<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Mehsana News: વડનગર GMERS હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાતા ફફડાટ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/vadnagar-gmers-hospital-chandipura-virus-cases</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/vadnagar-gmers-hospital-chandipura-virus-cases</guid><pubDate>Fri, 10 Jul 2026 19:44:56 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે જ રોગચાળાએ માથું ઊંચક્યું છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. મહેસાણા જિલ્લાના વડનગર ખાતે આવેલી GMERS મેડિકલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસનો એક કેસ નોંધાયા છે. આ આંકડો સામે આવતા જ સ્થાનિક તંત્ર અને લોકોમાં ચિંતા અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.</p><h2><b>1 કેસ પોઝિટિવ અને 2 દર્દીઓ શંકાસ્પદ</b></h2><p>હોસ્પિટલમાંથી મળતી વિગતો અનુસાર, નોંધાયેલા કુલ 3 કેસમાંથી 1 દર્દીનો લેબોરેટરી રિપોર્ટ ચાંદીપુરા વાયરસ માટે પોઝિટિવ આવ્યો છે. જ્યારે અન્ય 2 દર્દીઓના કેસ હાલ શંકાસ્પદ માનવામાં આવી રહ્યા છે. આ બંને શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ પણ વધુ સચોટ તપાસ અને કન્ફર્મેશન માટે હાઈટેક લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. હાલ પોઝિટિવ આવેલા દર્દીની વડનગર હોસ્પિટલમાં જ સઘન સારવાર શરૂ કરી દેવામાં આવી છે.</p><h2><b>દર્દીઓમાં 2 પુરુષ અને 1 મહિલા સામેલ</b></h2><p>આ વાયરસની ઝપેટમાં આવેલા દર્દીઓની વિગતવાર વાત કરીએ તો, તેમાં 2 પુરુષ અને 1 મહિલા દર્દીનો સમાવેશ થાય છે. આ દર્દીઓ અલગ-અલગ વિસ્તારના છે, જેમાં વિસનગર તાલુકાનો 1 દર્દી અને પાડોશી જિલ્લા એવા સાબરકાંઠાના 2 દર્દીઓ સામેલ છે. આ તમામ દર્દીઓને આઈસોલેશન વોર્ડમાં રાખીને તબીબોની દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી રહી છે.</p><h2><b>બાળરોગ નિષ્ણાતની લોકોને ખાસ અપીલ</b></h2><p>આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને વડનગર હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ અને બાળરોગ નિષ્ણાત દ્વારા સામાન્ય જનતાને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. હોસ્પિટલના જાણીતા બાળરોગ નિષ્ણાત ડૉ. રતના ભોજકે આ ઘાતક વાયરસના લક્ષણો અને તેનાથી બચવા માટે રાખવી પડતી સાવચેતીઓ અંગે લોકોને વિસ્તૃત માહિતી આપી માહિતગાર કર્યા છે.</p><h2><b>તાવ અને ઉલટી જેવા લક્ષણો જણાય તો તુરંત હોસ્પિટલ પહોંચો</b></h2><p>નિષ્ણાત તબીબોના જણાવ્યા અનુસાર, ચાંદીપુરા વાયરસ ખાસ કરીને બાળકો માટે વધુ જોખમી સાબિત થતો હોય છે. જો બાળકોમાં અચાનક તીવ્ર તાવ આવવો, સતત ઉલટી થવી, શરીરમાં આંચકી આવવી કે બાળક બેભાન થઈ જવા જેવા ગંભીર લક્ષણો દેખાય, તો વાલીઓએ સહેજ પણ વિલંબ કરવો જોઈએ નહીં. આવા કોઈ પણ લક્ષણ જણાતા જ કોઈપણ પ્રકારની ઘરગથ્થુ સારવાર કર્યા વિના તાત્કાલિક નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પહોંચીને તબીબી સલાહ લેવી અત્યંત જરૂરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/mehsana/mehsana-acb-trap-kadi-police-constable-amin-sheikh-arrested-bribery-case" target="_blank">Mehsana: કડીનો પોલીસ કોન્સ્ટેબલ અમીન શેખ 80,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/7nTUJWRo1UJurA3Qdq1C0IrMog38kVHr2dgWWf0Y.webp'/></item><item><title><![CDATA[Ahmedabadમાં ટ્રેન મારફતે UP-બિહારથી લવાયેલા 22 સગીર બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/22-minor-children-brought-from-up-bihar-by-train-released-in-ahmedabad</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/22-minor-children-brought-from-up-bihar-by-train-released-in-ahmedabad</guid><pubDate>Fri, 10 Jul 2026 19:40:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પરથી બાળકોની શંકાસ્પદ હેરફેરનો એક મોટો અને ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રેલવે સુરક્ષા બળ (RPF), ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRPF) અને સ્થાનિક સામાજિક સંસ્થા (NGO) ના સંયુક્ત ઉપક્રમે રેલવે સ્ટેશન પર એક ગુપ્ત બાતમીના આધારે ખાસ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ મેગા સર્ચ ઓપરેશન દરમિયાન સ્ટેશન પર આવેલી એક ટ્રેનમાંથી શંકાસ્પદ હાલતમાં મુસાફરી કરી રહેલા કુલ 22 જેટલા સગીર વયના બાળકોને રેસ્ક્યુ કરીને મુક્ત કરાવવામાં આવ્યા હતા.