<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[India News: ઓપરેશન સિંદુરમાં શહીદ થયેલા જવાનોની શહાદત છૂપાવવાનો આરોપ, રક્ષા મંત્રાલયે જવાબ આપ્યો ]]></title><link>https://sandesh.com/india/news/operation-sindoor-defence-ministry-rejects-claims-of-hiding-martyrs-sacrifice</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/operation-sindoor-defence-ministry-rejects-claims-of-hiding-martyrs-sacrifice</guid><pubDate>Sun, 28 Jun 2026 08:48:41 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઓપરેશન સિંદૂરના છ શહીદોને સન્માન ન આપવાના કોંગ્રેસના આરોપ પર રક્ષા મંત્રાલયે સ્પષ્ટતા કરી છે.મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે દેશે આ શહીદોને સૌથી પહેલાં ઘટનાસ્થળે જ સન્માન આપ્યું હતું અને તેમની યાદને હંમેશા સન્માન અને શ્રદ્ધા સાથે યાદ રાખવામાં આવશે.આ વિવાદ કોંગ્રેસ નેતા પવન ખેડાના એક આરોપથી શરૂ થયો હતો.ખેડાએ શુક્રવાર અને શનિવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું હતું કે સરકારે ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા છ જવાનોની કુરબાનીને એક વર્ષ સુધી છુપાવી રાખી હતી અને તેમને શહીદનો દરજ્જો આપ્યો ન હતો.</p><h2 style="text-align: justify; "><b>મિલિટરી ઓપરેશન્સે આ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી</b></h2><p style="text-align: justify; ">આ આરોપના જવાબમાં રક્ષા મંત્રાલયે કોઈનું નામ લીધા વગર કહ્યું કે કેટલીક મીડિયા રિપોર્ટ્સ અને સોશિયલ મીડિયા પોસ્ટમાં ખોટી રીતે એવું દર્શાવવામાં આવ્યું છે કે આ છ જવાનોની કુરબાનીને તાજેતરમાં જ પહેલીવાર સામે લાવવામાં આવી છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે દેશે આ શહીદોને ઘણો સમય પહેલા જ સન્માન આપી દીધું હતું. 11 મે, 2025ના રોજ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આર્મીના ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સે આ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમની કુરબાનીને સાર્વજનિક રૂપે સ્વીકારી હતી.ત્યારબાદ 14 ઓગસ્ટ, 2025ના રોજ જાહેર કરાયેલી પ્રેસ રિલીઝમાં આ જવાનોને વીરતા પુરસ્કાર આપવાની વાત પણ છપાઈ હતી. સેનાના સોશિયલ મીડિયા પેજ પર પણ તેમના વખાણ કરવામાં આવ્યા હતા.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>ત્રણ જવાનોના પરિવારોને સેના મેડલ આપ્યા હતા</b></h3><p style="text-align: justify; ">આ વર્ષે 15 જાન્યુઆરીએ જયપુરમાં યોજાયેલી આર્મી ડે પરેડમાં સેના પ્રમુખે ત્રણ જવાનોના પરિવારોને સેના મેડલ આપ્યા હતા.જ્યારે વાયુસેના પ્રમુખે 8 ઓક્ટોબર, 2025ના રોજ એક સમારોહમાં આ સન્માન આપ્યું હતું.મંત્રાલયે એ પણ જણાવ્યું કે આ છ જવાનોના નામ નેશનલ વોર મેમોરિયલની દિવાલ પર લખાઈ ચૂક્યા છે. જેમાં સેનાના પાંચ જવાનો - સુબેદાર મેજર પવન કુમાર, રાઈફલમેન સુનિલ કુમાર, લાન્સ નાયક દિનેશ કુમાર, અગ્નિવીર મૂડ મુરલીનાઈક, હવાલદાર સુનિલ કુમાર સિંહ અને વાયુસેનાના સાર્જન્ટ સુરેન્દ્ર કુમાર સામેલ છે. 'ઓપરેશન સિંદૂર' ગયા વર્ષે 22 એપ્રિલે થયેલા પહેલગામ આતંકી હુમલાનો બદલો લેવા માટે ચલાવવામાં આવ્યું હતું. મંત્રાલયે કહ્યું કે શહીદોના નામ મેમોરિયલ પર લખવાની એક નિર્ધારિત પ્રક્રિયા હોય છે, જેનું પૂરી સાવધાની સાથે પાલન કરવામાં આવે છે. મંત્રાલયે આ વિવાદને ખોટો અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો અને કહ્યું કે આનાથી શહીદ પરિવારોને તકલીફ પહોંચે છે.