<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Maharashtra : TET પેપર લીકમાં બિહાર કનેક્શન આવ્યું સામે, માસ્ટરમાઈન્ડ પર SITએ કર્યા મોટા ખુલાસા ]]></title><link>https://sandesh.com/india/news/maharashtra-tet-paper-leak-bihar-link-sit-mastermind-investigation</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/maharashtra-tet-paper-leak-bihar-link-sit-mastermind-investigation</guid><pubDate>Sat, 27 Jun 2026 22:34:03 +05:30</pubDate><description><![CDATA[<p>મહારાષ્ટ્ર શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) પેપર લીક કેસમાં તપાસ આગળ વધતા નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સમગ્ર રેકેટના તાર અનેક રાજ્યો સુધી ફેલાયેલા હોય શકે છે. પોલીસે અત્યાર સુધી રાજુ શાહુ, આકાશ કુમાર અને ધીરજ સિંહ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. તેમાંનો એક આરોપી બિહારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે, જ્યારે સમગ્ર નેટવર્કનું સંચાલન પણ બિહાર સાથે જોડાયેલા લોકો દ્વારા થતું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.</p><h2><b>દરેક સેટ માટે અંદાજે ₹37.50 લાખનો સોદો થયો</b></h2><p>તપાસ મુજબ આરોપીઓ દિલ્હીથી મહારાષ્ટ્ર આવ્યા હતા અને કોડવર્ડ દ્વારા સ્થાનિક લોકોનો સંપર્ક કરી પેપર વેચવાનો સોદો કર્યો હતો. યોજના મુજબ પરીક્ષા પહેલાં લગભગ 24 કલાક અગાઉ પ્રશ્નપત્રની PDF તૈયાર કરીને પસંદ કરાયેલા ઉમેદવારો સુધી પહોંચાડવાની હતી. પોલીસના જણાવ્યા અનુસાર લીક થયેલા પ્રશ્નપત્રના ચારેય સેટ આરોપીઓ પાસે હતા અને દરેક સેટ માટે અંદાજે ₹37.50 લાખનો સોદો થયો હતો. આ રીતે સમગ્ર સોદાની કિંમત લગભગ ₹1.5 કરોડ સુધી પહોંચી હોવાનું અનુમાન છે. હાલ તપાસ એ દિશામાં ચાલી રહી છે કે પ્રશ્નપત્ર કેટલા ઉમેદવારો સુધી પહોંચ્યું અને આ માટે કેટલા લોકોએ રૂપિયા ચૂકવ્યા.</p><h3><b>CMએ SITની રચના કરવાનો આદેશ આપ્યો</b></h3><p>આરોપીઓ દિલ્હીથી મુંબઈ અને ત્યારબાદ ભિવંડી પહોંચ્યા હતા, જ્યાંથી સમગ્ર રેકેટ સંચાલિત થવાનું હતું. ગુપ્ત માહિતીના આધારે પોલીસે દરોડો પાડી પ્રશ્નપત્રના નકલો કબજે કર્યા હતા, જેમાં અનેક પ્રશ્નો મૂળ TET પરીક્ષા સાથે મેળ ખાતા હોવાનું સામે આવ્યું હતું. મામલાની ગંભીરતા જોતા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવાનો આદેશ આપ્યો છે. સરકારે દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. જો તપાસમાં સંગઠિત ગુનાહિત નેટવર્કનો ખુલાસો થશે તો આરોપીઓ સામે MCOCA હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે. હાલ સમગ્ર નેટવર્ક અને તેમાં સામેલ અન્ય લોકોની ભૂમિકા અંગે સઘન તપાસ ચાલુ છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/jammu-kashmir-gulmarg-loc-mysterious-blast-one-dead-four-injured" target="_blank">&nbsp;આ પણ વાંચો : Jammu Kashmir : ગુલમર્ગમાં LOCની પાસે રહસ્યમય બ્લાસ્ટ, 1 વ્યક્તિનું મોત, 4 લોકો ઘાયલ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/b4PRCKQorWMbhpMkwpvJ7orEkHZXfqTpVHyCqf3R.webp'/></item><item><title><![CDATA[Rohit Shettyને આવ્યો ધમકીભર્યો કોલ, 20 કરોડ રૂપિયાની માગી ખંડણી ]]></title><link>https://sandesh.com/entertainment/news/rohit-shetty-death-threat-20-crore-extortion-call</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/rohit-shetty-death-threat-20-crore-extortion-call</guid><pubDate>Sat, 27 Jun 2026 22:14:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડના ફેમસ ડાયરેક્ટર રોહિત શેટ્ટીને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. શનિવારે સવારે એક અજાણ્યા વ્યક્તિએ તેમને ફોન કરીને 20 કરોડ રૂપિયાની ખંડણી કરી હતી. આ ધમકીભર્યા કોલ બાદ મુંબઈ પોલીસ તાત્કાલિક કાર્યવાહીમાં આવી ગઈ અને અજાણ્યા ફોન કરનારની શોધ શરૂ કરી.