</p><h2 style="text-align: justify; ">ટ્રેન મારફતે બાળકોને અમદાવાદ લવાયા</h2><p style="text-align: justify; ">પોલીસ અને સામાજિક સંસ્થાની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ તમામ 22 સગીર બાળકોને ઉત્તરપ્રદેશ (UP) અને બિહાર જેવા રાજ્યોમાંથી ટ્રેન માર્ગે અહીં અમદાવાદ લાવવામાં આવ્યા હતા. આ માસૂમ બાળકોને કોઈ ફેક્ટરીઓ, હોટલો અથવા અન્ય જોખમી સ્થળોએ બાળમજૂરીના કાળા ધંધામાં ધકેલી દેવાના બદઈરાદાથી જ લવાયા હોવાની પ્રબળ આશંકા સુરક્ષા એજન્સીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ ઓપરેશનને પગલે બાળકોની ગેરકાયદેસર હેરાફેરી કરનારા તત્વોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.</p><h3 style="text-align: justify; ">ચાઇલ્ડ વેલ્ફેર કમિટી સમક્ષ રજૂઆત</h3><p style="text-align: justify; ">રેસ્ક્યુ કરાયેલા તમામ માસૂમ બાળકોને સુરક્ષિત રીતે ચાઇલ્ડ વેલ્ફેર કમિટી (CWC) સમક્ષ કાયદેસર રીતે રજૂ કરવામાં આવ્યા છે અને હાલ તેમને બાળ સંરક્ષણ ગૃહમાં આશ્રય આપવામાં આવ્યો છે. બીજી તરફ, રેલવે પોલીસ અને ઉચ્ચ એજન્સીઓ દ્વારા આ બાળકોને કયા ચોક્કસ ઉદ્દેશ અને કયા માફિયાઓ દ્વારા અમદાવાદ લાવવામાં આવ્યા હતા, તે દિશામાં ઊંડાણપૂર્વકની તપાસ તેજ કરી દેવામાં આવી છે. આ આંતરરાજ્ય બાળ તસ્કરી (Child Trafficking) નું મોટું નેટવર્ક હોવાની આશંકાએ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/TS1WP7jZrCureyKpSUztRO2XcD9lFeRMUruJRg51.webp'/></item><item><title><![CDATA[Gift Cityને કેન્દ્ર સરકારની મોટી રાહત, વિદેશી જહાજો ભાડે રાખવાના નિયમો થયા સરળ, DGMA લાયસન્સમાંથી મુક્તિ ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gift-city-shipping-leasing-rules-relaxed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gift-city-shipping-leasing-rules-relaxed</guid><pubDate>Fri, 10 Jul 2026 19:38:11 +05:30</pubDate><description><![CDATA[<p>કેન્દ્ર સરકારે ગુજરાતના ગાંધીનગર સ્થિત GIFT City માં કાર્યરત કંપનીઓ માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને રાહત આપતો નિર્ણય લીધો છે. સરકારે ગીફ્ટ સિટીની કંપનીઓ માટે વિદેશી ધ્વજ ધરાવતા જહાજો ના લીઝિંગ અને તેના સંચાલન સંબંધિત નિયમોમાં મોટી છૂટછાટ જાહેર કરી છે. આ નવા નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને વૈશ્વિક સ્તરે મેરિટાઇમ ફાયનાન્સ, શિપ લીઝિંગ અને આંતરરાષ્ટ્રીય વ્યાપારનું એક મુખ્ય હબ બનાવવાનો છે. આ સંદર્ભે સત્તાવાર જાહેરનામું પણ બહાર પાડી દેવામાં આવ્યું છે.</p><h2><b>DGMA ના અલગ લાયસન્સમાંથી મળી મુક્તિ</b></h2><p>નવા નિયમો અનુસાર, ગિફ્ટ સિટીના ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટરમાં સ્થાપિત કંપનીઓને હવે વિદેશી ધ્વજવાળા જહાજો ભાડે લેવા માટે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ મેરિટાઇમ એડમિનિસ્ટ્રેશન પાસેથી અલગથી ખાસ લાયસન્સ મેળવવાની જરૂર રહેશે નહીં. સરકાર દ્વારા આ મોટી છૂટછાટ 'કોસ્ટલ શિપિંગ એક્ટ, 2025' ની કલમ 37 હેઠળ આપવામાં આવી છે. આ નિર્ણયથી ગિફ્ટ સિટીની કંપનીઓ કોઈપણ વહીવટી અવરોધ વિના વિદેશી જહાજોને ચાર્ટર પર લઈ શકશે અને તેનો ઉપયોગ કરી શકશે.</p><h2><b>જૂના નિયમોના કારણે કંપનીઓને પડતી હતી મુશ્કેલીઓ</b></h2><p>આ અગાઉના નિયમોની વાત કરીએ તો, ભારતીય દરિયાઈ ક્ષેત્રમાં તટીય વ્યાપાર કરવા માટે વિદેશી ધ્વજવાળા જહાજોનું સંચાલન શરૂ કરતા પહેલાં DGMA પાસેથી મંજૂરી અને લાયસન્સ લેવું ફરજિયાત હતું. આ લાયસન્સ મેળવવાની સરકારી પ્રક્રિયા ખૂબ જ સમય માંગી લે તેવી હતી, જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે કોમોડિટી ટ્રેડિંગ કરતી ઘણી ભારતીય કંપનીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, અને તેમનો વ્યવસાય પ્રભાવિત થતો હતો. જેને પગલે અનેક વ્યાપારી સંગઠનોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.</p><h2><b>વૈશ્વિક શિપ લીઝિંગ માર્કેટમાં ભારતનો દબદબો વધશે</b></h2><p>સરકારના આ પ્રો-બિઝનેસ નિર્ણયથી ગિફ્ટ સિટીમાં કામ કરી રહેલી કંપનીઓની કામગીરી વધુ સરળ અને ઝડપી બનશે. આનાથી ભારતમાં શિપ લીઝિંગ અને ઇન્ટરનેશનલ ટ્રેડિંગ સાથે જોડાયેલા બિઝનેસને મોટો વેગ મળવાની આશા છે. આ ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે, આ આર્થિક અને નીતિગત સુધારાથી વૈશ્વિક સ્તરે સિંગાપોર અને દુબઈ જેવા મેરિટાઇમ હબની જેમ ભારતનું ગિફ્ટ સિટી પણ વૈશ્વિક શિપિંગ કંપનીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/surat/3000-cr-loss-in-diamond-hub-textile-hit-by-500-cr-in-surat-flood" target="_blank">Surat News: ભારે વરસાદ અને પૂરને કારણે ટેક્સટાઈલમાં 500 કરોડનું નુકસાન, ડાયમંડમાં 3 હજાર કરોડનો કારોબાર અટક્યો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/u5jE5nDkOle3htlK8qrVyn5ajYBbTykSVGKOF4mm.webp'/></item><item><title><![CDATA[Jaaved