<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Bullet Train દેશમાં ટૂંક સમયમાં દોડશે, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી મોટી જાહેરાત ]]></title><link>https://sandesh.com/india/news/india-first-bullet-train-mumbai-ahmedabad-route-ashwini-vaishnaw-announcement</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/india-first-bullet-train-mumbai-ahmedabad-route-ashwini-vaishnaw-announcement</guid><pubDate>Sun, 12 Jul 2026 19:39:19 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતમાં હાઈસ્પીડ રેલના નવા યુગની શરૂઆત થવા જઈ રહી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે મુંબઈ-અમદાવાદ વચ્ચેની પ્રથમ બુલેટ ટ્રેનનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે અને આગામી વર્ષે તેનો પ્રથમ સેક્શન શરૂ કરવામાં આવશે.</p><h3><b>ભારતની પ્રથમ બુલેટ ટ્રેન હવે નવા અધ્યાયમાં પ્રવેશ કરી રહી છે</b></h3><p>અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર સૌથી પહેલા સુરત અને બિલિમોરા વચ્ચેનો ભાગ મુસાફરો માટે શરૂ કરવામાં આવશે. ત્યારબાદ તબક્કાવાર રીતે વાપીથી સુરત, વાપીથી અમદાવાદ, અમદાવાદથી ઠાણે અને અંતે અમદાવાદથી મુંબઈ સુધીની સેવા શરૂ કરવાની યોજના છે. રેલ મંત્રાલયે પણ અશ્વિની વૈષ્ણવના નિવેદનનો વીડિયો શેર કરીને જણાવ્યું કે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન હવે નવા અધ્યાયમાં પ્રવેશ કરી રહી છે. મંત્રીએ હૈદરાબાદમાં HYSEA GCCS અને IT રાઉન્ડટેબલ દરમિયાન આ માહિતી આપી હતી.</p><h3><b>હૈદરાબાદ હાઈસ્પીડ ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકસશે</b></h3><p>અશ્વિની વૈષ્ણવે વધુમાં જણાવ્યું કે ત્રણ મોટા બુલેટ ટ્રેન કોરિડોર શરૂ થયા બાદ હૈદરાબાદ હાઈસ્પીડ ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકસશે. તેમણે કહ્યું કે પુણે-હૈદરાબાદ, હૈદરાબાદ-ચેન્નાઈ અને હૈદરાબાદ-બેંગલુરુ રૂટ સમગ્ર વિસ્તારમાં પરિવહન અને અર્થતંત્ર માટે પરિવર્તનકારી સાબિત થશે. મંત્રીએ જણાવ્યું કે આ પ્રોજેક્ટથી મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટશે. હૈદરાબાદથી મુંબઈની મુસાફરી લગભગ 2 કલાક 50 મિનિટ, હૈદરાબાદથી અમરાવતી 1 કલાક 10 મિનિટ, હૈદરાબાદથી ચેન્નાઈ 3 કલાક અને હૈદરાબાદથી બેંગલુરુની મુસાફરી 2 કલાક 35 મિનિટમાં પૂર્ણ થઈ શકશે.</p><h4><b>તેલંગાણા માટે રેલવે ક્ષેત્રમાં ₹5,400 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું</b></h4><p>તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તેલંગાણા માટે રેલવે ક્ષેત્રમાં ₹5,400 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે, જેનાથી રાજ્યમાં મોટાપાયે વિકાસ થઈ રહ્યો છે. આ ઉપરાંત દેશભરમાં રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ અંગે માહિતી આપતા તેમણે કહ્યું કે 261 સ્ટેશનોનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ભારતના પરિવહન ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન તરીકે જોવામાં આવી રહ્યો છે, જે ઝડપી મુસાફરી સાથે આર્થિક વિકાસને પણ વેગ આપશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/gyanwapi-case-supreme-court-notice-in-gyanwapi-case-order-to-resolve-through-mediation" target="_blank">આ પણ વાંચો : Gyanwapi Case: જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટની નોટિસ, મધ્યસ્થતાથી ઉકેલ લાવવા આદેશ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/12/fpgAMIdcUhjUJotWbEqjXMJjtGwIrKRUwofAwAzJ.webp'/></item><item><title><![CDATA[Rajkotમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા: રવિરત્ન ચોક ખાતે યુવક પર પાઇપ વડે હિચકારો હુમલો ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/law-and-order-situation-in-rajkot-hiccups-attack-youth-with-pipe-at-ravi-ratna-chowk</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/law-and-order-situation-in-rajkot-hiccups-attack-youth-with-pipe-at-ravi-ratna-chowk</guid><pubDate>Sun, 12 Jul 2026 19:30:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ શહેરમાં ગુનેગારોને જાણે પોલીસનો કોઈ ડર જ ન રહ્યો હોય તેમ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા કરતી એક ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા રવિરત્ન ચોક ખાતે જાહેર રસ્તા પર જ એક યુવક પર ત્રણથી ચાર જેટલા અસામાજિક શખ્સો તૂટી પડ્યા હતા. ધોળા દિવસે અને લોકોની નજર સામે બનેલી આ હિંસક ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>જાહેર રસ્તા પર પાઇપ વડે હુમલો અને મારામારી</b></h2><p style="text-align: justify; ">રવિરત્ન ચોક ખાતે કોઈ અગમ્ય કારણોસર ત્રણથી ચાર શખ્સોના ટોળાએ એક યુવકને ઘેરી લીધો હતો. ત્યારબાદ આ શખ્સોએ યુવક સાથે પ્રથમ છુટા હાથની મારામારી શરૂ કરી હતી અને જોતજોતામાં લોખંડની પાઇપ જેવા ઘાતક હથિયારો વડે તેના પર નિર્દયતાપૂર્વક તૂટી પડ્યા હતા. હુમલાખોરો એટલા બેફામ બન્યા હતા કે આસપાસ લોકોની હાજરી હોવા છતાં તેઓએ યુવકને રસ્તા પર દોડાવી દોડાવીને બેરહેમીથી ફટકાર્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>સમગ્ર ઘટના CCTVમાં કેદ, પોલીસ તપાસ શરૂ</b></h3><p style="text-align: justify; ">જાહેરમાં બનેલી આ સમગ્ર હૃદયકંપાવનારી ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કઈ રીતે હુમલાખોરો પાઇપ વતી યુવક પર હિંસક પ્રહારો કરી રહ્યા છે. જો કે, આ મારામારી પાછળનું ચોક્કસ કારણ હજી સુધી અકબંધ રહ્યું છે. આ ચકચારી ઘટનાના સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સ્થાનીક પોલીસે સક્રિય થઈને ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ મેળવી તેમની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/12/EmrTPpAUjBBdancdpRNz3MrdzYqh7HkXfv97cEGA.webp'/></item><item><title><![CDATA[Gyanwapi Case: જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટની નોટિસ, મધ્યસ્થતાથી ઉકેલ લાવવા આદેશ ]]></title><link>https://sandesh.com/india/news/gyanwapi-case-supreme-court-notice-in-gyanwapi-case-order-to-resolve-through-mediation</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/gyanwapi-case-supreme-court-notice-in-gyanwapi-case-order-to-resolve-through-mediation</guid><pubDate>Sun, 12 Jul 2026 19:21:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">સુપ્રીમ કોર્ટના આદેશને પગલે, હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષોને નોટિસ જારી કરવામાં આવી છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">જ્ઞાનવાપી કેસ ફરી ચર્ચામાં&nbsp;</h2><p style="text-align: justify; ">વારાણસી જ્ઞાનવાપી કેસ વર્ષોથી ખૂબ જ વિવાદાસ્પદ રહ્યો છે. રામ મંદિર કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ, જ્ઞાનવાપી કેસ પણ ચર્ચામાં આવ્યો હતો. 2024માં કેસની સુનાવણી કરતા, સુપ્રીમ કોર્ટે વ્યાસજી ભોંયરામાં હિન્દુ પક્ષને પૂજા કરવાની મંજૂરી આપવાના સેશન્સ કોર્ટના નિર્ણયને સમર્થન આપ્યું હતુ. હવે બે વર્ષથી વધુ સમય પછી, સુપ્રીમ કોર્ટે આ મુદ્દા પર એક મહત્વપૂર્ણ નિર્દેશ જારી કર્યો છે. સીધો ચુકાદો આપવાને બદલે, કોર્ટે બંને પક્ષોને વાટાઘાટો દ્વારા આ મુદ્દાનો ઉકેલ લાવવાનો નિર્દેશ આપ્યો છે. આ મામલો હવે મધ્યસ્થી દ્વારા ઉકેલવામાં આવશે.</p><h3 style="text-align: justify; ">સંબંધિત કેસોનો ઉકેલ પણ મધ્યસ્થી દ્વારા જ આવશે ?