<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Gujarat News: જાણો શું છે વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપનું વન ડે વન એસેમ્બલી અભિયાન? ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/bjp-launches-one-day-one-assembly-campaign-ahead-of-2027-elections</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/bjp-launches-one-day-one-assembly-campaign-ahead-of-2027-elections</guid><pubDate>Sun, 05 Jul 2026 10:27:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં 2027ની વિધાનસભાની ચૂંટણી હજી ઘણી દૂર છે. પરંતુ ભાજપે ચૂંટણીનો શંખનાદ કરી દીધો છે. વન ડે વન એસેમ્બલી અભિયાન સાથે હવે ભાજપના અધ્યક્ષ દરરોજ એક વિધાનસભા વિસ્તારમાં પહોંચી રહ્યા છે. લોકોના પ્રશ્નો સાંભળી રહ્યા છે. કાર્યકરોને સક્રિય કરી રહ્યા છે અને ચૂંટણીની રણનીતિ ઘડી રહ્યા છે. પરંતુ બીજી તરફ મેદાનમાં ખેડૂતોના આંદોલન છે. યુવાનો NEET પેપર લીક મુદ્દે સરકાર સામે વિરોધ કરી રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે ભાજપનું આ અભિયાન લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવશે કે પછી આ અભિયાન ચૂંટણી પહેલાં ડેમેજ કંટ્રોલનો પ્રયાસ છે?&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ભાજપ હવે વિધાનસભા ચૂંટણીના મોડમાં આવી ગયું</b></h2><p style="text-align: justify; ">સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થતાં જ ભાજપ હવે વિધાનસભા ચૂંટણીના મોડમાં આવી ગયું છે. વન ડે વન એસેમ્બલી અભિયાન હેઠળ દરરોજ એક વિધાનસભા વિસ્તાર પસંદ કરવામાં આવે છે. જ્યાં સંગઠન અને સરકારના પ્રતિનિધિઓ સીધા લોકો વચ્ચે પહોંચી રહ્યા છે. ભાજપ કહે છે કે અમે માત્ર ચૂંટણી લક્ષી કામગીરી નથી કરતા પરંતુ આ દરરોજ ચાલતી પ્રક્રિયા છે.  ભાજપના મુખ્ય પ્રવક્તા ડો. અનિલ પટેલે કહ્યું હતું કે, અમારી કામગીરી માત્ર ચૂંટણી લક્ષી નથી હોતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતાઓ દરેક વિધાનસભામાં જઈ રહ્યાં છે અને ત્યાંના નેતાઓ સાથે બેઠકો કરીને પ્રજાલક્ષી કામગીરી અંગે ચર્ચાઓ કરે છે અને લોકો યોજનાઓથી માહિતગાર થાય તેની કામગીરી કરવામાં આવે છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા હાલ આદિવાસી પટ્ટામાં</b></h3><p style="text-align: justify; ">ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા હાલ આદિવાસી પટ્ટામાં છે. ખેડૂત. યુવા મોરચા, સંગઠનના હોદ્દેદારો અને સ્થાનિક કાર્યકરો સાથે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. સ્થાનિક પ્રશ્નો મુદ્દે સંવાદ કરી રહ્યા છે. ભાજપનો દાવો છે કે આ માત્ર ચૂંટણી અભિયાન નથી. પરંતુ લોકોના પ્રશ્નોને સ્થળ પર સમજી તેના ઉકેલ માટેનો પ્રયાસ છે. ખાસ કરીને નબળી બેઠકો પર સંગઠનને વધુ મજબૂત બનાવવાનો પ્લાન તૈયાર થઈ રહ્યો છે. સવાલ એ પણ ઉઠે કે આખરે આ અભિયાન આદિવાસી જિલ્લાથી કેમ ચાલુ કરવામાં આવ્યું. તો તેનું કારણ એ છે કે ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને વધારે નુકશાન થયું હતું.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે</b></h2><p style="text-align: justify; ">આપના આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી પણ વધારે સક્રિય થઈ છે અને રોજ સરકારને ઘેરી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા અનેક વિસ્તારોમાં ખેડૂતો સાથે મળી વીજપોલ અને વીજ જોડાણના પ્રશ્ને રસ્તા પર ઉતર્યા છે. વર્ષોથી પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. બીજી તરફ NEET પેપર લીક મુદ્દે પણ વિદ્યાર્થીઓ અને યુવા સંગઠનો સરકાર સામે આક્રમક બન્યા છે. પારદર્શક પરીક્ષા વ્યવસ્થા અને જવાબદારી નક્કી કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. એટલે યુવાનો મહિલાઓના પ્રશ્નો પણ રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા છે.અને આ તમામ મુદ્દે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સરકારને ઘેરી રહી છે. ત્યારે સવાલ એ છે કે મેદાનમાં સંવાદથી અસંતોષ દૂર થશે? કે પછી વિરોધના આ અવાજો ચૂંટણી સુધી વધુ પ્રબળ બનશે?