<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabad News : રામોલમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ હજુ પણ ભયનો માહોલ, જાણો પ્રત્યક્ષદર્શીએ શું કહ્યુ? ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/firecracker-factory-blast-fear-persists-in-ramol-after-explosion</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/firecracker-factory-blast-fear-persists-in-ramol-after-explosion</guid><pubDate>Sun, 19 Jul 2026 09:48:19 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના રામોલ-ગતરાડ રોડ ઉપર આવેલા મહેમુદપુરાના એક ખેતરની જગ્યામાં મંજૂરી અને લાયસન્સ વિના ગેરકાયદે ચાલતી કટાકડાની ફેક્ટરીમાં શનિવારે બપોરે પ્રચંડ બ્લાસ્ટ સાથે લાગેલી આગમાં 9 લોકોના મોત થયા હતા.  આ ઘટનામાં પોલીસે ફેક્ટરીના માલિક મેહુલ ડોડીયા સહીત ત્રણ લોકોની અટકાયત કરી છે. આજે બીજા દિવસે પણ ઘટના સ્થળે બેદરકારીનું દ્રશ્ય સામે આવ્યું છે. સ્થળ પર જોખમી કેમિકલનો જથ્થો યથાવત છે.&nbsp;&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ઘટનાને લઈને પ્રત્યક્ષદર્શીએ શું કહ્યું?</b></h2><p style="text-align: justify; ">આ ઘટનાને લઈને પ્રત્યદર્શીએ સંદેશ ન્યૂઝને જણાવ્યું હતું કે, અમે લોકો અહીં જ રહીએ છીએ. બપોરના સમયે અચાનક બ્લાસ્ટ થયો હતો. ત્યાર બાદ એક બે જણા દાઝી ગયા હતાં અને તેમને અમે જ એમ્બ્યુલન્સ બોલાવીને સારવાર માટે મોકલ્યા હતાં. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે અહીંથી લગભગ 20થી 25 લોકો બહાર ભાગી ગયા હતાં. અમે લોકો પણ દોડ્યા હતાં. આ ઘટના બાદ અમને રાત્રે ઊંઘ પણ આવતી નથી. અમે લોકો ગઈકાલના જમ્યા પણ નથી. જમવાનું પણ ભાવતુ નથી. હજી પણ અમને ડરનો અહેસાસ થઈ રહ્યો છે.&nbsp; ધડાકો એવો થયો હતો કે, લોકોની ચીસો ગૂંજી ઉઠી હતી. વીજળી પડી હોય તેવો જબરદસ્ત અવાજ સંભળાયો હતો. ધડાકાથી આસપાસના વિસ્તારમાં કાચ પણ તૂટ્યા હતાં. જલધારા ફાઉન્ડ્રીની બારીઓના કાચ તૂટ્યા હતાં. લોકોએ બે જણાને સળગતી હાલતમાં જોયા હતાં. બ્લાસ્ટની અસર દૂર સુધી થઈ હતી.</p><h3 style="text-align: justify; "><b>જોખમી કેમિકલનો જથ્થો હજુ પણ ત્યાં પડ્યો છે</b></h3><p style="text-align: justify; ">કોઈ મોટી દુર્ઘટના સર્જાયા બાદ પણ તંત્ર અને જવાબદારો કેટલા બેદરકાર હોઈ શકે છે તેનું એક ચોંકાવનારું દ્રશ્ય સતત બીજા દિવસે પણ ઘટનાસ્થળે જોવા મળ્યું છે, જ્યાં અત્યંત જોખમી કેમિકલનો જથ્થો હજુ પણ સુરક્ષા વગર એમ જ ખુલ્લો યથાવત પડ્યો છે. અકસ્માત બાદ આખા વિસ્તારને પૂરતો સુરક્ષિત કરવાને બદલે ત્યાં અંદાજે 200 કિલો જેટલો વિસ્ફોટક પોટેશિયમ નાઇટ્રેટનો જથ્થો રામભરોસે છોડી દેવાયો છે. એટલું જ નહીં, કટોકટીના સમયે કામ લાગતા ફાયર સેફ્ટીના સાધનો પણ એક્સપાયરી ડેટના હોવાનો ગંભીર દાવો કરવામાં આવ્યો છે. આટલી મોટી લાપરવાહી સામે આવ્યા બાદ હવે જોવાનું એ રહેશે કે માનવ જિંદગી સાથે રમત રમતા આવા જવાબદારો સામે તંત્ર દ્વારા ક્યારે અને શું કડક કાર્યવાહી કરવામાં આવે છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/crime/surat/luxury-car-rental-fraud-accused-arrested" target="_blank">આ પણ વાંચોઃ Surat News : મોંઘીદાટ કાર ભાડે લઈ તેનું GPS બંધ કરી સગેવગે કરી દેતો, પોલીસે આરોપીને ઝડપ્યો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/19/SyZaJKrYLcPtrmHXKOnRAJd4cnKS0WbnHlBY3rwF.webp'/></item><item><title><![CDATA[Fifa World Cup 2026: એમ્બાપ્પેના રેકોર્ડ પર ભારે પડી બુકાયો સાકાની હેટ્રિક, ફ્રાંસને ઇગ્લેન્ડે હરાવ્યુ ]]></title><link>https://sandesh.com/sports/fifa-world-cup/news/fifa-world-cup-2026-bukayo-sakas-hat-trick-weighs-heavily-on-mbappes-record-england-defeats-france</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/fifa-world-cup/news/fifa-world-cup-2026-bukayo-sakas-hat-trick-weighs-heavily-on-mbappes-record-england-defeats-france</guid><pubDate>Sun, 19 Jul 2026 09:01:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સેમિફાઇનલમાં મળેલી નિરાશાને પાછળ મૂકી ઇંગ્લેન્ડે બ્રોન્ઝ મેડલ મેચમાં ફ્રાન્સને 6-4થી હરાવી ઇતિહાસ રચ્યો. 