<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Dahod News: પાટડીયા ગામે તળાવમાં ન્હાવા પડેલા બે સગા ભાઈઓના મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dahod/sukhsar-patdiya-village-two-brothers-drowned-lake-death</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dahod/sukhsar-patdiya-village-two-brothers-drowned-lake-death</guid><pubDate>Wed, 24 Jun 2026 13:15:28 +05:30</pubDate><description><![CDATA[<p>દાહોદ જિલ્લાના સુખસર તાલુકાના પાટડીયા ગામેથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં તળાવના ઊંડા પાણીમાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના કાળચક્રમાં હોમાઈ જતાં કરૂણ મોત નીપજ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગામમાં રહેતા એક જ પરિવારના બે વહાલસોયા બાળકો બપોરના સમયે શાળાએથી પરત આવ્યા હતા. ઘરે આવ્યા બાદ બંને ભાઈઓ ગામના તળાવ ઉપર ન્હાવા માટે ગયા હતા, જ્યાં આ દુર્ઘટના સર્જાઈ હતી.</p><h2><b>એક જ પરિવારના બે સગા ભાઈઓ ડૂબ્યા</b></h2><p>તળાવમાં ન્હાવા પડેલા બંને સગા ભાઈઓ પાણીની ઊંડાઈનો અંદાજ મેળવી શક્યા ન હતા અને જોતજોતામાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તળાવના પાણીમાં ડૂબી જવાને કારણે પ્રિન્સરાજ ઉંમર 11 વર્ષ અને ઋત્વિક ઉંમર 9 વર્ષ નામના બંને માસૂમ બાળકોના શ્વાસ રૂંધાતા મોત નીપજ્યા હતા. સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ બંને માસૂમોના મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા.</p><h2><b>માતા-પિતાના એકના એક બે પુત્રોના મોતથી પરિવારનો માળો વિખેરાયો</b></h2><p>આ દુર્ઘટના એટલી વસમી છે કે, મૃતક પ્રિન્સરાજ અને ઋત્વિક પોતાના માતા-પિતાના બે જ સંતાનો હતા. વહાલસોયા બંને દીકરાઓ એકસાથે કાળનો કોળિયો બની જતાં માતા-પિતા પર જાણે આભ તૂટી પડ્યું છે અને પરિવારનો હસતો-રમતો માળો વિખેરાઈ ગયો છે. </p><p>ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઉપરોક્ત બાબતે હતભાગી બાળકોના માતા-પિતાએ સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી, જેના આધારે પોલીસે બંને માસૂમોના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડી અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dahod/dahod-12th-international-yoga-day-celebrated-with-enthusiasm-at-the-taluka-level" target="_blank">Dahod: તાલુકા કક્ષાના 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/97RRkWmOC7mT3vuliRgDYDYxHRqENaT6bffmj2YW.webp'/></item><item><title><![CDATA[Sanwariya Seth: શ્રી સાંવરિયા શેઠનો ભંડાર છલકાયો, 40 કરોડની ભેટ, 110 કિલો ચાંદી અને સોનું ]]></title><link>https://sandesh.com/india/news/sanwariya-seth-shri-sanwariya-seths-treasure-overflowed-gifts-worth-40-crores-110-kg-of-silver-and-gold</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/sanwariya-seth-shri-sanwariya-seths-treasure-overflowed-gifts-worth-40-crores-110-kg-of-silver-and-gold</guid><pubDate>Wed, 24 Jun 2026 13:11:38 +05:30</pubDate><description><![CDATA[<p>રાજસ્થાનના ચિત્તોડગઢના મંડફિયા સ્થિત પ્રખ્યાત કૃષ્ણ ધામ શ્રી સાંવરિયા શેઠ મંદિર (Shree Sanwariya Seth Temple) માં ભક્તોની અતૂટ આસ્થાએ ફરી એકવાર નવો રેકોર્ડ સર્જ્યો છે. માત્ર એક મહિનાના ગાળામાં જ ભગવાન સાંવરિયા શેઠના દરબારમાં આશરે 40.81 કરોડ રૂપિયાનું અધધ કહી શકાય તેટલું દાન આવ્યું છે. 14 જૂનના રોજ મંદિરના દાનપાત્ર ખોલવામાં આવ્યા હતા, જેની સાત તબક્કામાં થયેલી ગણતરી મંગળવારે પૂર્ણ થઈ હતી. આ આંકડો દેશ-વિદેશના શ્રદ્ધાળુઓની ભગવાન પ્રત્યેની અપાર શ્રદ્ધા દર્શાવે છે.</p><p>મંદિર બોર્ડના અધ્યક્ષ હજારીદાસ વૈષ્ણવ અને વહીવટી અધિકારીઓની હાજરીમાં પારદર્શી રીતે થયેલી ગણતરી મુજબ, મુખ્ય દાનપાત્રમાંથી જ 33 કરોડ 15 લાખ 18 હજાર 759 રૂપિયાની રેકોર્ડ રોકડ રકમ મળી આવી છે. આ સિવાય દેશ-વિદેશના ભક્તોએ ઓનલાઈન માધ્યમ, મની ઓર્ડર અને મંદિરના સત્તાવાર ભેટ કક્ષમાં રૂબરૂ રસીદ કટાવીને 7 કરોડ 66 લાખ 21 હજાર 519 રૂપિયાનું દાન આપ્યું છે. આમ, રોકડ અને ઓનલાઈન ભેટ મળીને કુલ માસિક ચઢાવો 40 કરોડ 81 લાખ 40 હજાર 278 રૂપિયાના જાદુઈ આંકડા પર પહોંચી ગયો છે.