<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabad News: આંતરરાજ્ય મોટરસાયકલ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, 3 આરોપીઓની ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/interstate-motorcycle-theft-gang-busted</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/interstate-motorcycle-theft-gang-busted</guid><pubDate>Fri, 26 Jun 2026 21:48:24 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં એલસીબી ઝોન-4ને વાહન ચોરીના ગુનાઓમાં મોટી સફળતા મળી છે.આંતરરાજ્ય મોટરસાયકલ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરીને પોલીસે રાજસ્થાનના બે આરોપીઓ સહિત કુલ ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે.આરોપીઓ પાસેથી કુલ 15 ચોરાયેલી મોટરસાયકલો,અંદાજે રૂ.4.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.આ કાર્યવાહી દરમિયાન અમદાવાદ શહેર, સાબરકાંઠા અને રાજસ્થાનમાં નોંધાયેલા કુલ 11 વાહન ચોરીના ગુનાઓ પણ ડિટેક્ટ કરવામાં આવ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>8 ચોરાયેલી મોટરસાયકલો જપ્ત કરવામાં આવી&nbsp;</b></h2><p style="text-align: justify; ">ગત 29 માર્ચે નરોડા વિસ્તારમાંથી કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરને ઝડપી તેની પાસેથી અમદાવાદ, સાબરકાંઠા અને રાજસ્થાનમાંથી ચોરાયેલી કુલ 7 મોટરસાયકલો કબજે કરવામાં આવી હતી.તપાસ દરમિયાન રાજસ્થાનના સલુંબર જિલ્લાના બેહુતી ગામના રહેવાસી રણજીતસિંહ નાથુસિંહ રાઠોડ અને લલીતકુમાર ભગવાનલાલ મીણાના નામ ખુલ્યા હતા.જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા. આજે મળેલી બાતમીના આધારે મેઘાણીનગર વિસ્તારમાંથી બંને આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી વધુ 8 ચોરાયેલી મોટરસાયકલો જપ્ત કરવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>સાગરીતો અને વધુ ચોરાયેલા વાહનો અંગે વધુ તપાસ&nbsp;</b></h3><p style="text-align: justify; ">પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ મજૂરી કામ માટે વારંવાર અમદાવાદ આવતા અને અલગ-અલગ જગ્યાએ રહેતા હતા. શહેરમાં અવરજવર માટે તેઓ મોટરસાયકલ ચોરી કરતા, થોડા દિવસ તેનો ઉપયોગ કર્યા બાદ અવાવરુ જગ્યાએ મૂકી ફરી બીજી મોટરસાયકલ ચોરી લેતા હતા. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ 15 ચોરાયેલી મોટરસાયકલો, રૂ.4.50 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને અમદાવાદ શહેર, સાબરકાંઠા તથા રાજસ્થાનના કુલ 11 વાહન ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓની અન્ય ગુનાઓમાં સંડોવણી, અન્ય સાગરીતો અને વધુ ચોરાયેલા વાહનો અંગે વધુ તપાસ હાથ ધરી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-weather-forecast-next-7-days-cyclonic-circulation-active-rain-update" target="_blank">આ પણ વાંચોઃ Weather Update : આગામી 7 દિવસ આ વિસ્તારોમાં સામાન્ય વરસાદની અગાહી, તાપમાન અંગે પણ મોટું અપડેટ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/RaSqhtM8MFn6weIDz5dyVgtJ5ezfO04wPsSBTJsM.webp'/></item><item><title><![CDATA[Auto News: ઓફ-રોડિંગના શોખીનો થઈ જાવ તૈયાર; બજારમાં આવી રહી છે નવી 4 શક્તિશાળી SUVs! ]]></title><link>https://sandesh.com/business/news/automobile/auto-news-off-roading-enthusiasts-get-ready-4-new-powerful-suvs-are-coming-to-the-market</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/auto-news-off-roading-enthusiasts-get-ready-4-new-powerful-suvs-are-coming-to-the-market</guid><pubDate>Fri, 26 Jun 2026 21:31:02 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">છેલ્લા 10 વર્ષોમાં ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં SUV સેગમેન્ટે ખૂબ જ ઝડપી પ્રગતિ કરી છે. આજે મોટાભાગની કાર ઉત્પાદક કંપનીઓ સેડાન કે હેચબેક કારના બદલે SUVs બનાવવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ગ્રાહકોની બદલાતી પસંદગીને કારણે આ સેગમેન્ટ હાલમાં સૌથી વધુ લોકપ્રિય બન્યું છે.