<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Monsoon 2026 : સવાર-સવારમાં મેઘરાજાની તોફાની બેટિંગ, 4 કલાકમાં 46 તાલુકા ઘમરોળાયા, ગલતેશ્વરમાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ ]]></title><link>https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-gujarat-rain-update-46-talukas-galteshwar-godhra-kalol-rainfall-statistics</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-gujarat-rain-update-46-talukas-galteshwar-godhra-kalol-rainfall-statistics</guid><pubDate>Fri, 19 Jun 2026 11:00:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં ચોમાસાનો મિજાજ વધુ તીવ્ર બન્યો છે. આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં કાળાડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ શરૂ કરી દીધી છે. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સત્તાવાર આંકડા અનુસાર, આજે સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીના માત્ર 4 કલાકના ટૂંકા ગાળામાં જ રાજ્યના 46 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. ખાસ કરીને મધ્ય અને પૂર્વ ગુજરાતના પંથકોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>ગલતેશ્વર અને આસપાસના નીચાણવાળા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા 
</b></h2><p style="text-align: justify; ">આજના વરસાદી આંકડામાં ખેડા જિલ્લાનું ગલતેશ્વર મોખરે રહ્યું છે, જ્યાં વહેલી સવારના 4 કલાકમાં જ આભ ફાટ્યું હોય તેમ 3 ઈંચ જેટલો મુશળધાર વરસાદ ઝીંકાયો છે. ધોધમાર વરસાદના કારણે ગલતેશ્વર અને આસપાસના નીચાણવાળા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. પંચમહાલ જિલ્લામાં પણ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે, જેમાં કાલોલ અને મુખ્ય મથક ગોધરા બંને જગ્યાએ અઢી-અઢી (૨.૫) ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે.
</p><h3 style="text-align: justify; "><b>બોડેલીમાં પણ સવારના 4 કલાકમાં 2.5  ઈંચ વરસાદ 
</b></h3><p style="text-align: justify; ">આ ઉપરાંત, છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં પણ સવારના 4 કલાકમાં 2.5  ઈંચ વરસાદ ખાબકતાં સ્થાનિક નદી-નાળામાં નવા પાણીની આવક થઈ છે. જ્યારે વડોદરાના ડેસરમાં દોઢ  ઈંચ અને દાહોદના ફતેપુરા તેમજ દાહોદ પ્રોપરમાં 1 ઈંચ જેટલો સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. 
</p><h4 style="text-align: justify; "><b>અડધાથી લઈને એક ઈંચ સુધીનો ધીમીધારે તો ક્યાંય  ધોધમાર વરસાદ
</b></h4><p style="text-align: justify; ">રાજ્યના બાકીના 40 તાલુકાઓમાં પણ અડધાથી લઈને એક ઈંચ સુધીનો ધીમીધારે અને ધોધમાર વરસાદ પડવાના સમાચાર છે. સવાર-સવારમાં જ શરૂ થયેલી આ મેઘમહેર વાવણીના કામો માટે અત્યંત આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે, જેને પગલે સમગ્ર રાજ્યના ખેડૂતોમાં હર્ષોલ્લાસનો માહોલ છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-gujarat-latest-news-live-and-samachar-19-june-2026-politics-weather-updates-daily-breaking-news-nation" target="_blank"><b> Gujarat Latest News Live : પાવાગઢમાં પાટિયા પુલ પાસે ભેખડ ધસતાં 2થી વધુ વ્યક્તિ દબાયા</b></a></p><p style="text-align: justify; "><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/19/Xz4rCaAC6Io14X1ZO6avBjfR8HfNhr5fHiwIKZN4.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: AMCમાં સામુહિક રાજીનામાનો મોટો દોર, જુનિયર ક્લાર્ક સહિત વર્ગ-3 ના 20 કર્મચારીઓએ નોકરી છોડી ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-mass-resignation-20-class-3-employees-quit-after-clearing-gujarat-govt-exams</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-mass-resignation-20-class-3-employees-quit-after-clearing-gujarat-govt-exams</guid><pubDate>Fri, 19 Jun 2026 10:52:36 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ના મહેસૂલ અને વહીવટી વિભાગમાં આજે એક અભૂતપૂર્વ સ્થિતિ સર્જાઈ છે. સામાન્ય રીતે સરકારી કે અર્ધ-સરકારી નોકરી મેળવવા માટે યુવાનો તનતોડ મહેનત કરતા હોય છે, ત્યારે અમદાવાદ કોર્પોરેશનમાં ચાલુ નોકરીએથી 20 જેટલા કર્મચારીઓએ રાજીનામા આપી દેતાં સમગ્ર વહીવટી તંત્ર સ્તબ્ધ થઈ ગયું છે. મ્યુનિસિપલ કમિશનર કચેરીના સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજીનામું આપનારા આ તમામ કર્મચારીઓ વર્ગ-3 ની કેડરના છે અને લાંબા સમયથી કોર્પોરેશનની વિવિધ શાખાઓમાં ફરજ બજાવી રહ્યા હતા.</p><h2><b>શા માટે કર્મચારીઓએ છોડી નોકરી?</b></h2><p>આ સામુહિક રાજીનામા પાછળ કોઈ આંતરિક વિવાદ કે તંત્રનો ત્રાસ નથી, પરંતુ કર્મચારીઓનો વ્યક્તિગત વિકાસ જવાબદાર છે. છેલ્લા કેટલાક સમયગાળામાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) અને રાજ્ય સરકારના અન્ય બોર્ડ દ્વારા લેવાયેલી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પરિણામો જાહેર થયા છે. AMC ના આ 20 કર્મચારીઓ, જેમાં જુનિયર ક્લાર્ક અને સહાયક ટેકનિકલ સુપરવાઈઝર સામેલ છે, તેઓ આ સરકારી ભરતીઓમાં મેરિટ લિસ્ટમાં આવી ગયા છે. મહાનગરપાલિકાની નોકરી કરતાં રાજ્ય સરકારના સચિવાલય કે અન્ય વિભાગોમાં વધુ સારો પગાર સ્કેલ, પ્રમોશનની તકો અને કાયમી સિક્યોરિટી મળતી હોવાના કારણે આ કર્મચારીઓએ એકસાથે પોતાના રાજીનામા પત્ર સત્તાધારી મંડળને સોંપી દીધા હતા.