<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Panchmahalના ઘોઘમ્બામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત: કાર અને છકડા વચ્ચેની ટક્કરમાં બે મહિલાઓના કરુણ મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/panchmahal/a-horrific-accident-occurred-in-ghoghamba-panchmahal-two-women-tragically-died-in-a-collision-between-a-car-and-a-truck</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/panchmahal/a-horrific-accident-occurred-in-ghoghamba-panchmahal-two-women-tragically-died-in-a-collision-between-a-car-and-a-truck</guid><pubDate>Mon, 15 Jun 2026 22:08:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પંચમહાલ જિલ્લાના ઘોઘમ્બા તાલુકામાંથી વધુ એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ઘોઘમ્બાના ખરખડી-ભાણપુરા ગામ પાસે મુસાફરોથી ભરેલા એક છકડા રિક્ષા અને ટાટા પંચ કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક ટક્કરમાં બે મહિલાઓએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેને પગલે પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.</p><h2 style="text-align: justify; ">નવા ઝાંખરિયા ગામની મહિલાનું ઘટનાસ્થળે જ મોત</h2><p style="text-align: justify; ">પેસેન્જર છકડો રિક્ષા મુસાફરોને લઈને પસાર થઈ રહી હતી ત્યારે ખરખડી-ભાણપુરા રોડ પર સામેથી આવી રહેલી પુરપાટ ઝડપે દોડતી ટાટા પંચ કારના ચાલકે છકડાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં છકડામાં સવાર નવા ઝાંખરિયા ગામની એક મહિલાનું ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય મુસાફરોને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.</p><h3 style="text-align: justify; ">સારવાર દરમિયાન બીજી મહિલાનું પણ મોત</h3><p style="text-align: justify; ">અકસ્માત સર્જાતા જ સ્થાનિક લોકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા. જો કે, સારવાર દરમિયાન અન્ય એક ઘવાયેલી મહિલાએ પણ દમ તોડી દેતા આ દુર્ઘટનામાં કુલ મૃત્યુઆંક બે પર પહોંચ્યો છે. અકસ્માત બાદ ટાટા પંચ કારનો ચાલક પોતાની કાર ઘટનાસ્થળે જ છોડીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને પીએમ અર્થે મોકલી આપ્યા છે અને ફરાર કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/UA4dYUdlMh2dJKljp13ClIQSxlDOE24wgKTqgkWn.webp'/></item><item><title><![CDATA[Panchmahal News: ઘોઘંબાના ગુણેશિયા ગામેથી રૂ.4.52 લાખનો લીલો ગાંજો ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/panchmahal/panchmahal-news-green-ganja-worth-rs-4-52-lakh-seized-from-guneshiya-village-of-ghoghamba</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/panchmahal/panchmahal-news-green-ganja-worth-rs-4-52-lakh-seized-from-guneshiya-village-of-ghoghamba</guid><pubDate>Mon, 15 Jun 2026 21:53:56 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પંચમહાલ જિલ્લામાં કેફી પદાર્થો અને ડ્રગ્સના દૂષણને ડામવા માટે એલસીબી અને સ્થાનિક પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત એક મોટી સફળતા મળી છે. જિલ્લાના ઘોઘંબા તાલુકાના ગુણેશિયા ગામેથી પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ખેતરમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવેલી લીલા ગાંજાની ખેતીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી લાખોની કિંમતના ગાંજાના છોડ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી છે.</p><h2 style="text-align: justify; ">અન્ય પાકની આડમાં થતી હતી નશાની ખેતી</h2><p style="text-align: justify; ">ઘોઘંબાના ગુણેશિયા ગામે રહેતા મંગાભાઈ શનાભાઈ નાયક નામના શખ્સે પોતાના ખેતરમાં કોઈને શંકા ન જાય તે રીતે અન્ય પાકની આડમાં લીલા ગાંજાના છોડ વાવ્યા હોવાની ચોક્કસ માહિતી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે રેડ પાડતા ખેતરમાંથી ગાંજાના નાના-મોટા કુલ 16 નંગ લીલા છોડ મળી આવ્યા હતા. વનસ્પતિજન્ય લીલા ગાંજાના આ જથ્થાનું તોલમાપ કરતા તેનું કુલ વજન 9.050 કિલોગ્રામ (આશરે 9 કિલો) જેટલું થવા જતું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂ.4,52,500 (ચાર લાખ બાવન હજાર પાંચસો) આંકવામાં આવી છે.