<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Gandhinagar News: રાજ્યની શાળાઓમાં  3 દિવસમાં 16.35 લાખ વિદ્યાર્થીઓનું નામાંકન થયું ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/over-16-35-lakh-students-enrolled-during-gujarat-school-enrollment-drive-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/over-16-35-lakh-students-enrolled-during-gujarat-school-enrollment-drive-2026</guid><pubDate>Thu, 25 Jun 2026 21:51:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજ્યમાં શિક્ષણના ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026 સંપન્ન થયો છે.જેમાં રાજ્યભરમાંથી ત્રણ દિવસ દરમિયાન કુલ 16.35 લાખથી વધુ વિદ્યાર્થીઓએ શાળામાં નામાંકન કરાવીને શિક્ષણના અભિયાનમાં સહભાગી થયા છે.પ્રવેશોત્સવના છેલ્લા દિવસે એટલે કે 25 જૂનના રોજ રાજ્યભરમાં કુલ 8287 ગામો અને 12495 શાળાઓમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત કુલ 27959 મહાનુભાવો વિવિધ શાળાઓની મુલાકાત લઈને વિદ્યાર્થીઓનો પ્રવેશ માટે ઉત્સાહ વધાર્યો હતો.તા.23 થી 25 જૂન 2026 દરમિયાન ત્રણ દિવસમાં રાજ્યભરમાં કુલ 25625 ગામો અને 37211 શાળાઓને આવરી લેવામાં આવી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>62 હજારથી વધુ બાળકોએ અક્ષરજ્ઞાનનો શ્રીગણેશ કર્યો</b></h2><p style="text-align: justify; ">આજે પ્રવેશોત્સવ દરમિયાન આંગણવાડી અને બાલમંદિરમાં 62 હજારથી વધુ બાળકોએ અક્ષરજ્ઞાનનો શ્રીગણેશ કર્યો હતો. બાલવાટિકામાં કુલ 1.46 લાખ કરતાં વધુ નવા નામાંકન નોંધાયા છે.આ ઉપરાંત ધોરણ 1માં 34 હજારથી વધુ,ધોરણ 9માં 1.79 લાખથી વધુ,ધોરણ 11માં 91613 જેટલા વિદ્યાર્થીઓ તેમજ Back to School Survey’ મુજબ 25070 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પ્રવેશ મેળવી શાળા પ્રવેશોત્સવને ખરા અર્થમાં સફળ બનાવ્યો છે.આજે રાજ્ય સરકાર દ્વારા 999 જેટલી શાળાઓમાં નવીન પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.કન્યા કેળવણીને વધુ વેગ આપવા માટે પ્રવેશોત્સવ દરમિયાન રાજ્યની 3935 જેટલી પ્રતિભાશાળી કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ અર્પણ કરીને તેમને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી.</p><h3 style="text-align: justify; "><b>શિક્ષણના આ યજ્ઞને વધુ વેગ આપ્યો</b></h3><p style="text-align: justify; ">રાજ્યની ઉદાર જનતાએ આ શિક્ષણ યજ્ઞને લોકોત્સવનું સ્વરૂપ આપીને ખુલ્લા હાથે સહયોગ આપ્યો છે.આ અભિયાન દરમિયાન લોકભાગીદારી સ્વરૂપે કુલ રૂ. 10.71 કરોડ કરતાં વધુની માતબર સહાય પ્રાપ્ત થઈ હતી.તેમાં 1.52 કરોડ કરતાં વધુ રોકડ સ્વરૂપે તેમજ રૂ.9.18 કરોડ કરતાં વધુના મૂલ્યના વિવિધ શૈક્ષણિક સાધનો શાળાઓને ભેટરૂપે અર્પણ કરવામાં આવ્યા હતા.ત્રણ દિવસ દરમિયાન દાતાઓ દ્વારા રાજ્યભરમાંથી રોકડ અને વસ્તુ સ્વરૂપે કુલ 28.97 કરોડથી વધુનું દાન આપીને શિક્ષણના આ યજ્ઞને વધુ વેગ આપ્યો છે.&nbsp;<br><br><a href="https://sandesh.com/india/news/are-passport--aadhaar-and-voter-id-not-proof-of-indian-citizenship" target="_blank">આ પણ વાંચોઃ Sandesh Explainer: શું પાસપોર્ટ, આધાર અને ચૂંટણી કાર્ડ નાગરિક હોવાનો પૂરાવો નથી?