<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Rajkot: બાલાજી વેફર ફેક્ટરી દ્વારા ન્યારી નદીમાં દૂષિત પાણી છોડાયાના આક્ષેપ, બચાવમાં ઉતરેલું પ્રદૂષણ બોર્ડ સવાલોના ઘેરામાં ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/nyari-river-pollution-scandal-balaji-wafers-factory-accused-gpcb-role-under-scanner</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/nyari-river-pollution-scandal-balaji-wafers-factory-accused-gpcb-role-under-scanner</guid><pubDate>Tue, 16 Jun 2026 14:14:36 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટની આસપાસ આવેલા ઔદ્યોગિક એકમો દ્વારા પર્યાવરણના નિયમોના ધજાગરા ઉડાવવાની ઘટનાઓ નવી નથી, પરંતુ આ વખતે મામલો શહેરના પીવાના અને સિંચાઈના મુખ્ય સ્ત્રોત એવી ન્યારી નદી સાથે જોડાયેલો છે. રાજકોટ નજીક આવેલી નામાંકિત બ્રાન્ડ ‘બાલાજી વેફર્સ’ ની મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીમાંથી નીકળતું પ્રોસેસ્ડ અને દૂષિત પાણી ગુપ્ત પાઇપલાઇન મારફતે ન્યારી નદીના વહેણમાં છોડવામાં આવી રહ્યું હોવાનો સનસનાટીપૂર્ણ ખુલાસો સ્થાનિક અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યો છે. આ પ્રદૂષણના કારણે નદીનું પાણી કાળું પડી રહ્યું છે અને આસપાસના ભૂગર્ભ જળ પણ ઝેરીલા બની રહ્યા છે.</p><h2><b>પ્રદૂષણ બોર્ડની શંકાસ્પદ ભૂમિકાથી વિવાદ વકર્યો</b></h2><p>જે સરકારી વિભાગની મુખ્ય જવાબદારી પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કાયદાકીય કડક પગલાં લેવાની, ફેક્ટરી સીલ કરવાની કે મસમોટો દંડ ફટકારવાની છે, તે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ના અધિકારીઓની ભૂમિકા આ કેસમાં શંકાના દાયરામાં આવી ગઈ છે. GPCB ના જવાબદાર અધિકારીઓએ આ મામલે ચોંકાવનારું બચાવનામું રજૂ કરતા જણાવ્યું છે કે, “અમે જ્યારે સ્થળ તપાસ કરી ત્યારે બાલાજી વેફર્સ ફેક્ટરી દ્વારા કોઈ ડોમેસ્ટિક કે ઔદ્યોગિક વેસ્ટ વોટર નદીમાં છોડાતું હોય તેવો કોઈ પુરાવો હાથ લાગ્યો નથી. જે પાઇપલાઇન અંગે આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યાં હાલમાં કોઈ ગંદુ પાણી વહેતું જોવા મળ્યું નથી.”</p><h3><b>માલિકોને બચાવવા માટે પ્રશાસનના ધમપછાડા</b></h3><p>સ્થાનિક રહીશો અને પર્યાવરણ સુરક્ષા સમિતિના સભ્યોનો સીધો આક્ષેપ છે કે પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ જનતાના સ્વાસ્થ્યના ભોગે બાલાજી ફેક્ટરીના માલિકો સામે નતમસ્તક થઈ ગયા છે. ફેક્ટરી પ્રશાસનને અગાઉથી જ તપાસની ઓન-પેપર માહિતી આપી દેવામાં આવી હોવાથી પાણીનો નિકાલ તત્કાલ બંધ કરી દેવાયો હતો અને અધિકારીઓએ ત્યાં જઈને માત્ર કાગળ પરની કાર્યવાહી કરવાનું નાટક કર્યું છે. કંપનીને પર્યાવરણ સુરક્ષા એક્ટ હેઠળ થનારી મોટી કાયદાકીય કાર્યવાહી અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) ના દંડાત્મક આદેશોમાંથી બચાવવા માટે પ્રદૂષણ બોર્ડ દ્વારા ખોટા બહાના અને લૂલા બચાવ કરવામાં આવી રહ્યા હોવાનું ચિત્ર સ્પષ્ટ ઉપસી રહ્યું છે. આ મામલે હવે ઉચ્ચ સ્તરીય તટસ્થ વિજિલન્સ તપાસ થાય અને પાણીના કેમિકલ સેમ્પલ સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bhavnagar/mahuva-somnath-highway-bootlegger-innova-car-overturns-with-liquor-near-tared-village" target="_blank">આ પણ વાંચો: Bhavnagar: મહુવા હાઈવે પર બુટલેગરની ઇનોવા કાર પલટી, તરેડ ગામ નજીક અકસ્માત બાદ દારૂ-બિયરની રેલમછેલ</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/uwNSLt2giQBlvmhng4EeKPpYOOCYvMyd3H9R38JU.webp'/></item><item><title><![CDATA[Mithun da કે જીમી નહીં તો પછી મિથુન ચક્રવર્તીનું સાચું નામ ક્યુ? Disco King નું અદભૂત સફરનામું ]]></title><link>https://sandesh.com/entertainment/news/if-not-mithun-da-or-jimmy-then-what-is-mithun-chakrabortys-real-name-the-amazing-journey-of-the-disco-king</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/if-not-mithun-da-or-jimmy-then-what-is-mithun-chakrabortys-real-name-the-amazing-journey-of-the-disco-king</guid><pubDate>Tue, 16 Jun 2026 14:14:27 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">16 જૂન, 1950 ના રોજ કોલકાતામાં જન્મેલા ગૌરાંગ ચક્રવર્તી આજે આખા વિશ્વમાં 'મિથુન ચક્રવર્તી' તરીકે ઓળખાય છે. અભિનયની દુનિયામાં પ્રવેશતા પહેલા તેમનું જીવન ઘણું સંઘર્ષપૂર્ણ હતું, પરંતુ પોતાની મહેનત અને અદભૂત નૃત્યકળાના જોરે તેમણે બોલીવુડમાં એક અલગ ઓળખ બનાવી. પુણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટમાંથી અભિનયનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે ૧૯૭૬માં 'મૃગલ્યા' ફિલ્મથી કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પહેલી જ ફિલ્મ માટે તેમને શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો, જે તેમની પ્રતિભાનો પ્રથમ પુરાવો હતો.