<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Patanના રાધનપુરમાંથી લાખોનો ગાંજો ઝડપાયો, દાંતા કનેક્શન ખુલતાં 2 આરોપીઓ 5 દિવસના રિમાન્ડ પર ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/patan/marijuana-worth-lakhs-seized-from-radhanpur-patan-2-accused-on-5-day-remand-after-danta-connection-revealed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/patan/marijuana-worth-lakhs-seized-from-radhanpur-patan-2-accused-on-5-day-remand-after-danta-connection-revealed</guid><pubDate>Fri, 10 Jul 2026 20:39:39 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાત સરકારના નશામુક્ત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા માટે પાટણ જિલ્લા પોલીસ પ્રશંસનીય રીતે એક્શન મોડમાં જોવા મળી રહી છે. પાટણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને રાધનપુર પોલીસની સંયુક્ત ટીમે એક ગુપ્ત ઓપરેશન હાથ ધરીને રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લાખો રૂપિયાની કિંમતનો નશીલા પદાર્થનો જથ્થો ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. પોલીસ ટીમે ઘટનાસ્થળેથી કાયદેસરની રેડ દરમિયાન કુલ 9.690 કિલોગ્રામ જેટલો પ્રતિબંધિત સૂકો ગાંજો ઝડપી પાડી નશાના વેપારીઓમાં ભારે ફફડાટ મચાવી દીધો છે.</p><h2 style="text-align: justify; "><b>દાંતાથી રાધનપુર મંગાવાયેલો કાળો કારોબાર</b></h2><p style="text-align: justify; ">આ હાઈપ્રોફાઈલ દરોડા દરમિયાન પોલીસે નશીલા પદાર્થના આ જથ્થા સહિત કુલ રૂપિયા 4,84,500 નો મસમોટો મુદ્દામાલ કાયદેસર રીતે પોતાના કબજે કર્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં નશાના આ કાળા કારોબારનું બનાસકાંઠા કનેક્શન બહાર આવ્યું છે. આ માદક પદાર્થનો જથ્થો બનાસકાંઠાના દાંતાથી ખાસ ઓર્ડર આપીને રાધનપુર મંગાવવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે. પોલીસે આ ગુનાહિત નેટવર્ક સાથે સંકળાયેલા મુખ્ય સૂત્રધાર આરોપી આનંદ ઠાકોર અને કોદરવી લાધાભાઇ નામના બે ઈસમોને ઝડપીને કાયદાના સકંજામાં લીધા છે.</p><h3 style="text-align: justify; "><b>કોર્ટે મંજૂર કર્યા 5 દિવસના રિમાન્ડ</b></h3><p style="text-align: justify; ">આ ડ્રગ્સ રેકેટના તાર છેક ક્યાં સુધી જોડાયેલા છે અને આ નેટવર્ક પાછળ અન્ય કયા મોટા માફિયાઓ સક્રિય છે, તેની સઘન તપાસ માટે પોલીસે બંને આરોપીઓને કાયદેસર રીતે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને બંને ઝડપાયેલા આરોપીઓના 5 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. આગામી દિવસોમાં પાટણ એસઓજી પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીઓની આકરી પૂછપરછ કરશે, જેમાં ઉત્તર ગુજરાતના નાર્કોટિક્સ અને ગાંજાના સપ્લાય ચેઈનને લઈને મોટા ખુલાસા થવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></b></p><p style="text-align: justify; "><b><br></b></p><p style="text-align: justify; "><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/n7U3cz5trhS3lvmYJawywXSlKqyofVUwtOYHpZTS.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: AMCમાં મોટું કૌભાંડ? નીતિના અભાવે મનફાવે તેમ પ્લોટ ભાડે અપાયા, નિયમ વિરુદ્ધ પાકા બાંધકામ થતા સ્ટેન્ડિંગ કમિટી લાલચોળ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-plot-lease-scam-negligence-standing-committee-new-policy</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-plot-lease-scam-negligence-standing-committee-new-policy</guid><pubDate>Fri, 10 Jul 2026 20:38:06 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ મહાનગરપાલિકા હસ્તકના કિંમતી પ્લોટોને ભાડે આપવાના મામલામાં તંત્રની ઘોર બેદરકારી અને અધિકારીઓની મનસ્વી કામગીરી સામે આવી છે. અમદાવાદ મનપા હસ્તકના પ્લોટ ભાડે આપવા માટે હાલ કોઈ ચોક્કસ કે નક્કર નીતિ અમલમાં ન હોવાના કારણે અધિકારીઓ કોઈપણ હેતુ માટે ગમે તેને પ્લોટ ભાડે ચડાવી રહ્યા હોવાની ગંભીર ફરિયાદો ઉઠી છે. નીતિના આ અભાવે અમદાવાદ મનપાની તિજોરીને નુકસાન અને વ્યવસ્થા ખોરવવાનો મોટો વિવાદ સર્જ્યો છે.