<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[International Yoga Day 2026 : યોગ માત્ર આસન નથી, પણ માનવ એકતાનો પાયો છેઃ PM મોદી ]]></title><link>https://sandesh.com/india/news/world-yoga-day-2026/international-yoga-day-2026-yoga-is-not-just-an-asana-but-the-foundation-of-human-unity-pm-modi</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/world-yoga-day-2026/international-yoga-day-2026-yoga-is-not-just-an-asana-but-the-foundation-of-human-unity-pm-modi</guid><pubDate>Sun, 21 Jun 2026 07:57:31 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">21 જૂન, 2026 ના રોજ સમગ્ર વિશ્વ 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવી રહ્યું છે. આ વર્ષની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતાના ઐતિહાસિક રેડ રોડ ખાતે હજારો લોકો સાથે સામૂહિક યોગાભ્યાસ કરીને યોગનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, "યોગ ફક્ત શારીરિક આસનો પૂરતો સીમિત નથી, પરંતુ તે માનવ એકતાનો મજબૂત પાયો છે."</p><h2 style="text-align: justify; "><b>બંગાળની આ ધરતી આધ્યાત્મિકતાનું કેન્દ્રઃ પીએમ મોદી</b></h2><p style="text-align: justify; ">વડાપ્રધાને કોલકાતાની પવિત્ર ભૂમિને નમન કરતા કહ્યું કે, બંગાળની આ ધરતી આધ્યાત્મિકતાનું કેન્દ્ર છે. અહીં જ ભગવાન રામકૃષ્ણ પરમહંસ જેવા સંતોએ જન્મ લીધો, સ્વામી વિવેકાનંદે સમગ્ર વિશ્વને યોગથી પરિચિત કરાવ્યા અને મહર્ષિ અરવિંદ જેવા મહાન યોગીએ યોગને જીવન જીવવાની કળા તરીકે રજૂ કરી. આજે આ ભૂમિ પર સામૂહિક યોગનો અનુભવ એક અનોખી આધ્યાત્મિક ઊર્જા પ્રદાન કરે છે.</p><h3 style="text-align: justify; "><b>યોગ કોઈ ચોક્કસ વય જૂથ સુધી મર્યાદિત નથી</b></h3><p style="text-align: justify; ">પીએમ મોદીએ પોતાના સંબોધનમાં સ્પષ્ટ કર્યું કે યોગ કોઈ ચોક્કસ વય જૂથ સુધી મર્યાદિત નથી. તેમણે મહર્ષિ અરવિંદના શબ્દોને યાદ કરતા જણાવ્યું કે આપણું સમગ્ર જીવન જ યોગ છે, ભલે આપણે તેનો અહેસાસ કરીએ કે ન કરીએ. જ્યારે યોગ આપણા સ્વભાવનો એક અભિન્ન હિસ્સો બની જાય છે, ત્યારે તે માનવ એકતાનું માધ્યમ બને છે. યોગ આજે માત્ર વ્યક્તિગત જીવનશૈલી માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના ઉજ્જવળ અને શાંતિપૂર્ણ ભવિષ્ય માટે અનિવાર્ય છે.</p><h4 style="text-align: justify; "><b>ભારતની જનતાને યોગ દિવસની આપી શુભેચ્છાઓ</b></h4><p style="text-align: justify; ">ભારતના હિમાલયથી લઈને હિંદ મહાસાગર સુધી અને પૂર્વમાં સૌરાષ્ટ્રથી લઈને પૂર્વોત્તરના વિસ્તારો સુધી, સમગ્ર દેશ આજે યોગની ચેતનાથી ભરેલો જોવા મળ્યો. પીએમ મોદીએ વિશ્વના તમામ નાગરિકોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.</p><h5 style="text-align: justify; "><b>વિશેષ થીમ "સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ"</b></h5><p style="text-align: justify; ">આ વર્ષના યોગ દિવસની વિશેષ થીમ "સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ" (Yoga for Healthy Ageing) રાખવામાં આવી છે. આ થીમ જીવનના દરેક તબક્કે, ખાસ કરીને વધતી વય સાથે પણ કેવી રીતે સ્વસ્થ, સક્રિય અને તંદુરસ્ત જીવન જીવી શકાય તે અંગેની જાગૃતિ પર ભાર મૂકે છે. 