<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[FSSAI Action on Swiggy: ગ્રાહકોની ફરિયાદ બાદ એકશનમાં FSSAI, સ્વિગી ઇન્સ્ટામાર્ટને ફટકારી 9 નોટીસ ]]></title><link>https://sandesh.com/business/news/fssai-action-on-swiggy-fssai-takes-action-after-customer-complaints-issues-9-notices-to-swiggy-instamart</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/fssai-action-on-swiggy-fssai-takes-action-after-customer-complaints-issues-9-notices-to-swiggy-instamart</guid><pubDate>Mon, 13 Jul 2026 16:02:50 +05:30</pubDate><description><![CDATA[<p>લોકોમાં ઓનલાઈન ફૂડ મંગાવવાનું ચલણ વધ્યું છે. પરંતુ આ વસ્તુ કયારેક નુકસાનકારક બની શકે છે. સ્વીગી, ઝમેટોની ઓનલાઈન ફૂડ સર્વિસમાં ગ્રાહકોની ફરિયાદ વધવા લાગી છે. તાજેતરમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ નિયમના ઉલ્લંઘન બદલ સ્વિગી ઇન્સ્ટામાર્ટને કુલ 9 નોટિસ ફટકારી છે. આ કાર્યવાહી ગ્રાહકો તરફથી મળેલી સતત ફરિયાદોના આધારે કરવામાં આવી છે, જેમાં ખોરાકની ગુણવત્તા અને સલામતી અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. સ્વીગી સામે FSSAIના આ કડક વલણથી ઓનલાઈન ફૂડ ડિલિવરી ક્ષેત્રમાં મોટી હલચલ મચી છે.&nbsp;</p><h2><b>કઈ ફરિયાદોને કારણે સ્વિગીને ફટકારી નોટીસ</b></h2><ul><li>FSSAI દ્વારા જારી કરવામાં આવેલી નોટિસોમાં ઘણી ગંભીર બાબતો સામે આવી છે. </li><li>ગ્રાહકોએ ફરિયાદ કરી હતી કે તેમને એક્સપાયરી ડેટ વીતી ગઈ હોય તેવા, સડેલા, દુર્ગંધયુક્ત અને દૂષિત ખાદ્ય પદાર્થો પહોંચાડવામાં આવ્યા હતા. </li><li>અક્ષયકલ્પ ઓર્ગેનિક ઇંડા સડેલા અને દુર્ગંધ મારતા હોવાની ફરિયાદો મળી હતી. હેલ્થીફાઇ ૧૦૦% વ્હી પ્રોટીન અને નોઇસ હોમ સ્ટાઇલ મદ્રાસ મિક્સચર જેવા ઉત્પાદનો એક્સપાયરી ડેટ પછી પણ ગ્રાહકોને મળ્યા હતા.</li><li>કાકે દા પરાઠા ખરાબ અને દુર્ગંધયુક્ત સ્થિતિમાં મળ્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી.</li><li>ખામીયુક્ત શિશુ ખોરાક (Infant food) ના કિસ્સામાં, ગ્રાહકે ઉત્પાદન પરત કરવા છતાં ફરીથી ખામીયુક્ત ઉત્પાદન જ મોકલવામાં આવ્યું હતું.</li><li>કેટલીક પ્રોડક્ટ્સ (જેમ કે 'નોઇઝી એગ્સ') કંપનીના હાલના FSSAI લાઇસન્સમાં સામેલ નહોતી. ઉપરાંત, ઘણા કિસ્સાઓમાં ખોટા અથવા અમાન્ય FSSAI લાઇસન્સ નંબરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.</li><li>ગ્રાહકોએ આક્ષેપ કર્યો છે કે ફરિયાદ કર્યા પછી પણ કોઈ સંતોષકારક જવાબ કે સુધારાત્મક પગલાં લેવામાં આવ્યા નહોતા. ઘણીવાર માત્ર રિફંડ આપીને કેસ બંધ કરી દેવામાં આવતો હતો, પરંતુ ખાદ્ય સુરક્ષાનો મુદ્દો ઉકેલાતો નહોતો.</li></ul><h4><b>FSSAI ની સ્વિગી પાસે કરી આ માંગ</b></h4><p>FSSAI એ કંપની પાસેથી તમામ આરોપો પર એક વિગતવાર અને દસ્તાવેજીકૃત જવાબ માંગ્યો છે. ઓથોરિટીએ નીચે મુજબની બાબતો પર સ્પષ્ટતા માંગી છે.&nbsp; ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, સ્ટોક રોટેશન, સ્ટોરેજ, હેન્ડલિંગ અને ખાદ્ય સુરક્ષા દેખરેખ અંગે સંપૂર્ણ માહિતી. દરેક ઘટના કેમ બની તેનું વિશ્લેષણ અને તેને રોકવા માટે લેવામાં આવેલા ભવિષ્યના પગલાં. ગ્રાહકોની ફરિયાદોના નિવારણ માટે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે લેવાયેલા પગલાંની વિગતો.</p><h4><b>ગ્રાહકોની ફરિયાદ FSSAIની કડક ચેતવણી</b></h4><p>FSSAI એ સ્પષ્ટ કર્યું છે કે જો સ્વિગી ઇન્સ્ટામાર્ટ નિર્ધારિત સમયમર્યાદામાં સંતોષકારક પાલન અહેવાલ (Compliance Report) સબમિટ કરવામાં નિષ્ફળ જશે, તો કંપની સામે 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006' હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.