<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Gujarat News: જૂન 2026માં રાજ્યની કૂલ વેરા આવક 11,873 કરોડ રૂપિયા સુધી પહોંચી ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gst-revenue-hits-11873-crore-in-june-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gst-revenue-hits-11873-crore-in-june-2026</guid><pubDate>Wed, 01 Jul 2026 18:10:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના અમલીકરણના 9 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયા છે.આ સમયગાળા દરમિયાન રાજ્યની કર વ્યવસ્થામાં અભૂતપૂર્વ પારદર્શિતા અને સુદ્રઢતા જોવા મળી છે.જૂન 2026ના આંકડા મુજબ ગુજરાતની GST આવકમાં ગત વર્ષની સરખામણીએ નોંધપાત્ર 28 ટકાનો વધારો નોંધાયો છે. માત્ર જૂન મહિનામાં જ રાજ્યને GST પેટે 7,800 કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત થઈ છે,જ્યારે વેટ (VAT)અને વિદ્યુત શુલ્ક સહિત રાજ્યની કુલ વેરા આવક 11,873 કરોડ રૂપિયા સુધી પહોંચી છે.</p><h2 style="text-align: justify; "><b>રજીસ્ટર્ડ કરદાતાઓની સંખ્યા 14.31 લાખ થઈ</b></h2><p style="text-align: justify; ">રાજ્યમાં ટેક્સ અનુપાલન (Tax Compliance)નું સ્તર પણ ઉચ્ચતમ રહ્યું છે.વર્ષ 2025-26 દરમિયાન ગુજરાતમાં રેકોર્ડબ્રેક 99.6% GST પત્રકો ભરાયા છે.જે વેપારીઓની સજાગતા અને સરળ કર પ્રક્રિયાનું પરિણામ છે.પરિણામે ગુજરાત સતત પાંચ વર્ષથી GST અમલીકરણ અને કર ભરાવવામાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે.કરદાતાઓના વિશ્વાસમાં થયેલા વધારાને કારણે રાજ્યમાં રજીસ્ટર્ડ કરદાતાઓની સંખ્યા 5.08 લાખથી વધીને 14.31 લાખના આંકડાને સ્પર્શી ગઈ છે.</p><h3 style="text-align: justify; "><b>ગુજરાત દેશના આર્થિક ગ્રોથ એન્જિન તરીકે અગ્રેસર</b></h3><p style="text-align: justify; ">નાણાકીય વર્ષ 2020-21માં GST આવક 30,628 કરોડ રૂપિયા હતી જે 2025-26ના અંત સુધીમાં વધીને 83,066 કરોડ રૂપિયા પર પહોંચી છે.આ જંગી વધારો ગુજરાતના ઔદ્યોગિક વિકાસ અને આર્થિક નીતિઓની સફળતાને પ્રતિબિંબિત કરે છે.આમ ડિજિટલ માળખું અને વેપાર-ઉદ્યોગ માટે અનુકૂળ વાતાવરણને લીધે ગુજરાત દેશના આર્થિક ગ્રોથ એન્જિન તરીકે પોતાની અગ્રેસર સ્થિતિ સતત જાળવી રાખવામાં સફળ રહ્યું છે.<br></p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/news/explainer/ahmedabad/sandesh-digital-explainer--marriage-certificate-alone-not-valid-hindu-marriage--know-marriage-rules-of-other-religions" target="_blank">આ પણ વાંચોઃ Sandesh Digital Explainer : માત્ર મેરેજ સર્ટિફિકેટ હિન્દુ લગ્નને કાયદેસર બનાવતું નથી? જાણો અન્ય ધર્મોમાં લગ્નનો આધાર શું છે</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/o76IXYAeENcNgprj9PXAHzAwCCUdyTEHtSaWehDX.webp'/></item><item><title><![CDATA[Hit Film : 5 દિવસમાં 25 રેકોર્ડ! બોક્સ ઓફિસ પર વેલકમ 3ની આંધી, વર્લ્ડવાઇડ કરી શાનદાર કમાણી! ]]></title><link>https://sandesh.com/entertainment/news/welcome-to-the-jungle-worldwide-collection-day-5-beats-25-movies</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/welcome-to-the-jungle-worldwide-collection-day-5-beats-25-movies</guid><pubDate>Wed, 01 Jul 2026 18:08:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અહમદ ખાન નિર્દેશિત વેલકમ ટુ ધ જંગલ દુનિયાભરના બોક્સ ઓફિસ પર છવાયેલી છે. આ એક્શન એડવેન્ચર કોમેડી ફિલ્મને દર્શકો તરફથી જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે અને વીકડેઝમાં પણ આને ખુબ ઓડિયન્સ મળી રહી છે, જેની સાથે જ આની કમાણી પણ વધી રહી છે. રિલીઝના પાંચ દિવસમાં વેલકમ ટુ ધ જંગલ એ વર્લ્ડવાઇડ બોક્સ ઓફિસ પર એક મોટો મુકામ હાંસલ કરી લીધો છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>વેલકમ ટુ ધ જંગલ એ વર્લ્ડવાઇડ પાંચ દિવસમાં કેટલું કમાયું?