<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Junagadh: ધરાનગરમાં સોપારી ખાવા જેવી બાબતે હિંસક બનેલા પતિએ પત્નીને માર મારી પતાવી દીધી ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/junagadh/husband-bhola-solanki-arrested-for-killing-wife-over-minor-dispute-in-dharanagar</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/junagadh/husband-bhola-solanki-arrested-for-killing-wife-over-minor-dispute-in-dharanagar</guid><pubDate>Fri, 12 Jun 2026 11:19:33 +05:30</pubDate><description><![CDATA[<p>જૂનાગઢના ધરાનગર વિસ્તારમાં રહેતા એક પરિવારમાં નજીવી બાબતમાં સર્જાયેલા કંકાસે ભયાનક સ્વરૂપ ધારણ કરી લેતા એક હસતો-રમતો પરિવાર વેરવિખેર થઈ ગયો છે. સમાજમાં માનસિક વિકૃતિ અને ગુસ્સા પર કાબૂ ન રહેવાના કારણે કઈ હદ સુધીના ગંભીર પરિણામો આવી શકે છે, તેનો જીવતો-જાગતો કિસ્સો ધરાનગરમાં બન્યો છે. અહીં રહેતા ભોલા સોલંકી નામના શખ્સે પોતાની પત્ની જ્યોતિ સોલંકી સાથે માત્ર સોપારી ખાવાની બાબતમાં રકઝક અને ગાળાગાળી કરી હતી. આ મામૂલી વિવાદ એટલો વધ્યો કે ભોલાએ ભાન ગુમાવ્યું હતું.</p><h2><b>લાકડી-ઢોર મારથી પત્ની લોહીલુહાણ</b></h2><p>આરોપી પતિ ભોલા સોલંકીએ ઉશ્કેરાઈને ઘરમાં પડેલી વજનદાર વસ્તુઓ અથવા લાકડી વડે પોતાની પત્ની જ્યોતિબેન પર હિંસક હુમલો કરી દીધો હતો. તેણે જ્યોતિબેનને માથા તેમજ શરીરના નાજુક ભાગો પર બેરહેમીપૂર્વક ઢોર માર માર્યો હતો. પતિના આ ક્રૂર આક્રમણને કારણે જ્યોતિબેન ગંભીર રીતે ઘાયલ થઈને ઘરના લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો અને પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, વિધાતાને કંઈક જુદું જ મંજૂર હતું, હોસ્પિટલના બિછાને જિંદગી અને મોત વચ્ચેની જંગ લડતા-લડતા આખરે જ્યોતિબેન સોલંકીનું કરુણ મોત નીપજ્યું હતું.</p><h3><b>હત્યાનો ગુનો દાખલ, હત્યારો પતિ જેલભેગો</b></h3><p>જ્યોતિબેનના અવસાનના સમાચાર મળતા જ તેમના પિયર પક્ષમાં આક્રંદ મચી ગયો હતો. બહેનના અકાળે મોતના પગલે મૃતકના જાગૃત ભાઈએ જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બહેનને મરણતોલ માર મારી તેની હત્યા કરવા સબબ બનેવી ભોલા સોલંકી સામે નામજોગ આકરી ફરિયાદ નોંધાવી હતી. પત્નીના અવસાન સાથે જ આખો ગુનો આપઘાત કે દુષ્પ્રેરણમાંથી સીધો આયોજનપૂર્વકની હત્યા (IPC/BNS ની કલમ ૩૦૨) માં પલટાઈ ગયો હતો. સી ડિવિઝન પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી કટોકટીના ધોરણે અલગ-અલગ ટીમો બનાવી દરોડો પાડ્યો હતો અને ફરાર થવાની ફિરાકમાં રહેલા આરોપી પતિ ભોલા સોલંકીને દબોચી લીધો છે. પોલીસ હવે આરોપીના રિમાન્ડ મેળવી ઘટના સમયે અન્ય કોઈ કૌટુંબિક દબાણ હતું કે કેમ તે દિશામાં વધુ તપાસ ચલાવી રહી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/crime/gir-somnath/cyber-crime-police-busted-310-crore-international-scam-under-operation-mule-hunt-two" target="_blank">આ પણ વાંચો: Gir Somnath: ગુજરાત પોલીસનો દેશવ્યાપી ઐતિહાસિક સપાટો, ગીર સોમનાથમાં 310 કરોડના મેગા સાયબર ફ્રોડનો પર્દાફાશ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/zVs582eGGvzVWoumuwCde3MvNdBW18nQkaepl3Dz.webp'/></item><item><title><![CDATA[Jaspal Rana Death: રમત જગતને મોટી ક્ષતિ...જસપાલ રાણાના નિધન પર પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો ]]></title><link>https://sandesh.com/india/news/jaspal-rana-death-a-big-loss-to-the-sports-world-pm-modi-expressed-grief-over-the-death-of-jaspal-rana</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/jaspal-rana-death-a-big-loss-to-the-sports-world-pm-modi-expressed-grief-over-the-death-of-jaspal-rana</guid><pubDate>Fri, 12 Jun 2026 10:59:20 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય રમતગમતના ઇતિહાસના સૌથી તેજસ્વી શૂટરોમાંના એક જસપાલ રાણાનું અવસાન થયું છે. તેઓ 49 વર્ષના હતા. જર્મનીથી પરત ફર્યા બાદ તેમની તબિયત લથડી અને દિલ્હીમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના મૃત્યુના સમાચારથી ભારતીય રમતગમત જગતમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.</p><p><b style="font-size: 2rem;">ગઢવાલથી લઈને વૈશ્વિક સ્ટેજ સુધી</b></p><p>28 જૂન, 1976 ના રોજ ઉત્તરાખંડના એક ગઢવાલી પરિવારમાં જન્મેલા જસપાલ રાણા રમતગમત પ્રત્યે સંવેદનશીલ પરિવારમાંથી આવ્યા હતા. તેમના પિતા, નારાયણ સિંહ રાણા, ભૂતપૂર્વ સૈન્ય અધિકારી હતા અને બાદમાં ઉત્તરાખંડના પ્રથમ રમતગમત મંત્રી બન્યા. તેમને બાળપણથી જ શૂટિંગ સંસ્કૃતિ વારસામાં મળી હતી, અને તેમના પિતા તેમના પ્રથમ કોચ બન્યા. માત્ર 12 વર્ષની ઉંમરે, તેમણે રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા દર્શાવી, જેના કારણે તેઓ ઝડપથી પ્રસિદ્ધિ પામ્યા.</p><h3><b>પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો&nbsp;</b></h3><p>પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિગ્ગજ શૂટર જસપાલ રાણાના અવસાન પર ઊંડી શોક વ્યક્ત કરી છે. તેમણે ટ્વિટર પર લખ્યું છે કે રાણાનું અવસાન ભારતીય રમતગમત જગત માટે એક ન ભરવાપાત્ર નુકસાન છે. વધુમાં જણાવ્યું કે તેઓ યુવા ખેલાડીઓ માટે માર્ગદર્શક હતા. હું બહુ દુઃખી છું. ખેલ જગતને મોટી ક્ષતિ. તેમણે ખેલ જગતમાં દેશનું માન વધાર્યુ.