<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Amreli News: લાઠી પંથકમાં સિંહણનું રહસ્યમય મોત, ત્રણ અધિકારીઓને સોંપાઈ તપાસ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/amreli/amreli-news-mysterious-death-of-lioness-in-lathi-panthak-investigation-entrusted-to-three-officers</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/amreli/amreli-news-mysterious-death-of-lioness-in-lathi-panthak-investigation-entrusted-to-three-officers</guid><pubDate>Fri, 05 Jun 2026 19:13:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમરેલીના લાઠી પંથકમાંથી વન્યજીવ પ્રેમીઓને આંચકો આપતા સમાચાર સામે આવ્યા છે. ધારી ગીર પૂર્વ વન વિભાગની સરસિયા રેન્જ હેઠળ આવતા લુવારિયા વીડી વિસ્તારમાં એક સિંહણનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે વન વિભાગની ઘોર બેદરકારી અને પેટ્રોલિંગના અભાવ સામે ગંભીર સવાલો ઉઠ્યા છે.</p><h2 style="text-align: justify; ">વન પ્રશાસનની ઘોર લાપરવાહી
</h2><p style="text-align: justify; ">મળતી વિગતો મુજબ, મૃતક સિંહણ છેલ્લા બે દિવસથી લુવારિયા વીડી વિસ્તારમાં ગંભીર બીમારીથી પીડાઈ રહી હતી. વન વિભાગનો સ્ટાફ આ બાબતથી તદ્દન અજાણ હતો અને આખરે સિંહણે દમ તોડી દીધો ત્યારે સ્થાનિક ગ્રામજનોએ તેની જાણ કરી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે, જવાબદાર ફોરેસ્ટર ધારીથી અપડાઉન કરતા હોવાથી વિસ્તારમાં પેટ્રોલિંગનો તદ્દન અભાવ જોવા મળ્યો છે.
</p><h3 style="text-align: justify; ">સી.એફ. દ્વારા કડક તપાસના આદેશ
</h3><p style="text-align: justify; ">સિંહણના મોતના પગલે જૂનાગઢ વર્તુળના સી.એફ. રામ રતન નાલાએ તાત્કાલિક કડક વલણ અપનાવ્યું છે. તેમણે આ સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ માટે ગીર પૂર્વના એ.સી.એફ., વિતરણ એ.સી.એફ. તેમજ શેત્રુંજી ડિવિઝનના એ.સી.એફ. સહિત ત્રણ ઉચ્ચ અધિકારીઓને તપાસ સોંપી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ આ જ વિસ્તારમાં એક નર સિંહે યુવાનને મોતને ઘાટ ઉતાર્યો હતો.
</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/hopgarHb8E0sczhUEtjx7IIgBgrqGnvp5bnTuFc7.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: હાંસલપુર ચોકડી પાસેથી ટ્રેલરમાં છુપાવેલો 47.82 લાખનો વિદેશી દારૂ ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/viramgam-rural-police-seized-foreign-liquorhansalpur-chokdi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/viramgam-rural-police-seized-foreign-liquorhansalpur-chokdi</guid><pubDate>Fri, 05 Jun 2026 19:13:40 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે અમદાવાદની વિરમગામ રૂરલ પોલીસે એક મોટી સફળતા મેળવી છે. વિરમગામ રૂરલ પોલીસની ટીમે એક ચોક્કસ અને ખાનગી બાતમીના આધારે હાંસલપુર ચોકડી નજીક વોચ ગોઠવીને ભારતીય બનાવટના વિદેશી દારૂનો એક મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ કેસમાં ટ્રેલર, દારૂ અને અન્ય સામગ્રી મળીને કુલ રૂપિયા 58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.</p><p><br></p><h2><b>ટાટા ટ્રેલરમાંથી મળી આવી વિદેશી દારૂની 38,256 બોટલ</b></h2><p>પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વિરમગામ રૂરલ પોલીસને બાતમી મળી હતી કે, એક મોટા વાહનમાં દારૂનો જથ્થો પસાર થઈ રહ્યો છે. આ બાતમીના આધારે હાંસલપુર ચોકડી પાસે નાકાબંધી દરમિયાન મહારાષ્ટ્ર પાસિંગનું એક ટાટા ટ્રેલર (નંબર- MH-43-BX-8766) રોકીને તપાસ હાથ ધરવામાં આવી હતી. ટ્રેલરની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ટ્રેલરમાંથી 180 એમએલની ક્વાર્ટર સાઇઝની કુલ 38,256 શીલબંધ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. બજાર કિંમત મુજબ આ વિદેશી દારૂના જથ્થાની કિંમત અંદાજિત રૂ. 47.82 લાખ હોવાનું સામે આવ્યું છે.</p><p><br></p><h2><b>58 લાખનો મુદ્દામાલ જપ્ત, રાજસ્થાનના આરોપીની ધરપકડ</b></h2><p>પોલીસે સ્થળ પરથી દારૂના જથ્થા ઉપરાંત કિંમતી ટાટા ટ્રેલર, બે મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા 58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગેરકાયદેસર હેરાફેરીના મામલે પોલીસે ટ્રેલર ચાલક મુસ્તાક મમદરહીમ જમાલ પઠાણ (રહે. બાડમેર જિલ્લો, રાજસ્થાન)ની ધરપકડ કરી લીધી છે.</p><p><br></p><h2><b>અમદાવાદથી ગાંધીધામ જઈ રહ્યો હતો દારૂનો જથ્થો</b></h2><p>પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ દારૂનો મોટો જથ્થો અમદાવાદ તરફથી ગાંધીધામ (કચ્છ) તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે પકડાયેલા આરોપી મુસ્તાક પઠાણ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દારૂનો જથ્થો કોણે મોકલ્યો હતો અને ગાંધીધામમાં કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક ફરાર આરોપીની શોધખોળ માટે વિરમગામ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-news-1-person-injured-in-fire-at-naroda-company-dies-during-treatment" target="_blank">Ahmedabad News: નરોડાની કંપનીમાં લાગેલી આગમાં ઈજાગ્રસ્ત 1 વ્યક્તિનું સારવાર દરમિયાન મોત</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/wH5ysHbifVsajLslsuCvJKfCkHrsFhburF37rEGL.webp'/></item><item><title><![CDATA[Mohali Woman Stabbed: બ્રેકઅપ બાદ સમાધાન ન કરતા ભૂતપૂર્વ પ્રેમીએ યુવતીની કરી હત્યા, પોતે પણ આપઘાતનો કર્યો પ્રયાસ ]]></title><link>https://sandesh.com/india/news/crime/mohali-woman-stabbed-ex-lover-who-did-not-reconcile-after-breakup-murdered-the-girl-also-attempted-suicide</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/crime/mohali-woman-stabbed-ex-lover-who-did-not-reconcile-after-breakup-murdered-the-girl-also-attempted-suicide</guid><pubDate>Fri, 05 Jun 2026 18:56:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">હત્યા બાદ આરોપીએ પોતાના પર પણ છરીના ઘા મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. 
