<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabadમાં 149મી રથયાત્રા પૂર્વે કોમી એકતાનો સંદેશ: જગન્નાથ મંદિર સુધી ભવ્ય બાઈક રેલી યોજાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/a-message-of-communal-unity-ahead-of-the-149th-rath-yatra-in-ahmedabad-a-grand-bike-rally-was-held-up-to-the-jagannath-temple</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/a-message-of-communal-unity-ahead-of-the-149th-rath-yatra-in-ahmedabad-a-grand-bike-rally-was-held-up-to-the-jagannath-temple</guid><pubDate>Fri, 10 Jul 2026 21:51:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભગવાન જગન્નાથની 149મી ભવ્ય રથયાત્રા પૂર્વે અમદાવાદ શહેરમાં કોમી એકતા, શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી એક વિશેષ એકતા બાઇક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેર પોલીસ અને સ્થાનિક શાંતિ સમિતિના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરીજનોમાં કોમી ભાઈચારો જાળવી રાખવાનો અને શાંતિપૂર્ણ રીતે ઉત્સવ ઉજવવાનો છે. આ ભવ્ય બાઇક રેલી શહેરના સંવેદનશીલ ગણાતા પ્રેમ દરવાજા વિસ્તારથી શરૂ થઈને જમાલપુર સ્થિત ઐતિહાસિક જગન્નાથ મંદિર સુધી પહોંચી હતી.</p><h2 style="text-align: justify; "><b>સાયબર સ્કેમ અને મહિલા સુરક્ષાના બેનરો આકર્ષણનું કેન્દ્ર</b></h2><p style="text-align: justify; ">અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાતે ઉપસ્થિત રહીને લીલી ઝંડી બતાવી આ એકતા બાઇક રેલીનું ઉત્સાહભેર પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીમાં પોલીસ વિભાગના જવાનો અને અધિકારીઓ ૭૫થી વધુ બાઇક સવાર થઈને જોડાયા હતા. રેલીમાં માત્ર કોમી એકતા જ નહીં, પરંતુ વર્તમાન સમયની મોટી સમસ્યાઓ જેવી કે સાયબર સ્કેમ (Cyber Scam) થી બચવાની જાગૃતિ, મહિલા સુરક્ષા, ટ્રાફિક નિયમો અને નશાબંધી સહિતના સામાજિક જાગૃતિ ફેલાવતા વિવિધ આકર્ષક સ્લોગન અને બેનરો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.</p><h3 style="text-align: justify; "><b>12 જેટલા સ્થળોએ વિવિધ સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત</b></h3><p style="text-align: justify; ">પ્રેમ દરવાજાથી શરૂ થયેલી આ બાઇક રેલી જેમ-જેમ આગળ વધી તેમ રસ્તામાં આવતા વિવિધ વિસ્તારોના નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રેલીના નિર્ધારિત રૂટ પર અલગ-અલગ 12 જેટલા મુખ્ય સ્થળોએ હિન્દુ, મુસ્લિમ સહિતના તમામ વિવિધ સમાજના અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા એકતાના પ્રતીક રૂપે અમદાવાદ પોલીસ કમિશનરનું ફૂલહાર પહેરાવીને ભવ્ય સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રેલીએ સાબિત કર્યું છે કે અમદાવાદ હંમેશા શાંતિ અને ભાઈચારાના રંગે રંગાયેલું શહેર છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/AsYWLHK5UVJIihbKt9el3jYk9mieqYR3jJwYX97I.webp'/></item><item><title><![CDATA[Gir Somnath News: વિદ્યાર્થી પાસે દારૂ મંગાવનાર શિક્ષક સામે ફરિયાદ દાખલ કરી ધરપકડ કરાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gir-somnath/teacher-arrested-for-allegedly-asking-student-to-bring-liquor</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gir-somnath/teacher-arrested-for-allegedly-asking-student-to-bring-liquor</guid><pubDate>Fri, 10 Jul 2026 21:32:56 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ખાપટ ગામની પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થી પાસે દારૂ મંગાવવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવતા શિક્ષણ મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજાએ આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈ સંબંધિત શિક્ષકને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાનો આદેશ આપતાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.આ બાબતે ખાપટ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા શિક્ષક સામે કાયદેસરની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા આજે ઉના પોલીસ દ્વારા તેની ધરપકડ પણ કરવામાં આવી છે.