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/narendramodi/status/2065294856789033357"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><br></p><p>તેમણે 1988માં અમદાવાદમાં યોજાયેલી રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને રાષ્ટ્રીય ધ્યાન ખેંચ્યું.</p><p>ત્યારબાદ તેમણે 1994માં ઇટાલીના મિલાનમાં યોજાયેલી જુનિયર વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં વિશ્વ વિક્રમ નોંધાવીને આંતરરાષ્ટ્રીય સ્તરે સનસનાટી મચાવી.</p><p>તેમણે 1996ના એટલાન્ટા ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને 10-મીટર એર પિસ્તોલ અને 50-મીટર ફ્રી પિસ્તોલ ઇવેન્ટ્સમાં ભાગ લીધો.</p><h4><b>કોમનવેલ્થ ગેમ્સમાં સૌથી સફળ ભારતીય</b></h4><p><br></p><p>જસપાલ રાણાનું નામ કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં કોતરાયેલું છે.</p><p>- કુલ 15 મેડલ</p><p>- 9 ગોલ્ડ, 4 સિલ્વર, 2 બ્રોન્ઝ</p><p>- 1994, 1998, 2002 અને 2006માં સતત ચાર આવૃત્તિઓમાં મેડલ</p><p>2002ની માન્ચેસ્ટર કોમનવેલ્થ ગેમ્સ તેમની સૌથી સફળ આવૃત્તિ હતી, જ્યાં તેમણે ૬ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો.</p><p><br></p><h3><b>એશિયન ગેમ્સમાં ઐતિહાસિક પ્રદર્શન</b></h3><p>2006 દોહા એશિયન ગેમ્સમાં, તેમણે શાનદાર પ્રદર્શન કર્યું, જીત્યા:</p><p>3 ગોલ્ડ મેડલ</p><p>1 સિલ્વર મેડલ</p><p>તેમણે 25-મીટર સેન્ટર-ફાયર પિસ્તોલમાં 590 પોઈન્ટ મેળવીને વિશ્વ રેકોર્ડની બરાબરી કરી, જે તેમની કારકિર્દીની સૌથી પ્રતિષ્ઠિત ક્ષણ માનવામાં આવે છે.</p><h4><b>સન્માન અને રાષ્ટ્રીય માન્યતા</b></h4><p>તેમની સિદ્ધિઓ માટે, તેમને દેશના સર્વોચ્ચ રમતગમત અને નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા હતા:</p><p>&nbsp;અર્જુન એવોર્ડ (1994)</p><p>&nbsp;પદ્મશ્રી (1997)</p><p>&nbsp;દ્રોણાચાર્ય એવોર્ડ (2020 - કોચિંગ માટે)</p><p><br></p><p><a href="https://sandesh.com/gallery/news/lifestyle/this-district-is-considered-the-litchi-capital-of-india-know-which-one" target="_blank">આ પણ વાંચો-  આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?&nbsp;</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/zpYiI86qrOrY7G7TiRq9l1odb1dCGRc1kkx6cg5x.webp'/></item><item><title><![CDATA[TMKOC : રિયલ લાઇફમાં કુંવારા નથી તારક મહેતાના પોપટલાલ, પરિવારની વિરુદ્ધ જઈને કર્યા હતા લવ મેરેજ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/popatlal-from-tarak-mehta-ka-ooltah-chashmah-in-real-life-wife-love-marriage-family</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/popatlal-from-tarak-mehta-ka-ooltah-chashmah-in-real-life-wife-love-marriage-family</guid><pubDate>Fri, 12 Jun 2026 10:48:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં પત્રકાર પોપટલાલનું પાત્ર ભજવીને ઘરે-ઘરે મશહૂર થયેલા એક્ટર શ્યામ પાઠક આજે કોઈ ઓળખના મોહતાજ નથી. શોમાં તેમની દુલ્હનને લઈને શોધ ચાલુ છે અને તેઓ કુંવારા છે, પરંતુ અસલી જિંદગીમાં તેમના લગ્ન થઈ ચૂક્યા છે અને તેઓ ત્રણ બાળકોના પિતા છે. શ્યામ પાઠક 12 જૂને પોતાનો 54મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છે. 
</p><h2 style="text-align: justify; "><b>ત્રણ બાળકોના પિતા છે શ્યામ પાઠક
</b></h2><p style="text-align: justify; ">તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ છેલ્લા 18 વર્ષથી ઓડિયન્સનું એન્ટરટેઈનમેન્ટ કરતી આવી રહી છે. આ શોના દરેક પાત્રએ લોકોના દિલમાં પોતાનું એક અલગ સ્થાન બનાવ્યું છે, જેમાં એક નામ પત્રકાર પોપટલાલ ઉર્ફે શ્યામ પાઠકનું છે. આ શોને 18 વર્ષ પૂરા થઈ ગયા છે, પરંતુ આમાં પત્રકાર પોપટલાલના હજુ સુધી લગ્ન થઈ શક્યા નથી. દર વખતે શોમાં તેમનું દિલ તૂટી જાય છે તો કેટલીય વાર લગ્ન થતાં-થતાં રહી જાય છે. જો કે, રીયલ લાઈફમાં પોપટલાલ પરિણીત છે અને તેમને 3 બાળકો છે.
<br><img title="Shyam Pathak, TMKOC (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/06/12/1vEkLYAullBrN5fliI7UZ26jBHqoMHZKeI47jkkZ.webp"><br></p><h3 style="text-align: justify; "><b>પોતાની ક્લાસમેટ સાથે કર્યા લગ્ન
</b></h3><p style="text-align: justify; ">પત્રકાર પોપટલાલે વર્ષ 2003માં પોતાની ક્લાસમેટ રશ્મિ પાઠક સાથે લગ્ન કર્યા હતા. બંનેની પહેલી મુલાકાત નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા માં થઈ હતી. આ દરમિયાન બંને વચ્ચે દોસ્તી થઈ અને નિકટતા વધવા લાગી. આ દોસ્તી ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ તેની કોઈને ખબર ન પડી. મીડિયા રિપોર્ટ અનુસાર, શ્યામ અને રશ્મિનો પરિવાર તેમના લગ્નની વિરુદ્ધ હતો. બંનેએ પરિવારની વિરુદ્ધ જઈને NSD ના છેલ્લા દિવસના બરાબર એક દિવસ પહેલા એક આર્ય સમાજ મંદિરમાં લગ્ન કરી લીધા હતા.<br><img title="Shyam Pathak, TMKOC (2)" src="https://epapercdn.sandesh.com/images/2026/06/12/xWkjso75ARv8cSCjABGISSErRDU15RqFBk7tHYNQ.webp"><br></p><h4 style="text-align: justify; "><b>સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે શ્યામ પાઠક
</b></h4><p style="text-align: justify; ">શ્યામ પાઠક અને રશ્મિને ત્રણ બાળકો છે. એક દીકરી નિયતિ અને બે દીકરા પાર્થ તેમજ શિવમ. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દુનિયા હિલા દુંગા કહેનારા પોપટલાલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તેઓ અવારનવાર પોતાની ફેમિલી સાથે ફોટોઝ પણ શેર કરતા રહે છે. ફેમિલી સાથેના ફોટોઝમાં શ્યામ પાઠકને ઓળખવા થોડા મુશ્કેલ બની જાય છે.