</p><h2 style="text-align: justify; "><b>'ડિસ્કો ડાન્સર' ફિલ્મ ગેમ-ચેન્જર સાબિત થઈ</b></h2><p style="text-align: justify; ">મિથુન ચક્રવર્તી માટે 1982 ની ફિલ્મ 'ડિસ્કો ડાન્સર' ગેમ-ચેન્જર સાબિત થઈ. આ ફિલ્મના 'જીમી' પાત્ર અને તેના ડાન્સ સ્ટેપ્સે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ રશિયા અને તત્કાલીન સોવિયેત યુનિયનમાં પણ તેમને આંતરરાષ્ટ્રીય સુપરસ્ટાર બનાવી દીધા. તે સમયના રશિયન લોકો મિથુન દાના ડાન્સ સ્ટેપ્સના દિવાના હતા. લોકો તેમની હેરસ્ટાઇલ અને પહેરવેશનું અનુકરણ કરતા હતા, અને રશિયામાં તેમની ફિલ્મો જોવા માટે થિયેટરોમાં લાંબી કતારો લાગતી હતી. તે સમયે અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર જેવા દિગ્ગજ કલાકારોના પ્રભુત્વ વચ્ચે પણ મિથુન ચક્રવર્તીએ પોતાની એક અનોખી જગ્યા બનાવી હતી.</p><h3 style="text-align: justify; "><b>મિથુન દાએ કારકિર્દીમાં જોયો કપરો સમય</b></h3><p style="text-align: justify; ">કોઈપણ મહાન કલાકારની સફર મુશ્કેલીઓ વગરની હોતી નથી. મિથુન દાએ પણ તેમની કારકિર્દીમાં કપરો સમય જોયો છે. વર્ષ ૧૯૯૩ થી ૧૯૯૮ વચ્ચે તેમની સતત ૩૩ ફિલ્મો ફ્લોપ રહી હતી, છતાં તેમનું સ્ટારડમ જરા પણ ડગમગ્યું નહીં. અભિનયની સાથે સાથે તેમણે હોટેલ વ્યવસાયમાં પણ સફળતા મેળવી છે. પોતાની લાંબી કારકિર્દીમાં તેમણે ૩૫૦ થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.</p><h4 style="text-align: justify; "><b>અત્યાર સુધીમાં ત્રણ રાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા</b></h4><p style="text-align: justify; ">અભિનય ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાન બદલ તેમને અત્યાર સુધીમાં ત્રણ રાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા છે. વર્ષ ૨૦૨૪માં તેમને ભારતીય સિનેમાના સર્વોચ્ચ સન્માન 'દાદાસાહેબ ફાળકે પુરસ્કાર'થી સન્માનિત કરવામાં આવ્યા. આજે 76  વર્ષની ઉંમરે પણ મિથુન ચક્રવર્તી અવિરતપણે ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. તેઓ માત્ર એક સફળ અભિનેતા જ નહીં, પણ એક એવા કલાકાર છે જેમણે પોતાની સખત મહેનત અને સંઘર્ષ દ્વારા શૂન્યમાંથી સર્જન કર્યું છે. તેમના ચાહકો આજે પણ તેમના અભિનય અને વ્યક્તિત્વને તેટલો જ પ્રેમ આપે છે જે દાયકાઓ પહેલા આપતા હતા.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/entertainment/news/bollywood-dawood-ibrahim-killed-a-producer-for-this-bollywood-actress-he-was-madly-in-love" target="_blank">આ પણ વાંચોઃ Dawood ibrahim : બોલિવૂડની આ અભિનેત્રી માટે દાઉદ ઇબ્રાહિમે કરી હતી પ્રોડ્યુસરની હત્યા! ગળાડૂબ પ્રેમમાં હતો પાગલ..</a></b></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/HGwRdqjz2beJVEFVPY2z3Wo7GA4onO8GsBVjmx5c.webp'/></item><item><title><![CDATA[Bhavnagar: મહુવા હાઈવે પર બુટલેગરની ઇનોવા કાર પલટી, તરેડ ગામ નજીક અકસ્માત બાદ દારૂ-બિયરની રેલમછેલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bhavnagar/mahuva-somnath-highway-bootlegger-innova-car-overturns-with-liquor-near-tared-village</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bhavnagar/mahuva-somnath-highway-bootlegger-innova-car-overturns-with-liquor-near-tared-village</guid><pubDate>Tue, 16 Jun 2026 14:04:17 +05:30</pubDate><description><![CDATA[<p>ભાવનગર જિલ્લામાં પ્રોહિબિશનની કડક અમલવારીના દાવાઓ વચ્ચે બુટલેગરો હવે વિદેશી દારૂની હેરાફેરી માટે હાઈસ્પીડ લક્ઝુરિયસ ગાડીઓનો ઉપયોગ કરી રહ્યા હોવાનું ફરી એકવાર સાબિત થયું છે. આજે વહેલી સવારે ભાવનગર-મહુવા સોમનાથ નેશનલ હાઈવે પર તરેડ ગામના પાટિયા નજીકથી પસાર થઈ રહેલી એક શંકાસ્પદ ઇનોવા કારને અકસ્માત નડ્યો હતો. દારૂના કટીંગ માટે કદાચ આ કાર ઓવરસ્પીડમાં દોડાવવામાં આવી રહી હતી.