<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[FIFA World Cup 2026 ફાઇનલ મેચ બાદ આટલા કરોડમાં વેચાશે મેદાનનું ઘાસ, જાણો કેમ? ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/after-the-fifa-world-cup-2026-final-the-grass-on-the-field-will-be-sold-for-this-much-know-why</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/after-the-fifa-world-cup-2026-final-the-grass-on-the-field-will-be-sold-for-this-much-know-why</guid><pubDate>Sun, 12 Jul 2026 12:47:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફીફા વર્લ્ડકપ 2026 હવે અંતિમ તબક્કામાં આગળ વધી રહ્યો છે. 10 જુલાઈના રોજ સ્પેન બેલ્જિયમને હરાવી સેમિફાઈનલમાં સ્થાન બનાવ્યું હતુ. શનિવારના રોજ ઈંગ્લેન્ડ અને નોર્વેની ટકકરમાંથી વધુ એક સેમિફાઈનલની ટીમ મળી છે. વર્લ્ડ ફુટબોલની સર્વોચ્ચ સંસ્થા ફીફા વર્લ્ડકપમાં કમાણી કરવાની કોઈ તક ગુમાવી રહી નથી. હવે તેમણે જ્યાં ફીફા વર્લ્ડકપની ફાઈનલ રમાશે, તે પિચના ટુકડા વેચવાનો નિર્ણય કર્યો છે.</p><h4 style="text-align: justify; "><b>430000 રુપિયામાં વેચાશે એક ટુકડો</b></h4><p style="text-align: justify; ">ફીફાને પહેલા જ વર્લ્ડકપની ટિકિટ અને અન્ય વસ્તુઓ મોંઘી કિંમતે વેચવા પર અલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે. હવે તે ન્યુ જર્સીના મેટલાઈફ સ્ટેડિયમમાં 19 જુલાઈના રોજ રમાનારી ફાઈનલમાં ઉપયોગમાં લેવાનારી પિચના દરેક ટુકડાને 43000 હજારમાં વેચવાનો પ્લાન બનાવ્યો છે.</p><h4 style="text-align: justify; "><b>ફૂટબોલ સંચાલકે સતાવર જાહેર&nbsp; કર્યું નથી&nbsp;</b></h4><p style="text-align: justify; ">મીડિયા રિપોર્ટ અનુસાર&nbsp; દરેક ટુકડાનું માપ 17.5 x 17.5 x 17.5 છે. આ આંકડો ઇંચ, સેન્ટિમીટર કે મિલીમીટરમાં છે કે નહીં તે સ્પષ્ટ નથી. ફૂટબોલ સંચાલક મંડળે ઇમેઇલનો તાત્કાલિક જવાબ આપ્યો ન હતો.</p><h5 style="text-align: justify; "><b>ફાઈનલ પછી ટુકડા મોકલાશે</b></h5><p style="text-align: justify; ">ફીફાની વેબસાઈટ પર લખવામાં આવ્યું કે, ફુટબોલના ઈતિહાસના એક પ્રામાણિક હિસ્સાનેતમારી પાસે રાખો. જે FIFA 2026ની ફાઈનલની પિચનો એક ટુકડો છે.મેદાનનો આ ટુકડાઓ માત્ર યુએસ અને યુરોપના સરનામાંઓ પર મોકલવામાં આવશે. ફૂટબોલ ચાહકો તેમને હમણાં ઓર્ડર કરી શકે છે, અને તેમને ફાઇનલ પછી ટુકડાઓ મોકલવામાં આવશે.</p><h4 style="text-align: justify; "><b>પ્રથમ હાફમા 1-1 થી બરાબરી  રહી</b></h4><p style="text-align: justify; ">આર્જેન્ટિના-સ્વિટ્ઝર્લૅન્ડ મેચ નિયમન સમય દરમ્યાન 1-1 થી બરાબરી પર રહી, જેના કારણે વધારાના સમયનો ઉપયોગ કરવો પડ્યો. વધારાના સમયના બીજા ભાગમાં, સબસ્ટિટ્યૂટ જુલિયન અલ્વારેઝે જોસ લોપેઝના પાસ પર ગોલ કરીને આર્જેન્ટિનાને 2-1ની લીડ અપાવી. અલ્વારેઝે 112મી મિનિટે ગોલ કર્યો. પછી, ઈજા સમયમાં લૌટારો માર્ટિનેઝે ગોલ કરીને સ્કોર 3-1 કર્યો.માર્ટિનેઝ પણ સબસ્ટિટ્યૂટ તરીકે મેદાનમાં આવ્યો. મેસ્સીએ આ મેચમાં ગોલ કર્યો ન હતો, પરંતુ તેણે 10મી મિનિટે એલેક્સિસ મેક એલિસ્ટરને મદદ કરી.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-argentina-defeats-switzerland-in-quarter-finals-to-reach-semi-finals" target="_blank">FIFA World Cup 2026 : ક્વાર્ટર ફાઇનલમાં આર્જેન્ટિએ સ્વિટ્ઝર્લેન્ડને હરાવી સેમિફાઇનલમાં પહોંચ્યું</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/12/UEq9kDCffI98Va3zgMJeXKARaxgDLojzka7qkOrr.webp'/></item><item><title><![CDATA[Twisha Sharma Case:  AIIMS ના ફોરેન્સિક રિપોર્ટમાં મોટો ખુલાસો, જિમ્નેસ્ટિક્સ બેલ્ટ પર મળ્યા સ્કીનના ટિશ્યુ ]]></title><link>https://sandesh.com/india/news/twisha-sharma-case-a-big-revelation-in-aiims-forensic-report-skin-tissue-found-on-gymnastics-belt</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/twisha-sharma-case-a-big-revelation-in-aiims-forensic-report-skin-tissue-found-on-gymnastics-belt</guid><pubDate>Sun, 12 Jul 2026 12:33:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ટ્વીશા શર્માના શંકાસ્પદ મૃત્યુના કેસમાં AIIMS દિલ્હીના મેડિકલ બોર્ડ દ્વારા CBI ને સોંપવામાં આવેલો અંતિમ ફોરેન્સિક રિપોર્ટ તપાસમાં એક મહત્વપૂર્ણ વળાંક સાબિત થઈ રહ્યો છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટના નિર્દેશ પર કરવામાં આવેલા આ બીજા પોસ્ટમોર્ટમમાં ચોંકાવનારા પુરાવા હાથ લાગ્યા છે. રિપોર્ટ મુજબ, ફાંસી માટે કથિત રીતે ઉપયોગમાં લેવાયેલા જિમ્નેસ્ટિક્સ બેલ્ટ પર માનવ ત્વચાના ટિશ્યુ (પેશીઓ) મળી આવ્યા છે, જે ટ્વીશાના ગળા પરના ઈજાના નિશાન સાથે સંપૂર્ણપણે મેળ ખાય છે.