<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Telegram Owner Net Worth : કોણ છે ટેલિગ્રામના CEO પાવેલ ડુરોવ, અરબોની સંપત્તિના માલિક ]]></title><link>https://sandesh.com/business/news/tech/telegram-owner-net-worth-who-is-telegram-ceo-pavel-durov-owner-of-billions-of-assets</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/tech/telegram-owner-net-worth-who-is-telegram-ceo-pavel-durov-owner-of-billions-of-assets</guid><pubDate>Wed, 17 Jun 2026 08:52:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આ પ્રતિબંધ 22 જૂન સુધી અમલમાં રહેશે, જ્યારે ટેલિગ્રામનું મેસેજ એડિટ ફીચર 30 જૂન સુધી બ્લોક રાખવામાં આવશે. પરંતુ સરકારે માત્ર ટેલિગ્રામ પર જ પ્રતિબંધ કેમ મૂક્યો? તેની પાછળનું કારણ જાણવા માટે કંપનીના CEO વિશે જાણવું જરૂરી છે.</p><p style="text-align: justify; ">આજના ડિજિટલ યુગમાં, જ્યાં ડેટા સૌથી મોટું હથિયાર બની ગયું છે, ત્યાં એક વ્યક્તિ એવી છે જે દુનિયાભરની સરકારો અને ગુપ્તચર એજન્સીઓ સામે યુઝર્સની પ્રાઇવસી માટે મજબૂત રીતે ઉભી છે. આ કહાની છે એવા ટેક ઉદ્યોગપતિની, જેણે લોકોની પ્રાઇવસી બચાવવા પોતાના જ દેશના રાષ્ટ્રપતિ સાથે ટક્કર લીધી હતી. ‘રશિયાના માર્ક ઝુકરબર્ગ’ તરીકે ઓળખાતા પાવેલ ડુરોવ આજે 15 અબજ ડોલરથી વધુની સંપત્તિના માલિક છે.</p><h2 style="text-align: justify; ">કોણ છે ટેલિગ્રામના માલિક પાવેલ ડુરોવ?</h2><p style="text-align: justify; ">ટેલિગ્રામ એપની શરૂઆત વર્ષ 2014માં રશિયાના રહેવાસી પાવેલ ડુરોવે કરી હતી. તેઓ કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) અને એકમાત્ર માલિક છે.</p><h3 style="text-align: justify; ">બાળપણથી જ કોડિંગનો શોખ</h3><p style="text-align: justify; ">10 ઑક્ટોબર 1984ના રોજ રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં જન્મેલા પાવેલને બાળપણથી જ કોડિંગમાં ખૂબ રસ હતો. તેમણે સેન્ટ પીટર્સબર્ગ સ્ટેટ યુનિવર્સિટીમાંથી ફિલોસોફીમાં અભ્યાસ કર્યો હતો.</p><h4 style="text-align: justify; ">'રશિયાના માર્ક ઝુકરબર્ગ' તરીકે ઓળખાણ</h4><p style="text-align: justify; ">માત્ર 22 વર્ષની ઉંમરે, વર્ષ 2006માં, પાવેલે પોતાના ભાઈ સાથે મળીને ‘VKontakte (VK)’ નામનું સોશિયલ નેટવર્ક શરૂ કર્યું. થોડા જ સમયમાં તે રશિયાનું સૌથી મોટું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બની ગયું. આ સફળતાને કારણે તેમને ‘રશિયાના માર્ક ઝુકરબર્ગ’ તરીકે ઓળખવામાં આવે છે.</p><h4 style="text-align: justify; ">રશિયન સરકાર સાથે વિવાદ અને દુબઈમાં વસવાટ</h4><p style="text-align: justify; ">VKની સફળતાએ પાવેલને રાતોરાત ધનિક બનાવી દીધા, પરંતુ થોડા સમય પછી તેમનો રશિયન સરકાર અને ગુપ્તચર એજન્સીઓ સાથે ગંભીર વિવાદ થયો. સરકાર યુઝર્સનો એન્ક્રિપ્ટેડ ડેટા માંગતી હતી, પરંતુ પાવેલે તે આપવા સ્પષ્ટ ઇનકાર કર્યો.</p><p style="text-align: justify; ">વિવાદ એટલો વધ્યો કે તેમને પોતાની કંપનીમાંનો હિસ્સો વેચીને રશિયા છોડવું પડ્યું. ત્યારબાદ તેમણે હાર માની નહીં અને વર્ષ 2014માં ટેલિગ્રામ એપ લોન્ચ કરી. હાલમાં ટેલિગ્રામના વિશ્વભરમાં 100 કરોડથી વધુ માસિક સક્રિય યુઝર્સ છે. પાવેલને 2021માં ફ્રાન્સની નાગરિકતા મળી હતી, પરંતુ હાલમાં તેઓ દુબઈ (UAE)માં રહે છે અને ત્યાંથી જ કંપનીનું સંચાલન કરે છે.</p><h5 style="text-align: justify; ">100થી વધુ બાળકોના પિતા હોવાનો દાવો</h5><p style="text-align: justify; ">41 વર્ષીય પાવેલ ડુરોવ પોતાના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે. ત્રણ અલગ-અલગ ગર્લફ્રેન્ડ્સથી તેમને કુલ 6 બાળકો છે. પાવેલે ખુલાસો કર્યો હતો કે લગભગ 15 વર્ષ પહેલાં તેમણે એક ક્લિનિકમાં સ્પર્મ ડોનેશન કરવાનું શરૂ કર્યું હતું. ક્લિનિકના રેકોર્ડ મુજબ તેમના સ્પર્મ ડોનેશનથી વિશ્વના 12 દેશોમાં 100થી વધુ બાળકોનો જન્મ થયો છે. તેમની ઇચ્છા મુજબ તેમની સમગ્ર સંપત્તિ તેમના તમામ બાળકો વચ્ચે વહેંચવામાં આવશે જેથી ભવિષ્યમાં કોઈ વિવાદ ન સર્જાય.</p><h5 style="text-align: justify; ">પાવેલ ડુરોવ વિશે ખાસ વાતો</h5><p style="text-align: justify; ">પાવેલ વેલેરિવિચ ડુરોવ રશિયન મૂળના ઉદ્યોગપતિ છે. તેઓ VK સોશિયલ નેટવર્ક અને ટેલિગ્રામ મેસેન્જરના સ્થાપક તરીકે જાણીતા છે. તેઓ નિકોલાઈ ડુરોવના નાના ભાઈ છે. 2022માં તેમની કુલ સંપત્તિ અંદાજે 15.1 અબજ અમેરિકી ડોલર હતી. ફોર્બ્સ અનુસાર, 2022માં તેમને સંયુક્ત આરબ અમીરાતમાં સૌથી ધનિક પ્રવાસી તરીકે માન્યતા આપવામાં આવી હતી. તેમનો જન્મ લેનીનગ્રાડ (હાલનું સેન્ટ પીટર્સબર્ગ)માં થયો હતો, પરંતુ તેમના પિતા ત્યાં કામ કરતા હોવાથી તેમણે પોતાના બાળપણનો મોટો ભાગ ઇટાલીના ટ્યુરિન શહેરમાં વિતાવ્યો હતો.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/FsasClGsX2T3S3PeX462Dw1ROIyht77YpSaGmdPo.webp'/></item><item><title><![CDATA[lionel Messiએ ફિફા વર્લ્ડ કપમાં રચાયો ઇતિહાસ,આવું કરનાર વિશ્વનો નંબર 1 ખેલાડી બન્યો ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/lionel-messi-created-history-in-the-fifa-world-cup-becoming-the-worlds-number-1-player-to-do-so</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/lionel-messi-created-history-in-the-fifa-world-cup-becoming-the-worlds-number-1-player-to-do-so</guid><pubDate>Wed, 17 Jun 2026 08:48:40 +05:30</pubDate><description><![CDATA[<p>લિયોનેલ મેસ્સી પહેલાથી જ ફૂટબોલની દુનિયાના મહાન ખેલાડીઓમાંના એક માનવામાં આવે છે, પરંતુ હવે આ આર્જેન્ટિનાના આ દિગ્ગજ ખેલાડીએ એવી સિદ્ધિ હાંસલ કરી છે જે પહેલાં કોઈ અન્ય ખેલાડીએ હાંસલ કરી નથી. ફિફા વર્લ્ડ કપ 2026 માં અલ્જેરિયા સામે મેદાનમાં ઉતરીને, મેસ્સીએ ફરી એકવાર ઇતિહાસના પાનામાં પોતાનું નામ અંકિત કરી લીધું.</p><h4><b>અલ્જેરિયા સામે મેસ્સીએ કર્યો કમાલ</b>&nbsp;</h4><p>કેન્સાસ સિટી સ્ટેડિયમમાં અલ્જેરિયા સામે આર્જેન્ટિનાના શરૂઆતના અગિયારના ભાગ રૂપે મેસ્સીએ મેદાનમાં ઉતરતાની સાથે જ, તે છ અલગ અલગ ફિફા વર્લ્ડ કપમાં રમનાર વિશ્વનો પ્રથમ ફૂટબોલર બન્યો. તેણે આર્જેન્ટિના માટે પોતાનો 200મો આંતરરાષ્ટ્રીય મેચ પણ રમ્યો, જે પોતાનામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે.</p><p><a href="https://x.com/Argentina/status/2067051398596813142?s=20" target="_blank">https://x.com/Argentina/status/2067051398596813142?s=20</a></p><p><br></p><h4><b>મેસ્સીએ દંતકથાઓને પાછળ છોડી દીધા</b></h4><p>અત્યાર સુધી, જર્મનીના લોથર મેથૌસ, મેક્સિકોના રાફેલ માર્ક્વેઝ અને આન્દ્રેસ ગુઆર્ડાડો, મેક્સિકોના એન્ટોનિયો કાર્બાજલ અને જર્મનીના મેન્યુઅલ ન્યુઅર જેવા દિગ્ગજોએ પાંચ-પાંચ વર્લ્ડ કપમાં રમવાનો રેકોર્ડ શેર કર્યો છે. જો કે, મેસ્સીએ તે બધાને પાછળ છોડી દીધા છે અને એકલા હાથે આ ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. રસપ્રદ વાત એ છે કે, પોર્ટુગીઝ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પણ છઠ્ઠા વર્લ્ડ કપમાં રમીને મેસ્સીની બરાબરી કરી શકે છે, પરંતુ હાલમાં, આ રેકોર્ડ ફક્ત આર્જેન્ટિનાના કેપ્ટનના નામે છે.</p><h4><b>2022 માં આર્જેન્ટિના વર્લ્ડ ચેમ્પિયન બન્યો</b></h4><p>મેસ્સીની ફિફા વર્લ્ડ કપ સફર નોંધપાત્ર રહી છે. તેણે 2022 કતાર વર્લ્ડ કપમાં સાત ગોલ અને ફ્રાન્સ સામેની ફાઇનલમાં બે ગોલ કરીને આર્જેન્ટિનાને યાદગાર વિજય અપાવ્યો. તેણે પેનલ્ટી શૂટઆઉટમાં પોતાની ટીમનો પહેલો સફળ શોટ પણ માર્યો. તે વિજય સાથે, આર્જેન્ટિનાએ 1986 પછી પહેલી વાર વર્લ્ડ કપ ટ્રોફી જીતી. મેસ્સીના આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર નજર કરીએ તો, તેણે આર્જેન્ટિના માટે 200 આંતરરાષ્ટ્રીય મેચોમાં 118 ગોલ કર્યા છે અને 64 ગોલમાં મદદ કરી છે. મેસ્સીનો વર્લ્ડ કપ રેકોર્ડ પણ પ્રભાવશાળી છે. તેણે 27 મેચોમાં 14 ગોલ કર્યા છે અને 8 આસિસ્ટ આપ્યા છે.