<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[UP : યોગી સરકારનો માસ્ટરસ્ટ્રોક, જલાલાબાદ બનશે 'પરશુરામપુરી' ? ]]></title><link>https://sandesh.com/india/news/up-yogi-governments-masterstroke-jalalabad-will-become-parashurampuri</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/up-yogi-governments-masterstroke-jalalabad-will-become-parashurampuri</guid><pubDate>Mon, 06 Jul 2026 14:01:25 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં આજે એક અત્યંત મહત્ત્વપૂર્ણ કેબિનેટ બેઠક યોજાઈ રહી છે, જેમાં રાજ્યના વિકાસ અને પ્રશાસનિક સુધારાઓને લઈને ૨૪થી વધુ દરખાસ્તો પર મહોર લાગવાની શક્યતા છે. આ બેઠકમાં સૌથી ચર્ચિત મુદ્દો શાહજહાંપુરના 'જલાલાબાદ' શહેરનું નામ બદલીને 'પરશુરામપુરી' કરવાનો છે. લાંબા સમયથી ચાલી રહેલી આ માંગણીને હવે કેબિનેટની સૈદ્ધાંતિક મંજૂરી મળવાના પૂરેપૂરા સંકેતો મળી રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>'ઉત્તર પ્રદેશ સ્ટાર્ટઅપ નીતિ 2026'નું લોન્ચિંગ</b></h2><p style="text-align: justify; ">રાજ્ય સરકારના આર્થિક વિકાસના એજન્ડામાં આજે 'ઉત્તર પ્રદેશ સ્ટાર્ટઅપ નીતિ 2026'નું લોન્ચિંગ એક મુખ્ય આકર્ષણ છે. આગામી પાંચ વર્ષ માટે અમલમાં આવનારી આ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્તર પ્રદેશને દેશના અગ્રણી સ્ટાર્ટઅપ હબ તરીકે પ્રસ્થાપિત કરવાનો છે. આ નીતિ હેઠળ યુવા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવામાં આવશે, જેથી રાજ્યમાં નવા રોકાણો આવે અને મોટા પાયે રોજગારીની તકો ઊભી થાય. ખાસ કરીને હાઇ-ટેક અને ડીપ-ટેક ક્ષેત્રોમાં કાર્યરત સ્ટાર્ટઅપ્સને વ્યાપક નાણાકીય સહાય અને માળખાગત સુવિધાઓ પૂરી પાડવાની જોગવાઈ આ નીતિમાં કરવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>સુવિધાઓના ભાગરૂપે લેવાશે અનેક મહત્વના નિર્ણયો</b></h3><p style="text-align: justify; ">શહેરી માળખાગત સુવિધાઓને મજબૂત કરવાના ભાગરૂપે, ગોરખપુર અને મુરાદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે પણ મહત્ત્વના નિર્ણયો લેવામાં આવશે. આ બંને શહેરોને મ્યુનિસિપલ બોન્ડ જાહેર કરવાની મંજૂરી આપવામાં આવશે, જેનાથી શહેરના વિકાસ કાર્યો માટે ભંડોળ એકત્ર કરવામાં સરળતા રહેશે.</p><h4 style="text-align: justify; "><b>સુરક્ષા અને સ્વાસ્થ્ય માટે એક મોટી ભેટ</b></h4><p style="text-align: justify; ">આ ઉપરાંત, કેબિનેટમાં માનવીય અભિગમ સાથે જોડાયેલ એક મોટો નિર્ણય લેવાઈ શકે છે. રાજ્યના અંદાજે 1.60 લાખ હોમગાર્ડ સ્વયંસેવકો અને તેમના આશ્રિતોને હવે કેશલેસ સારવારની સુવિધા આપવાનો નિર્ણય લેવાયો છે. હાલમાં રાજ્યમાં 1.18 લાખ હોમગાર્ડ્સ કાર્યરત છે, જ્યારે 41,000 નવા હોમગાર્ડ્સની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. આ તમામ જવાનોને હવે સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં કેશલેસ સારવારનો લાભ મળશે, જે તેમની સુરક્ષા અને સ્વાસ્થ્ય માટે એક મોટી ભેટ ગણાશે.</p><h5 style="text-align: justify; "><b>યુપીમાં આવશે મોટું પરિવર્તન&nbsp;</b></h5><p style="text-align: justify; ">આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો ઉત્તર પ્રદેશના બદલાતા ચિત્રને દર્શાવે છે. જ્યાં એક તરફ સાંસ્કૃતિક ઓળખ જાળવવા માટે નામ બદલવાની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યાં બીજી તરફ સ્ટાર્ટઅપ નીતિ અને હોમગાર્ડ્સના કલ્યાણ દ્વારા રાજ્યને આધુનિક અને સુરક્ષિત બનાવવાની દિશામાં સરકાર કામ કરી રહી છે. આ બેઠકના પરિણામો રાજ્યના આવનારા સમયમાં રોજગાર અને માળખાગત વિકાસમાં મોટું પરિવર્તન લાવી શકે છે.<br><br><b><a href="https://sandesh.com/world/news/iran-these-13-countries-distanced-themselves-from-khameneis-funeral-know-why" target="_blank">આ પણ વાંચોઃ Iran: ખામેનેઇના અંતિમ સંસ્કારમાં આ 13 દેશોએ બનાવી દૂરી, જાણો કેમ?