<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Gujarat Weather Update: રાજ્યમાં વરસાદનું જોર ઘટશે, આગામી દિવસોમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી ]]></title><link>https://sandesh.com/weather/monsoon-2026/news/gujarat/ahmedabad/gujarat-weather-updates-forecast-imd-light-rain-alert</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/monsoon-2026/news/gujarat/ahmedabad/gujarat-weather-updates-forecast-imd-light-rain-alert</guid><pubDate>Thu, 09 Jul 2026 13:58:35 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી આક્રમક બેટિંગ કરી રહેલા મેઘરાજાએ હવે વિરામ લીધો છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, રાજ્યમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમો હવે ધીમે-ધીમે નબળી પડી રહી છે, જેના કારણે આગામી દિવસોમાં વરસાદનું જોર નોંધપાત્ર રીતે ઘટશે. સમગ્ર રાજ્યમાં હવે કોઈ ભારે વરસાદની ચેતવણી નથી, પરંતુ માત્ર હળવાથી સામાન્ય વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.</p><h2><b>દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ</b></h2><p>હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પૂરથી પ્રભાવિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ હવે આકાશી આફતમાંથી મોટી રાહત મળશે. સુરત, નવસારી અને વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગામી દિવસોમાં માત્ર હળવો કે મધ્યમ વરસાદ જ રહેશે. બીજી તરફ, રાજ્યના પાટનગર ગાંધીનગર અને અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં ચોમાસુ વાતાવરણ યથાવત રહેશે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે છૂટાછવાયા સ્થળોએ હળવા ઝાપટાં પડી શકે છે.</p><h2><b>સિઝનમાં 9 ટકા વરસાદની ઘટ</b></h2><p>ચોમાસાની ચાલુ સિઝનના આંકડા પર નજર કરીએ તો, રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ કરતાં 9 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. જોકે, દરિયાકાંઠાના વિસ્તારોમાં હજુ પણ પવનની ગતિ તેજ રહેવાની શક્યતા છે.</p><h2><b>માછીમારોને દરિયો ન ખેડવા એલર્ટ</b></h2><p>વહીવટી તંત્ર દ્વારા માછીમારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આગામી 11 અને 12 જુલાઈના રોજ દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે. દરિયામાં ઊંચા મોજા ઉછળવાની આશંકા હોવાથી માછીમારોને કિનારે જ રહેવા તાકીદ કરાઈ છે.</p><h2><b>દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, ડાંગમાં સૌથી વધુ 24.0 મીમી વરસાદ</b></h2><p>ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળ્યો છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો મોખરે રહ્યા છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ ડાંગ જિલ્લામાં 24.0 mm નોંધાયો છે, જે મધ્યમ વરસાદની શ્રેણીમાં આવે છે. આ ઉપરાંત, કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં 22.8 mm અને વલસાડમાં 11.0 mm સાથે નોંધપાત્ર હળવો વરસાદ પડ્યો છે. </p><p><img alt="Gujarat Weather Update: Rainfall Intensity Decreases, IMD Forecasts Light Rain" src="https://epapercdn.sandesh.com/images/2026/07/09/9bMssWeQlggLx0em7qaaGS7NXkQ6LbxYqgRLgtjj.webp" style="width: 100%;"><br></p><p>જ્યારે ભરૂચ, તાપી, નવસારી, પંચમહાલ, નર્મદા અને સુરત જેવા જિલ્લાઓમાં 3.0 mm થી 8.0 mm સુધીનો વરસાદ નોંધાયો છે. મધ્ય અને ઉત્તર ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, ડાહોદ તેમજ દમણમાં 0.8 mm થી 2.0 mm જેટલો ખૂબ જ હળવો વરસાદ નોંધાયો છે, જ્યારે રાજ્યના બાકીના અન્ય તમામ જિલ્લાઓમાં હવામાન મુખ્યત્વે સૂકું રહ્યું છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/surat/cm-bhupendra-patel-visits-surat-flood-review-itccc-meeting" target="_blank">સંદેશ ન્યૂઝના મેરેથોન કવરેજની મોટી અસર: પૂરના નુકસાનની સમીક્ષા કરવા CM ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/09/drk7Vh2a6TLiVgdcDtmMFExuFXenpn5D71PidR21.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: નકલી પ્લાઝ્મા કેસમાં વધુ એક ધરપકડ, મહારાષ્ટ્રની 2 બ્લડ બેંકના માલિકો બાદ અજિત સોલંકી પોલીસ સકંજામાં ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/fake-plasma-scam-ajit-solanki-arrested-rural-sog-interstate-network</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/fake-plasma-scam-ajit-solanki-arrested-rural-sog-interstate-network</guid><pubDate>Thu, 09 Jul 2026 13:54:29 +05:30</pubDate><description><![CDATA[<p>માનવ જિંદગી સાથે રમત રમીને કરોડો રૂપિયા કમાઈ લેવાના નકલી બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં અમદાવાદ ગ્રામ્ય SOG એ તપાસનો વ્યાપ વધાર્યો છે. આ કેસમાં કડીઓ જોડતા પોલીસે વધુ એક આરોપી અજિત સોલંકીની ધરપકડ કરી છે. પોલીસના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, અજિત સોલંકી અગાઉ આ જ કેસમાં પકડાઈ ચૂકેલા આરોપી જિતેન્દ્ર સોલંકીના સીધા સંપર્કમાં હતો અને રેકેટમાં લોજિસ્ટિક્સ તેમજ સપ્લાય ચેઈન સંભાળતો હતો. આ નેટવર્કના તાર દેશના ૫ થી વધુ રાજ્યો સાથે જોડાયેલા હોવાથી મેડિકલ ક્ષેત્રે ફફડાટ વ્યાપી ગયો છે.