<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Vadodara: શિનોર કડિયાવાડથી ટીમ્બા ફળિયા સુધી આરસીસી રોડનું ખાતમુહૂર્ત ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-foundation-stone-laying-ceremony-of-rcc-road-from-shinor-kadiawad-to-timba-phalia</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-foundation-stone-laying-ceremony-of-rcc-road-from-shinor-kadiawad-to-timba-phalia</guid><pubDate>Wed, 10 Jun 2026 05:53:51 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">શિનોર : શિનોર ગામમાં છેલ્લા એક વર્ષથી વિકાસના કામો નાની ભાગોળ વિસ્તાર, કોલોનીમા સતત ચાલે છે. કોલોની, કડીયાવાડ, ડબ્બી ફ્ળિયું, લક્ષ્મીચોક, સિંધીવાડ અને ભટ્ટશેરી વિસ્તારના લોકોની વર્ષોની ગટર લાઈનની માગણીને ગ્રામ પંચાયતના મહિલા સરપંચ કિન્નલબેન પટેલ અને ઉપસરપંચ નિતિન ખત્રીની રજુઆતોના પગલે તત્કાલિન તાલુકા પંચાયત પ્રમુખ અને સરપંચ પતિ સચિન પટેલ દ્વારા જુદી-જુદી તાલુકા પંચાયતમા આવતી ગ્રાન્ટમાંથી 50 લાખ ઉપરાંતની ફળવી આપતા ગટર લાઈનનું કામ છેલ્લા એક વર્ષ થી ચાલે છે. તેમજ જોરભાઈના ફ્ળીયાથી લક્ષ્મીચોક સી.સી રોડ રૂા.2 લાખ અને લક્ષ્મીચોકથી નાની ભાગોળ ગેસ એજન્સી સુધી રૂા.5 લાખના આરસીસીનું કામ પણ કરાયું હતું. આજે નાણાંપંચની ગ્રાન્ટમાંથી રૂા.5 લાખના ખર્ચે કડીયાવાડથી ટીમ્બાફ્ળી જવાના માર્ગનું ખાતમુહૂર્ત એપીએમસી ચેરમેન સચિન પટેલ અને ઉપ સરપંચ નિતિન ખત્રી, ગ્રામ પંચાયત સભ્યોની ઉપસ્થિતમાં કરાયું હતું. ચોમાસા પહેલા કામ ચાલુ થતાં આનંદ ફેલાયો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/10/UT5WX2TQkIF5uOQ49vRg1lLmWMj3du0ahHspXCzQ.webp'/></item><item><title><![CDATA[Tharad: ધાનેરા પંથકમાં મોટી દીકરીનો પતિ સગીર સાળીને ભગાડી ફરાર થઇ ગયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/tharad/tharad-in-dhanera-panthak-the-husband-of-the-elder-daughter-chased-away-the-minor-sister-in-law-and-absconded</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/tharad/tharad-in-dhanera-panthak-the-husband-of-the-elder-daughter-chased-away-the-minor-sister-in-law-and-absconded</guid><pubDate>Wed, 10 Jun 2026 05:53:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ધાનેરા તાલુકાના એક ગામમાં સગાઈના સંબંધને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં મોટી દીકરીના પતિએ પોતાની સગીર સાળીને લલચાવી-ફેસલાવીને ભાગી છૂટતા પરિવારજનોએ ધાનેરા પોલીસ મથકે સગીર દીકરીનું અપહરણ થયાની ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ, ધાનેરા તાલુકાના એક ગામની મોટી દીકરીની સગાઈ ધાનેરા નજીકના જ એક ગામના યુવક સાથે નક્કી કરવામાં આવી હતી. આથી આ યુવક અવારનવાર પોતાના સાસરી પક્ષના ગામમાં મળવા માટે આવતો હતો. ગતરોજ જ્યારે પરિવારના સભ્યો ખેતરે ગયા હતા, ત્યારે આ યુવક ઘરે આવ્યો હતો. ઘરે હાજર તેની નાની સગીર સાળી અને એક નાના સગીર સાળાને તે બજારમાં ચોકલેટ તેમજ દૂધ અપાવવાના બહાને દુકાને લઈ ગયો હતો. આ મામલે સગીરાના પરિવારજનોએ તાત્કાલિક ધાનેરા પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર ઘટના અંગે વિગતવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભોગ બનનાર સગીરાના પરિવારની ફરિયાદના આધારે આરોપી જીજાજી વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા અને સગીરાને હેમખેમ પરત લાવવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/10/O3DuonGkNfOTcYdvcy7403pCtPUWhLTVH9Zot24U.webp'/></item><item><title><![CDATA[Dabhoi: ડભોઇ સ્ટેચ્યૂ ઓફ યુનિટી મુખ્ય માર્ગ પર વરસાદી કાંસનું કામ અધૂરું ? ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dabhoi/dabhoi-rain-gutter-work-on-dabhoi-statue-of-unity-main-road-incomplete</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dabhoi/dabhoi-rain-gutter-work-on-dabhoi-statue-of-unity-main-road-incomplete</guid><pubDate>Wed, 10 Jun 2026 05:52:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વિશ્વભરમાં પ્રખ્યાત સ્ટેચ્યુ ઓફ્ યુનિટીને જોડતા મુખ્ય સ્ટેટ હાઇવે પર વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટરોની ગંભીર બેદરકારી સામે આવી છે. ડભોઇથી વેગા થઈ નાંદોદી ભાગોળ અને ત્યાંથી ચાતરીયા પીર સુધીના વિસ્તારમાં કરોડોના ખર્ચે બની રહેલી વરસાદી કાંસનું કામ હાલ અદ્ધરતાલ જોવા મળે છે. ચોમાસું માથે છે. ત્યારે કોન્ટ્રાક્ટરો કામ અધૂરું મૂકીને રફુચક્કર થયા હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. જેને પગલે સ્થાનિક રહીશોમાં ચિંતાનો માહોલ છે. ડભોઇ વેગાથી લઈને ચાતરીયા પીર સુધી વરસાદી પાણીના નિકાલ માટે કાંસ બનાવવાની કામગીરી શરૂ કરાઇ હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે, કેટલાક સમયથી કોન્ટ્રાક્ટરો કામ અધ વચ્ચે જ છોડીને જતા રહ્યાં છે. ખોદાયેલી કાંસો અને અધૂરા બાંધકામને કારણે સમગ્ર વિસ્તાર બિસ્માર બન્યો છે. ચોમાસા પહેલા આ કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ થવી જોઈતી હતી. પરંતુ હાલમાં સાઇટ પર કોઈ કામગીરી ન થતાં તંત્રના પ્રી-મોન્સૂન કામગ્ના દાવા પોકળ સાબિત થયા છે. જો આગામી દિવસોમાં ભારે વરસાદ પડશે, તો અધૂરી કાંસને કારણે પાણી આગળ વધી શકશે નહીં અને બ્લોકેજ સર્જાશે. આ સ્થિતિમાં ડભોઇની આસપાસની અસંખ્ય રહેણાંક સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસી જવાની 100 ટકા શક્યતા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/10/2VXMrpK4QVwFnhktFHu11SSbqdAhd7aWmPzdgOrJ.webp'/></item><item><title><![CDATA[Vadodara: ઉદલપુર-જાનીપુરા ગ્રામજનોનો BD પટેલ ક્વૉરીના બ્લાસ્ટિંગ સામે વિરોધ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-udalpur-janipura-villagers-protest-against-blasting-of-bd-patel-quarry</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-udalpur-janipura-villagers-protest-against-blasting-of-bd-patel-quarry</guid><pubDate>Wed, 10 Jun 2026 05:50:24 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ડેસર તાલુકાના ઉદલપુર અને જાનીપુરાના સરપંચ પુર્વ સરપંચ અને ગ્રામજનો દ્વારા BD પટેલ ક્વૉરી માઈન્સમાં ચાલી રહેલા બ્લાસ્ટિંગ સામે ભારે વિરોધ નોંધાવી તંત્રને લેખિત રજૂઆત કરી હતી.</p><p style="text-align: justify; ">ગ્રામજનોએઆક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ખતરનાક બ્લાસ્ટિંગને કારણે આસપાસના વિસ્તારમાં ભારે ધડાકા, ધૂળના ગોટેગોટા અને જમીનમાં કંપન અનુભવાય છે, તેના કારણે જાનીપુરા અને ઉદલપુરના ગ્રામજનોમાં ભય ફેલાયો છે.