<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Varanasi: કાશી વિશ્વનાથ મંદિરમાં હડકંપ, ગેટ નંબર 4 પર PAC જવાનની બંદૂકમાંથી અચાનક ફૂટી ગોળી, 3 લોકો ઘાયલ ]]></title><link>https://sandesh.com/india/news/crime/kashi-vishwanath-temple-firing-pac-jawan-gun-misfire-varanasi-injured</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/crime/kashi-vishwanath-temple-firing-pac-jawan-gun-misfire-varanasi-injured</guid><pubDate>Sat, 04 Jul 2026 10:10:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વિશ્વપ્રસિદ્ધ અને હિન્દુ ધર્મના અત્યંત પવિત્ર એવા કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં શનિવારે સવારે અચાનક ગોળીબાર થતાં ભારે અફરાતફરી અને હડકંપ મચી ગયો હતો. આ ઘટના મંદિરના ગેટ નંબર 4બી પર બની હતી, જ્યાં સુરક્ષામાં તૈનાત પીએસીના એક જવાનની સરકારી બંદૂકમાંથી અચાનક આકસ્મિક રીતે ગોળી છૂટી ગઈ હતી. સદનસીબે આ એક દુર્ઘટના હતી અને કોઈ મોટો આત્મઘાતી હુમલો ન હોવાથી મોટી રાહત સર્જાઈ હતી. જો કે, આ મિસફાયરિંગની ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. રાહતની વાત એ છે કે કોઈને સીધી ગોળી વાગી નથી, પરંતુ ગોળીના છરા વાગવાને કારણે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે.</p><h2 style="text-align: justify; "><b>ફુલહારનો વ્યવસાય કરતા 3 લોકો ઘાયલ</b></h2><p style="text-align: justify; ">સમાચાર માધ્યમોના અહેવાલ મુજબ, આ અકસ્માતમાં ઘાયલ થયેલા ત્રણેય વ્યક્તિઓ મંદિરની બહાર ફૂલ-હારનો વ્યવસાય કરતા સ્થાનિક દુકાનદારો છે. ઈજાગ્રસ્તોની ઓળખ નિક્કી ગુપ્તા, રામબાબુ અને વિકાસ યાદવ તરીકે થઈ છે. ઘટના બનતાની સાથે જ સુરક્ષામાં તૈનાત અન્ય ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>ઘાયલોને હોસ્પિટલમાં લઇ જવાયા</b></h3><p style="text-align: justify; ">ત્રણેય ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની મંડળીય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબોના જણાવ્યા અનુસાર, તમામની હાલત સ્થિર છે અને ચિંતા જેવી કોઈ બાબત નથી. હાલમાં મંદિરમાં સ્થિતિ સંપૂર્ણ સામાન્ય છે.</p><h4 style="text-align: justify; "><b>મંદિરમાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચે છે</b></h4><p style="text-align: justify; ">ઉલ્લેખનીય છે કે, ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંના એક એવા કાશી વિશ્વનાથ મંદિરમાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચતા હોય છે, જેથી અહીંની સુરક્ષા વ્યવસ્થા અત્યંત ચુસ્ત રાખવામાં આવે છે. સાર્વજનિક અને સંવેદનશીલ સ્થળો પર સરકારી હથિયારોના હેન્ડલિંગમાં લાપરવાહીને કારણે આવી ઘટનાઓ અગાઉ પણ સામે આવી ચૂકી છે. આ ગંભીર ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કાયદેસરની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે કે આખરે કયા સંજોગોમાં અને કોની લાપરવાહીથી આ મિસફાયરિંગ થયું.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-gujarat-latest-news-live-and-samachar-04-july-2026-politics-weather-updates-daily-breaking-news-nation" target="_blank"><b>&nbsp;Gujarat Latest News Live : રાજ્યમાં સવારે 8 થી 11 વાગ્યા સુધી ભારે વરસાદનું એલર્ટ, 41 થી 61 કિમી ઝડપે પવન ફૂંકાશે</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/04/9BdTiBbHcu5Pm9xO8fETvU7yepC16m7L6KOWjjHV.webp'/></item><item><title><![CDATA[Navsari Rain: અતિભારે 9 ઇંચ વરસાદથી જૂજ ડેમમાં નવા નીરની આવક, ડેમની સપાટી 149.50 મીટરે પહોંચી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/navsari/vansda-heavy-rain-juj-dam-water-inflow-farmers-happy-beautiful-scenery</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/navsari/vansda-heavy-rain-juj-dam-water-inflow-farmers-happy-beautiful-scenery</guid><pubDate>Sat, 04 Jul 2026 10:08:10 +05:30</pubDate><description><![CDATA[<p>નવસારી જિલ્લાના પહાડી અને જંગલ વિસ્તારો ધરાવતા વાંસદા તાલુકામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી છે. વાંસદા પંથકમાં સાર્વત્રિક રીતે નવ ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાતા સર્વત્ર પાણી-પાણી થઈ ગયું છે. આ ભારે વરસાદના કારણે લોકલ નદી-નાળાઓ ઉભરાયા છે અને તેનું તમામ પાણી સીધું વાંસદાના પ્રખ્યાત જૂજ ડેમ તરફ વળી રહ્યું છે. ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની આ તોફાની આવકના લીધે ડેમનું તળિયું ફરી જીવંત બન્યું છે.