<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[West Bengal : ભરતી કૌભાંડ મામલે ED એક્શનમાં, TMCના ધારાસભ્ય મદન મિત્રાના 7 ઠેકાણાઓ પર પાડ્યા દરોડા ]]></title><link>https://sandesh.com/india/news/west-bengal-ed-raids-mla-madan-mitra-7-locations-recruitment-scam</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/west-bengal-ed-raids-mla-madan-mitra-7-locations-recruitment-scam</guid><pubDate>Sat, 13 Jun 2026 19:13:14 +05:30</pubDate><description><![CDATA[<p>પશ્ચિમ બંગાળમાં મ્યુનિસિપલ ભરતી કૌભાંડને લઈને EDએ શનિવારે મોટી કાર્યવાહી હાથ ધરી છે. તપાસ એજન્સીએ મદન મિત્રા સાથે જોડાયેલા અનેક ઠેકાણાઓ પર એકસાથે દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી મ્યુનિસિપલ ભરતી પ્રક્રિયામાં થયેલી ગેરરીતિ અને મની લોન્ડરિંગ કેસની તપાસ અંતર્ગત કરવામાં આવી રહી છે.</p><h2><b>સાત ઠેકાણાઓ પર તપાસ
</b></h2><p>મળતી માહિતી મુજબ મદન મિત્રા સાથે જોડાયેલા કુલ સાત સ્થળોએ સર્ચ અભિયાન ચાલી રહ્યું છે. તેમાં કોલકાતાના ભવાનીપુર સ્થિત તેમનું નિવાસસ્થાન, દક્ષિણેશ્વરનો પાંચ માળનો એપાર્ટમેન્ટ અને જોકા વિસ્તારમાં ફ્લેટનો સમાવેશ થાય છે. ઉપરાંત ઉત્તર કોલકાતાના બેલેઘાટા અને ભવાનીપુર તેમજ સંતોષપુરના બે ક્લબોમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. EDની ટીમે ભવાનીપુર સ્થિત તેમના ઘર પર પહોંચી પરિવાર સાથે પૂછપરછ પણ કરી છે.
</p><h3><b>નોકરી કૌભાંડ અને મની લોન્ડરિંગનો આરોપ
</b></h3><p>EDનો આરોપ છે કે મદન મિત્રાએ નગરપાલિકાઓમાં અયોગ્ય ઉમેદવારોની નિમણૂક માટે મધ્યસ્થીઓ મારફતે રોકડ અને સોનાના રૂપમાં લાંચ લીધી હતી. આ કેસમાં લગભગ 125 ગેરકાયદે નિમણૂકો સાથે તેમનો સંબંધ હોવાનું જણાવાયું છે. તપાસ એજન્સી દસ્તાવેજો અને નાણાકીય વ્યવહારોના પુરાવા એકત્રિત કરી રહી છે, જેથી ભરતી પ્રક્રિયામાં થયેલા ભ્રષ્ટાચારની પુષ્ટિ થઈ શકે.
</p><h4><b>એયાન સિલ સાથે જોડાણ
</b></h4><p>આ સમગ્ર કેસની તપાસમાં મુખ્ય આધાર એયાન સિલ પાસેથી મળેલી માહિતી પર છે, જેની 20 માર્ચ 2023ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેમની કંપની ‘એબીએસ ઈન્ફોઝોન પ્રાઈવેટ લિમિટેડ’ ભરતી પ્રક્રિયા સંચાલનમાં જોડાયેલી હોવાનું જણાવાયું છે. કંપની OMR શીટ તૈયાર કરવી, પરીક્ષા લેવડાવવી અને ઈન્ટરવ્યૂ પ્રક્રિયા સંભાળવા જેવી કામગીરી કરતી હતી. તપાસ દરમિયાન ગંભીર ગેરરીતિઓ સામે આવી હતી.
</p><h5><b>કરોડોની ગેરકાયદે વસૂલાતનો આરોપ
</b></h5><p>EDના જણાવ્યા મુજબ ઉમેદવારો પાસેથી નોકરીના બદલામાં કરોડો રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં આ કેસમાં લગભગ 111 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. અગાઉ પણ આ ભરતી કૌભાંડમાં ઘણા નગરપાલિકાઓના નામ સામે આવ્યા છે, જેમ કે કમરહાટી, ટીટીગઢ, કાંચરાપાડા અને અન્ય વિસ્તારો.
</p><h5><b>શું થશે આગળ કાર્યવાહી?
</b></h5><p>આ કેસમાં અગાઉ પણ અનેક રાજકીય નેતાઓ પર કાર્યવાહી થઈ ચૂકી છે. તપાસ એજન્સી હવે નવા પુરાવા એકત્રિત કરીને વધુ લોકોની ભૂમિકા તપાસી રહી છે. EDએ સ્પષ્ટ કર્યું છે કે તપાસ હજુ ચાલુ છે અને જરૂરી કાર્યવાહી આગળ પણ કરવામાં આવશે.
