<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Nirjala Ekadashi 2026: આ વખતે નિર્જળા એકાદશી છે ખાસ, બની રહ્યો છે મહાદુર્લભ યોગ ]]></title><link>https://sandesh.com/india/news/nirjala-ekadashi-2026-nirjala-ekadashi-is-special-a-very-rare-yoga-is-being-formed</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/nirjala-ekadashi-2026-nirjala-ekadashi-is-special-a-very-rare-yoga-is-being-formed</guid><pubDate>Thu, 18 Jun 2026 11:03:00 +05:30</pubDate><description><![CDATA[<p>એકાદશી વ્રત હિન્દુ ધર્મમાં વિશેષ સ્થાન ધરાવે છે, ત્યારે નિર્જળા એકાદશીને તેમાંથી સર્વોચ્ચ, પવિત્ર અને સૌથી પડકારજનક માનવામાં આવે છે. તે વર્ષની ચોવીસ એકાદશીઓમાં સૌથી મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. વળી આ વર્ષે નિર્જળા એકાદશી ખાસ છે કારણ કે આ દિવસે 4 દુર્લભ સંયોગ રચાઇ રહ્યા છે.&nbsp;</p><h2><b>નિર્જળા એકાદશીએ કયા યોગની રચના ?&nbsp;</b></h2><p>આ વર્ષનું પાલન ખાસ કરીને અનન્ય છે કારણ કે તે ચાર દુર્લભ અને શુભ સંયોગોના સંગમને ચિહ્નિત કરે છે. પંચાંગ અનુસાર આ દિવસે શિવયોગ, રવિયોગ અને સિદ્ધ યોગ નો ત્રિવેણી સંગમ' (સંગમ) રચાઈ રહ્યો છે. વળી ચોથું અને સૌથી મહત્વપૂર્ણ પરિબળ એ છે કે વ્રત ગુરુવારે પડે છે.&nbsp; આ દિવસ ભગવાન વિષ્ણુને ખાસ પ્રિય છે.&nbsp;</p><h3><b>નિર્જલા એકાદશી 2026 ક્યારે છે?</b></h3><p><br></p><p>દ્રિક પંચાંગ અનુસાર, એકાદશી તિથિ (ચંદ્ર દિવસ) 24 જૂન, 2026 ના રોજ સાંજે 6:12 વાગ્યે શરૂ થાય છે અને 25 જૂન, 2026 ના રોજ રાત્રે 8:09 વાગ્યા સુધી ચાલુ રહે છે. ઉદય તિથિ (સૂર્યોદય નિયમ) ના આધારે, નિર્જલા એકાદશી વ્રત ગુરુવાર, 25 જૂનના રોજે ગણવામાં આવશે.&nbsp;</p><p><br></p><h4><b>25 જૂનના રોજ ચાર શુભ સંકલનો</b></h4><p>આ વર્ષે, નિર્જલા એકાદશી માત્ર ઉપવાસ માટે જ નહીં પરંતુ અનેક શુભ સંકલનોના એક સાથે થવા માટે પણ ધ્યાન ખેંચી રહી છે.</p><p><br></p><h3><b>રવિ યોગ</b></h3><p>રવિ યોગને એક શુભ સંકલન માનવામાં આવે છે જે અનુકૂળ પ્રવૃત્તિઓને સરળ બનાવે છે અને અવરોધોને દૂર કરવામાં મદદ કરે છે. આ યોગ સવારે 5:25 થી સાંજે 4:29 સુધી સક્રિય રહેશે. આ સમયગાળા દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા, મંત્રોચ્ચાર અને દાન-પુણ્ય કરવું એ ખાસ કરીને ફળદાયી માનવામાં આવે છે.</p><p><b style="font-size: 1.75rem;">શિવયોગ</b></p><p>નિર્જલા એકાદશીના દિવસે સવારે 10:22 વાગ્યે શિવયોગ શરૂ થશે. જ્યોતિષશાસ્ત્રમાં, આ યોગ (જ્યોતિષીય સંયોજન) ને સૌભાગ્ય, સફળતા અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન કરવામાં આવતી ધાર્મિક પ્રવૃત્તિઓથી પ્રાપ્ત થતી આધ્યાત્મિક પુણ્ય અનેક ગણી વધી જાય છે.</p><p><b style="font-size: 1.75rem;">સિદ્ધ યોગ</b></p><p>'સિદ્ધ યોગ' પણ સવારે 10:53 વાગ્યે શરૂ થશે અને દિવસભર અસરકારક રહેશે. સિદ્ધ યોગને તમામ પ્રકારની શુભ પ્રવૃત્તિઓ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન પૂજા, મંત્ર જાપ અને દાન કરવાથી વિશેષ લાભ મળે છે.</p><p><b style="font-size: 1.75rem;">ગુરુવારનો દુર્લભ સંયોગ</b></p><p>આ વખતે ચોથો અને સૌથી મહત્વપૂર્ણ સંયોગ એ છે કે નિર્જલા એકાદશી ગુરુવારે આવે છે. ગુરુવારને ભગવાન વિષ્ણુ અને દેવગુરુ બૃહસ્પતિ (ગુરુ) નો દિવસ માનવામાં આવે છે. એકાદશીનું વ્રત પણ ભગવાન વિષ્ણુને સમર્પિત હોવાથી આ સંયોગ ભક્તો માટે ખાસ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ઉપવાસ અને પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.</p><h4><b style="font-size: 1.5rem;">નિર્જલા એકાદશીનું ધાર્મિક મહત્વ</b></h4><p>નિર્જલા એકાદશીને 'ભીમસેની એકાદશી' તરીકે પણ ઓળખવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર, મહાભારતના યુગ દરમિયાન, ભીમસેનને ભોજન વિના રહેવું અશક્ય લાગ્યું. પરિણામે, ઋષિ વેદવ્યાસે તેમને વર્ષમાં ફક્ત એક જ વાર નિર્જલા એકાદશીનું વ્રત રાખવાની સલાહ આપી. એવું કહેવાય છે કે આ વ્રતની શક્તિ દ્વારા, તેમને બધી એકાદશીઓનું પાલન કરવા જેટલું પુણ્ય પ્રાપ્ત થયું. આ કારણોસર, આ ચોક્કસ એકાદશીનું વિશેષ મહત્વ છે.