<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Maharashtra Politics: બળવાખોર સાંસદો 24 કલાકમાં જવાબ આપે, ફટકારી શૉ કોઝ નોટિસ ]]></title><link>https://sandesh.com/india/news/maharashtra-politics-show-cause-notice-to-uddhavs-rebel-mps-warning-of-cancellation-of-membership</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/maharashtra-politics-show-cause-notice-to-uddhavs-rebel-mps-warning-of-cancellation-of-membership</guid><pubDate>Sat, 20 Jun 2026 13:28:26 +05:30</pubDate><description><![CDATA[<p>પશ્ચિમ બંગાળ બાદ મહારાષ્ટ્રમાં બળવો શરૂ થયો છે. એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે આ લડાઇ જામી છે. છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચાઓએ જોર પકડ્યુ છે કે શિવસેના ઉદ્ધવ ઠાકરે (યુબીટી)માંથી 6 સાંસદોએ એકનાદ શિંદેની શિવસેનામાં જોડાયા.&nbsp;</p><h2><b>શિવસેના (યુબીટી)એ ગેરહાજર સાંસદોને ફટકારી કોઝ નોટિસ&nbsp;</b></h2><p>આ રાજકીય પક્ષનો અંદરનો કકળાટ તો ત્યારે સામે આવ્યો જ્યારે શિવસેના યુબીટીએ બેઠક યોજી હતી. જેમાં સાંસદોને હાજર રહેવા માટે વ્હિપ જાહેર કર્યુ હતુ તેમ છતાં માત્ર 3 જ સાંસદો હાજર રહ્યા હતા. આ મામલે હવે શિવસેના યુબીટીએ ગેરહાજર રહેલા સાંસદોને શો કોઝ નોટિસ ફટકારી છે. લોકસભામાં પાર્ટીના મુખ્ય દંડક અનિલ દેસાઈએ ગેરહાજર સાંસદોને ઔપચારિક 'કારણ બતાવો નોટિસ' પાઠવી છે.  આ સાંસદોને તેમના વર્તન માટે લેખિત સ્પષ્ટતા આપવા માટે 24 કલાકની કડક સમયમર્યાદા આપવામાં આવી છે.</p><h3><b>નોટિસમાં શું કહેવામાં આવ્યું ?&nbsp;</b></h3><p>નોટિસમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે જો નિર્ધારિત સમયમર્યાદામાં જવાબ નહીં મળે તો એવું માનવામાં આવશે કે સાંસદોએ તેમની પાર્ટી સભ્યપદ છોડી દીધું છે. પરિણામે, બંધારણની દસમી અનુસૂચિ - પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.&nbsp;</p><p>નોટિસમાં જણાવાયું છે કે પાર્ટી વ્હિપ મળ્યા છતાં, મંગળવારે (18 જૂન) યોજાયેલી લોકસભા સાંસદોની બેઠકમાં હાજર રહેવામાં તમારી નિષ્ફળતા બદલ આ કારણદર્શક નોટિસ જાહેર કરવામાં આવી રહી છે. પાર્ટી વ્હિપ 16 જૂને જાહેર કરાયુ હતું.  જેમાં બેઠક વિશે વિગતો આપવામાં આવી હતી. આ માહિતી ઇમેઇલ, વોટ્સએપ અને તમારા દિલ્હી નિવાસસ્થા એમ દરેકને મોકલવામાં આવી હતી. જો કે તમે બેઠકમાં હાજરી આપી ન હતી, કે તમે તમારી ગેરહાજરીનું કારણ પણ આપ્યું ન હતું. પાર્ટીએ આ બાબતને ખૂબ ગંભીરતાથી લીધી છે તે પાર્ટી વ્હિપનું ઉલ્લંઘન છે. તેથી આ કારણદર્શક નોટિસ પાઠવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2068208819839349161"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p><b style="font-size: 1.5rem;">જવાબ માટે 24 કલાકનો અપાયો સમય</b></p><p>અનિલ દેસાઈએ જણાવ્યું હતું કે તેઓ પાર્ટીના મુખ્ય સચિવ તરીકે આ 'કારણદર્શક' નોટિસ આપી રહ્યા છે. તેમણે કહ્યું કે સાંસદોને પત્ર મળ્યાના ચોવીસ કલાકની અંદર આ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ અંગે સ્પષ્ટતા આપવાનો નિર્દેશ આપવામાં આવી રહ્યો છે. તેમણે ઉમેર્યું કે નોટિસ મળ્યાના ચોવીસ કલાકની અંદર પક્ષ વિરોધી આચરણ અંગે સ્પષ્ટતા રજૂ કરવી આવશ્યક છે. જો આ સમયમર્યાદામાં સંતોષકારક જવાબ કે સ્પષ્ટતા પ્રાપ્ત ન થાય તો એવું માનવામાં આવશે કે તમે સ્વેચ્છાએ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પક્ષનું સભ્યપદ છોડી દીધું છે. કૃપા કરીને નોંધ લો કે ભારતના બંધારણની દસમી અનુસૂચિ હેઠળ તમારા કાર્યોના પરિણામો માટે તમે જવાબદાર રહેશો.</p><p><br></p><h4><b>કયા સાંસદોએ અલગ થયા ?&nbsp;</b></h4><p>શિવસેના (UBT) ના સાંસદો જેમણે સ્પીકરને પત્ર લખ્યો હતો. તેમાં સંજય જાધવ, સંજય દેશમુખ, નાગેશ પાટિલ અશ્તિકર, ઓમરાજે નિમ્બાલકર, ભાઉસાહેબ વાકચૌરે અને સંજય દિના પાટિલનો સમાવેશ થાય છે. શિવસેના (UBT) ની ટિકિટ પર ચૂંટાયેલા નવ સાંસદોમાંથી છ સાંસદો દૂર થઈ ગયા છે, પરંતુ ત્રણ સાંસદો હજુ પણ ઉદ્ધવ ઠાકરે સાથે ઉભા છે.