<br><br><a href="https://sandesh.com/world/breakingnews/pakistan-karachi-rangers-headquarters-blast-gunfire-investigation" target="_blank">આ પણ વાંચોઃ Pakistan : કરાચીમાં રેન્જર્સ હેડક્વાર્ટરની પાસે થયો બ્લાસ્ટ, ગોળીબારી પણ કરાઈ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/28/iXCrjsayAmT0fP67sKiDhi0vDP9z8WcnaP4OB1jd.webp'/></item><item><title><![CDATA[Kutch: ગાંધીધામમાં મોડી રાત્રે 50 જેટલા ગેરકાયદે બાંધકામો તોડી સરકારી જમીન દબાણમુક્ત કરાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kutch/gandhidham-government-land-demolition-drive-mamlatdar-removes-fifty-encroachments-worth-two-crores</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kutch/gandhidham-government-land-demolition-drive-mamlatdar-removes-fifty-encroachments-worth-two-crores</guid><pubDate>Sun, 28 Jun 2026 07:57:22 +05:30</pubDate><description><![CDATA[<p>ગાંધીધામ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી કિંમતી જમીનો પર ગેરકાયદે કબજા જમાવવાની પ્રવૃત્તિ સામે વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. ગાંધીધામના મહેસૂલ વિભાગ અને સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત રીતે અલગ-અલગ લોકેશનો પર એક મોટું જમીન સેનિટેશન ડ્રાઈવ (ડિમોલિશન) હાથ ધરવામાં આવ્યું હતું, જેનાથી સ્થાનિક ભુમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.</p><h2><b>ગેરકાયદે બાંધકામો પર હથોડો</b></h2><p>લાંબા સમયથી વહીવટી તંત્રને ફરિયાદો મળી રહી હતી કે ગાંધીધામ પંથકના શિનાઈ અને ભારાપર જેવા વિસ્તારોમાં કરોડો રૂપિયાની કિંમતી સરકારી અને ગૌચર જમીનો પર સ્થાનિક તત્વો દ્વારા આડેધડ કાચા-પાકા મકાનો, ઓરડીઓ અને કોમર્શિયલ શેડ ઉભા કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં, શિનાઈ પાસે કાયદાકીય ઓથ મેળવવાના આશયથી એક ધાર્મિક દબાણ પણ ખડકી દેવાયું હતું. આ બાબતની ગંભીરતાને ધ્યાને રાખીને ગાંધીધામ મામલતદારની આગેવાની હેઠળ શનિ-રવિની મોડી રાત્રે જ ઓપરેશન પ્લાન કરવામાં આવ્યું હતું.</p><h3><b>ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કરોડોની પ્રોપર્ટી મુક્ત</b></h3><p>કોઈપણ પ્રકારનો સ્થાનિક વિરોધ કે અનિચ્છનીય ઘર્ષણ ન થાય તે માટે તંત્રએ ભારે પોલીસ ફોર્સ સાથે મોડી રાત્રે જેસીબી અને બુલડોઝરની એન્ટ્રી કરાવી હતી. ભારાપર વિસ્તારમાં જોતજોતામાં ૪૦ થી ૫૦ જેટલા કાચા-પાકા ગેરકાયદે આશરા અને દુકાનોના શેડ તોડી પાડવામાં આવ્યા હતા. આ સાથે શિનાઈ પાસે આવેલું ધાર્મિક અતિક્રમણ પણ કાયદાના દાયરામાં રહીને હટાવી દેવાયું હતું. વહીવટી અધિકારીઓના સત્તાવાર આંકડા મુજબ, આ ઓપરેશન દ્વારા અંદાજે 1.95 કરોડ રૂપિયાની બજાર કિંમત ધરાવતી મૂલ્યવાન સરકારી જમીન ભુમાફિયાઓના સકંજામાંથી મુક્ત કરાવી લેવામાં આવી છે અને ત્યાં સરકારી માલિકીના બોર્ડ મારવાની તજવીજ શરૂ કરાઈ છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/vadodara/manjalpur-police-station-psi-malika-parmar-and-asi-arrested-by-acb-in-ten-thousand-bribe" target="_blank">આ પણ વાંચો: Vadodara: માંજલપુર પોલીસ મથકના મહિલા PSI અને ASI 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/28/wHKPTKwHmCY35n84gbv5ZSwbj77vLvJKB6LUZRGo.webp'/></item><item><title><![CDATA[Vadodara: માંજલપુર પોલીસ મથકના મહિલા PSI અને ASI 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/manjalpur-police-station-psi-malika-parmar-and-asi-arrested-by-acb-in-ten-thousand-bribe</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/manjalpur-police-station-psi-malika-parmar-and-asi-arrested-by-acb-in-ten-thousand-bribe</guid><pubDate>Sun, 28 Jun 2026 07:20:16 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાત સરકાર ભલે ભ્રષ્ટાચાર મુક્ત શાસનના દાવા કરે, પરંતુ જમીની હકીકત એ છે કે સામાન્ય નાગરિકોને પોતાના કાયદેસરના જામીન મેળવવા જેવા કામો માટે પણ પોલીસ મથકોમાં હજારો રૂપિયાની લાંચ ચૂકવવી પડે છે. વડોદરાના માંજલપુર પોલીસ મથકમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં કાયદાના રક્ષક ગણાતા પીએસઆઈ મલ્લિકા પરમાર અને એએસઆઈ જયકિશન ગામેતીએ નાણાંની લાલચમાં પોતાની ખાખી વર્દીને ડાઘ લગાડ્યો છે.