<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Nadiad: કપડવંજ ફતિયાબાદ કેનાલ ઉપરથી વધુ એક વ્યક્તિએ ઝંપલાવતાં ચકચાર મચી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/nadiad/nadiad--1-1-1-1-1-1-1-1-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/nadiad/nadiad--1-1-1-1-1-1-1-1-1</guid><pubDate>Sun, 19 Jul 2026 05:48:48 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નડિયાદ : કપડવંજની સ્યુસાઈડ પોઈન્ટ બનેલ ફતિયાબાદ કેનાલમાં વધુ એક વ્યક્તિએ ઝંપલાવ્યાનું સામે આવ્યું છે. જેને પગલે કેનાલ પર લોકોના ટોળા ઉમટી પડયા હતા. આ લખાય છે ત્યાં સુધી આ મામલે કોઈ શોધખોળ હાથ ધરવામાં આવી નથી. કપડવંજમાં આવેલ ફતિયાબાદ કેનાલ પર આજે એક 40 વર્ષના આશરાના પુરુષ વ્યક્તિ દ્વારા ઝંપલાવ્યાનું સામે આવ્યું હતું. એક વ્યક્તિએ પુરુષ વ્યક્તિએ ઝંપલાવ્યાનું જાણતા જ સ્થળ પર પહોંચી તપાસ કરી હતી. દરમિયાન સ્થળ પરથી ચંપલ અને એક થેલી મળી આવી હતી. જેમાં એક આધારકાર્ડ હતું, આધારકાર્ડ પ્રમાણે કઠલાલ તાલુકાના પહાડમાં રહેતા પ્રવિણભાઈ ફતેસિંહ પરમાર હોવાનું અનુમાન કરાઈ રહ્યું હતું. પ્રવિણભાઈના ઘરે બનાવની જાણ કરતાં પરિવારજનો પણ દોડી આવ્યા હતા. પરિવારજનોએ જણાવ્યું હતું કે પ્રવિણભાઈના ત્રણ સંતાનો છે, ઘરે કોઈ કકળાટ કે અણબનાવ બન્યો નથી જેથી તે કેનાલમાં ઝંપલાવે. સ્થાનિક સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલ કેનાલમાં કોઈ શોધખોળ કરવામાં આવી રહી નથી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/19/ZaFlBeaJX82UfeqpXdmAW7Z9AiXDJBYpNnExAxBc.webp'/></item><item><title><![CDATA[Anand: સિંચાઈ વિભાગે ઘર સામે ગંદકી ઠાલવી દીધી ! ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/anand/anand-the-irrigation-department-dumped-dirt-in-front-of-the-house</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/anand/anand-the-irrigation-department-dumped-dirt-in-front-of-the-house</guid><pubDate>Sun, 19 Jul 2026 05:47:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આંકલાવ તાલુકાના આસોદર ગામના કરણેટપુરા વિસ્તારમાં આવેલા GR-14 મહી કેનાલ પાસે રહેતા ગ્રામજનોએ સિંચાઈ વિભાગ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. વર્ષોથી માત્ર 170 મીટરના રસ્તાની માંગણી છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી. હવે કેનાલની સફાઈ દરમિયાન નીકળેલી ગંદકી રહેણાંક વિસ્તાર અને ઘર સામે ઠાલવી દેવામાં આવતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા ચાર વર્ષથી રસ્તા માટે મહી કેનાલ વિભાગમાં વારંવાર લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારબાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં ફરિયાદ 'સ્વાગત' કાર્યક્રમમાં પણ કરવામાં આવી હતી. જોકે સમસ્યાનું નિરાકરણ લાવવાને બદલે કેનાલમાંથી કાઢવામાં આવેલી ગંદકી સીધી ઘર સામે નાખી દેવામાં આવી હોવાનું સ્થાનિકોનો આક્ષેપ કરી રહ્યા છે. સ્થાનિક લાલસિંહ ચંદુભાઈ પઢીયારે જણાવ્યું કે, અમે રસ્તા માટે અનેક વખત અરજી કરી, પરંતુ કોઈ સાંભળતું નથી. બે દિવસ પહેલાં કેનાલની સફાઈ દરમિયાન આખી ગંદકી મારા ઘર સામે નાખી દેવામાં આવી. આ અંગે પૂછતાં પણ કોઈ જવાબ આપતો નથી. 