<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[SRKનું ડ્રીમ ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર, 200 કરોડના ખર્ચે લોસ એન્જલસમાં બનેલા વર્લ્ડ-ક્લાસ મેદાનની જાણો ખાસિયત ]]></title><link>https://sandesh.com/entertainment/news/srks-dream-cricket-stadium-ready-know-the-special-features-of-the-world-class-ground-built-in-los-angeles-at-a-cost-of-200-crores</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/srks-dream-cricket-stadium-ready-know-the-special-features-of-the-world-class-ground-built-in-los-angeles-at-a-cost-of-200-crores</guid><pubDate>Sat, 04 Jul 2026 16:11:07 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડના કિંગ શાહરૂખ ખાને અમેરિકામાં ક્રિકેટ પ્રેમીઓને મોટી ગિફ્ટ આપી. ભારતીયોની ફેવરીટ અમેરિકાના લોસ એન્જલસમાં પોતાના ડ્રીમ ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ કરાવ્યું છે. આશરે ₹200 કરોડના ખર્ચે બનેલું આ સ્ટેડિયમ ICCના આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ તૈયાર કરવામાં આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>200 કરોડના ખર્ચે તૈયાર થયું શાહરૂખ ખાનનું ડ્રીમ પ્રોજેક્ટ</b></h2><p style="text-align: justify; ">હિન્દી સિનેમાના સુપરસ્ટાર શાહરૂખ ખાનનું ક્રિકેટને વૈશ્વિક સ્તરે આગળ વધારવાનું સ્વપ્ન હવે સાકાર થયું છે. તેમના નાઈટ રાઈડર્સ ગ્રુપ દ્વારા અમેરિકાના લોસ એન્જલસના ફેરપ્લેક્સ પોમોના ખાતે આધુનિક ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર કરવામાં આવ્યું છે. આ ભવ્ય પ્રોજેક્ટ માટે અંદાજે ₹200 કરોડનુ રોકાણ કરવામાં આવ્યું છે. સ્ટેડિયમનું નિર્માણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના તમામ ધોરણોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. મેદાનને સંપૂર્ણ સમતળ બનાવવા માટે આશરે 32,000 મેટ્રિક ટન માટીનું ખોદકામ કરવામાં આવ્યું હતું, જેથી વિશ્વસ્તરીય ક્રિકેટ માટે શ્રેષ્ઠ સુવિધા ઉપલબ્ધ થઈ શકે.</p><h3 style="text-align: justify; "><b>ICC ધોરણ મુજબની પિચ અને આધુનિક સુવિધાઓ</b></h3><p style="text-align: justify; ">આ સ્ટેડિયમનું સૌથી મોટું આકર્ષણ તેની વિશ્વસ્તરીય ક્રિકેટ સુવિધાઓ છે. મેદાનના કેન્દ્રમાં કુલ આઠ કુદરતી ઘાસની પિચ તૈયાર કરવામાં આવી છે, જે ICCના નિયમો અનુસાર વિકસાવવામાં આવી છે. આ પિચો ખેલાડીઓને ઉત્તમ બાઉન્સ અને ટર્ન આપશે, જેથી આંતરરાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટ્સનું સફળ આયોજન થઈ શકે. ઉપરાંત, સ્ટેડિયમમાં અત્યાધુનિક ડ્રેનેજ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે, જેના કારણે વરસાદ બાદ પાણી ઝડપથી બહાર નીકળી જાય છે અને મેચમાં વિલંબ થતો નથી. આ સુવિધાઓ સ્ટેડિયમને વિશ્વના આધુનિક ક્રિકેટ મેદાનોની હરોળમાં સ્થાન અપાવે છે.</p><h4 style="text-align: justify; "><b>જાણો સ્ટેડિયમની ખાસિયત</b>&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;&nbsp;</h4><p style="text-align: justify; ">હાલમાં આ સ્ટેડિયમમાં લગભગ 5,000 પ્રેક્ષકો માટે બેઠક વ્યવસ્થા છે. જોકે, નાઈટ રાઈડર્સ ગ્રુપે તેને તબક્કાવાર વિસ્તૃત કરવાની યોજના બનાવી છે. વર્ષ 2027 સુધીમાં બેઠક ક્ષમતા 12,000 સુધી વધારવામાં આવશે, જ્યારે 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક્સ પહેલાં તેને 15,000 બેઠકો સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે. આ પ્રોજેક્ટ માત્ર શાહરૂખ ખાનના ક્રિકેટ પ્રત્યેના પ્રેમનું પ્રતીક નથી, પરંતુ અમેરિકામાં ક્રિકેટને નવી ઓળખ અને વૈશ્વિક સ્તરે વધુ લોકપ્રિય બનાવવાના મહત્વપૂર્ણ પ્રયાસ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/kajal-aggarwal-interview-kajal-aggarwal-lashes-out-at-pressure-of-airport-look-and-body-shaming" target="_blank">આ પણ વાંચો : Kajal Aggarwal Interview: એરપોર્ટ લુક અને બોડી શેમિંગના પ્રેશર પર ભડકી કાજલ અગ્રવાલ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/04/awRsAO2GCbzxk43P9QK1WMa9NvhfSd5MIGHnxVoO.webp'/></item><item><title><![CDATA[Junagadh News: માંગરોળના હુસેનાબાદમાં નોળી નદીના પૂરના પાણી ઘરોમાં ઘૂસ્યા, જુઓ Video ]]></title><link>https://sandesh.com/weather/monsoon-2026/news/junagadh/mangrol-heavy-rain-floods-huseinabad-noli-river</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/monsoon-2026/news/junagadh/mangrol-heavy-rain-floods-huseinabad-noli-river</guid><pubDate>Sat, 04 Jul 2026 16:06:39 +05:30</pubDate><description><![CDATA[<p>જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ધોધમાર વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે અને ભારે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. ખાસ કરીને માંગરોળના હુસેનાબાદ ગામમાં પૂરના પાણી ફરી વળતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સંદેશ ન્યૂઝની ટીમ પરિસ્થિતિનો તાગ મેળવવા હુસેનાબાદથી ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી.</p><h2><b>નોળી નદીના ધસમસતા પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસ્યા</b></h2><p>ભારે વરસાદને પગલે સ્થાનિક નોળી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદીના ધસમસતા પાણી હુસેનાબાદ ગામના વાડી વિસ્તારમાં અને રહેણાંક મકાનો તરફ વળી ગયા હતા. જોતજોતામાં પૂરના પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતાં ચારેય તરફ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2073336738962092402"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>અંદાજે 60 ઘરો પ્રભાવિત, ઘરવખરીને ભારે નુકસાન</b></h2><p>અચાનક આવેલા પૂરના પાણીના કારણે હુસેનાબાદ વિસ્તારના અંદાજિત 60 જેટલા ઘરો સીધા પ્રભાવિત થયા છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાના કારણે અનાજ, કપડાં, ગાદલાં અને ઘરવખરી સહિતનો તમામ સામાન પલળી ગયો છે, જેના કારણે સ્થાનિકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હાલ આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/weather/monsoon-2026/news/gujarat/heavy-rain-damage-report-district-wise-gujarat-rain-update" target="_blank">Gujarat Rain Update: રાજ્યમાં આકાશી આફત, અતિભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/04/r8GBpko1ygC13lgm3X6wSMfkTQyyF90eztqYStrR.webp'/></item><item><title><![CDATA[Kheda News: સસ્તા અનાજની દુકાનના સેક્રેટરીએ કૂવામાં કૂદી કરી આત્મહત્યા, પરિવારે લગાવ્યા ગંભીર આક્ષેપ! ]]></title><link>https://sandesh.com/crime/news/kheda/alindra-village-ration-shop-secretary-commits-suicide</link><guid isPermaLink="true">https://sandesh.com/crime/news/kheda/alindra-village-ration-shop-secretary-commits-suicide</guid><pubDate>Sat, 04 Jul 2026 16:02:54 +05:30</pubDate><description><![CDATA[<p>ખેડા જિલ્લાના વસો તાલુકાના અલીન્દ્રા ગામેથી એક ચોંકાવનારી અને ચકચારી ઘટના સામે આવી છે. અલીન્દ્રા સરકારી તંત્રના અધિકારીની કનડગતથી કંટાળીને સસ્તા અનાજની દુકાનના સેક્રેટરીએ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતકના પરિવારે વસો મામલતદાર કચેરીના નાયબ મામલતદાર પર હેરાનગતિ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.</p><h2><b>દુકાન પાસે જ કૂવામાં કૂદીને કરી આત્મહત્યા</b></h2><p>મળતી માહિતી અનુસાર, અલીન્દ્રા ગામે આવેલી સસ્તા અનાજની દુકાનના સેક્રેટરી મનુભાઈ સોલંકીએ પોતાની દુકાન નજીક આવેલા કૂવામાં પડતું મૂકીને જીવન ટૂંકાવી લીધું છે. શુક્રવારના રોજ બનેલી આ ઘટના બાદ શનિવારે સવારે કૂવામાંથી મનુભાઈની મૃતદેહ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં જ વસો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે વસો સીએચસી કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે.</p><h2><b>નાયબ મામલતદાર પંકજ મિશ્રા સામે પરિવારનો ગંભીર આક્ષેપ</b></h2><p>આ કરૂણ ઘટનાને પગલે મૃતક મનુભાઈ સોલંકીના પરિવારે વસો મામલતદાર કચેરીના નાયબ મામલતદાર પંકજ મિશ્રા અને તેમના સ્ટાફ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારના જણાવ્યા અનુસાર, નાયબ મામલતદાર પંકજ મિશ્રા છેલ્લા 3 દિવસથી મનુભાઈને કોઈને કોઈ બહાને માનસિક રીતે હેરાન કરી રહ્યા હતા. શુક્રવારે પણ નાયબ મામલતદાર અને તેમનો સ્ટાફ દુકાનની તપાસ માટે આવ્યા હતા, અને તે જ સમયે આ ઘટના બની હતી. સેક્રેટરીના આત્મહત્યા પાછળ અધિકારીઓનો ત્રાસ જ જવાબદાર હોવાનું પરિવાર કહી રહ્યો છે.