<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Nadiad: ઠાસરામાંથી એક હજાર કિલો સળિયા ચોરનાર ત્રિપુટી પકડાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/nadiad/nadiad-trio-arrested-for-stealing-one-thousand-kg-of-rods-from-khasra</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/nadiad/nadiad-trio-arrested-for-stealing-one-thousand-kg-of-rods-from-khasra</guid><pubDate>Sun, 12 Jul 2026 01:20:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ખેડા એલસીબીએ ઠાસરા પંથકમાંથી એક હજારથી વધુ કિલોના સળિયા સાથે એક ત્રિપુટીને ઝડપી પાડી હતી. મહત્વની બાબત એ છે કે સાઈટ પરથી સળિયા ચોરાઈની જાણ કોઈને હતી જ નહીં. એલસીબીએ સાઈટ એન્જીનીયરીંગને જાણ કરતાં સળિયાનો મોટો જથ્થો ચોરાઈ ગયાની તેમને જાણ થઈ હતી. ઠાસરામાંથી ટ્રેકટરમાં ચોરી કરેલ લોખંડના સળિયા ભરીને એક ત્રિપુટી ઠાસરા શિહોરી ફળીયા તરફ જનાર હોવાની બાતમી ખેડા નડિયાદ એલસીબી પોલીસને મળી હતી. જેથી પોલીસે શિહોરી ફળીયામાં વોચ ગોઠવી હતી. બાતમીવાળું ટ્રેકટર આવતાં પોલીસે ટ્રેકટર ચાલક, અને અન્ય બે ઈસમોને દબોચી લીધા હતા. ટ્રેકટરમાં ભરેલ સળિયા મામલે પુછતાછ કરતાં ત્રિપુટીએ કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી પોલીસે ત્રિપુટીની કડક પુછતાછ કરતાં ઠાસરા આઈટીઆઈ પાસેથી સળિયાની ચોરી કર્યાની કબુલાત કરી હતી. સળિયાની ગણતરી કરતાં 106 નંગ સળિયા, 12 મીટર લાંબા, 12 એમએમના અને એક સળિયાનું વજન 10 કિલો એમ કુલ 1060 કિલોના સળિયા હતી. જેથી પોલીસે ડિસેમ્બર 2025થી ઠાસરા હડમતીયા વાંઘરોલી ગામ સુધીની પ્રોટકશન દિવાલ અને આરસીસીનું કામ ચાલુ હોય અને તેના કામ માટે ઠાસરા ફેરકુવા આઈટીઆઈ પાસે સળિયાનો જથ્થો રાખેલ હોય તે સિવિલ એન્જીનીયર અંકિતભાઈ પટેલને ફોન કરી પુછતાછ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે તેમને પણ ચોરીની જાણ ન હતી, પણ તેમણે સાઈટ પર તપાસ અને ગણતરી કરતાં ચોરી થયાની જાણ થઈ હતી. સિવિલ એન્જીનીયરે આ મામલે ઠાસરા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/dcI4rPaJldfsOstC3RXaDjJfD9KnLfh0QbjiXu7L.webp'/></item><item><title><![CDATA[Bayad: આજથી અઠવાડિયું કોરુંધાકોર રહેવાની આગાહી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bayad/bayad--1-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bayad/bayad--1-1</guid><pubDate>Sun, 12 Jul 2026 01:19:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં તાજેતરના રાઉન્ડ બાદ વરસાદે પોરો ખાધો છે. બીજી તરફ મેઘરાજાએ વિરામ લેતાં ખેડૂતો ખરીફ વાવેતરની માવજતમાં લાગ્યા છે. રાજ્ય હવામાન વિભાગનું માનીએ તો અરવલ્લી અને સાબરકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં સળંગ આગામી અઠવાડિયું કોરુંધાકોર રહેવાની શક્યતા છે. આવતીકાલ તા.12 જુલાઇથી શરૂ કરીને તા. 18 જુલાઇ સુધીની વ્યક્ત કરવામાં આવેલી આગાહીમાં ઉત્તર ગુજરાતમાં ક્યાંય પણ વરસાદ થવાની સંભાવના નથી. ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા સહિતના જિલ્લાઓ વરસાદની ઘટ અનુભવી રહ્યા છે. તાજેતરમાં થયેલા વરસાદના રાઉન્ડ બાદ મેઘરાજા ગાયબ થઇ ગયા છે. આકાશમાં ઉઘાડ નીકળ્યો છે. ખેડૂતો મગફળી, કપાસ સહિતના ખરીફ પાકોની માવજતમાં લાગી ચૂક્યા છે. પરંતુ આગામી દિવસોમાં વરસાદને લઇને અનિશ્ચિતતાના માહોલ વચ્ચે ખેડૂતોમાં અને નાગરિકોમાં પણ ચિંતાની લાગણી જોવા મળે છે. ગત વર્ષે નદી, નાળાં, તળાવો તેમજ જળાશયોમાં વરસાદી નીરની ભરપૂર આવક થઇ હતી ત્યાં આ વર્ષે મેઘરાજાને વિનવણીઓ કરવામાં આવી રહી છે. જળાશયોમાં નવાં નીરની આવક થઇ નથી. અરવલ્લી જિલ્લાના જળાશયોની સ્થિતિ પણ જળસંગ્રહ મામલે જૈસે થે છે. તળાવો પણ ખાલીખમ છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન નદીઓ બે કાંઠે વહેતી થઇ હતી અને કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવાની સૂચનાઓ જારી કરવામાં આવી હતી. પરંતુ આ વર્ષે તે નદીઓમાં પાણીનાં ખાબોચિયાં ભરેલાં જોવા મળે છે. આ દરમિયાન રાજ્ય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીએ ચિંતામાં વધારો કર્યો છે. રાજ્ય હવામાન વિભાગે જારી કરેલા બુલેટિન મુજબ આવતીકાલ તા. 