<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Kutch: ગાંધીધામના ખારી રોહરમાં મોડી રાત્રે તંત્રએ ધાર્મિક દબાણ હટાવ્યું, ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kutch/gandhidham-khari-rohar-encroachment-removed-government-land-religious-structure-demolition-police</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kutch/gandhidham-khari-rohar-encroachment-removed-government-land-religious-structure-demolition-police</guid><pubDate>Sun, 21 Jun 2026 09:33:23 +05:30</pubDate><description><![CDATA[<p>પશ્ચિમ કચ્છ પોલીસ અને ગાંધીધામ લેન્ડ રેવન્યુ વિભાગ દ્વારા સરકારી જમીનોને ભૂમાફિયાઓ અને ગેરકાયદેસર દબાણકારોથી મુક્ત કરાવવા માટે વ્યુહાત્મક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ કડી હેઠળ ગાંધીધામના દરિયાકાંઠા અને ઔદ્યોગિક વસાહત નજીક આવેલા ખારી રોહર વિસ્તારમાં એક અત્યંત સંવેદનશીલ ગણાતા ઓપરેશનને અંજામ આપવામાં આવ્યો હતો. અહીં સરકારી માલિકીની કિંમતી જમીન પર વર્ષોથી એક ધાર્મિક બાંધકામ ઊભું કરી દેવામાં આવ્યું હતું, જેને હટાવવા માટે તંત્ર દ્વારા અગાઉ કાયદાકીય નોટિસો પણ આપવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.</p><h2><b>રાત્રિના સમયે મેગા ઓપરેશન, કાયદાનું કડક પાલન</b></h2><p>સ્થાનિક સ્તરે કોઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસે નહીં અથવા કોઈ ખોટી અફવાઓ ન ફેલાય તે માટે વહીવટી તંત્ર દ્વારા આ આખી કામગીરી માટે 'મોડી રાત'નો સમય પસંદ કરવામાં આવ્યો હતો. મધ્યરાત્રિ બાદ અચાનક જેસીબી (JCB) અને સરકારી ટ્રેક્ટરો સહિતની ભારે મશીનરી સાથે કાફલો ખારી રોહર ખાતે ત્રાટક્યો હતો. ભારે ગુપ્તતા વચ્ચે શરૂ થયેલી આ કામગીરી વહેલી સવાર સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવી હતી અને વર્ષો જૂનું ગેરકાયદેસર ધાર્મિક માળખું તોડી પાડીને જમીન સરકાર હસ્તક પરત મેળવી લેવાઈ હતી.</p><h3><b>250 જવાનોનો લોખંડી બંદોબસ્ત</b></h3><p>આ ડિમોલિશન દરમિયાન ક્યાંય પણ ઘર્ષણ કે વિરોધ પ્રદર્શન ન થાય તે માટે સ્થાનિક પોલીસ સ્ટેશન ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી પોલીસ ફોર્સ બોલાવી લેવામાં આવી હતી. DYSP કક્ષાના અધિકારીના સીધા સુપરવિઝન હેઠળ અલગ-અલગ પ્લાટૂનના આશરે 250 જેટલા હથિયારધારી અને લાઠીધારી પોલીસ જવાનોએ આખા ખારી રોહર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. સમગ્ર ઓપરેશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયો નથી અને હાલમાં પણ પરિસ્થિતિ પર ડિજિટલ મોનિટરિંગ અને એસપી કચેરી દ્વારા નજર રાખવામાં આવી રહી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gondal/food-department-raid-gondal-jamwadi-gidc-misri-spices-seized-adulterated-masala" target="_blank">આ પણ વાંચો:Gondal: જામવાડી GIDCની 'મિસરી સ્પાઈસીસ' કંપનીમાંથી 1.90 કરોડનો ભેળસેળયુક્ત મસાલાનો જથ્થો સીઝ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/21/khpXUiAZxnfelqSPju14XiqFE2SNsjKVGCenn00R.webp'/></item><item><title><![CDATA[Gujarat News: સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને શામળાજી ખાતે યોગ દિવસની ઉજવણી, મંત્રીઓએ યોગ કરી ફીટ રહેવાનો સંદેશ આપ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/world-yoga-day-2026/narmada/international-yoga-day-celebrated-at-statue-of-unity-and-shamlaji</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/world-yoga-day-2026/narmada/international-yoga-day-celebrated-at-statue-of-unity-and-shamlaji</guid><pubDate>Sun, 21 Jun 2026 09:29:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આજે સમગ્ર વિશ્વમાં 12માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ યોગા દિવસની ભવ્ય ઉજવણી કરાઈ છે. ગાંધીનગરના માણસા ખાતે રાજ્યકક્ષાના યોગ દિવસની  ઉજવણી કરવામાં આવી છે. જ્યાં મુખ્યમંત્રીએ વિવિધ યોગાસન કર્યા હતાં. આ ઉપરાંત અમદાવાદમાં પ્રહલાદનગર ગાર્ડન ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ યોગ કર્યા હતાં.