<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[11 જુલાઈના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર ]]></title><link>https://sandesh.com/gujarat/news/india/top-10-important-news-headlines-july-11-latest-updates-india-world</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/india/top-10-important-news-headlines-july-11-latest-updates-india-world</guid><pubDate>Sat, 11 Jul 2026 21:00:00 +05:30</pubDate><description><![CDATA[<p><b>સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો</b></p><p><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/veraval/a-huge-shipping-container-was-pulled-onto-the-beach-at-navapara-in-veraval-police-and-customs-have-started-an-investigation" target="_blank"><b>1. Veravalના નવાપરાના દરિયા કિનારે વિશાળ શીપિંગ કન્ટેનર તણાઈ આવ્યું, પોલીસ અને કસ્ટમે શરૂ કરી તપાસ</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ghodasar-murlidhar-restaurant-pav-bhaji-insect-found-customer-allegation-amc-fine" target="_blank"><b>2. Ahmedabad : ઘોડાસરની મુરલીધર રેસ્ટોરન્ટની ભાજીપાંવમાંથી નીકળી જીવાત, ગ્રાહકના આક્ષેપ બાદ AMCએ ફટકાર્યો ₹25 હજારનો દંડ</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ironclad-arrangements-for-ahmedabad-rath-yatra-more-than-30-thousand-personnel-and-high-tech-surveillance-will-be-maintained-with-65-drone-cameras" target="_blank"><b>3. Ahmedabad રથયાત્રા માટે લોખંડી બંદોબસ્ત: 30 હજારથી વધુ જવાનો અને 65 ડ્રોન કેમેરાથી રખાશે હાઈટેક નજર</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/a-tragic-accident-on-junagadh-highway-6-members-of-the-same-family-tragically-died-while-going-to-immerse-their-ashes" target="_blank"><b>4. Junagadh હાઈવે પર કાળમુખો અકસ્માત: અસ્થિ વિસર્જન કરવા જતાં એક જ પરિવારના 6 સભ્યોના કરુણ મોત</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/gandhinagar-satyagraha-chhavni-teachers-protest-against-mandatory-tet-exam" target="_blank"><b>5. Gandhinagar : શિક્ષકો માટે TET ફરજિયાત કરાતા ભારે હોબાળો, મોટી સંખ્યામાં શિક્ષકોની હાજરી સાથે વિરોધ</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/palanpur/palanpur-ndps-court-verdict-samir-ahmed-nagori-charas-case-ats-gujarat" target="_blank"><b>6. Palanpur : 1 કરોડના ચરસ કેસમાં ડ્રગ્સ માફિયાને 20 વર્ષની સખત કેદ , કોર્ટે કહ્યું,, ડ્રગ્સ યુવાધન માટે ગંભીર ખતરો</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/surat/textile-market-basement-flooded-cloth-parcels-damaged-crores-loss" target="_blank"><b>7. Surat: રસ્તા પરથી પાણી ઓસર્યા પણ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટ હજુ પણ પાણીમાં ડૂબેલા, વેપારીઓને ભારે આર્થિક નુકસાન</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/crime/gandhinagar/cyber-crime-unearths-116-crore-rupees-scam-seven-arrested-operation-mule-hunt" target="_blank"><b>8. Gandhinagar: ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ સાયબર ક્રાઇમના 116 કરોડના મેગા કૌભાંડનો પર્દાફાશ, 7 આરોપીઓ જેલભેગા</b></a></p><p><a href="https://sandesh.com/world/news/india/vietnam-boat-accident-15-deaths-pm-narendra-modi-condolence-assistance" target="_blank"><b>9. Vietnam Boat Accident : વિયેતનામમાં બોટ દુર્ઘટનામાં 15 લોકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ</b></a></p><p><a href="https://sandesh.com/india/news/ram-mandir-donation-row-cash-donations-in-the-temple-decrease-100-500-notes-decrease" target="_blank"><b>10. Ram Mandir Donation Row: મંદિરમાં રોકડ દાનમાં ઘટાડો, 100-500ની નોટો ઘટી</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/Na5cjc02AGYjJbcgZ44pqmwojbabI1DS5rIK8doe.