</p><p style="text-align: justify; ">ઉદલપુર સરપંચ નિતેશ ચારણ, પૂર્વ સરપંચ મુકેશ પટેલ, ડેસરના પૂર્વ સરપંચ દલપતસિંહ પરમાર સહિત ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે, સતત બ્લાસ્ટિંગથી રહેણાંક મકાનોમાં તિરાડો પડવાની શક્યતા છે. પાણીની ટાંકી, શાળા અને અન્ય જાહેર મિલકતોની સુરક્ષા અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરાઇ હતી. જાનમાલને નુકસાન થવાની આશંકા વચ્ચે બ્લાસ્ટિંગનું કામ તાત્કાલિક બંધ કરાવવા તેઓ દ્વારા માંગણી કરાઇ હતી. રજૂઆતમાં સ્થળની સરકારી માપણી અને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી તમામ પ્રકારની બ્લાસ્ટિંગ પ્રવૃત્તિ રોકવાની માંગ કરાઇ હતી. સાથે જ ATR સહિત જરૂરી મંજૂરી, ખનન પ્રક્રિયા અને પર્યાવરણીય નિયમના પાલનની તપાસ કરવા તંત્રને અનુરોધ કરાયો હતો. બ્લાસ્ટિંગના કારણે પર્યાવરણ અને સ્થાનિકોના સ્વાસ્થ્ય પર પણ પ્રતિકૂળ અસર થઈ શકે છે. તેથી સંબંધિત વિભાગો દ્વારા તપાસ કરાવી પગલાં ભરવા માંગ કરાઇ હતી. આ વિકટ સમસ્યા અંગે ડેસર મામલતદાર, ડેસર પોલીસને ગ્રામજનો દ્વારા આવેદનપત્ર અપાયું હતું.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/10/pAN8aR8cOdxZJLlX0QMk9tA22KVnLhREO5nagBCR.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: વિસલપુર ગામની પ્રા. શાળામાં સ્વચ્છતા સપ્તાહની ઉજવણી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-celebration-of-cleanliness-week-at-visalpur-village-primary-school</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-celebration-of-cleanliness-week-at-visalpur-village-primary-school</guid><pubDate>Wed, 10 Jun 2026 05:38:23 +05:30</pubDate><description><![CDATA[<p>દસ્ક્રોઈ : દસ્ક્રોઈ તાલુકાના વિસલપુર પ્રાથમિક શાળામાં સ્વચ્છતા સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં દસ્ક્રોઈના ધારાસભ્ય બાબુભાઇ જમનાદાસ પટેલ મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત ગીત અને દીપ પ્રાગટય સાથે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ધારાસભ્ય સહિતના આગેવાનો ગામમાં સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ સફાઈ કામગીરી કરી હતી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/10/qo4aiHDOYm8JufzJj5wHz9Pzd4QeDZFUNzd1xltp.webp'/></item><item><title><![CDATA[Sapna Chaudhary સાથે તેના પતિએ કરી મારઝૂડ, પુરાવા જોઈ અદાલતે સંભળાવ્યો મોટો ચુકાદો! ]]></title><link>https://sandesh.com/entertainment/news/sapna-chaudhary-was-beaten-up-by-her-husband-the-court-delivered-a-big-verdict-after-looking-at-the-evidence</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/sapna-chaudhary-was-beaten-up-by-her-husband-the-court-delivered-a-big-verdict-after-looking-at-the-evidence</guid><pubDate>Tue, 09 Jun 2026 23:51:17 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હરિયાણવી સ્ટાર સપના ચૌધરીના છૂટાછેડાની ચર્ચાએ ફરી જોર પકડ્યું છે. સપનાએ તેના પતિ વીર સાહુ (યશવીર સાહુ) પર ઘરેલું હિંસાનો ગંભીર આરોપ લગાવ્યો છે. સપના દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓને ધ્યાનમાં રાખીને કોર્ટે તેના પતિને સપનાથી દૂર રહેવાનો આદેશ આપ્યો છે.</p><h2 style="text-align: justify; ">ઘરેલું હિંસાના કેસમાં મોટી રાહત</h2><p style="text-align: justify; ">હરિયાણવી સિંગર, ડાન્સર અને એક્ટ્રેસ સપના ચૌધરીને ઘરેલું હિંસાના કેસમાં મોટી કાનૂની રાહત મળી છે. દિલ્હીની દ્વારકા મહિલા કોર્ટે સપના ચૌધરીને વચગાળાની સુરક્ષા પૂરી પાડી છે અને તેના પતિ યશવીર સાહુને તેની સાથે કોઈપણ પ્રકારનો સંપર્ક કરવા કે તેની નજીક આવવા પર પ્રતિબંધ મૂક્યો છે.