</p><p><br></p><p><a href="https://sandesh.com/gallery/news/india/why-are-potatoes-and-chickpeas-the-filling-in-panipuri?2" target="_blank">આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/18/phryCbZFybSRk4aAwvY2FaTmpBweZsJg93AsOXD3.webp'/></item><item><title><![CDATA[FIFA 2026: એસી સ્ટેડિયમમાં પણ મેચ રોકીને બ્રેક, ફિફાના વિચિત્ર નિયમ પર ભડક્યા ફૂટબોલ દિગ્ગજો ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-2026-match-stopped-at-ac-stadium-football-legends-furious-over-fifas-strange-rule</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-2026-match-stopped-at-ac-stadium-football-legends-furious-over-fifas-strange-rule</guid><pubDate>Thu, 18 Jun 2026 10:40:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬માં ખેલાડીઓને ગરમીથી રાહત આપવા માટે પહેલીવાર ફરજિયાત ‘હાઇડ્રેશન બ્રેક’ શરૂ કરવામાં આવ્યો છે. જોકે, આ નિયમ હવે ભારે વિવાદોમાં સપડાયો છે. ટીકાકારો અને ફૂટબોલ દિગ્ગજોનું કહેવું છે કે આ બ્રેક મેચના કુદરતી પ્રવાહને તોડી રહ્યો છે. તેમનું માનવું છે કે આ બ્રેકથી કોચને રણનીતિ બદલવાની વધારાની તક મળે છે. ખાસ કરીને જયારે એસી સ્ટેડિયમમાં પણ મેચ રોકીને હાઈડ્રેશન બ્રેક લેવામાં આવ્યો તે જોઈ ફૂટબોલ દિગ્ગજો ભડકયો. ફિફાના વિચિત્ર નિયમથી કોચ ખુશ છે પણ દિગ્ગજો અને&nbsp; ફેન્સ નારાજ છે.</p><h2 style="text-align: justify; "><b>હાઈડ્રેશન બ્રેકથી કુરાકાઓનો લય તૂટ્યો</b></h2><p style="text-align: justify; ">આ વિવાદનું સૌથી મોટું ઉદાહરણ જર્મની અને કુરાકાઓ વચ્ચેની મેચમાં જોવા મળ્યું. તાજેતરમાં વર્લ્ડ કપના સૌથી નાના દેશ કુરાકાઓએ લિવાનો કોમેનેસિયાના ગોલની મદદથી ૪ વખતના ચેમ્પિયન જર્મનીને ૧-૧ ની બરાબરી પર રોકી રાખ્યું હતું. પરંતુ, ગોલ થયાના થોડી જ વારમાં ‘હાઇડ્રેશન બ્રેક’ લેવામાં આવ્યો અને કુરાકાઓનો ઉત્સાહ અને લય બંને ખોરવાઈ ગયા. ગેમ શરૂ થતાં જ જર્મનીએ હાફટાઇમ પહેલા બે ગોલ ફટકાર્યા અને આખરે મેચ ૭-૧ થી જીતી લીધી. ઇંગ્લેન્ડના પૂર્વ સ્ટ્રાઈકર એલન શીયરરે આ અંગે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે બ્રેકના લીધે કુરાકાઓ ઈવેન્ટની ગતિ ખોઈ બેઠું.</p><h3 style="text-align: justify; "><b>બ્રેક બન્યો કોચ માટે ગેમ-ચેન્જર પ્લાન</b></h3><p style="text-align: justify; ">ફિફાએ આ નિયમ ખેલાડીઓને પાણી પીવડાવવા માટે બનાવ્યો હતો. પરંતુ કોચ હવે તેનો ઉપયોગ વ્યૂહાત્મક ચર્ચાઓ માટે કરી રહ્યા છે. નેધરલેન્ડ્સના કોચ રોનાલ્ડ કોમેનએ ખુલ્લેઆમ સ્વીકાર્યું કે તેઓ મેચની સ્થિતિ સુધારવા અને ખેલાડીઓને નવી યુક્તિઓ આપવા માટે આ સમયનો પૂરો લાભ ઉઠાવી રહ્યા છે. જણાવી દઈએ કે ગરમીના કારણે ખેલાડીઓની રમત પ્રભાવિત થઈ રહી છે. ટેનિસની રમતમાં ગરમીના કારણે દિગ્ગજ ખેલાડીએ કારમી હારનો સામનો કરવો પડયો હતો. એટલે જ ફૂટબોલમાં ખેલાડીઓ માટે હાઈડ્રેશનનો નિયમ લાગુ કરાયો. પરંતુ એસી સ્ટેડિયમમાં બ્રેક લેવાતા ફૂટબોલ દિગ્ગજો આ નિયમને વિચિત્ર ગણાવે છે.</p><h4 style="text-align: justify; "><b>ફિફાના આ નિયમ સામે ઉઠાવ્યા સવાલ</b></h4><p style="text-align: justify; ">આયર્લેન્ડના પૂર્વ કેપ્ટન રોય કીને પણ ફિફાના આ નિર્ણય સામે આકરા સવાલો ઉઠાવ્યા છે. તેમણે આ બ્રેકની તુલના અમેરિકન રમતોના 'ટાઇમઆઉટ' સાથે કરતા કહ્યું કે, ફૂટબોલની અસલી સુંદરતા તેની અવિરત ગતિમાં છે, જે આ વિરામના કારણે પ્રભાવિત થઈ રહી છે. આંકડા જોઈએ તો વર્લ્ડ કપની પ્રથમ ૧૬ મેચોમાંથી ૮ મેચમાં હાઇડ્રેશન બ્રેક પૂરો થયાની ૧૦ મિનિટની અંદર જ ગોલ નોંધાયા હતા. બ્રાઝિલ-મોરોક્કો મેચ સિવાય કેનેડા, યુએસએ, ઓસ્ટ્રેલિયા, સ્કોટલેન્ડ, સ્વીડન અને ઈરાન જેવી ટીમોએ પણ બ્રેક પછી ગોલ કરીને મેચનો પાસો પલટી નાખ્યો હતો.