1966માં વિશ્વ ચેમ્પિયન બન્યા બાદ વર્લ્ડ કપના ઇતિહાસમાં ઇંગ્લેન્ડનું આ અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે.</p><h2 style="text-align: justify; ">ઇંગ્લેન્ડને ઐતિહાસિક જીત અપાવી</h2><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ani_digital/status/2078645573608214562"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify;">મેચ દરમિયાન એક સમયે ઇંગ્લેન્ડ 4-0ની વિશાળ લીડ સાથે સંપૂર્ણ નિયંત્રણમાં દેખાતું હતું, પરંતુ બીજા હાફમાં ફ્રાન્સના સ્ટાર ફોરવર્ડ કિલિયન એમ્બાપ્પેએ શાનદાર વાપસી કરાવતા મુકાબલો ફરી જીવંત બનાવી દીધો. તેમ છતાં બુકાયો સાકાની અદભૂત હેટ્રિક અને અંતિમ ક્ષણોમાં જ્યુડ બેલિંગહેમના જાદુઈ ગોલે ઇંગ્લેન્ડને ઐતિહાસિક જીત અપાવી.</p><h3 style="text-align: justify; ">ઇંગ્લેન્ડના મેનેજરે ટીમમાં અનેક ફેરફારો કર્યા હતા</h3><p style="text-align: justify; ">મેચ શરૂ થાય તે પહેલાં કોઈએ પણ આટલા મોટા સ્કોરલાઇનની કલ્પના નહોતી કરી. ઇંગ્લેન્ડના મેનેજરે ટીમમાં અનેક ફેરફારો કર્યા હતા. કેપ્ટન હેરી કેન અને સ્ટાર મિડફિલ્ડર જ્યુડ બેલિંગહેમને આરામ આપવામાં આવ્યો હતો, જ્યારે ગોલકીપર જોર્ડન પિકફોર્ડની જગ્યાએ ડીન હેન્ડરસનને તક મળી હતી. ડેકલાન રાઇસે કેપ્ટનની જવાબદારી સંભાળતા મેચની શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું.</p><h4 style="text-align: justify; ">ઇંગ્લેન્ડનો આત્મવિશ્વાસ વધુ મજબૂત બન્યો</h4><p style="text-align: justify; ">માત્ર અઢી મિનિટમાં જ ડેકલાન રાઇસે પહેલો ગોલ ફટકારી ફ્રાન્સને ચોંકાવી દીધું. આ ગોલ બાદ ઇંગ્લેન્ડનો આત્મવિશ્વાસ વધુ મજબૂત બન્યો. 18મી મિનિટે એઝરી કોન્સાએ કોર્નર પરથી મળેલા બોલને શાનદાર હેડર દ્વારા ગોલમાં ફેરવી સ્કોર 2-0 કર્યો. ફ્રાન્સની ડિફેન્સ લાઇન દબાણ હેઠળ આવી ગઈ હતી અને ઇંગ્લેન્ડ સતત હુમલા કરતું રહ્યું.</p><h4 style="text-align: justify; ">બુકાયો સાકાનો શો શરૂ થયો</h4><p style="text-align: justify; ">ત્યારબાદ મેદાન પર બુકાયો સાકાનો શો શરૂ થયો. પ્રથમ હાફ પૂર્ણ થવાની થોડી ક્ષણો પહેલાં સાકાએ સતત બે ગોલ ફટકારી ફ્રાન્સની રક્ષણ વ્યવસ્થાને સંપૂર્ણ રીતે ભંગ કરી નાખી. આ બે ગોલ સાથે ઇંગ્લેન્ડ 4-0ની મજબૂત લીડમાં ગયું અને એવું લાગતું હતું કે મેચ એકતરફી બની ગઈ છે.</p><p style="text-align: justify; ">પરંતુ બીજા હાફમાં કિલિયન એમ્બાપ્પેએ અદભૂત પ્રદર્શન કર્યું. તેણે પોતાની ઝડપ, ડ્રિબ્લિંગ અને ફિનિશિંગથી ઇંગ્લેન્ડની ડિફેન્સને વારંવાર પરેશાન કરી અને ફ્રાન્સને મેચમાં પાછું લાવવાનો પ્રયાસ કર્યો. ફ્રાન્સે સતત ગોલ કરીને સ્કોર નજીક પહોંચાડ્યો, જેના કારણે સ્ટેડિયમમાં બેઠેલા ચાહકોમાં ભારે ઉત્સાહ છવાઈ ગયો.</p><p style="text-align: justify; ">જ્યારે મુકાબલો અંતિમ મિનિટોમાં પ્રવેશ્યો ત્યારે જ્યુડ બેલિંગહેમને મેદાન પર ઉતારવામાં આવ્યો અને તેણે ઇજાના સમયમાં શાનદાર ગોલ ફટકારી ઇંગ્લેન્ડની જીત પર મહોર મારી. 6-4ના સ્કોર સાથે ઇંગ્લેન્ડે બ્રોન્ઝ મેડલ જીત્યો અને વર્લ્ડ કપ 2026માં પોતાની યાદગાર સફરનો ભવ્ય અંત કર્યો. આ મુકાબલો લાંબા સમય સુધી ફૂટબોલ ચાહકોની યાદોમાં જીવંત રહેશે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/19/NoMBPAhYNMFhQdsIEjg2t1N1b8Mpw7fFy0PvPRfK.webp'/></item><item><title><![CDATA[Surat News : મોંઘીદાટ કાર ભાડે લઈ તેનું GPS બંધ કરી સગેવગે કરી દેતો, પોલીસે આરોપીને ઝડપ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/luxury-car-rental-fraud-accused-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/luxury-car-rental-fraud-accused-arrested</guid><pubDate>Sun, 19 Jul 2026 08:28:13 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં ભાડેથી મોંઘીદાટ લક્ઝુરિયસ કાર મેળવી તેની GPS