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના વસ્ત્રાલમાં વસ્ત્રાલમાં સામાન્ય વિવાદે ધારણ કર્યું ઉગ્ર સ્વરૂપ, 2 સગીરો જેલ ભેગા ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/a-general-dispute-in-vastral-ahmedabad-took-a-violent-turn-2-minors-were-sent-to-jail</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/a-general-dispute-in-vastral-ahmedabad-took-a-violent-turn-2-minors-were-sent-to-jail</guid><pubDate>Sat, 11 Jul 2026 20:51:36 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં બે જૂથો વચ્ચે થયેલી હિંસક માથાકૂટનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં અસામાજિક તત્વોએ ક્રિકેટ મેદાનમાં ભારે આતંક મચાવ્યો હતો. આ સમગ્ર વિવાદની શરૂઆત સ્થાનિક સ્કૂલમાં એકબીજા પર પાણીના છાંટા ઉડવા જેવી નજીવી બાબતે થઈ હતી. આ સામાન્ય ઝઘડાનો બદલો લેવા માટે કુલ 8 આરોપીઓની એક આખી ટોળકી લાકડાના દંડા, બેલ્ટ અને ક્રિકેટના સ્ટમ્પ જેવા ઘાતક હથિયારો સાથે ક્રિકેટ મેદાનમાં ધસી આવી હતી.</p><h2 style="text-align: justify; "><b>ફરિયાદી અને મિત્રો પર કર્યો હુમલો</b></h2><p style="text-align: justify; ">આરોપીઓએ મેદાનમાં રમી રહેલા ફરિયાદી અને તેના મિત્રો પર ઓચિંતો હુમલો કરીને તેમને બેરહેમીપૂર્વક ઢોર માર મારવાનું શરૂ કર્યું હતું. આટલેથી ન અટકતા, આરોપીઓએ હિંસકતાની તમામ હદો પાર કરી દીધી હતી. તેમણે ક્રિકેટના ચાલુ મેદાનની અંદર જ પોતાની કારને અત્યંત પૂરઝડપે અને ગફલતભરી રીતે દોડાવીને ફરિયાદી યુવક પર સીધી ચઢાવી દેવાનો અને તેને જાનથી મારી નાખવાનો ભયાનક પ્રયાસ કર્યો હતો, જેના કારણે મેદાનમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી.</p><h3 style="text-align: justify; "><b>રામોલ પોલીસે મુખ્ય આરોપી 'ગામુ' અને શિવાની ધરપકડ કરી</b></h3><p style="text-align: justify; ">આ ચકચારી અને જીવલેણ હુમલાની ઘટના અંગે ફરિયાદ નોંધાતા જ રામોલ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક એક્શન મોડમાં આવ્યો હતો. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે દંડા મારનાર અને પૂરઝડપે ગાડી હંકારનાર મુખ્ય બે આરોપીઓ વિશેષ ઉર્ફે ગામુ અને શિવા નામના શખ્સોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ ગુનામાં સામેલ અને કાયદાના સંઘર્ષમાં આવેલા અન્ય 3 સગીરોને પોલીસે રાઉન્ડઅપ કરીને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવાની કાયદેસરની તજવીજ હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/m6DbrbSaOTiEltIx175IBp6GK7VRKwJvPCvKWEcz.webp'/></item><item><title><![CDATA[National News : તારઝૂ આતંકી હુમલા કેસમાં મોટી કાર્યવાહી, હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી સામે રેડ કોર્નર નોટિસ જાહેર ]]></title><link>https://sandesh.com/india/news/sia-kashmir-interpol-red-corner-notice-hizbul-mujahideen-terrorist-tarzoo-attack-case</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/sia-kashmir-interpol-red-corner-notice-hizbul-mujahideen-terrorist-tarzoo-attack-case</guid><pubDate>Sat, 11 Jul 2026 20:19:45 +05:30</pubDate><description><![CDATA[<p>જમ્મુ-કાશ્મીરની સ્ટેટ ઈન્વેસ્ટિગેશન એજન્સી (SIA) કાશ્મીરે આતંકવાદ વિરોધી અભિયાનમાં મોટી સફળતા મેળવી છે. વર્ષ 2013ના તારઝૂ આતંકી હુમલા કેસમાં હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી ઈમ્તિયાઝ અહમદ કંડૂ ઉર્ફે ફયાઝ ઉર્ફે સજ્જાદ વિરુદ્ધ ઈન્ટરપોલ રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી છે. આ કાર્યવાહી કેસની તપાસમાં એક મહત્વપૂર્ણ તબક્કો માનવામાં આવી રહી છે.