</p><h2 style="text-align: justify; "><b>હાઈકોર્ટે કેસની તપાસ CBI ને સોંપી હતી</b></h2><p style="text-align: justify; ">ભોપાલમાં સાસરિયાના ઘરે 12 મેના રોજ ટ્વીશા શર્મા લટકતી હાલતમાં મળી આવી હતી. પ્રથમ પોસ્ટમોર્ટમની પ્રક્રિયામાં ગંભીર ખામીઓ હોવાના પરિવાજનોના આક્ષેપો બાદ મધ્યપ્રદેશ હાઈકોર્ટે કેસની તપાસ CBI ને સોંપી હતી અને દિલ્હી AIIMS ના પાંચ સભ્યોના નિષ્ણાત બોર્ડ દ્વારા બીજા પોસ્ટમોર્ટમનો આદેશ આપ્યો હતો. 24 મેના રોજ AIIMS ની ટીમ દ્વારા આ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને તપાસના ભાગરૂપે ઘટનાસ્થળની પણ મુલાકાત લેવામાં આવી હતી.</p><h3 style="text-align: justify; "><b>ફોરેન્સિક રિપોર્ટના મુખ્ય તારણો</b></h3><p style="text-align: justify; ">AIIMS ના ફોરેન્સિક મેડિસિન વિભાગના વડા ડૉ. સુધીર ગુપ્તાના નેતૃત્વમાં તૈયાર કરાયેલ આ 11 પાનાનો રિપોર્ટ 10 જુલાઈના રોજ સીલબંધ પરબિડીયામાં CBI ને સુપરત કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં હિસ્ટોપેથોલોજીકલ પરીક્ષણો દ્વારા એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે જે જિમ્નેસ્ટિક્સ બેલ્ટનો ઉપયોગ ફાંસી માટે થયો હોવાની શંકા હતી, તેના પર ત્વચાના પેશીઓ હાજર હતા. આ વૈજ્ઞાનિક પુરાવો ત્વિષાના ગળા પર જોવા મળેલી ઈજાની પેટર્ન સાથે મળતો આવે છે, જે કેસના ઉકેલ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.</p><h4 style="text-align: justify; "><b>ન્યાયની આશા</b></h4><p style="text-align: justify; ">હાલમાં આ રિપોર્ટ અને વીડિયોટેપ ફૂટેજ CBI ની કસ્ટડીમાં છે. નિવૃત્ત ન્યાયાધીશ ગિરીબાલા સિંહની પુત્રવધૂ ત્વિષાના મૃત્યુ પછી તેના પરિવાર દ્વારા સતત ન્યાય માટે લડત આપવામાં આવી રહી છે. પ્રથમ તપાસમાં રહેલી અસ્પષ્ટતાઓને કારણે આ બીજું પોસ્ટમોર્ટમ આ કેસમાં સત્ય ઉજાગર કરવામાં નિર્ણાયક સાબિત થઈ રહ્યું છે. વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે હવે CBI આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરશે. સમગ્ર પ્રકરણમાં આ રિપોર્ટ કાયદાકીય પ્રક્રિયામાં એક મજબૂત કડી તરીકે કામ કરશે, જેનાથી દોષિતો સુધી પહોંચવામાં તપાસ એજન્સીને મોટી મદદ મળશે.<br><br><b><a href="https://sandesh.com/world/news/vietnam-boat-tragedy-incentive-trip-provided-by-lava-company-comes-to-a-tragic-end-nationwide-mourning-over-the-death-of-15-indians" target="_blank">આ પણ વાંચોઃ Vietnam boat tragedy: લાવા કંપનીએ આપેલી ઇન્સેટિવ ટ્રિપનો આવ્યો કરૂણ અંત, 15 ભારતીયોના મોતથી દેશભરમાં શોક</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/12/AyZmnMjyCXyvt2kPVGo797eOR8xaFmq5gbX8qbIR.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: રથયાત્રા પૂર્વે ઝોન-2 પોલીસનું મધરાતે સઘન નાઇટ કોમ્બિંગ અને મેગા સર્ચ ઓપરેશન ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/zone-2-police-night-combing-operation-before-rath-yatra-vehicles-hotels-checked</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/zone-2-police-night-combing-operation-before-rath-yatra-vehicles-hotels-checked</guid><pubDate>Sun, 12 Jul 2026 12:24:35 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદની જગન્નાથજીની રથયાત્રાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુનાહિત તત્વો માથું ન ઊંચકે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અમદાવાદ પોલીસ કમિશનરની સૂચનાથી શહેરના તમામ ઝોનમાં એન્ટી-ક્રાઇમ ઓપરેશન તેજ કરવામાં આવ્યા છે. આ અંતર્ગત મોડી રાત્રે ઝોન-2 પોલીસ સબ-ડિવિઝનના એસીપી અને તમામ પીઆઈ (PI) સહિતના મોટા કાફલાએ પોતાના વિસ્તારોમાં સરપ્રાઈઝ નાઇટ કોમ્બિંગ હાથ ધર્યું હતું. પોલીસે મધરાતે રસ્તાઓ બ્લોક કરી અને સંવેદનશીલ ગલીઓમાં કિલ્લાબંધી કરીને શંકાસ્પદ ઇસમો અને વાહનોનું એરટાઇટ ચેકિંગ શરૂ કર્યું હતું.