<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Jaiprakash Associates શેરબજારથી થશે બહાર, શું 6.5 લાખ રોકાણકારોના પૈસા ફસાયા? ]]></title><link>https://sandesh.com/business/news/jaiprakash-associates-delisting-stock-market-investors-loss-6-5-lakh-shareholders</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/jaiprakash-associates-delisting-stock-market-investors-loss-6-5-lakh-shareholders</guid><pubDate>Tue, 16 Jun 2026 19:01:08 +05:30</pubDate><description><![CDATA[<p>શેરબજારમાં ઘણી કંપનીઓ રોકાણકારોને મોટો નફો આપે છે, પરંતુ કેટલીક કંપનીઓ ભારે નુકસાન પણ કરાવે છે. આવું જ એક મોટું ઉદાહરણ જયપ્રકાશ એસોસિએટ્સ લિમિટેડ (JAL) સામે આવ્યું છે, જેના ડીલિસ્ટિંગને સ્ટોક એક્સચેન્જે મંજૂરી આપી છે. હવે આ કંપની શેરબજારમાંથી સંપૂર્ણપણે બહાર થઈ જશે.</p><h2><b>18 જૂનથી JALના શેરોનું ટ્રેડિંગ બંધ થઈ જશે</b></h2><p>સ્ટોક એક્સચેન્જના નિર્ણય મુજબ 18 જૂન 2026થી JALના શેરોનું ટ્રેડિંગ બંધ થઈ જશે. કંપની પહેલેથી જ નાણાકીય સંકટ અને દિવાળિયા પ્રક્રિયા હેઠળ હતી. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ની મંજૂરી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીને અદાણી ગ્રુપે આશરે 14,000 કરોડ રૂપિયામાં ખરીદી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જના આંકડા મુજબ કંપનીમાં લગભગ 71.23 ટકા હિસ્સો જાહેર રોકાણકારો પાસે હતો.&nbsp;</p><h3><b>6.5 લાખ રોકાણકારોના પૈસા ડુબ્યા&nbsp;</b></h3><p>અંદાજે 6.5 લાખ શેરહોલ્ડર્સને હવે કોઈ વળતર મળશે નહીં, કારણ કે રિઝોલ્યુશન પ્લાન હેઠળ શેરધારકોને ‘ઝીરો કન્સિડરેશન’ આપવામાં આવ્યું છે. એટલે કે તેમનું રોકાણ સંપૂર્ણપણે શૂન્ય ગણાશે. કંપનીના ડીલિસ્ટિંગ બાદ જૂનો શેરહોલ્ડિંગ સ્ટ્રક્ચર સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જશે અને રોકાણકારોના શેરની કિંમત શૂન્ય બની જશે. JALનું વ્યવસાય બાંધકામ, રિયલ એસ્ટેટ, પાવર અને હોટલ જેવા વિવિધ ક્ષેત્રોમાં ફેલાયેલું હતું.&nbsp;</p><p>કંપની પાસે ફોર્મ્યુલા વન સર્કિટ જેવી સંપત્તિ પણ હતી. વિશેષજ્ઞોનું કહેવું છે કે આ ઘટના રોકાણકારો માટે મહત્વનો પાઠ છે કે માત્ર સસ્તા શેરના આધારે રોકાણ કરવું જોખમી સાબિત થઈ શકે છે. ભારે દેવું અને નબળી નાણાકીય સ્થિતિ ધરાવતી કંપનીઓમાં રોકાણ કરતા પહેલા સાવધાની રાખવી જરૂરી છે.<br><br><b><a href="https://sandesh.com/business/news/yes-bank-money-laundering-case-ed-raids-17-locations-mumbai-delhi-khandala" target="_blank">આ પણ વાંચો : Yes Bank સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં EDની મોટી કાર્યવાહી, 17 સ્થળોએ પાડ્યા દરોડા</a></b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/feLvBNR9sjpU9jUL4KPk5bXlLItkcUJJkOBiN4zG.webp'/></item><item><title><![CDATA[Ram Mandir Donation Row : ચલણી નોટોની ગણતરી કરનારા 43 કર્મચારી SITની રડાર પર ]]></title><link>https://sandesh.com/india/news/ram-mandir-donation-row-sit-investigation-43-employees-cash-counting-irregularities</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ram-mandir-donation-row-sit-investigation-43-employees-cash-counting-irregularities</guid><pubDate>Tue, 16 Jun 2026 18:36:40 +05:30</pubDate><description><![CDATA[<p>અયોધ્યાના રામ મંદિર ખાતે દાનના મેનેજમેન્ટને લઈને ચાલી રહેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની તપાસ વચ્ચે ચંપત રાયના નજીકના સહયોગી માનવામાં આવતા રામ શંકર યાદવ ઉર્ફે ટીનૂ યાદવે પોતાના ઉપર લાગેલા તમામ આરોપોને સખત રીતે નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું કે તેમના વિરુદ્ધ ફેલાવવામાં આવતા આરોપો સંપૂર્ણપણે મનઘડંત છે અને કેટલાક લોકો ઈર્ષ્યા તથા દુર્ભાવનાના કારણે આ પ્રકારની અફવાઓ ફેલાવી રહ્યા છે.