<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Sunil Grover : ઘાટ કિનારે ફૂટપાથ પર ચાદર પાથરીને સૂતા જોવા મળ્યા સુનીલ ગ્રોવર, વીડિયો જોઈ ફેન્સ બોલ્યા- 'Down To Earth' ]]></title><link>https://sandesh.com/entertainment/news/sunil-grover-viral-video-sleeping-on-footpath-fans-reaction</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/sunil-grover-viral-video-sleeping-on-footpath-fans-reaction</guid><pubDate>Fri, 19 Jun 2026 17:16:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">એક્ટર અને કોમેડિયન સુનીલ ગ્રોવર પોતાની કોમેડીથી હંમેશા દર્શકોને એન્ટરટેઇન કરતા અને દિલ જીતતા જોવા મળ્યા છે. દર્શકો તેમને ખૂબ પસંદ કરે છે. આ દરમિયાન તેમનો સાદગીભર્યો અંદાજ પણ પ્રશંસકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ઘાટ કિનારે ભીડની વચ્ચે ફૂટપાથ પર ચાદર પાથરીને સૂતા જોવા મળ્યા. પ્રશંસકો તેમના આ અંદાજના જોરદાર વખાણ કરી રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>ફૂટપાથ પર સૂતા દેખાયા સુનીલ ગ્રોવર</b></h2><p style="text-align: justify; ">આ વીડિયો સુનીલ ગ્રોવરે પોતે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે તેઓ રાત્રે ઘાટ કિનારે ચાદર પાથરીને ફૂટપાથ પર સૂતા જોવા મળી રહ્યા છે અને નજીકમાં જ ચપ્પલ પણ રાખેલા છે. તેમની આસપાસ ઘણા લોકો જમીન પર સૂઈ રહ્યા છે. સુનીલ ગ્રોવરે આ વીડિયો શેર કરતા લખ્યું, 'તારે ઝમીન પર'. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>પ્રશંસકો કરી રહ્યા છે વખાણ</b></h3><p style="text-align: justify; ">સોશિયલ મીડિયા યુઝર્સ તેમના ખૂબ વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ખૂબ સરસ સર, જમીન સાથે જોડાયેલા કલાકાર. બીજાએ લખ્યું, એક જ તો દિલ છે, કેટલી વાર જીતશો. ત્રીજાએ લખ્યું, ખૂબ જ ડાઉન ટુ અર્થ છે. વધુ એક પ્રશંસકે લખ્યું, કમાલના માણસ છો તમે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DZuaMVqsU9e/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DZuaMVqsU9e/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DZuaMVqsU9e/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DZuaMVqsU9e/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><p style="text-align: justify; ">સુનીલ ગ્રોવર એક શાનદાર કોમેડિયન છે. તેમના લાખો ચાહકો છે. કપિલ શર્માના શો દ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોમાં સુનીલ ગ્રોવરે ગુત્થી અને ડૉ. મશહૂર ગુલાટી જેવા પાત્રોથી ઘરે-ગરે પોતાની એક ખાસ ઓળખ બનાવી. તેમની કોમેડીને લોકો ખૂબ પસંદ કરે છે. એટલું જ નહીં, તેમણે આમિર ખાન, સલમાન ખાનથી લઈને ડોનાલ્ડ ટ્રમ્પ, કાદર ખાન, ગુલઝાર, જાવેદ અખ્તર સહિત ઘણા સેલેબ્સે એવી રીતે પોતાનામાં ઉતાર્યા કે દરેક વ્યક્તિ જોતી જ રહી ગઈ.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gallery/news/entertainment/bhavya-gandhi-birthday-tmkoc-tappu-transformation-where-is-he-now" target="_blank">આ પણ વાંચો-18 વર્ષમાં આટલો બદલાઈ ગયો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો નાનો ટપ્પુ, જાણો- ટીવીથી દૂર આજકાલ ક્યાં છે ભવ્ય ગાંધી?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/19/ri9xbENnm5af8LQ42ARpnXLr0XQCsB9qeGr7BFQ3.webp'/></item><item><title><![CDATA[Morbi News: હળવદમાં પિયતના પાણી માટેનું ખેડૂતોનું આંદોલન મોકૂફ, MLA પ્રકાશ વરમોરાની જાહેરાત બાદ નિર્ણય ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/morbi/halvad-farmers-protest-postponed-brahmani-dam-water-issue-mla-prakash-varmora</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/morbi/halvad-farmers-protest-postponed-brahmani-dam-water-issue-mla-prakash-varmora</guid><pubDate>Fri, 19 Jun 2026 17:13:18 +05:30</pubDate><description><![CDATA[<p>મોરબી જિલ્લાના હળવદ પંથકમાંથી ખેડૂતોને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હળવદમાં પિયતના પાણી માટે 10થી વધુ ગામોના ખેડૂતો દ્વારા જે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી. બ્રાહ્મણી ડેમ-2 ખાતે પાણીની માગ સાથે આ આંદોલન યોજાવાનું હતું, પરંતુ તંત્ર દ્વારા આંદોલનની મંજૂરી ન મળતા અને સ્થાનિક ધારાસભ્યની સકારાત્મક જાહેરાત બાદ ખેડૂતો દ્વારા આંદોલન મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.</p><h2><b>ધારાસભ્યની જાહેરાત બાદ લેવાયો નિર્ણય</b></h2><p>હળવદના ધનાળા, પ્રતાપગઢ, સૂરવદર, ધુળકોટ અને મયુરનગર સહિતના 10થી વધુ ગામોના ખેડૂતો પિયતના પાણીની સમસ્યાને લઈને આંદોલનના માર્ગે વળ્યા હતા. જોકે, આ દરમિયાન હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ ખેડૂતો માટે બ્રાહ્મણી ડેમમાંથી પાણી છોડવાની મહત્વની જાહેરાત કરી છે.&nbsp;</p><h2><b>ખેડૂતોએ આંદોલન સમેટી લીધું</b></h2><p>હવળદના ધારાસભ્ય પ્રકાશ વરમોરાની આ ખાતરી અને બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા આંદોલનની મંજૂરી ન મળવાના કારણે આખરે ખેડૂતોએ આંદોલન સમેટી લીધું છે, અને આંદોલન હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે. પાણી છોડવાની જાહેરાત થતાં ખેડૂતોમાં પણ રાહત જોવા મળી રહી છે.</p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/gujarat/news/jetpur/morbi-jetpar-farmers-fast-protest-electricity-pole-transmission-line-compensation" target="_blank"> Morbi : વીજપોલ અને ટ્રાન્સમિશન લાઇનના વળતર મુદ્દે ખેડૂતો લડી લેવાના મૂડમાં, જેતપરમાં બિનરાજકીય ઉપવાસ આંદોલન શરૂ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/19/cggdqWBxut1a2ed1RINKD8AUcDvJm2oNULLlTMcV.webp'/></item><item><title><![CDATA[Suratમાં કાયદો અને વ્યવસ્થા કડક: અઠવાલાઇન્સ પરેડ ગ્રાઉન્ડ ખાતે 1000થી વધુ રીઢા ગુનેગારોની પરેડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/law-and-order-tightened-in-surat-more-than-1000-habitual-criminals-parade-at-athwalines-parade-ground</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/law-and-order-tightened-in-surat-more-than-1000-habitual-criminals-parade-at-athwalines-parade-ground</guid><pubDate>Fri, 19 Jun 2026 17:08:19 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરમાં ગુનાખોરી નિયંત્રણમાં લેવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા માટે સુરત પોલીસે એક બહુ મોટી ઓપરેશનલ કાર્યવાહી હાથ ધરી છે. સુરત પોલીસ કમિશનરેટના ઝોન 1 થી 7 ની હદમાં આવતા તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના રીઢા અને ભૂતકાળમાં પકડાયેલા ગુનેગારો સામે તકેદારીના ભાગરૂપે કડક પગલાં લેવામાં આવ્યા છે. આ સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત સુરતના અઠવાલાઇન્સ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એક જ સમયે 1000થી વધુ આરોપીઓને એકત્ર કરવામાં આવ્યા હતા, જેને પગલે ગુનેગારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.</p><h2 style="text-align: justify; ">150થી વધુ ડ્રગ્સ પેડલર્સ સામે અટકાયતી પગલાં</h2><p style="text-align: justify; ">પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે હાજર કરાયેલા બદમાશોમાં મોટાભાગના એવા તત્વો હતા જે અગાઉ ધારીયા, તલવાર અને ચપ્પુ જેવા ઘાતક હથિયારો સાથે પકડાયા હોય અથવા હિંસક પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યા હોય. આ ઉપરાંત શહેરને નશાના દૂષણથી મુક્ત કરવાના અભિયાન હેઠળ ડ્રગ્સ અને અન્ય માદક પદાર્થોના કેસોમાં ઝડપાયેલા 150થી વધુ ડ્રગ્સ માફિયાઓ અને પેડલર્સને પણ અહીં લાવી તેમની સામે કડક અટકાયતી પગલાં લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.