<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Vadodara News: કરજણ નગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ, બપોર બાદ મેઘરાજાનું આગમન ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-news-rainy-weather-in-rural-areas-including-karjan-nagar-arrival-of-megharaja-in-the-afternoon</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-news-rainy-weather-in-rural-areas-including-karjan-nagar-arrival-of-megharaja-in-the-afternoon</guid><pubDate>Thu, 18 Jun 2026 17:06:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા જિલ્લાના કરજણ પંથકમાં લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ અંતે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. કરજણ નગર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું. દિવસભરના ભારે વાદળછાયા વાતાવરણ અને બફારા બાદ, બપોર પછી અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો અને પંથકમાં વરસાદનું આગમન થતાં સ્થાનિક રહીશોએ ભારે ગરમીમાંથી મોટી રાહત અનુભવી છે.</p><h2 style="text-align: justify; ">મિયાગામ, કરમડી અને કુરાઈમાં વરસાદી ઝાપટાં</h2><p style="text-align: justify; ">કરજણ નગરની સાથે-સાથે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચોમાસાની જમાવટ જોવા મળી રહી છે. તાલુકાના મિયાગામ, કરમડી અને કુરાઈ જેવા અનેક ગામોમાં પવનના સૂસવાટા સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા. ગ્રામ્ય પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે શરૂ થયેલા આ વરસાદને કારણે સમગ્ર પંથકનું વાતાવરણ આહલાદક અને ઠંડુંગાર બની ગયું છે. રસ્તાઓ પાણી-પાણી થઈ જતાં વાહનચાલકોને થોડી મુશ્કેલી પડી હતી, પરંતુ ગરમી શાંત થતાં લોકોમાં ખુશીનો માહોલ છે.</p><h3 style="text-align: justify; ">વરસાદના આગમનથી જગતનો તાત આનંદિત</h3><p style="text-align: justify; ">ચોમાસાની રાહ જોઈને બેઠેલા કરજણ તાલુકાના ધરતીપુત્રોમાં આ વરસાદી માહોલને પગલે ભારે આનંદની લાગણી વ્યાપી ગઈ છે. મિયાગામ અને આસપાસના કૃષિ પ્રધાન વિસ્તારોમાં વરસાદ પડતાં જ ખેડૂતો હવે વાવણીના કાર્યોની તૈયારીમાં જોતરાઈ ગયા છે. આ પ્રારંભિક વરસાદ આગામી દિવસોમાં સારા ચોમાસાના સંકેત આપી રહ્યો છે, જેને કારણે સ્થાનિક વેપારીઓ અને ગ્રામજનોમાં પણ આગામી સીઝનને લઈને વ્યાપક ઉત્સાહ જોવા મળી રહ્યો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/18/MFvTIC4QZnBLgIzP5amxvJUGWDN7lRgnmZ8jY1SX.webp'/></item><item><title><![CDATA[Land Acquisition:શું તમારી જમીન પર પણ બની રહ્યું છે એરપોર્ટ? જાણો સરકાર પ્રતિ વીઘા કેટલા રૂપિયા ચૂકવે છે ]]></title><link>https://sandesh.com/india/news/land-acquisition-is-an-airport-being-built-on-your-land-too-find-out-how-much-the-government-pays-per-bigha-and-what-are-the-compensation-rules</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/land-acquisition-is-an-airport-being-built-on-your-land-too-find-out-how-much-the-government-pays-per-bigha-and-what-are-the-compensation-rules</guid><pubDate>Thu, 18 Jun 2026 17:03:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દેશમાં જ્યારે પણ કોઈ નવું એરપોર્ટ, હાઈવે કે અન્ય સરકારી પ્રોજેક્ટ શરૂ થાય છે, ત્યારે સૌથી મોટો પ્રશ્ન જમીન સંપાદન (Land Acquisition) અને ખેડૂતોને મળતા વળતર (મુઆવજા) નો હોય છે. નોઈડાના જેવર ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી પ્રથમ કોમર્શિયલ ફ્લાઈટ શરૂ થયા બાદ, દેશભરમાં જમીનના વળતરને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. જો ભવિષ્યમાં કોઈ સરકારી પ્રોજેક્ટ માટે તમારી જમીન, ખેતર કે પ્લોટ લેવામાં આવે, તો તમને પ્રતિ વીઘા કેટલા પૈસા મળી શકે છે, તેનો સંપૂર્ણ હિસાબ અહીં સમજો.</p><h2 style="text-align: justify; "><b>પ્રતિ વીઘા કેટલા રૂપિયા મળે છે?</b></h2><p style="text-align: justify; ">સરકાર જ્યારે પણ કોઈ મોટા પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરે છે, ત્યારે વળતરની રકમ સંપૂર્ણપણે તે વિસ્તારની લોકેશન અને માર્કેટ વેલ્યુ (બજાર કિંમત) પર નિર્ભર કરે છે. સામાન્ય રીતે જોવામાં આવે તો, સરકાર અલગ-અલગ રાજ્યોમાં ખેડૂતોને પ્રતિ એકર આશરે 1 કરોડથી લઈને 2.5 કરોડ સુધીનું વળતર આપે છે. જો આ ગણિતને સામાન્ય ભાષામાં પ્રતિ વીઘાના રેટમાં સમજીએ, તો તે આશરે 20 લાખથી લઈને 60 લાખ રૂપિયા પ્રતિ વીઘા જેટલું થાય છે. જોકે, આ દર રાજ્ય અને વિસ્તારના આધારે બદલાઈ શકે છે.