<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Indigo Airlines: લખનૌ-દિલ્હી ઇન્ડિગો ફ્લાઇટના 'BOMB' હોવાની ચર્ચાથી યાત્રિકોમાં ફફડાટ ]]></title><link>https://sandesh.com/india/news/indigo-passengers-are-upset-over-the-discussion-of-the-lucknow-delhi-indigo-flight-being-a-bomb</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/indigo-passengers-are-upset-over-the-discussion-of-the-lucknow-delhi-indigo-flight-being-a-bomb</guid><pubDate>Fri, 12 Jun 2026 14:12:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">લખનૌથી દિલ્હી જઈ રહેલી ઇન્ડિગો એરલાઇન્સની એક ફ્લાઇટમાં શુક્રવારે સવારે તે સમયે ભારે અફરાતફરી મચી ગઈ, જ્યારે વિમાન ટેક-ઓફ કરે તે પહેલાં જ તેના શૌચાલય (ટોઇલેટ) માંથી એક શંકાસ્પદ ટિશ્યુ પેપર મળી આવ્યું. આ ટિશ્યુ પેપર પર મોટા અક્ષરે 'બોમ્બ' (BOMB) લખેલું હતું. આ જોતાં જ ક્રૂ મેમ્બર્સ અને એરપોર્ટ સુરક્ષા એજન્સીઓ એક્શન મોડમાં આવી ગઈ હતી અને તાત્કાલિક ધોરણે ફ્લાઇટને એપ્રન પર જ રોકી દેવામાં આવી હતી.</p><h2 style="text-align: justify; "><b>૧૮૦ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા</b></h2><p style="text-align: justify; ">સુરક્ષા પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરીને આશરે ૧૮૦ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને લઈને રવાના થનારી ઇન્ડિગોની આ ફ્લાઇટ (6E) ને રોકવામાં આવતા જ મુસાફરોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા અને બોમ્બ સ્ક્વોડ તેમજ સુરક્ષા કર્મચારીઓએ વિમાનના દરેક ખૂણાની બારીકાઈથી તપાસ શરૂ કરી હતી. સઘન સર્ચ ઓપરેશન બાદ વિમાનમાંથી કોઈ પણ શંકાસ્પદ કે વિસ્ફોટક સામગ્રી મળી નહોતી, જેનાથી તંત્ર અને પ્રવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. સુરક્ષા એજન્સીઓએ તપાસ બાદ આ સમગ્ર ઘટનાને માત્ર એક 'હોક્સ' એટલે કે ફેક ન્યૂઝ (અફવા) જાહેર કરી છે. જો કે, આ કાયદાકીય અને સુરક્ષા પ્રક્રિયામાં સમય લાગવાને કારણે ફ્લાઇટે નિર્ધારિત સમય કરતાં મોડી ઉડાન ભરી હતી.</p><h3 style="text-align: justify; "><b>ખરાબ હવામાનને કારણે ૩ ફ્લાઇટ્સ લખનૌ ડાયવર્ટ કરાઈ</b></h3><p style="text-align: justify; ">આ જ દરમિયાન દિલ્હીમાં પ્રતિકૂળ હવામાન અને વિઝિબિલિટી ઓછી હોવાના કારણે દિલ્હી જતી અન્ય ત્રણ ફ્લાઇટ્સને પણ લખનૌ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવી પડી હતી. એરપોર્ટ પ્રશાસનના જણાવ્યા અનુસાર, બેંગકોકથી દિલ્હી જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ 6E1054 રાત્રે ૧૨:૧૮ વાગ્યે લખનૌ પહોંચી હતી અને સવારે ૭:૫૬ વાગ્યે દિલ્હી માટે રવાના થઈ હતી.</p><p style="text-align: justify; ">આ ઉપરાંત ગુવાહાટીથી દિલ્હી જતી ફ્લાઇટ 6E6317 રાત્રે ૧૨:૨૬ વાગ્યે અને નાગપુરથી દિલ્હી જતી ફ્લાઇટ 6E6573 રાત્રે ૧૨:૪૨ વાગ્યે લખનૌ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થઈ હતી. હવામાન સામાન્ય થયા બાદ આ તમામ વિમાનોને નવી દિલ્હી માટે રવાના કરવામાં આવ્યા હતા. એરપોર્ટ પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે લખનૌમાં રોકાણ દરમિયાન તમામ મુસાફરો અને પાયલોટ સહિતના સ્ટાફને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી.</p><p><div style="text-align: justify;"><br></div><div style="text-align: justify;"><a href="https://sandesh.com/india/news/indian-railways-two-men-arrested-for-pelting-stones-at-delhi-lucknow-shatabdi-express" target="_blank"><a href="https://sandesh.com/india/news/indian-railways-two-men-arrested-for-pelting-stones-at-delhi-lucknow-shatabdi-express" target="_blank" style="background-color: rgb(255, 255, 255);">આ પણ વાંચો: Indian Railways:દિલ્હી-લખનૌ શતાબ્દી એક્સપ્રેસ પર પથ્થરમારો કરનાર બે શખ્સની કરાઈ ધરપકડ</a></a></div></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/DVJYUA2oI4yHMXV0r3h9GT9eguw1Qor7hHXLSB31.webp'/></item><item><title><![CDATA[TV TRP : આ સુપરહિટ શોએ વસુધા પાસેથી છીનવી નંબર 1ની ખુરશી, અનુપમા શોને લાગ્યો જોરદાર ઝટકો! ]]></title><link>https://sandesh.com/entertainment/news/tv-trp-report-new-show-dethrones-vasudha-top-5-serials-ranking</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/tv-trp-report-new-show-dethrones-vasudha-top-5-serials-ranking</guid><pubDate>Fri, 12 Jun 2026 14:10:29 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ટીવીની દુનિયામાં આ અઠવાડિયે મોટો ઉલટફેર જોવા મળ્યો છે. TRP યાદીમાં જ્યાં કેટલાક સીરિયલ્સે પોતાની પકડ મજબૂત કરી છે, તો વળી કેટલાકના રેન્કિંગમાં ઘટાડો થયો છે. નવાઈની વાત એ છે કે ગંગા માઈ કી બેટિયાં એ વસુધા પાસેથી નંબર 1 ની ખુરશી છીનવી લીધી છે. 