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે યોગ દિવસની ઉજવણી</b></h2><p style="text-align: justify; ">નર્મદા જિલ્લામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી આ કાર્યક્રમમાં જોડાયા હતાં. મોટી સંખ્યામાં પ્રવાસીઓએ પણ આ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. એનસીસી, પોલીસ અને એસઆરપીના જવાનો પણ યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતાં. અમરેલી જિલ્લામાં પણ લાઠી તાલુકાની શાળામાં યોગ દિવસનું આયોજન કરાયું હતું. યોગા ટીચર દ્વારા વિવિધ આસનો કરાવાયા હતાં. સાંસદ ભરત સુતરિયાએ લાઠી ખાતે યોગ કર્યા હતાં.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>સૌરાષ્ટ્રમાં તમામ ડેમમાં એકથી બે દિવસમાં પાણી પહોંચશે</b></h3><p style="text-align: justify; ">રાજકોટમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. તેમણે કહ્યું હતું કે, સિંચાઈ વિભાગે નર્મદાનું પાણી છોડવાનું ચાલુ કરી દીધું છે. કેબિનેટની બેઠકમાં પાણી છોડવાનો નિર્ણય લેવાયો હતો. સૌરાષ્ટ્રમાં તમામ ડેમમાં એકથી બે દિવસમાં પાણી પહોંચશે. નવસારીમાં પણ કેબિનેટ મંત્રી નરેશ પટેલે યોગ કર્યા હતાં. મનપા દ્વારા ટાઉન હોલ ખાતે યોગ દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>શામળાજી ખાતે પણ મંદિર પરિસરમાં યોગ દિવસની ઉજવણી</b></h2><p style="text-align: justify; ">યાત્રાધામ શામળાજી ખાતે પણ મંદિર પરિસરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશાળ યોગ શિબિરમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. રાજ્યના મંત્રી પી.સી. બરંડાની ઉપસ્થિતિમાં આ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. તેમણે યોગાભ્યાસ કરીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, યોગ ભારતની પ્રાચિન અને અમૂલ્ય ધરોહર છે. યોગથી શારીરિક અને માનસિક સહિત આધ્યાત્મિક સંતુલન શક્ય બને છે. તેમણે નાગરિકોને દૈનિક જીવનમાં યોગ અપનાવવાની અપીલ કરી હતી.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/surat/municipal-corporation-to-form-12-committees" target="_blank">આ પણ વાંચોઃ Surat News: મનપામાં 12 સમિતિઓ રચાશે, મહિનાથી ઠપ્પ પડેલા વિકાસકાર્યો હવે શરૂ થશે</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/21/Ndw6xNLwAiwrUxKalhDX8z1QL4JJwSFm25j6SsNw.webp'/></item><item><title><![CDATA[NEET UG Re-Exam: 22 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, 1.38 લાખ CCTV, સુરક્ષાનો અભેદ્ય કિલ્લો ]]></title><link>https://sandesh.com/india/news/education/neet-ug-re-exam-22-lakh-students-will-appear-for-the-exam-138-lakh-cctvs-impenetrable-fortress-of-security</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/education/neet-ug-re-exam-22-lakh-students-will-appear-for-the-exam-138-lakh-cctvs-impenetrable-fortress-of-security</guid><pubDate>Sun, 21 Jun 2026 09:28:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">3 મે 2026ના રોજ યોજાયેલી પરીક્ષાનું પેપર લીક થવાને કારણે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ પરીક્ષા રદ કરીને ફરીથી પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો. પેપર લીક મામલાને કારણે કેન્દ્ર સરકાર અને NTAને ભારે ટીકા અને ગંભીર આરોપોનો સામનો કરવો પડ્યો હતો. તેથી આજે નિષ્પક્ષ, પારદર્શક અને લીકપ્રૂફ પરીક્ષા યોજવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.</p><h2 style="text-align: justify; ">5440 પરીક્ષા કેન્દ્રો પર પોલીસ અને CRPF તૈનાત</h2><p style="text-align: justify; ">કેન્દ્ર સરકારે સોશિયલ નેટવર્કિંગ અને મેસેજિંગ એપ Telegram પર 30 જૂન સુધી અસ્થાયી પ્રતિબંધ મૂક્યો છે. ઉપરાંત 22 જૂન સુધી એપનું Edit Message ફીચર પણ બ્લોક કરવામાં આવ્યું છે. દેશના 551 શહેરોમાં બનાવાયેલા 5440 પરીક્ષા કેન્દ્રો પર સ્થાનિક પોલીસ ઉપરાંત CRPF અને અન્ય અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે. ડાક વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ફરજ પર રહેશે. વિદેશોમાં પણ 14 પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. પરીક્ષા અંગ્રેજી સહિત 12 ભારતીય ભાષાઓમાં લેવામાં આવશે.