<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Haiwaan : અંત આવ્યો આતુરતાનો! હૈવાનમાંથી સૈફ અલી ખાન-અક્ષય કુમારનો ફર્સ્ટ લુક રિલીઝ ]]></title><link>https://sandesh.com/entertainment/news/haiwaan-first-look-out-akshay-kumar-saif-ali-khan</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/haiwaan-first-look-out-akshay-kumar-saif-ali-khan</guid><pubDate>Thu, 16 Jul 2026 14:09:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સૈફ અલી ખાન અને અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ હૈવાનની લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે, પરંતુ મેકર્સે આ ફિલ્મનું પોસ્ટર, ટીઝર કે પછી કોઈ અન્ય મટીરિયલ રિલીઝ કર્યું ન હતું. જો કે, હવે રાહ જોવાનો અંત આવ્યો છે. આ ફિલ્મમાંથી બંને સ્ટાર્સનું પોસ્ટર સામે આવી ગયું છે. અક્ષયે પોતે જ સોશિયલ મીડિયા દ્વારા ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે.</p><h2 style="text-align: justify; "><b>સોશિયલ મીડિયા પર શેર કર્યો ત્રણ પોસ્ટ</b></h2><p style="text-align: justify; ">અક્ષય કુમારે 15 જુલાઈએ સોશિયલ મીડિયા પર ત્રણ પોસ્ટર શેર કર્યા છે. પહેલા પોસ્ટરમાં અક્ષય નજરે પડી રહ્યો છે. બીજામાં સૈફ અલી ખાન છે. ત્રીજામાં આ બંને જ દેખાઈ રહ્યા છે. બંનેનો જ લુક ઘણો ખતરનાક લાગી રહ્યો છે. સૈફની આંખોમાં કોઈ વાતને લઈને ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. અક્ષયનો લુક પણ ઘણો જબરદસ્ત લાગી રહ્યો છે. અક્ષયે પોસ્ટર્સ શેર કરતા લખ્યું, બધું જ દેખાય છે. કશું જ છૂટતું નથી. હૈવાનિયત હવે નહીં અટકે.</p><h3 style="text-align: justify; "><b>ક્યારે રિલીઝ થશે હૈવાન?</b></h3><p style="text-align: justify; ">હૈવાન 11 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. 18 વર્ષો પછી બંને સિતારા એક પિક્ચરમાં દેખાવાના છે. એકસાથે બંનેની છેલ્લી ફિલ્મ વર્ષ 2008 માં આવેલી 'ટશન' છે. હૈવાનમાં અક્ષય કુમાર વિલનનું પાત્ર ભજવી રહ્યો છે અને સૈફ હીરો છે. એવામાં બંને સિતારાઓ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. હવે જોવાનું રહેશે કે 18 વર્ષો પછી એકસાથે પડદા પર પાછી આવી રહેલી અક્ષય અને સૈફની આ જોડી આ ક્રાઈમ-થ્રિલર પિક્ચરથી કેવો કમાલ બતાવે છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/Da0SKe3lGwu/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/Da0SKe3lGwu/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/Da0SKe3lGwu/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/Da0SKe3lGwu/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h3 style="text-align: justify; "><b>આ બે લોકોની સાથે મળીને પ્રિયદર્શને લખી સ્ટોરી</b></h3><p style="text-align: justify; ">હૈવાનને પ્રિયદર્શને ડાયરેક્ટ કરી છે. અભિલાષ નાયર અને રોહન શંકરની સાથે મળીને પ્રિયદર્શને જ આની સ્ટોરી લખી છે. પ્રિયદર્શન વર્ષ 2016 માં આ જ સ્ટોરી પર મલયાલમ ભાષામાં ફિલ્મ લાવ્યા હતા, જેનું નામ ઓપ્પમ હતું. તે જ સ્ટોરને હવે પ્રિયદર્શન હિન્દીમાં લઈને આવી રહ્યા છે. જો કે, આ જ વર્ષે અક્ષય પ્રિયદર્શનના ડાયરેક્શનમાં જ બનેલી ફિલ્મ ભૂત બંગલામાં પણ દેખાયો. તે ફિલ્મે લોકોને એન્ટરટેઇન પણ કર્યા અને બોક્સ ઓફિસ પર હિટ પણ રહી. એવામાં હૈવાનથી ઘણી આશાઓ છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gallery/news/entertainment/jennifer-winget-net-worth-second-marriage" target="_blank">આ પણ વાંચો-41 વર્ષની ઉંમરે ફરી લગ્ન કરશે જેનિફર વિંગેટ, જાણો કેટલી કરોડોની સંપત્તિની માલિક છે</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/juph6cigNnojZLyBaE7SCK0X5I68pLC1wfZWQuaM.webp'/></item><item><title><![CDATA[Katrina Kaif Net Worth: અભિનયની સાથે બિઝનેસમાં પણ સુપરહિટ છે કેટરિના કૈફ, જાણો કેટલી સંપત્તિની માલકીન છે આ અભિનેત્રી? ]]></title><link>https://sandesh.com/entertainment/news/india/katrina-kaif-net-worth-along-with-acting-katrina-kaif-is-a-super-hit-in-business-as-well-know-how-much-wealth-this-actress-owns</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/india/katrina-kaif-net-worth-along-with-acting-katrina-kaif-is-a-super-hit-in-business-as-well-know-how-much-wealth-this-actress-owns</guid><pubDate>Thu, 16 Jul 2026 13:44:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">એક્ટિંગની સાથે બિઝનેસમાં પણ સુપરહિટ નીવડેલી કેટરિના કૈફ 350 કરોડના બ્યુટી બ્રાન્ડથી વધુની કમાણી કરી રહી છે.