</p><h2 style="text-align: justify; "><b>ગંગા માઈ કી બેટિયાં
</b></h2><p style="text-align: justify; ">અમનદીપ સિદ્ધુ અને શુભાંગી લટકરનો પોપ્યુલર શો ગંગા માઈ કી બેટિયાં આ અઠવાડિયે TRPની રેસમાં સૌથી આગળ રહ્યો. આ શોએ વસુધા પાસેથી નંબર 1 ની ગાદી છીનવી લીધી છે. આ શોને 1.9 ની TRP રેટિંગ મળી છે. આ શોમાં એક માતા અને તેની દીકરીઓના સ્ટ્રગલને દર્શાવવામાં આવ્યો છે.
</p><h3 style="text-align: justify; "><b>વસુધા
</b></h3><p style="text-align: justify; ">ઝી ટીવીનો પોપ્યુલર શો વસુધા બીજા નંબર પર આવી ગયો છે. આ અઠવાડિયે આ શોને 1.9 ની રેટિંગ મળી છે. ગયા અઠવાડિયે આ શો નંબર એક પર હતો. પ્રિયા ઠાકુર, અભિષેક શર્મા, નૌશીન અલી સરદાર અને પરિણીતા બોરઠાકુર જેવા એક્ટર્સથી સજ્જ આ શોની સ્ટોરી ગામડાની એક સાધારણ, ચુલબુલી અને મહેનતુ છોકરી વસુધાની આસપાસ ફરે છે, જેને દર્શકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે.
<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DZcLzstOhAd/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DZcLzstOhAd/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DZcLzstOhAd/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DZcLzstOhAd/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>તુમ સે તુમ તક
</b></h4><p style="text-align: justify; ">ઝી ટીવી પર આવતો શો તુમ સે તુમ તક પણ TRP યાદીમાં પોતાની મજબૂત પકડ જાળવી રાખવામાં સફળ રહ્યો છે. આ શો 22મા અઠવાડિયે પણ ત્રીજા નંબર પર યથાવત છે. આ શોમાં નિહારિકા ચૌકસે અને શરદ કેલકર જેવા એક્ટર્સ જોવા મળી રહ્યા છે. આ અઠવાડિયે શોને 1.8 રેટિંગ મળી છે. શોમાં અનુ અને આર્યવર્ધનની સ્ટોરીને દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
</p><h3 style="text-align: justify; "><b>અનુપમા
</b></h3><p style="text-align: justify; ">રૂપાલી ગાંગુલીનો પોપ્યુલર શો 'અનુપમા' આ અઠવાડિયે 1.5 ની રેટિંગ સાથે TRP યાદીમાં ચોથા નંબર પર યથાવત છે. લાંબા સમય સુધી દર્શકોનો ફેવરિટ રહેલો આ શો હવે TRPમાં સતત ઘટાડો નોંધાવી રહ્યો છે. સ્ટોરીમાં આવી રહેલા ફેરફાર અને નવો ટ્રેક દર્શકોને પહેલાની જેમ જકડી રાખવામાં અસમર્થ સાબિત થઈ રહ્યા છે, જેની અસર આની રેટિંગ પર સાફ જોવા મળી રહી છે.
</p><h4 style="text-align: justify; "><b>ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી 2
</b></h4><p style="text-align: justify; ">સ્મૃતિ ઈરાની અને અમર ઉપાધ્યાય સ્ટારર 'ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી 2' આ અઠવાડિયે TRP યાદીમાં પાંચમા નંબર પર છે. શોને 1.5 ની રેટિંગ મળી છે. નવાઈની વાત એ છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' અને 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' જેવા પોપ્યુલર શોઝ TRP યાદીના ટોપ 5 માંથી બહાર થઈ ગયા છે. આ અઠવાડિયે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ને 1.4 અને 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ને 1.3 રેટિંગ મળી છે.