</p><h3><b>બે અધિકારીઓના VRS પણ મંજૂર</b></h3><p>બીજી તરફ, આ ૨૦ કર્મચારીઓની સાથે-સાથે AMC માં ફરજ બજાવતા અન્ય બે સિનિયર અધિકારીઓએ વયમર્યાદા કે અંગત કારણોસર સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) ની માંગણી કરી હતી, જેને પણ તંત્ર દ્વારા સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. એકસાથે 20 થી વધુ જગ્યાઓ ખાલી પડતાં કોર્પોરેશનના રોજના વહીવટી કામો પર આંશિક અસર પડવાની સંભાવના છે, ખાસ કરીને ચોમાસાની ઋતુમાં જ્યારે સુપરવાઈઝર અને ક્લાર્કની કામગીરી ખૂબ મહત્વની હોય છે. આ ખાલી પડેલી જગ્યાઓને ભરવા માટે AMC આગામી દિવસોમાં વેટિંગ લિસ્ટમાંથી ઉમેદવારોને બોલાવે છે કે નવી સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરે છે તેના પર સૌની નજર રહેશે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/weather/surat/monsoon-arrival-katargam-rander-adajan-receive-rain-showers-relief-from-heat" target="_blank">આ પણ વાંચો: Monsoon 2026: કતારગામ, ડભોલી અને રાંદેરમાં વરસાદી ઝાપટાં શરૂ, અસહ્ય ઉકળાટથી મળી મોટી રાહત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/19/ypIA4p0z7SAviG21rCuZMcERL7XX9inmYJ1HBdvh.webp'/></item><item><title><![CDATA[TMKOC : શૂટિંગ સેટ પર ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડ્યા તન્મય વેકરિયા, મેકર્સને તાત્કાલિક રોકવું પડ્યું શૂટિંગ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/tmkoc-bagha-tanmay-vekaria-crying-on-set-shooting-halted</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/tmkoc-bagha-tanmay-vekaria-crying-on-set-shooting-halted</guid><pubDate>Fri, 19 Jun 2026 10:50:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા ઘણા વર્ષોથી દર્શકોનો મનપસંદ શો બનેલો છે. શોના દરેક પાત્રે પોતાની અલગ ઓળખ બનાવી છે અને આમાંના જ એક છે બાઘા, જેમનો રમુજી અંદાજ અને જેઠાલાલ સાથેની તેમની કેમિસ્ટ્રી દર્શકોને ખૂબ પસંદ આવે છે. પરંતુ તાજેતરમાં જ શોના સેટ પર એવી ભાવુક ક્ષણ જોવા મળી, જેણે ત્યાં હાજર તમામ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા. બાઘાનું પાત્ર ભજવનારા એક્ટર તન્મય વેકરિયા અચાનક ધ્રુસકે-ધ્રુસકે રોવા લાગ્યા, જેના કારણે થોડા સમય માટે શૂટિંગ પણ રોકવું પડ્યું.</p><h2 style="text-align: justify; "><b>પોતાના આંસુ રોકી શક્યા નહીં તન્મય</b></h2><p style="text-align: justify; ">સેટ પર ઘટેલી એક ખાસ ઘટનાએ તન્મય વેકરિયાને ભાવુક કરી દીધા અને તેઓ પોતાના આંસુ રોકી શક્યા નહીં. તેમના રોયા પછી આખી ટીમ તેમને સંભાળવામાં લાગી ગઈ અને માહોલ થોડીવાર માટે ખૂબ જ ગમગીન થઈ ગયો. આ ઘટના પછી પ્રશંસકો પણ જાણવા માંગે છે કે આખરે એવું શું થયું, જેના કારણે હંમેશા લોકોને હસાવનારા બાઘા સેટ પર પોતે આંસુ વહાવવા લાગ્યા.</p><h3 style="text-align: justify; "><b>કેમ સેટ પર ધ્રુસકે-ધ્રુસકે રોયા બાઘા</b></h3><p style="text-align: justify; ">'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના બાઘાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તન્મય સેટ પર રોતા જોવા મળી રહ્યા છે. આ કોઈ શૂટનો સીન નથી, પરંતુ હકીકતમાં બાઘાના આંસુ છલકાઈ ગયા છે. શોના એક સીનનું શૂટિંગ કરવા દરમિયાન તન્મયને પોતાની માતાની યાદ આવી ગઈ, જે પ્રક્રિયા પછી તેઓ પોતાના આંસુ રોકી શક્યા નહીં અને ધ્રુસકે-ધ્રુસકે રોવા લાગ્યા. તન્મયે તાજેતરમાં જ પોતાની માતાને ગુમાવ્યા છે, જેના કારણે તેઓ ખૂબ જ દુઃખમાં છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DZuUP8btYRE/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DZuUP8btYRE/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DZuUP8btYRE/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DZuUP8btYRE/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>તન્મયને સંભાળતા દેખાયા અસિત મોદી</b></h4><p style="text-align: justify; ">તન્મય લાંબા સમયથી તારક મહેતા શોનો હિસ્સો રહ્યા છે. એવામાં બધા સાથે તેમનો લગાવ પણ ખૂબ વધારે છે. તન્મયને આવી રીતે ભાંગી પડેલા જોઈને દરેક વ્યક્તિ ભાવુક થઈ ગયું. બધાએ પોતાનું કામ છોડી દીધું અને થોડા સમય માટે શૂટિંગ પણ રોકી દેવામાં આવ્યું. આ દરમિયાન શોના પ્રોડ્યુસર અસિત મોદી તન્મયને સંભાળતા જોવા મળ્યા. વીડિયોમાં સાફ જોઈ શકાય છે કે કેવી રીતે તન્મયને આમ રોતા જોઈ અસિત મોદીએ તેમને ગળે લગાવીને સહારો આપ્યો. પ્રશંસકો પણ તન્મયને આવા જોઈને ખૂબ ઇમોશનલ થઈ ગયા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/aamir-khan-mamta-kulkarni-old-love-affair-rumor-truth" target="_blank">આ પણ વાંચો-Bollywood Affair : પરણિત હોવા છતાં મમતા કુલકર્ણીને પ્રેમ કરતા હતા આમિર ખાન? વર્ષો બાદ સામે આવી હકીકત!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/19/n7TTbR4knkRi55fo1JGeMNEzYobnZmqs82PAxWYK.webp'/></item><item><title><![CDATA[Monsoon 2026 : દાહોદના મીરાખેડીમાં દિલ્હી-મુંબઈ કોરિડોરના કારણે ખેતરો બેટમાં ફેરવાયા; કુદરતી વહેણ પુરાતાં તૈયાર પાક ધોવાઈ જવાની ભીતિ ]]></title><link>https://sandesh.com/weather/news/gujarat/dahod/monsoon-2026-mirakhedi-delhi-mumbai-corridor-highway-rain-waterlogging-crop-damage</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/news/gujarat/dahod/monsoon-2026-mirakhedi-delhi-mumbai-corridor-highway-rain-waterlogging-crop-damage</guid><pubDate>Fri, 19 Jun 2026 10:46:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દાહોદ જિલ્લાના લીમડી તાલુકામાં આવેલા મીરાખેડી ગામે પહેલા જ વરસાદમાં વિકાસની કામગીરી વિનાશ નોતરતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. દેશના મહત્વાકાંક્ષી 'દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે કોરિડોર'ના નિર્માણમાં રાખવામાં આવેલી ઘોર બેદરકારીના કારણે આજે આખું મીરાખેડી ગામ અને તેના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.</p><h2 style="text-align: justify; "><b>હાઇવેના કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી
</b></h2><p style="text-align: justify; ">હાઇવેના કોન્ટ્રાક્ટર દ્વારા વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કર્યા વિના જ આડેધડ કામગીરી કરવામાં આવી હોવાથી વહેલી સવારના વરસાદમાં જ ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે.