Jaaferi: 41 વર્ષથી બોલીવુડમાં... કેમ A-લિસ્ટ ન બની શક્યા જાવેદ જાફરી? સલમાનનું નામ લઈ કહી મોટી વાત ]]></title><link>https://sandesh.com/entertainment/news/jaaved-jaaferi-on-why-he-never-became-an-a-list-star-in-bollywood</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/jaaved-jaaferi-on-why-he-never-became-an-a-list-star-in-bollywood</guid><pubDate>Fri, 10 Jul 2026 18:49:14 +05:30</pubDate><description><![CDATA[<p>બોલીવુડ અભિનેતા જાવેદ જાફરી ધમાલ 4 સાથે ફરી એકવાર મોટા પડદા પર પાછા ફર્યા છે. આ ફિલ્મ આજે 10 જુલાઈએ રિલીઝ થઈ હતી. જાવેદ એક એવો અભિનેતા છે જે છેલ્લા 41 વર્ષથી બોલીવુડનો ભાગ છે. તેમણે 1985 માં આવેલી ફિલ્મ મેરી જંગ થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, જેમાં તેમણે નેગેટિવ ભૂમિકા ભજવી હતી. વર્ષોથી તેમણે ખલનાયકોથી લઈને હાસ્ય કલાકારો સુધીના વિવિધ પાત્રો ભજવ્યા છે. જોકે, તેઓ ક્યારેય એ-લિસ્ટ સ્ટાર બન્યા નથી. તેમણે હવે આ વિશે ખુલીને વાત કરી છે, તેમણે કહ્યું કે આવું કેમ થયું અને તેમને શા માટે મોટું સ્ટારડમ મળ્યું નહીં.</p><p>સલમાન ખાનનું ઉદાહરણ આપતા, જાવેદ જાફરીએ જણાવ્યું કે સફળતા એ અંતિમ પરિબળ છે. તેમણે કહ્યું કે શરૂઆતમાં લોકોએ સલમાનની પહેલી ફિલ્મ બીવી હો તો ઐસી પછી તેને અવગણ્યો હતો, પરંતુ મૈને પ્યાર કિયા હિટ થયા પછી તેની પાછળ ભાગવા લાગ્યા હતા. જાવેદને લાગે છે કે તેમને ક્યારેય આ પ્રકારની મોટી હિટ મળી નથી. તેમણે કહ્યું કે સફળતા મોટી વસ્તુ છે અને આ સિવાય તેમણે PR ગેમનો પણ ઉલ્લેખ કર્યો.&nbsp;</p><h2><b>"હું કોઈ ગ્રુપનો ભાગ નહોતો" - જાવેદ જાફરી</b></h2><p>એક સવાલમાં જાવેદ જાફરીને પૂછવામાં આવ્યું કે તેઓ ક્યારેય એ-લિસ્ટ સ્ટાર કેમ બન્યા નહીં, ત્યારે જાવેદ જાફરીએ કહ્યું, "મને લાગે છે કે તે તમારી છબી કેવી રીતે બનાવવામાં આવે છે તેના પર પણ આધાર રાખે છે. પીઆર આમાં ભૂમિકા ભજવે છે કારણ કે ઈન્ડસ્ટ્રી પાસે પોતાનું નેટવર્ક છે. કેટલીકવાર, તમારા વિશે નકારાત્મક માહિતી ફેલાય છે, અને તમારે સત્ય જાહેર કરવાની અથવા પોઝિટીવ છબી બનાવવાની જરૂર પડે છે. કેટલાક કિસ્સાઓમાં હું તે કરી શક્યો નહીં. હું કોઈ ચોક્કસ ગ્રુપનો ભાગ પણ નહોતો."&nbsp;</p><h3><b>મને મોટી હિટ ફિલ્મ મળી નથી - જાવેદ જાફરી</b></h3><p>તેણે વધુમાં કહ્યું કે, “જો તમને મોટી હિટ મળે છે, તો કોઈ તમારી સાથે દલીલ કરતું નથી. સફળતાથી મોટું કંઈ નથી. સલમાન ખાન સાથે શું થયું તે જુઓ. તેણે બીવી હો તો ઐસી થી શરૂઆત કરી હતી. લોકોએ તેને અવગણ્યો. પછી મૈંને પ્યાર કિયા આવી, અને અચાનક બધા તેની પાછળ દોડવા લાગ્યા. સલમાન ખાન એ જ વ્યક્તિ હતો; એવું નહોતું કે તે બીવી હો તો ઐસી ની તુલનામાં કંઈક અલગ કરી રહ્યો હતો. પરંતુ તે બધું સફળતાને કારણે થયું. સ્વાભાવિક રીતે, તમે તે સફળતા સાથે આગળ વધો છો. તે દ્રષ્ટિકોણથી મને ખરેખર ક્યારેય આટલી મોટી હિટ ફિલ્મ મળી નથી.”</p><h4><b>જાવેદ જાફરીએ તેની પહેલી ફિલ્મ હિટ થવા વિશે શું કહ્યું?</b></h4><p>જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમની પહેલી ફિલ્મ, મેરી જંગ - જેમાં તેમણે ખલનાયકની ભૂમિકા ભજવી હતી - ખરેખર મોટી હિટ સાબિત થઈ હતી, ત્યારે તેમણે કહ્યું, "મને ખલનાયક તરીકે લોન્ચ કરવામાં આવ્યો હતો. તે સમયે, સુભાષ ઘાઈ સૌથી સફળ દિગ્દર્શક હતા અને એન.એન. સિપ્પી એક ટોચના નિર્માતા હતા. તેથી બધાએ ધાર્યું હતું કે કારણ કે તેઓએ મને ખલનાયક તરીકે કાસ્ટ કર્યો છે, મને સમાન ભૂમિકાઓ મળતી રહેશે. અને મેં મારા તરફથી, ખરેખર મારી જાતને તે રીતે સ્થાન આપ્યું ન હતું. પ્રમાણિકપણે હું તેના વિશે વધુ વિચારતો નથી."</p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/entertainment/news/shreya-kalra-claims-kushal-tandon-cheated-on-shivangi-joshi" target="_blank"><b>શિવાંગીને દગો આપી રહ્યો હતો તેનાથી 13 વર્ષ મોટો કુશલ ટંડન! શ્રેયા કાલરાએ કર્યો દાવો</b></a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/DTuwMbPTyD46d8tyFJAjQxCXvhWbM0t1IcPu6UhN.webp'/></item><item><title><![CDATA[Delhi DTC Bus: 1 ઓગસ્ટથી દિલ્હી ડીટીસી બસોમાં પિંક સહેલી એનસીએમસી કાર્ડનો થશે ઉપયોગ ]]></title><link>https://sandesh.com/india/news/delhi-dtc-bus-pink-saheli-ncmc-card-will-be-used-in-delhi-dtc-buses-from-august-1</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/delhi-dtc-bus-pink-saheli-ncmc-card-will-be-used-in-delhi-dtc-buses-from-august-1</guid><pubDate>Fri, 10 Jul 2026 18:45:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">મહિલાઓ હવે મફત મુસાફરી માટે "પિંક સહેલી એનસીએમસી કાર્ડ"નો ઉપયોગ કરશે.