<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Gold Silver Price Today: સોના ચાંદીના ભાવ આજે પણ ઘટ્યા, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ ]]></title><link>https://sandesh.com/business/news/gold-silver-price-today-gold-and-silver-prices-fell-today-too-know-the-latest-rate-of-10-grams-1</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/gold-silver-price-today-gold-and-silver-prices-fell-today-too-know-the-latest-rate-of-10-grams-1</guid><pubDate>Tue, 30 Jun 2026 10:15:33 +05:30</pubDate><description><![CDATA[<p>ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારાની આશંકાને કારણે વૈશ્વિક બજારમાં સોનાનો વાયદો ફરી $4,000 ની નીચે આવી ગયો. ચાંદીએ પણ તેની ચમક ગુમાવી દીધી. મંગળવારે (30 જૂન) સ્થાનિક મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર બંને ધાતુઓના ભાવ નીચા સ્તરે ખુલ્યા. આ લખાઈ રહ્યું છે ત્યારેસ્થાનિક બજારમાં સોનાનો વાયદો ₹1,40,600 ની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો જ્યારે ચાંદીના ભાવ ₹2,20,750 ની આસપાસ જોવા મળ્યા.&nbsp;</p><p><b style="font-size: 2rem;">સોનાના ભાવમાં ઘટાડો</b></p><p>સોનાનો વાયદો નીચા સ્તરે ખુલ્યો. MCX પર ઓગસ્ટનો બેન્ચમાર્ક ગોલ્ડ કોન્ટ્રેક્ટ ₹1,516 ઘટીને ₹1,40,886 પર ખુલ્યો. પાછલો બંધ ભાવ  ₹1,42,402 હતો. આ લખાઈ રહ્યું છે ત્યારે, કોન્ટ્રેક્ટ ₹1,40,600 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે ₹1,802 નો ઘટાડો હતો. સત્ર દરમિયાન તે ₹1,40,886 ની ઊંચી સપાટી અને ₹1,40,450 ની નીચી સપાટીને સ્પર્શ્યો.  ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂઆતમાં સોનાના વાયદા ₹1,80,779 ની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.</p><h2><b>ચાંદી પણ ચમકી&nbsp;</b></h2><p>ચાંદીના વાયદામાં ધીમી શરૂઆત જોવા મળી. MCX પર સપ્ટેમ્બરનો ચાંદીનો બેન્ચમાર્ક કોન્ટ્રેક્ટ₹2,387 ઘટીને  ₹2,20,247 પર ખુલ્યો. અગાઉનો બંધ ભાવ ₹2,22,634 હતો. આ લખાય છે ત્યારે, કોન્ટ્રેક્ટ ₹1,889 ઘટીને ₹2,20,745 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સત્ર દરમિયાન તે ₹2,21,110 ની ઊંચી સપાટી અને ₹2,20,247 ની નીચી સપાટીને સ્પર્શ્યો. આ વર્ષે ચાંદીના વાયદા ₹4,20,048 પ્રતિ કિલોગ્રામના રેકોર્ડ ઊંચા સ્તરે પહોંચ્યા.</p><p><b style="font-size: 1.75rem;">આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો&nbsp;</b></p><p>આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના વાયદામાં ધીમી ગતિ જોવા મળી રહી છે. કોમેક્સ પર સોનું $4,032.50 પ્રતિ ઔંસ પર ખુલ્યું; અગાઉનો બંધ ભાવ $4,038.90 પ્રતિ ઔંસ હતો. આ લેખન સમયે, તે $66.10 ઘટીને $3,972.80 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ વર્ષે સોનાના ભાવ $5,586.20 ની ટોચે પહોંચ્યા. કોમેક્સ પર ચાંદીનો વાયદો $58.34 પ્રતિ ઔંસ પર ખુલ્યો, જે અગાઉના $58.17 ના બંધ ભાવની સરખામણીમાં હતો. આ લેખન સમયે, તે $57.35 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે $0.82 નો ઘટાડો હતો. આ વર્ષે તેની કિંમત $121.79 ની ઊંચી સપાટીએ પહોંચી ગઈ.</p><h4><b>દેશના મોટા શહેરોમાં શું છે સોના ચાંદીનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)&nbsp;</b></h4><table class="table table-bordered"><tbody><tr><td>શહેર&nbsp;</td><td>24 કેરેટ સોનાની કિંમત ( રૂપિયા/10 ગ્રામ) )&nbsp;</td><td>22 કેરેટ સોનાની કિંમત( રૂપિયા/10 ગ્રામ)</td></tr><tr><td>દિલ્હી&nbsp;</td><td>1,40,130</td><td>&nbsp;1,28,600&nbsp; &nbsp;&nbsp;</td></tr><tr><td>કોલકાતા</td><td>&nbsp;1,40,130</td><td>&nbsp;1,28,450</td></tr><tr><td>ચેન્નઈ&nbsp;</td><td>1,45,080&nbsp;</td><td>1,32,990&nbsp;</td></tr><tr><td>બેંગ્લોર</td><td>&nbsp;1,40,130&nbsp;</td><td>1,28,450</td></tr><tr><td>અમદાવાદ</td><td>&nbsp;1,40,180</td><td>&nbsp;1,28,500&nbsp;</td></tr><tr><td>વડોદરા&nbsp;<br></td><td>1,40,180&nbsp;</td><td>1,28,500&nbsp;</td></tr></tbody></table><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2025/12/17/yNz2xOJHjSqIukb6ZDzgGyMHmgSfeGw0tEa3KGOC.webp'/></item><item><title><![CDATA[Navsari: દક્ષિણ ગુજરાતમાં મોસમનો મિજાજ બદલાયો, સવારથી જ કાળા