</p><h2><b>ત્રણ વર્ષથી સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી જ ન લેવાઈ</b></h2><p>આ સમગ્ર મામલામાં સૌથી ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે, છેલ્લા ત્રણ વર્ષથી આ પ્લોટો ભાડે આપવા માટે ઉચ્ચ સત્તાધિકારી એવી સ્ટેન્ડિંગ કમિટીની કોઈ મંજૂરી જ લેવામાં આવી નથી. અગાઉ પ્લોટ ભાડે આપવા માટે એક નીતિ બનાવવામાં આવી ખરી, પરંતુ તે દર છ મહિને બદલવી પડતી હતી. છેલ્લે ફેબ્રુઆરી મહિનામાં આ નીતિની મુદત પૂર્ણ થઈ ગયા બાદ, હાલના તબક્કે કોર્પોરેશનમાં કોઈ પણ પ્રકારની સ્ટાન્ડર્ડ પોલિસી અમલમાં નથી, જેના કારણે અધિકારીઓ બેફામ બન્યા છે.</p><h2><b>ભાડાના પ્લોટમાં નિયમ વિરુદ્ધ પાકા બાંધકામ અને ઇન્ડસ્ટ્રીયલ શેડ</b></h2><p>ચોક્કસ નીતિ અને સુપરવિઝનના અભાવે ભાડે આપવામાં આવેલા પ્લોટો પર મોટા પાયે નિયમોનું ઉલ્લંઘન થયું છે. અમદાવાદ કોર્પોરેશનના નિયમ મુજબ ભાડાના પ્લોટ પર ટેમ્પરરી ધોરણે જ ઉપયોગ થઈ શકે, પરંતુ અહીં ભાડે આપેલા પ્લોટોમાં પાકા બાંધકામો થઈ ગયા હોવાની રજૂઆતો થઈ છે. એટલું જ નહીં, કિંમતી જમીનો પર મોટા-મોટા ઇન્ડસ્ટ્રીયલ શેડ પણ ચણાઈ ગયા છે. આ સિવાય અનેક પ્લોટો ખાણીપીણીની બજારો અને ફૂડ સ્ટોલ માટે આડેધડ ફાળવી દેવામાં આવ્યા છે.</p><h2><b>સ્ટેન્ડિંગ કમિટીની કડક સૂચના</b></h2><p>આડેધડ પ્લોટ ફાળવણી અને તેના પર થયેલા ગેરકાયદે બાંધકામો અંગેની ફરિયાદો સ્ટેન્ડિંગ કમિટી સુધી પહોંચતા કમિટી લાલચોળ થઈ છે. વહીવટી તંત્રની આ બેદરકારી પર રોક લગાવવા માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા તાત્કાલિક અસરથી નવી અને કડક નીતિ બનાવવા માટે આદેશ આપવામાં આવ્યા છે.</p><h2><b>નવી નીતિમાં કમિટીની મંજૂરી લેવી ફરજિયાત બનશે</b></h2><p>નવી બનનારી નીતિ અંતર્ગત હવે પ્લોટ કયા હેતુ માટે આપવો, કેટલા સમયગાળા માટે આપવો અને તેનો ભાડાનો દર શું રહેશે તે બધું જ અગાઉથી નક્કી કરવામાં આવશે. સૌથી મહત્વની બાબત એ છે કે, નવી પોલિસી લાગુ થયા બાદ અધિકારીઓ પોતાની મરજીથી પ્લોટ ફાળવી શકશે નહીં, પરંતુ કોઈપણ પ્લોટ ભાડે આપતા પહેલાં ફરજિયાતપણે સ્ટેન્ડિંગ કમિટીની પૂર્વ મંજૂરી લેવી પડશે. તંત્રના આ કડક વલણથી આગામી દિવસોમાં મનસ્વી કામગીરી કરતા અધિકારીઓ પર લગામ કસાશે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-action-dilapidated-houses-rath-yatra-2026-route" target="_blank">Ahmedabad News: રથયાત્રા પહેલા 544 જર્જરિત મકાનો અંગે AMCની કાર્યવાહી, 44 મકાનો તોડી પડાયા</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/kkBA9DlXI48k32IRKMwIX6bg0vIF194XhdwHRUbd.webp'/></item><item><title><![CDATA[Automobile: નિસાન ઇન્ડિયાએ ગ્લોબલ સ્ટેજ પર રજૂ કરી All-New Nissan Tekton SUV ]]></title><link>https://sandesh.com/business/automobile/news/india/automobile-nissan-india-launches-all-new-nissan-tekton-suv-on-the-global-stage</link><guid isPermaLink="true">https://sandesh.com/business/automobile/news/india/automobile-nissan-india-launches-all-new-nissan-tekton-suv-on-the-global-stage</guid><pubDate>Fri, 10 Jul 2026 20:26:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય ઓટોમોટિવ જગત માટે આજનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે.અગ્રણી કાર નિર્માતા કંપની નિસાન ઇન્ડિયાએ વૈશ્વિક સ્તરે અસાધારણ વિઝન સાથે પોતાની મોસ્ટ અવેટેડ એસયુવી ઓલ-ન્યૂ નિસાન ટેક્ટોનનું ભવ્ય વર્લ્ડ પ્રીમિયર કર્યું છે.આટલા મોટા પાયે આયોજિત થયેલા ગ્લોબલ લોન્ચિંગે ઓટોમોટિવ સેક્ટરમાં શ્રેષ્ઠતા અને લીડરશિપના તમામ જૂના માપદંડો બદલી નાખ્યા છે.આ શાનદાર સિદ્ધિ બદલ નિસાન ઇન્ડિયા પર હાલ ચારેય તરફથી ખૂબજ સમર્થન મળી રહ્યું છે.&nbsp;&nbsp;</p><h2 style="text-align: justify; "><b>એસયુવી સેક્ટરમાં નવા યુગનું આગમન</b></h2><p style="text-align: justify; ">નિસાન ઇન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવેલી આ નવી એસયુવી માત્ર એક વાહન નથી પરંતુ ઓટોમોટિવ એન્જિનિયરિંગનો એક અદ્ભુત નમૂનો છે.કંપનીએ તેને અજોડ અને અદ્ભુત ટેગલાઈન સાથે રજૂ કરી છે.નિસાનની આ પ્રીમિયમ કાર પહેલા જ દિવસથી તમામ સીમાઓને પાર કરીને ગ્લોબલ માર્કેટમાં એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરવા માટે તૈયાર છે.આ એસયુવી પોતાની અદ્યતન ડિઝાઇન અને પાવરફુલ લુકના કારણે ગ્રાહકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહી છે.</p><h2 style="text-align: justify; "><b>નિસાન ઇન્ડિયાની આ અવિશ્વસનીય સિદ્ધિની ઉજવણી</b></h2><p style="text-align: justify; ">ઓટો જગતના નિષ્ણાતો આ લોન્ચિંગને ભારતીય ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી માટે એક ગર્વની ક્ષણ ગણાવી રહ્યા છે.