<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Kodinarમાં લોનના હપ્તા ભરવા માટે વૃદ્ધાને કારમાં લિફ્ટ આપી છરીની અણીએ લૂંટ ચલાવનાર આરોપીની ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kodinar/accused-arrested-for-robbing-elderly-woman-at-knifepoint-after-giving-her-a-lift-in-a-car-to-pay-loan-installments-in-kodinar</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kodinar/accused-arrested-for-robbing-elderly-woman-at-knifepoint-after-giving-her-a-lift-in-a-car-to-pay-loan-installments-in-kodinar</guid><pubDate>Mon, 06 Jul 2026 19:15:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં ગત 4 જુલાઈના રોજ એક વૃદ્ધા સાથે બનેલી સનસનાટીપૂર્ણ લૂંટની ઘટનાનો પોલીસે ગણતરીના કલાકોમાં જ પર્દાફાશ કર્યો છે. કોડીનારના વિઠ્ઠલપુર બસ સ્ટેશન નજીકથી આલીદર જઈ રહેલા એક વૃદ્ધાને એક ઇકો કારના ચાલકે લિફ્ટ આપવાના બહાને બેસાડ્યા હતા. મોરવડ ગામ નજીક પહોંચતા જ કાર ચાલકે વૃદ્ધાના ગળા પર છરી રાખી સોનાના બૂટિયાંની લૂંટ ચલાવી હતી. વૃદ્ધાએ વિરોધ કરતાં હાથમાં છરી મારી ઇજા પહોંચાડી, ચાલુ કારમાંથી ધક્કો મારી તે ફરાર થઈ ગયો હતો.</p><h2 style="text-align: justify; ">પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો</h2><p style="text-align: justify; ">ભારે વરસાદની કપરી પરિસ્થિતિ વચ્ચે કોડીનાર પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ, સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લીધો હતો. પકડાયેલ આરોપી થોરડી ગામનો ઇકો કાર ચાલક હાર્દિક નાનજીભાઈ શિયાળ હોવાનું સામે આવ્યું છે. પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તે આર્થિક સંકડામણમાં હતો અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા લીધેલી ઓનલાઇન લોનના હપ્તા ભરવા માટે જ તેણે આ લૂંટનો શોર્ટકટ રસ્તો અપનાવ્યો હતો.</p><h3 style="text-align: justify; ">પોલીસે કાર અને સોનાની બૂટી સહિત મુદ્દામાલ જપ્ત કર્યો</h3><p style="text-align: justify; ">પોલીસે આરોપી પાસેથી લૂંટાયેલા રૂ.1 લાખની કિંમતના સોનાના બૂટિયાં, ગુનામાં વપરાયેલી ઇકો કાર, તીક્ષ્ણ છરી અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ.4.51 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કોડીનાર પોલીસ મથકના પી.આઈ. એન.વી. હરિયાણીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. જી.એન. કાછડ, પી.એસ.આઈ. એમ.આર. બાંભણિયા સહિતની ટીમે આ પ્રશંસનીય અને સફળ કામગીરી પાર પાડી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ લૂંટ અને હુમલાની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/06/HfwTtLbBNcy8pJGNbtGVTfnCxLuEYiSRrHngKyuY.webp'/></item><item><title><![CDATA[Dr. Syama Prasad Mookerjeeની 125મી જન્મજયંતિ પર PM મોદીનો સંદેશ, 'નેશન ફર્સ્ટ' ભાવનાને આપી પ્રાથમિકતા ]]></title><link>https://sandesh.com/india/news/pm-modi-dr-syama-prasad-mookerjee-125th-birth-anniversary-nation-first-message</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/pm-modi-dr-syama-prasad-mookerjee-125th-birth-anniversary-nation-first-message</guid><pubDate>Mon, 06 Jul 2026 18:59:02 +05:30</pubDate><description><![CDATA[<p>ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કરતા તેમના જીવન અને યોગદાનને યાદ કર્યું. તેમણે કહ્યું કે જ્યારે સરકાર પાસે 'નેશન ફર્સ્ટ' એટલે કે 'રાષ્ટ્ર પ્રથમ'ની પ્રતિબદ્ધતા હોય છે, ત્યારે દેશના મહાન નાયકોનું યોગ્ય સન્માન કરવામાં આવે છે અને તેમની વિચારધારાને આગળ વધારવા સતત પ્રયાસો થાય છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/narendramodi/status/2074114707271921968"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b style="font-size: 2rem;">તેમના રાષ્ટ્રપ્રેમને જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસ</b></p><p>વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિને બે વર્ષના રાષ્ટ્રીય ઉજવણી કાર્યક્રમ તરીકે મનાવી રહી છે. આ કાર્યક્રમ 6 જુલાઈ ગયા વર્ષે શરૂ થયો હતો અને 6 જુલાઈ આવતા વર્ષે સુધી ચાલશે. તેમણે કહ્યું કે આ ઉજવણી દેશભરમાં ડૉ. મુખર્જીના વિચારો અને તેમના રાષ્ટ્રપ્રેમને જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસ છે.