12 જુલાઇથી લઇને તા. 18 જુલાઇ સુધી સળંગ અઠવાડિયું કોરુંધાકોર રહેવાની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી અને સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ થવાની શકયતા નહિવત્ હોવાનું હવામાન વિભાગનું કહેવું છે. દક્ષિણ ગુજરાત અને રાજ્યના દરિયાકાંઠાના જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર સિવાયના જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતા નથી તેવું હવામાન વિભાગનું કહેવું છે. આ તરફ ખરીફ વાવેતર માટે આકાશી સિંચાઇ પર નિર્ભર ખેડૂતો પણ ગણતરીપૂર્વક આગળ વધી રહ્યા છે. ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ અને મજૂરી પાછળ કરેલો ખર્ચે લેખે લાગશે કે કેમ ? તેવા વિચારોએ ધરતીપુત્રોને ઘેરી લીધા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/Bv1gs6Q2haMAyHt3OsY65aT2lIP2ZnmMK8kYLUFv.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: કાર બંધ ટ્રક સાથે ટકરાતા દંપતી, માસુમ દિકરી સહિત પાંચના મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-couple-five-including-innocent-daughter-die-after-car-collides-with-closed-truck</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-couple-five-including-innocent-daughter-die-after-car-collides-with-closed-truck</guid><pubDate>Sun, 12 Jul 2026 01:06:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વિરમગામ શહેરમાં એસ.બી.આઈ બેંક પાછળ આવેલા વિસ્તારમાં સુર્યગોવિંદ સોસાયટી સામે મારુતિ ટેર્નામેન્ટ સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ દયારામભાઈ દલવાડી ઉ.વ.30, પત્ની પૂજાબેન ઉંમર 28 અને છ માસ આસપાસની વય ધરાવતી દીકરી રાહી સાથે અમદાવાદ રહેતા સાસરીમાં મરણ પ્રસંગ ઘટયો હતો જેમના ધાર્મિક રિવાજ માટે વિરમગામથી અમદાવાદ ગયા હતા.ત્યારબાદ અમદાવાદથી શૈલેષભાઈનો પરિવાર અને સાસરી પક્ષના વ્યક્તિઓ વાહન લઈને સોમનાથ ખાતે અર્થી વિસર્જન માટે જઈ રહ્યા હતા.ત્યારે જૂનાગઢ શહેર નજીક મજેવડી ગામ નજીક ફેર ટ્રેક રોડ પર શનિવારે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. સોમનાથ ખાતે અર્થી વિસર્જન માટે જઈ રહેલા અમદાવાદ અને વિરમગામના પરિવારની અર્ટિગા કાર રસ્તા પર બંધ ઉભેલી ટ્રક પાછળ ધડાકાભેર ઘુસી ગઈ હતી. કારમાં સવાર પાંચ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા. ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેમાંથી બેની હાલત અતિ ગંભીર જાણવા મળી છે. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ અને 108 તાત્કાલિક સારવાર અર્થે ઈમરજન્સી સેવાની ટીમો પોહચી હતી અને ઈજાગ્રસ્તોને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ તાત્કાલિક ઘટનાસ્થળે ખસેડાયા હતા. ઈજાગ્રસ્તો આવી હતી. મૃતકોના શબને પીએમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી વધુ આગળની તપાસ હાથધરી છે. ત્યારે બીજી તરફ્ આ ગમખ્વાર અકસ્માતના સમાચાર અમદાવાદ અને વિરમગામ પહોંચતાં પરિવાર જનોમાં માતમ છવાઈ જવા પામ્યો હતો.વિરમગામ શહેરમાં ખાસ કરીને સથવારા સમાજમાં ભારે શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.