</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/rekha-never-wanted-to-become-actress-in-bollywood" target="_blank">આ પણ વાંચો-Rekha : ફિલ્મોમાં કામ કરવા નહોતી માગતી રેખા, આ મોટી મજબૂરીના કારણે લીધો હતો એક્ટ્રેસ બનવાનો નિર્ણય!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/utGWRmzbVH7CwclhE1gtb4Rmo6YTY5OwW59VEWXw.webp'/></item><item><title><![CDATA[Meenakshi Natarajanને સુપ્રીમ કોર્ટથી ઝટકો, રાજ્યસભા ઉમેદવારી રદ્દ મામલે ફગાવાઇ અરજી ]]></title><link>https://sandesh.com/india/breakingnews/-political-news/meenakshi-natarajan-gets-a-setback-in-the-supreme-court-will-not-be-able-to-contest-the-rajya-sabha-elections</link><guid isPermaLink="true">https://sandesh.com/india/breakingnews/-political-news/meenakshi-natarajan-gets-a-setback-in-the-supreme-court-will-not-be-able-to-contest-the-rajya-sabha-elections</guid><pubDate>Fri, 12 Jun 2026 13:33:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">રિટર્નિંગ ઓફિસરે રાજ્યસભા ચૂંટણી માટે તેમનું નામાંકન ફગાવી દીધું હતું.&nbsp;</p><h2 style="text-align: justify; ">અરજી પર સુનાવણી&nbsp;</h2><p style="text-align: justify; ">સુપ્રીમ કોર્ટે શુક્રવારે કોંગ્રેસ નેતા મીનાક્ષી નટરાજન દ્વારા દાખલ કરાયેલી અરજી ફગાવી દીધી હતી. રિટર્નિંગ ઓફિસરે રાજ્યસભા ચૂંટણી માટે તેમનું નામાંકન ફગાવી દીધું હતું. કોંગ્રેસના નેતાએ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. કોર્ટે આજે તેમની અરજી પર સુનાવણી કરાઇ હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ફોર્મ 26માં ફોજદારી કેસની માહિતી જાહેર કરવી નિયમો હેઠળ ફરજિયાત છે. ફોર્મ 26 હેઠળ, ઉમેદવારોએ સોગંદનામા દ્વારા વિવિધ માહિતી પ્રદાન કરવી જરૂરી છે.&nbsp;</p><h3 style="text-align: justify; ">રાજ્ય સભા ઉમેદવારી રદ્દ કરવા વિરુદ્ધ હતી અરજી&nbsp;</h3><p style="text-align: justify; ">સુપ્રીમ કોર્ટે કહ્યું કે ફોર્મ 26માં ફોજદારી કેસની માહિતી જાહેર કરવી નિયમો હેઠળ ફરજિયાત છે. ફોર્મ 26 હેઠળ, ઉમેદવારે સોગંદનામા દ્વારા વિવિધ માહિતી પ્રદાન કરવી જરૂરી છે. આનો અર્થ એ નથી કે ફક્ત એવા કેસોનો ખુલાસો કરવો જેમાં સંજ્ઞાન લેવામાં આવ્યું હોય અથવા ચાર્જશીટ દાખલ કરવામાં આવી હોય.</p><h4 style="text-align: justify; ">SCનો હસ્તક્ષેપ કરવા મુદ્દે ઇન્કાર&nbsp;</h4><p style="text-align: justify; ">સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે પુન્નુ સ્વામી કેસ દ્વારા સ્થાપિત મિસાલ એ હતી કે કોર્ટ નામાંકન રદ કરવાના કેસમાં દખલ કરી શકતી નથી. કોર્ટે જાહેર કર્યું હતું કે અરજી જાળવી શકાય તેવી નથી. અગાઉના નિર્ણયમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે ચૂંટણી પ્રક્રિયા શરૂ થયા પછી કોર્ટ દખલ કરી શકતી નથી. ચૂંટણી પ્રક્રિયા શરૂ થયા પછી રિટ અરજી દાખલ કરી શકાતી નથી. ઉપાયો ફક્ત ચૂંટણી અરજી દ્વારા જ માંગી શકાય છે. સુપ્રીમ કોર્ટે નામાંકન રદ કરવાના આરઓના નિર્ણયને સમર્થન આપ્યું હતું.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/world/news/business/usa/us-court-approves-donald-trumps-10-global-tariff-will-have-a-big-impact-on-india" target="_blank"> Donald Trumpના 10% વૈશ્વિક Tariffને અમેરિકા કોર્ટની મંજૂરી, ભારત પર થશે મોટી અસર</a></p><p>                                    
                                </p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/LNik3TsZU0Ungoj9vH9VPmX9WwiM6djp5PxMBpwB.webp'/></item><item><title><![CDATA[Donald Trumpના 10% વૈશ્વિક Tariffને અમેરિકા કોર્ટની મંજૂરી, ભારત પર થશે મોટી અસર ]]></title><link>https://sandesh.com/world/news/business/usa/us-court-approves-donald-trumps-10-global-tariff-will-have-a-big-impact-on-india</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/business/usa/us-court-approves-donald-trumps-10-global-tariff-will-have-a-big-impact-on-india</guid><pubDate>Fri, 12 Jun 2026 13:18:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">અમેરિકી કોર્ટે તેમને અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી 10% ગ્લોબલ ટેરિફ લાદવાની સ્વતંત્રતા આપી છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">આંતરરાષ્ટ્રીય વેપાર પર અસર&nbsp;</h2><p style="text-align: justify; ">અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેપાર યુદ્ધમાં મોટી કાનૂની સફળતા મેળવી છે. અમેરિકાની ફેડરલ અપીલ કોર્ટે ટ્રમ્પ વહીવટીતંત્રને વિશ્વભરમાંથી આયાત થતી ચીજવસ્તુઓ પર 10% ગ્લોબલ ટેરિફ લાદવાની સ્વતંત્રતા આપી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, સરકાર આ બાબતે અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી આ ટેક્સ લાદી શકે છે. આ નિર્ણયથી ભારત સહિત વિશ્વભરના બજારોમાં ખળભળાટ મચ્યો છે. કારણ કે તેની સીધી અસર આંતરરાષ્ટ્રીય વેપાર પર પડશે.