&nbsp;&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ગેરવર્તન કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં</b></h2><p style="text-align: justify; ">શિક્ષણ મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજાએ આ બાબતે કડક વલણ અપનાવતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે,વિદ્યાર્થીઓના ભવિષ્ય અને ચારિત્ર્યના ઘડતર માટે જેમના શિરે જવાબદારી છે,તેવા શિક્ષક તરફથી આ પ્રકારનું શરમજનક ગેરવર્તન કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. રાજ્ય સરકાર વિદ્યાર્થીઓના હિત અને શૈક્ષણિક સંસ્થાઓની શિસ્ત સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કે બેદરકારી સહન નહીં કરે.</p><h2 style="text-align: justify; "><b>ફરજ મોકૂફી હેઠળ મૂકવાનો આદેશ કરવામાં આવ્યો</b></h2><p style="text-align: justify; ">ધોરણ 6થી 8માં ફરજ બજાવતા શિક્ષક હરેશગીરી ગુલાબગીરી ગોસ્વામી સામે તપાસ માટે ગીરસોમનાથના નાયબ જિલ્લા વિકાસ અધિકારી, વેરાવળના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ગીરગઢડાના તાલુકા વિકાસ અધિકારીની સંયુક્ત તપાસ ટીમની રચના કરવામાં આવી છે.આ ટીમ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરાયા બાદ આગળની શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ મંત્રીએ ઉમેર્યુ હતું. શિક્ષણ મંત્રી ડૉ.વાજાએ આ બાબતે ગીર સોમનાથ જિલ્લા પોલીસવડા સાથે સીધી વાત કરીને સમગ્ર ઘટનામાં  પોલીસ તંત્રને   કડક કાયદેસરની કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી છે.ઉલ્લેખનીય છે કે,આ શિક્ષકને તલાલા તાલુકાની રમળેચી પ્રાથમિક શાળા ખાતે આજે ફરજ મોકૂફી હેઠળ મૂકવાનો આદેશ કરવામાં આવ્યો છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/india/news/16-ivp-councillors-join-bjp-after-raghav-chadha-exit" target="_blank">આ પણ વાંચોઃ Delhi: રાઘવ ચઢ્ઢા બાદ IVPના 16 કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ ગયા</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/pxCtUbBuDi3x6PzLCznDSguWUgE1LWAm0s3UnDJY.webp'/></item><item><title><![CDATA[Delhi: રાઘવ ચઢ્ઢા બાદ IVPના 16 કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ ગયા ]]></title><link>https://sandesh.com/india/news/16-ivp-councillors-join-bjp-after-raghav-chadha-exit</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/16-ivp-councillors-join-bjp-after-raghav-chadha-exit</guid><pubDate>Fri, 10 Jul 2026 21:19:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાની આગેવાનીમાં સાત સાંસદો ભાજપમાં જોડાયા બાદ દિલ્હીમાં આમ આદમી પાર્ટીથી અલગ થયેલા વધુ એક મોટા જૂથે ભગવો ધારણ કરી લીધો છે.આશરે દોઢ વર્ષ પહેલાં આપમાંથી બગાવત કરીને અલગ થયેલી ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટીના તમામ 16 કોર્પોરેટરો શુક્રવારે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે.દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ હર્ષ મલ્હોત્રાની હાજરીમાં આ વિલીનીકરણ પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.આ સાથે જ દિલ્હી નગર નિગમમાં ભાજપની પકડ વધુ મજબૂત બની ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>MCDમાં ભાજપ બહુમતીથી ઘણું આગળ</b></h2><p style="text-align: justify; ">250 સભ્યોની દિલ્હી નગર નિગમમાં આ 16 કોર્પોરેટરોના આગમન સાથે જ ભાજપના સભ્યોની સંખ્યા વધીને 139 થઈ ગઈ છે.જ્યારે સત્તા ગુમાવ્યા બાદ આમ આદમી પાર્ટી પાસે હવે માત્ર 123 કોર્પોરેટરો જ બચ્યા છે.વર્ષ 2022માં યોજાયેલી એમસીડી ચૂંટણીમાં ભાજપે માત્ર 104 બેઠકો જીતી હતી.પરંતુ સમય જતાં આપમાં ગાબડાં પડતાં ભાજપનું કદ સતત વધતું રહ્યું.આઈવીપીના કોર્પોરેટરોને પક્ષમાં આવકારતા મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે,આ તમામ નેતાઓએ દિલ્હીના વિકાસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.આ એક બહુ સારો સંકેત છે અને હવે તેમના વોર્ડમાં વિકાસ કાર્યો ઝડપી બનશે. શહેરનો વિકાસ એ ભાજપ સરકારની સૌથી મોટી પ્રાથમિકતા છે.</p><h3 style="text-align: justify; "><b>તમામ 16 સભ્યો ભાજપ પરિવારનો ભાગ બન્યા</b></h3><p style="text-align: justify; ">તે જ સમયે ભાજપ પ્રદેશ અધ્યક્ષ હર્ષ મલ્હોત્રાએ માહિતી આપી હતી કે, દોઢ વર્ષ પહેલાં જ્યારે મુકેશ ગોયલ અને હેમચંદ ગોયલની આગેવાનીમાં આપ સરકારના નબળા વહીવટથી કંટાળીને આ જૂથ અલગ પડ્યું હતું ત્યારે IVP ની સ્થાપના થઈ હતી.આજે આ તમામ 16 સભ્યો ભાજપ પરિવારનો ભાગ બન્યા છે.