</p><p><br></p><h4><b>&nbsp;UBT શિવસેનાના વર્તમાન સાંસદોની યાદી:</b></h4><ul><li>અરવિંદ સાવંત – મુંબઈ દક્ષિણ</li><li>સંજય દેશમુખ (સંજય ઉત્તમરાવ દેશમુખ) – યવતમાલ-વાશિમ</li><li>નાગેશ બાપુરાવ પાટીલ અષ્ટિકર – હિંગોલી</li><li>સંજય હરિભાઈ જાધવ (બંદુ જાધવ)- પરભણી</li><li>રાજાભાઈ વાજે – નાસિક</li><li>સંજય દિના પાટીલ – મુંબઈ નોર્થ ઈસ્ટ</li><li>ભાઈસાહેબ રાજારામ વાકચૌરે – શિરડી</li><li>અનિલ યશવંત દેસાઈ – મુંબઈ સાઉથ સેન્ટ્રલ</li><li>ઓમપ્રકાશ ભૂપાલસિંહ રાજેનીમ્બાલકર (પવન રાજેનીમ્બાલકર) – ઉસ્માનાબાદ (ધારાશિવ)</li></ul><p>જો કે, આમાંથી કોઈપણ દાવા અથવા સંભવિત રાજકીય વિકાસની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી કરવામાં આવી નથી. તેમ છતાં, મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા પાયે ફેરફારની ચર્ચાએ ફરી એકવાર રાજ્યના રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે.</p><p><br></p><p><a href="https://sandesh.com/gallery/news/india/why-are-potatoes-and-chickpeas-the-filling-in-panipuri?2" target="_blank">આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/0MrOV5AAn1qBrOO8k5T3s0CbC0KAXOhxsfTIQ9gs.webp'/></item><item><title><![CDATA[Banaskantha : કુંભારિયામાં મૃત મહિલાના નામે દસ્તાવેજ બનાવી કરોડોની જમીન ઓળવી લીધી, તપાસ માટે SITની રચના ]]></title><link>https://sandesh.com/gujarat/news/ambaji/banaskantha-ambaji-kumbhariya-land-scam-collector-sit-investigation-news</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ambaji/banaskantha-ambaji-kumbhariya-land-scam-collector-sit-investigation-news</guid><pubDate>Sat, 20 Jun 2026 13:25:24 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક આવેલા કુંભારિયા ગ્રામ પંચાયતની સરકારી અને કિંમતી જમીન પચાવી પાડવાનું એક અત્યંત ચોંકાવનારું અને મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આ કરોડો રૂપિયાના જમીન કૌભાંડની ગંભીરતાને ધ્યાને લઈને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે આખા મામલાની દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે ની રચના કરી દીધી છે. કલેક્ટરના આ કડક વલણને પગલે ભૂમાફિયાઓ અને કૌભાંડી અધિકારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>SIT માં 4 ઉચ્ચ અધિકારીઓની નિમણૂક 
</b></h2><p style="text-align: justify; ">કલેક્ટર દ્વારા રચવામાં આવેલી આ SIT માં 4 ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેમાં અધિક કલેક્ટર, દાંતા પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને અધિક ચીટનીશ ટુ કલેક્ટરનો સમાવેશ થાય છે. 
</p><h3 style="text-align: justify; "><b>2014માં મૃત્યુ પામેલ મહિલાના નામે 2015માં દસ્તાવેજ
</b></h3><p style="text-align: justify; ">આ કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે એક ચોંકાવનારી વિગત સામે આવી કે વર્ષ 2014માં મૃત્યુ પામેલી એક મહિલાના નામે તેના મરણના એક વર્ષ બાદ એટલે કે વર્ષ 2015માં બોગસ દસ્તાવેજો ઊભા કરીને જમીનની હેરફેર કરવામાં આવી હતી. આ મામલો બહાર આવતા જ કુંભારિયા ગ્રામ પંચાયત પાસેથી તમામ રેકોર્ડ મેળવીને વર્તમાન તલાટીને સોંપી દેવામાં આવ્યા છે.
</p><h4 style="text-align: justify; "><b>&nbsp;સબ-રજિસ્ટ્રાર કચેરી પાસેથી સત્તાવાર રિપોર્ટ માંગ્યો 
</b></h4><p style="text-align: justify; ">કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે દાંતા પ્રાંત અધિકારીએ વર્ષ 2014-15દરમિયાન થયેલા તમામ શંકાસ્પદ દસ્તાવેજોની વિગતો અંગે સબ-રજિસ્ટ્રાર કચેરી પાસેથી સત્તાવાર રિપોર્ટ માંગ્યો છે. આ સમગ્ર કાળા કારસ્તાનમાં તત્કાલીન તલાટી, દસ્તાવેજ નોંધણી અધિકારી અને કલેક્ટર કચેરીના કેટલાક કર્મચારીઓ પણ સીધા શંકાના દાયરામાં આવી ગયા છે. 