20થી વધુ બોરસદ સિંચાઈ વિભાગે અહીં મુલાકાત લીધી હતી જે માત્ર ફેટો સૂટ કરી જતા રહેતા હતા સ્વાગતમાં રજૂઆત કર્યા બાદ જાણે અમને હેરાન કરવા માટે જ આવું કરવામાં આવ્યું હોય તેવી લાગણી થાય છે. ગ્રામજનોનું કહેવું છે કે રહેણાંક વિસ્તાર પાસે ગંદકીના ઢગલાથી દુર્ગંધ ફેલાઈ રહી છે અને આરોગ્યને પણ જોખમ ઊભું થયું છે. એક તરફ્ રસ્તાની સુવિધાથી લોકો વંચિત છે તો બીજી તરફ્ તંત્રની આવી કામગીરીથી લોકોમાં અસંતોષ વધી રહ્યો છે. સ્થાનિકોએ જિલ્લા વહીવટીતંત્ર અને સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરીને જવાબદાર સામે કાર્યવાહી કરવાની તેમજ વર્ષોથી અટવાયેલો રસ્તાનો પ્રશ્ન તાત્કાલિક ઉકેલવાની માંગ કરી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/19/i4ZLz4i6BKE4W9ADcVkSc0Q6G26qEqrHyYgZyWCs.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: જુવાલથી 121 કફ્સીરપ સાથે બે ઝડપાયા, 1 વોન્ટેડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-two-arrested-with-121-drugs-1-wanted</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-two-arrested-with-121-drugs-1-wanted</guid><pubDate>Sun, 19 Jul 2026 05:40:12 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બાવળા : સાણંદ તાલુકાના જુવાલ ગામે બે ઇસમો નશાકારક કફ્સીરપનો જથ્થો રાખી તેને ચોરી છૂપીથી વેચાણ કરતા હોવાની બાવળા પોલીસ મથકના અનિલભાઈ ડાભીને બાતમી મળતા પોલીસે ગામના ઝાંપડિયા વાસમાં રેડ કરી હતી. જેમાં પોલીસ દ્વારા આરોપી અજય ઉર્ફે અજગર ભરતભાઈ ગોહેલ અને અશ્વિન ઉર્ફે હરેશ શ્રાવણભાઈ ગોહેલ પાસેથી રોકડા રૂપિયા 30000 અને મોબાઈલ મળી કુલ રૂ. 49,118નો મુદામાલ કબજે કર્યો હતો. પ્રાથમિક તપાસમાં બંને આરોપી દ્વારા કફ્ સીરપની બોટલો જુવાલ ગામના ઝાંપડિયાવાસમાં રહેતા અશ્વિન ઉર્ફે બોડલ પાસેથી લાવ્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે બંનેની ધરપકડ કરી 1 ઇસમને વોન્ટેડ જાહેર કરી એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/19/60gqXPW0qcIjr9Y4Ls1FhrwxLa3KVnOvnIyxV6o1.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: બાવળામાં પાલિકા દ્વારા જપ્ત કરાયેલા લારી ગલ્લાઓ પરત આપવા અંગે રજૂઆત કરાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-a-representation-was-made-in-bavla-regarding-the-return-of-lorry-bags-seized-by-the-municipality</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-a-representation-was-made-in-bavla-regarding-the-return-of-lorry-bags-seized-by-the-municipality</guid><pubDate>Sun, 19 Jul 2026 05:35:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બાવળા : અમદાવાદ જિલ્લાના બાવળા શહેરમાં ટ્રાફ્કિની સમસ્યા અને દબાણને લઈ ને પાલિકા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમ્યાન રોજિંદી આજીવિકા પર નિર્ભર લારી ગલ્લાઓ જપ્ત કરવામાં આવ્યા હતા. જેને લઈ બાવળાના સ્થાનિક નગરસેવકો દ્વારા પાલિકાના ચીફ્ ઓફ્સિર અને પ્રમુખને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતુ કે રોજ કમાઈને ખાવા વાળા અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરતા નાના માણસોને પોતાના લારી ગલ્લા છોડાવવા 5000 રૂપિયાના દંડની જોગવાઈ તેમના માટે અશક્ય જેવું હોવાથી દંડની રકમ નાની કરી તેઓને તેમની આજીવિકા માટે લારી ગલ્લા