<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[મોડાસા ડેપોથી સાંજે ઉપડતી ST બસનો રૂટ ફેરવી નખાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/modasa/the-route-of-the-st-bus-departing-from-modasa-depot-in-the-evening-has-been-changed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/modasa/the-route-of-the-st-bus-departing-from-modasa-depot-in-the-evening-has-been-changed</guid><pubDate>Sat, 18 Jul 2026 00:42:21 +05:30</pubDate><description><![CDATA[<p>મોડાસા ડેપોથી સાંજના સાડા સાત વાગ્યે ઉપડીને વાયા શામળાજી, ભેટાલી,મહેરૂ થઈ ઝાંઝરી બોર્ડર પર રાત્રિ રોકાણ કરતી બસને ભિલોડા એસ.ટી વિભાગ દ્વારા મનસ્વી નિર્ણય લઈ બસ ફ્ંટાવી નખાઈ છેઆ રૂટ પર વીસ વર્ષથી સેવા આપી રહેલી બસ પુનઃ ચાલુ કરવામાં આવે તેવી માંગ સાથે નવા ભેટાલીના પૂર્વ સરપંચ અને સ્થાનિક આગેવાનો દ્વારા ભિલોડા ST વિભાગના વહીવટી તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવીછે. વધુ નવા ગામના પૂવ્ર સરપંચે જણાવ્યું હતું કે ભિલોડા ડેપોની છેલ્લા વીસ વર્ષથી મોડાસા ડેપો થી સાંજે 7:30 કલાકે ઉપડીને શામળાજી થઈ ભેટાલી નવાગામ, મહેરું,ટોરડા, બાવળીયા,ત્યાદી થઈ ઝાંઝરી બોર્ડરે રાત્રે 9 કલાકે પહોંચી રાત્રિ રોકાણ કર્યા બાદ સવારે છ વાગ્યે ઝાંઝરીથી ઉપડી નિત્યક્રમે આ રૂટ પર ટ્રીપ મારી સારી આવક મેળવી રહી છે.તેમ છતાં મનસ્વી નિર્ણય લઈ આ બસને ફ્ંટાવી આ રૂટ પરની બસ સેવા બંધ કરી દેવામાં આવી છે.જેથી આ વિસ્તારના શાળા - કોલેજમાં જતા વિધાર્થીઓ અને નોકરીયાત વર્ગ તેમજ ધંધા રોજગાર અર્થે જતા દૈનિક મુસાફરો મુશ્કેલીમાં મૂકાયા છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/18/p03CotaBKNkgX4DMFJoaYN8tsBYrXOYCSAplUTMh.webp'/></item><item><title><![CDATA[વટવામાં કંપનીમાંથી અજાણ્યો ચોર 1.90 લાખના કોપરના વાયરો ચોરી ફરાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/unknown-thief-steals-copper-wires-worth-rs-190-lakh-from-company-in-vatva-escapes</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/unknown-thief-steals-copper-wires-worth-rs-190-lakh-from-company-in-vatva-escapes</guid><pubDate>Sat, 18 Jul 2026 00:41:34 +05:30</pubDate><description><![CDATA[<p>વટવામાં રહેતા રાજેશભાઇ નાયર જીઆઇડીસીમાં આવેલ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ગત 11 જુલાઇએ તેઓ સાંજે નોકરી પરથી ઘરે ગયા હતા. જે બાદ 13 જુલાઇએ નોકરી ગયા હતા. ત્યાં ડેપ્યુટી પ્રોડક્શન મેનેજરે જણાવ્યુ કે કંપનીના કામમાં વપરાતા કેબલો મળતા નથી. જેથી રાજેશભાઇ કંપનીમાં તપાસ કરવા જતા રૂ. 1.90 લાખના કોપરના વાયરો ગુમ હતા જેથી અજાણ્યો ચોર કંપનીમાં ઘૂસીને ચોરી કરીને ફરાર થઇ ગયો હતો. આ અંગે રાજેશભાઇએઅજાણ્યા ચોર સામે વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. તથા અજાણ્યા ચોરે કોપરના વાયરોની સાથે અન્ય કોઈ વસ્તું કે રોકડની ચોરી કરી છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/18/oIsDvCKreV3EPUoRcpArnFeuCnwfW2M9Sk1Dy2T7.webp'/></item><item><title><![CDATA[કાલુપુર ટાવર પાસે રિક્ષાચાલક સહિત પાંચ શખ્સોએ સગીરને માર મારીને લૂંટી