<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Honeymoon Murder Case: ટાઈપિંગની ભૂલના કારણે કાતિલ પત્નીને મળ્યા જામીન? મેઘાલય સરકાર પહોંચી સુપ્રીમ કોર્ટ! ]]></title><link>https://sandesh.com/india/news/honeymoon-murder-case-murdered-wife-gets-bail-due-to-typing-error-meghalaya-government-reaches-supreme-court</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/honeymoon-murder-case-murdered-wife-gets-bail-due-to-typing-error-meghalaya-government-reaches-supreme-court</guid><pubDate>Thu, 02 Jul 2026 12:15:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દેશભરમાં ચકચાર જગાવનારા મેઘાલયના 'શિલોંગ હનીમૂન મર્ડર કેસ' માં એક નવો વળાંક આવ્યો છે. આ હાઈપ્રોફાઈલ હત્યા કેસની મુખ્ય આરોપી સોનમ રઘુવંશીને મળેલી જામીનને પડકારતા મેઘાલય સરકાર સુપ્રીમ કોર્ટના દ્વારે પહોંચી છે. રાજ્ય સરકારે આ મામલે તાકીદે સુનાવણી કરવાની માંગ કરી છે, જેના પર દેશની સર્વોચ્ચ અદાલતે પણ વહેલી તકે સુનાવણીની ખાતરી આપી છે.</p><h2 style="text-align: justify; "><b>સૉલિસિટર જનરલે કરી તાકીદે સુનાવણીની માંગ</b></h2><p style="text-align: justify; ">મેઘાલય સરકાર વતી દેશના સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ જસ્ટિસ સુંદરેશની ખંડપીઠ સમક્ષ આ અત્યંત સંવેદનશીલ કેસની રજૂઆત કરી હતી. તેમણે કોર્ટને જણાવ્યું કે આ કેસમાં તાત્કાલિક સુનાવણીની જરૂર છે અને આવતીકાલે જ એટલે કે ૩ જુલાઈએ આ અરજી પર કોર્ટ વિચારણા કરે તેવી માંગ કરી છે.</p><h3 style="text-align: justify; "><b>માત્ર એક ટાઈપિંગ ભૂલના કારણે મળ્યા જામીન!</b></h3><p style="text-align: justify; ">કોર્ટ સમક્ષ દલીલ કરતા સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે આરોપી સોનમ રઘુવંશીને જામીન મળવા પાછળનું કારણ માત્ર એક કાનૂની અને ટેકનિકલ ભૂલ છે. ધરપકડ સમયે તમામ કારણો યોગ્ય રીતે રજૂ કરી શકાયા નહોતા અને ધરપકડના સત્તાવાર દસ્તાવેજોમાં એક કાનૂની કલમનો નંબર લખવામાં ટાઈપિંગ એરર (લખવાની ભૂલ) થઈ ગઈ હતી.</p><p style="text-align: justify; ">તુષાર મહેતાએ કોર્ટમાં ભારપૂર્વક જણાવ્યું કે, હત્યા જેવો ગંભીર અને સંગીન ગુનો આચરનાર આરોપીને માત્ર આવી સામાન્ય કારકુની કે ટેકનિકલ ખામીના આધારે જામીન પર મુક્ત ન કરી શકાય.</p><h4 style="text-align: justify; "><b>આરોપી દેશ છોડીને ભાગી જવાની આશંકા</b></h4><p style="text-align: justify; ">સરકારે કોર્ટ સમક્ષ એવી ભીતિ પણ વ્યક્ત કરી છે કે સોનમ રઘુવંશી એક પ્રભાવશાળી આરોપી છે. જો તેની જામીન પર વચગાળાની રોક લગાવવામાં નહીં આવે અથવા જામીન રદ નહીં થાય, તો તે કાયદાની પકડમાંથી બચવા માટે દેશ છોડીને ફરાર થઈ શકે છે. તેથી ન્યાયના હિતમાં તેની જામીન તાત્કાલિક રદ થવી જરૂરી છે.</p><h5 style="text-align: justify; "><b>શું છે સમગ્ર મામલો?</b></h5><p style="text-align: justify; ">આરોપી સોનમ રઘુવંશી પર એવો ગંભીર આરોપ છે કે તેણીએ પોતાના નવપરિણિત પતિની હનીમૂન દરમિયાન મેઘાલયની રાજધાની શિલોંગમાં નિર્મમ હત્યા કરી નાખી હતી. લગ્નના પવિત્ર બંધન બાદ હનીમૂન ટ્રીપ પર થયેલી આ હત્યાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. હવે મેઘાલય સરકાર સુપ્રીમ કોર્ટના માધ્યમથી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલીને કડક સજા અપાવવા માટે કાનૂની લડાઈ લડી રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/india/news/iran-mehbooba-mufti-will-go-to-pay-tribute-to-khamenei-received-a-special-invitation-from-tehran" target="_blank">આ પણ વાંચો:Iran: ખામેનીને શ્રદ્ધાંજલિ આપવા જશે મહેબૂબા મુફ્તી, તેહરાનથી મળ્યું ખાસ આમંત્રણ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/Y8A7gwmhEatxNcdhhCIZSDlyGCMT4pPsCVJu4UMk.