<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Bharuch: છોટાઉદેપુરમાં ફરજ પર હતા ત્યારે પણ લોનને લઇને ટેન્શનમાં રહેતા હતા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bharuch/bharuch-even-when-i-was-on-duty-in-chhota-udepur-i-was-in-tension-due-to-loans</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bharuch/bharuch-even-when-i-was-on-duty-in-chhota-udepur-i-was-in-tension-due-to-loans</guid><pubDate>Wed, 15 Jul 2026 05:55:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભરૂચ જિલ્લામાં હજી મહિના પહેલાં જ આયોજન અધિકારી તરીકે પ્રમોશન મેળવીને આવેલાં પિયુશકુમાર ઉકાણીએ તેમના ભાડાના મકાનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરવાના કિસ્સામાં પોલીસ તમામ પાસાઓ તપાસી રહી છે. તેમની આંત્યેતિ3 ચિઠ્ઠી મુજબ તેમના પર ક્રેડિટ કાર્ડની લોનના હપ્તાના ટેન્શનમાં તેમણે આંત્યેતિ3 પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. વિશ્વસનિય સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, મૃત3 પિયુશકુમાર ઉકાણી છોટાઉદેપુર ખાતે ફરજમાં હતાં. ત્યારે પણ તેઓ લોનના હપ્તાને લઈને ચિંતિત હોવાનું જાણવા મળ્યું છે.</p><p style="text-align: justify; ">છોટાઉદેપુરમાં આંકડા અધિકારી તરીકે ફરજ બજાવતાં પિયુશકુમાર ઉકાણીની એ3 મહિના પહેલાં જ ક્લાસ વન અધિકારીના પ્રમોશન સાથે ભરુચમાં આયોજન વિભાગમાં બદલી થઈ હતી. તેમણે મહિના પહેલાં જ તુલસીધામ શાકમાર્કેટ પાસેની રામેશ્વર સોસાયટીમાં એ3 મકાન ભાડે રાખ્યું હતું. અને તેમનો પરિવાર ત્યાં રહેતો હતો. તેમની પત્ની તેમજ સંતાન સુરત તેમના સંબંધીને ત્યાં ગયાં હતાં. દરમિયાનમાં બે દિવસ એકલતામાં વિચારોમાં ગરકાવ થઈ જઈ પડી ભાંગેલાં પિયુશકુમારે ગઈકાલે સવારના સમયે તેમના ઘરની બાલ્કનીમાં હુકમાં દોરડા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. અરસામાં તેમના ઘરની સામે રહેતી એ3 મહિલા કપડાં સુકાવવા ગઈ હતી. તે વેળાં તેણે તેમને જોતાં આસપાસના લોકો એકત્ર થઈ ગયાં હતાં. પોલીસે આવી કાયદેસરની કાર્યવાહી કરી હતી. મૃતકના ભાઈએ ફરિયાદ આપતાં પોલીસે તેના આધારે તપાસ શરૂ કરી છે. હાલમા પોલીસ તેમણે કઈ કઈ બેન્ક કે ક્રેડિટ કાર્ડની લોન લીધી હતી. તેની વિગતો તેમજ તેમના પર કુલ કેટલું દેવું થયું હતું. તેની વિગતો એકત્ર કરવાની કવાયત હાથ ધરી છે. પ્રાથમિ3 તબક્કે આર્થિ3 સંકળામણ સિવાય આપઘાતનું અન્ય કોઈ કારણ હોય તેમ લાગતું ન હોવા છતાં પોલીસ તમામ પાસાઓ તપાસી રહી છે.</p><p style="text-align: justify; ">વિશ્વસનિય સુત્રોમાંથી જાણવા મળ્યાનુસાર, પિયુશકુમાર ઉકાણી છોટાઉદેપુરમાં ફરજ પર હતાં. તે વેળાં પણ તેઓ લોનના હપ્તાઓને કારણે ચિંતામાં ગર3 હતાં. તેઓએ તેમના સાથી કર્મચારીઓ સાથે પણ જો લોનની ભરપાઈ ન થાય તો શું થાય તે સહિતની પુછપરછ કરી હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. ત્યારે તેમની પ્રમોશન સાથે ભરૂચમાં બદલી થતાં તેઓ આર્થિ3 ભારણ સાથે સામાજિ3 દબાણમાં આવી ગયાં હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/15/yMP9ziVoPsQVCgw9MZBXlaCEeXznTadZhCfINpFA.webp'/></item><item><title><![CDATA[Bharuch: ભરૂચમાં કાલે જગન્નાથ રથયાત્રાને લઈ પોલીસ વિભાગ એલર્ટ મોડમાં ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bharuch/bharuch-police-department-on-alert-mode-regarding-jagannath-rath-yatra-tomorrow-in-bharuch</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bharuch/bharuch-police-department-on-alert-mode-regarding-jagannath-rath-yatra-tomorrow-in-bharuch</guid><pubDate>Wed, 15 Jul 2026 05:53:43 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">તા. 