<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[West Bengal Politics: યુસુફ પઠાણ કરી રહ્યા છે NDAને સપોર્ટ ? 20 બળવાખોર સાંસદોમાં સામેલ? ]]></title><link>https://sandesh.com/india/news/west-bengal-politics-yusuf-pathan-supporting-nda-among-the-20-rebel-mps</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/west-bengal-politics-yusuf-pathan-supporting-nda-among-the-20-rebel-mps</guid><pubDate>Tue, 09 Jun 2026 10:10:16 +05:30</pubDate><description><![CDATA[<p>પશ્ચિમ બંગાળના સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં એક મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. પક્ષના આશરે 20 લોકસભા સાંસદોએ બળવાખોર વલણ અપનાવીને રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA) ને સત્તાવાર ટેકો જાહેર કરવાનો નિર્ણય લીધો છે. આ સમગ્ર ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે ટીએમસી પ્રમુખ મમતા બેનર્જી દિલ્હીમાં 'INDIA' ગઠબંધનની બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા.&nbsp;</p><h2><b>20 બળવાખોર સાંસદોના નામ જાહેર કરી શકે</b></h2><p>પક્ષના વરિષ્ઠ નેતા અને સાંસદ કાકોલી ઘોષ દસ્તીદાર આ બાગી જૂથનું નેતૃત્વ કરી રહ્યા હોવાનું મનાય છે. એક સમાચાર ચેનલ સાથે વાતચીત કરતા દસ્તીદારે સંકેત આપ્યો હતો કે આ જૂથમાં પૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાન પણ સામેલ છે. જોકે, પઠાન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. દસ્તીદારે ઉમેર્યું કે જો જરૂર પડશે તો તેઓ તમામ 20 બળવાખોર સાંસદોના નામ જાહેર કરી શકે છે.&nbsp;<br><b style="font-size: 1.75rem;">પક્ષપલટા વિરોધી કાયદાથી બચવા માટે ખાસ વ્યૂહરચના</b></p><p>સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બળવાખોર સાંસદો હાલમાં ટીએમસીમાંથી રાજીનામું આપશે નહીં કે સીધા ભાજપમાં જોડાશે નહીં. તેના બદલે, તેઓ લોકસભામાં એક અલગ જૂથ તરીકે કામ કરશે જે એનડીએ સરકારને ટેકો આપશે. એવી અટકળો છે કે અસંતુષ્ટ સાંસદોનું એક મોટું જૂથ મંગળવારે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર સુપરત કરી શકે છે; જોકે, આ જૂથના કુલ સાંસદોની સંખ્યા હજુ સ્પષ્ટ નથી.</p><p><br><b>રાજકીય ગણિત:</b> </p><p>લોકસભામાં ટીએમસી પાસે હાલમાં 28 સાંસદો છે (બસીરહાટના સાંસદ હાજી નુરુલ ઇસ્લામના અવસાન બાદ એક બેઠક ખાલી છે). પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ કાનૂની કાર્યવાહીથી બચવા માટે બે-તૃતિયાંશ ($2/3$) સાંસદોનું સાથે હોવું જરૂરી છે. બાગી જૂથમાં 20 સાંસદો હોવાથી તેઓ આ કાયદાના દાયરામાંથી સુરક્ષિત રહેશે. દસ્તીદારે આ અંગે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને એનડીએને સમર્થન આપવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.</p><p><br></p><h4><b>મહુઆ મોઇત્રાએ યુસુફ પઠાન પર આકરા પ્રહારો કર્યા</b></h4><p>આ બળવાના સમાચારો વચ્ચે ટીએમસીના ફાયરબ્રાન્ડ સાંસદ મહુઆ મોઇત્રાએ સોમવારે યુસુફ પઠાન પર તીખો હુમલો કર્યો હતો. મોઇત્રાએ સોશિયલ મીડિયા અથવા નિવેદન દ્વારા જણાવ્યું:</p><p>"યુસુફ પઠાન, શું તમે અમિત શાહનો ફોન આવ્યા બાદ દિલ્હી જઈ રહ્યા છો? થોડી હિંમત બતાવો. તમે દેશ માટે ક્રિકેટ રમ્યા છો અને અમારા જિલ્લાની જનતાએ તમને જંગી બહુમતીથી જીતાડ્યા છે. થોડી શરમ રાખો અને તમારી કરોડરજ્જુ મજબૂત કરો."</p><p><br><h4><b>બહરામપુર બેઠક પર અગાઉ પણ થયો હતો વિવાદ</b></h4></p><p>તાજેતરમાં એવા અહેવાલો પણ વહેતા થયા હતા કે મમતા બેનર્જીને બહરામપુર બેઠક પરથી પેટાચૂંટણી લડાવવા માટે ટીએમસીએ યુસુફ પઠાનને સાંસદ પદેથી રાજીનામું આપવા મનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ માટે પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીની પણ મદદ લેવામાં આવી હોવાનો દાવો કરાયો હતો, પરંતુ યુસુફ પઠાને પદ છોડવાનો ઇનકાર કરી દીધો હતો. જોકે, પાછળથી ગાંગુલીએ આ તમામ દાવાઓને પાયાવિહોણા ગણાવી ફગાવી દીધા હતા.</p><p><br></p><h4><b>ભાજપ નેતાના નિવાસ્થાને ગુપ્ત બેઠક, તસવીરો વાયરલ</b></h4><p>પીટીઆઈ (PTI) ના અહેવાલ મુજબ, બળવાખોર સાંસદોના એક જૂથે દિલ્હીમાં ભાજપના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર યાદવના નિવાસસ્થાને એક મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકની એક કથિત તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.</p><p><br></p><p>બેઠકમાં જોવા મળેલા મુખ્ય ચહેરાઓ:</p><ul><li>સુખેન્દુ શેખર રાય (રાજ્યસભા સભ્ય)</li><li>શતાબ્દી રોય (સાંસદ)</li><li>અબુ તાહીર</li><li>અસિત મલ</li><li>અરૂપ ચક્રવર્તી</li><li>કાલીપદ ખેરવાલ</li><li>જગદીશ બસુનિયા</li><li>પ્રસુન બેનર્જી</li><li>શર્મિલા સરકાર</li></ul><p><br></p><p>હાલમાં ટીએમસી નેતૃત્વ આ સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે, પરંતુ આટલા મોટા પાયે થયેલા બળવાએ પક્ષની અંદર ખળભળાટ મચાવી દીધો છે.