</p><h2><b>નેશનલ હાઈવે પરથી સીધી વાડીમાં ખાબકી</b></h2><p>પ્રાપ્ત વિગતો અનુસાર, ઇનોવા કાર નંબર GJ 06 LE-0510 ના ચાલકે તરેડ ગામ નજીક અચાનક જ સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. કારની ઝડપ એટલી વધારે હતી કે તે રોડ પરથી ત્રણ-ચાર પલટી મારીને હાઈવેની બાજુમાં આવેલી એક ખાનગી વાડીની અંદર કૂદી પડી હતી. અકસ્માતનો જોરદાર અવાજ આવતા જ આસપાસના વાડી વિસ્તારના લોકો અને ખેડૂતો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકો પહોંચે તે પહેલા જ એરબેગ ખુલી જવાના કારણે બચેલો કાર ચાલક અંધારાનો અને અફરાતફરીનો લાભ લઈને ત્યાંથી નાસી છૂટ્યો હતો.</p><h3><b>પોલીસનો કાફલો સ્થળ પર, તપાસનો ધમધમાટ</b></h3><p>સ્થાનિક લોકોએ જ્યારે કારની અંદર તપાસ કરી ત્યારે તેમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન (કેન) મળી આવ્યા હતા, જે જોઈને લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. બનાવની માહિતી મળતા જ મહુવા ગ્રામ્ય પોલીસનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કારમાંથી વિદેશી દારૂનો જથ્થો તેમજ અકસ્માતગ્રસ્ત કાર કબજે લીધી હતી. પોલીસે વાહનના નંબરના આધારે તેના મૂળ માલિકને શોધવા RTO ની મદદ લીધી છે. આ સાથે જ આ ઇંગ્લિશ દારૂનો જથ્થો કોણે મંગાવ્યો હતો, ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કયા લોકલ બુટલેગરને ત્યાં તેની ડિલિવરી થવાની હતી, તે તમામ દિશાઓમાં પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ચક્રો ગતિમાન કર્યા છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/rajkot/rmc-health-department-raids-balaji-thal-restaurant-insects-found-in-flour-fined" target="_blank">આ પણ વાંચો: Rajkot: RMC ની મેગા ડ્રાઇવ, સુપ્રસિદ્ધ ‘બાલાજી થાળ’ માં 150 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરી 10,000નો દંડ કરાયો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/ZmcVQQ2U4YU7qTTNWmYo67bvB819KGXssXfjf1Xc.webp'/></item><item><title><![CDATA[Mehsana : શોભાસણની સકર ડેરીમાંથી 990 કિલો કેરી, 170 કિલો રસ,120 લિટર પેપ્સી જપ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/mehsana-food-department-raid-sakar-dairy-shobhasan-mango-pulp-seized</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/mehsana-food-department-raid-sakar-dairy-shobhasan-mango-pulp-seized</guid><pubDate>Tue, 16 Jun 2026 13:44:25 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઉનાળાની સીઝન જામતા જ બજારમાં કેરીના રસની માંગનો ફાયદો ઉઠાવી પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લાલ આંખ કરી છે. મહેસાણા તાલુકાના શોભાસણ ગામમાં આવેલી પ્રખ્યાત 'સકર ડેરી' માં ફૂડ વિભાગની ટીમે એકાએક આકસ્મિક દરોડા પાડીને મોટા પ્રમાણમાં અખાદ્ય જથ્થો ઝડપી પાડતા સમગ્ર પંથકના વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>990 કિલો જેટલી  કેરી, 170 કિલો તૈયાર કરેલો શંકાસ્પદ રસ મળ્યો
</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, ફૂડ અધિકારી વી.જે. ચૌધરી અને તેમની વિશેષ ટીમ દ્વારા આ ગુપ્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ડેરીના ઉત્પાદન સ્થળ પર તપાસ દરમિયાન કેમિકલ અને અખાદ્ય કલર યુક્ત રસ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું હતું. ફૂડ વિભાગની ટીમે સ્થળ પરથી આશરે 990 કિલો જેટલી  કેરી, 170 કિલો તૈયાર કરેલો શંકાસ્પદ રસ અને 120 લિટર પેપ્સીનો જથ્થો જપ્ત કર્યો છે. તંત્ર દ્વારા કુલ 1,200 કિલો જેટલો અખાદ્ય માલ કબજે લઈને તેને તાત્કાલિક અસરથી નષ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે, જેની બજાર કિંમત રૂપિયા 58,100 જેટલી આંકવામાં આવી છે.
</p><h3 style="text-align: justify; "><b>કેટલાક તત્વો અખાદ્ય કલર મિક્ષ કરીને રસ બનાવે છે
</b></h3><p style="text-align: justify; ">આ સફળ રેડ બાદ મીડિયા સાથે વાતચીત કરતા ફૂડ અધિકારી વી.જે. ચૌધરીએ જનતાને જાગૃત કરતા જણાવ્યું હતું કે, "બજારમાં મળતા તૈયાર રસ કરતા ઘરે કાઢેલો રસ સ્વાસ્થ્ય માટે વધુ સલામત અને હિતવાહક છે. નફાખોરી ખાતર કેટલાક તત્વો રસને આકર્ષક બનાવવા માટે તેમાં પ્રતિબંધિત અને અખાદ્ય કલર મિક્ષ કરીને તૈયાર કરતા હોય છે, જે સીધો માનવ શરીરના લીવર અને પાચનતંત્રને નુકસાન પહોંચાડે છે." ફૂડ વિભાગે ડેરીમાંથી લીધેલા સેમ્પલને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલી આપીને આગળની કાયદેસરની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો---&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/india/news/sandesh-digital-explainer-india-monsoon-pause-imd-alert" target="_blank"><b>Sandesh Digital Explainer: મેઘરાજા આકાશી ચક્રવ્યૂહમાં ફસાયા..! કેમ અચાનક ગાયબ થઈ ગયા ચોમાસાના વાદળો? જાણો વિન્ડ વોરની ઇનસાઇડ સ્ટોરી</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/WluyUXGAXa9nbHfya2hokD45aYmQQB6u5gxe5M7y.