</p><h2><b>સમગ્ર ઘટનાની વિગત</b></h2><p>માંજલપુર પોલીસ સ્ટેશનમાં અગાઉ એક ગુનો દાખલ થયો હતો, જેમાં સંડોવાયેલા આરોપીને કોર્ટ કે પોલીસ સ્ટેશન સ્તરેથી જામીન મુક્ત કરવા માટેની કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી હતી. આ કેસના તપાસ અધિકારી કે સુપરવાઈઝર તરીકે પીએસઆઈ મલ્લિકા પરમાર અને એએસઆઈ જયકિશન ગામેતીએ જામીનની મંજૂરી આપવાના બદલામાં આરોપીના સંબંધી (ફરિયાદી) પાસે પચ્ચીસ હજાર રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદી આ લાંચખોરી સામે ઝૂકવા માંગતા ન હોવાથી તેમણે ગુપ્ત રીતે વડોદરા એસીબી (ACB) નો સંપર્ક સાધ્યો હતો અને સમગ્ર હકીકત વર્ણવી હતી.</p><h3><b>એસીબીનું આયોજનબદ્ધ છટકું</b></h3><p>ફરિયાદીની વિગતોના આધારે એસીબીના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એક સ્પેશિયલ ટીમ દ્વારા માંજલપુર વિસ્તારમાં જ લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. ફરિયાદીએ આ દરમિયાન પોલીસકર્મીઓ સાથે વાતચીત કરીને લાંચની રકમ ઘટાડીને 10,000 રૂપિયા નક્કી કરાવી હતી. જેવા જ એએસઆઈ અને પીએસઆઈ ની સંમતિથી 10,000 રૂપિયા સ્વીકારવામાં આવ્યા, કે તુરંત જ આસપાસ વોચમાં ગોઠવાયેલી એસીબીની ટીમે ત્રાટકીને બંને લાંચિયા પોલીસકર્મીઓને કેમિકલ યુક્ત નોટો સાથે રંગેહાથ દબોચી લીધા હતા. બંનેની ઓફિસમાં જ અટકાયત કરીને કાયદાકીય કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે અને તેમના ઘર તેમજ મિલકતોની તપાસ માટે પણ એસીબીએ ચક્રો ગતિમાન કર્યા છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-police-bharti-board-unarmed-psi-class-2-written-exam-gandhinagar-ldrp" target="_blank">આ પણ વાંચો: Gujarat Police Bharti Update: PSI ભરતીને લઈ મોટા સમાચાર, 28 જૂને બિન હથિયારી PSI વર્ગ-2 ની લેખિત પરીક્ષા</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/28/dHKMJ6oM2A1yqSW10387wjpqkBuBJVS2nzzkPxYO.webp'/></item><item><title><![CDATA[નૅક પેકેજિંગ લિ.નો IPO 1 જુલાઈએે ખુલશે, પ્રિમિયમ ઇક્વીટી શેર 161 થી રૂ. 170નો પ્રાઇઝ બેન્ડ નક્કી કરાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/nac-packaging-ltd-ipo-to-open-on-july-1-premium-equity-share-price-band-set-at-rs-161-to-rs-170</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/nac-packaging-ltd-ipo-to-open-on-july-1-premium-equity-share-price-band-set-at-rs-161-to-rs-170</guid><pubDate>Sun, 28 Jun 2026 02:22:27 +05:30</pubDate><description><![CDATA[<p>પેકેજિંગ સોલ્યુશન્સ ક્ષેત્રની અગ્રણી કંપની નૅક પેકેજિંગ લિમિટેડ પોતાનો પબ્લિક ઇશ્યૂ લઈને આવી રહી છે. કંપનીએ આ ઓફર માટે પ્રતિ ઇક્વિટી શેર રૂ.161 થી રૂ.170નો પ્રાઇઝ બેન્ડ નક્કી કર્યો છે. આ આઈપીઓ સબ્સ્ક્રિપ્શન માટે 1 જુલાઈ ના રોજ ખુલશે અને 3 જુલાઈ, 2026ના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર્સ માટે બિડિંગ પ્રક્રિયા 30 જૂન, 2026ના રોજ યોજાશે. રોકાણકારો ઓછામાં ઓછા 88 ઇક્વિટી શેર અને ત્યારપછી તેના ગુણાંકમાં બિડ કરી શકશે. કંપનીના લાયક કર્મચારીઓ માટે શેર દીઠ રૂ.16નું આકર્ષક ડિસ્કાઉન્ટ રખાયું છે. આ ઓફરમાં રૂ.3,800 મિલિયન સુધીના નવા ઇક્વિટી શેર અને પ્રમોટર્સ તેમજ અન્ય શેરધારકો દ્વારા 35,00,000 સુધીના શેર્સની વેચાણ માટેની ઓફર સામેલ છે. નાણાકીય વર્ષ 2025માં ફ્લેક્સિબલ બલ્ક PLWPP બેગ્સ ક્ષેત્રે કંપની આશરે 10.1% બજાર હિસ્સો ધરાવતી હતી. કંપનીની કામગીરીમાંથી આવક નાણાંકીય વર્ષ 2024માં રૂ.6,545.59 મિલિયનથી વધીને નાણાંકીય વર્ષ 2026માં રૂ.8,234.34 મિલિયન 12.16% થઈ છે.&nbsp;</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/28/OWMGObxgq1lwKq6Pd1Y2cTfWpiGycIbMNC6zmZFc.webp'/></item><item><title><![CDATA[શાપર-વેરાવળમાં પ્રથમ વરસાદે જ 'વિકાસ' પાણીમાં ગરકાવ! ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/rajkot/vikas-submerged-in-water-in-shapar-veraval-with-the-first-rain</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/rajkot/vikas-submerged-in-water-in-shapar-veraval-with-the-first-rain</guid><pubDate>Sun, 28 Jun 2026 02:21:08 +05:30</pubDate><description><![CDATA[<p>&nbsp;સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા અને સરકારની તિજોરીમાં કરોડો રૂપિયાનો ટેક્સ ઠાલવતા શાપર-વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં પ્રી-મોન્સૂન પ્લાનિંગના નામે માત્ર મીંડું સાબિત થયું છે. ચોમાસાના પ્રથમ વરસાદે જ તંત્રના પોકળ દાવાઓની પોલ ઉઘાડી પાડી દીધી છે. વેરાવળથી શિવ હોટલ તરફ્ જતા નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર જાણે નદી વહેતી હોય તેમ એકથી દોઢ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા. લાખો-કરોડોના ખર્ચે હજી હમણાં જ બનાવાયેલો આરસીસી સર્વિસ રોડ ઘૂંટણસમા પાણીમાં ડૂબી જતાં સરકારી નાણાંનો કેવો ધુમાડો થાય છે તેનો આ જીવતો જાગતો પુરાવો છે. પાણીના નિકાલની કોઈ જ નક્કર વ્યવસ્થા ન હોવાને કારણે કરોડોનો ટેક્સ ચૂકવતા ઉદ્યોગપતિઓ અને શ્રામિકોએ પ્રથમ વરસાદે જ ભારે આક્રોશ સાથે તંત્રની અણઆવડતના ભોગ બનવું પડયું છે.&nbsp;</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો&nbsp;</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/28/AU57nRzFyAuPSdxXPfxdI0iF9YTNDB2Rx651L1Gw.webp'/></item><item><title><![CDATA[અંતે મુંબઈ-પોરબંદર-કેશોદ અને અમદાવાદ હવાઈ સેવાનો પ્રારંભ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/porbandar/finally-mumbai-porbandar-keshod-and-ahmedabad-air-service-begins</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/porbandar/finally-mumbai-porbandar-keshod-and-ahmedabad-air-service-begins</guid><pubDate>Sun, 28 Jun 2026 02:20:18 +05:30</pubDate><description><![CDATA[<p>&nbsp;પોરબંદરથી મુંબઈ,અમદાવાદ અને કેશોદની ફ્લાઈટ ફરી શરુ થઇ છે મહાનુભાવોના હસ્તે યાત્રીઓનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું</p><p>પોરબંદર એરપોર્ટ ખાતે દોઢ માસ પૂર્વે વિમાનીસેવા બંધ થઇ હતી આથી પ્રવાસીઓ,વેપારીઓ ને પડતી મુશ્કેલી અંગે અનેક રજૂઆત બાદ ફરી વિમાની સેવા શરુ કરવામાં આવી છે એલાયન્સ એર દ્વારા મુંબઈ-પોરબંદર-કેશોદ-અમદાવાદ તેમજ અમદાવાદ-કેશોદ-પોરબંદર-મુંબઈ રૂટ પર નવી હવાઈ સેવાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવી સેવા દ્વારા પોરબંદરને મુંબઈ અને અમદાવાદ જેવા મહત્વપૂર્ણ શહેરો સાથે સીધી અને વધુ સુવિધાજનક હવાઈ કનેક્ટિવિટી પ્રાપ્ત થઈ છે, નવી ફ્લાઇટ સેવાના પ્રારંભ નિમિત્તે આજે એરપોર્ટ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રથમ ફ્લાઇટનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જો