<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Himatnagar: હિંમતનગરના વેપાર ભવનમાં રૂ.1.50 લાખની ચોરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/himatnagar/himatnagar-rs-150-lakh-stolen-from-himatnagars-business-building</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/himatnagar/himatnagar-rs-150-lakh-stolen-from-himatnagars-business-building</guid><pubDate>Fri, 03 Jul 2026 01:18:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હિંમતનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વેપાર ભવનની કોમ્પ્યુટર ટાઈપની દુકાનમાંથી બે દિવસ અગાઉ એક શખ્સે અંદાજે રૂ.1.50 લાખની રોકડ ચોરી થઈ હતી.આ અંગે વેપાર ભવનમાં કોમ્પ્યુટર ટાઈપની દુકાન ધરાવતા ઝાકીરહસેન અબ્દુરરહમાન કાબલીવાલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત તા.30 જૂનની રાત્રે તેમની દુકાનમાં ચાંદનગરમાં રહેતા શકીલશા રફીકશા દિવાને કોમ્પ્યુટરની દુકાનમાં પ્રવેશ કરી ઓફિસના ડ્રોવરનું તાળુ તોડી તેમાંથી રૂ.1.50 લાખની ચોરી કરી લઈ જતાં ઝાકીરહુસેન કાબલીવાલાએ શકીલશા દિવાન વિરૂધ્ધ બુધવારે બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/qJBSqAL7RrphQyJE1uMuCgUbH1Csauu0vXAEQwy2.webp'/></item><item><title><![CDATA[Himatnagar: ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા મેડિકલ ઓફ્સિર ઊંઘતા ઝડપાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/himatnagar/himatnagar-medical-officer-caught-sleeping-while-on-duty-at-khedbrahma-general-hospital</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/himatnagar/himatnagar-medical-officer-caught-sleeping-while-on-duty-at-khedbrahma-general-hospital</guid><pubDate>Fri, 03 Jul 2026 01:17:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ખેડબ્રહ્મા : ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલમાં ફરજ પરના મેડિકલ ઓફ્સિર ગતરોજ સવારે તેમની ખુરશીમાં ઊંઘતા ઝડપાયા હતા. એક જાગૃત્ત નાગરિકે આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હોસ્પિટલ તંત્રમાં હડકંપ મચી ગયો હતો. આ ઘટના ગુરુવારે સવારે લગભગ 10:00 વાગ્યાની આસપાસ બની હતી. ડોક્ટર ફરજ પર આવ્યા બાદ તેમની ખુરશીમાં સૂઈ ગયા હતા, જ્યારે હોસ્પિટલની બહાર અંદાજે 20 થી 25 દર્દીઓ દવા લેવા માટે રાહ જોઈ રહ્યા હતા.જાગૃત્ત નાગરિક ઊંઘતા ડોક્ટરનો વીડિયો બનાવ્યો હતો. વીડિયો બનાવતી વખતે ડોક્ટર અચાનક જાગી ગયા હતા. આ અંગે ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલના અધિક્ષક અશ્વિનભાઈ ગઢવીનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે., સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો અંગે ડોક્ટરને કારણ દર્શાવતી નોટિસ આપી ખુલાસો માગવામા આવશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/L5ESM26TTEyEe8bZ5QL3a68vEbaArNniznsMdv5v.