<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Amreli News: લાઠીના ભુરખિયામાં વિધિના નામે છેતરપિંડી કરનારા બે ગઠિયાઓને LCBએ દબોચ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/amreli-news-lcb-arrests-two-gangsters-who-cheated-in-the-name-of-ritual-in-lathi-bhurkhiya</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/amreli-news-lcb-arrests-two-gangsters-who-cheated-in-the-name-of-ritual-in-lathi-bhurkhiya</guid><pubDate>Sat, 27 Jun 2026 21:41:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમરેલી જિલ્લાના લાઠી પંથકમાંથી ધર્મના નામે ભોળા લોકોને છેતરી આર્થિક લૂંટ ચલાવતી એક શાતિર ટોળકીનો પર્દાફાશ થયો છે. લાઠી નજીક આવેલા પ્રખ્યાત ભુરખિયા ધામ ખાતે પરિવાર પરથી 'મેલું હટાવવાની' તાંત્રિક વિધિના નામે એક નાગરિક સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી. બે ગઠિયાઓએ ભોગ બનનાર વ્યક્તિને ડરાવીને, વિધિના બહાને તેની પાસેથી રૂપિયા 20,000ની રોકડ રકમ અને આંગળીમાંથી સોનાની કિંમતી વીંટી પડાવી લીધી હતી. ગઠિયાઓ નાસી છૂટ્યા બાદ ભોગ બનનારને પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનો અહેસાસ થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.</p><h2 style="text-align: justify; ">અમરેલી LCB પોલીસે 2 શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપ્યા</h2><p style="text-align: justify; ">ધાર્મિક આસ્થાનો દુરુપયોગ કરી લોકોને લૂંટતા તત્વોને પકડવા માટે અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી. LCB પોલીસે ટેકનિકલ લોકેશન અને બાતમીદારોની મદદથી સચોટ ઓપરેશન પાર પાડીને રાજકોટ જિલ્લાના જસદણ પંથકના બે શખ્સોની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીઓની ઓળખ દીપકનાથ ધાંધુ અને રોહીતનાથ ધાંધુ તરીકે થઈ છે. પોલીસે આ આરોપીઓ પાસેથી છેતરપિંડી કરીને પડાવેલા રૂપિયા 20,000 રોકડા, સોનાની વીંટી તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલું મોટરસાયકલ (બાઇક) સહિતનો તમામ મુદ્દામાલ કબજે કર્યો છે.</p><h3 style="text-align: justify; ">આરોપીઓને કાયદેસરની કાર્યવાહી માટે લાઠી પોલીસને સોંપાયા</h3><p style="text-align: justify; ">અમરેલી LCB પોલીસે અંધશ્રદ્ધા ફેલાવી છેતરપિંડી આચરનારા આ બંને ગઠિયાઓની અટકાયત કર્યા બાદ, ગુનાની આગળની તપાસ માટે તેમને જપ્ત કરેલા મુદ્દામાલ સાથે લાઠી પોલીસ સ્ટેશનને સોંપી દીધા છે. લાઠી પોલીસે આ મામલે બંને ઠગબાજો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી છે. પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ બંને શખ્સોએ અગાઉ ભુરખિયા કે અન્ય કોઈ ધાર્મિક સ્થળોએ કેટલા ભોળા લોકોને પોતાની જાળમાં ફસાવીને આ પ્રકારે છેતરપિંડી આચરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/5TeUhw5K2Jl5rn4CBvrUJ2L3hHD4Vy3HV0bhzLk1.webp'/></item><item><title><![CDATA[Surat News: સુમુલ ડેરીની ચૂંટણીમાં મોટો ધડાકો! ફોર્મ ખેંચાય તે પહેલાં જ ઉમેદવારો અજ્ઞાત સ્થળે મોકલાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-news-big-blow-in-sumul-dairy-elections-candidates-sent-to-unknown-location-even-before-forms-were-drawn</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-news-big-blow-in-sumul-dairy-elections-candidates-sent-to-unknown-location-even-before-forms-were-drawn</guid><pubDate>Sat, 27 Jun 2026 21:27:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દક્ષિણ ગુજરાતની આર્થિક જીવાદોરી સમાન અને અંદાજે રૂ.12,000 કરોડથી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી સુમુલ ડેરીની આગામી ચૂંટણીને લઈને સમગ્ર પંથકના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ સૌથી મોટા સંગઠન પર વર્ચસ્વ મેળવવા માટે રાજકીય પક્ષોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત આગામી 29 જૂનથી 4 જુલાઈ સુધી ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો મહત્વપૂર્ણ સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. આ સમય દરમિયાન જ ખરાખરીનો ખેલ ખેલાવવાની શક્યતા હોવાથી ડેરીની આ ચૂંટણી હાલ ટોક ઓફ ધ ટાઉન બની છે.