<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[NEET-UG Retest 2026 પહેલા દેશમાં ટેલિગ્રામ પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ, શું કહ્યું કંપનીના CEOએ ? ]]></title><link>https://sandesh.com/india/news/neet-ug-retest-2026-telegram-ban-india-ceo-pavel-durov-reaction-misinformation-control</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/neet-ug-retest-2026-telegram-ban-india-ceo-pavel-durov-reaction-misinformation-control</guid><pubDate>Tue, 16 Jun 2026 23:41:57 +05:30</pubDate><description><![CDATA[<p>NEET-UG 2026 રિ-ટેસ્ટ પહેલાં પરીક્ષા સંબંધિત ખોટી અફવાઓ, ફેક મેસેજ અને લીક થયેલી માહિતીના પ્રસારને રોકવા માટે ભારત સરકારે ટેલિગ્રામ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. આ પ્રતિબંધ 16 જૂનથી 22 જૂન સુધી લાગુ રહેશે. આ પગલું નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની ભલામણના આધારે લેવામાં આવ્યું છે.</p><h2><b>ભારતમાં 15 કરોડથી વધુ સામાન્ય યુઝર્સ પર અસર પડી</b></h2><p>સરકારના જણાવ્યા મુજબ 21 જૂને યોજાનારી રિ-ટેસ્ટની પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓમાં ભ્રમ અને ગેરસમજ ન ફેલાય તે માટે આ કાર્યવાહી જરૂરી બની હતી. ખાસ કરીને સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્સ પર પરીક્ષા સંબંધિત ખોટા દાવાઓ ઝડપથી વાયરલ થતા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટેલિગ્રામના સંસ્થાપક અને CEO પાવેલ દુરોવે આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ પ્રતિબંધથી ભારતમાં 15 કરોડથી વધુ સામાન્ય યુઝર્સ પર અસર પડી છે. તેમણે દાવો કર્યો કે કેટલીક લીક થયેલી માહિતી અન્ય એપ્સ પર પણ ફેલાઈ ગઈ છે, જેના કારણે માત્ર ટેલિગ્રામ પર પ્રતિબંધ લગાવવો યોગ્ય ઉકેલ નથી.</p><h3><b>આવી કાર્યવાહીથી સમસ્યા સંપૂર્ણપણે અટકી નથી</b></h3><p>પાવેલ દુરોવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, સરકારનો આ નિર્ણય લીક કરનાર લોકોને નહીં પરંતુ સામાન્ય યુઝર્સને અસર કરે છે. તેમના મુજબ આવી કાર્યવાહીથી સમસ્યા સંપૂર્ણપણે અટકી નથી, કારણ કે માહિતી અન્ય પ્લેટફોર્મ પર પણ ઝડપથી ફેલાઈ જાય છે. બીજી તરફ NTAએ સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય કોઈ નવા પેપર લીકના કારણે લેવામાં આવ્યો નથી. એજન્સી મુજબ પરીક્ષા અંગેની ખોટી અને ભ્રામક માહિતીના કારણે ઉમેદવારોમાં માનસિક દબાણ અને ગેરસમજ ઊભી થઈ રહી હતી, જેને અટકાવવા માટે આ પગલું જરૂરી હતું.</p><p>NTAના ડિરેક્ટર જનરલ અભિષેક સિંહે જણાવ્યું કે પરીક્ષાની પારદર્શિતા અને વિશ્વસનીયતા જાળવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે અને કોઈપણ પ્રકારની ગેરરીતિને સહન કરવામાં આવશે નહીં. સરકારે પણ રિ-ટેસ્ટ માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી હોવાનું જણાવ્યું છે.<br><br><a href="https://sandesh.com/world/news/india/pm-modi-meloni-g7-summit-instagram-famous-viral-moment-conversation" target="_blank"><b>આ પણ વાંચો : G7 સમિટમાં વડાપ્રધાન મોદી અને મેલોની મળ્યા, કહ્યું 'અમે તો ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફેમસ છીએ'</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/f5fS9rS8w04hfEk6gewJyj43So9y9HTVSt7ProJQ.webp'/></item><item><title><![CDATA[Auto News: લોકપ્રિય રોડસ્ટર બાઇક થઈ રૂ5,000 સુધી મોંઘી, જાણો ગ્રાહકોના ખિસ્સા પર કેટલો પડશે બોજો? ]]></title><link>https://sandesh.com/business/news/automobile/auto-news-popular-roadster-bike-becomes-expensive-by-up-to-rs-5000-know-how-much-burden-will-fall-on-customers-pockets</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/auto-news-popular-roadster-bike-becomes-expensive-by-up-to-rs-5000-know-how-much-burden-will-fall-on-customers-pockets</guid><pubDate>Tue, 