<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Air Force Aircraft Crash: 22 વખત ક્રેશ છતાં AN-32 વાયુસેના માટે કેમ ખાસ? જાણો કિંમત ]]></title><link>https://sandesh.com/india/news/air-force-aircraft-crash-despite-crashing-22-times-why-is-an-32-special-for-the-air-force-know-the-price</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/air-force-aircraft-crash-despite-crashing-22-times-why-is-an-32-special-for-the-air-force-know-the-price</guid><pubDate>Sat, 13 Jun 2026 13:49:49 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય વાયુસેનાનું પ્રખ્યાત માલવાહક વિમાન AN-32 (એન્ટોનોવ-32) આસામના જોરહાટ એરબેઝ પર થયેલા તાજેતરના અકસ્માત બાદ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર આ વિમાનના સુરક્ષા રેકોર્ડ પર સવાલો ઉભા કર્યા છે. વર્ષ 1986થી અત્યાર સુધીમાં AN-32 અંદાજે 22 જેટલા નાના-મોટા અકસ્માતોનો ભોગ બની ચૂક્યું છે, છતાં પણ તે આજે ભારતીય વાયુસેનાના પરિવહન બેડાનો સૌથી મહત્વનો હિસ્સો છે.</p><h2><b>AN-32 પર વાયુસેનાને ભરોસો કેમ?&nbsp;</b></h2><p>સવાલ એ થાય કે આટલા અકસ્માતો પછી પણ વાયુસેના આ વિમાન પર આટલો ભરોસો કેમ રાખે છે? આનો જવાબ માત્ર તેની ક્ષમતા નથી, પરંતુ દુર્ગમ વિસ્તારોમાં ઓપરેટ કરવાની તેની અદભુત યોગ્યતા છે, જ્યાં અન્ય આધુનિક વિમાનો પણ લાચાર સાબિત થાય છે.&nbsp;</p><p>પહાડી અને દુર્ગમ વિસ્તારોનો સૌથી ભરોસાપાત્ર સાથી</p><p>AN-32 વિમાનને ખાસ કરીને ઊંચાઈવાળા વિસ્તારો (High-Altitude) અને પ્રતિકૂળ હવામાનમાં ઓપરેશન્સ પાર પાડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. લદ્દાખ, અરુણાચલ પ્રદેશ, સિયાચીન અને પૂર્વોત્તરના એવા સરહદી વિસ્તારો જ્યાં મોટા વિમાનો લેન્ડ કરી શકતા નથી, ત્યાં AN-32 ખૂબ જ ટૂંકા રનવે અને ખરાબ હવામાનમાં પણ સરળતાથી ઉતરાણ અને ઉડાન ભરી શકે છે. આ જ કારણ છે કે દાયકાઓથી સરહદ પર તૈનાત સૈનિકો સુધી રેશન અને જરૂરી સામગ્રી પહોંચાડવામાં આ વિમાન અગ્રેસર રહ્યું છે.</p><p><br></p><h3><b>સૈનિકોથી લઈને હથિયારો સુધી: સેનાની 'લોજિસ્ટિક લાઈફલાઈન'</b></h3><p>આ માત્ર એક ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ નથી પરંતુ ભારતીય સેના માટે લાઈફલાઈન સમાન છે.</p><p><b>ક્ષમતા:</b> આ વિમાન એકસાથે 6.7 ટન વજન વહન કરી શકે છે.</p><p><b>સૈનિકોનું પરિવહન: </b>એકસાથે 40થી વધુ સશસ્ત્ર સૈનિકોને લઈ જવામાં સક્ષમ છે.</p><p><b>યુદ્ધ અને આપત્તિ:</b> હથિયારો, દારૂગોળો, સૈન્ય સાધનો ઉપરાંત પૂર કે કુદરતી આફતો વખતે રાહત સામગ્રી પહોંચાડવામાં આ વિમાને હંમેશા મહત્વની ભૂમિકા ભજવી છે.</p><p><b style="font-size: 1.5rem;">22 અકસ્માતો થયા</b></p><p>જો કે આ વિમાન સાથે 22 અકસ્માતો નોંધાયા છે, પરંતુ નિષ્ણાતોના મતે તેની પાછળનું મુખ્ય કારણ આ વિમાનનો અતિશય વપરાશ (Heavy Utilization) છે. છેલ્લા ચાર દાયકામાં આ વિમાને લાખો કલાકની ઉડાન ભરી છે અને હજારો જટિલ મિશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. કોઈપણ લશ્કરી વિમાનની વિશ્વસનીયતા માત્ર અકસ્માતોની સંખ્યાથી નહીં, પરંતુ તેના એકંદર ઓપરેશનલ રેકોર્ડના આધારે નક્કી કરવામાં આવે છે.</p><p><b style="font-size: 1.5rem;">30-40 વર્ષથી સેવામાં AN-32</b></p><p>સમયની જરૂરિયાત મુજબ વાયુસેનાએ AN-32 વિમાનોમાં ઘણા મોટા ફેરફારો અને અપગ્રેડ કર્યા છે. તેમાં આધુનિક એવિઓનિક્સ, અદ્યતન નેવિગેશન સિસ્ટમ અને નવી સુરક્ષા ટેકનોલોજી ઉમેરવામાં આવી છે. તેમ છતાં, તેનું મૂળ માળખું (Basic Design) જૂનું છે અને આ બેડાના ઘણા વિમાનો 30-40 વર્ષથી સેવામાં છે. વધતી ઉંમર સાથે તેના મેન્ટેનન્સ અને સ્પેરપાર્ટ્સનો પડકાર પણ વધી રહ્યો છે, જેના કારણે વાયુસેના હવે ધીમે-ધીમે નવા એરક્રાફ્ટ સામેલ કરવાની દિશામાં આગળ વધી રહી છે.</p><p><br></p><h4><b>હાલ કોઈ ત્વરિત વિકલ્પ નથી</b></h4><p>ભવિષ્યમાં AN-32 ના સ્થાને નવા પ્લેટફોર્મ લાવવાની યોજના ચોક્કસ છે, પરંતુ હાલમાં પૂર્વોત્તર અને હિમાલયના સરહદી વિસ્તારો માટે આના જેવો બીજો કોઈ સક્ષમ અને તાત્કાલિક વિકલ્પ હાજર નથી. જ્યાં સુધી નવા ટ્રાન્સપોર્ટ વિમાનો પૂરતી સંખ્યામાં સેનામાં સામેલ ન થઈ જાય, ત્યાં સુધી AN-32 ભારતીય વાયુસેના માટે અનિવાર્ય રહેશે.</p><p><br></p><h4><b>AN-32 વિમાનની અંદાજિત કિંમત કેટલી છે?</b></h4><p>સંરક્ષણ ઉદ્યોગ અને ઉપલબ્ધ સત્તાવાર રેકોર્ડ્સ અનુસાર, AN-32 ની કિંમત તેના વેરિઅન્ટ અને કરવામાં આવેલા અપગ્રેડ પર નિર્ભર કરે છે. આ વિમાનના આધુનિક (Modernised) વર્ઝનની અંદાજિત કિંમત આશરે 15 મિલિયન અમેરિકી ડોલર (એટલે કે લગભગ 125 કરોડ રૂપિયા) આંકવામાં આવી છે. સમય-સમય પર ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલા ટેકનિકલ અપગ્રેડેશનને કારણે તેની વાસ્તવિક કિંમતમાં હજુ વધારો થાય છે. પોતાના મજબૂત એન્જિન અને પહાડી વિસ્તારોમાં અદભુત પ્રદર્શનને કારણે આ વિમાન આજે પણ વાયુસેના માટે અત્યંત કિંમતી સંપત્તિ છે.