</p><h3 style="text-align: justify; ">24 જુલાઈ સુધી અમલ&nbsp;</h3><p style="text-align: justify; ">ડોનાલ્ડ ટ્રમ્પે આ વર્ષના ફેબ્રુઆરીમાં 1974ના ટ્રેડ એક્ટની કલમ 122 હેઠળ આ 10% ગ્લોબલ ટેરિફ લાદ્યો હતો. યુએસ સુપ્રીમ કોર્ટે ટ્રમ્પની અગાઉની, વધુ કઠોર ટેરિફ યોજનાને ફગાવી દીધા પછી આ નિર્ણય આવ્યો હતો. કલમ 122 યુએસ રાષ્ટ્રપતિને દેશના આંતરરાષ્ટ્રીય ચુકવણી સંતુલન અથવા વધતી જતી વેપાર ખાધને સંબોધવા માટે 150 દિવસ માટે 15% સુધીનો ટેક્સ લાદવાનો અધિકાર આપે છે. ટ્રમ્પનો વર્તમાન 10% ટેક્સ 24 જુલાઈ સુધી અમલમાં રહેશે અને કોઈપણ વધુ વિસ્તરણ માટે કોંગ્રેસની મંજૂરીની જરૂર પડશે.</p><h4 style="text-align: justify; ">યુએસ ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર</h4><p style="text-align: justify; ">યુએસ કોર્ટના આ નિર્ણયની ભારત પર મિશ્ર પરંતુ ગંભીર અસરો થઈ શકે છે. યુએસ ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર છે, અને જ્યારે ભારતમાંથી યુએસ મોકલવામાં આવતા સામાન પર વધારાનો 10% ટેક્સ લાદવામાં આવશે. ત્યારે તે વધુ મોંઘા થશે. ભારતના કાપડ, રત્નો અને ઝવેરાત અને એન્જિનિયરિંગ ગુડ્સ ક્ષેત્રો સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે. કારણ કે યુએસ બજારમાં તેમની માંગ જોખમમાં મુકાશે.</p><h5 style="text-align: justify; ">પરોક્ષ દબાણનો સામનો</h5><p style="text-align: justify; ">વધુમાં, IT અને ફાર્માસ્યુટિકલ કંપનીઓને પણ પરોક્ષ દબાણનો સામનો કરવો પડી શકે છે. ભારતીય કંપનીઓને યુએસ બજારમાં રહેવા માટે કિંમતોમાં ઘટાડો કરવો પડી શકે છે, જેનાથી તેમના નફાના માર્જિન પર અસર પડશે. જોકે, બચતની વાત એ છે કે આ ટેરિફ હાલમાં ફક્ત 24 જુલાઈ સુધી જ અમલમાં છે. જો કે, જો ટ્રમ્પ વહીવટીતંત્ર તેને સંસદમાંથી પસાર કરે છે અને તેને લંબાવશે, તો ભારત સરકારને પણ બદલામાં યુએસ માલ પર આયાત ડ્યુટી વધારવાની ફરજ પડી શકે છે, જે બંને દેશો વચ્ચેના વેપાર યુદ્ધને વધુ તીવ્ર બનાવી શકે છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/india/news/business/fuel-security-we-have-two-months-of-stock-government-response-to-reports-of-petrol-diesel-and-gas-shortage" target="_blank">અમારી પાસે બે મહિનાનો સ્ટોક છે, પેટ્રોલ, ડીઝલ અને ગેસની અછતના અહેવાલો પર સરકારનો પ્રતિભાવ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/voMGvr1JUYkz5l0fDwLRxh7ckYbOqWsjOp8uvVQA.webp'/></item><item><title><![CDATA[Vadodara : નિવૃત્ત અધિકારીને CBIઅને જજનો ડર બતાવી 18 દિવસ સુધી ઘરમાં જ રાખ્યા ડિજિટલ એરેસ્ટ, 1.59 કરોડ પડાવ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-retired-officer-digital-arrest-cyber-fraud-crores</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-retired-officer-digital-arrest-cyber-fraud-crores</guid><pubDate>Fri, 12 Jun 2026 13:01:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સાયબર ગુનેગારો હવે સામાન્ય લોકોને જ નહીં પરંતુ ભણેલા-ગણેલા ક્લાસ વન અધિકારીઓને પણ પોતાની જાળમાં ફસાવી રહ્યા છે. વડોદરાના વાસણા રોડ પર આવેલી હરીનગર સોસાયટીમાં રહેતા એક ઇન્સ્યોરન્સ કંપનીના નિવૃત્ત અધિકારી અતુલ કાશીદેવ સાથે 1.59 કરોડની સાયબર ઠગાઈનો અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઠગોએ CBI, પોલીસ અને સુપ્રીમ કોર્ટના જજનો ડર બતાવી નિવૃત્ત અધિકારીને સતત ૧૮ દિવસ સુધી તેમના જ ઘરમાં 'ડિજિટલ એરેસ્ટ' કરી રાખ્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>TRAI અને CBI ના નામે આવ્યો બોગસ કોલ
</b></h2><p style="text-align: justify; ">ગત 10મી માર્ચે અતુલભાઈ પર TRAI ના નામે માનવ શર્મા નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો, જેણે જણાવ્યું કે તમારા નામના સીમકાર્ડથી ગેરકાયદે પ્રવૃત્તિઓ થઈ રહી છે. ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચના બોગસ અધિકારી ઇન્દ્રજીત રાણા અને CBI ના નામે વિજય પ્રકાશ નામના ઠગે એન્ટ્રી કરી હતી. તેમણે અતુલભાઈને ધમકાવ્યા કે નરેશ રોયલ નામના ગુનેગારે તમારા નામે ખાતું ખોલાવી 538 કરોડનું કૌભાંડ કર્યું છે અને તમને પણ 25 લાખનું કમિશન મળ્યું છે.
</p><h3 style="text-align: justify; "><b>18 દિવસ સુધી રૂમમાં પૂર્યા, દર બે કલાકે હાજરી
</b></h3><p style="text-align: justify; ">સાયબર ઠગોએ સ્કાઇપ વીડિયો કોલ મારફતે અતુલભાઈને નકલી FIR અને સુપ્રીમ કોર્ટની બોગસ નોટિસો મોકલી 7 વર્ષની જેલની ધમકી આપી હતી. ઠગોએ એટલો સાયકોલોજિકલ ડર ઊભો કર્યો કે અતુલભાઈને ઘરના બારી-બારણાં બંધ રાખવા, પત્નીને સાથે બેસાડવા અને કોઈ સગા કે કામવાળી સાથે વાત ન કરવા મજબૂર કર્યા હતા. એટલું જ નહીં, દર બે કલાકે વીડિયો કોલ પર હાજરી પુરાવવાનો આદેશ આપ્યો હતો. ડરના માર્યા નિવૃત્ત અધિકારીએ પોતાની જિંદગીભરની કમાણી, બેંક FD અને સેવિંગ્સ મળી કુલ 1.59 કરોડ ઠગોના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા.