સિસ્ટમ બંધ કરી બારોબાર કાર સગેવગે કરતી ગેંગના મુખ્ય સાગરીતને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે અડાજણ સરદાર બ્રિજ નીચે પાર્કિંગમાંથી દીપ હરેશભાઈ ડોબરિયાને ઝડપી પાડયો હતો. તેની પાસેથી એક સફેદ કલરની નંબર પ્લેટ વગરની કિયા સેલ્ટોસ કાર મળી આવી હતી. આ ઉપરાંત અન્ય એક સફેદ અર્ટીગા કાર પણ જપ્ત કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>અર્ટીગા કાર 11 મહિનાના ભાડા કરાર પર લીધી હતી</b></h2><p style="text-align: justify; ">પૂછપરછ દરમિયાન દીપ ડોબરીયાએ ગત ડિસેમ્બર 2025માં અમરોલીના સચિન રાઠોડ પાસેથી અર્ટીગા કાર 11 મહિનાના ભાડા કરાર પર લીધી હતી. માત્ર એક જ મહિનાનું ભાડું આપી તે ગાડી ઓળવી ગયો હતો અને બાદમાં મૂળ માલિકે પૈસા માંગતા જો હવે ફોન કર્યો છે કે આજુબાજુ દેખાયા છો તો જીવતા નહીં છોડું તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી વિશ્વાસઘાત કર્યો હતો. આ અંગે અમરોલી પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>સ્યુસાઇડનો વીડિયો મોકલી બ્લેકમેઈલ કર્યો</b></h3><p style="text-align: justify; ">આરોપી દીપની મોડસ ઓપરેન્ડી એવી હતી કે વડોદરાના પાણીગેટ વિસ્તારમાંથી લગ્ન પ્રસંગ અને રાજસ્થાન ફરવા જવાના બહાને ભાડે લીધેલી કાર અને તેના રૂપિયા કાર માલિકે માંગ્યા ત્યારે દીપે કારના માલિકને ડરાવવા દીપે સ્યુસાઇડનો વીડિયો મોકલી બ્લેકમેઈલ કર્યો હતો. માસ્ટરમાઇન્ડ દીપ ડોબરીયા ગુનાહિત માનસિકતા ધરાવે છે. વર્ષ 2025માં સરથાણા પોલીસ મથકે તેની સામે અપહરણ અને આર્મ્સ એક્ટનો ગુનો નોંધાયો હતો. જેમાં તેણે પોતાની ગાડી એક મિત્રને ભાડે આપી હતી અને ગાડીનો એક્સિડન્ટ થતાં નુકસાનીના 1.95 લાખ વસૂલવા માટે યોગીચોકથી યુવકનું છરી બતાવી અપહરણ કર્યુ હતું જેમાં તે જેલવાસ ભોગવી ચૂક્યો છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/surat/rain-forecast-for-next-4-days" target="_blank">આ પણ વાંચોઃ Surat Weather: શહેરમાં આગામી ચાર દિવસ સુધી વરસાદની આગાહી</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/19/I69PHVVvDG7yxhkAArRlMgbMrQxulsSMSGtbydwm.webp'/></item><item><title><![CDATA[India News: ખરાબ હવામાન અને ભૂસ્ખલનની ચેતવણીને પગલે અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ ]]></title><link>https://sandesh.com/india/news/monsoon-2026/amarnath-yatra-suspended-due-to-bad-weather-and-landslide-alert</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/monsoon-2026/amarnath-yatra-suspended-due-to-bad-weather-and-landslide-alert</guid><pubDate>Sun, 19 Jul 2026 08:02:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઉત્તર ભારતમાં ખરાબ હવામાનની અસર પ્રવાસન પર પડી છે. હાલમાં અમરનાથ અને વૈષ્ણૌદેવીના  દર્શને જતાં શ્રદ્ધાળુઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી ખરાબ હવામાન અંગેની આગાહીને લઈને અમરનાથ અને વૈષ્ણોદેવી યાત્રાને આગામી આદેશ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. ઉત્તર ભારતમાં  પહાડી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર અને લેન્ડ સ્લાઈડની ઘટનાઓનું જોખમ હોવાથી યાત્રાળુઓની સલામતિ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમરનાથ યાત્રીઓને હવે બેઝ કેમ્પથી આગળ જવાની મંજૂરી નહીં મળે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>જમ્મુ કાશ્મીરના રજૌરીમાં પૂર જેવી સ્થિતિ</b></h2><p style="text-align: justify; ">જમ્મુ-કાશ્મીરમાં સતત થઈ રહેલા ભારે વરસાદના કારણે કુદરતી આફત જેવી સ્થિતિ સર્જાઈ છે. રજૌરી જિલ્લામાં અવિરત વરસાદને પગલે પૂર જેવી ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ છે, જેને કારણે સ્થાનિક નદીઓ અને નાળાઓ ભયજનક સપાટીએ ઓવરફ્લો થઈને વહી રહ્યા છે. આ પૂરના પાણી આસપાસના નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં ફરી વળ્યા છે. બીજી તરફ, ઉધમપુરમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે, જ્યાં