<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Kutchના કંડલામાં ઓઈલ પાઈપલાઈન અને IFFCO પ્લાન્ટ નજીકનું ગેરકાયદે બાંધકામ જમીનદોસ્ત કરાયું ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kutch/illegal-construction-near-oil-pipeline-and-iffco-plant-in-kandla-kutch-razed-to-the-ground</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kutch/illegal-construction-near-oil-pipeline-and-iffco-plant-in-kandla-kutch-razed-to-the-ground</guid><pubDate>Mon, 29 Jun 2026 23:05:25 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કચ્છ જિલ્લામાં સરકારી જમીનો અને સંવેદનશીલ વિસ્તારોમાં ખડકાયેલા ગેરકાયદેસર દબાણોને હટાવવા માટે વહીવટી તંત્ર દ્વારા શરૂ કરાયેલી કડક ઝુંબેશ હજુ પણ વણથંભી રહી છે. આ કડીમાં કંડલાના દરિયાકાંઠાના અને રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ ગણાતા વિસ્તારમાં તંત્ર દ્વારા એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કંડલા મરીન પોલીસ સ્ટેશનની હદમાં આવતા અને ખાસ કરીને વ્યૂહાત્મક રીતે અતિ સંવેદનશીલ એવા ઓઈલ પાઈપલાઈન તથા ઇફ્કો (IFFCO) પ્લાન્ટ નજીકના વિસ્તારમાં ઉભા કરી દેવાયેલા ગેરકાયદેસર બાંધકામો સામે તંત્રએ રાતોરાત લાલ આંખ કરી હતી.</p><h2 style="text-align: justify; ">સુરક્ષા માટે જોખમી ગેરકાયદેસર મસ્જિદ પર ફર્યું બુલડોઝર</h2><p style="text-align: justify; ">જે વિસ્તારમાં આ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી તે ઓઈલ પાઈપલાઈન અને કેમિકલ પ્લાન્ટને કારણે ખુબ જ હાઈ-એલર્ટ ઝોન ગણાય છે. આ સુરક્ષા ક્ષેત્રની આસપાસ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને એક ગેરકાયદેસર મસ્જિદનું બાંધકામ ઊભું કરી દેવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર અને સ્થાનિક સત્તાવાળાઓએ આ બાબતની ગંભીરતા નોંધીને JCB અને બુલડોઝરો સાથે ઓપરેશન શરૂ કર્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને કડક સુરક્ષા કવચ વચ્ચે તંત્રએ આ ગેરકાયદેસર મસ્જિદના બાંધકામને તોડી પાડીને જમીનદોસ્ત કરી દીધું હતું અને સમગ્ર સરકારી જમીનને દબાણમુક્ત કરાવી હતી.</p><h3 style="text-align: justify; ">ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી પૂર્ણ</h3><p style="text-align: justify; ">કોઈપણ અનિચ્છનીય ઘટના કે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે કંડલા મરીન પોલીસ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે તૈનાત રાખવામાં આવ્યો હતો. ભારે તણાવ અને વિરોધની આશંકાઓ વચ્ચે પણ તંત્રએ મક્કમતાપૂર્વક આ ઓપરેશનને કોઈપણ વિઘ્ન વિના સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું. કંડલાના આ ઔદ્યોગિક અને સંવેદનશીલ ઝોનમાં તંત્ર દ્વારા લેવાયેલા આ કડક પગલાંને પગલે સરકારી જમીનો પચાવી પાડનારા અને ગેરકાયદેસર બાંધકામો ખડકનારા દબાણકારોમાં ભારે ફફડાટ અને દોડધામ વ્યાપી ગઈ છે.&nbsp;</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/29/h9XwzPmK564ICm80rk1oRPxAsMfE02g0UEUKZjCg.webp'/></item><item><title><![CDATA[Vadodaraના ડેસરમાં નરાધમ પિતાએ જ માસૂમ દીકરી પર આચર્યું દુષ્કર્મ, માતાએ નોંધાવી ફરિયાદ ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/in-vadodaras-desar-a-father-raped-his-innocent-daughter-the-mother-filed-a-complaint</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/in-vadodaras-desar-a-father-raped-his-innocent-daughter-the-mother-filed-a-complaint</guid><pubDate>Mon, 29 Jun 2026 22:45:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાંથી માનવતાને કલંકિત કરતી અને પિતા-પુત્રીના પવિત્ર સંબંધોને શર્મસાર કરતી એક અત્યંત ચોંકાવનારી તેમજ હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક પાપી પિતાએ તમામ મર્યાદાઓ ઓળંગીને પોતાની જ 13 વર્ષની સગીર વયની દીકરી પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાનો ગંભીર આક્ષેપ લાગ્યો છે. આ નરાધમ પિતાએ પોતાના જ ઘરમાં દીકરીની લાચારીનો ફાયદો ઉઠાવી આ પાશવી કૃત્ય આચર્યું હતું. આ ઘટનાની જાણ જ્યારે સગીરાની માતાને થઈ ત્યારે પરિવાર સહિત સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.