16 Jun 2026 23:17:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પ્રખ્યાત અમેરિકન ક્રૂઝર બાઇક ઉત્પાદક કંપની હાર્લે-ડેવિડસન (Harley-Davidson) એ ભારતીય બજારમાં તેની લોકપ્રિય X440 બાઇક રેન્જની કિંમતોમાં વધારો કરી દીધો છે. કંપનીએ આ બાઇકના અલગ-અલગ વેરિઅન્ટ્સ પર રૂ.1,000 થી લઈને રૂ.5,000 સુધીનો વધારો ઝીંક્યો છે. આ નવો ભાવવધારો X440 ના તમામ વેરિઅન્ટ્સ (Vivid, S અને T) પર લાગુ કરવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>પ્રીમિયમ રોડસ્ટર બાઇકની કિંમતમાં વધારો</b></h2><p style="text-align: justify; ">ભારતીય બજારમાં પ્રીમિયમ રોડસ્ટર બાઇક તરીકે જાણીતી X440 માં કંપનીએ કોઈ નવા ફીચર્સ કે એન્જિન અપડેટ આપ્યા નથી, તેમ છતાં તેની કિંમતો વધારવામાં આવી છે. તેથી હવે આ બાઇક ખરીદવા ઈચ્છતા ગ્રાહકોએ પહેલા કરતાં વધુ ખિસ્સું હળવું કરવું પડશે.</p><h3 style="text-align: justify; "><b>લોન્ચ થયા બાદ કિંમતમાં પ્રથમ વધારો</b></h3><p style="text-align: justify; ">નોંધનીય છે કે ભારતમાં હાર્લે-ડેવિડસનની મોટરસાઇકલનું મેન્યુફેક્ચરિંગ અને વેચાણ 'હીરો મોટોકોર્પ' (Hero MotoCorp) સાથેની ભાગીદારીમાં કરવામાં આવે છે. હીરો જ દેશમાં હાર્લેના સર્વિસ, સ્પેર પાર્ટ્સ અને મર્ચેન્ડાઇઝ નેટવર્કને સંભાળે છે. ગયા વર્ષે લોન્ચ થયા બાદ આ બાઇકની કિંમતમાં કરવામાં આવેલો આ પ્રથમ વધારો છે.</p><h4 style="text-align: justify; ">વેરિઅન્ટ પ્રમાણે કિંમતોમાં થયેલો ફેરફાર</h4><p style="text-align: justify; ">કંપનીએ તેના ત્રણેય વેરિઅન્ટની કિંમતોમાં આ મુજબ ફેરફાર કર્યો છે:</p><ul><li style="text-align: justify; ">X440 Vivid (સૌથી સસ્તું મોડેલ): આ લાઇનઅપનું સૌથી કિફાયતી મોડેલ છે. પહેલા તેની એક્સ-શોરૂમ કિંમત રૂ.2.35 લાખ હતી, જેમાં રૂ.1,000 નો વધારો થતાં હવે નવી કિંમત રૂ.2.36 લાખ થઈ ગઈ છે.</li><li style="text-align: justify; ">X440 S (મિડ-વેરિઅન્ટ): આ મિડ-વેરિઅન્ટની કિંમતમાં રૂ.4,000 નો વધારો કરાયો છે. પહેલા આ મોડેલ રૂ.2.55 લાખમાં મળતું હતું, જે હવે વધીને રૂ.2.59 લાખ (એક્સ-શોરૂમ) થયું છે.</li><li style="text-align: justify; ">X440 T (ટોપ વેરિઅન્ટ): આ ટોપ વેરિઅન્ટ પર સૌથી વધુ રૂ.5,000 નો વધારો થયો છે. પહેલા તેની કિંમત રૂ.2.79 લાખ હતી, જે હવે વધીને રૂ.2.84 લાખ થઈ ગઈ છે.</li></ul><h5 style="text-align: justify; ">એન્જિન અને ફીચર્સમાં કોઈ ફેરફાર નહીં</h5><p style="text-align: justify; ">કિંમતો વધવા છતાં બાઇકમાં કોઈ મિકેનિકલ કે ટેકનિકલ બદલાવ કરવામાં આવ્યા નથી. આ બાઇકમાં પહેલાની જેમ જ 440cc નું સિંગલ-સિલિન્ડર, એર/ઓઈલ-કૂલ્ડ એન્જિન મળે છે, જે 26.6 bhp નો પાવર અને 38 Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 6-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે.</p><h6 style="text-align: justify; ">હરીફ બાઇક્સ કરતાં વધુ મોંઘી થઈ X440 T</h6><p style="text-align: justify; ">આ ભાવવધારા બાદ X440 T પોતાના સેગમેન્ટની અન્ય લોકપ્રિય બાઇકો કરતાં ઘણી મોંઘી થઈ ગઈ છે, જેના કારણે હરીફ બાઇક્સ અને આ મોડેલ વચ્ચેનો કિંમતનો તફાવત હવે ઘણો વધી ગયો છે.</p><p style="text-align: justify; ">સેગમેન્ટની અન્ય લોકપ્રિય બાઇકોની શરૂઆતની કિંમત:</p><ul><li style="text-align: justify; ">Triumph 400 સિરીઝ: આશરે રૂ.2.53 લાખથી શરૂ</li><li style="text-align: justify; ">Honda CB350 RS: આશરે રૂ.1.98 લાખથી શરૂ</li><li style="text-align: justify; ">Royal Enfield Classic 350: આશરે રૂ.1.86 લાખથી શરૂ&nbsp;</li></ul><p style="text-align: justify; "><a href="https://sandesh.com/automobile" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/b3nuhklXpUiQIyYifhrucKgdJi0CYGFcuAUVz4IO.