</p><h2><b>જમ્મુ-કાશ્મીર પોલીસના ચાર જવાનો શહીદ થયા હતા</b></h2><p>રેડ કોર્નર નોટિસના કારણે દુનિયાભરની કાયદા અમલીકરણ એજન્સીઓ આરોપીને શોધવા, તેની ધરપકડ કરવા અને ભારત લાવવા માટે કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી શકશે. SIA કાશ્મીરે આ કેસમાં કરેલી વિગતવાર અને વ્યાવસાયિક તપાસના આધારે આ પગલું ભરવામાં આવ્યું છે. આ કેસ 26 એપ્રિલ 2013ના રોજ સોપોરના હ્યગામ વિસ્તારમાં થયેલા આતંકી હુમલા સાથે જોડાયેલો છે. તે સમયે હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ પોલીસ પાર્ટી પર હુમલો કર્યો હતો, જેમાં જમ્મુ-કાશ્મીર પોલીસના ચાર જવાનો શહીદ થયા હતા. શરૂઆતમાં આ કેસ તારઝૂ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો, પરંતુ વધુ તપાસ માટે વર્ષ 2024માં તેને SIA કાશ્મીરને સોંપવામાં આવ્યો હતો.</p><h3><b>SIAએ 6 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી</b></h3><p>તપાસ દરમિયાન પુરાવા એકત્ર કરવા, સાક્ષીઓની પૂછપરછ અને આતંકી કાવતરાની કડીઓ જોડ્યા બાદ SIAએ જુલાઈ 2024માં છ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસના બે આરોપીઓ સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યા ગયા હતા, જ્યારે કેટલાક આરોપીઓની ધરપકડ કરીને કાર્યવાહી ચાલી રહી છે. ઈમ્તિયાઝ કંડૂ હાલ ફરાર છે અને તે પાકિસ્તાન ભાગી ગયો હોવાની આશંકા છે. તે વર્ષ 2010થી પ્રતિબંધિત આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલો હોવાનું જણાવાયું છે. ભારત સરકારે ઓક્ટોબર 2022માં તેને આતંકવાદી જાહેર કર્યો હતો.</p><p>SIAની તપાસમાં તારઝૂ હુમલામાં કંડૂની મુખ્ય ભૂમિકા સામે આવી છે. તે આતંકી હુમલા, હત્યા, હથિયારોની તસ્કરી અને નાર્કો-ટેરર ફંડિંગ સહિત ઓછામાં ઓછા 10 અન્ય કેસોમાં પણ વોન્ટેડ હોવાનું જણાવાયું છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/jammu-kashmir-bjp-demands-apology-from-omar-abdullah-over-mla-poaching-allegations" target="_blank">આ પણ વાંચો : Jammu Kashmir : CM ઉમર અબ્દુલ્લાના ધારાસભ્યોને ખરીદવાના આરોપો પર BJP આક્રમક, માફી માગવાની કરી માગ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/SOhKTMP0KGwSU5RbAGgFJ5c3aMBCXlB1Gf1qkGib.webp'/></item><item><title><![CDATA[Veravalના નવાપરાના દરિયા કિનારે વિશાળ શીપિંગ કન્ટેનર તણાઈ આવ્યું, પોલીસ અને કસ્ટમે શરૂ કરી તપાસ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/veraval/a-huge-shipping-container-was-pulled-onto-the-beach-at-navapara-in-veraval-police-and-customs-have-started-an-investigation</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/veraval/a-huge-shipping-container-was-pulled-onto-the-beach-at-navapara-in-veraval-police-and-customs-have-started-an-investigation</guid><pubDate>Sat, 11 Jul 2026 19:14:35 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં આવેલા નવાપરા વિસ્તારના દરિયા કિનારે એક વિશાળકાય શીપિંગ કન્ટેનર તણાઈ આવ્યું હોવાની અત્યંત રસપ્રદ ઘટના પ્રકાશમાં આવી છે. નવાપરા સ્મશાન નજીક દરિયાના મોજાં સાથે ઘસડાઈને કિનારે ગોઠવાઈ ગયેલા આ અજાણ્યા કન્ટેનર પર સ્થાનિક માછીમારો અને રહીશોની નજર પડતાં જ પંથકમાં ભારે ઉત્તેજના અને કુતૂહલનો માહોલ સર્જાયો હતો. દરિયાકાંઠે કન્ટેનર હોવાની વાત વાયુવેગે પ્રસરતાં જ તેને જોવા માટે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.