</p><h2 style="text-align: justify; "><b>સાચી ઓફ-રોડિંગ કારની ઓળખ</b></h2><p style="text-align: justify; ">બજારમાં ઉપલબ્ધ મોટાભાગની એસયુવી વાસ્તવમાં ક્રોસઓવર હોય છે જે મોનોકોક પ્લેટફોર્મ પર બને છે. પરંતુ સાચી ઓફ-રોડિંગ માટે ખાસ પ્રકારની એસયુવી તૈયાર કરવામાં આવે છે, જે લેડર-ફ્રેમ ચેસિસ પર આધારિત હોય છે. આ ચેસિસ ગાડીને વધુ મજબૂત બનાવે છે, જેના કારણે તે કઠિન રસ્તાઓ પર સરળતાથી ચાલી શકે છે. આવનારા સમયમાં આવી જ ચાર શક્તિાળી SUVs લોન્ચ થવાની આશા છે.</p><h2 style="text-align: justify; "><b>મહિન્દ્રા સ્કોર્પિયો એન ફેસલિફ્ટ (Mahindra Scorpio N Facelift)</b></h2><p style="text-align: justify; ">મહિન્દ્રા સ્કોર્પિયો એન એવા ગ્રાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે જેઓ પ્રીમિયમ ફીચર્સ અને આરામદાયક ઈન્ટિરિયરની સાથે દમદાર લુક ઈચ્છે છે. કંપની હવે આ એસયુવીના ફેસલિફ્ટ વર્ઝન પર કામ કરી રહી છે અને તેના ટેસ્ટિંગ મોડલ્સ પણ ઘણી વખત રસ્તા પર જોવામાં આવ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>સ્કોર્પિયો એન ફેસલિફ્ટમાં સંભવિત ફેરફારો</b></h3><p style="text-align: justify; ">આ નવા ફેસલિફ્ટ મોડલમાં બહારની તરફ કેટલાક કોસ્મેટિક ફેરફારો જોવા મળશે, જેમાં નવી ડિઝાઈનના વ્હીલ્સ, રિડિઝાઈન કરેલા બમ્પર, નવી ગ્રિલ અને અપડેટેડ હેડલાઈટ્સ સામેલ હોઈ શકે છે. આ સિવાય કારના ઈન્ટિરિયરમાં 'રોક્સ' (Roxx) જેવી મોટી ટચસ્ક્રીન અને વધુ વેરિઅન્ટ્સમાં લેવલ 2 ADAS મળવાની સંભાવના છે.</p><h3 style="text-align: justify; "><b>મહિન્દ્રા સ્કોર્પિયો ક્લાસિક (Mahindra Scorpio Classic)</b></h3><p style="text-align: justify; ">સ્કોર્પિયો એક એવું મોડલ છે જેણે ભારતીય બજારમાં મહિન્દ્રા કંપનીની કિસ્મત બદલી નાખી છે. આ જ કારણે કંપની સ્કોર્પિયો એન લોન્ચ કર્યા પછી પણ સ્કોર્પિયો ક્લાસિકનું વેચાણ ચાલુ રાખી રહી છે. આ ઓરિજિનલ સ્કોર્પિયોને પણ આ વર્ષે નવો અપડેટ મળી શકે છે.</p><h4 style="text-align: justify; "><b>સ્કોર્પિયો ક્લાસિકમાં નવા ફીચર્સ</b></h4><p style="text-align: justify; ">ગ્રાહકો સ્કોર્પિયો ક્લાસિકને તેના બોલ્ડ લુક માટે પસંદ કરે છે, તેથી મહિન્દ્રા તેની મૂળ ડિઝાઇનમાં કોઈ મોટો ફેરફાર નહીં કરે. જો કે, તેમાં સામાન્ય કોસ્મેટિક અપડેટ્સની સાથે કેબિનની અંદર વધુ સારા રિઝોલ્યુશનવાળી નવી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને નવી ઇન્ટિરિયર કલર થીમ આપવામાં આવી શકે છે.</p><h4 style="text-align: justify; "><b>નેક્સ્ટ જનરેશન ટોયોટા ફોર્ચ્યુનર (Next-Gen Toyota Fortuner)</b></h4><p style="text-align: justify; ">ટોયોટાની નેક્સ્ટ જનરેશન ફોર્ચ્યુનરની ભારતમાં આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આ દમદાર એસયુવી આ વર્ષે તહેવારોની સીઝન આસપાસ અથવા 2027ની શરૂઆતમાં લોન્ચ થાય તેવી શક્યતા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવી ફોર્ચ્યુનરમાં અપડેટેડ IMV લેડર-ફ્રેમ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવશે.</p><h5 style="text-align: justify; "><b>નવી ફોર્ચ્યુનરની ડિઝાઈન અને એન્જિન</b></h5><p style="text-align: justify; ">લુકની વાત કરીએ તો, આ એસયુવીમાં નવી એલઇડી હેડલાઇટ્સ, આકર્ષક ફ્રન્ટ ફેસિયા અને નવું બમ્પર જોવા મળશે, જ્યારે કેબિનને વધુ પ્રીમિયમ લેઆઉટ આપવામાં આવશે. એન્જિનમાં કોઈ ફેરફાર વગર 2.7-લીટર પેટ્રોલ અને 2.8-લીટર ડીઝલ માઇલ્ડ-હાઇબ્રિડ એન્જિનના ઓપ્શન્સ મળતા રહેશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/automobile" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/ZuFT8cJ0gGjVWjguPIEa60jARUv5dc6gXshHEvmY.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના હાથીજણમાં ફાયર બ્રિગેડનું સરાહનીય રેસ્ક્યૂ: દોઢ વર્ષની માસૂમ બાળકીનો આબાદ બચાવ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/commendable-rescue-by-fire-brigade-in-hathijan-ahmedabad-one-and-a-half-year-old-innocent-girl-rescued-safely</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/commendable-rescue-by-fire-brigade-in-hathijan-ahmedabad-one-and-a-half-year-old-innocent-girl-rescued-safely</guid><pubDate>Fri, 26 Jun 2026 21:00:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા હાથીજણ પંથકમાંથી એક હૃદયધબકાવી દેનારી પરંતુ અંતે રાહત આપનારી ઘટના સામે આવી છે. હાથીજણ વિસ્તારમાં આવેલી વડાપ્રધાન આવાસ યોજનાના એક મકાનમાં દોઢ વર્ષની એક માસૂમ બાળકી પોતાના ઘરમાં રમી રહી હતી. આ દરમિયાન રમતા-રમતા અચાનક દરવાજાની પાછળ લાગેલી સ્ટોપર બંધ થઈ ગઈ હતી. દરવાજો અંદરથી લોક થઈ જવાના કારણે માસૂમ બાળકી રૂમની અંદર જ પુરાઈ ગઈ હતી અને ફસાઈ ગઈ હતી.