<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabad News: દક્ષિણ ઝોનમાં 11 આવાસ યોજનાના જર્જરિત મકાનો ખાલી કરાવવા મનપા એક્શનમાં આવી ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-initiates-action-to-vacate-dilapidated-houses-in-11-housing-schemes-of-south-zone</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-initiates-action-to-vacate-dilapidated-houses-in-11-housing-schemes-of-south-zone</guid><pubDate>Mon, 15 Jun 2026 18:18:08 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં અનેક સરકારી આવાસ યોજનાઓ છે. વર્ષો જૂની આ આવાસ યોજનાઓના મકાનો હવે જર્જરિત થઈ ગયાં છે. જેથી તેને ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે. શહેરના દક્ષિણ ઝોનમાં આ પ્રકારની 11 આવાસ યોજનાઓ જર્જરિત હોવાના રિપોર્ટ બાદ મનપાનું તંત્ર હરકતમાં આવ્યું છે.ગત વર્ષે પણ નોટીસ આપવા છતાં આવાસમાં રહેતા લોકોએ મકાનો ખાલી નહોતા કર્યા જેથી હવે કાર્યવાહી કરવાની તૈયારીઓ શરૂ કરાઈ છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>અંદાજે 115 બ્લોક મા 3073 મકાનો આવેલ છે</b></h2><p style="text-align: justify; ">અમદાવાદમાં દક્ષિણ ઝોનમાં સ્થિત આવાસ યોજનાઓ પૈકીની 11 આવાસ યોજનાઓ હાલમાં જર્જરિત હોવાનો રિપોર્ટ ગત વર્ષે આપવામાં આવ્યો હતો. જો કે, મનપાના હાઉસિંગ વિભાગમાં કામગીરી ગોકળગતિ અને ચૂંટણીના કારણે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ નહીં થતાં ચોમાસામાં લોકોએ જર્જરિત થયેલા મકાનોમાં રહેવાની સ્થિતિ ઉભી થઈ છે. મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા કામગીરી પૂર્ણ કરીને પણ હાઉસિંગમાં ટેન્ડર પ્રક્રિયા નહીં થતાં હવે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ તમામ 11 ક્વાટર્સ વિસ્તારમાં અંદાજે 115 બ્લોક મા 3073 મકાનો આવેલ છે.</p><h3 style="text-align: justify; "><b>યોજનાઓમાં svnitના રિપોર્ટ પ્રમાણે નોટીસો અપાઈ</b></h3><p style="text-align: justify; ">આ તમામ આવાસ યોજનાઓમાં રહેતા લોકો મકાનો ખાલી કરવા માટે તૈયાર છે તેમણે મનપાને સંમતિ પણ આપી છે. છતાં મનપાની ધીમી કામગીરીને કારણે લોકોએ ચોમાસામાં પણ હેરાન થવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. દક્ષિણ ઝોનમાં મનપાના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર કિશોર પટેલના જણાવ્યા પ્રમાણે, 11 આવાસ યોજનાઓમાં svnitના રિપોર્ટ પ્રમાણે નોટીસો અપાઈ છે. મકાન ખાલી કરવા માટે ડ્રેનેજ કાપવાની પણ કામગીરી કરીએ છીએ. જાહેર નોટીસ પણ આપવામાં આવી છે. મનપાની કામગીરી વચ્ચે પણ લોકો જર્જરિત મકાનોમાં રહેવા મજબૂર છે. મકાનોની હાલત જોતા વરસાદમાં કોઈ પણ સમયે ધરાશાયી થાય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.&nbsp;&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/mehsana/legal-battle-intensifies-over-vadnagar-hatkeshwar-temple-administration" target="_blank">આ પણ વાંચોઃ Mehsana News: વહીવટદાર નિમાયા બાદ હાટકેશ્વર મંદિરનો કબજો મેળવા તજવીજ, પક્ષકારો વચ્ચે કાનૂની લડાઈ તેજ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/GxnUhlmnBBERVT08hJg96Oczgjp8ZLQZp7iqHTu4.webp'/></item><item><title><![CDATA[Rajkot News: મહિલા કારચાલકનો આતંક, પાર્ક કરેલા વાહનો અને લારીઓનો કચ્ચરઘાણ વાળ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/women-driver-loses-control-over-car-hits-parked-vehicles</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/women-driver-loses-control-over-car-hits-parked-vehicles</guid><pubDate>Mon, 15 Jun 2026 18:17:19 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ શહેરના વ્યસ્ત અને પોશ ગણાતા અમીન માર્ગ પર સોમવારે એક ચોંકાવનારો કાર અકસ્માત સર્જાયો હતો. અમીન માર્ગથી પસાર થઈ રહેલી એક કારચાલક મહિલાએ અચાનક જ પોતાના વાહન પરથી કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલી આ કારે રસ્તાની સાઈડમાં પાર્ક કરેલા બાઈક-સ્કૂટર સહિતના વાહનો અને ખાણીપીણીની લારીઓને જોરદાર ટક્કર મારીને હડફેટે લીધા હતા. આ સમગ્ર ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.