<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Gir Somnathના ઉનામાં કાળજું કંપાવતો હત્યાકાંડ: નશાખોર પતિએ પત્નીને પથ્થરના ઘા મારી ઉતારી મોતને ઘાટ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gir-somnath/heart-wrenching-murder-in-gir-somnaths-una-drunk-husband-beats-wife-to-death-with-stones</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gir-somnath/heart-wrenching-murder-in-gir-somnaths-una-drunk-husband-beats-wife-to-death-with-stones</guid><pubDate>Sat, 04 Jul 2026 23:33:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગીર સોમનાથના ઉનામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઉનાના માણેક ચોક વિસ્તારમાં એક નશાખોર પતિએ પોતાની જ પત્નીની ઘાતકી હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે. મળતી માહિતી અનુસાર, આરોપી પતિ દારૂના નશામાં ધૂત થઈને ઘરે પહોંચ્યો હતો. ઘરે આવ્યા બાદ કોઈ બાબતે પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો શરૂ થયો હતો. આ વિવાદ એટલો વધી ગયો કે નશામાં ભાન ભૂલેલા પતિએ ઉશ્કેરાઈને પત્ની પર પથ્થર વડે હુમલો કરી દીધો હતો. પતિએ પત્નીના માથાના ભાગે પથ્થરના ઉપરાછાપરી ઘા મારી તેને લોહીલુહાણ કરી નાખી હતી.</p><h2 style="text-align: justify; ">ગંભીર ઈજાઓના કારણે ઘટનાસ્થળે જ મોત</h2><p style="text-align: justify; ">પથ્થરના આ ભયાનક અને જીવલેણ હુમલાને કારણે પરણિતાને માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલો એટલો ઘાતકી હતો કે અસહ્ય પીડા અને વધુ પડતું લોહી વહી જવાને કારણે નિર્દોષ પત્નીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘરની અંદર બનેલી આ લોહિયાળ ઘટનાને પગલે આસપાસના રહીશોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી અને તાત્કાલિક સ્થાનિક પોલીસને આ અંગે માહિતગાર કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ઉના પોલીસ સ્ટેશનનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.</p><h3 style="text-align: justify; ">પોલીસે ગણતરીની મિનિટોમાં આરોપીને દબોચ્યો</h3><p style="text-align: justify; ">ઉના પોલીસે મામલાની ગંભીરતાને જોઈને તાત્કાલિક એક્શન લીધા હતા અને ગુનો આચરીને ભાગવાની ફિરાકમાં રહેલા નશાખોર પતિને ગણતરીની મિનિટોમાં જ ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. પોલીસે મૃતક મહિલાના શબને કબજે કરીને તેને પોસ્ટમોર્ટમ (PM) અર્થે ઉનાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. ઘરકંકાસ પાછળ કયું મુખ્ય કારણ જવાબદાર હતું અને આ ક્રૂર હત્યા પાછળનું ચોક્કસ કારણ શું છે, તે જાણવા માટે પોલીસે આરોપીની સઘન પૂછપરછ અને આગળની કાયદેસરની તપાસ તેજ કરી દીધી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/04/6C2YxYUgyRsJaJpama6JfnqAdD6HtOhPlDSQIwTR.webp'/></item><item><title><![CDATA[Americaના 250મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ પાઠવી શુભેચ્છા, ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યો આ ખાસ સંદેશ ]]></title><link>https://sandesh.com/india/news/world/pm-modi-greets-donald-trump-us-250th-independence-day</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/world/pm-modi-greets-donald-trump-us-250th-independence-day</guid><pubDate>Sat, 04 Jul 2026 23:33:10 +05:30</pubDate><description><![CDATA[<p>વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના 250મા સ્વતંત્રતા દિવસના અવસરે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ત્યાંની જનતાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. પોતાના સંદેશમાં તેમણે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવ્યા હતા.&nbsp;</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/narendramodi/status/2073412135770808736"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>શું કહ્યું વડાપ્રધાન મોદી?