<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Gaurav Khanna: પત્ની આકાંક્ષા ચમોલા સાથે છૂટાછેડાના સમાચાર પર ગૌરવ ખન્નાએ તોડયું મૌન ]]></title><link>https://sandesh.com/entertainment/news/gaurav-khanna-love-will-always-be-gaurav-khannas-first-reaction-to-the-news-of-his-divorce-with-wife-akanksha-chamola</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/gaurav-khanna-love-will-always-be-gaurav-khannas-first-reaction-to-the-news-of-his-divorce-with-wife-akanksha-chamola</guid><pubDate>Wed, 01 Jul 2026 10:51:08 +05:30</pubDate><description><![CDATA[<p>ટીવી જગતમાંથી એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રી આકાંક્ષા ચમોલાએ તાજેતરમાં જ વિવાદાસ્પદ રિયાલિટી શો "લોકઅપ 2" માં એન્ટ્રી કરી છે. શોમાં પ્રવેશતાની સાથે જ આકાંક્ષાએ પોતાની પર્સનલ લાઈફને લઈને એક મોટો ધડાકો કર્યો છે. તેણે ખુલાસો કર્યો છે કે તે અને તેના પતિ ગૌરવ ખન્ના છૂટાછેડા લઈ રહ્યા છે અને તેઓ છેલ્લા એક વર્ષથી અલગ રહે છે. આકાંક્ષાના આ એકરારે ફેન્સ અને ઈન્ડસ્ટ્રીના લોકોને સ્તબ્ધ કરી દીધા છે.</p><h2><b>છૂટાછેડાના સમાચાર પર ગૌરવ ખન્નાએ તોડયું મૌન</b></h2><p>આકાંક્ષાના આ ચોંકાવનારા ખુલાસા બાદ ગૌરવ ખન્ના અત્યાર સુધી મૌન હતો. પરંતુ મંગળવારે છૂટાછેડાની અફવાઓ વચ્ચે ગૌરવ ખન્ના પહેલીવાર જાહેરમાં જોવા મળ્યો હતો. તે રિયાલિટી શો "લાફ્ટર શેફ" ના સેટ પર પહોંચ્યો હતો. કારમાંથી બહાર નીકળીને તેણે પાપારાઝી સમક્ષ હસતા મુખે પોઝ આપ્યા હતા. સેટ પર ગૌરવનો લુક એકદમ કૂલ હતો, તેણે સફેદ ટી-શર્ટ, લૂઝ ડેનિમ અને સ્લીવલેસ જેકેટ સાથે કાળા ચશ્મા પહેર્યા હતા. શૂટિંગ બાદ જ્યારે તે બહાર આવ્યો ત્યારે તેણે આ વિવાદ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.</p><h3><b>"પ્રેમ અને સપોર્ટ હંમેશા રહેશે" - ગૌરવ ખન્ના</b></h3><p>પોતાના અંગત જીવન અને છૂટાછેડાના સમાચારો પર ટિપ્પણી કરતા ગૌરવે કહ્યું, "અમારી વચ્ચે વસ્તુઓ પહેલા જેવી જ છે. પ્રેમ અને સપોર્ટ હજુ પણ એમ જ છે. હું હંમેશા આકાંક્ષાને સપોર્ટ કરીશ. તે મારી પત્ની છે, મારી મિત્ર છે. જો હું તેને પ્રેમ કરું છું, તો હું શા માટે પાછળ હટીશ? આકાંક્ષાને શો માટે મારી શુભકામનાઓ છે. હું જીવનભર તેની સાથે ઊભો રહ્યો છું અને આગળ પણ રહીશ." આ સિવાય ગૌરવે સોશિયલ મીડિયા પર પોતાના લુકના ફોટા શેર કરીને કેપ્શનમાં લખ્યું, "હંમેશા માટે પ્રેમ."</p><h4><b>ગૌરવ ખન્ના, ૧૦ વર્ષ જૂનો છે સંબંધ</b></h4><p>ગૌરવ ખન્ના અને આકાંક્ષા ચમોલાના લગ્ન 24 નવેમ્બર, 2016 ના રોજ થયા હતા. ગૌરવને ટીવી સીરિયલ 'અનુપમા'માં અનુજ કપૂરિયાની ભૂમિકાથી દેશભરમાં જબરદસ્ત લોકપ્રિયતા અને એક સ્વચ્છ છબી મળી હતી. ત્યાર બાદ તે 'બિગ બોસ'માં જોવા મળ્યો હતો અને આ શોનો વિજેતા પણ બન્યો હતો.</p><h4><b>બિગબોસમાં ગૌરવ ખન્નાનો ખુલાસો, પત્નીને બાળકો નથી જોઈતા</b></h4><p>બિગ બોસના ઘરની અંદર ગૌરવે પોતાની પત્ની વિશે ખુલીને વાત કરી હતી. તેણે એવો પણ ખુલાસો કર્યો હતો કે આકાંક્ષાને બાળકો નથી જોઈતા, તેથી તેઓ ફેમિલી પ્લાનિંગ નથી કરી રહ્યા. શોના ગેસ્ટ વીક દરમિયાન જ્યારે આકાંક્ષા આવી હતી ત્યારે બંને વચ્ચેનો અદ્ભુત પ્રેમ જોઈને ફેન્સ ખુશ થઈ ગયા હતા, પરંતુ હવે અચાનક લોકઅપ ૨ માં આકાંક્ષાએ લીધેલા છૂટાછેડાના નામે બધાને મૂંઝવણમાં મૂકી દીધા છે.</p><p><br></p><p><a href="https://sandesh.com/entertainment/news/dia-mirza-reveals-at-the-trailer-launch-of-ikka-i-was-very-scared-after-slapping-akshaye-khanna" target="_blank">આ પણ વાંચો : "Ikka"ના ટ્રેલર લોન્ચમાં દિયા મિર્ઝાનો ખુલાસો, અક્ષય ખન્ના સાથે આવું કર્યા બાદ હું ખૂબ ડરી ગઈ હતી....</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/lGfkS2qaZHDFtsXJrqyMg93y6eAKWvy7jSRlcuJQ.webp'/></item><item><title><![CDATA[Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલની લાલઆંખ, "ગમે ત્યાં પિચકારી મારનારા અને કચરો ફેંકનારાઓની હવે વ્યવસ્થા થશે જ..! ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gandhinagar-cm-bhupendra-patel-warning-namo-swachhta-abhiyan-gandhinagar-civil-hospital</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gandhinagar-cm-bhupendra-patel-warning-namo-swachhta-abhiyan-gandhinagar-civil-hospital</guid><pubDate>Wed, 01 Jul 2026 10:47:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતને દેશનું સૌથી સ્વચ્છ રાજ્ય બનાવવાના સંકલ્પ સાથે પાટનગર ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી 'નમો સ્વચ્છતા અભિયાન'ની રાજ્યવ્યાપી ભવ્ય શરૂઆત કરવામાં આવી છે. આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર મંચ પરથી ગંદકી કરનારા તત્વો સામે અત્યાર સુધીની સૌથી કડક અને સીધી ચિમકી આપી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>હવે કડક વ્યવસ્થા થશે</b></h2><p style="text-align: justify; ">સીએમ પટેલે કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, "રસ્તાઓ કે જાહેર સ્થળો પર ગમે ત્યાં પાન-મસાલાની પિચકારી મારનારા લોકો સુધરી જાય, નહીંતર આવા લોકો માટે હવે કડક વ્યવસ્થા થશે જ!"</p><h2 style="text-align: justify; "><b>તંત્ર દ્વારા આકરાં પગલાં ભરવામાં આવશે</b></h2><p style="text-align: justify; ">મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે કચરો નાખનારા અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારા લોકો સામે હવે તંત્ર દ્વારા આકરાં પગલાં ભરવામાં આવશે. સ્વચ્છતા માત્ર સરકારી અભિયાન નથી, પરંતુ આપણે તેને આપણો રોજિંદો સ્વભાવ અને સંસ્કાર બનાવવો પડશે.</p><h4 style="text-align: justify; "><b>દરેક ક્ષેત્રમાં ભેળસેળિયાઓ સામે કડક રેડની કાર્યવાહી&nbsp;</b></h4><p style="text-align: justify; ">આ જ મંચ પરથી રાજ્યના આરોગ્ય અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગના મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ જનહિતમાં મોટા નિવેદનો આપ્યા હતા. મંત્રી પાનસેરિયાએ જણાવ્યું કે, 'નમો સ્વચ્છતા અભિયાન' અંતર્ગત ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં પણ અત્યારે વ્યાપક સફાઈ અભિયાન અને શુદ્ધિકરણ ચાલુ છે. હાલ રાજ્યના દરેક ક્ષેત્રમાં ભેળસેળિયાઓ સામે કડક રેડની કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે.</p><h4 style="text-align: justify; "><b>આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે કાર્યવાહી</b></h4><p style="text-align: justify; ">જનતાના આરોગ્ય સાથે ચેડાં કરતા અને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો તેમજ નકલી દવાઓ બનાવી લોકોના જીવ જોખમમાં મૂકતા માફિયાઓ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં આશ્વાસન આપ્યું હતું કે ગમે તેટલી વગ ધરાવતા ગુનેગારને પણ બક્ષવામાં નહીં આવે. ગાંધીનગરના આ કાર્યક્રમ બાદ હવે ગંદકી કરનારા અને ભેળસેળ કરનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.&nbsp;</p><p style="text-align: justify; ">&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; </p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-india-weather-driest-june-in-100-years-monsoon-delay-july-forecast" target="_blank"><b>Sandesh Digital Explainer: છેલ્લા 100 વર્ષમાં સૌથી સૂકો જૂન મહિનો કેમ રહ્યો ? હવે જુલાઈમાં શું થશે? તમારા પ્રશ્નના તમામ જવાબ વાંચો</b></a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/7jxB1QLhErs0FTcvmeJWfBTODEn9Ipi1PcoKNCQp.webp'/></item><item><title><![CDATA[Train Cancelled: રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર, જુલાઇમાં 6 ટ્રેન કરાઇ રદ્દ,જાણી લો લિસ્ટ ]]></title><link>https://sandesh.com/india/news/train-cancelled-important-news-for-railway-passengers</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/train-cancelled-important-news-for-railway-passengers</guid><pubDate>Wed, 01 Jul 2026 10:43:24 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય રેલવે એ કરોડો લોકો માટે મુસાફરીનું સૌથી વિશ્વાસપાત્ર અને લોકપ્રિય માધ્યમ છે. જોકે, ક્યારેક પાયાની સુવિધાઓને મજબૂત બનાવવા કે સ્ટેશનોના આધુનિકીકરણ માટે રેલવેને કેટલીક ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કરવાની ફરજ પડે છે. તાજેતરમાં, ઉત્તર મધ્ય રેલવેના ઝાંસી ડિવિઝન હેઠળ આવતા લલિતપુર સ્ટેશન પર 'યાર્ડ રિમોડેલિંગ'નું ટેકનિકલ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરીને ધ્યાનમાં રાખીને રેલવેએ મુસાફરોને અગાઉથી જાણકારી આપી દીધી છે, જેથી તેમને કોઈ અગવડતા ન પડે.