<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Dahod News: ધાનપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ, રથયાત્રા વચ્ચે ઠંડક પ્રસરી ]]></title><link>https://sandesh.com/weather/monsoon-2026/news/dahod/dhanpur-monsoon-rain-rath-yatra-weather-update</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/monsoon-2026/news/dahod/dhanpur-monsoon-rain-rath-yatra-weather-update</guid><pubDate>Thu, 16 Jul 2026 23:07:11 +05:30</pubDate><description><![CDATA[<p>લાંબા સમયના ઉકળાટ અને અસહ્ય ગરમી બાદ દાહોદ જિલ્લાના વાતાવરણમાં અચાનક મોટો પલટો આવ્યો છે. આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને મેઘરાજાએ પંથકમાં વિધિવત રીતે પોતાની પધરામણી કરાવી દીધી છે. દાહોદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા નગરજનોમાં ભારે ખુશીની લહેર જોવા મળી રહી છે.</p><h2><b>ધાનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ</b></h2><p>દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે. ધાનપુરના ખોખરા, ઘડા, ડભવા, અને તરમકાચ જેવા અંતરિયાળ ગામડાઓમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદ પડવાને કારણે પંથકના ધરતીપુત્રોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ ખેતીકામની તૈયારીઓમાં જોતરાયા છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2077809773261767103"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>રથયાત્રા વચ્ચે વરસાદી છાંટા પડતાં માહોલ આહલાદક બન્યો</b></h2><p>અષાઢી બીજના પાવન પર્વે જ્યારે દાહોદ શહેરમાં પ્રભુ જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી રહી હતી, બરાબર તે જ સમયે મેઘરાજાએ પણ વરસાદી છાંટા સ્વરૂપે પોતાની હાજરી પુરાવી હતી. રથયાત્રાના ઉત્સાહ વચ્ચે વરસેલા આ હળવા વરસાદના કારણે વાતાવરણમાં અદ્ભુત ઠંડક પ્રસરી ગઈ હતી. બળબળતી ગરમી અને બફારાથી પીડાતા રથયાત્રાના શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓને આ કુદરતી કરામતથી મોટી રાહત મળી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2077751740481654883"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>અસહ્ય બફારામાંથી મુક્તિ, ગરમીનો પારો ગગડ્યો</b></h2><p>છેલ્લા કેટલાક દિવસોથી દાહોદ પંથકમાં ભેજનું પ્રમાણ વધવાને કારણે લોકો અસહ્ય બફારાથી પરેશાન હતા. જોકે, આ વરસાદી એન્ટ્રીથી ગરમીનો પારો ગગડ્યો છે અને સમગ્ર પંથકનું વાતાવરણ એકદમ ઠંડુંગાર અને આહલાદક બની ગયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી દિવસોમાં સમગ્ર જિલ્લામાં વરસાદનું જોર હજુ વધી શકે છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/india/news/gujarat/17-july-top-news-history-india-first-hydrogen-train-current-affairs" target="_blank">17 જુલાઈના રોજ બનનારી મહત્વની ઘટનાઓ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/XqZE4lTNKiBwEkxDVbHrlXYHhWXRpgSy6lQTCijH.webp'/></item><item><title><![CDATA[Mumbai : મીરા રોડમાં નિર્માણાધીન ઈમારત પરથી ક્રેન તૂટી પડી, 1 યુવકનું મોત, અનેક વાહનોને નુકસાન ]]></title><link>https://sandesh.com/india/news/mumbai-mira-road-crane-collapse-under-construction-building-one-dead</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/mumbai-mira-road-crane-collapse-under-construction-building-one-dead</guid><pubDate>Thu, 16 Jul 2026 22:32:59 +05:30</pubDate><description><![CDATA[<p>મુંબઈના મીરા રોડ પૂર્વ વિસ્તારમાં આવેલી જેપી નોર્થ સોસાયટીમાં ગુરુવારે સાંજે ગંભીર અકસ્માત સર્જાયો હતો. નિર્માણાધીન ઈમારતના 11મા માળે કાર્યરત એક વિશાળ ક્રેન અચાનક તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં 22 વર્ષીય યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.