<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Suratમાં DyCM હર્ષ સંઘવીનો નાગરિકો સાથે સીધો સંવાદ: મજુરા વોર્ડના પ્રશ્નો સાંભળી નિકાલ માટે આપી ખાતરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/dycm-harsh-sanghvi-interacts-directly-with-citizens-in-surat-listens-to-issues-of-majura-ward-and-assures-to-resolve-them</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/dycm-harsh-sanghvi-interacts-directly-with-citizens-in-surat-listens-to-issues-of-majura-ward-and-assures-to-resolve-them</guid><pubDate>Sun, 14 Jun 2026 22:13:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના મજુરા વિસ્તારમાં સ્થાનિક રજૂઆતો અને લોકપ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ ગઈ. ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોતાના મતવિસ્તાર એવા મજુરાના વોર્ડ નંબર ૨૩ ના સ્થાનિક નાગરિકો અને સોસાયટીના અગ્રણીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. વહીવટી તંત્ર અને જનતા વચ્ચેના સેતુ સમાન આ લોકદરબારમાં મંત્રીએ લોકોની વચ્ચે બેસીને તેમના પાયાના પ્રશ્નો ખૂબ જ ગંભીરતાપૂર્વક સાંભળ્યા હતા.</p><h2 style="text-align: justify; ">ચોમાસાની પૂર્વતૈયારીઓ પર વિશેષ ભાર</h2><p style="text-align: justify; ">આ લોક સંવાદ કાર્યક્રમમાં આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં થઈ રહેલી પ્રિ-મોન્સૂન કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. ચોમાસા દરમિયાન નાગરિકોને પાણી ભરાવાની કે અન્ય કોઈ મુશ્કેલી ન પડે તે માટે ડ્રેનેજ લાઈનોની સફાઈ, રોડ-રસ્તાનું સમારકામ અને સ્ટ્રોમ વોટર લાઈનની સ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. મંત્રીએ સ્થાનિક રહીશો પાસેથી તેમની સોસાયટીઓમાં વર્ષોથી નડતી ચોમાસા આધારિત સમસ્યાઓનું ગ્રાઉન્ડ રિપોર્ટિંગ મેળવ્યું હતું.</p><h3 style="text-align: justify; ">સ્થાનિક પ્રશ્નોના કાયમી નિવારણ માટે તંત્રને આદેશ</h3><p style="text-align: justify;">હર્ષ સંઘવીએ માત્ર રજૂઆતો સાંભળી જ નહોતી, પરંતુ સ્થળ પર જ ઉપસ્થિત મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે ચર્ચા કરી સમસ્યાઓના કાયમી અને ટેકનિકલ ઉકેલ લાવવા માટે જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા. પીવાના પાણી, સફાઈ, સ્ટ્રીટ લાઈટ અને ટ્રાફિક જેવા રોજિંદા પ્રશ્નો અંગે પણ નાગરિકો સાથે ખુલ્લા મને ચર્ચા કરવામાં આવી હતી. લોકપ્રિય નેતાને પોતાની વચ્ચે જોઈને અને પ્રશ્નોના સકારાત્મક ઉકેલની ખાતરી મળતા મજુરા વોર્ડના નાગરિકોએ વહીવટી સજાગતા બદલ હર્ષ સંઘવીનો આભાર વ્યક્ત કર્યો હતો.</p><p style="text-align: justify;"><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify;"><br></p><p style="text-align: justify;"><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/14/gIrHNCAlBchlFRrMTKXhrPwH6Unti4QXaLh0eQ51.webp'/></item><item><title><![CDATA[Noida આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી 15 જૂને પ્રથમ ઉડાન ભરાશે, જાણો ઉદ્ઘાટન ફ્લાઈટોનું શેડ્યુલ ]]></title><link>https://sandesh.com/india/news/noida-international-airport-first-flight-june-15-inauguration-schedule-indigo</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/noida-international-airport-first-flight-june-15-inauguration-schedule-indigo</guid><pubDate>Sun, 14 Jun 2026 22:07:43 +05:30</pubDate><description><![CDATA[<p>ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળ ઝડપથી વિકસતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કને વધુ એક મોટી સિદ્ધિ મળવા જઈ રહી છે. રાજ્યની મહત્ત્વાકાંક્ષી યોજના નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી 15 જૂનથી વ્યાવસાયિક ફ્લાઈટ સેવાઓનો સત્તાવાર પ્રારંભ થશે. આ ઐતિહાસિક પ્રસંગે ઈન્ડિગો એરલાઈન્સ પ્રથમ લોન્ચ કેરિયર તરીકે ઉદ્ઘાટન ફ્લાઈટ્સનું સંચાલન કરશે.