<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[લાખો રૂપિયા વહી ગયા : નારગોલમાં પાણી પહોંચે તે પહેલાં જ કેનાલમાં મોટી તિરાડો ! ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/valsad/lakhs-of-rupees-flowed-away-big-cracks-in-the-canal-even-before-the-water-reached-nargol</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/valsad/lakhs-of-rupees-flowed-away-big-cracks-in-the-canal-even-before-the-water-reached-nargol</guid><pubDate>Mon, 22 Jun 2026 01:28:57 +05:30</pubDate><description><![CDATA[<p>નારગોલ ગામે લાખો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરાયેલી કેનાલમાં</p><p>તિરાડો પડતાં સરકારી કામની ગુણવત્તા સામે ગંભીર આક્ષેપો થયા છે. ખેડૂતોને કેનાલનું પાણી પહોંચાડવાના દાવા વચ્ચે સમારકામ બાદ જ કેનાલમાં તિરાડો</p><p>દેખાતા ખર્ચાયેલી રકમ પાણીમાં વહી ગયાની ચર્ચા ગામમાં જોર પકડી રહી છે.</p><p>સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ વર્ષો પહેલા નિર્માણ પામેલી</p><p>આ કેનાલનું પાણી આજદિન સુધી ખેડૂતોને મળ્યું નથી. કેનાલના વિવિધ સ્થળોએ ભંગાણ સર્જાતા નારગોલ ગ્રામ પંચાયતના સરપંચ સ્વીટીબેન ભંડારી</p><p>દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ વિભાગે</p><p>લાખો રૂપિયાના ખર્ચે કેનાલના સમારકામની કામગીરી હાથ ધરી હતી. નવીનીકરણના થોડા જ સમયમાં કેનાલમાં અનેક સ્થળોએ તિરાડો પડી જતાં કામની ગુણવત્તા</p><p>અંગે પ્રશ્નાર્થ સર્જાયો છે.</p><p>ખેડૂતોમાં એવી લાગણી વ્યાપી છે કે, લાખો રૂપિયાનો ખર્ચ છતાં समस्याનો ઉકેલ આવ્યો નથી. આ સમગ્ર મામલે સરપંચ સ્વીટીબેન ભંડારીએ કેનાલના કામમાં થયેલી નબળી કામગીરીની તપાસ</p><p>કરાવી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/22/QUF4uRqZWK3IdEr9ZnLPj8GYYvQHd6bLBThHSi0n.webp'/></item><item><title><![CDATA[વ્યારામાં યોગ દિવસની ઉજવણી : મંત્રી ડૉ. જયરામ ગામીતે યોગાસનો કર્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vyara/-</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vyara/-</guid><pubDate>Mon, 22 Jun 2026 01:28:02 +05:30</pubDate><description><![CDATA[<p>વ્યારાની દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યમંત્રી ડૉ.જયરામભાઇ ગામીતની ઉપસ્થિતિમાં સ્વસ્થ જીવન માટે યોગની થીમ હેઠળ 12માં આંતરરાષ્ટ્રીય</p><p>યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઇ હતી.</p><p>મંત્રીઓએ યોગાસનો કરી સૌને યોગને રોજિંદા જીવનનો હિસ્સો</p><p>બનાવવા અનુરોધ કર્યો હતો. અત્રે ઉપસ્થિત</p><p>જિલ્લાના અધિકારીઓ, કર્મચારીઓ, પદાધિકારીઓ, બાળકો, મહિલા સહિતના લોકોએ વવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયા કરી હતી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/22/B7RWWQGwxVk4j1KqjDZfJoTzBXHcJl6gtXBJsqza.webp'/></item><item><title><![CDATA[આંબાવાડી