</p><h2 style="text-align: justify; ">ગુપ્ત બેઠક બાદ ઉમેદવારો અજ્ઞાત સ્થળે રવાના</h2><p style="text-align: justify; ">આ ચૂંટણીમાં શાસક પક્ષ ભાજપ સામે મોરચો માંડવા માટે કોંગ્રેસ પક્ષ પણ સક્રિય થયો છે. સુરત સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દ્વારા ભાજપના મેન્ડેટ સિવાયના એટલે કે વિરોધ પક્ષના સમર્થિત પશુપાલક ઉમેદવારો સાથે એક હાઈપ્રોફાઈલ અને ગુપ્ત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક પૂર્ણ થતાં જ એક મોટો વળાંક આવ્યો હતો. મિટિંગ પૂરી થયાની ગણતરીની મિનિટોમાં જ કોંગ્રેસ સમર્થિત તમામ 11 જેટલા ઉમેદવારોને કોઈને ખબર ન પડે તે રીતે તાત્કાલિક અજ્ઞાત સ્થળે સ્થળાંતર કરી દેવામાં આવ્યા હતા.</p><h3 style="text-align: justify; ">'રિઝોર્ટ પોલિટિક્સ' શરૂ: ફોર્મ ખેંચાવવાના દબાણનો ડર</h3><p style="text-align: justify; ">મળતી વિગતો મુજબ 29 જૂનથી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા શરૂ થઈ રહી હોવાથી આ સમયગાળા દરમિયાન શાસક પક્ષ ભાજપ દ્વારા સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવીને ઉમેદવારો પર ફોર્મ પાછા ખેંચવા માટે રાજકીય કે વહીવટી દબાણ કરવામાં આવે તેવી પૂરેપૂરી ભીતિ સેવવામાં આવી રહી હતી. આ સંભવિત 'હોર્સ ટ્રેડિંગ' અને દબાણથી ઉમેદવારોને બચાવવા માટે તમામ 11 ઉમેદવારોને ચાર્ટર પ્લેન મારફતે ખાસ સુરક્ષા વચ્ચે ગુજરાતની બહાર મોકલી દેવાયા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/QEL0JuclWtGd3h6DN7XC2zs8WgWhTDSKbHbHNmBU.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: રાણીપમાં અમિત શાહની ઉપસ્થિતિમાં લોકદરબાર યોજાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/amit-shah-cm-bhupendra-patel-ranip-lok-darbar</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/amit-shah-cm-bhupendra-patel-ranip-lok-darbar</guid><pubDate>Sat, 27 Jun 2026 21:24:57 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાણીપ વિસ્તારમાં નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ માટે એક ભવ્ય 'લોકદરબાર'નું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ લોકદરબારમાં વિવિધ સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીઓ સાથે સીધો સંવાદ યોજી સ્થાનિક વિકાસકાર્યો અને જાહેર સુવિધાઓ અંગે ખુલ્લા મનથી ચર્ચા કરવામાં આવી હતી.</p><h2><b>ગૃહમંત્રીની કાર્યશૈલી પર CM ભૂપેન્દ્ર પટેલનું નિવેદન</b></h2><p>લોકદરબારને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, કોઈ તમારી વાત સાંભળે કે ના સાંભળે, પરંતુ સાંસદ અમિત શાહ પાસે વાત જાય એટલે તમારું કામ થયે જ છૂટકો. આજે અહીં કોર્પોરેશન, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ત્રણેય હાજર છે, એટલે તમારા તમામ પ્રશ્નોનું નિરાકરણ આવી જ જશે. સીએમએ વધુમાં ઉમેર્યું કે, ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં થઈ રહેલી હરિયાળી ક્રાંતિ આજે સૌ કોઈ જોઈ શકે છે.</p><h2><b>રાણીપની જનતા સાથે મારો 30 વર્ષનો નાતો: અમિત શાહ</b></h2><p>પોતાના સંબોધનની શરૂઆતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાવુક જણાતા કહ્યું કે, મને આ રાણીપ વિધાનસભા વિસ્તારમાં 30 વર્ષ થયા છે. રાજનીતિમાં આટલો લાંબો સમય વિત્યો હોવા છતાં રાણીપના લોકો મને સાથ આપવામાં ક્યારેય થાક્યા નથી. અહીંની જનતાએ હંમેશા ભાજપના કમળને મજબૂતાઈથી પકડી રાખ્યું છે. તેમણે ઉમેર્યું કે, 30 વર્ષમાં મેં રાણીપને બદલાતા અને વિકાસ કરતા જોયું છે, અને ટૂંક સમયમાં જ આપણે સંપૂર્ણ અને આધુનિક બનેલું રાણીપ જોઈશું.</p><h2><b>વિકાસના કામો અને ઐતિહાસિક સિદ્ધિઓની કરાવી ઝાંખી</b></h2><p>અમિત શાહે પોતાના ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકકલ્યાણકારી યોજનાઓ અને સ્થાનિક સ્તરે થયેલી કામગીરીના આંકડા રજૂ કરતા જણાવ્યું હતું કે, પીએમ સ્વનિધિ યોજના હેઠળ 8,979 લારી-ગલ્લાવાળાઓને લોન આપી સ્વનિર્ભર બનાવવામાં આવ્યા છે. મતક્ષેત્રનું એકપણ એવું ગામ નહીં હોય જેમાં લાઈબ્રેરી ના હોય. આગામી સમયમાં વધુ 100થી વધારે ગામોમાં નવી આધુનિક લાઈબ્રેરીઓ બનાવવામાં આવશે. મત વિસ્તારના 70 વર્ષથી વધુ વયના 88 ટકા વૃદ્ધોને આયુષ્માન કાર્ડ આપી મફત સારવારની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. ઓવરબ્રિજ નીચે ખાલી પડેલી જગ્યાઓનો સદુપયોગ કરી યુવાનો માટે રમત-ગમતની સુંદર વ્યવસ્થા ઉભી કરાઈ છે.