<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabad News: સિંધુ ભવન રોડ પાર્કિંગનો નિર્ણય પેન્ડિંગ, અધિકારીઓએ સ્ટેન્ડિંગ કમિટીને વિગતો જ ના આપી ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/sindhu-bhavan-road-parking-sale-proposal-put-on-hold-again</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/sindhu-bhavan-road-parking-sale-proposal-put-on-hold-again</guid><pubDate>Thu, 25 Jun 2026 22:55:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના પોશ ગણાતા સિંધુ ભવન રોડ પર આવેલા પાર્કિંગના વેચાણ અંગેનો મામલો ફરી એકવાર પેન્ડિંગ રહ્યો છે.મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ મિલકતને કાયમી વેચાણ આપવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.પરંતુ જરૂરી વિગતો અને સ્પષ્ટતાના અભાવે કમિટીએ તેને ફરી એકવાર પરત મોકલી દીધી છે.સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોએ દરખાસ્ત અંગે અનેક સવાલો ઉઠાવ્યા હતા. ખાસ કરીને પાર્કિંગ જગ્યા સાથે સંકળાયેલી FSI કેટલી છે અને તેનો કેટલો ઉપયોગ થયો છે. તે અંગે અધિકારીઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા.</p><h2 style="text-align: justify; "><b>અમદાવાદ સિંધુ ભવન રોડ પાર્કિંગ નિર્ણય હજુ નહિ</b></h2><p style="text-align: justify; ">મનપામાં ચૂંટાઈને આવેલા સભ્યોએ એવી આશંકા વ્યક્ત કરી હતી કે જો ભવિષ્યમાં આ બિલ્ડિંગ તોડીને નવું નિર્માણ કરવામાં આવે તો આ પાર્કિંગની જગ્યા પર તેની શું અસર પડશે તે સ્પષ્ટ હોવું જરૂરી છે.અગાઉ આ પાર્કિંગની જવાબદારી મણીધરી ઇન્ફ્રાને સોંપવામાં આવી હતી.જોકે, ટેન્ડરની શરતો મુજબ કામગીરી ન થતાં કોર્પોરેશને કંપનીની ડિપોઝિટ જપ્ત કરી લીધી હતી.ત્યારબાદ જ પાર્કિંગના વેચાણ માટેની આ દરખાસ્ત લાવવામાં આવી હતી.સ્ટેન્ડિંગ કમિટીએ બીજી વખત દરખાસ્ત પરત મોકલીને અધિકારીઓ પાસે તમામ ટેકનિકલ અને કાયદાકીય વિગતોની સ્પષ્ટતા માંગી છે. હાલમાં આ મહત્વના નિર્ણયને મુલતવી રાખવામાં આવ્યો છે. જેના કારણે સિંધુ ભવન રોડનું આ પાર્કિંગ ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.<br><br><a href="https://sandesh.com/india/news/are-passport--aadhaar-and-voter-id-not-proof-of-indian-citizenship" target="_blank">આ પણ વાંચોઃ Sandesh Digital Explainer: શું પાસપોર્ટ, આધાર અને ચૂંટણી કાર્ડ નાગરિક હોવાનો પૂરાવો નથી?</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/AApDEQ6Bgt7sssboCt4dxBvqi8CdA9nFAda3OaEQ.webp'/></item><item><title><![CDATA[Dahodના લીમખેડામાં કરોડોનું કૌભાંડ: સહકારી મંડળીમાં ખોટા દસ્તાવેજો બનાવી રૂ.1.33 કરોડની ઉચાપત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dahod/scam-worth-crores-in-limkheda-dahod-rs-1-33-crore-embezzled-by-creating-fake-documents-in-a-cooperative-society</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dahod/scam-worth-crores-in-limkheda-dahod-rs-1-33-crore-embezzled-by-creating-fake-documents-in-a-cooperative-society</guid><pubDate>Thu, 25 Jun 2026 22:50:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દાહોદ જિલ્લાના લીમખેડા પંથકમાંથી સહકારી ક્ષેત્રને હચમચાવી મૂકનારો એક મોટો નાણાકીય કૌભાંડ અને ઉચાપતનો કેસ સામે આવ્યો છે. લીમખેડા તાલુકાના દૂધિયા ગામમાં કાર્યરત 'ધી ઉન્નતિ સેવિંગ્સ એન્ડ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી'માં કરોડો રૂપિયાની હેરાફેરી થઈ હોવાનો પર્દાફાશ થયો છે. મંડળીના જવાબદાર હોદ્દેદારો અને કર્મચારીઓએ જ ગરીબ અને મધ્યમવર્ગીય સભાસદોના પરસેવાની કમાણીની થાપણો સેરવી લીધી હોવાની વિગતો બહાર આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.