&nbsp;</p><h2 style="text-align: justify; ">1.5 મિલિયન પિંક સહેલી સ્માર્ટ કાર્ડ&nbsp;</h2><p style="text-align: justify; ">1 ઓગસ્ટથી દિલ્હીમાં દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન બસોમાં ગુલાબી ટિકિટ બંધ કરવામાં આવશે. મહિલાઓ ફક્ત પિંક સહેલી એનસીએમસી કાર્ડનો ઉપયોગ કરીને ડીટીસી બસોમાં મફત મુસાફરી કરી શકશે. દિલ્હી સરકારના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં અત્યાર સુધીમાં 1.5 મિલિયન પિંક સહેલી સ્માર્ટ કાર્ડ જારી કરવામાં આવ્યા છે, અને 1 ઓગસ્ટ પછી પણ વિવિધ કેન્દ્રો પર તેમને જારી કરવાની પ્રક્રિયા ચાલુ રહેશે.</p><h3 style="text-align: justify; ">મહિલાઓને 31 જુલાઈ સુધી મફત ગુલાબી ટિકિટ જ મળશે.</h3><p style="text-align: justify; ">DTCના પરિપત્ર મુજબ, લાયક મહિલા મુસાફરોને 31 જુલાઈ સુધી કાગળની ગુલાબી ટિકિટ મળતી રહેશે. જોકે, 1 ઓગસ્ટથી, મફત મુસાફરી ફક્ત તે મહિલાઓને જ ઉપલબ્ધ રહેશે જેમની પાસે માન્ય ગુલાબી સહેલી સ્માર્ટ કાર્ડ હશે અને DTC અને દિલ્હી ઈન્ટીગ્રેટેડ મલ્ટી-મોડલ ટ્રાન્ઝિટ સિસ્ટમ દ્વારા સંચાલિત ક્લસ્ટર બસોમાં ચઢતી વખતે તેને ટેપ કરશે. પરિપત્રમાં જણાવાયું છે કે સ્માર્ટ કાર્ડ વિનાના મુસાફરોને ૩૧ જુલાઈ પછી ગુલાબી ટિકિટ મળશે નહીં અને તેના બદલે તેમણે નિયમિત ટિકિટ ખરીદવી પડશે અને લાગુ ભાડું ચૂકવવું પડશે.</p><h4 style="text-align: justify; ">સહેલી પિંક કાર્ડ માટે કેવી રીતે અરજી કરવી ?&nbsp;</h4><p style="text-align: justify; ">પિંક કાર્ડ દિલ્હી અરજી પ્રક્રિયા (ઓફલાઇન) 3 માર્ચ 2026થી શરૂ થઈ છે. હાલમાં, કોઈ ઓનલાઈન DTC પિંક કાર્ડ અરજી વિકલ્પ નથી. તમે ફક્ત DC ઓફિસ, SDM ઓફિસ અથવા દિલ્હીભરમાં અધિકૃત DTC કેન્દ્રો પર જ તમારું કાર્ડ મેળવી શકો છો. આ સ્માર્ટ કાર્ડ મૂળરૂપે માર્ચમાં રાજ્ય સરકારના એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું.  જેથી દિલ્હીમાં રહેતી મહિલાઓ DTC બસોમાં મફત મુસાફરી કરી શકે. આ કાર્ડ લાભાર્થીના આધાર કાર્ડ અને મોબાઇલ નંબર સાથે લિંક કરવામાં આવે છે. જેથી તેમની ઉંમર, લિંગ અને દિલ્હીમાં રહેઠાણની ચકાસણી કરી શકાય છે.&nbsp;</p><h5 style="text-align: justify; ">વન નેશન, વન કાર્ડ&nbsp;</h5><p style="text-align: justify; ">ત્યારબાદ તેનો ઉપયોગ વન નેશન, વન કાર્ડ પહેલ હેઠળ દિલ્હી મેટ્રો અને રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ જેવા અન્ય જાહેર પરિવહન માધ્યમો પર નિયમિત ભાડા ચૂકવીને કરી શકાય છે. જો કે, મફત સવારી ફક્ત DTC બસો પર જ ઉપલબ્ધ છે. અરવિંદ કેજરીવાલ સરકાર દરમિયાન DTC બસોમાં મહિલાઓને મફત મુસાફરી પૂરી પાડવા માટે પિંક ટિકિટ યોજના શરૂ કરવામાં આવી હતી. પિંક "સહેલી" સ્માર્ટ કાર્ડ અને અરવિંદ કેજરીવાલની પિંક ટિકિટ યોજના બંને દિલ્હીમાં મહિલાઓને મફત બસ મુસાફરી પ્રદાન કરે છે, પરંતુ તે મુખ્યત્વે તેમના ટિકિટિંગ ફોર્મેટ અને રહેણાંક ચકાસણી આવશ્યકતાઓમાં અલગ પડે છે.</p><p style="text-align: justify; "><b>ટિકિટિંગ ફોર્મેટ:&nbsp;</b></p><p style="text-align: justify; ">કેજરીવાલના કાર્યકાળ દરમિયાન આ યોજનામાં દરેક ટ્રીપ માટે કંડક્ટર દ્વારા જારી કરાયેલ ભૌતિક, કાગળ-આધારિત "પિંક ટિકિટ"નો ઉપયોગ થતો હતો. પિંક સહેલી કાર્ડ એક આધુનિક સ્માર્ટ કાર્ડ છે જેને મુસાફરોએ કંડક્ટરના ઇલેક્ટ્રોનિક ટિકિટિંગ મશીન પર ટેપ કરવું આવશ્યક છે.</p><p style="text-align: justify; "><b>ચકાસણી:</b></p><p style="text-align: justify; ">નવી સ્માર્ટ કાર્ડ સિસ્ટમમાં રહેઠાણ ચકાસણીની જરૂર છે, એટલે કે અરજદારોએ દિલ્હી-વિશિષ્ટ આધાર કાર્ડ પ્રદાન કરવું આવશ્યક છે. જૂની પિંક ટિકિટમાં દરેક મહિલાને મફતમાં પિંક ટિકિટ સાથે મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી હતી. વર્તમાન સરકાર દ્વારા જૂની કાગળ સિસ્ટમની ઘણીવાર ટીકા કરવામાં આવી હતી કારણ કે માત્ર સાચા દિલ્હીવાસીઓને જ લાભ મળે તે સુનિશ્ચિત કરવા માટે કડક ચકાસણીનો અભાવ હતો.</p><p style="text-align: justify; "><b>પારદર્શિતા:&nbsp;</b></p><p style="text-align: justify; ">પિંક સહેલી સ્માર્ટ કાર્ડ દ્વારા મુસાફરીનું ડિજિટાઇઝેશન કરીને, સરકાર મફત મુસાફરોની સવારીની સંખ્યાને સચોટ રીતે ટ્રેક કરી શકે છે અને જૂની મેન્યુઅલ સિસ્ટમની તુલનામાં ટિકિટિંગ છેતરપિંડી ઘટાડી શકે છે. કેજરીવાલ સરકાર પર મહિલાઓને મફત મુસાફરીની આડમાં ટિકિટ વિતરણમાં છેતરપિંડીના આરોપોનો સામનો કરવો પડ્યો હતો.