</p><h2><b>પર્યાવરણ અને જળસંચય માટે જનતાને હાકલ</b></h2><p>પર્યાવરણના રક્ષણ માટે ગૃહમંત્રીએ મિશન મોડમાં કામ કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, પર્યાવરણ બચાવવાનો એકમાત્ર રસ્તો વૃક્ષારોપણ છે અને આપણે સૌએ મળીને 'ગ્રીન ગાંધીનગર લોકસભા અભિયાન' ઉપાડવું પડશે. આપણા મતક્ષેત્રમાં ગ્રીન એરિયામાં 12.5 ટકાની વૃદ્ધિ થઈ છે, જે ગર્વની બાબત છે. </p><p>અમિત શાહે લોકોને અપીલ કરી કે, હવે પંથકમાં સોલર રૂફટોપ વિનાનું એક પણ ધાબુ ન રહેવું જોઈએ અને ચોમાસાના પાણીના સંગ્રહ માટે પર્કોલેટિંગ કૂવાની નિયમિત સાફ-સફાઈ થવી જ જોઈએ. છેલ્લે કાર્યકરો અને જનતાનો ઉત્સાહ વધારતા અમિત શાહે હળવા અંદાજમાં કહ્યું કે, રાણીપનો ડબ્બો ખૂલે એટલે ભાજપના કાર્યકરોના ચહેરા પર હસવાની શરૂઆત થઈ જાય છે. જ્યાં સુધી કેન્દ્રમાં નરેન્દ્ર ભાઈ મોદી બેઠા છે, ત્યાં સુધી જનતાએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/amit-shah-circuit-house-meeting-gandhinagar-green-lok-sabha" target="_blank">Ahmedabad News: કેન્દ્રીય ગૃહ મંત્રી સર્કિટ હાઉસ ખાતે 'હરિયાળી લોકસભા' અભિયાન અંગે યોજાઈ બેઠક</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/TJmcIgOHhd2iexYqEXd1scv7813fiYgH5oSFXcxI.webp'/></item><item><title><![CDATA[Jammu Kashmir : ગુલમર્ગમાં LOCની પાસે રહસ્યમય બ્લાસ્ટ, 1 વ્યક્તિનું મોત, 4 લોકો ઘાયલ ]]></title><link>https://sandesh.com/india/news/jammu-kashmir-gulmarg-loc-mysterious-blast-one-dead-four-injured</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/jammu-kashmir-gulmarg-loc-mysterious-blast-one-dead-four-injured</guid><pubDate>Sat, 27 Jun 2026 21:22:47 +05:30</pubDate><description><![CDATA[<p>જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ગુલમર્ગ સેક્ટરમાં શનિવારે બપોરે એક દુર્ઘટનામાં જૂનો મોર્ટાર શેલ ફાટતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટના આશા પોસ્ટ વિસ્તાર નજીક સુમલોવાળી ડોક પાસે બની.</p><h2><b>અચાનક શેલમાં વિસ્ફોટ થતાં દુર્ઘટના સર્જાઈ</b></h2><p>મૃતકની ઓળખ બારામુલ્લાના ચંદૂસા વિસ્તારના રહેવાસી જુબૈર અહમદ બઝાદ તરીકે થઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, અગાઉના સમયનો વિસ્ફોટ ન થયેલો મોર્ટાર શેલ ત્યાં પડ્યો હતો. સ્થાનિક લોકોનો એક જૂથ તે વિસ્તારમાં હાજર હતો ત્યારે અચાનક શેલમાં વિસ્ફોટ થતાં દુર્ઘટના સર્જાઈ હતી.</p><h3><b>સમગ્ર વિસ્તારને સુરક્ષિત કરી તપાસ શરૂ&nbsp;</b></h3><p>ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની સ્થિતિ અંગે સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. ઘટનાની જાણ થતાં પોલીસ અને અન્ય સુરક્ષા દળો તરત જ સ્થળ પર પહોંચી ગયા હતા અને સમગ્ર વિસ્તારને સુરક્ષિત બનાવી તપાસ શરૂ કરી હતી.</p><h4><b>શું કહ્યું પોલીસે?</b></h4><p>આ વિસ્તાર નિયંત્રણ રેખા (LoC)ની નજીક આવેલો હોવાથી અગાઉ થયેલા સૈન્ય સંઘર્ષ દરમિયાન ઉપયોગમાં લેવાયેલા મોર્ટાર શેલ અને અન્ય વિસ્ફોટક સામગ્રી ક્યારેક જમીનમાં દટાયેલી અથવા પડેલી મળી આવે છે, જે સ્થાનિક લોકો માટે ગંભીર જોખમ ઉભું કરે છે. આ દરમિયાન બારામુલ્લા પોલીસે સોશિયલ મીડિયા પર ફેલાયેલી એવી અફવાઓને ફગાવી દીધી છે કે આશા પોસ્ટ પર ભારતીય સેનાના જવાનો ઘાયલ થયા છે. પોલીસે સ્પષ્ટ જણાવ્યું કે આ માહિતી સંપૂર્ણપણે ખોટી અને પાયાવિહોણી છે તેમજ કોઈ પણ સૈનિકને ઈજા પહોંચી નથી.</p><p>પોલીસે ચેતવણી આપી છે કે ખોટી માહિતી ફેલાવી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનારાઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ લોકોને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરવામાં આવી છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/ram-mandir-donation-row-champat-rai-anil-mishra-resignation-trust-confirmation" target="_blank">આ પણ વાંચો : Ram Mandir Donation Row : મહામંત્રી ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામાની ટ્રસ્ટે કરી પુષ્ટી, જાણો શું કહ્યું?