<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[શિવરાજ્યાભિષેક દિને ઐતિહાસિક જાહેરાત, ઇઝરાયેલમાં સ્થાપાશે છત્રપતિ શિવાજી મહારાજનું સ્ટેચ્યુ ]]></title><link>https://sandesh.com/india/news/consul-general-yaniv-revach-chhatrapati-shivaji-maharaj-statue-in-israel</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/consul-general-yaniv-revach-chhatrapati-shivaji-maharaj-statue-in-israel</guid><pubDate>Sat, 06 Jun 2026 23:44:52 +05:30</pubDate><description><![CDATA[<p>છત્રપતિ શિવાજી મહારાજના શિવરાજ્યાભિષેક દિનના પાવન અવસરે વૈશ્વિક સ્તરે એક અત્યંત ગર્વ લેવા જેવા અને ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે. મુંબઈમાં સ્થિત ઇઝરાયેલના કોન્સ્યુલ જનરલ યાનિવ રેવાચે જાહેરાત કરી છે કે, તેઓ ભારતના મહાન શાસક છત્રપતિ શિવાજી મહારાજની એક ભવ્ય પ્રતિમા બનાવીને તેને ઇઝરાયેલના એક મોટા શહેરમાં સ્થાપિત કરવા જઈ રહ્યા છે. આ પ્રસ્તાવ માટે તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી મંજૂરી માંગી હતી, જેને સીએમ દ્વારા તુરંત સ્વીકારી લેવામાં આવી છે.</p><p><br></p><h2><b>ભારત અને ઇઝરાયેલના ઇતિહાસ વચ્ચે અદ્ભુત સમાનતા</b></h2><p>યાનિવ રેવાચે જણાવ્યું કે, થોડા મહિનાઓ પહેલા જ્યારે તેઓ ભારત આવ્યા ત્યારે તેમણે ભારત અને ઇઝરાયેલના ઇતિહાસ વચ્ચેની સમાનતાઓ વિશે જાણ્યું હતું. તેમણે કહ્યું, બંને દેશો અને પ્રજાએ પોતાની માતૃભૂમિ માટે દાયકાઓ સુધી સંઘર્ષ કરવો પડ્યો છે અને લડવું પડ્યું છે. અમે બરાબર સમજીએ છીએ કે, ભારતના ઇતિહાસમાં છત્રપતિ શિવાજી મહારાજનો પ્રભાવ અને તેમનું સ્થાન કેટલું મહત્વપૂર્ણ છે.</p><p><br></p><h2><b>PM મોદીની જેરૂસલેમ મુલાકાત બાદ સંબંધો વધુ મજબૂત બન્યા</b></h2><p>ઇઝરાયેલના કોન્સ્યુલ જનરલે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેરૂસલેમની મુલાકાત બાદ ભારત અને ઇઝરાયેલ વચ્ચેના સંબંધોને વિવિધ ક્ષેત્રોમાં વધુ ઊંડા બનાવવાનો નિર્ણય લેવાયો હતો. આ અંતર્ગત બંને દેશોના ઈતિહાસ અને સંસ્કૃતિને જોડવા માટે અમે આ સદ્ભાવના પ્રોજેક્ટ તરીકે છત્રપતિ શિવાજી મહારાજની પસંદગી કરી છે. આ અંતર્ગત ભારતમાં એક મોટું સ્ટેચ્યુ તૈયાર કરી ઇઝરાયેલ મોકલવામાં આવશે, જે લાંબા ગાળા સુધી બંને દેશોના નાગરિકોને ભાવનાત્મક રીતે જોડી રાખશે.</p><p><br></p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/Dev_Fadnavis/status/2063237800481452495"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p><br></p><h2><b>મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આપ્યા આશીર્વાદ અને પૂર્ણ સહયોગ</b></h2><p>આ પ્રોજેક્ટ અંગે ચર્ચા કરવા માટે યાનિવ રેવાચ મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસની ઓફિસે પહોંચ્યા હતા. સીએમ ફડણવીસે આ પ્રસ્તાવને તત્કાલ મંજૂરી આપીને પોતાના આશીર્વાદ આપ્યા હતા અને મહારાષ્ટ્ર સરકાર તરફથી જરૂરી તમામ સહયોગ આપવાની ખાતરી આપી હતી. આ અંગે દેવેન્દ્ર ફડણવીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું, આ ખૂબ જ મોટા સમાચાર છે! શિવરાજ્યાભિષેક દિનના પાવન અવસરે, ઇઝરાયેલના સીજી યાનિવ રેવાચનો ઇઝરાયેલમાં છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવાની આ ઐતિહાસિક જાહેરાત માટે હૃદયપૂર્વક આભાર. મહારાષ્ટ્ર સરકાર આ ઐતિહાસિક પહેલને પૂર્ણ સહયોગ આપશે. જય ભવાની, જય શિવાજી!