આ કક્ષાની લક્ઝુરિયસ અને પાવરફુલ એસયુવીને વૈશ્વિક મંચ પર લાવવા પાછળ નિસાન ઇન્ડિયાની ટીમે અવિરત ઉત્સાહ અને સમર્પણ દાખવ્યું છે.આ લોન્ચ સાથે જ એસયુવી સેક્ટરમાં પ્રભુત્વ મેળવવા અને અગ્રણી બનવાના અર્થને નિસાને ફરીથી વ્યાખ્યાયિત કર્યો છે.આ ભવ્ય વર્લ્ડ પ્રીમિયર બાદ સમગ્ર ઓટોમોટિવ ઉદ્યોગ અને કાર પ્રેમીઓ ગર્વભેર નિસાન ઇન્ડિયાની આ અવિશ્વસનીય સિદ્ધિની ઉજવણી કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે ભારતીય અને વૈશ્વિક બજારમાં સત્તાવાર એન્ટ્રી બાદ આ ટેક્ટોન એસયુવી અન્ય હરીફ કાર્સને કેટલી મોટી ટક્કર આપે છે.<br><br><a href="https://sandesh.com/explainer/news/extreme-heat-threatens-data-centers-and-tech-companies" target="_blank">આ પણ વાંચોઃ Sandesh Digital Explainer: જાણો ભીષણ ગરમીથી ટેક કંપનીઓનું ટેન્શન કેમ વધ્યું, શું હવે AI ખતરામાં છે</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/3eqfb49j6iEJpnBDaOicaWn4Z8nbSdISO5DPuK6W.webp'/></item><item><title><![CDATA[Automobile: નિસાન ઇન્ડિયાએ ગ્લોબલ સ્ટેજ પર રજૂ કરી All-New Nissan Tekton SUV ]]></title><link>https://sandesh.com/business/automobile/news/india/automobile-nissan-india-launches-all-new-nissan-tekton-suv-on-the-global-stage</link><guid isPermaLink="true">https://sandesh.com/business/automobile/news/india/automobile-nissan-india-launches-all-new-nissan-tekton-suv-on-the-global-stage</guid><pubDate>Fri, 10 Jul 2026 20:26:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય ઓટોમોટિવ જગત માટે આજનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે.અગ્રણી કાર નિર્માતા કંપની નિસાન ઇન્ડિયાએ વૈશ્વિક સ્તરે અસાધારણ વિઝન સાથે પોતાની મોસ્ટ અવેટેડ એસયુવી ઓલ-ન્યૂ નિસાન ટેક્ટોનનું ભવ્ય વર્લ્ડ પ્રીમિયર કર્યું છે.આટલા મોટા પાયે આયોજિત થયેલા ગ્લોબલ લોન્ચિંગે ઓટોમોટિવ સેક્ટરમાં શ્રેષ્ઠતા અને લીડરશિપના તમામ જૂના માપદંડો બદલી નાખ્યા છે.આ શાનદાર સિદ્ધિ બદલ નિસાન ઇન્ડિયા પર હાલ ચારેય તરફથી ખૂબજ સમર્થન મળી રહ્યું છે.&nbsp;&nbsp;</p><h2 style="text-align: justify; "><b>એસયુવી સેક્ટરમાં નવા યુગનું આગમન</b></h2><p style="text-align: justify; ">નિસાન ઇન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવેલી આ નવી એસયુવી માત્ર એક વાહન નથી પરંતુ ઓટોમોટિવ એન્જિનિયરિંગનો એક અદ્ભુત નમૂનો છે.કંપનીએ તેને અજોડ અને અદ્ભુત ટેગલાઈન સાથે રજૂ કરી છે.નિસાનની આ પ્રીમિયમ કાર પહેલા જ દિવસથી તમામ સીમાઓને પાર કરીને ગ્લોબલ માર્કેટમાં એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરવા માટે તૈયાર છે.આ એસયુવી પોતાની અદ્યતન ડિઝાઇન અને પાવરફુલ લુકના કારણે ગ્રાહકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહી છે.</p><h2 style="text-align: justify; "><b>નિસાન ઇન્ડિયાની આ અવિશ્વસનીય સિદ્ધિની ઉજવણી</b></h2><p style="text-align: justify; ">ઓટો જગતના નિષ્ણાતો આ લોન્ચિંગને ભારતીય ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી માટે એક ગર્વની ક્ષણ ગણાવી રહ્યા છે.આ કક્ષાની લક્ઝુરિયસ અને પાવરફુલ એસયુવીને વૈશ્વિક મંચ પર લાવવા પાછળ નિસાન ઇન્ડિયાની ટીમે અવિરત ઉત્સાહ અને સમર્પણ દાખવ્યું છે.આ લોન્ચ સાથે જ એસયુવી સેક્ટરમાં પ્રભુત્વ મેળવવા અને અગ્રણી બનવાના અર્થને નિસાને ફરીથી વ્યાખ્યાયિત કર્યો છે.આ ભવ્ય વર્લ્ડ પ્રીમિયર બાદ સમગ્ર ઓટોમોટિવ ઉદ્યોગ અને કાર પ્રેમીઓ ગર્વભેર નિસાન ઇન્ડિયાની આ અવિશ્વસનીય સિદ્ધિની ઉજવણી કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે ભારતીય અને વૈશ્વિક બજારમાં સત્તાવાર એન્ટ્રી બાદ આ ટેક્ટોન એસયુવી અન્ય હરીફ કાર્સને કેટલી મોટી ટક્કર આપે છે.<br><br><a href="https://sandesh.com/explainer/news/extreme-heat-threatens-data-centers-and-tech-companies" target="_blank">આ પણ વાંચોઃ Sandesh Digital Explainer: જાણો ભીષણ ગરમીથી ટેક કંપનીઓનું ટેન્શન કેમ વધ્યું, શું હવે AI ખતરામાં છે</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/3eqfb49j6iEJpnBDaOicaWn4Z8nbSdISO5DPuK6W.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: રથયાત્રા પહેલા 544 જર્જરિત મકાનો અંગે AMCની કાર્યવાહી, 44 મકાનો તોડી પડાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-action-dilapidated-houses-rath-yatra-2026-route</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-action-dilapidated-houses-rath-yatra-2026-route</guid><pubDate>Fri, 10 Jul 2026 20:17:17 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરમાં અષાઢી બીજના પાવન પર્વે નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. રથયાત્રાના રૂટ અને તેની આસપાસના વિસ્તારોમાં લાખોની જનમેદની એકઠી થતી હોવાથી, લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા એસ્ટેટ વિભાગને તમામ જર્જરિત અને ભયજનક મકાનો પર કડક કાર્યવાહી કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે.</p><h2><b>અમદાવાદ શહેરમાં 544 મકાનો અત્યંત ભયજનક સ્થિતિમાં</b></h2><p>એસ્ટેટ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના સર્વેક્ષણ મુજબ, રથયાત્રાના રૂટ સહિત પૂર્વ અને કોટ વિસ્તારમાં કુલ 544 મકાનો અત્યંત જર્જરિત અને ભયજનક સ્થિતિમાં હોવાનું સામે આવ્યું છે. ચોમાસાની સિઝન શરૂ થઈ ચૂકી હોવાથી ભારે પવન કે વરસાદના કારણે આ મકાનો ધરાશાયી થવાનું અને તેનાથી મોટી જાનહાની થવાનું જોખમ તોલાઈ રહ્યું છે, જેને પગલે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે.</p><h2><b>અત્યાર સુધીમાં 44 મકાનોના જોખમી ભાગો તોડી પડાયા</b></h2><p>અમદાવાદ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, આ 544 મકાનોમાંથી અત્યાર સુધીમાં સૌથી વધુ જોખમી એવા 44 મકાનો અથવા તેના ભયજનક ભાગોને સુરક્ષિત રીતે તોડી પાડીને ઉતારી લેવામાં આવ્યા છે. બાકીના મકાનોના માલિકો અને રહીશોને પણ જરૂરી સૂચનાઓ અને નોટિસો આપીને સાવચેત કરી દેવામાં આવ્યા છે.</p><h2><b>જોખમી મકાનો પર લગાવવામાં આવશે લાલ ઝંડા</b></h2><p>જે મકાનો હજુ પણ ભયજનક સ્થિતિમાં ઉભા છે અને જેને તાત્કાલિક ઉતારવા શક્ય નથી, તેવા તમામ અન્ય મકાનો પર એસ્ટેટ વિભાગ દ્વારા 'લાલ ઝંડા' લગાવવામાં આવશે. આ લાલ ઝંડા લગાવવાનો મુખ્ય હેતુ એ છે કે, રથયાત્રા દરમિયાન કે સામાન્ય દિવસોમાં ત્યાંથી પસાર થતા નાગરિકો અને દર્શનાર્થીઓ દૂરથી જ ચેતી શકે અને તે મકાનોની નીચે કે ગેલેરીના ભાગે ઉભા રહેવાનું ટાળે.</p><h2><b>સૌથી વધુ જોખમી 20 મકાનો ગ્રીન નેટથી કવર કરાશે</b></h2><p>તંત્ર દ્વારા લેવામાં આવેલા વધુ એક મહત્વના સુરક્ષા પગલાં અંતર્ગત, 544 મકાનો પૈકી જે 20 મકાનો અતિશય ભયજનક અને જર્જરિત અવસ્થામાં છે તેને આખેઆખા ગ્રીન નેટથી કવર કરી દેવામાં આવશે. આ ગ્રીન નેટ લગાવવાથી જો મકાનનો કોઈ નાનો-મોટો હિસ્સો કે પ્લાસ્ટર ઉખડીને પડે, તો પણ તે રસ્તા પરથી પસાર થતા લોકો પર ન પડે અને કોઈ અકસ્માત ન સર્જાય. રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં સંપન્ન થાય તે માટે કોર્પોરેશન આગામી દિવસોમાં આ કામગીરી વધુ ઝડપી બનાવશે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/22-minor-children-brought-from-up-bihar-by-train-released-in-ahmedabad" target="_blank">Ahmedabadમાં ટ્રેન મારફતે UP-બિહારથી લવાયેલા 22 સગીર બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/9LsPLdK8PJYUQwvjdjKBDk3c589pxdLuHmr4S1Xw.webp'/></item><item><title><![CDATA[Ahmedabadમાં ટ્રેન મારફતે UP-બિહારથી લવાયેલા 22 સગીર બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/22-minor-children-brought-from-up-bihar-by-train-released-in-ahmedabad</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/22-minor-children-brought-from-up-bihar-by-train-released-in-ahmedabad</guid><pubDate>Fri, 10 Jul 2026 19:40:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પરથી બાળકોની શંકાસ્પદ હેરફેરનો એક મોટો અને ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રેલવે સુરક્ષા બળ (RPF), ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRPF) અને સ્થાનિક સામાજિક સંસ્થા (NGO) ના સંયુક્ત ઉપક્રમે રેલવે સ્ટેશન પર એક ગુપ્ત બાતમીના આધારે ખાસ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ મેગા સર્ચ ઓપરેશન દરમિયાન સ્ટેશન પર આવેલી એક ટ્રેનમાંથી શંકાસ્પદ હાલતમાં મુસાફરી કરી રહેલા કુલ 22 જેટલા સગીર વયના બાળકોને રેસ્ક્યુ કરીને મુક્ત કરાવવામાં આવ્યા હતા.