<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Rajkot: જંગલેશ્વર ડિમોલેશન કૌભાંડમાં ગાંધીનગરના આંટાફેરા બાદ મેયર-કમિશનરના સૂર બદલાયા, 'ખોટા ચૂકવાયેલા પૈસા પરત નહીં મળે' તેવું કહી હાથ ખંખેર્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/jangleshwar-demolition-cost-scam-mayor-commissioner-uturn-after-gandhinagar-visit</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/jangleshwar-demolition-cost-scam-mayor-commissioner-uturn-after-gandhinagar-visit</guid><pubDate>Thu, 02 Jul 2026 10:41:21 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર અને અધિકારીઓની મનમાનીના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. તાજેતરમાં જંગલેશ્વર વિસ્તારમાં મનપા દ્વારા હાથ ધરવામાં આવેલી ડિમોલેશન (દબાણ હટાવો) ઝુંબેશના ખર્ચના બિલોને લઈને મોટો વિવાદ ફાટી નીકળ્યો છે. આ કામગીરી માટે જે કોન્ટ્રાક્ટરોને રેટ કોન્ટ્રાક્ટ હેઠળ લાખો રૂપિયાના લહાણા વહેંચવામાં આવ્યા હતા, તેના પર શરૂઆતથી જ શંકાની સોય હતી. વિવાદ વધતાં મનપાની ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખે કડક વલણ અપનાવવાનો ડોળ કર્યો હતો, પરંતુ હવે તે બુમરેંગ સાબિત થયો છે.</p><h2><b>સોમવારનો વાયદો અને બુધવારની પલટી</b></h2><p>વિવાદના પ્રારંભે સોમવારે મેયર નેહલ શુકલ અને મ્યુનિસિપલ કમિશનરે સંયુક્ત સૂરે પત્રકારોને જણાવ્યું હતું કે, રેટ કોન્ટ્રાક્ટમાં જો કોઈ પણ પ્રકારની ગેરરીતિ થઈ હશે અથવા કોન્ટ્રાક્ટરને વધારાના પૈસા ચૂકવાયા હશે તો તેની ઓડિટ કરાવીને એક-એક રૂપિયો વસૂલ કરવામાં આવશે. જોકે, આ નિવેદન બાદ બંને હોદ્દેદારો તાકીદે ગાંધીનગરની મુલાકાતે ગયા હતા. ગાંધીનગર સચિવાલયમાં ઉચ્ચ સ્તરે બેઠક કરીને પરત ફર્યાના ગણતરીના કલાકોમાં જ બંને નેતાઓના સૂર બદલાઈ ગયા હતા. ગઈકાલે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મેયરે ફેરવી તોળ્યું હતું કે, રેટ કોન્ટ્રાક્ટના નિયમો મુજબ ચૂકવાઈ ગયેલા પૈસા પરત લેવા ટેકનિકલી શક્ય નથી.</p><h3><b>જવાબદાર અધિકારીઓ માટે સેફ એક્ઝિટ</b></h3><p>મનપાના આ બદલાયેલા વલણથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે રાજકોટની જનતાના ટેક્સના પૈસાનું ધોળા દિવસે ધોવાણ થઈ ગયું છે. ગાંધીનગરમાં કઈ એવી 'રાજકીય ગોઠવણ' થઈ કે કમિશનર અને મેયરે ગણતરીના કલાકોમાં પોતાનું સ્ટેન્ડ બદલવું પડ્યું, તે હવે ચર્ચાનો વિષય છે. સૂત્રોના જણાવ્યા મુજબ, જો આ મામલે તટસ્થ તપાસ થાય તો મનપાના કન્સ્ટ્રક્શન અને ટાઉન પ્લાનિંગ વિભાગના કેટલાક ઉચ્ચ અધિકારીઓ જેલભેગા થઈ શકે તેમ છે. આ અધિકારીઓને બચાવવા માટે જ ઉપરથી આદેશ છૂટ્યા હોવાના કારણે તંત્રએ આસાનીથી હાથ ખંખેરી લીધા છે અને પ્રજાના લાખો રૂપિયા પાણીમાં ગયા છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/crime/surat/yarn-traders-cheated-of-1-63-crore-two-fraud-merchants-absconding-athwalines" target="_blank">આ પણ વાંચો: Surat: યાર્ન માર્કેટમાં ૩ વેપારીઓ સાથે 1.63 કરોડની છેતરપિંડી, માલ પડાવી બે લેભાગુ વેપારીઓ રફુચક્કર</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/1ysRLqVFrZvEIW3vODXMOSeqh3QILP7Vut96U9In.webp'/></item><item><title><![CDATA[Tamilnadu Politics: AIADMKને મોટો ઝટકો ? પૂર્વ મંત્રીઓ, ધારાસભ્યો સહિત અનેક કાર્યકર્તાઓ TVKમાં જોડાવા તૈયાર ]]></title><link>https://sandesh.com/india/news/tamilnadu-politics-big-blow-to-aiadmk-many-workers-including-former-ministers-mlas-ready-to-join-tvk</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/tamilnadu-politics-big-blow-to-aiadmk-many-workers-including-former-ministers-mlas-ready-to-join-tvk</guid><pubDate>Thu, 02 Jul 2026 10:32:29 +05:30</pubDate><description><![CDATA[<p>તમિલનાડુમાં AIADMKને મોટો ઝટકો લાદ્યો છે. પાર્ટીના ઘણા દિગ્ગજ નેતાઓ ટીવીકેમાં જોડાવા જઇ રહ્યા છે. ઓછામાં ઓછા 5 પૂર્વ મંત્રી અને 15 પૂર્વ ધારાસભ્યો સહિતના કાર્યકર્તાઓ ટીવીકેની સભ્યતા લઇ શકે છે. અહેવાલો સૂચવે છે કે આ નેતાઓ થલાપતિ વિજયની પાર્ટી, TVK માં જઈ રહ્યા છે. આ સમારોહ 2 જુલાઈના રોજ મહાબલીપુરમના એક રિસોર્ટમાં યોજાવાનો છે.</p><p><b style="font-size: 2rem;">ક્યા નેતાઓ જોડાશે ટીવીકેમાં ?