<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[IRCTC New Website Update: 15 જુલાઇથી શરુ નહી થાય  IRCTCની નવી વેબસાઇટ, હજુ રાહ જોવી પડશે ]]></title><link>https://sandesh.com/india/news/irctc-new-website-update-irctcs-new-website-will-not-launch-from-july-15-we-will-have-to-wait</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/irctc-new-website-update-irctcs-new-website-will-not-launch-from-july-15-we-will-have-to-wait</guid><pubDate>Wed, 15 Jul 2026 10:05:02 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અગાઉ એવી ચર્ચા ચાલી રહી હતી કે નવી IRCTC વેબસાઇટ 15 જુલાઈથી લોન્ચ થઈ જશે અને મુસાફરોને ઝડપી તથા સરળ ટિકિટ બુકિંગનો અનુભવ મળશે. જોકે હવે રેલવેના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ વેબસાઇટ આજે લોન્ચ થઈ રહી નથી. એટલે કે મુસાફરોએ નવી સુવિધાઓનો લાભ લેવા માટે થોડો વધુ સમય રાહ જોવી પડશે.</p><h2 style="text-align: justify; ">નવી વેબસાઇટ સંપૂર્ણ રીતે તૈયાર</h2><p style="text-align: justify; ">રેલવેના સૂત્રોના જણાવ્યા અનુસાર નવી વેબસાઇટ સંપૂર્ણ રીતે તૈયાર છે. તેની ડિઝાઇન, ટેક્નિકલ સુવિધાઓ અને કામગીરીનું કામ લગભગ પૂર્ણ થઈ ચૂક્યું છે. તેમ છતાં તેને જાહેર ઉપયોગ માટે શરૂ કરવામાં વિલંબ થઈ રહ્યો છે. તેનું મુખ્ય કારણ એ છે કે રેલવે પ્રશાસન હાલમાં વિવિધ હિતધારકો, ટેક્નિકલ નિષ્ણાતો અને અન્ય સંબંધિત લોકો પાસેથી સૂચનો અને પ્રતિસાદ મેળવી રહ્યું છે.</p><h3 style="text-align: justify; ">નવી વેબસાઇટ વધુ સરળ, ઝડપી અને યુઝર-ફ્રેન્ડલી બને તે માટે અંતિમ તબક્કામાં</h3><p style="text-align: justify; ">રેલવેનું માનવું છે કે લોન્ચિંગ પહેલાં તમામ જરૂરી સૂચનોનો સમાવેશ કરવામાં આવે, જેથી મુસાફરોને ટિકિટ બુક કરતી વખતે કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. નવી વેબસાઇટ વધુ સરળ, ઝડપી અને યુઝર-ફ્રેન્ડલી બને તે માટે અંતિમ તબક્કામાં જરૂરી ફેરફારો કરવામાં આવી રહ્યા છે.</p><h4 style="text-align: justify; ">અઠવાડિયા સુધી રાહ જોવી પડી શકે</h4><p style="text-align: justify; ">જો તમે વિચારી રહ્યા હો કે નવી વેબસાઇટ આગામી બે-ચાર દિવસમાં શરૂ થઈ જશે, તો એવું નથી. મળતી માહિતી મુજબ હવે મુસાફરોને અંદાજે ત્રણથી ચાર અઠવાડિયા સુધી રાહ જોવી પડી શકે છે. શક્યતા છે કે ઓગસ્ટના પ્રથમ અથવા બીજા અઠવાડિયામાં નવી IRCTC વેબસાઇટ સામાન્ય લોકો માટે લોન્ચ કરવામાં આવશે.</p><h5 style="text-align: justify; ">ઝડપી ટિકિટ બુકિંગ રહેશે</h5><p style="text-align: justify; ">નવી વેબસાઇટનો સૌથી મોટો ફાયદો ઝડપી ટિકિટ બુકિંગ રહેશે. ખાસ કરીને એવા મુસાફરોને વધુ લાભ મળશે જેઓ પોતાની IRCTC પ્રોફાઇલમાં મુસાફરોની વિગતો પહેલેથી જ સેવ કરીને રાખે છે. હાલમાં ટિકિટ બુકિંગમાં અનેક સ્ટેપ્સ પૂર્ણ કરવા પડે છે, પરંતુ નવી સિસ્ટમમાં સમગ્ર પ્રક્રિયા વધુ સરળ બનાવવામાં આવી છે.</p><h5 style="text-align: justify; ">નવી વેબસાઇટમાં સામાન્ય ટિકિટ બુકિંગ માત્ર 8 સરળ સ્ટેપ્સમાં પૂર્ણ થઈ જશે</h5><p style="text-align: justify; ">નવી વેબસાઇટમાં સામાન્ય ટિકિટ બુકિંગ માત્ર 8 સરળ સ્ટેપ્સમાં પૂર્ણ થઈ જશે. જો મુસાફરની વિગતો પહેલેથી જ સેવ હશે, તો માત્ર 6 સ્ટેપ્સમાં જ ટિકિટ બુક થઈ શકશે. આથી તત્કાલ ટિકિટ બુકિંગ દરમિયાન પણ સમયની મોટી બચત થશે અને વેબસાઇટ પરનો અનુભવ વધુ સરળ બનશે.</p><h5 style="text-align: justify; ">અનેક નવી સુવિધાઓ આપવામાં આવશે</h5><p style="text-align: justify; ">આ ઉપરાંત નવી વેબસાઇટમાં આધુનિક ઇન્ટરફેસ, વધુ ઝડપી પેજ લોડિંગ, સરળ નેવિગેશન અને મોબાઇલ-ફ્રેન્ડલી ડિઝાઇન જેવી અનેક નવી સુવિધાઓ આપવામાં આવશે. તેનો હેતુ દરરોજ લાખો મુસાફરોને સરળ અને વિના અવરોધ ટિકિટ બુકિંગ સેવા ઉપલબ્ધ કરાવવાનો છે.