</p><h3 style="text-align: justify; ">બેંક અધિકારીઓ અને ડાક વિભાગના કર્મચારીઓને ખાસ જવાબદારી</h3><p style="text-align: justify; ">દેશભરની 1500 બેંક શાખાઓમાં OMR શીટને સુરક્ષિત રીતે લોકરમાં રાખવા માટે બેંક અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ડાક વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ લગભગ 700 કેન્દ્રોમાંથી OMR શીટ એકત્રિત કરશે. પરીક્ષાની દેખરેખ માટે 6700 ઓબ્ઝર્વર અને 100થી વધુ વર્ચ્યુઅલ ઓબ્ઝર્વર નિયુક્ત કરવામાં આવ્યા છે. સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી માટે દેશભરમાં મૉક ડ્રિલ પણ કરવામાં આવી હતી, જેને કેન્દ્રીય શિક્ષણ મંત્રી Dharmendra Pradhanએ પોતે મોનીટર કરી હતી. વિદ્યાર્થીઓ માટે પીવાનું પાણી, ORS, એમ્બ્યુલન્સ અને વાલીઓ માટે વેઇટિંગ રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.</p><h4 style="text-align: justify; ">1.38 લાખ CCTV કેમેરાથી દેખરેખ</h4><p style="text-align: justify; ">પરીક્ષા કેન્દ્રોની સુરક્ષા અને દેખરેખ માટે 1.38 લાખ CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. ઉપરાંત 51 હજાર જેટલા જામર્સ સ્થાપિત કરવામાં આવ્યા છે જેથી પરીક્ષા કેન્દ્રોની આસપાસ ઇન્ટરનેટનો ઉપયોગ ન થઈ શકે. પરીક્ષાને સફળ બનાવવા માટે દેશભરમાં 88 હજાર કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. દરેક પરીક્ષા કેન્દ્રના પરીક્ષા હોલમાં 2 સુપરિન્ટેન્ડન્ટ રહેશે. ઉપરાંત 10થી વધુ કર્મચારીઓને સુપરિન્ટેન્ડન્ટની મદદ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. દરેક કેન્દ્ર પર પોલીસ, CRPF અને અર્ધલશ્કરી દળોના આશરે 50 જવાનો પણ તૈનાત રહેશે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/21/Uuqe7Dhv9bys6VI4Uv3i6HEcqaLrPKhcTG7h5tP6.webp'/></item><item><title><![CDATA[Rajkot News: SMCએ શહેર બાદ હવે ગ્રામ્યમાંથી દારૂ ઝડપ્યો, બાવાશા પઠાણ અને સચિન પરમારની ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/rajkot/state-monitoring-cell-seizes-liquor-worth-20-lakh-near-paddhari</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/rajkot/state-monitoring-cell-seizes-liquor-worth-20-lakh-near-paddhari</guid><pubDate>Sun, 21 Jun 2026 09:00:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ સહીત રાજયભરમાં દારૂની હેરાફેરી ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલ રીતસરની ધોંસ બોલાવી રહી છે.વાંકાનેરમાં રાજસ્થાનથી આવેલ રૂ.55.74 લાખનો વિદેશી દારૂનો જથ્થો સહિત કુલ રૂ.80.86 લાખના મુદામાલ સાથે ટ્રક ચાલકની ધરપકડ કરી હતી.બાદ શહેરના કુવાડવા રોડ પર આવેલા RK ઔદ્યોગિક વિસ્તારમાં રામદેવ પ્લોટ નંબર 5 ખાતે ગોડાઉનમાં દરોડો પાડી 70 લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપી કુલ રૂ.1 કરોડથી વધુનો મુદામાલ કબજે લઈ જંગલેશ્વરના કુખ્યાત બુટલેગર સહિત પાંચ આરોપીની શોધખોળ આદરી હતી.પડધરી પોલીસ લાઈન પાછળ આવેલ નદીકાંઠાના રસ્તે કટિંગ ટાળે જ રેડ કરી દારૂની 3804 બોટલો સાથે બે આરોપીને દબોચી કુલ રૂ.20 લાખનો મુદામાલ કબજે લઈ ચાર આરોપીની શોધખોળ આદરી હતી.</p><h2 style="text-align: justify; "><b>કુલ 20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો&nbsp;</b></h2><p style="text-align: justify; ">સ્ટેટ મોનીટરીંગ સેલના પીઆઈ એમ.કે.માલવિયા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.ત્યારે પડધરી પોલીસ લાઈન પાછળ નદીકાંઠાના રસ્તા પર દારૂનું કટિંગ થઈ રહ્યું છે. જે બાતમી આધારે ટીમે મોડી રાતે દરોડો પાડતા નાસભાગ મચી થઈ હતી.પોલીસે રાજકોટ ભગવતીપરાના બાવાસા વાસિનશા પઠાણ અને મોવિયાના સચિન શાંતિલાલ પરમારની ધરપકડ કરી રૂ.9.97 લાખનો દારૂ. 10 લાખનું વાહન, નાના-મોટા ડુંગળીના 95 કરા, બે ફોન સહિત રૂ.20.19 લાખનો મુદામાલ કબજે કર્યો છે.જયારે અંધારાનો લાભ લઈ નાશી છુટેલા ઈરફાનકાદરી, લાલભાઈ પરમાર, આઈસર ચાલક, દારૂ મોકલનાર સહિત ચારની શોધખોળ આદરી છે.બે દિવસમાં સ્ટેટ મોનિટરીંગ સેલે વાંકાનેર,રાજકોટ અને પડધરીમાં દરોડો પાડતા સ્થાનિક પોલીસ ઉંથતી ઝડપાઈ છે.</p><h3 style="text-align: justify; "><b>કઠ્ઠા દુર કરતા હતા ત્યારે જ SMC ત્રાટકી</b></h3><p style="text-align: justify; ">SMCના દરોડામાં ઝડપાયેલા બે શખસો પૈકીના ડ્રાઈવર તરીકે કામ કરતા ભગવતીપરાના બાવાસાને એક ટ્રીપના 20 હજાર ઈરફાન આપવાનો હતો.ગત.તા.16ના રૂ5 હજાર રોકડ આપી તેને સાપુતારા મોકલ્યો હતો. ત્યા હોટલમાં રોકાયો હતો બાદમાં તેને ઈરફાનનો ફોન આવ્યો અને આઈસર લઈને રાજકોટ તરફ આવ તેમ કહ્યું હતું.બાદ તેને તરઘડી અને ત્યાંથી રામપરના પાટીયા તરફ જવાનું કહ્યું હતું.