</p><h2><b>મારી આર્થિક સ્થિતિ અંગે શંકા કરવાની કોઈ જરૂર નથી: ટીનૂ યાદવ</b></h2><p>ટીનૂ યાદવે વાતચીતમાં કહ્યું કે તેઓ 1983થી સંગઠન સાથે જોડાયેલા છે અને તેમની સંપત્તિ અંગે લગાવવામાં આવતા આરોપો ખોટા છે. તેમના જણાવ્યા મુજબ તેમનું ઘર અને અન્ય સંપત્તિઓ મંદિર નિર્માણ પહેલા જ ખરીદવામાં આવી હતી. તેમણે વધુમાં કહ્યું કે તેઓ હોસ્ટેલ પણ ચલાવે છે અને તેમની આર્થિક સ્થિતિ અંગે કોઈ શંકા કરવાની જરૂર નથી.</p><h3><b>તપાસ એજન્સી બોલાવશે તો સંપૂર્ણ સહકાર આપીશ</b></h3><p>રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અંગે લાગેલા આરોપોને પણ તેમણે પાયાવિહોણા ગણાવ્યા છે. ટીનૂ યાદવે કહ્યું કે મંદિર સંચાલનમાં કોઈ પ્રકારની ચોરી થઈ નથી અને સમગ્ર મામલો માત્ર પ્રચાર માટે ઉઠાવવામાં આવી રહ્યો છે. તેમણે પડકાર આપ્યો કે જો કોઈ પાસે પુરાવા હોય તો તે જાહેર કરવામાં આવે. તેમણે વધુમાં જણાવ્યું કે SIT દ્વારા હજુ સુધી તેમની કોઈ પૂછપરછ કરવામાં આવી નથી, પરંતુ જો તપાસ એજન્સી તેમને બોલાવશે તો તેઓ સંપૂર્ણ સહકાર આપશે. તેમના કહેવા મુજબ ટ્રસ્ટમાં તેમની ભૂમિકા માત્ર સેવા કાર્યો સુધી મર્યાદિત રહી છે, જેમાં સફાઈ અને વ્યવસ્થાપન સંબંધિત જવાબદારીઓનો સમાવેશ થાય છે.</p><h4><b>શું 43 કર્મચારીઓની થશે તપાસ?</b></h4><p>આ વચ્ચે SIT દ્વારા દાન મેનેજમેન્ટ પ્રક્રિયાની વિગતવાર તપાસ ચાલુ છે. મળતી માહિતી મુજબ દાનપેટીઓમાંથી નીકળેલી નોટોની ગણતરી અને તેની ગોઠવણી પ્રક્રિયામાં જોડાયેલા કર્મચારીઓની તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં લગભગ 43 કર્મચારીઓ સાથે જોડાયેલા મુદ્દાઓની તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. તપાસ એજન્સી સમગ્ર મામલાની તમામ કડીઓ ખોલવા પ્રયત્ન કરી રહી છે.<br><br><a href="https://sandesh.com/india/news/supreme-court-notice-aadhaar-misuse-citizenship-claims-centre-states-response" target="_blank"><b>આ પણ વાંચો : National News : શું ઘુસણખોરો નાગરિકતા માટે આધારકાર્ડનો કરી રહ્યા છે ઉપયોગ? SCએ કેન્દ્ર અને રાજ્યોને મોકલી નોટિસ</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/ee2ecqtcBYMPzx22zGU7exAy4IDBrGXSXHnB9qAK.webp'/></item><item><title><![CDATA[Junagadhના કેશોદમાં વ્યાજખોરોનો આતંક: પાણી પુરવઠાના કર્મચારીએ સુસાઈડ નોટ લખી ઝેરી દવા પીધી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/terror-of-usurers-in-keshod-junagadh-water-supply-employee-writes-suicide-note-and-consumes-poison</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/terror-of-usurers-in-keshod-junagadh-water-supply-employee-writes-suicide-note-and-consumes-poison</guid><pubDate>Tue, 16 Jun 2026 18:32:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાંથી વ્યાજખોરોના બેફામ આતંકની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં વ્યાજખોરો દ્વારા આપવામાં આવતી સતત ધમકીઓ અને માનસિક ત્રાસથી કંટાળીને એક સરકારી કર્મચારીએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. પાણી પુરવઠા બોર્ડમાં ફરજ બજાવતા આ કર્મચારીએ વ્યાજખોરોના અસહ્ય દબાણના કારણે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. હાલ તેમને ગંભીર હાલતમાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓ સારવાર હેઠળ છે.</p><h2 style="text-align: justify; ">પૈસા ચૂકવ્યા છતાં વધુ નાણાંની પઠાણી ઉઘરાણી</h2><p style="text-align: justify; ">પીડિત કર્મચારીએ ભૂતકાળમાં વ્યાજે રૂપિયા લીધા હતા, જેની વ્યાજ સહિતની તમામ રકમ તેમણે સમયસર ચૂકવી દીધી હતી. આમ છતાં, લાલચુ વ્યાજખોરોની ભૂખ સંતોષાઈ નહોતી અને તેઓ અવારનવાર વધુ પૈસા પડાવવા માટે પઠાણી ઉઘરાણી કરતા હતા. વ્યાજખોરો દ્વારા અવારનવાર ઘરે આવીને કે ફોન પર જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી. આ રોજ-રોજના માનસિક ત્રાસ અને સામાજિક બદનામીના ડરથી કંટાળીને કર્મચારીએ આ આત્યંતિક પગલું ભર્યું હતું.