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026 : હેરી કેનના બે ધમાકેદાર ગોલ, કોંગોને હરાવી ઇંગ્લેન્ડે રાઉન્ડ ઓફ 16માં મારી એન્ટ્રી ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-harry-kane-scores-two-explosive-goals-as-england-beats-congo-to-enter-round-of-16</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-harry-kane-scores-two-explosive-goals-as-england-beats-congo-to-enter-round-of-16</guid><pubDate>Thu, 02 Jul 2026 12:11:03 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફિફા વર્લ્ડ કપ 2026ની રોમાંચક રાઉન્ડ ઓફ 32 મેચમાં ઇંગ્લેન્ડે શાનદાર વાપસી કરીને ડીઆર કોંગોને 2-1થી હરાવ્યું છે. આ જીત સાથે જ ઇંગ્લેન્ડે આગામી રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે, જ્યાં હવે 6 જુલાઈએ મેક્સિકો સિટી સ્ટેડિયમમાં તેનો સામનો યજમાન મેક્સિકો સામે થશે. ડીઆર કોંગો સામે ઇગ્લેન્ડને ભવ્ય જીત અપાવવાનો શ્રેય કેપ્ટન હેરી કેનને આપવામાં આવ્યો. બુધવારે એટલાન્ટા સ્ટેડિયમ ખાતે કેપ્ટન હેરી કેને શાનદાર પ્રદર્શનમાં બે ગોલ કરીને ફિફા વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડની જોરદાર વાપસી કરી. ૧૯૮૬ પછી વર્લ્ડ કપમાં આ પહેલી વાર બન્યું છે જ્યારે ઇંગ્લેન્ડ હાફ-ટાઇમમાં ગોલથી પાછળ રહીને વાપસી કરીને મેચ જીતી અને મુશ્કેલ પરિસ્થિતિને પાર કરીને 'રાઉન્ડ ઓફ ૧૬' સુધી પહોંચી હોય.</p><h2 style="text-align: justify; "><b>એટલાન્ટા સ્ટેડિયમમાં દેખાયો હેરી કેનેનો જાદુ</b></h2><p style="text-align: justify; ">એટલાન્ટા સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ઇંગ્લેન્ડની જીતનો હીરો કેપ્ટન હેરી કેન રહ્યો હતો. ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢતા તેણે બે શાનદાર ગોલ કરીને આખી મેચ પલટી નાખી હતી. 75મી મિનિટે હેરી કેને સબસ્ટિટ્યુટ ખેલાડી એન્થોની ગોર્ડનના પાસ પર શાનદાર હેડર વડે પહેલો ગોલ કરીને સ્કોર 1-1ની બરાબરી પર લાવી દીધો હતો. અને 86મી મિનિટ પર મેચ પૂરી થવાની થોડી મિનિટો પહેલાં જ કેને નજીકની પોસ્ટ પરથી અદભુત વિજેતા ગોલ ફટકારીને ઇંગ્લેન્ડની 2-1થી જીત સુનિશ્ચિત કરી હતી.</p><h3 style="text-align: justify; "><b>&nbsp;વર્લ્ડ કપના ઇતિહાસમાં પ્રથમ વાર બની આ ઘટના</b></h3><p style="text-align: justify; ">૧૯૬૬ના ફિફા વર્લ્ડ કપ ચેમ્પિયન, ઇંગ્લેન્ડ, આફ્રિકન ટીમો સામેની તેમની અગાઉની નવ વર્લ્ડ કપ મેચોમાં ક્યારેય હાર્યું ન હતું. તેમણે એટલાન્ટામાં આ રેકોર્ડ જાળવી રાખ્યો હતો. થોમસ ટુશેલના કોચિંગ હેઠળની ઇંગ્લેન્ડની ટીમ મેચની શરૂઆતમાં જ દબાણમાં આવી ગઈ હતી. કોંગો તરફથી બ્રાયન સેપેંગાએ 7મી મિનિટે ગોલ કરીને ટીમને 1-0ની લીડ અપાવી દીધી હતી. કોંગોની ટીમ પ્રથમ વખત વર્લ્ડ કપ નોકઆઉટ મેચ રમી રહી હોવા છતાં તેમણે શાનદાર રમત બતાવી હતી. 1986 પછી વર્લ્ડ કપના ઇતિહાસમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે ઇંગ્લેન્ડની ટીમ હાફ-ટાઇમ સુધી પાછળ રહ્યા બાદ વાપસી કરીને મેચ જીતવામાં સફળ રહી હોય. આ જીત સાથે ઇંગ્લેન્ડે વર્લ્ડ કપમાં આફ્રિકન ટીમો સામે ક્યારેય ન હારવાનો પોતાનો રેકોર્ડ જાળવી રાખ્યો છે.</p><h4 style="text-align: justify; "><b>કોંગોના ગોલકીપરનો શાનદાર પ્રદર્શન</b></h4><p style="text-align: justify; ">જર્મની અને નેધરલેન્ડ્સ જેવી દિગ્ગજ ટીમો વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયા બાદ ઇંગ્લેન્ડ પર પણ બહાર થવાનું જોખમ તોળાતું હતું. ઇંગ્લેન્ડે બીજા હાફમાં ગોલ કરવાના અસંખ્ય પ્રયાસો કર્યા હતા, પરંતુ કોંગોના ગોલકીપર લિયોનેલ મ્પાસીએ જુડ બેલિંગહામ અને રાશફોર્ડના શાનદાર શોર્ટ્સને રોકીને પ્રશંસનીય પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ કોંગોના યોઆન વિસા પણ બીજો ગોલ ચૂકી ગયા હતા. અંતે, કોચ ટુશેલ દ્વારા વિંગર્સમાં કરવામાં આવેલા ફેરફારો અને હેરી કેનના વિસ્ફોટક પ્રદર્શને ઇંગ્લેન્ડના ચાહકોને સેલિબ્રેશન કરવાની તક આપી દીધી.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-mexico-beats-ecuador-2-0-in-round-of-32" target="_blank">આ પણ વાંચો : FIFA World Cup 2026 : રાઉન્ડ ઓફ 32માં મેક્સિકોએ ઇક્વાડોરને 2-0થી હરાવ્યું</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/ruIQQhJwELck4PbQLX0M2klOK2zCBHfRQNLD9v9O.webp'/></item><item><title><![CDATA[Delhi માં આતંકવાદી કાવતરાનો પર્દાફાશ, ISI ના 4 આતંકીઓ ઝડપાયા ]]></title><link>https://sandesh.com/india/news/terrorist-conspiracy-exposed-in-delhi-4-isi-terrorists-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/terrorist-conspiracy-exposed-in-delhi-4-isi-terrorists-arrested</guid><pubDate>Thu, 02 Jul 2026 12:09:03 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આંતરરાજ્ય કાર્યવાહી કરીને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI દ્વારા સંચાલિત એક મોટા આતંકવાદી અને શસ્ત્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં આતંકવાદી પ્રવૃત્તિઓ ફેલાવવાનું ષડયંત્ર રચી રહેલા ચાર આતંકવાદીઓની ધરપકડ કરીને પોલીસે એક મોટું સંકટ ટાળ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>કાવતરાનો પર્દાફાશ અને આરોપીઓની ધરપકડ</b></h2><p style="text-align: justify; ">પોલીસે શુભદીપ સિંહ, ગુરજંત સિંહ, સાજન સિંહ અને ગગનપ્રીત નામના ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓ પાકિસ્તાન સ્થિત ISI હેન્ડલર શહઝાદ ભટ્ટી અને તેના સહયોગીઓના ઇશારે કામ કરતા હતા. તપાસમાં સામે આવ્યું છે કે, આ આતંકવાદીઓ પોતાની ઓળખ છુપાવવા માટે પાકિસ્તાની હેન્ડલરો દ્વારા પૂરા પાડવામાં આવેલા વિદેશી મોબાઈલ નંબરોનો ઉપયોગ કરતા હતા.<br><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2072545410317791405"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></p><h3 style="text-align: justify; "><b>તપાસ માં અનેક કબૂલાતો કરી</b></h3><p style="text-align: justify; ">દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને મળેલા વિશ્વસનીય ઇનપુટ બાદ દિલ્હી અને પંજાબમાં સઘન દરોડા પાડવામાં આવ્યા હતા. સૌપ્રથમ અમૃતસરથી શુભદીપ સિંહની ધરપકડ કરવામાં આવી હતી, જેની પાસેથી પિસ્તોલ અને દારૂગોળો મળી આવ્યો હતો. પૂછપરછમાં તેણે ડ્રોન મારફતે સરહદ પારથી શસ્ત્રો અને ડ્રગ્સ મેળવવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ, તેના અન્ય બે સહયોગીઓ ગુરજંત અને સાજનને પંજાબમાંથી પકડી પાડવામાં આવ્યા હતા. અંતિમ કડી તરીકે 24 એપ્રિલ, 2026 ના રોજ ગગનપ્રીતની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ આરોપીઓ પાસેથી બે વિદેશી પિસ્તોલ, નવ જીવંત કારતૂસ અને પાંચ મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે.</p><h4 style="text-align: justify; "><b>દિલ્હીમાં નિશાન પર શું હતું?</b></h4><p style="text-align: justify; ">આ આતંકવાદી મોડ્યુલમાં ગગનપ્રીતની ભૂમિકા ખૂબ જ ગંભીર હતી. તેને ISI હેન્ડલરો દ્વારા દિલ્હીમાં પોલીસ સ્ટેશનો અને મહત્વના ધાર્મિક સ્થળોની જાસૂસી કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. માત્ર જાસૂસી જ નહીં, પરંતુ તેને ભીડભાડવાળા વિસ્તારો કે ધાર્મિક સ્થળોએ ગોળીબાર કરવાની પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી.<br><br><b><a href="https://sandesh.com/india/breakingnews/bengaluru-stone-quarry-mishap-7-bihar-workers-die-in-cliff-collapse-at-mine" target="_blank">આ પણ વાંચોઃ Bangalore Stone Quarry Mishap: ખાણમાં ભેખડ ધસતા બિહારના 7 શ્રમિકોના મોત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/4p1CKv8c4ZxE1SOxypO9MOpfEYdN2l8QHlr6SWaa.webp'/></item><item><title><![CDATA[Shah Rukh Khanનું સપનું થયું સાકાર, માત્ર 100 દિવસમાં તૈયાર થયું સ્ટેડિયમ ]]></title><link>https://sandesh.com/entertainment/news/shah-rukh-khan-dream-stadium-completed-in-100-days-king-khan</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/shah-rukh-khan-dream-stadium-completed-in-100-days-king-khan</guid><pubDate>Thu, 02 Jul 2026 11:58:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">શાહરૂખ ખાને પોતાના એક સપનાના પૂરા થવા પર ICC ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. તેમની માલિકી હકવાળી ટીમ લોસ એન્જલસ નાઇટ રાઇડર્સનું સ્ટેડિયમ બનીને તૈયાર થઈ ગયું છે. આ લોસ એન્જલસના પોમોનામાં બન્યું છે, જેને માત્ર 100 દિવસની અંદર બનાવીને તૈયાર કરી દેવામાં આવ્યું. આને અમેરિકન ક્રિકેટ માટે મોટું અને સારું કદમ માનવામાં આવી રહ્યું છે. આ જ સ્ટેડિયમમાં ઓલિમ્પિકની મેચો પણ યોજાશે.