<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ketan Agrawal Death: "સાપ, સાપ" ના નામે રચ્યું મોતનું નાટક, 14 જૂને નિષ્ફળ તો 18 જૂને આપ્યો અંતિમ આઘાત! ]]></title><link>https://sandesh.com/india/news/ketan-agrawal-death-a-death-drama-was-created-in-the-name-of-snake-snake-failed-on-june-14-and-gave-the-final-shock-on-june-18</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ketan-agrawal-death-a-death-drama-was-created-in-the-name-of-snake-snake-failed-on-june-14-and-gave-the-final-shock-on-june-18</guid><pubDate>Wed, 24 Jun 2026 08:42:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મહારાષ્ટ્રના પુણે ખાતે બનેલી કેતન અગ્રવાલની ઘટનાએ માત્ર તેમના પરિવારને જ નહીં, પરંતુ સમગ્ર સમાજને હચમચાવી દીધો છે. 26 વર્ષીય ઉદ્યોગપતિ કેતન અગ્રવાલના જીવનનો અંત લોહાગઢ કિલ્લાની ઊંડી ખીણમાં થયો, જેને શરૂઆતમાં એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત ગણવામાં આવતો હતો. પરંતુ જેમ જેમ તપાસના તાર જોડાયા, તેમ તેમ એક પછી એક એવી વિગતો બહાર આવી જેણે સાબિત કર્યું કે આ અકસ્માત નથી, પરંતુ ઠંડા કલેજે આયોજિત કરેલી એક હત્યા છે.</p><h2 style="text-align: justify; "><b>જયપુરના સપના અને લોહાગઢનું મોત</b></h2><p style="text-align: justify; ">કેતન અને તેની મંગેતર સિયા ગોયલના લગ્ન આવતા મહિને જયપુરના એક શાહી મહેલમાં યોજાવાના હતા. લગ્નની તૈયારીઓ પુરજોશમાં હતી; મહેમાનોની અવરજવર માટે સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા થઈ ચૂકી હતી. સમગ્ર પરિવાર આ માંગલિક પ્રસંગની ઉજવણી માટે આતુર હતો. સિયાના જન્મદિવસને ખાસ બનાવવા માટે બંનેએ લોહાગઢ કિલ્લાની ટ્રેકિંગ ટ્રિપનું આયોજન કર્યું હતું. કોને ખબર હતી કે 18 જૂનનો એ દિવસ કેતન માટે જીવનનો છેલ્લો દિવસ સાબિત થશે.</p><h3 style="text-align: justify; "><b>પરિવારની શંકા અને સિયાનું અસંવેદનશીલ વર્તન</b></h3><p style="text-align: justify; ">કેતનના પિતા વિશાલ અગ્રવાલ અને અન્ય સ્વજનોએ શરૂઆતથી જ આ ઘટના પર અવિશ્વાસ દર્શાવ્યો હતો. પરિવારનું કહેવું છે કે, સિયાનું વર્તન ઘટનાના પહેલા દિવસથી જ શંકાસ્પદ હતું. જ્યારે કેતનનો મૃતદેહ પરિવાર સામે હતો, ત્યારે સિયાના ચહેરા પર શોકનો ભાવ તો દૂર, આંસુ પણ નહોતા. તેની આંખોમાં કોઈ અફસોસની લકીર નહોતી, જે એક મંગેતર માટે અત્યંત અકુદરતી બાબત હતી. આ અસામાન્ય વર્તને પરિવારની શંકાને વધુ મજબૂત બનાવી હતી.</p><h4 style="text-align: justify; "><b>14 જૂનનો નિષ્ફળ પ્રયાસ અને "સાપ" નું બહાનું</b></h4><p style="text-align: justify; ">તપાસમાં સૌથી સનસનાટીભર્યો ખુલાસો એ થયો કે સિયાએ કેતનને મારવાનો પહેલો પ્રયાસ 18 જૂનના ચાર દિવસ પહેલા એટલે કે 14 જૂને જ કર્યો હતો. તે દિવસે બંને એકલા લોહાગઢ ગયા હતા. સિયાએ કેતનને પાછળથી ધક્કો માર્યો હતો, પરંતુ કેતન ભાગ્યશાળી હતો કે તેનો હાથ ઝાડીઓમાં ફસાઈ ગયો અને તે ખીણમાં પડતા બચી ગયો. કેતનને તે ક્ષણે જ સમજાઈ ગયું હતું કે તેની મંગેતર તેની પાછળ કંઈક ખરાબ ઇરાદો ધરાવે છે. પરંતુ, પરિસ્થિતિને સંભાળવા અને પોતાનો બચાવ કરવા માટે સિયાએ તરત જ "સાપ, સાપ...!" એવી બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. તેણે એવી રીતે ડરનું નાટક કર્યું કે જાણે કેતનને સાપથી બચાવવા માટે તેણે તેને ધક્કો માર્યો હોય. તે દિવસે તો સિયા કાવતરામાં બચી ગઈ, પરંતુ 18 જૂનના રોજ તેણે પોતાની યોજના સફળ બનાવી દીધી.</p><h5 style="text-align: justify; "><b>ડિજિટલ પુરાવાઓએ ખોલી પોલ</b></h5><p style="text-align: justify; ">પોલીસની તપાસમાં માત્ર સિયા જ નહીં, તેનો પ્રેમી ચેતન ચૌધરી પણ શંકાના દાયરામાં આવ્યો છે. છ મહિનામાં થયેલા 2004 કોલ્સ અને 238 કલાકની વાતચીત કોઈ સામાન્ય સંબંધ હોઈ શકે નહીં. સૌથી મહત્વનો પુરાવો એ છે કે ઘટનાના દિવસે ચેતને પોતાનો ફોન દુકાનમાં છોડી દીધો હતો જેથી તેનું લોકેશન ટ્રેસ ન થાય, પરંતુ તેણે જે કર્મચારીના ફોનનો ઉપયોગ કર્યો, તેની ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ જ પોલીસ માટે મુખ્ય કડી બની ગઈ.