<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Bihar-Maharashtra વચ્ચે 27 જૂનથી દોડશે નવી અમૃત ભારત ટ્રેન, જાણી લો સમગ્ર ટાઈમટેબલ ]]></title><link>https://sandesh.com/india/news/bihar-maharashtra-amrit-bharat-express-27-june-timetable-route-details</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/bihar-maharashtra-amrit-bharat-express-27-june-timetable-route-details</guid><pubDate>Tue, 23 Jun 2026 23:44:45 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય રેલવે મુસાફરો માટે એક વધુ નવી સુવિધા લઈને આવ્યું છે. બિહારના દાનાપુર અને મહારાષ્ટ્રના પુણે વચ્ચે હવે નવી 'અમૃત ભારત એક્સપ્રેસ' સાપ્તાહિક ટ્રેન શરૂ થવા જઈ રહી છે. આ ટ્રેન 27 જૂનથી નિયમિત રીતે દોડશે, જેના કારણે બંને રાજ્યો વચ્ચેની મુસાફરી વધુ સરળ અને આરામદાયક બનશે.</p><h2><b>પુણેથી આ ટ્રેન દર શનિવારે બપોરે 3:25 વાગ્યે રવાના થશે</b></h2><p>આ ટ્રેનને નંબર 11431 (પુણેથી દાનાપુર) અને 11432 (દાનાપુરથી પુણે) આપવામાં આવ્યો છે. પુણેથી આ ટ્રેન દર શનિવારે બપોરે 3:25 વાગ્યે રવાના થશે અને ત્રીજા દિવસે રાત્રે 1:30 વાગ્યે દાનાપુર પહોંચશે. રિટર્નમાં દાનાપુરથી આ ટ્રેન દર સોમવારે રાત્રે 3:30 વાગ્યે રવાના થશે અને બીજા દિવસે સવારે 11:05 વાગ્યે પુણે પહોંચશે.</p><h3><b>કયા સ્ટેશન પર ઉભી રહેશે ટ્રેન?</b></h3><p>સફર દરમિયાન આ ટ્રેન દૌંડ કોર્ડ લાઈન, અહિલ્યાનગર, બેલાપુર, કોપરગાંવ, મનમાડ, ભુસાવલ, ખંડવા, ઇટારસી, પિપરિયા, નરસિંહપુર, જબલપુર, કટની, મેહર, સતના, માનિકપુર, પ્રયાગરાજ છિવકી, પંડિત દીન દયાલ ઉપાધ્યાય જંક્શન, બક્સર અને આરા જેવા મહત્વના સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં કુલ 18 કોચ હશે, જેમાં 8 સ્લીપર કોચ, 7 જનરલ કોચ, 1 પેન્ટ્રી કાર અને 2 SLRD કોચનો સમાવેશ થાય છે.&nbsp;</p><h4><b>બુકિંગ 22 જૂન 2026થી શરૂ થયું</b></h4><p>મુસાફરોની સુવિધા માટે ટ્રેનમાં પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ટ્રેન માટે બુકિંગ 22 જૂન 2026થી શરૂ થઈ ગયું છે. મુસાફરો IRCTC વેબસાઇટ અથવા RailOne એપ દ્વારા સરળતાથી ટિકિટ બુક કરી શકે છે. ટ્રેનના સમય અને સ્ટોપ અંગે વિગતવાર માહિતી માટે NTES એપ પણ ઉપયોગી રહેશે. નવી અમૃત ભારત એક્સપ્રેસથી દાનાપુર અને પુણે વચ્ચેની મુસાફરી વધુ સુગમ બનશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/crime/pune-ketan-murder-case-2004-calls-and-238-hours-of-conversation-between-sia-and-chetan" target="_blank">આ પણ વાંચો : Pune Ketan Murder Case: સિયા અને ચેતન વચ્ચે 2004 કોલ અને 238 કલાકની થઇ હતી વાતચીત</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/23/RuSXmuwU2vzTDnA98HraKqXB8dLjHkvVSpvXkCHS.webp'/></item><item><title><![CDATA[Gujarat News: સુરતમાં જર્મન પ્રવાસીને કૂતરાએ બચકું ભર્યું, જુઓ સારવાર બાદ વાયરલ થયેલો Video ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/german-tourist-praises-surat-government-hospital-after-dog-bite-treatment</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/german-tourist-praises-surat-government-hospital-after-dog-bite-treatment</guid><pubDate>Tue, 23 Jun 2026 23:22:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં ફરવા આવેલા એક જર્મન પ્રવાસીએ ભારતીય આરોગ્ય વ્યવસ્થાની કાર્યક્ષમતાના ભરપૂર વખાણ કર્યા છે.ડેવિડ નેબેલ નામના જર્મન કન્ટેન્ટ ક્રિએટર જેઓ છેલ્લા નવ વર્ષથી વિશ્વભરમાં પ્રવાસ કરી રહ્યા છે.તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને પોતાનો સુરતનો અનુભવ વર્ણવ્યો છે.સુરતના વેસુ વિસ્તારમાં પ્રવાસ દરમિયાન ડેવિડ નેબેલને એક રખડતા કૂતરાએ બચકું ભર્યું હતું. રેબીઝ જેવા ગંભીર રોગના જોખમને ટાળવા માટે તેમણે તાત્કાલિક તબીબી સારવાર લેવાનું નક્કી કર્યું અને તેઓ શહેરની એક સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા હતા.