<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Gujarat News: ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/bjp-state-president-jagdish-vishwakarma-meets-maulesh-ukani</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/bjp-state-president-jagdish-vishwakarma-meets-maulesh-ukani</guid><pubDate>Tue, 16 Jun 2026 16:07:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થયેલા ભવ્ય વિજય બાદ રાજકોટ ભાજપે હવે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે. રાજ્યમાં ભાજપે પાટીદાર સમાજને સાથે રાખવા માટે તૈયારીઓ શરૂ કરી છે. આજે પાટીદાર સમાજના અગ્રણીઓ સાથે ફરી બેઠકનો દોર યોજાયો હતો. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સિદસર ઉમિયાધામના પ્રમુખ મૌલેશ ઉકાણી સાથે મુલાકાત કરી હતી. ચૂંટણી પહેલા જ લેઉઆ અને કડવા પાટીદારોમાં બેલેન્સ રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.&nbsp;&nbsp;</p><h2 style="text-align: justify; "><b>જગદીશ વિશ્વકર્માએ મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી</b></h2><p style="text-align: justify; ">ગુજરાતમાં આગામી 2027માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકોટ ભાજપે અત્યારથી જ રાજકીય રણનીતિ ઘડવાનું શરૂ કરી દીધું છે.ચૂંટણીના સત્તાવાર બ્યુગલ વાગે તે પહેલાં ભાજપે રાજ્યના પાટીદાર સમાજ સાથે બેઠકોનો દોર શરૂ કર્યો છે. 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલાં લેઉઆ અને કડવા પાટીદાર સમાજ વચ્ચે યોગ્ય રાજકીય બેલેન્સ જાળવી રાખવા માટે ભાજપ દ્વારા હાઈપ્રોફાઈલ બેઠકો કરી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કડવા પાટીદાર સમાજના અગ્રણી મૌલેશભાઈ ઉકાણી સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.મૌલેશભાઈ ઉકાણી હાલમાં કડવા પાટીદાર સમાજની આસ્થાના કેન્દ્ર સમાન સિદસર ઉમિયાધામના પ્રમુખ તરીકે કાર્યરત છે.આ બેઠકમાં સામાજિક અને રાજકીય સમીકરણો અંગે વિસ્તૃત ચર્ચા થઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>અગાઉ હર્ષ સંઘવીએ નરેશ પટેલ સાથે કરી હતી મુલાકાત</b></h3><p style="text-align: justify; ">ભાજપના આ જનસંપર્ક અભિયાનની શરૂઆત અગાઉ જ થઈ ચૂકી છે.આ પહેલાં રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ લેઉઆ પાટીદાર સમાજની સર્વોચ્ચ સંસ્થા ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ સાથે બંધબારણે બેઠક યોજી હતી.પહેલા લેઉઆ પાટીદાર અને હવે કડવા પાટીદાર સમાજના ટોચના આગેવાનો સાથે ભાજપના સિનિયર નેતાઓની મુલાકાત એ સ્પષ્ટ સંકેત આપે છે કે ભાજપ ચૂંટણી પહેલાં પાટીદાર વોટબેંકને વધુ મજબૂત કરવા માંગે છે.બંને અગ્રણી સંસ્થાઓના વડાઓ સાથેની આ બેઠકો આગામી 2027ની ચૂંટણીમાં ભાજપ માટે ખૂબ જ નિર્ણાયક સાબિત થાય તેવા પ્રયાસો શરૂ કરાયા છે.<br></p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhuj/illegal-hotel-demolished-in-adesar--new-modern-police-station-to-be-built" target="_blank">આ પણ વાંચોઃ Kachchh News : આડેસરમાં હોટેલનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું, હવે આ જમીન પર નવું પોલીસ સ્ટેશન બનશે</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/Xk9lupbW0FYkZOFhGPvEvczr4EfZCEw8TXCCYlw4.webp'/></item><item><title><![CDATA[Jammu Kashmir: નૌશેરા સેક્ટરમાં Loc પાસે માઇન બ્લાસ્ટ, 4 જવાન ઇજાગ્રસ્ત ]]></title><link>https://sandesh.com/india/news/jammu-kashmir-mine-blast-near-loc-in-nowshera-sector-4-jawans-injured</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/jammu-kashmir-mine-blast-near-loc-in-nowshera-sector-4-jawans-injured</guid><pubDate>Tue, 16 Jun 2026 16:03:50 +05:30</pubDate><description><![CDATA[<p>મંગળવારે જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) નજીક માઇન બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. રાજૌરીના નૌશેરા સેક્ટરમાં&nbsp; પેટ્રોલિંગ કરતી વખતે માઇન બ્લાસ્ટ થયો. જેમાં એક જુનિયર કમિશન્ડ ઓફિસર (JCO) સહિત ચાર સૈનિકો ઘાયલ થયા હતા.</p><h2><b>વિસ્ફોટમાં કોણ ઇજાગ્રસ્ત થયું ?