પરત આપવા રજૂઆત કરવામાં આવી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/19/KNNny7FcjF0tCJQ9H38sahQnNoxkKbvOTFx5DGmO.webp'/></item><item><title><![CDATA[Jammu-Kashmir : ભારે વરસાદની ચેતવણી વચ્ચે અમરનાથ અને વૈષ્ણોદેવી યાત્રા સ્થગિત, ઊધમપુરમાં શ્રદ્ધાળુઓની ગાડીને નડ્યો અકસ્માત ]]></title><link>https://sandesh.com/india/news/amarnath-vaishno-devi-yatra-suspended-jammu-kashmir-heavy-rain-alert-udhampur-accident</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/amarnath-vaishno-devi-yatra-suspended-jammu-kashmir-heavy-rain-alert-udhampur-accident</guid><pubDate>Sat, 18 Jul 2026 23:19:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જમ્મુ-કાશ્મીરમાં આગામી દિવસોમાં હવામાન અત્યંત ખરાબ થવાની આશંકાને પગલે પ્રશાસને શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લીધો છે. પવિત્ર અમરનાથ યાત્રા અને વૈષ્ણોદેવી યાત્રાને કામચલાઉ ધોરણે રોકી દેવામાં આવી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>શ્રદ્ધાળુઓનો કોઈ નવો જથ્થો આગળ વધશે નહીં</b></h2><p style="text-align: justify; ">મીડિયાના અહેવાલમાં જણાવાયું છે કે જમ્મુના કમિશનર રમેશ કુમારે સ્પષ્ટ કર્યું છે કે, 19 જુલાઈના રોજ જમ્મુથી કાશ્મીર તરફ શ્રદ્ધાળુઓનો કોઈ નવો જથ્થો આગળ વધશે નહીં. યાત્રા પર આવેલા તમામ ભક્તોને હાલ પૂરતા જમ્મુ, ઊધમપુર અને રામબનના સ્ટે સેન્ટરો પર જ રોકાઈ રહેવાની કડક સલાહ આપવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>આગામી દિવસોમાં હવામાન વધુ બગડી શકે</b></h3><p style="text-align: justify; ">મીડિયા અહેવાલો મુજબ કાશ્મીરના કમિશનર અંશુલ ગર્ગના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં હવામાન વધુ બગડી શકે તેમ હોવાથી આ નિર્ણય લેવાયો છે. રસ્તાઓની સુરક્ષાની ચકાસણી કર્યા બાદ જ યાત્રા ફરી શરૂ કરાશે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે અત્યાર સુધીમાં 3. 7 લાખથી વધુ ભક્તો બાબા બર્ફાનીના દર્શન કરી ચૂક્યા છે.</p><h4 style="text-align: justify; "><b>ઊધમપુરમાં સર્જાયો ભયાનક અકસ્માત</b></h4><p style="text-align: justify; ">યાત્રા રોકવાના આ આદેશો વચ્ચે ઊધમપુરના જખાની પાસે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં અમરનાથ જઈ રહેલા ઉત્તર પ્રદેશના (લખીમપુર અને સીતાપુરના) 5  તીર્થયાત્રીઓ અને એક સ્થાનિક ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જીએમસી ઊધમપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ઊધમપુરના કલેક્ટર અને ડોક્ટરો સાથે ફોન પર વાતચીત કરીને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવાના નિર્દેશ જાહેર કર્યા છે.</p><h4 style="text-align: justify; "><b>5 દિવસ સુધી ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં વેકેશન લંબાયું</b></h4><p style="text-align: justify; ">હવામાન વિભાગે 19 જુલાઈથી 23 જુલાઈ 2026 સુધી સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં મુસળધાર વરસાદ અને વીજળી પડવાનું ગંભીર એલર્ટ જાહેર કર્યું છે. 21 થી 23 જુલાઈ દરમિયાન કાશ્મીરમાં અને 20  થી 23  જુલાઈ દરમિયાન જમ્મુના રિયાસી તેમજ ઊધમપુરમાં રેકોર્ડબ્રેક વરસાદની આગાહી છે. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રશાસને વિન્ટર ઝોનની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં ઉનાળુ વેકેશન 22  જુલાઈ સુધી લંબાવી દીધું છે. પીર પંજાલ, ગુલમર્ગ, પહેલગામ અને જોઝિલા જેવા પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન (લેન્ડસ્લાઈડ) અને પૂરનો મોટો ખતરો હોવાથી પ્રવાસીઓને હાલ જમ્મુ-કાશ્મીરની મુસાફરી ટાળવા અને સ્થાનિક લોકોને નદી-નાળાથી દૂર રહેવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/india/ahmedabad/sandesh-digital-explainer-india-first-private-rocket-vikram-1-skyroot-aerospace-launched" target="_blank"><b> Sandesh Digital Explainer : અવકાશમાં નવા ભારતની ગર્જના, 'વિક્રમ-1'એ લખ્યો નવો ઇતિહાસ, બધું જ વાંચી લો એક જ ક્લિકમાં..</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/18/kwmosJRoy3XHSsSmvk7OSFK1fappMe1Wo2FUjY6A.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના સાબરમતી રિવરફ્રન્ટ પર NID પાસે પાર્ક કરેલી કારમાં ભભૂકી આગ, સદનસીબે જાનહાનિ ટળી ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/fire-breaks-out-in-a-car-parked-near-nid-on-sabarmati-riverfront-in-ahmedabad-fortunately-no-casualties-were-reported</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/fire-breaks-out-in-a-car-parked-near-nid-on-sabarmati-riverfront-in-ahmedabad-fortunately-no-casualties-were-reported</guid><pubDate>Sat, 18 Jul 2026 22:53:08 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પરથી આગની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રિવરફ્રન્ટ પર આવેલી પ્રતિષ્ઠિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID) ની બિલકુલ નજીક રોડ કિનારે પાર્ક કરીને મૂકેલી એક લક્ઝુરિયસ કારમાં અચાનક જ ભયાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે આખી કાર આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી અને તેમાંથી નીકળતો કાળો ધુમાડો દૂર-દૂર સુધી જોવા મળ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>ભરચક વિસ્તારમાં આગ લાગતા અફરાતફરી</b></h2><p style="text-align: justify; ">રિવરફ્રન્ટનો આ રોડ સામાન્ય રીતે વાહનચાલકો અને મોર્નિંગ-ઇવનિંગ વોકર્સથી સતત ધમધમતો રહે છે. તેવામાં ચાલુ ટ્રાફિક વચ્ચે કારમાં અચાનક પ્રચંડ આગ ભભૂકી ઉઠતા રસ્તા પરથી પસાર થતા અન્ય વાહનચાલકોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક અનુમાન મુજબ, પાર્ક કરેલી કારના વાયરીંગમાં અચાનક શોર્ટ સર્કિટ થવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું મનાઈ રહ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>સદનસીબે એક મોટી જાનહાનિ ટળી</b></h3><p style="text-align: justify; ">આ ઘટનાની સૌથી રાહતની વાત એ રહી કે જ્યારે કારમાં આગ લાગી ત્યારે તેની અંદર કોઈ વ્યક્તિ સવાર નહોતું. ગાડી લોક કરીને પાર્ક કરેલી હોવાથી અંદર રહેલા કોઈ પ્રવાસીને ઈજા થઈ નથી અને એક મોટી જાનહાનિ ખૂબ જ સહેલાઈથી ટળી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ એક ફાઈટર વાહન સાથે તાત્કાલિક રિવરફ્રન્ટ NID પાસે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. જોકે, આગ એટલી તીવ્ર હતી કે કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/18/sI3Y1gblXghwHPrkRI23qMsOGjhQUMwmeZOLPZfM.webp'/></item><item><title><![CDATA[Sonam Wangchukનું હેલ્થ બુલેટિન જાહેર, લાંબા ઉપવાસથી ડિહાઈડ્રેશન છતાં તબિયત સ્થિર, દવાઓ લેવાનો કર્યો ઇનકાર ]]></title><link>https://sandesh.com/india/news/sonam-wangchuk-health-bulletin-safdarjung-hospital-delhi-fast</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/sonam-wangchuk-health-bulletin-safdarjung-hospital-delhi-fast</guid><pubDate>Sat, 18 Jul 2026 22:24:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દિલ્હી જંતર મંતર પર આંદોલન ચલાવી રહેલા જાણીતા પર્યાવરણવિદ્દ અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના સ્વાસ્થ્યને લઈને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલ દ્વારા સત્તાવાર હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. સતત અને લાંબા ઉપવાસના કારણે તેમના શરીરમાં ડિહાઈડ્રેશનના સ્પષ્ટ લક્ષણો જોવા મળ્યા છે. જો કે, રાહતની વાત એ છે કે હોસ્પિટલના રિપોર્ટ અનુસાર સોનમ વાંગચુકની તબિયત હાલમાં સ્થિર છે અને ચિંતાજનક કોઈ બાબત નથી.</p><h2 style="text-align: justify; "><b>દવાઓ કે ઓઆરએસ લેવાનો ઇન્કાર કર્યો</b></h2><p style="text-align: justify; ">હેલ્થ બુલેટિનમાં જણાવ્યા અનુસાર, વાંગચુકની નાડીઅને ઓક્સિજનનું સ્તર સંપૂર્ણ પણે સામાન્ય નોંધાયું છે, જે એક સકારાત્મક સંકેત છે. જો કે, પોતાના આંદોલન અને મક્કમ નિર્ધાર પર અડગ રહેતા સોનમ વાંગચુક હોસ્પિટલમાં પણ કોઈપણ પ્રકારની તબીબી દવાઓ કે ઓઆરએસ (ORS) લેવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>ઝીણવટભર્યું નિરીક્ષણ&nbsp;&nbsp;</b></h3><p style="text-align: justify; ">તેમની જીદ અને સ્વાસ્થ્યની ગંભીરતાને જોતા સફદરજંગ હોસ્પિટલના સિનિયર ડોકટરોની એક વિશેષ ટીમ દ્વારા 24 કલાક તેમના સ્વાસ્થ્યનું સતત ઝીણવટભર્યું નિરીક્ષણ  કરવામાં આવી રહ્યું છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/india/ahmedabad/sandesh-digital-explainer-india-first-private-rocket-vikram-1-skyroot-aerospace-launched" target="_blank"><b>Sandesh Digital Explainer : અવકાશમાં નવા ભારતની ગર્જના, 'વિક્રમ-1'એ લખ્યો નવો ઇતિહાસ, બધું જ વાંચી લો એક જ ક્લિકમાં..</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/18/B9iemDjSUh1MZTovv4m3bW5vtmKAzuNtnHAlZhuq.webp'/></item><item><title><![CDATA[Lionel Messiના ફેન્સને મોટો ઝટકો! ફાઇનલ પહેલા જ ગોલ્ડન બૂટ જીતવાનું સપનું તૂટી જશે? ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/the-golden-boot-will-slip-out-of-lionel-messis-hands-understand-the-equation</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/the-golden-boot-will-slip-out-of-lionel-messis-hands-understand-the-equation</guid><pubDate>Sat, 18 Jul 2026 19:56:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">લિયોનેલ મેસ્સી અને કાયલિયન એમબાપ્પે 2026 ફિફા વર્લ્ડ કપમાં સંયુક્ત રીતે ટોચના સ્કોરર છે.બંનેએ આઠ ગોલ કર્યા છે.ફ્રાન્સ ટાઇટલ રેસમાંથી બહાર થઈ ગયું છે,જ્યારે આર્જેન્ટિના સતત બીજા આવૃત્તિ માટે ટાઇટલ માટે મજબૂત દાવેદાર છે.હાલમાં લિયોનેલ મેસ્સી ગોલ સ્કોરિંગ ટેબલમાં ટોચ પર છે.