</p><h2><b>સમગ્ર કૌભાંડની મોડસ ઓપરેન્ડી અને રાજ્યોનું કનેક્શન</b></h2><p>પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, આ ટોળકીનો મુખ્ય મોડસ ઓપરેન્ડી એ હતો કે જુદી-જુદી બ્લડ બેંકોમાંથી કોઈને કોઈ ખામીના કારણે રિજેક્ટ (નકારાયેલું) થયેલું પ્લાઝ્મા આ લોકો સસ્તા ભાવે એકઠું કરતા હતા. આ કેસના મુખ્ય સૂત્રધારો દિનેશ ચૌધરી અને મોહન ગાયકવાડ આ આખા નેટવર્કનું સંચાલન કરતા હતા. અગાઉ ધરપકડ કરાયેલા પ્રકાશ સાંગલે અને અશોક સાંગલે દ્વારા આ અશુદ્ધ કે નકલી પ્લાઝ્મા મહારાષ્ટ્ર અને બેંગલોર ખાતેની મોટી ફાર્મા કંપનીઓમાં વેચવામાં આવતું હતું. મહારાષ્ટ્રમાંથી આ ગુનાહિત કૃત્યમાં મદદ કરવા બદલ 2 પ્રખ્યાત બ્લડ બેંકના માલિકોની પણ ધરપકડ કરવામાં આવી છે.</p><h3><b>બેંગલોરની ફાર્મા કંપની શંકાના દાયરામાં</b></h3><p>હાલમાં અમદાવાદ એસ.ઓ.જી.ની એક ટીમ બેંગલોર ખાતે ફાર્મા કંપનીના યુનિટમાં તપાસ ચલાવી રહી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, ફાર્મા કંપનીને એ વાતની ચોક્કસ ખબર હતી કે જે પ્લાઝ્મા આવી રહ્યું છે તે મેડિકલ સ્ટાન્ડર્ડ મુજબ રિજેક્ટેડ (નબળી ગુણવત્તાનું) છે, પરંતુ આટલો મોટો જથ્થો ગેરકાયદેસર રીતે કયા વચેટિયાઓ લાવી રહ્યા છે તેની કંપનીને સત્તાવાર જાણ ન હોવાનો દાવો કરાયો છે. પકડાયેલો નવો આરોપી અજિત સોલંકી આ પ્લાઝ્માનો જથ્થો રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ (MP) ખાતે આવેલી નાની-મોટી ફાર્મા અને પ્લાઝ્મા યુનિટ કંપનીઓમાં મોકલવાની ડીલ કરતો હતો. પોલીસ હવે અજિતના રિમાન્ડ મેળવી આ ત્રણેય રાજ્યોમાં કઈ કઈ કંપનીઓ ગ્રાહક હતી અને આ નકલી પ્લાઝ્મામાંથી કઈ કઈ દવાઓ બનાવવામાં આવતી હતી તે દિશામાં તપાસ લંબાવશે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gondal/gondal-eve-teasing-case-kuldeep-patodia-arrested-police-scene-reconstruction" target="_blank">આ પણ વાંચો: Gondal: યુવતીઓનો પીછો કરી છેડતી કરનાર રોમિયો કુલદીપ પટોડિયા જેલભેગો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/09/djOuNDZSIRaas4pLHfY6T38zlBCggvG0svnOuVKO.webp'/></item><item><title><![CDATA[Shreyas Iyer:'તે બેસ્ટ કેપ્ટન છે...', ઇંગ્લેન્ડમાં શરમજનક પ્રદર્શન બાદ શ્રેયસની વ્હારે આવી બહેન શ્રેષ્ટા ]]></title><link>https://sandesh.com/sports/news/cricket/shreyas-iyer-is-best-captain-sister-shrestha-comes-to-shreyass-aid-after-embarrassing-performance-in-england</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/cricket/shreyas-iyer-is-best-captain-sister-shrestha-comes-to-shreyass-aid-after-embarrassing-performance-in-england</guid><pubDate>Thu, 09 Jul 2026 13:52:08 +05:30</pubDate><description><![CDATA[<p>ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન ખરેખર નિરાશાજનક રહ્યું છે. ટીમ અત્યાર સુધી રમાયેલી ત્રણ મેચમાંથી એક પણ મેચ જીતી શકી નથી; એક મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. જ્યારે અન્ય બેમાં ટીમનો પરાજય થયો હતો. આ પ્રદર્શનને જોતાં, નવનિયુક્ત કેપ્ટન શ્રેયસ ઐયર વિશે સતત પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. અગાઉ આયર્લેન્ડ પ્રવાસ દરમિયાન પણ ટીમને તેમની કેપ્ટનશીપ હેઠળ ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો. આ વચ્ચે શ્રેયસની બહેન શ્રેષ્ટા તેના બચાવમાં આવી છે.&nbsp;</p><p><br></p><h2><b>શ્રેયસના બચાવમાં આવી બહેન</b></h2><p>એક ઈન્ટરવ્યુમાં શ્રેષ્ટા ઐયરે કહ્યું, "શુભમન ગિલ હોય કે વિરાટ કોહલી, રોહિત શર્મા અને સચિન તેંડુલકર જેવા દિગ્ગજ ખેલાડીઓએ પણ ઘણી મેચ હારી છે. પરંતુ જો તમે શ્રેયસ... શ્રેયસ... વિશે વાતો કરતા રહો છો તો કદાચ સમસ્યા તમારી છે. મને લાગે છે કે તે ખૂબ જ ખાસ છે. તેની પર્સનાલિટી અલગ છે અને તેની પાસે આપવા માટે ઘણું બધું છે. તેની પાસે એવા ગુણો છે જે બીજા કોઈ પાસે નથી. જલદી તેનો સમયમાં આવશે અને એક એવો સમય જ્યારે બધા કહેશે કે શ્રેયસ ભારતના શ્રેષ્ઠ કેપ્ટનોમાંનો એક છે.