</p><h2><b>ઉદ્ઘાટન ફ્લાઇટ્સનું સમયપત્રક</b></h2><p>જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ પ્રથમ ઉદ્ઘાટન ફ્લાઈટ 6E-2278 સવારે 7:05 વાગ્યે લખનઉંથી ઉડાન ભરી સવારે 8:05 વાગ્યે નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચશે. ત્યારબાદ આ જ વિમાન સવારે 8:35 વાગ્યે નોઈડાથી બેંગલુરૂ માટે રવાના થશે અને 11:05 વાગ્યે ત્યાં પહોંચશે. વાપસી દરમિયાન ફ્લાઇટ 6E-2279 બપોરે 3:45 વાગ્યે બેંગલુરુથી ઉડાન ભરી સાંજે 6:20 વાગ્યે નોઈડા પહોંચશે. ત્યારબાદ સાંજે 6:55 વાગ્યે નોઈડાથી લખનૌ માટે રવાના થઈ રાત્રે 8:00 વાગ્યે પહોંચશે.</p><h3><b>ઉત્તર પ્રદેશ માટે નવું એવિએશન હબ</b></h3><p>મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કલ્પના મુજબ વિકસાવવામાં આવેલ નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પશ્ચિમ ઉત્તર પ્રદેશ, દિલ્હી-એનસીઆર અને આસપાસના રાજ્યો માટે મહત્વપૂર્ણ એવિએશન અને લોજિસ્ટિક્સ હબ તરીકે ઉભરી આવશે. ઈન્ડિગોએ જાહેરાત કરી છે કે આગામી તબક્કામાં આ એરપોર્ટને દેશના 16થી વધુ મુખ્ય શહેરો સાથે જોડવામાં આવશે.</p><h4><b>ઉત્તર પ્રદેશની નવી ઓળખ બનશે જેવર એરપોર્ટ</b></h4><p>જેવર એરપોર્ટ માત્ર એક એરપોર્ટ નથી, પરંતુ ઉત્તર પ્રદેશના બદલાતા આર્થિક અને ઔદ્યોગિક વિકાસનું પ્રતિક માનવામાં આવે છે. એક્સપ્રેસ-વે, મેટ્રો, ડિફેન્સ કોરિડોર, ડેટા સેન્ટર અને ઔદ્યોગિક રોકાણોની શ્રેણીમાં આ પ્રોજેક્ટ એક મહત્વપૂર્ણ કડી સાબિત થશે. આ એરપોર્ટ રાજ્યને દેશના અગ્રણી એવિએશન, વેપાર અને લોજિસ્ટિક્સ કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને પ્રદેશના આર્થિક વિકાસને નવી ગતિ આપશે.<br><br><b><a href="https://sandesh.com/india/news/business/india-memory-chip-plants-investment-ashwini-vaishnaw-semiconductor-growth" target="_blank">આ પણ વાંચો : Memory Chip પ્લાન્ટસમાં રોકાણ કરવા માટે કંપનીઓ તૈયાર, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યા સંકેત</a></b></p><p>&nbsp;</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/14/VJLggRLI9FK4BqrziWrMsNzwazg21bJNqqeaJEzY.webp'/></item><item><title><![CDATA[Memory Chip પ્લાન્ટસમાં રોકાણ કરવા માટે કંપનીઓ તૈયાર, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યા સંકેત ]]></title><link>https://sandesh.com/india/news/business/india-memory-chip-plants-investment-ashwini-vaishnaw-semiconductor-growth</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/india-memory-chip-plants-investment-ashwini-vaishnaw-semiconductor-growth</guid><pubDate>Sun, 14 Jun 2026 21:34:16 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડેટા સેન્ટરની વધતી માગ વચ્ચે મેમરી ચિપ ઉત્પાદન ક્ષેત્રે મોટી તક ઊભી થઈ રહી છે. કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવે સંકેત આપ્યા છે કે આગામી સમયમાં અનેક નવી કંપનીઓ ભારતમાં મેમરી ચિપના ઉત્પાદન માટે રોકાણ કરી શકે છે.</p><h2><b>મેમરી ચિપ્સની માગ રેકોર્ડ સ્તરે પહોંચી</b></h2><p>તેમણે જણાવ્યું કે વિશ્વભરમાં હાઈ-બેન્ડવિડ્થ મેમરી ચિપ્સની ભારે અછત જોવા મળી રહી છે. ખાસ કરીને AI ડેટા સેન્ટરના ઝડપી વિસ્તરણને કારણે મેમરી ચિપ્સની માગ રેકોર્ડ સ્તરે પહોંચી છે. પરિણામે સપ્લાય અને ડિમાન્ડ વચ્ચે મોટું અંતર સર્જાયું છે, જે ભારત માટે મોટી તક બની શકે છે. કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર માત્ર નવી કંપનીઓ જ નહીં, પરંતુ હાલ કાર્યરત કંપનીઓ પણ પોતાની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે કામ કરી રહી છે. તેમણે જણાવ્યું કે સરકાર સેમિકન્ડક્ટર ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે.</p><p>તેમણે ઉદાહરણ આપતાં જણાવ્યું કે માઈક્રોન ટેક્નોલોજીની પ્રથમ યુનિટે આ વર્ષે 28 ફેબ્રુઆરીથી વ્યાવસાયિક ઉત્પાદન શરૂ કર્યું છે, જ્યારે બીજી યુનિટમાં 31 માર્ચથી બાંધકામ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. મેમરી ચીપ ક્ષેત્રમાં હજુ પણ વૈશ્વિક સપ્લાય સંકટ યથાવત હોવાથી ભારતમાં વધુ ફેબ અને ATMP યુનિટ સ્થાપિત થવાની સંભાવના છે.</p><h3><b>ચીપ ડિઝાઈનને સૌથી વધુ પ્રાથમિકતા આપવામાં આવશે</b></h3><p>મંત્રીએ વધુમાં જણાવ્યું કે ઈન્ડિયા સેમિકન્ડકટર મિશન 2.0 અંતર્ગત ચીપ ડિઝાઈનને સૌથી વધુ પ્રાથમિકતા આપવામાં આવશે. સાથે જ સેમિકન્ડક્ટર નિર્માણમાં ઉપયોગી મશીનો, વિશિષ્ટ ગેસ અને જટિલ રસાયણોના સ્થાનિક ઉત્પાદન પર પણ ભાર મૂકવામાં આવશે. ભારતમાં ઉપલબ્ધ ટેક્નિકલ ટેલેન્ટ, મજબૂત વીજ પુરવઠો અને નવીનીકરણીય ઊર્જાની વધતી ક્ષમતા વૈશ્વિક કંપનીઓને આકર્ષી રહી છે. જેના કારણે ડેટા સેન્ટર અને AI ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા પ્રમાણમાં રોકાણ આવી રહ્યું છે અને સેમિકન્ડક્ટર ઉદ્યોગને નવી ગતિ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/sandesh-explainer-how-ethanol-can-help-india-tackle-fuel-crises-during-global-conflicts" target="_blank">આ પણ વાંચો : Sandesh Explainer : યુદ્ધની સ્થિતિમાં ઈંધણની કટોકરી, જાણો ઈથેનોલ કેવી રીતે બની શકે છે ભારતનું ભવિષ્યનું ઈંધણ?</a></b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/14/UZtZw6h0mQdvBEKV24uZEe2aM0t8JSBYunfWNLZx.webp'/></item><item><title><![CDATA[Memory Chip પ્લાન્ટસમાં રોકાણ કરવા માટે કંપનીઓ તૈયાર, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યા સંકેત ]]></title><link>https://sandesh.com/india/news/business/india-memory-chip-plants-investment-ashwini-vaishnaw-semiconductor-growth</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/india-memory-chip-plants-investment-ashwini-vaishnaw-semiconductor-growth</guid><pubDate>Sun, 14 Jun 2026 21:34:16 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડેટા સેન્ટરની વધતી માગ વચ્ચે મેમરી ચિપ ઉત્પાદન ક્ષેત્રે મોટી તક ઊભી થઈ રહી છે. કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવે સંકેત આપ્યા છે કે આગામી સમયમાં અનેક નવી કંપનીઓ ભારતમાં મેમરી ચિપના ઉત્પાદન માટે રોકાણ કરી શકે છે.</p><h2><b>મેમરી ચિપ્સની માગ રેકોર્ડ સ્તરે પહોંચી</b></h2><p>તેમણે જણાવ્યું કે વિશ્વભરમાં હાઈ-બેન્ડવિડ્થ મેમરી ચિપ્સની ભારે અછત જોવા મળી રહી છે. ખાસ કરીને AI ડેટા સેન્ટરના ઝડપી વિસ્તરણને કારણે મેમરી ચિપ્સની માગ રેકોર્ડ સ્તરે પહોંચી છે. પરિણામે સપ્લાય અને ડિમાન્ડ વચ્ચે મોટું અંતર સર્જાયું છે, જે ભારત માટે મોટી તક બની શકે છે. કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર માત્ર નવી કંપનીઓ જ નહીં, પરંતુ હાલ કાર્યરત કંપનીઓ પણ પોતાની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે કામ કરી રહી છે. તેમણે જણાવ્યું કે સરકાર સેમિકન્ડક્ટર ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે.</p><p>તેમણે ઉદાહરણ આપતાં જણાવ્યું કે માઈક્રોન ટેક્નોલોજીની પ્રથમ યુનિટે આ વર્ષે 28 ફેબ્રુઆરીથી વ્યાવસાયિક ઉત્પાદન શરૂ કર્યું છે, જ્યારે બીજી યુનિટમાં 31 માર્ચથી બાંધકામ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. મેમરી ચીપ ક્ષેત્રમાં હજુ પણ વૈશ્વિક સપ્લાય સંકટ યથાવત હોવાથી ભારતમાં વધુ ફેબ અને ATMP યુનિટ સ્થાપિત થવાની સંભાવના છે.</p><h3><b>ચીપ ડિઝાઈનને સૌથી વધુ પ્રાથમિકતા આપવામાં આવશે</b></h3><p>મંત્રીએ વધુમાં જણાવ્યું કે ઈન્ડિયા સેમિકન્ડકટર મિશન 2.0 અંતર્ગત ચીપ ડિઝાઈનને સૌથી વધુ પ્રાથમિકતા આપવામાં આવશે. સાથે જ સેમિકન્ડક્ટર નિર્માણમાં ઉપયોગી મશીનો, વિશિષ્ટ ગેસ અને જટિલ રસાયણોના સ્થાનિક ઉત્પાદન પર પણ ભાર મૂકવામાં આવશે. ભારતમાં ઉપલબ્ધ ટેક્નિકલ ટેલેન્ટ, મજબૂત વીજ પુરવઠો અને નવીનીકરણીય ઊર્જાની વધતી ક્ષમતા વૈશ્વિક કંપનીઓને આકર્ષી રહી છે. જેના કારણે ડેટા સેન્ટર અને AI ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા પ્રમાણમાં રોકાણ આવી રહ્યું છે અને સેમિકન્ડક્ટર ઉદ્યોગને નવી ગતિ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/sandesh-explainer-how-ethanol-can-help-india-tackle-fuel-crises-during-global-conflicts" target="_blank">આ પણ વાંચો : Sandesh Explainer : યુદ્ધની સ્થિતિમાં ઈંધણની કટોકરી, જાણો ઈથેનોલ કેવી રીતે બની શકે છે ભારતનું ભવિષ્યનું ઈંધણ?