</p><h5 style="text-align: justify; "><b>અગાઉ થયેલા જમીનના મામલાઓ પર પણ ખાસ નજર રાખવા માટે કડક આદેશ
</b></h5><p style="text-align: justify; ">જિલ્લા કલેક્ટર મિહિર પટેલે દાંતા, હડાદ અને અમીરગઢ વિસ્તારમાં અગાઉ થયેલા જમીનના મામલાઓ પર પણ ખાસ નજર રાખવા માટે કડક આદેશો આપ્યા છે. દાંતા પ્રાંત કચેરીમાં રેવન્યુ અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજવામાં આવી છે અને આગામી દિવસોમાં આ કૌભાંડના મુખ્ય સૂત્રધારો સામે નામજોગ પોલીસ ફરિયાદ નોંધાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/sandesh-explainer-surat-rajkot-ahmedabad-wife-swapping-racket-social-media-groups-explainer" target="_blank"><b>Sandesh Digital Explainer : ગુજરાતના મહાનગરોમાં ‘વાઇફ સ્વેપિંગ’નો કાળો ખેલ, પત્નીઓની અદલાબદલીનું આ દૂષણ કેટલું ઊંડું છે?</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/g8UfMVZhMeGj6yT1JUpGJOl1QzV1Rd4TL9UG1tdo.webp'/></item><item><title><![CDATA[International Yoga Day 2026 : આ વર્ષની થીમ 'સ્વસ્થ બુઢાપા માટે યોગ' ]]></title><link>https://sandesh.com/international-yoga-day/world-yoga-day-2026/news/india/international-yoga-day-2026-</link><guid isPermaLink="true">https://sandesh.com/international-yoga-day/world-yoga-day-2026/news/india/international-yoga-day-2026-</guid><pubDate>Sat, 20 Jun 2026 13:25:23 +05:30</pubDate><description><![CDATA[<p>વર્ષ 2026માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ “સ્વસ્થ બુઢાપા માટે યોગ” છે. આ થીમનો મુખ્ય ઉદ્દેશ્ય એ દર્શાવવાનો છે કે યોગ દરેક ઉંમરના લોકો માટે ફાયદાકારક છે અને તે શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય જાળવી રાખવામાં મદદ કરી શકે છે.</p><h2>પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહલ</h2><p>આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત ભારતની પહેલથી થઈ હતી. 27 સપ્ટેમ્બર 2014ના રોજ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતી વખતે યોગ માટે એક આંતરરાષ્ટ્રીય દિવસ જાહેર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવને રેકોર્ડ 175 દેશોનું સમર્થન પ્રાપ્ત થયું હતું. ત્યારબાદ 11 ડિસેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્રએ જાહેરાત કરી કે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવામાં આવશે. પ્રથમ યોગ દિવસ 21 જૂન 2015ના રોજ ઉજવવામાં આવ્યો હતો.</p><p><br><h3>21 જૂનની પસંદગી કેમ ?</h3></p><p>21 જૂનની પસંદગી પાછળ પણ એક વિશેષ કારણ છે. 21 જૂન એ વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે, જે ગ્રીષ્મ સંક્રાંતિનું પ્રતીક છે. ભારતીય પરંપરામાં આ દિવસનું વિશેષ મહત્વ છે. યોગના દૃષ્ટિકોણથી પણ, તેને આધ્યાત્મિક અને પ્રાકૃતિક ઊર્જા સાથે જોડાયેલો એક મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે.<br><br></p><h3>તણાવ અને ચિંતા ઘટાડવામાં મદદ&nbsp;</h3><p>યોગ દિવસનું મહત્વ અનેક પાસાંઓમાં રહેલું છે. યોગ શરીરને સંતુલિત અને મજબૂત બનાવવામાં મદદ કરે છે. નિયમિત યોગ અભ્યાસથી તણાવ અને ચિંતા ઘટાડવામાં મદદ મળી શકે છે. તે માનસિક શાંતિ અને એકાગ્રતા વધારવામાં પણ સહાયક છે. યોગ લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરે છે. આ ઉપરાંત, તે ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને વિરાસતનું વૈશ્વિક પ્રતીક બની ગયું છે. યોગના આ ફાયદાઓ અને તેના વૈશ્વિક સ્વીકૃતિને કારણે આ દિવસની ઉજવણી ખૂબ જ મહત્વપૂર્ણ બની રહે છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2023/06/19/R0cU5ucukI0BAfq7nueRrNhnJISrX39YHY34n0Cj.jpg'/></item><item><title><![CDATA[Tanmay Vekaria : એક સમયે ખિસ્સામાં હતા ફક્ત 700 રૂપિયા, આજે લોકપ્રિયતાના શિખરે છે TMKOCના બાઘા! ]]></title><link>https://sandesh.com/entertainment/news/tmkoc-bagha-tanmay-vekaria-shares-real-life-financial-struggle-story</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/tmkoc-bagha-tanmay-vekaria-shares-real-life-financial-struggle-story</guid><pubDate>Sat, 20 Jun 2026 13:17:07 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">એક જૂના ઇન્ટરવ્યુમાં તન્મય વેકારિયાએ પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતા ઘણા રસપ્રદ કિસ્સા શેર કર્યા છે. તેમણે જણાવ્યું કે કેવી રીતે દિલીપ જોશી અને દિશા વાકાણી સાથે થિએટરમાં કામ કરવાથી તેમના કરિયરને નવી દિશા મળી, કેવી રીતે ઘણા મહિનાઓ સુધી બેરોજગાર રહેવા છતાં તેમણે આશા ન છોડી અને આખરે કિસ્મતે તેમને બાઘાનું પાત્ર અપાવ્યું.