<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Yaadein : એક જ વ્યક્તિ, એ જ ડિરેક્ટર-પ્રોડ્યુસર અને એક્ટર! 62 વર્ષ પહેલાં આવેલી આ ફિલ્મે બનાવ્યો હતો વર્લ્ડ રેકોર્ડ ]]></title><link>https://sandesh.com/entertainment/news/sunil-dutt-birthday-special-yaadein-1964-guinness-record-single-actor-movie</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/sunil-dutt-birthday-special-yaadein-1964-guinness-record-single-actor-movie</guid><pubDate>Sat, 06 Jun 2026 11:30:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આજના સમયમાં કોઈપણ ફિલ્મ બનાવવા માટે સેંકડો લોકોની ટીમ કામ કરે છે. ડિરેક્ટર અલગ હોય છે, પ્રોડ્યુસર અલગ અને કલાકારોની આખી ફોજ પડદા પર જોવા મળે છે. પરંતુ શું તમે કલ્પના કરી શકો છો કે એક એવી ફિલ્મ પણ બની હતી, જેમાં આખી સ્ટોરીનો ભાર માત્ર એક જ માણસના ખભા પર હતો? એટલું જ નહીં, એ પોતે જ ફિલ્મનો હીરો હતો, અને એ જ તેનો પ્રોડ્યુસર તથા ડિરેક્ટર પણ હતો.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>મલ્ટિસ્ટારર ફિલ્મોનો જમાનો હતો…
</b></h2><p style="text-align: justify; ">બોલીવુડના દિગ્ગજ એક્ટર સુનિલ દત્તની ફિલ્મ યાદેં વર્ષ 1964માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક ખૂબ જ ખાસ સ્થાન ધરાવે છે. તે સમયગાળામાં જ્યારે મલ્ટિસ્ટારર ફિલ્મોનો ટ્રેન્ડ વધી રહ્યો હતો, ત્યારે સુનિલ દત્તે એક એવો એક્સપેરિમેન્ટ કર્યો જેને લોકો આજે પણ યાદ કરે છે. સૌથી હેરાન કરનારી વાત એ છે કે આખી ફિલ્મમાં પડદા પર માત્ર તે એક જ કલાકારનો ચહેરો દેખાયો હતો. આ જ કારણ છે કે 62 વર્ષ પહેલા રિલીઝ થયેલી આ અનોખી ફિલ્મનું નામ આજે પણ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાયેલું છે. જો કે, આજે એક્ટર આપણી વચ્ચે નથી, પરંતુ તેમની ફિલ્મોની ચર્ચાઓ આજે પણ થાય છે.
</p><h3 style="text-align: justify; "><b>એકમાત્ર એક્ટર હતા સુનિલ દત્ત
</b></h3><p style="text-align: justify; ">યાદેંને સુનિલ દત્તે પોતે પ્રોડ્યુસ કરી હતી અને આનું ડિરેક્શન પણ તેમણે જ કર્યું હતું. એટલું જ નહીં, ફિલ્મમાં લીડ રોલ ભજવનાર પણ તેઓ પોતે જ હતા. આખી ફિલ્મ એક એવા વ્યક્તિની સ્ટોરી પર આધારિત હતી, જે પોતાના જીવન, સંબંધો અને વીતેલી ક્ષણોને યાદ કરે છે. ફિલ્મનો મોટાભાગનો હિસ્સો તેના એકલવાયાપણું, વિચારો અને ઇમોશનલ સ્ટ્રગલની આસપાસ ફરે છે. આ ફિલ્મની સૌથી મોટી ખાસિયત એ જ હતી કે સ્ક્રીન પર લગભગ આખી ફિલ્મ દરમિયાન માત્ર સુનિલ દત્ત જ જોવા મળે છે.
</p><h4 style="text-align: justify; "><b>નર્ગિસની ઝલક દેખાઈ હતી
</b></h4><p style="text-align: justify; ">બાકીના પાત્રોની હાજરી માત્ર અવાજો અથવા ઉલ્લેખ દ્વારા જ અનુભવાય છે. તે સમયે આ એક્સપેરિમેન્ટ ખૂબ જ સાહસિક માનવામાં આવ્યો હતો, કારણ કે દર્શકો સામાન્ય રીતે ઘણા કલાકારોવાળી ફિલ્મો જોવાના ટેવાયેલા હતા. પરંતુ, સુનિલ દત્તે સાબિત કરી દીધું કે દમદાર સ્ટોરી અને પ્રભાવશાળી એક્ટિંગના જોરે એક એકલો કલાકાર પણ આખી ફિલ્મ સંભાળી શકે છે. જો કે, ફિલ્મના અંતમાં તેમની પત્ની નર્ગિસની ઝલક બતાવવામાં આવી હતી, જે માત્ર તસવીરમાં જ હતી.
</p><h4 style="text-align: justify; "><b>શું હતી ફિલ્મની સ્ટોરી?
</b></h4><p style="text-align: justify; ">ફિલ્મમાં એકમાત્ર એક્ટર સુનિલ દત્ત હતા. ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો, આ એક એવા માણસની સ્ટોરી છે જે ઘરે આવે છે અને ત્યાં પોતાની પત્ની અને બાળકોને જોતો નથી. તેને લાગે છે કે બધા તેને છોડીને ચાલ્યા ગયા છે. જે પછી તે માણસ પોતાના પરિવારના લોકો સાથે વિતાવેલી જિંદગીને યાદ કરતો રહે છે. આગળ તે તેમના વિનાની પોતાની જિંદગીથી ડરીને, પોતાની બધી ભૂતકાળની ભૂલો પર પસ્તાવો કરે છે.
