<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Amreli News: સિંહનું મોત હડકવા રોગને કારણે થયું હોવાનો સત્તાવાર રિપોર્ટમાં ખુલાસો ]]></title><link>https://sandesh.com/gujarat/news/amreli/lion-found-dead-near-babarkot-died-due-to-rabies</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/amreli/lion-found-dead-near-babarkot-died-due-to-rabies</guid><pubDate>Thu, 25 Jun 2026 18:17:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગીરના જંગલોની શાન ગણાતા સિંહોના સંરક્ષણ માટે વધુ એક ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે.અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ નજીક મૃત હાલતમાં મળી આવેલા સિંહના મોતનું ચોક્કસ કારણ હવે સામે આવ્યું છે.સત્તાવાર રિપોર્ટમાં પુષ્ટિ થઈ છે કે સિંહનું મૃત્યુ હડકવા રોગને કારણે થયું હતું.થોડા સમય પહેલા બાબરકોટ રોડ પર એક સિંહની હરકતો અસામાન્ય જોવા મળી હતી.આ સિંહ વાહનચાલકો પર હુમલો કરવાના પ્રયાસો કરતો હોવાથી આસપાસના ગ્રામજનો અને રાહદારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.</p><h2 style="text-align: justify; "><b>સિંહનું મોત રેબીઝ વાયરસને કારણે થયાનું સ્પષ્ટ થયું</b></h2><p style="text-align: justify; ">આક્રમક વર્તણૂકને ધ્યાનમાં લઈને વન વિભાગની ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરી સિંહને રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કર્યો હતો.ટ્રાન્ક્વિલાઇઝર ગનથી બેભાન કરવાની કામગીરી દરમિયાન જ સિંહે દમ તોડ્યો હતો.સિંહના અસામાન્ય વર્તન અને અચાનક થયેલા મોતને ગંભીરતાથી લઈ વન વિભાગે તુરંત સેમ્પલ લેબોરેટરીમાં મોકલ્યા હતા.સાસણ ખાતે થયેલા નિદાન બાદ સિંહનું મોત રેબીઝ વાયરસને કારણે થયાનું સ્પષ્ટ થયું છે.</p><h3 style="text-align: justify; "><b>સિંહોના સ્વાસ્થ્યની તપાસ કરવા માટે સૂચના</b></h3><p style="text-align: justify; ">વન્યજીવ નિષ્ણાતોના મતે,સિંહ જેવા જંગલી પ્રાણીમાં હડકવા જોવા મળવો તે અત્યંત દુર્લભ અને ખતરનાક સ્થિતિ છે.સામાન્ય રીતે આ રોગ શ્વાન કે અન્ય પાલતુ પ્રાણીઓમાં જોવા મળે છે પરંતુ હવે તે વન્યજીવોમાં ફેલાતા વન વિભાગની ચિંતા વધી છે.આ ઘટના બાદ જાફરાબાદ રેન્જ સહિત આસપાસના વિસ્તારોમાં વન વિભાગે એલર્ટ જારી કર્યું છે.અન્ય વન્યજીવોના સ્વાસ્થ્ય પર બાજ નજર રાખવા અને સિંહોના સ્વાસ્થ્યની તપાસ કરવા માટે સૂચના આપવામાં આવી છે.<br><br><a href="https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/weather-update-gujarat-weather-cyclonic-circulation-trough-rain-forecast-yellow-alert" target="_blank">આ પણ વાંચોઃ Weather Update: ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/d2Mp99nb4zjKpHrVTh3VbDHzTbmhL1nj8TXPguDC.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: વિરમગામ નગરપાલિકાની ડ્રેનેજ સમિતિના ચેરમેને આપ્યું રાજીનામું, જાણો શું છે કારણ? ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ahmedabad/viramgam-nagarpalika-drainage-committee-chairman-suresh-dalwadi-resigned</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ahmedabad/viramgam-nagarpalika-drainage-committee-chairman-suresh-dalwadi-resigned</guid><pubDate>Thu, 25 Jun 2026 18:07:43 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના વિરમગામમાંથી એક મોટા રાજકીય સમાચાર સામે આવી રહ્યા છે. વિરમગામ નગરપાલિકાના ડ્રેનેજ સમિતિના ચેરમેન સુરેશભાઈ જગદીશભાઈ દલવાડીએ અચાનક જ પોતાના ચેરમેન પદેથી રાજીનામું ધરી દેતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપના શાસનવાળી આ નગરપાલિકામાં ચેરમેનના રાજીનામાને લઈને ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે.</p><h2><b>સામાન્ય સભામાં થઈ હતી નિમણૂંક, ટૂંકા ગાળામાં જ પદ છોડ્યું</b></h2><p>મળતી માહિતી અનુસાર, વિરમગામ નગરપાલિકાના વોર્ડ નંબર-3 ના ચૂંટાયેલા સદસ્ય અને ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર સુરેશભાઈ દલવાડીને નગરપાલિકાની સામાન્ય સભા દરમિયાન ડ્રેનેજ સમિતિના ચેરમેન જેવી મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે, આ નિમણૂંકના ટૂંકા ગાળામાં જ તેમણે પદ પરથી સ્વેચ્છાએ નિકળી જવાનો નિર્ણય કર્યો છે.</p><p><img title="Ahmedabad News: Viramgam Nagarpalika Drainage Committee Chairman Suresh Dalwadi Resigns" src="https://epapercdn.sandesh.com/images/2026/06/25/bTZu9pgpIL2G9avhYXCxYXB7kjagk1rde9H8QrQB.webp" style="width: 100%;"><br></p><h2><b>રાજીનામા પાછળ બીમારીનું કારણ આગળ ધરાયું</b></h2><p>સુરેશભાઈ દલવાડીના આ અચાનક રાજીનામા પાછળ કોઈ રાજકીય નારાજગી છે કે, અન્ય કોઈ કારણ, તે અંગે અટકળો ચાલી રહી હતી. જોકે, તેમણે આપેલા રાજીનામા પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે, તેઓ થોડા સમયથી બીમારીનો સામનો કરી રહ્યા છે. બીમારીના કારણે તેઓ આ મહત્વની જવાબદારી અને ફરજ પૂરતી નિષ્ઠાથી નિભાવી શકે તેમ ન હોવાથી તેમણે સ્વેચ્છાએ ડ્રેનેજ સમિતિના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/viramgam-surendranagar-highway-triple-accident-thori-mubarak-youth-dead-injured" target="_blank">Ahmedabad: વિરમગામ-સુરેન્દ્રનગર હાઈવે પર ત્રિપલ અકસ્માતમાં એકનું મોત, બાળક સહિત 3 ઘાયલ થયા</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/4x1m6uTnOBg7qwkRaOto1lt04kEavXxCw2G0FxsR.webp'/></item><item><title><![CDATA[Kutchના અંજારમાં સરકારી જમીન પરનું ગેરકાયદેસર રહેણાંક દબાણ તોડી પડાયું, રૂ.8 લાખની જમીન ખુલ્લી કરાવી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kutch/illegal-residential-encroachment-on-government-land-in-anjar-kutch-dismantled-land-worth-rs-8-lakhs-exposed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kutch/illegal-residential-encroachment-on-government-land-in-anjar-kutch-dismantled-land-worth-rs-8-lakhs-exposed</guid><pubDate>Thu, 25 Jun 2026 18:04:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કચ્છ જિલ્લાના અંજાર શહેરમાંથી સરકારી જમીન પર સરકારી તંત્ર દ્વારા લાલઆંખ કરીને દબાણ હટાવવાની એક મોટી કાર્યવાહીના સમાચાર સામે આવ્યા છે. અંજારમાં એક કિંમતી સરકારી જમીન પર કેટલાક સ્થાનિક ભૂમાફિયાઓ અને દબાણકર્તાઓ દ્વારા ગેરકાયદેસર રીતે કબ્જો જમાવી લેવામાં આવ્યો હતો. આ શખ્સોએ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને સરકારી માલિકીની જમીન પર પાકું રહેણાંક મકાન પણ બનાવી દીધું હતું. આ બાબતની સત્તાવાર જાણ અને ફરિયાદ મળતા જ વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું.</p><h2 style="text-align: justify; ">પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી ટીમ, દબાણ હટાવ્યું</h2><p style="text-align: justify; ">કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે તંત્ર દ્વારા અગાઉથી જ પૂરતી તૈયારીઓ કરી લેવામાં આવી હતી. સ્થાનિક પ્રશાસન અને મહેસૂલ વિભાગની ટીમ ભારે પોલીસ બંદોબસ્ત સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. તંત્ર દ્વારા જેસીબી મશીન અને મજૂરોની મદદથી આ ગેરકાયદેસર રહેણાંક દબાણને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ દબાણ હંસાબેન ઉર્ફે હાંસબાઈ કરશન ગઢવી તથા ધવલ શંભુગર ગુંસાઈ નામના વ્યક્તિઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જેને તંત્રએ સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરી દીધું હતું.