</p><h2><b>પાર્ક કરેલા વાહનો અને લારીઓ હવામાં ઉડ્યા</b></h2><p>ઘટનાની મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરના અમીન માર્ગ પર સામાન્ય દિવસોની જેમ જ અવરજવર ચાલુ હતી અને રસ્તાની એક બાજુએ કેટલાક વાહનો પાર્ક કરેલા હતા તથા લારીઓ હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી એક લક્ઝુરિયસ કારની મહિલાચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાર એટલી સ્પીડમાં હતી કે પળવારમાં જ તેણે લાઈનસર ઉભેલા વાહનો અને લારીઓનો કચ્ચરઘાણ વાળી દીધો હતો. કારની ટક્કર એટલી જોરદાર હતી કે, વાહનો હવામાં ફંગોળાયા હતા.</p><h2><b>અકસ્માતની સમગ્ર ઘટના કેમેરામાં કેદ</b></h2><p>આ ગમખ્વાર અકસ્માતની આસપાસની દુકાનોમાં લાગેલા સીસીટીવી કેમેરામાં લાઈવ દ્રશ્યો કેદ થયા છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કેવી રીતે એક બેકાબૂ બનેલી કાર ધડાકાભેર પાર્ક કરેલા વાહનો સાથે અથડાય છે. સદનસીબે જે સમયે આ ઘટના બની ત્યારે લારીઓ અને વાહનો પાસે વધુ ભીડ ન હતી, જેના કારણે મોટી જાનહાનિ ટળી ગઈ છે.</p><h2><b>ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા</b></h2><p>અકસ્માતનો જોરદાર અવાજ આવતા જ આસપાસના દુકાનદારો અને સ્થાનિક રાહદારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માત બાદ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક લોકોએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/rajkot/another-city-bus-accident-in-rajkot-it-hit-a-bike-near-swaminarayan-mandir-on-kalavad-road" target="_blank">Rajkotમાં વધુ એક સિટી બસનો અકસ્માત: કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર પાસે બાઇકને મારી ટક્કર</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/IZjmmLlCjlsFcoqOqaUkYHOaZsJIcEH50YA7iFxM.webp'/></item><item><title><![CDATA[Char Dham Yatra 2026 : બદ્રીનાથ ધામમાં વર્ષ 2026માં આસ્થાનો નવો રેકોર્ડ, 11 લાખ ભક્તોએ કર્યા દર્શન ]]></title><link>https://sandesh.com/india/news/char-dham-yatra-2026-badrinath-record-11-lakh-devotees-darshan</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/char-dham-yatra-2026-badrinath-record-11-lakh-devotees-darshan</guid><pubDate>Mon, 15 Jun 2026 18:08:03 +05:30</pubDate><description><![CDATA[<p>બદ્રીનાથ ધામમાં આ વર્ષે આસ્થાનો નવો રેકોર્ડ નોંધાયો છે. 14 જૂનના સાંજે 5 વાગ્યા સુધી 11,09,993થી વધુ શ્રદ્ધાળુઓ ભગવાન બદ્રીવિશાલના દર્શન કરી ચૂક્યા છે. પુરુષોત્તમ માસ પૂર્ણ થયા બાદ પણ ધામમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ સતત જોવા મળી રહી છે. ઉત્તરાખંડના આ પવિત્ર ધામમાં દેશભરમાંથી આવતા યાત્રાળુઓનો ઉત્સાહ અવિરત છે.</p><h2><b>વિકટ પરિસ્થિતિઓ હોવા છતાં ભક્તોની શ્રદ્ધામાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી</b></h2><p>આ વર્ષે હવામાનની મુશ્કેલીઓ, લાંબી લાઈનો અને ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિઓ હોવા છતાં ભક્તોની શ્રદ્ધામાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. યાત્રીઓ ધીરજપૂર્વક કલાકો સુધી રાહ જોઈને પણ ભગવાન બદ્રીનાથના દર્શન કરી રહ્યા છે. આ પરિસ્થિતિ દર્શાવે છે કે ધામ પ્રત્યે લોકોની આસ્થા અને ધાર્મિક વિશ્વાસ કેટલો ઊંડો છે.</p><h3><b>બદ્રીનાથ ધામ હંમેશા મહત્વનું કેન્દ્ર</b></h3><p>ઉત્તરાખંડના ચારો ધામ યાત્રા અંતર્ગત બદ્રીનાથ ધામ હંમેશા મહત્વનું કેન્દ્ર રહ્યું છે, પરંતુ આ વર્ષે યાત્રિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. 