<br><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/red-alert-for-6-districts-heavy-rain-expected-across-state-in-next-hour" target="_blank">આ પણ વાંચોઃ Gujarat Weather: રાજ્યમાં આગામી એક કલાક ભારે, 6 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/05/0PMffet1ZwVlt837ugbNqiSFwhNTiRHlFCmF77iD.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026:કિલિયન એમ્બાપ્પેના નિર્ણાયક ગોલથી પરાગ્વેને હરાવી ફ્રાન્સ ક્વાર્ટર ફાઇનલમાં ]]></title><link>https://sandesh.com/sports/fifa-world-cup/news/sports/fifa-world-cup-2026-france-beats-paraguay-with-kylian-mbappes-decisive-goal-to-reach-quarter-finals</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/fifa-world-cup/news/sports/fifa-world-cup-2026-france-beats-paraguay-with-kylian-mbappes-decisive-goal-to-reach-quarter-finals</guid><pubDate>Sun, 05 Jul 2026 10:17:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">તેમના નિર્ણાયક પ્રદર્શનના કારણે ફ્રાન્સે પરાગ્વેને 1-0થી હરાવી સતત ચોથી વખત વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. 5 જુલાઈ (રવિવાર)ના રોજ ફિલાડેલ્ફિયાના ફિલાડેલ્ફિયા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં લગભગ 38 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વચ્ચે બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી.</p><h2 style="text-align: justify; ">પરાગ્વેએ લાંબા સમય સુધી ફ્રાન્સના આક્રમણને રોકીને રાખ્યું</h2><p style="text-align: justify; ">મેચ દરમિયાન પરાગ્વેએ લાંબા સમય સુધી ફ્રાન્સના આક્રમણને રોકીને રાખ્યું હતું. તેમના ડિફેન્ડર અને ગોલકીપરે ફ્રાન્સને ગોલ કરવાની ઘણી તકો મળવા દીધી નહોતી. જોકે, મેચની 70મી મિનિટે વિડિયો આસિસ્ટન્ટ રેફરી (VAR)ની મદદથી ફ્રાન્સને પેનલ્ટી મળી. પરાગ્વેના ખેલાડી ડિએગો ગોમેઝ દ્વારા કરવામાં આવેલા ફાઉલ બાદ રેફરીએ પેનલ્ટી ફટકારી અને કિલિયન એમ્બાપ્પેએ કોઈ ભૂલ કર્યા વગર બોલને ગોલપોસ્ટમાં મોકલી પોતાની ટીમને મહત્વપૂર્ણ જીત અપાવી.</p><h3 style="text-align: justify; ">કિલિયન એમ્બાપ્પેએ ફિફા વર્લ્ડ કપમાં પોતાનો 19મો ગોલ નોંધાવ્યો&nbsp;</h3><p style="text-align: justify; ">આ ગોલ સાથે કિલિયન એમ્બાપ્પેએ ફિફા વર્લ્ડ કપમાં પોતાનો 19મો ગોલ નોંધાવ્યો છે. ખાસ વાત એ છે કે તેમણે માત્ર 19 મેચમાં આ સિદ્ધિ મેળવી છે. હવે તેઓ વર્લ્ડ કપ ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી લિયોનેલ મેસીથી માત્ર એક ગોલ પાછળ છે. મેસીના નામે હાલમાં 20 વર્લ્ડ કપ ગોલ નોંધાયેલા છે.</p><h4 style="text-align: justify; ">ગોલ્ડન બૂટની રેસમાં એમ્બાપ્પે આગળ</h4><p style="text-align: justify; ">ફિફા વર્લ્ડ કપ 2026માં કિલિયન એમ્બાપ્પે અત્યાર સુધી કુલ 7 ગોલ કરી ચૂક્યા છે અને ગોલ્ડન બૂટની રેસમાં ટોચ પર છે. લિયોનેલ મેસીએ પણ 7 ગોલ કર્યા છે, પરંતુ એમ્બાપ્પેના ખાતામાં બે અસિસ્ટ પણ નોંધાયા હોવાથી તેઓ આગળ છે. ચાર વર્ષ પહેલાં કતારમાં રમાયેલા ફિફા વર્લ્ડ કપમાં પણ એમ્બાપ્પેએ ગોલ્ડન બૂટ જીત્યો હતો, જોકે ફાઇનલમાં મેસીની આગેવાની હેઠળની આર્જેન્ટિનાએ ફ્રાન્સને હરાવી વર્લ્ડ કપ ટ્રોફી જીતી હતી.</p><h4 style="text-align: justify; ">પરાગ્વેના ગોલકીપરનું શાનદાર પ્રદર્શન</h4><p style="text-align: justify; ">પરાગ્વેના ગોલકીપર ઓર્લાન્ડો ગિલે મેચ દરમિયાન અનેક શાનદાર બચાવ કર્યા હતા. તેમણે કિલિયન એમ્બાપ્પેના બે જોખમી શોટ્સને ઇન્જરી ટાઇમમાં રોકી દીધા હતા. ઉપરાંત મનુ કોનેના ઉત્તમ પ્રયાસને પણ ગોલ બનતા અટકાવ્યો હતો. જોકે પેનલ્ટી પર એમ્બાપ્પેના સચોટ શોટ સામે તેઓ નિષ્ફળ રહ્યા હતા.