<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabad News: આણંદના તત્કાલીન નિવાસી અધિક કલેક્ટર પાસેથી આવક કરતાં 68.84 ટકા વધુ સંપતી મળી ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/former-anand-resident-additional-collector-booked-by-acb-for-disproportionate-assets-case</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/former-anand-resident-additional-collector-booked-by-acb-for-disproportionate-assets-case</guid><pubDate>Mon, 22 Jun 2026 22:07:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશ અંતર્ગત આણંદના તત્કાલીન નિવાસી અધિક કલેક્ટર કેતકીબેન વ્યાસ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.તેમની સામે તેમની આવકના સ્ત્રોત કરતાં વધુ સંપત્તિ વસાવવા બદલ ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.ACBની તપાસમાં બહાર આવ્યું છે કે કેતકીબેન વ્યાસે પોતાની નોકરીના સમયગાળા દરમિયાન હોદ્દાનો દુરુપયોગ કરીને અપ્રમાણસર મિલકતો વસાવી હતી.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>કેતકીબેન વ્યાસ વિરુદ્ધ કાર્યવાહી</b></h2><p style="text-align: justify; ">તપાસ દરમિયાન તેઓની વર્ષ 2012 થી 2023 સુધીની આવક અને ખર્ચની વિગતો તપાસતા તેમની પાસે તેમની જાણીતી આવકના સ્ત્રોત કરતાં 68.84 ટકા વધુ સંપત્તિ મળી આવી છે.ACB ના રિપોર્ટ મુજબ કેતકીબેન વ્યાસ પાસે અંદાજે રૂ.3.56 કરોડની અપ્રમાણસર મિલકત હોવાનો આક્ષેપ છે.આ સંપત્તિ વર્ષ 2012થી 2023ના લાંબા ગાળા દરમિયાન એકત્ર કરવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.ACB દ્વારા તેમની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>ACB દ્વારા વધુ સઘન તપાસ શરૂ કરવામાં આવી&nbsp;</b></h3><p style="text-align: justify; ">આ મામલે અમદાવાદ ACB દ્વારા વધુ સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.અધિકારીઓ હવે તેમની અને તેમના પરિવારના નામે રહેલી સ્થાવર અને જંગમ મિલકતોની ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે.આટલી મોટી માત્રામાં અપ્રમાણસર સંપત્તિ મળતા વહીવટી વર્તુળોમાં ભારે ચકચાર મચી જવા પામી છે.ACBના આ પગલાથી સરકારી અધિકારીઓમાં કાયદાનો ડર પેદા થયો છે.ભવિષ્યમાં આ કેસમાં તપાસ દરમિયાન અન્ય કોઈ વ્યક્તિઓ કે મિલકતોના નામ બહાર આવે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-introduces-safety-cutouts-to-prevent-monsoon-road-accidents" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: શહેરમાં ચોમાસામાં અકસ્માત ટાળવા સ્ટોપ અને ડાયવર્ઝન દર્શાવતા કટઆઉટ તૈયાર</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/22/d0ipkOdEs36G4pMo1mFsCGJKQLmoeEtzhGs57SAT.webp'/></item><item><title><![CDATA[Jamnagar GIDCમાં SGSTનો મેગા દરોડો: રૂ.23.08 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં પિતા-પુત્રની ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/jamnagar/sgst-mega-raid-in-jamnagar-gidc-father-son-arrested-in-rs-23-08-crore-bogus-billing-scam</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/jamnagar/sgst-mega-raid-in-jamnagar-gidc-father-son-arrested-in-rs-23-08-crore-bogus-billing-scam</guid><pubDate>Mon, 22 Jun 2026 21:58:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જામનગરના પ્રખ્યાત દરેડ જીઆઈડીસી (GIDC) વિસ્તારમાં સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (SGST) વિભાગ દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી અને આકરી કાર્યવાહી કરવામાં આવી છે. દરેડ ફેઝ-3 સહિતના વિવિધ લોકેશન્સ પર સતત 50 કલાકથી વધુ સમય સુધી ચાલેલી મેરેથોન તપાસ અને દરોડાના અંતે એસજીએસટીની ટીમે આ મસમોટા કૌભાંડના મુખ્ય સૂત્રધાર એવા પિતા-પુત્રની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીઓ દરેડની નામાંકિત 'માંડોવરા ટ્રેડિંગ કંપની'ના સંચાલકો હોવાનું સામે આવ્યું છે.