</p><h3 style="text-align: justify; ">તમામ ગુનેગારોનું હિસ્ટ્રીશીટ અપડેટ</h3><p style="text-align: justify; ">આ વ્યાપક કોમ્બિંગ અને પરેડ દરમિયાન સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ તમામ આરોપીઓની આખી કુંડળી ખંખોળવામાં આવી હતી. સ્થળ પર જ તમામ 1000થી વધુ આરોપીઓના વર્તમાન નામ, રહેઠાણના ચોક્કસ સરનામાં, તેમના ફોન નંબર અને તેઓ હાલ શું કામ-ધંધો કરે છે તેની ઝીણવટભરી વિગતો એકત્રિત કરીને પોલીસ ડેટાબેઝ અપડેટ કરવામાં આવ્યો હતો. સુરત પોલીસની આ કડક કાર્યવાહીએ ગુનેગારોને સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે જો શહેરમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કર્યો તો ખાખી આનાથી પણ વધુ કડક હાથ કામ લેશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/19/67z6TIhtzE0ezTNCudljWXk3FqhZdSr5JFC5s3Dk.webp'/></item><item><title><![CDATA[Rajkot ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વકીલો અને જજ સામસામે, બાર એસોસિએશને કર્યો કોર્ટનો બહિષ્કાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/district-court-bar-association-boycott-two-judges</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/district-court-bar-association-boycott-two-judges</guid><pubDate>Fri, 19 Jun 2026 16:37:45 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વકીલો અને જજ વચ્ચેનો વિવાદ હવે ઉગ્ર બન્યો છે. જજોના કથિત અયોગ્ય વર્તનને લઈને લાંબા સમયથી ચાલી રહેલી નારાજગી બાદ, રાજકોટ બાર એસોસિએશનની જનરલ બોર્ડની બેઠકમાં બે જજના બહિષ્કારનો એક મોટો અને ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.</p><h2><b>&nbsp;બાર એસોસિએશને જનરલ બોર્ડની બેઠક બોલાવી&nbsp;</b></h2><p>મળતી વિગતો અનુસાર, રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ ડી. ડી. શાહ અને જજ એચ. એચ. ગુપ્તા ના વર્તનને લઈને વકીલોમાં ભારે નારાજગી હતી. બાર એસોસિએશન દ્વારા અગાઉ પણ આ અંગે અવારનવાર રજૂઆતો કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ સકારાત્મક નિરાકરણ આવ્યું ન હતું. અંતે કંટાળીને બાર એસોસિએશને જનરલ બોર્ડની બેઠક બોલાવી બંને જજની કોર્ટનો સંપૂર્ણ બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.</p><h2><b>પક્ષકારોને નુકસાન ન થાય તે માટે રજૂઆત</b></h2><p>બાર એસોસિએશને પસાર કરેલા ઠરાવ અનુસાર, જ્યાં સુધી વકીલોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે ત્યાં સુધી કોઈ પણ વકીલ જજ ડી. ડી. શાહ અને એચ. એચ. ગુપ્તાની કોર્ટમાં કેસ લડવા માટે નહીં જાય. જોકે, આ વિવાદના કારણે સામાન્ય પક્ષકારો કે અસીલોને કોઈ નુકસાન ન થાય અને તેમના કેસ પર પ્રતિકૂળ અસર ન પડે તે માટે બાર એસોસિએશન દ્વારા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજને રજૂઆત કરીને યોગ્ય વ્યવસ્થા કરવા વિનંતી કરવામાં આવી છે.</p><h2><b>કાનૂની આલમમાં ગરમાવો</b></h2><p>વકીલોના આ આક્રમક વલણ અને કોર્ટ બહિષ્કારના નિર્ણયને પગલે રાજકોટના કાનૂની આલમમાં ભારે ગરમાવો આવી ગયો છે અને હવે આ વિવાદનો અંત ક્યારે આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/rajkot/love-jihad-in-rajkot-rapist-arrested-after-trapping-married-woman-in-love-trap" target="_blank">Rajkotમાં લવ જેહાદ: પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનારની ધરપકડ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/19/HQ9n2heiUzDxRMsJNj5qgKAAN4hb69NW9SDNUiJO.webp'/></item><item><title><![CDATA[Ahmedabadમાં વધુ એક દુષ્કર્મ અને બ્લેકમેઇલિંગનો સનસનીખેજ મામલો, બોપલના શખ્સ સામે