ડિબાંગ વાદળો વચ્ચે વાવણી લાયક વરસાદ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/weather/navsari/navsari-district-all-talukas-experience-pleasant-rainy-weather-farmers-relieved</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/weather/navsari/navsari-district-all-talukas-experience-pleasant-rainy-weather-farmers-relieved</guid><pubDate>Tue, 30 Jun 2026 10:06:51 +05:30</pubDate><description><![CDATA[<p>દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના નવસારી જિલ્લામાં લાંબા સમયથી પ્રવર્તી રહેલી કાળઝાળ ગરમી અને અસહ્ય બફારાનો આખરે અંત આવ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી જ નવસારીના આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને જોતજોતામાં ઠંડા પવનના સુસવાટા સાથે વરસાદી માહોલ જામી ગયો હતો. જિલ્લાના મુખ્ય મથક નવસારી શહેર ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદની ધારા શરૂ થઈ ગઈ છે.</p><h2><b>તમામ 6 તાલુકાઓ પાણી-પાણી</b></h2><p>વહીવટી તંત્રના અહેવાલો મુજબ, નવસારી જિલ્લાના તમામ છ તાલુકાઓમાં સાર્વત્રિક રીતે વરસાદી માહોલ સક્રિય થયો છે. ખાસ કરીને નવસારી, જલાલપોર અને ગણદેવી તાલુકામાં સવારથી જ રોકાઈ-રોકાઈને ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા, જેના કારણે વાહનચાલકોને હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતી. જોકે, આ વરસાદી ઝાપટાં લાંબા ગાળાની ગરમી બાદ આવ્યા હોવાથી નાગરિકોએ ખુશી વ્યક્ત કરી છે અને મોડી સાંજે બજારોમાં પણ રોનક જોવા મળી હતી.</p><h3><b>ખેતીવાડી માટે આશીર્વાદ સમાન વરસાદ</b></h3><p>ચોમાસાની નિયમિત શરૂઆતના આ સંકેતોથી સૌથી વધુ રાહત નવસારી જિલ્લાના ખેડૂતોને થઈ છે. ડાંગર, શેરડી અને શાકભાજીના પાક માટે આ વરસાદી માહોલ ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે. કૃષિ નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, વરસાદી માહોલ જામતાની સાથે જ જમીનમાં ભેજનું પ્રમાણ વધશે, જે વાવણી પ્રક્રિયા માટે અત્યંત સાનુકૂળ છે. આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા પણ નીચાણવાળા વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે, પરંતુ હાલ વરસાદની ગતિ ધીમી હોવાથી ક્યાંય પણ જળબંબાકાર કે નુકસાનીના અહેવાલ નથી.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/bharuch/ankleshwar-gidc-sharda-synthetic-company-massive-fire-early-morning-no-casualties" target="_blank">આ પણ વાંચો: Bharuch: શારદા સિન્થેટિક કંપનીમાં વહેલી સવારે અચાનક લાગી આગ, આકાશમાં દૂર-દૂર સુધી ધુમાડો દેખાયો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/30/cUR42vOeKUdsrZ5G4IXQHZmboso54HPtnfpvJQvm.webp'/></item><item><title><![CDATA[Kutch : ભચાઉ-સામખિયાળી હાઇવે પર આઈશર ટ્રકમાં લાગી ભીષણ આગ, કલાકો સુધી ટ્રાફિકજામ ]]></title><link>https://sandesh.com/gujarat/news/kutch/kutch-news-bhachau-samakhiyali-highway-eicher-truck-fire-traffic-jam</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/kutch/kutch-news-bhachau-samakhiyali-highway-eicher-truck-fire-traffic-jam</guid><pubDate>Tue, 30 Jun 2026 10:06:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કચ્છ જિલ્લાના વ્યસ્ત ગણાતા ભચાઉ-સામખિયાળી હાઇવે પર ગત મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. હાઇવે પરથી પસાર થઈ રહેલી એક આઈશર ટ્રકમાં અચાનક કોઈ અગમ્ય કારણોસર ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે આખી ટ્રક આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી. રાત્રિના અંધકારમાં આગની જ્વાળાઓ દૂર-દૂર સુધી દેખાતાં હાઇવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકોમાં ભારે નાસભાગ અને ફફડાટ મચી ગયો હતો.