</p><h5 style="text-align: justify; "><b>પરિવારને ન્યાયની અપેક્ષા</b></h5><p style="text-align: justify; ">આજે જે ઘર લગ્નની શરણાઈઓથી ગુંજવાનું હતું, ત્યાં માત્ર સન્નાટો છે. કેતનના પરિવારનો એક જ સૂર છે કે દીકરાના હત્યારાઓને એવી સજા મળે કે ફરી ક્યારેય કોઈ આવું ક્રૂર પગલું ભરવાની હિંમત ન કરે. શું સિયા ખરેખર પ્રેમના નામે કેતનની હત્યારી છે? કે પછી તે પણ કોઈ મોટા કાવતરાનો ભાગ છે? આ સવાલોના જવાબ હવે કાયદાની કલમો અને કોર્ટની કાર્યવાહીમાં મળશે. સમગ્ર ઘટનાએ સાબિત કર્યું છે કે ક્યારેક સૌથી નજીકના વ્યક્તિના હાથમાં જ આપણા મોતની રેખા લખાયેલી હોય છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/2004-call-238-hours-of-continuous-conversation-exposed-sias-sins-inside-story-of-ketan-agarwal-murder" target="_blank">આ પણ વાંચોઃ Ketan Agrawal Death:  2004 કોલ,238 કલાકની વાતચીતે સિયાના પાપનો કર્યો પર્દાફાશ, વાંચો Inside Story</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/Q5O9cuN39pHRl4nEw04H1POIwNoLn1VN87VxbQIW.webp'/></item><item><title><![CDATA[Surat : જમીન સોદાના નામે ખેડૂતનો વિશ્વાસ જીતી 2.14 કરોડ સેરવી લીધા,પટેલ બંધુઓની મોટી 'ગેમ' ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-land-scam-farmer-cheated-2-crore-patel-brothers-pal-police-complaint</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-land-scam-farmer-cheated-2-crore-patel-brothers-pal-police-complaint</guid><pubDate>Wed, 24 Jun 2026 08:31:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતમાં જમીન કૌભાંડ અને છેતરપિંડીના કિસ્સાઓ રોજેરોજ વધી રહ્યા છે, ત્યારે સુરતના પાલ વિસ્તારમાંથી કરોડો રૂપિયાની ઠગાઈનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં જમીન સોદાના નામે ખરવાસા ગામના એક નિર્દોષ ખેડૂતને પોતાની જાળમાં ફસાવીને પાલ ગામના બે પટેલ બંધુઓએ રૂપિયા 2.14 કરોડની અધધ રકમની છેતરપિંડી આચરી છે. આ મામલે ભોગ બનનાર ખેડૂતે છેવટે ન્યાય મેળવવા માટે પાલ પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>જમીનનો સોદો પાલ ગામના પટેલ બંધુઓ સાથે નક્કી થયો</b></h2><p style="text-align: justify; ">મળતી વિગતો અનુસાર, ખરવાસા ગામના ખેડૂતની કિંમતી જમીનનો સોદો પાલ ગામના પટેલ બંધુઓ સાથે નક્કી થયો હતો. શરૂઆતમાં બધું નિયમ મુજબ ચાલતું હોય તેમ ખેડૂતે કાયદેસરના સ્ટેમ્પ પેપર પર સહમતી કરાર (એગ્રીમેન્ટ) કરીને જમીન આ પટેલ બંધુઓના નામે વેચવા માટેની તૈયારી બતાવી હતી.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>સહી-સિક્કા થઈ ગયા પછી અસલી ખેલ શરૂ&nbsp;</b></h2><p style="text-align: justify; ">જો કે, સોદો પાકો થયા બાદ અને સ્ટેમ્પ પેપર પર સહી-સિક્કા થઈ ગયા પછી અસલી ખેલ શરૂ થયો હતો. કરાર મુજબ નક્કી કરેલી સમયમર્યાદામાં પટેલ બંધુઓએ ખેડૂતને આપવાની થતી બાકીની કરોડોની રકમ ચૂકવી ન હતી.</p><h3 style="text-align: justify; "><b>ખોટા વાયદા આપીને ટલ્લે ચડાવતા હતા</b></h3><p style="text-align: justify; ">ખેડૂત જ્યારે પોતાના રૂપિયાની ઉઘરાણી કરતો, ત્યારે આ ગઠિયાઓ તેને વાયદા બજારના ખોટા વાયદા આપીને ટલ્લે ચડાવતા હતા. આ દરમિયાન, પટેલ બંધુઓએ ખેડૂતને સંપૂર્ણ વિશ્વાસમાં લઈ, તેની જાણ બહાર અથવા ફોસલાવીને આ કિંમતી જમીન ત્રીજી જ વ્યક્તિ (અન્ય ખરીદદાર)ને બારોબાર વેચી મારી હતી. જમીન વેચીને કરોડો રૂપિયા ખિસ્સામાં સેરવી લીધા હોવા છતાં, આ શઠ તત્વોએ મૂળ માલિક એવા ગરીબ ખેડૂતને એક પણ રૂપિયો આપ્યો ન હતો અને 2.14 કરોડની મસમોટી ઠગાઈ આચરી હાથ ઊંચા કરી દીધા હતા.