</p><h3 style="text-align: justify; ">67 ચોરસ મીટર જમીન કરાવી મુક્ત</h3><p style="text-align: justify; ">આ સફળ ઓપરેશન દરમિયાન તંત્રએ કુલ 67 ચોરસ મીટર જેટલી સરકારી જમીન દબાણમુક્ત કરાવીને ખુલ્લી કરાવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, મુક્ત કરાવવામાં આવેલી આ સરકારી જમીનની બજાર કિંમત અંદાજે રૂપિયા 8 લાખ જેટલી આંકવામાં આવી છે. તંત્રની આ કડક અને આકરી કાર્યવાહીથી અંજાર અને તેની આસપાસના વિસ્તારોમાં સરકારી જમીનો પચાવી પાડનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. વહીવટી તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં પણ આવા તમામ ગેરકાયદેસર દબાણો સામે ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/V1NerFRwsIxYcjFYZxk5O7MMgvJB9ShwmliJQg2N.webp'/></item><item><title><![CDATA[Share Market 26 જૂનથી સતત 3 દિવસ રહેશે બંધ, જાણો કારણ ]]></title><link>https://sandesh.com/business/news/share-market-closed-3-days-muharram-holiday-on-june-26</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/share-market-closed-3-days-muharram-holiday-on-june-26</guid><pubDate>Thu, 25 Jun 2026 18:01:01 +05:30</pubDate><description><![CDATA[<p>મુહર્રમના તહેવારને કારણે દેશના શેરબજારમાં આ સપ્તાહે ટ્રેડિંગનો એક દિવસ ઓછો રહ્યો છે. સામાન્ય રીતે પાંચ દિવસ ખુલ્લા રહેતા બજારોમાં આ વખતે માત્ર ચાર દિવસ જ વેપાર થયો. હવે 26 જૂનના રોજ દેશના મુખ્ય શેરબજાર BSE અને NSE સંપૂર્ણ રીતે બંધ રહેશે.</p><h2><b>રોકાણકારોને શેરની ખરીદી અને વેચાણ માટે રાહ જોવી પડશે</b></h2><p>મુહર્રમની રજાને કારણે રોકાણકારોને સતત ત્રણ દિવસ સુધી બજારમાં ટ્રેડિંગનો અવકાશ નહીં મળે. આ દરમિયાન શુક્રવારથી લઈને રવિવાર સુધી બજાર બંધ રહેશે અને ફરી 29 જૂન, સોમવારથી નિયમિત કામગીરી શરૂ થશે. આથી રોકાણકારો માટે ખરીદી અને વેચાણ માટે રાહ જોવી પડશે. આ સાથે કમોડિટી માર્કેટ MCX ઈન્ડિયામાં પણ 26 જૂને ખાસ ફેરફાર રહેશે. અહીં સવારે સત્રનું ટ્રેડિંગ બંધ રહેશે, જ્યારે સાંજનું સત્ર યથાવત ચાલુ રહેશે.</p><p>શેરબજારના હોલિડે કેલેન્ડર મુજબ વર્ષ દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ તહેવારો પર રજાઓ રહે છે. આગામી સમયમાં 15 ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ), 14 સપ્ટેમ્બર (ગણેશ ચતુર્થી), 2 ઓક્ટોબર (મહાત્મા ગાંધી જયંતિ) અને 20 ઓક્ટોબર (દશેરા) પર પણ બજાર બંધ રહેશે. જોકે આ વર્ષે 15 ઓગસ્ટ શનિવાર હોવાથી તે સ્વાભાવિક રજામાં આવી જાય છે.</p><h3><b>બેન્કો અને સરકારી કચેરીઓ પણ 26 જૂને બંધ રહેશે</b></h3><p>બીજી તરફ, દેશના મોટા ભાગના વિસ્તારોમાં બેન્કો અને સરકારી કચેરીઓ પણ 26 જૂને બંધ રહેશે. જોકે અમદાવાદ, ભુવનેશ્વર, ચંડીગઢ, દેહરાદૂન, ગંગટોક, ગુવાહાટી, ઈમ્ફાલ, ઇટાનગર, જયપુર, કોહિમા, શિમલા, શિલોંગ અને તિરુવનંતપુરમ જેવા શહેરોમાં બેન્કો કાર્યરત રહેશે. વધુમાં, 27 જૂને મહિનાનો ચોથો શનિવાર હોવાથી બેન્કો બંધ રહેશે. સામાન્ય રીતે દર મહિનાના બીજા અને ચોથા શનિવારે બેન્કોમાં રજા હોય છે. આ તમામ રજાઓને કારણે રોકાણકારો અને સામાન્ય નાગરિકોએ આગામી દિવસોમાં પોતાના નાણાકીય વ્યવહારોનું આયોજન કરી લેવું જરૂરી બન્યું છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/business/india-government-psu-share-sale-ofs-rs-25491-crore-highest-in-11-years" target="_blank">આ પણ વાંચો : PSUs Share Sale : 11 વર્ષમાં સરકારે સૌથી વધુ શેર વેચ્યા, OFS દ્વારા 25,491 કરોડ એકત્ર કરાયા</a></b></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/5EU6pHqbrpBtHnwNkFwnnTmlxXH21F0WPT978IL2.webp'/></item><item><title><![CDATA[Jammu Kashmir : ટેકનિકલ ખામી દૂર થયા બાદ ગુલમર્ગ ગોંડોલા સેવા 1 મહિના બાદ ફરી શરૂ, પર્યટકોમાં ભારે ઉત્સાહ ]]></title><link>https://sandesh.com/india/news/jammu-kashmir-gulmarg-gondola-service-resumes-after-technical-issue-one-month-later</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/jammu-kashmir-gulmarg-gondola-service-resumes-after-technical-issue-one-month-later</guid><pubDate>Thu, 25 Jun 2026 17:28:08 +05:30</pubDate><description><![CDATA[<p>જમ્મુ અને કાશ્મીરના પર્યટન સ્થળ ગુલમર્ગમાં આવેલી વિશ્વપ્રસિદ્ધ ગુલમર્ગ ગોંડોલા સેવા એક મહિનાના લાંબી સમય સુધી બંધ રાખ્યા બાદ હવે ફરી શરૂ થઈ ગઈ છે. ટેકનિકલ ખામીના કારણે 25 મેના રોજ ગોંડોલા સેવા અચાનક બંધ કરવામાં આવી હતી, જેના કારણે અનેક પ્રવાસીઓ અટવાઈ ગયા હતા અને પરિસ્થિતિ ગંભીર બની હતી.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2070105941995819112"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>300થી વધુ પ્રવાસીઓ ફસાઈ ગયા હતા</b></h2><p>તે સમયે ગોંડોલાના વિવિધ કેબિનમાં 300થી વધુ પ્રવાસીઓ ફસાઈ ગયા હતા, જેના પગલે વિશાળ સ્તરે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બચાવ કામગીરીમાં જમ્મુ કાશ્મીર પોલીસ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને કેબલ કાર કોર્પોરેશનની ટીમોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને તમામ પ્રવાસીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.</p><h3><b>હવે તમામ ખામીઓ દૂર કરવામાં આવી&nbsp;</b></h3><p>ઘટનાને ગંભીરતા સાથે લેતાં પ્રશાસને ગોંડોલા સેવાને તાત્કાલિક બંધ કરી દીધી હતી અને ટેકનિકલ ખામીઓ દૂર કરવા તથા સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા માટે નિષ્ણાતોની ટીમો તૈનાત કરવામાં આવી હતી. લાંબા સમય સુધી ચાલેલા સમારકામ અને સુરક્ષા ચકાસણી બાદ હવે તમામ ખામીઓ દૂર કરવામાં આવી છે.</p><h4><b>મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ગુલમર્ગ ગોંડોલા સાઈટની મુલાકાત લીધી</b></h4><p>આ દરમિયાન જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પોતે ગુલમર્ગ ગોંડોલા સાઈટની મુલાકાત લીધી હતી. તેમણે સમગ્ર સિસ્ટમની કામગીરીની સમીક્ષા કરી અને સુરક્ષા વ્યવસ્થાનું વિગતવાર નિરીક્ષણ કર્યું હતું. તેમની મુલાકાત બાદ અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે હવે તમામ ટેકનિકલ મુદ્દાઓ ઉકેલી લેવામાં આવ્યા છે અને સુરક્ષા ધોરણોને સંપૂર્ણ રીતે અનુસરવામાં આવી રહ્યા છે. ત્યારબાદ ગોંડોલા સેવાને ફરીથી સંપૂર્ણ રીતે શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી.</p><p>હાલ ફરી શરૂ થયેલી ગુલમર્ગ ગોંડોલા સેવા પર્યટકો માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહી છે. પર્યટકોમાં ફરીથી ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ગુલમર્ગના પ્રવાસન ક્ષેત્રને આ નિર્ણયથી નવી ગતિ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/kanpur-fire-safety-crackdown-54-buildings-sealed-800-coaching-centres-only-40-have-noc" target="_blank">આ પણ વાંચો : Kanpurમાં 800 કોચિંગ સેન્ટર પણ ફાયર NOC માત્ર 40 પાસે, 3 દિવસમાં 54 બિલ્ડિંગ કરાઈ સીલ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/IDbXCl0j1CptLvSsigU6HFhUagFdXDmp7caGh5ol.webp'/></item><item><title><![CDATA[Gujarat Weather: રાત્રે આઠ વાગ્યા સુધી આ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/yellow-alert-issued-for-heavy-rain-in-several-districts-till-8-pm</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/yellow-alert-issued-for-heavy-rain-in-several-districts-till-8-pm</guid><pubDate>Thu, 25 Jun 2026 17:10:19 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે.આ સિસ્ટમ અને મોસમી ટ્રફની સંયુક્ત અસરને કારણે સમગ્ર રાજ્યમાં આગામી દિવસોમાં  વરસાદી માહોલ રહેવાની પ્રબળ શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક વિસ્તારો માટે આગામી 3 કલાક માટે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાંજે 5 થી 8 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>આગામી 3 કલાક માટે વરસાદનું એલર્ટ</b></h2><p style="text-align: justify; ">હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આ એલર્ટ હેઠળ ખાસ કરીને છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે.આ ઉપરાંત, દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદી માહોલ રહેવાની સંભાવના છે.સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવતા વરસાદની આગાહી કરવામાં આવી છે.નાગરિકોને હવામાનની આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવા અને જરૂરી સલામતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>માછીમારો માટે કડક ચેતવણી</b></h3><p style="text-align: justify; ">હવામાન વિભાગે માછીમારો માટે કડક ચેતવણી જારી કરી છે.આગામી દિવસોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં 40થી 50કિલોમીટર પ્રતિકલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. બંદર વિસ્તારોમાં પણ સાવચેતીના પગલાં લેવાનું શરૂ કરી દેવાયું છે. પવન અને ગાજવીજના કારણે લોકોને વીજળીના થાંભલા કે નબળા વૃક્ષો નીચે ઊભા ન રહેવા અને વહીવટી તંત્રની ગાઇડલાઇનનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/police-seized-drugs-worth--13-600-crore-in-5-years" target="_blank">આ પણ વાંચોઃ Gandhinagar News: 5 વર્ષમાં ગુજરાત પોલીસે 13600 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું, 5346 આરોપીઓને જેલ ભેગા કર્યા</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/yZvuPTdEot0kFABglgbI4QKxVquqHkJilW7QptD9.webp'/></item><item><title><![CDATA[Surat News: ઓલપાડમાં ખેડૂતોનો હલ્લાબોલ, વીજ ટાવર લાઈન અને વળતર મુદ્દે ગુજરાત ખેડૂત સમાજે મામલતદારને આપ્યું આવેદનપત્ર ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/gujarat-khedut-samaj-olpad-mamlatdar-memorandum-power-line-compensation</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/gujarat-khedut-samaj-olpad-mamlatdar-memorandum-power-line-compensation</guid><pubDate>Thu, 25 Jun 2026 17:08:07 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને ખેડૂત આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત ખેડૂત સમાજ દ્વારા વિવિધ પડતર માંગણીઓ અને સ્થાનિક પ્રશ્નો મુદ્દે ઓલપાડ ખાતે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી બાદ ખેડૂત અગ્રણીઓએ ઓલપાડ મામલતદારને રૂબરૂ મળીને સરકાર સંબોધિત એક વિગતવાર આવેદનપત્ર સુપ્રત કર્યું હતું અને પોતાની માંગણીઓ તાકીદે સંતોષવા રજૂઆત કરી હતી.</p><h2><b>વીજ ટાવર લાઈન અને સબ સ્ટેશન સામે વિરોધ</b></h2><p>ખેડૂતો દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં મુખ્યત્વે ઓલપાડ પંથકમાંથી પસાર થતી વીજ ટાવર લાઈન અને નવા બની રહેલા સબ સ્ટેશનનો મુદ્દો છવાયો હતો. ખેડૂત સમાજે આક્રોશ સાથે રજૂઆત કરી હતી કે, ખેતરોમાંથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઈનોને કારણે ખેતી લાયક જમીનને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. આથી વીજ ટાવર લાઈન નાખવા બદલ ખેડૂતોને યોગ્ય અને બજાર ભાવ મુજબનું વળતર તેમજ વિશેષ રાહત પેકેજ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.</p><h2><b>કૃષિ નિયમોમાં સુધારા અને પાણી-સિંચાઈની માગ</b></h2><p>આવેદનપત્રમાં માત્ર વીજળી જ નહીં, પરંતુ કૃષિ સંબંધિત અન્ય મહત્વના નિયમો અને સરકારી સહાયની વિસંગતતાઓમાં તાત્કાલિક સુધારો કરવાની માગ પણ ઉઠાવવામાં આવી છે. આ ઉપરાંત ચોમાસા અને શિયાળુ પાક માટે પાણી, સિંચાઈની યોગ્ય વ્યવસ્થા અને પાક નુકસાનીના વળતર મુદ્દે સરકાર વહેલી તકે કોઈ સ્પષ્ટ અને મક્કમ નિર્ણય લે તેવી માગ ખેડૂતોએ દોહરાવી છે.