<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Business : ખોટમાંથી નફામાં આવી આ સરકારી કંપની, આવકમાં થયો 120 ટકાનો વધારો ]]></title><link>https://sandesh.com/business/news/mrpl-q1-fy27-results-profit-revenue-growth-share-price-surge</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/mrpl-q1-fy27-results-profit-revenue-growth-share-price-surge</guid><pubDate>Thu, 16 Jul 2026 16:10:36 +05:30</pubDate><description><![CDATA[<p>સરકારી ઓઈલ રિફાઈનરી કંપની મેંગ્લોર રિફાઈનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ (MRPL)ના શેરોમાં આજે જોરદાર તેજી જોવા મળી હતી. કંપનીએ જૂન 2026 ત્રિમાસિકના મજબૂત નાણાકીય પરિણામો જાહેર કર્યા બાદ શેરમાં ઇન્ટ્રા-ડે દરમિયાન લગભગ 7 ટકાનો ઉછાળો નોંધાયો. જોકે, બાદમાં કેટલાક રોકાણકારોએ નફાવસૂલી કરતા શેરમાં થોડો ઘટાડો થયો, છતાં બજારમાં તે મજબૂત સ્થિતિમાં રહ્યો. બીએસઈ પર MRPLનો શેર લગભગ 6 ટકા વધીને ₹167.15 પર ટ્રેડ થયો હતો, જ્યારે દિવસ દરમિયાન તે ₹168.60 સુધી પહોંચ્યો હતો.</p><h2><b>EBITDA માર્જિન 1.03 ટકાથી વધીને 3.44 ટકા થયો</b></h2><p>જૂન 2026 ત્રિમાસિકમાં કંપનીએ ગયા વર્ષની સમાન સમયગાળાના ₹270.7 કરોડના નુકસાનની સરખામણીએ ₹945.7 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. સાથે જ કંપનીની ઓપરેશનલ આવકમાં આશરે 120 ટકાનો વધારો થયો અને તે ₹38,254.2 કરોડ સુધી પહોંચી. EBITDA પણ ₹179.5 કરોડથી વધીને ₹1,317.6 કરોડ થયો, જ્યારે EBITDA માર્જિન 1.03 ટકાથી વધીને 3.44 ટકા થયો છે.</p><h3><b>ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ નેટવર્કનો પણ વિસ્તાર</b></h3><p>કંપનીએ આ સમયગાળા દરમિયાન પોતાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ નેટવર્કનો પણ વિસ્તાર કર્યો છે. બેંગલુરુના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ સુધી એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (ATF) પાઈપલાઈન માટે PNGRBની મંજૂરી મળી છે. ઉપરાંત મંગલુરુ, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં નવા ટર્મિનલ અને ડેપોથી પ્રોડક્ટ લોડિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે.</p><h4><b>MRPLએ રોકાણકારોને સારું વળતર આપ્યું</b></h4><p>ગ્રીન એનર્જી ક્ષેત્રે પણ કંપનીએ મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. એપ્રિલમાં ISCC CORSIA સર્ટિફિકેશન મળ્યા બાદ હવે MRPL વપરાયેલા કુકિંગ ઓઈલ (UCO)માંથી સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ (SAF)નું ઉત્પાદન કરી શકશે. શેરના પ્રદર્શનની વાત કરીએ તો છેલ્લા એક વર્ષમાં MRPLએ રોકાણકારોને સારું વળતર આપ્યું છે. ઓગસ્ટ 2025માં ₹120.35ના નીચલા સ્તરેથી માર્ચ 2026માં શેર ₹214.95 સુધી પહોંચ્યો હતો, જે એક વર્ષનું સર્વોચ્ચ સ્તર રહ્યું હતું.</p><p><b><a href="https://sandesh.com/business/news/groww-q1-results-profit-jumps-94-percent-shares-surge-after-strong-earnings" target="_blank">આ પણ વાંચો : Groww Q1 Results : કંપનીના નફામાં 94%નો ઉછાળો, શેરના ભાવમાં જોવા મળી જોરદાર તેજી</a></b></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/CJnQxvel8aEZQ8sgPBMYpdyxpSe1RAM4pwkTjPoE.webp'/></item><item><title><![CDATA[ISROના 100 વૈજ્ઞાનિકોએ છોડી નોકરી... સરકારે તાબડતોડ નિયમો કર્યા કડક ]]></title><link>https://sandesh.com/india/news/govt-tightens-isro-resignation-rules-for-100-scientists-amid-gaganyaan</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/govt-tightens-isro-resignation-rules-for-100-scientists-amid-gaganyaan</guid><pubDate>Thu, 16 Jul 2026 15:52:44 +05:30</pubDate><description><![CDATA[<p>
