<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Vadodara: જરોદ વડોદરા ટોલ રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે બાઇકસવારનું મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-biker-dies-after-being-hit-by-unknown-vehicle-on-jarod-vadodara-toll-road</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-biker-dies-after-being-hit-by-unknown-vehicle-on-jarod-vadodara-toll-road</guid><pubDate>Tue, 16 Jun 2026 05:58:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જરોદ : જરોદ વડોદરા ટોલ રોડ વચ્ચે અજાણ્યા વાહનની અડફેટે બાઇક સવાર યુવાનનું મોત. ધમધમતા હાલોલ વડોદરા ટોલ રોડ ઉપર અકસ્માત થતા રોડ ઉપર ટ્રાફ્કિ જામ થતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. જરોદ પોલીસે આવીને ટ્રાફ્કિ હળવો કરાવ્યો હતો. મરનાર યુવાનની પોલીસે તલાશી લેતા યુવાન જરોદથી હાલોલ તરફ જઇ રહ્યો હતો. અને તેનું નામ કરણ શંકર નાયક (રહે. મોટી ઉમરવાન ગામ, તા. હાલોલ) હોવાનું જાણવા મળ્યું હતું.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/TfKShNClcSwBRD0QJpGmKTfQJKUyO2cEfccfYZoq.webp'/></item><item><title><![CDATA[Vadodara: મંજુસર GIDC વિસ્તારમાં રૂા.2.17 કરોડથી વધુના દારૂનો નાશ કરાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-liquor-worth-over-rs-217-crore-destroyed-in-manjusar-gidc-area</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-liquor-worth-over-rs-217-crore-destroyed-in-manjusar-gidc-area</guid><pubDate>Tue, 16 Jun 2026 05:58:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સાવલી તાલુકાના મંજુસર જીઆઈ ડી સી માં આવેલ નિર્જન સ્થળે સાવલીના ચાર પોલીસ સ્ટેશનના જપ્ત કરાયેલ વિદેશી દારૂનો રૂા.2.17 કરોડથીવધુની કિંમતની 90,965 બોટલ્સનો રોલર ફેરવીને નાશ કરાયો હતો. તાલુકાના સાવલી, ભાદરવા, ડેસર અને મંજુસર પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુના અંતર્ગત જપ્ત કરાયેલ દારૂનો મંજુસર ખાતે કાયદેસરની પ્રક્રિયા મુજબ નાશ કરાયો હતો. કોર્ટ તથા સંબંધિત કાયદાકીય કાર્યવાહી પૂર્ણ થયા બાદ આ કામગીરી હાથ ધરાઇ હતી. પોલીસ વિભાગ દ્વારા આપેલી માહિતી મુજબ, કુલ રૂા. 2 કરોડ 17 લાખ 95 હજારની કિંમતના દારૂનો નાશ કરાયો હતો. આ કામગીરી દરમિયાન કુલ 90,965 દારૂની બોટલોનો સુરક્ષિત રીતે નિકાલ કરાયો હતો. સમગ્ર કાર્યવાહી દરમિયાન DySp પ્રાંત અધિકારી ચારે પોલીસ મથકનાPIતેમજ સ્ટાફ્ અને આબકારી નશાબંધીના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા ગ્રામ્ય પોલીસની દેખરેખ હેઠળ કામગીરી સંપન્ન કરાઇ હતી. જપ્ત મુદ્દામાલના સુરક્ષિત નિકાલ માટે વિશેષ વ્યવસ્થા ગોઠવી હતી. મંજુસર ખાતે એકસાથે ચાર પોલીસ સ્ટેશનના જપ્ત દારૂનો વિપુલ માત્રામાં ઝડપાયેલા જથ્થાને રોલર ફેરવીને નાશ કરાયો હતો</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/MJ7wvo1qyHHCWNVUb7vYQF8WuagSgnngZgOZggWf.webp'/></item><item><title><![CDATA[Vadodara: સાવલીના મંજુસર GIDCમાં ખાનગી કંપનીમાં આગ લાગી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-fire-breaks-out-in-a-private-company-in-manjusar-gidc-savli</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-fire-breaks-out-in-a-private-company-in-manjusar-gidc-savli</guid><pubDate>Tue, 16 Jun 2026 05:57:26 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સાવલી તાલુકાના મંજુસર GIDCમાં આવેલી પહારપૂર કુલિંગ ટાવર નામની