</p><h3 style="text-align: justify; ">સુસાઈડ નોટ લખી જીવન ટૂંકાવવાનો પ્રયાસ</h3><p style="text-align: justify; ">આપઘાતનો પ્રયાસ કરતા પહેલાં કર્મચારીએ એક સુસાઈડ નોટ પણ લખી છે, જેમાં વ્યાજખોરોના ત્રાસ અને ધમકીઓનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા અને તેમણે તાત્કાલિક સમગ્ર મામલે સ્થાનિક પોલીસને વાકેફ કર્યા હતા. પોલીસે સુસાઈડ નોટના આધારે અને પરિવારના નિવેદનના પગલે વ્યાજખોરો વિરૂદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/t62mem292Nmpg2oZD5k8LF8QuyaPl6AefizjPkWR.webp'/></item><item><title><![CDATA[National News : શું ઘુસણખોરો નાગરિકતા માટે આધારકાર્ડનો કરી રહ્યા છે ઉપયોગ? SCએ કેન્દ્ર અને રાજ્યોને મોકલી નોટિસ ]]></title><link>https://sandesh.com/india/news/supreme-court-notice-aadhaar-misuse-citizenship-claims-centre-states-response</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/supreme-court-notice-aadhaar-misuse-citizenship-claims-centre-states-response</guid><pubDate>Tue, 16 Jun 2026 17:58:28 +05:30</pubDate><description><![CDATA[<p>સુપ્રીમ કોર્ટે મંગળવારે એક મહત્વપૂર્ણ સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર, તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નોટિસ ઈશ્યુ કરીને જવાબ માગ્યો છે. આ કેસમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે UIDAI દ્વારા ઈશ્યુ કરવામાં આવતું આધાર કાર્ડ તેના મૂળ હેતુથી આગળ જઈને નાગરિકતા અને સરનામાના પુરાવા તરીકે ગેરરીતે ઉપયોગમાં લેવાઈ રહ્યું છે.</p><h2><b>આધારનો ઉપયોગ માત્ર ઓળખ પુરાવા તરીકે જ મર્યાદિત હોવો જોઈએ</b></h2><p>વકીલ અશ્વિની કુમાર ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી આ જનહિત અરજી પર મુખ્ય ન્યાયાધીશ સુર્ય કાંત અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે સુનાવણી હાથ ધરી. અરજદારે દલીલ કરી છે કે આધારનો ઉપયોગ માત્ર ઓળખ પુરાવા તરીકે જ મર્યાદિત હોવો જોઈએ, પરંતુ તેનો ઉપયોગ નાગરિકતા, રહેઠાણ, સરનામું અને જન્મતારીખના પુરાવા તરીકે પણ થઈ રહ્યો છે, જે કાયદાના વિરુદ્ધ છે.</p><h3><b>શું કહે છે આધાર અધિનિયમની કલમ 9?</b></h3><p>અરજીમાં વધુમાં જણાવાયું છે કે મતદાર નોંધણી પ્રક્રિયામાં પણ આધારનો ઉપયોગ વધ્યો છે. ખાસ કરીને ફોર્મ-6 દ્વારા નવા મતદાર નોંધણી દરમિયાન આધારને જન્મતારીખ અને સરનામાના પુરાવા તરીકે સ્વીકારવામાં આવી રહ્યો છે, જે જન પ્રતિનિધિત્વ અધિનિયમ 1950 અને આધાર અધિનિયમ 2016ની જોગવાઈઓનું ઉલ્લંઘન હોવાનું દાવો કરવામાં આવ્યો છે. આધાર અધિનિયમની કલમ 9 સ્પષ્ટ કરે છે કે આધાર નાગરિકતા અથવા રહેઠાણનો પુરાવો નથી. UIDAI દ્વારા 22 ઓગસ્ટ 2023ના નોટિફિકેશનમાં પણ આ વાત પુનઃ સ્પષ્ટ કરવામાં આવી હતી કે આધાર માત્ર ઓળખનો પુરાવો છે.</p><h4><b>સુપ્રીમ કોર્ટે હવે તમામ પક્ષકારોને જવાબ રજૂ કરવા જણાવ્યું</b></h4><p>અરજીમાં આ પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે કેટલાક સ્થળોએ ઘૂસણખોરો અને ગેરકાયદે પ્રવાસીઓ આધારનો દુરુપયોગ કરી રહ્યા છે. તેમજ તેનો ઉપયોગ શાળા પ્રવેશ, મિલકત ખરીદી, જન્મ પ્રમાણપત્ર, રેશન કાર્ડ અને ડ્રાઈવિંગ લાઈસન્સ જેવા દસ્તાવેજો મેળવવા માટે પણ થઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટે હવે તમામ પક્ષકારોને જવાબ રજૂ કરવા જણાવ્યું છે અને સમગ્ર મુદ્દે વિસ્તૃત વિચારણા આગળ ચાલુ રહેશે.<br><br><b><a href="https://sandesh.com/india/news/-political-news/mamata-banerjee-challenges-bhabanipur-election-defeat-calcutta-high-court-42-days-later" target="_blank">આ પણ વાંચો : West Bengal : પરિણામના 42 દિવસ બાદ મમતા બેનરજીએ ભવાનીપુરના પરાજયને કોર્ટમાં પડકાર્યો</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/xsj3y4g7oul660eHr7UnAQ7e44OcJVPOomGmoANc.webp'/></item><item><title><![CDATA[વાંચો બપોરે 03થી સાંજે 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-03-pm-to-06-pm-16-june-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-03-pm-to-06-pm-16-june-2026</guid><pubDate>Tue, 16 Jun 2026 17:55:50 