</p><h2 style="text-align: justify; ">પોક્સો અને BNS હેઠળ ગુનો દાખલ</h2><p style="text-align: justify; ">આ શરમજનક અને ગંભીર મામલે પીડિત સગીરાની માતાએ હિંમત દાખવીને તાત્કાલિક ડેસર પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો અને નરાધમ પતિ વિરૂદ્ધ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવી હતી. માતાની આ ફરિયાદના આધારે ડેસર પોલીસે નરાધમ પિતા સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની ગંભીર કલમો તેમજ સગીરોની સુરક્ષા માટેના કડક કાયદા એવા પોક્સો (POCSO) એક્ટની કલમ 3(એ), 4, 5(એન) અને 6 હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.</p><h3 style="text-align: justify; ">ગુનો નોંધાતા જ આરોપી પિતા ફરાર</h3><p style="text-align: justify; ">ડેસર પોલીસ મથકમાં પોતાની સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો હોવાની ગંધ આવી જતાં જ નરાધમ પિતા બચવા માટે ઘર છોડીને ક્યાંક ભાગી છૂટ્યો છે. હાલમાં આ આરોપી પિતા ફરાર હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલાની સંવેદનશીલતા અને ગંભીરતાને જોતાં ડેસર પોલીસ સ્ટેશનના PI કે.સી. પટેલ પોતે આ કેસની આગળની તપાસ ચલાવી રહ્યા છે. પોલીસે પીડિત સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવવાની તજવીજ હાથ ધરી છે અને ફરાર થઈ ગયેલા નરાધમ પિતાને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને વિવિધ સ્થળોએ દરોડા શરૂ કર્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/29/Hs5mxP9VtDimuUxoJw6SePhk5rotpPYOkMWkRJus.webp'/></item><item><title><![CDATA[ભારત-સાઉદી અરબ વચ્ચે વોટર મેનેજમેન્ટ માટે મહત્વપૂર્ણ MoU, સહયોગને મળશે નવી દિશા ]]></title><link>https://sandesh.com/india/news/world/india-saudi-arabia-water-management-mou-sustainable-cooperation</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/world/india-saudi-arabia-water-management-mou-sustainable-cooperation</guid><pubDate>Mon, 29 Jun 2026 22:43:06 +05:30</pubDate><description><![CDATA[<p>ભારત અને સાઉદી અરબે જળ સંસાધન વ્યવસ્થાપન અને પાણી ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર જેદ્દાહમાં આયોજિત 'સાઉદી વોટર વીક' દરમિયાન કરવામાં આવ્યો હતો. બંને દેશો વચ્ચે થયેલો આ કરાર પાણીના અસરકારક સંચાલન અને ટકાઉ વિકાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/IndianEmbRiyadh/status/2071572810397253863"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>MOU પર કોણે કોણે કર્યા હસ્તાક્ષર?</b></h2><p>સત્તાવાર નિવેદન અનુસાર, આ સમજૂતીનો મુખ્ય હેતુ જળ સંસાધન આયોજન, ટકાઉ જળ વ્યવસ્થાપન, સિંચાઈ પ્રણાલીઓના વિકાસ તેમજ પાણી સંબંધિત અન્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવાનો છે. સાથે જ બંને દેશો વચ્ચે ક્ષમતાવર્ધન અને શ્રેષ્ઠ પદ્ધતિઓની આપ-લેને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. આ સમજૂતી કરાર પર સાઉદી અરબમાં ભારતના રાજદૂત સુહેલ ખાન અને સાઉદી અરબના પર્યાવરણ, જળ અને કૃષિ મંત્રી અબ્દુલ રહમાન અબ્દુલ મોહસિન અલ-ફદલી દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભારતના કાઉન્સલ જનરલ ફહદ સૂરી પણ ઉપસ્થિત રહ્યા હતા.