</p><p style="text-align: justify; ">રોહિત શેટ્ટી પર હુમલો થયો હોય તેવી આ પહેલી ઘટના નથી. આ પહેલા 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીની રાત્રે જુહુમાં તેમના 9 માળના મકાન પર પાંચ રાઉન્ડ ગોળીબાર થયો હતો. એક ગોળી તેમના મકાનના જીમના કાચ પર પણ વાગી હતી.</p><p style="text-align: justify; ">જૂના કેસમાં 15 લોકોની ધરપકડ</p><p style="text-align: justify; ">મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ગોળીબાર કેસમાં મોટી કાર્યવાહી કરી છે, જેમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણા જેવા વિવિધ રાજ્યોમાંથી 15 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.&nbsp;</p><p style="text-align: justify; ">આ દરમિયાન રોહિતને વધુ એક ધમકી મળી હોવાના સમાચાર સામે આવ્યા છે. ધમકીભર્યો ફોન આવતાની સાથે જ મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને ફોન કરનારની શોધ કરી રહી છે.</p><p style="text-align: justify; ">રોહિત શેટ્ટીનું વર્કફ્રન્ટ</p><p style="text-align: justify; ">રોહિત શેટ્ટીના વર્કફ્રન્ટની વાત કરીએ તો રોહિત શેટ્ટી છેલ્લા કેટલાક સમયથી તેમના આગામી શો "ખતરોં કે ખિલાડી 15" માટે ચર્ચામાં છે. ફેન્સ આ શોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શોનું શૂટિંગ તાજેતરમાં સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં પૂર્ણ થયું છે. મીડિયા રિપોર્ટ મુજબ આ સ્ટંટ-આધારિત રિયાલિટી શો જુલાઈમાં પ્રીમિયર થશે.</p><p style="text-align: justify; ">આ શોની 14મી સીઝન 2024માં પ્રસારિત થઈ હતી. ફેન્સ 2025માં આ શોની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ રોહિત શર્મા પરત ફર્યો નહીં. ફેન્સ 'ખતરોં કે ખિલાડી 15' માટે વધુ ઉત્સાહિત છે, કારણ કે રોહિત 2 વર્ષના બ્રેક પછી શો સાથે પરત ફરી રહ્યો છે. આ સીઝનમાં ગૌરવ ખન્ના, હર્ષ ગુજરાલ, રૂબીના દિલૈક અને ફરહાના ભટ્ટ જેવા સ્ટાર્સ ખતરાનો સામનો કરતા જોવા મળશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/entertainment/virat-kohli-photos-with-son-akaay-anushka-sharma" target="_blank">Anandiben Patelની દોહિત્રી સંસ્કૃતિએ બોલીવુડમાં મચાવી ધૂમ, એક્ટિંગથી જીત્યું નાનીનું દિલ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/Czvl77tWyyDV1IbewxbhrEx9zr3DUmJn0PFkm56E.webp'/></item><item><title><![CDATA[Ahmedabadમાં રથયાત્રાને લઈને પોલીસ તંત્ર એક્શન મોડમાં, ક્રાઈમ બ્રાન્ચે હાથ ધર્યું ડ્રોન સર્વેલન્સ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/police-in-action-mode-regarding-rath-yatra-in-ahmedabad-crime-branch-conducts-drone-surveillance</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/police-in-action-mode-regarding-rath-yatra-in-ahmedabad-crime-branch-conducts-drone-surveillance</guid><pubDate>Sat, 27 Jun 2026 21:57:31 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અષાઢી બીજના પર્વે યોજાનારી અમદાવાદની જગપ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે શાંતિપૂર્ણ વાતાવરણમાં આ ભવ્ય મહોત્સવ સંપન્ન થાય તે માટે પોલીસ અને વહીવટી તંત્ર અત્યારથી જ એક્શન મોડમાં આવી ગયું છે. રથયાત્રા પૂર્વે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ રાખવા તેમજ કોઈ અપ્રિય ઘટના ન ઘટે તે હેતુથી પોલીસ દ્વારા કડક સુરક્ષા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. રથયાત્રાના રૂટ અને સંવેદનશીલ વિસ્તારો પર વિશેષ નજર રાખવા માટે એક્શન પ્લાન તૈયાર કરી દેવાયો છે.</p><h2 style="text-align: justify; ">ક્રાઈમ બ્રાન્ચે શરૂ કર્યું ડ્રોન સર્વેલેન્સ</h2><p style="text-align: justify; ">આ કડક સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ખાસ ટીમ દ્વારા જમાલપુર સ્થિત ઐતિહાસિક જગન્નાથ મંદિર અને તેની આસપાસના સમગ્ર વિસ્તારોમાં અત્યાધુનિક ડ્રોન કેમેરાની મદદથી હાઈટેક સર્વેલેન્સ (નિરીક્ષણ) શરૂ કરી દેવામાં આવ્યું છે. આકાશમાંથી ડ્રોન ફ્લાય કરાવીને મંદિરની આસપાસ આવેલા રહેણાંક મકાનો, ધાબા, ઊંચી બિલ્ડિંગો અને ધાબા પર એકત્રિત કરાયેલા સામાનની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે. ટેકનોલોજીના આ ડિજિટલ માધ્યમથી સમગ્ર પરિસરની સુરક્ષા સ્થિતિની સમીક્ષા લાઈવ ફીડ દ્વારા કરવામાં આવી રહી છે.