</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/aAszp0NxVC65jEtHamLzpYNrQJTkWbKEMuyiwCEI.webp'/></item><item><title><![CDATA[Bharuch News: દ્વારકા દર્શન કરી પરત ફરતા આંબલીયા પરિવારને નડ્યો અકસ્માત, માતા-પુત્રનું મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/delhi-mumbai-expressway-accident-surat-family</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/delhi-mumbai-expressway-accident-surat-family</guid><pubDate>Sat, 27 Jun 2026 21:05:29 +05:30</pubDate><description><![CDATA[<p>ભરૂચ જિલ્લામાં પસાર થતા એક્સપ્રેસવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સુરતનો એક પરિવાર દ્વારકાધીશના દર્શન કરીને પવિત્ર યાત્રા પૂર્ણ કરી અત્યંત ખુશી-ખુશી પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન ભરૂચ નજીક કાળમુખા અકસ્માતે આ હસતા-રમતા પરિવારની ખુશીઓને પળવારમાં માતમમાં ફેરવી નાખી છે. આ અકસ્માતમાં માતા અને તેના માસૂમ પુત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે.</p><h2><b>કેલોદ નજીક ઊભેલા ટ્રેલર પાછળ ઘૂસી ગઈ ઈકો કાર</b></h2><p>મળતી માહિતી મુજબ, આ ગંભીર અકસ્માત ભરૂચના કેલોદ ગામ નજીકથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર સર્જાયો હતો. સુરતનો આંબલીયા પરિવાર પોતાની કાર લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે એક્સપ્રેસવે પર ઊભેલા એક વિશાળ ટ્રેલર પાછળ ઈકો કાર ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો અને કાર જાણે પતરાના ડબ્બાની જેમ વળી ગઈ હતી.</p><h2><b>માતા ગીતાબેન અને 12 વર્ષીય ચિંતનનું મોત</b></h2><p>આ ગોઝારા અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે, કારમાં સવાર માતા ગીતાબેન આંબલીયા અને તેમના 12 વર્ષીય પુત્ર ચિંતન આંબલીયાને ગંભીર ઈજાઓ પહોંચતા બંનેના પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. એક જ પરિવારના બે કમનસીબ સભ્યોના મોતના સમાચાર મળતા જ સુરતમાં રહેતા તેમના સગા-સંબંધીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.</p><h2><b>અન્ય ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા</b></h2><p>અકસ્માતની આ ઘટનાને પગલે હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં કારમાં સવાર અન્ય સભ્યોને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સૌપ્રથમ 108 મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારી સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.</p><h2><b>ભરૂચ તાલુકા પોલીસે તપાસ શરૂ કરી</b></h2><p>ઘટનાની જાણ થતા જ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોને કબ્જે લઈ પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપ્યા છે. આ સાથે જ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને એક્સપ્રેસવે પર ટ્રેલર કેવી પરિસ્થિતિમાં ઊભું હતું અને અકસ્માત પાછળ કોની બેદરકારી છે, તે દિશામાં કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/jambusar-narmada-canal-water-released-for-farmers" target="_blank">Bharuch News: વરસાદની અછત વચ્ચે ખેડૂતો માટે મોટા રાહતના સમાચાર, મુખ્ય નર્મદા કેનાલમાં છોડાયું પાણી</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/5LoA5lCzTQXgbfFJoMlsDeq49NDAUGar0uBtpJbM.webp'/></item><item><title><![CDATA[PM Modi In Seychelles: વડાપ્રધાન મોદીએ 194 વર્ષના કાચબા 'જોનાથન' સાથે કરી મુલાકાત, જાણો તેના વિશે ]]></title><link>https://sandesh.com/world/news/india/pm-modi-seychelles-jonathan-194-year-old-tortoise-visit</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/india/pm-modi-seychelles-jonathan-194-year-old-tortoise-visit</guid><pubDate>Sat, 27 Jun 2026 20:07:53 +05:30</pubDate><description><![CDATA[<p>વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે સેશેલ્સ પહોંચ્યા છે, જ્યાં તેઓ નેશનલ ડેના સ્વર્ણ જ્યંતી સમારોહ સહિત અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. મુલાકાત દરમિયાન શનિવારે તેમણે સેશેલ્સ નેશનલ બોટનિકલ ગાર્ડનની મુલાકાત લીધી.