</p><h2 style="text-align: justify; ">ફિલ્મ પ્રીમિયર પહેલાં કોર્ટનો મોટો આદેશ</h2><p style="text-align: justify; ">આ આદેશ સપનાની આગામી ફિલ્મ 'મોમાકૂ' ના પ્રીમિયરના બરાબર પહેલા આવ્યો છે. કોર્ટે યશવીર સાહુને સપનાના ઘર, ઓફિસ અને ફિલ્મ પ્રીમિયરના સ્થળે પણ જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ આદેશ આગામી સુનાવણી સુધી લાગુ રહેશે. છેલ્લા ઘણા દિવસોથી સપનાના લગ્નજીવનમાં ખટપટ ચાલી રહી હોવાના અહેવાલો હતા અને અગાઉ ઘણા ઇન્ટરવ્યુમાં પણ તેણે લગ્ન તૂટવાના સંકેત આપ્યા હતા, જેના પર હવે મહોર વાગતી દેખાઈ રહી છે.</p><h3 style="text-align: justify; ">સપનાએ લગાવ્યા ઘરેલું હિંસાના ગંભીર આરોપ</h3><p style="text-align: justify; ">સપના ચૌધરીએ મહિલા કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં આરોપ લગાવ્યો છે કે તેના પતિએ ઘણી વખત તેની સાથે મારપીટ કરી છે અને જાહેર સ્થળોએ પણ હોબાળો મચાવ્યો છે. સપનાનું કહેવું છે કે સતત થતી હિંસાના કારણે તેણે પોતાના બે સગીર બાળકો સાથે સાસરી છોડવી પડી હતી. તેણે આ મામલે ઘરેલું હિંસાની ફરિયાદ પણ નોંધાવી છે.</p><h3 style="text-align: justify; ">કોર્ટે પુરાવા જોઈને આપ્યો આદેશ</h3><p style="text-align: justify; ">સપના તરફથી હાજર રહેલા વકીલ પ્રીતિ સિંહે કોર્ટમાં દલીલ કરી હતી કે ભવિષ્યમાં પણ આવી ઘટનાઓ પુનરાવર્તિત થવાની આશંકા છે. ખાસ કરીને 10 જૂને યોજાનારા ફિલ્મ પ્રીમિયરને ધ્યાનમાં રાખીને એવો ડર હતો કે યશવીર ત્યાં પહોંચીને હંગામો મચાવી શકે છે અને સપનાની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે. કોર્ટે મેડિકલ રિપોર્ટ, ઇજાઓના ફોટોગ્રાફ્સ અને કથિત ધમકીઓના રેકોર્ડિંગ સહિતના તમામ દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ આ વચગાળાનો આદેશ જારી કર્યો છે.</p><h4 style="text-align: justify; ">પતિના સંપર્ક કરવા પર પ્રતિબંધ</h4><p style="text-align: justify; ">મહિલા કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે આગામી સુનાવણી સુધી યશવીર સાહુ સપના ચૌધરીનો કોઈપણ રીતે સંપર્ક કરી શકશે નહીં. તેમને સપનાના ઘર, કાર્યસ્થળ કે ફિલ્મ પ્રીમિયરના સ્થળે જવાની પણ પરવાનગી નથી. કોર્ટની કડક સૂચના: ન્યાયિક મેજિસ્ટ્રેટ નિધિ સિંહે સંબંધિત પ્રોટેક્શન ઓફિસર અને વિસ્તારના SHOને આદેશની નકલ યશવીર સાહુ સુધી પહોંચાડવા અને સપના ચૌધરીને તમામ જરૂરી સુરક્ષા અને સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે.</p><h4 style="text-align: justify; ">25 જુલાઈએ થશે આગામી સુનાવણી</h4><p style="text-align: justify; ">કોર્ટે ઘરેલું હિંસાના આ મામલામાં યશવીર સાહુને સમન્સ પણ જારી કરીને સુનાવણીમાં હાજર થવા આદેશ કર્યો છે. આ કેસની આગામી સુનાવણી 25 જુલાઈએ હાથ ધરવામાં આવશે. હાલમાં સપના ચૌધરી દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર અંતિમ ચુકાદો આવવાનો બાકી છે અને કાનૂની પ્રક્રિયા ચાલુ છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/gA30tUZbh1yOAvlLegu0P7YVovtaxsamaLlB44X0.webp'/></item><item><title><![CDATA[TCS Share Price: ઘટી રહેલા શેરના ભાવ અંગે શેરધારકે કર્યો સવાલ તો ચેરમેને સમજાવ્યુ ગણિત, જાણો શું કહ્યુ? ]]></title><link>https://sandesh.com/business/news/india/tcs-share-price-when-a-shareholder-asked-about-the-falling-share-price-the-chairman-explained-the-math-know-what-he-said</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/tcs-share-price-when-a-shareholder-asked-about-the-falling-share-price-the-chairman-explained-the-math-know-what-he-said</guid><pubDate>Tue, 09 Jun 2026 19:23:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">એક સમયે, IT જાયન્ટનો શેર 4 હજારને સ્પર્શી રહ્યો હતો. પરંતુ છેલ્લા એક વર્ષમાં, તે ઝડપથી ઘટીને 2200થી 2500ની રેન્જમાં છે. 