</p><h2><b>વાહન ચાલકો અને ભાડુઆતો સામે લાલ આંખ</b></h2><p>આ આખી રાત ચાલેલા મેગા સર્ચ ઓપરેશનમાં પોલીસે હાઈવે અને આંતરિક રસ્તાઓ પરથી પસાર થતા કુલ 666 વાહનોને અટકાવીને તેમનું વેરિફિકેશન કર્યું હતું. ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા 21 વાહનચાલકોને સ્થળ પર જ મેમા આપીને રૂ. 16,000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો, જ્યારે કાયદેસરના કાગળો ન ધરાવતી 11 ગાડીઓને ડિટેઇન કરવામાં આવી હતી. આ ઉપરાંત વાહનોના કાચ પર પ્રતિબંધિત બ્લેક ફિલ્મ લગાવનારા 7 વાહનચાલકો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. બહારના રાજ્યો કે શહેરોમાંથી આવીને વસેલા લોકોની ઓળખ સુનિશ્ચિત કરવા માટે 84 ભાડુઆતોની ઓચંતી તપાસ કરાઈ હતી, જેમાંથી નિયમોનું પાલન ન કરનારા મકાનમાલિકો સામે 8 અલગ-અલગ કેસ નોંધવામાં આવ્યા હતા.</p><h3><b>ગ્રાઉન્ડ સિક્યોરિટી અને શંકાસ્પદ સ્થળોનું વેરિફિકેશન</b></h3><p>રથયાત્રાના રૂટ અને તેની આસપાસના સંવેદનશીલ પોઇન્ટ્સને સુરક્ષિત કરવા માટે પોલીસે વિસ્તારની 107 હોટલો, ગેસ્ટ હાઉસ, મુસાફરખાના, ધર્મશાળાઓ તેમજ બિલ્ડિંગોના ધાબાઓ (રૂફટોપ) નું જાતે નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન કાયદાનું ઉલ્લંઘન કરીને તીક્ષ્ણ હથિયારો રાખવા બદલ જીપી એક્ટ હેઠળ 8 કેસ કરવામાં આવ્યા હતા. ગુનાખોરી નિયંત્રણ માટે વિસ્તારના ૩૨ નામચીન હિસ્ટ્રીશીટર અને ૭૨ એમસીઆર (MCR) કાર્ડવાળા રીઢા ગુનેગારો, જામીન પર છૂટેલા આરોપીઓ અને નાસતા ફરતા બુટલેગરોની હાજરી તપાસવામાં આવી હતી. સુરક્ષા ચક્રને મજબૂત કરવા રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, બેંકોના 57 એટીએમ (ATM) અને 43 જેટલા અત્યંત સંવેદનશીલ અને વાઇટલ ઇન્સ્ટોલેશન (મુખ્ય સરકારી/ખાનગી મિલકતો) ની ચકાસણી કરીને ત્યાં તહેનાત પ્રાઇવેટ સિક્યોરિટી ગાર્ડ અને વોચમેનને સતર્ક રહેવા તાકીદ કરવામાં આવી હતી.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/vesu-running-car-catches-massive-fire-opposite-omega-hospital-driver-safe" target="_blank">&nbsp;આ પણ વાંચો: Surat: વેસુ વિસ્તારમાં હોસ્પિટલ સામે ચાલુ કારમાં આગ, ડ્રાઇવરની સમયસૂચકતાથી આબાદ બચાવ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/12/K5rEbCZRdJGxnOAIhqLSG48kGpoWW4ufv2k3sVoX.webp'/></item><item><title><![CDATA[Lock Upp : 'રૂમમાં 30-40 લોકો હતા...' રામ કપૂરે બાળપણમાં થયેલી છેડછાડનો કર્યો ચોંકાવનારો ખુલાસો! ]]></title><link>https://sandesh.com/entertainment/news/actor-ram-kapoor-opens-up-about-childhood-harassment-at-the-age-of-13</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/actor-ram-kapoor-opens-up-about-childhood-harassment-at-the-age-of-13</guid><pubDate>Sun, 12 Jul 2026 12:20:07 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રિયાલિટી શો લોકઅપ સચ યા સઝાના દરેક જજમેન્ટ ડેના દિવસે મોટો ધમાકો થાય છે. આ દરમિયાન ટીવી એક્ટર રામ કપૂરે પણ શોમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેઓ ઘરથી બેઘર થવા માટે નોમિનેટ થયા હતા. તેવામાં પોતાની જાતને સિક્યોર કરવા માટે તેમણે પોતાની એક લાઈફ લાઈનનો ઉપયોગ કર્યો, જેના પછી તેમનું એક એવું સત્ય સામે આવ્યું જે માત્ર તેમની પત્ની ગૌતમી કપૂર જ જાણતી હતી, ત્યાં સુધી કે તેમના બાળકો પણ જાણતા નહોતા.</p><h2 style="text-align: justify; "><b>રામ કપૂરે વર્ષો બાદ કર્યો મોટો ખુલાસો</b></h2><p style="text-align: justify; ">રામ કપૂરે ફરાહ ખાન અને રિતેશ દેશમુખને જ નહીં પરંતુ પૂરી દુનિયાની સામે પોતાનું સત્ય કહ્યું. રામ કપૂરે જ્યારે પોતાની સ્ટોરી જણાવી તો બધા કન્ટેસ્ટન્ટ્સ ઇમોશનલ થઈ ગયા હતા. રામ કપૂરે જણાવ્યું કે તેઓ બોર્ડિંગ સ્કૂલમાં ભણી ચૂક્યા છે અને જ્યારે આઠમા ધોરણમાં હતા ત્યારે તેમની ઉંમર 13 વર્ષની હતી. સ્કૂલથી આવ્યા પછી જ્યારે તેઓ બેડરૂમમાં ગયા ત્યારે તેમના એક મિત્રએ, જે દસમા ધોરણમાં ભણતો હતો, તેણે બ્લેન્કેટમાં રામ કપૂર સાથે કંઈક એવી હરકત કરી જેનાથી તેઓ ટ્રોમામાં જતા રહ્યા હતા.