<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[વલસાડ નગરમાં વર્ષ પહેલાં બનાવેલો રોડ પાણીના લીકેજથી ધોવાયો, જનતાને હાલાકી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/valsad/a-road-built-a-year-ago-in-valsad-town-was-washed-away-by-water-leakage-causing-distress-to-the-public</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/valsad/a-road-built-a-year-ago-in-valsad-town-was-washed-away-by-water-leakage-causing-distress-to-the-public</guid><pubDate>Mon, 08 Jun 2026 01:18:10 +05:30</pubDate><description><![CDATA[<p>વલસાડ પાલિકા હસ્તકના મહાત્મા ગાંધી લાઇબ્રરીની કંપાઉન્ડ વોલ પાસેથી પસાર થતી પાલિકાની</p><p>પાણીની પાઇપલાઇનમાં સર્જાયેલી ખામીના કારણે વહેલી સવારથી પાણી મંદ ગતિથી નીકળતું હોય, મોપેડ અને બાઇકચાલકોને અકસ્માત નડે
</p><p>તેવી શક્યતા છે.
</p><p>વલસાડ પાલિકા દ્વારા પાલિકા હસ્તકની શ્રી મહાત્મા ગાંધી લાઇબ્રરીના કંપાઉન્ડ વોલ
</p><p>પાસેથી પસાર થતા મુખ્ય રસ્તા પર પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરી આશરે 1 વર્ષ પહેલાં
</p><p>પૂર્ણ કરવામાં આવી હતી. જે બાદ ખાડાનું પુરાણ નહિ કરાતા સંદેશમાં અહેવાલો પ્રસિદ્ધ થતા પાલિકા દ્વારા પાઈપલાઈન
</p><p>નાખવાની કામગીરી સત્વરે પૂર્ણ કરવામાં આવી હતી. આ ઉપરાંત પાલિકા દ્વારા રોડનું રિસરફેસિંગ
</p><p>કામગીરી પણ પૂર્ણ કરી દેવાઈ હતી. છેલ્લા ત્રણ માસથી પાણીની પાઈપલાઈનમાંથી પાણી લીકેજ થવાની સમસ્યા શરૂ થઇ છે. પાણીની પાઈપલાઈન સર્જાતા લીકેજના કારણે
</p><p>પાણીનો જથ્થો રોડ પર પ્રસરે છે. જેના કારણે રોડ પરથી પસાર થતા મોપેડ અને બાઇકચાલકોના વાહનો સ્લીપ થવાના બનાવો બની
</p><p>રહ્યા છે. પાલિકાના અણઘડ વહીવટના કારણે નગરજનોમાં ભારે રોષ ફેલાયો છે.
</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/08/GxwknYdvmYc5d31JTCxyqizy1b28Cg0zBvwlHJj6.webp'/></item><item><title><![CDATA[જલાલપોરના વેસ્મા નજીક કેનાલની કરોડોની જમીન પર દબાણ, તંત્ર મૌન ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/navsari/pressure-on-canal-land-worth-crores-near-vesma-in-jalalpore-administration-silent</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/navsari/pressure-on-canal-land-worth-crores-near-vesma-in-jalalpore-administration-silent</guid><pubDate>Mon, 08 Jun 2026 01:17:10 +05:30</pubDate><description><![CDATA[<p>જલાલપોર તાલુકાના વેસ્મા નજીક સંદલપોર ગામ પાસે કાકરાપાર ઉભરાટ મુખ્ય કેનાલની બોરોપિટ</p><p>તરીકે ઓળખાતી કરોડોની સરકારી જમીન પર થયેલા કથિત ગેરકાયદેસર દબાણો સામે સિંચાઈ વિભાગની
</p><p>કાર્યવાહી પ્રશ્નચિહન હેઠળ આવી છે. કાયદાકીય નોટિસ અપાયા બાદ પણ દબાણો
</p><p>યથાવત રહેતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
</p><p>જલાલપોર તાલુકાના વેસ્માનજીક સંદલપોર ગામ પાસે આવેલા નવા સર્વે નંબર 181 નજીક કાકરાપાર
</p><p>ઉભરાટ મુખ્ય કેનાલની બોરોપિટ તરીકે ઓળખાતી સિંચાઈ વિભાગની કિંમતી સરકારી જમીન પર કથિત
</p><p>ગેરકાયદેસર દબાણોનો મુદ્દો ફરિ ચર્ચામાં આવ્યો છે.
