<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Surendranagar News: વાડીમાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગારધામ પર પોલીસની રેડ, 19 જુગારીઓ ઝડપાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surendranagar/muli-tidana-road-vadi-sog-lcb-police-raid-gambling</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surendranagar/muli-tidana-road-vadi-sog-lcb-police-raid-gambling</guid><pubDate>Sat, 06 Jun 2026 21:09:25 +05:30</pubDate><description><![CDATA[<p>સુરેન્દ્રનગર જિલ્લામાં એલસીબી અને એસઓજીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને જુગારના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળીથી ટીડાણા ગામ તરફ જવાના રસ્તા પર આવેલી એક વાડીની ઓરડીમાં ધમધમતા હાઈપ્રોફાઈલ જુગારધામ પર પોલીસે અચાનક ત્રાટકીને મોટી કાર્યવાહી કરી છે. આ દરોડા દરમિયાન પોલીસે લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે 19 જેટલા જુગારીઓને રંગેહાથ દબોચી લીધા છે.</p><p><br></p><h2><b>વાડીની ઓરડીમાં જામી હતી જુગારની મહેફિલ</b></h2><p>ઘટનાની મળતી વિગતો અનુસાર, પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, મૂળીથી ટીડાણા ગામ રોડ પર આવેલી એક વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવીને મોટા પાયે જુગાર રમાડવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે સુરેન્દ્રનગર એસઓજી અને એલસીબી સહિતની ટીમોએ પ્લાન બનાવીને એકસાથે દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈને જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી, પરંતુ પોલીસે કોર્ડન કરીને ઓરડીની અંદર જુગાર રમી રહેલા તમામ 19 શખ્સોને ઝડપી લીધા હતા.</p><p><br></p><h2><b>ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાંથી આવ્યા હતા જુગારીઓ</b></h2><p>પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ જુગારધામમાં માત્ર સ્થાનિક જ નહીં, પરંતુ ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓમાંથી નામચીન જુગારીઓ નસીબ અજમાવવા આવ્યા હતા. ઝડપાયેલા 19 જુગારીઓમાં અમદાવાદ, રાજકોટ, મોરબી, પોરબંદર અને સ્થાનિક સુરેન્દ્રનગર જિલ્લાના શખ્સોનો સમાવેશ થાય છે.</p><p><br></p><h2><b>27.55 લાખનો મુદ્દામાલ જપ્ત</b></h2><p>પોલીસે ઘટના સ્થળેથી જુગારના પટમાંથી અને જુગારીઓની અંગઝડતી લેતા મોટી માત્રામાં મુદ્દામાલ રિકવર કર્યો છે, જેમાં રોકડા રૂપિયા, 25 નંગ મોબાઈલ ફોન, 3 વૈભવી ફોર વ્હીલર ગાડીઓ સમાવેશ થાય છે.&nbsp; પોલીસે આ તમામ સામગ્રી મળીને કુલ રૂપિયા 27.45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ હાઈપ્રોફાઈલ જુગારધામ કોણ ચલાવતું હતું અને વાડીના માલિકની આમાં શું ભૂમિકા છે, તે અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surendranagar/443-police-personnel-transferred-after-5-years-at-same-posting" target="_blank">Surendranagar News: જિલ્લામાં પાંચ વર્ષથી એક જ જગ્યાએ ચીપકેલા 443 પોલીસ કર્મીઓની બદલી</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/yVmuILbN2fE5Aw3LzQjrXgTs06DNZV6ZRRkX0W57.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: સોમવારે G S મલિક છોડશે ચાર્જ, નવા પોલીસ કમિશનરની રેસમાં આ વરિષ્ઠ IPS અધિકારીઓના નામો ચર્ચામાં ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-news-gs-malik-will-leave-charge-on-monday-names-of-these-senior-ips-officers-in-discussion-in-the-race-for-the-new-police-commissioner</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-news-gs-malik-will-leave-charge-on-monday-names-of-these-senior-ips-officers-in-discussion-in-the-race-for-the-new-police-commissioner</guid><pubDate>Sat, 06 Jun 2026 20:52:41 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરના પોલીસ બેડામાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. અમદાવાદ શહેરને ટૂંક સમયમાં જ નવા પોલીસ કમિશનર (CP) મળવા જઈ રહ્યા છે. વર્તમાન પોલીસ કમિશનર જી.એસ. મલિક આગામી સોમવારે પોતાનો ચાર્જ છોડશે અને રાજ્યના નવા પોલીસ મહાનિદેશક (DGP) તરીકેનો પદભાર સંભાળશે. જેને પગલે અમદાવાદના આગામી પોલીસ વડા કોણ બનશે તે અંગે વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.</p><h2>જી.એસ. મલિક સંભાળશે રાજ્યના DGP તરીકેનો ચાર્જ
</h2><p>મળતી વિગતો મુજબ, વર્તમાન અમદાવાદ સીપી જી.એસ. મલિક સોમવારે વિધિવત રીતે પોતાનો ચાર્જ છોડી દેશે. ત્યાર બાદ તેઓ ગુજરાત રાજ્યના ડીજીપી તરીકે શપથ લઈને રાજ્યના પોલીસ વડા તરીકેની નવી જવાબદારી સંભાળશે. નિયમ અને પરંપરા મુજબ, તેઓ નવનિયુક્ત અમદાવાદ પોલીસ કમિશનરને વિધિવત રીતે ચાર્જ સોંપ્યા બાદ જ રાજ્યના ડીજીપી તરીકેની કમાન પોતાના હાથમાં લેશે.