</p><div>ભારત સરકારે ISROના 100 વૈજ્ઞાનિકો માટે રાજીનામા અને સમયથી પહેલા રિટાયરમેન્ટના નિયમો કડક કર્યા છે. એક સત્તાવાર આદેશમાં ISROના ગ્રુપ A વૈજ્ઞાનિકો અને ટેકનિકલ ટીમના સભ્યો તરફથી સ્વૈચ્છિક નિવૃત્તિ અને રાજીનામા માટે મોટી સંખ્યામાં અરજીઓ સ્વીકારવામાં આવી છે.<br><h3><b>સરકારે નિયમો કર્યા કડક</b></h3></div><div>સરકારે મોટી સંખ્યામાં કર્મચારીઓ રજા માંગી રહ્યા હોવાથી આ નિયમો કડક કરવાનો નિર્ણય લીધો છે. તેના જવાબમાં અવકાશ વિભાગે ISROના મુખ્ય અવકાશ સંશોધન કેન્દ્રોને નવા નિર્દેશો જારી કર્યા છે, જેમાં સ્વૈચ્છિક નિવૃત્તિ અને રાજીનામા માટેના નિયમો કડક કરવામાં આવ્યા છે.</div><h3><b>નિવૃત્તિની વિનંતીઓ સ્વીકારવા ન કરે</b></h3><div>
</div><div>14 જુલાઈના રોજ યુ.આર. રાવ સેટેલાઇટ સેન્ટર અને વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરને જાહેર કરાયેલ મેમોરેન્ડમ નિર્દેશ આપવામાં આવ્યા છે કે, તેમને સામાન્ય પ્રક્રિયા હેઠળ ગગનયાન અને અન્ય મહત્વપૂર્ણ મિશનમાં સામેલ ગ્રુપ A વૈજ્ઞાનિકો અને ટેકનિકલ ટીમના સભ્યો પાસેથી રાજીનામા અથવા સ્વૈચ્છિક નિવૃત્તિની વિનંતીઓ સ્વીકારવા ન કરે.</div><h4><b>ISROના વૈજ્ઞાનિકોએ આપ્યા હતા રાજીનામા</b></h4><div> 
</div><div>સરકારે આ નિર્દેશ જાહેર કરીને જણાવ્યું છે કે તાજેતરમાં જોવામાં આવ્યું છે કે, પ્રતિષ્ઠિત ગગનયાન અને અન્ય મહત્વપૂર્ણ મિશન અને પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલા લોકો સહિત ISROના વૈજ્ઞાનિકો અને ટેકનિકલ સ્ટાફ તરફથી મોટી સંખ્યામાં સ્વૈચ્છિક નિવૃત્તિ અને રાજીનામા માટેની વિનંતીઓ મળી છે. આ રાષ્ટ્રીય હિતના પ્રોજેક્ટ્સ પરના કાર્યને ગંભીર અસર કરી રહ્યું છે.
</div><div>નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે આને ધ્યાનમાં રાખીને એ નિર્ણય લેવામાં આવ્યો છે કે ગગનયાન અને અન્ય મહત્વપૂર્ણ મિશન/પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકો અને ટેકનિકલ સ્ટાફની આ વિનંતીઓ સામાન્ય પ્રક્રિયા હેઠળ સ્વીકારવામાં આવશે નહીં.
</div><div><br></div><div>આ પણ વાંચો<a href="https://sandesh.com/india/news/ed-raids-13-locations-in-up-over-rohingya-terror-funding-case" target="_blank"><b>: ઉત્તર પ્રદેશમાં ED એક્શનમોડમાં! આતંકી ફંડિંગ અને બાંગ્લાદેશી-રોહિંગ્યા ઘૂસણખોરી નેટવર્કમાં 13 ઠેકાણા પર દરોડા</b></a>
</div><div><br></div><div>
</div><div>
</div><div>
</div><div>
</div><div>
</div><div>
</div><div>
</div> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/pXFa2LQtK5keN2ObGeDvjFf1tDG7hJr6xgssox0j.webp'/></item><item><title><![CDATA[Gir Somnath News: ઉના પોલીસ સ્ટેશનમાં ACBની ત્રાટક, 2,000ની લાંચ લેતો GRD જવાન ઝડપાયો ]]></title><link>https://sandesh.com/crime/news/gir-somnath/una-police-station-grd-jawan-caught-by-acb-taking-bribe</link><guid isPermaLink="true">https://sandesh.com/crime/news/gir-somnath/una-police-station-grd-jawan-caught-by-acb-taking-bribe</guid><pubDate>Thu, 16 Jul 2026 15:39:40 +05:30</pubDate><description><![CDATA[<p>ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરોએ લાલ આંખ કરી છે. ઉના પોલીસ સ્ટેશનમાં પોરબંદર એસીબીની ટીમે બપોરે આશરે 12 વાગ્યાની આસપાસ એક સફળ ટ્રેપ ગોઠવીને લાંચ લેતા એક જીઆરડી જવાનને રંગેહાથ ઝડપી લેતા સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે.</p><h2><b>પોરબંદર એસીબીની ટીમનો સપાટો</b></h2><p>મળતી માહિતી અનુસાર, એક જાગૃત નાગરિક પાસેથી નોન-ક્રિમિલિયર દાખલો કાઢી આપવાના અવેજ પેટે જીઆરડી જવાન દ્વારા 2,000 રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. અરજદાર લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે એસીબીનો સંપર્ક કર્યો હતો. જેના આધારે પોરબંદર એસીબીની ટીમે આજે ઉના પોલીસ સ્ટેશનમાં વોચ ગોઠવી હતી. જીઆરડી જવાન જેવો લાંચની રકમ સ્વીકારવા ગયો, તે જ સમયે એસીબીએ ત્રાટકીને તેને રંગેહાથ દબોચી લીધો હતો.</p><h2><b>ક્રાઈમ શાખાના પોલીસ જમાદારની સંડોવણી?</b></h2><p>એસીબી દ્વારા લાંચિયા જવાનની ધોરણસર અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ટ્રેપ બાદ ક્રાઈમ શાખાના પોલીસ જમાદારની સંડોવણી અંગે પણ તપાસ તેજ કરવામાં આવી છે. એસીબીના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પ્રકરણની તમામ દિશામાં ઝીણવટભરી તપાસ શરૂ કરાઈ છે અને આગામી સમયમાં તપાસ દરમિયાન વધુ અધિકારીઓની સંડોવણી બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.</p><h2><b>લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ</b></h2><p>અત્રે ઉલ્લેખનીય છે કે, ઉના શહેરમાં માત્ર ચાર દિવસની અંદર એસીબીની આ બીજી મોટી અને સફળ કાર્યવાહી છે. આ પહેલા 13 જુલાઈના રોજ એક એસટી કંડક્ટર રૂપિયા 2,000ની લાંચ લેતા ઝડપાયો હતો. સતત બીજા ઓપરેશનથી ઉના સહિત સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gir-somnath/gir-somnath-veraval-heavy-rain-after-long-break-farmers-happy" target="_blank">Gir Somnath: વહેલી સવારથી જ વેરાવળ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/yUaFXlCfMX6ietf6912V43yCiIMiiT2YceHoOzsl.webp'/></item><item><title><![CDATA[આ મિસ્ટ્રી-થ્રિલર ફિલ્મ જેમાં Arjun Kapoor બન્યો હતો છોકરી... ખૂબ વાયરલ થયો હતો આ લુક! ]]></title><link>https://sandesh.com/entertainment/news/arjun-kapoor-female-role-thriller-movie-2-hours-6-minutes</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/arjun-kapoor-female-role-thriller-movie-2-hours-6-minutes</guid><pubDate>Thu, 16 Jul 2026 15:38:48 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અર્જુન કપૂરને તેની એક્ટિંગ માટે ઘણો ટ્રોલ કરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે આ ફિલ્મમાં અર્જુને શાનદાર એક્ટિંગ કરીને સારા સારાઓને હેરાન કરી દીધા હતા. છોકરીનું પડકારજનક પાત્ર ભજવતા તેણે ધમાલ મચાવી દીધી હતી. આ મજેદાર કોમેડી થ્રિલર ફિલ્મનું નામ છે 'સંદીપ ઔર પિંકી ફરાર' (Sandeep Aur Pinky Faraar). વર્ષ 2021 માં આવેલી આ ડાર્ક કોમેડી થ્રિલર પર આધારિત સ્ટોરી તમને અંત સુધી પકડી રાખશે. એકવાર જોવાનું શરૂ કરશો, તો પૂરી ફિલ્મ ખતમ કરીને જ ઊભા થશો.</p><h3 style="text-align: justify; "><b>અર્જુન કપૂરનું પાત્ર</b></h3><p style="text-align: justify; ">આ ફિલ્મમાં અર્જુન કપૂરે શાનદાર પાત્ર ભજવ્યું છે, જેના પછી લોકો તેની એક્ટિંગની નિંદા કરવાનું બંધ કરી દેશે. છોકરીના ચેલેન્જિંગ પાત્રને પૂરી નિષ્ઠાથી ભજવવું એ દરેકના બસની વાત નથી. અર્જુન કપૂર પોલીસ અને જીવલેણ દુશ્મનોથી બચવા માટે છોકરીનો વેશ ધારણ કરે છે. તેનો આ અવતાર વાર્તામાં એક મોટો ટ્વિસ્ટ લાવે છે.</p><h4 style="text-align: justify; "><b>ફિલ્મની સ્ટોરી અને થ્રિલ પોર્શન</b></h4><p style="text-align: justify; ">ફિલ્મની સ્ટોરી સંદીપ (પરિણીતી ચોપરા), જે એક બેંક એક્ઝિક્યુટિવ છે, અને પિંકી (અર્જુન કપૂર), જે એક સસ્પેન્ડેડ પોલીસકર્મી છે, તેની આસપાસ ફરે છે. બંને પોતાનો જીવ બચાવવા માટે દિલ્હીથી ભાગીને ભારત-નેપાળ બોર્ડરના એક નાના ગામમાં છુપાય છે.</p><h5 style="text-align: justify; "><b>સસ્પેન્સ અને જીવલેણ ષડયંત્રો</b></h5><p style="text-align: justify; ">આ ફિલ્મમાં તમને કેટલીય જગ્યાએ કોર્પોરેટ સ્કેમ, ભ્રષ્ટાચાર અને હત્યાઓ સાથે જોડાયેલી ઘટનાઓ અંદર સુધી હચમચાવી દેશે. આ તમામ દ્રશ્યોને મોટા સસ્પેન્સ સાથે બતાવવામાં આવ્યા છે.