</p><p style="text-align: justify; "><b>એર-કન્ડિશન્ડ સ્ટેડિયમમાં પણ બ્રેક? ચાહકોમાં નારાજગી</b></p><p style="text-align: justify; ">ફિફાના નિયમ મુજબ, રેફરીએ દરેક હાફની ૨૨મી મિનિટે ૩ મિનિટ માટે રમત રોકવી ફરજિયાત છે, પછી ભલે હવામાન ગમે તેવું હોય. એટલાન્ટામાં સ્પેન અને કેપ વર્ડે વચ્ચેની મેચ એર-કન્ડિશન્ડ અને ક્લોઝ્ડ રૂફ સ્ટેડિયમમાં હોવા છતાં બ્રેક અપાયો હતો. જયારે ફોક્સબરોમાં ઇરાક અને નોર્વે વચ્ચેની અટકાવેલી મેચ દરમિયાન સ્ટેડિયમમાં હાજર ચાહકોએ ભારે બૂમાબૂમ કરી નારાજગી વ્યક્ત કરી હતી.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat/news/sports/ahmedabad/world-class-spine-sports-injury-center-rs-295-crore" target="_blank">આ પણ વાંચો : Ahmedabadમાં 295 કરોડના ખર્ચે વર્લ્ડ ક્લાસ સ્પાઈન,સ્પોર્ટ્સ ઈન્જરી સેન્ટર બનશે</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/18/iu9iU3K3dq52dtP40DmIFiirBo3gCHDSyi3BDAaY.webp'/></item><item><title><![CDATA[Ayodhya Ram Mandir: સોનાના ચઢાવાનો પણ હિસાબ નહી ! રામ ભક્તો સાથે કોણ કરી રહ્યું છે છેતરપિંડી ? ]]></title><link>https://sandesh.com/india/news/ayodhya-ram-mandir-even-the-gold-offerings-are-not-accounted-for-who-is-cheating-ram-devotees</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ayodhya-ram-mandir-even-the-gold-offerings-are-not-accounted-for-who-is-cheating-ram-devotees</guid><pubDate>Thu, 18 Jun 2026 10:27:55 +05:30</pubDate><description><![CDATA[<p>રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવેલા સોનાના દાનમાં કરોડો રૂપિયાનું મોટું કૌભાંડ થયું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ, ભક્તોએ ચઢાવેલા સોનાનો કોઈ સત્તાવાર કે યોગ્ય રેકોર્ડ રાખવામાં આવ્યો નથી, જેને કારણે મોટા પાયે નાણાકીય અને કિંમતી ધાતુની ગેરરીતિ થઈ હોવાની આશંકા દ્રઢ બની છે. આ સમગ્ર મામલે હવે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા સઘન પૂછપરછ અને તપાસ શરૂ કરવામાં આવી છે.&nbsp;</p><p><br></p><h2><b>SPMCIL કાઉન્ટરની યોજના કેમ અટકી?</b></h2><p>મંદિરમાં સોનાના દાનની પ્રક્રિયા પારદર્શક રહે તે માટે થોડા મહિના પહેલાં ભારત સરકારના નાણાં મંત્રાલય અને સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SPMCIL) વચ્ચે એક મહત્વપૂર્ણ કરાર થયો હતો. જે મુજબ&nbsp; મંદિર પરિસરમાં SPMCILનું એક ખાસ કાઉન્ટર શરૂ કરવાનું નક્કી કરાયું હતું. સોનું કે સોનાના દાગીના દાન કરનારા ભક્તોને આ કાઉન્ટર પરથી સત્તાવાર રસીદ આપવાની જોગવાઈ હતી, જેથી દાનનો સચોટ હિસાબ મળી શકે.</p><p>દેશના અન્ય મોટા ધાર્મિક સ્થળો પર આવી વ્યવસ્થા સફળતાપૂર્વક ચાલી રહી છે. જો કે, સૂત્રોના જણાવ્યા અનુસાર, અયોધ્યા રામ મંદિર પરિસરમાં આ કાઉન્ટર માટે યોગ્ય જગ્યા ફાળવવામાં આવી નહોતી. સત્તાવાર કરાર હોવા છતાં આ સિસ્ટમ લાગુ ન થઈ શકતા હવે એવા સવાલો ઉઠી રહ્યા છે કે, શું ઇરાદાપૂર્વક SPMCIL ને જગ્યા આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો?</p><h4><b>કેવી રીતે સોનામાં છેતરપિંડી થતી ?</b></h4><p>નાણાં મંત્રાલય હેઠળ કામ કરતી સંસ્થા SPMCIL, જે ભારતીય ચલણ, સિક્કા, પોસ્ટેજ સ્ટેમ્પ અને નોન-જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર જેવા ઉચ્ચ-સુરક્ષા દસ્તાવેજોના પ્રિન્ટિંગનું કામ સંભાળે છે, તેની એક ખાસ યોજના હતી. મંદિરના સોનાનો ઉપયોગ કરીને વિશેષ ધાર્મિક સિક્કા બનાવવાનું નક્કી થયું હતું, જેને રામલલ્લાના ભક્તો ખરીદી શકે.</p><p>પરંતુ વ્યવસ્થિત રેકોર્ડના અભાવે આ યોજના ખોરવાઈ ગઈ. શ્રદ્ધાળુઓ સોનું કાં તો દાન પેટીમાં નાખતા અથવા ત્યાં હાજર પૂજારીઓને સોંપતા હતા. પૂજારીઓ પાસેથી આ સોનું પ્રસાદની ગણતરી કરતા સ્ટાફ પાસે જતું હતું. આરોપ છે કે આ જ તબક્કે મોટી છેતરપિંડી આચરવામાં આવી અને સોનાની ચોરી કરીને તેનો હિસાબ ગાયબ કરી દેવાયો.