<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[TMKOC : ગોકુલધામ સોસાયટીમાં ફરી ગૂંજશે 'હે મા માતાજી'...! તારક મહેતામાં દયાબેનની ધમાકેદાર વાપસી! ]]></title><link>https://sandesh.com/entertainment/news/taarak-mehta-ka-ooltah-chashmah-new-promo-dayaben-returns-after-9-years-jethalal</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/taarak-mehta-ka-ooltah-chashmah-new-promo-dayaben-returns-after-9-years-jethalal</guid><pubDate>Sun, 12 Jul 2026 14:53:46 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ટેલિવિઝન ઇતિહાસના સૌથી લોકપ્રિય કોમેડી શોઝમાંથી એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનનું પાત્ર ખુબ પોપ્યુલર હતું. આ પાત્રને દિશા વાકાણી ભજવી રહ્યા હતા. તેઓ 2017 માં મેટરનિટી લીવ પર ગઈ હતી અને આ પછી તેણે શોમાં વાપસી જ ન કરી. છેલ્લા આશરે 9 વર્ષથી શોમાંથી ગાયબ રહેલા દર્શકોના સૌથી વહાલા દયા ભાભી એટલે કે દયાબેન આખરે ગોકુલધામ સોસાયટીમાં વાપસી કરવા જઈ રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>મમ્મી આવી રહ્યા છે! ટપ્પુની વાત સાંભળી જેઠાલાલ ખુશ થયા</b></h2><p style="text-align: justify; ">તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નો નવો પ્રોમો રિલીઝ થઈ ગયો છે, જેણે પ્રશંસકોની ઉત્સુકતા વધારી દીધી છે. આશરે 9 વર્ષ પછી શોમાં દયાબેનની વાપસી થવા જઈ રહી છે. સામે આવેલા લેટેસ્ટ પ્રોમો વીડિયોની શરૂઆત ખુબ જ ઇમોશનલ અને ધમાકેદાર અંદાજમાં થાય છે. જેઠાલાલના દીકરા ટપ્પુને ઘરમાં ખુબ ઉત્સાહિત થઈને બૂમો પાડતો જોઈ શકાય છે. ટપ્પુ ખુબ ખુશ થઈને દાદાજી અને જેઠાલાલની સામે આવીને કહે છે, શું મમ્મી આવી રહ્યા છે!</p><h2 style="text-align: justify; "><b>તારક મહેતા... નો નવો પ્રોમો રિલીઝ</b></h2><p style="text-align: justify; ">આ સાંભળતા જ જેઠાલાલની આંખો ખુલ્લી રહી જાય છે અને તેમના ચહેરા પર એક મોટી મુસ્કાન આવી જાય છે. પોતાની વહાલી દયાના આવવાના સમાચાર સાંભળતા જ જેઠાલાલ ખુશીથી ફૂલ્યા નથી સમાતા અને ઝૂમવા લાગે છે. પૂરા ગોકુલધામમાં આ વાતને લઈને ચહલપહલ તેજ થઈ ગઈ છે કે તેમના વહાલા દયાબેન પાછા ફરી રહ્યા છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DarbanoR9QA/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DarbanoR9QA/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DarbanoR9QA/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DarbanoR9QA/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>શું સુંદરલાલ ફરી છેતરશે? તારક મહેતાએ વ્યક્ત કરી આશંકા</b></h4><p style="text-align: justify; ">દયા ભાભીની વાપસીની ચર્ચા સાંભળતા જ જેઠાલાલ તરત જ પોતાના પરમ મિત્ર અને ફાયર બ્રિગેડ તારક મહેતા પાસે પહોંચે છે. જેઠાલાલ કહે છે, દયા આવશે ને... તો તેના હાથની બનેલી મસ્ત રજવાડી ચા પીશ ને! જ્યાં એક તરફ જેઠાલાલ, ટપ્પુ અને બાપુજી મળીને દયા ભાભીના સ્વાગતના સપના સજાવી રહ્યા છે અને પૂરી સોસાયટીમાં જશ્નનો માહોલ છે, ત્યાં આ પ્રોમોમાં એક મોટો સસ્પેન્સ પણ છોડી દેવામાં આવ્યો છે. જેઠાલાલના પરમ મિત્ર તારક મહેતા આ સમાચારથી થોડા પરેશાન છે. તેઓ કહે છે, મને લાગી રહ્યું છે કે તે આજે પણ દયા ભાભીને લઈને નહીં આવે.</p><h5 style="text-align: justify; "><b>9 વર્ષની લાંબી રાહ શું પૂરી થશે?</b></h5><p style="text-align: justify; ">જો કે આ પહેલીવાર નથી જ્યારે શોમાં દયા ભાભીની વાપસીનો આવો માહોલ બનાવવામાં આવ્યો હોય. આ પહેલાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં કેટલાય એવા મોકા આવ્યા છે, જ્યારે દયાબેનના ભાઈ સુંદરલાલે જેઠાલાલને વચન આપ્યું કે દયા આવી રહી છે, પરંતુ છેલ્લી ઘડીએ તે એકલો જ ગોકુલધામ સોસાયટી પહોંચી જાય છે. મેકર્સ કેટલીય વાર સ્ટોરીમાં એવો ટ્વિસ્ટ લાવી ચૂક્યા છે, જ્યાં દર્શકોને લાગે છે કે હવે તેમની રાહ પૂરી થવાની છે, પરંતુ અંતમાં તેમના હાથમાં માત્ર નિરાશા જ આવે છે. આ જ કારણ છે કે પ્રોમોમાં તારક મહેતાની વાત સાંભળીને પ્રશંસકો પણ ડરેલા છે કે ક્યાંક આ વખતે પણ સુંદરલાલનું કોઈ નવું બહાનું પૂરી ગોકુલધામ સોસાયટી અને દર્શકોનું દિલ ન તોડી નાખે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/actor-ram-kapoor-opens-up-about-childhood-harassment-at-the-age-of-13" target="_blank">આ પણ વાંચો-Lock Upp : 'રૂમમાં 30-40 લોકો હતા...' રામ કપૂરે બાળપણમાં થયેલી છેડછાડનો કર્યો ચોંકાવનારો ખુલાસો!