</p><h4 style="text-align: justify; "><b>બેંક સત્તાવાળાઓ અને પુત્રીની સતર્કતાથી ભાંડો ફૂટ્યો
</b></h4><p style="text-align: justify; ">અતુલભાઈ જ્યારે વધુ રકમ ઉપાડવા બેંક પહોંચ્યા ત્યારે બેંક મેનેજરને શંકા ગઈ અને તેમણે તાત્કાલિક અતુલભાઈની પુત્રીને ફોન કર્યો. પુત્રીએ પિતા સાથે વાત કરતા સમગ્ર મામલો સામે આવ્યો કે તેઓ ડિજિટલ એરેસ્ટ છે. પુત્રીએ સમય સૂચકતા વાપરી તુરંત સાયબર સેલનો સંપર્ક કર્યો હતો. પોલીસની ત્વરિત કાર્યવાહીને કારણે ઠગોના એકાઉન્ટ હોલ્ડ થતાં 11.36  લાખ પરત મેળવવામાં સફળતા મળી છે અને હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ&nbsp; પણ વાંચો----&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-gujarat-latest-news-live-and-samachar-12-june-2026-politics-weather-updates-daily-breaking-news-natio-1#google_vignette" target="_blank"><b>Gujarat Latest News Live: અલ નિનોના ખતરાથી PMનું રાજ્યોને એલર્ટ કર્યુ, કહ્યું તૈયાર રહો</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/z95mX9lC0j5M3kXq7sh7eGSnoCfvXaHK9efTfvJF.webp'/></item><item><title><![CDATA[Rajkot: આંતરરાષ્ટ્રીય એરપોર્ટના રનવે પરિસરમાં ફરતા દેખાયા રખડતા પશુઓ, અકસ્માત થાય તો જવાબદાર કોણ? ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/stray-cattle-spotted-inside-rajkot-international-airport-premises-raises-serious-security-concerns</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/stray-cattle-spotted-inside-rajkot-international-airport-premises-raises-serious-security-concerns</guid><pubDate>Fri, 12 Jun 2026 12:48:53 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ શહેરથી થોડે દૂર હીરાસર ખાતે નિર્માણ પામેલા ભવ્ય ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી વહીવટી તંત્રની આખ આડા કાન કરવાની નીતિ ઉઘાડી પાડતા દ્રશ્યો સામે આવ્યા છે. એરપોર્ટ એટલે કે જ્યાં પરિસરમાં તો ઠીક, પણ આસપાસના કિલોમીટરો સુધી પક્ષીઓ પણ ન ઉડે તેની તકેદારી રાખવાની હોય છે, ત્યાં ગાયો અને અન્ય રખડતા ઢોર આરામથી સવારના સમયે લટાર મારતા કેમેરામાં કેદ થયા છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયુવેગે પ્રસારિત થઈ રહ્યો છે, જેને પગલે સોશિયલ મીડિયા યુઝર્સ રાજકોટ એરપોર્ટના મેનેજમેન્ટની આકરી ઝાટકણી કાઢી રહ્યા છે.</p><h2><b>અગાઉ પણ બની ચૂકી છે બેદરકારીઓ</b></h2><p>રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તેના ઉદ્ઘાટન બાદથી જ કોઈને કોઈ ટેકનિકલ કે વહીવટી ખામીઓના કારણે સતત વિવાદોમાં રહ્યું છે. અગાઉ અહીં ટર્મિનલની બહાર કેનોપી (છત) નો હિસ્સો તૂટી પડવાનો કે પાણી ભરાઈ જવાનો મામલો ભારે ગાજ્યો હતો. હવે એરપોર્ટની અંદર જ રખડતા પશુઓ મુક્તપણે ફરતા દેખાતા એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા પર બહુ મોટું પ્રશ્નાર્થચિહ્ન ઉભું થયું છે. સામાન્ય રીતે એરપોર્ટની ફરતે ઊંચી મજબૂત દિવાલો અને તારની વાડ (Fencing) હોય છે, સાથે જ સિક્યોરિટી ગાર્ડ્સ 24 કલાક પેટ્રોલિંગ કરતા હોય છે. તેમ છતાં આ પશુઓ અંદર ઘૂસી ગયા અને તંત્રને ખબર સુદ્ધાં ન પડી તે આશ્ચર્યજનક છે.</p><h3><b>હવાઈ મુસાફરોની સુરક્ષા સામે બહુ મોટો પડકાર</b></h3><p>એવિએશન ક્ષેત્રના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, રનવે પર કે એરપોર્ટ પરિસરમાં રખડતા ઢોરની હાજરી એ અતિ ગંભીર ગુનો અને ફ્લાઇટ સેફ્ટી કટોકટી&nbsp; ગણાય છે. જ્યારે કોઈ પેસેન્જર વિમાન ૧૫૦ થી ૨૫૦ કિમીની સ્પીડથી રનવે પર લેન્ડ થતું હોય અથવા ટેક-ઓફ માટે દોડતું હોય, તે સમયે જો નાનું પ્રાણી કે પશુ પણ આડું આવી જાય તો વિમાન ક્રેશ થઈ શકે છે અને સેંકડો પ્રવાસીઓના જીવ જઈ શકે છે. આ વાયરલ વીડિયો બાદ સ્થાનિક લોકો અને વારંવાર પ્રવાસ કરતા મુસાફરો સવાલ ઉઠાવી રહ્યા છે કે, "જો રખડતા ઢોરના કારણે ભવિષ્યમાં કોઈ મોટી હોનારત કે અકસ્માત સર્જાશે તો તેની જવાબદારી કોણ લેશે? શું એરપોર્ટ ઓથોરિટી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે?" હાલ આ મામલે ઉચ્ચ કક્ષાએથી તપાસના આદેશ છૂટે તેવી સંભાવના સેવાઈ રહી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/delhi-cyber-cell-arrests-four-from-surat-and-tapi-in-4-82-crores-fake-trading-app-fraud" target="_blank">આ પણ વાંચો: Surat: દિલ્હી પાલમ કોલોનીના 4.82 કરોડના ફેક સ્ટોક ટ્રેડિંગ ફ્રોડમાં સુરત-તાપી કનેક્શન ખુલ્યું, 4 આરોપીઓ એરેસ્ટ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/CU3idyQ6kYGOVgOR6QBUvusOgHDeynaQYIGKv3JE.webp'/></item><item><title><![CDATA[Ahmedabad Plane Crash : "અમે આજે પણ એ રસ્તેથી પસાર નથી થતા" બી.