<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Vadodara: વડુની શાળામાં વીજ સલામતી, ઊર્જા બચત અંગે જાગૃતિ કાર્યક્રમ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</guid><pubDate>Wed, 17 Jun 2026 05:56:50 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">માસર રોડ : સોમવારે MGVCLજાંબુવા વિભાગીય કચેરી અંતર્ગત મોભા પેટા વિભાગીય કચેરી દ્વારા વડુ સ્થતિ મહાલક્ષ્મી નગીનદાસ વિદ્યાલય ખાતે વીજ સલામતી, વીજ ઊર્જા બચત, વીજચોરી નિવારણ અને સ્માર્ટ મીટર અંગે વિદ્યાર્થી માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમા વિજળીનો સલામત ઉપયોગ, વીજ અકસ્માતથી બચવાના ઉપાય, વીજ ઊર્જાની બચતનું મહત્વ અને વીજચોરીના દુષ્પરિણામો અંગે માર્ગદર્શન અપાયું હતું. સ્માર્ટ મીટરના વપરાશની માહિતિ અને બિલિંગમાં પારદર્શિતા અંગે સમજાવાયું હતું. કાર્યક્રમમાં MGVCLના કા.પા.ઇ સી વી ભટ્ટ, ના. ઇજનેર એન આર પટેલ, જુ. ઇજનેર જે પી રાઠવા ઉપસ્થિત રહ્યાંહતા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/7BWkwawK3QfqRLim7ZHclMoDv8ISHntXjUFAwTga.webp'/></item><item><title><![CDATA[Dabhoi: ડભોઇમાં શિનોર ચોકડી ખાતે પોલીસ દ્વારા સઘન વાહનચેકિંગ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dabhoi/dabhoi-intensive-vehicle-checking-by-police-at-shinor-chowkdi-in-dabhoi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dabhoi/dabhoi-intensive-vehicle-checking-by-police-at-shinor-chowkdi-in-dabhoi</guid><pubDate>Wed, 17 Jun 2026 05:55:51 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">માર્ગ અકસ્માતોના પ્રમાણને નિયંત્રિત કરવા અને વાહનચાલકોમાં ટ્રાફ્કિ નિયમો પ્રત્યે જાગૃતિ કેળવવાના ઉદ્દેશ્ય સાથે ડભોઈની વ્યસ્ત ગણાતી શિનોર ચોકડી ખાતે પોલીસ વિભાગના ડીવાયએસપી આકાશ પટેલ અને ડભોઇના પી.આઈ. એ.ટી. પટેલના સીધા માર્ગદર્શનમાં સઘન વાહન ચેકિંગ અભિયાન હાથ ધરાયું હતું.</p><p style="text-align: justify; ">આ વિશેષ ઝુંબેશ દરમિયાન શિનોર ચોકડી પરથી પસાર થતાં તમામ નાના-મોટા વાહનોની ઝીણવટભરી તપાસ કરાઇ હતી. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વાહનોના જરૂરી દસ્તાવેજો (જેવા કે લાયસન્સ, આર.સી. બુક, પી.યુ.સી. અને વીમો), ટ્રાફ્કિ નિયમોનું પાલન તેમજ વાહનોની કાયદેસરની સ્થિતિ ચકાસણી કરાઇ હતી. પોલીસે ખાસ કરીને કાળા કાચ (ટીન્ટેડ ગ્લાસ) ધરાવતી ફેર-વ્હીલર ગાડીઓ સામે કડક ઝુંબેશ ચલાવી હતી. અને સ્થળ પર જ કાળા કાચની ફ્લ્મિ દૂર કરાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જરૂરી દસ્તાવેજો ન હોવાને કારણે 3 મોટરસાઇકલ સ્થળ પર જ ડિટેઈન કરાઇ હતી. ટ્રાફ્કિ નિયમોનો ભંગ કરનારા 5થી વધુ બાઈક ચાલકો સામે દંડ વસૂલવાની કાયદેસરની કાર્યવાહી કરાઇ હતી. જેને પગલે ફફડાટ ફેલાયો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/rZdn82HIBSaFtopRO5cNe3i1aN0ZN4IqUGemoXjd.webp'/></item><item><title><![CDATA[Vadodara: પાદરા બાર ઍસોસિએશન દ્વારા કોર્ટ સ્થળાંતરિત કરવાનો વિરોધ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-padra-bar-association-opposes-court-relocation</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-padra-bar-association-opposes-court-relocation</guid><pubDate>Wed, 17 Jun 2026 05:54:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પાદરા સિવિલ કોર્ટનું સ્થળાંતર સ્થાનિક બાર એસોસિએશનને વિશ્વાસમાં લીધા વિના કરવાના નિર્ણય સામે વકીલ આલમમાં ભારે રોષ ફટી નીકળ્યો છે. પાદરા બાર એસો.