</p><h2 style="text-align: justify; ">બ્રાસ ભંગારના નામે ચાલતું નેટવર્ક</h2><p style="text-align: justify; ">જીએસટી વિભાગના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જામનગરના પ્રખ્યાત બ્રાસપાર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા બ્રાસ ભંગારના વેપારમાં મોટા પાયે બોગસ બિલિંગ થતું હોવાની ચોક્કસ ફરિયાદ વિભાગને મળી હતી. જેના આધારે આ ગુપ્ત ઓપરેશન હાથ ધરાયું હતું. પ્રાથમિક તપાસમાં જ આ પિતા-પુત્રની જોડીએ માત્ર કાગળ પર કંપનીઓ બતાવીને અને નકલી ટ્રાન્ઝેક્શન દ્વારા અધધ રૂ.23.08 કરોડની ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC - Input Tax Credit) મેળવી સરકારી તિજોરીને ચૂનો લગાવ્યો હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે.</p><h3 style="text-align: justify; ">રાજકોટ-અમદાવાદની 22 ટીમો મેદાનમાં</h3><p style="text-align: justify; ">આ કૌભાંડના તાર ગુજરાતના અન્ય શહેરો સાથે પણ જોડાયેલા હોવાથી, ઓપરેશનને ગુપ્ત અને વ્યાપક બનાવવા માટે રાજકોટ અને અમદાવાદ એસજીએસટી વિભાગની 22 જેટલી સ્પેશિયલ ટીમોએ સંયુક્ત રીતે જામનગરમાં ધામા નાખ્યા હતા. અધિકારીઓના મતે જે રીતે નકલી બિલિંગના દસ્તાવેજો મળી આવ્યા છે તે જોતાં આ આખું બોગસ બિલિંગ કૌભાંડ રૂ.100 કરોડથી પણ વધુની કિંમતનું હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.</p><h4 style="text-align: justify; ">કૌભાંડના અન્ય જોડાણોની તપાસ યથાવત</h4><p style="text-align: justify; ">એસજીએસટી વિભાગ દ્વારા પકડાયેલા પિતા-પુત્રની હાલ કસ્ટડી મેળવીને સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ બોગસ બિલિંગ નેટવર્કમાં જામનગર અને રાજ્યના અન્ય કયા-કયા મોટા વેપારીઓ, સીએ (CA) કે વચેટીયાઓ સામેલ છે, તેમજ કઈ-કઈ નકલી ફર્મ બનાવીને નાણાં સગેવગે કરાયા છે તે દિશામાં તપાસ લંબાવવામાં આવી છે. જીએસટી વિભાગની આ અત્યાર સુધીની સૌથી મોટી કાનૂની કાર્યવાહીથી જામનગરના બ્રાસ ઉદ્યોગ અને કરચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ અને વ્યાપક ખળભળાટ મચી ગયો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/22/8khuTTqHViGw0AUpqPT8hudTCIyy18zvTVkl2490.webp'/></item><item><title><![CDATA[FIFA World Cupમાં ઈરાનની ઐતિહાસિક સિદ્ધિ, અમેરિકા ધરતી પર 60 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/iran-breaks-60-year-record-vs-belgium</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/iran-breaks-60-year-record-vs-belgium</guid><pubDate>Mon, 22 Jun 2026 21:54:35 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફિફા વર્લ્ડકપ 2026માં સોમવારે 22 જૂને ઈરાન અને બેલ્જિયમ વચ્ચે મેચ થઈ હતી. મેચ ડ્રો રહી હતી, પરંતુ ઈરાને હજુ પણ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, અમેરિકન ધરતી પર 60 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. બેલ્જિયમ અને ઈરાન વચ્ચેની મેચ લોસ એન્જલસ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ ગ્રુપ G ની મેચ હતી.&nbsp;</p><p style="text-align: justify;">ઈરાની ટીમે મેદાનમાં ઉતરતાની સાથે જ 60 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો. હકીકતમાં ઈરાન ફિફા વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી જૂની ટીમ બની. ટીમના શરૂઆતના અગિયારની એવરેજ ઉંમર 32 વર્ષ અને 181 દિવસ હતી. આનાથી તે 1966 પછી ફિફા વર્લ્ડકપમાં રમનારી સૌથી જૂની ટીમ બની.&nbsp;</p><h2 style="text-align: justify;"><b>મેચમાં અનુભવ પણ જોવા મળ્યો&nbsp;</b></h2><p style="text-align: justify;">ઈરાની ખેલાડીઓએ મેચમાં પોતાના અનુભવનો ખૂબ જ સારો ઉપયોગ કર્યો. તેમને બેલ્જિયમની ટીમને પૂર્ણ સમય સુધી અવરોધિત રાખી. બેલ્જિયમના ખેલાડીઓએ ગોલ કરવાના અનેક પ્રયાસો કર્યા, પરંતુ બધા નિષ્ફળ ગયા.&nbsp;</p><h3 style="text-align: justify;"><b>ઈરાને ગોલ ગુમાવ્યા</b></h3><p style="text-align: justify;">પહેલા હાફમાં ઈરાન માટે મેહદી તારેમીએ ફ્રી કિકથી ગોલ કર્યો. ગોલ પછી ઈરાની ખેલાડીઓ ખૂબ જ ખુશ થઈ ગયા, પરંતુ આ ખુશી ક્ષણજીવી રહી. વીડિયો આસિસ્ટન્ટ રેફરી (VAR) એ તારેમીને થોડા માર્જિનથી ઓફસાઈડનો નિર્ણય આપ્યો, અને ગોલ નામંજૂર કરવામાં આવ્યો.