<br><h2><b>સ્ટેડિયમને લઈને શાહરૂખ ખાને વ્યક્ત કરી લાગણી</b></h2></p><p style="text-align: justify; ">શાહરૂખ ખાને સોશિયલ મીડિયા પર સ્ટેડિયમ તૈયાર કરવાનો વીડિયો શેર કરતા કહ્યું કે આ એક સપનું હતું જે હવે હકીકતમાં બદલાઈ ચૂક્યું છે. તેમણે ખાસ કરીને જય શાહનો આભાર માન્યો, જે અત્યારે ICC ના ચેરમેન પદ પર છે. તેમણે કહ્યું આ જગ્યા માત્ર એક રમતનું મેદાન નથી પરંતુ મનોરંજન માટે પણ હશે અને અહીં લોકો પોતાની યાદો બનાવશે.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/iamsrk/status/2072423575244743045"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p style="text-align: justify; ">શાહરૂખ ખાને એક્સ પર લખ્યું, જે એક સપનું હતું, તે આજે હકીકત બની ગયું છે. આપ સૌનું LA ના નાઇટ રાઇડર્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં સ્વાગત છે. આ જગ્યા માત્ર રમત માટે જ નહીં, પરંતુ મનોરંજન અને પરિવારો માટે પણ બનાવવામાં આવી છે અને એવી યાદો માટે જે હંમેશાં સાથે રહેશે. જયભાઈનો ખાસ આભાર, જે આ સફરમાં ખૂબ જ મદદગાર રહ્યા છે. સંજોગ ગુપ્તાનો પણ આભાર, જેમણે આટલો સહયોગ આપ્યો. આ LA માટે, દુનિયાભરના ક્રિકેટ ફેન્સ માટે અને નાઇટ રાઇડર્સ પરિવાર માટે છે. પર્પલ અને ગોલ્ડ પર ભરોસો રાખો. LA નાઇટ રાઇડર્સના હોમ ગ્રાઉન્ડમાં આપનું સ્વાગત છે.</p><h3 style="text-align: justify; "><b>32 હજાર મેટ્રિક ટન માટી હટાવી માત્ર 100 દિવસમાં તૈયાર થયું સ્ટેડિયમ</b></h3><p style="text-align: justify; ">આ સ્ટેડિયમ માત્ર 100 દિવસમાં બનીને તૈયાર કરી દેવામાં આવ્યું, જેના માટે આશરે 32 હજાર મેટ્રિક ટન માટી હટાવવામાં આવી હતી. અહીં અત્યારે કામ ચાલી રહ્યું છે, બીજા ફેઝમાં અહીં એક ટ્રેનિંગ સેન્ટર અને પ્રેક્ટિસની જગ્યા બનીને તૈયાર કરવામાં આવશે. ફેઝ 3 માં આને આખરી ઓપ આપવામાં આવશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/from-don-3-controversy-to-aamir-khan-third-marriage-how-bollywood-shocked-fans-in-2026" target="_blank">આ પણ વાંચો-2026માં બોલીવુડના અત્યાર સુધીના સૌથી મોટા વિવાદો, ડોન 3થી આમિર ખાનના ત્રીજા લગ્ન સુધી ચર્ચા જ ચર્ચા!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/biAJmJllFOYrD0Z8jyf7nU0yjzGGbxrsB8u9jpgK.webp'/></item><item><title><![CDATA[Surat: પાંડેસરા બાદ હવે સચિન GIDCમાં વિરાટ કોમ્પ્લેક્સની દીવાલ ધરાશાયી, સદનસીબે મોટી જાનહાનિ ટળી ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/sachin-gidc-virat-complex-wall-collapsed-after-pandesara-accident-no-casualties</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/sachin-gidc-virat-complex-wall-collapsed-after-pandesara-accident-no-casualties</guid><pubDate>Thu, 02 Jul 2026 11:51:02 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત શહેરના ઔદ્યોગિક વિસ્તારોમાં મિલો અને કોમ્પ્લેક્સના કથળેલા બાંધકામો હવે નિર્દોષ નાગરિકો માટે જોખમી સાબિત થઈ રહ્યા છે. થોડા દિવસો પહેલાં પાંડેસરા વિસ્તારમાં દીવાલ ધરાશાયી થવાની ઘટના હજુ લોકોના મનમાંથી ભૂલાઈ નથી, ત્યાં જ સચિન GIDC ના રોડ પર આવેલા વિરાટ કોમ્પ્લેક્સમાં મોડી સાંજે એક મોટી દુર્ઘટના સામે આવી છે. કોમ્પ્લેક્સની એક તરફની જૂની દીવાલ અચાનક જ કડાકાભેર રોડ તરફ અને આજુબાજુના ખુલ્લા ભાગમાં તૂટી પડી હતી.</p><h2><b>ભારે અવાજ સાથે દીવાલ પડતા નાસભાગ થઈ</b></h2><p>જ્યારે દીવાલ ધરાશાયી થઈ ત્યારે એટલો મોટો અવાજ આવ્યો હતો કે આસપાસની લૂમ્સની મિલો અને કારખાનામાં કામ કરતા શ્રમિકો કોઈ મોટો બ્લાસ્ટ થયો હોવાની આશંકાએ ફેક્ટરીઓની બહાર દોડી આવ્યા હતા. દીવાલનો કાટમાળ જે જગ્યાએ પડ્યો ત્યાં સામાન્ય રીતે વાહનો પાર્ક થતા હોય છે અથવા શ્રમિકો ચા-નાસ્તો કરવા ઊભા રહેતા હોય છે, પરંતુ સદનસીબે ઘટના સમયે તે જગ્યા ખાલી હોવાના કારણે એક મોટી હોનારત થતાં-થતાં ટકી ગઈ છે.