શૈલેષભાઈનેપ્રેમ લગ્ન હતા અને ફઈનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યુ છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/WbyJlaDAi6e1fRrpbUlGRQepbEGcxxH9AfihisGf.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: બાવળાના ભરવાડવાસના નાકા પર પાલિકાએ ધ્યાન ન આપતા યુવકો દ્વારા ખાડો પુરાયો...! ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-youths-filled-a-hole-at-the-bharwadvasana-naka-in-bavla-ignoring-the-municipality</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-youths-filled-a-hole-at-the-bharwadvasana-naka-in-bavla-ignoring-the-municipality</guid><pubDate>Sun, 12 Jul 2026 01:05:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બાવળા : અમદાવાદ જિલ્લાના બાવળા શહેરમાં આવેલા ભરવાડ વાસના નાકા ઉપર દોઢ ફૂટનો ખાડો પડી જતા ત્યાંથી પસાર થતા નાના મોટા વાહનો વારંવાર પછડાતા હતા અને નાના મોટા અકસ્માતો થતા હતા શુક્રવારે બાળકોને સ્કૂલે લઈ જતી વાન રીક્ષા પણ આનો ભોગ બની હતી. જેને જોઈ નાકા ઉપર બેસતા યુવકો દ્વારા પોતાની નાણાકીય મદદથી ખાડો રાત્રે ભરાવવામાં આવ્યો હતો. ત્યાં યુવકો બેસી રહ્યા હતા. જે કામ પાલિકાએ કરવાનું હોય છે. તે નગરજનોને જાતે કરવાનું આવતા પાલિકાને લાંછન લાગે તેવું કામ જાગૃત યુવકો દ્વારા કરવામાં આવ્યું હતું.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/Ing85V1PP5N5KgvTlyMPR1eB3tPOkTUFRGVhuC96.webp'/></item><item><title><![CDATA[South Africaના ફૂટબોલર જેડન એડમ્સનું 25 વર્ષની ઉંમરે નિધન, FIFA વર્લ્ડકપમાં રમી હતી મેચ ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/south-africa-footballer-jayden-adams-passed-away-at-25</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/south-africa-footballer-jayden-adams-passed-away-at-25</guid><pubDate>Sat, 11 Jul 2026 23:49:47 +05:30</pubDate><description><![CDATA[<div>સાઉથ આફ્રિકાના યુવા ફૂટબોલ ખેલાડી જેડન એડમ્સનું 25 વર્ષની ઉંમરે નિધન થયું છે. સાઉથ આફ્રિકા ફૂટબોલ પ્લેયર્સ યુનિયન (SAFPU) દ્વારા શનિવારે તેમના અવસાનની જાણકારી આપવામાં આવી. જેડન એડમ્સ સાઉથ આફ્રિકાની નેશનલ ટીમ માટે મિડફિલ્ડર તરીકે રમતા હતા અને તાજેતરમાં જ FIFA વર્લ્ડકપ 2026માં ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું.</div><h2><b>ફૂટબોલ જગતમાં શોકની લાગણી ફેલાઈ</b></h2><p>જેડન એડમ્સના અવસાનના સમાચારથી સમગ્ર ફૂટબોલ જગતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. SAFPUએ તેમના પરિવાર, મિત્રો અને ફેન્સ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. FIFA વર્લ્ડકપ દરમિયાન પણ જેડન મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા.</p><p>સાઉથ આફ્રિકા અને ચેક રિપબ્લિક વચ્ચેની મેચના એક દિવસ પહેલાં તેમની દાદીનું અવસાન થયું હતું. તેમ છતાં તેમને હિંમત જાળવી રાખીને ટૂર્નામેન્ટમાં દેશ માટે રમવાનું ચાલુ રાખ્યું હતું.</p><h3><b>સાઉથ કોરિયા સામેની મેચમાં તે સબ્સ્ટિટ્યૂટ તરીકે રમ્યો</b></h3><p>જેડન એડમ્સે વર્લ્ડકપમાં સાઉથ આફ્રિકા માટે 3 મેચ રમી હતી. તેમને ચેક રિપબ્લિક અને મેક્સિકો સામેની મેચમાં મેદાન પર ઉતરીને યોગદાન આપ્યું હતું, જ્યારે સાઉથ કોરિયા સામેની મેચમાં તેઓ સબ્સ્ટિટ્યૂટ તરીકે રમ્યા હતા.&nbsp;</p><p>હાલમાં તેમના નિધનનું ચોક્કસ કારણ જાહેર કરવામાં આવ્યું નથી. સાઉથ આફ્રિકાના રમત મંત્રી ગેટન મેકેન્ઝીએ પણ યુવા ખેલાડીના અચાનક અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. FIFA અધ્યક્ષ જિયાની ઈન્ફેન્ટિનોએ પણ જેડન એડમ્સના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.