<br><br><a href="https://sandesh.com/india/news/crime/chandigarh-medical-store-firing-cashier-killed-triggering-panic-in-the-area" target="_blank">આ પણ વાંચો : Chandigarh : ધોળા દિવસે મેડિકલની દુકાનમાં ફાયરિંગ, માસ્ક પહેરેલા શખ્સોએ કેશિયરને ગોળી મારી</a><b></b></p><p><br></p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/8qii3JWcTmfd4yv7xKBhTbFE92eI19uaTo0Tg28z.webp'/></item><item><title><![CDATA[Vav Tharad News: કુવાણાના શામળાભાઈ ભીલ હત્યાકાંડનો ભેદ ઉકેલાયો, 5 હુમલાખોરો ઝડપાયા! ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/vav-tharad/lakhan-kuvana-shamlabhai-bhil-murder-case-solved-5-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/vav-tharad/lakhan-kuvana-shamlabhai-bhil-murder-case-solved-5-arrested</guid><pubDate>Sat, 13 Jun 2026 18:57:25 +05:30</pubDate><description><![CDATA[<p>વાવ-થરાદના કુવાણા ગામમાં ધોળા દિવસે બનેલા સનસનીખેજ શામળાભાઈ ભીલ હત્યાકાંડનો ભેદ ઉકેલવામાં સ્થાનિક પોલીસને મોટી સફળતા મળી છે. સમગ્ર પંથકમાં ચકચાર મચાવનારી આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ વાવ અને થરાદ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને હત્યા કરનાર મુખ્ય 5 આરોપીઓને રાઉન્ડઅપ કરીને જેલના સકંજામાં ધકેલી દીધા છે.</p><h2><b>જૂની અદાવતનો બદલો લેવા રચાયું હતું ખૂની ખેલ</b></h2><p>પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ ઘાતકી હત્યા પાછળ કોઈ તાત્કાલિક ઝઘડો નહીં, પરંતુ વર્ષો જૂની અદાવત જવાબદાર હતી. આ જૂની અદાવત અને વેરનો બદલો લેવા માટે હુમલાખોરોએ પૂર્વઆયોજિત કાવતરું ઘડ્યું હતું. ગત દિવસે હુમલાખોરો લક્ઝુરિયસ ગાડીઓ જેવી કે સ્કોર્પિયો અને ઇનોવા લઈને કુવાણા ગામે ત્રાટક્યા હતા અને શામળાભાઈ ભીલ પર અચાનક હુમલો કરી દીધો હતો.</p><h2><b>પિસ્તોલ અને ધારિયાથી કરાયો હતો હુમલો</b></h2><p>આરોપીઓ ગુનાહિત માનસ ધરાવતા હોય તેમ પૂરી તૈયારી સાથે આવ્યા હતા. તેમણે શામળાભાઈ પર જીવલેણ હુમલો કરવા માટે પિસ્તોલ અને ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારોનો ઉપયોગ કર્યો હતો. હથિયારોના આડેધડ ઘા ઝીંકીને શામળાભાઈને લોહીલુહાણ કરી મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. આ લોહિયાળ ઘટના બાદ સમગ્ર પંથકમાં ભય અને અજંપાભરી સ્થિતિ સર્જાઈ હતી.</p><h2><b>10થી વધુ ટીમો અને 100 CCTVના સર્વેલન્સથી સફળતા</b></h2><p>બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ઘટનાની ગંભીરતા જોઈને વાવ અને થરાદ પોલીસની 10થી વધુ સ્પેશિયલ ટીમો અલગ-અલગ દિશામાં દોડાવવામાં આવી હતી. પોલીસે હાઇવે અને ગ્રામ્ય વિસ્તારોના 100થી વધુ સીસીટીવી ફૂટેજ ખંગાળ્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી હુમલાખોરો કઈ દિશામાં ભાગ્યા છે, તેનો સચોટ રૂટ ટ્રેસ કરી લેવાયો હતો અને નાકાબંધી કરીને પાંચેય આરોપીઓને દબોચી લેવાયા હતા. ત્વરિત કાર્યવાહી કરીને કેસ ઉકેલી દેવા બદલ સ્થાનિકોએ પોલીસ તંત્રની કામગીરીને બિરદાવી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/vav-tharad/vav-tharad-news-brutal-murder-in-broad-daylight-in-kuvana-village-of-lakhani-the-killers-escaped-after-inflicting-injuries-with-sharp-weapons" target="_blank">Vav-Tharad News: લાખણીના કુવાણા ગામે ધોળા દિવસે કરપીણ હત્યા: તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યારાઓ થયા ફરાર</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/qpHNwIdUx1qHXUMGfHaRqVjfM7fmhYinO8EZjGcc.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: પત્ની સાથે અફેરની શંકાએ લીધો પાડોશીનો જીવ, પતિને આજીવન કેદ! ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/gomtipur-murder-case-verdict-abid-khan-pathan</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/gomtipur-murder-case-verdict-abid-khan-pathan</guid><pubDate>Sat, 13 Jun 2026 18:54:40 +05:30</pubDate><description><![CDATA[<p>શંકા વ્યાધિ સમાન છે અને આ જ શંકા જ્યારે મગજ પર સવાર થઈ જાય, ત્યારે માણસ લોહીની હોળી રમતા પણ અચકાતો નથી. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં વર્ષ 2022માં માત્ર પત્ની સાથેના આડા સંબંધોની શંકાના આધારે પાડોશી યુવકની ઘાતકી હત્યા કરવાના ચકચારી કેસમાં અમદાવાદ સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. અદાલતે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને મુખ્ય આરોપી આબિદ ખાન પઠાણને દોષિત જાહેર કરી આજીવન કેદની સખત સજા ફટકારી છે.</p><h2><b>શું હતી સમગ્ર ઘટના?</b></h2><p>સમગ્ર મામલાની વિગત એવી છે કે, વર્ષ 2022માં અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશનની હદમાં લોહીયાળ ખેલ ખેલાયો હતો. વિસ્તારમાં રહેતા આબિદ ખાન પઠાણ નામના શખ્સને મનમાં એવી વહેમ-શંકા પેસી ગઈ હતી કે, તેના પાડોશમાં રહેતા એક યુવકને તેની પત્ની સાથે ગેરકાયદે સંબંધો છે. આ આંધળી શંકાના કારણે આબિદ ખાને તમામ હદો પાર કરી દીધી હતી. એક દિવસ ઉશ્કેરાયેલા આબિદ ખાને તલવાર જેવા ધારદાર હથિયાર વડે પાડોશી યુવક પર તૂટી પડી, તેને જાહેરમાં ક્રૂરતાપૂર્વક રહેંસી નાખ્યો હતો.</p><h2><b>ગોમતીપુર પોલીસે મજબૂત પુરાવા રજૂ કર્યા</b></h2><p>આ ચકચારી હત્યાની ઘટના બાદ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધી આરોપી આબિદ ખાન પઠાણની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ઘટના સ્થળના પુરાવા, પંચનામા અને સાક્ષીઓના નિવેદનો સાથે કોર્ટમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરી હતી.</p><h2><b>અદાલતે ફટકારી આજીવન કેદ</b></h2><p>આ કેસ અમદાવાદની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં, સરકારી વકીલની ધારદાર દલીલો અને પોલીસના મજબૂત વૈજ્ઞાનિક અને પ્રત્યક્ષ પુરાવાઓને આધારે અદાલતે આરોપીને ગુનાહિત માનસ ધરાવતો ગણ્યો હતો. કોર્ટે અવલોકન કર્યું કે, વહેમ અને શંકાના કારણે એક નિર્દોષ યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી છે. જેથી સમાજમાં આવો ગુનો કરનારા તત્વોમાં કાયદાનો ડર રહે, તે માટે સેશન્સ કોર્ટે કડક વલણ અપનાવીને આરોપી આબિદ ખાન પઠાણને આજીવન જેલની સજા સંભળાવી સલાખો પાછળ ધકેલી દીધો છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/india/news/ahmedabad-news-employee-stayed-in-the-washroom-for-53-minutes-then-the-boss-demanded-an-account-said-now-sit-in-the-office-for-40-more-minutes" target="_blank">Ahmedabad News:કર્મચારી 53 મિનિટ વોશરૂમમાં રહ્યો તો બોસે માંગ્યો હિસાબ! કહ્યું- 'હવે 40 મિનિટ ઓફિસમાં વધારે બેસો'</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/6NBUco9Oa0S2NdldHSpFxajfwC9fSyC8yHW3CJ6U.webp'/></item><item><title><![CDATA[Rajkotમાં તસ્કરો બન્યા બેફામ: ઉમાકાંત ઉદ્યોગનગરમાં કારખાનાને બનાવ્યું નિશાન ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/smugglers-in-rajkot-have-become-ruthless-they-targeted-a-factory-in-umakant-udyognagar</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/smugglers-in-rajkot-have-become-ruthless-they-targeted-a-factory-in-umakant-udyognagar</guid><pubDate>Sat, 13 Jun 2026 18:54:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ તસ્કરો દિન-પ્રતિદિન વધુ બેફામ બની રહ્યા છે. શહેરમાં ચોરી અને લૂંટફાટના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે રાજકોટના પ્રખ્યાત ઔદ્યોગિક વિસ્તાર ઉમાકાંત ઉદ્યોગનગરમાંથી ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આવેલા એક એન્જિનિયરિંગ કારખાનામાં તસ્કરોએ રાત્રિના સમયે ત્રાટકીને બિન્ધાસ્ત રીતે ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. આ સમગ્ર ઘટના કારખાનામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.