</p><h4 style="text-align: justify; "><b>ખેડૂતે આખરે પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી&nbsp;</b></h4><p style="text-align: justify; ">પોતાની જમીન પણ ગઈ અને રૂપિયા પણ ન મળ્યા, ત્યારે છેતરાયા હોવાનો અહેસાસ થતાં પીડિત ખેડૂતે આખરે પાલ પોલીસ સ્ટેશનમાં બંને આરોપી પટેલ બંધુઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને કરોડો રૂપિયાના જમીન કૌભાંડની આસપાસના અન્ય તાર મેળવવા અને આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp;<a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/sandesh-digital-explainer-gujarat-monsoon-10-years-history" target="_blank"><b> &nbsp; Sandesh Digital Explainer : મેઘરાજાની એન્ટ્રીનું કાઉન્ટડાઉન..! જાણો છેલ્લા 10 વર્ષમાં ક્યારે વહેલા પધાર્યા અને ક્યારે કરાવ્યો ભારે ઈન્તેઝાર?</b></a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/PhrS39081URp0EO0DJpKqdLI7nXQDGHyzf0sHH5O.webp'/></item><item><title><![CDATA[Ketan Agrawal Death:  2004 કોલ, 238 કલાકની વાતચીતે સિયાના પાપનો કર્યો પર્દાફાશ, વાંચો Inside Story ]]></title><link>https://sandesh.com/india/news/2004-call-238-hours-of-continuous-conversation-exposed-sias-sins-inside-story-of-ketan-agarwal-murder</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/2004-call-238-hours-of-continuous-conversation-exposed-sias-sins-inside-story-of-ketan-agarwal-murder</guid><pubDate>Wed, 24 Jun 2026 08:19:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મહારાષ્ટ્રના ચકચારી કેતન અગ્રવાલ હત્યા કેસે સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. 26 વર્ષીય કેતન અગ્રવાલનું 18 જૂનના રોજ લોહાગઢ કિલ્લા પાસે કોતરમાં પડી જવાથી મૃત્યુ થયું હતું, જેને શરૂઆતમાં એક અકસ્માત માનવામાં આવતો હતો. પરંતુ કેતનની મંગેતર સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરીના ડિજિટલ પુરાવાઓએ આ મામલાને હત્યામાં ફેરવી દીધો છે.</p><h2 style="text-align: justify; "><b>પ્રેમી સાથે કરેલા ફોન કોલ્સે શંકા ગહેરાવી</b></h2><p style="text-align: justify; ">ઘટનાના ચાર દિવસ પછી જ્યારે સિયા કેતનના પરિવારને મળી, ત્યારે તેના નિવેદનોમાં રહેલી વિસંગતતાઓએ કેતનની બહેનને શંકાના દાયરામાં મૂકી દીધી હતી. પરિવારની ફરિયાદ બાદ પોલીસે જ્યારે તપાસ શરૂ કરી, ત્યારે જે હકીકતો સામે આવી તે આઘાતજનક હતી. સિયા અને તેના પ્રેમી ચેતન ચૌધરીએ છેલ્લા છ મહિનામાં 2004 જેટલા ફોન કોલ્સ કર્યા હતા, જેનો કુલ સમયગાળો 238 કલાકનો હતો. આટલી મોટી માત્રામાં થયેલી વાતચીત સ્પષ્ટપણે એક ઊંડા કાવતરાનો સંકેત આપી રહી હતી.</p><h3 style="text-align: justify; "><b>ચેતને પોલીસમે ગુમરાહ કરવા રચ્યું કાવતરૂં</b></h3><p style="text-align: justify; ">તપાસ દરમિયાન પોલીસને ચેતનના મોબાઇલ ડેટામાંથી એક મહત્વનો પુરાવો મળ્યો. ઘટનાના દિવસે સવારે 7 વાગ્યાથી સાંજના 5.40 વાગ્યા સુધી ચેતનનો ઇન્ટરનેટ ડેટા સંપૂર્ણ બંધ હતો. ચેતને પોલીસને છેતરવા માટે જાણી જોઈને પોતાનો ફોન દુકાન પર મૂક્યો હતો અને તે તેના એક કર્મચારીના ફોન સાથે લોહાગઢ પહોંચ્યો હતો. પોલીસને તે સમયે લોકેશન મળી ન શકે તે માટે તેણે કરેલો આ પ્રયાસ ઉલટો તેને જ મુશ્કેલીમાં મુકી ગયો. ડિજિટલ ફૂટપ્રિન્ટ્સે સાબિત કર્યું કે તે ત્યાં હાજર હતો અને સમગ્ર કાવતરું સિયા સાથે મળીને ઘડ્યું હતું.