મુશળધાર વરસાદને લીધે રસ્તાઓ પર નદીઓની જેમ પાણી વહેતા થયા છે. આ આકાશી આફતના કારણે સમગ્ર જનજીવન અને વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે, તેમજ લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં ભારે નુકસાન અને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં કુદરતનો પ્રકોપ</b></h3><p style="text-align: justify; ">હિમાચલ પ્રદેશમાં પણ કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. જ્યાં કિન્નૌર જિલ્લામાં વાદળ ફાટવાની ગંભીર ઘટના સામે આવી છે. કિન્નૌરની પ્રખ્યાત સાંગલા વેલીના મસ્તરંગ વિસ્તારમાં વાદળ ફાટવાના કારણે ચારેય તરફ પાણીનો પ્રચંડ પ્રવાહ ફરી વળ્યો છે, જેને પગલે રસ્તાઓ ધોવાઈ જતાં વાહનોની અવરજવર અને ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને પૂરના આ ખતરાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસન એલર્ટ મોડ પર આવી ગયું છે. વહીવટી તંત્ર દ્વારા બહારથી આવતા તમામ પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકોને હાલની સ્થિતિમાં સુરક્ષાના ભાગરૂપે બિનજરૂરી પ્રવાસ ટાળવા અને સાવચેત રહેવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/two-rain-systems-active--light-to-moderate-rain-forecast-across-state" target="_blank">આ પણ વાંચોઃ Gujarat weather: રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ, આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/19/172Nx9poX9TvRZ1hkPa9aROtsK0dxVzVE7igVW88.webp'/></item><item><title><![CDATA[Gujarat weather: રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ, આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/two-rain-systems-active--light-to-moderate-rain-forecast-across-state</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/two-rain-systems-active--light-to-moderate-rain-forecast-across-state</guid><pubDate>Sun, 19 Jul 2026 07:21:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હાલમાં રાજ્યમાં સાયક્લોનિક સરક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એમ બે મજબૂત સિસ્ટમ સક્રિય થવાના કારણે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.આ નવી સિસ્ટમ સક્રિય થતાં જ રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ શરૂ કરી દીધી છે અને છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 95 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદી માહોલ રહેશે પરંતુ ભારે કે અતિભારે વરસાદ પડે તેવી શક્યતા હાલ નહિવત સેવાઈ રહી છે.</p><h2 style="text-align: justify; "><b>24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ નોંધાયો</b></h2><p style="text-align: justify; ">છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની સૌથી વધુ મહેર જોવા મળી છે.જેમાં તાપીના વાલોડ, વલસાડના ઉમરગામ તેમજ વ્યારા અને ઉકાઈ પંથકમાં સૌથી વધુ 2.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત સુરત શહેરમાં પણ મેઘરાજાએ સરેરાશ 2 ઈંચ જેટલી હાજરી પુરાવી છે.જ્યારે વલસાડના નાનાપૌંડા અને નવસારીના ચીખલીમાં 1.5 ઈંચ તેમજ નવસારી શહેરમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.આ મુખ્ય વિસ્તારો ઉપરાંત રાજ્યના અન્ય 88 તાલુકાઓમાં પણ ધીમી ધારે નોંધપાત્ર વરસાદી ઝાપટાં પડ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>રાજ્યમાં હજુ પણ 31 ટકા વરસાદની ઘટ&nbsp;</b></h3><p style="text-align: justify; ">આગામી દિવસોની આગાહી મુજબ, સક્રિય થયેલી આ સિસ્ટમની અસર હેઠળ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ સારી એવી મેઘમહેર થવાની સંભાવના છે.આ સાથે જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે, જ્યારે અમદાવાદ શહેરમાં પણ છુટાછવાયા વરસાદની પુરેપુરી સંભાવના છે. નોંધનીય છે કે ચાલુ ચોમાસાની સીઝનમાં રાજ્યમાં હજુ પણ 31 ટકા વરસાદની ઘટ વર્તાઈ રહી છે.