</p><h2 style="text-align: justify; ">બોગસ દસ્તાવેજો બનાવી કરોડો પચાવી પાડ્યા</h2><p style="text-align: justify; ">ઓડિટ વર્ષ 2024-25 દરમિયાન જ્યારે મંડળીના હિસાબોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી, ત્યારે આ કૌભાંડ સપાટી પર આવ્યું હતું. આરોપીઓએ મંડળીના રેકોર્ડમાં ભારે ગોબાચારી કરીને ખોટા દસ્તાવેજો અને બોગસ બેંક સ્ટેટમેન્ટ ઊભા કર્યા હતા. આ નકલી કાગળોના આધારે આરોપીઓએ સભાસદોની જાણ બહાર કુલ રૂપિયા 1.33 કરોડથી વધુની માતબર રકમની ઉચાપત કરી નાખી હતી. આ જંગી રકમ આરોપીઓએ મંડળીના હિતમાં વાપરવાને બદલે પોતાના અંગત મોજશોખ અને ઉપયોગમાં લઈ મંડળીને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું.</p><h3 style="text-align: justify; ">સભાસદ અને ક્લાર્ક સહિત 4 સામે પોલીસ ફરિયાદ</h3><p style="text-align: justify; ">મંડળીમાં થયેલી આ કરોડોની ઉચાપત અંગે આખરે કાયદાકીય કડક પગલાં ભરવામાં આવ્યા છે. ભરતભાઈ પટેલે આ સમગ્ર મામલે લીમખેડા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવી છે. પોલીસે મંડળીના બે સભાસદો અને કલેક્શન ક્લાર્ક સહિત કુલ ચાર વ્યક્તિઓ સામે છેતરપિંડી, વિશ્વાસઘાત અને બોગસ દસ્તાવેજો બનાવવા અંગેની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી લીધો છે. લીમખેડા પોલીસે ગુનો દાખલ કરીને આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વકની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા અલગ-અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/akElUROxvvxiD8BIXSBp25FBaMceRb5xe19Ilmes.webp'/></item><item><title><![CDATA[Iran માટે ભારતે નવી ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી, બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ ]]></title><link>https://sandesh.com/india/news/world/india-revised-travel-advisory-iran-avoid-non-essential-travel-security-alert</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/world/india-revised-travel-advisory-iran-avoid-non-essential-travel-security-alert</guid><pubDate>Thu, 25 Jun 2026 22:46:00 +05:30</pubDate><description><![CDATA[<p>ઈરાનમાં સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ફરી એકવાર સુધારેલી ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. એક અઠવાડિયામાં આ બીજી વખત છે જ્યારે ભારતે પોતાના નાગરિકો માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. એમ્બેસી ઓફ ઈન્ડિયા ઈન તેહરાને જણાવ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં સુરક્ષા સ્થિતિમાં સુધારાના સકારાત્મક સંકેતો જોવા મળ્યા છે, છતાં પરિસ્થિતિ હજુ સંપૂર્ણપણે સામાન્ય નથી.</p><h2><b>વિશેષ સાવચેતી રાખવા અપીલ&nbsp;</b></h2><p>ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને આગામી સૂચના સુધી ઈરાનની બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે. જોકે જેમના માટે ઈરાન જવું અનિવાર્ય હોય અથવા જે પહેલેથી ત્યાં રહેતા હોય, તેમને વિશેષ સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે. દૂતાવાસે ઈરાનમાં રહેલા ભારતીયોને સ્થાનિક સત્તાધિકારીઓના સૂચનોનું પાલન કરવા અને વિશ્વસનીય સ્ત્રોતો પાસેથી સુરક્ષા સંબંધિત માહિતી મેળવતા રહેવા અપીલ કરી છે.