<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Reliance Industries : Q1 પરિણામો પહેલાં રિલાયન્સના શેરમાં જોરદાર તેજી, EBITDAમાં 4% વૃદ્ધિનો અંદાજ ]]></title><link>https://sandesh.com/business/news/reliance-industries-reliance-shares-surge-ahead-of-q1-results-ebitda-expected-to-grow-by-4</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/reliance-industries-reliance-shares-surge-ahead-of-q1-results-ebitda-expected-to-grow-by-4</guid><pubDate>Fri, 17 Jul 2026 15:05:13 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify;">મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ના એપ્રિલ-જૂન 2026 ત્રિમાસિક ગાળાના પરિણામો આજે, 17 જુલાઈએ જાહેર થવાના છે. પહેલા બોર્ડ મીટિંગમાં આના પર ચર્ચા કરવામાં આવશે અને તેને મંજૂરી અપાશે. મીટિંગ પૂરી થયા પછી પરિણામો જાહેર કરવામાં આવશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સાથે-સાથે રિલાયન્સ જિયો અને રિલાયન્સ રિટેલના ત્રિમાસિક પરિણામો પણ સામે આવશે. ત્રિમાસિક પરફોર્મન્સની જાહેરાત પહેલા RIL ના શેરમાં તેજી છે. દિવસ દરમિયાન BSE પર શેરની કિંમત અગાઉના બંધ ભાવથી અંદાજે 2.5 ટકા સુધી ઉછળીને 1323.80 રૂપિયાના હાઇ સુધી ગઈ હતી.</p><h2 style="text-align: justify;"><b>આવક અને માર્જિનના અંદાજો</b></h2><p style="text-align: justify;">એનાલિસ્ટ્સને આશા છે કે કંપનીનો અલગ-અલગ ક્ષેત્રોમાં ફેલાયેલો બિઝનેસ, રિફાઇનિંગ માર્જિનમાં મજબૂતી અને પેટ્રોકેમિકલ બિઝનેસથી સારો નફો, પશ્ચિમ એશિયામાં ભૂ-રાજકીય અસ્થિરતાની અસરને ઓછી કરવામાં મદદ કરશે. CNBC-TV18 ના એક પોલ અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જૂન 2026 ત્રિમાસિક ગાળામાં અગાઉના ત્રિમાસિક ગાળાની સરખામણીએ 3.7 ટકાની ગ્રોથ સાથે 3.05 લાખ કરોડ રૂપિયાની આવક નોંધાવી શકે છે. EBITDA અગાઉના ત્રિમાસિક ગાળાની સરખામણીએ 4 ટકા વધીને અંદાજે 46000 કરોડ રૂપિયા થઈ શકે છે. માર્જિન 15 ટકા પર સ્થિર રહી શકે છે.</p><h3 style="text-align: justify;"><b>અગાઉના ત્રિમાસિક ગાળાનું પ્રદર્શન</b></h3><p style="text-align: justify;">જાન્યુઆરી-માર્ચ 2026 ત્રિમાસિક ગાળામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું ઓપરેશન્સથી કન્સોલિડેટેડ રેવેન્યુ વાર્ષિક ધોરણે 12.9 ટકા વધીને 298621 કરોડ રૂપિયા રહ્યું હતું. કંપનીના માલિકો માટે નેટ પ્રોફિટ 12.5 ટકાના ઘટાડા સાથે 16971 કરોડ રૂપિયા રહ્યો હતો.</p><h4 style="text-align: justify;"><b>દેશની મોસ્ટ વેલ્યુએબલ કંપની</b></h4><p style="text-align: justify;">RIL આ સમયે દેશની મોસ્ટ વેલ્યુએબલ કંપની છે. BSE ના જણાવ્યા અનુસાર, આનું માર્કેટ કેપ 17.86 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. કંપનીમાં જૂન 2026 ના અંત સુધી પ્રમોટર્સ પાસે 50.48 ટકા હિસ્સેદારી હતી. શેર વર્ષ 2026 માં અત્યાર સુધી 16 ટકા નીચે આવ્યો છે. શેરનો BSE પર 52 અઠવાડિયાનો એડજસ્ટેડ હાઇ 1611.20 રૂપિયા એડજસ્ટેડ લો 1253.65 રૂપિયા છે.</p><h5 style="text-align: justify;"><b>જિયો ફાઇનાન્શિયલના પરિણામો</b></h5><p style="text-align: justify;">જિયો ફાઇનાન્શિયલ સર્વિસીસે જૂન 2026 ત્રિમાસિક ગાળાના પરિણામો એક દિવસ પહેલા એટલે કે 16 જુલાઈએ જાહેર કર્યા હતા. ત્રિમાસિક ગાળા દરમિયાન કંપનીનું ઓપરેશન્સથી કન્સોલિડેટેડ રેવેન્યુ વાર્ષિક ધોરણે 227.28 ટકા વધીને 2004.47 કરોડ રૂપિયા થઈ ગયું. એક વર્ષ પહેલા આ 612.46 કરોડ રૂપિયા હતું. નેટ કન્સોલિડેટેડ પ્રોફિટ એક વર્ષ પહેલા કરતાં 155.7 ટકા વધીને 830.25 કરોડ રૂપિયા થઈ ગયો. જૂન 2025 ત્રિમાસિક ગાળામાં નફો 324.66 કરોડ રૂપિયા રહ્યો હતો.</p><p style="text-align: justify;"><b>Disclaimer : આ માહિતી માત્ર જાણકારી માટે છે. શેરબજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ જરૂર લો. Sandesh Digital News કોઈપણ પ્રકારની રોકાણની સલાહ આપતું નથી.