<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Amarnath Yatra 2026 : અમરનાથ યાત્રા માટે ટ્રાફિક એડવાઇઝરી જાહેર, મુસાફરો અને પ્રવાસીઓ માટે ખાસ નિયમો લાગુ ]]></title><link>https://sandesh.com/india/news/amarnath-yatra-2026-traffic-advisory-route-restrictions-travel-guidelines</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/amarnath-yatra-2026-traffic-advisory-route-restrictions-travel-guidelines</guid><pubDate>Wed, 24 Jun 2026 22:59:25 +05:30</pubDate><description><![CDATA[<p>જમ્મુ-કાશ્મીર ટ્રાફિક પોલીસે અમરનાથ યાત્રા 2026ને ધ્યાનમાં રાખીને વિસ્તૃત ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરી 2 જુલાઈથી 28 ઓગસ્ટ, 2026 સુધી અમલમાં રહેશે. યાત્રાળુઓના કાફલાની સુરક્ષિત અને સુવ્યવસ્થિત અવરજવર સુનિશ્ચિત કરવા માટે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે તેમજ કાશ્મીર ખીણના વિવિધ માર્ગો પર ખાસ ટ્રાફિક નિયમો લાગુ કરવામાં આવ્યા છે.</p><h2><b>યાત્રાળુઓનો કાફલો સવારે 4 વાગ્યે જમ્મુથી રવાના થશે</b></h2><p>એડવાઈઝરી મુજબ, બાલટાલ રૂટ માટે યાત્રાળુઓનો કાફલો સવારે 4 વાગ્યે જમ્મુથી રવાના થશે, જ્યારે પહલગામ રૂટ માટેનો કાફલો સવારે 4:15 વાગ્યે પ્રસ્થાન કરશે. બાલટાલ અને પહલગામથી જમ્મુ પરત ફરતા કાફલાઓની રવાનગી સવારે 6 વાગ્યાથી શરૂ થશે. પ્રવાસીઓ અને સામાન્ય મુસાફરો માટે પણ વિવિધ સ્થળોએ કટ-ઓફ સમય નક્કી કરવામાં આવ્યો છે. જમ્મુથી કાશ્મીર ખીણ તરફ જતા વાહનો માટે નગરોટા, ઉધમપુર, ચંદ્રકોટ અને લંબાર-બનિહાલ ખાતે નિર્ધારિત સમય બાદ આગળ જવાની મંજૂરી નહીં મળે. નવયુગ ટનલ પાર કરવાનો અંતિમ સમય બપોરે 3 વાગ્યે રાખવામાં આવ્યો છે.</p><h3><b>પ્રવાસી વાહનોને સવારે 9 વાગ્યા સુધી બેઝ કેમ્પ છોડવો ફરજિયાત</b></h3><p>બાલટાલથી જમ્મુ પરત ફરતા પ્રવાસી વાહનોને સવારે 9 વાગ્યા સુધી બેઝ કેમ્પ છોડવો ફરજિયાત રહેશે, જ્યારે સોનમર્ગથી આગળ વધવાનો અંતિમ સમય સવારે 10 વાગ્યે નક્કી કરાયો છે. નુનવાન-પહલગામથી જમ્મુ તરફ જતા વાહનોને પણ સવારે 10 વાગ્યા સુધી યાત્રા શરૂ કરવાની રહેશે. ટ્રાફિક પોલીસે યાત્રાળુઓ અને પ્રવાસીઓને સલાહ આપી છે કે તેઓ માત્ર સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા વચ્ચે જ મુસાફરી કરે. સાંજે 6 વાગ્યા બાદ સુરક્ષા વ્યવસ્થા હટાવી દેવામાં આવતી હોવાથી કોઈપણ વાહનને આગળ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. નિયમોનું પાલન કરીને અમરનાથ યાત્રાને સુરક્ષિત અને સુવ્યવસ્થિત બનાવવા અપીલ કરવામાં આવી છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/world/ins-udaygiri-ho-chi-minh-city-visit-india-vietnam-joint-naval-exercise" target="_blank">આ પણ વાંચો : INS Udaygiriએ 'હો ચી મિન્હ'ની યાત્રા કરી પૂર્ણ, ભારતીય નેવી અને વિયતનામ નેવીએ કર્યો સંયુક્ત અભ્યાસ</a></b></p><p>&nbsp;</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/nPaaYhhE7eoApAbQQYjvaNlp9Zptr5eF3PMb7Zr4.webp'/></item><item><title><![CDATA[INS Udaygiriએ 'હો ચી મિન્હ'ની યાત્રા કરી પૂર્ણ, ભારતીય નેવી અને વિયતનામ નેવીએ કર્યો સંયુક્ત અભ્યાસ ]]></title><link>https://sandesh.com/india/news/world/ins-udaygiri-ho-chi-minh-city-visit-india-vietnam-joint-naval-exercise</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/world/ins-udaygiri-ho-chi-minh-city-visit-india-vietnam-joint-naval-exercise</guid><pubDate>Wed, 24 Jun 2026 22:08:09 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય નૌકાદળના યુદ્ધજહાજો INS Udaygiri અને INS Kavarattiએ 22થી 24 જૂન દરમિયાન વિયેતનામના Ho Chi Minh Cityની સફળ મુલાકાત પૂર્ણ કરી છે. આ મુલાકાત ભારતીય નૌસેનાની ઓપરેશનલ તૈનાતીનો ભાગ હતી અને તેનું નેતૃત્વ રિયર એડમિરલ આલોક આનંદે કર્યું હતું, જે પૂર્વી નૌકાદળના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/indiannavy/status/2069742099785007115"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>નેવીના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી</b></h2><p>મુલાકાત દરમિયાન ભારતીય પ્રતિનિધિમંડળે હો ચી મિન્હ સિટી પીપલ્સ કમિટી અને વિયેતનામ પીપલ્સ નેવીના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બંને દેશો વચ્ચે સમુદ્રી સુરક્ષા, વ્યાવસાયિક તાલમેલ અને પ્રાદેશિક સહયોગ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપિતા Ho Chi Minhની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.