ખાનગી કંપનીમાં આજે અચાનક આગ લાગતા અફ્રાતફ્રીનો માહોલ સર્જાયો હતો. કલાકોની જહેમત બાદ આગ કાબુમા આવી હતી મંજુસર GIDCમાં પહારપૂર કુલિંગ ટાવર નામની કંપનીમા 12 વાગ્યાની આસપાસ અચાનક આગ ભભૂકી હતી. આગની જાણ થતાં કંપનીના કર્મચારી ઓમાં દોડધામ મચી ગઈ હતી. અને આગના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા અને ભારે લપકારા મારતી આગની જ્વાળાએ ભારે ડરનો માહોલ પેદા કર્યો હતો ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની બે ફાયર ફાઇટર ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી. આગની ઘટનામાં કંપનીને આર્થિક નુકશાનનો આંક જાણવા મળ્યો નથી જોકે સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ સામે આવ્યા નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. સંબંધિત વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આગની ઘટનાને પગલે આસપાસના ઔદ્યોગિક વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. આગ કાબૂમાં આવતા સ્થાનિકો અને કંપનીના કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલમાં આગના કારણો અને નુકસાનઅંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક વિગતો મુજબ કંપનીના એસેમ્બી વિભાગમાં આગ લાગી હતી. આ આગ બાબતે કંપની સત્તાવાળાએ કંઈ પણ બોલવા ઇનકાર કર્યો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/nMvCvklgJoDhcZrmBX03LKWG9KLmz9UwvcxZl5tM.webp'/></item><item><title><![CDATA[Chhotaudepur: હરિયાળું છોટાઉદેપુર અભિયાનનો વિધિવત સાંસદ-મંત્રી દ્વારા પ્રારંભ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-green-chhotaudepur-campaign-formally-launched-by-mp-minister</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-green-chhotaudepur-campaign-formally-launched-by-mp-minister</guid><pubDate>Tue, 16 Jun 2026 05:56:36 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફ્ળ અને લોક કલ્યાણકારી સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે એક પેડ મા કે નામ અભિયાનથી પ્રેરિત છોટાઉદેપુર જિલ્લા તંત્ર દ્વારા વિશેષ પર્યાવરણીય મહાઅભિયાન હાથ ધરાયું છે. જિલ્લામાં સુશાસનના 12 વર્ષ, 12 લાખ વૃક્ષોના સંકલ્પ સાથે હરિયાળું છોટાઉદેપુર અભિયાનનો પ્રારંભ સાંસદ જશુભાઇ રાઠવા અને મહિલા અને બાળ કલ્યાણ તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી ડૉ. મનીષાબેન વકીલ દ્વારા કરાયો હતો. મંત્રીએ વાઘસ્થળ ખાતે વૃક્ષારોપણ કરીને આ લોક અભિયાનને ખુલ્લું મૂક્યું હતું. જેના પ્રથમ જ દિવસે સમગ્ર જિલ્લામાં એકસાથે 1.20 લાખથી વધુ રોપાનું વ્યાપક વાવેતર કરીને હરિયાળી ક્રાંતિના મંડાણ કરાયા છે. આ પ્રસંગે પ્રભારી મંત્રી ડૉ. મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વમાં વિકાસની નવી ઊંચાઈ સર કરી રહ્યું છે. ર્જેને પર્યાવરણના જતન સાથે યાદગાર બનાવવા વન વિભાગના સહયોગથી સમગ્ર વર્ષ દરમિયાન કુલ 12 લાખ વૃક્ષોના વાવેતર અને ઉછેરનું સુદ્રઢ આયોજન કરાયું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વૃક્ષારોપણ માટે માત્ર વાવેતર જ નહીં, પરંતુ તેના સંપૂર્ણ ઉછેર માટે PPS મોડેલ પર વિશેષ ભાર મૂકાયો છે. સ્થાનિક પર્યાવરણને મહત્તમ લાભ મળે તે હેતુથી ભારતીય પ્રજાતિ જેમકે લીમડો, વડ, પીપળો, અર્જુન, આંબો, જામુન, ગરમાળો, કરંજ, વાંસ અને બોર જેવા રોપાને પ્રાથમિકતા અપાઇ છે. વૃક્ષોનો સર્વાઈવલ રેટ 90 ટકાથી વધુ હાંસલ કરવા 3, 6 અને 12 માસના અંતરે વિશિષ્ટ સર્વાઈવલ ઓડિટ કરાશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/iBszBx8XG2i33P8XW1tSOUGJYgGAv4xlKn5T1Fu1.webp'/></item><item><title><![CDATA[Lunawvada: ખાનપુર ખાતે સોમવતી અમાસે પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/lunavada/lunawvada-panchakundi-gayatri-mahayagna-completed-in-somvati-amavasya-at-khanpur</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/lunavada/lunawvada-panchakundi-gayatri-mahayagna-completed-in-somvati-amavasya-at-khanpur</guid><pubDate>Tue, 16 Jun 2026 05:54:50 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સોમવતી અમાસ નિમિત્તે ગાયત્રી મહાયજ્ઞ અને મહાપ્રસાદના આયોજનમાં ભક્તોએ ભાગ લીધો. લુણાવાડા તાલુકાના મલેકપુર માં ભગવતી મહિલા ગાયત્રી પરિવાર દ્વારા તેમજ ખાનપુર ગાયત્રી પરિવાર દ્વારા ખાનપુર ખાતે કાંતાબેન માલીવાડના ઘરે પુરુષોત્તમ માસની અમાવસ્યા નિમિત્તે પંચકૂંડી ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન કરાયો હતો, જેમાં ગર્ભ સંસ્કાર કરાયા હતા. સોમવતી અમાસના દિવસે ભક્તોએ ગાયત્રી મહાયજ્ઞના દર્શનનો લહાવો લીધો હતો, મહાઆરતી બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું. સિસોદિયા મીનાબેન એસ અને તેમની ટીમે વ્યસન મુક્તિ તેમજ ગુરુદેવનો સંદેશો આપ્યો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/LwZwdIydS346HjyQT8qZrRTNDrDNjasSeyDOvNdi.webp'/></item><item><title><![CDATA[Education : વિદ્યાર્થીઓને નહીં પડે કોઈ મુશ્કેલી, જલ્દી જ મળશે પુસ્તકો : NCERT ]]></title><link>https://sandesh.com/india/news/education-ncert-assures-timely-availability-of-updated-textbooks-nep-2020</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/education-ncert-assures-timely-availability-of-updated-textbooks-nep-2020</guid><pubDate>Mon, 15 Jun 2026 22:50:48 +05:30</pubDate><description><![CDATA[<p>દેશભરના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. NCERTએ સ્પષ્ટતા કરી છે કે નવીનતમ અભ્યાસક્રમ અનુસાર તૈયાર કરાયેલી તમામ પાઠ્યપુસ્તકો ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. પુસ્તકોની અછત અંગે ઊભી થયેલી ચિંતાઓ વચ્ચે NCERTએ જણાવ્યું છે કે સપ્લાય વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં તમામ વિદ્યાર્થીઓ સુધી પુસ્તકો પહોંચાડવામાં આવશે.</p><h2><b>સોશિયલ સાયન્સનું પુસ્તક પણ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે</b></h2><p>NCERTના જણાવ્યા અનુસાર નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 (NEP 2020) હેઠળ નવા અભ્યાસક્રમને અનુરૂપ પુસ્તકો તબક્કાવાર પ્રકાશિત કરવામાં આવી રહી છે. આ વર્ષે ધોરણ 9ના નવ વિષયોની 90 લાખથી વધુ પાઠ્યપુસ્તકો પ્રકાશિત કરીને દેશભરમાં પહોંચાડવામાં આવી છે. સોશિયલ સાયન્સના પુસ્તક સિવાય મોટાભાગની પુસ્તકો વિદ્યાર્થીઓ સુધી પહોંચી ચૂકી છે, જ્યારે સોશિયલ સાયન્સનું પુસ્તક પણ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે.</p><h3><b>સ્થાનિક સ્તરે પુસ્તકોની અછત સર્જાઈ</b></h3><p>નવી પુસ્તકોની સપ્લાય માટે NCERT પોતાના વેચાણ કેન્દ્રો, અધિકૃત વિક્રેતાઓ, ઓનલાઈન પોર્ટલ, વિવિધ ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન (CWC)ના સહયોગથી સ્થાપિત સ્ટ્રેટેજિક ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર્સ (SDCs)નો ઉપયોગ કરી રહી છે. કાઉન્સિલે સ્વીકાર્યું છે કે નવા અભ્યાસક્રમના અમલીકરણને કારણે કેટલાક વિસ્તારોમાં તાત્કાલિક અને સ્થાનિક સ્તરે પુસ્તકોની અછત સર્જાઈ શકે છે. જોકે, પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને માગ મુજબ સપ્લાય વધારવાના પ્રયાસો ચાલી રહ્યા છે.