</p><h3>કમિશનર પદ માટે આ દિગ્ગજ IPS અધિકારીઓ રેસમાં
</h3><p>અમદાવાદ જેવા સંવેદનશીલ અને મહત્વના શહેરના કમિશનર પદ માટે રાજ્યના અનેક સિનિયર આઈપીએસ (IPS) અધિકારીઓના નામોની ચર્ચા હાલ જોરશોરથી ચાલી રહી છે. કમિશનર બનવાની આ રેસમાં મુખ્યત્વે નીચે મુજબના વરિષ્ઠ અધિકારીઓ મોખરે હોવાનું મનાઈ રહ્યું છે:
</p><ul><li>અનુપમસિંહ ગેહલોત
</li><li>મનોજ શશીધરણ
</li><li>રાજીવ રંજન ભગત
</li><li>રાજકુમાર પાંડિયન
</li><li>નીરજા ગોટરું
</li><li>પીયૂષ પટેલ
</li></ul><p>આ ઉચ્ચ અધિકારીઓમાંથી ગૃહ વિભાગ કોના નામ પર આખરી મહોર મારે છે અને અમદાવાદના તાજ કોના શિરે મૂકવામાં આવે છે, તેના પર સમગ્ર પોલીસ પ્રશાસન અને સનદી અધિકારીઓની નજર મંડાયેલી છે. ટૂંક સમયમાં જ રાજ્ય સરકાર દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/Mud4VvgSnyQ0GpkCFImOAhLadjYgJ1vQD3rwcaxA.webp'/></item><item><title><![CDATA[Mamata Banerjee બહેરામપુરથી લડશે ચૂંટણી! યુસુફ પઠાણે રાજીનામું આપી દેવું જોઈએ... સૌરવ ગાંગુલીએ આપ્યો જવાબ ]]></title><link>https://sandesh.com/india/news/sourav-ganguly-denies-yusuf-pathan-resignation-claims</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/sourav-ganguly-denies-yusuf-pathan-resignation-claims</guid><pubDate>Sat, 06 Jun 2026 20:16:02 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલીએ યુસુફ પઠાણના રાજીનામા અંગેના અહેવાલોને સ્પષ્ટતા આપતા એક નિવેદન બહાર પાડ્યું. તેમને મીડિયા અહેવાલોને નકારી કાઢ્યા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સૌરવ ગાંગુલીએ મમતા બેનર્જી તરફથી યુસુફ પઠાણને સંદેશ મોકલ્યો હતો, જેમાં તેમને બહેરામપુર મતવિસ્તારમાંથી રાજીનામું આપવાનું કહ્યું હતું.
</p><h2 style="text-align: justify;"><b>સૌરવ ગાંગુલીએ કરી વિનંતી
</b></h2><p style="text-align: justify;">ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટને કહ્યું કે "મારા પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેમને પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી તરફથી યુસુફ પઠાણનો સંપર્ક કર્યો હતો અને તેમને તે મતવિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકેના બંધારણીય પદ પરથી રાજીનામું આપવા અથવા રાજીનામું આપવાનો સંદેશ આપ્યો હતો જેથી મમતા બેનર્જી પેટાચૂંટણી લડી શકે. આ આરોપો ખોટા છે. હું મીડિયાને વિનંતી કરીશ કે અફવાઓ અને અટકળો પર ધ્યાન ન આપે."
</p><h3 style="text-align: justify;"><b>ટીએમસી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે
</b></h3><p style="text-align: justify;">પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ, તૃણમૂલ કોંગ્રેસ મુશ્કેલ સમયનો સામનો કરી રહી છે. એવી અફવાઓ ફેલાઈ રહી છે કે મમતા બેનર્જીએ બહેરામપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ હાંસલ કરવા માટે તેમને ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને રાજીનામું આપીને બેઠક ખાલી કરવા કહ્યું છે.</p><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2063211428019138986"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p style="text-align: justify;">મીડિયા અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે યુસુફ પઠાણે આમ કરવાની ના પાડી છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલીએ હવે આ દાવાને નકારી કાઢ્યો છે. ગાંગુલીએ જણાવ્યું હતું કે તેમને કોઈની સાથે યુસુફ પઠાણને રાજીનામું આપવા અંગે ચર્ચા કરી નથી. આ સંપૂર્ણપણે ખોટું છે. તમને જણાવી દઈએ કે ભવાનીપુરથી હાર્યા બાદ મમતા બેનર્જી હવે કોઈ બંધારણીય પદ ધરાવતા નથી.
</p><h4 style="text-align: justify;"><b>ટીએમસીના ટ્રમ્પ કાર્ડ 2024માં બન્યા હતા
</b></h4><p style="text-align: justify;">ગુજરાતના વડોદરાના રહેવાસી યુસુફ પઠાણ 2024ની લોકસભા ચૂંટણીમાં ટીએમસી માટે ટ્રમ્પ કાર્ડ તરીકે ઉભરી આવ્યા હતા. તેમને બહેરામપુર બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરીને 85,000 થી વધુ મતોથી હરાવ્યા હતા. બંગાળમાં સત્તા ગુમાવ્યા બાદ મમતા બેનર્જી ધારાસભ્યોના બળવા સામે ઝઝૂમી રહ્યા છે. આ વચ્ચે એવો દાવો કરવામાં આવ્યો હતો કે બેનર્જી લોકસભામાં તેમના સાંસદોને એક રાખવા માટે આવું કરવા માગતા હતા. કેટલાક અહેવાલો સૂચવે છે કે આ સંદેશ સૌરવ ગાંગુલી દ્વારા યુસુફ પઠાણને પહોંચાડવામાં આવ્યો હતો, જે દાવાને સૌરવ ગાંગુલીએ નકારી કાઢ્યો છે.