</p><h2 style="text-align: justify; ">પ્રેમનો કરુણ અંજામ 
</h2><p style="text-align: justify; ">પંજાબના મોહાલીમાં મહિલાની એક તરફી ભૂતપૂર્વ પ્રેમીએ છરીના ઘા મારીને હત્યા કરી હતી. બંને લગભગ છ મહિના પહેલા અલગ થઈ ગયા હતા. આરોપી ફરીથી જોડાવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ઓફિસમાં મહિલા પર હુમલો કર્યા પછી, તેણે પોતાને પણ છરી મારી હતી. આ ઘટના સેક્ટર 66 નજીક ફેઝ 11 માં બની હતી. હત્યાના સીસીટીવી ફૂટેજે દેશમાં સૌ કોઇને હચમચાવી નાંખ્યા છે. 
</p><h3 style="text-align: justify; ">એક તરફી પ્રેમનુ દબાણ 
</h3><p style="text-align: justify; ">મોહાલીમાં પેકર્સ અને મૂવર્સ કંપનીની ઓફિસ છે. 30 વર્ષીય ડિમ્પલ આ ઓફિસમાં કામ કરતી હતી. પટિયાલાની રહેવાસી ડિમ્પલ તેના કામમાં વ્યસ્ત હતી. પરંતુ તે જ ઓફિસમાં બીજો એક પુરુષ હતો. હરવિંદર માન, જેને હેરી તરીકે પણ ઓળખવામાં આવે છે, જે તેનો ભૂતપૂર્વ જીવનસાથી અને સહકાર્યકર બંને હતો. આરોપ છે કે આરોપીએ તેની પાસે રહેલી છરી કાઢી અને ડિમ્પલ પર વારંવાર હુમલો કર્યો હતો. અને તેની હત્યા કરી હતી. 
</p><h4 style="text-align: justify; ">સીસીટીવીમાં ઘટના કેદ 
</h4><p style="text-align: justify; ">બંને વ્યક્તિ લગભગ ત્રણ વર્ષથી સાથે કામ કરી રહ્યા હતા. જોકે, છ મહિના પહેલા આ સંબંધનો અંત આવ્યો. બ્રેકઅપ પછી, હરવિન્દરે વારંવાર ડિમ્પલને સમજાવવાનો અથવા સમાધાન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ડિમ્પલે સ્પષ્ટપણે પોતાને દૂર કરી દીધી હતી. પરંતુ શુક્રવારે જ્યારે ઓફિસમાં કામ ચાલી રહ્યું હતું ત્યારે હરવિન્દર ત્યાં આવી પહોંચ્યો હતો. બંને વચ્ચે ઝઘડો થયો. થોડીવારમાં જ પરિસ્થિતિ વધુ વણસી ગઈ. જે બન્યું તે સીસીટીવીમાં કેદ થયું હતુ. 
</p><h5 style="text-align: justify; ">ઓફિસમાં લોહીલુહાણ દ્રશ્યો 
</h5><p style="text-align: justify; ">અચાનક ઓફિસની અંદર ચીસો પડી ગઈ. લોકો દોડવા લાગ્યા. થોડીવારમાં જ વાતાવરણ ભયાનક બની ગયું. હુમલા પછી, આરોપીએ છરીથી પોતાને ઘા કર્યો અને પોતાનો જીવ લેવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સ બોલાવી. બંનેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ડોક્ટરોએ ડિમ્પલને મૃત જાહેર કરી હતી. આરોપીની હાલત હજુ પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
</p><h6 style="text-align: justify; ">પોલીસ તપાસ શરુ 
</h6><p style="text-align: justify; ">પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે. આ ફૂટેજ હવે તપાસનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવી રહ્યું છે. શરૂઆતની તપાસમાં આ કેસ ભૂતકાળના સંબંધ, બ્રેકઅપ અને એકતરફી દબાણ સાથે જોડાયેલો હોવાનું જણાય છે. પોલીસ દરેક પાસાની તપાસ કરી રહી છે. 