</p><h5 style="text-align: justify; "><b>ગિનીઝ બુકમાં નોંધાયેલું છે નામ
</b></h5><p style="text-align: justify; ">યાદેંની આ જ અનોખી સિદ્ધિએ તેને ઇન્ટરનેશનલ લેવલ પર ઓળખ અપાવી. ફિલ્મનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધવામાં આવ્યું, કારણ કે આ લાંબા સમય સુધી એવી ફિલ્મ માનવામાં આવી જેમાં માત્ર એક જ એક્ટર પડદા પર દેખાય છે. ભારતીય સિનેમા માટે આ એક મોટી ઉપલબ્ધિ હતી, જેણે દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. ફિલ્મનો રનટાઇમ 113 મિનિટનો હતો. ફિલ્મનું લેખન અખ્તર-ઉલ-ઈમાને કર્યું હતું અને ફિલ્મના ગીતો વસંત દેસાઈએ લખ્યા હતા.
</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gallery/news/entertainment/how-much-land-does-amitabh-bachchan-own-ayodhya-alibaug-gujarat-property" target="_blank">આ પણ વાંચો-અમિતાભ બચ્ચન પાસે છે આટલા કરોડોની જમીન! અયોધ્યાથી અલીબાગ અને ગુજરાત સુધી ફેલાયેલી છે પ્રોપર્ટી!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/xUJ0oKe8VTQzOqR2g1hkqDEnV5Vv5xvEsuviFYvu.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: મોટેરામાં સરકારી જમીન પર બનેલા આસારામ આશ્રમના સાધકોના 36 મકાનોનું ડિમોલિશન ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/demolition-of-36-houses-of-asaram-ashram-followers-built-on-government-land-in-motera</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/demolition-of-36-houses-of-asaram-ashram-followers-built-on-government-land-in-motera</guid><pubDate>Sat, 06 Jun 2026 11:27:04 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા જુના ગામતળમાં આજે વહેલી સવારથી જ હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના એસ્ટેટ વિભાગ દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ડિમોલિશનને પગલે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને તંત્રની ટીમનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. મામલો એટલો બિચક્યો હતો કે વિરોધ પ્રદર્શન કરી રહેલા અને તંત્રની કામગીરીમાં અવરોધ ઊભો કરી રહેલા કેટલાક સ્થાનિકોની પોલીસે અટકાયત પણ કરી છે.</p><h2><b>મોટેરામાં ભારે વિરોધ વચ્ચે AMCનું બુલડોઝર એક્શન</b></h2><p>આ ડિમોલિશન અંગે સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે અનેક અફવાઓ ઉડી હતી, જેના પર એસ્ટેટ વિભાગના અધિકારીએ સ્પષ્ટતા કરી છે. અધિકારીના જણાવ્યા અનુસાર, અહીં કોઈ આસારામ આશ્રમ તોડવામાં આવી રહ્યો નથી, પરંતુ આશ્રમના સાધકો દ્વારા સરકારી ગામતળની જમીન પર જે ગેરકાયદે મકાનો બનાવવામાં આવ્યા હતા, તેના પર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. એસ્ટેટ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે કુલ ૩૬ મકાનો તોડવાની કામગીરી હાથ ધરાઈ છે, જે માટે સ્થાનિકોને કોઈ અચાનક નોટિસ નથી અપાઈ પરંતુ 1 વર્ષ પહેલાં જ મકાન ખાલી કરી દેવા માટે કડક સૂચના આપવામાં આવી હતી.</p><h3><b>AMCના ડિમોલિશન સામે સ્થાનિકો આક્રોશિત</b></h3><p>બીજી તરફ, વર્ષોથી અહીં રહેતા સાધકો અને સ્થાનિક પરિવારોમાં ડિમોલિશનને પગલે ભારે આક્રંદ અને નારાજગી જોવા મળી રહી છે. ઉગ્ર આક્રોશ વચ્ચે કેટલાક સ્થાનિકોએ વહીવટી તંત્રને ડરાવવા આત્મવિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. જોકે, એએમસીની ટીમે કોઈ પણ દબાણમાં આવ્યા વગર ભારે પોલીસ પ્રોટેક્શન વચ્ચે ગેરકાયદે મકાનો જમીનદોસ્ત કરવાનું ચાલુ રાખ્યું છે. હાલ મોટેરા જુના ગામતળ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને શાંતિપૂર્ણ રીતે ડિમોલિશન પ્રક્રિયા આગળ વધે તેવા પ્રયાસો થઈ રહ્યા છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/mahisagar/scorpio-car-hits-3-children-near-lunawada-4-year-old-child-dies-after-being-seriously-injured-in-accident" target="_blank">આ પણ વાંચો: Mahisagar: લુણાવાડા પાસે સ્કોર્પિયો કારે 3 બાળકોને અડફેટે લીધા, અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા 4 વર્ષીય બાળકનું મોત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/FcPgflGJv5TuEm1YOdfW3j2EUnxSCdXAXdOpnmb5.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : મોટેરામાં AMCના બુલડોઝર એક્શન સામે આક્રોશ, વિરોધ કરી રહેલા સ્થાનિકોની પોલીસે કરી અટકાયત ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-motera-gam-amc-demolition-locals-detained-protest</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-motera-gam-amc-demolition-locals-detained-protest</guid><pubDate>Sat, 06 Jun 2026 11:03:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા જૂના ગામતળની જમીન પર આજે વહેલી સવારથી જ ભારે વિરોધ અને હોબાળા વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરાતા જ સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. માહોલ વધુ વણસે નહીં તે માટે મનપાની ટીમ સાથે આવેલા ચુસ્ત પોલીસ કાફલા દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહેલા અનેક સ્થાનિકોની ઘટનાસ્થળેથી જ અટકાયત કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>36 જેટલા ગેરકાયદેસર મકાનો તોડવાની કામગિરી
</b></h2><p style="text-align: justify; ">મળતી વિગતો મુજબ, મોટેરા ગામતળના આશારામ આશ્રમ નજીક આવેલા અંદાજે 36 જેટલા ગેરકાયદેસર મકાનો અને બાંધકામોને દૂર કરવા માટે એએમસીની ટીમ સવારે જેસીબી અને મશીનરી સાથે ત્રાટકી હતી. પોતાના પાકા મકાનો તૂટતા જોઈને સ્થાનિક પરિવારો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તંત્રની કામગીરીનો ઉગ્ર વિરોધ કર્યો હતો.