</p><h2><b>પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી</b></h2><p>સરકારી અધિકારી સામે આક્ષેપો થતાં જ તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે. વસો પોલીસે હાલ આ મામલે એડી નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નાયબ મામલતદાર અને સ્ટાફની પૂછપરછ બાદ જ આત્મહત્યા પાછળનું સાચું કારણ અને સમગ્ર હકીકત બહાર આવશે.</p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kheda/kadana-dam-releases-3500-cusec-water-for-kheda-anand-farmers-mahi-canal-irrigation" target="_blank"> Kheda: કડાણા ડેમમાંથી 3,500 ક્યુસેક પાણી છોડાયું, 2 લાખ હેક્ટરને મળશે સિંચાઈનો લાભ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/04/zLlvjTjxVyix4rivfRCVCexdEj26ZmM4OsVHmLp7.webp'/></item><item><title><![CDATA[UIDAIનો મોટો નિર્ણય, આધારકાર્ડમાં ફ્રીમાં અપડેટ કરી શકાશે ઈ-મેઈલ આઈડી ]]></title><link>https://sandesh.com/india/news/uidai-free-aadhaar-email-id-update-till-december-31-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/uidai-free-aadhaar-email-id-update-till-december-31-2026</guid><pubDate>Sat, 04 Jul 2026 15:57:41 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI)એ આધાર ધારકો માટે મોટી રાહત આપતી નવી સુવિધા શરૂ કરી છે. હવે આધાર કાર્ડમાં ઈ-મેલ ID અપડેટ કરવા માટે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની જરૂર રહેશે નહીં. અગાઉ આ સર્વિસ માટે અંદાજે ₹75 ઉપરાંત GST ચૂકવવો પડતો હતો, પરંતુ હવે આ સુવિધા 31 ડિસેમ્બર, 2026 સુધી સંપૂર્ણપણે મફતમાં ઉપલબ્ધ રહેશે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/UIDAI/status/2073025555948335559"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>ડિજિટલ યુગમાં ઈ-મેઈલ IDનું મહત્વ સતત વધ્યું</b></h2><p>UIDAI દ્વારા રજૂ કરાયેલા નવા Aadhaar Mobile App મારફતે આધાર ધારકો ઘરે બેઠાં જ પોતાના મોબાઈલ ફોનથી ઈ-મેલ ID અપડેટ કરી શકશે. આ માટે આધાર સેવા કેન્દ્ર પર જવાની જરૂર નહીં પડે, જેના કારણે સમયની બચત થશે અને આધાર કેન્દ્રો પરની ભીડ પણ ઘટશે. આજના ડિજિટલ યુગમાં ઈ-મેઈલ IDનું મહત્વ સતત વધી રહ્યું છે.&nbsp;</p><p>બેન્કિંગ સેવાઓ, વીમા, સરકારી યોજનાઓ, ઓનલાઈન વેરિફિકેશન તેમજ વિવિધ ડિજિટલ સેવાઓમાં ઈ-મેલનો વ્યાપક ઉપયોગ થાય છે. આધાર સાથે સાચી અને સક્રિય ઈ-મેઈલ જોડાયેલી હોય તો મહત્વપૂર્ણ સૂચનાઓ, અપડેટ્સ અને વેરિફિકેશન સંબંધિત માહિતી સમયસર પ્રાપ્ત થાય છે. જૂની અથવા ખોટી ઈ-મેલ હોવાના કારણે ઘણી વખત જરૂરી માહિતી ચૂકી જવાની શક્યતા રહે છે.</p><h3><b>કેવી રીતે કરી શકશો અપડેટ?</b></h3><p>ઈ-મેઈલ અપડેટ કરવા માટે સૌથી પહેલા સ્માર્ટફોનમાં UIDAIની સત્તાવાર Aadhaar App ડાઉનલોડ કરવી પડશે. ત્યારબાદ આધાર નંબરથી લોગિન કરી ફેસ ઓથેન્ટિકેશન અથવા ઉપલબ્ધ વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરવી. પછી Update Email અથવા Update Aadhaar Details વિકલ્પ પસંદ કરીને નવી ઈ-મેલ ID દાખલ કરવી અને વિગતો ચકાસ્યા બાદ અરજી સબમિટ કરવી. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ Service Request Number (SRN) મળશે, જેના આધારે અપડેટની સ્થિતિ ઓનલાઈન ટ્રેક કરી શકાશે. UIDAIનું માનવું છે કે આ નવી ડિજિટલ સુવિધાથી આધાર સંબંધિત સેવાઓ વધુ સરળ, ઝડપી અને લોકો માટે સુલભ બનશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/modi-government-declares-23-individuals-as-terrorists-zero-tolerance-policy" target="_blank">આ પણ વાંચો : Modi Governmentનો આતંકવાદ સામે વધુ એક મોટો પ્રહાર, 23 લોકોને આતંકવાદી જાહેર કરાયા</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/04/2Abw4KF9XMOL7O1SCM6QAFs0N2Qm4Sf9A9hxgFAO.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026 : Round of 16નું શેડ્યુલ ફાઈનલ, જાણો કઈ ટીમની મેચ ક્યારે? ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-round-of-16-schedule-final-know-which-teams-match-when</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-round-of-16-schedule-final-know-which-teams-match-when</guid><pubDate>Sat, 04 Jul 2026 15:56:19 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફિફા વર્લ્ડ કપ 2026નો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી ગયો છે.