</p><h2 style="text-align: justify; "><b>6 ટ્રેનો કરાઇ રદ્દ</b></h2><p style="text-align: justify; ">રેલવે દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આ આધુનિકીકરણનું કામ 1 જુલાઈ, 2026 થી શરૂ થઈ ગયું છે, જે 1 ઓગસ્ટ, 2026 સુધી ચાલશે. આ કામગીરીને લીધે ટ્રેનોના સમયપત્રક અને રૂટમાં નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યા છે. મુખ્યત્વે 34 જેટલી મહત્વની એક્સપ્રેસ અને સ્પેશિયલ ટ્રેનોને અન્ય રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી છે. આ યાદીમાં નવી દિલ્હી-હૈદરાબાદ એક્સપ્રેસ, હૈદરાબાદ-હઝરત નિઝામુદ્દીન, વિશાખાપટ્ટનમ-નવી દિલ્હી, અમદાવાદ-સહરસા, ચેન્નાઈ-નવી દિલ્હી, અને અમૃતસર-બિલાસપુર જેવી લાંબા અંતરની ટ્રેનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, લોકમાન્ય તિલક ટર્મિનસ-અયોધ્યા કેન્ટ અને યશવંતપુર-હઝરત નિઝામુદ્દીન જેવી ટ્રેનો પણ ડાયવર્ઝનને કારણે વિલંબિત થઈ શકે છે.</p><h3 style="text-align: justify; "><b>કેટલીક ટ્રેનો રદ્દ કરવામાં આવી</b></h3><p style="text-align: justify; ">કેટલીક ટ્રેનોને સંપૂર્ણપણે રદ પણ કરવામાં આવી છે, જેમાં લખનૌ શહેર-SMVT બેંગલુરુ, હુબલી-યોગ નગરી ઋષિકેશ, બીના-લલિતપુર પેસેન્જર અને ભોપાલ-ખજુરાહો એક્સપ્રેસ મુખ્ય છે. આ તમામ ટ્રેનો નિર્ધારિત તારીખો પર દોડશે નહીં, જેથી મુસાફરોએ પોતાની મુસાફરીનું આયોજન કરતી વખતે આ સૂચિને ખાસ ધ્યાનમાં લેવી અનિવાર્ય છે.</p><h4 style="text-align: justify; "><b>મુસાફરો પ્રવાસ શરૂ કરતા પહેલા સ્ટેટસ તપાસી લે</b></h4><p style="text-align: justify; ">રેલવે પ્રશાસને મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ પ્રવાસ શરૂ કરતા પહેલાં તેમની ટ્રેનનું સ્ટેટસ તપાસી લે. મુસાફરો સત્તાવાર રેલવે એપ અથવા હેલ્પલાઈન નંબર પર કોલ કરીને પણ લેટેસ્ટ અપડેટ મેળવી શકે છે. આ કામગીરી રેલવેની સુરક્ષા અને કાર્યક્ષમતા વધારવા માટે કરવામાં આવી રહી છે, તેથી મુસાફરોને થોડો સમય સહકાર આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. જો તમે જુલાઈ મહિના દરમિયાન મુસાફરી કરવાનું વિચારી રહ્યા હોવ, તો તમારી ટિકિટની સ્થિતિ અને ટ્રેનના રૂટની ચોકસાઈ કરવી અત્યંત જરૂરી છે, જેથી તમે સમયસર તમારા ગંતવ્ય સુધી પહોંચી શકો.<br><br><b><a href="https://sandesh.com/world/news/operation-amistad-india-became-a-ray-of-hope-in-venezuelas-difficult-times-said-thank-you-india" target="_blank">આ પણ વાંચોઃ&nbsp; Operation Amistad: વેનેઝુએલાના મુશ્કેલ સમયમાં ભારત બન્યું 'આશાનું કિરણ',કહ્યુ થેંક્યુ ઇન્ડિયા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/s5uJqp6FZyecIrpXqMzpHZ03PEucSystkDGdsPPc.webp'/></item><item><title><![CDATA[Ram Mandir Donation Row: કલંક લઇને અયોધ્યા નહી છોડુ, દાનચોરી મામલે ચંપત રાયની પ્રતિક્રિયા ]]></title><link>https://sandesh.com/india/news/ram-mandir-donation-row-i-will-not-leave-ayodhya-with-the-stigma-champat-rais-reaction-on-the-donation-row</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ram-mandir-donation-row-i-will-not-leave-ayodhya-with-the-stigma-champat-rais-reaction-on-the-donation-row</guid><pubDate>Wed, 01 Jul 2026 10:42:44 +05:30</pubDate><description><![CDATA[<p>રામ મંદિરમાં પ્રસાદની ચોરીના વિવાદ વચ્ચે તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે ટ્રસ્ટના મુખ્ય સચિવ પદેથી રાજીનામુ આપ્યુ છે. દાનચોરી મામલે તેમની પણ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી. તેઓનુ કોઇ મીડિયામાં નિવેદન સામે આવ્યું નથી પરંતુ તેમણે નજીકના લોકો સાથે કરેલી વાતચીત સામે આવી છે.&nbsp;</p><h2><b>પ્રતિષ્ઠા પર કલંક લગાવીને અયોધ્યા નહી છોડે - ચંપત રાય&nbsp;</b></h2><p> તેમના નજીકના સાથીઓને કહ્યું છે કે તેઓ તેમની પ્રતિષ્ઠા પર ડાઘ લગાવીને અયોધ્યા નહીં છોડે. ચોરીને લગતા સતત પ્રશ્નોના જવાબમાં રાયે તેમના નજીકના લોકો સાથે વાતચીત દરમિયાન કહ્યું કે અયોધ્યામાં મારી સેવા પૂર્ણ થઈ ગઈ છે. મંદિરનું નિર્માણ થઈ ગયું છે. પરંતુ હું અયોધ્યાથી કલંક લઈને નહીં જાઉં. મહત્વનું છે કે ચંપત રાય હાલમાં એકાંતવાસમાં છે.  સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)નો ફાઇનલ રિપોર્ટ આવે તેની રાહ જોઇ રહ્યા છે. વું માનવામાં આવે છે કે રિપોર્ટ જાહેર થયા પછી તેઓ પોતાનો પક્ષ રજૂ કરી શકે છે.</p><h3><b>ટિન્નુ યાદવ પાસે આવી અપેક્ષા ન હતી- ચંપત રાય&nbsp;</b></h3><p>તેમના નજીકના સાથીઓ સાથેની વાતચીતમાં ચંપત રાયે કહ્યું કે ટીન્નુ યાદવે દગો આપી દીધો. મને તેની પાસે આવી અપેક્ષા ન હતી. ચંપત રાય જે તીર્થ ક્ષેત્ર પુરમમાં જે રૂમમાં રહે છે તે સામાન્ય જ રૂમ છે.  80 વર્ષીય નેતાના પલંગ પાસે ભગવાન રામની મૂર્તિ છે. તેમની સાથે હાજર રહેલા લોકોએ આરોપો પછી તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી ત્યારે ચંપત રાયે ભગવાન રામની મૂર્તિ તરફ ઈશારો કર્યો અને કહ્યું કે મારે ચિંતા કરવાની શું જરૂર છે? તેમણે આરોપો લગાવ્યા છે તો તેઓ જ આરોપો હટાવશે મારા પરથી.&nbsp;</p><p><br></p><h3><b>આ મામલે 8 લોકોની ધરપકડ&nbsp;</b></h3><p>એફઆઈઆરમાં નામ આપવામાં આવેલા વ્યક્તિઓમાં રામશંકર યાદવ ઉર્ફે ટીનુ (ચંપત રાયના નજીકના સહયોગી), અનુકલ્પ મિશ્રા, અવિનાશ શુક્લા, કરુણેશ પાંડે, મનીષ યાદવ, લવકુશ મિશ્રા, રામ શંકર મિશ્રા અને સુભાષ શ્રીવાસ્તવ (કાઉન્ટિંગ ઇન્ચાર્જ અને નિવૃત્ત બેંક કર્મચારી)નો સમાવેશ થાય છે.&nbsp;</p><p>પોલીસે આ કેસમાં કુલ આઠ વ્યક્તિઓના નામ આપ્યા છે. ભારતીય ન્યાય સંહિતા (BNS) અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (PC Act) ની કલમ 306, 316, 317, 317(4), 317(5), 61 અને 3(5) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.&nbsp;</p><p>રામ મંદિર ટ્રસ્ટે પ્રસાદની ચોરી અંગે એફઆઈઆર નોંધાવી છે. જોકે, રામ મંદિર ટ્રસ્ટની એફઆઈઆરમાં ચંપત રાયનું નામ દેખાતું નથી. અનિલ મિશ્રા અને ગોપાલ રાવના નામ પણ એફઆઈઆરમાં સામેલ નથી.</p><p><br></p><h4><b>સીસીટીવી ફૂટેજ આવ્યા સામે&nbsp;</b></h4><p>જ્યારે આ મામલો ફક્ત 7 જૂનના રોજ  લોકોના ધ્યાન પર આવ્યો હતો. આરોપી અવિનાશ શુક્લાનું વિશિષ્ટ CCTV ફૂટેજ પણ સામે આવ્યું છે. આ 24-સેકન્ડની ક્લિપ 5 જૂન, 2026 ના રોજ રાત્રે 8:13 વાગ્યાની છે.&nbsp; ફૂટેજમાં પોલીસ કર્મચારીઓ અને બેંક કર્મચારીઓ અવિનાશ શુક્લાને કસ્ટડીમાં લેતા અને તેને સફેદ કાર તરફ લઈ જતા બતાવે છે. વીડિયોમાં અવિનાશના હાથમાં કાળી બેગ દેખાય છે. સૂત્રોનો દાવો છે કે જપ્ત કરાયેલી રોકડ આ જ બેગમાં રાખવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મંદિરના પ્રસાદની કથિત ચોરીની માહિતી મળ્યા બાદ પોલીસે અવિનાશ શુક્લા પાસેથી આશરે ₹5 લાખ રિકવર કર્યા હતા. CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે પોલીસ આરોપીને પકડીને સફેદ વાહનમાં બેસાડી રહી છે જ્યારે તે કાળી બેગ પકડી રાખે છે.</p><p><br></p><p><a href="https://sandesh.com/gallery/news/india/why-are-potatoes-and-chickpeas-the-filling-in-panipuri?" target="_blank">આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/W98G15AdUWF7QMMKLK4EiwIP9Pr2yP13pikDc1zi.webp'/></item><item><title><![CDATA[Bhavnagar મેડિકલ કોલેજ રેગિંગ કાંડમાં કુલપતિનો વિવાદાસ્પદ નિર્ણય, વિદ્યાર્થીઓને 9 મહિના વહેલી સજા માફી આપતાં ભારે રોષ! ]]></title><link>https://sandesh.com/gujarat/news/bhavnagar/bhavnagar-medical-college-ragging-case-vc-reduces-punishment-controversy</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/bhavnagar/bhavnagar-medical-college-ragging-case-vc-reduces-punishment-controversy</guid><pubDate>Wed, 01 Jul 2026 10:31:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">શિક્ષણજગતને કલંકિત કરનારી અને વિદ્યાર્થીઓના માનસપટ પર ઊંડો આઘાત છોડનારી રેગિંગ જેવી ગંભીર ઘટનાઓમાં કડક પગલાં લેવાને બદલે ભાવનગરથી એક ચોંકાવનારા અને વિવાદાસ્પદ સમાચાર સામે આવ્યા છે. ભાવનગર મેડિકલ કોલેજમાં વર્ષ 2025માં બનેલા ચકચારી અને અમાનવીય રેગિંગ કાંડના ગુનેગારો પ્રત્યે યુનિવર્સિટીના કુલપતિએ રહસ્યમય કૂણું વલણ દાખવીને તેમની સજા ઘટાડી દીધી છે. એન્ટી રેગિંગ કમિટીના કડક આદેશને ઘોળીને પી જતાં કુલપતિના આ નિર્ણયથી શિક્ષણજગત, વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>2025માં મેડિકલ કોલેજના સિનિયર વિદ્યાર્થીઓએ રેગિંગ કર્યું હતું&nbsp;</b></h2><p style="text-align: justify; ">આ સમગ્ર મામલાની વિગત એવી છે કે, વર્ષ 2025માં મેડિકલ કોલેજના સિનિયર વિદ્યાર્થીઓ મન પટેલ, નરેન ચૌધરી, મિલન કાકલોતર અને પિયુષ ચૌહાણ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓ સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું. આ ચારેય વિદ્યાર્થીઓએ જુનિયર વિદ્યાર્થીઓનું અપહરણ કરી, તેમના પર હિંસક હુમલો કર્યો હતો અને પરાણે યુરિન પીવડાવવા જેવું શરમજનક કૃત્ય આચર્યું હતું.