</p><h4 style="text-align: justify;"><b>ટીએમસીએ નવા પ્રવક્તાઓની નિમણૂક કરી
</b></h4><p style="text-align: justify;">15 વર્ષ સુધી સત્તાથી દૂર રહ્યા પછી તૃણમૂલ કોંગ્રેસે વિવિધ મુદ્દાઓ પર પાર્ટીનું વલણ રજૂ કરવા માટે કલ્યાણ બેનર્જી અને ડેરેક ઓ'બ્રાયનને રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે નિયુક્ત કર્યા છે. રાજ્ય સ્તરે કુણાલ ઘોષ રાજ્ય એકમના સત્તાવાર પ્રવક્તા તરીકે ચાલુ રહેશે. બેલેઘાટાથી વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ કુણાલ ઘોષ પ્રવક્તા બન્યા.
</p><p style="text-align: justify;">યુસુફ પઠાણ પશ્ચિમ બંગાળના બહેરામપુરથી લોકસભા સભ્ય હોવા છતાં તેમના માતાપિતા હજુ પણ ગુજરાતના વડોદરામાં રહે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરવા માટે યુસુફ પઠાણે ગુજરાતની મુલાકાત પણ લીધી હતી.
</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/crime/madhya-pradesh-jabalpur-narcotic-injection-racket-6-arrested-2-medical-representatives" target="_blank">Madhya Pradesh : જબલપુરમાં નશીલા ઈન્જેક્શનના રેકેટનો પર્દાફાશ, 2 MR સહિત 6 લોકોની કરાઈ ધરપકડ</a></b></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/6AiufVouUAXiG1JThIsg1sKGYDGa3EOgfvvLqjRg.webp'/></item><item><title><![CDATA[Junagadh News: કેશોદના કિંગડમ વોટરપાર્કમાં 8 વર્ષના માસૂમનું ડૂબી જતાં મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/junagadh/keshod-kingdom-water-park-child-drowned-death</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/junagadh/keshod-kingdom-water-park-child-drowned-death</guid><pubDate>Sat, 06 Jun 2026 20:04:03 +05:30</pubDate><description><![CDATA[<p>ઉનાળાની સિઝન અને વેકેશનના માહોલમાં વોટરપાર્કમાં આનંદ માણવા જતાં પરિવારો માટે લાલબત્તી સમાન એક અત્યંત કરૂણ અને હૃદયદ્રાવક ઘટના જૂનાગઢ જિલ્લામાંથી સામે આવી છે. કેશોદમાં આવેલા પ્રખ્યાત 'કિંગડમ વોટરપાર્ક'માં ન્હાવા પડેલા એક આઠ વર્ષના માસૂમ બાળકનું પાણીમાં ડૂબી જતાં કરૂણ મોત નિપજ્યું છે. આ અકસ્માતને પગલે હસતા-રમતા પ્રવાસી પરિવારમાં માતમ છવાઈ ગયો છે.</p><p><br></p><h2><b>ભાવનગરથી ફરવા આવેલા પરિવાર પર તૂટ્યો આભ</b></h2><p>ઘટનાની મળતી વિગતો અનુસાર, મૂળ ભાવનગરનો એક પરિવાર વેકેશનની રજાઓ માણવા માટે જૂનાગઢ પ્રવાસે આવ્યો હતો. આ પરિવાર કેશોદના કિંગડમ વોટરપાર્કમાં વોટર રાઇડ્સની મજા માણી રહ્યો હતો, ત્યારે જ તેમનો આઠ વર્ષનો માસૂમ દીકરો અચાનક પાણીના ઊંડા ભાગમાં ગરકાવ થઈ ગયો હતો. બાળક ડૂબી રહ્યો હોવાની જાણ થતાં જ ભારે દોડધામ મચી ગઈ હતી.</p><p><br></p><h2><b>તબીબોએ મૃત જાહેર કર્યો, મેનેજમેન્ટ સામે ભારે રોષ</b></h2><p>બાળકને પાણીમાંથી બહાર કાઢીને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ત્યાંના હાજર તબીબોએ બાળકને તપાસીને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાને પગલે મૃતક બાળકના માતા-પિતા અને પરિવારજનોના આક્રંદથી હોસ્પિટલ પરિસર ગમગીન બની ગયું હતું. આ દુર્ઘટના બાદ વોટરપાર્ક મેનેજમેન્ટની ઘોર બેદરકારી સામે સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. સુરક્ષાના પૂરતા સાધનો અને લાઈફગાર્ડની હાજરી કેમ ન હતી તેવા ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.</p><p><br></p><h2><b>પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા</b></h2><p>ઘટનાની જાણ થતાં જ કેશોદ પોલીસની ટીમ હોસ્પિટલ અને વોટરપાર્ક ખાતે દોડી ગઈ હતી. પોલીસે માસૂમ બાળકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી સમગ્ર મામલે કાયદેસરનો ગુનો દાખલ કર્યો છે. વોટરપાર્ક પ્રશાસન દ્વારા સુરક્ષાના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે કેમ અને કોની બેદરકારીથી બાળકે જીવ ગુમાવવો પડ્યો, તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/junagadh/junagadh-gir-forest-seven-lions-released-from-isolation-babariya-range-updates" target="_blank"> Junagadh : ગીરના જંગલમાંથી આવ્યા આનંદના સમાચાર, આઇસોલેશનમાં સારવાર લઈ રહેલા 7 વનરાજ થયા મુક્ત</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/rPuI5KmyWqnqZ52RTTSbDfRwRJS3tO361zn97kWr.webp'/></item><item><title><![CDATA[Ahmedabad સિવિલ હોસ્પિટલમાં યુપીના માસૂમને મળ્યું નવું જીવન, ક્ષતિગ્રસ્ત જનનાંગની જટિલ સર્જરી સફળ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/civil-hospital-successful-genital-reconstructive-surgery</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/civil-hospital-successful-genital-reconstructive-surgery</guid><pubDate>Sat, 06 Jun 2026 19:50:21 +05:30</pubDate><description><![CDATA[<p>મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં ગુજરાત સરકારની પ્રજાલક્ષી આરોગ્ય નીતિ અને સરકારી હોસ્પિટલોની ઉચ્ચ ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓનું ઉત્તમ ઉદાહરણ ફરી એકવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જોવા મળ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી (પીડિયાટ્રિક સર્જરી) વિભાગના નિષ્ણાત તબીબોએ અત્યંત જટિલ અને દુર્લભ ગણાતી સર્જરી કરીને ઉત્તર પ્રદેશના એક સામાન્ય ખેડૂત પરિવારના 12 વર્ષના બાળકને નવી જિંદગી આપી છે.</p><p><br></p><h2><b>25 દિવસની ઉંમરે કૂતરાએ કર્યો હતો ક્રૂર હુમલો</b></h2><p>ઉત્તર પ્રદેશના આગ્રાના વતની સુરેશ યાદવનો પુત્ર જ્યારે માત્ર 25 દિવસનો હતો, ત્યારે એક કૂતરાએ તેના પર હુમલો કરીને તેના બાહ્ય જનનાંગને ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત કરી દીધું હતું. જેમ જેમ બાળકની ઉંમર વધી તેમ તેમ તેની મુશ્કેલીઓ અસહ્ય બની ગઈ. બાળકને પેશાબ કરવામાં અત્યંત તકલીફ પડતી હતી અને જનનાંગનો વિકાસ સંપૂર્ણ અટકી ગયો હતો. દેશભરમાં અનેક જગ્યાએ સારવાર માટે ફર્યા છતાં કોઈ કાયમી ઉકેલ ન મળતા આખરે આ ગરીબ પરિવાર મોટી આશા સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો.</p><p><br></p><h2><b>સિવિલના તબીબોની ટીમ બની દેવદૂત</b></h2><p>બાળકને 1 મે, 2026ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ, તબીબી અધિક્ષક અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોશીએ તપાસ કરતા માલૂમ પડ્યું કે, બાળકના બંને વૃષણો ગેરહાજર હતા, શિશ્ન અંદરની તરફ દબાઈ ગયું હતું અને મૂત્રમાર્ગનું છિદ્ર અત્યંત સાંકડું હતું.</p><p><br></p><h2><b>&nbsp;'જેનિટલ રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી'&nbsp;</b></h2><p>તમામ પડકારો વચ્ચે 6 મે 2026 ના રોજ ડૉ. રાકેશ જોશી તથા પ્રોફેસર ડૉ. જયશ્રી રામજીના નેતૃત્વ હેઠળ અને એનેસ્થેસિયા વિભાગના ડૉ. મૃણાલિની અને તેમની ટીમની દેખરેખ હેઠળ જટિલ 'જેનિટલ રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી' સાથે ડાયગ્નોસ્ટિક લેપ્રોસ્કોપી કરવામાં આવી હતી.</p><p><br></p><h2><b>12 વર્ષના લાંબા સંઘર્ષનો આવ્યો સુખદ અંત</b></h2><p>સર્જરી બાદ 14 દિવસની સઘન દેખરેખ રાખવામાં આવી હતી. જ્યારે કેથેટર (પેશાબની નળી) દૂર કરાઈ, ત્યારે બાળકે કોઈપણ પીડા વગર સામાન્ય રીતે પેશાબ કર્યો હતો. વર્ષો પછી દીકરાને સામાન્ય અવસ્થામાં જોઈ પિતાની આંખોમાં ખુશીના આસુ આવી ગયા હતા. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પણ આ અનોખી સિદ્ધિ બદલ અમદાવાદ સિવિલ હોસ્પિટલની સમગ્ર મેડિકલ ટીમને અભિનંદન પાઠવીને જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે જ આજે દેશભરના ગરીબ દર્દીઓને આવી જટિલ સારવાર તદ્દન વિનામૂલ્યે મળી રહી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/sarkhej-fatewadi-young-woman-suspicious-dead-body-found" target="_blank">Ahmedabad News: ફતેવાડીમાં યુવતીનો મૃતદેહ મળ્યો, સરખેજ પોલીસ દોડી</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/zeY10tUTk9EBlM3ZUvob363tjoqxDtwy1PFHnhSG.webp'/></item><item><title><![CDATA[Kanpur: ચાલુ ગાડીમાં રીલ બનાવવાના ચક્કરમાં સર્જાયો ભયાનક અકસ્માત, 1 યુવકનું મોત ]]></title><link>https://sandesh.com/india/news/kanpur-car-crash-reel-recording-one-died-four-injured-uttar-pradesh</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/kanpur-car-crash-reel-recording-one-died-four-injured-uttar-pradesh</guid><pubDate>Sat, 06 Jun 2026 19:28:04 +05:30</pubDate><description><![CDATA[<p>ઉત્તર પ્રદેશના કાનપુરમાં સોશિયલ મીડિયા માટે વીડિયો બનાવતા સમયે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. ફૂલ સ્પીડે જઈ રહેલી કારમાં પાંચ યુવકો રીલ રેકોર્ડ કરી રહ્યા હતા, ત્યારે અચાનક વળાંક પર કારનું સંતુલન બગડી ગયું અને તે રસ્તા કિનારે આવેલા ઊંડા ખાડામાં પલટી ગઈ.</p><h2><b>સૌરભ કારની સનરૂફમાંથી બહાર બેસીને વીડિયો બનાવી રહ્યો હતો
</b></h2><p>આ દુર્ઘટનામાં 18 વર્ષીય સૌરભનું મોત થયું છે, જ્યારે તેના ચાર મિત્રો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ સૌરભ કારની સનરૂફમાંથી બહાર બેસીને વીડિયો બનાવી રહ્યો હતો, ત્યારે કાર પલટી જતા તે નીચે પટકાયો અને વાહનની ચપેટમાં આવી ગયો. દુર્ઘટના બાદ આસપાસના લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહત કામગીરી શરૂ કરી હતી. ભારે મહેનત બાદ કારમાં ફસાયેલા યુવકોને બહાર કાઢવામાં આવ્યા. ત્યારબાદ પોલીસ પણ સ્થળ પર પહોંચી અને તમામ ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ સૌરભને મૃત જાહેર કર્યો.
</p><h3><b>મિત્રો જન્મદિવસની ઉજવણી માટે બહાર ગયા હતા
</b></h3><p>આ અકસ્માત શુક્રવાર રાત્રે સચેન્ડી વિસ્તારના બછાઉપુર મોર પાસે થયો હતો. સૌરભ ઝખરા સંભરપુર ગામનો રહેવાસી હતો અને તાજેતરમાં જ નૌસેના ભરતી પરીક્ષા આપીને ઘરે પરત આવ્યો હતો. પરિવારજનો મુજબ તે આગળ અભ્યાસ કરીને પોતાનું ભવિષ્ય બનાવવા પ્રયત્નશીલ હતો. પરંતુ રાત્રે તેના મિત્રો તેને જન્મદિવસની ઉજવણી માટે બહાર લઈ ગયા હતા, જ્યાં રીલ બનાવતી વખતે આ દુર્ઘટના બની. 
</p><p>સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ યુવકો સ્ટંટ કરતા અને ઝડપી ગતિમાં વીડિયો રેકોર્ડ કરી રહ્યા હતા, જેના કારણે કાર અનિયંત્રિત થઈ ગઈ. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને તપાસ શરૂ કરી છે. અકસ્માત સમયે કારની ઝડપ અને વીડિયો રેકોર્ડિંગ સંબંધિત તમામ બાબતોની તપાસ કરવામાં આવી રહી છે. હાલ સમગ્ર મામલાની તપાસ ચાલુ છે અને પરિવારજનોમાં શોકનું વાતાવરણ છે.
<br><br><a href="https://sandesh.com/india/news/punjab-vaishno-devi-special-train-coupler-failure-ludhiana-1200-passengers" target="_blank">આ પણ વાંચો : Punjab : વૈષ્ણોદેવી સ્પેશિયલ ટ્રેન અચાનક જ ધડાકાભેર અવાજ સાથે બે ભાગમાં વહેંચાઈ ગઈ, 1200 મુસાફર ટ્રેનમાં હતા સવાર</a><b></b></p><p><br></p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/LLmb4zgOjRdcywES320GxUDQlEXGyqszioKyH3Qi.webp'/></item><item><title><![CDATA[Under 18 Asia Cup: ભારતની મહિલાઓએ સાઉથ કોરિયાને હરાવીને એશિયા કપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો ]]></title><link>https://sandesh.com/sports/news/india-women-u18-hockey-bronze-asia-cup-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india-women-u18-hockey-bronze-asia-cup-2026</guid><pubDate>Sat, 06 Jun 2026 18:59:50 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જાપાનના કાકામિગહારામાં રમાઈ રહેલી મહિલા અંડર-18 એશિયા કપ 2026 હોકી ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો. શનિવારે રમાયેલી ત્રીજા સ્થાનની મેચમાં ભારતે સાઉથ કોરિયાને 3-0થી હરાવ્યું. 
</p><p style="text-align: justify; ">સેમીફાઈનલમાં ચીન સામે પેનલ્ટી શૂટઆઉટમાં હારની નિરાશાને પાછળ છોડીને ભારતીય છોકરીઓએ જોરદાર વાપસી કરી અને સમગ્ર મેચ દરમિયાન કોરિયન ટીમ પર પ્રભુત્વ જમાવ્યું.