&nbsp;</p><h3><b>અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઘટાડવાના પ્રયાસો&nbsp;</b></h3><p>સાથે જ ઈરાનમાં હાજર અને નવા પહોંચતા તમામ ભારતીય નાગરિકોને દૂતાવાસમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. ઈમરજન્સી માટે હેલ્પલાઈન નંબર અને ઈમેલ સુવિધા પણ જાહેર કરવામાં આવી છે. આ એડવાઈઝરી એવા સમયે બહાર પાડવામાં આવી છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઘટાડવાના પ્રયાસો ચાલી રહ્યા છે. બંને દેશો વચ્ચે તાજેતરમાં કતાર અને પાકિસ્તાન જેવા મધ્યસ્થી દેશોની મદદથી ચર્ચાનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે. બંને પક્ષોએ આગામી 60 દિવસમાં વ્યાપક સમજૂતી તરફ આગળ વધવા માટે માર્ગનકશો તૈયાર કરવા સંમતિ દર્શાવી હોવાનું જણાવાયું છે.</p><p>ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે પરિસ્થિતિમાં સુધારો જોવા મળ્યો હોવા છતાં સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે. પશ્ચિમ એશિયામાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા તણાવને કારણે ભારત સતત પોતાના નાગરિકોની સુરક્ષા પર નજર રાખી રહ્યું છે અને સમયાંતરે જરૂરી માર્ગદર્શન આપી રહ્યું છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/are-passport--aadhaar-and-voter-id-not-proof-of-indian-citizenship" target="_blank">આ પણ વાંચો : Sandesh Digital Explainer: શું પાસપોર્ટ, આધાર અને ચૂંટણી કાર્ડ નાગરિક હોવાનો પૂરાવો નથી?</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/BWjN4MsQNQaBDrZoUm3boWXEHtPKqaajbKmw9v1y.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: મુન્દ્રા ડ્રગ્સ કેસમાં આતંકી કનેક્શનનો ઘટસ્ફોટ, લશ્કર એ તૈયબા સુધી પહોંચતી હતી ડ્રગ્સની રકમ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/terror-funding-link-emerges-in-mundra-drug-seizure-case</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/terror-funding-link-emerges-in-mundra-drug-seizure-case</guid><pubDate>Thu, 25 Jun 2026 22:33:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મુન્દ્રા પોર્ટ પર પકડાયેલા હજારો કરોડના ડ્રગ્સ પ્રકરણમાં હવે આતંકી કનેક્શન સામે આવતા સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી છે.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે,ડ્રગ્સના વેપારમાંથી મળેલી માતબર રકમ હવાલા માધ્યમથી કુખ્યાત આતંકી સંગઠન લશ્કર એ તૈયબા સુધી પહોંચાડવામાં આવતી હતી. ડ્રગ્સના નેટવર્ક દ્વારા કમાયેલા કાળા નાણાંને દિલ્હીની વિવિધ નાઇટ ક્લબોમાં રોકવામાં આવ્યા હતા.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ડ્રગ્સના નાણાંનું દિલ્હી નાઈટ ક્લબોમાં રોકાણ</b></h2><p style="text-align: justify; ">ED હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નાણાંને કઈ રીતે બ્લેકમાંથી વ્હાઇટ કરવામાં આવ્યા હતા.ED દ્વારા દિલ્હીમાં હરપ્રીતસિંહ તલવાર અને શમસુદ્દીનના 5 જેટલા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.જ્યાંથી મહત્વના પુરાવા અને વાંધાજનક દસ્તાવેજો હાથ લાગ્યા છે.આ ગંભીર મામલે NIA, DRI અને ED સંયુક્ત રીતે તપાસ ચલાવી રહ્યા છે.તપાસ દરમિયાન દેશભરમાં ફેલાયેલા શેલ કંપનીઓના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થવાની આશંકા છે.</p><h2 style="text-align: justify; "><b>વિજયવાડાની એક ફર્મની સંડોવણી પણ સામે આવી</b></h2><p style="text-align: justify; ">તપાસમાં વિજયવાડાની એક ફર્મની સંડોવણી પણ સામે આવી છે.જેનો માલિક NIAની ચાર્જશીટમાં પહેલેથી જ આરોપી છે.મુન્દ્રા પોર્ટ પર આશરે 3,000 કિલો ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો.જેની બજાર કિંમત હજારો કરોડમાં અંદાજવામાં આવી હતી.સુરક્ષા એજન્સીઓ હવે આ નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે જેથી આતંકી ફંડિંગના આ સંપૂર્ણ મોડ્યુલને તોડી શકાય.<br><br><a href="https://sandesh.com/india/news/are-passport--aadhaar-and-voter-id-not-proof-of-indian-citizenship" target="_blank">આ પણ વાંચોઃ Sandesh Explainer: શું પાસપોર્ટ, આધાર અને ચૂંટણી કાર્ડ નાગરિક હોવાનો પૂરાવો નથી?