</p><h3><b>મેઇન્ટેનન્સના અભાવે બની ઘટના</b></h3><p>સ્થાનિક એસોસિએશનના અગ્રણીઓના જણાવ્યા મુજબ, GIDC ના ઘણા ખાનગી પ્લોટ અને વિરાટ કોમ્પ્લેક્સ જેવા જૂના કોમ્પ્લેક્સમાં યોગ્ય કાળજી કે કલર-કામ અને ચોમાસા પહેલાંનું રિપેરિંગ કરવામાં આવતું નથી. કેમિકલના ધુમાડા અને ભેજવાળા વાતાવરણના કારણે આવી દીવાલો અંદરથી સડી જાય છે અને નબળી પડી જાય છે. સચિન GIDC નોટિફાઇડ ઓથોરિટી અને સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાટમાળ હટાવવાની પ્રક્રિયા શરૂ કરાવી છે અને કોમ્પ્લેક્સના માલિકોને બાકીના જર્જરિત હિસ્સાને તાકીદે ઉતારી લેવા માટે મૌખિક સૂચના આપી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/oghadnagar-road-accident-cctv-faulty-drainage-work-jmc-negligence" target="_blank">આ પણ વાંચો: Junagadh: ઓઘડનગરમાં નબળા રસ્તાના કારણે એક જ ખાડામાં 4 લોકો ખાબક્યા, વરસાદી પાણી વચ્ચે રસ્તો બન્યો જીવલેણ</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/nZaxuBSnzACUZvd1hARPyzb4EjPa8ipQOkoMjNdI.webp'/></item><item><title><![CDATA[Junagadh: ઓઘડનગરમાં નબળા રસ્તાના કારણે એક જ ખાડામાં 4 લોકો ખાબક્યા, વરસાદી પાણી વચ્ચે રસ્તો બન્યો જીવલેણ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/oghadnagar-road-accident-cctv-faulty-drainage-work-jmc-negligence</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/oghadnagar-road-accident-cctv-faulty-drainage-work-jmc-negligence</guid><pubDate>Thu, 02 Jul 2026 11:35:06 +05:30</pubDate><description><![CDATA[<p>જૂનાગઢ શહેરમાં ચોમાસાનો હજુ તો પ્રારંભ થયો છે, ત્યાં જ મહાનગરપાલિકાના પ્રી-મોન્સૂન એક્શન પ્લાનના લીરેલીરા ઊડી ગયા છે. શહેરના ઓઘડનગર પંથકમાં ગટર અને રસ્તાના નબળા કોન્ટ્રાક્ટના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. થોડા સમય પહેલા જ અહીં ગટર લાઈનની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ ભ્રષ્ટ નીતિના કારણે રોડનું રિસરફેસિંગ કે પુરાણ વ્યવસ્થિત કરવામાં આવ્યું ન હતું.</p><h2><b>પાણીની ચાદર નીચે છુપાયેલો મોતનો સામાન</b></h2><p>છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે ઓઘડનગરના આ અડધા ખોદાયેલા રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. રસ્તો સમથળ દેખાતો હોવાના કારણે વાહનચાલકો સામાન્ય ગતિએ ત્યાંથી પસાર થાય છે, પરંતુ જેવો તેમનો વ્હીલ ગટરના એ શંકાસ્પદ ખાડા પર પહોંચે છે કે તરત જ આખું વાહન પલટી ખાઈ જાય છે. ઓઘડનગરમાં આ પ્રકારે એક જ સ્થળે માત્ર ગણતરીના કલાકોમાં ચાર અલગ-અલગ વાહનચાલકો જોરદાર રીતે પટકાયા હતા. સદનસીબે સ્થાનિક લોકો આસપાસ હાજર હોવાથી તેમણે તાત્કાલિક દોડીને ખાડામાં ખાબકેલા મહિલા અને પુરુષ વાહનચાલકોને બહાર કાઢ્યા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી છે.</p><h3><b>CCTV વાયરલ થતાં તંત્ર દોડતું થયું</b></h3><p>આ આખી હૃદયકંપાવનારી ઘટના નજીકની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે મનપાની લાપરવાહી નિર્દોષ નાગરિકોના હાડકાં તોડવાનું કામ કરી રહી છે. સોશિયલ મીડિયા પર આ ફૂટેજ વાયરલ થયા બાદ જૂનાગઢની જનતાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર કહી રહ્યા છે કે "ખાડો ખોદે કોઈ અને પડે કોઈ!" ટેક્સના કરોડો રૂપિયા ચૂકવવા છતાં જનતાને આવા બિસ્માર રસ્તા અને હોસ્પિટલના ખાટલા જ નસીબ થતા હોય, તો આ તંત્ર શા કામનું? હાલમાં લોકોના ભારે વિરોધને જોતાં મનપાની ટીમ દોડતી થઈ છે, પરંતુ કાયમી ઉકેલ ક્યારે આવશે તે મોટો સવાલ છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/rajkot/jangleshwar-demolition-cost-scam-mayor-commissioner-uturn-after-gandhinagar-visit" target="_blank">આ પણ વાંચો: Rajkot: જંગલેશ્વર ડિમોલેશન કૌભાંડમાં ગાંધીનગરના આંટાફેરા બાદ મેયર-કમિશનરના સૂર બદલાયા, 'ખોટા ચૂકવાયેલા પૈસા પરત નહીં મળે' તેવું કહી હાથ ખંખેર્યા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/BBH6dIXNusDQg60c2Oj7aKsZCmd4yprnD62Udm6t.webp'/></item><item><title><![CDATA[Rajkot: જંગલેશ્વર ડિમોલેશન કૌભાંડમાં ગાંધીનગરના આંટાફેરા બાદ મેયર-કમિશનરના સૂર બદલાયા, 'ખોટા ચૂકવાયેલા પૈસા પરત નહીં મળે' તેવું કહી હાથ ખંખેર્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/jangleshwar-demolition-cost-scam-mayor-commissioner-uturn-after-gandhinagar-visit</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/jangleshwar-demolition-cost-scam-mayor-commissioner-uturn-after-gandhinagar-visit</guid><pubDate>Thu, 