</p><h2 style="text-align: justify; "><b>ફાયર બ્રિગેડની 3 કલાકની ભારે જહેમત</b></h2><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં જ ભચાઉ નગરપાલિકાની ફાયર ફાઇટર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયરના જવાનોએ ભારે જહેમત સાથે પાણીનો મારો ચલાવી આગ બઝાવવાની કામગીરી શરૂ કરી હતી. ટ્રકમાં લાગેલી આગ એટલી ભયાનક હતી કે તેના પર સંપૂર્ણ કાબૂ મેળવતા ફાયર ટીમને 3 કલાકથી વધુ સમય લાગ્યો હતો. જો કે, રાહતના સમાચાર એ છે કે આ દુર્ઘટનામાં સમયસૂચકતા વાપરીને ડ્રાઈવર અને ક્લીનર બહાર નીકળી જતાં મોટી જાનહાનિ ટળી છે, પરંતુ આગને કારણે આઈશર ટ્રક બળીને ખાખ થઈ ગઈ છે અને માલિકને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>હાઇવે પર વાહનોની લાંબી કતારો</b></h3><p style="text-align: justify; ">વચ્ચે હાઇવે પર ટ્રકમાં લાગેલી આ આગના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. અકસ્માતને પગલે ભચાઉ-સામખિયાળી હાઇવે પર બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને કલાકો સુધી ભારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાને પગલે સ્થાનિક પોલીસે પણ દોડી આવીને વાહનોને ડાયવર્ટ કરી ટ્રાફિક હળવો કરાવવાની કામગીરી હાથ ધરી હતી. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; <a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-gujarat-monsoon-stuck-surat-paresh-goswami-prediction-weather-alerts-meaning" target="_blank"><b>&nbsp;Sandesh Digital Explainer : ચોમાસું આખરે ક્યાં જઈને અટકી ગયું? ગુજરાત માટે આગામી 24 કલાક કેમ અત્યંત રોમાંચક છે, જાણો અસલી રહસ્ય</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/30/QFBN9kBPgRIUMQBckHyFiRR4QND5mBRX7Z0Fnpbo.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: SG હાઈવે પર ટ્રકનો અકસ્માત, ફાયર બ્રિગેડે પતરાં કાપી ડ્રાઈવરને હેમખેમ બહાર કાઢ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/sg-highway-zydus-to-gota-bridge-truck-accident-driver-rescued-by-fire-brigade</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/sg-highway-zydus-to-gota-bridge-truck-accident-driver-rescued-by-fire-brigade</guid><pubDate>Tue, 30 Jun 2026 10:02:21 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરના એસ.જી. હાઈવે ફરી એકવાર રક્તરંજિત થતાં રહી ગયો છે. વહેલી સવારે જ્યારે હાઈવે પર વાહનોની અવરજવર ઓછી હતી, ત્યારે ઝાયડસ સર્કલથી ગોતા બ્રિજ તરફ જઈ રહેલી એક ભારે માલવાહક ટ્રક કોઈ અગમ્ય કારણોસર અકસ્માતનો ભોગ બની હતી. પ્રાથમિક દ્રષ્ટિએ ડ્રાઈવરને ઝોકું આવી જતાં કે અન્ય કોઈ વાહનને બચાવવા જતાં ટ્રક સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવી બેઠી હોવાનું જણાય છે.</p><h2><b>લોખંડના પતરા વચ્ચે જિંદગીનો જંગ</b></h2><p>અકસ્માત એટલો પ્રચંડ હતો કે ટ્રકનો આગળનો ભાગ ધડાકાભેર અથડાવાને કારણે આખી કેબિન વળી ગઈ હતી. આ અકસ્માતમાં ચાલક સીટ પર જ લોખંડના પતરા અને તૂટેલા સ્ટેશનરી ભાગોની વચ્ચે ખરાબ રીતે લોહીલુહાણ હાલતમાં ફસાઈ ગયો હતો. હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકોએ તુરંત જ ગાડીઓ ઊભી રાખી ડ્રાઈવરને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ દરવાજો સદંતર લોક થઈ ગયો હોવાથી સફળતા મળી ન હતી. અંતે કંટ્રોલ રૂમને જાણ કરાતા એએમસી ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.</p><h3><b>ફાયર બ્રિગેડની સ્પીડી કામગીરી</b></h3><p>ફાયર જવાનોએ સમય સૂચકતા વાપરીને હાઈડ્રોલિક સ્પ્રેડર અને કટર મશીનનો ઉપયોગ કરીને ટ્રકનો કચડાયેલો દરવાજો કાપી નાખ્યો હતો. અંદાજે અડધા કલાકની ભારે જહેમત બાદ ડ્રાઈવરને સુરક્ષિત રીતે કેબિનમાંથી બહાર ખેંચી કઢાયો હતો. 108 એમ્બ્યુલન્સ મારફતે તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં ડોક્ટરોના જણાવ્યા મુજબ તેની સ્થિતિ સ્થિર છે અને મોટી જાનહાનિ ટળી છે. ટ્રાફિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhachau/samakhiali-national-highway-eicher-truck-catches-massive-fire-traffic-jam" target="_blank">આ પણ વાંચો: Bhachau: સામખિયાળી હાઇવે પર આઇશર ટ્રકમાં ભીષણ આગ, ભારે જહેમત બાદ આગ પર મેળવાયો કાબૂ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/30/XqptP46X1m3vCkjjgFgycP73QKBEKt7NolqmO3Ty.webp'/></item><item><title><![CDATA[Ayodhya Ram Temple Donation : SITની તપાસમાં ટ્રસ્ટ અને SBI વચ્ચેના MoUમાં ખામીઓ ]]></title><link>https://sandesh.com/india/news/ayodhya-ram-temple-donation-sit-investigation-finds-flaws-in-mou-between-trust-and-sbi</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ayodhya-ram-temple-donation-sit-investigation-finds-flaws-in-mou-between-trust-and-sbi</guid><pubDate>Tue, 30 Jun 2026 09:59:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બંને પક્ષોની જવાબદારીઓ સ્પષ્ટ રીતે વહેંચવામાં આવી હતી, જેથી દાનની ગણતરીથી લઈને બેંકમાં જમા કરવાની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે. SITની તપાસ દરમિયાન એવા સંકેતો મળ્યા છે કે આ સમજૂતી (MoU)ની અનેક જોગવાઈઓનું નિયમિત પાલન કરવામાં આવ્યું નહોતું.