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/12/IbwvzflDfe4GxsTPB4WbK42iywtH10h3BamtMzpt.webp'/></item><item><title><![CDATA[GFS Galaxy Ship Attack: વ્યાપારી જહાજો પર હુમલા સહન કરવામાં આવશે નહીં, વિદેશ મંત્રાલયનું નિવેદન ]]></title><link>https://sandesh.com/india/news/gfs-galaxy-ship-attack-attacks-on-commercial-ships-will-not-be-tolerated-ministry-of-external-affairs-statement</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/gfs-galaxy-ship-attack-attacks-on-commercial-ships-will-not-be-tolerated-ministry-of-external-affairs-statement</guid><pubDate>Sun, 12 Jul 2026 14:52:51 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 11 ભારતીયમાંથી 10ને બચાવાયા જ્યારે એક ગુમ છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">10 ભારતીય સુરક્ષિત, 1 ગુમ</h2><p style="text-align: justify; ">ભારત સરકારે ઓમાનના દરિયાકાંઠે GFS ગેલેક્સી જહાજ પર થયેલા હુમલાની સખત નિંદા કરી છે. રવિવારે જારી કરાયેલા એક નિવેદનમાં, વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બોર્ડ પર રહેલા 11 ભારતીયોમાંથી 10ને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક ભારતીય નાગરિક ગુમ છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઓમાનમાં ભારતીય દૂતાવાસ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. રાહત અને બચાવ કામગીરીમાં સહયોગ બદલ ભારતે ઓમાન સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો છે.</p><h3 style="text-align: justify; ">આવી ઘટનાઓ તાત્કાલિક બંધ થવી જોઈએઃ વિદેશ મંત્રાલય&nbsp;</h3><p style="text-align: justify; ">વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રદેશમાં વાણિજ્યિક જહાજો અને નાગરિક માળખાગત સુવિધાઓને લક્ષ્ય બનાવતી ઘટનાઓ તાત્કાલિક બંધ થવી જોઈએ. વધુમાં, આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર, દરિયાઈ માર્ગો પર અવિરત અને સલામત નેવિગેશન અને વેપાર શક્ય તેટલી વહેલી તકે પુનઃસ્થાપિત થવો જોઈએ.</p><h4 style="text-align: justify; ">અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો</h4><p style="text-align: justify; ">યુએસ સેન્ટ્રલ કમાન્ડે અહેવાલ આપ્યો છે કે IRGC નેવીએ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતી વખતે GFS ગેલેક્સી જહાજ પર હુમલો કર્યો હતો, જેના કારણે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે નવા હવાઈ હુમલાનો આદેશ આપ્યો હતો. કમાન્ડે જણાવ્યું હતું કે ઈરાની હુમલાથી એન્જિન રૂમમાં આગ લાગી હતી અને કન્ટેનર જહાજને નોંધપાત્ર નુકસાન થયું હતું, જેના કારણે તે તેની મુસાફરી ચાલુ રાખી શક્યું ન હતું.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ&nbsp; <a href="https://sandesh.com/world/news/us-iran-conflict-tensions-rise-after-americas-third-attack-on-iran-strait-of-hormuz-closed" target="_blank">અમેરિકાના ઈરાન પર ત્રીજા હુમલા બાદ વધ્યો તણાવ, હોર્મુઝ સ્ટ્રેટ કરાયુ બંધ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/12/yP0wAXYNQDnfAvbxD2zdKxYyVseV8ydAmUzsfujb.webp'/></item><item><title><![CDATA[Bhavnagar: કરોડો રૂપિયાની કિંમતનું પ્રતિબંધિત 9 કિલો એમ્બરગ્રીસ જપ્ત, આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ રેકેટના 8 સૂત્રધારોની ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/smc-and-forest-department-seize-9kg-ambergris-worth-9-30-crore-8-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/smc-and-forest-department-seize-9kg-ambergris-worth-9-30-crore-8-arrested</guid><pubDate>Sun, 12 Jul 2026 14:16:24 +05:30</pubDate><description><![CDATA[<p>સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોનો ઉપયોગ કરીને વન્યજીવોના અંગો અને પ્રતિબંધિત પદાર્થોની તસ્કરી કરતા માફિયાઓ પર ભાવનગર વન વિભાગ અને સ્ટેટ મોનિટરિંગ સેલે શિકંજો કસ્યો છે. ભાવનગર શહેરમાં કિંમતી એમ્બરગ્રીસ (જેને સામાન્ય ભાષામાં વ્હેલ માછલીની ઊલટી અથવા તરતું સોનું કહેવામાં આવે છે) નો મોટો જથ્થો વેચવા માટે કેટલાક ઇસમો આવી રહ્યા હોવાની સચોટ બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ને મળી હતી. આ બાતમીના આધારે SMC ની ટીમે વોચ ગોઠવીને પ્રથમ ઓપરેશનમાં ૪ શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા. તેમની પાસેથી અંદાજે 4.20 કરોડની કિંમતનું એમ્બરગ્રીસ મળી આવ્યું હતું.