<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[India News: ભારતમાં આ રાજ્યના લોકો પીવે છે સૌથી વધુ બિયર, આંકડા ચોંકાવી દેશે ]]></title><link>https://sandesh.com/india/news/knowledge/india-news-people-from-this-state-drink-the-most-beer-in-india-the-statistics-will-shock-you</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/knowledge/india-news-people-from-this-state-drink-the-most-beer-in-india-the-statistics-will-shock-you</guid><pubDate>Wed, 17 Jun 2026 18:09:17 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતમાં દારૂ અને બિયરના શોખીનોની કોઈ અછત નથી, પરંતુ શું તમે જાણો છો કે દેશમાં એક એવું રાજ્ય પણ છે જે બિયર પીવાના મામલે બાકીના તમામ રાજ્યોને પાછળ છોડી ચૂક્યું છે? નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક ફાઇનાન્સ એન્ડ પોલિસી (NIPFP) અને વિવિધ રાજ્યોના આબકારી વિભાગોના તાજેતરના ડેટા અનુસાર, તેલંગાણા ભારતમાં સૌથી વધુ બિયરનું વેચાણ કરતું રાજ્ય બની ગયું છે. અહીંના આંકડા એટલા ચોંકાવનારા છે કે જાણીને કોઈને પણ વિશ્વાસ નહીં થાય.</p><h2 style="text-align: justify; "><b>ઉનાળામાં માંગમાં 65% નો તોતિંગ વધારો</b></h2><p style="text-align: justify; ">તેલંગાણામાં બિયરની લોકપ્રિયતા માત્ર સામાન્ય દિવસો પૂરતી મર્યાદિત નથી. ખાસ કરીને ગરમીની સિઝનમાં અહીં બિયરની માંગ આસમાને પહોંચી જાય છે. કાળઝાળ ગરમી અને હીટવેવ (લૂ) દરમિયાન રાજ્યમાં બિયરના વેચાણમાં રેકોર્ડબ્રેક 65% સુધીનો વધારો નોંધાય છે. આ દિવસોમાં રાજ્યમાં દરરોજ અંદાજે 2.2 લાખથી 2.3 લાખ કેસ બિયરનો વપરાશ થાય છે, જે પોતાનામાં જ એક મોટો રેકોર્ડ છે.</p><h3 style="text-align: justify; "><b>ખર્ચ કરવામાં પણ તેલંગાણાના લોકો મોખરે</b></h3><p style="text-align: justify; ">આ રિપોર્ટ માત્ર વેચાણ પૂરતો મર્યાદિત નથી, પરંતુ ગ્રાહકોના ખર્ચ કરવાની ક્ષમતા પણ દર્શાવે છે. ડેટા અનુસાર, તેલંગાણાના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો પણ 'ઇન્ડિયન મેડ ફોરેન લિકર' (IMFL) અને બિયર પાછળ વાર્ષિક સરેરાશ ₹3,061 પ્રતિ વ્યક્તિ ખર્ચ કરે છે. ભારતના અન્ય કોઈપણ રાજ્યની સરખામણીમાં દારૂ પાછળ પ્રતિ વ્યક્તિ કરવામાં આવતો આ સૌથી વધુ ખર્ચ છે.</p><h4 style="text-align: justify; "><b>મુંબઈ-બેંગલુરુને પછાડી હૈદરાબાદ બન્યું 'બિયર કેપિટલ'</b></h4><p style="text-align: justify; ">તેલંગાણાની રાજધાની હૈદરાબાદ હવે દેશમાં બિયર વપરાશનું સૌથી મોટું હબ બની ગયું છે. બિયર વેચાણના મામલામાં હૈદરાબાદે દેશના મેટ્રો સિટીઝ ગણાતા મુંબઈ અને બેંગલુરુને પણ પાછળ છોડી દીધા છે. આંકડા દર્શાવે છે કે તેલંગાણામાં કુલ 972 લાઇસન્સ પ્રાપ્ત બાર છે, જેમાંથી 645 બાર તો માત્ર ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (GHMC)ની સીમામાં જ આવેલા છે.</p><h5 style="text-align: justify; "><b>સરકારની તિજોરી છલકાઈ: રેકોર્ડબ્રેક કમાણી</b></h5><p style="text-align: justify; ">બિયર અને દારૂના આ અસાધારણ વેચાણથી તેલંગાણા સરકારની આબકારી આવકમાં અધધ વધારો થયો છે. વર્ષ 2014-15માં રાજ્યની આબકારી આવક અંદાજે ₹10,000 કરોડ હતી, જે નાણાકીય વર્ષ 2023-24માં વધીને ₹36,493 કરોડ પર પહોંચી ગઈ છે. તહેવારોની સિઝનમાં તો આ કમાણી તમામ મર્યાદાઓ તોડી નાખે છે. ફક્ત ડિસેમ્બર 2025ના એક જ મહિનામાં આખા રાજ્યમાં ₹5,102 કરોડના દારૂ અને બિયરનું રેકોર્ડબ્રેક વેચાણ નોંધાયું હતું.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/world/news/giorgia-meloni-italian-pm-meloni-who-said-she-couldnt-quit-finally-quits-cigarette-addiction" target="_blank">આ પણ વાંચો:Giorgia Meloni: નથી છોડી શક્તી કહેનાર ઇટાલીના PM મેલોનીએ અંતે સિગારેટનું વ્યસન છોડ્યું</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/fqT3QNBxQfBwvbTnc4vLOMPgcIjSO5FWI4HRVDBD.webp'/></item><item><title><![CDATA[G7થી નારાજ China, બનાવશે અલગ ગ્લોબલ AI ઓર્ગેનાઈઝેશન, જાણો કયા દેશોને અપાશે આમંત્રણ? ]]></title><link>https://sandesh.com/world/news/business/china-upset-with-g7-will-create-a-separate-global-ai-organization-know-which-countries-will-be-invited</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/business/china-upset-with-g7-will-create-a-separate-global-ai-organization-know-which-countries-will-be-invited</guid><pubDate>Wed, 17 Jun 2026 17:52:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ચીને પોતાનું અલગ ગ્લોબલ AI કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન બનાવવાની જાહેરાત કરી છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">ચીને કરી મોટી જાહેરાત&nbsp;</h2><p style="text-align: justify; ">ચીનના વિદેશ પ્રધાન વાંગ યીનાના જણાવ્યા અનુસાર, બેઇજિંગ G7 દેશોની અમેરિકન AI મોડેલ્સની ઍક્સેસ ફક્ત તેમના વિશ્વસનીય સાથીઓ સુધી મર્યાદિત કરવાની ગુપ્ત યોજનાથી નારાજ છે. વિશ્વના સૌથી ધનિક રાષ્ટ્રોના સંગઠન, ફ્રાન્સમાં G7 સમિટ માટે સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો હતો. ચીનને આ મેગા-મીટિંગમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. જેનાથી બેઇજિંગ ખૂબ જ ગુસ્સે થયું છે. ચૂપ રહેવાને બદલે, શી જિનપિંગે અમેરિકા અને તેના શ્રીમંત સાથીઓને પાછળ છોડી દેવા માટે એક મોટો માસ્ટરસ્ટ્રોક રમ્યો છે.