ને વડોદરાના ડિસ્ટ્રિક્ટ જજને લેખિત રજૂઆત કરીને નિર્ણય પર તાત્કાલિક રોક લગાવવા માંગ કરી છે.</p><p style="text-align: justify; ">પાદરા બાર એસો. પ્રમુખ દીપક પ્રજાપતિએ જણાવ્યું હતું કે, પાદરા કોર્ટ માત્ર એક સરકારી ઇમારત નથી. પરંતુ આઝાદી બાદથી ન્યાયિક પરંપરા અને વકીલાતની ગૌરવશાળી ઓળખનું કેન્દ્ર છે. છતાં બારના હોદ્દેદારો અને સભ્યોને અંધારામાં રાખીને કોર્ટ ખસેડવાનો નિર્ણય લેવાયો છે. જે માત્ર આર એન્ડ બી વિભાગના સ્ટેબિલિટી રિપોર્ટના આધારે લેવાયો છે. જ્યારે તે રિપોર્ટ પણ સરકારના દબાણ હેઠળ તૈયાર કરાયો હોવાનો દાવો કરાયો છે. વધુમાં, એક વર્ષથી વધુ સમયથી કોર્ટ કાર્યરત હોવા છતાં અચાનક સ્થળાંતરની ઉતાવળ શા માટે તે અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે.</p><p style="text-align: justify; ">કોર્ટ માટે વૈકલ્પિક સ્થળ તરીકે પસંદ કરાયેલી ઝંડા શાળાને લઈને પણ બાર એસોસિએશન દ્વારા જણાવાયું છે કે, શાળાના બિલ્ડિંગના સ્ટેબિલિટી રિપોર્ટમાં છતને 74 ટકા અને માળખાને 37 ટકા નુકસાન દર્શાવાયું છે. ઉપરાંત ત્યાં ધો.1થી 7 સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેના કારણે શિક્ષણ અને ન્યાયિક કામગીરીને એક જ પરિસરમાં ચલાવવી યોગ્ય નથી. શાળા સુધી પહોંચવાનો માર્ગ પૂરતો વિકસિત નથી, પાર્િંકગની કોઈ વ્યવસ્થા નથી. રહેણાંક વિસ્તારમાં કોર્ટ કાર્યરત થવાથી ટ્રાફ્કિ, સુરક્ષા અને જાહેર વ્યવસ્થાના પ્રશ્નો ઊભા થઈ શકે છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/feShyc0BPkg3OLcVFIBU6SLqmkdAdBWOTvs8Fcaq.webp'/></item><item><title><![CDATA[Vadodara: નસવાડીમાં વીજ સમસ્યાથી ખેડૂતો મુશ્કેલીમાં ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-farmers-in-trouble-due-to-power-problem-in-naswadi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-farmers-in-trouble-due-to-power-problem-in-naswadi</guid><pubDate>Wed, 17 Jun 2026 05:54:08 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હાલ ચોમાસાની સીઝન શરૂ થતાં જ નસવાડી તાલુકામાં ખેડૂતો દ્વારા મોટા પાયે વાવેતર કરાઇ રહ્યું છે. જ્યારે કેટલાય ખેડૂતો પોતાનું વાવેતર પૂર્ણ કરી ચૂક્યા છે. પરંતુ, વર્તમાન સમયમાં વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જે ખેડૂતો પાસે પિયતની વ્યવસ્થા ઉપલબ્ધ છે. તેઓ કૂવા કે ટયુબવેલ મારફ્તે પિયત આપીને પોતાના મોંઘા બિયારણને બચાવવા માટે રાત-દિવસ મથામણ કરી રહ્યાં છે.</p><p style="text-align: justify; ">આ કપરી પરિસ્થિતિમાં વીજ કંપનીની બેદરકારી ખેડૂતો માટે પડતા પર પાટા સમાન છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, કોઈપણ જાતની પૂર્વ સૂચના આપ્યા વિના દિવસમાં અસંખ્ય વાર વીજ પુરવઠો ખોટકાય છે. આ આડેધડ પાવર કટને કારણે જે પિયતનું કામ માત્ર બે દિવસમાં પૂર્ણ થવાનું હોય તેમાં અઠવાડિયા કરતાં પણ વધુ સમય નીકળી રહ્યો છે. જેને લીધે પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. દર વર્ષે આવી જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. અને અંતે ખેડૂતોને જ આર્થિક નુકસાન વેઠવું પડે છે.</p><p style="text-align: justify; ">આ ગંભીર બાબતે સ્થાનિક સામાજિક કાર્યકર અને ખેડૂત અગ્રણી વનરાજસિંહનો સંપર્ક સાધતા તેમણે ઉગ્ર રોષ સાથે જણાવ્યું હતું કે, ચોમાસા પહેલા વીજ લાઇનનું યોગ્ય મેન્ટેનન્સ થાય અને પૂરતો સ્ટાફ્ કાર્યરત કરવામાં આવે તે માટે તેમણે બે મહિના અગાઉ જ સંબંધિત અધિકારીને લેખિત રજૂઆત કરી હતી. છતાં, તંત્રની ઘોર બેદરકારીને કારણે આજે ફરી એ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અને ખેડૂતો પરેશાન થયા છે.