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup: ભારતીય મૂળના આ ખેલાડીએ ન્યુઝીલેન્ડ માટે રમીને હાંસલ કરી એક ખાસ સિદ્ધિ ]]></title><link>https://sandesh.com/sports/news/sarpreet-singh-first-indian-origin-player-fifa-world-cup</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/sarpreet-singh-first-indian-origin-player-fifa-world-cup</guid><pubDate>Tue, 16 Jun 2026 22:48:08 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ન્યુઝીલેન્ડના આક્રમક મિડફિલ્ડર સરપ્રીત સિંહે કોઈપણ ટીમ માટે ફિફા વર્લ્ડકપ મેચમાં શરૂઆત કરનાર પ્રથમ ભારતીય મૂળનો ખેલાડી બનીને ઈતિહાસ રચ્યો છે. તેને મંગળવારે લોસ એન્જલસમાં ઈરાન સામે 2-2 થી ડ્રોમાં આ સિદ્ધિ મેળવી હતી.</p><h2 style="text-align: justify; "><b>સરપ્રીત પંજાબી મૂળનો છે</b></h2><p style="text-align: justify; ">ઓકલેન્ડમાં એક પંજાબી પરિવારમાં જન્મેલા 27 વર્ષના સરપ્રીત સિંહને કોચ ડેરેન બાઝલી દ્વારા શરૂઆતની ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું હતું. તે લગભગ આખી મેચ રમ્યો અને 90મી મિનિટે તેને બદલવામાં આવ્યો. તેના માતા-પિતા પંજાબી મૂળના છે અને તેનો ભારતીય સંસ્કૃતિ સાથે ઊંડો સંબંધ છે.</p><p style="text-align: justify; ">2010 પછી પહેલીવાર ન્યુઝીલેન્ડ ફૂટબોલ ટીમને વર્લ્ડકપમાં લઈ જવામાં સરપ્રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સરપ્રીત જર્મન ક્લબ એફસી બાયર્ન મ્યુનિક માટે પણ રમી ચૂક્યો છે. તેને ઘણી વાર કહ્યું છે કે તે દિલથી ભારતીય છે અને તેને પોતાના જીવનમાં પંજાબી સંસ્કૃતિ જાળવી રાખી છે. ક્રિકેટમાં તે વિરાટ કોહલી અને સચિન તેંડુલકરનો મોટો ફેન છે.</p><h3 style="text-align: justify; "><b>મેદાન પર આક્રમક રમત બતાવી, ત્રણ શોટ લગાવ્યા</b></h3><p style="text-align: justify; ">10 નંબરની જર્સીમાં રમતા સરપ્રીતે મિડફિલ્ડમાં મુખ્ય ભૂમિકા ભજવી. તેને ઈરાન સામે 3 શોટ લગાવ્યા, જેમાં 61મી મિનિટે એક પ્રયાસનો પણ સમાવેશ થાય છે, જેને ગોલકીપર દ્વારા રોકવામાં આવ્યો હતો. ન્યુઝીલેન્ડના 4-2-3-1 ફોર્મેશનમાં, તે મિડફિલ્ડના મધ્યમાં સક્રિય રહ્યો.</p><h4 style="text-align: justify; "><b>ભારતમાં પણ રમી ચૂક્યો છે સરપ્રીત&nbsp;</b></h4><p style="text-align: justify; ">સરપ્રીતે ભારતમાં 2018માં મુંબઈમાં યોજાયેલા ઈન્ટરકોન્ટિનેન્ટલ કપમાં ભારત સામે પણ રમ્યો હતો. તે દરમિયાન તે ન્યુઝીલેન્ડની અંડર-23 ટીમનો ભાગ હતો અને તેને કેન્યા સામે ગોલ કર્યો હતો, જ્યારે ભારત સામે 2 આસિસ્ટ પણ આપ્યા હતા.</p><p style="text-align: justify; ">2019માં તેને બુન્ડેસલીગામાં બાયર્ન મ્યુનિક માટે રમનાર પ્રથમ ભારતીય મૂળના ખેલાડી બનીને ઈતિહાસ રચ્યો. ત્યારબાદ તેને પોર્ટુગલ અને સર્બિયામાં ક્લબ ફૂટબોલ રમ્યો.</p><h5 style="text-align: justify; "><b>આ વર્લ્ડ કપમાં ભારતીય મૂળના અન્ય ખેલાડીઓએ પણ છે</b></h5><p style="text-align: justify; ">આ વર્લ્ડ કપમાં ભારતીય મૂળના અન્ય ખેલાડીઓએ પણ પોતાનું ડેબ્યૂ કર્યું છે. ઓસ્ટ્રેલિયાના નિશાન વેલુપિલ્લાઈ અને કતારના તહસીન મોહમ્મદ જમીદે પણ ડેબ્યૂ કર્યું છે. ડીઆર કોંગોના સેમ્યુઅલ મુટુસામી પણ ટીમનો ભાગ છે.</p><h6 style="text-align: justify; "><b>ફૂટબોલમાં ભારતીય મૂળના ખેલાડીઓની વધતી જતી માન્યતા</b></h6><p style="text-align: justify; ">FIFA ના નિયમો મુજબ ખેલાડીઓ જે દેશમાં જન્મ્યા હોય અને તેમના માતાપિતા અથવા દાદા-દાદી પાસપોર્ટ ધરાવતા હોય તો તેઓ તે દેશ માટે રમવા માટે લાયક હોય છે. સરપ્રીત સિંહની સિદ્ધિને ઈન્ટરનેશનલ ફૂટબોલમાં ભારતીય મૂળના ખેલાડીઓ માટે એક મોટી માન્યતા માનવામાં આવી રહી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/entertainment/abhishek-mahira-sharma-dating-rumors-matching-bracelet" target="_blank">Abhishek Sharma માહિરા શર્માને કરી રહ્યો છે ડેટ? ઈન્સ્ટાગ્રામની 'સીક્રેટ' પોસ્ટમાં થયો ખુલાસો!</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/vktwalimRzpeR2zaQj9KKM1ZYHEsH2jRcR9wRvqx.