</a></b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/14/UZtZw6h0mQdvBEKV24uZEe2aM0t8JSBYunfWNLZx.webp'/></item><item><title><![CDATA[Ahmedabadમાં AMCનો સપાટો: બોડકદેવનું ‘પરી ડાઇનિંગ’ સીલ કરી રૂ.20 હજારનો દંડ ફટકારાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-crackdown-in-ahmedabad-bodakdevs-pari-dining-sealed-fined-rs-20-thousand</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-crackdown-in-ahmedabad-bodakdevs-pari-dining-sealed-fined-rs-20-thousand</guid><pubDate>Sun, 14 Jun 2026 20:55:36 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા અને જાહેર આરોગ્યની જાળવણી માટે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂપે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટની ટીમે બોડકદેવમાં આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન 'પરી ડાઇનિંગ' રેસ્ટોરન્ટમાં ભારે ગંદકી જોવા મળી હતી. નિયમોના સરેઆમ ભંગ અને અસ્વચ્છતા બદલ કોર્પોરેશનની ટીમે ત્વરિત પગલાં ભરીને આ એકમ સીલ કરી દીધું હતું. આ સાથે જ બેદરકારી દાખવવા બદલ રેસ્ટોરન્ટ સંચાલકો પાસેથી સ્થળ પર જ રૂ.20,000નો વહીવટી દંડ પણ વસૂલવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; ">જાહેર માર્ગો પર ગંદકી કરનારા વેપારીઓ સામે લાલ આંખ</h2><p style="text-align: justify;">તંત્ર દ્વારા આ કાર્યવાહી માત્ર એક રેસ્ટોરન્ટ પૂરતી સીમિત નહોતી રાખવામાં આવી, પરંતુ સમગ્ર બોડકદેવ વિસ્તારના વ્યાપારી એકમોમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવ દરમિયાન ઘોર બેદરકારી દાખવનારા અને પર્યાવરણને નુકસાન પહોંચાડનારા અન્ય 90 જેટલા નાના-મોટા કમર્શિયલ એકમો અને દુકાનોને પણ વહીવટી તંત્ર દ્વારા કડક નોટિસ ફટકારવામાં આવી છે. એએમસીની આ કડક કાર્યવાહીના કારણે સ્થાનિક બજારના વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને નિયમોનું પાલન કરવા માટે દોડધામ મચી ગઈ છે.</p><h3 style="text-align: justify;">ડસ્ટબિન ન રાખવા અને કચરો ફેંકવા બદલ કડક વલણ</h3><p style="text-align: justify;">કોર્પોરેશનની તપાસમાં સામે આવ્યું હતું કે નોટિસ મેળવનારા મોટાભાગના એકમો સજાગ નહોતા. ઘણા વેપારીઓએ પોતાની દુકાનની બહાર નિયમ મુજબ ડસ્ટબિન (કચરાપેટી) રાખી નહોતી, જ્યારે કેટલાક એકમો દ્વારા વ્યવસાયનો તમામ કચરો જાહેરમાં ફૂટપાથ કે મુખ્ય માર્ગો પર ફેંકીને ગંદકી કરવામાં આવતી હતી. એએમસીના અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં પણ આ પ્રકારનું સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ રહેશે. જો કોઈ પણ રહેણાંક કે વ્યાપારી એકમ જાહેર રસ્તાઓ પર ગંદકી કરતું પકડાશે, તો તેની સામે દંડાત્મક પગલાં સહિત સીલિંગની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.</p><p style="text-align: justify;"><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/14/UI6Q1JL4Ed1i6RmO8A82zFUSNhLQuEFIgJ2Un07P.webp'/></item><item><title><![CDATA['Cocktail 2'ને મળ્યું A સર્ટિફિકેટ, શું ફિલ્મમાં છે વધારે બોલ્ડ સીન? ]]></title><link>https://sandesh.com/entertainment/news/cocktail-2-a-certificate-bold-scenes-cbfc-rating-film-releases-on-june-19</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/cocktail-2-a-certificate-bold-scenes-cbfc-rating-film-releases-on-june-19</guid><pubDate>Sun, 14 Jun 2026 20:09:47 +05:30</pubDate><description><![CDATA[<p>શાહિદ કપૂર, કૃતિ સેનન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ 'Cocktail 2' રિલીઝ પહેલાં જ ચર્ચામાં આવી ગઈ છે. ફિલ્મ 19 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે અને તેને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) તરફથી ‘A’ (એડલ્ટ્સ ઓનલી) સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.