કે હવે આ વિમાનીસેવા ફરી બંધ ન થાય અને નિયમિત ચાલુ રહે તેવી મુસાફરો માંગ કરી રહ્યા છે</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો&nbsp;</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/28/0yPMwsOddHA8PORa6lITj3VGoySTUMNkDfZ1FVsF.webp'/></item><item><title><![CDATA[Ancy Sojanએ લાંબી કૂદમાં ઈતિહાસ રચ્યો, 22 વર્ષ જૂનો નેશનલ રેકોર્ડ તોડ્યો ]]></title><link>https://sandesh.com/sports/news/ancy-sojan-national-long-jump-record</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/ancy-sojan-national-long-jump-record</guid><pubDate>Sat, 27 Jun 2026 23:47:03 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમ ખાતે યોજાયેલી નેશનલ ઈન્ટર સ્ટેટ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2026માં લાંબી કૂદની સ્પર્ધામાં કેરળની 25 વર્ષના મહિલા ખેલાડી એન્સી સોજને ઐતિહાસિક પ્રદર્શન કર્યું.</p><p style="text-align: justify; ">નેશનલ ઈન્ટર સ્ટેટ સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં લાંબી કૂદની સ્પર્ધામાં 6.88 મીટર કૂદકો મારીને એશિયન ગેમ્સ 2026માં ભાગ લેવા માટેટિકિટ મેળવી લીધી હતી. હવે એન્સી સોજને મહાન ભારતીય મહિલા ખેલાડી અંજુ બોબી જ્યોર્જના 6.83 મીટર લાંબી કૂદના 22 વર્ષ જૂના નેશનલ રેકોર્ડને તોડીને લાંબી કૂદમાં પોતાનું નામ નોંધાવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>એન્સી સોજને તેના પાંચમા પ્રયાસમાં નવો નેશનલ રેકોર્ડ બનાવ્યો</b></h2><p style="text-align: justify; ">છેલ્લા કેટલાક વર્ષોથી એન્સી સોજન સતત સારું પ્રદર્શન કરી રહી છે. નેશનલ ઈન્ટર-સ્ટેટ સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સોજને તેના પાંચમા પ્રયાસમાં 6.83 મીટર કૂદકો મારીને એક નવો નેશનલ રેકોર્ડ બનાવ્યો. અંજુ બોબી જ્યોર્જે 2004 એથેન્સ ઓલિમ્પિકમાં 6.83 મીટર કૂદકો મારીને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો, જે હજુ પણ તેના નામે હતો.&nbsp;</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/TheKhelIndia/status/2070883677966655779"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p style="text-align: justify; ">એન્સી સોજન છેલ્લા 20 વર્ષમાં લાંબી કૂદકામાં 6.85 મીટરથી વધુ કૂદકો મારનાર બીજી એશિયન ખેલાડી છે. આ સિદ્ધિ સાથે એન્સી સોજન એશિયાની 8મી બેસ્ટ મહિલા લાંબી જમ્પર બની ગઈ છે.</p><h3 style="text-align: justify; "><b>એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો છે</b></h3><p style="text-align: justify; ">કેરળની 25 વર્ષની મહિલા ખેલાડી એન્સી સોજનની વાત કરીએ તો તેણે 2023 એશિયન ગેમ્સમાં 6.63 મીટરના કૂદકા સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. ત્યારબાદ તેણે 2025 એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. હવે બધાની નજર જાપાનમાં યોજાનારી આગામી એશિયન ગેમ્સમાં એન્સી સોજનના પ્રદર્શન પર છે, જ્યાં તે ગોલ્ડ મેડલ જીતવાની અપેક્ષા છે. આગામી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પણ તેણી પર ઘણી આશાઓ છે, જ્યાં તેણી મેડલની દાવેદાર બની છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/entertainment/virat-kohli-photos-with-son-akaay-anushka-sharma" target="_blank">Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/9cdKfU5zWRMLX2nSXVsltYQpx2At6JAZBLU1NpQ5.webp'/></item><item><title><![CDATA[Auto News: આગામી 12 મહિનામાં દેશના EV માર્કેટમાં આવશે મોટો ભૂકંપ, આવી રહી છે 3 નવી ઇલેક્ટ્રિક SUVs ]]></title><link>https://sandesh.com/business/news/automobile/auto-news-a-big-earthquake-will-happen-in-the-countrys-ev-market-in-the-next-12-months-3-new-electric-suvs-are-coming</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/auto-news-a-big-earthquake-will-happen-in-the-countrys-ev-market-in-the-next-12-months-3-new-electric-suvs-are-coming</guid><pubDate>Sat, 27 Jun 2026 23:32:19 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) સેગમેન્ટમાં ટાટા મોટર્સ પહેલેથી જ દબદબો ધરાવે છે. ટાટા નેક્સોન અને પંચ જેવી સફળ કારો બાદ, કંપની હવે આ સેગમેન્ટમાં પોતાની પકડ વધુ મજબૂત કરવા માટે સજ્જ થઈ ગઈ છે. આગામી 12 મહિનાની અંદર ટાટા ત્રણ નવી પાવરફુલ ઇલેક્ટ્રિક SUVs લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે, જેમાં પ્રીમિયમથી લઈને લક્ઝરી સેગમેન્ટ સુધીની ગાડીઓ સામેલ હશે.</p><h2 style="text-align: justify; ">Tata Sierra EV: આઇકોનિક મોડલની નવા અવતારમાં વાપસી</h2><p style="text-align: justify; ">આ નવી ઇલેક્ટ્રિક લાઇનઅપની શરૂઆત Tata Sierra EV થી થશે, જેને 30 જૂન 2026ની આસપાસ લોન્ચ કરવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે. આ કાર ટાટાની સૌથી વધુ પ્રતિક્ષિત અને ચર્ચિત અપકમિંગ ઇલેક્ટ્રિક SUV છે. તેની ડિઝાઇન જૂના ક્લાસિક પેટ્રોલ મોડલની યાદ અપાવશે પરંતુ તે તદ્દન આધુનિક હશે, જેમાં બંધ ફ્રન્ટ ગ્રિલ, નવું આકર્ષક બમ્પર, ‘.EV’ બેજિંગ અને એયરો-ડિઝાઇન વ્હીલ્સ જોવા મળશે.</p><h2 style="text-align: justify; ">પ્રીમિયમ ઇન્ટિરિયર અને હાઇ-ટેક ફીચર્સનો સંગમ</h2><p style="text-align: justify; ">Sierra EVના ઇન્ટિરિયરને ખૂબ જ પ્રીમિયમ લુક આપવામાં આવ્યો છે, જેમાં હળવા રંગો ધરાવતી લક્ઝરી કેબિન જોવા મળશે. ફીચર્સની વાત કરીએ તો આ કારમાં ટ્રિપલ સ્ક્રીન સેટઅપ, પેનોરેમિક સનરૂફ, વેન્ટિલેટેડ સીટ્સ, ડ્યુઅલ-ઝોન AC અને 12-સ્પીકરવાળી પાવરફુલ JBL ઓડિયો સિસ્ટમ મળી શકે છે. આ સિવાય તેમાં વાયરલેસ Apple CarPlay અને Android Auto કનેક્ટિવિટી પણ ઉપલબ્ધ હશે.</p><h3 style="text-align: justify; ">પાવરફુલ પ્લેટફોર્મ અને ઓલ-વ્હીલ ડ્રાઇવ ઓપ્શન</h3><p style="text-align: justify; ">આ શાનદાર SUV કંપનીના અદ્યતન Acti.EV+ પ્લેટફોર્મ પર આધારિત હશે, જે ખાસ કરીને ઇલેક્ટ્રિક વ્હીકલ્સ માટે ડિઝાઇન કરાયું છે. તેમાં 55kWh થી લઈને 75kWh સુધીની ક્ષમતા ધરાવતી મોટી બેટરી મળવાની આશા છે. એટલું જ નહીં, આ કારના ટોપ વેરિઅન્ટમાં ગ્રાહકોને ઓફ-રોડિંગ અને શાનદાર પરફોર્મન્સ માટે ડ્યુઅલ મોટર ઓલ-વ્હીલ ડ્રાઇવ (AWD) સિસ્ટમ પણ મળી શકે છે.</p><h3 style="text-align: justify; ">Tata Safari EV: મોટા પરિવારો માટે 3-રો ડિજિટલ SUV</h3><p style="text-align: justify; ">ત્યારબાદ ટાટા મોટર્સ Safari EV માર્કેટમાં ઉતારશે, જે કંપનીની પહેલી 3-રો (3-Row) એટલે કે 7-સીટર ઇલેક્ટ્રિક SUV બનશે. આ કાર ખાસ કરીને એવા મોટા પરિવારોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહી છે જેઓ કમ્ફર્ટ અને ઇકો-ફ્રેન્ડલી ટ્રાવેલિંગ ઇચ્છે છે. આ ગાડીનો લુક અત્યારની રેગ્યુલર Safari જેવો જ આકર્ષક રહેશે, પરંતુ ઇલેક્ટ્રિક પ્લેટફોર્મના કારણે ફ્રન્ટ અને રિયર ડિઝાઇનમાં ઘણા ફ્યુચરિસ્ટિક ફેરફારો જોવા મળશે.</p><h4 style="text-align: justify; ">લાંબી રેન્જ માટે દમદાર બેટરી અને સ્માર્ટ ટેકનોલોજી</h4><p style="text-align: justify; ">Safari EV ને લાંબી સફર માટે સક્ષમ બનાવવા માટે તેમાં 65kWh થી લઈને 80kWh સુધીનો મોટો બેટરી પેક આપવામાં આવી શકે છે. આ મોટી SUV સિંગલ અને ડ્યુઅલ મોટર બંને વેરિઅન્ટના ઓપ્શન સાથે આવશે. હાઇ-ટેક સુરક્ષા માટે તેમાં એડવાન્સ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS), લેટેસ્ટ સ્માર્ટ કનેક્ટેડ કાર ફીચર્સ અને સમયાનુસારે અપડેટ થવા માટે ઓવર-ધ-એર (OTA) અપડેટ્સ જેવી સુવિધાઓ મળશે.