<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[IRCTCની નવી વેબસાઈટ 15 જુલાઈએ થશે લોન્ચ, મળશે AI ફિચર અને અન્ય ઘણી સુવિધાઓ ]]></title><link>https://sandesh.com/india/news/irctc-new-website-launch-july-15-ai-features-smart-booking</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/irctc-new-website-launch-july-15-ai-features-smart-booking</guid><pubDate>Tue, 14 Jul 2026 21:33:33 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય રેલવે ટૂંક સમયમાં IRCTCની નવી વેબસાઈટ લોન્ચ કરવાની તૈયારીમાં છે. જો તમે વારંવાર ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરો છો તો આવનારા સમયમાં તમારો અનુભવ સંપૂર્ણપણે બદલાઈ શકે છે. રેલવે મુજબ નવી વેબસાઈટ વધુ ઝડપી, સરળ અને સ્માર્ટ હશે, જેમાં ટિકિટ બુકિંગની સમગ્ર પ્રક્રિયાને સરળ બનાવવા માટે અનેક મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.</p><h2><b>યુઝર્સ પાસેથી ફીડબેક પણ લેવામાં આવ્યો</b></h2><p>નવી વેબસાઈટ માટે રેલવે દ્વારા વિદ્યાર્થીઓ અને યુઝર્સ પાસેથી ફીડબેક પણ લેવામાં આવ્યો છે. થોડા સમય પહેલાં વિદ્યાર્થીઓએ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરીને હાલની IRCTC વેબસાઈટની સમસ્યાઓ વિશે જાણકારી આપી હતી. તેમાં વેબસાઈટ ધીમી થવી, વારંવાર કેપ્ચા ભરવાની મુશ્કેલી, વધારે પોપ-અપ અને તત્કાલ ટિકિટ દરમિયાન વેબસાઈટ બંધ થવાની સમસ્યાઓનો સમાવેશ થતો હતો.</p><h3><b>ખાસ ટેકનિકલ સુધારા કરવામાં આવ્યા</b></h3><p>આ બાદ રેલ મંત્રાલયે નવી વેબસાઈટ તૈયાર કરવાનો નિર્ણય લીધો હતો. નવી IRCTC વેબસાઈટમાં ડિઝાઈનને વધુ સરળ અને ક્લીન બનાવવામાં આવી છે, જેથી ઓછા ક્લિકમાં ટિકિટ બુક કરી શકાય. અનાવશ્યક જાહેરાતો અને પોપ-અપ ઘટાડવામાં આવશે. તત્કાલ ટિકિટ બુકિંગ દરમિયાન આવતી મુશ્કેલીઓને દૂર કરવા માટે વેબસાઇટની ક્ષમતા વધારવામાં આવી રહી છે. વધુ ટ્રાફિક હોવા છતાં વેબસાઇટની સ્પીડ જળવાઈ રહે તે માટે ખાસ ટેકનિકલ સુધારા કરવામાં આવ્યા છે.</p><h3><b>AI આધારિત સિસ્ટમ મુસાફરોને યોગ્ય માહિતી આપશે</b></h3><p>નવી વેબસાઈટમાં સીટ ઉપલબ્ધતા, કોચ અને સીટ પસંદ કરવાની પ્રક્રિયા પણ સરળ બનાવવામાં આવશે. સાથે જ PNR સ્ટેટસ, ટિકિટ કેન્સલેશન અને રિફંડ જેવી સેવાઓ પણ વધુ સરળતાથી મળી શકશે. રેલવે નવી IRCTC વેબસાઈટમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો પણ ઉપયોગ કરી રહ્યું છે. AI આધારિત સિસ્ટમ મુસાફરોને યોગ્ય માહિતી અને વિકલ્પો આપવામાં મદદ કરશે.</p><p>રેલવે માત્ર વેબસાઈટ નહીં પરંતુ પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS)ને પણ અપગ્રેડ કરી રહ્યું છે. શરૂઆતમાં બીટા વર્ઝન રજૂ કરવામાં આવશે અને યુઝર્સના સૂચનોના આધારે અંતિમ વર્ઝન તૈયાર કરવામાં આવશે. નવી સિસ્ટમથી મુસાફરોને ખાસ કરીને તત્કાલ ટિકિટ બુકિંગમાં વધુ સારી સુવિધા મળવાની આશા છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/world/india-uk-ceta-agreement-july-15-duty-free-export-access" target="_blank">આ પણ વાંચો : India-UK CETA Agreement 15 જુલાઈથી આવશે અમલમાં, 99% ભારતીય નિકાસને મળશે ડ્યૂટી ફ્રી એન્ટ્રી</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/qthEtY0xS2gC2KAOlcFDaUuGkO2CdCkdwqJ8cQOh.webp'/></item><item><title><![CDATA[Supreme Courtએ AAPના ગુજરાત યુનિટના સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક કરવા મામલે કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ ]]></title><link>https://sandesh.com/india/news/gujarat/supreme-court-seeks-response-from-central-government-on-blocking-of-social-media-accounts-of-aaps-gujarat-unit</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/gujarat/supreme-court-seeks-response-from-central-government-on-blocking-of-social-media-accounts-of-aaps-gujarat-unit</guid><pubDate>Tue, 14 Jul 2026 21:25:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુપ્રીમ કોર્ટે મંગળવારે આમ આદમી પાર્ટી (AAP) ની ગુજરાત શાખાના ફેસબુક પેજ અને ઈન્સ્ટાગ્રામ હેન્ડલને ફરીથી શરૂ કરવાની વચગાળાની અરજી પર કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ આલોક અરાધેની ખંડપીઠે આ સંવેદનશીલ અરજી પર સુનાવણી હાથ ધરીને કેન્દ્ર સરકારને સત્તાવાર નોટિસ પાઠવી છે અને આ મામલે બે અઠવાડિયામાં પોતાનો પક્ષ રજૂ કરવા આદેશ આપ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>ચૂંટણીના ટાણે જ એકાઉન્ટ્સ બ્લોક થતા વિવાદ</b></h2><p style="text-align: justify; ">AAPએ દેશની સર્વોચ્ચ અદાલતમાં ગંભીર આક્ષેપ કર્યો છે કે ગુજરાતમાં સ્થાનિક નિકાય (સ્વરાજ્ય) ની ચૂંટણીના એક દિવસ પહેલા એટલે કે 24 એપ્રિલના રોજ, કોઈપણ પ્રકારની આગોતરી નોટિસ કે સત્તાવાર આદેશ આપ્યા વિના જ તેમના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બ્લોક કરી દેવામાં આવ્યા હતા. 'આપ'ના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે આ પ્રકારે આખું પેજ બ્લોક કરી દેવું એ બંધારણ દ્વારા આપવામાં આવેલી રાજકીય અભિવ્યક્તિની સ્વતંત્રતા પર અપ્રમાણસર અને તદ્દન ગેરવાજબી પ્રતિબંધ છે. લોકશાહીમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પક્ષને જનતા સુધી પહોંચતા રોકવો એ સમાન તક આપવાના સિદ્ધાંતની વિરુદ્ધ છે.</p><h3 style="text-align: justify; "><b>આઈટી એક્ટ હેઠળ સરકારી એક્શન</b></h3><p style="text-align: justify; ">આ વિવાદિત મામલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મની પેરેન્ટ કંપની 'મેટા' (Meta) એ અગાઉ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આ એકાઉન્ટ્સ આઈટી એક્ટ (IT Act) ની કલમ 79(3)(b) હેઠળ સરકારી વિનંતી અને સત્તાવાર નિર્દેશોના આધારે જ પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. કંપનીએ સ્વેચ્છાએ કોઈ પગલાં લીધા નથી પરંતુ સરકારી આદેશનું પાલન કર્યું છે.</p><h4 style="text-align: justify; "><b>અદાલતમાં કાયદાકીય પડકાર અને આગામી સુનાવણી</b></h4><p style="text-align: justify; ">આમ આદમી પાર્ટીની મુખ્ય અરજીમાં સરકારની આ બ્લોકિંગ વ્યવસ્થા અને પ્રક્રિયાને જ કાયદાકીય રીતે પડકારવામાં આવી છે. હવે જ્યારે સર્વોચ્ચ અદાલતે આ બાબતને ગંભીરતાથી લઈને કેન્દ્ર પાસે બે સપ્તાહમાં જવાબ માંગ્યો છે, ત્યારે આગામી દિવસોમાં આ મામલે સરકાર શું પક્ષ રજૂ કરે છે તેના પર સૌની નજર રહેશે. સોશિયલ મીડિયા પર સેન્સરશીપ અને રાજકીય પક્ષોના અધિકારો સંદર્ભે આ કેસ ઘણો મહત્વનો સાબિત થઈ શકે છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/india" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/kyy7EtvZFXfUr0ph0QTX9htoRdqiZtmUXablD1Wn.webp'/></item><item><title><![CDATA[Chhota Udepur News : વોટ્સએપ ગ્રુપ દ્વારા સરકારી અધિકારીઓની રેકી, પોલીસે 85 શકમંદોને કડક ચેતવણી આપી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/chhota-udepur/police-warn-85-suspects-for-tracking-government-officials-via-whatsapp-groups</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/chhota-udepur/police-warn-85-suspects-for-tracking-government-officials-via-whatsapp-groups</guid><pubDate>Tue, 14 Jul 2026 21:12:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">છોટાઉદેપુર જિલ્લામાં સરકારી અધિકારીઓ અને તેમની ગાડીઓની ગતિવિધિઓ પર નજર રાખીને રેકી કરતા તત્વો સામે જિલ્લા પોલીસ વડાએ લાલ આંખ કરી છે. જિલ્લાના છોટાઉદેપુર, પાવી જેતપુર, બોડેલી અને સંખેડા સહિતના વિસ્તારોમાં વોટ્સએપ ગ્રુપ બનાવીને અધિકારીઓનું લોકેશન ટ્રેક કરતા 85 જેટલા શકમંદ લોકોને ઓળખી કાઢીને તાત્કાલિક અસરથી એસપી ઓફિસે બોલાવવામાં આવ્યા હતા.