</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/RhdKOLtaQacz6d73meFGJEeOUdTA85vYoNyZK9G1.webp'/></item><item><title><![CDATA[Rajkotના ટ્યુશન ક્લાસિસમાં વિદ્યાર્થી પર અમાનુષી અત્યાચાર, નજીવી બાબતે વિદ્યાર્થીને પશુની જેમ ઝૂડ્યો! ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/inhuman-torture-on-student-in-rajkot-tuition-class-student-beaten-like-an-animal-over-a-trivial-matter</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/inhuman-torture-on-student-in-rajkot-tuition-class-student-beaten-like-an-animal-over-a-trivial-matter</guid><pubDate>Thu, 25 Jun 2026 22:23:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ શહેરમાંથી શિક્ષણ જગતને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના હરિઘવા રોડ પર આવેલા 'પટેલ ક્લાસિસ'માં ધોરણ 10માં અભ્યાસ કરતા એક માસૂમ વિદ્યાર્થીને તેના જ શિક્ષકે પશુની જેમ બેરહેમીથી ફટકાર્યો હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે. આ આખી ઘટના પાછળનું કારણ માત્ર એટલું જ હતું કે વિદ્યાર્થી ચાલુ ક્લાસ દરમિયાન 'કુરકુરે' ખાઈ રહ્યો હતો. આ સામાન્ય બાબતે ઉશ્કેરાઈ ગયેલા ક્લાસિસના સંચાલકે સંયમ ગુમાવ્યો હતો અને વિદ્યાર્થી પર તૂટી પડ્યા હતા.</p><h2 style="text-align: justify; ">ચાલુ ક્લાસે કુરકુરે ખાતા શિક્ષકે ફટકાર્યો</h2><p style="text-align: justify; ">ભોગ બનનાર વિદ્યાર્થીના જણાવ્યા અનુસાર, બે દિવસ પહેલાં ક્લાસિસના સંચાલક અને શિક્ષક તુષાર રાયચુરાએ તેને ચાલુ ક્લાસે કુરકુરે ખાતા જોઈ લીધો હતો. ત્યારબાદ શિક્ષકે લોખંડ કે પ્લાસ્ટિકની ભારે પાઇપ વડે વિદ્યાર્થીને માર મારવાનું શરૂ કર્યું હતું. વિદ્યાર્થીએ આપવીતી જણાવતા કહ્યું કે, "શિક્ષકે મારા ખભાના ભાગે પાઇપના બે સપાટા માર્યા હતા, અને આ હુમલાને કારણે મારા ડાબા હાથની આંગળી પણ વાંકી વળી ગઈ છે." શિક્ષકના આ અમાનુષી અને બેરહેમીભર્યા મારને કારણે વિદ્યાર્થીની તબિયત લથડતાં તેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.</p><h3 style="text-align: justify; ">વાલીએ ક્લાસીસ સંચાલક સામે ફરિયાદ કરવાનું ટાળ્યું</h3><p style="text-align: justify; ">વાલીઓનો આક્ષેપ છે કે આ શિક્ષક અગાઉ પણ અનેક વિદ્યાર્થીઓને નાની-નાની વાતોમાં આ જ રીતે ઢોર માર મારી ચૂક્યા છે. જો કે, આટલી ગંભીર ઘટના બની હોવા છતાં, કોઈ અગમ્ય કારણોસર કે બાળકના ભવિષ્યનો વિચાર કરીને વાલીએ હાલ પૂરતું ક્લાસિસ સંચાલક તુષાર રાયચુરા સામે સત્તાવાર પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું છે. બીજી તરફ, રાજકોટના જાણીતા વિદ્યાર્થી આગેવાન રોહિત રાજપૂતે આ સમગ્ર ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે અને ખાનગી ક્લાસિસમાં વિદ્યાર્થીઓ પર થતા આવા અત્યાચાર સામે તંત્ર કડક પગલાં ભરે તેવી માંગ કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/kUnuOhicKTWbLglZi1x6PPDJLWnFvObV9aFdB7Ym.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: રાજ્યની શાળાઓમાં  3 દિવસમાં 16.35 લાખ વિદ્યાર્થીઓનું નામાંકન થયું ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/over-16-35-lakh-students-enrolled-during-gujarat-school-enrollment-drive-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/over-16-35-lakh-students-enrolled-during-gujarat-school-enrollment-drive-2026</guid><pubDate>Thu, 25 Jun 2026 21:51:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજ્યમાં શિક્ષણના ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026 સંપન્ન થયો છે.