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/narendramodi/status/2070835214969123267"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>આ કાચબાઓ સેશેલ્સના મૂળ નિવાસી</b></h2><p>અહીં તેમણે દુનિયાની સૌથી મોટી અને લાંબા સમય સુધી જીવતી કાચબાની પ્રજાતિ અલ્ડાબ્રા જાયન્ટ ટોર્ટોઈઝનું નિરીક્ષણ કર્યું. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે આ પ્રજાતિના કેટલાક કાચબાઓએ બે સદીથી વધુ સમય જીવ્યો છે. આ કાચબાઓ સેશેલ્સના મૂળ નિવાસી છે અને દેશની વિશેષ ઓળખ માનવામાં આવે છે.</p><h3><b>PMએ વૃક્ષારોપણ કર્યું</b></h3><p>વડાપ્રધાન મોદીએ સેશેલ્સના રાષ્ટ્રપતિ ડૉ. પેટ્રિક હર્મિની સાથે મળીને બોટનિકલ ગાર્ડનમાં સંયુક્ત વૃક્ષારોપણ પણ કર્યું. તેમણે ખાસ 'કોકો ડી મેર' નામના વૃક્ષનું રોપણ કર્યું, જે સેશેલ્સની ઓળખ છે અને દેશના કોટ ઓફ આર્મ્સમાં પણ સ્થાન ધરાવે છે. આ વૃક્ષ તેના વિશાળ બીજ અને ભારે ફળો માટે વિશ્વપ્રસિદ્ધ છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી દુનિયાના સૌથી વૃદ્ધ જીવિત સ્થલચર જીવ 'જોનાથન'ને પણ મળ્યા, જે અલ્ડાબ્રા જાયન્ટ ટોર્ટોઇઝ છે અને તેની ઉંમર અંદાજે 194 વર્ષ માનવામાં આવે છે.</p><h4><b>બંને દેશોના સંબંધો વધુ મજબૂત બનશે</b></h4><p>પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે ભારત અને સેશેલ્સ જૈવવિવિધતા સંરક્ષણ, પર્યાવરણ સુરક્ષા અને આવનારી પેઢીઓ માટે હરિત અને સ્વસ્થ પૃથ્વી બનાવવાના સંકલ્પ સાથે જોડાયેલા છે. આ મુલાકાતને બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવતી મહત્વપૂર્ણ કડી તરીકે જોવામાં આવી રહી છે, જેમાં સમુદ્રી સહયોગ, પર્યાવરણ અને સંસ્કૃતિ સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની શક્યતા છે.<br><br><b><a href="https://sandesh.com/world/news/india/pm-modi-seychelles-patrick-herminie-botanical-garden-tree-plantation" target="_blank">આ પણ વાંચો : PM Modi In Seychelles : વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિનીએ બોટાનિકલ ગાર્ડનમાં કર્યું વૃક્ષારોપણ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/4q0XcVH4N0NolBFauN5DZrCPLtB8N38YkcUwsNfO.webp'/></item><item><title><![CDATA[Gujarat weather Update: આગામી 3 કલાક રાજ્ય માટે ભારે, અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી ]]></title><link>https://sandesh.com/weather/monsoon-2026/news/gujarat/ahmedabad/gujarat-weather-update-forecast-heavy-rain-alert</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/monsoon-2026/news/gujarat/ahmedabad/gujarat-weather-update-forecast-heavy-rain-alert</guid><pubDate>Sat, 27 Jun 2026 19:57:55 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા વધુ એક ડરામણી અને તાત્કાલિક આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ 'વેધર બુલેટિન' જાહેર કરવામાં આવ્યું છે, જેમાં જણાવાયું છે કે, આગામી 3 કલાક ગુજરાત માટે અત્યંત ભારે સાબિત થઈ શકે છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે અને મેઘરાજા ગમે ત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે.</p><h2><b>11 વાગ્યા સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી</b></h2><p>હવામાન વિભાગની આગાહી મુજબ, 11 વાગ્યા સુધીના આગામી 3 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ તૂટી પડવાની પૂરેપૂરી સંભાવના છે. આ સમયગાળા દરમિયાન લોકોને સુરક્ષિત સ્થળે રહેવા અને કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે. વીજળી પડવાની અને ઝાડ પડવાની ઘટનાઓ બની શકે છે, તેથી સાવચેતી જરૂરી છે.