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: વટવા બીબી તળાવ પાસે વોટર લાઇન લીકેજ, વાહનચાલકો અને સ્થાનિક વેપારીઓ પરેશાન ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/vatva-bibi-talao-main-water-pipe-line-bursts-third-time-in-two-months-traffic-jam</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/vatva-bibi-talao-main-water-pipe-line-bursts-third-time-in-two-months-traffic-jam</guid><pubDate>Tue, 16 Jun 2026 13:08:45 +05:30</pubDate><description><![CDATA[અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સ્માર્ટ સિટીની ગુલબાંગો પોકારવામાં આવે છે, પરંતુ પૂર્વ વિસ્તારના વટવા વોર્ડમાં એન્જિનિયરિંગ વિભાગની એક જગાડનારી લાપરવાહી સામે આવી છે. વટવા બીબી તળાવ પાસે આવેલી પીવાના શુદ્ધ પાણીની મુખ્ય સપ્લાય લાઇનમાં મોડી રાત્રે અથવા વહેલી સવારે જોરદાર પ્રેશરના કારણે ફરી એકવાર મોટું ભંગાણ સર્જાયું હતું. ભંગાણ એટલું મોટું હતું કે પાણી ઉંચા ફુવારાની જેમ ઉડ્યા બાદ આખા રસ્તા પર વહેવા લાગ્યું હતું.<br><br><h2><b>એક જ જગ્યાએ વારંવાર ભંગાણથી કામગીરી સામે સવાલો</b></h2><div>સ્થાનિક રહીશોમાં તંત્ર સામે જે સૌથી મોટો રોષ છે તે એ છે કે આ કોઈ નવી સમસ્યા નથી. છેલ્લા બે મહિનાના ટૂંકા ગાળામાં એક જ ચોક્કસ લોકેશન પર પાણીની લાઇન તૂટવાનો આ ત્રીજો બનાવ છે. દર વખતે તંત્રના માણસો આવે છે, જે-તે સમયે થીગડું મારીને ખાડો પૂરી દે છે અને થોડા દિવસોમાં લાઇન ફરી ત્યાંથી જ ફાટી જાય છે. તંત્ર દ્વારા ત્રીજી વાર અહીં જેસીબી (JCB) મશીન વડે મોટો ખાડો ખોદવામાં આવ્યો છે, જેના કારણે રોડ સાંકડો થઈ ગયો છે.</div><div><br></div><h3><b>વાહનચાલકો અને સ્થાનિકો મુશ્કેલીમાં</b></h3><div>બીબી તળાવ રોડ એ વટવાનો મુખ્ય ધમધમતો માર્ગ છે. અહીં રસ્તાની વચ્ચોવચ ખાડો ખોદવામાં આવતા અને હજારો લીટર પાણી રસ્તા પર ફરી વળવાના કારણે માર્ગ પર ચીકણો કાદવ અને કીચડ જમા થઈ ગયો છે. આ કાદવના લીધે અનેક ટૂ-વ્હીલર ચાલકો સ્લિપ થઈ રહ્યા છે. ઓફિસ અને શાળાના સમયે આ મુખ્ય માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી જાય છે અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. એકતરફ શહેરના અનેક વિસ્તારોમાં ઓછા પ્રેશરથી અથવા દૂષિત પાણી આવવાની ફરિયાદો છે, ત્યારે બીજી તરફ વટવામાં આ પ્રકારે પીવાના શુદ્ધ પાણીનો થઈ રહેલો બગાડ જોઈને જળ સંચયની વાતો કરતા વહીવટી તંત્ર સામે સ્થાનિકો સવાલો ઉઠાવી રહ્યા છે અને આ લાઇનનું કાયમી રિપેરિંગ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે.<br><br></div><div><b><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dahod/devgadh-baria-piplod-village-railway-crossing-dangerous-for-2800-students-overbridge-demand" target="_blank">આ પણ વાંચો: Devgadh Baria- Dahod: શાળાએ જવા રોજ હાઈસ્પીડ ટ્રેનો વચ્ચે પાટા ઓળંગતી માસૂમ જિંદગીઓ</a></b></div> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/8qCFwvY00a9jqJVP0Ywdoph2zFA9HsLzLxcifo5j.webp'/></item><item><title><![CDATA[Price Hike:છેલ્લા 15 દિવસમાં દૂધ, શાકભાજીથી લઈને સાબુ-ટૂથપેસ્ટ સુધીની વસ્તુઓ થઈ મોંઘી ]]></title><link>https://sandesh.com/business/news/price-hike-in-the-last-15-days-things-from-milk-vegetables-to-soap-and-toothpaste-have-become-expensive</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/price-hike-in-the-last-15-days-things-from-milk-vegetables-to-soap-and-toothpaste-have-become-expensive</guid><pubDate>Tue, 16 Jun 2026 12:41:19 +05:30</pubDate><description><![CDATA[<p>પેટ્રોલ, ડીઝલ અને એલપીજી સિલિન્ડરના ભાવમાં થયેલા વધારા બાદ હવે સામાન્ય માણસના ખિસ્સા પર મોંઘવારીનો 'સાયલન્ટ એટેક' થયો છે. ઈંધણ મોંઘું થવાને કારણે ટ્રાન્સપોર્ટ અને માલસામાનની હેરાફેરીનો ખર્ચ (લોજિસ્ટિક્સ કોસ્ટ) વધી ગયો છે. આ જ કારણે છેલ્લા ૧૫ દિવસમાં જ આપણી રોજિંદી જરૂરિયાતની ઘણી બધી વસ્તુઓના ભાવ ચુપચાપ વધી ગયા છે, જેનાથી સામાન્ય પરિવારોનું બજેટ ખોરવાઈ ગયું છે.