</p><p><br></p><p><a href="https://sandesh.com/gallery/news/lifestyle/this-district-is-considered-the-litchi-capital-of-india-know-which-one" target="_blank">આ પણ વાંચો-  આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/4EawbvovuiKX1DYo0UINCWRei0SmfwxVxKtCf2W6.webp'/></item><item><title><![CDATA[PM ઉજ્જવલા યોજનાના નિયમો બદલાયા,જાણો હવે કેટલા સિલિન્ડર પર મળશે સબસિડી? ]]></title><link>https://sandesh.com/india/news/knowledge/pm-ujjwala-yojana-rules-have-changed-know-how-many-cylinders-will-get-subsidy-now</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/knowledge/pm-ujjwala-yojana-rules-have-changed-know-how-many-cylinders-will-get-subsidy-now</guid><pubDate>Tue, 09 Jun 2026 09:54:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) હેઠળના લાભાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેની સીધી અસર લાખો ગરીબ પરિવારો પર પડશે. સરકારે હવે વર્ષ દરમિયાન મળતા સબસિડીયુક્ત સિલિન્ડરની સંખ્યામાં મોટો ઘટાડો કર્યો છે. હવે લાભાર્થીઓને અગાઉ મળતા 9 સિલિન્ડરના બદલે વર્ષમાં માત્ર 4 સિલિન્ડર પર જ ₹300 ની સબસિડીનો લાભ મળશે. આ સબસિડી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.</p><h2 style="text-align: justify; "><b>ફેરફાર પાછળનું મુખ્ય કારણ વાસ્તવિક વપરાશ</b></h2><p style="text-align: justify; ">પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના અધિકારીઓના મતે, આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ યોજનાના લાભાર્થી પરિવારોની વાસ્તવિક વપરાશની જરૂરિયાત છે. સરકારી ડેટા અને સર્વેક્ષણ મુજબ, ઉજ્જવલા યોજના હેઠળના મોટાભાગના પરિવારો વર્ષે સરેરાશ ચાર સિલિન્ડરનો જ ઉપયોગ કરે છે. વધુમાં, હાલમાં મધ્ય પૂર્વમાં ચાલી રહેલી ભૌગોલિક-રાજકીય કટોકટી અને કાચા તેલના પુરવઠામાં આવતા વિક્ષેપને ધ્યાનમાં રાખીને, ઘરેલુ સિલિન્ડરનો પુરવઠો સુનિશ્ચિત કરવાના હેતુથી સરકારે આ નિર્ણય લીધો છે.</p><h3 style="text-align: justify; "><b>9 થી ઘટાડીને 4 કરવામાં આવી</b></h3><p style="text-align: justify; ">પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મે 2016 માં શરૂ કરવામાં આવેલી આ મહત્વકાંક્ષી યોજનાનો ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળા પરિવારોને રસોઈ માટે સુરક્ષિત ઇંધણ પૂરું પાડવાનો હતો. શરૂઆતના તબક્કે, આ યોજના હેઠળ દર વર્ષે 12 સિલિન્ડર મળતા હતા, જે ત્યારબાદ ઘટાડીને 9 અને હવે 4 કરવામાં આવ્યા છે.</p><h4 style="text-align: justify; "><b>2023માં 200 થી વધારીને 300 કરાઇ સબસિડી</b></h4><p style="text-align: justify; ">સબસિડીના માળખામાં પણ સમયાંતરે ફેરફારો કરવામાં આવ્યા છે. મે 2022 માં સરકારે પ્રતિ સિલિન્ડર ₹200 ની સબસિડી આપવાનું શરૂ કર્યું હતું, જે ઓક્ટોબર 2023 માં વધારીને ₹300 કરવામાં આવી હતી. તાજેતરના ભાવ વધારાને જોતા, 7 જૂન, 2026 થી દિલ્હીમાં 14.2 કિલોગ્રામના સિલિન્ડરની કિંમત ₹942 થઈ ગઈ છે. આ કિંમતમાં ₹300 ની સબસિડી બાદ કરતાં, ઉજ્જવલાના લાભાર્થીઓને હવે પ્રતિ સિલિન્ડર ₹642 ચૂકવવા પડશે.</p><h5 style="text-align: justify; "><b>સબસિડીનું વ્યવસ્થાપન વધુ સારૂં બનવાનો સરકારનો દાવો</b></h5><p style="text-align: justify; ">આ નિર્ણય એવા સમયે લેવાયો છે જ્યારે તેલ કંપનીઓએ ઘરેલુ સિલિન્ડરના ભાવમાં સતત વધારો કર્યો છે. ભલે સિલિન્ડરની સંખ્યામાં ઘટાડો થયો હોય, પરંતુ સરકારનો દાવો છે કે આનાથી સબસિડીનું વ્યવસ્થાપન વધુ સુવ્યવસ્થિત બનશે. જે પરિવારોને વધારાના સિલિન્ડરની જરૂર હશે, તેમણે બજારના ભાવે જ ખરીદી કરવી પડશે. આ ફેરફાર અંગે લાભાર્થીઓમાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે, કારણ કે વધતી મોંઘવારી વચ્ચે બજેટનું આયોજન કરવું તેમના માટે વધુ પડકારજનક બની શકે છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/world/news/powerful-61-magnitude-earthquake-hits-cuba-tremors-felt-as-far-as-florida" target="_blank">આ પણ વાંચોઃ ક્યુબામાં 6.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, ફ્લોરિડા સુધી અનુભવાયા આંચકા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/snKIyCSbWrGmeguVbfj4Yw2weRnX5SMfnlRmoiL9.