<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ram Mandir Donation Scam : રામ મંદિર દાન ચોરી મામલે નવો વળાંક, 23 કર્મચારીઓના સામૂહિક રાજીનામા ]]></title><link>https://sandesh.com/india/news/ram-mandir-donation-scam-new-twist-in-ram-mandir-donation-theft-case-mass-resignation-of-23-employees</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ram-mandir-donation-scam-new-twist-in-ram-mandir-donation-theft-case-mass-resignation-of-23-employees</guid><pubDate>Fri, 10 Jul 2026 08:44:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મંદિરના દાનની ગણતરી કરનારા 23 કર્મચારીઓએ અચાનક એકસાથે રાજીનામું આપી દીધું છે. આ ઘટનાને કારણે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ, બેંક અને કર્મચારીઓ ઉપલબ્ધ કરાવતી એજન્સી સામે નવી મુશ્કેલી ઊભી થઈ છે.</p><p style="text-align: justify; ">કર્મચારીઓના રાજીનામા બાદ હવે ચઢાવાની ગણતરીનું કામ અસરગ્રસ્ત થયું છે. નવી ભરતી કરવી જરૂરી બની છે, પરંતુ અચાનક મોટી સંખ્યામાં કર્મચારીઓની જગ્યા ભરવી સરળ નથી. 23 કર્મચારીઓના રાજીનામા પછી ગત દિવસે માત્ર 13 કર્મચારીઓ જ ગણતરી માટે પહોંચ્યા હતા, જેના કારણે દાન ગણતરીની પ્રક્રિયા ધીમી પડી ગઈ હતી.</p><h2 style="text-align: justify; ">શિફ્ટ, ડ્યૂટી સમય અને પગારમાં ફેરફારથી નારાજગી</h2><p style="text-align: justify; ">રાજીનામું આપનારા કર્મચારીઓનું કહેવું છે કે અગાઉ મંદિરના દાનની ગણતરીનું કામ બે શિફ્ટમાં કરવામાં આવતું હતું. પરંતુ ચઢાવાની રકમમાં ગેરરીતિ અને ચોરીના આરોપો સામે આવ્યા બાદ વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો હતો.</p><p style="text-align: justify; ">કર્મચારીઓના જણાવ્યા અનુસાર બે શિફ્ટને બદલે હવે એક જ શિફ્ટમાં કામ કરાવવામાં આવી રહ્યું છે. અગાઉ જ્યાં ડ્યૂટીનો સમય ઓછો હતો, ત્યાં હવે કામનો સમય વધારીને 9 કલાક કરી દેવામાં આવ્યો છે. હાલમાં સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ફરજ બજાવવી પડે છે.</p><p style="text-align: justify; ">કર્મચારીઓએ એવો પણ આરોપ લગાવ્યો છે કે પગારમાં ઘટાડો કરવામાં આવ્યો છે. અગાઉ તેમને લગભગ 14,755 રૂપિયા પ્રતિ મહિના સુધીનું વેતન મળતું હતું, પરંતુ હવે વેતનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કેટલાક કર્મચારીઓનું કહેવું છે કે અલગ-અલગ લોકોને અલગ પ્રમાણમાં મહેનતાણું આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રજાઓની સંખ્યામાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.</p><h3 style="text-align: justify; ">માંગણીઓ સ્વીકારવામાં ન આવતા સામૂહિક રાજીનામું</h3><p style="text-align: justify; ">કર્મચારીઓએ જણાવ્યું કે બુધવારે તમામ કર્મચારીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કામકાજની નવી વ્યવસ્થાનો વિરોધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ SBI તુલસી ઉદ્યાન બ્રાન્ચ, રામ મંદિર અયોધ્યાના અધિકારીઓ અને સિક્યોરિટી એજન્સીના સુપરવાઇઝર જયરામ યાદવ સમક્ષ પોતાની સમસ્યાઓ રજૂ કરવામાં આવી હતી.</p><p style="text-align: justify; ">કર્મચારીઓનો દાવો છે કે તેમની માંગણીઓ અને સમસ્યાઓ પર યોગ્ય ધ્યાન આપવામાં આવ્યું નહીં. ત્યારબાદ તમામ કર્મચારીઓએ બેઠક કરીને સામૂહિક રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો.</p><p style="text-align: justify; ">માહિતી મુજબ, સાંજના સમયે તમામ કર્મચારીઓએ સામૂહિક રાજીનામાના પત્ર પર હસ્તાક્ષર કરીને તેને ટ્રસ્ટને સોંપી દીધો હતો. હવે મંદિરના ચઢાવાની ગણતરીની વ્યવસ્થા જાળવવા માટે ટ્રસ્ટ અને સંબંધિત એજન્સીઓએ નવી વ્યવસ્થા કરવી પડશે.</p><p style="text-align: justify; ">આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ મંદિરની સુરક્ષા, દાન વ્યવસ્થા અને કર્મચારીઓની કામગીરી અંગે ચર્ચા તેજ થઈ છે. હવે આગામી દિવસોમાં ટ્રસ્ટ દ્વારા લેવામાં આવનારા નિર્ણય પર સૌની નજર રહેશે.