&nbsp;</b></h2><p>અચાનક થયેલા વિસ્ફોટમાં સુબેદાર નૈન સિંહ, હવાલદાર સુભાષ સિંહ, અગ્નિવીર અમન સિંહ અને અગ્નિવીર ગૌરવ સિંહ ઘાયલ થયા હતા. ઘટના બાદ તરત જ, ઘાયલ કર્મચારીઓને સ્થળ પરથી બહાર કાઢવામાં આવ્યા હતા અને લશ્કરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા; ત્યારબાદ તેમને વધુ સારવાર માટે ઉધમપુરની કમાન્ડ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા છે. તેમની સ્થિતિ પર તબીબી દેખરેખ હેઠળ નજીકથી નજર રાખવામાં આવી રહી છે. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને વિસ્ફોટનું કારણ નક્કી કરવા માટે તપાસ શરૂ કરી છે.&nbsp;</p><h3><b>ક્યાં થયો બ્લાસ્ટ ?&nbsp;</b></h3><p>જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક એક દુ:ખદ ઘટના બની છે. મંગળવારે, નિયમિત પેટ્રોલિંગ દરમિયાન અચાનક લેન્ડમાઇન વિસ્ફોટ થતાં એક જુનિયર કમિશન્ડ ઓફિસર સહિત ચાર ભારતીય સેનાના સૈનિકો ઘાયલ થયા હતા. આ ઘટના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરના કલાલ ફોરવર્ડ વિસ્તારમાં બની હતી. એક સેના યુનિટ સરહદ પર નિયમિત પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે અજાણતામાં એક લેન્ડમાઇન ફાટી ગયો, જેના પરિણામે એક શક્તિશાળી વિસ્ફોટ થયો.</p><p><br></p><p><a href="https://sandesh.com/gallery/news/india/why-are-potatoes-and-chickpeas-the-filling-in-panipuri?2" target="_blank">આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/2WUf06lDApICqT09ByQG0lsCcmJQRiLO9L6pT4dT.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026,Day 6: આ ચાર ટીમ વચ્ચે ટક્કર,જાણો કેટલા વાગ્યે શરૂ થશે મેચ ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-day-6-clash-between-these-four-teams-know-what-time-the-match-will-start</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-day-6-clash-between-these-four-teams-know-what-time-the-match-will-start</guid><pubDate>Tue, 16 Jun 2026 15:54:48 +05:30</pubDate><description><![CDATA[<p>ફિફા વર્લ્ડ કપ 2026 માટે ઉત્સાહ વધતો જ રહ્યો છે.હવે ટાઇટલ જીતવાની સૌથી વધુ અપેક્ષા રાખતી ટીમોનો વારો છે.શાસક વિશ્વ ચેમ્પિયન આર્જેન્ટિના તેમના અભિયાનની શરૂઆત કરશે,જ્યારે ફ્રાન્સ પણ ટુર્નામેન્ટની શરૂઆત જીત સાથે કરવાનો લક્ષ્ય રાખશે.વધુમાં રોનાલ્ડોની પોર્ટુગલ દિવસની અંતિમ મેચમાં કોંગો સામે ટકરાશે.ફૂટબોલ ચાહકો ટુર્નામેન્ટના છઠ્ઠા દિવસે ઘણી મોટી મેચોનો આનંદ માણી શકશે.ગ્રુપ સ્ટેજના છઠ્ઠા દિવસે ગ્રુપ I અને ગ્રુપ J ની ટીમો રમતમાં જોવા મળશે.મોટાભાગની નજર આર્જેન્ટિના પર રહેશે,જે પોતાના ટાઇટલ બચાવવાના મિશન સાથે મેદાનમાં ઉતરશે.ફ્રાન્સ પણ પોતાની પહેલી મેચમાં મજબૂત શરૂઆત કરવા માટે પ્રયત્ન કરશે.</p><h3><b>ફ્રાન્સ અને  સેનેગલ</b></h3><p>ફ્રાન્સ સેનેગલ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. યુરોપિયન દિગ્ગજો જીત સાથે ટુર્નામેન્ટને સંદેશ મોકલવાનો પ્રયાસ કરશે, પરંતુ આફ્રિકન ટીમ સેનેગલને હળવાશથી લઈ શકાય નહીં. આ મેચ ન્યૂ યોર્ક-ન્યૂ જર્સી સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ 17 જૂને ભારતીય સમય મુજબ બપોરે 12:30 વાગ્યે શરૂ થશે.</p><p><a href="https://x.com/equipedefrance/status/2066777796731609439?s=20" target="_blank">https://x.com/equipedefrance/status/2066777796731609439?s=20</a></p><h4><b>ઇરાક અને નોર્વે</b></h4><p>ગ્રુપ I ની બીજી મેચમાં ઇરાક અને નોર્વે ટકરાશે. બંને ટીમો પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરવા માંગશે, જેના કારણે બોસ્ટન સ્ટેડિયમ ખાતે આ મેચ ખૂબ જ અપેક્ષિત સ્પર્ધા બની રહેશે. આ મેચ 17 જૂને ભારતીય સમય મુજબ સવારે 3:30 વાગ્યે શરૂ થશે.</p><h4><b>આર્જેન્ટિના અને અલ્જેરિયા</b></h4><p>દિવસનો સૌથી અપેક્ષિત મેચ આર્જેન્ટિના અને અલ્જેરિયા વચ્ચે થશે. શાસક વિશ્વ ચેમ્પિયન આર્જેન્ટિના પોતાના ખિતાબનો બચાવ કરવાનો લક્ષ્ય રાખશે. ફૂટબોલ ચાહકો આ મેચને નજીકથી જોશે કારણ કે આર્જેન્ટિનાના ફૂટબોલ દિગ્ગજ લિયોનેલ મેસ્સી ફરી એકવાર વર્લ્ડ કપમાં પોતાનું કૌશલ્ય દર્શાવશે. આ મેચ 17 જૂને કેન્સાસ સિટી સ્ટેડિયમ ખાતે રમાશે, જે ભારતીય સમય મુજબ સવારે 6:30 વાગ્યે શરૂ થશે.