આ તમામ શકમંદોને કાયદા વિરુદ્ધની ગતિવિધિઓ તાત્કાલિક બંધ કરવા માટે કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>પળેપળની માહિતી એકબીજાને શેર કરતા</b></h2><p style="text-align: justify; ">પોલીસને પ્રાથમિક તપાસમાં શંકા છે કે,આ તમામ શંકાસ્પદ લોકો વોટ્સએપ ગ્રુપના માધ્યમથી સરકારી ગાડીઓ અને અધિકારીઓ કઈ તરફ જઈ રહ્યા છે તેની પળેપળની માહિતી એકબીજાને શેર કરતા હતા.આ રેકી પાછળ ખનીજ ચોરી, દારૂની હેરાફેરી કે અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતા માફિયાઓને પોલીસની પકડમાંથી બચાવવાનો હેતુ હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.આવા વોટ્સએપ ગ્રુપો સરકારી તંત્રની ગુપ્તતા અને કાયદો-વ્યવસ્થાની કામગીરીમાં સીધો અવરોધ ઊભો કરે છે.</p><h3 style="text-align: justify; "><b>તમામ 85 લોકોને કડક તાકીદ કરવામાં આવી</b></h3><p style="text-align: justify; ">આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને છોટાઉદેપુર એસપી દ્વારા આ તમામ 85 લોકોને કડક તાકીદ કરવામાં આવી છે કે જો ભવિષ્યમાં આ પ્રકારની કોઈ પણ શંકાસ્પદ કે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં કોઈની પણ સંડોવણી જણાશે, તો તેમની સામે કાયદાનું શસ્ત્ર ઉગામીને કડક કાનૂની પગલાં ભરવામાં આવશે.આ સાથે જ સોશિયલ મીડિયા ગ્રુપો પર બાજ નજર રાખવા માટે સ્થાનિક સાયબર ક્રાઈમ અને પોલીસ ટીમોને પણ એલર્ટ કરી દેવામાં આવી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/harsh-sanghavi-statement-rath-yatra-security-ai-technology-dark-web-surveillance" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad RathYatra 2026 : હર્ષ સંઘવીનું નિવેદન, 30 હજાર જવાનોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીકળશે પ્રભુની નગરચર્યા</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/OyufdT3iRp0L5vEPAOvgzfVvWlwvJAbq5U5AulpS.webp'/></item><item><title><![CDATA[Surendranagar News: લખતરના મોતીસર તળાવમાં અઢી વર્ષના માસૂમ બાળકનું ડૂબી જવાથી કરુણ મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/surendranagar/surendranagar-news-tragic-death-of-a-two-and-a-half-year-old-innocent-child-due-to-drowning-in-motisar-lake-lakhtar</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/surendranagar/surendranagar-news-tragic-death-of-a-two-and-a-half-year-old-innocent-child-due-to-drowning-in-motisar-lake-lakhtar</guid><pubDate>Tue, 14 Jul 2026 21:00:39 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કરુણ ઘટના સામે આવી છે. લખતરના રહેવાસી કલ્પેશભાઈ મહેરીયાનો અઢી વર્ષનો માસૂમ પુત્ર આયાશ તેના દાદા બળદેવભાઈ સાથે સાંજના સમયે બાપુરાજની ડેરી પાસે આવ્યો હતો. આ દરમિયાન દાદાની નજર ચૂકવીને માસૂમ બાળક નજીકમાં આવેલા મોતીસર તળાવ પાસે રમવા ચાલ્યો ગયો હતો અને રમતા-રમતા અચાનક પગ લપસી જતાં તે તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.