<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Surat News: વરાછા ઝોનનો આકારણી ક્લાર્ક લાંચ લેતા ઝડપાયો, ACBએ રંગેહાથ દબોચ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-news-assessment-clerk-of-varachha-zone-caught-taking-bribe-acb-catches-him-red-handed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-news-assessment-clerk-of-varachha-zone-caught-taking-bribe-acb-catches-him-red-handed</guid><pubDate>Tue, 09 Jun 2026 22:21:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરમાંથી ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ મોટી કાર્યવાહી કરીને સુરત મહાનગરપાલિકાના એક લાંચિયા કર્મચારીને રંગેહાથ ઝડપી પાડ્યો છે. સુરત મનપાના વરાછા ઝોનમાં આકારણી ક્લાર્ક તરીકે ફરજ બજાવતો રાકેશ વનમાળી એક સન્માનિત નાગરિક પાસેથી ગેરકાયદેસર રીતે પૈસા પડાવતા એસીબીના સકંજામાં આવી ગયો છે.</p><h2 style="text-align: justify; ">વેરો રેસિડન્ટ તરીકે ચાલુ રાખવા માંગી હતી લાંચ</h2><p style="text-align: justify; ">એક મિલકતનો ટેક્સ વ્યવસાયિક (કોમર્શિયલ) ને બદલે રહેણાંક (રેસિડન્ટ) તરીકે જ ચાલુ રાખવા માટે આકારણી ક્લાર્ક રાકેશ વનમાળીએ ફરિયાદી પાસે રૂ.3,500ની લાંચની માંગણી કરી હતી. જો આ લાંચ ન આપવામાં આવે તો મિલકત વેરો વધારી દેવાની ગર્ભિત ધમકી પણ આપવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ અંગે જાગૃત ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી, તેમણે તાત્કાલિક સુરત એસીબી ઓફિસનો સંપર્ક સાધીને આ ભ્રષ્ટાચારી કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.</p><h3 style="text-align: justify; ">એસીબીએ છટકું ગોઠવી ભ્રષ્ટ ક્લાર્કને જેલભેગો કર્યો</h3><p style="text-align: justify; ">ફરિયાદના આધારે એસીબીની ટીમે વ્યાપક આયોજન કરીને વરાછા ઝોનની કચેરી નજીક એક સફળ લાંચનું છટકું (ટ્રેપ) ગોઠવ્યું હતું. ફરિયાદી જ્યારે નિયત કરાયેલી રૂ.3,500ની લાંચની રોકડ રકમ આપવા પહોંચ્યા, ત્યારે ક્લાર્ક રાકેશ વનમાળીએ નફ્ફટાઈપૂર્વક લાંચની રકમ સ્વીકારી હતી. આ જ સમયે અગાઉથી જ વોચમાં ઉભેલી એસીબીના અધિકારીઓની ટીમે ત્રાટકીને આરોપી રાકેશને લાંચની સંપૂર્ણ રકમ સાથે રંગેહાથ દબોચી લીધો હતો. હાલમાં એસીબી દ્વારા આરોપી ક્લાર્ક વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ તેજ કરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/3LD2zn7XsuX6WyZSHZXC6YE184lGHKanIXHya958.webp'/></item><item><title><![CDATA[Gandhinagar news :  આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમ હેઠળ ગુજરાતની 71 પંચાયતોની પ્રાથમિક પસંદગી કરાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/71-gujarat-panchayats-selected-under-atmanirbhar-panchayat-program</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/71-gujarat-panchayats-selected-under-atmanirbhar-panchayat-program</guid><pubDate>Tue, 09 Jun 2026 22:16:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડાપ્રધાન મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને આગળ વધારવા માટે હવે પંચાયતોએ વિવિધ સ્થાનિક પ્રકલ્પો-પ્રોજેક્ટ્સ થકી આવકના સ્ત્રોત ઊભા કરીને આત્મનિર્ભર પંચાયત બનવાની દિશામાં કાર્ય કરવું પડશે.આ પ્રોજેક્ટ્સ સાકાર કરવા માટે પંચાયત મંત્રાલય દ્વારા વિવિધ તકનીકી માર્ગદર્શન ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ કાર્યક્રમનો હેતુ પંચાયતોને આર્થિક રીતે સ્વાવલંબી, નવીન અને વિકાસલક્ષી બનાવવાનો છે, તેમ પંચાયતી રાજ મંત્રાલયના સચિવ શ્રી વિવેક ભારદ્વાજે ગાંધીનગર ખાતે 'આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમ' વર્કશોપમાં જણાવ્યું હતું.