<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Narmada:સન્માન ન જળવાતા ભાજપના જ મહિલા ધારાસભ્યના ઉપવાસ, સાંસદના સમર્થનથી ગાંધીનગર સુધી રાજકારણ ગરમાયું ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/narmada/bjp-political-drama-nandod-mla-darshana-deshmukh-on-dharna-mp-mansukh-vasava-supports</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/narmada/bjp-political-drama-nandod-mla-darshana-deshmukh-on-dharna-mp-mansukh-vasava-supports</guid><pubDate>Mon, 15 Jun 2026 14:13:08 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાત ભાજપમાં શિસ્ત અને સંગઠનની વાતો વચ્ચે નર્મદા જિલ્લામાંથી જૂથવાદનો એવો ભયાનક નમૂનો સામે આવ્યો છે, જેણે પ્રદેશ નેતૃત્વની ચિંતામાં મોટો વધારો કર્યો છે. નાંદોદના સક્રિય મહિલા ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખ આજે રાજપીપળાના આંબેડકર ભવન ખાતે આયોજિત એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. પ્રોટોકોલ મુજબ વિસ્તારના ધારાસભ્ય મુખ્ય અતિથિ સ્થાને હોય છે, પરંતુ સંગઠન અને વહીવટી તંત્ર દ્વારા તેમનું યોગ્ય સ્વાગત કરવામાં આવ્યું નહોતું અને સ્ટેજ પર સન્માન ન જળવાતા તેઓ અત્યંત નારાજ થઈ ગયા હતા.</p><h2><b>રસ્તા પર ઉપવાસ અને ટિકિટોની મનમાની પર આકરા પ્રહારો</b></h2><p>આ અપમાન સહન ન થતાં ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખ કાર્યક્રમ છોડીને સીધા રસ્તા પર જ ધરણાં અને ઉપવાસ પર બેસી ગયા હતા. મીડિયા સાથે વાતચીતમાં તેમણે રડતી આંખે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, "જિલ્લા પ્રમુખ પક્ષના પાયાના અને ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કાયમી અપમાન કરે છે. તેમને ઉપરથી કોઈ મોટા નેતાનું પીઠબળ છે, એટલે જ તેઓ જિલ્લામાં પોતાની મનમાની ચલાવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની અને સહકારી ચૂંટણીઓમાં લાયક કાર્યકરોને બદલે પોતાના માનીતાઓને જ ટિકિટો આપી, જેના કારણે જ ભાજપ અણધારી ચૂંટણીઓ હાર્યું છે." તેમણે ઉમેર્યું કે જો પ્રમુખ સામે કડક પગલાં નહીં લેવાય, તો તેઓ ધારાસભ્ય પદ છોડી દેશે.</p><h3><b>સાંસદ મનસુખ વસાવાએ આદિવાસી કાર્ડ રમી પ્રમુખનું રાજીનામું માંગ્યું</b></h3><p>આ નાટ્યાત્મક વળાંક વચ્ચે વિસ્તારના કદાવર આદિવાસી નેતા અને સાંસદ મનસુખ વસાવા તાત્કાલિક ધારાસભ્ય દર્શના દેશમુખના સમર્થનમાં ધરણાં સ્થળે દોડી આવ્યા હતા. મનસુખ વસાવાએ હંમેશ મુજબ આક્રમક તેવર બતાવતા સરાજાહેર નિવેદન આપ્યું કે, "આ માત્ર એક ધારાસભ્યનું અપમાન નથી, આ નર્મદા જિલ્લાના અને સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજનું અપમાન છે. એક મહિલા અને આદિવાસી જનપ્રતિનિધિ સાથે આવું વર્તન સાંખી લેવાય નહીં. આવા અહંકારી અને મનમાની કરતા જિલ્લા પ્રમુખ નીલ રાવનું હાઇકમાન્ડે 24 કલાકમાં રાજીનામું લઈ લેવું જોઈએ."</p><h4><b>ગાંધીનગર કમલમ સુધી ટેલિફોનિક દોડધામ&nbsp;</b></h4><p>સાંસદ અને ધારાસભ્ય પક્ષ સામે જ સામસામે આવી જતાં ગાંધીનગર કમલમ (ભાજપ મુખ્યાલય) સુધી ટેલિફોનિક દોડધામ શરૂ થઈ ગઈ છે. સંગઠનના મહામંત્રીઓ દ્વારા સમગ્ર મામલાને થાળે પાડવા અને દર્શનાબેનને ધરણાં પરથી ઉઠાડવા માટે સમજાવટના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ સ્થાનિક આદિવાસી નેતાઓ હવે આરપારની લડાઈના મૂડમાં દેખાઈ રહ્યા છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/banaskantha/amirgadh-sarotra-railway-underbridge-height-gauge-on-verge-of-collapse-dfc-negligence" target="_blank">આ પણ વાંચો: Banaskantha: અમીરગઢના સરોત્રા અંડરબ્રિજ પર મોતના માંચડાની જેમ લટકતો હાઇટ ગેજ; ગમે ત્યારે મોટી હોનારતની આશંકા</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/qvIlo8kBLzUSu5U48OKP8PqcGb5tSbPKcNzNmqKL.webp'/></item><item><title><![CDATA[US Iran Peace Deal: આ સમજૂતી વિશ્વમાં શાંતિ પુનઃસ્થાપિત કરશે, અમેરિકા ઇરાન ડીલ પર PM મોદીનું ટ્વિટ ]]></title><link>https://sandesh.com/india/news/us-iran-peace-deal-will-restore-peace-in-the-world-pm-modis-tweet-on-america-iran-deal</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/us-iran-peace-deal-will-restore-peace-in-the-world-pm-modis-tweet-on-america-iran-deal</guid><pubDate>Mon, 15 Jun 2026 13:47:43 +05:30</pubDate><description><![CDATA[<p>પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા શાંતિ કરારનું સ્વાગત કર્યું છે. તેમણે આશા વ્યક્ત કરી કે આ કરાર પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા લાવશે અને અવરજવર અને વેપારની સ્વતંત્રતા પુનઃસ્થાપિત કરશે. પીએમ મોદીએ નોંધ્યું હતું કે સંઘર્ષથી વિશ્વભરમાં ગંભીર આર્થિક વિક્ષેપો સર્જાયા છે અને ઘણા દેશોને જાનમાલનું નુકસાન થયું છે. તેમણે વાતચીત દ્વારા પ્રાપ્ત થયેલા કાયમી કરારની આશા વ્યક્ત કરી.