</p><p><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/LoyleRohitFan/status/2074865618713805075"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></p><p><br></p><h3><b>&nbsp;કેપ્ટન તરીકે ખરાબ શરૂઆત&nbsp;</b></h3><p>આઈપીએલમાં શાનદાર પ્રદર્શન બાદ શ્રેયસ ઐયરને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. વર્લ્ડ કપ વિજેતા ટીમની જવાબદારી સંભાળ્યા બાદ તેને ભારે દબાણનો સામનો કરવો પડ્યો હતો. અત્યાર સુધી તે મેનેજમેન્ટ અને ચાહકોની અપેક્ષાઓ પર ખરો ઉતર્યો નથી. દરેક વ્યક્તિ ટીમ ઈન્ડિયાના ઈંગ્લેન્ડ પ્રવાસ પર વાપસીની રાહ જોઈ રહ્યા છે. હાલમાં ટીમ ત્રણમાંથી બે મેચ હાર્યા બાદ પાછળ છે. જો ટીમ ઈન્ડિયા સીરીજ બચાવવા માંગે છે, તો તેણે આગામી બે મેચ કોઈપણ કિંમતે જીતવી જ જોઈએ. જો ટીમ જીત હાંસલ કરે છે તો શ્રેયસ ઐયર પણ આલોચકોને વળતો જવાબ આપી શકશે.&nbsp;<br><br><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/anil-kumble-slams-shreyas-iyer-india-vs-england-t20" target="_blank">'આ તો સરેન્ડર હતું...', શ્રેયસ ઐયર પર ભડક્યા અનિલ કુંબલે; આપી દીધી સલાહ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/09/fxHkWZSM3KH5AVGLOWJnvesdA8zxvfaGJKW0EaZe.webp'/></item><item><title><![CDATA[Chhotaudepur News: એસટી તંત્રની પોલ ખુલી, ડેપોના ગેટ પાસે જ બસ બંધ થઈ જતાં મુસાફરો અને કંડક્ટરે મારવો પડ્યો 'ધક્કો' ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/chhota-udepur/st-bus-breakdown-passengers-push-bus-depot-gate</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/chhota-udepur/st-bus-breakdown-passengers-push-bus-depot-gate</guid><pubDate>Thu, 09 Jul 2026 13:35:55 +05:30</pubDate><description><![CDATA[<p>છોટાઉદેપુર એસટી ડેપોની ખખડધજ બસોની હાલત ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. વડોદરાથી મુસાફરો ભરીને આવેલી એક સરકારી એસ.ટી. બસ જેવી છોટાઉદેપુર ડેપોના મેઈન ગેટ પાસે પહોંચી, કે તરત જ અચાનક ખોટકાઈ ગઈ હતી. ધોમધખતા તાપ અને ભરચક ટ્રાફિક વચ્ચે ડેપોના દરવાજા પર જ બસ બંધ થઈ જતાં મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા અને રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.</p><h2><b>મુસાફરો અને કંડક્ટરે ભેગા મળીને લગાવ્યું જોર</b></h2><p>બસ અધવચ્ચે બંધ થઈ જતાં આખરે મુસાફરો અને બસના કંડક્ટરે પોતે જ મોરચો સંભાળવો પડ્યો હતો. બસને રસ્તા પરથી હટાવવા અને ચાલુ કરવા માટે કંડક્ટર અને મુસાફરોએ ભેગા મળીને બસને જોરદાર ધક્કા માર્યા હતા. સરકારી બસને આ રીતે લોકો દ્વારા ધક્કા મારવામાં આવી રહ્યા હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં એસટી તંત્રની ભારે ફજેતી થઈ રહી છે.</p><p><img alt="Chhotaudepur News: Chhotaudepur ST Bus Breakdown: Passengers and Conductor Forced to Push the Bus" src="https://epapercdn.sandesh.com/images/2026/07/09/Ot91I0Hcwnkk1wJAMikDdZo7MOqpSanJyiCozzHd.webp" style="width: 100%;"><br></p><h2><b>નવી બસો કાગળ પર? જૂની ધક્કામાર બસોથી જનતા પરેશાન</b></h2><p>સરકાર દ્વારા અવારનવાર નવી અને આધુનિક બસો ફાળવવામાં આવી હોવાના મોટા-મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. ડેપો પ્રશાસન દ્વારા હજુ પણ લાંબા રૂટ પર આવી ભંગાર અને ધક્કામાર બસો દોડાવવામાં આવી રહી છે.</p><p><img alt="Chhotaudepur News: Chhotaudepur ST Bus Breakdown: Passengers and Conductor Forced to Push the Bus" src="https://epapercdn.sandesh.com/images/2026/07/09/OwXbIpYFjqUrKd9siFKixQpp6k5maupTFQMgfxoa.webp" style="width: 100%;"><br></p><p> </p><p>મુસાફરો પાસેથી પૂરું ભાડું વસૂલવા છતાં તેમને આવી અસુવિધાનો સામનો કરવો પડતો હોવાથી સ્થાનિક લોકોમાં એસટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/chhota-udepur/former-forest-minister-and-10-time-mla-mohansinh-rathva-passes-away-at-82-chhotaudepur" target="_blank">Chhota udepur: પૂર્વ વનમંત્રી અને 10 વખતના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે દુઃખદ અવસાન</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/09/FHUvW0pAE0YoaH7LBfJF59ybGeq1QR9azzfxZCOs.webp'/></item><item><title><![CDATA[Electronics Customs Duty Cut India: ઈલેક્ટ્રોનિક પાર્ટ્સ પર કસ્ટમ ડ્યુટી હટી, જાણો શું સસ્તું થશે? ]]></title><link>https://sandesh.com/business/news/india/electronics-customs-duty-cut-india-custom-duty-on-electronic-parts-removed-know-what-will-be-cheaper</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/electronics-customs-duty-cut-india-custom-duty-on-electronic-parts-removed-know-what-will-be-cheaper</guid><pubDate>Thu, 09 Jul 2026 13:27:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ નિર્ણયથી ભારતમાં ઇલેક્ટ્રોનિક સામાનનું ઉત્પાદન સસ્તું થશે અને વિદેશી આયાત પર આપણી નિર્ભરતા ઓછી થશે.