&nbsp;</h3><p style="text-align: justify; ">સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, તમામ પક્ષોને નોટિસ જારી કરવામાં આવી છે. હિન્દુ પક્ષના વકીલ સુધીર ત્રિપાઠીનો દાવો છે કે હિન્દુ અને મુસ્લિમો 14 જુલાઈના રોજ આ મુદ્દા પર ચર્ચા કરવા માટે એકસાથે મળશે. તેમનું માનવું છે કે જો વાટાઘાટો સફળ થશે, તો તમામ સંબંધિત કેસોનો ઉકેલ પણ મધ્યસ્થી દ્વારા જ આવશે. પહેલો કેસ, રાખી સિંહ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ સરકાર, અને બીજો, શૈલેન્દ્ર સિંહ વ્યાસ વિરુદ્ધ અંજુમન ઇન્તેઝામિયા, મધ્યસ્થી દ્વારા ઉકેલાય તેવી શક્યતા છે. હિન્દુ પક્ષના વકીલ સુધીર ત્રિપાઠીએ સમજાવ્યું કે ઘણા કેસ મધ્યસ્થી દ્વારા ઉકેલાય છે. આ પ્રક્રિયામાં, બંને પક્ષના અરજદારોને બેઠકમાં આમંત્રિત કરવામાં આવે છે અને પછી સમાધાન સુધી પહોંચવા માટે પરસ્પર ચર્ચા કરવામાં આવે છે. જ્ઞાનવાપી કેસમાં પણ આવો જ પ્રયાસ કરવામાં આવશે.</p><h4 style="text-align: justify; ">શુ હતો વિવાદ ?&nbsp;</h4><p style="text-align: justify; ">કોર્ટના આદેશ પર, ASI એ કોર્ટ કમિશન સાથે મળીને જ્ઞાનવાપીનો સર્વે કર્યો. જ્ઞાનવાપીની દિવાલો પર હિન્દુ દેવતાઓ અને સનાતન ધર્મ સાથે સંબંધિત અસંખ્ય પ્રતીકો મળી આવ્યા. વધુમાં, ASI રિપોર્ટમાં જ્ઞાનવાપીને એક પ્રાચીન મંદિર તરીકે વર્ણવવામાં આવ્યું હતું. કમિશનની તપાસ બાદ, શૌચાલયમાં એક કથિત શિવલિંગ પણ મળી આવ્યું હતું. વધુમાં, દિવાલો અને થાંભલાઓ પર સ્વસ્તિક, ઓમ અને ત્રિશૂલના પ્રતીકો પણ મળી આવ્યા હતા.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/india/news/kangra-bus-accident-bus-carrying-pilgrims-returning-from-amarnath-yatra-overturns-in-kangra-17-passengers-injured-4-in-critical-condition" target="_blank">અમરનાથ યાત્રાથી પરત ફરતા શ્રદ્ધાળુઓની બસ કાંગડામાં પલટી, 17 પ્રવાસી ઘાયલ, 4ની હાલત ગંભીર</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/12/rStSL2kAJnG3XmQSpZXufZmRDj2lHkyYLdaV92UF.webp'/></item><item><title><![CDATA[Suratમાં પૂરપાટ ઝડપે આવતી કારે સર્જ્યો અકસ્માત: પાર્ક કરેલી બે ગાડીઓને અડફેટે લઈ કાર પલટી ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/a-speeding-car-caused-an-accident-in-surat-the-car-overturned-after-hitting-two-parked-cars</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/a-speeding-car-caused-an-accident-in-surat-the-car-overturned-after-hitting-two-parked-cars</guid><pubDate>Sun, 12 Jul 2026 19:14:35 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરમાં વધુ એક વખત સ્પીડ કિંગના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. રાત્રિના સમયે પૂરપાટ ઝડપે દોડતી એક લક્ઝરી કિયા (Kia) કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા રસ્તા કિનારે પાર્ક કરેલી અન્ય ગાડીઓને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર માર્યા બાદ કિયા કાર હવામાં ફંગોળાઈને રસ્તા પર જ પલટી મારી ગઈ હતી. રાત્રિના સનાટામાં બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>ફૂલ સ્પીડમાં આવતી કારે ગાડીઓનો કચ્ચરઘાણ વાળ્યો</b></h2><p style="text-align: justify; ">પ્રત્યક્ષદર્શીઓ અને પ્રાથમિક વિગતો મુજબ, અકસ્માત સર્જનાર કિયા કાર ચાલક ખૂબ જ ફૂલ સ્પીડમાં ગાડી હંકારી રહ્યો હતો. રસ્તા પરથી પસાર થતી વખતે કારની ગતિ મર્યાદા બહાર હોવાને કારણે ચાલકે નિયંત્રણ ગુમાવ્યું હતું અને કાર સીધી જ રોડની સાઈડમાં પાર્ક કરીને મૂકેલી બે કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં પાર્ક કરેલી બંને કારને ભારે નુકસાન પહોંચ્યું હતું અને કચ્ચરઘાણ વળી ગયો હતો, જ્યારે અકસ્માત સર્જનાર કાર રસ્તાની વચ્ચે જ ઊંધી વળી ગઈ હતી.