</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/business/strait-of-hormuz-news-saudi-arabia-launches-new-shipping-service-to-india-amid-hormuz-dispute" target="_blank">હોર્મુઝ વિવાદ વચ્ચે સાઉદી અરેબિયાએ ભારત માટે નવી શિપિંગ સેવા શરૂ કરી</a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/YcTlgNYIwbDfPBVQmE8h5jIphn3fYvss99J8aZEg.webp'/></item><item><title><![CDATA[Atal Pension Yojana માંથી અત્યાર સુધીમાં 1.49 કરોડ લોકો થયા બહાર, RTI માં થયો આ મોટો ખુલાસો! ]]></title><link>https://sandesh.com/india/news/business/so-far-149-crore-people-have-been-excluded-from-atal-pension-yojana-this-big-revelation-was-made-in-rti</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/so-far-149-crore-people-have-been-excluded-from-atal-pension-yojana-this-big-revelation-was-made-in-rti</guid><pubDate>Fri, 05 Jun 2026 18:53:56 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">માહિતી અધિકાર એટલે કે RTI હેઠળ એક આશ્ચર્યજનક વિગત સામે આવી છે. કેન્દ્ર સરકારની અતિ લોકપ્રિય સામાજિક સુરક્ષા સ્કીમ 'અટલ પેન્શન યોજના' (APY) માંથી અત્યાર સુધીમાં આશરે 1.49 કરોડ સબ્સ્ક્રાઇબર્સ બહાર (Exit) થઈ ગયા છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા આપવામાં આવેલા આંકડા દર્શાવે છે કે યોજનામાં સમય પહેલા ખાતું બંધ કરાવનારા અથવા સભ્યના મૃત્યુના કારણે સ્કીમ છોડનારાઓની સંખ્યા સતત વધી રહી છે.</p><h2 style="text-align: justify; ">કુલ રજીસ્ટ્રેશન અને સક્રિય ગ્રાહકોની સ્થિતિ
</h2><p style="text-align: justify; ">RTI માંથી મળેલી માહિતી અનુસાર, 31 માર્ચ 2026 સુધીમાં અટલ પેન્શન યોજના હેઠળ કુલ નોંધણીનો આંકડો 8.96 કરોડ સુધી પહોંચી ગયો હતો. જો કે, ચિંતાજનક બાબત એ છે કે આમાંથી માત્ર 7.45 કરોડ સબ્સ્ક્રાઇબર્સ જ હાલમાં સક્રિય (Active) રીતે આ યોજના સાથે જોડાયેલા છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે નોંધણી કરાવનારાઓમાંથી એક બહુ મોટો હિસ્સો હાલમાં આ યોજનાનો સક્રિય લાભ લઈ રહ્યો નથી.
</p><h3 style="text-align: justify; ">વર્ષ દર વર્ષે યોજના છોડનારાઓનો વધતો ગ્રાફ
</h3><p style="text-align: justify; ">વર્ષ 2015 માં યોજનાની શરૂઆત થઈ ત્યારે પ્રથમ નાણાકીય વર્ષ 2015-16 દરમિયાન માત્ર 2 લોકોએ આ સ્કીમ છોડી હતી. તેની સરખામણીએ તાજેતરના નાણાકીય વર્ષ 2025-26 માં સ્કીમમાંથી બહાર નીકળનારા લોકોની સંખ્યા વાર્ષિક 30.24 લાખથી વધુ નોંધાઈ છે. આ આંકડા દર્શાવે છે કે જેમ જેમ વર્ષો વીતી રહ્યા છે તેમ તેમ યોજના અધવચ્ચે જ છોડી દેનારાઓનો ગ્રાફ ઝડપથી ઉપર જઈ રહ્યો છે.
</p><h4 style="text-align: justify; ">નવા સભ્યોની નોંધણીમાં ઓલ-ટાઇમ હાઇ રેકોર્ડ
</h4><p style="text-align: justify; ">એક તરફ જ્યાં યોજનામાંથી એક્ઝિટ કરનારાઓની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે, તો બીજી તરફ નવા સભ્યો ઉમેરવાની બાબતમાં આ યોજનાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. માત્ર છેલ્લા નાણાકીય વર્ષ 2025-26 માં જ 1.35 કરોડથી વધુ નવા સબ્સ્ક્રાઇબર્સ આ યોજનામાં જોડાયા છે. યોજનાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં કોઈપણ એક નાણાકીય વર્ષમાં નોંધાયેલો આ સૌથી મોટો આંકડો છે.
</p><h5 style="text-align: justify; ">ખાતું બંધ થવા (Discontinuation) અંગે સરકારી સ્પષ્ટતા
</h5><p style="text-align: justify; ">જ્યારે RTI દ્વારા સવાલ પૂછવામાં આવ્યો કે કેટલા સભ્યોએ રજીસ્ટ્રેશનના 1, 3 કે 5 વર્ષની અંદર પેન્શન ફંડમાં યોગદાન આપવાનું બંધ કરી દીધું છે, ત્યારે PFRDA એ એક મહત્વની સ્પષ્ટતા કરી હતી. ઓથોરિટીએ જણાવ્યું કે અટલ પેન્શન યોજના નિયમાવલીમાં 'ડિસકન્ટિન્યુએશન' (ખાતું કાયમી બંધ થવું) જેવી કોઈ વ્યવસ્થા નથી. જો કોઈ સભ્ય કોઈ કારણોસર નિયમિત હપ્તો ભરી શકતો નથી, તો તે ભવિષ્યમાં બાકી વ્યાજ અને પેનલ્ટી સાથે વિલંબિત યોગદાન આપીને પોતાનું ખાતું ફરીથી સક્રિય કરી શકે છે.
