<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Arjun Bijlani: મૌની રોય સાથે નામ જોડાવવા પર ભડક્યો અભિનેતા, અર્જુને આપ્યું મોટું નિવેદન ]]></title><link>https://sandesh.com/entertainment/news/arjun-bijlani-mouni-roy-dating-rumours--actors-team-issues-statement</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/arjun-bijlani-mouni-roy-dating-rumours--actors-team-issues-statement</guid><pubDate>Fri, 17 Jul 2026 19:06:32 +05:30</pubDate><description><![CDATA[<p>ટીવી અને બોલિવૂડ કોરિડોરમાં વારંવાર લિંક-અપ્સ અને અફેર્સના સમાચારો સામે આવતા રહે છે. પરંતુ ક્યારેક આ અફવાઓ એટલી હદે વધી જાય છે કે સ્ટાર્સે પોતે આગળ આવીને સ્પષ્ટતા કરવી પડે છે. ટીવી ઈન્ડસ્ટ્રીના સૌથી પ્રિય કલાકારોમાંના એક અર્જુન બિજલાની સાથે પણ આવું જ થયું છે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા અને વિવિધ મીડિયા રિપોર્ટ્સ દ્વારા અર્જુન બિજલાનીનું નામ તેના નજીકની મિત્ર અને બોલિવૂડ અભિનેત્રી મૌની રોય સાથે જોડવામાં આવી રહ્યું છે.</p><p>અર્જુન બિજલાનીની ટીમે હવે આ અફવાઓને લઈને એક નિવેદન બહાર પાડ્યું છે, જેમા અફવા ફેલાવનારાઓને ફટકાર લગાવી છે. અર્જુનનું આ સત્તાવાર નિવેદનમાં કેહવામાં આવ્યું છે કે, અર્જુન અને મૌની રોય વચ્ચેનો સંબંધ માત્રને માત્ર એક સારી મિત્રતાનો છે.
</p><h3><b>અર્જુને નિવેદનમાં શું કહ્યું?
</b></h3><p>અર્જુન બિજલાની અને મૌની રોયને લઈને ચાલી રહેલી પાયાવિહોણી અફવાઓને અમે સંપૂર્ણપણે નકારી કાઢીએ છીએ. દરેક મિત્રતાને કોઈ પણ રોમેન્ટિક અર્થ આપવો અથવા તેને અફેર તરીકે લેવું સંપૂર્ણપણે ખોટું છે. બંને ખૂબ સારા મિત્રો છે અને વર્ષોથી મજબૂત બોન્ડ શેર કરે છે. આવા બનાવટી સમાચાર ફક્ત સ્ટાર્સને જ ખલેલ પહોંચાડતા નથી પરંતુ તેમના અંગત જીવનને પણ અસર કરે છે.
</p><h5><b>"નાગિન" થી શરૂ થયેલી મિત્રતા
</b></h5><p>તમને જણાવી દઇએ કે અર્જુન બિજલાની અને મૌની રોયની મિત્રતા નવી નથી. તેઓએ એકતા કપૂરના સુપરહિટ સુપરનેચરલ શો "નાગિન" માં મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી. ઋત્વિક અને શિવન્યા તરીકેની તેમની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. ઑફસ્ક્રીન તેઓ ઘણીવાર સાથે પાર્ટી કરતા અને મુશ્કેલીઓમાં એકબીજાની પડખે ઉભા રહેતા જોવા મળે છે. અર્જુન પહેલાથી જ પત્ની નેહા સ્વામી સાથે ખુશહાલ જીંદગી જીવી રહ્યો છે અને તેમનો એક પુત્ર છે. નોંધનીય છે કે, મૌની રોય તાજેતરમાં સૂરજ નામ્બિયારથી અલગ થઈ ગઈ છે. અર્જુને તેમની પવિત્ર મિત્રતા વિશે ઉઠાવવામાં આવેલા પ્રશ્નોનો યોગ્ય જવાબ આપ્યો છે.