</p><h3 style="text-align: justify; ">પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી</h3><p style="text-align: justify; ">પોલીસે તમામ 9.050 કિલોગ્રામ લીલા ગાંજાનો જથ્થો કાયદેસર રીતે જપ્ત કરીને આરોપી મંગાભાઈ શનાભાઈ નાયકને સ્થળ પરથી જ દબોચી લીધો હતો. આ મામલે આરોપી વિરૂદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની વિવિધ કડક કલમો હેઠળ ગુનો નોંધીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. આ નશાનો કારોબાર ક્યારથી ચાલતો હતો, આરોપી આ ગાંજાનો જથ્થો કોને વેચવાનો હતો અને તેની સાથે અન્ય કોઈ સ્થાનિક કે બહારના એજન્ટો સંડોવાયેલા છે કે નહીં, તે દિશામાં પોલીસે રિમાન્ડ મેળવીને આગળની ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/IuRs62dIxonb7IWNqb9mhNLw0HtLMdPjeB4u1OPw.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: શહેરમાં ટ્રાયલ માટે સી જી રોડ પર લગાવ્યું પેલિકન સિગ્નલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/city-installs-first-pelican-signal-on-cg-road-for-pedestrian-safety-trial</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/city-installs-first-pelican-signal-on-cg-road-for-pedestrian-safety-trial</guid><pubDate>Mon, 15 Jun 2026 21:47:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સ્માર્ટ અને રાહદારીઓ માટે સુરક્ષિત બનાવવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે. શહેરમાં ટ્રાફિકથી સતત ધમધમતા એવા સી. જી. રોડ પર અમદાવાદનું સર્વપ્રથમ પેલિકન સિગ્નલ પ્રાયોગિક ધોરણે એટલે કે ટ્રાયલ બેઝ પર લગાવવામાં આવ્યું છે. આ સિગ્નલની ખાસિયત એ છે કે તે સામાન્ય સિગ્નલની જેમ આપમેળે ચાલુ-બંધ થવાને બદલે રાહદારીઓ દ્વારા ઓપરેટ થશે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>અમદાવાદમા પહેલું પેલિકન સિગ્નલ લગાવાયું&nbsp;</b></h2><p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં સી. જી. રોડ ક્રોસ કરવા ઈચ્છતા નાગરિકો માટે સિગ્નલના પોલ પર એક ખાસ પુશ બટન મૂકવામાં આવ્યું છે. જ્યારે કોઈ રાહદારી રોડ ક્રોસ કરવા માટે આ બટન દબાવશે, ત્યારે વાહનો માટે તાત્કાલિક રેડ લાઈટ  થઈ જશે અને વાહનો થંભી જશે.રાહદારી સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરી શકે તે માટે ચોક્કસ સમય નક્કી કરવામાં આવ્યો છે. એ સમય પૂરો થતાં જ સિગ્નલ આપોઆપ ખૂલી જશે અને વાહનોની અવરજવર ફરી શરૂ થઈ જશે.</p><h3 style="text-align: justify; "><b>રોડ ક્રોસ કર્યા બાદ ચોક્કસ સમયમાં સિગ્નલ ખૂલશે</b></h3><p style="text-align: justify; ">વ્યસ્ત માર્ગો પર સિનિયર સિટિઝન્સ, મહિલાઓ અને બાળકોને રસ્તો ઓળંગવામાં પડતી મુશ્કેલીઓનો અંત આવશે અને અકસ્માતનો ભય ઘટશે. હાલમાં આ પ્રોજેક્ટ માત્ર સી. જી. રોડ પર ટ્રાયલ તરીકે શરૂ કરાયો છે. જો આ પ્રયોગ સફળ રહેશે અને વાહનચાલકો તેમજ રાહદારીઓ તરફથી સારો પ્રતિસાદ મળશે, તો અમદાવાદના અન્ય વ્યસ્ત ચાર રસ્તાઓ અને ટ્રાફિક જંકશનો પર પણ આવા પેલિકન સિગ્નલ લગાવવામાં આવશે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/why-farmers-reached-gandhinagar-with-tractor-rally-key-demands-and-issues" target="_blank">આ પણ વાંચોઃ Gujarat Farmer Protest Explainer : કેમ ખેડૂતો ટ્રેક્ટરો લઈને ગાંધીનગર સુધી પહોંચ્યા, જાણો શું છે આખા આંદોલનનો મુખ્ય મુદ્દો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/fXhsfv6SFSj7RdBHHnoI3NWzcibQrDD2EB72ISd7.webp'/></item><item><title><![CDATA[PM Kisan Yojana : આ અઠવાડિયે ખેડૂતોને મળશે 23મો હપ્તો, સરકારે તારીખની કરી જાહેરાત ]]></title><link>https://sandesh.com/india/news/agriculture/pm-kisan-yojana-23rd-installment-release-date-june-20-2026-ekyc-required</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/agriculture/pm-kisan-yojana-23rd-installment-release-date-june-20-2026-ekyc-required</guid><pubDate>Mon, 15 Jun 2026 21:42:45 +05:30</pubDate><description><![CDATA[<p>દેશના કરોડો ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે PM કિસાન સન્માન નિધિ યોજનાના 23મા હપ્તાની સત્તાવાર તારીખ જાહેર કરી છે. યોજના હેઠળ 20 જૂન, 2026ના રોજ દેશભરના 9 કરોડથી