</p><h3><b>સંયુક્ત અભ્યાસ અને વ્યાવસાયિક ચર્ચાઓ યોજાઈ</b></h3><p>આ પ્રવાસ દરમિયાન ભારતીય નૌકાદળ અને વિયેતનામ પીપલ્સ નેવીના જવાનો વચ્ચે સંયુક્ત અભ્યાસ અને વ્યાવસાયિક ચર્ચાઓ યોજાઈ હતી. બંને દેશોએ ઓપરેશનલ અનુભવ વહેંચીને સમુદ્રી સુરક્ષાને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે INS કવરત્તી પર સંયુક્ત યોગ સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.</p><h4><b>વિયેતનામ બ્રહ્મોસ મિસાઈલનો બીજો નિકાસ ગ્રાહક બનશે</b></h4><p>ભારત અને વિયેતનામ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવતી આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે ભારતે વિયેતનામને બ્રહ્મોસ મિસાઈલની સપ્લાય માટે મહત્વપૂર્ણ કરાર કર્યો છે. ફિલિપાઇન્સ બાદ વિયેતનામ બ્રહ્મોસ મિસાઇલનો બીજો નિકાસ ગ્રાહક બનશે. ઉલ્લેખનીય છે કે INS ઉદયગિરી ભારતીય નૌકાદળનું આધુનિક સ્ટેલ્થ ફ્રિગેટ છે, જે બ્રહ્મોસ મિસાઈલ, લાંબા અંતરની એર ડિફેન્સ સિસ્ટમ, સબમરીન વિરોધી હથિયારો અને અદ્યતન સેન્સરોથી સજ્જ છે. આ મુલાકાત ભારતની ‘એક્ટ ઈસ્ટ પોલિસી’ અને પ્રાદેશિક સમુદ્રી સહયોગને વધુ મજબૂત બનાવવાના પ્રયાસોનું મહત્વપૂર્ણ ઉદાહરણ માનવામાં આવી રહી છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/passport-citizenship-proof-latest-statement-of-the-ministry-of-external-affairs-on-passport-issue-know-what-it-said" target="_blank">આ પણ વાંચો : Passport Citizenship Proof: પાસપોર્ટ મામલે વિદેશ મંત્રાલયનું નવીનતમ નિવેદન, જાણો શુ કહ્યુ?</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/ppEJiDbhF8ZDpnr9aPpq8OtmwI1h81urLT0tKXZ2.webp'/></item><item><title><![CDATA[Deepika Padukone મુંબઈ એરપોર્ટ પર થઈ સ્પોટ, પાપારાઝીએ શું કહ્યું? જુઓ VIDEO ]]></title><link>https://sandesh.com/entertainment/news/deepika-padukone-spotted-at-mumbai-airport-paparazzi-comment-viral-video</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/deepika-padukone-spotted-at-mumbai-airport-paparazzi-comment-viral-video</guid><pubDate>Wed, 24 Jun 2026 21:41:23 +05:30</pubDate><description><![CDATA[<p>બોલીવૂડની જાણીતી અભિનેત્રી દીપિકા પાદુકોણ હાલમાં પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. બીજી વખત માતા બનવાની તૈયારી કરી રહેલી દીપિકા તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર જોવા મળી. આ દરમિયાનનો તેમનો એક સુંદર વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.<br></p><h2><b>પાપારાઝીની વાત સાંભળી શરમાઈ ગઈ અભિનેત્રી</b></h2><p>એરપોર્ટ પર હાજર પાપારાઝીઓએ દીપિકાની સુરક્ષા અને સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખ્યું હતું. અભિનેત્રીને આરામથી પસાર થવા માટે જગ્યા આપવામાં આવી. આ દરમિયાન પાપારાઝી અને દીપિકા વચ્ચે થયેલી હળવી વાતચીતે ફેન્સનું દિલ જીતી લીધું હતું. દીપિકા એરપોર્ટ પર લીલા રંગના ફ્લોરલ કુર્તામાં જોવા મળી હતી. તેમણે પોતાનો લુક ખૂબ જ સાદો રાખ્યો હતો અને ભારે જ્વેલરીના બદલે ઓછી એક્સેસરીઝ પહેરી હતી. જોકે તેમના હાથમાં રહેલો લક્ઝરી હેન્ડબેગ સમગ્ર લુકનું મુખ્ય આકર્ષણ બન્યો હતો.</p><h3><b>દીપિકા સ્મિત રોકી શકી નહીં</b></h3><p>એરપોર્ટના બહારના ગેટ પાસે ફોટોગ્રાફર્સે દીપિકાને ધીમે ચાલવાની સલાહ આપી અને કહ્યું કે તેઓ પોતાની તબિયતનું ધ્યાન રાખે. પાપારાઝીઓની આ કાળજીભરી વાત સાંભળીને દીપિકા સ્મિત રોકી શકી નહોતી અને કેમેરા સામે જ શરમાતી જોવા મળી હતી. ત્યારબાદ તેમણે એક ચાહક સાથે તસવીર પણ પડાવી હતી.