</p><h2><b>સેન્સર બોર્ડે કેમ લીધો આ નિર્ણય?</b></h2><p>ફિલ્મમાં અનેક બેડ-કિસિંગ સીન અને ડબલ મીનિંગ જોક્સ હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે સેન્સર બોર્ડે આ નિર્ણય લીધો છે. આ ફિલ્મનું નિર્દેશન હોમી અડાજાનિયાએ કર્યું છે. જોકે ફિલ્મની સ્ટોરી સંપૂર્ણપણે નવી છે, પરંતુ તેને 2012માં આવેલી હિટ ફિલ્મ ‘Cocktail’નો સ્પિરિચ્યુઅલ સીક્વલ માનવામાં આવી રહી છે. પ્રથમ ફિલ્મમાં સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ અને ડાયના પેન્ટી મુખ્ય ભૂમિકામાં હતા.</p><h3><b>પહેલી ફિલ્મ કરતાં લાંબી છે 'Cocktail 2'&nbsp;</b></h3><p>મળતી માહિતી મુજબ 'Cocktail 2'ની રનટાઈમ 150 મિનિટ એટલે કે લગભગ સાડા બે કલાક છે. જે પહેલી ફિલ્મ કરતાં લગભગ 4 મિનિટ લાંબી છે. 2012માં આવેલી 'Cocktail'નો રનટાઈમ 146 મિનિટ હતો. આ વખતે પણ ફિલ્મનું નિર્માણ હોમી અડાજાનિયા અને દિનેશ વિજને કર્યું છે, પરંતુ સ્ટારકાસ્ટ સંપૂર્ણપણે નવી છે.</p><h4><b>કૃતિ સેનન માટે પહેલો A-રેટેડ અનુભવ</b></h4><p>આ ફિલ્મ કૃતિ સેનનના કરિયરમાં એક મહત્વપૂર્ણ પડાવ છે કારણ કે આ તેમની પહેલી A-રેટેડ ફિલ્મ હશે. 'હીરોપંતી'થી કરિયર શરૂ કરનાર કૃતિએ 'બરેલી કી બરફી' અને 'મિમિ' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. બીજી તરફ, રશ્મિકા મંદાના માટે આ બીજી A-રેટેડ હિન્દી ફિલ્મ છે. અગાઉ તેની ફિલ્મ 'Animal'ને પણ A સર્ટિફિકેટ મળ્યું હતું.</p><h5><b>નવી પ્રેમ કહાની દર્શકોને કેટલી પસંદ પડશે?</b></h5><p>શાહિદ કપૂર માટે આ તેમની પાંચમી A-રેટેડ ફિલ્મ છે. તેઓ અગાઉ 'કમીને', 'ઉડતા પંજાબ', 'કબીર સિંહ' અને 'ઓ રોમિયો' જેવી ફિલ્મોમાં જોવા મળ્યા છે. ખાસ વાત એ છે કે પહેલી વાર તેમના કરિયરમાં સતત બે ફિલ્મોને A સર્ટિફિકેટ મળ્યું છે. ફિલ્મના ટ્રેલર લોન્ચ દરમિયાન ડિરેક્ટર હોમી અડાજાનિયાએ સ્પષ્ટ કર્યું હતું કે ફિલ્મમાં દર્શાવાતી કેટલીક ચર્ચાઓ માત્ર અફવા હતી. ફિલ્મની મુખ્ય કહાની એક લવ ટ્રાયએંગલ પર આધારિત છે, જેમાં શાહિદ કપૂરનો પાત્ર બે મહિલાઓ વચ્ચે પોતાના જીવનનો મહત્વપૂર્ણ નિર્ણય લેતા જોવા મળશે. હવે જોવાનું રહેશે કે આ નવી પ્રેમ કહાની દર્શકોને કેટલી પસંદ પડે છે.</p><p><b><a href="https://sandesh.com/entertainment/news/madhuri-dixit-28-year-old-cult-song-shooting-secrets-revealed" target="_blank">આ પણ વાંચો : Madhuri Dixitનું એ ગીત જેના શૂટિંગ માટે રસ્તા પરથી માણસો બોલાવવા પડ્યા હતા, હિસ્ટ્રી બની ગયું ગીત!</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/14/SnbR94sqxEAv1qm3noUEoigRWDm8o1xyJ09hKtyy.webp'/></item><item><title><![CDATA[Kheda News: ગળતેશ્વરના અંબાવ ફાટક પાસે ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ ફસાઈ, કાયમી સમસ્યાથી ભારે હાલાકી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kheda/kheda-news-ambulance-stuck-in-traffic-jam-near-ambav-phatak-in-galateshwar-huge-trouble-due-to-permanent-problem</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kheda/kheda-news-ambulance-stuck-in-traffic-jam-near-ambav-phatak-in-galateshwar-huge-trouble-due-to-permanent-problem</guid><pubDate>Sun, 14 Jun 2026 20:08:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ખેડા જિલ્લાના પ્રખ્યાત પ્રવાસન અને યાત્રાધામ ગળતેશ્વર ખાતેથી વહીવટી તંત્રની આંખ ઉઘાડતી એક ચિંતાજનક ઘટના સામે આવી છે. રવિવારની રજાના દિવસે ગળતેશ્વર મહાદેવ મંદિર અને મહી નદીના કિનારે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. પ્રવાસીઓના ભારે ધસારા અને અંબાવ ફાટક પાસેના ટ્રાફિક મેનેજમેન્ટના અભાવે અહી કિલોમીટરો લાંબો ચક્કાજામ સર્જાયો હતો. આ ગંભીર જામની વચ્ચે એક દર્દીને લઈને જઈ રહેલી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ પણ કલાકો સુધી અટવાઈ પડી હતી, જેને કારણે દર્દીના જીવ પર જોખમ ઊભું થયું હતું.