</p><h2 style="text-align: justify; ">કર્મચારીઓ માટે ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો હતો</h2><p style="text-align: justify; ">સૂત્રો અનુસાર ફેબ્રુઆરી 2025માં થયેલા MoUમાં દાનપેટી ખોલતી વખતે અને ગણતરી રૂમમાં ટ્રસ્ટ તેમજ SBIના અધિકારીઓની સંયુક્ત હાજરી ફરજિયાત રાખવામાં આવી હતી. દાનની ગણતરી કરતા કર્મચારીઓ માટે ડ્રેસ કોડ પણ નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ દરેક તબક્કે તેનું યોગ્ય પાલન થયું ન હોવાનું તપાસમાં સામે આવી રહ્યું છે.</p><h3 style="text-align: justify; ">બેંકના અધિકારીઓની દર મહિને બદલી કરવાની જોગવાઈ હતી</h3><p style="text-align: justify; ">MoUમાં બેંકના અધિકારીઓની દર મહિને બદલી (રોટેશન) કરવાની જોગવાઈ પણ હતી, જેથી એક જ વ્યક્તિ લાંબા સમય સુધી એક જ જવાબદારી પર ન રહે. જોકે, તપાસમાં જાણવા મળ્યું છે કે કેટલાક કર્મચારીઓ લાંબા સમય સુધી એ જ વ્યવસ્થામાં કાર્યરત રહ્યા હતા. ઉપરાંત, ગણતરી રૂમમાં પ્રવેશતા અને બહાર નીકળતા કર્મચારીઓની નિયમિત તેમજ રેન્ડમ તપાસ, દરેક દાનપેટીની રકમનો અલગ-અલગ રેકોર્ડ રાખવો અને ક્રમબદ્ધ ગણતરી જેવી પ્રક્રિયાઓ પણ MoUનો ભાગ હતી. હવે SIT આ તમામ નિયમોનું પાલન થયું હતું કે નહીં તેની વિગતવાર તપાસ કરી રહી છે.</p><h4 style="text-align: justify; ">રજિસ્ટરોની પણ ચકાસણી કરવામાં આવી</h4><p style="text-align: justify; ">તપાસ એજન્સીઓ દૈનિક રિપોર્ટ બેંકમાં જમા કરાવવાની સ્લિપો અને સંબંધિત રજિસ્ટરોની પણ ચકાસણી કરી રહી છે. બીજી તરફ પોલીસે હવે આરોપીઓની આર્થિક પ્રવૃત્તિઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ધરપકડ કરાયેલા તમામ આઠ આરોપીઓ પાસેથી છેલ્લા ત્રણ વર્ષમાં ખરીદેલી ચલ અને અચલ મિલકતોની માહિતી માંગવામાં આવી છે. પૂછપરછ દરમિયાન તેઓએ કેટલી જમીન ખરીદી, મકાન બનાવ્યું કે નહીં, દાગીના અથવા અન્ય કિંમતી વસ્તુઓ ખરીદી હતી કે નહીં જેવી વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. તપાસ ટીમ આરોપીઓની આવક અને ખર્ચ વચ્ચેનો તફાવત પણ ચકાસી રહી છે.</p><h4 style="text-align: justify; ">મુખ્ય આરોપી લવકુશે પોતાની પત્નીના નામે જમીન ખરીદી હતી&nbsp;</h4><p style="text-align: justify; ">સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્ય આરોપી લવકુશે પોતાની પત્નીના નામે જમીન ખરીદી હતી અને તેના પર ત્રણ માળનું ભવ્ય મકાન બનાવવામાં આવ્યું છે, જેમાં કરોડો રૂપિયાનો ખર્ચ થયો હોવાનો અંદાજ છે. અનુકલ્પની સંપત્તિઓની પણ પોલીસ તપાસ કરી રહી છે. તે જ રીતે ટિન્નુ યાદવના બેંક ખાતાની વિગતો પણ તપાસવામાં આવી રહી છે. તેના ઘરેથી કેટલાક દાગીના પણ જપ્ત કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.</p><h5 style="text-align: justify; ">ખાનગી સુરક્ષાકર્મીઓની ભૂમિકા પણ તપાસના કેન્દ્રમાં&nbsp;</h5><p style="text-align: justify; ">આ કેસમાં હવે મંદિરની સુરક્ષા વ્યવસ્થા સાથે જોડાયેલા ખાનગી સુરક્ષાકર્મીઓની ભૂમિકા પણ તપાસના કેન્દ્રમાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ લગભગ 400 ખાનગી સુરક્ષાકર્મીઓની ફરજો, તેમની કામગીરી અને સંદિગ્ધ પ્રવૃત્તિઓની તપાસ કરવામાં આવી રહી છે. મંદિરના મુખ્ય પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો, દર્શન પથ તેમજ ચઢાવો લઈ જવાના માર્ગો પર તેમની તૈનાતી રહેતી હતી. તપાસમાં એવી પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ચઢાવાની ચોરીના આરોપીઓ ઉપરાંત દલાલી સાથે સંકળાયેલા કેટલાક લોકો સુરક્ષાકર્મીઓની બેદરકારી અથવા મળતાવળનો લાભ લઈ રહ્યા હતા. SIT હવે સમગ્ર મામલાની દરેક દિશામાં તપાસ કરીને જવાબદારી નક્કી કરવાની કાર્યવાહી આગળ વધારી રહી છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/30/g9p0ibdk8R73GeXXOvYFTc89cAQZCrS1mvRLO2fr.