</p><p>પ્રાપ્ત માહિતી મુજબ 'અગ્રવાલ પ્રગતિ ટ્રસ્ટ' દ્વારા આ જમીન પર પાઇપલાઇન સહિતનાં દબાણો ઊભા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું
</p><p>છે. ઉલ્લેખનીય છે કે, આ જમીન કેનાલના રક્ષણ, સમારકામ અને ભવિષ્યના વિકાસ માટે મહત્ત્વની માનવામાં આવે છે. દબાણોના કારણે કેનાલની સુરક્ષા સામે
</p><p>પણ જોખમ ઊભું થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મામલો સિંચાઈ વિભાગની વેસ્મા કચેરીના
</p><p>ધ્યાને આવતા વિભાગે દબાણકર્તાઓને કાયદાકીય નોટિસ ફટકારી હતી. નોટિસમાં નિર્ધારિત સમયમર્યાદામાં દબાણ
</p><p>દૂર નહીં કરવામાં આવે તો વિભાગ દ્વારા સ્વખર્ચે દબાણ હટાવી તેનો ખર્ચ વસૂલવાની તેમજ
</p><p>ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી હતી. જોકે સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ દબાણો
</p><p>યથાવત હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. નોટિસ બાદ અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત
</p><p>કે આગળની કાર્યવાહી ન કરાતા સ્થાનિકોમાં અનેક સવાલો ઊભા થયા છે. કરોડોની સરકારી જમીન પર કબજાના આક્ષેપો
</p><p>વચ્ચે હવે તંત્રની ભૂમિકા ચર્ચાનો વિષય બની છે.
</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/08/SIRzPbMDGjRouLAFSuUOkkDHquYOKjyEMo2qY0SV.webp'/></item><item><title><![CDATA[લારી-ગલ્લા તો ઠીક હવે કારનું પણ રસ્તા પર દબાણ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/lorries-and-trucks-are-fine-now-cars-are-also-pushing-on-the-road</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/lorries-and-trucks-are-fine-now-cars-are-also-pushing-on-the-road</guid><pubDate>Mon, 08 Jun 2026 01:08:35 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ મેટ્રો શહેર છે છતાં હજુ ઘણી ઉણપો બાકી રહી ગઈ છે. ખાસ કરીને નાગરિકોની સિવિક સેન્સ તળિયે</p><p>છે તેમ કહીએ તો જરા પણ ખોટું નથી. જો દુકાનની અંદર કાર લઈ જવાની છૂટ આપવામાં આવે તો આપણા શહેરના લોકો પ્રયોગ ખાતર
</p><p>પણ જાય તેમ છે. કહેવાનો મતલબ એ છે કે પોશ વિસ્તારમાં કારને અન્ય કોઈને નડે નહીં તે રીતે પાર્ક
</p><p>કરીને ખરીદી કરવા જવાની ટેવ જ નથી. દુકાન આગળ ટુ વ્હીલરો પડયા હોય, જો કાર રાખવામાં આવે તો બાકીનો વાહન
</p><p>વ્યવહાર અવરોધાશે તેવું જાણવા છતાં કાર પાર્ક કરીને ખરીદી કરનાર પડયા છે. જો પોલીસ લોક લગાવે તો ઝઘડો કરવા માંડે. આ ક્યા પ્રકારનો પોશ વિસ્તાર ગણવો ? દરેક વિસ્તાર અને બજાર વિસ્તારમાં વાહનોના
</p><p>ખડકલા જોવા મળે છે. બધા એમ જ કહે છે કે પાંચ મિનિટમાં આવું છું. પાંચ મિનિટના બદલે 30 મિનિટ થાય તો
</p><p>કોણ ગણવાનું છે ? જો કોઈ જાગૃત નાગરિક ટપારે તો બિચારા તેનું પણ આવી બને. નડતરરૂપ કાર પાર્ક કરનાર તેની સાથે
</p><p>ઝઘડો કરવા માંડે. હોટેલ અને રેસ્ટોરન્ટવાળા, રાત્રે બરફના ગોલા વેચનારને ત્યાં પણ આવી જ સ્થિતિ જોવા મળે છે. થોડે દૂર કાર પાર્ક કરીને ચાલવું કોઈને
</p><p>ગમતું નથી, પસંદ પણ નથી. તેના કારણે થાય છે એવું કે અન્ય વાહનચાલકોનું જે થવું હોય તે થાય, આપણે તો કાર મરજી પડે ત્યાં પાર્ક કરીને
</p><p>ખરીદી કરવા ચાલ્યા જવાનું આવી માનસિકતા ઘર કરી ગઈ છે. તંત્ર હાથ જોડીને બેસી રહે તે મેટ્રો
</p><p>શહેરને પાલવે તેમ નથી. સામ, દામ, દંડ, ભેદ કોઈપણ ઉપાયે રસ્તો કરવો જોઈએ. રસ્તો વાહનોને ચાલવા માટે છે, આ રીતે કાર પાર્ક કરવા માટે નથી. સ્વૈચ્છિક સંસ્થાઓની મદદ લઈને તંત્રે
</p><p>કડક હાથે કામ લેવાની જરૂર છે.