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>આત્મનિર્ભર પંચાયત’ કાર્યક્રમ</b></h2><p style="text-align: justify; ">ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા ‘આત્મનિર્ભર પંચાયત’ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર સ્થિત હોટેલ લીલા ખાતે એક દિવસીય રાજ્યસ્તરીય આઉટરીચ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં ગુજરાતનાં પંચાયત વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સચિવ ભારદ્વાજે વધુમાં કહ્યું હતું કે, કોરોના મહામારી દરમિયાન ભારતે માત્ર પોતાની જરૂરિયાતો પૂરી કરી નહોતી, પરંતુ ‘વેક્સિન મૈત્રી’ અભિયાન દ્વારા અંદાજે 96  દેશોને કરોડો વેક્સિન ડોઝ પણ મોકલ્યા હતા. આ જ આત્મનિર્ભર ભારતના વિઝનને આગળ વધારવા માટે હવે પંચાયતોને પણ વિવિધ સ્થાનિક પ્રકલ્પો શરૂ કરીને આત્મનિર્ભર બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>14 હજારથી વધુ પંચાયતને આત્મનિર્ભર બનાવવા પ્રયાસ</b></h3><p style="text-align: justify; ">પંચાયત વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યું હતું કે, કેન્દ્રના પંચાયત રાજ મંત્રાલય દ્વારા 'આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમ' હેઠળ ગુજરાતની 71 પંચાયતોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે. આત્મનિર્ભર પંચાયત' તરીકે પસંદગી પામી છે તે ગૌરવ સમાન છે. પરંતુ આપણે 71 પંચાયત સુધી મર્યાદિત નથી રહેવાનું પણ  ગુજરાતની તમામ 14 હજારથી વધુ પંચાયતને આત્મનિર્ભર પંચાયત બનાવવા સંયુક્ત પ્રયાસો કરવાના છે. આપણી શાસન વ્યવસ્થામાં સૌથી ઉપર કેન્દ્ર, વચ્ચે રાજ્ય અને સૌથી નીચે લોકલ સેલ્ફ ગવર્મેન્ટ  એટલે કે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>વધુ પ્રયત્નોથી આ લક્ષ્યને પાર કરી શકાય</b></h2><p style="text-align: justify; ">તેમણે કહ્યું હતું કે,  આપણે આત્મનિર્ભર પંચાયતનો વ્યાપ વધારવો પડશે. કેન્દ્ર સરકારની આ યોજનામાં ભલે શરૂઆતમાં અમુક માપદંડો જેમ કે ગ્રામ પંચાયતની આવક 50 લાખ કે તાલુકાની 1 કરોડના આધારે ગુજરાતની 71 પંચાયતોની પ્રાથમિક પસંદગી થઈ હોય, પણ આ વિચાર માત્ર ત્યાં સુધી સીમિત ન રહેવો જોઈએ. જો કોઈ પંચાયત આજે 49 લાખ કે 95  લાખ પર હોય, તો તે થોડાક વધુ પ્રયત્નોથી આ લક્ષ્યને પાર કરી શકે છે. આ આત્મનિર્ભરતાના મંત્રને ગુજરાતની તમામ 14 હજાર કરતાં વધુ પંચાયતો સુધી પહોંચાડવા અગ્ર સચિવે આહ્વાન કર્યું હતું.<br><br><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/porbandar/school-principal-detained-for-missing-census-duty-" target="_blank">આ પણ વાંચોઃ Gujarat News: પોરબંદરમાં વસ્તી ગણતરીમાં ગેરહાજર રહેતા રોડ પ્રાથમિક શાળાના આચાર્યની ધરપકડ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/O4dYOaajgfPNFxdErwjkdKpJjLNPZ98PmocDVHZE.webp'/></item><item><title><![CDATA[9 જૂનના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/read-10-important-news-stories-of-the-day-on-june-9th-in-one-click</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/read-10-important-news-stories-of-the-day-on-june-9th-in-one-click</guid><pubDate>Tue, 09 Jun 2026 21:00:00 +05:30</pubDate><description><![CDATA[<p><b>સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર વાંચો</b></p><p><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/porbandar/school-principal-detained-for-missing-census-duty-" target="_blank"><b>1. Gujarat News: પોરબંદરમાં વસ્તી ગણતરીમાં ગેરહાજર રહેતા રોડ પ્રાથમિક શાળાના આચાર્યની ધરપકડ</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/crime/bhuj/three-arrested-posed-as-woman-for-fraud-in-the-name-of-tantric-rituals" target="_blank"><b>2. Kachchh News : આરોપી સ્ત્રીનો વેશ ધારણ કરી લોકોનો સંપર્ક કરતો, ઘરમાં જઈ દુઃખ દૂર કરવાના નામે રૂપિયા પડાવતો</b></a></p><p><a href="https://sandesh.com/india/news/congress-candidate-meenakshi-natarajans-nomination-rejected" target="_blank"><b>3. Madhya Pradesh rajya sabha election: કોંગ્રેસના કદાવર ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું ફોર્મ રદ કરાયુ</b></a></p><p><a href="https://sandesh.com/world/news/china-india-indonesia-protect-brahmos-missile-will-be-deployed-on-natuna-island-know-why" target="_blank"><b>4. China India Indonesia Protect: 'નાતુના આઇલેન્ડ' પર તૈનાત થશે બ્રહ્મોસ મિસાઇલ, જાણો કેમ?</b></a></p><p><a href="https://sandesh.com/world/news/us-iran-nuclear-deal-trump-in-action-team-of-100-experts-ready-for-nuclear-agreement" target="_blank"><b>5. US-Iran Nuclear Deal: ટ્રમ્પ એક્શનમાં, પરમાણુ કરાર માટે 100 એક્સપર્ટ્સની ટીમ તૈયાર!