</p><h3 style="text-align: justify; "><b>&nbsp;કુદરતી પાણીના વહેણ અને નાળાઓને પૂરી દેવામાં આવ્યા 
</b></h3><p style="text-align: justify; ">સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, દિલ્હી-મુંબઈ કોરિડોર હાઈવેના નિર્માણ સમયે કોન્ટ્રાક્ટર દ્વારા વર્ષો જૂના કુદરતી પાણીના વહેણ અને નાળાઓને પૂરી દેવામાં આવ્યા હતા. હાઇવેની નીચે પાણી પસાર થવા માટે કોઈ વૈકલ્પિક પાઇપલાઇન કે કલવર્ટ બનાવવામાં આવ્યા નથી. પરિણામે, ચોમાસાના આ પ્રારંભિક ભારે વરસાદનું તમામ પાણી આગળ જવાને બદલે પાછું મારીને આજુબાજુના સેંકડો એકર ખેતરોમાં ઘૂસી ગયું છે અને ઊભો પાક પાણીમાં ડૂબી ગયો છે.
</p><h4 style="text-align: justify; "><b>ઊભો પાક સંપૂર્ણપણે નિષ્ફળ જવાની ભીતિ 
</b></h4><p style="text-align: justify; ">આ અંધેર વહીવટના કારણે ખેડૂતોનો મહેનતથી ઉગાડેલો તૈયાર ઊભો પાક સંપૂર્ણપણે નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે, જેથી જગતનો તાત મોટા આર્થિક નુકસાનની ચિંતામાં ડૂબ્યો છે. આ બાબતે ગ્રામજનો અને ખેડૂતો દ્વારા અગાઉ હાઇવે ઓથોરિટી અને સ્થાનિક વહીવટી તંત્રને અનેક લેખિત-મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, તેમ છતાં કોન્ટ્રાક્ટર કે તંત્રના પેટનું પાણી હલ્યું નહોતું. તંત્રની આ જ ઉદાસીનતાના કારણે આજે આખી રાતના વરસાદ બાદ ખેતરો બેટ બની ગયા છે. ખેડૂતો હવે નુકસાનીના વળતર અને પાણીના નિકાલ માટે તાત્કાલિક કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/halol/panchmahal-pavagadh-landslide-heavy-rain-patiya-pul-trapped-traffic-closed" target="_blank"><b>Panchmahal : પાવાગઢ ડુંગર પર ભારે વરસાદ વચ્ચે મોટી ભેખડ ધસી, બેથી વધુ વ્યક્તિ દબાયા</b></a></p><p style="text-align: justify; "><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/19/v8fMIIgEkQD1kWuQWbdkNCdekopwTvoBc0VrmO6H.webp'/></item><item><title><![CDATA[ITR Filing 2026: ITR ભરી દેજો નહી તો 5000નો દંડ! જાણો છેલ્લી તારીખ કઇ ? ]]></title><link>https://sandesh.com/business/news/itr-filing-2026-fill-itr-or-else-face-a-fine-of-rs-5000-know-what-is-the-last-date</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/itr-filing-2026-fill-itr-or-else-face-a-fine-of-rs-5000-know-what-is-the-last-date</guid><pubDate>Fri, 19 Jun 2026 10:29:59 +05:30</pubDate><description><![CDATA[<p>સરકાર તમારી વાર્ષિક આવક અને તેના પર ચૂકવવાપાત્ર ટેક્સનો હિસાબ રાખી શકે તે માટે આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવું જરૂરી છે. તે માત્ર એક કાનૂની જરૂરિયાત નથી પણ હોમ લોન, વિઝા મંજૂરી અને ટેક્સ રિફંડ મેળવવા માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ તરીકે પણ કામ કરે છે. ત્યારે નાણાકીય વર્ષ 2025-26 (મૂલ્યાંકન વર્ષ 2026-27) દરમિયાન કમાયેલી આવક પર આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની કામગીરી શરૂ થઇ ગઇ છે.&nbsp;</p><h2><b>આવકવેરો ભરવાની કામગીરી શરૂ&nbsp;</b></h2><p>જો તમે રિટર્ન ફાઇલ કરવામાં મોડુ કરશો તો તમારે લેટ ફી 5 હજાર સુધીની ચૂકવવી પડી શકે છે&nbsp; અને ટેક્સ રિફંડ મેળવવામાં પણ વિલંબ થઈ શકે છે. આ વર્ષે આવકવેરા વિભાગે નિયમોમાં એક મોટો ફેરફાર કર્યો છે, જે કેટલાક કરદાતાઓ માટે રાહત સમાન છે.</p><p><br></p><h3><b>તમારી કેટેગરી મુજબ જાણો કઈ છે છેલ્લી તારીખ?</b></h3><ul><li>ઇનકમ ટેક્સ વિભાગે કરદાતાઓની વિવિધ શ્રેણીઓ માટે અલગ-અલગ અંતિમ તારીખો નક્કી કરી છે:</li><li>સામાન્ય નોકરીયાત અને HUF (ITR-1 અથવા ITR-2): આ કેટેગરીના લોકો માટે છેલ્લી તારીખ 31 જુલાઈ 2026 છે.</li><li>બિન-ઓડિટ બિઝનેસ ટેક્સપેયર્સ (ITR-3 અથવા ITR-4): આ વર્ષના મોટા ફેરફાર મુજબ, જે વ્યવસાયિકોના ખાતાઓનું ઓડિટ જરૂરી નથી, તેમને રાહત આપતા છેલ્લી તારીખ લંબાવીને 31 ઓગસ્ટ 2026 કરવામાં આવી છે (જે પહેલા જુલાઈ હતી).</li><li>ઓડિટ અનિવાર્ય હોય તેવા ખાતાઓ: આ કેટેગરી માટે અંતિમ તારીખ 31 ઓક્ટોબર 2026 છે.</li><li>ટ્રાન્સફર પ્રાઇસિંગ નિયમો હેઠળ આવતા કરદાતાઓ: તેમના માટે છેલ્લી તારીખ 30 નવેમ્બર 2026 નક્કી કરાઈ છે.</li><li>બિલેટેડ રિટર્ન (Belated Return): જો તમે નિયત તારીખે રિટર્ન નથી ભરી શક્યા, તો તમે દંડ સાથે 31 ડિસેમ્બર 2026 સુધી રિટર્ન સબમિટ કરી શકો છો.