21 જૂન, જે વર્ષનો સૌથી લાંબો દિવસ છે, તેને આજે વિશ્વની સૌથી મોટી સામૂહિક ઉજવણી તરીકે સ્થાપિત કરવામાં આવી છે. યોગના આ મહાસાગરમાં જોડાવાથી માનવજાત ચોક્કસપણે એક તંદુરસ્ત અને એકતાના માર્ગે આગળ વધી શકે છે, જે આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/lifestyle/news/world-yoga-day-2026/international-yoga-day-2026-this-yoga-asana-is-best-for-children-height-will-increase-and-brain-will-also-become-sharper" target="_blank">આ પણ વાંચોઃ International Yoga Day 2026 : બાળકો માટે આ યોગાસન બેસ્ટ, હાઈટ વધશે અને મગજ પણ તેજ થશે</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/21/Hc4AizdBC63lAD90uxBzDFSLPvyW4ygDBDfveYOb.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: આગામી 7 દિવસ અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદી માહોલ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના ]]></title><link>https://sandesh.com/gujarat/news/weather/ahmedabad/guajrat-weather-forecast-rain-alert-ahmedabad-7-days-fishermen-warning-high-wind-speed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/weather/ahmedabad/guajrat-weather-forecast-rain-alert-ahmedabad-7-days-fishermen-warning-high-wind-speed</guid><pubDate>Sun, 21 Jun 2026 07:40:45 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતમાં વર્તમાન સમયે આકરી ગરમીના કારણે નાગરિકો તોબા પોકારી ઉઠ્યા છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યના હવામાનને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ બુલેટિન જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી એક અઠવાડિયા સુધી રાજ્યમાં પવનની ગતિમાં નોંધપાત્ર ફેરફાર થવા જઈ રહ્યો છે, જેને કારણે અરબી સમુદ્ર તરફથી આવતા ભેજવાળા પવનો સક્રિય થશે. આ સિસ્ટમના કારણે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આગામી ૭ દિવસ સુધી ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદી માહોલ જામશે. અમદાવાદ શહેરમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.</p><h2><b>ઉકળાટથી મુક્તિ નહીં, ભેજનું પ્રમાણ વધશે</b></h2><p>હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ભલે વરસાદની આગાહી કરવામાં આવી હોય, પરંતુ લોકોને તુરંત ગરમીથી સંપૂર્ણ રાહત મળવાની આશા ઓછી છે. હવામાં ભેજનું પ્રમાણ ખૂબ જ ઊંચું રહેવાના કારણે વરસાદ પડ્યા પહેલા અને વરસાદ પડ્યા બાદ પણ અસહ્ય ઉકળાટ અને બફારો યથાવત રહેશે. બપોરના સમયે તાપમાનનો પારો ઊંચો રહેશે અને સાંજના સમયે વાતાવરણમાં પલટો આવી શકે છે. આ પ્રકારની 'હીટ એન્ડ હ્યુમિડિટી' વાળી સ્થિતિના કારણે રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગે પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને એલર્ટ રહેવા જણાવ્યું છે.</p><h3><b>બંદરો પર એલર્ટ, માછીમારોને દરિયાથી દૂર રહેવા આદેશ</b></h3><p>આગામી દિવસોમાં પવનની ગતિમાં અચાનક મોટો વધારો થવાની શક્યતાને જોતાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ખાસ કરીને વલસાડ, નવસારી, સુરત, ભરૂચ તેમજ સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા અને પોરબંદરના દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની આશંકા છે. આ સ્થિતિમાં દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે છે, જેથી તમામ માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવાની કડક તાકીદ કરવામાં આવી છે. જે માછીમારો મધ્ય દરિયામાં છે તેમને પણ ડિજિટલ વાયરલેસ સિસ્ટમ દ્વારા નજીકના બંદર પર પરત ફરી જવા સંદેશા મોકલાયા છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/international-yoga-day-2026-celebrated-cm-bhupendra-patel-performs-yoga-at-mansa" target="_blank">આ પણ વાંચો: Gujarat News: માણસા ખાતે રાજ્યકક્ષાની યોગ દિવસની ઉજવણી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોગાસન કર્યા</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/21/29CRL6xCq31sPCxrrn6AGe2A882FKZ29IHOBhRDT.webp'/></item><item><title><![CDATA[Dholka: ધોળકાના સરગવાળા ગામે ખેતરોમાંથી પસાર થતી ગેસ લાઇન મામલે ખેડૂતોનો ઉગ્ર વિરોધ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dholka/dholka-farmers-protest-fiercely-against-gas-line-passing-through-fields-in-sargwala-village-of-dholka</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dholka/dholka-farmers-protest-fiercely-against-gas-line-passing-through-fields-in-sargwala-village-of-dholka</guid><pubDate>Sun, 21 Jun 2026 06:08:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ધોળકા તાલુકાના સરગવાળા ગામે GSPL દ્વારા ગેસ પાઇપ લાઇન નાખવાની કામગીરીને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફટી નીકળ્યો છે. ભોળાદથી ભાયલા સુધી પસાર થનારી ગેસ લાઇન માટે ખેડૂતોની જમીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ કોઈપણ પ્રકારનું વળતર ચૂકવ્યા વગર જ જમીનમાં કામગીરી શરૂ કરાઈ છે. જેને કારણે ગ્રામજનોમાં નારાજગીવ્યાપી છે. વધુમાં, પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી જબરજસ્તી કામ શરૂ કરાતા ખેડૂતોમાં આક્રોશ ફેલાયો હતો. તેમજ વિરોધ પ્રદર્શન બાદ ખેડૂતો કોઠ પોલીસ સ્ટેશન સુધી પહોંચીને રજૂઆત કરી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/21/EBT1ibvFFKrh036QH0B7QfnTQ9vvvBGhl3Ecw1gT.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર ચાલકને ઝોકુ આવતાં ટ્રક પલટી ખાઈને રોડ સાઈડના ખાડામાં ખાબકી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-truck-overturns-and-falls-into-roadside-ditch-after-driver-swerves-on-dholera-express-highway</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-truck-overturns-and-falls-into-roadside-ditch-after-driver-swerves-on-dholera-express-highway</guid><pubDate>Sun, 21 Jun 2026 06:07:19 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર પીપળી ગામ નજીક શનિવારે એક માલ ભરેલું આઇશર ટ્રક અકસ્માતનો ભોગ બન્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ ચાલકને વાહન ચલાવતી વખતે અચાનક ઝોકું આવી જતાં સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. એથી ટ્રક રોડ સાઈડના ખાડામાં ખાબકી હતી. જોકે સદનસીબે ટ્રક ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો તેમજ અન્ય વાહનચાલકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ચાલકને ટ્રકમાંથી બહાર કાઢયો હતો. અકસ્માતના પગલે હાઈવે વિસ્તારમાં થોડો સમય ટ્રાફિક વ્યવહાર ખોરવાયો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/21/Hii8r0btqyqZ02hzSuQXSOIbNSv8qssODI984qwm.webp'/></item><item><title><![CDATA[Surendranagar: ઝીંઝુવાડા મુકામે આઈ શ્રીરાજબાઈ માતાજીનાં આંગી પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surendranagar/surendranagar-celebration-of-the-angi-pratishtha-mahotsav-of-shrirajbai-mataji-at-jhinjuwada-mukam</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surendranagar/surendranagar-celebration-of-the-angi-pratishtha-mahotsav-of-shrirajbai-mataji-at-jhinjuwada-mukam</guid><pubDate>Sun, 