</p><h6 style="text-align: justify; ">હાલ માટે મુસાફરોને જૂની IRCTC વેબસાઇટ દ્વારા જ ટિકિટ બુક કરાવવી પડશે</h6><p style="text-align: justify; ">હાલ માટે મુસાફરોને જૂની IRCTC વેબસાઇટ દ્વારા જ ટિકિટ બુક કરાવવી પડશે. નવી વેબસાઇટના લોન્ચને લઈને રેલવે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરે તેવી શક્યતા છે. તેથી મુસાફરોએ અફવાઓ પર વિશ્વાસ ન રાખીને માત્ર સત્તાવાર માહિતી પર જ ધ્યાન આપવાની સલાહ આપવામાં આવી છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/15/Tam3NP89jzRTwCiru8ZseAfySpngkP4mISQVu3gB.webp'/></item><item><title><![CDATA[Delhi:કિન્નરના વેશમાં ગેરકાયદે છુપાઈને રહેતો હતો બાંગ્લાદેશી નાગરિક, દિલ્હી પોલીસે ઝડપ્યો ]]></title><link>https://sandesh.com/india/news/delhi-a-bangladeshi-citizen-was-living-illegally-in-disguise-as-a-transgender-arrested-by-delhi-police</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/delhi-a-bangladeshi-citizen-was-living-illegally-in-disguise-as-a-transgender-arrested-by-delhi-police</guid><pubDate>Wed, 15 Jul 2026 09:57:19 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દિલ્હી પોલીસે દેશની રાજધાનીમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા ખાસ અભિયાન હેઠળ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ઉત્તર-પૂર્વ દિલ્હીના ન્યૂ ઉસ્માનપુર વિસ્તારમાંથી પોલીસે એક બાંગ્લાદેશી નાગરિકની અટકાયત કરી છે, જે પોતાની અસલી ઓળખ છુપાવવા અને ધરપકડથી બચવા માટે કિન્નર (હિજડા)નો વેશ ધારણ કરીને લાંબા સમયથી ગેરકાયદેસર રીતે રહી રહ્યો હતો.</p><h2 style="text-align: justify;"><b>ગુપ્ત માહિતીના આધારે પોલીસે ગોઠવ્યું છટકું</b></h2><p style="text-align: justify;">મળતી માહિતી મુજબ, ઉત્તર-પૂર્વ જિલ્લાના સ્પેશિયલ સ્ટાફને ગુપ્ત માહિતી મળી હતી કે એક બાંગ્લાદેશી નાગરિક કોઈપણ કાયદેસરના દસ્તાવેજો કે વિઝા વિના ન્યૂ ઉસ્માનપુર વિસ્તારમાં ઓળખ છુપાવીને રહી રહ્યો છે. આ માહિતીના આધારે ડીસીપી (ઉત્તર-પૂર્વ)ના માર્ગદર્શન હેઠળ પોલીસની એક ખાસ ટીમ બનાવવામાં આવી હતી. પોલીસે બાતમીદારે બતાવેલા લોકેશન પર વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ વ્યક્તિને ઝડપી લીધી હતી.</p><h3 style="text-align: justify; "><b>પૂછપરછમાં ખુલી અસલી ઓળખ</b></h3><p style="text-align: justify; ">પોલીસે જ્યારે શરૂઆતમાં આ વ્યક્તિને અટકાવી ત્યારે તે કિન્નરોના પરંપરાગત પોશાકમાં હતો અને પોતે સ્થાનિક હોવાનો દાવો કરતો હતો. જો કે, પોલીસ ટીમે જ્યારે તેની કડક પૂછપરછ શરૂ કરી અને ઓળખપત્રોની માંગણી કરી ત્યારે તે ભાંગી પડ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે તે ભારતીય નાગરિક નથી પરંતુ બાંગ્લાદેશથી ગેરકાયદેસર સરહદ પાર કરીને ભારત આવ્યો હતો. પોલીસથી બચવા માટે તેણે આ અનોખો રસ્તો અપનાવ્યો હતો જેથી કોઈને તેના પર શંકા ન જાય.</p><h4 style="text-align: justify; "><b>ગેરકાયદેસર વિદેશીઓ વિરુદ્ધ પોલીસનું સર્ચ ઓપરેશન</b></h4><p style="text-align: justify; ">દિલ્હી પોલીસ હાલમાં રાજધાનીના અલગ-અલગ વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકોને શોધવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આ પકડાયેલા બાંગ્લાદેશી નાગરિક વિરુદ્ધ ફોરેનર્સ એક્ટ (Foreigners Act) અને ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુપ્તચર એજન્સીઓ પણ એ તપાસ કરી રહી છે કે આ વ્યક્તિ પાછળ કોઈ મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે કે કેમ.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/world/news/massive-uprising-against-pakistan-in-pok-shahbaz-government-collapsed-in-muzaffarabad-from-march-munir-stopped-the-public-at-gunpoint" target="_blank">આ પણ વાંચો: PoKમાં પાકિસ્તાન વિરુદ્ધ જનઆક્રોશ..મુઝફ્ફરાબાદમાં માર્ચથી શહબાઝ સરકાર ફફડી, બંદૂકની અણીએ જનમેદનીને રોકતા મુનીર</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/15/Avqf4GSs7vO8toUAr8ceJ1gVojPXwt28Yz4cOIlr.webp'/></item><item><title><![CDATA[Anand : બોરસદમાં નશામાં ધૂત PI પી.પી. વસાવાનો હિટ એન્ડ રન કાંડ, બેફામ કાર હંકારી બે યુવકોને કચડ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/anand/anand-borsad-hit-and-run-case-police-inspector-pp-vasava-drunk-driving-accident</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/anand/anand-borsad-hit-and-run-case-police-inspector-pp-vasava-drunk-driving-accident</guid><pubDate>Wed, 15 Jul 2026 09:42:36 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કાયદો અને વ્યવસ્થાની રક્ષા જેમના શિરે છે, તેવા પોલીસ અધિકારી જ જ્યારે કાયદાના ધજાગરા ઉડાવે ત્યારે જનતા ક્યાં જાય? આણંદ જિલ્લાના બોરસદ-નાપા માર્ગ પર એક ચોંકાવનારો અને કાયદાને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર  પી.