</p><h2 style="text-align: justify; "><b>અત્યંત ગરીબીમાં વીત્યું તન્મયનું બાળપણ</b></h2><p style="text-align: justify; ">તન્મય વેકારિયાનો જન્મ મુંબઈના કાંદિવલીમાં એક લોઅર મિડલ ક્લાસ પરિવારમાં થયો હતો. તેમના પિતા અરવિંદ વેકારિયા ગુજરાતી થિએટરનું જાણીતું નામ છે. બાળપણથી જ પિતાને સ્ટેજ પર અભિનય કરતા જોઈને તેમની અંદર પણ એક્ટિંગનો શોખ પેદા થયો. વર્ષ 1999 માં ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી તેમણે કામની શોધ શરૂ કરી અને ઘણા પ્રોડક્શન હાઉસમાં ઓડિશન આપ્યા, પરંતુ આશરે દોઢ વર્ષ સુધી તેમને કોઈ ખાસ તક ન મળી.</p><h2 style="text-align: justify; "><b>આર્થિક સ્થિતિ સુધારવા માટે શરૂ કરી નોકરી</b></h2><p style="text-align: justify; ">ઘરની આર્થિક સ્થિતિને જોતા પિતાએ તેમને સ્થાયી નોકરી કરવાની સલાહ આપી. આ પછી તેમણે પોતાના કાકા સાથે કામ કરવાનું શરૂ કર્યું, જ્યાં તેમની પહેલી સેલરી માત્ર 700 રૂપિયા હતી અને સાથે સેકન્ડ ક્લાસ ટ્રેન પાસ મળતો હતો. નોકરીની સાથે-સાથે તેઓ થિએટર પણ કરતા રહ્યા, પરંતુ સતત ઘણા નાટકો અસફળ થતાં તેમણે કેટલાક સમય માટે થિએટર છોડવાનો નિર્ણય કરી લીધો.</p><h3 style="text-align: justify; "><b>દિલીપ જોશી સાથે કર્યું હતું કામ</b></h3><p style="text-align: justify; ">આ જ સમય દરમિયાન દિલીપ જોશી, જે આજે જેઠાલાલના નામથી ફેમસ છે, તેમણે એક નાટકમાં નાનો રોલ આપ્યો. તે સમયે તન્મય પરિણીત હતા અને તેમને એક દીકરી પણ હતી. પરિવારની જવાબદારીઓ વધી ચૂકી હતી અને આવક ખૂબ ઓછી હતી, પરંતુ આ જ નાટક ના કારણે તેમને ઓળખ મળવા લાગી. આ પછી તેમને વધુ એક નાટક મળ્યું, જેમાં દિશા વાકાણી મુખ્ય ભૂમિકામાં હતી. અહીંથી જ તેમના અભિનય કરિયરને નવી દિશા મળી.</p><h3 style="text-align: justify; "><b>ગુજરાતી શોથી શરૂ કર્યું હતું કરિયર</b></h3><p style="text-align: justify; ">તન્મયે ગુજરાતી ટીવી ઇન્ડસ્ટ્રીથી પોતાના કરિયરની શરૂઆત કરી, જ્યાં તેમને એક દિવસના 1200 રૂપિયા સુધી મળતા હતા. બાદમાં અસિત કુમાર મોદી અને જેડી મજીઠિયાએ તેમને હિન્દી ટીવી શોમાં નાના-નાના રોલ કરવાની તક આપી. તેમણે બા બહૂ ઔર બેબી, સારાભાઈ વર્સેસ સારાભાઈ અને યસ બોસ જેવા ઘણા પોપ્યુલર શોઝમાં કેમિયો રોલ કર્યા, પરંતુ તેમને પહેલી મોટી ઓળખ મનીબેન ડોટ કોમથી મળી, જેમાં તેમણે સ્મૃતિ ઈરાનીના મૂગા-બહેરા નાના ભાઈનું પાત્ર ભજવ્યું હતું. જો કે, આ શો પછી તેઓ ચાર મહિના સુધી બેરોજગાર રહ્યા અને તેમની પાસે કોઈ કામ નહોતું. અહીં સુધી કે તેમણે ફરીથી એકાઉન્ટિંગની નોકરી કરવાનું મન બનાવી લીધું હતું.</p><h3 style="text-align: justify; "><b>આવી રીતે બદલાઈ તન્મયની કિસ્મત</b></h3><p style="text-align: justify; ">આ જ મુશ્કેલ સમયમાં તેમની કિસ્મતે પલટો માર્યો. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પહેલા તેઓ એક નાના રોલ માટે પહોંચ્યા હતા, પરંતુ સેટ પર તેમની મુલાકાત સોહિલ ભાઈ સાથે થઈ, જેમણે તેમને બાઘાના પાત્ર માટે ઓડિશન આપવાની સલાહ આપી. ઓડિશન પછી તેમની પસંદગી થઈ ગઈ. દિલીપ જોશી સાથે થિએટરના દિવસોથી જ તેમની સારી દોસ્તી હતી, જેના કારણે બંનેની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી પણ દર્શકોને ખૂબ પસંદ આવી. આજે તન્મય વેકારિયા ટીવીના સૌથી પોપ્યુલર કલાકારોમાં ગણાય છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/nishi-saxena-shivangi-khedkar-on-tv-industry-followers-vs-talent" target="_blank">આ પણ વાંચો-TV Industry : 'ટેલેન્ટ નહીં, ફોલોઅર્સ જરૂરી છે', અનુપમા ફેમ અભિનેત્રીઓનો ઇન્ડસ્ટ્રી પર મોટો ખુલાસો!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/EUjWmza5renZdRIuC470iIWb14SXKnNCvgj2VYsA.webp'/></item><item><title><![CDATA[Bharat Forge Share: સરકારનો મળ્યો 425 કરોડનો ઓર્ડર અને...રોકાણકારો માલામાલ ]]></title><link>https://sandesh.com/business/news/bharat-forge-share-government-gets-order-of-rs-425-crore-andinvestors-are-rich</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/bharat-forge-share-government-gets-order-of-rs-425-crore-andinvestors-are-rich</guid><pubDate>Sat, 20 Jun 2026 12:57:07 +05:30</pubDate><description><![CDATA[<p>શેરબજારમાં સતત વધઘટ જોવા મળી રહી છે. ગત અઠવાડિયે તો શેરબજારમાં ઘટાડાનો દોર હતો. પરંતુ આ ઘટાડા વચ્ચે ઘણી કંપનીઓના શેરએ સારુ પ્રદર્શન કર્યુ હતું. જો કે આગામી દિવસોમાં પણ આવો ટ્રેન્ડ જોવા મળી શકે છે. ત્યારે આવો જાણીએ કઇ કંપનીઓના શેર માર્કેટમાં મંદીના માહોલમાં પણ ટોપ પર હતા.&nbsp;</p><h2><b>Bharat Forge નો શેર ટોચ પર&nbsp;</b></h2><p>જે કંપનીનો શેર ટોચ પર હતો તે છે Bharat Forge. જો કે આગામી દિવસોમાં પણ તેના શેર ટોપ પર રહે તેવી શક્યતા છે.&nbsp; સરકાર દ્વારા કંપનીને આપવામાં આવેલા ₹425 કરોડના નોંધપાત્ર ઓર્ડરને કારણે સંરક્ષણ ક્ષેત્રની અગ્રણી કંપની Bharat Forgeના શેર ફોકસમાં રહેવાની તૈયારીમાં છે.