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: બાકરોલમાં કેનાલ પર નોનવેજ હોટેલનું દબાણ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-pressure-from-non-veg-hotel-on-canal-in-bakrol</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-pressure-from-non-veg-hotel-on-canal-in-bakrol</guid><pubDate>Fri, 03 Jul 2026 01:07:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દસ્ક્રોઈ : દસ્ક્રોઈ તાલુકાના બાકરોલ ગામની હદમાં સિંચાઈ વિભાગની કેનાલ પર જ ગેરકાયદેસર રીતે નોનવેજ હોટલનું બાંધકામ કરી દેવામાં આવ્યું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. કેનાલ પર દબાણ થવાને કારણે ચોમાસાની ઋતુમાં વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઉભો થવાની તેમજ ખેડૂતોને સિંચાઈ માટે પાણી પહોંચાડવામાં મુશ્કેલી સર્જાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ગાત્રાળ - બાકરોલ રોડ ઉપર બાકરોલ ગામની હદમાં આવેલ કેનાલની બાજુમાં તેમજ તેના ઉપર જ હોટલ ઉભી કરાતા કેનાલનો ઉપયોગ અસરગ્રસ્ત બન્યો છે. હોટલમાંથી નીકળતો કચરો અને ગંદકી પણ કેનાલમાં જતી હોવાનું જોવા મળે છે, જેના કારણે સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત પ્રશ્નો પણ ઊભા થયા છે. કેનાલ પર દબાણ, ખુલ્લો કૂવો તેમજ આસપાસ ફેલાયેલી ગંદકી ને કારણે રોગચાળો પણ વકરી શકે છે. ખેડૂતોએ જણાવ્યું છે કે જો સમયસર આ દબાણ દૂર નહીં કરવામાં આવે તો ચોમાસામાં પાણીના પ્રવાહમાં અવરોધ સર્જાઈ શકે છે અને સિંચાઈ વ્યવસ્થા પર તેની સીધી અસર પડશે. સ્થાનિકોએ સિંચાઈ વિભાગ, ગ્રામ પંચાયત અને જિલ્લા તંત્રને તાત્કાલિક તપાસ કરી કેનાલ પરથી ગેરકાયદેસર દબાણ દૂર કરવાની તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/rYeCXhvwpv1sH1bhUcPdMI0TBNs7V60sQjyNaJcn.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: વિરમગામના માંડલ માર્ગ પર ખોદકામ કર્યા બાદ સમારકામ ન કરાતા હાલાકી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</guid><pubDate>Fri, 03 Jul 2026 01:05:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વિરમગામ : વિરમગામ શહેરમાંથી માંડલ તરફ્ જવાના હાઈવે માર્ગ પર શેઠ એમ જે હાઇસ્કૂલ,લાયન્સ આંખની હોસ્પિટલ સામે તંત્ર દ્વારા ગટર અથવા અન્ય કામથી તાજેતરમાં રસ્તો ખોદાણ કરવામાં આવ્યો હતો. બાદમાં રસ્તા પર માત્ર માટી વાળી દેવામાં આવી હતી. જે રાત દિવસ વાહનોથી ધમધમતા રસ્તા જગ્યા પર વાહનો ચાલવાથી માટી દબાઈ જવાથી ખાડો પડી ગયો છે. જેથી વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે. સ્કૂટર, કાર સહિત વાહનો અને રિક્ષા ચાલકોને જોખમી ખાડાથી અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/GU2OTbRgHQBG9MjnAD1rDAhyWHciOjm3PDH3iLYk.