<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Crude Oil Price Hike: હોર્મુઝમાં ધમાસાણ.. અચાનક 84 ડોલરને પાર ક્રૂડ ઓઇલ ]]></title><link>https://sandesh.com/business/news/crude-oil-price-hike-turmoil-in-hormuz-crude-oil-suddenly-crosses-84</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/crude-oil-price-hike-turmoil-in-hormuz-crude-oil-suddenly-crosses-84</guid><pubDate>Tue, 14 Jul 2026 10:08:27 +05:30</pubDate><description><![CDATA[<p>મધ્ય પૂર્વમાં સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે, અમેરિકા અને ઈરાન વચ્ચે હુમલાઓનો દોર ચાલુ છે. હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર મિસાઈલ હુમલાઓ થઈ રહ્યા છે. આ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવ ફરી એકવાર ભયાનક ગતિએ વધી રહ્યા છે. સોમવારે 80 ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહેલા ક્રૂડ ઓઈલ મંગળવારે 84 ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચી ગયા છે.</p><h2><b>તેલના ભાવમાં વધારો</b></h2><p>તેલના ભાવમાં વધારાથી વૈશ્વિક ફુગાવા અંગે ચિંતા વધી છે અને પ્રશ્નો ઉભા થયા છે: શું પશ્ચિમ એશિયામાં ફરી શરૂ થયેલો સંઘર્ષ પહેલા કરતા વધુ લાંબો સમય ચાલશે, અને આ વખતે ક્રૂડ ઓઈલના ભાવ 120 ડોલરને પાર કરી શકશે? જો આવું થાય, તો વિશ્વ ફરી એકવાર તેલ અને ગેસ સંકટનો સામનો કરી શકે છે.</p><p><b style="font-size: 1.75rem;">ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો</b></p><p>હોર્મુઝ સ્ટ્રેટમાં ચાલી રહેલી અશાંતિને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે. મંગળવારે, બ્રેન્ટ ક્રૂડ અને મુર્બન ક્રૂડ બંનેના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલ 84.44 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું હતું, જ્યારે WTI ક્રૂડ ઓઈલ 80 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું હતું. વધુમાં, મુર્બન ક્રૂડ ઓઇલનો ભાવ વધીને $79.34 થયો.</p><h3><b>હોર્મુઝ શા માટે મહત્વપૂર્ણ છે?</b></h3><p>યુએસ-ઈરાન સંઘર્ષમાં હોર્મુઝ સ્ટ્રેટ એક કેન્દ્રબિંદુ બની ગયું છે, તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. એ નોંધનીય છે કે વિશ્વના કુલ તેલ અને ગેસ પુરવઠાનો આશરે 20 ટકા આ દરિયાઈ માર્ગમાંથી પસાર થાય છે; અહીં એક નાનો વિક્ષેપ પણ તેલ આયાત પર નિર્ભર દેશો માટે મુશ્કેલી ઉભી કરે છે.</p><p>હોર્મુઝ સ્ટ્રેટ ઈરાન, ઓમાન અને યુએઈ વચ્ચે સ્થિત એક મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે, અને વૈશ્વિક ક્રૂડ ઓઇલ પુરવઠાનો પાંચમો ભાગ આ માર્ગમાંથી પસાર થાય છે, જે લગભગ 33 કિલોમીટર પહોળો છે. આવા બંધની અસર ભૂતકાળમાં જોવા મળી છે; 100 દિવસથી વધુ સમય સુધી ચાલેલા મધ્ય પૂર્વ સંઘર્ષે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને યુકેથી લઈને ભારત સુધીના દેશોમાં તેલ અને ગેસ સંકટ ઉભું કર્યું હતું.</p><p>પરિસ્થિતિ એટલી વણસી ગઈ હતી કે ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $120 સુધી પહોંચી ગયા હતા. તેલના ભાવમાં વધારાને કારણે ઘણા દેશોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તીવ્ર વધારો થયો, જ્યારે સામાન્ય લોકોને LPGની અછત અને ભાવ વધારાનો સામનો કરવો પડ્યો.</p><p><b style="font-size: 1.5rem;">શું તેલના ભાવ $120 ને વટાવી જશે?</b></p><p>જેમ જેમ યુએસ-ઈરાન સંઘર્ષ તીવ્ર બને છે, તેમ તેમ વૈશ્વિક ચિંતાઓ વધી રહી છે કે શું તેલના ભાવ ફરી એકવાર પ્રતિ બેરલ $120 થી વધુ વધી શકે છે. આ ચિંતા એ હકીકતથી ઉદ્ભવી છે કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથેના સોદા તરફ વલણ ધરાવતા નથી દેખાતા. આ ભાવના તેમના તાજેતરના નિવેદનમાં સ્પષ્ટ છે જેમાં ઈરાન સાથેની વાટાઘાટોને સમયનો બગાડ ગણાવીને ફગાવી દેવામાં આવી છે.</p><p><b style="font-size: 1.5rem;">શું તેલના ભાવ $120 ને વટાવી જશે?</b></p><p>જેમ જેમ યુએસ-ઈરાન સંઘર્ષ તીવ્ર બને છે, તેમ તેમ વૈશ્વિક ચિંતાઓ એ હકીકતથી ઉદ્ભવી છે કે શું તેલના ભાવ ફરી એકવાર પ્રતિ બેરલ $120 થી વધુ વધી શકે છે. આ ચિંતા એ હકીકતથી ઉદ્ભવી છે કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથેના સોદા તરફ વલણ ધરાવતા નથી દેખાતા.&nbsp; જે ભાવના તેમના તાજેતરના નિવેદનમાં સ્પષ્ટ છે જેમાં ઈરાન સાથેની વાટાઘાટોને સમયનો બગાડ ગણાવીને ફગાવી દેવામાં આવી છે.</p><p>જો ટ્રમ્પ માત્ર હોર્મુઝની સ્ટ્રેટ જ નહીં પણ ઈરાનના ખાર્ગ ટાપુ - જેને દેશની તેલ અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ માનવામાં આવે છે - પર પણ હુમલો કરે છે તો તેલ સંકટ અને ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો થઈ શકે છે. ટ્રમ્પે પહેલાથી જ ઈરાનના યુરેનિયમ સ્થળોનો ઉલ્લેખ કરી ચૂક્યા છે.