</p><h5 style="text-align: justify; "><b>ફિલ્મની દમદાર સ્ટાર કાસ્ટ</b></h5><p style="text-align: justify; ">આ ફિલ્મમાં અર્જુન કપૂર, પરિણીતી ચોપરાની સાથે સાથે જયદીપ અહલાવત, રઘુવીર યાદવ અને નીના ગુપ્તા પણ સાથે નજરે પડશે. આ ફિલ્મ Amazon Prime Video પર સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ છે. આ વીકેન્ડ પર આ ફિલ્મ તમારું ભરપૂર મનોરંજન કરી શકે છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/shweta-kawatra-casting-couch-revelation" target="_blank">આ પણ વાંચો-Casting Couch : 'કપડાં ઉતારો...', કાસ્ટિંગ કાઉચ પર કહાની ઘર ઘર કી ફેમ એક્ટ્રેસનો ચોંકાવનારો ખુલાસો!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/TEGheQn5MUfWTcfgDO4XXYQsuBhUmPphGJmrAxEO.webp'/></item><item><title><![CDATA[Strait of Hormuz માંથી પસાર થતા જહાજોમાં ભારતીયોને તૈનાત કરવા પર પ્રતિબંધ, સરકારે જાહેર કરી એડવાઇઝરી ]]></title><link>https://sandesh.com/india/news/government-issues-advisory-banning-deployment-of-indians-in-ships-passing-through-strait-of-hormuz</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/government-issues-advisory-banning-deployment-of-indians-in-ships-passing-through-strait-of-hormuz</guid><pubDate>Thu, 16 Jul 2026 15:36:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા લશ્કરી તણાવને પગલે ભારત સરકાર હવે સંપૂર્ણ સતર્ક થઈ ગઈ છે. હોર્મુઝ સ્ટ્રેટમાં વેપારી જહાજો પર થઈ રહેલા હુમલાઓમાં અનેક ભારતીય ખલાસીઓના મોત અને ઈજાના સમાચાર બાદ, ડિરેક્ટોરેટ જનરલ ઓફ મેરીટાઇમ એડમિનિસ્ટ્રેશન (DGMA) એ એક અત્યંત મહત્વપૂર્ણ એડવાયઝરી જાહેર કરી છે. આ આદેશ મુજબ, તમામ જહાજ માલિકો, સંચાલકો અને એજન્સીઓને સૂચના આપવામાં આવી છે કે જ્યાં સુધી આગામી આદેશ ન મળે ત્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર કોઈપણ ભારતીય ખલાસીઓને તૈનાત કરવામાં ન આવે.</p><h2 style="text-align: justify; "><b>હોર્મુઝ પરથી પસાર થતા જહાજો પર ભારતીયો તૈનાત ન કરો</b></h2><p style="text-align: justify; ">આ કડક નિર્ણય પાછળનું મુખ્ય કારણ ભારતીય નાગરિકોની સુરક્ષા છે. તાજેતરમાં એમટી અલ બાહિયા અને એમટી મોમ્બાસા જેવા વાણિજ્યિક જહાજો પર થયેલા હુમલામાં 14 ભારતીય ખલાસીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાઓએ ભારતને હચમચાવી દીધું છે અને વિદેશ મંત્રાલયે આ હિંસાની સખત નિંદા કરી છે. ભારત સરકારે ઈરાની અધિકારીઓને સમન્સ પાઠવીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર હિંસા અને નાગરિકોને નિશાન બનાવવાની ઘટનાઓ કોઈપણ રીતે સ્વીકાર્ય નથી.</p><h3 style="text-align: justify; "><b>હોર્મુઝ સ્ટ્રેટમાં ઉચ્ચ સ્તરની સતર્કતા રાખવા આદેશ</b></h3><p style="text-align: justify; ">DGMA એ જહાજ કંપનીઓને ISPS કોડનું ચુસ્તપણે પાલન કરવા અને પર્શિયન ગલ્ફ તેમજ હોર્મુઝ સ્ટ્રેટમાં ઉચ્ચ સ્તરની સતર્કતા રાખવા આદેશ આપ્યો છે. કંપનીઓને કોઈપણ કટોકટીના સમયે તાત્કાલિક ધોરણે ભારતીય નૌકાદળ અને ડિરેક્ટોરેટ જનરલ કોમ્યુનિકેશન સેન્ટર (MMDAC) નો સંપર્ક કરવા જણાવાયું છે. સુરક્ષાના આ આદેશો સાથે સરકારે 'નાવિક પ્રથમ' અભિયાન પણ શરૂ કર્યું છે, જેનો ઉદ્દેશ્ય પ્રદેશમાં રહેલા દરેક ભારતીય ખલાસીનું ૨૪ કલાક મોનિટરિંગ કરવાનો છે.