અને પીપોદરામાં જનકલ્યાણ કાર્યક્રમ : ધારાસભ્યએ મુલાકાત લીધી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/public-welfare-program-in-ambawadi-and-pipodara-mla-visited</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/public-welfare-program-in-ambawadi-and-pipodara-mla-visited</guid><pubDate>Mon, 22 Jun 2026 01:25:40 +05:30</pubDate><description><![CDATA[<p>માંગરોળના આંબાવાડી અને પીપોદરા ખાતે વિકાસ, વિરાસત અને જનકલ્યાણ કાર્યક્રમ ધારાસભ્ય ગણપત વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં મહાનુભાવોના હસ્તે આયુષ્યમાન ભારત કાર્ડનું વિતરણ, આવાસ યોજનાના લાભાર્થીઓને સહાય તેમજ નમોલક્ષ્મી યોજના અંતર્ગત લાભાર્થીઓને પ્રમાણપત્રો</p><p>એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, કાર્યક્રમ સ્થળે આઇ.સી.ડી.એસ. વિભાગની બહેનો દ્વારા પ્રદર્શન સ્ટોલ પણ ઊભો કરવામાં આવ્યો હતો. મહાનુભાવોએ આ સ્ટોલની વિશેષ મુલાકાત લીધી હતી અને આઇ.સી.ડી.એસ. મારફતે પૂરા પાડવામાં</p><p>આવતા પૂરક પોષણ વિશે વિસ્તૃત અને માર્ગદર્શન ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં સ્થાનિક વહીવટી તંત્ર અને સંગઠનનો મોટો સહ્યોગ જોવા મળ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય ગણપત વસાવાએ રાજ્ય સરકાર દ્વારા ગરીબ લાભાર્થીઓ માટે નિર્ધારીત</p><p>કરેલી સરકારી યોજના અંગેનો ચિતાર રજૂ કર્યો હતો.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/22/FBSOuA28SqYyX3LZl2hRPlAIm0QospTqYfx78BX6.webp'/></item><item><title><![CDATA[પીપોદરામાં વેસ્ટ પ્લાસ્ટિકના ઢગલામાં આગ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/fire-breaks-out-in-waste-plastic-pile-in-pipodara</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/fire-breaks-out-in-waste-plastic-pile-in-pipodara</guid><pubDate>Mon, 22 Jun 2026 01:24:48 +05:30</pubDate><description><![CDATA[<p>કીમ : પીપોદરા જીઆઇડીસી ખાતે વેસ્ટ પ્લાસ્ટિકના ઢગલામાં વિકરાળ આગ લાગી હતી. દૂર સુધી લોકોને કાળો ધુમાડો દેખાતા કુતૂહલ સાથે દહેશતનો માહોલ છવાઇ ગયો હતો. આગની જાણ થતાં સુમિલોન ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી જઇ કલાકોની જહેમતના અંતે આગ પર કાબૂ મેળવ્યો હતો.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/22/kHaBibMUNcwfF5A259p0C9QtrwyNSRj6w8TQ4Nqj.webp'/></item><item><title><![CDATA[અંબિકા તાલુકાના ત્રણ બુટલેગર જેલ ભેગા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/three-bootleggers-from-ambika-taluka-arrested-in-jail</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/three-bootleggers-from-ambika-taluka-arrested-in-jail</guid><pubDate>Mon, 22 Jun 2026 01:23:40 +05:30</pubDate><description><![CDATA[<p>મહુવાટાઉન : સુરત એલસીબી એએસઆઇ અરવિંદભાઇ તથા નિલેષભાઇને</p><p>બાતમી મળી હતી કે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના દારૂના ગુનાના એક વર્ષથી નાસતા ફરતા આરોપી</p><p>નીતિન છીતુભાઇ મહેતા (ઉ.