</p><h3 style="text-align: justify; "><b>કઈ રીતે નક્કી થાય છે જમીનનો ભાવ?</b></h3><p style="text-align: justify; ">સરકાર જમીનનો ભાવ પોતાની મરજીથી નક્કી નથી કરતી, પરંતુ તેના માટે દેશમાં એક મજબૂત કાયદો છે. વર્ષ 2013 ના 'ભૂમિ સંપાદન, પુનર્વસન અને પુનઃવ્યવસ્થાપનમાં ઉચિત વળતર અને પારદર્શિતાના અધિકાર અધિનિયમ' હેઠળ આ નિયમો બનેલા છે.</p><p style="text-align: justify; ">ગ્રામીણ વિસ્તાર: જો તમારી જમીન ગામડામાં આવતી હોય, તો સરકાર ત્યાંની વર્તમાન માર્કેટ વેલ્યુ કરતાં બે થી ચાર ગણું વધુ વળતર આપે છે.</p><p style="text-align: justify; ">શહેરી વિસ્તાર: જો જમીન શહેરી વિસ્તારમાં હોય, તો માલિકને બજાર કિંમત કરતાં બમણી (બે ગણી) રકમ વળતર તરીકે મળે છે.</p><h4 style="text-align: justify; "><b>મકાન, કુવા અને ઝાડ-પાનના અલગથી પૈસા!</b></h4><p style="text-align: justify; ">સરકાર માત્ર ખાલી જમીનના જ પૈસા નથી આપતી, પરંતુ તે જમીન પર રહેલી દરેક વસ્તુનું મૂલ્યાંકન કરવામાં આવે છે. જો જમીન પર કોઈ કાચું-પાકું મકાન, કુવો, ટ્યુબવેલ કે વૃક્ષો હોય, તો સરકારી અધિકારીઓ તેની બજાર કિંમત આંકશે. ત્યારબાદ તે રકમ પર ૧૦૦% વધારાનું નુકસાની વળતર (જેને સોલેશિયમ કહેવાય છે) ઉમેરીને બમણી રકમ ચૂકવવામાં આવે છે.</p><h5 style="text-align: justify; "><b>ઘર, નોકરી અને વ્યાજનો પણ ફાયદો</b></h5><p style="text-align: justify; ">જમીનની કિંમત ઉપરાંત સરકાર વિસ્થાપિત થતા પરિવારોને 'પુનર્વસન પેકેજ' આપે છે. જેમના ઘર પ્રોજેક્ટમાં જતા રહે છે, તેમને રહેવા માટે અલગ પ્લોટ અથવા મકાન બનાવવા માટે દોઢ લાખ કે તેથી વધુની એકમુકત રકમ મળે છે. આ સિવાય, સરકાર જમીન સંપાદનની નોટિસ જાહેર કરે તે તારીખથી લઈને ખરેખર પૈસા મળે ત્યાં સુધીના સમયગાળાનું ૧૨ ટકાની દરે વધારાનું વ્યાજ પણ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/world/news/canada-strict-immigration-policy-is-back-canadas-population-has-recorded-a-major-decline-will-the-government-relax-the-rules-again" target="_blank">આ પણ વાંચો:Canada:ઇમિગ્રેશનની કડક નીતિ નડી! કેનેડાની વસ્તીમાં નોંધાયો મોટો ઘટાડો, શું સરકાર ફરીથી નિયમો હળવા કરશે?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/18/ZRIOydFxBKnhpwZpvQtUrKM7m2uF3YpHnY8eORtw.webp'/></item><item><title><![CDATA[Bhavnagar મેડિકલ કોલેજમાં સિનિયરોના આતંકથી ફફડી ઉઠ્યા વિદ્યાર્થીઓ, કોલેજ કેમ્પસમાં ચુસ્ત માહોલ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/students-in-bhavnagar-medical-college-panicked-due-to-seniors-terror-tense-atmosphere-on-the-college-campus</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/students-in-bhavnagar-medical-college-panicked-due-to-seniors-terror-tense-atmosphere-on-the-college-campus</guid><pubDate>Thu, 18 Jun 2026 16:55:48 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભાવનગર સરકારી મેડિકલ કોલેજમાંથી શિક્ષણ જગતને શર્મસાર કરતી એક મોટી ઘટના સામે આવી છે. કોલેજના ઓર્થોપેડિક વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા 13 જેટલા જુનિયર વિદ્યાર્થીઓ ક્રૂર રેગિંગનો ભોગ બન્યા છે. આરોપ છે કે, આ જ વિભાગના 6 સિનિયર ડોક્ટરોએ માનવતાની તમામ હદો વટાવીને આ જુનિયર વિદ્યાર્થીઓનું એક-બે દિવસ નહીં, પરંતુ છેલ્લા 5 મહિનાથી અલગ-અલગ પ્રકારે સતત શોષણ અને રેગિંગ ચાલુ રાખ્યું હતું. તબીબી ક્ષેત્રે ભવિષ્ય બનાવવા આવેલા યુવાનો આ સિનિયરોના ત્રાસથી ફફડી ઉઠ્યા હતા.</p><h2 style="text-align: justify; ">5 મહિના સુધી અલગ-અલગ પ્રકારે અપાતો હતો ત્રાસ</h2><p style="text-align: justify; ">ભોગ બનનાર જુનિયર તબીબો પાસેથી મળતી વિગતો મુજબ સિનિયર ડોક્ટરો દ્વારા છેલ્લા 5 માસથી તેમનું શારીરિક અને માનસિક શોષણ કરવામાં આવતું હતું. અલગ-અલગ બહાને તેમને મોડી રાત સુધી હેરાન કરવા, માનસિક ટોર્ચર કરવું અને ધાક-ધમકીઓ આપવી જેવી પ્રવૃત્તિઓ બેરોકટોક ચાલી રહી હતી. ભવિષ્ય બગડવાના ડરે વિદ્યાર્થીઓ અત્યાર સુધી આ અત્યાચાર મૂંગા મોઢે સહન કરી રહ્યા હતા, પરંતુ અંતે પાણી માથા પરથી જતાં સમગ્ર મામલો કોલેજ પ્રશાસન અને એન્ટી રેગિંગ કમિટી સમક્ષ પહોંચ્યો છે.