</p><h5 style="text-align: justify; ">હવે મોરોક્કો સામે ટક્કર</h5><p style="text-align: justify; ">આ જીત સાથે ફ્રાન્સે સતત ચોથી વખત ફિફા વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. હવે તેનો સામનો 10 જુલાઈએ ફોક્સબોરોના બોસ્ટન સ્ટેડિયમમાં મોરોક્કો સામે થશે. ફ્રાન્સની નજર સતત બીજી વખત વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવા પર રહેશે, જ્યારે કિલિયન એમ્બાપ્પે લિયોનેલ મેસીના વર્લ્ડ કપ ગોલના રેકોર્ડની બરાબરી અથવા તેને પાછળ છોડવાની સાથે વધુ એક વખત ગોલ્ડન બૂટ જીતવાનો પ્રયાસ કરશે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/05/N8A2zhw99JLHZ5nRCgzpWX8aAHdVNlGtmP8glydB.webp'/></item><item><title><![CDATA[Gold Silver Price Today: શું સોનું ફરી મોંઘું થયું? જાણો 20, 22 અને 24 કેરેટના લેટેસ્ટ ભાવ.. ]]></title><link>https://sandesh.com/business/news/gold-silver-price-today-has-gold-become-expensive-again-know-the-latest-prices-of-20-22-and-24-carats</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/gold-silver-price-today-has-gold-become-expensive-again-know-the-latest-prices-of-20-22-and-24-carats</guid><pubDate>Sun, 05 Jul 2026 10:11:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">છેલ્લા કેટલાક દિવસોમાં સોના અને ચાંદીના બજારમાં નોંધપાત્ર ઉથલપાથલ જોવા મળી છે. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ અથવા ઘરેણાં લેવાનું આયોજન હોય, તો આ ફેરફારો પર નજર રાખવી અત્યંત આવશ્યક છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) અને સ્થાનિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં જોવા મળેલી વધ-ઘટ આ મુજબ છે.</p><h2 style="text-align: justify; "><b>MCX પર સોના-ચાંદીની સ્થિતિ</b></h2><p style="text-align: justify; ">MCX પર સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો અને તે ₹1,47,365 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. પાંચ દિવસના ગાળામાં સોનાના વાયદાના ભાવમાં લગભગ ₹3,203 નો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ, ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. 4 સપ્ટેમ્બરની એક્સપાયરી સાથે ચાંદી ₹2,37,499 પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ, જે પાછલા સપ્તાહની સરખામણીમાં ₹14,027 નો વધારો દર્શાવે છે.</p><h3 style="text-align: justify; "><b>સ્થાનિક બજારમાં ભાવનું ચિત્ર</b></h3><p style="text-align: justify; ">ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી છે. 24 કેરેટ સોનાનો ભાવ ₹1,46,344 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયો છે, જે ગયા અઠવાડિયા કરતા ₹6,471 જેટલો વધુ છે. અન્ય કેરેટના ભાવ નીચે મુજબ છે:</p><p style="text-align: justify; ">22 કેરેટ સોનું: ₹1,42,830 પ્રતિ 10 ગ્રામ</p><p style="text-align: justify; ">20 કેરેટ સોનું: ₹1,30,250 પ્રતિ 10 ગ્રામ</p><p style="text-align: justify; ">18 કેરેટ સોનું: ₹1,18,540 પ્રતિ 10 ગ્રામ</p><p style="text-align: justify; ">14 કેરેટ સોનું: ₹94,390 પ્રતિ 10 ગ્રામ</p><p style="text-align: justify; ">ચાંદીના ભાવમાં પણ સ્થાનિક બજારમાં તોતિંગ ઉછાળો આવ્યો છે. ચાંદી પ્રતિ કિલોગ્રામ ₹2,33,858 પર પહોંચી છે, જેનો અર્થ છે કે એક જ સપ્તાહમાં ચાંદીના ભાવમાં ₹17,317 નો મોટો વધારો થયો છે.</p><h4 style="text-align: justify; "><b>ધ્યાનમાં રાખવા જેવી બાબત</b></h4><p style="text-align: justify; ">નોંધનીય છે કે, જાન્યુઆરીમાં સોનાએ ₹2 લાખ અને ચાંદીએ ₹4 લાખની ઐતિહાસિક સપાટી વટાવી હતી. જોકે, હાલના ભાવ તે ઉચ્ચ સ્તર કરતા હજુ પણ ઘણા ઓછા છે. ગ્રાહકોએ એ બાબત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે જ્યારે તમે જ્વેલરી ખરીદો છો, ત્યારે બજારના આ દર ઉપરાંત GST અને મેકિંગ ચાર્જ પણ અલગથી ચૂકવવાના રહે છે, જેના કારણે અંતિમ કિંમતમાં તફાવત આવી શકે છે.