</p><p style="text-align: justify; ">અધિકારીઓ સમક્ષ અગાઉ રજૂઆત કરવા છતાં કોઈ સકારાત્મક પરિણામ ન આવતા, આખરે વનરાજસિંહ દ્વારા આ સમગ્ર મામલે સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરાઇ છે. વરસાદ ખેંચાવાની ગંભીર સ્થિતિને જોતા, હાલમાં ખેતીવાડી માટે મળતા 8 કલાકના વીજ પુરવઠાને વધારીને 10 કલાક કરવા માંગ કરાઇ છે. ધારાસભ્યે પણ આ પ્રશ્નની ગંભીરતા સમજીને તેઓને ખાતરી આપી છે કે, તેઓ ખેડૂતોના હિતમાં સરકાર અને ઉચ્ચ કક્ષાએ આ બાબતની મજબૂત રજૂઆત કરશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/BqAlmRtb2DO2u0RpwcehvOHA1mgR4fClygxTTMcV.webp'/></item><item><title><![CDATA[Panchmahal: પંચમહાલ જિલ્લા મુખ્ય શિક્ષકHTATસંઘની ચિંતન શિબિર યોજાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/panchmahal/panchmahal-panchmahal-district-headmaster-htat-associations-chintan-shibir-was-organized</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/panchmahal/panchmahal-panchmahal-district-headmaster-htat-associations-chintan-shibir-was-organized</guid><pubDate>Wed, 17 Jun 2026 05:53:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પંચમહાલ જિલ્લા મુખ્યશિક્ષક HTAT સંઘ (સૂચિત)ની ચિંતન શિબિર અને સંમેલન ગોધરા ખાતે યોજાયું હતું. જેમાં જિલ્લાના તમામ તાલુકામાંથી મોટી સંખ્યામાં મુખ્ય શિક્ષકો હાજર રહ્યા હતાં.</p><p style="text-align: justify; ">ગોધરા સ્થિત મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે પંચમહાલ જિલ્લા HTAT સંઘનું સંમેલન યોજાયું હતું. રાજ્ય મુખ્ય શિક્ષક સંઘના પ્રમુખ અપૂર્વભાઈ શ્રીમાળીના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઈ હતી. પંચમહાલ જિલ્લામાંથી નિવૃત થતાં HTAT મુખ્ય શિક્ષકોનું સન્માનપત્રક દ્વારા સન્માન કર્યું હતું. જિલ્લા મહામંત્રી ચેતનભાઈ પટેલે રાજ્ય કક્ષાએ ચાલતી HTAT સંગઠન્ા વિશેની માહિતી આપી હતી. રાજ્ય મુખ્યશિક્ષકHTATસંઘના સલાહકાર પટેલ જગતસિંહે મુખ્ય શિક્ષકની 2012ની ભરતીથી આજ સુધી થયેલ ફેરફર તેમજ કેડરના લાભ અને ગેરલાભ વિષે માહિતી આપી, સૌને સંગઠિત રહેવાની હાકલ કરી હતી. જિલ્લા પ્રમુખ વિજયસિંહ રાઠોડે પંચમહાલ જિલ્લા સંગઠનની કામગીરી અને વર્તમાન પરિસ્થિતિમાં ચાર્જ સોંપવા બાબતે સેવા સળંગના હુકમો તેમજ વહીવટી બાબતોની ચર્ચા કરી હતી. પ્રમુખ અપૂર્વભાઈએ સંગઠનના અગાઉ કરેલા કામ અને વર્તમાન કામ તેમજ ભવિષ્યના કરવાના કામની ઝાંખી આપી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ અભિનંદન આપ્યા હતાં. કોષાધ્યક્ષ કનુભાઈ પગી, જિલ્લાના હોદ્દેદાર અને તાલુકાના પ્રમુખ મંત્રીઓએ કાર્યક્રમ માટે જહેમત ઉઠાવી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/xjQjfLnSkVWO14uFulTurep1HMiBe4y8pzA9vYs9.webp'/></item><item><title><![CDATA[NEET-UG Retest 2026 પહેલા દેશમાં ટેલિગ્રામ પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ, શું કહ્યું કંપનીના CEOએ ? ]]></title><link>https://sandesh.com/india/news/neet-ug-retest-2026-telegram-ban-india-ceo-pavel-durov-reaction-misinformation-control</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/neet-ug-retest-2026-telegram-ban-india-ceo-pavel-durov-reaction-misinformation-control</guid><pubDate>Tue, 