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/n9K9mJambJgNDuigJE7LG3cG6zxpnpUPpE2Oen0r.webp'/></item><item><title><![CDATA[Miyazaki Mango: 2 લાખ કિલો વાળી દુનિયાની સૌથી મોંઘી કેરી હવે ઉગશે UPની ધરતી પર ]]></title><link>https://sandesh.com/india/news/miyazaki-mango-the-worlds-most-expensive-mango-weighing-2-lakh-kg-will-now-grow-on-the-land-of-up</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/miyazaki-mango-the-worlds-most-expensive-mango-weighing-2-lakh-kg-will-now-grow-on-the-land-of-up</guid><pubDate>Sat, 13 Jun 2026 13:42:45 +05:30</pubDate><description><![CDATA[<p>ઉત્તર પ્રદેશના પૂર્વાંચલની ધરતી પર હવે વિશ્વની સૌથી મોંઘી કેરી પાકશે. જાપાનની પ્રખ્યાત 'મિયાઝાકી' (Miyazaki) કેરીનો મધર પ્લાન્ટ યુપીના આઝમગઢ જિલ્લામાં તૈયાર કરવામાં આવી રહ્યો છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર લૈદૌરાના વૈજ્ઞાનિકો આ મોંઘીદાટ કેરીના ઝાડમાંથી કલમ (ગ્રાફ્ટિંગ) તૈયાર કરવાની કામગીરીમાં વ્યસ્ત છે. આ સફળતા બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે ૨ લાખ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતી મિયાઝાકી કેરી હવે આઝમગઢ જિલ્લાની નવી ઓળખ બનશે. આ સિવાય યુપીના સોનભદ્ર જિલ્લામાં પણ એક પ્રગતિશીલ વ્યક્તિએ પોતાના બગીચામાં આ અનોખો છોડ લગાવ્યો હોવાના અહેવાલ છે.</p><h2><b>લાઝવાબ સ્વાદ અને અદભુત રંગ</b></h2><p>જાપાનની આ પ્રખ્યાત કેરી પોતાના અનોખા સ્વાદ, સુગંધ અને સ્વાસ્થ્ય માટેના અઢળક ફાયદાઓ માટે દુનિયાભરમાં જાણીતી છે. વૈશ્વિક બજારમાં આ કેરીની કિંમત ૨ લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચે છે, જ્યારે સ્થાનિક બજારોમાં પણ તે ૭૦ હજારથી લઈને ૨ લાખ રૂપિયા સુધી વેચાય છે. આ કેરીનો રંગ ઘેરો લાલ-જાંબલી અને લીલા રંગનું મિશ્રણ ધરાવતો હોય છે, જે દેખાવમાં અત્યંત આકર્ષક અને ચમકદાર લાગે છે. સોનભદ્રના છપકા ગામના વરિષ્ઠ એડવોકેટ ઉમેશધર દુબેએ ગયા વર્ષે ૧૫ ઓગસ્ટે આ છોડ વાવ્યો હતો, જે હવે મોટો થઈ રહ્યો છે.</p><h3><b>3 થી 5 વર્ષમાં આપશે ફળ</b></h3><p>લૈદૌરા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પ્રભારી ડૉ. એલ.સી. વર્માએ જણાવ્યું હતું કે પુણેની એક નર્સરીમાંથી લાવીને આ જાપાનીઝ મિયાઝાકી કેરીનો છોડ રોપવામાં આવ્યો છે. આ છોડનો ઉપયોગ મધર પ્લાન્ટ તરીકે કરવામાં આવી રહ્યો છે. અહીંના બાગાયત વૈજ્ઞાનિકો આ મધર પ્લાન્ટમાંથી કલમ તૈયાર કરીને સ્થાનિક ખેડૂતોને તેના છોડ ઉપલબ્ધ કરાવશે. કલમ પદ્ધતિથી તૈયાર કરાયેલા આ છોડ ૩ થી ૫ વર્ષમાં ફળ આપવાનું શરૂ કરી દેશે, જ્યારે જો તેને બીજ (ગોટલી) માંથી ઉગાડવામાં આવે તો ફળ આવતા લગભગ ૧૦ વર્ષ જેટલો લાંબો સમય લાગે છે. આ છોડ વાવવાનો શ્રેષ્ઠ સમય જુલાઈથી સપ્ટેમ્બર મહિનાની વચ્ચેનો માનવામાં આવે છે.</p><h4><b>છોડની કિંમત કેટલી હોય છે?</b></h4><p>હાલના સમયમાં પશ્ચિમ બંગાળના કોલકાતા અને મહારાષ્ટ્રના પુણેની નર્સરીઓ જ આ જાપાનીઝ મિયાઝાકી કેરીના છોડ સપ્લાય કરે છે. આ કેરીના એક છોડની કિંમત ૧,૫૦૦ રૂપિયાથી લઈને ૫,૦૦૦ રૂપિયા સુધીની હોય છે. ભારત દેશમાં ઉત્તર પ્રદેશ પહેલા મધ્ય પ્રદેશના જબલપુર અને ઓડિશામાં પણ તેની ખેતી પ્રાયોગિક ધોરણે શરૂ થઈ ચૂકી છે. આઝમગઢના ચાર મુખ્ય બ્લોક - રાની કી સરાય, મિર્ઝાપુર, અહરૌલા અને પવઈમાં મોટા પાયે કેરીની ખેતી થાય છે અને ત્યાં આ નવી ટેકનોલોજીથી ખેડૂતોની આવકમાં મોટો ઉછાળો આવી શકે છે.</p><p><a href="https://sandesh.com/india/news/ahmedabad-news-employee-stayed-in-the-washroom-for-53-minutes-then-the-boss-demanded-an-account-said-now-sit-in-the-office-for-40-more-minutes" target="_blank">આ પણ વાંચો:Ahmedabad News: કર્મચારી 53 મિનિટ વોશરૂમમાં રહ્યો તો બોસે માંગ્યો હિસાબ! કહ્યું- 'હવે 40 મિનિટ ઓફિસમાં વધારે બેસો'</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/O5QurSaWXLEH5hL50YslceGjnpbyPzenuvspBhKO.webp'/></item><item><title><![CDATA[Vadodara: માણેજામાં હૃદય ચીરી નાખે તેવી ઘટના, વતનમાં મિત્રના મોતના આઘાતમાં બે મિત્રોએ 24 કલાકમાં કર્યો આપઘાત ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/friendship-tragedy-two-youths-commit-suicide-within-24-hours-over-friends-death-in-bihar</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/friendship-tragedy-two-youths-commit-suicide-within-24-hours-over-friends-death-in-bihar</guid><pubDate>Sat, 13 Jun 2026 13:07:59 +05:30</pubDate><description><![CDATA[<p>આપણા સમાજમાં મિત્રતાને સગા ભાઈથી પણ સવાઈ ગણવામાં આવી છે. સુખ અને દુઃખમાં સાથ નિભાવતી મિત્રતાના અનેક કિસ્સાઓ આપણે સાંભળ્યા હશે, પરંતુ વડોદરાના માણેજા વિસ્તારમાંથી સામે આવેલી ઘટના લાગણીઓના અતિરેકની એક એવી દર્દનાક દાસ્તાન છે જે કોઈ પણ પાષાણ હૃદયના માણસને રડાવી દે. વડોદરામાં રહીને મકરપુરા જીઆઇડીસી (GIDC) માં ખાનગી નોકરી કરી પોતાનું પેટ ભરી રહેલા બે પરપ્રાંતીય યુવાનો એક આકસ્મિક આઘાત સામે જિંદગીની જંગ હારી ગયા છે.