</p><h3 style="text-align: justify; ">ધાબા ચેકિંગ અને ગુનાહિત તત્વો પર પકડ મજબૂત કરાશે</h3><p style="text-align: justify; ">પરંપરાગત રીતે રથયાત્રાના રૂટ પર આવતા મકાનોના ધાબા સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે. તેથી, ડ્રોનની દેખરેખ હેઠળ કોઈ પણ શંકાસ્પદ હલચલ કે ધાબા પર કોઈ આપત્તિજનક સામગ્રી સંગ્રહિત ન હોય તેની ખાતરી કરવામાં આવી રહી છે. ક્રાઈમ બ્રાન્ચની આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં આ સર્વેલન્સ વધુ સઘન બનાવવામાં આવશે તેમજ સમગ્ર રથયાત્રા રૂટ પર લોખંડી પોલીસ બંદોબસ્ત સાથે ફૂટ પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવશે જેથી શ્રદ્ધાળુઓ નિર્ભય બનીને દર્શન કરી શકે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/LnRIQSsBsU2RlsgTIj3JWog3yuhwL9dqiVtOPEba.webp'/></item><item><title><![CDATA[Amreli News: લાઠીના ભુરખિયામાં વિધિના નામે છેતરપિંડી કરનારા બે ગઠિયાઓને LCBએ દબોચ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/amreli-news-lcb-arrests-two-gangsters-who-cheated-in-the-name-of-ritual-in-lathi-bhurkhiya</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/amreli-news-lcb-arrests-two-gangsters-who-cheated-in-the-name-of-ritual-in-lathi-bhurkhiya</guid><pubDate>Sat, 27 Jun 2026 21:41:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમરેલી જિલ્લાના લાઠી પંથકમાંથી ધર્મના નામે ભોળા લોકોને છેતરી આર્થિક લૂંટ ચલાવતી એક શાતિર ટોળકીનો પર્દાફાશ થયો છે. લાઠી નજીક આવેલા પ્રખ્યાત ભુરખિયા ધામ ખાતે પરિવાર પરથી 'મેલું હટાવવાની' તાંત્રિક વિધિના નામે એક નાગરિક સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી. બે ગઠિયાઓએ ભોગ બનનાર વ્યક્તિને ડરાવીને, વિધિના બહાને તેની પાસેથી રૂપિયા 20,000ની રોકડ રકમ અને આંગળીમાંથી સોનાની કિંમતી વીંટી પડાવી લીધી હતી. ગઠિયાઓ નાસી છૂટ્યા બાદ ભોગ બનનારને પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનો અહેસાસ થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.</p><h2 style="text-align: justify; ">અમરેલી LCB પોલીસે 2 શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપ્યા</h2><p style="text-align: justify; ">ધાર્મિક આસ્થાનો દુરુપયોગ કરી લોકોને લૂંટતા તત્વોને પકડવા માટે અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી. LCB પોલીસે ટેકનિકલ લોકેશન અને બાતમીદારોની મદદથી સચોટ ઓપરેશન પાર પાડીને રાજકોટ જિલ્લાના જસદણ પંથકના બે શખ્સોની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીઓની ઓળખ દીપકનાથ ધાંધુ અને રોહીતનાથ ધાંધુ તરીકે થઈ છે. પોલીસે આ આરોપીઓ પાસેથી છેતરપિંડી કરીને પડાવેલા રૂપિયા 20,000 રોકડા, સોનાની વીંટી તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલું મોટરસાયકલ (બાઇક) સહિતનો તમામ મુદ્દામાલ કબજે કર્યો છે.</p><h3 style="text-align: justify; ">આરોપીઓને કાયદેસરની કાર્યવાહી માટે લાઠી પોલીસને સોંપાયા</h3><p style="text-align: justify; ">અમરેલી LCB પોલીસે અંધશ્રદ્ધા ફેલાવી છેતરપિંડી આચરનારા આ બંને ગઠિયાઓની અટકાયત કર્યા બાદ, ગુનાની આગળની તપાસ માટે તેમને જપ્ત કરેલા મુદ્દામાલ સાથે લાઠી પોલીસ સ્ટેશનને સોંપી દીધા છે. લાઠી પોલીસે આ મામલે બંને ઠગબાજો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી છે. પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ બંને શખ્સોએ અગાઉ ભુરખિયા કે અન્ય કોઈ ધાર્મિક સ્થળોએ કેટલા ભોળા લોકોને પોતાની જાળમાં ફસાવીને આ પ્રકારે છેતરપિંડી આચરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/5TeUhw5K2Jl5rn4CBvrUJ2L3hHD4Vy3HV0bhzLk1.webp'/></item><item><title><![CDATA[Surat News: સુમુલ ડેરીની