</b></h2><p>PM મોદીએ કહ્યું કે, “140 કરોડ ભારતીયોની તરફથી હું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાની જનતાને સ્વતંત્રતાની 250મી વર્ષગાંઠની હાર્દિક શુભેચ્છા પાઠવું છું.” તેમણે ઉમેર્યું કે ભારત અને અમેરિકા માત્ર વ્યૂહાત્મક ભાગીદારો જ નથી, પરંતુ બંને દેશો લોકશાહી, કાયદાના શાસન અને માનવ ક્ષમતામાં સમાન વિશ્વાસ ધરાવે છે. વડાપ્રધાન મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી વર્ષોમાં અમેરિકા શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિના નવા શિખરો સર કરશે. સાથે જ ભારત-અમેરિકાની ભાગીદારી વધુ મજબૂત બનશે અને બંને દેશો વૈશ્વિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.&nbsp;</p><p>PM મોદીના શુભેચ્છા સંદેશ બદલ અમેરિકાના રાજદૂત સર્ઝિયો ગોરે સોશિયલ મીડિયા પર આભાર વ્યક્ત કર્યો હતો. તાજેતરમાં ફ્રાન્સમાં યોજાયેલા G7 શિખર સંમેલન દરમિયાન વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે મુલાકાત પણ થઈ હતી. ફેબ્રુઆરી 2025 પછી બંને નેતાઓની આ પ્રથમ રૂબરૂ મુલાકાત હતી, જેમાં દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનાવવાની ચર્ચા થઈ હતી.</p><h3><b>બંને દેશો વચ્ચે કેટલાક મતભેદો&nbsp;</b></h3><p>છેલ્લા કેટલાક સમય દરમિયાન વેપાર શુલ્ક, ઈમિગ્રેશન નીતિ અને અન્ય મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે કેટલાક મતભેદો સામે આવ્યા હતા. તેમ છતાં, બંને દેશો વ્યૂહાત્મક અને આર્થિક સહયોગને વધુ ગાઢ બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે. અમેરિકાના 250મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ફિલાડેલ્ફિયા, ન્યૂયોર્ક અને વોશિંગ્ટન સહિત અનેક શહેરોમાં ભવ્ય પરેડ, સંગીત કાર્યક્રમો અને આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરને અમેરિકાના ઇતિહાસ અને લોકશાહી પરંપરાના મહત્વપૂર્ણ ઉજવણી તરીકે જોવામાં આવ્યો.</p><p><b><a href="https://sandesh.com/india/news/pm-modi-australia-visit-melbourne-death-threat-afp-investigation" target="_blank">આ પણ વાંચો : PM મોદીને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં જાનથી મારી નાખવાની મળી ધમકી, મેલબર્ન કાર્યક્રમને લઈને તપાસ શરૂ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/04/43t1yBuNWhP1B3kDAGT0JErYBZc0viq3ehn10p9f.webp'/></item><item><title><![CDATA[Mehsana News: સુદાસણા સ્ટેટના મહારાણા ઠાકોર સાહેબ કિર્તિસિંહજીનું 79 વર્ષની વયે નિધન ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/satlasna-sudasana-state-maharana-kirtisinhji-passed-away</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/satlasna-sudasana-state-maharana-kirtisinhji-passed-away</guid><pubDate>Sat, 04 Jul 2026 23:01:00 +05:30</pubDate><description><![CDATA[<p>મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલા ઐતિહાસિક સુદાસણા સ્ટેટમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સુદાસણા સ્ટેટના મહારાણા ઠાકોર સાહેબ કિર્તિસિંહજીનું 79 વર્ષની જૈફ વયે અવસાન થયું છે. આ દુઃખદ અવસાનના સમાચારથી માત્ર સુદાસણા જ નહીં પરંતુ સમગ્ર પંથકમાં અને રાજવી પરિવારોમાં ભારે શોકનો માહોલ વ્યાપી ગયો છે.</p><h2><b>હોસ્પિટલમાં સારવાર દરમિયાન લીધા અંતિમ શ્વાસ</b></h2><p>મળતી માહિતી મુજબ, મહારાણા ઠાકોર સાહેબ કિર્તિસિંહજી છેલ્લા કેટલાક સમયથી અસ્વસ્થ હતા. પાલનપુરની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી, જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ઉલ્લેખનીય છે કે, તેઓ જીવદયા પ્રેમી હતા અને સુદાસણા સ્ટેટના જીવદયા આશ્રમ ખાતે જ રહેતા હતા.</p><h2><b>દરબારગઢથી નીકળશે અંતિમયાત્રા</b></h2><p>મહારાણા ઠાકોર સાહેબની અંતિમયાત્રા 4 જુલાઈના રોજ સુદાસણા સ્થિત ઐતિહાસિક દરબારગઢ ખાતેથી નીકળશે. સુદાસણા સ્ટેટ અંતર્ગત આવતા આસપાસના તમામ ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો અને ક્ષત્રિય સમાજના અગ્રણીઓ તેમના અંતિમ દર્શન માટે અને અંતિમયાત્રામાં જોડાવા માટે ઉમટે તેવી શક્યતા છે.