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/indian-map-controversy-former-bangladeshi-diplomat-reprimanded-by-ifs-for-displaying-incorrect-map-of-india" target="_blank">ભૂતપૂર્વ બાંગ્લાદેશી રાજદ્વારીને IFSએ ખખડાવ્યા, ભારતનો ખોટો નકશો પ્રદર્શિત કરવા બદ્દલ ઠપકો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/FB370XSCaCfTylwJk1TTFfkoEm04eaYXlXbwdk22.webp'/></item><item><title><![CDATA[Mumbai-Ahmedabad Bullet Train Project: 13 ભારે પોર્ટલ બીમનું લોન્ચિંગ સફળતાપૂર્વક પૂર્ણ, સાબરમતીમાં નવો રેકોર્ડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/mumbai-ahmedabad-bullet-train-project-13-heavy-portal-beams-launched-sabarmati</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/mumbai-ahmedabad-bullet-train-project-13-heavy-portal-beams-launched-sabarmati</guid><pubDate>Fri, 10 Jul 2026 18:31:31 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતની પ્રથમ હાઈ-સ્પીડ રેલ પરિયોજના એટલે કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણ કાર્યમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાસલ થઈ છે. ગુજરાતના અમદાવાદમાં સાબરમતી રેલ્વે સ્ટેશન નજીક અંતિમ અને સૌથી ભારે પોર્ટલ બીમને સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યો છે. આ આખરી બીમના લોન્ચિંગ સાથે જ અમદાવાદ વિસ્તારમાં તમામ 13 ભારે પોર્ટલ બીમ લગાવવાનું અત્યંત જટિલ અને પડકારજનક કામ પૂરું થઈ ગયું છે. આને બુલેટ ટ્રેન પ્રોજેક્ટની એક શાનદાર એન્જિનિયરિંગ સિદ્ધિ માનવામાં આવી રહી છે.</p><h2><b>વ્યસ્ત રેલવે લાઈનો ઉપરથી પસાર થશે 18 કિમી લાંબો વાયડક્ટ</b></h2><p>અમદાવાદ શહેરમાં બુલેટ ટ્રેનનો રૂટ ખૂબ જ પડકારજનક છે, કારણ કે અહીંનો 18 કિલોમીટર લાંબો બુલેટ ટ્રેન વાયડક્ટ (એલિવેટેડ ટ્રેક) પહેલાથી જ ચાલુ અને વ્યસ્ત રેલવે લાઈનોની ઉપરથી પસાર થાય છે. ભારતીય રેલવેના આ નેટવર્કને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યા વિના કે રોક્યા વિના બુલેટ ટ્રેનનો ટ્રેક તૈયાર કરવા માટે વિશેષ રૂપે 13 ભારે પોર્ટલ બીમની ડિઝાઈન તૈયાર કરવામાં આવી હતી. આ તમામ બીમને અલગ-અલગ મુખ્ય રેલ માર્ગો પર સ્થાપિત કરવામાં આવ્યા છે.</p><ul><li>મણિનગરમાં મુંબઈ-અમદાવાદ મુખ્ય રેલવે લાઈન પર 5 પોર્ટલ બીમ</li><li>વટવામાં મુંબઈ-અમદાવાદ મુખ્ય રેલવે લાઈન પર 7 પોર્ટલ બીમ</li><li>સાબરમતીમાં અમદાવાદ-દિલ્હી મુખ્ય રેલવે લાઈન પર 1 પોર્ટલ બીમ</li></ul><h2><b>1,640 મેટ્રિક ટનનો સૌથી ભારે બીમ, માત્ર 3 કલાકમાં લોન્ચ</b></h2><p>સાબરમતીમાં જે છેલ્લો પ્રીકાસ્ટ-પ્રેસ્ટ્રેસ્ડ પોર્ટલ બીમ લોન્ચ કરવામાં આવ્યો છે, તે આખા રૂટનું સૌથી વિશાળ અને ભારે કંક્રીટ સ્ટ્રક્ચર છે. આ એકલા બીમનું વજન અંદાજે 1,640 મેટ્રિક ટન છે. તેની લંબાઈ 34.5 મીટર અને ક્રોસ-સેક્શન 5.5 મીટર × 4.5 મીટર છે, જે આખા પ્રોજેક્ટમાં વપરાયેલા સૌથી મોટા પ્રીકાસ્ટ પોર્ટલ બીમમાંથી એક છે. આટલા વિશાળ અને ભારે-ભરખમ બીમને રેલવે લાઈન પર લોન્ચ કરવાનું આખું ઓપરેશન અત્યંત કુશળતા સાથે માત્ર ત્રણ કલાકની અંદર સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવાયું હતું.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/drmadiwr/status/2075515035653427329"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>2,200 મેટ્રિક ટનની વિશાળ ક્રેનની મદદ લેવાઈ, ટ્રેનોની અવરજવર રહી સુરક્ષિત</b></h2><p>આ જટિલ કામગીરી માટે નિર્માણ સ્થળ પર 2,200 મેટ્રિક ટનની ભારે ક્ષમતા ધરાવતી ક્રોવલર ક્રેનની મદદ લેવામાં આવી હતી. સાબરમતીમાં કાર્યસ્થળ પર જગ્યા ઘણી મર્યાદિત હોવાના કારણે આ કામ ઘણું જોખમી હતું. આ માટે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન અને ભારતીય રેલવે વચ્ચે સચોટ સંકલન સાધવામાં આવ્યું હતું. ચુસ્ત સુરક્ષા ધોરણો અને એડવાન્સ પ્લાનિંગના કારણે આખી લોન્ચિંગ પ્રક્રિયા દરમિયાન નીચેથી પસાર થતી ટ્રેનોનું સંચાલન કોઈ પણ અડચણ વિના સંપૂર્ણપણે સુરક્ષિત રીતે ચાલુ રહ્યું હતું.</p><h2><b>આધુનિક એન્જિનિયરિંગ અને સચોટ પ્લાનિંગનું ઉત્કૃષ્ટ ઉદાહરણ</b></h2><p>અમદાવાદમાં આ તમામ 13 ભારે પોર્ટલ બીમનું સફળ ઇન્સ્ટોલેશન ભારતની પ્રથમ હાઈ-સ્પીડ રેલ પરિયોજનાના નિર્માણમાં ઉપયોગમાં લેવાતી અત્યાધુનિક તકનીકી ક્ષમતા અને ચોકસાઈને દર્શાવે છે. આ પ્રોજેક્ટ માત્ર દેશમાં સ્પીડની નવી ક્રાંતિ જ નહીં લાવે, પરંતુ સિવિલ એન્જિનિયરિંગના ક્ષેત્રમાં પણ નિર્માણના નવા અને વિશ્વસ્તરીય માપદંડો સ્થાપિત કરી રહ્યો છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/rajkot-trp-game-zone-fire-case-gujarat-hc-dismisses-5-officials-from-service" target="_blank">Ahmedabad News : TRP ગેમઝોન અગ્નિકાંડની ઘટના મામલે હાઈકોર્ટનો ચુકાદો, 5 અધિકારીઓને નોકરીમાંથી ડિસમીસ કરાયા</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/U2K5RT45JqESH93rXXqFT6cq8d3MKcrHmlAlDeb5.webp'/></item><item><title><![CDATA[ડોક્ટર