</p><h4><b>ટૂંક સમયમાં તમામ સમસ્યાઓનું નિરાકરણ આવશે</b></h4><p>NCERTએ જણાવ્યું કે વિલંબનું મુખ્ય કારણ NEP 2020 આધારિત નવા કરિક્યુલમનો અમલ છે. વિવિધ ધોરણોની પુસ્તકો તબક્કાવાર પ્રકાશિત થઈ રહી હોવાથી શરૂઆતમાં કેટલીક મુશ્કેલીઓ ઊભી થઈ હતી. તેમ છતાં, દરેક વિદ્યાર્થીને સમયસર ગુણવત્તાયુક્ત શિક્ષણ સામગ્રી ઉપલબ્ધ કરાવવાની પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરતાં NCERTએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ટૂંક સમયમાં તમામ સમસ્યાઓનું નિરાકરણ આવી જશે.<br><br><b><a href="https://sandesh.com/india/news/agriculture/pm-kisan-yojana-23rd-installment-release-date-june-20-2026-ekyc-required" target="_blank">આ પણ વાંચો : PM Kisan Yojana : આ અઠવાડિયે ખેડૂતોને મળશે 23મો હપ્તો, સરકારે તારીખની કરી જાહેરાત</a></b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/OYblXvOdD5Par36jH331tWl1Yk4ChxzgrJ89GfL6.webp'/></item><item><title><![CDATA[PM Kisan Yojana : આ અઠવાડિયે ખેડૂતોને મળશે 23મો હપ્તો, સરકારે તારીખની કરી જાહેરાત ]]></title><link>https://sandesh.com/india/news/agriculture/pm-kisan-yojana-23rd-installment-release-date-june-20-2026-ekyc-required</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/agriculture/pm-kisan-yojana-23rd-installment-release-date-june-20-2026-ekyc-required</guid><pubDate>Mon, 15 Jun 2026 21:42:45 +05:30</pubDate><description><![CDATA[<p>દેશના કરોડો ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે PM કિસાન સન્માન નિધિ યોજનાના 23મા હપ્તાની સત્તાવાર તારીખ જાહેર કરી છે. યોજના હેઠળ 20 જૂન, 2026ના રોજ દેશભરના 9 કરોડથી વધુ ખેડૂતોના બેન્ક ખાતામાં સીધા 2,000 રૂપિયા જમા કરવામાં આવશે. જોકે, આ વખતે હપ્તાનો લાભ મેળવવા માટે ઈ-કેવાયસી (e-KYC) પૂર્ણ કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/pmkisanofficial/status/2066493594433999284"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><br></p><h2><b>ખેડૂતોને ખેતી સંબંધિત ખર્ચમાં સહાયરૂપ થાય છે રકમ&nbsp;</b></h2><p>યોજનાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 23મો હપ્તો 20 જૂને ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. અગાઉ 22મો હપ્તો 13 માર્ચ, 2026ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. આ યોજના ખેડૂતોને ખેતી સંબંધિત ખર્ચમાં સહાયરૂપ બને અને તેમની આર્થિક સ્થિતિ મજબૂત થાય તે હેતુથી શરૂ કરવામાં આવી હતી.</p><h3><b>2019માં શરૂ થઈ હતી યોજના&nbsp;</b></h3><p>પીએમ કિસાન યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર ચાર મહિને 2,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ રીતે વર્ષ દરમિયાન ત્રણ હપ્તામાં કુલ 6,000 રૂપિયા સીધા ખેડૂતોના બેન્ક ખાતામાં જમા થાય છે. આ રકમ બીજ, ખાતર, સિંચાઈ અને અન્ય કૃષિ જરૂરિયાતો પૂરી કરવામાં મદદરૂપ બને છે. વર્ષ 2019માં શરૂ કરાયેલી આ યોજના આજે દેશના કરોડો નાના અને સીમાંત ખેડૂતો માટે મહત્વપૂર્ણ આર્થિક આધાર બની છે.