&nbsp;</p><h3 style="text-align: justify; ">અમેરિકા અને EU માટે રોષ&nbsp;</h3><p style="text-align: justify; ">G7 સમિટ સમાપ્ત થતાં જ, ચીને ગ્લોબલ AI કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન નામના પોતાના અલગ વૈશ્વિક જૂથની રચનાની જાહેરાત કરી. ચીનના વિદેશ મંત્રીએ પત્રકારોને સ્પષ્ટ કર્યું કે, ચીન હવે સમગ્ર વિશ્વ પર નિયંત્રણ મેળવવા માટે તૈયાર છે અને ગ્લોબલ એઆઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન દ્વારા અનેક દેશો સાથે એક અલગ જૂથ બનાવવા માંગે છે. G-7 સમિટમાંથી બાકાત રાખ્યા પછી, ચીન સંપૂર્ણપણે સમજી ગયું છે કે, અમેરિકા અને યુરોપિયન દેશો તેને ક્યારેય આગળ વધવા દેશે નહીં.&nbsp;</p><p style="text-align: justify; "><b>1. BRICS અને SCO ભાગીદારો</b></p><p style="text-align: justify; ">ચીનના ટોચના આર્થિક નીતિ નિર્માતા ઝાઓ હૈબિંગે સ્પષ્ટ કર્યું કે, બેઇજિંગ આ નવા જૂથને મજબૂત કરવા માટે BRICS અને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના પ્લેટફોર્મનો સંપૂર્ણ ઉપયોગ કરશે. આનો અર્થ એ છે કે રશિયા અને ઈરાન જેવા દેશો પણ આ જૂથમાં મોખરે રહેશે.</p><p style="text-align: justify; "><b>2. અમેરિકાથી નારાજ દેશો</b></p><p style="text-align: justify; ">ચીન અમેરિકાના પ્રતિબંધો અથવા ગુંડાગીરીથી પરેશાન દેશોને અમેરિકા સામે મજબૂત મોરચો બનાવવા માટે આ AI જૂથમાં જોડાવા માટે ખુલ્લેઆમ આમંત્રણ આપી રહ્યું છે. ચીનની ચીડ અને અચાનક જાહેરાત પાછળ બેઇજિંગને સ્તબ્ધ કરી દેતો એક ગુપ્ત યુએસ રિપોર્ટ છે. G-7 સમિટ દરમિયાન, એક ગુપ્તચર રાજદ્વારી અહેવાલ લીક થયો હતો, જેમાં ખુલાસો થયો હતો કે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, કેનેડા, ઇટાલી અને જાપાન એક સંકલિત રમત રમી રહ્યા છે. આ શ્રીમંત દેશો સાથે મળીને એક યોજના બનાવવા માટે કામ કરી રહ્યા છે જે યુનાઇટેડ સ્ટેટ્સમાં વિકસિત સુપર-એડવાન્સ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડેલ્સની ઍક્સેસ ફક્ત તેમના વિશ્વસનીય ભાગીદારો ના પસંદગીના જૂથને આપશે.&nbsp;</p><h4 style="text-align: justify; ">નબળા બિંદુ પર નિશાન</h4><p style="text-align: justify; ">આ વખતે, ચીને અમેરિકા પર હુમલો કરવા માટે ખૂબ જ ચાલાક રણનીતિ પસંદ કરી છે. તેણે અમેરિકાના સૌથી નબળા બિંદુને નિશાન બનાવ્યું છે. પૈસા અને પ્રતિબંધો. ચીને વૈશ્વિક શાસન પર એક શ્વેતપત્ર બહાર પાડ્યું. જેમાં અમેરિકાના વલણને મનસ્વી, સ્વાર્થી અને સર્વશક્તિમાન ગણાવ્યું. ચીને અમેરિકાનો સામનો કરવા માટે આ નવું ફોર્મ્યુલા ઘડી કાઢ્યું છે.</p><h5 style="text-align: justify; ">નવી પહેલ શરૂ&nbsp;</h5><p style="text-align: justify; ">અમેરિકાના વિશાળ અને શક્તિશાળી AI મોડેલો અત્યંત મોંઘા છે અને તેમને નોંધપાત્ર સબ્સ્ક્રિપ્શન ફીની જરૂર પડે છે. તેનાથી વિપરીત, ચીન વિશ્વને મફત અથવા ખૂબ જ સસ્તું AI મોડેલો ઓફર કરી રહ્યું છે જે સંપૂર્ણપણે ડાઉનલોડ કરી શકાય છે. ચીને એઆઈ કેપેસિટી બિલ્ડીંગ ફોર ઓલ નામની એક નવી પહેલ શરૂ કરી છે. આ પહેલ દ્વારા, તે ગરીબ અને વિકાસશીલ દેશોને માત્ર તેની ટેકનોલોજી જ પૂરી પાડશે નહીં પરંતુ તેમના લોકોને તાલીમ પણ આપશે.</p><h6 style="text-align: justify; ">નવા મોર્ચાની શરૂઆત&nbsp;</h6><p style="text-align: justify; ">જોકે ગયા મહિને, ભારત, યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીન AI સુરક્ષા અંગે કેટલાક મૂળભૂત નિયમો સ્થાપિત કરવા માટે સંમત થયા હતા. પરંતુ G-7માં થયેલા આ તાજેતરના વિકાસથી તે ચર્ચાનો અંત આવ્યો છે. હવે સ્પષ્ટ છે કે, આગામી દિવસોમાં, વિશ્વ ફક્ત શસ્ત્રો અને વેપાર મોરચે જ નહીં, પરંતુ AI ટેકનોલોજી મોરચે પણ એક નવું 'શીત યુદ્ધ' જોશે. હવે જોવાનું એ રહે છે કે કેટલા દેશો આ નવા જૂથમાં શી જિનપિંગના આમંત્રણને સ્વીકારે છે અને અમેરિકા આ ​​ચીની ઘેરાબંધીને કેવી રીતે તોડી શકશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/india/news/gulf-of-oman-attack-bodies-of-two-sailors-brought-to-india-died-in-us-attack" target="_blank">બે ખલાસીઓના મૃતદેહ ભારત લાવવામાં આવ્યા, અમેરિકાના હુમલામાં થયુ હતુ મોત</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/fZnENG3ksoMcdETvJO3Yt0ZrSOXwtDSfp6QbPXJ8.webp'/></item><item><title><![CDATA[Bhavnagar : પાલીતાણામાં રોડના કામમાં ભ્રષ્ટાચાર, લાખો રૂપિયાના ખર્ચે બનેલો નવો RCC રોડ તોડી પડાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/bhavnagar/palitana-rcc-road-corruption-new-road-demolished</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/bhavnagar/palitana-rcc-road-corruption-new-road-demolished</guid><pubDate>Wed, 17 Jun 2026 17:51:46 +05:30</pubDate><description><![CDATA[<p>ભાવનગર જિલ્લાના પાલીતાણા વિસ્તારમાં નવનિર્મિત આરસીસી રોડના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે. થોડા જ સમય પહેલા લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો આ નવો રોડ ટૂંક સમયમાં જ તૂટી પડતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ટેસ્ટિંગ સેમ્પલ ફેલ થવાના કારણે પાલિકાએ તાત્કાલિક કાર્યવાહી કરીને રોડનો એક ભાગ તોડી નાખ્યો છે.</p><h2><b>પાલિકા દ્વારા અડધો રોડ તોડી પાડવામાં આવ્યો</b></h2><p>સ્થાનિકોના જણાવ્યા મુજબ, રોડનું નિર્માણ ગુણવત્તા વગર અને નિયમોનું પાલન કર્યા વગર કરવામાં આવ્યું હતું. પરિણામે થોડા જ દિવસોમાં રોડ ખરાબ હાલતમાં પહોંચી ગયો હતો. પાલિકા દ્વારા અડધો રોડ તોડી પાડવામાં આવ્યો હોવા છતાં આખો રોડ કેમ ન તોડવામાં આવ્યો તે અંગે પણ સ્થાનિકોમાં સવાલો ઊભા થયા છે. લોકોનો આરોપ છે કે ટેક્સના પૈસાનો યોગ્ય ઉપયોગ કરવામાં આવ્યો નથી અને સરકારી નાણાંનો વ્યર્થ ખર્ચ થયો છે.