</p><h2><b>41 થી 61 કિમીની ઝડપે ફૂંકાશે તોફાની પવન</b></h2><p>માત્ર વરસાદ જ નહીં, પરંતુ આ સિસ્ટમ સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. આગામી 3 કલાક દરમિયાન વાતાવરણમાં મોટો પલટો આવશે અને 41 થી 61 કિમી પ્રતિ કલાકની પ્રચંડ ગતિમાં તોફાની પવન ફૂંકાશે. આટલી તેજ ગતિના પવનને કારણે કાચા મકાનો, હોર્ડિંગ્સ અને વૃક્ષો ધરાશાયી થવાનું મોટું જોખમ રહેલું છે, જેને પગલે તંત્ર પણ એલર્ટ મોડ પર છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2070880945264271447"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>અમદાવાદ અને મધ્ય-ઉત્તર ગુજરાતમાં મેઘમહેર</b></h2><p>આગામી 3 કલાક માટે જે જિલ્લાઓમાં રેડ એલર્ટ જેવી સ્થિતિ છે, તેમાં રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદ અને પાટનગર ગાંધીનગરનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા તેમજ મધ્ય-પૂર્વ ગુજરાતના દાહોદ, અરવલ્લી, છોટાઉદેપુર, પંચમહાલ અને વડોદરામાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે મેઘરાજા ધડબડાટી બોલાવશે તેવી આગાહી કરવામાં આવી છે.</p><h2><b>દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ એલર્ટ</b></h2><p>ઉત્તર અને મધ્ય ગુજરાત ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોને પણ હવામાન વિભાગે પોતાના નાઉકાસ્ટ બુલેટિનમાં આવરી લીધા છે. જે મુજબ, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, નર્મદા અને તાપી જિલ્લામાં ભારે વરસાદ નોંધાઈ શકે છે. જ્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ અને ભાવનગર જિલ્લામાં પણ આગામી 3 કલાકમાં પવન સાથે મુશળધાર વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા સત્તાવાર આગાહી કરવામાં આવી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gir-somnath/somnath-food-poisoning-case-food-department-raid-shiv-shakti-restaurant" target="_blank">Gir Somnath News: 10 બાળકોને ફૂડ પોઇઝનિંગનો મામલો, ‘સંદેશ ન્યૂઝ’ના અહેવાલ બાદ ફૂડ વિભાગની રેડ, શિવ શક્તિ રેસ્ટોરન્ટમાંથી મળી આવી વાસી પાઉંભાજી!</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/IFgbIJrTuDCtOePVKrQTtP7ltZBSnNr6npCZeeMD.webp'/></item><item><title><![CDATA[Kotak Mahindra Bankને પડશે મોટો ફટકો, CEO અશોક વાસવાણી પોતાનું પદ છોડશે, જાણો કારણ ]]></title><link>https://sandesh.com/business/news/kotak-mahindra-bank-ceo-ashok-vaswani-steps-down-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/kotak-mahindra-bank-ceo-ashok-vaswani-steps-down-2026</guid><pubDate>Sat, 27 Jun 2026 19:01:42 +05:30</pubDate><description><![CDATA[<p>કોટક મહિન્દ્રા બેન્કના મેનેજિંગ ડિરેક્ટર અને CEO અશોક વાસવાણીએ વર્ષ 2026ના અંતે પોતાનું પદ છોડવાનો નિર્ણય કર્યો છે. બેન્કે 27 જૂને સ્ટોક એક્સચેન્જને આ અંગે માહિતી આપી. કંપનીએ જણાવ્યું છે કે વાસવાણીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ તેમના કાર્યકાળ 31 ડિસેમ્બર 2026 બાદ ફરીથી નિયુક્તિ સ્વીકારશે નહીં.</p><h2><b>CEOની શોધ માટે સત્તાવાર પ્રક્રિયા શરૂ</b></h2><p>બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં આ નિર્ણય પર ચર્ચા કરવામાં આવી હતી અને નવા મેનેજિંગ ડિરેક્ટર અને CEOની શોધ માટે સત્તાવાર પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. બેન્કે આશા વ્યક્ત કરી છે કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા નક્કી કરાયેલી સમયમર્યાદામાં નવા નેતૃત્વની નિમણૂક પૂર્ણ કરી લેવામાં આવશે, જેથી કામગીરી અને વ્યૂહાત્મક દિશામાં કોઈ અસર ના થાય.</p><h3><b>2024માં પદ સંભાળ્યું હતું&nbsp;</b></h3><p>અશોક વાસવાણીએ જાન્યુઆરી 2024માં ઉદય કોટકની જગ્યાએ CEO તરીકે પદ સંભાળ્યું હતું. તેમના નેતૃત્વ દરમિયાન ભારતીય ફાઈનાન્શિયલ સેક્ટરમાં મોટાપાયે બદલાવ જોવા મળ્યો હતો. બેન્કે સ્પર્ધાત્મક બજાર અને નિયમનકારી પરિવર્તનો વચ્ચે પોતાનું સ્થાન મજબૂત રાખ્યું હતું. હજુ સુધી નવા CEO માટે કોઈ નામ પર ચર્ચા થઈ નથી, પરંતુ બોર્ડે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે યોગ્ય ઉમેદવાર સમયસર પસંદ કરવામાં આવશે.