<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabad News: રથયાત્રાના દિવસે અમદાવાદ શહેરમાં 177 કરોડના વાહનો વેચાશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/vehicle-sales-worth--177-crore-expected-on-rath-yatra-day</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/vehicle-sales-worth--177-crore-expected-on-rath-yatra-day</guid><pubDate>Wed, 15 Jul 2026 22:07:29 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પાવન પર્વ અને અષાઢી બીજના શુભ મુહૂર્તને લઈને ઓટોમોબાઈલ સેક્ટરમાં જોરદાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.હિન્દુ શાસ્ત્રોમાં અષાઢી બીજને વાહન તેમજ મિલકતની ખરીદી માટે અત્યંત ઉત્તમ અને વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે.જેના પગલે ચાલુ વર્ષે અમદાવાદ શહેરમાં અંદાજે 177  કરોડની કિંમતના વાહનોનું રેકોર્ડબ્રેક વેચાણ થવાનો અંદાજ છે.ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વાહનોની ખરીદીમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. જેને કારણે શોરૂમ માલિકો અને ડીલર્સમાં ભારે ઉત્સાહ છે.</p><h2 style="text-align: justify; "><b>ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરના વેચાણમાં ધરખમ ઉછાળો</b></h2><p style="text-align: justify; ">આ શુભ દિવસે અમદાવાદીઓ દ્વારા અગાઉથી જ મોટા પાયે વાહનોનું બુકિંગ કરાવી લેવામાં આવ્યું છે.આંકડાકીય વિગતો મુજબ,રથયાત્રાના આ તહેવાર દરમિયાન શહેરમાં આશરે 7200 જેટલા ટુવ્હીલર અને 1450 જેટલા ફોર વ્હીલર  ગ્રાહકોને ડિલિવરી કરવામાં આવશે.ખાસ વાત એ છે કે,ગત વર્ષના મુકાબલે આ વખતે ટુ-વ્હીલરના વેચાણમાં 31 ટકા અને ફોર વ્હીલર એટલે કે કારના વેચાણમાં 38 ટકાનો જંગી વધારો નોંધાયો છે.જે ઓટોમોબાઈલ બજાર માટે ખૂબ પ્રોત્સાહક સંકેત છે.</p><h2 style="text-align: justify; "><b>શુભ મુહૂર્તમાં ડિલિવરી લેવા શોરૂમ પર ગ્રાહકોની ભીડ</b></h2><p style="text-align: justify; ">કોરોના કાળ અને ત્યારબાદની મંદી બાદ આ વર્ષે રથયાત્રા પર ઓટોમોબાઈલ માર્કેટે નવી ઊંચાઈ સર કરી છે.ડીલર્સના જણાવ્યા અનુસાર, ગ્રાહકો પોતાના મનપસંદ વાહનની ડિલિવરી રથયાત્રાના દિવસે જ મળે તે માટે એક-બે મહિના અગાઉથી જ એડવાન્સ બુકિંગ કરાવી રાખતા હોય છે. સવારથી જ શહેરના તમામ અગ્રણી ઓટોમોબાઈલ શોરૂમ્સ પર વાહનોની પૂજા અર્ચના કરવા અને નવી ચમકતી કાર કે બાઇક ઘરે લઈ જવા માટે પરિવારોની ભારે ભીડ અને ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.<br><br><a href="https://sandesh.com/weather/monsoon-2026/news/anand/rain-update-karamsad-petlad-waterlogging-pre-monsoon-failure" target="_blank">આ પણ વાંચોઃ Anand Rain Update: જિલ્લામાં વરસાદ, પ્રી-મોન્સૂન પ્લાનનો ફિયાસ્કો થતાં કરમસદ-પેટલાદ પાણીમાં ગરકાવ!</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/15/FJjNgGcPMo1yPGo7pik2G4mjuhZOCxIj3yJELr5L.webp'/></item><item><title><![CDATA[Delhiમાં એકનાથ શિંદેની અમિત શાહ સાથે મહત્વપૂર્ણ બેઠક, NDAમાં બદલાતા રાજકીય સમીકરણોની ચર્ચા તેજ ]]></title><link>https://sandesh.com/india/news/-political-news/eknath-shinde-meets-amit-shah-delhi-nda-strategy-maharashtra-politics</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/-political-news/eknath-shinde-meets-amit-shah-delhi-nda-strategy-maharashtra-politics</guid><pubDate>Wed, 15 Jul 2026 21:35:26 +05:30</pubDate><description><![CDATA[<p>મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એકવાર મોટા રાજકીય ફેરફારોની ચર્ચા શરૂ થઈ છે. રાજ્યના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે તેમના પુત્ર અને સાંસદ ડૉ. શ્રીકાંત શિંદે સહિત 13 સાંસદો સાથે દિલ્હી પહોંચ્યા હતા. અહીં તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે તેમના સત્તાવાર નિવાસસ્થાને એક કલાકથી વધુ સમય સુધી બેઠક કરી હતી. આ બેઠક બાદ NDAમાં બદલાતા રાજકીય સમીકરણોને લઈને ચર્ચા તેજ બની છે.</p><h2><b>બેઠકમાં શું થઈ ચર્ચા?