15 જૂન પહેલાં જ 11 લાખથી વધુ શ્રદ્ધાળુઓનો આંકડો પાર થવો એક નવો રેકોર્ડ માનવામાં આવે છે. આ સિદ્ધિ રાજ્યમાં ધાર્મિક પર્યટનના વધતા પ્રભાવને પણ દર્શાવે છે.</p><h4><b>યાત્રાળુઓની સુવિધા માટે વ્યવસ્થાઓ મજબૂત કરવામાં આવી</b></h4><p>સ્થાનિક પ્રશાસન દ્વારા યાત્રાળુઓની સુવિધા માટે વ્યવસ્થાઓ મજબૂત કરવામાં આવી છે, છતાં ભારે ભીડના કારણે કેટલીક જગ્યાએ વ્યવસ્થાપન પર દબાણ જોવા મળે છે. તેમ છતાં યાત્રાળુઓનો ઉત્સાહ યથાવત છે અને સતત વધતી ભીડને જોતા આ વર્ષે યાત્રાનો આંકડો વધુ ઊંચો જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/tirumala-tirupati-balajis-earnings-break-record-ttd-will-sell-283-tons-of-donated-hair" target="_blank">આ પણ વાંચો : Tirumala: તિરૂપતિ બાલાજીની કમાણી રેકોર્ડ બ્રેક! વેચશે 283 ટન દાનમાં આવેલા વાળ</a></b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/J3SjP0kM3h56kQwkdohxILuWSNztRpEUsMfrkEMM.webp'/></item><item><title><![CDATA[Junagadh News: સિંહપ્રેમીઓ માટે મોટા સમાચાર, સાસણ ગિરમાં સિંહોનું વેકેશન 7 દિવસ પાછું ઠેલાયું ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/junagadh-news-big-news-for-lion-lovers-lions-vacation-in-sasan-gir-postponed-by-7-days</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/junagadh-news-big-news-for-lion-lovers-lions-vacation-in-sasan-gir-postponed-by-7-days</guid><pubDate>Mon, 15 Jun 2026 17:54:36 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">એશિયાટિક સિંહોના એકમાત્ર ઘર ગણાતા જૂનાગઢના સાસણ ગિરમાંથી સિંહપ્રેમીઓ અને પ્રવાસીઓ માટે એક અત્યંત આનંદના સમાચાર સામે આવ્યા છે. વન વિભાગ દ્વારા દર વર્ષે ચોમાસાની ઋતુમાં સિંહોના સંવર્ધનકાળ (મેટીંગ સીઝન) ને ધ્યાનમાં રાખીને અપાતું નિયમિત વેકેશન આ વર્ષે પાછું ઠેલવામાં આવ્યું છે. સાસણ ગીર અભયારણ્યમાં પ્રવાસીઓ માટે સફારી પાર્ક હવે 15 જૂનને બદલે 23 જૂનથી સત્તાવાર રીતે બંધ કરવામાં આવશે, જેને પગલે સિંહ દર્શન માટે ઉત્સુક પ્રવાસીઓને વધુ 7 દિવસનો સમય મળશે.</p><h2 style="text-align: justify; ">ચોમાસું ખેંચાતા વન વિભાગનો પ્રથમવાર મોટો નિર્ણય</h2><p style="text-align: justify; ">સાસણ ગીરના ઇતિહાસમાં કદાચ આ પ્રથમ એવી ઘટના છે જ્યારે સિંહોનું વેકેશન આટલું મોડું શરૂ થઈ રહ્યું છે. સામાન્ય રીતે દર વર્ષે 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી ગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવતું હોય છે. પરંતુ આ વર્ષે ચોમાસું લંબાતા અને વરસાદ ખેંચાતા વન વિભાગ દ્વારા વેકેશનનો આ પિરિયડ ટૂંકાવવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. વન વિભાગની નવી જાહેરાત મુજબ, આગામી 22 જૂનના રોજ આ સીઝનની અંતિમ સફારી યોજાશે અને 23 જૂનથી સફારી પાર્કના દરવાજા પ્રવાસીઓ માટે બંધ થશે.</p><h3 style="text-align: justify; ">એક જ વર્ષમાં 2 લાખથી વધુ પ્રવાસીઓએ કર્યા સિંહ દર્શન</h3><p style="text-align: justify; ">ગીર સફારી પાર્ક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે, જેનો પુરાવો વન વિભાગના આંકડાઓ પરથી મળે છે. ચાલુ વર્ષ દરમિયાન રેકોર્ડબ્રેક બે લાખથી વધુ દેશી-વિદેશી પ્રવાસીઓએ સાસણ ગીરની મુલાકાત લઈને જંગલના રાજા સિંહના મુક્ત મને દર્શન કર્યા છે. વન વિભાગના આ નવા નિર્ણયથી જે પ્રવાસીઓ વેકેશન શરૂ થવાના ડરથી બુકિંગ કરાવી શક્યા નહોતા, તેઓ હવે 22 જૂન સુધી ગીરની મુલાકાત લઈ શકશે. 