</b></h2><p style="text-align: justify; ">વેલકમ ટુ ધ જંગલને સિનેમાઘરોમાં રિલીઝ થયા બાદ ક્રિટિક્સ તરફથી મિશ્ર રિવ્યૂઝ મળ્યા હતા પરંતુ આ જોતજોતામાં ફેમિલી ઓડિયન્સની ફેવરિટ બની ગઈ. રિલીઝના પાંચ દિવસમાં આણે દેશ અને દુનિયાભરમાં શાનદાર કમાણી કરી લીધી છે. જણાવી દઈએ કે ટ્રેડ વેબસાઇટ સેકનિલ્કના જણાવ્યા અનુસાર, વેલકમ ટુ ધ જંગલએ પાંચમા દિવસે 10 હજાર 616 શોમાં ભારતમાં 9.25 કરોડ રૂપિયાની કમાણી કરી. આની સાથે જ ફિલ્મની કુલ ઇન્ડિયા નેટ કમાણી 81.50 કરોડ રૂપિયા થઈ ગઈ છે, જ્યારે ઇન્ડિયા ગ્રોસ કમાણી 97.17 કરોડ રૂપિયા છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DaM2TmMsvHE/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DaM2TmMsvHE/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DaM2TmMsvHE/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DaM2TmMsvHE/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><p style="text-align: justify; ">ઓવરસીઝમાં પાંચમા દિવસે 3.00 કરોડની કમાણી કરી છે, જેથી આની કુલ વિદેશી કમાણી અત્યાર સુધી 22.95 કરોડ પહોંચી ગઈ છે. આની સાથે જ આનું 5 દિવસનું વર્લ્ડવાઇડ કલેક્શન 120.12 કરોડ થઈ ગયું છે.</p><h3 style="text-align: justify; "><b>વર્લ્ડવાઇડ 25 ફિલ્મોની લાઇફટાઇમ કમાણીને આપી માત</b></h3><p style="text-align: justify; ">વેલકમ ટુ ધ જંગલ એ દુનિયાભરમાં 120 કરોડથી વધુનું કલેક્શન કરીને રામચરણની પેદ્દી (હિન્દી) (26.25 કરોડ), વરુણ ધવનની હૈ જવાની તો ઇશ્ક હોના હૈ (87.78 કરોડ) થી લઈને આયુષ્માન ખુરાનાની પતિ પત્ની ઔર વો દો (77.81 કરોડ) સુધીની ફિલ્મો સહિત વર્ષની 25 મૂવીઝની દુનિયાભરમાં થયેલી લાઇફટાઇમ કમાણીને પાછળ છોડી દીધી છે. હવે આનો ટાર્ગેટ રાજા શિવાજીની 129.7 કરોડની વર્લ્ડવાઇડ કમાણીને માત આપવાનો છે, જેના પછી આ વર્ષની દુનિયાભરમાં સૌથી વધુ કમાણી કરનારી પાંચમી ફિલ્મ બની જશે.</p><h4 style="text-align: justify; "><b>આ છે વર્લ્ડવાઇડ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મો:</b></h4><ul><li style="text-align: justify;">ધુરંધર 2 - 1850.85 કરોડ</li><li style="text-align: justify;">બોર્ડર 2 - 485.3 કરોડ</li><li style="text-align: justify;">ભૂત બંગલા - 292.64 કરોડ</li><li style="text-align: justify;">કોકટેલ 2 - 149 કરોડ</li><li style="text-align: justify;">રાજા શિવાજી - 129 કરોડ</li><li style="text-align: justify;">વેલકમ ટુ ધ જંગલ - 120.12 કરોડ</li></ul><h4 style="text-align: justify; "><b>આ ફિલ્મે ઓરિજિનલ વેલકમને ચખાડી ધૂળ</b></h4><p style="text-align: justify; ">રિલીઝના પાંચમા દિવસે 120.12 કરોડ કમાઈને વેલકમ ટુ ધ જંગલ એ પોતાની ઓરિજિનલ ફિલ્મ વેલકમની લાઇફટાઇમ વર્લ્ડવાઇડ કમાણીનો રેકોર્ડ તોડી દીધો છે. ઓરિજિનલ વેલકમ એ પોતાની થિયેટ્રિકલ રિલીઝ દરમિયાન દુનિયાભરમાં 117.91 કરોડ કમાયા હતા. 2007ની આ કોમેડી ફિલ્મે ભારતમાં પણ પોતાની પૂરી રિલીઝ દરમિયાન 70.15 કરોડ કમાયા હતા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/avatar-movie-beats-dhurandhar-tops-jiohotstar-trending" target="_blank">આ પણ વાંચો-Dhurandharને પછાડીને નંબર-1 બની આ ફિલ્મ, OTTની ટ્રેન્ડિંગ લિસ્ટમાં જમાવ્યો દબદબો!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/55b34D0UONpGgy461AbynwHJTiEEyrxa3zh7RTAF.webp'/></item><item><title><![CDATA[West Bengal Politics: મહુઆ મોઇત્રા પર ફેંક્યા ઇંડા, TMC સાંસદે બીજેપી સમર્થકો પર લગાવ્યો આરોપ ]]></title><link>https://sandesh.com/india/news/west-bengal-politics-eggs-thrown-at-mahua-moitra-tmc-mp-accuses-bjp-supporters</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/west-bengal-politics-eggs-thrown-at-mahua-moitra-tmc-mp-accuses-bjp-supporters</guid><pubDate>Wed, 01 Jul 2026 17:58:46 +05:30</pubDate><description><![CDATA[<p>પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ બીજેપી સમર્થકો પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમનો દાવો છે કે અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસના પાર્ટી કાર્યાલયમાં તેમની પર ઇંડા અને રીંગણા ફેંકવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે બીજેપી સમર્થકો સતત પાર્ટી કાર્યાલયના ત્રીજા માળને નિશાનો બનાવીને ઇંડા અને રીંગણા ફેંકી રહ્યા હતા.&nbsp;</p><h2><b>મહુઆ મોઇત્રાએ સોશિયલ મીડિયા પર આપી જાણકારી&nbsp;</b></h2><p>મહુઆ મોઇત્રાએ સોશિયલ મીડિયા પર આ ઘટનાની જાણકારી આપતા કહ્યું કે પોલીસ બહુ મોડી પહોંચી. જો કે ત્યાં હાજર લોકો પણ કોઇ કાર્યવાહી કરી રહ્યા ન હતા. તે લોકો મુકપ્રેક્ષક બનીને જોઇ રહ્યા હતા.  