</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/06/qoELIjeamPB8eC54Pc9WsvhKp1R8llI8L5Q8m6Of.webp'/></item><item><title><![CDATA[Junagadh: ઘેડ પંથક પૂરના પાણીમાં ગરકાવ, ખેતરોમાં 4 થી 5 ફૂટ પાણી ભરાયા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/junagadh/ghed-panthak-submerged-flood-water-samarda-mekhdi-villages-isolated</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/junagadh/ghed-panthak-submerged-flood-water-samarda-mekhdi-villages-isolated</guid><pubDate>Mon, 06 Jul 2026 13:48:14 +05:30</pubDate><description><![CDATA[<p>જૂનાગઢ જિલ્લાના ભૌગોલિક રીતે નીચાણવાળા ગણાતા ઘેડ પંથક પર ફરી એકવાર કુદરત રૂઠી છે. જિલ્લામાં અને ઉપરવાસમાં પડેલા અવિરત ભારે વરસાદના કારણે ઓઝત અને ભાદર સહિતની લોકલ નદીઓના પૂરના પાણી ઘેડ વિસ્તારમાં ફરી વળ્યા છે. પૂરના પ્રચંડ પ્રવાહને કારણે ઘેડના સામરડા અને મેખડી ગામો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ગામના પાદરો, મુખ્ય ચોક અને નીચાણવાળા મકાનોમાં પૂરના પાણી ઘૂસી જતાં સ્થાનિક લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.</p><p><b>ઘેડ પંથક ભારે વરસાદથી જળમગ્ન</b></p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2074044049896718846"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><b><br></b></p><h2><b>ખેતરો બેટમાં ફેરવાયા, વાવણી નિષ્ફળ જવાની ભીતિ</b></h2><p>આ આકાશી આફતની સૌથી મોટી અને માઠી અસર મોસમની શરૂઆતમાં જ ખેડૂતો પર પડી છે. થોડા દિવસો પહેલાં જ ઉત્સાહભેર મગફળી અને કપાસનું વાવેતર કરનારા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. હજારો હેક્ટર જમીનમાં આવેલા ખેતરો અત્યારે કોઈ વિશાળ સરોવર કે બેટ હોય તેવા દૃશ્યો સર્જાયા છે. કૃષિ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જો આગામી ૨ થી ૩ દિવસ સુધી ખેતરોમાંથી પાણી નહીં ઓસરે, તો જમીનમાં રહેલું બિયારણ સડી જશે અને ખેડૂતોને ફરજિયાતપણે બીજી વખત વાવણી કરવાનો વારો આવશે.</p><h3><b>ડ્રોન કેમેરામાં કેદ થઈ કુદરતી તારાજી</b></h3><p>સ્થાનિક મીડિયા અને વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા આકાશી દૃશ્યો (ડ્રોન ફૂટેજ) અત્યંત ડરામણા અને ચિંતાજનક છે. આ દૃશ્યોમાં જોઈ શકાય છે કે ગ્રામીણ વિસ્તારોને જોડતા તમામ રસ્તાઓની બંને બાજુએ માત્ર પાણીનું સામ્રાજ્ય છે. રસ્તાઓ પાણીમાં ડૂબી જવાના કારણે સામરડા અને મેખડી ગામનો સંપર્ક અન્ય વિસ્તારો સાથે કપાઈ ગયો છે. વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ જતાં દૂધ, શાકભાજી અને તબીબી ઈમરજન્સી જેવી સેવાઓ ખોરવાઈ છે. સ્થાનિક આપત્તિ વ્યવસ્થાપનની ટીમ એલર્ટ પર છે અને પૂરના પાણી ઓસરે તેની રાહ જોવામાં આવી રહી છે જેથી નુકસાનીનો સર્વે હાથ ધરી શકાય.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/gandhinagar-highway-khoraj-bridge-damaged-potholes-accident-risk" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: ગાંધીનગર હાઈવે પર આવેલા ખોરજ બ્રિજ પર પડ્યા 1 થી 4 ફૂટના જોખમી ખાડા, અકસ્માતનું જોખમ વધ્યું</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/06/ic4Lk8AAlYUkERTUO9EpnUjWZrz2NaO4u2RWd3WH.webp'/></item><item><title><![CDATA[Waqf Board: વકફ બોર્ડમાં હિન્દુ સભ્યનો સમાવેશ, મધ્ય પ્રદેશ દેશમાં પ્રથમ રાજ્ય બન્યું ]]></title><link>https://sandesh.com/india/news/waqf-board-madhya-pradesh-becomes-the-first-state-in-the-country-to-include-a-hindu-member-in-the-waqf-board</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/waqf-board-madhya-pradesh-becomes-the-first-state-in-the-country-to-include-a-hindu-member-in-the-waqf-board</guid><pubDate>Mon, 06 Jul 2026 13:44:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નવા કાયદા અનુસાર હવે રાજ્ય વકફ બોર્ડમાં ગેર-મુસ્લિમ સભ્યોને પણ સ્થાન આપવાની જોગવાઈ છે. આ જોગવાઈના આધારે મધ્ય પ્રદેશ સરકારે પ્રથમ વખત બે હિંદુ સભ્યોને વકફ બોર્ડમાં સામેલ કર્યા છે. આ નિર્ણયને નવા કાયદાના અમલીકરણ તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.</p><h2 style="text-align: justify; ">રાજ્ય સરકારે 10 સભ્યોના નવા વકફ બોર્ડની રચના કરી</h2><p style="text-align: justify; ">રાજ્ય સરકારે 10 સભ્યોના નવા વકફ બોર્ડની રચના કરી છે. મુખ્યમંત્રી મોહન યાદવે સાંવર પટેલને બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. બોર્ડમાં મનોજ માલપાની અને અનિમેષ ભાર્ગવને હિંદુ સભ્યો તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. નવા નિયમો હેઠળ ગેર-મુસ્લિમ સભ્યોને સામેલ કરનાર આ દેશનું પ્રથમ રાજ્ય સ્તરનું વકફ બોર્ડ બન્યું છે.</p><h3 style="text-align: justify; ">સત્તાવાર સૂચના ગેઝેટમાં જાહેર&nbsp;</h3><p style="text-align: justify; ">રાજ્ય સરકારે નવા બોર્ડની સત્તાવાર સૂચના ગેઝેટમાં જાહેર કરી છે. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, વકફ (સંશોધન) અધિનિયમ, 2025 હેઠળ બોર્ડનું પુનર્ગઠન કરનાર મધ્ય પ્રદેશ પ્રથમ રાજ્ય છે. આ નિર્ણય બાદ અન્ય રાજ્યો પણ નવા કાયદા મુજબ પોતાના વકફ બોર્ડમાં ફેરફાર કરી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.</p><h4 style="text-align: justify; ">વકફ બોર્ડ શું છે?</h4><p style="text-align: justify; ">વકફ બોર્ડ એક કાયદાકીય સંસ્થા છે, જે રાજ્યમાં આવેલી વકફ સંપત્તિઓના સંચાલન, સંરક્ષણ અને દેખરેખ માટે જવાબદાર હોય છે. વકફ એવી સંપત્તિને કહેવાય છે, જે ધાર્મિક, શૈક્ષણિક અથવા સામાજિક કલ્યાણના હેતુથી કાયમી રીતે સમર્પિત કરવામાં આવી હોય. બોર્ડનું મુખ્ય કાર્ય આવી સંપત્તિઓનો રેકોર્ડ જાળવવો, તેમની આવક અને ઉપયોગ પર નજર રાખવી, ગેરકાયદેસર કબજાથી સુરક્ષા આપવી તેમજ સંપત્તિનો યોગ્ય હેતુ માટે ઉપયોગ થાય તેની ખાતરી કરવી છે.</p><h4 style="text-align: justify; ">નજમા હેપતુલ્લા સહિત અન્ય સભ્યોનો સમાવેશ&nbsp;</h4><p style="text-align: justify; ">નવા બોર્ડમાં અધ્યક્ષ ઉપરાંત વિવિધ વિસ્તારોના પ્રતિનિધિઓને સ્થાન આપવામાં આવ્યું છે. તેમાં નજમા  હેપતુલ્લા સહિત અન્ય સભ્યોનો સમાવેશ થાય છે. ઉપરાંત રાજ્યના પછાત વર્ગ અને અલ્પસંખ્યક કલ્યાણ વિભાગના કમિશનર પણ પદેન સભ્ય તરીકે બોર્ડનો ભાગ રહેશે.</p><p style="text-align: justify; ">સરકારના જણાવ્યા મુજબ, નજમા હેપતુલ્લાની અગાઉની નિમણૂક કાયદાની જોગવાઈઓ હેઠળ થઈ હતી અને તેમનો કાર્યકાળ હજુ બાકી હોવાથી તેમને નવા બોર્ડમાં પણ યથાવત રાખવામાં આવ્યા છે. તેમનો કાર્યકાળ નિર્ધારિત સમય સુધી ચાલુ રહેશે.</p><p style="text-align: justify; ">વકફ (સંશોધન) અધિનિયમ, 2025 બાદ બોર્ડની રચનામાં થયેલા આ ફેરફારને વહીવટી સુધારાના મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે. સમર્થકોનું માનવું છે કે વિવિધ સમાજના પ્રતિનિધિઓને સ્થાન આપવાથી પારદર્શિતા અને જવાબદારીમાં વધારો થઈ શકે છે, જ્યારે આ મુદ્દે વિવિધ રાજકીય અને સામાજિક વર્ગોમાં ચર્ચા પણ શરૂ થઈ છે. આગામી સમયમાં અન્ય રાજ્યો પણ નવા કાયદા અનુસાર પોતાના વકફ બોર્ડનું પુનર્ગઠન કરે છે કે નહીં, તેના પર સૌની નજર રહેશે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/06/59yOeMX13jbRC8L0O1MvsED0lgN2nT1XCAkrf4Yh.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: કલોલના મોટી ભોંયણ ગામે વીજળી પડતાં 63 પશુના મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/kalol-moti-bhoyan-lightning-strike-63-animals-dead-rain</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/kalol-moti-bhoyan-lightning-strike-63-animals-dead-rain</guid><pubDate>Mon, 06 Jul 2026 12:53:34 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતમાં ચોમાસાની જામતી સવારી વચ્ચે રવિવારે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબક્યો હતો. આ વરસાદ કલોલ તાલુકાના એક પશુપાલક પરિવાર માટે માતમ લઈને આવ્યો છે. ગાંધીનગરના કલોલ તાલુકાના મોટી ભોંયણ ગામે રવિવારે પડેલા વરસાદ દરમિયાન આકાશી વીજળી ત્રાટકતાં એકસાથે 63 પશુઓના કરુણ મોત નીપજ્યા છે. આ આકસ્મિક આફતને પગલે સ્થાનિક પશુપાલક પરિવાર પર આભ તૂટી પડ્યું છે.</p><h2><b>વૃક્ષ નીચે બાંધેલા પશુઓ કાળનો કોળિયો બન્યા</b></h2><p>મળતી માહિતી મુજબ, રવિવારે કલોલ પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. વરસાદ અને વીજળીના કડાકા-ભડાકા શરૂ થતાં પશુપાલકે પોતાના પશુઓને સુરક્ષિત રાખવા માટે ગામમાં આવેલા એક મોટા વૃક્ષ નીચે બાંધ્યા હતા. જોકે, કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. વરસાદ દરમિયાન આ જ વૃક્ષ પર અચાનક ભારે કડાકા સાથે આકાશી વીજળી ત્રાટકી હતી.</p><h2><b>62 બકરી અને 1 ગાયનું મોત</b></h2><p>વૃક્ષ પર વીજળી પડતાં જ તેની નીચે આશરો લઈ રહેલા અબોલ પશુઓ કાળનો કોળિયો બની ગયા હતા. આ દુર્ઘટનામાં સ્થળ પર જ 62 બકરીઓ અને એક ગાય સહિત કુલ 63 પશુઓના મોત નીપજ્યા હતા. એકસાથે આટલી મોટી સંખ્યામાં અબોલ જીવોના મોત થતાં સમગ્ર મોટી ભોંયણ ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.