</p><p><a href="https://x.com/AFASeleccionEN/status/2066718250818248786?s=20" target="_blank">https://x.com/AFASeleccionEN/status/2066718250818248786?s=20</a></p><h4><b>ઓસ્ટ્રિયા અને જોર્ડન</b></h4><p>ગ્રુપ J ની બીજી મેચમાં ઓસ્ટ્રિયા અને જોર્ડન ટકરાશે. આ મેચ બંને ટીમો માટે મહત્વપૂર્ણ રહેશે, કારણ કે વહેલી જીત તેમને નોકઆઉટ રેસમાં મજબૂત સ્થાન આપી શકે છે. આ મેચ 17 જૂને સાન ફ્રાન્સિસ્કો બે એરિયા સ્ટેડિયમ ખાતે સવારે 9:30 વાગ્યે શરૂ થશે.</p><h5><b>પોર્ટુગલ અને કોંગો</b></h5><p>જ્યારે પોર્ટુગલ પોતાની શરૂઆતની મેચમાં કોંગો સામે ટકરાશે, ત્યારે બધાની નજર દિગ્ગજ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પર રહેશે. પોર્ટુગલ વિરુદ્ધ કોંગો મેચ 17 જૂને હ્યુસ્ટન સ્ટેડિયમ ખાતે રમાશે. મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10:30 વાગ્યે શરૂ થશે.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/amidst-the-fifa-world-cup-bruna-gave-good-news-neymar-will-become-a-father-for-the-5th-time" target="_blank">FIFA World Cup વચ્ચે બ્રુનાએ આપ્યા સારા સમાચાર,નેમાર 5મી વખત બનશે પિતા!</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/gau3aNtGU8F7hmrmxMAliO7HfyvSkMvYq8IDpNnV.webp'/></item><item><title><![CDATA[Amreli News: સાવરકુંડલાના જુનાસાવર ગામે 8 દિવસથી ગુમ ખેડૂતના હાડકા અને અવશેષો મળી આવ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/amreli-news-bones-and-remains-of-a-farmer-missing-for-8-days-found-in-junasavar-village-of-savarkundla</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/amreli-news-bones-and-remains-of-a-farmer-missing-for-8-days-found-in-junasavar-village-of-savarkundla</guid><pubDate>Tue, 16 Jun 2026 15:46:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જુનાસાવર ગામે એક અત્યંત ચોંકાવનારી અને અરેરાટીભરી ઘટના સામે આવી છે. ગામમાં રહેતા અને છેલ્લા આઠ દિવસથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલા ખેડૂત દિલીપભાઈ દેસાઈના હાડકા અને શરીરના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે અરેરાટી સાથે ભયનો માહોલ ફેલાયો છે અને સમગ્ર મામલે વન વિભાગ તેમજ પોલીસ તંત્ર દોડતું થયું છે.</p><h2 style="text-align: justify; ">લોહીલુહાણ કપડાં અને ટ્રેક્ટર મળ્યા બાદ અવશેષો મળ્યા</h2><p style="text-align: justify; ">આ કરુણ ઘટનાની વિગત એવી છે કે દિલીપભાઈ દેસાઈ છેલ્લા આઠ દિવસથી પોતાના ઘરેથી ગુમ હતા. શોધખોળ દરમિયાન ગઈકાલે તેમના જ ખેતરમાંથી તેમનું ટ્રેક્ટર, બૂટ અને લોહીથી લથપથ કપડાં મળી આવ્યા હતા, જેનાથી કોઈ મોટી અણહોની થઈ હોવાની આશંકા દ્રઢ બની હતી. ગઈકાલથી જ વન વિભાગ અને પોલીસની ટીમો દ્વારા ઘટનાસ્થળે સઘન સ્કેનિંગ અને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સર્ચ ઓપરેશન દરમિયાન જ ખેતરાડી વિસ્તારમાંથી ખેડૂતના હાડકા અને શરીરના અન્ય અવશેષો મળી આવ્યા હતા.</p><h3 style="text-align: justify; ">સિંહના હુમલાની આશંકા: એફએસએલ રિપોર્ટની રાહ</h3><p style="text-align: justify; ">જુનાસાવર ગામના સ્થાનિક ગ્રામજનોમાં એવી પ્રબળ આશંકા સેવાઈ રહી છે કે ખેડૂત દિલીપભાઈ પર કોઈ હિંસક સિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોઈ શકે છે અને સિંહે જ તેમને ફાડી ખાધા છે. જો કે, આ સિંહનો હુમલો છે કે અન્ય કોઈ કારણ, તે અંગે હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પોલીસે મૃતકના અવશેષોને એકત્ર કરી સાવરકુંડલાથી ભાવનગર ખાતે એફ.એસ.એલ. (FSL) લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. વન વિભાગ અને પોલીસના જણાવ્યા અનુસાર, એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જ ખેડૂતના મોતનું સાચું અને ચોક્કસ કારણ બહાર આવશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/JKHQBQUUiCDg7tCW1p2rjMh5XAVqP0lem0ktGcen.webp'/></item><item><title><![CDATA[Legendary shooter જસપાલ રાણાની માતાનું નિધન, પુત્ર બાદ માતાના નિધનથી પરિવારમાં બેવડો આઘાત ]]></title><link>https://sandesh.com/india/news/legendary-shooter-jaspal-ranas-mother-dies-son-and-mothers-death-a-double-shock-to-the-family</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/legendary-shooter-jaspal-ranas-mother-dies-son-and-mothers-death-a-double-shock-to-the-family</guid><pubDate>Tue, 16 Jun 2026 15:37:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય શૂટિંગ જગત માટે આ અઠવાડિયું અત્યંત દુઃખદ સાબિત થયું છે. દેશના પ્રખ્યાત શૂટર અને કોચ જસપાલ રાણાના નિધનના સમાચારની શાહી હજુ સુકાઈ પણ નહોતી ત્યાં તેમના પરિવારમાંથી વધુ એક કરુણ સમાચાર સામે આવ્યા છે. જસપાલ રાણાની માતા શ્યામા દેવી રાણાનું પણ અવસાન થયું છે. પુત્રના અકાળ અવસાનનો આઘાત આ 78 વર્ષીય માતા સહન કરી શક્યા નહીં અને આખરે તેમણે પણ દિલ્હીની આર્મી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.