મોવિયાના સચિન શાંતિલાલ પરમારે પોલીસ સમક્ષ આપેલી કબુલાતમાં સચિન દારૂ ઉતારવાનું કામ કરતો હતો તેને ઈરફાને ફોન કરીને દારૂ ઉતારવાના કામ માટે રૂ.5 હજાર રૂપિયા આપવા કહ્યું હતું.માલ કયા ઉતારવો તે જગ્યા લાલાએ નક્કી કરી હતી.ઈરફાને ફોન કરતા પોતે ટૂંકમાં બેસી ગયો હતો.પરંતુ ડુંગળીના કઠ્ઠા દુર કરતા હતા ત્યારે જ SMC ત્રાટકી હતી.<br><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/rain-recorded-in-8-talukas--relief-from-heat-amid-humid-conditions" target="_blank">આ પણ વાંચોઃ Gujarat Weather: ગઈકાલે રાજ્યના 8 તાલુકાઓમાં વરસાદ નોંધાયો, બફારા વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/21/cA7Y3BjMCZzrKUYeQDrR0ggaVGxvX6nIYLPG0RfL.webp'/></item><item><title><![CDATA[Surat News: મનપામાં 12 સમિતિઓ રચાશે, મહિનાથી ઠપ્પ પડેલા વિકાસકાર્યો હવે શરૂ થશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/municipal-corporation-to-form-12-committees</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/municipal-corporation-to-form-12-committees</guid><pubDate>Sun, 21 Jun 2026 08:37:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયાને પોણા બે મહિના વીતી ગયા બાદ આખરે વિવિધ કમિટીઓના ગઠન માટેનું મુહૂર્ત નીકળ્યું છે.આગામી 30 જૂને મળનારી મનપાની સામાન્ય સભામાં 12 ખાસ સમિતિઓના સભ્યોની અઢી વર્ષ માટે નિમણૂક કરવાની દરખાસ્ત એજન્ડામાં સામેલ કરવામાં આવી છે.લાંબા સમયથી અટવાયેલા કમિટી ગઠનને લઈને કોર્પોરેટરોમાં ચાલી રહેલી દોડધામ અને આંતરિક રાજકીય સમીકરણો વચ્ચે હવે આ પ્રક્રિયા પૂર્ણ થવા જઈ રહી છે.</p><h2 style="text-align: justify; "><b>ફંડ સમિતિમાં પણ સભ્યોની નિમણૂક કરાશે</b></h2><p style="text-align: justify; ">માહિતી મુજબ આરોગ્ય,જાહેર બાંધકામ, પાણી, નગર નિયોજન,સમાજ કલ્યાણ,ગટર,કાયદા, રૂગ્ણાલય,ગૃહનિર્માણ,લાઈટ એન્ડ ફાયર,સ્લમ ઈમ્પ્રુવમેન્ટ તેમજ જાહેર પરિવહન નિગમ સમિતિ માટે સભ્યોની નિમણૂક કરવામાં આવશે.આ ઉપરાંત મેયર નિધિ સમિતિ, વ્યાખ્યાનમાળા સમિતિ,મસ્કતી ધર્માદા હોસ્પિટલ સલાહકાર સમિતિ અને અજ્ઞાત સૈનિક પથિક સ્મારક ફંડ સમિતિમાં પણ સભ્યોની નિમણૂક કરાશે. 26 એપ્રિલે યોજાયેલી મનપા ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતી મેળવી હતી.ત્યારબાદ 28 મેના રોજ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જાહેરાત કરવામાં આવી હતી.જોકે કમિટીઓના ગઠન અંગેનો નિર્ણય સતત લંબાતો રહેતા કોર્પોરેટરોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી હતી.</p><h3 style="text-align: justify; "><b>સત્તા કેન્દ્રો સુધી જોરદાર લોબિંગ શરૂ&nbsp;</b></h3><p style="text-align: justify; ">વિવિધ કમિટીઓમાં સ્થાન મેળવવા માટે કોર્પોરેટરોએ પક્ષના સંગઠન અને સત્તા કેન્દ્રો સુધી જોરદાર લોબિંગ શરૂ કરી દીધું હતું.ખાસ કરીને મહત્ત્વની ગણાતી પાણી,જાહેર બાંધકામ અને નગર નિયોજનસમિતિમાં સ્થાન મેળવવા માટે ભારે ખેંચતાણ ચાલી રહી હતી.પોતાના સમર્થકોને સારી કમિટીમાં સ્થાન અપાવવા માટેના પ્રયાસોના કારણે જ ગઠન પ્રક્રિયામાં વિલંબ થયો હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.કમિટીઓના અભાવે અનેક વિકાસકાર્યોની અંદાજ પ્રક્રિયા અને નીતિગત નિર્ણયો અટવાઈ ગયા હતા.જેના કારણે નવા વિકાસકાર્યોને મંજૂરી મળવામાં મોડું થતાં શહેરના વિકાસની ગતિ પણ ધીમી પડી હતી.હવે 30 જૂનની સામાન્યસભા બાદ કમિટીઓનું ગઠન પૂર્ણ થતાં અટવાયેલા વિકાસકાર્યોને ફરી વેગ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/rain-recorded-in-8-talukas--relief-from-heat-amid-humid-conditions" target="_blank">આ પણ વાંચોઃ Gujarat Weather: ગઈકાલે રાજ્યના 8 તાલુકાઓમાં વરસાદ નોંધાયો, બફારા વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/21/oO2DNFdOUFlp6xTifa3EaKNDd3TVelv0iOgr2A3R.webp'/></item><item><title><![CDATA[Vadodara: સમા ખાતે મંત્રી જીતુ વાઘાણી અને સ્થાનિક નેતાઓની હાજરીમાં વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/international-yoga-day-celebration-vadodara-sama-sports-complex-jitu-vaghani-local-leaders</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/international-yoga-day-celebration-vadodara-sama-sports-complex-jitu-vaghani-local-leaders</guid><pubDate>Sun, 21 Jun 2026 08:25:01 +05:30</pubDate><description><![CDATA[<p>આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આજે વડોદરા શહેરમાં અલગ-અલગ સ્થળોએ નાના-મોટા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમા વિસ્તારમાં આવેલું ઇન્ડોર-આઉટડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મેગા ઇવેન્ટમાં વહેલી સવારથી જ વડોદરાના ખેલાડીઓ, સિનિયર સિટીઝન્સ, મહિલાઓ અને બાળકો યોગ મેટ સાથે ગ્રાઉન્ડ પર ગોઠવાઈ ગયા હતા.