</p><h4 style="text-align: justify; "><b>29 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી અપાયા&nbsp;</b></h4><p style="text-align: justify; ">આ કેસમાં આરોપી સિયા અને ચેતનને 29 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. જોકે, કાયદાકીય લડાઈ પણ તેજ બની છે. ચેતનના વકીલ રામ શહાણેએ દાવો કર્યો છે કે FIRમાં ચેતન વિરુદ્ધ કોઈ સીધા કે નક્કર પુરાવા નથી. વકીલના મતે, માત્ર સિયા સાથેના સંબંધોને કારણે તેને આરોપી બનાવવામાં આવ્યો છે. વકીલનો દાવો છે કે ઘટનાસ્થળે ચેતનની હાજરી સાબિત કરવા માટે પોલીસ પાસે કોઈ CCTV ફૂટેજ કે અન્ય કોઈ દસ્તાવેજી પુરાવા નથી. હાલમાં, આ કેસ માત્ર એક પ્રેમત્રિકોણનો નથી રહ્યો, પરંતુ એક આયોજિત હત્યાનો બની ગયો છે. ડિજિટલ પુરાવા અને આરોપીઓના નિવેદનો વચ્ચે ચાલી રહેલો આ સંઘર્ષ હવે કોર્ટમાં કઈ દિશા લેશે, તેના પર સૌની નજર છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/bihar-maharashtra-amrit-bharat-express-27-june-timetable-route-details" target="_blank">આ પણ વાંચોઃ Bihar-Maharashtra વચ્ચે 27 જૂનથી દોડશે નવી અમૃત ભારત ટ્રેન, જાણી લો સમગ્ર ટાઈમટેબલ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/3v2mYh097rLO5QgKug3kDoo73pzpo11Us2xu8253.webp'/></item><item><title><![CDATA[Rajkot : બાબુઓની શાહી જ્યાફત, દબાણ તોડવા ગયા ને 27 લાખના ગાંઠિયા, સમોસા અને કાજુ કાતરી ઝાપટી ગયા..! ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-jangleshwar-demolition-27-lakh-food-bill-controversy-updates</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-jangleshwar-demolition-27-lakh-food-bill-controversy-updates</guid><pubDate>Wed, 24 Jun 2026 08:16:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ મહાનગરપાલિકા અને સરકારી તંત્રની એક ચોંકાવનારી બેદરકારી અને મોંઘીદાટ જ્યાફતનો કિસ્સો સામે આવ્યો છે, જેણે આખા શહેરમાં ભારે ચર્ચા જગાવી છે. રાજકોટના કુખ્યાત જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા દબાણો હટાવવા માટે હાથ ધરાયેલી ડિમોલિશનની કડક કામગીરી ચર્ચામાં હતી, પરંતુ હવે કામગીરી કરતાં વધુ આ ડિમોલિશન પાછળ થયેલો ખાણી-પીણીનો ખર્ચો લાઈમલાઈટમાં આવ્યો છે. ડિમોલિશનની આ કામગીરી દરમિયાન સરકારી બાબુઓ અને કર્મચારીઓના ચા-પાણી, નાસ્તા અને ભોજનનું બિલ અધધ કહી શકાય તેટલું એટલે કે રૂપિયા 27 લાખ રૂપિયા આવ્યું છે!</p><h2 style="text-align: justify; "><b>સવારના સમયે ચા, બિસ્કિટ, ગરમા-ગરમ ગાંઠિયા</b></h2><p style="text-align: justify; ">સામાન્ય રીતે દબાણ હટાવવાની આવી કામગીરીમાં સખત અને ચુસ્ત માહોલ હોય છે, પરંતુ જંગલેશ્વર ડિમોલિશન વખતે સરકારી બાબુઓએ લાખો રૂપિયાના ખાણી-પીણીના અખતરા કર્યા હોવાનું હવે બિલ જાહેર થતાં સપાટી પર આવ્યું છે. ઉપલબ્ધ વિગતો અનુસાર, ડિમોલિશન દરમિયાન હાજર રહેલા અધિકારીઓ અને કર્મચારીઓ માટે સવારના સમયે ચા, બિસ્કિટ, ગરમા-ગરમ ગાંઠિયા અને પૌવાનો વૈભવી નાસ્તો મંગાવવામાં આવ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>બાબુઓ માટે શાહી ગુજરાતી થાળી પીરસાઈ</b></h3><p style="text-align: justify; ">વાત અહીં જ અટકી નહોતી. બપોરના ભોજનમાં અધિકારીઓ અને બાબુઓ માટે શાહી ગુજરાતી થાળી પીરસાઈ હતી, જેમાં સ્વાદિષ્ટ સમોસાની સાથે મોંઘીદાટ મીઠાઈઓ જેવી કે કાજુ કાતરી અને ખજૂર રોલનો સ્વાદ પણ માણવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સમગ્ર કામગીરીમાં પોલીસ કાફલા, મનપા સ્ટાફ અને અન્ય સરકારી તંત્રના થઈને આશરે 1500થી વધુ કર્મચારી-અધિકારીઓ હાજર રહ્યા હતા.</p><h4 style="text-align: justify; "><b>&nbsp;લીલાલહેરના ખર્ચાની ભારે ટીકા</b></h4><p style="text-align: justify; ">જો કે, 1500 લોકોના લશ્કર સામે 27 લાખ રૂપિયાનું મોંઘુંદાટ બિલ કેવી રીતે બન્યું અને તેમાંથી કોણે-કોણે જ્યાફત ઉડાવી તે હવે એક મોટો સવાલ બન્યો છે. જનતાના ટેક્સના પૈસાથી સરકારી બાબુઓએ માણેલી આ લીલાલહેરનું બિલ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભારે ટીકાનો ભોગ બની રહ્યું છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો-----&nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/sandesh-digital-explainer-gujarat-monsoon-10-years-history" target="_blank"><b> &nbsp; Sandesh Digital Explainer : મેઘરાજાની એન્ટ્રીનું કાઉન્ટડાઉન..! જાણો છેલ્લા 10 વર્ષમાં ક્યારે વહેલા પધાર્યા અને ક્યારે કરાવ્યો ભારે ઈન્તેઝાર?