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : નિકોલની ચાણક્યપુરી સ્કૂલમાં તોફાન કરતા વિદ્યાર્થીને માર્યો લાફો, DEOની નોટિસ બાદ શિક્ષક સસ્પેન્ડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-nikol-chanakyapuri-school-teacher-suspended-student-beaten-deo-notice</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-nikol-chanakyapuri-school-teacher-suspended-student-beaten-deo-notice</guid><pubDate>Tue, 30 Jun 2026 09:49:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં શાળાઓમાં વિદ્યાર્થીઓ સાથે થતી હિંસાના કિસ્સા અટકવાનું નામ નથી લઈ રહ્યા. અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત ચાણક્યપુરી સ્કૂલ ભારે વિવાદમાં સપડાઈ છે. અહીં એક શિક્ષકે વિદ્યાર્થીને માર્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. આ મામલે વાલીઓના ભારે હોબાળા બાદ શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યું છે અને શાળાને કારણદર્શક નોટિસ ફટકારી છે. બીજી તરફ, મામલો બિચકતાં પોલીસ સ્ટેશનમાં કસૂરવાર શિક્ષક સામે સત્તાવાર ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>શિસ્તના નામે કાયદો હાથમાં લીધો</b></h2><p style="text-align: justify; ">સમગ્ર વિવાદ અંગે ચાણક્યપુરી સ્કૂલના પ્રિન્સિપાલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થી ક્લાસમાં સતત તોફાન કરી રહ્યો હતો, જેના કારણે શિક્ષક લક્ષ્મણ પરાએ શિસ્તના ભાગરૂપે તેને લાફો મારી દીધો હતો. ઘટનાની જાણ થતાં જ સ્કૂલ મેનેજમેન્ટે તાત્કાલિક વાલીઓને ફોન કરીને શાળાએ બોલાવ્યા હતા.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>શિક્ષકને સસ્પેન્ડ કરાયો</b></h3><p style="text-align: justify; ">શાળા પરિસરમાં વાલીઓએ આવીને ભારે આક્રોશ સાથે રજૂઆત કરી હતી. વાલીઓની ઉગ્ર માંગણી અને બાળકની સુરક્ષાને ધ્યાને રાખીને સ્કૂલ પ્રશાસને માર મારનાર શિક્ષક લક્ષ્મણ પરાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.</p><h4 style="text-align: justify; "><b>DEOની નોટિસનો સ્કૂલે આપ્યો જવાબ</b></h4><p style="text-align: justify; ">આ ઘટના સોશિયલ મીડિયા અને મીડિયામાં વાયરલ થતાં જ જિલ્લા શિક્ષણ અધિકારી  દ્વારા સ્કૂલ સામે કડક વલણ અપનાવી નોટિસ પાઠવવામાં આવી હતી. પ્રિન્સિપાલે જણાવ્યું કે, તેમણે DEOની નોટિસનો સત્તાવાર જવાબ રજૂ કરી દીધો છે અને શાળા કક્ષાએથી શિક્ષક સામે સસ્પેન્શનના પગલાં લઈ લેવાયા છે. જો કે, બાળકના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સાથે થયેલા આ ચેડાં બદલ વાલીઓએ શિક્ષકને કાયદાનું ભાન કરાવવા પોલીસ સ્ટેશનના પગથિયાં ચડ્યા છે અને  પોલીસ તપાસ પણ શરૂ થઈ ગઈ છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-gujarat-monsoon-stuck-surat-paresh-goswami-prediction-weather-alerts-meaning" target="_blank"><b> Sandesh Digital Explainer : ચોમાસું આખરે ક્યાં જઈને અટકી ગયું? ગુજરાત માટે આગામી 24 કલાક કેમ અત્યંત રોમાંચક છે, જાણો અસલી રહસ્ય</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/30/rVczf94XScatqC7VCdR7BrGIDa0xotVT06VhvWqR.webp'/></item><item><title><![CDATA[Lock Upp Season 2માં સુનીતા આહુજાનો બેબાક અને બિન્દાસ અંદાજ, શું હું કોઈના બાપના પૈસાથી..... ]]></title><link>https://sandesh.com/entertainment/news/sunita-ahujas-bold-and-bold-style-in-lock-up-season-2-am-i-going-to-live-with-someones-fathers-money</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/sunita-ahujas-bold-and-bold-style-in-lock-up-season-2-am-i-going-to-live-with-someones-fathers-money</guid><pubDate>Tue, 30 Jun 2026 09:42:39 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડના દિગ્ગજ અભિનેતા ગોવિંદાની પત્ની સુનિતા આહુજા આજકાલ પોતાના બેબાક અંદાજને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. હાલમાં તે એકતા કપૂરના લોકપ્રિય રિયાલિટી શો 'લોક અપ'માં જોવા મળી રહી છે, જ્યાં તેની સ્પષ્ટવક્તા અને સરળ સ્વભાવના દર્શકો ખૂબ વખાણ કરી રહ્યા છે. તાજેતરના જ એક એપિસોડમાં, સુનિતાએ તેને ટ્રોલ કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો હતો અને સાથે જ ભત્રીજા કૃષ્ણા અભિષેક તથા પુત્રવધૂ કાશ્મીરા શાહ સાથેના કૌટુંબિક વિવાદના અંત વિશે ખુલીને વાત કરી હતી.