</p><h2 style="text-align: justify; ">પરિવારના જીવ અધ્ધર થયા, ફાયર બ્રિગેડને કરાઈ જાણ</h2><p style="text-align: justify; ">બાળકી અંદર લોક થઈ ગઈ હોવાની અને દરવાજો બહારથી ખૂલી શકે તેમ ન હોવાની જાણ થતાં જ પરિવારજનોના જીવ તાળવે ચોંટ્યા હતા. દોઢ વર્ષની નાની બાળકી અંદર એકલી હોવાથી અને ગભરાઈને રડવા લાગતાં આસપાસના પડોશીઓ પણ મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં સફળતા મળી ન હતી. આખરે મામલાની ગંભીરતાને સમજીને સ્થાનિક રહીશો દ્વારા તાત્કાલિક અમદાવાદ ફાયર બ્રિગેડને આ અંગે જાણ કરવામાં આવી હતી.</p><h3 style="text-align: justify; ">ફાયર ટીમે બારીમાંથી દિલધડક પ્રવેશ કરી બાળકીને ઉગારી</h3><p style="text-align: justify; ">બાળકી રૂમમાં ફસાઈ હોવાનો કોલ મળતાની સાથે જ હાથીજણ નજીકના ફાયર સ્ટેશનની રેસ્ક્યૂ ટીમ આધુનિક સાધનો સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયરના જવાનોએ સમયસૂચકતા વાપરીને મુખ્ય દરવાજો તોડીને બાળકીને વધુ ડરાવવાના બદલે વૈકલ્પિક રસ્તો અપનાવ્યો હતો. ફાયર ફાઇટરોએ મકાનની પાછળ અથવા બાજુના ભાગે આવેલી બારી વાટે રૂમમાં પ્રવેશ કરવાનું જોખમી ઓપરેશન હાથ ધર્યું હતું.</p><h4 style="text-align: justify; ">બાળકીને સહીસલામત બહાર કાઢી લેવાઈ</h4><p style="text-align: justify; ">એક જવાને અત્યંત ચપળતાપૂર્વક બારીના ભાગેથી રૂમની અંદર પ્રવેશ કર્યો હતો અને અંદર જઈને તાત્કાલિક દરવાજો ખોલી નાખ્યો હતો. ફાયર બ્રિગેડની આ ત્વરિત અને સચોટ કામગીરીના કારણે દોઢ વર્ષની માસૂમ બાળકીને સહીસલામત બહાર કાઢી લેવામાં આવી હતી. બાળકીને સુરક્ષિત જોઈને પરિવારજનો અને સ્થાનિક લોકોએ ભારે રાહતનો શ્વાસ લીધો હતો અને ફાયર બ્રિગેડની ટીમનો આભાર માન્યો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/9upyVfwpIdFbhZvkqZK7FcmiTcNA6mu1dWWEcxSR.webp'/></item><item><title><![CDATA[Jamnagar News: મહોરમ નિમિત્તે ખાખીનો ચુસ્ત પહેરો, રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે લીધી મુલાકાત ]]></title><link>https://sandesh.com/gujarat/news/jamnagar/moharram-police-bandobast-range-ig-nirligt-rai-visit</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/jamnagar/moharram-police-bandobast-range-ig-nirligt-rai-visit</guid><pubDate>Fri, 26 Jun 2026 20:58:36 +05:30</pubDate><description><![CDATA[<p>જામનગર શહેરમાં મહોરમનો તહેવાર નજીક આવતા જ પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરી દેવામાં આવી છે. સંવેદનશીલ અને મુખ્ય વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે અને કાયદો તેમજ વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જામનગર શહેરમાં લોખંડી પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.</p><h2><b>રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની સરપ્રાઈઝ વિઝિટ</b></h2><p>જામનગરની સુરક્ષા વ્યવસ્થાનું આકલન કરવા માટે રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાયે ખાસ જામનગર શહેરની મુલાકાત લીધી હતી. તેમણે શહેરના મુખ્ય એવા 'સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન' વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થાની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. આઈજીએ સ્થાનિક અધિકારીઓને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી કડક સૂચનાઓ આપી હતી.</p><h2><b>ટોચના અધિકારીઓનો કાફલો મેદાને</b></h2><p>આઈજી નિર્લિપ્ત રાયના આ નિરીક્ષણ પ્રવાસ દરમિયાન જામનગર જિલ્લા પોલીસ વડા ડૉ. રવિ મોહન સૈની તેમજ ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો મોટો કાફલો સાથે જોડાયો હતો. તમામ અધિકારીઓએ સાથે મળીને બંદોબસ્તની વ્યૂહરચના અને સંવેદનશીલ પોઈન્ટ્સ પર પોલીસ ફોર્સની તૈનાતી અંગે ચર્ચા કરી હતી.