</b></p><p style="text-align: justify;"><b>આ પણ વાંચો-</b><a href="https://sandesh.com/gallery/news/entertainment/taarak-mehta-ka-ooltah-chashmah-ex-cast-current-profession-business" target="_blank">તારક મહેતા...ને અલવિદા કહી ચૂકેલા આ સિતારાઓ અત્યારે ક્યાં? કોઈ ચલાવે છે રેસ્ટોરન્ટ, તો કોઈ બની ગયું મેકઅપ આર્ટિસ્ટ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/kdD6SKTzrxUzn9iJTefQJ2ywj7x2ECGWTRoWR0RK.webp'/></item><item><title><![CDATA[ભગવાન કોઈના ઘમંડને સહન કરતા નથી, મમતા બેનર્જીને દૈતાપતિએ લીધા આડેહાથ ]]></title><link>https://sandesh.com/india/news/-jagannath-daitapati-slams-mamata-over-digha-dham-title--praises-suvendu</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/-jagannath-daitapati-slams-mamata-over-digha-dham-title--praises-suvendu</guid><pubDate>Fri, 17 Jul 2026 14:46:44 +05:30</pubDate><description><![CDATA[<p>પશ્ચિમ બંગાળના દિઘામાં જગન્નાથ સ્વામીની પથ્થરની મૂર્તિ અને "ધામ" તરીકે તેનો ઉપયોગ કરવાનો વિવાદ શરૂથી ચાલી રહ્યો છે. રથયાત્રા દરમિયાન પુરી જગન્નાથ મંદિરના મુખ્ય પ્રમુખ જગન્નાથ દૈતાપતિએ કહ્યું હતું કે મમતા બેનર્જી એટલા ઘમંડી હતા કે તેમણે તેમની સલાહને અવગણી. એક ઇન્ટરવ્યુમા દૈતાપતિએ કહ્યું કે તેમનો કોઈ પક્ષ સાથે કોઈ સંબંધ નથી. તેમણે કહ્યું, "હું શાસ્ત્રોના આધારે સલાહ આપી રહ્યો હતો. મેં 'દિઘા ધામ' શબ્દનો વિરોધ કર્યો. મંદિર ગમે ત્યાં બનાવી શકાય છે, પરંતુ તેને ધામ કહી શકાય નહીં."</p><p>દૈતાપતિએ કહ્યું, "મમતા બેનર્જીએ મારી સલાહને અવગણી. તેમણે દિઘામાં 'ધામ' શબ્દ ઉમેરીને પથ્થરની મૂર્તિ સ્થાપિત કરી. જ્યારે ફક્ત પુરીને જ જગન્નાથ ધામ કહી શકાય. દેશભરમાં હજારો જગન્નાથ સ્વામી મંદિરો હોઈ શકે છે, પરંતુ તેમને ધામ કહી શકાય નહીં." તેમણે ઉમેર્યું, "ભગવાન કોઈના ઘમંડને સહન કરતા નથી. તેથી જ બંગાળમાં મમતા બેનર્જીની સરકાર ઉથલાવી દેવામાં આવી."
</p><h2><b>દૈતાપતિએ શુભેન્દુ અધિકારીની કરી પ્રશંસા 
</b></h2><p>બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીની પ્રશંસા કરતા દૈતાપતિએ કહ્યું કે તેમણે સરકાર બનાવ્યા પછી જ "દિઘા" શબ્દમાંથી "ધામ" શબ્દ દૂર કર્યો. "શુભેન્દુ અમારા શિષ્ય છે અને તેમણે જે યોગ્ય હતું તે જ કર્યું," વધુમાં કહ્યું કે જણાવી દઇએ કે ઘણા ધર્મ ગુરુ કહી ચૂક્યા છે કે "દિઘા" સાથે "ધામ" નો ઉપયોગ ન કરવો જોઈએ. વધુમાં, જગન્નાથ સ્વામીની મૂર્તિ પથ્થરની નહીં, લાકડાની હોવી જોઈએ.
</p><p>અગાઉ, પુરીના મુખ્ય પૂજારી રાજેશ દૈતાપતિએ દિઘા મંદિરમાં પ્રતિષ્ઠા સમારોહની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે પુરી મંદિરે કહ્યું હતું કે ધાર્મિક ગ્રંથો અનુસાર જ પવિત્ર મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવી જોઈએ. પરંતુ મમતા બેનર્જીની સરકારે તેમની સલાહને અવગણી હતી. વધુમાં, દૈતાપતિ ભવાની દાસે કહ્યું હતું કે, "મંદિર બનાવવું એ પુણ્ય કાર્ય છે, પરંતુ ધર્મનો ત્યાગ ન કરવો જોઈએ. કોઈપણ વ્યક્તિ મંદિર બનાવવા માટે સ્વતંત્ર છે. પરંતુ ફક્ત ચાર ધામ છે અને પાંચમું ધામ હોઈ શકે નહીં." તેમણે કહ્યું હતું કે દિઘા એક સાંસ્કૃતિક અને ધાર્મિક કેન્દ્ર બની શકે છે.</p><h3><b>જગન્નાથની મૂર્તિ લાકડાની હોવી જોઈએ</b></h3><p>
</p><p>દૈતાપતિ ભવાની દાસે કહ્યું હતું કે મમતા બેનર્જીએ મહાપ્રભુની પથ્થરની મૂર્તિ બનાવી છે, જે ધર્મની વિરુદ્ધ છે. ભગવાન જગન્નાથની મૂર્તિ લાકડાની હોવી જોઈએ. તેમણે કહ્યું, "ઓડિશા અને હવે પશ્ચિમ બંગાળમાં પણ આવો જ અન્યાય થયો હતો. તેના પરિણામો તમારી સામે છે. ભગવાન પર ક્યારેય રાજકારણ રમવું જોઈએ નહીં."
</p><p>નોંધનીય છે કે, મે 2025માં દિઘામાં ભગવાન જગન્નાથની સ્થાપના કરવામાં આવી હતી. મંદિર પુરી મંદિરની જેમ બનાવવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે આ મંદિર હિન્દુ મત મેળવવા માટે બનાવવામાં આવ્યું હતું. આ પછી તરત જ વિવાદ શરૂ થયો.
