<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[PM મોદી આજે ગુજરાત અને દમણના પ્રવાસે, સુરતમાં મેક ઇન ઇન્ડિયા શસ્ત્રોનું નિરીક્ષણ, દક્ષિણ ગુજરાતને ₹18,800 કરોડની ભેટ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/gujarat/pm-modi-surat-visit-hazira-indoor-stadium-daman-airport-inauguration</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/gujarat/pm-modi-surat-visit-hazira-indoor-stadium-daman-airport-inauguration</guid><pubDate>Fri, 05 Jun 2026 07:42:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે 5 જૂનના રોજ ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણના મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદી દક્ષિણ ગુજરાત અને દમણને હજારો કરોડ રૂપિયાના વિકાસ કામોની મોટી ભેટ આપશે. આ હાઈપ્રોફાઈલ પ્રવાસને લઈને વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>બપોરે સુરતના હજીરા ખાતે પહોંચશે.&nbsp;</b></h2><p style="text-align: justify; ">નિર્ધારિત કાર્યક્રમ મુજબ, વડાપ્રધાન મોદી બપોરે સુરતના હજીરા ખાતે પહોંચશે. અહીં તેઓ એક પ્રખ્યાત ઔદ્યોગિક ફેક્ટરીની મુલાકાત લઈને ભારતીય સેના માટે ખાસ 'મેક ઇન ઇન્ડિયા' (અંતર્ગત તૈયાર કરવામાં આવેલા અત્યાધુનિક શસ્ત્રો અને ટેન્કોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરશે. 
</p><h3 style="text-align: justify; "><b>&nbsp;ઇન્ડોર સ્ટેડિયમ  ખાતે આયોજિત એક વિશાળ જાહેર સભાને સંબોધશે
</b></h3><p style="text-align: justify; ">ત્યારબાદ પીએમ મોદી સુરતના ઇન્ડોર સ્ટેડિયમ  ખાતે આયોજિત એક વિશાળ જાહેર સભાને સંબોધશે. આ ભવ્ય કાર્યક્રમ દરમિયાન તેઓ દક્ષિણ ગુજરાત માટે આશરે 18800 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેમાં વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના મહત્વના પેકેજ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. આ સાથે જ તેઓ પર્યાવરણના જતન માટે 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ સહભાગી બનશે.
</p><h4 style="text-align: justify; "><b>વડાપ્રધાન સાંજે સંઘપ્રદેશ દમણ જવા રવાના થશે
</b></h4><p style="text-align: justify; ">સુરત ખાતેના તમામ કાર્યક્રમો પૂર્ણ કરીને વડાપ્રધાન સાંજે સંઘપ્રદેશ દમણ જવા રવાના થશે. દમણમાં પીએમ મોદી કનેક્ટિવિટીને બુસ્ટ આપતા નવા સિવિલ એરપોર્ટ ના અત્યાધુનિક ટર્મિનલ બિલ્ડિંગનું ભવ્ય ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત, દમણમાં બનેલી નવી નમો હોસ્પિટલ પણ જનતા માટે ખુલ્લી મુકાશે. દમણના સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડ પરથી પીએમ મોદી અન્ય 2970 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે. વડાપ્રધાનના આ પ્રવાસથી દક્ષિણ ગુજરાત અને સંઘપ્રદેશના ઔદ્યોગિક, પ્રવાસન અને આર્થિક વિકાસને ભારે વેગ મળશે તેવું માનવામાં આવી રહ્યું છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-live-news-and-samachar-05-june-2026-politics-weather-updates-daily-breaking-news-national-news-international-news" target="_blank"><b>Gujarat Latest News live : ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/H0HyEyz3mKZfdOmxSc55LBHSeLK7UixCPMwoz273.webp'/></item><item><title><![CDATA[Chhotaudepur:ઘેલવાંટ ગામે ટ્રકની ટક્કરે ટ્રેક્ટર પાછળ બેસેલ યુવાનનું મોત થયું ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-a-young-man-sitting-behind-a-tractor-died-after-being-hit-by-a-truck-in-ghelwant-village</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-a-young-man-sitting-behind-a-tractor-died-after-being-hit-by-a-truck-in-ghelwant-village</guid><pubDate>Fri, 05 Jun 2026 05:57:13 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">છોટાઉદેપુરના માલધી ગામના યુવાન ટ્રેક્ટરમાં ડીઝલ ભરાવવા માલધીથી છોટાઉદેપુર આવતો હતો. ત્યારે ઘેલવાંટ ગામ પાસે ટ્રક થાંભલા ભરેલી ટ્રકે ટ્રેક્ટરને ટક્કર મારતા બે ઇસમ ફ્ંગોળાઈને નીચે પડયા હતા. જેમાંટ્રકના ટાયર નીચે દબાઈ જતા માલધી ગામના યુવાન અંકિત ઈશ્વર રાઠવા (ઉ.19)નું કરુણ મોત થયું હતું. જ્યારે ઇશ્વરભાઇ રાઠવા (ઉ. 42)ને ઈજા થઈ હતી.</p><p style="text-align: justify; ">ઉલ્લેખનિય છે કે, છોટાઉદેપુરના ઘેલવાંટ ગામ પાસે ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. ટ્રકચાલકે ટ્રેક્ટરને ટક્કર મારતાં ટ્રેક્ટર પાછળ બેઠેલો અંકિત રાઠવા (ઉં.19) નીચે પડી ગયો હતો. જે ટ્રકની અડફેટે આવી જતાં તેનું મોત નીપજ્યું હતું. જ્યારે ટ્રેક્ટર ચાલક ઇશ્વરભાઇ રાઠવા (ઉં.42)ને ઇજા થઈ હતી. પોતાના ઘરે માલધી ગામથી ટ્રેક્ટર લઈને છોટાઉદેપુર ખાતે ડીઝલ ભરાવવા આવતા ઘેલવાંટ પાસે છોટાઉદેપુર આવતો યુવાન મોતને ભેટયો હતો. અકસ્માતની ઘટના સર્જાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને કાર્યવાહી હાથ ધરી હતી.