</li><li>રિવાઇઝ્ડ રિટર્ન (Revised Return): રિટર્નમાં થયેલી ભૂલો સુધારવા માટેની છેલ્લી તારીખ 31 માર્ચ 2027 છે.</li></ul><p><b style="font-size: 1.75rem;">ડેડલાઇન પછી રિટર્ન ભરો તો શું નુકસાન ?&nbsp;</b></p><ul><li>નિયત તારીખ વીતી ગયા પછી પણ ડિસેમ્બર સુધી રિટર્ન ભરવાનો વિકલ્પ મળે છે, પરંતુ તેની સીધી અસર તમારા ખિસ્સા પર પડે છે:</li><li>સેક્શન 234F હેઠળ દંડ: જો તમારી વાર્ષિક આવક ₹5 લાખથી વધુ છે, તો ₹5,000 સુધીની લેટ ફી વસૂલવામાં આવશે. ₹5 લાખ સુધીની આવક ધરાવતા લોકો માટે આ દંડ મહત્તમ ₹1,000 છે.</li><li>વ્યાજની ચૂકવણી: જો તમારો ટેક્સ બાકી નીકળતો હશે, તો તેના પર અલગથી વ્યાજ ચૂકવવું પડશે.</li><li>નુકસાનનું કૅરી ફોરવર્ડ નહીં થાય: શેરબજાર કે બિઝનેસમાં થયેલા નુકસાનને તમે આગામી વર્ષોના ટેક્સ સામે સેટ-ઓફ (Carry Forward) નહીં કરી શકો.</li></ul><p><b style="font-size: 1.5rem;">સમયસર ITR ફાઈલ કરવાના ફાયદા</b></p><p>શા માટે સમયસર ફાઇલિંગ જરૂરી છે? &gt; સમયસર ITR ફાઇલ કરવું એ માત્ર કાયદાકીય જવાબદારી નથી, પરંતુ તે તમારો મજબૂત ફાઇનાન્સિયલ રેકોર્ડ બનાવે છે. હોમ લોન, પર્સનલ લોન કે ક્રેડિટ કાર્ડની મંજૂરી માટે બેંકો સૌથી પહેલા ITR ની માંગ કરે છે. આ ઉપરાંત, વિદેશ જવા માટે વિઝા પ્રોસેસમાં પણ ITR મહત્વનો દસ્તાવેજ સાબિત થાય છે અને તમારું ટેક્સ રિફંડ પણ ઝડપથી બેંક ખાતામાં જમા થઈ જાય છે.</p><p><br></p><h4><b>સબમિટ બટન દબાવતા પહેલા આ બાબતો ખાસ ચકાસો</b></h4><p><b>સાચુ ફોર્મ પસંદ કરો:</b> તમારી આવકના સ્ત્રોત મુજબ યોગ્ય ITR ફોર્મ (ITR-1 થી ITR-4) ની પસંદગી કરો.</p><p><b>AIS અને Form 26AS નું ક્રોસ ચેક કરો-</b>&nbsp;તમારા એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (AIS) અને ફોર્મ 26AS ને બેંક સ્ટેટમેન્ટ સાથે ક્રોસ-ચેક કરો.</p><p><b>આવકના તમામ સ્ત્રોત દર્શાવો:</b> બધી કમાણી સાચી જાહેર કરો અને માત્ર એવા જ ડિડક્શન (કપાત) નો દાવો કરો જેના વૈધ દસ્તાવેજો તમારી પાસે હોય.</p><p><b>ઈ-વેરિફિકેશન (e-Verify):</b> રિટર્ન સબમિટ કર્યા પછી તેને ઈ-વેરિફાય કરવાનું ચૂકશો નહીં, કારણ કે વેરિફિકેશન વિના તમારું ITR અમાન્ય ગણાશે.</p><p><br></p><p><a href="https://sandesh.com/gallery/news/india/why-are-potatoes-and-chickpeas-the-filling-in-panipuri?2" target="_blank">આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/19/dRyRTXLifFvmeDJYwdJkLF0rxeNrVScJ3scAPrcC.webp'/></item><item><title><![CDATA[Monsoon 2026: કતારગામ, ડભોલી અને રાંદેરમાં વરસાદી ઝાપટાં શરૂ, અસહ્ય ઉકળાટથી મળી મોટી રાહત ]]></title><link>https://sandesh.com/gujarat/news/weather/surat/monsoon-arrival-katargam-rander-adajan-receive-rain-showers-relief-from-heat</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/weather/surat/monsoon-arrival-katargam-rander-adajan-receive-rain-showers-relief-from-heat</guid><pubDate>Fri, 19 Jun 2026 10:29:44 +05:30</pubDate><description><![CDATA[<p>સુરતના નાગરિકો માટે આજે મોડી સવાર રાહતના સમાચાર લઈને આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી શહેરમાં ભેજનું પ્રમાણ વધવાના કારણે અસહ્ય બફારો અને ઉકળાટ થઈ રહ્યો હતો, જેના કારણે લોકો એસી અને કુલરની બહાર નીકળી શકતા ન હતા. દરમિયાન, આજે વહેલી સવારથી જ આકાશમાં ચોમાસાની સવારી આવી પહોંચી હોય તેમ કાળાડિબાંગ વાદળો ઘેરાવવાની શરૂઆત થઈ હતી અને જોતજોતામાં શહેરના પૂર્વ-પશ્ચિમ પટ્ટામાં ઠંડા પવન સાથે વરસાદી ઝાપટાં તૂટી પડ્યા હતા.</p><h2><b>કતારગામ અને રાંદેરમાં વરસાદી ઇનિંગ</b></h2><p>હીરા ઉદ્યોગના ગઢ ગણાતા કતારગામ અને તેની નજીક આવેલા ડભોલી વિસ્તારમાં વહેલી સવારથી જ ધીમીધારે ઝરમર વરસાદ શરૂ થઈ ગયો હતો, જેને કારણે ઓફિસ અને કારખાને જતા રત્નકલાકારો વરસાદી માહોલનો આનંદ માણતા નજરે પડ્યા હતા. બીજી તરફ, તાપી નદીના સામા કિનારે આવેલા અડાજણ અને ઐતિહાસિક રાંદેર પંથકમાં પણ પવનના સુસવાટા સાથે વરસાદના મોટા છાંટા પડવાનું શરૂ થતાં માર્ગો ભીના થઈ ગયા હતા. લાંબા સમયની આતુરતા બાદ મેઘરાજાએ સુરત પર મહેરબાની કરતાં જ સોસાયટીઓમાં નાના બાળકો અને યુવાનો વરસાદમાં નહાવા માટે બહાર દોડી આવ્યા હતા.