</p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/uttarakhand-nainital-now-charges-entry-tax-from-midnigh#google_vignette" target="_blank"><b>Uttarakhand: નૈનીતાલમાં એન્ટ્રી જોઈએ છે? તો ભરવા પડશે પહેલા આટલા રૂપિયા</b></a>
</p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/rBlmQRldZtzFHxvIqlWB4ROVrPtDvw9MnQIMm8Pm.webp'/></item><item><title><![CDATA[Vaishno Devi જવું બન્યું વધુ સરળ, ભક્તો માત્ર 6 કલાકમાં દિલ્હીથી કટરા પહોંચી જશે ]]></title><link>https://sandesh.com/travel/news/india/going-to-vaishno-devi-has-become-easier-devotees-will-reach-katra-from-delhi-in-just-6-hours</link><guid isPermaLink="true">https://sandesh.com/travel/news/india/going-to-vaishno-devi-has-become-easier-devotees-will-reach-katra-from-delhi-in-just-6-hours</guid><pubDate>Fri, 17 Jul 2026 14:38:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">માતા વૈષ્ણોદેવીના દર્શને જતાં શ્રદ્ધાળુઓ માટે એક બહુ મોટા અને આનંદના સમાચાર આવ્યા છે. હવે દિલ્હીથી જમ્મુ-કાશ્મીરના કટરા બેઝ કેમ્પ સુધી પહોંચવું ખૂબ જ સરળ અને ઝડપી બની ગયું છે. દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવે (Delhi-Amritsar-Katra Expressway) ના નવા તબક્કાની શરૂઆત સાથે જ હવે મુસાફરો માત્ર 6 કલાકમાં આ સફર પૂરી કરી શકશે. અગાઉ દિલ્હીથી કટરા પહોંચવામાં રોડ માર્ગે આશરે 11 થી 12 કલાક જેટલો લાંબો સમય થતો હતો, જે હવે ઘટીને અડધો થઈ ગયો છે.</p><p style="text-align: justify; ">આ આધુનિક એક્સપ્રેસવે માત્ર મુસાફરીનો સમય જ નથી ઘટાડતો, પરંતુ ધાર્મિક પ્રવાસનને પણ મોટો વેગ આપી રહ્યો છે. આ રૂટ ખૂલવાથી વૈષ્ણોદેવી ઉપરાંત અમૃતસરમાં આવેલા સુવર્ણ મંદિર (Golden Temple) જતા શ્રદ્ધાળુઓને પણ મોટી સુવિધા મળશે.</p><h2 style="text-align: justify; "><b>નવા રૂટની ખાસિયતો&nbsp;</b></h2><p style="text-align: justify; ">આ પ્રોજેક્ટ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સમાંથી એક છે. આ ફોર-લેન એક્સપ્રેસવેને ભવિષ્યમાં આઠ લેન સુધી લંબાવી શકાય તે રીતે ડિઝાઈન કરવામાં આવ્યો છે.</p><p style="text-align: justify; "><b>ઝડપ મર્યાદા</b>: આ ભવ્ય રોડ પર વાહનોની સ્પીડ લિમિટ 120 કિલોમીટર પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે, જેના કારણે પ્રવાસીઓ કોઈપણ અડચણ વગર લાંબુ અંતર ઝડપથી કાપી શકે છે.</p><p style="text-align: justify; "><b>અંતરમાં ઘટાડો</b>: આ એક્સપ્રેસવેના કારણે દિલ્હી અને કટરા વચ્ચેનું કુલ અંતર પણ આશરે 40 કિલોમીટર જેટલું ઓછું થઈ ગયું છે.</p><p style="text-align: justify; "><b>મુખ્ય કનેક્ટિવિટી</b>: આ હાઈવે દિલ્હીના બહાદુરગઢ બોર્ડરથી શરૂ થઈને હરિયાણા, પંજાબના મુખ્ય શહેરો અને અમૃતસર થઈને સીધો જમ્મુના કટરા સુધી કનેક્ટિવિટી પૂરી પાડે છે.</p><h3 style="text-align: justify; "><b>પ્રવાસીઓ માટે મહત્વની સુવિધાઓ:</b></h3><p style="text-align: justify; ">આ હાઈવે પર મુસાફરોની સુવિધા માટે દર થોડા કિલોમીટરે ટ્રોમા સેન્ટર, આધુનિક રિફ્રેશમેન્ટ ઝોન, રેસ્ટોરન્ટ્સ, ફ્યુઅલ સ્ટેશનો અને વાહનોના મેઈન્ટેનન્સ માટે ગેરેજની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી ક્યાંય પણ રોકાયા વગર સુરક્ષિત મુસાફરી માણી શકાય.</p><h4 style="text-align: justify; "><b>યાત્રા કઈ રીતે સરળ બનશે?</b></h4><p style="text-align: justify; ">અત્યાર સુધી જે ભક્તો ટ્રેનમાં લાંબુ વેઇટિંગ હોવાને કારણે અથવા ફ્લાઇટના મોંઘા ભાડાના લીધે મુશ્કેલી અનુભવતા હતા, તેમના માટે હવે પોતાની કાર કે લક્ઝરી બસ દ્વારા જવાનો શ્રેષ્ઠ વિકલ્પ ખૂલી ગયો છે. સવારે વહેલા દિલ્હીથી નીકળીને બપોર સુધીમાં કટરા પહોંચી શકાય છે અને તે જ દિવસથી ભક્તો પોતાની ચઢાણ યાત્રા શરૂ કરી શકે છે. આનાથી સમય અને નાણાં બંનેની મોટી બચત થશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/world/news/former-bangladesh-president-ziaur-rahmans-killer-arrested-after-45-years" target="_blank">આ પણ વાંચો: Bangladeshના પૂર્વ રાષ્ટ્રપતિ ઝિયાઉર રહમાનનો હત્યારો 45 વર્ષ પછી ઝડપાયો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/j7z7HKb5cMCI2QRUdThdzNCAfpGuPkh96KLEOJ5s.webp'/></item><item><title><![CDATA[Taarak Mehtaના બાઘાએ કહી દિલની વાત, આજે પણ એ જ નામથી મળે છે ઓળખ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/tanmay-vekaria-bagha-recognition-blessing-tmkoc</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/tanmay-vekaria-bagha-recognition-blessing-tmkoc</guid><pubDate>Fri, 17 Jul 2026 14:29:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ટીવીના પોપ્યુલર શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા માં બાઘાનું પાત્ર ભજવનારા તન્મય વેકારિયાને દર્શકો ખૂબ પસંદ કરે છે. હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં તેમણે આ શોમાં પોતાની સફર વિશે ખાસ વાતચીત કરી. એક્ટરે કહ્યું કે લોકો આજે પણ તેમને બાઘાના નામથી જાણે છે અને આ તેમના માટે આશીર્વાદ છે.