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર</b></p><p><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/fines-jbm-company-25000-over-neglected-electric-buses-at-depot" target="_blank"><b>1.Ahmedabad News : AMTS ઈલેક્ટ્રિક બસ દુર્દશા મામલે કાર્યવાહી, JBM કંપનીને 25 હજાર રૂપિયાનો દંડ</b></a></p><p><a href="https://sandesh.com/india/news/supreme-court-notice-aadhaar-misuse-citizenship-claims-centre-states-response" target="_blank"><b>2. National News : શું ઘુસણખોરો નાગરિકતા માટે આધારકાર્ડનો કરી રહ્યા છે ઉપયોગ? SCએ કેન્દ્ર અને રાજ્યોને મોકલી નોટિસ</b></a></p><p><a href="https://sandesh.com/world/news/donald-trump-not-angry-with-netanyahu-but-did-not-like-the-beirut-attack-trumps-statement-amid-iran-us-agreement" target="_blank"><b>3. Donald Trump:નેતન્યાહૂથી નારાજ નથી,પણ બેરૂત હુમલો પસંદ ન આવ્યો,ઈરાન-અમેરિકા કરાર વચ્ચે ટ્રમ્પનું નિવેદન</b></a></p><p><a href="https://sandesh.com/cricket/news/entertainment/virat-kohli-photos-with-son-akaay-anushka-sharma" target="_blank"><b>4. Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા</b></a></p><p><a href="https://sandesh.com/world/news/business/iran-us-deal-14-strict-conditions-in-the-proposal-of-the-historic-agreement-know-what-is-mentioned" target="_blank"><b>5. Iran US Deal: ઐતિહાસિક કરારના પ્રસ્તાવમાં 14 આકરી શરત, જાણો શેનો છે ઉલ્લેખ?</b></a></p><p><a href="https://sandesh.com/cricket/news/women-s-t20-world-cup/smriti-mandhana-time-100-most-influential-athletes-2026" target="_blank"><b>6. Smriti Mandhanaએ રચ્યો ઈતિહાસ, 100 સૌથી પ્રભાવશાળી ખેલાડીઓના લિસ્ટમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય</b></a></p><p><a href="https://sandesh.com/world/news/business/elon-musk-earned-as-much-wealth-as-warren-buffett-in-just-24-hours-net-worth-reaches-127-trillion" target="_blank"><b>7. માત્ર 24 કલાકમાં Elon Muskએ કમાવી Warren Buffett જેટલી સંપત્તિ, નેટવર્થ થઈ $1.27 ટ્રિલિયન</b></a></p><p><a href="https://sandesh.com/business/news/petrol-diesel-price-so-will-petrol-diesel-prices-fall-crude-oil-prices-have-fallen-by-20-percent" target="_blank"><b>8. Petrol Diesel Price: તો શું ઘટશે પેટ્રોલ ડીઝલના ભાવ? ક્રૂડ ઓઇલના ભાવમાં થયો 20 ટકાનો ઘટાડો</b></a></p><p><a href="https://sandesh.com/india/news/-political-news/mamata-banerjee-challenges-bhabanipur-election-defeat-calcutta-high-court-42-days-later" target="_blank"><b>9. West Bengal : પરિણામના 42 દિવસ બાદ મમતા બેનરજીએ ભવાનીપુરના પરાજયને કોર્ટમાં પડકાર્યો</b></a></p><p><a href="https://sandesh.com/india/news/jammu-kashmir-mine-blast-near-loc-in-nowshera-sector-4-jawans-injured" target="_blank"><b>10. Jammu Kashmir: નૌશેરા સેક્ટરમાં Loc પાસે માઇન બ્લાસ્ટ, 4 જવાન ઇજાગ્રસ્ત</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/05/30/ci0PwfUyHcao4H4ziwpdhMLnO6QMfKyI3jwCPvfh.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : AMTS ઈલેક્ટ્રિક બસ દુર્દશા મામલે કાર્યવાહી, JBM કંપનીને 25 હજાર રૂપિયાનો દંડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/fines-jbm-company-25000-over-neglected-electric-buses-at-depot</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/fines-jbm-company-25000-over-neglected-electric-buses-at-depot</guid><pubDate>Tue, 16 Jun 2026 17:48:17 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે AMTS તંત્રની વધુ એક બેદરકારી સામે આવી છે. લાલ દરવાજા ખાતે આવેલો રૂપાલી કન્સેસન પાસ ડેપો જ્યાં એક સમય બસોની અવરજવર રહેતી હતી ત્યાં હવે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. ઈલેક્ટ્રીક બસો પાર્કિંગમા પડી