</p><h3 style="text-align: justify; ">સાંજે 5 કલાકે એન્ટી રેગિંગ કમિટીની મહત્વની બેઠક</h3><p style="text-align: justify; ">આ ગંભીર અને ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ભાવનગર મેડિકલ કોલેજ તંત્ર તાબડતોબ એક્શનમાં આવ્યું છે. સમગ્ર મામલાની તપાસ અને દોષિતોને સજા આપવા માટે આજે જ સાંજે 5 કલાકે એન્ટી રેગિંગ કમિટીના સભ્યોની એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી છે. તેમજ ભોગ બનનાર વિદ્યાર્થીઓના નિવેદનો અને પુરાવાઓની ચકાસણી કરવામાં આવશે. કમિટીની બેઠક પૂર્ણ થયા બાદ રેગિંગ કરનારા તમામ 6 સિનિયર ડોક્ટરો સામે સસ્પેન્શન કે પોલીસ ફરિયાદ સહિતના કડક અને દાખલારૂપ નિર્ણયો લેવાય તેવી પૂરેપૂરી સંભાવના છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/18/tsHlaiOb35Xm3YDbV6f2warK9jBw4g7KhRA32uyE.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: કોલવડામાં જનઆક્રોશ, મેયર ઓફિસે હોબાળા બાદ કમિશનર એક્શનમાં! ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/kolavada-residents-protest-at-gmc-mayor-office-civic-issues</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/kolavada-residents-protest-at-gmc-mayor-office-civic-issues</guid><pubDate>Thu, 18 Jun 2026 16:54:42 +05:30</pubDate><description><![CDATA[<p>ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ કોલવડા ગામના રહીશો લાંબા સમયથી પાયાની સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે. વારંવારની રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા ગ્રામજનોમાં પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો હતો. ગુરૂવારે મોટી સંખ્યામાં કોલવડાના ગ્રામજનો ગાંધીનગર કોર્પોરેશન કચેરી ખાતે ધસી ગયા હતા. ગામ લોકોએ મેયર ઓફિસ સામે જોરદાર સૂત્રોચ્ચાર સાથે હોબાળો મચાવ્યો હતો.</p><h2><b>પાયાની સમસ્યાઓથી જનતા ત્રસ્ત</b></h2><p>સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ગામમાં રસ્તા બિસ્માર હાલતમાં છે, ગટર લાઈનો ઉભરાઈ રહી છે અને પીવાના શુદ્ધ પાણીની પણ વિકટ સમસ્યા છે. ચોમાસાની શરૂઆત પહેલા જ આવી સ્થિતિ હોવાથી ગ્રામજનોનું જીવવું દુષ્કર બન્યું છે. આ અંગે સ્થાનિક કોર્પોરેટરને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ સમસ્યા જસની તસ રહી છે.</p><h2><b>'મત લેવા આવતા નેતાઓ યાદ રાખે'</b></h2><p>ગાંધીનગર મનપા કચેરીએ પહોંચેલા રોષે ભરાયેલા નાગરિકો અને મહિલાઓએ લોકશાહીના ઢબે વિરોધ નોંધાવતા રાજકીય નેતાઓને આકરી ચેતવણી આપી છે. ગ્રામજનોએ સાફ શબ્દોમાં જણાવ્યું છે કે, ચૂંટણી ટાણે મોટા-મોટા વાયદા કરીને મત લઈ જનારા નેતાઓ હવે મોઢું બતાવતા નથી. જો અમારી સમસ્યાઓ હલ નહીં થાય, તો આગામી ચૂંટણીમાં કોઈ પણ પક્ષને ગામમાંથી મત નહીં મળે. અમે કડક રીતે મતદાનનો બહિષ્કાર કરીશું.</p><p><img title="Gandhinagar News: Kolavada Residents Protest at GMC Over Civic Issues" src="https://epapercdn.sandesh.com/images/2026/06/18/UXLH5Jl6HhyfnWd68jsvE0VIcUTbi01SNoVanQCv.webp"><br></p><h2><b>ગાંધીનગર મનપા કમિશનરની મધ્યસ્થી અને બાંહેધરી</b></h2><p>ગાંધીનગર મેયર ઓફિસ બહાર મામલો વધુ ગરમાતા આખરે મનપા કમિશનરે મધ્યસ્થી કરવી પડી હતી. કમિશનરે આક્રોશિત ગ્રામજનોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને તેમની તમામ ફરિયાદો સાંભળી હતી. મામલો થાળે પાડવા માટે કમિશનરે સત્તાવાર બાંહેધરી આપી છે કે, 1 સપ્તાહની અંદર કોલવડા ગામના રસ્તા, ગટર અને પાણીની તમામ પ્રાથમિક સમસ્યાઓનો કાયમી નિકાલ લાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવશે. કમિશનરની આ ખાતરી બાદ ગ્રામજનો શાંત પડ્યા હતા, પરંતુ જો સમયસર કામ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/cm-bhupendra-patel-travels-by-vande-bharat-train-to-valsad" target="_blank">Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ વંદેભારત ટ્રેનમાં બેસી વલસાડ રવાના થયા</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/18/O7GI9TD9luja5AXURivUBQcnvpiF93T0y9mAjklG.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ વંદેભારત ટ્રેનમાં બેસી વલસાડ રવાના થયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/cm-bhupendra-patel-travels-by-vande-bharat-train-to-valsad</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/cm-bhupendra-patel-travels-by-vande-bharat-train-to-valsad</guid><pubDate>Thu, 18 Jun 2026 16:52:36 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડાપ્રધાન મોદીએ કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ કર્યા છે. આ કાર્યકાળની ઉજવણી રાજ્યમાં કરવામાં આવી રહી છે. બીજી તરફ વડાપ્રધાન દ્વારા ઈંધણ બચાવવા માટે કરવામાં આવેલી હાકલને લઈને મંત્રીઓ અને અધિકારીઓ હવે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યાં છે. તેના ભાગ રૂપે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ગાંધીનગરથી વંદેભારત ટ્રેન મારફતે નવસારી જવા રવાના થયા હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વંદેભારત ટ્રેનમાં મુસાફરો સાથે ચર્ચાઓ કરી હતી.&nbsp;</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DZuRbxWFGR1/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA%3D%3D" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DZuRbxWFGR1/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA%3D%3D" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a><br><br><br></p><h2 style="text-align: justify; "><b>મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટ્રેનમાં બેસી વલસાડ જવા રવાના થયા</b></h2><p style="text-align: justify; ">આજે ગાંધીનગર રેલવે સ્ટેશનથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વંદે ભારત ટ્રેનમાં બેસીને વલસાડ જવા રવાના થયા હતાં. તેમની સાથે ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ જોડાયા હતાં. બંને નેતાઓ ટ્રેન મારફતે વલસાડ જવા રવાના થયા હતાં. વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવેલી ઈંધણ બચાવવાની હાકલને લોકો સુધી પહોંચાડવા અને લોકોને આ મુદ્દે જાગૃત કરવા મુખ્યમંત્રીએ પોતાના કાફલાની જગ્યાએ ટ્રેનમાં મુસાફરી કરી હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ એસટી બસ અને ટ્રેનમાં મુસાફરી કરી રહ્યાં છે.&nbsp;&nbsp;</p><h3 style="text-align: justify; "><b>આ કાર્યક્રમ પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલો છે</b></h3><p style="text-align: justify; ">નવસારી જિલ્લાના ખેરગામ અને ચીખલી ખાતે બે દિવસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમ પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલો છે. મુખ્યમંત્રીના કાર્યક્રમને લઈને અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેવાઈ હતી. વલસાડ અને નવસારી રેલવે સ્ટેશનની આસપાસ વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છતા શરૂ કરી દેવાઈ હતી. ટ્રાફિક વ્યવસ્થા અને ગેરકાયદે દબાણો દૂર કરવાની પણ કામગીરી હાથ ધરાઈ હતી.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/farmers-demand-10-hours-electricity-and-irrigation-water" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: ગરમીને કારણે ખેડૂતોના પાક સુકાવાની ભીતિ, પાણી અને વીજળી માટે મુખ્યમંત્રીને રજૂઆત</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/18/QYwnb58u4cwmc7YFXgvpvVqnyqcl2dJtCbZar5zQ.webp'/></item><item><title><![CDATA['Telegram આતંકી ગતિવિધિઓનો અડ્ડો બન્યું', હાઈકોર્ટમાં કેન્દ્ર સરકારે કરી દલીલ ]]></title><link>https://sandesh.com/india/news/centre-tells-high-court-telegram-hub-for-terrorist-activities-ban-case</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/centre-tells-high-court-telegram-hub-for-terrorist-activities-ban-case</guid><pubDate>Thu, 18 Jun 2026 16:30:59 +05:30</pubDate><description><![CDATA[<p>મેસેજિંગ એપ ટેલિગ્રામ પર લાગેલા અસ્થાયી પ્રતિબંધને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે કોર્ટમાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. સરકારનું કહેવું છે કે ટેલિગ્રામ આતંકવાદી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે સૌથી સરળ અને અનુકૂળ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. ટેલિગ્રામ દ્વારા પ્રતિબંધ સામે કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો છે અને મામલો હાલમાં ન્યાયિક વિચારણા હેઠળ છે.</p><h2><b>ટેલિગ્રામના પ્રતિનિધિઓને તેમની વાત રજૂ કરવાની સંપૂર્ણ તક આપવામાં આવી</b></h2><p>સુનાવણી પહેલાં સોલિસિટર જનરલે કોર્ટને જણાવ્યું હતું કે સરકાર તરફથી આ કેસમાં વિગતવાર જવાબ કોર્ટ રજિસ્ટ્રીમાં દાખલ કરવામાં આવ્યો છે. આ જવાબ સત્તાવાર રેકોર્ડનો ભાગ બન્યા બાદ કેસની આગળની સુનાવણી હાથ ધરવામાં આવશે. સરકારે કોર્ટને એ પણ જણાવ્યું કે ટેલિગ્રામના પ્રતિનિધિઓને તેમની વાત રજૂ કરવાની સંપૂર્ણ તક આપવામાં આવી હતી. તેમની રજૂઆતો અને ત્યારબાદ થયેલી તપાસના તારણો પણ રેકોર્ડમાં નોંધવામાં આવ્યા છે. સરકારના જણાવ્યા અનુસાર આ સમગ્ર મામલાની સમીક્ષા એક ઉચ્ચસ્તરીય સમિતિએ કરી હતી, જેનું નેતૃત્વ કેબિનેટ સચિવે કર્યું હતું.</p><h3><b>સરકાર દ્વારા ઈમરજન્સી સત્તાઓનો ઉપયોગ કરવામાં આવ્યો?</b></h3><p>સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પૂછ્યું હતું કે જો સરકાર દ્વારા ઈમરજન્સી સત્તાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો 48 કલાકની અંદર અસરગ્રસ્ત પક્ષને સાંભળવાની તક આપવી જરૂરી બને છે. તેના જવાબમાં સરકારે સ્પષ્ટ કર્યું કે ટેલિગ્રામને યોગ્ય તક આપવામાં આવી હતી. સરકારના જણાવ્યા અનુસાર ટેલિગ્રામના કેટલાક ફીચર્સ યુઝર્સની ઓળખ અને સ્થાન શોધવાનું મુશ્કેલ બનાવે છે. આ કારણે છેતરપિંડી કરનારાઓ અને અન્ય ગેરકાયદેસર તત્વો દ્વારા તેનો દુરુપયોગ થતો હોવાના આરોપો છે.</p><h4><b>માત્ર એપ પર પ્રતિબંધ મૂકવાથી લીકની સમસ્યા અટકશે નહીં</b></h4><p>તાજેતરમાં NEET પરીક્ષા પેપર લીક મામલાને ધ્યાનમાં રાખીને સરકારે પરીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી ટેલિગ્રામ પર એક અઠવાડિયાનો પ્રતિબંધ મૂક્યો છે. જોકે, ટેલિગ્રામના CEOએ આ નિર્ણયનો વિરોધ કરતાં જણાવ્યું છે કે માત્ર એપ પર પ્રતિબંધ મૂકવાથી લીકની સમસ્યા અટકશે નહીં. હાલ સમગ્ર મામલો કોર્ટમાં પેન્ડિંગ હોવાથી હવે આગામી નિર્ણય પર સૌની નજર છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/manipur-army-assam-rifles-destroy-militant-hideouts-major-operation" target="_blank">આ પણ વાંચો : Manipur : સેના અને આસામ રાઈફલ્સની મોટી કાર્યવાહી, ઉગ્રવાદી સંગઠનોના ઠેકાણાં કર્યા ધ્વસ્ત</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/18/JRuiZe1eSL2UZ9cJq3olEVTRv5Zmg4MVVMDc945x.webp'/></item><item><title><![CDATA[TRP : ટોપ 5માંથી બહાર ફેંકાયો શો અનુપમા, ક્યોંકી સાસ...ના રેટિંગ્સ ગગડ્યા, આ સીરિયલે મારી બાજી ]]></title><link>https://sandesh.com/entertainment/news/top-20-trp-list-anupamaa-out-of-top-5-ratings-update</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/top-20-trp-list-anupamaa-out-of-top-5-ratings-update</guid><pubDate>Thu, 18 Jun 2026 16:29:56 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">TRP ચાર્ટમાં આ વખતે પણ ગંગા માઈ કી બેટિયાંનો જ સિક્કો ચાલી રહ્યો છે. આ શો સતત શાનદાર પ્રદર્શન કરતા પહેલા પાયદાન પર મજબૂતીથી ટકેલો છે. બીજા નંબર પર વસુધાએ પોતાની પકડ ઢીલી થવા દીધી નથી અને સ્થિર બનેલી છે. ત્રીજા નંબર પર ઝી ટીવીના જ તૂમ સે તૂમ તક એ પોતાનો દમ બતાવતા ટોપ 3 માં જગ્યા સુરક્ષિત રાખી છે.</p><h2 style="text-align: justify; "><b>નાગિન 7ની લાગી લોટરી, અનુપમાને લાગ્યો મોટો ઝટકો!</b></h2><p style="text-align: justify; ">આ અઠવાડિયાનું સૌથી મોટું સરપ્રાઇઝ નાગિન 7ના મેકર્સ માટે રહ્યું છે. પોતાના સીઝન ફિનાલે તરફ વધી રહેલા આ શોએ TRPના રિપોર્ટ કાર્ડ પર જબરદસ્ત કુદકો લગાવ્યો છે અને કલર્સ ટીવીનો આ શો સીધો ચોથા નંબર પર પહોંચી ગયો છે. TRPની રેસમાં અવારનવાર ટોપ પર રહેતા શો અનુપમા માટે આ અઠવાડિયું પણ ખૂબ જ નિરાશાજનક રહ્યું. શોના રેટિંગમાં મોટો ઘટાડો આવ્યો છે, જેના કારણે તે સરકીને છઠ્ઠા નંબર પર આવી ગયો છે. અનુપમાનું રેટિંગ આ વખતે 1.4 ટીવીઆર નોંધવામાં આવ્યું છે. બીજી તરફ, એકતા કપૂરનો શો ક્યોંકી સાસ ભી કભી બહૂ થી ઓછા માર્જિનથી જ સાચું, પરંતુ ટોપ 5 માં પોતાની જગ્યા બચાવવામાં સફળ રહ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>નવા શો અને રિયાલિટી શોની કેવી રહી હાલત?