</p><h3><b>ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી</b></h3><p>આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે નારાજગી ફેલાઈ છે. ખાસ કરીને રત્નકલાકારો અને રોજિંદા મુસાફરી કરતા લોકો માટે અવરજવર ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. રોડ ખરાબ થતાં ટ્રાફિક અને અકસ્માતની શક્યતાઓ પણ વધી ગઈ છે. સ્થાનિક ડાયમંડ એસોસિયેશન દ્વારા આ મામલે ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે અને તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે. લોકોનું કહેવું છે કે જો યોગ્ય ગુણવત્તા નિયંત્રણ કરવામાં આવ્યું હોત તો આવી સ્થિતિ ઊભી ન થાત.</p><p>પાલિકા તંત્ર તરફથી જણાવાયું છે કે રોડના કામમાં ખામી સામે આવી છે અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે આ મામલે જવાબદારો સામે કેટલી કડક કાર્યવાહી થાય છે અને સ્થાનિકોને ક્યારે યોગ્ય રોડ સુવિધા મળે છે.<br><br><b><a href="https://sandesh.com/gujarat/news/vadodara/teachers-protest-across-22-gujarat-districts-against-mandatory-tet" target="_blank">આ પણ વાંચો : Vadodara News : 2010 પહેલાના શિક્ષકો માટે TET ફરજિયાત સામે વિરોધ, 22 જિલ્લામાં ધરણા પ્રદર્શન</a></b></p><p><br></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/dcjHZP6pcT8QAZg0I2n8W7iJ4BXMQvvoCxjaiXcp.webp'/></item><item><title><![CDATA[Kachchh News : ઇબોલા પ્રભાવિત કોગોમાં ફસાયેલા ભુજના પ્રોફેસરની વતન વાપસીનો માર્ગ મોકળો ]]></title><link>https://sandesh.com/gujarat/news/bhuj/bhuj-professor-stranded-in-dr-congo-to-return-home</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/bhuj/bhuj-professor-stranded-in-dr-congo-to-return-home</guid><pubDate>Wed, 17 Jun 2026 17:41:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાત સરકારના ત્વરિત હસ્તક્ષેપથી ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના ગોમા શહેરમાં લગભગ એક મહિનાથી ફસાયેલા ભુજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. અમીન સમાને સુરક્ષિત રીતે વતન પાછા ફરવાનો માર્ગ મોકળો કરી આપ્યો છે.  ઇબોલા સંબંધી ચિંતાઓને કારણે રવાંડા અને કોંગો દેશની સરહદો પર લાગુ કરાયેલા પ્રતિબંધોને કારણે તેઓ ત્યાં ફસાઈ ગયા હતા.</p><h2 style="text-align: justify; "><b>ડૉ. સમાની મુસાફરીની યોજના ખોરવાઈ ગઈ</b></h2><p style="text-align: justify; ">ભારતીય નાગરિક અને ભુજની આર.આર. લાલન કોલેજમાં સહાયક અદ્યાપક તરીકે ફરજ બજાવતા ડૉ. અમીન સમા 15 મે, 2026ના રોજ કિગાલી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મારફતે રવાંડા પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ બાળપણના મિત્રને મળવા કાયદેસર રીતે ડીઆરસીના ગોમા શહેરમાં પ્રવેશ્યા હતા અને ત્યાંથી તાન્ઝાનિયાની મુલાકાતે જવાનું આયોજન હતું. જોકે, માત્ર બે દિવસ બાદ ઇબોલા ફાટી નીકળવાની આશંકાને ધ્યાનમાં રાખીને રવાંડા સરકારે ડીઆરસી સાથેની સરહદ બંધ કરી દીધી, જેના કારણે તેઓ કિગાલી પરત ફરી શક્યા નહોતા. અચાનક સરહદ બંધ થતાં ડૉ. સમાની મુસાફરીની યોજના ખોરવાઈ ગઈ અને 31 મેના રોજ ભારત પરત આવવાની તેમની નિર્ધારિત ફ્લાઇટ પણ ચૂકી ગયા.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>ભારતીય દૂતાવાસોને રજૂઆતો મોકલવામાં આવી</b></h3><p style="text-align: justify; ">ડૉ. અમીન સમાએ ભારત પરત ફરવા માટે મદદ મેળવવા નાયબ મુખ્યમંત્રીની કચેરીનો સંપર્ક કર્યો હતો અને મદદ માટે વિનંતી કરી હતી. આ મામલો હર્ષ સંઘવીની કચેરીનાં ધ્યાન પર આવતા ફસાયેલા નાગરિકને યોગ્ય સહાય અને હસ્તક્ષેપ મળી રહે તે માટે તાત્કાલિક જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને સંબંધિત સત્તાધિકારીઓ સાથે સંકલન કર્યુ. ગુજરાત રાજ્ય બિનનિવાસી ગુજરાતી ફાઉન્ડેશને તાત્કાલિક આ મામલો હાથમાં લીધો હતો.ફાઉન્ડેશને ઝડપથી ભારત સરકારના વિદેશ મંત્રાલય અને સંબંધિત ભારતીય રાજદ્વારી મિશનો સાથે સંકલિત પ્રયાસો શરૂ કર્યા. 10 જૂનના રોજ નવી દિલ્હી સ્થિત અધિકારીઓ તેમજ રવાંડા અને ડીઆરસી સંબંધિત બાબતો સંભાળતી ભારતીય દૂતાવાસોને રજૂઆતો મોકલવામાં આવી હતી.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ઇબોલા પ્રભાવિત વિસ્તારની મુલાકાત લીધી નહોતી</b></h2><p style="text-align: justify; ">ડૉ. સમાએ સત્તાધિકારીઓને જાણ કરી હતી કે તેમણે કોઈપણ ઇબોલા પ્રભાવિત વિસ્તારની મુલાકાત લીધી નહોતી અને તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ તેમજ લક્ષણમુક્ત હતા. તેમણે રવાંડા, ડીઆરસી અથવા ભારતના સત્તાધિકારીઓ જરૂરી માને તેવી કોઈપણ તબીબી તપાસ, ક્વોરન્ટાઇન પ્રક્રિયા, ઇબોલા ટેસ્ટ, ઇમિગ્રેશન ચકાસણી અથવા અન્ય પ્રક્રિયાઓ માટે પણ તૈયારી દર્શાવી હતી. 18 જૂનની તેમની પુનઃનિર્ધારિત વતન પાછા ફરવાની ફ્લાઇટ નજીક આવતાં ફાઉન્ડેશને પોતાના પ્રયાસોને વધુ વેગ આપ્યો હતો અને અધિકારીઓ સાથે દિવસમાં અનેક વખત સંપર્ક સાધ્યો હતો.  સતત પ્રયાસોના પરિણામે આખરે સકારાત્મક સફળતા મળી હતી.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>મંજૂરીઓ અને પરવાનગીઓ મળી ગઈ</b></h3><p style="text-align: justify; ">17 જૂનના રોજ ડૉ. સમાને ટ્રાન્ઝિટ અને ભારત પરત ફરવા માટે જરૂરી તમામ કાનૂની મંજૂરીઓ અને પરવાનગીઓ મળી ગઈ હતી, જેના કારણે 18 જૂનના રોજ તેમની સુરક્ષિત વતન વાપસીનો માર્ગ મોકળો બન્યો હતો. મંજૂરી મળ્યા બાદ ડૉ. સમાએ આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, મને હમણાં જ મુસાફરી માટેની પરવાનગી મળી છે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન આપેલા સહયોગ અને મદદ બદલ હું હૃદયપૂર્વક આભારી છું.