</p><p style="text-align: justify; "><span style="font-size: 2rem;">અપાર સંપત્તિની માલિક કેટરિના કૈફ&nbsp;</span></p><p style="text-align: justify; ">બોલીવુડમાં કેટરિના કૈફે પોતાના માટે એક અનોખી ઓળખ બનાવી છે. જે સ્ટારડમથી આગળ વધે છે. તેણે ઉદ્યોગ જગતમાં પણ અલગ ઓળખ શરુ કરી છે. કેટે પોતાની મહેનત દ્વારા અપાર સંપત્તિ ઉભી કરી છે. 16 જુલાઇના રોજ કેટરિના પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. અને દેશ-વિદેશથી લોકો તેને શુભેચ્છા પાઠવી રહ્યા છે.&nbsp;&nbsp;</p><h3 style="text-align: justify; ">કેટરિના કૈફની નેટવર્થ&nbsp;</h3><p style="text-align: justify; ">કેટરિના કૈફે 2003માં ફિલ્મ બૂમથી ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ મૈને પ્યાર ક્યોં કિયા? અને નમસ્તે લંડન જેવી ફિલ્મોથી તેને પોતાની ઓળખ બનાવવાનું શરુક ર્યુ હતુ. અભિનેત્રીએ શાહરૂખ ખાનથી લઈને સલમાન ખાન અને આમિર ખાન સુધીના ઘણા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. રાજનીતી અને ઝિંદગી ના મિલેગી દોબારા જેવી ફિલ્મોમાં તેના અભિનય માટે પ્રશંસા મળી હતી. સલમાન ખાન સાથેની તેણીની ટાઇગર ફ્રેન્ચાઇઝ ફિલ્મો બ્લોકબસ્ટર રહી છે. કેટરિના કૈફની કુલ સંપત્તિ 250 કરોડ હોવાનો અંદાજ છે.</p><h4 style="text-align: justify; ">ફિલ્મોમાં કેટલો ચાર્જ ?</h4><p style="text-align: justify; ">ઘણા સમયથી પડદાથી દૂર હોવા છતાં, કેટરિના હિન્દી સિનેમાની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે. તેણીએ "મેરી ક્રિસમસ" માટે આશરે ₹15 કરોડ લીધા હતા, જ્યારે "ટાઇગર 3" માટે તેણીની ફી ₹15 કરોડ અને ₹21 કરોડની વચ્ચે હતી.</p><h5 style="text-align: justify; ">ક્યાંથી કરે છે આટલી કમાણી ?</h5><p style="text-align: justify; ">ફિલ્મો ઉપરાંત, કેટરિના કૈફ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી પણ નોંધપાત્ર કમાણી કરે છે. તે અનેક લક્ઝરી બ્રાન્ડ્સનો ચહેરો છે. તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે ₹6 થી ₹7 કરોડ ચાર્જ કરે છે. તે પેઇડ ઇન્સ્ટાગ્રામ જાહેરાત માટે ₹7.28 મિલિયન અને ₹1 કરોડ વચ્ચે ચાર્જ કરે છે. અભિનેત્રી તેના પોતાના બ્યુટી બ્રાન્ડમાંથી વાર્ષિક ₹1 બિલિયનથી વધુ કમાણી કરે છે.</p><h6 style="text-align: justify; ">બ્યુટી બ્રાન્ડની આવક ₹350 કરોડથી વધુ&nbsp;</h6><p style="text-align: justify; ">કેટરિના કૈફની બ્યુટી બ્રાન્ડ, "કે બ્યુટી", 2019 માં શરૂ થઈ હતી અને હવે તે તેના વ્યવસાય પોર્ટફોલિયોનો મુખ્ય ભાગ બની ગઈ છે. ફોર્બ્સે અગાઉ અહેવાલ આપ્યો હતો કે તેનું વાર્ષિક GMV ત્રણ વર્ષમાં ₹100 કરોડને વટાવી ગયું છે. Nykaa સાથે સહયોગથી શરૂ થયેલી તેની બ્યુટી બ્રાન્ડે ₹350 કરોડથી વધુની આવક મેળવી છે. જેનાથી તે ટોચના સેલિબ્રિટી ઉદ્યોગસાહસિકોમાંની એક બની છે.</p><h2 style="text-align: justify; ">કેટરિના કૈફની પ્રોપર્ટીઝ અને કાર કલેક્શન</h2><p style="text-align: justify; ">કેટરિના કૈફ એક શ્રીમંત માલિક છે. તેણી મુંબઈના જુહુ વિસ્તારમાં એક વૈભવી 4-BHK સમુદ્ર તરફનો એપાર્ટમેન્ટ ધરાવે છે. જ્યાં તે તેના પતિ, અભિનેતા વિકી કૌશલ સાથે રહે છે. તેણી લંડનમાં પણ મિલકતો ધરાવે છે. અભિનેત્રી પાસે રેન્જ રોવર વોગ LWB સહિત લક્ઝરી કારનો પ્રભાવશાળી સંગ્રહ પણ છે.