</p><h2><b>શાંતિપૂર્ણ ઉજવણી માટે આધુનિક મોનિટરિંગ અને સઘન પેટ્રોલિંગ</b></h2><p>મહોરમનો તહેવાર સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા ટેકનોલોજી અને હ્યુમન સોર્સ બંનેની મદદથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જામનગર શહેરના ખૂણે-ખૂણે પોલીસની ગાડીઓ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, તેમજ સોશિયલ મીડિયા પર પણ બાજ નજર રાખવામાં આવી રહી છે જેથી કોઈ અફવા ન ફેલાય.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/jamnagar/dhrol-latipar-village-car-accident-three-dead-six-injured" target="_blank">Jamnagar News: ધ્રોલ નજીક બે કાર વચ્ચે ટક્કર, અકસ્માતમાં ત્રણના મોત, છ ઘાયલ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/fzEpoPQvd7PEEAimbPcVsJoe9OJlidZ3AAnb7fYp.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: DRIના મેગા ઓપરેશનમાં 23 કરોડની કિંમતનું અંદાજે 15 કિલો સોનું અને 45 કિલો ચાંદી જપ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/dri-mega-operation-seizes-gold-and-silver-worth-23-crore-15-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/dri-mega-operation-seizes-gold-and-silver-worth-23-crore-15-arrested</guid><pubDate>Fri, 26 Jun 2026 20:49:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા દેશવ્યાપી ઓપરેશન હાથ ધરી સોનાની દાણચોરી કરતા એક મોટા સંગઠિત સિન્ડિકેટનો ભાંડો ફોડવામાં આવ્યો છે.આ મેગા કાર્યવાહીમાં DRIએ આશરે 15 કિલો સોનું અને 45 કિલો ચાંદી જપ્ત કરી છે.જેની બજાર કિંમત અંદાજે 23 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે.આ ઓપરેશનમાં અત્યાર સુધીમાં કુલ 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>મુંબઈમાં મોટું નેટવર્ક ઝડપાયું</b></h2><p style="text-align: justify; ">DRIને મળેલી બાતમીના આધારે મુંબઈ એરપોર્ટ પર કાર્યરત એક સંગઠિત રેકેટનો પર્દાફાશ થયો છે.એજન્સીએ અહીં એક ગુપ્ત મેલ્ટિંગ યુનિટ શોધી કાઢ્યું હતું.જ્યાં દાણચોરીના સોનાને પ્રોસેસ કરવામાં આવતું હતું.આ કેસમાં એરપોર્ટ સ્ટાફ, હેન્ડલર્સ, મધ્યસ્થીઓ અને યુનિટના સંચાલકો સહિત 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 6 કિલો વિદેશી સોનું જપ્ત કરાયું છે. બેંગલુરુ એરપોર્ટ પર એક મુસાફરના કપડાંમાં પેસ્ટ સ્વરૂપે છુપાવેલું 1.8 કિલો 24 કેરેટ સોનું ઝડપાયું હતું.ત્યારબાદ આરોપીના ઘરે દરોડા પાડીને વધારાનું 1.5 કિલો સોનાના દાગીના,45 કિલો ચાંદી તેમજ ભારતીય અને વિદેશી ચલણ કબજે કરાયું હતું.</p><h3 style="text-align: justify; "><b>આંતરરાષ્ટ્રીય કનેક્શન સુધી પહોંચવા માટે સઘન તપાસ</b></h3><p style="text-align: justify; ">આ ઉપરાંત, હૈદરાબાદ, રાજકોટ, કાલિકટ, વિશાખાપટ્ટનમ, ગુવાહાટી અને પેટ્રાપોલ જેવા વિવિધ શહેરોમાં પણ DRIએ દરોડા પાડી વધુ 6 કિલો વિદેશી સોનું જપ્ત કરી 5 આરોપીઓને ઝડપી લીધા છે.સમગ્ર દેશમાં એકસાથે હાથ ધરવામાં આવેલા આ ઓપરેશનમાં જપ્ત કરવામાં આવેલું 15 કિલો સોનું અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ દાણચોરીના વિશાળ નેટવર્કનો પુરાવો આપે છે. DRIના અધિકારીઓ હવે આ તમામ ધરપકડ કરાયેલા લોકોની પૂછપરછ કરીને આ નેટવર્કના મુખ્ય સૂત્રધાર અને તેના આંતરરાષ્ટ્રીય કનેક્શન સુધી પહોંચવા માટે સઘન તપાસ કરી રહ્યા છે.આ ઓપરેશનને ડ્રગ્સ અને સોનાની દાણચોરી સામેની લડાઈમાં એક મોટી સિદ્ધિ માનવામાં આવે છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/crime/surat/dri-seizes-20-crore-worth-of-cocaine-at-railway-station-one-arrested" target="_blank">આ પણ વાંચોઃ Surat News : રેલવે સ્ટેશન પર DRIએ 20 કરોડનું કોકેઈન પકડ્યું, એક શખ્સની ધરપકડ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/4F9C4AtjKbXwrEbASuRArAWySGYaxvcBlkWK62KI.webp'/></item><item><title><![CDATA[Gold Mining Project Andhra Pradesh: આ ખાણમાંથી દર વર્ષે નીકળશે 2 ટન સોનું, સીએમ ચંદ્રબાબુ નાયડુએ આપી મંજૂરી ]]></title><link>https://sandesh.com/india/news/business/gold-mining-project-andhra-pradesh-2-tons-of-gold-will-be-extracted-from-this-mine-every-year-cm-chandrababu-naidu-gave-approval</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/gold-mining-project-andhra-pradesh-2-tons-of-gold-will-be-extracted-from-this-mine-every-year-cm-chandrababu-naidu-gave-approval</guid><pubDate>Fri, 