</p><h2 style="text-align: justify; ">ટ્રેન મારફતે બાળકોને અમદાવાદ લવાયા</h2><p style="text-align: justify; ">પોલીસ અને સામાજિક સંસ્થાની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ તમામ 22 સગીર બાળકોને ઉત્તરપ્રદેશ (UP) અને બિહાર જેવા રાજ્યોમાંથી ટ્રેન માર્ગે અહીં અમદાવાદ લાવવામાં આવ્યા હતા. આ માસૂમ બાળકોને કોઈ ફેક્ટરીઓ, હોટલો અથવા અન્ય જોખમી સ્થળોએ બાળમજૂરીના કાળા ધંધામાં ધકેલી દેવાના બદઈરાદાથી જ લવાયા હોવાની પ્રબળ આશંકા સુરક્ષા એજન્સીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ ઓપરેશનને પગલે બાળકોની ગેરકાયદેસર હેરાફેરી કરનારા તત્વોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.</p><h3 style="text-align: justify; ">ચાઇલ્ડ વેલ્ફેર કમિટી સમક્ષ રજૂઆત</h3><p style="text-align: justify; ">રેસ્ક્યુ કરાયેલા તમામ માસૂમ બાળકોને સુરક્ષિત રીતે ચાઇલ્ડ વેલ્ફેર કમિટી (CWC) સમક્ષ કાયદેસર રીતે રજૂ કરવામાં આવ્યા છે અને હાલ તેમને બાળ સંરક્ષણ ગૃહમાં આશ્રય આપવામાં આવ્યો છે. બીજી તરફ, રેલવે પોલીસ અને ઉચ્ચ એજન્સીઓ દ્વારા આ બાળકોને કયા ચોક્કસ ઉદ્દેશ અને કયા માફિયાઓ દ્વારા અમદાવાદ લાવવામાં આવ્યા હતા, તે દિશામાં ઊંડાણપૂર્વકની તપાસ તેજ કરી દેવામાં આવી છે. આ આંતરરાજ્ય બાળ તસ્કરી (Child Trafficking) નું મોટું નેટવર્ક હોવાની આશંકાએ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/TS1WP7jZrCureyKpSUztRO2XcD9lFeRMUruJRg51.webp'/></item><item><title><![CDATA[Gift Cityને કેન્દ્ર સરકારની મોટી રાહત, વિદેશી જહાજો ભાડે રાખવાના નિયમો થયા સરળ, DGMA લાયસન્સમાંથી મુક્તિ ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gift-city-shipping-leasing-rules-relaxed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gift-city-shipping-leasing-rules-relaxed</guid><pubDate>Fri, 10 Jul 2026 19:38:11 +05:30</pubDate><description><![CDATA[<p>કેન્દ્ર સરકારે ગુજરાતના ગાંધીનગર સ્થિત GIFT City માં કાર્યરત કંપનીઓ માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને રાહત આપતો નિર્ણય લીધો છે. સરકારે ગીફ્ટ સિટીની કંપનીઓ માટે વિદેશી ધ્વજ ધરાવતા જહાજો ના લીઝિંગ અને તેના સંચાલન સંબંધિત નિયમોમાં મોટી છૂટછાટ જાહેર કરી છે. આ નવા નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને વૈશ્વિક સ્તરે મેરિટાઇમ ફાયનાન્સ, શિપ લીઝિંગ અને આંતરરાષ્ટ્રીય વ્યાપારનું એક મુખ્ય હબ બનાવવાનો છે. આ સંદર્ભે સત્તાવાર જાહેરનામું પણ બહાર પાડી દેવામાં આવ્યું છે.</p><h2><b>DGMA ના અલગ લાયસન્સમાંથી મળી મુક્તિ</b></h2><p>નવા નિયમો અનુસાર, ગિફ્ટ સિટીના ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટરમાં સ્થાપિત કંપનીઓને હવે વિદેશી ધ્વજવાળા જહાજો ભાડે લેવા માટે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ મેરિટાઇમ એડમિનિસ્ટ્રેશન પાસેથી અલગથી ખાસ લાયસન્સ મેળવવાની જરૂર રહેશે નહીં. સરકાર દ્વારા આ મોટી છૂટછાટ 'કોસ્ટલ શિપિંગ એક્ટ, 2025' ની કલમ 37 હેઠળ આપવામાં આવી છે. આ નિર્ણયથી ગિફ્ટ સિટીની કંપનીઓ કોઈપણ વહીવટી અવરોધ વિના વિદેશી જહાજોને ચાર્ટર પર લઈ શકશે અને તેનો ઉપયોગ કરી શકશે.</p><h2><b>જૂના નિયમોના કારણે કંપનીઓને પડતી હતી મુશ્કેલીઓ</b></h2><p>આ અગાઉના નિયમોની વાત કરીએ તો, ભારતીય દરિયાઈ ક્ષેત્રમાં તટીય વ્યાપાર કરવા માટે વિદેશી ધ્વજવાળા જહાજોનું સંચાલન શરૂ કરતા પહેલાં DGMA પાસેથી મંજૂરી અને લાયસન્સ લેવું ફરજિયાત હતું. આ લાયસન્સ મેળવવાની સરકારી પ્રક્રિયા ખૂબ જ સમય માંગી લે તેવી હતી, જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે કોમોડિટી ટ્રેડિંગ કરતી ઘણી ભારતીય કંપનીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, અને તેમનો વ્યવસાય પ્રભાવિત થતો હતો. જેને પગલે અનેક વ્યાપારી સંગઠનોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.</p><h2><b>વૈશ્વિક શિપ લીઝિંગ માર્કેટમાં ભારતનો દબદબો વધશે</b></h2><p>સરકારના આ પ્રો-બિઝનેસ નિર્ણયથી ગિફ્ટ સિટીમાં કામ કરી રહેલી કંપનીઓની કામગીરી વધુ સરળ અને ઝડપી બનશે. આનાથી ભારતમાં શિપ લીઝિંગ અને ઇન્ટરનેશનલ ટ્રેડિંગ સાથે જોડાયેલા બિઝનેસને મોટો વેગ મળવાની આશા છે. આ ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે, આ આર્થિક અને નીતિગત સુધારાથી વૈશ્વિક સ્તરે સિંગાપોર અને દુબઈ જેવા મેરિટાઇમ હબની જેમ ભારતનું ગિફ્ટ સિટી પણ વૈશ્વિક શિપિંગ કંપનીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/surat/3000-cr-loss-in-diamond-hub-textile-hit-by-500-cr-in-surat-flood" target="_blank">Surat News: ભારે વરસાદ અને પૂરને કારણે ટેક્સટાઈલમાં 