</p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/entertainment/news/raj-kundra-on-2021-case---quot-ready-to-face-punishment-if-guilty-quot-" target="_blank">'મેં કંઈ ખોટું નથી કર્યું...' રાજ કુન્દ્રાએ કર્યો મોટો ખુલાસો</a>
</p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/uqmxCDz2JzENRtGnK9YgCSpF9Y2jaoiAPEqMtfOi.webp'/></item><item><title><![CDATA[Junagadh News: ગિરનારમાં પાંચ ટૂંક ઉપર લાઉડ સ્પીકર કે વાજિંત્રો વગાડી શકાશે નહીં ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/loudspeakers-and-musical-instruments-banned-on-girnar-five-peaks</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/loudspeakers-and-musical-instruments-banned-on-girnar-five-peaks</guid><pubDate>Fri, 17 Jul 2026 18:49:25 +05:30</pubDate><description><![CDATA[<p>જૂનાગઢના ભવનાથ વિસ્તાર તેમજ ગિરનાર ક્ષેત્રમાં શાંતિ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. ગિરનારની પવિત્ર પાંચ ટૂંક ઉપર વહીવટી તંત્ર દ્વારા વિશેષ જાહેરનામું અમલી કરી દેવામાં આવ્યું છે.આ વિસ્તારની ગરિમા જળવાય અને કોઈ પણ સ્તરે ધાર્મિક લાગણી ન દુભાય તે હેતુથી પોલીસ અને પ્રશાસન દ્વારા સુરક્ષા વ્યવસ્થા અભેદ્ય બનાવી દેવામાં આવી છે.</p><h2><b>ગિરનારમાં પાંચ ટૂંક માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું</b></h2><p>જાહેરનામા અનુસાર,ગિરનાર ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારના ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરવા,વિવાદાસ્પદ ભાષણો આપવા તેમજ સક્ષમ અધિકારીની મંજૂરી વિના લાઉડ સ્પીકર કે અન્ય વાજિંત્રો વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.આ ઉપરાંત સમગ્ર ભવનાથ અને ગિરનાર ટૂંક પર કોઈ પણ વ્યક્તિ ઘાતક હથિયારો સાથે રાખી શકશે નહીં.યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક શાંતિ ભંગ ન થાય તે માટે આ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે.</p><h3><b>તાત્કાલિક ધોરણે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે</b></h3><p>વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે આ જાહેરનામાના નિયમોનો ભંગ કરનાર કે કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરનાર કોઈ પણ શખ્સ વિરુદ્ધ સહેજ પણ ચલાવી લેવામાં આવશે નહીં અને તેમની સામે તાત્કાલિક ધોરણે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.સ્થાનિક પોલીસ દ્વારા પણ ભવનાથ અને ગિરનારના રૂટ પર પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે, જેથી અહીં આવતા હજારો શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ માહોલમાં દર્શન કરી શકે.</p><p><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ats-finds-explosive-making-manuals-from-siddhpur-terror-suspects" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: સિદ્ધપુરથી પકડાયેલા શંકાસ્પદ આતંકીઓ પાસેથી મળેલા પુસ્તકોમાં વિસ્ફોટક બનાવવાની માહિતી હતી</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/kIXJIpiJtwubINpC6vQwh0dAuFTjg0vONNp5k1xs.webp'/></item><item><title><![CDATA[Badrinath મંદિરમાં પ્રસાદની ચોરી મામલે વધુ એક ધરપકડ, રાજેન્દ્ર ચૌહાણની કરી 4 કલાક પૂછપરછ ]]></title><link>https://sandesh.com/india/news/badrinath-temple-prasad-theft--ex-officer-rajendra-chauhan-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/badrinath-temple-prasad-theft--ex-officer-rajendra-chauhan-arrested</guid><pubDate>Fri, 17 Jul 2026 18:32:02 +05:30</pubDate><description><![CDATA[<p>બદ્રીનાથ મંદિરમાં પ્રસાદ અને દાન સંબંધિત કથિત ચોરી અને નાણાકીય ગેરરીતિઓની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે શુક્રવારે એક મોટી કાર્યવાહી કરી છે. જેમાં મંદિરના ભૂતપૂર્વ અધિકારી રાજેન્દ્ર ચૌહાણની ધરપકડ કરવામાં આવી. ચૌહાણ 30 જૂન, 2026 ના રોજ નિવૃત્ત થયા. SIT સૂત્રોના જણાવ્યા અનુસાર, બદ્રીનાથમાં રાજેન્દ્ર ચૌહાણની લગભગ ચાર કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ અને ઉપલબ્ધ પુરાવાઓના આધારે તેમની ઔપચારિક ધરપકડ કરવામાં આવી હતી.</p><h2><b>રાજેન્દ્ર ચૌહાણ CCTV પર પ્રસાદ ચોરી કરતા જોવા મળ્યા
</b></h2><p>મળતી માહિતી અનુસાર તપાસમાં SIT દ્વારા મેળવેલા CCTV ફૂટેજમાં રાજેન્દ્ર ચૌહાણ 22, 25 અને 29 જૂનના રોજ મંદિરના ગણતરી ખંડમાંથી કથિત રીતે રોકડ ઉપાડતા દેખાય છે. આ પુરાવાના આધારે ટીમે તેમની ધરપકડ કરી છે. 
</p><h3><b>પ્રસાદ ચોરીમાં અન્ય લોકોની ભૂમિકાની તપાસ
</b></h3><p>SIT હવે તપાસ કરી રહી છે કે કથિત ગેરરીતિઓમાં અન્ય કોઈ વ્યક્તિઓ સામેલ હતા કે નહીં અને સમગ્ર ઘટનામાં સોંપાયેલી જવાબદારી કઈ રીતે નક્કી થાય ચે. આ પહેલા પણ આ મામલામાં વિભાગીય તપાસના આધારે, કોષાધ્યક્ષ-ઇનચાર્જને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા અને ઘણા કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી હતી. SIT અધિકારીઓના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા ભૂતપૂર્વ મંદિર અધિકારી રાજેન્દ્ર ચૌહાણને શનિવારે સક્ષમ કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં આગળની કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે.