</p><h3><b>11 જૂન રવિશંકરનું ટ્રેન નીચે કૂદીને આત્મબલિદાન</b></h3><p>મૂળ બિહારનો વતની રવિશંકર રાજેશકુમાર પ્રસાદ વડોદરાના માણેજા વિસ્તારમાં રહીને મકરપુરા GIDC માં ફાઈટર તરીકે ફરજ બજાવતો હતો. ગત ૧૧ જૂનના રોજ રવિશંકરને વતન બિહારથી એક અત્યંત માઠા સમાચાર મળ્યા કે, ત્યાં રહેતા તેના એક ખૂબ જ નજીકના બાળપણના મિત્રએ કોઈ કારણસર આપઘાત કરી લીધો છે. આ સમાચાર સાંભળતા જ રવિશંકરના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તે ઊંડા માનસિક આઘાતમાં સરી પડ્યો હતો. તેણે તુરંત જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મૃત મિત્રનો ફોટો શેર કરીને એક અત્યંત ભાવુક સંદેશ લખ્યો અને સ્ટેટસમાં લખ્યું, "મેં તેરે પાસ આ રહા હું..." (હું તારી પાસે આવી રહ્યો છું). સ્ટેટસ મૂક્યાના ગણતરીના કલાકોમાં જ વ્યથિત રવિશંકરે મકરપુરા રેલવે સ્ટેશન પાસે ધસી આવતી ટ્રેન સામે કૂદકો મારીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. રેલવે પોલીસે લાશને પીએમ માટે ખસેડી તપાસ હાથ ધરી હતી.</p><h2><b>12 જૂન મિત્રના વિરહમાં રૂમમેટ વિકાસે પણ ફાંસો ખાધો</b></h2><p>હજુ તો રવિશંકરના પરિવાાર પર આભ તૂટી પડ્યું હતું, ત્યાં જ આ ઘટનાના બીજા દિવસે એટલે કે 12 જૂને આ જ રૂમમાં વધુ એક અરેરાટીભરી ઘટના ઘટી. રવિશંકરની સાથે એક જ રૂમમાં રહેતો અને મૂળ ઉત્તર પ્રદેશનો તેનો પરમ મિત્ર વિકાસ દિનેશ પ્રસાદ પોતાના ભાઈ જેવા મિત્રના અચાનક ટ્રેન નીચે કૂદી જવાના સમાચાર જીરવી શક્યો નહીં. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, રવિશંકર અને વિકાસ લાંબા સમયથી વડોદરામાં સાથે રહેતા હતા અને બંને વચ્ચે સગા ભાઈ જેવો પ્રેમ હતો. 11 જૂનની રાત્રે રવિશંકરના ગયા પછી વિકાસ સતત રડતો હતો અને તણાવમાં હતો. આખરે અસહ્ય આઘાત સહન ન થતાં 12 જૂનની રાત્રે વિકાસે પણ પોતાના જ રૂમમાં પંખા સાથે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.</p><h4><b>આઘાત પામેલા યુવકોના એક પછી એક મોત</b></h4><p>રોજગારની શોધમાં પોતાના પરિવારથી સેંકડો કિલોમીટર દૂર વડોદરા આવેલા બે જીવલેણ આઘાત પામેલા યુવકોના એક પછી એક થયેલા કરૂણ મોતથી માણેજા પંથકની જનતા સ્તબ્ધ થઈ ગઈ છે. વડોદરા પોલીસે બંને બનાવોમાં અકસ્માતે મોતનો ગુનો નોંધીને મૃતકોના પરિવારજનોને યુપી અને બિહાર જાણ કરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/gir-somnath/leopard-attacks-three-including-uncle-nephew-at-thordi-village-gir-gadhda" target="_blank">આ પણ વાંચો: Gir Somnath: થોરડી ગામે કેળાના બગીચામાં કામ કરતા કાકા-ભત્રીજા સહિત 3 લોકો પર દીપડાનો હુમલો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/8kuIqZtWCtYCn41Kd8Owi27ognIN7MgKs7Z7gGGb.webp'/></item><item><title><![CDATA[Celebrity Relationship : રીના રોયના એક નિર્ણયથી ભડક્યા શત્રુઘ્ન સિન્હા, વર્ષો જૂનો કિસ્સો ફરી ચર્ચામાં! ]]></title><link>https://sandesh.com/entertainment/news/reena-roy-refused-working-with-shatrughan-sinha</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/reena-roy-refused-working-with-shatrughan-sinha</guid><pubDate>Sat, 13 Jun 2026 12:44:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સ્ક્રીન પર કલાકારોની લવ કેમિસ્ટ્રીની ખૂબ ચર્ચા થતી રહી છે, પછી ભલે તે આજનો સમય હોય કે પછી 90ના દાયકાનો કેમ ન હોય. 80-90ના દાયકામાં જ્યાં રેખા અને અમિતાભ બચ્ચનના પ્રેમની ચર્ચાઓ ખૂબ રહી, ત્યાં જ શત્રુઘ્ન સિન્હા અને રીના રોયના કિસ્સા પણ ઓછા નહોતા. તેમનો સંબંધ અને અલગ થવું સૌ કોઈ જાણે છે, પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે એકવાર શત્રુઘ્ન સિન્હા તેમના પર ખૂબ ગુસ્સે થઈ ગયા હતા.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>રીનાના નિર્ણયથી ભડક્યા હતા શત્રુઘ્ન</b></h2><p style="text-align: justify; ">શત્રુઘ્ન સિન્હા અને રીના રોય સાથે જોડાયેલા આ કિસ્સાનો ખુલાસો સિનિયર જર્નાલિસ્ટ જ્યોતિ વેંકટેશે કર્યો છે. તાજેતરમાં તેઓ એક શોમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે બોલીવુડથી લઈને સ્ટાર્સ અને તેમની પર્સનલ લાઈફ તેમજ ડેટિંગ વિશે વાત કરી છે. આ દરમિયાન તેમણે તે કિસ્સાનો પણ ઉલ્લેખ કર્યો જ્યારે રીના રોયે શત્રુઘ્ન સાથે કામ કરવાની ના પાડી દીધી હતી અને તેઓ ગુસ્સે થઈ ગયા હતા.</p><h2 style="text-align: justify; "><b>રીના રોયને લઈને શત્રુઘ્ન સિન્હાના બગડેલા બોલ</b></h2><p style="text-align: justify; ">જ્યોતિ વેંકટેશ જણાવે છે, 'એવું હતું કે એક મેગેઝિન હતું સિનેમા જર્નલ. આમાં મેં શત્રુઘ્નનો ઇન્ટરવ્યુ લખ્યો હતો, જે તેમણે આપ્યો હતો તે જ લખ્યો હતો. શત્રુઘ્ન સિન્હાને પૂછ્યું હતું કે આ ફિલ્મમાં રીના રોય હિરોઈન થવાની હતી પરંતુ તેમણે શત્રુઘ્ન સાથે કામ કરવાની ના પાડી દીધી હતી?' તેઓ આગળ આના પર શત્રુઘ્નના જવાબને લઈને જણાવે છે, 'તેઓ એવું કેવી રીતે કહી શકે કે શત્રુઘ્ન સિન્હા સાથે કામ નહીં કરું. રીના રોયને જ્યાં-જ્યાં જેટલું-જેટલું સ્પર્શ કરવાનું હતું ત્યાં-ત્યાં તેટલું-તેટલું સ્પર્શ કરી લીધું અને તેને આગળ સ્પર્શ કરવાની ઈચ્છા જ નથી મારા દિલમાં.' આ પછી તેમના નિવેદન પર ભારે હોબાળો મચી ગયો હતો.