</p><h2 style="text-align: justify; "><b>પરિવાર પર બેવડો આઘાત</b></h2><p style="text-align: justify; ">થોડા દિવસો પહેલા જ 12 જૂનના રોજ જસપાલ રાણાનું નિધન થયું હતું, જે દેશ માટે એક મોટી ખોટ હતી. દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા નારાયણ સિંહ રાણાના પત્ની શ્યામા દેવી છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. પુત્ર જસપાલના નિધનના સમાચાર મળ્યા બાદ તેમની માનસિક અને શારીરિક સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ હતી, જેનાથી તેઓ ઉગરી શક્યા નહીં અને આજે સમગ્ર પરિવારે તેમની છત્રછાયા ગુમાવી છે.</p><h3 style="text-align: justify; "><b>જસપાલ રાણાનું શૂટિંગમાં યોગદાન</b></h3><p style="text-align: justify; ">ઉત્તરાખંડના ટિહરી જિલ્લાના ચિલામુ ગામના વતની જસપાલ રાણા ભારતીય પિસ્તોલ શૂટર્સ માટે એક પ્રેરણાદાયક કોચ અને દિગ્ગજ ખેલાડી હતા. માત્ર 18 વર્ષની નાની વયે વિશ્વ રેકોર્ડ બનાવીને તેમણે વિશ્વભરમાં ભારતનું નામ રોશન કર્યું હતું. કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં અનેક મેડલ જીતીને તેમણે દેશને ગૌરવ અપાવ્યું હતું. મ્યુનિકમાં યોજાયેલા ISSF વર્લ્ડ કપમાંથી પરત ફર્યા બાદ તેમને છાતીમાં દુખાવો થયો હતો અને હોસ્પિટલમાં તેમની સર્જરી પણ કરવામાં આવી હતી. જોકે, સ્વસ્થ થવાના પ્રયાસો વચ્ચે તેમનું નિધન સમગ્ર રમત જગત માટે આઘાતજનક હતું.</p><h4 style="text-align: justify; "><b>શોકની લહેર</b></h4><p style="text-align: justify; ">આજના સમાચારથી રાણા પરિવારમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. રમતગમતના ક્ષેત્ર સાથે જોડાયેલા અનેક લોકો અને તેમના પ્રશંસકોએ આ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. એક જ અઠવાડિયામાં મા-દીકરાને ગુમાવનાર પરિવાર માટે આ આઘાત ક્યારેય ન ભરાય તેવી ખોટ છે. ઈશ્વર આ શોકગ્રસ્ત પરિવારને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થનાઓ થઈ રહી છે. ભારતીય શૂટિંગ જગત હંમેશા જસપાલ રાણાના યોગદાનને યાદ રાખશે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/tech/news/tech-industry-hit-by-recession-56000-indian-professionals-looking-for-jobs" target="_blank">આ પણ વાંચોઃ Tech Industryમાં મંદીનું વાવાઝોડું, 56,000 ભારતીય પ્રોફેશનલ્સ નોકરીની શોધમાં</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/MK9fnj6jYg42BvdTXFZILcy9TRxgQ4CcHSlDOkL2.webp'/></item><item><title><![CDATA[Stock Market Closing: શેરબજારમાં તેજી, સેન્સેક્સ 76,826 અંકે બંધ ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-closing-stock-market-rebounds-sensex-closes-at-76826-points</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-closing-stock-market-rebounds-sensex-closes-at-76826-points</guid><pubDate>Tue, 16 Jun 2026 15:35:25 +05:30</pubDate><description><![CDATA[<p>મંગળવારે સ્થાનિક શેરબજારો સકારાત્મક રીતે ખુલ્યા. વૈશ્વિક બજારોમાં તાજેતરની તેજીને પગલે રોકાણકારોની થોડી સાવચેતી હોવા છતાં ભારતીય બજારમાં ખરીદીનો માહોલ જળવાઈ રહ્યો. શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં વધારો થયો.</p><h2><b>મંગળવારે શેરબજાર તેજી સાથે બંધ&nbsp;</b></h2><p>સવારે 9:17 વાગ્યા સુધીમાં, BSE સેન્સેક્સ 272.09 પોઈન્ટ (0.36%) વધીને 76,536.42 પર પહોંચ્યો હતો. દરમિયાન, નિફ્ટી 50 પણ 68 પોઈન્ટ (0.29%) વધીને 23,921.30 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે બપોરે 3.30 કલાકે પણ શેરબજાર તેજી સાથે જ બંધ થયુ. સેન્સેક્સ +562.45 પોઇન્ટના વધારા સાથે 76,826.78 અંકે બંધ થયો જ્યારે નિફ્ટી +135.25 પોઇન્ટના વધારા સાથે 23,989.15 અંકે બંધ થયો.