&nbsp; જો સંઘર્ષ વધશે, તો ઈરાનના તેલ ટર્મિનલ્સ પણ આગની ઝપેટમાં આવી શકે છે. નોંધનીય છે કે, ઈરાન તેના મોટાભાગના તેલ (લગભગ 90%) ખાર્ગ ટાપુ દ્વારા નિકાસ કરે છે. </p><h4><b>અમેરિકા-ઈરાન સંઘર્ષથી સળગી ગયેલા ખાડી રાષ્ટ્રો</b></h4><p>કાચા તેલના ભાવમાં તીવ્ર વધારો અને નવા વૈશ્વિક તેલ અને ગેસ સંકટના ભય અંગેની આશંકા પાયાવિહોણી નથી. હોર્મુઝની સ્ટ્રેટ પર અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો છે, અને આ સંઘર્ષની જ્વાળાઓ મુખ્ય તેલ ઉત્પાદક ખાડી રાષ્ટ્રોને પણ સળગાવી રહી છે.</p><p>જ્યારે અમેરિકા અને ઈરાન હોર્મુઝના ક્ષેત્રમાં ગતિરોધમાં ફસાયેલા છે, ત્યારે સાઉદી અરેબિયાએ યમનમાં ઈરાન સમર્થિત હુથી બળવાખોરો સામે અલગથી હુમલા શરૂ કર્યા છે. ઈરાને મિસાઈલ હુમલામાં યુએઈના તેલ ટેન્કરોને નિશાન બનાવ્યા છે. </p><p>વધુમાં ઈરાને ત્રણ મધ્ય પૂર્વીય દેશો: જોર્ડન, બહેરીન અને કુવૈતમાં યુએસ લશ્કરી થાણાઓ પર મિસાઈલ હુમલા કર્યા છે.</p><p><a href="https://sandesh.com/astrology/news/bhakti/shani-dev-2026-saturn-will-move-in-reverse-these-2-zodiac-signs-should-be-especially-careful" target="_blank">આ પણ વાંચો: Shani Dev 2026: શનિની ચાલશે ઉલટી ચાલ, આ 2 રાશિએ ખાસ સાચવવુ !</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/rpEDjX4GGymQxXdLZwdkDY32KyzW2wCm0n3BXwcE.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: નેત્રોત્સવ પૂજન બાદ પરંપરાગત શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે જગન્નાથજીના નિજ મંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ કરાયું ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-149th-jagannath-rath-yatra-netrotsav-vidhi-completed-harsh-sanghavi-attended</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-149th-jagannath-rath-yatra-netrotsav-vidhi-completed-harsh-sanghavi-attended</guid><pubDate>Tue, 14 Jul 2026 10:03:32 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદની આગામી 149મી જગન્નાથ રથયાત્રાના આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે આજે મંદિર પરિસરમાં સવારથી જ પરંપરાગત અને શાસ્ત્રોક્ત ધાર્મિક વિધિઓનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજી ભાઈ સાથે પોતાના મોસાળ સરસપુર ખાતેથી પરત ફર્યા બાદ આજે મંદિરમાં ભવ્ય 'નેત્રોત્સવ વિધિ' યોજાઈ હતી. હિન્દુ શાસ્ત્રોની માન્યતા અનુસાર મોસાળમાં અતિથિ સત્કાર અને મીઠાઈઓ આરોગવાને કારણે ભગવાનની આંખો આવી હોય છે, જેથી તેમના નેત્રો પર પાટા બાંધવામાં આવે છે અને રથયાત્રાના આગલા દિવસે આ પાટા ખોલવાની પવિત્ર વિધિ કરવામાં આવે છે.</p><h2><b>નેત્રોત્સવ પૂજન વિધિમાં વિશેષ પૂજા અર્ચના&nbsp;</b></h2><p>આ પવિત્ર નેત્રોત્સવ પૂજન વિધિમાં રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ખાસ હાજરી આપી હતી. તેમણે આરતી અને વિશેષ પૂજા અર્ચના કરીને રાજ્યની શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિ માટે ભગવાન જગન્નાથના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી (DyCM) સહિતના ઉચ્ચ રાજકીય પદાધિકારીઓ, ધારાસભ્યો અને અગ્રણી સાધુ-સંતો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.</p><h3><b>શિખર પર નૂતન ધ્વજારોહણ</b></h3><p>નેત્રોત્સવ વિધિ સંપન્ન થયા બાદ મહંત દિલીપદાસજી મહારાજ અને મંદિરના ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર અને શંખનાદ સાથે જગન્નાથજીના નિજ મંદિરના ગગનચુંબી શિખર પર પરંપરાગત નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ધ્વજારોહણના દર્શન કરીને હજારો ભક્તો ધન્ય બન્યા હતા. મંદિર પ્રશાસન અને પોલીસ તંત્ર દ્વારા હવે અષાઢી બીજના દિવસે વહેલી સવારે યોજાનારી મંગળા આરતી અને ત્યાર બાદ નીકળનારી ભવ્ય રથયાત્રા માટેનો આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.</p><p><br><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/khambhaliya/dwarka-highway-bike-stunt-viral-video-police-action-four-bikes-detained" target="_blank">આ પણ વાંચો: Dwarka: જામ ખંભાળિયા-દ્વારકા હાઈવે પર જીવલેણ સ્ટંટ અને સ્પીડ રેસિંગ કરતા 4 બાઈકર્સ પોલીસના સકંજામાં</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/s3D5DGnBSJVmKgs54xq3gBN3hYRHV4YQORnndFJ3.webp'/></item><item><title><![CDATA[Vadodara : વાઘોડિયા રોડ પર માસૂમ બાળકોને રૂમમાં પૂરી દઈ નરાધમ પતિનો પત્ની પર કટરથી જીવલેણ હુમલો, બાદમાં પોતે કર્યો આપઘાત ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/vadodara/vadodara-waghodia-road-pradeep-gangude-attacks-wife-jyotiben-commits-suicide-uma-park</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/vadodara/vadodara-waghodia-road-pradeep-gangude-attacks-wife-jyotiben-commits-suicide-uma-park</guid><pubDate>Tue, 14 Jul 2026 09:59:40 +05:30</pubDate><description><![CDATA[<p>વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી ઉમા પાર્ક સોસાયટીમાં રવિવારે મોડી રાત્રે ઘરેલુ કંકાસની એક હૃદયકંપાવનારી અને લોહિયાળ ઘટના સામે આવી છે. જેમાં પતિએ પત્ની પર કટર વડે જીવલેણ હુમલો કર્યા બાદ ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.