<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Surat: પુણાગામ 'ક્રીએશન પ્લાઝા' માં દુકાનોના નામે 1.61 કરોડ ઓળવી જનાર બિલ્ડર પિન્કેશને ઇકો સેલે દબોચ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/eco-cell-police-arrests-builder-pinkesh-for-one-point-sixty-one-crore-property-fraud-in-punagam</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/eco-cell-police-arrests-builder-pinkesh-for-one-point-sixty-one-crore-property-fraud-in-punagam</guid><pubDate>Sun, 14 Jun 2026 09:26:04 +05:30</pubDate><description><![CDATA[<p>&nbsp;પુણાગામ વિસ્તારમાં કમર્શિયલ મિલકતમાં રોકાણ કરીને પોતાની દુકાન શરૂ કરવાનું સપનું જોતા એક પ્રતિષ્ઠિત પરિવાર સાથે કરોડો રૂપિયાની ઠગાઈનો મામલો સામે આવ્યા બાદ સુરત પોલીસ કમિશનરની સૂચનાથી ઇકો સેલ સક્રિય બન્યું હતું. પોલીસે આ મામલે સઘન કાનૂની પગલાં ભરીને મુખ્ય સૂત્રધાર પિન્કેશને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.</p><h2><b>સમગ્ર કૌભાંડ અને કરોડોની લેવડદેવડ</b></h2><p>મળતી માહિતી મુજબ, આરોપી પિન્કેશે પુણાગામ સ્થિત 'ક્રીએશન પ્લાઝા' માં દુકાનો વેચવાની લોભામણી સ્કીમ બતાવીને ફરિયાદી અને તેમના પરિવારને વિશ્વાસમાં લીધા હતા. મિલકત ગમતી હોવાથી ફરિયાદી પરિવારે અલગ-અલગ બેંકિંગ ટ્રાન્ઝેક્શન અને રોકડા મળીને કુલ રૂપિયા ૧.૭૦ કરોડ જેટલી મોટી રકમ આરોપી પિન્કેશને ચૂકવી આપી હતી. કાનૂની કાગળો મુજબ કૌભાંડની ફાઇનલ રકમ 1.61 કરોડ રૂપિયા આસપાસ આંકવામાં આવી છે.</p><h3><b>દસ્તાવેજના નામે વાયદા અને ફરાર</b></h3><p>જ્યારે ફરિયાદી પરિવારે દુકાનોના પાકા વેચાણ દસ્તાવેજ કરી આપવા માટે પિન્કેશ પર દબાણ લાવવાનું શરૂ કર્યું, ત્યારે તે સતત વાયદાઓ કરવા લાગ્યો હતો. અંતે દસ્તાવેજ ન કરી આપીને ફરિયાદીના કરોડો રૂપિયા ઓળવી જઈ આરોપી રાતોરાત પોતાનું ઘર અને ઓફિસ બંધ કરીને ફરાર થઈ ગયો હતો. ભોગ બનનાર પરિવારે આ અંગે સુરત આર્થિક ગુના નિવારણ શાખામાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.ઇકો સેલના ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ પોલીસે આરોપીના સંભવિત આશ્રયસ્થાનો અને બેંક ખાતાઓ ટ્રેસ કર્યા હતા અને આખરે પિન્કેશને દબોચી લીધો છે. પોલીસે આરોપી પાસેથી છેતરપિંડી કરેલી રકમ ક્યાં રોકી છે અને આ કૌભાંડમાં અન્ય કોઈ ભાગીદાર સામેલ છે કે કેમ, તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/crime/rajkot/vimalnagar-family-dispute-son-in-law-vivek-goswami-kills-grandfather-in-law" target="_blank">આ પણ વાંચો:&nbsp; Rajkot: વિમલનગરમાં જમાઈએ રિસામણે બેઠેલી પત્નીના ઘરે જઈ નાનાજી સસરાની કરી હત્યા</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/14/6AjDlBgxd4SxRYphzEzSIQoYxiQpfvRv9y8K8lO7.webp'/></item><item><title><![CDATA[Bihar: પાટલીપુત્ર સ્ટેશન પર વિદ્યાર્થીઓએ ટ્રેનમાં કર્યો પથ્થરમારો, IG સહિત અનેક પોલીસકર્મીઓ ઘાયલ ]]></title><link>https://sandesh.com/india/news/bihar-students-pelted-stones-at-train-at-pataliputra-station-several-policemen-including-ig-injured</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/bihar-students-pelted-stones-at-train-at-pataliputra-station-several-policemen-including-ig-injured</guid><pubDate>Sun, 14 Jun 2026 09:18:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પાટલીપુત્ર રેલવે સ્ટેશન પર ભારે હોબાળો આ દરમિયાન ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ રેલવે ટ્રેક પર ઉતરી ટ્રેનો રોકી દીધી, પથ્થરમારો કર્યો અને પરીક્ષા સ્પેશિયલ ટ્રેનમાં તોડફોડ પણ કરી. પથ્થરમારામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. પરિસ્થિતિ બેકાબૂ બનતા પોલીસે ત્રણ રાઉન્ડ હવાઈ ફાયરિંગ કરવું પડ્યું.