ફરિયાદ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/another-sensational-case-of-rape-and-blackmailing-in-ahmedabad-complaint-filed-against-a-man-from-bopal</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/another-sensational-case-of-rape-and-blackmailing-in-ahmedabad-complaint-filed-against-a-man-from-bopal</guid><pubDate>Fri, 19 Jun 2026 16:34:35 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતના પાટનગર સમાન અમદાવાદ શહેરમાંથી મહિલાઓ વિરુદ્ધના અપરાધની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના બોપલ વિસ્તારમાં રહેતા જય પટેલ નામના શખ્સ સામે એક પરિણીત મહિલાએ લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરોપ છે કે શાતિર આરોપી જય પટેલે પરિણીતાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી અને ત્યારબાદ લગ્ન કરી લેવાની ખોટી લાલચો આપીને શહેરના અલગ-અલગ સ્થળો અને હોટલોમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.</p><h2 style="text-align: justify; ">અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલિંગ શરૂ કર્યું</h2><p style="text-align: justify; ">સમય જતાં આરોપી જય પટેલનો અસલી ચહેરો પરિણીતા સામે આવ્યો હતો. પીડિતા જ્યારે આ સંબંધમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરતી ત્યારે આરોપી તેને આંતરીને ધમકીઓ આપતો હતો. દુષ્કર્મ આચરવા દરમિયાન આરોપીએ પીડિતાના કેટલાક અંગત અને આપત્તિજનક ફોટા પાડી લીધા હતા. આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાની અને પરિવારમાં બદનામ કરવાની ક્રૂર ધમકી આપીને આરોપી જય પટેલ પરિણીતાને સતત બ્લેકમેઇલ કરતો હતો અને તેનું શારીરિક-માનસિક શોષણ ચાલુ રાખ્યું હતું.</p><h3 style="text-align: justify; ">પરિણીતાના પતિને મોકલ્યા ફોટા, ઇસનપુર પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી</h3><p style="text-align: justify; ">આરોપી જય પટેલની હેવાનિયત એટલેથી જ ન અટકી, તેણે તમામ હદો વટાવીને પરિણીતાના અંગત ફોટા તેના પતિના મોબાઈલ પર મોકલી આપ્યા હતા. આ ઘટના બાદ પીડિત પરિણીતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તેણે હિંમત ભેગી કરીને આખરે અમદાવાદના ઇસનપુર પોલીસ સ્ટેશનનો આશરો લીધો હતો. ઇસનપુર પોલીસે પીડિતાની આપવીતી સાંભળીને આરોપી જય પટેલ વિરૂદ્ધ દુષ્કર્મ, બ્લેકમેઇલિંગ અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/19/US4KvOOlJiRy7dli9vqFsXcP8wIJ6lBKTajjzcWW.webp'/></item><item><title><![CDATA[Aravalli News: શિણોલ ગામની ખેડૂતોની જમીનો ખોટા દસ્તાવેજોથી પચાવ્યાનો આક્ષેપ, નોંધમાં ગેરરીતિની તપાસની માંગ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/aravalli/farmers-demand-probe-into-fake-documents-and-land-record</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/aravalli/farmers-demand-probe-into-fake-documents-and-land-record</guid><pubDate>Fri, 19 Jun 2026 15:50:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અરવલ્લી જિલ્લામાં ભૂ-માફિયાઓ અને ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગત સામે કિસાન સભા અને ખેડૂતોએ ઉગ્ર મોરચો માંડ્યો છે.ખેડૂતોની કિંમતી જમીનો ખોટા દસ્તાવેજોના આધારે પડાવી લેવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો સાથે આજે જિલ્લા કલેક્ટરને એક સવિસ્તર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.ખેડૂતોનો આરોપ છે કે જિલ્લામાં મોટા પાયે જમીન કૌભાંડ ચાલી રહ્યું છે જેમાં વર્ષો જૂના દસ્તાવેજોનો દુરુપયોગ કરીને એક જ જમીનના બે-બે વખત વેચાણ કરવામાં આવ્યા હોવાના ચોંકાવનારા દાવા કરવામાં આવ્યા છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>વહીવટી તંત્રની ઢીલી નીતિ સામે પણ નારાજગી</b></h2><p style="text-align: justify; ">જિલ્લાના શિણોલ ગામની જમીનોના વેચાણ અને તેની ફેરફાર નોંધોમાં વ્યાપક ગેરરીતિઓ થઈ હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.જેની તટસ્થ અને ઊંડી તપાસ કરવાની માંગ ઉઠી છે.