</p><h2><b>તપાસ ફોરેસ્ટ વિભાગને સોંપાતા બીજો મોટો બ્લાસ્ટ</b></h2><p>એમ્બરગ્રીસ એ વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ પ્રતિબંધિત પદાર્થ હોવાથી SMC દ્વારા આ કેસની આગળની કાયદેસરની તપાસ અને કસ્ટડી ભાવનગર વન વિભાગ ને સોંપવામાં આવી હતી. વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ પકડાયેલા ચારેય આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરતા આ રેકેટના અન્ય છેડા પણ ખુલ્યા હતા. તસ્કરોની મોડસ ઓપરેન્ડી સમજીને વન વિભાગની ટીમે તાત્કાલિક ભાવનગરના ગ્રામ્ય વિસ્તાર એવા ખડસલિયા ગામની સીમમાં દરોડો પાડ્યો હતો. આ સર્ચ ઓપરેશન દરમિયાન વન વિભાગને બીજી મોટી સફળતા મળી હતી અને સીમમાંથી વધુ 4 શખ્સોને 5.10 કરોડના એમ્બરગ્રીસના જથ્થા સાથે દબોચી લેવાયા હતા.</p><h3><b>9.30 કરોડનો મુદ્દામાલ જપ્ત, નેટવર્કની તપાસ</b></h3><p>સંયુક્ત ઓપરેશનના અંતે વન વિભાગે કુલ 8 આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી કુલ 9 કિલોગ્રામ શુદ્ધ એમ્બરગ્રીસ જપ્ત કર્યું છે, જેની આંતરરાષ્ટ્રીય કિંમત 9.30 કરોડ આંકવામાં આવી રહી છે. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, સ્પર્મ વ્હેલ પ્રજાતિ લુપ્ત થવાના આરે હોવાથી શિડ્યુલ-૧ હેઠળ તેને રક્ષણ મળેલું છે. આ પદાર્થનો ઉપયોગ મોંઘા અત્તરોમાં સુગંધ લાંબો સમય ટકાવી રાખવા અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં દવાઓ બનાવવા માટે થાય છે. આ જથ્થો દરિયા કિનારેથી ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં વન વિભાગે કોર્ટમાંથી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/sabarmati-riverfront-heritage-park-inaugurated-by-amit-shah-amc-unm-foundation" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: રિવરફ્રન્ટ પૂર્વ પર નવા 10 કરોડના ખર્ચે બનેલા ભવ્ય 'હેરીટેજ પાર્ક'નું કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/12/UzyRtHuXEdANjeF8Bl2E4T1VSSMXkYMpfcoppy2W.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: રિવરફ્રન્ટ પૂર્વ પર નવા 10 કરોડના ખર્ચે બનેલા ભવ્ય 'હેરીટેજ પાર્ક'નું કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/sabarmati-riverfront-heritage-park-inaugurated-by-amit-shah-amc-unm-foundation</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/sabarmati-riverfront-heritage-park-inaugurated-by-amit-shah-amc-unm-foundation</guid><pubDate>Sun, 12 Jul 2026 14:02:53 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસામાં વધુ એક સોનેરી પીંછું ઉમેરાયું છે. યુએનએમ ફાઉન્ડેશન (ટોરેન્ટ ગ્રુપની સખાવતી શાખા) અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના સંયુક્ત ઉપક્રમે જાહેર-ખાનગી ભાગીદારી (PPP) હેઠળ સાબરમતી નદીના પૂર્વ રિવરફ્રન્ટ ખાતે નવનિર્મિત ‘હેરીટેજ પાર્ક’નું ભવ્ય વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું છે. ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગર લોકસભાના સાંસદ શ્રી અમિતભાઈ શાહના હસ્તે રવિવારે આ આધુનિક લીનીયર પાર્ક નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.</p><h2><b>નવનિર્મિત ‘હેરીટેજ પાર્ક’નું ભવ્ય વર્ચ્યુઅલ લોકાર્પણ</b></h2><p>સાબરમતી નદી પર સ્વામી વિવેકાનંદ બ્રિજ અને નહેરુ બ્રિજની મધ્યમાં, જમાલપુર વોર્ડ (સેન્ટ્રલ ઝોન) ખાતે આશરે 20,000 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં આ પાર્ક પથરાયેલો છે. રૂપિયા 10 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલો આ પાર્ક યુએનએમ ફાઉન્ડેશનના ‘પ્રતીતિ’ ઉપક્રમ હેઠળ વિકસાવવામાં આવેલું શહેરનું ૧૨મું જાહેર ઉદ્યાન છે. આ પાર્કની ભૌગોલિક વિશેષતા એ છે કે તેની પૃષ્ઠભૂમિમાં ઐતિહાસિક ભદ્રનો કિલ્લો નજરે પડે છે.</p><p><h3><b>સર્કસ ટેન્ટ સર્કલ&nbsp;</b></h3>વર્ષ 2000 સુધી ઉનાળાના વેકેશન દરમિયાન સાબરમતી નદીના સૂકા પટમાં સર્કસના ટેન્ટ લાગતા જે મનોરંજનનું કેન્દ્ર હતા. આ સ્થાપત્ય અમદાવાદીઓની એ જૂની યાદોને તાજી કરે છે.</p><p><h4><b>અમદાવાદના રાજવાંશોનું સર્કલ </b></h4>ભીલ જાતિઓ, ચાલુક્યો, સલ્તનત, મુઘલો, મરાઠાઓ, બ્રિટિશરો અને આઝાદી પછીની લોકશાહી સુધીના શાસકોના પ્રદાનને આ વર્તુળમાં સ્ટીલ ક્રાફ્ટના નમૂનાઓ દ્વારા વાર્તા સ્વરૂપે કંડારવામાં આવ્યું છે.</p><p><h5><b>શહેરની ઉત્ક્રાંતિ દર્શાવતું સર્કલ&nbsp;</b></h5>&nbsp;સમય સાથે અમદાવાદનું સામાજિક અને આર્થિક કેન્દ્ર નદી કિનારેથી દક્ષિણ તરફ બદલાતું રહ્યું, પરંતુ પૂર્વ અને પશ્ચિમને જોડતું ભૌગોલિક કેન્દ્ર હંમેશા આ જ રહ્યું છે. આ સ્થાપત્ય શહેરની એ ભૌગોલિક સફર દર્શાવે છે.