</p><p>વર્લ્ડકપ પહેલા જેડન એડમ્સે આફ્રિકન ચેમ્પિયન્સ લીગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમને 2025-26 સીઝનમાં મામેલોડી સનડાઉન્સને ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જેડન એડમ્સે વર્ષ 2024માં સાઉથ આફ્રિકાની સિનિયર ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું અને દેશ માટે કુલ 9 મેચ રમી હતી. તેમની અસમયે વિદાયથી સાઉથ આફ્રિકાના ફૂટબોલને મોટો આઘાત લાગ્યો છે.</p><p><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/ishan-kishan-run-out-abhishek-sharma-stump-mic-video" target="_blank">Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/xgkwRqYvZ4QDtB8uQPL8p8IP9GRggI1fFwgUK9l0.webp'/></item><item><title><![CDATA[Nita Ambani બન્યા દેશના સૌથી પાવરફૂલ મહિલા, ફોર્ચ્યુન ઈન્ડિયાના લિસ્ટમાં નંબર 1 પર ]]></title><link>https://sandesh.com/business/news/india/nita-ambani-most-powerful-woman-fortune-india-list-2026-number-one</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/nita-ambani-most-powerful-woman-fortune-india-list-2026-number-one</guid><pubDate>Sat, 11 Jul 2026 22:31:07 +05:30</pubDate><description><![CDATA[<p>મુંબઈની ફોર સીઝન્સ હોટેલમાં શુક્રવારે Fortune India Most Powerful Women (MPW) 2026નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બિઝનેસ, ફાઇનાન્સ, ટેક્નોલોજી, હેલ્થકેર, પબ્લિક પોલિસી અને ઉદ્યોગસાહસિક ક્ષેત્રની દેશની અગ્રણી મહિલા નેતાઓ એકત્રિત થઈ હતી.</p><p><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DaqN6SUAhIV/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DaqN6SUAhIV/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DaqN6SUAhIV/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DaqN6SUAhIV/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a></p><h2><b>મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી</b></h2><p>આ પ્રસંગે Fortune India Most Powerful Women 2026ની યાદી જાહેર કરવામાં આવી, જેમાં દેશના આર્થિક અને બિઝનેસ ક્ષેત્રને નવી દિશા આપનારી 100 પ્રભાવશાળી મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું. આ યાદીમાં રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીને પ્રથમ સ્થાન મળ્યું. કાર્યક્રમ દરમિયાન નેતૃત્વ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), નાણાકીય સશક્તિકરણ, ઉદ્યોગસાહસિકતા, સમાવેશી વિકાસ અને રાષ્ટ્ર નિર્માણ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.</p><h3><b>ઝડપી ટેક્નોલોજીકલ વિકાસના કારણે ઉદ્યોગોમાં મોટા ફેરફાર</b></h3><p>નીતા અંબાણીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે નેતૃત્વની વ્યાખ્યા માત્ર સફળતા સુધી સીમિત ન હોવી જોઈએ, પરંતુ તેમાં સંવેદના, સમાવેશ અને તકોનું સર્જન પણ સામેલ હોવું જોઈએ. તેમણે ખાસ કરીને દીકરીઓમાં રોકાણને ભારતના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ ગણાવ્યું હતું. કાર્યક્રમમાં હાજર બિઝનેસ લીડર્સે જણાવ્યું કે AI, વૈશ્વિક રાજકીય પરિવર્તન અને ઝડપી ટેક્નોલોજીકલ વિકાસના કારણે ઉદ્યોગોમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે. જોકે, સારા નેતૃત્વ માટે જિજ્ઞાસા, સંઘર્ષ કરવાની ક્ષમતા, ગ્રાહક કેન્દ્રિત વિચારસરણી અને માનવીય નિર્ણય ક્ષમતા હંમેશા મહત્વપૂર્ણ રહેશે.