તેવામાં નવેસરથી શરૂ થયેલો આ વરસાદી રાઉન્ડ ઓછી વરસાદી ઘટને પુરી કરવામાં ખેડૂતો અને નાગરિકો માટે ખૂબ જ રાહતરૂપ સાબિત થશે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/himatnagar/himatnagar-sabarkantha-special-lok-adalat-held-405-cases-disposed-of" target="_blank">આ પણ વાંચોઃ Himatnagar: સાબરકાંઠા ખાસ લોક અદાલત યોજાઇ, 405 કેસોનો નિકાલ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/19/bz6H1S2SIWdZ2XHHQhtDxtWz300PWaz9wryNXO37.webp'/></item><item><title><![CDATA[Nadiad: કપડવંજ ફતિયાબાદ કેનાલ ઉપરથી વધુ એક વ્યક્તિએ ઝંપલાવતાં ચકચાર મચી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/nadiad/nadiad--1-1-1-1-1-1-1-1-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/nadiad/nadiad--1-1-1-1-1-1-1-1-1</guid><pubDate>Sun, 19 Jul 2026 05:48:48 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નડિયાદ : કપડવંજની સ્યુસાઈડ પોઈન્ટ બનેલ ફતિયાબાદ કેનાલમાં વધુ એક વ્યક્તિએ ઝંપલાવ્યાનું સામે આવ્યું છે. જેને પગલે કેનાલ પર લોકોના ટોળા ઉમટી પડયા હતા. આ લખાય છે ત્યાં સુધી આ મામલે કોઈ શોધખોળ હાથ ધરવામાં આવી નથી. કપડવંજમાં આવેલ ફતિયાબાદ કેનાલ પર આજે એક 40 વર્ષના આશરાના પુરુષ વ્યક્તિ દ્વારા ઝંપલાવ્યાનું સામે આવ્યું હતું. એક વ્યક્તિએ પુરુષ વ્યક્તિએ ઝંપલાવ્યાનું જાણતા જ સ્થળ પર પહોંચી તપાસ કરી હતી. દરમિયાન સ્થળ પરથી ચંપલ અને એક થેલી મળી આવી હતી. જેમાં એક આધારકાર્ડ હતું, આધારકાર્ડ પ્રમાણે કઠલાલ તાલુકાના પહાડમાં રહેતા પ્રવિણભાઈ ફતેસિંહ પરમાર હોવાનું અનુમાન કરાઈ રહ્યું હતું. પ્રવિણભાઈના ઘરે બનાવની જાણ કરતાં પરિવારજનો પણ દોડી આવ્યા હતા. પરિવારજનોએ જણાવ્યું હતું કે પ્રવિણભાઈના ત્રણ સંતાનો છે, ઘરે કોઈ કકળાટ કે અણબનાવ બન્યો નથી જેથી તે કેનાલમાં ઝંપલાવે. સ્થાનિક સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલ કેનાલમાં કોઈ શોધખોળ કરવામાં આવી રહી નથી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/19/ZaFlBeaJX82UfeqpXdmAW7Z9AiXDJBYpNnExAxBc.webp'/></item><item><title><![CDATA[Anand: સિંચાઈ વિભાગે ઘર સામે ગંદકી ઠાલવી દીધી ! ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/anand/anand-the-irrigation-department-dumped-dirt-in-front-of-the-house</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/anand/anand-the-irrigation-department-dumped-dirt-in-front-of-the-house</guid><pubDate>Sun, 19 Jul 2026 05:47:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આંકલાવ તાલુકાના આસોદર ગામના કરણેટપુરા વિસ્તારમાં આવેલા GR-14 મહી કેનાલ પાસે રહેતા ગ્રામજનોએ સિંચાઈ વિભાગ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. વર્ષોથી માત્ર 170 મીટરના રસ્તાની માંગણી છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી. હવે કેનાલની સફાઈ દરમિયાન નીકળેલી ગંદકી રહેણાંક વિસ્તાર અને ઘર સામે ઠાલવી દેવામાં આવતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા ચાર વર્ષથી રસ્તા માટે મહી કેનાલ વિભાગમાં વારંવાર લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારબાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં ફરિયાદ 'સ્વાગત' કાર્યક્રમમાં પણ કરવામાં આવી હતી. જોકે સમસ્યાનું નિરાકરણ લાવવાને બદલે કેનાલમાંથી કાઢવામાં આવેલી ગંદકી સીધી ઘર સામે નાખી દેવામાં આવી હોવાનું સ્થાનિકોનો આક્ષેપ કરી રહ્યા છે. સ્થાનિક લાલસિંહ ચંદુભાઈ પઢીયારે જણાવ્યું કે, અમે રસ્તા માટે અનેક વખત અરજી કરી, પરંતુ કોઈ સાંભળતું નથી. બે દિવસ પહેલાં કેનાલની સફાઈ દરમિયાન આખી ગંદકી મારા ઘર સામે નાખી દેવામાં આવી. આ અંગે પૂછતાં પણ કોઈ જવાબ આપતો નથી. 