આ ઉપરાંત, માલપુર તાલુકાના અનેક સર્વે નંબરોમાં પણ ભૂ-માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે કબજા જમાવી લેવામાં આવ્યા હોવાની ફરિયાદો ઉઠી છે.ખેડૂતોએ વહીવટી તંત્રની ઢીલી નીતિ સામે પણ નારાજગી વ્યક્ત કરી છે.</p><h3 style="text-align: justify; "><b>જિલ્લા વ્યાપી ઉગ્ર ખેડૂત આંદોલનની ચીમકી</b></h3><p style="text-align: justify; ">ખેડૂતોએ રજૂઆતમાં એવો પણ આક્ષેપ કર્યો હતો કે,બાયડ કલેક્ટર કોર્ટમાં ચાલી રહેલા જમીનના કેસોની તારીખો સમયસર અપડેટ કરવામાં આવતી નથી જેના કારણે ખેડૂતોને ન્યાય મેળવવામાં ભારે વિલંબ અને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.કિસાન સભા અને પીડિત પરિવારોએ આ સમગ્ર રેકેટમાં સંડોવાયેલા તમામ ભૂ-માફિયાઓ અને તેમને છાવરતા ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે. ખેડૂત નેતાઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ મામલે વહેલી તકે તટસ્થ તપાસ કરી દોષિતો સામે પગલાં ભરવામાં નહીં આવે તો સમગ્ર અરવલ્લી જિલ્લા વ્યાપી ઉગ્ર ખેડૂત આંદોલન છેડવામાં આવશે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/thunderstorms-and-rain-forecast-for-saurashtra-and-south-gujarat" target="_blank">આ પણ વાંચોઃ Gujarat Weather: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/19/QR7wNfq6LMNUBfOTZ7tYMngm0Cie8MvEVYPeb9Cs.webp'/></item><item><title><![CDATA[Stock Market Closing: લાલ નિશાનમાં માર્કેટ બંધ, સેન્સેક્સમાં 607 પોઇન્ટનો કડાકો ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-closing-market-closes-in-red-sensex-closes-at-76802-points</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-closing-market-closes-in-red-sensex-closes-at-76802-points</guid><pubDate>Fri, 19 Jun 2026 15:39:41 +05:30</pubDate><description><![CDATA[<p>શુક્રવારે IT શેરોમાં તીવ્ર ઘટાડાને કારણે સ્થાનિક શેરબજારો દબાણ હેઠળ ટ્રેડ થયા હતા. એક્સેન્ચરના નબળા આવકના અનુમાનને પગલે IT ક્ષેત્રની વૃદ્ધિ અંગે ચિંતાઓ વધુ તીવ્ર બની છે, જેની અસર ભારતીય બજારમાં પણ અનુભવાઈ હતી.</p><h2><b>શેરબજાર લાલ નિશાનમાં બંધ&nbsp;</b></h2><p>બપોરે 3.30 કલાકે&nbsp; નિફ્ટી 50 154.90 પોઈન્ટ અથવા 0.64 ટકા ઘટીને 24,013 પર ટ્રેડ કરી રહ્યો હતો. દરમિયાન&nbsp; સેન્સેક્સ 607.08 પોઈન્ટ ઘટીને 76,802 પર બંધ રહ્યો હતો. સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર દબાણ હેઠળ બંધ થયું. નબળા વેચાણ અંદાજો અને વૈશ્વિક IT કંપની એક્સેન્ચરના નિરાશાજનક અંદાજને કારણે સ્થાનિક IT શેરો પર અસર પડી, જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ઘટાડો થયો.&nbsp;</p><h3><b>આઇટી સેક્ટરમાં વેચવાલી&nbsp;</b></h3><p>બેન્ચમાર્ક સૂચકાંકોમાં ઘટાડો હોવા છતાં, વ્યાપક બજાર પ્રમાણમાં સ્થિતિસ્થાપક રહ્યું. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ અને નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સ અનુક્રમે 0.22 ટકા અને 0.42 ટકાના વધારા સાથે બંધ થયા. જે સૂચવે છે કે પસંદગીના મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં રોકાણકારોનો રસ સતત રહ્યો છે. ઇન્ફોસિસ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) અને ટેક મહિન્દ્રા નિફ્ટી 50 પર ટોચના ઘટાડામાં સામેલ હતા. IT ક્ષેત્રમાં ભારે વેચવાલીથી બજારનો સેન્ટિમેન્ટ ધીમો રહ્યો.</p><p>ક્ષેત્રીય કામગીરીની દ્રષ્ટિએ, નિફ્ટી આઇટી ઇન્ડેક્સમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો. વધુમાં રિયલ્ટી, ઓટો અને તેલ અને ગેસ ક્ષેત્રો દબાણ હેઠળ રહ્યા. તેનાથી વિપરીત, ફાર્મા શેરોમાં ખરીદીનો રસ જોવા મળ્યો, જેના કારણે તે દિવસનો ટોચનો પ્રદર્શન કરનાર ક્ષેત્ર બન્યો.