આમતો આ ઘટના ગત એપ્રિલ મહિનામાં સામે આવી હતી. પરંતુ એક વીડિયોને કારણે તે હાલમાં સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાયરલ થઈ રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://x.com/BJP4MP/status/2069423424066171199/video/1" target="_blank">https://x.com/BJP4MP/status/2069423424066171199/video/1</a><br><br></p><h2 style="text-align: justify; "><b>વિદેશી યુવકને એક રખડતા કૂતરાએ બચકું ભર્યું</b></h2><p style="text-align: justify; ">પોતાના વીડિયોમાં ડેવિડ નેબેલે જણાવ્યું હતું કે  મને એક રખડતા કૂતરાએ બચકું ભર્યું હતું.રેબીઝથી બચવા માટે મારે તકેદારી રાખવી જરૂરી હતી તેથી હું સુરતની એક સરકારી હોસ્પિટલ ગયો હતો. ત્યાં જે રીતે મને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી તેનાથી હું ખૂબ જ આશ્ચર્યચકિત છું.મારે ચાર ઈન્જેક્શન લેવા પડ્યા જે થોડી અગવડતાભરી બાબત છે પરંતુ સમગ્ર સારવારની ગતિ અને કાર્યક્ષમતા અદભૂત હતી.હું ખરેખર આ સેવા જોઈને મંત્રમુગ્ધ થઈ ગયો છું.પોતાના વતન જર્મની સાથે સરખામણી કરતા ડેવિડે કહ્યું કે, મારા દેશમાં વિદેશી નાગરિકોને સરકારી હોસ્પિટલમાં આ રીતે મફત સારવાર મળતી નથી.ભારતની જાહેર આરોગ્ય સેવાઓ અને તેની સરળ સુલભતા ખરેખર પ્રશંસનીય છે.તેમણે હોસ્પિટલની સ્વચ્છતા અને સ્ટાફની તત્પરતાના પણ વખાણ કર્યા હતા.</p><h3 style="text-align: justify; "><b>ડેવિડ નેબેલનો વીડિયો ખૂબ જ વાયરલ થયો&nbsp;</b></h3><p style="text-align: justify; ">ડેવિડ નેબેલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે અને તેને લાખો લોકોએ જોયો છે.લોકોએ આ બાબતે અનેક  પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે ભારતના સરકારી દવાખાનાની સુવિધા પર ભાર મૂકતા કહ્યું કે, ભારતમાં જો કૂતરા, બિલાડી કે વાંદરા કરડે તો હંમેશા સરકારી હોસ્પિટલનો જ સંપર્ક કરવો જોઈએ.અમેરિકાની આરોગ્ય સેવાઓ પર કટાક્ષ કરતા અન્ય એક યુઝરે લખ્યું, અમેરિકામાં તો આ સારવાર પાછળ તમારી પાંચ વર્ષની બચત ખર્ચાઈ ગઈ હોત. એક અન્ય વ્યક્તિએ ટિપ્પણી કરી કે, હું ઈચ્છું છું કે જર્મનીમાં પણ મને આવી તબીબી સંભાળ મળી હોત.ત્યાંના લાંબા વેઇટિંગ ટાઈમના કારણે હું સર્જરી કરાવવા માટે ભારત પાછો આવ્યો હતો.આ કિસ્સાએ માત્ર ભારતમાં રખડતા પ્રાણીઓની સમસ્યા તરફ ધ્યાન દોર્યું છે એટલું જ નહીં,પરંતુ ઈમરજન્સી પરિસ્થિતિઓમાં ભારતીય સરકારી હોસ્પિટલોની સજ્જતા અને સેવાભાવી અભિગમને વૈશ્વિક સ્તરે ઉજાગર કરી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/chaitar-vasava-convicted-can-mla-save-his-seat-after-7-year-sentence" target="_blank">આ પણ વાંચોઃ Gujarat News: 7 વર્ષની સજા બાદ ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ બચી શકશે? જાણો શું કહે છે કાયદાવિદ</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/23/Plai0AhO6tyMLPQhMInt4cT5QwAGSoWm5pRdHu8e.webp'/></item><item><title><![CDATA[Jamnagarમાં દબાણ હટાવતી એસ્ટેટ ટીમ પર પથ્થરમારો અને મરચાના સ્પ્રે વડે હુમલો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/jamnagar/stone-pelting-and-pepper-spray-attack-on-estate-team-relieving-pressure-in-jamnagar</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/jamnagar/stone-pelting-and-pepper-spray-attack-on-estate-team-relieving-pressure-in-jamnagar</guid><pubDate>Tue, 23 Jun 2026 22:17:28 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જામનગર શહેરમાંથી સરકારી કામગીરી દરમિયાન હિંસક હુમલો થવાની એક અત્યંત ચોંકાવનારી અને ચકચારી ઘટના સામે આવી છે. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ જ્યારે અંબર ચોકડી પાસે આવેલા ફ્લાયઓવર બ્રિજ નીચે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાયદેસરની કાર્યવાહી કરી રહી હતી, ત્યારે અચાનક મામલો બિચક્યો હતો. દબાણકર્તાઓએ તંત્રની કાર્યવાહીનો ઉગ્ર વિરોધ કરીને એસ્ટેટ ટીમના કર્મચારીઓ પર અચાનક પથ્થરમારો શરૂ કરી દીધો હતો.