</p><h2 style="text-align: justify; "><b>પૌત્રને બચાવવા દાદાએ તળાવમાં લગાવી છલાંગ&nbsp;</b></h2><p style="text-align: justify; ">દાદાની નજર સામે જ તેમનો વ્હાલસોયો પૌત્ર પાણીમાં ડૂબવા લાગતા દાદા બળદેવભાઈએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પૌત્રને બચાવવા માટે તળાવના પાણીમાં છલાંગ લગાવી દીધી હતી. તેમણે આયાશને બચાવવા માટે ભારે જહેમત અને ભરપૂર પ્રયાસો કર્યા હતા. આસપાસના અન્ય લોકોની મદદથી બાળકને તાત્કાલિક પાણીમાંથી બહાર કાઢી, ગંભીર હાલતમાં સારવાર અર્થે લખતરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>અઢી વર્ષના બાળકના અકાળે અવસાનથી શોક</b></h3><p style="text-align: justify; ">માત્ર અઢી વર્ષના માસૂમ આયાશના મોતના સમાચાર મળતા જ મહેરીયા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે અને પરિવાર સહિત સમગ્ર પંથકમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું છે. આ દૂર્ઘટના અંગે લખતર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે બાળકના મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ (પીએમ) અર્થે મોકલી આપ્યો છે અને અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/qkx2F0d4zzzKEdpeDzgLRX6XWt2aLtyC9Te2rKs2.webp'/></item><item><title><![CDATA[Bhavnagarના કુંભારવાડામાં દારૂ-ગાંજો પીવાની ના પાડતા યુવક પર 4 શખ્સોનો હુમલો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/4-men-attack-a-youth-who-refused-to-drink-alcohol-and-marijuana-in-kumbharwada-bhavnagar</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/4-men-attack-a-youth-who-refused-to-drink-alcohol-and-marijuana-in-kumbharwada-bhavnagar</guid><pubDate>Tue, 14 Jul 2026 20:44:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભાવનગર શહેરમાં અસામાજિક તત્વોનો આતંક દિવસાંતે વધી રહ્યો છે, જેનો તાજો કિસ્સો કુંભારવાડા વિસ્તારમાંથી સામે આવ્યો છે. કુંભારવાડા માઢીયા રોડ પર આવેલા પંપિંગ સ્ટેશન પાસે એક યુવક પર ચાર જેટલા શખ્સોએ ઘાતકી હુમલો કર્યો હતો. અસામાજિક પ્રવૃત્તિઓનો વિરોધ કરવા જેવી સામાન્ય બાબતમાં યુવકને નિશાન બનાવવામાં આવતા સમગ્ર પંથકમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>દારૂ-ગાંજો પીવાની ના પાડવાની દાઝ રાખી માર્યો માર&nbsp;</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, ઈજાગ્રસ્ત યુવકે અગાઉ આ વિસ્તારમાં કેટલાક શખ્સોને દારૂ અને ગાંજો પીવાની ના પાડી હતી. આ બાબતની અદાવત અને દાઝ રાખીને ચાર હુમલાખોરોએ યુવકને એકલો જોઈને ઘેરી લીધો હતો. હુમલાખોરોએ ધોકા, લોખંડની પાઇપ અને ઢીકા-પાટા વડે યુવકને બેરહેમીપૂર્વક માર માર્યો હતો. આ હિંસક ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં હુમલાખોરોની ગુંડાગર્દી સ્પષ્ટ જોઈ શકાય છે.</p><h3 style="text-align: justify; "><b>ગંભીર ઈજાગ્રસ્ત યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ</b></h3><p style="text-align: justify; ">આ જીવલેણ હુમલામાં યુવકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ પોલીસ ચોકી દ્વારા આ મામલે ગુનો નોંધીને પ્રાથમિક કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે વાયરલ સીસીટીવી ફૂટેજના આધારે ચારેય ફરાર હુમલાખોરોની ઓળખ મેળવી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/5mlctmpP6ZoWV99grQdUvAJW2ve57pzAfJTVAtoW.webp'/></item><item><title><![CDATA[Vadodaraના વરણામામાં મિત્રના ફ્લેટમાંથી યુવકની શંકાસ્પદ લાશ મળી, અગમ્ય કારણોસર મોતના મામલે પોલીસ તપાસ શરૂ ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/suspicious-body-of-a-young-man-found-in-friends-flat-in-varanasi-vadodara-police-start-investigation-into-death-due-to-unknown-reasons</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/suspicious-body-of-a-young-man-found-in-friends-flat-in-varanasi-vadodara-police-start-investigation-into-death-due-to-unknown-reasons</guid><pubDate>Tue, 14 Jul 2026 19:34:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા નજીક આવેલા વરણામા વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક યુવક તેના મિત્રના ફ્લેટની મુલાકાતે આવ્યો હતો, જ્યાંથી તેનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ફ્લેટના રહીશો દ્વારા તાત્કાલિક સ્થાનિક પોલીસને આ અંગે માહિતગાર કરવામાં આવી હતી.</p><h2 style="text-align: justify; "><b>કુબેર એક્સપ્રેસિવના ફ્લેટમાં અગમ્ય મોત</b></h2><p style="text-align: justify; ">મૃતક યુવકની ઓળખ આકાશ રવિ પાટીલ તરીકે થઈ છે, જે વડોદરાની ચિત્રકૂટ સોસાયટીનો રહેવાસી હતો. આકાશ વરણામા ખાતે આવેલા 'કુબેર એક્સપ્રેસિવ' બિલ્ડિંગના ફ્લેટ નંબર 102 માં તેના મિત્રને મળવા માટે આવ્યો હતો. જોકે, ત્યાં કોઈ અગમ્ય કારણોસર તેનું રહસ્યમય મોત નીપજ્યું હતું. યુવાન વયના દીકરાના આવા અચાનક મોતના સમાચાર મળતા જ તેના પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા છે.</p><h3 style="text-align: justify; "><b>વરણામા પોલીસે મૃતદેહ કબ્જે કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા</b></h3><p style="text-align: justify; ">ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને વરણામા પોલીસની ટીમ તાત્કાલિક કુબેર એક્સપ્રેસિવ ફ્લેટ પર પહોંચી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી યુવકના મૃતદેહને કબ્જે લીધો છે અને મોતનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. આકાશનું મોત કયા સંજોગોમાં થયું અને તેની પાછળનું કારણ શું છે, તે દિશામાં વરણામા પોલીસે ગુનો નોંધીને મિત્રની પૂછપરછ સહિતની આગળની સઘન તપાસ શરૂ કરી છે.</p><p style="text-align: justify; "><a href="http://ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/Zv4bQNLXE1ox6FDM4LgO8FqBQD90IS6mFwQwnHgg.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: AMCએ 2000 કિલો મસાલાનો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો, સેમ્પલ તપાસ અર્થે મોકલાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-seizes-2000-kg-of-suspected-spices-samples-sent-for-laboratory-testing</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-seizes-2000-kg-of-suspected-spices-samples-sent-for-laboratory-testing</guid><pubDate>Tue, 14 Jul 2026 19:07:12 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ અને ફૂડ વિભાગે નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે લાલ આંખ કરી છે.મસાલામાં થતી ભેળસેળ ડામવા માટે ફૂડ વિભાગની ટીમે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને શહેરમાંથી આશરે 2000 કિલો જેટલો શંકાસ્પદ મસાલાનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે.તંત્રની આ અચાનક થયેલી કાર્યવાહીથી ભેળસેળિયા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>મસાલાના આ શંકાસ્પદ નેટવર્કની કડી મળી</b></h2><p style="text-align: justify; ">આ સમગ્ર કૌભાંડનો ખુલાસો એક અગાઉની તપાસના આધારે થયો છે.ફૂડ વિભાગ દ્વારા અગાઉ લેવામાં આવેલા ગ્રેવીના સેમ્પલ લેબોરેટરી ટેસ્ટમાં ફેઈલ સાબિત થયા હતા.આ ફેઈલ થયેલા સેમ્પલના મૂળ સુધી પહોંચવા માટે હાથ ધરાયેલી સઘન તપાસ દરમિયાન અધિકારીઓને મસાલાના આ શંકાસ્પદ નેટવર્કની કડી મળી હતી. જેના આધારે ફૂડ વિભાગે જય માતાજી ટ્રેડર્સ નામના ઉત્પાદન એકમ પર દરોડા પાડ્યા હતા.