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: દેત્રોજ તાલુકાના ભંકોડા ગામમાં જર્જરિત વીજ પોલથી સ્થાનિક રહીશોમાં અકસ્માતનો ભય ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-local-residents-fear-accidents-due-to-dilapidated-electricity-poles-in-bhankoda-village-of-detroj-taluka</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-local-residents-fear-accidents-due-to-dilapidated-electricity-poles-in-bhankoda-village-of-detroj-taluka</guid><pubDate>Fri, 03 Jul 2026 01:02:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દેત્રોજ તાલુકાના ભંકોડા ગામમાં લાંબા સમયથી જર્જરિત હાલતમાં ઉભેલો વીજપોલ સ્થાનિક ગ્રામજનો માટે ચિંતાનો વિષય બન્યો છે. ચોમાસાની ઋતુ શરૂ થતાં ભારે વરસાદ,તેજ પવનો અને વીજળીના કારણે આ પોલ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેવી આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે. જો સમયસર જરૂરી કાર્યવાહી નહીં કરવામાં આવે તો મોટી જાનહાનિ અથવા ગંભીર વીજ અકસ્માત સર્જાઈ શકે તેવી ભીતિ ગ્રામજનોમાં જોવા મળી રહી છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ જર્જરિત વીજપોલની આસપાસ રહેણાંક વિસ્તાર આવેલો છે. રોજીંદી અવરજવર પણ રહેતી હોવાથી બાળકો,વૃદ્ધો અને વાહનચાલકો માટે સતત જોખમ ઉભું થયું છે. પોલની હાલત અંત્યત ખરાબ હોવાથી વરસાદી માહોલમાં તે વધુ નબળો બની જાય તેમ છે. જેના કારણે કોઈપણ સમયે દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભીતિઓ સેવાતાં આ વીજપોલને ઉતારી લેવા પ્રબળ માંગ ઉઠી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/DAMcN6GHqWKWB0b1dWA6J3aaciYxMxBhYmO7nQ67.webp'/></item><item><title><![CDATA[Auto News: ઇલેક્ટ્રિક કારના શોખીનો માટે ખુશખબર; પ્રીમિયમ 'મેટ લુક'માં લોન્ચ થઈ નવી ઇલેક્ટ્રિક SUV ]]></title><link>https://sandesh.com/business/news/automobile/auto-news-good-news-for-electric-car-enthusiasts-new-electric-suv-launched-in-premium-matte-look</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/auto-news-good-news-for-electric-car-enthusiasts-new-electric-suv-launched-in-premium-matte-look</guid><pubDate>Thu, 02 Jul 2026 23:17:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તેની પ્રીમિયમ ઇલેક્ટ્રિક SUV, Mahindra XEV 9e Cineluxe Editionને વધુ આકર્ષક અને સ્ટાઇલિશ બનાવવા માટે માર્કેટમાં એક નવો એક્સટીરિયર કલર ઓપ્શન રજૂ કર્યો છે. આ નવા કલરનું નામ 'Satin Desert Myst' છે. આ કલર ખાસ મેટ (મેટ ફિનિશ) સાથે આવે છે, જે કારના લુકને પહેલાં કરતાં વધુ પ્રીમિયમ અને લક્ઝુરિયસ બનાવે છે.