</p><h4><b>તપાસ સમિતિએ અહેવાલ રજૂ કર્યો
</b></h4><p>શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC) એ બદ્રીનાથ મંદિરમાં પ્રસાદની ચોરીની તપાસ માટે એક તપાસ સમિતિની રચના કરી હતી. સમિતિએ ગુરુવારે તેનો અહેવાલ રજૂ કર્યો. BKTC ના મુખ્ય કાર્યકારી અધિકારી સોહન સિંહ રંગડે પુષ્ટિ આપી હતી કે ચાર સભ્યોની ટીમે તેનો 18 પાનાનો તપાસ રિપોર્ટ સોંપ્યો હતો, જેમાં મંદિરમાં પ્રસાદની ચોરી અટકાવવા માટે ઘણી ભલામણો કરવામાં આવી હતી. આ સૂચનોમાં મતગણતરી દરમિયાન ડ્રેસ કોડ લાગુ કરવો, ખુલ્લા વિસ્તારો અને મતગણતરી કેન્દ્રોમાં નવા CCTV કેમેરા સ્થાપિત કરવા, દેખરેખ પ્રણાલીને મજબૂત અને સમાયોજિત કરવી અને ભક્તોને ગણતરી પ્રક્રિયામાં સામેલ કરવા માટે એક પ્રક્રિયા બનાવવાનો સમાવેશ થાય છે. 2 જુલાઈના રોજ સોશિયલ મીડિયા પર મંદિરના પ્રસાદની ઉચાપતના આરોપો સામે આવ્યા બાદ BKTC એ આ સમિતિની રચના કરી હતી.
</p><p>ઉલ્લેખનીય છે કે, કર્મચારી પ્રમોદ નૌટિયાલને તાજેતરમાં બદ્રીનાથ ધામમાં પ્રસાદ ચોરીના સંબંધમાં પોલીસે ધરપકડ કરી હતી. કેસ દાખલ થયા પછીથી તે ફરાર હતો.&nbsp;<br><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/entertainment/news/raj-kundra-on-2021-case---quot-ready-to-face-punishment-if-guilty-quot-#google_vignette" target="_blank"><b>'મેં કંઈ ખોટું નથી કર્યું...' રાજ કુન્દ્રાએ કર્યો મોટો ખુલાસો</b></a>
</p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/3LpSi6hk6MS31xehs1hE1Gsi7NCAhzRgD9VaJl8K.webp'/></item><item><title><![CDATA[Kheda News: કઠલાલના કાણીયલમાં કલેક્ટરની સરપ્રાઇઝ વિઝિટ, શાળામાં નશાખોર આચાર્ય ઝડપાતા પોલીસને સોંપાયા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kheda/kheda-news-collectors-surprise-visit-to-kanial-kathlal-drug-addict-principal-caught-in-school-and-handed-over-to-police</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kheda/kheda-news-collectors-surprise-visit-to-kanial-kathlal-drug-addict-principal-caught-in-school-and-handed-over-to-police</guid><pubDate>Fri, 17 Jul 2026 18:27:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના કાણીયલ ગામેથી સરકારી તંત્રને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કાણીયલ ગામે જિલ્લા કલેક્ટરની સત્તાવાર વિઝિટ (મુલાકાત) ગોઠવાયેલી હતી. આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરે કટોકટીનો સપાટો બોલાવતા કાણીયલ પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ H-TAT આચાર્ય ભગવતસિંહ ઝાલાને ફરજ પર જ દારૂના નશામાં ચુર એટલે કે પીધેલી હાલતમાં રંગેહાથ ઝડપી પાડ્યા હતા. કલેક્ટરે તાત્કાલિક કડક પગલાં ભરીને નશાખોર આચાર્યને કઠલાલ પોલીસના હવાલે કરી દીધા હતા.</p><h2 style="text-align: justify; "><b>અગાઉ પણ વિવાદોમાં રહી ચૂક્યા છે આ આચાર્ય&nbsp;</b></h2><p style="text-align: justify; ">નશાખોર હાલતમાં ઝડપાયેલા આચાર્ય ભગવતસિંહ ઝાલા હાલ ગંગાદાસના મુવાડા ખાતે ફરજ બજાવે છે. આ કોઈ પ્રથમ ઘટના નથી જ્યારે તેઓ વિવાદમાં આવ્યા હોય. આ અગાઉ પણ તેઓ જ્યારે મહેમદાવાદ તાલુકાની રૂદન પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા, ત્યારે પણ શિસ્તભંગ અને વિવિધ વિવાદોમાં આવી ચૂક્યા છે. એક શિક્ષક અને આચાર્ય જેવા જવાબદાર પદ પર હોવા છતાં તેમની આવી બેદરકારી સામે આવતા વાલીઓ અને શિક્ષણ જગતમાં ભારે ફિટકારની લાગણી વ્યાપી છે.