</p><h2><b>પશુપાલક પરિવાર આજીવિકા ગુમાવતા લાચાર</b></h2><p>જે પશુઓના સહારે આખો પરિવાર ગુજરાન ચલાવતો હતો, તે તમામ પશુઓ એક જ ઝાટકે મોતના મોંમાં ધકેલાઈ જતાં પશુપાલક પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પરિવારનો રોઈ-રોઈને ખરાબ હાલ થઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લાચાર બનેલા પશુપાલક પરિવારને સાંત્વના આપી હતી. આ નુકસાની બદલ સરકાર તરફથી પરિવારને તાત્કાલિક યોગ્ય વળતર આપવામાં આવે તેવી માગ ઉઠી રહી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-education-department-announces-pm-shri-school-recruitment-for-art-music-sports-teachers" target="_blank">Gandhinagar: ગુજરાતની 426 'પીએમ શ્રી' શાળાઓમાં શિક્ષકો અને કોચની ભરતી પ્રક્રિયા શરૂ, પ્રતિ દિવસ 864નું મળશે વળતર</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/06/aiUl0CTFAi9T9t7PKOl4bYqJPBWhDNjVjne51PCT.webp'/></item><item><title><![CDATA[Ahmedabad Policeનું ઓપરેશન ક્લીન સ્વીપ 2.0, 24 કલાકમાં 190 આરોપીની ધરપકડ ]]></title><link>https://sandesh.com/crime/news/ahmedabad/police-operation-clean-sweep-zone-7-arrest-wanted-criminals</link><guid isPermaLink="true">https://sandesh.com/crime/news/ahmedabad/police-operation-clean-sweep-zone-7-arrest-wanted-criminals</guid><pubDate>Mon, 06 Jul 2026 12:48:13 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા તેમજ ગુનેગારોમાં ફફડાટ ફેલાવવા માટે અમદાવાદ પોલીસે એક મોટું અને સફળ મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું છે. અમદાવાદ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલા ‘ઓપરેશન ક્લીન સ્વીપ 2.0’ અંતર્ગત ઝોન-7 વિસ્તારમાં સપાટો બોલાવવામાં આવ્યો છે. આ સંયુક્ત ઓપરેશનમાં ઝોન-7 ના 8 પોલીસ સ્ટેશન અને એલસીબીની ટીમો જોડાઈ હતી, જેમાં માત્ર 24 કલાકના ટૂંકા ગાળામાં રેકોર્ડબ્રેક 190 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.</p><h2><b>20 વર્ષથી નાસતા ફરતા 2 રીઢા ગુનેગારો જેલના સળિયા પાછળ</b></h2><p>આ મેગા ડ્રાઈવ દરમિયાન પોલીસે લાંબા સમયથી કાયદાની પકડથી દૂર ભાગતા 83 ફરાર આરોપીઓને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. આ પકડાયેલા ગુનેગારોમાંથી 22 આરોપીઓ એવા છે, જેઓ છેલ્લા એક વર્ષથી વધુ સમયથી પોલીસને થાપ આપી રહ્યા હતા. એટલું જ નહીં, પોલીસે આ ઓપરેશનમાં છેલ્લા 20 વર્ષથી વધુ સમયથી નાસતા ફરતા 2 મોસ્ટ વોન્ટેડ આરોપીઓને પણ દબોચી લીધા છે.</p><h2><b>અન્ય રાજ્યો અને જિલ્લાઓ સુધી લંબાયો પોલીસનો હાથ</b></h2><p>પકડાયેલા આરોપીઓ સામાન્ય ચોરીથી લઈને ગંભીર ગુનાઓ આચરી ચુક્યા છે, જેમાં છેતરપિંડી, હત્યાનો પ્રયાસ, સંગઠિત ગુનાખોરી, અપહરણ, નકલી ચલણી નોટ અને મંદિર ચોરી જેવા ગંભીર ગુનાના નાસતા ફરતા ગુનેગારોનો સમાવેશ થાય છે. અમદાવાદ પોલીસની અલગ-અલગ ટીમોએ માત્ર સ્થાનિક કક્ષાએ જ નહીં, પરંતુ ગાંધીનગર, મહેસાણા, રાજકોટ અને કચ્છ સુધી દરોડા પાડીને આ ગુનેગારોને ઝડપ્યા છે. આ સિવાય, નકલી ચલણી નોટોના રેકેટમાં સંડોવાયેલો એક રીઢો આરોપી છેક રાજસ્થાનથી ઝડપી પાડવામાં આવ્યો છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/gandhinagar-highway-khoraj-bridge-damaged-potholes-accident-risk" target="_blank">Ahmedabad: ગાંધીનગર હાઈવે પર આવેલા ખોરજ બ્રિજ પર પડ્યા 1 થી 4 ફૂટના જોખમી ખાડા, અકસ્માતનું જોખમ વધ્યું</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/06/yIxdWQBZ9xK9O7fV7ZOI8pshAR6ROM4TOOADI04W.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: ગાંધીનગર હાઈવે પર આવેલા ખોરજ બ્રિજ પર પડ્યા 1 થી 4 ફૂટના જોખમી ખાડા, અકસ્માતનું જોખમ વધ્યું ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/gandhinagar-highway-khoraj-bridge-damaged-potholes-accident-risk</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/gandhinagar-highway-khoraj-bridge-damaged-potholes-accident-risk</guid><pubDate>Mon, 06 Jul 2026 12:34:57 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ તથા પાટનગર ગાંધીનગરને જોડતો હાઈવે હાલમાં વાહનચાલકો માટે માથાનો દુખાવો બની ગયો છે. ચોમાસાની સીઝનના પ્રારંભિક તબક્કાના સામાન્ય વરસાદે જ હાઈવેના રોડ-રસ્તાઓની અવદશા કરી નાખી છે. ખાસ કરીને ખોરજ બ્રિજ પર રોડની ઉપરની સપાટી સંપૂર્ણપણે ઉખડી ગઈ છે અને 1 થી 4 ફૂટ જેટલા ઊંડા અને પહળા ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું છે.