<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Surat News: ખરવર નગર BRTS સ્ટેશન પાસે ચાલતી કાર બની અગનગોળો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/kharwar-nagar-brts-mahindra-car-fire-incident-traffic-jam</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/kharwar-nagar-brts-mahindra-car-fire-incident-traffic-jam</guid><pubDate>Mon, 08 Jun 2026 20:04:15 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત શહેરમાંથી ચાલતી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠવાની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરત શહેરના વ્યસ્ત ગણાતા ખરવર નગર BRTS બસ સ્ટેશન પાસે આજે એક દોડતી કારમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો છે.</p><p><br></p><h2><b>BRTS સ્ટેશન સામે જ કાર બની આગનો ગોળો</b></h2><p>ઘટનાની મળતી માહિતી અનુસાર, એક મહિન્દ્રા કંપનીની કાર ખરવર નગર BRTS બસ સ્ટેશન સામેથી પસાર થઈ રહી હતી, ત્યારે જ કારના બોનેટમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી. કારમાં આગ લાગી હોવાની જાણ થતાં જ ચાલકે સમયસૂચકતા વાપરી ગાડી રોકી દીધી હતી, અને તાત્કાલિક બહાર નીકળી જતાં તેનો આબાદ બચાવ થયો હતો. ચાલુ રોડ પર કાર ભડભડ સળગવા લાગતા આસપાસના વાહનચાલકોમાં દોડધામ મચી ગઈ હતી.</p><p><br></p><h2><b>એરપોર્ટ અને સ્ટેશન જતો રોડ ચક્કાજામ</b></h2><p>આ ઘટના મુખ્ય માર્ગ પર બની હોવાને કારણે એરપોર્ટ અને રેલવે સ્ટેશન તરફ જતા હાઇવે પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. કટોકટીના સમયે અચાનક લાગેલી આગને કારણે ઓફિસ અવર્સ દરમિયાન રોડ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેના લીધે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.</p><p><br></p><h2><b>ફાયર બ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબૂ</b></h2><p>ઘટના અંગે સ્થાનીકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા ફાયર બ્રિગેડનો કાફલો મિનિટોમાં જ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. જોકે, ફાયર ટીમ પહોંચે તે પહેલાં જ આગ એટલી ગંભીર હતી કે, મહિન્દ્રા કારનો આગળનો ભાગ બળીને ખાખ થઈ ગયો હતો. કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.</p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/gujarat/news/omicron/surat/gang-arrested-for-extorting-victims-through-dating-app" target="_blank"> Surat News: ડેટિંગ એપ પર બોલાવી પૈસા પડાવતી ગેંગ ઝડપાઈ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/08/5L7WPYmcDdWps2gw77lMA0UoIERV7zYumfMqRd3T.webp'/></item><item><title><![CDATA[Vavના ભાટવર ગામે મોબાઈલની દુકાનમાં ચોરી: રોકડ અને રિપેરિંગ માટે આવેલા 30 મોબાઈલ ચોરાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vav-tharad/theft-at-a-mobile-shop-in-bhatwar-village-of-vav-cash-and-30-mobiles-brought-for-repair-were-stolen</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vav-tharad/theft-at-a-mobile-shop-in-bhatwar-village-of-vav-cash-and-30-mobiles-brought-for-repair-were-stolen</guid><pubDate>Mon, 08 Jun 2026 19:51:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ભાટવર ગામે ચોરીની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. ગામમાં આવેલી એક મોબાઈલ રિપેરિંગ અને સેલ્સ એન્ડ સર્વિસની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખોના મુદ્દામાલની મત્તા પાર કરી દીધી છે. 5 જૂનની રાત્રે બનેલી આ ચોરીની સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.</p><h2 style="text-align: justify; ">રોકડ રકમ અને રિપેરિંગના મોબાઈલની ઉઠાંતરી