સાથે મારપીટ કરનાર શિવસેના કોર્પોરેટર રમેશ મ્હાત્રેની વધી મુશ્કેલી, 13 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યા ]]></title><link>https://sandesh.com/india/news/shiv-sena-corporator-ramesh-mhatre-sent-to-police-custody-till-july-13</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/shiv-sena-corporator-ramesh-mhatre-sent-to-police-custody-till-july-13</guid><pubDate>Fri, 10 Jul 2026 18:05:19 +05:30</pubDate><description><![CDATA[<p>ડોમ્બિવલીની શાસ્ત્રીનગર હોસ્પિટલમાં ડોકટરો અને નર્સો પર હુમલો કરવાના મામલે હવે વિવાદ વકર્યો છે. આ મામલે હવે આરોપી શિવસેનાના કોર્પોરેટર રમેશ મ્હાત્રેને 13 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.</p><p><br></p><p>મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રના ડોમ્બિવલીની શાસ્ત્રીનગર હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાની સારવાર અંગેનો વિવાદમાં ડોકટરો અને તબીબી સ્ટાફ પર હુમલો કરવામાં આવ્યો હતો. દર્દીના પરિવાર, સાધના કરંડે, શિવસેનાના કોર્પોરેટર રમેશ મ્હાત્રે અને હોસ્પિટલના ડોક્ટરોએ પોતપોતાની રીતે ઘટનાનું વર્ણન રજૂ કર્યું હતું. જોકે, દર્દીની માતાએ જણાવ્યું હતું કે તેની મોટી પુત્રી ગર્ભવતી હતી અને સોનોગ્રાફી અને જરૂરી ટેસ્ટ પછી તેઓ તેને શાસ્ત્રીનગર હોસ્પિટલમાં લાવ્યા હતા.&nbsp;</p><p><br></p><p>પરિવારે ડોકટરોને કહ્યું હતું કે ઈમરજન્સી પરિસ્થિતિ છે, પરંતુ હોસ્પિટલે દર્દીને સાયન હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી હતી. માતાએ કહ્યું કે તે વારંવાર ડોકટરોને વિનંતી કરી હતી, કે તેની પુત્રીની હાલત ગંભીર છે અને ભારે વરસાદ અને બહાર પાણી ભરાઈ જવાને કારણે બીજી હોસ્પિટલમાં પહોંચવામાં ઘણો સમય લાગી શકે છે. તેને ડર વ્યક્ત કર્યો હતો કે સારવારમાં કોઈપણ વિલંબ તેની પુત્રી અને ગર્ભમાં રહેલ બાળક બંનેના જીવને જોખમમાં મૂકી શકે છે.</p><p><br></p><p>ઉલ્લેખનીય છે કે, આ ઘટના સોમવારે (6 જુલાઈ) સાંજે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના શાસ્ત્રીનગર મ્યુનિસિપલ હોસ્પિટલમાં બની હતી. શિવસેનાના કોર્પોરેટર રમેશ મ્હાત્રે અને તેમના સાથીઓ બે ડોક્ટરો અને અન્ય સ્ટાફ સભ્યો પર હુમલો કરતા જોવા મળતો એક વીડિયો વાયરલ થયો હતો. મ્હાત્રેએ ફરજ પરના ડોક્ટરોને ખૂબ માર માર્યો કારણ કે તેમણે એક ગર્ભવતી મહિલાને સારવાર માટે તેમના વોર્ડમાંથી બીજી હોસ્પિટલમાં ખસેડવાનું સૂચન કર્યું હતું; તેઓએ તર્ક આપ્યો હતો કે નવજાત શિશુને ડિલિવરી પછી તરત જ NICU બેડની જરૂર પડશે, પરંતુ તે સમયે આવો કોઈ બેડ ઉપલબ્ધ નહોતો.<br><br>આ પણ વાંચો: <b><a href="https://sandesh.com/world/news/china-performed-the-worlds-first-net-recovery-launched-a-rocket-from-space-into-the-sea" target="_blank">ચીને કર્યું વિશ્વનું પહેલું નેટ રિકવરી, સ્પેસથી રોકેટને સમુદ્રમાં ઉતાર્યું</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/f3DkTXVhczyaF4oy0L0DL30HQtYtPJVdbE16T45T.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: ચાંદખેડા મર્ડર કેસનો ફરાર આરોપી ઝડપાયો, 10 લાખની લેતીદેતીમાં કરી હતી હત્યા ]]></title><link>https://sandesh.com/crime/news/ahmedabad/chandkheda-murder-case-accused-arrested-mansingh-police</link><guid isPermaLink="true">https://sandesh.com/crime/news/ahmedabad/chandkheda-murder-case-accused-arrested-mansingh-police</guid><pubDate>Fri, 10 Jul 2026 17:08:14 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં થયેલા ચકચારી હત્યા કેસમાં પોલીસે ગણતરીના દિવસોમાં મોટી સફળતા મેળવી છે. જશમતસિંગ ઉર્ફે પિલ્લુસિંગ નામના વ્યક્તિની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ ગુનો આચરીને ફરાર થઈ ગયેલા મુખ્ય આરોપીને ચાંદખેડા પોલીસે તીક્ષ્ણ નજર અને સચોટ આયોજનબદ્ધ ઓપરેશન દ્વારા ઝડપી પાડ્યો છે.</p><h2><b>10 લાખની લેતીદેતીમાં થઈ હતી હત્યા</b></h2><p>પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક અને આરોપી વચ્ચે રૂપિયા 10 લાખની લેતીદેતી ચાલતી હતી. આ નાણાકીય બાબતને લઈને શરૂઆતમાં બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. જોકે, આ વિવાદ ઉગ્ર બનતા આરોપી માનસિંગ ઉર્ફે બાદલસિંગ કરણસિંગ ઉર્ફે પવનસિંગ ઉર્ફે લલ્લાસિંગ ટાંક ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે છરીના ઉપરાછાપરી ઘા મારીને જશમતસિંગની હત્યા કરી નાખી હતી અને ત્યાંથી નાસી છૂટ્યો હતો.