પી. વસાવાએ કથિત રીતે દારૂના નશામાં ધૂત થઈ બેફામ કાર હંકારીને ઉપરાછાપરી અકસ્માતો સર્જ્યા હોવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.</p><p style="text-align: justify; "><img alt="Anand Borsad Hit and Run: PI PP Vasava Arrested for Drunk Driving" src="https://epapercdn.sandesh.com/images/2026/07/15/tO0Yv2OnisVkFWzUuDXedwRVq5RgLvm14mbFJNR2.webp"><br></p><h2 style="text-align: justify; "><b>બાઈક સવાર બે યુવકોને કચડ્યા</b></h2><p style="text-align: justify; ">મળતી વિગતો મુજબ, બોરસદ પાસે પીઆઈ વસાવાએ પોતાની લક્ઝુરિયસ કારથી એક કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ આગળ વધીને વહેરા પાટીયા નજીક તેમણે એક બાઈકને પણ પાછળથી અડફેટે લીધી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક પર સવાર બે નિર્દોષ યુવકો હવામાં ઊછળીને રોડ પર પટકાયા હતા. અકસ્માતમાં બંને યુવકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.</p><p style="text-align: justify; "><img alt="Anand Borsad Hit and Run: PI PP Vasava Arrested for Drunk Driving" src="https://epapercdn.sandesh.com/images/2026/07/15/gVehXFCv3SaJGKejdFWylHdOOcQz72UtdWAQapUd.webp"><br></p><h3 style="text-align: justify; "><b>અકસ્માત બાદ ભાગવાનો પ્રયાસ, દીવાલ સાથે અથડાઈ કાર</b></h3><p style="text-align: justify; ">આટલો ગંભીર અકસ્માત સર્જ્યા બાદ પણ પીઆઈ વસાવાએ કાર રોકવાની તસ્દી લીધી ન હતી અને તેઓ નાપા તરફ ભાગ્યા હતા. જો કે, આગળ જતાં નાપા નજીક નિયંત્રણ ગુમાવતા કાર એક દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી અને ત્યારબાદ રોડ સાઈડની ઝાડીઓમાં ઉતરી ગઈ હતી.</p><p style="text-align: justify; "><img alt="Anand Borsad Hit and Run: PI PP Vasava Arrested for Drunk Driving" src="https://epapercdn.sandesh.com/images/2026/07/15/Ey2kPfd9fLmnRKMtIG0yzdEYvGjPRXIUqcCv3zgV.webp"><br></p><h4 style="text-align: justify; "><b>સ્થાનિકોએ ઝડપી પોલીસને સોંપ્યા</b></h4><p style="text-align: justify; ">ઘટનાને પગલે એકઠા થયેલા સ્થાનિક લોકોએ પીઆઈ પી.પી. વસાવાને સ્થળ પર જ દબોચી લીધા હતા અને બોરસદ ગ્રામ્ય પોલીસને હવાલે કર્યા હતા. અકસ્માતગ્રસ્ત કારની તલાશી લેતા તેમાંથી પોલીસના સત્તાવાર બૂટ, ટોપી અને ઓળખકાર્ડ મળી આવ્યા હતા. સ્થાનિકોના આક્ષેપ અનુસાર પીઆઈ ભારે નશાની હાલતમાં હતા. હાલમાં બોરસદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી મેડિકલ ટેસ્ટ સહિતની કાયદેસરની તપાસ હાથ ધરી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp;&nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-indepth-gujarat-monsoon-2026-rain-deficit-paresh-goswami-weather-forecast-july-round" target="_blank"><b>Sandesh Indepth : ચોમાસું ખોટકાયું, ગુજરાતમાં ગત વર્ષ કરતાં અડધો જ વરસાદ; 24.64% સાથે ખેડૂતો ચિંતિત, જળસંકટની ભીતિ!</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/15/Syf4V6BdC9BDF37rr8wWGkSO6UNlm8NRHicQ5zah.webp'/></item><item><title><![CDATA[Stock Market Opening: શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં 572 પોઇન્ટનો ઉછાળો ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-opening-stock-market-boom-sensex-jumps-572-points</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-opening-stock-market-boom-sensex-jumps-572-points</guid><pubDate>Wed, 15 Jul 2026 09:33:06 +05:30</pubDate><description><![CDATA[<p>બુધવારે ભારતીય શેરબજાર માટે સકારાત્મક શરૂઆતના સંકેતો છે. GIFT નિફ્ટીએ નજીવો વધારો દર્શાવ્યો છે, જે સૂચવે છે કે સ્થાનિક બજારો લીલા રંગમાં ખુલી શકે છે. દરમિયાન, એશિયન બજારોમાં ખરીદીની પ્રવૃત્તિ જોવા મળી રહી છે, જ્યારે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવ મર્યાદિત શ્રેણીમાં ટ્રેડ થઈ રહ્યા છે. રોકાણકારો આજે IPO બજાર અને નવી સ્ટોક લિસ્ટિંગ પર પણ નજર રાખશે.</p><h2><b>બુધવારે શેરબજારમાં તેજી&nbsp;</b></h2><p>સવારે 9.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ +574.30 પોઇન્ટના વધારા&nbsp; સાથે 77,629.24 અંકે ખૂલ્યો જ્યારે નિફ્ટી +155.00 પોઇન્ટના વધારા સાથે 24,207.05 અંકે ખૂલ્યો.