16 Jun 2026 23:41:57 +05:30</pubDate><description><![CDATA[<p>NEET-UG 2026 રિ-ટેસ્ટ પહેલાં પરીક્ષા સંબંધિત ખોટી અફવાઓ, ફેક મેસેજ અને લીક થયેલી માહિતીના પ્રસારને રોકવા માટે ભારત સરકારે ટેલિગ્રામ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. આ પ્રતિબંધ 16 જૂનથી 22 જૂન સુધી લાગુ રહેશે. આ પગલું નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની ભલામણના આધારે લેવામાં આવ્યું છે.</p><h2><b>ભારતમાં 15 કરોડથી વધુ સામાન્ય યુઝર્સ પર અસર પડી</b></h2><p>સરકારના જણાવ્યા મુજબ 21 જૂને યોજાનારી રિ-ટેસ્ટની પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓમાં ભ્રમ અને ગેરસમજ ન ફેલાય તે માટે આ કાર્યવાહી જરૂરી બની હતી. ખાસ કરીને સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્સ પર પરીક્ષા સંબંધિત ખોટા દાવાઓ ઝડપથી વાયરલ થતા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટેલિગ્રામના સંસ્થાપક અને CEO પાવેલ દુરોવે આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ પ્રતિબંધથી ભારતમાં 15 કરોડથી વધુ સામાન્ય યુઝર્સ પર અસર પડી છે. તેમણે દાવો કર્યો કે કેટલીક લીક થયેલી માહિતી અન્ય એપ્સ પર પણ ફેલાઈ ગઈ છે, જેના કારણે માત્ર ટેલિગ્રામ પર પ્રતિબંધ લગાવવો યોગ્ય ઉકેલ નથી.</p><h3><b>આવી કાર્યવાહીથી સમસ્યા સંપૂર્ણપણે અટકી નથી</b></h3><p>પાવેલ દુરોવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, સરકારનો આ નિર્ણય લીક કરનાર લોકોને નહીં પરંતુ સામાન્ય યુઝર્સને અસર કરે છે. તેમના મુજબ આવી કાર્યવાહીથી સમસ્યા સંપૂર્ણપણે અટકી નથી, કારણ કે માહિતી અન્ય પ્લેટફોર્મ પર પણ ઝડપથી ફેલાઈ જાય છે. બીજી તરફ NTAએ સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય કોઈ નવા પેપર લીકના કારણે લેવામાં આવ્યો નથી. એજન્સી મુજબ પરીક્ષા અંગેની ખોટી અને ભ્રામક માહિતીના કારણે ઉમેદવારોમાં માનસિક દબાણ અને ગેરસમજ ઊભી થઈ રહી હતી, જેને અટકાવવા માટે આ પગલું જરૂરી હતું.</p><p>NTAના ડિરેક્ટર જનરલ અભિષેક સિંહે જણાવ્યું કે પરીક્ષાની પારદર્શિતા અને વિશ્વસનીયતા જાળવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે અને કોઈપણ પ્રકારની ગેરરીતિને સહન કરવામાં આવશે નહીં. સરકારે પણ રિ-ટેસ્ટ માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી હોવાનું જણાવ્યું છે.<br><br><a href="https://sandesh.com/world/news/india/pm-modi-meloni-g7-summit-instagram-famous-viral-moment-conversation" target="_blank"><b>આ પણ વાંચો : G7 સમિટમાં વડાપ્રધાન મોદી અને મેલોની મળ્યા, કહ્યું 'અમે તો ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફેમસ છીએ'</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/f5fS9rS8w04hfEk6gewJyj43So9y9HTVSt7ProJQ.webp'/></item><item><title><![CDATA[Auto News: લોકપ્રિય રોડસ્ટર બાઇક થઈ રૂ5,000 સુધી મોંઘી, જાણો ગ્રાહકોના ખિસ્સા પર કેટલો પડશે બોજો? ]]></title><link>https://sandesh.com/business/news/automobile/auto-news-popular-roadster-bike-becomes-expensive-by-up-to-rs-5000-know-how-much-burden-will-fall-on-customers-pockets</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/auto-news-popular-roadster-bike-becomes-expensive-by-up-to-rs-5000-know-how-much-burden-will-fall-on-customers-pockets</guid><pubDate>Tue, 16 Jun 2026 