</p><p><b>વાંસદામાં મેઘતાંડવ આશીર્વાદ બન્યું</b></p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2073262393304514768"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><b><br></b></p><p><b>ભયજનક સપાટીથી ડેમ હજુ સુરક્ષિત</b></p><p>સિંચાઈ વિભાગના સત્તાવાર આંકડાઓ મુજબ, જૂજ ડેમની કુલ ભયજનક સપાટી 167 મીટરની છે. અગાઉ ઉનાળાના કારણે ડેમ ખાલી થવાના આરે હતો, પરંતુ વાંસદાના આ 9 ઇંચ વરસાદે ડેમનું ચિત્ર બદલી નાખ્યું છે. હાલમાં ડેમની જળસપાટી વધીને 149.50 મીટરે પહોંચી ગઈ છે. હજુ પણ ઉપરવાસના કેચમેન્ટ એરિયામાંથી પાણીની આવક સતત ચાલુ હોવાથી સપાટીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણી આવી જતાં આગામી રવિ પાક અને ચોમાસુ ખેતી માટે પાણીની ચિંતા ટળી જતાં ધરતીપુત્રોના ચહેરા ખીલી ઉઠ્યા છે.</p><p><b>પ્રવાસીઓ માટે હોટસ્પોટ બન્યું જૂજ ડેમ પરિસર</b></p><p>નવા નીરના આગમનની સાથે જ જૂજ ડેમની આસપાસની પ્રકૃતિનો અદભુત નજારો જોવા મળી રહ્યો છે. ચોમેર છવાયેલી લીલીછમ હરિયાળી, વાદળછાયું આકાશ અને ડેમમાં ઘુમરાતા અફાટ પાણીના દ્રશ્યોએ સ્થાનિક પ્રવાસીઓને આકર્ષવાનું શરૂ કર્યું છે. રજાના દિવસોમાં અહીં પ્રકૃતિનો આનંદ માણવા લોકો ઉમટી પડે તેવા આહલાદક દ્રશ્યો સર્જાયા છે. જોકે, નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડેમ સાઇટ પર જતા પ્રવાસીઓને ઊંડા પાણીમાં ન ઉતરવા અને કિનારે રહીને જ સુરક્ષિત રીતે કુદરતી સૌંદર્ય માણવા અપીલ કરવામાં આવી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/-yogi-chowk-heavy-rain-land-subsidence-construction-site-power-outage-drainage-damaged" target="_blank">આ પણ વાંચો: Surat: યોગી ચોકમાં નિર્માણાધીન બિલ્ડિંગ પાસે જમીન ધસી પડી, વીજ થાંભલા તૂટતા અંધારપટ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/04/vVdkYmjNs6LUNvt9BYhIfQ3yDlMfoAp0wsVt8ViL.webp'/></item><item><title><![CDATA[El Nino: અલ નીનોનો પડકાર, સરકાર કેટલી તૈયાર?  કૃષિમંત્રીએ સમીક્ષા બેઠક યોજી જણાવી રણનીતિ ]]></title><link>https://sandesh.com/india/news/el-nino-central-government-prepared-amid-fears-of-el-nino-agriculture-minister-holds-review-meeting-and-explains-strategy</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/el-nino-central-government-prepared-amid-fears-of-el-nino-agriculture-minister-holds-review-meeting-and-explains-strategy</guid><pubDate>Sat, 04 Jul 2026 10:06:25 +05:30</pubDate><description><![CDATA[<p>અલ નીનો અને નબળા ચોમાસાની આશંકા વચ્ચે કેન્દ્ર સરકારે ખરીફ સીઝન માટે પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રાજ્યોના કૃષિ મંત્રીઓ, કલેક્ટર્સ અને હવામાન વિભાગ (IMD) ના નિષ્ણાતો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે ખેડૂતોને ખાતરી આપી કે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને આ પડકારનો સામનો કરવા સંપૂર્ણ સજ્જ છે.</p><p><b style="font-size: 2rem;">નબળું ચોમાસું અને સંભવિત અસરો</b></p><p>કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં મોડું ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં 43% ઓછો વરસાદ નોંધાયો છે. ખાસ કરીને વરસાદ આધારિત ખેતી ધરાવતા વિસ્તારો પર આની સીધી અસર પડી શકે છે. જો કે સરકાર પરિસ્થિતિ બગડવાની રાહ જોયા વિના વૈજ્ઞાનિક આયોજન અને ગ્રાઉન્ડ લેવલ પર અગાઉથી જ કામ કરી રહી છે જેથી ખેડૂતોની આજીવિકા સુરક્ષિત રહે.</p><p><b style="font-size: 1.75rem;">315 સંવેદનશીલ જિલ્લાઓની ઓળખ</b></p><p>કૃષિ મંત્રાલય અને ICAR એ વૈજ્ઞાનિક ડેટાના આધારે દેશના 315 સંભવિત પ્રભાવિત જિલ્લાઓની ઓળખ કરી છે. સિંચાઈની ઉપલબ્ધતાના આધારે આ જિલ્લાઓને ત્રણ શ્રેણીમાં વહેંચવામાં આવ્યા છે:</p><ul><li>ઉચ્ચ પ્રાથમિકતા: 111 જિલ્લા (જ્યાં 25% થી ઓછી સિંચાઈ છે)</li><li>મધ્યમ પ્રાથમિકતા: 76 જિલ્લા (25-50 % સિંચાઈ)</li><li>નિમ્ન પ્રાથમિકતા : 128 જિલ્લા (જ્યાં ડેમ અને અન્ય સ્રોતો ઉપલબ્ધ છે)</li><li>આ જિલ્લાઓ મુખ્યત્વે ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને કર્ણાટક સહિત 12 રાજ્યોમાં આવેલા છે. તમામ કલેક્ટર્સને સ્થાનિક સ્તરે તૈયારીઓ ઝડપી કરવા સૂચના અપાઈ છે.</li></ul><p><b style="font-size: 1.75rem;">જિલ્લા કૃષિ આકસ્મિક યોજના (DACP)</b></p><p>ICAR-CRIDA દ્વારા તમામ જિલ્લાઓ માટે 'ડિસ્ટ્રિક્ટ એગ્રીકલ્ચર કન્ટીન્જન્સી પ્લાન' તૈયાર કરવામાં આવ્યા છે. આ યોજના હેઠળ ઓછા વરસાદની સ્થિતિમાં વૈકલ્પિક પાકની પસંદગી, પાક બદલવાની વ્યૂહરચના અને ઉપલબ્ધ પાણીના કાર્યક્ષમ ઉપયોગ અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી છે. મંત્રીએ આ યોજનાઓને માત્ર કાગળ પર રાખવાને બદલે તાત્કાલિક જમીન પર લાગુ કરવા પર ભાર મૂક્યો છે.