</h2><p style="text-align: justify; ">તસ્કરો દુકાનનાં તાળાં તોડી અંદર પ્રવેશ્યા હતા અને ગલ્લામાં રાખેલી 10 હજાર રૂપિયાની રોકડ રકમની ચોરી કરી હતી. આટલું જ નહીં, દુકાનમાંથી મોંઘા મોબાઈલ ચાર્જર, નેકબેન્ડ, પાવર બેંક સહિતની કિંમતી એસેસરીઝની પણ ઉઠાંતરી કરવામાં આવી હતી. સૌથી મોટું નુકસાન એ થયું છે કે ગ્રાહકો દ્વારા રિપેરિંગ માટે મૂકવામાં આવેલા અંદાજે 30 જેટલા મોબાઈલ ફોન પણ ચોર ટોળકી ચોરી ગઈ છે, જેને પગલે દુકાનદારને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
</p><h3 style="text-align: justify; ">એક જ વર્ષમાં એક જ દુકાનમાં બીજી વાર ચોરી
</h3><p style="text-align: justify; ">ચોરીના સીસીટીવી ફૂટેજના આધારે પીડિત દુકાનદારે ભાટવર ગામના જ ડાયા ગોહિલ નામના શખ્સ વિરુદ્ધ વાવ પોલીસ સ્ટેશનમાં નામજોગ ફરિયાદ નોંધાવી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, બરાબર એક વર્ષ પહેલાં પણ આ જ દુકાનને તસ્કરોએ ટાર્ગેટ બનાવી હતી અને તે ગુનો આજે પણ વણઉકેલાયેલો છે. આ જ દુકાનમાં વારંવાર ચોરીની ઘટનાઓ બનતા સ્થાનિક વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અને પોલીસની રાત્રિ પેટ્રોલિંગની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. હાલમાં વાવ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/08/R6tvzg3Jd6L9rFDDcMllM2vAdGt2zfX6CF028rt3.webp'/></item><item><title><![CDATA[Amreli News: જન્મનો દાખલો કાઢવા માંગી લાંચ, બાબરા નગરપાલિકાના જુનિયર ક્લાર્ક ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/babra-nagarpalika-clerk-caught-taking-bribe-acb-trap</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/babra-nagarpalika-clerk-caught-taking-bribe-acb-trap</guid><pubDate>Mon, 08 Jun 2026 19:32:39 +05:30</pubDate><description><![CDATA[<p>ભ્રષ્ટાચારીઓ સામે લાલ આંખ કરતા એન્ટી કરપ્શન બ્યુરોએ અમરેલી જિલ્લાના બાબરામાં એક સફળ ટ્રેપ ગોઠવીને લાંચિયા અધિકારીઓ પર ગાળિયો કસ્યો છે. બાબરા નગરપાલિકામાં ફરજ બજાવતા એક જુનિયર ક્લાર્ક જન્મ તારીખનો દાખલો કાઢી આપવા જેવી સામાન્ય કામગીરી માટે રૂ. 4,000ની લાંચ લેતા એસીબીના સકંજામાં આવી ગયા છે. એસીબીની આ કાર્યવાહીથી સરકારી કચેરીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.</p><p><br></p><h2><b>જન્મના દાખલા માટે કરી હતી લાંચની માંગણી</b></h2><p>ઘટનાની મળતી માહિતી અનુસાર, આ કેસના ફરિયાદીને તેમના મિત્રની દીકરીના જન્મ તારીખનો દાખલો કઢાવવાનો હતો. આ સરકારી કામગીરી માટે તેઓ જ્યારે બાબરા નગરપાલિકા કચેરી ખાતે ગયા ત્યારે ત્યાં ફરજ બજાવતા જુનિયર ક્લાર્ક નનુભાઈ મામૈયાભાઈ ગમારા (ઉંમર વર્ષ 54) એ આ કામ કરી આપવાના બદલામાં શરૂઆતમાં રૂ. 5,000ની લાંચની માંગણી કરી હતી. જોકે, ફરિયાદી સાથે થયેલી વાતચીત અને રકઝકના અંતે રૂ. 4,000 આપવાનું નક્કી થયું હતું.</p><p><br></p><h2><b>એસીબીએ ગોઠવ્યું કેમિકલયુક્ત નોટોનું છટકું</b></h2><p>ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે તાત્કાલિક એસીબીનો સંપર્ક સાધ્યો હતો અને કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે અમરેલી એસીબી પોલીસ સ્ટેશનના સ્ટાફ અને ભાવનગર એસીબીના મદદનીશ નિયામકના માર્ગદર્શન હેઠળ બાબરા ખાતે એક મજબૂત છટકું (ટ્રેપ) ગોઠવવામાં આવ્યું હતું.</p><p><br></p><h2><b>લાંચની રકમ રિકવર કરાઈ</b></h2><p>આજે ગોઠવાયેલા આ છટકા દરમિયાન નગરપાલિકા કચેરી ખાતે જુનિયર ક્લાર્ક નનુભાઈ ગમારાએ ફરિયાદી પાસેથી નક્કી થયેલી લાંચની રકમ રૂ. 4,000 સ્વીકારી હતી. ક્લાર્કે લાંચના નાણાં હાથમાં લેતા જ અગાઉથી વોચમાં ઉભેલી એસીબીની ટીમે તેને રંગેહાથ દબોચી લીધો હતો અને લાંચની રકમ રિકવર કરી લીધી હતી.