</p><h2 style="text-align: justify; ">પરીક્ષા બે પાળીમાં યોજાવાની હતી</h2><p style="text-align: justify; ">મધ્ય નિષેધ વિભાગની પરીક્ષા બે પાળીમાં યોજાવાની હતી, જેના કારણે હજારો ઉમેદવારો રાત્રે જ સ્ટેશન પર પહોંચી ગયા હતા. સ્ટેશન પર પૂરતી ટ્રેન વ્યવસ્થા ન હોવા અને ટ્રેનો મોડેથી આવવાને કારણે ઉમેદવારોમાં પરીક્ષા છૂટી જવાની ભીતિ ફેલાઈ હતી.</p><p style="text-align: justify; ">પરિસ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે પાટલીપુત્રથી કટિહાર માટે ચલાવવામાં આવેલી પરીક્ષા સ્પેશિયલ ટ્રેન સ્ટેશન પર પહોંચી. ટ્રેન આવતાં જ ઉમેદવારોમાં ભારે અફરાતફરી મચી ગઈ. ત્યારબાદ નારાજ વિદ્યાર્થીઓ પાટલીપુત્ર-કટિહાર પરીક્ષા સ્પેશિયલ ટ્રેનની આગળ પાટા પર બેસી ગયા અને રેલવે પ્રશાસન વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર શરૂ કર્યો.</p><h3 style="text-align: justify; ">પોલીસે કર્યા ત્રણ રાઉન્ડ ફાયરિંગ</h3><p style="text-align: justify; ">હંગામા દરમિયાન કેટલાક તોફાની તત્વોએ ટ્રેનમાં તોડફોડ કરી અને જોરદાર પથ્થરમારો શરૂ કર્યો. જેના કારણે પરિસ્થિતિ વધુ બેકાબૂ બની ગઈ. ઘટનાની જાણ થતાં જ અનેક પોલીસ સ્ટેશનોની ટીમો સ્થળ પર પહોંચી ગઈ.</p><h4 style="text-align: justify; ">આઈજી સહિત અનેક પોલીસકર્મીઓ ઘાયલ</h4><p style="text-align: justify; ">પરિસ્થિતિ એટલી તંગ બની ગઈ કે પોલીસે સ્થિતિ કાબૂમાં લેવા માટે ત્રણ રાઉન્ડ હવાઈ ફાયરિંગ કરવું પડ્યું. આ હિંસક અથડામણમાં આઈજી જિતેન્દ્ર રાણા અને રૂપસપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો.</p><p style="text-align: justify; ">હાલમાં આઈજી જિતેન્દ્ર રાણા, એસપી, દાનાપુર એસડીએમ, એએસપી સહિત અનેક પોલીસ અધિકારીઓ અને પોલીસ દળ સ્થળ પર હાજર છે. પોલીસ અને રેલવે પ્રશાસન ઉમેદવારોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાથે જ રેલવે પ્રશાસને તાત્કાલિક સ્પેશિયલ ટ્રેનો દોડાવી છે, જેથી ઉમેદવારોને સમયસર તેમના પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડી શકાય.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/14/zmbugOMVYItm0hqKYBAhlgl9bvqsHDv26YQYbSbh.webp'/></item><item><title><![CDATA[Petrol Diesel Price Today: શું પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા? જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ ]]></title><link>https://sandesh.com/business/news/petrol-diesel-price-today-did-petrol-and-diesel-prices-decrease-know-the-latest-rates-of-your-city-today</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/petrol-diesel-price-today-did-petrol-and-diesel-prices-decrease-know-the-latest-rates-of-your-city-today</guid><pubDate>Sun, 14 Jun 2026 08:59:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવમાં ઘટાડો થવાના સંકેતો વચ્ચે, વિશ્વભરના ઓઈલ માર્કેટમાં સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થવાની પ્રબળ શક્યતાઓ અને હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખુલવાની આશાએ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આ વૈશ્વિક વિકાસની અસર હવે ધીમે ધીમે ભારતીય પેટ્રોલિયમ બજાર પર પણ જોવા મળી રહી છે.</p><p style="text-align: justify; ">14 જૂન 2026ના રોજ, ભારતના મુખ્ય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. લાંબા સમયથી વધતા ભાવો બાદ, હાલમાં ભાવમાં કોઈ નવો વધારો નોંધાયો નથી, જે સામાન્ય જનતા માટે રાહતના સમાચાર છે.