23:17:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પ્રખ્યાત અમેરિકન ક્રૂઝર બાઇક ઉત્પાદક કંપની હાર્લે-ડેવિડસન (Harley-Davidson) એ ભારતીય બજારમાં તેની લોકપ્રિય X440 બાઇક રેન્જની કિંમતોમાં વધારો કરી દીધો છે. કંપનીએ આ બાઇકના અલગ-અલગ વેરિઅન્ટ્સ પર રૂ.1,000 થી લઈને રૂ.5,000 સુધીનો વધારો ઝીંક્યો છે. આ નવો ભાવવધારો X440 ના તમામ વેરિઅન્ટ્સ (Vivid, S અને T) પર લાગુ કરવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>પ્રીમિયમ રોડસ્ટર બાઇકની કિંમતમાં વધારો</b></h2><p style="text-align: justify; ">ભારતીય બજારમાં પ્રીમિયમ રોડસ્ટર બાઇક તરીકે જાણીતી X440 માં કંપનીએ કોઈ નવા ફીચર્સ કે એન્જિન અપડેટ આપ્યા નથી, તેમ છતાં તેની કિંમતો વધારવામાં આવી છે. તેથી હવે આ બાઇક ખરીદવા ઈચ્છતા ગ્રાહકોએ પહેલા કરતાં વધુ ખિસ્સું હળવું કરવું પડશે.</p><h3 style="text-align: justify; "><b>લોન્ચ થયા બાદ કિંમતમાં પ્રથમ વધારો</b></h3><p style="text-align: justify; ">નોંધનીય છે કે ભારતમાં હાર્લે-ડેવિડસનની મોટરસાઇકલનું મેન્યુફેક્ચરિંગ અને વેચાણ 'હીરો મોટોકોર્પ' (Hero MotoCorp) સાથેની ભાગીદારીમાં કરવામાં આવે છે. હીરો જ દેશમાં હાર્લેના સર્વિસ, સ્પેર પાર્ટ્સ અને મર્ચેન્ડાઇઝ નેટવર્કને સંભાળે છે. ગયા વર્ષે લોન્ચ થયા બાદ આ બાઇકની કિંમતમાં કરવામાં આવેલો આ પ્રથમ વધારો છે.</p><h4 style="text-align: justify; ">વેરિઅન્ટ પ્રમાણે કિંમતોમાં થયેલો ફેરફાર</h4><p style="text-align: justify; ">કંપનીએ તેના ત્રણેય વેરિઅન્ટની કિંમતોમાં આ મુજબ ફેરફાર કર્યો છે:</p><ul><li style="text-align: justify; ">X440 Vivid (સૌથી સસ્તું મોડેલ): આ લાઇનઅપનું સૌથી કિફાયતી મોડેલ છે. પહેલા તેની એક્સ-શોરૂમ કિંમત રૂ.2.35 લાખ હતી, જેમાં રૂ.1,000 નો વધારો થતાં હવે નવી કિંમત રૂ.2.36 લાખ થઈ ગઈ છે.</li><li style="text-align: justify; ">X440 S (મિડ-વેરિઅન્ટ): આ મિડ-વેરિઅન્ટની કિંમતમાં રૂ.4,000 નો વધારો કરાયો છે. પહેલા આ મોડેલ રૂ.2.55 લાખમાં મળતું હતું, જે હવે વધીને રૂ.2.59 લાખ (એક્સ-શોરૂમ) થયું છે.</li><li style="text-align: justify; ">X440 T (ટોપ વેરિઅન્ટ): આ ટોપ વેરિઅન્ટ પર સૌથી વધુ રૂ.5,000 નો વધારો થયો છે. પહેલા તેની કિંમત રૂ.2.79 લાખ હતી, જે હવે વધીને રૂ.2.84 લાખ થઈ ગઈ છે.</li></ul><h5 style="text-align: justify; ">એન્જિન અને ફીચર્સમાં કોઈ ફેરફાર નહીં</h5><p style="text-align: justify; ">કિંમતો વધવા છતાં બાઇકમાં કોઈ મિકેનિકલ કે ટેકનિકલ બદલાવ કરવામાં આવ્યા નથી. આ બાઇકમાં પહેલાની જેમ જ 440cc નું સિંગલ-સિલિન્ડર, એર/ઓઈલ-કૂલ્ડ એન્જિન મળે છે, જે 26.6 bhp નો પાવર અને 38 Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 6-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે.</p><h6 style="text-align: justify; ">હરીફ બાઇક્સ કરતાં વધુ મોંઘી થઈ X440 T</h6><p style="text-align: justify; ">આ ભાવવધારા બાદ X440 T પોતાના સેગમેન્ટની અન્ય લોકપ્રિય બાઇકો કરતાં ઘણી મોંઘી થઈ ગઈ છે, જેના કારણે હરીફ બાઇક્સ અને આ મોડેલ વચ્ચેનો કિંમતનો તફાવત હવે ઘણો વધી ગયો છે.</p><p style="text-align: justify; ">સેગમેન્ટની અન્ય લોકપ્રિય બાઇકોની શરૂઆતની કિંમત:</p><ul><li style="text-align: justify; ">Triumph 400 સિરીઝ: આશરે રૂ.2.53 લાખથી શરૂ</li><li style="text-align: justify; ">Honda CB350 RS: આશરે રૂ.1.98 લાખથી શરૂ</li><li style="text-align: justify; ">Royal Enfield Classic 350: આશરે રૂ.1.86 લાખથી શરૂ&nbsp;</li></ul><p style="text-align: justify; "><a href="https://sandesh.com/automobile" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/b3nuhklXpUiQIyYifhrucKgdJi0CYGFcuAUVz4IO.