&nbsp;</p><h2 style="text-align: justify; ">ચાર મનપા કર્મચારીઓ ઇજાગ્રસ્ત, હોસ્પિટલમાં દાખલ</h2><p style="text-align: justify; ">આ અચાનક થયેલા કાયરતાપૂર્ણ હુમલામાં જામનગર મનપાના 4 કર્મચારીઓને પથ્થરો વાગવાને કારણે માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. મરચાના સ્પ્રે અને પથ્થરમારાને કારણે ચારેય કર્મચારીઓ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ અન્ય સ્ટાફ અને સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા અને તમામ ઇજાગ્રસ્ત કર્મચારીઓને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે જામનગરની પ્રખ્યાત જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.&nbsp;</p><h3 style="text-align: justify; ">સરકારી ફરજમાં અવરોધ બદલ પોલીસ ફરિયાદની તજવીજ</h3><p style="text-align: justify; ">સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરવા, કાયદો હાથમાં લેવા અને ફરજ પરના કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરવા બદલ હુમલાખોરો સામે કડક કાયદાકીય પગલાં ભરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એસ્ટેટ વિભાગ દ્વારા આ મામલે હુમલાખોરો વિરુદ્ધ નામજોગ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ વિધિ શરૂ કરી છે અને તેમને વહેલી તકે જેલના સળિયા પાછળ ધકેલી દેવા માટે આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/23/9yYsP9nwcTuyBR4BJyMwiesEebeQ7TL1gsFPIOXT.webp'/></item><item><title><![CDATA[Banaskanthaના ઓગડ પાસે ટ્રેલરે બાઇકને ટક્કર મારતાં એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/a-person-died-in-a-horrific-accident-when-a-trailer-hit-a-bike-near-ogad-in-banaskantha</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/a-person-died-in-a-horrific-accident-when-a-trailer-hit-a-bike-near-ogad-in-banaskantha</guid><pubDate>Tue, 23 Jun 2026 21:55:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બનાસકાંઠા જિલ્લાના ઓગડ નજીક થરા-શિહોરી હાઇવે પર એક અત્યંત કમકમાટીભર્યો માર્ગ અકસ્માત સર્જાયો છે. આ હાઇવે પર હાલમાં સમારકામ (રોડ રિપેરિંગ) ની કામગીરી ચાલી રહી હોવાને કારણે રસ્તાને એકમાર્ગીય (વન-વે) કરવામાં આવ્યો હતો. આ એક માર્ગીય હાઇવે પરથી પસાર થઈ રહેલા એક બાઈકને પાછળથી આવી રહેલા પૂરપાટ ઝડપે દોડતા ટ્રેલરે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક પર સવાર બે વ્યક્તિઓમાંથી એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવકને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી છે.</p><h2 style="text-align: justify; ">ચાલક ટ્રેલર મૂકી ફરાર, ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો</h2><p style="text-align: justify; ">અકસ્માત સર્જાયા બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. અકસ્માતની ગંભીરતા જોઈને ટ્રેલરનો ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે જ મૂકીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. જ્યારે મૃતકના મૃતદેહને પોલીસે કબજે કરીને પોસ્ટમોર્ટમ (પીએમ) અર્થે સરકારી હોસ્પિટલ મોકલી આપ્યો છે.</p><h3 style="text-align: justify; ">સાઇન બોર્ડ કે બેરિકેટિંગ વિના ડાયવર્ઝન આપતાં લોકોમાં રોષ</h3><p style="text-align: justify; ">આ દુર્ઘટનાને પગલે સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં વહીવટી તંત્ર તેમજ કોન્ટ્રાક્ટર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે હાઇવે પર સમારકામ ચાલતું હોવા છતાં તંત્ર દ્વારા વાહનચાલકોની સુરક્ષા માટે કોઈ સાઇન બોર્ડ, રેડિયમ સ્ટીકર કે પ્રોપર બેરિકેટિંગ મૂકવામાં આવ્યા નહોતા. આવી ઘોર બેદરકારી વચ્ચે અચાનક ડાયવર્ઝન આપી દેવાને કારણે જ આ અકસ્માત સર્જાયો છે અને એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવવો પડ્યો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/23/JFcPYkXloFkIG71JTwktkRgnlMaVuy8X0wRVbqwE.webp'/></item><item><title><![CDATA[IND Vs PAK: ભારતે પાકિસ્તાનને હરાવ્યું, 4-3થી જીતી મેચ ]]></title><link>https://sandesh.com/sports/news/ind-vs-pak-fih-pro-league-2026-hockey-match-result</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/ind-vs-pak-fih-pro-league-2026-hockey-match-result</guid><pubDate>Tue, 23 Jun 2026 21:49:46 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">લંડનમાં રમાયેલી FIH પ્રો લીગ 2026ની રોમાંચક મેચમાં ભારતીય હોકી ટીમે પાકિસ્તાનને 4-3 થી હરાવ્યું. મેચની શરૂઆતમાં પાકિસ્તાન આગળ હતું, પરંતુ ભારતે જોરદાર વાપસી કરી.