વધુ ખેડૂતોના બેન્ક ખાતામાં સીધા 2,000 રૂપિયા જમા કરવામાં આવશે. જોકે, આ વખતે હપ્તાનો લાભ મેળવવા માટે ઈ-કેવાયસી (e-KYC) પૂર્ણ કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/pmkisanofficial/status/2066493594433999284"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><br></p><h2><b>ખેડૂતોને ખેતી સંબંધિત ખર્ચમાં સહાયરૂપ થાય છે રકમ&nbsp;</b></h2><p>યોજનાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 23મો હપ્તો 20 જૂને ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. અગાઉ 22મો હપ્તો 13 માર્ચ, 2026ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. આ યોજના ખેડૂતોને ખેતી સંબંધિત ખર્ચમાં સહાયરૂપ બને અને તેમની આર્થિક સ્થિતિ મજબૂત થાય તે હેતુથી શરૂ કરવામાં આવી હતી.</p><h3><b>2019માં શરૂ થઈ હતી યોજના&nbsp;</b></h3><p>પીએમ કિસાન યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર ચાર મહિને 2,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ રીતે વર્ષ દરમિયાન ત્રણ હપ્તામાં કુલ 6,000 રૂપિયા સીધા ખેડૂતોના બેન્ક ખાતામાં જમા થાય છે. આ રકમ બીજ, ખાતર, સિંચાઈ અને અન્ય કૃષિ જરૂરિયાતો પૂરી કરવામાં મદદરૂપ બને છે. વર્ષ 2019માં શરૂ કરાયેલી આ યોજના આજે દેશના કરોડો નાના અને સીમાંત ખેડૂતો માટે મહત્વપૂર્ણ આર્થિક આધાર બની છે.</p><h4><b>આ ખેડૂતોને નહીં મળે રકમ</b></h4><p>22મા હપ્તા દરમિયાન સરકારે 9.32 કરોડ ખેડૂતોના ખાતામાં કુલ 18,640 કરોડ રૂપિયાની સહાય જમા કરાવી હતી. સરકારનું કહેવું છે કે ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT) વ્યવસ્થાના કારણે સહાય સીધી લાભાર્થી સુધી પહોંચે છે અને વચેટિયાઓની ભૂમિકા સમાપ્ત થાય છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે જે ખેડૂતોની ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ નહીં હોય તેમને 23મા હપ્તાની રકમ મળશે નહીં. તેથી ખેડૂતોને 20 જૂન પહેલાં પોતાની ઈ-કેવાયસી ઓનલાઈન અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) મારફતે પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/char-dham-yatra-2026-badrinath-record-11-lakh-devotees-darshan" target="_blank">આ પણ વાંચો : Char Dham Yatra 2026 : બદ્રીનાથ ધામમાં વર્ષ 2026માં આસ્થાનો નવો રેકોર્ડ, 11 લાખ ભક્તોએ કર્યા દર્શન</a></b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/FpBME2zZxlPe9p4tZfJBO8cJNh3h5qNZ8QTeetpe.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : જૂનાગઢની દુષ્કર્મ પીડિતાને હાઈકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/high-court-allows-abortion-for-13-year-old-junagadh-rape-survivor</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/high-court-allows-abortion-for-13-year-old-junagadh-rape-survivor</guid><pubDate>Mon, 15 Jun 2026 21:23:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાત હાઇકોર્ટે એક અત્યંત સંવેદનશીલ કેસમાં માનવતાવાદી અભિગમ અપનાવીને જૂનાગઢની 13 વર્ષની દુષ્કર્મ પીડિત સગીરાને મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી કરાવવાની મંજૂરી આપી દીધી છે. આ મામલે હાઇકોર્ટે સગીરાના હિતમાં તાત્કાલિક પ્રક્રિયા હાથ ધરવાનો કડક નિર્દેશ આપ્યો છે.સગીરાની નાની ઉંમર અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે તબીબોની વિશેષ પેનલ રચવાનો આદેશ આપ્યો છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ગાયનેકોલોજિસ્ટની એક ખાસ ટીમ બનાવવા સૂચના</b></h2><p style="text-align: justify; ">કોર્ટે જણાવ્યું છે કે આ સમગ્ર ગર્ભપાતની પ્રક્રિયા માટે 3 સિનિયર ગાયનેકોલોજિસ્ટની એક ખાસ ટીમ બનાવવામાં આવે જે પીડિતાની સુરક્ષાની સંપૂર્ણ દેખરેખ રાખશે. સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ટાંક્યું હતું કે, અમારા માટે સગીરાની શારીરિક અને માનસિક સ્થિતિ સૌથી પહેલી પ્રાથમિકતા છે. આ ઉંમરે ગર્ભધારણ સગીરાના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર આઘાત સમાન છે. જેથી તેને વધુ પીડામાંથી મુક્તિ આપવી અનિવાર્ય છે.