</p><h3 style="text-align: justify; ">કેટરિના કૈફનું અંગત જીવન</h3><p style="text-align: justify; ">કેટરિના કૈફના અંગત જીવન વિશે વાત કરીએ તો, અભિનેત્રીએ વિક્કી કૌશલ સાથે લગ્ન કર્યા છે. આ દંપતી એક પુત્રના માતા-પિતા છે. હાલમાં, કેટરિના ફિલ્મોથી દૂર છે અને તેના પુત્ર સાથે માતૃત્વનો આનંદ માણી રહી છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/world/news/iran-us-conflict-we-will-operate-hormuz-and-get-significant-compensation-from-many-countries-donald-trump-announced" target="_blank"> અમે હોર્મુઝ ચલાવીશું અને ઘણા દેશો પાસેથી નોંધપાત્ર વળતર મેળવીશું, ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/EOQWrhf2yTXbGvwM2ww8XIDoP0fQfWQiNmDLT97l.webp'/></item><item><title><![CDATA['બોર્ડ પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે બિનજરૂરી તણાવમાં વધારો', થર્ડ લેંગ્વેજ પર સુપ્રીમ કોર્ટના જજની લાલઆંખ ]]></title><link>https://sandesh.com/india/news/sc-on-three-language-policy--adds-stress-for-board-students</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/sc-on-three-language-policy--adds-stress-for-board-students</guid><pubDate>Thu, 16 Jul 2026 13:41:04 +05:30</pubDate><description><![CDATA[<p>CBSE તાજેતરમાં અનેક વિવાદોમાં ફસાયેલું છે અને આ બધા કેસ હવે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યા છે. CBSE ની ત્રણ ભાષાની નીતિ પર સુપ્રીમ કોર્ટમાં સતત સુનાવણી ચાલી રહી છે, ત્યારે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ બી.વી. નાગરત્નાએ નવમા ધોરણમાં ત્રીજી ભાષા સામેલ કરવા પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આ અંગે જણાવ્યું હતું કે આ બોર્ડ પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે બિનજરૂરી તણાવમાં વધારો કરે છે. મદ્રાસ હાઈકોર્ટના આદેશને પડકારતી તમિલનાડુ સરકાર દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી દરમિયાન તેમણે આ ટિપ્પણી કરી હતી, જેમાં રાજ્ય સરકારને રાજ્યના દરેક જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલય (JNV) ખોલવાને સમર્થન આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.</p><h2><b>તમિલનાડુ સરકાર કરી રહી છે વિરોધ 
</b></h2><p>તમિલનાડુ સરકાર સતત ત્રણ ભાષાની નીતિનો વિરોધ કરી રહી છે. આ જ કારણ છે કે નવોદય શાળાઓ પણ અહીં વિરોધનો સામનો કરી રહી છે, કારણ કે આ શાળાઓ 3 ભાષાની નીતિ લાગુ થાય છે. આ સમગ્ર કેસમાં 3 ભાષાની નીતિનો સીધો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો, પરંતુ ન્યાયાધીશ નાગરત્નાએ ત્રીજી ભાષા અંગે કડક ટિપ્પણી કરતા કહ્યું છે કે, ત્રીજી ભાષા ક્યારે શીખવવી જોઈએ. જસ્ટિસ નાગરત્ને કેન્દ્ર સરકારને કહ્યું હતું કે આ નીતિ નવમા ધોરણથી નહીં પણ છઠ્ઠા ધોરણથી લાગુ થવી જોઈએ.</p><h3><b>પહેલાથી જ ચાલી રહી છે સુનાવણી 
</b></h3><p>સીબીએસઈની આ ત્રણ ભાષા નીતિને એક અલગ જાહેર હિતની અરજી દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. CJI સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચ આ મામલાની સુનાવણી કરી રહી છે. બેન્ચે હાલમાં CBSE નીતિ પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો છે અને આગામી અઠવાડિયા માટે સુનાવણી નક્કી કરી છે.
</p><h4><b>ત્રણ ભાષા નીતિ હિન્દીને ફરજિયાત બનાવતી નથી
</b></h4><p>તમિલનાડુ સરકારનું પ્રતિનિધિત્વ કરતા વકીલે જણાવ્યું હતું કે રાજ્યનો વાંધો ફક્ત  ત્રણ-ભાષા નીતિ સામે છે. ન્યાયાધીશ નાગરત્નાએ જવાબ આપ્યો કે નીતિ હિન્દીને ત્રીજી ભાષા તરીકે ફરજિયાત બનાવતી નથી. તેમણે કહ્યું, "રાજ્યની ભાષા શીખવવી જોઈએ, અંગ્રેજી શીખવવી જોઈએ અને કોઈપણ ત્રીજી ભાષા શીખવી શકાય છે. તે ક્યાંય કહેતું નથી કે ભાષા હિન્દી હોવી જોઈએ."
</p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/500--rohingya-feared-dead-as-2-boats-sink-in-bay-of-bengal" target="_blank"><b>બંગાળની ખાડીમાં રોહિંગ્યા શરણાર્થીઓને લઈ જતી બે બોટ ડૂબી! જેમાં 500થી વધુ લોકોના મોતની આશંકા</b></a>
</p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/RcehpuwRTb5mRo8btnFfihgB6SGarAwe96wnhjjM.webp'/></item><item><title><![CDATA[Banaskantha News: અંબાજીમાં માનસરોવર ખાતે વરૂણદેવનું શાસ્ત્રોક્ત પૂજન,સમગ્ર દેશમાં સારા વરસાદ માટે વિશેષ પ્રાર્થના ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/ambaji-performs-varun-dev-puja-at-mansarovar-for-good-rain-across-india</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/ambaji-performs-varun-dev-puja-at-mansarovar-for-good-rain-across-india</guid><pubDate>Thu, 16 Jul 2026 13:20:56 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સમગ્ર દેશમાં વરસાદનો એક રાઉન્ડ થયા બાદ જાણે ચોમાસુ ગાયબ થઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદ ખેંચાતા દેશના ખેડૂતોને ખેતીમાં ભારે મુશ્કેલી સર્જાઈ છે. દેશમાં સારો વરસાદ થાય તે માટે અનેક સ્થળો પર વિશેષ પૂજા કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતના યાત્રાધામ અંબાજી ખાતે પણ વરૂણ દેવની પૂજાનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.