<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Gujarat News: ભારે વરસાદને કારણે સુરત, નવસારી અને તાપીમાં સ્કૂલોમાં રજા અપાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/schools-closed-in-surat--navsari-and-parts-of-tapi-due-to-heavy-rain</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/schools-closed-in-surat--navsari-and-parts-of-tapi-due-to-heavy-rain</guid><pubDate>Tue, 07 Jul 2026 23:14:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.ભારે વરસાદ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યાને પગલે સુરત અને નવસારી જિલ્લાની તમામ શાળાઓમાં બુધવારે રજા જાહેર કરવામાં આવી છે.આ નિર્ણયનો હેતુ બાળકોને વરસાદી આફતથી સુરક્ષિત રાખવાનો અને કોઈ પણ પ્રકારની દુર્ઘટનાને ટાળવાનો છે.</p><h2 style="text-align: justify; "><b>સુરત, તાપી અને નવસારીમાં સ્કૂલો બંધ</b></h2><p style="text-align: justify; ">નવસારી અને સુરત ઉપરાંત તાપી જિલ્લામાં પણ વરસાદની સ્થિતિને જોતા તંત્ર સતર્ક બન્યું છે.તાપી જિલ્લાના વાલોડ, ડોલવણ અને વ્યારા તાલુકાની શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં પણ બુધવારે રજા જાહેર કરવામાં આવી છે. આ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધારે હોવાથી શાળાએ જતા બાળકોને મુશ્કેલી ન પડે તે માટે તંત્રએ આ પગલું લીધું છે.</p><h2 style="text-align: justify; "><b>વાલીઓ અને વિદ્યાર્થીઓને ખાસ વિનંતી</b></h2><p style="text-align: justify; ">વાલીઓ અને વિદ્યાર્થીઓને ખાસ વિનંતી કરવામાં આવે છે કે તેઓ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરે.વરસાદી માહોલ વચ્ચે સલામત રહેવા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં અવર-જવર ન કરવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.પરિસ્થિતિ સામાન્ય થતા આગામી દિવસોમાં શૈક્ષણિક કાર્ય અંગેનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવશે.<br><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/valsad/administrations-apathy-in-valsad-locals-in-maha-amardham-society-suffer-as-knee-deep-water-fills-them" target="_blank">આ પણ વાંચોઃ Valsadમાં તંત્રની ઉદાસીનતા: મહા અમરધામ સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/6td9j2rg2Af0gDIfJzwVTPT4YUX2IXJ0bAzgGOux.webp'/></item><item><title><![CDATA[Vadodara News: માંજલપુરની પેટા ચૂંટણીમાં ભાજપના દાવેદારોનો રાફડો ફાટ્યો, 104 લોકોએ ઉમેદવારી નોંધાવી ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/104-bjp-aspirants-file-claims-for-manjalpur-assembly-by-election</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/104-bjp-aspirants-file-claims-for-manjalpur-assembly-by-election</guid><pubDate>Tue, 07 Jul 2026 22:59:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરામાં માંજલપુરના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ વિધાનસભા બેઠક ખાલી પડી હતી. આ બેઠક પર ચૂંટણી પંચ દ્વારા પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે તા.06 જુલાઈ 2026ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ આવ્યું હતું. જ્યારે તા.30 જુલાઈ,2026ના રોજ મતદાન તથા તા.3 ઓગસ્ટ, 2026ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. આ બેઠક પર ઉમેદવારી કરવા માટે ભાજપમાંથી ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ટિકિટ મેળવવા માટે જોરદાર ખેંચતાણ</b></h2><p style="text-align: justify; ">માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે. જેમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ મેળવવા માટે જોરદાર ખેંચતાણ જોવા મળી રહી છે.