</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p> 
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/5ZFrdU6pxUShsLSwGdHTCI9Y9X95WCVf8RVE0ZxA.webp'/></item><item><title><![CDATA[Vadodara: ડભોઈમાં સરકારી દવાખાનામાં બે પોલીસ કર્મી. પર જીવલેણ હુમલો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-fatal-attack-on-two-police-personnel-at-a-government-hospital-in-dabhoi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-fatal-attack-on-two-police-personnel-at-a-government-hospital-in-dabhoi</guid><pubDate>Fri, 05 Jun 2026 05:56:25 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ડભોઈમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે લાલબત્તી ધરતો વધુ એક સળગતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં સામાન્ય જનતાની સુરક્ષા કરતી ખાખી પર જ માથાભારે તત્વોએ સરેઆમ જીવલેણ હુમલો કર્યો છે. ગુનેગારોમાં કાયદાનો કોઈ ભય જ ન રહ્યો હોય તેમ, ઉશ્કેરાયેલા ટોળાએ ઓન ડયુટી હેડ કૉન્સ્ટેબલ અને કૉન્સ્ટેબલ પર જાનથી મારી નાખવાના ઈરાદે ઇંટોના પથ્થર ફ્ટકારી લોહીલુહાણ કરી દીધા હતા.સરકારી દવાખાનામાં ધોળા દિવસે ફ્રજ પર 10થી વધુ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો.</p><p style="text-align: justify; ">ડભોઈમાં મહુડી ભાગોળમાં ઘર પાસે મૂકેલું છોડનું પિંજરું હટાવવા મુદ્દે બે પક્ષ વચ્ચે બે દિવસ અગાઉ ઝઘડો થયો હતો. જે બાદ આ સમગ્ર પ્રકરણ ડભોઈ પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું. ફરિયાદની તપાસના કામે ડભોઈ પોલીસના બે કર્મચારીઓ પરવેઝ ઉર્ફે રાજા નામના શખ્સને ગઈકાલે પોલીસ સ્ટેશન લાવ્યા હતાં. ત્યારબાદ પરવેઝને લઈ હેડ કૉન્સ્ટેબલ અને કૉન્સ્ટેબલ લગભગ બપોરે પોણા બે વાગે ડભોઈના સરકારી દવાખાને લઈ ગયા હતાં. જ્યાં પરવેઝના ઓળખીતાઓ ભેગા થયા હતાં. દરમિયાન પરવેઝ ઉર્ફે રાજા સિકંદર ગરાસિયાએ ઉશ્કેરણી કરી હતી કે, આ પોલીસવાળા આપણને જ પકડે છે અને સામાવાળાઓને પકડતા નથી, જેથી આજે તેઓને જાનથી મારી નાખો.
</p><p style="text-align: justify; ">જેના પગલે ત્યાં હાજર બીજા શખ્સ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી રચી અને આસીફ્ તથા હસનેન ઉર્ફે મુન્સીએ જાનથી મારી નાખવાના ઈરાદે ઇંટોના ટુકડા છુટા મારી હેડ કૉન્સ્ટેબલ નવીનના માથાના ભાગે તથા છાતીના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી. અન્ય આરોપીઓએ પણ કૉન્સ્ટેબલ શુભમને બેરહેમીથી માર મારી તેમની સરકારી ફ્રજમાં રૂકાવટ ઊભી કરી હતી. બીજી તરફ, HC નવીનને માથામાંથી લોહી નીકળતા તાત્કાલિક સારવાર માટે દવાખાનાની અંદર લઈ જવાયા હતાં. જ્યાં તેમને માથામાં ચાર ટાંકા આવ્યાં હતાં. ધોળા દિવસે બનેલી ઘટનાથી ઈજાગ્રસ્ત નવીનભાઇએ ફરિયાદ નોંધાવી હતી.