</p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/world/news/iran-war-president-donald-trump-makes-a-big-claim-amid-venezuela-iran-dispute" target="_blank"> Iran War: વેનેઝુએલા અને ઈરાન વિવાદ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો મોટો દાવો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/jPIChOsipjLKHFxLmvQ0XS0BIl1zbPtQVncvtJWd.webp'/></item><item><title><![CDATA[Morbi News: હળવદમાં સંદેશ ન્યૂઝના અહેવાલની વ્યાપક અસર, કલેક્ટરની ફટકાર બાદ પાલિકા તંત્ર દોડતું થયું ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/morbi/morbi-news-sandesh-news-report-had-a-wide-impact-in-halvad-the-municipal-administration-was-running-after-the-collectors-reprimand</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/morbi/morbi-news-sandesh-news-report-had-a-wide-impact-in-halvad-the-municipal-administration-was-running-after-the-collectors-reprimand</guid><pubDate>Sat, 06 Jun 2026 23:37:32 +05:30</pubDate><description><![CDATA[<p>મોરબી જિલ્લાના હળવદ પંથકમાં જનહિતના મુદ્દાને વાચા આપતા ‘સંદેશ ન્યૂઝ’ના અહેવાલની ખૂબ જ વ્યાપક અને ધારદાર અસર જોવા મળી છે. હળવદમાંથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં ગટરનું દૂષિત પાણી છોડવામાં આવતું હોવાનો અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ મામલે જિલ્લા કલેક્ટરે કડક વલણ અપનાવતા આખરે સ્થાનિક નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે, અને કેનાલની સફાઈ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.</p><h2>લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાનો અહેવાલ પ્રસિદ્ધ થયો હતો
</h2><p>ઘટનાની મળતી વિગતો અનુસાર, ધાંગધ્રા બ્રાન્ચ કેનાલનું પાણી હળવદના 40 ગામો ઉપરાંત જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના અન્ય જિલ્લાઓમાં પીવા માટે સપ્લાય કરવામાં આવે છે. આટલી મહત્વની કેનાલમાં ગટરનું ગંદુ અને દૂષિત પાણી છોડવામાં આવતું હોવાથી લાખો લોકોના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું થયું હતું. આ ગંભીર બેદરકારી અંગે સંદેશ ન્યૂઝ દ્વારા વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરીને તંત્રની ઊંઘ ઉડાડી દેવામાં આવી હતી.
</p><h3>કલેક્ટર સ્વપ્નિલ ખરેએ સ્થળ ચકાસણી કરી પાલિકાને ફટકાર લગાવી
</h3><p>અહેવાલ પ્રસારિત થતાં જ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ ઘટનાની ગંભીરતા સમજીને પોતે જ જાતે સ્થળ ચકાસણી કરી હતી. કલેક્ટરે સ્થળ પરની ભયાનક સ્થિતિ જોઈને હળવદ નગરપાલિકાના અધિકારીઓની આકરી ઝાટકણી કાઢી હતી અને તાત્કાલિક અસરથી ગટરનું પાણી બંધ કરવા તેમજ કેનાલ સાફ કરવાનો આદેશ આપ્યો હતો. કલેક્ટરે પાલિકા તંત્ર પાસે સફાઈ કામગીરીના ફોટા અને પુરાવા સાથેનો રિપોર્ટ પણ માંગ્યો છે.
</p><h4>સંદેશ ન્યૂઝના અહેવાલની અસર
</h4><p>કલેક્ટરની આકરી ફટકાર અને કડક સૂચના બાદ હળવદ પાલિકાની ટીમો તાબડતોબ કેનાલ પર પહોંચી હતી અને સફાઈ અભિયાન શરૂ કરી દીધું છે. સંદેશ ન્યૂઝના અહેવાલના કારણે લાખો લોકોને શુદ્ધ પીવાનું પાણી પાછું મળશે, જેથી સ્થાનિક લોકોએ ચેનલનો આભાર વ્યક્ત કર્યો છે.