</p><h3 style="text-align: justify; "><b>સમગ્ર ઘટના બાદ સ્થાનિક રાજકારણ ગરમાયું</b></h3><p style="text-align: justify; ">આ મામલામાં રાજકીય કનેક્શન સામે આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પકડાયેલા નસેડી મુખ્યશિક્ષક ભગવતસિંહ ઝાલાના પુત્રવધુ ફાલ્ગુનીબેન ઝાલા ખેડા જિલ્લા પંચાયતની છીપડી બેઠકના કોંગ્રેસના સક્રિય સભ્ય છે. તેમના સસરા જ સરકારી શાળામાં દારૂ પીધેલી હાલતમાં પકડાતા વિપક્ષ અને સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટના બાદ જાગૃત નાગરિકો દ્વારા એવી પણ માંગ ઉઠી છે કે કલેક્ટર તંત્ર દ્વારા આવી જ રીતે અન્ય શાળાઓમાં પણ સરપ્રાઇઝ વિઝીટ કરવામાં આવે, જેથી ગુલ્લીબાજ, નશાખોર અને કામચોર શિક્ષકો સામે કડક કાર્યવાહી થઈ શકે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/2arobR9eXuB5cxMloCYrpDTwjBnsFfUhCb0P6FWR.webp'/></item><item><title><![CDATA[Vande Mataram Bill 2026: રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્'નું અપમાન પડશે ભારે, થશે ૩ વર્ષની જેલ, મોદી સરકાર લાવી રહી છે નવો કાયદો ]]></title><link>https://sandesh.com/india/news/vande-mataram-bill-2026-insulting-the-national-song-vande-mataram-will-be-severely-punished-there-will-be-3-years-in-prison-modi-government-is-bringing-a-new-law</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/vande-mataram-bill-2026-insulting-the-national-song-vande-mataram-will-be-severely-punished-there-will-be-3-years-in-prison-modi-government-is-bringing-a-new-law</guid><pubDate>Fri, 17 Jul 2026 17:47:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">જો સંસદના બંને ગૃહોમાં બિલ પસાર થાય છે તો 'વંદે માતરમ'નું અપમાન કરવું ફોજદારી ગુનો બનશે.</p><h2 style="text-align: justify; ">નવા કાયદા હેઠળ ત્રણ વર્ષ સુધીની જેલ</h2><p style="text-align: justify; ">સંસદના ચોમાસા સત્રમાં ઘણા બિલ રજૂ કરવામાં આવશે. જેમાં 'વંદે માતરમ' બિલનો સમાવેશ થાય છે. જે ગૃહમંત્રી અમિત શાહ સૌપ્રથમ રાજ્યસભામાં રજૂ કરી શકે છે. આ બિલનો ઉદ્દેશ્ય વંદે માતરમ ગાવા કે વગાડવામાં કોઈપણ પ્રકારનું અપમાન અથવા અવરોધ સજાપાત્ર ગુનો બનાવવાનો છે. રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ (સુધારા) બિલ, 2026 હેઠળ, આ 'ગુના' માટે દોષિત કોઈપણ વ્યક્તિને નવા કાયદા હેઠળ ત્રણ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે, જે રાષ્ટ્રગીત 'જન ગણ મન'નું અપમાન કરવા બદલ સજા સમાન છે.</p><h3 style="text-align: justify; ">વટહુકમ પસાર કરવામાં આવશે</h3><p style="text-align: justify; ">સરકારે રાજ્યોને સરકારી કાર્યક્રમોમાં વંદે માતરમ ગાવાનું/વગાડવાનું ફરજિયાત કરવા માટે માર્ગદર્શિકા જારી કરી હતી, અને આ સત્ર હવે આ કાયદો લાગુ કરશે. ચોમાસુ સત્ર માટેની સરકારની રણનીતિ અનુસાર, પહેલા મહત્વપૂર્ણ વટહુકમ પસાર કરવામાં આવશે, જેમાં "વંદે માતરમ" બિલ સૌથી મહત્વપૂર્ણ વટહુકમોમાંનું એક છે. અન્ય મહત્વપૂર્ણ બિલોમાં આવકવેરા સુધારા અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ આવશ્યકતા બિલ સહિત ઘણા અન્ય બિલોનો સમાવેશ થાય છે.</p><h4 style="text-align: justify; ">ચોમાસુ સત્ર 13 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે</h4><p style="text-align: justify; ">સરકારી વ્યૂહરચનાકારોને વિશ્વાસ છે કે કોઈપણ બિલ પસાર કરવા માટે સરકાર પાસે ગૃહમાં પૂરતી સંખ્યા છે, ભલે તેને બે તૃતીયાંશ બહુમતી જરૂરી હોય. કેન્દ્રીય મંત્રીમંડળની પૂર્વ મંજૂરી મળ્યા પછી, બિલને રાજ્યસભાના એજન્ડામાં વિચારણા અને પસાર કરવા માટે સૂચિબદ્ધ કરવામાં આવશે અને પછી ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે અને 13 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે.</p><h5 style="text-align: justify; ">'વંદે માતરમ'નું અપમાન ગુનો બનશે</h5><p style="text-align: justify; ">જો સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવે, તો આ બિલ 'વંદે માતરમ'નું અપમાન ફોજદારી ગુનો બનાવશે, જે તેને રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજ અને બંધારણ જેવા અન્ય રાષ્ટ્રીય પ્રતીકો જેટલું જ કાનૂની રક્ષણ આપશે. વર્તમાન કાયદા હેઠળ, રાષ્ટ્રગીત ગાવામાં ઇરાદાપૂર્વક અવરોધ કરવો અથવા તેના ગાન દરમિયાન ખલેલ પહોંચાડવી એ ત્રણ વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજાને પાત્ર છે. પ્રસ્તાવિત સુધારા હેઠળ, વંદે