</p><h2><b>ખજાનામાંથી નીકળ્યું સોનું અને ચાંદી</b></h2><p>રોકડ સિવાય, ભક્તોએ પોતાની મનોકામના પૂર્ણ થવા પર ભગવાનના ચરણોમાં કિંમતી ધાતુઓ પણ દિલ ખોલીને અર્પણ કરી છે. મંદિર પ્રશાસનના સત્તાવાર અહેવાલ મુજબ, આ વખતે ભંડાર અને ભેટ કક્ષમાંથી કુલ 1 કિલો 738 ગ્રામ 800 મિલિગ્રામ શુદ્ધ સોનું પ્રાપ્ત થયું છે. આ સાથે જ ભગવાનના ખજાનામાં 110 કિલો 648 ગ્રામ ચાંદી પણ ચઢાવવામાં આવી છે. આ તમામ કિંમતી ભેટોને કડક સુરક્ષા વચ્ચે લોકરમાં રાખવામાં આવી છે.</p><p><br></p><p>મંદિર પ્રશાસનના જણાવ્યા અનુસાર, શ્રી સાંવરિયા શેઠના દરબારમાં વર્ષભર લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. તહેવારો અને વિશેષ મેળાઓ દરમિયાન આ ભીડ અસાધારણ વધી જાય છે. દર મહિને સતત વધી રહેલી આ ભેટ રાશિ સાબિત કરે છે કે સાંવરિયા શેઠનું આ પાવન ધામ માત્ર રાજસ્થાન જ નહીં, પરંતુ સમગ્ર ભારતના ટોચના આસ્થા કેન્દ્રોમાં અગ્રેસર બની ગયું છે. ભક્તોનો દ્રઢ વિશ્વાસ છે કે અહીં સાચા મનથી માથું ટેકવનારની દરેક મનોકામના પૂર્ણ થાય છે.</p><p><a href="https://sandesh.com/lifestyle/news/kidney-health-tips-keep-the-kidneys-that-filter-the-blood-healthy-and-strong-know-its-remedies" target="_blank">આ પણ વાંચો:Kidney health tips: લોહીને ફિલ્ટર કરનાર કિડનીને હેલ્ધી અને મજબૂત રાખો,જાણો તેના ઉપાય</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/07j62bUjks7E9DNxfv9BWvGcb9a8Ti9OubaxnK3C.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: ટ્રાફિક સમસ્યા નિવારવા DGP એક્શન મોડમાં, એસજી હાઇવે પર ટ્રાફિક વ્યવસ્થાની સમીક્ષા કરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/dgp-gs-malik-traffic-management-inspection-palladium-mall</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/dgp-gs-malik-traffic-management-inspection-palladium-mall</guid><pubDate>Wed, 24 Jun 2026 13:11:23 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરના વ્યસ્ત માર્ગો પર ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ હરકતમાં આવ્યું છે. રાજ્યના DGP જી. એસ. મલિક અને મનપા કમિશનરે સંયુક્ત રીતે પેલેડિયમ મોલ ચાર રસ્તાની રૂબરૂ મુલાકાત લીધી હતી. મનપા અને ટ્રાફિક વિભાગ દ્વારા આ વિસ્તારમાં ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે કરવામાં આવેલા વિશેષ મેનેજમેન્ટનું તેમણે ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનો આપ્યા હતા.</p><h2><b>પેલેડિયમ મોલથી કારગીલ ચાર રસ્તા અને વૈષ્ણોદેવી સુધી ગ્રાઉન્ડ સમીક્ષા</b></h2><p>આ ગ્રાઉન્ડ વિઝિટ દરમિયાન DGP જી. એસ. મલિકે પેલેડિયમ મોલ ચાર રસ્તા ખાતે અખતરા તરીકે બંધ કરવામાં આવેલા ક્રોસ રોડ અને કટની સ્થિતિ તપાસી હતી. ત્યારબાદ તેઓએ પેલેડિયમથી કારગીલ ચાર રસ્તા સુધીના સમગ્ર રૂટની વિઝિટ કરી હતી. આ ઉપરાંત સોલા સિવિલ હોસ્પિટલ ક્રોસ રોડ અને એસ.જી. હાઇવે પર આવેલા મહત્વના વૈષ્ણોદેવી સર્કલ ખાતે પણ પહોંચીને ટ્રાફિકની વર્તમાન સ્થિતિ અને જંકશન મેનેજમેન્ટની વિસ્તૃત સમીક્ષા કરી હતી.</p><h2><b>ટ્રાફિકનું ભારણ ઘટાડવા પોલીસ-મનપા વચ્ચે સંકલન અને ફેરફારની તૈયારી</b></h2><p>નિરીક્ષણ બાદ મીડિયા સાથે વાતચીતમાં DGP જી. એસ. મલિકે જણાવ્યું હતું કે, ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે તંત્ર દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાયોગિક ધોરણે કેટલાક ક્રોસ રોડ બંધ કરીને સાઇડ કટ આપવામાં આવ્યા છે, જે જગ્યાઓ પર હજુ પણ મુશ્કેલી જણાય ત્યાં જરૂરિયાત મુજબ યોગ્ય ફેરફાર કરવામાં આવશે. તેમણે વાહનચાલકોની સુવિધા માટે અને પીક અવર્સમાં જામની સ્થિતિ નિવારવા પોલીસ અને મનપા વચ્ચે સતત સંકલન જાળવી રાખીને કામ કરવા માટેની ખાસ સલાહ આપી હતી.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-high-court-strict-on-journalists-misusing-rti-act-controversy-updates" target="_blank">Ahmedabad : RTI કરીને તોડપાણી કરતા કથિત પત્રકારોને હાઈકોર્ટે ધોઈ નાખ્યા, 800 અરજીઓ જોઈ ભડકી અદાલત..!