26 Jun 2026 20:33:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ ₹405 કરોડનો પ્રોજેક્ટ સોનાના ઉત્પાદન અને પ્રક્રિયા માટે વિકસાવવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; ">જોનાગિરી ખાતે પ્રોજેક્ટને લીલી ઝંડી</h2><p style="text-align: justify; ">દેશભરમાં સોનાના વધતા ભાવ વચ્ચે, બીજા ભારતીય રાજ્યમાં એક ખાણ સોનાનું ઉત્પાદન કરવા માટે તૈયાર છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ કુર્નૂલ જિલ્લાના જોનાગિરી ખાતે એક મુખ્ય ખાનગી સોનાની ખાણકામ અને પ્રક્રિયા પ્રોજેક્ટને લીલી ઝંડી આપી છે. આ પ્રોજેક્ટને ભારતના અગ્રણી સોનાની ખાણકામ પ્રોજેક્ટ્સમાંનો એક માનવામાં આવે છે. અંદાજે ₹405 કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલ આ પ્રોજેક્ટ 1,500 એકર વિસ્તારમાં ફેલાયેલો છે, જેમાં પ્રથમ તબક્કામાં 600 એકર પર ખાણકામ કામગીરી શરૂ થશે.&nbsp;</p><h3 style="text-align: justify; ">પ્રોજેક્ટ KGFની જેમ નવી આશા લાવશે&nbsp;</h3><p style="text-align: justify; ">સરકારના મતે, આ પ્રોજેક્ટ કોલાર ગોલ્ડ ફિલ્ડ્સની જેમ નવી આશા લાવે છે, જે એક સમયે દેશની સૌથી પ્રખ્યાત સોનાની ખાણ હતી. આ ખાણમાંથી પ્રથમ વર્ષમાં આશરે 400 કિલોગ્રામ સોનું ઉત્પન્ન થવાની ધારણા છે. બીજા વર્ષથી ઉત્પાદન વધીને 900 કિલોગ્રામ થવાની ધારણા છે, અને વાર્ષિક 2 ટન સોનું ઉત્પન્ન કરવાનો લક્ષ્યાંક છે.</p><h4 style="text-align: justify; ">આ પ્રોજેક્ટ રોજગાર કેવી રીતે પૂરો પાડશે?</h4><p style="text-align: justify; ">આ પ્રોજેક્ટ માત્ર સોનાની ખાણકામ માટે મહત્વપૂર્ણ નથી, પરંતુ તે આશરે 700 લોકોને રોજગાર પણ પૂરો પાડે તેવી અપેક્ષા છે. રાજ્ય સરકારને આ પ્રોજેક્ટથી નોંધપાત્ર આર્થિક લાભ પણ મળશે. સરકારને સોનાના ઉત્પાદન મૂલ્ય પર 4% રોયલ્ટી મળશે, જેનાથી કરોડો રૂપિયાની આવક થઈ શકે છે. આ પ્રોજેક્ટ માત્ર ખાણકામ ક્ષેત્ર માટે જ નહીં પરંતુ સ્થાનિક વિકાસ, રોજગાર અને આર્થિક મજબૂતાઈ માટે પણ એક મોટું પગલું માનવામાં આવે છે.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ&nbsp; <a href="https://sandesh.com/world/news/philippines-earthquake-67-magnitude-earthquake-in-the-philippines-strong-tremors-felt-on-mindanao-island" target="_blank">ફિલિપિન્સમાં 6.7ની તીવ્રતાનો ભૂકંપ, મિંડાનાઓ દ્વીપ પર અનુભવાયા જોરદાર આંચકા</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/oONIPDMAEklGGd1LZ9cqsi1B0BE1pfnSf78AeNHi.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: વડોદરામાં યોજાનારી VGRCમાં ગિફ્ટ સિટી ભારતના વૈશ્વિક નાણાંકીય પ્રવેશદ્વાર તરીકે પોતાની ભૂમિકા રજૂ કરશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gift-city-to-showcase-india-rsquo-s-global-financial-gateway-at-vgrc-summit-in-vadodara</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gift-city-to-showcase-india-rsquo-s-global-financial-gateway-at-vgrc-summit-in-vadodara</guid><pubDate>Fri, 26 Jun 2026 20:07:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી આગામી 30 જૂને જીએસએફસી યુનિવર્સિટી,વડોદરા ખાતે યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં ભારતના આંતરરાષ્ટ્રીય નાણાંકીય પ્રવેશદ્વાર તરીકેની પોતાની વધી રહેલી ભૂમિકા રજૂ કરશે.આ સમિટમાં ઉદ્યોગજગતના અગ્રણીઓ,શૈક્ષણિક ક્ષેત્રના પ્રતિનિધિઓ અને નાણાંકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાંતો હાજર રહેશે અને વિવિધ દેશો સાથેના નાણાંકીય વ્યવહારો,રોકાણ તેમજ વૈશ્વિક વેપાર ક્ષેત્રની તકો અંગે ચર્ચા કરશે.</p><h2 style="text-align: justify; "><b>વિશેષ સેશનનું આયોજન</b></h2><p style="text-align: justify; ">આ સમિટના ભાગરૂપે ગિફ્ટ સિટી મંગળવારે “ગિફ્ટ સિટી ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ ગેટવે ઓફ ઈન્ડિયા વિષય પર વિશેષ સેશનનું આયોજન કરશે.