</p><h3 style="text-align: justify; "><b>શત્રુઘ્ન સિન્હાએ કર્યો હતો ફોન</b></h3><p style="text-align: justify; ">એટલું જ નહીં, જ્યોતિ વેંકટેશે આ જ વાતચીતમાં રીના રોય અને શત્રુઘ્ન સિન્હાને લઈને વધુ એક ખુલાસો કર્યો હતો કે એકવાર રીના રોયને પોતાની ફિલ્મમાં કાસ્ટ કરવા માટે અભિનેતા પોતાની ફી પણ ઓછી કરવા માટે તૈયાર થઈ ગયા હતા. જ્યોતિ જણાવે છે, 'તે તે ફિલ્મ કરવા માગતી હતી પરંતુ ન કરી. સુલક્ષણાને લઈ લીધી તો શત્રુઘ્ન સિન્હા પ્રોડ્યુસરને ફોન કરીને બોલ્યા કે મારા પૈસા ઓછા કરો અને રીના રોયને કાસ્ટ કરો.' જો કે, જ્યારે તેમને ફિલ્મનું નામ પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેઓ ફિલ્મનું નામ ભૂલી ગયા છે.<br><img title="Reena Roy, Shatrughan Sinha (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/06/13/KtUF4wzWKfWfjN1IBV8It6Ydge9ttHMglQeUfe7P.webp"><br></p><h4 style="text-align: justify; "><b>શત્રુઘ્ન સિન્હા અને રીના રોયનો સંબંધ કેમ તૂટ્યો?</b></h4><p style="text-align: justify; ">શત્રુઘ્ન સિન્હા અને રીના રોયના અફેરની ચર્ચાઓ ખૂબ રહી. અભિનેતાએ રીના સાથેના પ્રેમની વાત પણ સ્વીકારી હતી. અહેવાલોનું માનીએ તો રીના રોય શત્રુઘ્ન સિન્હા સાથે લગ્ન કરવા માગતી હતી અને તે સમયે અભિનેતા પરિણીત હતા, જેના કારણે તેઓ તેમની સાથે લગ્નનો નિર્ણય નહોતા લઈ શક્યા. તેમને અભિનેત્રીએ અલ્ટીમેટમ પણ આપી દીધું હતું પરંતુ અભિનેતા પોતાના પરિવારને નહોતા છોડી શક્યા, જેના પછી તેમના સંબંધોમાં તિરાડ આવી ગઈ હતી. એવું જણાવવામાં આવે છે કે બંને આશરે 7 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા હતા.</p><h5 style="text-align: justify; "><b>સોનાક્ષીના લુકની રીના રોય સાથે થાય છે સરખામણી</b></h5><p style="text-align: justify; ">એટલું જ નહીં, શત્રુઘ્ન સિન્હા અને રીના રોયના અફેરની ચર્ચાઓ એ હદે રહી છે કે આનું નુકસાન સોનાક્ષી સિન્હાને પણ ભોગવવું પડી જાય છે. કેટલીય વાર તેઓ પોતાના લુકના કારણે ટ્રોલ્સના નિશાના પર આવી ચૂક્યા છે. જો કે, સોનાક્ષી સિન્હા આ સરખામણીને પ્રશંસા તરીકે લે છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gallery/news/entertainment/peddi-ram-charan-film-outperforms-bollywood-movies" target="_blank">આ પણ વાંચો-બોલીવુડ પસ્ત! ચાર હિન્દી ફિલ્મો પર ભારે પડી રામ ચરણની પેડ્ડી, બોક્સ ઓફિસ પર મચાવ્યો હાહાકાર!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/lNmLy8p7eAXbxRtyv4fEEI8UKcYgieYIlnET1HjR.webp'/></item><item><title><![CDATA[Gandhinagar : હવે મંત્રીઓને જલસા, વંદે ભારત અને તેજસ જેવી પ્રીમિયમ ટ્રેનોના એક્ઝેક્યુટિવ ક્લાસમાં મુસાફરીની મળી મંજૂરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gandhinagar-gujarat-ministers-allowed-to-travel-in-vande-bharat-tejas-executive-class-gad-notification</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gandhinagar-gujarat-ministers-allowed-to-travel-in-vande-bharat-tejas-executive-class-gad-notification</guid><pubDate>Sat, 13 Jun 2026 12:43:13 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાત સરકારના મંત્રીઓ માટે પ્રવાસન અને સરકારી મુસાફરીને લઈને એક મોટા અને સુવિધાજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારના મંત્રીઓ હવે રેલવે મુસાફરી દરમિયાન વધુ આરામદાયક અને લક્ઝુરિયસ સવલતોનો લાભ લઈ શકશે. સરકારના સામાન્ય વહીવટ વિભાગ  દ્વારા બહાર પાડવામાં આવેલા એક સત્તાવાર નોટિફિકેશન અનુસાર, હવેથી મંત્રીઓને દેશની પ્રીમિયમ અને સેમી-હાઈસ્પીડ ટ્રેનોના એક્ઝેક્યુટિવ ક્લાસ  માં મુસાફરી કરવાની સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>પ્રીમિયમ ગણાતા એક્ઝેક્યુટિવ ક્લાસમાં સફર કરી શકશે
</b></h2><p style="text-align: justify; ">નવા નિયમો મુજબ, મંત્રીઓ હવે વંદે ભારત ટ્રેન, તેજસ એક્સપ્રેસ  અને દુરંતો એક્સપ્રેસ જેવી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ટ્રેનોના સૌથી મોંઘા અને પ્રીમિયમ ગણાતા એક્ઝેક્યુટિવ ક્લાસમાં સફર કરી શકશે. સરકારી પ્રવાસ દરમિયાન મંત્રીઓની સુવિધા અને સમયની બચતને ધ્યાનમાં રાખીને વહીવટી વિભાગ દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
</p><h3 style="text-align: justify; "><b>&nbsp;સામાન્ય એસી કોચમાં જ મુસાફરી કરવાની મંજૂરી  હતી
</b></h3><p style="text-align: justify; ">અગાઉના નિયમોની વાત કરીએ તો, મંત્રીઓને સત્તાવાર પ્રવાસ માટે ટ્રેનના માત્ર ફર્સ્ટ ક્લાસ અથવા સેકન્ડ ક્લાસ એટલે કે સામાન્ય એસી કોચમાં જ મુસાફરી કરવાની મંજૂરી મળતી હતી. પરંતુ બદલાતા સમય અને રેલવેના આધુનિકીકરણની સાથે રાજ્ય સરકારે પણ પોતાના નિયમોમાં ફેરફાર કર્યો છે.