16 જુલાઈના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજીની ઐતિહાસિ3 અને રથયાત્રાને શાંતિપુર્ણ અને સૌહાર્દપુર્ણ વાતાવરણમાં સંપન્ન કરવા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ સંદર્ભે ભરૂચ જિલ્લા પોલીસ કચેરી ખાતે જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં ભરૂચ શહેર અને અંકલેશ્વરની સંયુકત શાંતિ સમિતિની બેઠ3 યોજાઈ હતી. બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો, રથયાત્રા સમિતિના હોદ્દેદારો તથા વિવિધ સામાજી3 સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.</p><p style="text-align: justify; ">બેઠકમાં રથયાત્રાના રૂટ, ટ્રાફિ3 વ્યવસ્થા, સુરક્ષા આયોજન, સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત તેમજ કોમી એકતા અને ભાઈચારાના માહોલમાં રથયાત્રા યોજાય તે માટે જરૂરી મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યુ હતુ કે, ભરૂચની જગન્નાથ રથયાત્રા ગુજરાતની સૌથી જુની અને ઐતિહાસી3 રથયાત્રાઓમાં સ્થાન ધરાવે છે. વરસોથી આ રથયાત્રા હિન્દુ-મુસ્લિમ એકતા, પરસ્પર વિશ્વાસ અને સામાજી3 સૌહાર્દનું જીવંત પ્રતિ3 બની રહી છે. તેમણે જણાવ્યુ હતુ કે, દર વર્ષની જેમ આ વરસે પણ રથયાત્રાના સમગ્ર માર્ગ પર મુસ્લિમ સમાજ દ્વારા ભગવાન જગન્નાથજીના રથનું સ્વાગત કરવામાં આવશે. ઠંડા પીણા, પાણી, શરબત અને અન્ય સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. બેઠકમાં બંને સમાજના આગેવાનોએ શાંતિપુર્ણ માહોલ જાળવી રાખવા પોલીસ તંત્રને સંપુર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી.</p><p style="text-align: justify; ">રથયાત્રા દરમ્યાન કોઈ અનિચ્છિનીય ઘટના ન બને તે માટે જિલ્લા પોલીસ દ્વારા વ્યાપર સુરક્ષા આયોજન કરવામાં આવ્યુ છે. બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેકશન સ્કવોડ, ક્વિ3 રિસ્પોન્સ ટીમ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા સ્પેશિયલ ઓપરેશન ગૃપ સહિતની વિશેષ ટીમોને એલર્ટ રાખવામાં આવી છે. ઉપરાંત ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને જવાનો સમગ્ર રથયાત્રા રૂટ પર તૈનાત રહેશે. સુરક્ષાના ભાગરૂપે શહેરમાં ફ્લેગ માર્ચનું આયોજન પણ કરવામાં આવી રહ્યુ છે.ગતરોજ શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગમાર્ચ યોજાયા બાદ આજે પણ ફ્લેગમાર્ચ યોજી સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવશે. બેઠકમાં ભરૂચ શહેરના ડીવાયએસપી સી.કે.પટેલ, અંકલેશ્વર ડિવિઝનના ડીવાયએસપી ડો.કુશલ ઓઝા, બંને વિભાગોના પીઆઈ, પીએસઆઈ, પોલીસમિત્રો, રથયાત્રા આયોજકો હાજર રહ્યા હતા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/15/P2h5luqMmuD5XN2T1ViOUmOVTIrBJBF79JODNtQi.webp'/></item><item><title><![CDATA[Vadodara: રથયાત્રાને લઇ ડભોઇ તાલુકા સેવા સદને શાંતિ સમિતિની બેઠક ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-dabhoi-taluka-seva-sadan-peace-committee-meeting-regarding-rath-yatra</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-dabhoi-taluka-seva-sadan-peace-committee-meeting-regarding-rath-yatra</guid><pubDate>Wed, 15 Jul 2026 05:52:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ડભોઇ : ડભોઇ શહેરમાં 16 તારીખે કે બદ્રીનારાયણ મંદિરેથી ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા નીકળશે. જે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય તેવા શુભ હેતુથી ડભોઇ તાલુકા સેવા સદન ખાતે શાંતિ સમિતિની બેઠ3 ધારાસભ્ય અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જેમાં ડભોઇ DySp આકાશ પટેલ ડભોઇPIએ.