20થી વધુ બોરસદ સિંચાઈ વિભાગે અહીં મુલાકાત લીધી હતી જે માત્ર ફેટો સૂટ કરી જતા રહેતા હતા સ્વાગતમાં રજૂઆત કર્યા બાદ જાણે અમને હેરાન કરવા માટે જ આવું કરવામાં આવ્યું હોય તેવી લાગણી થાય છે. ગ્રામજનોનું કહેવું છે કે રહેણાંક વિસ્તાર પાસે ગંદકીના ઢગલાથી દુર્ગંધ ફેલાઈ રહી છે અને આરોગ્યને પણ જોખમ ઊભું થયું છે. એક તરફ્ રસ્તાની સુવિધાથી લોકો વંચિત છે તો બીજી તરફ્ તંત્રની આવી કામગીરીથી લોકોમાં અસંતોષ વધી રહ્યો છે. સ્થાનિકોએ જિલ્લા વહીવટીતંત્ર અને સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરીને જવાબદાર સામે કાર્યવાહી કરવાની તેમજ વર્ષોથી અટવાયેલો રસ્તાનો પ્રશ્ન તાત્કાલિક ઉકેલવાની માંગ કરી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/19/i4ZLz4i6BKE4W9ADcVkSc0Q6G26qEqrHyYgZyWCs.webp'/></item><item><title><![CDATA[Jammu-Kashmir : ભારે વરસાદની ચેતવણી વચ્ચે અમરનાથ અને વૈષ્ણોદેવી યાત્રા સ્થગિત, ઊધમપુરમાં શ્રદ્ધાળુઓની ગાડીને નડ્યો અકસ્માત ]]></title><link>https://sandesh.com/india/news/amarnath-vaishno-devi-yatra-suspended-jammu-kashmir-heavy-rain-alert-udhampur-accident</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/amarnath-vaishno-devi-yatra-suspended-jammu-kashmir-heavy-rain-alert-udhampur-accident</guid><pubDate>Sat, 18 Jul 2026 23:19:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જમ્મુ-કાશ્મીરમાં આગામી દિવસોમાં હવામાન અત્યંત ખરાબ થવાની આશંકાને પગલે પ્રશાસને શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લીધો છે. પવિત્ર અમરનાથ યાત્રા અને વૈષ્ણોદેવી યાત્રાને કામચલાઉ ધોરણે રોકી દેવામાં આવી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>શ્રદ્ધાળુઓનો કોઈ નવો જથ્થો આગળ વધશે નહીં</b></h2><p style="text-align: justify; ">મીડિયાના અહેવાલમાં જણાવાયું છે કે જમ્મુના કમિશનર રમેશ કુમારે સ્પષ્ટ કર્યું છે કે, 19 જુલાઈના રોજ જમ્મુથી કાશ્મીર તરફ શ્રદ્ધાળુઓનો કોઈ નવો જથ્થો આગળ વધશે નહીં. યાત્રા પર આવેલા તમામ ભક્તોને હાલ પૂરતા જમ્મુ, ઊધમપુર અને રામબનના સ્ટે સેન્ટરો પર જ રોકાઈ રહેવાની કડક સલાહ આપવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>આગામી દિવસોમાં હવામાન વધુ બગડી શકે</b></h3><p style="text-align: justify; ">મીડિયા અહેવાલો મુજબ કાશ્મીરના કમિશનર અંશુલ ગર્ગના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં હવામાન વધુ બગડી શકે તેમ હોવાથી આ નિર્ણય લેવાયો છે. રસ્તાઓની સુરક્ષાની ચકાસણી કર્યા બાદ જ યાત્રા ફરી શરૂ કરાશે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે અત્યાર સુધીમાં 3. 7 લાખથી વધુ ભક્તો બાબા બર્ફાનીના દર્શન કરી ચૂક્યા છે.</p><h4 style="text-align: justify; "><b>ઊધમપુરમાં સર્જાયો ભયાનક અકસ્માત</b></h4><p style="text-align: justify; ">યાત્રા રોકવાના આ આદેશો વચ્ચે ઊધમપુરના જખાની પાસે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં અમરનાથ જઈ રહેલા ઉત્તર પ્રદેશના (લખીમપુર અને સીતાપુરના) 5  તીર્થયાત્રીઓ અને એક સ્થાનિક ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જીએમસી ઊધમપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ઊધમપુરના કલેક્ટર અને ડોક્ટરો સાથે ફોન પર વાતચીત કરીને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવાના નિર્દેશ જાહેર કર્યા છે.</p><h4 style="text-align: justify; "><b>5 દિવસ સુધી ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં વેકેશન લંબાયું</b></h4><p style="text-align: justify; ">હવામાન વિભાગે 19 જુલાઈથી 23 જુલાઈ 2026 સુધી સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં મુસળધાર વરસાદ અને વીજળી પડવાનું ગંભીર એલર્ટ જાહેર કર્યું છે. 21 થી 23 જુલાઈ દરમિયાન કાશ્મીરમાં અને 20  થી 23  જુલાઈ દરમિયાન જમ્મુના રિયાસી તેમજ ઊધમપુરમાં રેકોર્ડબ્રેક વરસાદની આગાહી છે. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રશાસને વિન્ટર ઝોનની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં ઉનાળુ વેકેશન 22  જુલાઈ સુધી લંબાવી દીધું છે. પીર પંજાલ, ગુલમર્ગ, પહેલગામ અને જોઝિલા જેવા પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન (લેન્ડસ્લાઈડ) અને પૂરનો મોટો ખતરો હોવાથી પ્રવાસીઓને હાલ જમ્મુ-કાશ્મીરની મુસાફરી ટાળવા અને સ્થાનિક લોકોને નદી-નાળાથી દૂર રહેવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/india/ahmedabad/sandesh-digital-explainer-india-first-private-rocket-vikram-1-skyroot-aerospace-launched" target="_blank"><b> Sandesh Digital Explainer : અવકાશમાં નવા ભારતની ગર્જના, 'વિક્રમ-1'એ લખ્યો નવો ઇતિહાસ, બધું જ વાંચી લો એક જ ક્લિકમાં..</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/18/kwmosJRoy3XHSsSmvk7OSFK1fappMe1Wo2FUjY6A.webp'/></item><item><title><![CDATA[72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત, કાર્તિક આર્યન અને યામી ગૌતમનું નામ પણ સામેલ ]]></title><link>https://sandesh.com/entertainment/news/72nd-national-film-awards-2026--winners-list---kartik-aaryan--yami-gautam</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/72nd-national-film-awards-2026--winners-list---kartik-aaryan--yami-gautam</guid><pubDate>Sat, 18 Jul 2026 19:07:01 +05:30</pubDate><description><![CDATA[<p>72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ફરી એકવાર ભારતીય સિનેમાની શ્રેષ્ઠ ફિલ્મો, કલાકારો અને ટેકનિકલ પ્રતિભાઓને તેમના શાનદાર કામ માટે સન્માનિત કરવામાં આવ્યા છે. દર વર્ષની જેમ વિવિધ ભાષાઓ અને શૈલીઓની ફિલ્મોએ મજબૂત હાજરી નોંધાવી છે.. આ પુરસ્કારોએ માત્ર શાનદાર અભિનય અને દિગ્દર્શનને જ નહીં, પરંતુ તેમની કહાણી કહેવાની, સંગીત, સિનેમેટોગ્રાફી અને સામાજિક પ્રભાવ માટે પ્રખ્યાત ફિલ્મોને પણ માન્યતા આપી છે. વિજેતાઓની સંપૂર્ણ યાદીની જાહેરાતથી ફિલ્મ ઉદ્યોગ અને દર્શકોમાં આનંદ છવાઈ ગયો છે. ચાલો જાણીએ કે કઈ શ્રેણીમાં કોણ જીત્યું.
</p><p>
</p><p><br></p><p>કાર્તિક આર્યન અને મામૂટીને તેમની ફિલ્મો ચંદુ ચેમ્પિયન અને બ્રહ્મયુગમ માટે અનુક્રમે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. યામી ગૌતમને હિન્દી ફીચર ફિલ્મમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો. સંજય મિશ્રાને તેમની ફિલ્મ ભક્ષક માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો.<br><br></p><p>- શ્રેષ્ઠ અભિનેતા: કાર્તિક આર્યન (ચંદુ ચેમ્પિયન) અને મામૂટી (બ્રહ્મયુગમ)
</p><p>- શ્રેષ્ઠ અભિનેત્રી: યામી ગૌતમ (આર્ટિકલ ૩૭૦)
</p><p>- શ્રેષ્ઠ દિગ્દર્શક: રાજકુમાર પેરિયાસામી (અમરન)
</p><p>- શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી: રોપશ્રી વરકાડી (મિથ્યા) અને સવના નમિદાસ (મહારાજા)
</p><p>- શ્રેષ્ઠ સહાયક અભિનેતા: સંજય મિશ્રા (ભક્ષક)
</p><p>- રાષ્ટ્રીય અને સામાજિક મૂલ્યોને પ્રોત્સાહન આપતી શ્રેષ્ઠ ફિલ્મ: કલ્કી 2898 એડી
</p><p>- રાષ્ટ્રીય અને સામાજિક મૂલ્યોને પ્રોત્સાહન આપતી શ્રેષ્ઠ ફિલ્મ: કેપ્ટન મિલર
</p><p>- શ્રેષ્ઠ બાળ કલાકાર: રુદ્રીમાન બેનર્જી, તપોમય દેવ, ગીતાશ્રી ચક્રવર્તી, અરંગદેવ પોથુલા અને અનીશ એસ. શેટ્ટી
</p><p>- શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી: શહેનાદ જલાલ (બ્રહ્મયુગમ)
</p><p>- શ્રેષ્ઠ પટકથા: સુકુમાર (પુષ્પા ૨)
</p><p>- શ્રેષ્ઠ સંવાદ લેખક: વેંકી અટલુરી (લકી ભાસ્કર)
</p><p>- શ્રેષ્ઠ પ્રોડક્શન ડિઝાઇન: કલ્કી ૨૮૯૮ એડી
</p><p>- શ્રેષ્ઠ એક્શન દિગ્દર્શન: અનલ આરાસુ (મહારાજા)
</p><p>- શ્રેષ્ઠ મેકઅપ આર્ટિસ્ટ: કોમેટી કુરોલુ