</p><h2 style="text-align: justify; "><b>મોટાં શહેરોના ભાવ</b></h2><p style="text-align: justify; ">નવી દિલ્હી	₹102.12	₹95.20</p><p style="text-align: justify; ">મુંબઈ	    ₹111.21	₹97.83</p><p style="text-align: justify; ">કોલકાતા	₹113.47	₹99.82</p><p style="text-align: justify; ">ચેન્નાઈ	₹107.88	₹99.65<br></p><h3><b>ગુજરાતના મુખ્ય શહેરોમાં 14 જૂન, 2026ના ભાવ</b></h3><p></p><p style="text-align: justify; "><br></p><table class="table table-bordered"><tbody><tr><td>શહેર&nbsp;&nbsp;</td><td>પેટ્રોલ (₹/લિટર)</td><td>ડીઝલ (₹/લિટર)</td></tr><tr><td>અમદાવાદ</td><td>₹101.96&nbsp;</td><td>&nbsp;₹98.05</td></tr><tr><td>ગાંધીનગર&nbsp;</td><td>₹102.96</td><td>₹98.08</td></tr><tr><td>રાજકોટ</td><td>₹101.56</td><td>₹97.69</td></tr><tr><td>સુરત</td><td>₹102.06&nbsp;</td><td>&nbsp;₹98.19</td></tr><tr><td>વડોદરા&nbsp;</td><td>&nbsp;₹101.84</td><td>₹97.96</td></tr></tbody></table><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>બજારની સ્થિતિ અને ભવિષ્યની સંભાવનાઓ</b></h4><p style="text-align: justify; ">વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થવાથી ભવિષ્યમાં ઈંધણના ભાવમાં રાહત મળવાની આશા બંધાઈ છે. નિષ્ણાતોના મતે, જો અમેરિકા અને ઈરાન વચ્ચેનો શાંતિ કરાર સફળતાપૂર્વક અમલી બને છે, તો સપ્લાય ચેઈન ફરીથી સુધરશે અને તેલના ભાવમાં વધુ ઘટાડો થઈ શકે છે. આનાથી મોંઘવારી પર નિયંત્રણ લાવવામાં પણ મદદ મળશે.</p><p style="text-align: justify; ">સરકારે હાલમાં રિફાઈનરીઓમાં પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાની ખાતરી આપી છે. આ ઉપરાંત, અસંગઠિત અને જથ્થાબંધ વપરાશકારો માટે સરકારે રિટેલ પંપ પરથી સીધી ખરીદી કરવા પર નિયંત્રણો મૂક્યા છે, જેથી સામાન્ય ગ્રાહકોને ઈંધણનો જથ્થો સરળતાથી મળી રહે. આગામી દિવસોમાં વૈશ્વિક રાજકીય ઘટનાક્રમ ભારતીય બજારમાં ઈંધણના ભાવો નક્કી કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.</p><h5 style="text-align: justify; "><b>તમારા શહેરના ભાવ કેવી રીતે જાણવા?</b></h5><p style="text-align: justify; ">તમે નીચે મુજબની રીત અપનાવીને તમારા શહેરના લેટેસ્ટ ભાવ જાણી શકો છો:</p><p style="text-align: justify; ">IOCL: RSP &lt;સ્પેસ&gt; &lt;સેન્ટર કોડ&gt; લખીને 92249 92249 પર SMS કરો.</p><p style="text-align: justify; ">HPCL: HPPRICE &lt;સ્પેસ&gt; &lt;સેન્ટર કોડ&gt; લખીને 92222 01122 પર SMS કરો.</p><p style="text-align: justify; ">BPCL: RSP &lt;સ્પેસ&gt; &lt;સેન્ટર કોડ&gt; લખીને 92231 12222 પર SMS કરો.</p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/04/06/2Jec8TVbyNxjnw2gz3724iOzdgvrX2vspnNPmpEt.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026 : 88 વર્ષમાં પોતાની પહેલી વર્લ્ડ કપ મેચ ક્યારેય હાર્યું નથી બ્રાઝીલ ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-brazil-has-never-lost-its-first-world-cup-match-in-88-years</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-brazil-has-never-lost-its-first-world-cup-match-in-88-years</guid><pubDate>Sun, 14 Jun 2026 08:16:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફીફા વર્લ્ડકપ 2026ના ગ્રુપ સીમાં બ્રાઝીલે પોતાની પહેલી મેચ મોરક્કો વિરુદ્ધ રમી હતી. બંન્ને ટીમ વચ્ચે આ મેચ ન્યુ જર્સીના ઈર્સ્ટ રધરફોર્ડમાં ન્યુયોર્ક ન્યુ જર્સી સ્ટેડિયમમાં રમાઈ હતી. બ્રાઝીલ અને મોરક્કો વચ્ચે રમાયેલી આ મેચ 1-1થી ડ્રો રહી હતી. મેચ ડ્રો સાથે પૂર્ણ થતા બ્રાઝીલે ફીફા વર્લ્ડકપમાં 88 વર્ષથી ચાલી રહેલા પોતાની પહેલી મેચ ના હારવાના રેકોર્ડને જાળવી રાખ્યો છે.