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: જલારામ અંડરપાસમાંથી પસાર થતાં પહેલાં દસ વાર વિચારજો, 90 કરોડનો પ્રોજેક્ટ બન્યો જોખમી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/90-crore-paldi-jalaram-underpass-in-ahmedabad-becomes-risky-for-commuters</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/90-crore-paldi-jalaram-underpass-in-ahmedabad-becomes-risky-for-commuters</guid><pubDate>Tue, 09 Jun 2026 09:34:07 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વિકાસના મોટા-મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક ગ્રાઉન્ડ રિપોર્ટ કંઈક જુદો જ ચિતાર રજૂ કરે છે. અમદાવાદના પશ્ચિમ ઝોનને જોડતા પાલડી વિસ્તારનો જલારામ અંડરપાસ હાલમાં વાહનચાલકો માટે ભારે આશીર્વાદને બદલે આફત સમાન બની ગયો છે. અંદાજે ૯૦ કરોડ રૂપિયાના માતબર ખર્ચે એએમસી અને મેટ્રો પ્રોજેક્ટના સંયુક્ત આયોજન હેઠળ બનેલો આ અંડરપાસ પ્રથમ વરસાદના આગમન પહેલાં જ બિસ્માર અને જોખમી હાલતમાં આવી ગયો છે, જેને કારણે તંત્રની કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.</p><h2><b>રસ્તા પર સળિયા દેખાયા ને તંત્રએ માર્યું થીગડું</b></h2><p>સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોના જણાવ્યા અનુસાર, ગઈકાલે આ અંડરપાસના મુખ્ય માર્ગ પરથી ડામર આખો ઉખડી ગયો હતો અને આરસીસી (RCC) સ્ટ્રક્ચરના લોખંડના સળિયા બહાર દેખાવા લાગ્યા હતા. આ સળિયાના કારણે ખાસ કરીને ટુ-વ્હીલર (મોટરસાયકલ અને સ્કૂટર) ચાલકોના ટાયર સ્લિપ થવા અને ગંભીર અકસ્માત થવાની ઘટનાઓ બની રહી હતી. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં અને હોબાળો મચતાં જ જાગેલા કોર્પોરેશને રાતોરાત ડામરનું એક થીગડું (પેચવર્ક) મારીને કાગળ પર કામ પૂરું કરી દીધું છે. પરંતુ નાગરિકોનું કહેવું છે કે આ કામચલાઉ વ્યવસ્થા છે, જે ચોમાસાના પહેલા જ સામાન્ય વરસાદમાં ધોવાઈ જશે. અહીં સ્થિતિ 'એક સાંધે ત્યાં તેર તૂટે' જેવી થઈ ગઈ છે.</p><h3><b>માથા પરથી સ્લેબ તૂટવાનો બેવડો ખતરો</b></h3><p>જલારામ અંડરપાસમાં માત્ર નીચે રસ્તા પર જ ખાડા છે એવું નથી, વાહનચાલકોને હવે બેવડો માર સહન કરવો પડી રહ્યો છે. અંડરપાસની ઉપરથી પસાર થતી મેટ્રો લાઇન અને સ્લેબની નબળી ગુણવત્તાને કારણે વાહનચાલકોને સતત એવો ડર સતાવી રહ્યો છે કે ચાલુ વાહને માથા પર સિમેન્ટનું ગાબડું કે પોપડું પડશે તો જીવ ગુમાવવાનો વારો આવશે. પ્રી-મોન્સૂન એક્ટિવિટીના નામે કરોડો રૂપિયાનું બજેટ વાપરતું તંત્ર આટલા મહત્વના વ્યસ્ત માર્ગની દુર્દશા પ્રત્યે કેમ આંખ આડા કાન કરી રહ્યું છે, તે સમજાતું નથી. હજારો નાગરિકોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એએમસી કમિશનરને ટેગ કરીને આ અંડરપાસનું વહેલી તકે કાયમી અને મજબૂત રિપેરિંગ કરવાની માંગ કરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/crime/surat/fourth-murder-in-three-days-in-surat-youth-killed-by-relative-in-lalgate-area" target="_blank">આ પણ વાંચો: Surat: લાલગેટના હોડી બંગલા પાસે અડધી રાત્રે ખેલાયો લોહીયાળ જંગ, 3 દિવસમાં 4 મર્ડર</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/fqVOO4c7wV3TCvJZ62u4uCU575QnsknKXnQx1kIJ.webp'/></item><item><title><![CDATA[Sabarkantha : ખેડબ્રહ્માના મટોડા ગામમાં વ્યાજખોરનો આતંક, પૈસા ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી થતાં પોલીસ ફરિયાદ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/khed-brahma/sabarkantha-khedbrahma-matoda-money-lender-harassment-case-fir-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/khed-brahma/sabarkantha-khedbrahma-matoda-money-lender-harassment-case-fir-2026</guid><pubDate>Tue, 09 Jun 2026 09:30:26 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાંથી વ્યાજખોરોના ત્રાસનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તાલુકાના મટોડા ગામે રહેતા એક નિર્દોષ પરિવારને વ્યાજખોર દ્વારા અસહ્ય હેરાનગતિ કરવામાં આવતી હોવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ અપાતી હોવાની વધુ એક પોલીસ ફરિયાદ દાખલ થતાં પંથકમાં ચકચાર મચી ગઈ છે. વ્યાજના વિષચક્રમાં ફસાયેલા પરિવારે આખરે કંટાળીને કાયદાનો સહારો લીધો છે.</p><h2 style="text-align: justify; "><b>&nbsp;નાણાં વ્યાજ સમેત પૂરેપૂરા પરત ચૂકવી દીધા
</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, મટોડા ગામના પીડિત પરિવારે આક્ષેપ કર્યો છે કે તેમણે વ્યાજે લીધેલા નાણાં વ્યાજ સમેત પૂરેપૂરા પરત ચૂકવી દીધા છે. આમ છતાં, લોભી વ્યાજખોરની દાનત બગડતાં તે હજુ પણ બાકી રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી રહ્યો છે. વ્યાજખોર દ્વારા અવારનવાર માનસિક ત્રાસ આપીને પરિવારને હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યો છે. હદ તો ત્યારે થઈ જ્યારે વ્યાજખોરે સમગ્ર પરિવારને જાનથી મારી નાખવાની સીધી ધમકી આપી દીધી હતી.