&nbsp;</b></p><p>સૂત્રો અનુસાર TVKમાં જોડાવાની અપેક્ષા રાખતા અગ્રણી નેતાઓમાં ભૂતપૂર્વ મંત્રીઓ સી. વિજયભાસ્કર, એમ.આર. વિજયભાસ્કર, એમ.એસ.એમ. આનંદન અને એસ. વલારમથીનો સમાવેશ થાય છે.એવું માનવામાં આવે છે કે એમ.કે. અલાગીરીની પુત્રી, કાયલવિઝી પણ મહાબલીપુરમ કાર્યક્રમમાં ઔપચારિક રીતે પાર્ટીમાં જોડાશે. મહત્વનું છે કે વિધાનસભા ચૂંટણીથી પાર્ટીમાં ચાલી રહેલા આંતરિક ઝઘડા વચ્ચે, આ પગલાને AIADMK માટે એક મોટો ફટકો માનવામાં આવે છે.</p><h3><b style="font-size: 1.75rem;">બે નેતાઓએ તો છોડી જ દીધુ છે AIADMK&nbsp;&nbsp;</b></h3><p>અહેવાલો સૂચવે છે કે કરુર અને પુડુક્કોટાઈના AIADMK પદાધિકારીઓ, ઘણા ભૂતપૂર્વ ધારાસભ્યો અને કાર્યકરો TVKમાં જોડાવા જઇ રહ્યા છે. આ નેતાઓને ટીવીકેમાં જોડાવાને લઇને ભવિષ્યની રાજકીય લડાઇઓ પહેલાં TVKના વિસ્તાર એટલેકે એક્સપાન્શનની દિશામાં મોટું પગલુ માનવામાં આવી રહ્યું છે.  નોંધનીય છે કે એમ.આર. વિજયભાસ્કરે તાજેતરમાં જ તેમના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું હતું, જ્યારે સી. વિજયભાસ્કરે વિધાનસભા અને AIADMK બંને છોડી દીધા હતા.</p><p><br></p><p>AIADMK વડા પલાનીસ્વામી પર નિશાન સાધતા ભૂતપૂર્વ મંત્રી એમ.આર. વિજયભાસ્કરે કહ્યું હતું કે અમે ફક્ત તમારા (પલનીસ્વામી) દ્વારા રજૂ કરાયેલા નિર્ણયનો વિરોધ કરી રહ્યા હતા, તમારા નેતૃત્વનો નહીં. અમે બધાએ તમને આ ચળવળના કાયમી મહાસચિવ બનાવવા માટે અમારી તાકાત લગાવી દીધી. પરંતુ અમારો વિરોધ અને કાર્યકર્તાઓની નૈતિક ભાવનાઓને નજરઅંદાજ  કરવાનો જે નિર્ણય લીધો તેણે આજે આખા આંદોલનને સંકટમાં નાંખી દીધા છે. તેમણે કહ્યું હતું કે આજે હું આંસુઓ અને દુ:ખની લાગણી સાથે આંદોલનને વિદાય આપી રહ્યો છું.&nbsp;</p><h4><b>AIADMKમાં વધી બેચેની&nbsp;</b></h4><p>આ પહેલી વાર નથી જ્યારે AIADMK ના અગ્રણી નેતાઓ વિજયની પાર્ટીમાં જોડાયા હોય. આ મહિનાની શરૂઆતમાં, ચાર ભૂતપૂર્વ મંત્રીઓ - MC સંપથ, NR શિવપતિ, કદંબુર સી. રાજુ અને ઉદુમલાઈ કે. રાધાકૃષ્ણન - પણ TVK માં જોડાયા હતા. આ બધાએ અગાઉ જે. જયલલિતા અને ત્યારબાદ, એડાપ્પડી કે. પલાનીસ્વામીના નેતૃત્વ હેઠળની સરકારોમાં મંત્રી તરીકે સેવા આપી હતી. વધુમાં, તાજેતરના મહિનાઓમાં DMK ના ઘણા નેતાઓ અને કાર્યકરો પણ TVK માં જોડાયા છે. આ ઘટનાક્રમ સ્પષ્ટપણે દર્શાવે છે કે વિજય ફક્ત સ્ટાર પાવરના બળ પર જ નહીં, પરંતુ અનુભવી નેતાઓ અને મજબૂત સંગઠનાત્મક માળખાના પાયા પર તેમની પાર્ટી બનાવવાની વ્યૂહરચના અપનાવી રહ્યા છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/gBE1IvdCqJ4Ts6oTXH8RLcAbJjG8cOiF8SndLfK6.webp'/></item><item><title><![CDATA[Surat: યાર્ન માર્કેટમાં ૩ વેપારીઓ સાથે 1.63 કરોડની છેતરપિંડી, માલ પડાવી બે લેભાગુ વેપારીઓ રફુચક્કર ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/yarn-traders-cheated-of-1-63-crore-two-fraud-merchants-absconding-athwalines</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/yarn-traders-cheated-of-1-63-crore-two-fraud-merchants-absconding-athwalines</guid><pubDate>Thu, 02 Jul 2026 10:22:28 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત શહેરમાં વેપારીઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીના કિસ્સાઓ રોકાવવાનું નામ નથી લઈ રહ્યા. સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં ઓફિસ અને ગોડાઉન ધરાવતા ત્રણ પ્રતિષ્ઠિત યાર્ન વેપારીઓ આયોજનબદ્ધ આર્થિક ગુનાનો ભોગ બન્યા છે. પોલીસ મથકે નોંધાયેલી એફઆઈઆર (FIR) મુજબ, થોડા સમય પહેલાં બે અજાણ્યા લેભાગુ વેપારીઓએ બજારમાં આવીને પોતાની મોટી ઓળખ આપી હતી.</p><h2><b>આ રીતે વેપારીઓને જાળમાં ફસાવ્યા</b></h2><p>&nbsp;તેમણે શરૂઆતમાં નાના-મોટા સોદાઓ રોકડેથી કરીને માર્કેટમાં સારો ભરોસો કેળવ્યો હતો. ત્યારબાદ, તેમણે આ 3 યાર્ન વેપારીઓને ટાર્ગેટ કર્યા હતા અને ભવિષ્યમાં મોટા ઓર્ડર્સ તેમજ મોટો આર્થિક લાભ કરાવી આપવાની ગુલાબી લાલચો આપી હતી. વેપારીઓ તેમની વાતોમાં આવી ગયા હતા અને મોટો વેપાર મળવાની આશાએ પેમેન્ટની શરતો હળવી કરી દીધી હતી.