અંબાજી ખાતે અષાઢી બીજના પાવન પર્વે વર્ષો જૂની પૌરાણિક પરંપરાને ભક્તિભાવપૂર્વક નિભાવવામાં આવી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>વરૂણદેવનું શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે વિશેષ પૂજન</b></h2><p style="text-align: justify; ">અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ પવિત્ર દિવસે ઐતિહાસિક માનસરોવર ખાતે વરૂણદેવનું શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે વિશેષ પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું.દર વર્ષે અષાઢી બીજના દિવસે આ પૌરાણિક પરંપરાને વૈદિક રીત-રિવાજ મુજબ નિભાવવાની પરંપરા છે.જે આ વર્ષે પણ ભક્તિમય માહોલમાં જાળવી રાખવામાં આવી હતી.આ ધાર્મિક ઉત્સવ દરમિયાન માતાજીના પ્રકૃતિ સ્વરૂપને ચુંદડી અને માંડવા સાથે પવિત્ર માનસરોવરના જળમાં પધરાવવામાં આવ્યું હતું.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>ભૂદેવોના ગગનભેદી વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પૂજા</b></h3><p style="text-align: justify; ">અંબાજીમાં ભટ્ટજી મહારાજ અને વિદ્વાન ભૂદેવોના ગગનભેદી વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે જળના દેવતા એવા વરૂણદેવની વિશેષ આરતી અને પૂજા-અર્ચના સંપન્ન થઈ હતી. ચોમાસાની શરૂઆતે પ્રકૃતિ પૂજનની આ પરંપરા જોવા માટે સ્થાનિક ભક્તો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ વિશેષ વૈદિક વિધિના અંતે દેશભરમાં સારો વરસાદ થાય અને ધરતીપુત્રો ખુશહાલ બને તે માટે મા અંબા સમક્ષ વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. ખેડૂતોની સમૃદ્ધિ, ઉત્તમ પાક તેમજ સમગ્ર રાષ્ટ્રમાં સુખ, શાંતિ અને આર્થિક વિકાસ વધે તેવા મંગલ આશીર્વાદ માંગવામાં આવ્યા હતા.<br><br><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/cm-bhupendra-patel-monitors-ahmedabad-rath-yatra-live-from-cm-dashboard" target="_blank">આ પણ વાંચોઃ Gandhinagar News: મુખ્યમંત્રીએ CM ડેશબોર્ડ પરથી અમદાવાદની રથયાત્રાનું રિયલ ટાઈમ મોનિટરિંગ નિહાળ્યું</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/fRcvRiEF5OrN0Wcdk0PMTlETooQUJuwyb03DoqOY.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: મુખ્યમંત્રીએ CM ડેશબોર્ડ પરથી અમદાવાદની રથયાત્રાનું રિયલ ટાઈમ મોનિટરિંગ નિહાળ્યું ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/cm-bhupendra-patel-monitors-ahmedabad-rath-yatra-live-from-cm-dashboard</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/cm-bhupendra-patel-monitors-ahmedabad-rath-yatra-live-from-cm-dashboard</guid><pubDate>Thu, 16 Jul 2026 12:53:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની 149મી જગન્નાથ રથયાત્રાના અમદાવાદ શહેરમાં ભ્રમણ તેમજ રથયાત્રાના સંચાલનનું રિયલ ટાઈમ મોનિટરીંગ મુખ્યમંત્રી નિવાસસ્થાનના સી.એમ.ડેશ બોર્ડની વીડિયો વોલ પર જીવંત પ્રસારણ નિહાળીને કર્યું હતું.મુખ્યમંત્રીએ સવારે જગન્નાથ મંદિરથી રથયાત્રાને પહિંદ વિધિ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું અને ત્યારબાદ મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચીને બપોરે વીડિયો વોલ પર આ રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યુ હતું.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>રથયાત્રાનું રિયલ ટાઈમ મોનિટરિંગ નિહાળ્યું</b></h2><p style="text-align: justify; ">મુખ્યમંત્રીએ રથના લોકેશન,પોલીસ દ્વારા એ.આઈ. અને ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી કરવામાં આવી રહેલી રથયાત્રાની નિગરાની અને સલામતી વ્યવસ્થાની તલસ્પર્શી જાણકારી મેળવી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુખ્ય સચિવ એમ.કે.