</p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/tObs0E6ZIu8cs4AxuovKIV1r3fDbBtwAxWUASrW3.webp'/></item><item><title><![CDATA[Vadodara : ત્રીજા માળે કપડાં સૂકવતી વખતે ટેબલ પરથી સંતુલન ગુમાવતા 15 વર્ષની સગીરાનું પટકાઈજવાથી મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/vadodara/vadodara-minor-girl-dies-falling-from-third-floor-balcony-jawahar-nagar</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/vadodara/vadodara-minor-girl-dies-falling-from-third-floor-balcony-jawahar-nagar</guid><pubDate>Fri, 10 Jul 2026 08:34:48 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા શહેરના જવાહર નગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક રહેણાંક વિસ્તારમાં ત્રીજા માળની બાલ્કનીમાંથી નીચે પટકાવાને કારણે એક સગીરાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. કપડાં સૂકવતી વખતે થયેલો અકસ્માત માસૂમ દીકરી માટે કાળ સાબિત થયો છે. આ કાળજું કંપાવી દે તેવી ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારમાં ભારે શોકનો માહોલ છવાયો છે.</p><h2 style="text-align: justify; "><b>ટેબલ પરથી તેનું સંતુલન ગુમાવતા નીચે પટકાઇ&nbsp;</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, મૃતક સગીરાની ઓળખ શાલુ યાદવ તરીકે થઈ છે. શાલુ પોતાના ઘરની બાલ્કનીમાં કપડાં સૂકવવા માટે એક ટેબલ પર ચઢી હતી. કપડાં સૂકવતી વખતે અચાનક જ ટેબલ પરથી તેનું સંતુલન ખોરવાઈ ગયું હતું અને તે સીધી ત્રીજા માળેથી નીચે રોડ પર પટકાઈ હતી.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>સગીરાનું મોત</b></h3><p style="text-align: justify; ">ઊંચાઈ પરથી લોહીલુહાણ હાલતમાં નીચે પટકાયેલી શાલુનું ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પોતાની વ્હાલસોયી દીકરીનું મોત થતાં માતા પર જાણે આભ તૂટી પડ્યું હતું, જેના લીધે આઘાતમાં તેમની તબિયત પણ લથડી ગઈ છે અને તેમને સારવાર માટે ખસેડાયા છે.</p><h4 style="text-align: justify; "><b>પોલીસ પણ સ્થળ પર પહોંચી</b></h4><p style="text-align: justify; ">આ અકસ્માત અંગેની જાણ થતાં જ જવાહર નગર પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સગીરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાએ બહુમાળી ઈમારતોમાં રહેતા પરિવારો માટે એક લાલબત્તી સમાન કિસ્સો રજૂ કર્યો છે, જ્યાં બાલ્કની કે ગેલેરીમાં કામ કરતી વખતે અત્યંત સાવધાની રાખવી અનિવાર્ય છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-south-gujarat-heavy-rain-floods-reasons-geography-urban-planning-issues-updates" target="_blank"><b> Sandesh Digital Explainer : દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર! આખરે દર વર્ષે આ જ વિસ્તાર સૌથી વધુ કેમ ડૂબે છે? વાંચો એક જ ક્લિકમાં</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/7sOzrKHwWzGze7DSzeJlj4W7VhHxrLsGcd6efnR2.webp'/></item><item><title><![CDATA[Rajkot: માત્ર મેગ્નેટ, બ્લૂટૂથ અને મોબાઇલ એપથી 5 મિનિટમાં કાર ગાયબ કરતી ગેંગ ઝડપાઈ, 11.80 લાખનો મુદ્દામાલ જપ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/rajkot/crime-branch-busts-hi-tech-car-thief-gang-using-bluetooth-and-diagzone-app</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/rajkot/crime-branch-busts-hi-tech-car-thief-gang-using-bluetooth-and-diagzone-app</guid><pubDate>Fri, 10 Jul 2026 08:27:40 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતના વાહનચોરીના ઇતિહાસમાં ટેક્નોલોજીના હાઈ-લેવલ દુરુપયોગનો એક સ્તબ્ધ કરી દેનારો કિસ્સો રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢ્યો છે. સામાન્ય રીતે વાહનચોરો ચાવી ડુપ્લિકેટ બનાવીને અથવા વાયર શોર્ટ કરીને ગાડી ચોરતા હોય છે, પરંતુ રાજકોટ પોલીસે પકડેલી આ ગેંગ ડિજિટલ યુગના એડવાન્સ ટૂલ્સનો ઉપયોગ કરતી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે મુકેશકુમાર મેઘવાલ અને સલામ ઉર્ફે છોટિયો યુસુફ ખાન નામના બે શખ્સોને દબોચી લીધા છે. તેમની પાસેથી અલગ-અલગ જિલ્લામાંથી ચોરેલી ૩ વૈભવી કાર સહિત ગુનામાં વપરાતી હાઈટેક કિટ જપ્ત કરવામાં આવી છે. આ ગેંગ પકડાતા જ સુરેન્દ્રનગર, મહેસાણા અને જામનગર પંથકના વણઉકેલાયેલા વાહનચોરીના ગુનાઓ પરથી પડદો ઊંચકાયો છે.