</p><p><br></p><h2><b>આરોપી ક્લાર્કની અટકાયત, તપાસ તેજ</b></h2><p>એસીબીની ટીમે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ આરોપી ક્લાર્ક નનુભાઈ ગમારાની અટકાયત કરી લીધી છે. તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને એસીબી અમરેલી દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. સામાન્ય જનતાના હકના સરકારી દસ્તાવેજો આપવા માટે પણ લાંચ માંગતા આવા તત્વો સામે એસીબીની આ સફળ કાર્યવાહીને સ્થાનિક લોકોએ બિરદાવી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/amreli/jayprakash-madhak-gujarat-monsoon-rain-prediction-vavani" target="_blank">Amreli News: પ્રખ્યાત આગાહીકાર જયપ્રકાશ માઢકે કરી ચોમાસાની ભવિષ્યવાણી, જાણો ક્યારથી શરૂ થશે વાવણી</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/08/O88zhqPzPByLwSUIuOqIF3NqusvikwLRzVDGy0ql.webp'/></item><item><title><![CDATA[Rajkot STને મળશે નવી વોલ્વો બસોની ભેટ: આવતીકાલથી મુસાફરોની સેવામાં થશે કાર્યરત ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/rajkot/rajkot-st-will-get-a-gift-of-new-volvo-buses-they-will-be-operational-in-passenger-service-from-tomorrow</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/rajkot/rajkot-st-will-get-a-gift-of-new-volvo-buses-they-will-be-operational-in-passenger-service-from-tomorrow</guid><pubDate>Mon, 08 Jun 2026 19:16:03 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ એસટી ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડેપોને ટૂંક સમયમાં જ પાંચ નવી અત્યાધુનિક વોલ્વો બસો ફાળવવામાં આવી છે, જે આવતીકાલથી સત્તાવાર રીતે રોડ પર દોડતી થશે. રાજકોટ શહેરના મેયરના વરદ હસ્તે આ તમામ હાઈટેક બસોને લીલી ઝંડી આપીને (ફ્લેગ ઓફ કરીને) પ્રસ્થાન કરાવવામાં આવશે. આ નવી સુવિધાથી લાંબા અંતરની સફર કરતા મુસાફરોની મુસાફરી વધુ આરામદાયક અને ઝડપી બનશે.</p><h2 style="text-align: justify; ">ભુજ અને વડોદરા રૂટ પર નવી બસો દોડશે
</h2><p style="text-align: justify; ">એસટી તંત્ર દ્વારા મુસાફરોના ટ્રાફિક અને રૂટની માંગને ધ્યાનમાં રાખીને આ નવી લક્ઝુરિયસ બસોનું સુઆયોજન કરવામાં આવ્યું છે. પાંચ નવી વોલ્વો બસોમાંથી 3 બસો રાજકોટથી ભુજ રૂટ પર અને 2 બસો રાજકોટથી વડોદરા રૂટ પર દોડાવવામાં આવશે. આ બંને રૂટ પર દૈનિક ધોરણે મુસાફરોની સંખ્યા ખૂબ જ વધારે રહેતી હોવાથી, આ નવી એરકન્ડિશન્ડ બસો શરૂ થતાં જ નોકરીયાત વર્ગ, વેપારીઓ અને પ્રવાસીઓને મોટી રાહત મળશે.
</p><h3 style="text-align: justify; ">મુસાફરોના ઘસારાને પહોંચી વળવા આગોતરું આયોજન
</h3><p style="text-align: justify; ">રાજકોટ એસટી વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, વેકેશનની સીઝન અને તહેવારો દરમિયાન આ રૂટો પર મુસાફરોનો ઘસારો બમણો થઈ જતો હોય છે. ખાનગી ટ્રાવેલ્સ ઓપરેટરો દ્વારા વસૂલવામાં આવતા તોતિંગ ભાડાની સામે એસટી તંત્ર સસ્તા દરે પ્રીમિયમ સુવિધા આપવા કટિબદ્ધ છે. આગામી દિવસોમાં મુસાફરોની સુખ-સુવિધા અને સુરક્ષાને સર્વોચ્ચ અગ્રિમતા આપીને અન્ય લોકપ્રિય રૂટો પર પણ આવી હાઈટેક બસોની સંખ્યા વધારવાનું આયોજન એસટી નિગમ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/08/8z95COoELbqsUzFyaIfJfQgneBYQkiPB1GCcQ6NZ.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: કચ્છના 6 રસ્તાઓ ફોરલેન બનાવવા 629 કરોડ રૂપિયા મંજૂર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/gandhinagar/629-crore-approved-for-four-laning-of-6-key-roads</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/gandhinagar/629-crore-approved-for-four-laning-of-6-key-roads</guid><pubDate>Mon, 08 Jun 2026 18:59:27 +05:30</pubDate><description><![CDATA[<p>મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અતિ મહત્વના માર્ગોને ફોરલેન તરીકે વિકસાવવાનો અભિગમ અપનાવ્યો છે.આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ 629 કરોડ રૂપિયા કચ્છ જિલ્લાના 6 રસ્તાઓના ફોરલેન માટે મંજૂર કર્યા છે.