માતરમ ગાવામાં અપમાન અથવા અવરોધ કરવાના કૃત્યો પર સમાન દંડ લાગુ થશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/indus-water-treaty-updates-pakistan-was-furious-when-india-withheld-data-bulldozers-were-lowered-into-the-rivers-due-to-fear-of-floods" target="_blank">ભારતે ડેટા રોકતા પાકિસ્તાન ફફડ્યું, પૂરના ડરથી નદીઓમાં બુલડોઝર ઉતાર્યા</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/EXqFjwG3ZpkcL0ES4Abn1GDGL0nTWPTXxdxBixMp.webp'/></item><item><title><![CDATA[Rajkot Janmashtami Lok Mela 2026: AI ડ્રોનથી મોનીટરીંગ, સ્ટોલના ભાડામાં મોટો વધારો, જાણો જન્માષ્ટમી લોકમેળાની મહત્વની તારીખો ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/janmashtami-lok-mela-2026-stall-rent-hike</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/janmashtami-lok-mela-2026-stall-rent-hike</guid><pubDate>Fri, 17 Jul 2026 17:09:52 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટમાં દર વર્ષે યોજાતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો લાખો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. આ વર્ષે મેળાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા લોકોની સુરક્ષા અને મેળાની વ્યવસ્થાને વધુ સઘન બનાવવા માટે એક મોટો નિર્ણય લેવાયો છે. આ વખતે મેળામાં ચાંપતી નજર રાખવા માટે અત્યાધુનિક AI ટેક્નોલોજી યુક્ત ડ્રોન દ્વારા સમગ્ર લોકમેળાનું મોનીટરીંગ કરવામાં આવશે.</p><h2><b>સ્ટોલ અને રાઇડ્સના પ્લોટના ભાડામાં અધધ વધારો</b></h2><p>લોકમેળામાં વેપાર કરવા આવતા વેપારીઓને આ વર્ષે મોંઘવારીનો માર સહન કરવો પડશે. તંત્ર દ્વારા મેળાના 228 જેટલા સ્ટોલ અને પ્લોટના ભાડામાં રૂ. 2,000 થી લઈને રૂ. 12,000 સુધીનો સીધો વધારો ઝીંકવામાં આવ્યો છે. નવી બેઝ પ્રાઇઝ મુજબ, ખાણીપીણીની કેટેગરીના નાના સ્ટોલના ભાડામાં રૂ. 2,000 થી 5,000 સુધીનો વધારો કરાયો છે. જ્યારે એમ્યુઝમેન્ટ રાઇડ્સ માટેના પ્લોટ અને મોટા સ્ટોલની કિંમતમાં પણ રૂ. 5,000 થી 8,000 સુધીનો વધારો કરવામાં આવ્યો છે.</p><h2><b>વેપારીઓમાં કચવાટ અને ફોર્મ વિતરણની તારીખો જાહેર</b></h2><p>અચાનક સ્ટોલ અને પ્લોટના બેઝ પ્રાઇઝમાં તોતિંગ ભાવ વધારો કરવામાં આવતા નાના અને મધ્યમ વર્ગના વેપારીઓમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, લોકમેળામાં વ્યવસાય કરવા ઈચ્છુક લોકો માટે ફોર્મ વિતરણની પ્રક્રિયાની તારીખો પણ જાહેર કરી દેવાઈ છે. આગામી 20 જુલાઈથી રાજકોટમાં આવેલ તોરલ બિલ્ડીંગ ખાતેની ઇન્ડિયન બેંકની શાખામાંથી ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવશે. વેપારીઓ 28 જુલાઈ સુધી આ ફોર્મ ભરીને સબમીટ કરી શકશે.</p><h2><b>2 થી 6 સપ્ટેમ્બર વચ્ચે યોજાશે જન્માષ્ટમી લોકમેળો 2026</b></h2><p>ચાલુ વર્ષે જન્માષ્ટમીના તહેવારો દરમિયાન યોજાનારો આ રાજકોટનો જન્માષ્ટમી લોકમેળો 2 સપ્ટેમ્બરથી શરૂ થશે, જે 6 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ પાંચ દિવસ દરમિયાન ચાલનારા લોકજીવનના મહોત્સવમાં રાજકોટ શહેર સાથે સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને અન્ય જિલ્લાઓમાંથી પણ લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. આ વ શક્યતા સેવાઈ રહી છે.</p><h2><b>રાજકોટના ઐતિહાસિક રેસકોર્સ મેદાન ખાતે યોજાશે લોકમેળો</b></h2><p>દર વર્ષની પરંપરા મુજબ ચાલુ વર્ષે પણ રોજકોટ જન્માષ્ટમી લોકમેળો રાજકોટના હૃદય સમાન ઐતિહાસિક રેસકોર્સ મેદાન ખાતે યોજાશે. વિશાળ જગ્યા ધરાવતા આ મેદાનમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સીસીટીવી કેમેરા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત, આરોગ્યની ટીમ અને ફાયર સેફ્ટીની પૂરતી સુવિધાઓ ઉભી કરવામાં આવશે, જેથી લોકો કોઈ પણ મુશ્કેલી વગર તહેવારની મોજ માણી શકે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/rajkot/janmashtami-lok-mela-2026-race-course-ground" target="_blank">Rajkot