પરંતુ તેમનો ગોલ્ડન બૂટ એવોર્ડ હજુ પણ અપ્રમાણિત છે. આ એવોર્ડ ફરી એકવાર  ગુમાવી શકે છે.</p><h4 style="text-align: justify; "><b>ફિફા વર્લ્ડ કપ ઇતિહાસમાં સૌથી વધુ ગોલ સ્કોરર</b></h4><p style="text-align: justify; ">લિયોનેલ મેસ્સી ફિફા વર્લ્ડ કપ ઇતિહાસમાં સૌથી વધુ ગોલ સ્કોરર છે,અને તેમની ટીમે છેલ્લી આવૃત્તિમાં ટાઇટલ જીત્યું હતું. જો કે, તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમણે ક્યારેય ગોલ્ડન બૂટ જીત્યો નથી,જે કોઈ ચોક્કસ આવૃત્તિમાં અગ્રણી ગોલ સ્કોરરને આપવામાં આવે છે. આ વખતે, તેઓ એવોર્ડ જીતવાની ખૂબ નજીક છે,પરંતુ મેસ્સીનું સ્વપ્ન ચકનાચૂર થઈ શકે છે. તેમને કોણ પાછળ છોડી શકે છે?</p><h4 style="text-align: justify; "><b>એમબાપ્પે આઠ ગોલ કર્યા</b></h4><p style="text-align: justify; ">લિયોનેલ મેસ્સી અને ફ્રાન્સના કાયલિયન એમબાપ્પે આઠ ગોલ કર્યા છે.સેમિફાઇનલ પહેલા મબાપ્પે પ્રથમ સ્થાને હતા.બંનેએ સમાન ગોલ કર્યા હતા,પરંતુ મબાપ્પે સહાયમાં આગળ હતા.મેસ્સીએ ઈંગ્લેન્ડ સામેની સેમિફાઇનલમાં બે આસિસ્ટ કર્યા હતા,જેનાથી એમબાપ્પે પહેલા સ્થાને પહોંચી ગયા હતા.એમબાપ્પેની ટીમ પહેલેથી જ ટાઇટલ રેસમાંથી બહાર થઈ ગઈ છે,પરંતુ તેમની પાસે હજુ એક મેચ બાકી છે.</p><h5 style="text-align: justify; "><b>ત્રીજા સ્થાન માટે ફ્રાન્સ અને ઈંગ્લેન્ડ ટક્કર</b></h5><p style="text-align: justify; ">બે હારેલા સેમિફાઇનલ ખેલાડીઓ,ફ્રાન્સ અને ઈંગ્લેન્ડ નંબર 3 સ્થાન માટે સ્પર્ધા કરશે.આ મેચ શનિવારે રાત્રે 12:30 વાગ્યે ભારતીય સમય મુજબ શરૂ થશે.એમબાપ્પે પાસે ગોલ કરીને મેસ્સીને પાછળ છોડી દેવાની તક હશે,અને તે આસિસ્ટમાં આર્જેન્ટિનાના સ્ટારને પણ પાછળ છોડી શકે છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/messi-roars-before-the-fifa-world-cup-final-says-we-will-put-everything-at-stake" target="_blank"> FIFA World Cup ની ફાઈનલ પહેલા મેસીની ગર્જના, કહ્યું - અમે બધુ દાવ પર લગાવી દઈશું</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/18/6lrQ0mTR2hBSISVdK9kw9kDdVjhzPQ02FzM657cO.webp'/></item><item><title><![CDATA[72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત, કાર્તિક આર્યન અને યામી ગૌતમનું નામ પણ સામેલ ]]></title><link>https://sandesh.com/entertainment/news/72nd-national-film-awards-2026--winners-list---kartik-aaryan--yami-gautam</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/72nd-national-film-awards-2026--winners-list---kartik-aaryan--yami-gautam</guid><pubDate>Sat, 18 Jul 2026 19:07:01 +05:30</pubDate><description><![CDATA[<p>72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ફરી એકવાર ભારતીય સિનેમાની શ્રેષ્ઠ ફિલ્મો, કલાકારો અને ટેકનિકલ પ્રતિભાઓને તેમના શાનદાર કામ માટે સન્માનિત કરવામાં આવ્યા છે. દર વર્ષની જેમ વિવિધ ભાષાઓ અને શૈલીઓની ફિલ્મોએ મજબૂત હાજરી નોંધાવી છે.. આ પુરસ્કારોએ માત્ર શાનદાર અભિનય અને દિગ્દર્શનને જ નહીં, પરંતુ તેમની કહાણી કહેવાની, સંગીત, સિનેમેટોગ્રાફી અને સામાજિક પ્રભાવ માટે પ્રખ્યાત ફિલ્મોને પણ માન્યતા આપી છે. વિજેતાઓની સંપૂર્ણ યાદીની જાહેરાતથી ફિલ્મ ઉદ્યોગ અને દર્શકોમાં આનંદ છવાઈ ગયો છે. ચાલો જાણીએ કે કઈ શ્રેણીમાં કોણ જીત્યું.