વ. 40, રહે. નહેર ફળિયું વાંસકુઇ, તા. અંબિકા, જી. સુરત), જગદીશ મંગુભાઇ રાઠોડ (ઉં.વ. 49, રહે. ગુણસવેલ નિશાળ</p><p>ફળિયું, તા. અંબિકા, જી. સુરત) તથા એક મહિલા</p><p>શબાના ઉર્ફે શર્મિલા રમેશભાઇ પટેલ (ઉં.વ. 34, રહે. હટવાડા ફળિયું, વલવાડા, તા. અંબિકા, જી. સુરત) પોતાના ઘરે છે, જેથી પોલીસે ત્યાં</p><p>રેડ કરી ત્રણેય આરોપીની ધરપકડ કરી તેમની પૂછતાછ કરતા તેઓએ દારૂના ગુનાની કબૂલાત કરી</p><p>હતી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/22/YZntDUZpGfGbh3IitkQac46J1bm4smcDbpdfYc9B.webp'/></item><item><title><![CDATA[Maharashtra Politics : ગદ્દારોને ટિકિટ આપવી મારી ભૂલ હતી, જનતાની હું માફી માગુ છું : ઉદ્ધવ ઠાકરે ]]></title><link>https://sandesh.com/india/news/-political-news/maharashtra-politics-uddhav-thackeray-apology-defectors-ticket-mistake-statement</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/-political-news/maharashtra-politics-uddhav-thackeray-apology-defectors-ticket-mistake-statement</guid><pubDate>Sun, 21 Jun 2026 22:31:06 +05:30</pubDate><description><![CDATA[<p>શિવસેના (UBT)માં છેલ્લા ચાર વર્ષમાં બીજી વખત થયેલા વિભાજન વચ્ચે પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રવિવારે મુંબઈના ઉત્તર-પૂર્વ લોકસભા ક્ષેત્રમાં જનસંપર્ક અભિયાન શરૂ કર્યું. સાંજે ભાંડુપ વિસ્તારમાં તેઓએ જૂના શિવસૈનિકો અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2068727452613095438"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>ઉમેદવારોની પસંદગીમાં ભૂલ થઈ&nbsp;</b></h2><p>આ મુલાકાત દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ જનતાને સંબોધતા ભાવુક રીતે માફી માગી. તેમણે કહ્યું કે જ્યાં પણ વિશ્વાસઘાત થયો છે, તેના માટે તેઓ જવાબદારી સ્વીકારી માફી માગે છે. તેમણે સ્વીકાર્યું કે ઉમેદવારોની પસંદગીમાં ભૂલ થઈ હતી અને તેની જવાબદારી પોતે લે છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેઓ કાર્યકર્તાઓને માત્ર શિવસૈનિક નહીં પરંતુ 'પ્રજ્વલિત મશાલ' તરીકે જોવે છે.&nbsp;</p><h3><b>પક્ષને તોડવાની પ્રક્રિયા પાછળ ભાજપનો હાથ</b></h3><p>તેમણે આરોપ લગાવ્યો કે પક્ષને તોડવાની અને કમજોર કરવાની લાંબા સમયથી કોશિશ થઈ રહી છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે શિવસેના (UBT) એ બાલાસાહેબ ઠાકરેની વિચારધારા પર આધારિત એક જ અસલી શિવસેના છે. તેમણે ભાજપ પર સીધો આક્ષેપ કરતા કહ્યું કે પક્ષને તોડવાની પ્રક્રિયા પાછળ ભાજપનો હાથ છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો “બહારના” છે અને તેઓ શિવસેનાની ઓળખ નક્કી કરી શકતા નથી. શિવસેના માત્ર મહારાષ્ટ્રના લોકોના હક માટે રચાયેલી પાર્ટી છે અને તેનું નેતૃત્વ માત્ર એક જ હોઈ શકે છે.