</p><h2 style="text-align: justify; "><b>પોતાને નસીબદાર માને છે તન્મય વેકારિયા</b></h2><p style="text-align: justify; ">એક ઇન્ટરવ્યુમાં તન્મય વેકારિયાએ કહ્યું, હું પોતાને નસીબદાર માનું છું કે હું એક એવા શોનો ભાગ છું જેનું દરેક પાત્ર ઘરમાં મશહૂર થઈ ગયું છે. આ શોલે જેવું છે. જ્યારે હું નાનો હતો, ત્યારે હું તે પાત્રોને ગબ્બર અને સાંબાના નામથી જ જાણતો હતો. કેટલાય વર્ષો પછી મને ખબર પડી કે તેમના અસલી નામ અમજદ ખાન અને મેક મોહન હતા. મને લાગે છે કે આ એક મોટી સિદ્ધિ છે. જ્યારે કોઈ પાત્ર એટલું મશહૂર થઈ જાય કે લોકો તમને એ જ નામથી ઓળખવા લાગે, તો તે એક આશીર્વાદ જેવું હોય છે.<br><img alt="Tanmay Vekaria (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/07/17/o170newtApCkLBOW9qUb7FXLwQcYVIaltjtfckyw.webp"><br></p><h3 style="text-align: justify; "><b>'બાઘા છે, ત્યારે જ તન્મય છે'</b></h3><p style="text-align: justify; ">તેમણે કહ્યું, મને કોઈ વાંધો નથી જો લોકો મને તન્મયના બદલે બાઘા કહીને બોલાવે. બાઘા છે, ત્યારે જ તન્મય છે. બાઘાનું પાત્ર ભજવવાથી મને ખૂબ પ્રેમ અને ઓળખ મળ્યા છે. અસલી જિંદગીમાં, હું બાઘાના પાત્રથી બિલકુલ અલગ છું. તેની બોડી લેંગ્વેજ, હેરસ્ટાઇલ અને વાત કરવાની રીત, બધું મારાથી અલગ છે. મારા માટે, બાઘા તરીકે ઓળખાવું એક આશીર્વાદ છે, અને હું આને આ જ રીતે જોઉં છું.</p><h3 style="text-align: justify; "><b>નવા નટ્ટુ કાકાને લઈને કરી વાત</b></h3><p style="text-align: justify; ">નટ્ટુ કાકા એટલે કે ઘનશ્યામ નાયક વિશે વાત કરતા તેમણે કહ્યું, મેં ઘનશ્યામ જી સાથે 10 વર્ષ વિતાવ્યા. અમે એક જ રૂમમાં રહેતા હતા, સાથે ઇવેન્ટ્સમાં જતા હતા અને અમારી વચ્ચે પિતા-પુત્ર જેવો સંબંધ હતો. તેમના અવસાન પછી જ્યારે ટીમ નવા નટ્ટુ કાકાની શોધ કરી રહી હતી, ત્યારે અસિત ભાઈએ મને મારો અભિપ્રાય પૂછ્યો હતો. તેમણે બે નામ જણાવ્યા, જેમાં કિરણ ભટ્ટનું નામ પણ સામેલ હતું. મેં તેમને કહ્યું, કિરણ ભટ્ટ સૌથી યોગ્ય પસંદગી છે.<br><img alt="Tanmay Vekaria (2)" src="https://epapercdn.sandesh.com/images/2026/07/17/6XnQiJnpPnDVbLfjSvdNajHWCadYmqpyaAEkkSH4.webp"><br></p><h4 style="text-align: justify; "><b>રાકેશ બેદીને લઈને શું બોલ્યા તન્મય વેકારિયા?</b></h4><p style="text-align: justify; ">તન્મય વેકારિયાએ વાતચીતમાં કહ્યું, હું રાકેશ બેદીને કેટલાય વર્ષોથી ઓળખું છું. મેં યસ બોસ માં નાના-મોટા રોલ કર્યા હતા અને બાદમાં મનીબેન ડોટ કોમ માં કામ કર્યું, જ્યાં મેં સ્મૃતિ ઈરાનીના નાના ભાઈનું પાત્ર ભજવ્યું હતું. રાકેશ જી તે શોના એક ટ્રેકનો ભાગ હતા, અને ત્યારે જ અમે એકબીજાને વધુ સારી રીતે જાણી શક્યા. અલબત્ત, મેં તેમને એનાથી ઘણો સમય પહેલા ટેલિવિઝન પર યે જો હૈ જિંદગી જેવા શો અને એક દૂજે કે લિયે જેવી ફિલ્મોમાં જોયા હતા. તેમણે કહ્યું, ત્યારે હું તેમને માત્ર એક ટેલેન્ટેડ એક્ટર તરીકે જાણતો હતો. જ્યારે પણ અમે મળીએ છીએ, ત્યારે તેઓ ક્યારેય સિનિયર કે મોટા સ્ટાર જેવું વર્તન નથી કરતા. રાકેશ જીએ દાયકાઓ સુધી ટીવી, ફિલ્મો અને થિયેટરમાં કામ કર્યું છે અને આજે પણ તેઓ કામ કરી રહ્યા છે. 71 વર્ષની ઉંમરે પણ તેઓ શાનદાર કામ કરી રહ્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gallery/news/entertainment/taarak-mehta-ka-ooltah-chashmah-ex-cast-current-profession-business" target="_blank">આ પણ વાંચો-તારક મહેતા...ને અલવિદા કહી ચૂકેલા આ સિતારાઓ અત્યારે ક્યાં? કોઈ ચલાવે છે રેસ્ટોરન્ટ, તો કોઈ બની ગયું મેકઅપ આર્ટિસ્ટ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/P9tcofZbgtHt0e7BAQSQMzDVtcCfjfTYGaX4NKUh.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: પ્યાર કી કોઈ ઉંમર નહીં, 61 વર્ષીય પત્નીને પ્રેમ થતાં પુરાવા ભેગા કરવા પતિ પોતે જ બન્યો ‘જાસૂસ’! ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-husband-turns-spy-proves-61-year-old-wife-affair-court-cyber-crime-probe</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-husband-turns-spy-proves-61-year-old-wife-affair-court-cyber-crime-probe</guid><pubDate>Fri, 17 Jul 2026 14:29:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કહેવાય છે ને કે ‘પ્યાર કી કોઈ ઉંમર નહીં હોતી’! અમદાવાદમાં આ કહેવતને ચરિતાર્થ કરતો પરંતુ અત્યંત ચોંકાવનારો અને ફિલ્મી ડ્રામા જેવો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 61 વર્ષીય પરિણીત મહિલાને પ્રેમ થતાં તેના પતિના જીવ પર જોખમ ઊભું થયું છે.</p><h2 style="text-align: justify; "><b>પતિએ પોતે જ ‘જાસૂસ’ બનવું પડ્યું</b></h2><p style="text-align: justify; ">પત્ની અને તેના પ્રેમીના ત્રાસ અને ધમકીઓથી કંટાળીને પોતાના જીવની રક્ષા કરવા માટે પતિએ પોતે જ ‘જાસૂસ’ બનવું પડ્યું છે. આ અનોખા કિસ્સાની ચર્ચા હાલ સમગ્ર શહેરમાં જોરશોરથી ચાલી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>પત્નીના પ્રેમસંબંધો અને ધમકીઓ સામે લડાઈ&nbsp;</b></h3><p style="text-align: justify; ">મળતી વિગતો અનુસાર, અમદાવાદના એક વરિષ્ઠ નાગરિકે પોતાની પત્નીના પ્રેમસંબંધો અને ત્યારબાદ મળતી ધમકીઓ સામે અનોખી લડાઈ શરૂ કરી છે. પત્નીના પ્રેમી તરફથી જીવનું જોખમ હોવાના આક્ષેપ સાથે પતિએ બંનેની ગતિવિધિઓ પર નજર રાખવાનું શરૂ કર્યું હતું.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>ઓડિયો ડિજિટલ પુરાવાઓ ભેગા કર્યા</b></h4><p style="text-align: justify; ">જાસૂસ બનીને આ પીડિત પતિએ પોતાની હોશિયારીથી પત્ની અને તેના પ્રેમી વચ્ચેની વાતચીતના કથિત ઓડિયો રેકોર્ડિંગ્સ અને અન્ય ડિજિટલ પુરાવાઓ ગુપ્ત રીતે ભેગા કરી લીધા હતા. આ ઓડિયોમાં પતિને રસ્તામાંથી હટાવી દેવા અથવા મારી નાખવાની ધમકીઓ હોવાનો દાવો પણ પતિ દ્વારા કરાયો છે.</p><h4 style="text-align: justify; "><b>સજ્જડ ઓડિયો પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કર્યા&nbsp;</b></h4><p style="text-align: justify; ">પોતાના જીવને બચાવવા અને ન્યાય મેળવવા માટે પતિએ આ તમામ સજ્જડ ઓડિયો પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. આધેડ વયે પ્રેમ, ધમકી અને જાસૂસીના આ અજીબોગરીબ કિસ્સાને જોઈને કોર્ટ પણ ચોંકી ઉઠી હતી.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>સાયબર ક્રાઈમ બ્રાન્ચને આ સમગ્ર મામલે તપાસ કરવાનો આદેશ</b></h4><p style="text-align: justify; ">કોર્ટે આ મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચને આ સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવાનો કડક આદેશ આપ્યો છે. આ સાથે જ અદાલતે સાયબર ક્રાઈમને આગામી ૩૦ દિવસની અંદર આ રેકોર્ડિંગ્સની સત્યતા તપાસીને વિગતવાર અહેવાલ કોર્ટ સમક્ષ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે. હવે આ પ્રેમ અને જાસૂસીની આખી કહાની કાનૂની ચોપડે ચડી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp;&nbsp;<a href="https://sandesh.com/explainer/news/india/ahmedabad/sandesh-digital-explainer-india-first-hydrogen-train-launch-pm-modi-green-railway-technology-features-benefits" target="_blank"><b> Sandesh Digital Explainer : રેલવે ક્ષેત્રે ઐતિહાસિક ક્રાંતિ, દેશની પ્રથમ ‘હાઇડ્રોજન ટ્રેન’આજથી દોડશે, વાંચો આ ટ્રેન કઇ રીતે ચાલે છે અને તેના ફાયદા- ગેરફાયદા</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/jQdN44MKsj9PMtjz0W6IXTBWd7M0C6KvlhDXELSp.webp'/></item><item><title><![CDATA[Rajkot: ગેરકાયદે હથિયાર નેટવર્કમાંથી પૂર્વ તાલુકા પ્રમુખનો પુત્ર અને ભાજપ સભ્ય જીલુ બારૈયા 3 હથિયાર સાથે ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/pcb-seizes-4-more-illegal-weapons-bjp-member-jilu-baraiya-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/pcb-seizes-4-more-illegal-weapons-bjp-member-jilu-baraiya-arrested</guid><pubDate>Fri, 17 Jul 2026 14:14:23 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ પીસીબી દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશમાં વધુ એક સફળતા મળી છે. પીસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને વધુ 4 જીવલેણ હથિયારો સાથે બે શખ્સોની ધરપકડ કરી છે, જેમાં મોટું રાજકીય કનેક્શન બહાર આવ્યું છે.