&nbsp;</p><h4 style="text-align: justify;"><b>બેલ્જિયમના ગોલ પરના 23 શોટ વ્યર્થ ગયા અને તેમને રેડ કાર્ડ મળ્યું</b></h4><p style="text-align: justify;">બેલ્જિયમે ગોલ પર કુલ 23 શોટ લીધા, પરંતુ બધા નિષ્ફળ ગયા. ઈરાની ગોલકીપર બેઈરાનવંદ બેલ્જિયમ માટે દિવાલ સાબિત થયો. બીજા હાફની 66મી મિનિટે જ્યારે તેમને લાલ કાર્ડ મળ્યું ત્યારે બેલ્જિયમની મુશ્કેલીઓ વધુ ખરાબ થઈ ગઈ. ઈરાનનો મેહદી તારેમી ગોલ તરફ ઝડપથી આગળ વધી રહ્યો હતો, પરંતુ બેલ્જિયમના નાથન ન્ગોયે તેને રોકવાનો પ્રયાસ કર્યો. આ રક્ષણાત્મક ભૂલ માટે તેને રેડ કાર્ડ મળ્યું. ટીમ હવે મેદાન પર ફક્ત 10 ખેલાડીઓ સુધી મર્યાદિત હતી. આ ટુર્નામેન્ટનું 8મું લાલ કાર્ડ હતું.&nbsp;</p><p style="text-align: justify;"><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/entertainment/virat-kohli-photos-with-son-akaay-anushka-sharma" target="_blank">Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/22/lBFkveectjy4lTy1bUmjDtNX88rvY8Lwj2x1ZeVu.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: છોટાઉદેપુર જમીન ડૂબમાં જવા મુદ્દે મુખ્યમંત્રી નારાજ ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/cm-bhupendra-patel-expresses-concern-over-chhota-udepur-land-rehabilitation-delay</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/cm-bhupendra-patel-expresses-concern-over-chhota-udepur-land-rehabilitation-delay</guid><pubDate>Mon, 22 Jun 2026 21:38:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂન 2026ના રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોના પ્રશ્નોના ઝડપી,પારદર્શક અને સમયબદ્ધ નિરાકરણ માટે સંબંધિત વિભાગો અને જિલ્લા વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ આપી હતી.આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, જિલ્લા સ્તરના અધિકારીઓએ અરજીઓનો પૂરતો અભ્યાસ કરીને જિલ્લા કક્ષાએ જ હકારાત્મક અથવા નકારાત્મક નિર્ણય લેવો જોઈએ.જો પ્રશ્ન રાજ્ય સરકારના કાર્યક્ષેત્રનો હોય તો વિલંબ વિના દરખાસ્ત રાજ્ય સરકારને મોકલવી જોઈએ. અરજદારોને લાંબા સમય સુધી નિર્ણયની રાહ જોવી ન પડે તે સુનિશ્ચિત કરવા કહ્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>સંબંધિત વિભાગને જરૂરી કાર્યવાહી માટે સૂચના</b></h2><p style="text-align: justify; ">મુખ્યમંત્રીએ જૂન-2026 મહિનાના રાજ્યકક્ષાના સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પ્રત્યક્ષ રજૂઆતો લઈને આવેલા સામાન્ય માનવીઓની રજૂઆતો સંવેદનાપૂર્વક સાંભળી હતી.આ રાજ્ય સ્વાગતમાં 120થી વધુ અરજદારો પોતાની રજૂઆતો સાથે મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા સ્વાગતમાં 2228 અને તાલુકા સ્વાગતમાં 2854 સહિત સમગ્રતયા 5200 અરજદારોની રજૂઆતો અંગે સંબંધિત વિભાગને જરૂરી કાર્યવાહી માટે મોકલવામાં આવી હતી.</p><h3 style="text-align: justify; "><b>અરજદારને વારંવાર ધક્કા ખાવા પડે તે યોગ્ય નથી</b></h3><p style="text-align: justify; ">મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સમક્ષ છોટાઉદેપુર, મહેસાણા જિલ્લાના ખેડૂતોએ પુનર્વસન અંતર્ગત મળવાપાત્ર જમીન,ગૌચર જમીન પર થયેલા દબાણ, જમીન રિ-સરવેમાં વિસંગતા અંગે રજૂઆત મળી હતી.છોટાઉદેપુર જિલ્લાના એક અરજદારે સિંચાઈ યોજનાના કારણે તેમની જમીન ડૂબમાં જતાં પુનર્વસન અંતર્ગત મળવાપાત્ર જમીન લાંબા સમયથી ફાળવવામાં ન આવ્યાની રજૂઆત કરી હતી.આ અંગે મુખ્યમંત્રીએ તાત્કાલિક જમીન ફાળવણી કરવા સૂચના આપતાં જણાવ્યું કે,બે જિલ્લાઓના કલેક્ટરો તેમજ સિંચાઈ વિભાગ વચ્ચે સંકલનના અભાવે અરજદારને વારંવાર ધક્કા ખાવા પડે તે યોગ્ય નથી.</p><h4 style="text-align: justify; "><b>યોગ્ય મોનિટરિંગ કરવા સંબંધિતોને સૂચના આપી</b></h4><p style="text-align: justify; ">મુખ્યમંત્રીએ સિંચાઈ વિભાગની મુખ્ય જવાબદારી નક્કી કરી 30 દિવસમાં વૈકલ્પિક જમીન ફાળવવા સૂચના આપી હતી.મહેસાણા જિલ્લાના એક અરજદારે રિ-સરવેના કારણે જમીનના ક્ષેત્રફળમાં ઘટાડો થવાની રજૂઆત કરતાં મુખ્યમંત્રીએ તાત્કાલિક માપણી કરીને ક્ષેત્રફળની ક્ષતિ સુધારવાની કાર્યવાહી 15  દિવસમાં પૂર્ણ કરવા જિલ્લા કલેક્ટરને સૂચના આપીને જમીન માપણી અને રિ-સરવે ક્ષેત્રફળ સુધારાના પ્રશ્નોમાં ILR કચેરીને જવાબદારીપૂર્વક કાર્ય કરી ખેડૂતોના પ્રશ્નોનું સમયમર્યાદામાં નિરાકરણ લાવવા તાકીદ કરી હતી.વારંવાર મામલતદાર અને ILR વચ્ચે બિનજરૂરી પત્ર વ્યવહાર ટાળીને, સંકલનથી ખેડૂતોના આવા પ્રશ્નોનું નિયત સમયમર્યાદામાં નિરાકરણ લાવવા અંગે યોગ્ય મોનિટરિંગ કરવા સંબંધિતોને સૂચના આપી હતી.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ambaji/police-arrest-3-accused-for-creating-panic-and-attacking-police-team" target="_blank">આ પણ વાંચોઃ Ambaji News: અંબાજીમાં આતંક મચાવનાર 3 આરોપીઓની પોલીસે અટકાયત કરી</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/22/KPrXbgK6iuERqYFLD7o0vKdK8kXG6EVpor9sbqiR.webp'/></item><item><title><![CDATA[Lucknow Fire Incident : CM યોગી પોતાનો પ્રવાસ અટકાવી લખનઉં પહોંચ્યા, પીડિતોના પરિવારજન સાથે કરી મુલાકાત ]]></title><link>https://sandesh.com/india/news/lucknow-fire-incident-cm-yogi-adityanath-visits-victims-families-announces-compensation</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/lucknow-fire-incident-cm-yogi-adityanath-visits-victims-families-announces-compensation</guid><pubDate>Mon, 22 Jun 2026 21:31:28 +05:30</pubDate><description><![CDATA[<p>લખનઉમાં લાગેલી ભીષણ આગની ઘટનાએ સમગ્ર ઉત્તર પ્રદેશને હચમચાવી દીધું છે. આ દુર્ઘટનામાં 15 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાત્કાલિક કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી (KGMU)ની મુલાકાત લીધી અને ઘાયલો તેમજ મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2069054398228308349"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>જવાબદાર કોઈપણ અધિકારી અથવા વ્યક્તિને છોડવામાં આવશે નહીં: CM</b></h2><p>મુખ્યમંત્રી સાથે ઉપમુખ્યમંત્રી બ્રજેશ પાઠક પણ હાજર રહ્યા હતા. હોસ્પિટલમાં પીડિતો અને તેમના પરિવારજનોને મળ્યા બાદ યોગી આદિત્યનાથે ખાતરી આપી કે આ ઘટનામાં જવાબદાર કોઈપણ અધિકારી અથવા વ્યક્તિને છોડવામાં આવશે નહીં અને દરેક સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રીએ આગકાંડમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને ₹5 લાખની આર્થિક સહાય અને ઘાયલોને ₹50 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે.</p><h3><b>CMએ પોતાનો પ્રવાસ અધવચ્ચે જ રદ કરી દીધો</b></h3><p>આ ઘટનાની જાણ થતાં જ યોગી આદિત્યનાથે પશ્ચિમ ઉત્તર પ્રદેશનો પોતાનો પ્રવાસ અધવચ્ચે જ રદ કરી દીધો હતો. તેઓ અલીગઢમાં વિકાસ કાર્યોના ઉદ્ઘાટન માટે પહોંચ્યા હતા, પરંતુ આગની દુર્ઘટનાના સમાચાર મળતાં જ તરત લખનઉ પરત ફરવાનો નિર્ણય લીધો હતો. અલીગઢમાં જનસભાને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે લખનઉમાં બનેલી આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં કેટલાક બાળકો સહિત અનેક લોકો પ્રભાવિત થયા છે અને કેટલાકના મૃત્યુ થયા છે. તેથી તેઓ તરત જ રાજધાની પરત ફરી રહ્યા છે.</p><h4><b>ઉચ્ચ અધિકારીઓને આપ્યા આ નિર્દેશ&nbsp;</b></h4><p>મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓને ઘટનાની વિગતવાર તપાસ કરવા તેમજ ઘાયલોને સારવાર ઉપલબ્ધ કરાવવાના નિર્દેશ આપ્યા છે. સાથે જ ડીજીપી અને ગૃહ વિભાગના વરિષ્ઠ અધિકારીઓને સ્થળ પર જઈ સંપૂર્ણ અહેવાલ રજૂ કરવા કહ્યું છે. યોગી આદિત્યનાથે સોશિયલ મીડિયા પર પણ શોક વ્યક્ત કરતાં મૃતકોની આત્માને શાંતિ અને ઘાયલોને જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. આ ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા સુરક્ષા ધોરણોની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/-political-news/west-bengal-tmc-rebel-mlas-take-control-remove-mamata-banerjee-chairperson" target="_blank">આ પણ વાંચો : West Bengal : બળવાખોર ધારાસભ્યોએ TMCની કમાન સંભાળી, મમતા બેનર્જીને અધ્યક્ષ પદથી હટાવ્યા</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/22/S7zJXXYfvgEJ4225Omw1IvigpzOzYeMr7dZTVLw7.