</p><p><a  target="_blank" style="background-color: rgb(255, 255, 255);"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/narendramodi/status/2066420565821530220"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h3><b>પીએમ મોદીએ X પર પોસ્ટ કરી</b></h3><p>પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું&nbsp; કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા કરારનું હું સ્વાગત કરું છું. આ તણાવને કારણે વિશ્વભરમાં ગંભીર આર્થિક વિક્ષેપો સર્જાયા છે અને ઘણા દેશોમાં જાનમાલનું નુકસાન થયું છે.</p><p>તેમણે વધુમાં કહ્યું હતું કે 'ભારતને આશા છે કે આ કરારના અમલીકરણથી પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવામાં અને નેવિગેશન અને વેપારની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવામાં મદદ મળશે. અમે બાકીના મુદ્દાઓ પર ચર્ચા દ્વારા કાયમી અંતિમ કરાર સુધી પહોંચવાની આશા રાખીએ છીએ.&nbsp;</p><h4><b>ટ્રમ્પે શાંતિ કરારની જાહેરાત કરી</b></h4><p><br></p><p>અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે (14 જૂન) સત્ય પર એક પોસ્ટ દ્વારા જાહેરાત કરી હતી કે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર પર કરાર થઈ ગયો છે. સ્વિટ્ઝર્લૅન્ડમાં બંને દેશોના પ્રતિનિધિઓ દ્વારા શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. જે.ડી. વાન્સ અમેરિકાનું પ્રતિનિધિત્વ કરશે, જ્યારે અરાઘચી અને ગાલિબાફ ઈરાનનું પ્રતિનિધિત્વ કરશે. કરાર અંગે વાટાઘાટો 60 દિવસના યુદ્ધવિરામ દરમિયાન થશે. જેમાં ઈરાન પર લાદવામાં આવેલા પ્રતિબંધો, સ્થિર ભંડોળની મુક્તિ અને પરમાણુ કાર્યક્રમ જેવા મુદ્દાઓનો સમાવેશ થશે. અંતિમ કરાર લાગુ ન થાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા અમલમાં રહેશે.&nbsp;<br></p><p><a href="https://sandesh.com/gallery/news/lifestyle/this-district-is-considered-the-litchi-capital-of-india-know-which-one" target="_blank">આ પણ વાંચો-  આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?&nbsp;</a></p><p><br></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/oiE9oLcKR6LCgcTe8HfGLwLX7DTPTQM7yw2y7oD1.webp'/></item><item><title><![CDATA[Tirumala: તિરૂપતિ બાલાજીની કમાણી રેકોર્ડ બ્રેક! વેચશે 283 ટન દાનમાં આવેલા વાળ ]]></title><link>https://sandesh.com/india/news/tirumala-tirupati-balajis-earnings-break-record-ttd-will-sell-283-tons-of-donated-hair</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/tirumala-tirupati-balajis-earnings-break-record-ttd-will-sell-283-tons-of-donated-hair</guid><pubDate>Mon, 15 Jun 2026 13:28:21 +05:30</pubDate><description><![CDATA[<p>આંધ્રપ્રદેશના વિશ્વપ્રસિદ્ધ ભગવાન વેંકટેશ્વર સ્વામી એટલે કે તિરૂપતિ બાલાજી) મંદિરમાં ભક્તોની અતૂટ શ્રદ્ધાનો એક નવો કીર્તિમાન સ્થાપિત થયો છે. મે 2026 દરમિયાન માત્ર 27 દિવસના ટૂંકા ગાળામાં રેકોર્ડબ્રેક 12.43 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પોતાના&nbsp; ભગવાનના ચરણોમાં અર્પણ કર્યા છે.&nbsp;</p><h2><b>ભક્તોના વાળથી મંદિરને થશે કરોડોની આવક&nbsp;</b></h2><p>આ અભૂતપૂર્વ વધારાને કારણે મંદિરનું સંચાલન કરતી સંસ્થા તિરૂમલા તિરૂપતિ દેવસ્થાનમ (TTD) ને ચાલુ નાણાકીય વર્ષમાં માનવ વાળની ઈ-હરાજી દ્વારા આશરે 176 કરોડ રૂપિયાની ઐતિહાસિક આવક થવાનો અંદાજ છે.</p><h3><b>છેલ્લા બે વર્ષના તમામ રેકોર્ડ તૂટ્યા</b></h3><p>TTD દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ અનુસાર, 1 મે થી 27 મેની વચ્ચે કુલ 12.43 લાખ ભક્તોએ મુંડન કરાવ્યું હતું. પાછલા વર્ષોની સરખામણીએ આ આંકડો ઘણો મોટો છે:</p><ul><li>મે 2024: 10.65 લાખ શ્રદ્ધાળુઓ</li><li>મે 2025: 10.18 લાખ શ્રદ્ધાળુઓ</li><li>મે 2026 (માત્ર 27 દિવસ): 12.43 લાખ શ્રદ્ધાળુઓ</li></ul><h4><b>મંદિરની આવકમાં 26 કરોડનો મોટો ઉછાળો</b></h4><p>ભક્તો દ્વારા કરાયેલા આ રેકોર્ડબ્રેક કેશદાનની સીધી પોઝિટિવ અસર મંદિરની તિજોરી પર જોવા મળી રહી છે. TTD ના અંદાજ મુજબ, આ વર્ષે વાળની ઈ-હરાજીમાંથી આશરે 176 કરોડ રૂપિયાની બમ્પર કમાણી થશે, જે ગયા નાણાકીય વર્ષની 150 કરોડ રૂપિયાની આવક કરતાં 26 કરોડ રૂપિયા વધુ છે. મંદિરના ઈતિહાસમાં વાળના વેચાણથી થનારી આ અત્યાર સુધીની સૌથી મોટી કમાણી હશે.