</p><h3><b>તેમના દૃઢ સંકલ્પ અને રાષ્ટ્રપ્રતિની પ્રતિબદ્ધતા આજે પણ પ્રેરણારૂપ</b></h3><p>PM મોદીએ વધુમાં જણાવ્યું કે આજનો દિવસ દેશ અને ખાસ કરીને પશ્ચિમ બંગાળ માટે એક મહાન પુત્ર અને મહાન દેશભક્તને યાદ કરવાનો દિવસ છે, જેમણે ભારતની અખંડિતતા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું. તેમણે ડૉ. મુખર્જીને એક દુરંદેશી નેતા તરીકે ઓળખાવતા કહ્યું કે તેમની વિચારશક્તિ, દૃઢ સંકલ્પ અને રાષ્ટ્રપ્રતિની પ્રતિબદ્ધતા આજે પણ પ્રેરણારૂપ છે.</p><p>વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક કહ્યું કે જ્યારે મજબૂત વિચારધારા, સ્પષ્ટ હેતુ અને સમર્પણ એકસાથે જોડાય છે, ત્યારે કોઈ પણ રાષ્ટ્રનિર્ધારિત લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે. ડૉ. મુખર્જીનું જીવન એ જ સંકલ્પનું ઉત્તમ ઉદાહરણ છે. આ કાર્યક્રમ દ્વારા સરકાર દેશભરમાં યુવાનોને રાષ્ટ્રનિર્માણ, એકતા અને અખંડિતતાના મૂલ્યો તરફ પ્રેરિત કરવા માગે છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/delhi-sheesh-mahal-kejriwal-residence-cultural-centre-state-guest-house" target="_blank">આ પણ વાંચો : Delhi :'શીશ મહેલ' પર મોટો નિર્ણય, કેજરીવાલના પૂર્વ નિવાસને કલ્ચરલ સેન્ટર બનાવાશે</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/06/gpOMkRl4XgsVNI536POQ6Y2bBu4CPuvVpHvQTx98.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: પોક્સો કેસમાં મહિલા દોષિતને 20 વર્ષની સખત કેદ, આરોપી હજુ પણ ફરાર ]]></title><link>https://sandesh.com/crime/news/ahmedabad/court-verdict-pocso-case-woman-convicted-narol-police</link><guid isPermaLink="true">https://sandesh.com/crime/news/ahmedabad/court-verdict-pocso-case-woman-convicted-narol-police</guid><pubDate>Mon, 06 Jul 2026 18:49:04 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદની સ્પેશિયલ પોક્સો કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. સગીરા પર થયેલા દુષ્કર્મના ગંભીર ગુનામાં સંડોવાયેલી મહિલા આરોપી સુલોતાસિંઘને કોર્ટે કસૂરવાર ઠેરવીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે જ અદાલતે દોષિત મહિલા પર આકરો આર્થિક દંડ પણ લગાવ્યો છે. પોક્સો કાયદા હેઠળ સામાન્ય રીતે પુરુષ આરોપીઓ સામે આકરી સજાના દાખલા જોવા મળતા હોય છે, પરંતુ આ કેસમાં ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્ટે મહિલા આરોપીને પણ કોઈ પણ પ્રકારની રાહત આપ્યા વિના કડક સજા ફટકારી છે.</p><h2><b>16 વર્ષથી ઓછી ઉંમરની પીડિતા સાથે થઈ હતી ક્રૂરતા</b></h2><p>કેસની વિગતો મુજબ, આ સમગ્ર મામલે વર્ષ 2023ના ફેબ્રુઆરી મહિનામાં અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કોર્ટે ચુકાદો આપતી વખતે ખાસ નોંધ્યું હતું કે, ગુનાનો ભોગ બનનાર પીડિતાની ઉંમર 16 વર્ષથી પણ ઓછી હતી. અદાલતે આકરા વલણ સાથે સ્પષ્ટ કર્યું હતું કે, આવા સંવેદનશીલ અને ગંભીર ગુનાઓમાં કાયદામાં નિર્ધારિત કરવામાં આવેલી લઘુત્તમ સજાથી ઓછી સજા કોઈ પણ સંજોગોમાં આપી શકાય નહીં. આથી જ ન્યાયાધીશે આરોપી મહિલાને 20 વર્ષ જેલની સજાનો આદેશ કર્યો હતો. આ સાથે કોર્ટ દ્વારા એક લાખ જેટલો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.</p><p><b style="font-size: 2rem;">મુખ્ય આરોપી સનાતનસિંઘ હજુ પણ પોલીસ પકડથી દૂર</b></p><p>આ ચુકાદાની સાથે કોર્ટે કેસના અન્ય એક આરોપી અંગે પણ મહત્વની નોંધ લીધી હતી. આ ગુનામાં સંડોવાયેલો અન્ય આરોપી સનાતનસિંઘ ગુનો નોંધાયા બાદથી જ પોલીસને હાથતાળી આપીને નાસતો ફરે છે. અદાલતે તે હજુ પણ ફરાર હોવાની બાબતને રેકોર્ડ પર લીધી છે. નારોલ પોલીસ દ્વારા ફરાર આરોપી સનાતનસિંઘને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.