જ્યાં મોટા પાયે આ મસાલા તૈયાર કરવામાં આવી રહ્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>2 મેટ્રિક ટન જેટલો મોટો જથ્થો સીઝ કર્યો</b></h2><p style="text-align: justify; ">દરોડા દરમિયાન અધિકારીઓએ ઘટનાસ્થળેથી કેસરી નંદન સ્પાઇસીસ બ્રાન્ડ હેઠળ પેક કરાયેલો મરચું,હળદર, ધાણાજીરું અને ગરમ મસાલાનો આશરે 2 મેટ્રિક ટન જેટલો મોટો જથ્થો સીઝ કર્યો છે.ફૂડ વિભાગે કડક સૂચના આપી છે કે લેબોરેટરીનો ફાઈનલ રિપોર્ટ ન આવે ત્યાં સુધી આ શંકાસ્પદ જથ્થો બજારમાં ક્યાંય પણ વેચી શકાશે નહીં.હાલમાં AMC દ્વારા આ તમામ મસાલાના નમૂનાઓ એકત્રિત કરીને કાયદેસરની લેબોરેટરી તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે અને રિપોર્ટ આવ્યા બાદ આગળની કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/harsh-sanghavi-statement-rath-yatra-security-ai-technology-dark-web-surveillance" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad RathYatra 2026 : હર્ષ સંઘવીનું નિવેદન, 30 હજાર જવાનોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીકળશે પ્રભુની નગરચર્યા</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/kifgJl4uigkR5loE13c3hrXAFjOlcJXyTAAskI4A.webp'/></item><item><title><![CDATA[Aamir Khanના ત્રીજા લગ્ન પર મુફ્તીનો ફતવો, બિન-મુસ્લિમ મહિલા સાથે લગ્ન શરીયતની વિરૂદ્ધ ]]></title><link>https://sandesh.com/entertainment/news/aamir-khan-third-marriage-mufti-statement-non-muslim-woman</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/aamir-khan-third-marriage-mufti-statement-non-muslim-woman</guid><pubDate>Tue, 14 Jul 2026 18:52:57 +05:30</pubDate><description><![CDATA[<p>બોલીવૂડ અભિનેતા આમિર ખાનના ત્રીજા લગ્ન બાદ હવે આ મામલે ધાર્મિક અને સામાજિક ચર્ચા શરૂ થઈ છે. મુસ્લિમ પર્સનલ દારુલ ઈફ્તાના શાહી ચીફ મુફ્તિ મૌલાના ઈફરાહિમ હુસૈને આમિર ખાનના લગ્નને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઈસ્લામિક માન્યતાઓ અનુસાર મુસ્લિમ પુરુષે બિન-મુસ્લિમ મહિલા સાથે લગ્ન કરવા અંગે અલગ ધાર્મિક નિયમો છે અને આવા નિર્ણયને શરીયતના દૃષ્ટિકોણથી યોગ્ય માનવામાં આવતો નથી.</p><h2><b><font color="#000000" style="background-color: rgb(255, 255, 255);">મુસ્લિમ સમાજના લોકોને ધાર્મિક શિક્ષણ અને પરંપરાઓનું પાલન કરવાની અપીલ</font></b></h2><p>મૌલાના ઈફરાહિમ હુસૈને પોતાના નિવેદનમાં મુસ્લિમ સમાજના લોકોને ધાર્મિક શિક્ષણ અને પરંપરાઓનું પાલન કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિએ પોતાના ધર્મના સિદ્ધાંતોનું સન્માન કરવું જોઈએ અને એવા નિર્ણયોથી બચવું જોઈએ, જેનાથી સમાજમાં વિવાદ અથવા ગેરસમજ ઊભી થાય. આ નિવેદન આમિર ખાનની ત્રીજા લગ્ન બાદ સામે આવ્યું છે. આમિર ખાને 5 જુલાઈ 2026ના રોજ પોતાની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે મુંબઈના પાલી હિલ સ્થિત પોતાના નિવાસસ્થાને ખાનગી સમારોહમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં માત્ર પરિવારના સભ્યો અને નજીકના મિત્રો હાજર રહ્યા હતા.</p><h3><b>આમિર ખાને કર્યા છે અગાઉ બે લગ્ન</b></h3><p>આમિર ખાનના આ અગાઉ બે લગ્ન થઈ ચૂક્યા છે. વર્ષ 1986માં તેમણે રીના દત્તા સાથે પ્રથમ લગ્ન કર્યા હતા, પરંતુ વર્ષ 2002માં બંને અલગ થઈ ગયા હતા. ત્યારબાદ વર્ષ 2005માં આમિરે ફિલ્મ નિર્દેશક કિરણ રાવ સાથે બીજા લગ્ન કર્યા હતા. આ સંબંધનો અંત વર્ષ 2021માં છૂટાછેડા સાથે આવ્યો હતો.