</p><h2 style="text-align: justify; "><b>પોલીસ અને કસ્ટમ વિભાગ એક્શનમાં</b></h2><p style="text-align: justify; ">આ અસામાન્ય ઘટના અંગે સ્થાનિક નાગરિકો દ્વારા તાત્કાલિક વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કાયદો-વ્યવસ્થા જાળવવા કન્ટેનરની આસપાસ સુરક્ષા ઘેરો બનાવ્યો હતો. આ સાથે જ દરિયાઈ વ્યાપાર અને સુરક્ષા સાથે સંકળાયેલા કસ્ટમ વિભાગની ઉચ્ચ અધિકારીઓની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને સંયુક્ત તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>ખાલી અને તૂટેલી હાલતમાં મળ્યું કન્ટેનર</b></h3><p style="text-align: justify; ">પોલીસ અને કસ્ટમ વિભાગની પ્રાથમિક તપાસ દરમિયાન માલૂમ પડ્યું છે કે આ વિશાળ લોખંડી કન્ટેનર સંપૂર્ણપણે ખાલી અને તૂટેલી હાલતમાં છે. અધિકારીઓના પ્રાથમિક તારણ મુજબ, ઊંડા દરિયામાંથી પસાર થઈ રહેલા કોઈ મોટા કાર્ગો શિપ (માલવાહક જહાજ) પરથી ખરાબ હવામાન અથવા ટેકનિકલ ખામીના કારણે આ કન્ટેનર દરિયામાં પડી ગયું હોવાની પ્રબળ શક્યતા છે. હાલ કન્ટેનર પર અંકિત થયેલા વિશિષ્ટ સીરીયલ નંબરના આધારે તે કઈ શિપિંગ કંપનીનું છે તેની સત્તાવાર ઓળખ મેળવવા કાયદેસરની તપાસ તેજ કરાઈ છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/zQbGg8IpGyNSm0vKeE12b6lB3CBJ8klIe8xmEhFR.webp'/></item><item><title><![CDATA[હેમા માલિની કેમ નથી કરી રહી ફિલ્મોમાં કામ? કહ્યું- 'આજકાલ જે રીતે ફિલ્મો બની રહી છે તેનાથી...' ]]></title><link>https://sandesh.com/entertainment/news/why-is-hema-malini-not-working-in-films-she-said-the-way-films-are-being-made-these-days</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/why-is-hema-malini-not-working-in-films-she-said-the-way-films-are-being-made-these-days</guid><pubDate>Sat, 11 Jul 2026 18:30:36 +05:30</pubDate><description><![CDATA[<p>1970 અને 11980ના દાયકામાં બોલીવૂડ અભિનેત્રી અને રાજકારણી હેમા માલિનીએ બોલીવુડમાં રાજ કર્યું. તે ભારતીય સિનેમાના સૌથી મોટા સ્ટાર્સમાંના એક હતા, જેમણે તેમની સુંદરતા અને શોલે, સીતા ઔર ગીતા, બાગબાન અને સત્તે પે સત્તા જેવી બેસ્ટ ફિલ્મોને કારણે બોલિવૂડની 'ડ્રીમ ગર્લ'નું બિરુદ મેળવ્યું. ભારતીય સિનેમામાં બેસ્ટ ફિલ્મો આપ્યા પછી હેમા માલિનીએ રાજકારણમાં પ્રવેશ કર્યો અને ધીમે ધીમે ફિલ્મ ઉદ્યોગથી દૂર થઈ ગયા. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, તેમણે કારણ જણાવ્યું કે તેઓ હવે ફિલ્મોમાં કેમ કામ નથી કરતી.</p><p><b style="font-size: 2rem;">હેમા માલિની હવે ફિલ્મોમાં કેમ કામ કરતા નથી?</b></p><p>હેમાએ સિનેમાના સુવર્ણ યુગની યાદ તાજી કરી જ્યારે તેમની કારકિર્દી તેની ટોચ પર હતી. તેમણે કહ્યું, "તે યુગ સંપૂર્ણપણે અલગ હતો. હું કહીશ કે તે ફિલ્મ ઉદ્યોગનો સુવર્ણ યુગ હતો અને હું તે સફરનો ભાગ બનવામાં ભાગ્યશાળી હતી. તે સમયે ઘણી બેસ્ટ ફિલ્મો બનાવવામાં આવી હતી, ખાસ કરીને તે મહિલાઓ પર કેન્દ્રિત હતી. મને સીતા ઔર ગીતા જેવી ભૂમિકાઓ તેમજ મારી પહેલી ફિલ્મ સપનો કા સૌદાગર, ખુશ્બુ, અને બીજી ઘણી ફિલ્મો મળી.</p><p>આજે જ્યારે હું પાછળ ફરીને જોઉં છું, ત્યારે મને ખ્યાલ આવે છે કે મેં લગભગ 200 ફિલ્મોમાં કામ કર્યું છે. મોટાભાગના નિર્માતાઓએ મને તેમના પ્રોજેક્ટ્સમાં વારંવાર કાસ્ટ કરી હતી. તે દિવસોમાં દરેક ફિલ્મમાં પાંચ કે છ ગીતો હતા અને નિર્માતાઓ માટે હિટ ગીતો હોવા ખૂબ જ મહત્વપૂર્ણ હતા."</p><h3><b>આજની ફિલ્મોમાં ઢળી જવું  મુશ્કેલ- હેમા</b></h3><p>તેમણે વધુમાં કહ્યું કે, આજે ફિલ્મ નિર્માણ પહેલા જેવું નથી રહ્યું. "આજે ફિલ્મો બનાવવાની રીત સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. ઘણા લોકો મને પૂછે છે કે હું હવે કેમ કામ નથી કરી રહી, પરંતુ મારા માટે ફિલ્મ નિર્માણની વર્તમાન શૈલીમાં ઢળી જવું ખૂબ મુશ્કેલ છે."