</p><h2><b>બાગ્લાદેશની હતી સગીરા</b></h2><p>ઉલ્લેખનીય છે કે, પીડિત સગીરા બાંગ્લાદેશની વતની હતી. જે તેની કાકાની દીકરીના ઓળખીતા દંપતી મારફતે અમદાવાદ આવી હતી. આ દરમિયાન દંપતીએ તેને રૂપિયા 40 હજારમાં એક મહિલાને વેચી હતી. જે દોઢ વર્ષ સુધી ઘરકામ કરતી હતી. જ્યારે મહિલા ઘરે ન હોય ત્યારે તેનો દીકરો તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. જે બાદ પોલીસ દ્વારા તેને મહિલાના ઘરેથી મુક્ત કરાવવામાં આવી હતી. જે બાદ પીડિતાના નિવેદનના આધારે નારોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. કોર્ટ દ્વારા સગીરાને રૂપિયા 5 લાખનું વળતર ચુકવવાનો આદેશ ઓથોરિટીને આપ્યો છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/weather/monsoon-2026/news/gujarat/ahmedabad/gujarat-rain-updates-saurashtra-roads-closed-photos" target="_blank">Gujarat Rain Updates: રાજ્યમાં ઠેર ઠેર મેઘતાંડવ, જુઓ વિવિધ શહેરમાં તારાજીના Photos</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/06/T3kh2mY1Vrdj36yobmLyyBXMMbvYEL1Racq73pp9.webp'/></item><item><title><![CDATA[Suratના રાંદેર વિસ્તારમાં આકાશી વીજળી ત્રાટકતાં બે માસૂમ બાળકોના કરુણ મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/two-innocent-children-tragically-died-after-being-struck-by-lightning-in-rander-area-of-surat</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/two-innocent-children-tragically-died-after-being-struck-by-lightning-in-rander-area-of-surat</guid><pubDate>Mon, 06 Jul 2026 18:47:12 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરમાં વરસી રહેલા તોફાની વરસાદ વચ્ચે એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજું કંપાવતી ઘટના સામે આવી છે. સુરતના રાંદેર વિસ્તારમાં અચાનક ભારે ગડગડાટ સાથે આકાશી વીજળી ત્રાટકી હતી. આ કુદરતી આફતની ચપેટમાં આવી જતાં ત્યાં હાજર બે માસૂમ બાળકોના કરુણ મોત નીપજ્યા છે. મૃતક બંને બાળકો રાંદેરના સ્થાનિક કિનારા સ્ટ્રીટ વિસ્તારના જ રહેવાસી હોવાનું માલૂમ પડ્યું છે, જેના કારણે આખો મહોલ્લો સ્તબ્ધ થઈ ગયો છે.</p><h2 style="text-align: justify; ">ફરજ પરના ડોક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા&nbsp;</h2><p style="text-align: justify; ">વરસાદ દરમિયાન અચાનક વીજળી પડતાં જ બંને બાળકો ઘટનાસ્થળે જ ગંભીર રીતે દાઝી ગયા હતા અને બેભાન થઈને ઢળી પડ્યા હતા. આસપાસના સ્થાનિક લોકો અને પરિવારજનો દ્વારા અત્યંત ગભરાટના માહોલ વચ્ચે બંનેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ શરીરની ચકાસણી કરીને બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા.</p><h3 style="text-align: justify; ">સમગ્ર પંથકમાં પ્રસર્યો ભારે શોકનો માહોલ</h3><p style="text-align: justify; ">ચોમાસાની શરૂઆતમાં જ ધોળા દિવસે બનેલી આ કમનસીબ ઘટનાને પગલે મૃતક બાળકોના પરિવારો પર જાણે આભ તૂટી પડ્યું છે અને તેમના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે. આ ગમખ્વાર હોનારતની વિગતો વાયુવેગે પ્રસરતા જ સમગ્ર રાંદેર પંથકમાં ભારે અરેરાટી અને શોકનો માહોલ વ્યાપી ગયો છે. સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા આ મામલે અકસ્માતે મોતના ગુના હેઠળ કાયદેસરની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.</p><p style="text-align: justify;"><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/06/QDYmLTVNOoB57nkCS6P5tv50ce79MVm1vJycklYM.webp'/></item><item><title><![CDATA[Delhi :'શીશ મહેલ' પર મોટો નિર્ણય, કેજરીવાલના પૂર્વ નિવાસને કલ્ચરલ સેન્ટર બનાવાશે ]]></title><link>https://sandesh.com/india/news/delhi-sheesh-mahal-kejriwal-residence-cultural-centre-state-guest-house</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/delhi-sheesh-mahal-kejriwal-residence-cultural-centre-state-guest-house</guid><pubDate>Mon, 06 Jul 2026 18:38:59 +05:30</pubDate><description><![CDATA[<p>દિલ્હીમાં ભાજપ સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સિવિલ લાઈન્સ સ્થિત 6 ફ્લેગસ્ટાફ રોડ પર આવેલ પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનને હવે સ્ટેટ ગેસ્ટ હાઉસ અને આધુનિક કલ્ચરલ સેન્ટર તરીકે વિકસાવવામાં આવશે.</p><h2><b>રોકાણ માટે ઉપયોગમાં લેવામાં આવશે</b></h2><p>ભાજપ સરકાર આ નિવાસસ્થાનને લાંબા સમયથી 'શીશમહલ' તરીકે સંબોધતી આવી છે. હવે આ જ સ્થળને વીવીઆઈપી મહેમાનોના સ્વાગત અને રોકાણ માટે ઉપયોગમાં લેવામાં આવશે. સરકાર દ્વારા આ માટે સંપૂર્ણ યોજના તૈયાર કરવામાં આવી છે, જેમાં દેશ-વિદેશથી આવતા સરકારી પ્રતિનિધિમંડળો, ઉચ્ચ અધિકારીઓ અને વિશિષ્ટ મહેમાનો માટે આધુનિક સુવિધાઓ સાથેનું ગેસ્ટ હાઉસ તૈયાર કરવામાં આવશે.