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના બાવળા-ચાંગોદર માર્ગ પર હિટ એન્ડ રન: અજ્ઞાત વાહનની ટક્કરે મહિલાનું કમકમાટીભર્યું મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/hit-and-run-on-bavla-changodar-road-in-ahmedabad-woman-dies-after-being-hit-by-unknown-vehicle</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/hit-and-run-on-bavla-changodar-road-in-ahmedabad-woman-dies-after-being-hit-by-unknown-vehicle</guid><pubDate>Tue, 16 Jun 2026 22:33:07 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ જિલ્લાના બાવળા પંથકમાંથી હિટ એન્ડ રનની એક અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. બાવળાથી ચાંગોદર જવાના મુખ્ય માર્ગ પર એક અજ્ઞાત વાહનચાલકે રસ્તો પસાર કરી રહેલી મહિલાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ગંભીર ઈજાઓ થવાના કારણે મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ નિર્દિષ્ટ વાહનચાલક માનવતા નેવે મૂકીને પોતાનું વાહન લઈને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો.</p><h2 style="text-align: justify; ">બપોરના સમયે સર્જાયો હતો સર્જાયો અકસ્માત</h2><p style="text-align: justify; ">આ દુર્ઘટના બપોરે આશરે 2:00 વાગ્યાના સુમારે સર્જાઈ હતી, જ્યારે માર્ગ પર વાહનોની અવરજવર ચાલુ હતી. એક પૂરપાટ ઝડપે આવી રહેલા અજાણ્યા વાહનના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી મહિલાને અડફેટે લીધી હતી. ટક્કર મારીને ભાગી ગયેલા ચાલક અને વાહનની ઓળખ મેળવવા માટે સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાને પગલે હાઈવે પર થોડીવાર માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.</p><h3 style="text-align: justify; ">સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ</h3><p style="text-align: justify; ">અકસ્માતની માહિતી મળતા જ ચાંગોદર પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સોશિયલ ડિસ્ટન્સિંગ અને કાયદાકીય પ્રક્રિયા હાથ ધરીને મૃતક મહિલાના શવને કબ્જે કર્યો હતો અને તેને પોસ્ટમોર્ટમ (PM) અર્થે બાવળાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. ફરાર થઈ ગયેલા અજ્ઞાત વાહનચાલકને પકડી પાડવા માટે પોલીસે હાઈવે પર લાગેલા સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજ મેળવીને આગળની કાયદેસરની તપાસ તેજ કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/wnNzXamiO5BN2C7ZIs1xw8XgQGPeSlJpVfDPlHM7.webp'/></item><item><title><![CDATA[Aravalliના નવલપુર પાસે એસટી બસ સાથે ઊંટની ભયાનક ટક્કર! અકસ્માતમાં પશુનું કમકમાટીભર્યું મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/aravalli/a-horrific-collision-between-a-camel-and-an-st-bus-near-nawalpur-in-aravalli-the-animal-died-in-a-horrific-accident</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/aravalli/a-horrific-collision-between-a-camel-and-an-st-bus-near-nawalpur-in-aravalli-the-animal-died-in-a-horrific-accident</guid><pubDate>Tue, 16 Jun 2026 22:12:31 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના નવલપુર ગામ નજીક ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (ST)ની એક બસને ગમખ્વાર અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદના રાણીપ ડેપોથી મોડાસા તરફ જઈ રહેલી એસટી બસ માર્ગ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક એક ઊંટ બસની આડે આવી ગયું હતું. ચાલુ બસે ઊંટ સાથે થયેલી આ ભયાનક ટક્કરમાં ઊંટનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જો કે, સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.