</b></h2><p>મળતી માહિતી મુજબ અમિત શાહે શિંદે જૂથના સાંસદોને વિકાસકાર્યો માટે કેન્દ્ર સરકાર તરફથી સંપૂર્ણ સહયોગ અને નાણાકીય મદદનું આશ્વાસન આપ્યું છે. સાથે જ રાજ્યના મહત્વના મુદ્દાઓને આગામી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવા અંગે પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હોવાનું કહેવાય છે. બેઠક દરમિયાન ડૉ. શ્રીકાંત શિંદેને કેન્દ્ર સરકાર અને શિંદે જૂથના સાંસદો વચ્ચે સંકલન કરવાની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હોવાની પણ માહિતી મળી છે. જણાવવામાં આવે છે કે તમામ સાંસદો હવે પોતાની સમસ્યાઓ અને માગણીઓ શ્રીકાંત શિંદે મારફતે કેન્દ્ર સરકાર સુધી પહોંચાડશે.</p><h3><b>15 મિનિટ સુધી બંધ બારણે અલગ બેઠક પણ યોજાઈ</b></h3><p>એકનાથ શિંદે અને અમિત શાહ વચ્ચે લગભગ 15 મિનિટ સુધી બંધ બારણે અલગ બેઠક પણ યોજાઈ હતી. જોકે આ ચર્ચાની સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી, પરંતુ તેને ભવિષ્યની રાજકીય વ્યૂહરચના સાથે જોડીને જોવામાં આવી રહી છે. ઉદ્ધવ ઠાકરે જૂથના કેટલાક સાંસદો શિંદે જૂથમાં જોડાતા લોકસભામાં તેમની સંખ્યા વધીને 13 થઈ હોવાનું માનવામાં આવે છે.&nbsp;</p><p>આ કારણે શિંદે જૂથની NDAમાં રાજકીય સ્થિતિ વધુ મજબૂત બની છે. તે જ સમયે કેન્દ્રીય મંત્રીમંડળના સંભવિત વિસ્તરણમાં શિંદે જૂથને બે મંત્રીપદ મળી શકે તેવી ચર્ચા પણ ચાલી રહી છે. જોકે કેન્દ્ર સરકાર અથવા ભાજપ તરફથી આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.</p><p><b><a href="https://sandesh.com/india/news/dhirendra-shastri-brother-shaligram-garg-arrested-in-chhatarpur-firing-case" target="_blank">આ પણ વાંચો : પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ભાઈ શાલીગ્રામની ધરપકડ, ફાયરિંગ કેસમાં કરી કાર્યવાહી</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/15/v9bR2DvB8EdawNrFDPPQ5epQwSwZl4xgOkY4FGuO.webp'/></item><item><title><![CDATA[15 જુલાઈના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર ]]></title><link>https://sandesh.com/gujarat/news/india/top-10-important-news-headlines-july-15-latest-updates</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/india/top-10-important-news-headlines-july-15-latest-updates</guid><pubDate>Wed, 15 Jul 2026 21:00:00 +05:30</pubDate><description><![CDATA[<p><b>સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો</b></p><p><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/two-foreign-women-detained-in-chandkheda-for-visa-overstay" target="_blank"><b>1. Ahmedabad News: ચાંદખેડામાંથી પોલીસે બે વિદેશી મહિલાઓને ડિટેઈન કરી, વિઝાની મુદ્દત પૂર્ણ છતાં રહેતી હતી</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/police-finalise-minute-to-minute-plan-for-149th-rath-yatra" target="_blank"><b>2. Ahmedabad News: શહેર પોલીસે 149મી રથયાત્રાના મિનિટ ટુ મિનિટ કાર્યક્રમની તૈયારીઓ કરી: CP અનુપમસિંહ ગેહલોત</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/porbandar/centre-approves-greenfield-shipbuilding-cluster-in-porbandar" target="_blank"><b>3. Gujarat News: પોરબંદરમાં ગ્રીન ફિલ્ડ શિપ બિલ્ડિંગ ક્લસ્ટર બનાવવા કેન્દ્ર સરકારે મંજૂરી આપી</b></a></p><p><a href="https://sandesh.com/india/news/gujarat/ahmedabad/plane-crash-aaib-investigation-report-supreme-court" target="_blank"><b>4. ahmedabad plane crash: ઓક્ટોબર સુધીમાં ફાઇનલ રિપોર્ટ તૈયાર થશે, AAIBએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/himatnagar/sabarkantha-poshina-road-jeep-accident-two-dead-injured" target="_blank"><b>5. Sabarkantha News: દેલવાડા-પોશીના રોડ પર વળાંકમાં જીપ પલટી જતાં બેના મોત, 9 મુસાફરો ઈજાગ્રસ્ત</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/surat/orange-alert-for-surat--yellow-alert-in-22-districts-amid-heavy-rain-forecast" target="_blank"><b>6. Gujarat Weather: સુરતમાં ખાડીપૂરની રાહત બાદ ફરી વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/surat/kamrej-adulterated-ghee-seized-shreeji-industrial-estate" target="_blank"><b>7. Surat News: કામરેજમાં ફૂડ વિભાગની