</p><h2><b>મુક્તેશ્વર ખાતે અગ્નિસંસ્કાર</b></h2><p>પરંપરાગત રાજવી ઠાઠ અને રીત-રિવાજો સાથે દરબારગઢથી નીકળનારી આ અંતિમયાત્રા બાદ, તેમના પાર્થિવ દેહના અગ્નિસંસ્કાર પવિત્ર યાત્રાધામ મુક્તેશ્વર ખાતે કરવામાં આવશે. પંથકના લોકોએ એક પરોપકારી અને જીવદયા પ્રેમી રાજવી ગુમાવ્યાનું ભારે દુઃખ વ્યક્ત કર્યું છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/india/news/gujarat/5-july-top-news-history-imd-rain-alert-aamir-khan-marriage" target="_blank">વાંચો 5 જુલાઈના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/04/t71EkkjWFcUmSHGZn2cF7419MQgSFWeYnZYKtcwv.webp'/></item><item><title><![CDATA[Bhavnagarમાં બોરતળાવ પોલીસની મોટી કાર્યવાહી: કુંભારવાડામાંથી કફ સીરપના ગેરકાયદે જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/major-action-by-bortala-police-in-bhavnagar-a-man-was-arrested-from-kumbharwada-with-illegal-quantity-of-cough-syrup</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/major-action-by-bortala-police-in-bhavnagar-a-man-was-arrested-from-kumbharwada-with-illegal-quantity-of-cough-syrup</guid><pubDate>Sat, 04 Jul 2026 22:49:50 +05:30</pubDate><description><![CDATA[<p>ભાવનગર શહેરમાં નશાકારક અને પ્રતિબંધિત દવાઓના ગેરકાયદેસર વેચાણ વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે. ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાંથી બોરતળાવ પોલીસની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને કોર્ડિંન કફ સીરપના મોટા જથ્થા સાથે એક શખ્સને રંગેહાથ ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલો આરોપી કુંભારવાડાની ગોપાલ સોસાયટીમાં રહે છે અને તે ત્યાં ગેરકાયદેસર રીતે આ સિરપનું વેચાણ કરતો હતો. પોલીસે આરોપી પાસેથી 'કોર્ડિંન કફ સીરપ' ની 193 નંગ બોટલો જપ્ત કરી છે, જેનો ઉપયોગ યુવાધન નશા તરીકે કરતું હોવાની આશંકા છે.</p><h2>રૂ. 30,400થી વધુનો મુદ્દામાલ જપ્ત</h2><p>બોરતળાવ પોલીસ દ્વારા કરવામાં આવેલી આ સફળ રેડ દરમિયાન કુલ રૂ. 30,400થી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા શખ્સની પ્રાથમિક પૂછપરછમાં પોલીસ સામે એક મોટો ખુલાસો થયો છે. આરોપીએ કબૂલાત કરી છે કે તે માત્ર સ્થાનિક સ્તરે આ જથ્થાનું વેચાણ કરતો હતો, પરંતુ તેને આ કફ સીરપનો મોટો જથ્થો પૂરો પાડનાર મુખ્ય સપ્લાયર કોઈ અન્ય જ વ્યક્તિ છે. પોલીસ દરોડાની ગંધ આવી જતાં આ ગેરકાયદે નેટવર્કનો મુખ્ય સપ્લાયર ઘટનાસ્થળેથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો અને હાલ તે ફરાર જાહેર કરાયો છે.</p><h3>સપ્લાયરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન</h3><p>આ મામલે બોરતળાવ પોલીસે પકડાયેલા આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ નશાના કારોબારના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે તપાસ તેજ કરી દીધી છે. ફરાર થઈ ગયેલા મુખ્ય સપ્લાયરની ધરપકડ કરવા માટે પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને તેના સંભવિત અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. પોલીસને આશા છે કે મુખ્ય સપ્લાયર પકડાતાની સાથે જ ભાવનગરમાં ચાલી રહેલા નશાકારક કફ સીરપના વેચાણના મોટા રેકેટ અને અન્ય સંડોવાયેલા શખ્સોના નામો પણ બહાર આવશે.</p><p><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/04/54gJlMhmX9yg9DHUUiV450KB86gTvkr6SmRDtFgg.webp'/></item><item><title><![CDATA[Jammu Kashmir : શોપિયાંમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકીને ઘેરી લીધા ]]></title><link>https://sandesh.com/india/news/jammu-kashmir-shopian-encounter-security-forces-surround-two-terrorists</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/jammu-kashmir-shopian-encounter-security-forces-surround-two-terrorists</guid><pubDate>Sat, 04 Jul 2026 22:46:28 +05:30</pubDate><description><![CDATA[<p>જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં શુક્રવારે સાંજે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ. આ એન્કાઉન્ટર સાંજે આશરે 7:45 વાગ્યે ચનપોરા ગામના સૈદપોરા પીન વિસ્તારમાં શરૂ થયું હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. સુરક્ષા એજન્સીઓને વિસ્તારમાં બે આતંકીઓ છુપાયેલા હોવાની બાતમી મળતા સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત રીતે કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.