<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Vadodara News: તરસાલીમાં લગ્નના માત્ર 4 જ મહિનામાં પરિણીતાનો આત્મહત્યા, પતિના માનસિક ત્રાસથી કંટાળી નેહા શર્માએ જીવન ટૂંકાવ્યાનો પરિવારનો આક્ષેપ ]]></title><link>https://sandesh.com/crime/news/vadodara/tarsali-newly-married-woman-neha-sharma-suicide</link><guid isPermaLink="true">https://sandesh.com/crime/news/vadodara/tarsali-newly-married-woman-neha-sharma-suicide</guid><pubDate>Sat, 04 Jul 2026 21:11:33 +05:30</pubDate><description><![CDATA[<p>સંસ્કારી નગરી વડોદરાના તરસાલી વિસ્તારમાંથી એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં રહેતી એક નવવધૂએ લગ્નના માત્ર ચાર જ મહિનાના ટૂંકા ગાળામાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતક પરિણીતાના પિયરપક્ષે જમાઈ વિરૂદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે.</p><h2><b>દુપટ્ટા વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું</b></h2><p>મળતી માહિતી મુજબ, તરસાલી વિસ્તારમાં રહેતી નેહા શર્માના લગ્ન ગત ચાર મહિના પહેલા જ કાર્તિક જોશી સાથે થયા હતા. લગ્નજીવન હજુ શરૂ જ થયું હતું, ત્યાં આજે સવારે નેહાએ પોતાના ઘરે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને લોહીના આંસુએ રડતા પિયરિયાઓ પણ દોડી આવ્યા હતા.</p><h2><b>પરિવારજનોના જમાઈ પર ગંભીર આક્ષેપ</b></h2><p>આ કરુણ ઘટના બાદ મૃતક નેહાના પરિવારજનોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે આક્ષેપ લગાવ્યો છે કે, લગ્ન બાદથી જ જમાઈ કાર્તિક જોશી દીકરી નેહાને સતત માનસિક ત્રાસ આપતો હતો. પતિના આ અસહ્ય માનસિક ત્રાસથી કંટાળીને જ નેહાએ આ અંતિમ પગલું ભર્યું હોવાનો પરિવારે દાવો કર્યો છે.</p><h2><b>પોલીસે હાથ ધરી તપાસ</b></h2><p>ઘટનાની જાણ થતાં જ માંજલપુર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે નવવધૂના મૃતદેહને કબ્જે કરીને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. પરિવારોના આક્ષેપોને આધારે માંજલપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી, પતિ અને સાસરી પક્ષની પૂછપરછ સહિતની આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-police-solves-waghodia-firing-case-with-network-of-2000-cctv-cameras" target="_blank">Vadodara પોલીસે 2,000 સીસીટીવી ફંફોળ્યા બાદ વાઘોડિયા ફાયરિંગ કેસનો ભેદ ઉકેલ્યો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/04/bglZsK4GoC2RUf5NU6PegNuIfn6di4hLMFl4Yq9G.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: AMCના અધિકારીઓના પેટ્રોલ એલાઉન્સમાં વધારો, 1 જુલાઈથી નવો દર લાગુ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-officers-petrol-allowance-increase-july-new-rates</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-officers-petrol-allowance-increase-july-new-rates</guid><pubDate>Sat, 04 Jul 2026 20:12:29 +05:30</pubDate><description><![CDATA[<p>સમગ્ર દેશમાં વધી રહેલી મોંઘવારીની અસર હવે સામાન્ય જનતાની સાથે-સાથે સરકારી અધિકારીઓ પર પણ જોવા મળી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સરકારી બાબુઓને મોંઘવારી નડતા તંત્ર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. AMC દ્વારા પોતાના અધિકારીઓને મળતા પેટ્રોલ એલાઉન્સમાં વધારો મંજૂર કરવામાં આવ્યો છે.</p><h2><b>દરરોજના એલાઉન્સમાં થયો વધારો</b></h2><p>પેટ્રોલના ભાવમાં સતત થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ આર્થિક રાહત આપવામાં આવી છે. નવા નિર્ણય મુજબ, અધિકારીઓને અત્યાર સુધી મળતા પ્રતિદિન રૂ. 111.94 ના પેટ્રોલ એલાઉન્સના બદલે હવેથી રોજના રૂ. 120 ચૂકવવામાં આવશે.</p><p><img alt="Ahmedabad News: AMC Increases Petrol Allowance for Officers from July 1" src="https://epapercdn.sandesh.com/images/2026/07/04/jkGdeQVxsR8zOsbPVd9z1NRrLN7MvQ8ffL7qkkcE.webp" style="width: 100%;"><br></p><h2><b>1 જુલાઈથી નવો દર લાગુ</b></h2><p>AMC તંત્ર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયનો અમલ પણ તાત્કાલિક અસરથી શરૂ કરી દેવામાં આવ્યો છે. 