</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/08/LOOsmfuwKy4IlgGrAKlPrKTKlVhwQTj2tjdX45dz.webp'/></item><item><title><![CDATA[મોડિફાઈડ હેડલાઈટ્સ અને ફેન્સી LED લાઈટો સામે તંત્રને અંધાપો, મોટર વ્હીકલ એક્ટના નિયમોના ધજાગરા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/modified-headlights-and-fancy-led-lights-blind-the-system-flouting-the-rules-of-the-motor-vehicle-act</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/modified-headlights-and-fancy-led-lights-blind-the-system-flouting-the-rules-of-the-motor-vehicle-act</guid><pubDate>Mon, 08 Jun 2026 01:07:37 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતના હાઈવે અને શહેરના આંતરિક માર્ગો પર અત્યારે એક નવું જોખમ દોડી રહ્યું</p><p>છે, અને તે છે વાહનોમાં વપરાતી અત્યંત તેજ સફેદ LED લાઈટો. મૂળ કંપની દ્વારા આપવામાં આવતી પીળી હેલોજન લાઈટો કઢાવીને વાહનચાલકો વધુ ફેશન અને
</p><p>તેજ પ્રકાશના મોહમાં 'બ્લાઈન્ડિંગ વ્હાઈટ' લાઈટો નંખાવી રહ્યા છે. આ લાઈટો માત્ર સામેવાળા ચાલકની આંખોને આંજી દેતી નથી, પરંતુ ક્ષણિક અંધાપો લાવીને ગમખ્વાર
</p><p>અકસ્માતોને આમંત્રણ આપી રહી છે. વાહનોમાં ગેરકાયદેસર રીતે નખાતી
</p><p>હાઈ-ઈન્ટેન્સિટી સફેદ LED લાઈટોના કારણે રાત્રિ દરમિયાન અકસ્માતોનું જોખમ ખૂબ વધી ગયું છે. અમદાવાદ સહિત અનેક મહાનગરોના એસેસરીઝ
</p><p>માર્કેટમાં હાઈ વોટેજ કેનબસ એલઈડીના નામે એવી જોખમી લાઈટો વેચાઈ રહી છે કે જેની તીવ્રતા
</p><p>સૂર્યના સીધા પ્રકાશ જેટલી હોય છે. રાજયભરના હાઈવે સહિતના તમામ મુખ્ય માર્ગો
</p><p>અને નેશનલ હાઈવે પર રાત્રિના સમયે વાહનોમાં ગેરકાયદેસર રીતે લગાવાયેલી હાઈ-ઈન્ટેન્સિટી સફેદ એલઈડી લાઈટોનો જોખમી
</p><p>ક્રેઝ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. વાહન ઉત્પાદક કંપનીઓ દ્વારા અપાતી નિયત
</p><p>પીળી (હેલોજન) લાઈટોને બદલાવીને ફોર-વ્હીલર અને એસયુવી ચાલકો બજારમાંથી ભારેખમ
</p><p>પાવરવાળી સફેદ લાઈટો નખાવી રહ્યા છે, જે કાયદા મુજબ સંપૂર્ણ પ્રતિબંધિત હોવા
</p><p>છતાં ટ્રાફ્કિ પોલીસ અને આરટીઓ તંત્ર મૂકપ્રેક્ષક બનીને તમાશો જોઈ રહ્યું છે. આ ગંભીર બેદરકારીના કારણે હાઈવે પર
</p><p>રાત્રે સામેથી આવતા વાહનચાલકોની આંખો સંપૂર્ણપણે અંજાઈ જાય છે, જેના લીધે રસ્તા પરના વળાંકો, ડિવાઈડર કે અન્ય વાહનો દેખાતા બંધ થઈ
</p><p>જાય છે. સફેદ લાઈટ વાપરનારા ચાલકો એવું માને છે કે તેમને રસ્તો વધુ સારો દેખાય છે, પણ સત્ય એ છે કે ચોમાસામાં અને ધુમ્મસમાં
</p><p>સફેદ લાઈટ સંપૂર્ણ નિષ્ફ્ળ જાય છે. સફેદ પ્રકાશ પાણીના ટીપાંથી પરાવર્તિત
</p><p>થઈને ચાલકની પોતાની આંખોમાં પાછો આવે છે, જેનાથી તેને જ દેખાતું બંધ થઈ જાય છે. ટ્રાફ્કિ નિષ્ણાતોના મતે, છેલ્લા કેટલાક સમયમાં રાત્રિ દરમિયાન
</p><p>થયેલા જીવલેણ અકસ્માતો પાછળ આ સફેદ લાઈટનો આતંક મુખ્ય કારણ સાબિત થયો છે. શહેરોમાં બ્લેક ફ્લ્મિ અને હેલ્મેટ
</p><p>વગરના ચાલકોને ત્વરિત દંડતી પોલીસને હાઈવે પર મોત બનીને દોડતી આ લાઈટો કેમ દેખાતી નથી? તેવો સવાલ ઉભો થયો છે. જો મોડિફાઈડ લાઈટો વેચતા દુકાનદારો
</p><p>અને વાહનચાલકો સામે તાત્કાલિક કડક ઝુંબેશ ચલાવી આકરો દંડ નહીં વસૂલાય, તો હાઈવે પર નિર્દોષોના મોતોનો સિલસિલો
</p><p>અટકશે નહીં.