</p><p><b>ખોરજ બ્રિજ પર મસમોટા ખાડા</b></p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2074043569044861438"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><b><br></b></p><h2><b>તમારા જોખમે મુસાફરી કરો</b></h2><p>હાલમાં સ્થિતિ એટલી ખરાબ છે કે સોશિયલ મીડિયા અને લોકલ કમ્યુનિટી ગ્રૂપ્સમાં 'તમારા જોખમે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે પ્રવાસ કરો' તેવી ચેતવણીઓ ફરતી થઈ છે. ખોરજ બ્રિજ પરથી પસાર થતી વખતે અચાનક આવતા મોટા ખાડાઓના કારણે વાહનચાલકોને અચાનક બ્રેક મારવી પડે છે અથવા વાહન ફંટાવવું પડે છે. હાઈ સ્પીડથી આવતી ગાડીઓ આ ખાડાઓમાં પટકાતા ટાયર ફાટવા અને સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવવાના કિસ્સા બની રહ્યા છે, જેનાથી ગંભીર અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો છે.</p><h3><b>NHAI ની કામગીરી પર ઉઠ્યા ગંભીર સવાલો</b></h3><p>આ હાઈવેની જાળવણી અને મરામતની જવાબદારી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) હસ્તક છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ હાઈવે પર પહેલા જ વરસાદમાં આવા મસમોટા ગાબડા પડી જતાં કામગીરીની ગુણવત્તા સામે મોટા સવાલો ઉભા થયા છે. ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો (ટૂ વ્હીલર) માટે આ ખાડાઓ જીવલેણ સાબિત થઈ શકે છે. રાત્રિના સમયે અંધારામાં કે વરસાદી પાણી ભરાવાને કારણે ખાડા દેખાતા નથી, જે અકસ્માતને સીધું આમંત્રણ આપે છે. સ્થાનિક નાગરિકો માંગ કરી રહ્યા છે કે તંત્ર જાગે અને ચોમાસું જામતા પહેલા આ બ્રિજ પર તાત્કાલિક પેચવર્ક કે ડામરનું નવું સ્તર ચડાવવામાં આવે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/keshod-junagadh-monsoon-updates-farmers-start-groundnut-sowing-with-traditional-pujan" target="_blank">આ પણ વાંચો: Junagadh: કેશોદ પંથકમાં ધરતીપુત્રોએ ઉત્સાહભેર કર્યા વાવણીના શ્રીગણેશ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/06/5Svt4JuoF09oLPeoA0VNwO6v0ARZS4C8NVSTn7J9.webp'/></item><item><title><![CDATA[Ranveer Singh Birthday Special: સ્ટારબક્સમાં વેઈટરથી લઈને સુપરસ્ટાર બનવા સુધી, આવી છે રણવીર સિંહની સંઘર્ષગાથા ]]></title><link>https://sandesh.com/entertainment/news/ranveer-singh-birthday-special-from-being-a-waiter-at-starbucks-to-becoming-a-superstar-here-is-ranveer-singhs-struggle-story</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/ranveer-singh-birthday-special-from-being-a-waiter-at-starbucks-to-becoming-a-superstar-here-is-ranveer-singhs-struggle-story</guid><pubDate>Mon, 06 Jul 2026 12:21:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડના સૌથી એનર્જેટિક અને વર્સેટાઈલ સુપરસ્ટાર રણવીર સિંહનો આજે જન્મદિવસ છે. આજે ભલે તેઓ "ધુરંધર", "પદ્માવત" અને "બાજીરાવ મસ્તાની" જેવી અનેક સુપરહિટ ફિલ્મો આપીને સફળતાના શિખરે હોય, પરંતુ ફિલ્મી દુનિયામાં પ્રવેશતા પહેલા તેમણે ભારે સંઘર્ષ વેઠ્યો છે. ફિલ્મોમાં આવ્યા પહેલા તેઓ પ્રખ્યાત એજન્સી O&amp;M માં કોપીરાઇટર તરીકે કામ કરતા હતા. શરૂઆતમાં કાસ્ટિંગ કાઉચથી લઈને અસ્વીકાર (Rejection) સુધીના કઠોર અનુભવોનો સામનો કરનાર રણવીરના જીવનની સફર કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી કમ નથી.&nbsp;</p><h2 style="text-align: justify;"><b>રણવીર સિંહના જન્મદિવસના ખાસ પ્રસંગે જાણીએ તેમના જીવનની રસપ્રદ કહાની</b></h2><p style="text-align: justify;"><b>કિસ્સો-1: ક્રિકેટર બનવાનું સ્વપ્ન તૂટ્યું; મોહિન્દર અમરનાથે કર્યા હતા રિજેક્ટ</b></p><p style="text-align: justify;">બાળપણમાં રણવીર ક્રિકેટર બનવા માંગતા હતા. સાતમા ધોરણમાં સ્કૂલની એક મેચમાં તેમણે માત્ર 46 બોલમાં 71 રન ફટકારી દીધા હતા. આ ઇનિંગથી પ્રેરિત થઈને તેમણે પૂર્વ ભારતીય ક્રિકેટર મોહિન્દર અમરનાથની ક્રિકેટ એકેડમીમાં ટ્રાયલ આપવાનું નક્કી કર્યું. વર્ષ 2017 માં ફિલ્મ '83' ના એક પ્રમોશનલ ઈવેન્ટમાં રણવીરે આ કિસ્સો શેર કરતા કહ્યું હતું, "મારા મિત્રો સમયસર પહોંચી ગયા પણ હું મોડો પડ્યો. અમરનાથ સરે મારી રમત જોઈને મને નકારી કાઢ્યો. સારું થયું કે તેમણે તે દિવસે મને રિજેક્ટ કરવાનો સાચો નિર્ણય લીધો, નહીંતર હું આજે એક અભિનેતા તરીકે અહીં ન હોત." રસપ્રદ વાત એ છે કે, જે ક્રિકેટ એકેડમીમાંથી તેઓ રિજેક્ટ થયા હતા, આગળ જતાં વર્ષ 2021 માં આવેલી ફિલ્મ '83' માં તેમણે ભારતના પૂર્વ કેપ્ટન કપિલ દેવનો આઇકોનિક રોલ ભજવ્યો.