</p><p><br></p><p><a href="https://sandesh.com/business/news/gautam-adani-polaris-smart-metering-1500-crore-deal" target="_blank">આ પણ વાંચો : Gautam Adani સહિત અનેક દિગ્ગજોની નજર આ કંપની પર, 1500 કરોડમાં થઈ શકે છે ડિલ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/13/OBZXEIw04lfvqjSQnoUD4pwlMWimIWpIfKI57TdO.webp'/></item><item><title><![CDATA[Gujarat Weather : રાજ્યમાં વરસાદ ખેંચાતા ગરમી અને ઉકળાટનું જોર વધશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/weather/ahmedabad/rain-weakens-heat-and-humidity-to-rise-across-state</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/weather/ahmedabad/rain-weakens-heat-and-humidity-to-rise-across-state</guid><pubDate>Mon, 13 Jul 2026 15:56:12 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં 	બે દિવસ વરસાદ થયા બાદ ચોમાસુ નબળુ પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ગરમી અને બફારાને કારણે લોકો હેરાન થઈ રહ્યાં છે. ત્યારે રાજ્યમાં આગામી સપ્તાહમાં ઓછા વરસાદની સંભાવના છે. ગરમી અને ઉકળાટનું જોર વધશે. હવામાન વિભાગે હાલમાં રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે. અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધશે. ભેજનું પ્રમાણ વધતાં ગરમીનું જોર વધવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ગુજરાતમાં 20 ટકાથી વધારે વરસાદની ઘટ</b></h2><p style="text-align: justify; ">ગુજરાતમાં 20 ટકાથી વધારે વરસાદની ઘટ હોવાનું સામે આવ્યું છે. અલનીનોની અસરને કારણે ગુજરાતમાં ઓછા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. જ્યારે ઉત્તર પૂર્વ ભારતમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આગામી ત્રણથી ચાર દિવસ ઉત્તર અને પૂર્વ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. બંગાળ અને બિહારમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. આજે મેઘાલયમાં ભારે વરસાદની સંભાવનાઓ છે. જ્યારે સિક્કિમમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ માટે વરસાદની ચેતવણી</b></h2><p style="text-align: justify; ">હવામાન વિભાગે પહાડી રાજ્યો જમ્મુ-કાશ્મીર,લદ્દાખ,હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ માટે વરસાદની ચેતવણી જાહેર કરી છે. આ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન, રસ્તા બંધ થવા અને પાણી ભરાવાની સમસ્યા વધી શકે છે.બીજી તરફ પંજાબ, ચંડીગઢ, હરિયાણા, દિલ્હી અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં પણ વરસાદ સાથે તોફાની પવન અને ગાજવીજની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.પૂર્વ અને મધ્ય ભારતના કેટલાક રાજ્યોમાં પણ ચોમાસું સક્રિય થવાની શક્યતા છે.છત્તીસગઢ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં આગામી ચાર દિવસ સુધી વરસાદના સંકેત છે.આ ઉપરાંત અરુણાચલ પ્રદેશ,નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને ઓડિશા માટે ખાસ વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.<br><br><a href="https://sandesh.com/weather/news/monsoon-2026/weather-update-heavy-rain-alert-in-18-states-possibility-of-thunderstorms-including-delhi-up" target="_blank">આ પણ વાંચોઃ Weather Update: 18 રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ, દિલ્હી-યુપીમા આંધી તોફાનની શક્યતા</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/13/y8xnx7yd36gZZbg2LDt9zjpCjOFyDnBHms8PDhcU.webp'/></item><item><title><![CDATA[UNSCના અસ્થાયી સભ્ય બનવા માટે ભારત કરશે દાવેદારી, એસ.જયશંકર શરૂ કરશે અભિયાન ]]></title><link>https://sandesh.com/india/news/india-unsc-non-permanent-seat-2028-2029-s-jaishankar-campaign</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/india-unsc-non-permanent-seat-2028-2029-s-jaishankar-campaign</guid><pubDate>Mon, 13 Jul 2026 15:51:38 +05:30</pubDate><description><![CDATA[<p>ભારત આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં વર્ષ 2028-29ના કાર્યકાળ માટે બિન-સ્થાયી સભ્યપદની દાવેદારીનું સત્તાવાર અભિયાન શરૂ કરશે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર ન્યૂયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલય ખાતે #India4UNSC 2028-29: Peace, Planet, Progress અભિયાનનો પ્રારંભ કરશે. આ દરમિયાન તેઓ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે પણ મુલાકાત કરશે.