</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/lata-mangeshkar-64-year-old-filmfare-winning-haunting-song" target="_blank">આ પણ વાંચો-Retro Music : 64 વર્ષ જૂનું લતા મંગેશકરનું આ ગીત જે આજે પણ રાતોની ઊંઘ ઉડાડી દે છે...!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/RFjfiwhOMlMcTxnkcNjg1F3w8ocTc9znAj0ZvETn.webp'/></item><item><title><![CDATA[West Bengal Politics:  કોણ છે TMCના બળવાખોર સાંસદો ? સ્પીકરને અલગ જૂથ બનાવવા કરી માગ ]]></title><link>https://sandesh.com/india/news/west-bengal-politics-who-are-the-rebel-mps-of-tmc-demand-to-form-a-separate-group-from-the-speaker</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/west-bengal-politics-who-are-the-rebel-mps-of-tmc-demand-to-form-a-separate-group-from-the-speaker</guid><pubDate>Fri, 12 Jun 2026 10:28:01 +05:30</pubDate><description><![CDATA[<p>પશ્ચિમ બંગાળમાં ટીએમસીની જબરદસ્ત હાર થઇ.આ હાર બાદ એવી અફવાઓ સામે આવી કે લગભગ 20 ટીએમસી સાંસદો બળવો કરી રહ્યા છે. આ દરમિયાન એક નવી યાદી બહાર આવી છે, જેમાં 19 સાંસદોના હસ્તાક્ષર છે. આ યાદીમાં સયોની ઘોષ અને યુસુફ પઠાણના નામ પણ શામેલ છે. </p><h2><b>18મેના રોજ સ્પીકરને લખ્યો હતો પત્ર</b></h2><p>સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે 18 મેના રોજ લોકસભા સ્પીકરના કાર્યાલયમાં પોતાના નામ સુપરત કર્યા હતા. અગાઉ ઘણા મીડિયા અહેવાલોમાં સૂચવવામાં આવ્યું હતું કે શત્રુઘ્ન સિંહાનો પણ મમતા બેનર્જી સામે બળવો કરનારા સાંસદોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનું નામ નવી યાદીમાંથી ગાયબ છે. આ પત્ર બળવાખોર જૂથે 18 મેના રોજ લખ્યો હતો. આ પત્ર પર સાંસદોના બળવાખોર જૂથના નેતા કાકોલી ઘોષ દસ્તીદાર સહિત અન્ય 17 સાંસદોના હસ્તાક્ષર છે. બાદમાં એક સાંસદે વિદ્રોહી જૂથને ટેકો આપતા સ્પીકરને અલગ પત્ર લખ્યો હતો.</p><h3><b>અલગ જૂથ બનાવવાની માગ</b></h3><p>જ્યારે સ્પીકરને આ પત્ર લખવામાં આવ્યો ત્યારે કાકોલી ઘોષ ટીએમસીના ચીફ વ્હીપ હતા. 20 મેના રોજ, ટીએમસીએ લોકસભા અધ્યક્ષને પત્ર લખીને જાણ કરી હતી કે કાકોલી ઘોષ દસ્તીદારને હટાવીને તેમની જગ્યાએ કલ્યાણ બેનર્જીને ચીફ વ્હીપ બનાવવામાં આવી રહ્યા છે. અલગ જૂથની માન્યતા માટેનો પત્ર કાકોલી જૂથ દ્વારા 18 મેના રોજ જ આપવામાં આવ્યો હતો.</p><p><img title="01" src="https://epapercdn.sandesh.com/images/2026/06/12/PjPcZtN3wZ9OkBJOn9qexO68kbh9nDVLeU2BVt55.webp"><br></p><h3><b>કાકોલી ઘોષને દાવો 20 સાંસદોએ બળવો કર્યો&nbsp;</b></h3><p>ટીએમસીના ચીફ વ્હીપ પદેથી હટાવ્યા પહેલા પણ, કાકોલી ઘોષે સ્પીકરને પત્ર લખીને દાવો કર્યો હતો કે તેમને ટીએમસીના 28 માંથી 20 સાંસદોનું સમર્થન છે. કાકોલી જૂથે જણાવ્યું હતું કે બંધારણની દસમી અનુસૂચિ હેઠળ, તેમની બાજુમાં પાર્ટીના 28 માંથી 20 સાંસદો છે. આ આંકડો બે તૃતીયાંશ કરતા વધુનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી, તેમને એક અલગ જૂથ ગણવા જોઈએ અને વિપક્ષી બેન્ચથી અલગ બેસવા જોઈએ.</p><h3><b>સ્પીકરને લખેલા પત્ર પર આ સાંસદોના હસ્તાક્ષર</b></h3><p>બળવાખોર ટીએમસી જૂથ વતી સ્પીકર ઓમ બિરલાને મોકલવામાં આવેલા પત્ર પર 18 સાંસદોના હસ્તાક્ષર છે. કાકોલી ઘોષ દસ્તીદાર પત્ર પર સહી કરનારા સૌપ્રથમ છે, ત્યારબાદ શતાબ્દી રોય, બાપી હલદર, ડૉ. શર્મિલા સરકાર, પ્રસૂન બંદોપાધ્યાય, જગદીશ બાસુનિયા અને અસિત કુમાર માલ છે.<br><img title="02" src="https://epapercdn.sandesh.com/images/2026/06/12/7DdPWNzdB0lJeJYiyAavNdimiOLqBrMoAUSzAmSQ.webp"><br></p><h4><b>યાદીમાં કયા નામો છે?</b></h4><ol><li>&nbsp;કાકોલી ઘોષ</li><li>.શતાબ્દી રોય</li><li>બાપી હલદર</li><li>&nbsp;ડૉ. શર્મિલા સરકાર</li><li>&nbsp;પ્રસૂન બંદોપાધ્યાય</li><li>&nbsp;જગદીશ બર્મા બાસુનિયા</li><li>&nbsp;અસિત કુમાર માલ</li><li>&nbsp;અરૂપ ચક્રવર્તી</li><li>.રચના બેનર્જી</li><li>.સયોની ઘોષ</li><li>&nbsp;ખલીલુર રહેમાન</li><li>&nbsp;અબુ તાહિર ખાન</li><li>.યુસુફ પઠાણ</li><li>&nbsp;મિતાલી બેગ</li><li>માલા રોય</li><li>કાલીપદ સોરેન</li><li>દીપક અધિકારી</li><li>&nbsp;જૂન માલિયા</li><li>&nbsp;પાર્થ ભૌમિક</li></ol><p>બળવાખોરોની યાદીમાં સૌથી આશ્ચર્યજનક નામ સયોની ઘોષનું છે. તે અભિષેક બેનર્જીની નજીક હોવાનું કહેવાય છે. તે પાર્ટીના લોકપ્રિય ચહેરા તરીકે પણ ઉભરી આવી છે. જો તે બળવાખોર જૂથમાં જોડાય છે, તો તે મમતા બેનર્જી માટે મોટો ફટકો હશે. સયોની જાધવપુર મતવિસ્તારમાંથી લોકસભા સાંસદ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે તાજેતરમાં પક્ષની અંદરના રાજકીય ઉથલપાથલ વચ્ચે કાકોલી ઘોષનો સંપર્ક કર્યો હતો.</p><p><br></p><h4><b>કીર્તિ આઝાદે બળવાખોર સાંસદોની યાદી અંગે પ્રશ્નો ઉઠાવ્યા</b></h4><p>ગુરુવારે (11 જૂન) પહેલા, ટીએમસી સાંસદ કીર્તિ આઝાદે, બળવા અંગેની અટકળો અને ટીએમસી છોડી રહેલા નેતાઓની યાદી અંગેના સસ્પેન્સ અંગે સમાચાર એજન્સી આઈએએનએસ સાથે વાત કરતા કહ્યું હતું કે, "દરરોજ એક નવી યાદી બહાર આવે છે. એક દિવસે 19 નામો હોય છે, બીજા દિવસે ત્રણ નામ બદલાય છે, અને પછી અલગ અલગ નામોવાળી બીજી યાદી બહાર આવે છે. આ યાદીઓ બદલાતી રહે છે અને તેમની કોઈ વિશ્વસનીયતા નથી.</p><p><br></p><p>તેમણે વધુમાં કહ્યું, "જો કોઈ છોડવા માંગે છે, તો તે કરી શકે છે. પરંતુ પાર્ટી છોડ્યા પછી, તેમણે તૃણમૂલ કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો ન કરવો જોઈએ. જો તેઓ ભાજપમાં જોડાવા અથવા મર્જ કરવાનો ઇરાદો ધરાવે છે, તો તેમણે ખુલ્લેઆમ આવું કરવું જોઈએ."</p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/pLK2RIn8zkRsa6UbK9TN4pzcQT9D4JAwIOy5nPAg.webp'/></item><item><title><![CDATA[Vadodara : ફતેપુરામાં સુફિયાન પઠાણે અંગત અદાવતમાં જાહેરમાં કર્યું 4 રાઉન્ડ ફાયરિંગ, પોલીસે 3 ની કરી ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-fatehpura-firing-incident-ramraj-hotel-sufiyan-pathan-three-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-fatehpura-firing-incident-ramraj-hotel-sufiyan-pathan-three-arrested</guid><pubDate>Fri, 12 Jun 2026 10:21:27 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠાવતી એક સરેઆમ ફાયરિંગની ઘટના સામે આવી છે. શહેરના ફતેપુરા કુંભારવાડા વિસ્તારમાં આવેલી રામરાજ હોટેલ પાસે અચાનક ફાયરિંગ થતાં ભારે ચકચાર મચી ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>&nbsp;અંગત અદાવત રાખીને આડેધડ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું 
</b></h2><p style="text-align: justify; ">પ્રાથમિક માહિતી અનુસાર, સુફિયાન પઠાણ નામના શખ્સે અંગત અદાવત રાખીને આડેધડ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સદનસીબે આ ભયાનક ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જેનાથી તંત્રે મોટી રાહતનો શ્વાસ લીધો છે.