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dap9XsbDoX6/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dap9XsbDoX6/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dap9XsbDoX6/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dap9XsbDoX6/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><p style="text-align: justify; ">રામ કપૂરે ત્યારે તે સમયે કંઈ જ ન કહ્યું કારણ કે ત્યાં રૂમમાં 30-40 લોકો હાજર હતા. પરંતુ તક મળતા જ તેમણે પોતાના મિત્રને જણાવ્યું કે જે કંઈ પણ થયું તે તેમને પસંદ નથી આવ્યું. તે વ્યક્તિએ રામ કપૂર પાસે માફી માગી અને તેને ખુબ સંભાળ્યા પણ ખરા. રામ કપૂરને તે ઘટનાએ ખુબ મોટો પાઠ શીખવ્યો, તેમણે LGBTQ ને સમજ્યા અને તે પછી ક્યારેય તેમનાથી ડર ન લાગ્યો.</p><h3 style="text-align: justify; "><b>પત્ની ગૌતમી કપૂરને ખબર હતું આ સિક્રેટ</b></h3><p style="text-align: justify; ">રામ કપૂરે એવું પણ કહ્યું કે આ સિક્રેટ માત્ર તેમની પત્ની ગૌતમી કપૂરને જ ખબર હતું. રામ કપૂરનું આટલું મોટું સત્ય દુનિયાની સામે આવ્યા પછી ફરાહ ખાન અને રિતેશ દેશમુખે રામ કપૂરને ગળે લગાવી દીધા. આ દરમિયાન બધા ઇમોશનલ પણ થઈ ગયા હતા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/taarak-mehta-fame-shailesh-lodha-daughter-wedding-viral-video-dancing-singing-performance" target="_blank">આ પણ વાંચો-Taarak Mehta ફેમ શૈલેષ લોઢાએ પોતાની દીકરીના લગ્નમાં કર્યો જોરદાર ડાન્સ, સિંગિંગથી પણ જમાવી મહેફિલ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/12/POcdwA2SF8slByjid7etVRcpzDbjaGwfQZuVJf3H.webp'/></item><item><title><![CDATA[Surat: વેસુ વિસ્તારમાં હોસ્પિટલ સામે ચાલુ કારમાં આગ, ડ્રાઇવરની સમયસૂચકતાથી આબાદ બચાવ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/vesu-running-car-catches-massive-fire-opposite-omega-hospital-driver-safe</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/vesu-running-car-catches-massive-fire-opposite-omega-hospital-driver-safe</guid><pubDate>Sun, 12 Jul 2026 12:14:33 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના લાઈનઅપમાં આવતા વેસુ-ભીમરાડ વીઆઈપી રોડ પર આજે એક દોડતી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠવાની ઘટના પ્રકાશમાં આવી છે. વેસુ વિસ્તારમાં આવેલી જાણીતી ઓમેગા હોસ્પિટલ સામેથી પસાર થઈ રહેલી એક ફોર-વ્હીલર કારના બોનેટના ભાગમાંથી અચાનક કાળા ધુમાડાના ગોટેગોટા નીકળવાનું શરૂ થયું હતું. કારચાલકે ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના અત્યંત સમયસૂચકતા વાપરીને ગાડીને તાત્કાલિક રોડની એક બાજુ પર થોભાવી દીધી હતી અને પોતે તાબડતોડ કારનો દરવાજો ખોલી બહાર કૂદી ગયો હતો. ચાલક નીચે ઉતર્યો ની ગણતરીની સેકન્ડોમાં જ આખી કાર ભીષણ આગની લપેટમાં આવી ગઈ હતી.</p><h2><b>આસપાસના લોકોમાં અફરાતફરી અને ફાયર ફાઇટીંગ</b></h2><p>હોસ્પિટલ જેવા સંવેદનશીલ વિસ્તારની સામે જ ધોળા દિવસે ચાલુ ગાડી આગના ગોળામાં ફેરવાઈ જતાં આસપાસના વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સુરક્ષાના પગલે રોડ પરનો વાહનવ્યવહાર થોડીવાર માટે થંભી ગયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમને આ અંગે કટોકટીનો કોલ આપ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતાં નજીકમાં જ આવેલા વેસુ ફાયર સ્ટેશન તેમજ ભીમરાડ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળે ધસી આવી હતી. ફાયર ફાઇટર્સે હાઇ-પ્રેશર વોટર પંપ વડે પાણીનો મારો ચલાવીને ખૂબ જ ટૂંકા સમયમાં આગને સંપૂર્ણપણે કાબૂમાં લઈ લીધી હતી અને તેને આસપાસના અન્ય વાહનોમાં ફેલાતી અટકાવી હતી.</p><h3><b>આગનું કારણ અકબંધ અને ટ્રાફિક પૂર્વવત</b></h3><p>ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર, કારચાલક સમયસર બહાર નીકળી ગયો હોવાથી આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે કોઈ વ્યક્તિને શારીરિક ઈજા પહોંચી નથી, જે ખૂબ જ રાહતના સમાચાર છે. જો કે, આગ એટલી વિકરાળ હતી કે કારનું એન્જિન અને અંદરની કેબિન સહિતનું આખું માળખું બળીને લોખંડના કબાડમાં ફેરવાઈ ગયું છે. પ્રાથમિક દ્રષ્ટિએ વાયરમાં શોર્ટ સર્કિટ અથવા એસી (AC) કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે, પરંતુ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે અકબંધ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતગ્રસ્ત વાહનને સાઇડ પર કરાવી રોડ પરનો ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/dhari-hudli-village-lioness-and-three-cubs-spotted-in-streets" target="_blank">આ પણ વાંચો: Amreli: ગીરના હુડલી ગામમાં મધરાતે સિંહણ 