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>વિદ્યાર્થીઓને 2 વર્ષ માટે કોલેજમાંથી સસ્પેન્ડ કરાયા હતા</b></h3><p style="text-align: justify; ">આ ગંભીર મામલે એન્ટી રેગિંગ કમિટીએ કડક વલણ અપનાવીને ગુનેગાર ચારેય વિદ્યાર્થીઓને 2 વર્ષ માટે કોલેજમાંથી સસ્પેન્ડ કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો હતો.</p><h4 style="text-align: justify; "><b>9 મહિના પહેલાં જ સજા મુક્તિ આપી દેવામાં આવી</b></h4><p style="text-align: justify; ">જોકે, આ સજા પૂરી થાય તે પહેલાં જ યુનિવર્સિટીના કુલપતિએ એક વિવાદાસ્પદ ઓર્ડર પાસ કરીને ચારેય વિદ્યાર્થીઓની 2 વર્ષની સજા ઘટાડીને માત્ર 1 વર્ષ અને 3 મહિનાની કરી દીધી છે. એટલે કે સજા પૂરી થવાના 9 મહિના પહેલાં જ તેમને સજા મુક્તિ આપી દેવામાં આવી છે. આ નિર્ણયને પગલે પીડિત વિદ્યાર્થીઓ અને ફરિયાદી પક્ષમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. વાલીઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે જો આવી ઘાતકી અને સંવેદનશીલ ઘટનાઓમાં પણ કુલપતિ દ્વારા ગુનેગારોને વહેલી રાહત આપી દેવાશે, તો ભવિષ્યમાં રેગિંગ અટકશે કેવી રીતે?&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-india-weather-driest-june-in-100-years-monsoon-delay-july-forecast" target="_blank"><b> &nbsp;Sandesh Digital Explainer: છેલ્લા 100 વર્ષમાં સૌથી સૂકો જૂન મહિનો કેમ રહ્યો ? હવે જુલાઈમાં શું થશે? તમારા પ્રશ્નના તમામ જવાબ વાંચો</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/0rvGxceMcQYarfB9K5GlD0I06qwXfo8sIFokTFQb.webp'/></item><item><title><![CDATA[Stock Market Opening: શેરબજારની શાનદાર શરૂઆત, સેન્સેક્સ 76,636 અંકે ખૂલ્યો ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-opening-great-start-to-the-stock-market-sensex-opens-at-76636-points</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-opening-great-start-to-the-stock-market-sensex-opens-at-76636-points</guid><pubDate>Wed, 01 Jul 2026 09:38:56 +05:30</pubDate><description><![CDATA[<p>બુધવારે સ્થાનિક શેરબજારની શરૂઆત સકારાત્મક રહી. શરૂઆતના કારોબારમાં, સેન્સેક્સ 129.93 પોઈન્ટ (0.17 ) વધીને 76,608 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 46.40 પોઈન્ટ (0.19 %) વધીને 23912.15ના સ્તરે પહોંચ્યો હતો. વૈશ્વિક બજારોના મિશ્ર સંકેતો છતાં સ્થાનિક બજારમાં ખરીદીનો માહોલ પ્રબળ રહ્યો.</p><p><h2><b>બુધવારે શેરબજારમાં તેજી&nbsp;</b></h2>સવારે 9.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ 158.22&nbsp; પોઇન્ટના વધારા&nbsp; સાથે 76,636.89 અંકે ખૂલ્યો જ્યારે નિફ્ટી +58.80 પોઇન્ટના ઘટાડા સાથે 23,924.55 અંકે ખૂલ્યો.&nbsp;</p><p><b style="font-size: 2rem;">કયા શેરોમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો?</b></p><p>સેન્સેક્સના શેરોમાં, ટાઇટન (~1.94%), એમ એન્ડ એમ (1.92%), એટરનલ (1.81%), સન ફાર્મા (1.25%), ઇન્ફોસિસ (0.84%) અને કોટક મહિન્દ્રા બેંક (0.78%) વધારા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. વધુમાં, અદાણી પોર્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટીસીએસ, મારુતિ, રિલાયન્સ, આઈટીસી, એક્સિસ બેંક, હિન્દુસ્તાન યુનિલિવર, એસબીઆઈ અને બીઈએલ પણ લીલા નિશાનમાં ટ્રેડ કરી રહ્યા હતા.</p><p>બીજી બાજુ, બજાજ ફાઇનાન્સમાં 1.53% નો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો. લાલ નિશાનમાં ટ્રેડિંગ કરતા અન્ય શેરોમાં ટેક મહિન્દ્રા, ICICI બેંક, ઇન્ડસઇન્ડ બેંક, ટાટા સ્ટીલ, HCLટેક, ટ્રેન્ટ, લાર્સન એન્ડ ટુબ્રો, એશિયન પેઇન્ટ્સ, પાવર ગ્રીડ, NTPC અને ભારતી એરટેલનો સમાવેશ થાય છે.</p><p>ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, નિફ્ટી ઓટો (0.63%), નિફ્ટી IT (0.58%), સ્મોલકેપ 100 (0.52%), FMCG (0.42%) અને મિડકેપ 100 (0.33%) માં વધારો જોવા મળ્યો. દરમિયાન, નિફ્ટી બેંક 0.01% ઘટીને થોડો નીચો ટ્રેડિંગ કરી રહ્યો હતો.