રેડ, શ્રીજી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાંથી 103 કિલો શંકાસ્પદ ઘી અને મલાઈનો જથ્થો ઝડપાયો</b></a></p><p><a href="https://sandesh.com/india/news/union-cabinet-approves-7-major-decisions-semicon-2-0-mobile-phone-manufacturing-scheme" target="_blank"><b>8. Cabinet Decision : Semicon 2.0થી લઈને મોબાઈલ મેન્યુફેક્ચરિંગ યોજના સુધી, કેન્દ્રીય કેબિનેટે 7 મોટા નિર્ણયોને આપી મંજૂરી</b></a></p><p><a href="https://sandesh.com/india/news/kerala-mla-vidya-balakrishnan-cyber-fraud--scammer-promised-cabinet-post-for-rs-3-crore" target="_blank"><b>9. '3 કરોડ આપો, મંત્રી બનાવી દઈશું', ઇલાથુરના કોંગ્રેસ ધારાસભ્યને કોને આપી ઓફર?</b></a></p><p><a href="https://sandesh.com/india/news/nitin-gadkari-e20-fuel-100-percent-pure-petrol-option-price" target="_blank"><b>10. E20 જેમને નથી જોઈતું, તેઓ વધુ કિંમત ચૂકવીને 100% શુદ્ધ પેટ્રોલ ખરીદી શકે છે: નીતિન ગડકરી</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/15/nqIQZmsjLEHS96lWHmGlFtnXyCgOYXVvUVWyuRLq.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મહાઆરતીમાં ભાગ લીધો ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/cm-bhupendra-patel-joins-maha-aarti-ahead-of-149th-jagannath-rath-yatra</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/cm-bhupendra-patel-joins-maha-aarti-ahead-of-149th-jagannath-rath-yatra</guid><pubDate>Wed, 15 Jul 2026 20:17:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના જગન્નાથ મંદિરે મહાઆરતીમાં સહભાગી થયા હતા.આ પ્રસંગે તેમણે રાજ્યના સૌ નાગરિકોની સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રભુને પ્રાર્થના કરી હતી. ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રાને લઈને સમગ્ર ગુજરાત પોલીસ તંત્ર હાઈ એલર્ટ મોડ પર આવી ગયું છે.રાજ્યભરમાં નીકળનારી તમામ રથયાત્રાઓ શાંતિપૂર્ણ અને ભક્તિસભર માહોલમાં સંપન્ન થાય તે માટે રાજ્ય પોલીસ વડા દ્વારા સુરક્ષા વ્યવસ્થાની સઘન સમીક્ષા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જન્મદિવસ પણ છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>રથયાત્રાને લઈને મુખ્યમંત્રીનો સંદેશ</b></h2><p style="text-align: justify; ">મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે અષાઢી બીજના શુભ દિવસે ભગવાન શ્રી જગન્નાથજી નગરચર્યાએ નીકળીને સર્વ સમાજને સુખ,શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણના આશીર્વાદ આપે છે. તેમણે ભગવાન જગન્નાથને દરિદ્ર નારાયણ ગણાવતા કહ્યું કે,શ્રમિકો અને વંચિતો પ્રત્યેની કરુણા અને સેવાનો સંદેશ આપતી આ રથયાત્રા ભારતીય સંસ્કૃતિના સમરસતા અને માનવતાના મૂલ્યોને વધુ સુદ્રઢ કરે છે.તેમણે કહ્યું કે,જગન્નાથજીની રથયાત્રા ગુજરાતની ગૌરવશાળી પરંપરા, સાંસ્કૃતિક વિરાસત અને સામાજિક એકતાનું પ્રતીક છે.</p><h2 style="text-align: justify; "><b>સામાજિક સમરસતાની ભાવના સાથે આ મહાપર્વની ઉજવણી</b></h2><p style="text-align: justify; ">આ પવિત્ર અવસરે સૌએ ભાઈચારા, પરસ્પર સ્નેહ અને સામાજિક સમરસતાની ભાવના સાથે આ મહાપર્વની ઉજવણી કરવાની પણ મુખ્યમંત્રીએ અપીલ કરી હતી. વડાપ્રધાન મોદીએ આપેલા ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ના મંત્રને આત્મસાત કરીને આપણે સૌ મળીને એક સમૃદ્ધ, સુખી અને વિકસિત ગુજરાતના નિર્માણમાં સહભાગી બનીએ તેવો અનુરોધ પણ મુખ્યમંત્રીએ કર્યો હતો. મુખ્યમંત્રીએ રાજ્યમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસનું વાતાવરણ વધુ સુદૃઢ બને તેમજ દરેક નાગરિકના જીવનમાં સુખ-સમૃદ્ધિનો સંચાર થાય તે માટે ભગવાન જગન્નાથજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી.<br><br><a href="https://sandesh.com/india/news/arunachal-floods--19-missing-itbp-jawans-safe--reach-base-camp" target="_blank">આ પણ વાંચોઃ અરુણાચલ પ્રદેશમાં પૂરમાં ગુમ થયેલા ITBPના 19 જવાન બેઝ કેમ્પ પર પહોંચ્યા, પાડોશી રાજ્ય આસામમાં પણ હાલત ખરાબ</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/15/hgTDXwOessizauvKOdzgqUPljZZ4qyzL50uFrgT5.webp'/></item><item><title><![CDATA[Anand Rain Update: જિલ્લામાં વરસાદ, પ્રી-મોન્સૂન પ્લાનનો ફિયાસ્કો થતાં કરમસદ-પેટલાદ પાણીમાં ગરકાવ! ]]></title><link>https://sandesh.com/weather/monsoon-2026/news/anand/rain-update-karamsad-petlad-waterlogging-pre-monsoon-failure</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/monsoon-2026/news/anand/rain-update-karamsad-petlad-waterlogging-pre-monsoon-failure</guid><pubDate>Wed, 15 Jul 2026 19:57:16 +05:30</pubDate><description><![CDATA[<p>આણંદ શહેર અને સમગ્ર જિલ્લામાં લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને વિરામ બાદ આખરે મેઘરાજા મહેરબાન થયા છે. આણંદ પંથકમાં સાર્વત્રિક વરસાદનું આગમન થતાં સમગ્ર વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ છે. છેલ્લા ઘણા દિવસોથી ગરમીથી પરેશાન સ્થાનિક રહીશોને આ વરસાદી ઝાપટાંથી મોટી રાહત મળી છે, અને જનજીવનમાં નવીન તાજગીનો સંચાર થયો છે.</p><h2><b>ધરૂવાડિયાને નવું જીવતદાન મળતા ધરતીપુત્રો ખુશખુશાલ</b></h2><p>આ વરસાદ ગ્રામ્ય વિસ્તારો અને ખાસ કરીને કૃષિ ક્ષેત્ર માટે આશીર્વાદ સમાન સાબિત થયો છે. ખેતરોમાં તૈયાર થયેલા ધરૂવાડિયા પાણીના અભાવે સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી હતી, ત્યારે જ બરાબર સમયે વરસેલા વરસાદે પાકને નવું જીવતદાન આપ્યું છે. વરસાદ પડતાં જ ખેડૂતોના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ છે, અને તેઓ હોંશે-હોંશે ખેતીકામમાં વ્યસ્ત બન્યા છે.</p><h2><b>પ્રી-મોન્સૂન પ્લાન કાગળ પર જ રહ્યો</b></h2><p>એક તરફ જ્યાં પ્રકૃતિ ખીલી ઉઠી છે, તો બીજી તરફ શહેરી વિસ્તારોમાં વહીવટી તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે. નગરપાલિકા અને સ્થાનિક પ્રશાસન દ્વારા ચોમાસા પહેલા લાખો રૂપિયાના ખર્ચે કરાયેલા પ્રી-મોન્સૂન પ્લાનની કામગીરીનો સદંતર ફિયાસ્કો થયો છે. સામાન્ય વરસાદમાં જ નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે શહેરી માર્ગો નદીઓ જેવા ભાસી રહ્યા છે, જેને પગલે તંત્ર સામે લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2077387178225860951"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>કરમસદ અને પેટલાદમાં જળબંબાકારની સ્થિતિ</b></h2><p>વરસાદી પાણી ભરાવવાની સૌથી ગંભીર અસર કરમસદ અને પેટલાદમાં જોવા મળી છે. કરમસદના સુપ્રસિદ્ધ મૃત્યુંજય મહાદેવ મંદિર પાસે ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં દર્શનાર્થીઓ અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જ્યારે પેટલાદમાં વ્યસ્ત એવા સ્ટેશન રોડ પર પણ તળાવ જેવા દ્રશ્યો સર્જાયા છે. નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો જળમગ્ન થઈ જતાં સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓ તંત્રના અણઘડ આયોજન સામે ભારે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/crime/anand/anand-borsad-hit-and-run-case-police-inspector-pp-vasava-drunk-driving-accident" target="_blank">Anand : બોરસદમાં નશામાં ધૂત PI પી.પી. વસાવાનો હિટ એન્ડ રન કાંડ, બેફામ કાર હંકારી બે યુવકોને કચડ્યા</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/15/C1KkAx7qw68rrYUYSe9MYW2BeaSlZfQzkHxirIV5.gif'/></item><item><title><![CDATA[Gandhinagar News: ગુજરાતમાં શરૂ થશે ડ્રોન લેબોરેટરી નેટવર્ક, રોબોટિક્સ અને ઇનોવેશન શિક્ષણને વેગ મળશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-to-launch-drone-laboratory-network-boost-robotics-and-innovation-education</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-to-launch-drone-laboratory-network-boost-robotics-and-innovation-education</guid><pubDate>Wed, 15 Jul 2026 19:46:36 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાત આજે પરંપરાગત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા રાજ્યમાંથી હાઈટેક સનરાઈઝ સેક્ટર્સ જેવા કે સેમિકન્ડક્ટર, રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને હાઈપર-સ્કેલ ડેટા સેન્ટર્સના વૈશ્વિક હબ તરીકે ઉભરી આવ્યું છે.ગુજરાતમાં વર્ષ 2006માં સ્થાપિત વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ આજે સ્પેસ ટેકનોલોજી, બાયોટેકનોલોજી અને આગામી ક્વોન્ટમ મિશન સહિતના 11 મુખ્ય વર્ટિકલ્સ પર કાર્ય કરી રહ્યું છે.