500 કરોડનું નુકસાન, ડાયમંડમાં 3 હજાર કરોડનો કારોબાર અટક્યો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/u5jE5nDkOle3htlK8qrVyn5ajYBbTykSVGKOF4mm.webp'/></item><item><title><![CDATA[Jaaved Jaaferi: 41 વર્ષથી બોલીવુડમાં... કેમ A-લિસ્ટ ન બની શક્યા જાવેદ જાફરી? સલમાનનું નામ લઈ કહી મોટી વાત ]]></title><link>https://sandesh.com/entertainment/news/jaaved-jaaferi-on-why-he-never-became-an-a-list-star-in-bollywood</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/jaaved-jaaferi-on-why-he-never-became-an-a-list-star-in-bollywood</guid><pubDate>Fri, 10 Jul 2026 18:49:14 +05:30</pubDate><description><![CDATA[<p>બોલીવુડ અભિનેતા જાવેદ જાફરી ધમાલ 4 સાથે ફરી એકવાર મોટા પડદા પર પાછા ફર્યા છે. આ ફિલ્મ આજે 10 જુલાઈએ રિલીઝ થઈ હતી. જાવેદ એક એવો અભિનેતા છે જે છેલ્લા 41 વર્ષથી બોલીવુડનો ભાગ છે. તેમણે 1985 માં આવેલી ફિલ્મ મેરી જંગ થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, જેમાં તેમણે નેગેટિવ ભૂમિકા ભજવી હતી. વર્ષોથી તેમણે ખલનાયકોથી લઈને હાસ્ય કલાકારો સુધીના વિવિધ પાત્રો ભજવ્યા છે. જોકે, તેઓ ક્યારેય એ-લિસ્ટ સ્ટાર બન્યા નથી. તેમણે હવે આ વિશે ખુલીને વાત કરી છે, તેમણે કહ્યું કે આવું કેમ થયું અને તેમને શા માટે મોટું સ્ટારડમ મળ્યું નહીં.</p><p>સલમાન ખાનનું ઉદાહરણ આપતા, જાવેદ જાફરીએ જણાવ્યું કે સફળતા એ અંતિમ પરિબળ છે. તેમણે કહ્યું કે શરૂઆતમાં લોકોએ સલમાનની પહેલી ફિલ્મ બીવી હો તો ઐસી પછી તેને અવગણ્યો હતો, પરંતુ મૈને પ્યાર કિયા હિટ થયા પછી તેની પાછળ ભાગવા લાગ્યા હતા. જાવેદને લાગે છે કે તેમને ક્યારેય આ પ્રકારની મોટી હિટ મળી નથી. તેમણે કહ્યું કે સફળતા મોટી વસ્તુ છે અને આ સિવાય તેમણે PR ગેમનો પણ ઉલ્લેખ કર્યો.&nbsp;</p><h2><b>"હું કોઈ ગ્રુપનો ભાગ નહોતો" - જાવેદ જાફરી</b></h2><p>એક સવાલમાં જાવેદ જાફરીને પૂછવામાં આવ્યું કે તેઓ ક્યારેય એ-લિસ્ટ સ્ટાર કેમ બન્યા નહીં, ત્યારે જાવેદ જાફરીએ કહ્યું, "મને લાગે છે કે તે તમારી છબી કેવી રીતે બનાવવામાં આવે છે તેના પર પણ આધાર રાખે છે. પીઆર આમાં ભૂમિકા ભજવે છે કારણ કે ઈન્ડસ્ટ્રી પાસે પોતાનું નેટવર્ક છે. કેટલીકવાર, તમારા વિશે નકારાત્મક માહિતી ફેલાય છે, અને તમારે સત્ય જાહેર કરવાની અથવા પોઝિટીવ છબી બનાવવાની જરૂર પડે છે. કેટલાક કિસ્સાઓમાં હું તે કરી શક્યો નહીં. હું કોઈ ચોક્કસ ગ્રુપનો ભાગ પણ નહોતો."&nbsp;</p><h3><b>મને મોટી હિટ ફિલ્મ મળી નથી - જાવેદ જાફરી</b></h3><p>તેણે વધુમાં કહ્યું કે, “જો તમને મોટી હિટ મળે છે, તો કોઈ તમારી સાથે દલીલ કરતું નથી. સફળતાથી મોટું કંઈ નથી. સલમાન ખાન સાથે શું થયું તે જુઓ. તેણે બીવી હો તો ઐસી થી શરૂઆત કરી હતી. લોકોએ તેને અવગણ્યો. પછી મૈંને પ્યાર કિયા આવી, અને અચાનક બધા તેની પાછળ દોડવા લાગ્યા. સલમાન ખાન એ જ વ્યક્તિ હતો; એવું નહોતું કે તે બીવી હો તો ઐસી ની તુલનામાં કંઈક અલગ કરી રહ્યો હતો. પરંતુ તે બધું સફળતાને કારણે થયું. સ્વાભાવિક રીતે, તમે તે સફળતા સાથે આગળ વધો છો. તે દ્રષ્ટિકોણથી મને ખરેખર ક્યારેય આટલી મોટી હિટ ફિલ્મ મળી નથી.”</p><h4><b>જાવેદ જાફરીએ તેની પહેલી ફિલ્મ હિટ થવા વિશે શું કહ્યું?</b></h4><p>જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમની પહેલી ફિલ્મ, મેરી જંગ - જેમાં તેમણે ખલનાયકની ભૂમિકા ભજવી હતી - ખરેખર મોટી હિટ સાબિત થઈ હતી, ત્યારે તેમણે કહ્યું, "મને ખલનાયક તરીકે લોન્ચ કરવામાં આવ્યો હતો. તે સમયે, સુભાષ ઘાઈ સૌથી સફળ દિગ્દર્શક હતા અને એન.એન. સિપ્પી એક ટોચના નિર્માતા હતા. તેથી બધાએ ધાર્યું હતું કે કારણ કે તેઓએ મને ખલનાયક તરીકે કાસ્ટ કર્યો છે, મને સમાન ભૂમિકાઓ મળતી રહેશે. અને મેં મારા તરફથી, ખરેખર મારી જાતને તે રીતે સ્થાન આપ્યું ન હતું. પ્રમાણિકપણે હું તેના વિશે વધુ વિચારતો નથી."</p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/entertainment/news/shreya-kalra-claims-kushal-tandon-cheated-on-shivangi-joshi" target="_blank"><b>શિવાંગીને દગો આપી રહ્યો હતો તેનાથી 13 વર્ષ મોટો કુશલ ટંડન! શ્રેયા કાલરાએ કર્યો દાવો</b></a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/DTuwMbPTyD46d8tyFJAjQxCXvhWbM0t1IcPu6UhN.webp'/></item><item><title><![CDATA[Delhi DTC Bus: 1 ઓગસ્ટથી દિલ્હી ડીટીસી બસોમાં પિંક સહેલી એનસીએમસી કાર્ડનો થશે ઉપયોગ ]]></title><link>https://sandesh.com/india/news/delhi-dtc-bus-pink-saheli-ncmc-card-will-be-used-in-delhi-dtc-buses-from-august-1</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/delhi-dtc-bus-pink-saheli-ncmc-card-will-be-used-in-delhi-dtc-buses-from-august-1</guid><pubDate>Fri, 10 Jul 2026 18:45:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">મહિલાઓ હવે મફત મુસાફરી માટે "પિંક સહેલી એનસીએમસી કાર્ડ"નો ઉપયોગ કરશે.