</p><h2><b>ખેડૂત નેતા જયેશ પટેલની આગેવાનીમાં સરકારને ચીમકી</b></h2><p>ઓલપાડ મામલતદાર કચેરી ખાતે યોજાયેલા આ વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં જાણીતા ખેડૂત નેતા જયેશ પટેલ પણ મોટી સંખ્યામાં ખેડૂતો સાથે જોડાયા હતા. ખેડૂત સમાજે સરકારને ચીમકી આપતા જણાવ્યું છે કે, જો આ તમામ વ્યાજબી માંગણીઓ પર સરકાર દ્વારા તાત્કાલિક અને સકારાત્મક પગલાં ભરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ખેડૂતો ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/surat/a-very-tragic-incident-of-domestic-violence-in-surat-tired-of-daily-torture-the-wife-brutally-murdered-her-husband" target="_blank">Surat News: ઘર કંકાશનો અત્યંત કરુણ અંજામ, રોજિંદા ત્રાસથી કંટાળીને પત્નીએ જ કરી પતિની ઘાતકી હત્યા</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/XkvVQxXnHvOH5DzPK87QeLplHdOKVRUL0ZBwpX1I.webp'/></item><item><title><![CDATA[Kanpurમાં 800 કોચિંગ સેન્ટર પણ ફાયર NOC માત્ર 40 પાસે, 3 દિવસમાં 54 બિલ્ડિંગ કરાઈ સીલ ]]></title><link>https://sandesh.com/india/news/kanpur-fire-safety-crackdown-54-buildings-sealed-800-coaching-centres-only-40-have-noc</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/kanpur-fire-safety-crackdown-54-buildings-sealed-800-coaching-centres-only-40-have-noc</guid><pubDate>Thu, 25 Jun 2026 16:29:44 +05:30</pubDate><description><![CDATA[<p>ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉંમાં થયેલા અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં પ્રશાસન એલર્ટ મોડમાં આવી ગયું છે. તેના ભાગરૂપે કાનપુરમાં પણ ગેરકાયદે રીતે સંચાલિત થતી ઈમારતો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરાઈ છે. શહેરમાં બેઝમેન્ટમાં ચાલતા કોચિંગ સેન્ટરો, હોસ્પિટલો તેમજ રહેણાંક ઈમારતોમાં ગેરકાયદે વ્યાવસાયિક પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી મિલ્કતોને સીલ કરવામાં આવી રહી છે.</p><h2><b>કાર્યવાહીનો અહેવાલ રાજ્ય સરકારને મોકલવામાં આવશે</b></h2><p>પ્રશાસન દ્વારા ફાયર સેફ્ટીની NOC વગર સંચાલિત થતી ઈમારતો સામે પણ કાર્યવાહી તેજ કરવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસમાં શહેરની કુલ 54 ઈમારતો સીલ કરવામાં આવી છે, જ્યારે 90 જેટલી બિલ્ડિંગોને નોટિસ ફટકારવામાં આવી છે. આ કાર્યવાહીનો અહેવાલ રાજ્ય સરકારને મોકલવામાં આવશે.</p><h3><b>800થી વધુ કોચિંગ સેન્ટરોમાં નિયમોનો ભંગ</b></h3><p>કાનપુરના કાકાદેવ સહિતના વિસ્તારોમાં 800થી વધુ કોચિંગ સેન્ટરો કાર્યરત છે. તેમાંના મોટાભાગના સંસ્થાઓ જરૂરી સુરક્ષા નિયમોનું પાલન કર્યા વિના ચાલી રહી છે. ફાયર વિભાગના જણાવ્યા મુજબ 800માંથી માત્ર 40 કોચિંગ સેન્ટરો પાસે જ ફાયર વિભાગની NOC ઉપલબ્ધ છે. બાકીના સંસ્થાઓ વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે જોખમ લઈ રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.</p><h4><b>KDA પર પણ સવાલો</b></h4><p>આ કાર્યવાહી બાદ માત્ર કોચિંગ સંચાલકો જ નહીં, પરંતુ કાનપુર ડેવલપમેન્ટ ઓથોરિટી (KDA)ની કામગીરી પર પણ પ્રશ્નો ઊભા થયા છે. શહેરમાં મોટાપાયે ગેરકાયદે બાંધકામો થવા છતાં સમયસર કાર્યવાહી કેમ ન થઈ તે અંગે ચર્ચા શરૂ થઈ છે. KDAમાં પૂરતા ઈજનેરો અને અધિકારીઓ હોવા છતાં ગેરરીતિઓ રોકવામાં નિષ્ફળતા અંગે ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થઈ રહ્યા છે.