આ સેશનમાં બેન્કિંગ,ફંડ મેનેજમેન્ટ,ઇન્ટરનેશનલ એક્સચેન્જીસ અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટીના વરિષ્ઠ પ્રતિનિધિઓ ભાગ લેશે. સેશનમાં ભારતના એકમાત્ર ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટરમાં વધી રહેલી નાણાંકીય પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરવામાં આવશે,જેમાં બેન્કિંગ, કેપિટલ માર્કેટ્સ, ઇન્શ્યોરન્સ, ફંડ મેનેજમેન્ટ અને અન્ય ઉભરતા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.</p><h3 style="text-align: justify; "><b>ગિફ્ટ સિટી વિવિધ ક્ષેત્રોમાં મજબૂત વૃદ્ધિ નોંધાવી</b></h3><p style="text-align: justify; ">આ સેશન એવા સમયે યોજાઇ રહ્યું છે કે જ્યારે ગિફ્ટ સિટી વિવિધ ક્ષેત્રોમાં મજબૂત વૃદ્ધિ નોંધાવી રહી છે.માર્ચ 2026 સુધીમાં ગિફ્ટ સિટી આઈએફએસસીમાં બેન્કિંગ એસેટ્સનું મૂલ્ય 111 અબજ યુએસ ડોલર સુધી પહોંચ્યું હતું.જ્યારે ફંડ મેનેજમેન્ટ ઇકોસિસ્ટમમાં 217 ફંડ મેનેજમેન્ટ એન્ટિટીઝ (એફએમઈ) દ્વારા 360 સ્કીમ્સ મેનેજ કરવામાં આવી રહી હતી અને કુલ મૂડી પ્રતિબદ્ધતા 39 અબજ યુએસ ડોલરને વટાવી ગઈ હતી.હાલમાં ગિફ્ટ સિટીમાં 1,500થી વધુ સંસ્થાઓ કાર્યરત છે, જેમાં અંદાજે 27,000 વ્યાવસાયિકો કામ કરે છે. ગિફ્ટ સિટી વિશિષ્ટ નાણાંકીય પ્રવૃત્તિઓ માટે પણ એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી રહી છે. માર્ચ 2026 સુધીમાં અહીં 35 એરક્રાફ્ટ લેસર્સ અને 36 શિપ લેસર્સ કાર્યરત હતા.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>37 જહાજોના લીઝિંગ વ્યવહારો પૂર્ણ કરવામાં આવ્યા</b></h2><p style="text-align: justify; ">ગિફ્ટ સિટી માળખાના માધ્યમથી 370થી વધુ એવિએશન એસેટ્સ અને 37 જહાજોના લીઝિંગ વ્યવહારો પૂર્ણ કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત, ગિફ્ટ સિટીમાંથી કાર્યરત ગ્લોબલ/રિજનલ કોર્પોરેટ ટ્રેઝરી સેન્ટર્સ દ્વારા આપવામાં આવેલી લોન અને એડવાન્સની રકમ માર્ચ 2026 સુધીમાં 5.61 અબજ યુએસ ડોલર સુધી પહોંચી હતી.આ આંકડો ટ્રેઝરી મેનેજમેન્ટ અને વિદેશી નાણાંકીય વ્યવહારો માટે ગિફ્ટ સિટીના ઇકોસિસ્ટમનો વધી રહેલો ઉપયોગ દર્શાવે છે.આ કાર્યક્રમ દરમિયાન ગિફ્ટ સિટી સ્થળ પર એક વિશેષ અનુભવાત્મક પેવેલિયન દ્વારા વિવિધ હિતધારકો સાથે સંવાદ કાર્યક્રમ યોજશે.આ પેવેલિયન મારફતે મુલાકાતીઓને ગિફ્ટ સિટીની ફાઇનાન્શિયલ ઇકોસિસ્ટમ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફંડ મેનેજમેન્ટ, એરક્રાફ્ટ લીઝિંગ તેમજ ફિનટેક જેવા ક્ષેત્રોમાં ઊભી થઈ રહેલી નવી તકો અંગે ઇન્ટરેક્ટિવ માહિતી આપવામાં આવશે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ats-seizes-8-crore-tramadol-tablets-in-shahibaug-supplier-arrested" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News : શાહિબાગ વિસ્તારમાથી ટ્રામાડોલ સાથે એક સપ્લાયર ઝડપાયો, 8 કરોડની કિંમતનો જથ્થો જપ્ત</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/JgS9mvgkFQI0CDNIF6EHtqN4xYunFr61q59xf7Db.webp'/></item><item><title><![CDATA[Operation Sindoor: શહીદ થયેલા 6 વીર જવાનોના નામ જાહેર, રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં મળશે સ્થાન ]]></title><link>https://sandesh.com/india/news/operation-sindoor-names-of-6-martyred-soldiers-announced-will-be-placed-in-the-national-war-memorial</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/operation-sindoor-names-of-6-martyred-soldiers-announced-will-be-placed-in-the-national-war-memorial</guid><pubDate>Fri, 26 Jun 2026 19:07:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ શહીદોના નામ હવે નવી દિલ્હીના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર લખવામાં આવશે.&nbsp;</p><h2 style="text-align: justify; ">બહાદુરી માટે સરકારે કર્યા સન્માનિત&nbsp;</h2><p style="text-align: justify; ">શહીદોમાં પાંચ સૈન્ય સૈનિકો અને એક વાયુસેના સાર્જન્ટનો સમાવેશ થાય છે. શહીદોમાં પાંચ ભારતીય સૈન્ય સૈનિકો અને એક ભારતીય વાયુસેના સાર્જન્ટનો સમાવેશ થાય છે. બે શહીદોને તેમની બહાદુરી માટે સરકારે સન્માનિત પણ કર્યા છે. રાઇફલમેન સુનિલ કુમારને મરણોત્તર વીર ચક્ર અને સાર્જન્ટ સુરેન્દ્ર કુમારને મરણોત્તર વાયુસેના મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. 'ઓપરેશન સિંદૂર'માં શહીદ થયેલા બહાદુર સૈનિકોમાં ભારતીય વાયુસેનાના સુબેદાર મેજર પવન કુમાર, રાઇફલમેન સુનિલ કુમાર, લાન્સ નાયક દિનેશ કુમાર, અગ્નિવીર મૂડ મુરલી નાયક, હવાલદાર સુનિલ કુમાર સિંહ અને સાર્જન્ટ સુરેન્દ્ર કુમારનો સમાવેશ થાય છે.