</p><h4><b>ટંકશાળ નિગમના અધિકારીઓની ઉપેક્ષા અને SIT તપાસ</b></h4><p>કેન્દ્ર સરકારે સોનાના દાનમાં ગેરરીતિઓ રોકવા માટે જ ટંકશાળ નિગમ (Mint Corporation) ના નિષ્ણાતોને મોકલ્યા હતા, પરંતુ મંદિરના વ્યવસ્થાપકોએ આ અધિકારીઓને પરત મોકલી દીધા હોવાના અહેવાલ છે.</p><h4><b>મંદિરમાં દાન આ ત્રણ રીતે મળતુ</b></h4><ul><li>દાન પેટીઓ દ્વારા.</li><li>સીધા મૂર્તિ પર અર્પણ કરીને.</li><li>વીઆઈપી ભક્તો દ્વારા સીધા ચંપત રાયને સોંપીને.</li></ul><h4><b>ટુન્નુ યાદવ આખા મામલામાં કેવી રીતે આવ્યો ?&nbsp;</b></h4><p>આક્ષેપો અનુસાર, ચંપત રાય આ સોનું ટુન્નુ યાદવ નામના વ્યક્તિને આપતા હતા, જે બેંકમાં જમા કરાવતા પહેલાં તેના ફોટા પાડતો હતો. પરંતુ બેંકમાં ખરેખર કેટલું સોનું જમા થયું અને કેટલું મળ્યું હતું, તેની કોઈ સત્તાવાર ચકાસણી કે ઓડિટ કરવામાં આવી નથી. તપાસ દરમિયાન ટુન્નુ યાદવના ઘરના પરિસરમાંથી મોટી માત્રામાં રોકડ અને સોનું મળી આવ્યું છે, જે શંકાને વધુ મજબૂત કરે છે. જો બધું જ સોનું બેંકમાં જમા થઈ ગયું હોત, તો તેના ઘરેથી આ કિંમતી ચીજો ન મળી હોત. હાલમાં SIT આ કરોડોના સોના કૌભાંડના દરેક પાસાની ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.&nbsp;</p><p><br></p><p><a href="https://sandesh.com/gallery/news/india/why-are-potatoes-and-chickpeas-the-filling-in-panipuri?2" target="_blank">આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/18/jaCTAgnQeUCmXMClgk5z7pcUDWgHpIUlvorT1Whk.webp'/></item><item><title><![CDATA[Suratમાં ફિલ્મી ડ્રામા, શેરબજારમાં કંગાળ થયેલા યુવકે પોતાના જ અપહરણનું તરકટ રચ્યું, પરિવાર પાસે 50 લાખ માગ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-crime-news-man-staged-own-kidnapping-50-lakh-share-market-loss</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-crime-news-man-staged-own-kidnapping-50-lakh-share-market-loss</guid><pubDate>Thu, 18 Jun 2026 09:42:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારો અને સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક યુવકે પોતાના જ પરિવાર પાસેથી મોટી રકમ પડાવવા માટે ફિલ્મી સ્ટાઈલમાં પોતાના જ અપહરણનું ઘાતકી નાટક રચ્યું હતું. શેરબજારમાં થયેલી લાખો રૂપિયાની ખોટની ભરપાઈ કરવા માટે આ યુવકે આખું તરકટ રચ્યું હોવાનો પર્દાફાશ સુરતની ઉત્રાણ પોલીસે કર્યો છે. પોલીસે આ યુવકને ગોધરાની એક હોટેલમાંથી સહીસલામત ઝડપી પાડ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>હિન્દીમાં ધમકીભર્યો મેસેજ અને વીડિયો મોકલ્યો
</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, સુરતના ઉત્રાણ વિસ્તારમાં રહેતા જીગ્નેશ નામના યુવકે પોતાના જ પરિવારને ચોંકાવી દેતો એક હિન્દીમાં ધમકીભર્યો મેસેજ અને વીડિયો મોકલ્યો હતો. આ મેસેજમાં લખવામાં આવ્યું હતું કે, "જો 50 લાખ નહીં આપો તો યુવકની લાશ મળશે." આ ધમકીભર્યો વીડિયો જોઈને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પરિવારે તાત્કાલિક આ અંગે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી.
</p><h3 style="text-align: justify; "><b>ગોધરાની હોટેલમાંથી પોલ ખૂલી
</b></h3><p style="text-align: justify; ">ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ઉત્રાણ પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ટેકનિકલ સર્વેલન્સ અને લોકેશનના આધારે તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારી કડીઓ મળી હતી અને જીગ્નેશનું લોકેશન પંચમહાલ જિલ્લાના ગોધરાની એક હોટેલમાં ટ્રેસ થયું હતું. પોલીસે ગોધરાની હોટેલમાં દરોડો પાડીને જીગ્નેશને સહીસલામત શોધી કાઢ્યો હતો.