&nbsp;</p><h2><b>આતંકી ઝાકિર અહમદ ગની અને લતીફ ભટ્ટ ફસાયા હોવાની આશંકા</b></h2><p>તપાસ દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કરતાં જવાબી કાર્યવાહી કરવામાં આવી અને અથડામણ શરૂ થઈ ગઈ. પ્રાથમિક માહિતી મુજબ આ એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાનો મોસ્ટ વોન્ટેડ A++ કેટેગરીનો આતંકી ઝાકિર અહમદ ગની અને લતીફ ભટ્ટ ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઝાકિર ગની દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાનો રહેવાસી હોવાનું જણાવાય છે અને તે અનેક આતંકી હુમલાઓ તથા ટાર્ગેટ કિલિંગની ઘટનાઓમાં સંડોવાયેલો હોવાનું તપાસ એજન્સીઓનું કહેવું છે.</p><h3><b>સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો&nbsp;</b></h3><p>આ ઓપરેશનમાં ભારતીય સેનાની 44 આરઆર, 20 આરઆર, 34 આરઆર, 03 પેરા તેમજ જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને શોપિયાં પોલીસની ટીમો સામેલ છે. સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. આ દરમિયાન સુરક્ષા એજન્સીઓએ બે શંકાસ્પદ આતંકીઓના CCTV ફૂટેજ પણ મેળવ્યા છે. આ ફૂટેજની તપાસ કરીને એ વાતની પુષ્ટિ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે એન્કાઉન્ટર સ્થળે હાજર આતંકીઓ ખરેખર ઝાકિર ગની અને લતીફ ભટ્ટ જ છે કે નહીં. અધિકારીઓએ જણાવ્યું કે ઓપરેશન પૂર્ણ થયા બાદ વધુ માહિતી જાહેર કરવામાં આવશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/pm-modi-australia-visit-melbourne-death-threat-afp-investigation" target="_blank">આ પણ વાંચો : PM મોદીને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં જાનથી મારી નાખવાની મળી ધમકી, મેલબર્ન કાર્યક્રમને લઈને તપાસ શરૂ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/04/M66EN0JN69QpYI0gJITo7kXxErGExJ156Wt1ydig.webp'/></item><item><title><![CDATA[Surat News: મુંબઈમાં આભ ફાટતા ટ્રેન અને હવાઈ સેવા ઠપ્પ, સુરત પ્લેટફોર્મ પર મુસાફરોનું કીડિયારું ઉભરાયું ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/mumbai-heavy-rain-train-flights-delayed-surat-airport</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/mumbai-heavy-rain-train-flights-delayed-surat-airport</guid><pubDate>Sat, 04 Jul 2026 22:29:22 +05:30</pubDate><description><![CDATA[<p>મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી શરૂ થયેલા ભારે વરસાદે પ્રચંડ સ્વરૂપ ધારણ કર્યું છે. મુંબઈમાં આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાતા જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ ભારે વરસાદની સીધી અસર મુંબઈ અને ગુજરાત વચ્ચેના વાહનવ્યવહાર પર પડી છે, જેમાં ટ્રેન અને હવાઈ સેવાઓ બહુ મોટા પાયે ખોરવાઈ ગઈ છે.</p><h2><b>રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ, ટ્રેનો અડધાથી એક કલાક મોડી</b></h2><p>મુંબઈના નીચાણવાળા વિસ્તારો અને રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાના કારણે મુંબઈ-અમદાવાદ વચ્ચેનો રેલવે વ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે. મુંબઈ તરફ જતી અને ત્યાંથી આવતી મોટાભાગની ટ્રેનો અડધાથી એક કલાક જેટલી મોડી ચાલી રહી છે. ટ્રેનો મોડી પડવાના કારણે મુંબઈથી લઈને અમદાવાદ સુધીના તમામ મુખ્ય રેલવે સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે.</p><h2><b>સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોનું કીડિયારું ઉભરાયું</b></h2><p>ટ્રેન વ્યવહાર ખોરવાતા દક્ષિણ ગુજરાતના સૌથી વ્યસ્ત એવા સુરત રેલવે સ્ટેશન પર સ્થિતિ કટોકટીભરી બની છે. સુરત સ્ટેશનના પ્લેટફોર્મ પર મુસાફરોનું કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. હજારો મુસાફરો કલાકોથી ટ્રેનની રાહ જોઈને પ્લેટફોર્મ પર બેસી રહેવા મજબૂર બન્યા છે. લાંબા સમયની પ્રતીક્ષા અને કોઈ ચોક્કસ માહિતી ન મળતા મુસાફરોમાં રેલવે પ્રશાસન સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.