</p><h5 style="text-align: justify; "><b>દેશના મોટા શહેરોમાં શું છે સોના ચાંદીનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)&nbsp;</b></h5><p style="text-align: justify; "><br></p><table class="table table-bordered"><tbody><tr><td>શહેર&nbsp;</td><td>24 કેરેટ સોનાની કિંમત ( રૂપિયા/10 ગ્રામ) )&nbsp;</td><td>22 કેરેટ સોનાની કિંમત( રૂપિયા/10 ગ્રામ)</td></tr><tr><td>દિલ્હી&nbsp;&nbsp;</td><td>1,46,880</td><td>1,34,650&nbsp;&nbsp;</td></tr><tr><td>કોલકાતા&nbsp;</td><td>&nbsp;1,46,730</td><td>1,34,500&nbsp;</td></tr><tr><td>ચેન્નઈ&nbsp;&nbsp;</td><td>1,49,460</td><td>1,37,000&nbsp;</td></tr><tr><td>બેંગ્લોર&nbsp;</td><td>1,46,730&nbsp;</td><td>1,34,500&nbsp;&nbsp;</td></tr><tr><td>અમદાવાદ&nbsp;</td><td>&nbsp;1,46,780</td><td>1,34,550&nbsp;&nbsp;</td></tr><tr><td>વડોદરા&nbsp;&nbsp;</td><td>1,46,780</td><td>1,34,550&nbsp;</td></tr></tbody></table><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/business/news/petrol-diesel-price-today-know-whether-the-prices-of-petrol-and-diesel-have-increased-or-decreased-today" target="_blank">આ પણ વાંચોઃ Petrol Diesel Price Today: આજે વધ્યા કે ઘટ્યા પેટ્રોલ-ડીઝલનાં ભાવ જાણીલો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/05/tW057ZvpPe3Ou003yndrsFIGPbuLOySp1Sc4VTtn.webp'/></item><item><title><![CDATA[Teejan Bai : પદ્મ વિભૂષણ પંડવાણી લોકગાયિકા તીજન બાઈનું 70 વર્ષની વયે નિધન, રાયપુર AIIMSમાં લીધા અંતિમ શ્વાસ ]]></title><link>https://sandesh.com/entertainment/news/teejan-bai-padma-vibhushan-pandavani-folk-singer-teejan-bai-passes-away-at-the-age-of-70-breathed-her-last-at-raipur-aiims</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/teejan-bai-padma-vibhushan-pandavani-folk-singer-teejan-bai-passes-away-at-the-age-of-70-breathed-her-last-at-raipur-aiims</guid><pubDate>Sun, 05 Jul 2026 09:05:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">70 વર્ષની વયે તેમનું નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને સારવાર હેઠળ હતા. શનિવારે વહેલી સવારે 3:15 વાગ્યે રાયપુર AIIMS હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનના સમાચાર સામે આવતા જ સમગ્ર ભારતીય લોકકલા અને સાંસ્કૃતિક જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.</p><h2 style="text-align: justify; ">લોકકલાજગતમાં શોકની લાગણી</h2><p style="text-align: justify; ">તીજન બાઈએ પંડવાણી લોકગાયનની પરંપરાને માત્ર છત્તીસગઢ પૂરતી મર્યાદિત રાખી નહોતી, પરંતુ તેને આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચાડી હતી. મહાભારતની કથાઓને અનોખી શૈલીમાં ગાયન અને અભિનય સાથે રજૂ કરવાની તેમની કળાએ તેમને વિશ્વભરમાં વિશેષ ઓળખ અપાવી હતી. તેમના અવાજ, અભિવ્યક્તિ અને જીવંત રજૂઆતના કારણે લાખો લોકો તેમના ચાહક બન્યા હતા.</p><h3 style="text-align: justify; ">અનેક પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સન્માનોથી નવાજવામાં આવ્યા હતા</h3><p style="text-align: justify; ">ભારતીય લોકકલાના સંવર્ધન અને પ્રચારમાં તેમના અદ્વિતીય યોગદાન બદલ તેમને અનેક પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સન્માનોથી નવાજવામાં આવ્યા હતા. વર્ષ 1988માં તેમને દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વર્ષ 1995માં તેમને સંગીત નાટક અકાદમી એવોર્ડ મળ્યો હતો, જે ભારતીય રંગભૂમિ અને સંગીત ક્ષેત્રનું પ્રતિષ્ઠિત સન્માન માનવામાં આવે છે.</p><h4 style="text-align: justify; ">વર્ષ 2003માં ભારત સરકારે તેમને પદ્મભૂષણથી સન્માનિત કર્યા</h4><p style="text-align: justify; ">વર્ષ 2003માં ભારત સરકારે તેમને પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા. એ જ વર્ષે બિલાસપુર યુનિવર્સિટી દ્વારા તેમને માનદ **ડી.લિટ્ (Hon. D.Litt.)**ની ઉપાધિ પણ એનાયત કરવામાં આવી હતી. તેમના કલા ક્ષેત્રના અસાધારણ યોગદાનને ધ્યાનમાં રાખીને વર્ષ 2016માં તેમને એમ.એસ. સુબ્બુલક્ષ્મી શતાબ્દી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.