આઈવીપીના પ્રમુખ મુકેશ ગોયલે સ્પષ્ટ કર્યું હતું કે,અમે દોઢ વર્ષ સુધી ભાજપની કાર્યશૈલી જોઈ છે અને અમને સામૂહિક રીતે વિશ્વાસ છે કે સત્તાધારી પક્ષમાં જોડાવાથી અમારા વિસ્તારોનો વિકાસ ઝડપી બનશે.પક્ષમાં કોઈ પદ મેળવવા અંગે કોઈ ચર્ચા થઈ નથી.નિગમમાં જે પણ ભૂમિકા અપાશે તે અમે દિલથી નિભાવીશું.</p><h2 style="text-align: justify; "><b>સેન્ટ્રલ ઝોનની સ્ટેન્ડિંગ કમિટીમાં નામાંકિત થઈ શકે</b></h2><p style="text-align: justify; ">MCDમાં આપ નેતૃત્વ સાથેના મતભેદો બાદ મે 2025માં આ 16 કોર્પોરેટરોએ ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટી નામે અલગ જૂથ બનાવ્યું હતું.આ નેતાઓ એવા સમયે ભાજપમાં જોડાયા છે જ્યારે આગામી વર્ષે જ એમસીડીની ચૂંટણીઓ યોજાવાની છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપમાં જોડાનાર મુકેશ ગોયલને MCDની કોઈ સ્પેશિયલ કમિટીના ચેરમેન બનાવવામાં આવી શકે છે. જ્યારે હેમચંદ ગોયલને સેન્ટ્રલ ઝોનની સ્ટેન્ડિંગ કમિટીમાં નામાંકિત કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે.<br><br><a href="https://sandesh.com/explainer/news/pm-modi-rsquo-s-historic-new-zealand-visit-after-40-years" target="_blank">આ પણ વાંચોઃ Sandesh Digital Explainer: 40 વર્ષ બાદ ભારતના PMનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ, જાણો શું બંને દેશો સંબંધો કેવા છે?</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/xBEwZglSS3eSIPzYlQo9XgfdTowdpiCW9IqG70dv.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: ગુજરાત મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય, 15 જમીન દફતર નિરીક્ષકોની બદલી અને વધારાના ચાર્જ સોંપાયા, જુઓ સંપૂર્ણ યાદી ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-revenue-department-land-records-inspectors-transfer-additional-charge-list-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-revenue-department-land-records-inspectors-transfer-additional-charge-list-2026</guid><pubDate>Fri, 10 Jul 2026 21:19:12 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા અને જાહેર હિતમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસૂલ વિભાગના સંયુક્ત સચિવ (સેવા) સચિન પટવર્ધન સહીતની સત્તાવાર અધિસૂચના (ક્રમાંક: RD/MSM/e-file/15/2026/6204/D) અન્વયે રાજ્યમાં સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકની કચેરી હેઠળ ફરજ બજાવતા વર્ગ-2 ના જમીન દફતર નિરીક્ષકોની બદલી અને વધારાના ચાર્જ સોંપવાના આદેશો જાહેર કરવામાં આવ્યા છે.</p><p>આ સરકારી આદેશ અનુસાર કુલ 4 અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જ્યારે 11 જેટલા જમીન દફતર નિરીક્ષકોને અન્ય જિલ્લા કે તાલુકાઓનો વધારાનો હવાલો (ચાર્જ) સોંપવામાં આવ્યો છે. તમામ અધિકારીઓને આ આદેશનો તાત્કાલિક અસરથી અમલ કરવા જણાવાયું છે.</p><h2><b>11 અધિકારીઓને સોંપાયો વધારાનો ચાર્જ</b></h2><ul><li>હિરલ એ. ચૌધરી (હિંમતનગર) - જમીન દફતર નિરીક્ષક, ઈડરનો વધારાનો હવાલો.</li><li>હિરલ એ. ચૌધરી (હિંમતનગર) - જમીન દફતર નિરીક્ષક, વડાલીનો વધારાનો હવાલો.</li><li>ડી.એમ. વણકર (મોડાસા) - જમીન દફતર નિરીક્ષક, શામળાજીનો વધારાનો હવાલો.</li><li>જયદીપસિંહ આર. ચૌહાણ (સંખેડા) - જમીન દફતર નિરીક્ષક, છોટાઉદેપુરનો વધારાનો હવાલો.</li><li>નીરવ પંડ્યા (બોડેલી) - જમીન દફતર નિરીક્ષક, કદવાલનો વધારાનો હવાલો.</li><li>વિવેક જે. રાઠોડ (રાજુલા) - જમીન દફતર નિરીક્ષક, સાવરકુંડલાનો વધારાનો હવાલો.</li><li>મહંમદ ઈરફાન એચ. દલાલ (લાઠી) - જમીન દફતર નિરીક્ષક, લીલીયાનો વધારાનો હવાલો.</li><li>દશરથસિંહ જાદવ (હળવદ) - જમીન દફતર નિરીક્ષક, વાંકાનેરનો વધારાનો હવાલો.</li><li>રાજુભાઈ કુરેશી (રાજકોટ-દક્ષિણ) - નાયબ નિયામક જમીન દફતરની કચેરી, રાજકોટનો વધારાનો હવાલો.</li><li>દિવ્યાંશ ક્ષત્રિય (સાબરમતી) - નાયબ નિયામક જમીન દફતરની કચેરી, અમદાવાદનો વધારાનો હવાલો.</li><li>કુ. કૃતિકા ઝાલા (વડોદરા-ગ્રામ્ય) - નાયબ નિયામક જમીન દફતરની કચેરી, વડોદરાનો વધારાનો હવાલો.</li></ul><h2><b>અધિકારીઓની બદલીની વિગત</b></h2><ul><li>શક્તિસિંહ પરમાર (ગોંડલ શહેરથી બદલી) - જમીન દફતર નિરીક્ષક, બાવળા ખાતે નિમણૂંક.</li><li>કમલેશ કે. પટેલ (નાયબ નિયામક જમીન દફતર કચેરી, રાજકોટથી બદલી) - જમીન દફતર નિરીક્ષક, ગોંડલ (શહેર) ખાતે નિમણૂંક અને ગોંડલ (ગ્રામ્ય) નો વધારાનો હવાલો.