આ માર્ગોના વિકાસ થતાં કચ્છમાં પ્રવાસન ક્ષેત્રને પણ વધુ બળ મળશે અને લોકોનું ઈઝ ઓફ લિવિંગ પણ વધશે.</p><h2><b>6 રસ્તાઓ ફોરલેન બનાવવા 629 કરોડ રૂપિયા મંજૂર</b></h2><p>મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોને સુદ્રઢ રોડ કનેક્ટિવિટી મળી રહે તેવી જનહિતકારી નેમ સાથે આ જે માર્ગોને ચાર માર્ગીય કરવા માટે નાણાં ફાળવ્યા છે તેમાં મુન્દ્રા લુણી વડાલા રોડના 4.1 કિ.મી., વાઈડનીંગ અને ઈમ્પ્રુવમેન્ટ ઓફ દેશલપર સીરચા રોડ 5.1 કિ.મી., મુન્દ્રા ઝરપરા કાંડગરા ધ્રબ અને ઝરપરા ગામના બાયપાસ રોડના 5.5 કિ.મી., નાવીનલ ગામના બાયપાસ રોડના ૩.૩ કિ.મી, મોટા કાંડગરા ગામના 4.5 કિ.મી. અને મુન્દ્રા ઝરપરા કાંડગરા રોડ . 19થી 39 ના 20 કિ.મી.નો સમાવેશ થાય છે.</p><h3><b>ભારે વાહનો ઝડપથી અને સુરક્ષિત માલ પરિવન કરી શકશે</b></h3><p>આ ફોરલેન માર્ગો બનવાના પરિણામે ગ્રામજનો માટે મહત્વપૂર્ણ અને સુવિધાયુક્ત બની રહેશે.એટલુ જ નહિ, બાયપાસ બનવાથી મુન્દ્રા પોર્ટ અને આસપાસના નાના-મોટા ઈન્ડસ્ટ્રીયલ કોમર્શીયલ વિસ્તારોમાં અવર-જવર કરતા ભારે વાહનો ઝડપથી અને સુરક્ષિત માલ પરિવન કરી શકશે.</p><p><br><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/botad/lcb-police-arrest-six-accused-government-godown-chana-theft" target="_blank">આ પણ વાંચોઃ Botad News: સરકારી ગોડાઉનમાં ખાડો કરીને 120 બોરી ચણાની ચોરસ, 6 આરોપીની ધરપકડ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/08/Ood4kPLDvMbVOROzjgaToWQZjvRUjchuMZwZO2TW.webp'/></item><item><title><![CDATA[Strait Of Hormuzના કિલ્લા તરીકે ઓળખાતા Qeshm Islandએ ડોનાલ્ડ ટ્રમ્પનું ખેંચ્યુ ધ્યાન, જાણો શુ છે કારણ? ]]></title><link>https://sandesh.com/world/news/business/usa/qeshm-island-known-as-the-fortress-of-the-strait-of-hormuz-caught-the-attention-of-donald-trump-know-what-is-the-reason</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/business/usa/qeshm-island-known-as-the-fortress-of-the-strait-of-hormuz-caught-the-attention-of-donald-trump-know-what-is-the-reason</guid><pubDate>Mon, 08 Jun 2026 18:50:12 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">કેશ્મ ટાપુ શાંત પર્યટન સ્થળ છે. જે મીઠાની ગુફાઓ અને મેંગ્રોવ જંગલોનું ઘર છે
</p><h2 style="text-align: justify; ">કેશ્મ ટાપુ પ્રવાસીઓમાં પ્રિય 
</h2><p style="text-align: justify; ">અમેરિકાએ ઈરાનના કેશ્મ ટાપુ પર શક્તિશાળી હુમલો કર્યો. આ ટાપુ હોર્મુઝના કિલ્લા તરીકે ઓળખાય છે. ઈરાન આ ટાપુ પરથી ઇઝરાયલી અને અમેરિકન હુમલાઓનો સખત જવાબ આપી રહ્યું છે. પરિણામે, ટ્રમ્પનું સંપૂર્ણ ધ્યાન હવે આ હોર્મુઝના કિલ્લા પર છે. તે માત્ર વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ નથી, પરંતુ હોર્મુઝ સ્ટ્રેટ પ્રદેશ માટે પણ મહત્વપૂર્ણ છે. કેશ્મ ટાપુ એક શાંત પર્યટન સ્થળ છે, જે મીઠાની ગુફાઓ અને મેંગ્રોવ જંગલોનું ઘર છે. જો કે, તેની સપાટી નીચે એક અલગ દુનિયા બનાવવામાં આવી છે. 
</p><h3 style="text-align: justify; ">કેવુ છે કેશમ ટાપુનું દ્રશ્ય 
</h3><p style="text-align: justify; ">કેશમ ટાપુ હોર્મુઝ સ્ટ્રેટના મુખ પર સ્થિત 1445 ચોરસ કિલોમીટરનો વિશાળ ટાપુ છે. તે ઈરાનના બંદર અબ્બાસ બંદરથી માત્ર 22 કિલોમીટર દૂર છે. જે પર્શિયન ગલ્ફ અને ઓમાન સમુદ્રની સરહદ ધરાવે છે. અબુ મુસા, ગ્રેટર તુમ્બ, લેસર તુમ્બ, હેંગમ, કેશમ, લારાક અને હોર્મુઝ સાથે મળીને, તે ઈરાન માટે સંરક્ષણ રેખા બનાવે છે. તેથી, તેને હોર્મુઝનો કિલ્લો કહેવામાં આવે છે. લોકો છેલ્લા 40 હજાર વર્ષોથી અહીં રહે છે. પુરાતત્વીય વિશ્લેષણ મુજબ, રહેવાસીઓ ભારતીય ઉપખંડના પશ્ચિમ કિનારા અને પર્શિયન ગલ્ફના દક્ષિણ કિનારા સાથે વેપાર કરતા હતા.