</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/5kmk2JYop0eo50YUaZ6JJCEP5O50d5C8GVtoI4dz.webp'/></item><item><title><![CDATA[Crude Oil Price Crash: શું હવે સસ્તું થશે પેટ્રોલ? $120 થી ઘટીને $77 પર આવ્યું ક્રૂડ ઓઇલ! ]]></title><link>https://sandesh.com/business/news/crude-oil-price-crash-will-petrol-become-cheaper-now-crude-oil-fell-from-120-to-77</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/crude-oil-price-crash-will-petrol-become-cheaper-now-crude-oil-fell-from-120-to-77</guid><pubDate>Wed, 24 Jun 2026 13:08:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી તેલની અસ્થિરતા વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. યુએસ અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થતાની સાથે જ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. એક સમય હતો જ્યારે યુદ્ધની સ્થિતિને કારણે ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ $120 ના સ્તરને આંબી ગયું હતું, જેના કારણે વિશ્વભરમાં મોંઘવારી અને ઈંધણ સંકટ વકર્યું હતું. જોકે, હવે આ આંકડો $77 થી પણ નીચે આવી ગયો છે, જે છેલ્લા ચાર મહિનામાં સૌથી નીચો ભાવ છે.</p><h2 style="text-align: justify; "><b>ભાવ ઘટવાનું મુખ્ય કારણ</b></h2><p style="text-align: justify; ">ક્રૂડ ઓઇલના ભાવમાં આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ યુએસ-ઈરાન વચ્ચે થયેલો શાંતિ કરાર છે. યુએસ ટ્રેઝરી દ્વારા ઈરાની તેલના વેચાણ પરની મંજૂરી અને હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી કાર્યરત થતા સપ્લાય ચેઇનમાં સુધારો થયો છે. એશિયન ખરીદદારો માટે ઈરાન ડિસ્કાઉન્ટ પર તેલ ઉપલબ્ધ કરાવી રહ્યું છે, જેના કારણે બજારમાં તેલની ઉપલબ્ધતા વધી છે.</p><h3 style="text-align: justify; "><b>શું સામાન્ય લોકોને રાહત મળશે?</b></h3><p style="text-align: justify; ">ક્રૂડ ઓઇલના ભાવ ઘટતા ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટવાની આશા જાગી છે. વર્ષોથી તેલ કંપનીઓ ભાવમાં વધારો કરી રહી હતી, ત્યારે હવે ભાવ ઘટતા લોકોમાં રાહતની અપેક્ષા સ્વાભાવિક છે. નિષ્ણાતોના મતે, આ ઘટાડો ભારતનું આયાત બિલ ઘટાડવામાં અને રૂપિયાને મજબૂત કરવામાં મદદરૂપ થશે.</p><h4 style="text-align: justify; "><b>હાલ મોટા ઘટાડાની શક્યતા ઓછી</b></h4><p style="text-align: justify; ">નિષ્ણાતોના મતે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તાત્કાલિક મોટો ઘટાડો થવાની શક્યતા ઓછી છે. તેનું કારણ એ છે કે ભારતમાં ઇંધણના ભાવ માત્ર ક્રૂડ ઓઇલ પર જ નહીં, પરંતુ ટેક્સ, રિફાઇનિંગ માર્જિન અને માર્કેટિંગ ખર્ચ જેવા અનેક પરિબળો પર નિર્ભર કરે છે. અત્યારે ગ્રાહકોએ ઇંધણના ભાવમાં તાત્કાલિક ઘટાડા માટે રાહ જોવી પડી શકે છે. ક્રૂડ ઓઇલનું નીચું સ્તર ચોક્કસપણે અર્થતંત્ર માટે સકારાત્મક સંકેત છે અને ફુગાવાને કાબૂમાં રાખવામાં મદદ કરશે, પરંતુ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો ક્યારે અને કેટલો થશે, તે તેલ કંપનીઓ અને સરકારની ભાવિ નીતિઓ પર નિર્ભર રહેશે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/business/news/world/elon-musks-trillionaire-crown-taken-away-billions-of-dollars-lost-in-48-hours" target="_blank">આ પણ વાંચોઃ Elon Muskનો 'ટ્રિલિયોનેર' તાજ છીનવાયો, 48 કલાકમાં ગુમાવ્યા અબજો ડોલર!</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/WLOY0E4hwJzVR6q8DX8a201INZLlMiHKb0P9WXYA.webp'/></item><item><title><![CDATA[Japan PM Visit Cancelled: જાપાની PM સનાઈ તાકાઈચીનો ગુવાહાટી પ્રવાસ રદ, જાણો CM હિમંતા બિસ્વા સરમાએ શુ કહ્યુ? ]]></title><link>https://sandesh.com/india/news/-political-news/japan-pm-visit-cancelled-japanese-pm-sanai-takaichis-visit-to-guwahati-cancelled-know-what-cm-himanta-biswa-sarma-said</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/-political-news/japan-pm-visit-cancelled-japanese-pm-sanai-takaichis-visit-to-guwahati-cancelled-know-what-cm-himanta-biswa-sarma-said</guid><pubDate>Wed, 24 Jun 2026 13:06:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">જાપાનના પીએમ સના તાકાઈચીનો ગુવાહાટીનો પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનું નિરક્ષણ સીએમ જાતે કરી રહ્યા હતા.