</p><p><b><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DZ9ZF9jTDWd/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DZ9ZF9jTDWd/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank">વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો</a></b></p><h3><b>દીપિકા પાસે અનેક મોટા પ્રોજેક્ટ્સ&nbsp;</b></h3><p>દીપિકા અને રણવીર સિંહે 19 એપ્રિલ, 2026ના રોજ સોશિયલ મીડિયા દ્વારા બીજી વખત માતા-પિતા બનવાના સમાચાર શેર કર્યા હતા. આ અનોખી જાહેરાત બાદ બંનેને શુભેચ્છાઓનો વરસાદ થયો હતો. વર્કફ્રન્ટની વાત કરીએ તો દીપિકા પાસે અનેક મોટા પ્રોજેક્ટ્સ છે, જેમાં શાહરુખ ખાન સાથેની ‘કિંગ’ અને એટલીની ફિલ્મ ‘રાકા’નો સમાવેશ થાય છે. બીજી તરફ રણવીર સિંહ પણ પોતાના આગામી પ્રોજેક્ટ્સને લઈને ચર્ચામાં છે.</p><p><b><a href="https://sandesh.com/entertainment/news/tmkoc-bagha-tanmay-father-arvind-vekaria-passes-away" target="_blank">આ પણ વાંચો : TMKOCના 'બાઘા' પર તૂટ્યો દુ:ખનો પહાડ, પિતા અરવિંદ વેકરિયાનું થયું નિધન</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/9HEr36wyW1C6b6Zo3wxOMwHmwfp2YuiJZYSjkai2.webp'/></item><item><title><![CDATA[Bharuch News: અંકલેશ્વરમાં બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે 25 હજારની લાંચ લેતો હેડ કોન્સ્ટેબલ ઝડપાયો ]]></title><link>https://sandesh.com/crime/news/bharuch/ankleshwar-bhadkodra-police-head-constable-acb-trap-bribe</link><guid isPermaLink="true">https://sandesh.com/crime/news/bharuch/ankleshwar-bhadkodra-police-head-constable-acb-trap-bribe</guid><pubDate>Wed, 24 Jun 2026 20:40:24 +05:30</pubDate><description><![CDATA[<p>ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક ગઢ ગણાતા અંકલેશ્વરમાંથી ખાખી વર્દીને દાગ લગાડતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કાયદાના રક્ષક જ ભક્ષક બન્યા હોય તેમ અંકલેશ્વરની ભાડકોદ્રા પોલીસ ચોકીનો હેડ કોન્સ્ટેબલ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના સકંજામાં આવી ગયો છે. વડોદરા એસીબીની ટીમે આયોજનબદ્ધ રીતે છટકું ગોઠવીને લાંચિયા પોલીસકર્મીને જાહેરમાં લાંચ લેતા દબોચી લેતા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.</p><h2><b>ફ્રીઝ થયેલું બેંક એકાઉન્ટ ચાલુ કરવા માટે માંગી હતી લાંચ</b></h2><p>આ હાઈપ્રોફાઈલ કેસની વિગતો એવી છે કે, ફરિયાદીનું કોઈ કારણોસર બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું હતું. આ ફ્રીઝ થયેલું બેંક એકાઉન્ટ ફરીથી અનફ્રીઝ કરાવવા માટે ફરિયાદીએ ભાડકોદ્રા પોલીસ ચોકીનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન ત્યાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સુનીલ પરમારે એકાઉન્ટ ફરી ચાલુ કરી આપવાની અવેજીમાં ફરિયાદી પાસે રૂપિયા 25,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આ લાંચના નાણાં આપવા ઈચ્છુક ન હોવાથી તેમણે વડોદરા એસીબી સમક્ષ આખી ઘટનાની ફરિયાદ કરી હતી.</p><h2><b>વાલિયા ચોકડી પાસે ચાની કીટલી પર એસીબીએ ગોઠવ્યું સફળ છટકું</b></h2><p>ફરિયાદના આધારે વડોદરા એસીબીની ટીમે તાત્કાલિક એક્શન પ્લાન તૈયાર કર્યો હતો અને અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલા એક ટી સ્ટોલની બહાર લાંચનું છટકું ગોઠવ્યું હતું. પ્લાન મુજબ હેડ કોન્સ્ટેબલ સુનીલ પરમાર જેવો જ ફરિયાદી પાસેથી જાહેરમાં રૂપિયા 25,000ની લાંચની રકમ સ્વીકારવા ગયો, કે તરત જ વોચમાં ગોઠવાયેલી એસીબીની ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો હતો. એસીબીએ લાંચની રકમ જપ્ત કરી આરોપી હેડ કોન્સ્ટેબલ સુનીલ પરમારની ધરપકડ કરી છે અને તેની સામે કાયદેસરનો ગુનો નોંધી આગળની સઘન તપાસ શરૂ કરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bharuch/bharuch-states-ad-chief-secretary-conducts-school-entrance-ceremony-for-student" target="_blank">Bharuch: રાજયના એડી. ચીફ સેક્રેટરીએ વિદ્યાર્થીને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/NbtCRVUSfp3KJWVwUhgRZfG03IMykrGbcxoHx4a7.