</p><h2><b>ક્રેન પડતાં જ જોરદાર ધડાકો થયો</b></h2><p>પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર જેપી નોર્થ કોમ્પ્લેક્સમાં આવેલી RERS નામની નિર્માણાધીન ઈમારતમાં નિયમિત કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન ભારે સામાન ઊંચકવા માટે ઉપયોગમાં લેવાતી ક્રેન અચાનક સંતુલન ગુમાવી નીચે ધરાશાયી થઈ હતી. ક્રેન પડતાં જ જોરદાર ધડાકો થયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.</p><h3><b>15થી 16 કાર અને ટુ-વ્હીલર વાહનોને ભારે નુકસાન&nbsp;</b></h3><p>ક્રેન સોસાયટીના પાર્કિંગ વિસ્તારમાં પડતાં ત્યાં પાર્ક કરેલી અંદાજે 15થી 16 કાર અને ટુ-વ્હીલર વાહનોને ભારે નુકસાન થયું હતું. અનેક વાહનો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને બચાવ દળની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. કાટમાળમાં કોઈ ફસાયું હોવાની આશંકાને ધ્યાનમાં રાખીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું. બાદમાં એક યુવકના મોતની પુષ્ટિ કરવામાં આવી હતી.</p><h4><b>પોલીસે તપાસ શરૂ કરી&nbsp;</b></h4><p>પ્રાથમિક તપાસમાં ક્રેન તૂટી પડવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. તકનીકી નિષ્ણાતોની ટીમ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે કે ક્રેનમાં કોઈ તકનીકી ખામી હતી કે સુરક્ષા નિયમોના ભંગના કારણે અકસ્માત સર્જાયો હતો. પ્રશાસને લોકોને ઘટનાસ્થળની આસપાસ ભીડ ન કરવા અને બચાવ કામગીરીમાં સહયોગ આપવા અપીલ કરી છે. હાલ પોલીસ અને સંબંધિત વિભાગો અકસ્માતના કારણોની વિગતવાર તપાસ કરી રહ્યા છે. ઘટનાએ સ્થાનિકોમાં ભારે રોષ અને ચિંતા ફેલાવી છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/tirupati-temple-record-donation-record-breaking-donation-of-rs-97-crores-received-in-just-24-hours-at-tirupati-temple-1" target="_blank">આ પણ વાંચો : Tirupati Temple Record Donation: તિરુપતિ મંદિરમાં માત્ર 24 કલાકમાં આવ્યું 97 કરોડનું રેકોર્ડબ્રેક દાન</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/ZmE48yjIC3WpuPkXHYNiMB1hlSKbmm2b5iohWG78.webp'/></item><item><title><![CDATA[Panchmahal: પંચમહાલના શહેરા પંથકમાં બેરોકટોક ધમધમતો સફેદ રેતીનો કાળો કારોબાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/panchmahal/panchmahal--1-1-1-1-1-1-1-1-1-1-1-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/panchmahal/panchmahal--1-1-1-1-1-1-1-1-1-1-1-1</guid><pubDate>Thu, 16 Jul 2026 22:32:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">શહેરા તાલુકામાં કુદરતી સંપતિની સરેઆમ લૂંટ ચલાવવામાં આવી રહી છે. તાલુકાના વિવિધ વિસ્તારોમાં હાલ સફેદ રેતીનો કાળો કારોબાર કોઈ પણ જાતના ડર વગર ધમધમી રહ્યો છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે જવાબદાર ખાણ ખનીજ વિભાગ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે આ કાળા કારોબાર સામે કડક પગલાં ભરવા લોકચર્ચાઓએ ભારે જોર પકડયું છે.</p><p style="text-align: justify; ">શહેરા તાલુકાના મુખ્ય રસ્તાઓ ઉપરથી દિવસ-રાત ઓવરલોડ રેતી ભરેલી ગાડીઓ અને ડમ્પરો બેફમ પસાર થઈ રહ્યા છે. ક્ષમતા કરતાં વધુ માત્રામાં રેતી ભરીને દોડતા આ વાહનોના કારણે પાકા રસ્તાઓ બિસ્માર બની રહ્યા છે, તો બીજી તરફ્ રસ્તા પરથી રેતી ઉડવાના કારણે પાછળ આવતા વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ સતત તોળાતું રહે છે. ઓવરલોડ ગાડીઓની અવિરત અવરજવરને લીધે નાના વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નિયમ મુજબ ખનન પ્રવૃત્તિ કે વહન માટે રોયલ્ટી પાસ અનિવાર્ય હોવા છતાં રેતી માફ્યિાઓ દ્વારા કાયદાના લીરેલીરા ઉડાડીને ઓવરલોડ રેતી ભરી વહન કરવામાં આવે છે. ડમ્પર અને ટ્રકોની પાછળથી નીતરતું પાણી અને રસ્તા પર વેરાતી રેતી તેની સાક્ષી પૂરે છે, છતાં સંબંધિત તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરાતી નથી.