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: શહેરમાં પાર્કિંગ પોલિસીનો કડક અમલ, AMCએ 225થી વધુ એકમોને નોટિસ ફટકારી ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-issues-notices-to-225--commercial-units-for-violating-ahmedabad-parking-policy</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-issues-notices-to-225--commercial-units-for-violating-ahmedabad-parking-policy</guid><pubDate>Mon, 22 Jun 2026 21:26:17 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગની ગંભીર સમસ્યાને હલ કરવા માટે નવી પાર્કિંગ પોલિસીનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ અંતર્ગત AMCએ શહેરમાં પાર્કિંગની જગ્યા જાહેર જનતા માટે ખુલ્લી ન મૂકનારા 225થી વધુ વ્યાપારી એકમો અને કોમ્પ્લેક્સને નોટિસ ફટકારી છે.</p><h2 style="text-align: justify; "><b>મુખ્ય 11 રસ્તાઓ પર આ વિશેષ ઝુંબેશ&nbsp;</b></h2><p style="text-align: justify; ">AMC દ્વારા શહેરના મુખ્ય 11 રસ્તાઓ પર આ વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જેમાં સી.જી. રોડ પર આવેલા અનેક વ્યાપારી એકમો ઉપરાંત પ્રમુખ કોમર્શિયલ હબને નોટિસ આપવામાં આવી છે.ખાસ કરીને નિરમા યુનિવર્સિટી, ઇસ્કોન મોલ, સહજાનંદ કૉમ્પ્લેક્સ અને સિટી સેન્ટર જેવા જાણીતા એકમોનો આ યાદીમાં સમાવેશ થાય છે. આ એકમોને પબ્લિક પાર્કિંગ માટેની જગ્યા આપવા અંગે જાણ કરવામાં આવી છે.પાર્કિંગ પોલિસી મુજબ જે કોમર્શિયલ ઇમારતો કે એકમોમાં પાર્કિંગની જગ્યા ઉપલબ્ધ છે પરંતુ તેનો ઉપયોગ ગ્રાહકો કે જાહેર જનતા માટે કરવામાં આવતો નથી, તેમને AMC દ્વારા એકનોલેજમેન્ટ નોટિસ આપવામાં આવી છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે</b></h3><p style="text-align: justify; ">ઘણા એકમોમાં પાર્કિંગની જગ્યા હોવા છતાં તેને નિયમ મુજબ ખુલ્લી ન રાખતા રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, જેનો ઉકેલ લાવવા તંત્ર મક્કમ બન્યું છે. AMC દ્વારા આ પોલિસીમાં એક પ્રોત્સાહક જોગવાઈ પણ કરવામાં આવી છે.જે એકમો કે કોમ્પ્લેક્સ પોતાની પાર્કિંગની જગ્યા પબ્લિક પાર્કિંગ તરીકે વિનામૂલ્યે ખુલ્લી મુકશે તેમને AMC દ્વારા પ્રોપર્ટી ટેક્સમાં મુક્તિ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય વેપારીઓને સ્વૈચ્છિક રીતે પાર્કિંગની સુવિધા આપવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-introduces-safety-cutouts-to-prevent-monsoon-road-accidents" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: શહેરમાં ચોમાસામાં અકસ્માત ટાળવા સ્ટોપ અને ડાયવર્ઝન દર્શાવતા કટઆઉટ તૈયાર</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/22/TwnPb4yHM0LmfRJ6LzPJFhxXQHOWtZIbnPUgrj1a.webp'/></item><item><title><![CDATA[22 જૂનના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર ]]></title><link>https://sandesh.com/gujarat/news/india/top-10-news-updates-june-22-india-breaking-headlines-politics-business-sports</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/india/top-10-news-updates-june-22-india-breaking-headlines-politics-business-sports</guid><pubDate>Mon, 22 Jun 2026 21:00:00 +05:30</pubDate><description><![CDATA[<p><b>સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર વાંચો</b></p><p><a href="https://sandesh.com/gujarat/news/rajkot/cctv-of-minors-horrific-accident-in-rajkot-goes-viral-uproar-on-social-media-as-no-case-is-filed-against-father" target="_blank"><b>1. Rajkotમાં સગીરના ભયાનક અકસ્માતના CCTV વાયરલ, પિતા સામે કેસ ન થતાં સોશિયલ મીડિયા પર હોબાળો</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/gandhinagar-sogs-big-crackdown-vijay-patel-the-mastermind-of-the-crores-scholarship-scam-arrested" target="_blank"><b>2. Gandhinagar SOGનો મોટો સપાટો: કરોડોના શિષ્યવૃત્તિ કૌભાંડના માસ્ટરમાઇન્ડ ‘વિજય પટેલ’ની કરી ધરપકડ</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/auto-rickshaw-fare-hike-minimum-running-rate-approved" target="_blank"><b>3. Auto Rickshaw Fare Hike: સામાન્ય માણસ પર વધશે મોંઘવીરીનો બોજો, રિક્ષા ભાડામાં તોતિંગ 25% વધારો મંજૂર</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/grants-20-percent-reservation-for-ex-agniveers-in-government-jobs" target="_blank"><b>4. Gujarat News: પૂર્વ અગ્નિવીરોને