</p><p><br></p><h4><b>જિયો પ્લેટફોર્મ્સ આઇપીઓ માટે લીલી ઝંડી</b></h4><p>રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 49મી વાર્ષિક સામાન્ય સભા (AGM) માં, ચેરમેન મુકેશ અંબાણીએ જાહેરાત કરી કે બોર્ડે જિયો પ્લેટફોર્મ્સ માટે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ને મંજૂરી આપી છે. કંપનીના પ્રસ્તાવિત આઇપીઓમાં 27 કરોડ નવા શેર જારી કરવામાં આવશે. શુક્રવારે આઇપીઓ સંબંધિત દસ્તાવેજો ફાઇલ કરવામાં આવી રહ્યા છે. આ જાહેરાત વચ્ચે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર NSE પર ₹1,315.80 પર ટ્રેડ થઈ રહ્યા હતા, જે 0.9 ટકા ઘટીને છે.</p><p><a href="https://sandesh.com/gallery/news/india/why-are-potatoes-and-chickpeas-the-filling-in-panipuri?2" target="_blank">આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/04/22/ImEoH8XVKSpwKohsEtbZTWR6IaJ4XBQ4dmVVsfy6.webp'/></item><item><title><![CDATA[JIO IPO: Jioના IPOને મંજૂરી, રિલાયન્સની AGMમાં મુકેશ અંબાણીની જાહેરાત ]]></title><link>https://sandesh.com/business/news/india/jio-ipo-jio-ipo-approved-mukesh-ambanis-announcement-at-reliances-agm</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/jio-ipo-jio-ipo-approved-mukesh-ambanis-announcement-at-reliances-agm</guid><pubDate>Fri, 19 Jun 2026 15:07:23 +05:30</pubDate><description><![CDATA[<p>આગામી દિવસોમાં માર્કેટમાં jioનો આઇપીઓ આવશે.&nbsp; રિલાયન્સની એજીએમમાં મુકેશ અંબાણીએ આ જાહેરાત કરી છે.&nbsp; મુકેશ અંબાણીએ કહ્યું&nbsp; કે જીઓ પ્લેટફોર્મ્સના બોર્ડે તેના DRHP ને મંજૂરી આપી દીધી છે, અને તે આજે જ SEBIમાં ફાઇલ કરવામાં આવશે. આ મારા માટે સમગ્ર રિલાયન્સ પરિવાર માટે અને તેના લાખો શેરધારકો માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે.</p><h2><b>Jio IPOને મળી મંજૂરી&nbsp;</b></h2><p>તેમણે ટિપ્પણી કરી કે રિલાયન્સ તેના શેરધારકો સાથે એક ઊંડો અને પવિત્ર બંધન ધરાવે છે . જે ગર્વ, વિશ્વાસ, આદર અને સહિયારી વૃદ્ધિ પર બનેલો છે. આ પ્રતિબદ્ધતા ધીરુભાઈ અંબાણી માટે ખૂબ જ વ્યક્તિગત હતી, અને તે મુકેશ અંબાણી માટે પણ એટલી જ પવિત્ર રહે છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2067898808344936566"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3><b>આકાશ, ઇશા અને અનંત સંભાળશે જવાબદારી</b>&nbsp;</h3><p>શુક્રવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ રિલાયન્સની 49મી વાર્ષિક સામાન્ય સભા દરમિયાન Jio IPO અંગે એક મોટી અપડેટ આપી હતી. તેમણે જાહેરાત કરી હતી કે આકાશ, ઇશા અને અનંત Jio IPO ની જવાબદારી સંયુક્ત રીતે સંભાળશે, અને ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) આજે SEBI માં ફાઇલ કરવામાં આવશે. મુકેશ અંબાણીએ નોંધ્યું હતું કે Jio એક દાયકા પહેલા એવા વાતાવરણમાં લોન્ચ કરવામાં આવ્યું હતું જ્યાં ડેટા મોંઘો હતો અને ઇન્ટરનેટ સ્પીડ નબળી હતી. આજે, ડેટા માત્ર સસ્તો નથી બન્યો પરંતુ સ્પીડ વૈશ્વિક સ્તરે અન્ય દેશોની સરખામણીમાં પણ છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2067899466322231765"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p><b style="font-size: 1.5rem;">શું કહે છે આકાશ અંબાણી ?&nbsp;</b></p><p>રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ચેરમેન અને જિયો પ્લેટફોર્મ્સના મેનેજિંગ ડિરેક્ટર આકાશ અંબાણીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે જિયોનો યુઝર બેઝ 524 મિલિયન સબ્સ્ક્રાઇબર્સને વટાવી ગયો છે, જે ભારતના સૌથી મોટા ટેલિકોમ ઓપરેટર તરીકેની તેની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે. તેમણે નોંધ્યું હતું કે જિયોનો 5G સબ્સ્ક્રાઇબર બેઝ પણ 268 મિલિયનને વટાવી ગયો છે.&nbsp; જે ચીનની બહારના કોઈપણ દેશમાં ટેલિકોમ ઓપરેટર માટેનો સૌથી મોટો 5G યુઝર બેઝ છે.