</p><h3><b>વિવિધ સરકારી અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાય</b></h3><p>આ પ્રોજેક્ટ હેઠળ આ સ્થળને સ્ટેટ ગેસ્ટ હાઉસ ઉપરાંત એક આધુનિક સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે પણ વિકસાવવામાં આવશે, જ્યાં વિવિધ સરકારી અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાય. ઉલ્લેખનીય છે કે 2024માં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ અરવિંદ કેજરીવાલે ઓક્ટોબર 2024માં પોતાના પરિવાર સાથે આ બંગલો ખાલી કર્યો હતો. ત્યારબાદ આ બંગલો ખાલી પડ્યો હતો.</p><h3><b>'શીશમહલ' મોટો રાજકીય મુદ્દો બન્યો હતો</b></h3><p>દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન આ બંગલો “શીશમહલ” તરીકે મોટો રાજકીય મુદ્દો બન્યો હતો. ભાજપે આરોપ લગાવ્યો હતો કે મુખ્યમંત્રી તરીકે કેજરીવાલે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને આ નિવાસસ્થાનને વૈભવી બનાવ્યું હતું, જેમાં મોંઘા પડદા, સેનિટરી ફિટિંગ અને અન્ય સુવિધાઓ પર ભારે ખર્ચ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.</p><p>ચૂંટણી બાદ રેખા ગુપ્તા મુખ્યમંત્રી બન્યા પછી તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કેજરીવાલના પૂર્વ નિવાસસ્થાનમાં નહીં રહે. ત્યારબાદ તેમને અલગ સત્તાવાર બંગલો ફાળવવામાં આવ્યો હતો. હવે સરકારના આ નવા નિર્ણયથી આ વિવાદિત બંગલો નવા રૂપમાં ઉપયોગમાં લેવાશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/ram-mandir-donation-row-you-will-survive-here-chitragupta-will-fry-you-in-a-frying-pan-swami-chakrapanis-trust-comes-under-severe-attack" target="_blank">આ પણ વાંચો : Ram Mandir Donation Row: 'અહિંયા બચી જશો, ચિત્રગુપ્ત તમને તાવડામાં તળશે' સ્વામી ચક્રપાણીના ટ્રસ્ટ પર આકરા પ્રહારો</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/06/OBOuWHMUmgpUkeKy7DSrFew8pLxhB6nlJS0jzzjq.webp'/></item><item><title><![CDATA[Jharkhand News: ઝારખંડમાં નવી ટેક્સટાઈલ અને ઔદ્યોગિક નીતિ-2026નો ડ્રાફ્ટ જાહેર ]]></title><link>https://sandesh.com/india/news/business/jharkhand-news-draft-of-new-textile-and-industrial-policy-2026-released-in-jharkhand</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/jharkhand-news-draft-of-new-textile-and-industrial-policy-2026-released-in-jharkhand</guid><pubDate>Mon, 06 Jul 2026 18:21:28 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ઉદ્યોગ નિયામક દ્વારા ઝારખંડ કાપડ, વસ્ત્ર અને ફૂટવેર નીતિ-2026 અને ઝારખંડ ઔદ્યોગિક રોકાણ પ્રમોશન નીતિ (JIIPP)-2026ના ડ્રાફ્ટ્સ બહાર પાડ્યા છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">જનતાના લેવાયા મંતવ્ય&nbsp;</h2><p style="text-align: justify; ">હેમંત સોરેન સરકારે ઝારખંડમાં ઉદ્યોગ અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે એક મોટું પગલું ભર્યું છે. સરકારના ઉદ્યોગ નિયામક દ્વારા ઝારખંડ કાપડ, વસ્ત્ર અને ફૂટવેર નીતિ-2026 અને ઝારખંડ ઔદ્યોગિક રોકાણ પ્રમોશન નીતિ (JIIPP)-2026ના ડ્રાફ્ટ્સ બહાર પડાય છે. સરકાર ઇચ્છે છે કે, ઉદ્યોગ, નિષ્ણાતો અને સામાન્ય લોકો આ નવી નીતિઓ પર પોતાનો પ્રતિભાવ આપે. તેથી, બંને ડ્રાફ્ટ્સ ઝારખંડ સિંગલ વિન્ડો પોર્ટલ પર જાહેર કરાયા છે. સરકાર કહે છે કે, દરેકના સૂચનો અને મંતવ્યો પ્રાપ્ત કર્યા પછી, જરૂરી ફેરફારો થશે.&nbsp;</p><h3 style="text-align: justify; ">નવી દિલ્હીમાં એક મોટો કાર્યક્રમ&nbsp;</h3><p style="text-align: justify; ">હેમંત સોરેન સરકારના મતે, વર્તમાન જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે નવી ઔદ્યોગિક નીતિઓ ઘડવાની જરૂર છે. જેથી સ્થાનિક અને વિદેશી કંપનીઓ ઝારખંડમાં રોકાણ કરી શકે અને નવા ઉદ્યોગો સ્થાપિત કરી શકે. આ માટે 8 અને 9 જુલાઈ, 2026 ના રોજ નવી દિલ્હીમાં એક મોટો કાર્યક્રમ યોજાશે. ઉદ્યોગપતિઓ, રોકાણકારો, દેશભરના કાપડ અને ઉત્પાદન ક્ષેત્રના લોકો, ઉદ્યોગ નિષ્ણાતો અને અર્થશાસ્ત્રીઓ ભાગ લેશે. મુખ્યમંત્રી હેમંત સોરેન 9 જુલાઈના રોજ એક ખાસ પ્રતિસાદ સત્રની અધ્યક્ષતા કરશે. નવી નીતિઓ માટેના સૂચનો પર ચર્ચા કરવામાં આવશે, અને તેમને અંતિમ સ્વરૂપ આપતા પહેલા જરૂરી ફેરફારો પર વિચાર કરવામાં આવશે.