</p><p><b style="font-size: 1.75rem;">IT સિવાયના તમામ ક્ષેત્રો લીલા રંગમાં</b></p><p>સેક્ટરલ સૂચકાંકોની વાત કરીએ તો, IT ક્ષેત્ર સિવાય, બુધવારના સત્ર દરમિયાન લગભગ તમામ NSE ક્ષેત્રો વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. નિફ્ટી IT સૂચકાંકમાં 1 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે બેંકિંગ અને નાણાકીય સેવાઓ સંબંધિત શેરોએ બજારને મજબૂતી આપી હતી.</p><p><b style="font-size: 1.75rem;">એશિયન બજારોમાં તેજી</b></p><p>બુધવારે એશિયન શેરબજારોમાં મજબૂતી જોવા મળી. જાપાનનો નિક્કી 225 આશરે 0.31% ના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી લગભગ 5.57% વધ્યો હતો. રોકાણકારો પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ અને વૈશ્વિક આર્થિક સૂચકાંકો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.</p><h3><b>અમેરિકન બજારો વધારા સાથે બંધ</b></h3><p>મંગળવારે યુએસ શેરબજારો પણ સકારાત્મક નોંધ પર બંધ થયા. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.02%, S&amp;P 500 0.38% અને નાસ્ડેક કમ્પોઝિટ 0.90% વધ્યા. યુએસ બજારોમાં મજબૂતાઈ આજે એશિયન અને ભારતીય બજારોમાં સેન્ટિમેન્ટને પ્રભાવિત કરી શકે છે.</p><h3><b>કાચા તેલના ભાવ પર અસર</b></h3><p>પશ્ચિમ એશિયામાં તણાવ હોવા છતાં, કાચા તેલના ભાવમાં કોઈ નોંધપાત્ર વધારો થયો નથી. અહેવાલો અનુસાર, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર અગાઉ સૂચિત 20% ટ્રાન્ઝિટ ફી લાદવામાં આવશે નહીં. આ પછી, જુલાઈ ડિલિવરી માટે બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ લગભગ $85.50 પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યા હતા, જે 0.77% નો વધારો દર્શાવે છે.</p><p></p><h4><b>સોના અને ચાંદીમાં નરમાઈ</b></h4><p></p><p>કોમોડિટી બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. સોનાના વાયદામાં આશરે 0.57 ટકાનો ઘટાડો જોવા મળ્યો, જ્યારે ચાંદીના વાયદામાં 0.43 ટકાનો ઘટાડો જોવા મળ્યો.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2024/12/23/JsB2qcZ5cqr3IT9RcYmVH8pzPa3QLXmYcmRPlWNx.jpg'/></item><item><title><![CDATA[Ahmedabad RathYatra 2026 : ભગવાન જગન્નાથજીને સજ્યા 'સોનાવેશ', અલૌકિક શણગાર નિહાળવા ભક્તોનું ઘોડાપૂર, Video ]]></title><link>https://sandesh.com/bhakti/rathyatra-2026/news/gujarat/ahmedabad/ahmedabad-rathyatra-2026-jagannath-temple-sonavesh-darshan-rath-yatra-rituals</link><guid isPermaLink="true">https://sandesh.com/bhakti/rathyatra-2026/news/gujarat/ahmedabad/ahmedabad-rathyatra-2026-jagannath-temple-sonavesh-darshan-rath-yatra-rituals</guid><pubDate>Wed, 15 Jul 2026 09:21:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઐતિહાસિક અને પવિત્ર રથયાત્રા પૂર્વે અમદાવાદના જમાલપુર સ્થિત નીજ મંદિરમાં આજે ભક્તિ અને દિવ્યતાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો છે. અષાઢી બીજના પાવન પર્વે નગરચર્યાએ નીકળતા પહેલા આજે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી ભક્તોને પરંપરાગત ‘સોનાવેશ’ (સુવર્ણ પોશાક)માં દર્શન આપી રહ્યા છે. વર્ષમાં માત્ર એક જ વાર યોજાતા ભગવાનના આ અલૌકિક અને ભવ્ય સ્વરૂપને નિહાળવા માટે વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશેષ પૂજન વિધિ</b></h2><p style="text-align: justify; ">ભગવાનના આ દિવ્ય શણગાર પૂર્વે મંદિરમાં ધાર્મિક વિધિઓ વિધાનપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી. કડક સુરક્ષા વચ્ચે પ્રભુના કરોડો રૂપિયાના સુવર્ણ આભૂષણોને નીજ મંદિરમાં લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ મંદિરના મહારાજ અને ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત અને વૈદિક મંત્રોચ્ચાર સાથે તમામ આભૂષણોની વિશેષ પૂજનવિધિ કરવામાં આવી હતી. આ શુદ્ધિકરણ પૂજા બાદ ભગવાન માટે ખાસ તૈયાર કરવામાં આવેલા રેશમી પીળા વાઘા પણ ગર્ભગૃહમાં લવાયા હતા અને ભગવાનને ધારણ કરાવાયા હતા.