</p><h3 style="text-align: justify; "><b>ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ
</b></h3><p style="text-align: justify; ">વ્યાજખોરના સતત ડર અને આતંકના કારણે ફફડી ગયેલા પરિવારે જીવ બચાવવા માટે અંતે પોલીસ સ્ટેશનના પગથિયાં ચડવા પડ્યા હતા. પીડિત પરિવારે આ મામલે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે
</p><h4 style="text-align: justify; "><b>&nbsp;પીડિત પરિવારને ક્યારે ન્યાય મળશે
</b></h4><p style="text-align: justify; ">રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરો સામે કડક ઝુંબેશ ચલાવવાની વાતો વચ્ચે પણ ગ્રામ્ય વિસ્તારોમાં આવા તત્વો બેફામ બન્યા છે, ત્યારે હવે એ જોવું રહ્યું કે સ્થાનિક પોલીસ આ મામલે ગુનેગાર સામે કેવા કડક પગલાં ભરે છે અને પીડિત પરિવારને ક્યારે ન્યાય અપાવે છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-gujarat-latest-news-live-and-samachar-09-june-2026-politics-weather-updates-daily-breaking-news-natio" target="_blank"><b>&nbsp;Gujarat Latest News Live : રાજકોટથી દિલ્હી જતી ફ્લાઇટની ઇમરજન્સી લેન્ડિંગ</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/zkToaL1abnxqy5S0wIffhTLCxbSRNj1Mu706nrne.webp'/></item><item><title><![CDATA[Surat: લાલગેટના હોડી બંગલા પાસે અડધી રાત્રે ખેલાયો લોહીયાળ જંગ, 3 દિવસમાં 4 મર્ડર ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/fourth-murder-in-three-days-in-surat-youth-killed-by-relative-in-lalgate-area</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/fourth-murder-in-three-days-in-surat-youth-killed-by-relative-in-lalgate-area</guid><pubDate>Tue, 09 Jun 2026 09:22:42 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત શહેરમાં ગુનેગારો કેટલા બેફામ બન્યા છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ૨૪ કલાકની અંદર એક પછી એક હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. સુરતના અલથાણ વિસ્તારમાં છેડતીની અદાવતમાં થયેલી હત્યાની શાહી હજી સુકાઈ નથી, ત્યાં જ મોડી રાત્રે લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા હોડી બંગલા વિસ્તારમાં વધુ એક યુવકની કરપીણ હત્યાથી શહેર ધણધણી ઉઠ્યું છે. અલ્તામસ અન્સારી નામના યુવકને તેના જ સંબંધીએ મોતને ઘાટ ઉતારી દેતા લાલગેટ પંથકમાં સનસનાટી મચી ગઈ છે.</p><h2><b>જાહેરમાં તીક્ષ્ણ હથિયારો ઉછળ્યા, પરિવારમાં આક્રંદ</b></h2><p>પોલીસના સત્તાવાર સૂત્રો અને સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક અલ્તામસ અન્સારી અને હુમલાખોર શેર અન્સારી બંને એકબીજાના નજીકના સંબંધી છે. બંને વચ્ચે છેલ્લા ઘણા સમયથી કોઈ બાબતે અંગત અદાવત અને મનદુઃખ ચાલી રહ્યું હતું. મોડી રાત્રે હોડી બંગલા પાસે બંને સામસામે આવી જતાં મામલો બિચક્યો હતો. સામાન્ય બોલાચાલી ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી અને ઉશ્કેરાયેલા શેર અન્સારીએ પોતાની પાસે રહેલા તીક્ષ્ણ હથિયાર વડે અલ્તામસ પર ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. હુમલો એટલો ભયાનક હતો કે ગંભીર ઈજાઓ થવાના કારણે અલ્તામસ અન્સારીએ ઘટનાસ્થળે જ તરફડિયા મારીને દમ તોડી દીધો હતો.</p><h3><b>3દિવસમાં 4 હત્યાથી સુરત પોલીસના પેટ્રોલિંગ સામે સવાલો</b></h3><p>ઘટનાની જાણ થતાં જ લાલગેટ પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો પોલીસ કાફલો રાત્રે જ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર/સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે અને આરોપી શેર અન્સારી વિરૂદ્ધ હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી દરોડા શરૂ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં છેલ્લા ત્રણ દિવસમાં હત્યાનો આ ચોથો બનાવ છે. સતત થઈ રહેલા ખૂની ખેલના કારણે સુરત પોલીસની નાઇટ પેટ્રોલિંગ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર સ્થાનિક નાગરિકો ભારે આક્રોશ સાથે સવાલો ઉઠાવી રહ્યા છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/crime/kutch/bhuj-cyber-police-file-case-against-two-from-madhapar-for-rs-7-74-crore-mule-account-fraud" target="_blank">આ પણ વાંચો: Kutch: માધાપરના બે શખ્સો સામે મ્યુલ એકાઉન્ટનો ગુનો દાખલ, કરોડોના ડિજિટલ સ્કેમમાં કાયદાકીય સકંજો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/GRpT5VdDOaPcKqP6STqSTq3k6vRTDRnC7n9DbmjM.webp'/></item><item><title><![CDATA[Petrol