</p><h3 style="text-align: justify; ">શહીદોના નામ જાહેર</h3><p style="text-align: justify; ">'ઓપરેશન સિંદૂર'દરમિયાન દેશની રક્ષા કરતી વખતે સર્વોચ્ચ બલિદાન આપનારા તમામ છ બહાદુર સૈનિકોના નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે. તેમના નામ નવા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર લખવામાં આવી રહ્યા છે, જેથી ખાતરી થાય કે તેમનું બલિદાન રાષ્ટ્રની સ્મૃતિમાં હંમેશા જીવંત રહેશે. આ છ શહીદોમાંથી બેને તેમના અસાધારણ બહાદુરી માટે લશ્કરી સન્માન પણ એનાયત કરવામાં આવ્યા છે.</p><h4 style="text-align: justify; ">મરણોત્તર વીર ચક્ર એનાયત&nbsp;</h4><p style="text-align: justify; ">રાઇફલમેન સુનિલ કુમારને મરણોત્તર વીર ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો, જે દેશનો ત્રીજો સર્વોચ્ચ યુદ્ધ સમયનો વીરતા પુરસ્કાર છે. સાર્જન્ટ સુરેન્દ્ર કુમારને વાયુસેના મેડલ પણ એનાયત કરવામાં આવ્યો હતો. રાઇફલમેન સુનિલ કુમાર ઓપરેશન દરમિયાન નિયંત્રણ રેખા પર તૈનાત હતા. ૮ જૂનના રોજ આયોજિત સંરક્ષણ શપથ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને મરણોત્તર વીર ચક્ર એનાયત કર્યું.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/knowledge/news/india/passport-citizenship-row-why-were-india-pakistan-joint-passports-made-public-after-partition-know-what-was-the-reason" target="_blank">ભાગલા બાદ ભારત-પાકિસ્તાન 'જોઈન્ટ પાસપોર્ટ' કેમ કરાતા હતા જાહેર, જાણો શુ હતુ કારણ?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/fo2lSCpzX6pSNeKuv3Iro33J0e4ii5ZQmVpWsVeG.webp'/></item><item><title><![CDATA[Argentina footballer Lucas Trejo : વેનેઝુએલા ભૂકંપમાં ગૂમ થયા આર્જેટિનાના ફૂટબોલરની પત્ની અને બાળકો, કાટમાળમાં ફેરવાયું ઘર ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/argentina-footballer-lucas-trejo-argentine-footballers-wife-and-children-missing-in-venezuela-earthquake-house-reduced-to-rubble</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/argentina-footballer-lucas-trejo-argentine-footballers-wife-and-children-missing-in-venezuela-earthquake-house-reduced-to-rubble</guid><pubDate>Fri, 26 Jun 2026 17:51:12 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપે આર્જેન્ટિનાના અનુભવી ફૂટબોલર લુકાસ ટ્રેજોના જીવનમાં તોફાન લાવી દીધું છે, જેનાથી સમગ્ર રમત જગત હચમચી ગયું છે. કોપા વેનેઝુએલા ટુર્નામેન્ટની તૈયારી માટે કારાકાસમાં પોતાની ટીમ સાથે રહેલા 38 વર્ષીય ડિફેન્ડર લુકાસ ટ્રેજોને ખબર પડી કે તેની પત્ની અને બે માસૂમ બાળકો જેમાં રહેતા હતા તે બહુમાળી ઇમારત સંપૂર્ણપણે નાશ પામી છે ત્યારે તે ખૂબ જ સ્તબ્ધ થઈ ગયો.</p><h3 style="text-align: justify; "><b>લુકાસ ટ્રેજોનો પરિવાર ગુમ</b></h3><p style="text-align: justify; ">24 જૂન2026ના રોજ વેનેઝુએલામાં એક પછી એક બે વિનાશક ભૂકંપ આવ્યા. પહેલો ભૂકંપ 7.2 ની તીવ્રતાનો હતો, અને ભૂકંપ ઓછો થાય તે પહેલાં, બીજો ભૂકંપ 7.5 ની તીવ્રતાનો વધુ ઘાતક ભૂકંપ આવ્યો. લુકાસ ટ્રેજોના વતન, લા ગુએરામાં આ વિનાશ સૌથી વધુ ગંભીર હતો, જ્યાં તેનું ઘર પત્તાના ઘરની જેમ તૂટી પડ્યું હતું. મૂળ આર્જેન્ટિનાના કોર્ડોબાના લુકાસ ટ્રેજો ફૂટબોલ મેદાન પર તેના શક્તિશાળી રમત માટે ધ જનરલ તરીકે ઓળખાય છે. પરંતુ આ દુર્ઘટનાએ તેને સંપૂર્ણપણે વિખેરાઈ ગયો છે.</p><h5 style="text-align: justify; "><b>વિશ્વભરના ચાહકોને આંસુથી વિનંતી કરી</b></h5><p style="text-align: justify; ">પોતાના પરિવારના કોઈ સમાચાર ન મળતાં, તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક ભાવનાત્મક અને હૃદયદ્રાવક વાર્તા પોસ્ટ કરી. તેમણે વિશ્વભરના ચાહકોને આંસુથી વિનંતી કરી, પૂછ્યું કે શું કોઈ લા ગુએરાના કાટમાળ નજીક છે કે નહીં, કૃપા કરીને તેમને તેમની પત્ની, યાનીના મારાનિલા, પુત્ર, એરોન અને પુત્રી, આઇનહોઆની સલામતી વિશે જણાવો. આ પોસ્ટ ઝડપથી આર્જેન્ટિના અને વેનેઝુએલાના રમતગમત જગતમાં વાયરલ થઈ ગઈ.</p><p><h4 style="text-align: justify; "><b>લુકાસ ટ્રેજો કોણ છે?