હોવાના કારણે ત્યાં અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોવાના દ્રશ્યો સામે આવ્યા હતાં. AMTS પાર્કિંગ વિસ્તારમાં દારૂની બોટલો, નશા માટે વપરાતી સિરપ અને દવાઓની બાટલીઓ મળી આવતા તંત્ર હરકતમાં આવ્યું છે.AMTS ઈલેક્ટ્રિક બસ દુર્દશા મામલે કાર્યવાહી કરવામાં આવી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>JBM કંપનીને 25 હજાર રૂપિયાનો દંડ</b></h2><p style="text-align: justify; ">અમદાવાદ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ઈલેક્ટ્રીક બસોની દુર્દશા અને દારૂનો અડ્ડો બની ગયેલી કોર્પોરેશનની જગ્યાની મુલાકાત લીધી હતી. તેમણે અધિકારીઓને રોજ ત્યાં રાઉન્ડ લેવાની સૂચના આપી છે. શહેરમાં લોકોની સુવિધા માટે 325 જેટલી નવી AC બસનો ઓર્ડર અપાયો હતો. ACની ખામીના કારણે 5 મહિનાથી બસો ધૂળ ખાઈ રહી છે. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ઈલેક્ટ્રીક બસ આપનાર JBM કંપનીને 25000 રૂપિયાનો દંડ કરાયો છે. જ્યારે ડોક્શન સિક્યુરિટી કંપનીને 10000 રૂપિયાનો દંડ ફટાકારાયો છે.&nbsp;&nbsp;</p><h3 style="text-align: justify; "><b>નવી ઇલેક્ટ્રિક બસના કાચ પણ તોડી નાખવામાં આવ્યા</b></h3><p style="text-align: justify; ">અમદાવાદમાં AMTS પાર્કિંગ વિસ્તારમાં દારૂની બોટલો, નશા માટે વપરાતી સિરપ અને દવાઓની બાટલીઓ મળી આવતા તંત્ર હરકતમાં આવ્યું છે.જનતાના ટેક્સના કરોડો રૂપિયાના ખર્ચે ખરીદાયેલી નવી ઇલેક્ટ્રિક બસો હાલ ડેપોના મેદાનમાં ઉભી રહી ધૂળ ખાઈ રહી છે.બીજી તરફ સુરક્ષાના અભાવે સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાના પણ બનાવો સામે આવ્યા છે.ડેપોના મેદાનમાં ચારે તરફ દારૂની ખાલી બોટલો અને અન્ય કચરો જોવા મળ્યો હતો.એટલું જ નહીં, અહીં પાર્ક કરાયેલી નવી ઇલેક્ટ્રિક બસના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-gujarat-hc-strict-stance-on-ola-uber-rapido-commercial-use-government-response" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad : ઓલા, ઉબર અને રેપિડોના ગેરકાયદે કોમર્શિયલ ઉપયોગ મુદ્દે હાઇકોર્ટનું કડક વલણ, એક સપ્તાહમાં જવાબ માંગ્યો!</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/GbWZvMjI5T4YSTfLYSMd2a6D0xhwyY6k5AcHWk0u.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: AMCએ અદ્યતન રેઈન ફોરકાસ્ટિંગ સિસ્ટમ શરૂ કરી, દરેક વોર્ડ માટે અલગ વરસાદી આગાહી મળશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-launches-advanced-rain-forecasting-system</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-launches-advanced-rain-forecasting-system</guid><pubDate>Tue, 16 Jun 2026 17:34:27 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં ચોમાસાની ઋતુમાં અતિભારે વરસાદના કારણે ઊભી થતી પાણી ભરાવાની સમસ્યા અને ટ્રાફિક જામની સ્થિતિને પહોંચી વળવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે.AMC દ્વારા શહેરમાં ટેકનોલોજીના માધ્યમથી પૂર્વ તૈયારીઓ કરવા માટે એક અત્યંત અદ્યતન રેઇન ફોરકાસ્ટિંગ સિસ્ટમનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે.આ સિસ્ટમની મદદથી ચોમાસા દરમિયાન ઇમરજન્સી મેનેજમેન્ટ વધુ સુદ્રઢ બનશે.</p><h2 style="text-align: justify; "><b>HPC ડેટાથી વરસાદનું અનુમાન</b></h2><p style="text-align: justify; ">આ અદ્યતન સિસ્ટમ હેઠળ C-DAC એટલે કે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ પુણેના હાઈ-પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગ ડેટાનો ઉપયોગ કરવામાં આવશે. આ ડેટાના આધારે પ્રિસિઝન વેધર ફોરકાસ્ટિંગ માટે જાણીતા વેધર રિસર્ચ એન્ડ ફોરકાસ્ટિંગ મોડલ આધારિત વરસાદની ચોક્કસ સ્થિતિ દર્શાવવામાં આવશે.આ સુવિધાના કારણે અમદાવાદ શહેરના દરેક વોર્ડ માટે અલગ-અલગ અને સચોટ વરસાદી આગાહી મેળવી શકાશે જે અત્યાર સુધી સમગ્ર શહેર માટે કોમન મળતી હતી.