</p><h2 style="text-align: justify; ">રાત્રિના અંધારામાં કારખાનામાં ઘૂસ્યો ચોર</h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, ઉમાકાંત ઉદ્યોગનગરમાં આવેલા 'શ્રી ખોડલ એન્જિનિયરિંગ' નામના કારખાનાને તસ્કરોએ પોતાનું નિશાન બનાવ્યું હતું. રાત્રિના સમયે જ્યારે કારખાનામાં કામ કરતા શ્રમિક કારીગરો દિવસભરનો થાક ઉતારવા માટે ગાઢ નિદ્રામાં સૂતા હતા, ત્યારે એક અજાણ્યો ચોર કોઈ પણ જાતના ડર વગર કારખાનાની અંદર બિન્ધાસ્ત રીતે ઘૂસ્યો હતો. આ તસ્કરે ત્યાં સૂતેલા નિર્દોષ કારીગરોના કિંમતી મોબાઈલ ફોન અને રોકડ રકમ ભરેલા પાકીટની ચોરી કરી હતી અને પળવારમાં ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો.</p><h3 style="text-align: justify; ">સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ</h3><p style="text-align: justify; ">સવારે જ્યારે કારીગરો જાગ્યા ત્યારે પોતાના મોબાઈલ અને પાકીટ ગાયબ હોવાનું જણાતા કારખાના માલિકને આ અંગે જાણ કરવામાં આવી હતી. કારખાનાના સીસીટીવી (CCTV) કેમેરા ચેક કરતાં એક શખ્સ ચોરી કરતો સ્પષ્ટ નજરે પડ્યો હતો. આ વીડિયો ફૂટેજ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા છે. ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ કબ્જે કરીને તેના આધારે તસ્કરની ઓળખ મેળવવા અને તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/nJ3sh525pvNULqsN483KTcQvReLuq8r5VcYkbO86.webp'/></item><item><title><![CDATA[Chandigarh : ધોળા દિવસે મેડિકલની દુકાનમાં ફાયરિંગ, માસ્ક પહેરેલા શખ્સોએ કેશિયરને ગોળી મારી ]]></title><link>https://sandesh.com/india/news/crime/chandigarh-medical-store-firing-cashier-killed-triggering-panic-in-the-area</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/crime/chandigarh-medical-store-firing-cashier-killed-triggering-panic-in-the-area</guid><pubDate>Sat, 13 Jun 2026 18:47:48 +05:30</pubDate><description><![CDATA[<p>કેન્દ્ર શાસિત પ્રદેશ ચંડીગઢમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં અજાણ્યા હુમલાખોરોએ એક મેડિકલ સ્ટોરમાં ઘૂસી કેશિયરની ગોળી મારીને હત્યા કરી દીધી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભય અને દહેશતનો માહોલ ફેલાયો છે. ઘટના ચંડીગઢના સેક્ટર-11 વિસ્તારમાં આવેલી પોસ્ટગ્રેજ્યુએટ ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્સ પાસે આવેલી કુમાર મેડિકલ સ્ટોરમાં શનિવાર બપોરે બની હતી. મળતી માહિતી મુજબ, બે-ત્રણ હુમલાખોરો ગ્રાહકના સ્વાંગમાં દુકાનમાં પ્રવેશ્યા હતા.</p><h2><b>દુકાનમાં ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ
</b></h2><p>આરોપીઓએ દુકાનમાં જ ઓટોમેટિક પિસ્તોલ કાઢી અને કેશિયર જાંકી રામની સીટ પાસે જઈને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. ગોળી વાગવાથી તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં આરોપીઓ નિર્ભયતાથી ફાયરિંગ કરતા દેખાઈ રહ્યા છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ બે નહીં પરંતુ ત્રણ હતા અને તેઓ સ્કૂટી પર આવીને ઘટનાને અંજામ આપી ફરાર થયા હતા.
</p><h3><b>પોલીસ તપાસ તેજ કરવામાં આવી
</b></h3><p>પોલીસના જણાવ્યા મુજબ, મૃતક જાંકી રામે અગાઉ હિમાચલ પ્રદેશમાં સરપંચની ચૂંટણી જીતી હતી. પ્રાથમિક તપાસમાં આ કેસને અલગ એંગલથી પણ તપાસવામાં આવી રહ્યો છે. કુમાર બ્રધર્સને અગાઉ ધમકીભર્યા ફોન પણ મળ્યા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને FSL ટીમ ઘટનાસ્થળે પહોંચી પુરાવા એકત્રિત કરી રહી છે. પોલીસે આરોપીઓને ઝડપવા માટે તપાસ તેજ કરી છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ થશે તેમ જણાવ્યું છે. આ ઘટનાએ વેપારી વર્ગમાં ભારે ભયનો માહોલ ઉભો કર્યો છે અને સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો ઊભા કર્યા છે.