</p><p style="text-align: justify; ">ભારત માટે અભિષેક, નીલકાંત શર્મા, સુખજીત સિંહ અને રાજિન્દરએ શાનદાર ગોલ કરીને ટીમને 4-1 ની મજબૂત લીડ અપાવી. પાકિસ્તાને અંતિમ ક્ષણોમાં સતત 2 ગોલ કરીને મેચને ખૂબ જ રોમાંચક બનાવી, જેનાથી સ્કોર 4-3 પર પહોંચી ગયો.&nbsp;</p><p style="text-align: justify; ">પરંતુ ભારતીય ખેલાડીઓએ અંતિમ મિનિટોમાં દબાણને સારી રીતે સંભાળ્યું અને તેમના શાનદાર બચાવને કારણે, પાકિસ્તાનને બરાબરી કરવાની કોઈ તક આપી નહીં. આ શાનદાર જીત સાથે ભારતે પાકિસ્તાન પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું.</p><h2 style="text-align: justify; "><b>પહેલા ક્વાર્ટરમાં પાકિસ્તાન પાસે લીડ હતી</b></h2><p style="text-align: justify; ">પ્રથમ ક્વાર્ટરની અંતિમ મિનિટોમાં ભારતીય ટીમે વાપસી કરવાનો પ્રયાસ કર્યો. ભારતને અનેક પેનલ્ટી કોર્નર મળ્યા, પરંતુ પાકિસ્તાનના મજબૂત ડિફેન્સે બધા પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા. આ સમયગાળા દરમિયાન કેપ્ટન હરમનપ્રીત સિંહના શક્તિશાળી શોટને રોકતી વખતે પાકિસ્તાની ખેલાડી અબ્દુલ મન્નાન ઘાયલ થયો. તમામ પ્રયાસો છતાં ભારતીય ટીમ પ્રથમ ક્વાર્ટરમાં 1 પણ ગોલ કરવામાં નિષ્ફળ રહી, અને પ્રથમ ક્વાર્ટરના અંતે પાકિસ્તાન 1-0થી આગળ હતું.</p><h3 style="text-align: justify; "><b>બીજા અને ત્રીજા ક્વાર્ટરમાં પણ ટીમ ઈન્ડિયાનું વર્ચસ્વ રહ્યું</b></h3><p style="text-align: justify; ">ત્યારબાદ ભારતીય ટીમે બીજા ક્વાર્ટરમાં શાનદાર વાપસી કરી. અભિષેકે પ્રથમ ગોલ કરીને સ્કોર બરાબર કર્યો, અને ત્યારબાદ નીલકંઠ શર્માએ પોતાના ઈન્ટરનેશનલ કરિયરનો 19મો શાનદાર ગોલ કરીને ભારતને મેચમાં પહેલી વાર લીડ અપાવી.&nbsp;</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/TheHockeyIndia/status/2069446493724184726"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p style="text-align: justify; ">આ 2 ગોલના કારણે ભારતે હાફ ટાઈમ સુધીમાં પાકિસ્તાન પર 2-1ની ખૂબ જ જરૂરી લીડ મેળવી લીધી અને મેચ પર પોતાની પકડ મજબૂત કરી. ત્રીજા ક્વાર્ટરમાં પણ ભારત મેદાન પર પ્રભુત્વ ધરાવતું જોવા મળ્યું. ભારતે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું અને પાકિસ્તાન પર દબાણ વધાર્યું. આ વખતે સુખજીત સિંહે શાનદાર પ્રદર્શન કર્યું અને મેચનો ત્રીજો ગોલ કરીને ભારતની લીડમાં વધુ વધારો કર્યો.</p><h4 style="text-align: justify; "><b>છેલ્લા ક્વાર્ટરમાં પાકિસ્તાને વાપસી કરી</b></h4><p style="text-align: justify; ">ચોથા અને અંતિમ ક્વાર્ટરમાં ભારતને બીજો પેનલ્ટી કોર્નર મળ્યો. ભારતીય ટીમે પોતાની રણનીતિ બદલી, એક શાનદાર ગોલ કરીને પાકિસ્તાન પર 4-1ની નોંધપાત્ર લીડ મેળવી. એવું લાગતું હતું કે ભારત સરળતાથી મેચ જીતી જશે. પરંતુ મેચની અંતિમ મિનિટોમાં પાકિસ્તાને અચાનક વળતો હુમલો કર્યો, સતત 2 ગોલ કરીને ભારતીય ડિફેન્સને સ્તબ્ધ કરી દીધું.&nbsp;</p><p style="text-align: justify; ">મેચ સમાપ્ત થાય તે પહેલાં સ્કોર 4-3 થઈ ગયો, જેનાથી મેદાન પર ઉત્સાહ અને તણાવ બંનેમાં વધારો થયો. આ ભારે દબાણ છતાં ભારતીય ટીમે પોતાનું સ્થાન જાળવી રાખ્યું અને પોતાની લીડ જાળવી રાખી. આમ ભારતે આ રોમાંચક મેચ 4-3થી જીતી અને 3 પોઈન્ટ મેળવ્યા.