ફેસબુક લાઈવ સેશનમાં તેમણે આરોપ લગાવ્યો કે કાયદો અને વ્યવસ્થા જાળવવાની પોતાની જવાબદારી નિભાવવાને બદલે પોલીસ ફક્ત તમાશો જોતી રહી. આ ઘટના અંગે ભાજપ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. બીજી તરફ પોલીસે આ બાબતે કોઈ વિગતવાર જાહેર નિવેદન બહાર પાડ્યું નથી.</p><p><b style="font-size: 1.75rem;">જાહેરહિતની અરજી પર રાજ્ય સરકારનો નિર્ણય&nbsp;</b></p><p>&nbsp;આ મામલો એવા સમયે આવ્યો છે જ્યારે હાલમાં કલકત્તામાં હાઇકોર્ટે પશ્ચિમ બંગાળમાં રાજનૈતિક વિરોધિઓ કે વિવિધ મામલે આરોપીઓ પર ઇંડા ફેંકવાની ઘટનાઓને લઇને કડક ટિપ્પણીઓ કરી છે.&nbsp; મંગળવારે આ મામલે જાહેર હિતની અરજી પર સુનાવણી કરતા કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તપબ્રત ચક્રવર્તી અને ન્યાયાધીશ પાર્થ સારથી ચેટરજીની બનેલી ડિવિઝન બેન્ચે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો કે ઇંડા ફેંકવાની દરેક ઘટના માટે પોલીસ ફરજિયાતપણે FIR નોંધે.</p><p>સુનાવણી દરમિયાન, કોર્ટે મૌખિક રીતે અવલોકન કર્યું કે કોઈ વ્યક્તિ સામે આરોપ લગાવવાનો અર્થ એ નથી કે તેના મૂળભૂત અધિકારો ખતમ થઈ જાય. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે કોઈ વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં હોય અથવા રાજ્ય સુરક્ષા હેઠળ હોય, ત્યારે તેની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ રાજ્યની જવાબદારી છે.</p><p><b style="font-size: 1.5rem;">હાઇકોર્ટે શુભેન્દુ સરકારને આપ્યો આદેશ&nbsp;</b></p><p>હાઈકોર્ટે રાજ્ય સરકારને 20 જુલાઈ સુધીમાં એક સોગંદનામું દાખલ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે, જેમાં ઈંડા ફેંકવાની ઘટનાઓને રોકવા માટે લેવામાં આવેલા પગલાં અને આજ સુધી આવા કેસોમાં નોંધાયેલી એફઆઈઆરની સંખ્યાની વિગતો આપવામાં આવે. કોર્ટે રાજ્ય સરકારને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે સ્પષ્ટ માર્ગદર્શિકા ઘડવાનો નિર્દેશ આપ્યો હતો.</p><p>આ દરમિયાન, રાજ્ય સરકારનું પ્રતિનિધિત્વ કરતા એડિશનલ એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે સરકારનું વલણ સ્પષ્ટ છેકે કોઈને પણ કાયદો પોતાના હાથમાં લેવાની પરવાનગી નથી. તેમણે કોર્ટને માહિતી આપી હતી કે કેટલાક કિસ્સાઓમાં ધરપકડ થઈ ચૂકી છે જ્યાં ખંડણી અને અન્ય ગુનાઓના આરોપી વ્યક્તિઓ પર ઈંડા ફેંકવામાં આવ્યા હતા.</p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/Rrvq5EMU6Ol9qjPlKJJLJts1j2lbopvXqgnxT3kB.webp'/></item><item><title><![CDATA[Surat News: સિંગણપોરમાં સિટી બસ અને સ્કૂલ બસ વચ્ચે ગંભીર અકસ્માત, બે વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/school-bus-and-city-bus-collide-in-singanpor--2-students-injured</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/school-bus-and-city-bus-collide-in-singanpor--2-students-injured</guid><pubDate>Wed, 01 Jul 2026 17:49:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતના સિંગણપોર વિસ્તારમાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.જેમાં પૂરપાટ ઝડપે દોડતી સિટી બસે સ્કૂલ બસને ટક્કર મારતા ભારે અફરાતફરી મચી ગઈ હતી.સિટી બસના ચાલકે કાબૂ ગુમાવતા આગળ જતી સ્કૂલ બસને પાછળથી ધડાકાભેર ટક્કર મારી હતી.આ અકસ્માત એટલો જોરદાર હતો કે સ્કૂલ બસનો પાછળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો.</p><h2 style="text-align: justify; "><b>2 વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ પહોંચી</b></h2><p style="text-align: justify; ">અકસ્માત સમયે સ્કૂલ બસમાં કુલ 5 વિદ્યાર્થીઓ સવાર હતા જેમાંથી 2 વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.બીજી તરફ સિટી બસમાં પણ 7 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. જોકે તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળેટોળાં એકત્ર થઈ ગયા હતા.અકસ્માતને પગલે સ્થાનિક વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી.ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સિંગણપોર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી</b></h2><p style="text-align: justify; ">પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને સીટી બસના ચાલકની પૂછપરછ શરૂ કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.