</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/a2HDNFS0eV3yKOKUndPsnZo5U6YhhpMEnN5PZHed.webp'/></item><item><title><![CDATA[Gujarat News: ચોમાસા પહેલા રાજ્યની પ્રાથમિક શાળાઓ અને હોસ્ટેલ માટે સરકારે માર્ગદર્શિકા જાહેર કરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/government-issues-monsoon-safety-guidelines-for-primary-schools-and-hostels</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/government-issues-monsoon-safety-guidelines-for-primary-schools-and-hostels</guid><pubDate>Thu, 25 Jun 2026 21:18:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે રાજ્યની પ્રાથમિક શાળાઓ અને હોસ્ટેલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે. શિક્ષણ વિભાગ દ્વારા 'સ્કૂલ સેફ્ટી' અંતર્ગત વ્યાપક અને કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેના અમલીકરણ માટે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ (DEO), જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ અને શાસનાધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>જર્જરિત ઓરડા અને સુરક્ષા પર વિશેષ ભાર</b></h2><p style="text-align: justify; ">સરકારની નવી માર્ગદર્શિકા મુજબ રાજ્યની કોઈપણ શાળાના જર્જરિત ઓરડાઓમાં વિદ્યાર્થીઓને બેસાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.આ ઉપરાંત શાળા અને હોસ્ટેલ પરિસરની છત તેમજ મેદાનની સફાઈ ચોમાસા પૂર્વે જ પૂર્ણ કરી લેવા તાકીદ કરવામાં આવી છે.વીજળીના જોખમોને ટાળવા માટે પરિસરમાં ખુલ્લા વાયરો ન રહે અને અર્થિંગની યોગ્ય વ્યવસ્થા હોય તે સુનિશ્ચિત કરવું પડશે.માત્ર ISI માર્કાવાળા જ વીજ ઉપકરણોનો ઉપયોગ કરવા આદેશ અપાયો છે.</p><h3 style="text-align: justify; "><b>પૂર અને અતિવૃષ્ટિ માટે ઇમરજન્સી પ્રોટોકોલ</b></h3><p style="text-align: justify; ">ચોમાસા દરમિયાન પૂર કે ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે સરકારે ઇમરજન્સી પ્રોટોકોલ જાહેર કર્યો છે. અતિવૃષ્ટિના સમયે સ્થિતિની ગંભીરતાને આધારે સ્થાનિક અધિકારીઓએ પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને તાત્કાલિક નિર્ણય લેવાના રહેશે.આ સમયગાળા દરમિયાન TPEOની પૂર્વ મંજૂરી વિના શાળા બંધ કરવી કે શાળા છોડવી નહીં તેવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. આ સાથે દરેક શાળામાં ઇમરજન્સી કીટ હંમેશા હાથવગી રાખવા પણ જણાવાયું છે.</p><h2 style="text-align: justify; "><b>બાંધકામ અને અનિચ્છનીય ઘટનાઓ પર રોક</b></h2><p style="text-align: justify; ">શાળા કેમ્પસમાં જો કોઈ બાંધકામ ચાલુ હોય તો ત્યાં પણ સુરક્ષાના કડક નિયમોનું પાલન કરવાનું રહેશે જેથી વિદ્યાર્થીઓને કોઈ જોખમ ન રહે. અગાઉ બની ચૂકેલી દુર્ઘટનાઓને ધ્યાનમાં લેતા, શિક્ષણ વિભાગે આ વખતે પૂર્વ તૈયારી રૂપે આ માર્ગદર્શિકા બહાર પાડી છે, જેથી ચોમાસામાં વિદ્યાર્થીઓના જીવનું જોખમ ટાળી શકાય અને કોઈ પણ અનિચ્છનીય ઘટના બનતી અટકાવી શકાય.<br><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/lathi-chhakdo-rickshaw-road-accident-seven-injured" target="_blank">આ પણ વાંચોઃ Amreli News: લાઠી નજીક છકડો પલટી જતા અકસ્માત, 7 મુસાફરો લોહીલુહાણ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/Q7K0SdFqff49QIzBGjdJyd39q1h1KSTqnrrlWxoM.webp'/></item><item><title><![CDATA[Ram Mandir Donation Row : દાન ચોરી મામલે 8 લોકો સામે નામજોગ FIR દાખલ ]]></title><link>https://sandesh.com/india/news/ram-mandir-donation-row-fir-against-8-accused-ayodhya-donation-theft-case</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ram-mandir-donation-row-fir-against-8-accused-ayodhya-donation-theft-case</guid><pubDate>Thu, 25 Jun 2026 21:17:05 +05:30</pubDate><description><![CDATA[<p>અયોધ્યાના રામ મંદિરમાં દાનની રકમમાં થયેલી કથિત ગેરરીતિના મામલે ગુરુવારે સત્તાવાર રીતે FIR નોંધવામાં આવી છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની ફરિયાદ અને વિશેષ તપાસ ટીમ (SIT)ની ભલામણ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2070152157630963907"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>કોના કોના નામ છે સામેલ?