</p><h2><b>ભારત તાજિકિસ્તાન સામે ચૂંટણી લડશે</b></h2><p>ભારત એવા સમયે આ અભિયાન શરૂ કરી રહ્યું છે જ્યારે વિશ્વ રશિયા-યુક્રેન યુદ્ધ, ગાઝા સંઘર્ષ અને પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ જેવી અનેક વૈશ્વિક પડકારોનો સામનો કરી રહ્યું છે. ભારત પોતાને જવાબદાર વૈશ્વિક શક્તિ તેમજ વિકાસશીલ દેશો એટલે કે ગ્લોબલ સાઉથના મજબૂત પ્રતિનિધિ તરીકે સ્થાપિત કરવા પ્રયાસ કરી રહ્યું છે.</p><p>વર્ષ 2027માં યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ચૂંટણીમાં ભારત એશિયા-પ્રશાંત જૂથની એક બેઠક માટે તાજિકિસ્તાન સામે ચૂંટણી લડશે. જો ભારત વિજયી બનશે તો તે વર્ષ 2028-29 માટે નવમી વખત UNSCનું બિન-સ્થાયી સભ્ય બનશે. ભારત અગાઉ 1950-51, 1967-68, 1972-73, 1977-78, 1984-85, 1991-92, 2011-12 અને 2021-22 દરમિયાન સુરક્ષા પરિષદમાં ચૂંટાયેલું સભ્ય રહી ચૂક્યું છે. 2010ની ચૂંટણીમાં ભારતને 192માંથી 187 મત મળ્યા હતા, જે નોંધપાત્ર સમર્થન માનવામાં આવે છે.</p><h3><b>વિકાસશીલ દેશોને વધુ યોગ્ય પ્રતિનિધિત્વ આપવાની જરૂર</b></h3><p>ભારતનો પ્રયાસ માત્ર બે વર્ષના બિન-સ્થાયી સભ્યપદ સુધી મર્યાદિત નથી. નવી દિલ્હી લાંબા સમયથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં વ્યાપક સુધારાની માગ ઉઠાવી રહ્યું છે. ભારતનું માનવું છે કે 1945માં રચાયેલી 15 સભ્યોની પરિષદ આજની વૈશ્વિક પરિસ્થિતિનું યોગ્ય પ્રતિનિધિત્વ કરતી નથી. તેથી સ્થાયી અને બિન-સ્થાયી બંને પ્રકારની બેઠકોમાં વધારો કરીને વિકાસશીલ દેશોને વધુ યોગ્ય પ્રતિનિધિત્વ આપવાની જરૂર છે. આ અભિયાન દ્વારા ભારત પોતાના વૈશ્વિક પ્રભાવને વધુ મજબૂત બનાવવાની સાથે સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્યપદ માટે પણ આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવાનો પ્રયાસ કરશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/ayodhya-ram-mandir-ceo-car-luxurious-bungalow-attractive-salaryknow-what-facilities-the-ceo-of-ram-mandir-will-get" target="_blank">આ પણ વાંચો : Ayodhya Ram Mandir CEO: કાર, વૈભવી બંગલો, આકર્ષક પગાર..જાણો રામ મંદિરના CEOને શું મળશે સુવિધાઓ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/13/Vp0VdUkyXHONBnYFo9ioNG2I0CYYLtquT9EG5bdy.webp'/></item><item><title><![CDATA[Bhavnagarના સિહોરમાં પત્નીએ જ ઘડ્યું પતિની હત્યાનું કાવતરું: ચેટ પકડાતા ઇબ્રાહિમનો જીવ બચ્યો! ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/wife-hatched-a-conspiracy-to-kill-her-husband-in-sehore-bhavnagar-ibrahims-life-was-saved-when-the-conspiracy-was-caught</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/wife-hatched-a-conspiracy-to-kill-her-husband-in-sehore-bhavnagar-ibrahims-life-was-saved-when-the-conspiracy-was-caught</guid><pubDate>Mon, 13 Jul 2026 15:27:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભાવનગર જિલ્લાના સિહોરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને ફિલ્મી કહી શકાય તેવી ઘટના સામે આવી છે. અહીં એક પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની જ ઘાતકી હત્યા કરવાનો કારસો રચ્યો હતો. જો કે, હત્યાની આ ગંભીર ઘટનાને અંજામ આપવામાં આવે તે પહેલાં જ સમગ્ર કાવતરાનો ભાંડો ફૂટી ગયો હતો. સમયસર પ્રેમ પ્રકરણ અને હત્યાના પ્લાનની વોટ્સએપ ચેટ પતિના હાથમાં આવી જતાં તેનો ચમત્કારિક બચાવ થયો છે.</p><h2 style="text-align: justify; "><b>પ્રેમમાં આડખીલી બનતા પતિની હત્યાનું કાવતરું</b></h2><p style="text-align: justify; ">સિહોરમાં રહેતા ઇબ્રાહિમ નામના યુવકની પત્ની રશિદાને તોફિક નામના અન્ય એક યુવક સાથે પ્રેમ સંબંધ (અફેર) હતો. રશિદા અને તોફિકના આ ગેરકાયદેસર સંબંધો વચ્ચે પતિ ઇબ્રાહિમ આડખીલી બનતો હતો. આથી, પોતાના પ્રેમમાં નડતરરૂપ બનતા પતિને કાયમ માટે રસ્તામાંથી હટાવવા માટે રશિદા અને તેના પ્રેમી તોફિકે મળીને ઇબ્રાહિમની હત્યા કરવાનો એક પદ્ધતિસરનો તખ્તો ગોઠવ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>ગણતરીના કલાકો પહેલા રહસ્ય ખૂલ્યું</b></h3><p style="text-align: justify; ">આ ખૂની પ્લાન પર પાણી ત્યારે ફરી વળ્યું જ્યારે ઘટનાના ગણતરીના કલાકો પહેલા જ પત્ની અને તેના પ્રેમી વચ્ચે થયેલી ખતરનાક વોટ્સએપ ચેટ પતિ ઇબ્રાહિમના નજરે ચડી ગઈ હતી. ચેટ વાંચતા જ ઇબ્રાહિમ ના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તેને પોતાની જ હત્યાના ષડયંત્રની ખબર પડી ગઈ હતી. જીવનું જોખમ જણાતા ઇબ્રાહિમે તાત્કાલિક આ અંગે પોલીસનો સંપર્ક કર્યો હતો. હાલ સિહોર પોલીસે ભોગ બનનાર પતિની અરજીના આધારે ગંભીરતાપૂર્વક તપાસ શરૂ કરી છે અને આરોપી પત્ની તથા તેના પ્રેમી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/13/QfKOSRevg5WxzcgCAQv5ijSn5NIGe7CHT84TVTOk.webp'/></item><item><title><![CDATA[Rajkot : ગેરકાયદે હથિયારોની 'વેપન કાર્ટેલ'નો પર્દાફાશ, 16 તમંચા અને 30 જીવતા કારતૂસ સાથે 5 ઝડપાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/rajkot/rajkot-pcb-police-raid-illegal-weapon-cartel-busted-16-guns-seized-5-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/rajkot/rajkot-pcb-police-raid-illegal-weapon-cartel-busted-16-guns-seized-5-arrested</guid><pubDate>Mon, 13 Jul 2026 15:22:43 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ પોલીસની પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ ને ગુનાખોરી ડામવા માટે એક બહુ મોટી સફળતા મળી છે. પીસીબીની ટીમે બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને રાજ્યમાં ગેરકાયદેસર હથિયારો સપ્લાય કરતા એક આંતરરાજ્ય 'વેપન કાર્ટેલ'  નો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કૌભાંડમાં સામેલ મુખ્ય સુત્રધાર અને મધ્યપ્રદેશના હથિયાર સપ્લાયર સહિત કુલ 5 રીઢા આરોપીઓની ધરપકડ કરી લીધી છે.</p><h2 style="text-align: justify; "><b>16  ગેરકાયદેસર હથિયાર ને 30  નંગ જીવતા કાર્ટિસનો મોટો જથ્થો  મળ્યો&nbsp;</b></h2><p style="text-align: justify; ">પોલીસના દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી દેશી બનાવટના 16  ગેરકાયદેસર હથિયાર ને 30  નંગ જીવતા કાર્ટિસનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓમાં મુખ્ય સપ્લાયર સકીલ મન્સૂરી મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે, જેને પોલીસે વાંકાનેરથી દબોચી લીધો હતો. આ સિવાય અન્ય સ્થાનિક સાગરીતો જેમાં જયસુખ ઉર્ફે જસો વાઘેલા, દર્શન રોજાસરા, અનિલ વીરા ખેતરીયા અને પ્રદીપ કરપડાની પણ ધરપકડ કરવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>કુલ 2 લાખ રૂપિયા નો મુદ્દામાલ કબજે કર્યો&nbsp;</b></h3><p style="text-align: justify; ">પીસીબીએ હથિયારો, કારતૂસ અને અન્ય સામગ્રી મળીને કુલ 2 લાખ રૂપિયા નો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ હથિયારો મધ્યપ્રદેશથી લાવીને સૌરાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારોમાં ગુનાહિત પ્રવૃત્તિઓ માટે સપ્લાય કરવાના હતા. આ હથિયારો કોને-કોને વેચવાના હતા અને ભૂતકાળમાં કોઈ મોટી ઘટનામાં તેનો ઉપયોગ થયો છે કે નહીં, તે દિશામાં પોલીસે તમામ આરોપીઓના રિમાન્ડ મેળવીને ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp;&nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-indepth-gujarat-monsoon-2026-rain-deficit-paresh-goswami-weather-forecast-july-round" target="_blank"><b> Sandesh Indepth : ચોમાસું ખોટકાયું, ગુજરાતમાં ગત વર્ષ કરતાં અડધો જ વરસાદ; 24.64% સાથે ખેડૂતો ચિંતિત, જળસંકટની ભીતિ!</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/13/YaeeKPhmdv83yRVy1n7HkaSJ5DES0B24QLSqXzq6.webp'/></item><item><title><![CDATA[Ayodhya Ram Mandir CEO: કાર, વૈભવી બંગલો, આકર્ષક પગાર..જાણો રામ મંદિરના CEOને શું મળશે સુવિધાઓ ]]></title><link>https://sandesh.com/india/news/ayodhya-ram-mandir-ceo-car-luxurious-bungalow-attractive-salaryknow-what-facilities-the-ceo-of-ram-mandir-will-get</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ayodhya-ram-mandir-ceo-car-luxurious-bungalow-attractive-salaryknow-what-facilities-the-ceo-of-ram-mandir-will-get</guid><pubDate>Mon, 13 Jul 2026 15:18:29 +05:30</pubDate><description><![CDATA[<p>શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ અને સંચાલનને વધુ વ્યાવસાયિક બનાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. રામ મંદિરના ઇતિહાસમાં પહેલીવાર મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) ની નિમણૂક કરવામાં આવી રહી છે.