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-day-6-clash-between-these-four-teams-know-what-time-the-match-will-start" target="_blank">FIFA World Cup 2026,Day 6: આ ચાર ટીમ વચ્ચે ટક્કર,જાણો કેટલા વાગ્યે શરૂ થશે મેચ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/VHePGKBXHrZ3lfNcOv6ECJHfeGvG5yknqU5kmYYe.webp'/></item><item><title><![CDATA[Vadodara ભાજપમાં મોટો રાજકીય ભૂકંપ, વિકાસના નિર્ણયોમાંથી સંગઠન આઉટ! 30 વર્ષ જૂની સંકલન બેઠકની પ્રથા બંધ ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-bjp-sankalan-baithak-discontinued-standing-committee-power</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-bjp-sankalan-baithak-discontinued-standing-committee-power</guid><pubDate>Wed, 17 Jun 2026 08:09:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરાના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરા ભાજપમાં લાંબા સમયથી ચાલી રહેલી આંતરિક ખેંચતાણ અને જૂથવાદનો અંત લાવવા માટે પ્રદેશ ભાજપ હાઇકમાન્ડ દ્વારા એક અત્યંત આકરો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકાના વિકાસના કામો અને મહત્વના નિર્ણયોમાંથી હવે ભાજપ સંગઠનની ધરખમ બાદબાકી કરી દેવામાં આવી છે. પ્રદેશ ભાજપના આ નિર્ણયથી સ્થાનિક સ્તરે મોટો રાજકીય ગરમાવો આવી ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>30 વર્ષ જૂની પરંપરાનો આવ્યો અંત
</b></h2><p style="text-align: justify; ">વડોદરા ભાજપમાં છેલ્લા 30 વર્ષથી એક મજબૂત પ્રથા ચાલી આવતી હતી, જેનો હવે સત્તાવાર રીતે અંત આણી દેવાયો છે. અત્યાર સુધી વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠક મળે તે પહેલાં ભાજપ કાર્યાલય ખાતે ‘સંકલન બેઠક’ યોજાતી હતી. આ બેઠકમાં ભાજપ પ્રમુખ, મહામંત્રી અને સંગઠનના હોદ્દેદારો કોર્પોરેશનના એજન્ડા પર પોતાના વિચારો અને મંતવ્યો મૂકતા હતા. પરંતુ પ્રદેશ ભાજપના નવા આદેશ અનુસાર, હવે ભાજપ કાર્યાલય ખાતે આવી કોઈ સંકલન બેઠક મળશે નહીં.
</p><h3 style="text-align: justify; "><b>સ્થાયી સમિતિને જ આખરી સત્તા, CM-DYCM રાખશે સીધી નજર
</b></h3><p style="text-align: justify; ">નવી વ્યવસ્થા હેઠળ હવે વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિને જ તમામ નિર્ણયો લેવાની આખરી અને સર્વોચ્ચ સત્તા સોંપી દેવામાં આવી છે. સંગઠનની દખલગીરી અટકાવવા માટે હવે કોર્પોરેશનના તમામ એજન્ડા સીધા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી ને મોકલવામાં આવશે. વડોદરા ભાજપના નેતાઓ વચ્ચે ચાલતી આંતરિક લડાઈ અને ખેંચતાણને કારણે વિકાસના કામો રૂંધાતા હોવાની ફરિયાદ ગાંધીનગર સુધી પહોંચી હતી, જેના પગલે પ્રદેશ નેતૃત્વએ આ આકરો કોરડો વીંઝ્યો છે. આ નિર્ણયથી સંગઠનના પંખા કપાયા છે અને ચૂંટાયેલી પાંખ મજબૂત બની છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; <a href="https://sandesh.com/india/news/sandesh-digital-explainer-india-monsoon-pause-imd-alert" target="_blank"><b>Sandesh Digital Explainer: મેઘરાજા આકાશી ચક્રવ્યૂહમાં ફસાયા..! કેમ અચાનક ગાયબ થઈ ગયા ચોમાસાના વાદળો? જાણો વિન્ડ વોરની ઇનસાઇડ સ્ટોરી</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/Np2VjDbIiDuKWacSnksMGJNGroYyrD0Enj9vHAoa.webp'/></item><item><title><![CDATA[Vadodara: વડુની શાળામાં વીજ સલામતી, ઊર્જા બચત અંગે જાગૃતિ કાર્યક્રમ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</guid><pubDate>Wed, 17 Jun 2026 05:56:50 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">માસર રોડ : સોમવારે MGVCLજાંબુવા વિભાગીય કચેરી અંતર્ગત મોભા પેટા વિભાગીય કચેરી દ્વારા વડુ સ્થતિ મહાલક્ષ્મી નગીનદાસ વિદ્યાલય ખાતે વીજ સલામતી, વીજ ઊર્જા બચત, વીજચોરી નિવારણ અને સ્માર્ટ મીટર અંગે વિદ્યાર્થી માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમા વિજળીનો સલામત ઉપયોગ, વીજ અકસ્માતથી બચવાના ઉપાય, વીજ ઊર્જાની બચતનું મહત્વ અને વીજચોરીના દુષ્પરિણામો અંગે માર્ગદર્શન અપાયું હતું. સ્માર્ટ મીટરના વપરાશની માહિતિ અને બિલિંગમાં પારદર્શિતા અંગે સમજાવાયું હતું. કાર્યક્રમમાં MGVCLના કા.