ટી. પટેલ ડભોઇ નગરપાલિકાના ચીફ્ ઓફ્સિર જય કિશન તડવી અને મહેશ પરમાર ડભોઇ નગરપાલિકાના પ્રમુખ પુષ્પાબેન રાવળ અને બિરેન શાહ ગોપાલ જીનવાલા, અફ્ઝલ કાબાવાલા, સલીમઘાંચી, ઇબ્રાહીમ ખત્રી, સોનલબેન સોલંકી અને શહેર કોંગ્રેસ ભાજપના પ્રમુખ હિંદુ મુસ્લિમ આગેવાનો તેમજ બદ્રીનારાયણ મંદિરના ટ્રસ્ટી મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/15/xkqeBfMZQxfIMxGPFBgaThX9Oozcr33vbcTCiEtT.webp'/></item><item><title><![CDATA[Vadodara: રથયાત્રા અને સુરક્ષાને લઇ કરજણ પોલીસ દ્વારા સઘન ફૂટ પેટ્રોલિંગ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-intensive-foot-patrolling-by-karjan-police-regarding-rath-yatra-and-security</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-intensive-foot-patrolling-by-karjan-police-regarding-rath-yatra-and-security</guid><pubDate>Wed, 15 Jul 2026 05:50:25 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કરજણ : કરજણ નગરમાં આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી કરજણ પોલીસ તંત્ર દ્વારા નગરના મુખ્ય રાજમાર્ગો પર સઘન ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું.</p><p style="text-align: justify; ">કરજણ PI બી. એમ. પટેલના માર્ગદર્શનમાં કરજણ પોલીસ ટીમ કરજણના મુખ્યબજાર રોડ, એસ.ટી. ડેપો, જલારામ ચોકડી સહિત વિવિધ રાજમાર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. પોલીસે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી અને લોકોમાં વિશ્વાસનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ પોલીસે વેપારીઓ, સ્થાનિ3 નાગરિકો અને યુવાનો સાથે સંવાદ સાધી કાયદો અને વ્યવસ્થા જાળવવા, કોઈપણ પ્રકારની અફ્વા પર વિશ્વાસ ન કરવા તેમજ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિ3 પોલીસને જાણ કરવા અપીલ કરી હતી.</p><p style="text-align: justify; ">તેમજ સમગ્ર યાત્રામાર્ગ પર સતત પોલીસ બંદોબસ્ત રહેશે. પોલીસ તંત્રે તમામ નાગરિકોને રથયાત્રાના પવિત્ર અવસરને શાંતિ, સૌહાર્દ અને ભાઈચારાની ભાવના સાથે ઉજવવા તેમજ પોલીસ તંત્રનો સંપૂર્ણ સહકાર આપવા અનુરોધ કર્યો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/15/Qzb0GX7xUblCGu1aGuiXl2MObVwBoV79EGPfUubM.webp'/></item><item><title><![CDATA[Vadodara: અષાઢી બીજે પાદરામાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</guid><pubDate>Wed, 15 Jul 2026 05:45:28 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અષાઢી બીજના પાવન અવસરે પાદરા નગરમાં ભગવાન જગન્નાથજી, ભાતા બલરામજી અને બહેન સુભદ્રાજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું છે. શ્રીરામટેકરી મંદિર સત્ય સનાતન સમસ્ત હિન્દુ પરિવાર, મહંત દશરથદાસ મહારાજ તથા નગરજનોના સંયુક્ત ઉપક્રમે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય રથયાત્રા યોજાનાર છે.</p><p style="text-align: justify; ">તા. 16 જુલાઈના રોજ બપોરે 2 વાગ્યે શ્રી રામટેકરી રામજી મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નગરચર્યાએ પ્રસ્થાન કરશે. રથયાત્રાને લઈને આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ પૂર્ણ કરાઇ છે. સમગ્ર નગરમાં ભક્તિમય માહોલ વચ્ચે ભગવાનના દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે. તેવી શક્યતા વ્યક્ત કરાઇ છે.