આ મુશ્કેલ સમયમાં આપની સહાય મારા માટે અત્યંત મહત્વપૂર્ણ રહી છે અને આપના પ્રયાસો તથા ઉદારતાને હું હંમેશા કૃતજ્ઞતાપૂર્વક યાદ રાખીશ.</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/breakingnews/kutch/adipur-bhuj-railway-project-doubling-track-493-crore-approved" target="_blank">આ પણ વાંચોઃ Adipur-Bhuj Rail Projectના ડબલિંગ માટે 493 કરોડ મંજૂર, કચ્છના વિકાસની રફ્તાર વધશે</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/X5H8KjuxlgJ0t3fSXIIJVPNH3mXWs0ml1TinLvXX.webp'/></item><item><title><![CDATA[Casting Couch : 'કપડાં ઉતારો..!' બોલીવુડની આ એક્ટ્રેસીસ પાસે કામના બદલામાં કરવામાં આવી આવી ગંદી ડિમાન્ડ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/bollywood-actresses-shocking-casting-couch-revelations</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/bollywood-actresses-shocking-casting-couch-revelations</guid><pubDate>Wed, 17 Jun 2026 17:39:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ટીવી એક્ટ્રેસ સંચિતા ઉગલેએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ અભિનેત્રીના આ પગલાએ દરેક વ્યક્તિને આશ્ચર્યચકિત કરી દીધી છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે સંચિતા ડિપ્રેશનમાં હતા. તેમના ભાઈએ પણ ખુલાસો કર્યો છે કે સંચિતાને કાસ્ટિંગ એજન્ટ પરેશાન કરી રહ્યા હતા. સંચિતાની આત્મહત્યા પછી અભિનેત્રી આંચલ ખુરાનાએ પણ ગ્લેમર ઇન્ડસ્ટ્રીના કાળા સચ્ચાઈ પરથી પડદો ઉઠાવતા કહ્યું કે જો તમે કોઈની સાથે સૂશો નહીં તો તમને રિપ્લેસ કરી દેવામાં આવે છે. ટીવીની ઘણી અભિનેત્રીઓ પહેલાથી જ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ અને કોમ્પ્રોમાઈઝને લઈને મૌન તોડી ચૂકી છે.</p><h2 style="text-align: justify; "><p><b>લવીના ટંડન</b></p></h2><p style="text-align: justify; ">જોધા અકબરમાં રુકૈયા બેગમના પાત્રથી ફેમસ થયેલી લવીના ટંડનને પણ કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો હતો. બોલીવુડ બબલ સાથે વાત કરતા, લવીનાએ તાજેતરમાં જણાવ્યું હતું કે એક કાસ્ટિંગ ડાયરેક્ટરે તેમને સાઉથની એક ફિલ્મમાં રોલ માટે અપ્રોચ કર્યો હતો. જ્યારે તેમણે ફિલ્મના બજેટ વિશે પૂછ્યું, તો ડાયરેક્ટરે 5 લાખ રૂપિયાની ઓફર આપી. જો કે, બાદમાં તેણે કહ્યું કે જો તેઓ કોમ્પ્રોમાઈઝ કરવા તૈયાર હોય, તો ફિલ્મનું બજેટ 7 લાખ રૂપિયા સુધી થઈ શકે છે.</p><p style="text-align: justify; "><img title="Divyanka Tripathi, Madalsa Sharma, Kishwer Merchant (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/06/17/NzFZcSnJmoVAsBXBmFFgeygI8Mp2qh9moUxQL8ub.webp"><br></p><h2 style="text-align: justify; "><b>બરખા સિંહ</b></h2><p style="text-align: justify; ">હોટફ્લાય સાથેની વાતચીતમાં બરખા સિંહે પોતાના કાસ્ટિંગ કાઉચના ડરામણા અનુભવ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું, કોઈએ મને ઈમેલ પર આ મોકલ્યું હતું. મને લાગે છે કે આ સાઉથના કોઈ પ્રોજેક્ટ માટે હતું, અને મારી પાસે આનો પુરાવો પણ છે જેમાં તે વ્યક્તિએ લખ્યું હતું, આટલા દિવસોનું શૂટિંગ હશે અને વાઇટલ્સ ઓછામાં ઓછું 36 હોવું જોઈએ. આમાં સમજોતો કરવો પડશે જો તમે આ વાત લખીને આપી રહ્યા છો, તો એનો અર્થ એ છે કે તમે આના માટે તૈયાર છો.</p><p style="text-align: justify; "><img title="Divyanka Tripathi, Madalsa Sharma, Kishwer Merchant (2)" src="https://epapercdn.sandesh.com/images/2026/06/17/r0EPejMY9hKfegLPmpOvqJax9GxlATVLjH5vrRki.webp"><br></p><h2 style="text-align: justify; "><b>દિવ્યાંકા ત્રિપાઠી</b></h2><p style="text-align: justify; ">બોલીવુડ બબલ સાથેની વાતચીત દરમિયાન દિવ્યાંકાએ જણાવ્યું હતું કે એક સમય એવો હતો જ્યારે તેમની પાસે પૈસા નહોતા અને તેમના પર ઘણું દબાણ હતું. તેમણે જણાવ્યું કે તેમને એક ઓફર મળી અને તેમને કહેવામાં આવ્યું, તમારે આ ડાયરેક્ટર સાથે રહેવું પડશે અને તમને મોટો બ્રેક મળશે, એક્ટ્રેસે કહ્યું કે તેમની સાથે એવી રીતે વાત કરવામાં આવી જાણે કે દરેક વ્યક્તિ એવું જ કરી રહી હોય.</p><p style="text-align: justify; "><img title="Divyanka Tripathi, Madalsa Sharma, Kishwer Merchant (3)" src="https://epapercdn.sandesh.com/images/2026/06/17/4cVxm50yZi42DeA6DrrkEE2QmFKVj61NwWKAb9uP.webp"><br></p><h2 style="text-align: justify; "><b>મદાલસા શર્મા</b></h2><p style="text-align: justify; ">અનુપમા ફેમ એક્ટ્રેસ મદાલસા શર્માએ ઈટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યુમાં કાસ્ટિંગ કાઉચ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ક્યારેક-ક્યારેક તમે એવા લોકોને મળો છો જે કદાચ એ વસ્તુઓમાં વધુ રસ ધરાવે છે જેને આપવા માટે તમે બિલકુલ તૈયાર નથી એક્ટ્રેસે જણાવ્યું કે જ્યારે પણ તેમને કોઈની હાજરીમાં કે મીટિંગ દરમિયાન અસ્વસ્થતા અનુભવાઈ, તો તેઓ બસ ઊભા થઈને ચાલ્યા ગયા. તેમણે કહ્યું કે આ એક અંગત નિર્ણય છે.