1 જુલાઈથી જ આ નવો દર સત્તાવાર રીતે લાગુ કરી દેવાયો છે, જેથી ચાલુ મહિનાથી જ અધિકારીઓને વધેલા ભથ્થાનો લાભ મળવા લાગશે. ઉલ્લેખનીય છે કે, ફિલ્ડ વર્ક અને ઓફિશિયલ કામકાજ માટે દોડધામ કરતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ માટે પેટ્રોલના વધતા ભાવ માથાનો દુખાવો બન્યા હતા, જેમા હવે તંત્રએ આંશિક રાહત આપી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabads-notorious-history-sheeter-kaleem-pathans-remand-approved-till-july-7" target="_blank">Ahmedabadના કુખ્યાત હિસ્ટ્રીશીટર કલીમ પઠાણના 7 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/04/qZFxmgzABjPi4C9TbHdzuCPLbmeeeygjW5ak0Uba.webp'/></item><item><title><![CDATA[Junagadh News: માંગરોળમાં નગરપાલિકા પ્રમુખે વોર્ડની મુલાકાત લીધી, રસ્તા-લાઇટના કામો ઝડપથી પૂર્ણ કરવા આપી ખાતરી ]]></title><link>https://sandesh.com/weather/monsoon-2026/news/junagadh/mangrol-nagarpalika-president-krishna-thapaniya</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/monsoon-2026/news/junagadh/mangrol-nagarpalika-president-krishna-thapaniya</guid><pubDate>Sat, 04 Jul 2026 19:51:11 +05:30</pubDate><description><![CDATA[<p>જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં નગરપાલિકા દ્વારા પ્રજાલક્ષી કામગીરીને વેગ આપવા માટે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા, માંગરોળ નગરપાલિકાના પ્રમુખ ક્રિષ્નાબેન થાપણીયાએ વિવિધ વોર્ડની રૂબરૂ મુલાકાત લઈને નગરપાલિકાની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન સ્થાનિક પ્રશ્નોને તાકીદે હલ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી.</p><h2><b>નગરપાલિકા કટિબદ્ધ</b></h2><p>સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ મુજબ, આ નિરીક્ષણ દરમિયાન શહેર ભાજપ પ્રમુખ લીનેશ સોમૈયા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સ્થાનિક રહિશોને ખાતરી આપતા જણાવ્યું હતું કે, માંગરોળ શહેરના તમામ વોર્ડમાં બિસ્માર રસ્તાઓ અને બંધ સ્ટ્રીટ લાઇટોને ટૂંક જ સમયમાં રિપેર કરી દેવામાં આવશે. ચોમાસા કે અન્ય ઋતુઓ દરમિયાન લોકોને હાલાકી ન ભોગવવી પડે તે માટે નગરપાલિકા કટિબદ્ધ છે.</p><h2><b>નગરપાલિકાનો આખો સ્ટાફ ખડેપગે</b></h2><p>નગરપાલિકા પ્રમુખની આ સરપ્રાઇઝ વિઝિટને પગલે નગરપાલિકાનો આખો સ્ટાફ ખડેપગે થઈ કામગીરીમાં લાગી ગયો છે. સ્થાનિક લોકોએ પણ નગરપાલિકા શાસકોની આ સક્રિયતાને આવકારી છે અને વર્ષો જૂની સમસ્યાઓનો વહેલી તકે અંત આવશે, તેવી આશા વ્યક્ત કરી છે.</p><h2><b>પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ નુકસાનીની ખાતરી આપી</b></h2><p>જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ભારે વરસાદના કારણે સર્જાયેલી મેઘતાંડવની સ્થિતિ બાદ સ્થાનિક ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા એક્શન મોડમાં આવ્યા છે. પૂરના કારણે પ્રભાવિત થયેલા વિવિધ વિસ્તારોની તેમણે રૂબરૂ મુલાકાત લીધી હતી અને સ્થાનિક રહીશોને મળીને પૂરગ્રસ્ત વિસ્તારોની વાસ્તવિક પરિસ્થિતિની ઝીણવટભરી જાણકારી મેળવી હતી.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2073408524416393648"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p> </p><p>આ ગંભીર સ્થિતિ અંગે ધારાસભ્યએ 'સંદેશ ન્યૂઝ' સાથે ખાસ વાતચીત કરી હતી અને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, વરસાદ અને પૂરના કારણે લોકોને જે પણ મોટું નુકસાન થયું છે, તેની યોગ્ય આંકણી કરાવીને વળતર આપવા માટે સરકાર સ્તરે તાત્કાલિક અને મજબૂત રજૂઆત કરવામાં આવશે. ધારાસભ્યની આ મુલાકાતથી મુશ્કેલીમાં મુકાયેલા સ્થાનિક લોકોને વહીવટી મદદ મળવાની મોટી આશા બંધાઈ છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/weather/monsoon-2026/news/junagadh/mangrol-heavy-rain-floods-huseinabad-noli-river" target="_blank">Junagadh News: માંગરોળના હુસેનાબાદમાં નોળી નદીના પૂરના પાણી ઘરોમાં ઘૂસ્યા, જુઓ Video</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/04/xAWH5O7UBdpsCBz4BVT4u02FRUBKdDqOkZuJoUnA.webp'/></item><item><title><![CDATA[ChhotaUdepur