diesel price today: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, જાણો તમારા શહેરની કિંમત ]]></title><link>https://sandesh.com/business/news/petrol-diesel-price-today-new-prices-of-petrol-and-diesel-announced-know-the-price-of-your-city</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/petrol-diesel-price-today-new-prices-of-petrol-and-diesel-announced-know-the-price-of-your-city</guid><pubDate>Tue, 09 Jun 2026 09:16:05 +05:30</pubDate><description><![CDATA[<p>સામાન્ય જનતા માટે મંગળવારનો દિવસ રાહતભર્યો રહ્યો છે. વૈશ્વિક બજારમાં કિંમતો પર નજર કરીએ તો ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે. હાલમાં બ્રેન્ટ ક્રૂડ ઘટીને પ્રતિ બેરલ $94 ની નજીક પહોંચ્યું છે, જ્યારે વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) પણ $91 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે.</p><h2><b>9 જૂને પેટ્રોલ ડીઝલના ભાવ કેટલા ?&nbsp;</b></h2><p>આ આંતરરાષ્ટ્રીય ફેરફારો વચ્ચે, દેશની અગ્રણી સરકારી ઓઇલ કંપનીઓ (HPCL, BPCL અને IOCL) એ પેટ્રોલ અને ડીઝલના આજના નવા ભાવ જાહેર કરી દીધા છે. રાહતની વાત એ છે કે આજે પણ રાષ્ટ્રીય સ્તરે ઇંધણની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.<br></p><h3><b>દેશમાં સૌથી સસ્તું અને મોંઘું ઇંધણ ક્યાં છે?</b></h3><p></p><p>વિવિધ રાજ્યોમાં લાગતા સ્થાનિક ટેક્સ (VAT) ને કારણે દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો તફાવત જોવા મળે છે:</p><p><b>સૌથી સસ્તું ઇંધણ: </b>આંદામાન અને નિકોબારની રાજધાની પોર્ટ બ્લેરમાં દેશનું સૌથી સસ્તું પેટ્રોલ-ડીઝલ મળી રહ્યું છે. અહીં પેટ્રોલનો ભાવ ₹88.66 પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ ₹84.56 પ્રતિ લિટર છે.</p><p><b>સૌથી મોંઘું ઇંધણ:</b> બીજી તરફ, આંધ્રપ્રદેશનું ચિત્તૂર સૌથી મોંઘું સાબિત થઈ રહ્યું છે. અહીં જનતાએ પેટ્રોલ માટે પ્રતિ લિટર ₹118.34 અને ડીઝલ માટે ₹106.06 ચૂકવવા પડી રહ્યા છે.</p><p><br></p><p><br></p><p><br></p><table class="table table-bordered"><tbody><tr><td>શહેર&nbsp;</td><td>પેટ્રોલ (પ્રતિ લિટર)&nbsp;</td><td>ડીઝલ (પ્રતિ લિટર)</td></tr><tr><td>દિલ્હી</td><td>&nbsp;₹102.12&nbsp;</td><td>₹95.20</td></tr><tr><td>મુંબઈ&nbsp;</td><td>₹111.21</td><td>&nbsp;₹97.83</td></tr><tr><td>કોલકાતા&nbsp;</td><td>₹113.51&nbsp;</td><td>₹99.82&nbsp;</td></tr><tr><td>ચેન્નાઈ&nbsp;</td><td>₹107.77&nbsp;</td><td>₹99.55</td></tr><tr><td>અમદાવાદ&nbsp;</td><td>₹101.83</td><td>₹97.92</td></tr></tbody></table><p><br></p><h4><b>ઘરે બેઠા ફક્ત એક SMS દ્વારા મેળવો આજના તાજા ભાવ</b></h4><p></p><p>તમે કોઈ પણ ઝંઝટ વગર તમારા મોબાઈલ પરથી જ તમારા શહેરના ચોક્કસ ભાવો જાણી શકો છો. આ માટે વિવિધ કંપનીઓના ગ્રાહકોએ નીચે આપેલા નંબરો પર મેસેજ કરવાનો રહેશે:</p><ul><li>ઇન્ડિયન ઓઇલ (IOCL): તમારા મોબાઈલથી RSP &lt;શહેરનો કોડ&gt; ટાઈપ કરી 9224992249 પર મોકલો.</li><li>ભારત પેટ્રોલિયમ (BPCL): ગ્રાહકોએ 9223112222 નંબર પર મેસેજ કરવાનો રહેશે.</li><li>હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL): તમારા ફોનમાંથી HPPRICE &lt;શહેરનો કોડ&gt; લખી 9222201122 પર એસએમએસ કરો.</li></ul><p>નોંધ: SMS મોકલતી વખતે તમારા શહેરનો વિશિષ્ટ કોડ (City Code) જરૂર લખો, જે તમને સંબંધિત ઓઇલ કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પરથી મળી જશે.<br><br>
</p><p><a href="https://sandesh.com/gallery/news/lifestyle/this-district-is-considered-the-litchi-capital-of-india-know-which-one" target="_blank">આ પણ વાંચો-  આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?