લીધો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/five-men-including-a-rickshaw-puller-beat-up-and-robbed-a-minor-near-kalupur-tower</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/five-men-including-a-rickshaw-puller-beat-up-and-robbed-a-minor-near-kalupur-tower</guid><pubDate>Sat, 18 Jul 2026 00:40:49 +05:30</pubDate><description><![CDATA[<p>કાલુપુર ટાવર પાસે અંધારામાં રિક્ષાચાલકે રિક્ષા ઉભી રાખીને ચાલક સહિત પાંચ લોકોએ સગીરને માર મારીને લૂંટી લીધો હતો. જેમાં સગીર કામ પર જવા રિક્ષામાં બેઠો હતો. આ અંગે સગીરના પિતાએ પાંચેય શખ્સો સામે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.</p><p>સરસપુરમાં રહેતો 42 વર્ષીય યુવક ખાનગી દુકાનમાં નોકરી કરે છે. તેમનો 17 વર્ષીય સગીર પુત્ર ઘોરણ-10માં નાપાસ થતા પિતા સાથે કામ શીખવા જાય છે. ગત 17 જુલાઇએ તે સવારે કામ શીખવા દુકાને જવા રિક્ષામાં બેસીને કાલુપુર ચાર રસ્તા પાસે ઉતર્યો હતો. ત્યાંથી બીજી રિક્ષાની રાહ જોઇને ઉભો હતો આ દરમ્યાન એક રિક્ષાચાલક આવ્યો હતો તેમાં પેસેન્જરના સ્વાંગમાં ચાર લૂંટારૂ બેઠા હતા. જે બાદ રિક્ષાચાલકે રૂ. 10 ભાડુ નક્કી કરીને સગીરને રિક્ષામાં બેસાડયો હતો. જે બાદ રિક્ષાચાલકે કાલુપુર ટાવર તરફ્ રિક્ષા લઇ જતો હતો. આ દરમ્યાન ચાર શખ્સોએ અમને બેસતા ફાવતુ નથી કહીને સગીરને ઉતારી દેવા કહ્યુ હતુ. જે બાદ રિક્ષાચાલક સહિત ચારેય શખ્સોએ ભેગા મળીને કાલુપુર ટાવર પાસે એમ.આર.દુધિયા ડેરી પાસે અંધારામાં રિક્ષા ઉભી રાખીને સગીરને માર મારીને તારી પાસે જે કંઇ હોય તે આપી દે કહીને મોબાઇલ લૂંટીને રિક્ષા લઇને ફરાર થઇ ગયા હતા. આ અંગે સગીરને પરિવારજનોને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા. આ અંગે સગીરના પિતાએ પાંચેય સામે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/18/HnEurMfnzNexr5ycVmNVFkzK8kxsAhQTSeVngLpl.webp'/></item><item><title><![CDATA[ઇસનપુરમાં જૂની અદાવતમાં સાત શખ્સોએ યુવક પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/seven-men-attacked-a-youth-with-sharp-weapons-in-isanpur-over-an-old-enmity</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/seven-men-attacked-a-youth-with-sharp-weapons-in-isanpur-over-an-old-enmity</guid><pubDate>Sat, 18 Jul 2026 00:39:57 +05:30</pubDate><description><![CDATA[<p>ઇસનપુરમાં મોડી રાત્રે અગાઉના ઝઘડાની અદાવત રાખીને સાત શખ્સોએ છરી, પાઇપો અને ધારિયાથી યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. આટલું જ નહિ હુમલાખોરોએ ઘરના દરવાજા પર પણ હુમલો કર્યો હતો. આ અંગે યુવકે પાંચ શખ્સો સામે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. ઇસનપુરમાં રહેતા અસ્પાક ઘોઘારી ચંડોળા તળાવ ખાતે કબાડીનો ધંધો કરે છે. ગત 16 જુલાઇએ રાત્રીના સમયે તે ઘરની બહાર ઉભો હતો. તે દરમ્યાન અગાઉ જેની સાથે ઝઘડો થયો હતો તે હુસેનખાન પઠાણ તેના હાથમાં તીક્ષ્ણ છરી લઈને આવ્યો હતો. તેની સાથે ફેસલખાન પઠાણ હાથમાં ધારીયું, ફેઝાનખાન પઠાણ હાથમાં છરી, હુસેનખાનનો પુત્ર લોખંડની પાઇપ તેમજ ફરહાન પઠાણ અને અન્ય બે અજાણ્યા શખ્સો છરીઓ સાથે આવ્યા હતા. બાદમાં ટોળાએ અસ્પાક પર અચાનક હુમલો કરી ગાળાગાળી શરૂ કરી દીધી હતી. હુમલા દરમ્યાન આરોપી હુસેનખાને છરીથી અસ્પાકના માથામાં હુમલો કર્યો હતો. જ્યારે અન્ય આરોપીઓએ બેફામ લાતો મારીને મૂઢ માર માર્યો હતો. લોહીલુહાણ હાલતમાં અસ્પાકે પોતાનો જીવ બચાવવા માટે ઘરનો દરવાજો ખોલી અંદર ઘૂસી જઈ દરવાજો બંધ કરી દીધો હતો. જોકે, હુમલાખોરોએ હથિયારો વડે ઘરના દરવાજા પર પ્રહારો કર્યા હતા અને આજે તો તું બચી ગયો છે પણ ફરી મળીશ તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપીને ત્યાંથી નાસી છૂટયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત અસ્પાકને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/18/if1ySbYGEr9phOtL08q1soVrAoylcL42kYPZ2oEa.webp'/></item><item><title><![CDATA[થોળ તળાવમાં પ્રવાસીઓ માટે બોટમાં જમવા - નાસ્તો લઈ જવા પર પ્રતિબંધનો HCનો આદેશ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/mehsana/hc-orders-ban-on-tourists-taking-food-and-snacks-on-boats-in-thol-lake</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/mehsana/hc-orders-ban-on-tourists-taking-food-and-snacks-on-boats-in-thol-lake</guid><pubDate>Sat, 18 Jul 2026 00:38:27 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાત રાજ્યમાં નળ સરોવર, વઢવાણા વેટલેન્ડ, થોળ તળાવ, ખીજડીયા વન્યજીવ અભયારણ્ય અને નડાબેટ વિસ્તારમાં વેટલેન્ડ્સની જાળવણી મુદ્દે ગુજરાત હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો પીઆઇએલમાં આજે ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી. એન. રેની ખંડપીઠે ફરી એકવાર રાજ્યમાં ઇકો-સેન્સิตિવ ઝોન, અભયારણ્યો અને વેટલેન્ડ્સની જાળવણી મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી અને આજે થોળ તળાવ ખાતે આવતા પ્રવાસીઓને બોટમાં જમવાનું કે નાસ્તો નહીં લઈ જવા પર પ્રતિબંધ લાદવા રાજ્ય સરકાર અને સત્તાવાળાઓને કડક તાકીદ કરી હતી. હાઇકોર્ટે વેટલેન્ડ્સની જાળવણી અને સરકાર દ્વારા લેવાયેલા પગલાં તથા હાથ ધરાયેલી કામગીરી અંગેની વિગતો સોગંદનામા પર રજૂ કરવા જણાવ્યું હતું.</p><p>આજે કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે થોળ તળાવની જાળવણી સહિતના મુદ્દે પૃચ્છા કરી હતી, જેમાં સરકારપક્ષ તરફ્થી જણાવાયું હતું કે, થોળ તળાવ ખાતે આવતા પ્રવાસીઓ માટે પ્લાસ્ટિકની બોટલો લઈ જવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. જો કે, ચીફ્ જસ્ટિસે જણાવ્યું કે, થોળ તળાવ ખાતે આવતા પ્રવાસીઓને બોટમાં જમવાનું લઈ જવા પર પણ પ્રતિબંધ મૂકો. આજુબાજુના વિસ્તારમાં લોકો પ્રવાસીઓને જમવાની સુવિધા પૂરી પાડે તેમાં વાંધો નથી પરંતુ તે પણ ઇકો-સેન્સિટિવ ઝોનમાં ના હોવી જોઈએ. દરમિયાન જીપીસીબીએ પણ આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરતા જણાવ્યું કે, થોળ તળાવ વેટલેન્ડ ઝોનમાં મંજૂરી વગર ચાલતા બે ઔદ્યોગિક એકમોને બંધ કરી દેવાયા છે. વેટલેન્ડ્સની જાળવણી મુદ્દે હાઇ-પાવર કમિટીની પણ રચના થઈ ચૂક્યા છે અને તેના દ્વારા પણ કામગીરીની સમીક્ષા થઈ રહી છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/18/lcocgkxTSeSlkE4UhJicZXWg5Ph6pe1l2tSLRnBT.webp'/></item><item><title><![CDATA[West Bengal Politics News: 'હવે તમારી પાસે ઘણો સમય છે, હું સરકારી હેલિકોપ્ટર આપીશ', સુવેન્દુએ મમતા બેનર્જીને કેમ આપી આ ઓફર? ]]></title><link>https://sandesh.com/india/news/-political-news/west-bengal-politics-news-now-you-have-a-lot-of-time-i-will-give-you-a-government-helicopter-why-did-suvendu-give-this-offer-to-mamata-banerjee</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/-political-news/west-bengal-politics-news-now-you-have-a-lot-of-time-i-will-give-you-a-government-helicopter-why-did-suvendu-give-this-offer-to-mamata-banerjee</guid><pubDate>Fri, 17 Jul 2026 20:22:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">મમતાને પ્લાન્ટની મુલાકાત લેવા આમંત્રણ આપતાં, સુવેન્દુએ કહ્યું કે તેઓ તેમના પ્રવાસ માટે સરકારી હેલિકોપ્ટરની પણ વ્યવસ્થા કરશે.</p><h2 style="text-align: justify; ">બંગાળના રાજકારણમાં ગરમાવો&nbsp;</h2><p style="text-align: justify; ">પશ્ચિમ બંગાળના રાજકારણમાં ચેકમેટનો ખેલ શમવાના કોઈ સંકેત દેખાતા નથી. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચેની રાજકીય દુશ્મનાવટ ફરી એકવાર જાહેર થઈ ગઈ છે. બાંકુરાના મેજિયામાં શ્યામ સ્ટીલ ફેક્ટરીના નવા યુનિટના શિલાન્યાસ સમારોહમાં, મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ મમતા બેનર્જી પર સીધો અને આકરો હુમલો કર્યો. સુવેન્દુએ મમતા બેનર્જીને નવા પ્લાન્ટ જોવા માટે બાંકુરા આવવાની સલાહ આપી જ નહીં, પરંતુ કટાક્ષમાં કહ્યું કે હવે તેમની પાસે પુષ્કળ ખાલી સમય હોવાથી, જો તેઓ ઈચ્છે તો તેઓ તેમને સરકારી હેલિકોપ્ટર પણ આપશે.</p><h3 style="text-align: justify; ">રાજકીય આક્રમક પ્રસ્તાવ</h3><p style="text-align: justify; ">આ અનોખા અને રાજકીય રીતે આક્રમક પ્રસ્તાવથી બંગાળના રાજકારણમાં બહારના લોકો વિરુદ્ધ અંદરના લોકોનો જૂનો મુદ્દો ફરી એકવાર ઉભો થયો છે. શિલાન્યાસ સમારોહને સંબોધતા, મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને આડે હાથ લેવામાં કોઈ સમય બગાડ્યો નહીં. તેમણે કહ્યું, "હું ભૂતપૂર્વ મુખ્યમંત્રીને કહીશ કે તમારી પાસે હવે પુષ્કળ સમય છે. તમારે આ ફેક્ટરી જોવા આવવું જોઈએ. શું તમે જાણો છો કે હું આ શા માટે કહી રહ્યો છું? તેઓ હિન્દીભાષી લોકો અને મારવાડી સમુદાયને નાની નાની બાબતોમાં 'બહારના' ગણાવે છે અને દાવો કરે છે કે તેઓ બંગાળને ગુજરાત કે ઉત્તર પ્રદેશ નહીં બનવા દે. તેમણે આવીને જોવું જોઈએ કે જેમને તેઓ બહારના લોકો કહે છે તેમણે બંગાળના વિકાસમાં શું યોગદાન આપ્યું છે."</p><h4 style="text-align: justify; ">સ્ટીલ પ્લાન્ટના પરિસર ચર્ચામાં&nbsp;</h4><p style="text-align: justify; ">મુખ્યમંત્રીએ જણાવ્યું કે તેઓ સ્ટીલ પ્લાન્ટના પરિસરમાં ગોઠવણ અને સંસ્કૃતિથી ખૂબ પ્રભાવિત થયા છે. ફેક્ટરી પરિસરમાં રાધા-કૃષ્ણ અને ભગવાન શિવના ભવ્ય મંદિરો સ્થાપિત કરવામાં આવ્યા છે. એક મોટી ગૌશાળા પણ બનાવવામાં આવી છે, અને સમગ્ર વિસ્તારમાં હરિયાળી પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. ફેક્ટરીમાં બંગાળના બે મહાન વ્યક્તિઓ, કવિ રવીન્દ્રનાથ ટાગોર અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝની વિશાળ પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/world/news/crime/pakistan-balochistan-attack-45-pakistani-soldiers-killed-in-balochistan-attack-emergency-like-situation-in-the-country-highways-also-closed" target="_blank"> બલુચિસ્તાનના હુમલામાં 45 પાકિસ્તાની સૈનિકના મોત, દેશમાં કટોકટી જેવી સ્થિતિ, હાઇવે પણ બંધ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/PgMNoSrhHMM7baHSzKIFTdv1HmJVYAcLTddumNCe.webp'/></item><item><title><![CDATA[India News: જે એક લગ્ન કરશે તેને મધ્યપ્રદેશમાં કાયદેસર રહેવાનો અધિકાર મળશે: CM મોહન યાદવ ]]></title><link>https://sandesh.com/india/news/mp-cm-mohan-yadav-says-only-monogamous-marriages-will-be-legally-recognized</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/mp-cm-mohan-yadav-says-only-monogamous-marriages-will-be-legally-recognized</guid><pubDate>Fri, 17 Jul 2026 20:00:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે શુક્રવારે એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જે વ્યક્તિ એક જ લગ્ન કરશે તેને જ રાજ્યમાં રહેવાનો કાયદાકીય અધિકાર રહેશે.રાજ્યના કટની જિલ્લામાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન બોલતા મુખ્યમંત્રી મોહન યાદવે સવાલ ઉઠાવ્યો હતો કે હિન્દુઓ અને મુસ્લિમો માટે અલગ અલગ કાયદા શા માટે હોવા જોઈએ?તેમણે સ્પષ્ટ કર્યું કે દેશના દરેક નાગરિક માટે એક જ સમાન કાયદો હોવો જોઈએ.જો રામ એક જ લગ્ન કરે છે તો રહીમને પણ એક જ લગ્ન કરવાનો અધિકાર હોવો જોઈએ.</p><p style="text-align: justify; "><a href="https://x.com/ANI_MP_CG_RJ/status/2078094835547087322?s=20" target="_blank">https://x.com/ANI_MP_CG_RJ/status/2078094835547087322?s=20</a><br><br><br></p><h2 style="text-align: justify; "><b>એક લગ્ન કરશે તેને જ મધ્યપ્રદેશમાં રહેવાનો અધિકાર</b></h2><p style="text-align: justify; ">યુનિફોર્મ સિવિલ કોડ (UCC)નો ઉલ્લેખ કરતા મોહન યાદવે જણાવ્યું હતું કે, એક દેશમાં એક વિધાન, એક પ્રધાન અને એક નિશાન હોવું જોઈએ.હિન્દુઓનો કાયદો અલગ અને મુસ્લિમોનો કાયદો અલગ આવું શા માટે? હવે જો રામ એક લગ્ન કરશે તો રહીમ બે ત્રણ કે ચાર લગ્ન શું કામ કરશે? મુસ્લિમ બહેનો પણ આપણી માતા બહેનો જ છે.હવે જે એક લગ્ન કરશે તેને જ મધ્યપ્રદેશમાં રહેવાનો અધિકાર મળશે. અમારી સરકાર રાજ્યમાં આ યૂસીસી (UCC)કાયદો લાગુ કરવા જઈ રહી છે. જેથી હવે બધી સિસ્ટમ એક સમાન હશે.</p><h3 style="text-align: justify; "><b>ત્રણ તલાક આપનારને જેલમાં ધકેલી દઈશું</b></h3><p style="text-align: justify; ">મુખ્યમંત્રી મોહન યાદવે કડક શબ્દોમાં ચેતવણી આપતા ઉમેર્યું કે, જો હવે કોઈ એમ કહેશે કે તલાક, તલાક, તલાક તો તેને ઉપાડીને જેલમાં બંધ કરી દેવામાં આવશે.તલાક તલાકનો જમાનો હવે ગયો હવે લોકોને માત્ર એક જ લગ્ન કરવાનો અધિકાર છે.અમે ટૂંક સમયમાં જ રાજ્યમાં આ કાયદો લાવવા જઈ રહ્યા છીએ. જ્યારે અમે સરકારના માધ્યમથી જનતાની વચ્ચે જઈ રહ્યા છીએ ત્યારે આ ભેદભાવ શા માટે હોવો જોઈએ?આ દેશની અંદર આપણે સૌ ભારત માતાના સંતાનો છીએ, તો ભેદભાવનો સવાલ જ ક્યાં ઊભો થાય છે?</p><h2 style="text-align: justify; "><b>ઇસ્લામપુરનું નામ બદલીને જગદીશપુર કરાશે</b></h2><p style="text-align: justify; ">કટની ખાતેના કાર્યક્રમમાં મુખ્યમંત્રી મોહન યાદવે ભોપાલના ઇસ્લામપુરનું નામ બદલીને જગદીશપુર કરવાની પણ સત્તાવાર જાહેરાત કરી હતી.તેમણે જણાવ્યું કે યુસીસી કાયદો લાગુ કરતાં પહેલાં તેમની સરકાર ભોપાલની જૂની રાજધાની જગદીશપુરને તેની અસલી ઓળખ પાછી આપવા જઈ રહી છે.તેમણે ઉમેર્યું કે, ભોપાલની જૂની રાજધાની જગદીશપુર હતી જેનું નામ આક્રમણખોરોએ બદલીને ઇસ્લામપુર કરી દીધું હતું.