</b></a></p><p><a href="https://sandesh.com/business/news/india/tcs-share-price-when-a-shareholder-asked-about-the-falling-share-price-the-chairman-explained-the-math-know-what-he-said" target="_blank"><b>6. TCS Share Price: ઘટી રહેલા શેરના ભાવ અંગે શેરધારકે કર્યો સવાલ તો ચેરમેને સમજાવ્યુ ગણિત, જાણો શું કહ્યુ?</b></a></p><p><a href="https://sandesh.com/cricket/news/ind-a-vs-sl-a-india-a-team-beat-sri-lanka-by-8-runs-rituraj-gaikwads-explosive-innings" target="_blank"><b>7. IND A vs SL A : ભારત-A ટીમે શ્રીલંકાને 8 રને હરાવ્યુ, ઋતુરાજ ગાયકવાડની ધમાકેદાર ઈનિંગ</b></a></p><p><a href="https://sandesh.com/business/news/automobile/big-change-in-the-auto-sector-next-generation-plug-in-hybrid-technology-has-arrived" target="_blank"><b>8. Auto Sectorમાં મોટો બદલાવ: આવી ગઈ નેક્સ્ટ જનરેશન પ્લગ-ઇન હાઇબ્રિડ ટેકનોલોજી</b></a></p><p><a href="https://sandesh.com/india/news/mp-rajya-sabha-election-voting-for-3-seats-on-june-18-why-did-congress-send-mlas-to-karnataka-to-save-them" target="_blank"><b>9. MP Rajya Sabha Election :3 બેઠક માટે 18 જૂને મતદાન,ધારાસભ્યોને બચાવવા કોંગ્રેસે કેમ મોકલ્યા કર્ણાટક?</b></a></p><p><a href="https://sandesh.com/india/news/cm-yogi-warns-those-who-betray-ram-have-no-place-on-earth-india-is-no-dharamshala" target="_blank"><b>10. CM યોગીની ચેતવણી,‘રામનો દ્રોહ કરનારાઓને ધરતી પર જગ્યા નથી,ભારત કોઈ ધર્મશાળા નથી’</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/U9ImnGWcpDesWmT2ojOVgrDQWAT9waTABUMsMLAv.webp'/></item><item><title><![CDATA[Vadodara News: યુસુફ પઠાણ અને VMC વચ્ચે હાઈપ્રોફાઈલ જંગ; સરકારી પ્લોટ પર દબાણ મામલે પાલિકા અધિકારીનો ખુલાસો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-news-high-profile-fight-between-yusuf-pathan-and-vmc-municipal-officers-explanation-about-pressure-on-government-plot</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-news-high-profile-fight-between-yusuf-pathan-and-vmc-municipal-officers-explanation-about-pressure-on-government-plot</guid><pubDate>Tue, 09 Jun 2026 20:34:29 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા મહાનગરપાલિકા અને પૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ વચ્ચે સરકારી જમીન પર કથિત દબાણને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે. વડોદરાના એક કિંમતી પ્લોટ પર ગેરકાયદેસર કબ્જો જમાવવાના આ હાઈપ્રોફાઈલ મામલે પાલિકાના ડેપ્યુટી કમિશનર સુરેશ તુવેરનું એક અત્યંત મહત્વનું નિવેદન સામે આવ્યું છે. ડેપ્યુટી કમિશનરે મીડિયા સમક્ષ સ્પષ્ટ કર્યું છે કે, જે જમીન પર વિવાદ ચાલી રહ્યો છે તે પ્લોટ સંપૂર્ણપણે વડોદરા કોર્પોરેશનની માલિકીનો છે અને તેના પર થયેલું બાંધકામ નિયમ વિરુદ્ધ છે.</p><h2 style="text-align: justify; ">પાલિકાએ ફટકારી હતી નોટિસ</h2><p style="text-align: justify; ">ડેપ્યુટી કમિશનર સુરેશ તુવેરના જણાવ્યા મુજબ પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે કોર્પોરેશનની માલિકીનો આ સરકારી પ્લોટ પર કમ્પાઉન્ડ વોલ ચણીને ગેરકાયદેસર રીતે દબાણ ઊભું કર્યું હતું. આ બાબત પાલિકાના ધ્યાન પર આવતાં જ વહીવટી તંત્ર દ્વારા કાયદેસરની પ્રક્રિયા હાથ ધરીને યુસુફ પઠાણને આ વિવાદાસ્પદ દબાણ જાતે જ દૂર કરવા માટે અગાઉ સત્તાવાર નોટિસ પણ ફટકારવામાં આવી હતી. જોકે, પાલિકાની આ નોટિસ સામે પૂર્વ ક્રિકેટરે કાનૂની આશરો લીધો હતો.</p><h3 style="text-align: justify; ">હાઈકોર્ટના ચુકાદા બાદ પાલિકા લેશે નિર્ણય</h3><p style="text-align: justify; ">પાલિકાની નોટિસના વિરોધમાં યુસુફ પઠાણ ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને સ્ટે મેળવવા અરજી કરી હતી. ડેપ્યુટી કમિશનરે ઉમેર્યું કે, હાઇકોર્ટમાં આ કેસ અંગે બંને પક્ષો વચ્ચે લાંબી દલીલો પૂર્ણ થઈ ચૂકી હોવા છતાં પણ હજુ સુધી અદાલત દ્વારા કોઈ અંતિમ ચુકાદો આપવામાં આવ્યો નથી. હાલમાં આ મામલો સબજ્યુડિસ હોવાથી પાલિકા કોર્ટના આદેશની રાહ જોઈ રહી છે. આગામી 15 જૂનના રોજ હાઇકોર્ટ દ્વારા આ કેસનો ચુકાદો જાહેર થવાની સંભાવના છે, અને કોર્ટના ઓર્ડર બાદ પાલિકા તંત્ર આ સરકારી પ્લોટ પરથી દબાણ હટાવવા અંગે આખરી અને મક્કમ નિર્ણય કરશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/4OMays4vautQKk2CctP7UdZ0y2PD3q7axwl9wN8b.webp'/></item><item><title><![CDATA[Gujarat News:  પોરબંદરમાં વસ્તી ગણતરીમાં ગેરહાજર રહેતા રોડ પ્રાથમિક શાળાના આચાર્યની ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/porbandar/school-principal-detained-for-missing-census-duty-</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/porbandar/school-principal-detained-for-missing-census-duty-</guid><pubDate>Tue, 09 Jun 2026 20:31:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પોરબંદરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં રાષ્ટ્રીય ફરજ એવી વસ્તી ગણતરીની કામગીરીમાં હાજર ન રહેવા બદલ રોડ પ્રાથમિક શાળાના આચાર્ય પુનિતકુમાર પંડ્યાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.આચાર્ય સામે વોરંટ જારી કરી તેમની અટકાયત કર્યા બાદ તેમને મામલતદાર કચેરી ખાતે હાજર કરવામાં આવ્યા હતા.આ કાર્યવાહીને પગલે શૈક્ષણિક આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>વસ્તી ગણતરીમાં હાજર ન રહેતા કાર્યવાહી</b></h2><p style="text-align: justify; ">આ ઘટના અંગે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ તાત્કાલિક એક્શનમાં આવ્યું છે અને કલેક્ટરને રજૂઆત કરી છે. મહાસંઘ દ્વારા આચાર્ય સામેનું વોરંટ તાત્કાલિક રદ્દ કરવા અને શિક્ષકને સન્માનપૂર્વક શાળામાં કામ કરવા દેવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.બીજી તરફ, અટકાયત કરાયેલા આચાર્ય પુનિતકુમાર પંડ્યાએ પોતાનું નિવેદન આપતા શાળાની વાસ્તવિક અને કડવી સ્થિતિ મીડિયા સમક્ષ રજૂ કરી છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>શિક્ષકને મામલતદાર કચેરી હાજર કરાયા</b></h3><p style="text-align: justify; ">તેમણે જણાવ્યું કે, અમારી શાળામાં સ્ટાફની ભારે અછત છે. મને ગણીને શાળામાં માત્ર બે જ શિક્ષકો છે, અને હાલ હું આચાર્ય તરીકેની પણ ફરજ બજાવી રહ્યો છું. શાળામાં શિક્ષકોની આટલી મોટી ઘટ હોય ત્યારે બાળકોનું શિક્ષણ બગાડીને આ સ્થિતિમાં વસ્તી ગણતરીની કામગીરી કેવી રીતે કરવી? આચાર્યના આ નિવેદન બાદ વહીવટી તંત્રના કડક વલણ અને શાળાઓમાં શિક્ષકોની ઘટની વાસ્તવિકતા વચ્ચે નવો વિવાદ સર્જાયો છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/crime/bhuj/three-arrested-posed-as-woman-for-fraud-in-the-name-of-tantric-rituals" target="_blank">આ પણ વાંચોઃ Kachchh News : આરોપી સ્ત્રીનો વેશ ધારણ કરી લોકોનો સંપર્ક કરતો, ઘરમાં જઈ દુઃખ દૂર કરવાના નામે રૂપિયા પડાવતો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/F138eo8kLz1Vc8yFyljczhCJ36pEQbcGMPjU72ps.webp'/></item><item><title><![CDATA[TCS Share Price: ઘટી રહેલા શેરના ભાવ અંગે શેરધારકે કર્યો સવાલ તો ચેરમેને સમજાવ્યુ ગણિત, જાણો શું કહ્યુ? ]]></title><link>https://sandesh.com/business/news/india/tcs-share-price-when-a-shareholder-asked-about-the-falling-share-price-the-chairman-explained-the-math-know-what-he-said</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/tcs-share-price-when-a-shareholder-asked-about-the-falling-share-price-the-chairman-explained-the-math-know-what-he-said</guid><pubDate>Tue, 09 Jun 2026 19:23:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">એક સમયે, IT જાયન્ટનો શેર 4 હજારને સ્પર્શી રહ્યો હતો. પરંતુ છેલ્લા એક વર્ષમાં, તે ઝડપથી ઘટીને 2200થી 2500ની રેન્જમાં છે. 
</p><h2 style="text-align: justify; ">બે મુખ્ય કારણ જવાબદાર 
</h2><p style="text-align: justify; ">કંપનીની 31મી વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકે પૂછ્યું કે, મજબૂત પરિણામો છતાં શેરનો ભાવ આટલો ઝડપથી કેમ ઘટ્યો. ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને પરિસ્થિતિ સમજાવી. ચંદ્રશેખરને જવાબ આપ્યો અને આ પાછળના બે મુખ્ય કારણો છે. ઓગસ્ટ-સપ્ટેમ્બર 2024માં નેશનલ સ્ટોક એક્સચેન્જ પર TCSના શેર 4289.85ની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. ત્યારથી, આ ઘટાડો ચાલુ રહ્યો છે. અને મંગળવારના રોજ તેનો શેર 0.02% ઘટીને રૂપિયા 2151 પર બંધ થયો. આ ઘટાડો 50 ટકાથી થોડો વધારે દર્શાવે છે. હાલમાં, તે સપ્ટેમ્બર 2020ના ભાવે પહોંચ્યો છે. સ્પષ્ટપણે, રોકાણકારો આનાથી નાખુશ છે.