</p><h3 style="text-align: justify; "><b>સમગ્ર હૃદયકંપાવનારી ઘટના CCTV કેમેરામાં કેદ</b></h3><p style="text-align: justify; ">આ ચકચારી અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે કિયા કાર રોકેટ ગતિએ આવીને પાર્ક કરેલી ગાડીઓ સાથે ભટકાય છે અને પલટી ખાઈ જાય છે. સદનસીબે રાત્રિનો સમય હોવાથી રસ્તા પર અન્ય વાહનો કે રાહદારીઓની અવરજવર ઓછી હતી, જેથી મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનીક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/12/KbvtRvBaCXt7ZC4fXEFPJo686fg7nb0k3MZYk1eH.webp'/></item><item><title><![CDATA[Suratના મોટા વરાછા રોડ પર પતિ અને તેની પ્રેમિકાએ પત્નીને જાહેરમાં બેરહેમીથી ફટકારી ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/husband-and-his-girlfriend-brutally-beat-their-wife-in-public-on-mota-varachha-road-in-surat</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/husband-and-his-girlfriend-brutally-beat-their-wife-in-public-on-mota-varachha-road-in-surat</guid><pubDate>Sun, 12 Jul 2026 18:40:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરમાં કૌટુંબિક કંકાસની એક ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે, જેમાં એક પતિએ તમામ મર્યાદાઓ ઓળંગીને પોતાની પત્નીને જાહેર રસ્તા પર બેરહેમીથી ઢોર માર માર્યો છે. આ હિંસક ઘટના સુરતના મોટા વરાછા રોડ પર બની હતી. દીકરીને સ્કૂલે મૂકીને પરત ફરી રહેલી પત્ની પર પતિ અચાનક તૂટી પડ્યો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>કારમાં સવાર પતિની પ્રેમિકાએ પણ ઝાપટ મારી</b></h2><p style="text-align: justify; ">આ ઘટનાની સૌથી આઘાતજનક બાબત એ છે કે આ મારામારીમાં માત્ર પતિ જ નહીં, પરંતુ તેની સાથે કારમાં સવાર તેની પ્રેમિકા પણ સામેલ હતી. જ્યારે પતિ રસ્તા પર પત્નીને નિર્દયતાથી ફટકારી રહ્યો હતો, ત્યારે કારમાંથી ઉતરીને તેની પ્રેમિકાએ પણ પત્નીને જાહેરમાં ઝાપટો મારી હતી. જાહેર રોડ પર બે વ્યક્તિઓ દ્વારા એક મહિલાને આ રીતે અસહાય સ્થિતિમાં માર મારવામાં આવતા આસપાસના લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.</p><h3 style="text-align: justify; "><b>જાનથી મારી નાખવાની ધમકી અને પોલીસ કાર્યવાહી</b></h3><p style="text-align: justify; ">જાહેરમાં પત્નીને નિર્દયતાપૂર્વક ફટકાર્યા બાદ પણ પતિનો ગુસ્સો શાંત થયો ન હતો. તેણે પત્નીને જાહેરમાં ધમકી આપતા કહ્યું કે, ‘જો તું ફરી ક્યાંય દેખાઈશ તો તને જાનથી મારી નાખીશ.’ આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી મહિલાને તાત્કાલિક સારવાર અર્થે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ મામલે ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે ઉત્રાણ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/12/Fh6FdemSDJ10oI9DXYzKLImQBxekyb629DDvKkNm.webp'/></item><item><title><![CDATA[Mahisagarમાં SMCનો સપાટો: બાલાસિનોર GIDCના ગોડાઉનમાંથી વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mahisagar/smc-raid-in-mahisagar-tempo-loaded-with-foreign-liquor-seized-from-balasinore-gidc-godown</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mahisagar/smc-raid-in-mahisagar-tempo-loaded-with-foreign-liquor-seized-from-balasinore-gidc-godown</guid><pubDate>Sun, 12 Jul 2026 18:07:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મહીસાગર જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દારૂના દૂષણ સામે એક મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. એસ.એમ.સી.ની ટીમે બાલાસિનોર જી.આઈ.ડી.સી. (GIDC) વિસ્તારમાં આવેલા એક ગોડાઉન પર અચાનક દરોડા પાડીને ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલના આ અચાનક સપાટાથી સ્થાનિક બુટલેગરો અને ગુનાહિત તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.</p><h2 style="text-align: justify; ">ગોડાઉનમાં આઇસર ટેમ્પોમાંથી મળ્યો દારૂનો જથ્થો</h2><p style="text-align: justify; ">બાલાસિનોર જી.