</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/3rruwaquELMODqTiYXlbHDcRJgXhxCsrHiybF2lA.webp'/></item><item><title><![CDATA[Vadodara: પાદરામાં રાહતદરના દવાખાનાને આધુનિક તબીબી સાધનોની ભેટ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara--1-1-1-1-1-1-1-1-1-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara--1-1-1-1-1-1-1-1-1-1</guid><pubDate>Fri, 05 Jun 2026 05:55:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પાદરા ખાતે રાહતદરે આરોગ્ય સેવા પૂરી પાડતા સરદાર પટેલ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દવાખાનાને ઉમરાયા ગામ સ્થિત આક્રોમા ઇન્ટરનેશનલ ઈન્ડિયા પ્રા. લી. દ્વારા કંપનીના CSR કાર્યક્રમ અંતર્ગત લાખો રૂપિયાની કિંમતના બે અત્યાંધુનિક તબીબી મશીનો નિઃશુલ્ક ભેટ અપાયા હતા. જે પ્રસંગે કંપનીના એચ.આર. હેડ હેમંત પટેલ, ફેસિલિટી મેનેજર કૃતિકા ગાંધી તથા સીએસઆર પ્રતિનિધિ ગીતા રાઠવા દ્વારા રિબન કાપી મશીનોનું લોકાર્પણ કરાયું હતું.</p><p style="text-align: justify; ">દવાખાનાને ભેટ સ્વરૂપે આપેલા સાધનોમાં મોતિયાના ઓપરેશન માટે ઉપયોગી અત્યાધુનિક ફેકો (Phaco) મશીન તેમજ કિયુસ્ક હેલ્થ મશીનનો સમાવેશ થાય છે. કિયુસ્ક હેલ્થ મશીન દ્વારા શરીરના વિવિધ પરિમાણોના અંદાજે 65 પ્રકારના ટેસ્ટ અને રિપોર્ટ મેળવી શકાશે. જેના કારણે દર્દીઓને પ્રાથમિક આરોગ્ય તપાસથી લઈને વિવિધ ટેસ્ટ માટે એક જ સ્થળે સુવિધા ઉપલબ્ધ બનશે. હવે ગરીબ, મધ્યમવર્ગ અને જરૂરિયાતમંદ દર્દીનું ઝડપી અને વધુ ચોકસાઈપૂર્વક નિદાન શક્ય બનશે. ખાસ કરીને આંખના દર્દીઓ માટે ફેકો મશીન આશીર્વાદરૂપ સાબિત થશે, જ્યારે કિયુસ્ક હેલ્થ મશીન દ્વારા સામાન્ય જનતાને આરોગ્ય સંબંધિત વિવિધ તપાસ રાહતદરે અને સરળતાથી મળી શકશે તેમ કંપની એચ આર હેડ હેમંત પટેલ અને ફેસીલીટી મેનેજર કૃતિકા ગાંધીએ જણાવ્યું હતું. કાર્યક્રમમાં સરદાર પટેલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સુરેશ ઠક્કર, ઉપપ્રમુખ ગજેન્દ્ર પાઠક સહિત ટ્રસ્ટના યશવંત પટેલ ઈલીઝીયમવાળા, મુકેશ ઠક્કર, પ્રદીપ ગાંધી, સૂર્યકાંત ચોકસી, મહેન્દ્ર શાહ, સહિત દવાખાનામાં રાહતદરે સેવા આપતા તબીબો અને સ્ટાફ્ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આક્રોમા ઇન્ટરનેશનલ ઈન્ડિયા પ્રા. લી. દ્વારા કરયેલી સેવાકીય પહેલને બિરદાવી કંપનીના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/X24z4yR4iX8qtl57w2eOkfAQ3pBupJdy5C4OA7Tn.webp'/></item><item><title><![CDATA[Chhotaudepur: અધૂરો અભ્યાસ છોડતા બાળકોને શાળામાં પરત લેવા અભિયાન ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-campaign-to-bring-back-children-who-are-leaving-school-incompletely</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-campaign-to-bring-back-children-who-are-leaving-school-incompletely</guid><pubDate>Fri, 05 Jun 2026 05:54:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના અસરકારક અમલીકરણના ભાગરૂપે વર્ષ-2030 સુધીમાં પૂર્વ પ્રાથમિકથી માધ્યમિક સ્તર સુધી 100 ટકા કુલ નોંધણી ગુણોત્તર (GER) પ્રાપ્ત કરવાના ઉમદા લક્ષ્યાંક સાથે બાળકોને શાળામાં પાછા લાવીએ વિશેષ અભિયાન હાથ ધરાયું છે.</p><p style="text-align: justify; ">જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા કલેકટર ગાર્ગી જૈનના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં શિક્ષણ અધવચ્ચેથી છોડી દેનાર (ડ્રોપ આઉટ) બાળકોને ફ્રીથી શૈક્ષણિક પ્રવાહમાં સામેલ કરવા માટે સઘન પ્રયાસો હાથ ધરાઇ રહ્યા છે. જેના ભાગરૂપે મોડેલ ડે સ્કૂલ, મોટી સઢલી ખાતેથી જિલ્લા કલેકટર ગાર્ગી જૈને શિક્ષણ અધવચ્ચેથી છોડી દેનાર બાળકો અને તેમના વાલીઓની રૂબરૂ મુલાકાત લીધી હતી. કલેકટરે આ બાળકોને હૂંફ્ આપી પુનઃ શિક્ષણ સાથે સાંકળ્યા હતા.