સીધી ભરતીમાં 20 ટકા અનામત મળશે, ફિઝિકલ ટેસ્ટમાંથી સંપૂર્ણ મુક્તિ</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-149th-jagannath-rath-yatra-preparations-begin-new-wheels-for-chariots" target="_blank"><b>5. Ahmedabad : 149મી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ, ભગવાનના ત્રણેય રથોને લગાવાયા નવા પૈડાં</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/bhavnagar-highway-private-bus-accident-koth-kariyana-village-1-dead" target="_blank"><b>6. Ahmedabad: ભાવનગર પ્રસંગમાંથી પરત ફરતી 25 મુસાફરો ભરેલી બસ પલટી, 1નું કમકમાટીભર્યું મોત</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/rajkot/saurashtra-water-crisis-rajkot-aji-nyari-dam-junagadh-reservoirs-empty" target="_blank"><b>7. Rajkot : સૌરાષ્ટ્ર તરસ્યું..! આજી-ન્યારી ડેમમાં 15 જુલાઈ સુધીનું જ પાણી, જૂનાગઢના 17 જળાશયો ખાલીખમ થતાં હાહાકાર</b></a></p><p><a href="https://sandesh.com/india/news/-political-news/west-bengal-tmc-rebel-mlas-take-control-remove-mamata-banerjee-chairperson" target="_blank"><b>8. West Bengal : બળવાખોર ધારાસભ્યોએ TMCની કમાન સંભાળી, મમતા બેનર્જીને અધ્યક્ષ પદથી હટાવ્યા</b></a></p><p><a href="https://sandesh.com/india/news/-political-news/maharashtra-politics-six-shiv-sena-ubt-mps-join-eknath-shinde-camp-three-sanjay-remark" target="_blank"><b>9. Maharashtra Politics : 6 બળવાખોર સાંસદ શિવસેનામાં સામેલ, એકનાથ શિંદેએ કહ્યું 'હવે અમારી પાસે 3 સંજય'</b></a></p><p><a href="https://sandesh.com/india/news/lucknow-fire-incident-pm-modi-condolences-compensation-announcement-pm-nrf" target="_blank"><b>10. Lucknow Fire Incident : PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું, મૃતકોના પરિવારજનોને વળતર આપવાની કરી જાહેરાત</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/22/NUS7GgWZP4pkvH7Yq7l6ZCAlybn9f4EagX3qDLq4.webp'/></item><item><title><![CDATA[Auto News: મેડ-ઈન-ઈન્ડિયાનો વૈશ્વિક ડંકો; ભારતમાં બનેલી નવી SUVની વિદેશોમાં નિકાસ શરૂ ]]></title><link>https://sandesh.com/business/news/automobile/auto-news-global-success-of-made-in-india-new-suv-made-in-india-starts-exporting-abroad</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/auto-news-global-success-of-made-in-india-new-suv-made-in-india-starts-exporting-abroad</guid><pubDate>Mon, 22 Jun 2026 20:39:48 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફ્રાન્સની કાર કંપની રેનો (Renault) એ પોતાની તદ્દન નવી Duster SUVની નિકાસ શરૂ કરી દીધી છે. કંપનીએ ચેન્નઈ પ્લાન્ટથી નવી Dusterની 750 ગાડીઓનો પહેલો જથ્થો દક્ષિણ આફ્રિકા મોકલ્યો છે. આ સાથે જ રેનો ઈન્ડિયાએ નવી ડસ્ટર માટે પોતાનો ગ્લોબલ એક્સપોર્ટ પ્રોગ્રામ પણ શરૂ કરી દીધો છે. કંપનીનું કહેવું છે કે આગામી મહિનાઓમાં નવી ડસ્ટરને અન્ય કેટલાક આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ મોકલવામાં આવશે. આ પગલું રેનો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે, કારણ કે તેનાથી કંપનીના વૈશ્વિક ઉત્પાદન અને નિકાસ નેટવર્કમાં ભારતની ભૂમિકા વધુ મજબૂત થશે.</p><h2 style="text-align: justify; ">ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા પર ફોકસ</h2><p style="text-align: justify; ">રેનો લાંબા સમયથી ભારતને એક મોટા મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ હબ તરીકે વિકસાવવા પર કામ કરી રહી છે. નવી રેનો ડસ્ટરની નિકાસ શરૂ થવી એ જ રણનીતિનો એક ભાગ માનવામાં આવે છે. કંપનીનું માનવું છે કે ભારતમાં વિશ્વસ્તરીય ઉત્પાદન સુવિધાઓ, કુશળ ઈજનેરો અને ઉત્તમ લોજિસ્ટિક્સ નેટવર્ક ઉપલબ્ધ છે, જે તેને ઓટોમોબાઈલ નિકાસ માટે એક મજબૂત કેન્દ્ર બનાવી શકે છે.