</p><h2><b>હવાઈ સેવાને પણ મોટી અસર: મુંબઈ જતી 3 ફ્લાઈટ્સ સુરત ડાયવર્ટ કરાઈ</b></h2><p>ખરાબ હવામાન અને મુંબઈ એરપોર્ટ પર ભારે વરસાદના કારણે હવાઈ સેવાને પણ માઠી અસર પહોંચી છે. મુંબઈ લેન્ડિંગ કરી ન શકવાના કારણે અલગ-અલગ શહેરોમાંથી મુંબઈ જતી 3 મહત્વની ફ્લાઈટ્સને તાત્કાલિક સુરત એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી છે અને તેનું સુરતમાં સેફ લેન્ડિંગ કરાવાયું છે.  દિલ્હીથી મુંબઈ જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઈટ સુરત ડાયવર્ટ કરાઈ છે. રાયપુરથી મુંબઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટનું સુરતમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું છે. વારાણસીથી મુંબઈ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટને પણ સુરત તરફ વાળી દેવાઈ છે.</p><p>મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, અને જ્યાં સુધી મુંબઈમાં પાણી ઓસરશે નહીં ત્યાં સુધી ટ્રેન અને હવાઈ સેવા યથાવત થાય તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/india/news/gujarat/5-july-top-news-history-imd-rain-alert-aamir-khan-marriage" target="_blank">વાંચો 5 જુલાઈના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/04/S7B5iciF4ZgoLf3KiaYSn8XQVTmcPHHSFkpRY6i6.webp'/></item><item><title><![CDATA[Bhavnagar મેડિકલ કોલેજ રેગિંગ વિવાદ: સજા માફીના નિર્ણય સામે મેડિકલ સ્ટુડન્ટ એસોસિએશન મેદાને ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/bhavnagar-medical-college-ragging-controversy-medical-student-association-takes-to-the-field-against-the-decision-to-pardon-the-sentence</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/bhavnagar-medical-college-ragging-controversy-medical-student-association-takes-to-the-field-against-the-decision-to-pardon-the-sentence</guid><pubDate>Sat, 04 Jul 2026 22:07:13 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભાવનગર સરકારી મેડિકલ કોલેજમાં વર્ષ 2025માં બનેલી રેગિંગની ઘટનાનો વિવાદ ફરી વકર્યો છે. આ રેગિંગમાં સંડોવાયેલા સિનિયર વિદ્યાર્થીઓ સામે અગાઉ કડક શિસ્તભંગના પગલાં ભરીને સજા ફટકારવામાં આવી હતી. જોકે, યુનિવર્સિટીના કુલપતિ દ્વારા આ દોષિત વિદ્યાર્થીઓના ભવિષ્ય અને હિતને ધ્યાનમાં રાખીને તેમની સજા માફ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. કુલપતિના આ નરમ વલણ અને સજા માફીના નિર્ણયના કારણે કેમ્પસમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ અગાઉ વિદ્યાર્થી સંગઠનો ABVP અને NSUI દ્વારા પણ આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.</p><h2 style="text-align: justify; ">વિદ્યાર્થી સંગઠનો બાદ હવે સ્ટુડન્ટ એસોસિએશન મેદાને</h2><p style="text-align: justify; ">રાજકીય વિદ્યાર્થી સંગઠનોના વિરોધ પ્રદર્શન બાદ હવે આ મામલે ખુદ મેડિકલ સ્ટુડન્ટ એસોસિએશન પણ મેદાને આવ્યું છે. કોલેજના વિદ્યાર્થીઓના અધિકારો અને ન્યાય માટે મેડિકલ સ્ટુડન્ટ એસોસિએશનના આગેવાનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા હતા. સંગઠન દ્વારા આ મામલે એક સૂર ઊઠાવીને રેગિંગ કરનારા સિનિયર વિદ્યાર્થીઓની સજા કોઈપણ સંજોગોમાં માફ ન કરવા અને તેને યથાવત રાખવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે. આ સંદર્ભે એસોસિએશનના પ્રતિનિધિ મંડળે મેડિકલ કોલેજના ડીન સાથે રૂબરૂ મુલાકાત કરીને તેમને આવેદનપત્ર પાઠવ્યું હતું.