દાસ, મુખ્યમંત્રીના અને ગૃહ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમાર,પોલીસ મહાનિદેશક  જી.એસ.મલિક તેમજ પોલીસ તથા મહાનગરપાલિકાની ટીમના અધિકારીઓ પણ જોડાયા હતા.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>અડાલજ જગન્નાથ મંદિરની રથયાત્રામાં પહિંદ વિધિ</b></h2><p style="text-align: justify; ">અડાલજ સ્થિત જગન્નાથ મંદિર ખાતેથી જગન્નાથ પુરીની ઝાંખી કરાવતી ભવ્ય રથયાત્રાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાસ્ત્રોક્ત વિધિ સાથે સુવર્ણની છાંટ વાળી સાવરણીથી પહિંદ વિધિ કરીને તથા ભગવાનની મંગળા આરતીથી કરાવ્યો હતો.આ રથયાત્રા પૂર્વે મંદિર પ્રશાસન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પુષ્પહાર અને પરંપરાગત પાઘડી પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.ભગવાન જગન્નાથ,ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના દર્શન કરવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા અને સમગ્ર વાતાવરણ 'જય જગન્નાથન'ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/crime/rajkot/rajkot-pcb-arrests-3-accused-with-illegal-weapons" target="_blank">આ પણ વાંચોઃ Rajkot News: PCBએ 3 ગેરકાયદે હથિયારો સાથે 3 આરોપીની ધરપકડ કરી</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/gPyRocD06s1YTl6z9HX6p9sh6zqjQz5AtwS20oJG.webp'/></item><item><title><![CDATA[Rajkot News:  PCBએ 3 ગેરકાયદે હથિયારો સાથે 3 આરોપીની  ધરપકડ કરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/rajkot/rajkot-pcb-arrests-3-accused-with-illegal-weapons</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/rajkot/rajkot-pcb-arrests-3-accused-with-illegal-weapons</guid><pubDate>Thu, 16 Jul 2026 12:41:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આજે સમગ્ર ગુજરાતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઈ રહી છે. ગુજરાત પોલીસ રથયાત્રાને લઈને એલર્ટ થઈ ગઈ છે. ત્યારે રાજકોટમાં ગેરકાયદે હથિયારોની હેરાફેરી અને વેચાણ કરતી સિન્ડિકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પીસીબી દ્વારા આ સિન્ડિકેટ દ્વારા વેચવામાં આવતા ત્રણ ગેરકાયદે હથિયારો ઝડપી પાડવામાં આવ્યા છે.જ્યારે ત્રણ શખ્સોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>પીસીબીએ ત્રણ આરોપીઓની ધરપકડ કરી</b></h2><p style="text-align: justify; ">પીસીબીએ ઝડપેલા આરોપીઓમાં ધ્રુવ ઉર્ફે કનૈયો ગોસ્વામી,જયરાજ ઉર્ફે લાલો ખાચર અને શ્યામ પરમારને પકડીને તેમની સામે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં ગેરકાયદેસર હથિયારો ઘુસાડવામાં આવ્યા હોવાની ચોક્કસ બાતમીના આધારે PCBની ટીમે દરોડો પાડીને આ ત્રણેય શખ્સોને દબોચી લીધા હતા.તેમની પાસેથી 3 ગેરકાયદેસર ઘાતક હથિયારો કબજે કરવામાં આવ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી</b></h3><p style="text-align: justify; ">રાજકોટ પોલીસ હાલ શહેરમાં હથિયારોની આખી સિન્ડિકેટ ક્યાં સુધી ફેલાયેલી છે અને આ હથિયારો ક્યાંથી લાવવામાં આવ્યા હતા તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.આ હથિયારો કોઈ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપવા માટે લાવવામાં આવ્યા હતા કે કેમ તે દિશામાં પણ પોલીસે રિમાન્ડ મેળવવાની અને આગળની કડક પૂછપરછની તજવીજ શરૂ કરી છે.આગામી દિવસોમાં આ નેટવર્ક સાથે જોડાયેલા વધુ કેટલાક નામો સામે આવે તેવી પૂરી શક્યતા છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad-rathyatra-2026-devotees-flock-to-see-the-lord-thousands-gather" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad Rathyatra 2026: ભગવાનના દર્શન કરવા ભક્તોનો ધસારો, હજારોની મેદની ઉમટી</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/YJ1DrYKbuCPIK6oErNwIoZJ0LyW7G4CKAtZICsBu.webp'/></item><item><title><![CDATA[Dollar vs Rupees: ક્રૂડ ઓઇલ 85 ડોલરને પાર, ડોલરના મુકાબલે રૂપિયો નીચા સ્તરે ]]></title><link>https://sandesh.com/business/news/dollar-vs-rupees-crude-oil-crosses-85-rupee-at-low-level-against-dollar</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/dollar-vs-rupees-crude-oil-crosses-85-rupee-at-low-level-against-dollar</guid><pubDate>Thu, 16 Jul 2026 11:28:51 +05:30</pubDate><description><![CDATA[<p>અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવની અસર હવે ભારતના નાણાંકીય મૂલ્ય પર પણ પડી રહી છે. ગુરુવારે, ભારતીય રૂપિયો ડોલર સામે 96.2475 પર ખુલ્યો. તે મે મહિનામાં નોંધાયેલા તેના અત્યાર સુધીના સૌથી નીચા 96.96 ની નજીક પહોંચી ગયો છે. આ મહિનામાં અત્યાર સુધીમાં, રૂપિયો લગભગ 1.7% નબળો પડ્યો છે.