વિધાનસભાની આ ટર્મ પૂર્ણ થવામાં માત્ર એક વર્ષ જેટલો સમય બાકી હોવા છતાં ઉમેદવારી નોંધાવવા માટે ભાજપમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.પક્ષ દ્વારા હાથ ધરવામાં આવેલી સેન્સ પ્રક્રિયા દરમિયાન કુલ 104 જેટલા ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે.જેમાં 83 પુરુષ અને 21 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે.</p><h3 style="text-align: justify; "><b>18 જેટલા નોડલ ઓફિસરોની નિમણૂક</b></h3><p style="text-align: justify; ">ટિકિટ માટેની આટલી મોટી સંખ્યામાં દાવેદારીએ સ્થાનિક રાજકારણમાં ચર્ચા જગાવી છે.હવે આગામી સપ્તાહમાં ભાજપ દ્વારા પોતાના ઉમેદવારના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે.આ બેઠક પર પેટા ચૂંટણીને લઈને 18 જેટલા નોડલ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે. વડોદરાના યોગેશ પટેલ આ બેઠક પર 2017, 2022, અને 2022 એમ ત્રણેય ચૂંટણીમાં મોટી લીડથી જીત્યા હતાં.&nbsp;&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/prantij/heavy-rain-floods-prantij-and-meghraj" target="_blank">આ પણ વાંચોઃ Sabarkantha Rain: પ્રાંતિજ અને મેઘરજમાં બારે મેગ ખાંગા, વરસાદી પાણી ભરાઈ જતાં વેપાર ધંધાને માઠી અસર પહોંચી</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/Pnai0trzGb8nVROzw3cdCY4Kzcli52m1gEKhhWvk.webp'/></item><item><title><![CDATA[Badrinath મંદિરમાં દાન ચોરીનો મામલો, BKTCએ પ્રમુખના અંગત સચિવને કર્યા સસ્પેન્ડ ]]></title><link>https://sandesh.com/india/news/badrinath-temple-donation-theft-case-bktc-suspends-secretary</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/badrinath-temple-donation-theft-case-bktc-suspends-secretary</guid><pubDate>Tue, 07 Jul 2026 22:55:08 +05:30</pubDate><description><![CDATA[<p>બદ્રીનાથ મંદિરના દાનની ચોરીના મામલામાં મોટું એક્શન લેવામાં આવ્યું છે. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)એ કમિટી અધ્યક્ષના અંગત સચિવ અને આરોપી પ્રમોદ નૌટિયાલને સસ્પેન્ડ કરી દીધા છે. આ સાથે જ તેમને કારણ દર્શક નોટિસ પણ આપવામાં આવી છે. સમિતિએ આરોપી પાસેથી 48 કલાકની અંદર લેખિત સ્પષ્ટીકરણ માંગ્યું છે.</p><h2><b>સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ</b></h2><p>BKTC દ્વારા જાહેર કરાયેલી નોટિસ મુજબ 2 જુલાઈ 2026ના રોજ મંદિર પરિસરમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે પ્રમોદ નૌટિયાલે થાળી ભેટ ગણતરી સ્થળે સામાન્ય ગણતરી સિવાય કેટલીક વસ્તુઓ પોતાના મોબાઈલ સાથે પોતાની પાસે રાખી હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સમિતિએ જણાવ્યું છે.</p><h3><b>ઉત્તરાખંડ સરકાર પણ આ મામલે સક્રિય બની</b></h3><p>મંદિર સમિતિનું કહેવું છે કે આવી કાર્યવાહી થાળી ભેટ ગણતરીની નિયમિત પ્રક્રિયાની વિરુદ્ધ છે. જો આરોપી યોગ્ય જવાબ નહીં આપે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. આ દરમિયાન ઉત્તરાખંડ સરકાર પણ આ મામલે સક્રિય બની છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના નિર્દેશ પર દાન મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિના અધ્યક્ષ ગઢવાલ મંડળના કમિશનર રહેશે. જ્યારે NHMના મેનેજિંગ ડિરેક્ટર સંદીપ તિવારી અને આરોગ્ય વિભાગના નાણાં નિયામક જગત સિંહ ચૌહાણને સભ્ય બનાવવામાં આવ્યા છે.</p><h4><b>સમિતિ 15 દિવસમાં રિપોર્ટ સરકારને સોંપશે</b></h4><p>આ સમિતિ મંદિરના દાન સાથે જોડાયેલી ગેરરીતિઓની વિગતવાર તપાસ કરશે અને 15 દિવસમાં રિપોર્ટ સરકારને સોંપશે. સાથે જ દાન વ્યવસ્થાને વધુ પારદર્શક અને જવાબદાર બનાવવા માટે જરૂરી સૂચનો પણ આપશે. આ મામલો એક હિંદુ સંગઠન દ્વારા 3 જુલાઈએ દાનની ચોરીના આરોપો લગાવ્યા બાદ સામે આવ્યો હતો. હવે BKTC અને સરકાર સ્તરની તપાસ બાદ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે.<br><br><b><a href="https://sandesh.com/india/news/delhi-riots-case-ankit-sharma-murder-verdict-july-13" target="_blank">આ પણ વાંચો : Delhi Riots Case : IB અધિકારી અંકિત શર્મા હત્યા કેસમાં કોર્ટ 13 જુલાઈએ આપશે ચુકાદો</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/a5fqi2cDwRB1FltztMPtnS1cGkd2eyQHfPY9IZ6Y.webp'/></item><item><title><![CDATA[Auto News: માર્કેટ ગજવતી આ લોકપ્રિય SUV થઈ સસ્તી, જુઓ નવી પ્રાઇસ લિસ્ટ ]]></title><link>https://sandesh.com/business/news/automobile/auto-news-this-popular-suv-that-is-sweeping-the-market-has-become-cheaper-see-the-new-price-list</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/auto-news-this-popular-suv-that-is-sweeping-the-market-has-become-cheaper-see-the-new-price-list</guid><pubDate>Tue, 07 Jul 2026 22:28:51 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મારુતિ સુઝુકીએ પોતાની લોકપ્રિય મિડ-સાઇઝ SUV 'Victoris'ની કિંમતોમાં મોટો ઘટાડો કર્યો છે. કંપનીએ આ કારના પસંદગીના પેટ્રોલ વેરિઅન્ટ્સની કિંમતમાં રૂ. 38,900 સુધીનો ઘટાડો જાહેર કર્યો છે. ભારતીય બજારમાં C-સેગમેન્ટ મિડ-સાઇઝ SUVમાં Victoris પહેલેથી જ બીજા ક્રમે સૌથી વધુ વેચાતી કાર છે, તેમ છતાં ગ્રાહકોને આકર્ષવા કંપનીએ આ નિર્ણય લીધો છે.</p><h2 style="text-align: justify; "><b>માત્ર આ વેરિઅન્ટ્સ પર મળશે ડિસ્કાઉન્ટ</b></h2><p style="text-align: justify; ">કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રાઇસ કટ તમામ વેરિઅન્ટ્સ પર લાગુ થશે નહીં. LXi, VXi, ZXi અને ZXi Plus ના નોર્મલ પેટ્રોલ એન્જિનવાળા ફ્રન્ટ-વ્હીલ ડ્રાઇવ મેન્યુઅલ અને ઓટોમેટિક વેરિઅન્ટ્સની કિંમતો પહેલા જેવી જ રહેશે. આ ઘટાડો માત્ર ZXi (O) અને ZXi Plus (O) વેરિઅન્ટ્સ પર કરવામાં આવ્યો છે, જે મેન્યુઅલ અને ઓટોમેટિક બંને ગિયરબોક્સ વિકલ્પોમાં ઉપલબ્ધ છે.</p><h3 style="text-align: justify;"><b>કયા વેરિઅન્ટમાં કેટલો ઘટાડો થયો?</b></h3><p style="text-align: justify;">ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો, ZXi (O) પેટ્રોલ મેન્યુઅલ વેરિઅન્ટ પર સૌથી વધુ 2.76% નો ઘટાડો થયો છે. જ્યારે ZXi (O) પેટ્રોલ ઓટોમેટિકની કિંમતમાં અંદાજે 2.49% નો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ZXi Plus (O) પેટ્રોલ મેન્યુઅલ અને ઓટોમેટિક બંને વેરિઅન્ટ્સની કિંમતોમાં આશરે 2.46% નો ઘટાડો જોવા મળ્યો છે.</p><h4 style="text-align: justify;"><b>મારુતિએ કેમ લીધો આ નિર્ણય?</b></h4><p style="text-align: justify;">આજના સમયમાં જ્યારે મોટાભાગની ઓટોમોબાઈલ કંપનીઓ પોતાની કારના ભાવ સતત વધારી રહી છે, ત્યારે આટલી લોકપ્રિય SUVના ભાવ ઘટાડવા તે એક આશ્ચર્યજનક પગલું છે. નિષ્ણાતોના મતે, મારુતિ સુઝુકી આ કિંમત ઘટાડા દ્વારા મિડ-સાઇઝ SUV સેગમેન્ટમાં પોતાનો દબદબો અને પકડ વધુ મજબૂત કરવા માંગે છે.</p><h5 style="text-align: justify;"><b>CNG અને હાઇબ્રિડ મોડલ્સમાં કોઈ ફેરફાર નહીં</b></h5><p style="text-align: justify;">અત્રે નોંધનીય છે કે Victoris ના CNG અને સ્ટ્રોંગ હાઇબ્રિડ વેરિઅન્ટ્સની કિંમતોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. તેનો અર્થ એ કે કિંમતમાં ઘટાડાનો આ સીધો ફાયદો માત્ર પસંદગીના પેટ્રોલ મેન્યુઅલ અને ઓટોમેટિક વેરિઅન્ટ ખરીદનારા ગ્રાહકોને જ મળશે.</p><h6 style="text-align: justify;"><b>આ પ્રખ્યાત કાર્સ સાથે છે સીધી ટક્કર</b></h6><p style="text-align: justify;">ભારતીય ઓટો માર્કેટમાં આ સેગમેન્ટમાં ભારે સ્પર્ધા છે. Victoris નો સીધો મુકાબલો Hyundai Creta, Toyota Urban Cruiser Hyryder, Maruti Grand Vitara, Tata Sierra, Renault Duster અને Honda Elevate જેવી SUVs સાથે છે. આગામી સમયમાં Nissan Tekton પણ આ સેગમેન્ટમાં એન્ટ્રી કરવાની છે, જેથી આ કોમ્પિટિશન વધુ રસપ્રદ બનશે.