</p><h4><b>જનતા વચ્ચે જઈને પોતાની વાત સ્પષ્ટ કરીશ: ઉદ્ધવ ઠાકરે&nbsp;</b></h4><p>ઉદ્ધવ ઠાકરેએ વધુમાં જણાવ્યું કે તેઓ આગામી દિવસોમાં તે વિસ્તારોમાં જશે જ્યાં “વિશ્વાસઘાત” થયો હતો અને મતદાતાઓ પાસેથી માફી માગશે. તેમણે કહ્યું કે તેઓ જનતા વચ્ચે જઈને પોતાની વાત સ્પષ્ટ કરશે અને પક્ષને ફરી મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે. આ નિવેદનો સાથે મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી ગરમાવો આવ્યો છે અને શિવસેના (UBT) તથા શિંદે જૂથ વચ્ચેનો વિવાદ વધુ તેજ બનતો જોવા મળી રહ્યો છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/-political-news/nitish-kumar-elected-jdu-national-president-fourth-time-leadership-approved" target="_blank">આ પણ વાંચો : Nitish Kumarની લીડરશિપ પર ફરી લાગી મહોર, ચોથી વખત બન્યા JDUના રાષ્ટ્રીય અધ્યક્ષ</a></b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/21/nfHOtPtfhyZmJqqTdzIwIbJXmdxjBdZRvBF9VD63.webp'/></item><item><title><![CDATA[Ambubachi Mela 2026 : કામાખ્યા દેવી મંદિર 3 દિવસ માટે રહેશે બંધ, દર્શન કરવા પર રહેશે પ્રતિબંધ, જાણો કારણ ]]></title><link>https://sandesh.com/india/news/ambubachi-mela-2026-kamakhya-temple-closed-3-days-darshan-restricted-reason</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ambubachi-mela-2026-kamakhya-temple-closed-3-days-darshan-restricted-reason</guid><pubDate>Sun, 21 Jun 2026 21:32:32 +05:30</pubDate><description><![CDATA[<p>અસમના ગુવાહાટીમાં નીલાંચલ પર્વત પર સ્થિત કામાખ્યા મંદિર ભારતના 51 શક્તિપીઠોમાંનું એક અત્યંત પવિત્ર મંદિર માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ અહીં દેવી સતીના યોનિ અંગનો ભાગ પડ્યો હતો, જેના કારણે આ સ્થાન શક્તિ ઉપાસનાનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. આ મંદિરમાં કોઈ મૂર્તિની પૂજા થતી નથી, પરંતુ ગર્ભગૃહમાં યોનિ આકારની શિલા પૂજાય છે, જેમાંથી સતત જળ વહે છે અને ભક્તો તેને સ્પર્શ કરીને માતાજીના આશીર્વાદ લે છે.</p><h2><b>કેમ અંબુબાચી મેળાનું આયોજન થાય છે?</b></h2><p>આ મંદિરની સૌથી અનોખી પરંપરા એ છે કે અહીં દેવીને રજસ્વલા થતી માનવામાં આવે છે, એટલે કે માતાજીનો માસિક ચક્ર સમયગાળો અહીં ઉજવાય છે. આ સમય દરમિયાન મંદિરના કપાટ બંધ રાખવામાં આવે છે. આ જ પ્રસંગે દર વર્ષે અંબુબાચી મેળાનું આયોજન થાય છે, જે ધાર્મિક શ્રદ્ધા અને તંત્ર સાધનાનો મહત્વપૂર્ણ મેળો ગણાય છે.</p><h3><b>22 જૂનથી અંબુબાચી મેળાની શરૂઆત થશે</b></h3><p>આ વર્ષે 22 જૂનથી અંબુબાચી મેળાની શરૂઆત થશે. 21 જૂન રાત્રે લગભગ 9:08 વાગ્યે પ્રવૃતિ અનુષ્ઠાન પૂર્ણ થયા બાદ મંદિરના દરવાજા બંધ કરવામાં આવશે. માન્યતા મુજબ આ સમય દેવીના આરામનો સમય હોય છે અને સમગ્ર સૃષ્ટિ નવી ઊર્જા પ્રાપ્ત કરે છે. આ દરમિયાન મંદિર પરિસરમાં વિશેષ પૂજા-અર્ચના બંધ રાખવામાં આવે છે.