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના યાત્રાધામોના વિકાસ કામો માટે 3.28 કરોડ મંજૂર કર્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/harsh-sanghavi-approves-rs-3-28-crore-for-gujarat-pilgrimage-and-tourism-development</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/harsh-sanghavi-approves-rs-3-28-crore-for-gujarat-pilgrimage-and-tourism-development</guid><pubDate>Wed, 24 Jun 2026 20:37:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતને વૈશ્વિક પ્રવાસન નકશા પર વધુ મજબૂત બનાવવા અને રાજ્યના પવિત્ર યાત્રાધામો ખાતે આવતા લાખો શ્રદ્ધાળુઓની સુખાકારી માટે રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે.રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે રાજ્યના પ્રવાસન અને યાત્રાધામોના સર્વાંગી વિકાસ માટે વિવિધ મહત્વની દરખાસ્તોને મંજૂરી આપી છે.રાજ્યના વિકાસ મોડલમાં પ્રવાસન ઉદ્યોગ અને યાત્રાધામોનો વિકાસ એ સરકારની પ્રાથમિકતા રહી છે. પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને શ્રેષ્ઠત્તમ સુવિધાઓ મળી રહે તે હેતુથી આજે વિવિધ પ્રવાસન પ્રોજેક્ટ્સ અને આસ્થાના કેન્દ્રોના વિકાસ કાર્યોને વહીવટી મંજૂરી આપવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>પ્રવાસન અને યાત્રાધામોના વિકાસ માટે મંજૂરી</b></h2><p style="text-align: justify; ">વલસાડ જિલ્લાના કોસંબા ખાતેના અક્ષરપુરષોત્તમ સ્વામીનારાયણ મંદિરમાં સુવિધાઓ ઉમેરવા માટે,ડાંગ જિલ્લાના સાપુતારા પ્રવાસન સ્થળે પ્રવાસીઓના આકર્ષણ સમાન સનરાઈઝ અને સનસેટ પોઈન્ટ પર જતા રસ્તા માટે ગ્રાન્ટ મંજૂર કરાઈ છે.તે ઉપરાંત રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે સ્થિત સ્વામીનારાયણ મંદિર ખાતે ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે સોલર રૂફ ટોપ પ્રોજેક્ટ મંજૂર કરાયો છે.જ્યારે અમદાવાદ જિલ્લાના ભોંયણી ખાતે આવેલા મલ્લીનાથજી મહારાજ ઐતિહાસિક જૈન તીર્થ ખાતે યાત્રિકોની સુવિધા માટે પણ ખર્ચ મંજૂર કરાયો છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>વિકાસ કામો માટે 3.28 કરોડ મંજૂર કર્યા</b></h3><p style="text-align: justify; ">વડોદરા જિલ્લાના સિધ્ધનાથ મહાદેવ મંદિરના પૌરાણિક મંદિરના મુખ્ય જીણોદ્વાર,બોરવેલ, કોટા સ્ટોન ફ્લોરીંગ, સુશોભન દરવાજા અને ઇલેક્ટ્રીફીકેશન સહિતના વિવિધ વિકાસ કામો માટે પણ ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે.તેવી જ રીતે સુરતના અડાજણ ખાતે આવેલા હાટકેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સિવિલ તેમજ સોલારના વિવિધ વિકાસ કામો હાથ ધરવા માટે વહીવટી મંજૂરી આપવામાં આવી છે.આ તમામ યાત્રાધામો અને પ્રવાસન સ્થળોના વિકાસ કાર્યો માટે નાયબ મુખ્યમંત્રીશ્રી દ્વારા રૂ.3.28 કરોડથી વધુ રકમના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/orange-alert-for-heavy-rain-in-16-districts-over-next-three-hours" target="_blank">આ પણ વાંચોઃ Gujarat Weather: આગામી ત્રણ કલાકમાં 16 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/obq6h2qviSsqP3WkZ01JXuJX4WY8WTd6Kc3ZSdjK.webp'/></item><item><title><![CDATA[Rajkot News: વિંછીયા પંથકમાં સતત બીજા દિવસે મેઘરાજાની તોફાની બેટિંગ, જુઓ Video ]]></title><link>https://sandesh.com/weather/monsoon-2026/news/rajkot/vinchhiya-rewaniya-pipardi-heavy-rain-second-day-monsoon</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/monsoon-2026/news/rajkot/vinchhiya-rewaniya-pipardi-heavy-rain-second-day-monsoon</guid><pubDate>Wed, 24 Jun 2026 20:30:05 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસાનો માહોલ બરાબરનો જામ્યો છે. જિલ્લાના વિંછીયા પંથકમાં સતત બીજા દિવસે પણ મેઘરાજાએ પોતાની ધમાકેદાર હાજરી નોંધાવી છે. વહેલી સવારથી જ આસપાસના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને બપોર બાદ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. વિંછીયાના આસપાસના ગ્રામ્ય પંથકોમાં સાર્વત્રિક વરસાદ થતાં ધરતીપુત્રોમાં હરખની હેલી જોવા મળી રહી છે.