</p><h6 style="text-align: justify; ">શું છે અટલ પેન્શન યોજના અને તેના ફાયદા?
</h6><p style="text-align: justify; ">અટલ પેન્શન યોજના (APY) ની શરૂઆત વર્ષ 2015 માં ખાસ કરીને દેશના અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો જેમ કે લારી-ગલ્લાવાળા, મજૂરો, સુથાર અને ઘરેલું સહાયકોને વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષા આપવા માટે કરવામાં આવી હતી. આ યોજના હેઠળ 18 થી 40 વર્ષની વય વચ્ચેના કોઈપણ ભારતીય નાગરિક જોડાઈ શકે છે. સભ્યો દ્વારા કરવામાં આવેલા માસિક રોકાણના આધારે, 60 વર્ષની ઉંમર પૂરી થયા પછી તેમને રૂ. 1,000 થી લઈને રૂ. 5,000 પ્રતિ માસ સુધીનું ગેરંટીડ પેન્શન આપવામાં આવે છે.
</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/business" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/zAAZ6EdzsDiBiW54wPZw2N3Lb8otDWwRVcWI19aG.webp'/></item><item><title><![CDATA[Atal Pension Yojana માંથી અત્યાર સુધીમાં 1.49 કરોડ લોકો થયા બહાર, RTI માં થયો આ મોટો ખુલાસો! ]]></title><link>https://sandesh.com/india/news/business/so-far-149-crore-people-have-been-excluded-from-atal-pension-yojana-this-big-revelation-was-made-in-rti</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/so-far-149-crore-people-have-been-excluded-from-atal-pension-yojana-this-big-revelation-was-made-in-rti</guid><pubDate>Fri, 05 Jun 2026 18:53:56 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">માહિતી અધિકાર એટલે કે RTI હેઠળ એક આશ્ચર્યજનક વિગત સામે આવી છે. કેન્દ્ર સરકારની અતિ લોકપ્રિય સામાજિક સુરક્ષા સ્કીમ 'અટલ પેન્શન યોજના' (APY) માંથી અત્યાર સુધીમાં આશરે 1.49 કરોડ સબ્સ્ક્રાઇબર્સ બહાર (Exit) થઈ ગયા છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા આપવામાં આવેલા આંકડા દર્શાવે છે કે યોજનામાં સમય પહેલા ખાતું બંધ કરાવનારા અથવા સભ્યના મૃત્યુના કારણે સ્કીમ છોડનારાઓની સંખ્યા સતત વધી રહી છે.</p><h2 style="text-align: justify; ">કુલ રજીસ્ટ્રેશન અને સક્રિય ગ્રાહકોની સ્થિતિ
</h2><p style="text-align: justify; ">RTI માંથી મળેલી માહિતી અનુસાર, 31 માર્ચ 2026 સુધીમાં અટલ પેન્શન યોજના હેઠળ કુલ નોંધણીનો આંકડો 8.96 કરોડ સુધી પહોંચી ગયો હતો. જો કે, ચિંતાજનક બાબત એ છે કે આમાંથી માત્ર 7.45 કરોડ સબ્સ્ક્રાઇબર્સ જ હાલમાં સક્રિય (Active) રીતે આ યોજના સાથે જોડાયેલા છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે નોંધણી કરાવનારાઓમાંથી એક બહુ મોટો હિસ્સો હાલમાં આ યોજનાનો સક્રિય લાભ લઈ રહ્યો નથી.
</p><h3 style="text-align: justify; ">વર્ષ દર વર્ષે યોજના છોડનારાઓનો વધતો ગ્રાફ
</h3><p style="text-align: justify; ">વર્ષ 2015 માં યોજનાની શરૂઆત થઈ ત્યારે પ્રથમ નાણાકીય વર્ષ 2015-16 દરમિયાન માત્ર 2 લોકોએ આ સ્કીમ છોડી હતી. તેની સરખામણીએ તાજેતરના નાણાકીય વર્ષ 2025-26 માં સ્કીમમાંથી બહાર નીકળનારા લોકોની સંખ્યા વાર્ષિક 30.24 લાખથી વધુ નોંધાઈ છે. આ આંકડા દર્શાવે છે કે જેમ જેમ વર્ષો વીતી રહ્યા છે તેમ તેમ યોજના અધવચ્ચે જ છોડી દેનારાઓનો ગ્રાફ ઝડપથી ઉપર જઈ રહ્યો છે.
</p><h4 style="text-align: justify; ">નવા સભ્યોની નોંધણીમાં ઓલ-ટાઇમ હાઇ રેકોર્ડ
</h4><p style="text-align: justify; ">એક તરફ જ્યાં યોજનામાંથી એક્ઝિટ કરનારાઓની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે, તો બીજી તરફ નવા સભ્યો ઉમેરવાની બાબતમાં આ યોજનાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. માત્ર છેલ્લા નાણાકીય વર્ષ 2025-26 માં જ 1.35 કરોડથી વધુ નવા સબ્સ્ક્રાઇબર્સ આ યોજનામાં જોડાયા છે. યોજનાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં કોઈપણ એક નાણાકીય વર્ષમાં નોંધાયેલો આ સૌથી મોટો આંકડો છે.