જે. મેડિકલ કોલેજના રેસિડન્ટ ડોક્ટર્સની વાંચો જુબાની ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-plane-crash-one-year-anniversary-bj-medical-students-justice</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-plane-crash-one-year-anniversary-bj-medical-students-justice</guid><pubDate>Fri, 12 Jun 2026 12:32:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદમાં બનેલી ભયાનક પ્લેન ક્રેશની દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે, પરંતુ પીડિત પરિવારોની આંખોના આંસુ હજુ સુકાયા નથી અને ન્યાયની આશા હજુ અધૂરી છે. હોસ્ટેલ મેસ પર પ્લેન તૂટી પડવાની એ કાળઝાળ ઘટનાને યાદ કરીને આજે પણ બી.જે. મેડિકલ કોલેજના રેસિડન્ટ ડોક્ટર્સ અને મૃતકોના સ્વજનો ધ્રૂજી ઊઠે છે. એક વર્ષ વીતી જવા છતાં હજુ સુધી આ અકસ્માત પાછળનું સાચું કારણ બહાર ન આવતા સરકાર સામે સવાલો ઊભા થયા છે.</p><h2 style="text-align: justify; "><b>"મારો ભાઈ ડોક્ટર ન બની શક્યો, હવે હું બનીશ"
</b></h2><p style="text-align: justify; ">આ અકસ્માતમાં બી.જે. મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા 4 હોનહાર વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા હતા, જેમાં રાજસ્થાનના બાડમેરથી મેડિકલ ભણવા આવેલા જયપ્રકાશ ચૌધરી પણ સામેલ હતા. મેસમાં જમતી વખતે જ કાળમુખું વિમાન તેમના પર તૂટી પડ્યું હતું. જયપ્રકાશના ભાઈ હનુમાનરામ ચૌધરી અને પ્રતાપ ચૌધરીએ ભારે હૈયે જણાવ્યું કે, "અમારા ઘરની સ્થિતિ અત્યંત દયનીય છે. ભાઈની ઈચ્છા ડોક્ટર બનવાની હતી જે અધૂરી રહી ગઈ, હવે હું ડોક્ટર બનીને તેનું સપનું પૂરું કરીશ. પણ અમારી માંગ છે કે એક વર્ષ પછી પણ તપાસ રિપોર્ટ કેમ જાહેર નથી થયો? સરકાર હકીકત બહાર લાવે અને અમને ન્યાય આપે."
</p><h3 style="text-align: justify; "><b>રેસિડન્ટ ડોક્ટર્સની જુબાની: આંખો બંધ કરતા જ લાશો દેખાય છે
</b></h3><p style="text-align: justify; ">ઘટના સમયે રાહત કામગીરીમાં જોડાયેલા ડો. કેયુર પ્રજાપતિ અને અતુલ્યમ ફ્લેટમાં હાજર ડો. આનંદે જણાવ્યું કે, એ અવાજ એટલો ભયાનક હતો કે બારી-બેડ બધું ધ્રૂજી ગયું હતું. આ અકસ્માતે ડોક્ટર્સને પણ માનસિક આઘાત આપ્યો છે. 
</p><h4 style="text-align: justify; "><b>આજે પણ એ રસ્તેથી પસાર નથી થતા
</b></h4><p style="text-align: justify; ">ડો. ભગીરથ ચાવડાએ કહ્યું કે, "અમે આજે પણ એ રસ્તેથી પસાર નથી થતા. મિત્રો માટે સ્પેશિયલ મેન્ટલ કાઉન્સિલિંગ રૂમ બનાવવો પડ્યો હતો." જ્યારે ફોરેન્સિક ટીમના ડો. વિપુલ આહીરે હૃદયદ્રાવક સ્થિતિ વર્ણવતા કહ્યું કે, "આજે પણ આંખો બંધ કરીએ તો એ મૃતદેહો નજરે ચડે છે. એક ગર્ભવતી મહિલાનું પોસ્ટમોર્ટમ કર્યું હતું, જે દ્રશ્ય જિંદગીભર ભૂલી શકાય તેમ નથી." બધાની એક જ માંગ છે કે આવી ઘટના બીજી વાર કોઈની સાથે ન થાય અને તંત્ર વહેલી તકે રિપોર્ટ સાર્વજનિક કરે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો---&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-gujarat-latest-news-live-and-samachar-12-june-2026-politics-weather-updates-daily-breaking-news-natio-1#google_vignette" target="_blank"><b>Gujarat Latest News Live: હવે એક દિવસમાં 200 લીટરથી વધુ નહીં મળે ડીઝલ</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/7VLYtl8jRxFnn54E3W8J7P9FuwsZZQsek3h5yWXQ.webp'/></item><item><title><![CDATA[Junagadh: ધરાનગરમાં સોપારી ખાવા જેવી બાબતે હિંસક બનેલા પતિએ પત્નીને માર મારી પતાવી દીધી ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/junagadh/husband-bhola-solanki-arrested-for-killing-wife-over-minor-dispute-in-dharanagar</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/junagadh/husband-bhola-solanki-arrested-for-killing-wife-over-minor-dispute-in-dharanagar</guid><pubDate>Fri, 