&nbsp;</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DazII8kkWAv/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DazII8kkWAv/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a>&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><h3 style="text-align: justify; "><b>વર્ષમાં એક જ વાર સુવર્ણ દર્શનનો લ્હાવો</b></h3><p style="text-align: justify; ">ભગવાન જગન્નાથજીનો સોનાવેશ તેમના અખૂટ દિવ્ય વૈભવ અને ઐશ્વર્યનું પ્રતીક માનવામાં આવે છે. સોનાના મુગટ, હાર, બાજુબંધ અને કુંડળ સહિતના ભારેખમ ઘરેણાંથી સજ્જ નાથનું આ સ્વરૂપ અત્યંત દેદીપ્યમાન અને આકર્ષક લાગી રહ્યું છે. ભક્તો આ આખા વર્ષમાં માત્ર એક જ વાર થતા દુર્લભ દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી રહ્યા છે. ભક્તોના જય જગન્નાથના નારાઓથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે. મંદિર પ્રશાસન દ્વારા ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને દર્શનની વિશેષ અને સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે..</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-indepth-gujarat-monsoon-2026-rain-deficit-paresh-goswami-weather-forecast-july-round" target="_blank"><b> Sandesh Indepth : ચોમાસું ખોટકાયું, ગુજરાતમાં ગત વર્ષ કરતાં અડધો જ વરસાદ; 24.64% સાથે ખેડૂતો ચિંતિત, જળસંકટની ભીતિ!</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/15/nuRDtzi05tdoiALZ2eGH2IRc5rkJ4JGHx3v96SS9.webp'/></item><item><title><![CDATA[Lock Up Season 2: શિલ્પા શિંદેએ શિવાંગી જોશીના પર્સનલ લાઈફ પર કરી વિવાદાસ્પદ ટિપ્પણી, સોશિયલ મીડિયા પર ફેન્સ ભડક્યા ]]></title><link>https://sandesh.com/entertainment/news/lock-up-season-2-shilpa-shinde-makes-controversial-comments-on-shivangi-joshis-personal-life-fans-are-furious-on-social-media</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/lock-up-season-2-shilpa-shinde-makes-controversial-comments-on-shivangi-joshis-personal-life-fans-are-furious-on-social-media</guid><pubDate>Wed, 15 Jul 2026 09:16:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રિયાલિટી શો 'લોક અપ' સીઝન ૨ માં ડ્રામા અને વિવાદો સતત વધી રહ્યા છે. ટીવીની લોકપ્રિય 'ભાભીજી' એટલે કે શિલ્પા શિંદે અત્યારે શોમાં અન્ય સ્પર્ધકો પ્રત્યે પોતાની કઠોર ટિપ્પણીઓને કારણે ચર્ચાના કેન્દ્રમાં છે. શોમાં શિલ્પા શિંદે અને શ્રેયા કાલરા વચ્ચે ગાઢ મિત્રતા જોવા મળી રહી છે, જ્યાં બંને અવારનવાર અન્ય કન્ટેસ્ટન્ટ્સ વિશે ગપસપ કરતી નજરે પડે છે. જોકે, તાજેતરના એક એપિસોડમાં શિલ્પા અને શ્રેયાએ ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી શિવાંગી જોશી વિશે કેટલીક આપત્તિજનક વાતો કહી હતી, જેનાથી નવો વિવાદ ઉભો થયો છે.</p><h2 style="text-align: justify; "><b>શિલ્પાની શિવાંગી પર&nbsp;વિવાદાસ્પદ ટિપ્પણી</b></h2><p style="text-align: justify; ">તાજેતરના એક એપિસોડમાં શિલ્પા શિંદેએ શ્રેયા સાથે વાતચીત દરમિયાન શિવાંગી જોશીની પર્સનલ લાઈફ અને વર્જિનિટીની મજાક ઉડાવી હતી. શિલ્પાએ દાવો કર્યો હતો કે શિવાંગીએ તેને જણાવ્યું છે કે તે લગ્ન પહેલા શારીરિક સંબંધોમાં માનતી નથી અને હજી પણ કુંવારી છે. શિલ્પાએ આ વાત ખૂબ જ હળવાશથી રમતિયાળ અંદાજમાં શ્રેયા સાથે કેમેરા સામે શેર કરી હતી, જેના લીધે દર્શકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>"શિવાંગી સાથે મારો મોટો ઝઘડો થશે"</b></h3><p style="text-align: justify; ">મંગળવારના એપિસોડમાં શિલ્પા શિંદેએ શિવાંગીને પોતાના નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં અસફળ રહેતા તેનો ગુસ્સો ફરી ફાટી નીકળ્યો હતો. ગુસ્સામાં આવીને શિલ્પાએ શ્રેયાને કહ્યું, "મારો શિવાંગી સાથે ખૂબ જ ખરાબ મુકાબલો થવાનો છે અને હું તેના માટે સંપૂર્ણ તૈયાર છું. તે મોઢા પર મારા વખાણ કરે છે, પણ અંદરથી તે મારા પર ગુસ્સે છે. તેને હું બિલકુલ પસંદ નથી." જ્યારે શ્રેયાએ એવું કહ્યું કે શિવાંગી જે રીતની છે તે રીતે મિત્રો નથી બનાવતી, ત્યારે શિલ્પાએ કટાક્ષ કરતા જણાવ્યું, "ના, અમે જ ખરાબ છીએ, તે ખૂબ સારી છે. હું મારી નજરમાં આવા ડબલ સ્ટાન્ડર્ડ વાળા લોકો નથી ઈચ્છતી. હું તેને સીધી કરી દઈશ."