</p><h3><b>પાણી ક્ષેત્રમાં લાંબા ગાળાના સહયોગ માટે નવી તકો ઊભી કરશે</b></h3><p>રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે આ કરાર ભારત અને સાઉદી અરબ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે અને પાણી ક્ષેત્રમાં લાંબા ગાળાના સહયોગ માટે નવી તકો ઊભી કરશે. જળ સંસાધનોના સંરક્ષણ અને અસરકારક ઉપયોગ માટે વૈશ્વિક સ્તરે વધી રહેલી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ સમજૂતી બંને દેશો માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે આ ભાગીદારી દ્વારા આધુનિક ટેક્નોલોજી, સંશોધન અને પાણી સંચાલનની નવી પદ્ધતિઓનો લાભ બંને દેશોને મળશે.</p><p><b><a href="https://sandesh.com/world/news/-political-news/bangladesh-politics-news-why-is-sheikh-hasina-returning-to-bangladesh-despite-663-cases-and-death-sentence" target="_blank">આ પણ વાંચો : Bangladesh Politics News: 663 કેસ અને ફાંસીની સજા છતાં Sheikh Hasina કેમ પરત ફરી રહ્યા છે બાંગ્લાદેશ?</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/29/uVbZEPFgtkbkvWqFJ4mTS4H39s7A8cuoAsFNHMW7.webp'/></item><item><title><![CDATA[Ahmedabadની ચાણક્ય સ્કૂલને DEOની કારણદર્શક નોટિસ: શિક્ષકના લાફાથી વિદ્યાર્થીના કાનનો પડદો ફાટ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/deo-sends-show-cause-notice-to-chanakya-school-in-ahmedabad-students-eardrum-ruptured-due-to-teachers-scolding</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/deo-sends-show-cause-notice-to-chanakya-school-in-ahmedabad-students-eardrum-ruptured-due-to-teachers-scolding</guid><pubDate>Mon, 29 Jun 2026 22:23:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલી ‘ચાણક્ય સ્કૂલ’માંથી ગુરુ-શિષ્યના સંબંધોને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શાળાના એક નિર્દયી શિક્ષકે માસૂમ વિદ્યાર્થીને એટલી જોરથી લાફો ઝીંકી દીધો હતો કે હુમલાના કારણે વિદ્યાર્થીના કાનનો પડદો ફાટી ગયો હતો. આ ચકચારી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ વાલીઓ સહિત સમગ્ર શૈક્ષણિક જગતમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. આ મામલો ઉચ્ચ કક્ષાએ પહોંચતાં જ અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરી તાત્કાલિક એક્શનમાં આવી છે.</p><h2 style="text-align: justify; ">DEO દ્વારા આચાર્યને નોટિસ, 24 કલાકનું અલ્ટીમેટમ</h2><p style="text-align: justify; ">ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણાધિકારીએ ચાણક્ય સ્કૂલના આચાર્યને કડક શબ્દોમાં કારણદર્શક (શો-કોઝ) નોટિસ ફટકારી છે. DEO દ્વારા શાળા પ્રશાસનને આ સમગ્ર શરમજનક બનાવ અંગે આગામી 24 કલાકની અંદર તમામ પુરાવાઓ સાથેનો વિગતવાર અહેવાલ રજૂ કરવા માટે કડક આદેશ આપવામાં આવ્યો છે. નોટિસમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે ઘટના કઈ તારીખે, કયા સમયે અને કયા સ્થળે બની તેની સંપૂર્ણ માહિતી સાથે સંડોવાયેલા શિક્ષકનું નામ, તેમનો હોદ્દો અને તેમનું લેખિત નિવેદન પણ કચેરી સમક્ષ રજૂ કરવાનું રહેશે.</p><h3 style="text-align: justify; ">જવાબ નહીં મળે તો કડક કાનૂની કાર્યવાહીની ચેતવણી</h3><p style="text-align: justify; ">શિક્ષણાધિકારીએ ભોગ બનનાર વિદ્યાર્થી અને તેના વાલીના સત્તાવાર નિવેદનો તેમજ શાળા પ્રશાસન દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી આંતરિક તપાસનો રિપોર્ટ પણ મંગાવ્યો છે. આવા હિંસક શિક્ષક સામે શાળા દ્વારા અત્યાર સુધી શું શિસ્તભંગ કે વહીવટી પગલાં લેવાયા છે અને ભવિષ્યમાં બાળકોની સુરક્ષા માટે કેવા આયોજન કરાયા છે તેની પણ વિગતો માંગી છે. DEOએ આખરી ચેતવણી આપતાં જણાવ્યું છે કે જો સંતોષકારક જવાબ અને