</p><h2><b>રાત્રે અઢી વાગ્યાના અરસામાં દંપતી વચ્ચે ઉગ્ર ઝઘડો થયો&nbsp;</b></h2><p>મળતી વિગતો અનુસાર, અમદાવાદના ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા વિજયરાવ પેટકરની પુત્રી જ્યોતિબેનના લગ્ન 15 વર્ષ પહેલાં વડોદરાના પ્રદીપ કિશનરાવ ગાંગુડે સાથે થયા હતા. બંને ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. રવિવારે મોડી રાત્રે અઢી વાગ્યાના અરસામાં દંપતી વચ્ચે કોઈ વાતને લઈને ઉગ્ર ઝઘડો થયો હતો.</p><h3><b>પતિ પ્રદીપે ક્રૂરતાની હદ વટાવી</b></h3><p>આવેશમાં આવેલા પતિ પ્રદીપે ક્રૂરતાની હદ વટાવી પત્ની જ્યોતિબેનને ગળા, આંખ અને હાથના ભાગે કટરના ઘા ઝીંકી લોહીલુહાણ કરી દીધા હતા.</p><h3><b>હુમલા પૂર્વે પ્રદીપે પોતાના બંને માસૂમ બાળકોને એક રૂમમાં બંધ કરી દીધા</b></h3><p>આ ઘટના વધુ ભયાનક ત્યારે બની જ્યારે હુમલા પૂર્વે પ્રદીપે પોતાના બંને માસૂમ બાળકોને એક રૂમમાં બંધ કરી દીધા હતા. રૂમમાં કેદ પુત્રએ રાત્રિના સમયે જ સમયસૂચકતા વાપરી ફોન દ્વારા તેના દાદાને આ હુમલાની જાણ કરી હતી. બાળકોએ ઘરમાં બૂમાબૂમ કરી મૂકતા જાગી ગયેલા પાડોશીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને બંને બાળકોને રૂમમાંથી સલામત બહાર કાઢ્યા હતા.&nbsp;</p><h4><b>પ્રદિપે આત્મહત્યા કરી લીધી</b></h4><p>ત્યારબાદ પાડોશીઓએ ઘરની બારીનો કાચ તોડીને અંદર જોયું તો હોલમાં પ્રદીપ છતના હૂક સાથે સાડી વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો મળી આવ્યો હતો.</p><h4><b>કપૂરાઈ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો&nbsp;</b></h4><p>ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને બેભાન જ્યોતિબેનને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેમની સ્થિતિ નાજુક હોવાનું કહેવાય છે. ઘટનાની જાણ થતાં જ કપૂરાઈ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે જ્યોતિબેનના પિતાની ફરિયાદના આધારે મૃતક પતિ પ્રદીપ ગાંગુડે વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.&nbsp;</p><p><br></p><p>આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; <a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-indepth-gujarat-monsoon-2026-rain-deficit-paresh-goswami-weather-forecast-july-round" target="_blank"><b>Sandesh Indepth : ચોમાસું ખોટકાયું, ગુજરાતમાં ગત વર્ષ કરતાં અડધો જ વરસાદ; 24.64% સાથે ખેડૂતો ચિંતિત, જળસંકટની ભીતિ!</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/bET4iPKChtNB3sB9GKo2DLbLgIGrwM2QSbeWX7It.webp'/></item><item><title><![CDATA[Dwarka: જામ ખંભાળિયા-દ્વારકા હાઈવે પર જીવલેણ સ્ટંટ અને સ્પીડ રેસિંગ કરતા 4 બાઈકર્સ પોલીસના સકંજામાં ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/khambhaliya/dwarka-highway-bike-stunt-viral-video-police-action-four-bikes-detained</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/khambhaliya/dwarka-highway-bike-stunt-viral-video-police-action-four-bikes-detained</guid><pubDate>Tue, 14 Jul 2026 09:51:29 +05:30</pubDate><description><![CDATA[<p>જામ ખંભાળિયા-દ્વારકા હાઈવે પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓથી સતત ધમધમતો રહે છે. આ વ્યસ્ત હાઈવે પર છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયાના રીલ્સ અને શોર્ટ વીડિયો બનાવવા માટે કેટલાક સ્થાનિક અને બહારના બાઈકર્સ જોખમી સ્ટંટ અને ઓવરસ્પીડિંગ કરતા હોવાની ફરિયાદો ઉઠી રહી હતી. તાજેતરમાં જ આવો એક જોખમી બાઈક રેસિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો, જેમાં કેટલાક યુવકો સામાન્ય વાહનચાલકોની વચ્ચે જિંદગીના જોખમે પૂરપાટ ઝડપે બાઈક દોડાવતા અને સ્ટંટ કરતા નજરે પડ્યા હતા.</p><h2><b>સ્ટંટબાજ બાઈકર્સને દબોચી લીધા</b></h2><p>આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થતાં જ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ટ્રાફિક શાખા તાત્કાલિક એક્શનમાં આવી હતી. પોલીસે વીડિયો ફૂટેજનું ઝીણવટભર્યું વિશ્લેષણ કરીને જોખમી ડ્રાઇવિંગ કરી રહેલા બાઈકર્સ અને તેમના વાહનોના રજીસ્ટ્રેશન નંબર ઓળખી કાઢ્યા હતા. ટ્રાફિક પોલીસે તાત્કાલિક દરોડો પાડીને ભયજનક રીતે વાહન હંકારતા 4 સ્ટંટબાજ બાઈકર્સને દબોચી લીધા હતા.