</p><h2><b>મોબાઈલ વગર ફરતા આરોપીને પકડવા પોલીસે ગોઠવી વોચ</b></h2><p>હત્યા બાદ આરોપીની શોધખોળ પોલીસ માટે મોટો પડકાર બની હતી, કારણ કે આરોપી કોઈ પણ પ્રકારના મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો ન હતો. પોલીસથી બચવા તે અલગ-અલગ સગા-સંબંધીઓને ત્યાં આશરો લઈ રહ્યો હતો. આ દરમિયાન પોલીસને પાકી બાતમી મળી હતી કે, ચાંદખેડા વિસ્તારમાં આવેલી વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજની બાજુમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા અને ફુગ્ગાનો વ્યવસાય કરતા તેના માસીને મળવા માટે આરોપી આવી શકે છે. આ શંકાના આધારે પોલીસે ત્યાં ગુપ્ત વોચ ગોઠવી હતી અને જેવો આરોપી ત્યાં પહોંચ્યો કે તુરંત તેને દબોચી લીધો હતો.</p><h2><b>આરોપી અગાઉ મહારાષ્ટ્રમાં પણ મર્ડર કેસમાં જેલ જઈ ચૂક્યો છે</b></h2><p>પકડાયેલા આરોપી માનસિંગનો ગુનાહિત ઈતિહાસ ઘણો મોટો છે. પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે, તે એક રીઢો ગુનેગાર છે. આ અગાઉ વર્ષ 2021માં મહારાષ્ટ્રના તુલીંજ પોલીસ સ્ટેશનમાં તેની સામે આઈપીસી કલમ 302 હેઠળ હત્યાનો ગુનો નોંધાયો હતો, જેમાં તે જેલવાસ પણ ભોગવી ચૂક્યો છે. આ ઉપરાંત, વર્ષ 2016માં અમદાવાદના માધવપુરા પોલીસ સ્ટેશનમાં પણ તેની સામે આઈપીસી કલમ 379 હેઠળ ચોરીનો ગુનો નોંધાયેલો છે.</p><h2><b>ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી કાર્યવાહી</b></h2><p>મોબાઈલ વગર લોકેશન ટ્રેસ કરવું અશક્ય હોવા છતાં, ચાંદખેડા પોલીસે હ્યુમન સોર્સ, ટેક્નિકલ સર્વેલન્સની અન્ય પદ્ધતિઓ અને સતત રાઉન્ડ ધ ક્લોક વોચ રાખીને આ ખતરનાક આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. હાલ પોલીસે તેની વિધિવત ધરપકડ કરીને આગળની કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/weather/monsoon-2026/news/ahmedabad/gujarat-weather-update-rain-forecast-july-10-to-16" target="_blank">Gujarat Weather Update: આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા એલર્ટ, જુઓ Video</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/tObqebA4QKjjXkaRisQN9HWU3gFbShInjoTVdxf1.webp'/></item><item><title><![CDATA[FIFA World 2026 : ક્વાર્ટર ફાઇનલમાં સ્પેન અને બેલ્જિયમ વચ્ચે ટક્કર, જાણો હેડ ટૂ હેડ રેકોર્ડ ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-2026-spain-and-belgium-clash-in-the-quarter-finals-know-the-head-to-head-record</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-2026-spain-and-belgium-clash-in-the-quarter-finals-know-the-head-to-head-record</guid><pubDate>Fri, 10 Jul 2026 16:50:34 +05:30</pubDate><description><![CDATA[<p>FIFA વર્લ્ડ કપ 2026ની પહેલી ક્વાર્ટર ફાઇનલ ખૂબ જ રોમાંચક રહી,જેમાં ફ્રાન્સે મોરોક્કોને 2-0 થી હરાવીને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું.ટુર્નામેન્ટની બીજી ક્વાર્ટર ફાઇનલ,જે એટલી જ રોમાંચક રહેવાની અપેક્ષા છે.તે લોસ એન્જલસ સ્ટેડિયમ ખાતે સ્પેન અને બેલ્જિયમ વચ્ચે રમાશે.બંને ટીમોએ ક્વાર્ટર ફાઇનલ સુધીની એક અદ્ભુત સફર કરી છે, જેમાં અત્યાર સુધી કોઈ પણ ટીમે સ્પેન સામે એક પણ ગોલ કર્યો નથી,જ્યારે બેલ્જિયમે તેમની બધી મેચ જીતી છે.બંને ટીમો વચ્ચેની આ મેચ 12 જુલાઈના રોજ ભારતીય સમય મુજબ રાત્રે 12:30 વાગ્યે રમાશે.</p><h4><b>બેલ્જિયમ સામે અત્યાર સુધી સ્પેનનો હાથ ઉપર&nbsp;</b></h4><p>સ્પેન અને બેલ્જિયમ વચ્ચેના હેડ-ટુ-હેડ રેકોર્ડને ધ્યાનમાં લેતા, સ્પેન સ્પષ્ટપણે ઉપર છે, તેણે 12 મેચ જીતી છે. બીજી બાજુ, બેલ્જિયમે ફક્ત પાંચ મેચ જીતી છે, જ્યારે પાંચ ડ્રો રહી છે. બંને ટીમો વચ્ચે ફિફા વર્લ્ડ કપની ટક્કરની વાત કરીએ તો, આ ફક્ત ત્રીજી વખત છે જ્યારે તેઓ એકબીજા સામે મળ્યા છે. આ પહેલા, 1986ના વર્લ્ડ કપમાં, બેલ્જિયમે પેનલ્ટી શૂટઆઉટમાં સ્પેનને 5-4થી હરાવ્યું હતું, જ્યારે 1990માં સ્પેને 2-1થી જીત મેળવી હતી.</p><h4><b>બધાની નજર લેમિન યામાલ પર રહેશે</b></h4><p>આ મેચમાં, બધાની નજર 18વર્ષીય સ્પેનિશ ખેલાડી લેમિન યામાલ પર રહેશે, જે બેલ્જિયમ માટે નોંધપાત્ર ખતરો ઉભો કરી શકે છે. લેમિન યામાલે અત્યાર સુધી ફક્ત એક જ ગોલ કર્યો છે, પરંતુ તેના આક્રમક રમતથી, બેલ્જિયમ તેને ઓછો આંકી શકે તેમ નથી. આ મેચમાં સ્પેનને ટોચનો હાથ માનવામાં આવે છે, જે મોટાભાગે તેમના ગોલકીપર ઉનાઈ સિમોનનો આભાર છે, જેમણે કોઈપણ વિરોધી ટીમને એક પણ ગોલ કરવા દીધો નથી.</p><h5><b>સેમિફાઇનલમાં કોની સામે થશે ટક્કર?