પા.ઇ સી વી ભટ્ટ, ના. ઇજનેર એન આર પટેલ, જુ. ઇજનેર જે પી રાઠવા ઉપસ્થિત રહ્યાંહતા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/7BWkwawK3QfqRLim7ZHclMoDv8ISHntXjUFAwTga.webp'/></item><item><title><![CDATA[Dabhoi: ડભોઇમાં શિનોર ચોકડી ખાતે પોલીસ દ્વારા સઘન વાહનચેકિંગ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dabhoi/dabhoi-intensive-vehicle-checking-by-police-at-shinor-chowkdi-in-dabhoi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dabhoi/dabhoi-intensive-vehicle-checking-by-police-at-shinor-chowkdi-in-dabhoi</guid><pubDate>Wed, 17 Jun 2026 05:55:51 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">માર્ગ અકસ્માતોના પ્રમાણને નિયંત્રિત કરવા અને વાહનચાલકોમાં ટ્રાફ્કિ નિયમો પ્રત્યે જાગૃતિ કેળવવાના ઉદ્દેશ્ય સાથે ડભોઈની વ્યસ્ત ગણાતી શિનોર ચોકડી ખાતે પોલીસ વિભાગના ડીવાયએસપી આકાશ પટેલ અને ડભોઇના પી.આઈ. એ.ટી. પટેલના સીધા માર્ગદર્શનમાં સઘન વાહન ચેકિંગ અભિયાન હાથ ધરાયું હતું.</p><p style="text-align: justify; ">આ વિશેષ ઝુંબેશ દરમિયાન શિનોર ચોકડી પરથી પસાર થતાં તમામ નાના-મોટા વાહનોની ઝીણવટભરી તપાસ કરાઇ હતી. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વાહનોના જરૂરી દસ્તાવેજો (જેવા કે લાયસન્સ, આર.સી. બુક, પી.યુ.સી. અને વીમો), ટ્રાફ્કિ નિયમોનું પાલન તેમજ વાહનોની કાયદેસરની સ્થિતિ ચકાસણી કરાઇ હતી. પોલીસે ખાસ કરીને કાળા કાચ (ટીન્ટેડ ગ્લાસ) ધરાવતી ફેર-વ્હીલર ગાડીઓ સામે કડક ઝુંબેશ ચલાવી હતી. અને સ્થળ પર જ કાળા કાચની ફ્લ્મિ દૂર કરાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જરૂરી દસ્તાવેજો ન હોવાને કારણે 3 મોટરસાઇકલ સ્થળ પર જ ડિટેઈન કરાઇ હતી. ટ્રાફ્કિ નિયમોનો ભંગ કરનારા 5થી વધુ બાઈક ચાલકો સામે દંડ વસૂલવાની કાયદેસરની કાર્યવાહી કરાઇ હતી. જેને પગલે ફફડાટ ફેલાયો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/rZdn82HIBSaFtopRO5cNe3i1aN0ZN4IqUGemoXjd.webp'/></item><item><title><![CDATA[Vadodara: પાદરા બાર ઍસોસિએશન દ્વારા કોર્ટ સ્થળાંતરિત કરવાનો વિરોધ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-padra-bar-association-opposes-court-relocation</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-padra-bar-association-opposes-court-relocation</guid><pubDate>Wed, 17 Jun 2026 05:54:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પાદરા સિવિલ કોર્ટનું સ્થળાંતર સ્થાનિક બાર એસોસિએશનને વિશ્વાસમાં લીધા વિના કરવાના નિર્ણય સામે વકીલ આલમમાં ભારે રોષ ફટી નીકળ્યો છે. પાદરા બાર એસો.ને વડોદરાના ડિસ્ટ્રિક્ટ જજને લેખિત રજૂઆત કરીને નિર્ણય પર તાત્કાલિક રોક લગાવવા માંગ કરી છે.</p><p style="text-align: justify; ">પાદરા બાર એસો. પ્રમુખ દીપક પ્રજાપતિએ જણાવ્યું હતું કે, પાદરા કોર્ટ માત્ર એક સરકારી ઇમારત નથી. પરંતુ આઝાદી બાદથી ન્યાયિક પરંપરા અને વકીલાતની ગૌરવશાળી ઓળખનું કેન્દ્ર છે. છતાં બારના હોદ્દેદારો અને સભ્યોને અંધારામાં રાખીને કોર્ટ ખસેડવાનો નિર્ણય લેવાયો છે. જે માત્ર આર એન્ડ બી વિભાગના સ્ટેબિલિટી રિપોર્ટના આધારે લેવાયો છે. જ્યારે તે રિપોર્ટ પણ સરકારના દબાણ હેઠળ તૈયાર કરાયો હોવાનો દાવો કરાયો છે. વધુમાં, એક વર્ષથી વધુ સમયથી કોર્ટ કાર્યરત હોવા છતાં અચાનક સ્થળાંતરની ઉતાવળ શા માટે તે અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે.</p><p style="text-align: justify; ">કોર્ટ માટે વૈકલ્પિક સ્થળ તરીકે પસંદ કરાયેલી ઝંડા શાળાને લઈને પણ બાર એસોસિએશન દ્વારા જણાવાયું છે કે, શાળાના બિલ્ડિંગના સ્ટેબિલિટી રિપોર્ટમાં છતને 74 ટકા અને માળખાને 37 ટકા નુકસાન દર્શાવાયું છે. ઉપરાંત ત્યાં ધો.1થી 7 સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેના કારણે શિક્ષણ અને ન્યાયિક કામગીરીને એક જ પરિસરમાં ચલાવવી યોગ્ય નથી. શાળા સુધી પહોંચવાનો માર્ગ પૂરતો વિકસિત નથી, પાર્િંકગની કોઈ વ્યવસ્થા નથી. રહેણાંક વિસ્તારમાં કોર્ટ કાર્યરત થવાથી ટ્રાફ્કિ, સુરક્ષા અને જાહેર વ્યવસ્થાના પ્રશ્નો ઊભા થઈ શકે છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/feShyc0BPkg3OLcVFIBU6SLqmkdAdBWOTvs8Fcaq.webp'/></item><item><title><![CDATA[Panchmahal: પંચમહાલ જિલ્લા મુખ્ય શિક્ષકHTATસંઘની ચિંતન શિબિર યોજાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/panchmahal/panchmahal-panchmahal-district-headmaster-htat-associations-chintan-shibir-was-organized</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/panchmahal/panchmahal-panchmahal-district-headmaster-htat-associations-chintan-shibir-was-organized</guid><pubDate>Wed, 17 Jun 2026 05:53:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પંચમહાલ જિલ્લા મુખ્યશિક્ષક HTAT સંઘ (સૂચિત)ની ચિંતન શિબિર અને સંમેલન ગોધરા ખાતે યોજાયું હતું. જેમાં જિલ્લાના તમામ તાલુકામાંથી મોટી સંખ્યામાં મુખ્ય શિક્ષકો હાજર રહ્યા હતાં.</p><p style="text-align: justify; ">ગોધરા સ્થિત મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે પંચમહાલ જિલ્લા HTAT સંઘનું સંમેલન યોજાયું હતું. રાજ્ય મુખ્ય શિક્ષક સંઘના પ્રમુખ અપૂર્વભાઈ શ્રીમાળીના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઈ હતી. પંચમહાલ જિલ્લામાંથી નિવૃત થતાં HTAT મુખ્ય શિક્ષકોનું સન્માનપત્રક દ્વારા સન્માન કર્યું હતું. જિલ્લા મહામંત્રી ચેતનભાઈ પટેલે રાજ્ય કક્ષાએ ચાલતી HTAT સંગઠન્ા વિશેની માહિતી આપી હતી. રાજ્ય મુખ્યશિક્ષકHTATસંઘના સલાહકાર પટેલ જગતસિંહે મુખ્ય શિક્ષકની 2012ની ભરતીથી આજ સુધી થયેલ ફેરફર તેમજ કેડરના લાભ અને ગેરલાભ વિષે માહિતી આપી, સૌને સંગઠિત રહેવાની હાકલ કરી હતી. જિલ્લા પ્રમુખ વિજયસિંહ રાઠોડે પંચમહાલ જિલ્લા સંગઠનની કામગીરી અને વર્તમાન પરિસ્થિતિમાં ચાર્જ સોંપવા બાબતે સેવા સળંગના હુકમો તેમજ વહીવટી બાબતોની ચર્ચા કરી હતી. પ્રમુખ અપૂર્વભાઈએ સંગઠનના અગાઉ કરેલા કામ અને વર્તમાન કામ તેમજ ભવિષ્યના કરવાના કામની ઝાંખી આપી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ અભિનંદન આપ્યા હતાં. કોષાધ્યક્ષ કનુભાઈ પગી, જિલ્લાના હોદ્દેદાર અને તાલુકાના પ્રમુખ મંત્રીઓએ કાર્યક્રમ માટે જહેમત ઉઠાવી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/xjQjfLnSkVWO14uFulTurep1HMiBe4y8pzA9vYs9.webp'/></item><item><title><![CDATA[NEET-UG Retest 2026 પહેલા દેશમાં ટેલિગ્રામ પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ, શું કહ્યું કંપનીના CEOએ ? ]]></title><link>https://sandesh.com/india/news/neet-ug-retest-2026-telegram-ban-india-ceo-pavel-durov-reaction-misinformation-control</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/neet-ug-retest-2026-telegram-ban-india-ceo-pavel-durov-reaction-misinformation-control</guid><pubDate>Tue, 16 Jun 2026 23:41:57 +05:30</pubDate><description><![CDATA[<p>NEET-UG 2026 રિ-ટેસ્ટ પહેલાં પરીક્ષા સંબંધિત ખોટી અફવાઓ, ફેક મેસેજ અને લીક થયેલી માહિતીના પ્રસારને રોકવા માટે ભારત સરકારે ટેલિગ્રામ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. આ પ્રતિબંધ 16 જૂનથી 22 જૂન સુધી લાગુ રહેશે. આ પગલું નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની ભલામણના આધારે લેવામાં આવ્યું છે.