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/entertainment/virat-kohli-photos-with-son-akaay-anushka-sharma" target="_blank">Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/23/rXWP9iRKLdlmavx8Fh5fiqIBlXm9dvNAZM1dPWSa.webp'/></item><item><title><![CDATA[Rajkot News: જેતપુર પાલિકાની ચૂંટણીમાં AAPની પૂર્વ ઉમેદવાર નંદની બોસમીયાનું શંકાસ્પદ મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/rajkot/former-aap-candidate-nandani-bosamiya-found-dead-under-suspicious-circumstances</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/rajkot/former-aap-candidate-nandani-bosamiya-found-dead-under-suspicious-circumstances</guid><pubDate>Tue, 23 Jun 2026 21:43:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટના જેતપુરમાં નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી વોર્ડ નંબર 1માંથી ઉમેદવારી નોંધાવનાર 23 વર્ષીય નંદની બોસમીયાનું  શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યું છે.વાવડી વિસ્તારમાં આવેલી આગમન રેસિડેન્સીમાં નંદનીનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે.આ ઘટના બાદ નંદનીના પરિવારજનોએ તેની હત્યા થઈ હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે.</p><h2 style="text-align: justify; "><b>જૂનાગઢના અસલમ સમા સાથે મૈત્રી કરારમાં રહેતી</b></h2><p style="text-align: justify; ">મૂળ જેતપુરના નવાગઢ વિસ્તારની રહેવાસી નંદની બોસમીયા જૂનાગઢ ખાતે એમ.આર.તરીકે નોકરી કરતી હતી.તે દરમિયાન તેનો સંપર્ક જૂનાગઢના અસલમ સમા સાથે થયો હતો.પરિવારના આક્ષેપ મુજબ પરણિત હોવા છતાં અસલમે નંદનીને પ્રેમજાળમાં ફસાવી હતી અને બાદમાં બંનેએ મૈત્રી કરાર કર્યા હતા.અગાઉ જૂનાગઢમાં રહેતા આ યુગલને લઈને અનેક વિવાદો પણ સામે આવ્યા હતા.આશરે ચાર મહિના પૂર્વે અસલમની પત્નીએ નંદનીને ઢોર માર માર્યો હતો.જે અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી.અસલમનો પરિવાર નંદનીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવાથી તે ત્રાસમાંથી બચવા માટે નંદની અસલમ સાથે રાજકોટ સ્થાયી થઈ ગઈ હતી.</p><h3 style="text-align: justify; "><b>ફોરેન્સિક PM રિપોર્ટ બાદ હત્યા કે આપઘાત ખુલશે</b></h3><p style="text-align: justify; ">નંદનીના મૃત્યુના સમાચાર મળતા જ તેના પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા.પરિવારનું માનવું છે કે નંદની આત્મહત્યા કરી શકે જ નહીં.પરિવારજનોએ સીધો આક્ષેપ કર્યો છે કે નંદનીની હત્યા કરવામાં આવી છે અને તેને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. નંદનીએ ફેબ્રુઆરી મહિનામાં જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય સક્રિયતા દર્શાવી હતી જેના કારણે તેના મૃત્યુના સમાચારથી જેતપુરના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે આઘાત ફેલાયો છે.ઘટનાની જાણ થતા જ રાજકોટ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે અને તે મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/chaitar-vasava-convicted-can-mla-save-his-seat-after-7-year-sentence" target="_blank">આ પણ વાંચોઃ Gujarat News: 7 વર્ષની સજા બાદ ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ બચી શકશે? જાણો શું કહે છે કાયદાવિદ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/23/bpINxtk13yo9GaWLAS7sE8U01HIEtGxsiSRbkINY.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: ઈવેન્ટના પ્રમોશન માટે ટ્રાફિક રોકીને રીલ બનાવવી યુવકને પડી ભારે, પોલીસે ગુનો નોંધ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/youth-booked-for-blocking-traffic-to-shoot-navratri-promotion-reel-at-shyamal</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/youth-booked-for-blocking-traffic-to-shoot-navratri-promotion-reel-at-shyamal</guid><pubDate>Tue, 23 Jun 2026 21:19:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદમાં સોશિયલ મીડિયા પર લોકપ્રિય થવા માટે રીલ્સ બનાવવાનો ક્રેઝ આજકાલ યુવાનોમાં વધી રહ્યો છે. અમદાવાદના વ્યસ્ત ગણાતા શ્યામલ ચાર રસ્તા પર નવરાત્રીની ઇવેન્ટના પ્રમોશન માટે વીડિયો બનાવવો એક યુવકને ખૂબ મોંઘો પડ્યો છે.ટ્રાફિકના નિયમોની પરવા કર્યા વગર જાહેર માર્ગ પર વીડિયો શૂટિંગ કરનાર આ યુવક સામે ટ્રાફિક પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.