</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/08/lXucFcaIwmzjJCMeaChHxHWnGf8s3sdWQuWXj3VI.webp'/></item><item><title><![CDATA[સવારથી સાંજ સુધી પરસેવો પાડી ધંધો કરતા લારીવાળાઓનો લંચ બ્રેક ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/lunch-break-for-truck-drivers-who-work-hard-from-morning-to-evening</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/lunch-break-for-truck-drivers-who-work-hard-from-morning-to-evening</guid><pubDate>Mon, 08 Jun 2026 01:06:21 +05:30</pubDate><description><![CDATA[<p>સવારથી સાંજ સુધી પરસેવો પાડીને મજૂરી</p><p>કરતા લારીવાળાઓએ પણ આકરી ગરમી સામે હથિયાર હેઠા મૂકી દીધા હોય એમ રસ્તાની એક બાજુએ
</p><p>આવેલા સુશોભનના ફૂલછોડના છાંયડામાં તમામ લારીવાળાઓએ પોતાની લારીઓ એક સરખી લાઈનમાં ગોઠવી
</p><p>દીધી. શાકભાજી, ફ્રુટ્સ કે અન્ય ચીજવસ્તુઓની આ લારીઓ અત્યારે ખાલી કે ઢાંકેલી જોવા મળી. પેટનો ખાડો પૂરવા આખો દિવસ રાડારાડ
</p><p>કરીને ગ્રાહકોને બોલાવતા આ શ્રમિકો પોતે જમવા અને થોડો આરામ કરવા પોતાના ઘરે ચાલ્યા
</p><p>ગયા હતા. આ દૃશ્ય શ્રમજીવી લોકોની રોજિંદી જિંદગીનો મહત્વનો હિસ્સો દર્શાવે છે, જ્યાં બપોરનો આરામ તેમને સાંજની નવી
</p><p>દોડ માટે સજ્જ કરે છે.
</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/08/pe5iDmWeoQfVQYfOLs76mwkZ7kClDZ99qzPD3C88.webp'/></item><item><title><![CDATA[Dholiwood News: ગુજરાતી અભિનેત્રી સુધા ત્રિપાઠીનું નિધન, વિક્રમ ઠાકોર સાથે આપી છે સુપરહિટ ફિલ્મ ]]></title><link>https://sandesh.com/entertainment/news/gujarat/ahmedabad/gujarati-actress-sudha-tripathi-passed-away-vikram-thakor-tribute</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/gujarat/ahmedabad/gujarati-actress-sudha-tripathi-passed-away-vikram-thakor-tribute</guid><pubDate>Sun, 07 Jun 2026 22:25:12 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાંથી એક અત્યંત માઠા અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. લોકપ્રિય ગુજરાતી ફિલ્મ ‘સોરી સાજણા’માં પોતાના શાનદાર અને યાદગાર અભિનયથી પ્રીતની મધુરતા વેરનાર અને દર્શકોના દિલ જીતનાર જાણીતી અભિનેત્રી સુધા ત્રિપાઠીનું નિધન થયું છે. તેમના અકાળે અવસાનના સમાચાર વહેતા થતાં જ સમગ્ર ગુજરાતી ફિલ્મ જગત, સાથી કલાકારો અને તેમના અસંખ્ય ચાહકોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.</p><p><br></p><h2><b>સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે ભાવુક પોસ્ટ દ્વારા આપી માહિતી</b></h2><p>ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને જાણીતા ગાયક વિક્રમ ઠાકોરે પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ મારફતે સુધા ત્રિપાઠીના નિધનની સત્તાવાર માહિતી આપી હતી. ફિલ્મમાં તેમની સાથે મુખ્ય ભૂમિકા ભજવનાર વિક્રમ ઠાકોરે એક હૃદયસ્પર્શી અને ભાવુક પોસ્ટ શેર કરીને અભિનેત્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.</p><p><br></p><h2><b>વિક્રમ ઠાકોરે દુઃખ વ્યક્ત કર્યું</b></h2><p>વિક્રમ ઠાકોરે દુઃખ વ્યક્ત કરતા લખ્યું હતું કે, મારી ફિલ્મ સોરી સાજણાની હિરોઇન અને ખૂબ જ સારી અભિનેત્રી સુધા ત્રિપાઠી દેવલોક પામ્યા છે. ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ આપે ૐ શાંતિ. સુપરસ્ટારની આ પોસ્ટ જોતજોતામાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી, અને લોકો ભીની આંખે પ્રતિક્રિયા આપી રહ્યા છે.</p><p><br></p><p><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DZQLH4GNBH1/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DZQLH4GNBH1/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DZQLH4GNBH1/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DZQLH4GNBH1/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><p><br></p><h2><b>અવસાનનું કારણ હજુ અકબંધ</b></h2><p>અભિનેત્રી સુધા ત્રિપાઠીના આકસ્મિક વિદાયથી તેમના પરિવારજનો અને નજીકના સ્વજનો સ્તબ્ધ થઈ ગયા છે, અને પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. જોકે, અત્યાર સુધી તેમના નિધન પાછળનું ચોક્કસ કારણ શું છે તે અંગે કોઈ સત્તાવાર વિગતો બહાર આવી નથી.