</p><h2><b>સીઇઓની ફુલ ટાઇમ જોબ</b></h2><p>સામાન્ય રીતે લોકોને લાગે છે કે ધાર્મિક ટ્રસ્ટમાં આ પ્રકારની કામગીરી કરવી તે માત્ર સેવા હોય છે. પરંતુ ના એવુ નથી હોતુ. આ એક ફુલ ટાઇમ કોર્પોરેટ સ્ટાઇલ જોબ હોય છે. રામ મંદિરના પહેલા સીઇઓને મળનારી સેલરી, બંગલો અને કાર અંગે ફુલ માહિતી આપવામાં આવી છે.</p><p><b style="font-size: 1.75rem;">રામ મંદિરના સીઇઓની જવાબદારી શું ?&nbsp;</b></p><ul><li>રામ મંદિરના પ્રથમ સીઈઓ કોઈ સામાન્ય વહીવટી અધિકારી નહીં હોય, પરંતુ સમગ્ર સંકુલના સંચાલન માટે જવાબદાર રહેશે.</li><li>દરરોજ આવતા લાખો ભક્તોની સુરક્ષા અને દર્શન માટેની વ્યવસ્થા.</li><li>મંદિર ટ્રસ્ટના ભંડોળ, દાન અને નાણાકીય વ્યવહારોનું ઓડિટ.</li><li>મંદિર સંકુલની અંદર ચાલી રહેલા અન્ય વિકાસ કાર્યોનું નિરીક્ષણ.</li></ul><h3><b>રામ મંદિરના સીઇઓને શું મળશે લાભ ?&nbsp;</b></h3><p>કારણ કે આ એક ખૂબ જ જવાબદાર અને ફુલ ટાઇમ જવાબદારી છે.&nbsp; ટ્રસ્ટે એક આકર્ષક અને VIP-અનુરૂપ પેકેજ ડિઝાઇન કર્યું છે, જે બધા ટ્રસ્ટ ફંડમાંથી જ સીધુ ભંડોળ પૂરું પાડવામાં આવશે.</p><p><b>આકર્ષક પગાર પેકેજ:</b> </p><p>CEO નો પગાર મુખ્ય સરકારી વિભાગ (જેમ કે કેબિનેટ સચિવ અથવા મુખ્ય સચિવ) માં ઉચ્ચ અધિકારી અથવા મોટી કંપનીમાં ટોચના એક્ઝિક્યુટિવ જેટલો હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ એક નિશ્ચિત અને માનનીય માસિક પગાર હશે.</p><p><b>અયોધ્યામાં વૈભવી નિવાસ (બંગલો)</b>:</p><p>CEO ને અયોધ્યાના એક પોશ વિસ્તારમાં સંપૂર્ણ સજ્જ સરકારી અથવા ટ્રસ્ટની માલિકીનો બંગલો પૂરો પાડવામાં આવશે. આમાં કેમ્પ ઓફિસ અને સુરક્ષા કર્મચારીઓ માટે રહેવાની વ્યવસ્થા પણ શામેલ હશે.</p><p><b>સત્તાવાર વાહનો અને સુરક્ષા</b>:</p><p>અયોધ્યામાં સરળ કામગીરી અને VIP અવરજવર સુનિશ્ચિત કરવા માટે, CEO ને વૈભવી સત્તાવાર વાહનો (SUV) અને ડ્રાઇવર આપવામાં આવશે. આ ઉપરાંત, તેમની સુરક્ષા માટે ખાસ રક્ષકો તૈનાત કરવામાં આવશે.</p><p><b>અન્ય લાભો</b>:</p><p>તબીબી વીમો, મુસાફરી ભથ્થું, અને ફોન અને ઇન્ટરનેટ જેવી બધી જરૂરી સુવિધાઓ પણ આ પેકેજનો ભાગ હશે.</p><p><br></p><h3><b>રામ મંદિરના સીઈઓ કોણ બની શકે છે?</b></h3><ul><li>ટ્રસ્ટ આ પદ માટે શિખાઉ માણસની શોધમાં નથી, પરંતુ ખૂબ જ અનુભવી ઉમેદવારની શોધમાં છે. આ માટે કેટલાક કડક પાત્રતા માપદંડ નક્કી કરવામાં આવ્યા છે:</li><li>ઉમેદવાર વ્યાપક વહીવટી અનુભવ ધરાવતો નિવૃત્ત IAS અથવા IPS અધિકારી હોવો જોઈએ.</li><li>કેન્દ્ર અથવા રાજ્ય સરકારમાં મુખ્ય સચિવ અથવા તેનાથી ઉપરના પદ પર સેવા આપી હોય.</li><li>ઉમેદવારનો સંપૂર્ણ સ્વચ્છ અને નિર્દોષ ટ્રેક રેકોર્ડ હોવો જોઈએ.</li></ul><p><b style="font-size: 1.5rem;">સીઇઓને મળતી સુવિધાનો ખર્ચ કોણ ઉપાડશે ?&nbsp;</b></p><p>આ પેકેજ અને સુવિધાઓનો સંપૂર્ણ ખર્ચ ઉત્તર પ્રદેશ સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે નહીં. આ સમગ્ર ખર્ચ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ભંડોળ દ્વારા ઉઠાવવામાં આવશે. રામ મંદિર ટ્રસ્ટ પાસે દેશ અને વિદેશમાંથી દાનના રૂપમાં એક મોટું ભંડોળ છે, જે આ વ્યાવસાયિક વ્યવસ્થાપન પ્રણાલીને સુગમ રીતે ચલાવવાની ખાતરી કરશે.</p><p>આ પગલું સૂચવે છે કે રામ મંદિર ટ્રસ્ટ હવે સંપૂર્ણપણે આધુનિક અને વ્યાવસાયિક વ્યવસ્થાપન તરફ આગળ વધી રહ્યું છે, જેથી અયોધ્યાની મુલાકાત લેતા ભક્તોને વિશ્વસ્તરીય સુવિધાઓ મળી શકે.</p><p><br></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/13/VBjXMAX8Nn5ejVs7Da2o2vGqpzYw8qDk8djQmVMF.webp'/></item><item><title><![CDATA[TMKOC : જેઠાલાલની ફી આગળ બબીતા જી ક્યાંય ફેઇલ, દરેક એપિસોડના મળે છે આટલા લાખ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/tmkoc-cast-fees-jethalal-babita-ji-salary-comparison</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/tmkoc-cast-fees-jethalal-babita-ji-salary-comparison</guid><pubDate>Mon, 13 Jul 2026 15:18:27 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને ટૂંક સમયમાં જ 18 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. આ ટીવી ઇન્ડસ્ટ્રીનો મોસ્ટ પોપ્યુલર શો છે. આ શોનું દરેક પાત્ર પોતાનામાં ખાસ છે. શોમાં દિલીપ જોશીથી લઈને મુનમુન દત્તા સુધી ચર્ચામાં રહે છે. જાણો કે શોમાં આખરે સૌથી વધુ ફી લેનાર એક્ટર કોણ છે.