</p><h2 style="text-align: justify; ">ધડાકાભેર ટક્કર સાથે બસનો આગળનો કાચ તૂટ્યો</h2><p style="text-align: justify; ">અકસ્માતની વિગત એવી છે કે રાણીપ-મોડાસા રૂટની એસટી બસ જ્યારે ધનસુરાના નવલપુર હાઈવે પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક એક મોટું ઊંટ દોડીને બસની સામે આવી ગયું હતું. બસ ચાલકે બ્રેક મારવાનો પૂરતો પ્રયાસ કર્યો હોવા છતાં ઊંટ બસના આગળના ભાગે ધડાકાભેર અથડાયું હતું. આ ટક્કર એટલી જોરદાર હતી કે બસની બોનેટના ભાગને નુકસાન થયું હતું અને આગળનો મુખ્ય કાચ કડડભૂસ થઈને તૂટી ગયો હતો.</p><h3 style="text-align: justify; ">અચાનક ઊંટ સામે આવી જતાં ધડાકાભેર અકસ્માત</h3><p style="text-align: justify; ">આ અકસ્માત સર્જાતા જ બસમાં સવાર મુસાફરોમાં ચીસાચીસ અને ભારે ગભરાટનો માહોલ ફેલાઈ ગયો હતો. અકસ્માત સમયે એસટી બસમાં 15 કરતાં વધારે મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. સદભાગ્યે, બસ ચાલકની સમયસૂચકતા અને સતર્કતાને કારણે બસ પલટી ખાતા કે રોડ નીચે ઉતરી જતા બચી ગઈ હતી, જેથી તમામ 15થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા અને મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/EUW3fEx3344ETnQtZINlInhRGxBzhC6QpZcqu1AV.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના વૈષ્ણવદેવી સર્કલ નજીક ડમ્પર અને બાઇક ચાલક વચ્ચે વાહન ચલાવવા બાબતે જાહેરમાં મારામારી! ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/public-fight-between-dumper-and-bike-driver-over-driving-near-vaishnav-devi-circle-in-ahmedabad</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/public-fight-between-dumper-and-bike-driver-over-driving-near-vaishnav-devi-circle-in-ahmedabad</guid><pubDate>Tue, 16 Jun 2026 21:59:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના સૌથી વ્યસ્ત અને મહત્વના ગણાતા વૈષ્ણવદેવી સર્કલ નજીક જાહેર રોડ પર કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રસ્તા પર વાહન ચલાવવા જેવી સામાન્ય બાબતે બે વાહનચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો બિચક્યો હતો અને બંને વચ્ચે જાહેરમાં હિંસક મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે ચકચાર મચી ગયો છે.</p><h2 style="text-align: justify; ">રોડ વચ્ચે જ છૂટા હાથની મારામારી</h2><p style="text-align: justify; ">મળતી માહિતી અનુસાર, વૈષ્ણવદેવી સર્કલ પાસેના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહેલા એક ડમ્પર ચાલક અને બાઇક ચાલક વચ્ચે વાહન આગળ-પાછળ લેવા અથવા ઓવરટેક કરવા જેવી ક્ષણિક બાબતે તકરાર થઈ હતી. આ સામાન્ય ઝઘડો જોતજોતામાં એટલો વધી ગયો કે બંને ચાલકો રસ્તાની અધવચ્ચે જ પોતાના વાહનો ઊભા રાખીને એકબીજા પર તૂટી પડ્યા હતા. બંને વચ્ચે જાહેર માર્ગ પર જ રીતસરની છૂટા હાથની મારામારી શરૂ થઈ ગઈ હતી, જેને પગલે થોડીવાર માટે ટ્રાફિક વ્યવસ્થા પણ પ્રભાવિત થઈ હતી.</p><h3 style="text-align: justify; ">વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ&nbsp;</h3><p style="text-align: justify; ">આ હિંસક દ્રશ્યો ત્યાંથી પસાર થતા અન્ય કોઈ વાહનચાલકે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધા હતા અને ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ કરી દીધો હતો. વીડિયો વાયરલ થતાં જ જાગૃત નાગરિકો દ્વારા અમદાવાદ શહેર પોલીસને ટેગ કરીને કાયદો હાથમાં લેનારા આ બંને શખ્સો સામે કડક કાયદાકીય પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે. ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં આ પ્રકારે અસામાજિક વર્તન કરનારાઓ સામે પોલીસ ટૂંક સમયમાં કાર્યવાહી કરે તેવી શક્યતા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/Gg2r59qnmyjN2Bl1uTVpaBqKau3fxgInyjOZ51C2.webp'/></item><item><title><![CDATA[Maharashtra Politics : શિવસેનાના સ્થાપના દિવસ પહેલા ઉદ્ધવ ઠાકરેને લાગી શકે છે મોટો ઝટકો, 7 સાંસદ બળવો કરે તેવી ચર્ચા ]]></title><link>https://sandesh.com/india/news/-political-news/maharashtra-politics-uddhav-thackeray-setback-seven-shiv-sena-ubt-mps-rebellion-foundation-day</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/-political-news/maharashtra-politics-uddhav-thackeray-setback-seven-shiv-sena-ubt-mps-rebellion-foundation-day</guid><pubDate>Tue, 16 Jun 2026 21:49:30 +05:30</pubDate><description><![CDATA[<p>મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે શિવસેનાના 60મા સ્થાપના દિવસ પહેલા ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT)ને મોટો રાજકીય ઝટકો આપવા તૈયારીમાં હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ શિવસેના (UBT)ના 9 લોકસભા સાંસદોમાંથી 7 સાંસદો અલગ જૂથ બનાવી શકે છે અને બાદમાં શિંદે જૂથની શિવસેનામાં વિલય થઈ શકે છે.</p><h2><b>કોનું નામ છે ચર્ચામાં?</b></h2><p>મળતી માહિતી મુજબ ભાઉસાહેબ વાકચૌરે, સંજય દેશમુખ, અરવિંદ સાવંત, સંજય જાધવ, સંજય પાટીલ, નાગેશ બાપુરાવ અષ્ટિકર, રાજાભાઉ વાજે અને સંજય દીના પાટીલ જેવા નેતાઓના નામ સંભવિત બળવાખોરોની યાદીમાં ચર્ચાઈ રહ્યા છે. કહેવાઈ રહ્યું છે કે આગામી એક-બે દિવસમાં આ સાંસદો લોકસભા અધ્યક્ષને મળીને અલગ જૂથની માન્યતા માટે પત્ર આપી શકે છે.</p><h3><b>14 ધારાસભ્યો પણ પક્ષ છોડી શકે</b></h3><p>આ દરમિયાન શિવસેના (UBT)ના નેતાઓ અનિલ દેસાઈ અને સંજય રાઉત પક્ષમાં ભંગાણ અટકાવવા માટે દિલ્હીમાં સક્રિય હોવાનું કહેવાઈ રહ્યું છે. શિંદે જૂથના નેતા અને ધારાસભ્ય કૃપાલ તુમાણેએ પણ મોટો દાવો કર્યો છે. તેમના જણાવ્યા મુજબ માત્ર સાંસદો જ નહીં, પરંતુ ઉદ્ધવ ઠાકરેના 16 ધારાસભ્યોમાંથી 14 ધારાસભ્યો પણ પક્ષ છોડી શકે છે. તેમણે જણાવ્યું કે ઘણા જનપ્રતિનિધિઓ પક્ષની આંતરિક સ્થિતિથી અસંતુષ્ટ છે.</p><h4><b>શિવસેના (UBT)એ નથી કરી કોઈ પુષ્ટી</b></h4><p>કેન્દ્રીય રાજ્યમંત્રી અને શિંદે જૂથના નેતા પ્રતાપરાવ જાધવે દાવો કર્યો કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળના અનેક સાંસદો અને ધારાસભ્યોને પક્ષમાં યોગ્ય સન્માન મળતું નથી, જેના કારણે અસંતોષ વધી રહ્યો છે. તેમણે કહ્યું કે ઘણા નેતાઓએ પક્ષ છોડવાનો મનસૂબો બનાવી લીધો છે. હાલ આ તમામ દાવાઓ અંગે શિવસેના (UBT) તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ મહારાષ્ટ્રના રાજકારણમાં આ મુદ્દે ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/ram-mandir-donation-row-sit-investigation-43-employees-cash-counting-irregularities" target="_blank">આ પણ વાંચો : Ram Mandir Donation Row : ચલણી નોટોની ગણતરી કરનારા 43 કર્મચારી SITની રડાર પર</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/pYa2jfqd0iPseEIbVu4Mhb8iv1vIkNj0XWpl809R.webp'/></item><item><title><![CDATA[Vadodaraમાં સ્કૂલ વાહનો સામે RTOની લાલ આંખ: 5 દિવસમાં 271 વાહનો સામે મોટી કાર્યવાહી ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/rtos-red-eye-against-school-vehicles-in-vadodara-major-action-against-271-vehicles-in-5-days</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/rtos-red-eye-against-school-vehicles-in-vadodara-major-action-against-271-vehicles-in-5-days</guid><pubDate>Tue, 16 Jun 2026 21:32:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા શહેરમાં શાળાએ જતા માસૂમ બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રાદેશિક પરિવહન વિભાગ (RTO) દ્વારા એક મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. નિયમોનું ઉલ્લંઘન કરીને દોડતા સ્કૂલ વાહનો સામે આરટીઓ તંત્રએ કડક ઝુંબેશ ચલાવી છે. આ વિશેષ ડ્રાઇવ અંતર્ગત માત્ર પાંચ દિવસના ટૂંકા ગાળામાં નિયમભંગ કરનારા 271 જેટલા વાહનોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ તમામ વાહનોને મળીને કુલ રૂ.19.51 લાખનો તોતિંગ દંડ ફટકારવામાં આવતા સ્કૂલ વર્ધીના ચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.