&nbsp;</p><p><b style="font-size: 2rem;">વ્યાપક બજારમાં પણ મજબૂતાઈ જોવા મળી</b></p><p>બેન્ચમાર્ક સૂચકાંકોની બહાર, વ્યાપક બજારમાં પણ સકારાત્મક વલણ જોવા મળ્યું. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ લગભગ 0.23% ના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સમાં 0.29% નો વધારો નોંધાયો હતો.&nbsp;</p><p>નિષ્ણાંતોના જણાવ્યાનુસાર અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરારના સમાચાર બાદ રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે, જેના કારણે નિફ્ટીમાં મજબૂત રિકવરી જોવા મળી છે. હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલવાની અપેક્ષાને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે, જે ભારત જેવા દેશો માટે સકારાત્મક સંકેત છે. જોકે, નિફ્ટીએ 24,000 ના મહત્વપૂર્ણ સ્તરની નજીક કેટલાક દબાણનો સામનો કરવો પડ્યો હતો, જે દર્શાવે છે કે રોકાણકારો સાપ્તાહિક સમાપ્તિ પહેલા સાવચેત રહે છે.</p><h3><b>વૈશ્વિક બજારોમાં સકારાત્મક સંકેત&nbsp;</b></h3><p>વૈશ્વિક બજારો પણ સકારાત્મક સંકેતો આપી રહ્યા છે. યુએસ બજારોમાં મજબૂત તેજી જોવા મળી હતી, જેમાં મુખ્ય સૂચકાંકો રેકોર્ડ ઊંચાઈએ બંધ થયા હતા. ક્રૂડ ઓઇલના નરમ ભાવ અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો દ્વારા સતત ખરીદી ભારતીય બજારને ટેકો આપી રહી છે.</p><p>ટેકનિકલ દૃષ્ટિકોણથી, 24,000–24,050 રેન્જ નિફ્ટી માટે તાત્કાલિક અવરોધ રહે છે. જો સૂચકાંક આ સ્તરથી મજબૂત રીતે ઉપર બંધ થાય છે, તો 24,200–24,350 તરફની તેજી જોઈ શકાય છે. ઘટાડા પર, 23,800 અને 23,700 મહત્વપૂર્ણ સપોર્ટ સ્તર છે. હાલમાં, વૈશ્વિક સંકેતો, ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો અને સ્થાનિક રોકાણકારો તરફથી ટેકો બજાર માટે સકારાત્મક છે; જોકે, 24,000 થી ઉપર નિર્ણાયક બ્રેકઆઉટ ન થાય ત્યાં સુધી, ટ્રેડિંગ રેન્જ-બાઉન્ડ રહી શકે છે અને પસંદગીના શેરો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે."</p><p><b style="font-size: 1.5rem;">યુએસ-ઈરાન કરાર આશાઓને વધારે&nbsp;</b></p><p>યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે શાંતિ કરાર થયો છે. આ કરાર બાદ, એવી અપેક્ષા છે કે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટ શુક્રવાર સુધીમાં ફરી ખુલશે. આ વિકાસ વૈશ્વિક ઊર્જા પુરવઠા અંગેની ચિંતાઓને દૂર કરી શકે છે.<br><br><br><a href="https://sandesh.com/gallery/news/lifestyle/this-district-is-considered-the-litchi-capital-of-india-know-which-one" target="_blank">આ પણ વાંચો-  આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?&nbsp;</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2024/12/23/kvbnCedElBnNc4v80b8xGl69tkyQbQ7MbeYqfvZy.jpg'/></item><item><title><![CDATA[Ahmedabad : વર્લ્ડ હેરિટેજ સિટીમાં હવે ‘ઇમ્પેક્ટ એસેસમેન્ટ’ ફરજિયાત, બાંધકામના નવા નિયમો, યુનેસ્કોની મુલાકાત બાદ AMC એક્શનમાં ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-world-heritage-city-amc-new-rules-heritage-impact-assessment-mandatory</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-world-heritage-city-amc-new-rules-heritage-impact-assessment-mandatory</guid><pubDate>Tue, 16 Jun 2026 15:28:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના ઐતિહાસિક વારસા અને વૈશ્વિક ઓળખને અકબંધ રાખવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટ દ્વારા એક અત્યંત મહત્વનો અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી અમદાવાદના વર્લ્ડ હેરિટેજ સિટી વિસ્તાર (કોટ વિસ્તાર) અને તેના બફર ઝોનમાં કોઈ પણ નવું બાંધકામ કે વિકાસ કાર્ય કરવું એટલું સરળ નહીં રહે. તંત્ર દ્વારા આ વિસ્તારોમાં હવે કોઈપણ પ્રકારની વિકાસ પરવાનગી આપતા પહેલાં ‘હેરિટેજ ઇમ્પેક્ટ એસેસમેન્ટ’ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>નિયમોનું માળખું તૈયાર કરાયું
</b></h2><p style="text-align: justify; ">આ કડક ગાઇડલાઇન પાછળનું મુખ્ય કારણ માર્ચ મહિનામાં યુનેસ્કો ની રિએક્ટિવ મોનિટરિંગ ટીમ દ્વારા લેવાયેલી મુલાકાત છે. આ હાઇલેવલ વિઝિટ બાદ, AMC અને હેરિટેજ કન્ઝર્વેશન કમિટીએ સાથે મળીને હેરિટેજ ઇમ્પેક્ટ એસેસમેન્ટ માટે એક વિગતવાર અને કડક મેટ્રિક્સ (નિયમોનું માળખું) તૈયાર કર્યું છે.
</p><h3 style="text-align: justify; "><b>હેરિટેજ કન્ઝર્વેશન કમિટી આખા પ્રોજેક્ટની ઝીણવટભરી સમીક્ષા કરશે 
</b></h3><p style="text-align: justify; ">નવા કાયદા અનુસાર, વર્લ્ડ સિટી અથવા તેના બફર ઝોનની અંદર આવતા કોઈ પણ સરકારી, જાહેર કે ખાનગી પ્રોજેક્ટ માટે બિલ્ડિંગ યુઝ (BU) પરવાનગી ત્યારે જ આપવામાં આવશે, જ્યારે રાજ્ય સરકારની હેરિટેજ કન્ઝર્વેશન કમિટી આખા પ્રોજેક્ટની ઝીણવટભરી સમીક્ષા કરીને તેને લીલી ઝંડી આપશે. જોકે, આ નિયમોમાં નાના મિલકત ધારકોને વહીવટી પ્રક્રિયામાંથી થોડી મર્યાદિત રાહત ચોક્કસ આપવામાં આવી છે, પરંતુ જો તેમની મિલકત મુખ્ય હેરિટેજ ઝોન કે કોઈ સ્મારકની બિલકુલ નજીક હશે તો આ છૂટછાટ લાગુ પડશે નહીં.
</p><h4 style="text-align: justify; "><b>વિકાસ અને પ્રાચીન હેરિટેજ વચ્ચે યોગ્ય સંતુલન
</b></h4><p style="text-align: justify; ">યુનેસ્કોના કડક સૂચનો બાદ અમલમાં આવેલી આ મંજૂરી પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ્ય અમદાવાદના આધુનિક વિકાસ અને પ્રાચીન હેરિટેજ વચ્ચે યોગ્ય સંતુલન જાળવી રાખવાનો છે. નિષ્ણાતોના મતે, આ નવી ગાઇડલાઇનની સીધી અસર આગામી સમયમાં વર્લ્ડ હેરિટેજ વિસ્તારમાં થનારા બાંધકામની ગતિ અને તેના આર્કિટેક્ચરલ સ્વરૂપ બંને પર જોવા મળશે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">
</p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; <a href="https://sandesh.com/india/news/sandesh-digital-explainer-india-monsoon-pause-imd-alert" target="_blank"><b>&nbsp;Sandesh Digital Explainer: મેઘરાજા આકાશી ચક્રવ્યૂહમાં ફસાયા..! કેમ અચાનક ગાયબ થઈ ગયા ચોમાસાના વાદળો? જાણો વિન્ડ વોરની ઇનસાઇડ સ્ટોરી</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/Rb0LI6osXo0ZiT5HR21F3kuv6TS5JD1HHiNJH3WE.webp'/></item><item><title><![CDATA[Surat News: RTO ખાતે AI ટેસ્ટ ટ્રેક શરૂ કરાયા, ટ્રાફિક નિયમ તોડશો તો સિસ્ટમ કરશે રિજેક્ટ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/rto-launches-ai-based-driving-test-track</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/rto-launches-ai-based-driving-test-track</guid><pubDate>Tue, 16 Jun 2026 15:17:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી ખાતે આજથી ટેકનોલોજીના ક્ષેત્રે એક નવું પ્રકરણ શરૂ થયું છે.વાહનચાલકોની લાંબી આતુરતાનો અંત આણીને  RTO ખાતે અત્યાધુનિક AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે.સરકારના આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય ડ્રાઇવિંગ લાયસન્સની પ્રક્રિયામાંથી વચેટિયાઓ પ્રથા દૂર કરવાનો અને વહીવટમાં સંપૂર્ણ પારદર્શિતા લાવવાનો છે.આ નવી વ્યવસ્થાથી ટેસ્ટ આપવા આવતા અરજદારોને મોટી રાહત મળશે.</p><h2 style="text-align: justify; "><b>ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર માટે કડક અને ડિજિટલ પ્રક્રિયા</b></h2><p style="text-align: justify; ">આ નવી વ્યવસ્થા હેઠળ ટુવ્હીલરના અરજદારો માટે બે અલગ અલગ ટ્રેક શરૂ કરવામાં આવ્યા છે.જેથી એકસાથે બે ટેસ્ટ લઈ શકાશે અને લોકોનો સમય બચશે.આ સંપૂર્ણ પ્રક્રિયા AI બેઝ્ડ અને ડિસિઝન ડ્રિવન છે.ટ્રેક પર વાહનચાલકોની સુવિધા માટે ખાસ QR કોડ મૂકવામાં આવ્યા છે.જેને સ્કેન કરતા જ ટેસ્ટ કેવી રીતે આપવો તેનો ગાઇડન્સ વીડિયો જોઈ શકાશે.જો કે નિયમોમાં કડકાઈ પણ વધારવામાં આવી છે.જો કોઈ વાહનચાલક ટ્રેક પર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરશે.તો AI સિસ્ટમ તેને તાત્કાલિક રિજેક્ટ કરી દેશે. ફોર વ્હીલર માટે કુલ 4 પ્રકારે ટેસ્ટ લેવામાં આવશે. આ ટેસ્ટ એટલો સચોટ છે કે કોઈપણ એક સેગમેન્ટમાં અરજદાર ફેલ થશે તો આખો ટેસ્ટ ફેલ ગણવામાં આવશે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>ટેસ્ટ પ્રક્રિયા વધુ ઝડપી અને ભ્રષ્ટાચાર મુક્ત બનશે</b></h3><p style="text-align: justify; ">હવે અરજદારોએ પરિણામ માટે રાહ નહીં જોવી પડે.