</p><p><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/morbi/halvad-narmada-canal-polluted-with-gutter-water" target="_blank" style="background-color: rgb(255, 255, 255);">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/RwQMNBZt6sKCYmBhaYAhmwJgbZRNJw00zudpqkXD.webp'/></item><item><title><![CDATA[Veraval News: હિરણ ડેમના કાંઠેથી 11 વર્ષના નિર્દોષ બાળકને મગર ઉઠાવી ગયો, ભારે શોધખોળ શરૂ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/veraval/veraval-news-crocodile-snatches-11-year-old-innocent-child-from-hiran-dam-massive-search-begins</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/veraval/veraval-news-crocodile-snatches-11-year-old-innocent-child-from-hiran-dam-massive-search-begins</guid><pubDate>Sat, 06 Jun 2026 23:31:36 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ઉમરેઠી ગામેથી એક કંપારી છૂટી જાય તેવી ભયાનક ઘટના સામે આવી છે. અહીં આવેલા હિરણ ડેમના કિનારે એક પરપ્રાંતીય શ્રમિક (મજૂર) પરિવાર હાજર હતો, ત્યારે પાણીમાંથી અચાનક એક વિશાળકાય મગર ધસી આવ્યો હતો. મગરે કિનારે ઉભેલા પરિવારના 11 વર્ષના માસૂમ બાળક પર હિંસક તરાપ મારી હતી અને તેને જડબામાં દબોચી ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો.</p><h2 style="text-align: justify; ">તંત્ર અને ફાયર બ્રિગેડ દોડ્યા
</h2><p style="text-align: justify; ">આ કાળજું કંપાવતી દુર્ઘટના નજરે જોતાં જ પરિવારજનોએ ભારે ચીસાચીસ કરી મૂકી હતી, જેના કારણે આસપાસના સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા. ઘટના અંગે તાત્કાલિક વહીવટી તંત્રને જાણ કરવામાં આવતાં વેરાવળના મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને ફાયર બ્રિગેડનો મોટો કાફલો તાબડતોબ ઉમરેઠી ગામે હિરણ ડેમ ખાતે પહોંચી ગયો હતો.
</p><h3 style="text-align: justify; ">પાણીના ઊંડાણમાં સઘન રેસ્ક્યુ
</h3><p style="text-align: justify; ">ફાયર બ્રિગેડના જવાનો અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા બોટની મદદથી હિરણ ડેમના ઊંડા પાણીમાં મગરનો ભોગ બનેલા બાળકની સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે. જોકે, ડેમમાં પાણીનો ભરાવો અને મગરોની મોટી સંખ્યાના કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં ભારે મુશ્કેલી પડી રહી છે. વહાલસોયા પુત્રની આંખ સામે જ વિદાય થતાં શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયું છે.
</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/hVy861R1o07ah7y5yo00ak9U6P5RWpoApu0OtqwV.webp'/></item><item><title><![CDATA[Ahmedabadમાં પર્યાવરણ પ્રેમીઓને આંચકો: રાજપથ ક્લબ પાસે મંજૂરી વગર 3 લીલાછમ વૃક્ષો કાપી નંખાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/shock-to-environmentalists-in-ahmedabad-3-lush-trees-cut-down-without-permission-near-rajpath-club</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/shock-to-environmentalists-in-ahmedabad-3-lush-trees-cut-down-without-permission-near-rajpath-club</guid><pubDate>Sat, 06 Jun 2026 22:56:17 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં ગ્રીન કવર વધારવાના દાવાઓ વચ્ચે વનસ્પતિ અને પર્યાવરણ પ્રેમીઓને આંચકો આપતી એક ઘટના સામે આવી છે. એસ.જી. હાઈવે પર આવેલી જાણીતી રાજપથ ક્લબના ગેટ પાસે ફૂટપાથ પર આવેલા લીમડા સહિત ત્રણ કિંમતી વૃક્ષોને કોઈપણ મંજૂરી વગર જડમૂળથી કાપી નાખવામાં આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે આ કૃત્ય 'વિશ્વ પર્યાવરણ દિવસ'ની ઉજવણીના બીજા જ દિવસે આચરવામાં આવતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.</p><h2 style="text-align: justify; ">મંજૂરી વગર ફૂટપાથ પરના લીમડાને આખો કાપી નાખવામાં આવ્યો
</h2><p style="text-align: justify; ">મળતી વિગતો મુજબ, રાજપથ ક્લબના મુખ્ય ગેટ નજીક ફૂટપાથ પર વર્ષો જૂના અને ઘટાદાર વૃક્ષો આવેલા હતા, જે રાહદારીઓને છાંયડો આપતા હતા. જોકે, કેટલાક અજ્ઞાત તત્વો દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી લીધા વિના જ અહીં કુહાડી ફેરવી દેવામાં આવી હતી. લીમડાના એક મોટા વૃક્ષ સહિત અન્ય બે ઝાડને પણ નિર્મમતાપૂર્વક કાપીને રસ્તો સાફ કરી દેવાયો હતો.