</p><h3 style="text-align: justify; "><b>આ મકાનો વર્ષો જૂના ગામતળના છે
</b></h3><p style="text-align: justify; ">&nbsp;તંગદિલી એટલી હદે વધી ગઈ હતી કે કેટલાક રહીશોએ વહીવટી તંત્રને રોકવા માટે જાહેરમાં આત્મવિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારી દીધી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ મકાનો વર્ષો જૂના ગામતળના છે અને યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા વિના જ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
</p><h4 style="text-align: justify; "><b>સ્થાનિકોની અટકાયત
</b></h4><p style="text-align: justify; ">જો કે, સ્થાનિકોના વિરોધ અને આત્મવિલોપનની ચીમકી સામે નમતું જોખવાને બદલે મનપા અને પોલીસ તંત્રએ કડક વલણ અપનાવ્યું હતું. સ્થળ પર તૈનાત એસીપી અને પીઆઈ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા આગેવાનો અને સ્થાનિકોની અટકાયત કરીને પોલીસ વાનમાં પૂરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ ચુસ્ત પોલીસ બંદોબસ્તની હાજરીમાં મકાનો તોડી પાડવાનું ઓપરેશન આગળ ધપાવવામાં આવ્યું હતું. હાલ સમગ્ર મોટેરા ગામમાં પોલીસ છાવણી જેવો માહોલ સર્જાયો છે અને તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ રાખવામાં આવી છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-live--gujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-live-news-and-samachar-06-june-2026-politics-weather-updates-daily-breaking-news-nation" target="_blank"><b>Gujarat Latest News live : અમદાવાદના મોટેરામાં વિરોધ વચ્ચે ડિમોલિશન શરુ, સ્થાનિકોની અટકાયત</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/rm7hLB5kxYTRMDjjrZhtbcvnVNzh6smHOU4sYTjQ.webp'/></item><item><title><![CDATA[Punjab Accident : ફિરોઝપુરમાં ભયાનક અકસ્માત, મહિન્દ્રા પિકઅપ અને ટ્રેલર વચ્ચેની ટક્કરમાં 9 લોકોના મોત ]]></title><link>https://sandesh.com/india/news/punjab-accident-horrific-accident-in-ferozepur-8-people-died-in-a-collision-between-a-mahindra-pickup-and-a-trailer</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/punjab-accident-horrific-accident-in-ferozepur-8-people-died-in-a-collision-between-a-mahindra-pickup-and-a-trailer</guid><pubDate>Sat, 06 Jun 2026 11:00:02 +05:30</pubDate><description><![CDATA[<p>પંજાબના ફિરોઝપુરમાંથી એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીં એક મહિન્દ્રા પિકઅપ વાહન અને એક મોટા ટ્રેલર વચ્ચે એટલી ભયાનક ટક્કર થઈ કે ઘટનાસ્થળે જ 9 લોકોના મોત થયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનોના કુચડા ઉડી ગયા અને સ્થળ પર ચીસો તથા અફરાતફરી મચી ગઈ.
</p><p>
</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2063119956901040187"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p>મળતી માહિતી અનુસાર, આ અકસ્માત ફિરોઝપુર નજીક થયો હતો, જ્યાં બંને વાહનો તેજ ગતિએ જઈ રહ્યા હતા અને અચાનક સામસામે અથડાઈ ગયા હતા. અકસ્માતનો જોરદાર અવાજ સાંભળીને આસપાસના લોકો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી હતી. સ્થાનિક લોકોએ તરત જ પોલીસને ઘટનાની જાણ કરી હતી.</p><h2>&nbsp;પરિવારના એક સભ્યના અસ્થિ વિસર્જન માટે જઈ રહેલા લોકોની જીપને ટ્રકે ટક્કર મારી&nbsp;</h2><p>મળતી માહિતી મુજબ, પરિવારના એક સભ્યના અસ્થિ વિસર્જન માટે જઈ રહેલા લોકોની જીપને ટ્રકે ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે 9 લોકોના સ્થળ પર જ મોત થયા હતા. ઘટનામાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.</p><h3>પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી&nbsp;</h3><p>
</p><p>અકસ્માત બાદ વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને અકસ્માતના કારણોની તપાસ કરી રહી છે.</p><p>માહિતી મળતાં જ પોલીસ અને વહીવટી તંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી વાહનોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતમાં જીવ ગુમાવનાર 9 લોકોના મૃતદેહોને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે.