</p><h2 style="text-align: justify; ">બે મુખ્ય કારણ જવાબદાર 
</h2><p style="text-align: justify; ">કંપનીની 31મી વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકે પૂછ્યું કે, મજબૂત પરિણામો છતાં શેરનો ભાવ આટલો ઝડપથી કેમ ઘટ્યો. ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને પરિસ્થિતિ સમજાવી. ચંદ્રશેખરને જવાબ આપ્યો અને આ પાછળના બે મુખ્ય કારણો છે. ઓગસ્ટ-સપ્ટેમ્બર 2024માં નેશનલ સ્ટોક એક્સચેન્જ પર TCSના શેર 4289.85ની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. ત્યારથી, આ ઘટાડો ચાલુ રહ્યો છે. અને મંગળવારના રોજ તેનો શેર 0.02% ઘટીને રૂપિયા 2151 પર બંધ થયો. આ ઘટાડો 50 ટકાથી થોડો વધારે દર્શાવે છે. હાલમાં, તે સપ્ટેમ્બર 2020ના ભાવે પહોંચ્યો છે. સ્પષ્ટપણે, રોકાણકારો આનાથી નાખુશ છે.
</p><h3 style="text-align: justify; ">યુદ્ધો અને ભૂ-રાજકીય તણાવ
</h3><p style="text-align: justify; ">ચેરમેન એન. ચંદ્રશેખરને શેરધારકોને ખાતરી આપી હતી કે શેરના ભાવમાં આ ઘટાડો TCS પૂરતો મર્યાદિત નથી. પરંતુ વૈશ્વિક IT ક્ષેત્ર હાલમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. તેમણે પ્રથમ મુખ્ય કારણ વિશ્વના ઘણા ભાગોમાં ચાલી રહેલા યુદ્ધો અને ભૂ-રાજકીય તણાવને કારણે બગડતા વ્યવસાયિક વાતાવરણ તરીકે ટાંક્યું હતું. જેણે સપ્લાય ચેઇન પર ગંભીર અસર કરી છે. કંપનીઓ હાલમાં નવા સાહસો શરૂ કરવાને બદલે તેમના હાલના વ્યવસાયોને સુરક્ષિત કરવા અને તેમની સપ્લાય ચેઇનને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
</p><h4 style="text-align: justify; ">AI સૌથી મોટું સંકટ 
</h4><p style="text-align: justify; ">ઘટાડાનું બીજું અને સૌથી મહત્વનું કારણ સમજાવતા, એન. ચંદ્રશેખરન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉલ્લેખ કરે છે. તેમણે કહ્યું કે આજે શેરબજારમાં IT કંપનીઓને ઘેરાયેલો સૌથી મોટો ભય AI છે. રોકાણકારો આશ્ચર્ય પામી રહ્યા છે: જો AI કમ્પ્યુટર કોડ લખી શકે છે, સોફ્ટવેરનું પરીક્ષણ કરી શકે છે અને ઘણા તકનીકી કાર્યો સ્વતંત્ર રીતે સંભાળી શકે છે, તો TCS જેવી IT સેવા કંપનીઓનું ભવિષ્ય શું હશે? આ ડરને કારણે, માત્ર TCS જ નહીં, પરંતુ વિશ્વભરમાં IT સેવાઓ, સોફ્ટવેર અને SaaSમાં સંકળાયેલી લગભગ બધી કંપનીઓ ઇન્ટરનેટ દ્વારા સીધી રીતે પહોંચાડવામાં આવતી સોફ્ટવેર સેવાઓમાં, તેમના શેરમાં 35% થી 45% નો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/israel-was-left-alone-in-the-iran-war-from-uae-to-america-everyone-left-the-alliance-know-why" target="_blank">Iran યુદ્ધમાં Israel થયુ એકલું, UAEથી લઈને America સુધી બધાએ છોડ્યો સાથ, જાણો કેમ?</a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/cVESxsnsxqYCanjViXQmQURWEHi3M5tzcIYNxpiy.webp'/></item><item><title><![CDATA[TCS Share Price: ઘટી રહેલા શેરના ભાવ અંગે શેરધારકે કર્યો સવાલ તો ચેરમેને સમજાવ્યુ ગણિત, જાણો શું કહ્યુ? ]]></title><link>https://sandesh.com/business/news/india/tcs-share-price-when-a-shareholder-asked-about-the-falling-share-price-the-chairman-explained-the-math-know-what-he-said</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/tcs-share-price-when-a-shareholder-asked-about-the-falling-share-price-the-chairman-explained-the-math-know-what-he-said</guid><pubDate>Tue, 09 Jun 2026 19:23:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">એક સમયે, IT જાયન્ટનો શેર 4 હજારને સ્પર્શી રહ્યો હતો. પરંતુ છેલ્લા એક વર્ષમાં, તે ઝડપથી ઘટીને 2200થી 2500ની રેન્જમાં છે. 