</p><h3><b>સ્ટંટ કરનારાઓ સામે કડક પગલાં&nbsp;</b></h3><p>પોલીસે આ ચારેય બાઈક ચાલકોના વાહનોને મોટર વાહન અધિનિયમ હેઠળ ડિટેઈન કર્યા છે અને તેમની સામે કાયદેસરની આકરી દંડનીય કાર્યવાહી હાથ ધરી છે. ટ્રાફિક પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે હાઈવે પર અન્ય લોકોની જિંદગી જોખમમાં મૂકીને સ્ટંટ કરનારાઓ સામે ભવિષ્યમાં આનાથી પણ વધુ કડક પગલાં ભરવામાં આવશે અને જરૂર પડ્યે લાયસન્સ પણ રદ કરવાની પ્રક્રિયા કરાશે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-as-typhoid-and-jaundice-cases-increase-the-system-is-running-out-of-steam-the-municipal-health-department-has-intensified-the-cleaning-campaign" target="_blank">આ પણ વાંચો: Rajkot: ટાઈફોઈડ અને કમળાના કેસો વધતા તંત્ર દોડતું થયું, મનપાના આરોગ્ય વિભાગે સફાઈ અભિયાન તેજ કર્યું</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/fPTpIUWDxHD8JjYxMNUXRx87YbmGUNOUwg3IFlHa.webp'/></item><item><title><![CDATA[7 વર્ષ પછી ફિલ્મ 'રૂપા' થી ધમાકેદાર વાપસી કરશે 'હીરો નંબર 1' ગોવિંદા, ચાહકોના કારણે ફરી પાછો આયો.. ]]></title><link>https://sandesh.com/entertainment/news/hero-no-1-govinda-will-make-a-big-comeback-with-the-film-roopa-after-7-years-know-why-he-stayed-away-from-the-big-screen-for-so-long</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/hero-no-1-govinda-will-make-a-big-comeback-with-the-film-roopa-after-7-years-know-why-he-stayed-away-from-the-big-screen-for-so-long</guid><pubDate>Tue, 14 Jul 2026 09:49:51 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલિવૂડના અસલી 'હીરો નંબર ૧' એટલે કે ગોવિંદાના ચાહકો માટે એક મોટા અને ખુશખબર સામે આવ્યા છે. લાંબા સમયથી મોટા પડદાથી દૂર રહેલા ગોવિંદા હવે ફરી એકવાર સિનેમા જગતમાં ધમાકેદાર એન્ટ્રી કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ગોવિંદાએ પોતે જ તેમની આગામી ફિલ્મ 'રૂપા' ની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં તેઓ માત્ર લીડ રોલમાં જ નહીં જોવા મળે, પરંતુ ફિલ્મનું નિર્માણ (પ્રોડ્યુસ) પણ તેઓ પોતે જ કરી રહ્યા છે. આ ફિલ્મમાં ગોવિંદા સાથે નવી અભિનેત્રી રાની સ્વર્ણકર પણ મુખ્ય ભૂમિકામાં નજરે પડશે.</p><h2 style="text-align: justify; "><b>ચાહકોના કારણે ફરી પાછો આવ્યો..ગોવિંદા</b></h2><p style="text-align: justify; ">તાજેતરમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં ગોવિંદાએ પોતાના અંગત અને વ્યાવસાયિક જીવન વિશે ખુલીને વાત કરી હતી. પોતાની નવી ફિલ્મ વિશે ઉત્સાહ દર્શાવતા તેમણે કહ્યું, "હવે હું કમબેક કરવા માટે પૂરેપૂરો તૈયાર છું. ગોવિંદાએ કહ્યું કે 7 વર્ષ પછી પાછો આવવાનું કારણ મારા ફેન્સ છે. ચાહકોના કારણે જ હું લોકપ્રિય થયો છું. તેમના સપોર્ટ અને પ્રેમના કારણે જ હું ઇન્ડસ્ટ્રીમાં આટલા લાંબા સમય પછી મોટા પડદે આવવાની હિમંત કરી રહ્યું છું.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>નવી ફિલ્મ 'રૂપા' વિશે ગોવિંદાએ શું કહ્યું?</b></h3><p style="text-align: justify; ">વધુમાં તેમણે કહ્યું ટૂંક સમયમાં જ તમને આખી સ્ટાર કાસ્ટ જોવા મળશે. મને લાગે છે કે આ એક ખૂબ જ અલગ પ્રકારની ફિલ્મ બનવાની છે, જે ખાસ કરીને આજની યુવા પેઢી માટે છે." તેમણે વધુમાં ઉમેર્યું કે, "યુવાનો પોતાના જીવનમાં ઘણી બધી અપેક્ષાઓ અને સપનાઓ સાથે શરૂઆત કરે છે, પરંતુ ઘણીવાર તેઓ ક્યાંક ખોવાઈ જતા હોય છે. હું આ ફિલ્મમાં માયાનો એવો ભાગ બતાવવા જઈ રહ્યો છું જે આપણે ભજવી શકીએ છીએ. આ ફિલ્મ જોયા પછી યુવાનોને એવું બિલકુલ નહીં લાગે કે તેઓ ભીડમાં ક્યાંક ખોવાઈ ગયા છે."</p><h3 style="text-align: justify; "><b>"લોકો મારા પર વિશ્વાસ નથી કરતા..."</b></h3><p style="text-align: justify; ">પોતાના નીડર અંદાજ માટે જાણીતા ગોવિંદાએ જણાવ્યું કે, "જ્યારે પણ હું ફિલ્મોમાં કામ કરું છું, ત્યારે દુનિયા આશ્ચર્યચકિત થઈ જાય છે કે હું હજુ પણ અહીં કેવી રીતે ટકી રહ્યો છું. મને કોઈ પણ વાતનો ડર નથી અને હું ક્યારેય સત્યથી ભાગતો નથી. ભવિષ્યમાં શું થવાનું છે તેનો ખ્યાલ મને પહેલેથી જ આવી જાય છે. હું હંમેશા સાચું જ બોલું છું, ભલે લોકો મારા પર વિશ્વાસ ન કરે. કેટલાક લોકો તો મારી વાતો સાંભળીને મને ગાળો પણ આપે છે અને મારી મજાક ઉડાવે છે."</p><h3 style="text-align: justify; "><b>૭ વર્ષથી મોટા પડદાથી દૂર છે ગોવિંદા</b></h3><p style="text-align: justify; ">ગોવિંદા છેલ્લે વર્ષ ૨૦૧૯ માં રિલીઝ થયેલી ફિલ્મ 'રંગીલા રાજા' માં મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા, જેમાં તેમણે ડબલ રોલ ભજવ્યો હતો. જો કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નહોતી. આ પછી વર્ષ ૨૦૨૨ માં તેઓ 'નામ થા કન્હૈયાલાલ' નામની એક ડોક્યુમેન્ટરીમાં પણ દેખાયા હતા. જો મુખ્ય ફિલ્મોની વાત કરીએ તો ગોવિંદા છેલ્લા ૭ વર્ષથી મોટા પડદા પરથી ગાયબ છે. પોતાના શાનદાર કરિયરમાં તેમણે 'ફ્રાઈડે', 'આ ગયા હીરો', 'હે બ્રો', 'હેપ્પી એન્ડિંગ', 'કિલ દિલ', 'દીવાના મેં દીવાના' અને એનિમેટેડ ફિલ્મ 'દિલ્હી સફારી' જેવી અસંખ્ય ફિલ્મો દ્વારા દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું છે. હવે જોવાનું એ રહેશે કે તેમની નવી ફિલ્મ 'રૂપા' બોક્સ ઓફિસ પર કેવો કમાલ કરે છે!