શહેરમાં બેફામ દોડતી સિટી બસોને કારણે અવારનવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવતી રહે છે.જેના કારણે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.વારંવાર બનતી આવી ઘટનાઓ બાદ શું તંત્ર ડ્રાઇવરોની બેદરકારી રોકવા માટે કોઈ કડક પગલાં લેશે? તે એક મોટો પ્રશ્ન છે.હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ તેજ કરી દેવામાં આવી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/explainer/ahmedabad/sandesh-digital-explainer--marriage-certificate-alone-not-valid-hindu-marriage--know-marriage-rules-of-other-religions" target="_blank">આ પણ વાંચોઃ Sandesh Digital Explainer : માત્ર મેરેજ સર્ટિફિકેટ હિન્દુ લગ્નને કાયદેસર બનાવતું નથી? જાણો અન્ય ધર્મોમાં લગ્નનો આધાર શું છે</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/FoofbszjMYoaubGYFJWHgYTFCAbvnAj7FBO2n0hR.webp'/></item><item><title><![CDATA[Gujarat Rain Update: ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ધોધમાર વરસાદ, જાણો કયા કેટલો વરસાદ? ]]></title><link>https://sandesh.com/weather/monsoon-2026/news/gujarat/ahmedabad/gujarat-rain-update-cyclonic-circulation-heavy-rain-alert</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/monsoon-2026/news/gujarat/ahmedabad/gujarat-rain-update-cyclonic-circulation-heavy-rain-alert</guid><pubDate>Wed, 01 Jul 2026 17:36:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">1 જુલાઈ, 2026ના રોજ ગુજરાતમાં ચોમાસું પૂરબહારમાં ખીલ્યું હોય તેમ જણાઈ રહ્યું છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાના કારણે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ શરૂ કરી દીધી છે. હવામાન વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના તાજા અહેવાલો મુજબ, રાજ્યના 24થી વધુ જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે અને તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં જ ગુજરાતના 72 જેટલા તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે.</p><h2 style="text-align: justify;"><b>દમણમાં આભ ફાટ્યું, સુરત-વલસાડ પાણી-પાણી</b></h2><p style="text-align: justify;">દક્ષિણ ગુજરાતમાં મોડી રાતથી જ આકાશી આફત જેવો માહોલ સર્જાયો છે. સત્તાવાર આંકડાઓ મુજબ, સંઘપ્રદેશ દમણમાં સૌથી વધુ 191.2 mm (આશરે 7.5 ઇંચ) જેટલો ભારે વરસાદ ખાબકતાં સર્વત્ર પાણી-પાણી થઈ ગયું છે. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વલસાડના મોગરાવાડી અંડરપાસમાં પાણી ભરાઈ જતાં તેને બંધ કરવાની ફરજ પડી છે. </p><p style="text-align: justify;">સુરત શહેર અને ગ્રામ્યમાં વહેલી સવારથી જ 29.1 mm વરસાદ નોંધાયો છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા મુજબ, દક્ષિણ ઝોનમાં સવારના ગાળામાં જ 27 mm અને સેન્ટ્રલ ઝોનમાં 5 થી 10 mm વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ભરૂચમાં રાતભર ભારે વરસાદ નોંધાયો છે, જ્યારે ડાંગ અને નવસારીના અંતરિયાળ વિસ્તારોમાં ધીમીધારે શરૂ થયેલો વરસાદ આગામી કલાકોમાં આક્રમક બને તેવી સંભાવના છે.</p><h2 style="text-align: justify;"><b>સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં મેઘમહેર</b></h2><p style="text-align: justify;">દરિયાકાંઠાના વિસ્તારો અને મધ્ય ગુજરાતમાં પણ સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રમાં પોરબંદરમાં 22.4 mm, દીવ અને સુરેન્દ્રનગરમાં 8-8 mm વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ પંથકમાં સવારથી જ હળવોથી મધ્યમ વરસાદ ચાલુ છે. જ્યારે મધ્ય અને પૂર્વ ગુજરાતમાં ભરૂચ, છોટાઉદેપુર, આણંદ, વડોદરા અને પંચમહાલમાં સવારથી જ હળવા વરસાદી ઝાપટાં સાથે વાતાવરણ આહલાદક બન્યું છે. વડોદરામાં 0.2 mm વરસાદ નોંધાયો છે.</p><p style="text-align: justify;"><img alt="rain figure" src="https://epapercdn.sandesh.com/images/2026/07/01/tx4VtNjZo26cZLZvwTXiCffBRX7d4rVndcep54wJ.