</p><h3><b>રોકાણકારો માટે મલ્ટીબેગર સ્ટોક બન્યો Bharat Forge</b></h3><p>Bharat Forge તેના રોકાણકારો માટે મલ્ટીબેગર સ્ટોક તરીકે ઉભરી આવ્યો છે. વળતરની દ્રષ્ટિએ તેણે લાંબા ગાળે રોકાણકારો માટે નોંધપાત્ર સંપત્તિ ઉત્પન્ન કરી છે.  9 એપ્રિલ, 2020 ના રોજ આ  શેરનો ભાવ ₹245 હતો. જે હવે 12 જૂન  શુક્રવારના રોજ  ₹2,036 પર બંધ થયો હતો. એટલે કહી શકાય કે રોકાણકારોને તો તગડી કમાણી કરાવી દીધી.  2020થી 2026 સુધીમાં રોકાણકારોએ  729% નું પ્રભાવશાળી વળતર મેળવ્યું .Bharat Forgeમાં જે  રોકાણ કર્યુ હતું તેના કરતા આઠ ગણાથી વધુનો વધારો થયો છે.</p><p><b style="font-size: 1.5rem;">રોકાણકારોને કેટલું આપ્યું વળતર ?&nbsp;</b></p><p>આ ડિફેન્સ  સ્ટોકનું બજાર મૂડીકરણ ₹97,340 કરોડ છે. તેનો 52 અઠવાડિયાનો ઉચ્ચતમ ભાવ ₹2,059.50 છે, જ્યારે 52 અઠવાડિયાનો નીચો ભાવ ₹1,100.50 છે. છેલ્લા છ મહિનામાં આ શેર નોંધપાત્ર રીતે સારો દેખાવ કરી રહ્યો છે. જે રોકાણકારોને 40% વળતર આપે છે.  છેલ્લા પાંચ વર્ષના વળતરની વાત કરીએ તો તે 180% છે.</p><p><br></p><h4><b>ભારત ફોર્જ કેમ ફોકસમાં છે?</b></h4><p>Bharat Forgeના શેર આગામી સપ્તાહે પણ ચર્ચામાં રહેવાની ધારણા છે. પીટીઆઈના અહેવાલ મુજબ કંપનીએ ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જાહેરાત કરી હતી કે તેણે ભારતીય નૌકાદળ માટે સંરક્ષણ મંત્રાલય પાસેથી એક મોટો કરાર મેળવ્યો છે.</p><p><b style="font-size: 1.5rem;">Bharat Forgeમેળવ્યો ડિફેન્સ સેક્ટર પાસેથી ઓર્ડર&nbsp;</b></p><p>મળતી માહિતી મુજબ આ ઓર્ડર ગેસ ટર્બાઇન જનરેટરના પુરવઠા માટે છે જે ફાઇલિંગ મુજબ ₹425 કરોડ મૂલ્યનો છે. Bharat Forgeને કરારને અમલમાં મૂકવા માટે પાંચ વર્ષનો સમયમર્યાદા આપવામાં આવી છે. આ કરાર હેઠળ, કંપની 1.25 મેગાવોટની ક્ષમતાવાળા ગેસ ટર્બાઇન જનરેટરનું ઉત્પાદન કરશે.&nbsp;</p><p>શુક્રવારે સંરક્ષણ મંત્રાલયે નવી દિલ્હીમાં પુણે સ્થિત Bharat Forge લિમિટેડ સાથે ભારતીય નૌકાદળ માટે બાર 1.25 મેગાવોટ મરીન ગેસ ટર્બાઇન જનરેટર સેટ ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા. આ દરમિયાન સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ હાજર રહ્યા હતા, આ જનરેટરમાં ઓછામાં ઓછી 60% 'મેડ ઇન ઇન્ડિયા' સામગ્રીનો ઉપયોગ કરવામાં આવશે.</p><p><br></p><p><a href="https://sandesh.com/gallery/news/india/why-are-potatoes-and-chickpeas-the-filling-in-panipuri?2" target="_blank">આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/8gAOmPtUhuQp6cQgCRCresDqJT7KUFfJ9t7F1ztY.webp'/></item><item><title><![CDATA[Vadodara : સોશિયલ મીડિયા પર બદનામ કરવાની ધમકી આપી 50 હજારની ખંડણી માંગતી ગેંગ સામે પોલીસમાં ગુનો નોંધાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-karelibaug-police-fir-facebook-post-defamation-extortion-case-news</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-karelibaug-police-fir-facebook-post-defamation-extortion-case-news</guid><pubDate>Sat, 20 Jun 2026 12:55:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા શહેરમાં સોશિયલ મીડિયા ફેસબુકના માધ્યમથી પ્રતિષ્ઠિત વેપારીને બદનામ કરી ખંડણી માંગવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફેસબુક પર ખોટી પોસ્ટ વાયરલ કરી રૂપિયા50 હજાની માંગણી કરવા બદલ બે શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>આરીફ સૈયદ' નામના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ મુકવામાં આવી
</b></h2><p style="text-align: justify; ">પોલીસ રેકોર્ડ પરથી મળતી વિગતો અનુસાર, મદન ઝાપા રોડ ખાતે 'ઓનેસ્ટ સાયકલ' નામની દુકાન ધરાવતા અને હઝ-ઉમરાહનું કામકાજ કરતા 45વર્ષીય વેપારી ઇસ્માઇલ મોહમદહુસેન તૈયડીવાલાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. ઘટનાની વિગત એવી છે કે, ગત 14 જૂન 2026ના રોજ 'આરીફ સૈયદ' નામના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ મુકવામાં આવી હતી. આ પોસ્ટમાં ફરિયાદી ઇસ્માઇલભાઈ પર હાજીઓના હજના લાખો રૂપિયા ખાઈ જવાનો અને કૌભાંડોમાં સંડોવાયેલા હોવાના ગંભીર અને પાયાવિહોણા આક્ષેપો કરીને બદનામ કરવામાં આવ્યા હતા.  
</p><h3 style="text-align: justify; "><b>બંને શખ્સોએ ફરિયાદી ઇસ્માઇલભાઈને રોકીને ધમકી આપી 
</b></h3><p style="text-align: justify; ">ત્યારબાદ, 17 જૂન ૨૦૨૬ના રોજ સાંજે આશરે સવા પાંચ વાગ્યે જ્યારે ફરિયાદી મચ્છીપીઠ ખાતે આવેલી કાગદીવાડ મસ્જીદમાં નમાજ પઢવા ગયા હતા, ત્યારે ત્યાં ફેસબુક પોસ્ટ કરનાર આરોપી આરીફ કાદરી સૈયદ અને તેનો મિત્ર સદામ હુસેન ઉર્ફે લગડો યુશુફ શેખ હાજર હતા. આ બંને શખ્સોએ ફરિયાદી ઇસ્માઇલભાઈને રોકીને ધમકી આપી હતી કે, 'જો તું અમને રૂપિયા 50 હજાર નહીં આપે તો આવી જ બીજી પોસ્ટો વાયરલ કરીને તને બધે જ બદનામ કરી દઈશું'. 