</p><h3 style="text-align: justify; ">પર્યાવરણ દિવસના બીજા જ દિવસે ઘટના; AMC દ્વારા તપાસ શરૂ
</h3><p style="text-align: justify; ">ગઈકાલે જ આખા દેશ અને રાજ્યમાં પર્યાવરણ બચાવવાના મોટા-મોટા શપથ લેવામાં આવ્યા હતા, ત્યારે તેના બીજા જ દિવસે બનેલી આ ઘટનાએ તંત્રની ઊંઘ ઉડાડી દીધી છે. આ મારે સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે વિરોધ ઉઠતા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ટીમ હરકતમાં આવી છે. એએમસીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે કોર્પોરેશનની મંજૂરી વગર લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢનારા જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની તંત્ર દ્વારા તૈયારી દર્શાવવામાં આવી છે.
</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/xs5573ROaw5HYWdMXaIzfgkAOBpsZZGrAPDm1xwu.webp'/></item><item><title><![CDATA[Rajkot News: હોસ્પિટલ ચોક બ્રિજ પર ટ્રાફિક નિયમોના ધજાગરા, બાઈક સવારનો ખતરનાક સ્ટંટ કેમેરામાં કેદ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/rajkot/rajkot-news-violation-of-traffic-rules-on-hospital-chowk-bridge-dangerous-stunt-of-biker-caught-on-camera</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/rajkot/rajkot-news-violation-of-traffic-rules-on-hospital-chowk-bridge-dangerous-stunt-of-biker-caught-on-camera</guid><pubDate>Sat, 06 Jun 2026 22:25:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ શહેરમાં સ્ટંટબાજોને પોલીસનો કોઈ ડર ન હોય તેમ ટ્રાફિક નિયમોના સરેઆમ ધજાગરા ઉડાડતી વધુ એક ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા હોસ્પિટલ ચોક બ્રિજ પર એક યુવક દ્વારા કરવામાં આવેલો અત્યંત જોખમી અને ખતરનાક બાઈક સ્ટંટ કેમેરામાં કેદ થયો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ શહેરની ટ્રાફિક વ્યવસ્થા અને લોકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.</p><h2 style="text-align: justify; ">હોસ્પિટલ ચોક બ્રિજ બન્યો સ્ટંટબાજોનો અડ્ડો
</h2><p style="text-align: justify; ">સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, હોસ્પિટલ ચોક પાસે આવેલો ઓવરબ્રિજ હવે આવા નબીરાઓ અને સ્ટંટબાજો માટે જોખમી ખેલ કરવાનું મનપસંદ સ્થળ બની ગયો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ચાલુ ટ્રાફિક વચ્ચે એક યુવક પોતાના જીવના જોખમે અને અન્ય વાહનચાલકોની સુરક્ષાને નેવે મૂકીને બાઈક પર જોખમી કરતબો કરી રહ્યો છે. આ પહેલા પણ આ જ બ્રિજ પરથી અનેક વખત આવા બાઈક સવારોના સ્ટંટના દ્રશ્યો સામે આવી ચૂક્યા છે.
</p><h3 style="text-align: justify; ">પોલીસની ઢીલી કામગીરી સામે સ્થાનિકોમાં રોષ
</h3><p style="text-align: justify; ">આવી ઘટનાઓને કારણે બ્રિજ પરથી પસાર થતા અન્ય નિર્દોષ વાહનચાલકો અકસ્માતનો ભોગ બને તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માગ છે કે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પ્રશાસન દ્વારા આવા બ્રિજ પર પેટ્રોલિંગ વધારવામાં આવે અને સીસીટીવી ફૂટેજના આધારે આવા જોખમી સ્ટંટ કરનારા લુખ્ખા તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરી જેલભેગા કરવામાં આવે.