</p><p>આમિર ખાનના ત્રીજા લગ્નને લઈને અગાઉ પણ રાજકીય પ્રતિક્રિયાઓ સામે આવી હતી. મહારાષ્ટ્ર સરકારના મંત્રી નિતેશ રાણે અને શિવસેના નેતા સંજય શિરસાટે પણ આ મુદ્દે ટિપ્પણીઓ કરી હતી. હવે મુફ્તિ મૌલાના ઈફરાહિમ હુસૈનના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર આ મુદ્દે ફરી ચર્ચા શરૂ થઈ છે. આમિર ખાન તરફથી આ નિવેદન અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.<br><br><b><a href="https://sandesh.com/entertainment/news/entertainment-after-prayers-deepika-taught-her-son-alif-be-the-cute-video-won-hearts-fans-said-mashallah" target="_blank">આ પણ વાંચો : Entertainment : નમાઝ પછી દીપિકાએ પુત્રને શીખવ્યા 'અલિફ-બે', ક્યૂટ વીડિયોએ જીત્યાં દિલ, ચાહકોએ કહ્યું- "માશાઅલ્લાહ!"</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/boltT9aE4FTLTlP9nV931nfUH6zHWPZzddcVzGZt.webp'/></item><item><title><![CDATA[Digital Rupee: ડિજિટલ રૂપી શું છે? UPI થી કેવી રીતે અલગ? જાણો તફાવત ]]></title><link>https://sandesh.com/knowledge/news/business/digital-rupee-what-is-digital-rupee-how-is-it-different-from-upi-know-the-difference</link><guid isPermaLink="true">https://sandesh.com/knowledge/news/business/digital-rupee-what-is-digital-rupee-how-is-it-different-from-upi-know-the-difference</guid><pubDate>Tue, 14 Jul 2026 16:14:25 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતમાં લોકો ઝડપથી ડિજિટલ પેમેન્ટ અપનાવી રહ્યા છે. મોટાભાગના લોકો સેકન્ડોમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે UPI નો ઉપયોગ કરે છે. જોકે UPI ની દુનિયામાં હવે બીજો શબ્દ લોકપ્રિય થઈ રહ્યો છે: 'ડિજિટલ રૂપી'. ઘણા લોકો  માને છે કે ડિજિટલ રૂપી અને UPI એક જ છે પરંતુ એવું નથી. હા બંનેનો ઉપયોગ ડિજિટલ પેમેન્ટ માટે થાય છે પરંતુ તેની અંતર્ગત પદ્ધતિઓ નોંધપાત્ર રીતે અલગ પડે છે.&nbsp; તો આવો જાણીએ ડિઝિટલ રૂપી શું છે અને તે યુપીઆઇ કરતા કેવી રીતે અલગ પડે છે.&nbsp;</p><h2><b>ડિજિટલ રૂપી શું છે?</b></h2><p>ડિજિટલ રૂપી એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા જાહેર કરાયેલ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) છે. સરળ શબ્દોમાં કહીએ તો, તે ભૌતિક રોકડનું ડિજિટલ રૂપ છે.  જેમ તમે ₹100 ની નોટ રાખી શકો છો તેમ ડિજિટલ રૂપી પણ 100 રૂપિયા બરાબર છે. ફરક માત્ર એટલો છે કે તે મોબાઇલ એપ્લિકેશન અથવા ડિજિટલ વોલેટમાં સંગ્રહિત છે.</p><h3><b>UPI અને ડિજિટલ રૂપી વચ્ચે શું તફાવત છે?</b></h3><p>UPI અને ડિજિટલ રૂપિયા વચ્ચેના તફાવત અંગે સૌથી મહત્વપૂર્ણ તફાવત એ છે કે UPI એક ચુકવણી પ્રણાલી છે, જ્યારે ડિજિટલ રૂપિયા પોતે એક ચલણ છે. જ્યારે તમે UPI દ્વારા પૈસા મોકલો છો, ત્યારે ભંડોળ તમારા બેંક ખાતામાંથી સીધા પ્રાપ્તકર્તાના બેંક ખાતામાં જાય છે. જ્યારે ડિજિટલ રૂપિયામાં પૈસા પહેલા બેંક ખાતામાંથી ડિજિટલ વોલેટમાં લોડ કરવામાં આવે છે અને પછી સીધા બીજા વ્યક્તિના ડિજિટલ વોલેટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. મૂળભૂત રીતે તે રોકડ વ્યવહારની જેમ કાર્ય કરે છે.</p><p><b style="font-size: 1.75rem;">તે કેવી રીતે કાર્ય કરે છે?</b></p><p>ડિજિટલ રૂપિયાનો ઉપયોગ કરવા માટે તમારે આ RBI પ્રોજેક્ટમાં ભાગ લેતી બેંક પાસેથી વોલેટની જરૂર છે. તમે તમારા બેંક ખાતામાંથી વોલેટમાં ડિજિટલ રૂપિયા લોડ કરો છો. ત્યારબાદ તમે QR કોડ સ્કેન કરીને અથવા સીધા બીજા વોલેટમાં ટ્રાન્સફર કરીને ડિજિટલ રૂપિયા મોકલી શકો છો.</p><p><b style="font-size: 1.5rem;">જોખમો શું છે?