News: ઓરસંગ નદીના બ્રિજ પર ગાબડું, કલેક્ટરની મુલાકાત બાદ બે દિવસ માટે વાહન વ્યવહાર બંધ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/chhota-udepur/orsang-river-bridge-gap-collector-inspection-traffic-update</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/chhota-udepur/orsang-river-bridge-gap-collector-inspection-traffic-update</guid><pubDate>Sat, 04 Jul 2026 19:42:42 +05:30</pubDate><description><![CDATA[<p>છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી નજીકથી પસાર થતી ઓરસંગ નદીના બ્રિજ પર એક ગંભીર ઘટના સામે આવી છે. ઓરસંગ નદીના બ્રિજના છેવાડાના ભાગે અચાનક મોટું ગાબડું પડતા સ્થાનિક તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતા જ જિલ્લા કલેક્ટર તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.</p><h2><b>સ્થળ નિરીક્ષણ અને તાત્કાલિક પગલાં</b></h2><p>ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરે સ્થળ પર જ અધિકારીઓને તાત્કાલિક ગાબડું પૂરવા અને મરમ્મતની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવા માટે સ્પષ્ટ આદેશ આપ્યા છે. કોઈપણ પ્રકારની દુર્ઘટના ટાળવા માટે તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે.</p><p><img alt="Chhota Udepur News: Orsang Bridge Damaged, Traffic Closed for Repairs" src="https://epapercdn.sandesh.com/images/2026/07/04/xJ5t1fY2hHxJ0u6tg9sGhPMzQn5d3oJYF7viHQvJ.webp" style="width: 100%;"><br></p><h2><b>વાહન વ્યવહાર પર પ્રતિબંધ</b></h2><p>બોડેલી પ્રાંત અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, મુસાફરો અને વાહનચાલકોની સુરક્ષા માટે હાલ પૂરતો આ રૂટ પરનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. મરમ્મતની કામગીરી પૂર્ણ થયા બાદ, અંદાજે બે દિવસ પછી આ માર્ગને ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવશે. હાલ તંત્ર દ્વારા લોકોને વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-b-ed-" target="_blank">Chhotaudepur: નસવાડીની B.ed. કૉલેજના વિદ્યાર્થી ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરની મુલાકાતે</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/04/zwVpKC2KGerBUV9NtjxxwkmFVrqkTBPnJ0IOErHW.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના કુખ્યાત હિસ્ટ્રીશીટર કલીમ પઠાણના 7 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabads-notorious-history-sheeter-kaleem-pathans-remand-approved-till-july-7</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabads-notorious-history-sheeter-kaleem-pathans-remand-approved-till-july-7</guid><pubDate>Sat, 04 Jul 2026 19:18:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના ઈસનપુર વિસ્તારના કુખ્યાત હિસ્ટ્રીશીટર મહંમદ કલીમ ઉર્ફે કલીમ ભૈયા પઠાણની ધરપકડ બાદ કાયદાકીય શિકંજો વધુ મજબૂત બન્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તાજેતરમાં જ આ રીઢા ગુનેગારની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીના ગુનાહિત ઈતિહાસ અને તેની સામે નોંધાયેલા વિવિધ ગંભીર ગુનાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા તેને અમદાવાદની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટ પરિસરમાં કલીમ પઠાણને લાવવામાં આવતા જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.</p><h2 style="text-align: justify; ">ક્રાઈમ બ્રાન્ચે માંગી કસ્ટડી, કોર્ટે આપ્યા રિમાન્ડ</h2><p style="text-align: justify; ">આરોપી કલીમ ભૈયા પઠાણ પાસેથી અનેક ગુપ્ત વિગતો અને તેના ગુનાહિત નેટવર્કનો પર્દાફાશ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કોર્ટ સમક્ષ પાંચ દિવસના પોલીસ રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. સરકારી વકીલ અને તપાસ અધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી દલીલો તેમજ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા છે. કોર્ટે કલીમ ભૈયાના આગામી 7 જુલાઈ સુધીના પોલીસ રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે, જેથી પોલીસને તેની સઘન પૂછપરછ માટે પૂરતો સમય મળી રહે.