</p><h4 style="text-align: justify; ">Tata Avinya: લક્ઝરી EV માર્કેટમાં ટાટાનો નવો વળાંક</h4><p style="text-align: justify; ">છેલ્લે, ટાટા મોટર્સ પોતાની મહત્વાકાંક્ષી Avinya EV રેન્જ સાથે પ્રીમિયમ લક્ઝરી ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં ધમાકેદાર એન્ટ્રી કરશે. આ કોઈ સિંગલ મોડલ નહીં પરંતુ આખી પ્રીમિયમ કારોની સિરીઝ હશે, જેનો પહેલો પ્રોડક્શન મોડલ 2027ની શરૂઆતમાં લોન્ચ થવાની આશા છે. Avinya ની ડિઝાઇન કન્સેપ્ટ મોડલ જેવી જ અલ્ટ્રા-મોર્ડન હશે અને તેને પહેલા JLR પ્લેટફોર્મ પર બનાવવાનું નક્કી કરાયું હતું, પરંતુ હવે તે નવા 'IMAX' પ્લેટફોર્મ પર 65kWh થી 80kWhની પાવરફુલ બેટરી સાથે તૈયાર થશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/W7rjb9ozQAKRSZt1sSW1gceznxF5lhWEoLDVP2gw.webp'/></item><item><title><![CDATA[Maharashtra : TET પેપર લીકમાં બિહાર કનેક્શન આવ્યું સામે, માસ્ટરમાઈન્ડ પર SITએ કર્યા મોટા ખુલાસા ]]></title><link>https://sandesh.com/india/news/maharashtra-tet-paper-leak-bihar-link-sit-mastermind-investigation</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/maharashtra-tet-paper-leak-bihar-link-sit-mastermind-investigation</guid><pubDate>Sat, 27 Jun 2026 22:34:03 +05:30</pubDate><description><![CDATA[<p>મહારાષ્ટ્ર શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) પેપર લીક કેસમાં તપાસ આગળ વધતા નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સમગ્ર રેકેટના તાર અનેક રાજ્યો સુધી ફેલાયેલા હોય શકે છે. પોલીસે અત્યાર સુધી રાજુ શાહુ, આકાશ કુમાર અને ધીરજ સિંહ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. તેમાંનો એક આરોપી બિહારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે, જ્યારે સમગ્ર નેટવર્કનું સંચાલન પણ બિહાર સાથે જોડાયેલા લોકો દ્વારા થતું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.</p><h2><b>દરેક સેટ માટે અંદાજે ₹37.50 લાખનો સોદો થયો</b></h2><p>તપાસ મુજબ આરોપીઓ દિલ્હીથી મહારાષ્ટ્ર આવ્યા હતા અને કોડવર્ડ દ્વારા સ્થાનિક લોકોનો સંપર્ક કરી પેપર વેચવાનો સોદો કર્યો હતો. યોજના મુજબ પરીક્ષા પહેલાં લગભગ 24 કલાક અગાઉ પ્રશ્નપત્રની PDF તૈયાર કરીને પસંદ કરાયેલા ઉમેદવારો સુધી પહોંચાડવાની હતી. પોલીસના જણાવ્યા અનુસાર લીક થયેલા પ્રશ્નપત્રના ચારેય સેટ આરોપીઓ પાસે હતા અને દરેક સેટ માટે અંદાજે ₹37.50 લાખનો સોદો થયો હતો. આ રીતે સમગ્ર સોદાની કિંમત લગભગ ₹1.5 કરોડ સુધી પહોંચી હોવાનું અનુમાન છે. હાલ તપાસ એ દિશામાં ચાલી રહી છે કે પ્રશ્નપત્ર કેટલા ઉમેદવારો સુધી પહોંચ્યું અને આ માટે કેટલા લોકોએ રૂપિયા ચૂકવ્યા.</p><h3><b>CMએ SITની રચના કરવાનો આદેશ આપ્યો</b></h3><p>આરોપીઓ દિલ્હીથી મુંબઈ અને ત્યારબાદ ભિવંડી પહોંચ્યા હતા, જ્યાંથી સમગ્ર રેકેટ સંચાલિત થવાનું હતું. ગુપ્ત માહિતીના આધારે પોલીસે દરોડો પાડી પ્રશ્નપત્રના નકલો કબજે કર્યા હતા, જેમાં અનેક પ્રશ્નો મૂળ TET પરીક્ષા સાથે મેળ ખાતા હોવાનું સામે આવ્યું હતું. મામલાની ગંભીરતા જોતા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવાનો આદેશ આપ્યો છે. સરકારે દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. જો તપાસમાં સંગઠિત ગુનાહિત નેટવર્કનો ખુલાસો થશે તો આરોપીઓ સામે MCOCA હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે. હાલ સમગ્ર નેટવર્ક અને તેમાં