</p><h3 style="text-align: justify; ">રેગિંગને ગંભીર મુદ્દો ગણાવી કડક કાર્યવાહીની માંગ</h3><p style="text-align: justify; ">ડીન સમક્ષ રજૂઆત કરતા મેડિકલ સ્ટુડન્ટ એસોસિએશને જણાવ્યું હતું કે, જુનિયર વિદ્યાર્થીઓ સાથે રેગિંગની ઘટના એ અત્યંત ગંભીર અને માનસિક ત્રાસ આપનારી બાબત કહી શકાય. આવા સંવેદનશીલ મુદ્દા પર દોષિતોને સજા માફી આપવી એ બિલકુલ યોગ્ય નથી અને તેનાથી ભવિષ્યમાં આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે. વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં અને કોલેજમાં ભયમુક્ત વાતાવરણ જાળવી રાખવા માટે રેગિંગ કરનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી થવી જ જોઈએ. ડીને પણ આ મામલે વિદ્યાર્થીઓની રજૂઆતને ગંભીરતાથી સાંભળી યોગ્ય સ્તરે રજૂઆત કરવાની ખાતરી આપી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/04/gMCtrWAUZPpU8ZpYj2evLbvAr2OVj5aMGheN282k.webp'/></item><item><title><![CDATA[Reliance Capitalના પૂર્વ CFO અમિત બાપનાની CBIએ કરી ધરપકડ ]]></title><link>https://sandesh.com/business/news/cbi-arrests-former-reliance-capital-cfo-amit-bapna-bank-fraud-case</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/cbi-arrests-former-reliance-capital-cfo-amit-bapna-bank-fraud-case</guid><pubDate>Sat, 04 Jul 2026 21:57:59 +05:30</pubDate><description><![CDATA[<p>CBIએ રિલાયન્સ ADA ગ્રુપ સાથે સંકળાયેલા કથિત બેન્ક છેતરપિંડી કેસમાં મોટી કાર્યવાહી કરતાં રિલાયન્સ કેપિટલ લિમિટેડના પૂર્વ મુખ્ય નાણાકીય અધિકારી (CFO) અમિત બાપનાની ધરપકડ કરી છે. CBIના જણાવ્યા અનુસાર અમિત બાપના ઓગસ્ટ 2014થી ડિસેમ્બર 2019 સુધી કંપનીના CFO તરીકે કાર્યરત હતા અને નાણાકીય નિર્ણયો લેવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા હતી.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2073419890179162561"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>અમિત બાપના પર શું છે આરોપ?</b></h2><p>તપાસ એજન્સીનો આરોપ છે કે અમિત બાપનાએ એવી અનેક મધ્યસ્થ (ઈન્ટરમિડિયરી) કંપનીઓને લોન મંજૂર કરવામાં અને અપાવવામાં ભૂમિકા ભજવી હતી, જેનો ઉપયોગ કથિત રીતે નાણાંના ગેરવહીવટ માટે કરવામાં આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે રિલાયન્સ કોમર્શિયલ ફાઈનાન્સ લિમિટેડ (RCFL)એ બેન્કો પાસેથી મેળવેલી લોન મધ્યસ્થ કંપનીઓ મારફતે રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિલાયન્સ પાવર જેવી ગ્રુપ કંપનીઓ સુધી પહોંચાડવામાં આવી હતી. CBIનું કહેવું છે કે આ પ્રક્રિયા ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના નિયમો અને બેન્કોની લોન શરતોના વિરુદ્ધ હતી.</p><h3><b>અત્યાર સુધીમાં કુલ છ આરોપીઓની ધરપકડ&nbsp;</b></h3><p>CBIએ જણાવ્યું કે અમિત બાપના અગાઉથી જ EDના એક કેસમાં તિહાર જેલમાં ન્યાયિક કસ્ટડીમાં હતા. સ્પેશિયલ કોર્ટના પ્રોડક્શન વોરંટના આધારે તેમને 4 જુલાઈ, 2026ના રોજ સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તેમને વધુ પૂછપરછ માટે ચાર દિવસની CBI રિમાન્ડ પર મોકલ્યા છે. CBIએ અત્યાર સુધી રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCom), રિલાયન્સ હોમ ફાઈનાન્સ (RHFL), રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ (RCFL) અને રિલાયન્સ ટેલિકોમ (RTL) સંબંધિત કુલ સાત કેસ નોંધ્યા છે. આ કેસો વિવિધ સરકારી બેન્કો અને LICની ફરિયાદોના આધારે દાખલ થયા છે. મળતી માહિતી મુજબ રિલાયન્સ ADA ગ્રુપ સાથે જોડાયેલા આ કેસોમાં અત્યાર સુધી કુલ છ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને સમગ્ર મામલાની તપાસ હજુ પણ ચાલુ છે.</p><p><b><a href="https://sandesh.com/business/news/new-epf-scheme-2026-there-is-no-claimant-for-rs-9330-crore-lying-in-31-lakh-pf-accounts-big-revelation-in-rti" target="_blank">આ પણ વાંચો : New EPF Scheme 2026: 31 લાખ PF ખાતામાં પડેલા 9,330 કરોડનો કોઈ દાવેદાર નથી, RTIમાં મોટો ખુલાસો</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/04/tUrRriyUHenXxnKGUi3CexRAVfidtlb8cRBtU9iB.webp'/></item><item><title><![CDATA[Cristiano Ronaldoએ ગોલ કરતા પહેલા શું કહ્યું? વાયરલ વીડિયોથી શરૂ થઈ અનેક ચર્ચા ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/cristiano-ronaldo-bismillah-viral-video-penalty-debate</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/cristiano-ronaldo-bismillah-viral-video-penalty-debate</guid><pubDate>Sat, 04 Jul 2026 17:23:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઘણા મુસ્લિમ અને આરબ ફેનનો દાવો છે કે રોનાલ્ડો શોટ લેતા પહેલા મુસ્લિમ શબ્દ "બિસ્મિલ્લાહ"નું પુનરાવર્તન કરી રહ્યો હતો. આ દરમિયાન પોર્ટુગીઝ ફેનનો દાવો છે કે તે આવું કંઈ બોલી રહ્યો ન હતો, પરંતુ પોર્ટુગીઝમાં "vais marcar" બોલીને પોતાને પ્રોત્સાહિત કરી રહ્યો હતો, જેનો અર્થ થાય છે "તમે સ્કોર કરશો."