</p><h2 style="text-align: justify; "><b>વાહનચાલકોને પણ મુશ્કેલી પડી રહી હતી</b></h2><p style="text-align: justify; ">અર્જુન બુધાલાલ પુરબિયા નામના યુવકે અમદાવાદના શ્યામલ ચાર રસ્તા જેવા અત્યંત વ્યસ્ત વિસ્તારમાં એક રીલ બનાવી હતી.આ વીડિયોનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી નવરાત્રીના ઇવેન્ટ્સનું પ્રમોશન કરવાનો હતો.યુવકે જાહેરમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને આ વીડિયો શૂટ કર્યો હતો.જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ટ્રાફિકની અવરજવર વચ્ચે યુવક અને તેના સાથીઓ દ્વારા જોખમી રીતે શૂટિંગ કરવામાં આવી રહ્યું હતું.જેના કારણે અન્ય વાહનચાલકોને પણ મુશ્કેલી પડી રહી હતી.</p><h3 style="text-align: justify; "><b>રસ્તાઓ લોકોની અવરજવર માટે છે</b></h3><p style="text-align: justify; ">આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ ટ્રાફિક પોલીસનું ધ્યાન આ તરફ ગયું હતું.અમદાવાદ શહેરની એન ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા આ મામલાની ગંભીરતાથી નોંધ લેવામાં આવી હતી.નિયમોના સરેઆમ ભંગ બદલ અને જાહેર માર્ગ પર અવરોધ ઉભો કરવાના ગુનામાં અર્જુન પુરબિયા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.રસ્તાઓ એ લોકોની અવરજવર માટે છે કોઈના અંગત પ્રમોશન કે રીલ બનાવવા માટે નથી.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/chaitar-vasava-convicted-can-mla-save-his-seat-after-7-year-sentence" target="_blank">આ&nbsp; પણ વાંચોઃ Gujarat News: 7 વર્ષની સજા બાદ ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ બચી શકશે? જાણો શું કહે છે કાયદાવિદ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/23/yKdwO6lh2Ks6todERGwkjjuebS786goHWPXW0iPb.webp'/></item><item><title><![CDATA[23 જૂનના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર ]]></title><link>https://sandesh.com/gujarat/news/india/23-june-top-10-news-updates-india-breaking-headlines-summary</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/india/23-june-top-10-news-updates-india-breaking-headlines-summary</guid><pubDate>Tue, 23 Jun 2026 21:00:00 +05:30</pubDate><description><![CDATA[<p><b>સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર વાંચો</b></p><p><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/sgst-uncovers-128-crore-tax-scam-father-son-arrested-from-jamnagar" target="_blank"><b>1. Gujarat News: SGSTએ રાજ્યમાંથી રૂ.128 કરોડનું કૌભાંડ ઝડપ્યું, જામનગરથી પિતા-પુત્રની ધરપકડ</b></a></p><p><a href="https://sandesh.com/india/news/gujarat/el-nino-impact-india-315-districts-special-plan-farmers-advisory" target="_blank"><b>2. El Nino Impact : ગુજરાત સહિત 12 રાજ્યના 315 જિલ્લાઓ માટે ખાસ યોજના તૈયાર, ખેડૂતોને અપાઈ આ સલાહ</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhuj/historic-verdict-of-pocso-court-in-bhuj-accused-gets-20-years-rigorous-imprisonment-in-rape-case" target="_blank"><b>3. Bhujમાં પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદ</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/scam-of-fake-fennel-containing-chemicals-busted-in-unjha-mehsana-goods-worth-rs-8-lakh-seized" target="_blank"><b>4. Mehsanaના ઊંઝામાં કેમિકલવાળી નકલી વરિયાળીનું કૌભાંડ ઝડપાયું, રૂ.8.57 લાખનો મુદ્દામાલ કરાયો સીઝ</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/chaitar-vasava-convicted-can-mla-save-his-seat-after-7-year-sentence" target="_blank"><b>5. Gujarat News: 7 વર્ષની સજા બાદ ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ બચી શકશે? જાણો શું કહે છે કાયદાવિદ</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/two-brts-buses-collided-head-on-near-memnagar-ahmedabad-passengers-including-driver-injured" target="_blank"><b>6. Ahmedabadના