રાઉન્ડ ઓફ 32નોકઆઉટ મેચોના સમાપન સાથે અંતિમ 16 અથવા રાઉન્ડ ઓફ 16 માટેનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે.ટુર્નામેન્ટ 48 ટીમોથી શરૂ થઈ હતી.અને અત્યાર સુધીમાં 32 ટીમો બહાર થઈ ગઈ છે.ટુર્નામેન્ટના આ રોમાંચક તબક્કામાં કુલ 16 ઉત્કૃષ્ટ ટીમોએ પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું છે.જે પ્રી-ક્વાર્ટર ફાઇનલ જેવું હશે.હાર ટ્રોફી જીતવાનું કોઈપણ સ્વપ્ન ચકનાચૂર કરી દેશે.</p><h3 style="text-align: justify; "><b>કઈ ટીમ રાઉન્ડ ઓફ 16માં પહોંચી?</b></h3><p style="text-align: justify; ">2026ના ફિફા વર્લ્ડકપ માટે રાઉન્ડ ઓફ 16માં પહોંચનારી ટીમોમાં કેનેડા,મોરોક્કો,પેરાગ્વે,ફ્રાન્સ,બ્રાઝિલ,નોર્વે,મેક્સિકો,ઈંગ્લેન્ડ,યુનાઇટેડ સ્ટેટ્સ,સ્પેન,પોર્ટુગલ,બેલ્જિયમ,સ્વિટ્ઝર્લૅન્ડ,ઇજિપ્ત,કોલંબિયા અને આર્જેન્ટિનાનો સમાવેશ થાય છે.આ 16 ટીમોમાંથી આઠ&nbsp; ટીમો હવે ક્વાર્ટર ફાઇનલ માટે ક્વોલિફાય થશે.આનો અર્થ એ થયો કે આ રાઉન્ડ પછી વધુ આઠ ટીમો ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://x.com/FIFAWorldCup/status/2073248309209072062?s=20" target="_blank">https://x.com/FIFAWorldCup/status/2073248309209072062?s=20</a></p><p style="text-align: justify; "><br></p><h5 style="text-align: justify; "><b>તમારી મનપસંદ ટીમ ક્યારે અને કોની સામે ટકરાશે?</b></h5><br><table class="table table-bordered"><tbody><tr><td style="text-align: center;"><font color="#ff0000"><b>નંબર</b></font></td><td style="text-align: center;"><font style="background-color: rgb(255, 255, 255);" color="#ff0000"><b>ટીમ&nbsp; &nbsp;</b></font></td><td><font color="#ff0000" style="background-color: rgb(255, 255, 255);"><b>તારીખ</b></font></td><td><font color="#ff0000" style="background-color: rgb(255, 255, 255);"><b>સમય&nbsp;</b></font></td></tr><tr><td style="text-align: center;">1&nbsp;</td><td style="text-align: center;">કેનેડા vs મોરોક્કો</td><td>4 જુલાઈ</td><td>10:30 PM</td></tr><tr><td style="text-align: center; ">2&nbsp;</td><td style="text-align: center; ">પેરાગ્વે vs ફ્રાન્સ</td><td>5 જુલાઈ</td><td>&nbsp;2:30 AM</td></tr><tr><td style="text-align: center; ">3&nbsp;</td><td style="text-align: center; ">બ્રાઝિલ vs નોર્વે</td><td>6 જુલાઈ</td><td>1:30 AM</td></tr><tr><td style="text-align: center; ">4&nbsp;</td><td style="text-align: center; ">મેક્સિકો vs ઇંગ્લેન્ડ</td><td>6 જુલાઈ</td><td>5:30 AM</td></tr><tr><td style="text-align: center; ">5&nbsp;</td><td style="text-align: center; ">પોર્ટુગલ vs સ્પેન</td><td>7 જુલાઈ</td><td>12:30 AM</td></tr><tr><td style="text-align: center; ">6&nbsp;</td><td style="text-align: center; ">યુએસએ vs બેલ્જિયમ</td><td>7 જુલાઈ</td><td>5:30 AM</td></tr><tr><td style="text-align: center; ">7&nbsp;</td><td style="text-align: center; ">આર્જેન્ટિના vs ઇજિપ્ત</td><td>7 જુલાઈ</td><td>9:30 PM</td></tr><tr><td style="text-align: center; ">8&nbsp;</td><td style="text-align: center; ">સ્વિટ્ઝર્લૅન્ડ vs કોલંબિયા</td><td>8જુલાઈ</td><td><b>1:30 AM</b></td></tr></tbody></table><h4 style="text-align: justify; "><b>રાઉન્ડ ઓફ 16માં રોમાંચક મુકાબલો</b></h4><p style="text-align: justify; ">પોર્ટુગલ વિરુદ્ધ સ્પેન: યુરોપિયન ફૂટબોલના બે સૌથી મોટા દિગ્ગજો વચ્ચેનો આ મુકાબલો આ સિઝનનો સૌથી મોટો માનવામાં આવે છે.</p><p style="text-align: justify; ">આર્જેન્ટિના વિરુદ્ધ ઇજિપ્ત: લિયોનેલ મેસ્સીની આર્જેન્ટિનાનો મુકાબલો મોહમ્મદ સલાહની ગતિશીલ ઇજિપ્ત ટીમ સામે થશે, જે ચાહકો માટે એક સ્વપ્ન સમાન મેચ છે.