</p><p style="text-align: justify; ">રથયાત્રામાં આકર્ષ3 બેન્ડવાજા, ભજન મંડળીઓ, ડીજે, વિવિધ ધાર્મિ3 ઝાંખીઓ તેમજ ભગવાન જગન્નાથજી પર પુષ્પવર્ષાનું આયોજન કરાયું છે. ઉપરાંત ભાવિકો માટે મગ, જાંબુ, શિરો અને કેળાના પ્રસાદની વ્યવસ્થા પણ કરાઇ છે. રથયાત્રા પૂર્ણ થયા બાદ સાંજે શ્રી રામટેકરી રામજી મંદિરે મહાઆરતી યોજાશે. રથયાત્રાની પહિંદવિધિમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, પાદરા પોલીસ મથકના પી.આઈ, નગરપાલિકા પ્રમુખ દીપેશ પંચાલ, કારોબારી ચેરમેન સંતોષ પટેલ, માજી પ્રમુખ પરેશ ગાંધી, પાલિકાના સભ્યો સહિત આગેવાનો દ્વારા ભગવાનના રથને પ્રસ્થાન કરાવાશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં અગ્રણીઓ અને નગરજનો ઉપસ્થિત રહી ધર્મલાભ લેશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/15/2EAE7Gb8DdBvCB82yS0M6A7xuy8frlNDsEODuer5.webp'/></item><item><title><![CDATA[Manipur : સુરક્ષા દળોને મળી સફળતા, મોટી માત્રામાં હથિયાર અને વિસ્ફોટક કર્યા જપ્ત ]]></title><link>https://sandesh.com/india/news/manipur-security-forces-seize-arms-explosives-churachandpur-operation</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/manipur-security-forces-seize-arms-explosives-churachandpur-operation</guid><pubDate>Tue, 14 Jul 2026 23:41:09 +05:30</pubDate><description><![CDATA[<p>મણિપુરમાં સુરક્ષા દળોએ ઉગ્રવાદીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ચુરાચાંદપુર જિલ્લાના કે. થેનજાંગ ગામના જંગલ વિસ્તારમાં ચલાવવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન મોટી સંખ્યામાં હથિયારો, વિસ્ફોટકો અને સૈન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/manipur_police/status/2077047545591926793"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>સમગ્ર વિસ્તારને ઘેરીને સઘન તપાસ શરૂ કરી</b></h2><p>આ સંયુક્ત ઓપરેશન મણિપુર પોલીસ અને 19 ગઢવાલ રાઈફલ્સ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરીને સઘન તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન એક AK-47 રાઈફલ (મેગેઝિન સહિત), એક પિસ્તોલ, બે સિંગલ બેરલ ગન, બે દેશી પિસ્તોલ અને એક એર ગન મળી આવ્યા હતા. આ ઉપરાંત સુરક્ષા દળોને એક RPG ગોળો, એક હેન્ડ ગ્રેનેડ, પાંચ IED, એક PEK વિસ્ફોટક, ત્રણ પમ્પી, ચાર મોટોરોલા હેન્ડહેલ્ડ સેટ, બે ચાર્જર, ચાર બુલેટપ્રૂફ જેકેટ અને 44 ખાલી કારતૂસ પણ મળ્યા છે. તમામ હથિયારો અને વિસ્ફોટકોને કબજામાં લઈ તપાસ શરૂ કરવામાં આવી છે.</p><h3><b>આઠ હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા</b></h3><p>અધિકારીઓના જણાવ્યા મુજબ રાજ્યમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે ઉગ્રવાદી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી સતત ચાલુ રહેશે. સુરક્ષા એજન્સીઓ હવે જપ્ત કરાયેલા હથિયારોનો સ્ત્રોત અને તેની પાછળ સંડોવાયેલા લોકો અંગે તપાસ કરી રહી છે. આ પહેલાં પણ 12 જુલાઈના રોજ સુરક્ષા દળોએ કાર્યવાહી કરીને પ્રીપાક સંગઠનના એક સક્રિય સભ્ય નિંગોમબમ અમુથોઈ મૈતેઈની ધરપકડ કરી હતી. તેની પાસેથી આઠ હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા.</p><h4><b>શંકાસ્પદ અફીણના 49 પેકેટ પણ જપ્ત કર્યા</b></h4><p>તે જ દિવસે મણિપુર પોલીસે સેનાપતિ જિલ્લામાં નેશનલ હાઈવે-2 નજીક એક બિનવારસી કારમાંથી આશરે 49.5 કિલોગ્રામ શંકાસ્પદ અફીણના 49 પેકેટ પણ જપ્ત કર્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ ચેકપોસ્ટ પર ઝડપથી ભાગ્યા બાદ આરોપીઓ કાર છોડી ફરાર થઈ ગયા હતા. સુરક્ષા દળો રાજ્યમાં ગેરકાયદેસર હથિયારો અને નશીલા પદાર્થો સામે અભિયાન વધુ તેજ કરી રહ્યા છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/irctc-new-website-launch-july-15-ai-features-smart-booking" target="_blank">&nbsp;આ પણ વાંચો : IRCTCની નવી વેબસાઈટ 15 જુલાઈએ થશે લોન્ચ, મળશે AI ફિચર અને અન્ય ઘણી સુવિધાઓ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/wBQjClBWacm0qtmnuaW8sTRpE21BoZnx2yZdMrz4.webp'/></item><item><title><![CDATA[Auto News: નાની કારનો મોટો ધમાકો: ભારતમાં સબ-4 મીટર SUVનું વેચાણ 35% વધ્યું ]]></title><link>https://sandesh.com/business/news/automobile/auto-news-big-bang-for-small-cars-sub-4-meter-suv-sales-in-india-rise-35</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/auto-news-big-bang-for-small-cars-sub-4-meter-suv-sales-in-india-rise-35</guid><pubDate>Tue, 14 Jul 2026 22:20:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતમાં સબ-4 મીટર (4 મીટરથી નાની) SUVની માંગ સતત વધી રહી છે. જૂન 2026માં આ સેગમેન્ટમાં કુલ 1,11,161 SUVsનું વેચાણ થયું છે, જે ગયા વર્ષના જૂન મહિનાની સરખામણીએ આશરે 35% વધુ છે. જૂન 2026માં આ સેગમેન્ટ પર Tata Motorsનો દબદબો જોવા મળ્યો હતો. કંપનીની Tata Punch અને Tata Nexon સૌથી વધુ વેચાતી બે SUV રહી. આ સિવાય Hyundai Venue, Maruti Fronx, Mahindra XUV 3XO અને Kia Sonet જેવી લોકપ્રિય કાર્સ પણ ટોપ-10માં સામેલ રહી છે.</p><h2 style="text-align: justify; "><b>Punch બની નંબર-1 SUV</b></h2><p style="text-align: justify; ">જૂન 2026માં Tata Punchની રેકોર્ડબ્રેક 21,006 યુનિટ્સનું વેચાણ થયું છે. ગયા વર્ષના જૂનની સરખામણીએ તેના વેચાણમાં 101% એટલે કે બમણાથી પણ વધુનો વધારો નોંધાયો છે. આ જ કારણ છે કે Punch આ સેગમેન્ટની એકમાત્ર એવી SUV બની છે જેનું વેચાણ 20,000 યુનિટને પાર ગયું છે. મે મહિનાની સરખામણીમાં પણ તેના વેચાણમાં નજીવો વધારો થયો છે અને તેણે માર્કેટમાં આશરે 19% હિસ્સો કબજે કર્યો છે.</p><h3 style="text-align: justify; "><b>Nexon અને Fronxનું પ્રદર્શન</b></h3><p style="text-align: justify; ">ટાટા મોટર્સની જ Tata Nexon બીજા સ્થાને રહી છે. જૂન મહિનામાં તેના 18,335 યુનિટ્સ વેચાયા છે, જે ગયા વર્ષ કરતાં 58% વધુ છે. જોકે, મે મહિનાની સરખામણીએ તેના વેચાણમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. ત્રીજા નંબરે Maruti Fronx રહી છે, જેના 13,135 યુનિટ્સ વેચાયા છે. વાર્ષિક ધોરણે તેના વેચાણમાં 34%નો વધારો થયો છે, પરંતુ મે મહિનાની સરખામણીએ જૂનમાં મોટો ઘટાડો નોંધાયો છે.</p><h4 style="text-align: justify; "><b>Venue અને XUV 3XO વચ્ચે જોરદાર ટક્કર</b></h4><p style="text-align: justify; ">Hyundai Venue એ ચોથું સ્થાન મેળવ્યું છે. જૂન મહિનામાં તેના 10,776 યુનિટ્સ વેચાયા છે, જે ગયા વર્ષ કરતાં 57% વધુ છે. બીજી તરફ Mahindra XUV 3XO એ પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેનું વેચાણ મે મહિનામાં 6,717 યુનિટ હતું, જે જૂનમાં વધીને 10,063 યુનિટ પર પહોંચી ગયું છે. એટલે કે માત્ર એક જ મહિનામાં વેચાણમાં આશરે 50% નો ઉછાળો આવ્યો છે. વાર્ષિક ધોરણે પણ તેના વેચાણમાં 42% નો વધારો થયો છે.