</p><h4 style="text-align: justify; "><b>સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નોટિફિકેશન જાહેર
</b></h4><p style="text-align: justify; ">સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ અંગેનું નોટિફિકેશન જાહેર થતાં જ હવે મંત્રીઓ દેશની આ હાઈટેક ટ્રેનોની પ્રીમિયમ સુવિધાઓનો ઉપયોગ સત્તાવાર રીતે કરી શકશે, જેનો ખર્ચ સરકારી તિજોરી ભોગવશે. સચિવાલયના સૂત્રોના જણાવ્યા મુજબ, આગામી સમયમાં મંત્રીઓના પ્રવાસ શિડ્યુલને વધુ ઝડપી બનાવવા માટે આ ક્લાસ અપગ્રેડેશન ખૂબ જ ઉપયોગી સાબિત થશે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; <a href="http://Gujarat Latest News Live: 2027 ચૂંટણી પહેલાં ડે. CM હર્ષ સંઘવી નરેશ પટેલના ઘરે પહોંચ્યા, અનેક તર્ક-વિતર્ક" target="_blank"><b>Gujarat Latest News Live: આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર ભારતીય વાયુસેનાનું AN-32 ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશ</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/LPQ2v309b15zuBwHyZeK8ADduWYIaxC3fQYFT5w7.webp'/></item><item><title><![CDATA[Gir Somnath: થોરડી ગામે કેળાના બગીચામાં કામ કરતા કાકા-ભત્રીજા સહિત 3 લોકો પર દીપડાનો હુમલો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/gir-somnath/leopard-attacks-three-including-uncle-nephew-at-thordi-village-gir-gadhda</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/gir-somnath/leopard-attacks-three-including-uncle-nephew-at-thordi-village-gir-gadhda</guid><pubDate>Sat, 13 Jun 2026 12:35:34 +05:30</pubDate><description><![CDATA[<p>ગીર સોમનાથ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં અવારનવાર સિંહો અને દીપડાઓ શિકારની શોધમાં આવી ચઢતા હોય છે. પરંતુ ગીરગઢડાના થોરડી ગામે દીપડાએ જે રીતે માનવીઓ પર હિંસક હુમલા કરવાનું શરૂ કર્યું છે, તેનાથી ગ્રામજનોમાં ભારે રોષ અને ફફડાટ છે. વાડી વિસ્તારમાં બપોરના સમયે જ્યારે ખેડૂતો પોતાના દૈનિક કામમાં વ્યસ્ત હતા, ત્યારે ઘાત લગાવીને બેઠેલા દીપડાએ લોહીલુહાણ હુમલો કર્યો હતો.</p><h2><b>કેળાની વાડીમાં કાકા-ભત્રીજા પર ત્રાટક્યો કાળ</b></h2><p>મળતી માહિતી મુજબ, થોરડી ગામની સીમમાં આવેલા કેળાના એક ઘટાદાર બગીચામાં સગા કાકા અને ભત્રીજા ખેતીકામ તેમજ કેળાના લૂમ ઉતારવાનું કામ કરી રહ્યા હતા. કેળાના મોટા પાંદડાઓની આડમાં છુપાયેલો દીપડો અચાનક નખ અને દાંત વડે કાકા-ભત્રીજા પર તૂટી પડ્યો હતો. બંનેએ બચવા માટે પ્રતિકાર કર્યો અને બૂમાબૂમ કરી મૂકી હતી. આ અવાજ સાંભળીને બાજુની વાડીમાં કામ કરી રહેલા અન્ય એક ખેડૂત દોડીને આવ્યા હતા. જોકે, ગુસ્સે ભરાયેલા દીપડાએ તે ખેડૂતને પણ ન છોડતા તેમના પર પણ હિંસક હુમલો કરી શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.</p><h3><b>પાંજરૂ મુકવા છતાં વન વિભાગની પકડથી દૂર</b></h3><p>ઘટનાને પગલે આસપાસના અન્ય વાડી માલિકો લાકડીઓ લઈને દોડી આવતા દીપડો કેળાના વાવેતરમાં ગાયબ થઈ ગયો હતો. ગ્રામજનોએ તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં ત્રણેય ઇજાગ્રસ્તોને ગીરગઢડાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા છે, જ્યાં ડોક્ટરોની ટીમ તેમની સારવાર કરી રહી છે. ઘટનાની જાણ વન વિભાગને કરાતા સ્ટાફ પાંજરૂ લઈને ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. વન કર્મચારીઓએ દીપડાને પકડવા માટે વાડીના એક્ઝિટ પોઇન્ટ પર મારણ સાથેનું પાંજરૂ ગોઠવ્યું હતું, પરંતુ શાતિર દીપડો પાંજરાની નજીક આવ્યા બાદ અંદર ગયા વિના જ જંગલ તરફ અથવા અન્ય ગુપ્ત લોકેશન પર નાસી છૂટ્યો હતો. વન વિભાગની ટીમો હાલ પગમાર્કના આધારે દીપડાનું લોકેશન ટ્રેસ કરીને તેને વહેલી તકે પાંજરે પૂરવા માટે કવાયત ચલાવી રહી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surendranagar/wadhwan-historical-rajashahi-well-damaged-during-smc-encroachment-drive-locals-protest" target="_blank">આ પણ વાંચો: Surendranagar: વઢવાણમાં રાજાશાહી સમયના કૂવાને નુકસાન, વિરાસતને મૂળ સ્વરૂપે પુનઃ સ્થાપિત કરવા સ્થાનિકોનું અલ્ટીમેટમ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/iVkHbpzzbqUC33t7UMQYAOuc0vbiZ03IfGjrVOJl.webp'/></item><item><title><![CDATA[Rajkot : રાજકારણમાં ગરમાવો, 2027 ચૂંટણી પહેલાં ડે. CM હર્ષ સંઘવી નરેશ પટેલના ઘરે પહોંચ્યા, સૂચક મુલાકાતથી તર્ક-વિતર્ક તેજ ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/dycm-harsh-sanghavi-meets-khodaldham-chairman-naresh-patel-rajkot-political-speculations-2027</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/dycm-harsh-sanghavi-meets-khodaldham-chairman-naresh-patel-rajkot-political-speculations-2027</guid><pubDate>Sat, 13 Jun 2026 12:17:46 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાત વિધાનસભાની 2027 ની ચૂંટણીને હજુ વાર છે, પરંતુ તે પહેલાં રાજ્યના રાજકીય વર્તુળોમાં ભારે હલચલ મચી ગઈ છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટની મુલાકાત દરમિયાન લેઉવા પટેલ સમાજના સર્વોચ્ચ અગ્રણી અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના નિવાસસ્થાને જઈને એક ખાસ શુભેચ્છા મુલાકાત લીધી છે. ભલે આ મુલાકાતને ઔપચારિક ગણાવવામાં આવી રહી હોય, પરંતુ પાટીદાર પ્રભુત્વ ધરાવતા સૌરાષ્ટ્રના રાજકારણમાં આ બેઠકને પગલે અનેક પ્રકારના તર્ક-વિતર્કો અને રાજકીય સમીકરણોની ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>હર્ષ સંઘવીનું તેમના ઘરે જવું એ ખૂબ જ સૂચક 