</p><h2 style="text-align: justify; "><b>દુષ્કર્મનો રહેલો ગર્ભ માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર ઈજા સમાન</b></h2><p style="text-align: justify; ">હાઈકોર્ટે સુનાવણીમાં કહ્યું હતું કે, પીડિતાને દુષ્કર્મનો રહેલો ગર્ભ માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર ઈજા સમાન છે.  આ મામલો જૂનાગઢ જિલ્લાનો છે જ્યાં આ સગીરા પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું અને આ અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે. પીડિતા ગર્ભવતી બનતા મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો, જ્યાં હાઇકોર્ટે ત્વરિત ન્યાયિક નિર્ણય લઈને પીડિત પરિવારને મોટી રાહત આપી છે.</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-initiates-action-to-vacate-dilapidated-houses-in-11-housing-schemes-of-south-zone" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: દક્ષિણ ઝોનમાં 11 આવાસ યોજનાના જર્જરિત મકાનો ખાલી કરાવવા મનપા એક્શનમાં આવી</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/nTYpYCXwogfHkZgMAwjgtPtMs20Zt4X35FohtSXk.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News:  હાઇકોર્ટે પોપ્યુલર બિલ્ડર રમણ પટેલની સજા રદ કરવા અંગેની અરજી ફગાવી ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/high-court-rejects-builder-raman-patels-plea</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/high-court-rejects-builder-raman-patels-plea</guid><pubDate>Mon, 15 Jun 2026 21:06:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પોપ્યુલર બિલ્ડર રમણ પટેલે ચેખલા જમીન કૌભાંડ કેસમાં થયેલી સજા રદ કરવા અંગેની અરજી ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. રમણ પટેલને ખોટા દસ્તાવેજના કેસમાં સાણંદની કોર્ટે ગત વર્ષે ચાર વર્ષની સજા ફટકારી હતી. કોર્ટના ચુકાદાને રમણ પટેલે વડી અદાલતમાં પડકાર્યો હતો. જેમાં તેણે કરેલી અરજીમાં તેને થયેલી સજા રદ કરવા માટેની દાદ માંગવામાં આવી હતી જ્યારે કોર્ટના ચુકાદા પર સ્ટેની માગ કરાઈ હતી. કોર્ટે રમણ પટેલની બંને અરજીઓ ફગાવી દેતા તેની મુશ્કેલીમાં વધારો થયો છે.&nbsp;&nbsp;</p><h2 style="text-align: justify; "><b>પોપ્યુલર બિલ્ડર રમણ પટેલને HCનો ઝટકો</b></h2><p style="text-align: justify; ">પોપ્યુલર બિલ્ડર રમણ પટેલે સાણંદના ચેખલા ગામમાં બોગસ દસ્તાવેજના આધારે જમીન પચાવી પાડી હતી. જેમાં તેને સેશન્સ કોર્ટે ચાર વર્ષની સજા અને દોઢ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. રમણ પટેલે નવી શરતની જમીનને જૂની શરતમાં ફેરવવા માટે મામલતદારનો બનાવટી હુકમ તૈયાર કર્યો હતો જેના દ્વારા આખી જમીન કબજે લીધી હતી. જેથી સરકારી દસ્તાવેજો સાથે ચેડાં અને ઠગાઈની તેની સામે ફરિયાદ કરાતા તેની ધરપકડ કરવામાં આવી હતી.&nbsp;&nbsp;</p><h3 style="text-align: justify; "><b>અપીલ ઝડપી પૂર્ણ કરવા સૂચના અપાઈ</b></h3><p style="text-align: justify; ">રમણ પટેલે હાઈકોર્ટમાં કરેલી અરજીમાં તેની ઊંમર અને બિમારી હોવાનો ઉલ્લેખ કરી સજા રદ કરવા માગ કરી હતી. બીજી તરફ સરકાર દ્વારા એવી દલીલ કરાઈ હતી કે, આરોપી સામે જમીન પચાવી પાડવાના અનેક ગુના નોંધાયા છે. તેની રાજકીય વગ છે અને જમીન સંબંધિત 10 કરતાં વધુ ગુના તેની સામે નોંધાયા છે. જેથી કોર્ટે સરકારની દલીલો સાંભળીને રમણ પટેલની સજા રદ કરવા અને કોર્ટના ચુકાદાનો સ્ટે આપવા અંગેની અરજી ફગાવી દીધી હતી.  અપીલ ઝડપી પૂર્ણ કરવા સૂચના અપાઈ હતી.&nbsp;</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/why-farmers-reached-gandhinagar-with-tractor-rally-key-demands-and-issues" target="_blank">આ પણ વાંચોઃ Gujarat Farmer Protest Explainer : કેમ ખેડૂતો ટ્રેક્ટરો લઈને ગાંધીનગર સુધી પહોંચ્યા, જાણો શું છે આખા આંદોલનનો મુખ્ય મુદ્દો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/4mVWEG2ni8LG3w9WoRNpQ5hPsJtwpXkigoRXl8x6.webp'/></item><item><title><![CDATA[PM Modi Slovakia Visit: પ્રધાનમંત્રી મોદીએ ઐતિહાસિક યાત્રા દરમિયાન 11 કરાર અને 3 મોટી જાહેરાત કરી ]]></title><link>https://sandesh.com/world/news/business/pm-modi-slovakia-visit-prime-minister-modi-made-11-agreements-and-3-major-announcements-during-the-historic-visit</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/business/pm-modi-slovakia-visit-prime-minister-modi-made-11-agreements-and-3-major-announcements-during-the-historic-visit</guid><pubDate>Mon, 15 Jun 2026 20:40:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ ઐતિહાસિક મુલાકાતમાં 11 કરારો પર હસ્તાક્ષર થયા અને 3 મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી.</p><h2 style="text-align: justify; ">પીએમ મોદીનું ઉષ્માભર્યુ સ્વાગત&nbsp;</h2><p style="text-align: justify; ">પીએમ મોદીની 14-15 જૂન 2026ના રોજ સ્લોવાકિયાની મુલાકાત દરમિયાન, બંને દેશોએ તેમના દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈએ લઈ ગયા છે. 11 કરારો પર હસ્તાક્ષર કર્યા અને 3 મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. સૌથી મહત્વપૂર્ણ નિર્ણય એ હતો કે, સંબંધોને વ્યાપક ભાગીદારી સુધી પહોંચાડવામાં આવે. બેઠકો પછી બ્રાતિસ્લાવામાં એક સંયુક્ત પ્રેસ નિવેદનમાં, પીએમ મોદીએ ફિકોનો ઉષ્માભર્યો સ્વાગત બદલ આભાર માન્યો અને તેમને ભારતના નજીકના મિત્ર ગણાવ્યા હતા.</p><h3 style="text-align: justify; ">સંબંધોને મજબૂત બનાવવા કરાર</h3><p style="text-align: justify; ">આ મુલાકાતના મહત્વ પર ભાર મૂકતા પીએમ મોદીએ આપણા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાની જાહેરાત કરી. તેમણે કહ્યું, આ કોઈ ભારતીય વડા પ્રધાનની સ્લોવાકિયાની પ્રથમ મુલાકાત છે. મને આનંદ છે કે આ ઐતિહાસિક પ્રસંગે, આપણે આપણા સંબંધોને વ્યાપક ભાગીદારી સુધી પહોંચાડવાનો નિર્ણય લીધો છે. આ આપણી સહિયારી વિશ્વાસ, સામાન્ય પ્રાથમિકતાઓ અને સહિયારી ભવિષ્યનું પ્રતીક છે.</p><h4 style="text-align: justify; ">મુખ્ય કરારો અને નિર્ણયો</h4><p style="text-align: justify; ">1. શ્રમ સ્થળાંતરને પ્રોત્સાહન આપવા માટે ભારત અને સ્લોવાકિયા વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.</p><p style="text-align: justify; ">2. સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે એક પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.</p><p style="text-align: justify; ">3. ડિજિટલ ટેકનોલોજીના ક્ષેત્રમાં ભાગીદારીને મજબૂત બનાવવા માટે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.</p><p style="text-align: justify; ">4. ઉચ્ચ શિક્ષણ અને સંશોધનમાં સહયોગ વધારવા માટે એક સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.</p><p style="text-align: justify; ">5. ફિલ્મ, ટેલિવિઝન અને અન્ય સર્જનાત્મક ક્ષેત્રોમાં સહયોગ માટે ઑડિઓ-વિઝ્યુઅલ સર્જન પર એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.</p><p style="text-align: justify; ">6. સ્લોવાકિયાની કોસિસે ટેકનિકલ યુનિવર્સિટી ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર પ્રથમ ICCR ચેર સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો.</p><p style="text-align: justify; ">7. ક્વોન્ટમ કોમ્યુનિકેશન અને ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોટેક્શનના ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે એક કરાર થયો.</p><p style="text-align: justify; ">8. આયુષ મંત્રાલયની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેચરોપેથી, પુણે અને હેલ્થ સ્પા પીશાની, સ્લોવાકિયા વચ્ચે એક કરાર થયો.</p><p style="text-align: justify; ">9. IIT દિલ્હી અને સ્લોવાક ટેકનિકલ યુનિવર્સિટી વચ્ચે વિદ્યાર્થી વિનિમય, શિષ્યવૃત્તિ અને સંયુક્ત સંશોધન કાર્યક્રમો પર એક કરાર થયો.</p><p style="text-align: justify; ">10. બંને દેશોના ટૂર ઓપરેટર સંગઠનો વચ્ચે પ્રવાસન સહયોગને પ્રોત્સાહન આપવા માટે એક કરાર થયો.</p><p style="text-align: justify; ">11. ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમી (INSA) અને સ્લોવાક એકેડેમી ઓફ સાયન્સ (SAS) વચ્ચે વૈજ્ઞાનિક સહયોગ પર એક કરાર થયો.</p><h5 style="text-align: justify; ">ત્રણ મુખ્ય જાહેરાતો:</h5><p style="text-align: justify; ">1. ભારત અને સ્લોવાકિયાએ તેમના સંબંધોને વ્યાપક ભાગીદારી સુધી વધારવાની જાહેરાત કરી.</p><p style="text-align: justify; ">2. આતંકવાદ સામે લડવામાં સહયોગ વધારવા માટે આતંકવાદ વિરોધી સંયુક્ત કાર્યકારી જૂથની સ્થાપના કરવામાં આવશે.