</p><p>
</p><p><br></p><p>કાર્તિક આર્યન અને મામૂટીને તેમની ફિલ્મો ચંદુ ચેમ્પિયન અને બ્રહ્મયુગમ માટે અનુક્રમે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. યામી ગૌતમને હિન્દી ફીચર ફિલ્મમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો. સંજય મિશ્રાને તેમની ફિલ્મ ભક્ષક માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો.<br><br></p><p>- શ્રેષ્ઠ અભિનેતા: કાર્તિક આર્યન (ચંદુ ચેમ્પિયન) અને મામૂટી (બ્રહ્મયુગમ)
</p><p>- શ્રેષ્ઠ અભિનેત્રી: યામી ગૌતમ (આર્ટિકલ ૩૭૦)
</p><p>- શ્રેષ્ઠ દિગ્દર્શક: રાજકુમાર પેરિયાસામી (અમરન)
</p><p>- શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી: રોપશ્રી વરકાડી (મિથ્યા) અને સવના નમિદાસ (મહારાજા)
</p><p>- શ્રેષ્ઠ સહાયક અભિનેતા: સંજય મિશ્રા (ભક્ષક)
</p><p>- રાષ્ટ્રીય અને સામાજિક મૂલ્યોને પ્રોત્સાહન આપતી શ્રેષ્ઠ ફિલ્મ: કલ્કી 2898 એડી
</p><p>- રાષ્ટ્રીય અને સામાજિક મૂલ્યોને પ્રોત્સાહન આપતી શ્રેષ્ઠ ફિલ્મ: કેપ્ટન મિલર
</p><p>- શ્રેષ્ઠ બાળ કલાકાર: રુદ્રીમાન બેનર્જી, તપોમય દેવ, ગીતાશ્રી ચક્રવર્તી, અરંગદેવ પોથુલા અને અનીશ એસ. શેટ્ટી
</p><p>- શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી: શહેનાદ જલાલ (બ્રહ્મયુગમ)
</p><p>- શ્રેષ્ઠ પટકથા: સુકુમાર (પુષ્પા ૨)
</p><p>- શ્રેષ્ઠ સંવાદ લેખક: વેંકી અટલુરી (લકી ભાસ્કર)
</p><p>- શ્રેષ્ઠ પ્રોડક્શન ડિઝાઇન: કલ્કી ૨૮૯૮ એડી
</p><p>- શ્રેષ્ઠ એક્શન દિગ્દર્શન: અનલ આરાસુ (મહારાજા)
</p><p>- શ્રેષ્ઠ મેકઅપ આર્ટિસ્ટ: કોમેટી કુરોલુ
</p><p><br></p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/18/lDzVIPnNR0z1ZqvlKPDSNscfxuOGswsRSpO5xglx.webp'/></item><item><title><![CDATA[Gold Silver Price Today: 4900 સુધી ઘટ્યા ભાવ, જાણો અઠવાડિયામાં સોના ચાંદીના ભાવમાં કેટલો ફેરફાર ]]></title><link>https://sandesh.com/business/news/gold-silver-price-today-prices-dropped-to-4900-know-how-much-change-in-gold-and-silver-prices-in-a-week</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/gold-silver-price-today-prices-dropped-to-4900-know-how-much-change-in-gold-and-silver-prices-in-a-week</guid><pubDate>Sat, 18 Jul 2026 12:48:12 +05:30</pubDate><description><![CDATA[<p>આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. જેના પરિણામે સોનાના ભાવમાં ₹2,200 થી વધુ અને ચાંદીના ભાવમાં ₹4,900 નો ઘટાડો થયો. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર આ અઠવાડિયે 24 કેરેટ સોનાનો ભાવ ₹2,209 ઘટીને ₹1,41,159 પ્રતિ 10 ગ્રામ થયો જે અગાઉના સ્તર ₹1,43,368 પ્રતિ 10 ગ્રામ હતો. 22 કેરેટ સોનાનો ભાવ ₹1,31,325 પ્રતિ 10 ગ્રામથી ઘટીને ₹1,29,302 પ્રતિ 10 ગ્રામ થયો. જ્યારે 18 કેરેટ સોનાનો ભાવ ₹1,07,526 પ્રતિ 10 ગ્રામથી ઘટીને ₹1,05,869 પ્રતિ 10 ગ્રામ થયો.</p><p><b style="font-size: 2rem;">અઠવાડિયામાં સોના ચાંદીના ભાવમાં શું ફેરફાર ?