</p><p style="text-align: justify; ">બ્રાઝિલ વિરુદ્ધ નોર્વે: વિનિસિયસ જુનિયરની બ્રાઝિલિયન ટીમ એર્લિંગ હાલેન્ડની નોર્વે સામે ટકરાશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-colombia-beats-ghana-1-0-secures-place-in-round-of-16" target="_blank">Fifa World Cup 2026 : કોલંબિયાએ ઘાનાને 1-0 થી હરાવ્યું, રાઉન્ડ ઓફ 16માં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/04/kdYXH4iPchFGwafL7lWuISWQxvNO0NRfEv6LquVT.webp'/></item><item><title><![CDATA[West Bengal Politics: મમતા બેનર્જીની ચિંતા વધી! બંગાળ TMC ચીફ પદેથી ચંદ્રિમા ભટ્ટાચાર્યનું રાજીનામુ ]]></title><link>https://sandesh.com/india/news/west-bengal-politics-big-blow-to-mamata-banerjee-chandrima-bhattacharya-resigns-as-bengal-tmc-chief</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/west-bengal-politics-big-blow-to-mamata-banerjee-chandrima-bhattacharya-resigns-as-bengal-tmc-chief</guid><pubDate>Sat, 04 Jul 2026 15:55:05 +05:30</pubDate><description><![CDATA[<p>પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા મમતા બેનર્જીને મોટો રાજકીય ફટકો પડ્યો છે. બેનર્જીના નજીકના સહયોગી અને બંગાળ TMCના પ્રદેશ પ્રમુખ ગણાતા ચંદ્રિમા ભટ્ટાચાર્યએ પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. મમતા બેનર્જીને લખેલા પત્રમાં તેમણે માત્ર રાજ્ય પ્રમુખ પદ જ નહીં પરંતુ પક્ષ અને અન્ય તમામ સંલગ્ન જવાબદારીઓથી પણ પોતાને અલગ કરી દીધા છે.</p><p><b style="font-size: 2rem;">પ્રદેશ પ્રમુખ પદ પરથી રાજીનામું</b></p><p>ચંદ્રિમા ભટ્ટાચાર્યએ લખેલા રાજીનામા પત્રમાં તેમણે જણાવ્યું હતું કે  તેઓ 3 જૂન, 2026 ના રોજ કાલીઘાટ ખાતે યોજાયેલી એક બેઠક દરમિયાન તેમને સોંપવામાં આવેલી ભૂમિકા, ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના રાજ્ય પ્રમુખ પદ પરથી રાજીનામું આપી રહ્યા છે. તેમણે પાર્ટીમાં હાલમાં જે અન્ય હોદ્દાઓ સંભાળી રહ્યા છે તેમાંથી પણ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.</p><h3><b>બેંક ખાતાઓની પણ જવાબદારીમાંથી પણ રાજીનામુ</b></h3><p>તેમણે પોતાના પત્રમાં સ્પષ્ટતા કરી હતી કે તેઓ ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ અને વિવિધ બેંકોમાં તેના સંલગ્ન સંગઠનો દ્વારા સંચાલિત બેંક ખાતાઓ માટે અધિકૃત સહીકર્તા તરીકેની પોતાની જવાબદારીઓમાંથી પણ પાછી ખેંચી રહ્યા છે.  ચંદ્રિમા ભટ્ટાચાર્યએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ હવે ભારતના ચૂંટણી પંચ સમક્ષ મમતા બેનર્જીના અધિકૃત પ્રતિનિધિ તરીકે કાર્ય કરશે નહીં. તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે તેઓ આ સંદર્ભમાં તેમની સંમતિ પાછી ખેંચી રહ્યા છે.</p><h4><b>રાજીનામુ આપવાનું કારણ શું ?&nbsp;</b></h4><p>ચંદ્રિમા ભટ્ટાચાર્યએ રાજીનામુ કેમ આપ્યુ તેનું કોઇ કારણ સામે આવ્યું નથી. આ રીતે અચાનક જ તમામ પદો પરથી રાજીનામુ આપી દેતા પશ્ચિમ બંગાળ ટીએમસીમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. આ રાજીનામા અંગે તૃણમૂલ કોંગ્રેસ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.</p><p><b style="font-size: 1.5rem;">રાજકીય ગરમાવો વધ્યો</b></p><p>ચંદ્રિમા ભટ્ટાચાર્યને લાંબા સમયથી મમતા બેનર્જીના સૌથી વિશ્વસનીય નેતાઓમાં ગણવામાં આવે છે. પરિણામે તમામ સંગઠનાત્મક પદો પરથી તેમનું રાજીનામું પાર્ટી માટે એક મહત્વપૂર્ણ ઘટના તરીકે જોવામાં આવે છે. રાજકીય વિશ્લેષકો માને છે કે એકવાર આ નિર્ણય પાછળનું કારણ પ્રકાશમાં આવે પછી તેની અસર રાજ્યના રાજકારણ પર પડી શકે છે.</p><p><br></p><p><a href="https://sandesh.com/astrology/news/bhakti/budh-gochar-2026-bank-balance-of-3-zodiac-signs-will-increase-mercury-will-change-its-course" target="_blank">આ પણ વાંચો-Budh Gochar 2026: 3 રાશિનું બેંક બેલેન્સ વધશે ! બુધ બદલશે ચાલ&nbsp;</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/04/smy1US377qCCbKnJhiGRAS5fUE9Hfzv2sOQXSxH2.webp'/></item><item><title><![CDATA[Rajkot: જૂનાગઢની સગીરાને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ, પીડિતા ગર્ભવતી બનતા નરાધમે ગર્ભપાતની દવા ખવડાવી ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/rajkot/minor-girl-from-junagadh-raped-pregnant-abortion-pills-harshadsinh-arrested-pocso</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/rajkot/minor-girl-from-junagadh-raped-pregnant-abortion-pills-harshadsinh-arrested-pocso</guid><pubDate>Sat, 04 Jul 2026 14:14:39 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ શહેરમાંથી એક અત્યંત ઘૃણાસ્પદ ઘટના પ્રકાશમાં આવી છે. જૂનાગઢ પંથકની એક સગીરાને રાજકોટના હર્ષદસિંહ દેવધારીયા નામના શખ્સે પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. લગ્નની અને પ્રેમની ખોટી વાતોમાં ભોળવીને આરોપી હર્ષદસિંહે સગીરાની મરજી વિરૂદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું અને તેને પોતાની હવસનો શિકાર બનાવી હતી.