</p><h2 style="text-align: justify; "><b>સુફિયાન  નશાનો વેપલો ચલાવતો હોવાનો ગંભીર આરોપ
</b></h2><p style="text-align: justify; ">સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, મુખ્ય આરોપી સુફિયાન પઠાણ વિસ્તારમાં નશાનો વેપલો ચલાવતો હોવાનો ગંભીર આરોપ છે. સ્થાનિક લોકો જ્યારે આ અસામાજિક પ્રવૃત્તિઓ સામે અવાજ ઉઠાવે છે કે તેને ટોકે છે, ત્યારે પોતાની ધાક અને દાદાગીરી ફેલાવવા માટે તે આવી હિંસક કરતૂતો કરે છે. 
</p><h3 style="text-align: justify; "><b>ગોળીબાર કરીને ભયનું વાતાવરણ ઊભું કર્યું
</b></h3><p style="text-align: justify; ">ગઈકાલે પણ વાત વધી જતાં તેણે પોતાની બંદૂકમાંથી હવામાં અને આસપાસ ગોળીબાર કરીને ભયનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ વડોદરા પોલીસનો ઉચ્ચ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
</p><h4 style="text-align: justify; "><b>પોલીસે 3 આરોપીની ધરપકડ કરી
</b></h4><p style="text-align: justify; ">પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને તુરંત એક્શન મોડમાં આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કાયદો હાથમાં લેનારા આ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માગ વચ્ચે પોલીસે અત્યાર સુધીમાં મુખ્ય આરોપી સહિત 3 લોકોની ધરપકડ કરી લીધી છે. પોલીસ હાલ આ ગુનામાં વપરાયેલું હથિયાર ક્યાંથી આવ્યું અને આ ઘટના પાછળ અન્ય કયા લોકો સામેલ છે તે દિશામાં ઝીણવટભરી પૂછપરછ ચલાવી રહી છે. સ્થાનિકોએ આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની પણ માગ કરી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-gujarat-latest-news-live-and-samachar-12-june-2026-politics-weather-updates-daily-breaking-news-natio-1" target="_blank"><b>Gujarat Latest News Live: અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, 260 જિંદગીઓ હોમાઇ હતી</b></a></p><p style="text-align: justify; "><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/PhQpP4EWwV43AMX3jFd1PrTkpBK97aW5R7nj9bsq.webp'/></item><item><title><![CDATA[Jamnagar: સાયચા ગેંગના ગેરકાયદે આશરા તોડી પડાયા, બેડેશ્વરમાં 16 કરોડની સરકારી જમીન કરાવાઈ દબાણ મુક્ત ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/jamnagar/administration-runs-bulldozer-on-saycha-gangs-illegal-properties-at-bedeshwar-16-crore-land-freed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/jamnagar/administration-runs-bulldozer-on-saycha-gangs-illegal-properties-at-bedeshwar-16-crore-land-freed</guid><pubDate>Fri, 12 Jun 2026 10:13:26 +05:30</pubDate><description><![CDATA[<p>જામનગરના બેડી અને બેડેશ્વર વિસ્તારમાં લાંબા સમયથી આતંકનો પર્યાય બનેલી સાયચા ગેંગની ગેરકાયદેસર રીતે વસાવેલી મિલકતોને જમીનદોસ્ત કરવાનું કામ વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં સવારે જ ભારે પોલીસ કાફલા સાથે ૪ જેસીબી મશીનો ધણધણી ઉઠ્યા હતા, જેને જોઈને ગેરકાયદેસર બાંધકામ કરનારા તત્વોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.</p><h2><b>ગુજસીટોક ગુનાનો હિસાબ ચૂકતે કરાયો</b></h2><p>નોંધનીય છે કે, ગત 21 મે ના રોજ જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા સાયચા ગેંગના મુખ્ય સૂત્રધારો સહિત 11 સાગ્રીતો વિરૂદ્ધ ગુજસીટોક જેવો કડક ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગેંગના સભ્યો લોકભોગ્ય અને સરકારી જમીનો પર બળજબરીથી કબ્જો કરી, ત્યાં પાકા બાંધકામો અને વ્યાપારી એકમો ઉભા કરીને કાળી કમાણી કરતા હતા. અગાઉ પણ આ ગેંગના કેટલાક સભ્યોના ગેરકાયદે આશરા તોડી પડાયા હતા, અને આજે તેનો બીજો તબક્કો શરૂ કરાયો છે.</p><h3><b>16 કરોડની સરકારી જમીન માફિયા મુક્ત</b></h3><p>આજના મેગા ડિમોલિશન અંગે માહિતી આપતા વહીવટી અધિકારીઓએ જણાવ્યું કે, બેડીના પાણખાણ વિસ્તાર નજીક આવેલા અંદાજે 8 જેટલા મોટા ગેરકાયદેસર કોમર્શિયલ અને રેસિડેન્શિયલ દબાણોને સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યા છે. આ સમગ્ર ઓપરેશન દરમિયાન અંદાજે 1 કરોડ 17 લાખની જંત્રી કિંમત ધરાવતી, પરંતુ બજાર ભાવ પ્રમાણે આશરે 16 કરોડની કિંમતની કુલ 12,950 ચોરસ મીટર સરકારી જમીન પિશાચી પંજામાંથી મુક્ત કરાવી પ્રશાસને હસ્તગત કરી લીધી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/amreli/7-year-old-child-of-laborer-killed-by-lion-family-at-bagasra-amreli-visavadar-border" target="_blank">આ પણ વાંચો: Amreli: ઘંટિયાણ ગામે વાડીમાંથી 7 વર્ષના બાળકને ઉપાડી જઈ સિંહ પરિવારે ફાડી ખાધો, મૃતદેહ દોઢ કિલોમીટર દૂરથી મળ્યો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/vv4B5cQblNDjor0MARK8awcedhLP4c6AtX8eciQi.webp'/></item><item><title><![CDATA[Asian Gamesના ગોલ્ડ મેડલિસ્ટ અને દિગ્ગજ શૂટિંગ કોચ જસપાલ રાણાનું નિધન ]]></title><link>https://sandesh.com/sports/breakingnews/legendary-indian-shooting-coach-jaspal-rana-passes-away</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/breakingnews/legendary-indian-shooting-coach-jaspal-rana-passes-away</guid><pubDate>Fri, 12 Jun 2026 10:05:45 +05:30</pubDate><description><![CDATA[<div style="text-align: justify;">પ્રખ્યાત ભારતીય શૂટિંગ કોચ જસપાલ રાણાનું શુક્રવારે અવસાન થયું છે. રાણા એશિયન ગેમ્સના ભૂતપૂર્વ સુવર્ણ ચંદ્રક વિજેતા છે અને ઓલિમ્પિકમાં બે વાર મેડલ જીતી ચૂકેલી સ્ટાર નિશાનેબાજ મનુ ભાકરના કોચ રહી ચૂક્યા છે. રાણાનું 49 વર્ષની વયે અવસાન થયું છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે જર્મનીથી પરત ફર્યા બાદ અચાનક જ તેમની તબિયત બગડી ગઈ હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, તેમનું નિધન કયા કારણે થયું તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી.</div><h2 style="text-align: justify; "><b>મ્યુનિખ વર્લ્ડ કપથી પરત ફર્યા બાદ તબિયત લથડી