</p><h2><b>ગેરકાયદેસર હથિયારોના નેટવર્કનો પર્દાફાસ</b></h2><p>અમરેલી જિલ્લાના રાજુલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ માસુમબેન બારૈયાનો પુત્ર જીલુ બારૈયા, જે પોતે પણ શાસક પક્ષ ભાજપનો સક્રિય સભ્ય છે, તે ગેરકાયદેસર હથિયારો છુપાવીને ફરતો હોવાનું સામે આવ્યું છે. પીસીબીએ જીલુ બારૈયાની ધરપકડ કરીને તેની પાસેથી ઘાતક હથિયારોનો જથ્થો રિકવર કર્યો છે, જેમાં બે દેશી તમંચા અને એક દેશી બનાવટની પિસ્તોલ સામેલ છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જીલુએ કબૂલ્યું હતું કે તેણે આ ત્રણેય હથિયારો આ કેસમાં અગાઉ પકડાઈ ચૂકેલા દર્શન નામના ગુનેગાર પાસેથી ખરીદ્યા હતા.</p><h3><b>28 ગેરકાયદેસર હથિયારો કબ્જે</b></h3><p>જ્યારે આ ઓપરેશનમાં પકડાયેલા બીજા આરોપી ઋતુરાજ ખાચરે અગાઉ પકડાયેલા આરોપી પ્રદિપ ખાચર પાસેથી એક દેશી પિસ્તોલ ખરીદી હોવાની કબૂલાત કરી હતી, જે પોલીસે જપ્ત કરી છે. રાજકોટ પીસીબીની આ અત્યાર સુધીની સૌથી મોટી કડક કાર્યવાહી માનવામાં આવી રહી છે. ગેરકાયદેસર હથિયારોના આ આખા નેટવર્કના છેડા ક્યાં સુધી લંબાયેલા છે અને આ હથિયારો કોઈ ગુનાહિત કાવતરાને અંજામ આપવા માટે મંગાવાયા હતા કે કેમ, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. અત્યાર સુધીમાં આ આખી સિન્ડિકેટમાંથી 13 સભ્યો પકડાઈ ચૂક્યા છે અને તેમની પાસેથી 28 હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આ મામલે હજુ વધુ ધરપકડ થાય તેવી સંભાવના છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/surendranagar/chuda-kgbv-school-food-poisoning-70-girls-hospitalized" target="_blank">આ પણ વાંચો: Limbdi: ચુડાની KGB વિદ્યાલયમાં 70 થી વધુ વિદ્યાર્થીનીઓને થઈ ફૂડ પોઈઝનિંગની અસર,તંત્રમાં મચી ગઈ ભારે દોડધામ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/XZrokWIpNeyy8NIRkP4fQ26nNrGlbj467FLJiJr4.webp'/></item><item><title><![CDATA[Limbdi: ચુડાની KGB વિદ્યાલયમાં 70 થી વધુ વિદ્યાર્થીનીઓને થઈ ફૂડ પોઈઝનિંગની અસર,તંત્રમાં મચી ગઈ ભારે દોડધામ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/surendranagar/chuda-kgbv-school-food-poisoning-70-girls-hospitalized</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/surendranagar/chuda-kgbv-school-food-poisoning-70-girls-hospitalized</guid><pubDate>Fri, 17 Jul 2026 13:57:59 +05:30</pubDate><description><![CDATA[<p>ચુડા પંથકમાં આવેલી સરકારી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV) માં આજે કાળજું કંપાવી દે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. શાળામાં અભ્યાસ કરતી અને ત્યાં જ હોસ્ટેલમાં રહેતી દીકરીઓને મધ્યાહન ભોજન અથવા રાત્રિના ભોજન દરમિયાન આપવામાં આવેલું ખાવાનું ઝેરી સાબિત થયું છે. ભોજન આરોગ્યાના થોડા જ સમયમાં એક પછી એક વિદ્યાર્થીનીઓને પેટમાં અસહ્ય દુખાવો, ચક્કર આવવા અને ઉલ્ટીઓ થવાની ફરિયાદો શરૂ થઈ ગઈ હતી.</p><h2><b>મધ્યાહન ભોજન ઝેરી સાબિત થયું</b></h2><p>જોતજોતામાં માંદી પડતી બાળાઓની સંખ્યા 70ને પાર પહોંચી જતાં શાળાના સત્તાધીશોના હોશ ઊડી ગયા હતા. સ્થાનિક આરોગ્ય કેન્દ્ર અને 108 ની ટીમોને તાત્કાલિક જાણ કરવામાં આવતા જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તમામ ઇજાગ્રસ્ત અને બીમાર વિદ્યાર્થીનીઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી છે, જ્યાં તબીબોની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. પ્રાથમિક અનુમાન મુજબ, ભોજનમાં કોઈ કેમિકલ પ્રતિક્રિયા અથવા વાસી સામગ્રીના ઉપયોગને કારણે ફૂડ પોઈઝનિંગ થયું હોવાની પૂરેપૂરી આશંકા છે.</p><h3><b>શાળા પરિસરમાં વાલીઓ ઉમટી પડ્યા</b></h3><p>આ ઘટના વાયુવેગે પ્રસરતા જ હોસ્પિટલ અને શાળા પરિસરમાં વાલીઓના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. દીકરીઓના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થતાં વાલીઓમાં ભારે રોષ અને આક્રોશ ફાટી નીકળ્યો છે. આટલી મોટી સંખ્યામાં બાળાઓ એકસાથે ભોજનથી પ્રભાવિત થાય તે બાબત જ દર્શાવે છે કે વિદ્યાલયના રસોડામાં સ્વચ્છતાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. ઘટનાની ગંભીરતાને જોતાં ઉચ્ચ સરકારી અધિકારીઓ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ ચુડા ખાતે દોડી આવ્યા છે. સ્થાનિકોએ માંગ કરી છે કે આ સમગ્ર પ્રકરણમાં જે પણ એજન્સી કે કોન્ટ્રાક્ટર દોષિત સાબિત થાય તેની સામે તાત્કાલિક ફોજદારી ગુનો દાખલ કરી કડકમાં કડક સજા કરવામાં આવે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ahwa/dang-district-receives-heavy-rain-saputara-ahwa-waghai-farmers-happy" target="_blank">આ પણ વાંચો: Dang: અસહ્ય ઉકળાટ અને ગરમીથી પરેશાન સાપુતારાના સ્થાનિક રહીશોને વરસાદી માહોલથી મળી મોટી રાહત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/Blo0tliisbIChbuHqLoU4r3Bn4ftGOwq3YPxiKhs.webp'/></item><item><title><![CDATA[Dang: અસહ્ય ઉકળાટ અને ગરમીથી પરેશાન સાપુતારાના સ્થાનિક રહીશોને વરસાદી માહોલથી મળી મોટી રાહત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ahwa/dang-district-receives-heavy-rain-saputara-ahwa-waghai-farmers-happy</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ahwa/dang-district-receives-heavy-rain-saputara-ahwa-waghai-farmers-happy</guid><pubDate>Fri, 17 Jul 2026 13:44:34 +05:30</pubDate><description><![CDATA[<p>દક્ષિણ ગુજરાતના સરહદી અને ડુંગરાળ ડાંગ જિલ્લા પર કુદરત ફરી એકવાર મન મૂકીને વરસી છે. ડાંગના વનરાજીથી ઘેરાયેલા વિસ્તારોમાં સવારથી જ કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને જોતજોતામાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ઉપરાંત વઘઈ અને સુબીર તાલુકાઓમાં મુશળધાર વરસાદ વરસતાં માર્ગો પાણી-પાણી થઈ ગયા હતા.</p><h2><b>સાપુતારા ખાતે વરસાદને પગલે અદભુત નજારો</b></h2><p>ખાસ કરીને ગુજરાતના પ્રખ્યાત ટુરિસ્ટ સ્પોટ સાપુતારા ખાતે વરસાદને પગલે અદભુત નજારો સર્જાયો હતો. અહીં ધુમ્મસની ચાદર સાથે વરસી રહેલા હળવાથી ભારે વરસાદી ઝાપટાંનો આનંદ માણવા માટે પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. ડાંગની ગિરિમાળાઓ અને ઘાટ માર્ગો પરથી પસાર થવું હવે વાહનચાલકો માટે રોમાંચક બન્યું છે. સમગ્ર વન્ય સરહદ લીલીછમ ચાદર ઓઢીને ખીલી ઉઠી છે.</p><h3><b>વાતાવરણ વાહનચાલકો માટે રોમાંચક બન્યું&nbsp;</b></h3><p>આ વરસાદ માત્ર પ્રવાસીઓ માટે મનોરંજન લાવ્યો નથી, પરંતુ અહીંના સ્થાનિક આદિવાસી ખેડૂતો માટે સોનાની મોહર સાબિત થયો છે. ડાંગ જિલ્લામાં મુખ્યત્વે ડાંગર (ભાત), નાગલી અને વરાઈ જેવા પરંપરાગત પાકો લેવામાં આવે છે, જેના માટે આ વરસાદ અત્યંત ફાયદાકારક સાબિત થશે. ઘણા દિવસોથી ગરમી અને પિયતની ચિંતામાં ડૂબેલા ખેડૂતોએ હવે ખેતરોમાં ઉત્સાહભેર વાવણી અને રોપણીની પ્રવૃત્તિઓ તેજ કરી દીધી છે. વન વિભાગ અને સ્થાનિક તંત્ર પણ ચોમાસા દરમિયાન સહેલાણીઓની ભીડને ધ્યાનમાં રાખીને એલર્ટ મોડ પર આવી ગયું છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/monsoon-road-damage-rajpath-rangoli-road-caves-in-amc-patchwork-fails" target="_blank">આ પણ વાંચો:&nbsp; Ahmedabad:  રાજપથ રંગોલી રોડ પર કાર ખાડામાં ફસાઈ, શહેરમાં 30થી વધુ સ્થળોએ જોખમી ખાડાઓ યથાવત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/2VLMTe7qGa5ZO4DsFXaQXFDEbbocU4hOJPAIgium.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026 Final: સ્પેન અને આર્જેન્ટિના વચ્ચે મહામુકાબલો, જાણો ભારતમાં ક્યારે Liveજોઈ શકાશે ]]></title><link>https://sandesh.com/sports/fifa-world-cup/news/fifa-world-cup-2026-final-the-epic-clash-between-spain-and-argentina-know-when-and-where-to-watch-it-live-in-india</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/fifa-world-cup/news/fifa-world-cup-2026-final-the-epic-clash-between-spain-and-argentina-know-when-and-where-to-watch-it-live-in-india</guid><pubDate>Fri, 17 Jul 2026 12:35:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફૂટબોલ પ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આખરે આવી ગઈ છે. ફીફા વર્લ્ડ કપ ૨૦૨૬ (FIFA World Cup 2026) હવે તેના અંતિમ પડાવ પર પહોંચી ગયો છે. આ મહામુકાબલામાં ફૂટબોલ જગતની બે દિગ્ગજ ટીમો સ્પેન અને આર્જેન્ટિના ટ્રોફી જીતવા માટે આમને-સામને ટકરાશે. મેસ્સીની આર્જેન્ટિના પોતાનો ખિતાબ બચાવવામાં સફળ રહેશે કે પછી સ્પેન નવો ઇતિહાસ રચશે? આર્જેન્ટીના ફાઈનલમાં આવતા જ ફીફા વર્લ્ડકપ વધુ રસપ્રદ બન્યો. ગોલ્ડન બૂટનો દાવદેાર ગણાતા મેસ્સીની જીત જોવા ચાહકો ઉત્સાહિત છે. ભારતીય ફૂટબોલ ચાહકો આ ઐતિહાસિક મેચ ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે જોઈ શકશે તેની સંપૂર્ણ વિગતો જાણો.</p><h2 style="text-align: justify; "><b>ફીફા વર્લ્ડકપ ફાઇનલ મેચ ક્યારે રમાશે?&nbsp;</b></h2><p style="text-align: justify; ">ફીફા વર્લ્ડ કપ ૨૦૨૬ ની આ રોમાંચક ફાઇનલ મેચ અમેરિકાના ન્યૂયોર્ક ન્યૂ જર્સીમાં આવેલા પ્રખ્યાત મેટલાઇફ સ્ટેડિયમમાં રમાશે.</p><p style="text-align: justify; "><b>ભારતમાં લાઈવ જોવાનો સમય</b></p><p style="text-align: justify; ">અમેરિકા અને ભારતના સમય ઝોનમાં તફાવત હોવાને કારણે, ભારતીય દર્શકો આ મેચ ૧૯ જુલાઈ, ૨૦૨૬ ના રોજ વહેલી સવારે લાઈવ જોઈ શકશે. ભારતીય સમયાનુસાર (IST) આ ફાઇનલ મેચ વહેલી સવારે ૪:૩૦ વાગ્યે શરૂ થશે.