</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/ranbir-kapoor-buys-4-plots-multi-crore-property-deal-investment#google_vignette" target="_blank">આ પણ વાંચો : Ranbir Kapoor : અબજોની સંપત્તિ વચ્ચે રણબીર કપૂરે ખરીદ્યા 4 નવા પ્લોટ, જાણો શા માટે કરી કરોડોની ડીલ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/BcUldjz3rHmTWuiujQOX2AOKrWWOQOuzmawTBG9o.webp'/></item><item><title><![CDATA[Butati Dham Mandir Donation Scam: રામ મંદિર બાદ હવે બૂટાટી ધામમાં કરોડોનું કૌભાંડ ]]></title><link>https://sandesh.com/india/news/butati-dham-mandir-donation-scam-after-ram-temple-now-a-scam-of-crores-in-butati-dham</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/butati-dham-mandir-donation-scam-after-ram-temple-now-a-scam-of-crores-in-butati-dham</guid><pubDate>Tue, 14 Jul 2026 09:45:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજસ્થાનના નાગૌર જિલ્લામાં આવેલું બૂટાટી ધામ દેશભરના શ્રદ્ધાળુઓ માટે એક મહત્વપૂર્ણ આસ્થા કેન્દ્ર માનવામાં આવે છે. અહીં મોટી સંખ્યામાં લોકો દર્શન માટે આવે છે, ખાસ કરીને લકવાના દર્દીઓ માટે આ સ્થળની વિશેષ માન્યતા છે. હવે આ જ ધામમાં કરોડો રૂપિયાની કથિત નાણાકીય ગેરરીતિનો મામલો સામે આવતા ચર્ચા શરૂ થઈ છે.</p><h2 style="text-align: justify; ">સમિતિએ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો&nbsp;</h2><p style="text-align: justify; ">રિપોર્ટ મુજબ, મંદિરની આવક, દાન અને અન્ય ભંડોળના હિસાબમાં લગભગ 22 કરોડ 74 લાખ રૂપિયાની કથિત અનિયમિતતાઓનો ઉલ્લેખ તપાસ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરના આદેશ બાદ રચાયેલી 13 સભ્યોની તપાસ સમિતિએ લાંબા સમય સુધી મંદિરના દસ્તાવેજો, ઓડિટ રિપોર્ટ અને નાણાકીય રેકોર્ડની તપાસ કરી હતી. લગભગ 146 દિવસની તપાસ બાદ સમિતિએ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો.</p><h3 style="text-align: justify; ">સોના-ચાંદીના આભૂષણો અને કિંમતી વસ્તુઓના રેકોર્ડમાં પણ ખામીઓ</h3><p style="text-align: justify; ">તપાસમાં મંદિરને મળેલા સોના-ચાંદીના આભૂષણો અને કિંમતી વસ્તુઓના રેકોર્ડમાં પણ ખામીઓ જોવા મળી હોવાનું જણાવાયું છે. અંદાજે 2.60 કરોડ રૂપિયાની કિંમતની કિંમતી ધાતુઓનો સંપૂર્ણ હિસાબ સ્ટોક રજિસ્ટર અને નાણાકીય દસ્તાવેજોમાં ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું છે.</p><h4 style="text-align: justify; ">ભોજનશાળા નિર્માણમાં પણ ગેરરીતિના આરોપ</h4><p style="text-align: justify; ">તપાસ રિપોર્ટમાં ભોજનશાળાના નિર્માણ સાથે જોડાયેલા ખર્ચ પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. આરોપ છે કે ભોજનશાળાના નિર્માણ માટે લગભગ 49.49 લાખ રૂપિયાના બિલ રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે નિર્માણના મોટા ભાગનું કામ એક દાતાએ પોતાના ખર્ચે કરાવ્યું હતું.</p><p style="text-align: justify; ">આ ઉપરાંત રસોડાના ખર્ચમાં પણ એક વર્ષ દરમિયાન અસામાન્ય વધારો દર્શાવવામાં આવ્યો હોવાનું તપાસમાં નોંધાયું છે. બે વર્ષ દરમિયાન સીસીટીવી સિસ્ટમ પાછળ 82.41 લાખ રૂપિયાનો ખર્ચ દર્શાવવામાં આવ્યો હતો, પરંતુ તેના માટે જરૂરી ટેન્ડર પ્રક્રિયા અથવા કોટેશનના પુરાવા મળ્યા ન હોવાનું જણાવાયું છે.</p><p style="text-align: justify; ">તપાસમાં ગૌશાળાની જાળવણી, સુરક્ષા વ્યવસ્થા, ગ્રામ વિકાસ, મરામત, ફર્નિચર અને કમ્પ્યુટર સંબંધિત ખર્ચમાં પણ અનેક જગ્યાએ પૂરતા દસ્તાવેજોના અભાવની વાત સામે આવી છે. દાન પેટીમાં મળેલી રકમ અને બેંક ખાતામાં નોંધાયેલી રકમ વચ્ચે પણ તફાવત મળ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.</p><h4 style="text-align: justify; ">કડક કાર્યવાહી કરવાની ભલામણ</h4><p style="text-align: justify; ">તપાસ સમિતિએ સંબંધિત જવાબદાર લોકો સામે એફઆઈઆર નોંધવા, ફોરેન્સિક ઓડિટ કરાવવા અને નિયમ મુજબ કાનૂની કાર્યવાહી કરવાની ભલામણ કરી છે. હવે આ મામલે આગળની કાર્યવાહી પર નજર રાખવામાં આવી રહી છે.</p><p style="text-align: justify; ">બૂટાટી ધામને લઈને લોકોમાં અતૂટ શ્રદ્ધા છે. માન્યતા છે કે અહીં પ્રાર્થના અને સારવાર જેવી પરંપરાઓથી લકવાના દર્દીઓને લાભ મળે છે, જેના કારણે દેશના વિવિધ રાજ્યો તેમજ વિદેશોમાંથી પણ લોકો અહીં આવે છે.