</p><h3 style="text-align: justify; ">યુદ્ધો અને ભૂ-રાજકીય તણાવ
</h3><p style="text-align: justify; ">ચેરમેન એન. ચંદ્રશેખરને શેરધારકોને ખાતરી આપી હતી કે શેરના ભાવમાં આ ઘટાડો TCS પૂરતો મર્યાદિત નથી. પરંતુ વૈશ્વિક IT ક્ષેત્ર હાલમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. તેમણે પ્રથમ મુખ્ય કારણ વિશ્વના ઘણા ભાગોમાં ચાલી રહેલા યુદ્ધો અને ભૂ-રાજકીય તણાવને કારણે બગડતા વ્યવસાયિક વાતાવરણ તરીકે ટાંક્યું હતું. જેણે સપ્લાય ચેઇન પર ગંભીર અસર કરી છે. કંપનીઓ હાલમાં નવા સાહસો શરૂ કરવાને બદલે તેમના હાલના વ્યવસાયોને સુરક્ષિત કરવા અને તેમની સપ્લાય ચેઇનને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
</p><h4 style="text-align: justify; ">AI સૌથી મોટું સંકટ 
</h4><p style="text-align: justify; ">ઘટાડાનું બીજું અને સૌથી મહત્વનું કારણ સમજાવતા, એન. ચંદ્રશેખરન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉલ્લેખ કરે છે. તેમણે કહ્યું કે આજે શેરબજારમાં IT કંપનીઓને ઘેરાયેલો સૌથી મોટો ભય AI છે. રોકાણકારો આશ્ચર્ય પામી રહ્યા છે: જો AI કમ્પ્યુટર કોડ લખી શકે છે, સોફ્ટવેરનું પરીક્ષણ કરી શકે છે અને ઘણા તકનીકી કાર્યો સ્વતંત્ર રીતે સંભાળી શકે છે, તો TCS જેવી IT સેવા કંપનીઓનું ભવિષ્ય શું હશે? આ ડરને કારણે, માત્ર TCS જ નહીં, પરંતુ વિશ્વભરમાં IT સેવાઓ, સોફ્ટવેર અને SaaSમાં સંકળાયેલી લગભગ બધી કંપનીઓ ઇન્ટરનેટ દ્વારા સીધી રીતે પહોંચાડવામાં આવતી સોફ્ટવેર સેવાઓમાં, તેમના શેરમાં 35% થી 45% નો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/israel-was-left-alone-in-the-iran-war-from-uae-to-america-everyone-left-the-alliance-know-why" target="_blank">Iran યુદ્ધમાં Israel થયુ એકલું, UAEથી લઈને America સુધી બધાએ છોડ્યો સાથ, જાણો કેમ?</a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/cVESxsnsxqYCanjViXQmQURWEHi3M5tzcIYNxpiy.webp'/></item><item><title><![CDATA[TCS Share Price: ઘટી રહેલા શેરના ભાવ અંગે શેરધારકે કર્યો સવાલ તો ચેરમેને સમજાવ્યુ ગણિત, જાણો શું કહ્યુ? ]]></title><link>https://sandesh.com/business/news/india/tcs-share-price-when-a-shareholder-asked-about-the-falling-share-price-the-chairman-explained-the-math-know-what-he-said</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/tcs-share-price-when-a-shareholder-asked-about-the-falling-share-price-the-chairman-explained-the-math-know-what-he-said</guid><pubDate>Tue, 09 Jun 2026 19:23:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">એક સમયે, IT જાયન્ટનો શેર 4 હજારને સ્પર્શી રહ્યો હતો. પરંતુ છેલ્લા એક વર્ષમાં, તે ઝડપથી ઘટીને 2200થી 2500ની રેન્જમાં છે. 
</p><h2 style="text-align: justify; ">બે મુખ્ય કારણ જવાબદાર 
</h2><p style="text-align: justify; ">કંપનીની 31મી વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકે પૂછ્યું કે, મજબૂત પરિણામો છતાં શેરનો ભાવ આટલો ઝડપથી કેમ ઘટ્યો. ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને પરિસ્થિતિ સમજાવી. ચંદ્રશેખરને જવાબ આપ્યો અને આ પાછળના બે મુખ્ય કારણો છે. ઓગસ્ટ-સપ્ટેમ્બર 2024માં નેશનલ સ્ટોક એક્સચેન્જ પર TCSના શેર 4289.85ની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. ત્યારથી, આ ઘટાડો ચાલુ રહ્યો છે. અને મંગળવારના રોજ તેનો શેર 0.02% ઘટીને રૂપિયા 2151 પર બંધ થયો. આ ઘટાડો 50 ટકાથી થોડો વધારે દર્શાવે છે. હાલમાં, તે સપ્ટેમ્બર 2020ના ભાવે પહોંચ્યો છે. સ્પષ્ટપણે, રોકાણકારો આનાથી નાખુશ છે.