</p><p style="text-align: justify; ">3. નાગરિક સેવાઓ અને વિઝા સંબંધિત બાબતોમાં સહયોગ માટે કોન્સ્યુલર સંવાદ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ&nbsp; <a href="https://sandesh.com/world/news/us-iran-peace-deal-israel-furious-over-iran-america-deal-rebels-against-trump" target="_blank">ઇરાન-અમેરિકા ડીલ પર ભડક્યું ઇઝરાયેલ, ટ્રમ્પ સામે બગાવત!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/3BbuTwQ99ghxgdtRFLa5NW4IaXoDt6vfF0VUOsQT.webp'/></item><item><title><![CDATA[Indian Army Uniform 2026: ભારતીય સેનાએ બ્રિટિશ યુગનો ડ્રેસ કોડ કર્યો નાબૂદ, હવે સૈનિકો 'બંદી જેકેટ' અને નવા લુકમાં દેખાશે ]]></title><link>https://sandesh.com/india/news/indian-army-uniform-2026-indian-army-abolishes-british-era-dress-code-now-soldiers-will-be-seen-in-bandi-jackets-and-new-look</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/indian-army-uniform-2026-indian-army-abolishes-british-era-dress-code-now-soldiers-will-be-seen-in-bandi-jackets-and-new-look</guid><pubDate>Mon, 15 Jun 2026 20:05:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ નવા ડ્રેસ કોડને લાગુ કરવાનો હેતુ બ્રિટિશ યુગની ગુલામીના પ્રતીકોને દૂર કરવાનો અને ભારતીય સંસ્કૃતિ અને કાર્યક્ષમતાને સ્વીકારવાનો છે.</p><h2 style="text-align: justify; ">વ્યાવસાયિક મૂલ્યોને જાળવવાના પ્રયાસ&nbsp;</h2><p style="text-align: justify; ">સેનાના અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, આ ફેરફારો સેનાની ઓળખને મજબૂત બનાવવા અને તેના રેજિમેન્ટલ વારસા અને વ્યાવસાયિક મૂલ્યોને જાળવવાના પ્રયાસનો ભાગ છે. નવા ડ્રેસ નિયમોમાં શિયાળાના જેકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવા ડ્રેસ નિયમોમાં 3B નામનો શિયાળુ ડ્રેસ કોડ સામેલ છે. આમાં શિયાળાના જેકેટનો સમાવેશ થાય છે. આ પ્રકારનો શિયાળુ જેકેટ હાલમાં વાયુસેના અને નૌકાદળના ગણવેશમાં હાજર છે. હવે, તે આર્મી યુનિફોર્મમાં પણ સામેલ કરવામાં આવ્યો છે.&nbsp;</p><h3 style="text-align: justify; ">નવા ડ્રેસ કોડથી વધશે મનોબળ&nbsp;</h3><p style="text-align: justify; ">શિયાળાની ઔપચારિક ફરજો માટે 7A અને 1C નામનો ડ્રેસ કોડ ઉમેરવામાં આવ્યો છે. લડાયક ગણવેશમાં 7A નામનો નવો ડ્રેસ કોડ ઉમેરવામાં આવ્યો છે. તેમાં ટી-શર્ટનો સમાવેશ થાય છે. 7B ગણવેશ શિયાળાની ઔપચારિક ફરજો માટે અધિકારીઓ માટે 1C નામનો નવો ડ્રેસ કોડ ઉમેરવામાં આવ્યો છે. પહેલાં, આ ડ્રેસ સૈનિકો અને JCO માટે હતો. હવે, તે અધિકારીઓ માટે કરવામાં આવ્યો છે.</p><h4 style="text-align: justify; ">ભારતીય સેનાના ગણવેશમાં આ મુખ્ય ફેરફારો&nbsp;</h4><p style="text-align: justify; ">1. અધિકારીઓને તેમના ઔપચારિક ડ્રેસ કોડના ભાગ રૂપે સ્વદેશી રીતે બનાવેલા બંદી જેકેટ પહેરવાની મંજૂરી આપવામાં આવી છે.</p><p style="text-align: justify; ">2. મહિલા અધિકારીઓ માટે સાડી, કુર્તા-સલવાર અને સીધા પેન્ટ પહેરવાનો વિકલ્પ ઉમેરવામાં આવ્યો છે.</p><p style="text-align: justify; ">3. મેસ ગણવેશમાંથી ચળકતો પાઉચ બેલ્ટ દૂર કરવામાં આવ્યો છે.</p><p style="text-align: justify; ">4. શિસ્તને વધુ કડક બનાવવા માટે, ટેટૂ, મૂછની લંબાઈ અને પરફ્યુમના ઉપયોગ અંગે નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.</p><h5 style="text-align: justify; ">ભારતીય સેનાનો ગણવેશ ક્યારે બદલાયો?</h5><p style="text-align: justify; ">આઝાદી પહેલા, બ્રિટિશ યુગ દરમિયાન, ભારતીય સૈનિકોનો ગણવેશ લાલ હતો. જે પાછળથી ખાખી રંગમાં બદલાઈ ગયો હતો. 1947માં સ્વતંત્રતા પછી, ભારતીય સેનાએ પાકિસ્તાની સૈનિકોથી અલગ પાડવા માટે ઓલિવ ગ્રીન ગણવેશ અપનાવ્યો છે. 2000ના દાયકાની શરૂઆતમાં, ફ્રેન્ચ જંગલ ડિઝાઇનથી પ્રેરિત નવી અને વધુ અસરકારક છદ્માવરણ પેટર્ન અપનાવવામાં આવી છે.