</p><h4 style="text-align: justify; ">2019માં ભારત સરકારે તેમને દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી નવાજ્યા&nbsp;</h4><p style="text-align: justify; ">ત્યારબાદ વર્ષ 2019માં ભારત સરકારે તેમને દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી નવાજ્યા હતા. આ સન્માન તેમના દાયકાઓ સુધીના લોકકલાના યોગદાનની સર્વોચ્ચ કદર તરીકે જોવામાં આવે છે.</p><h5 style="text-align: justify; ">સમગ્ર જીવન દરમિયાન પંડવાણી કળાને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડી</h5><p style="text-align: justify; ">તીજન બાઈએ પોતાના સમગ્ર જીવન દરમિયાન પંડવાણી કળાને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડી. તેમણે દેશ-વિદેશમાં અનેક કાર્યક્રમો કરીને ભારતીય લોકસંસ્કૃતિનો પરિચય વિશ્વ સમક્ષ કરાવ્યો હતો. તેમની રજૂઆતમાં મહાભારતના પાત્રો જીવંત બની જતા અને દર્શકો મંત્રમુગ્ધ થઈ જતા.</p><h5 style="text-align: justify; ">લોકસંસ્કૃતિ પ્રત્યેનું સમર્પણ હંમેશા યાદ રહેશે.&nbsp;</h5><p style="text-align: justify; ">તેમના નિધનથી માત્ર છત્તીસગઢ જ નહીં પરંતુ સમગ્ર દેશના લોકકલા જગતે એક અમૂલ્ય ધરોહર ગુમાવી છે. તેમની કલા, અવાજ અને લોકસંસ્કૃતિ પ્રત્યેનું સમર્પણ હંમેશા યાદ રહેશે. આવનારી પેઢીઓ માટે તેઓ પ્રેરણાસ્ત્રોત બની રહેશે અને ભારતીય લોકકલાના ઇતિહાસમાં તેમનું નામ સદાય અવિસ્મરણીય રહેશે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/05/sLJTJPiidCo1PN1kqBmWOfafF8VF1tcP8dB6EBlc.webp'/></item><item><title><![CDATA[Gujarat Weather:  રાજ્યમાં આગામી એક કલાક ભારે, 6 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/red-alert-for-6-districts-heavy-rain-expected-across-state-in-next-hour</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/red-alert-for-6-districts-heavy-rain-expected-across-state-in-next-hour</guid><pubDate>Sun, 05 Jul 2026 08:50:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં મેઘરાજાએ મહેર વરસાવવાની શરૂ કરી દીધી છે. રાજ્યમાં આગામી એક કલાક ભારે હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. રાજ્યના 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 8 જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. 17 જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  હવામાન વિભાગની આગાહી મુજબ, સક્રિય થયેલી 'અપર એર સાયક્લોનિક' સિસ્ટમની સીધી અસરને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરશે. આ સિસ્ટમની અસર હેઠળ સુરત, દહેજ, જંબુસર અને ભરૂચ પંથકમાં ભારે વરસાદની પૂરેપૂરી સંભાવના છે.</p><h2 style="text-align: justify; "><b>આ વિસ્તારોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ&nbsp;</b></h2><p style="text-align: justify; ">ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં મેઘરાજાએ જબરદસ્ત મહેર વરસાવતા છેલ્લા 24 કલાકમાં 196 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં કુલ 8 જિલ્લાઓમાં 'રેડ એલર્ટ' આપવામાં આવ્યું છે. જેમાં રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ અને ભાવનગરમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા અને પાટણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.&nbsp;&nbsp;</p><h3 style="text-align: justify; "><b>આ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર</b></h3><p style="text-align: justify; ">આ ઉપરાંત કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરાવલ્લી, ખેડા, મહિસાગર, પંચમહાલ, વડોદરા, દાહોદ, વલસાડ, દાદરા નગર હવેલી, ડાંગ, નવસારી, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ અને ગાજવીજ સાથે વીજળી પડવાની શક્યતા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને નદી-નાળામાં જળસ્તર વધવાની ચેતવણી આપવામાં આવી છે, તેથી નાગરિકોને અત્યંત સાવચેતી રાખવા અને કારણ વગર બહાર ન નીકળવા તાકીદ કરવામાં આવી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/amreli/khambha-receives-8-inches-rajula-7-inches-as-heavy-rain" target="_blank">આ પણ વાંચોઃ Amreli Rain: અમરેલી જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ, ખાંભામાં 8 અને રાજુલામાં 7 ઈંચ વરસાદ ખાબક્યો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/05/kByB56xXR2KtZWPMNYzNex0XMZsMkyiHdjKnUiEh.webp'/></item><item><title><![CDATA[બોડેલી તાલુકામાં શુક્રવારે રાતે 2થી સવારે 6 સુધી ધોધમાર વરસાદ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bodeli/heavy-rain-in-bodeli-taluka-on-friday-from-2-pm-to-6-am</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bodeli/heavy-rain-in-bodeli-taluka-on-friday-from-2-pm-to-6-am</guid><pubDate>Sun, 05 Jul 2026 02:16:02 +05:30</pubDate><description><![CDATA[<p>બોડેલી પંથકમાં લાંબા વિરામ બાદ શુક્રવારની રાત્રે 2થી સવારના 6 વાગ્યા દરમિયાન ધોધમાર વરસાદ વરસતા 35 એમએમ જેટલો નોંધાયો હતો. જેના પગલે પંથકના જગતના તાત ગણાતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી ફેલાઈ હતી.</p><p>હવામાન વિભાગની આગાહી અનુસાર, શુક્રવારે મધરાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવતા બોડેલી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બોડેલીના ધોળીવાવ વિસાડી તેમજ પાંધરા, અમલપુર, ટીંબી, ગડોથ, બુમડી, રણભૂન પાટીયા સહિત ઉંચાપાણ પંથક જબુગામ પંથક માંકણી પંથક સહિતના અનેક વિસ્તારોમાં મેઘો મન મૂકીને વરસ્યો હતો. જેના પગલે સમગ્ર તાલુકાના ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી.</p><p>બોડેલી નગરમાં દોઢ ઈંચ તેમજ વિસાડી, પાંધરા પંથકમાં લગભગ બે ઈંચ ઉપરાંત વરસાદ વરસી પડયો હતો. જેના પગલે આ વિસ્તારના કોતરોમાં પાણી આવ્યું હતું. અને ખેતરોમાં પણ પાણી ભરાયું હતું. આ વિસ્તારમાં ધરતી પુત્રો એ ખેતીલાયક વરસાદ વરસતા મેઘરાજાનો આભાર પણ માન્યો હતો.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/05/cWi8gW5HMq95JZ53ySnWBTFfS19raDBSmkyVev0Q.webp'/></item><item><title><![CDATA[પહેલાં જ વરસાદ ઉદલપુરથી ડેસર અને જાનીપુરા માર્ગની પોલ ખૂલી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/already-the-rains-have-opened-the-road-from-udalpur-to-desar-and-janipura</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/already-the-rains-have-opened-the-road-from-udalpur-to-desar-and-janipura</guid><pubDate>Sun, 05 Jul 2026 02:15:14 +05:30</pubDate><description><![CDATA[<p>ડેસર તાલુકામાં ચોમાસાના પ્રથમ વરસાદે જ માર્ગોની દયનીય સ્થિતિ ઉજાગર કરી છે. ઉદલપુર ચોકડીથી ડેસર તરફ્ તેમજ ઉદલપુરથી જાનીપુરા સુધીના માર્ગ પર મોટા ખાડા પડી જતાં વાહનચાલકોને હાલાકી વેઠવી પડે છે. ભારે વાહનો સહિત રોજિંદા અવરજવર કરતા લોકો માટે આ માર્ગ જોખમી બન્યો છે.</p><p>ઉદલપુર રાજ્યના મહત્વના ક્વોરી ઉદ્યોગ માટે જાણીતું હોવાથી અહીંથી દરરોજ મોટી સંખ્યામાં ભારે વાહનોની અવરજવર રહે છે. માર્ગ પર પડેલા વિશાળ ખાડાઓને કારણે ટ્રકો સહિત અન્ય વાહનોને વારંવાર નુકસાન થઈ રહ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, ક્વોરી ઉદ્યોગમાંથી સરકારને કરોડો રૂપિયાની રોયલ્ટી મળતી હોવા છતાં માર્ગની યોગ્ય જાળવણી કરવામાં તંત્ર નિષ્ફ્ળ રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં વધુ વરસાદ પડશે તો માર્ગ પર પાણી ભરાઈ જવાથી ખાડા દેખાશે નહીં. જેના કારણે ગંભીર અકસ્માત થવાની શક્યતા વધશે. માર્ગ પર આવેલા નાનકડા બ્રિજ પર પણ મોટા ખાડા પડયાં છે. તેની રેલિંગ પણ ક્ષતિગ્રસ્ત છે. સમયસર સમારકામ નહીં થાય તો બ્રિજને પણ નુકસાન પહોંચવાની ભીતિ વ્યક્ત કરાય છે. સ્થાનિક વેપારી કુણાલ પટેલ અને સુનિલ પટેલે જણાવ્યું હતું કે, આ માર્ગ પરથી રોજ પસાર થવું જોખમી બની ગયું છે અને તંત્રએ તાત્કાલિક ખાડા પૂરાવી માર્ગનું સમારકામ કરવું જોઈએ. ઉદલપુર ગ્રામ પંચાયતના સરપંચ નિતેશ ચારણે જણાવ્યું હતું કે, કોઈ જાનહાનિ થાય તે પહેલાં માર્ગનું સમારકામ કરવું અત્યંત જરૂરી છે. તેમણે તંત્રને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરીને જણાવ્યું છે કે સમયસર કામગીરી નહીં થાય તો સ્થાનિકો આગળની લડત