</p><h4><b>283 ટન વાળની વૈશ્વિક ઈ-હરાજી શરૂ</b></h4><p>મંદિર પ્રશાસન પાસે હાલમાં કુલ 2.83 લાખ કિલોગ્રામ (283 ટન) માનવ વાળ એકત્રિત થયા છે, જેની ગ્લોબલ ઈ-હરાજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ગુણવત્તાના આધારે વાળના ભાવ નક્કી કરાયા છે:</p><h4><b>વાળની કિંમતનું ગણિત</b></h4><p>બજારમાં નાના કદના વાળની કિંમત પ્રતિ કિલો ₹135 નક્કી કરવામાં આવી છે, જ્યારે પ્રીમિયમ ક્વોલિટીના લાંબા વાળની કિંમત અગાઉ પ્રતિ કિલો ₹20,000 સુધી પહોંચી ચૂકી છે.</p><h4><b>આટલી ભારે ભીડ ઉમટવાનું કારણ શું?</b></h4><p>TTD વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, ઉનાળુ વેકેશન અને તહેવારોની સીઝન એકસાથે હોવાને કારણે આ વર્ષે તિરૂપતિમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું.</p><p>આ સમગ્ર ગાળા દરમિયાન 23 મેનો દિવસ સૌથી ખાસ રહ્યો હતો, જ્યારે માત્ર એક જ દિવસમાં 57 હજારથી વધુ ભક્તોએ મુંડન કરાવ્યું હતું. આ એક દિવસમાં સૌથી વધુ કેશદાન કરવાનો અત્યાર સુધીનો નવો ઓલ-ટાઇમ રેકોર્ડ છે.<br><br><a href="https://sandesh.com/gallery/news/lifestyle/this-district-is-considered-the-litchi-capital-of-india-know-which-one" target="_blank">આ પણ વાંચો-  આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?&nbsp;</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/8sTcRYn0KTemUiGPlfcSQ0Fcw201d1HhSY4uNiNb.webp'/></item><item><title><![CDATA[Arbaaz Khan Wife : 23 વર્ષ મોટા અરબાઝ ખાન સાથે લગ્ન કરી ટ્રોલ થઈ શૂરા, હેટર્સને આપ્યો જડબાતોડ જવાબ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/arbaaz-khan-wife-shura-khan-reply-to-trolls-on-age-gap</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/arbaaz-khan-wife-shura-khan-reply-to-trolls-on-age-gap</guid><pubDate>Mon, 15 Jun 2026 13:21:08 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અભિનેતા-નિર્દેશક અરબાઝ ખાન અને શૂરા ખાને વર્ષ 2023 માં લગ્ન કર્યા હતા. આ કપલ એક દીકરીના માતા-પિતા છે. અરબાઝ ખાન પોતાની પત્ની શૂરા કરતાં આશરે 23 વર્ષ મોટા છે. ઉંમરના આ તફાવતને લઈને બંનેને અવારનવાર ટ્રોલ કરવામાં આવે છે. અરબાઝ આ અંગે પહેલા જ મૌન તોડી ચૂક્યા છે. તાજેતરમાં શૂરા ખાને પણ આ વિષય પર પોતાની પ્રતિક્રિયા આપી છે.</p><h2 style="text-align: justify; "><b>શૂરા ખાને શું કહ્યું?</b></h2><p style="text-align: justify; ">શૂરા ખાને તાજેતરમાં એક ઓનલાઇન ચેટ સેશન રાખ્યું હતું, જ્યાં પ્રશંસકોના ઘણા રસપ્રદ સવાલોના જવાબો આપ્યા. શૂરાના આ સવાલ-જવાબ સેશન દરમિયાન એક યુઝરે પૂછ્યું, શું એક ઘરડા માણસ સાથે તમે ખુશ છો? શૂરાએ ખૂબ જ નમ્રતાથી અને સહજ અંદાજમાં આનો જવાબ આપ્યો. તેણે લખ્યું, શું ખરેખર? તેઓ કોઈ ઘરડા માણસ નથી. તેઓ એક લિમિટેડ-એડિશન વિન્ટેજ મોડલ છે.<br><img title="Arbaaz Khan wife Shura Khan (2)" src="https://epapercdn.sandesh.com/images/2026/06/15/d4aPoqlfPulkzBFNWKtuyg6LYuZMfIGug3Y4jDQD.webp"><br></p><h3 style="text-align: justify; "><b>અરબાઝ અને શૂરાની દીકરીનું નામ કોણે રાખ્યું?</b></h3><p style="text-align: justify; ">શૂરાએ આ સિવાય અન્ય ઘણા રસપ્રદ સવાલોના જવાબો આપ્યા. તેને પૂછવામાં આવ્યું કે તેમની દીકરીનું નામ કોણે રાખ્યું છે? આના પર શૂરાએ જણાવ્યું, સલીમ અંકલ એટલે કે અરબાઝ ખાનના પિતાએ રાખ્યું છે. અરબાઝ અને શૂરાની દીકરીનું નામ સિપારા અરબાઝ ખાન છે. આ નામ બાળકીને તેના દાદાએ આપ્યું છે.<br><img title="Arbaaz Khan wife Shura Khan (3)" src="https://epapercdn.sandesh.com/images/2026/06/15/IYGKtulgJwA4eWEta5exrkjwmtKJ4ZbxnZRRLSUg.webp"><br></p><h4 style="text-align: justify; "><b>અરબાઝ સાથે પહેલી ડેટનો કર્યો ખુલાસો</b></h4><p style="text-align: justify; ">શૂરાને એક પ્રશંસકે પૂછ્યું, અરબાઝ સાથે પોતાની પહેલી ડેટ માટે તમે હા કેમ પાડી? આના પર શૂરાએ જવાબ આપ્યો, હું તેમની સાથે એક શરત હારી ગઈ હતી, એટલા માટે મારે તેમને ડિનર પર લઈ જવા પડ્યા હતા. એક યુઝરે પૂછ્યું કે હવે તમારો વ્યવસાય શું છે? આના પર શૂરાએ કહ્યું, હોમ મેકર. પૂરી રીતે એક માતા અને પત્ની. જ્યારે તેને મધરહુડ વિશે પૂછવામાં આવ્યું તો શૂરાએ જણાવ્યું, આ એક જાદુઈ સફર છે, જેમાં હું એક જ સમયે થાકી પણ જાઉં છું, મજા પણ આવે છે અને દર 12 સેકન્ડમાં મને બોલાવવામાં આવે છે. એક યુઝરે લખ્યું, તમે થોડા જાડા થઈ ગયા છો. આના પર શૂરાએ હસતા હસતા લખ્યું, થોડા? મારું 20 કિલો વજન વધી ગયું છે.