</p><h2 style="text-align: justify;"><b>ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો વીડિયો થયો વાયરલ</b></h2><p style="text-align: justify;">પોર્ટુગીઝ ફૂટબોલ દિગ્ગજ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ઘણીવાર મેદાન પરના તેના પ્રદર્શન માટે ચર્ચામાં રહે છે. રોનાલ્ડો તેના શક્તિશાળી પ્રદર્શનથી ફિફા વર્લ્ડકપ 2026માં પણ પ્રભુત્વ મેળવી રહ્યો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક શબ્દને લઈને એક નવી ચર્ચા શરૂ થઈ છે, જેને અનેક દાવાઓ સાથે જોડવામાં આવી રહી છે. આ ઘટના રાઉન્ડ ઓફ 32માં ક્રોએશિયા સામે પોર્ટુગલની 2-1 થી રોમાંચક જીત દરમિયાન બની હતી.&nbsp;</p><p style="text-align: justify;">નિર્ણાયક પેનલ્ટી લેતા પહેલા રોનાલ્ડો કેમેરા સામે કંઈક કહેતો જોવા મળ્યો હતો. આનાથી સોશિયલ મીડિયા પર એક નવી ચર્ચા શરૂ થઈ છે. નજીકથી કેદ થયેલી આ ક્ષણ હવે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે, અને ફેન્સ મૂંઝવણમાં છે કે રોનાલ્ડોએ ખરેખર શું કહ્યું - અરબી પ્રાર્થના કે પોર્ટુગીઝ શબ્દ પોતાને પ્રેરણા આપવા માટે.</p><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/MENACatholics/status/2073109668470173948"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><a href="http://" target="_blank"></a><br></p><h3 style="text-align: justify;"><b>'બિસ્મિલ્લાહ' કે પોર્ટુગીઝ મંત્ર?</b></h3><p style="text-align: justify;">આરબ અને મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાં સોશિયલ મીડિયા યુઝર્સ દાવો કરે છે કે રોનાલ્ડોએ શોટ લેતા પહેલા 2 વાર 'બિસ્મિલ્લાહ' કહ્યું હતું. સાઉદી અરેબિયન ક્લબ અલ નાસ્સર માટે રમ્યા પછી રોનાલ્ડો ત્યાંની સંસ્કૃતિથી ખૂબ પ્રભાવિત દેખાય છે. એક પાકિસ્તાની યુઝર્સે તો એવો પણ દાવો કર્યો હતો કે રોનાલ્ડોએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે પણ તે 'બિસ્મિલ્લાહ' કહે છે, ત્યારે ગોલ થાય છે.</p><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/RmSalih/status/2073024198755197427"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><a  target="_blank"></a></p><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/OfCL_Special/status/2072946172159811635"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p style="text-align: justify;">આ દરમિયાન પોર્ટુગીઝ ફેન દાવો કરે છે કે રોનાલ્ડો પોતાને પ્રેરણા આપવા માટે "વામોસ લા" (ચાલો, આગળ વધો) અથવા "વૈસ માર્કાર" (તમે ગોલ કરશો) કહી રહ્યો હતો. રોનાલ્ડોના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.</p><h4 style="text-align: justify;"><b>રોનાલ્ડોએ નથી આપી કોઈ પ્રતિક્રિયા</b></h4><p style="text-align: justify;">આ વિવાદ અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોતે હજુ સુધી કોઈ સ્પષ્ટતા આપી નથી. મેચ જીત્યા પછી અને પોર્ટુગલને ક્વાર્ટર ફાઈનલમાં પહોંચાડ્યા પછી તે ટીમ હોટલની બહાર ભેગા થયેલા ફેન સાથે સેલિબ્રેશનમાં વ્યસ્ત હતો.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/ishan-kishan-run-out-abhishek-sharma-stump-mic-video" target="_blank">Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?