</p><h4><b>એશિયન બજારોમાં મિશ્ર વલણ</b></h4><p>બુધવારે એશિયન શેરબજારોએ મિશ્ર ચિત્ર રજૂ કર્યું. જાપાનનો નિક્કી 225 લગભગ 0.5 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે દક્ષિણ કોરિયાનો KOSPI 2.31 ટકા ઘટ્યો હતો. આ વાતાવરણ વચ્ચે, રોકાણકારો નોંધપાત્ર રોકાણ કરતા પહેલા વૈશ્વિક વિકાસ પર નજર રાખી રહ્યા છે.&nbsp;</p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2024/12/23/JsB2qcZ5cqr3IT9RcYmVH8pzPa3QLXmYcmRPlWNx.jpg'/></item><item><title><![CDATA[AMCના સ્વચ્છતા વર્કશોપમાં જ નેતાઓનું 'અસ્વચ્છ' આચરણ, 192 માંથી 172 કોર્પોરેટરો ગાયબ, 20 માંથી 2 તો ઊંઘતા ઝડપાયા..! ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-swachhta-workshop-amc-corporators-absent-mayor-hitesh-barot</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-swachhta-workshop-amc-corporators-absent-mayor-hitesh-barot</guid><pubDate>Wed, 01 Jul 2026 08:51:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં સફાઈ અને સ્વચ્છતાના સુધારા માટે એક વિશેષ 'સ્વચ્છતા અભિયાન વર્કશોપ'નું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ વર્કશોપમાં શહેરને સ્વચ્છ રાખવાના પાઠ ભણાવવાના હતા, પરંતુ તેમાં ખુદ જનપ્રતિનિધિઓની ભારે ઉદાસીનતા અને નફ્ફટાઈ સામે આવી છે.</p><h2 style="text-align: justify; "><b>172  કોર્પોરેટરો ગાયબ</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, અમદાવાદના કુલ 192  કોર્પોરેટરોમાંથી 172 કોર્પોરેટરો આ મહત્વપૂર્ણ વર્કશોપમાં હાજર જ ન રહ્યા. આટલી મોટી સંખ્યામાં નેતાઓની ગેરહાજરીથી તંત્ર દોડતું થઈ ગયું હતું.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>બે કોર્પોરેટરો ઉંઘતા ઝડપાયા&nbsp;</b></h3><p style="text-align: justify; ">નવાઈની વાત તો એ છે કે, જે માત્ર 20 કોર્પોરેટરો હાજર રહ્યા હતા, તેમાંથી પણ બે કોર્પોરેટરો તો વર્કશોપ દરમિયાન જાહેરમાં ઘસઘસાટ ઊંઘતા ઝડપાયા હતા. સ્વચ્છતાના ક્લાસમાં નેતાઓનું આવું 'અસ્વચ્છ' અને બેજવાબદાર આચરણ જોઈને ભારે ચર્ચા જાગી છે.</p><h4 style="text-align: justify; "><b>મેયર હિતેશ બારોટે લગાવી ફટકાર</b></h4><p style="text-align: justify; ">વર્કશોપમાં કોર્પોરેટરોની આવી ગંભીર બેદરકારી જોઈને અમદાવાદના મેયર હિતેશ બારોટ ભારે નારાજ થયા હતા. તેમણે જાહેરમાં જ ઊંઘતા અને ગેરહાજર નેતાઓને કડક ટકોર કરવી પડી હતી. હવે સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં જનતા સવાલો ઉઠાવી રહી છે કે જો વર્કશોપમાં જ કોર્પોરેટરો ગેરહાજર રહેશે અથવા ઊંઘશે, તો તેઓ પોતાના વોર્ડમાં જઈને જનતાને સ્વચ્છતાના પાઠ કેવી રીતે શીખવશે?&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; <a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-india-weather-driest-june-in-100-years-monsoon-delay-july-forecast" target="_blank"><b>&nbsp; Sandesh Digital Explainer: છેલ્લા 100 વર્ષમાં સૌથી સૂકો જૂન મહિનો કેમ રહ્યો ? હવે જુલાઈમાં શું થશે? તમારા પ્રશ્નના તમામ જવાબ વાંચો</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/FSQhXWw6Hk0TAtbxPTgI6Po17ETySEr9sWdpgDs5.webp'/></item><item><title><![CDATA[Monsoon 2026 : સવારથી જ વલસાડ, છોટાઉદેપુર, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ ]]></title><link>https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-gujarat-monsoon-update-valsad-underpass-closed-surat-rain</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-gujarat-monsoon-update-valsad-underpass-closed-surat-rain</guid><pubDate>Wed, 01 Jul 2026 08:36:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દક્ષિણ-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ચોમાસું બરાબરનું જામ્યું છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં મોડી રાતથી જ સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સતત વરસી રહેલા વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના લીધે વાહનચાલકો અને સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>વલસાડમાં ભારે