</p><h4 style="text-align: justify; "><b>તેને શેરબજારમાં ભારે ખોટ ગઈ હતી
</b></h4><p style="text-align: justify; ">પોલીસની કડક પૂછપરછમાં જીગ્નેશે પોતે જ આ ગુનો આચર્યો હોવાની કબૂલાત કરી હતી. તેને શેરબજારમાં ભારે ખોટ ગઈ હતી અને દેવું વધી જતાં પૈસા ચૂકવવા માટે તેણે પોતાના જ અપહરણનું નાટક રચ્યું હતું. નવાઈની વાત એ છે કે, જીગ્નેશે તેને કેવી રીતે બંધક બનાવવામાં આવ્યો હતો તેનો લાઈવ ડેમો પણ પોલીસ સમક્ષ કરીને બતાવ્યો હતો. હાલ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/india/news/sandesh-digital-explainer-ayodhya-ram-mandir-donation-scam-sit-probe" target="_blank"><b>Sandesh Digital Explainer : રામ નામે પથ્થર તર્યા..! અયોધ્યા રામ મંદિરમાં સવા વર્ષ સુધી કેવી રીતે ચાલ્યું કરોડોનું ' દાન કૌભાંડ'? વાંચો ઇન-ડેપ્થ માહિતી</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/18/ZWd3Sh8WaCiU32MBwfOVSILJ78OKTUmkK69eX0Eu.webp'/></item><item><title><![CDATA[Stock Market Opening: શેરબજારની સુસ્ત શરૂઆત, સેન્સેક્સ 77,110 અંકે ખૂલ્યો ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-opening-stock-market-starts-slowly-sensex-opens-at-77110-points</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-opening-stock-market-starts-slowly-sensex-opens-at-77110-points</guid><pubDate>Thu, 18 Jun 2026 09:38:08 +05:30</pubDate><description><![CDATA[<p>ગુરુવારે સ્થાનિક શેરબજારની શરૂઆત સુસ્ત રહી. શરૂઆતના સત્રોમાં GIFT નિફ્ટીમાં થોડો ઘટાડો જોવા મળ્યો, જે બેન્ચમાર્ક નિફ્ટી 50 ઇન્ડેક્સ માટે લગભગ ફ્લેટ ઓપનિંગ સૂચવે છે. વૈશ્વિક બજારોમાં નબળાઈ અને યુએસ ફેડરલ રિઝર્વના આક્રમક વલણથી રોકાણકારોના સેન્ટિમેન્ટ પર અસર પડી છે.</p><p><b style="font-size: 2rem;">શેરબજારની સુસ્ત શરૂઆત&nbsp;</b></p><p>સવારે 9.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ 45.16 પોઇન્ટના ઘટાડા સાથે 77,110.46 અંકે ખૂલ્યો જ્યારે નિફ્ટી 2.90 પોઇન્ટના ઘટાડા સાથે 24,082.80 અંકે ખૂલ્યો.&nbsp;</p><p><b style="font-size: 1.75rem;">ફેડરલ રિઝર્વ વ્યાજ દરો યથાવત રહ્યા&nbsp;</b></p><p>યુએસ ફેડરલ રિઝર્વે તેની નીતિ બેઠક દરમિયાન વ્યાજ દરો વર્તમાન સ્તરે જાળવી રાખ્યા છે. જોકે, ફેડ અધિકારીઓના અંદાજો સૂચવે છે કે 2026 માં દર વધારાની શક્યતાને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવી નથી. આનાથી વૈશ્વિક બજારોમાં સાવધાનીનું વાતાવરણ ઉભું થયું છે.</p><p><b style="font-size: 1.5rem;">એશિયન બજારો પર દબાણ; જાપાને નવો રેકોર્ડ બનાવ્યો</b></p><p>એશિયા-પેસિફિક ક્ષેત્રના મોટાભાગના મુખ્ય બજારોમાં શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન નબળાઈ જોવા મળી. હોંગકોંગના હેંગ સેંગ અને ઓસ્ટ્રેલિયાના S&amp;P ASX 200 લાલ રંગમાં ટ્રેડિંગ કરતા જોવા મળ્યા. તેનાથી વિપરીત, જાપાનના મુખ્ય સ્ટોક ઇન્ડેક્સે નવી ઊંચાઈઓ સર કરી. ૭૧,૦૦૦ ના આંકને વટાવીને, ઇન્ડેક્સ લગભગ ૨ ટકા મજબૂત થયો, અને સફળતાપૂર્વક એક નવો રેકોર્ડ બનાવ્યો.</p><p><b style="font-size: 1.5rem;">યુએસ બજારોમાં નફા-બુકિંગ</b></p><p>બુધવારે યુએસ શેરબજારમાં અસ્થિરતા જોવા મળી. ડાઉ જોન્સ સત્ર દરમિયાન નવા રેકોર્ડ ઉચ્ચતમ સ્તરને સ્પર્શ્યો પરંતુ પાછળથી વેચાણ દબાણને કારણે તે નીચે આવી ગયો. ટ્રેડિંગ બંધ થતાં સુધીમાં, મુખ્ય સૂચકાંકો - ડાઉ જોન્સ, S&amp;P 500 અને Nasdaq - બધા લાલ નિશાનમાં બંધ થયા.</p><p><b style="font-size: 1.5rem;">ક્રૂડ ઓઇલ અને કિંમતી ધાતુઓમાં નરમાઈ</b></p><p>આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો ચાલુ રહ્યો. યુએસ અને ઇરાન વચ્ચેના વચગાળાના કરાર બાદ તેલ પુરવઠા અંગેની ચિંતાઓ ઓછી થઈ, જેના કારણે કિંમતો પર અસર પડી. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સમાં પણ ઘટાડો નોંધાયો.</p><p>સોના અને ચાંદીના ફ્યુચર્સમાં પણ દબાણનો સામનો કરવો પડ્યો, શરૂઆતના સત્ર દરમિયાન બંને કિંમતી ધાતુઓ નીચા વેપાર સાથે.