</p><p>
</p><div>પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા પ્રયાસ કરી રહી છે. આ ભયાનક અકસ્માત બાદ પીડિત પરિવારોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં પણ દુઃખ અને શોકની લાગણી જોવા મળી રહી છે.</div><p><br></p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/nm0In6oANWuZ5Bm2KmqM4x7x0kIXVxXvfe7SoFfW.webp'/></item><item><title><![CDATA[FIFA 2026 Controversies : ફૂટબોલ વર્લ્ડ કપથી બહાર થશે ઈરાન? USએ વિઝા અટકાવતા ટૂર્નામેન્ટ પર સંકટના વાદળો! ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-2026-controversies-will-iran-be-out-of-the-football-world-cup-us-visa-ban-casts-doubt-on-tournament</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-2026-controversies-will-iran-be-out-of-the-football-world-cup-us-visa-ban-casts-doubt-on-tournament</guid><pubDate>Sat, 06 Jun 2026 10:50:33 +05:30</pubDate><description><![CDATA[<p>વિશ્વના સૌથી મોટા રમત ઉત્સવ પૈકીના એક એવા FIFA ફૂટબોલ વર્લ્ડ કપ 2026ની શરૂઆત આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છેત્યારે રમત જગતમાં એક મોટો રાજદ્વારી અને રમતગમત વિવાદ સામે આવ્યો છે.ઈરાનની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ પર અમેરિકા પ્રવેશવા માટે વિઝા સંકટ ઊભું થયું છે.સંયુક્ત રાજ્ય અમેરિકા (US) તરફથી હજુ સુધી વિઝા ક્લિયરન્સ ન મળવાને કારણે ઈરાનની આખી ફૂટબોલ ટીમ અને સપોર્ટ સ્ટાફ ભારે ચિંતામાં મુકાયા છે.
</p><h3><b>રાજકીય તણાવની રમત પર અસર?
</b></h3><p>અમેરિકા અને ઈરાન વચ્ચેના ભૌગોલિક-રાજકીય (Geopolitical) તણાવની અસર હવે રમતગમતના મેદાન પર પણ દેખાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.વર્ષ 2026નો ફિફા વર્લ્ડ કપ અમેરિકા,કેનેડા અને મેક્સિકો દ્વારા સંયુક્ત રીતે હોસ્ટ કરવામાં આવી રહ્યો છે,જેમાં ઈરાનની ટીમે પણ ક્વોલિફાય કર્યું છે.જોકે,યુએસ વિઝા પોલિસી અને બંને દેશો વચ્ચેના સંબંધોને કારણે ખેલાડીઓના દસ્તાવેજોની પ્રક્રિયા અટકી પડી છે.</p><h4><b>ફૂટબોલ ફેન્સની ચિંતા વધી
</b></h4><p>જો સમયસર અમેરિકા સરકાર ઈરાનની ટીમને વિઝા મંજૂર નહીં કરે, તો ઈરાન વર્લ્ડ કપની પોતાની શરૂઆતની મેચો ગુમાવી શકે છે અથવા ટૂર્નામેન્ટમાંથી બહાર થવું પડી શકે છે. આ મામલે ઈરાન ફૂટબોલ ફેડરેશને ફિફા સમક્ષ પણ સત્તાવાર રજૂઆત કરી છે, કારણ કે ફિફાના નિયમો મુજબ યજમાન દેશે ક્વોલિફાય થયેલી તમામ ટીમોના ખેલાડીઓને દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવી ફરજિયાત હોય છે. હવે આખી દુનિયાની નજર યુએસ વહીવટીતંત્રના આગામી નિર્ણય પર ટકેલી છે.</p><h5><b>ટીમનો બેઝ કેમ્પ મેક્સિકોમાં હશે
</b></h5><p>ઈરાની ટીમના ખેલાડીઓને મેક્સિકોના વિઝા મળી ગયા છે. વર્લ્ડ કપ દરમિયાન ટીમનો બેઝ કેમ્પ તિજુઆના, મેક્સિકોમાં હશે. રસપ્રદ વાત એ છે કે, 2026નો વર્લ્ડ કપ સંયુક્ત રીતે યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા અને મેક્સિકો દ્વારા યોજાઈ રહ્યો છે. જોકે ઈરાનની ટીમ મેક્સિકોમાં રહેશે, પરંતુ તેની ગ્રુપ G ની ત્રણેય મેચ યુનાઈટેડ સ્ટેટ્સમાં રમાશે. પરિણામે, ટીમને દરેક મેચ માટે મેક્સિકોથી USA જવું પડશે, જેમાં યુએસ વિઝાની જરૂર પડશે.</p><h5><b>USA માં ઈરાનનો મેચ શેડ્યૂલ
</b></h5><p>ઈરાની ટીમ ટુર્નામેન્ટનો પોતાનો પહેલો મુકાબલો 16 જૂને ન્યુઝીલેન્ડ સામે રમશે. ત્યારબાદ 21 જૂને તેનો મુકાબલો બેલ્જિયમ સામે થશે. 26 જૂને ઈરાન ઈજિપ્ત સામે રમશે. વિઝાની સમસ્યાઓ વચ્ચે, ઈરાની ફૂટબોલ ટીમ વર્લ્ડ કપ માટે સતત મહેનત કરી રહી છે.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/world-yoga-championship-india-dominates-on-the-first-day-itself-5-out-of-6-gold-medals-in-the-name-of-the-country" target="_blank">World Yoga Championship: પ્રથમ દિવસે જ ભારતનો દબદબો, 6માંથી 5 ગોલ્ડ મેડલ દેશના નામે</a>