</p><h2><b>ભારતમાં 15 કરોડથી વધુ સામાન્ય યુઝર્સ પર અસર પડી</b></h2><p>સરકારના જણાવ્યા મુજબ 21 જૂને યોજાનારી રિ-ટેસ્ટની પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓમાં ભ્રમ અને ગેરસમજ ન ફેલાય તે માટે આ કાર્યવાહી જરૂરી બની હતી. ખાસ કરીને સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્સ પર પરીક્ષા સંબંધિત ખોટા દાવાઓ ઝડપથી વાયરલ થતા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટેલિગ્રામના સંસ્થાપક અને CEO પાવેલ દુરોવે આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ પ્રતિબંધથી ભારતમાં 15 કરોડથી વધુ સામાન્ય યુઝર્સ પર અસર પડી છે. તેમણે દાવો કર્યો કે કેટલીક લીક થયેલી માહિતી અન્ય એપ્સ પર પણ ફેલાઈ ગઈ છે, જેના કારણે માત્ર ટેલિગ્રામ પર પ્રતિબંધ લગાવવો યોગ્ય ઉકેલ નથી.</p><h3><b>આવી કાર્યવાહીથી સમસ્યા સંપૂર્ણપણે અટકી નથી</b></h3><p>પાવેલ દુરોવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, સરકારનો આ નિર્ણય લીક કરનાર લોકોને નહીં પરંતુ સામાન્ય યુઝર્સને અસર કરે છે. તેમના મુજબ આવી કાર્યવાહીથી સમસ્યા સંપૂર્ણપણે અટકી નથી, કારણ કે માહિતી અન્ય પ્લેટફોર્મ પર પણ ઝડપથી ફેલાઈ જાય છે. બીજી તરફ NTAએ સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય કોઈ નવા પેપર લીકના કારણે લેવામાં આવ્યો નથી. એજન્સી મુજબ પરીક્ષા અંગેની ખોટી અને ભ્રામક માહિતીના કારણે ઉમેદવારોમાં માનસિક દબાણ અને ગેરસમજ ઊભી થઈ રહી હતી, જેને અટકાવવા માટે આ પગલું જરૂરી હતું.</p><p>NTAના ડિરેક્ટર જનરલ અભિષેક સિંહે જણાવ્યું કે પરીક્ષાની પારદર્શિતા અને વિશ્વસનીયતા જાળવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે અને કોઈપણ પ્રકારની ગેરરીતિને સહન કરવામાં આવશે નહીં. સરકારે પણ રિ-ટેસ્ટ માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી હોવાનું જણાવ્યું છે.<br><br><a href="https://sandesh.com/world/news/india/pm-modi-meloni-g7-summit-instagram-famous-viral-moment-conversation" target="_blank"><b>આ પણ વાંચો : G7 સમિટમાં વડાપ્રધાન મોદી અને મેલોની મળ્યા, કહ્યું 'અમે તો ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફેમસ છીએ'</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/f5fS9rS8w04hfEk6gewJyj43So9y9HTVSt7ProJQ.webp'/></item><item><title><![CDATA[Sandesh Explainer: બ્રાઝિલની જેમ ઈથેનોલ ભારતનું ભવિષ્યનું ઈંધણ બનશે, જાણો વાહનની એવરેજ અને ખર્ચનું ગણિત ]]></title><link>https://sandesh.com/india/news/business/sandesh-explainer-ethanol-become-india-future-fuel-understanding-mileage-and-cost-economics</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/sandesh-explainer-ethanol-become-india-future-fuel-understanding-mileage-and-cost-economics</guid><pubDate>Tue, 16 Jun 2026 23:00:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હાલમાં ચાલી રહેલી યુદ્ધની સ્થિતિ વચ્ચે અનેક દેશોમાં ઈંધણની કટોકટીને કારણે કપરી સ્થિતિ જોવા મળી છે.ઈંધણના વધતા ભાવ અને અછતને કારણે એક્સપોર્ટ અને ઈમ્પોર્ટ સહિતની બાબતોમાં મોટું નુકસાન સામે આવ્યું છે.આ ઉપરાંત અનેક દેશોમાં વધી રહેલી મોંઘવારીએ લોકોને પણ હેરાન કર્યા છે.ભારત પોતાની ઉર્જા જરૂરિયાતોનો મોટો હિસ્સો આયાતી ક્રૂડ ઓઇલ દ્વારા પૂરો કરે છે.ભારતમાં E85 એટલે કે 85 ટકા ઇથેનોલ અને 15 ટકા પેટ્રોલ ધરાવતા ઈંધણની શરૂઆત થઈ ચૂકી છે અને સરકાર આગામી સમયમાં તેને હજારો પેટ્રોલ પંપો સુધી પહોંચાડવાની તૈયારી કરી રહી છે. જે સામાન્ય પેટ્રોલ કરતાં આશરે 20 રૂપિયા પ્રતિ લીટર સસ્તું વેચાઈ રહ્યું છે.મોટો સવાલ એ છે કે ઓછી કિંમતનો આ ફાયદો માઇલેજમાં ઘટાડો થયા પછી પણ મળશે કે નહીં. આ માટે બ્રાઝિલમાં ઈથેનોલના ઉપયોગ અંગે સમજવુ જરૂરી છે.&nbsp;&nbsp;</p><h2 style="text-align: justify; "><b>E85નો અર્થ 85 ટકા ઇથેનોલ અને 15 ટકા પેટ્રોલ&nbsp;</b></h2><p style="text-align: justify; ">ભારતમાં હવે E85 પેટ્રોલનું વેચાણ શરૂ થઈ ગયું છે.E85નો અર્થ 85 ટકા ઇથેનોલ અને 15 ટકા પેટ્રોલ હોય છે.હાલમાં આ ઇંધણ દેશના કેટલાક પસંદગીના પેટ્રોલ પંપો પર જ ઉપલબ્ધ છે.