</p><p><a href="https://sandesh.com/gallery/news/india/why-are-potatoes-and-chickpeas-the-filling-in-panipuri?2" target="_blank">આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2024/12/16/nssx0nFMCWEFJi9091P88E6iSf9biI9lascMugJJ.jpg'/></item><item><title><![CDATA[370 Biryani Controversy :  પ્રણિત મોરે પર ભડકયા અનિરુદ્ધાચાર્ય, યુવાઓની માનસિકતા પર ઉઠાવ્યા સવાલ ]]></title><link>https://sandesh.com/entertainment/news/370-biryani-controversy-aniruddhacharya-lashes-out-at-comedian-praneet-more-raises-questions-on-the-mindset-of-the-youth</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/370-biryani-controversy-aniruddhacharya-lashes-out-at-comedian-praneet-more-raises-questions-on-the-mindset-of-the-youth</guid><pubDate>Thu, 18 Jun 2026 09:35:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર સ્ટેન્ડ-અપ કોમેડિયન પ્રણીત મોરેના શોનો એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ૨૩ વર્ષીય હિમાંશુ જાંગરા નામનો યુવક ડેટ પર ગયેલી છોકરી પાસે ₹૩૭૦ની બિરયાનીના પૈસા વસૂલવાની વાત કરી રહ્યો છે. '૩૭૦ કી બિરયાની' તરીકે પ્રખ્યાત થયેલા આ વિવાદ પર હવે જાણીતા વાર્તાકાર અને સંત અનિરુદ્ધાચાર્ય મહારાજે આક્રોશ વ્યક્ત કર્યો છે.</p><h2 style="text-align: justify; "><b>"કોમેડીના નામે પીરસાઈ રહી છે અશ્લીલતા"અનિરુદ્ધાચાર્ય&nbsp;</b></h2><p style="text-align: justify; ">સમગ્ર મુદ્દા પર પોતાનો રોષ ઠાલવતા અનિરુદ્ધાચાર્ય મહારાજે જણાવ્યું હતું કે, આજકાલ કોમેડીના ઓઠા હેઠળ સમાજમાં ગેરમાર્ગે દોરનારી વાતો ફેલાવવામાં આવી રહી છે. તેમણે વીડિયોનો ઉલ્લેખ કરતા કહ્યું: "એક યુવક સરેઆમ કહી રહ્યો છે કે તેણે એક છોકરીને ₹૩૭૦ની બિરયાની ખવડાવી, તેથી તે પૈસા પરત મેળવવા હકદાર છે. જ્યારે સમાજ સમક્ષ આવી અભદ્ર કોમેડી પીરસવામાં આવે, ત્યારે દેશના યુવાનો પર તેની કેવી નકારાત્મક અસર પડશે? યુવા પેઢી એવું વિચારવા લાગશે કે કોઈ છોકરી પાછળ સામાન્ય ખર્ચ કર્યા પછી તેની પાસેથી પૈસા કે વસૂલાત કેવી રીતે કરવી."</p><h3 style="text-align: justify; "><b>પૈસાની નહીં, ઘૃણાસ્પદ માનસિકતાની વાત</b></h3><p style="text-align: justify; ">અનિરુદ્ધાચાર્ય મહારાજે ભારપૂર્વક કહ્યું કે આ વિવાદ માત્ર રૂપિયા પૂરતો સીમિત નથી, પરંતુ તે ગંભીર માનસિકતા દર્શાવે છે. તેમણે ઉમેર્યું કે, ₹૩૭૦ પડાવવાના બહાને છોકરો છોકરીના ચારિત્ર્ય સાથે રમત રમવા માંગે છે અને તેનો દુરુપયોગ કરવા ઈચ્છે છે. શું આવી વિકૃત માનસિકતા આપણા દેશ કે સમાજ માટે યોગ્ય છે? બિલકુલ નહીં. પરંતુ અફસોસની વાત એ છે કે મનોરંજનના નામે ચાલતી આ અશ્લીલતાને કોઈ રોકી રહ્યું નથી.</p><h3 style="text-align: justify; "><b>ભારતીય મીડિયાની ભૂમિકા પર સવાલ</b></h3><p style="text-align: justify; ">કથાકારે આ મામલે મીડિયાના બેવડા વલણ પર પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું: જ્યારે સંત સમાજ દેશ અને સંસ્કૃતિને સુધારવા માટે શિષ્ટાચારની વાત કરે છે, ત્યારે મીડિયા અમારી પાછળ પડી જાય છે. અમને દોષી ઠેરવીને સવાલો પૂછવામાં આવે છે. પરંતુ, જ્યારે કોઈ છોકરો ₹૩૭૦ની બિરયાનીના બદલામાં છોકરીના સન્માન સાથે છેતરપિંડીની વાત કરે છે, ત્યારે મીડિયા મૌન ધારણ કરી લે છે. વધુમાં તેમણે આક્રોશ ઠાલવતા કહ્યું કે મીડિયા ગમે તેટલો વિરોધ કરે કે ખોટું ચિત્રણ કરે, સંત સમાજ ક્યારેય ચૂપ નહીં બેસે. તેઓ સમાજમાં જાગૃતિ લાવવાનું કાર્ય ચાલુ રાખશે.</p><p style="text-align: justify; "><b>કોમેડિયન અને યુવક સામે પોલીસ એક્શન</b></p><p style="text-align: justify; ">ઉલ્લેખનીય છે કે, આ વિવાદ માત્ર સોશિયલ મીડિયા પૂરતો સીમિત નથી રહ્યો. રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)ની ફરિયાદના આધારે ગુરુગ્રામ પોલીસે સ્ટેન્ડ-અપ કોમેડિયન પ્રણીત મોરે અને વેબ ડેવલપર હિમાંશુ જાંગરા વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ ઉપરાંત, કોમેડિયન પ્રણીત મોરે વિરુદ્ધ અગાઉ મહારાષ્ટ્રમાં પણ એક એફઆઈઆર (FIR) નોંધાઈ ચૂકી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/cricket/news/entertainment/mohammed-siraj-vijay-deverakonda-tg20-league-legal-notice#google_vignette" target="_blank">આ પણ વાંચો : Mohammed Sirajથી લઈને વિજય દેવરકોંડા સુધી, આ સ્ટાર્સને ફટકારવામાં આવી લીગલ નોટિસ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/18/gbmSjDe8j0egzm9PrzIznSiL84KAyxrDM5gbQ1G9.webp'/></item><item><title><![CDATA[Gandhidhamમાં સ્પાની આડમાં અને કેશોદમાં ફ્લેટમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ, લલનાઓ મુક્ત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/gujarat-crime-news-sex-racket-busted-gandhidham-junagadh-keshod</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/gujarat-crime-news-sex-racket-busted-gandhidham-junagadh-keshod</guid><pubDate>Thu, 18 Jun 2026 09:22:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં દેહવિક્રયના કાળા કારોબાર સામે પોલીસે લાલ આંખ કરી છે. રાજ્યના બે જુદા-જુદા વિસ્તારોમાં પોલીસે ઓપરેશન હાથ ધરીને હાઈપ્રોફાઈલ કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે. કચ્છના ગાંધીધામમાં સ્પાની આડમાં અને જુનાગઢના કેશોદમાં રહેણાંક ફ્લેટમાં ચાલતા સેક્સ રેકેટ પર પોલીસે દરોડા પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.</p><h2 style="text-align: justify; "><b>ગાંધીધામની ગોકુલ હોટેલમાં પોલીસનો સપાટો
</b></h2><p style="text-align: justify; ">કચ્છના ગાંધીધામમાં એ ડિવિઝન પોલીસ મથકને બાતમી મળી હતી કે ગોકુલ હોટેલમાં આવેલા એક સ્પામાં ગેરકાયદેસર રીતે સેક્સ રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસે પ્લાન ઘડીને સ્પામાં એક ડમી ગ્રાહક મોકલ્યો હતો. ડમી ગ્રાહકનો ઈશારો મળતાં જ પોલીસે ત્રાટકીને સમગ્ર પર્દાફાશ કર્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે દેહવિક્રયના દલદલમાંથી છત્તીસગઢની બે અને મુંબઈની એક લલનાને મુક્ત કરાવી હતી. સ્પામાં હાજર બે મહિલા મેનેજર અને સ્પા સંચાલક સહિત કુલ ત્રણ પરપ્રાંતીય મહિલાઓ સામે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
</p><h3 style="text-align: justify; "><b>કેશોદમાં ફ્લેટમાંથી હાઈપ્રોફાઈલ રેકેટ ઝડપાયું
</b></h3><p style="text-align: justify; ">બીજી તરફ જુનાગઢના કેશોદમાં પણ પોલીસે એક ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું હતું. અહીંના એક હાઈપ્રોફાઈલ ફ્લેટમાં ચાલતા કુટણખાના પર પોલીસે દરોડો પાડ્યો હતો. આ રેઇડ દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને ત્યાંથી રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે, આ સેક્સ રેકેટ ચલાવતી મુખ્ય મહિલા સંચાલિકા પોલીસ રેઇડ દરમિયાન નાસી જવામાં સફળ રહી હતી. પોલીસે મુખ્ય આરોપી મહિલા સહિત ચાર લોકો સામે ગુનો નોંધીને ફરાર મહિલા સંચાલિકાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો---&nbsp; &nbsp;<a href="https://sandesh.com/india/news/sandesh-digital-explainer-ayodhya-ram-mandir-donation-scam-sit-probe" target="_blank"><b>Sandesh Digital Explainer : રામ નામે પથ્થર તર્યા..! અયોધ્યા રામ મંદિરમાં સવા વર્ષ સુધી કેવી રીતે ચાલ્યું કરોડોનું ' દાન કૌભાંડ'? વાંચો ઇન-ડેપ્થ માહિતી</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/18/XfEZp7CraQGvj6m1YCLzu44Uyj8z4oFgRCRtqrgI.webp'/></item><item><title><![CDATA[Bhavnagar : છેડતીનો વિરોધ કરવા જતાં પરણિતાના પતિ, જેઠ અને સસરા પર પ્રાણઘાતક હુમલો, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/bhavnagar-crime-news-woman-harassment-leads-to-attack-on-family</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/bhavnagar-crime-news-woman-harassment-leads-to-attack-on-family</guid><pubDate>Thu, 18 Jun 2026 09:06:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ઉત્તર કૃષ્ણનગર વિસ્તારમાં  પરણિતાની છેડતીનો વિરોધ કરવા ગયેલા પરિવાર પર કેટલાક શખ્સોએ હિચકારો અને પ્રાણઘાતક હુમલો કર્યો છે. લુખ્ખાતત્વોએ તમામ હદો વટાવીને પરણિતાના પતિ, જેઠ અને સસરા પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. તમામ ઇજાગ્રસ્તોને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભાવનગરની પ્રખ્યાત સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>પરણિતાની સ્થાનિક વિસ્તારનો જ એક માથાભારે શખ્સ અવારનવાર છેડતી કરતો
</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ,  એક પરણિતાની સ્થાનિક વિસ્તારનો જ એક માથાભારે શખ્સ અવારનવાર છેડતી કરતો હતો. આ માથાભારે શખ્સે તમામ મર્યાદાઓ ઓળંગીને પરણિતાનો હાથ પકડી લીધો હતો અને અભદ્ર વર્તન કર્યું હતું. આ બાબતે ભોગ બનનાર પરણિતાના પતિએ અગાઉ પણ તે શખ્સને અવારનવાર સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આ માથાભારે શખ્સ પોતાની હરકતોથી બાજ આવ્યો ન હતો.