</p><h2 style="text-align: justify; "><b>ટીમ ઈન્ડિયાની શાનદાર જીત
</b></h2><p style="text-align: justify; ">આ મહત્વપૂર્ણ મેચમાં ભારતીય ટીમે શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું, અને મેચની બીજી મિનિટે સંદીપ કુમારીએ શાનદાર ફિલ્ડ ગોલ કરીને ટીમને 1-0 ની લીડ અપાવી હતી. આ શરૂઆતની સફળતાથી ભારતીય ખેલાડીઓનું મનોબળ વધ્યું, અને તેઓએ કોરિયન ડિફેન્સ પર દબાણ જાળવી રાખ્યું. મેચની 16મી મિનિટે કેપ્ટન સ્વીટી કુજુરે બીજો શાનદાર ફિલ્ડ ગોલ કરીને ભારતની લીડ (2-0) ને બમણી કરી અને ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/TheHockeyIndia/status/2063149888687473080"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p style="text-align: justify; ">
</p><h3 style="text-align: justify; "><b>33 મિનિટમાં ગોલ થયો
</b></h3><p style="text-align: justify; ">2 ગોલની સુરક્ષિત લીડ મેળવ્યા પછી પણ ભારતીય ફોરવર્ડ લાઈને હુમલો કરવાનું બંધ ન કર્યું. હાફ-ટાઈમ પછી 33મી મિનિટે, ટુર્નામેન્ટની ટોપની સ્કોરર નુશીન નાઝે, પોતાની ઉત્તમ રમત દર્શાવી અને મેચનો ત્રીજો ગોલ કર્યો. આ ટુર્નામેન્ટમાં નુશીનનો 12મો ગોલ હતો, જેને ટુર્નામેન્ટના ટોપના સ્કોરર ચાર્ટમાં તેનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. 
</p><p style="text-align: justify; ">ભારતના મજબૂત ડિફેન્સે સાઉથ કોરિયાને એક પણ ગોલ કરવાથી રોકી રાખ્યું, અને ભારતે 3-0થી જીત મેળવીને પોડિયમ ફિનિશ મેળવ્યું. સંદીપ કુમારીને રમતનો પહેલો ગોલ કરવા અને શાનદાર પ્રદર્શન કરવા બદલ પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી.</p><p style="text-align: justify; ">
</p><h4 style="text-align: justify; "><b>બ્રોન્ઝ મેડલ પણ જીત્યો
</b></h4><p style="text-align: justify; ">ભારતીય મહિલા અંડર-18 ટીમે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન સારું પ્રદર્શન કર્યું. ટીમે સ્પર્ધામાં કુલ 36 ગોલ કરીને પોતાની આક્રમક હોકી કૌશલ્યનું પ્રદર્શન કર્યું. આ બ્રોન્ઝ મેડલ સાથે ભારતે ભારતીય મહિલા હોકીના ભવિષ્ય માટે મજબૂત પાયો નાખ્યો છે તે દર્શાવતા, તેના અભિયાનનો અંત શાનદાર રીતે કર્યો છે. તમને જણાવી દઈએ કે ટુર્નામેન્ટની ફાઈનલ મેચ યજમાન જાપાન અને ચીન વચ્ચે રમાશે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/narendramodi/status/2063234314217902094"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p style="text-align: justify; ">
</p><h5 style="text-align: justify; "><b>PM મોદીએ પાઠવી શુભેચ્છા
</b></h5><p style="text-align: justify; ">પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય મહિલા U18 હોકી ટીમને U18 એશિયા કપ 2026માં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એક્સ પર અભિનંદન આપતાં પીએમ મોદીએ લખ્યું છે કે "U18 એશિયા કપ 2026માં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ભારતીય મહિલા U18 હોકી ટીમને અભિનંદન. ટીમે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન જબરદસ્ત હિંમત દર્શાવી. આ સફળતા ભારતમાં મહિલા હોકીની વધતી જતી શક્તિ અને આપણા ખેલાડીઓની પ્રચંડ ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે. હું ટીમને તેમના ભવિષ્યના પ્રયાસો માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું."
</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/ipl-2026/vaibhav-sooryavanshi-ipl-2026-awards-orange-cap-mvp" target="_blank">Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા</a>
</b></p><p style="text-align: justify; "><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/aN4ohT6Pi8C42h8JlKSiX6sBTh8KIDF7r8lrlT65.webp'/></item><item><title><![CDATA[Gautam Adani ફરી બન્યા એશિયાના સૌથી અમીર વ્યક્તિ, આ બે દિગ્ગજોને છોડ્યા પાછળ ]]></title><link>https://sandesh.com/business/news/gautam-adani-asia-richest-person-net-worth-rises</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/gautam-adani-asia-richest-person-net-worth-rises</guid><pubDate>Sat, 06 Jun 2026 18:58:32 +05:30</pubDate><description><![CDATA[<p>શેર બજારમાં જોરદાર તેજીના કારણે ગૌતમ અદાણી ફરી એકવાર એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. તેમની કંપનીઓના શેરમાં નોંધપાત્ર વધારો થતાં તેમની કુલ સંપત્તિમાં મોટો ઉછાળો નોંધાયો છે. મળતી માહિતી મુજબ અદાણીની નેટવર્થ હવે વધીને અંદાજે 89.2 અબજ ડોલર પહોંચી ગઈ છે, જેના કારણે તેમણે મુકેશ અંબાણી અને સોફ્ટબેન્કના CEO માસાયોશીના પુત્રને પાછળ છોડી દીધા છે.</p><h2><b>મુકેશ અંબાણીની સંપત્તિ 88 અબજ ડોલર થઈ
</b></h2><p>શુક્રવારે અદાણી ગ્રુપના શેરોમાં વ્યાપક તેજી જોવા મળી. ખાસ કરીને અદાણી ગ્રીન એનર્જીના શેરોમાં લગભગ 7%નો વધારો થયો, જ્યારે અદાણી એનર્જી અને અદાણી પોર્ટ્સ જેવા શેરોમાં પણ 2%થી 4% સુધીનો ઉછાળો નોંધાયો. અદાણી પાવરના શેરોમાં પણ 1%થી વધુ વધારો જોવા મળ્યો હતો. રિપોર્ટ મુજબ 2026ની શરૂઆતથી અત્યાર સુધી અદાણી ગ્રુપના શેરોમાં 23%થી 56% સુધીની વૃદ્ધિ થઈ છે, જેના કારણે રોકાણકારોને મોટો ફાયદો થયો છે.