</p><h4 style="text-align: justify; ">રાજકીય વિવાદ પણ શરૂ</h4><p style="text-align: justify; ">આ મામલો હવે રાજકીય ચર્ચાનો વિષય પણ બન્યો છે. રાજસ્થાન વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ટીકરામ જુલીએ આ મુદ્દે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે આટલા મોટા આસ્થા કેન્દ્રમાં જો લાંબા સમયથી નાણાકીય ગેરરીતિ ચાલી રહી હતી તો સંબંધિત વિભાગો અને વહીવટીતંત્રની જવાબદારી નક્કી થવી જોઈએ.</p><p style="text-align: justify; ">તેમણે સમગ્ર મામલાની નિષ્પક્ષ અને પારદર્શક તપાસની માંગ કરી છે. સાથે જ તેમણે કહ્યું કે દાનની રકમ, ચઢાવા અને અન્ય નાણાકીય વ્યવહારો અંગે સંપૂર્ણ સત્ય બહાર આવવું જોઈએ અને જો કોઈ દોષિત હોય તો તેના વિરુદ્ધ ભેદભાવ વિના કાર્યવાહી થવી જોઈએ. આ મામલે હવે મંદિર વ્યવસ્થા, વહીવટીતંત્ર અને તપાસ એજન્સીઓની આગામી કાર્યવાહી મહત્વપૂર્ણ રહેશે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/0rtW0SjmRBuoyLMQcXKhGjHaVi8u9ljPvhhHvbty.webp'/></item><item><title><![CDATA[Rajkot: ટાઈફોઈડ અને કમળાના કેસો વધતા તંત્ર દોડતું થયું, મનપાના આરોગ્ય વિભાગે સફાઈ અભિયાન તેજ કર્યું ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-as-typhoid-and-jaundice-cases-increase-the-system-is-running-out-of-steam-the-municipal-health-department-has-intensified-the-cleaning-campaign</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-as-typhoid-and-jaundice-cases-increase-the-system-is-running-out-of-steam-the-municipal-health-department-has-intensified-the-cleaning-campaign</guid><pubDate>Tue, 14 Jul 2026 08:44:26 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં હાલ બેવડી ઋતુ અને વરસાદી માહોલના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ચોમાસાની સિઝન વચ્ચે અચાનક બદલાતા હવામાન અને ઉષ્ણતામાનના પલટાને કારણે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. આ ડબલ ઋતુની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે, જેને કારણે શહેરમાં મોટો રોગચાળો ફાટી નીકળ્યો છે. છેલ્લા અહેવાલો મુજબ, શહેરમાં સામાન્ય તાવ, ગળામાં ઇન્ફેક્શન, શરદી અને ઉધરસના અધધ 2,133 દર્દીઓ સરકારી અને ખાનગી હોસ્પિટલોના ચોપડે નોંધાયા છે.</p><h2><b>શહેરમાં ડબલ ઋતુના લીધે વાયરલ રોગચાળો</b></h2><p>હવામાનમાં ભેજ અને વરસાદી ઝાપટાંને કારણે નીચાણવાળા વિસ્તારો અને ખુલ્લા પ્લોટ્સમાં પાણી ભરાઈ રહેવાથી મચ્છર અને માખીઓનો ઉપદ્રવ ચિંતાજનક રીતે વધ્યો છે. મચ્છરજન્ય રોગો ઉપરાંત દૂષિત પાણી અને ખોરાકને કારણે શહેરમાં ટાઈફોઈડ અને કમળાના કેસો પણ સામે આવ્યા છે. આ ગંભીર પરિસ્થિતિને ડામવા માટે રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના આરોગ્ય વિભાગે દોડધામ શરૂ કરી દીધી છે. આરોગ્ય અધિકારીઓ દ્વારા પ્રીમાઇસીસ ચેકિંગ, ક્લોરિન ટેસ્ટિંગ અને જંતુનાશક દવાઓનો સઘન છંટકાવ કરવામાં આવી રહ્યો છે.</p><h3><b>આરોગ્ય વિભાગ અને તબીબો દ્વારા નાગરિકોને સાવચેતી</b></h3><p>ઘરની આસપાસ, ટેરેસ પર, કુલર કે જૂના ટાયરોમાં પાણી જમા ન થવા દેવું. ભરાયેલા પાણીમાં મચ્છરો ઈંડા મૂકે છે, તેથી તેનો ત્વરિત નિકાલ કરવો. ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો અને પીવાના પાણીને ઉકાળીને વાપરવું જેથી પાણીજન્ય રોગોથી બચી શકાય.સોસાયટી કે રહેણાંક વિસ્તારમાં જંતુનાશક દવાઓ અને પોરાનાશક પ્રવાહીનો છંટકાવ કરવો અથવા તંત્રનો સંપર્ક કરવો.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/sumul-dairy-election-tomorrow-for-nine-seats-counting-on-july-17" target="_blank">આ પણ વાંચો: Surat: દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુમુલ ડેરીની 9 બેઠકો માટે આવતીકાલે યોજાશે મતદાન, 17 જુલાઈએ થશે મતગણતરી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/LOdpqbhSZN1zs0LW8NymxOyKB9q5ailoV86yhZBy.webp'/></item><item><title><![CDATA[Patan : માત્ર 5 હજારના વ્યાજની ઉઘરાણીમાં નરાધમે મહિલાને જીવતી સળગાવી, સારવાર દરમિયાન મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/patan/patan-loan-shark-burns-woman-alive-pinky-patni-five-thousand-rupees</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/patan/patan-loan-shark-burns-woman-alive-pinky-patni-five-thousand-rupees</guid><pubDate>Tue, 14 Jul 2026 08:21:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં વ્યાજખોરોનો ત્રાસ અને તેમની દાદાગીરી કઈ હદે વધી ગઈ છે, તેનો એક અત્યંત દર્દનાક અને હચમચાવી દેતો કિસ્સો પાટણ શહેરમાંથી સામે આવ્યો છે. અહીં માત્ર રૂ. 5 હજાપ જેવી નજીવી રકમની વ્યાજની ઉઘરાણી બાબતે થયેલા વિવાદમાં એક વ્યાજખોરે ક્રૂરતાની તમામ હદો વટાવીને એક નિર્દોષ મહિલાને જીવતી સળગાવી દીધી છે.  