</p><h5><b>ઑનલાઈન ક્લાસ તરફ વળ્યા વિદ્યાર્થીઓ</b></h5><p>તંત્રની કાર્યવાહી બાદ અનેક કોચિંગ સંસ્થાઓએ તાત્કાલિક વિદ્યાર્થીઓને રજા આપી છે. હાલ વિદ્યાર્થીઓને ઑનલાઈન ક્લાસમાં જોડાવા માટે સૂચના આપવામાં આવી રહી છે. શહેરમાં ફાયર સેફ્ટી અને બિલ્ડિંગ નિયમોના પાલન અંગે હવે વધુ કડક દેખરેખ રાખવામાં આવશે તેવી શક્યતા છે.</p><p><a href="https://sandesh.com/india/news/business/india-government-psu-share-sale-ofs-rs-25491-crore-highest-in-11-years" target="_blank"><b>આ પણ વાંચો : PSUs Share Sale : 11 વર્ષમાં સરકારે સૌથી વધુ શેર વેચ્યા, OFS દ્વારા 25,491 કરોડ એકત્ર કરાયા</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/tuZF7cnl569CFx8UE1VHLhzxFoSvjXakUAHvocL6.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026: બોસ્નિયાએ કતારને હરાવીને નોકઆઉટમાં પહોંચવાની આશા રાખી જીવંત ]]></title><link>https://sandesh.com/sports/news/bosnia-herzegovina-vs-qatar-3-1-win-tournament-hopes</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/bosnia-herzegovina-vs-qatar-3-1-win-tournament-hopes</guid><pubDate>Thu, 25 Jun 2026 16:27:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સિએટલ સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી મેચમાં બોસ્નિયા અને હર્ઝેગોવિનાએ કતારને 3-1થી હરાવીને પોતાની ટુર્નામેન્ટની આશા મજબૂત કરી. બોસ્નિયાએ પહેલા હાફમાં આક્રમક શરૂઆત કરી અને 29મી મિનિટે 18 વર્ષના કેરીમ અલાજબેગોવિચે બોક્સની બહારથી શાનદાર ગોલ કરીને ટીમને લીડ અપાવી.</p><h2 style="text-align: justify; "><b>બોસ્નિયા અને હર્ઝેગોવિનાએ લીડ બમણી કરી</b></h2><p style="text-align: justify; ">34મી મિનિટે બોસ્નિયાની લીડ બમણી થઈ ગઈ જ્યારે કતારના સુલતાન અલ્બ્રેકે (સ્કોરકાર્ડ મુજબ મહમૂદ અબુનાદા) એડિન ડઝેકોના ક્રોસને ક્લિયર કરવાનો પ્રયાસ કરતી વખતે બોલને પોતાના જ ગોલમાં ડિફ્લેક્ટ કર્યો.</p><p style="text-align: justify; ">પરંતુ કતારે વાપસી કરવાનો પ્રયાસ કર્યો અને 42મી મિનિટે અનુભવી હસન અલ્હાયડોસે ગોલ કરીને 2-1નો ફરક બનાવ્યો. પ્રથમ હાફ આ સ્કોર સાથે સમાપ્ત થયો.</p><h3 style="text-align: justify; "><b>એરમિન માહમિકના ડિફ્લેક્ટેડ શોટે કતારની આશાઓ પર પાણી ફેરવ્યું</b></h3><p style="text-align: justify; ">બીજા હાફમાં કતારે બરાબરી માટે દબાણ કર્યું અને કેટલીક સારી તકો બનાવી, પરંતુ બોસ્નિયાએ પોતાનો સંયમ જાળવી રાખ્યો. 80મી મિનિટે સબસ્ટિટ્યૂટ એરમિન માહમિકના ડિફ્લેક્ટેડ શોટે કતારની આશાઓ પર પાણી ફેરવી દીધું. આ જીત સાથે બોસ્નિયાએ 3-1થી નિર્ણાયક વિજય મેળવ્યો.</p><p style="text-align: justify; ">આ જીતથી બોસ્નિયા અને હર્ઝેગોવિનાને 4 પોઈન્ટ પણ મળ્યા, પરંતુ ગોલ તફાવત અને અન્ય માપદંડોને કારણે, ટીમ ત્રીજા સ્થાને રહી. હવે તેઓ અન્ય જૂથોના પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરશે, કારણ કે તેઓ બેસ્ટ ત્રીજા ક્રમાંકિત ટીમોમાં જોડાઈને રાઉન્ડ 32માં સ્થાન મેળવી શકે છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/entertainment/virat-kohli-photos-with-son-akaay-anushka-sharma" target="_blank">Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા&nbsp;</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/m8FwBuWVmBwMw2qSdCi9Bdthh1IC1o24akZVfjW8.webp'/></item><item><title><![CDATA[Alka Yagnik Health Update: પદ્મ ભૂષણ એવોર્ડ લેવા પહોંચેલા ગાયિકા અલ્કા યાજ્ઞિકના સ્વાસ્થ્યને જોતા પ્રશંસકો થયા ચિંતિત ]]></title><link>https://sandesh.com/entertainment/news/india/alka-yagnik-health-update-fans-are-worried-about-the-health-of-singer-alka-yagnik-who-arrived-to-receive-the-padma-bhushan-award</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/india/alka-yagnik-health-update-fans-are-worried-about-the-health-of-singer-alka-yagnik-who-arrived-to-receive-the-padma-bhushan-award</guid><pubDate>Thu, 25 Jun 2026 15:22:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">નવી દિલ્હીમાં પદ્મ ભૂષણ સમારોહ દરમિયાન અલ્કા યાજ્ઞિક વ્હીલચેરમાં બેસેલા જોવા મળ્યા હતા.