</p><h4><b>આ ખેડૂતોને નહીં મળે રકમ</b></h4><p>22મા હપ્તા દરમિયાન સરકારે 9.32 કરોડ ખેડૂતોના ખાતામાં કુલ 18,640 કરોડ રૂપિયાની સહાય જમા કરાવી હતી. સરકારનું કહેવું છે કે ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT) વ્યવસ્થાના કારણે સહાય સીધી લાભાર્થી સુધી પહોંચે છે અને વચેટિયાઓની ભૂમિકા સમાપ્ત થાય છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે જે ખેડૂતોની ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ નહીં હોય તેમને 23મા હપ્તાની રકમ મળશે નહીં. તેથી ખેડૂતોને 20 જૂન પહેલાં પોતાની ઈ-કેવાયસી ઓનલાઈન અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) મારફતે પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/char-dham-yatra-2026-badrinath-record-11-lakh-devotees-darshan" target="_blank">આ પણ વાંચો : Char Dham Yatra 2026 : બદ્રીનાથ ધામમાં વર્ષ 2026માં આસ્થાનો નવો રેકોર્ડ, 11 લાખ ભક્તોએ કર્યા દર્શન</a></b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/FpBME2zZxlPe9p4tZfJBO8cJNh3h5qNZ8QTeetpe.webp'/></item><item><title><![CDATA[PM Modi Slovakia Visit: પ્રધાનમંત્રી મોદીએ ઐતિહાસિક યાત્રા દરમિયાન 11 કરાર અને 3 મોટી જાહેરાત કરી ]]></title><link>https://sandesh.com/world/news/business/pm-modi-slovakia-visit-prime-minister-modi-made-11-agreements-and-3-major-announcements-during-the-historic-visit</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/business/pm-modi-slovakia-visit-prime-minister-modi-made-11-agreements-and-3-major-announcements-during-the-historic-visit</guid><pubDate>Mon, 15 Jun 2026 20:40:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ ઐતિહાસિક મુલાકાતમાં 11 કરારો પર હસ્તાક્ષર થયા અને 3 મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી.</p><h2 style="text-align: justify; ">પીએમ મોદીનું ઉષ્માભર્યુ સ્વાગત&nbsp;</h2><p style="text-align: justify; ">પીએમ મોદીની 14-15 જૂન 2026ના રોજ સ્લોવાકિયાની મુલાકાત દરમિયાન, બંને દેશોએ તેમના દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈએ લઈ ગયા છે. 11 કરારો પર હસ્તાક્ષર કર્યા અને 3 મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. સૌથી મહત્વપૂર્ણ નિર્ણય એ હતો કે, સંબંધોને વ્યાપક ભાગીદારી સુધી પહોંચાડવામાં આવે. બેઠકો પછી બ્રાતિસ્લાવામાં એક સંયુક્ત પ્રેસ નિવેદનમાં, પીએમ મોદીએ ફિકોનો ઉષ્માભર્યો સ્વાગત બદલ આભાર માન્યો અને તેમને ભારતના નજીકના મિત્ર ગણાવ્યા હતા.</p><h3 style="text-align: justify; ">સંબંધોને મજબૂત બનાવવા કરાર</h3><p style="text-align: justify; ">આ મુલાકાતના મહત્વ પર ભાર મૂકતા પીએમ મોદીએ આપણા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાની જાહેરાત કરી. તેમણે કહ્યું, આ કોઈ ભારતીય વડા પ્રધાનની સ્લોવાકિયાની પ્રથમ મુલાકાત છે. મને આનંદ છે કે આ ઐતિહાસિક પ્રસંગે, આપણે આપણા સંબંધોને વ્યાપક ભાગીદારી સુધી પહોંચાડવાનો નિર્ણય લીધો છે. આ આપણી સહિયારી વિશ્વાસ, સામાન્ય પ્રાથમિકતાઓ અને સહિયારી ભવિષ્યનું પ્રતીક છે.</p><h4 style="text-align: justify; ">મુખ્ય કરારો અને નિર્ણયો</h4><p style="text-align: justify; ">1. શ્રમ સ્થળાંતરને પ્રોત્સાહન આપવા માટે ભારત અને સ્લોવાકિયા વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.</p><p style="text-align: justify; ">2. સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે એક પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.</p><p style="text-align: justify; ">3. ડિજિટલ ટેકનોલોજીના ક્ષેત્રમાં ભાગીદારીને મજબૂત બનાવવા માટે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.