</p><h2 style="text-align: justify; ">સાદા મોડલ કરતાં અલગ લુક</h2><p style="text-align: justify; ">આ નવા શેડના ઉમેરા પછી, હવે Mahindra XEV 9e Cineluxe Edition કુલ ત્રણ સેટિન કલર ઓપ્શનમાં ખરીદી માટે ઉપલબ્ધ થશે. જેમાં પહેલાંથી મળતા Satin White અને Satin Black ઉપરાંત હવે નવો Satin Desert Myst પણ સામેલ થઈ ગયો છે. જો કે, કંપનીએ આ સ્પેશિયલ એડિશનમાં માત્ર નવો કલર જ ઉમેર્યો છે, બાકીના તમામ ફીચર્સ અને ડિઝાઈન પહેલાં જેવા જ છે.</p><h3 style="text-align: justify; ">લક્ઝુરિયસ ઇન્ટિરિયર</h3><p style="text-align: justify; ">આ નવી Satin Desert Myst કલરવાળી ઇલેક્ટ્રિક કારના ઇન્ટિરિયરને પણ ખાસ ટ્રીટમેન્ટ આપવામાં આવી છે. એસયુવીની અંદર Chestnut Brown અને Nocturne Black કલરનું ડ્યુઅલ-ટોન લેધરેટ ઇન્ટિરિયર જોવા મળે છે. આ પ્રીમિયમ કેબિનના કારણે કારની અંદર બેસતા જ ગ્રાહકોને ખૂબ જ લક્ઝરી અને આરામદાયક અનુભવ મળે છે.</p><h4 style="text-align: justify; ">પાવરફુલ બેટરી અને દમદાર પર્ફોર્મન્સ</h4><p style="text-align: justify; ">પર્ફોર્મન્સની વાત કરીએ તો, આ ઇલેક્ટ્રિક SUV 'Pack Three' વેરિઅન્ટ પર આધારિત છે. જેમાં 79 kWhની મોટી અને પાવરફુલ બેટરી આપવામાં આવી છે. તે રિયર-વ્હીલ ડ્રાઇવ (RWD) ઇલેક્ટ્રિક મોટર સાથે જોડાયેલી છે. આ મોટર 286 હોર્સપાવર (HP)નો પાવર અને 380 Nmનો ટોર્ક જનરેટ કરે છે, જે કારને શાનદાર સ્પીડ અને પિકઅપ આપે છે.</p><h5 style="text-align: justify; ">લાંબી રેન્જ અને કિંમત</h5><p style="text-align: justify; ">મહિન્દ્રાનો દાવો છે કે આ ઇલેક્ટ્રિક SUV સિંગલ ફુલ ચાર્જ પર 656 કિલોમીટર સુધીની (MIDC certified) શાનદાર ડ્રાઇવિંગ રેન્જ આપે છે, જે લાંબી મુસાફરી કરનારાઓ માટે બેસ્ટ છે. સૌથી સારી વાત એ છે કે નવા પ્રીમિયમ કલર બાદ પણ કિંમતમાં કોઈ વધારો કરાયો નથી. આ કારની એક્સ-શોરૂમ કિંમત રૂ.29.35 લાખ રાખવામાં આવી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/automobile" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/ryFH2y0isI4BQNsJ9qs4UL7mo2QZq9ECiOx5tKlJ.webp'/></item><item><title><![CDATA[Ketan Agarwal Murder Case : સિયા ગોયલનો કરાશે પોલીગ્રાફ ટેસ્ટ, ખુલી શકે છે નવા રહસ્યો ]]></title><link>https://sandesh.com/india/news/crime/ketan-agarwal-murder-case-siya-goyal-polygraph-test-pune</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/crime/ketan-agarwal-murder-case-siya-goyal-polygraph-test-pune</guid><pubDate>Thu, 02 Jul 2026 22:28:48 +05:30</pubDate><description><![CDATA[<p>મહારાષ્ટ્રના પુણેમાં ચર્ચાસ્પદ કેતન અગ્રવાલ હત્યા કેસમાં મહત્વપૂર્ણ અપટેડ સામે આવ્યું છે. પુણે ગ્રામ્ય પોલીસના જણાવ્યા મુજબ આરોપી સિયા ગોયલે પોલીગ્રાફ (લાઈ ડિટેક્ટર) ટેસ્ટ માટે સંમતિ આપી છે. પોલીસનું માનવું છે કે આ ટેસ્ટ દ્વારા કેસ સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ તથ્યો અને સંભવિત રહસ્યો સામે આવી શકે છે.