</p><h5 style="text-align: justify; "><b>કોણ છે શૂરા ખાન?</b></h5><p style="text-align: justify; ">અરબાઝ ખાનના પહેલા લગ્ન 1998 માં એક્ટ્રેસ અને મોડલ મલાઈકા અરોરા સાથે થયા હતા. તેમનો એક દીકરો અરહાન ખાન છે. પરંતુ, વર્ષ 2017 માં અરબાઝ અને મલાઈકાના છૂટાછેડા થઈ ગયા. આ પછી અરબાઝની જિંદગીમાં શૂરા આવી અને વર્ષ 2023 માં બંનેએ લગ્ન કરી લીધા. શૂરા ખાન એક પ્રોફેશનલ સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ છે. તેણે લાંબા સમય સુધી અભિનેત્રી રવીના ટંડન અને તેમની દીકરી રાશા થડાની સાથે કામ કર્યું છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/the-mummy-2026-new-horror-movie-ott-release-streaming-prime-video" target="_blank">આ પણ વાંચો-Horror Movie : દરેક સીનમાં મળશે નવું સરપ્રાઈઝ! ધ્રુજી જશે આખું શરીર, આ હોરર ફિલ્મ છે ખતરનાક!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/nZ2kiHdJrujOf6nkNalEqpQ9jigblpUHR31RCzSx.webp'/></item><item><title><![CDATA[WPI Inflation May 2026: મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર ઉછળીને 9.68 ટકાએ પહોંચ્યો, જાણો સામાન્ય જનતા પર શું થશે અસર? ]]></title><link>https://sandesh.com/india/breakingnews/business/india-wpi-inflation-may-2026-rises-retail-cpi-rbi-forecast-fuel-food-prices</link><guid isPermaLink="true">https://sandesh.com/india/breakingnews/business/india-wpi-inflation-may-2026-rises-retail-cpi-rbi-forecast-fuel-food-prices</guid><pubDate>Mon, 15 Jun 2026 12:51:42 +05:30</pubDate><description><![CDATA[<div>WPI Inflation May 2026: દેશમાં મોંઘવારીએ ફરી એકવાર સામાન્ય જનતા અને ઉદ્યોગ જગતની ચિંતામાં મોટો વધારો કર્યો છે. મે 2026માં ભારતનો જથ્થાબંધ મોંઘવારી દર વધીને 9.68 ટકા પર પહોંચી ગયો છે. આ આંકડો એપ્રિલ મહિનાના 8.26 ટકા અને બજારના 9.1 ટકાના અંદાજ કરતાં ઘણો વધારે છે. જથ્થાબંધ સ્તરે કિંમતોમાં આવેલા આ તીવ્ર ઉછાળા પાછળ કાચો માલ, ઇંધણ, ઊર્જા અને ઉત્પાદિત વસ્તુઓની કિંમતમાં થયેલો વધારો મુખ્ય કારણ માનવામાં આવે છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, સરકારે હવે મોંઘવારીની ગણતરી માટેનું આધાર વર્ષ 2011-12થી બદલીને 2022-23 કરી દીધું છે.</div><h2><b>ઇંધણ અને વીજળીના દરોમાં ભારે ઉછાળો</b></h2><div>પશ્ચિમ એશિયા સંકટ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝની નાકાબંધીના કારણે ક્રૂડ ઓઇલની આયાત ગંભીર રીતે પ્રભાવિત થઈ છે. જેની સીધી અસર દેશમાં ઇંધણના ભાવો પર જોવા મળી રહી છે. ઇંધણ અને વીજળી ક્ષેત્રે જથ્થાબંધ મોંઘવારી મે મહિનામાં ઉછળીને 30.33 ટકા પર પહોંચી ગઈ છે, જે એપ્રિલમાં 24.89 ટકા હતી. જ્યારે કાચા પેટ્રોલિયમમાં મોંઘવારી દર મે મહિનામાં 61.51 ટકાના ઉચ્ચ સ્તરે નોંધાયો છે. આ જ કારણે મે મહિનાના બીજા પખવાડિયામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 7.50 રૂપિયાનો વધારો થયો હતો.</div><h2><b>છૂટક મોંઘવારી પણ 5 મહિનાની ટોચે</b></h2><div>જથ્થાબંધ બજારની સાથે સામાન્ય ગ્રાહકોને અસર કરતી છૂટક મોંઘવારીના મોરચે પણ મોટો ઝટકો લાગ્યો છે. મે 2026માં છૂટક મોંઘવારી દર વધીને 3.93 ટકા થઈ ગયો છે, જે એપ્રિલમાં 3.48 ટકા હતો. છેલ્લા 5 મહિનામાં આ પ્રથમ વખત છે, જ્યારે છૂટક મોંઘવારી ભારતીય રિઝર્વ બેંકના 4 ટકાના ટાર્ગેટની સાવ નજીક પહોંચી ગઈ છે. રાષ્ટ્રીય આંકડાકીય કચેરી અનુસાર, મે મહિનામાં ખાદ્ય ચીજવસ્તુઓનો છૂટક મોંઘવારી દર વધીને 4.78 ટકા રહ્યો છે.</div><h2><b>રાજ્યોની સ્થિતિ અને RBIનો નવો અંદાજ</b></h2><div>વધતા જતા ઇનપુટ ખર્ચને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક દ્વારા ચાલુ નાણાકીય વર્ષ માટે મોંઘવારીનો અંદાજ 4.6 ટકાથી વધારીને 5.1 ટકા કરવામાં આવ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં મોંઘવારી દર 4.25 ટકા નોંધાયો છે. રાજ્યોની વાત કરીએ તો, તેલંગાણામાં સૌથી વધુ 6.15 ટકા અને મિઝોરમમાં સૌથી ઓછી 1.03 ટકા મોંઘવારી જોવા મળી છે.</div><h2><b>મોંઘવારીની ગણતરી કેવી રીતે થાય છે?