</p><h4 style="text-align: justify; ">હોર્મુઝના કિલ્લા તરીકેનું કામ 
</h4><p style="text-align: justify; ">નિષ્ણાતોએ સતત કેશ્મને એક વિમાનવાહક જહાજ તરીકે વર્ણવ્યું છે જે ક્યારેય ડૂબી શકતું નથી. તે એક વિશાળ લશ્કરી માળખાનો દાવો કરે છે. IRGC એ સમગ્ર ટાપુ પર ભૂગર્ભ મિસાઇલ સુવિધાઓ અને રક્ષણાત્મક સ્થાનોનું નેટવર્ક બનાવ્યું છે, જેના કારણે તેને "ઈરાનનું મિસાઇલ શહેર" ઉપનામ મળ્યું છે. અહીંની સુરંગોમાં કોઈપણ હુમલો કરવા સક્ષમ બેલિસ્ટિક અને ક્રુઝ મિસાઇલો છે. અલ ​​જઝીરાએ નિવૃત્ત લેબનીઝ બ્રિગેડિયર-જનરલ અને લશ્કરી નિષ્ણાત હસન જૌનીને ટાંકીને અહેવાલ આપ્યો છે કે ઈરાન કેશ્મ ટાપુથી હુમલા કરવાની ક્ષમતા ધરાવે છે. આ વિશાળ નેટવર્ક હોર્મુઝના સ્ટ્રેટ પર ઈરાનના અસરકારક નિયંત્રણને સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવ્યું હતું.
</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/india/news/crime/bihar-news-indiscriminate-firing-at-chamtha-laxman-toll-in-begusarai-one-killed-another-injured" target="_blank">બેગુસરાયના ચમથા લક્ષ્મણ ટોલ પર અંધાધૂંધ ફાયરિંગ, એકનું મોત, અન્ય એક ઘાયલ</a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/08/1DwLpRNgmYICG4xDpXeN5IQQx6qmUDPiyBD5fn1l.webp'/></item><item><title><![CDATA[Jaaved Jaaferiની પત્ની હબીબા સાથે 16 કરોડની છેતરપિંડી, BMCના આસિસ્ટન્ટ કમિશનર સસ્પેન્ડ ]]></title><link>https://sandesh.com/entertainment/news/jaaved-jaaferi-wife-habiba-fraud-case-bmc-officer-suspended</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/jaaved-jaaferi-wife-habiba-fraud-case-bmc-officer-suspended</guid><pubDate>Mon, 08 Jun 2026 18:41:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડ અભિનેતા જાવેદ જાફરીની પત્ની હબીબા જાફરી કથિત રોકાણ કૌભાંડનો ભોગ બની છે. તેની સાથે આશરે 16.24 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી. મામલાની તપાસ દરમિયાન એક BMC અધિકારીનું નામ સામે આવ્યું, જેના પછી તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
</p><h2 style="text-align: justify; "><b>વધુ વળતરની લાલચ આપી કરાયું રોકાણ
</b></h2><p style="text-align: justify; ">એવું જણાવવામાં આવી રહ્યું છે કે હબીબાએ સારા વળતરના વાદા પર મોટી રકમનું રોકાણ કર્યું હતું. પરંતુ બાદમાં તેને કથિત રીતે છેતરપિંડીની ખબર પડી. ફરિયાદ નોંધાયા પછી પોલીસ અને સંબંધિત એજન્સીઓએ તપાસ શરૂ કરી, જેના હેઠળ એક BMC અધિકારી સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં મામલાની તપાસ ચાલુ છે અને અધિકારીઓનું કહેવું છે કે આખા ઇન્વેસ્ટમેન્ટ નેટવર્ક અને આમાં સામેલ લોકોની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે.
</p><h3 style="text-align: justify; "><b>બીએમસીએ મદદનીશ કમિશનરને કર્યા સસ્પેન્ડ
</b></h3><p style="text-align: justify; ">મુંબઈ મહાનગરપાલિકા (BMC) એ હબીબા જાફરી સાથે 16.24 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડીના મામલામાં મોટી કાર્યવાહી કરતા કે-નોર્થ વોર્ડના મદદનીશ કમિશનરમહેશ પાટિલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્શનનો ઓર્ડર શુક્રવારે જાહેર કરવામાં આવ્યો હતો, જે 7 જૂને પાટિલને સોંપાયો હતો.
</p><h4 style="text-align: justify; "><b>રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના નામે બોગસ દસ્તાવેજો બનાવ્યા
</b></h4><p style="text-align: justify; ">મહેશ પાટિલ અને તેમના સહયોગીઓએ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં એક પુનર્વિકાસ (રીડેવલપમેન્ટ) પ્રોજેક્ટમાં ભારે નફો અને ઊંચા વળતરની લાલચ આપીને હબીબા જાફરીને રોકાણ કરવા માટે રાજી કર્યા હતા. આરોપ છે કે આ કથિત છેતરપિંડીને અંજામ આપવા માટે નકલી અને બોગસ દસ્તાવેજો પણ તૈયાર કરવામાં આવ્યા હતા.
</p><h5 style="text-align: justify; "><b>આરોપી અધિકારી ફરાર, ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી તપાસ
</b></h5><p style="text-align: justify; ">મામલામાં ખાર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાયા પછીથી મહેશ પાટિલ ફરાર હોવાનું કહેવાય છે. પોલીસ હજી સુધી તેની ભાળ મેળવી શકી નથી. ખાર પોલીસે પાટિલ સહિત કુલ છ આરોપીઓ સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. મામલાની ગંભીરતા અને મોટી રકમને જોતા તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દેવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમો હાલમાં કેટલાય સ્થળો પર દરોડા પાડી રહી છે અને ફરાર BMC અધિકારી સહિત અન્ય આરોપીઓની શોધખોળમાં લાગેલી છે.