</p><h2><b>ભારે પવન સાથે તૂટી પડ્યો વરસાદ, રસ્તાઓ પાણી-પાણી</b></h2><p>વિંછીયા તાલુકાના રેવાણીયા, પીપરડી સહિતના આજુબાજુના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક પવનના સુસવાટા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ધોધમાર વરસેલા આ વરસાદના કારણે ગામના મુખ્ય માર્ગો અને સોસાયટીના રસ્તાઓ પરથી નદીઓની જેમ પાણી વહી નીકળ્યા હતા. વાવણી લાયક વરસાદ થવાના સંકેતો મળતા જ સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.</p><p><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DZ-QugWAk-q/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DZ-QugWAk-q/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DZ-QugWAk-q/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DZ-QugWAk-q/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h2><b>અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક</b></h2><p>બુધરારે દિવસભર સૂર્યનારાયણના પ્રકોપના કારણે લોકો અસહ્ય ગરમી અને બફારાથી તોબા પોકારી ઉઠ્યા હતા. આખો દિવસ અસહ્ય ઉકળાટ રહ્યા બાદ સાંજના સમયે અચાનક જ કુદરતે મિજાજ બદલ્યો હતો અને વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઠંડા પવન અને ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદના પગલે સમગ્ર વિંછીયા પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે, જેથી સ્થાનિક લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/rajkot/jangleshwar-demolition-food-bill-scam-paresh-pipliya-standing-committee" target="_blank">Rajkot News: જંગલેશ્વર ડિમોલેશન માં રૂ. 27 લાખનું ફૂડ બિલ, જાણો કેટલા રૂપિયાનું શું ખાધું?</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/H42yWh2tjHDKTbOg3OqYlGcenjonLAvOkQJMjUa1.webp'/></item><item><title><![CDATA[Gujarat Weather: આગામી ત્રણ કલાકમાં 16 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/orange-alert-for-heavy-rain-in-16-districts-over-next-three-hours</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/orange-alert-for-heavy-rain-in-16-districts-over-next-three-hours</guid><pubDate>Wed, 24 Jun 2026 20:27:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં ચોમાસાએ પ્રવેશ કર્યો હોય તેવી સ્થિતિ જોવા મળી છે. આજે સાંજ સુધીમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.હવામાન વિભાગે આગામી 2 થી 3 કલાક માટે રાજ્યના 16 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી ભારે વરસાદ અને પવન ફૂંકાવાની આગાહી કરી છે. રાજ્યમાં આજે સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 9 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.જેમાં મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોનો સમાવેશ થાય છે.</p><h2 style="text-align: justify; "><b>16 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ&nbsp;</b></h2><p style="text-align: justify; ">રાજ્યમાં આજે સાંજે 6 વાગ્યા સુધીમાં નર્મદા જિલ્લાના સાગબારામાં 3.35 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.આ ઉપરાંત ડાંગ જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. ડાંગના સુબિરમાં 2.13 ઇંચ, ડાંગ તાલુકામાં 1.81 ઇંચ અને વઘઈમાં 0.79 ઇંચ વરસાદ નોંધાયો છે.તાપીના ઉચ્છલમાં પણ 0.55 ઇંચ વરસાદ સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગે આગામી 2 થી 3 કલાકની સ્થિતિને ધ્યાનમાં રાખીને 16 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.જેમાં ભાવનગર, બોટાદ,રાજકોટ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ,તાપી અને નર્મદા સહિતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>5 થી 15 મિલીમીટર સુધીનો વરસાદ થવાની શક્યતા</b></h3><p style="text-align: justify; ">હવામાન વિભાગની આગાહી મુજબ આ જિલ્લાઓમાં 5 થી 15 મિલીમીટર સુધીનો વરસાદ થવાની શક્યતા છે.વરસાદની સાથે સાથે પવનની ગતિ પણ તેજ રહેવાની આગાહી કરવામાં આવી છે. જેને લઈને તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.