</p><p style="text-align: justify;"><b>કિસ્સો-2:અભિનેતા બનવાની પ્રેરણા અને અટક બદલવાનું કારણ</b></p><p style="text-align: justify;">રણવીરના દાદી ચાંદ બુર્ક ૧૯૫૦ અને ૧૯૬૦ ના દાયકાના જાણીતા અભિનેત્રી હતા. તેમણે રાજ કપૂરની પ્રખ્યાત ફિલ્મ "બૂટ પોલિશ" સહિત "બસંત બહાર" અને "અદાલત" જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. રણવીરે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેમની દાદી જ હતા જેમણે તેમનામાં એક્ટર બનવાનું સપનું જગાડ્યું હતું. બોલિવૂડમાં આવ્યા પછી રણવીરે પોતાના નામમાંથી 'ભાવનાની' અટક હટાવી દીધી હતી. તેમનું માનવું હતું કે 'રણવીર સિંહ ભાવનાની' નામ ખૂબ લાંબુ છે અને સ્ક્રીન નેમ તરીકે કદાચ ઘણું મોટું લાગશે.</p><p style="text-align: justify; "><b>કિસ્સો-3: પ્રોડ્યુસરે પાછળ કૂતરો દોડાવ્યો, સંઘર્ષના દિવસોનો કડવો અનુભવ</b></p><p style="text-align: justify;">૧૯મા મરાકેશ ફિલ્મ ફેસ્ટિવલમાં રણવીરે પોતાના સ્ટ્રગલના દિવસોનો એક ચોંકાવનારો કિસ્સો શેર કર્યો હતો. કામની શોધમાં તેઓ પોતાનો પોર્ટફોલિયો લઈને એક નિર્માતાના ઘરે પહોંચ્યા હતા. નિર્માતા અંદર મિત્રો સાથે બીયર પીવામાં મસ્ત હતા અને રણવીર કલાકો સુધી વરંડામાં રાહ જોતા રહ્યા. મજાક ઉડાવવાના ઈરાદે તે પ્રોડ્યુસરે પોતાના પાલતુ કૂતરાને રણવીર પાછળ દોડાવ્યો. રણવીર ડરના માર્યા ત્યાંથી ભાગ્યા હતા. તેમણે કહ્યું કે, "એક સંઘર્ષ કરતા કલાકારની આ રીતે મજાક ઉડાવાતી જોઈ હું ગભરાઈ ગયો હતો." જોકે તેમણે તે પ્રોડ્યુસરનું નામ જાહેર કર્યું ન હતું.</p><p style="text-align: justify; "><b>કિસ્સો-4: અમેરિકામાં સ્ટારબક્સમાં વેઈટર બન્યા અને બટર ચિકન વેચ્યું</b></p><p style="text-align: justify; ">અમેરિકાની ઇન્ડિયાના યુનિવર્સિટી બ્લૂમિંગ્ટનમાં ટેલિકોમ્યુનિકેશનનો અભ્યાસ કરતી વખતે રણવીર પોતાનો ખર્ચ કાઢવા પાર્ટ-ટાઇમ કામ કરતા હતા. તેમણે સ્ટારબક્સમાં વેઈટર અને સર્વર તરીકે નોકરી કરી હતી. "કોફી વિથ કરણ" શોમાં તેમણે મજાકમાં જણાવ્યું હતું કે ત્યાં આવતી છોકરીઓને ઈમ્પ્રેસ કરવા માટે તેઓ વાળ લાંબા રાખતા અને એનિમેટેડ શોના કેરેક્ટર 'અપુ' ની જેમ ભારતીય ઉચ્ચારણ (Accent) માં અંગ્રેજી બોલતા હતા. આ સિવાય વધારાની કમાણી માટે તેમણે અમેરિકામાં બટર ચિકન વેચવાનું કામ પણ કર્યું હતું.</p><p style="text-align: justify; "><b>કિસ્સો-5: માલદીવના દરિયા કિનારે દીપિકાને કર્યું હતું સિક્રેટ પ્રપોઝ</b></p><p style="text-align: justify; ">રણવીર સિંહે ૨૦૧૫ માં જ દીપિકા પાદુકોણને પ્રપોઝ કરી દીધું હતું અને ૩ વર્ષ સુધી આ સગાઈ પરિવારના થોડા સભ્યો વચ્ચે ગુપ્ત રહી હતી. રણવીરે પોતાની ક્ષમતા કરતાં મોંઘી હીરાની વીંટી ખરીદી હતી. માલદીવમાં વેકેશન દરમિયાન, એક નાનકડા ટાપુ પર જ્યાં આસપાસ માત્ર વાદળી પાણી હતું, રણવીરે ઘૂંટણિયે બેસીને દીપિકાને પ્રપોઝ કર્યું. દીપિકા ભાવુક થઈ ગઈ અને તેણે "હા" પાડી. ત્યારબાદ નવેમ્બર ૨૦૧૮ માં ઇટાલીના લેક કોમોમાં બંનેએ લગ્ન કર્યા અને સપ્ટેમ્બર ૨૦૨૪ માં તેમની પુત્રી 'દુઆ' નો જન્મ થયો. આ રીયલ લાઈફ કપલે પડદા પર પણ 'રામ-લીલા', 'બાજીરાવ મસ્તાની', 'પદ્માવત' અને '83' જેવી શાનદાર ફિલ્મો આપી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/satluj-film-diljits-film-satluj-banned-immediately-after-release-fans-shocked" target="_blank">આ પણ વાંચો : Satluj Film: રિલીઝ થતા જ દિલજીતની ફિલ્મ 'સતલુજ' પર લાગ્યો પ્રતિબંધ? ચાહકો ચોંક્યા</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/06/QT7QBb6KCirDRYuUydrNBsk9gFjrm2USU0AK5rRQ.webp'/></item><item><title><![CDATA[Bhavnagar News: મહુવાનો માલણ ડેમ ઓવરફ્લો, 4 દરવાજા ખોલાયા, 10 થી વધુ ગામો એલર્ટ ]]></title><link>https://sandesh.com/weather/monsoon-2026/news/bhavnagar/mahuva-malan-dam-overflow-gates-opened-villages-alert</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/monsoon-2026/news/bhavnagar/mahuva-malan-dam-overflow-gates-opened-villages-alert</guid><pubDate>Mon, 06 Jul 2026 12:16:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભાવનગર જિલ્લામાં વરસેલા ભારે વરસાદને પગલે જળસંકટ દૂર થવાના સારા સમાચાર સામે આવ્યા છે. મહુવા પંથકનો સૌથી મોટો અને જીવાદોરી સમાન માલણ ડેમ સંપૂર્ણપણે ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની વિપુલ આવક થતાં વહીવટી તંત્ર દ્વારા મોડી રાત્રે ડેમના તમામ 4 દરવાજા ખોલવામાં આવ્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>4145 ક્યુસેક પાણીની આવક અને જાવક</b></h2><p style="text-align: justify; ">હાલની સ્થિતિએ માલણ ડેમમાં 4145 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે ડેમના 4 દરવાજા ખુલ્લા રાખીને તેટલી જ એટલે કે 4145 ક્યુસેક પાણીની જાવક નિયંત્રિત રીતે નદીમાં છોડવામાં આવી રહી છે. ડેમ છલકાઈ જતાં ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ નદીમાં પાણી છોડાતા તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું છે.