</p><h4><b>26 જૂને ફરી કપાટ ખુલશે</b></h4><p>26 જૂને સવારે નિવૃત્તિ અનુષ્ઠાન બાદ મંદિરના કપાટ ફરીથી ખુલશે. ત્યારબાદ ભક્તોને પ્રસાદ રૂપે 'અંગવસ્ત્ર' આપવામાં આવે છે, જે માન્યતા અનુસાર માતાજીના આશીર્વાદનું પ્રતિક છે. આ સમય દરમિયાન બ્રહ્મપુત્ર નદીના જળને લઈને પણ અનેક ધાર્મિક માન્યતાઓ જોડાયેલી છે. અંબુબાચી મેળામાં દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ, સાધુ-સંતો અને તાંત્રિકો પહોંચે છે. અહીં સાધના અને ધ્યાન કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે તેવી માન્યતા છે. આ મેળો માત્ર ધાર્મિક પરંપરા જ નહીં, પરંતુ શક્તિ ઉપાસના, આસ્થા અને પ્રકૃતિ પ્રત્યેના સન્માનનું અનોખું પ્રતીક માનવામાં આવે છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/ram-mandir-donation-case-sit-submits-report-to-yogi-adityanath-investigation-update" target="_blank">આ પણ વાંચો : Ram Mandir Donation Case : SITની ટીમે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને સોંપ્યો પ્રાથમિક તપાસ રિપોર્ટ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/21/6K52Oo1qerlzERzmFVdL8Re7WyU5gnrGSBlBMozv.webp'/></item><item><title><![CDATA[Business News : આ અઠવાડિયે ટોપ 10 કંપનીમાંથી 9 કંપનીનું માર્કેટકેપ 2.15 લાખ કરોડ વધ્યું ]]></title><link>https://sandesh.com/business/news/top-10-indian-companies-market-cap-rises-2-15-lakh-crore-this-week-business-news</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/top-10-indian-companies-market-cap-rises-2-15-lakh-crore-this-week-business-news</guid><pubDate>Sun, 21 Jun 2026 18:43:48 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય શેરબજારમાં ગયા સપ્તાહ દરમિયાન જોરદાર તેજી જોવા મળી હતી. સેન્સેક્સની ટોપ 10 સૌથી વધુ માર્કેટકેપ ધરાવતી કંપનીઓમાંથી 9 કંપનીઓનું કુલ માર્કેટ કેપ મળીને ₹2.15 લાખ કરોડથી વધુનો વધારો નોંધાયો હતો. આ દરમિયાન માત્ર ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ના માર્કેટ કેપમાં ઘટાડો થયો હતો.</p><h2><b>LICની શું છે સ્થિતિ?</b></h2><p>સપ્તાહ દરમિયાન સેન્સેક્સ 1,274.95 અંક અથવા 1.68 ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો. સૌથી વધુ લાભ ભારતી એરટેલને થયો હતો, જેના માર્કેટ કેપમાં ₹52,432 કરોડથી વધુનો વધારો થઈ ₹11.62 લાખ કરોડ સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ એલઆઈસી (LIC)ના માર્કેટ કેપમાં ₹51,675 કરોડનો વધારો નોંધાઈ ₹5.56 લાખ કરોડ થયો હતો.</p><h3><b>કેટલું રહ્યું TCSનું માર્કેટકેપ?