</p><h2><b>સિયાએ પોલીગ્રાફ ટેસ્ટ માટે લેખિત મંજૂરી આપી</b></h2><p>સિયા ગોયલના વકીલે જણાવ્યું કે સિયાએ ગુરુવારે લોનાવાલા ગ્રામ્ય પોલીસ સમક્ષ પોલીગ્રાફ ટેસ્ટ માટે લેખિત મંજૂરી આપી છે. મળતી માહિતી મુજબ આગામી થોડા દિવસોમાં આ ટેસ્ટ કરવામાં આવી શકે છે. આ દરમિયાન સિયાના પિતા પ્રવીણ ગોયલે પણ સ્પષ્ટ નિવેદન આપ્યું છે કે કેસમાં જે કોઈ દોષિત હશે તેને કડક સજા મળવી જોઈએ. તેમણે કહ્યું કે જો તેમની પુત્રી સિયા પણ ગુનેગાર સાબિત થાય તો તેને પણ કાયદા મુજબ સખત સજા મળવી જોઈએ. તેમણે પોલીસની કાર્યવાહી પર સંતોષ વ્યક્ત કર્યો અને નિષ્પક્ષ તપાસની માગ કરી.</p><h3><b>શુક્રવારે ચેતન ચૌધરીની પોલીસ કસ્ટડી પૂર્ણ થશે</b></h3><p>તપાસ દરમિયાન પોલીસે સિયાને તે સ્થળે પણ લઈ ગઈ હતી, જ્યાં કથિત રીતે કેતન અગ્રવાલની હત્યાનું કાવતરું ઘડાયું હતું. ઉપરાંત, પુણેના માર્કેટ યાર્ડ વિસ્તારમાં આવેલા સિયાના નિવાસસ્થાનેથી ઘટનાના દિવસે પહેરેલા કપડાં પણ જપ્ત કરવામાં આવ્યા છે. શુક્રવારે સિયા ગોયલ અને સહઆરોપી ચેતન ચૌધરીની પોલીસ કસ્ટડી પૂર્ણ થઈ રહી છે. બંનેને વડગાંવ કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં પોલીસે વધુ પૂછપરછ માટે કસ્ટડી વધારવાની માગ કરી શકે છે.</p><p>પોલીસ તપાસ મુજબ લોહગઢ કિલ્લા પર સિયાએ પૂર્વનિર્ધારિત સંકેત આપ્યા બાદ તેના કથિત પ્રેમી ચેતન ચૌધરીએ કેતન અગ્રવાલને ખીણમાં ધક્કો માર્યો હતો, જેના કારણે તેનું મોત થયું હતું. હાલ સમગ્ર કેસની વિવિધ પાસાઓથી તપાસ ચાલુ છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/username-controversy-meity-notice-telegram-signal-after-whatsapp" target="_blank">આ પણ વાંચો : Username Controversy : વોટ્સએપ બાદ IT મંત્રાલયે 'ટેલીગ્રામ' અને 'સિગ્નલ' એપને પણ ફટકારી નોટિસ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/ObLwhFZJdoXf6fZLROlZhsdPfw17Z8WnkIuQVJwu.webp'/></item><item><title><![CDATA[Username Controversy : વોટ્સએપ બાદ IT મંત્રાલયે 'ટેલીગ્રામ' અને 'સિગ્નલ' એપને પણ ફટકારી નોટિસ ]]></title><link>https://sandesh.com/india/news/username-controversy-meity-notice-telegram-signal-after-whatsapp</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/username-controversy-meity-notice-telegram-signal-after-whatsapp</guid><pubDate>Thu, 02 Jul 2026 21:35:18 +05:30</pubDate><description><![CDATA[<p>કેન્દ્ર સરકારે મેસેજિંગ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ 'યુઝરનેમ' ફીચર અંગે તપાસનો વ્યાપ વધુ વિસ્તૃત કર્યો છે. ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય (MeitY)એ WhatsAppને નોટિસ મોકલ્યા બાદ હવે Telegram અને Signal એપ્લિકેશનને પણ સત્તાવાર નોટિસ ફટકારી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2072706219551392206"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>સરકારે સ્પષ્ટતા કરવા આપી સૂચના&nbsp;</b></h2><p>સરકારે બંને પ્લેટફોર્મને તેમના યુઝરનેમ ફીચર અંગે વિગતવાર સ્પષ્ટતા આપવા જણાવ્યું છે. ખાસ કરીને આ સુવિધાનો ઉપયોગ કરીને કોઈ વ્યક્તિ અન્યની ખોટી ઓળખ બનાવી શકે છે કે નહીં અને તેવા કિસ્સાઓને રોકવા માટે કયા સુરક્ષા પગલાં અમલમાં છે, તે અંગે માહિતી માગવામાં આવી છે.</p><h3><b>સરકારનો હેતુ ઓનલાઈન છેતરપિંડી રોકવાનો&nbsp;</b></h3><p>MeitYએ એ પણ પૂછ્યું છે કે યુઝરનેમ સિસ્ટમમાં ઓળખની ચકાસણી કેવી રીતે કરવામાં આવે છે અને જો કોઈ વ્યક્તિ અન્યનું નામ અથવા ઓળખનો દુરુપયોગ કરે તો તેની સામે પ્લેટફોર્મ કેવી રીતે કાર્યવાહી કરે છે. સરકારનો હેતુ ઓનલાઈન છેતરપિંડી, નકલી ઓળખ અને સાયબર ગુનાઓને રોકવા માટે ડિજિટલ પ્લેટફોર્મ્સની જવાબદારી વધુ મજબૂત બનાવવાનો છે. તાજેતરના સમયમાં મેસેજિંગ એપ્સ પર યુઝરનેમ આધારિત સંવાદની સુવિધા વધુ લોકપ્રિય બની રહી છે. જોકે, આ ફીચરનો દુરુપયોગ કરીને છેતરપિંડી અથવા કોઈ અન્ય વ્યક્તિ તરીકે રજૂ થવાના બનાવો પણ વધી શકે છે, જેને ધ્યાનમાં રાખીને સરકારે આ કાર્યવાહી હાથ ધરી છે.</p><h4><b>એપ્લિકેશન તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી</b></h4><p>હાલ WhatsApp, Telegram અને Signal તરફથી આ નોટિસ અંગે કોઈ સત્તાવાર જાહેર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. હવે સરકાર તેમના જવાબોના આધારે આગળની કાર્યવાહી અંગે નિર્ણય લઈ શકે છે. આ પગલું ડિજિટલ સુરક્ષા અને યુઝર્સના હિતોની સુરક્ષા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.</p><p><a href="https://sandesh.com/india/news/-political-news/crude-oil-rates-will-petrol-and-diesel-become-cheaper-what-did-union-minister-hardeep-singh-puri-say-know" target="_blank"><b>આ પણ વાંચો : Crude Oil Rates: શું સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ? કેન્દ્રીય મંત્રી Hardeep Singh Puriએ શુ કહ્યુ?, જાણો</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/d8mIbhUdsRTl6oCIOQKd1PqWhhQSENsQ9NldqPV5.webp'/></item><item><title><![CDATA[Flop To Hit : ફ્લોપ થવાના આરે પહોંચેલી આ ફિલ્મે કરી શાનદાર વાપસી, બોક્સ ઓફિસ પર પલટી ગઈ બાજી! ]]></title><link>https://sandesh.com/entertainment/news/main-vaapas-aaunga-movie-box-office-miracle-turn-around-from-flop-to-hit</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/main-vaapas-aaunga-movie-box-office-miracle-turn-around-from-flop-to-hit</guid><pubDate>Thu, 02 Jul 2026 18:05:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કેટલીક ફિલ્મો એવી હોય છે, જે બોક્સ ઓફિસ પર આવતાની સાથે જ કમાલ કરી દે છે, પરંતુ કેટલીક મૂવીઝ ટિકિટ બારી પર કમાણી કરવામાં સમય લે છે. એવો જ કંઈક હાલ ફિલ્મ મેં વાપસ આઉંગાનો છે. ફિલ્મ મેં વાપસ આઉંગાની વાત કરીએ તો રિલીઝના પહેલા અઠવાડિયે એવું લાગી રહ્યું હતું કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ થઈ જશે, પરંતુ એવું થયું નહીં અને ફિલ્મે ધમાકો કરી દીધો.