</p><p style="text-align: justify;"><a href="https://sandesh.com/automobile" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify;"><br></p><p style="text-align: justify;"><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/0Tf2c6WayV3ZXyQYyCw07532T1ikVSgar47731LJ.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા, અમિત શાહે ચાર રાજ્યોના સીએમ સાથે બેઠક યોજી ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/cm-bhupendra-patel-meets-amit-shah-in-delhi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/cm-bhupendra-patel-meets-amit-shah-in-delhi</guid><pubDate>Tue, 07 Jul 2026 22:11:08 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હીની મહત્વની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સી.આર.પાટીલ સાથે વિસ્તૃત બેઠક કરી હતી.આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય નર્મદા ડેમ સાથે જોડાયેલા વર્ષો જૂના વિવાદોનો ઉકેલ લાવવાનો હોવાની વિગતો મળી છે.દિલ્હીમાં આયોજિત આ ઉચ્ચસ્તરીય બેઠકમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન,મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં વિસ્થાપિતોના પુનર્વસન અને જમીન વિવાદ સહિતના મહત્વના મુદ્દાઓ પર તમામ રાજ્યો વચ્ચે સહમતી સધાઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>નર્મદા વિભાગમાં મોટા પાયે બદલીનો ધમધમાટ</b></h2><p style="text-align: justify; ">રાજ્યના વહીવટી માળખાને વધુ કાર્યક્ષમ બનાવવા માટે નર્મદા વિભાગમાં મોટા પાયે બદલીઓનો ધમધમાટ જોવા મળ્યો છે.વહીવટી કામગીરીને વધુ ગતિશીલ અને અસરકારક બનાવવાના ઉદ્દેશ્યથી વિભાગ દ્વારા એકસાથે 353 અધિકારીઓ અને કર્મચારીઓની બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. આ મોટા ફેરફારમાં ખાસ કરીને નાયબ કાર્યપાલક ઇજનેર અને મદદનીશ ઇજનેર કક્ષાના અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>પસંદગીના સ્થળોએ નવી નિયુક્તિ</b></h2><p style="text-align: justify; ">આ બદલી પ્રક્રિયામાં પારદર્શિતા અને કર્મચારીઓની સુવિધાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.વિભાગના અનેક અધિકારીઓને તેમની સ્વવિનંતીને ધ્યાનમાં રાખીને પસંદગીના સ્થળોએ નવી નિયુક્તિ આપવામાં આવી છે. આટલી મોટી સંખ્યામાં થયેલી બદલીઓ અને વહીવટી ફેરફારોથી આગામી સમયમાં નર્મદા વિભાગની કામગીરીમાં નવો ઉત્સાહ અને કાર્યક્ષમતા જોવા મળે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/prantij/heavy-rain-floods-prantij-and-meghraj" target="_blank">આ પણ વાંચોઃ Sabarkantha Rain: પ્રાંતિજ અને મેઘરજમાં બારે મેગ ખાંગા, વરસાદી પાણી ભરાઈ જતાં વેપાર ધંધાને માઠી અસર પહોંચી</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/sOi4hgFgDoFC01ZZUyfgZoMGU6fvpSfWcM9d858c.webp'/></item><item><title><![CDATA[Delhi Riots Case : IB અધિકારી અંકિત શર્મા હત્યા કેસમાં કોર્ટ 13 જુલાઈએ આપશે ચુકાદો ]]></title><link>https://sandesh.com/india/news/delhi-riots-case-ankit-sharma-murder-verdict-july-13</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/delhi-riots-case-ankit-sharma-murder-verdict-july-13</guid><pubDate>Tue, 07 Jul 2026 21:55:21 +05:30</pubDate><description><![CDATA[<p>વર્ષ 2020ના દિલ્હી રમખાણ દરમિયાન થયેલા ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)ના અધિકારી અંકિત શર્માની હત્યા કેસમાં હવે 13 જુલાઈએ મહત્વપૂર્ણ ચુકાદો આવશે. દિલ્હીની કડકડડૂમા કોર્ટે આ કેસમાં પોતાનો નિર્ણય હાલ માટે મુલતવી રાખ્યો છે અને હવે 13 જુલાઈએ ચુકાદો સંભળાવવાની જાહેરાત કરી છે.