</p><p style="text-align: justify; ">શિક્ષણ અધવચ્ચેથી છોડી દેનાર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને શિક્ષણનું સાચું મહત્વ સમજાવતા જિલ્લા કલેકટર ગાર્ગી જૈને જણાવ્યું હતું કે, દરેક બાળકે પોતાનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનિવાર્યપણે પૂર્ણ કરવું જોઈએ. ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે. તેઓએ વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા ઉમેર્યું કે, ધો.10 પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીએ ધો.11માં અભ્યાસ કરવો જોઈએ. અથવા તો ITI જેવા સ્કીલ ડેવલપમેન્ટના રોજગારલક્ષી કોર્ષ તરફ્ આગળ વધવું જોઈએ. આ ઉપરાંત, ધો.10માં અનુત્તીર્ણ (નાપાસ) થયેલા વિદ્યાર્થીઓ નિરાશ થયા વગર પૂરક પરીક્ષા આપીનેપુનઃ ધો.11માં અભ્યાસ ચાલુ રાખે તે માટે તેઓને પ્રોત્સાહિત કર્યા હતા. બાળકોને શાળામાં પાછા લાવીએ અભિયાન અંતર્ગત કલેકટરે જિલ્લા શિક્ષણ અધિકારીને સૂચના આપતાં જણાવ્યું હતું કે, જિલ્લાના આવા તમામ વિદ્યાર્થીઓનો પુનઃ પ્રવેશ સુનિશ્ચિત કરવામાં આવે. તેમજ ધો. 10ની પૂરક પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી તમામ જરૂરી વ્યવસ્થાઓ અને માર્ગદર્શન મળી રહે તેવી સચોટ વ્યવસ્થા ગોઠવવા પણ તેઓએ તાકીદ કરી હતી. જિલ્લા શિક્ષણાધિકારી આનંદકુમાર પરમાર, મામલતદાર છોટાઉદેપુર ઉપસ્થિત રહ્યાં હતા.
</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/20Df4jx8rRxU0i5JDuckpgIbJufdJdC0t9WlFpoO.webp'/></item><item><title><![CDATA[Mumbai એરપોર્ટ પર મોટી કરન્સી સ્મગલિંગનો પર્દાફાશ, બેગમાંથી 1.45 લાખ અમેરિકી ડોલર જપ્ત ]]></title><link>https://sandesh.com/india/news/crime/mumbai-airport-currency-smuggling-usd-145000-seized-cisf-action</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/crime/mumbai-airport-currency-smuggling-usd-145000-seized-cisf-action</guid><pubDate>Thu, 04 Jun 2026 23:45:18 +05:30</pubDate><description><![CDATA[<p>મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર CISF (સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ)ની સતર્કતાના કારણે મોટી કરન્સી સ્મગલિંગનો પર્દાફાશ થયો છે. સુરક્ષા તપાસ દરમિયાન એક વિદેશી મુસાફર પાસેથી મોટા પ્રમાણમાં વિદેશી ચલણ જપ્ત કરવામાં આવ્યું છે.</p><h2><b>કરન્સી જાહેર કર્યા વિના લઈ જતો હતો
</b></h2><p>મળતી માહિતી અનુસાર, X-BIS સ્કેનિંગ દરમિયાન મુસાફરના બેગેજમાં શંકાસ્પદ ઈમેજ દેખાતા CISFના અધિકારીઓએ તાત્કાલિક બેગની વિગતવાર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન હેન્ડ બેગેજમાંથી મોટી માત્રામાં વિદેશી ચલણ મળી આવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા મુજબ કુલ USD 1,45,000 (આશરે ₹1.39 કરોડ)ની વિદેશી કરન્સી જપ્ત કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મુસાફરે આ કરન્સી અંગે કોઈ પણ પ્રકારની માહિતી અથવા જાહેરાત કરી નહોતી, જે નિયમોના ઉલ્લંઘન તરીકે ગણાય છે.