જેને કારણે સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે અનેક આશંકાઓ અને સવાલો ઉભા થઈ રહ્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/ueVzCXhh3yaXR4LHY4HjXesrPKFJ3O3d2iu50POs.webp'/></item><item><title><![CDATA[Indian Navyમાં 22 જુલાઈએ સામેલ થશે 'માલવણ' યુદ્ધજહાજ, આત્મનિર્ભર ભારતને મળશે વધુ મજબૂતી ]]></title><link>https://sandesh.com/india/news/indian-navy-ins-malvan-commissioning-mahe-class-asw-swc-july-22</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/indian-navy-ins-malvan-commissioning-mahe-class-asw-swc-july-22</guid><pubDate>Thu, 16 Jul 2026 21:37:44 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય નૌકાદળ 22 જુલાઈ 2026ના રોજ પોતાની ક્ષમતામાં વધુ એક આધુનિક યુદ્ધજહાજનો સમાવેશ કરવા જઈ રહી છે. માહે-ક્લાસ એન્ટી-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ (ASW-SWC) શ્રેણીનું બીજું જહાજ 'માલવણ' સત્તાવાર રીતે ભારતીય નૌસેનામાં કમિશન કરવામાં આવશે. આ સમારોહમાં ભારતીય વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ એ.પી. સિંહ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.&nbsp;</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2077777152175747154"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>કયા થયું 'માલવણ'નું નિર્માણ?</b></h2><p>પશ્ચિમ નૌસેના કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ વાઈસ એડમિરલ સંજય વત્સાયન પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. 'માલવણ'નું નિર્માણ કેરળના કોચીમાં આવેલી કોચિન શિપયાર્ડ લિમિટેડ (CSL) દ્વારા કરવામાં આવ્યું છે. આ યુદ્ધજહાજ ભારતના 'આત્મનિર્ભર ભારત' અભિયાનનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે. જહાજમાં 80 ટકાથી વધુ સ્વદેશી સામગ્રી અને ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે દેશની સ્વદેશી નૌકાનિર્માણ ક્ષમતાને દર્શાવે છે.</p><h3><b>આધનિક ટેક્નોલોજીથી સજજ છે જહાજ</b></h3><p>આધુનિક ટેક્નોલોજીથી સજ્જ 'માલવણ' ખાસ કરીને દરિયાઈ વિસ્તારોમાં દુશ્મન સબમરીનની શોધ, નજર રાખવા અને જરૂરી કાર્યવાહી કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ જહાજ ભારતીય સમુદ્રી સીમાઓની સુરક્ષા વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ભારત છેલ્લા કેટલાક વર્ષોથી રક્ષણ ક્ષેત્રમાં સ્વદેશી ઉત્પાદન પર ભાર મૂકી રહ્યું છે.&nbsp;</p><p>'માલવણ'નું કમિશનિંગ માત્ર નૌસેનાની શક્તિમાં વધારો નહીં કરે પરંતુ ભારતીય શિપબિલ્ડિંગ અને રક્ષણ ઉત્પાદન ક્ષેત્રની વધતી ક્ષમતાનું પણ પ્રતિક બનશે. આ જહાજના સમાવેશથી ભારતીય નૌસેના પોતાની દરિયાઈ સુરક્ષા અને એન્ટી-સબમરીન કામગીરીને વધુ અસરકારક બનાવી શકશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/vikram-1-launch-skyroot-aerospace-indias-first-private-orbital-rocket" target="_blank">આ પણ વાંચો : Vikram-1 Launching : 18 જુલાઈએ દેશનું પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-1 કરાશે લોન્ચ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/2g1SF8rerUYM6W1VJSKqL5aZDO83bXMCQLVkiT9T.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: રથયાત્રા દરમિયાન 18 લોકોની બેભાન થવાની ફરિયાદ, 53 ઈમરજન્સી કેસ નોંધાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/rath-yatra-2026-53-emergency-cases-reported-18-people-fainted</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/rath-yatra-2026-53-emergency-cases-reported-18-people-fainted</guid><pubDate>Thu, 16 Jul 2026 21:01:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા દરમિયાન લાખોની સંખ્યામાં માનવમહેરામણ ઉમટી પડ્યો હતો.ભારે ભીડ અને ઉકળાટ અને ગરમીના માહોલ વચ્ચે રથયાત્રાના રૂટ પર આરોગ્ય સંબંધી નાની-મોટી તકલીફોના કારણે કુલ 53 જેટલા ઈમરજન્સી કેસો નોંધાયા હતા.