</p><h2><b>આવી હતી ચોરી કરવાની હાઈટેક મોડસ ઓપરેન્ડી</b></h2><p>પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ જે પદ્ધતિની કબૂલાત કરી છે, તે સાંભળીને ઓટોમોબાઈલ એન્જિનિયરો અને પોલીસ અધિકારીઓ પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે. આ ગેંગ ખાસ કરીને સુઝુકી કંપનીની કારોની રેકી કરતી હતી. રાત્રિના સમયે અથવા અવાવરૂ જગ્યાએ કાર પાર્ક થયેલી હોય ત્યારે તેઓ સર્વ પ્રથમ કારનો કાચ તોડી અંદર ઘૂસતા હતા. ત્યારબાદ સ્ટેરિંગની નીચે એક શક્તિશાળી મેગ્નેટ (ચુંબક) ફિટ કરીને સ્ટેરિંગ લોકને મેગ્નેટિક ફોર્સથી અનલોક કરી દેતા હતા.</p><h3><b>કાર માત્ર 5 જ મિનિટમાં સેલ્ફ સ્ટાર્ટ થઈ જતી&nbsp;</b></h3><p>સૌથી મહત્વનો ભાગ ત્યારબાદ શરૂ થતો, જેમાં તેઓ કારના ઓન-બોર્ડ ડાયગ્નોસ્ટિક્સ (OBD) પોર્ટ અથવા વાયરિંગ સિસ્ટમ સાથે પોતાનું ખાસ બ્લૂટૂથ ડિવાઇસ કનેક્ટ કરતા હતા. આ ડિવાઇસને તેઓ પોતાના મોબાઇલ ફોનમાં ઇન્સ્ટોલ કરેલી પ્રખ્યાત કાર ડાયગ્નોસ્ટિક એપ્લિકેશન 'DiagZone Pro' સાથે લિંક કરી દેતા હતા. આ એપ્લિકેશન દ્વારા કારના મુખ્ય ઇલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ (ECU) ને કમાન્ડ આપીને કારના ડિજિટલ સિક્યોરિટી કોડ બાયપાસ કરી દેવાતા હતા. આ પ્રક્રિયા પૂરી થતાં જ કાર કોઈપણ ઓરિજિનલ ચાવી વગર માત્ર 5 જ મિનિટમાં સેલ્ફ સ્ટાર્ટ થઈ જતી હતી. કાર માલિક સવારે જાગીને જુએ તે પહેલાં આ લોકો શહેરની સરહદો વટાવી ચૂક્યા હોય છે.</p><h5><b>પેરોલ જમ્પ કરીને ગુનાખોરીનું નવું નેટવર્ક ઊભું કર્યું</b></h5><p>પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું છે કે, પકડાયેલો આરોપી સલામ ઉર્ફે છોટિયો એક અત્યંત ખતરનાક ગુનેગાર છે. તેની સામે રાજસ્થાનના જોધપુરના પ્રતાપનગર પોલીસ સ્ટેશનમાં મર્ડર (હત્યા) નો ગુનો નોંધાયેલો છે અને તે જેલમાં સજા કાપી રહ્યો હતો. જોકે, વર્ષ 2026 દરમિયાન તે પેરોલ રજા પર જેલની બહાર આવ્યો હતો, પરંતુ મુદત પૂરી થવા છતાં જેલમાં પરત ફરવાને બદલે પેરોલ જમ્પ કરીને ગુજરાત ભાગી આવ્યો હતો. અહીં આવીને તેણે મુકેશ મેઘવાલ (જેની સામે વલસાડ, કચ્છ અને સુરેન્દ્રનગરમાં ઓલરેડી 4 ગુના નોંધાયેલા છે) સાથે મળીને આ ડિજિટલ ચોરીનું નવું નેટવર્ક શરૂ કર્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓના કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા છે અને રાજ્યના અન્ય કયા કયા શહેરોમાં તેમણે આ રીતે કારોની સિસ્ટમ હેક કરીને ચોરી કરી છે તે દિશામાં સઘન પૂછપરછ હાથ ધરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/botad/instagram-friend-request-dispute-youth-murder-khas-road-compromise-attack" target="_blank">આ પણ વાંચો: Botad: ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવાના મુદ્દે ખસ રોડ પર લોહિયાળ ખેલ, 1નું મોત 2 ઇજાગ્રસ્ત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/NmCwn6cJwpfetJ0i9tkCxnneCxgE121fjG5HuM7S.webp'/></item><item><title><![CDATA[Botad: ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવાના મુદ્દે ખસ રોડ પર લોહિયાળ ખેલ, 1નું મોત 2 ઇજાગ્રસ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/botad/instagram-friend-request-dispute-youth-murder-khas-road-compromise-attack</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/botad/instagram-friend-request-dispute-youth-murder-khas-road-compromise-attack</guid><pubDate>Fri, 10 Jul 2026 08:07:14 +05:30</pubDate><description><![CDATA[<p>આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાનો દુરુપયોગ અને તેના પર થતી નાની-નાની ચર્ચાઓ વેરઝેર અને હત્યા સુધી કેવી રીતે દોરી જાય છે, તેનો એક અત્યંત ચિંતાજનક કિસ્સો બોટાદ શહેરમાંથી સામે આવ્યો છે. વિગતો મુજબ, હત્યા કરનાર મુખ્ય આરોપીની બહેનના મોબાઇલ પર ઇન્સ્ટાગ્રામ આઈડી પર એક ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી. આ બાબતને લઈને યુવકો વચ્ચે અગાઉ ભારે માથાકૂટ અને તકરાર થઈ હતી. આ વિવાદ દિવસેદિવસે વકરી રહ્યો હોવાથી, મામલો થાળે પાડવા અને શાંતિપૂર્વક સમાધાન કરવા માટે આજે બંને પક્ષોએ એક બેઠકનું આયોજન કર્યું હતું.