</p><h3><b>વિદેશી નાગરિક મુંબઈથી ઇથિયોપિયાના અદિસ અબાબા જવાની તૈયારીમાં હતો
</b></h3><p>આ મુસાફર વિદેશી નાગરિક છે અને તે મુંબઈથી ઇથિયોપિયાના અદિસ અબાબા જવાની તૈયારીમાં હતો. એરપોર્ટ પર નિયમિત સુરક્ષા ચેકિંગ દરમિયાન જ આ ગેરકાયદેસર હરકતનો ખુલાસો થયો. ઘટના બાદ CISFએ તરત જ મુસાફરને કસ્ટમ્સ વિભાગને સોંપ્યો હતો, સાથે જ જપ્ત કરાયેલ તમામ વિદેશી કરન્સી પણ કસ્ટમ્સને હવાલે કરવામાં આવી હતી. કસ્ટમ્સ વિભાગ દ્વારા હવે આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
</p><h4><b>વધુ તપાસ શરૂ
</b></h4><p>અધિકારીઓનું કહેવું છે કે આ કરન્સી ક્યાંથી લાવવામાં આવી અને તેનો હેતુ શું હતો તે અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. તેમજ આંતરરાષ્ટ્રીય નેટવર્ક સાથે કોઈ જોડાણ છે કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે. આ ઘટનાએ એરપોર્ટ સુરક્ષા વ્યવસ્થાની અસરકારકતા ફરી એકવાર સાબિત કરી છે. CISFની સતર્કતાના કારણે મોટી સ્મગલિંગ અટકાવવામાં સફળતા મળી છે.
<br><br><a href="https://sandesh.com/india/news/amit-shah-tripura-visit-june-5-border-security-review-bsf" target="_blank">આ પણ વાંચો : Amit Shah 5 જૂને ત્રિપુરાની મુલાકાત લેશે, સરહદ સુરક્ષાની કરશે સમીક્ષા</a><b></b></p><p><br></p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/04/ESXUKZzpLkLcl9MJnPFboqS1INSB8embixXLK57u.webp'/></item><item><title><![CDATA[Amit Shah 5 જૂને ત્રિપુરાની મુલાકાત લેશે, સરહદ સુરક્ષાની કરશે સમીક્ષા ]]></title><link>https://sandesh.com/india/news/amit-shah-tripura-visit-june-5-border-security-review-bsf</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/amit-shah-tripura-visit-june-5-border-security-review-bsf</guid><pubDate>Thu, 04 Jun 2026 22:41:36 +05:30</pubDate><description><![CDATA[<p>દેશની આંતરરાષ્ટ્રીય સરહદોની સુરક્ષા વધુ મજબૂત બનાવવા અને સરહદ પર તૈનાત જવાનોનું મનોબળ વધારવાના હેતુથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 5 જૂને ત્રિપુરાના લંકામુરા બોર્ડર આઉટ પોસ્ટ (BOP)ની મુલાકાત લેશે. છેલ્લા 15 દિવસમાં આ તેમનો ત્રીજો સરહદી પ્રવાસ હશે. આ પહેલાં તેઓ રાજસ્થાનના સાંચૂ અને ગુજરાતના ભુજ સરહદી વિસ્તારોની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી ચૂક્યા છે.</p><h2><b>ગૃહમંત્રી BSFના જવાનો સાથે સીધો સંવાદ કરશે
</b></h2><p>મુલાકાત દરમિયાન ગૃહમંત્રી BSFના જવાનો સાથે સીધો સંવાદ કરશે અને તેમની સાથે હાઈ-ટી કાર્યક્રમમાં પણ ભાગ લેશે. આ દરમિયાન તેઓ સરહદ પર તૈનાત જવાનોની કામગીરી, પડકારો અને જરૂરીયાતો અંગે માહિતી મેળવશે. આ મુલાકાતને જવાનોના ઉત્સાહવર્ધન અને સુરક્ષા દળો પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવતું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
</p><h3><b>NDRFના આરઆરસી બિલ્ડિંગનું ઈ-શિલાન્યાસ પણ કરશે
</b></h3><p>અમિત શાહ BSFના આવાસીય સંકુલ, જવાનોના ક્વાર્ટર્સ, ગાર્ડ કોમ્પ્લેક્સ તેમજ NDRFના આરઆરસી બિલ્ડિંગનું ઈ-શિલાન્યાસ પણ કરશે. આ પ્રોજેક્ટ્સથી સરહદી વિસ્તારોમાં સુરક્ષા માળખું અને સુવિધાઓ વધુ મજબૂત બનવાની આશા છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગૃહમંત્રી લંકામુરા બોર્ડર ચોકી ખાતે વૃક્ષારોપણ પણ કરશે. ઉપરાંત, તેઓ રાજ્ય સરકાર, BSF અને અન્ય સુરક્ષા એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજશે.