</p><p><br></p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/18/lDzVIPnNR0z1ZqvlKPDSNscfxuOGswsRSpO5xglx.webp'/></item><item><title><![CDATA[Gold Silver Price Today: 4900 સુધી ઘટ્યા ભાવ, જાણો અઠવાડિયામાં સોના ચાંદીના ભાવમાં કેટલો ફેરફાર ]]></title><link>https://sandesh.com/business/news/gold-silver-price-today-prices-dropped-to-4900-know-how-much-change-in-gold-and-silver-prices-in-a-week</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/gold-silver-price-today-prices-dropped-to-4900-know-how-much-change-in-gold-and-silver-prices-in-a-week</guid><pubDate>Sat, 18 Jul 2026 12:48:12 +05:30</pubDate><description><![CDATA[<p>આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. જેના પરિણામે સોનાના ભાવમાં ₹2,200 થી વધુ અને ચાંદીના ભાવમાં ₹4,900 નો ઘટાડો થયો. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર આ અઠવાડિયે 24 કેરેટ સોનાનો ભાવ ₹2,209 ઘટીને ₹1,41,159 પ્રતિ 10 ગ્રામ થયો જે અગાઉના સ્તર ₹1,43,368 પ્રતિ 10 ગ્રામ હતો. 22 કેરેટ સોનાનો ભાવ ₹1,31,325 પ્રતિ 10 ગ્રામથી ઘટીને ₹1,29,302 પ્રતિ 10 ગ્રામ થયો. જ્યારે 18 કેરેટ સોનાનો ભાવ ₹1,07,526 પ્રતિ 10 ગ્રામથી ઘટીને ₹1,05,869 પ્રતિ 10 ગ્રામ થયો.</p><p><b style="font-size: 2rem;">અઠવાડિયામાં સોના ચાંદીના ભાવમાં શું ફેરફાર ?&nbsp;</b></p><p>આ અઠવાડિયામાં સોનાનો સૌથી ઓછો ભાવ 17 જુલાઈના રોજ સાંજના સત્ર દરમિયાન ₹1,41,159 પ્રતિ 10 ગ્રામ નોંધાયો હતો જ્યારે 13 જુલાઈના રોજ સવારના સત્ર દરમિયાન સૌથી વધુ ભાવ ₹1,42,289 પ્રતિ 10 ગ્રામ હતો.આ દરમિયાન MCX પર, 5 ઓગસ્ટ, 2026 ના રોજ સોનાનો કોન્ટ્રેક્ટ શુક્રવારે ₹1,40,348 પર બંધ થયો જે ₹658 નો વધારો દર્શાવે છે.</p><p><b style="font-size: 1.75rem;">ચાંદીના ભાવમાં ઘટાડો</b></p><p>સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો. ચાંદીનો ભાવ ₹4,917 ઘટીને ₹2,15,474 પ્રતિ કિલોગ્રામ થયો, જે અગાઉના ₹2,20,390 પ્રતિ કિલોગ્રામ હતો.</p><p>આ અઠવાડિયે ચાંદીનો સૌથી વધુ ભાવ 15 જુલાઈના રોજ સવારના સત્ર દરમિયાન ₹2,20,391 પ્રતિ કિલોગ્રામ નોંધાયો હતો, જ્યારે 17 જુલાઈના રોજ સાંજના સત્ર દરમિયાન સૌથી ઓછો ભાવ ₹2,15,474 પ્રતિ કિલોગ્રામ હતો. શુક્રવારે, 4 સપ્ટેમ્બર, 2026 માટે ચાંદીનો કોન્ટ્રેક્ટ MCX પર ₹216,403 પર બંધ થયો જે ₹46 નો વધારો દર્શાવે છે.</p><p><b style="font-size: 1.5rem;">વૈશ્વિક સ્તરે સોના અને ચાંદીના ભાવ</b></p><p>આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાનો ભાવ ઔંસ દીઠ $4,000 ની નજીક પહોંચી ગયો જ્યારે ચાંદીનો ભાવ ઔંસ દીઠ $57 ની નજીક પહોંચી ગયો છે. નિષ્ણાતોના મતે, સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે થયો છે. અમેરિકા ઈરાન પર સતત હુમલા કરી રહ્યું છે, જ્યારે ઈરાન મધ્ય પૂર્વમાં યુએસ બેઝને પણ નિશાન બનાવી રહ્યું છે.</p><p><br></p><h3><b>દેશના મોટા શહેરોમાં સોના ચાંદીના ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)&nbsp;</b></h3><table class="table table-bordered"><tbody><tr><td>શહેર&nbsp;</td><td>24 કેરેટ સોનાની કિંમત ( રૂપિયા/10 ગ્રામ) )</td><td>&nbsp;22 કેરેટ સોનાની કિંમત( રૂપિયા/10 ગ્રામ)</td></tr><tr><td>દિલ્હી</td><td>&nbsp;1,43,440&nbsp;</td><td>1,31,450&nbsp; &nbsp; &nbsp;&nbsp;</td></tr><tr><td>કોલકાતા&nbsp;</td><td>1,43,290&nbsp;</td><td>1,31,350&nbsp;&nbsp;</td></tr><tr><td>ચેન્નઈ&nbsp;</td><td>1,43,290</td><td>&nbsp;1,31,350&nbsp; &nbsp;</td></tr><tr><td>બેંગ્લોર&nbsp;</td><td>1,43,290&nbsp;</td><td>1,31,350&nbsp;&nbsp;</td></tr><tr><td>અમદાવાદ</td><td>&nbsp;1,43,340</td><td>&nbsp;1,31,400&nbsp; &nbsp;&nbsp;</td></tr><tr><td>વડોદરા&nbsp;</td><td>1,43,340&nbsp;</td><td>1,31,400&nbsp; &nbsp;&nbsp;</td></tr></tbody></table><p><br></p><div><a href="https://sandesh.com/astrology/news/bhakti/surya-guru-yuti-2026-mahalakshmi-rajyoga-has-been-formed-the-luck-of-4-zodiac-signs-will-shine-due-to-the-union-of-sun-and-guru" target="_blank">આ પણ વાંચો: Surya Guru Yuti 2026: બન્યો મહાલક્ષ્મી રાજયોગ ! સૂર્ય ગુરુની યુતિથી 4 રાશિની કિસ્મત ચમકશે</a></div><div><br></div> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/JHOHg1mlQKWSZJo3d1waBR7jFXs777mhgIbKTMdv.webp'/></item></channel></rss>