જેમાં રાજ્યભરમાંથી ત્રણ દિવસ દરમિયાન કુલ 16.35 લાખથી વધુ વિદ્યાર્થીઓએ શાળામાં નામાંકન કરાવીને શિક્ષણના અભિયાનમાં સહભાગી થયા છે.પ્રવેશોત્સવના છેલ્લા દિવસે એટલે કે 25 જૂનના રોજ રાજ્યભરમાં કુલ 8287 ગામો અને 12495 શાળાઓમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત કુલ 27959 મહાનુભાવો વિવિધ શાળાઓની મુલાકાત લઈને વિદ્યાર્થીઓનો પ્રવેશ માટે ઉત્સાહ વધાર્યો હતો.તા.23 થી 25 જૂન 2026 દરમિયાન ત્રણ દિવસમાં રાજ્યભરમાં કુલ 25625 ગામો અને 37211 શાળાઓને આવરી લેવામાં આવી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>62 હજારથી વધુ બાળકોએ અક્ષરજ્ઞાનનો શ્રીગણેશ કર્યો</b></h2><p style="text-align: justify; ">આજે પ્રવેશોત્સવ દરમિયાન આંગણવાડી અને બાલમંદિરમાં 62 હજારથી વધુ બાળકોએ અક્ષરજ્ઞાનનો શ્રીગણેશ કર્યો હતો. બાલવાટિકામાં કુલ 1.46 લાખ કરતાં વધુ નવા નામાંકન નોંધાયા છે.આ ઉપરાંત ધોરણ 1માં 34 હજારથી વધુ,ધોરણ 9માં 1.79 લાખથી વધુ,ધોરણ 11માં 91613 જેટલા વિદ્યાર્થીઓ તેમજ Back to School Survey’ મુજબ 25070 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પ્રવેશ મેળવી શાળા પ્રવેશોત્સવને ખરા અર્થમાં સફળ બનાવ્યો છે.આજે રાજ્ય સરકાર દ્વારા 999 જેટલી શાળાઓમાં નવીન પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.કન્યા કેળવણીને વધુ વેગ આપવા માટે પ્રવેશોત્સવ દરમિયાન રાજ્યની 3935 જેટલી પ્રતિભાશાળી કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ અર્પણ કરીને તેમને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી.</p><h3 style="text-align: justify; "><b>શિક્ષણના આ યજ્ઞને વધુ વેગ આપ્યો</b></h3><p style="text-align: justify; ">રાજ્યની ઉદાર જનતાએ આ શિક્ષણ યજ્ઞને લોકોત્સવનું સ્વરૂપ આપીને ખુલ્લા હાથે સહયોગ આપ્યો છે.આ અભિયાન દરમિયાન લોકભાગીદારી સ્વરૂપે કુલ રૂ. 10.71 કરોડ કરતાં વધુની માતબર સહાય પ્રાપ્ત થઈ હતી.તેમાં 1.52 કરોડ કરતાં વધુ રોકડ સ્વરૂપે તેમજ રૂ.9.18 કરોડ કરતાં વધુના મૂલ્યના વિવિધ શૈક્ષણિક સાધનો શાળાઓને ભેટરૂપે અર્પણ કરવામાં આવ્યા હતા.ત્રણ દિવસ દરમિયાન દાતાઓ દ્વારા રાજ્યભરમાંથી રોકડ અને વસ્તુ સ્વરૂપે કુલ 28.97 કરોડથી વધુનું દાન આપીને શિક્ષણના આ યજ્ઞને વધુ વેગ આપ્યો છે.&nbsp;<br><br><a href="https://sandesh.com/india/news/are-passport--aadhaar-and-voter-id-not-proof-of-indian-citizenship" target="_blank">આ પણ વાંચોઃ Sandesh Explainer: શું પાસપોર્ટ, આધાર અને ચૂંટણી કાર્ડ નાગરિક હોવાનો પૂરાવો નથી?</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/a2HDNFS0eV3yKOKUndPsnZo5U6YhhpMEnN5PZHed.webp'/></item><item><title><![CDATA[Ram Mandir Donation Row : દાન ચોરી મામલે 8 લોકો સામે નામજોગ FIR દાખલ ]]></title><link>https://sandesh.com/india/news/ram-mandir-donation-row-fir-against-8-accused-ayodhya-donation-theft-case</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ram-mandir-donation-row-fir-against-8-accused-ayodhya-donation-theft-case</guid><pubDate>Thu, 25 Jun 2026 21:17:05 +05:30</pubDate><description><![CDATA[<p>અયોધ્યાના રામ મંદિરમાં દાનની રકમમાં થયેલી કથિત ગેરરીતિના મામલે ગુરુવારે સત્તાવાર રીતે FIR નોંધવામાં આવી છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની ફરિયાદ અને વિશેષ તપાસ ટીમ (SIT)ની ભલામણ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2070152157630963907"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>કોના કોના નામ છે સામેલ?