23 જૂનથી સફારી બંધ થયા બાદ ફોરેસ્ટ વિભાગ દ્વારા વન્યજીવોની સુરક્ષા અને ટ્રેકિંગની કામગીરી સઘન બનાવવામાં આવશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/PDFHOc4kFdOv1Ypziw8ZCjmwqN3HCtEHrIUbHFsi.webp'/></item><item><title><![CDATA[National News : ભારતમાં કેવી રીતે વધશે વિદેશી રોકાણ? નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યો સમગ્ર પ્લાન ]]></title><link>https://sandesh.com/india/news/business/finance-minister-nirmala-sitharaman-plan-to-boost-foreign-investment-in-india</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/finance-minister-nirmala-sitharaman-plan-to-boost-foreign-investment-in-india</guid><pubDate>Mon, 15 Jun 2026 17:48:32 +05:30</pubDate><description><![CDATA[<p>કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે સોમવારે જણાવ્યું હતું કે ભારતીય બજારમાં વધુ વિદેશી મૂડી આકર્ષવા માટે સરકાર દ્વારા આગામી સમયમાં વધુ પગલાં લેવામાં આવશે. એક સમિટ દરમિયાન તેમણે કહ્યું કે સરકારી સિક્યોરિટીઝ (જી-સેક)માં વિદેશી રોકાણકારો દ્વારા કરાયેલા રોકાણ પર વ્યાજ અને કેપિટલ ગેઈન ટેક્સમાંથી આપવામાં આવેલી છૂટ વિદેશી મૂડીને ફરી ભારત તરફ આકર્ષવાના પ્રયાસોનું પ્રથમ પગલું છે.</p><h2><b>સરકાર વધુ સુધારાત્મક પગલાં લાવશે</b></h2><p>તેમણે સ્પષ્ટ કર્યું કે આ પ્રક્રિયા અહીં અટકવાની નથી અને સરકાર વધુ સુધારાત્મક પગલાં લાવશે. તેમના અનુસાર ભારતને આર્થિક વિકાસ માટે વધુ વિદેશી મૂડીની જરૂર છે. આ દિશામાં RBIએ 5 જૂને બેન્કોને ત્રણથી પાંચ વર્ષની મુદતવાળા ફોરેન કરન્સી નોન-રેસિડન્ટ (બેન્ક) ડિપોઝિટ માટે કરન્સી સ્વેપ સુવિધાનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. તેના દ્વારા બેન્કો અમેરિકી ડોલર જમા રકમને RBI સાથે સ્વેપ કરીને કરન્સી જોખમનું સંચાલન કરી શકશે.</p><h3><b>RBIના માળખા હેઠળ કરન્સી જોખમનો ખર્ચ RBI ઉઠાવશે</b></h3><p>આ ઉપરાંત જાહેર ક્ષેત્રની કંપનીઓને વિદેશી વ્યાપારી ધિરાણ (ECB) મેળવવા પ્રોત્સાહિત કરવા માટે રાહત દરે વિદેશી કરન્સી સ્વેપ સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જે 30 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે. સીતારમણે જણાવ્યું કે RBIના માળખા હેઠળ કરન્સી જોખમનો ખર્ચ RBI ઉઠાવશે, જેથી બેન્કો સરળતાથી નાણાં એકત્રિત કરી શકે.</p><h4><b>દેશને દરેક સંભવિત આર્થિક આપત્તિ માટે તૈયાર રહેવું પડશે</b></h4><p>તેમણે ચેતવણી આપી કે કાચા માલ, ક્રૂડ ઓઇલ અને ખાતરોની આયાતને કારણે ભારતીય અર્થતંત્ર પર દબાણ વધી રહ્યું છે. વૈશ્વિક પરિસ્થિતિ દર અઠવાડિયે બદલાઈ રહી છે અને નવી પડકારો ઉભા થઈ રહ્યા છે, તેથી દેશને દરેક સંભવિત આર્થિક આપત્તિ માટે તૈયાર રહેવું પડશે. ઉલ્લેખનીય છે કે વધતા ભૂરાજકીય તણાવ, વૈશ્વિક અર્થતંત્ર અંગેની ચિંતાઓ અને રૂપિયાની નબળાઈ વચ્ચે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ (FPI) જૂનના પ્રથમ પખવાડિયામાં ભારતીય શેરબજારમાંથી 62,853 કરોડ રૂપિયાથી વધુની વેચવાલી કરી છે. જેના કારણે વર્ષ 2026માં અત્યાર સુધી કુલ ઉપાડ 2.87 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/cjp-protest-founder-of-cockroach-party-attacked-in-jaipur-slapped-in-public" target="_blank">આ પણ વાંચો : CJP Protest: જયપુરમાં કોકરોચ પાર્ટીના સંસ્થાપક પર હુમલો, જાહેરમાં થપ્પડ પડ્યા</a></b></p><p><br></p><p><br></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/Ag0zc3fs6PDwCsViaC7XVZyYstiBg6tvcZlJLIAq.webp'/></item><item><title><![CDATA[National News : ભારતમાં કેવી રીતે વધશે વિદેશી રોકાણ? નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યો સમગ્ર પ્લાન ]]></title><link>https://sandesh.com/india/news/business/finance-minister-nirmala-sitharaman-plan-to-boost-foreign-investment-in-india</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/finance-minister-nirmala-sitharaman-plan-to-boost-foreign-investment-in-india</guid><pubDate>Mon, 15 Jun 2026 17:48:32 +05:30</pubDate><description><![CDATA[<p>કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે સોમવારે જણાવ્યું હતું કે ભારતીય બજારમાં વધુ વિદેશી મૂડી આકર્ષવા માટે સરકાર દ્વારા આગામી સમયમાં વધુ પગલાં લેવામાં આવશે. એક સમિટ દરમિયાન તેમણે કહ્યું કે સરકારી સિક્યોરિટીઝ (જી-સેક)માં વિદેશી રોકાણકારો દ્વારા કરાયેલા રોકાણ પર વ્યાજ અને કેપિટલ ગેઈન ટેક્સમાંથી આપવામાં આવેલી છૂટ વિદેશી મૂડીને ફરી ભારત તરફ આકર્ષવાના પ્રયાસોનું પ્રથમ પગલું છે.