</p><p><h6><b>રોયલ એક્સિસ સર્કલ </b></h6>1411માં સુલતાન અહેમદ શાહ-1 દ્વારા નિર્મિત ત્રણ સ્મારકો - જામા મસ્જિદ, તીન દરવાજા અને ભદ્રના કિલ્લા દ્વારા રચાતી એક આભાસી ધરી (Axis) ને આ સર્કલ પ્રતિકાત્મક રીતે જોડે છે.</p><p><h2><b>માતાની પછેડી સર્કલ</b></h2>સાબરમતીના કિનારે વસતા અને શહેરીકરણને કારણે સ્થળાંતર કરી ગયેલા દેવીપૂજક વાઘરી સમુદાયની 400 વર્ષ જૂની કલા પરંપરા 'માતાની પછેડી'ને આ સર્કલ દ્વારા વિશેષ શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.</p><h3><b>અમદાવાદના હરિયાળા વિસ્તારમાં 15% નો ફાળો</b></h3><p>યુએનએમ ફાઉન્ડેશને ગ્રીન સ્પેસ ડેવલપમેન્ટ માટે ગુજરાત સરકાર અને AMC ના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ફાઉન્ડેશનની 'પ્રતીતિ' પહેલ અંતર્ગત અમદાવાદમાં અત્યાર સુધીમાં 1.5 લાખ ચોરસ મીટરથી વધુ વિસ્તાર ધરાવતા 12 જાહેર ઉદ્યાનો વિકસાવાયા છે, જે શહેરના કુલ ગ્રીન કવરના 15% થી વધુ હિસ્સો ધરાવે છે.</p><h4><b>સમાજ ઉત્થાનના વિવિધ આયામો</b></h4><p>ટોરેન્ટ ગ્રુપના પ્રમોટર મેહતા પરિવારની સખાવતી સંસ્થા 'યુએનએમ ફાઉન્ડેશન' માત્ર પર્યાવરણ જ નહીં, પરંતુ આરોગ્ય, શિક્ષણ અને કલા ક્ષેત્રે પણ વ્યાપક પ્રદાન આપી રહી છે. ફાઉન્ડેશનની વિવિધ પહેલોથી ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને દમણના આશરે 2.5 કરોડથી વધુ લોકોના જીવન પર સકારાત્મક અસર પડી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/anjali-char-rasta-accident-st-bus-hits-bike-rider-dead-paldi" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: અંજલી ચાર રસ્તા પાસે એસટી બસ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બાઇકચાલકનું મોત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/12/bNmKgrXLeypu4wUjT090qwCgRtqwAcNXB13PI8Jb.webp'/></item><item><title><![CDATA[Oman તટ પાસે કોર્મશિયલ શિપ પર હુમલો, 11 ભારતીયો હતા સવાર ]]></title><link>https://sandesh.com/india/news/attack-on-commercial-ship-near-oman-coast-11-indians-on-board</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/attack-on-commercial-ship-near-oman-coast-11-indians-on-board</guid><pubDate>Sun, 12 Jul 2026 13:38:26 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">તાજેતરમાં ઓમાનના દરિયાકાંઠે અને હોર્મુઝની સામુદ્રધુનીમાં એક દુઃખદ અને ચિંતાજનક ઘટના બની છે. અહીં 'GFS ગેલેક્સી' નામના એક વાણિજ્યિક જહાજ પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાની સૌથી ગંભીર બાબત એ છે કે જહાજ પર 11 ભારતીય નાગરિકો સવાર હતા. ઘટનાની જાણ થતા જ આંતરરાષ્ટ્રીય સ્તરે સુરક્ષા અને રાજદ્વારી સ્તરે હલચલ મચી ગઈ છે. 11 ભારતીય નાગરિકોમાંથી 10 સુરક્ષિત છે. એકની શોધખોળ ચાલુ છે.</p><h2 style="text-align: justify; "><b>ઓમાનના દરિયાઇ વિસ્તારમાં હુમલો</b></h2><p style="text-align: justify; ">મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ, હોર્મુઝ સ્ટ્રેટ નજીક ઉત્તરપૂર્વીય ઓમાનના દરિયાઈ વિસ્તારમાં અચાનક ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. ઈરાન દ્વારા આ હુમલાની જવાબદારી લેવામાં આવી હોવાના અહેવાલો છે, જોકે ઓમાનની સલ્તનતે સત્તાવાર રીતે આ અંગે કોઈ પુષ્ટિ કરી નથી. હુમલાનો ભોગ બનેલા આ વાણિજ્યિક જહાજ પર સવાર તમામ ભારતીયો માટે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. રાહતની વાત એ છે કે, અત્યાર સુધીમાં 11 પૈકી 10 ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ એક ભારતીય નાગરિક હજુ પણ ગુમ છે, જેની શોધખોળ માટેના પ્રયાસો યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>ભારત સરકારની પ્રતિક્રિયા</b></h3><p style="text-align: justify; ">ભારતના વિદેશ મંત્રાલયે આ હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે. મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે ભારત આ ઘટના પર ચાંપતી નજર રાખી રહ્યું છે. ઓમાનમાં સ્થિત ભારતીય દૂતાવાસ ત્યાંના સ્થાનિક વહીવટીતંત્ર અને ઓમાની સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે. વિદેશ મંત્રાલયે ઓમાનની સરકારના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો છે અને ખાતરી આપી છે કે ગુમ થયેલા ભારતીય નાગરિકની શોધ માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.