</p><h4 style="text-align: justify; "><b>પોલીસ તપાસ શરુ
</b></h4><p style="text-align: justify; ">આ સાથે જ બંને આરોપીઓએ જાહેરમાં ગાળાગાળી કરી ગુનાહિત ધમકી આપી હતી. આ મામલે ભોગ બનનાર વેપારીએ કારેલીબાગ પોલીસ મથકે 19 જૂન 2026ના રોજ ફરિયાદ નોંધાવતા પોલીસે બી.એન.એસ (BNS) ની કલમ ૩૦૮(૨), ૨૬(b), અને ૫૪ હેઠળ ગુનો નોંધી તપાસ શરુ કરી છે.</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/W7HBcOnD6biTSUlruVfqhaCWfcZe0azm0SHcwHhv.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: CTM બ્રિજ પર આપઘાત કરવા ચડેલા યુવકને રાહદારીઓએ જીવના જોખમે બચાવ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ctm-double-decker-bridge-suicide-attempt-boy-saved-by-alert-passersby</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ctm-double-decker-bridge-suicide-attempt-boy-saved-by-alert-passersby</guid><pubDate>Sat, 20 Jun 2026 12:30:46 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદના પૂર્વ વિસ્તારના પ્રવેશદ્વાર ગણાતા અને સતત વાહનોથી ધમધમતા સીટીએમ (CTM) ચાર રસ્તા પાસે આવેલા ડબલ ડેકર ઓવરબ્રિજ પર આજે એક કાળજું ધ્રુજાવી દે તેવી ઘટના જાહેર રસ્તા પર જોવા મળી હતી. કોઈ અગમ્ય આર્થિક કે માનસિક કારણોસર એક હતાશ યુવક બ્રિજની ટોચ પર પહોંચી ગયો હતો. સામાન્ય રાહદારી તરીકે આવેલા આ યુવકે અચાનક બ્રિજની સાઈડમાં સુરક્ષા માટે લગાવેલી લોખંડની સેફ્ટી ગ્રિલ (જાળી) પર ચડવાનું શરૂ કરી દીધું હતું. યુવકના આ વિચિત્ર વર્તનને જોઈને બ્રિજ પરથી પસાર થઈ રહેલા વાહનચાલકો અને રાહદારીઓ તાત્કાલિક ચોંકી ઉઠ્યા હતા અને પોતાના વાહનો સાઈડમાં પાર્ક કરીને તેની તરફ દોડ્યા હતા.</p><h2><b>વાતોમાં પરોવીને જીવ બચાવી લીધો</b></h2><p>યુવક સેફ્ટી ગ્રિલની સાવ છેલ્લી કિનારી પર ઊભો રહીને નીચે રોડ પર કૂદવાની ફિરાકમાં હતો. જો તે ત્યાંથી કૂદ્યો હોત, તો નીચે દોડતા ભારે વાહનોની અડફેટે અથવા ઊંચાઈ પરથી પડવાના કારણે તેનું ત્વરિત મોત નીપજ્યું હોત. પરંતુ ત્યાં હાજર નાગરિકોએ અદભુત ધૈર્ય અને બુદ્ધિ ચાતુર્યનો પરિચય આપ્યો હતો. કેટલાક રાહદારીઓએ યુવકને બૂમો પાડીને તેનું ધ્યાન ભટકાવવાનું શરૂ કર્યું અને તેને "તારી જે પણ સમસ્યા હશે તે અમે સાથે મળીને ઉકેલી દઈશું, તું નીચે આવી જા" તેમ કહી સમજાવટનો દોર શરૂ કર્યો હતો. યુવક જ્યારે આ વાતો સાંભળી રહ્યો હતો, ત્યારે જ બે-ત્રણ બહાદુર યુવકોએ પાછળથી સરકીને તેને મજબૂતાઈથી પકડી લીધો હતો અને ખેંચીને બ્રિજની અંદર સુરક્ષિત રોડ પર લાવી દીધો હતો.</p><h3><b>વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ</b></h3><p>આ સમગ્ર હૃદયધબકાવતા દ્રશ્યોનો વીડિયો ત્યાં હાજર કોઈ વ્યક્તિએ મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે નાગરિકોની સહેજ પણ બેદરકારી કે મોડું થયું હોત, તો યુવકે બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી દીધી હોત. રાહદારીઓની આ સમયસૂચકતા અને માનવતાના લીધે એક હસતો-રમતો પરિવાર બરબાદ થતો બચી ગયો છે. ઘટના બાદ આસપાસના લોકોએ યુવકને પાણી પીવડાવીને શાંત કર્યો હતો અને તેની આત્મહત્યાના પ્રયાસ પાછળના કારણો જાણવા માટે તેમજ આગળની કાનૂની અને કાઉન્સેલિંગની પ્રક્રિયા માટે સ્થાનિક પોલીસને જાણ કરી સુપ્રત કર્યો હોવાની માહિતી મળી રહી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kutch/adipur-shinai-canal-medina-nagar-encroachment-removed-mamlatdar-bulldozer-action" target="_blank">આ પણ વાંચો: Kutch: શિણાઈ કેનાલ પાસે સરકારી જમીન પરના 20 દબાણો તોડી પડાયા, ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/Jlr3xwNEAUDRsInBakOFO0so3hDy9GoT4d4lqfFn.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026માં પેરાગ્વેએ સર્જ્યો મોટો અપસેટ, તુર્કીને હરાવીને ટુર્નામેન્ટમાંથી બહાર કરી ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/paraguay-created-a-big-upset-in-fifa-world-cup-2026-defeated-turkey-and-eliminated-them-from-the-tournament</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/paraguay-created-a-big-upset-in-fifa-world-cup-2026-defeated-turkey-and-eliminated-them-from-the-tournament</guid><pubDate>Sat, 20 Jun 2026 12:11:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પેરાગ્વેએ ફિફા વર્લ્ડ કપ 2026ના ગ્રુપ ડીના રોમાંચક મેચમાં તુર્કીને 1-0 થી હરાવ્યું.આ હાર સાથે તુર્કી ટુર્નામેન્ટમાંથી બહાર થનારી બીજી ટીમ બની.પોતાની બંને શરૂઆતની મેચ હારી ગયા બાદ,તુર્કી પાસે હવે આગળના રાઉન્ડમાં પહોંચવાની કોઈ શક્યતા નથી.તુર્કી પર પેરાગ્વેની જીતે ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં મોટો અપસેટ સર્જ્યો છે.