</p><p><br></p><p><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DZH16IUp6RG/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DZH16IUp6RG/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DZH16IUp6RG/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DZH16IUp6RG/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><p><br></p><p>સોશિયલ મીડિયા પર ઢોલિવૂડના અન્ય દિગ્ગજ કલાકારો, દિગ્દર્શકો અને ચાહકો સતત તેમની તસવીરો શેર કરીને તેમને યાદ કરી રહ્યા છે. 'સોરી સાજણા' ફિલ્મમાં તેમના અભિનયના વખાણ આજે પણ લોકોના મોઢે સાંભળવા મળે છે, ત્યારે તેમનું આ રીતે ચાલ્યા જવું એ ગુજરાતી સિનેમા માટે ક્યારેય ન પુરાનારી ખોટ છે. સમગ્ર ડિજિટલ પ્લેટફોર્મ પર ચાહકો તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/sabarkantha-news-controversy-over-dj-playing-in-chandrana-village-of-poshina" target="_blank">Sabarkantha News: પોશીનાના ચંદ્રણા ગામે ડીજે વગાડવા બાબતે જામ્યું ધીંગાણું</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/07/5g1I8dBDj3ZNnxnTU8kb2oOhgSZIgIwm8cp3wHoy.webp'/></item><item><title><![CDATA[Train Spare Parts: બજારમાં ટ્રેનના સ્પેરપાર્ટ્સ કેમ નથી ઉપલબ્ધ, જાણો શું છે કારણ? ]]></title><link>https://sandesh.com/knowledge/news/india/train-spare-parts-why-are-train-spare-parts-not-available-in-the-market-know-what-is-the-reason</link><guid isPermaLink="true">https://sandesh.com/knowledge/news/india/train-spare-parts-why-are-train-spare-parts-not-available-in-the-market-know-what-is-the-reason</guid><pubDate>Sun, 07 Jun 2026 21:22:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ટ્રેનના વ્હીલ્સ, બ્રેક્સ, બોગી અને એન્જિન જેવા ભાગો ક્યાં બને છે. અને તે બજારમાં કેમ મળતા નથી.
</p><h2 style="text-align: justify; ">વિશિષ્ટ ટેકનોલોજીનો ઉપયોગ 
</h2><p style="text-align: justify; ">રેલ્વે દેશની સૌથી મહત્વપૂર્ણ અને સલામત પરિવહન સેવાઓમાંની એક છે. લાખો લોકો દરરોજ ટ્રેનમાં મુસાફરી કરે છે, તેથી ટ્રેનમાં વપરાતા દરેક ભાગની ગુણવત્તા અને ટકાઉપણું પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. આ જ કારણ છે કે રેલ્વે સ્પેરપાર્ટ્સ ફક્ત અધિકૃત કંપનીઓ દ્વારા અને રેલ્વેની દેખરેખ હેઠળ બનાવવામાં આવે છે અને ખરીદવામાં આવે છે. રેલ્વે એક કેન્દ્રિય અને અત્યંત સુરક્ષિત સિસ્ટમ છે. રેલ્વેમાં વપરાતા મોટાભાગના ભાગો ખૂબ જ વિશિષ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. 
</p><h3 style="text-align: justify; ">બજારમાં દુરુપયોગ થવાનો ભય 
</h3><p style="text-align: justify; ">ટ્રેન સામાન્ય વાહનોમાં વપરાતા ભાગોથી વિપરીત છે. ટ્રેનના વ્હીલ્સ, બ્રેક સિસ્ટમ્સ, એક્સલ્સ, બોગી ફ્રેમ્સ અને કપ્લર્સ જેવા ભાગો અત્યંત કડક સલામતી ધોરણો અનુસાર બનાવવામાં આવે છે. જો આવા ભાગો ખુલ્લા બજારમાં ઉપલબ્ધ થાય તો બજારમાં દુરુપયોગ અથવા નકલી ઉત્પાદનોનો પ્રવેશ થવાનું જોખમ વધી શકે છે. આ જ કારણ છે કે ફક્ત ભારતીય રેલ્વે અને તેના અધિકૃત ઉત્પાદકો જ આ ભાગોનું ઉત્પાદન અને સપ્લાય કરે છે.
</p><h4 style="text-align: justify; ">શું છે કારણ ?
</h4><p style="text-align: justify; ">રેલ્વે ઉદ્યોગમાં વપરાતા મોટાભાગના ભાગો વિશિષ્ટ ડિઝાઇન અને ટેકનોલોજી પર આધારિત છે. તેનું ઉત્પાદન કરતી કંપનીઓ મર્યાદિત સંખ્યામાં છે. રેલ્વે માટે ભાગોનું ઉત્પાદન કરતા ઉત્પાદકો અસંખ્ય ગુણવત્તા પરીક્ષણોમાંથી પસાર થાય છે. દરેક ભાગનું મજબૂતાઈ, ટકાઉપણું અને સલામતી માટે પરીક્ષણ કરવામાં આવે છે. આ જ કારણ છે કે રેલ્વે સ્પેરપાર્ટ્સનું ઉત્પાદન સામાન્ય ઓટોમોબાઈલ ભાગોના ઉત્પાદન કરતાં ઘણું મુશ્કેલ માનવામાં આવે છે. 