&nbsp;</p><h2 style="text-align: justify; ">31 માર્ચ 2029 સુધી અમલ&nbsp;</h2><p style="text-align: justify; ">કેન્દ્ર સરકારે ભારતને વિશ્વનું સૌથી મોટું ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન કેન્દ્ર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સ્થાનિક ઇલેક્ટ્રોનિક સામાનનું ઉત્પાદન વધારવા, વિદેશી આયાત પર નિર્ભરતા દૂર કરવા અને ઉત્પાદનના ભાવને નિયંત્રિત કરવા માટે, સરકારે આવશ્યક મશીનરી અને ભાગો પર નોંધપાત્ર કસ્ટમ ડ્યુટી મુક્તિની જાહેરાત કરી છે. આ નોંધપાત્ર રાહત 31 માર્ચ 2029 સુધી અમલમાં રહેશે. આ નિર્ણયની સીધી અસર એ થશે કે દેશમાં લિથિયમ-આયન બેટરીથી લઈને સ્માર્ટફોન માટે ડિસ્પ્લે પેનલ્સ અને વાયરલેસ ચાર્જિંગ મોડ્યુલ સુધીની દરેક વસ્તુનું ઉત્પાદન નોંધપાત્ર રીતે સસ્તું થશે.&nbsp;</p><h3 style="text-align: justify; ">આયાત નિર્ભરતા સમાપ્ત કરવા માટે મુખ્ય તૈયારીઓ</h3><p style="text-align: justify; ">છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ બજાર ઝડપથી વિકસ્યું છે. પરંતુ આપણે હજુ પણ ઘણા આવશ્યક ભાગો માટે વિદેશી બજારો પર આધાર રાખીએ છીએ. આ નવીનતમ સરકારનો નિર્ણય આ નિર્ભરતાને તોડવાનો એક નક્કર પ્રયાસ છે. નવી છૂટછાટો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવી છે. વેપાર નિષ્ણાતોના મતે, કસ્ટમ્સ ડ્યુટીમાં આ ઘટાડો સ્થાનિક ઉત્પાદન કંપનીઓને નોંધપાત્ર નાણાકીય રાહત આપશે. આનાથી ભારતની સ્થાનિક સપ્લાય ચેઇન મજબૂત થશે જ નહીં પરંતુ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને હાઇ-ટેક મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં નવા વિદેશી રોકાણને પણ આકર્ષિત કરશે. એકંદરે, આ પગલું 'મેક ઇન ઇન્ડિયા' ઝુંબેશને નવી ગતિ આપશે.</p><h4 style="text-align: justify; ">લિથિયમ-આયન બેટરી ઉત્પાદનને પ્રોત્સાહન&nbsp;</h4><p style="text-align: justify; ">આજે, ઇલેક્ટ્રિક વાહનોથી લઈને મોબાઇલ ફોન સુધીના ઘણા નાના અને મોટા ગેજેટ્સ લિથિયમ-આયન બેટરી પર ચાલે છે. આ નીતિ પરિવર્તનથી બેટરી ઉત્પાદક કંપનીઓને સૌથી મોટો ફાયદો આપવામાં આવ્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ દ્વારા જારી કરાયેલા એક નોટિફિકેશન અનુસાર, લિથિયમ-આયન બેટરી ઉત્પાદનમાં વપરાતી મશીનરીની યાદીમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. હવે સમગ્ર ઉત્પાદન ચેઇનમાં 85 પ્રકારની મશીનરી પર કન્સેશનલ કસ્ટમ્સ ડ્યુટી લાગશે. આમાં બેટરી પાવડર તૈયારી, સ્લરી મિક્સિંગ, કોટિંગ, ઇલેક્ટ્રોડ વિન્ડિંગ, લેસર વેલ્ડીંગ, પરીક્ષણ, નિરીક્ષણ અને અંતિમ પેકેજિંગ માટેના મશીનોનો સમાવેશ થાય છે. વધુમાં, સોલવન્ટ રિકવરી અને ડસ્ટ કલેક્શન જેવી ફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ માટે સહાયક મશીનરીનો પણ આ મુક્તિમાં સમાવેશ થાય છે.</p><h5 style="text-align: justify; ">ડિસ્પ્લે ભાગો પર કર મુક્તિથી કોને ફાયદો થશે ?</h5><p style="text-align: justify; ">આધુનિક ઉપકરણોમાં ડિસ્પ્લે એક મહત્વપૂર્ણ ઘટક છે. સરકારે ઓટોમોબાઇલ્સ, તબીબી ઉપકરણો અને ઔદ્યોગિક મશીનરીમાં ઉપયોગમાં લેવાતા ઘણા આયાતી ડિસ્પ્લે એસેમ્બલી ભાગો પર કસ્ટમ ડ્યુટી માફ કરી છે. હવે, ડિસ્પ્લે સેલ, બેકલાઇટ યુનિટ, ફ્લેક્સિબલ પ્રિન્ટેડ સર્કિટ એસેમ્બલી અને ફ્રેમ જેવા ઘટકો સસ્તા દરે આયાત કરી શકાય છે. જો કે, જનતા માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે આ ખાસ મુક્તિ મોબાઇલ ફોન, ટેલિવિઝન, સ્માર્ટવોચ અને ઇન્ટરેક્ટિવ ફ્લેટ પેનલ ડિસ્પ્લેના ભાગો પર લાગુ થશે નહીં.</p><h5 style="text-align: justify; ">સ્માર્ટફોન વાયરલેસ ચાર્જિંગ પણ સસ્તું થશે.</h5><p style="text-align: justify; ">વાયરલેસ ચાર્જિંગને આજે સ્માર્ટફોનનું પ્રીમિયમ લક્ષણ માનવામાં આવે છે. દેશમાં ઓછા ખર્ચે તેનું ઉત્પાદન કરવાની યોજના વિકસાવવામાં આવી છે. સરકારે સ્માર્ટફોન વાયરલેસ ચાર્જિંગ મોડ્યુલમાં ઉપયોગમાં લેવાતા ઘણા આવશ્યક ઘટકો પર ડ્યુટી ઘટાડી છે. આમાં NFC, ઇન્ડક્ટર કોઇલ, નેનો-ક્રિસ્ટલાઇન એસેમ્બલી, ઇ-શિલ્ડ, PET લાઇનર્સ, PC શિમ્સ અને NdFeB મેગ્નેટનો સમાવેશ થાય છે. નિયમો અંગે મૂંઝવણ ટાળવા માટે, CBIC એ આ બધા ઘટકો માટે સ્પષ્ટ તકનીકી વ્યાખ્યાઓ પણ જારી કરી છે.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ&nbsp; <a href="https://sandesh.com/tech/news/microsoft-mai-models-microsoft-will-now-remove-cloud-chatgpt-to-reduce-ai-bills" target="_blank">માઇક્રોસોફ્ટ હવે AI બિલ ઘટાડવા માટે Cloud ChatGPTને કરશે દૂર</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/09/2OLRrU7ES5IIXN9jT8ssjfQr7nIh9Vgr01fSnMMz.webp'/></item><item><title><![CDATA[Electronics Customs Duty Cut India: ઈલેક્ટ્રોનિક પાર્ટ્સ પર કસ્ટમ ડ્યુટી હટી, જાણો શું સસ્તું થશે? ]]></title><link>https://sandesh.com/business/news/india/electronics-customs-duty-cut-india-custom-duty-on-electronic-parts-removed-know-what-will-be-cheaper</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/electronics-customs-duty-cut-india-custom-duty-on-electronic-parts-removed-know-what-will-be-cheaper</guid><pubDate>Thu, 09 Jul 2026 13:27:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ નિર્ણયથી ભારતમાં ઇલેક્ટ્રોનિક સામાનનું ઉત્પાદન સસ્તું થશે અને વિદેશી આયાત પર આપણી નિર્ભરતા ઓછી થશે.