</p><h2><b>પાપ છુપાવવા ગર્ભપાતની દવાઓ ખવડાવી</b></h2><p>આ નરાધમના સતત શારીરિક શોષણના કારણે ભોગ બનનાર સગીરા ગર્ભવતી બની ગઈ હતી. સગીરાએ પોતે ગર્ભવતી હોવાની વાત હર્ષદસિંહને કરતા જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. સમાજમાં અને પોલીસમાં પકડાઈ જવાના ડરથી નરાધમ આરોપીએ સગીરાના સ્વાસ્થ્યની પરવા કર્યા વગર, તેને કોઈને ન કહેવાની ધમકી આપીને બળજબરીપૂર્વક ગર્ભપાત કરવાની કિલર દવાઓ ખવડાવી દીધી હતી. આ ગંભીર કૃત્યમાં હર્ષદસિંહને તેના સગીર વયના ભત્રીજાએ પણ સાથ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.</p><h3><b>પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી જેલના સળિયા ગણતો કર્યો</b></h3><p>આ સમગ્ર મામલો જ્યારે પીડિતાના પરિવાર સામે આવ્યો ત્યારે તેમના હોશ ઊડી ગયા હતા. પરિવારે હિંમત હાર્યા વગર તાત્કાલિક રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે સગીરાની ફરિયાદના આધારે નરાધમ આરોપી હર્ષદસિંહ દેવધારીયા અને તેના સગીર ભત્રીજા વિરૂદ્ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (POCSO) એક્ટ તેમજ દુષ્કર્મ અને બળજબરીથી ગર્ભપાત કરાવવાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. યુનિવર્સિટી પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી હર્ષદસિંહ દેવધારીયાને દબોચી લીધો છે. હાલમાં પીડિતાની તબીબી તપાસ કરાવવાની સાથે પોલીસે બંને નરાધમો સામે કડક કાનૂની સકંજો કસવા માટે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/bharuch/valia-siludi-village-flood-like-situation-waterlogging-houses-collapsed-people-evacuated" target="_blank">આ પણ વાંચો: Bharuch Rain: સિલુડી ગામમાં કમર સુધી પાણી ભરાતા પૂર જેવી સ્થિતિ, 10 થી વધુ મકાનોમાં પાણી ઘૂસતા ભારે તારાજી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/04/BeVkpKQRQQd0hthhQWG8LI6NPZkVarERIYFSvEa8.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : નવા પોલીસ કમિશ્નર તરીકે IPS અનુપમ સિંહ ગેહલોતે સંભાળ્યો ચાર્જ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/anupam-singh-gehlot-takes-charge-ahmedabad-police-commissioner-new-cp</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/anupam-singh-gehlot-takes-charge-ahmedabad-police-commissioner-new-cp</guid><pubDate>Sat, 04 Jul 2026 13:29:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજ્યના  ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલી મહત્વની બદલી બાદ, અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશ્નર તરીકે 1997બેચના વરિષ્ઠ અને બાહોશ આઇપીએસ  અધિકારી અનુપમ સિંહ ગેહલોતે આજે વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે. અગાઉના પોલીસ કમિશ્નર જી. એસ. મલિકની રાજ્યના પોલીસ વડા એટલે કે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે ઉન્નતિ અને બદલી થતાં અમદાવાદ પોલીસ કમિશ્નરનું અત્યંત મહત્વનું પદ ખાલી પડ્યું હતું. આ ખાલી પડેલા પદ પર રાજ્ય સરકારે સુરતના પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવતા અનુપમ સિંહ ગેહલોત પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>ચારેય મુખ્ય મહાનગરોમાં પોલીસ કમિશ્નર રહ્યા</b></h2><p style="text-align: justify; ">અનુપમ સિંહ ગેહલોતની આ નિમણૂક સાથે જ ગુજરાત પોલીસના ઇતિહાસમાં એક નવો રેકોર્ડ પણ નોંધાયો છે. તેઓ ગુજરાતના એવા બીજા IPS અધિકારી બન્યા છે જેમણે રાજ્યના ચારેય મુખ્ય મહાનગરોમાં પોલીસ કમિશ્નર તરીકે સેવા આપવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હોય. આ પૂર્વે તેઓ રાજકોટ, વડોદરા અને સુરત જેવા સંવેદનશીલ અને મોટા શહેરોમાં પોલીસ કમિશ્નર તરીકે સફળતાપૂર્વક પોતાની ફરજ બજાવી ચૂક્યા છે અને હવે તેઓ મેગા સિટી અમદાવાદનો કાર્યભાર સંભાળી રહ્યા છે. ચારેય મહાનગરોનો બહોળો અનુભવ ધરાવતા ગેહલોતની આ નિમણૂકથી અમદાવાદ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે તેવી આશા રાખવામાં આવી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી&nbsp;</b></h3><p style="text-align: justify; ">ચાર્જ સંભાળ્યા બાદ નવા પોલીસ કમિશ્નરે શહેરની સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ અને ગુનાખોરી પર નિયંત્રણ લાવવા અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી પ્રાથમિકતાઓ સ્પષ્ટ કરી હતી. આગામી સમયમાં યોજાનારી મહત્વની ઘટનાઓ અને તહેવારોને ધ્યાનમાં રાખીને રથયાત્રા જેવી મોટી કાયદો-વ્યવસ્થાની સ્થિતિને સંભાળવાનો મોટો પડકાર પણ તેમની સામે રહેશે. 