</p><h2 style="text-align: justify; "><b>જેઠાલાલ નીકળ્યા સૌથી આગળ</b></h2><p style="text-align: justify; ">મીડિયા રિપોર્ટ મુજબ, બબીતા જીના રોલ માટે પ્રતિ એપિસોડ મુનમુન દત્તા 50,000 થી 75,000 સુધી ફી લે છે. દિલીપ જોશી શો માટે પ્રતિ એપિસોડ 1.5 લાખ થી 2 લાખ સુધી ફી લે છે. આ હિસાબે દિલીપની ફી મુનમુન કરતા 3 ગણી વધારે છે. તેઓ 200 ટકા ફી લઈ રહ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>શ્યામ પાઠક</b></h3><p style="text-align: justify; ">શોમાં શ્યામ પોપટલાલનો રોલ પ્લે કરી રહ્યા છે. શોમાં તેઓ કુંવારાના રોલમાં છે જે લગ્ન માટે આતુર છે. શો માટે શ્યામ 60,000 પ્રતિ એપિસોડ ફી લે છે.</p><h3 style="text-align: justify; "><b>અમિત ભટ્ટ</b></h3><p style="text-align: justify; ">શોમાં અમિત જેઠાલાલના પિતા ચંપકલાલ ગડાના રોલમાં છે. આ રોલમાં તેઓ છવાઈ ગયા છે. અસલ જિંદગીમાં તેઓ જેઠાલાલનો રોલ નિભાવતા દિલીપ જોશી કરતા નાના છે. શો માટે તેઓ 70,000 પ્રતિ એપિસોડ ચાર્જ કરે છે.</p><h5 style="text-align: justify; "><b>સોનાલિકા જોશી અને મંદાર ચાંદવડકર</b></h5><p style="text-align: justify; ">શોમાં સોનાલિકા અને મંદાર પતિ-પત્નીના રોલમાં છે. મંદાર શિક્ષક આત્મારામ ભીડેનું પાત્ર નિભાવી રહ્યા છે. વળી સોનાલિકા માધવી ભીડેનો રોલ પ્લે કરી રહી છે. મંદાર શો માટે 80,000 પ્રતિ એપિસોડ ફી ચાર્જ કરે છે. સોનાલિકા શો માટે 35,000 પ્રતિ એપિસોડ ફી ચાર્જ કરે છે. મંદાર પણ બબીતા જી કરતા વધુ ફી લે છે.</p><h5 style="text-align: justify; "><b>તનુજ મહાશબ્દે</b></h5><p style="text-align: justify; ">શોમાં તનુજ અય્યરના રોલમાં છે. શોમાં તેઓ બબીતા જીના પતિ અને એક સાયન્ટિસ્ટના રોલમાં છે. શો માટે તેઓ 65,000 રૂપિયા પ્રતિ એપિસોડ ચાર્જ કરે છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/dhurandhar-japan-box-office-ranveer-singh-disaster" target="_blank">આ પણ વાંચો-Flop Dhurandhar : વર્લ્ડવાઇડ ધૂમ મચાવનારી ધુરંધર જાપાનમાં પડી ફીક્કી, સાબિત થઈ મોટી ડિઝાસ્ટર!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/13/3mBSMXyfX7MKUnYpwhxuOqANPZbf8tMRX32DbQuU.webp'/></item><item><title><![CDATA[Banaskantha : દાંતા સિવિલ હોસ્પિટલમાં મહિલા દર્દીને એક્સપાયરી ડેટવાળી સેલાઈન બોટલ ચઢાવી દીધી, પરિવારે મચાવ્યો ભારે હોબાળો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/banaskanthadanta-civil-hospital-negligence-expired-saline-bottle-injected-woman-patient-ambaji</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/banaskanthadanta-civil-hospital-negligence-expired-saline-bottle-injected-woman-patient-ambaji</guid><pubDate>Mon, 13 Jul 2026 15:13:28 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક આવેલી દાંતા સિવિલ હોસ્પિટલમાંથી સરકારી તંત્રની ઘોર બેદરકારીનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં સારવાર અર્થે આવેલી એક મહિલા દર્દીને હોસ્પિટલના સ્ટાફ દ્વારા એક્સપાયરી ડેટ  વાળી સેલાઈન બોટલ ચઢાવી દેવામાં આવતા મોટો વિવાદ ઊભો થયો છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>સમગ્ર શરીરે અચાનક સોજા આવી ગયા</b></h2><p style="text-align: justify; ">આ ગંભીર બેદરકારીના કારણે મહિલા દર્દીની તબિયત વધુ લથડી હતી અને તેના સમગ્ર શરીરે અચાનક સોજા આવી ગયા હતા. મહિલાની સ્થિતિ બગડતા જ તેના પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો હતો અને તેમણે હોસ્પિટલ પરિસરમાં જ તંત્ર સામે ભારે હોબાળો મચાવ્યો હતો.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>ડૉક્ટર અને નર્સની આ સ્પષ્ટ માનવીય ભૂલ&nbsp;</b></h3><p style="text-align: justify; ">આ ઘટનાની ગંભીરતાને જોતા હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. કે. કે. સિંહે મીડિયા સમક્ષ સત્તાવાર નિવેદન આપવું પડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દવાઓનું નિયમિત ચેકિંગ કરવામાં આવે છે, પરંતુ એક એક્સપાયરી તારીખવાળી સેલાઈન બોટલ કોઈ કારણસર સ્ટોકમાં રહી ગઈ હતી. વહીવટી તંત્રએ સ્વીકાર્યું છે કે પ્રાથમિક તપાસમાં ફરજ પર હાજર ડૉક્ટર અને નર્સની આ સ્પષ્ટ માનવીય ભૂલ છે.</p><h4 style="text-align: justify; "><b>દર્દીઓની સુરક્ષાને લઈને અનેક ગંભીર સવાલો&nbsp;</b></h4><p style="text-align: justify; ">દર્દીઓના જીવ સાથે રમત રમતી આ ઘટનાએ સિવિલ હોસ્પિટલની કામગીરી અને દર્દીઓની સુરક્ષાને લઈને અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે. પીડિત મહિલાના પરિવારજનોએ આ ગંભીર બેદરકારી બદલ જવાબદાર ડૉક્ટર અને નર્સ સહિતના સ્ટાફ સામે તાત્કાલિક કડક કાનૂની અને ખાતાકીય કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી છે. હવે જોવાનું એ રહેશે કે આરોગ્ય વિભાગ આ જવાબદાર કર્મચારીઓ સામે કેવા પગલાં ભરે છે.</p><p style="text-align: justify; ">&nbsp;&nbsp;</p><p style="text-align: justify; ">&nbsp; આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-indepth-gujarat-monsoon-2026-rain-deficit-paresh-goswami-weather-forecast-july-round" target="_blank"><b>Sandesh Indepth : ચોમાસું ખોટકાયું, ગુજરાતમાં ગત વર્ષ કરતાં અડધો જ વરસાદ; 24.64% સાથે ખેડૂતો ચિંતિત, જળસંકટની ભીતિ!&nbsp;</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/13/roJaXA9cjX1zERClBXVxV3SIzTnDQT9aN6nESYPo.webp'/></item><item><title><![CDATA[Fifa world cup 2030માં હવે 64 ટીમ રમશે! શું ભારતીય ફૂટબોલ ટીમ ક્વોલિફાય કરશે? ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2030-will-now-have-64-teams-will-the-indian-football-team-qualify</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2030-will-now-have-64-teams-will-the-indian-football-team-qualify</guid><pubDate>Mon, 13 Jul 2026 14:23:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">FIFA પ્રમુખ ગિયાની ઇન્ફન્ટિનોએ સંકેત આપ્યો છે કે 2030 FIFA મેન્સ વર્લ્ડ કપમાં ટીમોની સંખ્યા વધારીને 64 કરવાના પ્રસ્તાવ પર ગંભીરતાથી વિચાર કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે 2026 ના વર્તમાન વર્લ્ડ કપ પૂર્ણ થયા પછી સંબંધિત FIFA સમિતિઓ આ મુદ્દા પર ચર્ચા કરશે. ઇન્ફન્ટિનોનું માનવું છે કે વિશ્વના દરેક દેશને વર્લ્ડ કપમાં રમવાનું સ્વપ્ન જોવાની તક મળવી જોઈએ, કારણ કે આનાથી નાના રાષ્ટ્રોને પણ વધુ સારું પ્રદર્શન કરવા અને ફૂટબોલનું સ્તર વધારવા માટે પ્રેરણા મળશે.</p><h4 style="text-align: justify; "><b>દરેક દેશને વર્લ્ડ કપમાં રમવાની તક મળવી જોઈએ</b></h4><p style="text-align: justify; ">મીડિયા રિપોર્ટ અનુસાર આ વર્લ્ડ કપ પછી 64 ટીમોના વર્લ્ડ કપના મુદ્દા પર સંબંધિત સમિતિઓમાં ચોક્કસપણે ચર્ચા કરવામાં આવશે.તેમણે વધુમાં ઉમેર્યું,દરેક દેશને વર્લ્ડ કપમાં રમવાનું સ્વપ્ન જોવાનો અધિકાર હોવો જોઈએ. વિશ્વભરની ટીમોનું સ્તર સતત સુધરી રહ્યું છે. જો નાના રાષ્ટ્રોને વર્લ્ડ કપમાં રમવાની તક નહીં મળે, તો તેઓ પ્રગતિ કરવાની પ્રેરણા ગુમાવી દેશે.</p><h4 style="text-align: justify; "><b>2026 માં પહેલી વાર 48 ટીમોનો વર્લ્ડ કપ</b></h4><p style="text-align: justify; ">અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકા, કેનેડા અને મેક્સિકોના સંયુક્ત યજમાનપદે રમાઈ રહેલો ચાલુ 2026 ફિફા વર્લ્ડ કપ ઇતિહાસનો પ્રથમ એવો વર્લ્ડ કપ છે જેમાં 48 ટીમો ભાગ લઈ રહી છે. આ પહેલા 1998થી 2022 સુધીના વર્લ્ડ કપમાં માત્ર 32 ટીમો જ તી હતી.</p><h5 style="text-align: justify; "><b>48 ટીમોનું ફોર્મેટ સંપૂર્ણ સફળતા</b></h5><p style="text-align: justify; ">FIFA પ્રમુખે 32 થી 48 ટીમોના વિસ્તરણને સંપૂર્ણ સફળતા ગણાવી, કહ્યું કે આ નિર્ણય ફૂટબોલના વૈશ્વિક વિકાસ માટે અત્યંત સકારાત્મક સાબિત થયો છે. તેમણે ઉમેર્યું કે જો ભવિષ્યમાં 64 ટીમોનું ફોર્મેટ લાગુ કરવામાં આવે છે, તો તે વધુ દેશોને ભાગ લેવાની મંજૂરી આપશે, જોકે મેચોની સંખ્યા, સંગઠન અને લોજિસ્ટિક્સ જેવા પડકારો પણ વધશે.