&nbsp;</p><h2 style="text-align: justify; ">પ્રવાસ રદ્દનું કારણ જાણી શકાયુ નથી&nbsp;</h2><p style="text-align: justify; ">મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, આસામ સરકારને જાપાનના પીએમની આસામ મુલાકાત રદ કરવાનું ચોક્કસ કારણ જણાવવામાં આવ્યું નથી. અમે જાપાનના પીએમને પ્રવાસ રદ કરવાનું કારણ પૂછી પણ શકતા નથી. જ્યારે હું દિલ્હી જઈશ અને વિદેશ મંત્રી એસ. જયશંકરને મળીશ ત્યારે જ અમને આ વિશે ખબર પડશે. પીએમના ભવ્ય સ્વાગત માટે ગુવાહાટીમાં વ્યાપક તૈયારીઓ ચાલી રહી હતી. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પોતે આ તૈયારીઓનું નિરીક્ષણ કરી રહ્યા હતા. પરંતુ પ્રવાસ રદ્દ થતા રાજ્ય સરકારને મોટો ઝટકો લાગ્યો છે.&nbsp;</p><h3 style="text-align: justify; ">વિદેશ સચિવે શું કહ્યુ ?&nbsp;</h3><p style="text-align: justify; ">મુખ્યમંત્રી સરમાએ વધુમાં કહ્યુ હતુ કે, વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ રાજ્ય સરકારને સમયપત્રકમાં ફેરફારની જાણ કરી હતી. મુખ્યમંત્રી સરમાએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે, વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ આસામ સરકારના મુખ્ય સચિવને જાણ કરી હતી કે કેટલાક કારણોસર, જાપાની વડા પ્રધાનની આસામની મુલાકાત મુલતવી રાખવામાં આવી છે અને તેમની મુલાકાત હવે ફક્ત નવી દિલ્હી સુધી મર્યાદિત રહેશે.</p><h4 style="text-align: justify; ">રદ કરવાનું કારણ પૂછી શકાતું નથી: સરમા</h4><p style="text-align: justify; ">વિદેશ સચિવે જણાવ્યું હતું કે, જાપાની અધિકારીઓએ સંકેત આપ્યો છે કે, ભવિષ્યમાં જાપાની વેપારી પ્રતિનિધિઓની આસામની મુલાકાત માટે અલગ તારીખ નક્કી કરવામાં આવશે. પરંતુ મુખ્યમંત્રી શર્માએ એમ પણ કહ્યું હતું કે, આસામ સરકારને પીએમની આસામની મુલાકાત રદ કરવાનું ચોક્કસ કારણ જણાવવામાં આવ્યું નથી. અમે જાપાની વડાપ્રધાનને પ્રવાસ રદ કરવાનું કારણ પૂછી શકતા નથી. જ્યારે હું દિલ્હી જઈશ અને વિદેશ પ્રધાન એસ. જયશંકરને મળીશ ત્યારે જ અમને તે વિશે ખબર પડશે.</p><h5 style="text-align: justify; ">પીએમના વ્યસ્ત સમયપત્રક</h5><p style="text-align: justify; ">જાપાની વડા પ્રધાનના વ્યસ્ત સમયપત્રક અને લોજિસ્ટિકલ સમસ્યાઓને કારણે આસામમાં યોજાનારી આગામી વાર્ષિક ભારત-જાપાન સમિટ મુલતવી રાખવામાં આવી છે. સમિટ હવે નવી દિલ્હીમાં યોજાશે. પીએમ તાકાચી આવતા મહિને 1 થી 3 જુલાઈ સુધી ભારતની મુલાકાતે આવશે. વડાપ્રધાન બન્યા પછી તાકાચીની આ પહેલી ભારત મુલાકાત છે. ભારતીય પક્ષે ઉત્તરપૂર્વ ભારત સાથે જાપાનના સંબંધોને પ્રોત્સાહન આપવાના પ્રયાસોનું સંકલન કરવા માટે ગુવાહાટીમાં શિખર સંમેલન યોજવા માટે પ્રારંભિક તૈયારીઓ શરૂ કરી દીધી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે જાપાની સંસદના ચાલુ સત્ર સહિતની ઘરેલુ જવાબદારીઓને ધ્યાનમાં રાખીને, પીએમ તાકાચી ભારતમાં તેમના આયોજિત આગમન અને પ્રસ્થાન વચ્ચે વ્યસ્ત સમયપત્રક ધરાવે છે.</p><h6 style="text-align: justify; ">જાપાની પીએમની મુલાકાત બીજી વખત મુલતવી&nbsp;</h6><p style="text-align: justify; ">આ પહેલીવાર નથી જ્યારે જાપાની પીએમની આસામની આયોજિત મુલાકાત રદ કરવામાં આવી હોય. અગાઉ, CAA વિરોધી વિરોધને કારણે વડા પ્રધાન તરીકે શિન્ઝો આબેની ભારતની મુલાકાત રદ કરવામાં આવી હતી. જાપાની પીએમની મુલાકાત રદ થવાની સ્થિતિમાં ગુવાહાટીમાં ચાલી રહેલા બ્યુટિફિકેશન અભિયાન અંગે, મુખ્યમંત્રી સરમાએ જણાવ્યું હતું કેસ શહેરમાં નિયમિત કાર્ય ચાલુ રહેશે. જોકે અમલમાં મુકવામાં આવેલા ખાસ પગલાં સ્થગિત કરવામાં આવ્યા છે.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ&nbsp;<a href="https://sandesh.com/knowledge/news/india/ship-recycling-india-becomes-number-1-in-the-world-in-ship-recycling-gujarats-alang-yard-has-the-lions-share" target="_blank"> શિપ રિસાયકલિંગમાં દુનિયામાં નંબર-1 બન્યું ભારત, ગુજરાતના અલંગ યાર્ડનો સિંહફાળો!