</p><h2 style="text-align: justify; "><b>એક્શન કે મસાલાવાળી ફિલ્મ નથી</b></h2><p style="text-align: justify; ">આ ફિલ્મમાં કોઈ એક્શન કે મસાલા નથી, પરંતુ તેમ છતાં આની સ્ટોરી દર્શકોને ખુબ પસંદ આવી રહી છે. ફિલ્મમાં ભારત અને પાકિસ્તાનના ભાગલાના દર્દને પડદા પર બતાવવામાં આવ્યું છે. આ એક ઇમોશનલ ફિલ્મ છે.</p><h3 style="text-align: justify; "><b>ફિલ્મની સ્ટારકાસ્ટ</b></h3><p style="text-align: justify; ">ફિલ્મમાં નસીરુદ્દીન શાહ અને દિલજીત દોસાંજ સિવાય શરવરી વાઘ, વેદાંગ રૈના, બાનીતા સંધુ, રજત કપૂર, સંજય સુરી અને અંજના સુખાની જેવા શાનદાર કલાકારોએ કામ કર્યું છે.</p><h4 style="text-align: justify; "><b>ટ્રેડ એક્સપર્ટ્સે માની હતી ફ્લોપ</b></h4><p style="text-align: justify; ">શરૂઆતમાં ફિલ્મનું કલેક્શન જોઈને ટ્રેડ એક્સપર્ટ્સે આને ફ્લોપ માની લીધી હતી. પહેલા દિવસે આ ફિલ્મે માત્ર 1.15 કરોડ રૂપિયા કમાયા હતા. શરૂઆતના આખા અઠવાડિયામાં ફિલ્મ માત્ર 12.25 કરોડ રૂપિયાનો જ બિઝનેસ કરી શકી હતી, પરંતુ અસલી ટ્વિસ્ટ આના પછી આવ્યો.</p><h5 style="text-align: justify; "><b>અચાનક વધી ફિલ્મની કમાણી</b></h5><p style="text-align: justify; ">બીજા અઠવાડિયે ફિલ્મનું કલેક્શન અચાનક 80% કરતાં પણ વધુ વધી ગયું અને આણે સીધા 22.55 કરોડ રૂપિયા કમાઈ લીધા. સેકનિલ્કના આંકડા અનુસાર, ત્રીજા અઠવાડિયાના બુધવારે ફિલ્મે 1.40 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું, જે લગભગ સોમવારની કમાણી એટલે કે 1.50   કરોડ રૂપિયાની બરાબર છે.</p><h5 style="text-align: justify; "><b>ફિલ્મનું બજેટ</b></h5><p style="text-align: justify; ">ફિલ્મના ટોટલ બજેટની વાત કરીએ તો આને આશરે 70 કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવી છે. ફિલ્મનું કુલ નેટ કલેક્શન 50.95 કરોડ રૂપિયા સુધી પહોંચી ચૂક્યું છે. હવે જોવાનું એ રહેશે કે ફિલ્મની કમાણી ક્યાં જઈને અટકશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/urvashi-rautela-bought-2-bugatti-turbillion-hypercars-at-once-you-will-be-amazed-to-hear-the-price" target="_blank">આ પણ વાંચો-Urvashi Rautela એ એક સાથે ખરીદી 2 બુગાટી ટર્બિલિયન હાઇપરકાર, કિંમત સાંભળીને હોશ ઊડી જશે!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/faErwtniU8MYuRogObDTvgQsR0KVmsASKdcUjblQ.