</p><h5 style="text-align: justify; "><b>Brezzaનું વેચાણ ઘટ્યું</b></h5><p style="text-align: justify; ">એક સમયે આ સેગમેન્ટની સૌથી લોકપ્રિય ગણાતી Maruti Brezzaના વેચાણમાં આ વખતે મોટો ઘટાડો જોવા મળ્યો છે. જૂન મહિનામાં તેના માત્ર 9,939 યુનિટ્સ જ વેચાયા છે, જે ગયા વર્ષના જૂન મહિનાની સરખામણીએ 31% ઓછા છે. ઓટો નિષ્ણાતોનું માનવું છે કે કંપની ટૂંક સમયમાં જ Brezza Facelift લોન્ચ કરવા જઈ રહી છે, જેના કારણે હાલના મોડલનું વેચાણ ઘટ્યું છે.</p><h6 style="text-align: justify; "><b>અન્ય SUVsની સ્થિતિ</b></h6><p style="text-align: justify; ">બાકીની કાર્સની વાત કરીએ તો, Kia Sonetના 9,231 યુનિટ્સ, Hyundai Exterના 8,154 યુનિટ્સ અને Skoda Kylaqના 4,039 યુનિટ્સ વેચાયા છે. જ્યારે Toyota Taisor, Nissan Magnite, Renault Kiger, Kia Syros અને Maruti Jimny જેવી ગાડીઓનું વેચાણ આ મહિને ઘણું ઓછું રહ્યું છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/automobile" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/fL7PDgSFigMmUXzS0DU8QAuKvjVzIpFMLzwXeJD6.webp'/></item><item><title><![CDATA[IRCTCની નવી વેબસાઈટ 15 જુલાઈએ થશે લોન્ચ, મળશે AI ફિચર અને અન્ય ઘણી સુવિધાઓ ]]></title><link>https://sandesh.com/india/news/irctc-new-website-launch-july-15-ai-features-smart-booking</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/irctc-new-website-launch-july-15-ai-features-smart-booking</guid><pubDate>Tue, 14 Jul 2026 21:33:33 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય રેલવે ટૂંક સમયમાં IRCTCની નવી વેબસાઈટ લોન્ચ કરવાની તૈયારીમાં છે. જો તમે વારંવાર ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરો છો તો આવનારા સમયમાં તમારો અનુભવ સંપૂર્ણપણે બદલાઈ શકે છે. રેલવે મુજબ નવી વેબસાઈટ વધુ ઝડપી, સરળ અને સ્માર્ટ હશે, જેમાં ટિકિટ બુકિંગની સમગ્ર પ્રક્રિયાને સરળ બનાવવા માટે અનેક મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.</p><h2><b>યુઝર્સ પાસેથી ફીડબેક પણ લેવામાં આવ્યો</b></h2><p>નવી વેબસાઈટ માટે રેલવે દ્વારા વિદ્યાર્થીઓ અને યુઝર્સ પાસેથી ફીડબેક પણ લેવામાં આવ્યો છે. થોડા સમય પહેલાં વિદ્યાર્થીઓએ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરીને હાલની IRCTC વેબસાઈટની સમસ્યાઓ વિશે જાણકારી આપી હતી. તેમાં વેબસાઈટ ધીમી થવી, વારંવાર કેપ્ચા ભરવાની મુશ્કેલી, વધારે પોપ-અપ અને તત્કાલ ટિકિટ દરમિયાન વેબસાઈટ બંધ થવાની સમસ્યાઓનો સમાવેશ થતો હતો.</p><h3><b>ખાસ ટેકનિકલ સુધારા કરવામાં આવ્યા</b></h3><p>આ બાદ રેલ મંત્રાલયે નવી વેબસાઈટ તૈયાર કરવાનો નિર્ણય લીધો હતો. નવી IRCTC વેબસાઈટમાં ડિઝાઈનને વધુ સરળ અને ક્લીન બનાવવામાં આવી છે, જેથી ઓછા ક્લિકમાં ટિકિટ બુક કરી શકાય. અનાવશ્યક જાહેરાતો અને પોપ-અપ ઘટાડવામાં આવશે. તત્કાલ ટિકિટ બુકિંગ દરમિયાન આવતી મુશ્કેલીઓને દૂર કરવા માટે વેબસાઇટની ક્ષમતા વધારવામાં આવી રહી છે. વધુ ટ્રાફિક હોવા છતાં વેબસાઇટની સ્પીડ જળવાઈ રહે તે માટે ખાસ ટેકનિકલ સુધારા કરવામાં આવ્યા છે.</p><h3><b>AI આધારિત સિસ્ટમ મુસાફરોને યોગ્ય માહિતી આપશે</b></h3><p>નવી વેબસાઈટમાં સીટ ઉપલબ્ધતા, કોચ અને સીટ પસંદ કરવાની પ્રક્રિયા પણ સરળ બનાવવામાં આવશે. સાથે જ PNR સ્ટેટસ, ટિકિટ કેન્સલેશન અને રિફંડ જેવી સેવાઓ પણ વધુ સરળતાથી મળી શકશે. રેલવે નવી IRCTC વેબસાઈટમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો પણ ઉપયોગ કરી રહ્યું છે. AI આધારિત સિસ્ટમ મુસાફરોને યોગ્ય માહિતી અને વિકલ્પો આપવામાં મદદ કરશે.