</b></p><p>&nbsp;ડિજિટલ રૂપિયા એકદમ સલામત છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તે સંપૂર્ણપણે જોખમ મુક્ત છે. જો તમે તમારો મોબાઇલ ફોન ગુમાવો છો અને વોલેટ સુરક્ષિત નથી, તો તે મુશ્કેલીમાં પરિણમી શકે છે.&nbsp;</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/hVlcslvgYlRfRdmwan5RBAuDJYH3rqDBAVNEtK6P.webp'/></item><item><title><![CDATA[Pakistan Cricket શોએબ અખ્તર અને મોહમ્મદ આસિફ ભારત આવતી વખતે ડ્રગ્સ લાવતા હોવાનો આરોપ ]]></title><link>https://sandesh.com/sports/news/pakistan-cricket-shoaib-akhtar-and-mohammad-asif-accused-of-bringing-drugs-while-coming-to-india</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pakistan-cricket-shoaib-akhtar-and-mohammad-asif-accused-of-bringing-drugs-while-coming-to-india</guid><pubDate>Tue, 14 Jul 2026 15:13:05 +05:30</pubDate><description><![CDATA[<p>કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) ના ભૂતપૂર્વ અંડર સેક્રેટરી આર.વી.એસ. મણિએ પાકિસ્તાની ક્રિકેટરો અને ભારત આવતા પાકિસ્તાની ડેલિગેશનને લઈને એક અત્યંત ચોંકાવનારો અને સનસનીખેજ દાવો કર્યો છે. એએનઆઈ (ANI) ના એક પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે, 2006-07 ના ગાળામાં જ્યારે પણ પાકિસ્તાની ટીમ કે અન્ય પ્રતિનિધિમંડળ ભારત આવતા હતા, ત્યારે તેઓ પોતાની સાથે ડ્રગ્સની હેરાફેરી (ડ્રગ્સ ટ્રાફિકિંગ) કરતા હતા. આ ગંભીર ષડયંત્ર પાછળ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI નો હાથ હોવાનો પણ તેમણે દાવો કર્યો છે.</p><h2><b>શોએબ અખ્તર અને મોહમ્મદ આસિફ પર આરોપ</b></h2><p>વર્ષ 2006 થી 2010 દરમિયાન ગૃહ મંત્રાલયના આંતરિક સુરક્ષા વિભાગમાં કાર્યરત રહેલા નિવૃત્ત અધિકારી આર.વી.એસ. મણિએ પાકિસ્તાનના ભૂતપૂર્વ સ્ટાર ફાસ્ટ બોલર શોએબ અખ્તર અને મોહમ્મદ આસિફનું નામ લઈને સીધો હુમલો કર્યો છે. તેમણે જણાવ્યું કે, "આ કેસ ઓફિશિયલી રિપોર્ટ થયેલો છે. શોએબ અખ્તર અને મોહમ્મદ આસિફે પાકિસ્તાની હાઈ કમિશનર સામે પોતે ડ્રગ્સ લાવ્યા હોવાની કબૂલાત કરી હતી, જે બાદ તેમને પરત મોકલી દેવાયા હતા." તેમણે ઉમેર્યું કે આ ડ્રગ્સ વ્યક્તિગત વપરાશ માટે નહીં, પરંતુ મોટા પાયે ટ્રાફિકિંગના હેતુથી લાવવામાં આવતું હતું.</p><h3><b>ટેરર ફંડિંગ અને બોબ વૂલ્મરના મોત સાથે કનેક્શન</b></h3><p>પૂર્વ અધિકારીએ દાવો કર્યો કે ભારતમાં થતા આતંકવાદી હુમલાના ફંડિંગનો 30 ટકા હિસ્સો ડ્રગ્સ ટ્રાફિકિંગમાંથી આવે છે. તેમણે આ બાબતને 2007 ના વર્લ્ડ કપ દરમિયાન પાકિસ્તાની ટીમના તત્કાલીન કોચ બોબ વૂલ્મરના શંકાસ્પદ મોતના કેસ સાથે પણ જોડી છે. મણિના મતે, બોબ વૂલ્મર પાકિસ્તાની ખેલાડીઓ દ્વારા થતી આ ડ્રગ્સ હેરાફેરીનો વિરોધ કરી રહ્યા હતા, જેના કારણે જ જમૈકાની હોટલમાં રહસ્યમય સંજોગોમાં તેમનું મોત નીપજ્યું હતું.</p><p>તેમણે ઉમેર્યું કે પાકિસ્તાન સાથે 'પીપુલ ટુ પીપુલ કોન્ટેક્ટ' (સરહદ પારના સામાન્ય સંબંધો) એ માત્ર એક મોટો ધોકો છે, જેની આડમાં આવા ગેરકાયદેસર અને દેશવિરોધી કૃત્યો આચરવામાં આવતા હતા. ગૃહ મંત્રાલય પાસે આ તમામ બાબતોના અનેક અહેવાલો અને આઈબી (IB) ના એલર્ટ્સ મોજૂદ હોવાનું પણ તેમણે સ્વીકાર્યું છે.</p><p><br></p><p><a href="https://sandesh.com/world/news/more-than-10000-christians-arrested-in-china-for-not-worshipping-xi-jinping-causing-uproar-around-the-world" target="_blank">આ પણ વાંચો: Chinaમાં શિ જિનપિંગની પૂજા ન કરનાર 10 હજારથી વધુ ખ્રિસ્તીની ધરપકડ, દુનિયાભરમાં ખળભળાટ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/hkQDh0iSb60hQHapAZQokS5wEvQyjK6J0vKVAdW9.webp'/></item></channel></rss>