</p><p><b style="font-size: 2rem;">દૂધ અને ડેરી પ્રોડક્ટ્સના ભાવમાં ભડકો</b></p><p>છેલ્લા કેટલાક દિવસોમાં દૂધના ભાવમાં મોટો વધારો ઝીંકાયો છે. અમૂલ ગોલ્ડ (Amul Gold) ના ૧ લીટરના પેકેટનો ભાવ ૬૮ રૂપિયાથી વધીને ૭૦ રૂપિયા થઈ ગયો છે. જ્યારે અમૂલ તાઝા પણ ૫૫ રૂપિયાથી વધીને ૫૭ રૂપિયા પર પહોંચી ગયું છે. મધર ડેરીનું ફૂલ ક્રીમ દૂધ હવે ૬૯ ને બદલે ૭૨ રૂપિયા પ્રતિ લીટર અને ભેંસનું દૂધ સીધું ૫ રૂપિયા મોંઘું થઈને ૮૦ રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.</p><h3><b>સાબુ, સર્ફ અને ટૂથપેસ્ટ પણ મોંઘા&nbsp;</b></h3><p>કાચા માલના ભાવમાં ૧૧% અને પેકેજિંગ ખર્ચમાં ૫૬% નો તોતિંગ વધારો થતાં HUL, ડાબર અને કોલગેટ જેવી કંપનીઓએ ભાવ વધાર્યા છે. ડવ (Dove) અને પિયર્સ (Pears) જેવા પ્રીમિયમ સાબુ ૪ થી ૫% મોંઘા થયા છે. ડિટર્જન્ટ પાવડરના ભાવમાં ૫ થી ૧૧% નો વધારો થયો છે, જ્યારે ટૂથપેસ્ટની વિવિધ રેન્જ પણ મોંઘી થઈ ગઈ છે.</p><h4><b>&nbsp;રસોઈનું તેલ, દાળ અને શાકભાજી</b></h4><p>ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતાં છૂટક બજારમાં ખુલ્લા ચોખા અને દાળના ભાવમાં કિલોએ ૫ થી ૭ રૂપિયાનો વધારો થયો છે. મેરીકો કંપનીએ તેના પ્રખ્યાત ખાદ્ય તેલ 'સફોલા' (Saffola) ના ભાવમાં ૬ થી ૧૧% નો વધારો કર્યો છે. શાકભાજીની વાત કરીએ તો, ટામેટા જે ૧૫ દિવસ પહેલા ૩૦-૪૦ રૂપિયા કિલો હતા, તે હવે ૬૦-૭૦ રૂપિયા પર પહોંચી ગયા છે. આ સિવાય બટાકા, રીંગણ, ભીંડા, આદુ અને લીલા મરચાના ભાવમાં પણ કિલોએ ૫ થી ૧૦ રૂપિયાનો વધારો થયો છે.</p><h5><b>બહાર જમવું પણ મોંઘું થયું</b></h5><p>કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ વધવાને કારણે રેસ્ટોરન્ટ અને હોટલ માલિકોએ પણ પોતાના ફૂડ મેન્યુના ભાવ આશરે ૧.૮% સુધી વધારી દીધા છે. આમ, સવારના દૂધથી લઈને રાતના ડિનર સુધી બધું જ મોંઘું થતાં સામાન્ય જનતા મુશ્કેલીમાં મુકાઈ છે.</p><p><a href="https://sandesh.com/knowledge/news/marine-life-the-world-of-the-sea-is-more-mysterious-than-space-know-why-it-is-difficult-for-scientists-to-explore-the-depths-of-the-sea-80-of-it-is-still-unexplored" target="_blank">આ પણ વાંચો:Marine Life: અંતરિક્ષ કરતાં પણ રહસ્યમય છે સમુદ્રની દુનિયા! જાણો વૈજ્ઞાનિકો માટે કેમ મુશ્કેલ છે દરિયાના ઊંડાણની ખોજ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/5k0bknALybBil2u2FhMC8kwlN4mt8MPI9Au7BTr1.webp'/></item><item><title><![CDATA[Sanjan-Valsad : સરકારી કાર્યક્રમમાં કમકમાટીભરી બેદરકારી, ધોમધખતા તાપમાં વૃક્ષારોપણ કરાવતા માસૂમ બાળકો ચક્કર ખાઈને ઢળ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/valsad/sanjan-valsad-umargam-sanjan-tree-plantation-event-controversy-students-fainted-due-to-heat</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/valsad/sanjan-valsad-umargam-sanjan-tree-plantation-event-controversy-students-fainted-due-to-heat</guid><pubDate>Tue, 16 Jun 2026 12:40:39 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ વિસ્તારમાં વન વિભાગ અને સરકારી તંત્રની ઘોર લાપરવાહી સામે આવી છે. વન વિભાગના દક્ષિણ રેન્જ દ્વારા આયોજિત 'એક પેડ મા કે નામ' અંતર્ગત 'વન કવચ' વૃક્ષારોપણ કાર્યક્રમ ભારે વિવાદોના વમળમાં ફસાયો છે. ધોમધખતા તાપ અને કાળઝાળ ગરમી વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં આમંત્રિત કરાયેલા શાળાના માસૂમ વિદ્યાર્થીઓની તબિયત લથડતાં સ્થળ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>અનેક વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને ચક્કર આવવા લાગ્યા
</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, કાર્યક્રમ દરમિયાન ગરમીનો પારો આસમાને હોવા છતાં વિદ્યાર્થીઓ પાસે કામ કરાવવામાં આવી રહ્યું હતું. તીવ્ર ગરમી સહન ન થતાં અનેક વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને ચક્કર આવવા લાગ્યા હતા અને તેઓ બેભાન થઈને ઢળી પડ્યા હતા. આ જોઈને હાજર અધિકારીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. 
</p><h3 style="text-align: justify; "><b>&nbsp;સ્થળ પર પ્રાથમિક આરોગ્ય સુવિધા ન હતી
</b></h3><p style="text-align: justify; ">શરમજનક બાબત એ હતી કે, સ્થળ પર પ્રાથમિક આરોગ્ય સુવિધા  કે એમ્બ્યુલન્સની કોઈ વ્યવસ્થા નહોતી, જેથી જવાબદારોએ બાળકોના મોં પર પાણી છાંટીને સંતોષ માન્યો હતો. બાદમાં તબિયત વધુ બગડતાં કેટલાક વિદ્યાર્થીઓને ખાનગી વાહનો દ્વારા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા.