સામેલ અન્ય લોકોની ભૂમિકા અંગે સઘન તપાસ ચાલુ છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/jammu-kashmir-gulmarg-loc-mysterious-blast-one-dead-four-injured" target="_blank">&nbsp;આ પણ વાંચો : Jammu Kashmir : ગુલમર્ગમાં LOCની પાસે રહસ્યમય બ્લાસ્ટ, 1 વ્યક્તિનું મોત, 4 લોકો ઘાયલ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/b4PRCKQorWMbhpMkwpvJ7orEkHZXfqTpVHyCqf3R.webp'/></item><item><title><![CDATA[Rohit Shettyને આવ્યો ધમકીભર્યો કોલ, 20 કરોડ રૂપિયાની માગી ખંડણી ]]></title><link>https://sandesh.com/entertainment/news/rohit-shetty-death-threat-20-crore-extortion-call</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/rohit-shetty-death-threat-20-crore-extortion-call</guid><pubDate>Sat, 27 Jun 2026 22:14:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડના ફેમસ ડાયરેક્ટર રોહિત શેટ્ટીને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. શનિવારે સવારે એક અજાણ્યા વ્યક્તિએ તેમને ફોન કરીને 20 કરોડ રૂપિયાની ખંડણી કરી હતી. આ ધમકીભર્યા કોલ બાદ મુંબઈ પોલીસ તાત્કાલિક કાર્યવાહીમાં આવી ગઈ અને અજાણ્યા ફોન કરનારની શોધ શરૂ કરી.</p><p style="text-align: justify; ">રોહિત શેટ્ટી પર હુમલો થયો હોય તેવી આ પહેલી ઘટના નથી. આ પહેલા 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીની રાત્રે જુહુમાં તેમના 9 માળના મકાન પર પાંચ રાઉન્ડ ગોળીબાર થયો હતો. એક ગોળી તેમના મકાનના જીમના કાચ પર પણ વાગી હતી.</p><p style="text-align: justify; ">જૂના કેસમાં 15 લોકોની ધરપકડ</p><p style="text-align: justify; ">મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ગોળીબાર કેસમાં મોટી કાર્યવાહી કરી છે, જેમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણા જેવા વિવિધ રાજ્યોમાંથી 15 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.&nbsp;</p><p style="text-align: justify; ">આ દરમિયાન રોહિતને વધુ એક ધમકી મળી હોવાના સમાચાર સામે આવ્યા છે. ધમકીભર્યો ફોન આવતાની સાથે જ મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને ફોન કરનારની શોધ કરી રહી છે.</p><p style="text-align: justify; ">રોહિત શેટ્ટીનું વર્કફ્રન્ટ</p><p style="text-align: justify; ">રોહિત શેટ્ટીના વર્કફ્રન્ટની વાત કરીએ તો રોહિત શેટ્ટી છેલ્લા કેટલાક સમયથી તેમના આગામી શો "ખતરોં કે ખિલાડી 15" માટે ચર્ચામાં છે. ફેન્સ આ શોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શોનું શૂટિંગ તાજેતરમાં સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં પૂર્ણ થયું છે. મીડિયા રિપોર્ટ મુજબ આ સ્ટંટ-આધારિત રિયાલિટી શો જુલાઈમાં પ્રીમિયર થશે.</p><p style="text-align: justify; ">આ શોની 14મી સીઝન 2024માં પ્રસારિત થઈ હતી. ફેન્સ 2025માં આ શોની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ રોહિત શર્મા પરત ફર્યો નહીં. ફેન્સ 'ખતરોં કે ખિલાડી 15' માટે વધુ ઉત્સાહિત છે, કારણ કે રોહિત 2 વર્ષના બ્રેક પછી શો સાથે પરત ફરી રહ્યો છે. આ સીઝનમાં ગૌરવ ખન્ના, હર્ષ ગુજરાલ, રૂબીના દિલૈક અને ફરહાના ભટ્ટ જેવા સ્ટાર્સ ખતરાનો સામનો કરતા જોવા મળશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/entertainment/virat-kohli-photos-with-son-akaay-anushka-sharma" target="_blank">Anandiben Patelની દોહિત્રી સંસ્કૃતિએ બોલીવુડમાં મચાવી ધૂમ, એક્ટિંગથી જીત્યું નાનીનું દિલ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/Czvl77tWyyDV1IbewxbhrEx9zr3DUmJn0PFkm56E.webp'/></item></channel></rss>