અંગે વિચારણા કરાશે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/05/Ocx2vcFdFKCED4yxhVmo1SayNX43hH9QtKJhjaPd.webp'/></item><item><title><![CDATA[સામાન્ય વરસાદમાં મહુડી ભાગોળથી પરબડી સુધીનો રોડ ધોવાઇ ગયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dabhoi/the-road-from-mahudi-bagol-to-parbadi-was-washed-away-in-the-normal-rains</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dabhoi/the-road-from-mahudi-bagol-to-parbadi-was-washed-away-in-the-normal-rains</guid><pubDate>Sun, 05 Jul 2026 02:14:20 +05:30</pubDate><description><![CDATA[<p>ડભોઇ ચોમાસાની હજુ તો ગણતરીના દિવસોમાં જ શરૂઆત થઈ છે ત્યાં જ ડભોઇ નગરપાલિકાના પ્રી-મોન્સૂન પ્લાનિંગના ધજાગરા ઉડી ગયા છે. માત્ર થોડાક જ વરસાદમાં ડભોઇના મહુડી ભાગોળથી લઈને પરબડી સુધીનો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. રોડ પર ઠેર-ઠેર મસમોટા ખાડાઓ પડી જતાં સ્થાનિક રહીશો, વાહનચાલકો અને રાહદારીઓ હાલાકી વેઠે છે.</p><p>સૌથી વધુ આશ્ચર્ય વાત તો એ છે કે, જ્યાં આ ગંભીર સમસ્યા છે. તે વોર્ડ નં. 4ના કાઉન્સિલર અને નગરપાલિકાના ઉપપ્રમુખ પોતે પણ આ જ વિસ્તારનાં છે. સત્તાધીશો પોતાના જ ઘર આંગણે સર્જાયેલી આ દુર્દશા જોઈ શકતા નથી. વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલ આ માર્ગ એટલી હદે બિસ્માર બની ગયો છે કે વાહનચાલકોને મહુડી ભાગોળ તરફ્ આવવું હોય તો પણ વિચાર કરવો પડે છે. ખાડાને કારણે અકસ્માત થવાનો ભય રહે છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/05/vGmAy0rYdTtbwWRmAIj8avg4IvMvME7IoJP5gNRm.webp'/></item><item><title><![CDATA[Americaના 250મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ પાઠવી શુભેચ્છા, ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યો આ ખાસ સંદેશ ]]></title><link>https://sandesh.com/india/news/world/pm-modi-greets-donald-trump-us-250th-independence-day</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/world/pm-modi-greets-donald-trump-us-250th-independence-day</guid><pubDate>Sat, 04 Jul 2026 23:33:10 +05:30</pubDate><description><![CDATA[<p>વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના 250મા સ્વતંત્રતા દિવસના અવસરે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ત્યાંની જનતાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. પોતાના સંદેશમાં તેમણે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવ્યા હતા.&nbsp;</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/narendramodi/status/2073412135770808736"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>શું કહ્યું વડાપ્રધાન મોદી?</b></h2><p>PM મોદીએ કહ્યું કે, “140 કરોડ ભારતીયોની તરફથી હું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાની જનતાને સ્વતંત્રતાની 250મી વર્ષગાંઠની હાર્દિક શુભેચ્છા પાઠવું છું.” તેમણે ઉમેર્યું કે ભારત અને અમેરિકા માત્ર વ્યૂહાત્મક ભાગીદારો જ નથી, પરંતુ બંને દેશો લોકશાહી, કાયદાના શાસન અને માનવ ક્ષમતામાં સમાન વિશ્વાસ ધરાવે છે. વડાપ્રધાન મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી વર્ષોમાં અમેરિકા શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિના નવા શિખરો સર કરશે. સાથે જ ભારત-અમેરિકાની ભાગીદારી વધુ મજબૂત બનશે અને બંને દેશો વૈશ્વિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.&nbsp;</p><p>PM મોદીના શુભેચ્છા સંદેશ બદલ અમેરિકાના રાજદૂત સર્ઝિયો ગોરે સોશિયલ મીડિયા પર આભાર વ્યક્ત કર્યો હતો. તાજેતરમાં ફ્રાન્સમાં યોજાયેલા G7 શિખર સંમેલન દરમિયાન વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે મુલાકાત પણ થઈ હતી. ફેબ્રુઆરી 2025 પછી બંને નેતાઓની આ પ્રથમ રૂબરૂ મુલાકાત હતી, જેમાં દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનાવવાની ચર્ચા થઈ હતી.