ગંભીર રીતે દાઝી ગયેલી 35 વર્ષીય મહિલાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરુણ મોત નીપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે રોષ ફાટી નીકળ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>ઘરખર્ચ માટે સ્થાનિક વ્યાજખોર બાબુ રાવળ પાસેથી પૈસા વ્યાજે લીધા</b></h2><p style="text-align: justify; ">પ્રાપ્ત વિગતો અનુસાર, પાટણની રહેવાસી પિંકીબેન પટણી (ઉંમર 35 વર્ષ) નામના મહિલાએ પોતાના ઘરખર્ચ માટે સ્થાનિક વ્યાજખોર બાબુ રાવળ પાસેથી પૈસા વ્યાજે લીધા હતા.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>બાબુએ મહિલાને જીવતી સળગાવી</b></h3><p style="text-align: justify; ">પિંકીબેને વ્યાજખોર બાબુ રાવળ પાસે નાણાં ચૂકવવા માટે થોડી મુદત માંગી હતી. પરંતુ વ્યાજના નશામાં અંધ બનેલા આરોપી બાબુ રાવળે ઉશ્કેરાઈ જઈને મહિલા પર હુમલો કરી દીધો હતો. વિવાદ એટલો વધ્યો કે નરાધમ બાબુએ મહિલા પર જ્વલનશીલ પ્રવાહી રેડીને ક્રૂરતાપૂર્વક આગ ચાંપી દીધી હતી.</p><h4 style="text-align: justify; "><b>મહિલાનું સારવાર દરમિયાન મોત&nbsp;</b></h4><p style="text-align: justify; ">આ જીવલેણ હુમલામાં ગંભીર રીતે દાઝી ગયેલા પિંકીબેનને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનો જીવ બચી શક્યો ન હતો.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>આરોપી પણ દાઝ્યો</b></h4><p style="text-align: justify; ">આ જઘન્ય કૃત્ય આચરતી વખતે આરોપી બાબુ રાવળ પોતે પણ આશરે 40 ટકા જેટલો દાઝી ગયો હોવાના અહેવાલ છે, જે હાલ પોલીસ જાપતા હેઠળ સારવાર હેઠળ છે.</p><h5 style="text-align: justify; "><b>પોલીસે તપાસ શરુ કરી&nbsp;</b></h5><p style="text-align: justify; ">ઘટનાની ગંભીરતાને જોતાં પાટણ પોલીસે તાત્કાલિક કડક પગલાં લીધા છે. મહિલાના મોત બાદ પોલીસે આ ગુનામાં કાયદેસરની હત્યાની કલમ નો ઉમેરો કર્યો છે. વ્યાજખોરીના આ દૂષણે વધુ એક હસતા-રમતા પરિવારનો માળો વિખેરી નાખ્યો છે, ત્યારે સ્થાનિક લોકો આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><b>&nbsp; &nbsp;આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-indepth-gujarat-monsoon-2026-rain-deficit-paresh-goswami-weather-forecast-july-round" target="_blank">Sandesh Indepth : ચોમાસું ખોટકાયું, ગુજરાતમાં ગત વર્ષ કરતાં અડધો જ વરસાદ; 24.64% સાથે ખેડૂતો ચિંતિત, જળસંકટની ભીતિ!</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/2x5TxrwWUNLziYQn62gtVqG0XlqFU70VLKIfXPnH.webp'/></item><item><title><![CDATA[West Bengalના સેવોક NH-10 હાઈવે પર ભૂસ્ખલન, વાહનો અટવાયા અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો ]]></title><link>https://sandesh.com/india/news/west-bengal-sevoke-nh10-highway-landslide-traffic-jam-vehicles-stranded</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/west-bengal-sevoke-nh10-highway-landslide-traffic-jam-vehicles-stranded</guid><pubDate>Mon, 13 Jul 2026 23:38:33 +05:30</pubDate><description><![CDATA[<p>પશ્ચિમ બંગાળના સિલિગુડી નજીક સેવોક NH-10 હાઈવે પર સોમવારે બપોરે આશરે 4:30 વાગ્યે ભૂસ્ખલનની ઘટના બની છે. આ માર્ગ પશ્ચિમ બંગાળને સિક્કિમ સાથે જોડતો મહત્વપૂર્ણ હાઈવે છે. ભૂસ્ખલનના કારણે હાઈવે પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો અને અનેક વાહનો રસ્તામાં અટવાઈ ગયા.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2076711011567173793"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>રસ્તા પર માટી અને કાટમાળ ફેલાઈ ગયો</b></h2><p>ભૂસ્ખલન બાદ રસ્તા પર માટી અને કાટમાળ ફેલાઈ ગયો હતો, જેના કારણે માર્ગ કાદવવાળો અને લપસણો બની ગયો હતો. આવી સ્થિતિમાં વાહનચાલકો માટે આગળ વધવું મુશ્કેલ અને જોખમી બની ગયું હતું. ઘટનાના કારણે વિસ્તારમાં લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનોની અવરજવર ધીમી પડી હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી હતી. કાટમાળ દૂર કરવા માટે JCB મશીનોને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.&nbsp;</p><h3><b>એજન્સીઓની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી</b></h3><p>માર્ગ સાફ કરવાની સાથે વાહનવ્યવહાર સામાન્ય કરવા માટે પ્રયાસો હાથ ધરાયા હતા. સેવોક પોલીસ, SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) અને અન્ય સંબંધિત એજન્સીઓની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી હતી. સુરક્ષા વ્યવસ્થા જાળવવા અને ટ્રાફિકનું સંચાલન કરવા માટે અધિકારીઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી હતી.