</p><p><b style="font-size: 1.5rem;">જળ સંરક્ષણ અને સિંચાઈ વ્યવસ્થાપન</b></p><p>નબળા ચોમાસામાં પાણીના ટીપે-ટીપાનું મહત્વ સમજીને તળાવો, ચેકડેમ અને ખેત-તળાવોને તાત્કાલિક દુરસ્ત કરવા નિર્દેશ અપાયા છે. મનરેગા અંતર્ગત જળ સંચયના કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવશે. સંવેદનશીલ જિલ્લાઓમાં પીવાના પાણીને સર્વોચ્ચ અગ્રતા આપવામાં આવશે અને જરૂર પડ્યે વધુ પાણીવાળા વિસ્તારોમાંથી તંગીવાળા વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવશે.</p><p><b style="font-size: 1.5rem;">પાક વ્યૂહરચના અને ઇનપુટ્સની વ્યવસ્થા</b></p><p>ખેડૂતોને ટૂંકા ગાળાના, ઓછા પાણીમાં થતા અને વિવિધતા સભર પાકો (જેમ કે કઠોળ, જાડું અનાજ/શ્રી અન્ન અને તેલીબિયાં) અપનાવવા અપીલ કરાઈ છે. વૈજ્ઞાનિકોની સલાહ છે કે જમીનમાં પૂરતો ભેજ (75 થી 100 મીમી વરસાદ) થયા પછી જ વાવણી કરવી. સંભવિત પુનઃવાવણી માટે કેન્દ્ર સરકારે 1% વધારાનો બફર બીજ સ્ટોક અનામત રાખ્યો છે. યુરિયા અને DAP સહિત તમામ ખાતરોનો જથ્થો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે.</p><p><b style="font-size: 1.5rem;">ખેડૂતો માટે ડિજિટલ માર્ગદર્શન અને નાણાકીય સુરક્ષા</b></p><p>દેશના 731 કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (KVK) અને એગ્રો-મેટ એકમો ખેડૂતોને SMS, વોટ્સએપ, રેડિયો અને ટીવીના માધ્યમથી સતત વૈજ્ઞાનિક સલાહ આપશે. આ ઉપરાંત, વહીવટીતંત્ર પશુઓ માટે ચારાની અછત ન સર્જાય તે માટે એડવાન્સ સપ્લાય ચેઈન પ્લાનિંગ કરી રહ્યું છે. ખેડૂતોની નાણાકીય સુરક્ષા માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY), કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) અને પીએમ-કિસાન યોજનાના ઝડપી અમલીકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે.</p><p><b style="font-size: 1.5rem;">મોનિટરિંગ સેલ અને ખાદ્ય સુરક્ષા</b></p><p>નબળા ચોમાસાની દેખરેખ માટે દિલ્હીમાં 'અલ નીનો મોનિટરિંગ સેલ' અને 'ક્રોપ વેધર વોચ ગ્રુપ'ની સ્થાપના કરવામાં આવી છે. ખરીફ ૨૦૨૬ માટે ૧૭૬ મિલિયન ટન અનાજ ઉત્પાદનનો લક્ષ્યાંક છે. સરકારી ગોદામોમાં ઘઉં અને ચોખાનો પૂરતો બફર સ્ટોક હોવાથી દેશની ખાદ્ય સુરક્ષા સામે કોઈ જોખમ નથી. મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ખેડૂતોને સંદેશ આપ્યો કે ગભરાવાની જરૂર નથી, કેન્દ્ર અને રાજ્યની સંયુક્ત તૈયારીઓથી આપણે આ પડકારને સફળતાપૂર્વક પાર કરીશું.</p><p><br><a href="https://sandesh.com/astrology/news/bhakti/budh-gochar-2026-bank-balance-of-3-zodiac-signs-will-increase-mercury-will-change-its-course" target="_blank">આ પણ વાંચો-Budh Gochar 2026: 3 રાશિનું બેંક બેલેન્સ વધશે ! બુધ બદલશે ચાલ&nbsp;</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/04/8YrQdScFBRqvO4JwBzFebct2LnqiHAqmr3uAB47F.webp'/></item><item><title><![CDATA[Lionel Messiનો મહારેકોર્ડ, સતત 8મી વર્લ્ડ કપ મેચમાં ગોલ કરી રચ્યો ઇતિહાસ, એમ્બાપ્પેને પછાડ્યો ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/lionel-messis-great-record-created-history-by-scoring-in-the-8th-consecutive-world-cup-match-overtaking-mbappe</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/lionel-messis-great-record-created-history-by-scoring-in-the-8th-consecutive-world-cup-match-overtaking-mbappe</guid><pubDate>Sat, 04 Jul 2026 09:58:54 +05:30</pubDate><description><![CDATA[<p>ફૂટબોલના જાદુગર અને આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસીનો રેકોર્ડ તોડવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ફીફા વર્લ્ડ કપમાં કેપ વર્ડે સામે રમાયેલી અત્યંત રોમાંચક મેચમાં મેસીએ વધુ એક ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. સતત 8મી વર્લ્ડ કપ મેચમાં ગોલ કરીને મેસીએ પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ વધુ મજબૂત કર્યો છે. આર્જેન્ટિનાએ એક્સ્ટ્રા ટાઇમ માં કેપ વર્ડેને 3-2થી હરાવીને રાઉન્ડ ઓફ-16માં પોતાની જગ્યા પાકી કરી લીધી છે.</p><h4><b>29મી મિનિટે મેસીએ કર્યો ગોલ</b></h4><p>મેચે શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું. મેચની 29મી મિનિટે ડિફેન્ડર લિસાન્દ્રો માર્ટિનેઝે બોક્સની અંદર એક લોંગ અને સચોટ પાસ આપ્યો હતો. મેસીએ શાનદાર ટાઇમિંગ સાથે રન લગાવીને પહેલો ટચ અદ્ભુત લીધો અને કેપ વર્ડેના ગોલકીપર વોજિન્હાની ઉપરથી બોલને સીધો નેટની છત ભેગો કરી દીધો. આ શાનદાર ગોલ સાથે આર્જેન્ટિનાને 1-0ની લીડ મળી ગઈ હતી.