</p><h2 style="text-align: justify; ">અંબાવ ફાટક બન્યું માથાનો દુખાવો</h2><p style="text-align: justify; ">સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ગળતેશ્વરના અંબાવ પાસે આવેલા રેલવે ફાટકના કારણે આ પ્રકારના દ્રશ્યો હવે રોજિંદા બની ગયા છે. ખાસ કરીને રવિવાર, જાહેર રજાઓ અને ધાર્મિક તહેવારોના દિવસોમાં જ્યારે હજારોની સંખ્યામાં સહેલાણીઓ પોતાના ખાનગી વાહનો લઈને અહીં આવે છે, ત્યારે ટ્રાફિકની સ્થિતિ બેકાબૂ બની જાય છે. નવાઈની વાત એ છે કે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ આ કાયમી સમસ્યાથી સારી રીતે વાકેફ હોવા છતાં, આજ દિન સુધી આ ટ્રાફિક આફતનું કોઈ કાયમી નિવારણ કે ઓવરબ્રિજ જેવી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી.</p><h3 style="text-align: justify; ">ઇમરજન્સી સેવાઓ ખોરવાઈ, સ્થાનિકોમાં ભારે આક્રોશ</h3><p style="text-align: justify; ">ટ્રાફિક જામ એટલો પ્રચંડ હતો કે સાયરન વગાડવા છતાં એમ્બ્યુલન્સને આગળ નીકળવા માટે ક્યાંય જગ્યા મળી નહોતી. સોશિયલ મીડિયા પર આ ઘટનાના લાઈવ દ્રશ્યો વાયરલ થયા બાદ લોકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહીશો અને યાત્રિકોની માંગ છે કે, જો રજાના દિવસોમાં અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વાહનોના વન-વે રૂટનું આયોજન કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ટ્રાફિકના કારણે કોઈ નિર્દોષ દર્દીએ સમયસર સારવાર ન મળતા પોતાનો જીવ ગુમાવવો પડશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/14/hwValpbfvgU2bCrq5kNWbTCaXvgQ6X825jMUJzue.webp'/></item><item><title><![CDATA[Gujaratમાં રખડતા આખલાઓના ત્રાસમાંથી મુક્તિ માટે મોટો નિર્ણય: અમરેલી, રાજકોટ અને ભાવનગરમાં બનશે ‘નંદીઘર’ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/big-decision-to-get-rid-of-the-torture-of-stray-bulls-in-gujarat-nandi-ghar-to-be-built-in-amreli-rajkot-and-bhavnagar</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/big-decision-to-get-rid-of-the-torture-of-stray-bulls-in-gujarat-nandi-ghar-to-be-built-in-amreli-rajkot-and-bhavnagar</guid><pubDate>Sun, 14 Jun 2026 19:58:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં રખડતા પશુઓ અને ખાસ કરીને આખલાઓના કારણે સર્જાતી અકસ્માતની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક ઐતિહાસિક અને અત્યંત મહત્વકાંક્ષી પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં સૌપ્રથમવાર અમરેલી, રાજકોટ અને ભાવનગર જિલ્લામાં અદ્યતન 'નંદીઘર' (આખલાઓ માટેનું વિશેષ આશ્રયસ્થાન) બનાવવાનો નિર્ણય લેવાયો છે. આ ભગીરથ પ્રોજેક્ટ પાછળ રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ.100 કરોડનો તોતિંગ ખર્ચ કરવામાં આવશે, જે અંતર્ગત હજારો રખડતા આખલાઓને આશ્રય આપી સુરક્ષિત રાખવામાં આવશે.</p><h2 style="text-align: justify; ">રૂ.100 કરોડના તોતિંગ બજેટની જાહેરાત</h2><p style="text-align: justify; ">રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા દ્વારા આ મેગા પ્રોજેક્ટની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ હેઠળ પ્રાથમિક તબક્કે કુલ 25,000 જેટલા રખડતા નંદીઓ (આખલાઓ) ને એકસાથે રાખવાની વૈજ્ઞાનિક અને અત્યાધુનિક વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. આ નંદીઘરોમાં પશુઓ માટે પૂરતા પ્રમાણમાં ઘાસચારો, પીવાનું શુદ્ધ પાણી, શેડ અને નિષ્ણાત પશુ ચિકિત્સકો (ડોક્ટરો) ની ટીમ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી કરીને રસ્તા પર ભટકતા પશુઓનું યોગ્ય જતન થઈ શકે.