</p><p><br></p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/lvOHhfaiEkEhzNNvfJSp2FLBVn06xs8yw5hvRGJY.webp'/></item><item><title><![CDATA[Tajmahal Viral Video : તાજમહેલની વુઝુ ટાંકીમાં વાંદરાઓની મસ્તીનો જુઓ સુંદર નજારો, વાયરલ વીડિયોએ જગાવી ચર્ચા ]]></title><link>https://sandesh.com/india/news/videos/tajmahal-viral-video-monkeys-pool-party-in-taj-mahals-wudhu-tank-tourists-got-entertainment</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/videos/tajmahal-viral-video-monkeys-pool-party-in-taj-mahals-wudhu-tank-tourists-got-entertainment</guid><pubDate>Sat, 06 Jun 2026 10:41:07 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વિશ્વની સાત અજાયબીઓમાંના એક એવા ઐતિહાસિક વારસા તાજમહેલમાંથી એક અનોખો અને અત્યંત રમૂજી વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. સામાન્ય રીતે પોતાની સુંદરતા માટે જાણીતા તાજમહેલ સંકુલમાં આ વખતે વાંદરાઓના એક જૂથે પ્રવાસીઓનું ધ્યાન ખેંચ્યું છે. વાયરલ વીડિયોમાં વાંદરાઓ પાણીની ટાંકીમાં ડાઇવિંગ કરીને મસ્તીથી તરતા જોવા મળે છે, જેને ઇન્ટરનેટ યુઝર્સ 'વાંદરાઓની પૂલ પાર્ટી' કહી રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>તાજમહલમાં વાનરોની પૂલ પાર્ટી, પ્રવાસીઓને મનોરંજન</b></h2><p style="text-align: justify; ">તાજમહેલ સંકુલની અંદર આવેલી એક પાણીની ટાંકી (વુઝુ ટેન્ક) પાસે અચાનક કેટલાક વાંદરાઓ આવી પહોંચ્યા હતા અને કોઈપણ ડર વગર પાણીમાં કૂદી પડ્યા હતા. દેશ-વિદેશથી આવેલા પ્રવાસીઓ માટે આ નજારો આશ્ચર્ય અને મનોરંજન બંને લઈને આવ્યો હતો. ત્યાં હાજર મોટાભાગના લોકોએ પોતાના ફોન કાઢીને વાંદરાઓના આ સ્વિમિંગ સેશનને કેમેરામાં કેદ કરવાનું શરૂ કરી દીધું હતું.</p><p style="text-align: justify; "><b style="font-size: 1.75rem;">તાજમહલમાં વાનરના વાયરલ વીડિયો પર સ્પષ્ટતા</b></p><p style="text-align: justify; ">સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટમાં એવો ભ્રામક દાવો કરવામાં આવ્યો હતો કે વાંદરાઓએ તાજમહેલના મુખ્ય ગુંબજ સામે આવેલા મુખ્ય ફુવારાને સ્વિમિંગ પૂલ બનાવી દીધો છે. જોકે, પુરાતત્વ વિભાગના અધિકારીઓએ આ દાવાને નકારી કાઢતા સ્પષ્ટતા કરી છે કે આ વીડિયો મુખ્ય ફુવારાનો નથી.&nbsp; વાંદરાઓ જે ટાંકીમાં નહાઈ રહ્યા છે તે મુખ્ય મકબરા અને મસ્જિદ વચ્ચે આવેલી 'વુઝુ ટાંકી' (Ablution Tank) છે. આ ટાંકીનો ઉપયોગ ભક્તો મસ્જિદમાં નમાઝ પઢતા પહેલા હાથ-મોં ધોવા (વુઝુ કરવા) માટે કરે છે.</p><h3 style="text-align: justify; "><b>રમૂજી વીડિયો પાછળ સુરક્ષાની ગંભીર ચૂક</b></h3><p style="text-align: justify; ">આ વીડિયો ભલે જોવામાં રમુજી લાગે, પરંતુ તેણે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) અને તાજમહેલની હાઈ-સિક્યોરિટી વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. ઇન્ટરનેટ યુઝર્સ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે આટલા સંવેદનશીલ અને ઉચ્ચ સુરક્ષા ધરાવતા વિસ્તારમાં વાંદરાઓ આટલી સરળતાથી કેવી રીતે પહોંચી ગયા? પ્રવાસીઓની સુરક્ષા માટે વાંદરાઓને સંકુલમાં પ્રવેશતા અટકાવવાની પૂરતી વ્યવસ્થા કેમ નથી?</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat/news/surat/surat-citizens-join-massive-bicycle-rally-ahead-of-pm-modi-visit" target="_blank">આ પણ વાંચો : Surat News: PM મોદીની અપીલને લોકોએ સ્વીકારી, ભર બપોરે શહેરીજનો સાયકલ યાત્રામાં જોડાયા: હર્ષ સંઘવી</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/CK0VI0akru41qvzkTvnVrVKvJCQXjLD5zC9k20NE.webp'/></item><item><title><![CDATA[Gold Price Today : સસ્તું થયું સોનું! કિંમતમાં મોટો ઘટાડો, ચાંદીની ચમક પણ પડી ફીકી! ]]></title><link>https://sandesh.com/business/news/india/gold-silver-rate-today-big-drop-in-gold-and-silver-prices</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/gold-silver-rate-today-big-drop-in-gold-and-silver-prices</guid><pubDate>Sat, 06 Jun 2026 10:40:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આજે ભારતીય સર્રાફા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે. અમેરિકામાં મજબૂત રોજગારના આંકડા આવવાને કારણે અને ડોલર મજબૂત થવાને લીધે વૈશ્વિક સ્તરે નફાખોરી (પ્રોફિટ બુકિંગ) થઈ છે. આનાથી સ્થાનિક બજાર (MCX) પર બંનેની કિંમતો ઓછી થઈ છે.
<br></p><h2 style="text-align: justify;"><b>સોના-ચાંદીમાં ઘટાડો!</b></h2><p></p><p style="text-align: justify; ">ગઈકાલે એટલે કે શુક્રવારે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અને MCXમાં સોનું અંદાજે 1600 થી 1850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી તૂટીને બંધ થયું. ચાંદીનું ક્લોઝિંગ પણ પ્રતિ કિલોગ્રામ 4000-5800 રૂપિયા સુધીના ઘટાડા સાથે થયું. કારણ કે શનિવાર અને રવિવારે IBJA અને MCX વાયદા બજાર બંને બંધ રહે છે, તેથી કિંમતો ગઈકાલના નીચલા સ્તર પર જ બનેલી છે.