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup: ભારતીય મૂળના આ ખેલાડીએ ન્યુઝીલેન્ડ માટે રમીને હાંસલ કરી એક ખાસ સિદ્ધિ ]]></title><link>https://sandesh.com/sports/news/sarpreet-singh-first-indian-origin-player-fifa-world-cup</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/sarpreet-singh-first-indian-origin-player-fifa-world-cup</guid><pubDate>Tue, 16 Jun 2026 22:48:08 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ન્યુઝીલેન્ડના આક્રમક મિડફિલ્ડર સરપ્રીત સિંહે કોઈપણ ટીમ માટે ફિફા વર્લ્ડકપ મેચમાં શરૂઆત કરનાર પ્રથમ ભારતીય મૂળનો ખેલાડી બનીને ઈતિહાસ રચ્યો છે. તેને મંગળવારે લોસ એન્જલસમાં ઈરાન સામે 2-2 થી ડ્રોમાં આ સિદ્ધિ મેળવી હતી.</p><h2 style="text-align: justify; "><b>સરપ્રીત પંજાબી મૂળનો છે</b></h2><p style="text-align: justify; ">ઓકલેન્ડમાં એક પંજાબી પરિવારમાં જન્મેલા 27 વર્ષના સરપ્રીત સિંહને કોચ ડેરેન બાઝલી દ્વારા શરૂઆતની ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું હતું. તે લગભગ આખી મેચ રમ્યો અને 90મી મિનિટે તેને બદલવામાં આવ્યો. તેના માતા-પિતા પંજાબી મૂળના છે અને તેનો ભારતીય સંસ્કૃતિ સાથે ઊંડો સંબંધ છે.</p><p style="text-align: justify; ">2010 પછી પહેલીવાર ન્યુઝીલેન્ડ ફૂટબોલ ટીમને વર્લ્ડકપમાં લઈ જવામાં સરપ્રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સરપ્રીત જર્મન ક્લબ એફસી બાયર્ન મ્યુનિક માટે પણ રમી ચૂક્યો છે. તેને ઘણી વાર કહ્યું છે કે તે દિલથી ભારતીય છે અને તેને પોતાના જીવનમાં પંજાબી સંસ્કૃતિ જાળવી રાખી છે. ક્રિકેટમાં તે વિરાટ કોહલી અને સચિન તેંડુલકરનો મોટો ફેન છે.</p><h3 style="text-align: justify; "><b>મેદાન પર આક્રમક રમત બતાવી, ત્રણ શોટ લગાવ્યા</b></h3><p style="text-align: justify; ">10 નંબરની જર્સીમાં રમતા સરપ્રીતે મિડફિલ્ડમાં મુખ્ય ભૂમિકા ભજવી. તેને ઈરાન સામે 3 શોટ લગાવ્યા, જેમાં 61મી મિનિટે એક પ્રયાસનો પણ સમાવેશ થાય છે, જેને ગોલકીપર દ્વારા રોકવામાં આવ્યો હતો. ન્યુઝીલેન્ડના 4-2-3-1 ફોર્મેશનમાં, તે મિડફિલ્ડના મધ્યમાં સક્રિય રહ્યો.</p><h4 style="text-align: justify; "><b>ભારતમાં પણ રમી ચૂક્યો છે સરપ્રીત&nbsp;</b></h4><p style="text-align: justify; ">સરપ્રીતે ભારતમાં 2018માં મુંબઈમાં યોજાયેલા ઈન્ટરકોન્ટિનેન્ટલ કપમાં ભારત સામે પણ રમ્યો હતો. તે દરમિયાન તે ન્યુઝીલેન્ડની અંડર-23 ટીમનો ભાગ હતો અને તેને કેન્યા સામે ગોલ કર્યો હતો, જ્યારે ભારત સામે 2 આસિસ્ટ પણ આપ્યા હતા.</p><p style="text-align: justify; ">2019માં તેને બુન્ડેસલીગામાં બાયર્ન મ્યુનિક માટે રમનાર પ્રથમ ભારતીય મૂળના ખેલાડી બનીને ઈતિહાસ રચ્યો. ત્યારબાદ તેને પોર્ટુગલ અને સર્બિયામાં ક્લબ ફૂટબોલ રમ્યો.</p><h5 style="text-align: justify; "><b>આ વર્લ્ડ કપમાં ભારતીય મૂળના અન્ય ખેલાડીઓએ પણ છે</b></h5><p style="text-align: justify; ">આ વર્લ્ડ કપમાં ભારતીય મૂળના અન્ય ખેલાડીઓએ પણ પોતાનું ડેબ્યૂ કર્યું છે. ઓસ્ટ્રેલિયાના નિશાન વેલુપિલ્લાઈ અને કતારના તહસીન મોહમ્મદ જમીદે પણ ડેબ્યૂ કર્યું છે. ડીઆર કોંગોના સેમ્યુઅલ મુટુસામી પણ ટીમનો ભાગ છે.