</p><p>હેમા માલિની ભારતીય સિનેમાની સૌથી પ્રખ્યાત મહિલા સ્ટાર્સમાંની એક છે. બોલિવૂડની 'ડ્રીમ ગર્લ' તરીકે જાણીતી હેમાએ સપનો કા સૌદાગર (૧૯૬૮) થી હિન્દી ફિલ્મમાં પ્રવેશ કર્યો અને સીતા ઔર ગીતા, શોલે, ડ્રીમ ગર્લ, સત્તે પે સત્તા અને બાગબાન જેવી અનેક યાદગાર હિટ ફિલ્મો આપી. અભિનેત્રી છેલ્લે 2020માં આવેલી ફિલ્મ શિમલા મિર્ચી માં જોવા મળ્યા હતા. રમેશ સિપ્પી દ્વારા દિગ્દર્શિત આ રોમેન્ટિક ડ્રામામાં રકુલ પ્રીત સિંહ અને રાજકુમાર રાવ પણ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મને ખરાબ રિવ્યુ મળ્યા અને બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરવામાં નિષ્ફળ ગઈ.<br><br><a href="https://sandesh.com/entertainment/news/mandira-bedi-emotional-at-trailer-launch--remembers-husband-raj-kaushal#google_vignette" target="_blank"><b>આ પણ વાંચો: 'પતિના મોત બાદ...', રાજ કૌશલને યાદ કરી કહ્યું- કોણ બન્યું તેનો સહારો</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/zMwyrEtHmzhUymwqNyVbcLyIyg2CBJySS8Nvn35A.webp'/></item><item><title><![CDATA[Share Marketમાં વિદેશી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો, FIIએ એક જ દિવસમાં રૂપિયા 2,603 કરોડના શેર ખરીદ્યા ]]></title><link>https://sandesh.com/business/news/share-market-fii-buy-shares-worth-2603-crore-foreign-investors-confidence-indian-market</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/share-market-fii-buy-shares-worth-2603-crore-foreign-investors-confidence-indian-market</guid><pubDate>Sat, 11 Jul 2026 17:24:34 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય શેરબજાર માટે સારા સંકેતો મળી રહ્યા છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)નો ભારતીય બજાર પ્રત્યેનો અભિગમ ફરી સકારાત્મક બન્યો છે. 10 જુલાઈના રોજ FIIએ ભારતીય શેરબજારમાં ₹2,603.72 કરોડની નેટ ખરીદી કરી છે. આ સાથે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII)એ પણ ₹2,019.68 કરોડના શેર ખરીદ્યા છે. સ્ટોક એક્સચેન્જના પ્રોવિઝનલ ડેટા મુજબ, બંને પ્રકારના રોકાણકારોની ખરીદીએ બજારમાં તેજીનું વાતાવરણ બનાવ્યું હતું.</p><h2><b>સેક્ટોરલ ઈન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા&nbsp;</b></h2><p>10 જુલાઈએ બજારના મુખ્ય સૂચકાંકોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટી 244.10 પોઈન્ટ એટલે કે 1.02 ટકા વધીને 24,206ના સ્તરે બંધ થયો, જ્યારે સેન્સેક્સ 827 પોઈન્ટ એટલે કે 1.08 ટકા વધીને 77,569 પર બંધ રહ્યો. બેન્ક નિફ્ટીમાં પણ 1.39 ટકાનો વધારો નોંધાયો હતો. મોટાભાગના સેક્ટોરલ ઈન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા હતા.</p><h3><b>FIIએ ભારતીય બજારમાં કુલ ₹1,968.81 કરોડની નેટ ખરીદી કરી</b></h3><p>આ દિવસે FIIએ કુલ ₹15,318.07 કરોડના શેર ખરીદ્યા, જ્યારે ₹12,714.35 કરોડના શેર વેચ્યા હતા. પરિણામે તેમની નેટ ખરીદી ₹2,603.73 કરોડ રહી. બીજી તરફ DIIએ ₹17,171.75 કરોડના શેર ખરીદ્યા અને ₹15,152.07 કરોડના શેર વેચ્યા, જેથી તેમની નેટ ખરીદી ₹2,019 કરોડ રહી. જુલાઈ મહિનામાં અત્યાર સુધી FIIએ ભારતીય બજારમાં કુલ ₹1,968.81 કરોડની નેટ ખરીદી કરી છે, જ્યારે DIIની ખરીદી ₹9,245.91 કરોડ રહી છે. નિષ્ણાતોના મતે, જો વિદેશી રોકાણકારોની ખરીદી આગળ પણ ચાલુ રહેશે તો શેરબજારમાં વધુ રિકવરી જોવા મળી શકે છે.</p><p>હાલ રોકાણકારોની નજર કંપનીઓના જૂન ત્રિમાસિક પરિણામો પર છે. બજારની આગળની દિશા કોર્પોરેટ પરિણામો, રૂપિયાની સ્થિરતા, ક્રૂડ ઓઈલના ભાવ અને વૈશ્વિક પરિસ્થિતિઓ પર નિર્ભર રહેશે. અમેરિકા-ઈરાન સંબંધિત અનિશ્ચિતતા હજુ પણ બજાર માટે એક જોખમ બની શકે છે.