</b></h2><div><div style="text-align: justify;">રાણા મ્યુનિખમાં આઈએસએસએફ (ISSF) વર્લ્ડ કપ પછી જર્મનીથી પરત ફર્યા હતા. તેઓ હાલમાં ભારતીય પિસ્તોલ શૂટર્સના હાઈ પરફોર્મન્સ કોચ તરીકે કાર્યરત હતા. ભારતીય ટીમે આ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને બે સુવર્ણ તેમજ બે રજત ચંદ્રક જીત્યા હતા.</div><div style="text-align: justify;"><img title="Jaspal Rana, Jaspal Rana passes away" src="https://epapercdn.sandesh.com/images/2026/06/12/BhIKYwWl0MOXAmMzW068MEbiwH7aJBMZiilDZkoJ.webp"></div></div><h3 style="text-align: justify; "><b>એરપોર્ટ પરથી સીધા હોસ્પિટલ ખસેડાયા
</b></h3><div style="text-align: justify; ">નેશનલ રાઈફલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (NRAI) ના એક સૂત્રએ જણાવ્યું કે, હા, જસપાલને ફ્લાઈટમાં કેટલીક તકલીફો થઈ રહી હતી અને દિલ્હીમાં ઉતર્યા બાદ તેઓ સીધા હોસ્પિટલ ગયા હતા. ત્યાં, તેમની તપાસ કરવામાં આવી અને સ્ટેન્ટ મૂકવામાં આવ્યું હતું.<br><a href="https://sandesh.com/entertainment/news/jennifer-lopez-office-romance-movie-63-countries-on-ott" target="_blank">આ પણ વાંચો-Trending Movie : 3 દિવસમાં 63 દેશોમાં નંબર વન બની આ ફિલ્મ, દુનિયાભરમાં છવાયો ક્રેઝ!</a></div><div style="text-align: justify; "><br></div><div>
</div> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/H8bMFswyQnVxRzyzSnwvfO1HcYZUOawhYs6hZ0LZ.webp'/></item><item><title><![CDATA[Ahmedabad Plane Crash: સેકન્ડોની અંદર સેંકડો સપનાઓનો સામૂહિક જનાજો, પરિવારની વેદનાની વાચા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-plane-crash-first-anniversary</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-plane-crash-first-anniversary</guid><pubDate>Fri, 12 Jun 2026 09:44:12 +05:30</pubDate><description><![CDATA[<p>12 જૂન, 2025... આ એ કાળી તારીખ છે જેને અમદાવાદ, ગુજરાત કે આખો દેશ ક્યારેય ભૂલી નહીં શકે. એ સાંજે 230થી વધુ મુસાફરોને લઈને એર ઈન્ડિયાનું બોઈંગ વિમાન (ફ્લાઈટ AI 171) અમદાવાદ એરપોર્ટ પરથી હસતા-રમતા ચહેરે લંડન જવા માટે રવાના થયું હતું. પરંતુ કોને ખબર હતી કે, આ ઉડાન તેમના જીવનની આખરી ઉડાન બની જશે. ટેક ઓફ કર્યાની માત્ર 32થી 35 સેકન્ડમાં જ પ્લેન મેડિકલ કોલેજ અને અતુલ્યમ બિલ્ડિંગ પાસે તૂટી પડ્યું હતું. આ ભયાનક અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ મુસાફરો અને જમીન પર રહેલા લોકો સહિત સેંકડો જિંદગીઓ પળવારમાં હોમાઈ ગઈ.</p><p><img title="America White house 1 - 2026-06-11T232745.987" src="https://epapercdn.sandesh.com/images/2026/06/11/9mMGXWrwCbfNCXWgpfsSzDkZftNa2ctKJ3OV7iiL.webp"><br></p><p> </p><p>આ કાળજું કંપાવનારી ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. પીડિત પરિવારોને વળતરના મોટા વાયદાઓ મળ્યા છે, પરંતુ જમીની હકીકત એ છે કે, તેમનો વિલાપ હજુ શમ્યો નથી. ભીની આંખે પરિવારો આજે પણ સાચા ન્યાય અને તપાસ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. આ ભયાનક દુર્ઘટનામાં વિમાનમાં સવાર મુસાફરો અને બહારના લોકો સહિત અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આજે આ ગોઝારી ઘટનાને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ પીડિત પરિવારોના આંસુ હજુ સુકાયા નથી. વળતર ભલે મળ્યું હોય, પણ પરિવારો આજે પણ ન્યાય અને ફાઇનલ તપાસ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.</p><h2><b>ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલોટ્સ: 'તપાસ પક્ષપાતી છે, પાઇલોટ નિર્દોષ હતા'</b></h2><p>ઘટનાના એક વર્ષ બાદ ફેડરેશન ઓફ ઈન્ડિયન પાઈલોટ્સ (FIP)ના પ્રેસિડેન્ટ સી. એસ. રંધાવાએ પત્રકાર પરિષદ યોજીને તપાસ એજન્સીઓ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે, 11 જુલાઈ 2025ના રોજ આવેલા પ્રિલિમિનરી રિપોર્ટમાં એન્જિન ક્યારે ફેલ થયા તેના ટાઈમિંગ મેચ થતા નથી. રિપોર્ટમાં એવો ખોટો દાવો કરાયો હતો કે, પાઈલોટે ફ્યુઅલ સ્વીચ બંધ કરી દીધી હતી અને પાઈલોટનું માનસિક સંતુલન ઠીક ન હતું. રંધાવાએ આક્ષેપ કર્યો કે, જ્યારે પણ આવી ઘટનામાં પાઈલોટ શહીદ થાય છે, ત્યારે તપાસ એજન્સીઓ દોષનો ટોપલો પાઈલોટ પર ઢોળી દે છે. વાસ્તવમાં ફ્યુઅલ સપ્લાય ટેકનિકલ ખામીને કારણે જાતે બંધ થયો હતો.</p><p><img title="America White house 1 - 2026-06-11T200028.040" src="https://epapercdn.sandesh.com/images/2026/06/11/yC6iXcyejsKa5opwvImMrjtg9p6rOM1bvsR0C9H5.webp"><br></p><h2><b>કંપનીઓને વહેલી ક્લીનચીટ</b></h2><p>તપાસ કરનારી સંસ્થા AAIB (એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો)માં કોઈ ટેકનિકલ એક્સપર્ટ નથી, પરંતુ બે રિટાયર્ડ અધિકારીઓ પાસે તપાસ કરાવાઈ રહી છે. પ્લેન બનાવતી ત્રણેય મોટી કંપનીઓ (બોઈંગ, હનીવેલ વગેરે)ને તપાસની શરૂઆતમાં જ ક્લીનચીટ આપી દેવાઈ અને ઈલેક્ટ્રિક સિસ્ટમની કોઈ તપાસ જ ન થઈ. બ્લેક બોક્સ ડીકોડ કરવા માટે બે વાર યુએસએ મોકલવું પડ્યું હતું. FIP આ મામલે સરકારને પત્ર લખી પારદર્શક તપાસની માગ કરી રહ્યું છે અને સુપ્રીમ કોર્ટ તરફથી ન્યાયની આશા રાખી રહ્યું છે. આ સાથે જ સેફ્ટી મેટર્સ ફાઉન્ડેશનના અમિત સિંહે પણ જણાવ્યું કે, ભવિષ્યમાં આવી હોનારતોમાં જીવ બચાવવા સેફ્ટી બેલ્ટની સિસ્ટમ બદલવી જરૂરી છે.</p><h2><b>તપાસ એજન્સી (AAIB): 'ટેકનિકલ રિપોર્ટ અને પ્રક્રિયા ચાલુ છે'</b></h2><p>એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) અને DGCA ના અધિકારીઓ પોતાના સ્તરે તપાસ ચલાવી રહ્યા હોવાનો દાવો કરે છે. 11 જુલાઈ 2025ના રોજ એક પ્રિલિમિનરી રિપોર્ટ જાહેર કરાયો હતો. બ્લેક બોક્સને ડી-કોડ કરવા માટે બે વાર યુએસએ (USA) મોકલવામાં આવ્યું હતું. જોકે, એજન્સી પર એવા આક્ષેપો છે કે, તપાસ ટીમમાં કોઈ એવિએશન એક્સપર્ટ નથી અને માત્ર બે રિટાયર્ડ અધિકારીઓ ભરોસે તપાસ ચાલી રહી છે. ઘટનાને એક વર્ષ થવા છતાં ફાઇનલ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી.</p><h2><b>પૂર્વ CM વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી: 'અમને તપાસ એજન્સી પર સંપૂર્ણ ભરોસો છે'</b></h2><p>આ ભયાનક દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ જીવ ગુમાવ્યો હતો. તેમના પુત્ર ઋષભ રૂપાણીએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું કે, પિતાના જવાથી પડેલો શૂન્યાવકાશ ક્યારેય ભરી શકાય તેમ નથી. માથેથી પિતૃછત્ર ગુમાવવું એ ખુલ્લામાં એક્સપોઝ થવા જેવું છે, પરંતુ તેમના વિચારો જ અમને જીવવાની શક્તિ આપે છે." પિતાની સ્મૃતિમાં 'વિજય રૂપાણી મેમોરિયલ ફાઉન્ડેશન'ની સ્થાપના કરી યુવા, મહિલા અને સેવાના કાર્યો કરવાની તેમણે વાત કરી હતી. સક્રિય રાજકારણમાં પ્રવેશ અંગે તેમણે સ્પષ્ટ કર્યું કે, તેમની આવી કોઈ ભૂમિકાનો સવાલ જ નથી. તપાસ અંગે તેમણે ઉમેર્યું કે, "સમગ્ર કેસમાં હજુ તપાસ ચાલુ છે. પીડિત પરિવારો અને એર ઈન્ડિયા વચ્ચે વાતચીત થઈ છે. અમને તપાસ એજન્સી પર સંપૂર્ણ ભરોસો છે અને રિપોર્ટમાં તમામ સાચી વિગતો બહાર આવશે જ. હવે આ બાબતને ચોળીને ચીકણી કરવાનો કોઈ અર્થ નથી."</p><p><img title="Ahmedabad Plane Crash 1 Year: FIP Slams AAIB Investigation, Victims Wait for Final Report" src="https://epapercdn.sandesh.com/images/2026/06/11/I48OR4BWiSPwArTXXVznfCbQ3blVBk7R9YLRxgNs.webp"><br></p><h2><b>મોડાસાના પટેલ પરિવાર - 'હસતી-રમતી દીકરીની આખરી વિદાય'</b></h2><p>આ વિમાન દુર્ઘટનાએ કેટલાય પરિવારોના હસતા-રમતા સપનાઓને રોળી નાખ્યા છે. મોડાસાના ખંભીસર ગામના એક પટેલ પરિવાર માટે આ ઘટના ક્યારેય ન પુરાનારી ખોટ છે. 23 વર્ષની દીકરી જયશ્રી પટેલના લગ્ન લંડન રહેતા યુવક સાથે થયા હતા. લગ્નના 4 મહિના બાદ વિઝા મળતાં આખો પરિવાર ભારે ઉત્સાહ સાથે તેને અમદાવાદ એરપોર્ટ મુકવા આવ્યો હતો. દીકરી પ્લેનમાં બેઠી અને પરિવાર ખુશી-ખુશી વતન પરત ફરી રહ્યો હતો, ત્યાં જ 35 સેકન્ડમાં પ્લેન ક્રેશ થવાના સમાચાર મળ્યા. આજે એક વર્ષ પછી પણ પરિવાર દીકરીની તસવીર હાથમાં રાખીને ચોધારા આંસુએ રડી રહ્યો છે.</p><p><img title="America White house 1 - 2026-06-11T232114.198" src="https://epapercdn.sandesh.com/images/2026/06/11/DLWUqV1l0WxkabdVL2813xre3gXyUj8khR0ftIQK.webp"><br></p><h2><b>નરોડાના અનિલ પટેલના જીવનનો આખરી સહારો છીનવાયો</b></h2><p>આવી જ એક હૃદયદ્રાવક કહાની નરોડાના અનિલભાઈ પટેલની છે. વર્ષો પહેલાં પત્નીનું અવસાન થયા બાદ જીવનના છેલ્લા પડાવમાં તેમનો દીકરો અને પુત્રવધૂ જ તેમનો એકમાત્ર સહારો હતા. દીકરો લંડનમાં નોકરી કરતો હતો અને વહુ અભ્યાસ પૂરો કરીને નવી જિંદગી શરૂ કરી રહી હતી. વર્ષોની મહેનત પછી જ્યારે સુખનો સમય આવ્યો, ત્યારે આ પ્લેન ક્રેશે વૃદ્ધ પિતાનો એ સહારો પણ છીનવી લીધો. આજે અનિલભાઈના ઘરમાં માત્ર એક સળગતો સન્નાટો અને અસહ્ય પીડા બાકી રહી ગયા છે.</p><p><img title="Ahmedabad Plane Crash 1 Year: FIP Slams AAIB Investigation, Victims Wait for Final Report" src="https://epapercdn.sandesh.com/images/2026/06/11/NKuKC4KSZ4HFYgWwQeh8IDHxPNToxJ1uw0kpZ1pl.webp"><br></p><h2><b>જંબુસરના સાહીલ પટેલના પરિવાર: 'વળતર નહીં, ન્યાય જોઈએ'</b></h2><p>જંબુસરના સારોદ ગામના યુવાન સાહીલ પટેલ પણ આ ફ્લાઈટમાં લંડન જવા નીકળ્યા હતા. હસતા ચહેરે ઘરેથી નીકળેલા સાહીલના અવસાનથી સમગ્ર પરિવારમાં આજે પણ ગમગીનીનો માહોલ છે. ભાજપ અગ્રણી સલીમ ગડદુએ પોતાના પુત્રને ગુમાવ્યાના અસહ્ય દુઃખ વચ્ચે સરકાર પાસે નિષ્પક્ષ તપાસની માગ કરી છે. પરિવારનું કહેવું છે કે, દુર્ઘટના બાદ માત્ર આશ્વાસનો મળ્યા છે, પરંતુ એર ઈન્ડિયા કે ટાટા ગ્રુપ તરફથી હવે કોઈ યોગ્ય પ્રતિસાદ મળતો નથી. આ ઘટનામાં જે પણ જવાબદાર હોય તેની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ.</p><p><img title="America White house 1 - 2026-06-11T232304.985" src="https://epapercdn.sandesh.com/images/2026/06/11/E1YwBmXgO64wpGfQRv8WlGPYhTANeOKZtUiKCBGa.webp"><br></p><h2><b>વડોદરાના મહેશ્વરી પરિવાર: 'વૃદ્ધાવસ્થાનો સહારો છીનવાયો'</b></h2><p>વડોદરાના મહાદેવ તળાવ પાસે રહેતા મુકેશ મહેશ્વરીના જુવાનજોધ દીકરા ભાવિકનું આ અકસ્માતમાં મોત થયું હતું. મુકેશભાઈને બે સંતાનો છે, જેમાં એક બાળક દિવ્યાંગ છે. ભાવિક છેલ્લા 5 વર્ષથી લંડનમાં નોકરી કરીને માતા-પિતાને આર્થિક સહારો આપતો હતો. મે મહિનામાં જ તે વડોદરા આવ્યો ત્યારે તેની સગાઈ થઈ હતી અને આગામી થોડા મહિનામાં લગ્ન થવાના હતા. માતા-પિતા માટે હવે કરોડો રૂપિયાનું વળતર કોડી સમાન છે, દીકરાના ગયા પછી તેમના સંસારમાં હવે કોઈ મોહ રહ્યો નથી. અમારો તો વૃદ્ધાવસ્થાનો સહારો છીનવાયો છે. તેમણે જણાવ્યું હતું કે, એક વર્ષ થાય કે 10 વર્ષ થાય આ એક એવી ખોટ છે, જે ક્યારેય પૂરી થશે નહીં. અમારો તો સહારા સમાન મોટો દીકરો ગુમાવ્યો છે. મને તો હવે જીવન રસ રહ્યો નથી. મને વળતરની અપેક્ષા નથી, હું વળતર પાછું આપવા તૈયાર છું, જે જવાબદારો છે, તેમની સામે કાર્યવાહી કરવામાં આવે. મૃતકની માતાએ જણાવ્યું કે, અમે 25 વર્ષનો દીકરો ગુમાવ્યો છે. એના ગયા પછી આજે પણ એવું થાય છે કે હમણા તે બારણુ ખોલશે. અમારી એક જ માગ છે કે, જે જવાબદાર છે તેમને સજા આપો.</p><p><img title="Ahmedabad Plane Crash 1 Year: FIP Slams AAIB Investigation, Victims Wait for Final Report" src="https://epapercdn.sandesh.com/images/2026/06/11/kyLwnxTmrUiZMhX8r3HTUE6CTMJrxQv53fFqaDCX.webp"><br></p><h2><b>અકસ્માતનો ભોગ બનેલા આઉટસાઇડર: 'અણધારી કાળઝાળ'</b></h2><p>અમદાવાદના નરોડાના રહેવાસી અને ફિલ્મમેકર મહેશ જીરાવાલા આ અકસ્માતનો ભોગ બન્યા ત્યારે તેઓ પ્લેનની અંદર નહોતા, પરંતુ બહાર મોપેડ પરથી પસાર થઈ રહ્યા હતા. પ્લેનની તૂટેલી પાંખની અડફેટે આવતા તેમનું મોત નીપજ્યું હતું અને 9 દિવસ બાદ તેમનો મૃતદેહ મળ્યો હતો. મહેશના પિતા ગિરધરભાઈ આજે પણ દીકરાની યાદમાં ભાવુક થઈ જાય છે. મહેશનું સપનું માતા-પિતાને સારું ઘર આપવાનું હતું. તેના મૃત્યુ બાદ મળેલા વળતરમાંથી નરોડામાં નવું ઘર તો ખરીદાયું, પણ આ નવા ઘરમાં પ્રવેશતી વખતે પરિવારની આંખોમાં ખુશી નહીં, પણ દીકરાની ખોટની અસહ્ય પીડા હતી. મહેશના પ્રેમલગ્ન 2025ના માર્ચ મહિનામાં વડોદરાની હેતલ પ્રજાપતિ સાથે થયા હતા. લગ્નના ગણતરીના મહિનાઓમાં જ પતિ ગુમાવનાર હેતલ જણાવે છે કે, 1 કરોડ 25 લાખનું વળતર મળ્યા બાદ પારિવારિક વિવાદો ઊભા થયા છે. કંપનીએ કરિયરની તક આપવાની ખાતરી આપી હતી પણ કશું થયું નથી.