</p><h6 style="text-align: justify; "><b>ફૂટબોલમાં ભારતીય મૂળના ખેલાડીઓની વધતી જતી માન્યતા</b></h6><p style="text-align: justify; ">FIFA ના નિયમો મુજબ ખેલાડીઓ જે દેશમાં જન્મ્યા હોય અને તેમના માતાપિતા અથવા દાદા-દાદી પાસપોર્ટ ધરાવતા હોય તો તેઓ તે દેશ માટે રમવા માટે લાયક હોય છે. સરપ્રીત સિંહની સિદ્ધિને ઈન્ટરનેશનલ ફૂટબોલમાં ભારતીય મૂળના ખેલાડીઓ માટે એક મોટી માન્યતા માનવામાં આવી રહી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/entertainment/abhishek-mahira-sharma-dating-rumors-matching-bracelet" target="_blank">Abhishek Sharma માહિરા શર્માને કરી રહ્યો છે ડેટ? ઈન્સ્ટાગ્રામની 'સીક્રેટ' પોસ્ટમાં થયો ખુલાસો!</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/vktwalimRzpeR2zaQj9KKM1ZYHEsH2jRcR9wRvqx.webp'/></item><item><title><![CDATA[Maharashtra Politics : શિવસેનાના સ્થાપના દિવસ પહેલા ઉદ્ધવ ઠાકરેને લાગી શકે છે મોટો ઝટકો, 7 સાંસદ બળવો કરે તેવી ચર્ચા ]]></title><link>https://sandesh.com/india/news/-political-news/maharashtra-politics-uddhav-thackeray-setback-seven-shiv-sena-ubt-mps-rebellion-foundation-day</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/-political-news/maharashtra-politics-uddhav-thackeray-setback-seven-shiv-sena-ubt-mps-rebellion-foundation-day</guid><pubDate>Tue, 16 Jun 2026 21:49:30 +05:30</pubDate><description><![CDATA[<p>મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે શિવસેનાના 60મા સ્થાપના દિવસ પહેલા ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT)ને મોટો રાજકીય ઝટકો આપવા તૈયારીમાં હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ શિવસેના (UBT)ના 9 લોકસભા સાંસદોમાંથી 7 સાંસદો અલગ જૂથ બનાવી શકે છે અને બાદમાં શિંદે જૂથની શિવસેનામાં વિલય થઈ શકે છે.</p><h2><b>કોનું નામ છે ચર્ચામાં?</b></h2><p>મળતી માહિતી મુજબ ભાઉસાહેબ વાકચૌરે, સંજય દેશમુખ, અરવિંદ સાવંત, સંજય જાધવ, સંજય પાટીલ, નાગેશ બાપુરાવ અષ્ટિકર, રાજાભાઉ વાજે અને સંજય દીના પાટીલ જેવા નેતાઓના નામ સંભવિત બળવાખોરોની યાદીમાં ચર્ચાઈ રહ્યા છે. કહેવાઈ રહ્યું છે કે આગામી એક-બે દિવસમાં આ સાંસદો લોકસભા અધ્યક્ષને મળીને અલગ જૂથની માન્યતા માટે પત્ર આપી શકે છે.</p><h3><b>14 ધારાસભ્યો પણ પક્ષ છોડી શકે</b></h3><p>આ દરમિયાન શિવસેના (UBT)ના નેતાઓ અનિલ દેસાઈ અને સંજય રાઉત પક્ષમાં ભંગાણ અટકાવવા માટે દિલ્હીમાં સક્રિય હોવાનું કહેવાઈ રહ્યું છે. શિંદે જૂથના નેતા અને ધારાસભ્ય કૃપાલ તુમાણેએ પણ મોટો દાવો કર્યો છે. તેમના જણાવ્યા મુજબ માત્ર સાંસદો જ નહીં, પરંતુ ઉદ્ધવ ઠાકરેના 16 ધારાસભ્યોમાંથી 14 ધારાસભ્યો પણ પક્ષ છોડી શકે છે. તેમણે જણાવ્યું કે ઘણા જનપ્રતિનિધિઓ પક્ષની આંતરિક સ્થિતિથી અસંતુષ્ટ છે.</p><h4><b>શિવસેના (UBT)એ નથી કરી કોઈ પુષ્ટી</b></h4><p>કેન્દ્રીય રાજ્યમંત્રી અને શિંદે જૂથના નેતા પ્રતાપરાવ જાધવે દાવો કર્યો કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળના અનેક સાંસદો અને ધારાસભ્યોને પક્ષમાં યોગ્ય સન્માન મળતું નથી, જેના કારણે અસંતોષ વધી રહ્યો છે. તેમણે કહ્યું કે ઘણા નેતાઓએ પક્ષ છોડવાનો મનસૂબો બનાવી લીધો છે. હાલ આ તમામ દાવાઓ અંગે શિવસેના (UBT) તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ મહારાષ્ટ્રના રાજકારણમાં આ મુદ્દે ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/ram-mandir-donation-row-sit-investigation-43-employees-cash-counting-irregularities" target="_blank">આ પણ વાંચો : Ram Mandir Donation Row : ચલણી નોટોની ગણતરી કરનારા 43 કર્મચારી SITની રડાર પર</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/pYa2jfqd0iPseEIbVu4Mhb8iv1vIkNj0XWpl809R.webp'/></item><item><title><![CDATA[Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા ]]></title><link>https://sandesh.com/cricket/news/entertainment/virat-kohli-photos-with-son-akaay-anushka-sharma</link><guid isPermaLink="true">https://sandesh.com/cricket/news/entertainment/virat-kohli-photos-with-son-akaay-anushka-sharma</guid><pubDate>Tue, 16 Jun 2026 17:18:43 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ઈજાના કારણે અફઘાનિસ્તાન સામેની ODI સિરીઝ રમી રહ્યો નથી. IPL ફાઈનલમાં તેને હેમસ્ટ્રિંગની ઈજા થઈ હતી. જેના કારણે તેને ક્રિકેટથી દૂર રહેવું પડ્યું હતું.</p><p style="text-align: justify; ">વિરાટ કોહલીના સ્થાને યશસ્વી જયસ્વાલને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. મેદાનની બહાર રહેલો વિરાટ કોહલી પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>વિરાટ કોહલીના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ</b></h2><p style="text-align: justify; ">વિરાટ કોહલીના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ફોટામાં તે લાઈમલાઈટથી દૂર પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. આ ફોટા એક પાર્કના લાગે છે. એક ફોટામાં વિરાટ કોહલી પોતાના પુત્ર અકાયને ખોળામાં લઈ રહ્યો છે, જ્યારે બીજા ફોટામાં તે તેની પીઠ પર છે. ફેન્સ આ ફોટાને ખૂબ પસંદ કરી રહ્યા છે. એક ફોટામાં પત્ની અનુષ્કા શર્મા પણ વિરાટ સાથે જોવા મળી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>IPLમાં વિરાટ કોહલીનું શાનદાર પ્રદર્શન</b></h3><p style="text-align: justify; ">IPL 2026 માં વિરાટ કોહલી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો . તેને 16 મેચમાં 675 રન બનાવ્યા. તે સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓના લિસ્ટમાં ચોથા નંબરે રહ્યો. ફાઈનલમાં 75 રનની ઈનિંગ માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો. ટોપ પાંચ સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં વિરાટનો સ્ટ્રાઈક રેટ વૈભવ સૂર્યવંશી પછી બીજા નંબરે હતો. તેને સિઝનમાં 5 અડધી સદી અને 1 સદી ફટકારી હતી.</p><h4 style="text-align: justify; "><b>ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ફિટ હોવાની આશા</b></h4><p style="text-align: justify; ">વિરાટ કોહલીએ ટેસ્ટ અને T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તે ફક્ત વનડે ક્રિકેટ રમે છે. ભારતીય ટીમ આવતા મહિને ઈંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. આ પ્રવાસમાં 5 T20 ઈન્ટરનેશનલ અને 3 વનડે મેચનો સમાવેશ થાય છે. આ પ્રવાસ 14 જુલાઈથી બર્મિંગહામમાં શરૂ થશે. એવી આશા છે કે વિરાટ કોહલી સિરીઝ માટે ફિટ થઈ જશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/entertainment/abhishek-mahira-sharma-dating-rumors-matching-bracelet" target="_blank">Abhishek Sharma માહિરા શર્માને કરી રહ્યો છે ડેટ? ઈન્સ્ટાગ્રામની 'સીક્રેટ' પોસ્ટમાં થયો ખુલાસો!</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/KZmGD6LCx7nhr88BycGVOha7d8hcq22CbcOLjO7j.webp'/></item></channel></rss>