</p><h2><b>જીતુ વાઘાણીએ નેતૃત્વ સંભાળ્યું</b></h2><p>ગુજરાત સરકારના વરિષ્ઠ મંત્રી જીતુ વાઘાણી આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, યોગ એ ભારતની પ્રાચીન સંસ્કૃતિની અમૂલ્ય ભેટ છે જેને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી આખી દુનિયાએ સ્વીકારી છે. મંત્રી જીતુ વાઘાણીએ પ્રોટોકોલ મુજબ માત્ર સ્ટેજ પરથી હાજરી ન આપતા, પોતે પણ ગ્રાઉન્ડ પર બેસીને સ્થાનિક નેતાઓ અને આમ જનતાની સાથે કપાલભાતી, અનુલોમ-વિલોમ અને સૂર્ય નમસ્કાર જેવા મહત્વપૂર્ણ આસનો કર્યા હતા.</p><h3><b>સ્થાનિક નેતાઓની સક્રિય હાજરી</b></h3><p>આ કાર્યક્રમમાં વડોદરાના સ્થાનિક ધારાસભ્યો, મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ, શહેર સંગઠનના હોદ્દેદારો તેમજ વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર કોમ્પ્લેક્સ 'હર ઘર યોગ, ઘર ઘર યોગ' ના નારાથી ગુંજી ઉઠ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા પીવાના પાણી અને મેડિકલ ઈમરજન્સી માટે ડિજિટલ કંટ્રોલ રૂમ અને સ્પેશિયલ ડેસ્ક પણ કાર્યરત રાખવામાં આવ્યા હતા.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/weather/ahmedabad/guajrat-weather-forecast-rain-alert-ahmedabad-7-days-fishermen-warning-high-wind-speed" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: આગામી 7 દિવસ અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદી માહોલ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/21/nSkan48b7VtpuWLwkgM6oI2ljus763CSZkQPN3v5.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026: જર્મનીએ છેલ્લી ઘડીએ આઇવરી કોસ્ટને હરાવી નોકઆઉટમાં પ્રવેશ મેળવ્યો! ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-germany-beats-ivory-coast-at-the-last-minute-to-enter-the-knockout-stages</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-germany-beats-ivory-coast-at-the-last-minute-to-enter-the-knockout-stages</guid><pubDate>Sun, 21 Jun 2026 08:21:36 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફિફા વર્લ્ડ કપ 2026માં જર્મનીએ આખરે તે સિદ્ધિ મેળવી જે તેના ચાહકો 12 વર્ષથી રાહ જોઈ રહ્યા હતા.ગ્રુપ ડીની એક રોમાંચક મેચમાં જર્મનીએ આઇવરી કોસ્ટને 2-1 થી હરાવ્યું,માત્ર સતત બીજી જીત નોંધાવી નહીં પરંતુ રાઉન્ડ ઓફ 32 નોકઆઉટ સ્ટેજમાં પણ પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું.મેચના હીરો ડેનિસ ઉન્ડાવ હતા, જેમણે બે ગોલ કરીને જર્મનીને યાદગાર વિજય અપાવ્યો.</p><h5 style="text-align: justify; "><b>આઇવરી કોસ્ટે સખત લડાઈ આપી</b></h5><p style="text-align: justify; ">જર્મન ટીમ જેણે તેની પ્રથમ મેચમાં કુરાકાઓને 7-1 થી કચડી નાખ્યું હતું,આત્મવિશ્વાસથી ભરપૂર મેદાનમાં ઉતરી હતીપરંતુ આઇવરી કોસ્ટના મજબૂત ડિફેન્સે તેમને લાંબા સમય સુધી મુશ્કેલીમાં મૂક્યા.જર્મનીએ બોલ પર કબજો અને હુમલાઓ પર પ્રભુત્વ જમાવ્યું,છતાં આઇવરી કોસ્ટે પહેલો ગોલ કર્યો.30મી મિનિટે અમાદ ડાયલોનો ખતરનાક બોલ જર્મન બોક્સમાં પ્રવેશ્યો,જ્યાં કેપ્ટન ફ્રેન્ક કેસીએ તકનો લાભ લીધો અને બોલને નેટમાં હેડ કર્યો.આ ગોલ સાથે,આઇવરી કોસ્ટે 1-0 ની લીડ મેળવી.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://x.com/FIFAWorldCup/status/2068461641805463880?s=20" target="_blank">https://x.com/FIFAWorldCup/status/2068461641805463880?s=20</a></p><h5 style="text-align: justify; "><b>ઉન્ડાવ વિજયના હીરો બન્યા&nbsp;</b></h5><p style="text-align: justify; ">પહેલા હાફમાં જર્મનીને બે મોટા આંચકાનો સામનો કરવો પડ્યો. કાઈ હાવર્ટ્ઝના શાનદાર હેડરને ગોલકીપર યાહિયા ફોફાનાના શાનદાર સેવ દ્વારા અટકાવવામાં આવ્યો, જ્યારે એલેક્ઝાન્ડર પાવલોવિકનો કોર્નર ગોલ ફાઉલને કારણે રદ કરવામાં આવ્યો. હાફટાઇમ સુધી, જર્મની 0-1 થી પાછળ હતું, અને ટીમ પર દબાણ વધી રહ્યું હતું.બીજા હાફમાં,જર્મનીએ સતત હુમલા શરૂ કર્યા, અને ફેરફારો ફળ્યા.