</p><h3 style="text-align: justify; ">યુદ્ધો અને ભૂ-રાજકીય તણાવ
</h3><p style="text-align: justify; ">ચેરમેન એન. ચંદ્રશેખરને શેરધારકોને ખાતરી આપી હતી કે શેરના ભાવમાં આ ઘટાડો TCS પૂરતો મર્યાદિત નથી. પરંતુ વૈશ્વિક IT ક્ષેત્ર હાલમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. તેમણે પ્રથમ મુખ્ય કારણ વિશ્વના ઘણા ભાગોમાં ચાલી રહેલા યુદ્ધો અને ભૂ-રાજકીય તણાવને કારણે બગડતા વ્યવસાયિક વાતાવરણ તરીકે ટાંક્યું હતું. જેણે સપ્લાય ચેઇન પર ગંભીર અસર કરી છે. કંપનીઓ હાલમાં નવા સાહસો શરૂ કરવાને બદલે તેમના હાલના વ્યવસાયોને સુરક્ષિત કરવા અને તેમની સપ્લાય ચેઇનને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
</p><h4 style="text-align: justify; ">AI સૌથી મોટું સંકટ 
</h4><p style="text-align: justify; ">ઘટાડાનું બીજું અને સૌથી મહત્વનું કારણ સમજાવતા, એન. ચંદ્રશેખરન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉલ્લેખ કરે છે. તેમણે કહ્યું કે આજે શેરબજારમાં IT કંપનીઓને ઘેરાયેલો સૌથી મોટો ભય AI છે. રોકાણકારો આશ્ચર્ય પામી રહ્યા છે: જો AI કમ્પ્યુટર કોડ લખી શકે છે, સોફ્ટવેરનું પરીક્ષણ કરી શકે છે અને ઘણા તકનીકી કાર્યો સ્વતંત્ર રીતે સંભાળી શકે છે, તો TCS જેવી IT સેવા કંપનીઓનું ભવિષ્ય શું હશે? આ ડરને કારણે, માત્ર TCS જ નહીં, પરંતુ વિશ્વભરમાં IT સેવાઓ, સોફ્ટવેર અને SaaSમાં સંકળાયેલી લગભગ બધી કંપનીઓ ઇન્ટરનેટ દ્વારા સીધી રીતે પહોંચાડવામાં આવતી સોફ્ટવેર સેવાઓમાં, તેમના શેરમાં 35% થી 45% નો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/israel-was-left-alone-in-the-iran-war-from-uae-to-america-everyone-left-the-alliance-know-why" target="_blank">Iran યુદ્ધમાં Israel થયુ એકલું, UAEથી લઈને America સુધી બધાએ છોડ્યો સાથ, જાણો કેમ?</a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/cVESxsnsxqYCanjViXQmQURWEHi3M5tzcIYNxpiy.webp'/></item><item><title><![CDATA[Madhya Pradesh rajya sabha election: કોંગ્રેસના કદાવર ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું ફોર્મ રદ કરાયુ ]]></title><link>https://sandesh.com/india/news/congress-candidate-meenakshi-natarajans-nomination-rejected</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/congress-candidate-meenakshi-natarajans-nomination-rejected</guid><pubDate>Tue, 09 Jun 2026 19:06:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. મધ્યપ્રદેશથી કોંગ્રેસના રાજ્યસભા ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ કરવામાં આવ્યું છે. રિટર્નિંગ ઓફિસરે આ નામાંકન રદ કરી નાંખ્યું છે. તેમની પર આરોપ છે કે, તેમણે ઉમેદવારી ફોર્મમાં હૈદરાબાદની એક કોર્ટમાં ચાલી રહેલા મામલાની જાણકારી છુપાવી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ભાજપે મીનાક્ષી નટરાજનના ફોર્મ સામે વાંધો ઉઠાવ્યો</b></h2><p style="text-align: justify; ">રાજ્યસભાની ઉમેદવારી અંગે ભાજપે મીનાક્ષી નટરાજનના ફોર્મ સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમના ફોર્મમાં માહિતી છુપાવવાનો આરોપ લગાવાયો હતો. ભાજપે એવો આરોપ લગાવ્યો હતો કે, હૈદરાબાદની એક કોર્ટમાં ચાલી રહેલા એક ફોજદારી કેસ ઉમેદવારી ફોર્મમાં જાહેર કર્યો નથી. કર્ણાટકના મીનાક્ષી નટરાજનને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી બંનેની નજીક માનવામાં આવે છે.</p><h3 style="text-align: justify; "><b>કોંગ્રેસ પાર્ટીના સાંસદે શું કહ્યું</b></h3><p style="text-align: justify; ">આ દરમિયાન કોંગ્રેસ તરફથી સાંસદ વિવેક તંખાએ કહ્યું હતું કે, મીનાક્ષી નટરાજનની ઉમેદવારીને ળઈને ભ્રમ ફેલાવાઈ રહ્યો છે. કોઈ ફોજદારી કેસ નોંધવામાં આવ્યો નથી. માત્ર એક નોટીસ જાહેર કરાઈ છે. જેમાં સવાલ કરાયો છે કે, તેમના અને અન્ય લોકો સામે 10 કરોડ રૂપિયાના વળતરની કાર્યવાહી કેમ શરૂ ના થવી જોઈએ. મીનાક્ષી નટરાજનના વકીલે આ નોટીસનો જવાબ આપ્યો છે પરંતુ કોઈ ફરિયાદ દાખલ કરાઈ નથી.