</p><p><img title="Ahmedabad Plane Crash 1 Year: FIP Slams AAIB Investigation, Victims Wait for Final Report" src="https://epapercdn.sandesh.com/images/2026/06/11/qD8EydzlacYnhv6QHYVHo4wvm3vF8DQFoBLOSWVw.webp"><br></p><h2><b>અમદાવાદ ફાયર બ્રિગેડ: 'રૂવાડા ઉભા કરી દેતું રેસ્ક્યુ ઓપરેશન'</b></h2><p>અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને તેમની ટીમે જમીની સ્તરે જે જોયું તે કંપાવી દેનારું હતું. 12 જૂનની બપોરે 1.38 વાગ્યે નરોડા ફાયર સ્ટેશન પર હોટલાઈન કોલ આવ્યો હતો. પ્લેનમાં ફ્યુઅલ (બળતણ) ખૂબ વધારે હોવાથી બ્લાસ્ટ એટલો વિકરાળ હતો કે, આખું બિલ્ડિંગ બ્લેક થઈ ગયું હતું. હીટ (ગરમી) એટલી તીવ્ર હતી કે પક્ષીઓ અને શ્વાન પણ બળેલી હાલતમાં મળ્યા હતા. ફાયર વિભાગના 650 જવાનો અને 91 વાહનોએ સતત 8 કલાક સુધી ઝઝૂમીને 5.30 લાખ લીટર પાણીનો મારો ચલાવ્યો હતો અને મેડિકલ કોલેજની હોસ્ટેલમાંથી 28 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.</p><p><img title="Ahmedabad Plane Crash 1 Year: FIP Slams AAIB Investigation, Victims Wait for Final Report" src="https://epapercdn.sandesh.com/images/2026/06/11/fmqZr2yHj9FVJv1bt8lt2VSlHPRYRimJS5ybVVKv.webp"><br></p><h2><b>અંતિમ રિપોર્ટમાં ભારે વિલંબ, આગામી સપ્તાહે મંત્રાલયની મોટી બેઠક</b></h2><p>અમદાવાદ પ્લેન દુર્ઘટનાને એક વર્ષ વીતી ગયું હોવા છતાં, અકસ્માત પાછળના સાચા કારણોનો અંતિમ તપાસ અહેવાલ હજુ સુધી જાહેર કરાયો નથી. રિપોર્ટ ક્યારે બહાર આવશે તેની કોઈ સ્પષ્ટતા નથી. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી અઠવાડિયે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા આ બાબતે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાવા જઈ રહી છે, જેમાં તપાસની પ્રગતિ અને રિપોર્ટમાં થઈ રહેલા વિલંબ અંગે ગંભીર ચર્ચા કરવામાં આવશે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2065126266488148069"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>સેકન્ડોની અંદર સેંકડો સપનાઓનો સામૂહિક જનાજો</b></h2><p>આ કોઈ સામાન્ય અકસ્માત નહોતો, આ સેકન્ડોની અંદર સેંકડો સપનાઓનો સામૂહિક જનાજો હતો. કોઈનું ઘર નવું બન્યું પણ દીકરો ન રહ્યો, કોઈની હજુ સગાઈ જ થઈ હતી, તો કોઈ લગ્ન કરીને સપનાના દેશ લંડન જઈ રહ્યું હતું. વળતરની રકમો કદાચ બેંકના ખાતાઓ ભરી શકે, પણ એ મા-બાપ, પત્ની કે સંતાનોના હૃદયનો ખાલીપો ક્યારેય ભરી શકશે નહીં. પરિવારો આજે પણ ભીની આંખે કેલેન્ડરના પાના બદલાતા જોઈ રહ્યા છે અને એક જ સવાલ પૂછી રહ્યા છે - "અમારા સ્વજનોનો ગુનો શું હતો, અને સાચો તપાસ રિપોર્ટ ક્યારે આવશે?" પીડિત પરિવારો આજે પણ ન્યાયની આશામાં કેલેન્ડરના પાના ઉથલાવી રહ્યા છે.</p><p><br></p><p>આ પણ વાંચો -&nbsp;<a href="https://sandesh.com/india/news/gujarat/ahmedabad/12-june-top-news-india-world-history-weather-alert" target="_blank"> વાંચો 12 જૂનના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/11/gVPkp8mf3D3G74IJaILhLBjMjJvsay2dCLFsZuAM.webp'/></item><item><title><![CDATA[Petrol Diesel Today: સરકારનો મોટો નિર્ણય, હવે આ ગ્રાહકોને નહીં મળે પેટ્રોલ ડીઝલ ]]></title><link>https://sandesh.com/business/news/petrol-diesel-today-big-decision-of-the-government-now-these-customers-will-not-get-petrol-diesel</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/petrol-diesel-today-big-decision-of-the-government-now-these-customers-will-not-get-petrol-diesel</guid><pubDate>Fri, 12 Jun 2026 09:42:10 +05:30</pubDate><description><![CDATA[<p>મધ્ય પૂર્વના તણાવ વચ્ચે, મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલ અંગે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે દેશભરના પેટ્રોલ પંપો પરથી મોટા પ્રમાણમાં ઔદ્યોગિક પેટ્રોલ અને ડીઝલની ખરીદી પર પોતાની પકડ કડક બનાવી દીધી છે. સરકારી આદેશ અનુસાર, ઔદ્યોગિક, વાણિજ્યિક અને સંસ્થાકીય વપરાશકર્તાઓને પેટ્રોલ પંપો પરથી પેટ્રોલ અને ડીઝલ ખરીદવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તેમને જથ્થાબંધ વેચાણ બિંદુઓ પરથી તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે કહેવામાં આવ્યું છે.</p><p></p><h2><b>વેચાણ પર નવા નિયંત્રણો&nbsp;</b></h2>સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા જાહેરનામા મુજબ, રિટેલ આઉટલેટ્સમાંથી મોટર સ્પિરિટ અને હાઇ-સ્પીડ ડીઝલ (HSD) ના વેચાણ પર નવા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આ નવા નિયમો હેઠળ, કોઈપણ વાહન કે ગ્રાહક એક જ દિવસમાં પેટ્રોલ પંપ પરથી 200 લિટરથી વધુ હાઇ-સ્પીડ ડીઝલ ખરીદી શકશે નહીં. વાણિજ્યિક અને સંસ્થાકીય ગ્રાહકોને રિટેલ પેટ્રોલ પંપ પરથી સીધા ઇંધણ ખરીદવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સમગ્ર વ્યવસ્થા શરૂઆતમાં આગામી 90 દિવસ સુધી અમલમાં રહેશે.<p></p><h3><b>આ પ્રતિબંધ 90 દિવસ સુધી અમલમાં&nbsp;</b></h3><p>પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ અને ડીઝલની જથ્થાબંધ ખરીદી પર સરકારના પ્રતિબંધો 90 દિવસ સુધી અમલમાં રહેશે, જોકે નવા સરકારી આદેશ દ્વારા તેને લંબાવી શકાય છે. પીટીઆઈના અહેવાલ મુજબ, કેટલાક વિસ્તારોમાં ડીઝલની માંગમાં અસામાન્ય વધારો જોવા મળ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું હતું, કારણ કે જથ્થાબંધ વપરાશકર્તાઓએ ભાવ તફાવતને કારણે પેટ્રોલ પંપ પરથી બળતણ ખરીદવાનું શરૂ કર્યું હતું.