</p><h5 style="text-align: justify; ">ખાતું બંધ થવા (Discontinuation) અંગે સરકારી સ્પષ્ટતા
</h5><p style="text-align: justify; ">જ્યારે RTI દ્વારા સવાલ પૂછવામાં આવ્યો કે કેટલા સભ્યોએ રજીસ્ટ્રેશનના 1, 3 કે 5 વર્ષની અંદર પેન્શન ફંડમાં યોગદાન આપવાનું બંધ કરી દીધું છે, ત્યારે PFRDA એ એક મહત્વની સ્પષ્ટતા કરી હતી. ઓથોરિટીએ જણાવ્યું કે અટલ પેન્શન યોજના નિયમાવલીમાં 'ડિસકન્ટિન્યુએશન' (ખાતું કાયમી બંધ થવું) જેવી કોઈ વ્યવસ્થા નથી. જો કોઈ સભ્ય કોઈ કારણોસર નિયમિત હપ્તો ભરી શકતો નથી, તો તે ભવિષ્યમાં બાકી વ્યાજ અને પેનલ્ટી સાથે વિલંબિત યોગદાન આપીને પોતાનું ખાતું ફરીથી સક્રિય કરી શકે છે.
</p><h6 style="text-align: justify; ">શું છે અટલ પેન્શન યોજના અને તેના ફાયદા?
</h6><p style="text-align: justify; ">અટલ પેન્શન યોજના (APY) ની શરૂઆત વર્ષ 2015 માં ખાસ કરીને દેશના અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો જેમ કે લારી-ગલ્લાવાળા, મજૂરો, સુથાર અને ઘરેલું સહાયકોને વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષા આપવા માટે કરવામાં આવી હતી. આ યોજના હેઠળ 18 થી 40 વર્ષની વય વચ્ચેના કોઈપણ ભારતીય નાગરિક જોડાઈ શકે છે. સભ્યો દ્વારા કરવામાં આવેલા માસિક રોકાણના આધારે, 60 વર્ષની ઉંમર પૂરી થયા પછી તેમને રૂ. 1,000 થી લઈને રૂ. 5,000 પ્રતિ માસ સુધીનું ગેરંટીડ પેન્શન આપવામાં આવે છે.
</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/business" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/zAAZ6EdzsDiBiW54wPZw2N3Lb8otDWwRVcWI19aG.webp'/></item><item><title><![CDATA[Nadiad News: જમીન માપણીમાં વાંધા ન કાઢવા લાંચ લેતા લાયસન્સ સરવેયરને આણંદ ACBએ ઝડપ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/nadiad/nadiad-news-anand-acb-catches-licensed-surveyor-taking-bribe-to-not-raise-objections-in-land-survey</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/nadiad/nadiad-news-anand-acb-catches-licensed-surveyor-taking-bribe-to-not-raise-objections-in-land-survey</guid><pubDate>Fri, 05 Jun 2026 18:08:35 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાંથી લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આણંદ એસીબીની ટીમે એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે નડિયાદમાં છટકું ગોઠવીને એક લાયસન્સ સરવેયરને રૂપિયા 90 હજારની મસમોટી લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. ભ્રષ્ટાચારી કર્મચારીની આ રીતે ધરપકડ થતાં સરકારી કચેરીઓ અને સંકળાયેલા એજન્ટોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.</p><h2 style="text-align: justify; ">જમીન માપણી કરવાના નામે માંગી હતી લાંચ
</h2><p style="text-align: justify; ">નડિયાદ વિસ્તારમાં આવેલી એક જમીનની સત્તાવાર માપણી કરી આપવા માટે દિલીપ ચૌહાણ નામના લાયસન્સ સરવેયરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે, આ કામ કરી આપવાના બદલામાં અને જમીન માપણીની પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારના ટેકનિકલ વાંધા-વચકા ન કાઢવા માટે સરવેયર દિલીપ ચૌહાણે અરજદાર પાસે રૂપિયા 90,000ની લાંચની માંગણી કરી હતી. અરજદાર લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે આણંદ એસીબીનો સંપર્ક કરીને આખી ઘટનાની જાણ કરી હતી.
</p><h3 style="text-align: justify; ">ACBએ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
</h3><p style="text-align: justify; ">અરજદારની ફરિયાદના આધારે આણંદ એસીબીની ટીમ દ્વારા નડિયાદ ખાતે એક આયોજનબદ્ધ લાંચના છટકાનું (ટ્રેપ) આયોજન કરવામાં આવ્યું હતું. નક્કી થયા મુજબ જ્યારે અરજદારે લાંચની રકમ રૂપિયા 90 હજાર સરવેયર દિલીપ ચૌહાણને આપી, ત્યારે જ અગાઉથી વોચમાં ગોઠવાયેલી એસીબીની ટીમે તેને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ દબોચી લીધો હતો. એસીબીએ કેમિકલ યુક્ત નોટો અને અન્ય પુરાવાઓ સાથે આરોપી સરવેયરની ધરપકડ કરી છે અને તેની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/k05mtWbZkcmx6eejbVhEZPGUkTr6SZBwK2ivlcil.webp'/></item><item><title><![CDATA[વાંચો બપોરે 03થી સાંજે 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/read-important-news-from-03-pm-to-06-pm-05-june-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/read-important-news-from-03-pm-to-06-pm-05-june-2026</guid><pubDate>Fri, 05 Jun 2026 18:00:00 +05:30</pubDate><description><![CDATA[<p>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર</p><ol><li><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-news-1-person-injured-in-fire-at-naroda-company-dies-during-treatment" target="_blank"><b>Ahmedabad