</p><h3 style="text-align: justify; "><b>ગયા વર્ષે પણ AMC આ પ્રયોગ કર્યો હતો</b></h3><p style="text-align: justify; ">સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે કહ્યું હતું કે, આ ટેકનોલોજીની સૌથી મોટી ખાસિયત એ છે કે તેનાથી કયા વોર્ડ કે વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકવાનો છે તેની અગાઉથી ઓળખ કરી શકાશે. જે વિસ્તારોમાં પાણી ભરાવાની વધુ શક્યતા હશે ત્યાં AMCનું તંત્ર અગાઉથી જ વોટર પંપ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો તૈનાત કરી શકશે.આ આધુનિક પ્રયોગ પાછળનો મુખ્ય હેતુ નીચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકોનું સુરક્ષિત સ્થળાંતર કરાવવા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ થવાનો છે.ગયા વર્ષે પણ AMC દ્વારા આ પ્રકારનો પ્રયોગ પ્રાયોગિક ધોરણે કરવામાં આવ્યો હતો.  જેની સફળતા અને સકારાત્મક પરિણામો જોયા બાદ ચાલુ વર્ષે આ સિસ્ટમને વધુ સચોટ અને વ્યાપક સ્તરે અમલી બનાવવામાં આવી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-gujarat-hc-strict-stance-on-ola-uber-rapido-commercial-use-government-response" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad : ઓલા, ઉબર અને રેપિડોના ગેરકાયદે કોમર્શિયલ ઉપયોગ મુદ્દે હાઇકોર્ટનું કડક વલણ, એક સપ્તાહમાં જવાબ માંગ્યો!</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/BmSRtz8HS8ChYQrHSL9Tqt5O5i6f8eStixm585ac.webp'/></item><item><title><![CDATA[Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા ]]></title><link>https://sandesh.com/cricket/news/entertainment/virat-kohli-photos-with-son-akaay-anushka-sharma</link><guid isPermaLink="true">https://sandesh.com/cricket/news/entertainment/virat-kohli-photos-with-son-akaay-anushka-sharma</guid><pubDate>Tue, 16 Jun 2026 17:18:43 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ઈજાના કારણે અફઘાનિસ્તાન સામેની ODI સિરીઝ રમી રહ્યો નથી. IPL ફાઈનલમાં તેને હેમસ્ટ્રિંગની ઈજા થઈ હતી. જેના કારણે તેને ક્રિકેટથી દૂર રહેવું પડ્યું હતું.</p><p style="text-align: justify; ">વિરાટ કોહલીના સ્થાને યશસ્વી જયસ્વાલને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. મેદાનની બહાર રહેલો વિરાટ કોહલી પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>વિરાટ કોહલીના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ</b></h2><p style="text-align: justify; ">વિરાટ કોહલીના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ફોટામાં તે લાઈમલાઈટથી દૂર પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. આ ફોટા એક પાર્કના લાગે છે. એક ફોટામાં વિરાટ કોહલી પોતાના પુત્ર અકાયને ખોળામાં લઈ રહ્યો છે, જ્યારે બીજા ફોટામાં તે તેની પીઠ પર છે. ફેન્સ આ ફોટાને ખૂબ પસંદ કરી રહ્યા છે. એક ફોટામાં પત્ની અનુષ્કા શર્મા પણ વિરાટ સાથે જોવા મળી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>IPLમાં વિરાટ કોહલીનું શાનદાર પ્રદર્શન</b></h3><p style="text-align: justify; ">IPL 2026 માં વિરાટ કોહલી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો . તેને 16 મેચમાં 675 રન બનાવ્યા. તે સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓના લિસ્ટમાં ચોથા નંબરે રહ્યો. ફાઈનલમાં 75 રનની ઈનિંગ માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો. ટોપ પાંચ સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં વિરાટનો સ્ટ્રાઈક રેટ વૈભવ સૂર્યવંશી પછી બીજા નંબરે હતો. તેને સિઝનમાં 5 અડધી સદી અને 1 સદી ફટકારી હતી.</p><h4 style="text-align: justify; "><b>ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ફિટ હોવાની આશા</b></h4><p style="text-align: justify; ">વિરાટ કોહલીએ ટેસ્ટ અને T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તે ફક્ત વનડે ક્રિકેટ રમે છે. ભારતીય ટીમ આવતા મહિને ઈંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. આ પ્રવાસમાં 5 T20 ઈન્ટરનેશનલ અને 3 વનડે મેચનો સમાવેશ થાય છે. આ પ્રવાસ 14 જુલાઈથી બર્મિંગહામમાં શરૂ થશે. એવી આશા છે કે વિરાટ કોહલી સિરીઝ માટે ફિટ થઈ જશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/entertainment/abhishek-mahira-sharma-dating-rumors-matching-bracelet" target="_blank">Abhishek Sharma માહિરા શર્માને કરી રહ્યો છે ડેટ? ઈન્સ્ટાગ્રામની 'સીક્રેટ' પોસ્ટમાં થયો ખુલાસો!