</p><h3><b>માલ આવી ગયો પણ નાણાં ગાયબ</b></h3><p>વિશ્વાસનો ગેરલાભ લઈને આ બંને ઠગોએ અલગ-અલગ તારીખોમાં ત્રણેય વેપારીઓ પાસેથી કુલ 1.63 કરોડ રૂપિયાની કિંમતનો યાર્નનો જથ્થો ઉધાર (ક્રેડિટ) પર ખરીદી લીધો હતો. માલની ડિલિવરી મળી ગયા બાદ જ્યારે કરાર મુજબ પેમેન્ટ ચૂકવવાનો સમય આવ્યો, ત્યારે આ બંને લેભાગુ વેપારીઓએ વાયદાઓ કરવાના શરૂ કર્યા હતા. થોડા દિવસો બાદ તેઓ પોતાની ઓફિસો બંધ કરીને અને ફોન સ્વિચ ઓફ કરીને રાતોરાત રફુચક્કર થઈ ગયા હતા. વેપારીઓએ જ્યારે તપાસ કરી ત્યારે ખબર પડી કે તેમની સાથે મોટું ઉઠમણું થયું છે. હાલ અઠવાલાઇન્સ પોલીસે સીસીટીવી ફૂટેજ, બેંક એકાઉન્ટ ડિટેલ્સ અને લોકેશનના આધારે આ ચીટરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.</p><p><b><a href="https://sandesh.com/weather/news/maru-saher-maru-gaam/gir-somnath/rain-sutrapada-phatak-area-flooded-veraval-heavy-downpour" target="_blank">આ પણ વાંચો: Gir Somnath: સુત્રાપાડા-વેરાવળમાં ધોધમાર વરસાદ, ગ્રામ્ય વિસ્તારોની નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/o83YHV887BoXrTMEGX5mH6SlSFVJNgEU1YoPN1Bt.webp'/></item><item><title><![CDATA[Education : 5મા ધોરણના પાઠ્યપુસ્તકમાં છપાયું ઐશ્વર્યા રાયનું નિંબૂડા-નિંબૂડા ગીત, ઓડિશામાં ભારે વિવાદ! ]]></title><link>https://sandesh.com/education/news/india/aishwarya-rai-hit-song-nimbooda-printed-in-odisha-class-5-school-textbook-blunder</link><guid isPermaLink="true">https://sandesh.com/education/news/india/aishwarya-rai-hit-song-nimbooda-printed-in-odisha-class-5-school-textbook-blunder</guid><pubDate>Thu, 02 Jul 2026 10:18:03 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઓડિશામાં 5મી ક્લાસના બાળકો ઐશ્વર્યા રાય બચ્ચન પર ફિલ્માવાયેલું હિટ સોન્ગ નિંબૂડા-નિંબૂડા ભણી રહ્યા છે. ધોરણ 5 ની અંગ્રેજીની બુકમાં ભૂલથી 1999 ની સુપરહિટ ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ ના ફેમસ ગીત નિંબૂડા નિંબૂડાના શબ્દો છાપી દેવામાં આવ્યા છે. શાળામાં નવા પુસ્તકો પહોંચ્યા પછી એડિટિંગ અને ક્વોલિટી કંટ્રોલ પર ગંભીર સવાલો ઊઠી રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>સોશિયલ મીડિયા પર વિરોધ</b></h2><p style="text-align: justify; ">ઓડિશા ટીવીના એક અહેવાલ મુજબ, આ ભૂલ ત્યારે સામે આવી જ્યારે 5મી ક્લાસની બુકની તસવીરો ઓનલાઇન પબ્લિશ કરવામાં આવી. પ્રાઇમરી સ્કૂલના બાળકોના પુસ્તકમાં ગીતના શબ્દો છપાયેલા જોવા મળ્યા. આ મામલો સામે આવ્યા પછી, એકવાર ફરી ઓડિશા શાળાના પુસ્તકમાં ભૂલ પર વિવાદ શરૂ થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર પણ બુકમાં આ ભૂલ વિરુદ્ધ આકરો વિરોધ સામે આવી રહ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>શિક્ષણ અધિકારીઓ સામે સવાલો</b></h3><p style="text-align: justify; ">આ ભૂલે શાળાના પુસ્તકો તૈયાર કરવા, તેમની સમીક્ષા કરવા અને તેમને છાપવા દરમિયાન અપનાવવામાં આવતી ક્વોલિટી કંટ્રોલની પદ્ધતિઓ પર ચિંતા પેદા કરી દીધી છે. શિક્ષણ વિદો અને વાલીઓએ સવાલ ઉઠાવ્યો છે કે આટલી મોટી ભૂલ વિદ્યાર્થીઓ સુધી પહોંચતા પહેલાં એડિટિંગના કેટલાય તબક્કાઓમાંથી કેવી રીતે બચી ગઈ.</p><h4 style="text-align: justify; "><b>જવાબદારીની માગણી તેજ</b></h4><p style="text-align: justify; ">આ વિવાદે એજ્યુકેશનલ મટીરિયલ, ખાસ કરીને નાના બાળકોના પુસ્તકોના પ્રકાશનમાં પ્રૂફરીડિંગ અને જવાબદારીની માંગને ફરી તેજ કરી દીધી છે. અધિકારીઓએ હજુ સુધી છાપકામની આ કથિત ભૂલ પર કોઈ નિવેદન જાહેર કર્યું નથી. જો આની પુષ્ટિ થઈ જશે, તો ભવિષ્યમાં આવી ભૂલોને રોકવા માટે પુસ્તક પ્રકાશનની પ્રક્રિયાની સમીક્ષા કરવામાં આવી શકે છે.</p><h5 style="text-align: justify; "><b>મોટી સંખ્યામાં ભૂલો સામે આવી</b></h5><p style="text-align: justify; ">આ પહેલો મામલો નથી જ્યારે ઓડિશાના નાના બાળકોના પુસ્તકોમાં ભૂલો પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા હોય. નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) 2020 હેઠળ રાજ્યમાં બહાર પાડવામાં આવી રહેલા નવા પુસ્તકોમાં 1600 થી વધુ ભૂલો જોવા મળી છે. ક્લાસ 1 થી 8 સુધીના વિદ્યાર્થીઓ માટેની 55 નવી SCERT બુક્સમાં 1,678 ભૂલો મળી છે. જેમાં તથ્યોની ભૂલો, વ્યાકરણની ભૂલો, સ્પેલિંગની ભૂલો અને ખોટા સંદર્ભો સામેલ છે. સૌથી વધુ ભૂલો ક્લાસ 8 ના પુસ્તકોમાં મળી છે, જેની સંખ્યા 705 છે.