</p><h4 style="text-align: justify; "><b>&nbsp;પરિવહન વ્યવસ્થામાં માનવતાના લીરેલીરા ઉડ્યા
</b></h4><p style="text-align: justify; ">આટલું ઓછું હોય તેમ, કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પરિવહન વ્યવસ્થામાં માનવતાના લીરેલીરા ઉડ્યા હતા. તુંબ પ્રાથમિક શાળાના નાના બાળકોને આ કાળઝાળ ગરમીમાં પરત લઈ જવા માટે એસ.ટી. બસ કે સુરક્ષિત વાહનની જગ્યાએ એક ખુલ્લો ટેમ્પો બોલાવાયો હતો. આ ટેમ્પોમાં નિર્દોષ બાળકોને ઘેટા-બકરાની જેમ ખીચોખીચ ભરીને શાળાએ રવાના કરાયા હતા.
</p><h5 style="text-align: justify; "><b>ધારાસભ્ય અધિકારીઓ હાજર હતા
</b></h5><p style="text-align: justify; ">સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે આ સમગ્ર કમકમાટીભર્યા દ્રશ્યો ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકર, વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને તાલુકા વિકાસ અધિકારીની નજર સમક્ષ બન્યા હતા. તેમ છતાં, સંવેદનહીન બનેલા અધિકારીઓ આ ગંભીર પરિસ્થિતિ તરફ આંખ આડા કાન કરીને એસી ગાડીઓમાં રવાના થઈ ગયા હતા. વાલીઓ અને સ્થાનિક લોકોમાં હાલ સરકારી તંત્રની આ બિનજવાબદાર નીતિ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/india/news/sandesh-digital-explainer-india-monsoon-pause-imd-alert" target="_blank"><b>Sandesh Digital Explainer: મેઘરાજા આકાશી ચક્રવ્યૂહમાં ફસાયા..! કેમ અચાનક ગાયબ થઈ ગયા ચોમાસાના વાદળો? જાણો વિન્ડ વોરની ઇનસાઇડ સ્ટોરી</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/yvPTooN6IvSMqOYl5iv4sffxmaqdGcVQLAT0s9Pr.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup વચ્ચે બ્રુનાએ આપ્યા સારા સમાચાર,નેમાર 5મી વખત બનશે પિતા! ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/amidst-the-fifa-world-cup-bruna-gave-good-news-neymar-will-become-a-father-for-the-5th-time</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/amidst-the-fifa-world-cup-bruna-gave-good-news-neymar-will-become-a-father-for-the-5th-time</guid><pubDate>Tue, 16 Jun 2026 12:09:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફિફા વર્લ્ડ કપ 2026ના રોમાંચની વચ્ચે બ્રાઝિલના સ્ટાર ફૂટબોલર નેમાર જુનિયરના ચાહકો માટે એક મોટા અને ખુશીના સમાચાર આવ્યા છે.નેમાર ટૂંક સમયમાં જ ૫મી વખત પિતા બનવા જઈ રહ્યો છે.આ મહત્વપૂર્ણ સમાચાર તેની ગર્લફ્રેન્ડ બ્રુના બિયાનકાર્ડીએ પોતાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર એક ખાસ વીડિયો અપલોડ કરીને જાહેર કર્યા છે.વર્લ્ડ કપ દરમિયાન બ્રુના પણ નેમારની સાથે જ છે.</p><h4 style="text-align: justify; "><b>યુટ્યુબ વીડિયો દ્વારા આખો પરિવાર આવ્યો સામે</b></h4><p style="text-align: justify; ">બ્રુનાએ શેર કરેલા આ વીડિયોમાં નેમાર અને બ્રુના ઉપરાંત તેમની બે પુત્રીઓ માવી અને મેલ, તેમજ નેમારનો મોટો પુત્ર ડેવી લુકા પણ જોવા મળી રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે, નેમારની પુત્રી મેલના જન્મના હજુ એક વર્ષથી પણ ઓછો સમય થયો છે, ત્યાં જ કપલે તેમના ઘરે આવી રહેલા નવા મહેમાનની જાહેરાત કરી દીધી છે. જોકે નેમાર ૫મી વખત પિતા બની રહ્યો છે, પરંતુ બ્રુના સાથે તેનું આ ત્રીજું બાળક હશે. નેમારને બ્રુનાથીનની બે દીકરી છે, જ્યારે અન્ય બે બાળકોમાં મોડેલ અમાન્ડા કિમ્બ્રેલીથી એક દીકરી હેલેના અને પૂર્વ ગર્લફ્રેન્ડથી પુત્ર ડેવી લુકા છે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DXuo80YkUFI/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DXuo80YkUFI/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a></p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>ઇજા બાદ મેદાન પર નેમાર ક્યારે વાપસી કરશે?</b></h4><p style="text-align: justify; ">વ્યક્તિગત જીવનની ખુશીઓ વચ્ચે મેદાન પર નેમાર હાલ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. ઇજાના કારણે તે મોરોક્કો સામેની બ્રાઝિલની પ્રથમ મેચ રમી શક્યો ન હતો. અહેવાલો અનુસાર, નેમાર ચાલુ વર્લ્ડ કપમાં બ્રાઝિલની ત્રીજી મેચ દ્વારા મેદાન પર વાપસી કરી શકે છે. સતત ઇજાઓથી પરેશાન હોવાને કારણે ૨૦૨૬ નો આ ફિફા વર્લ્ડ કપ નેમારની કારકિર્દીનો છેલ્લો વર્લ્ડ કપ માનવામાં આવી રહ્યો છે. તેવામાં ફેન્સ આશા રાખી રહ્યા છે કે પિતા બનવાના આ ગુડ ન્યૂઝ નેમારને મેદાન પર શાનદાર પ્રદર્શન કરવા માટે નવી ઉર્જા આપશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-cape-verdes-match-with-spain-draws-a-major-upset-at-the-start-of-the-tournament" target="_blank"> FIFA