</b></a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/wUfzItE3gkYAR3ss1zv7zcTNz4ocKZHXSAi457Cb.webp'/></item><item><title><![CDATA[Cristiano Ronaldoએ ફિફા વર્લ્ડ કપમાં રચ્યો ઇતિહાસ, આવું કરનાર પ્રથમ ખેલાડી બન્યો ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/cristiano-ronaldo-created-history-in-the-fifa-world-cup-becoming-the-first-player-to-do-so</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/cristiano-ronaldo-created-history-in-the-fifa-world-cup-becoming-the-first-player-to-do-so</guid><pubDate>Wed, 24 Jun 2026 08:13:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પોર્ટુગલ ફિફા વર્લ્ડ કપમાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આજે પોર્ટુગલ ઉઝબેકિસ્તાનનો સામનો કરી રહ્યું છે. આ મેચની શરૂઆતની મિનિટોમાં રોનાલ્ડોએ પોર્ટુગલને લીડ અપાવી હતી. રોનાલ્ડોએ છઠ્ઠી મિનિટમાં ગોલ કરીને ટીમને 1-0ની લીડ અપાવી હતી. રોનાલ્ડોએ જોઆઓ કેન્સેલોની તકનો લાભ ઉઠાવ્યો અને ગોલ કર્યો. ફિફા વર્લ્ડ કપમાં આ રોનાલ્ડોનો 10મો ગોલ હતો. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો માટે આ એક ઐતિહાસિક ગોલ છે, અને તેણે એક વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો. તે છ વર્લ્ડ કપમાં ગોલ કરનાર પ્રથમ ખેલાડી બન્યો.</p><h4 style="text-align: justify; "><b>રોનાલ્ડો પોર્ટુગલનો સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો</b></h4><p style="text-align: justify; ">આ ગોલ સાથે, રોનાલ્ડો ફિફા વર્લ્ડ કપ ઇતિહાસમાં પોર્ટુગલનો સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બની ગયો છે, તેણે યુસેબિયોની બરાબરી કરી છે. યુસેબિયોએ 1966 વર્લ્ડ કપમાં કુલ નવ ગોલ કર્યા હતા. રોનાલ્ડોએ હવે પોર્ટુગલ માટે 10 ગોલ કર્યા છે. આ સંદર્ભમાં, તેણે યુસેબિયોને પાછળ છોડી દીધો છે. રોનાલ્ડોએ 2006 અને 2026 વર્લ્ડ કપ વચ્ચે આ ગોલ કર્યા હતા.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://x.com/FIFAWorldCup/status/2069496208876278116?s=20" target="_blank">https://x.com/FIFAWorldCup/status/2069496208876278116?s=20</a></p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>પહેલા હાફમાં રોનાલ્ડોએ બે ગોલ કર્યા</b></h4><p style="text-align: justify; ">પોર્ટુગલ અને ઉઝબેકિસ્તાન વચ્ચેની મેચમાં, રોનાલ્ડોએ છઠ્ઠી મિનિટમાં પહેલો ગોલ કર્યો અને પછી 39મી મિનિટે પોતાનો બીજો ગોલ કર્યો. રોનાલ્ડોના શાનદાર રમત અને નુનો મેન્ડેસના ગોલને કારણે, પોર્ટુગલે હાફ ટાઇમ સુધીમાં ઉઝબેકિસ્તાન પર 3-0ની લીડ મેળવી લીધી. પોર્ટુગલ હવે બીજા હાફમાં આ વર્ચસ્વ જાળવી રાખવાનો પ્રયાસ કરશે.</p><h5><div style="text-align: justify;"><b><br></b></div><b><div style="text-align: justify;"><b style="font-size: 1.25rem;">રોનાલ્ડો ટુર્નામેન્ટના પહેલા મેચમાં એક પણ ગોલ કરી શક્યો નહીં</b></div></b></h5><p style="text-align: justify; ">પોર્ટુગલના શરૂઆતના મેચમાં કોંગો સામે 1-1થી ડ્રો થવાથી ટીમ પર ભારે દબાણ આવ્યું. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તે મેચમાં પોતાના નબળા પ્રદર્શન માટે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો. કેટલાક લોકોએ એવો પણ દાવો કર્યો કે ટીમ પ્રથમ મેચ જીતવામાં નિષ્ફળ રહેવાનું કારણ રોનાલ્ડો હતા. જોકે, રોનાલ્ડોએ ફરી એકવાર વર્લ્ડ કપના એક મોટા મેચમાં શાનદાર ગોલ કરીને પોતાના ટીકાકારોને જવાબ આપ્યો.