</p><h3 style="text-align: justify; "><b>ઠપકો આપવા જતાં 5 શખ્સો તૂટી પડ્યા
</b></h3><p style="text-align: justify; ">ગઈકાલે જ્યારે માથાભારે શખ્સની આ કરતૂત અંગે પરણિતાના પતિ, તેમના ભાઈ (જેઠ) અને પિતા (સસરા) ત્રણેય ભેગા મળીને આરોપીને ઠપકો આપવા ગયા હતા, ત્યારે મામલો બિચક્યો હતો. આરોપી અને તેની સાથેના 4 થી 5 લોકોના ટોળાએ ઉશ્કેરાઈને આ પીડિત પરિવાર પર લાકડીઓ અને ધારદાર હથિયારો વડે હુમલો કરી દીધો હતો. હુમલો એટલો ભયાનક હતો કે પિતા અને તેમના બંને પુત્રો લોહીલુહાણ થઈ ગયા હતા. હુમલો કર્યા બાદ તમામ શખ્સો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલ ચોકી દ્વારા આ મામલે પ્રાથમિક ડાયરી નોંધીને સ્થાનિક પોલીસે ફરાર થઈ ગયેલા હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
</p><p style="text-align: justify; ">આ પણ વાંચો---<a href="https://sandesh.com/india/news/sandesh-digital-explainer-ayodhya-ram-mandir-donation-scam-sit-probe" target="_blank"><b>&nbsp; Sandesh Digital Explainer : રામ નામે પથ્થર તર્યા..! અયોધ્યા રામ મંદિરમાં સવા વર્ષ સુધી કેવી રીતે ચાલ્યું કરોડોનું ' દાન કૌભાંડ'? વાંચો ઇન-ડેપ્થ માહિતી</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/18/iTkBgm7OUQtRBS18muqKtqdMO4rZwPRLcsCkLvMU.webp'/></item><item><title><![CDATA[Panchmahal: જન કલ્યાણ શિબિરમાં લાભાર્થીઓને વિવિધ યોજનાના ચેકનું વિતરણ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/panchmahal/panchmahal-distribution-of-cheques-of-various-schemes-to-beneficiaries-in-jan-kalyan-shibir</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/panchmahal/panchmahal-distribution-of-cheques-of-various-schemes-to-beneficiaries-in-jan-kalyan-shibir</guid><pubDate>Thu, 18 Jun 2026 05:57:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જાંબુઘોડા સ્થિત મહાત્મા ગાંધી ભવન ખાતે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અને હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈની ઉપસ્થિતિમાં જન કલ્યાણ શિબિર યોજાઈ હતી.</p><p style="text-align: justify; ">રાજ્યની પ્રજા સુધી સરકારની જન કલ્યાણ યોજનાઓની માહિતી બહોળા પ્રમાણમાં પહોંચે અને તે યોજનાઓના મહત્તમ લાભ પ્રજાજનોને મળે તેમજ વિકસિત ભારત 2047ને સિદ્ધ કરવા તા.12 થી 20 જૂન દરમિયાન જન કલ્યાણ શિબિર યોજાઈ રહી છે. આ યોજનામાં આયુષ્યમાન ભારત, વય વંદના, પીએમ, સૂર્ય ઘર યોજના ,સ્વનિધિ યોજના ની માહિતી તથા નોંધણી કરાઈ હતી. શિબીર સ્થળે દરેક વિભાગના સ્ટોલો ઉભા કરાયા હતા. જેથી લાભાર્થીને વિવિધ યોજનાની માહિતી મેળવવામાં સરળતા રહે તેમજ જન કલ્યાણ શિબિરમાં શાળાના બાળકો યુનિવર્સિટી ના વિદ્યાર્થીઓ ને પણ તમામ યોજનાની માહિતી સાથે આરોગ્યને લગતી માહિતી અપાઈ હતી. નિરાધાર વૃદ્ધ, દિવ્યાંગોને તેમજ અન્ય લાભાર્થીઓને ચેકનું વિતરણ મહાનુભાવના હસ્તે કરાયું હતું. ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈ, પ્રાંત અધિકારી, મામલતદાર કલ્પિત કુમાર સેવક,TDO, તાલુકા પંચાયત પ્રમુખ રેશ્મા બેન, જાંબુઘોડા ભાજપ પ્રમુખ રણજીતભાઈ, ભાજપ મહામંત્રી વિક્રમભાઈ, સરપંચ જીતકુમાર દેસાઈ, સરપંચો, ભાજપના હોદ્દેદારો સરકારી કર્મચારીઓ, તથા લાભાર્થીઓ હાજર રહ્યા હતા. બાદમાં મહાદેવ મંદિર ખાતે વૃક્ષારોપણ કરાયું હતું.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/18/i9fCNXxv1SkmqdvikugRsyRtFyV4tOcSF2fksNip.webp'/></item><item><title><![CDATA[Dahod: સંજેલી તાલુકાના હીરોળા ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dahod/dahod--1-1-1-1-1-1-1-1-1-1-1-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dahod/dahod--1-1-1-1-1-1-1-1-1-1-1-1</guid><pubDate>Thu, 18 Jun 2026 05:56:48 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજ્ય સરકારની જન કલ્યાણલક્ષી યોજનાઓનો લાભ વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચે તેમજ આરોગ્ય સેવાઓ લોકોના દ્વાર સુધી પહોંચાડવાના હેતુથી સંજેલી તાલુકાના હિરોળા ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ હતી.</p><p style="text-align: justify; ">શિબિર દરમિયાન તાલુકા પંચાયત પ્રમુખ મહેદીપ પલાસના હસ્તે લાભાર્થીઓને PMJAY(આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) કાર્ડનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જીલ્લા પંચાયત સભ્ય ભૂપેન્દ્રભાઈ, તાલુકા પંચાયત સભ્યો, પાર્ટી પ્રમુખ સુરેશભાઈ, સરપંચો, સીડીપીઓ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત નાગરિકોને યોજનાઓના લાભ, પાત્રતા અને અરજી પ્રક્રિયા અંગે વિસ્તૃત માહિતી અપાઈ હતી. સ્થળ પર જ લાભાર્થીઓના દસ્તાવેજોની ચકાસણી કરી વિવિધ યોજનાઓ હેઠળ નોંધણીની કામગીરી હાથ ધરાઈ હતી. શિબિરમાં ઉપસ્થિત નાગરિકોએ આરોગ્ય સેવાઓ અને વિવિધ સરકારી યોજનાઓનો લાભ લઈ સંતોષ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફ્સિર, ગામના આગેવાનો, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, આશા બહેનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/18/ZltbsKvvqnCSuBUAqmhWPhhLVLTndBUW7aADSmN0.webp'/></item></channel></rss>