ભૂતકાળમાં જ્યાં પ્રાથમિક શાળાઓના વિજ્ઞાન મેળાઓ સામાન્ય મોડલ્સ પૂરતા સીમિત હતા ત્યાં આજે ગુજકોસ્ટ આયોજિત 'રોબોફેસ્ટ' જેવા મંચો થકી હજારો યુવા વિદ્યાર્થીઓ મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ અને આઈટીના સમન્વયથી અત્યંત જટિલ વાસ્તવિક રોબોટ્સનું નિર્માણ કરી શિક્ષણ ક્ષેત્રે આવેલા ક્રાંતિકારી બદલાવને પ્રદર્શિત કરી રહ્યા છે.&nbsp;&nbsp;</p><h2 style="text-align: justify; "><b>રોબોફેસ્ટ ગુજરાત 6.0નું આજે  લોન્ચિંગ કર્યું</b></h2><p style="text-align: justify; ">સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા દેશની સૌથી પ્રતિષ્ઠિત અને પ્રતિભાશાળી રોબોટિક સ્પર્ધા રોબોફેસ્ટ ગુજરાત 6.0નું આજે  લોન્ચિંગ કર્યું હતું.અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે, રોબોટિક્સ ટેકનોલોજી માત્ર વૈજ્ઞાનિક સંશોધન પૂરતી મર્યાદિત ન રહેતા માનવજીવન અને રાષ્ટ્રીય સુરક્ષા માટે અનિવાર્ય બની ચૂકી છે.તબીબી ક્ષેત્રે મેળવેલી સિદ્ધિના ઉદાહરણરૂપે,એશિયાની ખ્યાતનામ કિડની ઇન્સ્ટિટ્યૂટ ખાતે તાજેતરમાં જ રોબોટિક સર્જરીના માધ્યમથી સાત જટિલ લિવર ટ્રાન્સપ્લાન્ટ 100 ટકા સફળતાના દર સાથે પીડારહિત રીતે પૂર્ણ કરવામાં આવ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>સ્ટાર્ટઅપ્સ અને વ્યાવસાયિક સાહસોમાં રૂપાંતરિત થશે</b></h3><p style="text-align: justify; ">બદલાતા વૈશ્વિક પ્રવાહો વચ્ચે ભવિષ્યના યુદ્ધો સૈનિકો દ્વારા સીધા સરહદ પર લડાવાને બદલે અદ્યતન રોબોટ્સ, ડ્રોન્સ અને બંકરમાં બેસીને સંચાલિત થતી આધુનિક શસ્ત્ર પ્રણાલી દ્વારા લડવામાં આવી રહ્યા છે. વર્ષ 2022 સુધી સેમિકન્ડક્ટર ક્ષેત્રે નહિવત હાજરી ધરાવતું ભારત આજે ગુજરાતના સક્રિય યોગદાનથી વૈશ્વિક પટલ પર અગ્રેસર બનવા જઈ રહ્યું છે.દેશના 12 મોટા નિર્માણધીન પ્રોજેક્ટ્સમાંથી 6 પ્રોજેક્ટ્સ માત્ર ગુજરાતમાં જ પ્રગતિ હેઠળ છે.આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના યુગમાં અત્યંત મહત્વપૂર્ણ એવા હાઈપર સ્કેલ ડેટા સેન્ટર્સના ક્ષેત્રમાં પણ ભારત આગામી 5 વર્ષમાં અભૂતપૂર્વ રોકાણ સાથે વૈશ્વિક સ્તરે મોખરાનું સ્થાન હાંસલ કરવા સજ્જ બન્યું છે.આ વૈજ્ઞાનિક ઉત્ક્રાંતિ અને યુવાધનના નવતર વિચારો જો સ્ટાર્ટઅપ્સ અને વ્યાવસાયિક સાહસોમાં રૂપાંતરિત થશે.&nbsp;<br><br><a href="http://અરુણાચલ પ્રદેશમાં પૂરમાં ગુમ થયેલા ITBPના 19 જવાન બેઝ કેમ્પ પર પહોંચ્યા, પાડોશી રાજ્ય આસામમાં પણ હાલત ખરાબ" target="_blank">આ પણ વાંચોઃ અરુણાચલ પ્રદેશમાં પૂરમાં ગુમ થયેલા ITBPના 19 જવાન બેઝ કેમ્પ પર પહોંચ્યા, પાડોશી રાજ્ય આસામમાં પણ હાલત ખરાબ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/15/8kjJwERJrgeNwjZIz6Z1iPsgzGTEjwKkme1J72ap.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: AMC હવે ખાનગી એકમોમાં વૃક્ષો ટ્રીમ કરવા માટે બનાવશે પોલિસી ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-to-introduce-policy-for-tree-trimming-in-private-properties</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-to-introduce-policy-for-tree-trimming-in-private-properties</guid><pubDate>Wed, 15 Jul 2026 19:22:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવતા કામો અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને માહિતી આપી હતી. તેમણે ફાયર તપાસને લઈને વિગતો આપી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ગ્રીન કવર વધારવા અને તેની લાંબાગાળાની જાળવણી માટે એક નવું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.શહેરમાં મોટા પાયે કરાયેલા વૃક્ષારોપણના રેકોર્ડ બાદ ભવિષ્યમાં આ વૃક્ષો યોગ્ય રીતે મોટા થાય અને રસ્તા કે વીજળીની લાઈનો નડે નહીં તે હેતુથી કામગીરી કરવામાં આવશે. આ અંતર્ગત હવે સરકારી જગ્યાઓ ઉપરાંત ખાનગી સોસાયટીઓ,બંગલાઓ કે કોમર્શિયલ એકમોમાં આવેલા વૃક્ષોને પણ વ્યવસ્થિત રીતે ટ્રિમ કરવા માટે AMC એક ખાસ પોલિસી અમલમાં લાવશે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ખાનગી પરિસરોના વૃક્ષોનું વૈજ્ઞાનિક ઢબે ટ્રિમિંગ</b></h2><p style="text-align: justify; ">સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે કહ્યું હતું કે, આગામી પોલિસી હેઠળ કોર્પોરેશન દ્વારા નિયત ચાર્જ લઈને ખાનગી પરિસરોના વૃક્ષોનું વૈજ્ઞાનિક ઢબે ટ્રિમિંગ કરી આપવામાં આવશે.