બ્રાઝીલે ફીફા વર્લ્ડકપમાં પોતાની ઓપનિંગ મેચમાં છેલ્લી વખત હાર 1934માં સ્પેન વિરુદ્ધ 1-3થી મળી હતી પરંતુ ત્યારબાદ 1938 થી 2026 વચ્ચે ચાલી રહેલા 88 વર્ષમાં બ્રાઝીલે ફીફા વર્લ્ડકપમાં પોતાની કોઈ પણ ઓપનિંગ મેચ હારી નથી.</p><h4 style="text-align: justify; "><b>બ્રાઝીલ અને મોરક્કો વચ્ચે મેચ 1-1થી ડ્રો</b></h4><p style="text-align: justify; ">ન્યુયોર્ક ન્યુજર્સી સ્ટેડિયમમાં બ્રાઝીલની ટીમ નેમાર વિના રમવા ઉતરી હતી. નેમાર ઈજાના કારણે આ મેચમાંથી બહાર રહ્યો હતો. નેમાર વિના રમાયેલી આ મેચ બ્રાઝીલ વિરુદ્ધ મોરક્કોએ સ્પીડમાં રમતની શરુઆત કરી હતી. જેનો ફાયદો તેને આ મેચની 21મી મિનિટમાં મળ્યો હતો. જ્યારે ઈસ્લામ સાઈબેરીએ ગોલ કરી ટીમને 1-0થી લડત અપાવી હતી. આ ગોલ બાદ બ્રાઝીલે પોતાની રમત બદલી બ્રાઝીલે મોરક્કોના ગોલપોસ્ટ પર હુમલો કરવાનો પ્રયાસ શરુ કર્યો હતો. તેમજ છેલ્લી મેચની 32મી મિનિટમાં તેને સફળતા મળી હતી. બ્રાઝીલ માટે વિનિસિયસ જૂનિયરે ગોલ કરી મેચ 1-1થી બરાબરી કરી હતી. ત્યારબાદ પરિણામ 1-1નું રહ્યું હતુ.મેચનો ઉત્સાહ એટલો તીવ્ર હતો કે FIFA અધ્યક્ષ પણ આ મેચની મજા માણતા જોવા મળ્યા હતા. જોકે, બીજા હાફમાં બંને ટીમો ફરી ગોલ કરવામાં નિષ્ફળ રહી, જેના પરિણામે મેચ ડ્રો થઈ અને બંને ટીમોએ પોઈન્ટ વહેંચી લીધા.</p><p style="text-align: justify; "><a href="https://x.com/FIFAWorldCup/status/2065951099241046344?s=20" target="_blank">https://x.com/FIFAWorldCup/status/2065951099241046344?s=20</a></p><p style="text-align: justify; "><br></p><h5 style="text-align: justify; "><b>88 વર્ષથી હાર્યું નથી બ્રાઝીલ</b></h5><p style="text-align: justify; ">જોકે, બ્રાઝિલે મોરોક્કો સામે ડ્રો કરીને પોતાની શરૂઆતની મેચ ન હારવાનો 88 વર્ષનો સિલસિલો જાળવી રાખ્યો હતો. 1938 થી 2026 સુધી, બ્રાઝિલ 1938 થી ફિફા વર્લ્ડ કપમાં ક્યારેય પોતાની શરૂઆતની મેચ હાર્યું નથી. આ 88 વર્ષોમાં રમાયેલી 21 શરૂઆતની મેચોમાં, બ્રાઝિલે 17 જીત મેળવી છે અને 4 ડ્રો કરી છે. તેણે 48 ગોલ કર્યા છે અને 18 ગોલ ગુમાવ્યા છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/thomas-partey-misses-ghana-fifa-wc-opener-visa-rejection" target="_blank">FIFA World Cup: 'રેપિસ્ટ' ખેલાડીના વિઝા થયા રિજેક્ટ, પહેલી મેચ રમી શકશે નહીં, આ દેશની કડક કાર્યવાહી</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/14/ird8EZz5mkdOgq0oR1Zag3eoVSMxVLEHobIeV418.webp'/></item><item><title><![CDATA[Surat: સળંગ ત્રીજી વાર ગુજરાતમાં સુરત APMC પ્રથમ, 51 કરોડથી વધુની આવક સાથે દેશભરમાં ડંકો વાગ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/apmc-ranks-first-in-gujarat-for-third-consecutive-year-records-historic-revenue-of-51-crore</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/apmc-ranks-first-in-gujarat-for-third-consecutive-year-records-historic-revenue-of-51-crore</guid><pubDate>Sun, 14 Jun 2026 07:40:02 +05:30</pubDate><description><![CDATA[<p>સુરતને સામાન્ય રીતે ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ હવે સુરતે કૃષિ વ્યવસાય ક્ષેત્રે પણ સમગ્ર દેશમાં પોતાની અનોખી ઓળખ ઊભી કરી છે. ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગના લેટેસ્ટ ઓડિટ રિપોર્ટ અનુસાર, સુરત એપીએમસી (APMC) એ રાજ્યની અન્ય તમામ ૨૨૪ બજાર સમિતિઓને પછાડીને સતત ત્રીજા વર્ષે નંબર-1 નું સ્થાન હાંસલ કર્યું છે. સહારા દરવાજા અને ત્યારબાદ કટોદરા ખાતે વિસ્તરેલું સુરતનું આ માર્કેટ યાર્ડ હવે આધુનિક ગ્લોબલ ટ્રેડિંગ સેન્ટર બની ગયું છે.