</p><h2><b>ખસ રોડ પર બોલાચાલી બાદ મામલો બીચક્યો</b></h2><p>મૃતક અને બે ઇજાગ્રસ્ત યુવાનો સામા પક્ષના આશરે ૫ જેટલા લોકો સાથે વાતચીત કરવા માટે બોટાદના ખસ રોડ પર એકઠા થયા હતા. શરૂઆતમાં બંને પક્ષો વચ્ચે સામાન્ય ચર્ચા ચાલી રહી હતી, પરંતુ થોડી જ વારમાં ઇન્સ્ટાગ્રામ પર કમેન્ટ્સ અને રિક્વેસ્ટના મુદ્દે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. વાત આટલેથી ન અટકતા, સામા પક્ષના શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને પૂર્વયોજિત કાવતરાના ભાગરૂપે લાવેલા તીક્ષ્ણ હથિયારો વડે આડેધડ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ગંભીર ઘા વાગવાના કારણે એક યુવક લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો અને તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે તેને બચાવવા વચ્ચે પડેલા અન્ય બે લોકો લોહીથી લથપથ થઈ ગયા હતા.</p><h3><b>બોટાદ જિલ્લા પોલીસ વડાની ટીમો એક્શનમાં</b></h3><p>ઘટનાની જાણ થતાં જ બોટાદ એસ.પી. સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી ગયો હતો. બોટાદ એસ.પી.એ મીડિયાને સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, હુમલામાં ઘવાયેલા બંને ઇજાગ્રસ્ત યુવાનોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને હાલ તેઓની સ્થિતિ ખતરાની બહાર છે. પોલીસે ઇજાગ્રસ્તોના નિવેદનના આધારે પ્રાથમિક તપાસ હાથ ધરી છે, જેમાં હુમલો કરનારા 5 પૈકીના 1 મુખ્ય આરોપીની ચોક્કસ ઓળખ થઈ ગઈ છે, જ્યારે તેની સાથે આવેલા અન્ય ૪ અજ્ઞાત શખ્સોની ઓળખ કરવાની પ્રક્રિયા હજુ ચાલુ છે. હુમલો કર્યા બાદ તમામ આરોપીઓ નાસી છૂટ્યા હોવાથી પોલીસે જિલ્લાભરમાં નાકાબંધી કરી છે અને અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા કાયદાકીય કાર્યવાહી તેજ કરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/surat-flood-death-toll-rises-41-more-bodies-found-limbayat-saroli-bhestan" target="_blank">આ પણ વાંચો: Surat: ઓસરતા પાણી વચ્ચે વધુ 13 નાગરિકોના મૃતદેહ મળ્યા, પૂરની આફતમાં કુલ મૃત્યુઆંક વધીને 41 પર પહોંચતા અરેરાટી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/APB1EKe4vlfAbUkstdyw3OkYn4ZeMZZYxRQdOQQq.webp'/></item><item><title><![CDATA[Surat Flood : પૂર બાદ એક્શન મોડમાં તંત્ર, 72 કલાકમાં સ્થિતિ સામાન્ય કરવા પ્લાન, 800થી વધુ પરિવારોને સહાય ચૂકવાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-flood-relief-high-level-meeting-harsh-sanghavi-survey-assistance-update</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-flood-relief-high-level-meeting-harsh-sanghavi-survey-assistance-update</guid><pubDate>Fri, 10 Jul 2026 08:00:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેર અને જિલ્લામાં પૂરની સ્થિતિ બાદ રાહત અને બચાવ કામગીરીને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ હાઈ-લેવલ બેઠક પૂર્ણ થઈ છે. સુરત કલેક્ટર કચેરી ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મોડી રાત સુધી આ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો બાદ તંત્ર દ્વારા આગામી 72  કલાકમાં દિવસ-રાત કામ કરીને શહેરની સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષતામાં યોજાયેલી રિવ્યૂ બેઠક બાદ આ કામગીરીને વધુ ઝડપી બનાવવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>9100 પરિવારોનો સર્વે પૂર્ણ&nbsp;</b></h2><p style="text-align: justify; ">બેઠકમાં મળેલી માહિતી મુજબ, પૂરથી પ્રભાવિત સોસાયટીઓમાં અત્યાર સુધીમાં 9100 પરિવારોનો સર્વે પૂર્ણ કરી લેવામાં આવ્યો છે, જેમાંથી 800થી વધુ પરિવારોને 6800 રુપિયા લેખે રોકડ સહાય ચૂકવી દેવાઈ છે. આ ઉપરાંત, 58 કોમર્શિયલ વિસ્તારોનો સર્વે પણ પૂરો થઈ ગયો છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>કલેક્ટર કચેરી ખાતે જઈને નામ નોંધાવવા</b></h3><p style="text-align: justify; ">જે અસરગ્રસ્તોનો સર્વે બાકી રહી ગયો હોય, તેઓ કલેક્ટર કચેરી ખાતે જઈને પોતાના નામ અને વિસ્તારની નોંધણી કરાવી શકશે. તંત્ર દ્વારા આ માટે ટૂંક સમયમાં જ એક ખાસ હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવશે.</p><h4 style="text-align: justify; "><b>વીમા ક્લેમ માટે ડેસ્ક&nbsp;</b></h4><p style="text-align: justify; ">પૂરમાં જે નાગરિકોની દુકાન, બાઈક કે ફોર વ્હીલરને નુકસાન થયું છે, તેમના વીમા ક્લેમ માટે એક ખાસ ઓનલાઈન ડેસ્ક શરૂ કરવામાં આવશે. આરટીઓ અધિકારીઓ, વીમા કંપનીના હોદ્દેદારો અને બેંકના પ્રતિનિધિઓ વર્ચ્યુઅલ માધ્યમથી કામ કરશે, જેથી અરજદારોએ ધક્કા ખાવા નહીં પડે.</p><h4 style="text-align: justify; "><b>સફાઈ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ&nbsp;</b></h4><p style="text-align: justify; ">શહેરમાં રોગચાળો ન ફેલાય તે માટે સફાઈ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ છે. હાલ 2 હજાર સ્વચ્છતા દૂત મેદાનમાં છે, જ્યારે વડોદરા અને અન્ય સ્થળોએથી વધારાનો સ્ટાફ બોલાવીને કુલ 4 હજાર સફાઈ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. જેસીબીદ્વારા કચરાનો નિકાલ કરાશે.&nbsp;</p><h5 style="text-align: justify; "><b>પાણીના નિકાલ માટે વધારાના 50 પંપ કામે લગાડાયા</b></h5><p style="text-align: justify; ">શહેરમાં પાણીના નિકાલ માટે વધારાના 50 પંપ કામે લગાડાયા છે. મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરી દેવાયો છે, માત્ર પાણી ભરાયેલા 6 વિસ્તારોમાં સુરક્ષાના ભાગરૂપે વીજળી બંધ છે. સુરત મહાનગરપાલિકા  દ્વારા હવે નાગરિકોને એકના બદલે બે ટાઈમ પાણી આપવાની વ્યવસ્થા કરાઈ છે. મુશ્કેલ સમયમાં સુરતીઓની ધીરજને બિરદાવતા તંત્રએ સ્થિતિ વહેલી તકે થાળે પાડવાની ખાતરી આપી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-south-gujarat-heavy-rain-floods-reasons-geography-urban-planning-issues-updates" target="_blank"><b>Sandesh Digital Explainer : દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર! આખરે દર વર્ષે આ જ વિસ્તાર સૌથી વધુ કેમ ડૂબે છે? વાંચો એક જ ક્લિકમાં</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/mvsPHJWmnEoND08T4UxV1GIZ4suS7UDsDIuSGU6Q.webp'/></item><item><title><![CDATA[Chhotaudepur: નસવાડીના અમરોલી, ગઢબોરિયાદ PHC માં PMSMA કૅમ્પ યોજાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-pmsma-camp-held-at-amroli-gadhboriyad-phc-in-naswadi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-pmsma-camp-held-at-amroli-gadhboriyad-phc-in-naswadi</guid><pubDate>Fri, 10 Jul 2026 04:56:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નસવાડી : કેન્દ્ર સરકારના પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) અંતર્ગત નસવાડી તાલુકાના અમરોલી PHC અને ગઢબોરિયાદ ખાતે વિશેષ સગર્ભા આરોગ્ય કેમ્પ યોજાયા હતા. બંને સ્થળે કેમ્પમાં 100થી વધુ સગર્ભાની નિઃશુલ્ક તપાસ કરાઇ હતી. જેમાં આરોગ્ય વિભાગની ટીમ, તબીબો, CHO અને ANM દ્વારા સગર્ભાઓના હીમોગ્લોબીન, બ્લડ ગ્રુપ, HIV, HBsAg સહિતના જરૂરી બ્લડ ટેસ્ટ કરાયા હતા. ઉપરાંત બ્લડ પ્રેશર, વજન, પેટની તપાસ તેમજ ગર્ભસ્થ શિશુના ધબકારા ચકાસી માતા અને બાળકના આરોગ્યનું મૂલ્યાંકન કરાયું હતું. સગર્ભાઓને સંતુલિત પોષણ, આયર્ન-કેલ્શિયમની ગોળીઓના નિયમિત સેવન, સમયસર પ્રસૂતિ પૂર્વ તપાસ અને પ્રસૂતિના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. કેમ્પ દરમિયાન ઉચ્ચ જોખમ ધરાવતી સગર્ભા મહિલાઓની ઓળખ કરી તેમને વધુ સારવાર અને અનુસરણ માટે રિફ્ર કરાઇ હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/09/hiwi06NJy92XlAutpZ2dG8bL1D7tphw3RCLWwYrP.webp'/></item><item><title><![CDATA[Delhi : ઘૂસણખોરી, ડ્રગ્સ અને ડ્રોન ખતરાને રોકવા સરકારનો મોટો એક્શન પ્લાન, અમિત શાહે સરહદી જિલ્લાઓના SP સાથે યોજી બેઠક ]]></title><link>https://sandesh.com/india/news/amit-shah-border-security-meeting-sps-action-plan-infiltration-drugs-drones-delhi</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/amit-shah-border-security-meeting-sps-action-plan-infiltration-drugs-drones-delhi</guid><pubDate>Thu, 09 Jul 2026 23:37:12 +05:30</pubDate><description><![CDATA[<p>કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં આયોજિત લેન્ડ બોર્ડર ડિસ્ટ્રિક્ટ્સના પોલીસ અધિક્ષકોના કોન્ફરન્સ-2026ને સંબોધતા દેશની સરહદ સુરક્ષાને વધુ મજબૂત અને આધુનિક બનાવવાનો સરકારનો સંકલ્પ વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે મોદી સરકાર સરહદ સુરક્ષાને વધુ અસરકારક બનાવવા માટે સતત પગલાં લઈ રહી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/AmitShah/status/2075271427088069092"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>ગૃહમંત્રીએ વસ્તી વિષયક પરિવર્તન પર ચિંતા વ્યક્ત કરી</b></h2><p>અમિત શાહે કહ્યું કે આ પરિષદે સરહદ સુરક્ષાને લઈને વ્યાપક અને સંકલિત અભિગમને સંસ્થાગત સ્વરૂપ આપ્યું છે. અગાઉની અલગ-અલગ આઉટપોસ્ટ આધારિત વ્યવસ્થાને હવે એકીકૃત સુરક્ષા ગ્રીડમાં પરિવર્તિત કરવામાં આવી રહી છે, જેના કારણે સુરક્ષા વ્યવસ્થા માત્ર પ્રતિક્રિયાત્મક નહીં પરંતુ પૂર્વસજ્જ અને સક્રિય બની રહી છે.</p><p>ગૃહમંત્રીએ સરહદી વિસ્તારોમાં થઈ રહેલા અસામાન્ય જનસાંખ્યિક ફેરફારો અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે અધિકારીઓને સૂચના આપી કે આવા ફેરફારોની માહિતી તળિયાના સ્તરથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધી ઝડપથી પહોંચાડવામાં આવે. તેમના જણાવ્યા મુજબ, આવા પરિવર્તનોનું મુખ્ય કારણ ઘૂસણખોરી છે અને સરકાર તેને કડકાઈથી અટકાવશે.</p><h3><b>ભારત-મ્યાનમાર સરહદ પર 1,610 કિલોમીટર લાંબી ફેન્સિંગનું કામ શરૂ</b></h3><p>અમિત શાહે જણાવ્યું કે ભારત-મ્યાનમાર સરહદ પર 1,610 કિલોમીટર લાંબી ફેન્સિંગનું કામ આશરે ₹31,000 કરોડના ખર્ચે હાથ ધરાયું છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ ઘૂસણખોરી, પ્રોક્સી વોર, નશીલા પદાર્થોની હેરાફેરી, ડ્રોન અને સાયબર ખતરાઓ તેમજ કટ્ટરપંથી પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે કાબૂમાં લેવાનો છે.</p><p>તેમણે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામનો ઉલ્લેખ કરતાં કહ્યું કે સરહદ પર આવેલા અંતિમ ગામને વિકાસની દૃષ્ટિએ પ્રથમ ગામ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સ્થળાંતર અટકાવવું અને તમામ કલ્યાણકારી યોજનાઓનો 100 ટકા લાભ સરહદી વિસ્તારો સુધી પહોંચાડવાનો સરકારનો સંકલ્પ હોવાનું તેમણે જણાવ્યું. સાથે જ આગામી ત્રણ વર્ષમાં નશીલા પદાર્થોના દૂષણ સામે નિર્ણાયક જીત મેળવવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો.</p><p><b><a href="https://sandesh.com/india/news/wildlife-smuggling-racket-busted-in-maharashtra-and-west-bengal" target="_blank">આ પણ વાંચો : India News: CBI અને DRIના મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં દરોડા, વન્યજીવોની તસ્કરીનો પર્દાફાશ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/09/Pzg9PyZv70dBysCeV7JCPkEIbzyTb42iZ7uuSCOP.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026માં ગોલ્ડન બૂટ માટેની રેસ બની રોમાંચક, મેસ્સીને મળી રહી છે જોરદાર ટક્કર ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-golden-boot-race</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-golden-boot-race</guid><pubDate>Thu, 09 Jul 2026 21:31:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">FIFA વર્લ્ડકપ 2026માં જ્યાં 64 ટીમો કપ જીતવા માટે સ્પર્ધા કરી હતી, ત્યાં ફક્ત 8 ટીમો બાકી છે, અને 56 ટીમોની સફર સમાપ્ત થઈ ગઈ છે. વર્લ્ડકપનો ક્વાર્ટર-ફાઈનલ તબક્કો 10 જુલાઈથી શરૂ થશે.&nbsp;</p><p style="text-align: justify; ">ફેન્સ પણ ગોલ્ડન બૂટ કોણ જીતશે તે જોવા માટે ઉત્સુક છે. હાલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસ્સી રેસમાં આગળ છે, પરંતુ તેમને કાયલિયન એમબાપ્પે અને એર્લિંગ હાલેન્ડ તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. ગોલ્ડન બૂટ સૌથી વધુ ગોલ કરનાર ખેલાડીને આપવામાં આવે છે, જ્યારે બીજા અને ત્રીજા સ્થાને રહેલા ખેલાડીઓને સિલ્વર અને બ્રોન્ઝ બૂટ મળે છે.</p><h2 style="text-align: justify; "><b>મેસ્સીએ અત્યાર સુધીમાં 8 ગોલ કર્યા</b></h2><p style="text-align: justify; ">આર્જેન્ટિનાએ રાઉન્ડ ઓફ 16 માં શાનદાર પ્રદર્શન કર્યું છે , જેમાં ઈજિપ્ત સામેની તેમની પાછલી મેચમાં 2-0થી પાછળ રહીને અંતિમ ક્ષણોમાં શાનદાર વાપસી કરી 3-2 થી જીત મેળવી અને ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું. લિયોનેલ મેસ્સીનો ગોલ, તેનો ત્રીજો ગોલ, આર્જેન્ટિનાની જીતમાં મહત્વપૂર્ણ સાબિત થયો.