</p><h3><b>1 મહિનામાં અદાણીની નેટવર્થમાં 10 અબજ ડોલરનો વધારો
</b></h3><p>અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા લગાવવામાં આવેલા કેસના સમાધાન બાદ અદાણી ગ્રુપની સ્થિતિમાં સુધારો થયો છે, જેના કારણે છેલ્લા એક મહિનામાં તેમની સંપત્તિમાં લગભગ 10 અબજ ડોલરનો વધારો થયો છે. ગૌતમ અદાણી હાલમાં વિશ્વના 23મા સૌથી અમીર વ્યક્તિ છે. એક દિવસમાં તેમની સંપત્તિમાં લગભગ 2.5 અબજ ડોલરનો વધારો નોંધાયો છે.
<br><br><a href="https://sandesh.com/business/news/india/fuel-prices-new-fuel-has-come-to-the-market-20-rupees-cheaper-than-petrol-will-be-available-at-48-places-in-the-capital" target="_blank">આ પણ વાંચો : Fuel Prices: પેટ્રોલથી 20 રૂપિયા સસ્તુ માર્કેટમાં આવ્યુ નવુ ઇંધણ, રાજધાનીમાં 48 જગ્યાએ મળશે</a><b></b></p><p><br></p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/lQ5qMFuPVHFMzyCPAOS4o6kTwYlvMpX1jXCGu8j7.webp'/></item><item><title><![CDATA[Rajkot News: બસ પોર્ટના પ્લેટફોર્મ પર ગંભીર અકસ્માત, ST બસે બે લોકોને કચડ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/rajkot/bus-port-st-bus-accident-platform-9-mundra-bus-driver-booked</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/rajkot/bus-port-st-bus-accident-platform-9-mundra-bus-driver-booked</guid><pubDate>Sat, 06 Jun 2026 18:32:23 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટના અત્યાધુનિક સેન્ટ્રલ બસ પોર્ટમાંથી એક ચિંતાજનક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. બસ પોર્ટની અંદર જ મુસાફરોની અવરજવર વચ્ચે એક એસટી બસના ચાલકે બેદરકારીપૂર્વક બસ ચલાવીને બે લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બે મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે, જેમાં એક સગીર વયના મુસાફરનો પણ સમાવેશ થાય છે.</p><p><br></p><h2><b>પ્લેટફોર્મ નંબર 9 પર સર્જાયો અકસ્માત</b></h2><p>ઘટનાની મળતી વિગતો અનુસાર, કચ્છના મુન્દ્રાથી મુસાફરોને લઈને રાજકોટ આવેલી એસટી બસ જ્યારે બસ પોર્ટની અંદર પ્રવેશી ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. ચાલક આ બસને પ્લેટફોર્મ નંબર 9 ઉપર પાર્ક કરવા માટે લઈ જઈ રહ્યો હતો. આ દરમિયાન પ્લેટફોર્મ પાસે મુસાફરો ઊભા હતા, ત્યારે જ ડ્રાઇવરે બસની બ્રેક મારવામાં ગંભીર બેદરકારી દાખવી હતી. ડ્રાઈવર દ્વારા બસની બ્રેક ઘણી મોડી લગાવવામાં આવતા બસ પ્લેટફોર્મ નજીક ઊભેલા મુસાફરો સાથે અથડાઈ પડી હતી.</p><p><br></p><h2><b>14 વર્ષીય કિશોર સહિત બે લોકો હોસ્પિટલ ભેગા</b></h2><p>એસટી બસની આ જોરદાર ટક્કરના કારણે ત્યાં હાજર બે લોકોને શારીરિક ઇજાઓ પહોંચી હતી. અકસ્માતમાં એક 14 વર્ષીય સગીર મુસાફરને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત થતાં જ બસ પોર્ટમાં હાજર અન્ય મુસાફરો અને ડેપોના સ્ટાફમાં ભારે દોડધામ મચી ગઈ હતી. બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.</p><p><br></p><h2><b>બેદરકાર ડ્રાઇવર સામે પોલીસ ફરિયાદ</b></h2><p>બસ પોર્ટ જેવા નિયંત્રિત અને ભીડભાડવાળા વિસ્તારમાં આ પ્રકારે બ્રેક મારવામાં બેદરકારી દાખવવી મુસાફરો માટે જીવલેણ સાબિત થઈ શકી હોત. આ સમગ્ર ઘટનાને પગલે મુસાફરોની સુરક્ષા સામે સવાલો ઉઠ્યા છે. બસ પોર્ટની અંદર અકસ્માત સર્જીને નાગરિકોના જીવ જોખમમાં મૂકવા બદલ એસટી બસના બેદરકાર ડ્રાઇવર સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે, અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/rajkot/bhavnagar-highway-halenda-smc-liquor-raid-truck-seized" target="_blank">Rajkot News: ડિટર્જન્ટ પાવડરની આડમાં છુપાવેલો 63 લાખનો વિદેશી દારૂ ઝડપાયો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/jH4FsUr91jPv3ClCgKg5iDJnRZm4qp5rOgqIADO2.webp'/></item><item><title><![CDATA[Bollywood : ક્યારેક વાસણો સાફ કર્યા તો ક્યારેક કરી ચોકીદારી... આજે આ એક્ટર છે કરોડોનો માલિક! ]]></title><link>https://sandesh.com/entertainment/news/from-washing-dishes-and-watchman-to-42-crore-net-worth-inspiring-actor-amit-sadh-story</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/from-washing-dishes-and-watchman-to-42-crore-net-worth-inspiring-actor-amit-sadh-story</guid><pubDate>Sat, 06 Jun 2026 17:33:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હિન્દી સિનેમાના કેટલાય અભિનેતાઓ એવા છે, જેમણે ઇન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવવા માટે ભારે મહેનત કરી છે. આજે અમે તમને એક એવા જ એક્ટર વિશે જણાવી રહ્યા છીએ, જે ક્યારેક વાસણ ઘસતા હતા અને તેમણે ચોકીદારી પણ કરી હતી, પરંતુ આજના સમયમાં તેઓ 42 કરોડના માલિક છે.</p><h2 style="text-align: justify; "><b>અભિનેતા અમિત સાધ
</b></h2><p style="text-align: justify; ">અમે જેમના વિશે વાત કરી રહ્યા છીએ, તેઓ કોઈ અન્ય નહીં પરંતુ અભિનેતા અમિત સાધ છે. આજે એટલે કે 5 જૂન, 1983ના રોજ અમિતનો જન્મ દિલ્હીમાં થયો હતો, પરંતુ તેમનો પરિવાર મૂળ રૂપે પંજાબનો રહેવાસી હતો અને તેમનો અભ્યાસ લખનૌમાં થયો હતો. અમિત જ્યારે 16 વર્ષના હતા, ત્યારે તેમના માથા પરથી પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.
</p><h3 style="text-align: justify; "><b>ઘરોમાં વાસણ પણ ઘસ્યા
</b></h3><p style="text-align: justify; ">પિતાના ગયા પછી તેમના ઘરની પરિસ્થિતિ બગડી ગઈ અને પૈસા માટે તેમણે લોકોના ઘરોમાં વાસણ પણ સાફ કર્યા. આ સિવાય તેઓ રાત્રે ચોકીદારીનું કામ પણ કરતા હતા. કેટલીય વાર તો એવું બનતું કે તેઓ રસ્તા પર સૂઈને રાત વિતાવતા હતા. પોતાની પરિસ્થિતિઓ અને મુશ્કેલીઓના કારણે અમિતે પોતાને ખતમ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ કિસ્મત એવું નહોતી ઈચ્છતી અને એક મિત્રે સમયસર તેમનો જીવ બચાવી લીધો હતો.
<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DZEnDsyjLjX/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DZEnDsyjLjX/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DZEnDsyjLjX/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DZEnDsyjLjX/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>ફિલ્મોમાં ડગ માંડ્યા
</b></h4><p style="text-align: justify; ">ભલે કિસ્મતે ફરી અમિતની પરીક્ષા લીધી, પરંતુ તેમણે હિંમત ન હારી અને સતત મહેનત કરતા રહ્યા. જ્યારે અમિતને ટીવીમાં કામ ન મળ્યું, ત્યારે તેમણે ફિલ્મો તરફ વલણ કર્યું. વર્ષ 2010માં આવેલી ફિલ્મ ‘ફૂંક 2’ થી તેમણે પોતાનું બોલીવુડ ડેબ્યૂ કર્યું હતું અને પછી ક્યારેય પાછળ વળીને જોયું નથી.
</p><h5 style="text-align: justify; "><b>અમિત સાધની નેટવર્થ
</b></h5><p style="text-align: justify; ">ફિલ્મોમાં પોપ્યુલર થયા પછી અમિતે ઓટીટી (OTT) પર પણ નામ કમાયું. પોતાની મહેનતથી તેમણે સાબિત કરી દીધું કે કંઈપણ મુશ્કેલ નથી બસ મહેનત કરવાની વાર છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, અમિતની કુલ સંપત્તિ આશરે 40 થી 42 કરોડ રૂપિયાની વચ્ચે છે અને આજે તેઓ એક શાનદાર લાઇફ જીવી રહ્યા છે.
</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/gauri-spratt-aamir-khan-rumored-third-wife-profession-biography" target="_blank">આ પણ વાંચો-Gauri Spratt કોણ છે અને શું કામ કરે છે? જેના પ્રેમમાં પડ્યા છે આમિર ખાન!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/DhME7tbhkvbc4xSSVld2XwGyd3Coc03Tutgbowts.webp'/></item></channel></rss>