</p><h2><b>તાહિર હુસૈન સહિતના આરોપીઓ સામે ટ્રાયલો ચાલુ</b></h2><p>આ કેસમાં આમ આદમી પાર્ટીના પૂર્વ MCD કાઉન્સિલર તાહિર હુસૈન સહિત કુલ 11 આરોપીઓ સામે ટ્રાયલ ચાલી રહ્યો છે. તમામ આરોપીઓ પર 2020ના દિલ્હી રમખાણ દરમિયાન અંકિત શર્માની હત્યામાં સંડોવણી હોવાનો આરોપ છે. આ કેસની સુનાવણી પૂર્ણ થયા બાદ કોર્ટે અગાઉ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો, પરંતુ હવે ચુકાદાની તારીખ આગળ વધારી દેવામાં આવી છે.</p><h3><b>તપાસ એજન્સીઓએ અનેક પુરાવા એકત્ર કર્યા&nbsp;</b></h3><p>અંકિત શર્માની હત્યા કેસ દિલ્હીના 2020ના સાંપ્રદાયિક રમખાણો સાથે જોડાયેલા સૌથી ચર્ચિત કેસોમાંનો એક છે. આ કેસમાં તપાસ એજન્સીઓએ અનેક પુરાવા અને સાક્ષીઓના આધારે આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. તાહિર હુસૈન સામે પણ ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે, જેને લઈને સમગ્ર દેશનું ધ્યાન આ કેસ પર કેન્દ્રિત છે.</p><h4><b>કોર્ટના નિર્ણય પર લોકોની નજર&nbsp;</b></h4><p>હવે 13 જુલાઈએ કોર્ટ શું નિર્ણય આપે છે તેના પર તમામની નજર રહેશે. ખાસ કરીને તાહિર હુસૈન સહિતના આરોપીઓ માટે આ ચુકાદો અત્યંત મહત્વનો સાબિત થઈ શકે છે. જો કોર્ટ આરોપોને યોગ્ય ગણશે તો આરોપીઓની મુશ્કેલીઓ વધી શકે છે, જ્યારે બચાવ પક્ષ પણ પોતાનો પક્ષ મજબૂતીથી રજૂ કરી રહ્યો છે. આથી આવનારો નિર્ણય દિલ્હી રમખાણો સાથે જોડાયેલા મહત્વના કેસોમાં એક મહત્વપૂર્ણ કાનૂની માઈલસ્ટોન બની શકે છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/tamilnadu-cm-vijay-tasmac-employees-salary-hike-25-percent" target="_blank">આ પણ વાંચો : Tamilnadu : CM વિજયનો મોટો નિર્ણય, દારૂની દુકાનમાં કામ કરતા કર્મચારીઓના વેતનમાં કર્યો અધધધ 25 ટકાનો વધારો</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/wqTd9x4JbSgaGof8WnQksXYAHaeQetfYAjoR9vL7.webp'/></item><item><title><![CDATA[Kheda-મહેમદાવાદ રોડ પર લોડિંગ રિક્ષા અને આઈસર વચ્ચેના અકસ્માતમાં એક જ પરિવારના 2ના મોત, 5 ગંભીર ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kheda/2-of-the-same-family-killed-5-seriously-injured-in-accident-between-loading-rickshaw-and-ice-cream-truck-on-kheda-mehmedabad-road</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kheda/2-of-the-same-family-killed-5-seriously-injured-in-accident-between-loading-rickshaw-and-ice-cream-truck-on-kheda-mehmedabad-road</guid><pubDate>Tue, 07 Jul 2026 21:47:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ખેડા-મહેમદાવાદ હાઈવે પર એક હૃદયદ્રાવક અને અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી વિગતો અનુસાર, એક જ પરિવારના સાત સભ્યો લોડિંગ રિક્ષામાં બેસીને ખુશી-ખુશી એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. આ દરમિયાન મહેમદાવાદથી ખેડા તરફ જઈ રહેલી એક લોડિંગ રિક્ષા અને ખેડાથી મહેમદાવાદ તરફ આવી રહેલી સીએનજી ગેસના સિલિન્ડરો ભરેલી એક આઈસર ગાડી વચ્ચે મકતુપુર નજીક હાઈવે પર ભયંકર ધડાકાભેર અથડામણ થઈ હતી.</p><h2 style="text-align: justify; ">મહિલા અને પુરુષનું ઘટનાસ્થળે જ મોત</h2><p style="text-align: justify; ">આ ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષાના કુરચે-કુરચા ઊડી ગયા હતા અને રિક્ષામાં સવાર એક અજાણી મહિલા તથા એક પુરુષનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું કરુણ મોત નીપજ્યું હતું. આ સિવાય પરિવારના અન્ય પાંચ સભ્યોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ લોહીલુહાણ હાલતમાં ચીસાચીસ કરી મૂકી હતી. અકસ્માતનો ભયાનક અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને રિક્ષામાંથી બહાર કાઢ્યા હતા.