</p><p><b><a href="https://sandesh.com/business/news/3-new-ipos-opening-next-week-sbi-funds-management-alpine-texworld-millworks-technologies" target="_blank">આ પણ વાંચો : IPO : આવતા અઠવાડિયે ખુલશે 3 નવા IPO, રોકાણકારો માટે મોટી તક</a></b></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/jL7FJPzgf1xABoJB2PuoqlXIB1IAn0hklIp4FTmb.webp'/></item><item><title><![CDATA[Ahmedabad રથયાત્રા માટે લોખંડી બંદોબસ્ત: 30 હજારથી વધુ જવાનો અને 65 ડ્રોન કેમેરાથી રખાશે હાઈટેક નજર ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ironclad-arrangements-for-ahmedabad-rath-yatra-more-than-30-thousand-personnel-and-high-tech-surveillance-will-be-maintained-with-65-drone-cameras</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ironclad-arrangements-for-ahmedabad-rath-yatra-more-than-30-thousand-personnel-and-high-tech-surveillance-will-be-maintained-with-65-drone-cameras</guid><pubDate>Sat, 11 Jul 2026 17:08:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઐતિહાસિક રથયાત્રાની સુરક્ષાને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે 'સંદેશ ન્યૂઝ' સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે, રથયાત્રાના રૂટ પર કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે શહેર પોલીસ સજ્જ છે. આ ભવ્ય બંદોબસ્તમાં 1,000થી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત કુલ 30,000 કરતાં પણ વધારે પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. આ ઉપરાંત, સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે એસઆરપી (SRP)ની 15 કંપનીઓ અને પેરા મિલિટરી ફોર્સની 9 કંપનીઓ પણ સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરી દેવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>હાઈટેક ઉપકરણોથી થશે મોનિટરિંગ</b></h2><p style="text-align: justify; ">આ વર્ષે રથયાત્રામાં સુરક્ષાના ભાગરૂપે આધુનિક ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. કમિશનરે જણાવ્યું કે, સમગ્ર રૂટ પર બાજ નજર રાખવા માટે 65 ડ્રોન, સેંકડો સીસીટીવી (CCTV) કેમેરા, ફેસ રેકોગ્નિશન કેમેરા અને જવાનો માટે બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરાશે. શંકાસ્પદ અસામાજિક તત્વો અને અગાઉના ગુનેગારોને ત્વરિત ઓળખવા માટે તેમના ફોટા સાથેનો એક ખાસ ડિજિટલ ડેટા તૈયાર કરવામાં આવ્યો છે. જેનાથી કંટ્રોલ રૂમ દ્વારા દરેક હિલચાલ પર સીધી નજર રાખી શકાશે.</p><h3 style="text-align: justify; ">અફવાઓથી બચવા પોલીસની અપીલ</h3><p style="text-align: justify; ">રથયાત્રા શહેરના મુખ્ય 11 જેટલા પોલીસ સ્ટેશનની હદમાંથી પસાર થાય છે, જેથી તે તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સ્થાનિક શાંતિ સમિતિ અને મહોલ્લા કમિટીઓની બેઠકો યોજીને કોમી ભાઈચારો જાળવવા તજવીજ કરાઈ છે. રથયાત્રા દરમિયાન સોશિયલ મીડિયા પર કોઈ ગેરમાર્ગે દોરનારી અફવા ન ફેલાય તે માટે સાયબર ક્રાઈમ સેલને પણ એલર્ટ મોડ પર રખાયો છે. પોલીસ કમિશનરે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ કોઈ પણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન કરે અને શંકાસ્પદ બાબત જણાયે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/7MukCd3njJb8K294PEhSNh6jXSCZPC4LASeVpAlc.webp'/></item><item><title><![CDATA[Junagadh હાઈવે પર કાળમુખો અકસ્માત: અસ્થિ વિસર્જન કરવા જતાં એક જ પરિવારના 6 સભ્યોના કરુણ મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/a-tragic-accident-on-junagadh-highway-6-members-of-the-same-family-tragically-died-while-going-to-immerse-their-ashes</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/a-tragic-accident-on-junagadh-highway-6-members-of-the-same-family-tragically-died-while-going-to-immerse-their-ashes</guid><pubDate>Sat, 11 Jul 2026 16:59:12 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જૂનાગઢ હાઈવે પર હૃદયના ધબકારા બંધ કરી દે તેવી એક અત્યંત દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. જૂનાગઢના મજેવડી ગામ નજીક હાઈવે પર એક વાહનચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ગંભીર અને કાળમુખો અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક અકસ્માત એટલો જોરદાર હતો કે વાહનમાં સવાર મુસાફરોમાંથી ૫ લોકોના તો ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. અકસ્માતની ભયાનકતા જોઈને હાઈવે પરથી પસાર થતાં વાહનચાલકોના કાળજા પણ કંપી ઉઠ્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>વિરમગામનો પરિવાર કાળનો કોળિયો બન્યો</b></h2><p style="text-align: justify; ">આ કમનસીબ અકસ્માતનો ભોગ બનેલો પરિવાર અમદાવાદ જિલ્લાના વિરમગામનો હોવાનું સામે આવ્યું છે. પરિવારના કોઈ સ્વજનના અવસાન બાદ તેમના અસ્થિ પધરાવવા (વિસર્જન કરવા) માટે આખો પરિવાર કારમાં સવાર થઈને પવિત્ર તીર્થધામ સોમનાથ જઈ રહ્યો હતો, પરંતુ સોમનાથ પહોંચે તે પહેલાં જ કાળે લોહિયાળ ખેલ ખેલ્યો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી વધુ એક મહિલાને હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમણે પણ દમ તોડી દેતા કુલ મૃત્યુઆંક 6 પર પહોંચ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>માતા-પિતા અને પુત્રી સહિત 6નાં મોતથી પરિવાર સાફ</b></h3><p style="text-align: justify; ">આ હૃદયદ્રાવક દુર્ઘટનામાં વિરમગામના આ કમનસીબ પરિવારના માતા-પિતા અને તેમની વ્હાલસોયી પુત્રી સહિત કુલ 6 સભ્યોના કરુણ મોત થતાં આખો પરિવાર સાફ થઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જ જૂનાગઢ પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે અને વિરમગામ સ્થિત તેમના સંબંધીઓને આ અંગે જાણ કરી છે. એક જ પરિવારના 6-6 સભ્યોના મોતથી સમગ્ર પંથકમાં ભારે ગમગીની અને માતમ છવાઈ ગયો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/z0F4q9C3DHFKBJyBYcUuKAoDOhiG1rpy28BZbcEd.webp'/></item><item><title><![CDATA[ભારતીય સ્પ્રિન્ટર અનિમેષ કુજુરે વિદેશી ટ્રેક પર મચાવી ધૂમ, 10.14 સેકન્ડમાં 100 મીટર દોડીને રચ્યો ઈતિહાસ ]]></title><link>https://sandesh.com/sports/news/animesh-kujur-india-second-fastest-100m-sprinter</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/animesh-kujur-india-second-fastest-100m-sprinter</guid><pubDate>Sat, 11 Jul 2026 15:58:06 +05:30</pubDate><description><![CDATA[<p>અનિમેષ કુજુરે વર્લ્ડ એથ્લેટિક્સ કોન્ટિનેન્ટલ ટૂર ચેલેન્જર ટુર્નામેન્ટમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો. અનિમેષ ભારતના સૌથી ઝડપી દોડવીરોમાંનો એક છે, અને કોમનવેલ્થ ગેમ્સ પહેલા તેના પ્રદર્શને તેને ફેન્સમાં ચર્ચાનો વિષય બનાવ્યો છે.&nbsp;</p><p>અનિમેષ કુજુરે બીજા નંબરની સૌથી ઝડપી 100 મીટર દોડ હાંસલ કરી છે. તમને જણાવી દઈએ કે અનિમેષની સફર સરળ ન હતી, અને તે કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી નથી.</p><h2><b>અનિમેષ કુજુરે રેકોર્ડ બનાવ્યો</b></h2><p>છત્તીસગઢના અનિમેષ કુજુરે તાજેતરમાં જર્મનીમાં વર્લ્ડ એથ્લેટિક્સ કોન્ટિનેન્ટલ ટૂર ચેલેન્જર (ફાસ્ટ આર્મ્સ ફાસ્ટ લેગ્સ ઈવેન્ટ) માં શાનદાર પ્રદર્શન કર્યું. તેને 100 મીટર સ્પ્રિન્ટમાં માત્ર 10.14 સેકન્ડમાં બીજા સ્થાને રહ્યો. આ તેના કરિયરનું બેસ્ટ પ્રદર્શન છે, જેના કારણે તે 100 મીટર સ્પ્રિન્ટ દોડનાર બીજો સૌથી ઝડપી ભારતીય ખેલાડી બન્યો.&nbsp;</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/TheKhelIndia/status/2075785987184357855"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p>હાલમાં રાષ્ટ્રીય રેકોર્ડ ગુરિન્દરવીર સિંહના નામે છે, જેમણે મે 2026 માં 100 મીટર સ્પ્રિન્ટ 10.09 સેકન્ડમાં દોડી હતી. અનિમેષ તેમને પાછળ છોડી દેવાથી માત્ર 0.05 સેકન્ડ દૂર રહ્યો. આ વિદેશી ધરતી પર કોઈપણ ભારતીય દ્વારા સૌથી ઝડપી 100 મીટર સ્પ્રિન્ટ છે.