આ તમામ કટોકટીના સમયે 108 એમ્બ્યુલન્સ અને આરોગ્ય વિભાગની ટીમોએ સજ્જ રહીને દર્દીઓને તાત્કાલિક સેવા પૂરી પાડી હતી.</p><h2 style="text-align: justify; "><b>પડી જવાના 5 બનાવો સામે આવ્યા</b></h2><p style="text-align: justify; ">આ તમામ કેસોમાં સૌથી વધુ 18 કેસ ભારે ભીડ અને બફારાને કારણે ચક્કર આવવા અને બેફાન થવાના નોંધાયા હતા.આ ઉપરાંત ગીચતાવાળા વિસ્તારોમાં શ્વાસ લેવામાં તકલીફ થવાના 5 કેસ અને ચાલુ રથયાત્રા દરમિયાન સંતુલન ગુમાવીને પડી જવાના 5 બનાવો સામે આવ્યા હતા. રથયાત્રાના રૂટની આસપાસ માર્ગ અકસ્માતના 4 કેસ અને પેટના દુખાવાના 2 કેસ પણ નોંધાયા હતા. આ ઉપરાંત પ્રાથમિક સારવારના 7, શ્વાસ લેવામાં તકલીફ 5, બ્લડ પ્રેશર 1, ડિહાઇડ્રેશન 1, ઊલટી થવી 2, ખેંચ આવવી 3, છાતીમાં દુખાવો 1, માથાનો દુખાવો 2 કેસ નોંધાયા છે.&nbsp;&nbsp;</p><h3 style="text-align: justify; "><b>પ્રાથમિક સારવાર આપીને મોટી રાહત આપવામાં આવી</b></h3><p style="text-align: justify; ">અન્ય સામાન્ય તકલીફવાળા દર્દીઓને પણ મેડિકલ સ્ટાફ દ્વારા ઘટનાસ્થળે જ જરૂરી પ્રાથમિક સારવાર આપીને મોટી રાહત આપવામાં આવી હતી. રથયાત્રાને લઈને તંત્ર દ્વારા કરવામાં આવેલી આગોતરી આરોગ્ય સુવિધાઓ અને મોબાઈલ એમ્બ્યુલન્સની વ્યવસ્થાને કારણે તમામ દર્દીઓને સમયસર સારવાર મળી શકી હતી, જેના લીધે કોઈ મોટી જાનહાનિ થવા પામી ન હતી.<br><br><a href="https://sandesh.com/gujarat/news/surat/5-large-crocodiles-spotted-in-tapi-river" target="_blank">આ પણ વાંચોઃ Surat News: તાપી નદીમાં 4થી 5 વિશાળકાય મગરો દેખાયા, નદી કિનારે હાઈએલર્ટ જાહેર</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/UNnvl804w5GbXAIGBddKsg7Neciob4xgwJuimRZT.webp'/></item><item><title><![CDATA[Surat News:  તાપી નદીમાં 4થી 5 વિશાળકાય મગરો દેખાયા, નદી કિનારે હાઈએલર્ટ જાહેર ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/5-large-crocodiles-spotted-in-tapi-river</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/5-large-crocodiles-spotted-in-tapi-river</guid><pubDate>Thu, 16 Jul 2026 20:49:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં એકસાથે 4 થી 5 વિશાળકાય મગરો દેખાતા સમગ્ર વિસ્તારમાં ભારે ભય અને ફફડાટનો માહોલ વ્યાપી ગયો છે.તાપી નદીના ફુલપાડા અને અમરોલી વચ્ચેના નદીના પટમાં આ મગરો આરામ ફરમાવતા નજરે પડ્યા હતા.આ ઘટના સામે આવતા જ નદી કિનારે અવરજવર કરતા સ્થાનિક માછીમારો અને કિનારાના રહીશો પોતાની સુરક્ષાને લઈને ભારે ચિંતામાં મુકાયા છે.</p><h2 style="text-align: justify; "><b>ફુલપાડા અમરોલી પટમાં મગરો જોવા મળ્યા</b></h2><p style="text-align: justify; ">નદીમાં દેખાયેલા આ મગરો પૈકી એક મગર અંદાજે 10 થી 12 ફૂટ જેટલો લાંબો અને અત્યંત કદાવર હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.જ્યારે અન્ય મગરો આશરે 7 થી 8 ફૂટની લંબાઈના હોવાનું ચર્ચાઈ રહ્યું છે.વન વિભાગના જણાવ્યા અનુસાર, ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે તાપી નદીમાં મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યું હતું. આ ધસમસતા પાણીના પ્રવાહને કારણે આ કદાવર મગરો તણાઈને અહીં સુધી આવી પહોંચ્યા હોવાની પૂરી શક્યતા સેવાઈ રહી છે.</p><h2 style="text-align: justify; "><b>નદી કાંઠે ન જવા લોકોને સૂચના અપાઈ</b></h2><p style="text-align: justify; ">આ ચોંકાવનારા બનાવની જાણ થતાં જ સુરત વન વિભાગની સ્પેશિયલ ટીમ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી ગઈ હતી. વન વિભાગ દ્વારા નદી કિનારાના વિસ્તારોમાં હાઈએલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને મગરોને પાંજરે પૂરવા માટે યુદ્ધના ધોરણે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું છે. આ સાથે જ તંત્ર દ્વારા નદી કાંઠે રહેતા લોકોને અત્યંત સાવધ રહેવા અને કોઈ પણ સંજોગોમાં નદીના પટમાં ન ઉતરવા માટે કડક તાકીદ કરવામાં આવી છે.