મેમનગર પાસે બે BRTS બસો સામસામે અથડાઈ, ડ્રાઈવર સહિત મુસાફરો થયા ઈજાગ્રસ્ત</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/surat/surat-varachha-sadbhavna-school-ac-blast-short-circuit-fire-safety" target="_blank"><b>7. Surat : સદભાવના સ્કૂલમાં ક્લાસ શરૂ થાય તે પૂર્વે જ પ્રચંડ ધડાકા સાથે AC બ્લાસ્ટ, વિદ્યાર્થીઓમાં નાસભાગ</b></a></p><p><a href="https://sandesh.com/india/news/crime/pune-ketan-murder-case-2004-calls-and-238-hours-of-conversation-between-sia-and-chetan" target="_blank"><b>8. Pune Ketan Murder Case: સિયા અને ચેતન વચ્ચે 2004 કોલ અને 238 કલાકની થઇ હતી વાતચીત</b></a></p><p><b><a href="https://sandesh.com/india/news/amit-shah-focuses-on-illegal-infiltration-after-naxalism-deadline-plan" target="_blank">9. National News : નક્સલવાદ બાદ હવે ઘુસણખોરી પર પ્રહાર, ગૃહપ્રધાન અમિત શાહ નક્કી કરશે 'ડેડલાઈન'</a></b></p><p><b><a href="https://sandesh.com/india/news/ram-mandir-donation-row-sit-submits-investigation-report-to-home-secretary-in-donation-theft-case" target="_blank">10. Ram Mandir Donation Row: દાન ચોરી મામલે SITએ ગૃહ સચિવને સોંપ્યો તપાસનો રિપોર્ટ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/23/QgajA8y5QFl6mgssREIV2UcSRmjeXU2MPEdkUDgR.webp'/></item><item><title><![CDATA[Padma Awards 2026 : મલયાલમ સુપરસ્ટાર મમૂટી અને સિંગર અલકા યાજ્ઞિકને રાષ્ટ્રપતિએ પદ્મ ભૂષણથી કર્યા સન્માનિત ]]></title><link>https://sandesh.com/entertainment/news/padma-awards-2026-mammootty-alka-yagnik-padma-bhushan-rashtrapati-bhavan</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/padma-awards-2026-mammootty-alka-yagnik-padma-bhushan-rashtrapati-bhavan</guid><pubDate>Tue, 23 Jun 2026 19:16:20 +05:30</pubDate><description><![CDATA[<p>રાષ્ટ્રપતિ ભવનમાં 23 જૂન 2026ના રોજ યોજાયેલા પદ્મ પુરસ્કાર 2026ના બીજા સન્માન સમારોહમાં દેશના અનેક પ્રતિષ્ઠિત કલાકારો અને વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા. દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આ સમારોહમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર હસ્તીઓને પદ્મ પુરસ્કારોથી નવાજ્યા.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/rashtrapatibhvn/status/2069384068953980945"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>મમૂટી પોતાના પુત્ર દુલ્કર સલમાન સાથે સમારોહમાં હાજર રહ્યા&nbsp;</b></h2><p>આ પ્રસંગે મલયાલમ સુપરસ્ટાર મમૂટી, પ્રખ્યાત ગાયિકા અલકા યાજ્ઞિક અને અભિનેતા આર. માધવનને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. મમૂટી પોતાના પુત્ર દુલ્કર સલમાન સાથે સમારોહમાં હાજર રહ્યા હતા. તેમના નામની જાહેરાત થતાં જ દુલ્કરે તેમને પ્રોત્સાહન આપ્યું. પાંચ દાયકાથી વધુ લાંબા કારકિર્દીમાં મમૂટીએ 400થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને તેઓ સામાજિક કાર્યમાં પણ સક્રિય રહ્યા છે.</p><h3><b>દક્ષિણ ભારતના અનેક કલાકારોને પણ પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા</b></h3><p>જાણીતી ગાયિકા અલકા યાજ્ઞિકને પણ પદ્મ ભૂષણ આપવામાં આવ્યો. શ્રવણ ક્ષમતા સંબંધિત સમસ્યા હોવા છતાં તેઓ મંચ પર પહોંચ્યા અને રાષ્ટ્રપતિ દ્વારા સન્માન પ્રાપ્ત કર્યું. તેમણે ચાર દાયકાથી વધુ સમય દરમિયાન 1000થી વધુ ગીતોને અવાજ આપ્યો છે. અભિનેતા આર. માધવનને પણ પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. તેમણે અનેક ભાષાઓની ફિલ્મોમાં અભિનય કરીને ભારતીય સિનેમામાં વિશેષ ઓળખ બનાવી છે. આ ઉપરાંત દક્ષિણ ભારતના અનેક કલાકારોને પણ પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા, જેમાં તેલુગુ અભિનેતા મગંતી મુરલી મોહન અને નાગાલેન્ડના લોકકલાકાર ગુરુ સાંગ્યુસાંગ પોંગેનેરનો સમાવેશ થાય છે.