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify;"><b>હવામાન વિભાગની આગામી કલાકો માટે ઓરેન્જ અને યેલો એલર્ટ</b></h2><p style="text-align: justify; ">હવામાન વિભાગની તાજી ચેતવણી અનુસાર, આગામી 2 થી 3 કલાકો રાજ્યના કેટલાક જિલ્લાઓ માટે ભારે સાબિત થઈ શકે છે. અમરેલી, આણંદ, ભરૂચ, ભાવનગર, નવસારી, સુરત, વડોદરા અને વલસાડ જેવા જિલ્લાઓમાં 5 mm થી 15 mm કે તેથી વધુ તીવ્રતાનો ભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન ગાજવીજ સાથે 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે, જેને પગલે પ્રશાસને લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-weather-update-rain-forecast-red-alert" target="_blank">Gujarat weather Update: આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/6IrKGdgqMRGFPgZPQa6hAfRZuQO5BXU9atkUKu8S.webp'/></item><item><title><![CDATA[Gujarat News: ગાંધીનગર IITએ ભારતની પ્રથમ સ્વદેશી લિક્વિડ કૂલિંગ ટેકનિક વિકસાવી ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/iit-gandhinagar-develops-indias-first-indigenous-liquid-cooling-tech</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/iit-gandhinagar-develops-indias-first-indigenous-liquid-cooling-tech</guid><pubDate>Wed, 01 Jul 2026 17:32:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય પ્રૌદ્યોગિક સંસ્થાન (IIT)ગાંધીનગરની એક સંશોધન ટીમે EV બેટરી થર્મલ મેનેજમેન્ટ,AI ડેટા સેન્ટર્સ, રેલવે અને હાઈ-પર્ફોર્મન્સ ઈલેક્ટ્રોનિક્સ માટે ભારતની પ્રથમ સ્વદેશી લિક્વિડ કુલિંગ ટેકનોલોજી વિકસાવવા બદલ 20 લાખની સીડ ગ્રાન્ટ જીતી છે. આ સિદ્ધિ MATRIx 2026 (મટિરિયલ્સ રિસર્ચ, ઈનોવેશન એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ એક્સ્પો)માં પ્રાપ્ત થઈ છે.જેનું આયોજન ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેટલ્સ (IIM) દ્વારા કરવામાં આવ્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>વિદેશી આયાત પરની નિર્ભરતા ઘટશે</b></h2><p style="text-align: justify; ">એડવાન્સ્ડ ચિલ ટેક (Advanced Chill Tech)નામનો આ આવિષ્કાર લિક્વિડ કોલ્ડ પ્લેટ્સના નિર્માણમાં ક્રાંતિકારી બદલાવ લાવશે.પરંપરાગત વેક્યૂમ બ્રેઝિંગ પદ્ધતિની તુલનામાં આ ફ્રિક્શન સ્ટિર ચેનલિંગ (FSC) પ્રક્રિયા પર આધારિત સિંગલ-સ્ટેપ ટેકનોલોજી છે.જે એક જ મેટલ પ્લેટમાં આંતરિક કુલિંગ ચેનલ્સ બનાવે છે. આનાથી ખર્ચ ઘટે છે અને સામગ્રીને નુકસાન ઓછું થાય છે. હવે  વિદેશી આયાત પરની નિર્ભરતા ઘટશે.</p><h3 style="text-align: justify; "><b>સંશોધન ટીમે ભારતીય પેટન્ટ દાખલ કરી દીધી</b></h3><p style="text-align: justify; ">આઈઆઈટી ગાંધીનગરના મટિરિયલ્સ એન્જિનિયરિંગ વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડો.અમિત અરોરાએ જણાવ્યું કે, બ્રેઝિંગની સફળતાનો દર માત્ર 40થી 60% છે અને તેમાં લીકેજનું જોખમ રહેલું હોય છે.જે ઇલેક્ટ્રિકલ અને થર્મલ અકસ્માતોનું કારણ બની શકે છે.અમારી FSC ટેકનોલોજી એક સોલિડ-સ્ટેટ પ્રક્રિયા છે.જેમાં સામગ્રી ઓગળતી નથી, જેના કારણે મજબૂત અને લીક-પ્રૂફ કોલ્ડ પ્લેટ મળે છે. સંશોધન ટીમે ભારતીય પેટન્ટ દાખલ કરી દીધી છે અને ટેકનોલોજી રેડીનેસ લેવલ (TRL)7 પ્રાપ્ત કરી લીધું છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ગ્રાન્ટનો ઉપયોગ કરવાની યોજના બનાવી</b></h2><p style="text-align: justify; ">આ પ્રોટોટાઇપ્સ 35 બાર (bar)થી વધુ દબાણ સહન કરવામાં સફળ રહ્યા છે.ટીમમાં ડો.અમિત અરોરાની સાથે ફાઈનલ યરની પીએચડી વિદ્યાર્થિની પ્રાચી શર્મા અને રિઝવાન કુરેશી સામેલ છે.આ ટેકનોલોજી AI ડેટા સેન્ટર્સની વધતી જતી કુલિંગ જરૂરિયાતો, EV બેટરી સેફ્ટી, હાઈ-સ્પીડ રેલવે (IGBT કુલિંગ) અને ડિફેન્સ-એરોસ્પેસ ક્ષેત્રો માટે અત્યંત મહત્વની છે. તેનાથી મેન્યુફેક્ચરિંગનો સમય, ઉર્જાનો વપરાશ અને કાર્બન ઉત્સર્જન પણ ઘટશે.ટીમે 'મેક ઇન ઇન્ડિયા' અને આત્મનિર્ભર ભારતને મજબૂત બનાવતા આ પ્રોજેક્ટને લેબથી બજાર સુધી લઈ જવા માટે આ ગ્રાન્ટનો ઉપયોગ કરવાની યોજના બનાવી છે.