આઈ.ડી.સી. વિસ્તારમાં ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓની ચોક્કસ બાતમીના આધારે એસ.એમ.સી.ની ટીમે આ ઓપરેશન હાથ ધર્યું હતું. ટીમે જ્યારે નિર્દિષ્ટ ગોડાઉનની અંદર તપાસ કરી ત્યારે ત્યાં એક આઇસર ટેમ્પો (ટ્રક) શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. આ ટ્રકની બારીકાઈથી તપાસ કરતા તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી, જેને ગુપ્ત રીતે છુપાવીને હેરાફેરી કરવાની પેરવી કરવામાં આવી રહી હતી.</p><h3 style="text-align: justify; ">પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલની ગણતરી અને તપાસ તેજ</h3><p style="text-align: justify; ">આ સફળ દરોડા બાદ, એસ.એમ.સી.ની ટીમ દ્વારા વિદેશી દારૂ ભરેલા આઇસર ટેમ્પોને તાત્કાલિક અસરથી બાલાસિનોર પોલીસ સ્ટેશન ખાતે ખસેડવામાં આવ્યો છે. હાલ પોલીસ સ્ટેશન પરિસરમાં જ સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ દ્વારા પકડાયેલા વિદેશી દારૂની બોટલો અને પેટીઓની સત્તાવાર ગણતરી શરૂ કરી દેવામાં આવી છે. આ સમગ્ર દારૂ અને વાહન સહિતનો મુદ્દામાલ કેટલા રૂપિયાનો છે, તેનો ચોક્કસ આંકડો ગણતરી પૂર્ણ થયા બાદ જ સામે આવશે. પોલીસ આ રેકેટ પાછળ કયા મુખ્ય સૂત્રધારો સામેલ છે તે દિશામાં પણ તપાસ ચલાવી રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/12/KpiZabTApWhF4HtVYDV2VkpygBm9L3yGOPS54WIu.webp'/></item><item><title><![CDATA[Bollywood Celebrity : 69ની ઉંમરે પણ ડિમ્પલ કાપડિયાનો જલવો, ધ ઓડિસી પ્રીમિયરમાં એથનિક લુકે જીતી લીધી મહેફિલ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/dimple-kapadia-stuns-in-ethnic-look-at-the-odyssey-premiere-akshay-kumar-mother-in-law</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/dimple-kapadia-stuns-in-ethnic-look-at-the-odyssey-premiere-akshay-kumar-mother-in-law</guid><pubDate>Sun, 12 Jul 2026 17:39:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ડિમ્પલ કપાડિયા પોતાના સ્ટાઇલ અને ફેશન સેન્સ માટે હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ મુંબઈમાં ક્રિસ્ટોફર નોલનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ધ ઓડિસીના પ્રીમિયરમાં પહોંચી હતી.&nbsp; 69 વર્ષની ઉંમરે ડિમ્પલ કપાડિયાનો સ્ટાઇલિશ લુક જોવા મળ્યો. હેન્ડક્રાફ્ટેડ આઉટફિટમાં પોતાની શાનદાર હાજરીથી સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું.</p><h2 style="text-align: justify; "><b>69 ની ઉંમરે ડિમ્પલ કપાડિયાનો જલવો</b></h2><p style="text-align: justify; ">ડિમ્પલ કપાડિયા લાંબા સમયથી પોતાના શાનદાર ફેશન સેન્સ માટે જાણીતી છે. ભલે તેમનો કેઝ્યુઅલ લુક હોય કે રેડ કાર્પેટ અપીયરેન્સ, દર વખતે તેમનો અંદાજ લોકોનું ધ્યાન ખેંચી લે છે. ધ ઓડિસીના પ્રીમિયરમાં પણ તેમણે ઓલ-બ્લેક લુક પસંદ કર્યો, જેમાં લાંબો કોટ, વેસ્ટકોટ અને સરોંગ સ્કર્ટ સામેલ હતા. તેમનો આ સ્ટાઇલિશ લુક પ્રશંસકોને ખુબ પસંદ આવ્યો. આ આઉટફિટ ડિઝાઇનર અબુ જાની અને સંદીપ ખોસલાએ ડિઝાઇન કર્યો છે.<br><img alt="Dimple Kapadia ethnic look (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/07/12/cUQS0HRMhSJwtReeghPRdTYFAFJlHaPK8WlcOI7W.webp"><br></p><p style="text-align: justify; ">ડિઝાઇનર અબુ જાની અને સંદીપ ખોસલાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ડિમ્પલ કપાડિયાના આ લુકની તસવીરો શેર કરી છે. ડિઝાઇનર્સે જણાવ્યું કે ડિમ્પલે બ્લેક ગોડાર્ટ કોટ પહેર્યો હતો, જેના પર હાથથી એમ્બ્રોઇડરી કરેલી બાંધણી ડિઝાઇન બનાવવામાં આવી હતી. આ કોટમાં પાવર શોલ્ડરની સાથે કલરફુલ રેશમ ભરતકામનું ઝીણું કામ કરવામાં આવ્યું હતું.