</p><h4 style="text-align: justify; "><b>મેચનો સૌથી ઝડપી ગોલ</b></h4><p style="text-align: justify; ">પેરાગ્વેએ રમત શરૂ થતાં જ તુર્કીને સ્તબ્ધ કરી દીધું.મેચની બીજી જ મિનિટમાં પેરાગ્વેના મેથિયાસ ગાલાર્ઝાએ પેનલ્ટી બોક્સની બહારથી એક શક્તિશાળી શોટ માર્યો,જે સીધો ગોલમાં ગયો.તુર્કી ગોલકીપર ઉગુરકાન કાકીર શોટ રોકવામાં સંપૂર્ણપણે અસમર્થ રહ્યો.આ ગોલ આ વર્લ્ડ કપનો અત્યાર સુધીનો સૌથી ઝડપી ગોલ પણ બન્યો.શરૂઆતની નિષ્ફળતા પછી તુર્કીએ વાપસી માટે તમામ પ્રયાસો કર્યા.33મી મિનિટે મેર્ટ મુલ્ડુરનો ઉત્તમ હેડર પોસ્ટ પર વાગ્યો અને પાછો ફર્યો.બીજા હાફમાં આર્ડા ગુલર અને કેનન યિલ્ડીઝ જેવા ખેલાડીઓએ ગોલ કરવાની ઘણી તકો બનાવી પરંતુ પેરાગ્વેના મજબૂત ડિફેન્સ અને ગોલકીપર ઓર્લાન્ડો ગિલની સતર્કતાએ તેમને નિષ્ફળ બનાવ્યા.</p><p style="text-align: justify; "><a href="https://x.com/FIFAWorldCup/status/2068199162135409068?s=20" target="_blank">https://x.com/FIFAWorldCup/status/2068199162135409068?s=20</a></p><p style="text-align: justify; "><br></p><h5 style="text-align: justify; "><b>પ્રથમ હાફમાં એક ખેલાડીને લાલ કાર્ડ આપવામાં આવ્યું</b></h5><p style="text-align: justify; ">પ્રથમ હાફની અંતિમ ક્ષણોમાં મેદાન પર નોંધપાત્ર નાટક હતું. VAR ની મદદથી, પેરાગ્વેના સ્ટાર ખેલાડી મિગુએલ અલ્મિરોનને સીધો લાલ કાર્ડ બતાવીને મેદાનમાંથી બહાર મોકલી દેવામાં આવ્યો. તેના પર વિરોધી ખેલાડીઓ સાથે ઝઘડા દરમિયાન ચહેરો ઢાંકવા અંગેના FIFAના નવા નિયમનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પરિણામે, પેરાગ્વેને આખો બીજો હાફ ફક્ત 10 ખેલાડીઓ સાથે રમવો પડ્યો, પરંતુ તુર્કી આ ફાયદાનો લાભ લેવામાં નિષ્ફળ ગયું.</p><h5 style="text-align: justify; "><b>તુર્કીની વર્લ્ડ કપ સફરનો અંત આવ્યો</b></h5><p style="text-align: justify; ">આ હાર સાથે, તુર્કીની વર્લ્ડ કપ સફરનો અંત આવ્યો છે. સતત બે હાર (ઓસ્ટ્રેલિયા અને પેરાગ્વે સામે) બાદ તુર્કી ગ્રુપમાં સૌથી નીચે છે. જો તેઓ તેમની અંતિમ મેચમાં યુનાઇટેડ સ્ટેટ્સને હરાવે તો પણ, તેઓ પોતપોતાની મેચોમાં તેમના ખરાબ રેકોર્ડને કારણે આગામી રાઉન્ડની સ્પર્ધામાંથી બહાર રહેશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/entertainment/fifa-world-cup-2026-this-actress-is-the-most-searched-on-google-leaving-behind-priyanka-chopra-and-alia-bhatt" target="_blank">FIFA World Cup 2026 : આ અભિનેત્રી ગૂગલ પર સૌથી વધુ થઈ સર્ચ, પ્રિયંકા ચોપરા અને આલિયા ભટ્ટને છોડી દીધી પાછળ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/J8SF1E1MovA3v1E40je0dYFqg669E7oPfr9j8h1c.webp'/></item><item><title><![CDATA[Kutch: શિણાઈ કેનાલ પાસે સરકારી જમીન પરના 20 દબાણો તોડી પડાયા, ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશન ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kutch/adipur-shinai-canal-medina-nagar-encroachment-removed-mamlatdar-bulldozer-action</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kutch/adipur-shinai-canal-medina-nagar-encroachment-removed-mamlatdar-bulldozer-action</guid><pubDate>Sat, 20 Jun 2026 12:10:23 +05:30</pubDate><description><![CDATA[<p>ગાંધીધામ અને આદિપુર વિસ્તારમાં સરકારી જમીનો પર થતા ગેરકાયદેસર કબ્જા અને દબાણો સામે વહીવટી તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. લાંબા સમયથી આદિપુરના શિણાઈ કેનાલની આસપાસ તેમજ સિનોઇના મદીના નગર પાછળ આવેલી સરકારી કિંમતી જમીન પર કેટલાક તત્વો દ્વારા કાચા અને પાકા મકાનો તેમજ વ્યાપારી હેતુ માટેના દબાણો ખડકી દેવામાં આવ્યા હોવાની ફરિયાદો ઉઠી રહી હતી. કેનાલની સલામતી અને સરકારી જમીનના રક્ષણ માટે આખરે મહેસૂલ વિભાગ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે.</p><h2><b>નોટિસની અવધિ પૂરી થતાં જ બુલડોઝર એક્શન</b></h2><p>આ દબાણો દૂર કરવા માટે સ્થાનિક મામલતદાર કચેરી દ્વારા અગાઉ જ તમામ દબાણકર્તાઓને કાયદેસરની નોટિસો પાઠવીને પોતાની મેળે જગ્યા ખાલી કરી દેવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. નોટિસની મુદત પૂર્ણ થવા છતાં પણ દબાણો યથાવત રહેતા, આજે વહીવટી તંત્રના અધિકારીઓ જેસીબી અને બુલડોઝરના કાફલા સાથે ત્રાટક્યા હતા. તંત્રએ કોઈપણ વિલંબ વિના કેનાલ કાંઠે ઊભા કરી દેવાયેલા ૨૦ જેટલા રહેણાંક અને અન્ય કાચા-પાકા બાંધકામોને જમીનદોસ્ત કરી નાખ્યા હતા અને સરકારી જમીન પર પોતાનો કબ્જો પુનઃ સ્થાપિત કર્યો હતો.