</p><p><b style="font-size: 2rem;">રૂપિયો કેમ નબળો પડી રહ્યો છે?</b></p><p>મુખ્ય કારણ ક્રૂડ ઓઇલની વધતી કિંમત છે. યુએસ-ઈરાન તણાવમાં વધારો થયા પછી, બ્રેન્ટ ક્રૂડના ભાવ પ્રતિ બેરલ $85 ને વટાવી ગયા છે. એવી આશંકા છે કે જો પરિસ્થિતિ વધુ વણસે તો, હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા તેલ પુરવઠો વધુ ખોરવાઈ શકે છે - આ માર્ગ વિશ્વના તેલના નોંધપાત્ર ભાગને પરિવહન કરવા માટે વપરાય છે. ભારત તેની ક્રૂડ ઓઇલની જરૂરિયાતોના 85% થી વધુ આયાત કરે છે, તેથી તેલના ભાવમાં વધારો ડોલરની માંગમાં વધારો કરે છે, જેના કારણે રૂપિયો નબળો પડે છે.</p><p><b style="font-size: 1.75rem;">વધતા તણાવ પર બજારે શા માટે ગભરાટથી પ્રતિક્રિયા આપી?</b></p><p>બુધવારે, યુએસએ ઈરાનના દરિયાકાંઠાના સંરક્ષણ અને મિસાઇલ સ્થળો પર હુમલા શરૂ કર્યા. ત્યારબાદ ઈરાને ચેતવણી આપી હતી કે તે ઊર્જા નિકાસમાં વધુ ઘટાડો કરી શકે છે. આનાથી તેલ પુરવઠામાં સંભવિત વિક્ષેપો અંગે વૈશ્વિક ચિંતાઓ વધી છે. પરિણામે, રોકાણકારો યુએસ ડોલર તરફ વળ્યા છે.&nbsp; જેને સલામત-હેવન સંપત્તિ તરીકે જોવામાં આવે છે.&nbsp; જેના કારણે રૂપિયા પર દબાણ વધી રહ્યું છે.</p><p><b style="font-size: 1.75rem;">RBI ના પ્રયાસો શા માટે પરિણામ આપી રહ્યા નથી?</b></p><p>થોડા અઠવાડિયા પહેલા, જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ ઓછા હતા, ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ ડોલરના પ્રવાહને વધારવા માટે ઘણા પગલાં લીધાં. જ્યારે આ પગલાંથી રૂપિયાને મજબૂત બનાવવાની અપેક્ષા હતી, ત્યારે તેલના ભાવ ફરી વધ્યા છે. ડોલરની બજારમાં માંગમાં વધારાએ RBI ના પગલાંની અસરને ઓછી કરી દીધી છે.</p><p><b style="font-size: 1.5rem;">આ તમારા ખિસ્સા પર કેવી અસર કરશે?</b></p><ul><li>નબળા રૂપિયા અને મોંઘા તેલનું મિશ્રણ સામાન્ય માણસ માટે ખર્ચ વધારી શકે છે:</li><li>પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી શકે છે.</li><li>ઉચ્ચ ઉડ્ડયન ઇંધણના ખર્ચ ફ્લાઇટ ટિકિટોને વધુ મોંઘા બનાવી શકે છે.</li><li>મોબાઇલ ફોન, લેપટોપ અને અન્ય આયાતી માલના ભાવ વધી શકે છે.</li><li>વિદેશમાં અભ્યાસ અથવા મુસાફરી સાથે સંકળાયેલા ખર્ચમાં વધારો થઈ શકે છે.</li><li>ઘણી આયાતી ખાદ્ય ચીજવસ્તુઓ પણ વધુ મોંઘા થઈ શકે છે. જો તેલના ભાવ અને રૂપિયા બંને પર દબાણ લાંબા સમય સુધી ચાલુ રહે તો ફુગાવો વધી શકે છે. આવી સ્થિતિમાં, RBI માટે વ્યાજ દરોમાં ઘટાડો કરવો મુશ્કેલ બની શકે છે, જેની લોન અને EMI પર અસર પડી શકે છે.</li></ul><p><b style="font-size: 1.5rem;">આગળ શું થશે?</b></p><p>હવે આખી દુનિયા અમેરિકા અને ઈરાનના આગામી પગલાં પર નજર રાખી રહી છે. જો તણાવ વધશે તો ક્રૂડ ઓઈલના ભાવ વધુ વધી શકે છે અને રૂપિયા પર દબાણ ચાલુ રહી શકે છે. જો રૂપિયો 96.96 ની નીચે જાય છે, તો તે ડોલર સામે અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચી જશે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/Q9W7sGtplTS6do4UkddH475PlZDMMMFzEDsiQRHI.webp'/></item><item><title><![CDATA[Lionel Messi સાથે બોલાચાલી બાદ અર્જેન્ટીનાના ખેલાડીને લાફો માર્યો! હાર પછી જુડ બેલિંગહમે ગુમાવ્યો આપો : Video ]]></title><link>https://sandesh.com/sports/fifa-world-cup/news/jude-bellingham-slaps-argentina-player-valentin-barco-messi-clash-video</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/fifa-world-cup/news/jude-bellingham-slaps-argentina-player-valentin-barco-messi-clash-video</guid><pubDate>Thu, 16 Jul 2026 11:00:35 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફીફા વર્લ્ડ કપ 2026 ના બીજા સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડની હાર પછી જુડ બેલિંગહમે વેલેન્ટિન બાર્કોને લાફો મારી દીધો, જેઓ અર્જેન્ટીનાની જીતની ઉજવણી કરી રહ્યા હતા. આ પછી બંને ટીમોના ખેલાડીઓ આપસમાં ભિડાઈ ગયા. બેલિંગહમને ખૂબ જ ગુસ્સામાં જોવામાં આવ્યા, તેમની લિયોનેલ મેસી સાથે પણ તીખી ચર્ચા થઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>છેલ્લી મિનિટોમાં ગરમાયું વાતાવરણ</b></h2><p style="text-align: justify; ">અટલાન્ટાના મર્સિડીઝ-બેન્ઝ સ્ટેડિયમમાં રમાયેલા બીજા સેમિફાઇનલની 84 મી મિનિટ સુધી ઇંગ્લેન્ડ 1-0 થી આગળ હતું, લાગી રહ્યું હતું કે અર્જેન્ટીના હવે કદાચ અહીંથી મેચ ટાઇમમાં જીતી ન શકે. 6 મિનિટનો સમય બાકી હતો, એક્સ્ટ્રા ટાઈમ 7-8 મિનિટનો મળત. પરંતુ અર્જેન્ટીનાએ શાનદાર કમબેક કર્યું અને 7 મિનિટની અંદર 2 ગોલ ફટકારી દીધા. મેચની અંતિમ પળોમાં જુડ બેલિંગહમે લિયોનેલ મેસીને ફાઉલ કર્યો હતો, જેના પછી તેમની તીખી ચર્ચા થઈ હતી. આ પછી બંને ટીમોના ખેલાડીઓ આવી ગયા તો વાતાવરણ ઘણું ગરમ થઈ ગયું. મેચ પૂરી થયા પછી તો બેલિંગહમ એટલો ગુસ્સામાં આવી ગયો કે તેણે અર્જેન્ટીનાના સબ્સ્ટિટ્યૂટ પ્લેયરને લાફો મારી દીધો.<br><a href="https://x.com/ellarguero/status/2077514185819202046" target="_blank">https://x.com/ellarguero/status/2077514185819202046</a><br></p><h3 style="text-align: justify; "><b>જુડ બેલિંગહમે અર્જેન્ટીનાના ખેલાડીને કેમ માર્યો લાફો?</b></h3><p style="text-align: justify; ">વાયરલ વીડિયોમાં નજરે આવી રહ્યું છે કે અર્જેન્ટીનાના પ્લેયર્સ જીતની ઉજવણી કરી રહ્યા હોય છે, ત્યાં નિરાશ થઈને ઉભેલા જુડ બેલિંગહમ અર્જેન્ટીનાના સબ્સ્ટિટ્યૂટ પ્લેયર વેલેન્ટિન બાર્કોને પાછળથી માથા પર લાફો મારી દે છે. આ પછી તેઓ પણ બેલિંગહમને ધક્કો મારે છે, પછી બંને ટીમોના ખેલાડીઓ આવી જાય છે અને મામલો ગરમ થઈ જાય છે. વીડિયો જોવાથી લાગી રહ્યું છે કે વેલેન્ટિને તેને ઉશ્કેર્યા હતો, તે સતત તેને જોઈને કંઈક બોલી રહ્યા હતા અને આનાથી જ ગુસ્સે થઈને બેલિંગહમ આપો ગુમાવી બેસે છે.<br><a href="https://x.com/Msn_sis0/status/2077528712375902426" target="_blank">https://x.com/Msn_sis0/status/2077528712375902426</a><br></p><p style="text-align: justify; ">અન્ય એક વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે જીત બાદ અર્જેન્ટીનાના ખેલાડીઓ ઉત્સાહમાં જુડ બેલિંગહમને જોઈને સતત કંઈક બોલી રહ્યા હતા. આ આક્રમક ઉજવણીને કારણે મામલો વધુ ગરમાયો. અર્જેન્ટીનાના ખેલાડીઓ આક્રમક અંદાજમાં હતા, કારણ કે થોડા સમય પહેલાં જ જુડ બેલિંગહમની લિયોનેલ મેસી સાથે પણ તીખી બોલાચાલી થઈ હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/sports/fifa-world-cup/news/fifa-world-cup-2026-argentina-beats-england-semi-final-messi" target="_blank">આ પણ વાંચો-7 મિનિટમાં બદલાઈ ગઈ મેચ! ઇંગ્લેન્ડને હરાવી FIFA World Cupની ફાઇનલમાં પહોંચ્યું અર્જેન્ટીના</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/Yfls61TLxfb8dddceBKZIfeuirRlnVpZ8pFSGtsm.webp'/></item><item><title><![CDATA[Surat: ક્યાંક ધીમી ધારે તો ક્યાંક વરસાદી ઝાપટાં, અષાઢી બીજે મેઘરાજાએ આપ્યા શુકનવંતા મંડાણ ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/surat/gujarat-rain-updates-ashadhi-bij-surat-city-amreli-bagasra-junagadh-farmers-happy</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/surat/gujarat-rain-updates-ashadhi-bij-surat-city-amreli-bagasra-junagadh-farmers-happy</guid><pubDate>Thu, 16 Jul 2026 10:17:22 +05:30</pubDate><description><![CDATA[<p>રાજ્યમાં ચોમાસાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ મેઘરાજાએ લાંબો વિરામ લીધો હતો. જો કે, અષાઢી બીજના પવિત્ર દિવસે ફરી એકવાર રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે અને મેઘરાજાએ શુકનવંતા મંડાણ કર્યા છે. સૌરાષ્ટ્રના અમરેલી અને જૂનાગઢ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના સુરતમાં વરસાદની ધમાકેદાર રી-એન્ટ્રી થઈ છે.