</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/vicky-kaushal-chhaava-movie-budget-90-crore-blockbuster" target="_blank">આ પણ વાંચો-Mega Hit Movie : 90 કરોડમાં બનેલી એ ફિલ્મ, જેણે વર્ષ 2025માં બોક્સ ઓફિસ પર મચાવ્યો હતો તાંડવ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/08/riOgB3YbAhwlx0EVR3BlRB8BwZPV8FFM9ci9Rt3J.webp'/></item><item><title><![CDATA[Bihar News: બેગુસરાયના ચમથા લક્ષ્મણ ટોલ પર અંધાધૂંધ ફાયરિંગ, એકનું મોત, અન્ય એક ઘાયલ ]]></title><link>https://sandesh.com/india/news/crime/bihar-news-indiscriminate-firing-at-chamtha-laxman-toll-in-begusarai-one-killed-another-injured</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/crime/bihar-news-indiscriminate-firing-at-chamtha-laxman-toll-in-begusarai-one-killed-another-injured</guid><pubDate>Mon, 08 Jun 2026 18:25:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">બછવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચમથા લક્ષ્મણ ટોલ પર ફાયરિંગમાં બે ભાઈ ઘાયલ થયા છે. 
</p><h2 style="text-align: justify; ">ઝઘડા બાદ પરિસ્થિતિ હિંસક બની
</h2><p style="text-align: justify; ">બિહારના બેગુસરાયમાં ફરી એકવાર ગેંગ વોરથી હચમચી ઉઠ્યું છે. બેગુસરાયમાં ગુનેગારોએ અંધાધૂંધ ફાયરિંગ કરીને વિસ્તારમાં આતંક ફેલાવ્યો હતો. ગોળીબારમાં બે ભાઈ ઘાયલ થયા હતા, જેમાંથી એકનું મોત થયું છે અને બીજો ગંભીર રીતે ઘાયલ છે. આ ઘટના બછવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચમથા લક્ષ્મણ ટોલ પર બની હોવાનું જાણવા મળે છે. મૃતકની ઓળખ અજિત રાય તરીકે થઈ છે, જ્યારે ઘાયલ તેનો ભાઈ દીપક કુમાર રાય છે. 
</p><h3 style="text-align: justify; ">ભાઈએ દરમિયાનગીરી કરતા ફાયરિંગ 
</h3><p style="text-align: justify; ">અજિત રાય વિવાદને મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હોવાના અહેવાલ છે. ગુસ્સે ભરાયેલા લોકોએ ગોળીબાર કર્યો હોવાનો આરોપ છે, જેમાં બંને ભાઈઓ ઘાયલ થયા છે. બંને ઘાયલોને શરૂઆતમાં બચવારા પીએચસીમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં અજિત રાયની હાલત ગંભીર હોવાથી તેમને બેગુસરાય સદર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ઘાયલ દીપક કુમાર રાયની સારવાર ચાલી રહી છે.
</p><h4 style="text-align: justify; ">પરિવારમાં હોબાળો, ગામમાં તણાવ
</h4><p style="text-align: justify; ">અજિત રાયના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારના સભ્યો ગુસ્સામાં ભડકી ઉઠ્યા હતા અને પોલીસ વહીવટ સામે વિરોધ કર્યો હતો. ઘટના બાદ વિસ્તારમાં તણાવપૂર્ણ વાતાવરણ છે. માહિતી મળતાં બચવારા પોલીસ સ્ટેશન અને તેઘરા ડીએસપી ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ શરૂ કરી હતી. પોલીસનું કહેવું છે કે સંપૂર્ણ તપાસ ચાલી રહી છે અને આરોપીઓને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. હાલમાં, જમીન વિવાદ સાથે જોડાયેલી આ ગોળીબારની ઘટનાએ વિસ્તારમાં ભયનો માહોલ ઉભો કર્યો છે. 