</p><h2><b>સરકાર વધુ સુધારાત્મક પગલાં લાવશે</b></h2><p>તેમણે સ્પષ્ટ કર્યું કે આ પ્રક્રિયા અહીં અટકવાની નથી અને સરકાર વધુ સુધારાત્મક પગલાં લાવશે. તેમના અનુસાર ભારતને આર્થિક વિકાસ માટે વધુ વિદેશી મૂડીની જરૂર છે. આ દિશામાં RBIએ 5 જૂને બેન્કોને ત્રણથી પાંચ વર્ષની મુદતવાળા ફોરેન કરન્સી નોન-રેસિડન્ટ (બેન્ક) ડિપોઝિટ માટે કરન્સી સ્વેપ સુવિધાનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. તેના દ્વારા બેન્કો અમેરિકી ડોલર જમા રકમને RBI સાથે સ્વેપ કરીને કરન્સી જોખમનું સંચાલન કરી શકશે.</p><h3><b>RBIના માળખા હેઠળ કરન્સી જોખમનો ખર્ચ RBI ઉઠાવશે</b></h3><p>આ ઉપરાંત જાહેર ક્ષેત્રની કંપનીઓને વિદેશી વ્યાપારી ધિરાણ (ECB) મેળવવા પ્રોત્સાહિત કરવા માટે રાહત દરે વિદેશી કરન્સી સ્વેપ સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જે 30 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે. સીતારમણે જણાવ્યું કે RBIના માળખા હેઠળ કરન્સી જોખમનો ખર્ચ RBI ઉઠાવશે, જેથી બેન્કો સરળતાથી નાણાં એકત્રિત કરી શકે.</p><h4><b>દેશને દરેક સંભવિત આર્થિક આપત્તિ માટે તૈયાર રહેવું પડશે</b></h4><p>તેમણે ચેતવણી આપી કે કાચા માલ, ક્રૂડ ઓઇલ અને ખાતરોની આયાતને કારણે ભારતીય અર્થતંત્ર પર દબાણ વધી રહ્યું છે. વૈશ્વિક પરિસ્થિતિ દર અઠવાડિયે બદલાઈ રહી છે અને નવી પડકારો ઉભા થઈ રહ્યા છે, તેથી દેશને દરેક સંભવિત આર્થિક આપત્તિ માટે તૈયાર રહેવું પડશે. ઉલ્લેખનીય છે કે વધતા ભૂરાજકીય તણાવ, વૈશ્વિક અર્થતંત્ર અંગેની ચિંતાઓ અને રૂપિયાની નબળાઈ વચ્ચે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ (FPI) જૂનના પ્રથમ પખવાડિયામાં ભારતીય શેરબજારમાંથી 62,853 કરોડ રૂપિયાથી વધુની વેચવાલી કરી છે. જેના કારણે વર્ષ 2026માં અત્યાર સુધી કુલ ઉપાડ 2.87 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/cjp-protest-founder-of-cockroach-party-attacked-in-jaipur-slapped-in-public" target="_blank">આ પણ વાંચો : CJP Protest: જયપુરમાં કોકરોચ પાર્ટીના સંસ્થાપક પર હુમલો, જાહેરમાં થપ્પડ પડ્યા</a></b></p><p><br></p><p><br></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/Ag0zc3fs6PDwCsViaC7XVZyYstiBg6tvcZlJLIAq.webp'/></item><item><title><![CDATA[Neeraj Chopra દોહા ડાયમંડ લીગમાં ભાગ લેશે,જાણો ક્યારે થશે મેચ ]]></title><link>https://sandesh.com/sports/news/neeraj-chopra-doha-diamond-league-return-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/neeraj-chopra-doha-diamond-league-return-2026</guid><pubDate>Mon, 15 Jun 2026 17:45:39 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતના સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરાએ 2 ઓલિમ્પિક મેડલ જીત્યા છે, તે ફરીથી એક્શનમાં આવવા માટે તૈયાર છે. તે 19 જૂને દોહા ડાયમંડ લીગમાં એક્શનમાં પાછો ફરશે. તે 275 દિવસની ગેરહાજરી પછી એક્શનમાં પાછો ફરશે.&nbsp;</p><p style="text-align: justify;">2025 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આઠમા સ્થાને રહ્યા પછી તેને કોઈપણ રમતમાં ભાગ લીધો ન હતો. નીરજ ચોપરાએ 2020 ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ અને 2024 પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો.</p><h2 style="text-align: justify;"><b>નીરજે ગયા વર્ષે દોહા ડાયમંડ લીગમાં 90 મીટર ભાલા ફેંક્યો હતો</b></h2><p style="text-align: justify;">નીરજ ચોપરાની પસંદગી દોહા ડાયમંડ લીગ માટે થઈ છે, જ્યાં તેને ગયા વર્ષે 90 મીટરથી વધુ ભાલા ફેંક્યો હતો. હરિયાણાનો રહેવાસી નીરજ હાલમાં સ્વિટ્ઝર્લેન્ડમાં તેના ફિઝિયો અને કોચ સાથે 47 દિવસની સખત ટ્રેનિંગ લઈ રહ્યો છે. આગામી કોમનવેલ્થ ગેમ્સ માટે તેને ભારતીય ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો છે. પરંતુ આ સ્પર્ધામાં પોતાનું સ્થાન સુરક્ષિત કરવા માટે તેને એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના નિયમો અનુસાર ઓછામાં ઓછા 82.61 મીટર ભાલા ફેંકીને ક્વોલિફાય થવું પડશે.