</b></h2><p>મળતી માહિતી અનુસાર, FIRમાં કુલ 8 લોકોના નામ સામેલ કરવામાં આવ્યા છે. જેમાં લવકુશ મિશ્રા, અનુકલ્પ મિશ્રા, રમાશંકર યાદવ, અવિનાશ શુક્લા, મનીષ યાદવ, રમાશંકર મિશ્રા, સુભાષ અને કરુણેશનો સમાવેશ થાય છે. પોલીસએ મુખ્ય આરોપી લવકુશ મિશ્રા અને અનુકલ્પ મિશ્રાની ધરપકડ કરી છે. બંને મંદિરના દાનમાં મળેલી રોકડની ગણતરી સાથે સંકળાયેલા હોવાનું જણાવવામાં આવ્યું છે.</p><h3><b>વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો&nbsp;</b></h3><p>આ ઉપરાંત કેટલાક અન્ય આરોપીઓને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ સરકારના નિર્દેશ બાદ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે. આરોપોમાં ચોરી, ગબન, છેતરપિંડી, વિશ્વાસઘાત અને ગુનાહિત કાવતરું રચવા જેવા ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે.</p><h4><b>આ કેસ પ્રથમ વખત 7 જૂને ચર્ચામાં આવ્યો</b></h4><p>તપાસ દરમિયાન જેમની પાસેથી રોકડ રકમ મળી આવી છે, તેઓને પણ કેસમાં નામજોગ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, આગામી દિવસોમાં વધુ ધરપકડો થઈ શકે છે. આ કેસ પ્રથમ વખત 7 જૂને ચર્ચામાં આવ્યો હતો, જ્યારે અખિલેશ યાદવે રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા આપવામાં આવેલા કરોડો રૂપિયાના દાનમાં ગેરરીતિના આરોપો લગાવ્યા હતા અને ન્યાયિક તપાસની માગ કરી હતી.<br><br><b><a href="https://sandesh.com/india/breakingnews/lpg-supply-restrictions-removed-india-government-decision-free-distribution" target="_blank">આ પણ વાંચો : LPG Supply Restrictions : કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, LPG સપ્લાય પર લાગેલા તમામ પ્રતિબંધો હટાવ્યા</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/J9Zm9MAYr7Zy4NcRFDhs9r8DpUx0EyLkycrDrMDE.webp'/></item><item><title><![CDATA[Vadodaraના સાધલીમાં બ્યુટીફિકેશન કામગીરી દરમિયાન વીજ પોલ થયો ધારાશાયી, એક મહિલા ગંભીર ઇજાગ્રસ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/an-electricity-pole-fell-during-beautification-work-in-sadhli-vadodara-a-woman-was-seriously-injured</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/an-electricity-pole-fell-during-beautification-work-in-sadhli-vadodara-a-woman-was-seriously-injured</guid><pubDate>Thu, 25 Jun 2026 20:21:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરાના સાધલીમાંથી તંત્ર અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી ઉજાગર કરતી એક મોટી દુર્ઘટના સામે આવી છે. સાધલીમાં તળાવના બ્યુટીફિકેશન (સુશોભીકરણ) ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન એક હાઇડ્રોલિક હિટાચી મશીન રસ્તા પરથી પસાર થઈ રહેલા હાઈ-ટેન્શન વીજ વાયરો સાથે ધડાકાભેર અથડાયું હતું. ચાલકની બેદરકારીના કારણે એક વિશાળ વીજ પોલ પળવારમાં મુખ્ય માર્ગ પર ધારાશાયી થઈ ગયો હતો. મદીના મસ્જિદની બિલકુલ સામે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી.</p><h2 style="text-align: justify; ">મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત, બાઇકનો કચ્ચરઘાણ</h2><p style="text-align: justify;">વીજ પોલ જ્યારે રસ્તા પર પડ્યો ત્યારે તેની લપેટમાં ત્યાં નજીક ઉભેલી એક સ્થાનિક મહિલા આવી ગઈ હતી. લોખંડનો ભારેભરખમ પોલ માથે પડતાં મહિલાને શરીરે અને માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી મહિલાને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી. આ ઉપરાંત, વીજ પોલની બિલકુલ નીચે ઉભેલી એક મોટરસાયકલ પર થાંભલો પડતાં બાઇકને પણ મોટું નુકસાન થયું હતું અને તેનો કચ્ચરઘાણ વળી ગયો હતો.