Janmashtami Lok Mela 2026: સૌરાષ્ટ્રના સૌથી મોટા જન્માષ્ટમી લોકમેળાની તૈયારીઓ શરૂ, જાણો તારીખ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/HPJtKXQ1S6xyNZaIlGbnZOvaR9xi3onc66ClB6LR.webp'/></item><item><title><![CDATA[Rajkot News: મનપાના આરોગ્ય વિભાગનું સઘન ચેકિંગ, બે જાણીતી પેઢીઓને કરી સીલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-news-intensive-checking-by-the-municipal-health-department-two-well-known-firms-sealed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-news-intensive-checking-by-the-municipal-health-department-two-well-known-firms-sealed</guid><pubDate>Fri, 17 Jul 2026 16:44:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. મનપાની ટીમે શહેરમાં ખાણીપીણીના 89 જેટલા ધંધાર્થીઓને ત્યાં આકસ્મિક અને સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ કડક ઝુંબેશ દરમિયાન ગંભીર બેદરકારી દાખવનારી બે જાણીતી પેઢીઓ, 'જય જલારામ લસ્સી' અને 'અડારો રેસ્ટોરન્ટ' ને આરોગ્ય વિભાગ દ્વારા સ્થળ પર જ સીલ કરી દેવામાં આવતા અન્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>વાસી ખોરાકનો નાશ અને 20 હજારનો દંડ વસૂલાયો</b></h2><p style="text-align: justify;">આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન વિવિધ એકમોમાંથી આશરે 59 કિલો જેટલો અખાદ્ય અને વાસી ખાદ્ય પદાર્થોનો જથ્થો મળી આવ્યો હતો, જેને માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાવી તાત્કાલિક સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા વેપારીઓ પાસેથી કુલ 20,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. સ્વચ્છતા અને કાયદાનું પાલન ન કરનારી અન્ય 9 પેઢીઓને સ્ટોરેજ, લાયસન્સ અને હાઈજેનિક કન્ડિશન બાબતે કારણદર્શક નોટિસ પણ ફટકારવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>FSSAI એક્ટ હેઠળ નમૂના લેબોરેટરીમાં મોકલાયા</b></h3><p style="text-align: justify;">આરોગ્ય વિભાગ દ્વારા માત્ર દંડનીય કાર્યવાહી જ નહીં, પરંતુ ગુણવત્તાની ચકાસણી માટે કાયદાકીય પગલાં પણ લેવામાં આવ્યા છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એક્ટ હેઠળ શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના 10 જેટલા નમૂનાઓ લેવામાં આવ્યા છે. આ તમામ નમૂનાઓને ચોક્કસ પૃથ્થકરણ અને ચકાસણી માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. મનપાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ કસૂરવારો સામે આગળની કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.</p><p style="text-align: justify;"><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify;"><br></p><p style="text-align: justify;"><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/uFl6B9ZbL7iFQLSRoBuGeIprxzelZH8BzMI6Yb0u.webp'/></item><item><title><![CDATA[Rajkot News: 26.80 કરોડના ખર્ચે ભક્તિનગર રેલવે સ્ટેશનનું નવીનીકરણ, પીએમ મોદી કરશે વર્ચ્યુઅલી લોકાર્પણ ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-news-bhaktinagar-railway-station-to-be-renovated-pm-modi-will-virtually-inaugurate-it</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-news-bhaktinagar-railway-station-to-be-renovated-pm-modi-will-virtually-inaugurate-it</guid><pubDate>Fri, 17 Jul 2026 16:24:02 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટના યાત્રિકો અને સ્થાનિક રહીશો માટે એક મોટા અને આનંદના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી 'અમૃત ભારત સ્ટેશન યોજના' અંતર્ગત રાજકોટના ઐતિહાસિક ભક્તિનગર રેલવે સ્ટેશનનું ભવ્ય નવીનીકરણ કરવામાં આવ્યું છે. રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની આધુનિક સુવિધાઓને ધ્યાનમાં રાખીને સમગ્ર સ્ટેશનનો નવો લુક તૈયાર કરવામાં આવ્યો છે, જેનાથી આગામી સમયમાં મુસાફરોનો પ્રવાસ વધુ સુગમ અને આરામદાયક બનશે.