</p><h4><b>સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એક્ઝિક્યુટિવ એજ્યુકેશન પૂર્ણ કર્યું</b></h4><p>અશોક વાસવાણી અગાઉ સિટી ગ્રુપમાં લગભગ ત્રણ દાયકાથી વધુ સમય સુધી કાર્યરત રહ્યા છે. તેઓ બાર્કલેઝમાં પણ મહત્વપૂર્ણ પદ પર રહી ચૂક્યા છે, જ્યાં તેઓ ગ્લોબલ કન્ઝ્યુમર, પ્રાઈવેટ, કોર્પોરેટ અને પેમેન્ટ બિઝનેસના CEO તરીકે કાર્યરત હતા. તેઓ ગ્રુપ એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય પણ હતા. તેમણે મુંબઈની યુનિવર્સિટી હેઠળ સિડનહેમ કોલેજમાંથી કોમર્સમાં અભ્યાસ કર્યો છે અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એક્ઝિક્યુટિવ એજ્યુકેશન પૂર્ણ કર્યું છે. તેઓ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અને કંપની સેક્રેટરી પણ છે.</p><p><b><a href="https://sandesh.com/business/news/tata-group-tata-sons-fy26-32000-crore-net-profit-growth" target="_blank">આ પણ વાંચો : Tata Groupનો જલવો યથાવત, FY26માં અંદાજે 32,000 કરોડનો કર્યો નફો</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/806Uv1YgakDKeD9h1m4U697iOccKxMXblLhbLTnt.webp'/></item><item><title><![CDATA[Welcome To The Jungleનું બોક્સ ઓફિસ પર તોફાન, વર્લ્ડવાઇડ કરી રેકોર્ડબ્રેક કમાણી! ]]></title><link>https://sandesh.com/entertainment/news/welcome-to-the-jungle-box-office-collection-record-breaking-worldwide-earnings</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/welcome-to-the-jungle-box-office-collection-record-breaking-worldwide-earnings</guid><pubDate>Sat, 27 Jun 2026 17:42:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અક્ષય કુમાર આ દિવસોમાં ફિલ્મ વેલકમ ટુ ધ જંગલની રિલીઝને લઈને ચર્ચામાં છે. આ એક મલ્ટીસ્ટારર ફિલ્મ છે, જેમાં આશરે 30 એક્ટર્સ મુખ્ય રોલમાં છે. આ ફિલ્મ માત્ર ઇન્ડિયામાં જ નહીં પરંતુ દુનિયાભરમાં બમ્પર કમાણી કરી રહી છે. એવામાં આ ફિલ્મે માત્ર ઇન્ડિયા નેટ કલેક્શન જ નહીં પરંતુ વર્લ્ડવાઇડ પણ ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડ્યા છે અને જોરદાર કમાણી કરી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>વેલકમ ટુ ધ જંગલનું ઓપનિંગ ડે વર્લ્ડવાઇડ કલેક્શન</b></h2><p style="text-align: justify; ">'વેલકમ ટુ ધ જંગલ' ના વર્લ્ડવાઇડ ઓપનિંગ ડે કલેક્શનના આંકડા પણ સામે આવી ગયા છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, ફિલ્મે દુનિયાભરમાં પહેલા દિવસે બોક્સ ઓફિસ પર 27.60 કરોડનો બિઝનેસ કર્યો છે. આની સાથે જ ફિલ્મે ઇન્ડિયન બોક્સ ઓફિસ પર પેઇડ પ્રિવ્યૂઝમાં 4.07 કરોડ તો ફ્રાઇડે પહેલા દિવસે 15.33 કરોડનું કલેક્શન કર્યું. ફિલ્મે ઓવરસીઝમાં 4.70 કરોડનું કલેક્શન કર્યું છે.<br><img title="Welcome to the Jungle (2)" src="https://epapercdn.sandesh.com/images/2026/06/27/e87Ng4hZ1W6hddGUJRnEb9VP0qIV7XQULnbsCJDJ.webp"><br></p><h3 style="text-align: justify; "><b>વેલકમ ટુ ધ જંગલ એ પહેલા દિવસે તોડ્યા મોટા રેકોર્ડ્સ</b></h3><p style="text-align: justify; ">વેલકમ ટુ ધ જંગલ એ બોક્સ ઓફિસ પર પહેલા દિવસે કમાણીની બાબતમાં ઘણી ફિલ્મોને પછાડી દીધી છે, જેમાં ભૂત બંગલા (18.31 કરોડ), રાજા શિવાજી (12.4 કરોડ હિન્દી કલેક્શન) અને પેદ્દી (3 કરોડ હિન્દી કલેક્શન) જેવી ફિલ્મોના નામ સામેલ છે. આ લિસ્ટમાં 2026 ની આશરે 10 ફિલ્મોના નામ સામેલ છે, જેમને વેલકમ ટુ ધ જંગલ એ પાછળ છોડી દીધી છે.</p><h4 style="text-align: justify; "><b>વેલકમ ટુ ધ જંગલ ફિલ્મ</b></h4><p style="text-align: justify; ">જો ફિલ્મ વેલકમ ટુ ધ જંગલ વિશે વાત કરવામાં આવે તો આ હિટ ફ્રેન્ચાઇઝી વેલકમનો ત્રીજો ભાગ છે, જેમાં અક્ષય કુમાર સહિત આશરે 30 એક્ટર્સ મહત્વના રોલમાં છે. ફિલ્મમાં અક્ષય, જેકલીન ફર્નાન્ડીઝ, દિશા પાટની, સુનિલ શેટ્ટી, જેકી શ્રોફ અને રવીના ટંડન જેવા સ્ટાર્સ મુખ્ય ભૂમિકામાં છે. આની સ્ટોરીમાં જંગલમાં બની રહેલી 2000 કરોડની ફિલ્મ પર આધારિત છે, જેમાં ટ્વિસ્ટ અને ટર્ન્સની સાથે જ કોમેડીનો જોરદાર તડકો જોવા મળી રહ્યો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/netflix-the-glory-revenge-thriller-series-beats-dhurandhar-2" target="_blank">આ પણ વાંચો-Netflixની આ રિવેન્જ થ્રિલર સિરીઝ સામે Dhurandhar 2 પણ ફિક્કી, દરેક એપિસોડમાં આવશે કમકમાટી!