</p><h3 style="text-align: justify; ">જીવતા વીજ વાયરો રસ્તા પર ફેલાતા ભયનો માહોલ</h3><p style="text-align: justify; ">આ અકસ્માત એટલો જોખમી હતો કે પોલ તૂટવાની સાથે જ હજારો વોલ્ટનો કરંટ ધરાવતા જીવતા વીજ વાયરો સરેઆમ મુખ્ય રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા. રસ્તા પર જીવતા વાયરો ફેલાઈ જતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે ભયનો માહોલ વ્યાપી ગયો હતો. સ્થાનિક લોકોએ તુરંત વીજ કંપનીને જાણ કરીને લાઇન બંધ કરાવી હતી, જેના કારણે મોટી જાનહાનિ થતાં અટકી ગઈ હતી. ગ્રામજનોનો સીધો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર અને હિટાચી ચાલકે આસપાસના વીજ વાયરોનું ધ્યાન રાખ્યા વિના મશીન ચલાવતા આ દુર્ઘટના સર્જાઈ છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/nVCbLqsaj3xJvkG076w09ZSk23rXlcKjA3yunFnh.webp'/></item><item><title><![CDATA[Ram Mandirમાં લાગુ થયા 8 મોટા નિયમ, હવે દાનની રકમમાં નહીં થાય કોઈ ગોલમાલ! ]]></title><link>https://sandesh.com/india/news/ram-mandir-new-rules-donation-transparency-audit-system-uttar-pradesh</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ram-mandir-new-rules-donation-transparency-audit-system-uttar-pradesh</guid><pubDate>Thu, 25 Jun 2026 20:06:23 +05:30</pubDate><description><![CDATA[<p>અયોધ્યાના રામ મંદિરમાં દાનની રકમમાં અનિયમિતતાના આરોપો બાદ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે દાન ગણતરી અને બેન્કમાં જમા કરવાની સમગ્ર પ્રક્રિયામાં મોટા ફેરફારો કર્યા છે. ટ્રસ્ટે સુરક્ષા, દેખરેખ અને જવાબદારી વધારવા માટે કુલ 8 નવા નિયમો લાગુ કર્યા છે, જેથી કોઈપણ પ્રકારની ગેરરીતિની શક્યતા ન રહે.</p><h2><b>કડક સુરક્ષા વ્યવસ્થા અમલમાં મુકાઈ&nbsp;</b></h2><p>નવા નિયમો મુજબ હવે દાનપેટીથી લઈને ગણતરી રૂમ સુધી પ્રવેશ કરનાર કર્મચારીઓ માટે કડક સુરક્ષા વ્યવસ્થા અમલમાં મુકાઈ છે. એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર ફરજિયાત ફ્રિસ્કિંગ (તપાસ) કરવામાં આવશે. કર્મચારીઓને ખિસ્સા વગરના કપડાં પહેરીને જ દાન ગણતરી પ્રક્રિયામાં જોડાવાની મંજૂરી આપવામાં આવશે. મોબાઈલ ફોન, ઈલેક્ટ્રોનિક ગેજેટ, પર્સ અથવા બેગ સાથે પ્રવેશ સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે.</p><h3><b>CCTV ફૂટેજ 180 દિવસ સુધી સુરક્ષિત રાખવામાં આવશે</b></h3><p>ટ્રસ્ટે CCTV દેખરેખને વધુ મજબૂત બનાવી છે. હવે CCTV ફૂટેજ 45 દિવસની બદલે 180 દિવસ સુધી સુરક્ષિત રાખવામાં આવશે. કેશ બોક્સ ડબલ લોક સિસ્ટમ હેઠળ બેન્કમાં મોકલવામાં આવશે અને તેની ચાવીઓ બે અલગ અલગ વ્યક્તિઓ પાસે રહેશે. દાનપેટી ખોલવાથી લઈને રોકડ ગણતરી સુધીની સમગ્ર પ્રક્રિયા હવે સતત કેમેરાની નજર હેઠળ રહેશે.</p><h4><b>5થી 20 લાખ રૂપિયા દૈનિક બેન્કમાં જમા થાય છે</b></h4><p>આ પ્રક્રિયામાં ભારતીય સ્ટેટ બેન્કના કર્મચારીઓ પણ સામેલ હોય છે. મંદિરમાં દરરોજ સવારે 8થી રાત્રે 8 સુધી રોકડની ગણતરી થાય છે અને સરેરાશ 15થી 20 લાખ રૂપિયા દૈનિક બેન્કમાં જમા થાય છે. ટ્રસ્ટનું કહેવું છે કે આ તમામ ફેરફારોનો મુખ્ય હેતુ દાન વ્યવસ્થામાં સંપૂર્ણ પારદર્શિતા લાવવો અને શ્રદ્ધાળુઓનો વિશ્વાસ વધુ મજબૂત બનાવવો છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/crime/madhya-pradesh-ujjain-badnagar-crane-car-blast-muharram-procession-fir" target="_blank">આ પણ વાંચો : Madhya Pradesh : ઉજ્જૈનના વડનગરમાં ક્રેન પર કાર લટકાવી કર્યો બ્લાસ્ટ, 4 લોકો સામે થઈ FIR</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/PU5xW3AlHz0itOt6Wn0eHPjVlOxGMbYuY1QjHZS5.webp'/></item><item><title><![CDATA[Vadodara News: મકરપુરાની સોસાયટીમાં એકસાથે 5 મકાનોના તાળા તૂટ્યા, હથિયારો સાથે તસ્કરો CCTVમાં કેદ ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-news-locks-of-5-houses-broken-at-once-in-makarpura-society-smugglers-captured-on-cctv-with-weapons</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-news-locks-of-5-houses-broken-at-once-in-makarpura-society-smugglers-captured-on-cctv-with-weapons</guid><pubDate>Thu, 25 Jun 2026 18:38:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી ગ્રીન પાર્ક સોસાયટીમાં મોડી રાત્રે કુખ્યાત 'ચડ્ડી-બનિયાન ગેંગ'ના તસ્કરોએ ભારે આતંક મચાવ્યો હતો. આ શાતિર ગેંગની ટોળકીએ સોસાયટીમાં ઘૂસીને એક જ રાતમાં એકસાથે ૫ જેટલા મકાનોના તાળા તોડી ધાડ પાડી હતી. આ સામૂહિક ચોરીની ઘટનાને પગલે સમગ્ર સોસાયટી સહિત આસપાસના વિસ્તારોમાં ભારે અરેરાટી અને ભયનો માહોલ વ્યાપી ગયો છે.</p><h2 style="text-align: justify; ">હાથમાં ચપ્પલ અને હથિયારો સાથે રેકી કરતા દેખાયા</h2><p style="text-align: justify; ">આ આખી ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે ગેંગના સાગરીતો પરંપરાગત ચડ્ડી-બનિયાન પહેરીને, અવાજ ન થાય તે માટે હાથમાં ચપ્પલ પકડીને સોસાયટીની ગલીઓમાં રેકી કરી રહ્યા છે. એટલું જ નહીં, તસ્કરોના હાથમાં તીક્ષ્ણ અને જોખમી હથિયારો પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. હથિયારધારી તસ્કરોની આ હિલચાલ જોઈને સ્થાનિક રહીશોમાં પોતાની સુરક્ષાને લઈને ભારે ચિંતા અને ફફડાટ ફેલાયો છે કે જો કોઈ જાગી ગયું હોત તો મોટી જાનહાનિ પણ થઈ શકી હોત.</p><h3 style="text-align: justify; ">CCTV ફૂટેજના આધારે મકરપુરા પોલીસ એક્શનમાં</h3><p style="text-align: justify; ">મકરપુરા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ગ્રીન પાર્ક સોસાયટી ખાતે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને એફએસએલ તેમજ ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની મદદથી સ્થળ પરથી જરૂરી વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે સોસાયટીના સીસીટીવી ફૂટેજ પોતાના કબજામાં લઈ તેના આધારે તસ્કરોની ઓળખ મેળવવા અને તેમને ઝડપી પાડવા માટે જુદી-જુદી ટીમો બનાવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સ્થાનિક લોકોએ વહેલી તકે આ ગેંગને પકડી પાડી વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/J2jxeMMhoqFtRJdUw0c6DsyuRZahCNtnQ8zVSztX.webp'/></item><item><title><![CDATA[Samantha Confirm Pregnancy: સમન્થા અને રાજ બનશે માતા-પિતા, અભિનેત્રીએ પ્રસૂતિ વિરામની કરી જાહેરાત ]]></title><link>https://sandesh.com/entertainment/news/india/samantha-confirms-pregnancy-samantha-and-raj-will-become-parents-actress-announces-maternity-leave</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/india/samantha-confirms-pregnancy-samantha-and-raj-will-become-parents-actress-announces-maternity-leave</guid><pubDate>Thu, 25 Jun 2026 18:38:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">સમન્થા રૂથ પ્રભુ અને રાજ નિદિમોરુ તેમના પ્રથમ બાળકને આવકારવા માટે તૈયાર છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">ચાહકોને ખુશ થવા માટે આપ્યુ કારણ</h2><p style="text-align: justify; ">સમન્થાની 'મા ઇન્તી બંગારામ' બોક્સ ઓફિસ પર જોરદાર સારું પ્રદર્શન કરી રહી છે. ફિલ્મ રિલીઝ થયાના માત્ર છ દિવસમાં જ તેના બજેટમાં બમણી કમાણી કરી ચૂકી છે. 