</b></h2><p style="text-align: justify; ">ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ નરેશ પટેલે ખોડલધામના ચેરમેન પદેથી નિવૃત્તિ લેવા અને આરામ કરવાની વાત કરી હતી. તેમની આ જાહેરાત બાદ તરત જ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનું તેમના ઘરે જવું એ ખૂબ જ સૂચક માનવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત (ખાસ કરીને સુરત) માં પાટીદાર સમાજ ચૂંટણીના પરિણામો બદલવામાં અત્યંત નિર્ણાયક ભૂમિકા ભજવે છે, તેથી આ મુલાકાત નવી રાજકીય દિશા નક્કી કરી શકે છે.
</p><h4 style="text-align: justify; "><b>&nbsp;સારા અને સ્વચ્છ છબી ધરાવતા લોકોની કાયમ જરૂરિયાત
</b></h4><p style="text-align: justify; ">આ હાઈ-પ્રોફાઈલ બેઠક અંગે ખોડલધામના અગ્રણી અને ભાજપના ધારાસભ્ય રમેશ ટીલાડાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, નરેશભાઈએ ખોડલધામમાંથી નિવૃત્તિ અને આરામ અંગે જે વાત કરી છે તે તેમનો વ્યક્તિગત નિર્ણય છે. તેઓ સક્રિય રાજકારણમાં જોડાવા અંગે પહેલાં પણ ઘણીવાર નનૈયો ભણી ચૂક્યા છે. જો કે, રમેશ ટીલાડાએ ઉમેર્યું કે, "રાજકારણમાં નરેશભાઈ જેવા સારા અને સ્વચ્છ છબી ધરાવતા લોકોની કાયમ જરૂરિયાત રહે છે. અમે તો વ્યક્તિગત રીતે એમ જ ઈચ્છીએ છીએ કે નરેશભાઈ સક્રિય રાજકારણમાં આવે."
</p><h4 style="text-align: justify; "><b>ચા પાણી પીને છુટા પડ્યા છીએ 
</b></h4><p style="text-align: justify; ">જો કે આ મામલે મીડિયા સાથે વાત કરતા  નરેશ પટેલે કહ્યું કે આ માત્ર શુભેચ્છા મુલાકાત હતી ચા પાણી પીને છુટા પડ્યા છીએ તે સિવાય કોઇ વાત નથી. નાયબ મુખ્યમંત્રી શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા અને સામાજીક ચર્ચાઓ થઇ છે તે સિવાય કોઇ વાત થઇ નથી
</p><h5 style="text-align: justify; "><b>રાજકારણમાં ગરમાવો લાવી દીધો 
</b></h5><p style="text-align: justify; ">હર્ષ સંઘવીની આ મુલાકાત માત્ર શુભેચ્છા બેઠક છે કે પાટીદાર સમાજને સાધવા માટેની કોઈ મોટી વ્યુહરચનાનો ભાગ છે, તે તો આગામી સમય જ બતાવશે, પરંતુ હાલમાં આ ઘટનાએ સમગ્ર ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-gujarat-latest-news-live-and-samachar-13-june-2026-politics-weather-updates-daily-breaking-news-nation" target="_blank"><b>&nbsp; Gujarat Latest News Live: આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર ભારતીય વાયુસેનાનું AN-32 ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશ</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/LNUq07sbmmXCbBPdgEOkoLsxry513FbZRnuSYlBp.webp'/></item><item><title><![CDATA[વાંચો સવારે 08થી બપોરે 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/read-important-news-from-08-am-to-12-pm-13-june-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/read-important-news-from-08-am-to-12-pm-13-june-2026</guid><pubDate>Sat, 13 Jun 2026 12:00:00 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/surat-nasir-nagar-illegal-demolition-sujal-prajapati-exposed-smc-city-survey" target="_blank">1, Surat : ભૂતિયા ડિમોલિશનમાં ખુલાસો, માસ્ટરમાઇન્ડ સુજલ પ્રજાપતિએ કૌભાંડ આચરી ઘર તોડ્યા, 5 લોકો સાથે 3 લાખમાં ડીલની ચર્ચા</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/breakingnews/indian-air-force-an-32-transport-aircraft-crashes-at-jorhat-air-force-station-in-assam" target="_blank">2. આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર ભારતીય વાયુસેનાનું AN-32 ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશ</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/who-will-be-the-champion-in-fifa-world-cup-2026-experts-shocking-prediction" target="_blank">3. FIFA World Cup 2026માં કોણ બનશે ચેમ્પિયન? એક્સપર્ટની ચોંકાવનારી આગાહી</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-amc-pre-monsoon-work-fail-catchpit-choked-traffic-jam-helmet-crossroad" target="_blank">4. Ahmedabad : ચોમાસું માથે છતાં પ્રિ-મોન્સૂન કામગીરીના નામે મીંડું, કેચપીટો જામ થતાં પાણી ભરાવાની અને ટ્રાફિક જામની ભીતિ</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/business/news/india/gold-silver-rate-today-prices-hike-check-city-wise-latest-rates" target="_blank">5. Gold Price Today : સોનું ફરી મોંઘું થયું અને ચાંદીના ભાવ પણ વધ્યા! જાણો તમારા શહેરમાં આજનો લેટેસ્ટ રેટ</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/cricket/news/ind-vs-afg-1st-odi-india-and-afghanistan-clash-today-in-dharamsala-who-will-win" target="_blank">6. IND vs AFG 1st ODI : ધર્મશાળામાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આજે ટક્કર, કોણ મારશે બાજી?