ટેસ્ટ પૂરો થતાંની સાથે જ અરજદારના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર પાસ કે નાપાસનો લાઈવ SMS આવી જશે. આ ઉપરાંત ટ્રેક પર મૂકેલા મોટા ડિજિટલ બોર્ડ પર પણ કયા સેગમેન્ટમાં કેવું પ્રદર્શન રહ્યું તેનું સેગમેન્ટ વાઈઝ પરિણામ લાઈવ જોઈ શકાશે.અરજદારે જે દિવસની એપોઈન્ટમેન્ટ લીધી હશે તે જ દિવસે ટેસ્ટ આપવી પડશે.જો કોઈ કારણસર તે તારીખ વીતી જશે તો અરજદારે નવેસરથી જ એપોઈન્ટમેન્ટ બુક કરાવવી પડશે.આ આધુનિક સિસ્ટમથી સુરત RTOમાં ટેસ્ટ પ્રક્રિયા વધુ ઝડપી અને ભ્રષ્ટાચાર મુક્ત બનશે.</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/india/breakingnews/monsoon-2026/weather-update-monsoon-will-not-advance-for-five-days-due-to-el-nino" target="_blank">આ પણ વાંચોઃ Weather Update: અલ નીનોને કારણે પાંચ દિવસ સુધી આગળ નહીં વધે ચોમાસું</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/2OmzJh50zG8qKBoG4CFdXHr0qyzgdqM63IIGBvkg.webp'/></item><item><title><![CDATA[6.36 કરોડની આલીશાન ફેરારીના માલિક બન્યા રણવીર સિંહ, મુંબઈના રસ્તાઓ પર કાર દોડાવતો વીડિયો વાયરલ ]]></title><link>https://sandesh.com/entertainment/news/ranveer-singh-becomes-the-owner-of-a-luxurious-ferrari-worth-rs-636-crore-video-of-him-driving-the-car-on-mumbai-roads-goes-viral</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/ranveer-singh-becomes-the-owner-of-a-luxurious-ferrari-worth-rs-636-crore-video-of-him-driving-the-car-on-mumbai-roads-goes-viral</guid><pubDate>Tue, 16 Jun 2026 14:50:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલિવૂડના સુપરસ્ટાર અને પોતાના અતરંગી અંદાજ માટે જાણીતા અભિનેતા રણવીર સિંહ (Ranveer Singh) ફરી એકવાર હેડલાઇન્સમાં આવ્યા છે. રણવીર સિંહ સોશિયલ મીડિયા પર અવારનવાર ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે લાઈમલાઈટમાં આવવાનું કારણ તેની નવી ચમકતી લક્ઝરી કાર છે. રણવીરે પોતાના શાનદાર કાર કલેક્શનમાં એક નવી સુપરકાર ઉમેરી છે, જેને મુંબઈના રસ્તાઓ પર દોડાવતો તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ranveersrebel/status/2066144776856928672"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2 style="text-align: justify; "><b>₹6.36 કરોડની આલીશાન ફેરારીના માલિક બન્યા રણવીર સિંહ</b></h2><p style="text-align: justify; ">અહેવાલો અનુસાર, રણવીર સિંહે તાજેતરમાં જ એક બ્રાન્ડ ન્યૂ ફેરારી 296 જીટીબી ખરીદી છે. Ferrari 296 GTB આ લક્ઝરી કારની કિંમત આશરે ₹6.36 કરોડ (અંદાજે 1.2 મિલિયન યુએસ ડોલર) હોવાનું કહેવાય છે. કાળા રંગની આ ચમકતી સુપરકાર લુકમાં એટલી ભવ્ય છે કે રસ્તા પર જતા દરેક વ્યક્તિની નજર તેના પર ટકી જાય છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં રણવીર પોતે આ કાર ડ્રાઈવ કરતો જોવા મળી રહ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>રણવીર સિંહ લકઝુરિયસ કારના શોખીન</b></h3><p style="text-align: justify; ">જણાવી દઈએ કે ધુરંધર સ્ટાર રણવીર સિંહ લકઝુરિયસ કારના ચાહક છે. બોલીવુડના એનર્જીના બાદશાહ ગણાતા સ્ટાર પાસે લકઝરી કારનો કાફલો છે. રણવીર સિંહના ગેરેજમાં ₹15 કરોડ (આશરે $1.5 બિલિયન) થી વધુ કિંમતના વાહનોનો કાફલો છે. સ્ટારના સંગ્રહમાં GMC હમર EV, રેન્જ રોવર ઓટોબાયોગ્રાફી અને લેમ્બોર્ગિની ઉરુસ જેવા લક્ઝરી વાહનોનો સમાવેશ થાય છે.