</p><h2 style="text-align: justify; "><b>કૃષ્ણા અભિષેક સાથેના સમાધાન પર ખુલાસો</b></h2><p style="text-align: justify; ">શો દરમિયાન સુનિતા આહુજાએ કૃષ્ણા અને કાશ્મીરા સાથેના પેચ-અપ વિશે ભાવુક થઈને વાત કરી હતી. તેણે જણાવ્યું, "જ્યારે હું 'લાફ્ટર શેફ' શોમાં ગઈ, ત્યારે કૃષ્ણા અને મારી વચ્ચે સમાધાન થઈ ગયું હતું. મેં જ કૃષ્ણાને મોટો કર્યો છે, પરંતુ એક કડવાશને કારણે મેં છેલ્લા નવ વર્ષથી તેના બાળકોને જોયા નહોતા." પુત્રવધૂ કાશ્મીરા વિશે વાત કરતા સુનિતાએ ઉમેર્યું, "કાશ્મીરા ખરેખર ખૂબ જ પ્રેમાળ છોકરી છે. જ્યારે અમે 14 વર્ષ પછી એકબીજાને મળ્યા, ત્યારે તે ભાવુક થઈને મારા પગે પડી ગઈ અને રડતા-રડતા માફી માગી. તેણે કહ્યું, 'મારાથી ભૂલ થઈ ગઈ, પ્લીઝ મને માફ કરી દો.' આ જોઈને હું પણ મારી જાતને રોકી ન શકી અને રડવા લાગી.</p><h3 style="text-align: justify; "><b>"હું કોઈના માટે પોતાની જાતને નહીં બદલું" -સુનીતા આહુજા</b></h3><p style="text-align: justify; ">શોમાં જ્યારે આકાંક્ષા ચૌધરીએ સુનિતાને ભૂતકાળના એક વિવાદિત નિવેદન વિશે પૂછ્યું, ત્યારે સુનિતાએ સ્પષ્ટતા કરી કે 'લાફ્ટર શેફ' શોના રાઈટર્સે તેને એક ડાયલોગ બોલવા આપ્યો હતો. એ ડાયલોગ એવો હતો કે, 'જ્યાં સુધી તે (કૃષ્ણા) પોતાની પત્નીનું સાંભળશે, ત્યાં સુધી તે આંખોથી ગોળીબાર કરશે, પણ જો કોઈ ત્રીજી વ્યક્તિ વચ્ચે આવશે તો તેને ઘૂંટણમાં ગોળી વાગશે.' આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર સુનિતાને ભારે ટ્રોલ કરવામાં આવી હતી. પોતાના નફરત કરનારાઓ (Trolls)ને કડક શબ્દોમાં જવાબ આપતા સુનિતાએ કહ્યું કે તે દુનિયા માટે ક્યારેય પોતાની જાતને બદલશે નહીં.</p><h4 style="text-align: justify; "><b>દારૂ પીવા અને પાર્ટી કરવાના આક્ષેપો પર સુનિતા આહુજા ભડકી</b></h4><p style="text-align: justify; ">સુનિતાએ પોતાની જીવનશૈલી પર સવાલ ઉઠાવનારાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેણે ગુસ્સામાં કહ્યું, "લોકો અવારનવાર મારી ટીકા કરે છે કે હું ખૂબ પાર્ટી કરું છું અને દારૂ પીઉં છું. હું એવા લોકોને પૂછવા માંગુ છું કે, શું હું તમારા પિતાના ઘરે જઈને પાર્ટી કરું છું? હું જે કંઈ પણ કરું છું, મારા પોતાના ઘરે કરું છું. હવે હું મારા ઘરે એક બોટલ પીઉં કે દસ, તેનાથી કોઈને શું ફરક પડે છે? શું હું કોઈના બાપના પૈસાથી પીઉં છું?" સુનિતાના આ બેબાક અને બિન્દાસ અંદાજે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તે ટ્રોલ્સની પરવા કર્યા વગર પોતાની શરતો પર જીવવાનું પસંદ કરે છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/mukesh-khanna-reacts-to-ram-mandir-donation-scam-urges-devotees-to-stop-offerings" target="_blank">આ પણ વાંચો : Shaktimaan Actor : રામ મંદિરમાં ચઢાવા કૌભાંડ પર મુકેશ ખન્નાનો ફૂટ્યો ગુસ્સો, કહ્યું- 'લૂંટ મચી છે'</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/30/XCJabPM55rXvL1WLJ0ujWXSwskkaxTIcg3gikFEw.webp'/></item><item><title><![CDATA[Vadodara: માંજલપુર પોલીસ સ્ટેશનના લાંચિયા ASI અને PSI સસ્પેન્ડ, 10 હજારની લાંચ લેતા ઝડપાતા જેલભેગા ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/manjalpur-police-station-asi-jaykishan-gameti-psi-mallika-parmar-suspended-bribe-case</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/manjalpur-police-station-asi-jaykishan-gameti-psi-mallika-parmar-suspended-bribe-case</guid><pubDate>Tue, 30 Jun 2026 08:40:13 +05:30</pubDate><description><![CDATA[<p>વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જેમના શિરે જવાબદારી છે તેવા પોલીસ વિભાગના જ બે કર્મચારીઓ લાંચ લેતા ઝડપાતા અને સસ્પેન્ડ થતા ચકચાર મચી ગઈ છે. વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનમાં થોડા દિવસો પૂર્વે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા એક સફળ લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ સ્ટેશનની અંદર જ રમાયેલા આ લાંચકાંડના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ શિસ્તભંગની આકરી કાર્યવાહી હાથ ધરી છે.</p><h2><b>10હજારની લાંચ અને મહિલા પીએસઆઈની ફરાર&nbsp;</b></h2><p>ઘટનાની વિગત એવી છે કે માંજલપુર પોલીસ મથકમાં નોંધાયેલા એક મારામારીના ગુનામાં આરોપીને પોલીસ હેરાનગતિ ન કરે તે માટે ત્યાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ મલ્લિકા પરમાર અને એએસઆઈ જયકિશન ગામેતીએ રૂપિયા 10,000 ની લાંચની માંગણી કરી હતી. જાગૃત નાગરિકે આ અંગે એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીના અધિકારીઓએ ગોઠવેલા છટકા દરમિયાન એએસઆઈ જયકિશન ગામેતી લાંચની રોકડ રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. જોકે, આ રેડની ગંધ આવી જતાં મુખ્ય સૂત્રધાર ગણાતા મહિલા પીએસઆઈ મલ્લિકા પરમાર પોલીસ સ્ટેશનથી જ રહસ્યમય રીતે ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા.</p><h3><b>કોર્ટે જેલમાં મોકલ્યા, ખાતાકીય પગલાં શરૂ</b></h3><p>પકડાયેલા આરોપી એએસઆઈ જયકિશન ગામેતીને એસીબી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. રિમાન્ડની મુદત પૂર્ણ થતાં આજે તેમને નામદાર અદાલતના આદેશથી જેલ હવાલે કરી દેવાયા છે. બીજી તરફ, કાયદાના રક્ષક હોવા છતાં પોતે ગુનેગાર બનીને ભૂગર્ભમાં ઉતરી ગયેલા મહિલા પીએસઆઈ મલ્લિકા પરમારની શોધખોળ માટે વડોદરા અને આસપાસના જિલ્લાઓમાં એસીબીની ટીમો દરોડા પાડી રહી છે. વડોદરા પોલીસ કમિશનરે ખાખી વર્દીને શર્મસાર કરનાર આ બંને કર્મચારીઓને તાત્કાલિક અસરથી નોકરીમાંથી સસ્પેન્ડ કરવાનો હુકમ જારી કરી દીધો છે, જેથી સરકારી વિભાગોમાં લાંચિયા તત્વો વચ્ચે ફફડાટ વ્યાપી ગયો છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/amroli-prakash-parmar-booked-for-raping-girl-for-two-half-years-on-pretext-of-marriage" target="_blank">આ પણ વાંચો: Surat: અમરોલીમાં 21 વર્ષીય યુવતીને જાળમાં ફસાવી અઢી વર્ષ સુધી દુષ્કર્મ આચરનાર પ્રકાશ પરમાર સામે ફરિયાદ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/30/Pu7g7coU9VM4MbB27pKsfo9yAkgFAQeKM2EWasvB.webp'/></item><item><title><![CDATA[Mathura Yamuna Expressway : વોલ્વો બસ અને ટ્રેલર વચ્ચે ભયંકર ટક્કર 4નાં મોત, Video ]]></title><link>https://sandesh.com/india/news/mathura-yamuna-expressway-fatal-collision-between-volvo-bus-and-trailer-4-dead</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/mathura-yamuna-expressway-fatal-collision-between-volvo-bus-and-trailer-4-dead</guid><pubDate>Tue, 30 Jun 2026 08:30:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મથુરા યમુના એક્સપ્રેસવે પર મુસાફરોથી સવાર એક વોલ્વો બસ અને ટ્રેલર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં 4 લોકોનાં કરુણ મોત થયા છે, જ્યારે 20 અન્ય મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસ અને વહીવટી તંત્રની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી.</p><h2 style="text-align: justify; ">અકસ્માત વહેલી સવારે થયો</h2><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANINewsUP/status/2071782549131874636"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify;">આ અકસ્માત મંગળવારે વહેલી સવારે અંદાજે 3:30 વાગ્યે થયો હતો. પોલીસ અધિકારીઓના નેતૃત્વમાં રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. બસમાં ફસાયેલા તમામ 20 ઘાયલ મુસાફરોને બહાર કાઢીને તરત જ એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે.</p><h3 style="text-align: justify; ">લખનૌથી દિલ્હી જઈ રહી હતી બસ</h3><p style="text-align: justify; ">અકસ્માતગ્રસ્ત બસ લખનૌથી દિલ્હી જઈ રહી હતી. બિહાર નંબરની ખાનગી બસ મુસાફરોને લઈને દિલ્હી તરફ જઈ રહી હતી. બીજી તરફ, રાજસ્થાન નંબરનું ગિટ્ટી (પથ્થરની કપચી) ભરેલું ટ્રેલર એક્સપ્રેસવેની ત્રીજી લેનમાં આગળ ચાલી રહ્યું હતું. આ દરમિયાન તેજ ગતિએ આવી રહેલી બસ પાછળથી ટ્રેલર સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો અને ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ.</p><h4 style="text-align: justify; ">મૃતકોની હજુ ઓળખ થઈ નથી</h4><p style="text-align: justify; ">અકસ્માતમાં જીવ ગુમાવનારા ચારેય લોકોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. પોલીસને તેમની પાસેથી મળેલા દસ્તાવેજો અને અન્ય સામાનના આધારે ઓળખ કરવાની કાર્યવાહી શરૂ કરી છે, જેથી તેમના પરિવારજનોને વહેલી તકે જાણ કરી શકાય.</p><h4 style="text-align: justify; ">કેટલાક ઘાયલોની હાલત ગંભીર</h4><p style="text-align: justify; ">પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ ડ્રાઇવરને ઝોકુ આવી ગયુ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘાયલ મુસાફરોમાં કેટલાકની હાલત અત્યંત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે. તમામ ઘાયલોને એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/30/aA5nOP6FOa2YMPjgCiY1dI9KU8MQ2W1Sm6BbeEQo.