જેનો અમલ આગામી દિવસોમાં સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવશે.AMC દ્વારા પશ્ચિમ ઝોનમાં આવેલી ઇમારતો પર ઓચિંતી ફાયર તપાસ હાથ ધરવામાં આવી છે.ખાસ કરીને ફાયર સેફ્ટીના સાધનો કે મંજૂરી વિના ચાલતી ઇમારતો સામે કડક કાર્યવાહી શરૂ કરાઈ છે.આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સંબંધિત અધિકારીઓ પાસે તાકીદે સમગ્ર તપાસનો વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે અને જે પણ બિલ્ડિંગોમાં ખામી જણાય ત્યાં તાત્કાલિક ધોરણે ફાયર સેફ્ટીની પૂરતી વ્યવસ્થા ઊભી કરાવવા માટે કડક આદેશ આપ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>ઉંદરના કારણે AC લાઇન તૂટી હતી</b></h2><p style="text-align: justify; ">અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા નવનિર્મિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની છતમાંથી પાણી ટપકતો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ભારે હોબાળો મચ્યો હતો.આ વિવાદ મુદ્દે હવે સ્પોર્ટ્સ કમિટીના ચેરમેન કમલેશ પટેલે સત્તાવાર નિવેદન આપી સ્પષ્ટતા કરી છે.તેમણે જણાવ્યું હતું કે,કોઈ નબળા બાંધકામના કારણે નહીં પરંતુ બિલ્ડિંગમાં ઉંદરોનો ત્રાસ હોવાના કારણે એર કન્ડીશનરની આઉટલેટ પાઇપલાઇન તૂટી ગઈ હતી.જેના લીધે આ પાણી ટપકવાની સમસ્યા સર્જાઈ હતી.જેવો આ મામલો ધ્યાનમાં આવ્યો કે તરત જ ટેકનિકલ ટીમને મોકલીને માત્ર એક જ કલાકના ટૂંકા ગાળામાં રિપેરિંગની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે અને હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/two-foreign-women-detained-in-chandkheda-for-visa-overstay" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: ચાંદખેડામાંથી પોલીસે બે વિદેશી મહિલાઓને ડિટેઈન કરી, વિઝાની મુદ્દત પૂર્ણ છતાં રહેતી હતી</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/15/mCakWTHsohDXSjJwp2iZxffJnFqXTnV2k99dkW8a.webp'/></item><item><title><![CDATA[HDFC બેન્કના નવા ચેરમેન બન્યા પૂર્વ IAS અધિકારી રાજીવ કુમાર, 3 વર્ષનો રહેશે કાર્યકાળ ]]></title><link>https://sandesh.com/business/news/hdfc-bank-new-chairman-former-ias-officer-rajiv-kumar-appointed-for-three-years</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/hdfc-bank-new-chairman-former-ias-officer-rajiv-kumar-appointed-for-three-years</guid><pubDate>Wed, 15 Jul 2026 19:07:35 +05:30</pubDate><description><![CDATA[<p>દેશની સૌથી મોટી ખાનગી બેન્ક HDFC બેન્કની કમાન હવે અનુભવી પ્રશાસકના હાથમાં જવા જઈ રહી છે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ પૂર્વ નાણાં સચિવ રાજીવ કુમારને HDFC બેન્કના નવા પાર્ટ-ટાઈમ ચેરમેન તરીકે નિયુક્ત કરવાની મંજૂરી આપી છે. તેમની નિમણૂક 15 જુલાઈ 2026થી આગામી ત્રણ વર્ષ માટે અમલમાં આવી છે.</p><h2><b>HDFC બેન્કે શેરબજારમાં આપી જાણકારી</b></h2><p>HDFC બેન્કે શેરબજારને આપવામાં આવેલી જાણકારીમાં જણાવ્યું છે કે RBIની મંજૂરી બાદ રાજીવ કુમારની નિમણૂક પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. અત્યાર સુધી વચગાળાના ચેરમેન તરીકે જવાબદારી સંભાળતા કેકી મિસ્ત્રીનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. જોકે, તેઓ બેન્કના બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે યોગદાન આપતા રહેશે.</p><h3><b>1984ની બેચના પૂર્વ IAS અધિકારી છે રાજીવ કુમાર&nbsp;</b></h3><p>66 વર્ષીય રાજીવ કુમાર 1984 બેચના પૂર્વ IAS અધિકારી છે અને દેશના નાણાકીય ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી ચૂક્યા છે. વર્ષ 2017થી 2020 દરમિયાન નાણાં મંત્રાલયના નાણાકીય સેવા વિભાગના સચિવ તરીકે તેમણે સરકારી બેન્કોને NPA સંકટમાંથી બહાર લાવવા માટે મહત્વપૂર્ણ કામગીરી કરી હતી.