રાજ્યમાં પડી રહેલા આ વરસાદને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે પરંતુ ભારે પવનની આગાહીના કારણે સાવચેતી રાખવી અનિવાર્ય બની છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/vadodara/aap-mla-chaitar-vasava-assigned-prisoner-number-90888-after-conviction" target="_blank">આ પણ વાંચોઃ Vadodara News: AAPના MLA ચૈતર વસાવા હવે જેલમાં કેદી નંબર 90888 તરીકે ઓળખાશે</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/iIwnuc2UcRULGXHvQbpcvvujj8c6cVhoOAmhkJSq.webp'/></item><item><title><![CDATA[Vadodara News: AAPના MLA ચૈતર વસાવા હવે જેલમાં કેદી નંબર 90888 તરીકે ઓળખાશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/aap-mla-chaitar-vasava-assigned-prisoner-number-90888-after-conviction</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/aap-mla-chaitar-vasava-assigned-prisoner-number-90888-after-conviction</guid><pubDate>Wed, 24 Jun 2026 19:56:51 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકોને વન કર્મી પર હુમલા કેસમાં રાજપીપળા સેશન્સ કોર્ટે દોષિત જાહેર કરી 7 વર્ષની સજા અને 25 હજારનો દંડ ફટકાર્યો છે. ચૈતર વસાવાને સજા મળતાં જ વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા છે. હવે તેઓ આ ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારશે તેવું તેમના વકીલ દ્વારા જણાવાયું હતું. હાલમાં તેમને જેલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. જ્યાં તેમને કેદી નંબર 90888 ફાળવવામાં આવ્યો છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>વન કર્મી પર હુમલા કેસનો ચુકાદો આપવામાં આવ્યો</b></h2><p style="text-align: justify; ">રાજપીપળા સેશન્સ કોર્ટ દ્વારા વન કર્મી પર હુમલા કેસનો ચુકાદો આપવામાં આવ્યો છે. 190 પાનાના ચુકાદામાં આખરી ચુકાદો 18 પાનાનો છે. ચૈતર વસાવાને અલગ અલગ ગુનામાં જેલની સજા અને 96 હજાર રૂપિયાનો દંડ ફટકારાયો છે. આ ઉપરાંત 50 હજાર અલગથી દંડ ફટકારવામાં આવ્યો છે.તેમની પત્ની શકુંતલા વસાવાને પણ  સાત વર્ષની સજા ફટકારાઈ છે. ચૈતર વસાવા અને અન્ય આરોપીને રાજપીપળા જિલ્લા જેલમાંથી વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે ખસેડવામાં આવ્યા છે.જ્યાં ચૈતર વસાવાને કેદી નંબર 90888 ફાળવવામાં આવ્યો છે. હવે તેઓ જેલમાં કેદી નંબર 90888 તરીકે ઓળખાશે.&nbsp;<br><br><h2><b>હવે ચૈતર વસાવા ચુકાદો ઉપલી કોર્ટમાં પડકારશે</b></h2></p><p style="text-align: justify; ">રાજપીપળા સેશન્સ કોર્ટે ચૈતર વસાવા  અને તેમની પત્ની શકુંતલા વસાવા સહિત 9 લોકોને સજાનો હુકમ સંભળાવ્યો છે. જેમાં ઈ.પી.કો. કલમ 143, 147, 148, 149, 189, 332, 353, 386, 294(B), 506(2), 201, 34 તથા આર્મ્સ એક્ટ કલમ-25(1)(A) મુજબ સજા ફટકારવામાં આવી છે. હવે ચૈતર વસાવા જેલમાંથી બહાર આવવા માટે જામીન મેળવવા દાદ માંગશે તેમજ સજા પર સ્ટે મેળવવા ઉપલી કોર્ટમાં જશે. જો તેમની સજા પર સ્ટે મળે તો જ તેમનું ધારાસભ્ય પદ માન્ય ગણાશે. જો ઉપલી કોર્ટ સેશન્સ કોર્ટના ચુકાદાને યથાવત રાખે તો તેમનું ધારાસભ્ય પદ આપો આપ રદ થઈ જશે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>સજા પામેલા 9 આરોપી</b></h3><p style="text-align: justify; ">1. ચૈતરભાઈ દામજીભાઈ વસાવા</p><p style="text-align: justify; ">2. જીતેન્દ્રભાઈ નાથાલાલ વસાવા</p><p style="text-align: justify; ">3. રમેશભાઈ ગીમ્બાભાઈ વસાવા</p><p style="text-align: justify; ">4. શકુંતલાબેન ચૈતરભાઈ વસાવા&nbsp;</p><p style="text-align: justify; ">5. મરીયમબેન ઝવેરભાઈ વસાવા&nbsp;</p><p style="text-align: justify; ">6. બલીરામભાઈ કાલુસીંગભાઈ વસાવા</p><p style="text-align: justify; ">7. રીકેશભાઈ કુલસીંગભાઈ વસાવા&nbsp;</p><p style="text-align: justify; ">8. મોગરાબેન રમેશભાઈ વસાવા&nbsp;</p><p style="text-align: justify; ">9. શુકંતાબેન ઉર્ફે શકુંતલાબેન&nbsp;</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/5-day-remand-granted-to-accused-in-duplicate-blood-plasma-racket-case" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: ડુપ્લીકેટ બ્લડ પ્લાઝમા કેસમાં આરોપી દિનેશના 5 દિવસના રિમાન્ડ મંજૂર</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/XAfes0kKOSOvpz0vkz67PZmIQVfDGVmJJOoBssnw.webp'/></item><item><title><![CDATA[Cloud Kitchen:5 લાખના રોકાણ સામે 1 કરોડના રેસ્ટોરન્ટ ફેઈલ! જાણો દેશમાં કેવી રીતે વધી રહ્યું છે 'ક્લાઉડ કિચન'નું માયાજાળ ]]></title><link>https://sandesh.com/business/news/cloud-kitchen-restaurant-worth-rs-1-crore-fails-against-rs-5-lakh-investment-know-how-the-cloud-kitchen-craze-is-growing-in-the-country</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/cloud-kitchen-restaurant-worth-rs-1-crore-fails-against-rs-5-lakh-investment-know-how-the-cloud-kitchen-craze-is-growing-in-the-country</guid><pubDate>Wed, 24 Jun 2026 18:08:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતમાં ફૂડ બિઝનેસનું ગણિત અને લોકોની ખાવા-પીવાની આદતો ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે. એક સમય હતો જ્યારે શહેરના મુખ્ય બજારોમાં મોંઘા લોકેશન પર મોટું રેસ્ટોરન્ટ ખોલવું એ ફૂડ બિઝનેસની સફળતાની ગેરંટી ગણાતું હતું. પરંતુ આજે આ ટ્રેન્ડ બદલાયો છે. દેશમાં હવે પરંપરાગત ડાઈન-ઈન રેસ્ટોરન્ટ્સનો ગ્રોથ વાર્ષિક માત્ર 5 થી 7 ટકાની ઝડપે થઈ રહ્યો છે, જ્યારે તેની સામે 'ક્લાઉડ કિચન' (Cloud Kitchen) 25 થી 30 ટકાની તોફાની ઝડપે વિસ્તરી રહ્યા છે. ભારતીય ફૂડ ટેક માર્કેટમાં ક્લાઉડ કિચનનો હિસ્સો હવે 35 ટકાથી વધુ થઈ ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>શું છે આ ક્લાઉડ કિચન મોડેલ?</b></h2><p style="text-align: justify; ">ક્લાઉડ કિચનને 'ડાર્ક કિચન' પણ કહેવામાં આવે છે. આ એવા રેસ્ટોરન્ટ્સ છે જ્યાં ગ્રાહકોને બેસીને જમવા માટે કોઈ ટેબલ, ખુરશી, વેટર કે મોંઘા ઈન્ટિરિયરની વ્યવસ્થા નથી હોતી. અહીં માત્ર ઓર્ડર મુજબ ઓનલાઈન ખાવાનું તૈયાર કરવામાં આવે છે અને તેને ઝોમેટો (Zomato) કે સ્વિગી (Swiggy) જેવા ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ્સ દ્વારા ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે છે. જ્યાં એક મોટું રેસ્ટોરન્ટ શરૂ કરવા માટે ₹20 લાખથી લઈને ₹1 કરોડ સુધીનો જંગી ખર્ચ થાય છે, ત્યાં ક્લાઉડ કિચન માત્ર ₹2 થી ₹5 લાખના નાના રોકાણથી શરૂ કરી શકાય છે.</p><h3 style="text-align: justify; "><b>લોકોના બજેટ અને આદતોમાં મોટો ફેરફાર</b></h3><p style="text-align: justify; ">રિપોર્ટ્સ અનુસાર, ભારતીય પરિવારોમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવાનું ચલણ ઝડપથી વધ્યું છે. વર્ષ 2021-22માં સરેરાશ શહેરી પરિવાર મહિનામાં માત્ર 1 કે 2 વાર ઓનલાઈન ખાવાનું મગાવતો હતો, જે હવે વધીને દર મહિને 5 થી 8 વખત થઈ ગયું છે. મેટ્રો સિટીઝમાં તો વર્કિંગ કપલ્સ મહિનામાં 12 થી 15 વાર ઓનલાઈન ઓર્ડર કરે છે અને દર મહિને ₹10,000 થી ₹15,000 માત્ર ફૂડ ડિલિવરી પાછળ ખર્ચે છે. પહેલાં લોકો પોતાની કમાણીના 3 થી 5 ટકા બહારના ખાવા પાછળ ખર્ચતા હતા, જે આંકડો હવે વધીને 12 થી 15 ટકા પર પહોંચી ગયો છે.</p><h4 style="text-align: justify; "><b>કમિશન વધુ છતાં વોલ્યુમનો મોટો ખેલ</b></h4><p style="text-align: justify; ">ઝોમેટો અને સ્વિગી જેવા પ્લેટફોર્મ દરેક ઓર્ડર પર 22 થી 30 ટકા સુધીનું મોટું કમિશન લે છે. આ ઉપરાંત એપ પર ઉપર દેખાવા માટે ક્લાઉડ કિચને 5 થી 8 ટકા જાહેરાતનો ખર્ચ પણ કરવો પડે છે. સામાન્ય રીતે ડાઈન-ઈન રેસ્ટોરન્ટમાં પ્રોફિટ માર્જિન વધુ હોય છે, પણ તેમની પાસે બેઠક વ્યવસ્થા મર્યાદિત હોય છે. બીજી તરફ, ક્લાઉડ કિચન એક નાની જગ્યાએથી પણ દિવસના 500 થી 1000 ઓર્ડર સરળતાથી પૂરા કરી શકે છે. ઓછા માર્જિન હોવા છતાં આટલા મોટા વોલ્યુમને કારણે ક્લાઉડ કિચનનો કુલ નફો પરંપરાગત રેસ્ટોરન્ટ કરતા વધી જાય છે. વધતા ભાડા અને સ્ટાફના ખર્ચથી પરેશાન ફૂડ ઈન્ડસ્ટ્રી માટે આ નવું મોડેલ ગેમ ચેન્જર સાબિત થઈ રહ્યું છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/lifestyle/news/skin-care-neem-is-a-boon-for-the-skin-it-will-provide-permanent-relief-from-these-5-major-problems-from-pimples-to-pigmentation" target="_blank">આ પણ વાંચો:Skin Care: ત્વચા માટે વરદાન છે લીમડો: પિમ્પલ્સથી લઈને પિગ્મેન્ટેશન સહિતની આ 5 મોટી સમસ્યાઓથી અપાવશે કાયમી છુટકારો!