&nbsp;</p><p style="text-align: justify; ">આ સાથે તેને ટુર્નામેન્ટના ગોલ્ડન બૂટ માટેની રેસમાં ફરીથી લીડ મેળવી લીધી છે. મેસ્સીએ અત્યાર સુધીમાં 8 ગોલ કર્યા છે, ત્યારબાદ કાયલિયન એમબાપ્પે 7 ગોલ અને 2 આસિસ્ટ સાથે બીજા નંબરે છે. નોર્વેનો એર્લિંગ હાલેન્ડ ત્રીજા નંબરે છે, બંનેએ 7-7 ગોલ કર્યા છે. ક્વાર્ટર ફાઈનલમાં જ્યારે ત્રણેય ખેલાડીઓ તેમની ટીમોને સેમીફાઈનલમાં પહોંચવામાં મદદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, ત્યારે તેઓ ગોલ કરવા અને રેસમાં રહેવા માટે પણ પ્રયત્નશીલ રહેશે.</p><h3 style="text-align: justify; "><b>મેસ્સી હજુ સુધી ગોલ્ડન બૂટ જીતી શક્યો નથી</b></h3><p style="text-align: justify; ">ફૂટબોલની દુનિયાના મહાન ખેલાડીઓમાંના એક ગણાતા લિયોનેલ મેસ્સીએ હજુ સુધી ગોલ્ડન બૂટ જીત્યો નથી. 2022 માં થયેલા છેલ્લા વર્લ્ડકપમાં મેસ્સીએ 7 ગોલ કર્યા હતા અને બીજા સ્થાને રહ્યા હતા. આ દરમિયાન કાયલિયન એમબાપ્પે 8 ગોલ સાથે ગોલ્ડન બૂટ જીત્યો હતો. તેથી આ વર્ષે લિયોનેલ મેસ્સી પાસે આ એવોર્ડ જીતવાની સારી તક છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/ishan-kishan-run-out-abhishek-sharma-stump-mic-video" target="_blank">Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/09/SOYuFLQLZf89qeuEbKFhbqf2QnrgwNyDjELxKrBk.webp'/></item><item><title><![CDATA[TCS Q1 Results : કંપનીને થયો 13,000 કરોડથી વધુનો નફો, રોકાણકારો માટે ડિવિડન્ડની કરી જાહેરાત ]]></title><link>https://sandesh.com/business/news/tcs-q1-results-profit-13349-crore-12-rupees-interim-dividend</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/tcs-q1-results-profit-13349-crore-12-rupees-interim-dividend</guid><pubDate>Thu, 09 Jul 2026 17:57:18 +05:30</pubDate><description><![CDATA[<p>ટાટા ગ્રુપની અગ્રણી આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)એ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ સારા નાણાકીય પરિણામો સાથે શેરધારકો માટે પ્રતિ ઈક્વિટી શેર ₹12ના અંતરિમ ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે.</p><h2><b>કંપનીની આવકમાં પણ નોંધપાત્ર વધારો</b></h2><p>કંપની દ્વારા શેરબજારને આપવામાં આવેલી માહિતી મુજબ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 30 જૂન, 2026ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળાના ઓડિટેડ સ્ટેન્ડઅલોન અને કન્સોલિડેટેડ નાણાકીય પરિણામોને મંજૂરી આપી છે. TCSનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 4.62 ટકા વધીને ₹13,349 કરોડ રહ્યો છે. ગયા વર્ષે સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીનો નફો ₹12,760 કરોડ હતો. બીજી તરફ કંપનીની આવકમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે. પ્રથમ ત્રિમાસિક દરમિયાન કંપનીની આવક 13.93 ટકા વધીને ₹72,275 કરોડ થઈ છે, જે ગયા વર્ષે ₹63,437 કરોડ હતી.</p><h3><b>અંતરિમ ડિવિડન્ડ  માટે કઈ છે રેકોર્ડ ડેટ?</b></h3><p>કંપનીના આ પરિણામો વૈશ્વિક પડકારો વચ્ચે પણ આઈટી ક્ષેત્રની મજબૂત સ્થિતિ દર્શાવે છે. આવક અને નફામાં થયેલો વધારો રોકાણકારો માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે. TCSએ અંતરિમ ડિવિડન્ડ માટે 15 જુલાઈ, 2026ને રેકોર્ડ ડેટ જાહેર કરી છે. આ તારીખ સુધી કંપનીના શેર ધરાવતા રોકાણકારોને 31 જુલાઈ, 2026ના રોજ ડિવિડન્ડની ચુકવણી કરવામાં આવશે.</p><p>શેરબજારમાં ગુરુવારે TCSનો શેર નજીવા વધારા સાથે ₹2,059 પર બંધ થયો હતો. જોકે, ચાલુ વર્ષ દરમિયાન કંપનીના શેરમાં આશરે 36 ટકાનો ઘટાડો નોંધાયો છે. છેલ્લા એક વર્ષમાં શેર લગભગ 40 ટકા ઘટ્યો છે, જ્યારે પાંચ વર્ષના ગાળામાં પણ શેરે રોકાણકારોને અંદાજે 35 ટકા નકારાત્મક વળતર આપ્યું છે.