</b></h2><p>મળતી માહિતી અનુસાર, FIRમાં કુલ 8 લોકોના નામ સામેલ કરવામાં આવ્યા છે. જેમાં લવકુશ મિશ્રા, અનુકલ્પ મિશ્રા, રમાશંકર યાદવ, અવિનાશ શુક્લા, મનીષ યાદવ, રમાશંકર મિશ્રા, સુભાષ અને કરુણેશનો સમાવેશ થાય છે. પોલીસએ મુખ્ય આરોપી લવકુશ મિશ્રા અને અનુકલ્પ મિશ્રાની ધરપકડ કરી છે. બંને મંદિરના દાનમાં મળેલી રોકડની ગણતરી સાથે સંકળાયેલા હોવાનું જણાવવામાં આવ્યું છે.</p><h3><b>વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો&nbsp;</b></h3><p>આ ઉપરાંત કેટલાક અન્ય આરોપીઓને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ સરકારના નિર્દેશ બાદ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે. આરોપોમાં ચોરી, ગબન, છેતરપિંડી, વિશ્વાસઘાત અને ગુનાહિત કાવતરું રચવા જેવા ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે.</p><h4><b>આ કેસ પ્રથમ વખત 7 જૂને ચર્ચામાં આવ્યો</b></h4><p>તપાસ દરમિયાન જેમની પાસેથી રોકડ રકમ મળી આવી છે, તેઓને પણ કેસમાં નામજોગ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, આગામી દિવસોમાં વધુ ધરપકડો થઈ શકે છે. આ કેસ પ્રથમ વખત 7 જૂને ચર્ચામાં આવ્યો હતો, જ્યારે અખિલેશ યાદવે રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા આપવામાં આવેલા કરોડો રૂપિયાના દાનમાં ગેરરીતિના આરોપો લગાવ્યા હતા અને ન્યાયિક તપાસની માગ કરી હતી.<br><br><b><a href="https://sandesh.com/india/breakingnews/lpg-supply-restrictions-removed-india-government-decision-free-distribution" target="_blank">આ પણ વાંચો : LPG Supply Restrictions : કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, LPG સપ્લાય પર લાગેલા તમામ પ્રતિબંધો હટાવ્યા</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/J9Zm9MAYr7Zy4NcRFDhs9r8DpUx0EyLkycrDrMDE.webp'/></item><item><title><![CDATA[Samantha Confirm Pregnancy: સમન્થા અને રાજ બનશે માતા-પિતા, અભિનેત્રીએ પ્રસૂતિ વિરામની કરી જાહેરાત ]]></title><link>https://sandesh.com/entertainment/news/india/samantha-confirms-pregnancy-samantha-and-raj-will-become-parents-actress-announces-maternity-leave</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/india/samantha-confirms-pregnancy-samantha-and-raj-will-become-parents-actress-announces-maternity-leave</guid><pubDate>Thu, 25 Jun 2026 18:38:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">સમન્થા રૂથ પ્રભુ અને રાજ નિદિમોરુ તેમના પ્રથમ બાળકને આવકારવા માટે તૈયાર છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">ચાહકોને ખુશ થવા માટે આપ્યુ કારણ</h2><p style="text-align: justify; ">સમન્થાની 'મા ઇન્તી બંગારામ' બોક્સ ઓફિસ પર જોરદાર સારું પ્રદર્શન કરી રહી છે. ફિલ્મ રિલીઝ થયાના માત્ર છ દિવસમાં જ તેના બજેટમાં બમણી કમાણી કરી ચૂકી છે. 'મા ઇન્તી બંગારામ'ની સફળતાનો આનંદ માણી રહેલી સામન્થા રૂથ પ્રભુએ ચાહકોને ખુશ થવા માટે બીજું કારણ આપ્યું છે. અભિનેત્રીએ તેની ગર્ભાવસ્થાની પુષ્ટિ કરી છે. આ સારા સમાચાર શેર કરતા, સામન્થાએ એ પણ જાહેરાત કરી કે, તે ટૂંક સમયમાં પ્રસૂતિ વિરામ લેશે.</p><h3 style="text-align: justify; ">મેટરનિટી લીવ લેશે સામન્થા</h3><p style="text-align: justify; ">સમન્થા રૂથ પ્રભુએ બુધવારે હૈદરાબાદમાં તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ મા ઇન્તી બંગારામની સફળતાની મીટિંગમાં આ સારા સમાચાર શેર કર્યા. આ કાર્યક્રમમાં મીડિયા સાથે વાત કરતા, સામન્થાએ કહ્યું કે તે તેના વર્તમાન પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા પછી થોડા સમય માટે અભિનયમાંથી વિરામ લેવાની યોજના ધરાવે છે. સામન્થાએ કહ્યું, મા ઇન્તી બંગારામ પછી, મારી તબિયત ખરાબ હોવાથી મારે થોડો સમય વિરામ લેવો પડશે. મારે મેટરનિટી લીવ લેવી પડશે. તે પછી, હું મારા ચાહકો માટે બીજી ફિલ્મ લઈને પાછી આવીશ.