</p><h4 style="text-align: justify; ">મોટા પાયે રોજગારીની તકો થશે ઉભી&nbsp;</h4><p style="text-align: justify; ">આ બે દિવસીય કાર્યક્રમ દરમિયાન ઘણા મહત્વપૂર્ણ સમજૂતી કરાર પર પણ હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. સરકારને આશા છે કે આ કરારો ઝારખંડમાં ઔદ્યોગિક રોકાણને વેગ આપશે, નવા ઉદ્યોગો સ્થાપિત કરશે અને મોટા પાયે રોજગારીની તકો ઉભી કરશે. તેઓ કાપડ, વસ્ત્રો અને ફૂટવેર ક્ષેત્રોને પણ નવી દિશા પ્રદાન કરશે. ઉદ્યોગ નિયામકના જણાવ્યા અનુસાર, ડ્રાફ્ટ નીતિઓ જાહેર જનતાના અભિપ્રાય મેળવવા માટે જાહેર કરવામાં આવી છે. સરકાર ઇચ્છે છે કે ઉદ્યોગ, નિષ્ણાતો અને જનતા તેમના અભિપ્રાય આપે જેથી તમામ સંબંધિત સૂચનોનો સમાવેશ કરીને નીતિને વધુ શુદ્ધ કરી શકાય. અંતિમ કેબિનેટ મંજૂરી પહેલાં આ સૂચનોના આધારે ફેરફારો કરવામાં આવશે. સરકાર માને છે કે આનાથી ઝારખંડમાં નવા ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે, રોકાણ વધશે, રોજગારની તકો ઊભી થશે અને રાજ્ય આર્થિક રીતે મજબૂત બનશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/-political-news/ayatollah-ali-khamenei-funeral-amidst-the-final-farewell-of-ayatollah-khamenei-iran-sent-a-special-message-to-india-know-what-he-said" target="_blank">આયાતુલ્લાહ ખામેનીની અંતિમ વિદાય વચ્ચે ઈરાને મોકલ્યો ભારત માટે ખાસ સંદેશ, જાણો શુ કહ્યુ?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/06/Pt0J7hwNvM4FI2yZkxUgjYJu7mEQt2TuuFY1jBui.webp'/></item><item><title><![CDATA[Morbi Farmer Protest: 19મા દિવસે ખેડૂતોના આમરણાંત ઉપવાસનો આવશે અંત, હવે શરૂ થશે 'ઝબ્બા ફાડ' આંદોલન! ]]></title><link>https://sandesh.com/gujarat/news/morbi/farmers-protest-unto-death-ends-19th-day-nilesh-aghara</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/morbi/farmers-protest-unto-death-ends-19th-day-nilesh-aghara</guid><pubDate>Mon, 06 Jul 2026 18:18:35 +05:30</pubDate><description><![CDATA[<p>મોરબીમાં પોતાની પડતર માંગણીઓને લઈને છેલ્લા 19 દિવસથી મક્કમતાપૂર્વક લડી રહેલા ખેડૂતોના આમરણાંત ઉપવાસ આંદોલનનો સોમવારની રાત્રે અંત આવવા જઈ રહ્યો છે. મેદાને પડેલા તમામ 8 ઉપવાસી ખેડૂતો સોમવારે રાત્રે પારણાં કરશે. ઉપવાસી આંદોલનકર્તાઓ પોતાના 19 દિવસ લાંબા આંદોલનને વિરામ આપશે. જોકે, આ આંદોલનનો અંત એ સરકાર સામેની લડાઈનો અંત નથી, પરંતુ ખેડૂતોએ હવે સરકાર સામે આરપારની લડાઈ લડવા માટે આંદોલનના 'પાર્ટ-3' ની સત્તાવાર જાહેરાત કરવાની ચીમકી આપી દીધી છે.</p><h2><b>સરકારની અધૂરી જાહેરાત સામે ખેડૂતોમાં ભારે રોષ</b></h2><p>મળતી માહિતી અનુસાર, ખેડૂત આંદોલનને સમેટવા માટે સરકાર દ્વારા તાજેતરમાં કેટલીક જાહેરાતો કરવામાં આવી હતી, પરંતુ આ જાહેરાતો અધૂરી હોવાનું કહીને ઉપવાસી ખેડૂતોએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. ખેડૂત અગ્રણીઓનું કહેવું છે કે, સરકારની આ જાહેરાતોથી ખેડૂતો બિલકુલ નાખુશ છે, કારણ કે તેમની મૂળ અને મુખ્ય માંગણીઓ હજુ પણ સ્વીકારવામાં આવી નથી. આથી જ આંદોલનની પૂર્ણાહુતિની સાથે જ આગામી રણનીતિ ઘડવામાં આવી રહી છે.</p><p><br><img alt="Morbi Farmer Protest: Fast Ends on 19th Day, Warning of 'Zabba Phad' Agitation to Govt" src="https://epapercdn.sandesh.com/images/2026/07/06/EByFVkO9FujuhIlTl3kRqzEwF000nDIgW8Oi3EPo.webp"></p><h2><b>નેતાઓ સાનમાં સમજી જાય, નહીં તો થશે 'ઝબ્બા ફાડ' આંદોલન</b></h2><p>આંદોલનની આગેવાની કરી રહેલા ખેડૂત નેતા નિલેશ અઘારાએ સરકાર અને રાજકીય નેતાઓને આકરા શબ્દોમાં ચેતવણી આપી છે. </p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2074107276546445467"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p>તેમણે જણાવ્યું છે કે, રાજકીય નેતાઓ સાનમાં સમજી જાય તો સારું, બાકી જો સરકાર અમારી ન્યાયિક માંગણીઓ વહેલી તકે સ્વીકારશે નહીં, તો આગામી દિવસોમાં 'ઝબ્બા ફાડ' આંદોલન શરૂ કરવામાં આવશે. સોમવારની રાત્રે પારણાં કર્યા બાદ ખેડૂતો પોતાના આંદોલનના ત્રીજા તબક્કાની જાહેરાત કરશે, જે સરકાર માટે નવી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/weather/monsoon-2026/news/gujarat/ahmedabad/gujarat-rain-updates-saurashtra-roads-closed-photos" target="_blank">Gujarat Rain Updates: રાજ્યમાં ઠેર ઠેર મેઘતાંડવ, જુઓ વિવિધ શહેરમાં તારાજીના Photos</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/06/DwG6yDxWQKlEbdZ1LnvNp2qmwsISGFpW4rW3nCl1.webp'/></item><item><title><![CDATA[વાંચો બપોરે 03થી સાંજે 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-03-pm-to-06-pm-06-july-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-03-pm-to-06-pm-06-july-2026</guid><pubDate>Mon, 06 Jul 2026 17:59:42 +05:30</pubDate><description><![CDATA[<p>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર</p><p><a href="https://sandesh.com/cricket/news/women-s-t20-world-cup/shree-charani-most-wickets-womens-t20-world-cup-2026" target="_blank">1.