3 સિંહબાળ સાથે શિકારની શોધમાં શેરીઓમાં ઘૂસી, ગ્રામજનોમાં ભયનો માહોલ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/12/iaCTuu1djVlRZPfnE8cG9ZeOftsioXAVypdBkIPO.webp'/></item><item><title><![CDATA[Amreli: ગીરના હુડલી ગામમાં મધરાતે સિંહણ ૩ સિંહબાળ સાથે શિકારની શોધમાં શેરીઓમાં ઘૂસી, ગ્રામજનોમાં ભયનો માહોલ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/dhari-hudli-village-lioness-and-three-cubs-spotted-in-streets</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/dhari-hudli-village-lioness-and-three-cubs-spotted-in-streets</guid><pubDate>Sun, 12 Jul 2026 12:04:36 +05:30</pubDate><description><![CDATA[<p>સિંહોના ઘર ગણાતા ગીરના સરહદી ગામડાઓમાં હવે સિંહોની હાજરી સામાન્ય બની રહી છે, પરંતુ તેની સાથે જ ગ્રામીણ વિસ્તારોમાં ભયનો ગ્રાફ પણ ઊંચો જઈ રહ્યો છે. અમરેલીના ધારી તાલુકાના હુડલી ગામે મોડી રાત્રે વનરાજોનું એક આખું ટોળું શિકારની શોધમાં ગામની અંદર પ્રવેશી ગયું હતું. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, તાજેતરમાં પડેલા વરસાદના વિરામ બાદ જંગલના અંદરના વિસ્તારોમાંથી વન્યજીવો ખુલ્લા અને સૂકા વિસ્તારો તરફ આવી રહ્યા છે. આ ક્રમમાં એક સિંહણ તેના ત્રણ અર્ધ-પુખ્ત સિંહબાળ સાથે હુડલી ગામના પાદરમાંથી થઈને સીધી રહેણાંક વિસ્તારની શેરીઓમાં આવી પહોંચી હતી.</p><h2><b>શેરીઓમાં સિંહોની લટાર અને સીસીટીવી-મોબાઈલ ફૂટેજ</b></h2><p>જ્યારે ગામના કૂતરાઓનો ભસવાનો અવાજ વધ્યો અને પશુધને ઓથ લીધી ત્યારે ગ્રામજનો જાગી ગયા હતા. ઘરની બારીઓ અને અગાશી પરથી જોતાં આખો સિંહ પરિવાર શેરીમાં શાંતિથી આંટાફેરા કરતો નજરે પડ્યો હતો. સિંહો ખૂબ જ સહજતાથી ગલીઓમાંથી પસાર થઈ રહ્યા હતા, જાણે તે તેમનો કુદરતી રૂટ હોય. કેટલાક સાહસિક યુવકોએ આ અદભુત અને ડરામણા દ્રશ્યો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધા હતા. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સિંહણ આગળ ચાલી રહી છે અને તેની પાછળ ત્રણેય બાળ સિંહો પણ શિકારની શોધમાં આસપાસ નજર દોડાવી રહ્યા છે.</p><h3><b>ગામડાઓમાં સિંહોની વધતી સંખ્યાથી વન વિભાગ સામે પડકાર</b></h3><p>સ્થાનિક લોકમુખે ચર્ચાતી વિગતો મુજબ, છેલ્લા કેટલાક સમયથી ધારી ગીરના આસપાસના ગામડાઓમાં સિંહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. સિંહો હવે જંગલની હદ વટાવીને રોજબરોજ રેવન્યુ વિસ્તાર, વાડી-ખેતરો અને ગામડાના પાદરો સુધી આવી પહોંચે છે. સિંહોના આ રીતે વારંવાર થતા ફેરાને કારણે પશુપાલકોમાં પોતાના ગાય-ભેંસના મારણનો ભય સતાવી રહ્યો છે, તો બીજી તરફ ખેડૂતો પણ રાત્રિના સમયે પાકને પાણી આપવા માટે ખેતરે જતાં ગભરાઈ રહ્યા છે. ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ માંગ કરી છે કે આ વિસ્તારમાં તાત્કાલિક ધોરણે નાઇટ ટ્રેકર્સ તહેનાત કરવામાં આવે અને સિંહોને ફરીથી જંગલ તરફ વાળવા માટે યોગ્ય પગલાં લેવાય.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/jagannath-temple-welcomes-lord-rajwadi-vagha-with-grand-procession" target="_blank">આ પણ વાંચો: Ahmedabad:  ભગવાન જગન્નાથજીના 'રજવાડી વાઘા'ની વાજતે-ગાજતે મંદિરમાં પધરામણી, શોભાયાત્રામાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/12/gP0BxKqEptutih2Ahn0KphJAi2KgkocvDvVlT4wf.webp'/></item><item><title><![CDATA[Rajkot: કરોડોના ખર્ચે બનેલો હોમી દસ્તુર અંડરપાસ 1 વર્ષમાં જ બિસ્માર, ટ્રેનના વાઇબ્રેશન વચ્ચે ગાબડાં પડતા મોટી દુર્ઘટનાનો ભય ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/homi-dastur-underpass-damage-within-one-year-rmc-infrastructure-issue</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/homi-dastur-underpass-damage-within-one-year-rmc-infrastructure-issue</guid><pubDate>Sun, 12 Jul 2026 11:37:34 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ શહેરમાંથી પ્રશાસનની લોલમલોલ અને નબળા આયોજનનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે આશરે 4 કરોડ રૂપિયાના માતબર ખર્ચે તૈયાર કરવામાં આવેલા નવનિર્મિત 'હોમી દસ્તુર અંડરપાસ'માં મોટા-મોટા ગાબડાં પડી ગયા છે. આશ્ચર્યની વાત એ છે કે આ અંડરપાસને જનતા માટે ખુલ્લો મૂકાયાને હજુ એક વર્ષનો સમય પણ વીત્યો નથી, ત્યાં જ રસ્તાની આ દુર્દશા થતાં સ્થાનિક તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગત સામે નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.