&nbsp;</p><h2 style="text-align: justify; ">1.5 મિલિયન પિંક સહેલી સ્માર્ટ કાર્ડ&nbsp;</h2><p style="text-align: justify; ">1 ઓગસ્ટથી દિલ્હીમાં દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન બસોમાં ગુલાબી ટિકિટ બંધ કરવામાં આવશે. મહિલાઓ ફક્ત પિંક સહેલી એનસીએમસી કાર્ડનો ઉપયોગ કરીને ડીટીસી બસોમાં મફત મુસાફરી કરી શકશે. દિલ્હી સરકારના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં અત્યાર સુધીમાં 1.5 મિલિયન પિંક સહેલી સ્માર્ટ કાર્ડ જારી કરવામાં આવ્યા છે, અને 1 ઓગસ્ટ પછી પણ વિવિધ કેન્દ્રો પર તેમને જારી કરવાની પ્રક્રિયા ચાલુ રહેશે.</p><h3 style="text-align: justify; ">મહિલાઓને 31 જુલાઈ સુધી મફત ગુલાબી ટિકિટ જ મળશે.</h3><p style="text-align: justify; ">DTCના પરિપત્ર મુજબ, લાયક મહિલા મુસાફરોને 31 જુલાઈ સુધી કાગળની ગુલાબી ટિકિટ મળતી રહેશે. જોકે, 1 ઓગસ્ટથી, મફત મુસાફરી ફક્ત તે મહિલાઓને જ ઉપલબ્ધ રહેશે જેમની પાસે માન્ય ગુલાબી સહેલી સ્માર્ટ કાર્ડ હશે અને DTC અને દિલ્હી ઈન્ટીગ્રેટેડ મલ્ટી-મોડલ ટ્રાન્ઝિટ સિસ્ટમ દ્વારા સંચાલિત ક્લસ્ટર બસોમાં ચઢતી વખતે તેને ટેપ કરશે. પરિપત્રમાં જણાવાયું છે કે સ્માર્ટ કાર્ડ વિનાના મુસાફરોને ૩૧ જુલાઈ પછી ગુલાબી ટિકિટ મળશે નહીં અને તેના બદલે તેમણે નિયમિત ટિકિટ ખરીદવી પડશે અને લાગુ ભાડું ચૂકવવું પડશે.</p><h4 style="text-align: justify; ">સહેલી પિંક કાર્ડ માટે કેવી રીતે અરજી કરવી ?&nbsp;</h4><p style="text-align: justify; ">પિંક કાર્ડ દિલ્હી અરજી પ્રક્રિયા (ઓફલાઇન) 3 માર્ચ 2026થી શરૂ થઈ છે. હાલમાં, કોઈ ઓનલાઈન DTC પિંક કાર્ડ અરજી વિકલ્પ નથી. તમે ફક્ત DC ઓફિસ, SDM ઓફિસ અથવા દિલ્હીભરમાં અધિકૃત DTC કેન્દ્રો પર જ તમારું કાર્ડ મેળવી શકો છો. આ સ્માર્ટ કાર્ડ મૂળરૂપે માર્ચમાં રાજ્ય સરકારના એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું.  જેથી દિલ્હીમાં રહેતી મહિલાઓ DTC બસોમાં મફત મુસાફરી કરી શકે. આ કાર્ડ લાભાર્થીના આધાર કાર્ડ અને મોબાઇલ નંબર સાથે લિંક કરવામાં આવે છે. જેથી તેમની ઉંમર, લિંગ અને દિલ્હીમાં રહેઠાણની ચકાસણી કરી શકાય છે.&nbsp;</p><h5 style="text-align: justify; ">વન નેશન, વન કાર્ડ&nbsp;</h5><p style="text-align: justify; ">ત્યારબાદ તેનો ઉપયોગ વન નેશન, વન કાર્ડ પહેલ હેઠળ દિલ્હી મેટ્રો અને રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ જેવા અન્ય જાહેર પરિવહન માધ્યમો પર નિયમિત ભાડા ચૂકવીને કરી શકાય છે. જો કે, મફત સવારી ફક્ત DTC બસો પર જ ઉપલબ્ધ છે. અરવિંદ કેજરીવાલ સરકાર દરમિયાન DTC બસોમાં મહિલાઓને મફત મુસાફરી પૂરી પાડવા માટે પિંક ટિકિટ યોજના શરૂ કરવામાં આવી હતી. પિંક "સહેલી" સ્માર્ટ કાર્ડ અને અરવિંદ કેજરીવાલની પિંક ટિકિટ યોજના બંને દિલ્હીમાં મહિલાઓને મફત બસ મુસાફરી પ્રદાન કરે છે, પરંતુ તે મુખ્યત્વે તેમના ટિકિટિંગ ફોર્મેટ અને રહેણાંક ચકાસણી આવશ્યકતાઓમાં અલગ પડે છે.</p><p style="text-align: justify; "><b>ટિકિટિંગ ફોર્મેટ:&nbsp;</b></p><p style="text-align: justify; ">કેજરીવાલના કાર્યકાળ દરમિયાન આ યોજનામાં દરેક ટ્રીપ માટે કંડક્ટર દ્વારા જારી કરાયેલ ભૌતિક, કાગળ-આધારિત "પિંક ટિકિટ"નો ઉપયોગ થતો હતો. પિંક સહેલી કાર્ડ એક આધુનિક સ્માર્ટ કાર્ડ છે જેને મુસાફરોએ કંડક્ટરના ઇલેક્ટ્રોનિક ટિકિટિંગ મશીન પર ટેપ કરવું આવશ્યક છે.</p><p style="text-align: justify; "><b>ચકાસણી:</b></p><p style="text-align: justify; ">નવી સ્માર્ટ કાર્ડ સિસ્ટમમાં રહેઠાણ ચકાસણીની જરૂર છે, એટલે કે અરજદારોએ દિલ્હી-વિશિષ્ટ આધાર કાર્ડ પ્રદાન કરવું આવશ્યક છે. જૂની પિંક ટિકિટમાં દરેક મહિલાને મફતમાં પિંક ટિકિટ સાથે મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી હતી. વર્તમાન સરકાર દ્વારા જૂની કાગળ સિસ્ટમની ઘણીવાર ટીકા કરવામાં આવી હતી કારણ કે માત્ર સાચા દિલ્હીવાસીઓને જ લાભ મળે તે સુનિશ્ચિત કરવા માટે કડક ચકાસણીનો અભાવ હતો.