&nbsp; Women’s T20 World Cup: ભારતની શ્રી ચરણી બની બેસ્ટ બોલર, માત્ર 5 મેચમાં લીધી સૌથી વધુ વિકેટ</a></p><p><a href="https://sandesh.com/india/news/ram-mandir-donation-row-you-will-survive-here-chitragupta-will-fry-you-in-a-frying-pan-swami-chakrapanis-trust-comes-under-severe-attack" target="_blank">2. Ram Mandir Donation Row: 'અહિંયા બચી જશો, ચિત્રગુપ્ત તમને તાવડામાં તળશે' સ્વામી ચક્રપાણીના ટ્રસ્ટ પર આકરા પ્રહારો</a></p><p><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/heavy-rain-recorded-in-umargam-valsad-tops-with-1-26-inches" target="_blank">3. Gujarat Weather: આજે બપોરે 2થી 4 વાગ્યા સુધીમાં ઉમરગામમાં સૌથી વધુ 1.26 ઇંચ વરસાદ નોંધાયો</a></p><p><a href="https://sandesh.com/world/news/-political-news/ayatollah-ali-khamenei-funeral-amidst-the-final-farewell-of-ayatollah-khamenei-iran-sent-a-special-message-to-india-know-what-he-said" target="_blank">4. Ayatollah Ali Khamenei Funeral: આયાતુલ્લાહ ખામેનીની અંતિમ વિદાય વચ્ચે ઈરાને મોકલ્યો ભારત માટે ખાસ સંદેશ, જાણો શુ કહ્યુ?</a></p><p><a href="https://sandesh.com/weather/monsoon-2026/news/ahmedabad/gujarat-rain-updates-st-bus-service-affected-trips-cancelled" target="_blank">5. Gujarat Rain Updates: ભારે વરસાદથી ST બસ સેવા પ્રભાવિત, સૌરાષ્ટ્રના 38 રૂટની 90 ટ્રિપ રદ</a></p><p><a href="https://sandesh.com/cricket/news/prithvi-shaw-aakriti-agrawal-patch-up-rumors" target="_blank">6. પહેલા છેતરપિંડીનો આરોપ, પછી ફોટો ડિલીટ... પૃથ્વી શો અને આકૃતિ અગ્રવાલની લાઈફમાં આવ્યું નવું ટ્વિસ્ટ</a></p><p><a href="https://sandesh.com/india/breakingnews/bajrang-bangda-appointed-ram-mandir-trust-general-secretary-champat-rai-resignation" target="_blank">7. Ram Mandir Trust : રામ મંદિર ટ્રસ્ટની બેઠકમાં બજરંગ બાંગડાની મહાસચિવ તરીકે પસંદગી, ચંપત રાયનું રાજીનામું મંજૂર</a></p><p><a href="https://sandesh.com/world/news/nirav-modi-extradition-india-nirav-modi-lost-legal-battle-in-london-court-will-be-brought-to-india-anytime" target="_blank">8. Nirav Modi Extradition India: નીરવ મોદી લંડનની કોર્ટમાં કાયદાકીય લડાઈ હાર્યો, ગમે ત્યારે લવાશે ભારત</a></p><p><a href="https://sandesh.com/india/news/world/pm-narendra-modi-arrives-jakarta-indonesia-fighter-jet-escort" target="_blank">9. PM મોદી ઈન્ડોનેશિયાના જાકાર્તા પહોંચ્યા, ફાઈટર જેટ્સે એર સ્પેસમાં આપ્યું એસ્કોર્ટ</a></p><p><a href="https://sandesh.com/cricket/news/sri-lanka-cricketer-dies-during-friendly-match" target="_blank">10. ચાલુ મેચમાં ખેલાડીને આવ્યો હાર્ટ એટેક, એમ્પાયર સાથે વિવાદ દરમિયાન બની ઘટના</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/05/29/WRc1agNSICDbrtiD24lAg3y6m9gnyFmCJFWkerOW.webp'/></item><item><title><![CDATA[Ranveer Singh Birthday Special: સ્ટારબક્સમાં વેઈટરથી લઈને સુપરસ્ટાર બનવા સુધી, આવી છે રણવીર સિંહની સંઘર્ષગાથા ]]></title><link>https://sandesh.com/entertainment/news/ranveer-singh-birthday-special-from-being-a-waiter-at-starbucks-to-becoming-a-superstar-here-is-ranveer-singhs-struggle-story</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/ranveer-singh-birthday-special-from-being-a-waiter-at-starbucks-to-becoming-a-superstar-here-is-ranveer-singhs-struggle-story</guid><pubDate>Mon, 06 Jul 2026 12:21:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડના સૌથી એનર્જેટિક અને વર્સેટાઈલ સુપરસ્ટાર રણવીર સિંહનો આજે જન્મદિવસ છે. આજે ભલે તેઓ "ધુરંધર", "પદ્માવત" અને "બાજીરાવ મસ્તાની" જેવી અનેક સુપરહિટ ફિલ્મો આપીને સફળતાના શિખરે હોય, પરંતુ ફિલ્મી દુનિયામાં પ્રવેશતા પહેલા તેમણે ભારે સંઘર્ષ વેઠ્યો છે. ફિલ્મોમાં આવ્યા પહેલા તેઓ પ્રખ્યાત એજન્સી O&amp;M માં કોપીરાઇટર તરીકે કામ કરતા હતા. શરૂઆતમાં કાસ્ટિંગ કાઉચથી લઈને અસ્વીકાર (Rejection) સુધીના કઠોર અનુભવોનો સામનો કરનાર રણવીરના જીવનની સફર કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી કમ નથી.