</p><h3 style="text-align: justify; "><b>જ્વેલરીએ ખેંચ્યું ધ્યાન</b></h3><p style="text-align: justify; ">ડિમ્પલે આ કોટને બ્લેક સરોંગ સ્કર્ટ સાથે પેર કર્યો હતો. તેમણે અબુ જાની અને સંદીપ ખોસલાની હેન્ડક્રાફ્ટેડ જ્વેલરીથી પોતાના લુકને કમ્પ્લીટ કર્યો. તેમના ગળામાં જોવા મળેલો મોટો 'તલિસમાતી' આઈ પેન્ડન્ટ નેકલેસ રૂબી અને હીરાથી તૈયાર કરવામાં આવ્યો હતો, જેને ભગવાન શિવની ત્રીજી આંખનું પ્રતીક પણ બતાવવામાં આવ્યું છે. આ સિવાય તેમણે ઇયરરિંગ્સ અને ગોલ્ડન બંગડીઓ પહેરી હતી, જેણે તેમના પૂરા લુકમાં ચાર ચાંદ લગાવી દીધા.<br><img alt="Dimple Kapadia ethnic look (2)" src="https://epapercdn.sandesh.com/images/2026/07/12/4ExyFbZpCriRUkhg8Fa0JGpmJ6L0tOmRxKDo6sEI.webp"><br></p><p style="text-align: justify; ">હેરસ્ટાઇલની વાત કરીએ તો, ડિમ્પલ કપાડિયાએ પોતાના સાઇડ-પાર્ટેડ બ્લોઆઉટ લુકને પસંદ કર્યો હતો, જે તેમના ચહેરા પર બેહદ સુંદર લાગી રહ્યો હતો. મેકઅપમાં ડાર્ક આઇબ્રો, કાજલથી સજેલી આંખો, પિંક લિપસ્ટિક, હળવું બ્લશ અને મસ્કારા લગાવેલી પાંપણોએ તેમના આખા લુકને વધુ ગ્લેમરસ બનાવી દીધો હતો. ધ ઓડિસીના પ્રીમિયરમાં ડિમ્પલ કપાડિયા સાથે તેમની દોહિત્રી નાઓમિકા સરન પણ આવી હતી. આ સિવાય, સૌમ્યા ટંડન, અરમાન મલિક, બોમન ઈરાની સહિત કેટલાય સેલેબ્સો સામેલ થયા હતા. આ ફિલ્મને હોલીવુડ ડિરેક્ટર ક્રિસ્ટોફર નોલન ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મ 17 જુલાઈએ રિલીઝ થશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/inside-evergreen-actress-rekha-luxury-home-basera-mumbai-interior-photos-viral" target="_blank">આ પણ વાંચો-Rekha: શાહી મહેલ જેવું છે રેખાનું આલીશાન ઘર, મુંબઈના પોશ વિસ્તારમાં આવેલા બંગલાની કિંમત જાણી દંગ રહી જશો!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/12/Pcu97AnGng0QfBCbrxavyzDZzfvkY6fpnr7ZuOpy.webp'/></item><item><title><![CDATA[Dahod બસ સ્ટેશનમાં આરસીસી ફ્લોરિંગ કામ આવ્યું વિવાદમાં: કાઉન્સિલરે અટકાવ્યું કામ! ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dahod/rcc-flooring-work-at-dahod-bus-station-sparks-controversy-councilor-stops-work</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dahod/rcc-flooring-work-at-dahod-bus-station-sparks-controversy-councilor-stops-work</guid><pubDate>Sun, 12 Jul 2026 17:29:27 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દાહોદ બસ સ્ટેશન પરિસરમાં ચાલી રહેલું આરસીસી ફ્લોરિંગનું કામ અત્યારે ભારે વિવાદના વમળમાં સપડાયું છે. કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહેલી આડેધડ કામગીરીને પગલે સ્થાનિક કાઉન્સિલર ઈસ્તીયાક સૈયદ દ્વારા સ્થળ પર પહોંચીને કામ અટકાવી દેવામાં આવ્યું છે. એસ.ટી. વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્રની આવી ઘોર બેદરકારી અને નબળા આયોજન સામે હવે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>સ્માર્ટ સિટીની ગટર લાઈન દબાઈ અને કનેક્શનો તૂટ્યા</b></h2><p style="text-align: justify; ">મુખ્ય વિવાદ એ વાતનો છે કે કોન્ટ્રાક્ટર દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત બનાવેલી કરોડો રૂપિયાની ભૂગર્ભ ગટર લાઈન અને તેના મુખ્ય ચેમ્બરોને નવા બની રહેલા આરસીસી રોડ નીચે જ દબાવી દેવામાં આવ્યા છે. આટલું જ નહીં, સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા આસપાસના અનેક ગટર કનેક્શનો પણ તોડી નાખવામાં આવ્યા છે. આ લાપરવાહીના કારણે ભવિષ્યમાં ગટર ચોકઅપ થવાની અને સમગ્ર વિસ્તારમાં ગંદકી ફેલાવાની ગંભીર સમસ્યા સર્જાઈ શકે તેમ છે.</p><h3 style="text-align: justify; "><b>ઢાંકણા ઊંચા કરી યોગ્ય કામ કરવાની માંગ અને તંત્ર સામે સવાલો</b></h3><p style="text-align: justify; ">કાઉન્સિલર અને સ્થાનિકોની સ્પષ્ટ માંગ છે કે ગટરના તમામ ચેમ્બરના ઢાંકણા રોડના લેવલ પ્રમાણે ઊંચા લાવીને જ આગળનું ફ્લોરિંગ કામ કરવામાં આવે. જો ચેમ્બર જ દબાઈ જશે તો ભવિષ્યમાં લાઈન સાફ કરવી અશક્ય બની જશે, જેના લીધે આસપાસના રસ્તાઓ પણ તોડવા પડશે. સરકારી નાણાંનો આવો વેડફાટ અને સુપરવિઝન વગર ચાલતી આવી નબળી કામગીરીને કારણે એસ.