અહેવાલ સબમિટ કરવામાં નહીં આવે, તો શાળા સામે માન્યતા રદ કરવા સહિતની કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/29/1xm8a16UugQyYqgdMAbZMPjM2G6m8GtWyVrID4RA.webp'/></item><item><title><![CDATA[Kavya Maran અને સિંગર અનિરુદ્ધ રવિચંદરના થશે લગ્ન? કાકાના નિવેદનથી સસ્પેન્સમાં થયો વધારો ]]></title><link>https://sandesh.com/cricket/news/entertainment/kavya-maran-anirudh-ravichander-wedding-yg-mahendran</link><guid isPermaLink="true">https://sandesh.com/cricket/news/entertainment/kavya-maran-anirudh-ravichander-wedding-yg-mahendran</guid><pubDate>Mon, 29 Jun 2026 22:06:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સનરાઈઝર્સ હૈદરાબાદની માલિક કાવ્યા મારન અને ફેમસ સિંગર અને કમ્પોઝર અનિરુદ્ધ રવિચંદર વચ્ચે લગ્નની ચર્ચાઓ હાલમાં સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. આ ચર્ચાઓને વધુ વેગ મળ્યો જ્યારે સિંગર અને કમ્પોઝરના કાકા, એક્ટર વાયજી મહેન્દ્રને એક ટીવી ચેનલ સાથેની મુલાકાતમાં દાવો કર્યો કે તેમની જાણકારી મુજબ તેમના લગ્ન નક્કી થઈ ગયા છે.&nbsp;</p><p style="text-align: justify; ">તેમને એમ પણ કહ્યું કે બંને સાથે ખૂબ સારા દેખાય છે. પરંતુ આ ચર્ચા પાછળનું સત્ય નક્કી કરવું મુશ્કેલ છે, કારણ કે કાવ્યા મારન કે અનિરુદ્ધ બંનેમાંથી કોઈએ કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. તેથી હાલ માટે આ માત્ર એક ચર્ચા માનવામાં આવે છે.</p><h2 style="text-align: justify; "><b>અનિરુદ્ધ અને કાવ્યાના લગ્ન વિશે વાયજી મહેન્દ્રને શું કહ્યું?</b></h2><p style="text-align: justify; ">તમિલ એક્ટર વાય.જી. મહેન્દ્રને એક તમિલ ટીવી ચેનલ સાથેની મુલાકાતમાં લગ્ન વિશે ચર્ચા કરી હતી. તેમને અનિરુદ્ધની પ્રશંસા કરતા કહ્યું હતું કે તે ખૂબ જ શાંત અને સારા સ્વભાવનો વ્યક્તિ છે અને તેઓ તેને અભિનંદન આપવા માગે છે. મહેન્દ્રને દાવો કર્યો હતો કે અનિરુદ્ધ એક ગ્રાન્ડ લગ્નનું આયોજન કરી રહ્યો છે અને તેમને મળેલી માહિતી મુજબ તે ચોક્કસ છે કે કાવ્યા અને અનિરુદ્ધ લગ્ન કરવાના છે. તેમને લગ્ન ક્યારે અને ક્યાં થશે તે અંગે કોઈ ખુલાસો કર્યો નથી.</p><h3 style="text-align: justify; "><b>મહેન્દ્રને કાવ્યા મારન વિશે શું કહ્યું?</b></h3><p style="text-align: justify; ">તમિલ એક્ટરે સન ગ્રુપના માલિક કલાનિધિ મારનની પુત્રી કાવ્યા મારનની પ્રશંસા કરી. તેમને કહ્યું કે કાવ્યા કોઈ સામાન્ય છોકરી નથી, પરંતુ સનરાઈઝર્સ હૈદરાબાદ જેવી મોટી IPL ટીમને એકલા હાથે સંચાલિત કરવાની નોંધપાત્ર ક્ષમતા ધરાવે છે. તેને આ વ્યવસાયિક કુશળતા તેના પિતા પાસેથી વારસામાં મળી છે.</p><p style="text-align: justify; ">મહેન્દ્રને વધુમાં ઉમેર્યું કે કાવ્યા અને ફેમસ સિંગર અનિરુદ્ધ રવિચંદરની એક મહાન જોડી બનશે અને તેમને સંગીત વ્યવસાયમાં આગળ વધવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ.</p><h4 style="text-align: justify; "><b>2025ના વર્ષમાં ચર્ચાઓ શરૂ થઈ</b></h4><p style="text-align: justify; ">સિંગર અનિરુદ્ધ રવિચંદર અને કાવ્યા મારન વચ્ચેના અફેરના સમાચાર નવા નથી. 2025 માં, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર એક પોસ્ટ વાયરલ થઈ હતી. પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે બંને એક વર્ષથી વધુ સમયથી ડેટિંગ કરી રહ્યા હતા અને ટૂંક સમયમાં લગ્ન કરવાનું વિચારી રહ્યા હતા.</p><p style="text-align: justify; ">પોસ્ટમાં આગળ કહેવામાં આવ્યું હતું કે અનિરુદ્ધના સંબંધી અને સુપરસ્ટાર રજનીકાંત આ સંબંધને આગળ વધારવા માટે કાવ્યાના પિતા કલાનિધિ મારનને વ્યક્તિગત રીતે મળ્યા હતા.