ચૂંટણીમાં મોટો ધડાકો! ફોર્મ ખેંચાય તે પહેલાં જ ઉમેદવારો અજ્ઞાત સ્થળે મોકલાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-news-big-blow-in-sumul-dairy-elections-candidates-sent-to-unknown-location-even-before-forms-were-drawn</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-news-big-blow-in-sumul-dairy-elections-candidates-sent-to-unknown-location-even-before-forms-were-drawn</guid><pubDate>Sat, 27 Jun 2026 21:27:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દક્ષિણ ગુજરાતની આર્થિક જીવાદોરી સમાન અને અંદાજે રૂ.12,000 કરોડથી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી સુમુલ ડેરીની આગામી ચૂંટણીને લઈને સમગ્ર પંથકના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ સૌથી મોટા સંગઠન પર વર્ચસ્વ મેળવવા માટે રાજકીય પક્ષોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત આગામી 29 જૂનથી 4 જુલાઈ સુધી ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો મહત્વપૂર્ણ સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. આ સમય દરમિયાન જ ખરાખરીનો ખેલ ખેલાવવાની શક્યતા હોવાથી ડેરીની આ ચૂંટણી હાલ ટોક ઓફ ધ ટાઉન બની છે.</p><h2 style="text-align: justify; ">ગુપ્ત બેઠક બાદ ઉમેદવારો અજ્ઞાત સ્થળે રવાના</h2><p style="text-align: justify; ">આ ચૂંટણીમાં શાસક પક્ષ ભાજપ સામે મોરચો માંડવા માટે કોંગ્રેસ પક્ષ પણ સક્રિય થયો છે. સુરત સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દ્વારા ભાજપના મેન્ડેટ સિવાયના એટલે કે વિરોધ પક્ષના સમર્થિત પશુપાલક ઉમેદવારો સાથે એક હાઈપ્રોફાઈલ અને ગુપ્ત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક પૂર્ણ થતાં જ એક મોટો વળાંક આવ્યો હતો. મિટિંગ પૂરી થયાની ગણતરીની મિનિટોમાં જ કોંગ્રેસ સમર્થિત તમામ 11 જેટલા ઉમેદવારોને કોઈને ખબર ન પડે તે રીતે તાત્કાલિક અજ્ઞાત સ્થળે સ્થળાંતર કરી દેવામાં આવ્યા હતા.</p><h3 style="text-align: justify; ">'રિઝોર્ટ પોલિટિક્સ' શરૂ: ફોર્મ ખેંચાવવાના દબાણનો ડર</h3><p style="text-align: justify; ">મળતી વિગતો મુજબ 29 જૂનથી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા શરૂ થઈ રહી હોવાથી આ સમયગાળા દરમિયાન શાસક પક્ષ ભાજપ દ્વારા સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવીને ઉમેદવારો પર ફોર્મ પાછા ખેંચવા માટે રાજકીય કે વહીવટી દબાણ કરવામાં આવે તેવી પૂરેપૂરી ભીતિ સેવવામાં આવી રહી હતી. આ સંભવિત 'હોર્સ ટ્રેડિંગ' અને દબાણથી ઉમેદવારોને બચાવવા માટે તમામ 11 ઉમેદવારોને ચાર્ટર પ્લેન મારફતે ખાસ સુરક્ષા વચ્ચે ગુજરાતની બહાર મોકલી દેવાયા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/QEL0JuclWtGd3h6DN7XC2zs8WgWhTDSKbHbHNmBU.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: રાણીપમાં અમિત શાહની ઉપસ્થિતિમાં લોકદરબાર યોજાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/amit-shah-cm-bhupendra-patel-ranip-lok-darbar</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/amit-shah-cm-bhupendra-patel-ranip-lok-darbar</guid><pubDate>Sat, 27 Jun 2026 21:24:57 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાણીપ વિસ્તારમાં નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ માટે એક ભવ્ય 'લોકદરબાર'નું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ લોકદરબારમાં વિવિધ સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીઓ સાથે સીધો સંવાદ યોજી સ્થાનિક વિકાસકાર્યો અને જાહેર સુવિધાઓ અંગે ખુલ્લા મનથી ચર્ચા કરવામાં આવી હતી.</p><h2><b>ગૃહમંત્રીની કાર્યશૈલી પર CM ભૂપેન્દ્ર પટેલનું નિવેદન</b></h2><p>લોકદરબારને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, કોઈ તમારી વાત સાંભળે કે ના સાંભળે, પરંતુ સાંસદ અમિત શાહ પાસે વાત જાય એટલે તમારું કામ થયે જ છૂટકો. આજે અહીં કોર્પોરેશન, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ત્રણેય હાજર છે, એટલે તમારા તમામ પ્રશ્નોનું નિરાકરણ આવી જ જશે. સીએમએ વધુમાં ઉમેર્યું કે, ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં થઈ રહેલી હરિયાળી ક્રાંતિ આજે સૌ કોઈ જોઈ શકે છે.