</p><p style="text-align: justify; "><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DacP6bbAiyy/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DacP6bbAiyy/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DacP6bbAiyy/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DacP6bbAiyy/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h2 style="text-align: justify; "><b>નિચાણવાળા 10 થી વધુ ગામોને એલર્ટ કરાયા</b></h2><p style="text-align: justify; ">માલણ ડેમ ઓવરફ્લો થતાં અને નદીમાં પાણીનો પ્રવાહ વધતા વહીવટી તંત્ર દ્વારા નિચાણવાળા વિસ્તારો અને નદી કિનારાના ગામોને સાવચેત કરી દેવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે મોટા ખુટવડા, ગોરસ, સાંગણીયા, લખુપરા, કુંભણ, નાના જાદરા, તાવેડા, ઉમણીયાવદર, મહુવા અને કતપર સહિતના ગામોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. તંત્ર દ્વારા ગ્રામજનોને નદી-નાળાની નજીક ન જવા અને પૂરતી સાવચેતી રાખવા ખાસ અપીલ કરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/palitana/bhavnagar-palitana-lion-attack-shepherd-kalubhai-parmar-garajiya-village" target="_blank">Bhavnagar : પાલીતાણાના ગરાજીયા ગામે પશુપાલક પર સિંહનો જીવલેણ હુમલો, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/06/fxkVNnmVNXMRsB1kAQYOf8310mrCgwfcGcXmI2KR.webp'/></item><item><title><![CDATA[Stock Market Today: સતત ચોથા દિવસે શેરબજારમાં તેજી, 2.41 લાખ કરોડ કમાયા રોકાણકારોએ ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-today-stock-market-surges-for-fourth-consecutive-day-investors-earn-rs-241-lakh-crore</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-today-stock-market-surges-for-fourth-consecutive-day-investors-earn-rs-241-lakh-crore</guid><pubDate>Mon, 06 Jul 2026 12:13:07 +05:30</pubDate><description><![CDATA[<p>સોમવારનો દિવસ શેરબજાર માટે જબરદસ્ત રહ્યો. જો કે સતત ચોથા દિવસે શેરબજારમાં તેજી જોવા મળી. સેન્સેક્સ 78,194 પોઈન્ટના આંકને પાર કરતો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટી લગભગ 108 પોઈન્ટના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો હતો. નોંધનીય છે કે સેન્સેક્સ 1,700 પોઈન્ટથી વધુ વધ્યો છે, અને નિફ્ટી આ ચાર દિવસમાં લગભગ 528 પોઈન્ટ વધ્યો છે.</p><h2><b>ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા&nbsp;</b></h2><p>નિષ્ણાતોના મતે તાજેતરના દિવસોમાં ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જે આંતરરાષ્ટ્રીય બજારમાં યુદ્ધ પહેલાના સ્તરે પાછો ફર્યો છે. વધુમાં ઈરાન અને અમેરિકા વચ્ચેની વાટાઘાટો અને હોર્મુઝ સ્ટ્રેટના ખુલવાથી શેરબજારને ફાયદો થઈ રહ્યો છે. વિશ્લેષકો સૂચવે છે કે આગામી દિવસોમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધુ ઘટાડો થઈ શકે છે. જે શેરબજારમાં વધુ મજબૂત તેજીનું કારણ બની શકે છે.</p><h3><b>શેરબજારમાં સતત ચોથા દિવસે તેજી&nbsp;</b></h3><p>શેરબજારમાં સતત ચોથા દિવસે તેજી જોવા મળી રહી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ના બેન્ચમાર્ક ઇન્ડેક્સ, સેન્સેક્સ, 430.45 પોઈન્ટ વધીને 78,194.36 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. નોંધપાત્ર રીતે, 30 જૂને સેન્સેક્સ 76,478.67 પોઈન્ટ પર બંધ થયો હતો. ત્યારથી તે  1,715.69 પોઈન્ટ વધ્યો છે. , નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના બેન્ચમાર્ક ઇન્ડેક્સ, નિફ્ટી સોમવારે આશરે 123 પોઈન્ટ વધીને 24,393.70 પોઈન્ટની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.&nbsp;</p><table class="table table-bordered"><tbody><tr><td><b>તારીખ&nbsp;</b></td><td><b>સેન્સેક્સમાં વધારો (પોઇન્ટમાં)&nbsp;</b></td><td><b>નિફ્ટીમાં વધારો (પોઇન્ટમાં)&nbsp;</b><br></td></tr><tr><td>1 જુલાઈ&nbsp;</td><td>444</td><td>140</td></tr><tr><td>2 જુલાઈ&nbsp;</td><td>579&nbsp;</td><td>170</td></tr><tr><td>3 જુલાઈ&nbsp;</td><td>262</td><td>&nbsp;95</td></tr><tr><td>6 જુલાઈ&nbsp;</td><td>430&nbsp;</td><td>123&nbsp;</td></tr></tbody></table><h4><b>રોકાણકારોને 8.50 લાખ કરોડથી વધુનો લાભ !