&nbsp;</p><h2 style="text-align: justify;"><b>રણવીર સિંહના જન્મદિવસના ખાસ પ્રસંગે જાણીએ તેમના જીવનની રસપ્રદ કહાની</b></h2><p style="text-align: justify;"><b>કિસ્સો-1: ક્રિકેટર બનવાનું સ્વપ્ન તૂટ્યું; મોહિન્દર અમરનાથે કર્યા હતા રિજેક્ટ</b></p><p style="text-align: justify;">બાળપણમાં રણવીર ક્રિકેટર બનવા માંગતા હતા. સાતમા ધોરણમાં સ્કૂલની એક મેચમાં તેમણે માત્ર 46 બોલમાં 71 રન ફટકારી દીધા હતા. આ ઇનિંગથી પ્રેરિત થઈને તેમણે પૂર્વ ભારતીય ક્રિકેટર મોહિન્દર અમરનાથની ક્રિકેટ એકેડમીમાં ટ્રાયલ આપવાનું નક્કી કર્યું. વર્ષ 2017 માં ફિલ્મ '83' ના એક પ્રમોશનલ ઈવેન્ટમાં રણવીરે આ કિસ્સો શેર કરતા કહ્યું હતું, "મારા મિત્રો સમયસર પહોંચી ગયા પણ હું મોડો પડ્યો. અમરનાથ સરે મારી રમત જોઈને મને નકારી કાઢ્યો. સારું થયું કે તેમણે તે દિવસે મને રિજેક્ટ કરવાનો સાચો નિર્ણય લીધો, નહીંતર હું આજે એક અભિનેતા તરીકે અહીં ન હોત." રસપ્રદ વાત એ છે કે, જે ક્રિકેટ એકેડમીમાંથી તેઓ રિજેક્ટ થયા હતા, આગળ જતાં વર્ષ 2021 માં આવેલી ફિલ્મ '83' માં તેમણે ભારતના પૂર્વ કેપ્ટન કપિલ દેવનો આઇકોનિક રોલ ભજવ્યો.</p><p style="text-align: justify;"><b>કિસ્સો-2:અભિનેતા બનવાની પ્રેરણા અને અટક બદલવાનું કારણ</b></p><p style="text-align: justify;">રણવીરના દાદી ચાંદ બુર્ક ૧૯૫૦ અને ૧૯૬૦ ના દાયકાના જાણીતા અભિનેત્રી હતા. તેમણે રાજ કપૂરની પ્રખ્યાત ફિલ્મ "બૂટ પોલિશ" સહિત "બસંત બહાર" અને "અદાલત" જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. રણવીરે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેમની દાદી જ હતા જેમણે તેમનામાં એક્ટર બનવાનું સપનું જગાડ્યું હતું. બોલિવૂડમાં આવ્યા પછી રણવીરે પોતાના નામમાંથી 'ભાવનાની' અટક હટાવી દીધી હતી. તેમનું માનવું હતું કે 'રણવીર સિંહ ભાવનાની' નામ ખૂબ લાંબુ છે અને સ્ક્રીન નેમ તરીકે કદાચ ઘણું મોટું લાગશે.</p><p style="text-align: justify; "><b>કિસ્સો-3: પ્રોડ્યુસરે પાછળ કૂતરો દોડાવ્યો, સંઘર્ષના દિવસોનો કડવો અનુભવ</b></p><p style="text-align: justify;">૧૯મા મરાકેશ ફિલ્મ ફેસ્ટિવલમાં રણવીરે પોતાના સ્ટ્રગલના દિવસોનો એક ચોંકાવનારો કિસ્સો શેર કર્યો હતો. કામની શોધમાં તેઓ પોતાનો પોર્ટફોલિયો લઈને એક નિર્માતાના ઘરે પહોંચ્યા હતા. નિર્માતા અંદર મિત્રો સાથે બીયર પીવામાં મસ્ત હતા અને રણવીર કલાકો સુધી વરંડામાં રાહ જોતા રહ્યા. મજાક ઉડાવવાના ઈરાદે તે પ્રોડ્યુસરે પોતાના પાલતુ કૂતરાને રણવીર પાછળ દોડાવ્યો. રણવીર ડરના માર્યા ત્યાંથી ભાગ્યા હતા. તેમણે કહ્યું કે, "એક સંઘર્ષ કરતા કલાકારની આ રીતે મજાક ઉડાવાતી જોઈ હું ગભરાઈ ગયો હતો." જોકે તેમણે તે પ્રોડ્યુસરનું નામ જાહેર કર્યું ન હતું.</p><p style="text-align: justify; "><b>કિસ્સો-4: અમેરિકામાં સ્ટારબક્સમાં વેઈટર બન્યા અને બટર ચિકન વેચ્યું</b></p><p style="text-align: justify; ">અમેરિકાની ઇન્ડિયાના યુનિવર્સિટી બ્લૂમિંગ્ટનમાં ટેલિકોમ્યુનિકેશનનો અભ્યાસ કરતી વખતે રણવીર પોતાનો ખર્ચ કાઢવા પાર્ટ-ટાઇમ કામ કરતા હતા. તેમણે સ્ટારબક્સમાં વેઈટર અને સર્વર તરીકે નોકરી કરી હતી. "કોફી વિથ કરણ" શોમાં તેમણે મજાકમાં જણાવ્યું હતું કે ત્યાં આવતી છોકરીઓને ઈમ્પ્રેસ કરવા માટે તેઓ વાળ લાંબા રાખતા અને એનિમેટેડ શોના કેરેક્ટર 'અપુ' ની જેમ ભારતીય ઉચ્ચારણ (Accent) માં અંગ્રેજી બોલતા હતા. આ સિવાય વધારાની કમાણી માટે તેમણે અમેરિકામાં બટર ચિકન વેચવાનું કામ પણ કર્યું હતું.