</p><h6 style="text-align: justify; "><b>અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી</b></h6><p style="text-align: justify; ">ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ ટીચર એજ્યુકેશન એન્ડ સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (TE&amp;SCERT) ના પૂર્વ ડાયરેક્ટર મનોજ પાઢી અને ત્રણ આસિસ્ટન્ટ ડાયરેક્ટરને સસ્પેન્ડ કરી દીધા છે. એક સત્તાવાર નિવેદન મુજબ, આ કાર્યવાહી ડેવલપમેન્ટ કમિશનર ડીકે સિંહની અધ્યક્ષતાવાળી કમિટીના રિપોર્ટના આધારે કરવામાં આવી છે, જેણે પુસ્તકો તૈયાર કરવામાં આવેલી ખામીઓની તપાસ કરી હતી. બીજા છ આસિસ્ટન્ટ ડાયરેક્ટર વિરુદ્ધ પણ શિસ્તભંગના પગલાં શરૂ કરવામાં આવ્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gallery/news/entertainment/dia-mirza-religion-mother-hindu-father-christian-ikka-actress-lifestyle-facts" target="_blank">આ પણ વાંચો-માતા હિન્દુ, પિતા ખ્રિસ્તી, જાણો કયા ધર્મને માને છે ઇક્કાની એક્ટ્રેસ દીયા મિર્ઝા?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/iBdoOOkw75WzTLMux3BHXzKUaENBCWNj83LpMaD8.webp'/></item><item><title><![CDATA[Alpha Advance Booking : આલિયા ભટ્ટની પ્રથમ ફીમેલ-લીડ સ્પાય ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાકો કરવા તૈયાર ]]></title><link>https://sandesh.com/entertainment/news/alpha-advance-booking-alia-bhatts-first-female-lead-spy-film-set-to-explode-at-the-box-office</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/alpha-advance-booking-alia-bhatts-first-female-lead-spy-film-set-to-explode-at-the-box-office</guid><pubDate>Thu, 02 Jul 2026 10:15:44 +05:30</pubDate><description><![CDATA[<p>યશરાજ ફિલ્મ્સના પ્રખ્યાત સ્પાય યુનિવર્સની પ્રથમ મહિલા-પ્રમુખ ફિલ્મ "આલ્ફા" આ શુક્રવારે થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આલિયા ભટ્ટ સ્ટારર આ હાઈ-ઓક્ટેન સ્પાય-એક્શન ફિલ્મ માટે એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે, અને શરૂઆતના આંકડાઓ દર્શાવે છે કે દર્શકોમાં આ ફિલ્મને લઈને ભારે ક્રેઝ છે. આલિયા ભટ્ટ ચુલબુલી અને ગ્લેમરસ પાત્રો કર્યો છે. પ્રથમ વખત આલિયા ગ્લેમર છોડી એકશન ફિલ્મ કરી રહી છે. ફિલ્મનું ટિઝર દર્શકોને ખૂબ પસંદ આવ્યું છે. સોશિયલ મીડિયામાં આલિયા અને શરવરી વાઘનો એક વીડિયો ફેન્સને ખૂબ પસંદ આવ્યો. બંનેની કેમેસ્ટ્રી જોયા બાદ દર્શકો આ ફિલ્મ જોવા વધુ આતુર થયા છે.</p><h2><b>આલ્ફાનું જબરજસ્ત એડવાન્સ બુકિંગ</b></h2><p>ટ્રેડ વેબસાઇટ Sacnilk ના પ્રારંભિક ડેટા અનુસાર, 'આલ્ફા' ને પ્રી-ટિકિટ વેચાણમાં દેશભરમાંથી શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે. બ્લોક કરેલી સીટો સહિત, ફિલ્મનું પહેલા દિવસનું એડવાન્સ બુકિંગ હાલમાં ₹૧.૫૨ કરોડ પર પહોંચી ગયું છે. ભારતમાં અત્યાર સુધીમાં ૧૦,૨૯૩ હિન્દી (2D) શો માટે બુકિંગ ઓપન થઈ ચૂક્યું છે. ફિલ્મને સૌથી વધુ ફાયદો મહારાષ્ટ્રમાંથી મળી રહ્યો છે, જ્યાં બ્લોક કરેલી બેઠકો સાથે ₹૩૪.૭૬ લાખનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. દિલ્હી ₹૩૪.૩૫ લાખના બુકિંગ અને ગુજરાતમાં પણ ફિલ્મની પ્રી-રિલીઝ કમાણીમાં ₹૧૦.૬૬ લાખનું મહત્વનું યોગદાન આપ્યું છે.</p><h3><b>'આલ્ફા' પહેલા દિવસે કેટલી કમાણી કરી શકે છે?</b></h3><p>વર્તમાન ટ્રેન્ડ્સ અને પ્રારંભિક અંદાજો મુજબ, 'આલ્ફા' ભારતીય બોક્સ ઓફિસ પર તેના ઓપનિંગ ડે પર ₹૭૦-૮૦ મિલિયન (નેટ) ની કમાણી કરે તેવી અપેક્ષા છે. જોકે, સ્પાય યુનિવર્સની અન્ય ફિલ્મોની સરખામણીએ આ સામાન્ય ઓપનિંગ કહી શકાય, પરંતુ શુક્રવારે થનારા સ્પોટ બુકિંગ (ઓન-ધ-સ્પોટ ટિકિટ ખરીદી) અને પોઝિટિવ માઉથ પબ્લિસિટી (Word of Mouth) ના કારણે આ આંકડો બે આંકડામાં (Double Digit) પહોંચી શકે છે.</p><h4><b>YRF સ્પાય યુનિવર્સમાં નવો ઇતિહાસ કરશે</b></h4><p>90ના દાયકામાં મનમોહન દેસાઈ એકશન ફિલ્મો માટે ફેમસ હતા. તેમ YRF સ્પાય ફિલ્મ બનાવવામાં ઇન્ડસ્ટ્રીમાં મોખરે છે.&nbsp; "એક થા ટાઇગર," "ટાઇગર ઝિંદા હૈ," "વોર," અને "પઠાણ" જેવી મેગા બ્લોકબસ્ટર ફિલ્મો આપ્યા બાદ, YRF સ્પાય યુનિવર્સ આ વખતે "આલ્ફા" દ્વારા ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. આ ફ્રેન્ચાઇઝીની આ પહેલી એવી ફિલ્મ છે જે સંપૂર્ણપણે મહિલા એજન્ટની એક્શન પર આધારિત છે. હવે જોવાનું એ રહેશે કે આલિયા ભટ્ટની આ એક્શન મુવી બોક્સ ઓફિસ પર કેટલા નવા રેકોર્ડ સર્જે છે.