</p><h3 style="text-align: justify; ">હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની સારવાર શરૂ કરાઈ</h3><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં જ ખેડા ટાઉન પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે હાઈવે પર જામ થયેલો ટ્રાફિક હળવો કરાવીને તમામ પાંચેય ગંભીર ઈજાગ્રસ્તોને ત્વરિત સારવાર અર્થે ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. બીજી તરફ, પોલીસે બંને મૃતકોના શવને કાયદેસરના પોસ્ટમોર્ટમ માટે સિવિલ મોકલી આપીને અકસ્માતનો ભયાનક ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ગોઝારી ઘટનાને પગલે ભોગ બનનાર પરિવારમાં ભારે કુરંદ અને શોકનું મોજું ફરી વળ્યું છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/4T2h8lhAKJ5VK4fc7biL4Hb97ar3MySFCYT8enaW.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: રિવરફ્રન્ટ પર એકસાથે ત્રણ મૃતદેહો મળી આવતા પોલીસ દોડતી થઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/three-bodies-found-at-sabarmati-riverfront</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/three-bodies-found-at-sabarmati-riverfront</guid><pubDate>Tue, 07 Jul 2026 21:04:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર એકસાથે ત્રણ મૃતદેહો મળી આવતા શહેરમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. રિવરફ્રન્ટના દધીચિ બ્રિજ, અટલ બ્રિજ અને સરદાર બ્રિજ પાસેથી આ મૃતદેહો મળી આવ્યા હતા. આ ત્રણેય ઘટનાઓ સંદર્ભે પોલીસે હાલ અકસ્માત મોત (AD) નો ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. એક જ દિવસમાં ત્રણ મૃતદેહો મળવાથી સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉભા થયા છે.</p><h2 style="text-align: justify; "><b>કનૈયા તેના મિત્રનો જન્મદિવસ ઉજવીને ઘરે જતો હતો</b></h2><p style="text-align: justify; ">મૃતકો પૈકી એકની ઓળખ મણિનગર વિસ્તારના 17 વર્ષીય યુવાન કનૈયા પ્રજાપતિ તરીકે થઈ છે, જેનો મૃતદેહ પાલડી વિસ્તાર પાસેથી મળી આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, કનૈયા તેના મિત્રનો જન્મદિવસ ઉજવીને ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારબાદ તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. તે દોઢ દિવસથી ઘરે પરત ન ફરતા પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી અને ખોખરા પોલીસ સ્ટેશનમાં ગેરહાજર હોવા અંગેની અરજી પણ નોંધાવી હતી.</p><h2 style="text-align: justify; "><b>સાબરમતી વેસ્ટ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ શરૂ</b></h2><p style="text-align: justify; ">આ સમગ્ર મામલે સાબરમતી વેસ્ટ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને અન્ય બે મૃતકોની ઓળખ કરવા તથા આ આખી ઘટના પાછળનું ચોક્કસ કારણ શું છે, તે જાણવા માટે તજવીજ હાથ ધરી છે. યુવાનના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે, ત્યારે પોલીસ હવે સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ પુરાવાઓ દ્વારા સત્ય સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/prantij/heavy-rain-floods-prantij-and-meghraj" target="_blank">આ પણ વાંચોઃ Sabarkantha Rain: પ્રાંતિજ અને મેઘરજમાં બારે મેગ ખાંગા, વરસાદી પાણી ભરાઈ જતાં વેપાર ધંધાને માઠી અસર પહોંચી</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/Gbu5AIHBEfZ38dHPJEdnNb26UIExVFufyek1HPXh.webp'/></item><item><title><![CDATA[Pop singer ટેલર સ્વિફ્ટ ના શાહી લગ્ન, મહેમોનોને આપી કરોડોની ભેટ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/pop-singer-taylor-swifts-royal-wedding-gifts-worth-crores-given-to-guests</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/pop-singer-taylor-swifts-royal-wedding-gifts-worth-crores-given-to-guests</guid><pubDate>Tue, 07 Jul 2026 18:18:12 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વિશ્વપ્રસિદ્ધ પોપ ગાયિકા ટેલર સ્વિફ્ટ અને જાણીતા ફૂટબોલર ટ્રેવિસ કેલ્સના લગ્ન હાલ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યા છે. આ દંપતીની સંયુક્ત સંપત્તિ ૨ બિલિયન ડોલરથી વધુ છે, ત્યારે તેમના લગ્ન કોઈ સામાન્ય સમારોહ ન રહેતા એક ઐતિહાસિક અને અત્યંત ભવ્ય ઘટના બની ગયા હતા. 