</p><p>રેલવે માત્ર વેબસાઈટ નહીં પરંતુ પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS)ને પણ અપગ્રેડ કરી રહ્યું છે. શરૂઆતમાં બીટા વર્ઝન રજૂ કરવામાં આવશે અને યુઝર્સના સૂચનોના આધારે અંતિમ વર્ઝન તૈયાર કરવામાં આવશે. નવી સિસ્ટમથી મુસાફરોને ખાસ કરીને તત્કાલ ટિકિટ બુકિંગમાં વધુ સારી સુવિધા મળવાની આશા છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/world/india-uk-ceta-agreement-july-15-duty-free-export-access" target="_blank">આ પણ વાંચો : India-UK CETA Agreement 15 જુલાઈથી આવશે અમલમાં, 99% ભારતીય નિકાસને મળશે ડ્યૂટી ફ્રી એન્ટ્રી</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/qthEtY0xS2gC2KAOlcFDaUuGkO2CdCkdwqJ8cQOh.webp'/></item><item><title><![CDATA[Aamir Khanના ત્રીજા લગ્ન પર મુફ્તીનો ફતવો, બિન-મુસ્લિમ મહિલા સાથે લગ્ન શરીયતની વિરૂદ્ધ ]]></title><link>https://sandesh.com/entertainment/news/aamir-khan-third-marriage-mufti-statement-non-muslim-woman</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/aamir-khan-third-marriage-mufti-statement-non-muslim-woman</guid><pubDate>Tue, 14 Jul 2026 18:52:57 +05:30</pubDate><description><![CDATA[<p>બોલીવૂડ અભિનેતા આમિર ખાનના ત્રીજા લગ્ન બાદ હવે આ મામલે ધાર્મિક અને સામાજિક ચર્ચા શરૂ થઈ છે. મુસ્લિમ પર્સનલ દારુલ ઈફ્તાના શાહી ચીફ મુફ્તિ મૌલાના ઈફરાહિમ હુસૈને આમિર ખાનના લગ્નને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઈસ્લામિક માન્યતાઓ અનુસાર મુસ્લિમ પુરુષે બિન-મુસ્લિમ મહિલા સાથે લગ્ન કરવા અંગે અલગ ધાર્મિક નિયમો છે અને આવા નિર્ણયને શરીયતના દૃષ્ટિકોણથી યોગ્ય માનવામાં આવતો નથી.</p><h2><b><font color="#000000" style="background-color: rgb(255, 255, 255);">મુસ્લિમ સમાજના લોકોને ધાર્મિક શિક્ષણ અને પરંપરાઓનું પાલન કરવાની અપીલ</font></b></h2><p>મૌલાના ઈફરાહિમ હુસૈને પોતાના નિવેદનમાં મુસ્લિમ સમાજના લોકોને ધાર્મિક શિક્ષણ અને પરંપરાઓનું પાલન કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિએ પોતાના ધર્મના સિદ્ધાંતોનું સન્માન કરવું જોઈએ અને એવા નિર્ણયોથી બચવું જોઈએ, જેનાથી સમાજમાં વિવાદ અથવા ગેરસમજ ઊભી થાય. આ નિવેદન આમિર ખાનની ત્રીજા લગ્ન બાદ સામે આવ્યું છે. આમિર ખાને 5 જુલાઈ 2026ના રોજ પોતાની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે મુંબઈના પાલી હિલ સ્થિત પોતાના નિવાસસ્થાને ખાનગી સમારોહમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં માત્ર પરિવારના સભ્યો અને નજીકના મિત્રો હાજર રહ્યા હતા.</p><h3><b>આમિર ખાને કર્યા છે અગાઉ બે લગ્ન</b></h3><p>આમિર ખાનના આ અગાઉ બે લગ્ન થઈ ચૂક્યા છે. વર્ષ 1986માં તેમણે રીના દત્તા સાથે પ્રથમ લગ્ન કર્યા હતા, પરંતુ વર્ષ 2002માં બંને અલગ થઈ ગયા હતા. ત્યારબાદ વર્ષ 2005માં આમિરે ફિલ્મ નિર્દેશક કિરણ રાવ સાથે બીજા લગ્ન કર્યા હતા. આ સંબંધનો અંત વર્ષ 2021માં છૂટાછેડા સાથે આવ્યો હતો.</p><p>આમિર ખાનના ત્રીજા લગ્નને લઈને અગાઉ પણ રાજકીય પ્રતિક્રિયાઓ સામે આવી હતી. મહારાષ્ટ્ર સરકારના મંત્રી નિતેશ રાણે અને શિવસેના નેતા સંજય શિરસાટે પણ આ મુદ્દે ટિપ્પણીઓ કરી હતી. હવે મુફ્તિ મૌલાના ઈફરાહિમ હુસૈનના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર આ મુદ્દે ફરી ચર્ચા શરૂ થઈ છે. આમિર ખાન તરફથી આ નિવેદન અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.<br><br><b><a href="https://sandesh.com/entertainment/news/entertainment-after-prayers-deepika-taught-her-son-alif-be-the-cute-video-won-hearts-fans-said-mashallah" target="_blank">આ પણ વાંચો : Entertainment : નમાઝ પછી દીપિકાએ પુત્રને શીખવ્યા 'અલિફ-બે', ક્યૂટ વીડિયોએ જીત્યાં દિલ, ચાહકોએ કહ્યું- "માશાઅલ્લાહ!"