</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/oHwShS5llnzQtheYBxX61404YjiRczol82Fb3mbI.webp'/></item><item><title><![CDATA[Ramalingam Murder Case : હત્યા કેસમાં NIAની મોટી કાર્યવાહી, PFIના ચાર પૂર્વ સભ્યો સામે ચાર્જશીટ દાખલ ]]></title><link>https://sandesh.com/india/news/crime/ramalingam-murder-case-nia-chargesheet-four-former-pfi-members</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/crime/ramalingam-murder-case-nia-chargesheet-four-former-pfi-members</guid><pubDate>Sat, 06 Jun 2026 21:59:22 +05:30</pubDate><description><![CDATA[<p>હાઈ-પ્રોફાઈલ રામલિંગમ હત્યા કેસમાં NIAએ પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના ચાર પૂર્વ સભ્યો સામે વિશેષ NIA કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આરોપ છે કે આ ચારેય લોકોએ હત્યાકાંડમાં સામેલ ફરાર અને જાહેર ગુનેગારોને લાંબા સમય સુધી આશ્રય આપીને કાયદાની પકડથી બચાવવામાં મદદ કરી હતી.</p><h2><b>સાંપ્રદાયિક તણાવ અને ભયનું વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ હતો
</b></h2><p>NIA દ્વારા પૂનમલ્લી સ્થિત વિશેષ કોર્ટમાં દાખલ કરાયેલી ચાર્જશીટમાં કે. મોહિદીન, મોહમ્મદ ઈમરાન, તમીમ અંસારી અને અસમતને આરોપી બનાવવામાં આવ્યા છે. તપાસ એજન્સી અનુસાર આ ચારેય લોકોએ થિરુભુવનમ વિસ્તારમાં રામલિંગમ પર થયેલા જીવલેણ હુમલામાં સામેલ આરોપીઓ અને કાવતરાખોરોને જાણતા હોવા છતાં આશ્રય આપ્યો હતો. એજન્સીએ ચાર્જશીટમાં Unlawful Activities (Prevention) Actની કલમ 19 તેમજ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 61(2) અને 249નો ઉલ્લેખ કર્યો છે. NIAનું માનવું છે કે આ માત્ર હત્યાનો કેસ નહોતો, પરંતુ વિસ્તારમા સાંપ્રદાયિક તણાવ અને ભયનું વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ હતો.
</p><h3><b>2019માં થઈ હતી હત્યા
</b></h3><p>NIAના જણાવ્યા મુજબ 5 ફેબ્રુઆરી 2019ના રોજ રામલિંગમની હત્યા કરવામાં આવી હતી. તેઓએ કથિત બળજબરીથી ધર્માંતરણની પ્રવૃત્તિઓનો વિરોધ કર્યો હતો, જેના કારણે PFI સાથે જોડાયેલા કેટલાક લોકો સાથે તેમનો વિવાદ થયો હતો. બાદમાં તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન મોહમ્મદ બુરહાનુદ્દીન અને મોહમ્મદ નબીલ હસનની સંડોવણી સામે આવી હતી. NIAનો આરોપ છે કે આરોપીઓને ઓળખતા હોવા છતાં આ ચારેય લોકોએ લગભગ છ વર્ષ સુધી તેમને અલગ-અલગ સ્થળોએ છુપાવી રાખ્યા હતા. આ પહેલાં NIA 18 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે. એજન્સીએ જણાવ્યું છે કે કેસની તપાસ હજુ ચાલુ છે અને નવા પુરાવાઓના આધારે વધુ કાર્યવાહી કરવામાં આવશે.
<br><br><a href="https://sandesh.com/india/news/world/india-pakistan-un-ga-kashmir-issue-rebuttal-india-response" target="_blank">આ પણ વાંચો : UNમાં પાકિસ્તાને ફરી કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો, ભારતે તાત્કાલિક રોકડુ પરખાવ્યું</a><b></b></p><p><br></p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/QwaNPnmHyUXEOs0dAuUvgmxhNxi6x3Y9mDXkT89p.webp'/></item><item><title><![CDATA[Bhavnagar News: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે હણોલ ખાતેથી વૃક્ષારોપણ મહા અભિયાનની શરૂઆત ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bhavnagar/bhavnagar-news-tree-plantation-drive-begins-at-hanol-on-the-occasion-of-world-environment-day</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bhavnagar/bhavnagar-news-tree-plantation-drive-begins-at-hanol-on-the-occasion-of-world-environment-day</guid><pubDate>Sat, 06 Jun 2026 21:23:13 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રેરણા ફાઉન્ડેશન અને હણોલ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય વૃક્ષારોપણ મહા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પર્યાવરણલક્ષી અભિયાન અંતર્ગત સમગ્ર ભાવનગર જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ કુલ 51 હજાર વૃક્ષો વાવવાનો એક મોટો અને સરાહનીય સંકલ્પ લેવામાં આવ્યો છે. આ ભગીરથ કાર્યમાં જિલ્લાના અનેક ઉત્સાહી યુવા-યુવતીઓ મોટી સંખ્યામાં જોડાયા છે અને પર્યાવરણ પ્રેમીઓને પણ આ અભિયાનનો હિસ્સો બનવા માટે ખાસ આહવાન કરવામાં આવ્યું છે.</p><h2 style="text-align: justify; ">કેન્દ્રીય અને રાજ્ય મંત્રીઓની પ્રેરણાદાયી ઉપસ્થિતિ
</h2><p style="text-align: justify; ">હણોલ ખાતે આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય શ્રમ, રોજગાર અને રમતગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા તેમજ કેન્દ્રીય રાજ્ય અન્ન અને પુરવઠા મંત્રી નિમુબેન બાંભણીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ગુજરાતના ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા, પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકરજી, સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચારક મહેશભાઈ જીવાણી અને જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ જેવા મહાનુભાવોએ હાજર રહીને વૃક્ષારોપણ કર્યું હતું. તમામ મહાનુભાવોએ ફાઉન્ડેશનની પર્યાવરણ સંરક્ષણ અને જીવદયાની પ્રવૃત્તિઓને બિરદાવી લોકોને પર્યાવરણ બચાવવા અપીલ કરી હતી.