</a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/01/11/bTbduWneYjfJN4pFLtr786e6pREmWfdypF4bgjpu.webp'/></item><item><title><![CDATA[Kutch: માધાપરના બે શખ્સો સામે મ્યુલ એકાઉન્ટનો ગુનો દાખલ, કરોડોના ડિજિટલ સ્કેમમાં કાયદાકીય સકંજો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/kutch/bhuj-cyber-police-file-case-against-two-from-madhapar-for-rs-7-74-crore-mule-account-fraud</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/kutch/bhuj-cyber-police-file-case-against-two-from-madhapar-for-rs-7-74-crore-mule-account-fraud</guid><pubDate>Tue, 09 Jun 2026 09:14:17 +05:30</pubDate><description><![CDATA[<p>દેશભરમાં સામાન્ય લોકોને રોકાણ, લોન કે ટાસ્ક ફ્રોડના નામે લૂંટતા આંતરરાષ્ટ્રીય સાઇબર ગુનેગારોના નાણાકીય વ્યવહારો સંભાળતા લોકલ નેટવર્ક પર ભુજ બોર્ડર રેન્જ સાઇબર પોલીસે ત્રાટકીને મોટી સફળતા મેળવી છે. કચ્છના માધાપર વિસ્તારમાં રહેતા બે શખ્સો દ્વારા સાઇબર ફ્રોડના નાણાં સગેવગે કરવા માટે ખાસ 'મ્યુલ એકાઉન્ટ' (Mule Account) ઓપરેટ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે કાયદેસરની કલમો હેઠળ મુકેશ ગજરા અને રમેશ ભાનુશાલી નામના બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી સમગ્ર કાળા કારોબારના મૂળ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.</p><h2><b>47 દિવસમાં કરોડોની એન્ટ્રી, એજન્સીઓ ચોંકી ઉઠી</b></h2><p>પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી ચોંકાવનારી વિગત મુજબ, આરોપીઓએ બેંકિંગ નિયમોની આંખમાં ધૂળ નાખીને 'આશાપુરા એન્ટરપ્રાઇઝ' નામની એક બોગસ વ્યાપારી પેઢી ઊભી કરી હતી. આ પેઢીના નામે સત્તાવાર કરન્ટ બેંક એકાઉન્ટ ખોલાવવામાં આવ્યું હતું. સાઇબર પોલીસે જ્યારે આ ખાતાના સ્ટેટમેન્ટનો ટેકનિકલ સર્વે કર્યો ત્યારે ઉચ્ચ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. માત્ર ૪૭ દિવસની અંદર જ આ સિંગલ એકાઉન્ટમાં અલગ-અલગ જગ્યાએથી કુલ 7.74કરોડ જેટલી માતબર રકમ જમા થઈ હતી અને ક્ષણભરમાં અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર પણ કરી દેવામાં આવી હતી.</p><h3><b>દેશભરની 47 ફરિયાદોનું કનેક્શન આ ખાતા સાથે જોડાયું</b></h3><p>વધુ તપાસમાં બહાર આવ્યું છે કે, આ એકાઉન્ટનો ઉપયોગ સાઇબર ઠગો દ્વારા લાઇન-ક્લિયર કરવા માટે થતો હતો. દેશભરમાંથી જે 47 નિર્દોષ લોકો ઓનલાઇન છેતરપિંડી કે ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યા હતા, તે તમામ લોકોના નાણાં આ 'આશાપુરા એન્ટરપ્રાઇઝ'ના ખાતામાં જ જમા થયા હતા. જ્યારે ભોગ બનનારાઓએ કેન્દ્રીય સાઇબર પોર્ટલ પર ફરિયાદ નોંધાવી, ત્યારે કડીઓ જોડાતા છેડો કચ્છના માધાપરમાં આવીને અટક્યો હતો. સામાન્ય રીતે સ્થાનિક યુવકો થોડા કમિશનની લાલચે પોતાની આઈડી પર આવા ખાતા ખોલાવી સાઇબર માફિયાઓને સોંપી દેતા હોય છે. ભુજ સાઇબર પોલીસે આ મામલે મની લોન્ડરિંગ અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી મુખ્ય સૂત્રધારોને પકડવા માટે ઓપરેશન તેજ કર્યું છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/vnsgu-surat-admission-first-round-ends-with-only-11-percent-students-confirming-seats" target="_blank">આ પણ વાંચો: Surat: VNSGUમાં એડમિશન રેશિયો ગગડ્યો, માત્ર 11 ટકા વિદ્યાર્થીઓએ જ બેઠકો કન્ફર્મ કરાવી</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/mdbBFE2d6k8yLvXXbO14L6zoHOeJiJADIdXTiwro.webp'/></item><item><title><![CDATA[Vadodara : ડેસરમાં ભારે ધડાકા અને કંપનથી લોકોમાં ફફડાટ, ક્વોરી બંધ કરાવવા ગ્રામજનોએ ઉપાડ્યો મોરચો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-desar-quarry-blasting-protest-udalpur-janipura-villagers-complaint-gpcb</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-desar-quarry-blasting-protest-udalpur-janipura-villagers-complaint-gpcb</guid><pubDate>Tue, 09 Jun 2026 09:09:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાંથી સ્થાનિકોના આક્રોશ અને ભયના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ડેસરના ઉદલપુર-જાનીપુરા ગામ નજીક આવેલી BD પટેલ ક્વોરી માં થતા ખતરનાક બ્લાસ્ટિંગ સામે ગ્રામજનોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. ક્વોરીમાં થતા પ્રચંડ ધડાકા, ઉડતી ધૂળની ડમરીઓ અને જમીનમાં થતા તીવ્ર કંપનને કારણે જાનીપુરા અને આસપાસના વિસ્તારના લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ગંભીર બાબતે ગ્રામજનોએ એકઠા થઈને સરપંચ સહિત વહીવટી તંત્રને લેખિત આવેદનપત્ર પાઠવી બ્લાસ્ટિંગ તાત્કાલિક બંધ કરવાની માગ કરી છે.</p><h2 style="text-align: justify; "><b>લોકોના જાનમાલની સુરક્ષા સામે મોટો ખતરો 
</b></h2><p style="text-align: justify; ">ગ્રામજનોએ રજૂઆતમાં ભીતિ વ્યક્ત કરી છે કે આ હેવી બ્લાસ્ટિંગના કારણે વિસ્તારના રહેણાંક મકાનો, કિંમતી સરકારી મિલકતો જેવી કે ગામની પાણીની ટાંકી અને શાળાના બિલ્ડિંગમાં ગંભીર તિરાડો પડી શકે તેમ છે. આ ધડાકાઓથી લોકોના જાનમાલની સુરક્ષા સામે મોટો ખતરો ઊભો થયો છે. 