</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/KZmGD6LCx7nhr88BycGVOha7d8hcq22CbcOLjO7j.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News : 226 કરોડના ટેરર ફંડિંગ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ, આરોપી ઈન્સ્ટાગ્રામ પર નકલી ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો હતો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/gandhinagar/another-accused-arrested-in-226-crore-terror-funding-case</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/gandhinagar/another-accused-arrested-in-226-crore-terror-funding-case</guid><pubDate>Tue, 16 Jun 2026 17:05:39 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા તાજેતરમાં પર્દાફાશ કરાયેલા 226 કરોડના આંતરરાષ્ટ્રીય ટેરર ફંડિંગ કેસમાં એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે.ડાર્ક વેબ પર ચાલતા ડ્રગ્સ નેટવર્કની સામાન્ય તપાસથી શરૂ થયેલી ગુજરાત પોલીસની આ ટેક્નિકલ મિશન આખરે અમદાવાદથી લઈને સીધી યુકે સુધી ફેલાયેલા આતંકી ભંડોળના મસમોટા રેકેટ સુધી પહોંચી ગઈ છે.આ આખા ખેલનો મુખ્ય સૂત્રધાર સલમાન નામનો આરોપી છે જે હાલમાં UKની જેલમાં બંધ છે.સલમાન ત્યાંની જેલમાંથી જ હવાલા અને આંગડિયા મારફતે ભારતમાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કરાવતો હતો. આ કેસમાં હવે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.&nbsp;&nbsp;</p><h2 style="text-align: justify; "><b>વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી&nbsp;</b></h2><p style="text-align: justify; ">સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના એસપી ડો.રાજદીપસિંહ ઝાલાએ કહ્યું હતું કે, આ કેસમાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. શબ્બીર હુસૈનની પોલીસે ધરપકડ કરી લીધી છે. તે ડર્ટી ક્રિપ્ટો કરન્સીને રોકડમાં બદલતો હતો. આ ઉપરાંત ઈન્સ્ટાગ્રામ પર તે નકલી ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો હતો. કુરિયર મારફતે તે આ ડ્રગ્સને યુકે મોકલતો હતો. તે સહ આરોપી મોહસીન સાથે મળીને ગુનો આચરતો હતો. આ નેટવર્ક અમદાવાદથી લઈને છેક યુકે સુધી ફેલાયેલું છે. તે યુકેમાં ડ્રગ્સના ગ્રાહકોની શોધખોળ પણ કરતો હતો. યુકેમાં રહેતા સલમાન અંસારીને ડ્રગ્સનો સપ્લાય મોકલતો હતો.&nbsp;&nbsp;</p><h3 style="text-align: justify; "><b>અમદાવાદથી યુકે ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ</b></h3><p style="text-align: justify; ">પોલીસે અગાઉ આ મામલે સલમાનના પિતા ગુલામઅલી અંસારીની પણ ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક તપાસ મુજબ વર્ષ 2023-24 દરમિયાન આ નેટવર્ક દ્વારા આશરે બે કરોડ રૂપિયા ટ્રાન્સફર થયા હતા. એટલું જ નહીં, આરોપીઓ 2021 પહેલા Western Union જેવી MTSS સિસ્ટમથી પણ ફંડ મેળવતા હતા અને 2016થી 2021 વચ્ચે 9 દેશો સાથે આશરે 80 લાખ રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો થયા છે. આ નેટવર્કના તાર અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને ઈઝરાયલની નેશનલ બ્યુરો ઓફ કાઉન્ટર ટેરરિઝમ દ્વારા બ્લેકલિસ્ટ કરાયેલા ક્રિપ્ટો ક્લસ્ટર સાથે સીધા જોડાયેલા છે, જેને પગલે હવે વૈશ્વિક સ્તરે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/health-department-cracks-down-on-food-adulteration" target="_blank">આ પણ વાંચોઃ Gandhinagar News: રાજ્યમાં ભેળસેળિયા તત્વો સામે કરેલી કાર્યવાહીના આરોગ્ય વિભાગે આંકડા જાહેર કર્યા</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/gFXXhgoUN7IIAdCPFmLLMFbMIcx1vckxqVSGQOwC.