</p><h2><b>ઉપર ટ્રેન નીચે વાહનો, ગંભીર અકસ્માતની આશંકા</b></h2><p>હોમી દસ્તુર અંડરપાસની ભૌગોલિક સ્થિતિ જોતા આ સમસ્યા માત્ર ટ્રાફિક જામ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે એક મોટી સુરક્ષા ચૂક સાબિત થઈ શકે છે. આ અંડરપાસની ઉપરથી દરોજ્જ અનેક પેસેન્જર અને માલગાડી ટ્રેનો સતત પસાર થાય છે. ટ્રેનના ભારે વાઇબ્રેશન અને નીચે અંડરપાસમાં પડેલા ગાબડાંને કારણે ભવિષ્યમાં કોઈ મોટો સર્જનાત્મક પ્લાન્ટ બેસી જાય અથવા રેલવે ટ્રેકને નુકસાન થાય તો સેંકડો મુસાફરોના જીવ જોખમમાં મુકાઈ શકે છે. સ્થાનિક વાહનચાલકોનું કહેવું છે કે ગાબડાંના કારણે રાત્રિના સમયે અકસ્માત થવાનો ભય સતત રહે છે, અને તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.</p><h3><b>અગાઉ પણ રહ્યો છે વિવાદોમાં</b></h3><p>આ અંડરપાસમાં ખામી સર્જાવાનો આ કોઈ પ્રથમ કિસ્સો નથી. તેના નિર્માણ કાર્યની શરૂઆતથી જ હોમી દસ્તુર અંડરપાસ સતત વિવાદોના વમળમાં રહ્યો છે. અગાઉ પણ તેના મટીરિયલની ગુણવત્તા, પાણીના નિકાલની અયોગ્ય વ્યવસ્થા અને કામમાં થતા વિલંબને કારણે સ્થાનિક રહેવાસીઓ અને વિપક્ષ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. ત્યારે પણ તંત્ર દ્વારા માત્ર થીગડાં મારીને કામ પૂરું કરી દેવાયું હોવાના આક્ષેપો થયા હતા, જે આજે સાચા સાબિત થઈ રહ્યા છે. જનતા હવે માંગ કરી રહી છે કે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ થાય અને જવાબદાર એન્જિનિયરો તેમજ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડક કાનૂની પગલાં લેવામાં આવે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/amit-shah-ahmedabad-speech-gandhinagar-lok-sabha-green-cover-target-solar-rooftop" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: પર્યાવરણ બચાવવા અમિત શાહનું આહવાન! કાર્બન મુક્ત પ્રવાસ માટે અમદાવાદ BRTS ની તમામ બસો બની ઇ-બસ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/12/l0pBp7szhbc0EDkxTG5jEzgKoISgWQq0ANVKaC8M.webp'/></item><item><title><![CDATA[Bank Holiday: બેંકના કામ પતાવી લેજો,  આવતા અઠવાડિયે બેંકોમાં રજાઓનો માહોલ! ]]></title><link>https://sandesh.com/business/news/bank-holiday-get-your-bank-accounts-settled-bank-holidays-will-be-in-effect-next-week</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/bank-holiday-get-your-bank-accounts-settled-bank-holidays-will-be-in-effect-next-week</guid><pubDate>Sun, 12 Jul 2026 10:31:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify;">જુલાઈ મહિનાના મધ્યમાં પ્રવેશતાની સાથે જ બેંક ગ્રાહકો માટે આ જાણકારી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવતા અઠવાડિયે 13 જુલાઈથી 19 જુલાઈ સુધી બેંકોમાં સ્થાનિક તહેવારો અને સાપ્તાહિક રજાઓને કારણે અલગ-અલગ રાજ્યોમાં કુલ ચાર દિવસ બેંકો બંધ રહેશે. જો તમે બેંકની મુલાકાત લઈને કોઈ જરૂરી કામ પૂર્ણ કરવા માંગતા હોવ, તો આ સમયગાળાનું ધ્યાન રાખવું અનિવાર્ય છે.</p><h2 style="text-align: justify;"><b>આવતા અઠવાડિયે રજાઓની યાદી:</b></h2><p style="text-align: justify;">આ રજાઓ સમગ્ર દેશમાં લાગુ નથી, પરંતુ રાજ્ય અને શહેર મુજબ અલગ-અલગ છે:</p><p style="text-align: justify;">16 જુલાઈ (ગુરુવાર): 'હરેલા' તહેવારના કારણે ઉત્તરાખંડ અને મણિપુરમાં બેંકો બંધ રહેશે. આ જ દિવસે રથયાત્રા હોવાથી ઓડિશામાં, ગુજરાતમાં પણ બેંકોમાં રજા રહેશે.</p><p style="text-align: justify;">17 જુલાઈ (શુક્રવાર): 'યુ તિરોટ સિંહ'ની પુણ્યતિથિ નિમિત્તે મેઘાલયમાં બેંક શાખાઓ બંધ રહેશે.</p><p style="text-align: justify;">18 જુલાઈ (શનિવાર): 'દ્રુકપા ત્શે-ઝી' તહેવારને કારણે સિક્કિમમાં બેંકો કાર્યરત રહેશે નહીં.</p><p style="text-align: justify;">19 જુલાઈ (રવિવાર): સાપ્તાહિક રવિવારની રજા હોવાથી દેશભરની તમામ સરકારી અને ખાનગી બેંકો બંધ રહેશે.</p><h3 style="text-align: justify;"><b>અઠવાડિયાના અન્ય દિવસો:</b></h3><p style="text-align: justify;">સોમવાર (13જુલાઈ) થી બુધવાર (15 જુલાઈ) સુધી દેશના મોટાભાગના ભાગોમાં બેંકો સંપૂર્ણપણે ખુલ્લી રહેશે. જો તમારે રોકડ વ્યવહાર, ચેક ક્લિયરન્સ કે અન્ય કોઈ શાખા-સંબંધિત કામ હોય, તો આ ત્રણ દિવસો દરમિયાન પૂર્ણ કરી લેવા સલાહભર્યું છે.