</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/world/news/-political-news/usa/after-109-years-americas-idea-of-buying-land-from-another-country-know-why-chagos-is-important" target="_blank"> 109 વર્ષ બાદ Americaનો અન્ય દેશ પાસેથી જમીન ખરીદવાનો વિચાર, જાણો Chagos કેમ છે મહત્વપૂર્ણ?</a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/08/WxyFM2jk723F6vT92nDnQfr9RMVLWiRcW3AgZbIt.webp'/></item><item><title><![CDATA[Jaipur Demolition: નૂરાની મસ્જિદ જમીનદોસ્ત, 3000 પોલીસકર્મીઓ રહ્યા હાજર ]]></title><link>https://sandesh.com/india/news/jaipur-demolition-noorani-mosque-razed-to-the-ground-3000-policemen-were-present</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/jaipur-demolition-noorani-mosque-razed-to-the-ground-3000-policemen-were-present</guid><pubDate>Mon, 08 Jun 2026 17:38:41 +05:30</pubDate><description><![CDATA[<p>રાજસ્થાનની રાજધાની જયપુરમાં માલવિયા નગર વિસ્તારમાં આવેલી 45 વર્ષ જૂની નૂરાની મસ્જિદને જયપુર ડેવલપમેન્ટ ઓથોરિટી (JDA) દ્વારા જમીનદોસ્ત કરી દેવામાં આવી છે. આ વિસ્તારમાં લાંબા સમયથી ચાલી આવતી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે રોડ પહોળો કરવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે, જેના અંતર્ગત આ ગેરકાયદેસર બાંધકામ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે.</p><h2><b>3000 પોલીસ કર્મીઓ તૈનાત કરાયા&nbsp;</b></h2><p>કોઈપણ પ્રકારની અપ્રિય ઘટના કે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે વહીવટીતંત્રે કડક સુરક્ષા પ્રબંધો કર્યા છે. સમગ્ર વિસ્તારમાં 3,000 જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે અને અફવાઓ ફેલાતી અટકાવવા માટે 24 કલાક માટે ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવાઈ છે.</p><p><b style="font-size: 1.75rem;">નૂરાની મસ્જિદ તોડી પડાઇ, ઇન્ટરનેટ બંધ કરાયું</b></p><p>JDA ના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ હેઠળ માત્ર મસ્જિદ જ નહીં, પરંતુ રસ્તા નડતરરૂપ અન્ય ધાર્મિક બાંધકામો પણ હટાવવામાં આવી રહ્યા છે. આ એક્શન પ્લાનમાં નૂરાની મસ્જિદની સાથે એક મઝાર, બે નાના મંદિરો અને એક સત્સંગ હોલને પણ દૂર કરવામાં આવી રહ્યા છે.</p><h4><b>143 પક્ષોને આપી હતી નોટિસ&nbsp;</b></h4><p>અગાઉ આ વિસ્તારમાં માર્ગ પહોળો કરવા માટે 143 પક્ષોને નોટિસો આપવામાં આવી હતી, જેમાંથી 22 મેના રોજ 134 રહેણાંક મકાનો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. તે સમયે ધાર્મિક સ્થળોને સ્પર્શ કરવામાં આવ્યો ન હતો, પરંતુ બાકી રહેલી 9 મિલકતો પર હવે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે.</p><p><b style="font-size: 1.5rem;">મસ્જિદ સમિતિનો આક્ષેપ અને તણાવપૂર્ણ સ્થિતિ</b></p><p>આ કાર્યવાહીને પગલે સ્થાનિક સ્તરે તણાવ જોવા મળી રહ્યો છે. મસ્જિદ સમિતિનો દાવો છે કે આ મસ્જિદ વર્ષ 1981માં JDA માન્ય હાઉસિંગ સોસાયટી પાસેથી ખરીદેલા આશરે 391 ચોરસ યાર્ડના પ્લોટ પર બનાવવામાં આવી હતી.</p><p><br></p><p><b>સમિતિનો પક્ષ: </b>અમને શુક્રવારે રાત્રે જ નોટિસ મળી હતી, જેના કારણે કાયદાકીય પગલાં લેવા કે જવાબ આપવા માટે પૂરતો સમય મળ્યો નથી. વહીવટીતંત્રે 5 મેના રોજ નોટિસ આપીને 8 મેના રોજ તોડી પાડવાની જાહેરાત કરી હતી."</p><p>છેલ્લા સાડા ચાર દાયકાથી અહીં નિયમિત પાંચ સમયની નમાજ અદા કરવામાં આવતી હોવાથી સ્થાનિક લોકોની લાગણીઓ જોડાયેલી હતી, જેને ધ્યાનમાં રાખીને પોલીસે કાર્યવાહી પહેલા વિસ્તારમાં ફ્લેગ માર્ચ પણ યોજી હતી.</p><h5><b>વહીવટીતંત્ર દ્વારા વૈકલ્પિક જમીનની ઓફર</b></h5><p>વહીવટી સંઘર્ષ ટાળવા અને શાંતિ જાળવી રાખવા માટે જેડીએ (JDA) ના અધિકારીઓ દ્વારા મસ્જિદ સમિતિને 'ખો નાગોરિયન' વિસ્તારમાં આશરે 1,100 ચોરસ યાર્ડની વૈકલ્પિક જમીન આપવાની ઓફર પણ કરવામાં આવી છે.</p><h5><b>મુંબઈ જેવી ઘટના ન બને તે માટે પોલીસ એલર્ટ</b></h5><p>તાજેતરમાં મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ગેરકાયદેસર મસ્જિદ હટાવતી વખતે BMC ના અધિકારીઓ અને પોલીસ પર હુમલો થયો હતો, જેમાં અનેક જવાનો ઘાયલ થયા હતા. જયપુરમાં આવી કોઈ હિંસક પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે વહીવટીતંત્રે અગમચેતીના ભાગરૂપે આ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ઈન્ટરનેટબંધીનો આકરો નિર્ણય લીધો છે.&nbsp;</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/08/HaZrHHf9Z3jPgwatcwr9omNNOLkPrxbH8d5S2MqC.webp'/></item><item><title><![CDATA[French Open 2026 : એલેક્ઝન્ડર ઝ્વેરેવએ જીત્યો પહેલો ગ્રેંડ સ્લેમ, સચિન તેંડુલકરે કર્યા વખાણ ]]></title><link>https://sandesh.com/sports/news/french-open-2026-alexander-zverev-wins-first-grand-slam-sachin-tendulkar-praises-him</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/french-open-2026-alexander-zverev-wins-first-grand-slam-sachin-tendulkar-praises-him</guid><pubDate>Mon, 08 Jun 2026 12:55:20 +05:30</pubDate><description><![CDATA[<p>જર્મનીના એલેક્ઝાન્ડર ઝ્વેરેવે ફ્રેન્ચ ઓપન 2026નો ખિતાબ જીત્યો છે. આ તેનું પહેલું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે, જે તેણે 7 જૂનના રોજ ફાઇનલમાં ફ્લાવિયો કોબોલીને 6-1, 4-6, 6-4, 6-7 (5), 6-1થી હરાવીને મેળવ્યું હતું. ચાર કલાકથી વધુ ચાલેલી મેચ જીત્યા પછી ઝ્વેરેવ રડી પડ્યો. તે પેરિસના લાલ માટીના કોર્ટ પર જાણે તેને ભેટી રહ્યો હોય તેમ સૂઈ ગયો. તે તેના માટે આનંદની ક્ષણ હતી. તેણે તેની કારકિર્દીની સૌથી મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. ઝ્વેરેવ માટે આ ક્ષણ ખાસ હોવાનું એક મોટું કારણ તેના અંગત જીવન સાથે પણ સંબંધિત છે.