</p><p>બેઠકમાં ભારત-બાંગ્લાદેશ સરહદની સુરક્ષા, ગેરકાયદે ઘૂસણખોરી અટકાવવા, સ્માર્ટ ફેન્સિંગ, ડ્રોન, સેન્સર અને ડિજિટલ સર્વેલન્સ જેવી આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ અંગે ચર્ચા થવાની શક્યતા છે. ગૃહમંત્રીની આ મુલાકાત પૂર્વોત્તર રાજ્યોની સુરક્ષા અને વિકાસને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી પ્રાથમિકતાનો સ્પષ્ટ સંકેત માનવામાં આવી રહી છે.
<br><br><a href="https://sandesh.com/india/news/haryana-faridabad-flyover-site-crane-collapse-three-workers-died" target="_blank">આ પણ વાંચો : Haryana : ફરીદાબાદમાં નિર્માણાધીન ફ્લાયઓવર સાઈટ પર ક્રેન પલટી, 3 મજૂરના મોત</a><b></b></p><p><br></p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/04/bqCwQkc8RJ12yRWmpZpUEwJ7gQajYe7uQWRuADQB.webp'/></item><item><title><![CDATA[FIFA WORLD CUP 2026: મેસ્સી અને રોનાલ્ડો ક્યારે આવશે આમને-સામને? જાણો ક્યારે થઈ શકે છે આ મેચ ]]></title><link>https://sandesh.com/sports/news/messi-vs-ronaldo-fifa-world-cup-2026-possible-clash</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/messi-vs-ronaldo-fifa-world-cup-2026-possible-clash</guid><pubDate>Thu, 04 Jun 2026 20:48:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફૂટબોલની સૌથી મોટી ટુર્નામેન્ટ ફિફા વર્લ્ડકપ 2026, 12 જૂનથી શરૂ થશે. આ વર્ષે સ્પર્ધાને 48 ટીમોમાં વિસ્તૃત કરવામાં આવી છે, જેનાથી ઉત્સાહમાં વધુ વધારો થશે. 
</p><p style="text-align: justify; ">ઘણા સ્ટાર ખેલાડીઓ મેદાનમાં ઉતરશે, પરંતુ ફેન્સ જેની સૌથી વધુ રાહ જોઈ રહ્યા છે તે લિયોનેલ મેસ્સી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વચ્ચેની મેચ હોવાની શક્યતા છે. આ બંને દિગ્ગજો વચ્ચેની મેચ વર્લ્ડકપની સૌથી ચર્ચિત મેચ બની શકે છે.
</p><h2 style="text-align: justify; "><b>જાણો શું છે સમીકરણ
</b></h2><p style="text-align: justify; ">ફિફા વર્લ્ડ કપમાં મેસ્સી અને રોનાલ્ડો ક્યારે ટકરાશે? ફક્ત પોર્ટુગલ અને આર્જેન્ટિના ટુર્નામેન્ટમાં ક્યારે ટકરાશે તેના પર નિર્ભર છે. જો બધા પરિબળો યોગ્ય જગ્યાએ આવે, તો મેસ્સી અને રોનાલ્ડો 11 જુલાઈએ ટકરાઈ શકે છે.
</p><p style="text-align: justify; ">આગામી સવાલ એ ઊભો થઈ શકે છે કે આ સમીકરણ કેવી રીતે રચાય. તેથી આ ત્યારે જ થશે જ્યારે પોર્ટુગલ અને આર્જેન્ટિના બંને ફિફા વર્લ્ડ કપ 2026માં પોતપોતાના ગ્રુપમાં ટોપ પર રહેશે. તે સ્થિતિમાં પોર્ટુગલ અને આર્જેન્ટિના 11 જુલાઈના રોજ ક્વાર્ટર ફાઈનલમાં એકબીજાનો સામનો કરી શકે છે.</p><h3 style="text-align: justify; "><b>લિયોનેલ મેસ્સી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વચ્ચેની બીજી યાદગાર મેચ!</b></h3><p style="text-align: justify; ">
</p><p style="text-align: justify; ">જો 2026 ફિફા વર્લ્ડકપમાં આર્જેન્ટિના અને પોર્ટુગલ આમને-સામને થાય છે, તો ફેન્સ લિયોનેલ મેસ્સી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વચ્ચેની બીજી યાદગાર મેચ જોઈ શકે છે. આર્જેન્ટિના ગ્રુપ Kનો ભાગ છે. તેથી બંને ટીમો વચ્ચે ટક્કર ફક્ત નોકઆઉટ તબક્કામાં જ શક્ય છે.