</p><p style="text-align: justify; "><img alt="oman attack" src="https://epapercdn.sandesh.com/images/2026/07/12/QntYwMpxXgOm1vgOFVQdg312y5dp5hKRAx2HwqJ5.webp"><br></p><h4 style="text-align: justify; "><b>વૈશ્વિક સુરક્ષા પર સવાલ</b></h4><p style="text-align: justify; ">હોર્મુઝની સામુદ્રધુની એ વૈશ્વિક વેપાર અને ખાસ કરીને ક્રૂડ ઓઈલના પરિવહન માટેનો અત્યંત વ્યસ્ત અને મહત્વનો જળમાર્ગ છે. આવી જગ્યાએ વાણિજ્યિક જહાજો પર થતા હુમલા વૈશ્વિક સુરક્ષા માટે મોટો પડકાર છે. આ ઘટનાએ ફરી એકવાર દરિયાઈ માર્ગે થતા વેપારની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. હાલમાં તમામ ભારતીય નાગરિકોની સુરક્ષિત વાપસી અને ગુમ થયેલા નાગરિકની શોધખોળ એ ભારત સરકાર માટે પ્રાથમિકતા છે. આગામી સમયમાં ઓમાન અને અન્ય આંતરરાષ્ટ્રીય સત્તાવાળાઓ સાથેના સંકલનથી આ પરિસ્થિતિનો સંપૂર્ણ તાગ મેળવવામાં આવશે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/twisha-sharma-case-a-big-revelation-in-aiims-forensic-report-skin-tissue-found-on-gymnastics-belt" target="_blank">આ પણ વાંચોઃ Twisha Sharma Case:  AIIMS ના ફોરેન્સિક રિપોર્ટમાં મોટો ખુલાસો, જિમ્નેસ્ટિક્સ બેલ્ટ પર મળ્યા સ્કીનના ટિશ્યુ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/12/SgtPv8jjNhsjf0WUdjJYNXNNLAsjSPNCuslpxtBz.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: અંજલી ચાર રસ્તા પાસે એસટી બસ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બાઇકચાલકનું મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/anjali-char-rasta-accident-st-bus-hits-bike-rider-dead-paldi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/anjali-char-rasta-accident-st-bus-hits-bike-rider-dead-paldi</guid><pubDate>Sun, 12 Jul 2026 13:37:22 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદના પશ્ચિમ વિસ્તારને જોડતા મુખ્ય જંકશન ગણાતા પાલડી અંજલી ચાર રસ્તા પાસે આજે એક કમકમાટીભર્યો માર્ગ અકસ્માત સર્જાયો છે. અંજલી સ્વામિનારાયણ મંદિર ચાર રસ્તા પરથી પસાર થઈ રહેલી એક સ્ટેટ ટ્રાન્સપોર્ટ (ST) ની બસે આગળ જઈ રહેલા મોટરસાયકલ સવારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. બસની સ્પીડ વધુ હોવાના કારણે ટક્કર એટલી ભીષણ હતી કે બાઇકચાલક હવામાં ફંગોળાઈને સીધો રોડ પર પટકાયો હતો. માથા અને શરીરના અન્ય ગુપ્ત ભાગોમાં ગંભીર આંતરિક અને બાહ્ય ઇજાઓ થવાના કારણે કમનસીબ બાઇકચાલકે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.</p><h2><b>ટ્રાફિક જામ અને પોલીસની ત્વરિત કાર્યવાહી</b></h2><p>ધોળા દિવસે અને ભારે ટ્રાફિક વચ્ચે અકસ્માત થતાં જ આસપાસના વેપારીઓ, રાહદારીઓ અને વાહનચાલકો તુરંત જ યુવકની મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ બસને રોકી પાડી હતી અને તાત્કાલિક કંટ્રોલ રૂમ દ્વારા પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતાં પાલડી પોલીસ મથકનો કાફલો તેમજ ટ્રાફિક પોલીસની ટીમ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને સાઇડ પર કરાવીને ચાર રસ્તા પર સર્જાયેલો કલાકો લાંબો ટ્રાફિક જામ હળવો કરાવ્યો હતો અને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.</p><h3><b>કારણ જાણવા સીસીટીવીની તપાસ શરૂ</b></h3><p>પાલડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને મૃતક યુવકના શવને પંચનામું કર્યા બાદ પોસ્ટમોર્ટમ માટે નજીકની સિવિલ કે એલ.જી. હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત એસટી બસના ચાલકની બેદરકારી અથવા ચાર રસ્તા પર અચાનક બ્રેક મારવાના કારણે થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે સ્વામિનારાયણ મંદિર અને ચાર રસ્તા પર લાગેલા સ્માર્ટ સિટીના સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજ મેળવવાની તજવીજ શરૂ કરી છે. મૃતકના ખિસ્સામાંથી મળેલા દસ્તાવેજોના આધારે તેના પરિવારજનોને જાણ કરવાની તજવીજ પણ હાથ ધરાઈ છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/zone-2-police-night-combing-operation-before-rath-yatra-vehicles-hotels-checked" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: રથયાત્રા પૂર્વે ઝોન-2 પોલીસનું મધરાતે સઘન નાઇટ કોમ્બિંગ અને મેગા સર્ચ ઓપરેશન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/12/dTjUifHjZnMEPwWJgcdqLXlXEAIdlyabIjXIYMmt.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026 ફાઇનલ મેચ બાદ આટલા કરોડમાં વેચાશે મેદાનનું ઘાસ, જાણો કેમ? ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/after-the-fifa-world-cup-2026-final-the-grass-on-the-field-will-be-sold-for-this-much-know-why</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/after-the-fifa-world-cup-2026-final-the-grass-on-the-field-will-be-sold-for-this-much-know-why</guid><pubDate>Sun, 12 Jul 2026 12:47:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફીફા વર્લ્ડકપ 2026 હવે અંતિમ તબક્કામાં આગળ વધી રહ્યો છે. 10 જુલાઈના રોજ સ્પેન બેલ્જિયમને હરાવી સેમિફાઈનલમાં સ્થાન બનાવ્યું હતુ. શનિવારના રોજ ઈંગ્લેન્ડ અને નોર્વેની ટકકરમાંથી વધુ એક સેમિફાઈનલની ટીમ મળી છે. વર્લ્ડ ફુટબોલની સર્વોચ્ચ સંસ્થા ફીફા વર્લ્ડકપમાં કમાણી કરવાની કોઈ તક ગુમાવી રહી નથી. હવે તેમણે જ્યાં ફીફા વર્લ્ડકપની ફાઈનલ રમાશે, તે પિચના ટુકડા વેચવાનો નિર્ણય કર્યો છે.</p><h4 style="text-align: justify; "><b>430000 રુપિયામાં વેચાશે એક ટુકડો</b></h4><p style="text-align: justify; ">ફીફાને પહેલા જ વર્લ્ડકપની ટિકિટ અને અન્ય વસ્તુઓ મોંઘી કિંમતે વેચવા પર અલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે. હવે તે ન્યુ જર્સીના મેટલાઈફ સ્ટેડિયમમાં 19 જુલાઈના રોજ રમાનારી ફાઈનલમાં ઉપયોગમાં લેવાનારી પિચના દરેક ટુકડાને 43000 હજારમાં વેચવાનો પ્લાન બનાવ્યો છે.</p><h4 style="text-align: justify; "><b>ફૂટબોલ સંચાલકે સતાવર જાહેર&nbsp; કર્યું નથી&nbsp;</b></h4><p style="text-align: justify; ">મીડિયા રિપોર્ટ અનુસાર&nbsp; દરેક ટુકડાનું માપ 17.5 x 17.5 x 17.5 છે. આ આંકડો ઇંચ, સેન્ટિમીટર કે મિલીમીટરમાં છે કે નહીં તે સ્પષ્ટ નથી. ફૂટબોલ સંચાલક મંડળે ઇમેઇલનો તાત્કાલિક જવાબ આપ્યો ન હતો.</p><h5 style="text-align: justify; "><b>ફાઈનલ પછી ટુકડા મોકલાશે</b></h5><p style="text-align: justify; ">ફીફાની વેબસાઈટ પર લખવામાં આવ્યું કે, ફુટબોલના ઈતિહાસના એક પ્રામાણિક હિસ્સાનેતમારી પાસે રાખો. જે FIFA 2026ની ફાઈનલની પિચનો એક ટુકડો છે.મેદાનનો આ ટુકડાઓ માત્ર યુએસ અને યુરોપના સરનામાંઓ પર મોકલવામાં આવશે. ફૂટબોલ ચાહકો તેમને હમણાં ઓર્ડર કરી શકે છે, અને તેમને ફાઇનલ પછી ટુકડાઓ મોકલવામાં આવશે.</p><h4 style="text-align: justify; "><b>પ્રથમ હાફમા 1-1 થી બરાબરી  રહી</b></h4><p style="text-align: justify; ">આર્જેન્ટિના-સ્વિટ્ઝર્લૅન્ડ મેચ નિયમન સમય દરમ્યાન 1-1 થી બરાબરી પર રહી, જેના કારણે વધારાના સમયનો ઉપયોગ કરવો પડ્યો. વધારાના સમયના બીજા ભાગમાં, સબસ્ટિટ્યૂટ જુલિયન અલ્વારેઝે જોસ લોપેઝના પાસ પર ગોલ કરીને આર્જેન્ટિનાને 2-1ની લીડ અપાવી. અલ્વારેઝે 112મી મિનિટે ગોલ કર્યો. પછી, ઈજા સમયમાં લૌટારો માર્ટિનેઝે ગોલ કરીને સ્કોર 3-1 કર્યો.માર્ટિનેઝ પણ સબસ્ટિટ્યૂટ તરીકે મેદાનમાં આવ્યો. મેસ્સીએ આ મેચમાં ગોલ કર્યો ન હતો, પરંતુ તેણે 10મી મિનિટે એલેક્સિસ મેક એલિસ્ટરને મદદ કરી.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-argentina-defeats-switzerland-in-quarter-finals-to-reach-semi-finals" target="_blank">FIFA World Cup 2026 : ક્વાર્ટર ફાઇનલમાં આર્જેન્ટિએ સ્વિટ્ઝર્લેન્ડને હરાવી સેમિફાઇનલમાં પહોંચ્યું</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/12/UEq9kDCffI98Va3zgMJeXKARaxgDLojzka7qkOrr.webp'/></item><item><title><![CDATA[Amreli: ગીરના હુડલી ગામમાં મધરાતે સિંહણ ૩ સિંહબાળ સાથે શિકારની શોધમાં શેરીઓમાં ઘૂસી, ગ્રામજનોમાં ભયનો માહોલ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/dhari-hudli-village-lioness-and-three-cubs-spotted-in-streets</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/dhari-hudli-village-lioness-and-three-cubs-spotted-in-streets</guid><pubDate>Sun, 12 Jul 2026 12:04:36 +05:30</pubDate><description><![CDATA[<p>સિંહોના ઘર ગણાતા ગીરના સરહદી ગામડાઓમાં હવે સિંહોની હાજરી સામાન્ય બની રહી છે, પરંતુ તેની સાથે જ ગ્રામીણ વિસ્તારોમાં ભયનો ગ્રાફ પણ ઊંચો જઈ રહ્યો છે. અમરેલીના ધારી તાલુકાના હુડલી ગામે મોડી રાત્રે વનરાજોનું એક આખું ટોળું શિકારની શોધમાં ગામની અંદર પ્રવેશી ગયું હતું. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, તાજેતરમાં પડેલા વરસાદના વિરામ બાદ જંગલના અંદરના વિસ્તારોમાંથી વન્યજીવો ખુલ્લા અને સૂકા વિસ્તારો તરફ આવી રહ્યા છે. આ ક્રમમાં એક સિંહણ તેના ત્રણ અર્ધ-પુખ્ત સિંહબાળ સાથે હુડલી ગામના પાદરમાંથી થઈને સીધી રહેણાંક વિસ્તારની શેરીઓમાં આવી પહોંચી હતી.