</p><p><br></p><p><a href="https://sandesh.com/entertainment/news/welcome-to-the-jungle-worldwide-collection-day-5-beats-25-movies" target="_blank">આ પણ વાંચો : Hit Film : 5 દિવસમાં 25 રેકોર્ડ! બોક્સ ઓફિસ પર વેલકમ 3ની આંધી, વર્લ્ડવાઇડ કરી શાનદાર કમાણી!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/MoDpGCeBiTOO7Ag12BhDfAITnaI9H1CIWljcKk5n.webp'/></item><item><title><![CDATA[Gold Price Today: સસ્તુ થયુ સોનું, પણ ચાંદીએ લીધો યુ ટર્ન, જાણો 10 ગ્રામનો રેટ ]]></title><link>https://sandesh.com/business/news/gold-price-today-gold-became-cheaper-but-silver-took-a-u-turn-know-the-rate-of-10-grams</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/gold-price-today-gold-became-cheaper-but-silver-took-a-u-turn-know-the-rate-of-10-grams</guid><pubDate>Thu, 02 Jul 2026 10:11:54 +05:30</pubDate><description><![CDATA[<p>સોના ચાંદીના ભાવમાં વધારો ઘટાડો આવી રહ્યો છે પરિણામે રોકાણકારો સતર્ક જોવા મળી રહ્યા છે.&nbsp; જુલાઇ માસની શરૂઆતથી જ સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.  2 જુલાઈના રોજ બુલિયન બજારમાં મિશ્ર વલણ જોવા મળ્યું છે.  એક તરફ સોનાના ભાવમાં ઘટાડો થયો છે જ્યારે ચાંદીના ભાવમાં વધારો થયો છે.&nbsp;</p><h2><b>આજે સોનાનો ભાવ&nbsp;</b></h2><p>આજે પણ સોનાના ભાવમાં ઘટાડો ચાલુ છે. 2 જુલાઈના રોજ, 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,44,550 રૂપિયા હતો, જે ગઈકાલની સરખામણીમાં 1.3% ઘટાડો દર્શાવે છે. ગઈકાલે, દેશમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,46,454 રૂપિયા હતો; ત્યારથી તે ઘટીને ₹1,904 રૂપિયા થયો છે. તેવી જ રીતે, ભારતમાં આજે 18 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,08,412.5 રૂપિયા છે, જે ગઈકાલની સરખામણીમાં ₹1,428 રૂપિયાનો ઘટાડો દર્શાવે છે. આ ભાવ ઘટાડાના આધારે, આજે 24 કેરેટ સોનાના 1 ગ્રામનો ભાવ 190 રૂપિયા ઘટ્યો છે, જ્યારે 100 ગ્રામના ભાવમાં 19,000 રૂપિયાનો ઘટાડો થયો છે.</p><h3><b>આજે ચાંદીનો ભાવ શું છે?</b></h3><p>હાજર બજારમાં નીચા સ્તરે ખરીદીને કારણે આજે ચાંદીના ભાવમાં 0.64%નો સુધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરના વલણને પ્રતિબિંબિત કરતા, ગઈકાલના બંધ દરની તુલનામાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ ₹1,400–₹1,500નો વધારો થયો છે.</p><p>આ ભાવ સુધારા બાદ, દેશના છૂટક બજારોમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ ₹2,40,100 ના સ્તરે પાછો ફર્યો છે. પસંદગીના બજારોમાં, સ્થાનિક કર જેવા પરિબળોને કારણે ભાવ પ્રતિ કિલોગ્રામ ₹2,45,000 સુધી પહોંચી ગયા છે. પ્રતિ ગ્રામ ધોરણે, ગઈકાલની તુલનામાં ભાવ આશરે ₹1.50 નો વધારો થયો છે, જે ₹240.10 થી ₹245 ની રેન્જમાં સ્થિર થયો છે.</p><p>દેશના મોટા શહેરોમાં શું છે સોના ચાંદીનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)&nbsp;</p><table class="table table-bordered"><tbody><tr><td><b>શહેર&nbsp;<br></b></td><td><b>24 કેરેટ સોનાની કિંમત ( રૂપિયા/10 ગ્રામ) )</b></td><td><b>&nbsp;22 કેરેટ સોનાની કિંમત( રૂપિયા/10 ગ્રામ)</b></td></tr><tr><td>દિલ્હી</td><td>&nbsp;1,44,600&nbsp;</td><td>1,32,550&nbsp; &nbsp;&nbsp;</td></tr><tr><td>કોલકાતા</td><td>&nbsp;1,44,550</td><td>&nbsp;1,32,500</td></tr><tr><td>ચેન્નઈ&nbsp;</td><td>1,44,560&nbsp;</td><td>1,32,510&nbsp;</td></tr><tr><td>બેંગ્લોર</td><td>&nbsp;1,44,550&nbsp;</td><td>1,32,500&nbsp;&nbsp;</td></tr><tr><td>અમદાવાદ&nbsp;</td><td>1,44,600&nbsp;</td><td>1,32,550&nbsp;</td></tr><tr><td>વડોદરા</td><td>&nbsp;1,44,600</td><td>&nbsp;1,32,550&nbsp;&nbsp;</td></tr></tbody></table><p><b style="font-size: 1.5rem;">સોનાના ભાવ કેમ ઘટી રહ્યા છે?