</p><h2 style="text-align: justify; ">પરમિટ વગર દોડતા 250 વાહનો ઝડપાયા</h2><p style="text-align: justify; ">આરટીઓ વિભાગના સત્તાવાર ચેકિંગ દરમિયાન એવા ચોંકાવનારા ખુલાસા થયા છે કે સ્કૂલ વર્ધીમાં દોડતા વાહનો પાસે યોગ્ય કાગળો જ નહોતા. ઝડપાયેલા વાહનોમાંથી 250 જેટલા વાહનો માત્ર પરમિટ ભંગ અને ટેક્સી પાસિંગ વગર ગેરકાયદેસર રીતે રસ્તા પર દોડતા માલૂમ પડ્યા હતા. આ ઉપરાંત, અનેક વાહનોમાં વીમો (Insurance) ન હોવો, પીયુસી (PUC) કઢાવેલું ન હોવું તેમજ ક્ષમતા કરતાં વધુ બાળકોને ઘેટાં-બકરાની જેમ ભરવા જેવા ગંભીર નિયમ ભંગ સામે આરટીઓ અધિકારીઓએ કાયદાનો સપાટો બોલાવ્યો છે.</p><h3 style="text-align: justify; ">કાર્યવાહી જોઈ ચાલકોએ યુ-ટર્ન માર્યો</h3><p style="text-align: justify; ">આરટીઓનું સઘન ચેકિંગ જોઈને વાહનચાલકોમાં એવી નાસભાગ મચી હતી કે માનવતા પણ મરી પરવારી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પોતાની ગાડી ડિટેઈન થવાના ડરથી અનેક ચાલકોએ રસ્તા વચ્ચેથી જ વાહનોના યુ-ટર્ન મારી દીધા હતા. હદ તો ત્યારે થઈ જ્યારે એક સ્કૂલ વાનનો ચાલક માસૂમ વિદ્યાર્થીઓને અધવચ્ચે રોડ પર જ ઉતારીને ગાડી ભગાડી ગયો હતો, જેના કારણે બાળકોને ધોમધખતા તાપમાં રસ્તા પર ચાલવા મજબૂર થવું પડ્યું હતું. આરટીઓ દ્વારા આવા બેજવાબદાર ચાલકો સામે વધુ કડક પગલાં લેવાની ખાતરી આપવામાં આવી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/I7LLuny7uNFQN1nJAJEhWeLh56DpOgGbO292TrJe.webp'/></item><item><title><![CDATA[Morbi News: જેતપર ગામમાં ખેડૂતો આમરણ ઉપવાસ પર ઉતરશે, રાજકીય નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ ]]></title><link>https://sandesh.com/gujarat/news/morbi/jetpar-farmers-announce-indefinite-hunger-strike</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/morbi/jetpar-farmers-announce-indefinite-hunger-strike</guid><pubDate>Tue, 16 Jun 2026 21:02:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મોરબી જિલ્લાના જેતપર ગામેથી પસાર થઈ રહેલી હેવી વીજ લાઈનના વિરોધમાં ખેડૂતોએ હવે સરકાર સામે આરપારની લડાઈ લડવાનું રણશિંગું ફૂંક્યું છે.છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી આ લડત અને જમીન સંપાદન તેમજ વળતર જેવા વણઉકેલાયેલા પ્રશ્નોને લઈને ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.જેતપર ગામે યોજાયેલી ખેડૂતોની એક મહત્વપૂર્ણ મીટિંગમાં નવી અને ઉગ્ર લડત લડવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.જેના ભાગરૂપે ખેડૂતો હવે આમરણાંત ઉપવાસ પર ઉતરશે.</p><h2 style="text-align: justify; "><b>હાલ પ્રતિક ઉપવાસ ગુરૂવારે હજારો ખેડૂતો ઉમટશે</b></h2><p style="text-align: justify; ">હાલના તબક્કે જેતપર ગામના અસરગ્રસ્ત ખેડૂતો પ્રતિક ઉપવાસ પર બેસીને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે.પરંતુ આ આંદોલનને વધુ વ્યાપક બનાવવા માટે આગામી ગુરૂવારે જેતપર ગામે એક વિશાળ સભાનું આયોજન કરાયું છે.જેમાં મોરબી જિલ્લાના હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહીને પોતાનું શક્તિપ્રદર્શન કરશે.ખેડૂતોએ સ્પષ્ટ ચિમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી તેમના પ્રશ્નોનું યોગ્ય અને સંતોષકારક નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ આમરણાંત ઉપવાસ ચાલુ રાખવામાં આવશે.</p><h3 style="text-align: justify; "><b>આંદોલન સંપૂર્ણ બિન-રાજકીય</b></h3><p style="text-align: justify; ">ખેડૂત અગ્રણીઓએ આ લડતને સંપૂર્ણપણે બિન-રાજકીય રાખવાનો નિર્ણય કર્યો છે.