</b></h3><p>બજાજ ફાઈનાન્સના માર્કેટ કેપમાં ₹26,553 કરોડનો વધારો થઈ ₹5.98 લાખ કરોડ થયો હતો. જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માર્કેટ કેપ ₹22,464 કરોડનો વધારો થઈ ₹17.71 લાખ કરોડ સુધી પહોંચ્યું હતું. લાર્સન એન્ડ ટુબ્રો (L&amp;T), સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI), HDFC બેંક, હિંદુસ્તાન યુનિલિવર અને ICICI બેંકના માર્કેટ કેપમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી. બીજી તરફ, TCSને નુકસાન થયું હતું. કંપનીના માર્કેટ કેપમાં ₹12,699 કરોડનો ઘટાડો થઈ તે ₹7.69 લાખ કરોડ પર આવી ગયું હતું.</p><h3><b>નવી કંપનીના લિસ્ટિંગ પર રોકાણકારોની નજર&nbsp;</b></h3><p>માર્કેટ કેપના આધારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દેશની સૌથી મૂલ્યવાન કંપની તરીકે પ્રથમ સ્થાને યથાવત રહી હતી. ત્યારબાદ HDFC બેંક, ભારતી એરટેલ, ICICI બેંક, SBI, TCS, બજાજ ફાઇનાન્સ, L&amp;T, LIC અને હિંદુસ્તાન યુનિલિવરનો ક્રમ રહ્યો હતો. આગામી સપ્તાહમાં SME સેગમેન્ટમાં નવી લિસ્ટિંગ્સ પર રોકાણકારોની નજર રહેશે.<br><br><b><a href="https://sandesh.com/business/news/knowledge/good-news-for-pf-account-holders-when-will-interest-be-credited-to-your-account-know-complete-information" target="_blank">આ પણ વાંચો : PF ખાતાધારકો માટે ખુશખબર, તમારા ખાતામાં વ્યાજ ક્યારે જમા થશે? જાણો સંપૂર્ણ માહિતી</a></b></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/21/8wWZcS1mpWcQO1jyqkvKYRI2XJ3472Owm9WlXNJ8.webp'/></item><item><title><![CDATA[Kantaraની એક્ટ્રેસ રુક્મિણી વસંતના બનાવાઈ રહ્યા હતા ડીપફેક વીડિયો, સાયબર ક્રાઇમે 3 આરોપીઓની કરી ધરપકડ ]]></title><link>https://sandesh.com/entertainment/news/kantara-actress-rukmini-vasanth-deepfake-video-case-three-arrested-by-cyber-crime</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/kantara-actress-rukmini-vasanth-deepfake-video-case-three-arrested-by-cyber-crime</guid><pubDate>Sun, 21 Jun 2026 17:35:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પાછલા કેટલાક સમયથી સાયબર ક્રાઇમના ગુનાઓ વધતા જ જઈ રહ્યા છે. એવું સતત જોવા મળી રહ્યું છે કે ઘણી એક્ટ્રેસના ડીપફેક વીડિયો બનાવવામાં આવી રહ્યા છે અને તેનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હવે સાઉથ ફિલ્મ કાંતારાની એક્ટ્રેસ રુક્મિણી વસંતને જ લઈ લો. થોડા સમય પહેલા તેનો ડીપફેક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે બિકીનીમાં જોવા મળી હતી. હવે આ મામલામાં એક્શન લેવામાં આવ્યા છે અને ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સાઉથ અને બોલીવુડની ઘણી બધી એક્ટ્રેસ સાથે એવું જોવા મળ્યું છે. આયે દિવસ ડીપફેક અને AI જનરેટેડ વીડિયોઝના મામલા વધતા જ જઈ રહ્યા છે.<br><h2><b>ડીપફેક વીડિયો સામે નોંધાવી હતી ફરિયાદ</b></h2></p><p style="text-align: justify; ">મામલાની વાત કરીએ તો 29 વર્ષીય એક્ટ્રેસ રુક્મિણી વસંતે સાયબર ક્રાઇમમાં પોતાના ડીપફેક વીડિયોઝ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. એક્ટ્રેસની AI થી બનેલી બિકીની તસવીરો અને ડીપફેક વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા હતા જેનાથી તેની છબીને નુકસાન પહોંચી રહ્યું હતું. આ દરમિયાન તેણે બેંગલુરુ સાયબર ક્રાઇમમાં આની ફરિયાદ નોંધાવી હતી.