</p><h4><b>વર્લ્ડ કપ ઇતિહાસમાં સૌથી વધુ 20 ગોલ</b></h4><p>આ ગોલ સાથે મેસીના વર્લ્ડ કપ કરિયરના કુલ 20 ગોલ થઈ ગયા છે. આ યાદીમાં બીજા સ્થાને રહેલા ફ્રાન્સના કિલિયન એમ્બાપ્પે (Kylian Mbappe) કરતાં મેસી હવે 2 ગોલ આગળ નીકળી ગયો છે. મેસી હવે વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરનારો ખેલાડી બની ગયો છે.વર્તમાન વર્લ્ડ કપમાં આ મેસીનો 7મો ગોલ છે, જેના કારણે તે ગોલ્ડન બૂટ (Golden Boot)ની રેસમાં 6 ગોલ ધરાવતા એમ્બાપ્પેને પાછળ છોડીને ટોપ પર પહોંચી ગયો છે. સતત 8 વર્લ્ડ કપ મેચોમાં મેસી અત્યાર સુધીમાં કુલ 12 ગોલ ફટકારી ચૂક્યો છે, જે તેના શાનદાર ફોર્મની સાક્ષી પૂરે છે.</p><p><a href="https://x.com/FIFAWorldCup/status/2073230366673150360?s=20" target="_blank">https://x.com/FIFAWorldCup/status/2073230366673150360?s=20</a><b></b></p><p><b><br></b></p><h4><b>રોનાલ્ડોના ઇન્ટરનેશનલ ગોલની નજીક</b></h4><p>આ મેસીના ઇન્ટરનેશનલ કરિયરનો 124મો ગોલ હતો. ઇન્ટરનેશનલ ફૂટબોલમાં ગોલ કરવાના મામલે હવે મેસીથી આગળ માત્ર પોર્ટુગલનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે, જેના નામે 146 ગોલ નોંધાયેલા છે.</p><h5><b>ગોલ્ડન બૂટની રેસ થઈ રોમાંચક</b></h5><p>મેસી (7 ગોલ) અને એમ્બાપ્પે (6 ગોલ) ઉપરાંત ગોલ્ડન બૂટની રેસમાં નોર્વેના એર્લિંગ હાલેન્ડ અને ઇંગ્લેન્ડના હેરી કેન 5-5 ગોલ સાથે લાઈનમાં છે. જ્યારે ઉસ્માન ડેમ્બેલે, મિકેલ ઓયારઝાબાલ અને વિનિસિયસ જુનિયર 4-4 ગોલ સાથે રેસમાં બનેલા છે.જો ટુર્નામેન્ટના અંતે બે ખેલાડીઓના ગોલ સરખા થશે, તો ફીફાના નિયમ મુજબ પહેલા આસિસ્ટ (Assist) અને ત્યારબાદ ઓછા મિનિટ રમવાના આધારે વિજેતા નક્કી કરાશે.</p><h5><b>મેસી પાસે ઇતિહાસ બદલવાની તક</b></h5><p>રસપ્રદ વાત એ છે કે લિયોનેલ મેસીએ પોતાના કરિયરમાં ક્યારેય ગોલ્ડન બૂટ જીત્યો નથી. 2022ના વર્લ્ડ કપમાં મેસીએ 7 ગોલ કર્યા હતા, પરંતુ એમ્બાપ્પે 8 ગોલ સાથે બાજી મારી ગયો હતો. જ્યારે 2014માં મેસી 4 ગોલ સાથે સંયુક્ત રીતે ત્રીજા સ્થાને રહ્યો હતો. પરંતુ આ વખતે મેસી જે પ્રચંડ ફોર્મમાં છે, તે જોતા પહેલીવાર ગોલ્ડન બૂટ જીતવાની તેની પાસે સુવર્ણ તક છે.</p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-egypt-creates-history-by-defeating-australia-in-penalty-shootout" target="_blank"> FIFA World Cup 2026 : ઇજિપ્તે ઓસ્ટ્રેલિયાને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને રચ્યો ઇતિહાસ</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/04/5kss3l4jw4EWO0X0ZbWCDSJiuJ3CU8bAKp01mjN4.webp'/></item><item><title><![CDATA[Monsoon 2026 : ગીર સોમનાથમાં મેઘરાજાનો આંશિક વિરામ, પણ અરબી સમુદ્ર થયો ગાંડોતૂર ]]></title><link>https://sandesh.com/weather/news/gujarat/gir-somnath/monsoon-2026-gir-somnath-rain-pause-veraval-port-signal-3-arabian-sea-rough</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/news/gujarat/gir-somnath/monsoon-2026-gir-somnath-rain-pause-veraval-port-signal-3-arabian-sea-rough</guid><pubDate>Sat, 04 Jul 2026 09:49:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી મેઘરાજાની તોફાની અને ધમાકેદાર બેટિંગ બાદ આજે વરસાદે આંશિક વિરામ લીધો છે. સતત વરસી રહેલા મુશળધાર વરસાદ અટકતાં સ્થાનિક રહીશો અને વહીવટી તંત્રે રાહતનો શ્વાસ લીધો છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>દરિયાકાંઠે કુદરતનું રૌદ્ર સ્વરૂપ</b></h2><p style="text-align: justify; ">જો કે, વરસાદ ભલે ધીમો પડ્યો હોય પરંતુ ગીર સોમનાથના દરિયાકાંઠે કુદરતનું રૌદ્ર સ્વરૂપ હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે. વેરાવળ અને પવિત્ર યાત્રાધામ સોમનાથનો અરબી સમુદ્ર હાલમાં સંપૂર્ણપણે ગાંડોતૂર બન્યો છે, જેના કારણે કિનારાના વિસ્તારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.</p><h3 style="text-align: justify; "><b>દરિયામાં મહાકાય અને ઊંચા મોજા&nbsp;</b></h3><p style="text-align: justify; ">હવામાનમાં આવેલા પલટા અને સમુદ્રમાં સર્જાયેલા ભારે કરન્ટના કારણે દરિયામાં મહાકાય અને ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયાની આ ભયજનક સ્થિતિને જોતા વહીવટી તંત્ર અને બંદર સત્તાધિશો દ્વારા તાકીદના પગલાં લેવામાં આવ્યા છે. સુરક્ષાના ભાગરૂપે વેરાવળ બંદર પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આ સિગ્નલ દર્શાવે છે કે દરિયામાં ભારે તોફાન અને કરન્ટ છે, જે કોઈપણ નાની-મોટી બોટ કે વહાણ માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.