</p><h2><b>શેરીઓમાં સિંહોની લટાર અને સીસીટીવી-મોબાઈલ ફૂટેજ</b></h2><p>જ્યારે ગામના કૂતરાઓનો ભસવાનો અવાજ વધ્યો અને પશુધને ઓથ લીધી ત્યારે ગ્રામજનો જાગી ગયા હતા. ઘરની બારીઓ અને અગાશી પરથી જોતાં આખો સિંહ પરિવાર શેરીમાં શાંતિથી આંટાફેરા કરતો નજરે પડ્યો હતો. સિંહો ખૂબ જ સહજતાથી ગલીઓમાંથી પસાર થઈ રહ્યા હતા, જાણે તે તેમનો કુદરતી રૂટ હોય. કેટલાક સાહસિક યુવકોએ આ અદભુત અને ડરામણા દ્રશ્યો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધા હતા. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સિંહણ આગળ ચાલી રહી છે અને તેની પાછળ ત્રણેય બાળ સિંહો પણ શિકારની શોધમાં આસપાસ નજર દોડાવી રહ્યા છે.</p><h3><b>ગામડાઓમાં સિંહોની વધતી સંખ્યાથી વન વિભાગ સામે પડકાર</b></h3><p>સ્થાનિક લોકમુખે ચર્ચાતી વિગતો મુજબ, છેલ્લા કેટલાક સમયથી ધારી ગીરના આસપાસના ગામડાઓમાં સિંહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. સિંહો હવે જંગલની હદ વટાવીને રોજબરોજ રેવન્યુ વિસ્તાર, વાડી-ખેતરો અને ગામડાના પાદરો સુધી આવી પહોંચે છે. સિંહોના આ રીતે વારંવાર થતા ફેરાને કારણે પશુપાલકોમાં પોતાના ગાય-ભેંસના મારણનો ભય સતાવી રહ્યો છે, તો બીજી તરફ ખેડૂતો પણ રાત્રિના સમયે પાકને પાણી આપવા માટે ખેતરે જતાં ગભરાઈ રહ્યા છે. ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ માંગ કરી છે કે આ વિસ્તારમાં તાત્કાલિક ધોરણે નાઇટ ટ્રેકર્સ તહેનાત કરવામાં આવે અને સિંહોને ફરીથી જંગલ તરફ વાળવા માટે યોગ્ય પગલાં લેવાય.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/jagannath-temple-welcomes-lord-rajwadi-vagha-with-grand-procession" target="_blank">આ પણ વાંચો: Ahmedabad:  ભગવાન જગન્નાથજીના 'રજવાડી વાઘા'ની વાજતે-ગાજતે મંદિરમાં પધરામણી, શોભાયાત્રામાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/12/gP0BxKqEptutih2Ahn0KphJAi2KgkocvDvVlT4wf.webp'/></item><item><title><![CDATA[Bank Holiday: બેંકના કામ પતાવી લેજો,  આવતા અઠવાડિયે બેંકોમાં રજાઓનો માહોલ! ]]></title><link>https://sandesh.com/business/news/bank-holiday-get-your-bank-accounts-settled-bank-holidays-will-be-in-effect-next-week</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/bank-holiday-get-your-bank-accounts-settled-bank-holidays-will-be-in-effect-next-week</guid><pubDate>Sun, 12 Jul 2026 10:31:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify;">જુલાઈ મહિનાના મધ્યમાં પ્રવેશતાની સાથે જ બેંક ગ્રાહકો માટે આ જાણકારી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવતા અઠવાડિયે 13 જુલાઈથી 19 જુલાઈ સુધી બેંકોમાં સ્થાનિક તહેવારો અને સાપ્તાહિક રજાઓને કારણે અલગ-અલગ રાજ્યોમાં કુલ ચાર દિવસ બેંકો બંધ રહેશે. જો તમે બેંકની મુલાકાત લઈને કોઈ જરૂરી કામ પૂર્ણ કરવા માંગતા હોવ, તો આ સમયગાળાનું ધ્યાન રાખવું અનિવાર્ય છે.</p><h2 style="text-align: justify;"><b>આવતા અઠવાડિયે રજાઓની યાદી:</b></h2><p style="text-align: justify;">આ રજાઓ સમગ્ર દેશમાં લાગુ નથી, પરંતુ રાજ્ય અને શહેર મુજબ અલગ-અલગ છે:</p><p style="text-align: justify;">16 જુલાઈ (ગુરુવાર): 'હરેલા' તહેવારના કારણે ઉત્તરાખંડ અને મણિપુરમાં બેંકો બંધ રહેશે. આ જ દિવસે રથયાત્રા હોવાથી ઓડિશામાં, ગુજરાતમાં પણ બેંકોમાં રજા રહેશે.</p><p style="text-align: justify;">17 જુલાઈ (શુક્રવાર): 'યુ તિરોટ સિંહ'ની પુણ્યતિથિ નિમિત્તે મેઘાલયમાં બેંક શાખાઓ બંધ રહેશે.</p><p style="text-align: justify;">18 જુલાઈ (શનિવાર): 'દ્રુકપા ત્શે-ઝી' તહેવારને કારણે સિક્કિમમાં બેંકો કાર્યરત રહેશે નહીં.</p><p style="text-align: justify;">19 જુલાઈ (રવિવાર): સાપ્તાહિક રવિવારની રજા હોવાથી દેશભરની તમામ સરકારી અને ખાનગી બેંકો બંધ રહેશે.</p><h3 style="text-align: justify;"><b>અઠવાડિયાના અન્ય દિવસો:</b></h3><p style="text-align: justify;">સોમવાર (13જુલાઈ) થી બુધવાર (15 જુલાઈ) સુધી દેશના મોટાભાગના ભાગોમાં બેંકો સંપૂર્ણપણે ખુલ્લી રહેશે. જો તમારે રોકડ વ્યવહાર, ચેક ક્લિયરન્સ કે અન્ય કોઈ શાખા-સંબંધિત કામ હોય, તો આ ત્રણ દિવસો દરમિયાન પૂર્ણ કરી લેવા સલાહભર્યું છે.</p><h5 style="text-align: justify;"><b>જુલાઈ મહિનામાં અન્ય રજાઓ:</b></h5><p style="text-align: justify;">22 જુલાઈ: ખારચી પૂજાના કારણે ત્રિપુરામાં બેંકો બંધ રહેશે.</p><p style="text-align: justify;">25 જુલાઈ: ચોથો શનિવાર હોવાથી તમામ બેંકો માટે ફરજિયાત રજા રહેશે.</p><p style="text-align: justify;">26 જુલાઈ: સાપ્તાહિક રવિવારની રજા.