&nbsp;</p><h2 style="text-align: justify; ">31 માર્ચ 2029 સુધી અમલ&nbsp;</h2><p style="text-align: justify; ">કેન્દ્ર સરકારે ભારતને વિશ્વનું સૌથી મોટું ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન કેન્દ્ર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સ્થાનિક ઇલેક્ટ્રોનિક સામાનનું ઉત્પાદન વધારવા, વિદેશી આયાત પર નિર્ભરતા દૂર કરવા અને ઉત્પાદનના ભાવને નિયંત્રિત કરવા માટે, સરકારે આવશ્યક મશીનરી અને ભાગો પર નોંધપાત્ર કસ્ટમ ડ્યુટી મુક્તિની જાહેરાત કરી છે. આ નોંધપાત્ર રાહત 31 માર્ચ 2029 સુધી અમલમાં રહેશે. આ નિર્ણયની સીધી અસર એ થશે કે દેશમાં લિથિયમ-આયન બેટરીથી લઈને સ્માર્ટફોન માટે ડિસ્પ્લે પેનલ્સ અને વાયરલેસ ચાર્જિંગ મોડ્યુલ સુધીની દરેક વસ્તુનું ઉત્પાદન નોંધપાત્ર રીતે સસ્તું થશે.&nbsp;</p><h3 style="text-align: justify; ">આયાત નિર્ભરતા સમાપ્ત કરવા માટે મુખ્ય તૈયારીઓ</h3><p style="text-align: justify; ">છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ બજાર ઝડપથી વિકસ્યું છે. પરંતુ આપણે હજુ પણ ઘણા આવશ્યક ભાગો માટે વિદેશી બજારો પર આધાર રાખીએ છીએ. આ નવીનતમ સરકારનો નિર્ણય આ નિર્ભરતાને તોડવાનો એક નક્કર પ્રયાસ છે. નવી છૂટછાટો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવી છે. વેપાર નિષ્ણાતોના મતે, કસ્ટમ્સ ડ્યુટીમાં આ ઘટાડો સ્થાનિક ઉત્પાદન કંપનીઓને નોંધપાત્ર નાણાકીય રાહત આપશે. આનાથી ભારતની સ્થાનિક સપ્લાય ચેઇન મજબૂત થશે જ નહીં પરંતુ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને હાઇ-ટેક મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં નવા વિદેશી રોકાણને પણ આકર્ષિત કરશે. એકંદરે, આ પગલું 'મેક ઇન ઇન્ડિયા' ઝુંબેશને નવી ગતિ આપશે.</p><h4 style="text-align: justify; ">લિથિયમ-આયન બેટરી ઉત્પાદનને પ્રોત્સાહન&nbsp;</h4><p style="text-align: justify; ">આજે, ઇલેક્ટ્રિક વાહનોથી લઈને મોબાઇલ ફોન સુધીના ઘણા નાના અને મોટા ગેજેટ્સ લિથિયમ-આયન બેટરી પર ચાલે છે. આ નીતિ પરિવર્તનથી બેટરી ઉત્પાદક કંપનીઓને સૌથી મોટો ફાયદો આપવામાં આવ્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ દ્વારા જારી કરાયેલા એક નોટિફિકેશન અનુસાર, લિથિયમ-આયન બેટરી ઉત્પાદનમાં વપરાતી મશીનરીની યાદીમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. હવે સમગ્ર ઉત્પાદન ચેઇનમાં 85 પ્રકારની મશીનરી પર કન્સેશનલ કસ્ટમ્સ ડ્યુટી લાગશે. આમાં બેટરી પાવડર તૈયારી, સ્લરી મિક્સિંગ, કોટિંગ, ઇલેક્ટ્રોડ વિન્ડિંગ, લેસર વેલ્ડીંગ, પરીક્ષણ, નિરીક્ષણ અને અંતિમ પેકેજિંગ માટેના મશીનોનો સમાવેશ થાય છે. વધુમાં, સોલવન્ટ રિકવરી અને ડસ્ટ કલેક્શન જેવી ફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ માટે સહાયક મશીનરીનો પણ આ મુક્તિમાં સમાવેશ થાય છે.</p><h5 style="text-align: justify; ">ડિસ્પ્લે ભાગો પર કર મુક્તિથી કોને ફાયદો થશે ?</h5><p style="text-align: justify; ">આધુનિક ઉપકરણોમાં ડિસ્પ્લે એક મહત્વપૂર્ણ ઘટક છે. સરકારે ઓટોમોબાઇલ્સ, તબીબી ઉપકરણો અને ઔદ્યોગિક મશીનરીમાં ઉપયોગમાં લેવાતા ઘણા આયાતી ડિસ્પ્લે એસેમ્બલી ભાગો પર કસ્ટમ ડ્યુટી માફ કરી છે. હવે, ડિસ્પ્લે સેલ, બેકલાઇટ યુનિટ, ફ્લેક્સિબલ પ્રિન્ટેડ સર્કિટ એસેમ્બલી અને ફ્રેમ જેવા ઘટકો સસ્તા દરે આયાત કરી શકાય છે. જો કે, જનતા માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે આ ખાસ મુક્તિ મોબાઇલ ફોન, ટેલિવિઝન, સ્માર્ટવોચ અને ઇન્ટરેક્ટિવ ફ્લેટ પેનલ ડિસ્પ્લેના ભાગો પર લાગુ થશે નહીં.</p><h5 style="text-align: justify; ">સ્માર્ટફોન વાયરલેસ ચાર્જિંગ પણ સસ્તું થશે.</h5><p style="text-align: justify; ">વાયરલેસ ચાર્જિંગને આજે સ્માર્ટફોનનું પ્રીમિયમ લક્ષણ માનવામાં આવે છે. દેશમાં ઓછા ખર્ચે તેનું ઉત્પાદન કરવાની યોજના વિકસાવવામાં આવી છે. સરકારે સ્માર્ટફોન વાયરલેસ ચાર્જિંગ મોડ્યુલમાં ઉપયોગમાં લેવાતા ઘણા આવશ્યક ઘટકો પર ડ્યુટી ઘટાડી છે. આમાં NFC, ઇન્ડક્ટર કોઇલ, નેનો-ક્રિસ્ટલાઇન એસેમ્બલી, ઇ-શિલ્ડ, PET લાઇનર્સ, PC શિમ્સ અને NdFeB મેગ્નેટનો સમાવેશ થાય છે. નિયમો અંગે મૂંઝવણ ટાળવા માટે, CBIC એ આ બધા ઘટકો માટે સ્પષ્ટ તકનીકી વ્યાખ્યાઓ પણ જારી કરી છે.