</li><li>નિલેશ ડી. સુથાર (સમીથી બદલી) - જમીન દફતર નિરીક્ષક, સેટલમેન્ટ કમિશનરની કચેરી, ગાંધીનગર ખાતે નિમણૂંક.</li><li>કિરીટસિંહ સિસોદિયા (સેટલમેન્ટ કમિશનરની કચેરી, ગાંધીનગરથી બદલી) - જમીન દફતર નિરીક્ષક, સમી ખાતે નિમણૂંક તેમજ હારીજ અને શંખેશ્વરનો વધારાનો હવાલો.</li></ul><p><img alt="Gandhinagar News: Gujarat Revenue Dept Transfers and Assigns Additional Charge to Land Records Inspectors" src="https://epapercdn.sandesh.com/images/2026/07/10/Z7RDmpB99P8Dig8FG5TkrYPiLzReDZkxjkvTE2TH.webp" style="width: 100%;"><br></p><p>આ આદેશ ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે મહેસૂલ વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે, જેની નકલ મુખ્યમંત્રીના ખાસ ફરજ પરના અધિકારી અને અન્ય સંબંધિત વિભાગોને જાણ અર્થે મોકલી આપવામાં આવી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/gift-city-shipping-leasing-rules-relaxed" target="_blank">Gift Cityને કેન્દ્ર સરકારની મોટી રાહત, વિદેશી જહાજો ભાડે રાખવાના નિયમો થયા સરળ, DGMA લાયસન્સમાંથી મુક્તિ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/AXa9ZsLCJ6il1nZYctPcBMhzc3YtJKirAJaW4n3N.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: AMCમાં મોટું કૌભાંડ? નીતિના અભાવે મનફાવે તેમ પ્લોટ ભાડે અપાયા, નિયમ વિરુદ્ધ પાકા બાંધકામ થતા સ્ટેન્ડિંગ કમિટી લાલચોળ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-plot-lease-scam-negligence-standing-committee-new-policy</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-plot-lease-scam-negligence-standing-committee-new-policy</guid><pubDate>Fri, 10 Jul 2026 20:38:06 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ મહાનગરપાલિકા હસ્તકના કિંમતી પ્લોટોને ભાડે આપવાના મામલામાં તંત્રની ઘોર બેદરકારી અને અધિકારીઓની મનસ્વી કામગીરી સામે આવી છે. અમદાવાદ મનપા હસ્તકના પ્લોટ ભાડે આપવા માટે હાલ કોઈ ચોક્કસ કે નક્કર નીતિ અમલમાં ન હોવાના કારણે અધિકારીઓ કોઈપણ હેતુ માટે ગમે તેને પ્લોટ ભાડે ચડાવી રહ્યા હોવાની ગંભીર ફરિયાદો ઉઠી છે. નીતિના આ અભાવે અમદાવાદ મનપાની તિજોરીને નુકસાન અને વ્યવસ્થા ખોરવવાનો મોટો વિવાદ સર્જ્યો છે.</p><h2><b>ત્રણ વર્ષથી સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી જ ન લેવાઈ</b></h2><p>આ સમગ્ર મામલામાં સૌથી ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે, છેલ્લા ત્રણ વર્ષથી આ પ્લોટો ભાડે આપવા માટે ઉચ્ચ સત્તાધિકારી એવી સ્ટેન્ડિંગ કમિટીની કોઈ મંજૂરી જ લેવામાં આવી નથી. અગાઉ પ્લોટ ભાડે આપવા માટે એક નીતિ બનાવવામાં આવી ખરી, પરંતુ તે દર છ મહિને બદલવી પડતી હતી. છેલ્લે ફેબ્રુઆરી મહિનામાં આ નીતિની મુદત પૂર્ણ થઈ ગયા બાદ, હાલના તબક્કે કોર્પોરેશનમાં કોઈ પણ પ્રકારની સ્ટાન્ડર્ડ પોલિસી અમલમાં નથી, જેના કારણે અધિકારીઓ બેફામ બન્યા છે.</p><h2><b>ભાડાના પ્લોટમાં નિયમ વિરુદ્ધ પાકા બાંધકામ અને ઇન્ડસ્ટ્રીયલ શેડ</b></h2><p>ચોક્કસ નીતિ અને સુપરવિઝનના અભાવે ભાડે આપવામાં આવેલા પ્લોટો પર મોટા પાયે નિયમોનું ઉલ્લંઘન થયું છે. અમદાવાદ કોર્પોરેશનના નિયમ મુજબ ભાડાના પ્લોટ પર ટેમ્પરરી ધોરણે જ ઉપયોગ થઈ શકે, પરંતુ અહીં ભાડે આપેલા પ્લોટોમાં પાકા બાંધકામો થઈ ગયા હોવાની રજૂઆતો થઈ છે. એટલું જ નહીં, કિંમતી જમીનો પર મોટા-મોટા ઇન્ડસ્ટ્રીયલ શેડ પણ ચણાઈ ગયા છે. આ સિવાય અનેક પ્લોટો ખાણીપીણીની બજારો અને ફૂડ સ્ટોલ માટે આડેધડ ફાળવી દેવામાં આવ્યા છે.</p><h2><b>સ્ટેન્ડિંગ કમિટીની કડક સૂચના</b></h2><p>આડેધડ પ્લોટ ફાળવણી અને તેના પર થયેલા ગેરકાયદે બાંધકામો અંગેની ફરિયાદો સ્ટેન્ડિંગ કમિટી સુધી પહોંચતા કમિટી લાલચોળ થઈ છે. વહીવટી તંત્રની આ બેદરકારી પર રોક લગાવવા માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા તાત્કાલિક અસરથી નવી અને કડક નીતિ બનાવવા માટે આદેશ આપવામાં આવ્યા છે.