</p><h2><b>પીએમ મોદી વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે</b></h2><p>આ આધુનિક અને નવીનીકૃત ભક્તિનગર રેલવે સ્ટેશનનું ભવ્ય લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી (ઓનલાઈન) કરવામાં આવશે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ભક્તિનગર રેલવે સ્ટેશન ખાતે યોજાનારા સ્થાનિક કાર્યક્રમમાં સરકારના મંત્રી ત્રિકમભાઈ છાંગા ખાસ ઉપસ્થિત રહેશે. પીએમ મોદીના હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું હોવાથી રેલવે વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા કાર્યક્રમની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.</p><h3><b>ફૂટ ઓવરબ્રીજ અને વિશાળ હોલનું નિર્માણ</b></h3><p>ભક્તિનગર રેલવે સ્ટેશનના આ મનોહર નવીનીકરણ પાછળ કુલ 26.80 કરોડ રૂપિયાનો માતબર ખર્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સ્ટેશન પર મુસાફરોની અવરજવર માટે આધુનિક ફૂટ ઓવરબ્રીજ (FOB) બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત રેલવે સ્ટેશન પર ટ્રેનની પ્રતીક્ષા કરતા મુસાફરો માટે એક અત્યંત વિશાળ અને સુવિધાજનક કૌનકોર્સ હોલનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. આ નવીનતમ સુવિધાઓ ઉપલબ્ધ થતાં જ ભક્તિનગર સ્ટેશન હવે આંતરરાષ્ટ્રીય સ્તરના રેલવે સ્ટેશન જેવી ઝાંખી કરાવી રહ્યું છે.</p><p><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/j1TXokTNRKrQHKXpe6xM2fbhQUFsxnypnQvftswn.webp'/></item><item><title><![CDATA[FIFA નો ઐતિહાસિક નિર્ણય, આ વખતે ચેમ્પિયન ટીમને ટ્રોફિ અને મેડલ સાથે આપશે ખાસ ભેટ ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifas-historic-decision-this-time-the-champion-team-will-be-given-a-special-gift-along-with-a-trophy-and-medal</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifas-historic-decision-this-time-the-champion-team-will-be-given-a-special-gift-along-with-a-trophy-and-medal</guid><pubDate>Fri, 17 Jul 2026 16:07:22 +05:30</pubDate><description><![CDATA[<p>FIFA વર્લ્ડ કપ 2026 ફાઇનલના વિજેતાઓને પ્રતિષ્ઠિત ટ્રોફી અને ગોલ્ડ મેડલ ઉપરાંત ખાસ ડિઝાઇન કરેલી ચેમ્પિયનશિપ રિંગ આપવામાં આવશે. પ્રાચીન અમેરિકન રમતગમત પરંપરાથી પ્રેરિત FIFA વેબસાઇટ અનુસાર માહિતી આપવામાં આવી છે. રવિવાર, 19 જુલાઈના રોજ ન્યૂ યોર્ક-ન્યૂ જર્સી સ્ટેડિયમ ખાતે સ્પેન અને આર્જેન્ટિના વચ્ચેની ફાઇનલ પછી આ કસ્ટમાઇઝ્ડ રિંગ્સ ટુર્નામેન્ટ ચેમ્પિયનને રજૂ કરવામાં આવશે. ટુર્નામેન્ટની યાદમાં કુલ 2,026 અનન્ય નંબરવાળી રિંગ્સ બનાવવામાં આવશે. આમાંથી ત્રીસ રિંગ્સ વિજેતા ટીમના સભ્યો માટે અનામત રાખવામાં આવશે, જ્યારે બાકીના 1,996 વિશ્વભરના ચાહકો માટે સત્તાવાર લાઇસન્સ પ્રાપ્ત ઉત્પાદનો તરીકે ઉપલબ્ધ રહેશે.</p><h4><b>રિંગમાં FIFA વર્લ્ડ કપ ટ્રોફી ડિઝાઇન જોવા મળશે</b></h4><p>દરેક રિંગમાં એક બાજુ FIFA વર્લ્ડ કપ ટ્રોફી ડિઝાઇન જોવા મળશે.જ્યારે બીજી બાજુ ચેમ્પિયન ટીમને ઓળખવા માટે કસ્ટમાઇઝ કરવામાં આવશે. દરેક રિંગ અનન્ય રીતે નંબરવાળી, કસ્ટમ-ફિટ કરેલી અને પ્રમાણિકતાનું પ્રમાણપત્ર સાથે હશે.ફાઇનલ પછી તરત જ, વિજેતા ટીમના કેપ્ટન અને મુખ્ય કોચને ઉજવણી દરમિયાન કામચલાઉ ચેમ્પિયનશિપ રિંગ્સ પ્રાપ્ત થશે. બાદમાં, 30 વિજેતાઓને સત્તાવાર રીતે કસ્ટમ-મેઇડ રિંગ્સ આપવામાં આવશે જેથી તેઓ સંપૂર્ણ રીતે ફિટ થાય અને તેમની વર્લ્ડ કપ જીતની યાદમાં રમી શકે.