</p><h2 style="text-align: justify; ">બે મુખ્ય કારણ જવાબદાર 
</h2><p style="text-align: justify; ">કંપનીની 31મી વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકે પૂછ્યું કે, મજબૂત પરિણામો છતાં શેરનો ભાવ આટલો ઝડપથી કેમ ઘટ્યો. ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને પરિસ્થિતિ સમજાવી. ચંદ્રશેખરને જવાબ આપ્યો અને આ પાછળના બે મુખ્ય કારણો છે. ઓગસ્ટ-સપ્ટેમ્બર 2024માં નેશનલ સ્ટોક એક્સચેન્જ પર TCSના શેર 4289.85ની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. ત્યારથી, આ ઘટાડો ચાલુ રહ્યો છે. અને મંગળવારના રોજ તેનો શેર 0.02% ઘટીને રૂપિયા 2151 પર બંધ થયો. આ ઘટાડો 50 ટકાથી થોડો વધારે દર્શાવે છે. હાલમાં, તે સપ્ટેમ્બર 2020ના ભાવે પહોંચ્યો છે. સ્પષ્ટપણે, રોકાણકારો આનાથી નાખુશ છે.
</p><h3 style="text-align: justify; ">યુદ્ધો અને ભૂ-રાજકીય તણાવ
</h3><p style="text-align: justify; ">ચેરમેન એન. ચંદ્રશેખરને શેરધારકોને ખાતરી આપી હતી કે શેરના ભાવમાં આ ઘટાડો TCS પૂરતો મર્યાદિત નથી. પરંતુ વૈશ્વિક IT ક્ષેત્ર હાલમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. તેમણે પ્રથમ મુખ્ય કારણ વિશ્વના ઘણા ભાગોમાં ચાલી રહેલા યુદ્ધો અને ભૂ-રાજકીય તણાવને કારણે બગડતા વ્યવસાયિક વાતાવરણ તરીકે ટાંક્યું હતું. જેણે સપ્લાય ચેઇન પર ગંભીર અસર કરી છે. કંપનીઓ હાલમાં નવા સાહસો શરૂ કરવાને બદલે તેમના હાલના વ્યવસાયોને સુરક્ષિત કરવા અને તેમની સપ્લાય ચેઇનને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
</p><h4 style="text-align: justify; ">AI સૌથી મોટું સંકટ 
</h4><p style="text-align: justify; ">ઘટાડાનું બીજું અને સૌથી મહત્વનું કારણ સમજાવતા, એન. ચંદ્રશેખરન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉલ્લેખ કરે છે. તેમણે કહ્યું કે આજે શેરબજારમાં IT કંપનીઓને ઘેરાયેલો સૌથી મોટો ભય AI છે. રોકાણકારો આશ્ચર્ય પામી રહ્યા છે: જો AI કમ્પ્યુટર કોડ લખી શકે છે, સોફ્ટવેરનું પરીક્ષણ કરી શકે છે અને ઘણા તકનીકી કાર્યો સ્વતંત્ર રીતે સંભાળી શકે છે, તો TCS જેવી IT સેવા કંપનીઓનું ભવિષ્ય શું હશે? આ ડરને કારણે, માત્ર TCS જ નહીં, પરંતુ વિશ્વભરમાં IT સેવાઓ, સોફ્ટવેર અને SaaSમાં સંકળાયેલી લગભગ બધી કંપનીઓ ઇન્ટરનેટ દ્વારા સીધી રીતે પહોંચાડવામાં આવતી સોફ્ટવેર સેવાઓમાં, તેમના શેરમાં 35% થી 45% નો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/israel-was-left-alone-in-the-iran-war-from-uae-to-america-everyone-left-the-alliance-know-why" target="_blank">Iran યુદ્ધમાં Israel થયુ એકલું, UAEથી લઈને America સુધી બધાએ છોડ્યો સાથ, જાણો કેમ?