</p><p style="text-align: justify; "><b>કિસ્સો-5: માલદીવના દરિયા કિનારે દીપિકાને કર્યું હતું સિક્રેટ પ્રપોઝ</b></p><p style="text-align: justify; ">રણવીર સિંહે ૨૦૧૫ માં જ દીપિકા પાદુકોણને પ્રપોઝ કરી દીધું હતું અને ૩ વર્ષ સુધી આ સગાઈ પરિવારના થોડા સભ્યો વચ્ચે ગુપ્ત રહી હતી. રણવીરે પોતાની ક્ષમતા કરતાં મોંઘી હીરાની વીંટી ખરીદી હતી. માલદીવમાં વેકેશન દરમિયાન, એક નાનકડા ટાપુ પર જ્યાં આસપાસ માત્ર વાદળી પાણી હતું, રણવીરે ઘૂંટણિયે બેસીને દીપિકાને પ્રપોઝ કર્યું. દીપિકા ભાવુક થઈ ગઈ અને તેણે "હા" પાડી. ત્યારબાદ નવેમ્બર ૨૦૧૮ માં ઇટાલીના લેક કોમોમાં બંનેએ લગ્ન કર્યા અને સપ્ટેમ્બર ૨૦૨૪ માં તેમની પુત્રી 'દુઆ' નો જન્મ થયો. આ રીયલ લાઈફ કપલે પડદા પર પણ 'રામ-લીલા', 'બાજીરાવ મસ્તાની', 'પદ્માવત' અને '83' જેવી શાનદાર ફિલ્મો આપી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/satluj-film-diljits-film-satluj-banned-immediately-after-release-fans-shocked" target="_blank">આ પણ વાંચો : Satluj Film: રિલીઝ થતા જ દિલજીતની ફિલ્મ 'સતલુજ' પર લાગ્યો પ્રતિબંધ? ચાહકો ચોંક્યા</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/06/QT7QBb6KCirDRYuUydrNBsk9gFjrm2USU0AK5rRQ.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026 : ઇંગ્લેન્ડે મેક્સિકોને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-england-defeats-mexico-to-secure-quarter-final-spot</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-england-defeats-mexico-to-secure-quarter-final-spot</guid><pubDate>Mon, 06 Jul 2026 11:12:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફિફા વર્લ્ડ કપ 2026માં ચાહકો એક રોમાંચક મુકાબલા માટે તૈયાર છે.16ના રોમાંચક રાઉન્ડ મેચમાં ઇંગ્લેન્ડે મેક્સિકોને હરાવીને FIFA વર્લ્ડ કપ 2026ના ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું.ઇંગ્લેન્ડની ટીમે નોંધપાત્ર પ્રદર્શન કર્યું.બીજા હાફમાં એક ઇંગ્લેન્ડના ખેલાડીને લાલ કાર્ડને કારણે મેદાનની બહાર મોકલી દેવામાં આવ્યો જેના કારણે ટીમ ફક્ત 10 ખેલાડીઓ સાથે રમી રહી હતી.આમ છતાં ઇંગ્લેન્ડે યજમાન મેક્સિકોને 3-2 થી હરાવ્યું અને તેમને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધા.</p><h3 style="text-align: justify; "><b>ઇંગ્લેન્ડ માટે જુડ બેલિંગહામે બે મિનિટમાં બે ગોલ કર્યા.</b></h3><p style="text-align: justify; ">આ મેચમાં બંને ટીમોમાં ઉત્તમ ખેલાડીઓ હતા, તેથી નજીકની સ્પર્ધાની અપેક્ષા હતી, અને મેદાન પર બરાબર એવું જ થયું. રમતના પહેલા હાફમાં બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી. ઇંગ્લેન્ડના સ્ટાર ખેલાડી, જુડ બેલિંગહામે એક નોંધપાત્ર પ્રદર્શન કર્યું, માત્ર 99 સેકન્ડમાં સતત બે ગોલ કર્યા. આ બંને ગોલ ફક્ત 99 સેકન્ડના અંતરે થયા. ઇંગ્લેન્ડ હજુ પણ આ ગોલની ઉજવણી કરી રહ્યું હતું, ત્યારે માત્ર ચાર મિનિટ પછી&nbsp; મેક્સિકોના ક્વિનોન્સે શાનદાર ગોલ કરીને તેમની ટીમને વાપસી અપાવી. છ મિનિટના અંતરે ત્રણ ગોલ થયા, અને પ્રથમ હાફના અંત સુધીમાં, ઇંગ્લેન્ડ ૨-૧થી આગળ હતું.</p><p style="text-align: justify; "><a href="https://x.com/FIFAWorldCup/status/2073966715495444610?s=20" target="_blank">https://x.com/FIFAWorldCup/status/2073966715495444610?s=20</a></p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>ઇંગ્લેન્ડના 10 ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું.</b></h4><p style="text-align: justify; ">બીજા હાફ દરમિયાન, ઇંગ્લેન્ડના જેરેલ ક્વિન્સાહને 54મી મિનિટે લાલ કાર્ડ મળ્યું. આ પછી, તેમની ટીમ માત્ર 10 ખેલાડીઓ સાથે રમી.આમ છતાં, ઇંગ્લેન્ડે શાનદાર પ્રદર્શન કર્યું, અને 60મી મિનિટે હેરી કેને પેનલ્ટી પર ગોલ કરીને ટીમને 3-1ની લીડ અપાવી. 69મી મિનિટે મેક્સિકોને પણ પેનલ્ટી મળી, જેને રાઉલ જીમેનેઝે રૂપાંતરિત કરીને 3-2ની લીડ બનાવી. અંતિમ 20 મિનિટમાં, મેક્સિકોએ બરાબરી કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પરંતુ ઇંગ્લેન્ડના ગોલકીપર પિકફોર્ડે દરેક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. આ જીત સાથે, ઇંગ્લેન્ડે 1966 પછી બીજી વખત વર્લ્ડ કપ જીતવાની આશા જીવંત રાખી છે. હવે ક્વાર્ટર ફાઇનલમાં ઇંગ્લેન્ડનો મુકાબલો નોર્વે સામે થશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/norway-vs-brazil-one-goal-shattered-brazils-dream-watch-the-video-of-hollands-historic-goal" target="_blank"> Norway vs Brazil :એક ગોલે રોળ્યું બ્રાઝિલનું સપનું, જુઓ હોલેન્ડના ઐતિહાસિક ગોલનો Video</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/06/K2bDAB4ydJTilkMmzxvCMKwHh84RYiInGn76ARYz.webp'/></item></channel></rss>