</p><h3 style="text-align: justify; "><b>અફેરને લઈને લગાવ્યા ગંભીર આરોપો</b></h3><p style="text-align: justify; ">વાત આટલેથી જ ન અટકી, શિલ્પાએ શિવાંગીના અંગત જીવન પર વધુ આકરા પ્રહારો કરતા કહ્યું, "તેણે જેટલા પણ શો કર્યા છે, તે દરેક શોના લીડ એક્ટર સાથે તેનું અફેર રહ્યું છે. કુશલ ટંડનને જ જોઈ લો, જે તેનાથી ઉંમરમાં ઘણો મોટો છે, તેની સાથે પણ શિવાંગીનું અફેર હતું. જ્યારે શિલ્પા આ વાતો બોલી રહી હતી, ત્યારે શ્રેયાએ તેને કેમેરા સામે આવી વાતો ન કરવા માટે ટોકી હતી. પરંતુ શિલ્પાએ તેની વાત ન સાંભળી અને પોતાની ટિપ્પણીઓ ચાલુ રાખી હતી.</p><h3 style="text-align: justify; "><b>સોશિયલ મીડિયા પર શિલ્પા શિંદે ટ્રોલ થઈ</b></h3><p style="text-align: justify; ">બીજી મહિલાના ચરિત્ર અને પર્સનલ લાઈફ પર આ પ્રકારે સરાજાહેર નેગેટિવ ટિપ્પણી કરવા બદલ શિવાંગી જોશીના ફેન્સ અને સામાન્ય સોશિયલ મીડિયા યુઝર્સ શિલ્પા શિંદે પર ભારે ગુસ્સે ભરાયા છે. લોકોનું કહેવું છે કે એક મહિલા જ બીજી મહિલાની સૌથી મોટી દુશ્મન બની રહી છે. યુઝર્સ સવાલ ઉઠાવી રહ્યા છે કે શિલ્પાને કોઈના અંગત જીવન પર આ રીતે બોલવાનો અધિકાર કોણે આપ્યો? હવે જોવાનું એ રહેશે કે આગામી 'જજમેન્ટ ડે' પર શોના હોસ્ટ આ મુદ્દે શિલ્પા શિંદેનો ક્લાસ લે છે કે નહીં.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/zareen-khan-got-angry-over-paparazzi-rude-comment-actress-warns-paparazzi" target="_blank">આ પણ વાંચો : Zareen Khan on Paparazzi : અસભ્ય કમેન્ટ પર ભડકી ઝરીન ખાન, કેમેરા સામે જ પાપારાઝીનો ક્લાસ લગાવ્યો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/15/oH6xvfnxsI48GOr3EKmemYPw4UyESzQB3ubEN3g1.webp'/></item><item><title><![CDATA[Monsoon 2026 : મેઘરાજાની સેકન્ડ ઇનિંગ, લાંબા વિરામ બાદ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ, ક્યાંક ધોધમાર તો ક્યાંક હળવો વરસાદ ]]></title><link>https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/gujarat-rain-update-gujarat-monsoon-rain-forecast-saurashtra-arvalli-junagadh-farmers</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/gujarat-rain-update-gujarat-monsoon-rain-forecast-saurashtra-arvalli-junagadh-farmers</guid><pubDate>Wed, 15 Jul 2026 08:43:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર  મેઘરાજાએ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં ધમાકેદાર વાપસી કરી છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગો તેમજ ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં આજે સવારથી જ આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા છે અને વરસાદી માહોલ જામ્યો છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.</p><p style="text-align: justify; "><img alt="Gujarat Rain Update: Monsoon Returns in Saurashtra and North Gujarat" src="https://epapercdn.sandesh.com/images/2026/07/15/huWsicCYLLVVuu2FGMRcJ4y8SverMF41rIJLJtsd.webp"><br></p><h2 style="text-align: justify; "><b>જૂનાગઢ અને જામજોધપુરમાં મેઘમહેર</b></h2><p style="text-align: justify; ">લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે મેઘરાજાની જૂનાગઢ જિલ્લા પર કૃપા વરસી છે. જિલ્લામાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદના આ આગમનથી કાળઝાળ ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને મોટી રાહત મળી છે અને સમગ્ર વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી ગઈ છે. આ તરફ જામજોધપુર પંથકના વાતાવરણમાં પણ વહેલી સવારથી પલટો આવ્યો હતો અને જોરદાર વરસાદી ઝાપટાં પડ્યા હતા, જેને પગલે સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે. જૂનાગઢના ધરતીપુત્રો વરસાદ પડતાં જ હરખાયા છે અને પાકને નવું જીવન મળતાં આનંદની લાગણી પ્રસરી છે.</p><p style="text-align: justify; "><img alt="Gujarat Rain Update: Monsoon Returns in Saurashtra and North Gujarat" src="https://epapercdn.sandesh.com/images/2026/07/15/bPgerDBvUtOwoA48yCEROqHzAiMpaSVXyEPQkgDa.webp"><br></p><h4 style="text-align: justify; "><b>&nbsp;અરવલ્લી જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજાની મહેર</b></h4><p style="text-align: justify; ">બીજી તરફ, ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજાની મહેર જોવા મળી છે. યાત્રાધામ શામળાજી અને મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી ધીમો વરસાદ શરૂ થયો છે. જો કે, અહીં હજુ સુધી પૂરતો વરસાદ ન પડવાને કારણે ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. ખેતરોમાં અગાઉ કરેલી વાવણીના પાક પર સુકાઈ જવાનું સંકટ મંડરાઈ રહ્યું છે, જેથી ધરતીપુત્રો હવે આકાશ તરફ મીટ માંડીને બેઠા છે અને મેઘરાજાના મુશળધાર વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-indepth-gujarat-monsoon-2026-rain-deficit-paresh-goswami-weather-forecast-july-round" target="_blank"><b> Sandesh Indepth : ચોમાસું ખોટકાયું, ગુજરાતમાં ગત વર્ષ કરતાં અડધો જ વરસાદ; 24.64% સાથે ખેડૂતો ચિંતિત, જળસંકટની ભીતિ!</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/15/JDRNqeP7Ut69335u3Fd4FsNVwiVCD4LG06FabwbD.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026 : સ્પેને સેમિફાઇનલમાં ફ્રાન્સને હરાવી ફાઇનલમાં પહોંચ્યું ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-spain-defeats-france-in-semi-finals-to-reach-final</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-spain-defeats-france-in-semi-finals-to-reach-final</guid><pubDate>Wed, 15 Jul 2026 08:27:01 +05:30</pubDate><description><![CDATA[<p>ફિફા વર્લ્ડ કપ 2026ની પહેલી સેમિફાઇનલ ડલ્લાસ સ્ટેડિયમ ખાતે સ્પેન અને ફ્રાન્સ વચ્ચે રમાઈ હતી. બંને હાફમાં સ્પેને પ્રભુત્વ જમાવ્યું હતું, જેના કારણે ફ્રેન્ચ સ્ટાર કાયલિયન એમબાપ્પે પણ પ્રદર્શન કરી શક્યા ન હતા. સ્પેને 2-0થી વિજય મેળવ્યો અને ફાઇનલમાં સ્થાન મેળવ્યું.ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં સ્પેન બીજી વખત ફાઇનલમાં પહોંચ્યું છે.અગાઉ તેઓ 2010 ના વર્લ્ડ કપમાં જીત્યા હતા જ્યારે તેઓ ફાઇનલ મેચમાં પહોંચ્યા હતા અને ટ્રોફી જીતવામાં સફળ રહ્યા હતા. આ વખતે, તેઓ ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી સેમિફાઇનલના વિજેતા સામે ટકરાશે.</p><h4><b>ઓયારઝાબાલે પહેલો ગોલ કર્યો, પોરોએ જીત પર મહોર લગાવી&nbsp;</b></h4><p>સ્પેન અને ફ્રાન્સ વચ્ચેની સેમિફાઇનલ મેચની વાત કરીએ તો, પહેલા હાફમાં ફ્રાન્સની ભૂલ મોંઘી સાબિત થઈ, જેના કારણે સ્પેનને પહેલો ગોલ કરવાની તક મળી. પહેલા હાફની 22મી મિનિટે, જ્યારે સ્પેનના લેમિન યામાલે બોલ બોક્સમાં લઈ ગયો, ત્યારે ફ્રાન્સના ડિફેન્ડર લુકાસ ડિગ્ને તેને ફાઉલ કર્યો, સ્પેનને પેનલ્ટી આપી. સ્પેન તરફથી પેનલ્ટી લેનારા મિકેલ ઓયાર્ઝાબાલે કોઈ ભૂલ ન કરી, બોલને નેટમાં નાખીને તેની ટીમને 1-0 ની લીડ અપાવી. પ્રથમ હાફના અંતે સ્કોર 1-0 રહ્યો. બીજા હાફની 58મી મિનિટે, પેડ્રો પોરોએ દાની ઓલ્મો સાથે મળીને ઉત્તમ સંકલન દર્શાવ્યું અને બોલને ફ્રેન્ચ ગોલ સુધી પહોંચાડ્યો, એક ગોલ કરીને તેમની ટીમને 2-0 ની લીડ અપાવી અને તેમનો વિજય નિશ્ચિત કર્યો.</p><p><a href="https://x.com/FIFAWorldCup/status/2077138314646130765?s=20" target="_blank">https://x.com/FIFAWorldCup/status/2077138314646130765?s=20</a></p><h4><b>આ 40 વર્ષ પછી બન્યું</b></h4><p>ફ્રાન્સ 40 વર્ષ પછી ફિફા વર્લ્ડ કપ સેમિફાઇનલમાં હારી ગયું. છેલ્લી વખત તેઓ 1986 ના વર્લ્ડ કપ સેમિફાઇનલમાં હારી ગયા હતા, જ્યારે તેઓ જર્મની સામે 2-0 થી હારી ગયા હતા. દરમિયાન, સ્પેન 16 વર્ષ પછી ફાઇનલ માટે ક્વોલિફાય થયું હતું. સ્પેન છેલ્લી વખત 2010 માં ફિફા વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચ્યું હતું, જ્યારે તેઓએ ટાઇટલ પણ જીત્યું હતું.</p><h4><b>બધાની નજર હવે બીજા સેમિફાઇનલ પર</b>&nbsp;</h4><p>બધાની નજર ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી સેમિફાઇનલ પર છે, જે 16 જુલાઈના રોજ એટલાન્ટા સ્ટેડિયમ ખાતે ભારતીય સમય મુજબ રાત્રે 12:30 વાગ્યે રમાશે. ફ્રેન્ચ ટીમ હવે 19 જુલાઈના રોજ બીજા સેમિફાઇનલમાં હારેલી ટીમ સામે ત્રીજા સ્થાન માટેનો મુકાબલો રમશે. ફાઇનલ 20 જુલાઈના રોજ ન્યૂ યોર્કના ન્યૂ જર્સી સ્ટેડિયમ ખાતે રમાશે.</p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-wc-2026-a-fierce-battle-for-the-golden-boot-between-messi-and-mbappe" target="_blank"> FIFA WC 2026: મેસ્સી અને એમ્બાપ્પે વચ્ચે ગોલ્ડન બૂટ માટે જોરદાર ટક્કર!