</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/boltT9aE4FTLTlP9nV931nfUH6zHWPZzddcVzGZt.webp'/></item><item><title><![CDATA[Pakistan Cricket શોએબ અખ્તર અને મોહમ્મદ આસિફ ભારત આવતી વખતે ડ્રગ્સ લાવતા હોવાનો આરોપ ]]></title><link>https://sandesh.com/sports/news/pakistan-cricket-shoaib-akhtar-and-mohammad-asif-accused-of-bringing-drugs-while-coming-to-india</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pakistan-cricket-shoaib-akhtar-and-mohammad-asif-accused-of-bringing-drugs-while-coming-to-india</guid><pubDate>Tue, 14 Jul 2026 15:13:05 +05:30</pubDate><description><![CDATA[<p>કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) ના ભૂતપૂર્વ અંડર સેક્રેટરી આર.વી.એસ. મણિએ પાકિસ્તાની ક્રિકેટરો અને ભારત આવતા પાકિસ્તાની ડેલિગેશનને લઈને એક અત્યંત ચોંકાવનારો અને સનસનીખેજ દાવો કર્યો છે. એએનઆઈ (ANI) ના એક પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે, 2006-07 ના ગાળામાં જ્યારે પણ પાકિસ્તાની ટીમ કે અન્ય પ્રતિનિધિમંડળ ભારત આવતા હતા, ત્યારે તેઓ પોતાની સાથે ડ્રગ્સની હેરાફેરી (ડ્રગ્સ ટ્રાફિકિંગ) કરતા હતા. આ ગંભીર ષડયંત્ર પાછળ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI નો હાથ હોવાનો પણ તેમણે દાવો કર્યો છે.</p><h2><b>શોએબ અખ્તર અને મોહમ્મદ આસિફ પર આરોપ</b></h2><p>વર્ષ 2006 થી 2010 દરમિયાન ગૃહ મંત્રાલયના આંતરિક સુરક્ષા વિભાગમાં કાર્યરત રહેલા નિવૃત્ત અધિકારી આર.વી.એસ. મણિએ પાકિસ્તાનના ભૂતપૂર્વ સ્ટાર ફાસ્ટ બોલર શોએબ અખ્તર અને મોહમ્મદ આસિફનું નામ લઈને સીધો હુમલો કર્યો છે. તેમણે જણાવ્યું કે, "આ કેસ ઓફિશિયલી રિપોર્ટ થયેલો છે. શોએબ અખ્તર અને મોહમ્મદ આસિફે પાકિસ્તાની હાઈ કમિશનર સામે પોતે ડ્રગ્સ લાવ્યા હોવાની કબૂલાત કરી હતી, જે બાદ તેમને પરત મોકલી દેવાયા હતા." તેમણે ઉમેર્યું કે આ ડ્રગ્સ વ્યક્તિગત વપરાશ માટે નહીં, પરંતુ મોટા પાયે ટ્રાફિકિંગના હેતુથી લાવવામાં આવતું હતું.</p><h3><b>ટેરર ફંડિંગ અને બોબ વૂલ્મરના મોત સાથે કનેક્શન</b></h3><p>પૂર્વ અધિકારીએ દાવો કર્યો કે ભારતમાં થતા આતંકવાદી હુમલાના ફંડિંગનો 30 ટકા હિસ્સો ડ્રગ્સ ટ્રાફિકિંગમાંથી આવે છે. તેમણે આ બાબતને 2007 ના વર્લ્ડ કપ દરમિયાન પાકિસ્તાની ટીમના તત્કાલીન કોચ બોબ વૂલ્મરના શંકાસ્પદ મોતના કેસ સાથે પણ જોડી છે. મણિના મતે, બોબ વૂલ્મર પાકિસ્તાની ખેલાડીઓ દ્વારા થતી આ ડ્રગ્સ હેરાફેરીનો વિરોધ કરી રહ્યા હતા, જેના કારણે જ જમૈકાની હોટલમાં રહસ્યમય સંજોગોમાં તેમનું મોત નીપજ્યું હતું.</p><p>તેમણે ઉમેર્યું કે પાકિસ્તાન સાથે 'પીપુલ ટુ પીપુલ કોન્ટેક્ટ' (સરહદ પારના સામાન્ય સંબંધો) એ માત્ર એક મોટો ધોકો છે, જેની આડમાં આવા ગેરકાયદેસર અને દેશવિરોધી કૃત્યો આચરવામાં આવતા હતા. ગૃહ મંત્રાલય પાસે આ તમામ બાબતોના અનેક અહેવાલો અને આઈબી (IB) ના એલર્ટ્સ મોજૂદ હોવાનું પણ તેમણે સ્વીકાર્યું છે.</p><p><br></p><p><a href="https://sandesh.com/world/news/more-than-10000-christians-arrested-in-china-for-not-worshipping-xi-jinping-causing-uproar-around-the-world" target="_blank">આ પણ વાંચો: Chinaમાં શિ જિનપિંગની પૂજા ન કરનાર 10 હજારથી વધુ ખ્રિસ્તીની ધરપકડ, દુનિયાભરમાં ખળભળાટ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/hkQDh0iSb60hQHapAZQokS5wEvQyjK6J0vKVAdW9.webp'/></item></channel></rss>