</p><h3 style="text-align: justify; ">પ્રથમ દિવસે વૃક્ષારોપણ અને વિનામૂલ્યે છોડ વિતરણ
</h3><p style="text-align: justify; ">આ મહા અભિયાનના પ્રથમ દિવસે જનજાગૃતિ ફેલાવવા માટે વિવિધ સ્થળોએ કાર્યક્રમો યોજાયા હતા. દિવસભર ચાલેલી આ પ્રવૃત્તિઓ દરમિયાન કુલ 511 વૃક્ષોનું સફળતાપૂર્વક રોપણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તેવા ઉમદા હેતુથી 2100 જેટલા વૃક્ષોના છોડનું સામાન્ય નાગરિકોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિ દ્વારા સમગ્ર વિસ્તારમાં પર્યાવરણ સુરક્ષાનો એક સકારાત્મક સંદેશ જનજન સુધી પહોંચાડવામાં આવ્યો હતો.
</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/q32SEBEG0a1t06DNkdriZXxU8vwGmuceGyFulhom.webp'/></item><item><title><![CDATA[Hockey U18 Asia Cup: ભારતે ફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયનને હરાવીને હોકી અંડર-18 એશિયા કપનો ખિતાબ જીત્યો ]]></title><link>https://sandesh.com/sports/news/india-win-u18-hockey-asia-cup-2026-japan-final</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india-win-u18-hockey-asia-cup-2026-japan-final</guid><pubDate>Sat, 06 Jun 2026 19:23:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતે 2026 અંડર-18 હોકી મેન્સ એશિયા કપનો ખિતાબ જીત્યો છે. ફાઈનલમાં ભારતનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન જાપાન સામે થયો હતો. જાપાની ટીમ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી અપરાજિત રહી હતી, તેને પુલ રાઉન્ડમાં ભારતને હરાવ્યું હતું.
</p><p style="text-align: justify; ">ટીમ ઈન્ડિયાએ કાવાસાકી હેવી ઈન્ડસ્ટ્રીઝ હોકી સ્ટેડિયમમાં યજમાન ટીમને કોઈ તક આપી ન હતી, 4-1થી જીત મેળવી હતી. આ જીત સાથે ભારત ટુર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી સફળ દેશ બની ગયો છે. આ ટીમની ત્રીજી ટ્રોફી છે. પાકિસ્તાને 2 વાર ટાઈટલ જીત્યું છે.
</p><h2 style="text-align: justify; "><b>ભારતે બીજી જ મિનિટમાં ગોલ કર્યો
</b></h2><p style="text-align: justify; ">સેમીફાઈનલમાં મલેશિયાને 8-1થી હરાવનાર જાપાની ટીમ ફાઈનલમાં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી. મેચની બીજી મિનિટે ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો. આશિષ તાની પૂર્તિએ પેનલ્ટીને ગોલમાં રૂપાંતરિત કરીને ભારતને લીડ અપાવી. બીજા ક્વાર્ટરની 28મી મિનિટે આશિષે ભારતનો બીજો ગોલ કર્યો. 30મી મિનિટે કેતન કુશવાહાએ ફિલ્ડ ગોલ કરીને ટીમની લીડ 3-0 કરી દીધી.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/TheHockeyIndia/status/2063227334459871477"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p style="text-align: justify; ">
</p><h3 style="text-align: justify; "><b>આશિષ તાની પૂર્તિએ હેટ્રિક લીધી હતી
</b></h3><p style="text-align: justify; ">ત્રીજા ક્વાર્ટરની ચોથી મિનિટે આશિષે ભારત માટે બીજો ગોલ કરીને પોતાની હેટ્રિક પૂર્ણ કરી અને ટીમની લીડ 4-0 સુધી લંબાવી. જાપાન માટે નુમાદા ગાકુએ 52મી મિનિટે પેનલ્ટી કોર્નરથી ગોલ કર્યો. ભારતે યજમાન ટીમને વધુ કોઈ તક આપી નહીં, અને મેચ 4-1થી જીતીને ટાઈટલ જીત્યું.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/narendramodi/status/2063233749928808912"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p style="text-align: justify; ">
</p><h4 style="text-align: justify; "><b>PM મોદીએ પાઠવ્યા અભિનંદન
</b></h4><p style="text-align: justify; ">ભારતીય પુરુષ અંડર-18 હોકી ટીમને પુરુષોનો અંડર-18 એશિયા કપ 2026 જીતવા બદલ અભિનંદન. ટીમે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઉત્તમ કૌશલ્ય અને ટીમવર્કનું પ્રદર્શન કર્યું, અંતે ફાઈનલમાં યાદગાર વિજય મેળવ્યો. આ જીત આપણા યુવાનોમાં હોકીની વધતી જતી લોકપ્રિયતાને પણ પ્રતિબિંબિત કરે છે. હું ટીમને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ પાઠવું છું.