<br><br><a href="https://sandesh.com/crime/news/surat/sog-police-seized-21-kg-ganja-three-arrested-odisha" target="_blank">આ પણ વાંચોઃ Surat News: SOGનો સપાટો, 21 કિલો ગાંજા સાથે મહિલા સહિત 3 ઝડપાયા</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/cwVv7SkCn4tw5oi9rXN04T0Q2HmOJ6cPacSOJ1xw.webp'/></item><item><title><![CDATA[Surat News: શેર માર્કેટના નામે 46 લાખનું ફ્રોડ, સોશિયલ મીડિયા પર લાલચ આપી છેતરપિંડી કરનારો ઝડપાયો ]]></title><link>https://sandesh.com/crime/news/surat/cyber-crime-arrest-avinik-vaghasiya-share-market-fraud</link><guid isPermaLink="true">https://sandesh.com/crime/news/surat/cyber-crime-arrest-avinik-vaghasiya-share-market-fraud</guid><pubDate>Thu, 16 Jul 2026 20:33:42 +05:30</pubDate><description><![CDATA[<p>આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા દ્વારા સાયબર ગુનેગારો લોકોને સહેલાઈથી ટાર્ગેટ બનાવી રહ્યા છે. સુરતમાં આવી જ એક મોટી ઓનલાઈન છેતરપિંડીની ઘટના સામે આવી છે, જેમાં શેર માર્કેટ અને ફોરેક્સ ટ્રેડિંગના નામે રોકાણ કરાવી એક નાગરિક પાસેથી રૂ. 46.16 લાખ પડાવી લેવામાં આવ્યા છે. આરોપીએ ભોગ બનનારને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઊંચા વળતરની મોટી-મોટી લાલચો આપીને પોતાની જાળમાં ફસાવ્યો હતો.</p><h2><b>બનાવટી વેબસાઈટ બનાવી આચર્યો મોટો ખેલ</b></h2><p>સાયબર ગઠિયાએ ફરિયાદીનો વિશ્વાસ જીતવા માટે શેર માર્કેટની આબેહૂબ બનાવટી વેબસાઈટ તૈયાર કરી હતી. આ નકલી વેબસાઈટના માધ્યમથી ફરિયાદીને ડિજિટલ પોર્ટફોલિયો બતાવી ખોટો પ્રોફિટ દર્શાવવામાં આવતો હતો. આ લાલચમાં આવીને ફરિયાદીએ ટુકડે-ટુકડે કુલ રૂ. 46,16,000નું રોકાણ કરી દીધું હતું. જોકે, જ્યારે ફરિયાદીએ પોતાના પૈસા પાછા મેળવવાનો પ્રયાસ કર્યો, ત્યારે આરોપીએ સંપર્ક તોડી નાખ્યો હતો.</p><h2><b>1930 હેલ્પલાઈન પર ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં</b></h2><p>પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં જ ભોગ બનનારે તુરંત સમય સૂચકતા વાપરીને ભારત સરકારની સાયબર હેલ્પલાઈન નંબર '1930' પર ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે સુરત સાયબર ક્રાઈમ સેલની ટીમે ટેકનિકલ સોર્સિસ અને બેંક ખાતાઓની કડીઓ મેળવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સચોટ તપાસના અંતે પોલીસે આ ગુનામાં સંડોવાયેલા આરોપી અવિનિક વઘાસિયાને દબોચી લીધો છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2077815062526636275"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>બેંકમાંથી નાણાં ઉપાડી મુખ્ય સૂત્રધારો સુધી પહોંચાડતો હતો</b></h2><p>પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, પકડાયેલો આરોપી અવિનિક વઘાસિયા આ આખા કૌભાંડમાં કમિશન એજન્ટ તરીકે કામ કરતો હતો. સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાં જે બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થતા હતા, તેમાંથી રોકડા ઉપાડીને તે આ કૌભાંડના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચાડવાનું કામ કરતો હતો. હાલ સાયબર પોલીસે અવિનિકની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવાની અને આ ટોળકીના મુખ્ય માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવા માટેની આગળની કાર્યવાહી હાથ ધરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/surat/outer-ring-road-accident-truck-hits-moped-college-girl-died" target="_blank">Surat News: જગન્નાથજીના દર્શને જતી બે કોલેજીયન યુવતીઓને ટ્રકે કચડી, એકનું મોત</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/WOeAXCuv2p4QsvEjZ0Dl8izTztPm78KrEyLEqMNO.webp'/></item><item><title><![CDATA[Iran US Conflict 2026: લાલ સમુદ્રનો તેલ માર્ગ બંધ કરવા હુથીને આદેશ, દુનિયામાં તોળાશે તેલ કટોકટી ]]></title><link>https://sandesh.com/world/news/business/usa/iran-us-conflict-2026-houthis-ordered-to-close-the-red-sea-oil-route-oil-crisis-will-hit-the-world</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/business/usa/iran-us-conflict-2026-houthis-ordered-to-close-the-red-sea-oil-route-oil-crisis-will-hit-the-world</guid><pubDate>Thu, 16 Jul 2026 20:26:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવની અસર હવે વિશ્વના તેલ પુરવઠા પર પડી શકે છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">વૈશ્વિક ઉર્જા બજારમાં સંકટ&nbsp;</h2><p style="text-align: justify; ">ઈરાને યમનના હુથી બળવાખોરોને કહ્યું છે કે જો અમેરિકા તેના પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરે તો મહત્વપૂર્ણ લાલ સમુદ્રી સમુદ્રી માર્ગ બંધ કરવા માટે તૈયાર રહે. જો આવું થાય, તો વિશ્વના બે મુખ્ય તેલ માર્ગો એકસાથે પ્રભાવિત થઈ શકે છે, જેનાથી વૈશ્વિક ઉર્જા બજારમાં સંકટ સર્જાઈ શકે છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતો તણાવ હવે સમગ્ર વિશ્વ માટે ચિંતાનું કારણ બની શકે છે.</p><h3 style="text-align: justify; ">લાલ સમુદ્રી માર્ગ બંધ કરવા તૈયારી&nbsp;</h3><p style="text-align: justify; ">ઈરાને યમનના હુથી બળવાખોરોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જો અમેરિકા તેના પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરે તો લાલ સમુદ્રી સમુદ્રી માર્ગ બંધ કરવા માટે તૈયાર રહે. ઈરાન અને પ્રદેશની નજીકના ત્રણ સ્ત્રોતોને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે આ યોજના પર તેહરાનમાં ચર્ચા કરવામાં આવી છે અને હુથી નેતૃત્વને જાણ કરવામાં આવી છે. જોકે, ઈરાનના વિદેશ મંત્રાલય કે હુથી પ્રવક્તાએ કોઈ સત્તાવાર પ્રતિભાવ આપ્યો નથી. હુથી બળવાખોરોએ બાબ અલ-મંડેબ સ્ટ્રેટ નજીક મિસાઇલો અને ડ્રોન તૈનાત કર્યા છે, જે દરિયાઈ માર્ગ દ્વારા જહાજો લાલ સમુદ્રમાં પરિવહન કરે છે. તેઓ હાલમાં અંતિમ આદેશોની રાહ જોઈ રહ્યા છે. આ વિકાસ મહત્વપૂર્ણ છે કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ પહેલાથી જ તણાવનું કેન્દ્ર છે.&nbsp;</p><h4 style="text-align: justify; ">નિર્ણય IRGCના આદેશ પર લેવાશે</h4><p style="text-align: justify; ">એક સ્ત્રોતે દાવો કર્યો હતો કે બાબ અલ-મંડેબ ક્યારે બંધ કરવો તે અંગેનો નિર્ણય યમનમાં તૈનાત ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના પ્રતિનિધિઓ દ્વારા લેવામાં આવશે. દરમિયાન, હુથીઓના નજીકના લોકો કહે છે કે તેઓ કોઈપણ કાર્યવાહી માટે સંપૂર્ણપણે તૈયાર છે. દરમિયાન, હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયા પર મિસાઇલ હુમલા પણ કર્યા છે. તેમનો આરોપ છે કે સાઉદી અરેબિયાએ તેમના નિયંત્રણ હેઠળના એક એરપોર્ટ પર બોમ્બમારો કર્યો હતો. આનાથી બંને પક્ષો વચ્ચે ચાર વર્ષનો યુદ્ધવિરામ તૂટી ગયો છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/world/news/-political-news/awami-league-workers-beat-up-police-after-announcing-on-microphone-amid-rumours-of-sheikh-hasinas-return" target="_blank"> Sheikh Hasinaના પાછા ફરવાની અફવા વચ્ચે આવામી લીગના કાર્યકરોએ માઇક્રોફોન પર જાહેરાત કર્યા પછી પોલીસને માર માર્યો!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/ab1h7Ewcv4AgXkls9SizeHZu2zi06kkTuPoyv075.webp'/></item><item><title><![CDATA[સોનમ વાંગચુકના સમર્થનમાં આવ્યા ઇમરાન ખાન અને સોનાક્ષી સિંહા, કહ્યું- 'હું ચુપ રહી શકતી નથી' ]]></title><link>https://sandesh.com/entertainment/news/imran-khan-and-sonakshi-sinha-came-in-support-of-sonam-wangchuk-said-i-cannot-remain-silent</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/imran-khan-and-sonakshi-sinha-came-in-support-of-sonam-wangchuk-said-i-cannot-remain-silent</guid><pubDate>Thu, 