</p><h3><b>બંને દેશો વચ્ચે કેટલાક મતભેદો&nbsp;</b></h3><p>છેલ્લા કેટલાક સમય દરમિયાન વેપાર શુલ્ક, ઈમિગ્રેશન નીતિ અને અન્ય મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે કેટલાક મતભેદો સામે આવ્યા હતા. તેમ છતાં, બંને દેશો વ્યૂહાત્મક અને આર્થિક સહયોગને વધુ ગાઢ બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે. અમેરિકાના 250મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ફિલાડેલ્ફિયા, ન્યૂયોર્ક અને વોશિંગ્ટન સહિત અનેક શહેરોમાં ભવ્ય પરેડ, સંગીત કાર્યક્રમો અને આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરને અમેરિકાના ઇતિહાસ અને લોકશાહી પરંપરાના મહત્વપૂર્ણ ઉજવણી તરીકે જોવામાં આવ્યો.</p><p><b><a href="https://sandesh.com/india/news/pm-modi-australia-visit-melbourne-death-threat-afp-investigation" target="_blank">આ પણ વાંચો : PM મોદીને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં જાનથી મારી નાખવાની મળી ધમકી, મેલબર્ન કાર્યક્રમને લઈને તપાસ શરૂ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/04/43t1yBuNWhP1B3kDAGT0JErYBZc0viq3ehn10p9f.webp'/></item><item><title><![CDATA[Jammu Kashmir : શોપિયાંમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકીને ઘેરી લીધા ]]></title><link>https://sandesh.com/india/news/jammu-kashmir-shopian-encounter-security-forces-surround-two-terrorists</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/jammu-kashmir-shopian-encounter-security-forces-surround-two-terrorists</guid><pubDate>Sat, 04 Jul 2026 22:46:28 +05:30</pubDate><description><![CDATA[<p>જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં શુક્રવારે સાંજે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ. આ એન્કાઉન્ટર સાંજે આશરે 7:45 વાગ્યે ચનપોરા ગામના સૈદપોરા પીન વિસ્તારમાં શરૂ થયું હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. સુરક્ષા એજન્સીઓને વિસ્તારમાં બે આતંકીઓ છુપાયેલા હોવાની બાતમી મળતા સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત રીતે કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.&nbsp;</p><h2><b>આતંકી ઝાકિર અહમદ ગની અને લતીફ ભટ્ટ ફસાયા હોવાની આશંકા</b></h2><p>તપાસ દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કરતાં જવાબી કાર્યવાહી કરવામાં આવી અને અથડામણ શરૂ થઈ ગઈ. પ્રાથમિક માહિતી મુજબ આ એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાનો મોસ્ટ વોન્ટેડ A++ કેટેગરીનો આતંકી ઝાકિર અહમદ ગની અને લતીફ ભટ્ટ ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઝાકિર ગની દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાનો રહેવાસી હોવાનું જણાવાય છે અને તે અનેક આતંકી હુમલાઓ તથા ટાર્ગેટ કિલિંગની ઘટનાઓમાં સંડોવાયેલો હોવાનું તપાસ એજન્સીઓનું કહેવું છે.</p><h3><b>સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો&nbsp;</b></h3><p>આ ઓપરેશનમાં ભારતીય સેનાની 44 આરઆર, 20 આરઆર, 34 આરઆર, 03 પેરા તેમજ જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને શોપિયાં પોલીસની ટીમો સામેલ છે. સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. આ દરમિયાન સુરક્ષા એજન્સીઓએ બે શંકાસ્પદ આતંકીઓના CCTV ફૂટેજ પણ મેળવ્યા છે. આ ફૂટેજની તપાસ કરીને એ વાતની પુષ્ટિ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે એન્કાઉન્ટર સ્થળે હાજર આતંકીઓ ખરેખર ઝાકિર ગની અને લતીફ ભટ્ટ જ છે કે નહીં. અધિકારીઓએ જણાવ્યું કે ઓપરેશન પૂર્ણ થયા બાદ વધુ માહિતી જાહેર કરવામાં આવશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/pm-modi-australia-visit-melbourne-death-threat-afp-investigation" target="_blank">આ પણ વાંચો : PM મોદીને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં જાનથી મારી નાખવાની મળી ધમકી, મેલબર્ન કાર્યક્રમને લઈને તપાસ શરૂ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/04/M66EN0JN69QpYI0gJITo7kXxErGExJ156Wt1ydig.webp'/></item></channel></rss>