</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/ipl-2026/vaibhav-sooryavanshi-ipl-2026-awards-orange-cap-mvp" target="_blank">Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા</a></b></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/Wn6qXxH1bTOkhZ5r3Vek6PfzZEVPzl0TDqXFjwkO.webp'/></item><item><title><![CDATA[Gautam Adani ફરી બન્યા એશિયાના સૌથી અમીર વ્યક્તિ, આ બે દિગ્ગજોને છોડ્યા પાછળ ]]></title><link>https://sandesh.com/business/news/gautam-adani-asia-richest-person-net-worth-rises</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/gautam-adani-asia-richest-person-net-worth-rises</guid><pubDate>Sat, 06 Jun 2026 18:58:32 +05:30</pubDate><description><![CDATA[<p>શેર બજારમાં જોરદાર તેજીના કારણે ગૌતમ અદાણી ફરી એકવાર એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. તેમની કંપનીઓના શેરમાં નોંધપાત્ર વધારો થતાં તેમની કુલ સંપત્તિમાં મોટો ઉછાળો નોંધાયો છે. મળતી માહિતી મુજબ અદાણીની નેટવર્થ હવે વધીને અંદાજે 89.2 અબજ ડોલર પહોંચી ગઈ છે, જેના કારણે તેમણે મુકેશ અંબાણી અને સોફ્ટબેન્કના CEO માસાયોશીના પુત્રને પાછળ છોડી દીધા છે.</p><h2><b>મુકેશ અંબાણીની સંપત્તિ 88 અબજ ડોલર થઈ
</b></h2><p>શુક્રવારે અદાણી ગ્રુપના શેરોમાં વ્યાપક તેજી જોવા મળી. ખાસ કરીને અદાણી ગ્રીન એનર્જીના શેરોમાં લગભગ 7%નો વધારો થયો, જ્યારે અદાણી એનર્જી અને અદાણી પોર્ટ્સ જેવા શેરોમાં પણ 2%થી 4% સુધીનો ઉછાળો નોંધાયો. અદાણી પાવરના શેરોમાં પણ 1%થી વધુ વધારો જોવા મળ્યો હતો. રિપોર્ટ મુજબ 2026ની શરૂઆતથી અત્યાર સુધી અદાણી ગ્રુપના શેરોમાં 23%થી 56% સુધીની વૃદ્ધિ થઈ છે, જેના કારણે રોકાણકારોને મોટો ફાયદો થયો છે.
</p><h3><b>1 મહિનામાં અદાણીની નેટવર્થમાં 10 અબજ ડોલરનો વધારો
</b></h3><p>અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા લગાવવામાં આવેલા કેસના સમાધાન બાદ અદાણી ગ્રુપની સ્થિતિમાં સુધારો થયો છે, જેના કારણે છેલ્લા એક મહિનામાં તેમની સંપત્તિમાં લગભગ 10 અબજ ડોલરનો વધારો થયો છે. ગૌતમ અદાણી હાલમાં વિશ્વના 23મા સૌથી અમીર વ્યક્તિ છે. એક દિવસમાં તેમની સંપત્તિમાં લગભગ 2.5 અબજ ડોલરનો વધારો નોંધાયો છે.