21 Jun 2026 06:06:17 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જૈનાબાદઃ દસાડા તાલુકાના ઝીંઝુવાડા મુકામે આઈ શ્રી રાજબાઈ માતાજીનાં 17માં આંગી પ્રતીષ્ઠા મહોત્સવની શ્રી રાજબાઈ માતાજી મંદીર અને ધર્મશાળા ટ્રસ્ટ અને સમસ્ત ઝીંઝુવાડા ગામ દ્વારા ધામધૂમથી ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. જેમા હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઊમટયો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/21/1nTFqLBygJe5gJpxaaKBLar4nw48zswSjqeeEF7t.webp'/></item><item><title><![CDATA[ગરબાડા સ્થિત માધ્યમિક શાળા ખાતે જન કલ્યાણ શિબિર યોજાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/public-welfare-camp-held-at-secondary-school-in-garbada</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/public-welfare-camp-held-at-secondary-school-in-garbada</guid><pubDate>Sun, 21 Jun 2026 05:18:47 +05:30</pubDate><description><![CDATA[<p>ગરબાડા માધ્યમિક શાળા ખાતે તાલુકા પંચાયત પ્રમુખ અને મામલતદારના અધ્યક્ષસ્થાને જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં આરોગ્ય અને વિવિધ સરકારી સેવાઓ અંગે નાગરિકોને માર્ગદર્શન પૂરું પાડયું હતું.</p><p>આરોગ્ય વિભાગ દ્વારા પોર્ટેબલ એક્સ-રે યુનિટની કાર્યપદ્ધતિ વિશે માહિતી અપાઈ હતી. ઉપરાંત ટીબીના સ્ક્રીનિંગનું નિદર્શન કરી સ્થળ પર જ એક્સ-રે સેવા ઉપલબ્ધ કરાવાઈ હતી, જેનો અનેક નાગરિકોએ લાભ લીધો હતો. શિબિર દરમિયાન મામલતદાર કચેરી દ્વારા પ્રજાલક્ષી સેવાઓ અને વિવિધ સરકારી કામોની જાણકારી આપવામાં આવી હતી.ICDS વિભાગ સહિત અન્ય સરકારી વિભાગોએ પણ માહિતી અને સેવા આધારિત સ્ટોલ ઊભા કર્યા હતા, જ્યાં લાભાર્થીઓને વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન અને વિગતવાર માહિતી મળી હતી. આપ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ નીલાબેન શૈલેષભાઈ દેહદા, મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર, તાલુકા પંચાયતના સભ્યો, તાલુકા હેલ્થ ઓફ્સિર, તલાટી કમ મંત્રી પી.એચ. હઠીલા ઉપસ્થિત રહ્યા હતા.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/21/IjekXfGR62PWWvsTYwokqyMC2QBjUh3iIxxEQPbX.webp'/></item><item><title><![CDATA[લીમખેડાની હસ્તેશ્વર સ્કૂલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી ]]></title><link>https://sandesh.com/india/women-s-equality-day/news/maru-saher-maru-gaam/dahod/world-yoga-day-celebrated-at-hasteshwar-school-limkheda</link><guid isPermaLink="true">https://sandesh.com/india/women-s-equality-day/news/maru-saher-maru-gaam/dahod/world-yoga-day-celebrated-at-hasteshwar-school-limkheda</guid><pubDate>Sun, 21 Jun 2026 05:08:45 +05:30</pubDate><description><![CDATA[<p>લીમખેડા : આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ યોગ દિવસ ઉત્સાહ સાથે ઉજવાયો હતો. દર વર્ષે 21 જૂનના રોજ ઉજવાતા આ દિવસનો હેતુ યોગના આરોગ્યલાભો વિશે જનજાગૃતિ ફેલાવવાનો છે. આ પ્રસંગે લીમખેડાની શ્રી હસ્તેશ્વર સ્કૂલ ખાતે સંસ્થા મંત્રી ભરતભાઈ ભરવાડની ઉપસ્થિતિમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં શાળાના બાળકો દ્વારા વિવિધ યોગાભ્યાસ કરાયા હતા. વિશ્વ યોગ દિવસ નિમિત્તે લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધે છે અને સ્વસ્થ ભારત તરફ્ એક સકારાત્મક પગલું માનવામાં આવે છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/21/H7SBcC8leJrMuZUgYamFzBKehgT3odKfd8zo9aQ2.webp'/></item><item><title><![CDATA[AVC મેન્સ વોલીબોલ કપ 2026નો અમદાવાદમાં ભવ્ય પ્રારંભ, 11 દેશની ટીમો વચ્ચે થશે જંગ ]]></title><link>https://sandesh.com/sports/news/gujarat/ahmedabad/avc-mens-volleyball-cup-2026-ahmedabad-tournament</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/gujarat/ahmedabad/avc-mens-volleyball-cup-2026-ahmedabad-tournament</guid><pubDate>Sat, 20 Jun 2026 19:45:08 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં વધુ એક આંતરરાષ્ટ્રીય રમતગમત ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. AVC મેન્સ વોલીબોલ કપ 2026નો આજથી વિધિવત પ્રારંભ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે થયો છે. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ 20 જૂનથી 28 જૂન સુધી યોજાશે, જેમાં એશિયાના 11 દેશની ટીમો ખિતાબ માટે સ્પર્ધા કરશે.</p><h2 style="text-align: justify;"><b>આ ટુર્નામેન્ટમાં 11 દેશની ટીમો ભાગ લઈ રહી છે</b></h2><p style="text-align: justify;">આ ટુર્નામેન્ટમાં ભારત સિવાય બહેરિન, થાઈલેન્ડ, કતાર, ચાઈનીઝ તાઈપેઈ, ઈન્ડોનેશિયા સહિત કુલ 11 દેશની ટીમો ભાગ લઈ રહી છે. તમામ ટીમો વચ્ચે જોરદાર અને રોમાંચક મુકાબલા જોવા મળશે, જેના કારણે રમતપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.</p><p style="text-align: justify;">વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ તૈયાર કરવામાં આવ્યું છે, જ્યાં ખેલાડીઓ માટે જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સ્પર્ધા દરમિયાન સુરક્ષા, ટ્રાન્સપોર્ટ અને રહેવા જેવી વ્યવસ્થાઓને પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.</p><h3 style="text-align: justify;"><b>અમદાવાદ શહેરને વૈશ્વિક રમતગમતના નકશા પર નવી ઓળખ મળવાની આશા</b></h3><p style="text-align: justify;">આ ઈવેન્ટના આયોજનથી અમદાવાદ શહેરને વૈશ્વિક રમતગમતના નકશા પર નવી ઓળખ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. શહેરમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ આયોજિત થવાથી રમતગમતના વિકાસને પણ નવી દિશા મળશે અને સ્થાનિક ખેલાડીઓને પણ પ્રેરણા મળશે.</p><p style="text-align: justify;">આ ટુર્નામેન્ટ દરમિયાન દરરોજ અનેક મેચો રમાશે અને અંતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટીમને ખિતાબ એનાયત કરવામાં આવશે. સમગ્ર એશિયાથી આવેલા ખેલાડીઓ વચ્ચેનો આ મુકાબલો રમતપ્રેમીઓ માટે યાદગાર અનુભવ બનશે તેવી અપેક્ષા છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/entertainment/virat-kohli-photos-with-son-akaay-anushka-sharma" target="_blank">Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/EDZ6ZM4Zq4NGtlcmLCkQ1bjdoCzEZ0YUnnL4away.webp'/></item><item><title><![CDATA[Aamir Khan : મોટા પડદા પર જોવા મળશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની કહાની, આમિર ખાન બનાવી રહ્યા છે ડોક્યુમેન્ટ્રી ]]></title><link>https://sandesh.com/entertainment/news/aamir-khan-to-produce-biographical-documentary-on-president-droupadi-murmu</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/aamir-khan-to-produce-biographical-documentary-on-president-droupadi-murmu</guid><pubDate>Sat, 20 Jun 2026 17:33:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આમિર