<br></p><h3 style="text-align: justify;"><b>મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)</b></h3><p></p><table class="table table-bordered" style="text-align: justify;"><tbody><tr><td><b>શહેર</b></td><td><b>24 કેરેટ સોનાની કિંમત</b></td><td><b>22 કેરેટ સોનાની કિંમત</b></td></tr><tr><td>દિલ્હી</td><td>1,55,910</td><td>1,40,150</td></tr><tr><td>મુંબઈ</td><td>1,52,730</td><td>1,40,000</td></tr><tr><td>કોલકાતા</td><td>1,52,730</td><td>1,40,000</td></tr><tr><td>ચેન્નઈ</td><td>1,54,910</td><td>1,42,000</td></tr><tr><td>અમદાવાદ</td><td>1,55,810</td><td>1,40,050</td></tr><tr><td>રાજકોટ</td><td>1,55,810</td><td>1,40,050</td></tr></tbody></table><h3 style="text-align: justify; "><b>ચાંદીની કિંમત
</b></h3><p style="text-align: justify; ">આજે ભારતમાં ચાંદીની સરેરાશ રિટેલ કિંમત 2,74,900 થી 2,79,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામની વચ્ચે બનેલી છે. દિલ્હીમાં ચાંદીની કિંમત 10 ગ્રામ માટે 2749 રૂપિયા અને એક કિલોગ્રામની કિંમત 2,79,900 રૂપિયા છે. મુંબઈ અને કોલકાતામાં 10 ગ્રામ અને એક કિલો ચાંદીની કિંમત અનુક્રમે 2750 રૂપિયા અને 2,75,000 રૂપિયા છે. વળી, ચેન્નઈમાં કિંમતો થોડી વધારે એટલે કે પ્રતિ ગ્રામ 2800 રૂપિયા અને પ્રતિ કિલોગ્રામ 2,80,000 રૂપિયા છે.
</p><h4 style="text-align: justify; "><b>કેમ ઘટી સોના-ચાંદીની કિંમત?
</b></h4><ol><li style="text-align: justify;"><b>મજબૂત અમેરિકી લેબર ડેટા:</b> અમેરિકામાં મે દરમિયાન અંદાજ કરતાં ક્યાંય વધુ (1.72 લાખ) નવી નોકરીઓ વધી. આનાથી અમેરિકી અર્થતંત્ર મજબૂત દેખાઈ રહ્યું છે. એવામાં અમેરિકી ફેડરલ રિઝર્વ (US Fed) દ્વારા વ્યાજ દરોમાં ટૂંક સમયમાં કાપ મૂકવાની આશા નથી. ઊંચા વ્યાજ દરોની સંભાવનાઓ વચ્ચે રોકાણકારો સોનામાંથી પૈસા નીકાળી રહ્યા છે.
</li><li style="text-align: justify;"><b>આંતરરાષ્ટ્રીય સ્તરે વેચવાલી:</b> વૈશ્વિક બજાર (Spot Market) માં સોનું 4450 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 73 ડોલર પ્રતિ ઔંસની નીચે આવી ગઈ છે, જેના કારણે ભારતમાં કિંમતો ઘટી છે.
</li><li style="text-align: justify;"><b>મિડલ ઇસ્ટમાં શાંતિની આશાઓ: </b>ઇઝરાયેલ અને લેબેનાન વચ્ચે યુદ્ધવિરામ (સીઝફાયર) ના સમાચારોથી પણ બજારમાં રોકાણકારો વચ્ચે ગભરાટ ઓછો થયો છે અને તેમનું વલણ સુરક્ષિત રોકાણ (Safe Heaven) તરફથી થોડું ઓછું થયું છે.</li></ol><h6 style="text-align: justify;"><b>Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.
</b></h6><p style="text-align: justify;"><a href="https://sandesh.com/gallery/news/entertainment/how-much-land-does-amitabh-bachchan-own-ayodhya-alibaug-gujarat-property" target="_blank">આ પણ વાંચો-અમિતાભ બચ્ચન પાસે છે આટલા કરોડોની જમીન! અયોધ્યાથી અલીબાગ અને ગુજરાત સુધી ફેલાયેલી છે પ્રોપર્ટી!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/e5PLL8r70JqJMB9QZx6NQhcu1EzjovAiK2Zw3eBg.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: મચ્છરજન્ય રોગચાળો અટકાવવા તંત્રની લાલ આંખ, 9 તાલુકાના 828 વેપારીઓને ફટકારી નોટિસ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/authorities-are-wary-of-preventing-mosquito-borne-diseases-notices-issued-to-828-traders-from-9-talukas</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/authorities-are-wary-of-preventing-mosquito-borne-diseases-notices-issued-to-828-traders-from-9-talukas</guid><pubDate>Sat, 06 Jun 2026 10:08:01 +05:30</pubDate><description><![CDATA[<p>ચોમાસાની ઋતુની શરૂઆત થાય તે પહેલાં જ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો માથું ન ઉચકે તે માટે અમદાવાદ જિલ્લા પંચાયતનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. તંત્ર દ્વારા પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટે જિલ્લાભરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત બેદરકારી દાખવતા લોકો અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે તંત્રે લાલ આંખ કરી છે અને જિલ્લાના તમામ ૯ તાલુકાઓમાં મોટા પાયે નોટિસો ફટકારવાની કામગીરી શરૂ કરી દીધી છે.