<br><br><a href="https://sandesh.com/india/news/west-bengal-politics-abhishek-banerjee-was-first-called-arrogant-and-now-like-a-son-kalyan-banerjees-tone-changed" target="_blank">આ પણ વાંચો : West Bengal Politics: અભિષેક બેનર્જીને પહેલા કહ્યો અહંકારી અને હવે દીકરા જેવા.. કલ્યાણ બેનર્જીના સૂર બદલાયા</a><b></b></p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/bXJJ8f3CuArZg5SIpLqdcSj7bL7F5CyrO6g67AjC.webp'/></item><item><title><![CDATA[Surat News: NH-48 પર કાળજું કંપાવનારો અકસ્માત: કિમ નજીક બે ટ્રકો વચ્ચે જોરદાર ટક્કર ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/national-highway-48-kim-accident-two-trucks-collision-driver-rescued</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/national-highway-48-kim-accident-two-trucks-collision-driver-rescued</guid><pubDate>Sat, 13 Jun 2026 18:30:02 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે-48 પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. કિમ ચાર રસ્તા નજીક આવેલા મોટી નરોલી ગામના પાટિયા પાસે બે ટ્રકો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, પાછળની ટ્રકનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો, અને તેનો ચાલક લોખંડની કેબિનમાં જ જિંદગી અને મોત વચ્ચે ફસાઈ ગયો હતો.</p><h2><b>બે ટ્રકો વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત</b></h2><p>ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરતના કિમ ચાર રસ્તા પાસે નેશનલ હાઇવે-48 પરથી પસાર થઈ રહેલી એક ટ્રકની પાછળ અન્ય એક પૂરપાટ ઝડપે આવતી ટ્રક ધડાકાભેર અથડાઈ પડી હતી. આગળ જતી ટ્રકે અચાનક બ્રેક મારતા કે સ્પીડ ધીમી કરતા આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ માનવામાં આવી રહ્યું છે. ટક્કર એટલી પ્રચંડ હતી કે, પાછળની ટ્રકના કેબિનના ફૂરચેફૂરચા ઊડી ગયા હતા અને ડ્રાઈવર સ્ટીયરિંગ અને પતરાં વચ્ચે ખરાબ રીતે ભીંસાઈ ગયો હતો.</p><h2><b>પતરાં કાપીને ચાલકનું દિલધડક રેસ્ક્યૂ</b></h2><p>ઘટનાની જાણ થતાં જ હાઇવે પરથી પસાર થતા સ્થાનિક વાહનચાલકો મદદે દોડી આવ્યા હતા. આ સાથે જ જિલ્લા ટ્રાફિક પોલીસ અને 108ની ઈમરજન્સી ટીમ પણ ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કેબિનમાં ફસાયેલા ચાલકને બહાર કાઢવા માટે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભારે જહેમત બાદ લોખંડના પતરાં અને કેબિનના હિસ્સાને કટર વડે કાપીને લોહીલુહાણ હાલતમાં ચાલકને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો.</p><h2><b>હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ</b></h2><p>કેબિનમાંથી બહાર કાઢ્યા બાદ ઈજાગ્રસ્ત ટ્રક ચાલકને તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ અકસ્માતના કારણે નેશનલ હાઇવે પર થોડા સમય માટે વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી, પરંતુ ટ્રાફિક પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડ પર કરાવીને વાહનવ્યવહાર ફરી પૂર્વવત કરાવ્યો હતો.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/surat/adajan-main-water-pipeline-burst-damaged-asphalt-road-creates-flood-like-situation" target="_blank">Surat: અડાજણમાં હાઈ-પ્રેશર પાઈપલાઈનમાં મોટું ભંગાણ, પાકો રસ્તો ચીરીને પાણીના ફુવારા ઉડ્યા</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/dzd9sN66T2wR6a5X45ZaNBU35xQrhihDSeKCCclp.webp'/></item><item><title><![CDATA[Bollywood Singer : 52 વર્ષનો એ સિંગર, જેના 43ની ઉંમરે થયા છૂટાછેડા, પછી ક્યારેય ન થયો પ્રેમ...! ]]></title><link>https://sandesh.com/entertainment/news/singer-vishal-dadlani-real-life-story-divorce-loneliness</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/singer-vishal-dadlani-real-life-story-divorce-loneliness</guid><pubDate>Sat, 13 Jun 2026 17:44:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઇન્ડિયન મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના કેટલાક નામો એવા છે, જે પોતાની પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં રહે છે. આજે અમે તમને એક એવા જ ગાયક વિશે જણાવી રહ્યા છીએ. ચાલો જાણીએ કે આ કોણ છે?</p><h2 style="text-align: justify; "><b>વિશાલ દદલાની</b></h2><p style="text-align: justify; ">અમે જેમની વાત કરી રહ્યા છીએ, તે બીજા કોઈ નહીં પણ ગાયક, સંગીત નિર્દેશક અને રિયાલિટી શોના જજ તરીકે પોતાની ઓળખ બનાવનારા વિશાલ દદલાની છે. લાઈમલાઈટથી દૂર અંગત જીવન આમ તો વિશાલ પોતાની પર્સનલ લાઈફને લાઈમલાઈટથી દૂર જ રાખે છે, પરંતુ એક ઇન્ટરવ્યુમાં તેમણે પોતાની લવ લાઈફ અને લગ્ન વિશે વાત કરી હતી.</p><h3 style="text-align: justify; "><b>પ્રિયાલી કપૂર સાથે પ્રેમ</b></h3><p style="text-align: justify; ">મેશેબલ ઇન્ડિયા સાથેની વાતચીત દરમિયાન વિશાલે શેર કર્યું હતું કે 23 વર્ષની ઉંમરે તેમને પહેલીવાર પ્રિયાલી કપૂર સાથે પ્રેમ થયો હતો, જેના પછી તેમણે 25 વર્ષની ઉંમરે લગ્ન કરી લીધા હતા.<br><img title="Vishal Dadlani, Bollywood (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/06/13/G45h6d9slpBYzfbAuE53vj5xO00OhKk3HRPF3fh0.webp"><br></p><h3 style="text-align: justify; "><b>2017માં છૂટાછેડા</b></h3><p style="text-align: justify; ">વર્ષ 1999માં બંનેએ લગ્ન કર્યા હતા અને આ લગ્નજીવન 18 વર્ષ સુધી ચાલ્યું, પરંતુ પછી બંનેએ છૂટાછેડા લઈને પોતાના રસ્તા અલગ કરી લીધા. વર્ષ 2017માં બંનેના સત્તાવાર રીતે છૂટાછેડા થઈ ગયા હતા.</p><h4 style="text-align: justify; "><b>52 વર્ષની ઉંમરે સિંગલ</b></h4><p style="text-align: justify; ">છૂટાછેડા પછી વિશાલે ક્યારેય બીજા લગ્ન ન કર્યા અને ના તો તેમને ફરી ક્યારેય પ્રેમ થયો. 52 વર્ષની ઉંમરે પણ તેઓ સિંગલ લાઈફ જીવી રહ્યા છે અને પૂરી રીતે પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. વિશાલ અને પ્રિયાલીએ પોતાના સંબંધો પ્રત્યે હંમેશા આદર અને સન્માન જાળવી રાખ્યું હતું અને ક્યારેય એકબીજા વિશે કંઈ ખોટું નથી કહ્યું, જ્યારે આજકાલના સમયમાં આવું બહુ ઓછું જોવા મળે છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/reena-roy-refused-working-with-shatrughan-sinha" target="_blank">આ પણ વાંચો-Celebrity Relationship : રીના રોયના એક નિર્ણયથી ભડક્યા શત્રુઘ્ન સિન્હા, વર્ષો જૂનો કિસ્સો ફરી ચર્ચામાં!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/elRG7nMF5LGHuN8wEHnvz8F4dP8wORyZqa8VrpgR.webp'/></item><item><title><![CDATA[Kutch News: ભુજમાં સ્મૃતિવન પાસે એરવાલ્વ લીકેજ, લાખો લીટર પાણીનો વેડફાટ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/kutch/bhuj-smritivan-air-valve-leakage-water-wastage-issue</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/kutch/bhuj-smritivan-air-valve-leakage-water-wastage-issue</guid><pubDate>Sat, 13 Jun 2026 17:18:54 +05:30</pubDate><description><![CDATA[<p>એકતરફ ઉનાળાની સિઝનમાં સમગ્ર કચ્છ અને ભુજ સળગી રહ્યું છે, અને અનેક વિસ્તારોમાં પીવાના પાણી માટે ત્રાહિમામ પોકાર જોવા મળી રહ્યો છે, ત્યારે ભુજ શહેરમાંથી પાણીના વેડફાટના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જે કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ભુજના પ્રખ્યાત પ્રવાસન સ્થળ સ્મૃતિવન નજીક પસાર થતી પાણીની મુખ્ય લાઇનના એરવાલ્વમાં મોટું લીકેજ સર્જાતા લાખો લીટર કિંમતી પાણી રસ્તા પર વહી ગયું હતું.</p><h2><b>રસ્તા પર ઉડ્યા પાણીના ફુવારા</b></h2><p>ઘટનાની મળતી માહિતી અનુસાર, ભુજ શહેરમાં સ્મૃતિવન જવાના રસ્તા પાસે આવેલી લાઇનના એરવાલ્વમાં અચાનક મોટું લીકેજ પડતાં પાણી ભારે પ્રેશર સાથે બહાર ફેંકાવા લાગ્યું હતું. હાઈ પ્રેશરના કારણે રસ્તા પર પાણીના ઊંચા-ઊંચા ફુવારા ઉડતા જોવા મળ્યા હતા. જોતજોતામાં લાખો લીટર શુદ્ધ પીવાનું પાણી રસ્તા પર નદીની જેમ વહેવા લાગ્યું હતું, જેના કારણે વાહનચાલકોને પણ પસાર થવામાં મુશ્કેલી પડી રહી હતી.</p><h2><b>તંત્ર ઊંઘતું રહ્યું અને લોકો કાર ધોવા લાગ્યા!</b></h2><p>એકબાજુ નગરપાલિકા લોકોને પાણીનો સદ્ઉપયોગ કરવાની સલાહ આપે છે, ત્યારે આ લીકેજની જાણ હોવા છતાં તંત્ર લાંબા સમય સુધી કુંભકર્ણ નિદ્રામાં રહ્યું હતું. પરિણામે રસ્તા પર વહી રહેલા પાણીના ફુવારાનો લાભ ઉઠાવવા સ્થાનિક કાર ચાલકો અને વાહનચાલકો ત્યાં લાઈન લગાવીને ઊભા રહી ગયા હતા. અનેક લોકો ધોળા દિવસે રસ્તા પર મફતમાં વહી રહેલા આ પાણીથી પોતાની મોંઘીદાટ કાર અને બાઇક ધોતા કેમેરામાં કેદ થયા હતા.