&nbsp;</b></h4><p>નોંધનીય છે કે છેલ્લા ચાર દિવસમાં નિફ્ટીમાં લગભગ 528 પોઈન્ટનો વધારો થયો છે. રોકાણકારોએ નોંધપાત્ર લાભ મેળવ્યો. શેરબજારના રોકાણકારોએ સતત ચાર દિવસ સુધી ચાલેલી તેજીને કારણે નોંધપાત્ર લાભ મેળવ્યો છે. આ સમયગાળા દરમિયાન રોકાણકારોએ ₹8.50 લાખ કરોડથી વધુનો લાભ મેળવ્યો છે. ડેટા દર્શાવે છે કે પાછલા મહિનાના છેલ્લા ટ્રેડિંગ દિવસે BSE માર્કેટ કેપિટલાઇઝેશન ₹4,74,09,896.10 કરોડ હતું અને 6 જુલાઈના રોજ ટ્રેડિંગ સત્ર દરમિયાન તે વધીને ₹4,82,61,060.85 કરોડ થયું. આ સમયગાળા દરમિયાન BSEના માર્કેટ કેપિટલાઇઝેશનમાં ₹8,51,164.75 કરોડનો વધારો દર્શાવે છે. ખાસ કરીને 6 જુલાઈના રોજ ધ્યાન કેન્દ્રિત કરતાં, રોકાણકારોએ ₹2,41,066.76 કરોડનો વધારો જોયો.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/06/SzebhNxxXZ17SVeFsEGaUyYM1nIPL7fgVph3ligw.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026 : ઇંગ્લેન્ડે મેક્સિકોને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-england-defeats-mexico-to-secure-quarter-final-spot</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-england-defeats-mexico-to-secure-quarter-final-spot</guid><pubDate>Mon, 06 Jul 2026 11:12:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફિફા વર્લ્ડ કપ 2026માં ચાહકો એક રોમાંચક મુકાબલા માટે તૈયાર છે.16ના રોમાંચક રાઉન્ડ મેચમાં ઇંગ્લેન્ડે મેક્સિકોને હરાવીને FIFA વર્લ્ડ કપ 2026ના ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું.ઇંગ્લેન્ડની ટીમે નોંધપાત્ર પ્રદર્શન કર્યું.બીજા હાફમાં એક ઇંગ્લેન્ડના ખેલાડીને લાલ કાર્ડને કારણે મેદાનની બહાર મોકલી દેવામાં આવ્યો જેના કારણે ટીમ ફક્ત 10 ખેલાડીઓ સાથે રમી રહી હતી.આમ છતાં ઇંગ્લેન્ડે યજમાન મેક્સિકોને 3-2 થી હરાવ્યું અને તેમને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધા.</p><h3 style="text-align: justify; "><b>ઇંગ્લેન્ડ માટે જુડ બેલિંગહામે બે મિનિટમાં બે ગોલ કર્યા.</b></h3><p style="text-align: justify; ">આ મેચમાં બંને ટીમોમાં ઉત્તમ ખેલાડીઓ હતા, તેથી નજીકની સ્પર્ધાની અપેક્ષા હતી, અને મેદાન પર બરાબર એવું જ થયું. રમતના પહેલા હાફમાં બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી. ઇંગ્લેન્ડના સ્ટાર ખેલાડી, જુડ બેલિંગહામે એક નોંધપાત્ર પ્રદર્શન કર્યું, માત્ર 99 સેકન્ડમાં સતત બે ગોલ કર્યા. આ બંને ગોલ ફક્ત 99 સેકન્ડના અંતરે થયા. ઇંગ્લેન્ડ હજુ પણ આ ગોલની ઉજવણી કરી રહ્યું હતું, ત્યારે માત્ર ચાર મિનિટ પછી&nbsp; મેક્સિકોના ક્વિનોન્સે શાનદાર ગોલ કરીને તેમની ટીમને વાપસી અપાવી. છ મિનિટના અંતરે ત્રણ ગોલ થયા, અને પ્રથમ હાફના અંત સુધીમાં, ઇંગ્લેન્ડ ૨-૧થી આગળ હતું.</p><p style="text-align: justify; "><a href="https://x.com/FIFAWorldCup/status/2073966715495444610?s=20" target="_blank">https://x.com/FIFAWorldCup/status/2073966715495444610?s=20</a></p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>ઇંગ્લેન્ડના 10 ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું.</b></h4><p style="text-align: justify; ">બીજા હાફ દરમિયાન, ઇંગ્લેન્ડના જેરેલ ક્વિન્સાહને 54મી મિનિટે લાલ કાર્ડ મળ્યું. આ પછી, તેમની ટીમ માત્ર 10 ખેલાડીઓ સાથે રમી.આમ છતાં, ઇંગ્લેન્ડે શાનદાર પ્રદર્શન કર્યું, અને 60મી મિનિટે હેરી કેને પેનલ્ટી પર ગોલ કરીને ટીમને 3-1ની લીડ અપાવી. 69મી મિનિટે મેક્સિકોને પણ પેનલ્ટી મળી, જેને રાઉલ જીમેનેઝે રૂપાંતરિત કરીને 3-2ની લીડ બનાવી. અંતિમ 20 મિનિટમાં, મેક્સિકોએ બરાબરી કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પરંતુ ઇંગ્લેન્ડના ગોલકીપર પિકફોર્ડે દરેક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. આ જીત સાથે, ઇંગ્લેન્ડે 1966 પછી બીજી વખત વર્લ્ડ કપ જીતવાની આશા જીવંત રાખી છે. હવે ક્વાર્ટર ફાઇનલમાં ઇંગ્લેન્ડનો મુકાબલો નોર્વે સામે થશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/norway-vs-brazil-one-goal-shattered-brazils-dream-watch-the-video-of-hollands-historic-goal" target="_blank"> Norway vs Brazil :એક ગોલે રોળ્યું બ્રાઝિલનું સપનું, જુઓ હોલેન્ડના ઐતિહાસિક ગોલનો Video</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/06/K2bDAB4ydJTilkMmzxvCMKwHh84RYiInGn76ARYz.webp'/></item></channel></rss>