News: નરોડાની કંપનીમાં લાગેલી આગમાં ઈજાગ્રસ્ત 1 વ્યક્તિનું સારવાર દરમિયાન મોત</b></a></li><li><a href="https://sandesh.com/gujarat/news/surat/pm-modi-reaches-surat-indoor-stadium-speech-live" target="_blank"><b>PM Modi Speech Live : દેશની જનતા કોંગ્રેસને વારંવાર કરારો જવાબ આપે છે, ગુજરાતમાં તો હાંસિયામાં ધકેલી દેવાઈ</b></a></li><li><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/kheda/police-crackdown-on-bootleggers-in-kheda-bulldozer-rolls-over-foreign-liquor-worth-rs-90-lakh-1" target="_blank"><b>Khedaમાં બુટલેગરો સામે પોલીસની લાલ આંખ: રૂ.90 લાખના વિદેશી દારૂ પર ફર્યું બુલડોઝર</b></a></li><li><a href="https://sandesh.com/business/news/india/gdp-indias-gdp-growth-at-77-percent-in-fy26-rebound-in-fourth-quarter-as-well" target="_blank"><b>GDP : ભારતનો GDP ગ્રોથ FY26માં 7.7 ટકા, ચોથા ક્વાટરમાં પણ ઉછાળો</b></a></li><li><a href="https://sandesh.com/education/news/cbse-issues-blank-marksheet-to-student-facing-trouble-in-copy-rechecking-process" target="_blank"><b>CBSEની મોટી ભૂલ! વિદ્યાર્થીને આપી ખાલી માર્કશીટ, હવે રિ-ચેકિંગમાં પડી રહી છે મુશ્કેલી!</b></a></li><li><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-weather-update-rain-forecast-cyclonic-circulation" target="_blank"><b>Gujarat Weather Update: આગામી 5 દિવસ વરસાદની આગાહી, બે શક્તિશાળી સિસ્ટમ સક્રિય</b></a></li><li><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dang-news-2-accused-escape-from-ahwa-sub-jail-after-pushing-guard-case-registered-against-4-jail-staff" target="_blank"><b>Dang News: આહવા સબ જેલમાંથી 2 આરોપીઓ ગાર્ડને ધક્કો મારીને થયા ફરાર, 4 જેલકર્મીઓ સામે ગુનો દાખલ</b></a></li><li><a href="https://sandesh.com/gujarat/news/surat/surat-citizens-join-massive-bicycle-rally-ahead-of-pm-modi-visit" target="_blank"><b>Surat News: PM મોદીની અપીલને લોકોએ સ્વીકારી, ભર બપોરે શહેરીજનો સાયકલ યાત્રામાં જોડાયા: હર્ષ સંઘવી</b></a></li><li><b><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/rajkot/gondal-shemla-village-three-children-drowned-in-lake" target="_blank">Rajkot News: શેમળા ગામના તળાવમાં ડૂબતા એક જ પરિવારના 3 બાળકોના મોત</a></b></li><li><b><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surendranagar/443-police-personnel-transferred-after-5-years-at-same-posting" target="_blank">Surendranagar News: જિલ્લામાં પાંચ વર્ષથી એક જ જગ્યાએ ચીપકેલા 443 પોલીસ કર્મીઓની બદલી</a></b></li></ol> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/05/30/ci0PwfUyHcao4H4ziwpdhMLnO6QMfKyI3jwCPvfh.webp'/></item><item><title><![CDATA[Suratમાં વડાપ્રધાન મોદીનું સંબોધન, જાણો ખાસ વાતો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/prime-minister-modis-address-in-surat-know-the-special-things</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/prime-minister-modis-address-in-surat-know-the-special-things</guid><pubDate>Fri, 05 Jun 2026 17:45:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતની મુલાકાત દરમિયાન વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને સુરતવાસીઓને મોટી ભેટ આપી છે. પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆત ગગનભેદી 'ભારત માતા કી જય'ના નારા સાથે કરી હતી. આ મંચ પરથી તેમણે તાજેતરમાં અવસાન પામેલા અગ્રણી કનુભાઈ માવાણીને યાદ કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમ દરમિયાન જનમેદનીમાં એક આકર્ષક પોસ્ટર જોઈને પીએમ મોદીએ તે પોતાની પાસે મંગાવ્યું હતું અને તે બનાવનારના મુક્તકંઠે વખાણ કર્યા હતા.</p><h2 style="text-align: justify; ">સુરતના સફાઈ અભિયાનને પીએમ મોદીએ ગણાવી શ્રેષ્ઠ ભેટ
</h2><p style="text-align: justify; ">પોતાના પ્રવચનમાં વડાપ્રધાને સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકતા જણાવ્યું હતું કે, સ્વચ્છતાને આપણે આપણા સંસ્કાર બનાવવાના છે. સુરતના અંદાજે એક લાખ જેટલા નાગરિકોએ સતત 5 દિવસ સુધી જે વિશેષ સફાઈ અભિયાન ચલાવ્યું છે, તેને પોતાની માટે સૌથી મોટી અને અમૂલ્ય ભેટ ગણાવી પીએમ મોદીએ તમામ સુરતવાસીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ સાથે જ તેમણે બદલાતા વૈશ્વિક વાતાવરણ વચ્ચે પર્યાવરણની રક્ષા માટે દેશના ખેડૂતોને વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી (ઓર્ગેનિક ફાર્મિંગ) તરફ વળવા માટે જોરદાર અપીલ કરી હતી.