</p><h4><b>મજબૂત બેન્કિંગ માળખું ઊભું કરવામાં મોટું યોગદાન</b></h4><p>તેમના નેતૃત્વમાં સરકારની '4R સ્ટ્રેટેજી' ઓળખ, ઉકેલ, પુનઃમૂડીકરણ અને સુધારાને અમલમાં મૂકવામાં આવી હતી. આ દરમિયાન ખરાબ લોનની ઓળખ, IBC દ્વારા ઉકેલ અને સરકારી બેન્કોમાં મોટા પાયે મૂડી રોકાણ જેવા નિર્ણયો લેવામાં આવ્યા હતા. ઉપરાંત નાના સરકારી બેન્કોના વિલયથી મજબૂત બેન્કિંગ માળખું ઊભું કરવામાં પણ તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું.</p><p>રાજીવ કુમારે બેન્ક ગ્રાહકોની સુરક્ષા માટે ડિપોઝિટ ઈન્શ્યોરન્સ મર્યાદા રૂ. 1 લાખથી વધારી રૂ. 5 લાખ કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જનધન યોજના, MSME લોન સુવિધા અને બેન્કિંગ ટેક્નોલોજી સુધારામાં પણ તેમનું યોગદાન રહ્યું છે. નાણાં સચિવ પદેથી નિવૃત્તિ બાદ તેઓ દેશના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. હવે તેમના લાંબા વહીવટી અનુભવનો લાભ HDFC બેન્કના ભવિષ્યના વિકાસ અને મજબૂતીકરણમાં મળશે.</p><p><b><a href="https://sandesh.com/business/news/ibm-share-crash-ceo-letter-wipes-out-69-billion-market-value-investors-loss" target="_blank">આ પણ વાંચો : IBM Share Crash : CEOના પત્ર બાદ IBMનો શેર થયો ક્રેશ, એક જ દિવસમાં રોકાણકારોના રૂપિયા 6.6 લાખ કરોડ સ્વાહા</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/15/YXAzfTv1Zm4oHbDKwQIdKcFalkgYhU1v2SXAebPa.webp'/></item><item><title><![CDATA[Box Office Clash : યશની Toxicથી ક્લેશ ટાળશે શ્રદ્ધા કપૂર? Eethaની રિલીઝ ડેટ બદલાશે! ]]></title><link>https://sandesh.com/entertainment/news/shraddha-kapoor-eetha-yash-toxic-box-office-clash-release-date</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/shraddha-kapoor-eetha-yash-toxic-box-office-clash-release-date</guid><pubDate>Wed, 15 Jul 2026 18:00:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સાઉથ સુપરસ્ટાર યશ ફિલ્મ ટોક્સિકને લઈને સમાચારોમાં છે. આ ફિલ્મ માર્ચમાં રિલીઝ થવાની હતી પરંતુ ફિલ્મ પોસ્ટપોન થઈ અને હવે ફિલ્મ 26 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. યશની ટોક્સિકને લઈને બઝ એટલો વધારે છે કે બાકીના ફિલ્મમેકર્સ પોતાની ફિલ્મો આ સમયે રિલીઝ કરવાથી બચી રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>ફિલ્મ Vvaanની રિલીઝ ડેટ પણ પોસ્ટપોન થઈ</b></h2><p style="text-align: justify; "> </p><p style="text-align: justify; ">હાલમાં જ સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની ફિલ્મ Vvaanની રિલીઝ ડેટ પણ પોસ્ટપોન થઈ. પહેલા આ ફિલ્મ 28 ઓગસ્ટે રિલીઝ થઈ રહી હતી, પરંતુ હવે ટોક્સિક સાથેના ક્લેશથી બચવા માટે ફિલ્મ પોસ્ટપોન થઈ ગઈ છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DaPWBn9MZCh/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DaPWBn9MZCh/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DaPWBn9MZCh/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DaPWBn9MZCh/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h2 style="text-align: justify; "><b>બદલાશે ઈઠાની રિલીઝ ડેટ?</b></h2><p style="text-align: justify; ">એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરની ફિલ્મ ઈઠા પણ 28 ઓગસ્ટે રિલીઝ થવાની છે. પરંતુ હવે રિપોર્ટ્સ છે કે ફિલ્મ પોસ્ટપોન થઈ રહી છે. ફિલ્મને નવી રિલીઝ ડેટ મળવાની છે. 123telugu ના જણાવ્યા અનુસાર, મેડૉક ફિલ્મ્સ ઈઠાને પ્રી-પોન કે પોસ્ટપોન કરવાનો પ્લાન કરી રહ્યા છે જેથી ટોક્સિક સાથેના ક્લેશથી બચી શકાય. જો બંને મોટી ફિલ્મો રિલીઝ થઈ તો સ્ક્રીન શેરિંગ ઇશ્યૂ પણ થઈ શકે છે અને બંનેના બોક્સ ઓફિસ કલેક્શન પર પણ અસર પડી શકે છે. અહેવાલો છે કે ટૂંક સમયમાં જ ઈઠાની નવી રિલીઝ ડેટ સામે આવી જશે. ફિલ્મની રિલીઝ ડેટને લઈને હજુ સુધી ઓફિશિયલી કશું સામે આવ્યું નથી. ઓફિશિયલી અત્યાર સુધી ફિલ્મ 28 ઓગસ્ટે જ રિલીઝ થઈ રહી છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DZ9W0B9IZWB/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DZ9W0B9IZWB/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DZ9W0B9IZWB/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DZ9W0B9IZWB/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h3 style="text-align: justify; "><b>શ્રદ્ધાની એક્ટિંગના ફેન્સ છે દિવાના!