</p><p style="text-align: justify; "><img title="Divyanka Tripathi, Madalsa Sharma, Kishwer Merchant (5)" src="https://epapercdn.sandesh.com/images/2026/06/17/xifoaTUN6uf3XApGlHSdok7otstJfM2MKjEMhxce.webp"></p><h2 style="text-align: justify; "><b>સ્નેહા જૈન</b></h2><p style="text-align: justify; ">'સાથ નિભાના સાથિયા 2' ની એક્ટ્રેસ સ્નેહા જૈને પણ એકવાર ઈટાઇમ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેમને એક સાઉથ ફિલ્મની ઓફર મળી હતી અને ડાયરેક્ટર તથા પ્રોડ્યુસરને મળવા માટે તેમને હૈદરાબાદ જવું પડ્યું હતું. બાદમાં તેમને કહેવામાં આવ્યું કે તેમણે કોમ્પ્રોમાઈઝ કરવું પડશે અને કોન્ટ્રાક્ટ સાઇન કર્યા પછી ડાયરેક્ટર સાથે સમય વિતાવવો પડશે અને તેઓ જે પણ કહે, તે કરવું પડશે.&nbsp;</p><p style="text-align: justify; "><img title="Divyanka Tripathi, Madalsa Sharma, Kishwer Merchant (4)" src="https://epapercdn.sandesh.com/images/2026/06/17/ajGSYPjtgMdBCgURxETWjxVvxXiPQlRyyfnQwHo0.webp"><br></p><h2 style="text-align: justify; "><b>કિશ્વર મર્ચન્ટ</b></h2><p style="text-align: justify; ">ઘણા ટીવી શોનો હિસ્સો રહેલી કિશ્વરે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે એકવાર તેમને એક હીરો સાથે સૂવા માટે કહેવામાં આવ્યું હતું. એક્ટ્રેસે એવું કરવાની ના પાડી દીધી અને મીટિંગમાંથી ચાલ્યા ગયા હતા.</p><p style="text-align: justify; "><img title="Divyanka Tripathi, Madalsa Sharma, Kishwer Merchant (6)" src="https://epapercdn.sandesh.com/images/2026/06/17/f9jFOSHgxrl50JZzCwcZZ6uFv4x97x6nS9PrXXe3.webp"><br></p><h2 style="text-align: justify; "><b>આરાધના શર્મા</b></h2><p style="text-align: justify; ">તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અને સ્પ્લિટ્સવિલા જેવા શોનો હિસ્સો રહેલી આરાધના શર્માએ પોતાની સાથે થયેલી એક ડરામણી ઘટના વિશે જણાવ્યું હતું. તેણે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે તે એક રોલના સિલસિલામાં રાંચી ગઈ હતી અને સ્ક્રિપ્ટ રીડિંગ દરમિયાન તેને ખોટી રીતે અડવામાં આવ્યું હતું. તેણે તે માણસને ધક્કો માર્યો અને ત્યાંથી ભાગી ગઈ હતી.</p><p style="text-align: justify; "><img title="Divyanka Tripathi, Madalsa Sharma, Kishwer Merchant (7)" src="https://epapercdn.sandesh.com/images/2026/06/17/ayl817Of7jz8sWCwkwC5PqOnGYeuUUkHs3HQhgNS.webp"><br></p><h2 style="text-align: justify; "><b>જેસ્મિન ભસીન</b></h2><p style="text-align: justify; ">બિગ બોસ 14 ફેમ જેસ્મિન ભસીને પણ પોતાના કાસ્ટિંગ કાઉચ અનુભવ વિશે જણાવ્યું હતું. દ હિમાંશુ મહેતા શો પર વાતચીત દરમિયાન, એક્ટ્રેસે કહ્યું હતું કે એક ડાયરેક્ટરે તેની સાથે હદ પાર કરવાનો પ્રયત્ન કર્યો હતો.</p><p style="text-align: justify; "><img title="Divyanka Tripathi, Madalsa Sharma, Kishwer Merchant (8)" src="https://epapercdn.sandesh.com/images/2026/06/17/GzgFr6p6lEoFc6kAuQiTdMnufakbe08CyOHQToec.webp"><br></p><p style="text-align: justify; "> </p><p style="text-align: justify; ">જેસ્મિને જણાવ્યું હતું, હું મીટિંગ માટે ગઈ હતી, સૌથી પહેલા તો હું એક માણસને ડ્રિંક કરતા અને મને ઓડિશન આપવા માટે કહેતા જોઈને ડરી ગઈ, અને કોઓર્ડિનેટર પણ રૂમમાંથી ચાલ્યો ગયો. તો મેં તેને કહ્યું, સર, ઠીક છે, હું સીન તૈયાર કરી લઈશ અને કાલે પાછી આવીશ. તેણે કહ્યું, ના, ના, તારે અત્યારે જ કરવું પડશે તો મેં કર્યું. તેણે મને કહ્યું, ના, એવી રીતે નહીં. મેં તેવું કર્યું, તેણે કહ્યું, ના, એવી રીતે નહીં. તારે કરવું પડશે... તેણે મને બંધ કરી દીધી અને કંઈક...તે કંઈક બીજું કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ ઠીક છે, પછી મેં મારી સમજદારીનો ઉપયોગ કર્યો અને ત્યાંથી ભાગી ગઈ.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/tmkoc-17-years-trp-number-1-comedy-show-actor-role" target="_blank">આ પણ વાંચો-TMKOC : 17 વર્ષથી TRPમાં ટોપ પર છે આ કોમેડી શો, 53 વર્ષનો એક્ટર નિભાવી રહ્યો છે 70 વર્ષના વૃદ્ધનું પાત્ર!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/uhvA24sgdv9uFf1vf6BjsFD72A0MHXA8DgGzQiI8.webp'/></item><item><title><![CDATA[Rajkot News: વિધર્મીના ત્રાસથી હિન્દુ પરિણીતાએ એસિડ પી કર્યો આત્મહત્યાનો પ્રયાસ ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/love-jihad-case-afzal-sida-threat-acid-suicide-attempt-rape</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/love-jihad-case-afzal-sida-threat-acid-suicide-attempt-rape</guid><pubDate>Wed, 17 Jun 2026 17:36:03 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ શહેરમાંથી લવ જેહાદ અને બ્લેક મેઇલિંગનો એક અત્યંત ચોંકાવનારો અને સનસનાટીભરી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક વિધર્મી શખ્સ દ્વારા હિન્દુ પરિણીતાને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ ધર્મ પરિવર્તન કરવા અને લગ્નજીવન તોડી નાખવા માટે સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ અસહ્ય ત્રાસ અને બ્લેક મેઇલિંગથી કંટાળીને આખરે ગત રાત્રે પરિણીતાએ એસિડ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે.</p><h2><b>ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક અને હોટલમાં દુષ્કર્મ</b></h2><p>ઘટનાની મળતી માહિતી અનુસાર, પીડિત હિન્દુ પરિણીતા આશરે એક વર્ષ પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ મારફતે અફઝલ સીદા નામના મુસ્લિમ શખ્સના સંપર્કમાં આવી હતી. આ પરિચયનો ગેરલાભ ઉઠાવીને અફઝલે પરિણીતાને ગોંડલ રોડ પર આવેલી એક હોટલમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. આટલેથી ન અટકતા, આરોપી અફઝલે પીડિતાના વાંધાજનક ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી બ્લેક મેઇલિંગ શરૂ કર્યું હતું.