</p><h2><b>4000 કરોડનું ટર્નઓવર અને ટેક્સ મેનેજમેન્ટ</b></h2><p>નાણાકીય વર્ષ 2025-26દરમિયાન વહીવટી પારદર્શિતા અને માર્કેટ ફી ના સચોટ કલેક્શનના કારણે સુરત APMC ની સત્તાવાર આવક 51.09કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે, જે અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધુ છે. આ યાર્ડમાં રોજિંદા હજારો ટન શાકભાજી, ફળો અને અનાજની આવક થાય છે, જેના કારણે તેનું વાર્ષિક ટર્નઓવર 4000 કરોડ રૂપિયાની સપાટીને વટાવી ગયું છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતો ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના ખેડૂતો પણ પોતાના માલના સાચા દામ મેળવવા માટે સુરત એપીએમસી પર સૌથી વધુ ભરોસો મૂકે છે.</p><h3><b>ટ્રાફિક મુક્ત વ્યવસ્થા: 200 ટ્રકોનું રોલ મોડેલ પાર્કિંગ</b></h3><p>દેશની મોટાભાગની એપીએમસી માર્કેટોમાં ટ્રાફિક જામ અને માલના લોડિંગ-અનલોડિંગની મોટી સમસ્યા હોય છે. આ સમસ્યાના કાયમી નિકાલ માટે સુરત APMC એ એન્જિનિયરિંગ કમાલ કરીને એકસાથે 200 થી વધુ લોજિસ્ટિક્સ ટ્રકો પાર્ક થઈ શકે તેવું અદ્યતન પાર્કિંગ ટર્મિનલ ઊભું કર્યું છે. આ પ્રકારની વૈજ્ઞાનિક વ્યવસ્થા ધરાવતું સુરત દેશનું પ્રથમ રોલ મોડેલ માર્કેટ યાર્ડ બન્યું છે. ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ, વેપારીઓ માટે ઓનલાઈન લાયસન્સિંગ અને ખેડૂતો માટે સસ્તી કેન્ટીન જેવી સુવિધાઓને કારણે કેન્દ્ર સરકાર પણ સુરત APMC ની મોડેલ પેટર્નને અન્ય રાજ્યોમાં લાગુ કરવા માટે વિચારણા કરી રહી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-lokrakshak-lrd-written-recruitment-exam-today-for-over-twelve-thousand-posts-two-lakh-candidates" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: આજે રાજ્યભરમાં LRD ભરતીની લેખિત પરીક્ષા, 12,933 જગ્યાઓ માટે ઉમેદવારો આપશે કસોટી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/14/hxki1uC6K6hzW27Uj1BvkSbZD0iXHIeLGnxI622D.webp'/></item><item><title><![CDATA[Patan: પાટણમાં બગવાડા દરવાજા પાસે બી ડિવિઝન પોલીસની લાલ આંખ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/patan/patan--1-1-1-1-1-1-1-1-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/patan/patan--1-1-1-1-1-1-1-1-1</guid><pubDate>Sun, 14 Jun 2026 05:54:35 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પાટણ શહેરમાં જિલ્લા મથક હોવાથી દિવસભર બજાર ભરચક રહેતી હોય છે. તેમજ વાહનચાલકો દ્વારા પણ આડેધડ પાર્કિંગ કરી દેતાં અવારનવાર ટ્રાફ્કિની સમસ્યા ઉદભવતી હોય છે. જેને લઈ શનિવારે બપોરે પાટણ બી ડિવિઝન પોલીસે બગવાડા દરવાજા વિસ્તારમાં ટ્રાફ્કિ ડ્રાઈવ યોજીને ટ્રાફ્કિના નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો સામે કાર્યવાહી કરી હતી. પાટણ બી ડિવિઝન પીઆઈ નિરવભાઈ શાહ દ્વારા તેમની ટીમને સાથે રાખીને પાટણ શહેરના હાર્દસમા વિસ્તાર એવા બગવાડા દરવાજા પાસે ટ્રાફ્કિ ડ્રાઈવ યોજી હતી. જે દરમિયાન પોલીસે આડેધડ પાર્કિંગ કરાયેલા વાહનો સહિત નંબર પ્લેટો વગરના તથા બ્લેક ફ્લ્મિો લગાવેલ અને લાયસન્સ વગર પસાર થતાં વાહનચાલકોની સામે કાર્યવાહી કરતાં ટ્રાફ્કિ નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોમાં ફ્ફ્ડાટ વ્યાપી ગયો હતો. આ બાબતે પોલીસે જણાવ્યું હતું કે શહેરમાં વધી રહેલી ટ્રાફ્કિની સમસ્યાને અને અકસ્માતની ઘટનાઓ ન બનેતેવા હેતુથી ટ્રાફ્કિ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. ડ્રાઈવ દરમિયાન કાયદાનો ભંગ કરનાર વાહનચાલકોને સ્થળ પર જ દંડની રકમનો મેમો આપવામાં આવ્યો હતો. તો કેટલાક વાહનચાલકો પાસેથી સ્થળ પર જ દંડની રકમ વસુલાઈ હોવાનું જાણવા મળ્યું હતું.