાનના ભૂતપૂર્વ સ્ટાર ફાસ્ટ બોલર શોએબ અખ્તર અને મોહમ્મદ આસિફનું નામ લઈને સીધો હુમલો કર્યો છે. તેમણે જણાવ્યું કે, "આ કેસ ઓફિશિયલી રિપોર્ટ થયેલો છે. શોએબ અખ્તર અને મોહમ્મદ આસિફે પાકિસ્તાની હાઈ કમિશનર સામે પોતે ડ્રગ્સ લાવ્યા હોવાની કબૂલાત કરી હતી, જે બાદ તેમને પરત મોકલી દેવાયા હતા." તેમણે ઉમેર્યું કે આ ડ્રગ્સ વ્યક્તિગત વપરાશ માટે નહીં, પરંતુ મોટા પાયે ટ્રાફિકિંગના હેતુથી લાવવામાં આવતું હતું.</p><h3><b>ટેરર ફંડિંગ અને બોબ વૂલ્મરના મોત સાથે કનેક્શન</b></h3><p>પૂર્વ અધિકારીએ દાવો કર્યો કે ભારતમાં થતા આતંકવાદી હુમલાના ફંડિંગનો 30 ટકા હિસ્સો ડ્રગ્સ ટ્રાફિકિંગમાંથી આવે છે. તેમણે આ બાબતને 2007 ના વર્લ્ડ કપ દરમિયાન પાકિસ્તાની ટીમના તત્કાલીન કોચ બોબ વૂલ્મરના શંકાસ્પદ મોતના કેસ સાથે પણ જોડી છે. મણિના મતે, બોબ વૂલ્મર પાકિસ્તાની ખેલાડીઓ દ્વારા થતી આ ડ્રગ્સ હેરાફેરીનો વિરોધ કરી રહ્યા હતા, જેના કારણે જ જમૈકાની હોટલમાં રહસ્યમય સંજોગોમાં તેમનું મોત નીપજ્યું હતું.</p><p>તેમણે ઉમેર્યું કે પાકિસ્તાન સાથે 'પીપુલ ટુ પીપુલ કોન્ટેક્ટ' (સરહદ પારના સામાન્ય સંબંધો) એ માત્ર એક મોટો ધોકો છે, જેની આડમાં આવા ગેરકાયદેસર અને દેશવિરોધી કૃત્યો આચરવામાં આવતા હતા. ગૃહ મંત્રાલય પાસે આ તમામ બાબતોના અનેક અહેવાલો અને આઈબી (IB) ના એલર્ટ્સ મોજૂદ હોવાનું પણ તેમણે સ્વીકાર્યું છે.</p><p><br></p><p><a href="https://sandesh.com/world/news/more-than-10000-christians-arrested-in-china-for-not-worshipping-xi-jinping-causing-uproar-around-the-world" target="_blank">આ પણ વાંચો: Chinaમાં શિ જિનપિંગની પૂજા ન કરનાર 10 હજારથી વધુ ખ્રિસ્તીની ધરપકડ, દુનિયાભરમાં ખળભળાટ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/hkQDh0iSb60hQHapAZQokS5wEvQyjK6J0vKVAdW9.webp'/></item></channel></rss>