</p><h3><b>ગરમીથી મુક્તિ, ખાણી-પીણી બજારો ગરમ થયા</b></h3><p>સુરતમાં વરસાદના આ પ્રથમ આગમનથી તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. સુરતીઓ પોતાના સ્વાદપ્રિય સ્વભાવ માટે જાણીતા છે, તેથી પહેલા જ વરસાદી છાંટા પડતાની સાથે જ રાંદેર અને કતારગામના લોકલ બજારોમાં ગરમાગરમ ભજીયા, લોચો અને ચાની કિટલીઓ પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. હવામાન વિભાગના સ્થાનિક કેન્દ્રના જણાવ્યા અનુસાર, આ માત્ર શરૂઆત છે અને આગામી 24 થી 48 કલાકમાં સુરત શહેર અને ચોર્યાસી, પલસાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વત્રિક હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/kutch/mundra-bhadreshwar-salt-factory-power-theft-worth-one-crore-five-lakh-guvnl-raid" target="_blank">આ પણ વાંચો: Kutch: મુન્દ્રાના ભદ્રેશ્વરમાં મીઠાના કારખાના પર વિજિલન્સનો મધ્યરાત્રિએ દરોડો, રૂ. 1.05 કરોડનું પાવર કૌભાંડ&nbsp;</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/19/ALNNGfVP69ZnULHXSXnGsn6CfiXMLFni9jFyF9EX.webp'/></item><item><title><![CDATA[Kutch: મુન્દ્રાના ભદ્રેશ્વરમાં મીઠાના કારખાના પર વિજિલન્સનો મધ્યરાત્રિએ દરોડો, રૂ. 1.05 કરોડનું પાવર કૌભાંડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/kutch/mundra-bhadreshwar-salt-factory-power-theft-worth-one-crore-five-lakh-guvnl-raid</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/kutch/mundra-bhadreshwar-salt-factory-power-theft-worth-one-crore-five-lakh-guvnl-raid</guid><pubDate>Fri, 19 Jun 2026 10:04:53 +05:30</pubDate><description><![CDATA[<p>મુન્દ્રાના ભદ્રેશ્વર ગામની સીમમાં મોટા પાયે ધમધમતા એક મીઠાના કારખાનામાં કરોડો રૂપિયાની વીજળી સરકારી તંત્રની આંખમાં ધૂળ નાખીને ચોરી છૂપીથી વાપરવામાં આવી રહી હોવાની પાકી બાતમી રાજકોટ કોર્પોરેટ વિજિલન્સ કચેરીને મળી હતી. બાતમી એટલી સંવેદનશીલ હતી કે સ્થાનિક સ્તરે માહિતી લીક ન થાય તે માટે વરિષ્ઠ અધિકારીઓએ ખાસ 'સરપ્રાઈઝ નાઈટ ચેકીંગ ડ્રાઈવ' નું આયોજન કર્યું હતું.</p><h2><b>જુનિયર એન્જિનિયરો મોટરસાઇકલ પર સામાન્ય નાગરિક બની પહોંચ્યા</b></h2><p>આ ગુપ્ત મિશનને અંજામ આપવા માટે વિજિલન્સની ટીમે ફિલ્મી સ્ટાઇલ અપનાવી હતી. કોઈ સરકારી ગાડીઓ લઈને જવાને બદલે મધ્યરાત્રિના સમયે વીજ કંપનીના કેટલાક જુનિયર ઈજનેરો સાદા વેશમાં મોટર સાયકલ પર સવાર થઈને ભદ્રેશ્વરની સીમમાં પહોંચ્યા હતા. તેઓએ કારખાનાની આસપાસ રેકી કરીને લાઈવ વીજચોરી થતી હોવાનું સ્પોટ કન્ફર્મેશન મેળવ્યું હતું. કારખાનામાં સ્થાપિત સરકારી વીજ ટ્રાન્સફોર્મરમાંથી સીધો જ વાયર જોડીને આખેઆખા મીટરને નકામું (બાયપાસ) કરી દેવાયું હતું અને 99 કિલોવોટનો અધધ લોડ ગેરકાયદેસર રીતે ખેંચવામાં આવી રહ્યો હતો. ઇજનેરોએ ગ્રીન સિગ્નલ આપતા જ હાઇવે પર વોચમાં ઉભેલા ઉચ્ચ વિજિલન્સ અધિકારીઓનો મોટો કાફલો ત્રાટક્યો હતો અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.</p><h3><b>બીજી વખત ગુનો નોંધાતા જેલભેગા થવાની તૈયારી</b></h3><p>તપાસ દરમિયાન જે સૌથી ચોંકાવનારો ખુલાસો થયો છે તેનાથી અધિકારીઓ પણ દંગ રહી ગયા છે. આ મીઠાના કારખાનાના સંચાલકો રીઢા ગુનેગાર સાબિત થયા છે, કારણ કે આ જ પ્લાન્ટમાં અગાઉ ફેબ્રુઆરી 2025 ના વર્ષમાં પણ વિજિલન્સ ત્રાટકી હતી અને ત્યારે પણ રૂ. 80 લાખની વીજચોરી પકડી પાડી દંડ ફટકાર્યો હતો. જૂના કેસમાંથી પાઠ ભણવાના બદલે સંચાલકોએ વધુ મોટો સ્કેલ પકડીને આ વખતે 1 કરોડ 5 લાખની ચોરી આદરી દીધી હતી. હાલમાં વિજિલન્સની ટીમે ઘટનાસ્થળેથી તમામ ગેરકાયદે વાયરો અને સામગ્રી જપ્ત કરી લીધી છે અને કાયદાના કડક નિયમો અનુસાર કારખાનાના માલિકો સામે કરોડો રૂપિયાનું નવું આંકણું (બિલ) ફટકારીને વીજ ચોરીના પોલીસ સ્ટેશનમાં ફોજદારી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ દરોડા બાદ કચ્છના અન્ય ઔદ્યોગિક એકમો અને મીઠાના કારખાનાના માલિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/weather/vadodara/rural-monsoon-vaghodia-receives-heavy-night-rain-savli-drizzles-farmers-joy" target="_blank">આ પણ વાંચો: Monsoon2026: વાઘોડિયામાં રાતભર ધોધમાર વરસાદથી રસ્તાઓ પાણી-પાણી, સાવલીમાં પણ મેઘરાજાની ધીમીધારે એન્ટ્રી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/19/GgXQlvkrQHeJCFQkmO6tKXTHS4z5MSinLYZDnsdk.webp'/></item><item><title><![CDATA[Rahul Gandhi Birthday: રાહુલ ગાંધીના બર્થ ડે પર PM Modiની પોસ્ટ, જાણો શું લખ્યું ? ]]></title><link>https://sandesh.com/india/news/rahul-gandhi-birthday-pm-modis-post-on-rahul-gandhis-birthday-know-what-he-wrote</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/rahul-gandhi-birthday-pm-modis-post-on-rahul-gandhis-birthday-know-what-he-wrote</guid><pubDate>Fri, 19 Jun 2026 10:02:47 +05:30</pubDate><description><![CDATA[<p>કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો જન્મ દિવસ છે. તેઓ આજે તેમનો 56મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ અવસરે પર દિગ્ગજો તેમને જન્મ દિવસની શુભકામના પાઠવી રહ્યા છે. ત્યારે પીએમ મોદીએ પણ તેમને શુભકામના પાઠવી.&nbsp;</p><h2><b>પીએમ મોદીએ રાહુલ ગાંધીને બર્થ ડે વિશ કર્યુ</b></h2><p>પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (ટ્વિટર) પર એક સંદેશ શેર કરીને રાહુલ ગાંધીના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની કામના કરી છે. તેમણે પોસ્ટમાં લખ્યું કે&nbsp; લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીજીને તેમના જન્મદિવસ પર ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. હું તેમના ઉત્તમ સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરું છું.&nbsp;</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/narendramodi/status/2067808457689076067"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3><b>મલ્લિકાર્જુન ખડગેએ પાઠવી શુભકામના&nbsp;</b></h3><p>રાહુલ ગાંધીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ લખ્યું, બંધારણના આદર્શો પ્રત્યેની તમારી અતૂટ પ્રતિબદ્ધતા અને અજ્ઞાત અવાજો માટે તમારી નિર્ભય લડાઈએ લાખો લોકોને પ્રેરણા આપી છે. સામાજિક ન્યાય, સંવાદિતા અને કરુણાના મૂલ્યો સાથે, કોંગ્રેસ પાર્ટીની સમાવેશકતાની પરંપરા તમારા જાહેર જીવન અને નેતૃત્વમાં પ્રતિબિંબિત થાય છે. લોકો સાથેના તમારા સતત જોડાણ અને સત્તા સમક્ષ સત્ય બોલવાની હિંમત દ્વારા, તમે હંમેશા સમાજના સૌથી નબળા અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગના હિતોનું રક્ષણ કર્યું છે. ભગવાન તમને સારું સ્વાસ્થ્ય, ખુશી, શક્તિ અને રાષ્ટ્રની સેવામાં લાંબુ જીવન આપે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/kharge/status/2067810821862797350"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p><b style="font-size: 1.75rem;">રાહુલ ગાંધી થયા 56 વર્ષના&nbsp;</b></p><p>રાહુલ ગાંધીનો જન્મ 19 જૂન 1970&nbsp; ના રોજ દિલ્હીની હોલી ફેમિલી હોસ્પિટલમાં થયો હતો. તેઓ દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા તથા રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીના પુત્ર છે. વર્ષોથી સક્રિય રાજકારણમાં રહેલા રાહુલ ગાંધી હાલમાં સંસદમાં વિપક્ષના મુખ્ય ચહેરા તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે.</p><h4><b>રાહુલ ગાંધીની સંપત્તિ કેટલી ?&nbsp;</b></h4><p>રાહુલ ગાંધીના 54મા જન્મદિવસ નિમિત્તે, તેમની સંપત્તિ પણ ચર્ચાનો વિષય છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા ભારતીય ચૂંટણી પંચ (ECI) ને સુપરત કરાયેલા સોગંદનામા મુજબ 3 માર્ચ 2024 સુધીમાં તેમની કુલ સંપત્તિ ₹20 કરોડને વટાવી ગઈ હતી. રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધીએ 2022-23&nbsp; નાણાકીય વર્ષ માટે કુલ વાર્ષિક આવક ₹1.02&nbsp; કરોડ નોંધાવી હતી. સોગંદનામામાં જણાવાયું છે કે તેઓ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને HDFC બેંકમાં બચત ખાતા ધરાવે છે, જેમાં સંયુક્ત બેલેન્સ ₹26.25&nbsp; લાખ છે - જેમાં SBI ખાતામાં ₹2.22 લાખ અને HDFC ખાતામાં ₹24.03&nbsp; લાખનો સમાવેશ થાય છે. જ્યારે તેમણે ઘરે ફક્ત ₹55000 રોકડ હોવાનું જાહેર કર્યું છે, ત્યારે તેમની સંપત્તિનો નોંધપાત્ર હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ, બોન્ડ અને અન્ય રોકાણ સાધનોમાં રોકાણ કરવામાં આવ્યો છે.