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/R22mRobsJmJaxOhOgFJVlW5b73R0Jub94x6pmPYT.webp'/></item><item><title><![CDATA[Gandhinagar : ગિફ્ટ સિટીમાં દારુ થયો સસ્તો,  વાઈન એન્ડ ડાઈન અંતર્ગત વિદેશી દારૂ પર VATમાંથી મુક્તિ ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gandhinagar-gift-city-foreign-liquor-vat-exemption-gujarat-government-notification</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gandhinagar-gift-city-foreign-liquor-vat-exemption-gujarat-government-notification</guid><pubDate>Wed, 24 Jun 2026 12:41:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતના એકમાત્ર વૈશ્વિક ફાઇનાન્સિયલ હબ એવા ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ગ્લોબલ બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે વધુ એક મોટો આર્થિક નિર્ણય લીધો છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>વિદેશી દારૂ પરના વેટમાં સત્તાવાર રીતે મોટી રાહત</b></h2><p style="text-align: justify; ">ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડીને ગિફ્ટ સિટીમાં પીરસવામાં આવતા વિદેશી દારૂ પરના વેટ માં સત્તાવાર રીતે મોટી રાહતની જાહેરાત કરવામાં આવી છે. આ નવા જાહેરનામા અનુસાર, ગિફ્ટ સિટીમાં 'વાઈન એન્ડ ડાઈન' ફેસિલિટી અંતર્ગત જે વિદેશી દારૂ પીરસવામાં આવશે, તેના પર હવે વેટ લાગશે નહીં.</p><h3 style="text-align: justify; "><b>કાયદાકીય સુધારો પણ કર્યો&nbsp;</b></h3><p style="text-align: justify; ">સરકારે આ રાહત આપવા માટે કાયદાકીય સુધારો પણ કર્યો છે. નાણાં વિભાગ દ્વારા ગુજરાત વેટ એક્ટ 2003  માં સુધારો કરીને નવી એન્ટ્રી નંબર 120 ઉમેરવામાં આવી છે. આ નવી જોગવાઈ હેઠળ, વેરાની રકમ 25 પૈસા કરતાં વધુ થાય ત્યાં સુધી સંપૂર્ણ મુક્તિ આપવાની સત્તાવાર જાહેરાત કરાઈ છે. આ નિયમો માત્રને માત્ર ગિફ્ટ સિટીની અધિકૃત 'વાઇન એન્ડ ડાઇન' ફેસિલિટી ધરાવતી હોટેલ્સ, ક્લબ અને રેસ્ટોરાં માટે જ લાગુ પડશે અને આ આદેશોનો તાત્કાલિક અસરથી અમલીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે.</p><h4 style="text-align: justify; "><b>વિદેશી પ્રતિનિધિઓની અવરજવર સતત રહે છે</b></h4><p style="text-align: justify; ">નોંધનીય છે કે ગિફ્ટ સિટીમાં વૈશ્વિક રોકાણકારો, સીઈઓ અને વિદેશી પ્રતિનિધિઓની અવરજવર સતત રહે છે, જેમને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ આપવા માટે અગાઉ સરકારે દારૂબંધીના નિયમોમાં શરતી છૂટછાટ આપી હતી. હવે ટેક્સના માળખામાં મોટી રાહત અપાતા ગિફ્ટ સિટીમાં બિઝનેસ નેટવર્કિંગ અને લાઈફસ્ટાઈલ વધુ આકર્ષક બનશે. જો કે, આ વેટ મુક્તિ ગિફ્ટ સિટીના નિયુક્ત એરિયા બહાર કે ગુજરાતના અન્ય ભાગો માટે લાગુ પડશે નહીં. સરકારના આ આર્થિક નિર્ણયને પગલે ગિફ્ટ સિટીના હોસ્પિટાલિટી સેક્ટરમાં મોટો ઉછાળો આવવાની સંભાવના છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/sandesh-digital-explainer-gujarat-monsoon-10-years-history" target="_blank"><b>Sandesh Digital Explainer : મેઘરાજાની એન્ટ્રીનું કાઉન્ટડાઉન..! જાણો છેલ્લા 10 વર્ષમાં ક્યારે વહેલા પધાર્યા અને ક્યારે કરાવ્યો ભારે ઈન્તેઝાર?</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/jmwS3VfGJhLfPrKTPxtQhhGBKRhTYAVwotTPjKj7.webp'/></item><item><title><![CDATA[1,2,3 કે 4 નહીં પરંતુ સીન કટ કર્યા પછી પણ અભિનેતાએ અનેક વખત કરી 15 વર્ષની હિરોઇનને Kiss, ઇન્ટિમેટ સીન દરમિયાન રડી પડી ]]></title><link>https://sandesh.com/entertainment/news/not-123-or-4-but-even-after-the-scene-was-cut-the-actor-kissed-the-15-year-old-heroine-several-times-she-cried-during-the-intimate-scene</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/not-123-or-4-but-even-after-the-scene-was-cut-the-actor-kissed-the-15-year-old-heroine-several-times-she-cried-during-the-intimate-scene</guid><pubDate>Wed, 24 Jun 2026 12:31:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી રેખા આજે એક આઈકોન છે, પરંતુ તેમની સફળતાના માર્ગમાં એક અત્યંત પીડાદાયક અને વિવાદાસ્પદ ઘટના જોડાયેલી છે. આ ઘટના વર્ષ 1969 માં તેમની પ્રથમ ફિલ્મ "અંજના સફર"ના શૂટિંગ દરમિયાન બની હતી. તે સમયે રેખા માત્ર 15 વર્ષની હતી અને પરિવારની આર્થિક જવાબદારીઓ નિભાવવા માટે ફિલ્મ ઉદ્યોગમાં આવી હતી.</p><h2 style="text-align: justify; "><b>શું બની હતી ઘટના?