</p><h3 style="text-align: justify; "><b>ભારતમાં ક્યાં અને કેવી રીતે લાઈવ જોઈ શકાશે?</b></h3><p style="text-align: justify; ">જો તમે ભારતમાં રહીને આ મહા મુકાબલાનો આનંદ માણવા માંગો છો, તો તમારી પાસે નીચેના વિકલ્પો ઉપલબ્ધ છે. ભારતમાં ફીફા વર્લ્ડ કપ ૨૦૨૬ ના સત્તાવાર બ્રોડકાસ્ટર ભાગીદાર તરીકે Sports18 નેટવર્ક (Sports18 1 અને Sports18 1 HD) પર આ મેચનું સીધું પ્રસારણ જોઈ શકાશે. જો તમે તમારા સ્માર્ટફોન, લેપટોપ કે સ્માર્ટ ટીવી પર ઓનલાઈન મેચ જોવા માંગો છો, તો JioCinema એપ અથવા તેની વેબસાઈટ પર આ ફાઇનલ મેચનું તદ્દન મફત (Free) લાઈવ સ્ટ્રીમિંગ માણી શકાશે. સ્પેન અને આર્જેન્ટીનાની મેચ વધુ રસપ્રદ બની છે. ફૂટબોલના આ સૌથી મોટા જંગને જોવા માટે તૈયાર થઈ જાઓ!</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-golden-boot-race-messi-mbappe#google_vignette" target="_blank">આ પણ વાંચો : Lionel Messi ગોલ્ડન બૂટની રેસમાં સૌથી આગળ, એમબાપ્પે પાસે હજુ પણ ટોપના સ્થાન પર પહોંચવાની તક</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/Q8Jvi7BFpo5Ub0HOKbMvlyjacksWiyW77TeEkKjA.webp'/></item><item><title><![CDATA[Surat: સુમુલ ડેરી પર ભાજપનો ભગવો યથાવત, રસાકસીભરી લડાઈમાં 27 મતો સાથે ધનસુખ પટેલ ફરી બન્યા પ્રમુખ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/sumul-dairy-election-results-dhansukh-patel-wins-president-bjp-secures-27-votes</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/sumul-dairy-election-results-dhansukh-patel-wins-president-bjp-secures-27-votes</guid><pubDate>Fri, 17 Jul 2026 12:32:51 +05:30</pubDate><description><![CDATA[<p>દક્ષિણ ગુજરાતની લાખો પશુપાલક મહિલાઓ અને ખેડૂતોની આર્થિક જીવાદોરી સમાન સુરત અને તાપી જિલ્લાની સુમુલ ડેરીના નવા શાસકો ચૂંટવા માટેની ઉત્તેજનાનો આજે સુખદ અંત આવ્યો છે. સવારથી જ સુરત સ્થિત મુખ્ય મથક ખાતે સહકારી આગેવાનો, રાજકીય નેતાઓ અને ટેકેદારોની ભારે ભીડ જામી હતી. સૌની નજર 9 બેઠકો પર નસીબ અજમાવી રહેલા 21 ઉમેદવારોના પરિણામો પર ટકેલી હતી.</p><h2><b>સુમુલ ડેરીમાં ફરી ભાજપનો ડંકો</b></h2><p>નક્કી કરાયેલા સમયપત્રક મુજબ સવારે 11:00 વાગ્યે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. આ ચૂંટણી એટલી રસાકસીભરી હતી કે માત્ર એક કલાકના ટૂંકા ગાળામાં જ તમામ બેઠકોના પરિણામો ક્રમશઃ જાહેર થઈ ગયા હતા. જોકે, ચૂંટણી પૂર્વે જે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી તે સાચી સાબિત થઈ હતી; ભાજપ પ્રેરિત સત્તાધારી પેનલે આંતરિક અસંતોષ અને બળવાના કારણે 16 બેઠકોમાંથી 1 થી 2 બેઠકો ગુમાવવાનો વારો આવ્યો હતો. જેને પગલે વિપક્ષ અને અપક્ષ છાવણીમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.</p><h3><b>ચૂંટણીમાં ભાજપ પ્રેરિત ધનસુખ પટેલનો ભવ્ય વિજય</b></h3><p>બેઠકોના પરિણામો જાહેર થયા બાદ સૌ કોઈની ઉત્સુકતા પ્રમુખ અને ઉપપ્રમુખ પદ પર કોની વરણી થાય છે તેના પર કેન્દ્રિત થઈ હતી. આ માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ખાસ સભા બોલાવવામાં આવી હતી. પ્રમુખ પદ માટે સત્તાધારી ભાજપ તરફથી પીઢ સહકારી નેતા ધનસુખ પટેલનું નામ પ્રસ્તાવિત કરાયું હતું, જેની સામે અપક્ષ અને બળવાખોર જૂથે પણ પોતાનો ઉમેદવાર મેદાનમાં ઉતારીને ચૂંટણી ફરજિયાત બનાવી હતી.</p><h4><b>સહકારી ક્ષેત્રમાં ભગવો લહેરાતા સમર્થકોમાં ભારે ઉત્સાહ</b></h4><p>મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિણામો જાહેર થતાં જ ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ ગયું હતું. ભાજપના સંગઠનાત્મક માઇક્રો પ્લાનિંગ સામે અપક્ષોની વ્યૂહરચના નિષ્ફળ સાબિત થઈ હતી. ભાજપના સત્તાવાર ઉમેદવાર ધનસુખ પટેલને 27 મતો મળ્યા હતા, જ્યારે અપક્ષ ઉમેદવારના ખાતામાં માત્ર 12 મતો જ પડ્યા હતા. 15 મતોના સ્પષ્ટ તફાવત સાથે ધનસુખ પટેલ સુમુલ ડેરીના પ્રમુખ પદે ફરી એકવાર શાનદાર રીતે ચૂંટાઈ આવ્યા છે. આ વિજય સાથે જ સુમુલ ડેરીના પરિસરમાં વિજય ઉત્સવ શરૂ થઈ ગયો હતો અને ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી અને અબીલ-ગુલાલની છોળો ઉડાડીને જીત વધાવી લીધી હતી.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/rajkot/massive-fire-breaks-out-at-uttam-sofa-factory-in-ram-park-rajkot-one-critical" target="_blank">આ પણ વાંચો: Rajkot:  હુડકો ચોકડી પાસે આવેલા સોફાના કારખાનામાં લાગી આગ, એક વ્યક્તિની હાલત ગંભીર</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/eS6QiAosnEovuYhn2keswRsGmPCvw1UiiRfmzrDL.webp'/></item></channel></rss>