&nbsp;</b></p><p>આ અઠવાડિયામાં સોનાનો સૌથી ઓછો ભાવ 17 જુલાઈના રોજ સાંજના સત્ર દરમિયાન ₹1,41,159 પ્રતિ 10 ગ્રામ નોંધાયો હતો જ્યારે 13 જુલાઈના રોજ સવારના સત્ર દરમિયાન સૌથી વધુ ભાવ ₹1,42,289 પ્રતિ 10 ગ્રામ હતો.આ દરમિયાન MCX પર, 5 ઓગસ્ટ, 2026 ના રોજ સોનાનો કોન્ટ્રેક્ટ શુક્રવારે ₹1,40,348 પર બંધ થયો જે ₹658 નો વધારો દર્શાવે છે.</p><p><b style="font-size: 1.75rem;">ચાંદીના ભાવમાં ઘટાડો</b></p><p>સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો. ચાંદીનો ભાવ ₹4,917 ઘટીને ₹2,15,474 પ્રતિ કિલોગ્રામ થયો, જે અગાઉના ₹2,20,390 પ્રતિ કિલોગ્રામ હતો.</p><p>આ અઠવાડિયે ચાંદીનો સૌથી વધુ ભાવ 15 જુલાઈના રોજ સવારના સત્ર દરમિયાન ₹2,20,391 પ્રતિ કિલોગ્રામ નોંધાયો હતો, જ્યારે 17 જુલાઈના રોજ સાંજના સત્ર દરમિયાન સૌથી ઓછો ભાવ ₹2,15,474 પ્રતિ કિલોગ્રામ હતો. શુક્રવારે, 4 સપ્ટેમ્બર, 2026 માટે ચાંદીનો કોન્ટ્રેક્ટ MCX પર ₹216,403 પર બંધ થયો જે ₹46 નો વધારો દર્શાવે છે.</p><p><b style="font-size: 1.5rem;">વૈશ્વિક સ્તરે સોના અને ચાંદીના ભાવ</b></p><p>આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાનો ભાવ ઔંસ દીઠ $4,000 ની નજીક પહોંચી ગયો જ્યારે ચાંદીનો ભાવ ઔંસ દીઠ $57 ની નજીક પહોંચી ગયો છે. નિષ્ણાતોના મતે, સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે થયો છે. અમેરિકા ઈરાન પર સતત હુમલા કરી રહ્યું છે, જ્યારે ઈરાન મધ્ય પૂર્વમાં યુએસ બેઝને પણ નિશાન બનાવી રહ્યું છે.</p><p><br></p><h3><b>દેશના મોટા શહેરોમાં સોના ચાંદીના ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)&nbsp;</b></h3><table class="table table-bordered"><tbody><tr><td>શહેર&nbsp;</td><td>24 કેરેટ સોનાની કિંમત ( રૂપિયા/10 ગ્રામ) )</td><td>&nbsp;22 કેરેટ સોનાની કિંમત( રૂપિયા/10 ગ્રામ)</td></tr><tr><td>દિલ્હી</td><td>&nbsp;1,43,440&nbsp;</td><td>1,31,450&nbsp; &nbsp; &nbsp;&nbsp;</td></tr><tr><td>કોલકાતા&nbsp;</td><td>1,43,290&nbsp;</td><td>1,31,350&nbsp;&nbsp;</td></tr><tr><td>ચેન્નઈ&nbsp;</td><td>1,43,290</td><td>&nbsp;1,31,350&nbsp; &nbsp;</td></tr><tr><td>બેંગ્લોર&nbsp;</td><td>1,43,290&nbsp;</td><td>1,31,350&nbsp;&nbsp;</td></tr><tr><td>અમદાવાદ</td><td>&nbsp;1,43,340</td><td>&nbsp;1,31,400&nbsp; &nbsp;&nbsp;</td></tr><tr><td>વડોદરા&nbsp;</td><td>1,43,340&nbsp;</td><td>1,31,400&nbsp; &nbsp;&nbsp;</td></tr></tbody></table><p><br></p><div><a href="https://sandesh.com/astrology/news/bhakti/surya-guru-yuti-2026-mahalakshmi-rajyoga-has-been-formed-the-luck-of-4-zodiac-signs-will-shine-due-to-the-union-of-sun-and-guru" target="_blank">આ પણ વાંચો: Surya Guru Yuti 2026: બન્યો મહાલક્ષ્મી રાજયોગ ! સૂર્ય ગુરુની યુતિથી 4 રાશિની કિસ્મત ચમકશે</a></div><div><br></div> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/JHOHg1mlQKWSZJo3d1waBR7jFXs777mhgIbKTMdv.webp'/></item></channel></rss>