</b></h4></p><p style="text-align: justify; ">38 વર્ષીય લુકાસ ટ્રેજો વેનેઝુએલાના સેગુન્ડા ડિવિઝન ક્લબ મેરિટિમો માટે ડિફેન્ડર તરીકે રમે છે. તે વેનેઝુએલાના ફૂટબોલ ક્લબ મોનાગાસ સ્પોર્ટ ક્લબનો સભ્ય પણ રહી ચૂક્યો છે. અગાઉ, લુકાસ ટ્રેજો યુરોપ, યુનાઇટેડ સ્ટેટ્સ, કોલંબિયા, પેરુ અને મેક્સિકોના ક્લબો માટે રમી ચૂક્યો છે</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/cricket/news/rahul-dravid-stood-by-vaibhav-sooryavanshi-said-this-big-thing" target="_blank"> Rahul Dravidએ સૂર્યવંશી અંગે આપ્યું નિવેદન, કહ્યું- '...વૈભવને બચાવવો જરૂરી છે'</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/6ERSl0R4HV2B7wP3rUl9c694Om8muilJg9Ove8aW.webp'/></item><item><title><![CDATA[Rhea Chakraborty: સુશાંત સિંહ રાજપૂતના અવસાન અને ધરપકડના ટ્રોમા પર રિયા ચક્રવર્તીનો મોટો ખુલાસો ]]></title><link>https://sandesh.com/entertainment/news/rhea-chakrabortys-big-revelation-on-the-trauma-of-sushant-singh-rajputs-death-and-arrest</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/rhea-chakrabortys-big-revelation-on-the-trauma-of-sushant-singh-rajputs-death-and-arrest</guid><pubDate>Fri, 26 Jun 2026 15:56:46 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તીએ વર્ષ ૨૦૨૦ માં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના આકસ્મિક અને દુઃખદ અવસાન બાદ પોતાના જીવનમાં આવેલા ભયાનક તોફાન વિશે ફરી એકવાર ખુલીને વાત કરી છે. તાજેતરમાં આપેલા એક વિગતવાર ઈન્ટરવ્યુમાં રિયાએ તે સમયગાળા દરમિયાન અનુભવેલા માનસિક આઘાત (Trauma), મીડિયા ટ્રાયલ અને જેલના દિવસોના પોતાના કડવા અનુભવો શેર કર્યા છે. રિયાએ જણાવ્યું કે તે સમયે જે પરિસ્થિતિઓ સર્જાઈ હતી, તેમાંથી બહાર નીકળવું તેના માટે કેટલું માનસિક અને ભાવનાત્મક રીતે પીડાદાયક હતું.</p><h2 style="text-align: justify; "><b>રિયા ને ભારે ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો</b></h2><p style="text-align: justify; ">સુશાંત સિંહ રાજપૂતના અવસાન બાદ રિયા ચક્રવર્તીને ભારે ટ્રોલીંગ અને આક્ષેપોનો સામનો કરવો પડ્યો હતો, જે બાદ ડ્રગ્સ સંબંધિત એક એન્ગલમાં તેની ધરપકડ પણ કરવામાં આવી હતી અને તેણે જેલમાં સમય વિતાવવો પડ્યો હતો. આ ઘટનાઓ પર વાત કરતા રિયાએ કહ્યું કે, "જ્યારે તમે આવા કોઈ મોટા આઘાતમાંથી પસાર થાઓ છો, ત્યારે આખી દુનિયા તમારી સામે થઈ જાય છે. લોકો તમને દોષી ઠેરવવા લાગે છે. તે સમયે જેલની અંદર જવું અને ત્યાં રહેવું મારા જીવનનો સૌથી મુશ્કેલ તબક્કો હતો."</p><h3 style="text-align: justify; "><b>સામાન્ય જીવન જીવવું સરળ નહોતું</b></h3><p style="text-align: justify; ">રિયાએ આગળ ઉમેર્યું કે, જેલમાંથી બહાર આવ્યા પછી પણ સામાન્ય જીવન જીવવું સરળ નહોતું. સમાજ અને લોકોનો નજરિયો સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો. આ માનસિક આઘાતમાંથી બહાર આવવા માટે તેણે થેરાપી (Therapy) નો સહારો લેવો પડ્યો હતો. રિયાએ સ્વીકાર્યું કે માનસિક સ્વાસ્થ્યને સુધારવા અને પોતાની જાતને ફરીથી બેઠી કરવા માટે તેણે લાંબો સંઘર્ષ કરવો પડ્યો છે.</p><p style="text-align: justify; ">હવે રિયા ચક્રવર્તી પોતાના જીવનમાં આગળ વધી રહી છે અને તેણે પોડકાસ્ટિંગ તેમજ અન્ય ડિજિટલ પ્લેટફોર્મ્સ દ્વારા કામ પર વાપસી કરી છે. રિયાના મતે, આ દુઃખદ અનુભવોએ તેને અંદરથી વધુ મજબૂત બનાવી છે અને હવે તે માનસિક સ્વાસ્થ્ય અને ટ્રોમામાંથી બહાર આવવા માટે અન્ય લોકોને પણ પ્રેરણા આપી રહી છે. બોલિવૂડ અને સોશિયલ મીડિયા પર રિયાના આ નિવેદનની અત્યારે ખૂબ ચર્ચા થઈ રહી છે.</p><p style="text-align: justify;"><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/world/news/agriculture-which-crops-are-grown-in-pakistan-during-the-monsoon-why-are-farmers-expenses-higher-there-than-in-india" target="_blank">આ પણ વાંચો:Agriculture: પાકિસ્તાનમાં ચોમાસા દરમિયાન કયા પાકની થાય છે ખેતી? ભારત કરતાં ત્યાં કેમ વધી જાય છે ખેડૂતોનો ખર્ચ</a></p><p style="text-align: justify;"><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/Vf7HcpRys3icMlpWqgkOBMrYY3h7fF8jLhP8tuJL.webp'/></item></channel></rss>