'મા ઇન્તી બંગારામ'ની સફળતાનો આનંદ માણી રહેલી સામન્થા રૂથ પ્રભુએ ચાહકોને ખુશ થવા માટે બીજું કારણ આપ્યું છે. અભિનેત્રીએ તેની ગર્ભાવસ્થાની પુષ્ટિ કરી છે. આ સારા સમાચાર શેર કરતા, સામન્થાએ એ પણ જાહેરાત કરી કે, તે ટૂંક સમયમાં પ્રસૂતિ વિરામ લેશે.</p><h3 style="text-align: justify; ">મેટરનિટી લીવ લેશે સામન્થા</h3><p style="text-align: justify; ">સમન્થા રૂથ પ્રભુએ બુધવારે હૈદરાબાદમાં તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ મા ઇન્તી બંગારામની સફળતાની મીટિંગમાં આ સારા સમાચાર શેર કર્યા. આ કાર્યક્રમમાં મીડિયા સાથે વાત કરતા, સામન્થાએ કહ્યું કે તે તેના વર્તમાન પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા પછી થોડા સમય માટે અભિનયમાંથી વિરામ લેવાની યોજના ધરાવે છે. સામન્થાએ કહ્યું, મા ઇન્તી બંગારામ પછી, મારી તબિયત ખરાબ હોવાથી મારે થોડો સમય વિરામ લેવો પડશે. મારે મેટરનિટી લીવ લેવી પડશે. તે પછી, હું મારા ચાહકો માટે બીજી ફિલ્મ લઈને પાછી આવીશ.</p><h4 style="text-align: justify; ">"મા ઇન્તી બંગારામ"ની સફળતાની ઉજવણી</h4><p style="text-align: justify; ">આ જાહેરાત પછી, હાજર લોકોએ સામન્થાને અભિનંદન પાઠવ્યા. અભિનેત્રીએ બધાનો આભાર પણ માન્યો અને તેમના પ્રેમ અને સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.નોંધનીય છે કે જ્યારે સામન્થાએ તેની ગર્ભાવસ્થાની પુષ્ટિ કરી, ત્યારે તેના પતિ રાજ નિદિમોરુ તેની બાજુમાં બેઠેલા હતા અને હાજર રહેલા લોકો સાથે હસતા હસતા જોવા મળ્યા. સામન્થાની ગર્ભાવસ્થાની પુષ્ટિ "મા ઇન્તી બંગારામ" ના સફળતાના ઉજવણીના ક્લિપ્સ વાયરલ થયા પછી આવી છે, જેમાં ચાહકોએ અભિનેત્રીને તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોઈ હતી.&nbsp;</p><h5 style="text-align: justify; ">સમન્થા અને રાજનું અંગત જીવન&nbsp;</h5><p style="text-align: justify; ">સમન્થાએ અભિનેતા નાગા ચૈતન્ય સાથે થોડા વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ 2017માં લગ્ન કર્યા હતા. પરંતુ આ દંપતી 2021માં અલગ થયુ હતુ. રાજના પહેલા લગ્ન શ્યામલી ડે સાથે થયા હતા, અને તેઓ ક્યારે અલગ થયા તે જાણી શકાયું નથી. સમન્થાએ રાજ સાથે ધ ફેમિલી મેન સીઝન 2 અને સિટાડેલ: હની બનીમાં કામ કર્યું હતું. ગયા વર્ષે, તેણીએ 1 ડિસેમ્બર, 2025 ના રોજ તેમના લગ્ન પહેલા તેના સોશિયલ મીડિયા પર રાજના ફોટા પોસ્ટ કરવાનું શરૂ કર્યું. જોકે તેમના ડેટિંગની અફવાઓ હતી, પરંતુ તેમના લગ્નના સમાચાર આશ્ચર્યજનક હતા. તેઓએ કોઈમ્બતુરના ઈશા યોગ સેન્ટરમાં લગ્ન કર્યા હતા.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/india/news/business/flight-ticket-price-drop-relief-news-for-air-passengers-flight-tickets-may-soon-become-cheaper" target="_blank">હવાઈ ​​મુસાફરો માટે રાહતના સમાચાર, ફ્લાઇટ ટિકિટ ટૂંક સમયમાં થઈ શકે છે સસ્તી</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/Vy6Xl7l3oCADsU3N2dahUNxXe5KysrsUwkvIvD8p.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: વિરમગામ નગરપાલિકાની ડ્રેનેજ સમિતિના ચેરમેને આપ્યું રાજીનામું, જાણો શું છે કારણ? ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ahmedabad/viramgam-nagarpalika-drainage-committee-chairman-suresh-dalwadi-resigned</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ahmedabad/viramgam-nagarpalika-drainage-committee-chairman-suresh-dalwadi-resigned</guid><pubDate>Thu, 25 Jun 2026 18:07:43 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના વિરમગામમાંથી એક મોટા રાજકીય સમાચાર સામે આવી રહ્યા છે. વિરમગામ નગરપાલિકાના ડ્રેનેજ સમિતિના ચેરમેન સુરેશભાઈ જગદીશભાઈ દલવાડીએ અચાનક જ પોતાના ચેરમેન પદેથી રાજીનામું ધરી દેતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપના શાસનવાળી આ નગરપાલિકામાં ચેરમેનના રાજીનામાને લઈને ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે.</p><h2><b>સામાન્ય સભામાં થઈ હતી નિમણૂંક, ટૂંકા ગાળામાં જ પદ છોડ્યું</b></h2><p>મળતી માહિતી અનુસાર, વિરમગામ નગરપાલિકાના વોર્ડ નંબર-3 ના ચૂંટાયેલા સદસ્ય અને ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર સુરેશભાઈ દલવાડીને નગરપાલિકાની સામાન્ય સભા દરમિયાન ડ્રેનેજ સમિતિના ચેરમેન જેવી મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે, આ નિમણૂંકના ટૂંકા ગાળામાં જ તેમણે પદ પરથી સ્વેચ્છાએ નિકળી જવાનો નિર્ણય કર્યો છે.</p><p><img title="Ahmedabad News: Viramgam Nagarpalika Drainage Committee Chairman Suresh Dalwadi Resigns" src="https://epapercdn.sandesh.com/images/2026/06/25/bTZu9pgpIL2G9avhYXCxYXB7kjagk1rde9H8QrQB.webp" style="width: 100%;"><br></p><h2><b>રાજીનામા પાછળ બીમારીનું કારણ આગળ ધરાયું</b></h2><p>સુરેશભાઈ દલવાડીના આ અચાનક રાજીનામા પાછળ કોઈ રાજકીય નારાજગી છે કે, અન્ય કોઈ કારણ, તે અંગે અટકળો ચાલી રહી હતી. જોકે, તેમણે આપેલા રાજીનામા પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે, તેઓ થોડા સમયથી બીમારીનો સામનો કરી રહ્યા છે. બીમારીના કારણે તેઓ આ મહત્વની જવાબદારી અને ફરજ પૂરતી નિષ્ઠાથી નિભાવી શકે તેમ ન હોવાથી તેમણે સ્વેચ્છાએ ડ્રેનેજ સમિતિના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/viramgam-surendranagar-highway-triple-accident-thori-mubarak-youth-dead-injured" target="_blank">Ahmedabad: વિરમગામ-સુરેન્દ્રનગર હાઈવે પર ત્રિપલ અકસ્માતમાં એકનું મોત, બાળક સહિત 3 ઘાયલ થયા</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/4x1m6uTnOBg7qwkRaOto1lt04kEavXxCw2G0FxsR.webp'/></item><item><title><![CDATA[Share Market 26 જૂનથી સતત 3 દિવસ રહેશે બંધ, જાણો કારણ ]]></title><link>https://sandesh.com/business/news/share-market-closed-3-days-muharram-holiday-on-june-26</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/share-market-closed-3-days-muharram-holiday-on-june-26</guid><pubDate>Thu, 25 Jun 2026 18:01:01 +05:30</pubDate><description><![CDATA[<p>મુહર્રમના તહેવારને કારણે દેશના શેરબજારમાં આ સપ્તાહે ટ્રેડિંગનો એક દિવસ ઓછો રહ્યો છે. સામાન્ય રીતે પાંચ દિવસ ખુલ્લા રહેતા બજારોમાં આ વખતે માત્ર ચાર દિવસ જ વેપાર થયો. હવે 26 જૂનના રોજ દેશના મુખ્ય શેરબજાર BSE અને NSE સંપૂર્ણ રીતે બંધ રહેશે.</p><h2><b>રોકાણકારોને શેરની ખરીદી અને વેચાણ માટે રાહ જોવી પડશે</b></h2><p>મુહર્રમની રજાને કારણે રોકાણકારોને સતત ત્રણ દિવસ સુધી બજારમાં ટ્રેડિંગનો અવકાશ નહીં મળે. આ દરમિયાન શુક્રવારથી લઈને રવિવાર સુધી બજાર બંધ રહેશે અને ફરી 29 જૂન, સોમવારથી નિયમિત કામગીરી શરૂ થશે. આથી રોકાણકારો માટે ખરીદી અને વેચાણ માટે રાહ જોવી પડશે. આ સાથે કમોડિટી માર્કેટ MCX ઈન્ડિયામાં પણ 26 જૂને ખાસ ફેરફાર રહેશે. અહીં સવારે સત્રનું ટ્રેડિંગ બંધ રહેશે, જ્યારે સાંજનું સત્ર યથાવત ચાલુ રહેશે.</p><p>શેરબજારના હોલિડે કેલેન્ડર મુજબ વર્ષ દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ તહેવારો પર રજાઓ રહે છે. આગામી સમયમાં 15 ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ), 14 સપ્ટેમ્બર (ગણેશ ચતુર્થી), 2 ઓક્ટોબર (મહાત્મા ગાંધી જયંતિ) અને 20 ઓક્ટોબર (દશેરા) પર પણ બજાર બંધ રહેશે. જોકે આ વર્ષે 15 ઓગસ્ટ શનિવાર હોવાથી તે સ્વાભાવિક રજામાં આવી જાય છે.