</p><p style="text-align: justify; ">4. ઉચ્ચ શિક્ષણ અને સંશોધનમાં સહયોગ વધારવા માટે એક સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.</p><p style="text-align: justify; ">5. ફિલ્મ, ટેલિવિઝન અને અન્ય સર્જનાત્મક ક્ષેત્રોમાં સહયોગ માટે ઑડિઓ-વિઝ્યુઅલ સર્જન પર એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.</p><p style="text-align: justify; ">6. સ્લોવાકિયાની કોસિસે ટેકનિકલ યુનિવર્સિટી ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર પ્રથમ ICCR ચેર સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો.</p><p style="text-align: justify; ">7. ક્વોન્ટમ કોમ્યુનિકેશન અને ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોટેક્શનના ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે એક કરાર થયો.</p><p style="text-align: justify; ">8. આયુષ મંત્રાલયની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેચરોપેથી, પુણે અને હેલ્થ સ્પા પીશાની, સ્લોવાકિયા વચ્ચે એક કરાર થયો.</p><p style="text-align: justify; ">9. IIT દિલ્હી અને સ્લોવાક ટેકનિકલ યુનિવર્સિટી વચ્ચે વિદ્યાર્થી વિનિમય, શિષ્યવૃત્તિ અને સંયુક્ત સંશોધન કાર્યક્રમો પર એક કરાર થયો.</p><p style="text-align: justify; ">10. બંને દેશોના ટૂર ઓપરેટર સંગઠનો વચ્ચે પ્રવાસન સહયોગને પ્રોત્સાહન આપવા માટે એક કરાર થયો.</p><p style="text-align: justify; ">11. ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમી (INSA) અને સ્લોવાક એકેડેમી ઓફ સાયન્સ (SAS) વચ્ચે વૈજ્ઞાનિક સહયોગ પર એક કરાર થયો.</p><h5 style="text-align: justify; ">ત્રણ મુખ્ય જાહેરાતો:</h5><p style="text-align: justify; ">1. ભારત અને સ્લોવાકિયાએ તેમના સંબંધોને વ્યાપક ભાગીદારી સુધી વધારવાની જાહેરાત કરી.</p><p style="text-align: justify; ">2. આતંકવાદ સામે લડવામાં સહયોગ વધારવા માટે આતંકવાદ વિરોધી સંયુક્ત કાર્યકારી જૂથની સ્થાપના કરવામાં આવશે.</p><p style="text-align: justify; ">3. નાગરિક સેવાઓ અને વિઝા સંબંધિત બાબતોમાં સહયોગ માટે કોન્સ્યુલર સંવાદ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ&nbsp; <a href="https://sandesh.com/world/news/us-iran-peace-deal-israel-furious-over-iran-america-deal-rebels-against-trump" target="_blank">ઇરાન-અમેરિકા ડીલ પર ભડક્યું ઇઝરાયેલ, ટ્રમ્પ સામે બગાવત!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/3BbuTwQ99ghxgdtRFLa5NW4IaXoDt6vfF0VUOsQT.webp'/></item><item><title><![CDATA[Neeraj Chopra દોહા ડાયમંડ લીગમાં ભાગ લેશે,જાણો ક્યારે થશે મેચ ]]></title><link>https://sandesh.com/sports/news/neeraj-chopra-doha-diamond-league-return-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/neeraj-chopra-doha-diamond-league-return-2026</guid><pubDate>Mon, 15 Jun 2026 17:45:39 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતના સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરાએ 2 ઓલિમ્પિક મેડલ જીત્યા છે, તે ફરીથી એક્શનમાં આવવા માટે તૈયાર છે. તે 19 જૂને દોહા ડાયમંડ લીગમાં એક્શનમાં પાછો ફરશે. તે 275 દિવસની ગેરહાજરી પછી એક્શનમાં પાછો ફરશે.&nbsp;</p><p style="text-align: justify;">2025 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આઠમા સ્થાને રહ્યા પછી તેને કોઈપણ રમતમાં ભાગ લીધો ન હતો. નીરજ ચોપરાએ 2020 ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ અને 2024 પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો.</p><h2 style="text-align: justify;"><b>નીરજે ગયા વર્ષે દોહા ડાયમંડ લીગમાં 90 મીટર ભાલા ફેંક્યો હતો</b></h2><p style="text-align: justify;">નીરજ ચોપરાની પસંદગી દોહા ડાયમંડ લીગ માટે થઈ છે, જ્યાં તેને ગયા વર્ષે 90 મીટરથી વધુ ભાલા ફેંક્યો હતો. હરિયાણાનો રહેવાસી નીરજ હાલમાં સ્વિટ્ઝર્લેન્ડમાં તેના ફિઝિયો અને કોચ સાથે 47 દિવસની સખત ટ્રેનિંગ લઈ રહ્યો છે. આગામી કોમનવેલ્થ ગેમ્સ માટે તેને ભારતીય ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો છે. પરંતુ આ સ્પર્ધામાં પોતાનું સ્થાન સુરક્ષિત કરવા માટે તેને એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના નિયમો અનુસાર ઓછામાં ઓછા 82.61 મીટર ભાલા ફેંકીને ક્વોલિફાય થવું પડશે.</p><h3 style="text-align: justify;"><b>નીરજ ચોપરા કોમનવેલ્થ ગેમ્સમાં પણ ભાગ લઈ શકે છે</b></h3><p style="text-align: justify;">કોમનવેલ્થ ગેમ્સ આવતા મહિને ગ્લાસગોમાં યોજાવાની છે. જો ભારતના સ્ટાર એથ્લીટ નીરજ ચોપરા ભાગ લે છે, તો ભારત પાસે ભાલા ફેંક સ્પર્ધામાં કુલ 3 એથ્લીટ હશે. બાકી રોહિત યાદવ અને યશવીર સિંહ, પહેલાથી જ ક્વોલિફાય થઈ ગયા છે. વધુમાં, આગામી દોહા ડાયમંડ લીગમાં પણ વિશ્વના બેસ્ટ એથ્લીટો વચ્ચે તીવ્ર સ્પર્ધા જોવા મળશે.&nbsp;</p><p style="text-align: justify;">ભૂતપૂર્વ ઓલિમ્પિક ચેમ્પિયન કેશોર્ન વોલકોટ (ત્રિનિદાદ અને ટોબેગો) અને શ્રીલંકાના રુમેશ તારંગા પથિરાજ જેવા અગ્રણી ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. પરંતુ પેરિસ ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા અને પાકિસ્તાનના સ્ટાર એથ્લીટ અરશદ નદીમ આ વખતે દોહા ડાયમંડ લીગમાં રમતા જોવા મળશે નહીં.</p><h4 style="text-align: justify;"><b>દોહા ડાયમંડ લીગમાં કેટલાક બેસ્ટ ભાલાધારી ખેલાડીઓ ભાગ લેશે</b></h4><p style="text-align: justify;">ટુર્નામેન્ટમાં ભાગ લેનારા ખેલાડીઓના લિસ્ટમાં ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ (આ સિઝનનો શ્રેષ્ઠ થ્રો 86.08 મીટર), યુનાઈટેડ સ્ટેટ્સના કર્ટિસ થોમ્પસન (85.33 મીટર) અને ચેક રિપબ્લિકના જેકબ વેલ્સ (85.24 મીટર)નો સમાવેશ થાય છે. દોહા સ્પર્ધામાં, ભારતના નીરજ ચોપરાએ શાનદાર 90.23 મીટર ફેંક્યો હતો, પરંતુ જર્મનીના જુલિયન વેબરે તેના છેલ્લા (છઠ્ઠા) પ્રયાસમાં 91.06 મીટર ભાલા ફેંકીને ખિતાબ પોતાના નામે કર્યો હતો.</p><p style="text-align: justify;"><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/entertainment/abhishek-mahira-sharma-dating-rumors-matching-bracelet" target="_blank">Abhishek Sharma માહિરા શર્માને કરી રહ્યો છે ડેટ? ઈન્સ્ટાગ્રામની 'સીક્રેટ' પોસ્ટમાં થયો ખુલાસો!</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/EqnLHZGTw1ECnw7QCfJKZxKLnBf4nBJQVXBIomC6.webp'/></item><item><title><![CDATA[Arijit Singh બાદ હવે પ્રીતમ પણ લેવા જઈ રહ્યા છે સંન્યાસ? શેર કરી ભાવુક પોસ્ટ ]]></title><link>https://sandesh.com/entertainment/news/music-composer-pritam-hints-at-retirement-break</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/music-composer-pritam-hints-at-retirement-break</guid><pubDate>Mon, 15 Jun 2026 17:37:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અરિજીત સિંહે આ વર્ષની શરૂઆતમાં એક પોસ્ટ શેર કરી હતી, જેની સાથે તેમણે પ્લેબેક સિંગિંગમાંથી સંન્યાસની જાહેરાત કરીને પોતાના પ્રશંસકોને નિરાશ કરી દીધા હતા. હવે એવું લાગે છે કે અરિજીત સિંહ બાદ મ્યુઝિક કમ્પોઝર અને સિંગર પ્રીતમ પણ આ જ રસ્તા પર ચાલવા અંગે વિચાર કરી રહ્યા છે. પ્રીતમે પોતાના જન્મદિવસના અવસર પર એક પોસ્ટ શેર કરી, જેને જોયા પછી સોશિયલ મીડિયા યુઝર્સે અટકળો લગાવવાનું શરૂ કરી દીધું છે કે હવે પ્રીતમ દા પણ મેઈનસ્ટ્રીમ મ્યુઝિકમાંથી બ્રેક લેવાના મૂડમાં છે. પ્રીતમની આ પોસ્ટ પછી મોટાભાગના યુઝર્સ તેમને પૂછી રહ્યા છે કે ક્યાંક તેઓ પણ અરિજીત સિંહની જેમ પ્લેબેક સિંગિંગમાંથી સંન્યાસની જાહેરાત કરવાની તૈયારીમાં તો નથી ને?