</p><h3><b>અનિમેષની રસપ્રદ સફર</b></h3><p>અનિમેષ કુજુરનો જન્મ 2 જૂન, 2003 ના રોજ છત્તીસગઢના જશપુર જિલ્લાના ઘુઈટાંગર ગામમાં થયો હતો. તેની માતા ભૂતપૂર્વ હોકી ખેલાડી હતી, અને તેના પિતા ફૂટબોલ રમતા હતા. બાદમાં બંનેએ ઘણા વર્ષો સુધી પોલીસ દળમાં સેવા આપી હતી. તે હંમેશા ફૂટબોલ પ્રત્યે ઉત્સાહી હતો અને તે તેનું સ્વપ્ન હતું. પરંતુ તે બાળપણથી જ ઉસૈન બોલ્ટનો પણ ખૂબ શોખીન હતો.</p><p>અંડર-18 ટુર્નામેન્ટમાં એક કોચે અનિમેષ કુજુરની દોડવાની ક્ષમતા જોઈ. 2020ના લોકડાઉન દરમિયાન અનિમેષનું નસીબ બદલાઈ ગયું. તેને કોલેજ અને અભ્યાસમાં ખાસ રસ ન હતો. પરિણામે તેને દોડમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું. ત્યારબાદ તેને રાષ્ટ્રીય સ્તરે પોતાનું નામ બનાવ્યું અને હવે, તેને જર્મનીમાં 10.14 સેકન્ડમાં 100 મીટર દોડ પૂરી કરીને કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફાય કર્યું છે.</p><p><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/ishan-kishan-run-out-abhishek-sharma-stump-mic-video" target="_blank">Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/yUd7tcTToLJb5yrTZtnQWymzPHysn7VPvfxgfAy9.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના મેઘાણીનગરમાં પિતાના ઠપકાથી લાગી આવતા ધોરણ 12ની સગીરાએ કર્યો આપઘાત ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/a-12th-standard-girl-committed-suicide-in-meghaninagar-ahmedabad-after-being-scolded-by-her-father</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/a-12th-standard-girl-committed-suicide-in-meghaninagar-ahmedabad-after-being-scolded-by-her-father</guid><pubDate>Sat, 11 Jul 2026 15:44:31 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા મેઘાણીનગર પંથકમાંથી એક અત્યંત ચોંકાવનારી અને કાળજું કંપાવી દે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. મળતી માહિતી મુજબ, મેઘાણીનગર વિસ્તારમાં રહેતી અને ધોરણ 12માં અભ્યાસ કરતી એક 17 વર્ષીય સગીરાએ પોતાના જ ઘરે અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો છે. માસૂમ દીકરીએ અચાનક આ પ્રકારનું અંતિમ પગલું ભરી લેતા આસપાસના રહીશો અને સ્થાનિકોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને સમગ્ર પંથક શોકમાં ડૂબી ગયો છે.</p><h2 style="text-align: justify; ">મૃતકની ઓળખ હિરલ પરમાર તરીકે થઈ</h2><p style="text-align: justify; ">પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાત કરનાર માસૂમ સગીરાની ઓળખ હિરલ પરમાર તરીકે થઈ છે. ઘટનાની વિગતવાર માહિતી અનુસાર, હિરલના પિતાએ કોઈ સામાન્ય બાબતે તેને કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો. પિતા દ્વારા આપવામાં આવેલો આ ઠપકો હિરલને મનમાં ખૂબ જ લાગી આવ્યો હતો. આ સિવાય પરિવારમાં છેલ્લા કેટલાક સમયથી આંતરિક ઘરકંકાસ પણ ચાલતો હોવાનું સામે આવ્યું છે. આ પારિવારિક માનસિક તણાવ અને પિતાના ઠપકાના આઘાતમાં સગીરાએ જીવન ટૂંકાવવાનું આત્મઘાતી પગલું ભર્યું હતું.</p><h3 style="text-align: justify; ">પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી</h3><p style="text-align: justify; ">આ ચકચારી ઘટના અંગે સ્થાનિક નાગરિકો દ્વારા કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતા જ મેઘાણીનગર પોલીસ સ્ટેશનનો મોટો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળનું ઝીણવટભર્યું પંચનામું કરીને સગીરાના મૃતદેહને કાયદેસરના પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. મેઘાણીનગર પોલીસે આ સમગ્ર મામલે હાલ પૂરતો અકસ્માત મોત (AD) નો ગુનો નોંધી, પરિવારના સભ્યોના નિવેદનો લેવાની અને આપઘાત પાછળના ચોક્કસ કારણો શોધવા માટેની આગળની તપાસ તેજ કરી દીધી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/p6Rp7cWsCLJIIdEWGUFt1KfSbKNiPVrLaoZsXLEH.webp'/></item></channel></rss>