</p><h3 style="text-align: justify; ">પંચાયત ચૂંટણીમાં ભવ્ય જીત બદલ જનતાનો આભાર
</h3><p style="text-align: justify; ">પીએમ મોદીએ ગુજરાત પંચાયતની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના થયેલા ભવ્ય વિજય બદલ ગુજરાતની જનતાનો જાહેરમાં આભાર માન્યો હતો અને આ જીતને જનતા જનાર્દનના આશીર્વાદ ગણાવ્યા હતા. તેમણે ઉમેર્યું કે, વિકસિત ગુજરાતના માધ્યમથી વિકસિત ભારત બનાવવાનું સપનું હવે ચોક્કસ સાકાર થશે. ગ્રીન એનર્જીના ક્ષેત્રે ગુજરાતની અગ્રેસર ભૂમિકાની પ્રશંસા કરતા પીએમએ જણાવ્યું હતું કે, ગુજરાતે વર્ષો પહેલા જ ગ્રીન એનર્જીની દિશામાં મજબૂત શરૂઆત કરી દીધી હતી, જે આજે દેશને નવી દિશા બતાવી રહી છે.
</p><h4 style="text-align: justify; ">હું પાંચ દેશોના પ્રવાસે હતો, ત્યાં પણ બંગાળ બંગાળ થઈ રહ્યું છે</h4><p style="text-align: justify; ">દેશ અરાજકતા, અનિશ્ચતા અને અન્યાયને પસંદ કરતા નથી. દેશની જનતા કોંગ્રેસને કારમી હાર આપી રહી છે. ગુજરાતમાં તો તમે કોંગ્રેસને નામશેષ કરી છે. હિમાચલ, હરિયાણા અને પંજાબે પણ કોંગ્રેસને જાકારો આપ્યો છે. આ સાથે કર્ણાટકમાં પણ કોંગ્રેસ સામે જનતામાં આક્રોશ છે. ભારત નકારાત્મકતાથી આગળ નીકળી ગયો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/AijoIsIm60rJjMhGBx0el8N59XUdh983CULNGDUO.webp'/></item><item><title><![CDATA[Disaster Movie : એ ફ્લોપ ફિલ્મ જેના પછી ક્યારેય સાથે ન જોવા મળી સંજય દત્ત અને ઐશ્વર્યા રાયની જોડી! ]]></title><link>https://sandesh.com/entertainment/news/the-flop-movie-after-which-sanjay-dutt-and-aishwarya-rai-never-worked-together</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/the-flop-movie-after-which-sanjay-dutt-and-aishwarya-rai-never-worked-together</guid><pubDate>Fri, 05 Jun 2026 17:33:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સંજય દત્ત અને ઐશ્વર્યા રાય... આ બંને કલાકારો હિન્દી સિનેમામાં પોતાની અમિટ છાપ છોડી ચૂક્યા છે. 90ના દાયકાના છેલ્લા વર્ષોમાં ફિલ્મી દુનિયામાં આવેલી ઐશ્વર્યા હવે ફિલ્મી દુનિયામાં ખૂબ જ ઓછી એક્ટિવ છે. જ્યારે સંજય દત્ત ઇન્ડસ્ટ્રીમાં 45 વર્ષ વિતાવ્યા પછી પણ સતત કામ કરી રહ્યા છે. મોટા પડદા પર ફેન્સ આ બંને કલાકારોને સાથે પણ જોઈ ચૂક્યા છે. બંનેએ સાથે બે ફિલ્મો કરી છે. તેમની સાથે આવેલી છેલ્લી અને બીજી ફિલ્મ 21 વર્ષ પહેલા રિલીઝ થઈ હતી.
</p><h2 style="text-align: justify; "><b>બે ફિલ્મોમાં સાથે દેખાયા સંજય-ઐશ્વર્યા
</b></h2><p style="text-align: justify; ">સંજય દત્તે બોલીવુડમાં પોતાની શરૂઆત  લીડ એક્ટર વર્ષ 1981ની ફિલ્મ રોકીથી કરી હતી. જ્યારે ઐશ્વર્યાનું સિનેમામાં ડેબ્યૂ વર્ષ 1997ની તમિલ ફિલ્મ 'ઇરુવર' થી થયું હતું. ઐશ્વર્યાએ પોતાના એક્ટિંગ કરિયરના શરૂઆતના વર્ષોમાં જ સંજય સાથે સ્ક્રીન શેર કરી લીધી હતી. પહેલા બંને કલાકારો ફિલ્મ હમ કિસી સે કમ નહીંમાં જોવા મળ્યા હતા. આ પછી તેમણે શબ્દ નામની ફિલ્મમાં કામ કર્યું હતું. 
</p><h3 style="text-align: justify; "><b>સંજય-ઐશ્વર્યાની સાથે છેલ્લી ફિલ્મ
</b></h3><p style="text-align: justify; ">બોલીવુડના દિગ્ગજ એક્ટર સંજય અને સદાબહાર એક્ટ્રેસ ઐશ્વર્યા રાયની ફિલ્મ શબ્દ વર્ષ 2005માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં સંજય અને ઐશ્વર્યાએ ઇન્ટિમેટ સીન્સ પણ આપ્યા હતા, જેને લઈને ઘણી ચર્ચા થઈ હતી. જો કે, ફિલ્મ દર્શકોને થિયેટર્સ સુધી લાવવામાં અસફળ રહી હતી.
</p><h4 style="text-align: justify; "><b>બજેટ પણ ન નીકળ્યું
</b></h4><p style="text-align: justify; ">21 વર્ષ જૂની શબ્દ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હતી. લીના યાદવના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં બંને સાથે અભિનેતા ઝાયેદ ખાન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ સિવાય આકાશ પાંડે, રૂચા પાઠક, સાદિયા સિદ્દીકી, કામિની ખન્ના અને બ્રિજેન્દ્ર કાલા પણ શબ્દ માં જોવા મળ્યા હતા.