</p><h6 style="text-align: justify; ">નવો ડિજિટલ લડાઇ ગણવેશ&nbsp;</h6><p style="text-align: justify; ">2022માં આર્મીએ આધુનિક ટેકનોલોજી સાથે એક નવો ડિજિટલ લડાઇ ગણવેશ અપનાવ્યો હતો. તેની વિશિષ્ટ પિક્સેલ પેટર્ન સૈનિકોને રણ, પર્વતો અને જંગલોમાં સરળતાથી છદ્માવરણ કરવામાં મદદ કરે છે. આર્મીએ બ્રિટિશ યુગની પરંપરાઓને દૂર કરીને સૈનિકો માટે એક નવો 3B શિયાળુ ગણવેશ અને ઔપચારિક કાર્યક્રમો માટે બંદી જેકેટ રજૂ કર્યુ છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/iran-deal-protest-uproar-in-iran-over-agreement-with-america-people-protest-on-the-streets" target="_blank">અમેરિકા સાથેના કરાર મામલે ઈરાનમાં હોબાળો, જનતાએ રસ્તા પર કર્યા વિરોધ પ્રદર્શન</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/19FK9j94rnNfQzITeAaRBHuraEFFP5mmdaEOPawS.webp'/></item><item><title><![CDATA[Neeraj Chopra દોહા ડાયમંડ લીગમાં ભાગ લેશે,જાણો ક્યારે થશે મેચ ]]></title><link>https://sandesh.com/sports/news/neeraj-chopra-doha-diamond-league-return-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/neeraj-chopra-doha-diamond-league-return-2026</guid><pubDate>Mon, 15 Jun 2026 17:45:39 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતના સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરાએ 2 ઓલિમ્પિક મેડલ જીત્યા છે, તે ફરીથી એક્શનમાં આવવા માટે તૈયાર છે. તે 19 જૂને દોહા ડાયમંડ લીગમાં એક્શનમાં પાછો ફરશે. તે 275 દિવસની ગેરહાજરી પછી એક્શનમાં પાછો ફરશે.&nbsp;</p><p style="text-align: justify;">2025 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આઠમા સ્થાને રહ્યા પછી તેને કોઈપણ રમતમાં ભાગ લીધો ન હતો. નીરજ ચોપરાએ 2020 ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ અને 2024 પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો.</p><h2 style="text-align: justify;"><b>નીરજે ગયા વર્ષે દોહા ડાયમંડ લીગમાં 90 મીટર ભાલા ફેંક્યો હતો</b></h2><p style="text-align: justify;">નીરજ ચોપરાની પસંદગી દોહા ડાયમંડ લીગ માટે થઈ છે, જ્યાં તેને ગયા વર્ષે 90 મીટરથી વધુ ભાલા ફેંક્યો હતો. હરિયાણાનો રહેવાસી નીરજ હાલમાં સ્વિટ્ઝર્લેન્ડમાં તેના ફિઝિયો અને કોચ સાથે 47 દિવસની સખત ટ્રેનિંગ લઈ રહ્યો છે. આગામી કોમનવેલ્થ ગેમ્સ માટે તેને ભારતીય ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો છે. પરંતુ આ સ્પર્ધામાં પોતાનું સ્થાન સુરક્ષિત કરવા માટે તેને એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના નિયમો અનુસાર ઓછામાં ઓછા 82.61 મીટર ભાલા ફેંકીને ક્વોલિફાય થવું પડશે.</p><h3 style="text-align: justify;"><b>નીરજ ચોપરા કોમનવેલ્થ ગેમ્સમાં પણ ભાગ લઈ શકે છે</b></h3><p style="text-align: justify;">કોમનવેલ્થ ગેમ્સ આવતા મહિને ગ્લાસગોમાં યોજાવાની છે. જો ભારતના સ્ટાર એથ્લીટ નીરજ ચોપરા ભાગ લે છે, તો ભારત પાસે ભાલા ફેંક સ્પર્ધામાં કુલ 3 એથ્લીટ હશે. બાકી રોહિત યાદવ અને યશવીર સિંહ, પહેલાથી જ ક્વોલિફાય થઈ ગયા છે. વધુમાં, આગામી દોહા ડાયમંડ લીગમાં પણ વિશ્વના બેસ્ટ એથ્લીટો વચ્ચે તીવ્ર સ્પર્ધા જોવા મળશે.&nbsp;</p><p style="text-align: justify;">ભૂતપૂર્વ ઓલિમ્પિક ચેમ્પિયન કેશોર્ન વોલકોટ (ત્રિનિદાદ અને ટોબેગો) અને શ્રીલંકાના રુમેશ તારંગા પથિરાજ જેવા અગ્રણી ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. પરંતુ પેરિસ ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા અને પાકિસ્તાનના સ્ટાર એથ્લીટ અરશદ નદીમ આ વખતે દોહા ડાયમંડ લીગમાં રમતા જોવા મળશે નહીં.</p><h4 style="text-align: justify;"><b>દોહા ડાયમંડ લીગમાં કેટલાક બેસ્ટ ભાલાધારી ખેલાડીઓ ભાગ લેશે</b></h4><p style="text-align: justify;">ટુર્નામેન્ટમાં ભાગ લેનારા ખેલાડીઓના લિસ્ટમાં ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ (આ સિઝનનો શ્રેષ્ઠ થ્રો 86.08 મીટર), યુનાઈટેડ સ્ટેટ્સના કર્ટિસ થોમ્પસન (85.33 મીટર) અને ચેક રિપબ્લિકના જેકબ વેલ્સ (85.24 મીટર)નો સમાવેશ થાય છે. દોહા સ્પર્ધામાં, ભારતના નીરજ ચોપરાએ શાનદાર 90.23 મીટર ફેંક્યો હતો, પરંતુ જર્મનીના જુલિયન વેબરે તેના છેલ્લા (છઠ્ઠા) પ્રયાસમાં 91.06 મીટર ભાલા ફેંકીને ખિતાબ પોતાના નામે કર્યો હતો.</p><p style="text-align: justify;"><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/entertainment/abhishek-mahira-sharma-dating-rumors-matching-bracelet" target="_blank">Abhishek Sharma માહિરા શર્માને કરી રહ્યો છે ડેટ? ઈન્સ્ટાગ્રામની 'સીક્રેટ' પોસ્ટમાં થયો ખુલાસો!