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/explainer/ahmedabad/sandesh-digital-explainer--marriage-certificate-alone-not-valid-hindu-marriage--know-marriage-rules-of-other-religions" target="_blank">આ પણ વાંચોઃ Sandesh Digital Explainer : માત્ર મેરેજ સર્ટિફિકેટ હિન્દુ લગ્નને કાયદેસર બનાવતું નથી? જાણો અન્ય ધર્મોમાં લગ્નનો આધાર શું છે</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/q2Fi1nzEpuCdkHW0NzfhUKVanZb86NcAixyZCF8P.webp'/></item><item><title><![CDATA[Haryana News: 21 કલાકના રેસ્ક્યૂ ઓપરેશન બાદ બોરવેલમાં પડેલા 4 વર્ષના બાળકનું મોત ]]></title><link>https://sandesh.com/india/news/haryana-news-4-year-old-boy-dies-after-21-hour-rescue-operation-after-falling-into-borewell</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/haryana-news-4-year-old-boy-dies-after-21-hour-rescue-operation-after-falling-into-borewell</guid><pubDate>Wed, 01 Jul 2026 17:25:03 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ખેતરમાં બાળક રમતી વખતે આકસ્મિક રીતે ખુલ્લા બોરવેલમાં બાળક પડ્યુ હતુ. અને બાદમાં બચાવ કાર્ય શરુ કરાયુ હતુ.&nbsp;</p><h2 style="text-align: justify; ">બચાવ કામગીરી રહી નિષ્ફળ&nbsp;</h2><p style="text-align: justify; ">હરિયાણાના અંબાલા જિલ્લાના ધનેઓરા ગામમાં 220 ફૂટ ઊંડા ખુલ્લા બોરવેલમાં પડી ગયેલા ચાર વર્ષના બાળકને 21 કલાકની બચાવ કામગીરી પછી બહાર કાઢવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. બાળક ખેતરમાં રમતી વખતે બોરવેલમાં પડી ગયું હતું. સ્થાનિકોએ મદદ માટે પુરતા પ્રયત્ન કર્યા હતા. અને બાદમાં NDRF, SDRF અને સેનાએ સંયુક્ત કામગીરી હાથ ધરી હતી.&nbsp;</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PTI_News/status/2072143979467219258"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; "><span style="font-size: 1.75rem;">અસુરક્ષિત બોરવેલની સમસ્યા&nbsp;&nbsp;</span></p><p style="text-align: justify; ">આ ઘટના બાદ, વહીવટીતંત્ર અને બચાવ ટીમોએ ઘણા કલાકો સુધી સતત બચાવ કામગીરી હાથ ધરી અને બાળકને બહાર કાઢ્યો. જોકે, હોસ્પિટલમાં લઈ જવામાં આવતા, ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. આ અકસ્માતે ફરી એકવાર ખુલ્લા અને અસુરક્ષિત બોરવેલની સમસ્યા અને સલામતીના ધોરણોનું પાલન કરવાની જરૂરિયાત અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.</p><h4 style="text-align: justify; ">આખરે કેમ સર્જાય છે આવી દુર્ઘટનાઓ?</h4><p style="text-align: justify; "><b>આર્થિક લોભ અને આળસ: </b>ખેડૂતો કે જમીન માલિકો જ્યારે નવો બોરવેલ બનાવે છે અને તેમાંથી પાણી નથી નીકળતું, ત્યારે તેને વૈજ્ઞાનિક ઢબે પૂરવાને બદલે અથવા તેના પર મજબૂત ઢાંકણું બેસાડવાને બદલે માત્ર આળસ કે થોડા પૈસા બચાવવા માટે તેને ખુલ્લો છોડી દે છે.</p><p style="text-align: justify; "><b>જાગૃતિનો અભાવ: </b>ગ્રામીણ વિસ્તારોમાં ખેતરોની આસપાસ બાળકો રમતા હોય છે. ખુલ્લા બોરવેલની આસપાસ કોઈ સુરક્ષા દીવાલ કે ચેતવણી બોર્ડ હોતા નથી, જેના કારણે રમતા-રમતા બાળકો તેનો ભોગ બને છે.</p><p style="text-align: justify; "><b>નિયમોનું કાગળ પર રહેવું: </b>સુપ્રીમ કોર્ટ દ્વારા ખુલ્લા બોરવેલ અંગે કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, પરંતુ સ્થાનિક સ્તરે તેનું પાલન યોગ્ય રીતે થતું નથી.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/japanese-submarine-i52-ghost-submarine-that-disappeared-at-sea-50-years-ago-found-scientists-surprised-to-see-gold-inside" target="_blank">50 વર્ષ પહેલા સમુદ્રમાં ગાયબ થયેલી 'ભૂતિયા' સબમરીન મળી, અંદરનું સોનું જોઇ વૈજ્ઞાનિકો આશ્ચર્યચકિત</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/of5yKpxlVhGyusFiwgJlCvGdVpzIYas960raF5Pq.webp'/></item><item><title><![CDATA[Adani Portsએ કરી 13,225 કરોડની મેગા ડિલ, શેર બન્યા રોકેટ ]]></title><link>https://sandesh.com/business/news/adani-ports-rs13225-crore-deal-msc-til-stock-hits-52-week-high</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/adani-ports-rs13225-crore-deal-msc-til-stock-hits-52-week-high</guid><pubDate>Wed, 01 Jul 2026 17:13:53 +05:30</pubDate><description><![CDATA[<p>શેરબજારમાં બુધવારનો દિવસ અદાણી ગ્રૂપના રોકાણકારો માટે ખૂબ જ લાભદાયી રહ્યો. અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ)ના શેરમાં જોરદાર તેજી જોવા મળી અને શેર 2.76 ટકાના વધારા સાથે ₹1,860.20ના 52 સપ્તાહના નવા ઉચ્ચ સ્તરે પહોંચ્યો. છેલ્લા એક વર્ષમાં શેરે 28 ટકાથી વધુ અને છેલ્લા ત્રણ મહિનામાં આશરે 42 ટકાનું વળતર આપ્યું છે.