વરસાદ</b></h2><p style="text-align: justify; ">વલસાડ જિલ્લામાં મોડી રાતથી જ મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ શરૂ કરી છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદને કારણે વલસાડના મોગરાવાડી અંડરપાસમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. પાણીનું સ્તર વધી જતાં વહીવટી તંત્ર દ્વારા આ અંડરપાસને વાહનવ્યવહાર માટે તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો છે. અંડરપાસ બંધ થવાને કારણે સ્થાનિક લોકોને અવરજવર માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, જેને પગલે પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓ સામે મોટા સવાલો ઉભા થયા છે.ઉપરાંત વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયા છે. છીપવાડ અંડરપાસમાં પાણી ભરાતા વાહનો બંધ થઇ ગયા હતા. અંડરપાસમાં ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો અટવાયા હતા અને  ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસે ફસાયેલા વાહનોને બહાર કાઢ્યા હતા.</p><h3 style="text-align: justify; "><b>સુરત પણ સવારથી વરસાદ</b></h3><p style="text-align: justify; ">બીજી તરફ, સુરત શહેરમાં ગઈકાલે ખાબકેલા ધોધમાર વરસાદ બાદ આજે વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ ચાલુ છે. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જોકે, ગઈકાલના ભારે વરસાદના કારણે સુરતમાં પણ ઠેર-ઠેર પાણી ભરાઈ જતાં મનપા તંત્રની કામગીરીની પોલ ખૂલી ગઈ હતી.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>ગીર સોમનાથ જિલ્લામાં પણ મેઘરાજાની પધરામણી&nbsp;</b></h3><p style="text-align: justify; ">આ ઉપરાંત સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લામાં પણ મેઘરાજાની પધરામણી થઈ છે. વેરાવળ અને સોમનાથ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે, જેથી લાંબા સમયના ઉકળાટ બાદ લોકોને ગરમીથી મોટી રાહત મળી છે.</p><h4 style="text-align: justify; "><b>છોટાઉદેપુરમાં વરસાદી માહોલ જામ્યો</b></h4><p style="text-align: justify; ">ઉપરાંત છોટાઉદેપુરમાં વરસાદી માહોલ જામ્યો છે. છોટાઉદેપુરના મેઈન બજાર, માણેકચોક વિસ્તારમાં વરસાદથી પાણી પાણી થઇ ગયો છે. ઉપરાંત પાવી જેતપુર,બોડેલીમાં છુટોછવાયો વરસાદ નોંધાયો છે. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-india-weather-driest-june-in-100-years-monsoon-delay-july-forecast" target="_blank"><b> Sandesh Digital Explainer: છેલ્લા 100 વર્ષમાં સૌથી સૂકો જૂન મહિનો કેમ રહ્યો ? હવે જુલાઈમાં શું થશે? તમારા પ્રશ્નના તમામ જવાબ વાંચો</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/OwdIcgeq3LifBZNRNJQ0ivnTqNOyQ4y5kkBD51Hw.webp'/></item><item><title><![CDATA[Bharuch: શોપિંગ મોલની સાઇટની દિવાલ મકાન પર પડતા પિતા-પુત્રનું કમકમાટીભર્યું મોત, બે મહિલાઓનો આબાદ બચાવ ]]></title><link>https://sandesh.com/gujarat/news/bharuch/bharuch-wall-collapse-accident-father-son-died-ali-matariya-talav</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/bharuch/bharuch-wall-collapse-accident-father-son-died-ali-matariya-talav</guid><pubDate>Wed, 01 Jul 2026 08:18:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભરૂચના આલી માતરીયા તળાવ વિસ્તારમાં  નિર્માણાધીન વર્લ્ડ ટ્રેડ સેન્ટર શોપિંગ મોલની સાઈટ પર આવેલી વિશાળ દિવાલ અચાનક નજીકમાં આવેલા રહેણાંક મકાન પર ધસી પડી હતી. આ ગંભીર દુર્ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યો કાટમાળ નીચે દબાઈ ગયા હતા.</p><h2 style="text-align: justify; "><b>કાટમાળ નીચે દબાયેલા પિતા-પુત્રનું કરૂણ મૃત્યુ</b></h2><p style="text-align: justify; ">દિવાલ પડવાની આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે પરિવારના સભ્યોને બહાર નીકળવાનો પણ મોકો મળ્યો ન હતો. આ દુર્ઘટનામાં 21 વર્ષીય આશિષ વસાવા અને તેમના પિતા અશ્વિન વસાવાનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. સદનસીબે, આ જ પરિવારની બે મહિલાઓનો આબાદ બચાવ થયો છે, જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરી</b></h3><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોમાં અફરા તફરી  મચી ગઈ હતી. તુરંત