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026 : બ્રાઝિલે જાપાનને 2-1 થી હરાવીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-brazil-defeats-japan-2-1-to-enter-pre-quarterfinals</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-brazil-defeats-japan-2-1-to-enter-pre-quarterfinals</guid><pubDate>Tue, 30 Jun 2026 08:28:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બ્રાઝિલે ફિફા વર્લ્ડ કપ 2026ના રાઉન્ડ ઓફ 32માં જાપાનને 2-1 થી હરાવીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો.કાસેમિરો બ્રાઝિલની જીતનો હીરો રહ્યો હતો,જેણે બ્રાઝિલને એક ગોલની ખોટમાંથી પાછો ખેંચી લીધો અને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મેળવ્યો હતો</p><h4 style="text-align: justify; "><b>બ્રાઝિલે પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું</b></h4><p style="text-align: justify; ">બ્રાઝિલે ફિફા વર્લ્ડ કપ 2026 ના પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું છે.બ્રાઝિલે જાપાનને 2-1 થી હરાવીને આગલા રાઉન્ડમાં પ્રવેશ કર્યો,અને કાર્લોસ કાસેમિરો તેમની જીતનો હીરો હતો.બ્રાઝિલિયન મિડફિલ્ડરે જાપાનની પ્રગતિ અટકાવવા માટે શાનદાર હેડર ગોલ કર્યો.જેના કારણે આખરે બ્રાઝિલ વિજય તરફ દોરી ગયું.બ્રાઝિલ કેવી રીતે જીત્યું તે જાણવા માટે આગળ વાંચો,પરંતુ પહેલાકાર્લોસ કાસેમિરોની વાર્તા શીખો,જે તમને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપશે.કાર્લોસનો જન્મ 23 ફેબ્રુઆરી 1992ના રોજ સાઓ જોસ ડોસ કેમ્પોસમાં થયો હતો.જ્યારે તે પાંચ વર્ષનો હતો,ત્યારે તેના પિતા પરિવાર છોડીને ભાગી ગયા.</p><p style="text-align: justify; "><a href="https://x.com/FIFAWorldCup/status/2071672297728172300?s=20" target="_blank">https://x.com/FIFAWorldCup/status/2071672297728172300?s=20</a></p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>કાર્લોસ કાસેમિરોનો સંઘર્ષ</b></h4><p style="text-align: justify; ">કાર્લોસ કાસેમિરોનું બાળપણ અત્યંત ગરીબીમાં વિત્યું.તેમના પિતા પરિવાર છોડીને ભાગી ગયા,તેમની માતા વેનાન્સિયો મેગ્ડાને ત્રણ બાળકોનો ઉછેર કરવા માટે છોડી ગયા.કાસેમિરોની માતા ઘરકામ કરતી,ઝાડુ મારતી,વાસણ સાફ કરતી અને કપડાં ધોતી.કાર્લોસ કાસેમિરો પાસે ઘર નહોતું અને તે સંબંધીઓ સાથે રહેતો હતો. કાસેમિરોએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે તેમની પાસે એક નાનું દહીં પીણું ખરીદવા માટે પણ પૂરતા પૈસા નહોતા.જોકે,કાસેમિરો ફૂટબોલને ખૂબ પસંદ કરતો હતો અને 11 વર્ષની ઉંમરે સાઓ પાઉલો યુવા એકેડેમીનો કેપ્ટન બન્યો હતો.નોંધપાત્ર રીતે,કાર્લોસ કાસેમિરો મેચ પહેલા તેના મિત્રોના ઘરે સૂતો હતો જેથી તેને સારી રાતની ઊંઘ મળે.આટલી ગરીબી હોવા છતાં,કાર્લોસ કાસેમિરો હાર માનવાનો ઇનકાર કરતો હતો અને હવે તેણે 2026ના વર્લ્ડ કપમાં બ્રાઝિલને નોંધપાત્ર જીત અપાવી છે.</p><h5 style="text-align: justify; "><b>કાર્લોસ કાસેમિરોએ બ્રાઝિલ માટે મેચ જીતી&nbsp;</b></h5><p style="text-align: justify; ">હ્યુસ્ટનમાં રમાયેલી મેચમાં, જાપાને પહેલા રાઉન્ડમાં બ્રાઝિલને પાછળ રાખી દીધું. બ્રાઝિલે આક્રમક રમત રમી, પરંતુ જાપાનનો બચાવ મજબૂત હતો. ત્યારબાદ 29મી મિનિટે કૈશુ સાનોએ શાનદાર ગોલ કરીને જાપાનને 1-0ની લીડ અપાવી. જોકે, બીજા હાફમાં બ્રાઝિલે વળતો પ્રહાર કર્યો. કાર્લોસ કાસેમિરોએ 54મી મિનિટે ગોલ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ચૂકી ગયો. બે મિનિટ પછી, 56મી મિનિટે, તેના શક્તિશાળી હેડરે ગોલમાં રૂપાંતરિત કર્યું, જેનાથી બ્રાઝિલ 1-1થી બરાબરી પર આવી ગયું. મેચ પેનલ્ટી તરફ આગળ વધી રહી હતી, પરંતુ 95મી મિનિટે ગેબ્રિયલ માર્ટિનેલીએ શાનદાર ગોલ કરીને બ્રાઝિલને 2-1ની લીડ અપાવી અને અંતે વિજય મેળવ્યો. કાર્લોસ કાસેમિરોને તેના ઉત્તમ ગોલ અને ઉત્તમ બચાવ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-wc-2026-paraguay-beats-germany-in-penalty-shootout-eliminated-from-world-cup" target="_blank">FIFA WC 2026 : પેરાગ્વેએ પેનલ્ટી શૂટઆઉટમાં જર્મનીને હરાવી વર્લ્ડ કપમાંથી બહાર કર્યું</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/30/0riHjUo7RPMtehaOf6zM5orKXg6Nxy7Qr3Cv3OmX.webp'/></item></channel></rss>