</p><h4 style="text-align: justify; "><b>24/7 કાર્યરત હેલ્પલાઈન અને ઈ-મેલ સુવિધા શરૂ કરાઇ</b></h4><p style="text-align: justify; ">સરકારે ખલાસીઓ અને તેમના પરિવારજનો માટે 24/7 કાર્યરત હેલ્પલાઈન અને ઈ-મેલ સુવિધા પણ શરૂ કરી છે. ટોલ ફ્રી નંબર 1800-889-7768  અને વોટ્સએપ નંબર 91-8655856830 દ્વારા જરૂરિયાતમંદ લોકો મદદ મેળવી શકે છે. ભારત સરકારની આ પ્રાથમિકતા સ્પષ્ટ છે કે વેપાર કરતા ખલાસીઓના જીવનું મૂલ્ય વધુ છે, અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર હિંસા બંધ થાય તે માટે ભારત સતત દબાણ બનાવી રહ્યું છે. શિપિંગ કંપનીઓને પણ આ નિયમોના ઉલ્લંઘન બદલ કડક સૂચનાઓ આપવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આવી કોઈ દુઃખદ ઘટના ન બને.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/israeli-ambassador-was-mesmerized-after-seeing-this-airport-in-india-said-that-now-indians-should-build-an-airport-in-israel" target="_blank">આ પણ વાંચોઃ India નું આ એરપોર્ટ જોઇને મંત્રમુગ્ધ થયા ઇઝરાયલી રાજદૂત, કહ્યું કે હવે ભારતીયો ઇઝરાયલમાં એરપોર્ટ બનાવે</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/KYipYkGK3pAiY42Nsc1YoBtXrQR2UrV8wso8iwQK.webp'/></item><item><title><![CDATA[Mehsana News:  રાજકોટ બાદ મહેસાણા મનપામાં ચા નાસ્તાના ખર્ચમાં ભ્રષ્ટાચાર,પ્રજાના ટેક્સના 12 લાખનો ધૂમાડો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/civic-body-under-fire-over--12-lakh-tea-and-snacks-expenditure</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/civic-body-under-fire-over--12-lakh-tea-and-snacks-expenditure</guid><pubDate>Thu, 16 Jul 2026 15:35:08 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ મહાનગરપાલિકા બાદ હવે મહેસાણા મનપા પણ ચા નાસ્તાના બેફામ ખર્ચ અને કથિત ભ્રષ્ટાચારના મુદ્દે ભારે ચર્ચામાં આવી છે.મહેસાણા મનપામાં ચા નાસ્તા માટે મંજૂર થયેલા 5 લાખના બજેટની સામે અધધ 12 લાખનો ધુમાડો કરી નાખવામાં આવ્યો છે.જનતાના ટેક્સના પૈસાનો આ પ્રકારે સરેઆમ બગાડ થતાં સ્થાનિક નાગરિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>અધિકારીઓની મનમાની હોવાની પૂરી આશંકા</b></h2><p style="text-align: justify; ">આ સમગ્ર મામલે ગીતાંજલિ નામની એજન્સી પર મહેરબાનીને લઈને પણ અનેક ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.આરોપ છે કે વહીવટી તંત્રના અધિકારીઓએ તમામ નિયમોને નેવે મૂકીને આ ચોક્કસ એજન્સીને વારંવાર એક્સટેન્શન આપ્યું હતું.સરકારી નીતિ નિયમોનું ઉલ્લંઘન કરીને માત્ર એક જ એજન્સીને ફાયદો પહોંચાડવા પાછળ અધિકારીઓની મનમાની હોવાની પૂરી આશંકા સેવાઈ રહી છે.</p><h2 style="text-align: justify; "><b>મુદ્દો સમગ્ર મહેસાણા પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો</b></h2><p style="text-align: justify; ">હાલમાં આ મુદ્દો સમગ્ર મહેસાણા પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ત્યારે જાગૃત નાગરિકો અને વિપક્ષ દ્વારા ગીતાંજલિ એજન્સીને ચૂકવવામાં આવેલા તમામ બીલોની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ બુલંદ બની છે.અધિકારીઓની આવી ખુલ્લી મનમાની સામે ઉચ્ચ સ્તરેથી કડક પગલાં ભરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/kutch/rapar-ashadhi-bij-kutchi-new-year-rathyatra-rain-trikam-saheb-virda-mela" target="_blank">આ પણ વાંચોઃ Kutch: રાપરમાં કચ્છી નવા વર્ષ અને ભવ્ય રથયાત્રા વચ્ચે મેઘરાજાની શુકનવંતી પધરામણી</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/kkPBm3WeFcQhb8Tc6SkB0wrJfGurapLSkBEHYTlH.webp'/></item><item><title><![CDATA[Surat News: બારડોલીમાં ફરી એકવાર પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/bomb-threat-email-sent-to-bardoli-post-office-and-passport-office</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/bomb-threat-email-sent-to-bardoli-post-office-and-passport-office</guid><pubDate>Thu, 16 Jul 2026 15:15:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં ઘણા સમયથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેઈલ મલી રહ્યાં છે. ત્યારે ગઈકાલે રાજ્યની પોસ્ટ ઓફિસોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી. અજાણ્યા તત્વો તરફથી મળતી આવી ધમકીઓને પગલે સુરક્ષા તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી છે. આ ધમકીઓ અંગે તપાસ શરૂ કરાઈ છે. વિવિધ સુરક્ષા એજન્સીઓ ટેકનિકલ સર્વેલન્સ દ્વારા ઈમેલ કરનારા તત્વોને પકડવા કાર્યવાહી કરી રહી છે. એવામાં ફરીવાર સુરતના બારડોલીમાં સરકારી કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>સાયનાઇડ બોમ્બ અને આત્મઘાતી હુમલાની ધમકી</b></h2><p style="text-align: justify; ">સુરતના બારડોલીમાંથી ફરી એકવાર સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની સનસનીખેજ ધમકી મળતા સમગ્ર પંથકમાં ભારે ફફડાટ અને દોડધામ મચી ગઈ છે. આ વખતે બારડોલીની મુખ્ય પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને નિશાન બનાવીને સાયનાઇડ બોમ્બ તેમજ આત્મઘાતી હુમલો કરવાની ધમકી આપવામાં આવી છે.આ ધમકી એક ઈ-મેઈલ દ્વારા મોકલવામાં આવી છે જેમાં હુમલાની ચેતવણી સાથે અનેક ચોંકાવનારા અને સનસનીખેજ આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>વહીવટી તંત્ર અને પોલીસ બેડામાં ભારે દોડધામ</b></h3><p style="text-align: justify; ">ધમકીભર્યો ઈ-મેઈલ મળતા જ સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ હતી.સુરક્ષાના પગલે તકેદારી રાખીને તાત્કાલિક ધોરણે બંને ઓફિસોને ખાલી કરાવી દેવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને કચેરીઓના ખૂણે-ખૂણામાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. હાલમાં પોલીસ દ્વારા આ ઈ-મેઈલ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોનો હાથ છે, તે દિશામાં સાયબર ક્રાઈમની મદદથી અત્યંત ગંભીર તપાસ શરૂ કરવામાં આવી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/kutch/rapar-ashadhi-bij-kutchi-new-year-rathyatra-rain-trikam-saheb-virda-mela" target="_blank">આ પણ વાંચોઃ Kutch: રાપરમાં કચ્છી નવા વર્ષ અને ભવ્ય રથયાત્રા વચ્ચે મેઘરાજાની શુકનવંતી પધરામણી</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/7fL0rOtK5Vsjb6DbkjywmLFRrlULqOTxtmw2wEQ0.webp'/></item><item><title><![CDATA[Vadodara News: મુસાફર દીકરીઓ માટે સામાન લેવા નીચે ઉતર્યા, ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે પગ ફસાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/passenger-injured-after-leg-gets-trapped-between-train-and-platform</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/passenger-injured-after-leg-gets-trapped-between-train-and-platform</guid><pubDate>Thu, 16 Jul 2026 14:28:54 +05:30</pubDate><description><![CDATA[<p>વડોદરા રેલવે સ્ટેશન પરથી રેલવે મુસાફરો માટે લાલબત્તી સમાન એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.સ્ટેશન પર ચાલુ ટ્રેન પકડવા માટે દોડ મૂકનારો એક મુસાફર ભયાનક અકસ્માતનો ભોગ બન્યો હતો.ટ્રેનમાં ચઢતી વખતે પગ લપસી જતાં આ મુસાફર ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની ગેપમાં ફસાઈ ગયો હતો.આ દુર્ઘટનામાં તેના પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.</p><h2><b>ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરતા પગ લપસ્યો</b></h2><p>મળતી માહિતી મુજબ,ઈજાગ્રસ્ત મુસાફરનું નામ સુરેશ ઉંડેરીયા છે અને તેઓ મુંબઈના રહેવાસી છે.વડોદરા સ્ટેશન પર ટ્રેન ઉભી રહી ત્યારે તેઓ પોતાની દીકરીઓ માટે કોલ્ડ્રિંક્સ અને દહીં લેવા માટે પ્લેટફોર્મ પર ઉતર્યા હતા.