ખેડૂતોએ નમ્ર અપીલ કરી છે કે આ આમરણાંત ઉપવાસ આંદોલન દરમિયાન કોઈપણ પક્ષના રાજકીય આગેવાન કે નેતાએ સ્ટેજ પર કે આંદોલન સ્થળે પ્રવેશ કરવો નહીં. ખેડૂતો પોતાની જમીન અને હકની લડાઈ કોઈ પણ રાજકીય હસ્તક્ષેપ વગર લડવા મક્કમ બન્યા છે. મોરબી જિલ્લાના રાજકારણમાં અને વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે.<br><br><a href="https://sandesh.com/india/news/sandesh-explainer-how-ethanol-can-help-india-tackle-fuel-crises-during-global-conflicts" target="_blank">આ પણ વાંચોઃ Sandesh Explainer : યુદ્ધની સ્થિતિમાં ઈંધણની કટોકટી, જાણો ઈથેનોલ કેવી રીતે બની શકે છે ભારતનું ભવિષ્યનું ઈંધણ?</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/YIpvqkIYENSoT5L5icJwfDf8xi1YQj4oG2fVi328.webp'/></item><item><title><![CDATA[Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા ]]></title><link>https://sandesh.com/cricket/news/entertainment/virat-kohli-photos-with-son-akaay-anushka-sharma</link><guid isPermaLink="true">https://sandesh.com/cricket/news/entertainment/virat-kohli-photos-with-son-akaay-anushka-sharma</guid><pubDate>Tue, 16 Jun 2026 17:18:43 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ઈજાના કારણે અફઘાનિસ્તાન સામેની ODI સિરીઝ રમી રહ્યો નથી. IPL ફાઈનલમાં તેને હેમસ્ટ્રિંગની ઈજા થઈ હતી. જેના કારણે તેને ક્રિકેટથી દૂર રહેવું પડ્યું હતું.</p><p style="text-align: justify; ">વિરાટ કોહલીના સ્થાને યશસ્વી જયસ્વાલને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. મેદાનની બહાર રહેલો વિરાટ કોહલી પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>વિરાટ કોહલીના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ</b></h2><p style="text-align: justify; ">વિરાટ કોહલીના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ફોટામાં તે લાઈમલાઈટથી દૂર પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. આ ફોટા એક પાર્કના લાગે છે. એક ફોટામાં વિરાટ કોહલી પોતાના પુત્ર અકાયને ખોળામાં લઈ રહ્યો છે, જ્યારે બીજા ફોટામાં તે તેની પીઠ પર છે. ફેન્સ આ ફોટાને ખૂબ પસંદ કરી રહ્યા છે. એક ફોટામાં પત્ની અનુષ્કા શર્મા પણ વિરાટ સાથે જોવા મળી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>IPLમાં વિરાટ કોહલીનું શાનદાર પ્રદર્શન</b></h3><p style="text-align: justify; ">IPL 2026 માં વિરાટ કોહલી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો . તેને 16 મેચમાં 675 રન બનાવ્યા. તે સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓના લિસ્ટમાં ચોથા નંબરે રહ્યો. ફાઈનલમાં 75 રનની ઈનિંગ માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો. ટોપ પાંચ સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં વિરાટનો સ્ટ્રાઈક રેટ વૈભવ સૂર્યવંશી પછી બીજા નંબરે હતો. તેને સિઝનમાં 5 અડધી સદી અને 1 સદી ફટકારી હતી.</p><h4 style="text-align: justify; "><b>ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ફિટ હોવાની આશા</b></h4><p style="text-align: justify; ">વિરાટ કોહલીએ ટેસ્ટ અને T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તે ફક્ત વનડે ક્રિકેટ રમે છે. ભારતીય ટીમ આવતા મહિને ઈંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. આ પ્રવાસમાં 5 T20 ઈન્ટરનેશનલ અને 3 વનડે મેચનો સમાવેશ થાય છે. આ પ્રવાસ 14 જુલાઈથી બર્મિંગહામમાં શરૂ થશે. એવી આશા છે કે વિરાટ કોહલી સિરીઝ માટે ફિટ થઈ જશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/entertainment/abhishek-mahira-sharma-dating-rumors-matching-bracelet" target="_blank">Abhishek Sharma માહિરા શર્માને કરી રહ્યો છે ડેટ? ઈન્સ્ટાગ્રામની 'સીક્રેટ' પોસ્ટમાં થયો ખુલાસો!</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/KZmGD6LCx7nhr88BycGVOha7d8hcq22CbcOLjO7j.webp'/></item></channel></rss>