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DYMt8EqjKpP/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DYMt8EqjKpP/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DYMt8EqjKpP/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DYMt8EqjKpP/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><p style="text-align: justify; ">આ પછી સાયબર પોલીસ એક્શનમાં આવી અને આ મામલામાં 3 આરોપીઓને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા પછી ધરપકડ કરીને કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. આ સિવાય પોલીસ હજી પણ તપાસમાં લાગેલી છે અને ખબર લગાવી રહી છે કે આ મામલામાં અન્ય કોઈની સંડોવણી તો નથી ને. ઘણી બધી એક્ટ્રેસ અને સુપરસ્ટાર્સ AI જનરેટેડ વીડિયોઝ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ચૂક્યા છે.</p><h3 style="text-align: justify; "><b>પ્રોફેશનલ લાઇફ અને મોટો રેકોર્ડ</b></h3><p style="text-align: justify; ">રુક્મિણી વસંતની વાત કરીએ તો વર્ષ 2025માં તે રિષભ શેટ્ટીની ફિલ્મ કાંતારા ચેપ્ટર 1 માં લીડ એક્ટ્રેસના રોલમાં જોવા મળ્યા હતા. ફિલ્મમાં તેનો રોલ મિસ્ટિરિયસ હતો. આ ફિલ્મ દ્વારા જ તે રાતોરાત સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ હતી. ફિલ્મની વાત કરીએ તો આ વર્ષ 2025 ની ટોપ 3 બ્લોકબસ્ટર ફિલ્મોમાં સામેલ હતી. આનું કલેક્શન 800 કરોડ રૂપિયાથી વધારે રહ્યું હતું.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/32-year-old-salman-madhuri-romantic-blockbuster-movie" target="_blank">આ પણ વાંચો-32 વર્ષ જૂની આ રોમેન્ટિક ફિલ્મનો OTT પર દબદબો, માત્ર 6 કરોડમાં કમાવ્યો હતો 2033.33% નફો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/21/EDAmm6lVeLS46os2mgguwT5kGM43AaR3eBs6NAG1.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026 : જાપાને એકતરફી મેચમાં ટ્યુનિશિયાને 4-0 થી હરાવ્યું ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-japan-beats-tunisia-4-0-in-one-sided-match</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-japan-beats-tunisia-4-0-in-one-sided-match</guid><pubDate>Sun, 21 Jun 2026 12:06:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફિફા વર્લ્ડ કપ 2026ના 10મા દિવસે જર્મની અને નેધરલેન્ડ્સે પોતપોતાની મેચો એકતરફી રીતે જીતી,જેનાથી નોકઆઉટ ચિત્ર વધુ સ્પષ્ટ થયું.ગ્રુપ Eમાં ઇક્વાડોર અને કુરાકાઓ વચ્ચે ડ્રો થયો.દરમિયાન દિવસની અંતિમ મેચમાં જાપાને ગ્રુપ F ની એકતરફી મેચમાં ટ્યુનિશિયાને 4-0 થી હરાવ્યું.