</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/EqnLHZGTw1ECnw7QCfJKZxKLnBf4nBJQVXBIomC6.webp'/></item><item><title><![CDATA[Arijit Singh બાદ હવે પ્રીતમ પણ લેવા જઈ રહ્યા છે સંન્યાસ? શેર કરી ભાવુક પોસ્ટ ]]></title><link>https://sandesh.com/entertainment/news/music-composer-pritam-hints-at-retirement-break</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/music-composer-pritam-hints-at-retirement-break</guid><pubDate>Mon, 15 Jun 2026 17:37:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અરિજીત સિંહે આ વર્ષની શરૂઆતમાં એક પોસ્ટ શેર કરી હતી, જેની સાથે તેમણે પ્લેબેક સિંગિંગમાંથી સંન્યાસની જાહેરાત કરીને પોતાના પ્રશંસકોને નિરાશ કરી દીધા હતા. હવે એવું લાગે છે કે અરિજીત સિંહ બાદ મ્યુઝિક કમ્પોઝર અને સિંગર પ્રીતમ પણ આ જ રસ્તા પર ચાલવા અંગે વિચાર કરી રહ્યા છે. પ્રીતમે પોતાના જન્મદિવસના અવસર પર એક પોસ્ટ શેર કરી, જેને જોયા પછી સોશિયલ મીડિયા યુઝર્સે અટકળો લગાવવાનું શરૂ કરી દીધું છે કે હવે પ્રીતમ દા પણ મેઈનસ્ટ્રીમ મ્યુઝિકમાંથી બ્રેક લેવાના મૂડમાં છે. પ્રીતમની આ પોસ્ટ પછી મોટાભાગના યુઝર્સ તેમને પૂછી રહ્યા છે કે ક્યાંક તેઓ પણ અરિજીત સિંહની જેમ પ્લેબેક સિંગિંગમાંથી સંન્યાસની જાહેરાત કરવાની તૈયારીમાં તો નથી ને?</p><h2 style="text-align: justify; "><b>પ્રીતમે બ્રેક લેવા તરફ કર્યો ઈશારો</b></h2><p style="text-align: justify; ">પ્રીતમે પોતાના જન્મદિવસ પર એક બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરી છે, જેમાં તેઓ વિચારોમાં ખોવાયેલા જોવા મળી રહ્યા છે. આ તસવીર શેર કરતા તેમણે એક ભાવુક નોંધ પણ લખી છે, જેમાં લખ્યું છે કે તેઓ હવે પોતાની જિંદગી કંઈક અલગ રીતે જીવવા માગે છે. એવી જિંદગી જે તેમને હંમેશાથી આકર્ષિત કરતી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ જિંદગી પાછળ છૂટી ગઈ. પરંતુ હવે તેઓ એ બધી બાબતો પર ધ્યાન આપવા માગે છે, જેના પર અત્યાર સુધી આપી શક્યા નથી.</p><h3 style="text-align: justify; "><b>પ્રીતમ દાની પોસ્ટ</b></h3><p style="text-align: justify; ">પોતાની પોસ્ટમાં પ્રીતમ દાએ લખ્યું- 'તમારા બધાની શુભેચ્છાઓ માટે ખૂબ ખૂબ આભાર. હું દરેક વ્યક્તિને અલગ-અલગ જવાબ આપી શકું તેમ નથી, તેથી કૃપા કરીને મારો હૃદયપૂર્વકનો આભાર સ્વીકારો. આજે, મેં મારી જાતને થોડા વર્ષો એવી રીતે જીવવાની ભેટ આપવાનું નક્કી કર્યું છે જેમાં જિંદગીને અલગ રીતે જીવી શકાય. એ બાબતોને પૂરી કરવા માટે જે હું અત્યાર સુધી કરી શક્યો નથી. હવે એ નવી સફર પર નીકળવાનો સમય આવી ગયો છે, જેને હું લાંબા સમયથી ટાળી રહ્યો હતો. સામાન્ય રસ્તા પર ચાલવું પણ એક શાનદાર અનુભવ હોય છે. પરંતુ, મને હંમેશા એ રસ્તાઓ વિશે જાણવાની વધુ ઉત્સુકતા રહી છે જેના પર હજી સુધી કોઈ ગયું નથી. તમારા બધાના પ્રેમ અને સાથ માટે ધન્યવાદ. હંમેશા....'<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DZkt-EniGuR/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DZkt-EniGuR/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DZkt-EniGuR/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DZkt-EniGuR/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>અરિજીત સિંહના રસ્તે પ્રીતમ?</b></h4><p style="text-align: justify; ">પ્રીતમની આ પોસ્ટ જોયા પછી તેમના પ્રશંસકોને ચિંતા થવા લાગી છે કે ક્યાંક તેઓ પણ પ્લેબેક સિંગિંગમાંથી બ્રેક લેવાના મૂડમાં તો નથી ને. એવામાં ઘણા લોકોએ તેમની પોસ્ટ પર કોમેન્ટ કરીને સવાલો પૂછવાનું શરૂ કરી દીધું. એક યુઝરે લખ્યું- ક્યાંક તમે પણ અરિજીત સિંહનો રસ્તો પકડવાની તૈયારી તો નથી કરી રહ્યા ને? વળી એકે લખ્યું- લાગે છે હવે પ્રીતમ દા પણ બોલીવુડ મ્યુઝિકમાંથી બ્રેક લેવાની તૈયારીમાં છે. વધુ એક લખે છે - શું પ્રીતમ પણ બોલીવુડ મ્યુઝિકમાંથી રિટાયરમેન્ટ લેવાની જાહેરાત કરવાના છે?' આવી જ કોમેન્ટ્સ કરીને યુઝર્સ પ્રીતમને સવાલ પૂછી રહ્યા છે અને રિટાયરમેન્ટ અંગે આશંકા વ્યક્ત કરી રહ્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/mithun-chakraborty-daughter-dishani-engagement" target="_blank">આ પણ વાંચો-Mithun Chakrabortyની દીકરી દિશાનીએ કરી લીધી સગાઈ, જાણો કોણ છે ડિસ્કો ડાન્સરના જમાઈરાજ?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/56ZNZEtTdr1W93Oq5FOUkEH8VwCqWa8pZcNtz2tk.webp'/></item></channel></rss>