અમે તેનું નામ ફરીથી બદલીને જગદીશપુર કર્યું છે અને ત્યાંથી જ અમે આ નવો કાયદો પસાર કરીશું.<br><br><a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/terror-suspects-father-seeks-strict-punishment-if-son-found-guilty" target="_blank">આ પણ વાંચોઃ Gujarat ATS Probe : મારો દીકરો દેશદ્રોહી નીકળે તો કડક સજા કરો, ફટાકડા અને ઝાડમાં નાખવાના પાવડરથી પ્રયોગો કરતો : આરોપીના પિતા</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/hoAfpv6swQ1UZfJeej0nKlrKhUbL51m33GCp2qf0.webp'/></item><item><title><![CDATA[Arjun Bijlani: મૌની રોય સાથે નામ જોડાવવા પર ભડક્યો અભિનેતા, અર્જુને આપ્યું મોટું નિવેદન ]]></title><link>https://sandesh.com/entertainment/news/arjun-bijlani-mouni-roy-dating-rumours--actors-team-issues-statement</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/arjun-bijlani-mouni-roy-dating-rumours--actors-team-issues-statement</guid><pubDate>Fri, 17 Jul 2026 19:07:26 +05:30</pubDate><description><![CDATA[<p>ટીવી અને બોલિવૂડ કોરિડોરમાં વારંવાર લિંક-અપ્સ અને અફેર્સના સમાચારો સામે આવતા રહે છે. પરંતુ ક્યારેક આ અફવાઓ એટલી હદે વધી જાય છે કે સ્ટાર્સે પોતે આગળ આવીને સ્પષ્ટતા કરવી પડે છે. ટીવી ઈન્ડસ્ટ્રીના સૌથી પ્રિય કલાકારોમાંના એક અર્જુન બિજલાની સાથે પણ આવું જ થયું છે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા અને વિવિધ મીડિયા રિપોર્ટ્સ દ્વારા અર્જુન બિજલાનીનું નામ તેના નજીકની મિત્ર અને બોલિવૂડ અભિનેત્રી મૌની રોય સાથે જોડવામાં આવી રહ્યું છે.</p><p>અર્જુન બિજલાનીની ટીમે હવે આ અફવાઓને લઈને એક નિવેદન બહાર પાડ્યું છે, જેમા અફવા ફેલાવનારાઓને ફટકાર લગાવી છે. અર્જુનનું આ સત્તાવાર નિવેદનમાં કેહવામાં આવ્યું છે કે, અર્જુન અને મૌની રોય વચ્ચેનો સંબંધ માત્રને માત્ર એક સારી મિત્રતાનો છે.
</p><h3><b>અર્જુને નિવેદનમાં શું કહ્યું?
</b></h3><p>અર્જુન બિજલાની અને મૌની રોયને લઈને ચાલી રહેલી પાયાવિહોણી અફવાઓને અમે સંપૂર્ણપણે નકારી કાઢીએ છીએ. દરેક મિત્રતાને કોઈ પણ રોમેન્ટિક અર્થ આપવો અથવા તેને અફેર તરીકે લેવું સંપૂર્ણપણે ખોટું છે. બંને ખૂબ સારા મિત્રો છે અને વર્ષોથી મજબૂત બોન્ડ શેર કરે છે. આવા બનાવટી સમાચાર ફક્ત સ્ટાર્સને જ ખલેલ પહોંચાડતા નથી પરંતુ તેમના અંગત જીવનને પણ અસર કરે છે.
</p><h5><b>"નાગિન" થી શરૂ થયેલી મિત્રતા
</b></h5><p>તમને જણાવી દઇએ કે અર્જુન બિજલાની અને મૌની રોયની મિત્રતા નવી નથી. તેઓએ એકતા કપૂરના સુપરહિટ સુપરનેચરલ શો "નાગિન" માં મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી. ઋત્વિક અને શિવન્યા તરીકેની તેમની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. ઑફસ્ક્રીન તેઓ ઘણીવાર સાથે પાર્ટી કરતા અને મુશ્કેલીઓમાં એકબીજાની પડખે ઉભા રહેતા જોવા મળે છે. અર્જુન પહેલાથી જ પત્ની નેહા સ્વામી સાથે ખુશહાલ જીંદગી જીવી રહ્યો છે અને તેમનો એક પુત્ર છે. નોંધનીય છે કે, મૌની રોય તાજેતરમાં સૂરજ નામ્બિયારથી અલગ થઈ ગઈ છે. અર્જુને તેમની પવિત્ર મિત્રતા વિશે ઉઠાવવામાં આવેલા પ્રશ્નોનો યોગ્ય જવાબ આપ્યો છે.
</p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/entertainment/news/raj-kundra-on-2021-case---quot-ready-to-face-punishment-if-guilty-quot-" target="_blank">'મેં કંઈ ખોટું નથી કર્યું...' રાજ કુન્દ્રાએ કર્યો મોટો ખુલાસો</a>