ખાન પ્રોડક્શન્સના બેનર હેઠળ બની રહેલી બંટવારા 1947 ટૂંક સમયમાં જ થિએટરોમાં દસ્તક દેવાની છે, જેનું તાજેતરમાં જ ટીઝર સામે આવ્યું છે. આ દરમિયાન આમિર ખાન એક વધુ મોટો પ્રોજેક્ટ લઈને આવી રહ્યા છે, પરંતુ આ એક્શન કે પાર્ટિશન પર બની રહેલી કોઈ ફિલ્મ નથી, પણ એક ડોક્યુમેન્ટ્રી હોવાની છે. અહેવાલ છે કે આમિર ખાનનું પ્રોડક્શન હાઉસ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પર ડોક્યુમેન્ટ્રી બનાવી રહ્યું છે એટલે કે દ્રૌપદી મુર્મૂની શાનદાર સફરને મોટા પડદા પર ઉતારવામાં આવશે.</p><h2 style="text-align: justify; "><b>રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના જીવન પર બનાવશે ડોક્યુમેન્ટ્રી</b></h2><p style="text-align: justify; ">બંટવારા 1947ની વચ્ચે આમિર ખાને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની જિંદગી પર એક ડોક્યુમેન્ટ્રી બનાવવાનો નિર્ણય લીધો છે. આ ફિલ્મના ડિરેક્શનની કમાન સ્વાતિ ચક્રવર્તી ભટકલા સંભાળશે, જેઓ રૂબરૂ રોશની જેવી ડોક્યુમેન્ટ્રી બનાવી ચૂક્યા છે. અહેવાલ છે કે આ ડોક્યુમેન્ટ્રીનું શૂટિંગ પહેલાથી જ શરૂ થઈ ચૂક્યું છે.</p><h3 style="text-align: justify; "><b>આમિર ખાનના પ્રોજેક્ટની ચર્ચા</b></h3><p style="text-align: justify; ">વેરાયટી ઇન્ડિયાના એક અહેવાલ મુજબ, આમિર ખાન પ્રોડક્શન્સ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના જીવન અને સફર પર બેઝ્ડ એક ડોક્યુમેન્ટ્રી પર કામ કરી રહ્યું છે. આ પ્રોજેક્ટને ફિલ્મમેકર અને રાઇટર સ્વાતિ ચક્રવર્તી ભતકાલ ડિરેક્ટ કરશે. આ ડોક્યુમેન્ટ્રી એ શાનદાર સફરને બતાવશે જેમાં મુર્મૂ ઓડિશાના એક નાના ગામથી ભારતના રાષ્ટ્રપતિ બન્યા. જણાવવામાં આવી રહ્યું છે કે આ ડોક્યુમેન્ટ્રી દ્રૌપદી મુર્મૂની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફના મહત્વના પડાવોને બતાવશે. જો કે, હજી મેકર્સ તરફથી કન્ફર્મેશન બાકી છે અને જો સમાચાર કન્ફર્મ થઈ જાય છે, તો આ આમિર ખાન પ્રોડક્શન્સની એક વધુ સાચી જિંદગી પર આધારિત સ્ટોરી હશે.</p><h4 style="text-align: justify; "><b>શરૂ થઈ ગયું શૂટિંગ</b></h4><p style="text-align: justify; ">અહેવાલોનું માનીએ તો આ ડોક્યુમેન્ટ્રીના કેટલાક ભાગ પહેલાથી જ ઓડિશામાં મુર્મૂના પૈતૃક ગામમાં શૂટ કરવામાં આવી ચૂક્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે મેકર્સે તેમના શરૂઆતી જીવનની મહત્વની ક્ષણોને ફરીથી તૈયાર કરી છે અને તેમની સફરના અલગ-અલગ પડાવોને બતાવવા માટે લોકલ કલાકારોને કાસ્ટ કર્યા છે. આ ડોક્યુમેન્ટ્રી દ્વારા આમિર ખાન પ્રોડક્શન્સ અને સ્વાતિ ચક્રવર્તી ભતકાલ એકવાર ફરી સાથે કામ કરશે. સ્વાતિએ આ પહેલા રૂબરૂ રોશનીને ડિરેક્ટ કરી હતી, જે 2019 માં આવેલી એક ડોક્યુમેન્ટ્રી એન્થોલોજી હતી અને જેને આમિર ખાન અને કિરણ રાવે પ્રોડ્યુસ કરી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/tmkoc-bagha-tanmay-vekaria-shares-real-life-financial-struggle-story" target="_blank">આ પણ વાંચો-Tanmay Vekaria : એક સમયે ખિસ્સામાં હતા ફક્ત 700 રૂપિયા, આજે લોકપ્રિયતાના શિખરે છે TMKOCના બાઘા!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/MUfmnKIuwI9umMX1WfyOSNjgmzILMrwiK7kSkn0V.webp'/></item><item><title><![CDATA[Bharat Forge Share: સરકારનો મળ્યો 425 કરોડનો ઓર્ડર અને...