1997 બેચના આ અધિકારી પોતાની કડક છાપ અને સ્માર્ટ પોલીસિંગ માટે જાણીતા છે, ત્યારે અમદાવાદીઓ માટે તેમની આ નવી ઇનિંગ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-gujarat-latest-news-live-and-samachar-04-july-2026-politics-weather-updates-daily-breaking-news-nation#google_vignette" target="_blank"><b>&nbsp; Gujarat Latest News Live : ભારે વરસાદે મુંબઇને ઘમરોળ્યુ, ઠેર ઠેર ભરાયા કમરસમા પાણી, લોકોના ઘરોમાં પણ ઘૂસ્યા પાણી</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/04/vCdj2br0WMZNeKT5Vh4axM59tFuK97fg7svpajDc.webp'/></item><item><title><![CDATA[Surat : ઉધનામાં મકાનની ગેલેરી અચાનક ધરાશાયી, પહેલા માળે ફસાયેલા 5 લોકોનું દિલધડક રેસ્ક્યુ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-udhna-kashinagar-society-house-balcony-collapses-fire-brigade-rescue-five-people</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-udhna-kashinagar-society-house-balcony-collapses-fire-brigade-rescue-five-people</guid><pubDate>Sat, 04 Jul 2026 12:51:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતમાં ચોમાસાની ઋતુ દરમિયાન જર્જરિત મકાનો અને સ્લેબ ધરાશાયી થવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આવી જ એક મોટી અને ભયાનક દુર્ઘટના સુરતના ઉધના વિસ્તારમાં આજે સવારે સામે આવી છે. ઉધના ખાતે આવેલી કાશીનગર સોસાયટીમાં એક મકાનના પહેલા માળની ગેલેરીનો મોટો ભાગ અચાનક ધડાકાભેર તૂટી પડ્યો હતો. ગેલેરીનો સ્લેબ પડવાનો પ્રચંડ અવાજ આવતા જ આજુબાજુના સ્થાનિક રહીશો અને સોસાયટીના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.</p><h2 style="text-align: justify; "><b>પહેલા માળે રહેતા લોકો ફસાયા</b></h2><p style="text-align: justify; ">ગેલેરીનો ભાગ ધરાશાયી થવાને કારણે મકાનનો મુખ્ય રસ્તો બ્લોક થઈ ગયો હતો, જેના લીધે પહેલા માળે ઘરમાં હાજર લોકો અંદર જ બંધક બની ગયા હતા અને ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક આ અંગે સુરત ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતાં ફાયર ફાઈટરોની ટીમ તમામ આધુનિક રેસ્ક્યુ સાધનો અને સીડીઓ સાથે મિનિટોમાં જ કાશીનગર સોસાયટી ખાતે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગના જવાનોએ સ્થાનિક લોકોની મદદથી ભારે જહેમત બાદ ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.</p><h3 style="text-align: justify; "><b>પાંચ સભ્યોને  હેમખેમ બહાર કાઢવામાં આવ્યા</b>&nbsp;</h3><p style="text-align: justify; ">આ સફળ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન બે મહિલાઓ સહિત પરિવારના કુલ પાંચ સભ્યોને કોઈપણ પ્રકારની ઈજા વગર હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા, જેથી પરિવારે અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદને કારણે જૂની ઇમારતોની દીવાલો, છજ્જા અને સ્લેબ તૂટી પડવાની ઘટનાઓ સતત વધી રહી છે. વહીવટી તંત્ર દ્વારા પણ જર્જરિત મકાનોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અથવા સુરક્ષિત સ્થળે ખસી જવા વારંવાર અપીલ કરવામાં આવી રહી છે, ત્યારે ઉધનાની આ ઘટનાએ તંત્રની દોડધામ વધારી દીધી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-gujarat-latest-news-live-and-samachar-04-july-2026-politics-weather-updates-daily-breaking-news-nation" target="_blank"><b>Gujarat Latest News Live : નર્મદા ડેમમાં 24 કલાકમાં 10 સેન્ટિમીટરનો પાણીની આવકમાં વધારો</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/04/TT5sOpN95ZB43c2PEkXFBnwdIq5LKetad0WRV6BE.webp'/></item><item><title><![CDATA[Gold Silver Price Today: અઠવાડિયામાં સોનું રૂ.6400 મોંઘુ, ચાંદી પણ વધ્યા ભાવ, જાણો