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/14/KpHpIUEi6ZX70VMXq2rdkhGo8oSlVUbT3tWtYCxV.webp'/></item><item><title><![CDATA[Patan: બાજરી પાકના વાવેતરમાં હેકટરે 4 KG બીજની જરૂર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/patan/patan-4-kg-of-seeds-per-hectare-are-required-for-planting-millet-crop</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/patan/patan-4-kg-of-seeds-per-hectare-are-required-for-planting-millet-crop</guid><pubDate>Sun, 14 Jun 2026 05:52:56 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે ઉ.ગુજરાતના ખેડૂતો ખરીફ્ પાકોના વાવેતરની તૈયારીઓમાં લાગી ગયા છે. ખેતીમાંથી વધુમાં વધુ નફો અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા માટે બિયારણનો યોગ્ય દર, વાવેતરનું અંતર અને ખાતરનું સંતુલિત આયોજન ખૂબ જ જરૂરી છે. કૃષિ વિભાગ દ્વારા ચોમાસુ બાજરી અને જુવારના પાક માટે વૈજ્ઞાનિક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. બાજરીનું વાવેતરમાં હેક્ટર દીઠ 4 કિલોગ્રામ બીજ દર રાખવો, બે લાઈન વચ્ચે 60 સે.મી. અને હારમાં બે છોડ વચ્ચે 10 સે.મી.નું અંતર રાખીને જ વાવેતર કરવું, જેથી છોડનો વિકાસ સારો થાય. વાવણી સમયે પાયાના ખાતર તરીકે હેક્ટર દીઠ 40 કિ.ગ્રા.નાઇટ્રોજન અને 40 કિ.ગ્રા. ફૉસ્ફરસ આપવો. જુવારના પાકમાં પણ પાયાના ખાતર તરીકે વાવણી સમયે જ હેક્ટર દીઠ 40 કિ.ગ્રા. નાઇટ્રોજન અને 40 કિ.ગ્રા. ફૉસ્ફરસ આપવાની સલાહ છે. વાવણી સમયે જ પાયાના ખાતરનો આ સંતુલિત જથ્થો આપવાથી છોડના મૂળનો વિકાસ ઝડપી થશે અને પાક ઉત્પાદન વધુ મળશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/14/4or6qaxtWQdkxShIddsEz96qLnji4uu1rRtLtkcI.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: બગોદરા પોલીસ મથક દ્વારા સંદેશ ફ્ટિનેસનો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-message-from-bagodra-police-station-on-fitness</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-message-from-bagodra-police-station-on-fitness</guid><pubDate>Sun, 14 Jun 2026 05:35:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બગોદરા : બગોદરા પોલીસ સ્ટેશન દ્વારા સનડે ઓન સાયકલ પ્રોજેક્ટ અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બગોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ એન. એસ. ચૌહાણના નેતૃત્વમાં યોજાયેલી રેલીમાં સમગ્ર સ્ટાફ્ ઉત્સાહભેર જોડાયો હતો. આયોજનને વધુ સફ્ળ બનાવવા માટે પોલીસ સ્ટાફ્ની સાથે હોમગાર્ડ અને જીઆરડીના જવાનો પણ જોડાયા હતા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/14/zaXc4hieBAYy3pIUhQaVEJQVxYRXkvD3Nq8A4Zxa.webp'/></item><item><title><![CDATA[કૈલાશ માનસરોવર યાત્રામાં ખાનગી ઓપરેટરોનું મોટું કૌભાંડ? GST વસૂલી બિલ ન આપતા હોવાના આક્ષેપ સાથે કેન્દ્ર સરકારમાં લેખિત ફરિયાદ! ]]></title><link>https://sandesh.com/india/news/kailash-mansarovar-yatra-controversy-private-operators-fraud</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/kailash-mansarovar-yatra-controversy-private-operators-fraud</guid><pubDate>Sat, 13 Jun 2026 23:13:42 +05:30</pubDate><description><![CDATA[<p>હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર ગણાતી કૈલાશ માનસરોવર યાત્રાને લઈને એક મોટો વિવાદ સામે આવ્યો છે. યાત્રાનું આયોજન કરતા ખાનગી ટૂર ઓપરેટરો સામે યાત્રાળુઓ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પ્રવાસીઓ પાસેથી મોટી રકમ વસૂલવા છતાં ત્યાં અપાતી સુવિધાઓ અને આર્થિક વ્યવહારોમાં મોટા પાયે ગેરરીતિ થઈ રહી હોવાની વિગતો બહાર આવતા યાત્રાળુઓએ આ અંગે કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો સમક્ષ લેખિતમાં રજૂઆત કરી કડક તપાસની માગ કરી છે.