</p><h2><b>નવી નીતિમાં કમિટીની મંજૂરી લેવી ફરજિયાત બનશે</b></h2><p>નવી બનનારી નીતિ અંતર્ગત હવે પ્લોટ કયા હેતુ માટે આપવો, કેટલા સમયગાળા માટે આપવો અને તેનો ભાડાનો દર શું રહેશે તે બધું જ અગાઉથી નક્કી કરવામાં આવશે. સૌથી મહત્વની બાબત એ છે કે, નવી પોલિસી લાગુ થયા બાદ અધિકારીઓ પોતાની મરજીથી પ્લોટ ફાળવી શકશે નહીં, પરંતુ કોઈપણ પ્લોટ ભાડે આપતા પહેલાં ફરજિયાતપણે સ્ટેન્ડિંગ કમિટીની પૂર્વ મંજૂરી લેવી પડશે. તંત્રના આ કડક વલણથી આગામી દિવસોમાં મનસ્વી કામગીરી કરતા અધિકારીઓ પર લગામ કસાશે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-action-dilapidated-houses-rath-yatra-2026-route" target="_blank">Ahmedabad News: રથયાત્રા પહેલા 544 જર્જરિત મકાનો અંગે AMCની કાર્યવાહી, 44 મકાનો તોડી પડાયા</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/kkBA9DlXI48k32IRKMwIX6bg0vIF194XhdwHRUbd.webp'/></item><item><title><![CDATA[Automobile: નિસાન ઇન્ડિયાએ ગ્લોબલ સ્ટેજ પર રજૂ કરી All-New Nissan Tekton SUV ]]></title><link>https://sandesh.com/business/automobile/news/india/automobile-nissan-india-launches-all-new-nissan-tekton-suv-on-the-global-stage</link><guid isPermaLink="true">https://sandesh.com/business/automobile/news/india/automobile-nissan-india-launches-all-new-nissan-tekton-suv-on-the-global-stage</guid><pubDate>Fri, 10 Jul 2026 20:26:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય ઓટોમોટિવ જગત માટે આજનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે.અગ્રણી કાર નિર્માતા કંપની નિસાન ઇન્ડિયાએ વૈશ્વિક સ્તરે અસાધારણ વિઝન સાથે પોતાની મોસ્ટ અવેટેડ એસયુવી ઓલ-ન્યૂ નિસાન ટેક્ટોનનું ભવ્ય વર્લ્ડ પ્રીમિયર કર્યું છે.આટલા મોટા પાયે આયોજિત થયેલા ગ્લોબલ લોન્ચિંગે ઓટોમોટિવ સેક્ટરમાં શ્રેષ્ઠતા અને લીડરશિપના તમામ જૂના માપદંડો બદલી નાખ્યા છે.આ શાનદાર સિદ્ધિ બદલ નિસાન ઇન્ડિયા પર હાલ ચારેય તરફથી ખૂબજ સમર્થન મળી રહ્યું છે.&nbsp;&nbsp;</p><h2 style="text-align: justify; "><b>એસયુવી સેક્ટરમાં નવા યુગનું આગમન</b></h2><p style="text-align: justify; ">નિસાન ઇન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવેલી આ નવી એસયુવી માત્ર એક વાહન નથી પરંતુ ઓટોમોટિવ એન્જિનિયરિંગનો એક અદ્ભુત નમૂનો છે.કંપનીએ તેને અજોડ અને અદ્ભુત ટેગલાઈન સાથે રજૂ કરી છે.નિસાનની આ પ્રીમિયમ કાર પહેલા જ દિવસથી તમામ સીમાઓને પાર કરીને ગ્લોબલ માર્કેટમાં એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરવા માટે તૈયાર છે.આ એસયુવી પોતાની અદ્યતન ડિઝાઇન અને પાવરફુલ લુકના કારણે ગ્રાહકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહી છે.</p><h2 style="text-align: justify; "><b>નિસાન ઇન્ડિયાની આ અવિશ્વસનીય સિદ્ધિની ઉજવણી</b></h2><p style="text-align: justify; ">ઓટો જગતના નિષ્ણાતો આ લોન્ચિંગને ભારતીય ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી માટે એક ગર્વની ક્ષણ ગણાવી રહ્યા છે.આ કક્ષાની લક્ઝુરિયસ અને પાવરફુલ એસયુવીને વૈશ્વિક મંચ પર લાવવા પાછળ નિસાન ઇન્ડિયાની ટીમે અવિરત ઉત્સાહ અને સમર્પણ દાખવ્યું છે.આ લોન્ચ સાથે જ એસયુવી સેક્ટરમાં પ્રભુત્વ મેળવવા અને અગ્રણી બનવાના અર્થને નિસાને ફરીથી વ્યાખ્યાયિત કર્યો છે.આ ભવ્ય વર્લ્ડ પ્રીમિયર બાદ સમગ્ર ઓટોમોટિવ ઉદ્યોગ અને કાર પ્રેમીઓ ગર્વભેર નિસાન ઇન્ડિયાની આ અવિશ્વસનીય સિદ્ધિની ઉજવણી કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે ભારતીય અને વૈશ્વિક બજારમાં સત્તાવાર એન્ટ્રી બાદ આ ટેક્ટોન એસયુવી અન્ય હરીફ કાર્સને કેટલી મોટી ટક્કર આપે છે.<br><br><a href="https://sandesh.com/explainer/news/extreme-heat-threatens-data-centers-and-tech-companies" target="_blank">આ પણ વાંચોઃ Sandesh Digital Explainer: જાણો ભીષણ ગરમીથી ટેક કંપનીઓનું ટેન્શન કેમ વધ્યું, શું હવે AI ખતરામાં છે</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/3eqfb49j6iEJpnBDaOicaWn4Z8nbSdISO5DPuK6W.webp'/></item><item><title><![CDATA[Automobile: નિસાન ઇન્ડિયાએ ગ્લોબલ સ્ટેજ પર રજૂ કરી All-New Nissan Tekton SUV ]]></title><link>https://sandesh.com/business/automobile/news/india/automobile-nissan-india-launches-all-new-nissan-tekton-suv-on-the-global-stage</link><guid isPermaLink="true">https://sandesh.com/business/automobile/news/india/automobile-nissan-india-launches-all-new-nissan-tekton-suv-on-the-global-stage</guid><pubDate>Fri, 10 Jul 2026 20:26:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય ઓટોમોટિવ જગત માટે આજનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે.અગ્રણી કાર નિર્માતા કંપની નિસાન ઇન્ડિયાએ વૈશ્વિક સ્તરે અસાધારણ વિઝન સાથે પોતાની મોસ્ટ અવેટેડ એસયુવી ઓલ-ન્યૂ નિસાન ટેક્ટોનનું ભવ્ય વર્લ્ડ પ્રીમિયર કર્યું છે.