</p><h3 style="text-align: justify; ">ભારતમાં ઉત્પાદન વધારશે રેનો</h3><p style="text-align: justify; ">આ પ્રસંગે રેનો ગ્રુપ ઈન્ડિયાના CEO સ્ટીફન ડેબ્લેસે જણાવ્યું હતું કે, નવી ડસ્ટરની નિકાસ શરૂ થવી એ રેનો ઈન્ડિયા માટે એક મોટી ઉપલબ્ધિ છે. આનાથી સાબિત થાય છે કે ચેન્નઈ પ્લાન્ટમાં બનતી ગાડીઓની ગુણવત્તા અને ઉત્પાદન ક્ષમતા વૈશ્વિક સ્તરની છે. તેમણે ઉમેર્યું કે રેનોની ભવિષ્યની યોજનાઓમાં ભારતની ભૂમિકા સતત વધતી રહેશે. કંપનીએ એ પણ જણાવ્યું કે તેમનો લક્ષ્યાંક વર્ષ 2030 સુધીમાં ભારતમાંથી દર વર્ષે 2 અબજ યુરોની નિકાસનો આંકડો હાંસલ કરવાનો છે. આ માટે રેનો આગામી સમયમાં ભારતમાં પોતાની ઉત્પાદન અને નિકાસ પ્રવૃત્તિઓને વધુ મજબૂત કરશે.</p><h4 style="text-align: justify; ">કેમ ખાસ છે નવી રેનો ડસ્ટર?</h4><p style="text-align: justify; ">આ ભારતમાં રેનોની પહેલી કાર છે જેને 'રેનો ગ્રુપ મોડ્યુલર પ્લેટફોર્મ' (RGMP) પર તૈયાર કરવામાં આવી છે. આ એક આધુનિક અને ફ્લેક્સિબલ પ્લેટફોર્મ છે, જેના પર અલગ-અલગ પ્રકારના એન્જિન અને પાવરટ્રેનવાળી ગાડીઓ બનાવી શકાય છે.</p><h5 style="text-align: justify; ">નવી ડસ્ટર ઘણી રીતે ખાસ છે:</h5><p style="text-align: justify; ">સુરક્ષાની દ્રષ્ટિએ પણ નવી ડસ્ટર ખૂબ જ મજબૂત છે. આ SUVને તમામ વેરિઅન્ટ્સ અને પાવરટ્રેન વિકલ્પોમાં 5-સ્ટાર Bharat NCAP સેફ્ટી રેટિંગ મળ્યું છે. આનાથી સાબિત થાય છે કે આ કાર માત્ર ભારતીય ગ્રાહકો જ નહીં, પરંતુ વૈશ્વિક બજારોની જરૂરિયાતોને પણ પૂરી કરવા માટે સંપૂર્ણ સક્ષમ છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/automobile" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/22/kIac06d5Cmjskza9xyvPhzIljta2msE9VYxR4nTX.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે પર વાહન રિપેર અને પંક્ચર સુવિધા અપાશે: NHAIનો નિર્ણય ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/nhai-to-provide-vehicle-repair-and-puncture-services-on-national-highways-and-expressways</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/nhai-to-provide-vehicle-repair-and-puncture-services-on-national-highways-and-expressways</guid><pubDate>Mon, 22 Jun 2026 19:52:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા મુસાફરોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.હવેથી નેશનલ હાઈવે અને એક્સપ્રેસવે પર વાહન રિપેરિંગ અને પંક્ચરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોને મુસાફરી દરમિયાન પડતી મુશ્કેલીઓ ઘટાડવાનો અને ઇમરજન્સીમાં તાત્કાલિક મદદ પહોંચાડવાનો છે.</p><h2 style="text-align: justify; "><b>મુસાફરોને તાત્કાલિક મિકેનિકલ મદદ મળી રહેશે</b></h2><p style="text-align: justify; ">NHAI દ્વારા જારી કરવામાં આવેલી સૂચના મુજબ હાઈવે પર આવેલી વેઈસાઈડ એમેનિટીઝ એટલે કે રસ્તાની બાજુમાં આવેલી સુવિધાઓમાં હવે ખાસ રિપેર શોપ અને પંક્ચરની દુકાનો શરૂ કરવામાં આવશે.અત્યાર સુધી લાંબા અંતરની મુસાફરી દરમિયાન જો વાહન બગડે કે ટાયર પંક્ચર થાય તો વાહનચાલકોએ ઘણીવાર કલાકો સુધી મિકેનિકની રાહ જોવી પડતી હતી અથવા તો દૂર સુધી વાહન ખેંચીને જવું પડતું હતું.નવી વ્યવસ્થાના અમલીકરણથી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.આ નવી વ્યવસ્થાથી વાહન બગડવાની સ્થિતિમાં મુસાફરોને તાત્કાલિક મિકેનિકલ મદદ મળી રહેશે જેથી તેઓ ઝડપથી મુસાફરી ફરી શરૂ કરી શકશે.</p><h3 style="text-align: justify; "><b>સમય વેડફાતો હતો તેમાં નોંધપાત્ર ઘટાડો</b></h3><p style="text-align: justify; ">અગાઉ વાહન રિપેરિંગ માટે જે સમય વેડફાતો હતો તેમાં નોંધપાત્ર ઘટાડો થશે.અકસ્માત કે વાહન બંધ પડવા જેવી સ્થિતિમાં હાઈવે પર ઊભા રહેવું જોખમી બની શકે છે.રિપેરિંગ સુવિધા ઉપલબ્ધ હોવાથી વાહનચાલકો વધુ સુરક્ષિત અનુભવશે.ઘણીવાર હાઈવે પર વાહનો અધવચ્ચે અટવાઈ જવાને કારણે પાછળથી આવતા વાહનો સાથે અકસ્માત થવાની શક્યતા રહે છે. જો રિપેરિંગ સુવિધા નજીકમાં જ ઉપલબ્ધ હશે તો વાહનને જલ્દીથી રસ્તા પરથી દૂર કરી શકાશે. જેનાથી ટ્રાફિક જામની સમસ્યા ઘટશે અને માર્ગ અકસ્માતો પર પણ અંકુશ મેળવી શકાશે.</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/india/news/sandesh-explainer-why-do-major-fire-tragedies-keep-happening-lessons-from-lucknow-and-surat" target="_blank">આ પણ વાંચોઃ Sandesh Explainer: લખનઉમાં અલિગંજના અગ્નિકાંડ બાદ પણ સળગતા સવાલો, આખરે આવી ઘટનાઓ બને છે કેમ?