</p><h4><b>મહિલાઓના નાણાકીય સશક્તિકરણ પર પણ ભાર મૂકાયો</b></h4><p>ચર્ચાઓ દરમિયાન મહિલાઓના નાણાકીય સશક્તિકરણ પર પણ ભાર મૂકાયો હતો. નિષ્ણાતોએ જણાવ્યું કે હવે માત્ર નાણાકીય સેવાઓ સુધી પહોંચ પૂરતી નથી, પરંતુ મહિલાઓ સક્રિય રીતે સંપત્તિ સર્જન અને નાણાકીય નિર્ણયોમાં ભાગ લે તે જરૂરી છે. આ ઉપરાંત સમાવેશી કાર્યસ્થળોનું નિર્માણ, મજબૂત ગ્રાહક બ્રાન્ડ્સ ઉભી કરવી અને હેલ્થકેર-પોષણ ક્ષેત્રની ભૂમિકા જેવા વિષયો પર પણ ચર્ચા થઈ હતી.</p><p>Fortune Indiaનું MPW પ્લેટફોર્મ દેશની પ્રભાવશાળી મહિલા નેતાઓને ઓળખ આપતું મહત્વપૂર્ણ મંચ બની રહ્યું છે. વર્ષ 2026ની આવૃત્તિએ બિઝનેસ અને સમાજમાં પરિવર્તન લાવતી મહિલાઓના યોગદાનને ફરી એકવાર ઉજાગર કર્યું છે.</p><p><b><a href="https://sandesh.com/business/news/share-market-fii-buy-shares-worth-2603-crore-foreign-investors-confidence-indian-market" target="_blank">આ પણ વાંચો : Share Marketમાં વિદેશી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો, FIIએ એક જ દિવસમાં રૂપિયા 2,603 કરોડના શેર ખરીદ્યા</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/uBwJvGgptmNdHPXo2jN8GMuIcejkKbvRSoLjqwlN.webp'/></item><item><title><![CDATA[Nita Ambani બન્યા દેશના સૌથી પાવરફૂલ મહિલા, ફોર્ચ્યુન ઈન્ડિયાના લિસ્ટમાં નંબર 1 પર ]]></title><link>https://sandesh.com/business/news/india/nita-ambani-most-powerful-woman-fortune-india-list-2026-number-one</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/nita-ambani-most-powerful-woman-fortune-india-list-2026-number-one</guid><pubDate>Sat, 11 Jul 2026 22:31:07 +05:30</pubDate><description><![CDATA[<p>મુંબઈની ફોર સીઝન્સ હોટેલમાં શુક્રવારે Fortune India Most Powerful Women (MPW) 2026નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બિઝનેસ, ફાઇનાન્સ, ટેક્નોલોજી, હેલ્થકેર, પબ્લિક પોલિસી અને ઉદ્યોગસાહસિક ક્ષેત્રની દેશની અગ્રણી મહિલા નેતાઓ એકત્રિત થઈ હતી.</p><p><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DaqN6SUAhIV/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DaqN6SUAhIV/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DaqN6SUAhIV/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DaqN6SUAhIV/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a></p><h2><b>મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી</b></h2><p>આ પ્રસંગે Fortune India Most Powerful Women 2026ની યાદી જાહેર કરવામાં આવી, જેમાં દેશના આર્થિક અને બિઝનેસ ક્ષેત્રને નવી દિશા આપનારી 100 પ્રભાવશાળી મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું. આ યાદીમાં રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીને પ્રથમ સ્થાન મળ્યું. કાર્યક્રમ દરમિયાન નેતૃત્વ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), નાણાકીય સશક્તિકરણ, ઉદ્યોગસાહસિકતા, સમાવેશી વિકાસ અને રાષ્ટ્ર નિર્માણ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.</p><h3><b>ઝડપી ટેક્નોલોજીકલ વિકાસના કારણે ઉદ્યોગોમાં મોટા ફેરફાર</b></h3><p>નીતા અંબાણીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે નેતૃત્વની વ્યાખ્યા માત્ર સફળતા સુધી સીમિત ન હોવી જોઈએ, પરંતુ તેમાં સંવેદના, સમાવેશ અને તકોનું સર્જન પણ સામેલ હોવું જોઈએ. તેમણે ખાસ કરીને દીકરીઓમાં રોકાણને ભારતના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ ગણાવ્યું હતું. કાર્યક્રમમાં હાજર બિઝનેસ લીડર્સે જણાવ્યું કે AI, વૈશ્વિક રાજકીય પરિવર્તન અને ઝડપી ટેક્નોલોજીકલ વિકાસના કારણે ઉદ્યોગોમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે. જોકે, સારા નેતૃત્વ માટે જિજ્ઞાસા, સંઘર્ષ કરવાની ક્ષમતા, ગ્રાહક કેન્દ્રિત વિચારસરણી અને માનવીય નિર્ણય ક્ષમતા હંમેશા મહત્વપૂર્ણ રહેશે.