</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/15/NLymSSdAkfqlrb1CmBg1uMtVEcSWuZ8DMusbr2fG.webp'/></item><item><title><![CDATA[Bharuch: છોટાઉદેપુરમાં ફરજ પર હતા ત્યારે પણ લોનને લઇને ટેન્શનમાં રહેતા હતા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bharuch/bharuch-even-when-i-was-on-duty-in-chhota-udepur-i-was-in-tension-due-to-loans</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bharuch/bharuch-even-when-i-was-on-duty-in-chhota-udepur-i-was-in-tension-due-to-loans</guid><pubDate>Wed, 15 Jul 2026 05:55:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભરૂચ જિલ્લામાં હજી મહિના પહેલાં જ આયોજન અધિકારી તરીકે પ્રમોશન મેળવીને આવેલાં પિયુશકુમાર ઉકાણીએ તેમના ભાડાના મકાનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરવાના કિસ્સામાં પોલીસ તમામ પાસાઓ તપાસી રહી છે. તેમની આંત્યેતિ3 ચિઠ્ઠી મુજબ તેમના પર ક્રેડિટ કાર્ડની લોનના હપ્તાના ટેન્શનમાં તેમણે આંત્યેતિ3 પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. વિશ્વસનિય સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, મૃત3 પિયુશકુમાર ઉકાણી છોટાઉદેપુર ખાતે ફરજમાં હતાં. ત્યારે પણ તેઓ લોનના હપ્તાને લઈને ચિંતિત હોવાનું જાણવા મળ્યું છે.</p><p style="text-align: justify; ">છોટાઉદેપુરમાં આંકડા અધિકારી તરીકે ફરજ બજાવતાં પિયુશકુમાર ઉકાણીની એ3 મહિના પહેલાં જ ક્લાસ વન અધિકારીના પ્રમોશન સાથે ભરુચમાં આયોજન વિભાગમાં બદલી થઈ હતી. તેમણે મહિના પહેલાં જ તુલસીધામ શાકમાર્કેટ પાસેની રામેશ્વર સોસાયટીમાં એ3 મકાન ભાડે રાખ્યું હતું. અને તેમનો પરિવાર ત્યાં રહેતો હતો. તેમની પત્ની તેમજ સંતાન સુરત તેમના સંબંધીને ત્યાં ગયાં હતાં. દરમિયાનમાં બે દિવસ એકલતામાં વિચારોમાં ગરકાવ થઈ જઈ પડી ભાંગેલાં પિયુશકુમારે ગઈકાલે સવારના સમયે તેમના ઘરની બાલ્કનીમાં હુકમાં દોરડા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. અરસામાં તેમના ઘરની સામે રહેતી એ3 મહિલા કપડાં સુકાવવા ગઈ હતી. તે વેળાં તેણે તેમને જોતાં આસપાસના લોકો એકત્ર થઈ ગયાં હતાં. પોલીસે આવી કાયદેસરની કાર્યવાહી કરી હતી. મૃતકના ભાઈએ ફરિયાદ આપતાં પોલીસે તેના આધારે તપાસ શરૂ કરી છે. હાલમા પોલીસ તેમણે કઈ કઈ બેન્ક કે ક્રેડિટ કાર્ડની લોન લીધી હતી. તેની વિગતો તેમજ તેમના પર કુલ કેટલું દેવું થયું હતું. તેની વિગતો એકત્ર કરવાની કવાયત હાથ ધરી છે. પ્રાથમિ3 તબક્કે આર્થિ3 સંકળામણ સિવાય આપઘાતનું અન્ય કોઈ કારણ હોય તેમ લાગતું ન હોવા છતાં પોલીસ તમામ પાસાઓ તપાસી રહી છે.</p><p style="text-align: justify; ">વિશ્વસનિય સુત્રોમાંથી જાણવા મળ્યાનુસાર, પિયુશકુમાર ઉકાણી છોટાઉદેપુરમાં ફરજ પર હતાં. તે વેળાં પણ તેઓ લોનના હપ્તાઓને કારણે ચિંતામાં ગર3 હતાં. તેઓએ તેમના સાથી કર્મચારીઓ સાથે પણ જો લોનની ભરપાઈ ન થાય તો શું થાય તે સહિતની પુછપરછ કરી હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. ત્યારે તેમની પ્રમોશન સાથે ભરૂચમાં બદલી થતાં તેઓ આર્થિ3 ભારણ સાથે સામાજિ3 દબાણમાં આવી ગયાં હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/15/yMP9ziVoPsQVCgw9MZBXlaCEeXznTadZhCfINpFA.webp'/></item><item><title><![CDATA[Vadodara: રથયાત્રાને લઇ ડભોઇ તાલુકા સેવા સદને શાંતિ સમિતિની બેઠક ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-dabhoi-taluka-seva-sadan-peace-committee-meeting-regarding-rath-yatra</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-dabhoi-taluka-seva-sadan-peace-committee-meeting-regarding-rath-yatra</guid><pubDate>Wed, 15 Jul 2026 05:52:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ડભોઇ : ડભોઇ શહેરમાં 16 તારીખે કે બદ્રીનારાયણ મંદિરેથી ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા નીકળશે. જે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય તેવા શુભ હેતુથી ડભોઇ તાલુકા સેવા સદન ખાતે શાંતિ સમિતિની બેઠ3 ધારાસભ્ય અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જેમાં ડભોઇ DySp આકાશ પટેલ ડભોઇPIએ.ટી. પટેલ ડભોઇ નગરપાલિકાના ચીફ્ ઓફ્સિર જય કિશન તડવી અને મહેશ પરમાર ડભોઇ નગરપાલિકાના પ્રમુખ પુષ્પાબેન રાવળ અને બિરેન શાહ ગોપાલ જીનવાલા, અફ્ઝલ કાબાવાલા, સલીમઘાંચી, ઇબ્રાહીમ ખત્રી, સોનલબેન સોલંકી અને શહેર કોંગ્રેસ ભાજપના પ્રમુખ હિંદુ મુસ્લિમ આગેવાનો તેમજ બદ્રીનારાયણ મંદિરના ટ્રસ્ટી મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/15/xkqeBfMZQxfIMxGPFBgaThX9Oozcr33vbcTCiEtT.webp'/></item></channel></rss>