02 Jul 2026 10:41:21 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર અને અધિકારીઓની મનમાનીના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. તાજેતરમાં જંગલેશ્વર વિસ્તારમાં મનપા દ્વારા હાથ ધરવામાં આવેલી ડિમોલેશન (દબાણ હટાવો) ઝુંબેશના ખર્ચના બિલોને લઈને મોટો વિવાદ ફાટી નીકળ્યો છે. આ કામગીરી માટે જે કોન્ટ્રાક્ટરોને રેટ કોન્ટ્રાક્ટ હેઠળ લાખો રૂપિયાના લહાણા વહેંચવામાં આવ્યા હતા, તેના પર શરૂઆતથી જ શંકાની સોય હતી. વિવાદ વધતાં મનપાની ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખે કડક વલણ અપનાવવાનો ડોળ કર્યો હતો, પરંતુ હવે તે બુમરેંગ સાબિત થયો છે.</p><h2><b>સોમવારનો વાયદો અને બુધવારની પલટી</b></h2><p>વિવાદના પ્રારંભે સોમવારે મેયર નેહલ શુકલ અને મ્યુનિસિપલ કમિશનરે સંયુક્ત સૂરે પત્રકારોને જણાવ્યું હતું કે, રેટ કોન્ટ્રાક્ટમાં જો કોઈ પણ પ્રકારની ગેરરીતિ થઈ હશે અથવા કોન્ટ્રાક્ટરને વધારાના પૈસા ચૂકવાયા હશે તો તેની ઓડિટ કરાવીને એક-એક રૂપિયો વસૂલ કરવામાં આવશે. જોકે, આ નિવેદન બાદ બંને હોદ્દેદારો તાકીદે ગાંધીનગરની મુલાકાતે ગયા હતા. ગાંધીનગર સચિવાલયમાં ઉચ્ચ સ્તરે બેઠક કરીને પરત ફર્યાના ગણતરીના કલાકોમાં જ બંને નેતાઓના સૂર બદલાઈ ગયા હતા. ગઈકાલે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મેયરે ફેરવી તોળ્યું હતું કે, રેટ કોન્ટ્રાક્ટના નિયમો મુજબ ચૂકવાઈ ગયેલા પૈસા પરત લેવા ટેકનિકલી શક્ય નથી.</p><h3><b>જવાબદાર અધિકારીઓ માટે સેફ એક્ઝિટ</b></h3><p>મનપાના આ બદલાયેલા વલણથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે રાજકોટની જનતાના ટેક્સના પૈસાનું ધોળા દિવસે ધોવાણ થઈ ગયું છે. ગાંધીનગરમાં કઈ એવી 'રાજકીય ગોઠવણ' થઈ કે કમિશનર અને મેયરે ગણતરીના કલાકોમાં પોતાનું સ્ટેન્ડ બદલવું પડ્યું, તે હવે ચર્ચાનો વિષય છે. સૂત્રોના જણાવ્યા મુજબ, જો આ મામલે તટસ્થ તપાસ થાય તો મનપાના કન્સ્ટ્રક્શન અને ટાઉન પ્લાનિંગ વિભાગના કેટલાક ઉચ્ચ અધિકારીઓ જેલભેગા થઈ શકે તેમ છે. આ અધિકારીઓને બચાવવા માટે જ ઉપરથી આદેશ છૂટ્યા હોવાના કારણે તંત્રએ આસાનીથી હાથ ખંખેરી લીધા છે અને પ્રજાના લાખો રૂપિયા પાણીમાં ગયા છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/crime/surat/yarn-traders-cheated-of-1-63-crore-two-fraud-merchants-absconding-athwalines" target="_blank">આ પણ વાંચો: Surat: યાર્ન માર્કેટમાં ૩ વેપારીઓ સાથે 1.63 કરોડની છેતરપિંડી, માલ પડાવી બે લેભાગુ વેપારીઓ રફુચક્કર</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/1ysRLqVFrZvEIW3vODXMOSeqh3QILP7Vut96U9In.webp'/></item><item><title><![CDATA[Rajkot ભાજપના જૂથવાદમાં ગૌચર જમીન કૌભાંડ, કલેક્ટરનો સપાટો, 37 વીઘા જમીન પર નેતાઓના દબાણ પર વાગી બ્રેક ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-bjp-leaders-gauchar-land-scam-lodhika-collector-order</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-bjp-leaders-gauchar-land-scam-lodhika-collector-order</guid><pubDate>Thu, 02 Jul 2026 10:36:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ જિલ્લા ભાજપમાં ચાલતો આંતરિક જૂથવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે, જેના કારણે એક મોટું જમીન કૌભાંડ સપાટી પર આવ્યું છે. રાજકોટના લોધિકા તાલુકામાં ભાજપના જ દિગ્ગજ નેતાઓ દ્વારા સરકારી અને ગૌચર જમીન પચાવી પાડવાનું કરોડોનું કૌભાંડ ઉજાગર થતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ મામલે રાજકોટ જિલ્લા કલેક્ટરે કડક વલણ અપનાવીને ભાજપના નેતાઓના આ જમીન દબાણ પર બ્રેક મારી દીધી છે.</p><h2 style="text-align: justify; "><b>37 વીઘા સરકારી અને ગૌચર જમીન મુક્ત કરાઈ</b></h2><p style="text-align: justify; ">લોધિકા ગ્રામ પંચાયત દ્વારા આ આખા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ભાજપના નેતાઓએ સરકારી ખરાબાની અને ગૌચરની જમીનમાં કૌભાંડ આચરીને સત્તાના જોરે DILR (જિલ્લા નિરીક્ષક જમીન દફતર) ની કચેરીમાંથી ખોટી માપણી સીટ બેસાડી દીધી હતી. જો કે, કલેક્ટરે તાત્કાલિક એક્શન મોડમાં આવીને DILR નો આ વિવાદિત હુકમ રદ કરી દીધો છે અને 37 વીઘા જમીનને ફરીથી સત્તાવાર રીતે સરકારી અને ગૌચર જમીન જાહેર કરી દીધી છે.