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/lionel-messi-creates-new-history-becomes-the-highest-scorer-in-the-world-cup" target="_blank"> Lionel Messiએ રચ્યો નવો ઈતિહાસ,વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/bZFkFUWUsiLV7XoMzcB8ZDZ3QVZDjrLIxxPClYdh.webp'/></item><item><title><![CDATA[Chhotaudepur: છોટાઉદેપુર ને.હા. 56 પર બ્રિજમાં ઉગેલા વૃક્ષ દૂર કરવા ઉઠેલી માગ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-56-</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-56-</guid><pubDate>Wed, 24 Jun 2026 05:51:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">છોટાઉદેપુર જિલ્લા સહિત ગુજરાત રાજ્ય અને મધ્યપ્રદેશને જોડતો નેશનલ હાઈવે નંબર 56 ઉપર તથા સ્ટેટ હાઈવે 62 ઉપર નાની મોટી નદીઓની ઉપર તથા ઓરસંગ નદી ઉપર આવેલા બ્રિજની સાઈડોની દિવાલોમાં વૃક્ષની ડાળી ઝાડી ઝાંખરા સહિત અનેક વેલા ઉગી નીકળ્યા છે. જે આ સરકારી સંપતિ અને લોક ઉપયોગી બ્રિજને નુકસાનકારક છે. જેના મૂળિયા બ્રિજની દીવાલો ફડી નાખે તો નવાઈ નહી.</p><p style="text-align: justify; ">જિલ્લામાં નદીઓ પર ના ઘણા બ્રિજો જર્જરિત છે. જેનું સમારકામ હાલ તંત્ર દ્વારા ચાલે છે. પરંતુ બ્રિજની કાળજી યોગ્ય પ્રમાણમાં લેવાતી નથી. બ્રિજની સાઈડોમાં ઊગી નીકળેલા ઝાડી ઝાંખરા દૂર કરાય તો તેની દીવાલોને નુકસાન થાય નહી. આ દીવાલોનું આયુષ વધી જાય. પરંતુ સજાગ તંત્રના ધ્યાને આ વાત આવતી નથી. જે અચરજ પમાડે તેમ છે. આવનારા દિવસોમાં ચોમાસુ આવવાનું હોય ભારે વરસાદ સમયમાં આ મૂળિયાંને પાણી વધુ મળશે. અને મોટા થશે તે પહેલા તેને દૂર કરવા માંગ ઉઠી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/1Qdyn0ji0o0w3gh9KvXrjSUMxLzqRDwjTAPz8tVq.webp'/></item><item><title><![CDATA[Patan: પાટણ પંથકમાં લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/patan/patan-minor-girl-kidnapped-on-the-pretext-of-marriage-in-patan-panthak</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/patan/patan-minor-girl-kidnapped-on-the-pretext-of-marriage-in-patan-panthak</guid><pubDate>Wed, 24 Jun 2026 05:51:17 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પાટણ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારની 17 વર્ષીય સગીરાનું એક શખ્સ દ્વારા લગ્નની લાલચ આપી અપહરણ કરી એક હોટલમાં લઈ જવાતાં સગીરાની માતાએ રણુંજ પોલીસ સ્ટેશનમાં શખ્સ વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા બાલીસણા પોલીસ સ્ટેશનના પીઆઈએ વધું તપાસ હાથ ધરી છે. પાટણ તાલુકાના અને રણુંજ પોલીસ મથકની હદમા આવેલા એક ગ્રામ્ય વિસ્તારની 17 વર્ષીય સગીરાનો પંથકના મીત પટેલ નામના શખ્સે મોબાઈલ ફેનથી પરિચય કેળવીને લગ્નની લાલચ આપી અપહરણ કરી લઈ જવાયાના આક્ષેપ સાથે સગીરાની માતાએ રણુંજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા વધુ તપાસ હાલમાં બાલીસણા પીઆઈ અરૂણા પટેલે હાથ ધરી છે. તેમણે જણાવ્યું હતું કે હાલમાં ફરીયાદના આધારે પંચનામું સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/3kdombG7tY5UTIgATnfFEmFRjC8gV1tvytZkouMq.webp'/></item><item><title><![CDATA[Vadodara: કરજણમાં ત્રિ-દિવસીય કન્યા કેળવણી, પ્રવેશોત્સવનો પ્રારંભ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-three-day-girl-education-initiation-festival-begins-in-karjan</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-three-day-girl-education-initiation-festival-begins-in-karjan</guid><pubDate>Wed, 24 Jun 2026 05:48:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મંગળવારથી શરૂ થતાં ત્રણ દિવસીય કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ કાર્યક્રમના ભાગરૂપે કરજણ તાલુકાના વેમાર ખાતે ધારાસભ્ય દ્વારા રૂા.2.40 કરોડના ખર્ચે બનેલ નવનિર્મિત શાળાનું ઉદ્ઘાટનની સાથે પ્રવેશોત્સવમાં પ્રવેશ મેળવનાર બાળકોને પ્રવેશ આપ્યો હતો. ઉપરાંત કરજણ તાલુકાની વિવિધ શાળાઓમા પણ આ કાર્યક્રમ યોજાયો હતો.