3 જુલાઈના રોજ ન્યૂ યોર્કના પ્રતિષ્ઠિત મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે યોજાયેલા આ લગ્નમાં આશરે 475  કરોડ રૂપિયા (50 મિલિયન ડોલર) જેટલો જંગી ખર્ચ કરવામાં આવ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>&nbsp;1000  જેટલા દિગ્ગજ મહેમાનોએ આપી હતી હાજરી</b></h2><p style="text-align: justify; ">આ લગ્નમાં વિશ્વભરમાંથી આશરે 1000  જેટલા દિગ્ગજ મહેમાનો અને સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. જેમાં સ્ટીવન સ્પીલબર્ગ, રેપર જે-ઝેડ, ગીગી હદીદ, સેલેના ગોમેઝ અને એડ શીરન જેવા પ્રખ્યાત નામ સામેલ હતા. આ ભવ્યતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે લગ્નના આયોજન માટે મેડિસન સ્ક્વેર ગાર્ડન આસપાસના રસ્તાઓ ત્રણ દિવસ સુધી બંધ રાખવામાં આવ્યા હતા, જેનો એક દિવસનો ખર્ચ જ 66,000 ડોલર જેટલો હતો.</p><h3 style="text-align: justify; "><b>કરોડોની મોંધી ગિફ્ટ્સ આપવામાં આવી</b></h3><p style="text-align: justify; ">આ લગ્નની સૌથી વધુ ચર્ચા તેમના દ્વારા આપવામાં આવેલી ભેટોની થઈ રહી છે. લગ્ન સમારોહમાં મહેમાનો માટે ખાસ લોટરી ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાગ્યશાળી વિજેતા મહેમાનોને જે ઇનામો આપવામાં આવ્યા હતા તે ચોંકાવનારા છે. તેમાં કરોડોની કિંમતની લક્ઝરી કાર્ટિયર ઘડિયાળો, મોંઘી ડિઝાઇનર હેન્ડબેગ્સ અને સૌથી આકર્ષક ભેટ તરીકે 1970 ની વિન્ટેજ 'શેવરોલે શેવેલ' કારનો સમાવેશ થાય છે, જેમાં ખાસ "જસ્ટ એન્ડ ટી એમઆરડી" (Just &amp; TMRD) લખેલી લાયસન્સ પ્લેટ લગાવવામાં આવી હતી. જોકે, આ ભવ્ય ભેટો કયા નસીબદાર મહેમાનોને મળી તે રહસ્ય હજુ અકબંધ છે.</p><h4 style="text-align: justify; "><b>સોશિયલ મીડિયા પર ગિફ્ટ્સની ચર્ચાઓ&nbsp;</b></h4><p style="text-align: justify; ">સામાન્ય વર્ગ માટે લગ્નનું બજેટ હંમેશા એક પડકાર હોય છે, પરંતુ સ્વિફ્ટ અને કેલ્સના આ શાહી લગ્ને લક્ઝરી અને ભવ્યતાની નવી વ્યાખ્યા સ્થાપિત કરી છે. આ લગ્ન માત્ર તેમના જીવનની નવી શરૂઆત જ નહીં, પરંતુ એક વૈશ્વિક મનોરંજન ઘટના બની ગઈ છે. સોશિયલ મીડિયા પર ચાહકો આ લગ્નની તસવીરો અને ભેટોની ચર્ચા કરી રહ્યા છે, જે આગામી ઘણા સમય સુધી ચર્ચામાં રહેશે. ટેલર સ્વિફ્ટની આ શૈલીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તે જ્યારે કંઈ પણ કરે છે, ત્યારે તે હંમેશા ભવ્ય અને યાદગાર જ હોય છે.<br><br><b><a href="https://sandesh.com/lifestyle/news/world/video-a-place-in-the-world-where-a-stream-of-blood-flows-you-will-be-shocked-to-know-the-reason" target="_blank">આ પણ વાંચોઃ VIDEO: દુનિયાની એક એવી જગ્યા જ્યાં વહે છે લોહીનું ઝરણું, કારણ જાણીને ચોંકી ઉઠશો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/hanW9B4sIF6ZT02YH4nBRLTYU6D1yibyHXQfRvCQ.webp'/></item><item><title><![CDATA[Kylian Mbappeને કોણે આપી લીગલ એક્શનની ધમકી, જાણો શું છે આખો વિવાદ ]]></title><link>https://sandesh.com/sports/news/who-threatened-kylian-mbappe-with-legal-action-know-what-the-whole-controversy-is-about</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/who-threatened-kylian-mbappe-with-legal-action-know-what-the-whole-controversy-is-about</guid><pubDate>Tue, 07 Jul 2026 12:41:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફૂટબોલ વર્લ્ડ કપની રોમાંચક મેચો બાદ હવે મેદાનની બહાર પણ એક મોટો વિવાદ છેડાયો છે.