</p><h5><b>આર્જેન્ટિનાએ સેમિફાઇનલમાં વિજય મેળવ્યો</b></h5><p>ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ પર 2-1 થી રોમાંચક વિજય મેળવ્યો. તેઓ પહેલા હાફમાં પાછળ રહીને બરાબરી કરી, અને લૌટારો માર્ટિનેઝે સ્ટોપેજ સમયમાં વિજયી ગોલ કરીને ડિફેન્ડિંગ ચેમ્પિયનને સ્પેન સામે ટાઇટલ મુકાબલામાં આગળ ધપાવ્યું. ઇંગ્લેન્ડ પરની આ જીતથી આર્જેન્ટિના 2026 વર્લ્ડ કપ ફાઇનલમાં સ્થાન મેળવી શક્યું, જ્યારે ઇંગ્લેન્ડની 1966 પછી પહેલી વાર વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચવાની આશા દુ:ખદ રીતે ઠગારી નીવડી. બીજી તરફ, સ્પેને શાનદાર પ્રદર્શન કરીને ફ્રાન્સને 2-0 થી હરાવ્યું અને 2010 ની જીત પછી પ્રથમ ફિફા વર્લ્ડ કપ ફાઇનલ મેળવી. આ જીતમાં લેમિન યામાલે મુખ્ય ભૂમિકા ભજવી</p><h5><b>છઠ્ઠી ક્લીન શીટ મેળવી</b></h5><p>બ્રેક પછી, પેડ્રો પોરોએ દાની ઓલ્મો સાથે શાનદાર સંકલન કરીને સ્પેનની લીડ બમણી કરી, જ્યારે ફ્રાન્સ સ્પષ્ટ ગોલ કરવાની તકો બનાવવામાં સંઘર્ષ કરી રહ્યું હતું. યામાલનો એક ગોલ ઓફસાઇડ માટે નામંજૂર કરવામાં આવ્યો હતો, અને કાયલિયન એમબાપ્પે અને ઓરેલિયન ચૌમેનીના છેલ્લી ઘડીના પ્રયાસો છતાં, સ્પેનના ડિફેન્સે મજબૂતાઈ જાળવી રાખી, ટુર્નામેન્ટની સાત મેચમાં તેમની છઠ્ઠી ક્લીન શીટ મેળવી.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/fifa-world-cup/news/fifa-world-cup-2026-final-the-epic-clash-between-spain-and-argentina-know-when-and-where-to-watch-it-live-in-india" target="_blank">FIFA World Cup 2026 Final: સ્પેન અને આર્જેન્ટિના વચ્ચે મહામુકાબલો, જાણો ભારતમાં ક્યારે Liveજોઈ શકાશે</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/LqXgHChGgrFPEeJhZ2mS6AMKZWcKsJ2XQPt7WGQS.webp'/></item><item><title><![CDATA[Stock Market Closing: શાનદાર તેજી સાથે માર્કેટ બંધ, સેન્સેક્સ 964 પોઇન્ટના ઉછાળા સાથે 78,151.45 અંકે ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-closing-market-closes-with-a-strong-rally-sensex-jumps-964-points-to-7815145</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-closing-market-closes-with-a-strong-rally-sensex-jumps-964-points-to-7815145</guid><pubDate>Fri, 17 Jul 2026 15:44:04 +05:30</pubDate><description><![CDATA[<p>17 જુલાઇએ&nbsp; ઘરેલુ શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી. આઈટી અને બેંકિંગ ક્ષેત્રો તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા હેવીવેઇટ શેરોમાં જોરદાર ખરીદીને કારણે, સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ટ્રેડિંગ સેશન દરમિયાન 1 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો. મોટી કંપનીઓના પ્રથમ ક્વાર્ટર (Q1) ના પરિણામો પહેલા રોકાણકારોનો રસ લાર્જ-કેપ શેરો તરફ વળ્યો, જેનાથી બજારને મજબૂતી મળી.</p><h2><b>શેરબજારમાં તેજી&nbsp;</b></h2><p>શુક્રવારે સેન્સેક્સ અને નિફ્ટી શાનદાર તેજી સાથે બંધ થયા. સેન્સેક્સ +964.59 પોઇન્ટના વધારા સાથે 78,151.45 અંકે બંધ થયો.. જ્યારે નિફ્ટી +261.55 પોઇન્ટના વધારા સાથે 24,334.30 અંકે&nbsp; બંધ થયો.</p><h3><b>આઇટી અને બેંકિંગ શેરોમાં ખરીદી</b></h3><p>ક્ષેત્રીય સૂચકાંકોની દ્રષ્ટિએ, નિફ્ટી આઇટી સૌથી વધુ વધ્યો હતો, જેમાં 1 ટકાથી વધુનો વધારો નોંધાયો હતો. નિફ્ટી બેંક પણ લગભગ 1 ટકા મજબૂત થયો હતો. જોકે, વ્યાપક બજારમાં સમાન સ્તરની મજબૂતાઈ જોવા મળી ન હતી; નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100 સૂચકાંકોમાં અનુક્રમે 0.61 ટકા અને 0.86 ટકાનો ઘટાડો નોંધાયો હતો.</p><p><b style="font-size: 1.5rem;">RIL સૌથી વધુ વધનાર તરીકે ઉભરી આવ્યો</b></p><p>સેન્સેક્સના શેરોમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) એ સૌથી વધુ વધારો નોંધાવ્યો, જે 2 ટકાથી વધુ વધ્યો. શુક્રવારે જાહેર થનારા કંપનીના પ્રથમ ત્રિમાસિક પરિણામો પહેલા રોકાણકારો શેર પર નજર રાખી રહ્યા છે.</p><p><br></p><p>વધુમાં, TCS, કોટક મહિન્દ્રા બેંક, ટેક મહિન્દ્રા, હિન્દુસ્તાન યુનિલિવર, એક્સિસ બેંક, ઇન્ફોસિસ, HDFC બેંક, મહિન્દ્રા અને મહિન્દ્રા, HCL ટેક અને ICICI બેંકના શેરમાં પણ 1 ટકાથી વધુનો વધારો નોંધાયો. આ હેવીવેઇટ શેરોમાં ખરીદીની પ્રવૃત્તિએ બજારના ઉપરના વેગને પ્રોત્સાહન આપ્યું.</p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/03/16/gLJ4WtokoymfX6Y0aSSr5fk0mQbgABzBzdoZamiA.webp'/></item></channel></rss>