જેમાં દિલ્હી જેવા શહેરોનો પણ સમાવેશ થાય છે. સરકારનું લક્ષ્ય આગામી વર્ષ સુધીમાં તેને દેશભરના આશરે પાંચ હજાર પેટ્રોલ પંપો સુધી પહોંચાડવાનું છે.દિલ્હીમાં જ્યાં સામાન્ય પેટ્રોલની કિંમત આશરે 102 રૂપિયા પ્રતિ લીટર છે. ત્યાં E85 આશરે 82 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. આજે દેશમાં મળતા સામાન્ય પેટ્રોલમાં પણ લગભગ 20 ટકા ઇથેનોલ પહેલેથી જ ભેળવવામાં આવી રહ્યું છે.E20 પેટ્રોલ લગભગ તમામ પેટ્રોલ વાહનો માટે ઉપલબ્ધ છે. પરંતુ E85 દરેક કારમાં ઉપયોગમાં નથી લઈ શકાતુ. તેના માટે વાહનમાં ફ્લેક્સ ફ્યુઅલ એન્જિન હોવું જરૂરી છે.</p><p style="text-align: justify; "><img title="ઈથેનોલનો ઉપયોગ" src="https://epapercdn.sandesh.com/images/2026/06/16/cTxDmx4WZ4zxSVNTuWbayig8lv76oiPjI946AdZF.webp" style="width: 100%;"><br></p><h3 style="text-align: justify; "><b>પેટ્રોલની સરખામણીએ ઈથેનોલમાં એનર્જી ઓછી</b></h3><p style="text-align: justify; ">ભારતમાં હવે ફ્લેક્સ ફ્યુઅલ ટેકનોલોજી ધરાવતી કાર અને ટુ-વ્હીલર્સ બજારમાં આવવા લાગ્યા છે. સરકારનો ઉદ્દેશ્ય લોકોને ધીમે-ધીમે આવા વાહનો તરફ પ્રોત્સાહિત કરવાનો છે જેથી પેટ્રોલ પરની નિર્ભરતા ઓછી થાય અને દેશના આયાત બિલમાં ઘટાડો કરી શકાય. ઇથેનોલનું ઉત્પાદન ભારતમાં જ થાય છે, જ્યારે ક્રૂડ ઓઇલનો મોટો હિસ્સો વિદેશથી આયાત કરવો પડે છે. જોલોકો ઇથેનોલ આધારિત ઈંધણ અપનાવે તો દેશને ઓછું ક્રુડ ખરીદવું પડશે અને વિદેશી હૂંડિયામણની બચત થશે. વાહન ચાલકોને એક નજરે તો 20 રૂપિયાની બચત વધુ સારી લાગે છે પણ મુળ સવાલ વાહનની એવરેજનો છે. પેટ્રોલની સરખામણીએ ઈથેનોલમાં એનર્જી ઓછી હોય છે. જેથી એક લીટર પેટ્રોલ જેટલું અંતર ઈથેનોલ વાળું વાહન કાપી શકતુ નથી.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>બ્રાઝિલ ઈથેનોલ માટે ઉત્તમ ઉદાહરણ કેમ છે</b></h2><p style="text-align: justify; ">ઇથેનોલ આધારિત પરિવહનની વાત કરીએ તો બ્રાઝિલ વિશ્વમાં સૌથી મોટું ઉદાહરણ છે. બ્રાઝિલમાં 1975થી ઈથેનોલને પ્રોત્સાહન આપવાની નીતિ અમલી છે. આજે બ્રાઝિલમાં મોટા ભાગના વાહનોમાં પેટ્રોલ અને ઈથેનોલ બંનેનો ઉપયોગ થાય છે. ઈથેનોલ પર પેટ્રોલની સરખામણીમાં વાહનની એવરેજ 30 ટકા જેટલી ઓછી મળે છે. ભારતની સરખામણીમાં જોવામાં આવે તો કોઈ વાહન એક લિટર પેટ્રોલમાં 10 કિ.મીની એવરેજ આપે છે તો ઈથેનોલ પર તે વાહન 9 કિ.મીની આસપાસ એવરેજ આપી શકે છે. જેથી E20ની સરખામણીમાં E85 પર માઇલેજ લગભગ 20 ટકા ઓછી હોઈ શકે છે.તેને ધ્યાનમાં રાખીને E85ની કિંમત સામાન્ય પેટ્રોલ કરતાં લગભગ 20 રૂપિયા પ્રતિ લીટર ઓછી રાખવામાં આવી છે. એકંદરે જોવામાં આવે તો E85 ગ્રાહક માટે બચત નથી એવું આંકડાઓ પરથી ફલિત થાય છે.પરંતુ વિદેશથી ઈંધણની આયાતને જોતા આ પગલું મહત્વનું સાબિત થઈ શકે છે.&nbsp;</p><p style="text-align: justify; "><img title="ઈથેનોલ અને પેટ્રોલ" src="https://epapercdn.sandesh.com/images/2026/06/16/1Bt4iqUWRYmQxLyZkfT4tHRmpGHldcLgHkOpoGKW.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>પડકારો પણ ઓછા નથી</b></h2><p style="text-align: justify; ">KPMGના એક રીપોર્ટમાં કહેવાયું છે કે E20થી આગળ વધવા માટે ઘણા પડકારોનો સામનો કરવો પડશે.હાલમાં ઇથેનોલનું ઉત્પાદન મુખ્યત્વે શેરડી અને અન્ય કૃષિ પાકો પર આધારિત છે.ઉત્પાદન વધારવા માટે નવા સ્ત્રોતોની જરૂર પડશે.આ સિવાય ફ્લેક્સ ફ્યુઅલ વાહનોની સંખ્યા વધારવી પડશે અને ઇંધણ વિતરણ નેટવર્કને પણ ઉચ્ચ ઇથેનોલ મિશ્રણ માટે અનુકૂળ બનાવવું પડશે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ઉર્જા આત્મનિર્ભરતા તરફ કદમ</b></h2><p style="text-align: justify; ">KPMGના રીપોર્ટ પ્રમાણે જો ભારત ઇથેનોલ આધારિત ઇંધણ પ્રણાલીને વ્યાપક સ્તરે અપનાવવામાં સફળ થાય છે તો તે દેશની ઉર્જા સુરક્ષાને મજબૂત કરવાની સાથે-સાથે તેલની આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.આનાથી ભારત વૈશ્વિક તેલ બજારની વધઘટનો વધુ સારી રીતે સામનો કરી શકશે અને ઉર્જા આત્મનિર્ભરતાની દિશામાં એક મોટું પગલું ભરી શકશે.