</p><h2><b>ધર્મ પરિવર્તન કરવા અને દરગાહમાં લઈ જવા દબાણ</b></h2><p>છેલ્લા છ મહિનાથી આરોપી અફઝલ પરિણીતા પર તેનું ચાલુ લગ્નજીવન તોડી નાખવા અને ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા માટે સતત દબાણ કરી રહ્યો હતો. આ કાળા કારસ્તાનમાં અફઝલની સાગરીત અનિશા નામની યુવતી પણ સામેલ હોવાનો ખુલાસો થયો છે. અનિશા પણ પરિણીતાને તેનું ઘર તોડીને અફઝલ સાથે ભાગી જવા મજબૂર કરતી હતી. આક્ષેપ મુજબ, અફઝલ પરિણીતાને બળજબરીપૂર્વક દરગાહમાં લઈ જતો, ત્યાં દોરો બાંધતો અને કોઈ પાણી પીવડાવીને ધર્મ પરિવર્તન કરવા માટે ધાક-ધમકી આપતો હતો.</p><h2><b>વારંવારની રજૂઆત છતાં પોલીસ કામગીરી સામે સવાલ</b></h2><p>આરોપી અફઝલ સીદા ગુનાહિત માનસિકતા ધરાવે છે, અને તેની સામે અગાઉ પણ અલગ-અલગ ગુનાઓમાં ત્રણ વખત FIR નોંધાઈ ચૂકી છે. પીડિતાના પરિવારજનોનો ગંભીર આક્ષેપ છે કે, અફઝલના આ ત્રાસ અંગે અગાઉ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપવામાં આવી હતી, તેમ છતાં પોલીસે સમયસર કોઈ નક્કર કાર્યવાહી કરી ન હતી. પોલીસની આ ઢીલી નીતિના કારણે આરોપી બેફામ બન્યો હતો, અને આખરે કંટાળીને પરિણીતાએ મોતનું વહાલું કરવા એસિડ ગટગટાવી લીધું હતું.</p><h2><b>સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ</b></h2><p>હાલમાં પરિણીતાને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. લવ જેહાદ અને દુષ્કર્મની આ ગંભીર ઘટનાને પગલે હિન્દુ સંગઠનો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારે આરોપી અફઝલ અને તેની સાગરીત અનિશા સામે તાત્કાલિક કડક કાયદાકીય પગલાં ભરવાની માગ કરી છે. પોલીસ હાલ આ મામલે સઘન તપાસ ચલાવી રહી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/crime/rajkot/gujctoc-case-ramdev-dangar-gang-3-accused-arrested" target="_blank">Rajkot : રામદેવ ડાંગરની ટોળકી વિરુદ્ધ ગુજસીટોક દાખલ, ક્રાઈમ બ્રાન્ચે 5માંથી 3 આરોપીની કરી ધરપકડ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/LDAkAwLRyoF0LSlcRsJ4n3sG49fAnMkS9lwloOP9.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup: ક્રિસ્ટિયાનો રોનાલ્ડો તેના છઠ્ઠા વર્લ્ડકપમાં રમશે, એક ગોલ કરીને રચશે ઈતિહાસ ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/cristiano-ronaldo-sixth-fifa-world-cup-portugal</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/cristiano-ronaldo-sixth-fifa-world-cup-portugal</guid><pubDate>Wed, 17 Jun 2026 17:33:07 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફિફા વર્લ્ડકપમાં પ્રખ્યાત સ્ટાર્સના શાનદાર પ્રદર્શન વચ્ચે જ્યારે પોર્ટુગલનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો તેની પહેલી મેચમાં કોંગો સામે રમશે, ત્યારે બધાની નજર આ 41 વર્ષના દિગ્ગજ ખેલાડી પર હશે જે પોતાનો છઠ્ઠો વર્લ્ડકપ રમી રહ્યો છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>મેસીએ હેટ્રિક ફટકારીને જર્મનીના મિરોસ્લાવ ક્લોઝના 16 ગોલના રેકોર્ડની બરાબરી કરી</b></h2><p style="text-align: justify; ">ફ્રાન્સના કાયલિયન એમબાપ્પે અને નોર્વેના એર્લિંગ નેધરલેન્ડ્સે પહેલી મેચમાં 2-2 ગોલ કર્યા છે, જ્યારે આર્જેન્ટિનાના લિયોનેલ મેસીએ હેટ્રિક ફટકારીને જર્મનીના મિરોસ્લાવ ક્લોઝના 16 ગોલના રેકોર્ડની બરાબરી કરી છે.</p><p style="text-align: justify; ">રોનાલ્ડો 6 વર્લ્ડકપમાં ગોલ કરનાર પ્રથમ ખેલાડી બનવા પણ માગશે. આ મેસ્સીનો છઠ્ઠો વર્લ્ડકપ પણ છે, પરંતુ તે 2010 માં ગોલ કરવામાં નિષ્ફળ ગયો. ગયા અઠવાડિયે ટીમના પ્રસ્થાન પહેલાં પોર્ટુગલમાં રોનાલ્ડોએ કહ્યું હતું કે, "અમે મેચ દર મેચ અમારી રણનીતિ વિકસાવીશું. સારી શરૂઆત ખૂબ જ મહત્વપૂર્ણ છે."</p><h3 style="text-align: justify; "><b>પોર્ટુગલ માટે રોનાલ્ડોનું ફોર્મ ખૂબ જ મહત્વપૂર્ણ છે</b></h3><p style="text-align: justify; ">રોનાલ્ડો 2022ના કતાર વર્લ્ડકપમાં ફક્ત એક જ ગોલ કરી શક્યો હતો, સાઉથ કોરિયા સામેની મેચ દરમિયાન તેને મેદાનની બહાર મોકલી દેવામાં આવ્યો હતો અને સ્વિટ્ઝર્લેન્ડ સામેની નોકઆઉટ સ્ટેજ મેચમાં પણ તે બેન્ચ પર હતો.&nbsp;</p><p style="text-align: justify; ">યુરો ચેમ્પિયનશિપ 2024માં પણ તે ગોલ કરી શક્યો ન હતો. પરંતુ તેને સ્પેન સામેની ફાઈનલમાં બરાબરીનો ગોલ સહિત 8 ગોલ કરીને પોર્ટુગલને UEFA નેશન્સ લીગ જીતવામાં મદદ કરી હતી. તેને અલ નાસરને તેમના પ્રથમ સાઉદી પ્રો લીગ ટાઈટલ સુધી પણ પહોંચાડ્યું હતું અને ક્લબ માટે 28 ગોલ કર્યા છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/entertainment/virat-kohli-photos-with-son-akaay-anushka-sharma" target="_blank">Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/QnL7ac4RUxRfEEDwrOooz8lfdGyfrqrELCGDeW8B.webp'/></item><item><title><![CDATA[Banaskantha News: LCBના નામે યુવકને બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી 5 લાખ પડાવ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/vadgam-honey-trap-fake-lcb-police-journalist-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/vadgam-honey-trap-fake-lcb-police-journalist-arrested</guid><pubDate>Wed, 17 Jun 2026 17:32:22 +05:30</pubDate><description><![CDATA[<p>બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાંથી હનીટ્રેપ અને તોડબાજીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક યુવકને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના નકલી અધિકારી બનીને બળાત્કારના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી રૂ. 