આટલા મોટા પાયે આયોજિત થયેલા ગ્લોબલ લોન્ચિંગે ઓટોમોટિવ સેક્ટરમાં શ્રેષ્ઠતા અને લીડરશિપના તમામ જૂના માપદંડો બદલી નાખ્યા છે.આ શાનદાર સિદ્ધિ બદલ નિસાન ઇન્ડિયા પર હાલ ચારેય તરફથી ખૂબજ સમર્થન મળી રહ્યું છે.&nbsp;&nbsp;</p><h2 style="text-align: justify; "><b>એસયુવી સેક્ટરમાં નવા યુગનું આગમન</b></h2><p style="text-align: justify; ">નિસાન ઇન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવેલી આ નવી એસયુવી માત્ર એક વાહન નથી પરંતુ ઓટોમોટિવ એન્જિનિયરિંગનો એક અદ્ભુત નમૂનો છે.કંપનીએ તેને અજોડ અને અદ્ભુત ટેગલાઈન સાથે રજૂ કરી છે.નિસાનની આ પ્રીમિયમ કાર પહેલા જ દિવસથી તમામ સીમાઓને પાર કરીને ગ્લોબલ માર્કેટમાં એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરવા માટે તૈયાર છે.આ એસયુવી પોતાની અદ્યતન ડિઝાઇન અને પાવરફુલ લુકના કારણે ગ્રાહકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહી છે.</p><h2 style="text-align: justify; "><b>નિસાન ઇન્ડિયાની આ અવિશ્વસનીય સિદ્ધિની ઉજવણી</b></h2><p style="text-align: justify; ">ઓટો જગતના નિષ્ણાતો આ લોન્ચિંગને ભારતીય ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી માટે એક ગર્વની ક્ષણ ગણાવી રહ્યા છે.આ કક્ષાની લક્ઝુરિયસ અને પાવરફુલ એસયુવીને વૈશ્વિક મંચ પર લાવવા પાછળ નિસાન ઇન્ડિયાની ટીમે અવિરત ઉત્સાહ અને સમર્પણ દાખવ્યું છે.આ લોન્ચ સાથે જ એસયુવી સેક્ટરમાં પ્રભુત્વ મેળવવા અને અગ્રણી બનવાના અર્થને નિસાને ફરીથી વ્યાખ્યાયિત કર્યો છે.આ ભવ્ય વર્લ્ડ પ્રીમિયર બાદ સમગ્ર ઓટોમોટિવ ઉદ્યોગ અને કાર પ્રેમીઓ ગર્વભેર નિસાન ઇન્ડિયાની આ અવિશ્વસનીય સિદ્ધિની ઉજવણી કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે ભારતીય અને વૈશ્વિક બજારમાં સત્તાવાર એન્ટ્રી બાદ આ ટેક્ટોન એસયુવી અન્ય હરીફ કાર્સને કેટલી મોટી ટક્કર આપે છે.<br><br><a href="https://sandesh.com/explainer/news/extreme-heat-threatens-data-centers-and-tech-companies" target="_blank">આ પણ વાંચોઃ Sandesh Digital Explainer: જાણો ભીષણ ગરમીથી ટેક કંપનીઓનું ટેન્શન કેમ વધ્યું, શું હવે AI ખતરામાં છે</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/3eqfb49j6iEJpnBDaOicaWn4Z8nbSdISO5DPuK6W.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: રથયાત્રા પહેલા 544 જર્જરિત મકાનો અંગે AMCની કાર્યવાહી, 44 મકાનો તોડી પડાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-action-dilapidated-houses-rath-yatra-2026-route</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-action-dilapidated-houses-rath-yatra-2026-route</guid><pubDate>Fri, 10 Jul 2026 20:17:17 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરમાં અષાઢી બીજના પાવન પર્વે નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. રથયાત્રાના રૂટ અને તેની આસપાસના વિસ્તારોમાં લાખોની જનમેદની એકઠી થતી હોવાથી, લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા એસ્ટેટ વિભાગને તમામ જર્જરિત અને ભયજનક મકાનો પર કડક કાર્યવાહી કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે.</p><h2><b>અમદાવાદ શહેરમાં 544 મકાનો અત્યંત ભયજનક સ્થિતિમાં</b></h2><p>એસ્ટેટ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના સર્વેક્ષણ મુજબ, રથયાત્રાના રૂટ સહિત પૂર્વ અને કોટ વિસ્તારમાં કુલ 544 મકાનો અત્યંત જર્જરિત અને ભયજનક સ્થિતિમાં હોવાનું સામે આવ્યું છે. ચોમાસાની સિઝન શરૂ થઈ ચૂકી હોવાથી ભારે પવન કે વરસાદના કારણે આ મકાનો ધરાશાયી થવાનું અને તેનાથી મોટી જાનહાની થવાનું જોખમ તોલાઈ રહ્યું છે, જેને પગલે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે.</p><h2><b>અત્યાર સુધીમાં 44 મકાનોના જોખમી ભાગો તોડી પડાયા</b></h2><p>અમદાવાદ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, આ 544 મકાનોમાંથી અત્યાર સુધીમાં સૌથી વધુ જોખમી એવા 44 મકાનો અથવા તેના ભયજનક ભાગોને સુરક્ષિત રીતે તોડી પાડીને ઉતારી લેવામાં આવ્યા છે. બાકીના મકાનોના માલિકો અને રહીશોને પણ જરૂરી સૂચનાઓ અને નોટિસો આપીને સાવચેત કરી દેવામાં આવ્યા છે.