12 Jun 2026 11:49:13 +05:30</pubDate><description><![CDATA[<p>જૂનાગઢના ધરાનગર વિસ્તારમાં રહેતા એક પરિવારમાં નજીવી બાબતમાં સર્જાયેલા કંકાસે ભયાનક સ્વરૂપ ધારણ કરી લેતા એક હસતો-રમતો પરિવાર વેરવિખેર થઈ ગયો છે. સમાજમાં માનસિક વિકૃતિ અને ગુસ્સા પર કાબૂ ન રહેવાના કારણે કઈ હદ સુધીના ગંભીર પરિણામો આવી શકે છે, તેનો જીવતો-જાગતો કિસ્સો ધરાનગરમાં બન્યો છે. અહીં રહેતા ભોલા સોલંકી નામના શખ્સે પોતાની પત્ની જ્યોતિ સોલંકી સાથે માત્ર સોપારી ખાવાની બાબતમાં રકઝક અને ગાળાગાળી કરી હતી. આ મામૂલી વિવાદ એટલો વધ્યો કે ભોલાએ ભાન ગુમાવ્યું હતું.</p><h2><b>લાકડી-ઢોર મારથી પત્ની લોહીલુહાણ</b></h2><p>આરોપી પતિ ભોલા સોલંકીએ ઉશ્કેરાઈને ઘરમાં પડેલી વજનદાર વસ્તુઓ અથવા લાકડી વડે પોતાની પત્ની જ્યોતિબેન પર હિંસક હુમલો કરી દીધો હતો. તેણે જ્યોતિબેનને માથા તેમજ શરીરના નાજુક ભાગો પર બેરહેમીપૂર્વક ઢોર માર માર્યો હતો. પતિના આ ક્રૂર આક્રમણને કારણે જ્યોતિબેન ગંભીર રીતે ઘાયલ થઈને ઘરના લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો અને પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, વિધાતાને કંઈક જુદું જ મંજૂર હતું, હોસ્પિટલના બિછાને જિંદગી અને મોત વચ્ચેની જંગ લડતા-લડતા આખરે જ્યોતિબેન સોલંકીનું કરુણ મોત નીપજ્યું હતું.</p><h3><b>હત્યાનો ગુનો દાખલ, હત્યારો પતિ જેલભેગો</b></h3><p>જ્યોતિબેનના અવસાનના સમાચાર મળતા જ તેમના પિયર પક્ષમાં આક્રંદ મચી ગયો હતો. બહેનના અકાળે મોતના પગલે મૃતકના જાગૃત ભાઈએ જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બહેનને મરણતોલ માર મારી તેની હત્યા કરવા સબબ બનેવી ભોલા સોલંકી સામે નામજોગ આકરી ફરિયાદ નોંધાવી હતી. પત્નીના અવસાન સાથે જ આખો ગુનો આપઘાત કે દુષ્પ્રેરણમાંથી સીધો આયોજનપૂર્વકની હત્યા (IPC/BNS ની કલમ ૩૦૨) માં પલટાઈ ગયો હતો. સી ડિવિઝન પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી કટોકટીના ધોરણે અલગ-અલગ ટીમો બનાવી દરોડો પાડ્યો હતો અને ફરાર થવાની ફિરાકમાં રહેલા આરોપી પતિ ભોલા સોલંકીને દબોચી લીધો છે. પોલીસ હવે આરોપીના રિમાન્ડ મેળવી ઘટના સમયે અન્ય કોઈ કૌટુંબિક દબાણ હતું કે કેમ તે દિશામાં વધુ તપાસ ચલાવી રહી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/crime/gir-somnath/cyber-crime-police-busted-310-crore-international-scam-under-operation-mule-hunt-two" target="_blank">આ પણ વાંચો: Gir Somnath: ગુજરાત પોલીસનો દેશવ્યાપી ઐતિહાસિક સપાટો, ગીર સોમનાથમાં 310 કરોડના મેગા સાયબર ફ્રોડનો પર્દાફાશ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/zVs582eGGvzVWoumuwCde3MvNdBW18nQkaepl3Dz.webp'/></item><item><title><![CDATA[Gondal : હનીટ્રેપ ગેંગ પકડાઈ, ખેડૂતને ફસાવી 5 લાખ અને કાર પડાવનાર 4 આરોપીઓ જેલભેગા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gondal/gondal-honeytrap-gang-busted-farmer-kidnapping-four-arrested-by-police-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gondal/gondal-honeytrap-gang-busted-farmer-kidnapping-four-arrested-by-police-2026</guid><pubDate>Fri, 12 Jun 2026 11:38:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગોંડલ બી ડિવિઝન પોલીસે હનીટ્રેપમાં ફસાવી, ખેડૂતનું અપહરણ કરી અને બળજબરીથી પૈસા પડાવતી એક શાતિર ગેંગના ચાર આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. પકડાયેલા આરોપીઓમાં મહિલા સહિત ટોળકીના મુખ્ય સાગરીતોનો સમાવેશ થાય છે.</p><h2 style="text-align: justify; "><b>સંગીતા નામની મહિલાએ ખેડૂતને પ્રેમ જાળમાં ફસાવ્યો 
</b></h2><p style="text-align: justify; ">મળતી વિગતો મુજબ, સંગીતા નામની મહિલાએ એક ખેડૂતને પોતાની પ્રેમ જાળમાં ફસાવીને ગોંડલ બોલાવ્યો હતો. ખેડૂત જેવા ત્યાં પહોંચ્યા કે તરત જ પૂર્વ આયોજિત કાવતરા મુજબ ઇમરાન અને તેની માતા હસીનાબેન ત્યાં ધસી આવ્યા હતા. આ ટોળકીએ ખેડૂતને છરી બતાવી જાનથી મારી નાખવાની તેમજ ખોટા રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી એક રૂમમાં બંધ કરી દીધા હતા.