</p><h5 style="text-align: justify;"><b>જુલાઈ મહિનામાં અન્ય રજાઓ:</b></h5><p style="text-align: justify;">22 જુલાઈ: ખારચી પૂજાના કારણે ત્રિપુરામાં બેંકો બંધ રહેશે.</p><p style="text-align: justify;">25 જુલાઈ: ચોથો શનિવાર હોવાથી તમામ બેંકો માટે ફરજિયાત રજા રહેશે.</p><p style="text-align: justify;">26 જુલાઈ: સાપ્તાહિક રવિવારની રજા.</p><h5 style="text-align: justify;"><b>ઓનલાઇન સેવાઓ રહેશે કાર્યરત:</b></h5><p style="text-align: justify;">બેંક શાખાઓ બંધ હોવા છતાં, ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી. બેંકિંગની તમામ ડિજિટલ સેવાઓ જેવી કે ઇન્ટરનેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ એપ્લિકેશન્સ, UPI પેમેન્ટ્સ અને ATM સેવાઓ ૨૪/૭ કાર્યરત રહેશે. તમે ઘરે બેઠા પણ બિલ ચૂકવણી, બેલેન્સ ચેક કે ફંડ ટ્રાન્સફર જેવા વ્યવહારો સરળતાથી કરી શકશો.</p><p style="text-align: justify;">ગ્રાહકોને ખાસ વિનંતી કરવામાં આવે છે કે તેઓ બેંકની મુલાકાત લેતા પહેલા પોતાના વિસ્તારની રજાઓ વિશે ખાતરી કરી લે, જેથી કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે. ડિજિટલ બેંકિંગનો મહત્તમ ઉપયોગ કરીને તમે રજાઓના સમયમાં પણ તમારા નાણાકીય કાર્યોને અવિરત ચાલુ રાખી શકો છો.</p><p style="text-align: justify;"><b><a href="https://sandesh.com/business/news/gold-silver-price-today-has-gold-and-silver-become-cheaper-know-the-latest-prices-of-20-22-and-24-carats" target="_blank">આ પણ વાંચોઃ Gold Silver Price Today: શું સોનું ચાંદી સસ્તું થયું ? જાણો 20, 22 અને 24 કેરેટના લેટેસ્ટ ભાવ..</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/12/j3sD5z0M5dWgUCwbhHrX49dNZnRoSsoUUyHdU1wM.webp'/></item><item><title><![CDATA[Gir Somnath News: વેરાવળ SMC હુમલા કેસમાં પોલીસ અધિકારીઓ પર તવાઈ, 2 PI અને  3 PSI સામે કાર્યવાહી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gir-somnath/gir-somnath-veraval-smc-attack-case-action-taken-against-2-pi-and-3-psi-police</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gir-somnath/gir-somnath-veraval-smc-attack-case-action-taken-against-2-pi-and-3-psi-police</guid><pubDate>Sun, 12 Jul 2026 10:19:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગીર સોમનાથના વેરાવળમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા દરમિયાન પોલીસ ટીમ પર થયેલા હિંસક હુમલાના મામલામાં હવે સ્થાનિક પોલીસ અધિકારીઓ પર મોટી તવાઈ આવી છે. આ સમગ્ર ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે DYSPની અધ્યક્ષતામાં એક વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવી છે. ફરજમાં ઘોર બેદરકારી દાખવવા બદલ સ્થાનિક પોલીસ બેડાના 2 PI અને 3 PSI સહિત કુલ 5 ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામે કડક શિસ્તભંગના પગલાં લેવાયા છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ગીર સોમનાથ પોલીસ વિભાગમાં ભારે ફફડાટ</b></h2><p style="text-align: justify; ">આ કાર્યવાહીના ભાગરૂપે LCBના ઇન્ચાર્જ PI એસ.વી. રાજપૂત, વેરાવળ સીટી PI જે.એન. ગઢવી તેમજ LCBના PSI એચ.એલ. જેબલીયા, LCBના જ PSI એ.સી. સિંધવ અને રામભરોસા પોલીસ ચોકીના PSI પ્રજાપતિને તાત્કાલિક અસરથી લીવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા છે. વન-ડેમાં આટલી મોટી સંખ્યામાં અધિકારીઓ સામે થયેલી આ કડક કાર્યવાહીથી ગીર સોમનાથ પોલીસ વિભાગમાં ભારે ફફડાટ અને દોડધામ મચી ગઈ છે.</p><h3 style="text-align: justify; "><b>21 આરોપીઓને વેરાવળ કોર્ટમાં રજૂ કરાયા હતાં</b></h3><p style="text-align: justify; ">ગીર સોમનાથના વેરાવળમાં ગત 8 જુલાઈના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જુગાર ક્લબ પર પાડવામાં આવેલા દરોડા દરમિયાન પોલીસ ટીમ પર થયેલા હિંસક હુમલાના મામલામાં તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.આ દરોડા દરમિયાન ઉશ્કેરાયેલા ટોળાને કાબૂમાં લેવા માટે PSIને હવામાં ૨ રાઉન્ડ ફાયરિંગ કરવાની પણ ફરજ પડી હતી.