</b></h2><p><b>દેશમાં મોંઘવારી બે રીતે માપવામાં આવે છે</b></p><ul><li><b>છૂટક મોંઘવારી: </b>આ સામાન્ય ગ્રાહકો દ્વારા ચૂકવવામાં આવતી કિંમતો પર આધારિત હોય છે. જેમાં ખાદ્ય પદાર્થો અને ઉત્પાદનોનો હિસ્સો 45.86 ટકા અને હાઉસિંગનો હિસ્સો 10.07 ટકા હોય છે.</li><li><b>જથ્થાબંધ મોંઘવારી:</b> આનો અર્થ એ કિંમતો છે, જે જથ્થાબંધ બજારમાં એક વેપારી બીજા વેપારી પાસેથી વસૂલે છે. જેમાં મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સનો હિસ્સો 63.75 ટકા, પ્રાઇમરી આર્ટિકલ 22.62 ટકા અને ફ્યુઅલ-પાવરનો હિસ્સો 13.15 ટકા હોય છે.</li></ul><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/india/news/stock-news-today-just-one-announcement-from-trump-the-stock-market-jumped-these-10-stocks-became-rockets" target="_blank">Stock News Today: ટ્રમ્પની માત્ર એક જાહેરાત...શેરબજાર ઝૂમી ઉઠ્યુ, આ 10 શેર્સ બન્યા રોકેટ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/FgjKDIdVOdDBgv7AWYSLhQPj65RZ8Q6kz4TeLsUn.webp'/></item><item><title><![CDATA[Banaskantha: અમીરગઢના સરોત્રા અંડરબ્રિજ પર મોતના માંચડાની જેમ લટકતો હાઇટ ગેજ; ગમે ત્યારે મોટી હોનારતની આશંકા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/banaskantha/amirgadh-sarotra-railway-underbridge-height-gauge-on-verge-of-collapse-dfc-negligence</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/banaskantha/amirgadh-sarotra-railway-underbridge-height-gauge-on-verge-of-collapse-dfc-negligence</guid><pubDate>Mon, 15 Jun 2026 12:47:00 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતમાં ઓવરબ્રિજ અને અંડરબ્રિજની ગુણવત્તાને લઈને વારંવાર સવાલો ઉઠતા રહે છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાંથી રેલવે વિભાગની એક એવી આઘાતજનક બેદરકારી સામે આવી છે જે નિર્દોષ નાગરિકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. અમીરગઢના સરોત્રા ગામ પાસે રેલવે લાઇન નીચેથી પસાર થતા વ્યસ્ત અંડરબ્રિજની એન્ટ્રી પર ભારે વાહનોને રોકવા માટે લોખંડના જાડા પતરા અને ગર્ડરથી 'હાઇટ ગેજ' (ઊંચાઈ માપક કમાન) બનાવવામાં આવ્યો હતો. આ હાઇટ ગેજ હાલમાં કટોકટીની સ્થિતિમાં આવી ગયો છે.</p><h2><b>માળખાના નબળા જોઈન્ટ્સ અને બોલ્ટ ખૂલી ગયા</b></h2><p>સ્થાનિકો દ્વારા લેવામાં આવેલી તસવીરો અને ગ્રાઉન્ડ રિપોર્ટ અનુસાર, આ હાઇટ ગેજનો જે મધ્ય ભાગ (સેન્ટર જોઈન્ટ) હોય છે, તેનું વેલ્ડિંગ દબાણ અથવા નબળી ગુણવત્તાના કારણે તૂટી ગયું છે અને તે વચ્ચેથી આખો ખુલ્લો પડી ગયો છે. એટલું જ નહીં, આ કમાનને જે બે મુખ્ય સાઇડ પિલ્લર સપોર્ટ આપી રહ્યા છે, તે પિલ્લરના ફાઉન્ડેશન બોલ્ટ અને નટ પણ વર્ષોથી મેઇન્ટેનન્સ ન થવાને કારણે ઢીલા પડીને ખૂલી ગયા છે. આના કારણે આખું લોખંડનું માળખું હવામાં એક તરફ નમી ગયું છે અને પવન અથવા સામાન્ય ધ્રુજારીના કારણે પણ તે હલી રહ્યું છે.</p><h2><b>કોઈ મોટી હોનારત સર્જાય તો જવાબદારી કોની?</b></h2><p>સરોત્રા રેલવે અંડરબ્રિજ એ આસપાસના ગ્રામ્ય વિસ્તારોને હાઇવે સાથે જોડતો મુખ્ય રસ્તો છે. અહીંથી સવારથી સાંજ સુધી શાળાની બસો, એમ્બ્યુલન્સ, દૂધના ટેન્કરો, બાઇક સવારો અને અસંખ્ય રાહદારીઓ સતત પસાર થતા રહે છે. વાહનચાલકો જ્યારે બ્રિજની અંદર પ્રવેશે છે ત્યારે ઉપર લટકતા આ મોતના માંચડા જેવા હાઇટ ગેજને જોઈને તેમના જીવ તાળવે ચોંટી જાય છે. અકસ્માતના ડર વચ્ચે લોકોએ વાહન સ્પીડમાં હંકારી મૂકવું પડે છે. સ્થાનિક અગ્રણીઓનો આક્ષેપ છે કે રેલવે અને ડીએફસી (DFC) ના સત્તાધીશો એસી કેબિનોમાં બેસી રહ્યા છે અને કોઈ મોટી હોનારત સર્જાયા બાદ જ જાગશે તેવી વ્યાખ્યા વટાવી રહ્યા છે. લોકોએ તાત્કાલિક આ હાઇટ ગેજને નવો લગાવવા અથવા પ્રોફેશનલ વેલ્ડિંગ કરાવી ફિક્સ કરવા ઉચ્ચ સ્તરે કડક શબ્દોમાં માંગ કરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/rajkot/rmc-mayor-nehal-shukla-announces-one-year-mega-drive-against-food-adulteration-own-lab" target="_blank">આ પણ વાંચો: Rajkot: ભેળસેળ અટકાવવા RMC એક્શનમાં, 1 વર્ષની સ્પેશિયલ ડ્રાઇવ અને શહેરની પોતાની નવી ફૂડ લેબ મંજૂર</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/qFjwvDOAp1oM3znBxnyrd7pUMfSrgjN6N3zwGQbo.webp'/></item><item><title><![CDATA[Rajkot: ભેળસેળ અટકાવવા RMC એક્શનમાં, 1 વર્ષની સ્પેશિયલ ડ્રાઇવ અને શહેરની પોતાની નવી ફૂડ લેબ મંજૂર ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/rmc-mayor-nehal-shukla-announces-one-year-mega-drive-against-food-adulteration-own-lab</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/rmc-mayor-nehal-shukla-announces-one-year-mega-drive-against-food-adulteration-own-lab</guid><pubDate>Mon, 15 Jun 2026 12:33:40 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટવાસીઓના આરોગ્ય સાથે ખીલવાડ કરનારા બિનનૈતિક વેપારીઓ અને નકલી ખાદ્ય સામગ્રીના ઉત્પાદકો સામે રાજકોટ મહાનગરપાલિકાએ યુદ્ધનું એલાન કર્યું છે. રાજકોટના નવનિયુક્ત મેયર નેહલ શુક્લ દ્વારા બોલાવવામાં આવેલી લાઈવ પ્રેસ કોન્ફરન્સમાં એક એવો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે, જેની અસર સમગ્ર ગુજરાતના સત્તાતંત્ર પર પડશે. મેયરે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે હવે ભેળસેળના મામલામાં કોઈ પણ રાજકીય ભલામણ કે ઢીલાશ ચલાવી લેવામાં આવશે નહીં.</p><h2><b>3 કેટેગરીમાં વિભાજીત 8 ટીમો કરશે સર્જિકલ સ્ટ્રાઈક</b></h2><p>મેયર નેહલ શુક્લ અને મ્યુનિસિપલ કમિશનરના સંયુક્ત આયોજન હેઠળ આ આખી ડ્રાઇવને વધુ અસરકારક બનાવવા માટે ૩ અલગ-અલગ કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવી છે. આ કેટેગરીમાં નાના લારી-ગલ્લાથી લઈને મોટા હોલસેલ વેપારીઓ, ડેરી ફાર્મ્સ, રેસ્ટોરન્ટ્સ અને મેન્યુફેક્ચરિંગ યુનિટ્સને આવરી લેવાશે. આ કામગીરી માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અને ફૂડ વિભાગના અધિકારીઓની 8 વિશેષ ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો કોઈપણ પૂર્વ માહિતી આપ્યા વિના ગમે ત્યારે ગમે તે લોકેશન પર દરોડા પાડશે.</p><h3><b>રિપોર્ટની રાહ નહીં જોવાય, સ્થળ પર જ એકમ સીલ થશે</b></h3><p>અત્યાર સુધીની સિસ્ટમમાં સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવતા હતા અને તેનો રિપોર્ટ આવે ત્યાં સુધી મહિનાઓ સુધી વેપારીઓ ખરાબ ખોરાક વેચવાનું ચાલુ રાખતા હતા. પરંતુ હવે નવો નિયમ લાગુ કરાયો છે કે જો સ્થળ પર જ પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ કે અખાદ્ય સામગ્રી, પ્રતિબંધિત કલર અથવા વાસી માવો-તેલ મળી આવશે, તો તુરંત જ સ્થળ પર જ સીલિંગની પ્રક્રિયા કરવામાં આવશે અને મોટો આર્થિક દંડ ફટકારાશે.</p><h4><b>ઝડપી ટેસ્ટિંગ માટે રાજકોટની પોતાની 'ફૂડ ટેસ્ટ લેબ'</b></h4><p>મ્યુનિસિપલ કમિશનરે આ ડ્રાઇવને વધુ આધુનિક બનાવવાની જાહેરાત કરતા જણાવ્યું છે કે, સેમ્પલના રિપોર્ટ વહેલા મેળવવા માટે રાજકોટ મહાનગરપાલિકા ટૂંક સમયમાં પોતાની અદ્યતન 'ફૂડ ટેસ્ટ લેબ' કાર્યરત કરશે. આ લેબ બનવાથી અન્ય સરકારી લેબોરેટરીઓ પરનું ભારણ ઘટશે અને માત્ર 24 થી 48 કલાકમાં જ ભેળસેળનું દૂધ, ઘી કે તેલ પકડાઈ જશે. આ ડ્રાઇવ આગામી 1 વર્ષ એટલે કે 365 દિવસ સુધી અવિરત ચાલુ રાખવામાં આવશે, જેથી રાજકોટને સંપૂર્ણપણે 'ભેળસેળ મુક્ત' બનાવી શકાય.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/shastrinagar-hit-and-run-drunk-driver-damages-four-parked-cars-with-black-glass-vehicle" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: શાસ્ત્રીનગરમાં કાળા કાચવાળી કારે પાર્ક કરેલી 4 ગાડીઓનો કચ્ચરઘાણ વાળ્યો</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/6GVI1h4g8TjQcR5wQOkwUrlunX8wOf2LDtjZUqbh.webp'/></item><item><title><![CDATA[Savli : RTI અંતર્ગત વિગતો ન આપતા તત્કાલીન PI અને મામલતદાર બંનેને 10 હજારનો દંડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/savli-rti-case-gujarat-information-commission-fines-police-pi-and-mamlatdar</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/savli-rti-case-gujarat-information-commission-fines-police-pi-and-mamlatdar</guid><pubDate>Mon, 15 Jun 2026 12:32:28 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાત રાજ્ય માહિતી આયોગ દ્વારા સાવલી તાલુકામાં રાઇટ ટુ ઇન્ફોર્મેશન  એક્ટ હેઠળ માહિતી પૂરી પાડવામાં ઘોર બેદરકારી દાખવનારા બે જવાબદાર અધિકારીઓ સામે કડક આકરા પગલાં લેવામાં આવ્યા છે. માહિતી આયોગે નિયત સમયમર્યાદામાં વિગતો ન આપવા બદલ તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને તત્કાલીન મામલતદાર બંનેને  10,000 -10,000નો રોકડ દંડ ફટકાર્યો છે. આ સાથે જ જો તેઓ નિયત સમયમાં દંડની રકમ નહીં ભરે, તો તેમના પગારમાંથી આ રકમ વસૂલ કરવાનો કડક આદેશ પણ જારી કરાયો છે.</p><h2 style="text-align: justify; "><b>પીઆઈ એ.ઓ. ભરવાડની ચેમ્બરના CCTV ફૂટેજનો મામલો