</b></p><p>સોનાના ભાવમાં સતત ઘટાડાથી લોકોમાં ભય ફેલાયો છે કે ભાવ વધુ ઘટી શકે છે. પરિણામે, લોકો સોનું ખરીદવાને બદલે વેચી રહ્યા છે. ફક્ત ચાલુ ક્વાર્ટરમાં, ભારતીયોએ લગભગ 50 ટન જૂનું સોનું વેચ્યું છે. આના કારણે સ્થાનિક બજારોમાં પુરવઠામાં અચાનક વધારો થયો છે, જેના કારણે ભાવમાં ઘટાડો થયો છે. સોનાના ભાવ ઘટવા માટે યુએસ ફેડરલ રિઝર્વને પણ જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે. રોકાણકારોને ડર છે કે વ્યાજ દર ઘટાડવાને બદલે, ફેડ તેમને લાંબા સમય સુધી ઊંચા રાખી શકે છે. સોના પર વ્યાજ કે ડિવિડન્ડ મળતું નથી, તેથી લોકો તેમના રોકાણોને સોનામાંથી સરકારી બોન્ડમાં ખસેડી રહ્યા છે; આનાથી સોનાની માંગમાં ઘટાડો થયો છે. દરમિયાન, યુએસ ડોલર ઇન્ડેક્સ મજબૂત થવાનું ચાલુ રહે છે; મજબૂત ડોલર આંતરરાષ્ટ્રીય બજારોમાં અન્ય ચલણો માટે સોનાની ખરીદીને વધુ મોંઘી બનાવે છે, જેના કારણે માંગમાં ઘટાડો થાય છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/T1A7IVB2a5zahaojYuIIhPyhcjPWv6BxVpCuEiYK.webp'/></item><item><title><![CDATA[Gir Somnath: સુત્રાપાડા-વેરાવળમાં ધોધમાર વરસાદ, ગ્રામ્ય વિસ્તારોની નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ ]]></title><link>https://sandesh.com/weather/news/maru-saher-maru-gaam/gir-somnath/rain-sutrapada-phatak-area-flooded-veraval-heavy-downpour</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/news/maru-saher-maru-gaam/gir-somnath/rain-sutrapada-phatak-area-flooded-veraval-heavy-downpour</guid><pubDate>Thu, 02 Jul 2026 10:08:42 +05:30</pubDate><description><![CDATA[<p>ગીર સોમનાથ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી આબેહૂબ સાચી ઠરી છે. સમુદ્ર તરફથી આવતા ભેજવાળા પવનોના કારણે આજે વહેલી સવારથી જ આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને ત્યારબાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. સુત્રાપાડા અને વેરાવળ પંથકમાં મેઘરાજાએ જાણે ધામા નાખ્યા હોય તેમ અવિરત વરસાદ વરસી રહ્યો છે.</p><h2><b>સુત્રાપાડા ફાટક વિસ્તાર બેટમાં ફેરવાયો</b></h2><p>ભારે વરસાદના કારણે સુત્રાપાડા શહેરનો સૌથી વ્યસ્ત ગણાતો ફાટક વિસ્તાર પાણીથી તરબતર થઈ ગયો છે. યોગ્ય ડ્રેનેજ લાઇનની સફાઈ ન થઈ હોવાના કારણે વરસાદી પાણી રોડ પર ફરી વળ્યા હતા. વાહનો અડધા ડૂબી જાય તેટલા પાણી ભરાઈ જતાં કેટલાય મોટરસાયકલ અને રીક્ષાઓ રસ્તા વચ્ચે જ બંધ પડી ગયા હતા, જેના લીધે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આસપાસની દુકાનોના ઓટલા સુધી પાણી પહોંચી જતાં વેપારીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે.</p><h3><b>વેરાવળમાં પણ સાર્વત્રિક વરસાદ</b></h3><p>બીજી તરફ વેરાવળ શહેરી વિસ્તાર અને તેના બંદર પંથકમાં પણ મેઘરાજાની સેકન્ડ ઇનિંગ ધમાકેદાર રહી છે. ગ્રામ્ય પંથકના ખેતરોમાં પાણી ભરાઈ જતાં મોલને જીવનદાન મળ્યું છે, પરંતુ જો વરસાદ લાંબો સમય ચાલુ રહેશે તો પાકને નુકસાન થવાની પણ ભીતિ છે. જિલ્લા વહીવટી તંત્રે છેવાડાના અને દરિયાકાંઠાના માછીમારોને દરિયો ન ખેડવા અને નાગરિકોને પાણી ભરાયા હોય તેવા અંડરપાસ કે રસ્તાઓ પરથી પસાર ન થવા સત્તાવાર અપીલ કરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/crime/surat/surat-court-historic-verdict-3-accused-sentenced-to-20-years-jail-59-lakh-md-drugs-case" target="_blank">આ પણ વાંચો: Surat: કપ્લેથા ચેકપોસ્ટ પરના 2022ના MD ડ્રગ્સ કેસમાં 3 આરોપીઓને 20-20 વર્ષની સખત જેલ</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/1gvnFXl8gprzkDBS5aE76gDnEQubQZKrUPiHlGEx.webp'/></item><item><title><![CDATA[Surat : ડિંડોલી ચાર રસ્તા પર આખો રોડ બેસી જતાં મહાકાય ટ્રક ગરકાવ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે ભારે આક્રોશ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-dindoli-road-cave-in-truck-trapped-monsoon-news</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-dindoli-road-cave-in-truck-trapped-monsoon-news</guid><pubDate>Thu, 02 Jul 2026 10:00:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરમાં ચોમાસાની શરૂઆત થતાં જ રસ્તાઓ ધોવાઈ રહ્યા છે અને ‘ભુવારાજ’ યથાવત રહ્યું છે. તંત્ર દ્વારા પ્રી-મોન્સૂન કામગીરીના નામે કરવામાં આવેલા કરોડો રૂપિયાના ખર્ચ પર પાણી ફરી વળ્યું હોય તેમ એક પછી એક રોડ બેસી જવાની ઘટનાઓ સામે આવી રહી છે. રસ્તાના કામોમાં રખાયેલી ઘોર બેદરકારી હવે વાહનચાલકો માટે જીવનું જોખમ બની ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>ડિંડોલી ચાર રસ્તા પર રોડ બેસી ગયો</b></h2><p style="text-align: justify; ">સુરતના વ્યસ્ત ગણાતા ડિંડોલી રોડ પર આજે એક મોટી હોનારત સર્જાતા રહી ગઈ હતી. ડિંડોલી ચાર રસ્તા પાસે અચાનક જ આખો રોડ પત્તાના મહેલની જેમ બેસી ગયો હતો. રસ્તાની વચોવચ મહાકાય ભુવો પડી જવાના કારણે ત્યાંથી પસાર થઈ રહેલો એક મોટો ભારેભરખમ ટ્રક આ ખાડામાં ફસાઈ ગયો હતો. ટ્રકનું ટાયર અને અડધો ભાગ રોડની અંદર ગરકાવ થઈ જતાં ચાર રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.