16 Jul 2026 17:39:06 +05:30</pubDate><description><![CDATA[<p>દિલ્હીના જંતર-મંતર પર લગભગ 18 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકને હવે ફિલ્મ સ્ટાર્સ પોતાનો ટેકો આપી રહ્યા છે. સોનમ વાંગચુકનું સ્વાસ્થ્ય સતત બગડી રહ્યું છે અને તેમનું વજન પણ ઘણું ઘટી ગયું છે. આ દરમિયાન અભિનેત્રી સોનાક્ષી સિંહાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને સોનમ વાંગચુકને સપોર્ટ કર્યો છે. તેણે કહ્યું, "જે થવાનું છે તે થશે, પણ હું ચૂપ રહી શકતી નથી." તેણે એમ પણ ઉમેર્યું, "હું પણ આ દેશની યુવા છું. હું પણ આ દેશ માટે બેસ્ટ ઇચ્છું છું."</p><p>ઇન્સ્ટાગ્રામ પર રિલીઝ થયેલા એક વીડિયોમાં સોનાક્ષી સિંહા કહે છે, "મેં ક્યારેય આવું નિવેદન આપ્યું નથી, પણ આજે હું મારી જાતને રોકી શકતી નથી. સોનમ વાંગચુક આપણે બધા તેમને જાણીએ છીએ કે તેમણે આપણા દેશ માટે શું કર્યું છે. તેમની સિદ્ધિઓ શું છે. તેમણે કેટલા પુરસ્કારો જીત્યા છે. તેઓ 18 દિવસથી ભૂખ્યા છે અને કંઈ ખાધું નથી. તેઓ અહીં શા માટે બેઠેલા છે? તેઓ અહીં તે બાળકોના ભવિષ્ય માટે બેઠેલા છે, જેને તેઓ વિનાશ તરફ આગળ વધતા જુએ છે. તેઓ એવા બાળકો માટે લડી રહ્યા છે જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે. તેઓ એવી સિસ્ટમ સામે લડી રહ્યા છે જે યોગ્ય રીતે કામ કરી રહી નથી. તમે પણ જાણો છો, મને પણ ખબર છે અને બધા જાણે છે."</p><p><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Da2Qsu0ib3-/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Da2Qsu0ib3-/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a></p><p><b style="font-size: 2rem;">"હું ચૂપ રહી શકતી નથી."</b></p><p>સોનાક્ષી કહે છે, "આપણે બધા તેમને ઓળખીએ છીએ. તેઓ આપણને ઓળખતા નથી. છતાં દેશ ખાતર આ દેશના બાળકોના ભવિષ્ય ખાતર, તેમણે 18 દિવસથી ખાધું નથી અને ઘણા લોકો ચૂપ છે. તેથી હું તે સહન કરી શકી નહીં. જે કંઈ થવાનું છે તે થશે, કોઈ વાંધો નહીં. પણ હું ચૂપ રહી શકતી નથી."
</p><h4><b>"કોઈ કેમ સાંભળતું નથી?"
</b></h4><p>આ દરમિયાન તેણે કોકરોચ જનતા પાર્ટીનો પણ ઉલ્લેખ કર્યો અને દેશના યુવાનોને પોતાનો અવાજ ઉઠાવવા બદલ અભિનંદન આપ્યા. તેણે કહ્યું કે યુવાનો સત્ય અને કંઈક સારા માટે લડી રહ્યા છે. પણ કોઈ કેમ સાંભળતું નથી? તે કહે છે, "ખરેખર, કોઈને ચિંતા નથી. કોઈ સંવાદ નથી. કોઈ વાત કરી રહ્યું નથી. મારો મતલબ છે કે, કોઈ તેમની તરફ જોતું પણ નથી. પછી મેં નક્કી કર્યું કે, હું શા માટે ચૂપ રહીશ? હું પણ આ દેશની યુવાન છું. હું પણ આ દેશનું ભલું ઇચ્છું છું. હું રાષ્ટ્રવિરોધી નથી. તો હું કેમ ચૂપ છું?"
</p><h5><b>"જે થઈ રહ્યું છે તે યોગ્ય નથી."
</b></h5><p>સોનાક્ષીએ સોનમ વાંગચુકના એક નિવેદનને ટાંકીને કહ્યું, "હા, હું તમને ભૂખ હડતાળ સમાપ્ત કરવાનું નહીં કહું. હું ફક્ત એટલું જ પૂછવા માંગુ છું કે તમે ક્યારે જાગશો? તમે ત્યારે જ જાગશો જ્યારે આ માણસ મરી જશે. અને તેના માટે કોણ જવાબદાર હશે? જે થઈ રહ્યું છે તે યોગ્ય નથી. આપણે અવાજ ઉઠાવવો જોઈએ, આપણે આપણી આંખો ખોલવી જોઈએ, પછી ભલે કોઈ બીજું કરે કે ન કરે. જય હિંદ."
</p><h5><b>અભિનેતા ઇમરાન ખાને પણ ઉઠાવ્યા સવાલ
</b></h5><p>આ વિવાદ વચ્ચે, અભિનેતા ઇમરાન ખાને સોશિયલ મીડિયા પર પોતાના ભાવનાત્મક અને મહત્વપૂર્ણ વિચારો વ્યક્ત કર્યા છે, જેમાં વિદ્યાર્થીઓની પીડા વ્યક્ત કરી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં NEET કૌભાંડ અંગે જે કંઈ બન્યું છે અને જે વિવિધ બાબતો સામે આવી છે તે જોવી ખૂબ જ પરેશાન કરે છે. ઇમરાન ખાને સ્પષ્ટતા કરી કે આ કોઈ રાજકીય મુદ્દો નથી, પરંતુ દેશના બાળકોના ભવિષ્ય સાથે સંબંધિત મુદ્દો છે. તેમણે ફક્ત એટલું જ કહ્યું કે જો આપણે અપેક્ષા રાખીએ છીએ કે આપણા વિદ્યાર્થીઓ સંપૂર્ણ પ્રામાણિકતા અને સમર્પણ સાથે પરીક્ષા આપે, તો પરીક્ષાનું સંચાલન કરતી સરકારી એજન્સીઓ પાસેથી સમાન સ્તરની પ્રામાણિકતા અને જવાબદારીની અપેક્ષા કેમ ન રાખવી જોઈએ?