World Cup 2026 : સ્પેન સાથે કેપ વર્ડેની મેચ ડ્રો, ટૂર્નામેન્ટની શરૂઆતમાં જ સર્જાયો મોટો ઉલટફેર</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/mcY8gsh1FqwjB1c1vNMoufZucP6W0VH82iHgUlbz.webp'/></item><item><title><![CDATA[Cough syrup: સાવધાન! હવે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નહીં મળે કફ સિરપ, સરકારનો મોટો નિર્ણય ]]></title><link>https://sandesh.com/india/news/caution-now-cough-syrup-will-not-be-available-without-a-doctors-prescription-a-big-decision-by-the-government</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/caution-now-cough-syrup-will-not-be-available-without-a-doctors-prescription-a-big-decision-by-the-government</guid><pubDate>Tue, 16 Jun 2026 12:07:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતમાં કફ સિરપના વધતા જતા ગેરકાયદેસર વેચાણ અને તેના કારણે થતા ગંભીર સ્વાસ્થ્ય જોખમોને રોકવા માટે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. હવેથી, કોઈપણ પ્રકારનું કફ સિરપ ડૉક્ટરના માન્ય પ્રિસ્ક્રિપ્શન વિના મેડિકલ સ્ટોર્સ પર ઉપલબ્ધ રહેશે નહીં. સરકારના આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોની સલામતી સુનિશ્ચિત કરવાનો અને દવાઓના દુરુપયોગને અટકાવવાનો છે.</p><h2 style="text-align: justify; "><b>નવો નિયમ અને અમલીકરણ</b></h2><p style="text-align: justify; ">કેન્દ્રીય મંત્રાલયે 'ડ્રગ્સ (પાંચમો સુધારો) નિયમો, 2026' બહાર પાડ્યા છે. આ સુધારા અંતર્ગત 'શેડ્યૂલ K' માંથી 'સિરપ' શબ્દને દૂર કરવામાં આવ્યો છે, જેનો સ્પષ્ટ અર્થ એ છે કે હવે કોઈપણ સિરપ ઓવર-ધ-કાઉન્ટર (OTC) વેચી શકાશે નહીં. જો કોઈ મેડિકલ સ્ટોર સંચાલક પ્રિસ્ક્રિપ્શન વગર સિરપનું વેચાણ કરતા પકડાશે, તો તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અને તેમનું લાયસન્સ પણ રદ કરી દેવામાં આવશે.</p><h3 style="text-align: justify; "><b>આ નિર્ણય કેમ લેવાયો?</b></h3><p style="text-align: justify; ">તાજેતરના સમયમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં કફ સિરપના સેવનથી બાળકોના મૃત્યુના દુખદ કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા. આ ઘટનાઓએ સમગ્ર દેશમાં ચિંતા જગાવી હતી. આરોગ્ય સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવના નેતૃત્વમાં દેશભરના 200થી વધુ આરોગ્ય અધિકારીઓની એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે દવાઓની ગુણવત્તા અને વેચાણમાં કોઈપણ સ્તરે બેદરકારી સહન કરવામાં આવશે નહીં.</p><h4 style="text-align: justify; "><b>દવાના સ્ટોર્સનું સઘન નિરીક્ષણ કરવામાં આવશે</b></h4><p style="text-align: justify; ">આગામી સમયમાં, દેશભરની ફાર્માસ્યુટિકલ ફેક્ટરીઓ અને દવાના સ્ટોર્સનું સઘન નિરીક્ષણ કરવામાં આવશે. સરકાર દરેક સ્તરે જવાબદારી નક્કી કરી રહી છે જેથી ભેળસેળયુક્ત કે અનધિકૃત દવાઓ બજાર સુધી ન પહોંચે. આ નવા આદેશ બાદ તમામ રાજ્યોના આરોગ્ય વિભાગોને કડક સૂચનાઓ આપવામાં આવી છે કે તેઓ તેમના વિસ્તારમાં આ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવે.</p><h5 style="text-align: justify; "><b>સામાન્ય નાગરિકને થોડી અગવડતા પડશે</b></h5><p style="text-align: justify; ">આ નિર્ણયથી સામાન્ય નાગરિકોને થોડી અગવડતા પડી શકે છે, પરંતુ જાહેર આરોગ્યના હિતમાં અને ખાસ કરીને બાળકોના જીવ બચાવવા માટે આ એક અનિવાર્ય પગલું માનવામાં આવે છે. આરોગ્ય મંત્રાલય દ્વારા લેવાયેલું આ પગલું દવાના વ્યવસાયમાં પારદર્શિતા લાવવાની દિશામાં એક મોટું પરિવર્તન સાબિત થશે. હવે લોકોએ દવા ખરીદતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી અનિવાર્ય બની જશે, જે સુરક્ષિત આરોગ્ય માટે અત્યંત જરૂરી છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/world/news/iran-us-peace-deal-will-bring-these-10-benefits-to-india-but-problems-will-increase-for-china-and-pakistan" target="_blank">આ પણ વાંચોઃ Iran US Peace Deal થી ભારતને થશે આ 10 ફાયદા,ચીન અને પાક માટે વધશે મુશ્કેલીઓ!</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/o41I3NHSZHzO0D9dwzMQwqemVsB49HafFkxk84P6.webp'/></item><item><title><![CDATA[RSS: ઘણી વસ્તુઓ રજિસ્ટર્ડ નથી, હિંદુ ધર્મ પણ નહી..