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026,Day 6: આ ચાર ટીમ વચ્ચે ટક્કર,જાણો કેટલા વાગ્યે શરૂ થશે મેચ ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-day-6-clash-between-these-four-teams-know-what-time-the-match-will-start</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-day-6-clash-between-these-four-teams-know-what-time-the-match-will-start</guid><pubDate>Tue, 16 Jun 2026 15:54:48 +05:30</pubDate><description><![CDATA[<p>ફિફા વર્લ્ડ કપ 2026 માટે ઉત્સાહ વધતો જ રહ્યો છે.હવે ટાઇટલ જીતવાની સૌથી વધુ અપેક્ષા રાખતી ટીમોનો વારો છે.શાસક વિશ્વ ચેમ્પિયન આર્જેન્ટિના તેમના અભિયાનની શરૂઆત કરશે,જ્યારે ફ્રાન્સ પણ ટુર્નામેન્ટની શરૂઆત જીત સાથે કરવાનો લક્ષ્ય રાખશે.વધુમાં રોનાલ્ડોની પોર્ટુગલ દિવસની અંતિમ મેચમાં કોંગો સામે ટકરાશે.ફૂટબોલ ચાહકો ટુર્નામેન્ટના છઠ્ઠા દિવસે ઘણી મોટી મેચોનો આનંદ માણી શકશે.ગ્રુપ સ્ટેજના છઠ્ઠા દિવસે ગ્રુપ I અને ગ્રુપ J ની ટીમો રમતમાં જોવા મળશે.મોટાભાગની નજર આર્જેન્ટિના પર રહેશે,જે પોતાના ટાઇટલ બચાવવાના મિશન સાથે મેદાનમાં ઉતરશે.ફ્રાન્સ પણ પોતાની પહેલી મેચમાં મજબૂત શરૂઆત કરવા માટે પ્રયત્ન કરશે.</p><h3><b>ફ્રાન્સ અને  સેનેગલ</b></h3><p>ફ્રાન્સ સેનેગલ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. યુરોપિયન દિગ્ગજો જીત સાથે ટુર્નામેન્ટને સંદેશ મોકલવાનો પ્રયાસ કરશે, પરંતુ આફ્રિકન ટીમ સેનેગલને હળવાશથી લઈ શકાય નહીં. આ મેચ ન્યૂ યોર્ક-ન્યૂ જર્સી સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ 17 જૂને ભારતીય સમય મુજબ બપોરે 12:30 વાગ્યે શરૂ થશે.</p><p><a href="https://x.com/equipedefrance/status/2066777796731609439?s=20" target="_blank">https://x.com/equipedefrance/status/2066777796731609439?s=20</a></p><h4><b>ઇરાક અને નોર્વે</b></h4><p>ગ્રુપ I ની બીજી મેચમાં ઇરાક અને નોર્વે ટકરાશે. બંને ટીમો પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરવા માંગશે, જેના કારણે બોસ્ટન સ્ટેડિયમ ખાતે આ મેચ ખૂબ જ અપેક્ષિત સ્પર્ધા બની રહેશે. આ મેચ 17 જૂને ભારતીય સમય મુજબ સવારે 3:30 વાગ્યે શરૂ થશે.</p><h4><b>આર્જેન્ટિના અને અલ્જેરિયા</b></h4><p>દિવસનો સૌથી અપેક્ષિત મેચ આર્જેન્ટિના અને અલ્જેરિયા વચ્ચે થશે. શાસક વિશ્વ ચેમ્પિયન આર્જેન્ટિના પોતાના ખિતાબનો બચાવ કરવાનો લક્ષ્ય રાખશે. ફૂટબોલ ચાહકો આ મેચને નજીકથી જોશે કારણ કે આર્જેન્ટિનાના ફૂટબોલ દિગ્ગજ લિયોનેલ મેસ્સી ફરી એકવાર વર્લ્ડ કપમાં પોતાનું કૌશલ્ય દર્શાવશે. આ મેચ 17 જૂને કેન્સાસ સિટી સ્ટેડિયમ ખાતે રમાશે, જે ભારતીય સમય મુજબ સવારે 6:30 વાગ્યે શરૂ થશે.</p><p><a href="https://x.com/AFASeleccionEN/status/2066718250818248786?s=20" target="_blank">https://x.com/AFASeleccionEN/status/2066718250818248786?s=20</a></p><h4><b>ઓસ્ટ્રિયા અને જોર્ડન</b></h4><p>ગ્રુપ J ની બીજી મેચમાં ઓસ્ટ્રિયા અને જોર્ડન ટકરાશે. આ મેચ બંને ટીમો માટે મહત્વપૂર્ણ રહેશે, કારણ કે વહેલી જીત તેમને નોકઆઉટ રેસમાં મજબૂત સ્થાન આપી શકે છે. આ મેચ 17 જૂને સાન ફ્રાન્સિસ્કો બે એરિયા સ્ટેડિયમ ખાતે સવારે 9:30 વાગ્યે શરૂ થશે.</p><h5><b>પોર્ટુગલ અને કોંગો</b></h5><p>જ્યારે પોર્ટુગલ પોતાની શરૂઆતની મેચમાં કોંગો સામે ટકરાશે, ત્યારે બધાની નજર દિગ્ગજ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પર રહેશે. પોર્ટુગલ વિરુદ્ધ કોંગો મેચ 17 જૂને હ્યુસ્ટન સ્ટેડિયમ ખાતે રમાશે. મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10:30 વાગ્યે શરૂ થશે.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/amidst-the-fifa-world-cup-bruna-gave-good-news-neymar-will-become-a-father-for-the-5th-time" target="_blank">FIFA World Cup વચ્ચે બ્રુનાએ આપ્યા સારા સમાચાર,નેમાર 5મી વખત બનશે પિતા!</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/gau3aNtGU8F7hmrmxMAliO7HfyvSkMvYq8IDpNnV.webp'/></item></channel></rss>