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ&nbsp; <a href="https://sandesh.com/tech/news/microsoft-mai-models-microsoft-will-now-remove-cloud-chatgpt-to-reduce-ai-bills" target="_blank">માઇક્રોસોફ્ટ હવે AI બિલ ઘટાડવા માટે Cloud ChatGPTને કરશે દૂર</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/09/2OLRrU7ES5IIXN9jT8ssjfQr7nIh9Vgr01fSnMMz.webp'/></item><item><title><![CDATA[Maharashtra Politics: એકનાથ શિંદેના કાર્યાલયમાં પહોંચ્યા શરદ પવાર, મળી બેઠક, જાણો શું છે હિલચાલ? ]]></title><link>https://sandesh.com/india/news/maharashtra-politics-sharad-pawar-reaches-eknath-shindes-office-meets-know-what-is-the-movement</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/maharashtra-politics-sharad-pawar-reaches-eknath-shindes-office-meets-know-what-is-the-movement</guid><pubDate>Thu, 09 Jul 2026 13:24:46 +05:30</pubDate><description><![CDATA[<p>મહારાષ્ટ્રમાં રાજકીય ગતિવિધિઓ ફરી એકવાર તેજ થઈ છે. બુધવારે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) ના વડા શરદ પવાર અને તેમના પક્ષના ધારાસભ્યો વચ્ચે એક બેઠક થઈ. આ બેઠકથી રાજ્યના રાજકીય વર્તુળોમાં અટકળોનો માહોલ સર્જાયો છે. નોંધનીય છે કે, આ બેઠક કોઈ વિપક્ષી નેતાના કાર્યાલયમાં નહીં પરંતુ નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના સત્તાવાર ચેમ્બરની અંદર થઈ હતી.</p><h2><b>એકનાથ શિંદેના કાર્યાલયમાં શરદ પવારે યોજી બેઠક&nbsp;</b></h2><p>શાસક મહાયુતિ ગઠબંધનના એક અગ્રણી નેતાના કેબિનમાં મહા વિકાસ આઘાડી (MVA) ના મુખ્ય સ્તંભ શરદ પવારને જોતા વ્યાપક ચર્ચા શરૂ થઈ હતી. જોકે, બંને પક્ષોએ પાછળથી તેને માત્ર સંયોગ અને સૌજન્ય મુલાકાત ગણાવી હતી. નોંધનીય છે કે શરદ પવાર મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદ વિવાદના ઉકેલ માટે રાજ્ય સરકાર દ્વારા રચાયેલી ઉચ્ચ-શક્તિવાળી સમિતિની બેઠકમાં હાજરી આપવા માટે વિધાન ભવન સંકુલમાં પહોંચ્યા હતા.</p><p><b style="font-size: 1.75rem;">નાયબ મુખ્યમંત્રી શિંદેના કાર્યાલયમાં કેમ બેઠક મળી ?&nbsp;</b></p><p>એક અનુભવી વિપક્ષી નેતાએ શાસક પક્ષના ચેમ્બરમાં બેઠક યોજી હતી તે હકીકત સમગ્ર વિવાદ અને ચર્ચાનું કેન્દ્રબિંદુ બની હતી. આ બાબતની સ્પષ્ટતા કરતા, NCP (SP) ના વરિષ્ઠ નેતા જયંત પાટીલે જણાવ્યું હતું કે આ સ્થળ ફક્ત વ્યવહારિક કારણોસર પસંદ કરવામાં આવ્યું હતું અને તેનું કોઈ રાજકીય મહત્વ ન હોવાનું અર્થઘટન કરવું જોઈએ.</p><p>જયંત પાટીલે સમાચાર એજન્સી PTI ને જણાવ્યું હતું કે, "વિધાન ભવન સંકુલ છોડતા પહેલા પાર્ટીના ધારાસભ્યો શરદ પવાર *સાહેબ* ને મળવા માંગતા હતા. પવાર *સાહેબ* ની ઉંમરને જોતાં, મોટાભાગના વિપક્ષી ધારાસભ્યો જ્યાં બેસે છે તે રૂમમાં પાછા ફરવું તેમના માટે ખૂબ મુશ્કેલ હોત. ડેપ્યુટી સીએમ શિંદેની કેબિન બહાર નીકળવાના માર્ગની બાજુમાં જ હોવાથી, અમને લાગ્યું કે તે પવાર *સાહેબ* માટે સૌથી અનુકૂળ સ્થળ હશે, જેનાથી તેમને લાંબા ચાલવાથી બચાવી શકાય."</p><p>પાટીલે એ પણ સ્પષ્ટતા કરી હતી કે શરદ પવાર આવ્યા ત્યારે એકનાથ શિંદે તેમની ઓફિસમાં હાજર નહોતા. પાટીલે કહ્યું, "મેં જ પવાર *સાહેબ* ને અમારા ધારાસભ્યોને મળવા માટે ત્યાં બેસવાનું સૂચન કર્યું હતું. જ્યારે શિંદેને પવાર *સાહેબ* ની હાજરીની ખબર પડી, ત્યારે તેઓ પણ આવ્યા અને આદરપૂર્વક તેમની સાથે 10 મિનિટ માટે મળ્યા."</p><h4><b>શિંદે જૂથની પ્રતિક્રિયા શું હતી?</b></h4><p>બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં તેને ફક્ત સૌજન્ય મુલાકાત તરીકે વર્ણવવામાં આવી હતી. સમિતિની બેઠક પૂર્ણ થયા પછી જ્યારે શરદ પવાર પહોંચ્યા, ત્યારે એકનાથ શિંદેએ વરિષ્ઠ નેતાનું શાલ અને ગુલદસ્તો આપીને સ્વાગત કર્યું. મહારાષ્ટ્રના મંત્રી ઉદય સામંતે કહ્યું, "શરદ પવાર દેશના ખૂબ જ વરિષ્ઠ નેતા છે. જો તેઓ અમારા નેતા એકનાથ શિંદેના કાર્યાલયની મુલાકાત લે છે, તો તેમનું સન્માન અને સ્વાગત કરવું એ મહારાષ્ટ્રની સમૃદ્ધ રાજકીય પરંપરાનો ભાગ છે. આમાં કંઈ ખોટું કે અસામાન્ય નથી."</p><p><b style="font-size: 1.5rem;">NDAમાં જોડાવાની અટકળો રદ&nbsp;</b></p><p>મીટિંગના ફોટા અને વીડિયો સામે આવ્યા પછી, રાજકીય વર્તુળોમાં અને સોશિયલ મીડિયા પર અટકળો શરૂ થઈ કે શું વિપક્ષી પક્ષ શાસક ગઠબંધન સાથે નવા રાજકીય સમીકરણ અથવા ગોઠવણની શક્યતા શોધી રહ્યો છે. શરદ પવારના NCPના પ્રદેશ પ્રમુખ શશિકાંત શિંદેએ આવી બધી અફવાઓ અને દાવાઓને સ્પષ્ટપણે ફગાવી દીધા. તેમણે NDAમાં જોડાવાના અથવા અન્ય કોઈપણ પક્ષ સાથે ભળી જવાના અહેવાલોને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા. તેમણે સ્પષ્ટપણે કહ્યું, "પવાર *સાહેબ* વિધાનસભા સત્ર દરમિયાન અહીં હતા, તેથી તેમણે અમારા ધારાસભ્યો, સાંસદો અને કાઉન્સિલરો સાથે વાતચીત કરી. NDAમાં જોડાવા કે પાર્ટીના વિલીનીકરણ અંગેની અટકળો સંપૂર્ણપણે પાયાવિહોણી અને ખોટી છે."