</b></h2><p style="text-align: justify; ">આ ફિલ્મમાં રેખાની સામે અભિનેતા બિસ્વજીત ચેટર્જી હતા. એક દ્રશ્ય દરમિયાન, કોઈ પણ પૂર્વ સૂચના કે પરવાનગી વગર બિસ્વજીતે નિર્દેશક સાથે મળીને એક ઇન્ટિમેટ કિસિંગ સીન શૂટ કરવાનો નિર્ણય લીધો. મીડિયા રિપોર્ટમાં તાજેતરમાં આ ઘટનાનો ખુલાસો કરતા જણાવ્યું કે, તે સમયે 15 વર્ષની રેખા આ બાબતથી સંપૂર્ણ અજાણ હતી. તેને એવું કંઈ પણ કહેવામાં આવ્યું ન હતું કે ફિલ્મમાં આવો કોઈ સીન આવવાનો છે.<br><h3><b>નિર્દેશકે કટ બોલવાની તસ્દી પણ ન લીધી</b></h3></p><p style="text-align: justify; ">શૂટિંગ શરૂ થયું ત્યારે બિસ્વજીતે રેખાને અચાનક ચુંબન કરવાનું શરૂ કર્યું. નિર્દેશકે 'કટ' બોલવાની જરૂર ન સમજી અને અભિનેતા પણ ચુંબન કરવાનું ચાલુ રાખ્યું. આ ઘટનાથી રેખા સ્તબ્ધ થઈ ગઈ હતી. તે પોતાની જાતને બચાવી શકે તેવી સ્થિતિમાં નહોતી. તે એટલી હદે ગભરાઈ ગઈ અને આઘાતમાં સરી પડી કે તે આખી વાદળી પડી ગઈ હતી. જ્યારે દ્રશ્ય પૂરું થયું, ત્યારે રેખા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી હતી. તેની હાલત એવી હતી કે તે બેભાન થવાને આરે હતી. બીજી તરફ, સેટ પર હાજર ક્રૂ મેમ્બર્સ અને બિસ્વજીત આ શૂટિંગને એક સફળ સિદ્ધિ ગણીને તાળીઓ પાડી રહ્યા હતા.</p><h4 style="text-align: justify; "><b>પરિવાર માટે લાચારી</b></h4><p style="text-align: justify; ">એ સમયે ૧૫ વર્ષની કિશોરી માટે આ એક ખૂબ જ કઠિન પરિસ્થિતિ હતી. તેની પાસે કામ છોડવાનો વિકલ્પ નહોતો, કારણ કે તે સમયે તેના પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી. પોતાની લાચારીને કારણે તેણે આ આઘાત સહન કરવો પડ્યો. વર્ષો બાદ, અભિનેતા બિસ્વજીતની પુત્રી પલ્લવી ચેટર્જીએ પણ આ દ્રશ્યની ટીકા કરી હતી અને સ્વીકાર્યું હતું કે તેમના પિતાએ આ સીન પહેલા રેખાની પરવાનગી લેવી જોઈતી હતી.</p><p style="text-align: justify; ">લાંબા સમયના સેન્સરશીપ વિવાદો બાદ આ ફિલ્મ ૧૯૭૯માં "દો શિકારી" નામથી રિલીઝ થઈ, પરંતુ તે બોક્સ ઓફિસ પર નિષ્ફળ સાબિત થઈ. આ કિસ્સો ફિલ્મ ઇતિહાસની એ કાળી ક્ષણ તરીકે યાદ કરવામાં આવે છે, જ્યારે વ્યાવસાયિક સફળતા મેળવવા માટે એક કિશોરીની સંમતિ અને ગરિમાને અવગણવામાં આવી હતી.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/entertainment/news/cocktail-2-created-a-stir-at-the-box-office-on-the-fifth-day-audiences-were-captivated-by-shahid-rashmikas-chemistry" target="_blank">આ પણ વાંચોઃ Cocktail 2 એ પાંચમા દિવસે બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, શાહિદ-રશ્મિકાની કેમેસ્ટ્રી પર ફિદા થયા દર્શકો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/rapuFGcKWD0euagaKDlUs5Rzy8q01Nw29U7CzASo.webp'/></item><item><title><![CDATA[Surat : કાપોદ્રાના કારખાનામાં જોરદાર શોર્ટસર્કિટથી જમીનની લાદીઓ ઉખડી ગઈ, 2 કર્મચારીઓ ગંભીર ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-kapodra-mahatma-industrial-short-circuit-factory-workers-injured-dgvcl</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-kapodra-mahatma-industrial-short-circuit-factory-workers-injured-dgvcl</guid><pubDate>Wed, 24 Jun 2026 12:28:29 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી એક અત્યંત ગંભીર અને કાળજું ધ્રુજાવી દેનારી દુર્ઘટના સામે આવી છે. કાપોદ્રામાં આવેલી મહાત્મા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના એક કારખાનામાં અચાનક ભયાનક શોર્ટસર્કિટ થતાં હાઈવોલ્ટેજ વીજ કરંટ ફેલાઈ ગયો હતો. આ કરંટ એટલો પ્રચંડ અને જોરદાર હતો કે કારખાનાની જમીન પર જડેલી લાદીઓ પણ મોટો ધડાકો થઈને ઉખડી ગઈ હતી. આ જીવલેણ દુર્ઘટનામાં ત્યાં કામ કરી રહેલા બે નિર્દોષ કર્મચારીઓ ગંભીર રીતે દાઝી જવાની સાથે કરંટની ચપેટમાં આવી ગયા છે.</p><h2 style="text-align: justify; "><b>જમીન ફાટી હોય તેમ લાદીઓ પણ ઉખડીને હવામાં ફંગોળાઈ</b></h2><p style="text-align: justify; ">મળતી વિગતો અનુસાર, મહાત્મા ઇન્ડસ્ટ્રીયલના કારખાનામાં રોજિંદી કામગીરી ચાલી રહી હતી, ત્યારે અચાનક વીજ લાઈનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાતા શોર્ટસર્કિટ થયું હતું. પળવારમાં જ આખા ખાતામાં હાઈવોલ્ટેજ વીજ પ્રવાહ ઉતરી આવ્યો હતો. મશીનરીની સાથે-સાથે જમીન પર પણ કરંટ એટલો જોરદાર હતો કે જમીન ફાટી હોય તેમ લાદીઓ પણ ઉખડીને હવામાં ફંગોળાઈ ગઈ હતી.