&nbsp;</p><h2 style="text-align: justify; ">અચાનક શ્રવણશક્તિ પર અસર</h2><p style="text-align: justify; ">સોશિયલ મીડિયા પર ચાહકોએ અલ્કા યાજ્ઞિકને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવવાનું શરૂ કર્યું છે. ઘણા યુઝર્સએ તેમના માટે પ્રાર્થના કરી અને આશા વ્યક્ત કરી કે તે ટૂંક સમયમાં સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જશે અને સંગીતની દુનિયામાં પાછા ફરશે. વર્ષ 2024માં, અલ્કા યાજ્ઞિકે તેમના સ્વાસ્થ્ય વિશે મોટો ખુલાસો કર્યો હતો. તેણીએ ખુલાસો કર્યો કે, તેઓ સેન્સરીન્યુરલ હિયરિંગ લોસથી પીડાઈ રહી છે. ગાયિકાના મતે, વાયરલ ચેપ પછી અચાનક તેની શ્રવણશક્તિ પર અસર પડી હતી.</p><h3 style="text-align: justify; ">બીમારીના કારણે કારકિર્દી પર અસર&nbsp;</h3><p style="text-align: justify; ">તેણીએ ખુલાસો કર્યો કે ફ્લાઇટમાંથી ઉતર્યા પછી, તેણીને સમજાયું કે તેણી યોગ્ય રીતે સાંભળી શકતી નથી. ડોક્ટરોએ પાછળથી તેને એક દુર્લભ ન્યુરોલોજીકલ શ્રવણશક્તિ ગુમાવવાનું નિદાન કર્યું હતુ. આ બીમારીએ તેણીની કારકિર્દી પર પણ અસર કરી છે. જોકે ઘણા સંગીતકારો હજુ પણ તેની સાથે કામ કરવા માંગે છે.  પરંતુ સ્વાસ્થ્યની ચિંતાઓને કારણે તેઓ ગાયિકી ક્ષેત્રે પાછા ફરી શક્યા નથી. તેણીનો છેલ્લો રેકોર્ડ કરેલો અવાજ એ.આર.રહેમાન દ્વારા રચિત ફિલ્મ અમર સિંહ ચમકીલાનું ગીત નરમ કલાજા હતું.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2069388202910384191"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; "><span style="font-size: 1.5rem;">પદ્મ ભૂષણ માટે ચાહકોનો આભાર</span></p><p style="text-align: justify; ">પદ્મ ભૂષણ પ્રાપ્ત કર્યા પછી, અલકા યાજ્ઞિકે ઇન્સ્ટાગ્રામ પર એક ભાવનાત્મક નોંધ શેર કરી. તેણીએ લખ્યું કે તેણી છેલ્લા બે વર્ષથી સ્વાસ્થ્ય પડકારોનો સામનો કરી રહી છે, પરંતુ આ સન્માનથી તેણીને નવી ઉર્જા અને હિંમત મળી છે. તેણીના ચાહકો, શ્રોતાઓ અને શુભેચ્છકોનો આભાર વ્યક્ત કરતાં, તેણીએ કહ્યું કે આ સન્માન ફક્ત તેણીનું જ નહીં, પરંતુ તે બધા લોકોનું છે જેમણે વર્ષોથી તેણીના ગીતોને પ્રેમ કર્યો છે અને મુશ્કેલ સમયમાં તેણીને ટેકો આપ્યો છે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DZ8RVnQxnR-/?utm_source=ig_embed&amp;ig_rid=Apdka4O7d982Ocj1wbrokpy" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DZ8RVnQxnR-/?utm_source=ig_embed&amp;ig_rid=Apdka4O7d982Ocj1wbrokpy" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a></p><p style="text-align: justify; "><span style="font-size: 1.25rem;">20 હજારથી વધુ ગીતો રેકોર્ડ કર્યા&nbsp;</span></p><p style="text-align: justify; ">અલકા યાજ્ઞિકનો જન્મ 20 માર્ચ, 1966 ના રોજ કોલકાતામાં થયો હતો. તેમણે છ વર્ષની ઉંમરે ઓલ ઈન્ડિયા રેડિયો માટે ગાવાનું શરૂ કર્યું હતું. ચાર દાયકા લાંબી કારકિર્દીમાં, અલકા યાજ્ઞિકે 20 હજારથી વધુ ગીતો રેકોર્ડ કર્યા છે અને 25થી વધુ ભાષાઓમાં પોતાનો અવાજ આપ્યો છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/world/news/venezuela-earthquake-2026-first-the-president-was-arrested-now-the-earth-is-shaking-a-mountain-of-crisis-looms-over-venezuela" target="_blank"> પહેલા રાષ્ટ્રપતિની કરાઇ ધરપકડ, હવે ધરતી ધ્રુજી, વેનેઝુએલા પર સંકટનો પહાડ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/51SiRWUr6dJJQVNISWGhUXE0r1JdJhcFbnBcQgcS.webp'/></item></channel></rss>