</p><h2><b>TIL સાથે કરી મોટી ડીલ&nbsp;</b></h2><p>આ તેજીનું મુખ્ય કારણ કંપનીએ વિશ્વની અગ્રણી શિપિંગ કંપની MSCની કન્ટેનર ટર્મિનલ યુનિટ TiL સાથે કરેલી અંદાજે ₹13,225 કરોડની મોટી ડીલ છે. આ કરાર હેઠળ TiL અદાણી વિઝિંજમ પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ (AVPPL)માં 49 ટકા હિસ્સેદારી ખરીદશે. આ સોદા બાદ વિઝિંજમ પોર્ટની કુલ એન્ટરપ્રાઇઝ વેલ્યૂ આશરે 2.85 અબજ ડોલર આંકવામાં આવી છે. જોકે, આ સોદો નિયમનકારી મંજૂરી મળ્યા બાદ અમલમાં આવશે.</p><h3><b>વિઝિંજમ પોર્ટની કન્ટેનર હેન્ડલિંગ ક્ષમતામાં વધારો કરવાની યોજના</b></h3><p>કંપની વિઝિંજમ પોર્ટની કન્ટેનર હેન્ડલિંગ ક્ષમતામાં પણ નોંધપાત્ર વધારો કરવાની યોજના પર કામ કરી રહી છે. હાલની 16 લાખ TEU ક્ષમતાને ડિસેમ્બર 2028 સુધીમાં વધારીને 57 લાખ TEU સુધી પહોંચાડવાનો લક્ષ્ય છે. ક્ષમતા વધ્યા બાદ બાંગ્લાદેશ સહિતના ટ્રાન્સશિપમેન્ટ કાર્ગો ટ્રાફિકનો મોટો હિસ્સો આ પોર્ટ તરફ વળી શકે તેવી સંભાવના છે.</p><h4><b>માત્ર 18 મહિનામાં વિઝિંજમ પોર્ટે બનાવ્યો નવો રેકોર્ડ</b></h4><p>તમને જણાવી દઈએ કે માત્ર 18 મહિનામાં જ વિઝિંજમ  પોર્ટે રેકોર્ડ બનાવ્યો છે. ડિસેમ્બર 2024માં શરૂ થયેલા વિઝિંજમ  પોર્ટે તેની કામગીરીના માત્ર 18 મહિનામાં જ 20 લાખ (2 મિલિયન) થી વધુ TEUs કન્ટેનર હેન્ડલ કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. હાલમાં આ પોર્ટની ક્ષમતા 16 લાખ TEUs છે, જેને વર્ષ 2028 સુધીમાં 3.5 ગણી વધારીને 57 લાખ TEUs કરવાનું આયોજન છે.&nbsp;<br><br><a href="https://sandesh.com/world/news/business/microsoft-faces-fresh-layoffs-5000-employees-at-risk" target="_blank"><b>આ પણ વાંચો : Microsoft માં ફરી છટણીના એંધાણ: 5,000 કર્મચારીઓ પર જોખમ!</b></a></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/WQVoVexszfdOmijdZx016VJJZVFiCLVZzojYDPkP.webp'/></item><item><title><![CDATA[Surat News: ડિમોલિશનની મેટર હાલ કોર્ટમાં ચાલી રહી છે, આગામી દિવસોમાં વિધિવત પ્રક્રિયા થશેઃ મનપા કમિશનર ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/smc-commissioner-says-legal-process-underway--5-officials</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/smc-commissioner-says-legal-process-underway--5-officials</guid><pubDate>Wed, 01 Jul 2026 15:29:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતના નાસીરનગરમાં હાથ ધરવામાં આવેલી ડિમોલિશનની કાર્યવાહી હાલ ખૂબ જ ચર્ચાસ્પદ બની છે.આ સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકાના કમિશનરે એક મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું છે કે,નિયમોના ઉલ્લંઘન અને ફરજમાં બેદરકારી બદલ પાંચ જવાબદાર અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.સ્થાનિક સ્તરે થયેલા વિરોધ અને ગેરરીતિની ફરિયાદો બાદ મનપા દ્વારા એક તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>કાયદાકીય પ્રક્રિયા વિધિવત રીતે પૂર્ણ કરાશે</b></h2><p style="text-align: justify; ">સુરત મ્યુનિસિપલ કમિશ્નરે  સ્પષ્ટતા કરી હતી કે, તપાસ કમિટીના અહેવાલના અનુસંધાને આ વહીવટી કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, મનપાના અધિકારીઓ આ કામગીરી દરમિયાન તેમની ફરજો નિભાવવામાં નિષ્ફળ રહ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ કેસ હાલમાં ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.ન્યાયિક પ્રક્રિયા ચાલુ હોવાથી તંત્ર સાવચેતીપૂર્વક આગળ વધી રહ્યું છે. અમે હાઈકોર્ટના તમામ નિર્દેશોનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ છીએ.આગામી દિવસોમાં સમગ્ર કાયદાકીય પ્રક્રિયા વિધિવત રીતે પૂર્ણ કરવામાં આવશે.</p><h3 style="text-align: justify; "><b>માત્ર સસ્પેન્શન નહીં ન્યાય અને આશ્રયની મુખ્ય માંગ</b></h3><p style="text-align: justify; ">હાઈકોર્ટના આદેશ બાદ નાસીરનગરના પીડિતોને રહેવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. મનપાના પાંચ અધિકારીઓને સસ્પેન્ડ થવા અંગે અસરગ્રસ્ત પરિવારોમાં અસંતોષ જોવા મળ્યો છે. તેમનું કહેવું છે કે, હાઈકોર્ટમાં બે વાર કેસ ચાલ્યા બાદ આ કાર્યવાહી યોગ્ય નથી. અધિકારીઓને સસ્પેન્ડ કરવાથી અમારા મકાનો પાછા નહીં મળે.