</p><h4 style="text-align: justify; "><b>ભારતીય ફૂટબોલ ટીમ માટે મોટી તક&nbsp;</b></h4><p style="text-align: justify; ">આ સમાચાર ભારતીય ફૂટબોલ ચાહકો માટે એક મોટો ઉત્સાહ છે. જ્યારે વર્લ્ડ કપમાં 32 ટીમો હતી ત્યારે એશિયા (AFC) પાસે ખૂબ જ મર્યાદિત સ્થાનો હતા, જેના કારણે ભારત માટે ક્વોલિફાય થવું લગભગ અશક્ય હતું. જ્યારે 2026 માં ટીમોની સંખ્યા વધીને 48 થઈ ગઈ, ત્યારે એશિયાનો ક્વોટા વધ્યો, જેનાથી આશાઓ જાગી. હવે, જો 2030 માં કુલ 64 ટીમો ભાગ લે છે, તો એશિયન દેશોનો ક્વોલિફાય ક્વોટા વધુ વધશે.</p><h5 style="text-align: justify; "><b>2030નો વર્લ્ડ કપ કેમ રહેશે ઐતિહાસિક?</b></h5><p style="text-align: justify; ">2030નો ફિફા વર્લ્ડ કપ ફૂટબોલના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે, કારણ કે આ ટુર્નામેન્ટ 3ખંડોના 6 દેશોમાં યોજાવાની છે. જેમાં મોરોક્કો, પોર્ટુગલ, સ્પેન, ઉરુગ્વે, આર્જેન્ટિના અને પેરાગ્વેનો સમાવેશ થાય છે. વર્ષ 1930માં પ્રથમ ફિફા વર્લ્ડ કપનું આયોજન કરનાર ઉરુગ્વે તેની શતાબ્દીનિમિત્તે એક ખાસ ઉદ્ઘાટન મેચની યજમાની કરશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-semi-final-schedule-announced-know-who-will-face-whom" target="_blank"> Fifa World Cup 2026: સેમીફાઈનલનું શેડ્યુલ જાહેર, જાણો કોણ કોની સાથે ટકરાશે?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/13/xeFRs909ugoKN6gGEstb9OR52kBRo56ouAW5w1Yb.webp'/></item><item><title><![CDATA[Bharuch: આયોજન ભવનના ક્લાસ વન અધિકારીએ જીવન ટૂંકાવ્યું, ચિઠ્ઠીમાં થયો મોટો ખુલાસો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/class-one-officer-piyush-ukani-committed-suicide-due-to-loan-and-credit-card-debt</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/class-one-officer-piyush-ukani-committed-suicide-due-to-loan-and-credit-card-debt</guid><pubDate>Mon, 13 Jul 2026 14:09:24 +05:30</pubDate><description><![CDATA[<p>ભરૂચના પોશ ગણાતા વિસ્તારમાં આવેલી રામેશ્વર પાર્ક સોસાયટીમાં એક હૃદયદ્રાવક ઘટના ઘટી છે, જેમાં એક જવાબદાર અને ઉચ્ચ કક્ષાના સરકારી અધિકારીએ આર્થિક સંકટના કારણે આત્મહત્યા જેવું આત્યંતિક પગલું ભરી લીધું છે. ભરૂચ જિલ્લાના આયોજન ભવનમાં ક્લાસ વન અધિકારી તરીકે પ્રતિષ્ઠિત ફરજ બજાવતા પિયુષ ઉકાણીએ પોતાના ઘરમાં દોરી વડે ગળેફાંસો ખાઈને જીવનલીલા સંકેલી લીધી છે. આ ઘટનાની જાણ વાયુવેગે સરકારી વર્તુળોમાં પ્રસરતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો સ્ટાફ સ્તબ્ધ થઈ ગયો છે.</p><h2><b>ક્લાસ વન અધિકારીએ આપઘાત કર્યો</b></h2><p>ઘટનાની જાણ થતાં જ ભરૂચ લોકલ પોલીસનો કાફલો તાત્કાલિક રામેશ્વર પાર્ક સોસાયટી ખાતેના ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે પ્રાથમિક પંચનામું કરીને તપાસ શરૂ કરતા મૃતક પિયુષ ઉકાણીના રૂમમાંથી એક ચિઠ્ઠી હસ્તગત કરી હતી. આ ચિઠ્ઠી વાંચતા જ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ચિઠ્ઠીમાં સ્પષ્ટ શબ્દોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેઓ અલગ-અલગ બેંકોની લોન અને ક્રેડિટ કાર્ડના ભારે દેવાના બોજ હેઠળ દબાયેલા હતા. આ આર્થિક બોજ અને તેના માનસિક તણાવને સહન ન કરી શકવાના કારણે તેઓ આ આપઘાતનું પગલું ભરી રહ્યા છે.</p><h3><b>પરિવાર અને સરકારી આલમમાં શોકનું મોજું</b></h3><p>એક ક્લાસ વન અધિકારી જે સારું એવું વેતન અને સામાજિક મોભો ધરાવતા હોય, તેઓ પણ ક્રેડિટ કાર્ડ અને લોનની આડઅસરોનો ભોગ બન્યા હોવાની આ હકીકત સમાજ માટે લાલબત્તી સમાન છે. પોલીસે મૃતક પિયુષ ઉકાણીના શબને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે. હાલમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને, આ ચિઠ્ઠી કોના હસ્તાક્ષરમાં લખાયેલી છે તેની ચકાસણી અને કોઈ ધાક-ધમકી કે ઉઘરાણીનો ત્રાસ હતો કે કેમ, તે તમામ પાસાઓ પર ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/patan/harij-zhapatpura-area-name-changed-to-islampura-in-government-documents-creates-controversy" target="_blank">આ પણ વાંચો: Patan: હારીજમાં વર્ષો જૂના ‘ઝાપટપુરા’નું નામ સરકારી ચોપડે બદલાઈને ‘ઇસ્લામપુરા’ થતાં રહીશોમાં ભારે રોષ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/13/fafWZOuunphVWz3g02w6CzPsLnUG071u65mKa40f.webp'/></item></channel></rss>