ઇથેનોલ ભારતના પરિવહન ઉર્જા ક્ષેત્રનો એક મહત્વપૂર્ણ આધાર બની શકે છે.E20થી આગળ વધીને E85 અને E100 જેવા મિશ્રણો અપનાવવાથી તેલની આયાત પરની નિર્ભરતા ઘટશે. ઉર્જા સુરક્ષા મજબૂત થશે અને વૈશ્વિક તેલ બજારના આંચકાની અસર ઓછી થશે.&nbsp;<br><br><a href="https://sandesh.com/india/news/sandesh-explainer-how-ethanol-can-help-india-tackle-fuel-crises-during-global-conflicts" target="_blank">આ પણ વાંચોઃ Sandesh Explainer : યુદ્ધની સ્થિતિમાં ઈંધણની કટોકટી, જાણો ઈથેનોલ કેવી રીતે બની શકે છે ભારતનું ભવિષ્યનું ઈંધણ?</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/Ik2J5it9mddE4euD2KBJZtWhQwfdWEyBjAjr86st.webp'/></item><item><title><![CDATA[Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા ]]></title><link>https://sandesh.com/cricket/news/entertainment/virat-kohli-photos-with-son-akaay-anushka-sharma</link><guid isPermaLink="true">https://sandesh.com/cricket/news/entertainment/virat-kohli-photos-with-son-akaay-anushka-sharma</guid><pubDate>Tue, 16 Jun 2026 17:18:43 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ઈજાના કારણે અફઘાનિસ્તાન સામેની ODI સિરીઝ રમી રહ્યો નથી. IPL ફાઈનલમાં તેને હેમસ્ટ્રિંગની ઈજા થઈ હતી. જેના કારણે તેને ક્રિકેટથી દૂર રહેવું પડ્યું હતું.</p><p style="text-align: justify; ">વિરાટ કોહલીના સ્થાને યશસ્વી જયસ્વાલને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. મેદાનની બહાર રહેલો વિરાટ કોહલી પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>વિરાટ કોહલીના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ</b></h2><p style="text-align: justify; ">વિરાટ કોહલીના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ફોટામાં તે લાઈમલાઈટથી દૂર પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. આ ફોટા એક પાર્કના લાગે છે. એક ફોટામાં વિરાટ કોહલી પોતાના પુત્ર અકાયને ખોળામાં લઈ રહ્યો છે, જ્યારે બીજા ફોટામાં તે તેની પીઠ પર છે. ફેન્સ આ ફોટાને ખૂબ પસંદ કરી રહ્યા છે. એક ફોટામાં પત્ની અનુષ્કા શર્મા પણ વિરાટ સાથે જોવા મળી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>IPLમાં વિરાટ કોહલીનું શાનદાર પ્રદર્શન</b></h3><p style="text-align: justify; ">IPL 2026 માં વિરાટ કોહલી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો . તેને 16 મેચમાં 675 રન બનાવ્યા. તે સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓના લિસ્ટમાં ચોથા નંબરે રહ્યો. ફાઈનલમાં 75 રનની ઈનિંગ માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો. ટોપ પાંચ સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં વિરાટનો સ્ટ્રાઈક રેટ વૈભવ સૂર્યવંશી પછી બીજા નંબરે હતો. તેને સિઝનમાં 5 અડધી સદી અને 1 સદી ફટકારી હતી.</p><h4 style="text-align: justify; "><b>ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ફિટ હોવાની આશા</b></h4><p style="text-align: justify; ">વિરાટ કોહલીએ ટેસ્ટ અને T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તે ફક્ત વનડે ક્રિકેટ રમે છે. ભારતીય ટીમ આવતા મહિને ઈંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. આ પ્રવાસમાં 5 T20 ઈન્ટરનેશનલ અને 3 વનડે મેચનો સમાવેશ થાય છે. આ પ્રવાસ 14 જુલાઈથી બર્મિંગહામમાં શરૂ થશે. એવી આશા છે કે વિરાટ કોહલી સિરીઝ માટે ફિટ થઈ જશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/entertainment/abhishek-mahira-sharma-dating-rumors-matching-bracelet" target="_blank">Abhishek Sharma માહિરા શર્માને કરી રહ્યો છે ડેટ? ઈન્સ્ટાગ્રામની 'સીક્રેટ' પોસ્ટમાં થયો ખુલાસો!</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/KZmGD6LCx7nhr88BycGVOha7d8hcq22CbcOLjO7j.webp'/></item></channel></rss>