</p><p style="text-align: justify; ">કરજણ તાલુકાની પીએમશ્રી લીલોડ શાળા રૂા.2 કરોડના ખર્ચે બની હતી. તેનું લોકાર્પણ કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા કરાયું હતું.</p><p style="text-align: justify; ">આજ કંપાઉન્ડમાં નવી મજૂર થયેલ રૂા.80 લાખની ઉચ્ચત્તર માધ્યમિક શાળાના બિલ્ડિંગનું પણ ખાતમુહૂર્ત જિ.પં. પ્રમુખ જ્યોત્સનાબેન રબારી દ્વારા કરાયું હતું. જેની સાથે બાલમંદિર, ધો.1 અને ધો. 9ના વિદ્યાર્થીને પ્રવેશ અપાયો હતો. સરકાર અને દાતા દ્વારા શિક્ષણ કિટ્સનું વિતરણ કરાયું હતું.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/kPEOryRyI2QqAkjQTxScbL1NpvZMewT1AYtr2YPC.webp'/></item><item><title><![CDATA[Padma Awards 2026 : મલયાલમ સુપરસ્ટાર મમૂટી અને સિંગર અલકા યાજ્ઞિકને રાષ્ટ્રપતિએ પદ્મ ભૂષણથી કર્યા સન્માનિત ]]></title><link>https://sandesh.com/entertainment/news/padma-awards-2026-mammootty-alka-yagnik-padma-bhushan-rashtrapati-bhavan</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/padma-awards-2026-mammootty-alka-yagnik-padma-bhushan-rashtrapati-bhavan</guid><pubDate>Tue, 23 Jun 2026 19:16:20 +05:30</pubDate><description><![CDATA[<p>રાષ્ટ્રપતિ ભવનમાં 23 જૂન 2026ના રોજ યોજાયેલા પદ્મ પુરસ્કાર 2026ના બીજા સન્માન સમારોહમાં દેશના અનેક પ્રતિષ્ઠિત કલાકારો અને વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા. દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આ સમારોહમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર હસ્તીઓને પદ્મ પુરસ્કારોથી નવાજ્યા.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/rashtrapatibhvn/status/2069384068953980945"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>મમૂટી પોતાના પુત્ર દુલ્કર સલમાન સાથે સમારોહમાં હાજર રહ્યા&nbsp;</b></h2><p>આ પ્રસંગે મલયાલમ સુપરસ્ટાર મમૂટી, પ્રખ્યાત ગાયિકા અલકા યાજ્ઞિક અને અભિનેતા આર. માધવનને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. મમૂટી પોતાના પુત્ર દુલ્કર સલમાન સાથે સમારોહમાં હાજર રહ્યા હતા. તેમના નામની જાહેરાત થતાં જ દુલ્કરે તેમને પ્રોત્સાહન આપ્યું. પાંચ દાયકાથી વધુ લાંબા કારકિર્દીમાં મમૂટીએ 400થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને તેઓ સામાજિક કાર્યમાં પણ સક્રિય રહ્યા છે.</p><h3><b>દક્ષિણ ભારતના અનેક કલાકારોને પણ પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા</b></h3><p>જાણીતી ગાયિકા અલકા યાજ્ઞિકને પણ પદ્મ ભૂષણ આપવામાં આવ્યો. શ્રવણ ક્ષમતા સંબંધિત સમસ્યા હોવા છતાં તેઓ મંચ પર પહોંચ્યા અને રાષ્ટ્રપતિ દ્વારા સન્માન પ્રાપ્ત કર્યું. તેમણે ચાર દાયકાથી વધુ સમય દરમિયાન 1000થી વધુ ગીતોને અવાજ આપ્યો છે. અભિનેતા આર. માધવનને પણ પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. તેમણે અનેક ભાષાઓની ફિલ્મોમાં અભિનય કરીને ભારતીય સિનેમામાં વિશેષ ઓળખ બનાવી છે. આ ઉપરાંત દક્ષિણ ભારતના અનેક કલાકારોને પણ પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા, જેમાં તેલુગુ અભિનેતા મગંતી મુરલી મોહન અને નાગાલેન્ડના લોકકલાકાર ગુરુ સાંગ્યુસાંગ પોંગેનેરનો સમાવેશ થાય છે.