ટી. વિભાગ તેમજ સ્માર્ટ સિટીના તંત્રની ભૂમિકા સામે અનેક ગંભીર સવાલો ઉભા થયા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/12/nhxFOLAhmLMwZ94mkhkgthtRv3cLjHLhYkbNEmj5.webp'/></item><item><title><![CDATA[EPFO : PF ટ્રસ્ટ ચલાવનાર કંપનીઓ માટે ખુશખબરી,   બાકી રકમ અને દંડમાં મળશે મોટી રાહત ]]></title><link>https://sandesh.com/business/news/epfo-good-news-for-companies-running-pf-trusts-big-relief-in-dues-and-penalties</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/epfo-good-news-for-companies-running-pf-trusts-big-relief-in-dues-and-penalties</guid><pubDate>Sun, 12 Jul 2026 16:25:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા પીએફ ટ્રસ્ટ ચલાવતી કંપનીઓ માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતદાયક નિર્ણય લેવામાં આવ્યો છે. રવિવારે જાહેર કરવામાં આવેલી 'એમ્નેસ્ટી સ્કીમ ૨૦૨૬' હેઠળ, જે સંસ્થાઓ મુક્તિ પ્રાપ્ત પીએફ ટ્રસ્ટનું સંચાલન કરે છે, તેમને પોતાની કાનૂની સ્થિતિને નિયમિત કરવાની એક વિશેષ તક આપવામાં આવી છે. આ યોજના 29 જૂન, 2026થી અમલમાં આવી છે અને આગામી થોડા મહિનાઓ સુધી તે ઉપલબ્ધ રહેશે.</p><h2 style="text-align: justify; "><b>યોજનાનો ઉદ્દેશ્ય અને લાભાર્થીઓ:</b></h2><p style="text-align: justify; ">ઘણી એવી સંસ્થાઓ છે જે આવકવેરા કાયદા, 1961 હેઠળ માન્યતા પ્રાપ્ત પીએફ ટ્રસ્ટ તો ચલાવે છે, પરંતુ તેમની પાસે સરકાર દ્વારા જારી કરાયેલ ઔપચારિક 'મુક્તિ સૂચના'નો અભાવ છે. આવી સંસ્થાઓ માટે આ યોજના એક આશીર્વાદ સમાન છે. આ ઉપરાંત, જે કંપનીઓ સામાજિક સુરક્ષા સંહિતા, ૨૦૨૦ હેઠળ મુક્તિ પ્રાપ્ત સંસ્થા તરીકે કામ કરવાનું ચાલુ રાખવા માંગે છે, તેઓ પણ આ સ્કીમ હેઠળ અરજી કરી શકે છે.</p><h3 style="text-align: justify; "><b>શું મળશે રાહત?</b></h3><p style="text-align: justify; ">આ એમ્નેસ્ટી યોજના હેઠળ જે સંસ્થાઓ પોતાની કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરશે, તેમને નીચે મુજબના ફાયદા થશે:</p><p style="text-align: justify; ">દંડ અને વ્યાજમાં માફી: જો કંપનીએ કર્મચારીઓના ખાતામાં કાયદાકીય દર મુજબ અથવા તેનાથી વધુ વ્યાજ અને યોગદાન જમા કરાવ્યું હોય, તો બાકી રહેલા મૂલ્યાંકન, નુકસાની અને વ્યાજ સંબંધિત કાર્યવાહી પાછી ખેંચી લેવામાં આવશે.</p><p style="text-align: justify; ">અન્ય નિયમોમાં છૂટછાટ: નિયમિત થતી સંસ્થાઓને લઘુત્તમ કર્મચારી સંખ્યા અને ટ્રસ્ટ કોર્પસની કઠોર શરતોમાંથી મુક્તિ આપવામાં આવશે.</p><h4 style="text-align: justify; "><b>મહત્વપૂર્ણ પ્રક્રિયા:</b></h4><p style="text-align: justify; ">EPFO ના નિયમ અનુસાર, હવે માત્ર તે જ ભવિષ્ય નિધિઓને આવકવેરા અધિનિયમ, ૨૦૨૫ હેઠળ માન્યતા મળશે, જેમને કર્મચારી ભવિષ્ય નિધિ અને વિવિધ જોગવાઈઓ અધિનિયમ, ૧૯૫૨ ની કલમ ૧૭ હેઠળ મુક્તિ આપવામાં આવી છે. આ યોજના સામાજિક સુરક્ષા સંહિતા હેઠળ પૂર્વવર્તી મુક્તિ મેળવવાની પણ સુવિધા આપે છે.</p><p style="text-align: justify; ">આ એક 'વન-ટાઇમ' તક છે, જેનો હેતુ કોર્પોરેટ સેક્ટરના પીએફ સંચાલનમાં પારદર્શિતા લાવવાનો અને સંસ્થાઓને કાનૂની ગૂંચવણોમાંથી મુક્ત કરવાનો છે. જે સંસ્થાઓ લાંબા સમયથી પીએફ નિયમોના પાલન અંગે અનિશ્ચિતતામાં હતી, તેમના માટે આ સુધારો લાંબાગાળાનું પ્રોત્સાહન સાબિત થશે. યોગ્ય સમય મર્યાદામાં અરજી કરીને સંસ્થાઓ દંડની કાયમી મુક્તિ મેળવી શકે છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/world/news/us-lindsey-graham-a-close-ally-of-donald-trump-dies-at-71" target="_blank">આ પણ વાંચોઃ US: ડોનાલ્ડ ટ્રમ્પની નજીકી નેતા લિન્ડસે ગ્રેહામનું 71 વર્ષની વયે નિધન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/12/NhoA29bSiplRg0IPnkPOhjlimN5BH3KqAriUENV9.webp'/></item><item><title><![CDATA[Fifa World Cup 2026: સેમીફાઈનલનું શેડ્યુલ જાહેર, જાણો કોણ કોની સાથે ટકરાશે? ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-semi-final-schedule-announced-know-who-will-face-whom</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-semi-final-schedule-announced-know-who-will-face-whom</guid><pubDate>Sun, 12 Jul 2026 15:34:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફિફા વર્લ્ડ કપ 2026 ક્વાર્ટર-ફાઇનલ તબક્કાની છેલ્લી બે મેચ 12 જુલાઈના રોજ રમાઈ હતી, જેમાં ઇંગ્લેન્ડે નોર્વે સામે 2-1થી વિજય મેળવીને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. ત્યારબાદ ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના અને સ્વિટ્ઝર્લેન્ડ વચ્ચેની અંતિમ ક્વાર્ટર ફાઇનલમાં પ્રભુત્વ જમાવ્યું હતું, જેમાં 3-1થી જીત મેળવીને સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું હતું. આ સાથે, ફિફા વર્લ્ડ કપ 2026 સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરનારી ચાર ટીમો નિશ્ચિત થઈ ગઈ છે. પ્રથમ સેમિફાઇનલ 15 જુલાઈએ ફ્રાન્સ અને સ્પેન વચ્ચે રમાશે, જ્યારે બીજી સેમિફાઇનલ 16 જુલાઈએ આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે.</p><h4 style="text-align: justify;"><b>અત્યાર સુધી ફ્રાન્સ સામે સ્પેનનો હાથ ઉપર&nbsp;</b></h4><p style="text-align: justify; ">પ્રથમ સેમિફાઇનલ મેચ 15 જુલાઈએ ભારતીય માનક સમય (IST) ના રોજ 12:30 વાગ્યે સ્પેન અને ફ્રાન્સ વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેના હેડ-ટુ-હેડ રેકોર્ડને ધ્યાનમાં લેતા, સ્પેનનો હાથ ઉપર છે. સ્પેન અને ફ્રાન્સ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 38 મેચ રમાઈ છે, જેમાં સ્પેને 18 જીતી છે, જ્યારે ફ્રાન્સે માત્ર 13 જીતી છે.અને સાત મેચ ડ્રો રહી છે. બંને ટીમો 2016માં ફિફા વર્લ્ડ કપમાં રાઉન્ડ ઓફ 16માં એક વાર મળી હતી. ફ્રાન્સે આ મેચ 3-1 થી જીતી હતી.</p><h4 style="text-align: justify; "><b>આર્જેન્ટિના ઇંગ્લેન્ડ સામે ટકરાશે&nbsp;</b></h4><p style="text-align: justify; ">ઇંગ્લેન્ડનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાનો છે. ગત ચેમ્પિયન આર્જેન્ટિના ક્વાર્ટર ફાઇનલમાં પોતાના પ્રભાવશાળી પ્રદર્શન સાથે સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે, જ્યાં તેમનો મુકાબલો ઇંગ્લેન્ડ સાથે થશે. બંને ટીમો વચ્ચેનો આ મુકાબલો 16 જુલાઈના રોજ ભારતીય સમય મુજબ રાત્રે 12.30 વાગ્યે એટલાન્ટા સ્ટેડિયમ ખાતે રમાશે. ઇંગ્લેન્ડે 1966નો વર્લ્ડ કપ ફાઈનલમાં પશ્ચિમ જર્મનીને 4-2 થી હરાવીને જીત મેળવી હતી. ત્યારથી, તેઓ ફક્ત ત્રીજી વખત સેમિફાઇનલમાં પહોંચ્યા છે.1990માં, તેઓ સેમિફાઇનલમાં જર્મની સામે 1-1 થી હારી ગયા હતા, જ્યારે 2018માં તેઓ સેમિફાઇનલમાં ક્રોએશિયા સામે 2-1 થી હારી ગયા હતા. આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી વર્લ્ડ કપ મેચો પર નજર કરીએ તો, બંને ટીમો પાંચ મેચ રમી છે, જેમાં ઇંગ્લેન્ડ ત્રણ અને આર્જેન્ટિનાએ બે મેચ જીતી છે.</p><p style="text-align: justify;">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/after-the-fifa-world-cup-2026-final-the-grass-on-the-field-will-be-sold-for-this-much-know-why" target="_blank">FIFA World Cup 2026 ફાઇનલ મેચ બાદ આટલા કરોડમાં વેચાશે મેદાનનું ઘાસ, જાણો કેમ?</a></p><p style="text-align: justify;"><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/12/PiVCYIkgRh6Cgi2NREDZiWlYXYnO07o9SWLwUkRf.webp'/></item></channel></rss>