</p><p style="text-align: justify; "><b>પારદર્શિતા:&nbsp;</b></p><p style="text-align: justify; ">પિંક સહેલી સ્માર્ટ કાર્ડ દ્વારા મુસાફરીનું ડિજિટાઇઝેશન કરીને, સરકાર મફત મુસાફરોની સવારીની સંખ્યાને સચોટ રીતે ટ્રેક કરી શકે છે અને જૂની મેન્યુઅલ સિસ્ટમની તુલનામાં ટિકિટિંગ છેતરપિંડી ઘટાડી શકે છે. કેજરીવાલ સરકાર પર મહિલાઓને મફત મુસાફરીની આડમાં ટિકિટ વિતરણમાં છેતરપિંડીના આરોપોનો સામનો કરવો પડ્યો હતો.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/indian-map-controversy-former-bangladeshi-diplomat-reprimanded-by-ifs-for-displaying-incorrect-map-of-india" target="_blank">ભૂતપૂર્વ બાંગ્લાદેશી રાજદ્વારીને IFSએ ખખડાવ્યા, ભારતનો ખોટો નકશો પ્રદર્શિત કરવા બદ્દલ ઠપકો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/FB370XSCaCfTylwJk1TTFfkoEm04eaYXlXbwdk22.webp'/></item><item><title><![CDATA[FIFA World 2026 : ક્વાર્ટર ફાઇનલમાં સ્પેન અને બેલ્જિયમ વચ્ચે ટક્કર, જાણો હેડ ટૂ હેડ રેકોર્ડ ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-2026-spain-and-belgium-clash-in-the-quarter-finals-know-the-head-to-head-record</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-2026-spain-and-belgium-clash-in-the-quarter-finals-know-the-head-to-head-record</guid><pubDate>Fri, 10 Jul 2026 16:50:34 +05:30</pubDate><description><![CDATA[<p>FIFA વર્લ્ડ કપ 2026ની પહેલી ક્વાર્ટર ફાઇનલ ખૂબ જ રોમાંચક રહી,જેમાં ફ્રાન્સે મોરોક્કોને 2-0 થી હરાવીને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું.ટુર્નામેન્ટની બીજી ક્વાર્ટર ફાઇનલ,જે એટલી જ રોમાંચક રહેવાની અપેક્ષા છે.તે લોસ એન્જલસ સ્ટેડિયમ ખાતે સ્પેન અને બેલ્જિયમ વચ્ચે રમાશે.બંને ટીમોએ ક્વાર્ટર ફાઇનલ સુધીની એક અદ્ભુત સફર કરી છે, જેમાં અત્યાર સુધી કોઈ પણ ટીમે સ્પેન સામે એક પણ ગોલ કર્યો નથી,જ્યારે બેલ્જિયમે તેમની બધી મેચ જીતી છે.બંને ટીમો વચ્ચેની આ મેચ 12 જુલાઈના રોજ ભારતીય સમય મુજબ રાત્રે 12:30 વાગ્યે રમાશે.</p><h4><b>બેલ્જિયમ સામે અત્યાર સુધી સ્પેનનો હાથ ઉપર&nbsp;</b></h4><p>સ્પેન અને બેલ્જિયમ વચ્ચેના હેડ-ટુ-હેડ રેકોર્ડને ધ્યાનમાં લેતા, સ્પેન સ્પષ્ટપણે ઉપર છે, તેણે 12 મેચ જીતી છે. બીજી બાજુ, બેલ્જિયમે ફક્ત પાંચ મેચ જીતી છે, જ્યારે પાંચ ડ્રો રહી છે. બંને ટીમો વચ્ચે ફિફા વર્લ્ડ કપની ટક્કરની વાત કરીએ તો, આ ફક્ત ત્રીજી વખત છે જ્યારે તેઓ એકબીજા સામે મળ્યા છે. આ પહેલા, 1986ના વર્લ્ડ કપમાં, બેલ્જિયમે પેનલ્ટી શૂટઆઉટમાં સ્પેનને 5-4થી હરાવ્યું હતું, જ્યારે 1990માં સ્પેને 2-1થી જીત મેળવી હતી.</p><h4><b>બધાની નજર લેમિન યામાલ પર રહેશે</b></h4><p>આ મેચમાં, બધાની નજર 18વર્ષીય સ્પેનિશ ખેલાડી લેમિન યામાલ પર રહેશે, જે બેલ્જિયમ માટે નોંધપાત્ર ખતરો ઉભો કરી શકે છે. લેમિન યામાલે અત્યાર સુધી ફક્ત એક જ ગોલ કર્યો છે, પરંતુ તેના આક્રમક રમતથી, બેલ્જિયમ તેને ઓછો આંકી શકે તેમ નથી. આ મેચમાં સ્પેનને ટોચનો હાથ માનવામાં આવે છે, જે મોટાભાગે તેમના ગોલકીપર ઉનાઈ સિમોનનો આભાર છે, જેમણે કોઈપણ વિરોધી ટીમને એક પણ ગોલ કરવા દીધો નથી.</p><h5><b>સેમિફાઇનલમાં કોની સામે થશે ટક્કર?</b></h5><p>ફિફા વર્લ્ડ કપ 2026ની સેમિફાઇનલમાં પહોંચ્યા બાદ હવે ફ્રાન્સનો મુકાબલો સ્પેન અથવા બેલ્જિયમ સામે થશે. આ બંને ટીમો વચ્ચેની ક્વાર્ટર ફાઇનલ મેચ બાદ વિજેતા ટીમ ફ્રાન્સ સામે ટકરાશે. બુધવાર, 15 જુલાઈના રોજ ભારતીય સમયાનુસાર (IST) રાત્રે 12:30 વાગ્યે મેચ રમાશે. ફિફા વર્લ્ડકપમાં પોર્ટુગલ બહાર થતા રોનાલ્ડોને જોવા આતુર તેના ચાહકોમાં ઉત્સાહ ઘટયો છે. છતાં મેસ્સી અને એમ્બાપ્પેની શાનદાર રમત લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. ફ્રાન્સે મોરોક્કોને હરાવીને સેમીફાઈનલની ટીકીટ મેળવી લીધી છે. હવે તેની સામે કઈ ટીમ આવશે સ્પેન -બેલ્જિયમની મેચના આગામી પરિણામો કહેશે.</p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/cricket/fifa-world-cup-2026-france-beats-morocco-2-0-to-enter-semi-finals-mbappe-and-dembele-excel" target="_blank"> FIFA World Cup 2026: મોરોક્કોને 2-0થી હરાવી ફ્રાન્સની સેમિફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી, એમ્બાપ્પે અને ડેમ્બેલેનો કમાલ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/dH1FMdh8ARtndBhoT9zFOscZxaRyfc9c1esmlCqd.webp'/></item></channel></rss>