</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/22/pVZNI4MiVY2JIzcdG6r1jzErjcSRBgEByWHnEblt.webp'/></item><item><title><![CDATA[Richest Actor : ક્યારેય દિલ્હીમાં સમોસા સપ્લાય કરતો હતો, આજે છે દુનિયાનો સૌથી અમીર એક્ટર! ]]></title><link>https://sandesh.com/entertainment/news/shah-rukh-khan-richest-actor-in-the-world-12000-crore-net-worth</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/shah-rukh-khan-richest-actor-in-the-world-12000-crore-net-worth</guid><pubDate>Mon, 22 Jun 2026 17:37:29 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડમાં આજના સમયમાં ઘણા એવા એક્ટર્સ છે, જેમણે પોતાની મહેનત અને દમદાર એક્ટિંગથી દુનિયાભરમાં ખૂબ ઓળખ બનાવી છે. એવું જ એક મોટું નામ શાહરૂખ ખાનનું છે, જેઓ ભારતના સૌથી મોટા સુપરસ્ટાર છે. દુનિયાભરમાં તેમના ચાહકો છે. તેમને બોલીવુડના બાદશાહ કહેવામાં આવે છે. તેમની પાસે કોઈ પણ વસ્તુની કોઈ ખામી નથી. અહેવાલો અનુસાર તેમની નેટવર્થ 12 હજાર કરોડ રૂપિયાથી વધારે છે. બોલીવુડના દિગ્ગજ એક્ટર પંકજ કપૂરે તાજેતરમાં જ શાહરૂખ સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો શેર કર્યો છે.</p><p style="text-align: justify; "></p><h2 style="text-align: justify;"><b>NSDની કેન્ટીનમાં સમોસા સપ્લાય કરતા હતા શાહરૂખ ખાન</b></h2><div style="text-align: justify;">પંકજ કપૂર દિલ્હીના નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના સ્ટુડન્ટ રહ્યા છે. તેમણે જણાવ્યું કે 70s ના દાયકામાં જ્યારે તેઓ NSD માં હતા ત્યારે તે સમયે શાહરૂખ પણ ત્યાં આવતા હતા અને તેઓ ઘણીવાર ત્યાં કેન્ટીનમાં સમોસા સર્વ કરતા હતા. પંકજ કપૂરે કહ્યું, NSD માં ઇન્ટરવલ દરમિયાન સમોસા પીરસવામાં આવતા હતા. ઘણી વખત શાહરૂખ ખાન સમોસા સપ્લાય કરતા હતા. શાહરૂખ તે સમયે 10 વર્ષના હતા. પંકજ કપૂરે એ પણ જણાવ્યું કે NSD માં શાહરૂખના પિતા અથવા તેમના અંકલ કેન્ટીન ચલાવતા હતા, એટલા માટે શાહરૂખ અવારનવાર ત્યાં આવતા હતા.</div><p></p><h3 style="text-align: justify; "><b>શાહરૂખ ખાન પણ કરી ચૂક્યા છે NSD નો ઉલ્લેખ</b></h3><p style="text-align: justify; ">શાહરૂખ ખાન પણ આ વિશે જણાવી ચૂક્યા છે. વર્ષ 2016માં એક ઇન્ટરવ્યૂમાં શાહરૂખે કહ્યું હતું, હું નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાનો ભાગ નહોતો, પરંતુ હું ત્યાંના ઘણા એક્ટર્સ સાથે કામ કરતો હતો. મનોજ બાજપેયી પણ ત્યાંના નહોતા, પરંતુ તેમણે અને મેં રઘુબીર યાદવ જેવા એક્ટર્સ સાથે કામ કર્યું, જેઓ NSD નો ભાગ હતા. જ્યારે અમે દિલ્હીમાં થિયેટર કરતા હતા ત્યારે તેઓ અમારા બોલવાની રીત અને ઉચ્ચારણને વધુ સારા બનાવવામાં મદદ કરતા હતા. મેં તેમની પાસેથી ઘણું શીખ્યું છે. મારા પિતા NSD માં કેન્ટીન ચલાવતા હતા અને આ જ કારણે હું ત્યાંના બધા શાનદાર એક્ટર્સને જાણી શક્યો.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DWJ4imrCGFf/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DWJ4imrCGFf/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DWJ4imrCGFf/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DWJ4imrCGFf/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ</b></h4><p style="text-align: justify; ">શાહરૂખ ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેઓ લાંબા સમયથી પોતાની અપકમિંગ ફિલ્મ કિંગ પર બિઝી ચાલી રહ્યા છે. આ ફિલ્મમાં તેઓ તો દેખાશે જ, સાથે જ તેમની દીકરી સુહાના પણ આમાં નજરે પડવાની છે. શાહરૂખ આ ફિલ્મ દ્વારા સુહાનાને સિલ્વર સ્ક્રીન પર લોન્ચ કરી રહ્યા છે. આ જ વર્ષે 24 ડિસેમ્બરના રોજ આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મનું ડાયરેક્શન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/120-crore-budget-bollywood-movie-released-in-2015-turned-out-super-flop" target="_blank">આ પણ વાંચો-Disaster Film : 120 કરોડનું આંધણ! વર્ષ 2015ની બોલીવુડની એ મહાફ્લોપ ફિલ્મ જેણે ડૂબાડી દીધા મેકર્સના કરોડો રૂપિયા!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/22/Vo2VYdYylkxvXwQPqGD9AqgZZbVAd3hc1jTja555.webp'/></item></channel></rss>