અંતે, ડેનિસ ઉન્ડાવે 68મી મિનિટે સ્કોર 1-1 થી બરાબરી કરી. ત્યારબાદ મેચ અત્યંત રોમાંચક બની ગઈ. 88મી મિનિટે, આઇવરી કોસ્ટના સિમોન આડિંગ્રા પાસે સુવર્ણ તક હતી, પરંતુ તે તેનો લાભ લેવામાં નિષ્ફળ ગયો. આ ભૂલ આખરે તેમની હારનું કારણ બની.</p><h4 style="text-align: justify; "><b>12વર્ષ પછી જર્મની નોકઆઉટ તબક્કામાં પહોંચ્યું</b></h4><p style="text-align: justify; ">ઇન્જરી સમયમાં, ફેલિક્સ ન્મેચાએ બોક્સની અંદર ઉન્ડાવને શાનદાર પાસ આપ્યો. સ્ટુટગાર્ટના સ્ટ્રાઈકરે ઉત્તમ નિયંત્રણ દર્શાવ્યું અને બોલને નેટમાં ફેંકી દીધો, જેનાથી જર્મનીને 2-1થી નાટકીય વિજય મળ્યો. આ જીત સાથે, જર્મનીએ સતત બીજી જીત નોંધાવી અને ગ્રુપ ડીમાંથી નોકઆઉટ તબક્કામાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. 2014માં વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી આ પહેલી વાર છે જ્યારે જર્મન ટીમ ફિફા વર્લ્ડ કપના નોકઆઉટ તબક્કામાં પહોંચી છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/paraguay-created-a-big-upset-in-fifa-world-cup-2026-defeated-turkey-and-eliminated-them-from-the-tournament" target="_blank">FIFA World Cup 2026માં પેરાગ્વેએ સર્જ્યો મોટો અપસેટ, તુર્કીને હરાવીને ટુર્નામેન્ટમાંથી બહાર કરી</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/21/PjlU3xuEnKlazUN071RvGEvxZqatYgq96SDVXMme.webp'/></item><item><title><![CDATA[International Yoga Day 2026 : સમૃદ્ધિથી નહી યોગથી આવશે ખુશી: સદગુરુ ]]></title><link>https://sandesh.com/international-yoga-day/world-yoga-day-2026/news/india/happiness-will-come-from-yoga-not-from-prosperity-sadhguru</link><guid isPermaLink="true">https://sandesh.com/international-yoga-day/world-yoga-day-2026/news/india/happiness-will-come-from-yoga-not-from-prosperity-sadhguru</guid><pubDate>Sun, 21 Jun 2026 08:20:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઇશા ફાઉન્ડેશન દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.&nbsp; વર્ષ 2015માં સંયુક્ત રાષ્ટ્રસંઘે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કર્યો હતો.&nbsp;</p><p style="text-align: justify; ">સંયુક્ત રાષ્ટ્રના ઇતિહાસમાં પ્રથમ વખત 177 દેશોએ આ પ્રસ્તાવને સહ-પ્રાયોજિત કર્યો હતો. આ પહેલાં સંયુક્ત રાષ્ટ્રના કોઈપણ પ્રસ્તાવને આવો વ્યાપક સમર્થન મળ્યો ન હતો. તેનું મહત્વ માત્ર કેટલાક લોકો દ્વારા શરીરને વાળવા-મોડવાની કસરત કરતાં ઘણું વધારે છે. તે માનવ ઇતિહાસના એક મહત્વપૂર્ણ વળાંક પર આવ્યો છે. આજે યોગનું વિજ્ઞાન પહેલાથી પણ વધુ પ્રાસંગિક બન્યું છે.</p><h2 style="text-align: justify; ">આપણે હંમેશા માનતા આવ્યા છીએ કે સમૃદ્ધિ આવશે તો લોકો સ્વસ્થ રહેશે</h2><p style="text-align: justify; ">આપણે હંમેશા માનતા આવ્યા છીએ કે સમૃદ્ધિ આવશે તો લોકો સ્વસ્થ રહેશે. પરંતુ આજે તમે જોશો કે સૌથી સમૃદ્ધ દેશો જ સૌથી વધુ બીમારીઓથી પીડિત છે. ઉદાહરણ તરીકે, અમેરિકામાં લોકો પાસે પોષણ માટે અસંખ્ય વિકલ્પો છે, છતાં તેઓ આરોગ્ય સેવાઓ પર દર વર્ષે પાંચ ટ્રિલિયન ડોલરથી વધુ ખર્ચ કરે છે. આ પ્રકારનો ખર્ચ કોઈપણ દેશને આર્થિક રીતે નબળો પાડી શકે છે. દુર્ભાગ્યે, અન્ય દેશો પણ ઝડપથી આ જ માર્ગે આગળ વધી રહ્યા છે. જેમ જેમ આર્થિક સમૃદ્ધિ વધે છે, તેમ તેમ અનેક પ્રકારની શારીરિક અને માનસિક સમસ્યાઓ પણ વધવા લાગે છે.</p><h3 style="text-align: justify; ">આજની પેઢીને સુવિધાઓ અને આરામ મળ્યા છે</h3><p style="text-align: justify; ">આજની પેઢીને જે સુવિધાઓ અને આરામ મળ્યા છે, તે અગાઉની કોઈ પણ પેઢીને મળ્યા નહોતા. છતાં આપણે એવું કહી શકતા નથી કે આપણે ઇતિહાસની સૌથી ખુશહાલ અથવા પ્રેમાળ પેઢી છીએ. ઘણા લોકો સતત તણાવ, ચિંતા અને અશાંતિમાં જીવન જીવી રહ્યા છે. કેટલાક લોકો પોતાની નિષ્ફળતાઓથી પીડાય છે, જ્યારે ઘણા લોકો પોતાની સફળતાના પરિણામોથી પણ દુઃખી છે. કેટલાક લોકો પોતાની મર્યાદાઓથી પરેશાન છે તો કેટલાક પોતાની સ્વતંત્રતાથી. આવી સ્થિતિમાં યોગ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.</p><h4 style="text-align: justify; ">આંતરિક સુખાકારીનું વિજ્ઞાન છે યોગ</h4><p style="text-align: justify; ">યોગ એક તકનીક છે, એક એવું સાધન છે જે માણસને પોતાની અંદર વળવા અને પોતાની ખુશી જાતે સર્જવામાં મદદ કરે છે. તમારી ખુશી બહારથી આવતી નથી. તમે તેને જાતે બનાવો છો અથવા તો બનાવતા નથી. આ જ યોગનો મૂળભૂત સિદ્ધાંત છે. જેમ બાહ્ય સુખાકારી માટે વિજ્ઞાન અને ટેકનોલોજી છે, તેમ આંતરિક સુખાકારી માટે પણ એક વિજ્ઞાન અને પદ્ધતિ ઉપલબ્ધ છે.