<br><br><a href="https://sandesh.com/business/news/india/fuel-prices-new-fuel-has-come-to-the-market-20-rupees-cheaper-than-petrol-will-be-available-at-48-places-in-the-capital" target="_blank">આ પણ વાંચો : Fuel Prices: પેટ્રોલથી 20 રૂપિયા સસ્તુ માર્કેટમાં આવ્યુ નવુ ઇંધણ, રાજધાનીમાં 48 જગ્યાએ મળશે</a><b></b></p><p><br></p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/lQ5qMFuPVHFMzyCPAOS4o6kTwYlvMpX1jXCGu8j7.webp'/></item><item><title><![CDATA[Bollywood : ક્યારેક વાસણો સાફ કર્યા તો ક્યારેક કરી ચોકીદારી... આજે આ એક્ટર છે કરોડોનો માલિક! ]]></title><link>https://sandesh.com/entertainment/news/from-washing-dishes-and-watchman-to-42-crore-net-worth-inspiring-actor-amit-sadh-story</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/from-washing-dishes-and-watchman-to-42-crore-net-worth-inspiring-actor-amit-sadh-story</guid><pubDate>Sat, 06 Jun 2026 17:33:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હિન્દી સિનેમાના કેટલાય અભિનેતાઓ એવા છે, જેમણે ઇન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવવા માટે ભારે મહેનત કરી છે. આજે અમે તમને એક એવા જ એક્ટર વિશે જણાવી રહ્યા છીએ, જે ક્યારેક વાસણ ઘસતા હતા અને તેમણે ચોકીદારી પણ કરી હતી, પરંતુ આજના સમયમાં તેઓ 42 કરોડના માલિક છે.</p><h2 style="text-align: justify; "><b>અભિનેતા અમિત સાધ
</b></h2><p style="text-align: justify; ">અમે જેમના વિશે વાત કરી રહ્યા છીએ, તેઓ કોઈ અન્ય નહીં પરંતુ અભિનેતા અમિત સાધ છે. આજે એટલે કે 5 જૂન, 1983ના રોજ અમિતનો જન્મ દિલ્હીમાં થયો હતો, પરંતુ તેમનો પરિવાર મૂળ રૂપે પંજાબનો રહેવાસી હતો અને તેમનો અભ્યાસ લખનૌમાં થયો હતો. અમિત જ્યારે 16 વર્ષના હતા, ત્યારે તેમના માથા પરથી પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.
</p><h3 style="text-align: justify; "><b>ઘરોમાં વાસણ પણ ઘસ્યા
</b></h3><p style="text-align: justify; ">પિતાના ગયા પછી તેમના ઘરની પરિસ્થિતિ બગડી ગઈ અને પૈસા માટે તેમણે લોકોના ઘરોમાં વાસણ પણ સાફ કર્યા. આ સિવાય તેઓ રાત્રે ચોકીદારીનું કામ પણ કરતા હતા. કેટલીય વાર તો એવું બનતું કે તેઓ રસ્તા પર સૂઈને રાત વિતાવતા હતા. પોતાની પરિસ્થિતિઓ અને મુશ્કેલીઓના કારણે અમિતે પોતાને ખતમ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ કિસ્મત એવું નહોતી ઈચ્છતી અને એક મિત્રે સમયસર તેમનો જીવ બચાવી લીધો હતો.
<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DZEnDsyjLjX/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DZEnDsyjLjX/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DZEnDsyjLjX/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DZEnDsyjLjX/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>ફિલ્મોમાં ડગ માંડ્યા
</b></h4><p style="text-align: justify; ">ભલે કિસ્મતે ફરી અમિતની પરીક્ષા લીધી, પરંતુ તેમણે હિંમત ન હારી અને સતત મહેનત કરતા રહ્યા. જ્યારે અમિતને ટીવીમાં કામ ન મળ્યું, ત્યારે તેમણે ફિલ્મો તરફ વલણ કર્યું. વર્ષ 2010માં આવેલી ફિલ્મ ‘ફૂંક 2’ થી તેમણે પોતાનું બોલીવુડ ડેબ્યૂ કર્યું હતું અને પછી ક્યારેય પાછળ વળીને જોયું નથી.
</p><h5 style="text-align: justify; "><b>અમિત સાધની નેટવર્થ
</b></h5><p style="text-align: justify; ">ફિલ્મોમાં પોપ્યુલર થયા પછી અમિતે ઓટીટી (OTT) પર પણ નામ કમાયું. પોતાની મહેનતથી તેમણે સાબિત કરી દીધું કે કંઈપણ મુશ્કેલ નથી બસ મહેનત કરવાની વાર છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, અમિતની કુલ સંપત્તિ આશરે 40 થી 42 કરોડ રૂપિયાની વચ્ચે છે અને આજે તેઓ એક શાનદાર લાઇફ જીવી રહ્યા છે.
</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/gauri-spratt-aamir-khan-rumored-third-wife-profession-biography" target="_blank">આ પણ વાંચો-Gauri Spratt કોણ છે અને શું કામ કરે છે? જેના પ્રેમમાં પડ્યા છે આમિર ખાન!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/DhME7tbhkvbc4xSSVld2XwGyd3Coc03Tutgbowts.webp'/></item></channel></rss>