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/AP4viIg2DyCqsompA1hJ6CVJBkTlRwPngpZ9VxYO.webp'/></item><item><title><![CDATA[Cristiano Ronaldoએ ફિફા વર્લ્ડ કપમાં રચ્યો ઇતિહાસ, આવું કરનાર પ્રથમ ખેલાડી બન્યો ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/cristiano-ronaldo-created-history-in-the-fifa-world-cup-becoming-the-first-player-to-do-so</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/cristiano-ronaldo-created-history-in-the-fifa-world-cup-becoming-the-first-player-to-do-so</guid><pubDate>Wed, 24 Jun 2026 09:02:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પોર્ટુગલ ફિફા વર્લ્ડ કપમાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આજે પોર્ટુગલ ઉઝબેકિસ્તાનનો સામનો કરી રહ્યું છે. આ મેચની શરૂઆતની મિનિટોમાં રોનાલ્ડોએ પોર્ટુગલને લીડ અપાવી હતી. રોનાલ્ડોએ છઠ્ઠી મિનિટમાં ગોલ કરીને ટીમને 1-0ની લીડ અપાવી હતી. રોનાલ્ડોએ જોઆઓ કેન્સેલોની તકનો લાભ ઉઠાવ્યો અને ગોલ કર્યો. ફિફા વર્લ્ડ કપમાં આ રોનાલ્ડોનો 10મો ગોલ હતો. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો માટે આ એક ઐતિહાસિક ગોલ છે, અને તેણે એક વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો. તે છ વર્લ્ડ કપમાં ગોલ કરનાર પ્રથમ ખેલાડી બન્યો.</p><h4 style="text-align: justify; "><b>રોનાલ્ડો પોર્ટુગલનો સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો</b></h4><p style="text-align: justify; ">આ ગોલ સાથે, રોનાલ્ડો ફિફા વર્લ્ડ કપ ઇતિહાસમાં પોર્ટુગલનો સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બની ગયો છે, તેણે યુસેબિયોની બરાબરી કરી છે. યુસેબિયોએ 1966 વર્લ્ડ કપમાં કુલ નવ ગોલ કર્યા હતા. રોનાલ્ડોએ હવે પોર્ટુગલ માટે 10 ગોલ કર્યા છે. આ સંદર્ભમાં, તેણે યુસેબિયોને પાછળ છોડી દીધો છે. રોનાલ્ડોએ 2006 અને 2026 વર્લ્ડ કપ વચ્ચે આ ગોલ કર્યા હતા.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://x.com/FIFAWorldCup/status/2069496208876278116?s=20" target="_blank">https://x.com/FIFAWorldCup/status/2069496208876278116?s=20</a></p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>પહેલા હાફમાં રોનાલ્ડોએ બે ગોલ કર્યા</b></h4><p style="text-align: justify; ">પોર્ટુગલ અને ઉઝબેકિસ્તાન વચ્ચેની મેચમાં, રોનાલ્ડોએ છઠ્ઠી મિનિટમાં પહેલો ગોલ કર્યો અને પછી 39મી મિનિટે પોતાનો બીજો ગોલ કર્યો. રોનાલ્ડોના શાનદાર રમત અને નુનો મેન્ડેસના ગોલને કારણે, પોર્ટુગલે હાફ ટાઇમ સુધીમાં ઉઝબેકિસ્તાન પર 3-0ની લીડ મેળવી લીધી. પોર્ટુગલ હવે બીજા હાફમાં આ વર્ચસ્વ જાળવી રાખવાનો પ્રયાસ કરશે.</p><h5><div style="text-align: justify;"><b><br></b></div><b><div style="text-align: justify;"><b style="font-size: 1.25rem;">રોનાલ્ડો ટુર્નામેન્ટના પહેલા મેચમાં એક પણ ગોલ કરી શક્યો નહીં</b></div></b></h5><p style="text-align: justify; ">પોર્ટુગલના શરૂઆતના મેચમાં કોંગો સામે 1-1થી ડ્રો થવાથી ટીમ પર ભારે દબાણ આવ્યું. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તે મેચમાં પોતાના નબળા પ્રદર્શન માટે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો. કેટલાક લોકોએ એવો પણ દાવો કર્યો કે ટીમ પ્રથમ મેચ જીતવામાં નિષ્ફળ રહેવાનું કારણ રોનાલ્ડો હતા. જોકે, રોનાલ્ડોએ ફરી એકવાર વર્લ્ડ કપના એક મોટા મેચમાં શાનદાર ગોલ કરીને પોતાના ટીકાકારોને જવાબ આપ્યો.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/lionel-messi-creates-new-history-becomes-the-highest-scorer-in-the-world-cup" target="_blank"> Lionel Messiએ રચ્યો નવો ઈતિહાસ,વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/bZFkFUWUsiLV7XoMzcB8ZDZ3QVZDjrLIxxPClYdh.webp'/></item></channel></rss>