</p><h4 style="text-align: justify; "><b>જાપાને ટ્યુનિશિયાને હરાવ્યું</b></h4><p style="text-align: justify; ">ફિફા વર્લ્ડ કપમાં ટ્યુનિશિયાની સફર જાપાનના હાથે કારમી હાર સાથે સમાપ્ત થઈ છે.જાપાની ટીમ નેધરલેન્ડ્સ પછી ગ્રુપમાં બીજા સ્થાને આવી ગઈ છે.ટ્યુનિશિયા સામેની ગ્રુપ F મેચની શરૂઆતની મિનિટમાં જાપાને લીડ મેળવી હતી. ચોથી મિનિટે જાપાન માટે દાઇચી કામાદાએ ગોલ કરીને જાપાનને 1-0ની લીડ અપાવી હતી. કામાદાએ મેચની શરૂઆતની મિનિટે કીટો નાકામુરાના પાસથી ગોલ કરવાની તક ગુમાવી ન હતી. ત્યારબાદ આયાસે ઉએડાએ 31મી મિનિટે ગોલ કરીને પહેલા હાફમાં લીડ બમણી કરી હતી. જાપાને પહેલા હાફ દરમિયાન આ લીડ જાળવી રાખી હતી અને ટ્યુનિશિયાને બરાબરી કરવા દીધી ન હતી.</p><p style="text-align: justify; "><a href="https://x.com/FIFAWorldCup/status/2068574639052230939?s=20" target="_blank">https://x.com/FIFAWorldCup/status/2068574639052230939?s=20</a></p><h4 style="text-align: justify; "><b>બીજા હાફમાં પણ જાપાનનો દબદબો રહ્યો&nbsp;</b></h4><p style="text-align: justify; ">બીજા હાફમાં પણ જાપાનનો દબદબો ચાલુ રહ્યો. જુન્યા ઇટોએ 69મી મિનિટે જાપાન માટે બીજો ગોલ કરીને જાપાનને 3-0ની લીડ અપાવી. ટ્યુનિશિયા સંઘર્ષ કરી રહ્યું હતું, જ્યારે જાપાને તેની લીડ પર સતત વધારો કર્યો. જાપાનનો ગોલ કરવાનો સિલસિલો ત્યાં જ અટક્યો નહીં, અને આયાસે ઉએડાએ 83મી મિનિટે પોતાનો બીજો ગોલ કરીને ટીમની લીડ 4-0 સુધી લંબાવી. અંતિમ વ્હિસલ સુધી ટ્યુનિશિયા એક પણ ગોલ કરવામાં નિષ્ફળ રહ્યું, જ્યારે જાપાને નોકઆઉટ સ્ટેજ માટે પોતાનો દાવો મજબૂત બનાવ્યો.</p><h4 style="text-align: justify; "><b>નેધરલેન્ડ્સે સ્વીડનને હરાવ્યું</b></h4><p style="text-align: justify; ">નેધરલેન્ડ્સે ગ્રુપ F માં મજબૂત પ્રદર્શન કર્યું, સ્વીડનને 5-1 થી હરાવ્યું. હ્યુસ્ટન સ્ટેડિયમ ખાતે રમાયેલી ટુર્નામેન્ટની 35મી મેચમાં, નેધરલેન્ડ્સે શરૂઆતથી જ નિયંત્રણ મેળવ્યું અને સ્વીડનને વાપસી કરવાની કોઈપણ તકને નકારી કાઢી. બ્રાયન બ્રોબી અને કોડી ગાક્પોએ બે-બે ગોલ કર્યા, જ્યારે ક્રિસેન્સિયો સોમરવિલે બે ગોલ કરીને વિજય પૂર્ણ કર્યો.</p><h4 style="text-align: justify; "><b>નેધરલેન્ડ્સે ગ્રુપ F માં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું</b></h4><p style="text-align: justify; ">આ પ્રભાવશાળી વિજય સાથે, નેધરલેન્ડ્સે ગ્રુપ F માં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. ટીમે હુમલો અને બચાવ બંનેમાં ઉત્તમ પ્રદર્શન દર્શાવ્યું. ટુર્નામેન્ટમાં આરામદાયક આગળ વધવા માટે સ્વીડનને તેમની આગામી મેચોમાં વધુ સારું પ્રદર્શન કરવાની જરૂર પડશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/new-record-for-fastest-100-goals-in-fifa-world-cup" target="_blank">FIFA World Cupમાં સૌથી ઝડપી 100 ગોલનો નવો કીર્તિમાન</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/21/mJIFUJsshGFN8Jue1pjb9atPfU6I5CIZJtLxmiIO.webp'/></item></channel></rss>