</p><h2><b>જોખમી મકાનો પર લગાવવામાં આવશે લાલ ઝંડા</b></h2><p>જે મકાનો હજુ પણ ભયજનક સ્થિતિમાં ઉભા છે અને જેને તાત્કાલિક ઉતારવા શક્ય નથી, તેવા તમામ અન્ય મકાનો પર એસ્ટેટ વિભાગ દ્વારા 'લાલ ઝંડા' લગાવવામાં આવશે. આ લાલ ઝંડા લગાવવાનો મુખ્ય હેતુ એ છે કે, રથયાત્રા દરમિયાન કે સામાન્ય દિવસોમાં ત્યાંથી પસાર થતા નાગરિકો અને દર્શનાર્થીઓ દૂરથી જ ચેતી શકે અને તે મકાનોની નીચે કે ગેલેરીના ભાગે ઉભા રહેવાનું ટાળે.</p><h2><b>સૌથી વધુ જોખમી 20 મકાનો ગ્રીન નેટથી કવર કરાશે</b></h2><p>તંત્ર દ્વારા લેવામાં આવેલા વધુ એક મહત્વના સુરક્ષા પગલાં અંતર્ગત, 544 મકાનો પૈકી જે 20 મકાનો અતિશય ભયજનક અને જર્જરિત અવસ્થામાં છે તેને આખેઆખા ગ્રીન નેટથી કવર કરી દેવામાં આવશે. આ ગ્રીન નેટ લગાવવાથી જો મકાનનો કોઈ નાનો-મોટો હિસ્સો કે પ્લાસ્ટર ઉખડીને પડે, તો પણ તે રસ્તા પરથી પસાર થતા લોકો પર ન પડે અને કોઈ અકસ્માત ન સર્જાય. રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં સંપન્ન થાય તે માટે કોર્પોરેશન આગામી દિવસોમાં આ કામગીરી વધુ ઝડપી બનાવશે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/22-minor-children-brought-from-up-bihar-by-train-released-in-ahmedabad" target="_blank">Ahmedabadમાં ટ્રેન મારફતે UP-બિહારથી લવાયેલા 22 સગીર બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/9LsPLdK8PJYUQwvjdjKBDk3c589pxdLuHmr4S1Xw.webp'/></item><item><title><![CDATA[Jaaved Jaaferi: 41 વર્ષથી બોલીવુડમાં... કેમ A-લિસ્ટ ન બની શક્યા જાવેદ જાફરી? સલમાનનું નામ લઈ કહી મોટી વાત ]]></title><link>https://sandesh.com/entertainment/news/jaaved-jaaferi-on-why-he-never-became-an-a-list-star-in-bollywood</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/jaaved-jaaferi-on-why-he-never-became-an-a-list-star-in-bollywood</guid><pubDate>Fri, 10 Jul 2026 18:49:14 +05:30</pubDate><description><![CDATA[<p>બોલીવુડ અભિનેતા જાવેદ જાફરી ધમાલ 4 સાથે ફરી એકવાર મોટા પડદા પર પાછા ફર્યા છે. આ ફિલ્મ આજે 10 જુલાઈએ રિલીઝ થઈ હતી. જાવેદ એક એવો અભિનેતા છે જે છેલ્લા 41 વર્ષથી બોલીવુડનો ભાગ છે. તેમણે 1985 માં આવેલી ફિલ્મ મેરી જંગ થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, જેમાં તેમણે નેગેટિવ ભૂમિકા ભજવી હતી. વર્ષોથી તેમણે ખલનાયકોથી લઈને હાસ્ય કલાકારો સુધીના વિવિધ પાત્રો ભજવ્યા છે. જોકે, તેઓ ક્યારેય એ-લિસ્ટ સ્ટાર બન્યા નથી. તેમણે હવે આ વિશે ખુલીને વાત કરી છે, તેમણે કહ્યું કે આવું કેમ થયું અને તેમને શા માટે મોટું સ્ટારડમ મળ્યું નહીં.</p><p>સલમાન ખાનનું ઉદાહરણ આપતા, જાવેદ જાફરીએ જણાવ્યું કે સફળતા એ અંતિમ પરિબળ છે. તેમણે કહ્યું કે શરૂઆતમાં લોકોએ સલમાનની પહેલી ફિલ્મ બીવી હો તો ઐસી પછી તેને અવગણ્યો હતો, પરંતુ મૈને પ્યાર કિયા હિટ થયા પછી તેની પાછળ ભાગવા લાગ્યા હતા. જાવેદને લાગે છે કે તેમને ક્યારેય આ પ્રકારની મોટી હિટ મળી નથી. તેમણે કહ્યું કે સફળતા મોટી વસ્તુ છે અને આ સિવાય તેમણે PR ગેમનો પણ ઉલ્લેખ કર્યો.&nbsp;</p><h2><b>"હું કોઈ ગ્રુપનો ભાગ નહોતો" - જાવેદ જાફરી</b></h2><p>એક સવાલમાં જાવેદ જાફરીને પૂછવામાં આવ્યું કે તેઓ ક્યારેય એ-લિસ્ટ સ્ટાર કેમ બન્યા નહીં, ત્યારે જાવેદ જાફરીએ કહ્યું, "મને લાગે છે કે તે તમારી છબી કેવી રીતે બનાવવામાં આવે છે તેના પર પણ આધાર રાખે છે. પીઆર આમાં ભૂમિકા ભજવે છે કારણ કે ઈન્ડસ્ટ્રી પાસે પોતાનું નેટવર્ક છે. કેટલીકવાર, તમારા વિશે નકારાત્મક માહિતી ફેલાય છે, અને તમારે સત્ય જાહેર કરવાની અથવા પોઝિટીવ છબી બનાવવાની જરૂર પડે છે. કેટલાક કિસ્સાઓમાં હું તે કરી શક્યો નહીં. હું કોઈ ચોક્કસ ગ્રુપનો ભાગ પણ નહોતો."&nbsp;</p><h3><b>મને મોટી હિટ ફિલ્મ મળી નથી - જાવેદ જાફરી</b></h3><p>તેણે વધુમાં કહ્યું કે, “જો તમને મોટી હિટ મળે છે, તો કોઈ તમારી સાથે દલીલ કરતું નથી. સફળતાથી મોટું કંઈ નથી. સલમાન ખાન સાથે શું થયું તે જુઓ. તેણે બીવી હો તો ઐસી થી શરૂઆત કરી હતી. લોકોએ તેને અવગણ્યો. પછી મૈંને પ્યાર કિયા આવી, અને અચાનક બધા તેની પાછળ દોડવા લાગ્યા. સલમાન ખાન એ જ વ્યક્તિ હતો; એવું નહોતું કે તે બીવી હો તો ઐસી ની તુલનામાં કંઈક અલગ કરી રહ્યો હતો. પરંતુ તે બધું સફળતાને કારણે થયું. સ્વાભાવિક રીતે, તમે તે સફળતા સાથે આગળ વધો છો. તે દ્રષ્ટિકોણથી મને ખરેખર ક્યારેય આટલી મોટી હિટ ફિલ્મ મળી નથી.”</p><h4><b>જાવેદ જાફરીએ તેની પહેલી ફિલ્મ હિટ થવા વિશે શું કહ્યું?