</p><p>ડીઝલના ભાવમાં આ તફાવત એટલા માટે ઉભો થયો કારણ કે રાજ્યની માલિકીની તેલ કંપનીઓએ ફેબ્રુઆરીના અંતમાં મધ્ય પૂર્વ કટોકટી પછી થયેલા ખર્ચ વધારાથી સામાન્ય ગ્રાહકોને બચાવવા માટે છૂટક ભાવોને નિયંત્રણમાં રાખ્યા હતા. જ્યારે જથ્થાબંધ વપરાશકર્તાઓ, જેમ કે ટેલિકોમ ટાવર અને વીજ ઉત્પાદન અને અન્ય જરૂરિયાતો માટે ડીઝલનો ઉપયોગ કરતા ઉદ્યોગો, પાસેથી બજાર ભાવ વસૂલવામાં આવે છે, છૂટક પંપ દર ખર્ચ કરતા નોંધપાત્ર રીતે ઓછા છે.&nbsp;</p><p><br></p><p><b style="font-size: 1.5rem;">સરકારે કેમ લીધો આ નિર્ણય ?&nbsp;</b></p><ul><li>11  જૂનના રોજ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે "મોટર સ્પિરિટ અને હાઇ સ્પીડ ડીઝલ (રિટેલ આઉટલેટ્સ દ્વારા સપ્લાયનું કામચલાઉ નિયમન) ઓર્ડર, 2026" જાહેર કર્યો. તેણે પેટ્રોલ અને ડીઝલ રિટેલર્સ અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) ને 90 દિવસના સમયગાળા માટે રિટેલ આઉટલેટ્સમાંથી જથ્થાબંધ ખરીદી પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો.</li><li>સરકારે જણાવ્યું હતું કે વિશ્વના કેટલાક ભાગોને અસર કરતી વર્તમાન ભૂરાજકીય પરિસ્થિતિને કારણે આ કાર્યવાહી જરૂરી હતી, જેણે વૈશ્વિક તેલ પુરવઠા શૃંખલા, શિપિંગ લોજિસ્ટિક્સ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની ઉપલબ્ધતા પર પ્રતિકૂળ અસર કરી છે.</li><li>સરકારે જણાવ્યું હતું કે  રિટેલ સ્ટેશનો દ્વારા મોટા પાયે ખરીદી સામાન્ય ગ્રાહકો માટે પુરવઠો બદલી શકે છે. સ્થાનિક અછત તરફ દોરી શકે છે, જેનાથી સામાન્ય માણસ માટે આવશ્યક સેવાઓમાં વિક્ષેપ પડી શકે છે.</li></ul><p><br></p><h4><b>200 લિટર પ્રતિ દિવસ મર્યાદા</b></h4><p><br></p><p>આ આદેશમાં જણાવાયું છે કે, મધ્ય પૂર્વ તણાવની આસપાસની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, દેશના કેટલાક ભાગોમાં રિટેલ આઉટલેટ્સ દ્વારા તેલના વેચાણમાં તીવ્ર વધારો થયો છે.</p><p>આ મુખ્યત્વે ઔદ્યોગિક, વાણિજ્યિક અને સંસ્થાકીય ગ્રાહકો દ્વારા છૂટક અને જથ્થાબંધ ભાવમાં તફાવતને કારણે રિટેલ આઉટલેટ્સમાંથી તેલ ખરીદીને કારણે છે. તેથી, તેમને છૂટક ઇંધણ સ્ટેશનોમાંથી તેલ ખરીદવાની મનાઈ રહેશે અને તેના બદલે તેઓ પોતાના ગ્રાહક પંપ દ્વારા પુરવઠો મેળવશે.</p><p><br></p><p><a href="https://sandesh.com/gallery/news/lifestyle/this-district-is-considered-the-litchi-capital-of-india-know-which-one" target="_blank">આ પણ વાંચો- આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?&nbsp;</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/dBghdPTZoymzrobGD6glfqdFvXneRjGmp62TbXH2.webp'/></item><item><title><![CDATA[Ahmedabad Plane Crash: 1 વર્ષે મોટી હલચલ, ક્રેશ સાઇટ પર પહોંચી BDDS ટીમ, બ્રિટિશ હાઈ કમિશનના અધિકારીઓ પણ મુલાકાતે ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-plane-crash-anniversary-bdds-team-british-high-commission-visit-investigation</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-plane-crash-anniversary-bdds-team-british-high-commission-visit-investigation</guid><pubDate>Fri, 12 Jun 2026 09:33:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદમાં બનેલી ગોઝારી પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે, ત્યારે ક્રેશ સાઇટ પર ફરી એકવાર મોટી હલચલ જોવા મળી રહી છે. આ કાળજું કંપાવનારી ઘટનાની પ્રથમ વરસીએ જ આજે સવારથી બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ ની ટીમ તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ સાથે જ બ્રિટિશ હાઈ કમિશનના ઉચ્ચ અધિકારીઓ પણ આજે ક્રેશ સાઇટની મુલાકાત લેવાના હોવાથી આખો મામલો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>260 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા
</b></h2><p style="text-align: justify; ">બરાબર એક વર્ષ પહેલાં એર ઇન્ડિયાનું વિમાન લંડન જવા માટે રવાના થયું હતું અને ટેક-ઓફની ગણતરીની સેકન્ડોમાં જ તૂટી પડ્યું હતું, જેમાં 260 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. 
</p><h3 style="text-align: justify; "><b>ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો 
</b></h3><p style="text-align: justify; ">બ્રિટિશ હાઈ કમિશનના અધિકારીઓની આ મુલાકાત પાછળનું મુખ્ય કારણ એ છે કે આ ફ્લાઈટ લંડન જઈ રહી હતી અને તેમાં ઘણા બ્રિટિશ નાગરિકો તેમજ એનઆરઆઈ સાફરો પણ સામેલ હતા. વિદેશી પ્રતિનિધિઓની મુલાકાતને પગલે ઘટનાસ્થળ અને તેની આસપાસ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
</p><h4 style="text-align: justify; "><b>&nbsp;તપાસ હાલ પણ યથાવત 
</b></h4><p style="text-align: justify; ">સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ભયાનક હોનારતને એક વર્ષ વીતી ગયું હોવા છતાં સમગ્ર ઘટનાની તપાસ હાલ પણ યથાવત અને ચાલુ સ્થિતિમાં છે. BDDS ટીમ દ્વારા ક્રેશ સાઇટના કાટમાળ અને બિલ્ડિંગની આસપાસ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જેથી કોઈ નવો પુરાવો કે કડી મળી શકે. 
</p><h4 style="text-align: justify; "><b>ફાઇનલ તપાસ રિપોર્ટની ભીની આંખે રાહ
</b></h4><p style="text-align: justify; ">એક તરફ પીડિત પરિવારો હજુ પણ સાચા ન્યાય અને ફાઇનલ તપાસ રિપોર્ટની ભીની આંખે રાહ જોઈ રહ્યા છે, ત્યારે આજે વરસીના દિવસે એજન્સીઓની આ દોડધામથી આખી દુર્ઘટનાના રહસ્યો પરથી પડદો ઊંચકાશે કે કેમ તે જોવું રહ્યું.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-gujarat-latest-news-live-and-samachar-12-june-2026-politics-weather-updates-daily-breaking-news-natio-1" target="_blank"><b>Gujarat Latest News Live: અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, 260 જિંદગીઓ હોમાઇ હતી</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/f67URX8CkBOBgmUJqTlLffv3XEFsDzUpQHU2coRy.webp'/></item></channel></rss>