</p><h3><b>બેન્કો અને સરકારી કચેરીઓ પણ 26 જૂને બંધ રહેશે</b></h3><p>બીજી તરફ, દેશના મોટા ભાગના વિસ્તારોમાં બેન્કો અને સરકારી કચેરીઓ પણ 26 જૂને બંધ રહેશે. જોકે અમદાવાદ, ભુવનેશ્વર, ચંડીગઢ, દેહરાદૂન, ગંગટોક, ગુવાહાટી, ઈમ્ફાલ, ઇટાનગર, જયપુર, કોહિમા, શિમલા, શિલોંગ અને તિરુવનંતપુરમ જેવા શહેરોમાં બેન્કો કાર્યરત રહેશે. વધુમાં, 27 જૂને મહિનાનો ચોથો શનિવાર હોવાથી બેન્કો બંધ રહેશે. સામાન્ય રીતે દર મહિનાના બીજા અને ચોથા શનિવારે બેન્કોમાં રજા હોય છે. આ તમામ રજાઓને કારણે રોકાણકારો અને સામાન્ય નાગરિકોએ આગામી દિવસોમાં પોતાના નાણાકીય વ્યવહારોનું આયોજન કરી લેવું જરૂરી બન્યું છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/business/india-government-psu-share-sale-ofs-rs-25491-crore-highest-in-11-years" target="_blank">આ પણ વાંચો : PSUs Share Sale : 11 વર્ષમાં સરકારે સૌથી વધુ શેર વેચ્યા, OFS દ્વારા 25,491 કરોડ એકત્ર કરાયા</a></b></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/5EU6pHqbrpBtHnwNkFwnnTmlxXH21F0WPT978IL2.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026: બોસ્નિયાએ કતારને હરાવીને નોકઆઉટમાં પહોંચવાની આશા રાખી જીવંત ]]></title><link>https://sandesh.com/sports/news/bosnia-herzegovina-vs-qatar-3-1-win-tournament-hopes</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/bosnia-herzegovina-vs-qatar-3-1-win-tournament-hopes</guid><pubDate>Thu, 25 Jun 2026 16:27:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સિએટલ સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી મેચમાં બોસ્નિયા અને હર્ઝેગોવિનાએ કતારને 3-1થી હરાવીને પોતાની ટુર્નામેન્ટની આશા મજબૂત કરી. બોસ્નિયાએ પહેલા હાફમાં આક્રમક શરૂઆત કરી અને 29મી મિનિટે 18 વર્ષના કેરીમ અલાજબેગોવિચે બોક્સની બહારથી શાનદાર ગોલ કરીને ટીમને લીડ અપાવી.</p><h2 style="text-align: justify; "><b>બોસ્નિયા અને હર્ઝેગોવિનાએ લીડ બમણી કરી</b></h2><p style="text-align: justify; ">34મી મિનિટે બોસ્નિયાની લીડ બમણી થઈ ગઈ જ્યારે કતારના સુલતાન અલ્બ્રેકે (સ્કોરકાર્ડ મુજબ મહમૂદ અબુનાદા) એડિન ડઝેકોના ક્રોસને ક્લિયર કરવાનો પ્રયાસ કરતી વખતે બોલને પોતાના જ ગોલમાં ડિફ્લેક્ટ કર્યો.</p><p style="text-align: justify; ">પરંતુ કતારે વાપસી કરવાનો પ્રયાસ કર્યો અને 42મી મિનિટે અનુભવી હસન અલ્હાયડોસે ગોલ કરીને 2-1નો ફરક બનાવ્યો. પ્રથમ હાફ આ સ્કોર સાથે સમાપ્ત થયો.</p><h3 style="text-align: justify; "><b>એરમિન માહમિકના ડિફ્લેક્ટેડ શોટે કતારની આશાઓ પર પાણી ફેરવ્યું</b></h3><p style="text-align: justify; ">બીજા હાફમાં કતારે બરાબરી માટે દબાણ કર્યું અને કેટલીક સારી તકો બનાવી, પરંતુ બોસ્નિયાએ પોતાનો સંયમ જાળવી રાખ્યો. 80મી મિનિટે સબસ્ટિટ્યૂટ એરમિન માહમિકના ડિફ્લેક્ટેડ શોટે કતારની આશાઓ પર પાણી ફેરવી દીધું. આ જીત સાથે બોસ્નિયાએ 3-1થી નિર્ણાયક વિજય મેળવ્યો.</p><p style="text-align: justify; ">આ જીતથી બોસ્નિયા અને હર્ઝેગોવિનાને 4 પોઈન્ટ પણ મળ્યા, પરંતુ ગોલ તફાવત અને અન્ય માપદંડોને કારણે, ટીમ ત્રીજા સ્થાને રહી. હવે તેઓ અન્ય જૂથોના પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરશે, કારણ કે તેઓ બેસ્ટ ત્રીજા ક્રમાંકિત ટીમોમાં જોડાઈને રાઉન્ડ 32માં સ્થાન મેળવી શકે છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/entertainment/virat-kohli-photos-with-son-akaay-anushka-sharma" target="_blank">Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા&nbsp;</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/m8FwBuWVmBwMw2qSdCi9Bdthh1IC1o24akZVfjW8.webp'/></item></channel></rss>