પીડિત પરિવારોએ ઘરના બદલે ઘર આપવાની માગ કરી હતી. તેમણે કહ્યું હતું કે, માત્ર સસ્પેન્શન નહીં પણ ન્યાય અને આશ્રય અમારી મુખ્ય માંગ છે.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-rmc-car-scam-mayor-nehal-shukla-investigation-health-officer-jayesh-vakani-congress" target="_blank">આ પણ વાંચોઃ Rajkot મનપામાં ગાડી કૌભાંડ મુદ્દે મહાસંગ્રામ, મેયર નેહલ શુક્લે આપ્યા તપાસના આદેશ</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/Tfx5mcgan3ILxfiVKQIptR2GYFR4KyGIyG61X5qe.webp'/></item><item><title><![CDATA[Rohit Yadav New Record : ભાલા ફેંકમાં રોહિતે નીરજ ચોપડાને પાછળ છોડી રચ્યો ઈતિહાસ ]]></title><link>https://sandesh.com/sports/news/rohit-yadav-new-record-rohit-created-history-by-surpassing-neeraj-chopra-in-javelin-throw</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/rohit-yadav-new-record-rohit-created-history-by-surpassing-neeraj-chopra-in-javelin-throw</guid><pubDate>Wed, 01 Jul 2026 14:46:27 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">65મી રાષ્ટ્રીય આંતર-રાજ્ય સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના અંતિમ દિવસે ભાલા ફેંકમાં એક નવો રેકોર્ડ બન્યો. ભારતીય ખેલાડી રોહિત યાદવે 87.05મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો. તેણે 2026એશિયન ગેમ્સ માટે પણ ક્વોલિફાય કર્યું. એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ કલિંગા સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી. રવિવારે રોહિત યાદવ આ સિઝનમાં ભારતનો સૌથી લાંબો થ્રોઅર બન્યો.</p><h4 style="text-align: justify; "><b>રોહિત યાદવ વિશ્વ ફેંકનારાઓની યાદીમાં ક્યાં સ્થાન ધરાવે છે?</b></h4><p style="text-align: justify; ">આ સાથે, તે શ્રીલંકાના ખેલાડી રમેશ થરંગા પથિરાજેના 92.62 મીટરના રેકોર્ડ થ્રો પછી વિશ્વ ફેંકનારાઓની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. ભારતના સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરાનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. નીરજ 85.69 મીટરના થ્રો સાથે ચોથા સ્થાને છે.</p><h5 style="text-align: justify; "><b>રોહિતે સંઘર્ષ કરવો પડ્યો</b></h5><p style="text-align: justify; ">રોહિત માટે આ થ્રો પણ ખાસ હતો કારણ કે તેનો અગાઉનો શ્રેષ્ઠ થ્રો 83.04 મીટર હતો. તેણે 2023 માં આ થ્રો હાંસલ કર્યો. રોહિત યાદવે ફેંક્યો (77.71), (77.63), એક ફાઉલ (કોઈ નિશાન નહીં), (77.51), (79.40), અને પછી તેના અંતિમ પ્રયાસમાં, તેણે ફેંક્યો (87.05). રોહિતે સમજાવ્યું કે તેને ફેંકતી વખતે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો, પરંતુ છેલ્લા થ્રોમાં, તેણે પોતાની લય શોધી કાઢી અને પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું. મેચ પછી, તેણે કહ્યું કે આ પ્રદર્શનથી તેનો આત્મવિશ્વાસ ઘણો વધ્યો છે. રોહિતે વધુમાં સમજાવ્યું કે તાલીમ દરમિયાન, તે 86-87 મીટર ફેંકી રહ્યો હતો, પરંતુ તેના શરૂઆતના પ્રદર્શનમાં, તે પોતાની લય શોધી શક્યો ન હતો. હવે તે આગામી મેચોમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવાની આશા રાખે છે.</p><h5 style="text-align: justify; "><b>યશવીર અને સચિને પણ ક્વોલિફિકેશન હાંસલ કર્યો</b></h5><p style="text-align: justify; ">રોહિત યાદવે ખુશી વ્યક્ત કરી કે તેઓ મોટી સ્પર્ધા પહેલા એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરવામાં સફળ રહ્યા. પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં, યશવીર સિંહ 83.72 મીટરના થ્રો સાથે બીજા સ્થાને રહ્યો, અને સચિન યાદવ 82.32 મીટરના થ્રો સાથે ત્રીજા સ્થાને રહ્યો. બંને ખેલાડીઓએ એશિયન ગેમ્સ ક્વોલિફિકેશન માર્ક પણ હાંસલ કર્યો છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/cricket/news/vaibhav-sooryavanshi-vaibhav-sooryavanshis-storm-before-the-match-he-rained-sixes-in-the-nets" target="_blank"> Vaibhav Sooryavanshi : મેચ પહેલા વૈભવ સૂર્યવંશીનું તોફાન! નેટ્સમાં કર્યો સિક્સરનો વરસાદ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/lLEnyRsOsNV3MTxuKaboywOWunEABMh1uwMl1VoK.webp'/></item></channel></rss>