</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/israel-lebanon-conflicts-israels-major-attack-on-lebanon-hezbollahs-command-center-in-beirut-destroyed" target="_blank">ઇઝરાયલનો લેબેનાન પર મોટો હુમલો, બેરૂતમાં હિઝબુલ્લાહનું કમાન્ડ સેન્ટર ધ્વસ્ત</a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/07/CZdfCQeFi154A9FGSJYzlEIq9Isz263nsajZ21vB.webp'/></item><item><title><![CDATA[West Bengal : સત્તા ગુમાવ્યા બાદ TMCના નેતાની હાલત કફોડી, જનતાએ દોરડાથી બાંધી કર્યા આવા હાલ ]]></title><link>https://sandesh.com/india/news/after-losing-power-the-condition-of-the-tmc-leader-deteriorated-the-public-tied-him-up-with-ropes-and-made-him-suffer-like-this</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/after-losing-power-the-condition-of-the-tmc-leader-deteriorated-the-public-tied-him-up-with-ropes-and-made-him-suffer-like-this</guid><pubDate>Sun, 07 Jun 2026 20:48:24 +05:30</pubDate><description><![CDATA[<p>
</p><div>પશ્ચિમ બંગાળના રાજકારણમાં હિંસા અને બદલાની ભાવનાનો સિલસિલો રોકાવાનું નામ નથી લેતો. તાજેતરમાં એક ખૂબ જ ચોંકાવનારી ઘટના હાવડા જિલ્લામાંથી સામે આવી છે.જ્યાં ટીએમસીના એક સ્થાનિક અને કદ્દાવર નેતા સંન્યાસી મન્નાને ઉગ્ર ભીડના ગુસ્સાનો સામનો કરવો પડ્યો.સ્થાનિક લોકોએ ન ફક્ત કાયદો હાથમાં લીધો,પણ ટીએમસી નેતાને એવી તાલિબાની સજા આપી,જેણે આખા રાજ્યના પ્રશાસનિક અધિકારીઓને દોડતા કરી દીધા.ટીએમસી સુપ્રીમ મમતા બેનર્જીની સત્તા જતાં જ ટીએમસી નેતાઓ પર આફત આવી ગઈ છે.ધારાસભ્યોના બળવા બાદ પાર્ટીના સ્થાનિક નેતાઓને પણ જનતાના ગુસ્સાનો સામનો કરવો પડે છે.</div><div><br></div><h4><b>સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવ્યા</b></h4><div>હાવડાના એક વિસ્તારમાં રવિવાર મોડી સાંજે ભારે સંખ્યામાં સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને તેમણે ટીએમસીના નેતા સંન્યાસી મન્નાને ચારે તરફથી ઘેરી લીધા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, લોકોનો ગુસ્સો એટલો વધારે હતો કે તેણે નેતાની એક વાત ન સાંભળી. ભીડે સંન્યાસી મન્નાને સૌથી પહેલા દોરડાથી બાંધી દીધા, જેથી તેઓ ભાગી ન શકે. ત્યાર બાદ તેમની સાથે એવું અમાનવીય વર્તન કર્યું, કે તેનો વીડિયો તાત્કાલિક વાયરલ થઈ ગયો.</div><div><br></div><div>
</div><div><a href="https://x.com/asliarpita/status/2063576990138212799?s=20" target="_blank">https://x.com/asliarpita/status/2063576990138212799?s=20</a></div><div><br></div><h5><b>ટીએમસી નેતાને&nbsp; ચપ્પલની માળા પહેરાવી</b></h5><div>ઉગ્ર સ્થાનિક લોકોએ ટીએમસી નેતા સંન્યાસી મન્નાને સબક શિખવાડવા માટે ખૂબ જ અપમાનજનક રીત અપનાવી. ભીડમાં સામેલ અમુક યુવકોએ બળજબરી તેમના માથાના વાળ કાપી નાખ્યા અને તેમની ગંદી હેરસ્ટાઈલ કરી નાખી.જૂતાની માળા પહેરાવી: એટલું જ નહીં, મહિલાઓ અને પુરુષોની આ ભીડે ટીએમસી નેતાના ગળામાં જૂતા અને ફાટેલા ચપ્પલની એક માળા પહેરાવી દીધી.</div><h4><b>લોકોએ આખા વિસ્તારમાં ફેરવ્યા</b></h4><div>દોરડાથી બાંધેલા અને જૂતાની માળા પહેરાવી સંન્યાસી મુન્નાને સ્થાનિક લોકોએ આખા વિસ્તારમાં ફેરવ્યા અને ટીએમસી વિરુદ્ધ ભારે નારેબાજી કરી. સ્થાનિક લોકોનો આરોપ છે કે સત્તામાં રહેતા આ નેતાઓએ જનતાને ખૂબ હેરાન કરી હતી અને કરોડો રુપિયાની લૂંટ કરી હતી.</div><div><br></div><div>આ પણ વાંચો - <a href="https://sandesh.com/india/news/congress-controversy-ashok-gehlot-makes-big-claim-about-sonia-gandhi-fuel-for-political-earthquake" target="_blank">Ashok Gehlotએ સોનિયા ગાંધી વિશે કર્યો મોટો દાવો, રાજકીય ભૂકંપના એંધાણ</a>