</p><h4><b>ડોકટરે આપ્યો જવાબ, જ્વેરેવે હાર ન માની</b></h4><p>જો ઝ્વેરેવ હિંમત અને દૃઢ નિશ્ચય ન બતાવ્યો હોત તો તે આ સ્થાને પહોંચી શક્યો ન હોત. કારણ કે, ડોકટરો પહેલાથી જ તેને છોડી ચૂક્યા હતા. તેઓએ તેને ટેનિસ રમવાની મનાઈ ફરમાવી દીધી હતી, એમ કહીને કે તેનો જીવ જોખમમાં છે. હવે જ્યારે એલેક્ઝાન્ડર ઝ્વેરેવે ફ્રેન્ચ ઓપનમાં પોતાનો પહેલો ગ્રાન્ડ સ્લેમ જીત્યો છે, ત્યારે સચિન તેંડુલકર તેની પ્રશંસા કર્યા વિના રહી શક્યો નહીં.</p><p>
</p><h5><b>સચિન તેંડુલકરે તેની પ્રશંસા કરી</b></h5><p>સચિન તેંડુલકર હંમેશા ટેનિસનો શોખીન રહ્યો છે. ક્રિકેટના દિવસોમાં તે ઘણીવાર ટેનિસ કોર્ટ પર સમય વિતાવતો જોવા મળતો હતો. ફેડરર અને જોકોવિચ જેવા ખેલાડીઓના પ્રશંસક તેંડુલકર, આ વર્ષે પેરિસના કોર્ટ પર ઝ્વેરેવને રમતા જોયો હતો અને તે કહી શક્યો નહીં કે તે એક ખાસ ખેલાડી છે. એલેક્ઝાન્ડર ઝ્વેરેવને તેનો પહેલો ગ્રાન્ડ સ્લેમ જીતતો જોઈને તે ખુશ થયો. તે હંમેશા માનતો હતો કે તે એક ખાસ ખેલાડી છે. તેણે ફ્લાવિયો કોબોલીની રમતની પણ પ્રશંસા કરી અને કહ્યું કે બંને ખેલાડીઓએ ગ્રાન્ડ સ્લેમ જીતવા માટે પોતાનું સર્વસ્વ આપ્યું હતું.
</p><p><a href="https://x.com/sachin_rt/status/2063687244255494326?s=20" target="_blank">https://x.com/sachin_rt/status/2063687244255494326?s=20</a></p><p><br></p><h4><b>ઝ્વેરેવની હિંમત બીમારીથી દૂર થઈ ગઈ
</b></h4><p>એલેક્ઝાન્ડર ઝ્વેરેવ 4 વર્ષનો હતો ત્યારે તેને ટાઇપ 1 ડાયાબિટીસ હોવાનું નિદાન થયું હતું. જેમ જેમ તે મોટો થતો ગયો, તેના ડૉક્ટરે તેને ટેનિસ અને અન્ય તાકાત માંગતી રમતો રમવાની સલાહ આપી. ડૉક્ટરે કહ્યું કે આમ કરવાથી તેના જીવન માટે ખતરો છે. જો કે, ઝ્વેરેવે પોતાની જાતને વચન આપ્યું હતું કે તે ફક્ત ટેનિસ રમવા માંગે છે. આ વચન પૂરું કરવા માટે, તેણે જરૂરી દરેક સાવચેતી લીધી, અને અંતે, જે રોગ તેના નિશ્ચયમાં અવરોધ હતો તેને હાર માનવી પડી.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup-in-danger-shooting-near-england-team-camp-9-people-injured" target="_blank">FIFA વર્લ્ડકપ પર સંકટ! ઇંગ્લેન્ડ ટીમના કેમ્પ નજીક થયો ગોળીબાર, 9 લોકો ઘાયલ</a>
</p><p><br></p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/08/M4DParQTjQKiAQxu4GKeBKGZ0NsPCdfoJJGJRYis.webp'/></item></channel></rss>