રોકાણકારો માલામાલ ]]></title><link>https://sandesh.com/business/news/bharat-forge-share-government-gets-order-of-rs-425-crore-andinvestors-are-rich</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/bharat-forge-share-government-gets-order-of-rs-425-crore-andinvestors-are-rich</guid><pubDate>Sat, 20 Jun 2026 12:57:07 +05:30</pubDate><description><![CDATA[<p>શેરબજારમાં સતત વધઘટ જોવા મળી રહી છે. ગત અઠવાડિયે તો શેરબજારમાં ઘટાડાનો દોર હતો. પરંતુ આ ઘટાડા વચ્ચે ઘણી કંપનીઓના શેરએ સારુ પ્રદર્શન કર્યુ હતું. જો કે આગામી દિવસોમાં પણ આવો ટ્રેન્ડ જોવા મળી શકે છે. ત્યારે આવો જાણીએ કઇ કંપનીઓના શેર માર્કેટમાં મંદીના માહોલમાં પણ ટોપ પર હતા.&nbsp;</p><h2><b>Bharat Forge નો શેર ટોચ પર&nbsp;</b></h2><p>જે કંપનીનો શેર ટોચ પર હતો તે છે Bharat Forge. જો કે આગામી દિવસોમાં પણ તેના શેર ટોપ પર રહે તેવી શક્યતા છે.&nbsp; સરકાર દ્વારા કંપનીને આપવામાં આવેલા ₹425 કરોડના નોંધપાત્ર ઓર્ડરને કારણે સંરક્ષણ ક્ષેત્રની અગ્રણી કંપની Bharat Forgeના શેર ફોકસમાં રહેવાની તૈયારીમાં છે.</p><h3><b>રોકાણકારો માટે મલ્ટીબેગર સ્ટોક બન્યો Bharat Forge</b></h3><p>Bharat Forge તેના રોકાણકારો માટે મલ્ટીબેગર સ્ટોક તરીકે ઉભરી આવ્યો છે. વળતરની દ્રષ્ટિએ તેણે લાંબા ગાળે રોકાણકારો માટે નોંધપાત્ર સંપત્તિ ઉત્પન્ન કરી છે.  9 એપ્રિલ, 2020 ના રોજ આ  શેરનો ભાવ ₹245 હતો. જે હવે 12 જૂન  શુક્રવારના રોજ  ₹2,036 પર બંધ થયો હતો. એટલે કહી શકાય કે રોકાણકારોને તો તગડી કમાણી કરાવી દીધી.  2020થી 2026 સુધીમાં રોકાણકારોએ  729% નું પ્રભાવશાળી વળતર મેળવ્યું .Bharat Forgeમાં જે  રોકાણ કર્યુ હતું તેના કરતા આઠ ગણાથી વધુનો વધારો થયો છે.</p><p><b style="font-size: 1.5rem;">રોકાણકારોને કેટલું આપ્યું વળતર ?&nbsp;</b></p><p>આ ડિફેન્સ  સ્ટોકનું બજાર મૂડીકરણ ₹97,340 કરોડ છે. તેનો 52 અઠવાડિયાનો ઉચ્ચતમ ભાવ ₹2,059.50 છે, જ્યારે 52 અઠવાડિયાનો નીચો ભાવ ₹1,100.50 છે. છેલ્લા છ મહિનામાં આ શેર નોંધપાત્ર રીતે સારો દેખાવ કરી રહ્યો છે. જે રોકાણકારોને 40% વળતર આપે છે.  છેલ્લા પાંચ વર્ષના વળતરની વાત કરીએ તો તે 180% છે.</p><p><br></p><h4><b>ભારત ફોર્જ કેમ ફોકસમાં છે?</b></h4><p>Bharat Forgeના શેર આગામી સપ્તાહે પણ ચર્ચામાં રહેવાની ધારણા છે. પીટીઆઈના અહેવાલ મુજબ કંપનીએ ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જાહેરાત કરી હતી કે તેણે ભારતીય નૌકાદળ માટે સંરક્ષણ મંત્રાલય પાસેથી એક મોટો કરાર મેળવ્યો છે.</p><p><b style="font-size: 1.5rem;">Bharat Forgeમેળવ્યો ડિફેન્સ સેક્ટર પાસેથી ઓર્ડર&nbsp;</b></p><p>મળતી માહિતી મુજબ આ ઓર્ડર ગેસ ટર્બાઇન જનરેટરના પુરવઠા માટે છે જે ફાઇલિંગ મુજબ ₹425 કરોડ મૂલ્યનો છે. Bharat Forgeને કરારને અમલમાં મૂકવા માટે પાંચ વર્ષનો સમયમર્યાદા આપવામાં આવી છે. આ કરાર હેઠળ, કંપની 1.25 મેગાવોટની ક્ષમતાવાળા ગેસ ટર્બાઇન જનરેટરનું ઉત્પાદન કરશે.&nbsp;</p><p>શુક્રવારે સંરક્ષણ મંત્રાલયે નવી દિલ્હીમાં પુણે સ્થિત Bharat Forge લિમિટેડ સાથે ભારતીય નૌકાદળ માટે બાર 1.25 મેગાવોટ મરીન ગેસ ટર્બાઇન જનરેટર સેટ ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા. આ દરમિયાન સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ હાજર રહ્યા હતા, આ જનરેટરમાં ઓછામાં ઓછી 60% 'મેડ ઇન ઇન્ડિયા' સામગ્રીનો ઉપયોગ કરવામાં આવશે.</p><p><br></p><p><a href="https://sandesh.com/gallery/news/india/why-are-potatoes-and-chickpeas-the-filling-in-panipuri?2" target="_blank">આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/8gAOmPtUhuQp6cQgCRCresDqJT7KUFfJ9t7F1ztY.webp'/></item></channel></rss>