</p><h3 style="text-align: justify; "><b>&nbsp;બ્લાસ્ટિંગનું તમામ કામ સદંતર રોકી દેવામાં આવે
</b></h3><p style="text-align: justify; ">આ સાથે જ ક્વોરીના કારણે સ્થાનિક પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય પર થતી જીવલેણ અસરોની તપાસ કરાવવા માટે પણ અપીલ કરવામાં આવી છે. ગ્રામજનોની સ્પષ્ટ માગ છે કે જ્યાં સુધી આ સ્થળની સત્તાવાર સરકારી માપણી પૂર્ણ ન થાય, ત્યાં સુધી બ્લાસ્ટિંગનું તમામ કામ સદંતર રોકી દેવામાં આવે.
</p><h4 style="text-align: justify; "><b>તમામ મંજૂરીઓની નવેસરથી તપાસ કરવાની માગ 
</b></h4><p style="text-align: justify; ">આ લડાઈને વહીવટી સ્તરે લઈ જવા માટે ઉદલપુર-જાનીપુરાના નાગરિકો દ્વારા ડેસર મામલતદાર, સ્થાનિક પોલીસ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ,  કલેક્ટર અને એસપી સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર મોકલી દેવાયું છે. સ્થાનિકોએ ATR સહિત ક્વોરીને મળેલી તમામ મંજૂરીઓની નવેસરથી તપાસ કરવાની માગ કરી છે. જો તપાસમાં કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર ખનન કે નિયમોની વિરુદ્ધ જઈને કરાતું બ્લાસ્ટિંગ સાબિત થાય, તો ઓપરેટરો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ બુલંદ બની છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-gujarat-latest-news-live-and-samachar-09-june-2026-politics-weather-updates-daily-breaking-news-natio#google_vignette" target="_blank"><b>Gujarat Latest News Live : રાજકોટથી દિલ્હી જતી ફ્લાઇટની ઇમરજન્સી લેન્ડિંગ</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/FpWU2cmF0KkjwvVQowodB4wPOwP6Fx1go7BclEj2.webp'/></item><item><title><![CDATA[Yogasana Championship : ભારતીય ખેલાડીઓનો દબદબો, 102 સુવર્ણ ચંદ્રકો સાથે રચ્યો ઈતિહાસ ]]></title><link>https://sandesh.com/sports/news/world-yogasana-championship-ahmedabad-india-won-114-medals-with-102-gold</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/world-yogasana-championship-ahmedabad-india-won-114-medals-with-102-gold</guid><pubDate>Mon, 08 Jun 2026 20:17:33 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદમાં રમાયેલી વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપમાં ભારતે ઇતિહાસ રચી દીધો છે.યોગની જન્મભૂમિ એવા ભારતના એથ્લીટોએ વૈશ્વિક મંચ પર પોતાનો એકહથ્થુ દબદબો જમાવતા કુલ 114 મેડલ પોતાના નામે કર્યા છે.આ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમે અભૂતપૂર્વ પ્રદર્શન કરીને 102 ગોલ્ડ મેડલ મેળવીને મેડલ ટેલીમાં સર્વોપરી શિખર સર કર્યું છે.આ ઐતિહાસિક પ્રદર્શન સાથે જ ભારતે વિશ્વ યોગાસન ક્ષેત્રે પોતાનું વર્ચસ્વ ફરી એકવાર મજબૂત રીતે સ્થાપિત કરી દીધું છે.</p><h4><b>મેડલ ટેલીમાં ભારત ટોપ પર, જાપાન બીજા ક્રમે
</b></h4><p>અમદાવાદના આંગણે રમાયેલી આ વૈશ્વિક સ્પર્ધામાં દુનિયાભરના દેશોએ ભાગ લીધો હતો, પરંતુ ભારતીય ખેલાડીઓની ક્ષમતા આગળ કોઈ ટકી શક્યું નહોતું. મેડલ ટેલીની વાત કરીએ તો:
</p><ul><li>ભારત: 114 મેડલ (102 ગોલ્ડ સાથે પ્રથમ સ્થાન)
</li><li>જાપાન: 11 મેડલ સાથે બીજા સ્થાને 
</li><li>નેપાળ: કુલ 52 મેડલ જીતવામાં સફળ રહ્યું
</li><li>ઉઝબેકિસ્તાન: કુલ 25 મેડલ મેળવ્યા
</li></ul><h4><b>આર્જેન્ટિનાની નબીલા બરાઝા સૌથી સફળ એથ્લીટ
</b></h4><p>આ ચેમ્પિયનશિપમાં ભારતીય ખેલાડીઓના દબદબા વચ્ચે વિદેશી એથ્લીટોએ પણ પોતાના પ્રદર્શનથી લોકોના દિલ જીત્યા હતા. આર્જેન્ટિનાની સ્ટાર ખેલાડી નબીલા બરાઝા આ આખી ટૂર્નામેન્ટની સૌથી સફળ એથ્લીટ તરીકે ઉભરી આવી છે. તેણે પોતાની અદભુત ફ્લેક્સિબિલિટી અને સંતુલનથી જજ અને રમતપ્રેમીઓને મંત્રમુગ્ધ કર્યા હતા.અમદાવાદમાં યોજાયેલી આ સફળ વર્લ્ડ ચેમ્પિયનશિપના કારણે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં યોગાસન રમતને એક નવી ઓળખ અને મોટું પ્રોત્સાહન મળશે તે ચોક્કસ છે.</p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/world-yoga-championship-argentinas-nabila-sol-baraza-wins-5-medals-in-ahmedabad" target="_blank"> World Yoga Championship : આર્જેન્ટિનાની નાબિલા સોલ બારાઝાએ અમદાવાદમાં જીત્યા 5 મેડલ</a>