</p><h2><b>રાણીપની જનતા સાથે મારો 30 વર્ષનો નાતો: અમિત શાહ</b></h2><p>પોતાના સંબોધનની શરૂઆતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાવુક જણાતા કહ્યું કે, મને આ રાણીપ વિધાનસભા વિસ્તારમાં 30 વર્ષ થયા છે. રાજનીતિમાં આટલો લાંબો સમય વિત્યો હોવા છતાં રાણીપના લોકો મને સાથ આપવામાં ક્યારેય થાક્યા નથી. અહીંની જનતાએ હંમેશા ભાજપના કમળને મજબૂતાઈથી પકડી રાખ્યું છે. તેમણે ઉમેર્યું કે, 30 વર્ષમાં મેં રાણીપને બદલાતા અને વિકાસ કરતા જોયું છે, અને ટૂંક સમયમાં જ આપણે સંપૂર્ણ અને આધુનિક બનેલું રાણીપ જોઈશું.</p><h2><b>વિકાસના કામો અને ઐતિહાસિક સિદ્ધિઓની કરાવી ઝાંખી</b></h2><p>અમિત શાહે પોતાના ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકકલ્યાણકારી યોજનાઓ અને સ્થાનિક સ્તરે થયેલી કામગીરીના આંકડા રજૂ કરતા જણાવ્યું હતું કે, પીએમ સ્વનિધિ યોજના હેઠળ 8,979 લારી-ગલ્લાવાળાઓને લોન આપી સ્વનિર્ભર બનાવવામાં આવ્યા છે. મતક્ષેત્રનું એકપણ એવું ગામ નહીં હોય જેમાં લાઈબ્રેરી ના હોય. આગામી સમયમાં વધુ 100થી વધારે ગામોમાં નવી આધુનિક લાઈબ્રેરીઓ બનાવવામાં આવશે. મત વિસ્તારના 70 વર્ષથી વધુ વયના 88 ટકા વૃદ્ધોને આયુષ્માન કાર્ડ આપી મફત સારવારની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. ઓવરબ્રિજ નીચે ખાલી પડેલી જગ્યાઓનો સદુપયોગ કરી યુવાનો માટે રમત-ગમતની સુંદર વ્યવસ્થા ઉભી કરાઈ છે.</p><h2><b>પર્યાવરણ અને જળસંચય માટે જનતાને હાકલ</b></h2><p>પર્યાવરણના રક્ષણ માટે ગૃહમંત્રીએ મિશન મોડમાં કામ કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, પર્યાવરણ બચાવવાનો એકમાત્ર રસ્તો વૃક્ષારોપણ છે અને આપણે સૌએ મળીને 'ગ્રીન ગાંધીનગર લોકસભા અભિયાન' ઉપાડવું પડશે. આપણા મતક્ષેત્રમાં ગ્રીન એરિયામાં 12.5 ટકાની વૃદ્ધિ થઈ છે, જે ગર્વની બાબત છે. </p><p>અમિત શાહે લોકોને અપીલ કરી કે, હવે પંથકમાં સોલર રૂફટોપ વિનાનું એક પણ ધાબુ ન રહેવું જોઈએ અને ચોમાસાના પાણીના સંગ્રહ માટે પર્કોલેટિંગ કૂવાની નિયમિત સાફ-સફાઈ થવી જ જોઈએ. છેલ્લે કાર્યકરો અને જનતાનો ઉત્સાહ વધારતા અમિત શાહે હળવા અંદાજમાં કહ્યું કે, રાણીપનો ડબ્બો ખૂલે એટલે ભાજપના કાર્યકરોના ચહેરા પર હસવાની શરૂઆત થઈ જાય છે. જ્યાં સુધી કેન્દ્રમાં નરેન્દ્ર ભાઈ મોદી બેઠા છે, ત્યાં સુધી જનતાએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/amit-shah-circuit-house-meeting-gandhinagar-green-lok-sabha" target="_blank">Ahmedabad News: કેન્દ્રીય ગૃહ મંત્રી સર્કિટ હાઉસ ખાતે 'હરિયાળી લોકસભા' અભિયાન અંગે યોજાઈ બેઠક</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/TJmcIgOHhd2iexYqEXd1scv7813fiYgH5oSFXcxI.webp'/></item><item><title><![CDATA[Jammu Kashmir : ગુલમર્ગમાં LOCની પાસે રહસ્યમય બ્લાસ્ટ, 1 વ્યક્તિનું મોત, 4 લોકો ઘાયલ ]]></title><link>https://sandesh.com/india/news/jammu-kashmir-gulmarg-loc-mysterious-blast-one-dead-four-injured</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/jammu-kashmir-gulmarg-loc-mysterious-blast-one-dead-four-injured</guid><pubDate>Sat, 27 Jun 2026 21:22:47 +05:30</pubDate><description><![CDATA[<p>જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ગુલમર્ગ સેક્ટરમાં શનિવારે બપોરે એક દુર્ઘટનામાં જૂનો મોર્ટાર શેલ ફાટતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટના આશા પોસ્ટ વિસ્તાર નજીક સુમલોવાળી ડોક પાસે બની.</p><h2><b>અચાનક શેલમાં વિસ્ફોટ થતાં દુર્ઘટના સર્જાઈ</b></h2><p>મૃતકની ઓળખ બારામુલ્લાના ચંદૂસા વિસ્તારના રહેવાસી જુબૈર અહમદ બઝાદ તરીકે થઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, અગાઉના સમયનો વિસ્ફોટ ન થયેલો મોર્ટાર શેલ ત્યાં પડ્યો હતો. સ્થાનિક લોકોનો એક જૂથ તે વિસ્તારમાં હાજર હતો ત્યારે અચાનક શેલમાં વિસ્ફોટ થતાં દુર્ઘટના સર્જાઈ હતી.