</p><h4><b>સતીશ શાહને મરણોત્તર પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા</b></h4><p>થિયેટર અને ટેલિવિઝન ક્ષેત્રના દિગ્ગજ અનિલ કુમાર રસ્તોગીને પણ પદ્મ શ્રી મળ્યો. તેમજ જાણીતા અભિનેતા સતીશ શાહને મરણોત્તર પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા. તેમના ભાઈએ તેમની તરફથી આ સન્માન સ્વીકાર્યું. પ્રથમ સત્રમાં ધર્મેન્દ્ર અને પ્રસેનજીત ચટ્ટોપાધ્યાય જેવા દિગ્ગજોને પણ સન્માન મળ્યું હતું. સમગ્ર સમારોહમાં દેશના વિવિધ ક્ષેત્રોના યોગદાનને માન આપીને વિશેષ ઉજવણી કરવામાં આવી.</p><p><b><a href="https://sandesh.com/entertainment/news/welcome-to-the-jungle-censor-boards-scissors-on-akshay-kumars-film-18-cuts-made-including-disha-jacquelines-bikini-scenes" target="_blank">આ પણ વાંચો : Welcome to the Jungle : અક્ષય કુમારની ફિલ્મ પર સેન્સર બોર્ડની કાતર, દીશા-જેક્લીનના બિકીની સીન્સ સહિત ૧૮ કટ લગાવાયા!</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/23/ipm4r8x7ST7hns7oB49WiUhDNfW0Oewva0JgGxYq.webp'/></item><item><title><![CDATA[ED Raid on Rajesh Exports : રાજેશ એક્સપોર્ટના બેંગલુરૂ સહિત અન્ય ઠેકાણાઓ પર EDના દરોડા ]]></title><link>https://sandesh.com/business/news/ed-raids-rajesh-exports-bengaluru-offices-financial-irregularities-sebi-case</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/ed-raids-rajesh-exports-bengaluru-offices-financial-irregularities-sebi-case</guid><pubDate>Tue, 23 Jun 2026 18:54:43 +05:30</pubDate><description><![CDATA[<p>સોનાની નિકાસ સાથે જોડાયેલી કંપની રાજેશ એક્સપોર્ટ્સ ફરી એકવાર ચર્ચામાં આવી છે. માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા કંપની પર લગાવવામાં આવેલા ગંભીર આક્ષેપો બાદ હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કંપનીના અનેક ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી મંગળવાર સવારથી શરૂ થઈ હતી અને બેંગલુરુ સહિત અનેક સ્થળોએ એકસાથે હાથ ધરાઈ હતી.</p><h2><b>સેબીએ રાજેશ મહેતા પર ટ્રેડિંગ કરવાનો લગાવ્યો પ્રતિબંધ&nbsp;</b></h2><p>સેબીના આરોપ મુજબ રાજેશ એક્સપોર્ટ્સે છેલ્લા કેટલાક વર્ષોમાં લગભગ 15.15 લાખ કરોડ રૂપિયાનું ફેક એક્સપોર્ટ બતાવ્યું હતું, જે કંપનીના કુલ નિકાસ આંકડાના લગભગ 99 ટકા જેટલું છે. નિયમનકારી સંસ્થાએ આને ગંભીર નાણાકીય ગડબડી ગણાવી હતી. આ મામલે સેબીએ 3 જૂને એક અંતરિમ આદેશ જાહેર કરી કંપનીના પ્રમોટર અને ચેરમેન રાજેશ મેહતાને શેરબજારમાં ટ્રેડિંગથી રોકી દીધા હતા.</p><h3><b>તપાસમાં મોટાપાયે અનિયમિતતાઓ સામે આવી</b></h3><p>સેબી અનુસાર FY21થી FY25 વચ્ચે કંપનીએ પોતાની વિદેશી સહાયક કંપનીઓ મારફતે આવકને ખોટી રીતે વધારીને દર્શાવી હતી. આ આંકડાઓની ચકાસણી દરમિયાન મોટાપાયે અનિયમિતતાઓ સામે આવી હતી, જેના કારણે સમગ્ર મામલો તપાસના ઘેરામાં આવ્યો હતો. આ આક્ષેપો બાદ કંપનીના શેરમાં ભારે અસ્થિરતા જોવા મળી હતી. 3 જૂનના સેબીના આદેશ બાદ શેરોમાં ભારે ઘટાડો નોંધાયો હતો અને 12 જૂન સુધીમાં 30 ટકાથી વધુનો ઘટાડો આવ્યો હતો. ત્યારબાદ થોડો સુધારો જોવા મળ્યો હતો અને શેરમાં લગભગ 40 ટકાનો ઉછાળો પણ નોંધાયો હતો.</p><h4><b>રોકાણકારોમાં ચિંતા જોવા મળી</b></h4><p>હાલમાં EDની તાજેત્તરની કાર્યવાહી બાદ ફરી એકવાર રોકાણકારોમાં ચિંતા જોવા મળી રહી છે. બજાર નિષ્ણાતોના મતે, આગામી દિવસોમાં કંપનીના શેર પર આ તપાસની સીધી અસર પડી શકે છે. સમગ્ર કેસમાં વધુ વિગતો અને સત્તાવાર માહિતીની રાહ જોવામાં આવી રહી છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/business/india-us-lpg-trade-record-new-record-of-us-lpg-imports-in-india-more-than-1-million-tons-will-be-imported-in-june" target="_blank">આ પણ વાંચો : India US LPG Trade Record: ભારતમાં અમેરિકી LPG આયાતનો નવો રેકોર્ડ, જૂનમાં 10 લાખ ટનથી વધુ આયાત થશે</a></b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/23/OgceFJxYh4axqYKmyj4Mb81mow8SSBphQbyL1W7O.webp'/></item></channel></rss>