</p><h2><b>પાણીની અછત વચ્ચે તંત્રની ઘોર બેદરકારી</b></h2><p>જ્યારે ભુજના કેટલાક વિસ્તારોમાં પૂરતું પાણી ન મળવાની ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે તંત્રની આવી બેદરકારીને કારણે લાખો લીટર પાણી ગટરોમાં વહી ગયું છે. સ્થાનિક નાગરિકોમાં આ દ્રશ્યો જોઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે, અને વહેલી તકે આ એરવાલ્વનું સમારકામ કરવામાં આવે તેવી માગ ઉઠી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/kutch/lcbs-mega-raid-in-tappar-village-of-kutch-police-raid-on-liquor-cutting-running-in-the-farm" target="_blank">Kutchના ટપ્પર ગામમાં LCBનો મેગા દરોડો: વાડીમાં ચાલતા દારૂના 'કટિંગ' પર ત્રાટકી પોલીસ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/V1z0mNR3gD1ENiwqeyrLX3onPHbOXNnYGenJsSNh.webp'/></item><item><title><![CDATA[RBIએ આ બેન્ક પર લગાવ્યો 6 મહિનાનો પ્રતિબંધ, શું તમારૂ પણ બેન્કમાં છે એકાઉન્ટ? ]]></title><link>https://sandesh.com/business/news/india/rbi-imposes-6-month-restrictions-on-mogaveera-cooperative-bank-withdrawal-limit</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/rbi-imposes-6-month-restrictions-on-mogaveera-cooperative-bank-withdrawal-limit</guid><pubDate>Sat, 13 Jun 2026 16:56:35 +05:30</pubDate><description><![CDATA[<p>RBIએ વધુ એક બેન્ક પર કડક પ્રતિબંધો લગાવ્યા છે. નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને RBIએ મોઘાવીરા કો-ઓપરેટિવ બેન્ક પર આગામી 6 મહિના માટે વિવિધ નિયંત્રણો લાગુ કર્યા છે. આ નિર્ણયથી બેન્કના ગ્રાહકો અને કામગીરી બંને પર સીધી અસર પડશે.</p><h2><b>માત્ર રૂપિયા 1 લાખ સુધીની જ રકમ ઉપાડી શકાશે
</b></h2><p>RBIના આદેશ મુજબ હવે બેન્કના બચત ખાતા, ચાલુ ખાતા અથવા અન્ય કોઈપણ ખાતામાંથી ગ્રાહકો વધુમાં વધુ ₹1 લાખ સુધીની જ રકમ ઉપાડી શકશે. તેનાથી વધુ ઉપાડ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જો કે ગ્રાહકો લોનની EMI અને અન્ય બાકી ચુકવણીઓ જમા કરાવી શકશે. બેન્કની હાલની લિક્વિડિટી સ્થિતિને ધ્યાનમાં રાખીને આ મર્યાદા નક્કી કરવામાં આવી છે.
</p><h3><b>બેંક આ કામગીરી કરી શકશે નહીં?
</b></h3><ul><li>કોઈ નવી લોન આપી શકશે નહીં.
</li><li>હાલની લોનનું રિન્યુઅલ અથવા એડવાન્સ ચુકવણી કરી શકશે નહીં.
</li><li>કોઈપણ પ્રકારનું નવું રોકાણ કરી શકશે નહીં.
</li><li>નવી ડિપોઝિટ સ્વીકારી શકશે નહીં.
</li><li>કોઈપણ પ્રકારનું ઉધાર લઈ શકશે નહીં.
</li><li>નવી નાણાકીય જવાબદારીઓ સ્વીકારી શકશે નહીં.
</li></ul><h3><b>RBIએ કેમ લીધો નિર્ણય?
</b></h3><p>આ પ્રતિબંધો શુક્રવારના વ્યવસાય સમાપ્ત થયા બાદથી અમલમાં આવ્યા છે અને આગામી છ મહિના સુધી લાગુ રહેશે. જરૂર મુજબ RBI તેની સમીક્ષા પણ કરી શકે છે. RBIએ જણાવ્યું કે બેન્ક પર વધતા નાણાકીય દબાણ અને જમાકર્તાઓના હિતોની સુરક્ષા માટે પૂરતા પ્રયાસો ન થતાં આ પગલું ભરવું જરૂરી બન્યું હતું. કેન્દ્રીય બેન્ક સતત બેન્કના બોર્ડ અને વરિષ્ઠ મેનેજમેન્ટ સાથે સંપર્કમાં રહી તેની સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરશે.
</p><h4><b>શું બેન્કનું લાઇસન્સ રદ થઈ શકે?
</b></h4><p>RBIએ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રતિબંધોને બેન્કનું લાઈસન્સ રદ કરવાના નિર્ણય તરીકે જોવું નહીં. બેન્ક પોતાની નાણાકીય સ્થિતિ સુધારવાના પ્રયાસો સાથે મર્યાદિત શરતો હેઠળ બેંકિંગ કામગીરી ચાલુ રાખી શકશે. RBIના જણાવ્યા અનુસાર પાત્ર જમાકર્તાઓ DICGC હેઠળ તેમની જમા રકમ પર ₹5 લાખ સુધીના ડિપોઝિટ ઈન્શ્યોરન્સ ક્લેમ મેળવવા માટે હકદાર રહેશે. જમાકર્તાઓ વધુ માહિતી માટે સીધા બેન્કના અધિકારીઓનો સંપર્ક કરી શકે છે. RBIએ જણાવ્યું છે કે તે બેન્કની સ્થિતિ પર સતત નજર રાખશે અને જમાકર્તાઓના હિતમાં જરૂરી પગલાં લેતું રહેશે.