</p><h3><b>સમગ્ર વિસ્તારને સુરક્ષિત કરી તપાસ શરૂ&nbsp;</b></h3><p>ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની સ્થિતિ અંગે સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. ઘટનાની જાણ થતાં પોલીસ અને અન્ય સુરક્ષા દળો તરત જ સ્થળ પર પહોંચી ગયા હતા અને સમગ્ર વિસ્તારને સુરક્ષિત બનાવી તપાસ શરૂ કરી હતી.</p><h4><b>શું કહ્યું પોલીસે?</b></h4><p>આ વિસ્તાર નિયંત્રણ રેખા (LoC)ની નજીક આવેલો હોવાથી અગાઉ થયેલા સૈન્ય સંઘર્ષ દરમિયાન ઉપયોગમાં લેવાયેલા મોર્ટાર શેલ અને અન્ય વિસ્ફોટક સામગ્રી ક્યારેક જમીનમાં દટાયેલી અથવા પડેલી મળી આવે છે, જે સ્થાનિક લોકો માટે ગંભીર જોખમ ઉભું કરે છે. આ દરમિયાન બારામુલ્લા પોલીસે સોશિયલ મીડિયા પર ફેલાયેલી એવી અફવાઓને ફગાવી દીધી છે કે આશા પોસ્ટ પર ભારતીય સેનાના જવાનો ઘાયલ થયા છે. પોલીસે સ્પષ્ટ જણાવ્યું કે આ માહિતી સંપૂર્ણપણે ખોટી અને પાયાવિહોણી છે તેમજ કોઈ પણ સૈનિકને ઈજા પહોંચી નથી.</p><p>પોલીસે ચેતવણી આપી છે કે ખોટી માહિતી ફેલાવી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનારાઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ લોકોને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરવામાં આવી છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/ram-mandir-donation-row-champat-rai-anil-mishra-resignation-trust-confirmation" target="_blank">આ પણ વાંચો : Ram Mandir Donation Row : મહામંત્રી ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામાની ટ્રસ્ટે કરી પુષ્ટી, જાણો શું કહ્યું?</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/aAszp0NxVC65jEtHamLzpYNrQJTkWbKEMuyiwCEI.webp'/></item><item><title><![CDATA[Bharuch News: દ્વારકા દર્શન કરી પરત ફરતા આંબલીયા પરિવારને નડ્યો અકસ્માત, માતા-પુત્રનું મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/delhi-mumbai-expressway-accident-surat-family</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/delhi-mumbai-expressway-accident-surat-family</guid><pubDate>Sat, 27 Jun 2026 21:05:29 +05:30</pubDate><description><![CDATA[<p>ભરૂચ જિલ્લામાં પસાર થતા એક્સપ્રેસવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સુરતનો એક પરિવાર દ્વારકાધીશના દર્શન કરીને પવિત્ર યાત્રા પૂર્ણ કરી અત્યંત ખુશી-ખુશી પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન ભરૂચ નજીક કાળમુખા અકસ્માતે આ હસતા-રમતા પરિવારની ખુશીઓને પળવારમાં માતમમાં ફેરવી નાખી છે. આ અકસ્માતમાં માતા અને તેના માસૂમ પુત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે.</p><h2><b>કેલોદ નજીક ઊભેલા ટ્રેલર પાછળ ઘૂસી ગઈ ઈકો કાર</b></h2><p>મળતી માહિતી મુજબ, આ ગંભીર અકસ્માત ભરૂચના કેલોદ ગામ નજીકથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર સર્જાયો હતો. સુરતનો આંબલીયા પરિવાર પોતાની કાર લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે એક્સપ્રેસવે પર ઊભેલા એક વિશાળ ટ્રેલર પાછળ ઈકો કાર ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો અને કાર જાણે પતરાના ડબ્બાની જેમ વળી ગઈ હતી.</p><h2><b>માતા ગીતાબેન અને 12 વર્ષીય ચિંતનનું મોત</b></h2><p>આ ગોઝારા અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે, કારમાં સવાર માતા ગીતાબેન આંબલીયા અને તેમના 12 વર્ષીય પુત્ર ચિંતન આંબલીયાને ગંભીર ઈજાઓ પહોંચતા બંનેના પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. એક જ પરિવારના બે કમનસીબ સભ્યોના મોતના સમાચાર મળતા જ સુરતમાં રહેતા તેમના સગા-સંબંધીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.