</p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/uqmxCDz2JzENRtGnK9YgCSpF9Y2jaoiAPEqMtfOi.webp'/></item><item><title><![CDATA[FIFA નો ઐતિહાસિક નિર્ણય, આ વખતે ચેમ્પિયન ટીમને ટ્રોફિ અને મેડલ સાથે આપશે ખાસ ભેટ ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifas-historic-decision-this-time-the-champion-team-will-be-given-a-special-gift-along-with-a-trophy-and-medal</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifas-historic-decision-this-time-the-champion-team-will-be-given-a-special-gift-along-with-a-trophy-and-medal</guid><pubDate>Fri, 17 Jul 2026 16:07:22 +05:30</pubDate><description><![CDATA[<p>FIFA વર્લ્ડ કપ 2026 ફાઇનલના વિજેતાઓને પ્રતિષ્ઠિત ટ્રોફી અને ગોલ્ડ મેડલ ઉપરાંત ખાસ ડિઝાઇન કરેલી ચેમ્પિયનશિપ રિંગ આપવામાં આવશે. પ્રાચીન અમેરિકન રમતગમત પરંપરાથી પ્રેરિત FIFA વેબસાઇટ અનુસાર માહિતી આપવામાં આવી છે. રવિવાર, 19 જુલાઈના રોજ ન્યૂ યોર્ક-ન્યૂ જર્સી સ્ટેડિયમ ખાતે સ્પેન અને આર્જેન્ટિના વચ્ચેની ફાઇનલ પછી આ કસ્ટમાઇઝ્ડ રિંગ્સ ટુર્નામેન્ટ ચેમ્પિયનને રજૂ કરવામાં આવશે. ટુર્નામેન્ટની યાદમાં કુલ 2,026 અનન્ય નંબરવાળી રિંગ્સ બનાવવામાં આવશે. આમાંથી ત્રીસ રિંગ્સ વિજેતા ટીમના સભ્યો માટે અનામત રાખવામાં આવશે, જ્યારે બાકીના 1,996 વિશ્વભરના ચાહકો માટે સત્તાવાર લાઇસન્સ પ્રાપ્ત ઉત્પાદનો તરીકે ઉપલબ્ધ રહેશે.</p><h4><b>રિંગમાં FIFA વર્લ્ડ કપ ટ્રોફી ડિઝાઇન જોવા મળશે</b></h4><p>દરેક રિંગમાં એક બાજુ FIFA વર્લ્ડ કપ ટ્રોફી ડિઝાઇન જોવા મળશે.જ્યારે બીજી બાજુ ચેમ્પિયન ટીમને ઓળખવા માટે કસ્ટમાઇઝ કરવામાં આવશે. દરેક રિંગ અનન્ય રીતે નંબરવાળી, કસ્ટમ-ફિટ કરેલી અને પ્રમાણિકતાનું પ્રમાણપત્ર સાથે હશે.ફાઇનલ પછી તરત જ, વિજેતા ટીમના કેપ્ટન અને મુખ્ય કોચને ઉજવણી દરમિયાન કામચલાઉ ચેમ્પિયનશિપ રિંગ્સ પ્રાપ્ત થશે. બાદમાં, 30 વિજેતાઓને સત્તાવાર રીતે કસ્ટમ-મેઇડ રિંગ્સ આપવામાં આવશે જેથી તેઓ સંપૂર્ણ રીતે ફિટ થાય અને તેમની વર્લ્ડ કપ જીતની યાદમાં રમી શકે.</p><h5><b>આર્જેન્ટિનાએ સેમિફાઇનલમાં વિજય મેળવ્યો</b></h5><p>ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ પર 2-1 થી રોમાંચક વિજય મેળવ્યો. તેઓ પહેલા હાફમાં પાછળ રહીને બરાબરી કરી, અને લૌટારો માર્ટિનેઝે સ્ટોપેજ સમયમાં વિજયી ગોલ કરીને ડિફેન્ડિંગ ચેમ્પિયનને સ્પેન સામે ટાઇટલ મુકાબલામાં આગળ ધપાવ્યું. ઇંગ્લેન્ડ પરની આ જીતથી આર્જેન્ટિના 2026 વર્લ્ડ કપ ફાઇનલમાં સ્થાન મેળવી શક્યું, જ્યારે ઇંગ્લેન્ડની 1966 પછી પહેલી વાર વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચવાની આશા દુ:ખદ રીતે ઠગારી નીવડી. બીજી તરફ, સ્પેને શાનદાર પ્રદર્શન કરીને ફ્રાન્સને 2-0 થી હરાવ્યું અને 2010 ની જીત પછી પ્રથમ ફિફા વર્લ્ડ કપ ફાઇનલ મેળવી. આ જીતમાં લેમિન યામાલે મુખ્ય ભૂમિકા ભજવી</p><h5><b>છઠ્ઠી ક્લીન શીટ મેળવી</b></h5><p>બ્રેક પછી, પેડ્રો પોરોએ દાની ઓલ્મો સાથે શાનદાર સંકલન કરીને સ્પેનની લીડ બમણી કરી, જ્યારે ફ્રાન્સ સ્પષ્ટ ગોલ કરવાની તકો બનાવવામાં સંઘર્ષ કરી રહ્યું હતું. યામાલનો એક ગોલ ઓફસાઇડ માટે નામંજૂર કરવામાં આવ્યો હતો, અને કાયલિયન એમબાપ્પે અને ઓરેલિયન ચૌમેનીના છેલ્લી ઘડીના પ્રયાસો છતાં, સ્પેનના ડિફેન્સે મજબૂતાઈ જાળવી રાખી, ટુર્નામેન્ટની સાત મેચમાં તેમની છઠ્ઠી ક્લીન શીટ મેળવી.