</b></h4><p>જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમની પહેલી ફિલ્મ, મેરી જંગ - જેમાં તેમણે ખલનાયકની ભૂમિકા ભજવી હતી - ખરેખર મોટી હિટ સાબિત થઈ હતી, ત્યારે તેમણે કહ્યું, "મને ખલનાયક તરીકે લોન્ચ કરવામાં આવ્યો હતો. તે સમયે, સુભાષ ઘાઈ સૌથી સફળ દિગ્દર્શક હતા અને એન.એન. સિપ્પી એક ટોચના નિર્માતા હતા. તેથી બધાએ ધાર્યું હતું કે કારણ કે તેઓએ મને ખલનાયક તરીકે કાસ્ટ કર્યો છે, મને સમાન ભૂમિકાઓ મળતી રહેશે. અને મેં મારા તરફથી, ખરેખર મારી જાતને તે રીતે સ્થાન આપ્યું ન હતું. પ્રમાણિકપણે હું તેના વિશે વધુ વિચારતો નથી."</p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/entertainment/news/shreya-kalra-claims-kushal-tandon-cheated-on-shivangi-joshi" target="_blank"><b>શિવાંગીને દગો આપી રહ્યો હતો તેનાથી 13 વર્ષ મોટો કુશલ ટંડન! શ્રેયા કાલરાએ કર્યો દાવો</b></a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/DTuwMbPTyD46d8tyFJAjQxCXvhWbM0t1IcPu6UhN.webp'/></item><item><title><![CDATA[FIFA World 2026 : ક્વાર્ટર ફાઇનલમાં સ્પેન અને બેલ્જિયમ વચ્ચે ટક્કર, જાણો હેડ ટૂ હેડ રેકોર્ડ ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-2026-spain-and-belgium-clash-in-the-quarter-finals-know-the-head-to-head-record</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-2026-spain-and-belgium-clash-in-the-quarter-finals-know-the-head-to-head-record</guid><pubDate>Fri, 10 Jul 2026 16:50:34 +05:30</pubDate><description><![CDATA[<p>FIFA વર્લ્ડ કપ 2026ની પહેલી ક્વાર્ટર ફાઇનલ ખૂબ જ રોમાંચક રહી,જેમાં ફ્રાન્સે મોરોક્કોને 2-0 થી હરાવીને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું.ટુર્નામેન્ટની બીજી ક્વાર્ટર ફાઇનલ,જે એટલી જ રોમાંચક રહેવાની અપેક્ષા છે.તે લોસ એન્જલસ સ્ટેડિયમ ખાતે સ્પેન અને બેલ્જિયમ વચ્ચે રમાશે.બંને ટીમોએ ક્વાર્ટર ફાઇનલ સુધીની એક અદ્ભુત સફર કરી છે, જેમાં અત્યાર સુધી કોઈ પણ ટીમે સ્પેન સામે એક પણ ગોલ કર્યો નથી,જ્યારે બેલ્જિયમે તેમની બધી મેચ જીતી છે.બંને ટીમો વચ્ચેની આ મેચ 12 જુલાઈના રોજ ભારતીય સમય મુજબ રાત્રે 12:30 વાગ્યે રમાશે.</p><h4><b>બેલ્જિયમ સામે અત્યાર સુધી સ્પેનનો હાથ ઉપર&nbsp;</b></h4><p>સ્પેન અને બેલ્જિયમ વચ્ચેના હેડ-ટુ-હેડ રેકોર્ડને ધ્યાનમાં લેતા, સ્પેન સ્પષ્ટપણે ઉપર છે, તેણે 12 મેચ જીતી છે. બીજી બાજુ, બેલ્જિયમે ફક્ત પાંચ મેચ જીતી છે, જ્યારે પાંચ ડ્રો રહી છે. બંને ટીમો વચ્ચે ફિફા વર્લ્ડ કપની ટક્કરની વાત કરીએ તો, આ ફક્ત ત્રીજી વખત છે જ્યારે તેઓ એકબીજા સામે મળ્યા છે. આ પહેલા, 1986ના વર્લ્ડ કપમાં, બેલ્જિયમે પેનલ્ટી શૂટઆઉટમાં સ્પેનને 5-4થી હરાવ્યું હતું, જ્યારે 1990માં સ્પેને 2-1થી જીત મેળવી હતી.</p><h4><b>બધાની નજર લેમિન યામાલ પર રહેશે</b></h4><p>આ મેચમાં, બધાની નજર 18વર્ષીય સ્પેનિશ ખેલાડી લેમિન યામાલ પર રહેશે, જે બેલ્જિયમ માટે નોંધપાત્ર ખતરો ઉભો કરી શકે છે. લેમિન યામાલે અત્યાર સુધી ફક્ત એક જ ગોલ કર્યો છે, પરંતુ તેના આક્રમક રમતથી, બેલ્જિયમ તેને ઓછો આંકી શકે તેમ નથી. આ મેચમાં સ્પેનને ટોચનો હાથ માનવામાં આવે છે, જે મોટાભાગે તેમના ગોલકીપર ઉનાઈ સિમોનનો આભાર છે, જેમણે કોઈપણ વિરોધી ટીમને એક પણ ગોલ કરવા દીધો નથી.</p><h5><b>સેમિફાઇનલમાં કોની સામે થશે ટક્કર?</b></h5><p>ફિફા વર્લ્ડ કપ 2026ની સેમિફાઇનલમાં પહોંચ્યા બાદ હવે ફ્રાન્સનો મુકાબલો સ્પેન અથવા બેલ્જિયમ સામે થશે. આ બંને ટીમો વચ્ચેની ક્વાર્ટર ફાઇનલ મેચ બાદ વિજેતા ટીમ ફ્રાન્સ સામે ટકરાશે. બુધવાર, 15 જુલાઈના રોજ ભારતીય સમયાનુસાર (IST) રાત્રે 12:30 વાગ્યે મેચ રમાશે. ફિફા વર્લ્ડકપમાં પોર્ટુગલ બહાર થતા રોનાલ્ડોને જોવા આતુર તેના ચાહકોમાં ઉત્સાહ ઘટયો છે. છતાં મેસ્સી અને એમ્બાપ્પેની શાનદાર રમત લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. ફ્રાન્સે મોરોક્કોને હરાવીને સેમીફાઈનલની ટીકીટ મેળવી લીધી છે. હવે તેની સામે કઈ ટીમ આવશે સ્પેન -બેલ્જિયમની મેચના આગામી પરિણામો કહેશે.</p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/cricket/fifa-world-cup-2026-france-beats-morocco-2-0-to-enter-semi-finals-mbappe-and-dembele-excel" target="_blank"> FIFA World Cup 2026: મોરોક્કોને 2-0થી હરાવી ફ્રાન્સની સેમિફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી, એમ્બાપ્પે અને ડેમ્બેલેનો કમાલ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/dH1FMdh8ARtndBhoT9zFOscZxaRyfc9c1esmlCqd.webp'/></item></channel></rss>