</p><h3 style="text-align: justify; "><b>ભાજપના આ મોટા માથાઓના નામ આવ્યા સામે</b></h3><p style="text-align: justify; ">આ ગૌચર જમીન કૌભાંડમાં જિલ્લા ભાજપના આગેવાન મુકેશ તોગડિયા, લોધિકા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશ કામાણી, કમલેશ વરુ અને અજય બાલધાએ ગેરકાયદેસર દબાણ કર્યું હોવાનું ખૂલ્યું છે. ભાજપના જ નેતાઓએ પશુઓના ચરાણ માટેની ગૌચર જમીન દબાવી દીધી હોવાની વાત વાયુવેગે પ્રસરતાં પક્ષની આબરૂના ધજાગરા ઉડ્યા છે. હાલમાં કલેક્ટરના આ કડક આદેશથી લોધિકા ગ્રામ પંચાયત અને સ્થાનિક માલધારીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે, જ્યારે કૌભાંડી નેતાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; <a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-gujarat-weak-monsoon-crop-advisory-farmers-guide" target="_blank"><b>Sandesh Digital Explainer : ગુજરાતમાં નબળા ચોમાસાની આશંકા, પાકને બચાવવા વાંચો લાઈફ સેવિંગ ગોલ્ડન ગાઈડલાઈન</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/w57fNpQQ1Zegq3iOpT8MNwHKv46gzbBi5CLhiHb5.webp'/></item><item><title><![CDATA[Gold Price Today: સસ્તુ થયુ સોનું, પણ ચાંદીએ લીધો યુ ટર્ન, જાણો 10 ગ્રામનો રેટ ]]></title><link>https://sandesh.com/business/news/gold-price-today-gold-became-cheaper-but-silver-took-a-u-turn-know-the-rate-of-10-grams</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/gold-price-today-gold-became-cheaper-but-silver-took-a-u-turn-know-the-rate-of-10-grams</guid><pubDate>Thu, 02 Jul 2026 10:11:54 +05:30</pubDate><description><![CDATA[<p>સોના ચાંદીના ભાવમાં વધારો ઘટાડો આવી રહ્યો છે પરિણામે રોકાણકારો સતર્ક જોવા મળી રહ્યા છે.&nbsp; જુલાઇ માસની શરૂઆતથી જ સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.  2 જુલાઈના રોજ બુલિયન બજારમાં મિશ્ર વલણ જોવા મળ્યું છે.  એક તરફ સોનાના ભાવમાં ઘટાડો થયો છે જ્યારે ચાંદીના ભાવમાં વધારો થયો છે.&nbsp;</p><h2><b>આજે સોનાનો ભાવ&nbsp;</b></h2><p>આજે પણ સોનાના ભાવમાં ઘટાડો ચાલુ છે. 2 જુલાઈના રોજ, 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,44,550 રૂપિયા હતો, જે ગઈકાલની સરખામણીમાં 1.3% ઘટાડો દર્શાવે છે. ગઈકાલે, દેશમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,46,454 રૂપિયા હતો; ત્યારથી તે ઘટીને ₹1,904 રૂપિયા થયો છે. તેવી જ રીતે, ભારતમાં આજે 18 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,08,412.5 રૂપિયા છે, જે ગઈકાલની સરખામણીમાં ₹1,428 રૂપિયાનો ઘટાડો દર્શાવે છે. આ ભાવ ઘટાડાના આધારે, આજે 24 કેરેટ સોનાના 1 ગ્રામનો ભાવ 190 રૂપિયા ઘટ્યો છે, જ્યારે 100 ગ્રામના ભાવમાં 19,000 રૂપિયાનો ઘટાડો થયો છે.</p><h3><b>આજે ચાંદીનો ભાવ શું છે?</b></h3><p>હાજર બજારમાં નીચા સ્તરે ખરીદીને કારણે આજે ચાંદીના ભાવમાં 0.64%નો સુધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરના વલણને પ્રતિબિંબિત કરતા, ગઈકાલના બંધ દરની તુલનામાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ ₹1,400–₹1,500નો વધારો થયો છે.</p><p>આ ભાવ સુધારા બાદ, દેશના છૂટક બજારોમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ ₹2,40,100 ના સ્તરે પાછો ફર્યો છે. પસંદગીના બજારોમાં, સ્થાનિક કર જેવા પરિબળોને કારણે ભાવ પ્રતિ કિલોગ્રામ ₹2,45,000 સુધી પહોંચી ગયા છે. પ્રતિ ગ્રામ ધોરણે, ગઈકાલની તુલનામાં ભાવ આશરે ₹1.50 નો વધારો થયો છે, જે ₹240.10 થી ₹245 ની રેન્જમાં સ્થિર થયો છે.</p><p>દેશના મોટા શહેરોમાં શું છે સોના ચાંદીનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)&nbsp;</p><table class="table table-bordered"><tbody><tr><td><b>શહેર&nbsp;<br></b></td><td><b>24 કેરેટ સોનાની કિંમત ( રૂપિયા/10 ગ્રામ) )</b></td><td><b>&nbsp;22 કેરેટ સોનાની કિંમત( રૂપિયા/10 ગ્રામ)</b></td></tr><tr><td>દિલ્હી</td><td>&nbsp;1,44,600&nbsp;</td><td>1,32,550&nbsp; &nbsp;&nbsp;</td></tr><tr><td>કોલકાતા</td><td>&nbsp;1,44,550</td><td>&nbsp;1,32,500</td></tr><tr><td>ચેન્નઈ&nbsp;</td><td>1,44,560&nbsp;</td><td>1,32,510&nbsp;</td></tr><tr><td>બેંગ્લોર</td><td>&nbsp;1,44,550&nbsp;</td><td>1,32,500&nbsp;&nbsp;</td></tr><tr><td>અમદાવાદ&nbsp;</td><td>1,44,600&nbsp;</td><td>1,32,550&nbsp;</td></tr><tr><td>વડોદરા</td><td>&nbsp;1,44,600</td><td>&nbsp;1,32,550&nbsp;&nbsp;</td></tr></tbody></table><p><b style="font-size: 1.5rem;">સોનાના ભાવ કેમ ઘટી રહ્યા છે?