</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/anna-hazare-90th-birthday-gift-defence-ministry-t55-bheem-tank-ralegan-siddhi" target="_blank">7. Anna Hazareને 90મા જન્મદિવસે રક્ષા મંત્રાલયે ભેટમાં આપી T-55 ભીમ ટેન્ક</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/business/news/petrol-diesel-price-today-big-drop-in-crude-oil-know-the-latest-rates-of-petrol-and-diesel-in-your-city" target="_blank">8. Petrol Diesel Price Today: ક્રૂડ ઓઇલમાં મોટો કડાકો, જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ રેટ</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gallery/news/entertainment/peddi-ram-charan-film-outperforms-bollywood-movies" target="_blank">9. બોલીવુડ પસ્ત! ચાર હિન્દી ફિલ્મો પર ભારે પડી રામ ચરણની પેડ્ડી, બોક્સ ઓફિસ પર મચાવ્યો હાહાકાર!</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/telangana-indus-river-water-will-not-reach-the-masters-of-terrorism-defense-minister-rajnath-singh" target="_blank">10. Telangana: 'આતંકવાદના આકાઓ સુધી સિંધુ નદીનું પાણી નહીં પહોંચે' : રક્ષામંત્રી રાજનાથ સિંહ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/gTC64sstDL0n3s01iMm4ot75zhlP7PTDSaMoUrvH.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026,Day 3 : આજે આ ચાર ટીમ વચ્ચે ટક્કર,જાણો કેટલા વાગ્યે શરૂ થશે મેચ ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-day-3-today-these-four-teams-will-clash-know-what-time-the-match-will-start</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-day-3-today-these-four-teams-will-clash-know-what-time-the-match-will-start</guid><pubDate>Sat, 13 Jun 2026 11:52:21 +05:30</pubDate><description><![CDATA[<p>ફિફા વર્લ્ડ કપ 2026નો ઉત્સાહ સતત વધી રહ્યો છે.ટુર્નામેન્ટના ત્રીજા દિવસે ફૂટબોલ ચાહકો એક પછી એક ત્રણ રોમાંચક ગ્રુપ સ્ટેજ મેચ જોશે.ગ્રુપ B અને ગ્રુપ Cની ટીમો આજે સુપર રાઉન્ડમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે.પ્રથમ મેચ ગ્રુપ B ની ટીમો વચ્ચે રમાશે,જેમાં કતાર સ્વિટ્ઝર્લૅન્ડ સામે ટકરાશે. બીજી અને ત્રીજી મેચ ગ્રુપ Cની ટીમો વચ્ચે રમાશે.</p><h3><b>સ્વિટ્ઝર્લૅન્ડ અને કતાર વચ્ચે ટક્કર&nbsp;</b></h3><p>દિવસનો પહેલો મેચ ગ્રુપ Bની ટીમ વચ્ચે રમાશે,જેમાં કતાર સ્વિટ્ઝર્લૅન્ડ સામે ટકરાશે.આ મેચ સ્થાનિક સમય મુજબ બપોરે 3:00 વાગ્યે સાન ફ્રાન્સિસ્કો બે એરિયા સ્ટેડિયમ ખાતે રમાશે.કતારના સ્ટ્રાઈકર્સને સ્વિટ્ઝર્લૅન્ડના મજબૂત ડિફેન્સ સામે ખરા અર્થમાં કસોટીનો સામનો કરવો પડશે.આ મેચ 14 જૂનના રોજ ભારતીય સમય મુજબ સવારે 3:30 વાગ્યે શરૂ થશે.આ એક ખૂબ જ ટેકનિકલ અને વ્યૂહાત્મક રીતે પડકારજનક સ્પર્ધા હોવાની અપેક્ષા છે.જો કતાર આ મેચમાં પોઈન્ટ મેળવવા માંગે છે તો તેમને સ્વિસ મિડફિલ્ડના વર્ચસ્વને તોડવા અને શરૂઆતના સ્કોરિંગ તકોનો લાભ ઉઠાવવાની જરૂર પડશે.</p><h4><b>ગ્રુપ સીમાં બ્રાઝિલ અને  મોરોક્કો</b></h4><p>આગળ ગ્રુપ સીના સૌથી મોટા મુકાબલામાં ફૂટબોલની સૌથી મજબૂત ટીમોમાંની એક બ્રાઝિલ મોરોક્કો સામે ટકરાશે.વિશ્વભરની નજર આ મેચ પર રહેશે,જે સ્થાનિક સમય અનુસાર સાંજે 6 વાગ્યે ન્યુ જર્સીના પ્રખ્યાત મેટલાઇફ સ્ટેડિયમ ખાતે રમાશે.ભારતના ચાહકો 14 જૂને સવારે 3:30 વાગ્યાથી મેચ જોઈ શકશે.મોરોક્કો ગયા વર્લ્ડ કપના તેના પ્રભાવશાળી પ્રદર્શનને પુનરાવર્તિત કરવાનો પ્રયાસ કરશે.જ્યારે બ્રાઝિલ તેની ફાઇવ-સ્ટાર પ્રતિષ્ઠાને મજબૂત બનાવવાનું લક્ષ્ય રાખશે.</p><h4><b>હૈતી અને સ્કોટલેન્ડ આમને-સામને થશે</b></h4><p>ત્રીજા દિવસની અંતિમ મેચ ગ્રુપ સીમાં પણ હશે જેમાં હૈતી સ્કોટલેન્ડ સામે રમશે.મેચ સ્થાનિક સમય મુજબ રાત્રે 9 વાગ્યે મેસેચ્યુસેટ્સના ફોક્સબરોના બોસ્ટન સ્ટેડિયમ ખાતે શરૂ થશે.ગ્રુપ સ્ટેજ માટે સ્પર્ધામાં રહેવા માટે બંને ટીમો માટે આ મેચ જીતવી મહત્વપૂર્ણ છે.આ બધી મેચોનું ભારતીય ફૂટબોલ ચાહકો માટે ગઈકાલે મોડી રાત્રે અને આવતીકાલે સવારે લાઇવ પ્રસારણ કરવામાં આવશે.ભારતમાં 14 જૂને સવારે 6:30 વાગ્યે મેચ શરૂ થશે.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/who-will-be-the-champion-in-fifa-world-cup-2026-experts-shocking-prediction" target="_blank">FIFA World Cup 2026માં કોણ બનશે ચેમ્પિયન? એક્સપર્ટની ચોંકાવનારી આગાહી</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/9IPt9asjSE3Jmu629f3xeLTuv3DFjOGNhurc4a4V.webp'/></item><item><title><![CDATA[Gold Price Today : સોનું ફરી મોંઘું થયું અને ચાંદીના ભાવ પણ વધ્યા! જાણો તમારા શહેરમાં આજનો લેટેસ્ટ રેટ ]]></title><link>https://sandesh.com/business/news/india/gold-silver-rate-today-prices-hike-check-city-wise-latest-rates</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/gold-silver-rate-today-prices-hike-check-city-wise-latest-rates</guid><pubDate>Sat, 13 Jun 2026 10:40:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આજે 13 જૂન, શનિવારના રોજ ભારતના ઝવેરી બજારમાં છેલ્લા દિવસોના ઘટાડા પછી સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. વૈશ્વિક ઉતાર-ચઢાવ અને રોકાણકારો તરફથી વધેલી માંગના કારણે કિંમતી ધાતુઓના ભાવમાં ફરી ઉછાળો આવ્યો છે.<br></p><h2><b>આજે કેટલો છે સોનાનો ભાવ?</b></h2><p></p><p style="text-align: justify; ">આજે 24 કેરેટવાળા શુદ્ધ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,48,580 રૂપિયા છે. દાગીના માટે વપરાતા 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,36,200 થી 1,37,230 રૂપિયા છે. આ જ ક્રમમાં 18 કેરેટ સોનાનો ભાવ આજે 1,11,450 થી 1,12,420 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.</p><h3 style="text-align: justify; "><b>આજે ચાંદીનો ભાવ</b></h3><p style="text-align: justify; ">ચાંદીના ભાવમાં પણ આજે મજબૂત વધારો થયો છે. આજે ચાંદી પ્રતિ ગ્રામ 260.10 રૂપિયા છે. આ હિસાબે આજે એક કિલો ચાંદીનો ભાવ 2,60,000 રૂપિયાની આસપાસ વેપાર કરી રહ્યો છે.<br></p><h3><b>મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)</b></h3><p></p><table class="table table-bordered"><tbody><tr><td><b>શહેર</b></td><td><b>24 કેરેટ સોનાની કિંમત</b></td><td><b>22 કેરેટ સોનાની કિંમત</b></td></tr><tr><td>દિલ્હી</td><td>1,49,230</td><td>1,36,800</td></tr><tr><td>મુંબઈ</td><td>1,49,080<br></td><td>1,36,650<br></td></tr><tr><td>કોલકાતા</td><td>1,49,230</td><td>1,36,800</td></tr><tr><td>ચેન્નઈ</td><td>1,51,200<br></td><td>1,38,600<br></td></tr><tr><td>અમદાવાદ</td><td>1,49,130<br></td><td>1,36,700<br></td></tr><tr><td>રાજકોટ</td><td>1,49,130</td><td>1,36,700</td></tr></tbody></table><h4 style="text-align: justify; "><b>કેમ વધ્યા ભાવ?</b></h4><h6 style="text-align: justify; "><b>અમેરિકા-ઈરાનમાં યુદ્ધ ટળવાની આશા: </b></h6><p style="text-align: justify; ">અમેરિકી પ્રમુખ દ્વારા ઈરાન પર આયોજિત સૈન્ય હુમલાને રોકવા અને વાતચીતના સંકેત આપ્યા બાદ વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા થોડી ઓછી થઈ છે. આનાથી રોકાણકારોનો ભરોસો પાછો ફર્યો છે, જેના લીધે આંતરરાષ્ટ્રીય બજારની સાથે-સાથે ભારતીય કોમોડિટી એક્સચેન્જ પર સોના-ચાંદીના ફ્યુચર્સમાં મોટી ખરીદી શરૂ થઈ ગઈ છે.</p><h6 style="text-align: justify; "><b>બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસમાં મોટો ઘટાડો: </b></h6><p style="text-align: justify; ">સરકારે સોનાની બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસ 80 ડોલરથી ઘટાડીને 1,343 ડોલર પ્રતિ 10 ગ્રામ કરી દીધી છે અને ચાંદીની બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસ 276 ડોલર પ્રતિ કિલો ઘટાડી છે. આનાથી આયાતકારો અને મોટા જ્વેલર્સ માટે આયાતનું મૂલ્યાંકન અનુકૂળ બન્યું છે, જેના કારણે સ્થાનિક બજારનું સેન્ટિમેન્ટ મજબૂત થયું છે અને માંગ વધી ગઈ છે.</p><h6 style="text-align: justify; "><b>ભારે ઘટાડા બાદ નીચલા સ્તરે ખરીદી: </b></h6><p style="text-align: justify; ">છેલ્લા કેટલાક દિવસોમાં ભારતીય ઝવેરી બજારમાં સોના અને ચાંદીમાં રેકોર્ડ ઘટાડો આવ્યો હતો. સોનાના ભાવ જ્યારે પણ આ રીતે નીચે આવે છે, ત્યારે રોકાણકારો અને જ્વેલર્સ આને ખરીદીની સાચી તક માનીને મોટી માત્રામાં નીચા ભાવે ખરીદી શરૂ કરી દે છે. આનાથી ભાવ ફરીથી વધવા લાગે છે.</p><h6 style="text-align: justify; "><b>વ્યાજ દરોમાં ઘટાડાની આશા: </b></h6><p style="text-align: justify; ">ગ્લોબલ માર્કેટમાં ફરીથી એ ચર્ચા જોર પકડી રહી છે કે અમેરિકી ફેડરલ રિઝર્વ ટૂંક સમયમાં જ વ્યાજ દરોમાં ઘટાડો કરી શકે છે. વ્યાજ દર ઓછા થવાની આશાથી ડોલર થોડો નબળો પડી શકે છે અને જ્યારે ડોલર નબળો પડે છે, ત્યારે સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદીની વૈશ્વિક માંગ અને ભાવ બંને વધી જાય છે.</p><h6 style="text-align: justify; "><b>Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.</b></h6><p style="text-align: justify; "><a href="https://sandesh.com/tech/news/world/ai-data-centers-consuming-water-of-1-3-billion-people-global-protests" target="_blank">આ પણ વાંચો-AI Water Crisis : 130 કરોડ લોકોના હિસ્સાનું પાણી ગટગટાવી જશે AI, વિશ્વભરમાં ડેટા સેન્ટરો વિરુદ્ધ વિરોધ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/0JO538vjyfTREFeIq4nOStu734ypMnvLL2it1ovJ.webp'/></item></channel></rss>