</p><h4><b>સતીશ શાહને મરણોત્તર પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા</b></h4><p>થિયેટર અને ટેલિવિઝન ક્ષેત્રના દિગ્ગજ અનિલ કુમાર રસ્તોગીને પણ પદ્મ શ્રી મળ્યો. તેમજ જાણીતા અભિનેતા સતીશ શાહને મરણોત્તર પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા. તેમના ભાઈએ તેમની તરફથી આ સન્માન સ્વીકાર્યું. પ્રથમ સત્રમાં ધર્મેન્દ્ર અને પ્રસેનજીત ચટ્ટોપાધ્યાય જેવા દિગ્ગજોને પણ સન્માન મળ્યું હતું. સમગ્ર સમારોહમાં દેશના વિવિધ ક્ષેત્રોના યોગદાનને માન આપીને વિશેષ ઉજવણી કરવામાં આવી.</p><p><b><a href="https://sandesh.com/entertainment/news/welcome-to-the-jungle-censor-boards-scissors-on-akshay-kumars-film-18-cuts-made-including-disha-jacquelines-bikini-scenes" target="_blank">આ પણ વાંચો : Welcome to the Jungle : અક્ષય કુમારની ફિલ્મ પર સેન્સર બોર્ડની કાતર, દીશા-જેક્લીનના બિકીની સીન્સ સહિત ૧૮ કટ લગાવાયા!</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/23/ipm4r8x7ST7hns7oB49WiUhDNfW0Oewva0JgGxYq.webp'/></item><item><title><![CDATA[ED Raid on Rajesh Exports : રાજેશ એક્સપોર્ટના બેંગલુરૂ સહિત અન્ય ઠેકાણાઓ પર EDના દરોડા ]]></title><link>https://sandesh.com/business/news/ed-raids-rajesh-exports-bengaluru-offices-financial-irregularities-sebi-case</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/ed-raids-rajesh-exports-bengaluru-offices-financial-irregularities-sebi-case</guid><pubDate>Tue, 23 Jun 2026 18:54:43 +05:30</pubDate><description><![CDATA[<p>સોનાની નિકાસ સાથે જોડાયેલી કંપની રાજેશ એક્સપોર્ટ્સ ફરી એકવાર ચર્ચામાં આવી છે. માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા કંપની પર લગાવવામાં આવેલા ગંભીર આક્ષેપો બાદ હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કંપનીના અનેક ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી મંગળવાર સવારથી શરૂ થઈ હતી અને બેંગલુરુ સહિત અનેક સ્થળોએ એકસાથે હાથ ધરાઈ હતી.</p><h2><b>સેબીએ રાજેશ મહેતા પર ટ્રેડિંગ કરવાનો લગાવ્યો પ્રતિબંધ&nbsp;</b></h2><p>સેબીના આરોપ મુજબ રાજેશ એક્સપોર્ટ્સે છેલ્લા કેટલાક વર્ષોમાં લગભગ 15.15 લાખ કરોડ રૂપિયાનું ફેક એક્સપોર્ટ બતાવ્યું હતું, જે કંપનીના કુલ નિકાસ આંકડાના લગભગ 99 ટકા જેટલું છે. નિયમનકારી સંસ્થાએ આને ગંભીર નાણાકીય ગડબડી ગણાવી હતી. આ મામલે સેબીએ 3 જૂને એક અંતરિમ આદેશ જાહેર કરી કંપનીના પ્રમોટર અને ચેરમેન રાજેશ મેહતાને શેરબજારમાં ટ્રેડિંગથી રોકી દીધા હતા.</p><h3><b>તપાસમાં મોટાપાયે અનિયમિતતાઓ સામે આવી</b></h3><p>સેબી અનુસાર FY21થી FY25 વચ્ચે કંપનીએ પોતાની વિદેશી સહાયક કંપનીઓ મારફતે આવકને ખોટી રીતે વધારીને દર્શાવી હતી. આ આંકડાઓની ચકાસણી દરમિયાન મોટાપાયે અનિયમિતતાઓ સામે આવી હતી, જેના કારણે સમગ્ર મામલો તપાસના ઘેરામાં આવ્યો હતો. આ આક્ષેપો બાદ કંપનીના શેરમાં ભારે અસ્થિરતા જોવા મળી હતી. 3 જૂનના સેબીના આદેશ બાદ શેરોમાં ભારે ઘટાડો નોંધાયો હતો અને 12 જૂન સુધીમાં 30 ટકાથી વધુનો ઘટાડો આવ્યો હતો. ત્યારબાદ થોડો સુધારો જોવા મળ્યો હતો અને શેરમાં લગભગ 40 ટકાનો ઉછાળો પણ નોંધાયો હતો.</p><h4><b>રોકાણકારોમાં ચિંતા જોવા મળી</b></h4><p>હાલમાં EDની તાજેત્તરની કાર્યવાહી બાદ ફરી એકવાર રોકાણકારોમાં ચિંતા જોવા મળી રહી છે. બજાર નિષ્ણાતોના મતે, આગામી દિવસોમાં કંપનીના શેર પર આ તપાસની સીધી અસર પડી શકે છે. સમગ્ર કેસમાં વધુ વિગતો અને સત્તાવાર માહિતીની રાહ જોવામાં આવી રહી છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/business/india-us-lpg-trade-record-new-record-of-us-lpg-imports-in-india-more-than-1-million-tons-will-be-imported-in-june" target="_blank">આ પણ વાંચો : India US LPG Trade Record: ભારતમાં અમેરિકી LPG આયાતનો નવો રેકોર્ડ, જૂનમાં 10 લાખ ટનથી વધુ આયાત થશે</a></b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/23/OgceFJxYh4axqYKmyj4Mb81mow8SSBphQbyL1W7O.webp'/></item></channel></rss>