</p><h4 style="text-align: justify; "><b>માછીમારો માટે કડક આદેશ જાહેર&nbsp;</b></h4><p style="text-align: justify; ">દરિયાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફીશરીઝ વિભાગ અને સ્થાનિક પ્રશાસન દ્વારા માછીમારો માટે કડક આદેશ જાહેર કરવામાં આવ્યા છે. તમામ માછીમારોને આગામી સૂચના ન મળે ત્યાં સુધી કોઈપણ સંજોગોમાં દરિયો ન ખેડવા માટે સખત ચેતવણી આપવામાં આવી છે. જે માછીમારો દરિયામાં હતા તેમને તાત્કાલિક અસરથી કિનારે પરત બોલાવી લેવાયા છે અને તમામ બોટોને વેરાવળ બંદર પર સુરક્ષિત રીતે લાંગરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા દરિયાકાંઠાના પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને પણ સોમનાથ ચોપાટી અને દરિયાની નજીક ન જવા માટે અપીલ કરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-gujarat-latest-news-live-and-samachar-04-july-2026-politics-weather-updates-daily-breaking-news-nation" target="_blank"><b>Gujarat Latest News Live : રાજ્યમાં સવારે 8 થી 11 વાગ્યા સુધી ભારે વરસાદનું એલર્ટ, 41 થી 61 કિમી ઝડપે પવન ફૂંકાશે</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/04/UXie8ItCP932l6KSLgISbSDWRzlsugGG9bN5qi2G.webp'/></item><item><title><![CDATA[Surat: યોગી ચોકમાં નિર્માણાધીન બિલ્ડિંગ પાસે જમીન ધસી પડી, વીજ થાંભલા તૂટતા અંધારપટ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/-yogi-chowk-heavy-rain-land-subsidence-construction-site-power-outage-drainage-damaged</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/-yogi-chowk-heavy-rain-land-subsidence-construction-site-power-outage-drainage-damaged</guid><pubDate>Sat, 04 Jul 2026 09:44:51 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત શહેરમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા અતિભારે વરસાદના પરિણામે હાઇવેથી લઈને આંતરિક રસ્તાઓ પર પાણી ભરાવાની અને જમીન બેસી જવાની ઘટનાઓ સામે આવી રહી છે. વરાછા-પુણા રોડ પર આવેલા ધમધમતા યોગી ચોક વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં ચાલી રહેલા એક મલ્ટિસ્ટોરી બિલ્ડિંગના નિર્માણ કાર્યની બિલકુલ બાજુમાંથી પસાર થતી જમીનનો મોટો ભાગ અચાનક ધડાકાભેર ધસી પડ્યો હતો. નિર્માણાધીન બિલ્ડિંગ માટે કરાયેલા ઊંડા ખોદકામમાં વરસાદી પાણી ભરાવાને કારણે આખી માટી ધસી ગઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે.</p><h2><b>વીજળી અને ડ્રેનેજ લાઇનને ફટકો, હજારો લોકો પ્રભાવિત</b></h2><p>જમીન ધસી પડવાના કારણે તેની બરાબર કિનારે આવેલો વીજળીનો થાંભલો જોખમી રીતે નમી પડ્યો હતો અને તેના લાઈવ વાયરો ભારે ખેંચાણને લીધે તૂટી ગયા હતા. અકસ્માતને પગલે શોર્ટ સર્કિટ ન થાય તે માટે ડીજીવીસીએલ (DGVCL) દ્વારા સપ્લાય આપોઆપ કાપી નાખવામાં આવ્યો હતો, જેના કારણે યોગી ચોકની આસપાસના વિસ્તારોમાં પાવર ગુલ થઈ ગયો છે. આ ઉપરાંત, જમીનની અંદરથી પસાર થતી મુખ્ય ગટર લાઇન (ડ્રેનેજ પાઇપલાઇન) પણ આ માટીના ધબકાને કારણે તૂટી ગઈ છે, જેના લીધે હવે વિસ્તારમાં ગટરના ગંદા પાણી બેક મારવાની અને રસ્તા પર ભરાવાની ગંભીર સમસ્યા ઊભી થઈ છે.</p><h3><b>પાલિકા અને વીજ કંપનીનું સંયુક્ત ઓપરેશન</b></h3><p>આ ઘટનાને પગલે આજુબાજુની સોસાયટીના એપાર્ટમેન્ટ્સમાં રહેતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક સુરત મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમ અને વીજ વિભાગને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોઈને એસએમસી (SMC) ના હાઇડ્રોલિક અને ડ્રેનેજ વિભાગના ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સમગ્ર વિસ્તારને કવર કરીને બેરિકેડ્સ લગાવી દેવામાં આવ્યા છે જેથી કોઈ વાહનચાલક ખાડામાં ખાબકે નહીં. હાલ તંત્ર દ્વારા નુકસાનીનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને વીજ પુરવઠો વહેલી તકે ચાલુ કરવા તેમજ ગટર લાઇનના ડાયવર્ઝન માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/junagadh/vanthli-ozat-weir-dam-overflow-twelve-gates-opened-six-villages-flood-alert" target="_blank">આ પણ વાંચો: Junagadh: ઓઝત વિયર વંથલી ડેમ ઓવરફ્લો થતાં 12 દરવાજા ખોલાયા, ચાણવાળા 6 ગામો હાઈ એલર્ટ પર</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/04/lgc4g9e9pBTtwWdyHlf55QZZgB3M76USj59Md1s0.webp'/></item><item><title><![CDATA[Petrol Diesel Price Today: પેટ્રોલ 101.83 જ્યારે ડીઝલ 97.92 રૂપિયે, જાણો તમારા શહેરમાં શું છે કિંમત ]]></title><link>https://sandesh.com/business/news/petrol-diesel-price-today-petrol-10183-while-diesel-9792-rupees-know-what-is-the-price-in-your-city</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/petrol-diesel-price-today-petrol-10183-while-diesel-9792-rupees-know-what-is-the-price-in-your-city</guid><pubDate>Sat, 04 Jul 2026 09:33:40 +05:30</pubDate><description><![CDATA[<p>આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. દરો પાછલા સ્તરે જ રહ્યા છે. અગાઉ, 1 જુલાઈના રોજ, ખાનગી કંપની નાયરાએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો હતો, નાયરાએ&nbsp; &nbsp;પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ₹5.30 અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ₹3નો ઘટાડો કરવામાં આવ્યો હતો.</p><p> </p><p>જોકે રાજ્ય સરકારની માલિકીની કંપનીઓએ છેલ્લા કેટલાક મહિનામાં એક પણ વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો નથી. નોંધનીય છે કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દરરોજ સવારે 6 વાગ્યે નવા ભાવ જાહેર કરે છે.</p><h3><b>આજે ક્રૂડ ઓઇલનો ભાવ&nbsp;</b></h3><p>તાજેતરમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં આશરે $4 થી $5 નો તીવ્ર ઘટાડો નોંધાયો છે. મધ્ય પૂર્વમાં પુરવઠાના સામાન્યકરણ અને હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુપરટેન્કરોના સુરક્ષિત માર્ગને કારણે વૈશ્વિક ભાવમાં ઘટાડો થયો છે. નવીનતમ ભાવ જોઇએ&nbsp; તો વૈશ્વિક બજારમાં, બ્રેન્ટ ક્રૂડ લગભગ $78 પ્રતિ બેરલ ઘટી ગયું છે, જ્યારે WTI ક્રૂડ $75 પ્રતિ બેરલની નજીક ટ્રેડ કરી રહ્યું છે. ભારતના મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર, ક્રૂડ ઓઇલનો ભાવ ₹6,660 પ્રતિ બેરલની આસપાસ ફરે છે.</p><p><b>તો શું હવે ભાવ ઘટશે ?&nbsp;</b></p><p>તાજેતરમાં એક પ્રશ્નના જવાબમાં પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ હજુ પણ ઊંચા ભાવે ખરીદેલા સ્ટોકને રિફાઇન કરી રહી છે. તેમણે સંકેત આપ્યો હતો કે ભાવ ઘટાડાનો પ્રશ્ન ફક્ત ત્યારે જ માન્ય રહેશે જો ક્રૂડ ઓઇલના ભાવ આગામી બે થી ત્રણ અઠવાડિયા સુધી સ્થિર રહેશે. પેટ્રોલિયમ મંત્રીના પ્રતિભાવથી સ્પષ્ટ થાય છે કે નજીકના ભવિષ્યમાં ભાવમાં કોઈ ઘટાડો થશે નહીં.</p><p><br></p><table class="table table-bordered"><tbody><tr><td><b>શહેર&nbsp;</b></td><td><b>પેટ્રોલ (₹/લિટર)</b></td><td><b>&nbsp;ડીઝલ (₹/લિટર)</b></td></tr><tr><td>નવી દિલ્હી&nbsp;</td><td>102.12&nbsp;</td><td>95.20</td></tr><tr><td>કોલકાતા</td><td>&nbsp;113.51</td><td>&nbsp;99.82</td></tr><tr><td>મુંબઈ</td><td>&nbsp;111.21&nbsp;</td><td>97.83</td></tr><tr><td>ચેન્નઈ&nbsp;</td><td>107.76&nbsp;</td><td>99.55&nbsp;</td></tr><tr><td>બેંગલુરુ<br></td><td>110.93<br></td><td>98.80</td></tr></tbody></table><p><br></p><h4><b>ગુજરાતના મોટા શહેરોમાં આજે પેટ્રોલ ડીઝલનો ભાવ&nbsp;</b></h4><p><br></p><table class="table table-bordered"><tbody><tr><td>શહેર&nbsp;</td><td>પેટ્રોલ (₹/લિટર)&nbsp;</td><td>ડીઝલ (₹/લિટર)</td></tr><tr><td>અમદાવાદ&nbsp;</td><td>₹101.83&nbsp;</td><td>₹97.92&nbsp;</td></tr><tr><td>ગાંધીનગર&nbsp;</td><td>₹101.83&nbsp;</td><td>₹97.92</td></tr><tr><td>રાજકોટ</td><td>&nbsp;₹102.03&nbsp;</td><td>₹98.35&nbsp;&nbsp;</td></tr><tr><td>સુરત&nbsp;</td><td>₹102.22</td><td>&nbsp;₹98.02</td></tr><tr><td>વડોદરા&nbsp;<br></td><td>₹101.46</td><td>&nbsp;₹97.57</td></tr></tbody></table><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/01/30/sR6chNiUKbDb1nOQWlk5bc0a9oIjbAvmOhuW6ZWR.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : અંજલીથી ધરણીધર રોડ પર મોત સમાન ખાડા, વરસાદમાં પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-amc-pre-monsoon-fail-anjali-to-dharnidhar-road-potholes-issues</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-amc-pre-monsoon-fail-anjali-to-dharnidhar-road-potholes-issues</guid><pubDate>Sat, 04 Jul 2026 09:33:17 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મેગા સિટી અમદાવાદમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થતાંની સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રિ-મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા છે. તંત્રના કરોડો રૂપિયાના અંદાજપત્ર અને પોકળ દાવાઓ વચ્ચે શહેરના અનેક વિસ્તારોમાં રોડ-રસ્તાની અધૂરી કામગીરીને કારણે સામાન્ય જનતાને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ધરણીધર રોડ પર તંત્રએ કરેલી અધૂરી કામગીરી&nbsp;</b></h2><p style="text-align: justify; ">ખાસ કરીને વાસણા વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગ એવા અંજલી ચાર રસ્તાથી ધરણીધર રોડ પર તંત્રએ કરેલી અધૂરી કામગીરી હવે વાહનચાલકો માટે જોખમરૂપ સાબિત થઈ રહી છે. પ્રથમ વરસાદમાં જ આ આખા રોડ પર ઠેર-ઠેર ઊંડા ખાડા પડી ગયા છે, જે ચોમાસાની સિસ્ટમ સામે કોર્પોરેશનની લાપરવાહીની ચાડી ખાય છે.