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>બે શ્રમિકોને જોરદાર વીજ આંચકો લાગ્યો</b></h3><p style="text-align: justify; ">આ ભયાનક દ્રશ્ય વચ્ચે ત્યાં ફરજ બજાવતા બે શ્રમિકોને જોરદાર વીજ આંચકો લાગ્યો હતો અને તેઓ ઘટનાસ્થળે જ ઢળી પડ્યા હતા. આસપાસના અન્ય કારખાનાના લોકો અને સ્ટાફ તાત્કાલિક દોડી આવ્યા હતા અને મેઈન સ્વીચ બંધ કરીને બંને કર્મચારીઓને બચાવવાની કામગીરી કરી હતી. બંને ભોગ બનનાર શ્રમિકોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>DGVC ની ટેક્નિકલ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ</b></h4><p style="text-align: justify; ">બીજી તરફ, ફેક્ટરીમાં પ્રચંડ કરંટ અને ધડાકાની જાણ થતાં જ DGVC ની ટેક્નિકલ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. વીજ કંપનીના અધિકારીઓએ વિસ્તારનો પાવર સપ્લાય કાપીને તપાસ શરૂ કરી છે. આટલો હાઈવોલ્ટેજ કરંટ જમીન સુધી કેવી રીતે પહોંચ્યો અને અકસ્માત પાછળ કોઈ બેદરકારી છે કે કેમ, તે દિશામાં વીજ કંપની અને સ્થાનિક પોલીસે ઝીણવટભરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/sandesh-digital-explainer-gujarat-monsoon-10-years-history" target="_blank"><b> Sandesh Digital Explainer : મેઘરાજાની એન્ટ્રીનું કાઉન્ટડાઉન..! જાણો છેલ્લા 10 વર્ષમાં ક્યારે વહેલા પધાર્યા અને ક્યારે કરાવ્યો ભારે ઈન્તેઝાર?</b></a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/u4Ed6TS8Y6oTYvNRUIkanOKXByAoLI9R4Ljg0cGM.webp'/></item><item><title><![CDATA[Weather Forecast : 9 જિલ્લામાં આગામી કલાકો ભારે, નર્મદા અને તાપીમાં ‘રેડ એલર્ટ’ સાથે અતિભારે વરસાદની આફત ]]></title><link>https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/gujarat-weather-forecast-red-alert-narmada-tapi-rain-updates</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/gujarat-weather-forecast-red-alert-narmada-tapi-rain-updates</guid><pubDate>Wed, 24 Jun 2026 12:06:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં ચોમાસાની સિસ્ટમ પ્રચંડ વેગે સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા રાજ્યના નવ જિલ્લાઓ માટે આગામી સમય માટે કટોકટીભરી આગાહી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિન અનુસાર, બપોરે 1 વાગ્યા સુધીમાં રાજ્યના અલગ-અલગ ભાગોમાં પ્રચંડ ગાજવીજ અને વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદ તૂટી પડવાની પૂરેપૂરી સંભાવના છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં વહીવટી તંત્ર દ્વારા બે જિલ્લાઓમાં હાઈ એલર્ટ એટલે કે 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>દક્ષિણ ગુજરાત અને પૂર્વ પટ્ટીના વિસ્તારોમાં મેઘરાજા ભારે આફત સર્જી શકે</b></h2><p style="text-align: justify; ">દક્ષિણ ગુજરાત અને પૂર્વ પટ્ટીના વિસ્તારોમાં મેઘરાજા ભારે આફત સર્જી શકે છે. ખાસ કરીને નર્મદા અને તાપી જિલ્લામાં આકાશી આફત ઉતરે તેવી આશંકા વચ્ચે 'રેડ એલર્ટ' આપવામાં આવ્યું છે, જેના કારણે સ્થાનિક તંત્રને સ્ટેન્ડબાય રહેવા અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવધ રહેવા સૂચના અપાઈ છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ</b></h3><p style="text-align: justify; ">આ સિવાય, છોટાઉદેપુર, ભરૂચ અને સુરતમાં પણ ભારે વરસાદની સંભાવનાને પગલે 'ઓરેન્જ એલર્ટ' જારી કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના અન્ય છેવાડાના જિલ્લાઓની વાત કરીએ તો, નવસારી, વલસાડ અને ડાંગમાં પણ મુશળધાર વરસાદની આશંકા સાથે 'ઓરેન્જ એલર્ટ' રાખવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં નદી-નાળા છલકાય જવાની અને પહાડી રસ્તાઓ પર ભેખડો ધસી પડવાની સંભાવના નકારી શકાતી નથી.