</p><p><b><a href="https://sandesh.com/business/news/sebi-changes-fpi-fvci-registration-fee-rules-rupee-payment" target="_blank">આ પણ વાંચો : SEBIએ વિદેશી રોકાણકારો માટે નિયમમાં કર્યો ફેરફાર, હવે રજિસ્ટ્રેશન ફી ડોલરમાં નહીં પણ રૂપિયામાં ચૂકવવી પડશે</a></b></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/09/lVzW1VMFPRim2VkkK22rw3Xs7hoqYf7dPoOleBmF.webp'/></item><item><title><![CDATA[શિલ્પા શિંદેના જુઠ્ઠાણા પર ભડકી હિના ખાન, કહ્યું- જો તે Bigg Bossમાં આવું બોલતી તો... ]]></title><link>https://sandesh.com/entertainment/news/hina-khan-furious-over-shilpa-shindes-lies-said-if-she-had-said-this-in-bigg-boss</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/hina-khan-furious-over-shilpa-shindes-lies-said-if-she-had-said-this-in-bigg-boss</guid><pubDate>Thu, 09 Jul 2026 15:58:53 +05:30</pubDate><description><![CDATA[<p>લોકપ્રિય ટીવી અભિનેત્રી શિલ્પા શિંદેએ તાજેતરમાં એક એવો ખુલાસો કર્યો છે જેની સોશિયલ મીડિયા પર લોકોએ આકરી ટીકા કરી છે. કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા દ્વારા આયોજિત પોડકાસ્ટ પર બોલતા શિલ્પાએ કહ્યું કે તેણે ભાભીજી ઘર પર હૈ શોના નિર્માતા સંજય કોહલી પર જાતીય સતામણીના ખોટા આરોપો લગાવ્યા છે. હિના ખાને અગાઉ ઘણી વખત આ સમગ્ર વિવાદ અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.</p><p><br></p><h2><b>હિના ખાને શિલ્પા શિંદે પર સાધ્યું નિશાન&nbsp;</b></h2><p>હવે, હિના ખાને ફરી એકવાર શિલ્પા શિંદે પર પ્રહાર કર્યા છે. તેણે અભિનેત્રી દ્વારા કહેવામાં આવેલા આ જુઠ્ઠાણાને લઈને આકરા પ્રહારો કર્યા છે. હિના તાજેતરમાં રૂબીના દિલૈકના પોડકાસ્ટ પર તેના પાર્ટનર રોકી જયસ્વાલ સાથે જોવા મળી હતી. જ્યાં તેણે શિલ્પા શિંદે પર નિશાન સાધ્યું હતું. રોકીએ કોમેન્ટ કરતા કહ્યું હતું કે, "જે કરન્સી બની છેને, તે છે કોન્ટ્રોવર્સી."</p><p><br></p><h3><b>મેકર્સે મારી જીંદગી ખરાબ કરી</b></h3><p>આ પછી હિનાએ તેની ભૂતપૂર્વ બિગ બોસ સહ-સ્પર્ધક શિલ્પા પર નિશાન સાધતા કહ્યું, "તેણે આ બધું બિગ બોસ પર કહ્યું - 'મારી સાથે આવું થયું,' 'મારી સાથે અન્યાય થયો,' 'મારું બધું બરબાદ થઈ ગયું,' 'નિર્માતાઓએ મારું જીવન બરબાદ કરી દીધું' - શું તેણે એક વાર પણ કહ્યું કે સતામણીના બદલામાં તેણે પ્રોડ્યુસર વિરુદ્ધ કેસ દાખલ કર્યો? કારણ કે તે જાણતી હતી કે જો તેઆવું કહ્યું, તો તે ક્યારેય જીતી શકશે નહીં."</p><p><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DaiCRATtMF7/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DaiCRATtMF7/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a></p><p><br></p><h4><b>ગૌરવ ખન્ના અને આકાંક્ષા ચમોલાના સંબંધો પર ઉઠાવ્યા સવાલ</b></h4><p>પોડકાસ્ટ દરમિયાન રૂબીના દિલૈકે ગૌરવ ખન્ના અને આકાંક્ષા ચમોલા વચ્ચેના સંબંધો અંગે પ્રશ્નો ઉઠાવ્યા. રૂબીનાએ કહ્યું, "લોકો 'સારા પતિ' અથવા 'સારી પત્ની' હોવાનો ઢોંગ કરે છે. 'સારા પતિ' વિશે - અમે એક વાર કેમેરાની બહાર કંઈક સાંભળ્યું હતું; જ્યારે પૂછવામાં આવ્યું કે, 'તમે તમારી પત્નીને સાથે કેમ નથી લઈ જતા?', ત્યારે તેમણે જવાબ આપ્યો, 'હું રૂબીના અને અભિનવની જેમ મારા લગ્નની મજાક ઉડાવવા માંગતો નથી.'</p><p><br></p><h5><b>તમે બસ દેખાડો કરી રહ્યા છો</b></h5><p>આ પછી હિના ખાને કહ્યું, "જો તેઓ એક વર્ષથી અલગ રહી રહ્યા છે, તો પછી ચાર-પાંચ મહિના પહેલા જ યુટ્યુબ પર તેમને એકબીજાને આશ્ચર્યચકિત કરતા વીડિયો કેમ બનાવવામાં આવી રહ્યા હતા? તમે ફક્ત જાહેરમાં સારા પતિ-પત્ની હોવાનો દેખાવ કરી રહ્યા છો." નોંધનીય છે કે આકાંક્ષા ચમોલા હાલમાં રિયાલિટી શો 'લોક-અપ 2' માં જોવા મળી રહી છે. તેના પ્રીમિયર દરમિયાન તેણીએ ખુલાસો કર્યો કે તે ગૌરવ ખન્ના સાથે છૂટાછેડા લેવા જઈ રહી છે. તે બન્ને છેલ્લા એક વર્ષથી અલગ રહી રહ્યું છે.</p><p><br></p><p><b><span style="font-size: 18px;">આ પણ વાંચો: </span><a href="https://sandesh.com/sports/news/cricket/ind-vs-eng-4th-t20-bristol-weather-rain-forecast" target="_blank"><span style="font-size: 18px;">IND vs ENG: વરસાદ બનશે વિલન? આજે ભારત-ઇંગ્લેન્ડની મેચ દરમિયાન કેવું રહેશે બ્રિસ્ટલનું વાતાવરણ</span></a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/09/driNMIKJEmxj0UPEX4zSsjAXIAi5raqNoLgQVtI1.webp'/></item></channel></rss>