</p><h3 style="text-align: justify; "><b>તંત્ર પ્રત્યે ભારે રોષ&nbsp;</b></h3><p style="text-align: justify; ">સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વરસાદી પાણી ભરાવાને કારણે રોડ પરના ખાડા દેખાતા નથી, જેના લીધે દ્વિચક્રી વાહનચાલકો અને રાહદારીઓ પટકાય છે અને અકસ્માતનો ભય સતત મંડરાતો રહે છે. પીક અવર્સ દરમિયાન કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે, જે નોકરિયાત વર્ગ અને શાળાએ જતા બાળકો માટે માથાનો દુખાવો બની ગઈ છે. જનતા હવે તંત્રને આકરા સવાલ પૂછી રહી છે કે, "કરોડોના ટેક્સ વસૂલ્યા પછી પણ પ્રિ-મોન્સૂન કામગીરી ક્યારે પૂર્ણ થશે? જનતાના જીવ જોખમમાં મૂકાયા પછી પણ આ કામો ક્યારે પૂરા કરાશે?"</p><h4 style="text-align: justify; "><b>અત્યંત સાવચેતી સાથે વાહન ચલાવવા અપીલ&nbsp;</b></h4><p style="text-align: justify; ">આ જોખમી પરિસ્થિતિને જોતાં વાહનચાલકોને અત્યંત સાવચેતી સાથે વાહન ચલાવવા અપીલ કરવામાં આવી છે. ચોમાસાની આ સિઝનમાં અકસ્માતનો ખતરો બમણો થઈ ગયો છે. વાહનચાલકોએ આ રોડ પરથી પસાર થતી વખતે પોતાના વાહનની ગતિ ધીમી રાખવી અનિવાર્ય બની ગઈ છે. એકતરફ વરસાદી માહોલ ખુશનુમા છે, તો બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવી બેદરકારીના લીધે અમદાવાદીઓ માટે સફર મુશ્કેલ અને જોખમી બની ગઈ છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો---&nbsp; <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-gujarat-latest-news-live-and-samachar-04-july-2026-politics-weather-updates-daily-breaking-news-nation" target="_blank"><b>&nbsp;Gujarat Latest News Live : રાજ્યમાં સવારે 8 થી 11 વાગ્યા સુધી ભારે વરસાદનું એલર્ટ, 41 થી 61 કિમી ઝડપે પવન ફૂંકાશે</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/04/MGjZp4CUXn1eegkRePWQWnWXfzSwlv00Z8KEy7Ju.webp'/></item><item><title><![CDATA[Alpha Movie Review: આલિયા-શર્વરીના લુકે મચાવી ધૂમ, થિયેટરમાં 'વોર' અભિનેતાની એન્ટ્રી પર વાગી સીટીઓ, જાણો કેવી છે ફિલ્મ ]]></title><link>https://sandesh.com/entertainment/news/alpha-movie-review-alia-sharvaris-look-created-a-stir-whistles-rang-out-on-hrithik-roshans-entry-in-the-theater-know-how-the-film-is</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/alpha-movie-review-alia-sharvaris-look-created-a-stir-whistles-rang-out-on-hrithik-roshans-entry-in-the-theater-know-how-the-film-is</guid><pubDate>Sat, 04 Jul 2026 09:22:44 +05:30</pubDate><description><![CDATA[<p>યશ રાજ ફિલ્મ્સ (YRF) ના સ્પાય યુનિવર્સની પ્રથમ મહિલા-પ્રધાન એક્શન થ્રિલર ફિલ્મ "આલ્ફા" શુક્રવાર, ૩ જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આલિયા ભટ્ટ અને શર્વરી વાઘની મુખ્ય ભૂમિકા ધરાવતી આ મોસ્ટ અવેટેડ ફિલ્મને દર્શકો તરફથી સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મમાં અનિલ કપૂર અને બોબી દેઓલ પણ મહત્વના રોલમાં જોવા મળે છે. શિવ રવૈલ દ્વારા નિર્દેશિત અને ઉદય ચોપરા દ્વારા નિર્મિત આ ફિલ્મ અત્યારે સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રેન્ડ કરી રહી છે.</p><h2><b>'વોર' ના મેજર કબીર તરીકે ઋતિક રોશનની ધમાકેદાર એન્ટ્રી વાયરલ</b></h2><p>આ ફિલ્મમાં સૌથી મોટું સરપ્રાઈઝ બોલિવૂડ સુપરસ્ટાર ઋતિક રોશનનો પાવરફુલ કેમિયો છે. ફિલ્મ રિલીઝ થતાંની સાથે જ 'વોર' ફિલ્મના મેજર કબીર તરીકેની તેમની એન્ટ્રીના દ્રશ્યો સોશિયલ મીડિયા પર લીક થઈ ગયા છે. ઇન્ટરનેટ પર પ્રભુત્વ મેળવી રહેલી આ વાયરલ ક્લિપ્સમાં ઋતિક રોશન શાનદાર એક્શન સિક્વન્સ કરતો જોવા મળે છે. દર્શકો તેની સ્ક્રીન પ્રેઝન્સ અને ધમાકેદાર એન્ટ્રીના ખૂબ વખાણ કરી રહ્યા છે. નોંધનીય છે કે ફિલ્મના ટ્રેલરમાં માત્ર તેની આંખો જ બતાવવામાં આવી હતી, જેના કારણે ચાહકોમાં પહેલેથી જ ભારે ઉત્સાહ હતો.