</p><h2><b>મચ્છરજન્ય રોગચાળો અટકાવવા તંત્રની લાલ આંખ</b></h2><p>મળતી માહિતી મુજબ, આરોગ્ય વિભાગની વિવિધ ટીમો દ્વારા છેલ્લા ૩ મહિના દરમિયાન જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં વ્યાપક સર્વે અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન અનેક વ્યાપારીક એકમો, ગેરેજ અને દુકાનોમાં ખુલ્લામાં ભરેલા પાણી, ટાયરોમાં ભરાઈ રહેલું વરસાદી કે સાદું પાણી તેમજ મચ્છરોના જીવતા પોરા (લારવા) મળી આવ્યા હતા. મચ્છરોને પ્રજનન માટે સાનુકૂળ વાતાવરણ પૂરું પાડી રોગચાળાને આમંત્રણ આપતા આવા 828 જેટલા વેપારીઓને વહીવટી તંત્ર દ્વારા આકરા પગલાં સ્વરૂપે નોટિસો ફટકારવામાં આવી છે.</p><h3><b>દસક્રોઈમાં સૌથી વધુ 214 નોટિસ ફટકારાઈ</b></h3><p>જિલ્લા પંચાયતના સત્તાવાર આંકડાઓ મુજબ, આ સમગ્ર નોટિસની પ્રક્રિયામાં સૌથી વધુ બેદરકારી દસક્રોઈ તાલુકામાં જોવા મળી છે. દસક્રોઈ તાલુકામાં સિંગલ હાઈએસ્ટ ૨૧૪ વેપારીઓને નોટિસ આપવામાં આવી છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે. જો વેપારીઓ કે સ્થાનિક લોકો નોટિસ મળ્યા બાદ પણ પોતાના પરિસરમાં પાણીનો ભરાવો દૂર નહીં કરે કે મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા યોગ્ય પગલાં નહીં ભરે, તો તેમની સામે દંડનીય અને કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. તંત્રની આ આકરી કાર્યવાહીથી કચરો અને ભંગાર એકઠો કરતા તેમજ ખુલ્લામાં પાણી રાખતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/crime/surat/accused-arrested-in-godadara-robbery-case-ramdev-beat-up-an-employee-of-traders-and-fled-with-rs-8-lakh" target="_blank">આ પણ વાંચો: Surat: ગોડાદરામાં લૂંટ કેસમાં આરોપીઓ ઝડપાયા, રામદેવ ટ્રેડર્સના કર્મચારીને માર મારી 8 લાખ લઈને ફરાર થયા હતા</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/9s73Xy6YBaHwoE5YJzgR8EiMyR3n56EgyNGOnWdJ.webp'/></item><item><title><![CDATA[Amreli : પ્રેગ્નન્ટ સિંહણના મોતમાં મોટી કાર્યવાહી, 2 દિવસ સુધી સિંહણ તરફડતી રહી ને વન વિભાગ ઊંઘતું રહ્યું, બેદરકાર ફોરેસ્ટરની બદલી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dhari/amreli-dhari-gir-east-pregnant-lioness-death-forester-chetan-ghevariya-transferred-</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dhari/amreli-dhari-gir-east-pregnant-lioness-death-forester-chetan-ghevariya-transferred-</guid><pubDate>Sat, 06 Jun 2026 10:00:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગીર પૂર્વના ધારી વન વિભાગ હેઠળ આવતી સરસિયા રેન્જમાં એક સગર્ભા સિંહણના મોતને લઈને વન વિભાગની ઘોર બેદરકારી અને આડોડાઈ સામે આવી છે. લાઠી વિસ્તારની લુવારિયા વીડીમાં તરસ અને બીમારીથી પીડાતી ગર્ભવતી સિંહણ બે દિવસ સુધી જિંદગી અને મોત વચ્ચે જંગ લડતી રહી, પરંતુ સ્થાનિક સ્ટાફને તેની ગંધ સુધ્ધાં આવી નહોતી. આખરે સિંહણના કરુણ મોત બાદ જાગેલા વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ પ્રાથમિક તપાસના આધારે મોટી કાર્યવાહી કરી છે. ફરજમાં ઘોર બેદરકારી દાખવવા બદલ સ્થાનિક ફોરેસ્ટર ચેતન ઘેવરીયાની તાત્કાલિક અસરથી પાલીતાણા રેપિડ ફોર્સ ખાતે બદલી કરી દેવામાં આવતા વનકર્મીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>ફોરેસ્ટર ધારી હેડક્વાર્ટર પર રહેવાને બદલે અપડાઉન કરતા
</b></h2><p style="text-align: justify; ">આ સમગ્ર મામલે જૂનાગઢના સી.એફ.રામ રતન નાલાએ સિંહણના મોતના કારણો અને સ્ટાફની નિષ્ક્રિયતા બાબતે સ્થાનિક એ.સી.એફ.ને કડક તપાસના આદેશ આપ્યા છે. પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે જવાબદાર ફોરેસ્ટર ધારી હેડક્વાર્ટર પર રહેવાને બદલે બહારથી અપડાઉન કરતા હતા, જેને કારણે વન વિસ્તારમાં પેટ્રોલિંગનો તદ્દન અભાવ જોવા મળ્યો હતો. 