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/dsgWjSUD5N8db9xqWG1h8lVQQfZ2bnw86ELou62F.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup : કેપ વર્ડે રચ્યો ઇતિહાસ, નોકઆઉટમાં પહોંચનાર વિશ્વનો સૌથી નાનો દેશ બન્યો ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-cape-verde-creates-history-becomes-the-smallest-country-in-the-world-to-reach-the-knockout-stages</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-cape-verde-creates-history-becomes-the-smallest-country-in-the-world-to-reach-the-knockout-stages</guid><pubDate>Sat, 27 Jun 2026 10:03:51 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">FIFA વર્લ્ડ કપ 2026 એ ફૂટબોલ ઇતિહાસમાં એક પરીકથા બનાવી છે, જેણે વિશ્વભરના ચાહકોના દિલ જીતી લીધા છે. આફ્રિકાના પશ્ચિમ કિનારે આવેલા 500,000 થી થોડી વધુ વસ્તી ધરાવતા નાના દેશ કેપ વર્ડેએ સાઉદી અરેબિયા સામે ઐતિહાસિક 0-0 ડ્રો બાદ વર્લ્ડ કપ નોકઆઉટ સ્ટેજમાં સ્થાન મેળવ્યું. આ ડ્રો સાથે, કેપ વર્ડે વર્લ્ડ કપના ઇતિહાસમાં નોકઆઉટ સ્ટેજ માટે ક્વોલિફાય થનાર સૌથી નાનો દેશ બન્યો.</p><h4 style="text-align: justify; "><b>હેવીવેઇટ્સના જૂથમાં અજેય રહ્યો.</b></h4><p style="text-align: justify; ">કેપ વર્ડે, જે તેનો પ્રથમ FIFA વર્લ્ડ કપ રમી રહ્યો હતો, તેને ટુર્નામેન્ટના સૌથી મુશ્કેલ જૂથોમાંના એકમાં મૂકવામાં આવ્યો હતો. જોકે, આ અંડરડોગ ટીમ એક પણ મેચ હાર્યા વિના અજેય રહી અને નોકઆઉટ સ્ટેજમાં ટિકિટ મેળવી. તેની પ્રથમ મેચમાં, કેપ વર્ડે 2010 વર્લ્ડ કપ ચેમ્પિયન સ્પેનને 0-0 ડ્રો પર રોકીને સનસનાટી મચાવી. ત્યારબાદ તેઓએ તેમની બીજી મેચમાં એક અદ્ભુત વાપસી કરી, બે વખતના ચેમ્પિયન ઉરુગ્વે સામે રોમાંચક 2-2 ડ્રો મેળવ્યો. તેમણે સાઉદી અરેબિયાને 0-0 થી ડ્રો કરીને ત્રણ પોઈન્ટ સાથે ગ્રુપમાં બીજું સ્થાન મેળવ્યું, જ્યારે સ્પેને ઉરુગ્વેને હરાવીને ગ્રુપમાં ટોચનું સ્થાન મેળવ્યું.</p><p style="text-align: justify; "><a href="https://x.com/FIFAWorldCup/status/2070688565567115656?s=20" target="_blank">https://x.com/FIFAWorldCup/status/2070688565567115656?s=20</a></p><h4 style="text-align: justify; "><b>રાઉન્ડ ઓફ 32 માં તેઓ કોનો સામનો કરશે?</b></h4><p style="text-align: justify; ">કેપ વર્ડે હવે રાઉન્ડ ઓફ 32 માં વધુ એક મોટો પડકારનો સામનો કરશે. તેઓ વર્તમાન વિશ્વ ચેમ્પિયન આર્જેન્ટિનાનો સામનો કરશે. આ મેચ 3 જુલાઈના રોજ મિયામીમાં રમાશે. કેપ વર્ડે માટે આ એક મોટી ક્ષણ હશે, અને અંડરડોગ્સ વધુ એક અપસેટ સર્જીને ટોપ 16 માં સ્થાન મેળવવાનો પ્રયાસ કરશે.</p><h5 style="text-align: justify; "><b>40 વર્ષીય ગોલકીપર વોજિન્હા તારણહાર બન્યા</b></h5><p style="text-align: justify; ">કેપ વર્ડેના ઐતિહાસિક પ્રદર્શનનો સૌથી મોટો હીરો તેમનો 40 વર્ષીય ગોલકીપર વોજિન્હા હતો. આ વર્લ્ડ કપમાં તેના જાદુઈ પ્રદર્શને સોશિયલ મીડિયા પર તેની લોકપ્રિયતાને આસમાને પહોંચાડી દીધી છે, તેના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ 16 મિલિયનને વટાવી ગયા છે. સાઉદી અરેબિયા સામેની મેચમાં, વોઝિન્હાએ ત્રણ આશ્ચર્યજનક બચાવ કર્યા જેણે સાઉદી અરેબિયાને આશ્ચર્યચકિત કરી દીધું. પહેલા હાફના સ્ટોપેજ સમયમાં, તેણે મોહમ્મદ કાનોના શાનદાર હેડરને અવરોધિત કરીને સાઉદી અરેબિયાને લીડ લેતા અટકાવ્યું. પછી, બીજા હાફમાં, તેણીએ મોહમ્મદ અબુ અલ-શમાતના ખતરનાક શોટને ડિફ્લેક્ટ કરવા માટે કૂદકો માર્યો. 92મી મિનિટે, વોઝિન્હાએ અબ્દુલ્લા અલ-હમદાનના ચોક્કસ શોટને બ્લોક કર્યો, જેનાથી તેની ટીમ નોકઆઉટમાં સ્થાન મેળવી શક્યો.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-senegal-beat-iraq-5-0-in-knockout-match" target="_blank">FIFA World Cup 2026 : નોકઆઉટ મેચમાં સેનેગલે ઇરાકને 5-0 થી હરાવ્યું</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/JWlhHzAZqdwbXfyXnIvPF4MX2fiZKeYvK6PnClEv.webp'/></item></channel></rss>