</p><h3 style="text-align: justify; ">અમરેલી સહિત સૌરાષ્ટ્રના 3 જિલ્લાથી થશે શરૂઆત</h3><p style="text-align: justify; ">આ પાયલોટ પ્રોજેક્ટના અમલીકરણ માટે સમગ્ર રાજ્યમાંથી સૌરાષ્ટ્રના ત્રણ મહત્વના કેન્દ્રો અમરેલી, રાજકોટ અને ભાવનગરની પસંદગી કરવામાં આવી છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આખલાઓના કારણે થતા જાનમાલના નુકસાનને રોકવા માટે આ નંદીઘર આશીર્વાદરૂપ સાબિત થશે. મંત્રીના જણાવ્યા અનુસાર, જમીન સંપાદન અને વહીવટી મંજૂરીઓ બાદ આવનારા ટૂંક જ દિવસોમાં અમરેલી જિલ્લા સહિત ત્રણેય સ્થળોએ આ પ્રોજેક્ટની ગ્રાઉન્ડ લેવલની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવશે.&nbsp;</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/14/CuWOO5CuJExBMYlDSoGoeoDA33VmFoazowHEjzCL.webp'/></item><item><title><![CDATA[Rajkot News: બાલાજી વેફર્સની ફેક્ટરી સામે જનઆંદોલનની તૈયારી, પ્રદૂષિત પાણીથી 6 ગામના લોકોમાં રોષ ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/protest-brews-against-balaji-wafers-factory-over-pollution-allegations</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/protest-brews-against-balaji-wafers-factory-over-pollution-allegations</guid><pubDate>Sun, 14 Jun 2026 19:51:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટમાં બાલાજી વેફર્સ દ્વારા પ્રદૂષણનો વિવાદ વધુ ઘેરાયો છે.રાજકોટની ન્યારી નદીમાં બાલાજી વેફર્સ દ્વારા દૂષિત પાણી છોડાતાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બાલાજી વેફર્સના પ્રદૂષણના મામલે આસપાસના 6થી વધુ ગામોને અસર થઇ હોવાનું ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો.ન્યારી નદીમાં દૂષિત પાણી છોડાતો હોવાથી ફેક્ટરી પાછળનો વિસ્તાર પ્રદૂષિત બન્યાનો દાવો કરાયો છે.</p><h2 style="text-align: justify; "><b>પ્રદૂષિત પાણીથી 6 ગામના ગ્રામજનોમાં રોષ</b></h2><p style="text-align: justify; ">બાલાજી વેફર્સના પ્રદૂષણના કારણે ખેતી અને જમીનમાં જળસ્તરને ગંભીર અસર થઇ હોવાનો આસપાસના ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.રાજકોટના હરિપર સહિત અનેક ગામો આ મુદ્દે પોલ્યુશન બોર્ડ, વહીવટી તંત્ર સામે ફરિયાદ કરવાની તૈયારી દર્શાવામાં આવી છે.દૂષિત પાણીનો રિપોર્ટ જાહેર કરવાની માંગ સાથે બાલાજી વેફર્સ ફેક્ટરી સામે જનઆંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>ખેડૂતો અને ભૂગર્ભ જળને અસરની ફરિયાદ</b></h3><p style="text-align: justify; ">સ્થાનિક અગ્રણીઓ અને પૂર્વ સરપંચોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, બાલાજી વેફર્સ દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના નામે માત્ર મોટો દેખાડો કરવામાં આવે છે.પરંતુ વાસ્તવિકતામાં તેઓ ગ્રામજનોનું જીવવું હરામ કરી રહ્યા છે.નેતાઓ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે પણ લોકોમાં ભારે રોષ છે. ગ્રામજનોનો આરોપ છે કે અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં છે અને રાજકીય નેતાઓ માત્ર ચૂંટણી ટાણે જ મોઢું બતાવે છે.જો આ પ્રદૂષણ પર તાત્કાલિક રોક લગાવવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં આ સમગ્ર વિસ્તાર રહેવાલાયક નહીં રહે તેવી ભયાનક સ્થિતિ સર્જાઈ છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/rajkot/villagers-allege-balaji-wafers-factory-pollution-damaging-farms-" target="_blank">આ પણ વાંચોઃ Rajkot News: બાલાજી વેફર્સ ફેક્ટરીના ગંદા પાણીથી પશુપાલન સાથે ખેતીને ભયંકર નુકસાન</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/14/ee2BCOlCspBTjKqMaY7c9UJwN2TFL6aGCE5v7RYo.