</p><p><br><a href="https://sandesh.com/astrology/news/bhakti/budh-gochar-2026-bank-balance-of-3-zodiac-signs-will-increase-mercury-will-change-its-course" target="_blank">આ પણ વાંચો:  Budh Gochar 2026: 3 રાશિનું બેંક બેલેન્સ વધશે ! બુધ બદલશે ચાલ&nbsp;</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/09/EZc5sGZcwz9fnFOmwRVCwbpoh8ktmqQ41crlLBza.webp'/></item><item><title><![CDATA[Banaskantha News: પાલનપુરમાં આતંકવાદ વિરુદ્ધ આક્રોશ, VHPએ રેલી યોજી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/palanpur-vhp-protest-ats-terrorist-arrest</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/palanpur-vhp-protest-ats-terrorist-arrest</guid><pubDate>Thu, 09 Jul 2026 13:02:45 +05:30</pubDate><description><![CDATA[<p>બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ભાગળ ગામેથી ગુજરાત ATS દ્વારા આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા શંકાસ્પદ શખ્સોની ધરપકડ કરવામાં આવ્યા બાદ સમગ્ર પંથકમાં સનાટો અને ભારે રોષ વ્યાપી ગયો છે. આ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓના વિરોધમાં હવે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો ખુલ્લેઆમ મેદાને આવ્યા છે, અને આતંકવાદી તત્વો સામે કડક પગલાં લેવાની માગ કરી રહ્યા છે.</p><h2><b>VHPની વિશાળ રેલી: કલેક્ટર કચેરી ગુંજી ઉઠી</b></h2><p>આતંકવાદના વિરોધમાં અને દેશવિરોધી પ્રવૃત્તિઓ ડામી દેવાના આહવાન સાથે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો મોટી સંખ્યામાં પાલનપુરના રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. VHP દ્વારા એક વિશાળ વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિના નારાઓ સાથે આ રેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં કાર્યકરોએ કલેક્ટરને રૂબરૂ મળીને એક ઉગ્ર આવેદનપત્ર પાઠવ્યું હતું.</p><p><br><img alt="Banaskantha News: Palanpur Terror Link: VHP Protests Against Terrorists Arrested by ATS, Demands Madrasa Probe" src="https://epapercdn.sandesh.com/images/2026/07/09/coWmPo5UR8oW5zBElqPLGJE1hU817DwXX7QcbkfK.webp"></p><h2><b>તપાસ કરવા અને કડક કાર્યવાહીની ઉગ્ર માગ</b></h2><p>આવેદનપત્રમાં વીએચપીએ માગ કરી છે કે, ભાગળ ગામ સહિત જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં ચાલી રહેલા ધાર્મિક શાળામાં તાત્કાલિક ધોરણે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે. આ શાળાઓમાં કોઈ પણ પ્રકારની શંકાસ્પદ કે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ ચાલતી હોય તો તેને તાકીદે ડામી દેવામાં આવે. આ સાથે જ ઝડપાયેલા આતંકીઓ સાથે જોડાયેલા તમામ સ્થાનિક નેટવર્કને નેસ્તનાબૂદ કરી તેમની સામે દેશદ્રોહનો ગુનો નોંધી કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.</p><p><img alt="Banaskantha News: Palanpur Terror Link: VHP Protests Against Terrorists Arrested by ATS, Demands Madrasa Probe" src="https://epapercdn.sandesh.com/images/2026/07/09/2PTx4Ig3THdP9VpBi18RaZrPm83MWCH7eIlxZNph.webp"><br></p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/weather/monsoon-2026/news/gujarat/ahmedabad/rain-updates-roads-closed-state-highway-damage" target="_blank">Gujarat Rain Updates: ભારે વરસાદથી રાજ્યના 168 રસ્તાઓ બંધ, વાહનચાલકોના હાલ બેહાલ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/09/2YJtTLI6Hw1hT4weas7C10TYUwYY6HHmH8z5UFRr.webp'/></item><item><title><![CDATA[શું તું કપડાં વગર સીન કરીશ? જ્યારે વિશાલ ભારદ્વાજની ડિમાન્ડ સાંભળી ચોંકી ગયો અભિનેતા ]]></title><link>https://sandesh.com/entertainment/news/saif-ali-khan-omkara-nude-scene-regret-vishal-bhardwaj</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/saif-ali-khan-omkara-nude-scene-regret-vishal-bhardwaj</guid><pubDate>Thu, 09 Jul 2026 12:38:52 +05:30</pubDate><description><![CDATA[<p>બોલીવુડ સેલિબ્રિટીઓને ઘણીવાર શૂટિંગ દરમિયાન દિગ્દર્શકો અથવા નિર્માતાઓ તરફથી માંગણીઓનો સામનો કરવો પડે છે જેના માટે સેલિબ્રીટી ઘણીવાર વિચારમાં પડી જાય છે. જોકે, કેટલીકવાર તેમને તેની પર પસ્તાવો પણ થાય છે. સૈફ અલી ખાને તાજેતરમાં જ પોતાની કારકિર્દીનો એક કિસ્સો શેર કર્યો. ઓમકારા ફિલ્મના શૂટિંગ દરમિયાન, દિગ્દર્શક વિશાલ ભારદ્વાજે તેમને કપડાં વિના એક દ્રશ્ય ભજવવાનું કહ્યું. સૈફ શરૂઆતમાં ખચકાટ અનુભવતો હતો અને હવે તેણે તે ન કરવા બદલ અફસોસ વ્યક્ત કર્યો છે.</p><p><br></p><h2><b>'શું તમે કપડાં વિના આ કરશો?'</b></h2><p>સૈફ અલી ખાને એક રિપોર્ટમાં જણાવ્યું કે તેમની 2006 ની ફિલ્મ ઓમકારા ના એક સીન વિશે વાત કરી, જેમાં તેમણે યાદગાર પાત્ર 'લંગડા ત્યાગી' ભજવ્યું હતું. તેમણે યાદ કર્યું કે કેવી રીતે દિગ્દર્શક વિશાલ ભારદ્વાજે કપડાં વિના અરીસા સામે એક દ્રશ્ય ભજવવાનું સૂચન કર્યું હતું.