</p><h2><b>અન્ય ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા</b></h2><p>અકસ્માતની આ ઘટનાને પગલે હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં કારમાં સવાર અન્ય સભ્યોને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સૌપ્રથમ 108 મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારી સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.</p><h2><b>ભરૂચ તાલુકા પોલીસે તપાસ શરૂ કરી</b></h2><p>ઘટનાની જાણ થતા જ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોને કબ્જે લઈ પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપ્યા છે. આ સાથે જ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને એક્સપ્રેસવે પર ટ્રેલર કેવી પરિસ્થિતિમાં ઊભું હતું અને અકસ્માત પાછળ કોની બેદરકારી છે, તે દિશામાં કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/jambusar-narmada-canal-water-released-for-farmers" target="_blank">Bharuch News: વરસાદની અછત વચ્ચે ખેડૂતો માટે મોટા રાહતના સમાચાર, મુખ્ય નર્મદા કેનાલમાં છોડાયું પાણી</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/5LoA5lCzTQXgbfFJoMlsDeq49NDAUGar0uBtpJbM.webp'/></item><item><title><![CDATA[Kotak Mahindra Bankને પડશે મોટો ફટકો, CEO અશોક વાસવાણી પોતાનું પદ છોડશે, જાણો કારણ ]]></title><link>https://sandesh.com/business/news/kotak-mahindra-bank-ceo-ashok-vaswani-steps-down-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/kotak-mahindra-bank-ceo-ashok-vaswani-steps-down-2026</guid><pubDate>Sat, 27 Jun 2026 19:01:42 +05:30</pubDate><description><![CDATA[<p>કોટક મહિન્દ્રા બેન્કના મેનેજિંગ ડિરેક્ટર અને CEO અશોક વાસવાણીએ વર્ષ 2026ના અંતે પોતાનું પદ છોડવાનો નિર્ણય કર્યો છે. બેન્કે 27 જૂને સ્ટોક એક્સચેન્જને આ અંગે માહિતી આપી. કંપનીએ જણાવ્યું છે કે વાસવાણીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ તેમના કાર્યકાળ 31 ડિસેમ્બર 2026 બાદ ફરીથી નિયુક્તિ સ્વીકારશે નહીં.</p><h2><b>CEOની શોધ માટે સત્તાવાર પ્રક્રિયા શરૂ</b></h2><p>બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં આ નિર્ણય પર ચર્ચા કરવામાં આવી હતી અને નવા મેનેજિંગ ડિરેક્ટર અને CEOની શોધ માટે સત્તાવાર પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. બેન્કે આશા વ્યક્ત કરી છે કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા નક્કી કરાયેલી સમયમર્યાદામાં નવા નેતૃત્વની નિમણૂક પૂર્ણ કરી લેવામાં આવશે, જેથી કામગીરી અને વ્યૂહાત્મક દિશામાં કોઈ અસર ના થાય.</p><h3><b>2024માં પદ સંભાળ્યું હતું&nbsp;</b></h3><p>અશોક વાસવાણીએ જાન્યુઆરી 2024માં ઉદય કોટકની જગ્યાએ CEO તરીકે પદ સંભાળ્યું હતું. તેમના નેતૃત્વ દરમિયાન ભારતીય ફાઈનાન્શિયલ સેક્ટરમાં મોટાપાયે બદલાવ જોવા મળ્યો હતો. બેન્કે સ્પર્ધાત્મક બજાર અને નિયમનકારી પરિવર્તનો વચ્ચે પોતાનું સ્થાન મજબૂત રાખ્યું હતું. હજુ સુધી નવા CEO માટે કોઈ નામ પર ચર્ચા થઈ નથી, પરંતુ બોર્ડે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે યોગ્ય ઉમેદવાર સમયસર પસંદ કરવામાં આવશે.</p><h4><b>સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એક્ઝિક્યુટિવ એજ્યુકેશન પૂર્ણ કર્યું</b></h4><p>અશોક વાસવાણી અગાઉ સિટી ગ્રુપમાં લગભગ ત્રણ દાયકાથી વધુ સમય સુધી કાર્યરત રહ્યા છે. તેઓ બાર્કલેઝમાં પણ મહત્વપૂર્ણ પદ પર રહી ચૂક્યા છે, જ્યાં તેઓ ગ્લોબલ કન્ઝ્યુમર, પ્રાઈવેટ, કોર્પોરેટ અને પેમેન્ટ બિઝનેસના CEO તરીકે કાર્યરત હતા. તેઓ ગ્રુપ એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય પણ હતા. તેમણે મુંબઈની યુનિવર્સિટી હેઠળ સિડનહેમ કોલેજમાંથી કોમર્સમાં અભ્યાસ કર્યો છે અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એક્ઝિક્યુટિવ એજ્યુકેશન પૂર્ણ કર્યું છે. તેઓ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અને કંપની સેક્રેટરી પણ છે.</p><p><b><a href="https://sandesh.com/business/news/tata-group-tata-sons-fy26-32000-crore-net-profit-growth" target="_blank">આ પણ વાંચો : Tata Groupનો જલવો યથાવત, FY26માં અંદાજે 32,000 કરોડનો કર્યો નફો</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/806Uv1YgakDKeD9h1m4U697iOccKxMXblLhbLTnt.