</p><h3 style="text-align: justify;"><b>નીરજ ચોપરા કોમનવેલ્થ ગેમ્સમાં પણ ભાગ લઈ શકે છે</b></h3><p style="text-align: justify;">કોમનવેલ્થ ગેમ્સ આવતા મહિને ગ્લાસગોમાં યોજાવાની છે. જો ભારતના સ્ટાર એથ્લીટ નીરજ ચોપરા ભાગ લે છે, તો ભારત પાસે ભાલા ફેંક સ્પર્ધામાં કુલ 3 એથ્લીટ હશે. બાકી રોહિત યાદવ અને યશવીર સિંહ, પહેલાથી જ ક્વોલિફાય થઈ ગયા છે. વધુમાં, આગામી દોહા ડાયમંડ લીગમાં પણ વિશ્વના બેસ્ટ એથ્લીટો વચ્ચે તીવ્ર સ્પર્ધા જોવા મળશે.&nbsp;</p><p style="text-align: justify;">ભૂતપૂર્વ ઓલિમ્પિક ચેમ્પિયન કેશોર્ન વોલકોટ (ત્રિનિદાદ અને ટોબેગો) અને શ્રીલંકાના રુમેશ તારંગા પથિરાજ જેવા અગ્રણી ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. પરંતુ પેરિસ ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા અને પાકિસ્તાનના સ્ટાર એથ્લીટ અરશદ નદીમ આ વખતે દોહા ડાયમંડ લીગમાં રમતા જોવા મળશે નહીં.</p><h4 style="text-align: justify;"><b>દોહા ડાયમંડ લીગમાં કેટલાક બેસ્ટ ભાલાધારી ખેલાડીઓ ભાગ લેશે</b></h4><p style="text-align: justify;">ટુર્નામેન્ટમાં ભાગ લેનારા ખેલાડીઓના લિસ્ટમાં ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ (આ સિઝનનો શ્રેષ્ઠ થ્રો 86.08 મીટર), યુનાઈટેડ સ્ટેટ્સના કર્ટિસ થોમ્પસન (85.33 મીટર) અને ચેક રિપબ્લિકના જેકબ વેલ્સ (85.24 મીટર)નો સમાવેશ થાય છે. દોહા સ્પર્ધામાં, ભારતના નીરજ ચોપરાએ શાનદાર 90.23 મીટર ફેંક્યો હતો, પરંતુ જર્મનીના જુલિયન વેબરે તેના છેલ્લા (છઠ્ઠા) પ્રયાસમાં 91.06 મીટર ભાલા ફેંકીને ખિતાબ પોતાના નામે કર્યો હતો.</p><p style="text-align: justify;"><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/entertainment/abhishek-mahira-sharma-dating-rumors-matching-bracelet" target="_blank">Abhishek Sharma માહિરા શર્માને કરી રહ્યો છે ડેટ? ઈન્સ્ટાગ્રામની 'સીક્રેટ' પોસ્ટમાં થયો ખુલાસો!</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/EqnLHZGTw1ECnw7QCfJKZxKLnBf4nBJQVXBIomC6.webp'/></item><item><title><![CDATA[Arijit Singh બાદ હવે પ્રીતમ પણ લેવા જઈ રહ્યા છે સંન્યાસ? શેર કરી ભાવુક પોસ્ટ ]]></title><link>https://sandesh.com/entertainment/news/music-composer-pritam-hints-at-retirement-break</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/music-composer-pritam-hints-at-retirement-break</guid><pubDate>Mon, 15 Jun 2026 17:37:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અરિજીત સિંહે આ વર્ષની શરૂઆતમાં એક પોસ્ટ શેર કરી હતી, જેની સાથે તેમણે પ્લેબેક સિંગિંગમાંથી સંન્યાસની જાહેરાત કરીને પોતાના પ્રશંસકોને નિરાશ કરી દીધા હતા. હવે એવું લાગે છે કે અરિજીત સિંહ બાદ મ્યુઝિક કમ્પોઝર અને સિંગર પ્રીતમ પણ આ જ રસ્તા પર ચાલવા અંગે વિચાર કરી રહ્યા છે. પ્રીતમે પોતાના જન્મદિવસના અવસર પર એક પોસ્ટ શેર કરી, જેને જોયા પછી સોશિયલ મીડિયા યુઝર્સે અટકળો લગાવવાનું શરૂ કરી દીધું છે કે હવે પ્રીતમ દા પણ મેઈનસ્ટ્રીમ મ્યુઝિકમાંથી બ્રેક લેવાના મૂડમાં છે. પ્રીતમની આ પોસ્ટ પછી મોટાભાગના યુઝર્સ તેમને પૂછી રહ્યા છે કે ક્યાંક તેઓ પણ અરિજીત સિંહની જેમ પ્લેબેક સિંગિંગમાંથી સંન્યાસની જાહેરાત કરવાની તૈયારીમાં તો નથી ને?