</p><h4><b>જિયો પ્લેટફોર્મ્સે 1.46 લાખ કરોડની આવક કરી- આકાશ અંબાણી&nbsp;</b></h4><p>જિયો પ્લેટફોર્મ્સે નાણાકીય વર્ષ 26 માં ₹1,46,885 કરોડની આવક ઉત્પન્ન કરી હતી. જે વાર્ષિક ધોરણે 14.6% નો વધારો દર્શાવે છે. આકાશ અંબાણીએ હાઇલાઇટ કર્યું હતું કે, પ્રથમ વખત કંપનીનો નફો ₹30,000 કરોડના આંકને વટાવી ગયો છે, જે વાર્ષિક ધોરણે 15.1% નો વધારો દર્શાવે છે. તેમણે ઉમેર્યું હતું કે કંપની તેના સેટેલાઇટ કનેક્ટિવિટી લક્ષ્યોને પૂર્ણ કરવા માટે જરૂરી ગ્રાઉન્ડ સ્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2067891658616979710"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p>એ નોંધનીય છે કે જિયો IPO માં સંપૂર્ણપણે શેરનો નવો ઇશ્યૂ હશે. આ રકમનો ઉપયોગ જિયોના 5G નેટવર્કને વિસ્તૃત કરવા અને તેની AI ટેકનોલોજી અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે કરવામાં આવશે. લિસ્ટિંગ પછી, Jio પ્લેટફોર્મ્સનું કુલ બજાર મૂલ્યાંકન $110 બિલિયનથી $130 બિલિયનની વચ્ચે હોઈ શકે છે, જે તેને દેશની સૌથી મૂલ્યવાન કંપનીઓમાં સ્થાન આપે છે. મુકેશ અંબાણીએ જાહેરાત કરી છે કે Jio IPO સંબંધિત દસ્તાવેજો આજે SEBI સમક્ષ રજૂ કરવામાં આવશે.</p><p><a href="https://sandesh.com/gallery/news/india/why-are-potatoes-and-chickpeas-the-filling-in-panipuri?2" target="_blank">આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/19/xc9FcXQleVZrTa1foxjVhm4rwdIyLzc5EJW7U8km.webp'/></item><item><title><![CDATA[West Bengal Politics : મમતા બેનર્જીને મોટો ઝટકો! પૂર્વ મંત્રી JP મલ્લિકે TMCના તમામ પદો પરથી આપ્યું રાજીનામું! ]]></title><link>https://sandesh.com/india/news/mamata-banerjee-setback-former-minister-jp-mallick-leaves-tmc</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/mamata-banerjee-setback-former-minister-jp-mallick-leaves-tmc</guid><pubDate>Fri, 19 Jun 2026 14:24:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પશ્ચિમ બંગાળના પૂર્વ મંત્રી જ્યોતિ પ્રિયા મલ્લિકે શુક્રવારે જાહેરાત કરી કે તેમણે ખરાબ તબિયતનો હવાલો આપતા TMCના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. પોતાનું રાજીનામું જાહેર કરતા પૂર્વ મંત્રીએ કહ્યું કે તેમણે પાર્ટી નેતૃત્વને પોતાના નિર્ણય વિશે પહેલાથી જ જણાવી દીધું હતું. તેમણે આગળ કહ્યું કે મેં મારી અત્યંત ખરાબ તબિયતના કારણે TMCના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે.</p><h2 style="text-align: justify; "><b>2011 થી 2021 સુધી રાજ્યના ખાદ્ય અને પુરવઠા મંત્રી રહ્યા મલ્લિક</b></h2><p style="text-align: justify; ">આ ઘટનાક્રમ TMC દ્વારા સંગઠનમાં મોટા ફેરફાર અને મલ્લિકને નવી વર્કિંગ કમિટીમાં સામેલ કરવાના થોડા જ દિવસો બાદ થયો છે. મલ્લિકને મમતા બેનર્જીના ખૂબ જ ખાસ માનવામાં આવતા રહ્યા છે. તેમણે મમતા સરકારમાં એક દાયકા સુધી મહત્વના મંત્રાલયો સંભાળ્યા. મલ્લિક 2011 થી 2021 સુધી રાજ્યના ખાદ્ય અને પુરવઠા મંત્રી રહ્યા હતા.</p><h3 style="text-align: justify; "><b>ED ની ધરપકડથી લાગ્યો રાજકીય ઝટકો</b></h3><p style="text-align: justify; ">જો કે એવું નથી રહ્યું કે મલ્લિકને ક્યારેય મુશ્કેલીઓનો સામનો ન કરવો પડ્યો હોય. ઓક્ટોબર 2023 માં કથિત રાશન વિતરણ કૌભાંડના સિલસિલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ તેમના રાજકીય કરિયરને મોટો ઝટકો લાગ્યો હતો. ધરપકડ બાદ મલ્લિકે વારંવાર સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો હવાલો આપ્યો અને કસ્ટડીમાં રહેતા તબીબી તપાસ કરાવી. હવે તેમના રાજીનામા બાદથી જ ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/cricket/news/harshit-rana-added-india-squad-3rd-odi-vs-afghanistan" target="_blank">આ પણ વાંચો-BCCI એ અચાનક કરી મોટી જાહેરાત, ભારત-અફઘાનિસ્તાન સીરિઝમાં હર્ષિત રાણાની