</b></h3><p style="text-align: justify; ">નવો શો બરેલી કે બચ્ચન એ 1.2 ટીવીઆર સાથે ઠીક-ઠાક શરૂઆત કરી છે અને આ યાદીમાં 11 મા નંબર પર છે. ડાન્સ રિયાલિટી શો ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સરએ પણ 1.1 ટીવીઆર સાથે પોતાની નવી સફરની શરૂઆત કરતા 16 મા નંબર પર જગ્યા બનાવી છે. કોમેડી અને કુકિંગનો તડકો લગાવનારો શો લાફ્ટર શેફ્સ સીઝન 3 સાતમા નંબર પર ટ્રેન્ડ કરી રહ્યો છે. લેટ-નાઇટ સ્લોટમાં આવવા છતાં જગદ્ધાત્રીનો જાદુ ચાલી ગયો છે અને 1.4 ટીવીઆર સાથે આ આઠમા નંબર પર છે.<br><img title="Top 20 TRP list 2026" src="https://epapercdn.sandesh.com/images/2026/06/18/mcsLikbrKdO9UjB5pSr4Uszrbo2O4iOwn5rlHiBW.webp"><br></p><p style="text-align: justify; ">આ અઠવાડિયાની TRP યાદી જોઈને સાફ છે કે દર્શકોનો મૂડ ઝડપથી બદલાઈ રહ્યો છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે આવતા અઠવાડિયે અનુપમા પોતાની ખોવાયેલી બાદશાહત પાછી મેળવે છે કે પછી નાગિનનો જાદુ આવી જ રીતે યથાવત રહે છે!</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/preity-zinta-bombay-high-court-sue-google-meta" target="_blank">આ પણ વાંચો-Preity Zintaને બોમ્બે હાઈકોર્ટ તરફથી ગૂગલ-મેટા પર કેસ કરવાની મળી મંજૂરી, જાણો શું છે આખો મામલો!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/18/x8cwnfHAyJXSFT7goMVj0dPAevYwKystFWvt2niW.webp'/></item><item><title><![CDATA[Stock Market Closing: શેરબજારમાં તેજી, સેન્સેક્સ 254.36 પોઇન્ટ વધ્યો ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-closing-stock-market-boom-sensex-rises-25436-points</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-closing-stock-market-boom-sensex-rises-25436-points</guid><pubDate>Thu, 18 Jun 2026 15:46:12 +05:30</pubDate><description><![CDATA[<p>ગુરુવારે સ્થાનિક શેરબજારમાં મજબૂતી જોવા મળી હતી, જેનું મુખ્ય કારણ રિયલ્ટી, બેંકિંગ અને નાણાકીય ક્ષેત્રના શેરોમાં વધારો હતો. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. બપોરે 1:00 વાગ્યાની આસપાસ, નિફ્ટી50 37.65 પોઈન્ટ અથવા 0.16 ટકા વધીને 24,123.35 પર બંધ રહ્યો હતો, જ્યારે સેન્સેક્સ 162.18 પોઈન્ટ અથવા 0.21 ટકા વધીને 77,317.80 પર પહોંચ્યો હતો.</p><h2><b>સેન્સેક્સ તેજી સાથે બંધ&nbsp;</b></h2><p>બપોરે 3.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં બંધ થયા. સેન્સેક્સ અને નિફ્ટી બંને તેજી સાથે બંધ થયા. સેન્સેક્સ 254.36 પોઇન્ટના વધારા સાથે 77,409 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી +82.30 પોઇન્ટના વધારા સાથે 24,168 અંકે બંધ થયો.&nbsp;</p><h3><b>શેરબજારમાં તેજી&nbsp;</b></h3><p>ઇન્ફોસિસ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ અને અલ્ટ્રાટેક સિમેન્ટ નિફ્ટી50 ઇન્ડેક્સમાં ટોચના ઘટાડામાં સામેલ હતા. વ્યાપક બજારમાં, નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 0.21 ટકા વધ્યો, અને નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સ 0.55 ટકા વધ્યો.ક્ષેત્રીય સૂચકાંકોમાં, નિફ્ટી આઇટીમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો. તેનાથી વિપરીત, નિફ્ટી પીએસયુ બેંક, નિફ્ટી મેટલ અને નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સે સારું પ્રદર્શન કર્યું અને બજારને ટેકો આપ્યો.</p><p><b style="font-size: 1.5rem;">બજારમાં મૂંઝવણનું કારણ શું છે?</b></p><p>શેરબજારમાં નોંધપાત્ર મૂંઝવણ અમેરિકામાંથી આવતા સારા અને ખરાબ બંને સમાચારોને આભારી છે. યુએસ ફેડરલ રિઝર્વ (યુએસ ફેડ) એ તેના બેન્ચમાર્ક વ્યાજ દરોને યથાવત રાખ્યા છે, તેમને 3.50% થી 3.75% ની રેન્જમાં જાળવી રાખ્યા છે. આ નિર્ણય નવા ફેડ અધ્યક્ષ કેવિન વોર્શની અધ્યક્ષતામાં મળેલી પહેલી બેઠક દરમિયાન લેવામાં આવ્યો હતો, જેમણે કોઈ નીતિગત છૂટછાટની ઓફર કરી ન હતી; આનાથી બજારની ભાવના નબળી પડી છે.</p><p><br></p><p>બીજી બાજુ, સકારાત્મક સમાચાર છે: અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે, જેમાં કરાર પર ઔપચારિક રીતે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે - એક સંકેત છે કે ફુગાવાના જોખમો ઓછા થઈ રહ્યા છે - જે બજારને ટેકો પૂરો પાડી શકે છે.