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026,Day 4 : સુપર સન્ડેમાં આ ચાર ટીમ વચ્ચે ટક્કર,જાણો કેટલા વાગ્યે શરૂ થશે મેચ ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-day-4-these-four-teams-will-clash-on-super-sunday-know-what-time-the-match-will-start</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-day-4-these-four-teams-will-clash-on-super-sunday-know-what-time-the-match-will-start</guid><pubDate>Sun, 14 Jun 2026 13:48:24 +05:30</pubDate><description><![CDATA[<p>ફીફા વર્લ્ડ કપ 2026નો ઉત્સાહ દરેક પસાર થતા દિવસ સાથે વધી રહ્યો છે.ટુર્નામેન્ટના ચોથા દિવસે ફૂટબોલ ચાહકો ઘણી મોટી મેચ જોશે,જેમાં ચાર વખતના ચેમ્પિયન જર્મનીનો સમાવેશ થાય છે, જ્યારે નેધરલેન્ડ અને જાપાન હાઇ-વોલ્ટેજ ટક્કરમાં ટકરાશે. વધુમાં, આઇવરી કોસ્ટ વિરુદ્ધ ઇક્વાડોર અને સ્વીડન વિરુદ્ધ ટ્યુનિશિયાની મેચો પણ ચાહકોના ધબકારા વધારશે.</p><h4><b>જર્મની અને કુરાકાઓ વચ્ચે ટક્કર</b></h4><p>દિવસનો પ્રથમ મુખ્ય મેચ જર્મની અને કુરાકાઓ વચ્ચે રમાશે. જર્મની આ ટુર્નામેન્ટમાં મજબૂત વાપસી કરવા માટે ઉત્સુક છે, જે અગાઉના બે વર્લ્ડ કપની નિરાશાઓને ભૂલી ગયો છે. 2014 માં ચેમ્પિયન બન્યા પછી, ટીમ સતત બે વર્લ્ડ કપમાં ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી. તેથી, જર્મન ટીમ પર આ વખતે મજબૂત શરૂઆત કરવાનું દબાણ રહેશે. દરમિયાન, કુરાકાઓ પહેલીવાર ફીફા વર્લ્ડ કપમાં રમી રહ્યું છે. આશરે 156,000 ની વસ્તી ધરાવતો આ નાનો દેશ પહેલીવાર વર્લ્ડ કપમાં રમી રહ્યો છે.</p><h4><b>જાપાન અને&nbsp; નેધરલેન્ડ્સ</b></h4><p>આગામી, દિવસનો સૌથી રોમાંચક મુકાબલો નેધરલેન્ડ્સ અને જાપાન વચ્ચે થશે. ત્રણ વખત વર્લ્ડ કપ ફાઇનલમાં રમી ચૂકેલી ડચ ટીમ ફરી એકવાર ટાઇટલની શોધમાં હશે. નેધરલેન્ડ્સ 1974 થી લગભગ દરેક વર્લ્ડ કપમાં નોકઆઉટ સ્ટેજ સુધી પહોંચી છે. બીજી તરફ, જાપાન એશિયાની સૌથી મજબૂત ટીમોમાંની એક છે. તેઓ સતત આઠમા વર્લ્ડ કપમાં ભાગ લઈ રહ્યા છે. 1998 માં પ્રથમ વર્લ્ડ કપમાં હાજરી આપ્યા પછી, જાપાને ક્યારેય પાછળ વળીને જોયું નથી. તેથી, આ મેચ ખૂબ જ રોમાંચક હોવાની અપેક્ષા છે.</p><h5><b>આઇવરી કોસ્ટ અને ઇક્વાડોર આમને-સામને થશે</b></h5><p>ગ્રૂપ E ની બીજી મેચમાં, આઇવરી કોસ્ટ ઇક્વાડોરનો સામનો કરશે. ઇક્વાડોર તેના સતત બીજા વર્લ્ડ કપમાં ભાગ લઈ રહ્યું છે અને એકંદરે પાંચમા ક્રમે છે. ટીમે દક્ષિણ અમેરિકન ક્વોલિફાયરમાં શાનદાર પ્રદર્શન કર્યું, આર્જેન્ટિના પછી બીજા સ્થાને રહી. દરમિયાન, આઇવરી કોસ્ટ 12 વર્ષ પછી વર્લ્ડ કપમાં પરત ફરી રહ્યું છે. આફ્રિકન ટીમે ક્વોલિફિકેશન પ્રક્રિયામાં મજબૂત પ્રદર્શન સાથે સીધો સ્થાન મેળવ્યો. ૨૦૧૪ પછી પહેલી વાર વર્લ્ડ કપ રમી રહેલી આઇવરી કોસ્ટ આ વખતે વધુ સારું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે.</p><h5><b>સ્વીડન અને ટ્યુનિશિયા વચ્ચે ટક્કર</b></h5><p>સ્વીડન અને ટ્યુનિશિયા દિવસની અંતિમ મેચમાં એકબીજા સામે ટકરાશે. ટ્યુનિશિયા સાતમી વખત વર્લ્ડ કપ રમી રહ્યું છે અને સતત ત્રીજી વખત ટૂર્નામેન્ટમાં ભાગ લીધો છે. જોકે, ટીમ ક્યારેય ગ્રુપ સ્ટેજથી આગળ વધી શકી નથી. બીજી તરફ, સ્વીડન તેનો ૧૩મો ફિફા વર્લ્ડ કપ રમી રહ્યું છે. ટીમ ૧૯૯૪માં યુનાઇટેડ સ્ટેટ્સમાં યોજાયેલા વર્લ્ડ કપમાં ત્રીજા સ્થાને રહી હતી અને આ વખતે તે પ્રદર્શનનું પુનરાવર્તન કરવાની આશા રાખશે.</p><h4><b>ફિફા વર્લ્ડ કપ 2026 દિવસ 4 શેડ્યૂલ</b></h4><p>જર્મની અને&nbsp; કુરાકાઓ - રાત્રે 10.30 (14 જૂન, IST)</p><p>નેધરલેન્ડ અને&nbsp; જાપાન - સવારે 1.30 (15 જૂન, IST)</p><p>આઇવરી કોસ્ટ અને&nbsp; ઇક્વાડોર - સવારે 4.30 (15 જૂન, IST)</p><p>સ્વીડન અને&nbsp; ટ્યુનિશિયા - સવારે 7.30 (15 જૂન, IST)</p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/australia-starts-fifa-wc-with-a-win-defeats-turkey-2-0" target="_blank">FIFA WCમાં ઓસ્ટ્રેલિયાએ કરી જીત સાથે શરૂઆત, 2-0થી તુર્કીને હરાવ્યું</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/14/oYqAhXHRAcZrEWVec2kSV7nfx0QCELOuRWuM4NpL.webp'/></item></channel></rss>