</p><h4 style="text-align: justify; ">"મા ઇન્તી બંગારામ"ની સફળતાની ઉજવણી</h4><p style="text-align: justify; ">આ જાહેરાત પછી, હાજર લોકોએ સામન્થાને અભિનંદન પાઠવ્યા. અભિનેત્રીએ બધાનો આભાર પણ માન્યો અને તેમના પ્રેમ અને સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.નોંધનીય છે કે જ્યારે સામન્થાએ તેની ગર્ભાવસ્થાની પુષ્ટિ કરી, ત્યારે તેના પતિ રાજ નિદિમોરુ તેની બાજુમાં બેઠેલા હતા અને હાજર રહેલા લોકો સાથે હસતા હસતા જોવા મળ્યા. સામન્થાની ગર્ભાવસ્થાની પુષ્ટિ "મા ઇન્તી બંગારામ" ના સફળતાના ઉજવણીના ક્લિપ્સ વાયરલ થયા પછી આવી છે, જેમાં ચાહકોએ અભિનેત્રીને તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોઈ હતી.&nbsp;</p><h5 style="text-align: justify; ">સમન્થા અને રાજનું અંગત જીવન&nbsp;</h5><p style="text-align: justify; ">સમન્થાએ અભિનેતા નાગા ચૈતન્ય સાથે થોડા વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ 2017માં લગ્ન કર્યા હતા. પરંતુ આ દંપતી 2021માં અલગ થયુ હતુ. રાજના પહેલા લગ્ન શ્યામલી ડે સાથે થયા હતા, અને તેઓ ક્યારે અલગ થયા તે જાણી શકાયું નથી. સમન્થાએ રાજ સાથે ધ ફેમિલી મેન સીઝન 2 અને સિટાડેલ: હની બનીમાં કામ કર્યું હતું. ગયા વર્ષે, તેણીએ 1 ડિસેમ્બર, 2025 ના રોજ તેમના લગ્ન પહેલા તેના સોશિયલ મીડિયા પર રાજના ફોટા પોસ્ટ કરવાનું શરૂ કર્યું. જોકે તેમના ડેટિંગની અફવાઓ હતી, પરંતુ તેમના લગ્નના સમાચાર આશ્ચર્યજનક હતા. તેઓએ કોઈમ્બતુરના ઈશા યોગ સેન્ટરમાં લગ્ન કર્યા હતા.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/india/news/business/flight-ticket-price-drop-relief-news-for-air-passengers-flight-tickets-may-soon-become-cheaper" target="_blank">હવાઈ ​​મુસાફરો માટે રાહતના સમાચાર, ફ્લાઇટ ટિકિટ ટૂંક સમયમાં થઈ શકે છે સસ્તી</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/Vy6Xl7l3oCADsU3N2dahUNxXe5KysrsUwkvIvD8p.webp'/></item><item><title><![CDATA[Share Market 26 જૂનથી સતત 3 દિવસ રહેશે બંધ, જાણો કારણ ]]></title><link>https://sandesh.com/business/news/share-market-closed-3-days-muharram-holiday-on-june-26</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/share-market-closed-3-days-muharram-holiday-on-june-26</guid><pubDate>Thu, 25 Jun 2026 18:01:01 +05:30</pubDate><description><![CDATA[<p>મુહર્રમના તહેવારને કારણે દેશના શેરબજારમાં આ સપ્તાહે ટ્રેડિંગનો એક દિવસ ઓછો રહ્યો છે. સામાન્ય રીતે પાંચ દિવસ ખુલ્લા રહેતા બજારોમાં આ વખતે માત્ર ચાર દિવસ જ વેપાર થયો. હવે 26 જૂનના રોજ દેશના મુખ્ય શેરબજાર BSE અને NSE સંપૂર્ણ રીતે બંધ રહેશે.</p><h2><b>રોકાણકારોને શેરની ખરીદી અને વેચાણ માટે રાહ જોવી પડશે</b></h2><p>મુહર્રમની રજાને કારણે રોકાણકારોને સતત ત્રણ દિવસ સુધી બજારમાં ટ્રેડિંગનો અવકાશ નહીં મળે. આ દરમિયાન શુક્રવારથી લઈને રવિવાર સુધી બજાર બંધ રહેશે અને ફરી 29 જૂન, સોમવારથી નિયમિત કામગીરી શરૂ થશે. આથી રોકાણકારો માટે ખરીદી અને વેચાણ માટે રાહ જોવી પડશે. આ સાથે કમોડિટી માર્કેટ MCX ઈન્ડિયામાં પણ 26 જૂને ખાસ ફેરફાર રહેશે. અહીં સવારે સત્રનું ટ્રેડિંગ બંધ રહેશે, જ્યારે સાંજનું સત્ર યથાવત ચાલુ રહેશે.</p><p>શેરબજારના હોલિડે કેલેન્ડર મુજબ વર્ષ દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ તહેવારો પર રજાઓ રહે છે. આગામી સમયમાં 15 ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ), 14 સપ્ટેમ્બર (ગણેશ ચતુર્થી), 2 ઓક્ટોબર (મહાત્મા ગાંધી જયંતિ) અને 20 ઓક્ટોબર (દશેરા) પર પણ બજાર બંધ રહેશે. જોકે આ વર્ષે 15 ઓગસ્ટ શનિવાર હોવાથી તે સ્વાભાવિક રજામાં આવી જાય છે.