</b></h3><p style="text-align: justify; ">ફિલ્મ ઈઠા ફીમેલ સેન્ટ્રિક મૂવી છે. આને લક્ષ્મણ ઉટેકરે બનાવી છે. ફિલ્મ લેજેન્ડ્રી મરાઠી તમાશા આર્ટિસ્ટ વીઠાબાઈ પર બેઝ્ડ છે. ફિલ્મમાં રણદીપ હુડ્ડા, જીશાન અયુબ ખાન પણ મહત્વના રોલમાં છે. ફિલ્મમાંથી શ્રદ્ધા કપૂરનો ફર્સ્ટ લુક ટીઝર પણ સામે આવી ચૂક્યો છે. આમાં શ્રદ્ધા કપૂરને પ્રેગ્નન્સીમાં ડાન્સ કરતી બતાવવામાં આવી. શ્રદ્ધાએ પોતાની શાનદાર એક્ટિંગથી પ્રશંસકોના દિલ જીતી લીધા. ટીઝર પછીથી ફિલ્મ ઈઠાને લઈને પણ મોટા પાયે બઝ ક્રિએટ થઈ ગયો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/the-kapil-sharma-show-scripted-reality-exposed-fans-shocked" target="_blank">આ પણ વાંચો-Kapil Sharma શોની ખુલી ગઈ પોલ, 70 ટકા સ્ક્રિપ્ટેડ હોવાનો મોટો દાવો!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/15/SlA9goEUIasc0YJaEB1Lqh50s3r2d1X8wSMsqrAJ.webp'/></item><item><title><![CDATA[FIFA World 2026 : સેમિફાઇનલમાં આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ વચ્ચે જામશે જંગ, જાણો હેડ ટૂ હેડ રેકોર્ડ ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-2026-argentina-and-england-will-clash-in-the-semi-finals-know-the-head-to-head-record</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-2026-argentina-and-england-will-clash-in-the-semi-finals-know-the-head-to-head-record</guid><pubDate>Wed, 15 Jul 2026 13:29:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">FIFA વર્લ્ડ કપ 2026ના ફાઇનલિસ્ટ સ્પેન અને ફ્રાન્સ વચ્ચેના પ્રથમ સેમિફાઇનલમાં નક્કી થયા હતા, જ્યાં સ્પેને ફ્રાન્સને 2-0 થી હરાવીને ઇતિહાસમાં બીજી વખત વર્લ્ડ કપમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું હતું. હવે તેમની અંતિમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી સેમિફાઇનલમાં નક્કી થશે. આ મેચ 16 જુલાઈના રોજ ભારતીય માનક સમય મુજબ રાત્રે 12:30 વાગ્યે જ્યોર્જિયાના એટલાન્ટા સ્ટેડિયમ ખાતે રમાશે. ઇંગ્લેન્ડનો આર્જેન્ટિના સામે શ્રેષ્ઠ વર્લ્ડ કપ રેકોર્ડ છે, જેના કારણે આ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન માટે મુશ્કેલ બની ગઈ છે.</p><h4 style="text-align: justify; "><b>બંને ટીમો વર્લ્ડ કપ ઇતિહાસમાં પાંચ વખત એકબીજા સામે આવી&nbsp;</b></h4><p style="text-align: justify; ">આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ વર્લ્ડ કપ ઇતિહાસમાં પાંચ વખત એકબીજા સામે આવી છે, જેમાં ઇંગ્લેન્ડે 1962 ની મેચ 3-1 થી જીતી હતી. આ પછી, ઇંગ્લેન્ડે 1966 ના વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ અને આર્જેન્ટિના વચ્ચેની મેચ 1-0 થી જીતી હતી. બંને ટીમો વચ્ચે ત્રીજી મુલાકાત 1986 ના વર્લ્ડ કપમાં થઈ હતી, અને આર્જેન્ટિનાએ આ મેચ 2-1 થી જીતી હતી. 1998ના વર્લ્ડ કપમાં બંને હાફ પછી મેચ 2-2થી બરાબરી પર રહી હતી, જેમાં આર્જેન્ટિનાએ પેનલ્ટી શૂટઆઉટમાં 4-3થી જીત મેળવી હતી. છેલ્લી વખત બંને ટીમો 2002ના વર્લ્ડ કપમાં ટકરાઈ હતી, જ્યાં ઇંગ્લેન્ડે 1-0થી જીત મેળવી હતી. બંને ટીમો વચ્ચેના એકંદર હેડ-ટુ-હેડ રેકોર્ડની વાત કરીએ તો, ઇંગ્લેન્ડ અને આર્જેન્ટિના વચ્ચે રમાયેલી ૧૪ મેચોમાંથી છ મેચ ઇંગ્લેન્ડે જીતી છે, જ્યારે આર્જેન્ટિનાએ ત્રણ જીતી છે અને પાંચ ડ્રો રહી છે.</p><h4 style="text-align: justify; "><b>આર્જેન્ટિના-ઇંગ્લેન્ડ સેમિફાઇનલ મેચ ક્યાં રમાશે&nbsp;</b></h4><p style="text-align: justify; ">ભારતીય ચાહકો FIFA વર્લ્ડ કપ 2026ની બીજી સેમિફાઇનલ મેચ ઇંગ્લેન્ડ અને આર્જેન્ટિના વચ્ચે DD સ્પોર્ટ્સ પર ફ્રી ડિશ દ્વારા ટીવી પર લાઇવ જોઈ શકે છે. આ આ વર્લ્ડ કપની સૌથી મોટી મેચોમાંની એક છે, તેથી દરેક વ્યક્તિ તેને નજીકથી જોશે. આ મેચ&nbsp; ઓનલાઈન સ્ટ્રીમ કરવામાં આવશે, જ્યાં ચાહકો લોગ ઇન કરી શકે છે અને મેચનો આનંદ માણી શકે છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/lionel-messi-can-become-number-one-know-who-is-in-the-top-10" target="_blank">Lionel Messi બની શકે છે નંબર વન, જાણો ટોપ 10માં કોણ કોણ છે?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/15/ARu3h7UaGZl7jcnojvHXfuPfSYU2AT5NMZFtCXSI.webp'/></item></channel></rss>