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026: સ્પેન સામે ઓસ્ટ્રિયાની ટક્કર, પોર્ટુગલનો રાઉન્ડ ઓફ 32માં ક્રોએશિયા સામે મેચ ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-round-of-32-day-22-schedule</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-round-of-32-day-22-schedule</guid><pubDate>Thu, 02 Jul 2026 17:01:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફિફા વર્લ્ડકપ 2026 માટે હાલમાં 32 રાઉન્ડની મેચો ચાલી રહી છે, જેમાં 10 ટીમો રાઉન્ડ ઓફ 16માં પોતાનું સ્થાન મેળવી ચૂકી છે. 6 ટીમો હજુ નક્કી થવાની બાકી છે.</p><p style="text-align: justify; ">વર્લ્ડકપના 22મા દિવસના શેડ્યૂલ પર નજર કરીએ તો કુલ 3 મેચો શેડ્યૂલ કરવામાં આવી છે, જેમાં સૌથી વધુ ફેન્સનું ધ્યાન સ્પેન અને ઓસ્ટ્રિયા વચ્ચેની મેચ તેમજ પોર્ટુગલ અને ક્રોએશિયા વચ્ચેની મેચ પર કેન્દ્રિત છે. ત્રીજી મેચ સ્વિટ્ઝર્લેન્ડ અને અલ્જીરિયા વચ્ચે રમાશે.</p><h2 style="text-align: justify; "><b>સ્પેન પોતાનું ફોર્મ જાળવી રાખવાનો કરશે પ્રયાસ</b></h2><p style="text-align: justify; ">ગ્રુપ Hનો ભાગ રહેલા સ્પેને પોતાના અભિયાનની શરૂઆત અપેક્ષા મુજબ કરી ન હતી, અને તેમની પહેલી મેચ ડ્રો રહી હતી. ત્યારબાદ સ્પેને પોતાની આગામી બંને મેચ જીતીને રાઉન્ડ ઓફ 32 માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું.&nbsp;</p><p style="text-align: justify; ">ગ્રુપ Jનો ભાગ રહેલા ઓસ્ટ્રિયાએ 1 જીત, 1 ડ્રો અને 1 હારી. તેથી આ મેચ તેમના માટે સરળ રહેશે નહીં. સ્પેન અને ઓસ્ટ્રિયા વચ્ચેનો આ રાઉન્ડ ઓફ 32 મેચ 3 જુલાઈએ ભારતીય સમય મુજબ રાત્રે 12:30 વાગ્યે રમાશે.</p><h3 style="text-align: justify; "><b>પોર્ટુગલ માટે ક્રોએશિયાનો પડકાર સરળ નહીં હોય</b></h3><p style="text-align: justify; ">જ્યારે પોર્ટુગલ રાઉન્ડ ઓફ 32 માં ક્રોએશિયા સામે ટકરાશે ત્યારે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સૌથી મોટી જવાબદારી નિભાવશે. ગ્રુપ સ્ટેજમાં પોર્ટુગલે ફક્ત 1 જ મેચ જીતી હતી, જ્યારે 2 મેચ ડ્રો રહી હતી. આ દરમિયાન ક્રોએશિયાએ ગ્રુપ સ્ટેજમાં 2 મેચ જીતી હતી અને 1 હારી હતી. પોર્ટુગલ અને ક્રોએશિયા વચ્ચે રાઉન્ડ ઓફ 32 ની મેચ 3 જુલાઈના રોજ ભારતીય સમય મુજબ સવારે 4:30 વાગ્યે રમાશે.</p><h4 style="text-align: justify; "><b>બધાની નજર સ્વિટ્ઝર્લેન્ડ અને અલ્જીરિયા વચ્ચેની મેચ પર પણ રહેશે</b></h4><p style="text-align: justify; ">સ્વિટ્ઝર્લેન્ડ રાઉન્ડ ઓફ 32માં અલ્જીરિયા સામે ટકરાશે. 2 જીત અને 1 ડ્રો સાથે ગ્રુપ Bમાં ટોપ પર રહેનાર સ્વિટ્ઝર્લેન્ડનો ગ્રુપ Jમાં ત્રીજા નંબરે રહીને અલ્જીરિયા સામે થોડો સરળ પડકાર રહેશે. બંને ટીમો વચ્ચેની મેચ 3 જુલાઈએ ભારતીય સમય મુજબ સવારે 8:30 વાગ્યે રમાશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/ishan-kishan-run-out-abhishek-sharma-stump-mic-video" target="_blank">Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/UlOMYKHll7TbOBQCUz0ohyMqWKRBH0PxqtOl9ZK0.webp'/></item></channel></rss>