</p><h3><b>બેન્કો અને સરકારી કચેરીઓ પણ 26 જૂને બંધ રહેશે</b></h3><p>બીજી તરફ, દેશના મોટા ભાગના વિસ્તારોમાં બેન્કો અને સરકારી કચેરીઓ પણ 26 જૂને બંધ રહેશે. જોકે અમદાવાદ, ભુવનેશ્વર, ચંડીગઢ, દેહરાદૂન, ગંગટોક, ગુવાહાટી, ઈમ્ફાલ, ઇટાનગર, જયપુર, કોહિમા, શિમલા, શિલોંગ અને તિરુવનંતપુરમ જેવા શહેરોમાં બેન્કો કાર્યરત રહેશે. વધુમાં, 27 જૂને મહિનાનો ચોથો શનિવાર હોવાથી બેન્કો બંધ રહેશે. સામાન્ય રીતે દર મહિનાના બીજા અને ચોથા શનિવારે બેન્કોમાં રજા હોય છે. આ તમામ રજાઓને કારણે રોકાણકારો અને સામાન્ય નાગરિકોએ આગામી દિવસોમાં પોતાના નાણાકીય વ્યવહારોનું આયોજન કરી લેવું જરૂરી બન્યું છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/business/india-government-psu-share-sale-ofs-rs-25491-crore-highest-in-11-years" target="_blank">આ પણ વાંચો : PSUs Share Sale : 11 વર્ષમાં સરકારે સૌથી વધુ શેર વેચ્યા, OFS દ્વારા 25,491 કરોડ એકત્ર કરાયા</a></b></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/5EU6pHqbrpBtHnwNkFwnnTmlxXH21F0WPT978IL2.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026: બોસ્નિયાએ કતારને હરાવીને નોકઆઉટમાં પહોંચવાની આશા રાખી જીવંત ]]></title><link>https://sandesh.com/sports/news/bosnia-herzegovina-vs-qatar-3-1-win-tournament-hopes</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/bosnia-herzegovina-vs-qatar-3-1-win-tournament-hopes</guid><pubDate>Thu, 25 Jun 2026 16:27:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સિએટલ સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી મેચમાં બોસ્નિયા અને હર્ઝેગોવિનાએ કતારને 3-1થી હરાવીને પોતાની ટુર્નામેન્ટની આશા મજબૂત કરી. બોસ્નિયાએ પહેલા હાફમાં આક્રમક શરૂઆત કરી અને 29મી મિનિટે 18 વર્ષના કેરીમ અલાજબેગોવિચે બોક્સની બહારથી શાનદાર ગોલ કરીને ટીમને લીડ અપાવી.</p><h2 style="text-align: justify; "><b>બોસ્નિયા અને હર્ઝેગોવિનાએ લીડ બમણી કરી</b></h2><p style="text-align: justify; ">34મી મિનિટે બોસ્નિયાની લીડ બમણી થઈ ગઈ જ્યારે કતારના સુલતાન અલ્બ્રેકે (સ્કોરકાર્ડ મુજબ મહમૂદ અબુનાદા) એડિન ડઝેકોના ક્રોસને ક્લિયર કરવાનો પ્રયાસ કરતી વખતે બોલને પોતાના જ ગોલમાં ડિફ્લેક્ટ કર્યો.</p><p style="text-align: justify; ">પરંતુ કતારે વાપસી કરવાનો પ્રયાસ કર્યો અને 42મી મિનિટે અનુભવી હસન અલ્હાયડોસે ગોલ કરીને 2-1નો ફરક બનાવ્યો. પ્રથમ હાફ આ સ્કોર સાથે સમાપ્ત થયો.</p><h3 style="text-align: justify; "><b>એરમિન માહમિકના ડિફ્લેક્ટેડ શોટે કતારની આશાઓ પર પાણી ફેરવ્યું</b></h3><p style="text-align: justify; ">બીજા હાફમાં કતારે બરાબરી માટે દબાણ કર્યું અને કેટલીક સારી તકો બનાવી, પરંતુ બોસ્નિયાએ પોતાનો સંયમ જાળવી રાખ્યો. 80મી મિનિટે સબસ્ટિટ્યૂટ એરમિન માહમિકના ડિફ્લેક્ટેડ શોટે કતારની આશાઓ પર પાણી ફેરવી દીધું. આ જીત સાથે બોસ્નિયાએ 3-1થી નિર્ણાયક વિજય મેળવ્યો.</p><p style="text-align: justify; ">આ જીતથી બોસ્નિયા અને હર્ઝેગોવિનાને 4 પોઈન્ટ પણ મળ્યા, પરંતુ ગોલ તફાવત અને અન્ય માપદંડોને કારણે, ટીમ ત્રીજા સ્થાને રહી. હવે તેઓ અન્ય જૂથોના પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરશે, કારણ કે તેઓ બેસ્ટ ત્રીજા ક્રમાંકિત ટીમોમાં જોડાઈને રાઉન્ડ 32માં સ્થાન મેળવી શકે છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/entertainment/virat-kohli-photos-with-son-akaay-anushka-sharma" target="_blank">Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા&nbsp;</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/m8FwBuWVmBwMw2qSdCi9Bdthh1IC1o24akZVfjW8.webp'/></item></channel></rss>