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/entertainment/virat-kohli-photos-with-son-akaay-anushka-sharma" target="_blank">Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/29/odFIHfQ3qICb4hMi4Pv88aaUQS0dxpWtTwaVL7V8.webp'/></item><item><title><![CDATA[Unaના કાજરડી ગામે 7 મહિનાથી લાપતા આધેડનું પડતર કૂવામાંથી મળ્યું હાડપિંજર ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/una/skeleton-of-middle-aged-man-missing-for-7-months-found-in-abandoned-well-in-kajardi-village-of-una</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/una/skeleton-of-middle-aged-man-missing-for-7-months-found-in-abandoned-well-in-kajardi-village-of-una</guid><pubDate>Mon, 29 Jun 2026 22:01:24 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલા કાજરડી ગામ નજીકથી એક અત્યંત ચોંકાવનારો અને અરેરાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કાજરડી ગામની સીમમાં આવેલા એક આશરે 17 ફૂટ ઊંડા પડતર કૂવામાંથી એક અજાણ્યું હાડપિંજર મળી આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. કૂવામાંથી માનવ અવશેષો દેખાતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા અને આ અંગેની જાણ તાત્કાલિક સ્થાનિક પોલીસ તેમજ ગુમ થયેલા વ્યક્તિઓના પરિવારોને કરવામાં આવી હતી.</p><h2 style="text-align: justify; ">7 મહિનાથી લાપતા ઝીણાભાઈ સોલંકી તરીકે ઓળખ થઈ</h2><p style="text-align: justify; ">કાજરડી ગામે રહેતા 55 વર્ષીય આધેડ ઝીણાભાઈ કાળાભાઈ સોલંકી છેલ્લા 7 મહિનાથી ભેદી સંજોગોમાં ગુમ હતા. પરિવારજનો દ્વારા છેલ્લા સાત મહિનાથી તેમની શોધખોળ કરવામાં આવી રહી હતી, પરંતુ તેમનો કોઈ પત્તો લાગતો ન હતો. આજે આ 17 ફૂટ ઊંડા પડતર કૂવામાંથી હાડપિંજર મળી આવતાં જ ઝીણાભાઈના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કપડાં અને અન્ય બાબતોના આધારે પરિવારે આ હાડપિંજર 7 મહિનાથી ગુમ થયેલા ઝીણાભાઈ સોલંકીનું જ હોવાની પુષ્ટિ કરી ઓળખ કરી હતી. આ ઓળખ થતાં જ પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો હતો.</p><h3 style="text-align: justify; ">મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો</h3><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં જ ઉના પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે કૂવામાંથી હાડપિંજર સ્વરૂપે મળેલા મૃતદેહને બહાર કઢાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના પરિવારજનોની હાજરીમાં આ બોડીને પોસ્ટમોર્ટમ અર્થે ઉનાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. ઝીણાભાઈ કૂવામાં કેવી રીતે પડ્યા, આ અકસ્માત છે, આત્મહત્યા છે કે પછી તેમની હત્યા કરીને લાશ કૂવામાં ફેંકી દેવામાં આવી હતી, તે તમામ રહસ્યો પરથી પડદો ઉઠાવવા માટે ઉના પોલીસે ગુનો નોંધીને અલગ-અલગ દિશામાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/29/Y1lwqvMKxTVrxP0jyB0jbwd1jotygvbyBrpd0Q29.webp'/></item><item><title><![CDATA[Gujarat News: PM મોદી જુલાઈના પ્રથમ સપ્તાહમાં બે દિવસ ગુજરાત પ્રવાસે આવી શકે છે ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/pm-narendra-modi-likely-to-visit-gujarat-on-july</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/pm-narendra-modi-likely-to-visit-gujarat-on-july</guid><pubDate>Mon, 29 Jun 2026 21:48:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 4 અને 5 જુલાઈના રોજ બે દિવસ ગુજરાત  પ્રવાસે આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.આ પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યમાં વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સાથે ટેકનોલોજી અને માળખાગત સુવિધાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરશે.વડાપ્રધાનના પ્રવાસનો મુખ્ય કાર્યક્રમ સાણંદમાં નિર્ધારિત છે જ્યાં તેઓ અત્યાધુનિક સેમીકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. સેમીકન્ડક્ટર ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.આ પ્લાન્ટ રાજ્યમાં ટેકનોલોજીકલ વિકાસને વેગ આપશે અને સ્થાનિક રોજગારીની તકોમાં વધારો કરશે.</p><h2 style="text-align: justify; "><b>કચ્છમાં જાહેરસભાને સંબોધિત કરે તેવી શક્યતા</b></h2><p style="text-align: justify; ">5 જુલાઈએ વડાપ્રધાન મોદી કચ્છની મુલાકાત લઈ શકે છે. જ્યાં તેઓ એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરે તેવી પ્રબળ શક્યતા છે.આ દરમિયાન તેઓ સ્થાનિક લોકો સાથે સંવાદ સાધશે અને સરહદી જિલ્લાના વિકાસ માટે મહત્વની જાહેરાતો કરી શકે છે.પોતાના બે દિવસીય પ્રવાસ દરમિયાન વડાપ્રધાન ગુજરાતને અનેક નવી વિકાસ યોજનાઓની ભેટ આપશે.તેમાં વિવિધ માળખાગત પ્રોજેક્ટ્સ, કનેક્ટિવિટી વધારતા કાર્યો અને લોકકલ્યાણની યોજનાઓનો સમાવેશ થવાની સંભાવના છે.</p><h3 style="text-align: justify; "><b>આગામી દિવસોમાં સત્તાવાર પ્રવાસ જાહેર થઈ શકે છે</b></h3><p style="text-align: justify; ">વડાપ્રધાનના આગમનને લઈને રાજ્ય વહીવટી તંત્ર અને સ્થાનિક તંત્ર દ્વારા અત્યારથી જ તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.સુરક્ષા વ્યવસ્થા, કાર્યક્રમ સ્થળની સાફ-સફાઈ અને જાહેર સભા માટેના આયોજન અંગે ઉચ્ચ સ્તરીય બેઠકોનો દોર ચાલી રહ્યો છે.સત્તાવાર પ્રોટોકોલ અને વિગતવાર કાર્યક્રમ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવી શકે છે.<br><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/pressure-relief-work-in-mehsanas-visnagar-in-a-big-controversy-allegations-of-demolition-of-houses-on-the-basis-of-wrong-survey-number" target="_blank">આ પણ વાંચોઃ Mehsanaના વિસનગરમાં દબાણ હટાવવાની કામગીરી મોટા વિવાદમાં: ખોટા સર્વે નંબર પર મકાનો તોડી પાડ્યાનો આક્ષેપ</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/29/1PnmOS4GoH4M5iOxck2xuf3gxmDgZBMMNYz5oDdv.webp'/></item><item><title><![CDATA[mAadhaar એપ 30 જૂનથી બંધ, UIDAIએ નવી Aadhaar App ઉપયોગ કરવાની આપી સૂચના ]]></title><link>https://sandesh.com/india/news/maadhaar-app-discontinued-june-30-new-aadhaar-app-uidai</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/maadhaar-app-discontinued-june-30-new-aadhaar-app-uidai</guid><pubDate>Mon, 29 Jun 2026 21:46:13 +05:30</pubDate><description><![CDATA[<p>સરકાર દ્વારા આધાર સંબંધિત સેવાઓમાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે. UIDAIએ જાહેરાત કરી છે કે 30 જૂનથી mAadhaar એપ બંધ કરી દેવામાં આવશે અને તેની જગ્યાએ નવો Aadhaar App ઉપયોગ કરવો પડશે. આ અંગે UIDAIએ પોતાના અધિકૃત X અકાઉન્ટ મારફતે યુઝર્સને નવો એપ ડાઉનલોડ કરવા માટે સૂચના આપી છે.</p><h2><b>યુઝર્સને દરેક જગ્યાએ આધાર કાર્ડની ફિઝિકલ કોપી બતાવવાની જરૂર નહીં</b></h2><p>અધિકારીઓ મુજબ mAadhaar એપને ધીમે ધીમે રિટાયર કરવામાં આવશે, એટલે કે હવે તેમાં નવા અપડેટ્સ નહીં આવે અને આગામી સમયમાં તેની સેવાઓ પણ બંધ થઈ જશે. તેથી તમામ યુઝર્સને નવા Aadhaar App પર શિફ્ટ થવા માટે કહેવામાં આવ્યું છે. નવી Aadhaar App પહેલા કરતા વધુ આધુનિક અને સુરક્ષિત બનાવવામાં આવી છે. તેમાં સૌથી મોટો ફેરફાર એ છે કે હવે યુઝર્સને દરેક જગ્યાએ આધાર કાર્ડની ફિઝિકલ કોપી બતાવવાની જરૂર નહીં પડે. QR કોડ સ્કેન દ્વારા તરત જ ઓળખ ચકાસણી થઈ શકશે.