</p><p><br></p><p>સૈફે કહ્યું, "વિશાલ-જીએ મને પૂછ્યું, 'શું તમે કપડાં વિના આ દ્રશ્ય ભજવવામાં આરામદાયક રહેશો?' સેટ પર ઘણા બધા લોકો હોવાથી હું અચકાઈ રહ્યો હતો, જોકે આ વિચાર પણ રોમાંચક હતો. મેં આખરે કહ્યું કે હું તેના માટે તૈયાર છું, પણ પછી તેણે કહ્યું, 'ના, હું તે નહીં કરું.'"</p><p><br></p><h3><b>'કદાચ મારે તે કરવું જોઈતું હતું...'</b></h3><p>નોંધનીય છે કે સૈફ અલી ખાને વધુમાં જણાવ્યું કે, જ્યારે તે હવે તેના પર વિચાર કરે છે, ત્યારે તેને લાગે છે કે તેણે તે સાથે આગળ વધવું જોઈતું હતું. અભિનેતાએ કહ્યું, "મને તેમાં કોઈ સમસ્યા ન હોત. કદાચ મારે તે કરવું જોઈતું હતું." વધુમાં જણાવ્યું કે, કારણકે તે સીન પડછાયાની સાથે ફિલ્માવવામાં આવ્યો હોત તો વધારે સારું રહેતું. કંઈક અલગ અને ખાસ રહેતું. જોકે, વિશાલે છેલ્લી ઘડીએ દ્રશ્ય બદલી નાખ્યું. જે સીનમાં સૈફે ડાયલોગ બોલવાના હતા. પરંતુ દિગ્દર્શકે પાછળથી નક્કી કર્યું કે તેણે ફક્ત ચૂપચાપ ઊભા રહે. હથોડીથી અરીસો તોડવાનો હતો અને માથા પર લોહી ઘસવાનું હતું.&nbsp;</p><p><br></p><h4><b>'ઓમકારા'ને 20 વર્ષ થશે પૂરા</b></h4><p>28 જુલાઈ, 2006 ના રોજ રિલીઝ થયેલી 'ઓમકારા' ટૂંક સમયમાં 20 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં અજય દેવગણ, કરીના કપૂર ખાન, વિવેક ઓબેરોય, બિપાશા બાસુ અને કોંકણા સેન શર્મા જેવા કલાકારો હતા.</p><p><br></p><p><b>આ પણ વાંચો:<a href="https://sandesh.com/cricket/news/anil-kumble-slams-shreyas-iyer-india-vs-england-t20" target="_blank"> 'આ તો સરેન્ડર હતું...', શ્રેયસ ઐયર પર ભડક્યા અનિલ કુંબલે; આપી દીધી સલાહ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/09/wCNPciKksi3IpFG0MGasB7PT5ftxR3KLcZtx6vwI.webp'/></item><item><title><![CDATA[Vadodara: દશરથ બ્રિજ પર કાળમુખું ડમ્પર ટકરાયું, નોકરીએ જતા મહિલા મોપેડ ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/dashrath-bridge-accident-moped-rider-woman-died-chhani-police-arrested-dumper-driver</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/dashrath-bridge-accident-moped-rider-woman-died-chhani-police-arrested-dumper-driver</guid><pubDate>Thu, 09 Jul 2026 12:38:29 +05:30</pubDate><description><![CDATA[<p>વડોદરા અને તેની આસપાસમાંથી પસાર થતા નેશનલ હાઈવે અને કનેક્ટિંગ બ્રિજ હવે વાહનચાલકો માટે ડેથ ટ્રેપ એટલે કે મરણિયા સાબિત થઈ રહ્યા છે. વડોદરાના છાણી પોલીસ સ્ટેશનની હદમાં આવતા દશરથ ગામના ઓવરબ્રિજ પર આજે સવારના સમયે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. રોજિંદા ક્રમ મુજબ હેમાબેન પંડ્યા નામના મધ્યમવયસ્ક મહિલા પોતાના મોપેડ પર સવાર થઈને નોકરીએ જવા માટે નીકળ્યા હતા. તેઓ દશરથ ગામના બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે આવેલા એક ડમ્પરના ચાલકે તેમના મોપેડને જોરદાર ટક્કર મારી અડફેટે લીધા હતા.</p><h2><b>અકસ્માત એટલો પ્રચંડ હતો કે હેલ્મેટ પણ ટૂંકું પડ્યું</b></h2><p>સામાન્ય રીતે ટૂ-વ્હીલર અકસ્માતમાં હેલ્મેટ ન પહેરવાના કારણે માથામાં ગંભીર ઇજા થવાથી મોત થતા હોય છે, પરંતુ આ કિસ્સામાં હેમાબેન એક જાગૃત નાગરિક તરીકે પ્રોપર હેલ્મેટ પહેરીને જ નીકળ્યા હતા. છતાં, ડમ્પરની સ્પીડ અને ટક્કર એટલી જોરદાર હતી કે હેમાબેન રોડ પર પટકાયા બાદ ડમ્પરનું વજનદાર ટાયર તેમના પર ફરી વળ્યું હતું. જેના કારણે શરીરે અને માથાના ભાગે કચડાઈ જવાથી અતિશય ગંભીર ઇજાઓ થઈ હતી અને 108 એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલા જ શ્વાસ વહી ગયા હતા. બ્રિજ પર લોહીલુહાણ હાલતમાં મહિલાનો મૃતદેહ જોઈને પસાર થતા વાહનચાલકો કમ્પી ઉઠ્યા હતા.</p><h3><b>છાણી પોલીસે ગુનો નોંધી કાયદાનો સિંકજો કસ્યો</b></h3><p>અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલકે વાહન ભગાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આસપાસના જાગૃત નાગરિકોએ કંટ્રોલ રૂમમાં ફોન કરતા છાણી પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે નાકાબંધી કરીને કાળમુખા ડમ્પરના ચાલકને દબોચી લીધો છે અને તેની સામે આકસ્મિક મોત તેમજ ગુનાહિત બેદરકારીપૂર્વક વાહન ચલાવવાની કલમો હેઠળ એફઆઈઆર (FIR) દાખલ કરી છે. પોલીસે મૃતક હેમાબેનના પરિવારજનોને જાણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. સ્થાનિક રહીશોએ માંગ કરી છે કે પીક અવર્સ દરમિયાન બ્રિજ અને હાઈવે કનેક્ટિવિટી પર હેવી ડમ્પરોની સ્પીડ પર નિયંત્રણ રાખવા માટે સ્પીડ બ્રેકર અથવા ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/valsad/vapi-dubai-botbro-company-investment-scam-ai-platform-fraud-arrests" target="_blank">આ પણ વાંચો: Valsad: AI પ્લેટફોર્મના નામે ‘બોટબ્રો’ કંપનીએ 28 રોકાણકારો સાથે આચરી 3.40 કરોડની છેતરપિંડી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/09/MSezCgSO3rR0IcKpATD9uV22gl6IoCYX6aMTq7rz.webp'/></item></channel></rss>