5 લાખ પડાવી લેવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર હનીટ્રેપના માસ્ટરમાઇન્ડમાં એક પત્રકાર અને એક પૂર્વ સરપંચ સામેલ હોવાનો પર્દાફાશ થતાં પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.</p><h2><b>નકલી LCBની ઓળખ આપી બળાત્કારની આપી ધમકી</b></h2><p>ઘટનાની મળતી માહિતી અનુસાર, વડગામ પંથકના એક યુવકને ટોળકીએ આયોજનબદ્ધ રીતે હનીટ્રેપની જાળમાં ફસાવ્યો હતો. યુવક જાળમાં ફસાતાની સાથે જ ગેંગના સાગરિતોએ પોતાનો અસલી ખેલ શરૂ કર્યો હતો. આરોપીઓએ પોતાની ઓળખ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી તરીકે આપી હતી. તેમણે યુવક પર દબાણ લાવતા ધમકી આપી હતી કે, જો તે મોટી રકમ નહીં આપે તો તેને મહિલા પર બળાત્કારના ખોટા કેસમાં જેલ ભેગો કરી દેવામાં આવશે.</p><h2><b>ધમકી આપી ભોગ બનનાર પાસેથી રૂ. 5 લાખ પડાવ્યા</b></h2><p>પોલીસ અને બદનામીના ડરથી ફફડી ગયેલા પીડિત યુવકે આરોપીઓની માંગણી સામે ઝૂકવું પડ્યું હતું. આરોપીઓએ ડરાવી-ધમકાવીને યુવક પાસેથી રૂપિયા 5 લાખ જેવી મોટી રકમ પડાવી લીધી હતી. જોકે, આ ટોળકીની હેરાનગતિ અને બ્લેકમેલિંગ વધતા આખરે પીડિત યુવકે હિંમત દાખવી સમગ્ર મામલે વડગામ પોલીસ મથકે વિગતવાર સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.</p><h2><b>પત્રકાર અને પૂર્વ સરપંચ સહિત 3ની ધરપકડ, મહિલા ફરાર</b></h2><p>ગુનો દાખલ થતાં જ વડગામ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને તાબડતોબ રેડ કરીને આ કાળા કારસ્તાનમાં સામેલ 3 મુખ્ય આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલા શખ્સોમાં પંથકનો એક પત્રકાર, એક પૂર્વ સરપંચ સહિત 3 લોકો સામેલ છે, જેઓ લાંબા સમયથી આ નેટવર્ક ચલાવતા હોવાની શંકા છે. આ હનીટ્રેપમાં મુખ્ય મહોરું બનેલી એક મહિલા અને અન્ય એક અજાણ્યો શખ્સ હાલ પોલીસ પકડથી દૂર છે.</p><h2><b>પોલીસની તપાસ તેજ</b></h2><p>વડગામ પોલીસે ઝડપાયેલા ત્રણેય આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરી છે. આ ગેંગે અગાઉ પણ LCB ના નામે અન્ય કોઈ લોકોને શિકાર બનાવ્યા છે કે, કેમ તે દિશામાં તપાસ લંબાવવામાં આવી છે. તેમજ ફરાર મહિલા અને તેના સાગરિતને ઝડપી લેવા માટે પોલીસે જુદી-જુદી ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/palanpur/banaskantha-viksit-bharat-samman-power-cut-palanpur" target="_blank">Banaskantha: બે-બે મંત્રીઓની હાજરીમાં વીજળી ગુલ, લોકોએ મોબાઈલ ફ્લેશ લાઈટ ચાલુ કરવી પડી</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/4OD6X9CGcUUoF20YfECp393vkfTWhdvo7x76Rxsp.webp'/></item><item><title><![CDATA[PM Kisan 23rd Installment: 23મો હપ્તો કઇ તારીખે જમા થશે? સરકારે કરી આ જાહેરાત ]]></title><link>https://sandesh.com/india/news/pm-kisan-23rd-installment-on-which-date-will-the-23rd-installment-be-deposited-the-government-has-made-this-announcement</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/pm-kisan-23rd-installment-on-which-date-will-the-23rd-installment-be-deposited-the-government-has-made-this-announcement</guid><pubDate>Wed, 17 Jun 2026 17:30:46 +05:30</pubDate><description><![CDATA[<p>દેશના કરોડો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળનારા ₹2000 ના 23મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ પ્રતીક્ષા હવે ટૂંક સમયમાં જ સમાપ્ત થવા જઈ રહી છે, કારણ કે સરકાર દ્વારા 23મા હપ્તાની તારીખ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 માર્ચ, 2026ના રોજ આસામના ગુવાહાટી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં યોજનાનો 22મો હપ્તો દેશના ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યો હતો.</p><h2><b>23મો હપ્તો ક્યારે થશે જાહેર ?&nbsp;</b></h2><p>આગામી 20 જૂન, 2026 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં આવેલા તારકેશ્વરથી 23મો હપ્તો જાહેર કરશે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) ના માધ્યમથી આ રકમ સીધી જ પાત્ર લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.</p><h3><b>પીએમ કિસાન યોજના શું છે?</b></h3><p>ખેતીવાડીના ખર્ચમાં આર્થિક ટેકો આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. આ અંતર્ગત પાત્ર ખેડૂતોને વાર્ષિક ₹6000 ની નાણાકીય સહાય ત્રણ સમાન હપ્તામાં (₹2000 ના ત્રણ હપ્તા) આપવામાં આવે છે. આ રકમથી ખેડૂતો બિયારણ, ખાતર, ખેતીના સાધનો અને અન્ય જરૂરી વસ્તુઓ સરળતાથી ખરીદી શકે છે.&nbsp;</p><h4><b>લાભાર્થી યાદીમાં તમારું નામ કેવી રીતે તપાસવું?</b></h4><p>જો તમે પણ આ યોજનાના લાભાર્થી છો, તો સત્તાવાર યાદીમાં તમારું નામ નીચે મુજબના સરળ સ્ટેપ્સ ફોલો કરીને ચેક કરી શકો છો:</p><ul><li>સૌથી પહેલા પીએમ કિસાન યોજનાની અધિકૃત વેબસાઇટ https://pmkisan.gov.in/ પર જાઓ.</li><li>હોમપેજ પર આપેલા 'Farmers Corner' (ખેડૂતો માટેનો વિભાગ) પર ક્લિક કરો.</li><li>ત્યાં મેનુમાંથી 'Beneficiary List' (લાભાર્થી યાદી) નો વિકલ્પ પસંદ કરો.</li><li>હવે તમારા રાજ્ય, જિલ્લા, બ્લોક (તાલુકો) અને ગામની વિગતો પસંદ કરો.</li><li>અંતમાં 'Get Report' પર ક્લિક કરતાની સાથે જ તમારા ગામના તમામ પાત્ર લાભાર્થીઓની યાદી સ્ક્રીન પર દેખાશે.</li></ul><p><br></p><h4><b>કયા ખેડૂતોને 23મો હપ્તો નહીં મળે?