</p><h3><b>68 થી વધુ પોલીસ કર્મચારીઓની હાજરીમાં શાંતિપૂર્ણ ઓપરેશન</b></h3><p>કેનાલ અને મદીના નગર જેવા સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં સ્થાનિક સ્તરે વિરોધ પ્રદર્શન કે ઘર્ષણ થવાની સંભાવનાને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા પૂર્વ તૈયારી રૂપે પોલીસ પ્રોટેક્શનની માંગણી કરવામાં આવી હતી. ડિમોલિશનના સ્થળે કોઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે એસપી કચેરીના આદેશથી તૈનાત કરાયેલા 68 થી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓ, મહિલા પોલીસ અને પોલીસ જવાનોનો કડક સુરક્ષા ઘેરો ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસના ચુસ્ત બંદોબસ્તના પગલે કોઈ મોટો વિરોધ થઈ શક્યો ન હતો અને તંત્રએ શાંતિપૂર્ણ રીતે તમામ ૨૦ દબાણો હટાવીને કેનાલ વિસ્તારને સંપૂર્ણપણે ખુલ્લો અને લાઇન-ક્લિયર કરી દીધો છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/rajula-kovaya-lion-attack-prakash-chandra-last-cctv-footage-exposed-forest-department" target="_blank">આ પણ વાંચો: Amreli: કોવાયામાં સિંહોના શિકાર બનેલા 'પ્રકાશ ચંદ્ર' ના અંતિમ CCTV, મધરાતે 1 વાગ્યે કોલોનીમાંથી નીકળ્યો હતો યુવાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/C7XeT9f1QBsODmw5xJs60kGD0thRR0PJ92deq0gh.webp'/></item><item><title><![CDATA[વાંચો સવારે 08થી બપોરે 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/read-important-news-from-08-am-to-12-pm-20-june-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/read-important-news-from-08-am-to-12-pm-20-june-2026</guid><pubDate>Sat, 20 Jun 2026 12:03:43 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/world/news/us-iran-agreement-iran-was-eager-to-negotiatemojataba-khameneis-sullen-response-to-trumps-claim" target="_blank">1. US-Iran Agreement: વાટાઘાટો કરવા ઇરાન તલપાપડ હતું...ટ્રમ્પના દાવા પર મોજતબા ખામેનીનો સણસણતો જવાબ</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/breakingnews/gandhinagar/gujarat-farmers-get-10-hours-electricity-agriculture-power-supply-urja-vibhag-news" target="_blank">2. Gandhinagar : ધરતીપુત્રો માટે સરકારનો મોટો નિર્ણય, 10 કલાક વીજળી મળશે</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/narmada/narmada-bjp-internal-dispute-resolved-mansukh-vasava-darshana-deshmukh-news" target="_blank">3. Narmada ભાજપનો આંતરિક ડખો શાંત, પ્રદેશ હાઈકમાન્ડની એન્ટ્રી બાદ ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખ વચ્ચે સમાધાન, વાંચો શું થયું</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/lcb-arrested-two-thieves-solved-more-than-100-temple-theft-cases-across-6-districts" target="_blank">4, Bhavnagar: ભક્ત બનીને ગુજરાતના 100થી વધુ મંદિરો લૂંટતી અમદાવાદની ગેંગ ઝડપાઈ, 6 જિલ્લાના ગુનાઓનો ભેદ ઉકેલાયો</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/mahesana/mehsana-civil-hospital-ongc-fake-medical-fitness-certificate-scam-news" target="_blank">5. Mehsana સિવિલમાં સરકારી નોકરીના નામે મોટું રેકેટ, ONGC માટે નકલી ફિટનેસ સર્ટિફિકેટનું કૌંભાડ ઝડપાયું</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/entertainment/news/nora-fatehi-most-googled-bollywood-actress" target="_blank">6. Google ટ્રેન્ડ્સમાં નોરા ફતેહીનો દબદબો! પ્રિયંકા ચોપરાના ગ્લોબલ ક્રેઝને માત આપી નોરા બની દુનિયાભરમાં સૌથી લોકપ્રિય!</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/cricket/news/ind-vs-afg-3rd-odi-india-and-afghanistan-clash-today-in-chepauk-who-will-win" target="_blank">7. IND vs AFG 3rd ODI : ચેપૌકમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આજે ટક્કર, કોણે મારશે બાજી ?</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/bhavnagar/bhavnagar-medical-college-ragging-case-dean-police-complaint-nilambaug-news" target="_blank">8. Bhavnagar : મેડિકલ કોલેજમાં રેગિંગ મામલામાં ગૂંચવાયું કોકડું, પોલીસ ફરિયાદ કરવા જુનિયર વિદ્યાર્થીઓ ડરના માર્યા મૌન</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/neet-ug-re-exam-nagpur-student-and-exam-center-in-abu-dhabi-ntas-gross-negligence" target="_blank">9. NEET UG Re-Exam: નાગપુરનો વિદ્યાર્થી અને પરીક્ષા સેન્ટર અબુધાબીમાં ! NTAની ભારે લાપરવાહી</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/entertainment/news/colony-korean-zombie-movie-yeon-sang-ho-thriller" target="_blank">10. Korean movie : ખૌફ, લોહી અને ઝોમ્બી! Colonyમાં દેખાયું મોતનું તાંડવ, વર્ષો સુધી યાદ રહેશે આ ખતરનાક કહાની!</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/qqylaTZqbka73vyi2ofeovw93ALYuyhOAOZBu4bZ.webp'/></item></channel></rss>