</p><p><br></p><h4><b>અસ્થિરતા વચ્ચે આ 10 શેર ચમક્યા</b></h4><p>શેરબજારમાં વધઘટ વચ્ચે, ઘણા શેર રોકાણકારો માટે લાભ પેદા કરવામાં સફળ રહ્યા. BSE લાર્જ-કેપ કંપનીઓમાં, ટાટા ગ્રુપના ટ્રેન્ટ (1.50% ઉપર), BEL (1.20% ઉપર), અને HDFC બેંક (1.10% ઉપર) ના ભાવમાં વધારો થયો.</p><p>મિડ-કેપ કેટેગરીમાં, Nykaa (૧.૨૦% વધ્યો) અને યસ બેંક (૧.૧૦% વધ્યો) માં વધારો જોવા મળ્યો. સ્મોલ-કેપ સેગમેન્ટમાં, કાર્બોરુનિવ (૭% વધ્યો), રેડિંગ્ટન (૫.૫૦% વધ્યો), ABREL (૨.૫૦% વધ્યો), વોકફાર્મા (૨.૧૦% વધ્યો), અને HSCL (૧.૯૦% વધ્યો) જેવા શેરોમાં વધારો જોવા મળ્યો.</p><p><br></p><p><a href="https://sandesh.com/gallery/news/india/why-are-potatoes-and-chickpeas-the-filling-in-panipuri?2" target="_blank">આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2024/12/23/5WiYroRHizlRsj6kIbBZpE9jEf1dKTuoRUSHgSxj.jpg'/></item><item><title><![CDATA[Ahmedabad News: ગરમીને કારણે ખેડૂતોના પાક સુકાવાની ભીતિ, પાણી અને વીજળી માટે મુખ્યમંત્રીને રજૂઆત ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/farmers-demand-10-hours-electricity-and-irrigation-water</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/farmers-demand-10-hours-electricity-and-irrigation-water</guid><pubDate>Thu, 18 Jun 2026 15:39:07 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં ગત વર્ષે વરસાદ ખેંચાયો હોય તેવા છ જિલ્લામાં રાજ્ય સરકારે આઠ કલાકને બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો હતો. હવે આ વર્ષે પણ અલનીનોની સ્થિતિને કારણે ચોમાસુ રાજ્યમાં વિલંબથી પહોંચે તેવી સ્થિતિ છે. હાલમાં કાળઝાળ ગરમીમાં જળાશયોમાં પણ પાણી સુકાઈ રહ્યાં છે. ત્યારે ખેડૂતોના પાક સુકાઈ જવાની પણ ભીતિ સેવાઈ રહી છે. ત્યારે ભારતીય કિસાન સંઘે રાજ્ય સરકારને પત્ર લખીને સિંચાઈનું પાણી અને વીજળી આપવા માગ કરી છે.&nbsp;&nbsp;</p><h2 style="text-align: justify; "><b>નર્મદા પાણીથી તળાવો ભરવાની માંગ</b></h2><p style="text-align: justify; ">ભારતીય કિસાન સંઘે રાજ્યના મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રીને સંબોધીને એક પત્ર લખ્યો છે.આ પત્રમાં જણાવાયું છે કે,જો આગામી દિવસોમાં ખેતી પાકને પૂરતું પાણી નહીં મળે તો મોટું નુકસાન થઈ શકે તેમ છે.ખેડૂતોની આર્થિક સ્થિતિ અને મહેનત એળે ન જાય તે માટે સરકારે તાત્કાલિક પગલાં ભરવા અનિવાર્ય બન્યા છે.ગરમીમાં સુકાઈ રહેલા પાકને બચાવવા માટે નર્મદા નહેરના પાણીનો ઉપયોગ કરી સ્થાનિક સ્તરે ગામડાના તળાવો અને ચેકડેમો ભરી દેવામાં આવે જેથી કટોકટીના સમયે ખેડૂતો સિંચાઈ કરી શકે.</p><h3 style="text-align: justify; "><b>8ને બદલે 10 કલાક વીજળી આપવાની માગ</b></h3><p style="text-align: justify; ">હાલમાં ખેડૂતોને ખેતીવાડી માટે રોજના 8 કલાક વીજળી આપવામાં આવે છે.કિસાન સંઘે વિનંતી કરી છે કે આ કપરા સમયમાં વીજ પુરવઠો વધારીને 8 કલાકના બદલે 10 કલાક કરવામાં આવે જેથી ખેડૂતો કૂવા કે ટ્યુબવેલ મારફતે પાકને સમયસર સિંચાઈનું પાણી આપી શકે. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને ખાતર લાવીને વાવણી તો કરી દીધી છે.હવે વરસાદ ખેંચાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.જો સરકાર વીજળી અને પાણીની યોગ્ય વ્યવસ્થા કરી આપે તો ખેડૂતોએ વાવેલો પાક બચી શકશે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/valsad/moti-danti-village-sea-erosion-348-hectare-land-submerged" target="_blank">આ પણ વાંચોઃ Valsad News: જમીન ભરખી ગયો દરિયો, મોટી દાંતી ગામના અસ્તિત્વના તોળાઈ રહ્યું છે સંકટ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/18/qtMGCO7hpPoTpOSOGRUJW7NrCIKIbHPJyK1kPm74.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026: ફિફા વર્લ્ડ કપમાં 68 વર્ષ પછી સર્જાયો આ અનોખો મહાસંયોગ! ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-this-unique-coincidence-occurred-after-68-years-in-the-fifa-world-cup</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-this-unique-coincidence-occurred-after-68-years-in-the-fifa-world-cup</guid><pubDate>Thu, 18 Jun 2026 12:30:36 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતમાં સ્પોર્ટસના શોખીનો માટે અત્યારે બહુ સારો સમય છે. આઈપીએલ પૂર્ણ થયા બાદ ટીમ ઇન્ડયા એમાં વૈભવ સૂર્યવંશી સારું પ્રદર્શન કરી રહ્યો છે. જયારે દુબઈમાં મહિલા ટીમ ટી20 વર્લ્ડકપમાં શાનદાર રમત રમી રહી છે. તો બીજી બાજુ ફિફા વર્લ્ડકપ રમાઈ રહ્યો છે. ફૂટબોલના શોખીનો અત્યારે તેમની પસંદગીને ટીમને સપોર્ટ કરી રહ્યા છે. જો કે આ વર્ષે રમાતા ફિફા વર્લ્ડકપમાં એક અદ્ભૂત સંયોગ જોવા મળ્યો. ૧૯૫૮ પછી પહેલીવાર વર્લ્ડ કપમાં એક જ દિવસે ચારેય મુકાબલા ડ્રો થતા ફિફા ૨૦૨૬માં મોટો રેકોર્ડ નોંધાયો.</p><h2 style="text-align: justify; "><b>ફૂટબોલ વર્લ્ડકપના ઇતિહાસમાં અનોખી ઘટના</b></h2><p style="text-align: justify; ">ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ના પાંચમા દિવસે ફૂટબોલના મેદાન પર એક એવો અનોખો રેકોર્ડ બન્યો છે, જેણે ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. સત્તાવાર રીતે ૧૫ જૂનનો આ દિવસ ઓછી જાણીતી અને અંડરડોગ ટીમો માટે યાદગાર સાબિત થયો હતો. ફૂટબોલના ઇતિહાસમાં પૂરા ૬૮ વર્ષ પછી એવું બન્યું છે કે વર્લ્ડ કપની ટુર્નામેન્ટમાં એક જ દિવસે રમાયેલી તમામ ચાર મેચ ડ્રોમાં પરિણમી હોય!</p><h3 style="text-align: justify; "><b>સ્પેન અને ઉરુગ્વે જેવી દિગ્ગજ ટીમો ચોંકી, બધી મેચો રહી ડ્રો</b></h3><p style="text-align: justify; ">૧૫ જૂનના રોજ રમાયેલા ચારેય મુકાબલાઓમાં ઓછી જાણીતી ટીમોએ દિગ્ગજોને હંફાવ્યા હતા.</p><ul><li style="text-align: justify;">સ્પેન વર્સિસ કેપ વર્ડે (૦-૦): પૂર્વ યુરોપિયન ચેમ્પિયન અને ૨૦૧૦ના વર્લ્ડ કપ વિજેતા સ્પેનને કેપ વર્ડે (Cape Verde) ની ટીમે પોતાની શાનદાર રક્ષણાત્મક (Defensive) રમત વડે ૦-૦ ની બરાબરી પર રોકી રાખ્યું.</li><li style="text-align: justify;">બેલ્જિયમ વર્સિસ ઇજિપ્ત (૧-૧): બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર થઈ, પરંતુ અંતે સ્કોર ૧-૧ થી બરાબર રહ્યો.</li><li style="text-align: justify;">સાઉદી અરેબિયા વર્સિસ ઉરુગ્વે (૧-૧): સાઉદી અરેબિયાએ ઉરુગ્વે જેવી મજબૂત ટીમને ૧-૧ થી ડ્રો પર રોકીને મોટો પલટવાર કર્યો.</li><li style="text-align: justify;">ઈરાન વર્સિસ ન્યુઝીલેન્ડ (૨-૨): દિવસની છેલ્લી મેચ સૌથી રોમાંચક રહી. બંને ટીમોએ ૨-૨ ગોલ કરીને મેચને બરાબરી પર પૂરી કરી, જેની સાથે જ આ નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત થયો.</li></ul><h3 style="text-align: justify; "><b>૧૯૫૮ પછી ફૂટબોલમાં પહેલીવાર બન્યો આ રેકોર્ડ</b></h3><p style="text-align: justify; ">એક જ દિવસે ચાર મેચ ડ્રો થવાનો આ અનોખો સંયોગ અગાઉ ૧૫ જૂન, ૧૯૫૮ ના રોજ સ્વીડન વર્લ્ડ કપમાં જોવા મળ્યો હતો. તે સમયે સ્વીડન-વેલ્સ (૦-૦), પશ્ચિમ જર્મની-ઉત્તરી આયર્લેન્ડ (૨-૨), પેરાગ્વે-યુગોસ્લાવિયા (૩-૩) અને ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રિયા (૨-૨) વચ્ચેની મેચો ડ્રો થઈ હતી.</p><h4 style="text-align: justify; "><b>કાયલિયન મ્બાપ્પેએ તોડ્યો ઓલિવિયર ગિરોડનો રેકોર્ડ</b></h4><p style="text-align: justify; ">બુધવારે રમાયેલી ગ્રુપ I ની મેચોમાં ફ્રાન્સે સેનેગલને ૩-૧ થી હરાવીને ટૂર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કરી છે. ન્યુ જર્સીમાં રમાયેલી આ મેચમાં ફ્રાન્સના સ્ટાર ફોરવર્ડ કાયલિયન મ્બાપ્પેએ બે શાનદાર ગોલ ફટકાર્યા હતા. આ બે ગોલની સાથે જ મ્બાપ્પે ફ્રાન્સના ફૂટબોલ ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર ઓલ-ટાઇમ હાઇએસ્ટ સ્કોરર બની ગયો છે. તેણે પૂર્વ સ્ટ્રાઈકર ઓલિવિયર ગિરોડનો રેકોર્ડ તોડી નાખ્યો છે. મેચમાં ફ્રાન્સ તરફથી બ્રેડલી બાર્કોલાએ પણ ૧ ગોલ કર્યો હતો, જ્યારે સેનેગલ તરફથી ઇબ્રાહિમ મ્બાએ ટીમ માટે એકમાત્ર ગોલ નોંધાવ્યો હતો.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/terror-of-poisonous-snakes-in-fifa-world-cup-german-team-barely-survives" target="_blank">આ પણ વાંચો : FIFA વર્લ્ડ કપમાં ઝેરી સાપનો આતંક, માંડ-માંડ બચી જર્મની ટીમ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/18/btabTJJwAPF9Q2yiSFxaLW4CVFyWqefVAGBrj2vo.webp'/></item></channel></rss>