</b></h5><p>ફિફા વર્લ્ડ કપ 2026ની સેમિફાઇનલમાં પહોંચ્યા બાદ હવે ફ્રાન્સનો મુકાબલો સ્પેન અથવા બેલ્જિયમ સામે થશે. આ બંને ટીમો વચ્ચેની ક્વાર્ટર ફાઇનલ મેચ બાદ વિજેતા ટીમ ફ્રાન્સ સામે ટકરાશે. બુધવાર, 15 જુલાઈના રોજ ભારતીય સમયાનુસાર (IST) રાત્રે 12:30 વાગ્યે મેચ રમાશે. ફિફા વર્લ્ડકપમાં પોર્ટુગલ બહાર થતા રોનાલ્ડોને જોવા આતુર તેના ચાહકોમાં ઉત્સાહ ઘટયો છે. છતાં મેસ્સી અને એમ્બાપ્પેની શાનદાર રમત લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. ફ્રાન્સે મોરોક્કોને હરાવીને સેમીફાઈનલની ટીકીટ મેળવી લીધી છે. હવે તેની સામે કઈ ટીમ આવશે સ્પેન -બેલ્જિયમની મેચના આગામી પરિણામો કહેશે.</p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/cricket/fifa-world-cup-2026-france-beats-morocco-2-0-to-enter-semi-finals-mbappe-and-dembele-excel" target="_blank"> FIFA World Cup 2026: મોરોક્કોને 2-0થી હરાવી ફ્રાન્સની સેમિફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી, એમ્બાપ્પે અને ડેમ્બેલેનો કમાલ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/dH1FMdh8ARtndBhoT9zFOscZxaRyfc9c1esmlCqd.webp'/></item><item><title><![CDATA[Indian Railway: ફટાફટ થશે ટિકિટ બુક, નહીં ભરવી પડે કોઈ ડિટેલ્સ; IRCTCની નવી વેબસાઈટમાં 4 મોટા ફેરફાર! ]]></title><link>https://sandesh.com/business/news/new-irctc-website-beta-launched--faster-booking--no-ads</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/new-irctc-website-beta-launched--faster-booking--no-ads</guid><pubDate>Fri, 10 Jul 2026 16:08:49 +05:30</pubDate><description><![CDATA[<p>ટ્રેન ટિકિટ બુક કરાવવાની મુશ્કેલીઓ ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે. ભારતીય રેલ્વે નવી IRCTC વેબસાઇટના બીટા વર્ઝનને લોન્ચ કરવાની તૈયારી કરી રહી હોવાથી ગ્રાહકોને હવે ધીમી વેબસાઇટ્સ, મૂંઝવણભર્યા CAPTCHA અથવા વારંવાર આવતા પોપ-અપ્સનો સામનો કરવો પડશે નહીં. તાજેતરમાં, MNIT જયપુરના રેલ્વે અધિકારીઓ અને વિદ્યાર્થીઓએ બીટા વર્ઝનની સમીક્ષા કરી અને તેમના પ્રતિભાવ શેર કર્યા. થોડા અઠવાડિયા પહેલા MNIT ના વિદ્યાર્થીઓએ વર્તમાન IRCTC વેબસાઇટમાં ઘણી તકનીકી ખામીઓ જણાવી હતી. જેના કારણે રેલ્વે મંત્રાલયે 15 જુલાઈ સુધીમાં સાઇટના યુઝર ઇન્ટરફેસ અને પરફોર્મસમાં નોંધપાત્ર સુધારાની વાત કહી હતી.</p><p><br></p><h2><b>બીટા વર્ઝનમાં 4 મુખ્ય ફેરફારો</b></h2><p>ફેરફારો અંગે બુકિંગ પ્રક્રિયા દરમિયાન આકર્ષક અથવા પરેશાન કરનારા ગ્રાફિક્સ ધરાવતી જાહેરાતો હવે દેખાશે નહીં. લોગિન પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે CAPTCHA ને સરળ અને ટૂંકા કરવામાં આવ્યા છે.&nbsp;</p><p>મુસાફરોને હવે સીટની ઉપલબ્ધતા તપાસવા માટે વ્યક્તિગત વર્ગો - જેમ કે Sleeper, 3AC, અથવા 2AC - પર ક્લિક કરવાની જરૂર રહેશે નહીં; બધા વર્ગોમાં સીટની ઉપલબ્ધતા એક જ સ્ક્રીન પર એક સાથે જોવા મળશે.&nbsp;</p><p>ટિકિટ બુકિંગ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવામાં આવી છે, એટલે કે ટિકિટ હવે પહેલા કરતા ઘણા ઓછા સ્ટેપમાં બુક કરી શકાય છે.</p><p>પહેલાં, મુસાફરોને દરેક બુકિંગ માટે તેમની સંપૂર્ણ વિગતો ફરીથી દાખલ કરવી પડતી હતી. હવે મુસાફરોની માહિતી સાચવવામાં આવશે, જેનાથી વારંવાર વિગતો ભરવાની જરૂરત પડશે નહીં.</p><p><br></p><h3><b>40 વર્ષ જૂની સિસ્ટમ થશે અપગ્રેડ&nbsp;</b></h3><p>આ ફક્ત નાના ફેરફારો નથી; રેલ્વે તેના સમગ્ર માળખાગત સુવિધાઓમાં સુધારો કરી રહ્યું છે. નવી વેબસાઇટ હાલમાં ભારતીય રેલ્વેની પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ સાથે સંકલિત થઈ રહી છે. લગભગ 40 વર્ષ જૂની આ રિઝર્વેશન સિસ્ટમ સંપૂર્ણ અપગ્રેડમાંથી પસાર થઈ રહી છે. વધુમાં, રેલ્વે એક નવું પેસેન્જર રિઝર્વેશન એન્જિન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ આખા અપગ્રેડેશન પછી નવી વેબસાઇટ આગામી મહિનાઓમાં લાઇવ થશે. જે ટિકિટ બુકિંગની ગતિમાં નોંધપાત્ર વધારો કરશે.&nbsp;</p><p><br></p><h4><b>છેતરપિંડીવાળા ઓટોમેટિક બુકિંગ પર લાગશે લગામ</b></h4><p>રેલ્વે મંત્રાલયના જણાવ્યા અનુસાર, તત્કાલ ટિકિટના રિઝર્વેશન દરમિયાન છેતરપિંડીવાળા ઓટોમેટેડ બુકિંગને રોકવા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે તત્કાલ ટિકિટ બુકિંગ સાથે સંકળાયેલી ગેરરીતિઓ નોંધપાત્ર રીતે કાબુમાં આવશે. લાગુ કરાયેલા પગલાંથી તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયાને પહેલા કરતાં વધુ મજબૂત બનાવી છે.</p><p><br></p><p>આ પણ વાંચો:&nbsp; <a href="https://sandesh.com/lifestyle/news/health-fitness/natural-mosquito-repellent-plants-for-monsoon--tulsi--pudina--genda" target="_blank"><b>Health Tips: મચ્છર કરડવાથી હાલત થઈ ગઈ છે ખરાબ? ઘરમાં વાવો આ 3 છોડ, આસપાસ પણ નહીં ભટકે</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/z6Qy24BU7mlpZn1pIvPdWPNVlvB3Yx8rt635jCi1.webp'/></item></channel></rss>