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>વડોદરામાં યલો એલર્ટ</b></h4><p style="text-align: justify; ">બીજી તરફ, મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લામાં વાદળછાયા વાતાવરણ અને તેજ પવન વચ્ચે વરસાદનું 'યલો એલર્ટ' આપવામાં આવ્યું છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/sandesh-digital-explainer-gujarat-monsoon-10-years-history" target="_blank"><b>&nbsp;Sandesh Digital Explainer : મેઘરાજાની એન્ટ્રીનું કાઉન્ટડાઉન..! જાણો છેલ્લા 10 વર્ષમાં ક્યારે વહેલા પધાર્યા અને ક્યારે કરાવ્યો ભારે ઈન્તેઝાર?</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/G4T30OuGPupwBSfIQyabhhrZm1u0uEouilbjtJ8f.webp'/></item><item><title><![CDATA[Cristiano Ronaldoએ ફિફા વર્લ્ડ કપમાં રચ્યો ઇતિહાસ, આવું કરનાર પ્રથમ ખેલાડી બન્યો ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/cristiano-ronaldo-created-history-in-the-fifa-world-cup-becoming-the-first-player-to-do-so</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/cristiano-ronaldo-created-history-in-the-fifa-world-cup-becoming-the-first-player-to-do-so</guid><pubDate>Wed, 24 Jun 2026 09:02:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પોર્ટુગલ ફિફા વર્લ્ડ કપમાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આજે પોર્ટુગલ ઉઝબેકિસ્તાનનો સામનો કરી રહ્યું છે. આ મેચની શરૂઆતની મિનિટોમાં રોનાલ્ડોએ પોર્ટુગલને લીડ અપાવી હતી. રોનાલ્ડોએ છઠ્ઠી મિનિટમાં ગોલ કરીને ટીમને 1-0ની લીડ અપાવી હતી. રોનાલ્ડોએ જોઆઓ કેન્સેલોની તકનો લાભ ઉઠાવ્યો અને ગોલ કર્યો. ફિફા વર્લ્ડ કપમાં આ રોનાલ્ડોનો 10મો ગોલ હતો. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો માટે આ એક ઐતિહાસિક ગોલ છે, અને તેણે એક વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો. તે છ વર્લ્ડ કપમાં ગોલ કરનાર પ્રથમ ખેલાડી બન્યો.</p><h4 style="text-align: justify; "><b>રોનાલ્ડો પોર્ટુગલનો સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો</b></h4><p style="text-align: justify; ">આ ગોલ સાથે, રોનાલ્ડો ફિફા વર્લ્ડ કપ ઇતિહાસમાં પોર્ટુગલનો સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બની ગયો છે, તેણે યુસેબિયોની બરાબરી કરી છે. યુસેબિયોએ 1966 વર્લ્ડ કપમાં કુલ નવ ગોલ કર્યા હતા. રોનાલ્ડોએ હવે પોર્ટુગલ માટે 10 ગોલ કર્યા છે. આ સંદર્ભમાં, તેણે યુસેબિયોને પાછળ છોડી દીધો છે. રોનાલ્ડોએ 2006 અને 2026 વર્લ્ડ કપ વચ્ચે આ ગોલ કર્યા હતા.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://x.com/FIFAWorldCup/status/2069496208876278116?s=20" target="_blank">https://x.com/FIFAWorldCup/status/2069496208876278116?s=20</a></p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>પહેલા હાફમાં રોનાલ્ડોએ બે ગોલ કર્યા</b></h4><p style="text-align: justify; ">પોર્ટુગલ અને ઉઝબેકિસ્તાન વચ્ચેની મેચમાં, રોનાલ્ડોએ છઠ્ઠી મિનિટમાં પહેલો ગોલ કર્યો અને પછી 39મી મિનિટે પોતાનો બીજો ગોલ કર્યો. રોનાલ્ડોના શાનદાર રમત અને નુનો મેન્ડેસના ગોલને કારણે, પોર્ટુગલે હાફ ટાઇમ સુધીમાં ઉઝબેકિસ્તાન પર 3-0ની લીડ મેળવી લીધી. પોર્ટુગલ હવે બીજા હાફમાં આ વર્ચસ્વ જાળવી રાખવાનો પ્રયાસ કરશે.</p><h5><div style="text-align: justify;"><b><br></b></div><b><div style="text-align: justify;"><b style="font-size: 1.25rem;">રોનાલ્ડો ટુર્નામેન્ટના પહેલા મેચમાં એક પણ ગોલ કરી શક્યો નહીં</b></div></b></h5><p style="text-align: justify; ">પોર્ટુગલના શરૂઆતના મેચમાં કોંગો સામે 1-1થી ડ્રો થવાથી ટીમ પર ભારે દબાણ આવ્યું. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તે મેચમાં પોતાના નબળા પ્રદર્શન માટે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો. કેટલાક લોકોએ એવો પણ દાવો કર્યો કે ટીમ પ્રથમ મેચ જીતવામાં નિષ્ફળ રહેવાનું કારણ રોનાલ્ડો હતા. જોકે, રોનાલ્ડોએ ફરી એકવાર વર્લ્ડ કપના એક મોટા મેચમાં શાનદાર ગોલ કરીને પોતાના ટીકાકારોને જવાબ આપ્યો.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/lionel-messi-creates-new-history-becomes-the-highest-scorer-in-the-world-cup" target="_blank"> Lionel Messiએ રચ્યો નવો ઈતિહાસ,વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/bZFkFUWUsiLV7XoMzcB8ZDZ3QVZDjrLIxxPClYdh.webp'/></item></channel></rss>