એન્ટ્રી</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/19/zuccEcK9hNel1M2iCTQtWMb7Xk9egtQZnHXGSqwv.webp'/></item><item><title><![CDATA[Manika Batraએ PM મોદી પાસે લગાવી ગુહાર,ટીમ સિલેક્શન સામે ઉઠાવ્યા સવાલ ]]></title><link>https://sandesh.com/sports/news/manika-batra-appeals-to-pm-modi-raises-questions-about-team-selection</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/manika-batra-appeals-to-pm-modi-raises-questions-about-team-selection</guid><pubDate>Fri, 19 Jun 2026 13:06:18 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય ટેબલ ટેનિસ સ્ટાર મનિકા બત્રાએ 2026 એશિયન ગેમ્સ માટે જાહેર કરાયેલી મહિલા ટીમમાં પસંદગી ન થવા પર નિરાશા વ્યક્ત કરી છે. તેણીએ પસંદગી પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા હતા અને સ્પષ્ટ જવાબ માંગ્યો હતો.મનિકાને ટીમમાં સામેલ કરવામાં આવી ન હતી અને તેને સ્વસ્તિકા ઘોષ સાથે રિઝર્વ ખેલાડી તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. તેણીનો દાવો છે કે સ્થાનિક ટુર્નામેન્ટમાં તેની ગેરહાજરીને કારણે તે ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા (TTFI) ના રાષ્ટ્રીય રેન્કિંગમાં સ્થાન મેળવી શકી ન હતી, જેના કારણે તેની પસંદગી પર અસર પડી હતી.</p><h4><b>મણિકા બત્રાએ પસંદગી ન થવા અંગે પ્રશ્ન ઉઠાવ્યો&nbsp;</b></h4><p>માનિકા વિશ્વ રેન્કિંગમાં ભારતની નંબર બે મહિલા ખેલાડી છે અને આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ફેડરેશન (ITTF) રેન્કિંગમાં 51મા ક્રમે છે. તેનાથી ઉપર, વિશ્વ ક્રમાંક 45 પર, દેશની નંબર એક ખેલાડી શ્રીજા અકુલા છે. મણિકાએ જણાવ્યું હતું કે તે વિશ્વ રેન્કિંગમાં ટોચના 50 ની બહાર છે, અને આ અંતર ખૂબ જ નાનું છે. આ પરિસ્થિતિ રેન્કિંગ ચક્રમાં બદલાઈ શકે છે. પોતાના નિવેદનમાં, મનિકાએ જણાવ્યું હતું કે પસંદગીના માપદંડો કેવી રીતે લાગુ કરવામાં આવ્યા તે અંગે તેમને સ્પષ્ટ માહિતી આપવામાં આવી ન હતી. અગાઉના એશિયન ગેમ્સની પસંદગીનો ઉલ્લેખ કરીને, તેમણે પ્રશ્ન કર્યો હતો કે કેટલાક ખેલાડીઓને તેમના નબળા વિશ્વ અને રાષ્ટ્રીય રેન્કિંગ હોવા છતાં ખાસ છૂટ કેમ આપવામાં આવી હતી.</p><h5><b>માનિકાએ PM મોદીને સમગ્ર પ્રક્રિયાની તપાસ કરવા અપીલ કરી&nbsp;</b></h5><p>માનિકાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રમતગમત મંત્રી મનસુખ માંડવિયા અને ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) ને આ મામલે હસ્તક્ષેપ કરવા અને સમગ્ર પ્રક્રિયાની તપાસ કરવા અપીલ કરી છે. તેમણે પસંદગીના માપદંડ, વજન અને દસ્તાવેજી પુરાવા સહિત લેખિત સમજૂતીની માંગ કરી છે. મણિકા બત્રા ભારતીય ટેબલ ટેનિસમાં સ્ટાર ખેલાડી છે. તેણીએ ભારત માટે અનેક મેડલ જીત્યા છે.</p><p><a href="https://x.com/manikabatra_TT/status/2067821768501522749?s=20" target="_blank">https://x.com/manikabatra_TT/status/2067821768501522749?s=20</a></p><p><br></p><h5><b>TTFIએ પસંદગી ન થવાનું કારણ સમજાવ્યું</b></h5><p>બીજી બાજુ, TTFI એ જણાવ્યું કે 2023 ની નીતિ અનુસાર, 50 ટકા ભાર રાષ્ટ્રીય રેન્કિંગને, 40 ટકા વિશ્વ રેન્કિંગને અને 10 ટકા પસંદગી સમિતિના વિવેકબુદ્ધિને આપવામાં આવે છે. ફેડરેશનનો દાવો છે કે શ્રેષ્ઠ અને સૌથી સુસંગત ખેલાડીઓને પ્રાથમિકતા આપવામાં આવી હતી. પરિણામે, મનિકા બત્રાને ટીમમાં પસંદ કરવામાં આવી ન હતી.</p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/canadas-player-ismail-kon-suffered-a-serious-injury-was-taken-off-the-field-on-a-stretcher-watch-video" target="_blank"> Canadaના પ્લેયર ઇસ્માઇલ કોનને થઈ ગંભીર ઇજા, સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવાયો,જુઓ Video</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/19/XMFgPWZSQ2rLg2FX4Zrkuksv4uqGDSdyT7Bwon6d.webp'/></item></channel></rss>