</p><h5 style="text-align: justify;"><b>ઓનલાઇન સેવાઓ રહેશે કાર્યરત:</b></h5><p style="text-align: justify;">બેંક શાખાઓ બંધ હોવા છતાં, ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી. બેંકિંગની તમામ ડિજિટલ સેવાઓ જેવી કે ઇન્ટરનેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ એપ્લિકેશન્સ, UPI પેમેન્ટ્સ અને ATM સેવાઓ ૨૪/૭ કાર્યરત રહેશે. તમે ઘરે બેઠા પણ બિલ ચૂકવણી, બેલેન્સ ચેક કે ફંડ ટ્રાન્સફર જેવા વ્યવહારો સરળતાથી કરી શકશો.</p><p style="text-align: justify;">ગ્રાહકોને ખાસ વિનંતી કરવામાં આવે છે કે તેઓ બેંકની મુલાકાત લેતા પહેલા પોતાના વિસ્તારની રજાઓ વિશે ખાતરી કરી લે, જેથી કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે. ડિજિટલ બેંકિંગનો મહત્તમ ઉપયોગ કરીને તમે રજાઓના સમયમાં પણ તમારા નાણાકીય કાર્યોને અવિરત ચાલુ રાખી શકો છો.</p><p style="text-align: justify;"><b><a href="https://sandesh.com/business/news/gold-silver-price-today-has-gold-and-silver-become-cheaper-know-the-latest-prices-of-20-22-and-24-carats" target="_blank">આ પણ વાંચોઃ Gold Silver Price Today: શું સોનું ચાંદી સસ્તું થયું ? જાણો 20, 22 અને 24 કેરેટના લેટેસ્ટ ભાવ..</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/12/j3sD5z0M5dWgUCwbhHrX49dNZnRoSsoUUyHdU1wM.webp'/></item><item><title><![CDATA[Gir Somnath News: વેરાવળ SMC હુમલા કેસમાં પોલીસ અધિકારીઓ પર તવાઈ, 2 PI અને  3 PSI સામે કાર્યવાહી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gir-somnath/gir-somnath-veraval-smc-attack-case-action-taken-against-2-pi-and-3-psi-police</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gir-somnath/gir-somnath-veraval-smc-attack-case-action-taken-against-2-pi-and-3-psi-police</guid><pubDate>Sun, 12 Jul 2026 10:19:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગીર સોમનાથના વેરાવળમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા દરમિયાન પોલીસ ટીમ પર થયેલા હિંસક હુમલાના મામલામાં હવે સ્થાનિક પોલીસ અધિકારીઓ પર મોટી તવાઈ આવી છે. આ સમગ્ર ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે DYSPની અધ્યક્ષતામાં એક વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવી છે. ફરજમાં ઘોર બેદરકારી દાખવવા બદલ સ્થાનિક પોલીસ બેડાના 2 PI અને 3 PSI સહિત કુલ 5 ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામે કડક શિસ્તભંગના પગલાં લેવાયા છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ગીર સોમનાથ પોલીસ વિભાગમાં ભારે ફફડાટ</b></h2><p style="text-align: justify; ">આ કાર્યવાહીના ભાગરૂપે LCBના ઇન્ચાર્જ PI એસ.વી. રાજપૂત, વેરાવળ સીટી PI જે.એન. ગઢવી તેમજ LCBના PSI એચ.એલ. જેબલીયા, LCBના જ PSI એ.સી. સિંધવ અને રામભરોસા પોલીસ ચોકીના PSI પ્રજાપતિને તાત્કાલિક અસરથી લીવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા છે. વન-ડેમાં આટલી મોટી સંખ્યામાં અધિકારીઓ સામે થયેલી આ કડક કાર્યવાહીથી ગીર સોમનાથ પોલીસ વિભાગમાં ભારે ફફડાટ અને દોડધામ મચી ગઈ છે.</p><h3 style="text-align: justify; "><b>21 આરોપીઓને વેરાવળ કોર્ટમાં રજૂ કરાયા હતાં</b></h3><p style="text-align: justify; ">ગીર સોમનાથના વેરાવળમાં ગત 8 જુલાઈના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જુગાર ક્લબ પર પાડવામાં આવેલા દરોડા દરમિયાન પોલીસ ટીમ પર થયેલા હિંસક હુમલાના મામલામાં તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.આ દરોડા દરમિયાન ઉશ્કેરાયેલા ટોળાને કાબૂમાં લેવા માટે PSIને હવામાં ૨ રાઉન્ડ ફાયરિંગ કરવાની પણ ફરજ પડી હતી.આ ગંભીર ઘટના સંદર્ભે પોલીસે 40 નામજોગ સહિત 200 લોકોના ટોળા સામે રાયોટિંગ, સરકારી ફરજમાં રૂકાવટ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને અનેક મહિલા અને પુરુષ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.આ પકડાયેલા આરોપીઓ પૈકી 21 આરોપીઓને વેરાવળ કોર્ટમાં રજૂ કરવામાં આવતા અદાલતે તમામના 7 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.આ ઘટના બાદ પોલીસ દ્વારા અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/news/surat/subsidized-fertilizer-diverted-for-industrial-use" target="_blank">આ પણ વાંચોઃ Surat News: યુરિયા ખાતરના ડાયવર્ઝનનું કૌભાંડ ઝડપાયું, 1.19 લાખની કિંમતની 404 બેગનો જથ્થો સીઝ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/12/E02GONb9HMkajm5JVvNzFFft8enYCHqkEed8mVSb.webp'/></item></channel></rss>