</b></h2><p style="text-align: justify; ">પ્રથમ કિસ્સો ભાદરવા પોલીસ મથકનો છે. અહીં RTI હેઠળ તત્કાલીન પીઆઈ એ.ઓ. ભરવાડની ચેમ્બરના CCTV ફૂટેજ માંગવામાં આવ્યા હતા. જોકે, અધિકારી દ્વારા માહિતી છુપાવવાના આશયથી ગુપ્તતાનો મુદ્દો અને ત્યારબાદ સીસીટીવીમાં ટેકનિકલ ખામી હોવાના બહાના રજૂ કરવામાં આવ્યા હતા. માહિતી આયોગે આ તમામ&nbsp; બહાનાઓનો અસ્વીકાર કરી, તેને જાહેર માહિતી અધિકારીની ફરજમાં ગુનાહિત બેદરકારી ગણાવી હતી. હાલ વેજલપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા એ.ઓ. ભરવાડને આ મામલે 10,000નો દંડ કરવામાં આવ્યો છે.
</p><h3 style="text-align: justify; "><b>&nbsp;સાવલીના તત્કાલીન મામલતદાર જીગ્નેશ પટેલ 
</b></h3><p style="text-align: justify; ">બીજો કિસ્સો સાવલીના તત્કાલીન મામલતદાર જીગ્નેશ પટેલ સાથે જોડાયેલો છે. એક જાગૃત નાગરિક દ્વારા એચપી  ગેસ એજન્સી સંબંધિત ગ્રાહકોની મહત્વની માહિતી માંગવામાં આવી હતી. આ કેસમાં પ્રથમ અપીલ દાખલ કરવામાં આવી હોવા છતાં મામલતદાર કચેરી તરફથી કોઈ સંતોષકારક વિગતો પૂરી પાડવામાં આવી ન હતી. આખરે આ મામલો રાજ્ય માહિતી આયોગ સુધી પહોંચ્યો હતો, જ્યાં આયોગે અવલોકન કર્યું કે અધિકારીએ RTI નિયમોના પાલનમાં ઘોર બેદરકારી દાખવી છે. પરિણામે, જીગ્નેશ પટેલને પણ 10,000નો દંડ ફટકારી વહીવટીતંત્રના લાપરવાહ અધિકારીઓ માટે કડક દાખલો બેસાડ્યો છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----<a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/sandesh-explainer-salangpur-hanumanji-temple-copyright-trademark-controversy-legal-vs-faith-debate" target="_blank"><b>&nbsp; Sandesh Explainer : ભક્તોની આસ્થા અને કાયદા વચ્ચે કાનૂની જંગ, શું હવે ભગવાન પર પણ લાગશે કૉપીરાઇટ? જાણો ટ્રેડમાર્કનું અસલી સત્ય</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/R1BzV82XmbtCTNwJ9jDqCWMJTLa73WvJwtcwbv2Y.webp'/></item><item><title><![CDATA[Vadodara News: રિક્ષા યુનિયને કર્યો ભાડા વધારાનો નિર્ણય, જાણો કેટલું વધશે ભાડું? ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/autorickshaw-fare-hike-due-to-the-cng-price-hike-1-july</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/autorickshaw-fare-hike-due-to-the-cng-price-hike-1-july</guid><pubDate>Mon, 15 Jun 2026 12:28:20 +05:30</pubDate><description><![CDATA[<p>મોંઘવારીના સમયમાં વડોદરાવાસીઓના ખિસ્સા પર વધુ એક બોજ પડવા જઈ રહ્યો છે. વડોદરા શહેરમાં CNG ગેસ અને પેટ્રોલના સતત વધી રહેલા ભાવોને ધ્યાનમાં રાખીને વડોદરા ઓટો રિક્ષા યુનિયન દ્વારા ભાડામાં વધારો કરવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 1 જુલાઈ 2026થી વડોદરા શહેરમાં રિક્ષાના મિનિમમ ભાડામાં 10 રૂપિયાનો વધારો લાગુ થઈ જશે.</p><h2><b>વડોદરામાં 80 હજારથી વધુ રિક્ષા</b></h2><p>વડોદરા શહેરમાં હાલમાં 80 હજારથી વધુ રિક્ષા ચાલકો રિક્ષા ચલાવી પેટિયું રળી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ઇંધણના ભાવ આસમાને પહોંચતા રિક્ષા ચાલકો માટે જૂના દરો પર રિક્ષા ચલાવવી આર્થિક રીતે પરવડે તેમ ન હતી. રિક્ષા ચાલકોની આ જ મુશ્કેલીઓને ધ્યાને રાખીને યુનિયન દ્વારા ભાડું વધારવાની ફરજ પડી છે. નવા નિયમ મુજબ, અત્યાર સુધી મુસાફરો જે મિનિમમ ભાડું 20 રૂપિયા ચૂકવતા હતા, તેના બદલે હવે 1 જુલાઈથી 30 રૂપિયા ચૂકવવા પડશે.</p><h2><b>1 જુલાઈથી અમલી બનશે નવું ભાડું</b></h2><p>વડોદરા ઓટો રિક્ષા યુનિયનના પ્રમુખ બિલાલ પરમારે જણાવ્યું કે, સીએનજી ગેસ અને પેટ્રોલના ભાવ સતત વધી રહ્યા છે, જેના કારણે રિક્ષા ચાલકોને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. હાલના ભાવમાં રિક્ષા ફેરવવી બિલકુલ પરવડતી નથી. આથી ભારે હૈયે અમારે ભાડામાં 10 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેવો પડ્યો છે, જે આગામી 1 જુલાઈથી અમલી બનશે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2066418970337636837"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>નોકરિયાતોના બજેટ પર સીધી અસર</b></h2><p>આ નિર્ણયના કારણે રોજબરોજ ઓટો રિક્ષામાં મુસાફરી કરતા મધ્યમવર્ગીય પરિવારો અને નોકરિયાતોના બજેટ પર સીધી અસર પડશે, પરંતુ બીજી તરફ રિક્ષા ચાલકોનું કહેવું છે કે, આ વધારો તેમની મજબૂરી છે. ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ, ડીઝલ અને CNG ભાવમાં ગત દિવસોમાં સતત અને નોંધપાત્ર વધારો થયો છે. જે કારણે મોંઘવારીમાં પણ વધારો થયો છે.