પ્રિયાંક ખડગેને મોહન ભાગવતનો વળતો જવાબ ]]></title><link>https://sandesh.com/india/news/rss-many-things-are-not-registered-not-even-hinduism-mohan-bhagwats-reply-to-priyanka-kharge</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/rss-many-things-are-not-registered-not-even-hinduism-mohan-bhagwats-reply-to-priyanka-kharge</guid><pubDate>Tue, 16 Jun 2026 11:49:21 +05:30</pubDate><description><![CDATA[<p>રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની કાનૂની સ્થિતિ અને આર્થિક વ્યવહારો પર સવાલ ઉઠાવતા કર્ણાટકના મંત્રી પ્રિયાંક ખડગેના પત્રને સંઘ પ્રમુખ મોહન ભાગવતે સ્પષ્ટ શબ્દોમાં ફગાવી દીધો છે. મોહન ભાગવતે આ માંગણીને માત્ર એક 'રાજકીય પબ્લિસિટી સ્ટંટ' ગણાવીને તેના પર કોઈ પણ સત્તાવાર પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો છે. તેમણે ઉમેર્યું કે સંઘ હંમેશાં પારદર્શક રીતે કામ કરે છે અને આવા રાજકીય હુમલાઓ આરએસએસ માટે નવા નથી.&nbsp;</p><h2><b>આવા વિવાદોથી અમે ટેવાયેલા છીએ</b></h2><p>કર્ણાટકના મંત્રી પ્રિયાંક ખડગેના ખુલ્લા પત્ર અંગે વાત કરતા સરસંઘચાલક મોહન ભાગવતે જણાવ્યું હતું કે, સંગઠનની સ્થાપનાના પ્રારંભિક દાયકાઓથી જ આવા આક્ષેપો અને વિવાદો સામે આવતા રહ્યા છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, "આ કેવળ રાજકારણ પ્રેરિત યુક્તિઓ છે અને સંઘ આવા હુમલાઓથી ટેવાઈ ચૂક્યો છે. જો ક્યારેક આવા વિવાદો ન થાય, તો અમને લાગે છે કે કંઈક ખૂટે છે.</p><p>તેમણે સ્પષ્ટ કર્યું કે લોકોમાં ભ્રમ અને શંકા પેદા કરવાના હેતુથી આવા નિવેદનો કરવામાં આવે છે, પરંતુ જનતા સંઘના કાર્યોથી સારી રીતે વાકેફ હોવાથી હવે આવા પ્રયાસો સફળ થઈ શકે તેમ નથી. આરએસએસની પ્રવૃત્તિઓ ક્યારેય ગુપ્ત હોતી નથી.&nbsp; સ્વયંસેવકો સમાજની વચ્ચે રહે છે અને દેશભરમાં સંઘની શાખાઓ ખુલ્લા મેદાનોમાં જ યોજાય છે.</p><h3><b>હિન્દુ ધર્મ પણ ક્યાંય રજિસ્ટર્ડ નથી</b></h3><p>સંઘની કાનૂની નોંધણી (Registration) અંગે ઉઠેલા સવાલોનો જવાબ આપતા મોહન ભાગવતે તર્ક આપ્યો કે દેશમાં એવી ઘણી પવિત્ર અને મહત્વપૂર્ણ બાબતો છે જે સત્તાવાર રીતે નોંધાયેલી નથી, જેમાં 'હિન્દુ ધર્મ' પોતે પણ સામેલ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે:</p><ul><li>સરકારી ગ્રાન્ટ કે આર્થિક મદદ લેવા ઈચ્છતી સંસ્થાઓ માટે નોંધણી કરાવવી જરૂરી હોય છે, જે યોગ્ય પણ છે.</li><li>આરએસએસ ક્યારેય કોઈ સરકારી ફંડ લેતું નથી.</li><li>સરકાર સંઘના અસ્તિત્વ અને તેની પ્રવૃત્તિઓથી સંપૂર્ણપણે પરિચિત છે.</li></ul><p>મોહન ભાગવતે યાદ અપાવ્યું કે બ્રિટિશ કાળથી કાર્યરત આ સંગઠન પર ભૂતકાળમાં બે વાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જે બાદમાં કાનૂની પ્રક્રિયા અને સત્યાગ્રહના માધ્યમથી હટાવી લેવાયો હતો. પ્રતિબંધ મૂકવો એ જ સાબિત કરે છે કે સરકાર સંઘના અસ્તિત્વથી અજાણ નહોતી. વધુમાં, 1950ના દાયકામાં જ સંઘે પોતાનું લેખિત બંધારણ સરકારને સોંપ્યું હતું અને વિતેલા 100 વર્ષમાં ક્યારેય અલગ રજિસ્ટ્રેશનની જરૂરિયાત ઊભી થઈ નથી.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2066702755557978274"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p><p></p></p><h4></h4><h3><b>પ્રિયાંક ખડગેએ પત્રમાં શું માંગ કરી હતી?</b></h3><p>ઉલ્લેખનીય છે કે, કર્ણાટકના આઈટી-બીટી અને ગ્રામીણ વિકાસ મંત્રી પ્રિયાંક ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક ખુલ્લો પત્ર શેર કરીને આરએસએસની આર્થિક ઓડિટ અને કાનૂની સ્થિતિ પર સવાલો ઉઠાવ્યા હતા.&nbsp;</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PriyankKharge/status/2066458794276913211"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h4><b>ખડગેની મુખ્ય દલીલો શું હતી ?&nbsp;</b></h4><p><b>પારદર્શિતાની માંગ:</b> જો આરએસએસ દેશનું આટલું મોટું સંગઠન છે, તો તેણે સામાન્ય નાગરિકો, ટ્રસ્ટો અને એનજીઓની જેમ જ બંધારણીય માપદંડો, ઓડિટ અને નાણાકીય પારદર્શિતાનું પાલન કરવું જોઈએ.</p><p><b>આવક-ખર્ચની વિગતો:</b> સંઘે તેની કુલ સંપત્તિ, ભંડોળના સ્ત્રોતો અને ટેક્સ સ્ટેટસની વિગતો જાહેર કરવી જોઈએ.</p><p><b>વિશાળ નેટવર્કનો હવાલો:</b> ખડગેએ સંઘના વર્ષ 2025-26&nbsp; 'અખિલ ભારતીય પ્રતિનિધિ સભા'ના અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે, એકલા કર્ણાટકમાં જ આરએસએસ 4127 દૈનિક શાખાઓ અને 1389 સાપ્તાહિક મિલન (મેળાવડા) ચલાવે છે. આટલો વ્યાપક સામાજિક પ્રભાવ ધરાવતી સંસ્થાએ તેના પદાધિકારીઓ અને આર્થિક સ્ત્રોતોની વિગતો સાર્વજનિક કરવી જ જોઈએ.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/lHVBAWHMxuK6g8QLgGpVPKF0WSAvOVVZ89n9NhJb.webp'/></item></channel></rss>