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/fifa-world-cup/news/fifa-world-cup-2026-final-the-epic-clash-between-spain-and-argentina-know-when-and-where-to-watch-it-live-in-india" target="_blank">FIFA World Cup 2026 Final: સ્પેન અને આર્જેન્ટિના વચ્ચે મહામુકાબલો, જાણો ભારતમાં ક્યારે Liveજોઈ શકાશે</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/LqXgHChGgrFPEeJhZ2mS6AMKZWcKsJ2XQPt7WGQS.webp'/></item><item><title><![CDATA[Stock Market Closing: શાનદાર તેજી સાથે માર્કેટ બંધ, સેન્સેક્સ 964 પોઇન્ટના ઉછાળા સાથે 78,151.45 અંકે ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-closing-market-closes-with-a-strong-rally-sensex-jumps-964-points-to-7815145</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-closing-market-closes-with-a-strong-rally-sensex-jumps-964-points-to-7815145</guid><pubDate>Fri, 17 Jul 2026 15:44:04 +05:30</pubDate><description><![CDATA[<p>17 જુલાઇએ&nbsp; ઘરેલુ શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી. આઈટી અને બેંકિંગ ક્ષેત્રો તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા હેવીવેઇટ શેરોમાં જોરદાર ખરીદીને કારણે, સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ટ્રેડિંગ સેશન દરમિયાન 1 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો. મોટી કંપનીઓના પ્રથમ ક્વાર્ટર (Q1) ના પરિણામો પહેલા રોકાણકારોનો રસ લાર્જ-કેપ શેરો તરફ વળ્યો, જેનાથી બજારને મજબૂતી મળી.</p><h2><b>શેરબજારમાં તેજી&nbsp;</b></h2><p>શુક્રવારે સેન્સેક્સ અને નિફ્ટી શાનદાર તેજી સાથે બંધ થયા. સેન્સેક્સ +964.59 પોઇન્ટના વધારા સાથે 78,151.45 અંકે બંધ થયો.. જ્યારે નિફ્ટી +261.55 પોઇન્ટના વધારા સાથે 24,334.30 અંકે&nbsp; બંધ થયો.</p><h3><b>આઇટી અને બેંકિંગ શેરોમાં ખરીદી</b></h3><p>ક્ષેત્રીય સૂચકાંકોની દ્રષ્ટિએ, નિફ્ટી આઇટી સૌથી વધુ વધ્યો હતો, જેમાં 1 ટકાથી વધુનો વધારો નોંધાયો હતો. નિફ્ટી બેંક પણ લગભગ 1 ટકા મજબૂત થયો હતો. જોકે, વ્યાપક બજારમાં સમાન સ્તરની મજબૂતાઈ જોવા મળી ન હતી; નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100 સૂચકાંકોમાં અનુક્રમે 0.61 ટકા અને 0.86 ટકાનો ઘટાડો નોંધાયો હતો.</p><p><b style="font-size: 1.5rem;">RIL સૌથી વધુ વધનાર તરીકે ઉભરી આવ્યો</b></p><p>સેન્સેક્સના શેરોમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) એ સૌથી વધુ વધારો નોંધાવ્યો, જે 2 ટકાથી વધુ વધ્યો. શુક્રવારે જાહેર થનારા કંપનીના પ્રથમ ત્રિમાસિક પરિણામો પહેલા રોકાણકારો શેર પર નજર રાખી રહ્યા છે.</p><p><br></p><p>વધુમાં, TCS, કોટક મહિન્દ્રા બેંક, ટેક મહિન્દ્રા, હિન્દુસ્તાન યુનિલિવર, એક્સિસ બેંક, ઇન્ફોસિસ, HDFC બેંક, મહિન્દ્રા અને મહિન્દ્રા, HCL ટેક અને ICICI બેંકના શેરમાં પણ 1 ટકાથી વધુનો વધારો નોંધાયો. આ હેવીવેઇટ શેરોમાં ખરીદીની પ્રવૃત્તિએ બજારના ઉપરના વેગને પ્રોત્સાહન આપ્યું.</p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/03/16/gLJ4WtokoymfX6Y0aSSr5fk0mQbgABzBzdoZamiA.webp'/></item></channel></rss>