</p><h3><b>આલિયા ભટ્ટ અને શર્વરીનો પહેલીવાર જોવા મળ્યો ગ્લેમરસ બિકીની લુક</b></h3><p>ફિલ્મ "આલ્ફા" માં એક્શન અને સ્પાય થ્રિલરની સાથે-સાથે ગ્લેમરનો તડકો પણ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને શર્વરી વાઘ પહેલીવાર બિકીની લુકમાં સ્ક્રીન પર સખત પ્રભાવ છોડી રહ્યા છે. બંને અભિનેત્રીઓનો આ બોલ્ડ અને ગ્લેમરસ અવતાર દર્શકોનું ધ્યાન ખેંચી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર તેમની સ્ટાઈલ વિશે ખૂબ ચર્ચા થઈ રહી છે. YRF જાસૂસી બ્રહ્માંડની આ મહત્વકાંક્ષી ફિલ્મ હવે બોક્સ ઓફિસ પર આગામી દિવસોમાં કેવું પ્રદર્શન કરે છે, તેના પર ટ્રેડ વિશ્લેષકોની નજર રહેશે.</p><p><br></p><p><a href="https://sandesh.com/entertainment/news/national-film-awards-2026-who-will-win-the-prestigious-award-mammootty-and-sai-pallavi-ahead-in-the-race" target="_blank">આ પણ વાંચો : National Film Awards 2026: કોણ જીતશે પ્રતિષ્ઠિત એવોર્ડ? મામૂટી અને સાઇ પલ્લવી રેસમાં આગળ..</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/04/A5wuvtEi9JX6X2jeq2FnorVbDblOEZURD2NgQRrT.webp'/></item><item><title><![CDATA[Monsoon 2026 : ગુજરાતમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ, 24 કલાક અતિભારે; માંગરોળમાં 22 ઈંચ સાથે 225 તાલુકા તરબતર..! Video ]]></title><link>https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-gujarat-rain-forecast-five-monsoon-systems-active-mangrol-highest-rainfall</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-gujarat-rain-forecast-five-monsoon-systems-active-mangrol-highest-rainfall</guid><pubDate>Sat, 04 Jul 2026 07:37:58 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતભરમાં મેઘરાજાએ ધમાકેદાર જમાવટ કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં એકસાથે 6 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 24 કલાકમાં અતિભારે વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યના કુલ 225 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આકાશી આફત જેવી સ્થિતિ સર્જાઈ છે.</p><h2><b>જૂનાગઢના માંગરોળમાં 22.24 ઈંચ&nbsp;</b></h2><p>સૌથી વધુ વિસ્ફોટક વરસાદ જૂનાગઢના માંગરોળમાં 22.24 ઈંચ ખાબક્યો છે. આ સિવાય માળિયાહાટિનામાં 14 ઈંચ, વઘઈમાં 13.43 ઈંચ અને સુરતના અંબિકામાં 13.19  ઈંચ વરસાદથી સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે. અતિ ગંભીર પરિસ્થિતિને જોતાં વહીવટી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સખત સૂચના આપવામાં આવી છે.&nbsp;</p><p><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2073096379707379777"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>&nbsp;</p><h3><b>દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હાઇએલર્ટ</b></h3><p>દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના સુરત, નવસારી, ડાંગ, વલસાડ, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ રમી છે, જેમાં વેરાવળમાં સૌથી વધુ 8.5  ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે જૂનાગઢ જિલ્લામાં મોટી નુકસાનીના અહેવાલ છે; કેશોદ પાસેના સાબલી ડેમના 11 દરવાજા ખોલાતા મઘરવાડા ગામ સંપૂર્ણ સંપર્કવિહોણું બન્યું છે. રસ્તાઓ ધોવાઈ ગયા છે અને ખેતરો બેટમાં ફેરવાતા પાકને ભારે નુકસાન થયું છે.</p><h3><b>ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ</b></h3><p>બીજી તરફ, ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. પાટણ શહેર અને સરસ્વતી તાલુકામાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે ૫ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. મહેસાણા જિલ્લામાં પણ સાર્વત્રિક મેઘમહેર થઈ છે, જેમાં કડી અને જોટાણામાં ૪ ઈંચ તેમજ ખેરાલુ પંથકમાં ગાજવીજ સાથે ૨ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં લાંબા વિરામ બાદ આ વરસાદ આવતા ક્યાંક મુશ્કેલી તો ક્યાંક ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં અમદાવાદ અને ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે.&nbsp;</p><p><br></p><p>આ પણ વાંચો----&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-gujarat-latest-news-live-and-samachar-04-july-2026-politics-weather-updates-daily-breaking-news-nation" target="_blank"><b>Gujarat Latest News Live : રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/04/RWUrqAzPW9oTJx0i56nWbgYn5ktEWRr25NJ2gNgh.webp'/></item></channel></rss>