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup : કેપ વર્ડે રચ્યો ઇતિહાસ, નોકઆઉટમાં પહોંચનાર વિશ્વનો સૌથી નાનો દેશ બન્યો ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-cape-verde-creates-history-becomes-the-smallest-country-in-the-world-to-reach-the-knockout-stages</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-cape-verde-creates-history-becomes-the-smallest-country-in-the-world-to-reach-the-knockout-stages</guid><pubDate>Sat, 27 Jun 2026 10:03:51 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">FIFA વર્લ્ડ કપ 2026 એ ફૂટબોલ ઇતિહાસમાં એક પરીકથા બનાવી છે, જેણે વિશ્વભરના ચાહકોના દિલ જીતી લીધા છે. આફ્રિકાના પશ્ચિમ કિનારે આવેલા 500,000 થી થોડી વધુ વસ્તી ધરાવતા નાના દેશ કેપ વર્ડેએ સાઉદી અરેબિયા સામે ઐતિહાસિક 0-0 ડ્રો બાદ વર્લ્ડ કપ નોકઆઉટ સ્ટેજમાં સ્થાન મેળવ્યું. આ ડ્રો સાથે, કેપ વર્ડે વર્લ્ડ કપના ઇતિહાસમાં નોકઆઉટ સ્ટેજ માટે ક્વોલિફાય થનાર સૌથી નાનો દેશ બન્યો.</p><h4 style="text-align: justify; "><b>હેવીવેઇટ્સના જૂથમાં અજેય રહ્યો.</b></h4><p style="text-align: justify; ">કેપ વર્ડે, જે તેનો પ્રથમ FIFA વર્લ્ડ કપ રમી રહ્યો હતો, તેને ટુર્નામેન્ટના સૌથી મુશ્કેલ જૂથોમાંના એકમાં મૂકવામાં આવ્યો હતો. જોકે, આ અંડરડોગ ટીમ એક પણ મેચ હાર્યા વિના અજેય રહી અને નોકઆઉટ સ્ટેજમાં ટિકિટ મેળવી. તેની પ્રથમ મેચમાં, કેપ વર્ડે 2010 વર્લ્ડ કપ ચેમ્પિયન સ્પેનને 0-0 ડ્રો પર રોકીને સનસનાટી મચાવી. ત્યારબાદ તેઓએ તેમની બીજી મેચમાં એક અદ્ભુત વાપસી કરી, બે વખતના ચેમ્પિયન ઉરુગ્વે સામે રોમાંચક 2-2 ડ્રો મેળવ્યો. તેમણે સાઉદી અરેબિયાને 0-0 થી ડ્રો કરીને ત્રણ પોઈન્ટ સાથે ગ્રુપમાં બીજું સ્થાન મેળવ્યું, જ્યારે સ્પેને ઉરુગ્વેને હરાવીને ગ્રુપમાં ટોચનું સ્થાન મેળવ્યું.</p><p style="text-align: justify; "><a href="https://x.com/FIFAWorldCup/status/2070688565567115656?s=20" target="_blank">https://x.com/FIFAWorldCup/status/2070688565567115656?s=20</a></p><h4 style="text-align: justify; "><b>રાઉન્ડ ઓફ 32 માં તેઓ કોનો સામનો કરશે?</b></h4><p style="text-align: justify; ">કેપ વર્ડે હવે રાઉન્ડ ઓફ 32 માં વધુ એક મોટો પડકારનો સામનો કરશે. તેઓ વર્તમાન વિશ્વ ચેમ્પિયન આર્જેન્ટિનાનો સામનો કરશે. આ મેચ 3 જુલાઈના રોજ મિયામીમાં રમાશે. કેપ વર્ડે માટે આ એક મોટી ક્ષણ હશે, અને અંડરડોગ્સ વધુ એક અપસેટ સર્જીને ટોપ 16 માં સ્થાન મેળવવાનો પ્રયાસ કરશે.</p><h5 style="text-align: justify; "><b>40 વર્ષીય ગોલકીપર વોજિન્હા તારણહાર બન્યા</b></h5><p style="text-align: justify; ">કેપ વર્ડેના ઐતિહાસિક પ્રદર્શનનો સૌથી મોટો હીરો તેમનો 40 વર્ષીય ગોલકીપર વોજિન્હા હતો. આ વર્લ્ડ કપમાં તેના જાદુઈ પ્રદર્શને સોશિયલ મીડિયા પર તેની લોકપ્રિયતાને આસમાને પહોંચાડી દીધી છે, તેના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ 16 મિલિયનને વટાવી ગયા છે. સાઉદી અરેબિયા સામેની મેચમાં, વોઝિન્હાએ ત્રણ આશ્ચર્યજનક બચાવ કર્યા જેણે સાઉદી અરેબિયાને આશ્ચર્યચકિત કરી દીધું. પહેલા હાફના સ્ટોપેજ સમયમાં, તેણે મોહમ્મદ કાનોના શાનદાર હેડરને અવરોધિત કરીને સાઉદી અરેબિયાને લીડ લેતા અટકાવ્યું. પછી, બીજા હાફમાં, તેણીએ મોહમ્મદ અબુ અલ-શમાતના ખતરનાક શોટને ડિફ્લેક્ટ કરવા માટે કૂદકો માર્યો. 92મી મિનિટે, વોઝિન્હાએ અબ્દુલ્લા અલ-હમદાનના ચોક્કસ શોટને બ્લોક કર્યો, જેનાથી તેની ટીમ નોકઆઉટમાં સ્થાન મેળવી શક્યો.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-senegal-beat-iraq-5-0-in-knockout-match" target="_blank">FIFA World Cup 2026 : નોકઆઉટ મેચમાં સેનેગલે ઇરાકને 5-0 થી હરાવ્યું</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/JWlhHzAZqdwbXfyXnIvPF4MX2fiZKeYvK6PnClEv.webp'/></item></channel></rss>