</p><h2 style="text-align: justify; "><b>પ્રીતમે બ્રેક લેવા તરફ કર્યો ઈશારો</b></h2><p style="text-align: justify; ">પ્રીતમે પોતાના જન્મદિવસ પર એક બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરી છે, જેમાં તેઓ વિચારોમાં ખોવાયેલા જોવા મળી રહ્યા છે. આ તસવીર શેર કરતા તેમણે એક ભાવુક નોંધ પણ લખી છે, જેમાં લખ્યું છે કે તેઓ હવે પોતાની જિંદગી કંઈક અલગ રીતે જીવવા માગે છે. એવી જિંદગી જે તેમને હંમેશાથી આકર્ષિત કરતી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ જિંદગી પાછળ છૂટી ગઈ. પરંતુ હવે તેઓ એ બધી બાબતો પર ધ્યાન આપવા માગે છે, જેના પર અત્યાર સુધી આપી શક્યા નથી.</p><h3 style="text-align: justify; "><b>પ્રીતમ દાની પોસ્ટ</b></h3><p style="text-align: justify; ">પોતાની પોસ્ટમાં પ્રીતમ દાએ લખ્યું- 'તમારા બધાની શુભેચ્છાઓ માટે ખૂબ ખૂબ આભાર. હું દરેક વ્યક્તિને અલગ-અલગ જવાબ આપી શકું તેમ નથી, તેથી કૃપા કરીને મારો હૃદયપૂર્વકનો આભાર સ્વીકારો. આજે, મેં મારી જાતને થોડા વર્ષો એવી રીતે જીવવાની ભેટ આપવાનું નક્કી કર્યું છે જેમાં જિંદગીને અલગ રીતે જીવી શકાય. એ બાબતોને પૂરી કરવા માટે જે હું અત્યાર સુધી કરી શક્યો નથી. હવે એ નવી સફર પર નીકળવાનો સમય આવી ગયો છે, જેને હું લાંબા સમયથી ટાળી રહ્યો હતો. સામાન્ય રસ્તા પર ચાલવું પણ એક શાનદાર અનુભવ હોય છે. પરંતુ, મને હંમેશા એ રસ્તાઓ વિશે જાણવાની વધુ ઉત્સુકતા રહી છે જેના પર હજી સુધી કોઈ ગયું નથી. તમારા બધાના પ્રેમ અને સાથ માટે ધન્યવાદ. હંમેશા....'<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DZkt-EniGuR/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DZkt-EniGuR/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DZkt-EniGuR/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DZkt-EniGuR/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>અરિજીત સિંહના રસ્તે પ્રીતમ?</b></h4><p style="text-align: justify; ">પ્રીતમની આ પોસ્ટ જોયા પછી તેમના પ્રશંસકોને ચિંતા થવા લાગી છે કે ક્યાંક તેઓ પણ પ્લેબેક સિંગિંગમાંથી બ્રેક લેવાના મૂડમાં તો નથી ને. એવામાં ઘણા લોકોએ તેમની પોસ્ટ પર કોમેન્ટ કરીને સવાલો પૂછવાનું શરૂ કરી દીધું. એક યુઝરે લખ્યું- ક્યાંક તમે પણ અરિજીત સિંહનો રસ્તો પકડવાની તૈયારી તો નથી કરી રહ્યા ને? વળી એકે લખ્યું- લાગે છે હવે પ્રીતમ દા પણ બોલીવુડ મ્યુઝિકમાંથી બ્રેક લેવાની તૈયારીમાં છે. વધુ એક લખે છે - શું પ્રીતમ પણ બોલીવુડ મ્યુઝિકમાંથી રિટાયરમેન્ટ લેવાની જાહેરાત કરવાના છે?' આવી જ કોમેન્ટ્સ કરીને યુઝર્સ પ્રીતમને સવાલ પૂછી રહ્યા છે અને રિટાયરમેન્ટ અંગે આશંકા વ્યક્ત કરી રહ્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/mithun-chakraborty-daughter-dishani-engagement" target="_blank">આ પણ વાંચો-Mithun Chakrabortyની દીકરી દિશાનીએ કરી લીધી સગાઈ, જાણો કોણ છે ડિસ્કો ડાન્સરના જમાઈરાજ?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/56ZNZEtTdr1W93Oq5FOUkEH8VwCqWa8pZcNtz2tk.webp'/></item><item><title><![CDATA[Rajkotમાં વધુ એક સિટી બસનો અકસ્માત: કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર પાસે બાઇકને મારી ટક્કર ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/another-city-bus-accident-in-rajkot-it-hit-a-bike-near-swaminarayan-mandir-on-kalavad-road</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/another-city-bus-accident-in-rajkot-it-hit-a-bike-near-swaminarayan-mandir-on-kalavad-road</guid><pubDate>Mon, 15 Jun 2026 17:36:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ શહેરમાં બેફામ દોડતી સિટી બસોના કારણે સર્જાતા અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. શહેરના વ્યસ્ત ગણાતા કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર નજીક વધુ એક સિટી બસે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલી સિટી બસે એક બાઇકને અડફેટે લેતા રોડ પર થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી.</p><h2 style="text-align: justify; ">સદનસીબે જાનહાનિ ટળી, વાહનચાલકનો આબાદ બચાવ</h2><p style="text-align: justify; ">કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર પાસે બસ અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો જોખમી હતો કે બાઇક સવાર રસ્તા પર ફગાઈ ગયો હતો. જો કે, આ ભયાનક ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને બાઇક ચાલકનો આબાદ બચાવ થયો છે. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.</p><h3 style="text-align: justify; ">અવારનવાર થતા અકસ્માતોથી ભારે આક્રોશ</h3><p style="text-align: justify; ">રાજકોટ શહેરમાં સિટી બસના ચાલકો દ્વારા નિયમોના લીરેલીરા ઉડાવીને જે રીતે બેફામ વાહનો હંકારવામાં આવે છે, તેનાથી સ્થાનિક પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરમાં અવારનવાર સિટી બસના અકસ્માતો અખબારોની હેડલાઇન્સ બનતા રહે છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે મહાનગરપાલિકાના તંત્ર અને કોન્ટ્રાક્ટરો દ્વારા ડ્રાઇવરો પર કોઈ કડક નિયંત્રણ રાખવામાં આવતું નથી, જેને કારણે નિર્દોષ વાહનચાલકોના જીવ જોખમમાં મુકાય છે. લોકો માંગ કરી રહ્યા છે કે આવા નફ્ફટ ડ્રાઇવરો સામે આરટીઓ અને પોલીસ દ્વારા કડક કાનૂની પગલાં લેવામાં આવે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/ZVHPGWCctoyiOyv7NMT03kj9ZqMGqnwC2oQVN8qm.webp'/></item><item><title><![CDATA[Porbandar News: અચાનક વરસાદી ઝાપટાં શરૂ, અરબી સમુદ્રમાં જોવા મળ્યો ભારે કરંટ! ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/porbandar/pre-monsoon-activity-rain-showers-rough-sea</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/porbandar/pre-monsoon-activity-rain-showers-rough-sea</guid><pubDate>Mon, 15 Jun 2026 17:36:19 +05:30</pubDate><description><![CDATA[<p>રાજ્યમાં ચોમાસાના સત્તાવાર આગમન પૂર્વે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. પોરબંદર શહેરમાં સોમવારે અચાનક જ પ્રિમોન્સૂન એક્ટિવિટીની ધમાકેદાર ઝલક જોવા મળી છે. બપોર બાદ અચાનક જ આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને પવનના સુસવાટા સાથે વરસાદી ઝાપટાં શરૂ થઈ ગયા હતા.</p><h2><b>ઉકળાટથી રાહત, વાતાવરણમાં પ્રસરી ઠંડક</b></h2><p>છેલ્લા કેટલાય દિવસોથી પોરબંદરમાં અસહ્ય ગરમી અને બફારાને કારણે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. તેવામાં અચાનક શરૂ થયેલા વરસાદી માહોલને કારણે ગરમી અને ઉકળાટ ગાયબ થઈ ગયા છે અને વાતાવરણમાં સરસ ઠંડક પ્રસરી ગઈ છે. આ આકરા ઉનાળા બાદ વાતાવરણમાં આવેલા પલટાથી લોકોને મોટી આશિક રાહત મળી છે. આ વરસાદ બાદ ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.</p><h2><b>સમુદ્ર બન્યો તોફાની, ભારે કરંટ જોવા મળ્યો</b></h2><p>બીજી તરફ વાતાવરણમાં થયેલા આ ફેરફારની સીધી અસર પોરબંદરના અરબી સમુદ્ર પર જોવા મળી રહી છે. સમુદ્રમાં કરંટ વધતા વિશાળ મોજા ઉછળી રહ્યા છે. દરિયાની આ ભયજનક સ્થિતિને જોતા વહીવટી તંત્ર પણ સાબદું બન્યું છે, અને માછીમારો તેમજ પ્રવાસીઓને દરિયા કિનારાથી દૂર રહેવા સૂચના આપવામાં આવી રહી છે.</p><h2><b>ખેડૂતો ચાતક નજરે જોઈ રહ્યા છે મેઘરાજાની રાહ</b></h2><p>પ્રિમોન્સૂન વરસાદની આ એન્ટ્રીથી સૌથી વધુ ખુશી જગતના તાતના ચહેરા પર જોવા મળી રહી છે. વાવણીના સમયની આસપાસ જ વરસાદી માહોલ બંધાતા પોરબંદર પંથકના ખેડૂતો હવે ચાતક નજરે મેઘ મહેરની રાહ જોઈ રહ્યા છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ થાય તો ખેડૂતો વહેલી તકે વાવણીના કામોમાં જોતરાઈ જશે.</p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/porbandar/sog-police-seized-charas-drugs-sea-coast-odadar-rambai" target="_blank"> Porbandar News: સમુદ્ર કિનારેથી મળ્યું બિનવારસી ચરસ, SOG પોલીસ એક્શન મોડમાં!</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/8YHNwq6DWdRCdCmFUEpG4dQTSRPXQCU1rY61eoye.webp'/></item></channel></rss>