લેટેસ્ટ રેટ ]]></title><link>https://sandesh.com/business/news/gold-silver-price-today-gold-becomes-expensive-by-rs-6400-in-a-week-silver-prices-also-increased-know-the-latest-rate</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/gold-silver-price-today-gold-becomes-expensive-by-rs-6400-in-a-week-silver-prices-also-increased-know-the-latest-rate</guid><pubDate>Sat, 04 Jul 2026 12:38:02 +05:30</pubDate><description><![CDATA[<p>ડોલર ઇન્ડેક્સ પર દબાણ અને વૈશ્વિક ફુગાવાને ઘટાડવાની સંભાવનાને કારણે આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો. બંને કિંમતી ધાતુઓમાં મજબૂત ખરીદી પ્રવૃત્તિને કારણે સોનાના ભાવમાં આશરે ₹6,500 અને ચાંદીના ભાવમાં ₹17,000 થી વધુનો વધારો થયો છે. </p><h2><b>અઠવાડિયામાં સોના ચાંદીના ભાવ વધ્યા</b></h2><p>સ્થાનિક તેમજ વૈશ્વિક બજારોમાં બંને ધાતુઓના ભાવમાં વધારો થયો છે; આંતરરાષ્ટ્રીય સ્તરે, સોનું પ્રતિ ઔંસ $4,170 અને ચાંદી $62 ની નજીક ટ્રેડ થઈ રહી છે.આ સપ્તાહના ઉતાર-ચઢાવની વાત કરીએ તો, 1 જુલાઈની સવારે સોનાનો ભાવ ₹1,39,434 ની નીચી સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે 3 જુલાઈની સાંજે તે ₹1,46,344 ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.&nbsp;</p><p><b style="font-size: 1.75rem;">સોનામાં તેજી&nbsp;</b></p><p>ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા અનુસાર, આ અઠવાડિયે 24 કેરેટ સોનાનો ભાવ ₹6,471 વધીને ₹10 ગ્રામ દીઠ ₹1,46,344 પર પહોંચી ગયો છે, જે ₹1,39,873 થી વધુ છે. 22 કેરેટ સોનાનો ભાવ પણ અગાઉના ₹1,28,124 ની સરખામણીમાં ₹1,34,051 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. 18 કેરેટ સોનું હવે 10 ગ્રામ દીઠ 1,09.758&nbsp; રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે. જ્યારે ગયા અઠવાડિયે તેનો ભાવ 1,04,905 રૂપિયા હતો.&nbsp;</p><h3><b>ચાંદીમાં તેજી&nbsp;</b></h3><p>સોનાની જેમ, ચાંદીમાં પણ આ સપ્તાહે તીવ્ર ઉછાળો જોવા મળ્યો. ચાંદીના ભાવ ₹17,317 વધીને ₹2,33,858 પ્રતિ કિલોગ્રામના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યા, જે અગાઉના ₹2,16,541 ના સ્તરથી વધુ છે. ચાંદીનો સૌથી નીચો ભાવ ₹2,21,355 હતો, અને 3 જુલાઈના રોજ સાંજના સત્ર દરમિયાન તે ₹2,33,858 ની ટોચ પર પહોંચ્યો હતો.</p><h4><b style="font-size: 1.5rem;">સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો શા માટે આવ્યો?</b></h4><p>બજારના નિષ્ણાતોના મતે, બુલિયન બજારમાં આ તાજેતરની તેજી પાછળ બે મુખ્ય વૈશ્વિક પરિબળો છે. પ્રથમ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાએ વૈશ્વિક ફુગાવાને હળવો કરવાની આશા જગાવી છે. બીજું, છેલ્લા બે ટ્રેડિંગ સત્રોમાં ડોલર ઇન્ડેક્સમાં સતત ઘટાડો જોવા મળ્યો છે, જે કિંમતી ધાતુઓને ટેકો પૂરો પાડે છે.<br><br></p><h4><b>દેશના મોટા શહેરોમાં શું છે સોના ચાંદીનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)&nbsp;</b></h4><p><br></p><table class="table table-bordered"><tbody><tr><td>શહેર&nbsp;</td><td>24 કેરેટ સોનાની કિંમત ( રૂપિયા/10 ગ્રામ) )&nbsp;</td><td>22 કેરેટ સોનાની કિંમત( રૂપિયા/10 ગ્રામ)</td></tr><tr><td>દિલ્હી&nbsp;</td><td>1,46,880&nbsp;</td><td>1,34,650&nbsp;&nbsp;</td></tr><tr><td>કોલકાતા&nbsp;</td><td>1,46,730&nbsp;</td><td>1,34,500&nbsp;</td></tr><tr><td>ચેન્નઈ&nbsp;</td><td>1,49,460&nbsp;</td><td>1,37,000&nbsp;&nbsp;</td></tr><tr><td>બેંગ્લોર&nbsp;</td><td>1,46,730&nbsp;</td><td>1,34,500&nbsp; &nbsp;</td></tr><tr><td>અમદાવાદ</td><td>&nbsp;1,46,780&nbsp;</td><td>1,34,550&nbsp;&nbsp;</td></tr><tr><td>વડોદરા</td><td>&nbsp;1,46,780<br></td><td>&nbsp;1,34,550&nbsp;</td></tr></tbody></table><p><br></p><p><a href="https://sandesh.com/astrology/news/bhakti/budh-gochar-2026-bank-balance-of-3-zodiac-signs-will-increase-mercury-will-change-its-course" target="_blank">&nbsp; &nbsp;આ પણ વાંચો-Budh Gochar 2026: 3 રાશિનું બેંક બેલેન્સ વધશે ! બુધ બદલશે ચાલ&nbsp;</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/05/22/ufi8sFvshBVfaevszYIKc8xe9wwUe7h0oWClYl0J.webp'/></item></channel></rss>