</p><h3 style="text-align: justify; "><b>બિમાર સિંહણ અંગે જાણકારી પણ હતી
</b></h3><p style="text-align: justify; ">સિંહણ બે દિવસથી બીમાર હાલતમાં એક જ જગ્યાએ પડી રહી હતી અને તેના મોતની જાણ પણ વન વિભાગને બદલે સ્થાનિક ગામલોકોએ કરવી પડી હતી, જે વન તંત્રના દાવાઓની પોલ ખોલે છે.</p><h4 style="text-align: justify; "><b>સિંહણ પીડાતી રહી તો સ્ટાફ શું કરતો હતો?</b></h4><p style="text-align: justify; ">
</p><p style="text-align: justify; ">અત્રે ઉલ્લેખનીય છે કે, લુવારિયા વીડીમાં વન વિભાગની બેદરકારીનો આ કોઈ પ્રથમ કિસ્સો નથી. અગાઉ પણ આ જ રાઉન્ડમાં યોગ્ય સારવારના અભાવે વન્યજીવોના મોત થઈ ચૂક્યા છે. એટલું જ નહીં, એક વર્ષ પહેલાં આ જ વીડીમાં એક માનવ મૃત્યુ થયું હોવા છતાં વન વિભાગે કોઈ નક્કર પગલાં લીધા નહોતા. હાલમાં બે દિવસ સુધી સિંહણ પીડાતી રહી તો સ્ટાફ શું કરતો હતો? અને આ ગર્ભસ્થ સિંહણના મોત પાછળ અસલી જવાબદાર કોણ? જેવા ગંભીર પ્રશ્નો સાથે ઉચ્ચસ્તરીય તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-live--gujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-live-news-and-samachar-06-june-2026-politics-weather-updates-daily-breaking-news-nation" target="_blank"><b>&nbsp;Gujarat Latest News live : અમદાવાદના મોટેરાના ગામતળની જમીનનું ડિમોલિશન, ડિમોલિશન પહેલા સ્થાનિકોનો વિરોધ</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/l5qiyCcKDggPkIKmuMvqTTuvJQmDUK2l4F4JTOe4.webp'/></item><item><title><![CDATA[Banaskantha: વડગામના મુક્તેશ્વર ડેમમાં નાહવા પડેલા 2 યુવકોના ડૂબી જવાથી કરુણ મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/banaskantha/banaskantha-vadgam-mukteshwar-dam-two-youths-drowned-dead</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/banaskantha/banaskantha-vadgam-mukteshwar-dam-two-youths-drowned-dead</guid><pubDate>Sat, 06 Jun 2026 09:42:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાંથી એક અત્યંત આઘાતજનક અને કાળજું કંપાવી મૂકે તેવી ઘટના સામે આવી છે. અહીંના પ્રખ્યાત મુક્તેશ્વર ડેમમાં નાહવા પડેલા બે આશાસ્પદ યુવકોના પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. ઉનાળાની ગરમી વચ્ચે ડેમના પાછળના ભાગે એકઠા થયેલા પાણીમાં આ યુવકો નાહવા માટે ઉતર્યા હતા, જ્યાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાથી બંનેના શ્વાસ રૂંધાઈ ગયા હતા. આ કરુણ ઘટનાને પગલે સમગ્ર વડગામ પંથકમાં અને ડેમ વિસ્તારમાં ભારે ચિંતા અને અરેરાટી વ્યાપી ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>બંને મિત્રો મુક્તેશ્વર ડેમ પર ફરવા ગયા&nbsp;</b></h2><p style="text-align: justify; ">મળતી વિગતો મુજબ, મૃતક યુવકોની ઓળખ વડગામના રહેવાસી કાળુભાઈ મદારી અને કરનાળા ગામના શ્રવણનાથ મદારી તરીકે થઈ છે. બંને મિત્રો મુક્તેશ્વર ડેમ પર ફરવા ગયા હતા અને ડેમના પાછળના ભાગે નાહવા પડ્યા હતા. જો કે, પાણીના ઊંડાણનો અંદાજ ન આવતા બંને ડૂબવા લાગ્યા હતા. 
</p><h3 style="text-align: justify; "><b>યુવકોના મૃતદેહોને પાણીની બહાર કાઢ્યા
</b></h3><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને તરવૈયાઓની ટીમ તાત્કાલિક મદદે દોડી આવી હતી. ભારે જહેમત બાદ તરવૈયાઓએ બંને યુવકોના મૃતદેહોને પાણીની બહાર કાઢ્યા હતા. આ દરમિયાન ડેમના કાંઠે પડેલા યુવકોના કપડાં અને મોબાઈલ ફોન પર સતત રીંગ વાગતી હોવાથી, સ્થાનિકોએ ફોન ઉપાડીને તપાસ કરતાં આ બંને યુવકોની સાચી ઓળખ થઈ શકી હતી.
</p><h4 style="text-align: justify; "><b>પરિવાર પર આભ ફાટ્યું
</b></h4><p style="text-align: justify; ">જ્યારે આ કાળમુખા સમાચાર મૃતક યુવકોના પરિવારજનોને આપવામાં આવ્યા ત્યારે તેમના પર જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. સ્વજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, મુક્તેશ્વર ડેમમાં અકસ્માતોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. માત્ર બે દિવસ અગાઉ પણ એક અજાણ્યો યુવક અહીં નાહવા પડતા ડૂબી ગયો હતો અને તેનું પણ મોત નીપજ્યું હતું. આમ, એક જ સપ્તાહની અંદર મુક્તેશ્વર ડેમમાં ત્રણ-ત્રણ યુવકોના ડૂબી જવાથી મોત થતાં સ્થાનિક તંત્રની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે અને લોકોમાં ભારે ભયનો માહોલ છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-live--gujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-live-news-and-samachar-06-june-2026-politics-weather-updates-daily-breaking-news-nation" target="_blank"><b> Gujarat Latest News live : અમદાવાદના મોટેરાના ગામતળની જમીનનું ડિમોલિશન, ડિમોલિશન પહેલા સ્થાનિકોનો વિરોધ</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/FjU5Psp42oKAdwTpI7oeVDArppSw7bQ9W84scKLG.webp'/></item></channel></rss>