ફ્રાન્સના સ્ટાર ફૂટબોલર અને કેપ્ટન કાઈલિયન એમ્બાપ્પે (Kylian Mbappe) અને પરાગ્વેના મહિલા સીનેટર સેલેસ્ટે અમરિલા (Celeste Amarilla) સામસામે આવી ગયા છે. આ વિવાદ એટલો વધી ગયો છે કે પરાગ્વેના સીનેટરે એમ્બાપ્પે સામે કાનૂની પગલાં લેવાની અને જેન્ડર વાયોલન્સનો કેસ કરવાની ધમકી આપી દીધી છે.</p><h3 style="text-align: justify; "><b>વિવાદની શરૂઆત કેવી રીતે થઈ?</b></h3><p style="text-align: justify; ">આ સમગ્ર વિવાદની શરૂઆત વર્લ્ડ કપના રાઉન્ડ ઓફ 16ની મેચમાં ફ્રાન્સની પરાગ્વે સામેની જીત બાદ થઈ હતી. મેચ પછી પરાગ્વેના સીનેટર સેલેસ્ટે અમરિલાએ એમ્બાપ્પે પર આકરા પ્રહારો કરતા તેને કોલોનાઇઝ્ડ કેમરૂનિયન અને ફ્રેન્ચ હોવાનો ડોળ કરનારો,ઘમંડી,નવો અમીર અને કદરૂપો કહ્યો હતો.અમરિલાએ એવો પણ દાવો કર્યો હતો કે આખી મેચ દરમિયાન એમ્બાપ્પે અને તેની ટીમ ડરેલી હતી.</p><h4 style="text-align: justify; "><b>એમ્બાપ્પેનો પલટવાર</b></h4><p style="text-align: justify; ">સીનેટરની આ નસ્લવાદી (Racist) ટિપ્પણી પર એમ્બાપ્પેએ આકરા શબ્દોમાં વળતો પ્રહાર કર્યો હતો.એમ્બાપ્પેએ અમરિલાને ઘૃણાસ્પદ મહિલા ગણાવીને કહ્યું કે તમે આ પદ માટે લાયક નથી.તમે પરાગ્વેનું પ્રતિનિધિત્વ નથી કરતા,કારણ કે તે દેશે આખા ટૂર્નામેન્ટમાં જુસ્સા અને સન્માન સાથે રમત બતાવી છે. તમારા ખુલ્લેઆમ નસ્લવાદને કારણે દુનિયા પરાગ્વેના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન ભૂલી ગઈ છે અને તમારા જેવી અયોગ્ય મહિલાની છબી સામે આવી છે.હું દુનિયામાં નફરત ફેલાવવાની આઝાદી કોઈને નહીં આપું.</p><p style="text-align: justify; "><a href="https://x.com/CelesteSenadora/status/2074328338580025478?s=20" target="_blank">https://x.com/CelesteSenadora/status/2074328338580025478?s=20</a></p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>સીનેટર અમરિલાનો બચાવ અને એમ્બાપ્પે સામે નારાજગી</b></h4><p style="text-align: justify; ">એમ્બાપ્પેના જવાબ પછી, સીનેટર અમરિલાએ સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શેર કરીને પોતાનો બચાવ કર્યો હતો.તેમણે સ્પષ્ટતા કરી કે તેમને ફ્રાન્સ દેશ સામે કોઈ વાંધો નથી,પરંતુ સમસ્યા માત્ર એમ્બાપ્પેના ઘમંડ સામે છે.અમરિલાએ લખ્યું,સમસ્યા તમારી અને મારી વચ્ચે છે.મેં ફ્રાન્સ સામે ક્યારેય કંઈ નથી કહ્યું.હું તો નાનપણથી ફ્રેન્ચ સ્કૂલમાં ભણી છું,ફ્રેન્ચ બોલું છું અને ફ્રાન્સમાં રજાઓ ગાળવી મને ગમે છે.તેમણે એમ્બાપ્પે પર આરોપ લગાવ્યો કે મેચ પહેલા એમ્બાપ્પેએ પરાગ્વેની ટીમની મજાક ઉડાવી હતી,જેના કારણે ગુસ્સામાં આવીને તેમણે એ પોસ્ટ લખી હતી,જોકે બાદમાં તેમણે એ પોસ્ટ ડીલીટ પણ કરી દીધી હતી.</p><h4 style="text-align: justify; "><b>લૈંગિક હિંસાનો આરોપ અને કાનૂની ધમકી</b></h4><p style="text-align: justify; ">અમરિલાએ હવે એમ્બાપ્પે પાસે સાર્વજનિક માફીની માંગ કરી છે.તેમણે કહ્યું કે,તમે મને ઓળખતા નથી,તો તમે મને ઘટિયા કે નાકાબિલ કેવી રીતે કહી શકો? હું પરાગ્વેના હજારો લોકોના વોટથી ચૂંટાયેલી સીનેટર છું. આ સીધેસીધી લૈંગિક હિંસા અને રાજકીય હિંસા છે. તમે એક મહિલા હોવાના કારણે મારી નફરત કરી રહ્યા છો.સીનેટર અમરિલાએ અંતમાં ચીમકી આપતા લખ્યું છે કે,એમ્બાપ્પે પોતાનું નિવેદન પાછું ખેંચે અને માફી માંગે,નહીંતર તેઓ આ લૈંગિક હિંસા બદલ ફ્રેન્ચ કેપ્ટન સામે કાનૂની કાર્યવાહી કરશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-spain-scores-last-minute-goal-to-beat-portugal-1-0" target="_blank">FIFA World Cup 2026 : સ્પેને છેલ્લી ઘડીએ ગોલ કરીને પોર્ટુગલને 1-0 થી હરાવ્યું</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/NCPUH7Mzda99BfUaXviZRkXFXe4pAvn7k39ep8KW.webp'/></item></channel></rss>