</a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/cVESxsnsxqYCanjViXQmQURWEHi3M5tzcIYNxpiy.webp'/></item><item><title><![CDATA[Madhya Pradesh rajya sabha election: કોંગ્રેસના કદાવર ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું ફોર્મ રદ કરાયુ ]]></title><link>https://sandesh.com/india/news/congress-candidate-meenakshi-natarajans-nomination-rejected</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/congress-candidate-meenakshi-natarajans-nomination-rejected</guid><pubDate>Tue, 09 Jun 2026 19:06:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. મધ્યપ્રદેશથી કોંગ્રેસના રાજ્યસભા ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ કરવામાં આવ્યું છે. રિટર્નિંગ ઓફિસરે આ નામાંકન રદ કરી નાંખ્યું છે. તેમની પર આરોપ છે કે, તેમણે ઉમેદવારી ફોર્મમાં હૈદરાબાદની એક કોર્ટમાં ચાલી રહેલા મામલાની જાણકારી છુપાવી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ભાજપે મીનાક્ષી નટરાજનના ફોર્મ સામે વાંધો ઉઠાવ્યો</b></h2><p style="text-align: justify; ">રાજ્યસભાની ઉમેદવારી અંગે ભાજપે મીનાક્ષી નટરાજનના ફોર્મ સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમના ફોર્મમાં માહિતી છુપાવવાનો આરોપ લગાવાયો હતો. ભાજપે એવો આરોપ લગાવ્યો હતો કે, હૈદરાબાદની એક કોર્ટમાં ચાલી રહેલા એક ફોજદારી કેસ ઉમેદવારી ફોર્મમાં જાહેર કર્યો નથી. કર્ણાટકના મીનાક્ષી નટરાજનને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી બંનેની નજીક માનવામાં આવે છે.</p><h3 style="text-align: justify; "><b>કોંગ્રેસ પાર્ટીના સાંસદે શું કહ્યું</b></h3><p style="text-align: justify; ">આ દરમિયાન કોંગ્રેસ તરફથી સાંસદ વિવેક તંખાએ કહ્યું હતું કે, મીનાક્ષી નટરાજનની ઉમેદવારીને ળઈને ભ્રમ ફેલાવાઈ રહ્યો છે. કોઈ ફોજદારી કેસ નોંધવામાં આવ્યો નથી. માત્ર એક નોટીસ જાહેર કરાઈ છે. જેમાં સવાલ કરાયો છે કે, તેમના અને અન્ય લોકો સામે 10 કરોડ રૂપિયાના વળતરની કાર્યવાહી કેમ શરૂ ના થવી જોઈએ. મીનાક્ષી નટરાજનના વકીલે આ નોટીસનો જવાબ આપ્યો છે પરંતુ કોઈ ફરિયાદ દાખલ કરાઈ નથી.&nbsp;<br><br><a href="https://sandesh.com/india/news/cm-yogi-warns-those-who-betray-ram-have-no-place-on-earth-india-is-no-dharamshala" target="_blank">આ પણ વાંચોઃ CM યોગીની ચેતવણી,‘રામનો દ્રોહ કરનારાઓને ધરતી પર જગ્યા નથી,ભારત કોઈ ધર્મશાળા નથી’</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/eHwTmbAI5BCjSu8E1M4rKMuOO1IbIYRHQms8LeZy.webp'/></item><item><title><![CDATA[Prize Money : ક્રિકેટ વર્લ્ડ કપ કે ફીફા વર્લ્ડ કપ, કયા ટૂર્નામેન્ટમાં મળે છે સૌથી વધુ પ્રાઇઝ મની? ]]></title><link>https://sandesh.com/sports/news/prize-money-cricket-world-cup-or-fifa-world-cup-which-tournament-offers-the-most-prize-money</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/prize-money-cricket-world-cup-or-fifa-world-cup-which-tournament-offers-the-most-prize-money</guid><pubDate>Tue, 09 Jun 2026 17:27:21 +05:30</pubDate><description><![CDATA[<p>ફિફા વર્લ્ડકપની 23મી આવૃત્તિનું આયોજન યુએસએ,મેક્સિકો અને કેનેડા સંયુક્ત રીતે કરી રહ્યા છે.ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે ત્રણ દેશો એક આવૃત્તિનું આયોજન કરી રહ્યા છે.આ પહેલાં ફક્ત બે દેશોએ એકસાથે તેનું આયોજન કર્યું છે.આ વખતે,ટીમોની સંખ્યા વધારીને 48 કરવામાં આવી છે,જેને ચારના 12 જૂથોમાં વહેંચવામાં આવી છે.આ આવૃત્તિ ઇનામ રકમની દ્રષ્ટિએ પણ ઐતિહાસિક હશે,જેમાં અગાઉની આવૃત્તિની તુલનામાં કુલ ઇનામ રકમમાં 49 ટકાનો વધારો થશે.અહીં અમે ફૂટબોલ વર્લ્ડકપ અને ક્રિકેટ વર્લ્ડ કપની ઇનામ રકમ વચ્ચેનો તફાવત સમજાવીએ છીએ.</p><h4><b>ફિફા વર્લ્ડ કપ 11 જૂનથી પ્રારંભ થશે</b></h4><p>
</p><p>વિશ્વની સૌથી મોટી રમતગમત ઇવેન્ટ,ફિફા વર્લ્ડ કપ 11 જૂનથી શરૂ થાય છે.મહિલા T20 વર્લ્ડ કપ 12 જૂનથી શરૂ થાય છે.મહિલા વર્લ્ડ કપમાં કુલ 12 ટીમો ભાગ લઈ રહી છે.જેમાં ભારત અને પાકિસ્તાન ગ્રુપ 1માં છે.તેમનો મુકાબલો રવિવાર 14 જૂને છે.તેની ઇનામ રકમ સાથે ચાલો તમને જણાવીએ કે ભારતીય મહિલા ટીમને આ વર્ષે ODI વર્લ્ડ કપ જીતવા બદલ ઇનામ રકમ તરીકે કેટલી રકમ મળી.ભારતીય પુરુષ ટીમે આ વર્ષે T20 વર્લ્ડ કપ પણ જીત્યો હતો.જાણો તેમની ઇનામી રકમ કેટલી હતી.</p><h4><b>વુમેન્સ T20 વર્લ્ડ કપ પ્રાઇઝમની કેટલી&nbsp;</b></h4><p>
</p><p>વુમેન્સ T20 વર્લ્ડ કપ 2026 ચેમ્પિયન ટીમ માટે US$2,340,000 ની ઇનામી રકમ જાહેર કરવામાં આવી છે. ભારતીય ચલણમાં, આ આશરે ₹22 કરોડ થાય છે. ભારતીય મહિલા ટીમને ODI વર્લ્ડ કપ 2026 જીતવા બદલ ₹4.48 મિલિયન મળ્યા હતા, જે ભારતીય ચલણમાં આશરે ₹39 કરોડ થાય છે.</p><p>
</p><h5><b>ટીમને T20 વર્લ્ડ કપ જીતવા કેટલા પૈસા મળે છે</b></h5><p>સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમે પુરુષોનો T20 વર્લ્ડ કપ 2026 જીત્યો હતો, અને ટીમ ઇન્ડિયાને ₹3 મિલિયન, અથવા આશરે ₹27 કરોડ, ઇનામી રકમ તરીકે મળ્યા હતા. જોકે, ફૂટબોલ વર્લ્ડ કપ વિજેતાની ઇનામી રકમ આના કરતા ઘણી વધારે છે.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/cricket/news/two-deadly-players-of-team-india-pass-fitness-test-will-take-the-field-against-afghanistan" target="_blank">Team Indiaના બે ઘાતક ખેલાડીઓ ફિટનેસ ટેસ્ટમાં પાસ! અફઘાનિસ્તાન સામે મેદાનમાં ઉતરશે</a>
</p><p><br></p><p>
</p><p><br></p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/5WMZtyGRe8qT2AKIV2RP3SWDP09q0hzY5PpdrjYZ.webp'/></item></channel></rss>