</p><p style="text-align: justify; ">લિયોનેલ મેસ્સી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 2026ના ફિફા વર્લ્ડ કપમાં મેદાનમાં ઉતરીને ઈતિહાસ રચશે. બંને દિગ્ગજો એક અનોખો રેકોર્ડ હાંસલ કરશે. અન્ય કોઈ પુરુષ ફૂટબોલરે 6 ફિફા વર્લ્ડકપમાં ભાગ લીધો નથી. આ જ કારણ છે કે આ બે મહાન ખેલાડીઓ માટે આ ટુર્નામેન્ટ અત્યંત ખાસ માનવામાં આવે છે.
</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/ipl-2026/vaibhav-sooryavanshi-ipl-2026-awards-orange-cap-mvp" target="_blank">Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા</a></b></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/04/jJGd3nHa3L7YfOOMqDwHNtettr4hgVGsRqj7Sm77.webp'/></item><item><title><![CDATA[EDની તપાસ વચ્ચે Myntraને મળી મોટી રાહત, RBIએ આ રીતે ઉકેલ્યો કેસ ]]></title><link>https://sandesh.com/business/news/myntra-fema-case-rbi-settlement-ed-relief-compounding-order-india</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/myntra-fema-case-rbi-settlement-ed-relief-compounding-order-india</guid><pubDate>Thu, 04 Jun 2026 20:03:49 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ 20 એપ્રિલ 2026ના રોજ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA), 1999ની કલમ 15 હેઠળ મિંત્રા ડિઝાઈન્સ પ્રાઈવેટ લિમિટેડના કેસમાં કોમ્પાઉન્ડિંગ ઓર્ડર જાહેર કર્યો છે. આ નિર્ણય બાદ કંપની સામે ચાલી રહેલી FEMA સંબંધિત તપાસ પૂર્ણ થઈ ગઈ છે.</p><h2><b>તપાસમાં શું સામે આવ્યું?
</b></h2><p>આ કેસમાં ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તરફથી 'નો ઓબ્જેક્શન' (NOC) મળ્યા બાદ RBI દ્વારા અંતિમ ઓર્ડર આપવામાં આવ્યો છે. અગાઉ EDને મળેલી માહિતીના આધારે FEMA નિયમોના સંભવિત ઉલ્લંઘનની તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કંપની પર બે મુખ્ય આરોપો સામે આવ્યા હતા. પ્રથમ, ફોરેન સિક્યુરિટી સંબંધિત નિયમો હેઠળ આવશ્યક વાર્ષિક પરફોર્મન્સ રિપોર્ટ (APR) સમયસર રજૂ ન કરવો. આ કેસ અંદાજે ₹42.85 કરોડની વિદેશી રોકાણ પ્રતિબદ્ધતા સાથે જોડાયેલો હતો.
</p><p>બીજું, APR રજૂ કર્યા વિના ઓવરસીઝ ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (ODI) મારફતે નાણાકીય પ્રતિબદ્ધતા કરવામાં આવી હોવાનું પણ નોંધાયું હતું, જે FEMA નિયમોના ઉલ્લંઘન તરીકે ગણાયું હતું. આ મામલો લગભગ ₹3.03 કરોડ સાથે સંબંધિત હતો. કંપનીએ FEMAની કલમ 15 હેઠળ RBI સમક્ષ કોમ્પાઉન્ડિંગ માટે અરજી કરી હતી. RBIએ આ અંગે ED પાસેથી અભિપ્રાય માગ્યો હતો, જેમાં EDએ કોઈ વાંધો ન દર્શાવતા સમાધાન માટે મંજૂરી આપી હતી.
</p><h3><b>રૂપિયા 2.88 લાખની રકમથી કેસ સમાપ્ત
</b></h3><p>EDની મંજૂરી બાદ RBIએ 20 એપ્રિલ 2026ના પોતાના આદેશમાં બંને ઉલ્લંઘનોનું સમાધાન કર્યું. કંપનીએ કુલ ₹2.88 લાખની રકમ ચૂકવીને મામલો નિપટાવ્યો છે. આ સાથે મિંત્રા ડિઝાઇન્સ પ્રાઇવેટ લિમિટેડ સામે ચાલી રહેલી FEMA તપાસ સત્તાવાર રીતે પૂર્ણ થઈ ગઈ છે.