</p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/08/htMosF3Uzn4nZvXUJZ3TTLnabld6pJ9Qh9mTtYto.webp'/></item><item><title><![CDATA[Jaaved Jaaferiની પત્ની હબીબા સાથે 16 કરોડની છેતરપિંડી, BMCના આસિસ્ટન્ટ કમિશનર સસ્પેન્ડ ]]></title><link>https://sandesh.com/entertainment/news/jaaved-jaaferi-wife-habiba-fraud-case-bmc-officer-suspended</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/jaaved-jaaferi-wife-habiba-fraud-case-bmc-officer-suspended</guid><pubDate>Mon, 08 Jun 2026 18:41:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડ અભિનેતા જાવેદ જાફરીની પત્ની હબીબા જાફરી કથિત રોકાણ કૌભાંડનો ભોગ બની છે. તેની સાથે આશરે 16.24 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી. મામલાની તપાસ દરમિયાન એક BMC અધિકારીનું નામ સામે આવ્યું, જેના પછી તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
</p><h2 style="text-align: justify; "><b>વધુ વળતરની લાલચ આપી કરાયું રોકાણ
</b></h2><p style="text-align: justify; ">એવું જણાવવામાં આવી રહ્યું છે કે હબીબાએ સારા વળતરના વાદા પર મોટી રકમનું રોકાણ કર્યું હતું. પરંતુ બાદમાં તેને કથિત રીતે છેતરપિંડીની ખબર પડી. ફરિયાદ નોંધાયા પછી પોલીસ અને સંબંધિત એજન્સીઓએ તપાસ શરૂ કરી, જેના હેઠળ એક BMC અધિકારી સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં મામલાની તપાસ ચાલુ છે અને અધિકારીઓનું કહેવું છે કે આખા ઇન્વેસ્ટમેન્ટ નેટવર્ક અને આમાં સામેલ લોકોની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે.
</p><h3 style="text-align: justify; "><b>બીએમસીએ મદદનીશ કમિશનરને કર્યા સસ્પેન્ડ
</b></h3><p style="text-align: justify; ">મુંબઈ મહાનગરપાલિકા (BMC) એ હબીબા જાફરી સાથે 16.24 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડીના મામલામાં મોટી કાર્યવાહી કરતા કે-નોર્થ વોર્ડના મદદનીશ કમિશનરમહેશ પાટિલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્શનનો ઓર્ડર શુક્રવારે જાહેર કરવામાં આવ્યો હતો, જે 7 જૂને પાટિલને સોંપાયો હતો.
</p><h4 style="text-align: justify; "><b>રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના નામે બોગસ દસ્તાવેજો બનાવ્યા
</b></h4><p style="text-align: justify; ">મહેશ પાટિલ અને તેમના સહયોગીઓએ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં એક પુનર્વિકાસ (રીડેવલપમેન્ટ) પ્રોજેક્ટમાં ભારે નફો અને ઊંચા વળતરની લાલચ આપીને હબીબા જાફરીને રોકાણ કરવા માટે રાજી કર્યા હતા. આરોપ છે કે આ કથિત છેતરપિંડીને અંજામ આપવા માટે નકલી અને બોગસ દસ્તાવેજો પણ તૈયાર કરવામાં આવ્યા હતા.
</p><h5 style="text-align: justify; "><b>આરોપી અધિકારી ફરાર, ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી તપાસ
</b></h5><p style="text-align: justify; ">મામલામાં ખાર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાયા પછીથી મહેશ પાટિલ ફરાર હોવાનું કહેવાય છે. પોલીસ હજી સુધી તેની ભાળ મેળવી શકી નથી. ખાર પોલીસે પાટિલ સહિત કુલ છ આરોપીઓ સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. મામલાની ગંભીરતા અને મોટી રકમને જોતા તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દેવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમો હાલમાં કેટલાય સ્થળો પર દરોડા પાડી રહી છે અને ફરાર BMC અધિકારી સહિત અન્ય આરોપીઓની શોધખોળમાં લાગેલી છે.
</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/vicky-kaushal-chhaava-movie-budget-90-crore-blockbuster" target="_blank">આ પણ વાંચો-Mega Hit Movie : 90 કરોડમાં બનેલી એ ફિલ્મ, જેણે વર્ષ 2025માં બોક્સ ઓફિસ પર મચાવ્યો હતો તાંડવ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/08/riOgB3YbAhwlx0EVR3BlRB8BwZPV8FFM9ci9Rt3J.webp'/></item></channel></rss>