&nbsp;</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/INCIndia/status/2067781914656706740"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p><br></p><p><a href="https://sandesh.com/gallery/news/india/why-are-potatoes-and-chickpeas-the-filling-in-panipuri?2" target="_blank">આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/19/wsUMDBRXNn8MtdTzakzWSqoj4CNXlREgtuHRV6Cr.webp'/></item><item><title><![CDATA[Ayodhya: રામ મંદિર સુરક્ષાને લઇ 11 મહિનામાં 10 કરોડનો ધુમાડો તો પણ થઇ ચોરી, તપાસમાં મોટા નામો પર શંકાની સોય ]]></title><link>https://sandesh.com/india/news/ayodhya-rs-10-crores-stolen-in-11-months-over-ram-temple-security-investigation-casts-doubt-on-big-names</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ayodhya-rs-10-crores-stolen-in-11-months-over-ram-temple-security-investigation-casts-doubt-on-big-names</guid><pubDate>Fri, 19 Jun 2026 09:56:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અયોધ્યાની પવિત્ર ધરતી પર સ્થિત ભવ્ય રામ મંદિર આજે કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. દરરોજ હજારો ભક્તો રામલલાના દર્શન માટે અહીં પહોંચે છે. પરંતુ આ ધાર્મિક અને આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે હાલમાં ચાલી રહેલી વિશેષ તપાસે અનેક નવા પ્રશ્નો ઉભા કર્યા છે. વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા ચાલી રહેલી કાર્યવાહી હવે માત્ર એક વ્યક્તિ અથવા એક ઘટનાની મર્યાદામાં નથી રહી, પરંતુ સમગ્ર વ્યવસ્થાના વિવિધ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.</p><h2 style="text-align: justify; ">&nbsp;ટિન્નુ યાદવનું નામ સૌથી વધુ ચર્ચામાં</h2><p style="text-align: justify; ">તપાસ દરમિયાન અત્યાર સુધી રમાશંકર યાદવ ઉર્ફે ટિન્નુ યાદવનું નામ સૌથી વધુ ચર્ચામાં રહ્યું છે. જોકે હવે તપાસ એજન્સીઓનું ધ્યાન મંદિર પરિસરની સુરક્ષા વ્યવસ્થા, ટેકનિકલ મોનિટરિંગ સિસ્ટમ અને પ્રવેશ નિયંત્રણ સાથે જોડાયેલા લોકો તરફ પણ કેન્દ્રિત થયું છે. સૂત્રોના જણાવ્યા મુજબ સુરક્ષા કર્મચારીઓ, ટેકનિકલ સ્ટાફ અને પ્રશાસનિક કર્મચારીઓની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે.</p><h3 style="text-align: justify; ">તપાસનો વ્યાપ વધુ વિસ્તૃત બન્યો&nbsp;</h3><p style="text-align: justify; ">તપાસકર્તાઓનું માનવું છે કે કોઈપણ મોટા ધાર્મિક પરિસરમાં બનતી ઘટનાઓને સંપૂર્ણ રીતે સમજવા માટે માત્ર ઘટનાની જ નહીં પરંતુ સમગ્ર સંચાલન વ્યવસ્થાની સમીક્ષા કરવી જરૂરી બને છે. આ કારણે હવે તપાસનો વ્યાપ વધુ વિસ્તૃત બન્યો છે.</p><h4 style="text-align: justify; ">આ અધિકારી છેલ્લા લગભગ 17 વર્ષથી એક જ વ્યવસ્થા સાથે જોડાયેલા રહ્યા હોવાનું જાણવા મળ્યું</h4><p style="text-align: justify; ">આ તપાસ દરમિયાન જે નામે સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે તે રેડિયો મેન્ટેનન્સ ઓફિસર (RMO)નું છે. મંદિર પરિસરમાં સ્થાપિત CCTV કેમેરા, ડિજિટલ સર્વેલન્સ સિસ્ટમ અને અન્ય ટેકનિકલ ઉપકરણોની દેખરેખની જવાબદારી આ અધિકારી પર હોવાનું માનવામાં આવે છે. મહત્વની વાત એ છે કે આ અધિકારી છેલ્લા લગભગ 17 વર્ષથી એક જ વ્યવસ્થા સાથે જોડાયેલા રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.</p><h4 style="text-align: justify; ">આટલા લાંબા સમય સુધી એક જ જવાબદારીમાં તેમની નિમણૂક કેવી રીતે યથાવત રહી</h4><p style="text-align: justify; ">તપાસ એજન્સીઓ હવે એ જાણવા પ્રયત્ન કરી રહી છે કે આટલા લાંબા સમય સુધી એક જ જવાબદારીમાં તેમની નિમણૂક કેવી રીતે યથાવત રહી. સાથે જ CCTV કેમેરાની કામગીરી, ફૂટેજ સ્ટોરેજ, ડેટા બેકઅપ સિસ્ટમ, સર્વર મેનેજમેન્ટ અને ડિજિટલ સુરક્ષા વ્યવસ્થાઓ વિશે વિગતવાર માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.</p><h5 style="text-align: justify; ">પેન ડ્રાઇવ, ડિજિટલ રેકોર્ડ, હાર્ડ ડિસ્ક, સ્ટોરેજ ડિવાઇસ અને સંબંધિત ટેકનિકલ દસ્તાવેજોની પણ ચકાસણી</h5><p style="text-align: justify; ">સૂત્રોના જણાવ્યા મુજબ તપાસ દરમિયાન પેન ડ્રાઇવ, ડિજિટલ રેકોર્ડ, હાર્ડ ડિસ્ક, સ્ટોરેજ ડિવાઇસ અને સંબંધિત ટેકનિકલ દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. CCTV ફૂટેજની ઉપલબ્ધતા, તેની સુરક્ષા અને ડેટા મેનેજમેન્ટ પ્રક્રિયાઓને ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે.</p><h5 style="text-align: justify; ">ટેકનિકલ દેખરેખ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે</h5><p style="text-align: justify; ">વિશેષજ્ઞોનું માનવું છે કે આજના સમયમાં મોટા ધાર્મિક અને જાહેર સ્થળોની સુરક્ષા માટે ટેકનિકલ દેખરેખ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે. તેથી તપાસ એજન્સીઓ કોઈપણ સંભવિત ખામી અથવા પ્રક્રિયાગત બેદરકારીને સમજવા માટે દરેક ટેકનિકલ પાસાની વિગતવાર તપાસ કરી રહી છે.