</p><p><a href="https://sandesh.com/business/news/india/rajesh-exports-15-15-lakh-crore-irregularities-lic-canara-bank-impact" target="_blank">આ પણ વાંચો : Rajesh Exports પર 15.15 લાખ કરોડ રૂપિયાની ગેરરીતિનો આરોપ, શું LIC અને કેનરા બેન્કના પૈસા પણ ફસાયા?</a><b></b></p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/04/OpHYhzUhE01HcxDMYAydzAjbtzqOF9WJYWkLXHoN.webp'/></item><item><title><![CDATA[FLOP કરિયર છતાં પણ લક્ઝરી લાઈફ જીવે છે 48 વર્ષની આ હસીના! ]]></title><link>https://sandesh.com/entertainment/news/tanishaa-mukerji-luxury-lifestyle-income-kajol-sister-net-worth</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/tanishaa-mukerji-luxury-lifestyle-income-kajol-sister-net-worth</guid><pubDate>Thu, 04 Jun 2026 17:36:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હિન્દી સિનેમાની ઘણી એવી અભિનેત્રીઓ છે, જેમણે એક્ટિંગમાં કદમ તો રાખ્યા, પરંતુ તેમને તે સક્સેસ ન મળી શકી, જેની તેઓ હકદાર હતી. આજે અમે તમને તે એક્ટ્રેસ વિશે જણાવી રહ્યા છીએ, જેનું કરિયર ફ્લોપ રહ્યું, પરંતુ તેમ છતાં તેઓ ખૂબ જ લક્ઝરી લાઇફ જીવે છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>કાજોલની બહેન તનિષા મુખર્જી
</b></h2><p style="text-align: justify; ">અમે જેમના વિશે વાત કરી રહ્યા છીએ, તેઓ કોઈ અન્ય નહીં પરંતુ પોપ્યુલર બોલીવુડ એક્ટ્રેસ કાજોલની બહેન તનિષા મુખર્જી છે. તનિષા મુખર્જીએ હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ તેમને સફળતા મળી શકી નહીં. તનિષાની વાત કરીએ તો તે બોલીવુડ એક્ટ્રેસ તનુજાની પુત્રી છે, જે ફ્લોપ કરિયર પછી પણ લક્ઝરી લાઇફ જીવે છે.
</p><h3 style="text-align: justify; "><b>જીવે છે લક્ઝરી લાઇફસ્ટાઇલ
</b></h3><p style="text-align: justify; ">તનિષાએ માત્ર ફિલ્મો જ નહીં પરંતુ ઘણા શોઝમાં પણ કામ કર્યું છે. જો તેની લક્ઝરી લાઇફસ્ટાઇલની વાત કરીએ તો તાજેતરમાં તનિષાએ ફરાહ ખાનની યુટ્યુબ ચેનલ પર પોતાના ઘરનું ટૂર કરાવ્યું છે. આ દરમિયાન એક્ટ્રેસે જણાવ્યું છે કે આ મોટું ઘર ખરીદવામાં તેની બહેન કાજોલે તેની મદદ કરી છે.
</p><h3 style="text-align: justify; "><b>એક્ટ્રેસ તનુજાની પુત્રી છે તનિષા
</b></h3><p style="text-align: justify; ">આ દરમિયાન તનિષાએ જણાવ્યું કે કાજોલે જ ઘર ખરીદ્યું છે અને તે આજે પણ ચેક બુક સાઇન કરે છે. આ ઘર માટે કાજોલે જ પૈસા આપ્યા છે. તનિષા બોલીવુડ એક્ટ્રેસ તનુજાની પુત્રી છે, તો સ્વાભાવિક છે કે એક્ટ્રેસ પાસે કોઈ વસ્તુની કોઈ કમી નહીં હોય અને તેની બહેન પણ હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી છે.
<br><img title="Tanishaa Mukerji luxury lifestyle income sources (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/06/04/d0A14Y0fzkbSISHDZUiXL0G3RCnsBUztWUEWxhbR.webp"><br></p><h5 style="text-align: justify; "><b>2003માં કરિયરની શરૂઆત
</b></h5><p style="text-align: justify; ">જો તનિષાના કરિયરની વાત કરીએ તો વર્ષ 2003માં તેણે પોતાના બોલીવુડ કરિયરની શરૂઆત કરી હતી. તનિષાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ લોકોએ તેને ખાસ મહત્વ ન આપ્યું અને તે કોઈ ખાસ નામ કમાઈ શકી નહીં. તનિષાની મોટાભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી. એટલું જ નહીં પરંતુ તનિષાએ લગ્ન પણ કર્યા નથી અને તે સિંગલ લાઇફ એન્જોય કરી રહી છે.
</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/anushka-sharma-trolled-on-social-media-for-supporting-homeopathy-controversy" target="_blank">આ પણ વાંચો-Bollywood Celebrity : અનુષ્કા શર્મા સોશિયલ મીડિયા પર થઈ રહી છે જોરદાર ટ્રોલ! હોમિયોપેથીના પક્ષમાં બોલવું પડ્યું ભારે!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/04/IVWsDRkx4fMLwFfNlPWTxsIQufyJ2ES01f9EL2u9.webp'/></item></channel></rss>