&nbsp;<br><br><a href="https://sandesh.com/india/news/cm-yogi-warns-those-who-betray-ram-have-no-place-on-earth-india-is-no-dharamshala" target="_blank">આ પણ વાંચોઃ CM યોગીની ચેતવણી,‘રામનો દ્રોહ કરનારાઓને ધરતી પર જગ્યા નથી,ભારત કોઈ ધર્મશાળા નથી’</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/eHwTmbAI5BCjSu8E1M4rKMuOO1IbIYRHQms8LeZy.webp'/></item><item><title><![CDATA[Kangana Ranaut:બોલિવૂડ માફિયાઓ પર કંગનાનો આરોપ, મને જેલમાં ધકેલવા માંગતા હતા ]]></title><link>https://sandesh.com/entertainment/news/kangana-ranaut-kangana-accuses-bollywood-mafia-they-wanted-to-put-me-in-jail</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/kangana-ranaut-kangana-accuses-bollywood-mafia-they-wanted-to-put-me-in-jail</guid><pubDate>Tue, 09 Jun 2026 17:48:02 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલિવૂડની સૌથી બિન્દાસ અને ‘ધાકડ ક્વીન’ તરીકે ઓળખાતી અભિનેત્રી કંગના રનૌત હંમેશા પોતાના બેબાક અંદાજ માટે ચર્ચામાં રહે છે. કંગના હંમેશા કોઈ પણ ફિલ્ટર વગર પોતાની વાત દુનિયા સામે રાખે છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક મોટા રહસ્યો જાહેર કરતી રહે છે. હવે તેણે ફરી એકવાર પોતાના કરિયરના શરૂઆતના દિવસોને લઈને એક ચોંકાવનારો દાવો કર્યો છે. કંગનાનું કહેવું છે કે કરિયરની શરૂઆતમાં તેણે ભારે આલોચનાઓનો સામનો કરવો પડ્યો હતો, એટલું જ નહીં પણ કેટલાક લોકો તેને જેલ ભેગી કરવા માંગતા હતા.</p><h2 style="text-align: justify; "><b>રણવીર સિંહના વિવાદ પર આપ્યું સમર્થન</b></h2><p style="text-align: justify; ">વાસ્તવમાં, છેલ્લા કેટલાક સમયથી અભિનેતા રણવીર સિંહ ફિલ્મ 'ડોન 3' ને લઈને વિવાદોમાં ઘેરાયેલો છે. 'ડોન 3' માંથી બહાર થવા પર ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ (FWICE) દ્વારા રણવીર સિંહ પર પ્રતિબંધ (બાન) મૂકવાની જાહેરાત કરવામાં આવી હતી. FWICE એ રણવીર વિરુદ્ધ અસહકારનો આદેશ જાહેર કર્યો હતો, જેને પાછળથી પાછો ખેંચી લેવાયો છે.</p><p style="text-align: justify; ">રણવીર સિંહ સામે થયેલી આ કાર્યવાહી પર કંગના રનૌતે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે જણાવ્યું કે, વિવાદો ઘણીવાર સફળતાનો એક એવો ભાગ હોય છે જેનાથી બચી શકાતું નથી. રણવીરને લઈને અત્યારે જે આલોચનાઓ કે તપાસ થઈ રહી છે, તે કોઈ નવી કે અનોખી વાત નથી.</p><h3 style="text-align: justify; "><b>‘તારીખો જ તારીખો પડતી હતી’</b></h3><p style="text-align: justify; ">રણવીર સિંહ સાથે થયેલો આ વિવાદ જોઈને કંગનાને પોતાના કરિયરનો એ મુશ્કેલ સમય યાદ આવી ગયો હતો. તેણે કહ્યું કે, તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફથી મળતા વિરોધ અને આલોચનાઓ સાથે જીવવાનું બહુ પહેલાં જ શીખી લીધું હતું. એક રેડિયો ચેનલ સાથેની વાતચીતમાં કંગનાએ મોટો ખુલાસો કરતા કહ્યું— "હા, બિલકુલ... સૌથી પહેલા મને જ બેન કરવામાં આવી હતી. લોકોએ મારા પર મુકદ્દમાઓ ચલાવ્યા, મને કાનૂની રીતે ફસાવવાનો પ્રયત્ન કર્યો અને મને જેલમાં નાખવાની પણ કોશિશ કરી હતી."</p><p style="text-align: justify; ">કંગનાએ વધુમાં ઉમેર્યું કે, "એક સમય એવો હતો જ્યારે મારા પર એટલા બધા કેસ નોંધાયેલા હતા કે મારો વકીલ બસ કોર્ટની તારીખો પર જ ચક્કર કાપી રહ્યો હતો. એવું લાગતું હતું જાણે બસ 'પેશીઓ જ પેશીઓ' થઈ રહી છે. તે સમયે મીડિયાએ પણ મારા પર મોટો પ્રતિબંધ લગાવી દીધો હતો." કંગનાએ હસતા હસતા કહ્યું કે, "હું તો આ બધી બાબતોમાં હવે ગુરુ બની ગઈ છું. મને વર્ષો સુધી આ રીતે બેન કરવામાં આવી છે કે હવે આ બધું મને બાળકોની રમત જેવું લાગે છે અને હું આનાથી ડરતી નથી."