</b></p><p>સોનાના ભાવમાં સતત ઘટાડાથી લોકોમાં ભય ફેલાયો છે કે ભાવ વધુ ઘટી શકે છે. પરિણામે, લોકો સોનું ખરીદવાને બદલે વેચી રહ્યા છે. ફક્ત ચાલુ ક્વાર્ટરમાં, ભારતીયોએ લગભગ 50 ટન જૂનું સોનું વેચ્યું છે. આના કારણે સ્થાનિક બજારોમાં પુરવઠામાં અચાનક વધારો થયો છે, જેના કારણે ભાવમાં ઘટાડો થયો છે. સોનાના ભાવ ઘટવા માટે યુએસ ફેડરલ રિઝર્વને પણ જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે. રોકાણકારોને ડર છે કે વ્યાજ દર ઘટાડવાને બદલે, ફેડ તેમને લાંબા સમય સુધી ઊંચા રાખી શકે છે. સોના પર વ્યાજ કે ડિવિડન્ડ મળતું નથી, તેથી લોકો તેમના રોકાણોને સોનામાંથી સરકારી બોન્ડમાં ખસેડી રહ્યા છે; આનાથી સોનાની માંગમાં ઘટાડો થયો છે. દરમિયાન, યુએસ ડોલર ઇન્ડેક્સ મજબૂત થવાનું ચાલુ રહે છે; મજબૂત ડોલર આંતરરાષ્ટ્રીય બજારોમાં અન્ય ચલણો માટે સોનાની ખરીદીને વધુ મોંઘી બનાવે છે, જેના કારણે માંગમાં ઘટાડો થાય છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/T1A7IVB2a5zahaojYuIIhPyhcjPWv6BxVpCuEiYK.webp'/></item><item><title><![CDATA[Gir Somnath: સુત્રાપાડા-વેરાવળમાં ધોધમાર વરસાદ, ગ્રામ્ય વિસ્તારોની નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ ]]></title><link>https://sandesh.com/weather/news/maru-saher-maru-gaam/gir-somnath/rain-sutrapada-phatak-area-flooded-veraval-heavy-downpour</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/news/maru-saher-maru-gaam/gir-somnath/rain-sutrapada-phatak-area-flooded-veraval-heavy-downpour</guid><pubDate>Thu, 02 Jul 2026 10:08:42 +05:30</pubDate><description><![CDATA[<p>ગીર સોમનાથ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી આબેહૂબ સાચી ઠરી છે. સમુદ્ર તરફથી આવતા ભેજવાળા પવનોના કારણે આજે વહેલી સવારથી જ આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને ત્યારબાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. સુત્રાપાડા અને વેરાવળ પંથકમાં મેઘરાજાએ જાણે ધામા નાખ્યા હોય તેમ અવિરત વરસાદ વરસી રહ્યો છે.</p><h2><b>સુત્રાપાડા ફાટક વિસ્તાર બેટમાં ફેરવાયો</b></h2><p>ભારે વરસાદના કારણે સુત્રાપાડા શહેરનો સૌથી વ્યસ્ત ગણાતો ફાટક વિસ્તાર પાણીથી તરબતર થઈ ગયો છે. યોગ્ય ડ્રેનેજ લાઇનની સફાઈ ન થઈ હોવાના કારણે વરસાદી પાણી રોડ પર ફરી વળ્યા હતા. વાહનો અડધા ડૂબી જાય તેટલા પાણી ભરાઈ જતાં કેટલાય મોટરસાયકલ અને રીક્ષાઓ રસ્તા વચ્ચે જ બંધ પડી ગયા હતા, જેના લીધે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આસપાસની દુકાનોના ઓટલા સુધી પાણી પહોંચી જતાં વેપારીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે.</p><h3><b>વેરાવળમાં પણ સાર્વત્રિક વરસાદ</b></h3><p>બીજી તરફ વેરાવળ શહેરી વિસ્તાર અને તેના બંદર પંથકમાં પણ મેઘરાજાની સેકન્ડ ઇનિંગ ધમાકેદાર રહી છે. ગ્રામ્ય પંથકના ખેતરોમાં પાણી ભરાઈ જતાં મોલને જીવનદાન મળ્યું છે, પરંતુ જો વરસાદ લાંબો સમય ચાલુ રહેશે તો પાકને નુકસાન થવાની પણ ભીતિ છે. જિલ્લા વહીવટી તંત્રે છેવાડાના અને દરિયાકાંઠાના માછીમારોને દરિયો ન ખેડવા અને નાગરિકોને પાણી ભરાયા હોય તેવા અંડરપાસ કે રસ્તાઓ પરથી પસાર ન થવા સત્તાવાર અપીલ કરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/crime/surat/surat-court-historic-verdict-3-accused-sentenced-to-20-years-jail-59-lakh-md-drugs-case" target="_blank">આ પણ વાંચો: Surat: કપ્લેથા ચેકપોસ્ટ પરના 2022ના MD ડ્રગ્સ કેસમાં 3 આરોપીઓને 20-20 વર્ષની સખત જેલ</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/1gvnFXl8gprzkDBS5aE76gDnEQubQZKrUPiHlGEx.webp'/></item></channel></rss>