આ ગંભીર ઘટના સંદર્ભે પોલીસે 40 નામજોગ સહિત 200 લોકોના ટોળા સામે રાયોટિંગ, સરકારી ફરજમાં રૂકાવટ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને અનેક મહિલા અને પુરુષ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.આ પકડાયેલા આરોપીઓ પૈકી 21 આરોપીઓને વેરાવળ કોર્ટમાં રજૂ કરવામાં આવતા અદાલતે તમામના 7 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.આ ઘટના બાદ પોલીસ દ્વારા અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/news/surat/subsidized-fertilizer-diverted-for-industrial-use" target="_blank">આ પણ વાંચોઃ Surat News: યુરિયા ખાતરના ડાયવર્ઝનનું કૌભાંડ ઝડપાયું, 1.19 લાખની કિંમતની 404 બેગનો જથ્થો સીઝ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/12/E02GONb9HMkajm5JVvNzFFft8enYCHqkEed8mVSb.webp'/></item><item><title><![CDATA[LPG કનેક્શન ટ્રાન્સફરના બદલાયા નિયમો, હવે ઘર બદલવું થશે વધુ સરળ! ]]></title><link>https://sandesh.com/business/news/india/lpg-connection-transfer-rules-new-update</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/lpg-connection-transfer-rules-new-update</guid><pubDate>Sun, 12 Jul 2026 09:55:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આજના સમયમાં નોકરી કે વ્યવસાયના કારણે લોકો વારંવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા હોય છે. આવા સમયે ગેસ કનેક્શન ટ્રાન્સફર કરવું એક મોટી સમસ્યા જણાતી હતી, પરંતુ હવે સરકારે આ પ્રક્રિયાને વધુ સરળ બનાવી દીધી છે. સાથે જ, LPGના વર્તમાન ભાવ અને તેના નિયમો વિશે જાણવું દરેક ગ્રાહક માટે અનિવાર્ય છે.</p><h2 style="text-align: justify; "><b>LPG સિલિન્ડરના ભાવ</b></h2><p style="text-align: justify; ">આજે, રવિવારે તેલ કંપનીઓ દ્વારા 14.2 કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ઘરેલુ સિલિન્ડરનો ભાવ ₹942.00 છે, જ્યારે ગાઝિયાબાદમાં તે ₹939.50 છે. કોલકાતા જેવા શહેરોમાં ભાવ ₹968.50 પર સ્થિર છે. નોંધપાત્ર છે કે, જુલાઈની શરૂઆતમાં વાણિજ્યિક (કોમર્શિયલ) સિલિન્ડરમાં ₹183.50નો ઘટાડો કરવામાં આવ્યો હતો, ત્યારબાદથી દિલ્હી અને ગાઝિયાબાદમાં વાણિજ્યિક સિલિન્ડરની કિંમત ₹2930.00 પર યથાવત છે.</p><h3 style="text-align: justify; "><b>સ્થળાંતર કરતી વખતે LPG ટ્રાન્સફરના નવા નિયમો</b></h3><p style="text-align: justify; ">જો તમે ઘર અથવા શહેર બદલી રહ્યા હોવ, તો નીચે મુજબના નિયમોનું પાલન કરવું જરૂરી છે.</p><p style="text-align: justify; ">એક જ શહેરની અંદર સ્થળાંતર: જો તમે શહેર બદલ્યા વગર માત્ર રહેઠાણ બદલો છો અને તમારું નવું ઘર જૂની ગેસ એજન્સીના સેવા ક્ષેત્રમાં જ આવે છે, તો કનેક્શન ટ્રાન્સફર કરાવવાની જરૂર નથી. તમારે ફક્ત તમારા નવા સરનામાનો પુરાવો આપીને એજન્સીમાં અપડેટ કરાવવાનું રહેશે.</p><p style="text-align: justify; ">બીજી એજન્સીના સેવા ક્ષેત્રમાં સ્થળાંતર: જો નવું ઘર બીજી એજન્સી હેઠળ આવતું હોય, તો જૂના વિતરક પાસેથી 'e-CTA' (ઇલેક્ટ્રોનિક કસ્ટમર ટ્રાન્સફર એડવાઇસ) કોડ લેવો પડશે, જે ત્રણ મહિના સુધી માન્ય રહેશે. આ કિસ્સામાં તમારે સિલિન્ડર કે રેગ્યુલેટર સરેન્ડર કરવાની જરૂર નથી, તમે તેને તમારી સાથે નવા ઘરે લઈ જઈ શકો છો.</p><h4 style="text-align: justify; "><b>બીજા શહેરમાં સરળતાથી કરી શકાશે</b></h4><p style="text-align: justify; ">બીજા શહેરમાં સ્થળાંતર: જો તમે સંપૂર્ણપણે બીજા શહેરમાં સ્થળાંતર કરી રહ્યા હોવ, તો તમારે તમારા વર્તમાન વિતરકને સિલિન્ડર અને રેગ્યુલેટર પરત કરવા પડશે. એજન્સી તમને 'ટર્મિનેશન વાઉચર' (TV) આપશે અને તમારી સિક્યોરિટી ડિપોઝિટ પરત કરશે. નવા શહેરમાં આ વાઉચર બતાવી તમે સરળતાથી નવું કનેક્શન મેળવી શકશો. આ ફેરફારો ગ્રાહકોની સુવિધા માટે કરવામાં આવ્યા છે જેથી કરીને એક રાજ્ય કે શહેરમાંથી બીજા શહેરમાં જતી વખતે તેમને ગેસ કનેક્શન સંબંધિત કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે.<br><br><b><a href="https://sandesh.com/india/news/amarnath-yatra-2026-is-god-angry-or-are-we-responsible-baba-barfani-melted-in-just-5-days-from-57-days" target="_blank">આ પણ વાંચોઃ&nbsp; Amarnath Yatra 2026: ભગવાન નારાજ કે આપણે જવાબદાર? 57 દિવસથી 5 દિવસમાં જ પીગળ્યા બાબા બર્ફાની</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/12/OKzy0hpF2HUwd9m9MMAmUbieUQvCJk2peg8EuIDJ.webp'/></item></channel></rss>