આ દરમિયાન અચાનક ટ્રેન શરૂ થઈ જતાં સામાન સાથે દોડીને ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરતી વખતે તેમનો પગ લપસ્યો હતો અને તેઓ પ્લેટફોર્મની નીચે ખાબક્યા હતા.</p><h3><b>ઈજાગ્રસ્ત મુસાફરને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા</b></h3><p>આ ભયાનક ઘટના બનતા જ પ્લેટફોર્મ પર હાજર રેલવે સ્ટાફ અને સુરક્ષાકર્મીઓએ ભારે તત્પરતા દાખવીને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી અને મુસાફરને ટ્રેન નીચેથી બહાર કાઢી લીધો હતો.ઘટના બાદ ગંભીર રીતે ઘવાયેલા સુરેશભાઈને તાબડતોબ સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.રેલવે તંત્ર દ્વારા મુસાફરોને ચાલુ ટ્રેને ન ચઢવા કે ઉતરવા માટે વારંવાર અપીલ કરવામાં આવે છે ત્યારે આ કિસ્સો અન્ય મુસાફરો માટે પણ એક મોટો સબક છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/rajkot/heavy-rain-brings-relief-to-saurashtra-and-kutch-on-ashadhi-beej" target="_blank">આ પણ વાંચોઃ Gujarat Rain Update: અષાઢી બીજના દિવસે સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં મેઘમહેર</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/8biJFTr8Z4o8oZAdmaenB4j6j0nnGRJsxhLAK3Or.webp'/></item><item><title><![CDATA[Surat: ઉધના મેન રોડ પર મસમોટો ભુવો પડ્યો, રોડ બેસી જતાં દૂધ સપ્લાય કરતો ટેમ્પો ફસાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/huge-bhuva-sinkhole-on-udhna-main-road-milk-tempo-trapped-smc-exposed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/huge-bhuva-sinkhole-on-udhna-main-road-milk-tempo-trapped-smc-exposed</guid><pubDate>Thu, 16 Jul 2026 14:18:57 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત શહેરમાં દર ચોમાસે રોડ-રસ્તા ધોવાઈ જવાની અને ભુવા પડવાની પરંપરા આ વર્ષે પણ યથાવત રહી છે. શહેરના દક્ષિણ ઝોનમાં આવેલા અતિ વ્યસ્ત અને ઔદ્યોગિક રીતે મહત્વના ગણાતા ઉધના મેન રોડ પર આજે મનપાના ભ્રષ્ટાચારનો જીવતો જાગતો પુરાવો જોવા મળ્યો હતો, જ્યાં મુખ્ય માર્ગની વચ્ચે જ એકાએક મોટો ભુવો પડી ગયો હતો.</p><h2><b>મનપાના ભ્રષ્ટાચારનો જીવતો જાગતો પુરાવો</b></h2><p>આ ઘટના બની ત્યારે રોડ પરથી પસાર થઈ રહેલો દૂધની સપ્લાય કરતો એક ટેમ્પો અચાનક આ ભુવામાં ધસી પડ્યો હતો. ટેમ્પોનું વ્હીલ ભુવામાં ઊંડે સુધી ફસાઈ જતાં વાહનચાલકનો જીવ અધ્ધર થઈ ગયો હતો. મેન રોડ પર ટેમ્પો ફસાવાને કારણે થોડી જ વારમાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક એકઠા થઈને ટેમ્પો ચાલકને સુરક્ષિત બહાર કાઢ્યો હતો અને મનપાના કંટ્રોલ રૂમને જાણ કરી હતી.</p><h3><b>ટેમ્પો અચાનક ભુવામાં ધસી પડ્યો</b></h3><p>સ્થાનિક વેપારીઓ અને નાગરિકોના આક્ષેપ મુજબ, સુરત મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા રોડ બનાવતી વખતે અત્યંત હલકી કક્ષાની કામગીરી કરવામાં આવે છે. સબ-સ્ટાન્ડર્ડ (નબળી ગુણવત્તાવાળા) મટીરીયલનો ઉપયોગ કરવાના કારણે જમીનની અંદર પાણી ઉતરતાની સાથે જ રોડ બેસી જાય છે. શહેરમાં એક તરફ કરોડો રૂપિયાના ખર્ચે પ્રી-મોન્સૂન કામગીરીના વાજા વગાડવામાં આવે છે, તો બીજી તરફ સામાન્ય વરસાદી માહોલમાં જ ઠેર-ઠેર ભુવા રાજ જોવા મળી રહ્યું છે. વારંવાર બનતી આવી ઘટનાઓ કોઈ મોટા અકસ્માત કે જાનહાનિને નોતરે તે પહેલાં મનપા કડક પગલાં ભરે તેવી લોકમાંગ ઉઠી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/crime-married-woman-raped-forced-abortion-in-dabholi-singanpor-pritesh-bhungaliya-arrested" target="_blank">આ પણ વાંચો: Surat: ડભોલી-સિંગણપોર વિસ્તારમાં પરિણીતા સાથે દુષ્કર્મ, પાપ છુપાવવા બળજબરીપૂર્વક દવા આપી કરાવાયો ગર્ભપાત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/PXdtk6XvV1APyqAwXMEkFTRqb86BWR3FdnvBYWN2.webp'/></item><item><title><![CDATA[Lionel