</p><h5 style="text-align: justify; ">હજુ સુધી કોઈ અંતિમ નિષ્કર્ષ જાહેર કરવામાં આવ્યો નથી</h5><p style="text-align: justify; ">હાલમાં તપાસ ચાલુ છે અને હજુ સુધી કોઈ અંતિમ નિષ્કર્ષ જાહેર કરવામાં આવ્યો નથી. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે SIT સમગ્ર વ્યવસ્થાની દરેક કડીને ધ્યાનપૂર્વક તપાસી રહી છે, જેથી હકીકતો સામે આવી શકે અને ભવિષ્યમાં સુરક્ષા તથા વ્યવસ્થાપન વધુ મજબૂત બનાવી શકાય.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/19/rZT5ZXl8VCQ3Dc4v851OybCp7QrxiW89uGg2R40S.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup વચ્ચે લિયોનેલ મેસ્સી પર તૂટ્યો મુશ્કેલીનો પહાડ, પિતા હોસ્પિટલમાં દાખલ, અફવા ના ફેલાવા પરીવારની અપીલ ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/lionel-messis-father-hospitalized-amid-fifa-world-cup-troubles</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/lionel-messis-father-hospitalized-amid-fifa-world-cup-troubles</guid><pubDate>Fri, 19 Jun 2026 08:44:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફૂટબોલ જગતના મહાન ખેલાડી લિયોનેલ મેસ્સીના પરિવારમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મેસ્સીના પિતા જોર્જ મેસ્સી અચાનક બીમાર પડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મેસ્સીના પરિવારે જોર્જની બીમારીની સત્તાવાર પુષ્ટિ કરી દીધી છે, જોકે તેમને ચોક્કસ કઈ બીમારી થઈ છે તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.</p><h2 style="text-align: justify; "><b>પિતાના અવસાનની અફવાઓ પર પરિવારે શું કહ્યું?</b></h2><p style="text-align: justify; ">જોર્જ મેસ્સી હોસ્પિટલમાં દાખલ થતાં જ સોશિયલ મીડિયા પર તેમના નિધનની ખોટી અફવાઓ તેજીથી ફેલાવા લાગી હતી. જોકે, મેસ્સીના પરિવારે તાત્કાલિક આ અફવાઓને સખત શબ્દોમાં ફગાવી દીધી છે. પરિવારે લોકોને અપીલ કરી છે કે આવા મુશ્કેલ સમયમાં કોઈ પણ પ્રકારના ખોટા કે ભ્રામક સમાચાર ન ફેલાવે. તેમણે વધુમાં જણાવ્યું કે, જ્યાં સુધી પરિવાર તરફથી સત્તાવાર માહિતી ન આપવામાં આવે ત્યાં સુધી કોઈ પણ અટકળો પર વિશ્વાસ કરવો નહીં.</p><h3 style="text-align: justify; "><b>તો આ કારણે મેદાન પર રડી પડ્યો હતો મેસ્સી!</b></h3><p style="text-align: justify; ">નોંધનીય છે કે, 16 જૂનના રોજ રમાયેલી 2026 ફિફા વર્લ્ડ કપની ઓપનિંગ મેચમાં આર્જેન્ટિનાએ અલ્જેરિયાને 3-0થી હરાવ્યું હતું. આ મેચમાં મેસ્સીએ શાનદાર હેટ્રિક ફટકારી હતી. પરંતુ પહેલો ગોલ કર્યા બાદ જ મેસ્સી ભાવુક થઈ ગયો હતો અને તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. તે સમયે મેસ્સીએ મીડિયા સમક્ષ પિતાની બીમારીનો ઉલ્લેખ કર્યો ન હતો, પરંતુ માત્ર એટલું જ કહ્યું હતું કે કેટલીક વ્યક્તિગત મુશ્કેલીઓના કારણે તે મેદાન પર રડી પડ્યો હતો. હવે પિતાની નાદુરસ્ત તબિયતના સમાચાર આવતા ચાહકોને સમજાયું છે કે મેસ્સી કયા દર્દમાંથી પસાર થઈ રહ્યો હતો.</p><h4 style="text-align: justify; "><b>મિરોસ્લાવ ક્લોઝના રેકોર્ડની બરાબરી, આગામી મેચ પર નજર</b></h4><p style="text-align: justify; ">અલ્જેરિયા સામેની આ ઐતિહાસિક હેટ્રિક સાથે જ લિયોનેલ મેસ્સીએ વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરવાના મામલે જર્મનીના દિગ્ગજ ખેલાડી મિરોસ્લાવ ક્લોઝના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. હવે મેસ્સી માત્ર એક ગોલ દૂર છે અને તે ફૂટબોલ ઇતિહાસમાં નવો કીર્તિમાન સ્થાપિત કરશે. આર્જેન્ટિનાની આગામી ટક્કર 22 જૂને ઑસ્ટ્રિયા સામે થવાની છે, જેના પર આખા વિશ્વની નજર રહેશે.</p><h3 style="text-align: justify; "><b>ફિફા વર્લ્ડકપમાં મેસ્સીની સિદ્ધિ</b></h3><p style="text-align: justify; ">લિયોનેલ મેસ્સી પહેલાથી જ ફૂટબોલની દુનિયાના મહાન ખેલાડીઓમાંના એક માનવામાં આવે છે, પરંતુ હવે આ આર્જેન્ટિનાના આ દિગ્ગજ ખેલાડીએ એવી સિદ્ધિ હાંસલ કરી છે જે પહેલાં કોઈ અન્ય ખેલાડીએ હાંસલ કરી નથી. છ અલગ અલગ ફિફા વર્લ્ડ કપમાં રમનાર વિશ્વનો પ્રથમ ફૂટબોલર બન્યો.&nbsp;</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/19/9PEako37x1JVc0G9oznWbVTswdfYa8oD89bvIgwi.webp'/></item></channel></rss>