જ પાલિકાની ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયર જવાનોનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>મૃતદેહો અને ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા</b></h4><p style="text-align: justify; ">ફાયર ટીમે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને કાટમાળ નીચે દબાયેલા મૃતદેહો અને ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. આ ઘટનાને પગલે આખા વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. હાલમાં તંત્ર દ્વારા આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે કે શું સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન થયું હતું કે નહીં.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; <a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-india-weather-driest-june-in-100-years-monsoon-delay-july-forecast" target="_blank"><b>Sandesh Digital Explainer: છેલ્લા 100 વર્ષમાં સૌથી સૂકો જૂન મહિનો કેમ રહ્યો ? હવે જુલાઈમાં શું થશે? તમારા પ્રશ્નના તમામ જવાબ વાંચો</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/NqXHo7olCd1sKIFkhmAMUqEWAIGru75VDGtFfnxZ.webp'/></item><item><title><![CDATA[Fifa World Cup 2026 : ફ્રાન્સે સ્વીડનને 3-0ના માર્જિનથી હરાવ્યું ,રાઉન્ડ ઓફ 16માં સ્થાન મેળવ્યું ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-france-beats-sweden-by-3-0-margin-advances-to-round-of-16</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-france-beats-sweden-by-3-0-margin-advances-to-round-of-16</guid><pubDate>Wed, 01 Jul 2026 08:09:05 +05:30</pubDate><description><![CDATA[<p>FIFA વર્લ્ડ કપ 2026નો ઉત્સાહ હાલમાં ચાહકોમાં ચરમસીમાએ છે.હાલમાં રાઉન્ડ ઓફ 32 મેચ ચાલી રહી છે.આ રાઉન્ડમાં ફ્રાન્સનો સામનો સ્વીડન સામે થયો હતો,જેમાં તેણે 3-0ના માર્જિનથી મેચ જીતીને રાઉન્ડ ઓફ 16માં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું હતું.સ્વીડન સામેની મેચમાં બધાની નજર ફ્રાન્સના સ્ટાર ખેલાડી કાયલિયન મ્બાપ્પે પર હતી,અને તેનો જાદુ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો,તેણે મેચમાં બે ગોલ કરીને તેની ટીમને આગામી રાઉન્ડમાં આગળ વધવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.</p><p><br></p><h4><b>ફ્રાન્સે પહેલા હાફથી જ આક્રમક રમત દર્શાવી</b></h4><p>સ્વીડન સામેની મેચમાં, ફ્રાન્સે પહેલા હાફથી જ આક્રમક રમત દર્શાવી, પ્રથમ 45 મિનિટમાં ગોલ કરવાના ઘણા પ્રયાસો કર્યા, જેમાં મ્બાપ્પેનો એક ગોલ ઓફસાઇડને કારણે રદ કરવામાં આવ્યો. આ પછી, ફ્રાન્સે વધારાના સમયમાં ગોલ કરીને ફ્રાન્સને 1-0ની લીડ અપાવી. બીજા હાફની શરૂઆત સાથે, ફ્રાન્સના બ્રેડલી બાર્કોલાએ 53મી મિનિટમાં ગોલ કરીને તેની ટીમને 2-0ની લીડ અપાવી. ત્યારથી, ફ્રાન્સની મેચ પર પકડ મજબૂત થઈ ગઈ, અને 74મી મિનિટે કાયલિયન એમબાપ્પેએ મેચના બીજા ગોલ સાથે પોતાનો વિજય નિશ્ચિત કરી દીધો. ફ્રાન્સે મેચ 3-0થી જીતી લીધી. આ મેચમાં એમબાપ્પેના બે ગોલ સાથે, તે હવે ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં સર્વકાલીન ટોચના ગોલ કરનાર ખેલાડીઓની યાદીમાં લિયોનેલ મેસ્સી પછી બીજા ક્રમે છે, કુલ 18 ગોલ સાથે.</p><p><a href="https://x.com/FIFAWorldCup/status/2072091308492210542?s=20" target="_blank">https://x.com/FIFAWorldCup/status/2072091308492210542?s=20</a></p><h4><h4><b>ફ્રાન્સ રાઉન્ડ ઓફ 16માં પેરાગ્વેનો સામનો કરશે</b></h4></h4><p>ગ્રૂપ સ્ટેજથી રાઉન્ડ ઓફ 32 સુધી તેમના પ્રભાવશાળી પ્રદર્શનને ચાલુ રાખતા, ફ્રાન્સ હવે રાઉન્ડ ઓફ 16માં પેરાગ્વેનો સામનો કરશે. બંને ટીમો વચ્ચેનો આ મુકાબલો 5 જુલાઈના રોજ ભારતીય સમય મુજબ સવારે 2:30 વાગ્યે રમાશે. ફ્રાન્સના ગ્રુપ સ્ટેજની વાત કરીએ તો, તેઓએ સેનેગલ, નોર્વે અને ઇરાક સામેની તેમની બધી મેચ જીતી હતી.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/germany-vs-paraguay-manuel-neuer-world-cup-retirement" target="_blank">FIFA World Cup 2026માંથી બહાર થયા બાદ જર્મનીના સ્ટાર ખેલાડીએ લીધી નિવૃત્તિ</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/sNvSb5BxHIqO9GaXMgJwdbfgyDCSuRPst8tttnN0.webp'/></item></channel></rss>