</p><h3 style="text-align: justify; "><b>પાલિકાના નબળા કામોની બેદરકારી આવી સામે</b></h3><p style="text-align: justify; ">આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં સુરત મહાનગરપાલિકા અને કોન્ટ્રાક્ટરો સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ચોમાસાની શરૂઆતમાં જ જો ડિંડોલી જેવા મુખ્ય માર્ગો બેસી જતા હોય, તો આગળ આખું ચોમાસું કેવી રીતે નીકળશે તેવો સવાલ સ્થાનિકો પૂછી રહ્યા છે. નબળી ગુણવત્તાના રોડ કામોના કારણે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. હાલમાં તંત્ર દ્વારા ટ્રકને બહાર કાઢવાની અને રસ્તા પર બેરિકેડિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-gujarat-weak-monsoon-crop-advisory-farmers-guide#google_vignette" target="_blank"><b>Sandesh Digital Explainer : ગુજરાતમાં નબળા ચોમાસાની આશંકા, પાકને બચાવવા વાંચો લાઈફ સેવિંગ ગોલ્ડન ગાઈડલાઈન</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/zf2J42NzAoCEwb0DV9q4HwSArLRZPobuc1ZUfhQN.webp'/></item><item><title><![CDATA[Kheda: કડાણા ડેમમાંથી 3,500 ક્યુસેક પાણી છોડાયું, 2 લાખ હેક્ટરને મળશે સિંચાઈનો લાભ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kheda/kadana-dam-releases-3500-cusec-water-for-kheda-anand-farmers-mahi-canal-irrigation</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kheda/kadana-dam-releases-3500-cusec-water-for-kheda-anand-farmers-mahi-canal-irrigation</guid><pubDate>Thu, 02 Jul 2026 09:15:26 +05:30</pubDate><description><![CDATA[<p>મધ્ય ગુજરાતના જીવાદોરી સમાન ચરોતર પંથકમાં ડાંગરની ખેતી કરતા ખેડૂતો માટે રાજ્ય સરકાર અને સિંચાઈ વિભાગ તરફથી મોટી ભેટ મળી છે. સામાન્ય રીતે ચોમાસાના પ્રારંભિક દિવસોમાં ખેડૂતો ડાંગરના ધરૂવાડિયા (ધરૂ) તૈયાર કરતા હોય છે, જેના માટે વિપુલ પ્રમાણમાં પાણીની જરૂરિયાત રહે છે. જોકે, ચાલુ સીઝનમાં મેઘરાજાએ શરૂઆતમાં હાથતાળી આપતાં ચરોતરના ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા હતા અને મોંઘા ડાંગરના ધરૂ બળી જવાની અણી પર હતા.</p><h2><b>ખેડૂતોની માગણી પર તંત્રનું ત્વરિત એક્શન</b></h2><p>પરિસ્થિતિની ગંભીરતાને સમજીને ખેડા અને આણંદ જિલ્લાના ખેડૂત સંગઠનો દ્વારા સ્થાનિક સ્તરે અને સિંચાઈ વિભાગમાં વહેલું પાણી છોડવા માટે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. આ મામલે સિંચાઈ સલાહકાર સમિતિની તાકીદની બેઠક મળી હતી, જેમાં પાકને બચાવવા માટે કડાણા ડેમમાંથી તાત્કાલિક પાણી છોડવાની સત્તાવાર ભલામણ કરાઈ હતી. સમિતિની મંજૂરી મળતાં જ વણાંકબોરી વિયર ખાતેથી મહી જમણા કાંઠા નહેર યોજના હેઠળ ૩,૫૦૦ ક્યુસેક પાણી વહેતું કરી દેવાયું છે.</p><h3><b>આજે સાંજથી નહેરો છલકાશે</b></h3><p>સિંચાઈ એન્જિનિયરોના જણાવ્યા મુજબ, કડાણામાંથી છોડાયેલું પાણી તેના નિર્ધારિત પ્રવાહ ગતિ સાથે આજે સાંજ સુધીમાં ખેડા અને આણંદ જિલ્લાના છેવાડાના ગામોની કેનાલો સુધી પહોંચી જશે. આ પાણી મળવાથી અંદાજે ૨ લાખ હેક્ટર જમીનમાં ડાંગરના પાકની રોપણી સુનિશ્ચિત થઈ શકશે. ખેડૂતોએ સરકારના આ ખેડૂતલક્ષી નિર્ણયને આવકાર્યો છે અને કેનાલ કાંઠાના વિસ્તારોમાં પાણીના આગમનને વધાવવા માટે ધરતીપુત્રો ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/gir-forest-asiatic-lions-family-viral-video-monsoon-season" target="_blank">આ પણ વાંચો: Junagadh: ગીરના જંગલમાંથી સામે આવ્યો સિંહ પરિવારનો મનમોહક વીડિયો, પ્રકૃતિના ખોળે જોવા મળ્યો અદભુત નજારો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/BU9TI0I6biKIIPJz3d8eG6p4LMXLyIXnVPt8AcAq.webp'/></item><item><title><![CDATA[IND vs ENG 1st T20: અભિષેક શર્માની તોફાની બેટિંગ છતાં પ્રથમ T20 મેચ ધોવાઈ, વરસાદના કારણે મેચ રદ ]]></title><link>https://sandesh.com/cricket/news/sports/ind-vs-eng-1st-t20-despite-abhishek-sharmas-stormy-fifty-the-first-t20-match-was-washed-out-the-match-was-called-off-due-to-rain</link><guid isPermaLink="true">https://sandesh.com/cricket/news/sports/ind-vs-eng-1st-t20-despite-abhishek-sharmas-stormy-fifty-the-first-t20-match-was-washed-out-the-match-was-called-off-due-to-rain</guid><pubDate>Thu, 02 Jul 2026 08:29:18 +05:30</pubDate><description><![CDATA[<p>ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ T20 મેચમાં વરસાદ વિલન બન્યો હતો. ભારતીય ઇનિંગ્સ પૂરી થયા બાદ સતત ભારે વરસાદ પડવાને કારણે બીજા હાફની રમત શક્ય બની ન હતી. વરસાદ બંધ ના થતા આખરે અમ્પાયરોએ આખરે મેચ રદ કરવાનો નિર્ણય લીધો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 189 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. કેપ્ટન શ્રેયસ ઐયરે શાનદાર 68 રનની ઇનિંગ રમી હતી. ભારતના બેટસમેનોએ શાનદાર પ્રદર્શન કરવા છતાં મેચ જીતવાની મહેનત વ્યર્થ ગઈ.&nbsp;</p><h2><b>ભારતના બેટસમેનોનું શાનદાર પ્રદર્શન</b></h2><p>ઇંગ્લેન્ડ સામે અભિષેક શર્માએ વિસ્ફોટ બેટિંગ કરી હતી. ઓપનર અભિષેક શર્માએ માત્ર 20 બોલમાં ફિફ્ટી ફટકારી હતી અને કુલ 24 બોલમાં 59 રનની તોફાની ઇનિંગ રમી પાવરપ્લેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. તેને સેમ કરને LBW આઉટ કર્યો હતો. ઇનિંગ્સના અંતિમ ભાગમાં શિવમ દુબેએ 200ના સ્ટ્રાઇક રેટથી 42 રન બનાવીને ટીમના સ્કોરને 189 સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. સંજુ સેમસન (1 રન) ફરી એકવાર સસ્તો આઉટ થયો હતો, યુકેના પ્રવાસમાં તેનો ખરાબ ફોર્મ (છેલ્લા ત્રણ સ્કોર: 5, 0, 1) ચિંતાનો વિષય બન્યો છે. તે જ ઓવરમાં ઇશાન કિશન પણ સતત બીજી ઇનિંગ્સમાં રનઆઉટ થતાં ભારતે માત્ર 2 રનના સ્કોર પર 2 વિકેટ ગુમાવી દીધી હતી.</p><h3><b>ઇંગ્લેન્ડના ખેલાડીઓનું કમબેક</b></h3><p>ઇંગ્લેન્ડ તરફથી લાંબા સમય પછી વાપસી કરી રહેલા ફાસ્ટ બોલર સાકિબ મહમૂદે 33 રન આપીને 3 મહત્વની વિકેટો (સંજુ સેમસન, શ્રેયસ ઐયર અને તિલક વર્મા) ઝડપી હતી. ડાબા ઘૂંટણની સર્જરી અને લાંબા આરામ બાદ સાકિબ મહમૂદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફર્યો છે. આ ઇજાના કારણે તે આયર્લેન્ડ પ્રવાસ, SA20 અને T20 વર્લ્ડ કપ પણ રમી શક્યો ન હતો. જોકે, ECB એ તેના પર ભરોસો રાખીને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આપ્યો હતો, જેને સાકિબે આ મેચમાં સાર્થક કર્યો હતો. શરૂઆતમાં અભિષેક શર્માએ સાકિબની એક ઓવરમાં 21 રન ફટકાર્યા હતા, પરંતુ તેણે શાનદાર વાપસી કરીને ઇનિંગ્સના મધ્ય અને અંતિમ ભાગમાં ભારતને મોટા સ્કોર તરફ જતા રોક્યું હતું.</p><h4><b>ભારત માટે ફરી વરસાદ બન્યો વિલન</b></h4><p>ભારતે પ્રથમ બેટિંગ કરતા 190 રનનો વિશાળ લક્ષ્યાંક મૂક્યો હતો. ટીમ ઈન્ડિયાની  શરૂઆત ખૂબ જ ખરાબ રહી, તેણે બીજી ઓવરમાં સંજુ સેમસન અને ઈશાન કિશનની વિકેટ ગુમાવી દીધી. અભિષેક શર્માએ માત્ર 24 બોલમાં 59 રન બનાવ્યા. સંજુ સેમસન (૧ રન) સાકિબ મહમૂદના બોલ પર ટોમ બેન્ટનના હાથે કેચ આઉટ થયો, જ્યારે ઈશાન કિશન કોઈ રન બનાવ્યા વિના રન આઉટ થયો. ત્યાંથી, અભિષેક શર્મા અને કેપ્ટન શ્રેયસ ઐયરે ત્રીજી વિકેટ માટે ૮૨ રનની ભાગીદારી નોંધાવી.&nbsp; સેમ કુરનએ ધીમી બોલિંગથી તેને આઉટ કર્યો. તિલક વર્મા (13) ખાસ કંઈ કરી શક્યો નહીં અને સાકિબ મહમૂદનો બોલ ઝીલી ગયો. ત્યારબાદ શ્રેયસ ઐયર અને શિવમ દુબેએ પાંચમી વિકેટ માટે 41 રન ઉમેર્યા. શ્રેયસ ઐયરે ૪૭ બોલમાં ૬ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૬૮ રન બનાવ્યા. સાકિબ મહમૂદે શ્રેયસ ઐયરને આઉટ કરીને આ ભાગીદારી તોડી.</p><p><b>ભારત વિ ઇંગ્લેન્ડ (હેડ ટુ હેડ)&nbsp;</b></p><p>કુલ ટી20 મેચ: 31 મેચ&nbsp;</p><p>ભારત જીત્યું: ૧૮&nbsp;</p><p>ઇંગ્લેન્ડ જીત: ૧૨</p><p>કોઈ પરિણામ નથી: ૧</p><p><br></p><p><a href="https://sandesh.com/cricket/news/vaibhav-sooryavanshi-misses-ind-debut-vs-eng-1st-t20i" target="_blank">આ પણ વાંચો : Vaibhav Sooryavanshiને આયર્લેન્ડ પછી ઈંગ્લેન્ડમાં પણ ન મળી તક, જોવી પડશે લાંબો સમય રાહ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/YGBeDtwvM2PbpYopNQX4xgVOydJ0B2tFUb4Fsjvh.webp'/></item></channel></rss>