</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/obsession-horror-movie-budget-9-crore-collected-1400-crore-worldwide-box-office" target="_blank">આ પણ વાંચો-Obsession : બજેટ 9 કરોડ અને કમાણી 1400 કરોડને પાર! આ હોરર ફિલ્મે આખી દુનિયામાં મચાવ્યો હાહાકાર!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/BUGKZg6GJ9fWJn01nJzh6lbHu0KaEf40j26EVwFF.webp'/></item><item><title><![CDATA[Under-18 Asia Cup Hockeyની સેમિફાઇનલમાં ભારત-પાકિસ્તાન આમને-સામને, બંને ટીમો વચ્ચે ફાઇનલ માટે ખરાખરીની જંગ ]]></title><link>https://sandesh.com/sports/news/india-pakistan-face-off-in-semi-finals-of-under-18-asia-cup-hockey-a-fierce-battle-between-the-two-teams-for-the-final</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india-pakistan-face-off-in-semi-finals-of-under-18-asia-cup-hockey-a-fierce-battle-between-the-two-teams-for-the-final</guid><pubDate>Fri, 05 Jun 2026 13:13:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">Under-18 એશિયા કપ હોકી ટુર્નામેન્ટ હવે તેના સૌથી રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટની હાઈ-વોલ્ટેજ સેમિફાઇનલ મેચમાં પરંપરાગત હરીફ ભારત અને પાકિસ્તાન આજે શુક્રવારના રોજ આમને-સામને ટકરાશે. ફાઇનલમાં સ્થાન મેળવવા કટ્ટર હરીફો વચ્ચે જોરદાર અને રોમાંચક મુકાબલો જોવા મળે તેવી પૂરેપૂરી સંભાવના છે. પૂલ સ્ટેજની ચારમાંથી ત્રણ મેચોમાં શાનદાર જીત મેળવીને ભારતે અંતિમ ચારમાં પોતાનું સ્થાન પાકું કર્યું છે. જોકે, ટુર્નામેન્ટ દરમિયાન જાપાન સામે ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ભારતીય યુવા બ્રિગેડે તેમાંથી ઝડપથી બોધપાઠ લઈને શાનદાર વાપસી કરી બતાવી છે.</p><h2 style="text-align: justify; "><b>એશિયા કપમાં ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન</b></h2><p style="text-align: justify; ">ભારતીય પુરુષ ટીમે અત્યાર સુધી આ ટુર્નામેન્ટમાં અત્યંત પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે. એશિયા કપમાં પોતાની પ્રથમ મેચમાં ભારતીય બ્રિગેડે કઝાકિસ્તાનને ૧૩-૦થી સજ્જડ હાર આપી હતી. ત્યારપછીની મેચમાં જાપાન સામે ૨-૪થી પરાજય વેઠવો પડ્યો હતો. જોકે, આંચકામાંથી બહાર આવીને ભારતે મજબૂત રમત રમી અને કોરિયાને ૪-૧થી તેમજ ચાઇનીઝ તાઈપેઈને ૧૩-૧ના વિશાળ અંતરથી હરાવીને એકતરફી વિજય મેળવ્યો હતો. આ આખી ટુર્નામેન્ટમાં ભારતીય ફોરવર્ડ લાઈન અને ડિફેન્સ બંને મજબૂત દેખાયા છે.</p><h3 style="text-align: justify; "><b>ભારત-પાકિસ્તાનના મહામુકાબલો જોવો લોકો આતુર</b></h3><p style="text-align: justify; ">ભારતીય ખેલાડીઓએ વિરોધી ટીમો સામે કુલ ૩૨ ગોલ ફટકાર્યા છે, જેની સામે ભારતે માત્ર છ ગોલ જ ગુમાવ્યા છે. ટીમની સફળતામાં કેપ્ટન કેતન કુશવાહ ૭ ગોલ સાથે સૌથી આગળ રહ્યો છે, જ્યારે આશિષ તાની પૂર્તિએ પણ ૬ ગોલ કરીને ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું છે. જોકે, પાકિસ્તાન સામેની મેચ હંમેશા દબાણવાળી હોય છે, તેથી ભારતીય ખેલાડીઓ પર મેદાન પર શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું આંતરિક દબાણ ચોક્કસ રહેશે. બંને દેશોના હોકી ચાહકો પણ આ મહામુકાબલાને લઈને ભારે ઉત્સાહિત છે.</p><h4 style="text-align: justify; "><b>ભારતીય મહિલા ટીમ પણ સેમિફાઇનલમાં: ચીન સામે ટક્કર</b></h4><p style="text-align: justify; ">બીજી તરફ ભારતની અંડર-૧૮ મહિલા હોકી ટીમ પણ અજેય રહીને શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. મહિલા ટીમે પૂલ સ્ટેજની પોતાની ત્રણેય મેચો જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. ભારતીય યુવતીઓએ પ્રચંડ આક્રમણ કરીને કુલ ૩૦ ગોલ કર્યા છે અને માત્ર બે જ ગોલ ખાધા છે. હવે સેમિફાઇનલ મેચમાં ભારતીય મહિલા ટીમનો સામનો ચીન સામે થશે, જ્યાં તેઓ પોતાની જીતનો સિલસિલો બરકરાર રાખીને ફાઇનલમાં પહોંચવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો :&nbsp;</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/OzPyBxlP5duqO7lAprT7ikks3RhNDlY1sDcTGm2e.webp'/></item></channel></rss>