</p><p style="text-align: justify; ">દરેક વ્યક્તિના જીવનમાં યોગને સામેલ કરવાથી આરોગ્ય અને સુખાકારી મેળવવાની સરળ પરંતુ શક્તિશાળી પ્રક્રિયા ઉપલબ્ધ થાય છે. યોગ માત્ર શારીરિક સ્વાસ્થ્ય પૂરતો મર્યાદિત નથી. દુનિયા આધુનિક બનતી જાય છે તેમ માનસિક બીમારીઓ પણ ઝડપથી વધી રહી છે. માનવીય સંબંધો અને સામાજિક જોડાણો નબળા પડી રહ્યા છે, જેના કારણે લોકો માનસિક અને ભાવનાત્મક રીતે તૂટી રહ્યા છે. લોકો ચિંતિત, બેચેન અને પરેશાન છે. પોતાની આંતરિક ઉથલપાથલને સંભાળવા માટે તેઓ અનેક ઉપાયો અજમાવી રહ્યા છે, જેનાથી થોડી રાહત તો મળે છે, પરંતુ કોઈ કાયમી ઉકેલ મળતો નથી. તેથી યોગ તરફ વળવું એક ખૂબ જ સ્વાભાવિક અને જરૂરી પગલું બની ગયું છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/21/YvOJtAQzDUikj2xzWXm3BIUqEgWLqydLcZJrHziD.webp'/></item><item><title><![CDATA[Aamir Khan : મોટા પડદા પર જોવા મળશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની કહાની, આમિર ખાન બનાવી રહ્યા છે ડોક્યુમેન્ટ્રી ]]></title><link>https://sandesh.com/entertainment/news/aamir-khan-to-produce-biographical-documentary-on-president-droupadi-murmu</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/aamir-khan-to-produce-biographical-documentary-on-president-droupadi-murmu</guid><pubDate>Sat, 20 Jun 2026 17:33:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આમિર ખાન પ્રોડક્શન્સના બેનર હેઠળ બની રહેલી બંટવારા 1947 ટૂંક સમયમાં જ થિએટરોમાં દસ્તક દેવાની છે, જેનું તાજેતરમાં જ ટીઝર સામે આવ્યું છે. આ દરમિયાન આમિર ખાન એક વધુ મોટો પ્રોજેક્ટ લઈને આવી રહ્યા છે, પરંતુ આ એક્શન કે પાર્ટિશન પર બની રહેલી કોઈ ફિલ્મ નથી, પણ એક ડોક્યુમેન્ટ્રી હોવાની છે. અહેવાલ છે કે આમિર ખાનનું પ્રોડક્શન હાઉસ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પર ડોક્યુમેન્ટ્રી બનાવી રહ્યું છે એટલે કે દ્રૌપદી મુર્મૂની શાનદાર સફરને મોટા પડદા પર ઉતારવામાં આવશે.</p><h2 style="text-align: justify; "><b>રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના જીવન પર બનાવશે ડોક્યુમેન્ટ્રી</b></h2><p style="text-align: justify; ">બંટવારા 1947ની વચ્ચે આમિર ખાને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની જિંદગી પર એક ડોક્યુમેન્ટ્રી બનાવવાનો નિર્ણય લીધો છે. આ ફિલ્મના ડિરેક્શનની કમાન સ્વાતિ ચક્રવર્તી ભટકલા સંભાળશે, જેઓ રૂબરૂ રોશની જેવી ડોક્યુમેન્ટ્રી બનાવી ચૂક્યા છે. અહેવાલ છે કે આ ડોક્યુમેન્ટ્રીનું શૂટિંગ પહેલાથી જ શરૂ થઈ ચૂક્યું છે.</p><h3 style="text-align: justify; "><b>આમિર ખાનના પ્રોજેક્ટની ચર્ચા</b></h3><p style="text-align: justify; ">વેરાયટી ઇન્ડિયાના એક અહેવાલ મુજબ, આમિર ખાન પ્રોડક્શન્સ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના જીવન અને સફર પર બેઝ્ડ એક ડોક્યુમેન્ટ્રી પર કામ કરી રહ્યું છે. આ પ્રોજેક્ટને ફિલ્મમેકર અને રાઇટર સ્વાતિ ચક્રવર્તી ભતકાલ ડિરેક્ટ કરશે. આ ડોક્યુમેન્ટ્રી એ શાનદાર સફરને બતાવશે જેમાં મુર્મૂ ઓડિશાના એક નાના ગામથી ભારતના રાષ્ટ્રપતિ બન્યા. જણાવવામાં આવી રહ્યું છે કે આ ડોક્યુમેન્ટ્રી દ્રૌપદી મુર્મૂની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફના મહત્વના પડાવોને બતાવશે. જો કે, હજી મેકર્સ તરફથી કન્ફર્મેશન બાકી છે અને જો સમાચાર કન્ફર્મ થઈ જાય છે, તો આ આમિર ખાન પ્રોડક્શન્સની એક વધુ સાચી જિંદગી પર આધારિત સ્ટોરી હશે.</p><h4 style="text-align: justify; "><b>શરૂ થઈ ગયું શૂટિંગ</b></h4><p style="text-align: justify; ">અહેવાલોનું માનીએ તો આ ડોક્યુમેન્ટ્રીના કેટલાક ભાગ પહેલાથી જ ઓડિશામાં મુર્મૂના પૈતૃક ગામમાં શૂટ કરવામાં આવી ચૂક્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે મેકર્સે તેમના શરૂઆતી જીવનની મહત્વની ક્ષણોને ફરીથી તૈયાર કરી છે અને તેમની સફરના અલગ-અલગ પડાવોને બતાવવા માટે લોકલ કલાકારોને કાસ્ટ કર્યા છે. આ ડોક્યુમેન્ટ્રી દ્વારા આમિર ખાન પ્રોડક્શન્સ અને સ્વાતિ ચક્રવર્તી ભતકાલ એકવાર ફરી સાથે કામ કરશે. સ્વાતિએ આ પહેલા રૂબરૂ રોશનીને ડિરેક્ટ કરી હતી, જે 2019 માં આવેલી એક ડોક્યુમેન્ટ્રી એન્થોલોજી હતી અને જેને આમિર ખાન અને કિરણ રાવે પ્રોડ્યુસ કરી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/tmkoc-bagha-tanmay-vekaria-shares-real-life-financial-struggle-story" target="_blank">આ પણ વાંચો-Tanmay Vekaria : એક સમયે ખિસ્સામાં હતા ફક્ત 700 રૂપિયા, આજે લોકપ્રિયતાના શિખરે છે TMKOCના બાઘા!