</p><h4 style="text-align: justify; "><b>આ દિવસે રિલીઝ થશે કંગનાની આગામી ફિલ્મ</b></h4><p style="text-align: justify; ">વર્કફ્રન્ટની વાત કરીએ તો, કંગના રનૌત આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ 'भारत भाग्य विधाता' (ભારત ભાગ્ય વિધાતા) ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મ 12 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં તે એક એવી જાંબાઝ નર્સની ભૂમિકા ભજવી રહી છે, જેણે 26/11 ના મુંબઈ આતંકી હુમલા દરમિયાન હોસ્પિટલ પર હુમલો થવા છતાં પોતાની જાન જોખમમાં મૂકીને અનેક દર્દીઓના જીવ બચાવ્યા હતા અને બાળકોની ડિલિવરી કરાવી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/india/news/plastic-currency-india-will-plastic-notes-come-now-which-will-not-burst-or-deteriorate-in-water" target="_blank">આ પણ વાંચો:Plastic Currency India: હવે આવશે પ્લાસ્ટિકની નોટો? જે ના ફાટશે, ના પાણીમાં બગડશે</a></p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/OEWEojv2FuYNuGbTSx0QSonb1mZbwZRIpYu26XuN.webp'/></item><item><title><![CDATA[Prize Money : ક્રિકેટ વર્લ્ડ કપ કે ફીફા વર્લ્ડ કપ, કયા ટૂર્નામેન્ટમાં મળે છે સૌથી વધુ પ્રાઇઝ મની? ]]></title><link>https://sandesh.com/sports/news/prize-money-cricket-world-cup-or-fifa-world-cup-which-tournament-offers-the-most-prize-money</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/prize-money-cricket-world-cup-or-fifa-world-cup-which-tournament-offers-the-most-prize-money</guid><pubDate>Tue, 09 Jun 2026 17:27:21 +05:30</pubDate><description><![CDATA[<p>ફિફા વર્લ્ડકપની 23મી આવૃત્તિનું આયોજન યુએસએ,મેક્સિકો અને કેનેડા સંયુક્ત રીતે કરી રહ્યા છે.ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે ત્રણ દેશો એક આવૃત્તિનું આયોજન કરી રહ્યા છે.આ પહેલાં ફક્ત બે દેશોએ એકસાથે તેનું આયોજન કર્યું છે.આ વખતે,ટીમોની સંખ્યા વધારીને 48 કરવામાં આવી છે,જેને ચારના 12 જૂથોમાં વહેંચવામાં આવી છે.આ આવૃત્તિ ઇનામ રકમની દ્રષ્ટિએ પણ ઐતિહાસિક હશે,જેમાં અગાઉની આવૃત્તિની તુલનામાં કુલ ઇનામ રકમમાં 49 ટકાનો વધારો થશે.અહીં અમે ફૂટબોલ વર્લ્ડકપ અને ક્રિકેટ વર્લ્ડ કપની ઇનામ રકમ વચ્ચેનો તફાવત સમજાવીએ છીએ.</p><h4><b>ફિફા વર્લ્ડ કપ 11 જૂનથી પ્રારંભ થશે</b></h4><p>
</p><p>વિશ્વની સૌથી મોટી રમતગમત ઇવેન્ટ,ફિફા વર્લ્ડ કપ 11 જૂનથી શરૂ થાય છે.મહિલા T20 વર્લ્ડ કપ 12 જૂનથી શરૂ થાય છે.મહિલા વર્લ્ડ કપમાં કુલ 12 ટીમો ભાગ લઈ રહી છે.જેમાં ભારત અને પાકિસ્તાન ગ્રુપ 1માં છે.તેમનો મુકાબલો રવિવાર 14 જૂને છે.તેની ઇનામ રકમ સાથે ચાલો તમને જણાવીએ કે ભારતીય મહિલા ટીમને આ વર્ષે ODI વર્લ્ડ કપ જીતવા બદલ ઇનામ રકમ તરીકે કેટલી રકમ મળી.ભારતીય પુરુષ ટીમે આ વર્ષે T20 વર્લ્ડ કપ પણ જીત્યો હતો.જાણો તેમની ઇનામી રકમ કેટલી હતી.</p><h4><b>વુમેન્સ T20 વર્લ્ડ કપ પ્રાઇઝમની કેટલી&nbsp;</b></h4><p>
</p><p>વુમેન્સ T20 વર્લ્ડ કપ 2026 ચેમ્પિયન ટીમ માટે US$2,340,000 ની ઇનામી રકમ જાહેર કરવામાં આવી છે. ભારતીય ચલણમાં, આ આશરે ₹22 કરોડ થાય છે. ભારતીય મહિલા ટીમને ODI વર્લ્ડ કપ 2026 જીતવા બદલ ₹4.48 મિલિયન મળ્યા હતા, જે ભારતીય ચલણમાં આશરે ₹39 કરોડ થાય છે.</p><p>
</p><h5><b>ટીમને T20 વર્લ્ડ કપ જીતવા કેટલા પૈસા મળે છે</b></h5><p>સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમે પુરુષોનો T20 વર્લ્ડ કપ 2026 જીત્યો હતો, અને ટીમ ઇન્ડિયાને ₹3 મિલિયન, અથવા આશરે ₹27 કરોડ, ઇનામી રકમ તરીકે મળ્યા હતા. જોકે, ફૂટબોલ વર્લ્ડ કપ વિજેતાની ઇનામી રકમ આના કરતા ઘણી વધારે છે.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/cricket/news/two-deadly-players-of-team-india-pass-fitness-test-will-take-the-field-against-afghanistan" target="_blank">Team Indiaના બે ઘાતક ખેલાડીઓ ફિટનેસ ટેસ્ટમાં પાસ! અફઘાનિસ્તાન સામે મેદાનમાં ઉતરશે</a>
</p><p><br></p><p>
</p><p><br></p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/5WMZtyGRe8qT2AKIV2RP3SWDP09q0hzY5PpdrjYZ.webp'/></item></channel></rss>