</p><h3><b>એપમાં બાયોમેટ્રિક લોક-અનલોક સુવિધા</b></h3><p>આ ઉપરાંત એપમાં ફેસ ઓથન્ટિકેશન સિસ્ટમ પણ ઉમેરવામાં આવી છે, જેના દ્વારા યુઝરની ઓળખ માત્ર ચહેરા દ્વારા પણ થઈ શકશે. એપમાં બાયોમેટ્રિક લોક/અનલોક સુવિધા પણ આપવામાં આવી છે, જેથી આધાર સાથે જોડાયેલા ફ્રોડના કેસ ઘટાડવામાં મદદ મળશે. UIDAIનું કહેવું છે કે નવી એપ યુઝરની પ્રાઈવસી ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવી છે. હવે યુઝર જરૂર મુજબ જ પોતાની માહિતી શેર કરી શકશે અને સંપૂર્ણ આધાર નંબર આપવાની જરૂર નહીં રહે.</p><h4><b>ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોરમાંથી એપ ડાઉનલોડ કરવી</b></h4><p>યુઝર્સને સલાહ આપવામાં આવી છે કે તેઓ ફક્ત ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોરમાંથી જ Aadhaar App ડાઉનલોડ કરે. એપ ઈન્સ્ટોલ કરતી વખતે પબ્લિશર UIDAI છે કે નહીં તેની ખાતરી કરવી જરૂરી છે, કારણ કે ફેક એપ્સથી ડેટા ચોરીનો ખતરો રહે છે. સરકારનો ઉદ્દેશ છે કે આગામી સમયમાં આધાર સંબંધિત તમામ સેવાઓ આ નવા એપ મારફતે વધુ સુરક્ષિત અને સરળ રીતે ઉપલબ્ધ કરાવવામાં આવે.<br><br><b><a href="https://sandesh.com/india/news/fake-irctc-website-scam-government-warning-cyber-fraud-alert" target="_blank">આ પણ વાંચો : IRCTCના નામે ફેક વેબસાઈટથી થઈ રહી છે ઠગાઈ, સરકારે જાહેર કરી ચેતવણી</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/29/by1bR5FJFgm92iSNW9p05JGCQTFMBoZ7eAs2xj02.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup: 'કરો યા મરો' મેચમાં રમશે લિયોનેલ મેસ્સી, ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવું લાઈવ? ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/lionel-messi-next-match-argentina-vs-cabo-verde</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/lionel-messi-next-match-argentina-vs-cabo-verde</guid><pubDate>Mon, 29 Jun 2026 19:25:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">લિયોનેલ મેસ્સીનો ફિફા વર્લ્ડકપ 2026માં શાનદાર પ્રદર્શન રહ્યું છે. તેને આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 6 ગોલ કર્યા છે, જેના કારણે આર્જેન્ટિનાને રાઉન્ડ ઓફ 32માં સ્થાન મળ્યું છે. આર્જેન્ટિનાએ ગ્રુપ Jમાં ઓસ્ટ્રિયા, અલ્જેરિયા અને જોર્ડનને હરાવીને આ વર્લ્ડકપમાં પોતાનો વિજય ક્રમ ચાલુ રાખ્યો છે.</p><p style="text-align: justify; ">જ્યારે પણ લિયોનેલ મેસ્સી રમે છે, ત્યારે ફેન્સનો ઉત્સાહ વધી જાય છે. નોકઆઉટ સ્ટેજ રાઉન્ડ ઓફ 32થી શરૂ થાય છે, અને દરેક મેચ નિર્ણાયક બની જાય છે. તેથી આર્જેન્ટિનાના ફેન્સ આશા રાખશે કે લિયોનેલ મેસ્સી તેનું શાનદાર ફોર્મ ચાલુ રાખશે. મેસ્સીના આગામી ફિફા વર્લ્ડ કપ મેચ શેડ્યૂલ પર એક નજર કરીએ.</p><h2 style="text-align: justify; "><b>લિયોનેલ મેસ્સી કઈ ટીમ સામે રમશે?</b></h2><p style="text-align: justify; ">ફિફા વર્લ્ડકપ 2026ની ગ્રુપ સ્ટેજ પૂર્ણ થઈ ગઈ છે. આર્જેન્ટિના રાઉન્ડ ઓફ 32 માટે ક્વોલિફાય થઈ ગયું છે અને હવે તેની મેત કાબો વર્ડે (કેપ વર્ડે) સામે થશે. આ મેચ 4 જુલાઈના રોજ મિયામીના હાર્ડ રોક સ્ટેડિયમ ખાતે રમાશે. બંને ટીમો રાઉન્ડ ઓફ 16માં પહોંચવાનું લક્ષ્ય રાખશે.</p><h3 style="text-align: justify; "><b>મેચ ક્યારે શરૂ થશે?</b></h3><p style="text-align: justify; ">આર્જેન્ટિના અને કાબો વર્ડે વચ્ચે રાઉન્ડ ઓફ 32 મેચ ભારતીય સમય મુજબ સવારે 3:30 વાગ્યે શરૂ થશે. સમય ઝોનના તફાવતને કારણે ભારતીય ફેન્સે લિયોનેલ મેસ્સીને રમતમાં જોવા માટે મોડી રાત સુધી જાગવું પડશે.</p><h4 style="text-align: justify; "><b>લિયોનેલ મેસ્સીની આગામી મેચ તમે ક્યાં જોઈ શકો છો?