<br><br><a href="https://sandesh.com/business/news/spacexs-ipo-will-make-4400-employees-millionaires-this-is-how-the-record-will-be-broken" target="_blank"><b>આ પણ વાંચો : SpaceX નો IPO 4400 કર્મચારીઓને બનાવશે કરોડપતિ, આ રીતે તૂટશે રેકોર્ડ</b></a></p><p><br></p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/KOG8CdqhtfSCtuxS440eQF024RiGVD0ZsgggLVRZ.webp'/></item><item><title><![CDATA[Neeraj Chopra દોહા ડાયમંડ લીગમાં નહીં લે ભાગ, જાણો શું છે કારણ ]]></title><link>https://sandesh.com/sports/news/neeraj-chopra-misses-doha-diamond-league-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/neeraj-chopra-misses-doha-diamond-league-2026</guid><pubDate>Sat, 13 Jun 2026 16:56:35 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ડાયમંડ લીગનો આગામી તબક્કો 19 જૂને દોહામાં યોજાશે, જ્યાં ભારતીય ફેન્સ લાંબા સમય પછી નીરજ ચોપરાને એક્શનમાં જોવાની આશા રાખતા હતા. પરંતુ હવે પુષ્ટિ થઈ ગઈ છે કે નીરજ ડાયમંડ લીગના આ તબક્કામાં પણ ભાગ લેશે નહીં.&nbsp;</p><p style="text-align: justify; ">સ્ટાર ભારતીય ભાલા ફેંકનાર નીરજ ચોપરા પીઠની ઈજામાંથી સ્વસ્થ થયા બાદ હાલમાં સ્વિટ્ઝર્લેન્ડમાં તાલીમ લઈ રહ્યો છે, જ્યાં તે પોતાનું સંપૂર્ણ ધ્યાન જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સ અને તે પહેલાં કોમનવેલ્થ ગેમ્સની તૈયારી પર કેન્દ્રિત કરી રહ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યો છે નીરજ ચોપરા&nbsp;</b></h2><p style="text-align: justify; ">નીરજ ચોપરા સ્વિટ્ઝર્લેન્ડના બાયનેમાં 47 દિવસના ઓફ-સીઝન ટ્રેનિંગ કેમ્પમાં તેના ફિઝિયો ઈશાન મારવાહ અને કોચ જય ચૌધરી સાથે ટ્રેનિંગ લઈ રહ્યો છે, જે સંપૂર્ણપણે તેની ફિટનેસ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં નીરજ ચોપરા ફિટનેસ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે, જેના કારણે કેટલીક મોટી ઈવેન્ટ્સમાં તેનું પ્રદર્શન તેના ફેન્સની અપેક્ષાઓ પૂર્ણ કરી શક્યું નથી.&nbsp;</p><p style="text-align: justify; ">પરિણામે નીરજ તેની ફિટનેસ પાછી મેળવવા અને તેના જૂના ફોર્મને પાછું મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. ગયા વર્ષે નીરજ ચોપરાએ દોહા ડાયમંડ લીગમાં ભાગ લીધો હતો, જ્યાં તેને તેના કરિયરમાં પહેલીવાર 90 મીટર તોડીને 90.23 મીટરના થ્રો સાથે રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો. પરંતુ પાછલી દોહા ડાયમંડ લીગ ટુર્નામેન્ટ જુલિયને વેબરે 91.06 મીટરના થ્રો સાથે જીતી હતી.</p><h3 style="text-align: justify; "><b>દોહા ડાયમંડ લીગમાં શ્રીલંકાના રૂમેશ પાથિરાજ પર ફોકસ રહેશે</b></h3><p style="text-align: justify; ">નીરજ ચોપરાની આઉટ થતાં દોહા ડાયમંડ લીગ ખૂબ જ સ્પર્ધાત્મક ઈવેન્ટ બનવાની ધારણા છે, જેમાં શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર રોમેશ પાથિરાજ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેને રોમ ડાયમંડ લીગમાં 92.62 મીટર થ્રો સાથે પ્રસિદ્ધિ મેળવી હતી. દોહામાં યોજાનારી મજરાતી દોહા ડાયમંડ લીગ 2026 લીગની સાતમી આવૃત્તિ હશે. રોમેશને ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન એન્ડરસન પીટર્સ, તેમજ કેશોર્ન વોલકોટ અને જુલિયસ યિગો તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/ipl-2026/vaibhav-sooryavanshi-ipl-2026-awards-orange-cap-mvp" target="_blank">Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/j2HS2K951sIFqnDMMuA4Maxmz2IuS105zqkIwJck.webp'/></item></channel></rss>