&nbsp;</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/04/s58CAWSKRe47UO9Tciz8fCzNgfgza9kLQusFRCT7.webp'/></item><item><title><![CDATA[Friday Box Office: ‘આલ્ફા’ની ધમાકેદાર એન્ટ્રી, ‘વેલકમ ટુ ધ જંગલ’ની રફ્તાર થઈ ધીમી, ‘મેં વાપસ આઉંગા’નો દમ યથાવત ]]></title><link>https://sandesh.com/entertainment/news/friday-box-office-alpha-makes-a-bang-welcome-to-the-jungle-slows-down-main-vaaps-aunga-maintains-momentum</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/friday-box-office-alpha-makes-a-bang-welcome-to-the-jungle-slows-down-main-vaaps-aunga-maintains-momentum</guid><pubDate>Sat, 04 Jul 2026 16:49:28 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">3 જુલાઈના શુક્રવારના બોક્સ ઓફિસ પર અનેક ફિલ્મો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી. નવી રિલીઝ ‘આલ્ફા’એ શાનદાર શરૂઆત કરી, જ્યારે ‘વેલકમ ટુ ધ જંગલ’ અને કોકટેલ-2 સહિત અન્ય ફિલ્મોની કમાણીમાં ઘટાડો નોંધાયો.&nbsp; આલિયા ભટ્ટની એકશન સ્પાય ફિલ્મને લઈને દર્શકો આતુર હતા. જો કે આ ફિલ્મમાં દર્શકોને ઋતિક રોશનનો કેમિયો પસંદ આવ્યો. આલ્ફા રિલીઝ થતાં જ બોક્સ ઓફિસ પર કોકટેલ-2, વેલકમ ટુ ધ જંગલ અને મેં વાપસ આઉંગાની કમાણીમાં મોટો ઝટકો લાગ્યો.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>‘આલ્ફા’એ પ્રથમ જ દિવસે બતાવ્યો દમ</b></h2><p style="text-align: justify; ">આલિયા ભટ્ટ, શર્વરી વાઘ, બોબી દેઓલ અને અનિલ કપૂર અભિનીત YRF Spy Universeની ફિલ્મ ‘આલ્ફા’ શુક્રવારે થિએટરમાં રિલીઝ થઈ હતી. ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો હોવા છતાં દર્શકોનો સારો પ્રતિસાદ મળતાં તેણે બોક્સ ઓફિસ પર મજબૂત શરૂઆત કરી છે. સેકનિલ્કના પ્રારંભિક અહેવાલો મુજબ, ફિલ્મે પ્રથમ દિવસે અંદાજે ₹9 કરોડનું કલેક્શન કર્યું. નવા સપ્તાહની શરૂઆત સાથે ‘આલ્ફા’ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની અને બોક્સ ઓફિસ પર પોતાની મજબૂત હાજરી નોંધાવી.</p><h3 style="text-align: justify; "><b>‘વેલકમ ટુ ધ જંગલ’ને સ્પર્ધાનો ફટકો, ‘કોકટેલ 2’માં મોટો ઘટાડો</b></h3><p style="text-align: justify; ">અક્ષય કુમારની મલ્ટીસ્ટારર ‘વેલકમ ટુ ધ જંગલ’ બીજા અઠવાડિયામાં પ્રવેશતા નવી રિલીઝ ‘આલ્ફા’થી પ્રભાવિત થઈ. ફિલ્મે બીજા શુક્રવારે ₹4.50 કરોડની કમાણી કરી અને કુલ કલેક્શન ₹97.65 કરોડ સુધી પહોંચ્યું. વેલકમ 3માં કલાકારોનો કાફલો હોવા છતાં આ ફિલ્મ સિનેમાઘરમાં દર્શકોને ખેંચવા નિષ્ફળ રહી. બીજી તરફ, શાહિદ કપૂર, કૃતિ સેનન અને રશ્મિકા મંદન્નાની ‘કોકટેલ 2’ ત્રીજા અઠવાડિયામાં નબળી પડી. ફિલ્મે ત્રીજા શુક્રવારે માત્ર ₹0.75 કરોડની કમાણી કરી, જ્યારે તેની કુલ આવક ₹90.15 કરોડ સુધી પહોંચી છે.</p><h3 style="text-align: justify; "><b>ત્રીજા શુક્રવારે 'કોકટેલ 2' ની કમાણીમાં મોટો ઘટાડો</b></h3><p style="text-align: justify; ">શાહિદ કપૂર અને કૃતિ સેનન અભિનીત 'કોકટેલ 2' ની કમાણીમાં ત્રીજા અઠવાડિયે મોટો ઘટાડો જોવા મળ્યો છે, જેમાં ૧૫મા દિવસે (ત્રીજો શુક્રવાર) ફિલ્મનું નેટ કલેક્શન ₹0.75 કરોડ રહ્યું હતું. સેકનિલ્કના અહેવાલ મુજબ, આ ઘટાડા સાથે ૧૫ દિવસનું કુલ ઇન્ડિયા નેટ કલેક્શન ₹90.15 કરોડ સુધી પહોંચ્યું છે.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>‘મેં વાપસ આઉંગા’નો જાદુ યથાવત, ‘કેરી ઓન જટ્ટા 4’ની ગતિ ધીમી</b></h4><p style="text-align: justify; ">ઈમ્તિયાઝ અલીની ‘મેં વાપસ આઉંગા’ ચોથા અઠવાડિયામાં પણ સ્થિર પ્રદર્શન કરી રહી છે. ફિલ્મે 22મા દિવસે ₹1.05 કરોડની કમાણી સાથે કુલ ₹53.30 કરોડનો આંક પાર કર્યો છે, જે તેની મજબૂત વર્ડ-ઓફ-માઉથનો પુરાવો છે. બીજી તરફ, ગિપ્પી ગ્રેવાલ અને સરગુન મહેતા અભિનીત પંજાબી ફિલ્મ ‘કેરી ઓન જટ્ટા 4એ બીજા શુક્રવારે ₹0.65 કરોડનું કલેક્શન કર્યું. નવી ફિલ્મોની એન્ટ્રી બાદ અનેક ફિલ્મોની કમાણીમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ ‘આલ્ફા’એ પહેલા જ દિવસે બોક્સ ઓફિસની રેસમાં આગેવાની મેળવી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/alpha-movie-review-alia-sharvaris-look-created-a-stir-whistles-rang-out-on-hrithik-roshans-entry-in-the-theater-know-how-the-film-is" target="_blank">આ પણ વાંચો : Alpha Movie Review: આલિયા-શર્વરીના લુકે મચાવી ધૂમ, થિયેટરમાં 'વોર' અભિનેતાની એન્ટ્રી પર વાગી સીટીઓ, જાણો કેવી છે ફિલ્મ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/04/ytAr2uohrroF6YcmoTGNsgOqubXbbigPgCr9Y8Fp.webp'/></item></channel></rss>