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/MUfmnKIuwI9umMX1WfyOSNjgmzILMrwiK7kSkn0V.webp'/></item><item><title><![CDATA[Bharat Forge Share: સરકારનો મળ્યો 425 કરોડનો ઓર્ડર અને...રોકાણકારો માલામાલ ]]></title><link>https://sandesh.com/business/news/bharat-forge-share-government-gets-order-of-rs-425-crore-andinvestors-are-rich</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/bharat-forge-share-government-gets-order-of-rs-425-crore-andinvestors-are-rich</guid><pubDate>Sat, 20 Jun 2026 12:57:07 +05:30</pubDate><description><![CDATA[<p>શેરબજારમાં સતત વધઘટ જોવા મળી રહી છે. ગત અઠવાડિયે તો શેરબજારમાં ઘટાડાનો દોર હતો. પરંતુ આ ઘટાડા વચ્ચે ઘણી કંપનીઓના શેરએ સારુ પ્રદર્શન કર્યુ હતું. જો કે આગામી દિવસોમાં પણ આવો ટ્રેન્ડ જોવા મળી શકે છે. ત્યારે આવો જાણીએ કઇ કંપનીઓના શેર માર્કેટમાં મંદીના માહોલમાં પણ ટોપ પર હતા.&nbsp;</p><h2><b>Bharat Forge નો શેર ટોચ પર&nbsp;</b></h2><p>જે કંપનીનો શેર ટોચ પર હતો તે છે Bharat Forge. જો કે આગામી દિવસોમાં પણ તેના શેર ટોપ પર રહે તેવી શક્યતા છે.&nbsp; સરકાર દ્વારા કંપનીને આપવામાં આવેલા ₹425 કરોડના નોંધપાત્ર ઓર્ડરને કારણે સંરક્ષણ ક્ષેત્રની અગ્રણી કંપની Bharat Forgeના શેર ફોકસમાં રહેવાની તૈયારીમાં છે.</p><h3><b>રોકાણકારો માટે મલ્ટીબેગર સ્ટોક બન્યો Bharat Forge</b></h3><p>Bharat Forge તેના રોકાણકારો માટે મલ્ટીબેગર સ્ટોક તરીકે ઉભરી આવ્યો છે. વળતરની દ્રષ્ટિએ તેણે લાંબા ગાળે રોકાણકારો માટે નોંધપાત્ર સંપત્તિ ઉત્પન્ન કરી છે.  9 એપ્રિલ, 2020 ના રોજ આ  શેરનો ભાવ ₹245 હતો. જે હવે 12 જૂન  શુક્રવારના રોજ  ₹2,036 પર બંધ થયો હતો. એટલે કહી શકાય કે રોકાણકારોને તો તગડી કમાણી કરાવી દીધી.  2020થી 2026 સુધીમાં રોકાણકારોએ  729% નું પ્રભાવશાળી વળતર મેળવ્યું .Bharat Forgeમાં જે  રોકાણ કર્યુ હતું તેના કરતા આઠ ગણાથી વધુનો વધારો થયો છે.</p><p><b style="font-size: 1.5rem;">રોકાણકારોને કેટલું આપ્યું વળતર ?&nbsp;</b></p><p>આ ડિફેન્સ  સ્ટોકનું બજાર મૂડીકરણ ₹97,340 કરોડ છે. તેનો 52 અઠવાડિયાનો ઉચ્ચતમ ભાવ ₹2,059.50 છે, જ્યારે 52 અઠવાડિયાનો નીચો ભાવ ₹1,100.50 છે. છેલ્લા છ મહિનામાં આ શેર નોંધપાત્ર રીતે સારો દેખાવ કરી રહ્યો છે. જે રોકાણકારોને 40% વળતર આપે છે.  છેલ્લા પાંચ વર્ષના વળતરની વાત કરીએ તો તે 180% છે.</p><p><br></p><h4><b>ભારત ફોર્જ કેમ ફોકસમાં છે?</b></h4><p>Bharat Forgeના શેર આગામી સપ્તાહે પણ ચર્ચામાં રહેવાની ધારણા છે. પીટીઆઈના અહેવાલ મુજબ કંપનીએ ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જાહેરાત કરી હતી કે તેણે ભારતીય નૌકાદળ માટે સંરક્ષણ મંત્રાલય પાસેથી એક મોટો કરાર મેળવ્યો છે.</p><p><b style="font-size: 1.5rem;">Bharat Forgeમેળવ્યો ડિફેન્સ સેક્ટર પાસેથી ઓર્ડર&nbsp;</b></p><p>મળતી માહિતી મુજબ આ ઓર્ડર ગેસ ટર્બાઇન જનરેટરના પુરવઠા માટે છે જે ફાઇલિંગ મુજબ ₹425 કરોડ મૂલ્યનો છે. Bharat Forgeને કરારને અમલમાં મૂકવા માટે પાંચ વર્ષનો સમયમર્યાદા આપવામાં આવી છે. આ કરાર હેઠળ, કંપની 1.25 મેગાવોટની ક્ષમતાવાળા ગેસ ટર્બાઇન જનરેટરનું ઉત્પાદન કરશે.&nbsp;</p><p>શુક્રવારે સંરક્ષણ મંત્રાલયે નવી દિલ્હીમાં પુણે સ્થિત Bharat Forge લિમિટેડ સાથે ભારતીય નૌકાદળ માટે બાર 1.25 મેગાવોટ મરીન ગેસ ટર્બાઇન જનરેટર સેટ ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા. આ દરમિયાન સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ હાજર રહ્યા હતા, આ જનરેટરમાં ઓછામાં ઓછી 60% 'મેડ ઇન ઇન્ડિયા' સામગ્રીનો ઉપયોગ કરવામાં આવશે.</p><p><br></p><p><a href="https://sandesh.com/gallery/news/india/why-are-potatoes-and-chickpeas-the-filling-in-panipuri?2" target="_blank">આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/8gAOmPtUhuQp6cQgCRCresDqJT7KUFfJ9t7F1ztY.webp'/></item></channel></rss>