</b></h4><p style="text-align: justify; ">FIFA વર્લ્ડકપ 2026ની બધી મેચોનું લાઈવ પ્રસારણ Unite8 સ્પોર્ટ્સ ચેનલો પર કરવામાં આવે છે. આર્જેન્ટિના અને કાબો વર્ડે વચ્ચેની આ રાઉન્ડ ઓફ 32 મેચ પણ આ ચેનલ પર જોઈ શકાય છે. ફેન્સ ઝી5 પર આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકે છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/entertainment/virat-kohli-photos-with-son-akaay-anushka-sharma" target="_blank">Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/29/MutJEyppwW4EifuWt4DqOd5KsF8FK6yhVMfZnn2A.webp'/></item><item><title><![CDATA[Fuel Shortage: રશિયામાં તેલની કટોકટી સર્જાઇ હોવાનો પુતિને કર્યો સ્વીકાર, હવે ભારત પર શું થશે અસર?, જાણો ]]></title><link>https://sandesh.com/world/news/business/fuel-shortage-putin-admits-that-there-is-an-oil-crisis-in-russia-what-will-be-the-impact-on-india-now-know</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/business/fuel-shortage-putin-admits-that-there-is-an-oil-crisis-in-russia-what-will-be-the-impact-on-india-now-know</guid><pubDate>Mon, 29 Jun 2026 18:36:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધે ક્રૂડ ઓઈલની હેરફેરને ખોરવી નાખી હતી. જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો હતો.&nbsp;</p><h2 style="text-align: justify; ">રશિયામાં બળતણની અછત</h2><p style="text-align: justify; ">રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તાજેતરમાં સ્વીકાર્યું હતું કે, યુક્રેનના સતત ડ્રોન અને મિસાઈલ હુમલાઓને કારણે રશિયામાં બળતણની અછત શરૂ થઈ છે. આ વિશે બોલતા, પુતિને પોતે કહ્યું હતું કે, રશિયાનું ધ્યાન હવે તેના હવાઈ સંરક્ષણને મજબૂત બનાવવા અને ખાસ કરીને ક્રિમીઆને બળતણ પુરવઠો સુનિશ્ચિત કરવા પર છે. પુતિને વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક અઠવાડિયામાં, યુક્રેને ઘણી રશિયન તેલ રિફાઇનરીઓ અને ઇંધણ સંગ્રહ સુવિધાઓ પર હુમલો કર્યો છે. આના કારણે ગેસોલિન અને ડીઝલની અછત સર્જાઈ છે.&nbsp;</p><h3 style="text-align: justify; ">રશિયા ઇચ્છે છે આ પ્રદેશો પર કબજો&nbsp;</h3><p style="text-align: justify; ">પુતિને એમ પણ કહ્યું કે, રશિયાનું વર્તમાન લક્ષ્ય ડોનેટ્સક, લુહાન્સ્ક, ખેરસન અને ઝાપોરિઝ્ઝિયા પ્રદેશોને સંપૂર્ણપણે કબજે કરવાનું છે. જ્યાં સુધી આ લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી, રશિયા કોઈપણ શાંતિ કરાર સ્વીકારશે નહીં જે તેની શરતોને પૂર્ણ ન કરે. તેમણે એમ પણ કહ્યું કે તેમને આશા છે કે યુએસ પ્રતિનિધિઓ સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર ટૂંક સમયમાં વાટાઘાટો ફરી શરૂ કરશે. તેમણે એમ પણ કહ્યું કે બેલારુસિયન રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર લુકાશેન્કો શાંતિ વાટાઘાટોમાં મદદ કરી શકે છે.</p><h4 style="text-align: justify; ">ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ કેવી રીતે ઘટશે?</h4><p style="text-align: justify; ">જોકે હવે ઈરાન અને યુક્રેનિયન સશસ્ત્ર દળો વચ્ચે યુદ્ધવિરામ સ્થાપિત થઈ ગયો છે, આ કરાર ફક્ત 60 દિવસ માટે છે. આવી સ્થિતિમાં, 60 દિવસ પછી પરિસ્થિતિ સામાન્ય થઈ શકે છે, જેના કારણે ભારતે આવી સ્થિતિમાં રશિયા તરફ ટેકો આપ્યો હતો. જોકે, હવે જ્યારે રશિયા પણ તેલની અછતનો સામનો કરી રહ્યું છે, ત્યારે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ કેવી રીતે નિયંત્રિત થશે તે અંગે અનિશ્ચિતતા છે. જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય, તો તેલના ભાવ પણ વધી શકે છે.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/india/breakingnews/crime/pune-ketan-agarwal-murder-case-siya-chetan-in-police-custody-till-july-3" target="_blank">સિયા, ચેતન 3 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલાયા</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/29/Kw6PQ4RARGzI5Z5xFSlPup6WjpPB1kd7xZor9Tpb.webp'/></item></channel></rss>