</p><h4><b>મહિલાઓના નાણાકીય સશક્તિકરણ પર પણ ભાર મૂકાયો</b></h4><p>ચર્ચાઓ દરમિયાન મહિલાઓના નાણાકીય સશક્તિકરણ પર પણ ભાર મૂકાયો હતો. નિષ્ણાતોએ જણાવ્યું કે હવે માત્ર નાણાકીય સેવાઓ સુધી પહોંચ પૂરતી નથી, પરંતુ મહિલાઓ સક્રિય રીતે સંપત્તિ સર્જન અને નાણાકીય નિર્ણયોમાં ભાગ લે તે જરૂરી છે. આ ઉપરાંત સમાવેશી કાર્યસ્થળોનું નિર્માણ, મજબૂત ગ્રાહક બ્રાન્ડ્સ ઉભી કરવી અને હેલ્થકેર-પોષણ ક્ષેત્રની ભૂમિકા જેવા વિષયો પર પણ ચર્ચા થઈ હતી.</p><p>Fortune Indiaનું MPW પ્લેટફોર્મ દેશની પ્રભાવશાળી મહિલા નેતાઓને ઓળખ આપતું મહત્વપૂર્ણ મંચ બની રહ્યું છે. વર્ષ 2026ની આવૃત્તિએ બિઝનેસ અને સમાજમાં પરિવર્તન લાવતી મહિલાઓના યોગદાનને ફરી એકવાર ઉજાગર કર્યું છે.</p><p><b><a href="https://sandesh.com/business/news/share-market-fii-buy-shares-worth-2603-crore-foreign-investors-confidence-indian-market" target="_blank">આ પણ વાંચો : Share Marketમાં વિદેશી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો, FIIએ એક જ દિવસમાં રૂપિયા 2,603 કરોડના શેર ખરીદ્યા</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/uBwJvGgptmNdHPXo2jN8GMuIcejkKbvRSoLjqwlN.webp'/></item><item><title><![CDATA[Hydrogen Train : 17 જુલાઈએ દેશની પ્રથમ હાઈડ્રોજન ટ્રેનને મળશે લીલીઝંડી, જીંદ-સોનીપત રૂટ પર દોડશે ]]></title><link>https://sandesh.com/india/news/india-first-hydrogen-train-launch-july-17-jind-sonipat-route-pm-modi</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/india-first-hydrogen-train-launch-july-17-jind-sonipat-route-pm-modi</guid><pubDate>Sat, 11 Jul 2026 21:33:16 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય રેલવે 17 જુલાઈના રોજ એક નવી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હરિયાણામાં દેશની પ્રથમ હાઈડ્રોજનથી ચાલતી ટ્રેનને લીલી ઝંડી બતાવશે. આ ટ્રેન જીંદ અને સોનીપત વચ્ચેના 89 કિલોમીટર લાંબા રૂટ પર દોડશે. હાઈડ્રોજન ફ્યુઅલ સેલ ટેક્નોલોજી પર આધારિત આ ટ્રેનને પર્યાવરણને અનુકૂળ પરિવહનની દિશામાં રેલવેનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.</p><h2><b>હાઈડ્રોજન ટ્રેન જીંદ-સોનીપત વચ્ચે કુલ 12 સ્ટેશનો પર રોકાશે</b></h2><p>ઉદ્ઘાટન 17 જુલાઈએ થશે, પરંતુ સામાન્ય મુસાફરો માટે ટ્રેનની નિયમિત સેવા ક્યારે શરૂ થશે તેનો નિર્ણય ઉત્તર રેલવે કરશે. રેલવે બોર્ડના ઓપરેશન શેડ્યૂલ મુજબ નિયમિત સેવા દરમિયાન ટ્રેન નંબર 74010 સવારે 7:40 વાગ્યે જીંદથી રવાના થઈને 9:40 વાગ્યે સોનીપત પહોંચશે. જ્યારે પરત ફરતી વખતે ટ્રેન નંબર 74009 સવારે 10:40 વાગ્યે સોનીપતથી નીકળીને બપોરે 1 વાગ્યે જીંદ પહોંચશે.</p><p>આ હાઈડ્રોજન ટ્રેન જીંદ-સોનીપત વચ્ચે કુલ 12 સ્ટેશનો પર રોકાશે. તેમાં જીંદ સિટી, પાંડુ પિંડારા, લલિત ખેડા, ભંભેવા, ઈશાપુર ખેડી, બૂટાના, ખંડરાઈ, ગોહાના, રાભડા, લાઠ, મોહાના હરિયાણા અને બરવાસની સ્ટેશનનો સમાવેશ થાય છે. આ 10 કોચવાળી હાઈડ્રોજન DEMU ટ્રેન દરરોજ લગભગ 356 કિલોમીટરનું અંતર કાપશે અને બે રાઉન્ડ ટ્રિપ કરશે. તેમાં 682 મુસાફરો માટે બેઠક વ્યવસ્થા છે, જ્યારે કુલ મળીને આશરે 2,600 મુસાફરોની ક્ષમતા છે.