&nbsp;</p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-friends-suicide-case-rohit-ravi-vikas-mysterious-chat-fsl-updates" target="_blank"> Vadodara : મિત્રના વિરહમાં બે યુવકોના આપઘાતનો મામલો, ત્રણેય મિત્રો વચ્ચેના 'અસાધારણ સંબંધો'નું ઘેરાતું રહસ્ય..!</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/UrIQhhfSJyafeDq66nTdfoq5yoahuGP96dd2EBBF.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026 : જર્મનીએ રચ્યો ઈતિહાસ, કુરાકાઓ સામે 7-1થી જીતીને બ્રાઝિલનો રેકોર્ડ તોડ્યો ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-germany-creates-history-breaks-brazils-record-by-beating-curacao-7-1</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-germany-creates-history-breaks-brazils-record-by-beating-curacao-7-1</guid><pubDate>Mon, 15 Jun 2026 08:29:19 +05:30</pubDate><description><![CDATA[<p>જર્મનીએ ફિફા વર્લ્ડ કપ 2026 માં પોતાના અભિયાનની શરૂઆત ડેબ્યુ કરનાર કુરાકાઓ સામે 7-1 થી જીત સાથે કરી.આ જીત સાથે જર્મનીએ માત્ર ત્રણ પોઈન્ટ જ નહીં પરંતુ બ્રાઝિલ દ્વારા અગાઉના વર્લ્ડ કપ રેકોર્ડ પણ તોડ્યો હતો. જર્મન ટીમે શરૂઆતથી જ ગ્રુપ E મેચમાં સંપૂર્ણ પ્રભુત્વ મેળવ્યું. તેઓએ એ જ આક્રમક રમત દર્શાવી જેના કારણે તેમને વિશ્વની સૌથી સફળ ફૂટબોલ ટીમોમાંની એક તરીકે ઓળખ મળી. રસપ્રદ વાત એ છે કે, જર્મનીએ ફરી એકવાર 7-1 નો સ્કોર કર્યો, 2014ના વર્લ્ડ કપ સેમિફાઇનલનું&nbsp; પુનરાવર્તન કર્યું, જ્યાં જર્મનીએ બ્રાઝિલને 7-1 થી હરાવીને ઇતિહાસ રચ્યો હતો.</p><h4><b>જર્મનીએ ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો</b></h4><p>કુરાકાઓ સામેના પોતાના સાત ગોલ સાથે, જર્મની ફિફા વર્લ્ડ કપ ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરનારી ટીમ બની. જર્મનીના હવે વર્લ્ડ કપમાં કુલ 239 ગોલ છે, જ્યારે બ્રાઝિલ 238 સાથે બીજા સ્થાને સરકી ગયું છે. જર્મની હવે વર્લ્ડ કપ ઇતિહાસમાં 250 ગોલ સુધી પહોંચવા માટે તૈયાર છે.</p><h4><b>ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરનારી ટીમ</b></h4><p>જર્મની - 239</p><p>બ્રાઝિલ - 238</p><p>આર્જેન્ટિના - 152</p><p><a href="https://x.com/FIFAWorldCup/status/2066289541661573512?s=20" target="_blank">https://x.com/FIFAWorldCup/status/2066289541661573512?s=20</a></p><p>આટલું જ નહીં, આ ચોથી વખત છે જ્યારે જર્મનીએ વર્લ્ડ કપ મેચમાં સાત કે તેથી વધુ ગોલ કર્યા છે. અગાઉ, આ રેકોર્ડ હંગેરીના નામે હતો, જેણે ત્રણ વખત આ સિદ્ધિ હાંસલ કરી હતી.</p><h4><b>જર્મનીએ વર્લ્ડકપમાં સાત કે તેથી વધુ ગોલ કર્યો&nbsp;</b></h4><p>1954 - તુર્કી સામે 7-2</p><p>2002 - સાઉદી અરેબિયા સામે 8-0</p><p>2014 - બ્રાઝિલ સામે 7-1</p><p>2026 - કુરાકાઓ સામે 7-1</p><p><br></p><p><a href="https://x.com/FIFAWorldCup/status/2066244784231211350?s=20" target="_blank">https://x.com/FIFAWorldCup/status/2066244784231211350?s=20</a></p><h5><b>મેચમાં શું થયું?</b></h5><p>જર્મનીએ મેચની શરૂઆત મજબૂત શરૂઆતથી કરી. ફેલિક્સ ન્મેચાએ છઠ્ઠી મિનિટમાં શાનદાર ગોલ કરીને ટીમને લીડ અપાવી. જોકે, કુરાકાઓએ 21મી મિનિટમાં બરાબરીનો ગોલ કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. ઝડપી વળતા હુમલા દરમિયાન, લિવાનો કોમેન્સિયાનો શોટ મેન્યુઅલ ન્યુઅરની બાજુમાં ફસાઈને નેટમાં ગયો.આ કુરાકાઓનો પહેલો ફિફા વર્લ્ડ કપ ગોલ બન્યો.જોકે, જર્મનીએ ઝડપથી મેચ પર નિયંત્રણ મેળવી લીધું. 38મી મિનિટે, નિકો સ્લોટરબેકે કોર્નર પરથી શાનદાર હેડર વડે તેમને લીડ અપાવી. હાફટાઇમ પહેલા, કાઈ હાવર્ટ્ઝે પેનલ્ટીમાં રૂપાંતર કરીને સ્કોર 3-1 કર્યો. બીજા હાફની માત્ર 69 સેકન્ડમાં,જમાલ મુસિયાલાએ મેચ લગભગ સીલ કરી દીધી. ત્યારબાદ નાથાનીએલ બ્રાઉન, ડેનિઝ ઉન્ડાવ અને કાઈ હાવર્ટ્ઝે ગોલ કરવાનું ચાલુ રાખ્યું, કારણ કે જર્મનીએ 7-1થી ઐતિહાસિક વિજય નોંધાવ્યો.</p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-this-team-made-a-name-for-itself-in-the-football-world-by-entering-a-school-bus" target="_blank">FIFA World Cup 2026 : સ્કૂલ બસમાં એન્ટ્રી કરી આ ટીમે ફૂટબોલ જગતમાં નામ કરી દીધું</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/tXe3dvs93JJuIus3L0DsnuHFuYPV7QQ3VoQmF2dS.webp'/></item></channel></rss>