</b></h4><p>સરકારે નિયમોમાં કડકાઈ કરીને કેટલાક એવા શંકાસ્પદ કેસોની ઓળખ કરી છે, જેમના નામ આગામી યાદીમાંથી કાપી નાખવામાં આવી શકે છે અથવા તેમની ચૂકવણી રોકી દેવામાં આવી છે</p><p><br></p><p><b>જમીનની માલિકી:</b> જે ખેડૂતોએ 1 ફેબ્રુઆરી, 2019&nbsp; પછી જમીનના માલિકી હકો મેળવ્યા છે, તેમને આ લાભ કદાચ નહીં મળે.</p><p><b>એક જ પરિવારમાં બેવડો લાભ:</b> જો કોઈ એક જ પરિવારમાં એકથી વધુ સભ્યો (જેમ કે પતિ-પત્ની બંને, અથવા કોઈ પુખ્ત અને સગીર સભ્ય સાથે) લાભ લઈ રહ્યા હોય, તો તેમની ચૂકવણી ભૌતિક ચકાસણી (Physical Verification) પૂર્ણ ન થાય ત્યાં સુધી સ્થગિત રાખવામાં આવી છે.</p><p><b>અધૂરી વિગતો</b>: જે ખેડૂતોની જમીનની વિગતો પોર્ટલ પર લિંક નથી અથવા બેંક ખાતું ઓળખ દસ્તાવેજો સાથે જોડાયેલું નથી, તેમને પણ મુશ્કેલી પડી શકે છે.</p><p><br></p><h4><b>હપ્તો મેળવવા માટે e-KYC ફરજિયાત: પૂર્ણ કરવાની પદ્ધતિઓ</b></h4><p>પીએમ કિસાન પોર્ટલના સત્તાવાર નિયમો અનુસાર, ૨૩મો હપ્તો મેળવવા માટે તમામ નોંધાયેલા ખેડૂતોએ e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવી અનિવાર્ય છે. જો આ પ્રક્રિયા અધૂરી હશે, તો ₹૨,૦૦૦ ની રકમ ખાતામાં આવશે નહીં.</p><p><br></p><h4><b>&nbsp;e-KYC જરૂરી&nbsp;</b></h4><p>ઓનલાઈન OTP પદ્ધતિ: ખેડૂતો જાતે જ pmkisan.gov.in વેબસાઇટ પર જઈને 'e-KYC' નો વિકલ્પ પસંદ કરી શકે છે. ત્યાં પોતાનો સત્તાવાર ઓળખ નંબર દાખલ કરી, રજિસ્ટર્ડ મોબાઈલ પર આવેલા OTP વેરિફિકેશન દ્વારા પ્રક્રિયા મફતમાં પૂર્ણ કરી શકે છે.</p><p>બાયોમેટ્રિક પદ્ધતિ: જો મોબાઈલ નંબર લિંક ન હોય, તો ખેડૂતો નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) અથવા સ્ટેટ સર્વિસ સેન્ટર પર જઈને અંગૂઠાની છાપ (Biometric) દ્વારા e-KYC કરાવી શકે છે.</p><p>&nbsp;ફેસ ઓથેન્ટિકેશન (Face Authentication): પીએમ કિસાન મોબાઈલ એપ ડાઉનલોડ કરીને માત્ર ચહેરો સ્કેન કરીને પણ ઘરે બેઠા આ પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરી શકાય છે.</p><p><br></p><p><a href="https://sandesh.com/gallery/news/india/why-are-potatoes-and-chickpeas-the-filling-in-panipuri?2" target="_blank">આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/eCyWY4kSzr9IyTymKNDRyUMe1qZ6HQo102Srf1Nh.webp'/></item><item><title><![CDATA[Aravalli News: TET પરીક્ષા નાબૂદીની માગ સાથે 5500 શિક્ષકોના ધરણા, રામધૂન બોલાવી આપ્યું આવેદન! ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/aravalli/primary-teachers-protest-tet-exam-abolition-ramdhun</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/aravalli/primary-teachers-protest-tet-exam-abolition-ramdhun</guid><pubDate>Wed, 17 Jun 2026 16:47:26 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતમાં શિક્ષકોની બદલી અને પરીક્ષાઓને લઈને ચાલી રહેલા વિવાદો વચ્ચે હવે અરવલ્લી જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોએ સરકાર સામે બાવડા ચડાવ્યા છે. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પ્રેરિત આંદોલનના ભાગરૂપે બુધવારે અરવલ્લી જિલ્લા પંચાયત કચેરી સામે મોટી સંખ્યામાં પ્રાથમિક શિક્ષકો ધરણા પર બેસી ગયા હતા. શિક્ષકો દ્વારા TET પરીક્ષા નાબૂદ કરવાની મુખ્ય માગ સાથે આ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.</p><h2><b>જિલ્લા પંચાયત સામે શિક્ષકોએ બોલાવી રામધૂન</b></h2><p>ધરણા કાર્યક્રમ દરમિયાન શિક્ષકોનો ભારે આક્રોશ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં એકઠા થયેલા શિક્ષકોએ જિલ્લા પંચાયત કચેરીની બહાર જ જમીન પર બેસીને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધના ભાગરૂપે 'રામધૂન' બોલાવી પ્રશાસનનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. આ આંદોલનને પગલે જિલ્લા પંચાયત પરિસરમાં શૈક્ષણિક આલમનો મોટો જમાવડો જોવા મળ્યો હતો.</p><h2><b>5500 શિક્ષકોની સહી સાથે કલેક્ટરને આવેદનપત્ર</b></h2><p>આંદોલનકારી શિક્ષકોના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, TET પરીક્ષાના હાલના નિયમો પ્રાથમિક શિક્ષકો માટે અન્યાયકર્તા છે અને તેને તાત્કાલિક અસરથી નાબૂદ કરવી જોઈએ. આ માંગણી સબબ જિલ્લાના આશરે 5500 જેટલા પ્રાથમિક શિક્ષકોના સમર્થન સાથેનું એક વિસ્તૃત આવેદનપત્ર અરવલ્લી જિલ્લા કલેક્ટરને સુપરત કરવામાં આવ્યું હતું. શિક્ષકોએ ચીમકી આપી છે કે, જો સરકાર આ પડતર માંગણીઓનો વહેલી તકે ઉકેલ નહીં લાવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે.</p><h2><b>સાંજે ઓધારી મંદિરે યોજાશે ભજન સંધ્યા</b></h2><p>દિવસભરના ધરણા અને આવેદનપત્રના કાર્યક્રમ બાદ, શિક્ષક સંઘ દ્વારા આ વિરોધ પ્રદર્શનને અહિંસક અને આધ્યાત્મિક વળાંક આપવાનું પણ નક્કી કરાયું છે. આ આંદોલનના ભાગરૂપે જ બુધવારની મોડી સાંજે સ્થાનિક ઓધારી માતાજીના મંદિરે એક ભવ્ય 'ભજન સંધ્યા'નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લાભરના શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પોતાની એકતા પ્રદર્શિત કરશે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/aravalli/a-horrific-collision-between-a-camel-and-an-st-bus-near-nawalpur-in-aravalli-the-animal-died-in-a-horrific-accident" target="_blank">Aravalliના નવલપુર પાસે એસટી બસ સાથે ઊંટની ભયાનક ટક્કર! અકસ્માતમાં પશુનું કમકમાટીભર્યું મોત</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/ECAcF1TDv8eEhZHJNUOrij8ibZJ0enjvw3F52olO.webp'/></item></channel></rss>