</p><h2 style="text-align: justify; "><b>પ્રીતમે બ્રેક લેવા તરફ કર્યો ઈશારો</b></h2><p style="text-align: justify; ">પ્રીતમે પોતાના જન્મદિવસ પર એક બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરી છે, જેમાં તેઓ વિચારોમાં ખોવાયેલા જોવા મળી રહ્યા છે. આ તસવીર શેર કરતા તેમણે એક ભાવુક નોંધ પણ લખી છે, જેમાં લખ્યું છે કે તેઓ હવે પોતાની જિંદગી કંઈક અલગ રીતે જીવવા માગે છે. એવી જિંદગી જે તેમને હંમેશાથી આકર્ષિત કરતી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ જિંદગી પાછળ છૂટી ગઈ. પરંતુ હવે તેઓ એ બધી બાબતો પર ધ્યાન આપવા માગે છે, જેના પર અત્યાર સુધી આપી શક્યા નથી.</p><h3 style="text-align: justify; "><b>પ્રીતમ દાની પોસ્ટ</b></h3><p style="text-align: justify; ">પોતાની પોસ્ટમાં પ્રીતમ દાએ લખ્યું- 'તમારા બધાની શુભેચ્છાઓ માટે ખૂબ ખૂબ આભાર. હું દરેક વ્યક્તિને અલગ-અલગ જવાબ આપી શકું તેમ નથી, તેથી કૃપા કરીને મારો હૃદયપૂર્વકનો આભાર સ્વીકારો. આજે, મેં મારી જાતને થોડા વર્ષો એવી રીતે જીવવાની ભેટ આપવાનું નક્કી કર્યું છે જેમાં જિંદગીને અલગ રીતે જીવી શકાય. એ બાબતોને પૂરી કરવા માટે જે હું અત્યાર સુધી કરી શક્યો નથી. હવે એ નવી સફર પર નીકળવાનો સમય આવી ગયો છે, જેને હું લાંબા સમયથી ટાળી રહ્યો હતો. સામાન્ય રસ્તા પર ચાલવું પણ એક શાનદાર અનુભવ હોય છે. પરંતુ, મને હંમેશા એ રસ્તાઓ વિશે જાણવાની વધુ ઉત્સુકતા રહી છે જેના પર હજી સુધી કોઈ ગયું નથી. તમારા બધાના પ્રેમ અને સાથ માટે ધન્યવાદ. હંમેશા....'<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DZkt-EniGuR/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DZkt-EniGuR/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DZkt-EniGuR/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DZkt-EniGuR/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>અરિજીત સિંહના રસ્તે પ્રીતમ?</b></h4><p style="text-align: justify; ">પ્રીતમની આ પોસ્ટ જોયા પછી તેમના પ્રશંસકોને ચિંતા થવા લાગી છે કે ક્યાંક તેઓ પણ પ્લેબેક સિંગિંગમાંથી બ્રેક લેવાના મૂડમાં તો નથી ને. એવામાં ઘણા લોકોએ તેમની પોસ્ટ પર કોમેન્ટ કરીને સવાલો પૂછવાનું શરૂ કરી દીધું. એક યુઝરે લખ્યું- ક્યાંક તમે પણ અરિજીત સિંહનો રસ્તો પકડવાની તૈયારી તો નથી કરી રહ્યા ને? વળી એકે લખ્યું- લાગે છે હવે પ્રીતમ દા પણ બોલીવુડ મ્યુઝિકમાંથી બ્રેક લેવાની તૈયારીમાં છે. વધુ એક લખે છે - શું પ્રીતમ પણ બોલીવુડ મ્યુઝિકમાંથી રિટાયરમેન્ટ લેવાની જાહેરાત કરવાના છે?' આવી જ કોમેન્ટ્સ કરીને યુઝર્સ પ્રીતમને સવાલ પૂછી રહ્યા છે અને રિટાયરમેન્ટ અંગે આશંકા વ્યક્ત કરી રહ્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/mithun-chakraborty-daughter-dishani-engagement" target="_blank">આ પણ વાંચો-Mithun Chakrabortyની દીકરી દિશાનીએ કરી લીધી સગાઈ, જાણો કોણ છે ડિસ્કો ડાન્સરના જમાઈરાજ?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/56ZNZEtTdr1W93Oq5FOUkEH8VwCqWa8pZcNtz2tk.webp'/></item></channel></rss>