</p><h4><b>વાહનવ્યવહાર પુનઃસ્થાપિત કરવા કામગીરી શરૂ</b></h4><p>NH-10 હાઈવે સિક્કિમ અને ઉત્તર બંગાળ વચ્ચેના વેપાર, પ્રવાસન અને દૈનિક મુસાફરી માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભૂસ્ખલન જેવી ઘટનાઓથી આ માર્ગ પર વારંવાર અસર જોવા મળે છે, ખાસ કરીને વરસાદી વાતાવરણ દરમિયાન. તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને માર્ગની સ્થિતિ અંગે માહિતી મેળવીને મુસાફરી કરવાની સલાહ આપવામાં આવી છે. હાલમાં કાટમાળ હટાવવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે અને માર્ગ પર વાહનવ્યવહાર પુનઃસ્થાપિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/lucknow-kanpur-expressway-inauguration-rajnath-singh-elevated-corridor" target="_blank">આ પણ વાંચો : Lucknow-Kanpur Expresswayનું કરાયું ઉદ્ઘાટન, રાજનાથ સિંહે કહ્યું 'એરપોર્ટથી આઉટર રિંગ રોડ સુધી બનશે એલિવેટેડ કોરિડોર'</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/13/Gh3JrM1T8CkS9JmcDrE8yP5d6exhV6UHi7tQd3O0.webp'/></item><item><title><![CDATA[Fifa world cup 2030માં હવે 64 ટીમ રમશે! શું ભારતીય ફૂટબોલ ટીમ ક્વોલિફાય કરશે? ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2030-will-now-have-64-teams-will-the-indian-football-team-qualify</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2030-will-now-have-64-teams-will-the-indian-football-team-qualify</guid><pubDate>Mon, 13 Jul 2026 14:23:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">FIFA પ્રમુખ ગિયાની ઇન્ફન્ટિનોએ સંકેત આપ્યો છે કે 2030 FIFA મેન્સ વર્લ્ડ કપમાં ટીમોની સંખ્યા વધારીને 64 કરવાના પ્રસ્તાવ પર ગંભીરતાથી વિચાર કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે 2026 ના વર્તમાન વર્લ્ડ કપ પૂર્ણ થયા પછી સંબંધિત FIFA સમિતિઓ આ મુદ્દા પર ચર્ચા કરશે. ઇન્ફન્ટિનોનું માનવું છે કે વિશ્વના દરેક દેશને વર્લ્ડ કપમાં રમવાનું સ્વપ્ન જોવાની તક મળવી જોઈએ, કારણ કે આનાથી નાના રાષ્ટ્રોને પણ વધુ સારું પ્રદર્શન કરવા અને ફૂટબોલનું સ્તર વધારવા માટે પ્રેરણા મળશે.</p><h4 style="text-align: justify; "><b>દરેક દેશને વર્લ્ડ કપમાં રમવાની તક મળવી જોઈએ</b></h4><p style="text-align: justify; ">મીડિયા રિપોર્ટ અનુસાર આ વર્લ્ડ કપ પછી 64 ટીમોના વર્લ્ડ કપના મુદ્દા પર સંબંધિત સમિતિઓમાં ચોક્કસપણે ચર્ચા કરવામાં આવશે.તેમણે વધુમાં ઉમેર્યું,દરેક દેશને વર્લ્ડ કપમાં રમવાનું સ્વપ્ન જોવાનો અધિકાર હોવો જોઈએ. વિશ્વભરની ટીમોનું સ્તર સતત સુધરી રહ્યું છે. જો નાના રાષ્ટ્રોને વર્લ્ડ કપમાં રમવાની તક નહીં મળે, તો તેઓ પ્રગતિ કરવાની પ્રેરણા ગુમાવી દેશે.</p><h4 style="text-align: justify; "><b>2026 માં પહેલી વાર 48 ટીમોનો વર્લ્ડ કપ</b></h4><p style="text-align: justify; ">અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકા, કેનેડા અને મેક્સિકોના સંયુક્ત યજમાનપદે રમાઈ રહેલો ચાલુ 2026 ફિફા વર્લ્ડ કપ ઇતિહાસનો પ્રથમ એવો વર્લ્ડ કપ છે જેમાં 48 ટીમો ભાગ લઈ રહી છે. આ પહેલા 1998થી 2022 સુધીના વર્લ્ડ કપમાં માત્ર 32 ટીમો જ તી હતી.</p><h5 style="text-align: justify; "><b>48 ટીમોનું ફોર્મેટ સંપૂર્ણ સફળતા</b></h5><p style="text-align: justify; ">FIFA પ્રમુખે 32 થી 48 ટીમોના વિસ્તરણને સંપૂર્ણ સફળતા ગણાવી, કહ્યું કે આ નિર્ણય ફૂટબોલના વૈશ્વિક વિકાસ માટે અત્યંત સકારાત્મક સાબિત થયો છે. તેમણે ઉમેર્યું કે જો ભવિષ્યમાં 64 ટીમોનું ફોર્મેટ લાગુ કરવામાં આવે છે, તો તે વધુ દેશોને ભાગ લેવાની મંજૂરી આપશે, જોકે મેચોની સંખ્યા, સંગઠન અને લોજિસ્ટિક્સ જેવા પડકારો પણ વધશે.</p><h4 style="text-align: justify; "><b>ભારતીય ફૂટબોલ ટીમ માટે મોટી તક&nbsp;</b></h4><p style="text-align: justify; ">આ સમાચાર ભારતીય ફૂટબોલ ચાહકો માટે એક મોટો ઉત્સાહ છે. જ્યારે વર્લ્ડ કપમાં 32 ટીમો હતી ત્યારે એશિયા (AFC) પાસે ખૂબ જ મર્યાદિત સ્થાનો હતા, જેના કારણે ભારત માટે ક્વોલિફાય થવું લગભગ અશક્ય હતું. જ્યારે 2026 માં ટીમોની સંખ્યા વધીને 48 થઈ ગઈ, ત્યારે એશિયાનો ક્વોટા વધ્યો, જેનાથી આશાઓ જાગી. હવે, જો 2030 માં કુલ 64 ટીમો ભાગ લે છે, તો એશિયન દેશોનો ક્વોલિફાય ક્વોટા વધુ વધશે.</p><h5 style="text-align: justify; "><b>2030નો વર્લ્ડ કપ કેમ રહેશે ઐતિહાસિક?</b></h5><p style="text-align: justify; ">2030નો ફિફા વર્લ્ડ કપ ફૂટબોલના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે, કારણ કે આ ટુર્નામેન્ટ 3ખંડોના 6 દેશોમાં યોજાવાની છે. જેમાં મોરોક્કો, પોર્ટુગલ, સ્પેન, ઉરુગ્વે, આર્જેન્ટિના અને પેરાગ્વેનો સમાવેશ થાય છે. વર્ષ 1930માં પ્રથમ ફિફા વર્લ્ડ કપનું આયોજન કરનાર ઉરુગ્વે તેની શતાબ્દીનિમિત્તે એક ખાસ ઉદ્ઘાટન મેચની યજમાની કરશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-semi-final-schedule-announced-know-who-will-face-whom" target="_blank"> Fifa World Cup 2026: સેમીફાઈનલનું શેડ્યુલ જાહેર, જાણો કોણ કોની સાથે ટકરાશે?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/13/xeFRs909ugoKN6gGEstb9OR52kBRo56ouAW5w1Yb.webp'/></item></channel></rss>