</p><h2><b>નેપાળ પહોંચ્યા બાદ USD 1710 રોકડ વસૂલાતનો આક્ષેપ</b></h2><p>કેન્દ્ર સરકારને કરવામાં આવેલી રજૂઆતમાં યાત્રાળુઓએ આક્ષેપ કર્યો છે કે, ભારતમાંથી બુકિંગ કરાવ્યા બાદ જ્યારે પ્રવાસીઓ નેપાળ પહોંચે છે, ત્યારે ખાનગી ઓપરેટરો દ્વારા તેમની પાસેથી બળજબરીપૂર્વક મોટી રકમ વસૂલવામાં આવે છે. ઓપરેટરો દ્વારા પ્રતિ યાત્રાળુ 17120 અમેરિકન ડોલર રોકડા સ્વીકારવાનો આગ્રહ રાખવામાં આવે છે, જે સંપૂર્ણપણે નિયમોની વિરૂદ્ધ છે.</p><h3><b>GST લીધો પણ બિલ ગાયબ!</b></h3><p>નાણાકીય હેરાફેરીના આક્ષેપો લગાવતા પ્રવાસીઓએ જણાવ્યું છે કે, ટૂર ઓપરેટરો બુકિંગ સમયે યાત્રાળુઓ પાસેથી જીએસટી (GST) ની રકમ વસૂલ કરે છે, પરંતુ જ્યારે સત્તાવાર બિલ માંગવામાં આવે, ત્યારે પૂરતો જીએસટી વસૂલ્યા હોવા છતાં તેનું પાકું જીએસટી બિલ આપવામાં આવતું નથી. આ ઉપરાંત યાત્રા દરમિયાન રહેઠાણ અને ભોજનની વ્યવસ્થામાં પણ ભારે ગેરવહીવટ અને બેદરકારી જોવા મળતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.</p><p>લાખો હિંદુઓની આસ્થાના કેન્દ્ર સમાન પવિત્ર કૈલાશ માનસરોવર યાત્રાનું આયોજન કરતા કેટલાક ખાનગી ટૂર ઓપરેટરો સામે ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. યાત્રાળુઓ દ્વારા કેન્દ્ર સરકારના પ્રવાસન મંત્રાલયને એક વિસ્તૃત રજૂઆત મોકલીને ખાનગી ઓપરેટરોની નાણાકીય હેરાફેરી અને કથિત ગેરવહીવટ સામે સેન્ટ્રલ બ્યુરો અને વિવિધ તપાસ એજન્સીઓ દ્વારા કડક તપાસ કરવાની માગ કરવામાં આવી છે.</p><p>કેન્દ્ર સરકારને કરવામાં આવેલી લેખિત રજૂઆતમાં ખાસ કરીને 'ઇનાયા જર્નીઝ' અને તેના પ્રમોટર રવિ મોદીની ઓપરેટિંગ સિસ્ટમ સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ફરિયાદ અનુસાર, ભારતમાં પ્રતિ યાત્રાળુ આશરે રૂ. 3,00,000 થી રૂ. 3,50,000 જેટલી મોટી રકમ વસૂલવામાં આવે છે. આટલું જ નહીં, યાત્રાળુઓ જ્યારે નેપાળ પહોંચે છે, ત્યારે તેમની પાસેથી પ્રતિ વ્યક્તિ 1710 યુએસ ડોલર રોકડા વસૂલવામાં આવતા હોવાનો સનસનાટીભર્યો આક્ષેપ કરાયો છે. આટલી મોટી રકમ બેંકિંગ ચેનલના બદલે રોકડમાં લેવાતી હોવાથી FEMA અને RBI ના નિયમોના ભંગ તેમજ મની લોન્ડરિંગની આશંકા વ્યક્ત કરાઈ છે.</p><h2><b>વૃદ્ધ યાત્રાળુઓ હેરાન કરાયા, ભોજન અને રહેઠાણમાં ભારે ગેરવહીવટ</b></h2><ul><li>આર્થિક સ્કેમ ઉપરાંત, પવિત્ર યાત્રાએ જતા સિનિયર સિટિઝન્સ અને અન્ય ભક્તો સાથે થતા દુર્વ્યવહારની પણ વિગતો સામે આવી છે.</li><li>પ્રવાસીઓને રાત્રે મોડે સુધી હોટેલ એલોકેશન ન મળવું અને સામાન સાથે કલાકો સુધી ઉભા રાખવાની ફરિયાદો ઉઠી છે.</li><li>લાંબી અને થકવી નાખનારી મુસાફરી બાદ જ્યારે પ્રવાસીઓ હોટેલ પહોંચે ત્યારે કિચન બંધ હોવાના બહાના હેઠળ ભોજન પણ આપવામાં આવતું ન હોવાના કિસ્સા બન્યા છે.</li><li>કોઈ ગેરવ્યવસ્થા બાબતે જ્યારે ઓપરેટરોને પૂછવામાં આવે ત્યારે તેઓ ચીની એજન્સીઓ, સ્થાનિક નેપાળી ઓપરેટરો કે હવામાન પર દોષનો ટોપલો ઢોળીને પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ જાય છે.</li></ul><p><br></p><p><b><a href="https://epapercdn.sandesh.com/images/2026/06/13/NDgi8bBSMmyqBnRbGP2DZY98kBcZ4lkyXtjz5C34.pdf" target="_blank">ફરિયાદની PDF ફાઈલ ડાઉનલોડ કરવા ક્લિક કરો</a></b></p><p><br></p><h2><b>દેશની સર્વોચ્ચ એજન્સીઓ પાસે તપાસની માગ</b></h2><p>આ સમગ્ર કૌભાંડ અને ગેરરીતિઓ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની છબી ખરડી રહી હોવાથી યાત્રાળુઓએ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોને પત્ર લખ્યો છે. જેમાં આ મામલે પ્રવાસન મંત્રાલય, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI), સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC), સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ GST ઇન્ટેલિજન્સ (DGGI) જેવી સર્વોચ્ચ એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવી માગ ઉઠાવી છે. આ સાથે જ ભવિષ્યમાં ભોળા શ્રદ્ધાળુઓ છેતરાય નહીં તે માટે પ્રવાસ ઓપરેટરો માટે એક કડક નિયમનકારી માળખું તૈયાર કરવા પણ અપીલ કરવામાં આવી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/india/news/gujarat/ahmedabad/14-june-top-news-historical-events-lrd-exam-world-blood-donor-day-2026" target="_blank">વાંચો 14 જૂનના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/AmjnI0MoXp9X17HGo5AwoM4DbQLeZn6I0uHYFMbm.webp'/></item><item><title><![CDATA[Bollywood Singer : 52 વર્ષનો એ સિંગર, જેના 43ની ઉંમરે થયા છૂટાછેડા, પછી ક્યારેય ન થયો પ્રેમ...! ]]></title><link>https://sandesh.com/entertainment/news/singer-vishal-dadlani-real-life-story-divorce-loneliness</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/singer-vishal-dadlani-real-life-story-divorce-loneliness</guid><pubDate>Sat, 13 Jun 2026 17:44:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઇન્ડિયન મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના કેટલાક નામો એવા છે, જે પોતાની પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં રહે છે. આજે અમે તમને એક એવા જ ગાયક વિશે જણાવી રહ્યા છીએ. ચાલો જાણીએ કે આ કોણ છે?</p><h2 style="text-align: justify; "><b>વિશાલ દદલાની</b></h2><p style="text-align: justify; ">અમે જેમની વાત કરી રહ્યા છીએ, તે બીજા કોઈ નહીં પણ ગાયક, સંગીત નિર્દેશક અને રિયાલિટી શોના જજ તરીકે પોતાની ઓળખ બનાવનારા વિશાલ દદલાની છે. લાઈમલાઈટથી દૂર અંગત જીવન આમ તો વિશાલ પોતાની પર્સનલ લાઈફને લાઈમલાઈટથી દૂર જ રાખે છે, પરંતુ એક ઇન્ટરવ્યુમાં તેમણે પોતાની લવ લાઈફ અને લગ્ન વિશે વાત કરી હતી.</p><h3 style="text-align: justify; "><b>પ્રિયાલી કપૂર સાથે પ્રેમ</b></h3><p style="text-align: justify; ">મેશેબલ ઇન્ડિયા સાથેની વાતચીત દરમિયાન વિશાલે શેર કર્યું હતું કે 23 વર્ષની ઉંમરે તેમને પહેલીવાર પ્રિયાલી કપૂર સાથે પ્રેમ થયો હતો, જેના પછી તેમણે 25 વર્ષની ઉંમરે લગ્ન કરી લીધા હતા.<br><img title="Vishal Dadlani, Bollywood (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/06/13/G45h6d9slpBYzfbAuE53vj5xO00OhKk3HRPF3fh0.webp"><br></p><h3 style="text-align: justify; "><b>2017માં છૂટાછેડા</b></h3><p style="text-align: justify; ">વર્ષ 1999માં બંનેએ લગ્ન કર્યા હતા અને આ લગ્નજીવન 18 વર્ષ સુધી ચાલ્યું, પરંતુ પછી બંનેએ છૂટાછેડા લઈને પોતાના રસ્તા અલગ કરી લીધા. વર્ષ 2017માં બંનેના સત્તાવાર રીતે છૂટાછેડા થઈ ગયા હતા.</p><h4 style="text-align: justify; "><b>52 વર્ષની ઉંમરે સિંગલ</b></h4><p style="text-align: justify; ">છૂટાછેડા પછી વિશાલે ક્યારેય બીજા લગ્ન ન કર્યા અને ના તો તેમને ફરી ક્યારેય પ્રેમ થયો. 52 વર્ષની ઉંમરે પણ તેઓ સિંગલ લાઈફ જીવી રહ્યા છે અને પૂરી રીતે પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. વિશાલ અને પ્રિયાલીએ પોતાના સંબંધો પ્રત્યે હંમેશા આદર અને સન્માન જાળવી રાખ્યું હતું અને ક્યારેય એકબીજા વિશે કંઈ ખોટું નથી કહ્યું, જ્યારે આજકાલના સમયમાં આવું બહુ ઓછું જોવા મળે છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/reena-roy-refused-working-with-shatrughan-sinha" target="_blank">આ પણ વાંચો-Celebrity Relationship : રીના રોયના એક નિર્ણયથી ભડક્યા શત્રુઘ્ન સિન્હા, વર્ષો જૂનો કિસ્સો ફરી ચર્ચામાં!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/elRG7nMF5LGHuN8wEHnvz8F4dP8wORyZqa8VrpgR.webp'/></item></channel></rss>