</p><h3><b>હાઈડ્રોજન ફ્યુઅલ સેલનો ઉપયોગ થવાથી પ્રદૂષણમાં ઘટાડો થશે</b></h3><p>ટ્રાયલ દરમિયાન ટ્રેને 120 કિમી પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરી હતી, જોકે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેની ઓપરેશનલ સ્પીડ 75 કિમી પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે. ડીઝલના બદલે હાઈડ્રોજન ફ્યુઅલ સેલનો ઉપયોગ થવાથી પ્રદૂષણમાં ઘટાડો થશે. રેલવે મંત્રાલયે શરૂઆતના ત્રણ મહિના સુધી વિશેષ દેખરેખ રાખવાનો નિર્ણય લીધો છે. આ સમયગાળા દરમિયાન હાઈડ્રોજન ટેક્નોલોજીમાં નિષ્ણાત એન્જિનિયરો અને ટેક્નિકલ ટીમ ટ્રેન સાથે હાજર રહેશે. આ પ્રોજેક્ટ ભવિષ્યમાં ભારતના સ્વચ્છ અને ટકાઉ રેલ પરિવહન માટે નવી દિશા નક્કી કરી શકે છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/sia-kashmir-interpol-red-corner-notice-hizbul-mujahideen-terrorist-tarzoo-attack-case" target="_blank">આ પણ વાંચો : National News : તારઝૂ આતંકી હુમલા કેસમાં મોટી કાર્યવાહી, હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી સામે રેડ કોર્નર નોટિસ જાહેર</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/CGEK31EYagVdMISL5BqCTjKA0JashQnH2wiLB06T.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના વસ્ત્રાલમાં વસ્ત્રાલમાં સામાન્ય વિવાદે ધારણ કર્યું ઉગ્ર સ્વરૂપ, 2 સગીરો જેલ ભેગા ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/a-general-dispute-in-vastral-ahmedabad-took-a-violent-turn-2-minors-were-sent-to-jail</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/a-general-dispute-in-vastral-ahmedabad-took-a-violent-turn-2-minors-were-sent-to-jail</guid><pubDate>Sat, 11 Jul 2026 21:21:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં બે જૂથો વચ્ચે થયેલી હિંસક માથાકૂટનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં અસામાજિક તત્વોએ ક્રિકેટ મેદાનમાં ભારે આતંક મચાવ્યો હતો. આ સમગ્ર વિવાદની શરૂઆત સ્થાનિક સ્કૂલમાં એકબીજા પર પાણીના છાંટા ઉડવા જેવી નજીવી બાબતે થઈ હતી. આ સામાન્ય ઝઘડાનો બદલો લેવા માટે કુલ 8 આરોપીઓની એક આખી ટોળકી લાકડાના દંડા, બેલ્ટ અને ક્રિકેટના સ્ટમ્પ જેવા ઘાતક હથિયારો સાથે ક્રિકેટ મેદાનમાં ધસી આવી હતી.</p><h2 style="text-align: justify; "><b>ફરિયાદી અને મિત્રો પર કર્યો હુમલો</b></h2><p style="text-align: justify; ">આરોપીઓએ મેદાનમાં રમી રહેલા ફરિયાદી અને તેના મિત્રો પર ઓચિંતો હુમલો કરીને તેમને બેરહેમીપૂર્વક ઢોર માર મારવાનું શરૂ કર્યું હતું. આટલેથી ન અટકતા, આરોપીઓએ હિંસકતાની તમામ હદો પાર કરી દીધી હતી. તેમણે ક્રિકેટના ચાલુ મેદાનની અંદર જ પોતાની કારને અત્યંત પૂરઝડપે અને ગફલતભરી રીતે દોડાવીને ફરિયાદી યુવક પર સીધી ચઢાવી દેવાનો અને તેને જાનથી મારી નાખવાનો ભયાનક પ્રયાસ કર્યો હતો, જેના કારણે મેદાનમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી.</p><h3 style="text-align: justify; "><b>રામોલ પોલીસે મુખ્ય આરોપી 'ગામુ' અને શિવાની ધરપકડ કરી</b></h3><p style="text-align: justify; ">આ ચકચારી અને જીવલેણ હુમલાની ઘટના અંગે ફરિયાદ નોંધાતા જ રામોલ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક એક્શન મોડમાં આવ્યો હતો. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે દંડા મારનાર અને પૂરઝડપે ગાડી હંકારનાર મુખ્ય બે આરોપીઓ વિશેષ ઉર્ફે ગામુ અને શિવા નામના શખ્સોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ ગુનામાં સામેલ અને કાયદાના સંઘર્ષમાં આવેલા અન્ય 3 સગીરોને પોલીસે રાઉન્ડઅપ કરીને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવાની કાયદેસરની તજવીજ હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/GpTqFjBvyvVgpqmwisnyhbe7q42mKaZcanCPA1at.webp'/></item><item><title><![CDATA[હેમા માલિની કેમ નથી કરી રહી ફિલ્મોમાં કામ? કહ્યું- 'આજકાલ જે રીતે ફિલ્મો બની રહી છે તેનાથી...' ]]></title><link>https://sandesh.com/entertainment/news/why-is-hema-malini-not-working-in-films-she-said-the-way-films-are-being-made-these-days</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/why-is-hema-malini-not-working-in-films-she-said-the-way-films-are-being-made-these-days</guid><pubDate>Sat, 11 Jul 2026 18:30:36 +05:30</pubDate><description><![CDATA[<p>1970 અને 11980ના દાયકામાં બોલીવૂડ અભિનેત્રી અને રાજકારણી હેમા માલિનીએ બોલીવુડમાં રાજ કર્યું. તે ભારતીય સિનેમાના સૌથી મોટા સ્ટાર્સમાંના એક હતા, જેમણે તેમની સુંદરતા અને શોલે, સીતા ઔર ગીતા, બાગબાન અને સત્તે પે સત્તા જેવી બેસ્ટ ફિલ્મોને કારણે બોલિવૂડની 'ડ્રીમ ગર્લ'નું બિરુદ મેળવ્યું. ભારતીય સિનેમામાં બેસ્ટ ફિલ્મો આપ્યા પછી હેમા માલિનીએ રાજકારણમાં પ્રવેશ કર્યો અને ધીમે ધીમે ફિલ્મ ઉદ્યોગથી દૂર થઈ ગયા. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, તેમણે કારણ જણાવ્યું કે તેઓ હવે ફિલ્મોમાં કેમ કામ નથી કરતી.</p><p><b style="font-size: 2rem;">હેમા માલિની હવે ફિલ્મોમાં કેમ કામ કરતા નથી?</b></p><p>હેમાએ સિનેમાના સુવર્ણ યુગની યાદ તાજી કરી જ્યારે તેમની કારકિર્દી તેની ટોચ પર હતી. તેમણે કહ્યું, "તે યુગ સંપૂર્ણપણે અલગ હતો. હું કહીશ કે તે ફિલ્મ ઉદ્યોગનો સુવર્ણ યુગ હતો અને હું તે સફરનો ભાગ બનવામાં ભાગ્યશાળી હતી. તે સમયે ઘણી બેસ્ટ ફિલ્મો બનાવવામાં આવી હતી, ખાસ કરીને તે મહિલાઓ પર કેન્દ્રિત હતી. મને સીતા ઔર ગીતા જેવી ભૂમિકાઓ તેમજ મારી પહેલી ફિલ્મ સપનો કા સૌદાગર, ખુશ્બુ, અને બીજી ઘણી ફિલ્મો મળી.</p><p>આજે જ્યારે હું પાછળ ફરીને જોઉં છું, ત્યારે મને ખ્યાલ આવે છે કે મેં લગભગ 200 ફિલ્મોમાં કામ કર્યું છે. મોટાભાગના નિર્માતાઓએ મને તેમના પ્રોજેક્ટ્સમાં વારંવાર કાસ્ટ કરી હતી. તે દિવસોમાં દરેક ફિલ્મમાં પાંચ કે છ ગીતો હતા અને નિર્માતાઓ માટે હિટ ગીતો હોવા ખૂબ જ મહત્વપૂર્ણ હતા."</p><h3><b>આજની ફિલ્મોમાં ઢળી જવું  મુશ્કેલ- હેમા</b></h3><p>તેમણે વધુમાં કહ્યું કે, આજે ફિલ્મ નિર્માણ પહેલા જેવું નથી રહ્યું. "આજે ફિલ્મો બનાવવાની રીત સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. ઘણા લોકો મને પૂછે છે કે હું હવે કેમ કામ નથી કરી રહી, પરંતુ મારા માટે ફિલ્મ નિર્માણની વર્તમાન શૈલીમાં ઢળી જવું ખૂબ મુશ્કેલ છે."</p><p>હેમા માલિની ભારતીય સિનેમાની સૌથી પ્રખ્યાત મહિલા સ્ટાર્સમાંની એક છે. બોલિવૂડની 'ડ્રીમ ગર્લ' તરીકે જાણીતી હેમાએ સપનો કા સૌદાગર (૧૯૬૮) થી હિન્દી ફિલ્મમાં પ્રવેશ કર્યો અને સીતા ઔર ગીતા, શોલે, ડ્રીમ ગર્લ, સત્તે પે સત્તા અને બાગબાન જેવી અનેક યાદગાર હિટ ફિલ્મો આપી. અભિનેત્રી છેલ્લે 2020માં આવેલી ફિલ્મ શિમલા મિર્ચી માં જોવા મળ્યા હતા. રમેશ સિપ્પી દ્વારા દિગ્દર્શિત આ રોમેન્ટિક ડ્રામામાં રકુલ પ્રીત સિંહ અને રાજકુમાર રાવ પણ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મને ખરાબ રિવ્યુ મળ્યા અને બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરવામાં નિષ્ફળ ગઈ.<br><br><a href="https://sandesh.com/entertainment/news/mandira-bedi-emotional-at-trailer-launch--remembers-husband-raj-kaushal#google_vignette" target="_blank"><b>આ પણ વાંચો: 'પતિના મોત બાદ...', રાજ કૌશલને યાદ કરી કહ્યું- કોણ બન્યું તેનો સહારો</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/zMwyrEtHmzhUymwqNyVbcLyIyg2CBJySS8Nvn35A.webp'/></item></channel></rss>