</p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/narottam-mishra-warns-officials--i-remember-friendship-and-enmity" target="_blank"><b>'હું ભૂલી જનારો માણસ નથી'. નરોત્તમ મિશ્રાની ખુલ્લેઆમ પોલીસને ચેતવણી</b></a>
</p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/R5YMICmTzR8NIZUz26R74r6lK9sL2BTr6JVWPeDn.webp'/></item><item><title><![CDATA[Lionel Messi ગોલ્ડન બૂટની રેસમાં સૌથી આગળ, એમબાપ્પે પાસે હજુ પણ ટોપના સ્થાન પર પહોંચવાની તક ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-golden-boot-race-messi-mbappe</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-golden-boot-race-messi-mbappe</guid><pubDate>Thu, 16 Jul 2026 16:20:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફિફા વર્લ્ડકપ 2026ની બીજી સેમીફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ ઈંગ્લેન્ડને 2-1 થી હરાવીને ટાઈટલ મેચમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. આર્જેન્ટિના હવે ફાઈનલમાં સ્પેન સામે ટકરાશે. બધાની નજર ગોલ્ડન બૂટ વિજેતા પર પણ છે, જેમાં લિયોનેલ મેસ્સી બીજી સેમીફાઈનલ પછી ટોપનું સ્થાન મેળવી લીધું છે.&nbsp;</p><p style="text-align: justify;">મેસ્સીએ ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલમાં એક પણ ગોલ કર્યો ન હતો, પરંતુ તેને આર્જેન્ટિના માટે 2 ગોલમાં મદદ કરી, જેનાથી તે ગોલ્ડન બૂટ જીતવાની રેસમાં ટોપના સ્થાને પાછો આવી ગયો.</p><h2 style="text-align: justify;"><b>મેસ્સીએ અત્યાર સુધીમાં 8 ગોલ કર્યા&nbsp;</b></h2><p style="text-align: justify;">લિયોનેલ મેસ્સીએ પોતાના કરિયરમાં એક પણ વાર ગોલ્ડન બૂટ જીત્યો નથી, અને આ વખતે તેની પાસે એક શાનદાર તક રહેવાની છે. મેસ્સીએ અત્યાર સુધી ફિફા વર્લ્ડકપમાં કુલ 8 ગોલ કર્યા છે, જેમાંથી 4 ગોલમાં તેને આસિસ્ટની ભૂમિકા પણ ભજવી છે. આ લિસ્ટમાં બીજા નંબરે ફ્રાન્સના કાયલિયન એમબાપ્પે છે, જેણે કુલ 8 ગોલ પણ કર્યા છે, પરંતુ તેના નામે ફક્ત 3 આસિસ્ટ છે. ત્રીજા નંબરે નોર્વેના ખેલાડી એર્લિંગ હાલેન્ડનું નામ છે, જેની ટીમની સફર ક્વાર્ટર-ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડ સામેની હાર સાથે સમાપ્ત થઈ.</p><h3 style="text-align: justify;"><b>2026 ફિફા વર્લ્ડકપ માટે ગોલ્ડન બૂટની રેસમાં ખેલાડીઓ</b></h3><p style="text-align: justify;">લિયોનેલ મેસ્સી (આર્જેન્ટિના) - 8 ગોલ, 4 આસિસ્ટ</p><p style="text-align: justify;">કાયલિયન એમબાપ્પે (ફ્રાન્સ) - 8 ગોલ, 3 આસિસ્ટ</p><p style="text-align: justify;">એરલિંગ હાલેન્ડ (નોર્વે) - 7 ગોલ</p><p style="text-align: justify;">જુડ બેલિંગહામ (ઈંગ્લેન્ડ) - 6 ગોલ, 1 આસિસ્ટ</p><p style="text-align: justify;">હેરી કેન (ઈંગ્લેન્ડ) - 6 ગોલ, 1 આસિસ્ટ</p><h4 style="text-align: justify;"><b>એમબાપ્પે પાસે હજુ પણ ટોપ સ્થાને પહોંચવાની તક</b></h4><p style="text-align: justify;">ભલે ફ્રાન્સ 2026 ના ફિફા વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ રહ્યું, પરંતુ હવે તેમની પાસે ત્રીજા સ્થાને રહીને ટુર્નામેન્ટ પૂર્ણ કરવાની શાનદાર તક છે. આનાથી કાયલિયન એમબાપ્પે પાસે મેસ્સીને પાછળ છોડીને ગોલ્ડન બૂટની રેસમાં પ્રથમ સ્થાન મેળવવાની તક બાકી છે. ફ્રાન્સ અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજા સ્થાન માટેની મેચ 19 જુલાઈના રોજ ભારતીય સમય મુજબ સવારે 2:30 વાગ્યે રમાશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/ishan-kishan-run-out-abhishek-sharma-stump-mic-video" target="_blank">Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/EWNarws57Dn8jooFWmrzBAw1gRglBgZWwBEB6jjO.webp'/></item></channel></rss>