</p><h3 style="text-align: justify; "><b>ક્રેટા કાર પડાવી</b></h3><h3 style="text-align: justify; "><span style="font-size: 14px;">આરોપીઓએ ખેડૂત પાસેથી તુરંત જ 4,000 રોકડા પડાવી લીધા હતા અને વધુ 5 લાખની ખંડણી માંગી હતી. ખેડૂત પાસે આટલી મોટી રકમ ન હોવાથી આરોપીઓએ તેમની₹4 લાખની કિંમતી ક્રેટા કાર બળજબરીથી પડાવી લીધી હતી.</span></h3><h3 style="text-align: justify; "><b>કોરા કાગળો પર બળજબરીથી સહીઓ કરાવી 
</b></h3><p style="text-align: justify; ">આટલેથી ન અટકતા, આ ટોળકીએ દશરથ નામના અન્ય એક આરોપીને બોલાવ્યો હતો. આ ચારેય જણાએ ખેડૂતનું તેમની જ ક્રેટા કારમાં અપહરણ કર્યું હતું અને રસ્તામાં ધમકાવીને કેટલાક કોરા કાગળો પર બળજબરીથી સહીઓ કરાવી લીધી હતી. આ ઘટનાની જાણ થતાં જ ગોંડલ બી ડિવિઝનના પીઆઈ જે.આર. ઝાલા અને તેમની ટીમે એક્શન મોડમાં આવી તપાસ શરૂ કરી હતી. પોલીસે ટેકનિકલ સોર્સ, સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગણતરીના કલાકોમાં જ ચારેય આરોપીઓને દબોચી લીધા હતા.
</p><h4 style="text-align: justify; "><b>પોલીસ તપાસ શરુ
</b></h4><p style="text-align: justify; ">પોલીસે આરોપીઓ પાસેથી 4 લાખની ક્રેટા કાર, સીએનજી રીક્ષા, એક્ટીવા, 5 મોબાઈલ ફોન, છરી, રોકડા રૂપિયા અને લખાણના કાગળો સહિત કુલ 5,51,050/- નો મુદ્દામાલ રિકવર કર્યો છે. પોલીસે જણાવ્યું છે કે જો અન્ય કોઈ નાગરિક પણ આ ગેંગનો ભોગ બન્યા હોય, તો તેઓ નીડર થઈને ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પર સંપર્ક કરી શકે છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-gujarat-latest-news-live-and-samachar-12-june-2026-politics-weather-updates-daily-breaking-news-natio-1" target="_blank"><b> Gujarat Latest News Live: ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી, કેદારનાથ યાત્રા કરીને આવેલી ગાંધીનગરની મહિલાને કોરોના</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/dW8GT66AbyDRp7lB5CngHuM3Zr2LZBwN63PGk8Cx.webp'/></item><item><title><![CDATA[Asian Gamesના ગોલ્ડ મેડલિસ્ટ અને દિગ્ગજ શૂટિંગ કોચ જસપાલ રાણાનું નિધન ]]></title><link>https://sandesh.com/sports/breakingnews/legendary-indian-shooting-coach-jaspal-rana-passes-away</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/breakingnews/legendary-indian-shooting-coach-jaspal-rana-passes-away</guid><pubDate>Fri, 12 Jun 2026 10:05:45 +05:30</pubDate><description><![CDATA[<div style="text-align: justify;">પ્રખ્યાત ભારતીય શૂટિંગ કોચ જસપાલ રાણાનું શુક્રવારે અવસાન થયું છે. રાણા એશિયન ગેમ્સના ભૂતપૂર્વ સુવર્ણ ચંદ્રક વિજેતા છે અને ઓલિમ્પિકમાં બે વાર મેડલ જીતી ચૂકેલી સ્ટાર નિશાનેબાજ મનુ ભાકરના કોચ રહી ચૂક્યા છે. રાણાનું 49 વર્ષની વયે અવસાન થયું છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે જર્મનીથી પરત ફર્યા બાદ અચાનક જ તેમની તબિયત બગડી ગઈ હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, તેમનું નિધન કયા કારણે થયું તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી.</div><h2 style="text-align: justify; "><b>મ્યુનિખ વર્લ્ડ કપથી પરત ફર્યા બાદ તબિયત લથડી
</b></h2><div><div style="text-align: justify;">રાણા મ્યુનિખમાં આઈએસએસએફ (ISSF) વર્લ્ડ કપ પછી જર્મનીથી પરત ફર્યા હતા. તેઓ હાલમાં ભારતીય પિસ્તોલ શૂટર્સના હાઈ પરફોર્મન્સ કોચ તરીકે કાર્યરત હતા. ભારતીય ટીમે આ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને બે સુવર્ણ તેમજ બે રજત ચંદ્રક જીત્યા હતા.</div><div style="text-align: justify;"><img title="Jaspal Rana, Jaspal Rana passes away" src="https://epapercdn.sandesh.com/images/2026/06/12/BhIKYwWl0MOXAmMzW068MEbiwH7aJBMZiilDZkoJ.webp"></div></div><h3 style="text-align: justify; "><b>એરપોર્ટ પરથી સીધા હોસ્પિટલ ખસેડાયા
</b></h3><div style="text-align: justify; ">નેશનલ રાઈફલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (NRAI) ના એક સૂત્રએ જણાવ્યું કે, હા, જસપાલને ફ્લાઈટમાં કેટલીક તકલીફો થઈ રહી હતી અને દિલ્હીમાં ઉતર્યા બાદ તેઓ સીધા હોસ્પિટલ ગયા હતા. ત્યાં, તેમની તપાસ કરવામાં આવી અને સ્ટેન્ટ મૂકવામાં આવ્યું હતું.<br><a href="https://sandesh.com/entertainment/news/jennifer-lopez-office-romance-movie-63-countries-on-ott" target="_blank">આ પણ વાંચો-Trending Movie : 3 દિવસમાં 63 દેશોમાં નંબર વન બની આ ફિલ્મ, દુનિયાભરમાં છવાયો ક્રેઝ!</a></div><div style="text-align: justify; "><br></div><div>
</div> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/H8bMFswyQnVxRzyzSnwvfO1HcYZUOawhYs6hZ0LZ.webp'/></item></channel></rss>