</p><h2><b>બગસરા પંથકમાં વિરામ બાદ વરસાદ&nbsp;</b></h2><p>અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં લાંબા સમયના વિરામ બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ ખાબક્યો હતો. અષાઢી બીજના પર્વે જ વરસાદ પડતાં સ્થાનિક ખેડૂતો તેને શુકનવંતો ગણાવી રહ્યા છે. બીજી તરફ જૂનાગઢ જિલ્લામાં પણ સવારથી જ કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા. જૂનાગઢના કેશોદ અને વંથલી પંથકમાં વરસાદી ઝાપટાં શરૂ થતાં કપાસ અને મગફળીના પાકને મોટો ફાયદો થવાની આશાએ ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.</p><h3><b>મેઘરાજા સુરત પર મહેરબાન થયા</b></h3><p>સુરત શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદ ગાયબ થતાં નાગરિકો અસહ્ય ગરમી અને ઉકળાટથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આજે વહેલી સવારથી જ મેઘરાજા સુરત પર મહેરબાન થયા છે. શહેરના ખટોદરા, અઠવા, રીંગ રોડ, અડાજણ, ભટાર, વેડ રોડ અને વરાછા સહિતના વિસ્તારોમાં ધીમી તેમજ મધ્યમ ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ તરફ સુરત ગ્રામ્યના ઓલપાડ તાલુકામાં પણ લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટાં પડતાં ખેતીના પાકને મોટું જીવનદાન મળ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં વરસાદનું જોર હજુ વધી શકે છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/rajkot/jam-tower-road-accident-crusher-truck-hits-woman-death-driver-absconding" target="_blank">આ પણ વાંચો: Rajkot: જામ ટાવર પાસે ટ્રક ચાલકે મહિલાને અડફેટે લેતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત, ચાલક વાહન મૂકી ઘટનાસ્થળેથી ફરાર</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/4xrIjOJDsbB6cFgYRP1Q9rExkGcyXUqX2z0atyww.webp'/></item><item><title><![CDATA[Rajkot: જામ ટાવર પાસે ટ્રક ચાલકે મહિલાને અડફેટે લેતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત, ચાલક વાહન મૂકી ઘટનાસ્થળેથી ફરાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/jam-tower-road-accident-crusher-truck-hits-woman-death-driver-absconding</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/jam-tower-road-accident-crusher-truck-hits-woman-death-driver-absconding</guid><pubDate>Thu, 16 Jul 2026 10:02:26 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ શહેરમાં ભારે અને કોમર્શિયલ વાહનોની બેફામ ગતિ અવારનવાર નિર્દોષ નાગરિકો માટે કાળ સાબિત થઈ રહી છે. આજે આવી જ એક હૃદયદ્રાવક ઘટના શહેરના ભરચક ગણાતા જામ ટાવર પાસે ઘટી છે. એક ઓવરસ્પીડ કન્સ્ટ્રક્શન ક્રશર ટ્રકના ચાલકે ટ્રાફિક નિયમો અને માર્ગ સલામતીને નેવે મૂકીને રોડ ક્રોસ કરી રહેલી અથવા પસાર થઈ રહેલી એક અજાણી મહિલાને અડફેટે લીધી હતી.</p><h2><b>જામ ટાવર પાસે હિટ એન્ડ રન</b></h2><p>ટ્રકની સ્પીડ એટલી વધારે હતી કે મહિલાને બચવાની તક સુધ્ધાં નહોતી મળી. ટ્રકની ટક્કર વાગતા જ મહિલા રોડ પર પછડાઈ હતી અને તેના શરીર પરથી ક્રશર ટ્રકનું વ્હીલ ફરી વળ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે ગંભીર ઈજાઓ થવાના કારણે મહિલાનું ઘટનાસ્થળે જ તરફડિયા મારીને મોત નીપજ્યું હતું.</p><h3><b>અકસ્માત બાદ ચાલક વાહન છોડીને ફરાર</b></h3><p>આ અકસ્માત થતાં જ આસપાસના વેપારીઓ અને રાહદારીઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. જોતજોતામાં જામ ટાવર સર્કલ પર સેંકડો લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. અકસ્માત બાદ ગુસ્સે ભરાયેલા લોકો કઈ એક્શન લે તે પહેલા જ ચાલક વાહન છોડીને ભીડનો લાભ ઉઠાવી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનીય પોલીસ અને ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતક મહિલાના શવને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવાની અને ફરાર ક્રશર ચાલક વિરુદ્ધ હિટ એન્ડ રનનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/rathyatra-2026/ahmedabad/rathyatra-security-30000-police-personnel-deployed-deep-points-control-room-monitoring" target="_blank">આ પણ વાંચો: Ahmedabad Rath Yatra 2026: 30 હજાર પોલીસ જવાનોના લોખંડી સુરક્ષા છત્ર વચ્ચે નગરચર્યાએ નીકળ્યા નાથ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/r6fXReiW4rz07wnZipPU43rrgnYaYMYigKhw081C.webp'/></item></channel></rss>