</p><h3 style="text-align: justify; "><b>'ધુરંધર' જોરદાર સફળતા, ડોન-3 લઈને વિવાદમાં</b></h3><p style="text-align: justify; ">એક તરફ રણવીર નવી કારની સવારી માણી રહ્યો છે, તો બીજી તરફ તે પોતાની આગામી ફિલ્મ 'ડોન ૩'ના વિવાદને કારણે પણ ચર્ચામાં છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, રણવીર સિંહ છેલ્લે ડિરેક્ટર આદિત્ય ધરની એક્શન ફિલ્મ "ધુરંધર" માં જોવા મળ્યો હતો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી દીધો અને કમાણીના ઘણા જૂના રેકોર્ડ તોડી નાખ્યા હતા. ફિલ્મને ક્રિટિક્સ અને દર્શકો તરફથી ભારે પ્રશંસા મળી હતી અને તેની સિક્વલે (બીજા ભાગે) પણ થિયેટરોમાં બમ્પર કમાણી કરી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/akshay-kumar-ate-my-money-famous-choreographer-farah-khans-revelation-after-16-years" target="_blank">આ પણ વાંચો : Akshay Kumar મારા પૈસા ખાઈ ગયો.. 16 વર્ષ બાદ ફેમસ કોરિયોગ્રાફર ફરાહ ખાનનો ખુલાસો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/9hQERW9gKip8hJ9IolFMnTj1cHLiyawjZlFG0eDM.webp'/></item><item><title><![CDATA[Mehsana : શોભાસણની સકર ડેરીમાંથી 990 કિલો કેરી, 170 કિલો રસ,120 લિટર પેપ્સી જપ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/mehsana-food-department-raid-sakar-dairy-shobhasan-mango-pulp-seized</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/mehsana-food-department-raid-sakar-dairy-shobhasan-mango-pulp-seized</guid><pubDate>Tue, 16 Jun 2026 13:44:25 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઉનાળાની સીઝન જામતા જ બજારમાં કેરીના રસની માંગનો ફાયદો ઉઠાવી પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લાલ આંખ કરી છે. મહેસાણા તાલુકાના શોભાસણ ગામમાં આવેલી પ્રખ્યાત 'સકર ડેરી' માં ફૂડ વિભાગની ટીમે એકાએક આકસ્મિક દરોડા પાડીને મોટા પ્રમાણમાં અખાદ્ય જથ્થો ઝડપી પાડતા સમગ્ર પંથકના વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>990 કિલો જેટલી  કેરી, 170 કિલો તૈયાર કરેલો શંકાસ્પદ રસ મળ્યો
</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, ફૂડ અધિકારી વી.જે. ચૌધરી અને તેમની વિશેષ ટીમ દ્વારા આ ગુપ્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ડેરીના ઉત્પાદન સ્થળ પર તપાસ દરમિયાન કેમિકલ અને અખાદ્ય કલર યુક્ત રસ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું હતું. ફૂડ વિભાગની ટીમે સ્થળ પરથી આશરે 990 કિલો જેટલી  કેરી, 170 કિલો તૈયાર કરેલો શંકાસ્પદ રસ અને 120 લિટર પેપ્સીનો જથ્થો જપ્ત કર્યો છે. તંત્ર દ્વારા કુલ 1,200 કિલો જેટલો અખાદ્ય માલ કબજે લઈને તેને તાત્કાલિક અસરથી નષ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે, જેની બજાર કિંમત રૂપિયા 58,100 જેટલી આંકવામાં આવી છે.
</p><h3 style="text-align: justify; "><b>કેટલાક તત્વો અખાદ્ય કલર મિક્ષ કરીને રસ બનાવે છે
</b></h3><p style="text-align: justify; ">આ સફળ રેડ બાદ મીડિયા સાથે વાતચીત કરતા ફૂડ અધિકારી વી.જે. ચૌધરીએ જનતાને જાગૃત કરતા જણાવ્યું હતું કે, "બજારમાં મળતા તૈયાર રસ કરતા ઘરે કાઢેલો રસ સ્વાસ્થ્ય માટે વધુ સલામત અને હિતવાહક છે. નફાખોરી ખાતર કેટલાક તત્વો રસને આકર્ષક બનાવવા માટે તેમાં પ્રતિબંધિત અને અખાદ્ય કલર મિક્ષ કરીને તૈયાર કરતા હોય છે, જે સીધો માનવ શરીરના લીવર અને પાચનતંત્રને નુકસાન પહોંચાડે છે." ફૂડ વિભાગે ડેરીમાંથી લીધેલા સેમ્પલને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલી આપીને આગળની કાયદેસરની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો---&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/india/news/sandesh-digital-explainer-india-monsoon-pause-imd-alert" target="_blank"><b>Sandesh Digital Explainer: મેઘરાજા આકાશી ચક્રવ્યૂહમાં ફસાયા..! કેમ અચાનક ગાયબ થઈ ગયા ચોમાસાના વાદળો? જાણો વિન્ડ વોરની ઇનસાઇડ સ્ટોરી</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/WluyUXGAXa9nbHfya2hokD45aYmQQB6u5gxe5M7y.webp'/></item></channel></rss>