Messi સાથે બોલાચાલી બાદ અર્જેન્ટીનાના ખેલાડીને લાફો માર્યો! હાર પછી જુડ બેલિંગહમે ગુમાવ્યો આપો : Video ]]></title><link>https://sandesh.com/sports/fifa-world-cup/news/jude-bellingham-slaps-argentina-player-valentin-barco-messi-clash-video</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/fifa-world-cup/news/jude-bellingham-slaps-argentina-player-valentin-barco-messi-clash-video</guid><pubDate>Thu, 16 Jul 2026 11:00:35 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફીફા વર્લ્ડ કપ 2026 ના બીજા સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડની હાર પછી જુડ બેલિંગહમે વેલેન્ટિન બાર્કોને લાફો મારી દીધો, જેઓ અર્જેન્ટીનાની જીતની ઉજવણી કરી રહ્યા હતા. આ પછી બંને ટીમોના ખેલાડીઓ આપસમાં ભિડાઈ ગયા. બેલિંગહમને ખૂબ જ ગુસ્સામાં જોવામાં આવ્યા, તેમની લિયોનેલ મેસી સાથે પણ તીખી ચર્ચા થઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>છેલ્લી મિનિટોમાં ગરમાયું વાતાવરણ</b></h2><p style="text-align: justify; ">અટલાન્ટાના મર્સિડીઝ-બેન્ઝ સ્ટેડિયમમાં રમાયેલા બીજા સેમિફાઇનલની 84 મી મિનિટ સુધી ઇંગ્લેન્ડ 1-0 થી આગળ હતું, લાગી રહ્યું હતું કે અર્જેન્ટીના હવે કદાચ અહીંથી મેચ ટાઇમમાં જીતી ન શકે. 6 મિનિટનો સમય બાકી હતો, એક્સ્ટ્રા ટાઈમ 7-8 મિનિટનો મળત. પરંતુ અર્જેન્ટીનાએ શાનદાર કમબેક કર્યું અને 7 મિનિટની અંદર 2 ગોલ ફટકારી દીધા. મેચની અંતિમ પળોમાં જુડ બેલિંગહમે લિયોનેલ મેસીને ફાઉલ કર્યો હતો, જેના પછી તેમની તીખી ચર્ચા થઈ હતી. આ પછી બંને ટીમોના ખેલાડીઓ આવી ગયા તો વાતાવરણ ઘણું ગરમ થઈ ગયું. મેચ પૂરી થયા પછી તો બેલિંગહમ એટલો ગુસ્સામાં આવી ગયો કે તેણે અર્જેન્ટીનાના સબ્સ્ટિટ્યૂટ પ્લેયરને લાફો મારી દીધો.<br><a href="https://x.com/ellarguero/status/2077514185819202046" target="_blank">https://x.com/ellarguero/status/2077514185819202046</a><br></p><h3 style="text-align: justify; "><b>જુડ બેલિંગહમે અર્જેન્ટીનાના ખેલાડીને કેમ માર્યો લાફો?</b></h3><p style="text-align: justify; ">વાયરલ વીડિયોમાં નજરે આવી રહ્યું છે કે અર્જેન્ટીનાના પ્લેયર્સ જીતની ઉજવણી કરી રહ્યા હોય છે, ત્યાં નિરાશ થઈને ઉભેલા જુડ બેલિંગહમ અર્જેન્ટીનાના સબ્સ્ટિટ્યૂટ પ્લેયર વેલેન્ટિન બાર્કોને પાછળથી માથા પર લાફો મારી દે છે. આ પછી તેઓ પણ બેલિંગહમને ધક્કો મારે છે, પછી બંને ટીમોના ખેલાડીઓ આવી જાય છે અને મામલો ગરમ થઈ જાય છે. વીડિયો જોવાથી લાગી રહ્યું છે કે વેલેન્ટિને તેને ઉશ્કેર્યા હતો, તે સતત તેને જોઈને કંઈક બોલી રહ્યા હતા અને આનાથી જ ગુસ્સે થઈને બેલિંગહમ આપો ગુમાવી બેસે છે.<br><a href="https://x.com/Msn_sis0/status/2077528712375902426" target="_blank">https://x.com/Msn_sis0/status/2077528712375902426</a><br></p><p style="text-align: justify; ">અન્ય એક વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે જીત બાદ અર્જેન્ટીનાના ખેલાડીઓ ઉત્સાહમાં જુડ બેલિંગહમને જોઈને સતત કંઈક બોલી રહ્યા હતા. આ આક્રમક ઉજવણીને કારણે મામલો વધુ ગરમાયો. અર્જેન્ટીનાના ખેલાડીઓ આક્રમક અંદાજમાં હતા, કારણ કે થોડા સમય પહેલાં જ જુડ બેલિંગહમની લિયોનેલ મેસી સાથે પણ તીખી બોલાચાલી થઈ હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/sports/fifa-world-cup/news/fifa-world-cup-2026-argentina-beats-england-semi-final-messi" target="_blank">આ પણ વાંચો-7 મિનિટમાં બદલાઈ ગઈ મેચ! ઇંગ્લેન્ડને હરાવી FIFA World Cupની ફાઇનલમાં પહોંચ્યું અર્જેન્ટીના</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/Yfls61TLxfb8dddceBKZIfeuirRlnVpZ8pFSGtsm.webp'/></item></channel></rss>