</div><div><br></div><div><br></div><div>
</div><div>
</div> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/07/rqQPU1v2egoWZJM1nb2dMD0jbw9YP2DC9QNNhR0i.webp'/></item><item><title><![CDATA[Mumbai Life:મુંબઈના ઇન્વેસ્ટમેન્ટ બેંકરનો માસિક ખર્ચ સાંભળીને હોશ ઊડી જશે, સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ ]]></title><link>https://sandesh.com/business/news/mumbai-life-you-will-be-shocked-to-hear-the-monthly-expenses-of-a-mumbai-investment-banker-the-post-went-viral-on-social-media</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/mumbai-life-you-will-be-shocked-to-hear-the-monthly-expenses-of-a-mumbai-investment-banker-the-post-went-viral-on-social-media</guid><pubDate>Sun, 07 Jun 2026 18:18:59 +05:30</pubDate><description><![CDATA[<p>&nbsp;દેશની આર્થિક રાજધાની અને સપનાના શહેર ગણાતા મુંબઈમાં રહેવું કેટલું મોંઘું સાબિત થઈ શકે છે, તેનો જીવતો-જાગતો પુરાવો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મુંબઈના અત્યંત પોશ વિસ્તાર વર્લીમાં રહેતા એક ઇન્વેસ્ટમેન્ટ બેંકરે પોતાના માસિક ખર્ચનો એવો હિસાબ કિતાબ રજૂ કર્યો છે, જેણે મોટા મોટા કમાતા પ્રોફેશનલ્સને પણ વિચારતા કરી દીધા છે. હાઈ સેલરી હોવા છતાં મુંબઈની મોંઘવારી આ કમાણીને કેવી રીતે ગળી જાય છે, તેની વિગતવાર પોસ્ટ હાલ ઇન્ટરનેટ પર જોરદાર ચર્ચાનો વિષય બની છે.</p><h2><b>સમય બચાવવા માટે દર મહિને 60 હજારનું ભાડું</b></h2><p>આ સોશિયલ મીડિયા પોસ્ટમાં બેંકરે જણાવ્યું છે કે તેનો સૌથી મોટો ખર્ચ ઘરનું ભાડું છે, જે દર મહિને 60,000 રૂપિયા છે. તેણે આ અંગે સ્પષ્ટતા કરતા લખ્યું કે, "હું મારી ઓફિસથી માત્ર 5 મિનિટના અંતરે રહું છું. ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ ક્ષેત્રમાં તમારો સમય જ તમારી સૌથી મોટી મૂડી છે. તેથી હું મુસાફરીના સમય બચાવવા માટે ભાડામાં કોઈ સમજૂતી કરવા માંગતો નથી." અઠવાડિયાના 80 કલાકથી વધુ કામ કરવાના કારણે ઓફિસની નજીક રહેવું એ લક્ઝરી નહીં પણ જરૂરિયાત છે.</p><h3><b>ઘરકામ અને મોડી રાતના ભોજનનો ખર્ચ</b></h3><p>વ્યસ્ત શિડ્યુલના કારણે આ બેંકર ઘરના કામો માટે સમય ફાળવી શકતો નથી, જેથી તે ઘરકામની મદદ (મેડ) માટે દર મહિને 5,000 રૂપિયા ખર્ચ કરે છે. આ ઉપરાંત, મોડી રાત્રે 11 વાગ્યા પછી ઘરે પરત ફરવાના કારણે તે રાતનું ભોજન બહારથી ઓર્ડર કરે છે, જેનો માસિક ખર્ચ આશરે 15,000 રૂપિયા થાય છે.</p><h4><b>અન્ય મૂળભૂત માસિક ખર્ચાઓ પર એક નજર</b></h4><p>મુસાફરી (કેબ/ટેક્સી સેવાઓ): રૂ. 10,000 (ટ્રાફિક અને પાર્કિંગની ઝંઝટથી બચવા પોતાની કાર નથી રાખતા)</p><p>કરિયાણું અને વીજળી બિલ: રૂ. 12,000 (તેમના મતે મુંબઈનું વીજળી બિલ માણસને જમીન પર લાવી દે છે)</p><p>સોશિયલ લાઈફ અને મિત્રો સાથે આઉટિંગ: રૂ. 10,000</p><p>દિલ્હીમાં પરિવારને મળવા માટે ફ્લાઇટ ટિકિટ: રૂ. 12,000</p><p>આ તમામ પ્રાથમિક ખર્ચાઓનો સરવાળો કરવામાં આવે તો દર મહિને આંકડો 1.3 લાખ રૂપિયા પર પહોંચી જાય છે.</p><h5><b>&nbsp;"મુંબઈ કમાણી છૂપી રીતે પાછી ખેંચી લે છે"</b></h5><p>આ આખી પોસ્ટમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ 1.3 લાખ રૂપિયાના તોતિંગ બજેટમાં વેકેશન, લોનનો EMI કે કોઈ મોટો વૈભવી ખર્ચ સામેલ નથી. બેંકરે દિલ્હી અને મુંબઈની સરખામણી કરતા અંતમાં લખ્યું કે, મુંબઈમાં સમાન જીવનશૈલી જીવવા માટે દિલ્હી કરતા 1.5 ગણો વધુ ખર્ચ થાય છે. ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ ક્ષેત્ર ખૂબ સારો પગાર આપે છે, પરંતુ મુંબઈ તે પૈસા એટલી જ ચુપકીદીથી તમારી પાસેથી પાછા છીનવી લે છે.</p><p><a href="https://sandesh.com/world/news/xi-jinping-chinese-president-xi-jinping-will-reach-north-korea-after-7-years-america-is-worried" target="_blank">આ પણ વાંચો:Xi Jinping: 7 વર્ષ પછી ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ ઉત્તર કોરિયાના પ્રવાસે, અમેરિકા ચિંતામાં</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/07/K9TTwfOF0onkaI40CTYH4NYg3rXArW6H9ByJRcXo.webp'/></item><item><title><![CDATA[World Yoga Championship : આર્જેન્ટિનાની નાબિલા સોલ બારાઝાએ અમદાવાદમાં જીત્યા 5 મેડલ ]]></title><link>https://sandesh.com/sports/news/world-yoga-championship-argentinas-nabila-sol-baraza-wins-5-medals-in-ahmedabad</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/world-yoga-championship-argentinas-nabila-sol-baraza-wins-5-medals-in-ahmedabad</guid><pubDate>Sun, 07 Jun 2026 16:07:46 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતની ધરતી પર રમાઈ રહેલી વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપમાં આર્જેન્ટિનાની નાબિલા સોલ બારાઝા (Nabila Sol Baraza) છવાઈ ગઈ છે. આ ચેમ્પિયનશિપમાં આર્જેન્ટિના તરફથી એકમાત્ર પ્રતિનિધિ તરીકે ભાગ લેવા આવેલી નાબિલાએ જોરદાર પ્રદર્શન કરતા 2ગોલ્ડ અને 2 સિલ્વર સહિત કુલ 5 મેડલ પોતાના નામે કરીને મેદાન મારી લીધું છે.</p><h4><b>લિયોનેલ મેસીના વતન સાથે કનેક્શન</b></h4><p>નાબિલાનો જન્મ ફૂટબોલના જાદુગર લિયોનેલ મેસીના પ્રખ્યાત શહેર રોઝારિયોની નજીક થયો છે. જોકે, ફૂટબોલના ક્રેઝ વાળા દેશમાંથી આવવા છતાં નાબિલાએ ભારતીય સંસ્કૃતિના પ્રતીક સમાન યોગને પોતાની કરિયર બનાવી છે.</p><h5><b>ભારતમાં 5 વર્ષ રહીને શીખી યોગ, બોલિવૂડમાં પણ કર્યું કામ!</b></h5><p>નાબિલાની લાઈફ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. તે ભારતમાં 5વર્ષ સુધી રોકાઈ હતી અને આ દરમિયાન તેણે ઋષિકેશ તેમજ નાશિક જેવા પવિત્ર સ્થળોએ જઈને યોગનું ઊંડાણપૂર્વક શિક્ષણ મેળવ્યું હતું. આ રોકાણ દરમિયાન તે બોલિવૂડ તરફ પણ આકર્ષાઈ હતી. નાબિલાએ બોલિવૂડમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે પણ કામ કર્યું છે અને તે એક્શન સ્ટાર ટાઈગર શ્રોફ સાથે પણ સ્ક્રીન શેર કરી ચૂકી છે. આ સિવાય તે ભારતીય ક્રિકેટના કિંગ વિરાટ કોહલીની પણ બહુ મોટી ફેન છે.</p><h5><b>અમદાવાદ પહોંચવા માટે 48 કલાકની કપરી મુસાફરી</b></h5><p>યોગ પ્રત્યેનો નાબિલાનો સમર્પણ ભાવ એ વાત પરથી જ ખબર પડે છે કે તે હાલમાં કોલંબિયામાં ઓનલાઈન અને ઓફલાઈન યોગ ક્લાસ ચલાવે છે. અમદાવાદની આ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે તેણે બોગોટાથી ફ્લાઈટ પકડી હતી. ત્યાંથી ટોરોન્ટો, લંડન અને મુંબઈ થઈને તે 48 કલાકની લાંબી અને થકવી દેનારી મુસાફરી કરીને અમદાવાદ પહોંચી હતી. પરંતુ તેની આ મહેનત આજે 5મેડલ સાથે રંગ લાવી છે.</p><p>આ પણ વાંચો-<a href="https://sandesh.com/sports/news/world-yoga-championship-india-dominates-on-the-first-day-itself-5-out-of-6-gold-medals-in-the-name-of-the-country" target="_blank">World Yoga Championship: પ્રથમ દિવસે જ ભારતનો દબદબો, 6માંથી 5 ગોલ્ડ મેડલ દેશના નામે</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/07/jdvo15TDYn4jss1Y3oghkqa5FERooOHpFUhSVOHL.webp'/></item></channel></rss>