</p><h3 style="text-align: justify; ">મોટા ખુલાસા થવાની સંભાવના સાથે તપાસ તેજ</h3><p style="text-align: justify; ">7 જુલાઈ સુધીના રિમાન્ડ મળતાની સાથે જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કલીમ પઠાણની પૂછપરછની પ્રક્રિયા ખૂબ જ તેજ કરી દીધી છે. પોલીસને આશંકા છે કે કલીમ ભૈયાની પૂછપરછ દરમિયાન શહેરમાં આચરેલા અન્ય અનેક ગુનાઓ, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને તેના સાગરીતોના નામ સામે આવી શકે છે. ઈસનપુર અને તેની આસપાસના વિસ્તારોમાં તેના દ્વારા ફેલાવવામાં આવેલા ભય અને ગુનાખોરીના સામ્રાજ્યને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ કડીઓ જોડી રહી છે. આગામી દિવસોમાં આ મામલે અન્ય કેટલાક મોટા ખુલાસાઓ થાય તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.</p><p style="text-align: justify;"><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify;"><br></p><p style="text-align: justify;"><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/04/dAJ02MwzQLixsLTIqVRPQEj9hkwydzB2R30dtBFu.webp'/></item><item><title><![CDATA[Chandigarh Building Collapse : ચંદીગઢમાં ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં બિલ્ડિંગ ધરાશાયી, 2-3 લોકો ફસાયા હોવાની આશંકા ]]></title><link>https://sandesh.com/india/news/chandigarh-building-collapse-industrial-area-phase-2-hotel-the-fern-rescue-operation</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/chandigarh-building-collapse-industrial-area-phase-2-hotel-the-fern-rescue-operation</guid><pubDate>Sat, 04 Jul 2026 18:54:59 +05:30</pubDate><description><![CDATA[<p>ચંદીગઢના ઈન્ડસ્ટ્રીયલ એરિયા ફેઝ-2માં 'હોટલ ધ ફર્ન' નજીક એક બિલ્ડિંગ અચાનક ધરાશાયી થતાં મોટો અકસ્માત સર્જાયો છે. ઈમારત અચાનક ધરાશાયી થવાથી આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ અને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. પ્રાથમિક માહિતી મુજબ, બિલ્ડિંગના કાટમાળ નીચે 2થી 3 લોકો ફસાયા હોવાની આશંકા છે.&nbsp;</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2073392835269918738"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ પણ તૈનાત કરવામાં આવી</b></h2><p>ઘટનાની જાણ થતા જ પોલીસ, સ્થાનિક પ્રશાસન અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે JCB મશીનો અને બચાવ કર્મચારીઓની મદદથી કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે જ્યાં લોકો ફસાયા હોવાની શક્યતા છે તે વિસ્તારને ઓળખી લેવામાં આવ્યો છે અને થોડા જ સમયમાં તેમને બહાર કાઢવામાં આવી શકે છે. ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ પણ તૈનાત કરવામાં આવી છે જેથી ઘાયલોને તરત જ હોસ્પિટલ પહોંચાડી શકાય.</p><h3><b>પોલીસે સુરક્ષા કારણોસર આખા વિસ્તારને ઘેરી લીધો</b></h3><p>હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું કે ઘટના સમયે બિલ્ડિંગમાં કેટલા લોકો હાજર હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ઈમારત ધરાશાયી થતાં જ જોરદાર અવાજ થયો હતો અને પછી ચીસાચીસ મચી ગઈ હતી. આસપાસના લોકોએ તરત જ બચાવ ટીમોને જાણ કરી હતી. પોલીસે સુરક્ષા કારણોસર આખા વિસ્તારને ઘેરી લીધો છે, જેથી રેસ્ક્યુ ઓપરેશનમાં કોઈ અડચણ ન આવે. બિલ્ડિંગ કયા કારણોસર ધરાશાયી થઈ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે, પરંતુ હાલ પ્રાથમિકતા કાટમાળમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાની છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/parliament-monsoon-session-2026-july-20-to-august-13-approved-by-president-droupadi-murmu" target="_blank">આ પણ વાંચો : Parliament Monsoon Session : 20 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ચાલશે સંસદનું ચોમાસુ સત્ર, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/04/iCi1i9OgV26PvB1K545anGuOdmg9TG6eJedn3gfV.webp'/></item><item><title><![CDATA[Agra : ખીરમાં ઊંઘની ગોળીઓ આપી પતિની કરી હત્યા! 46 દિવસ મૃતદેહ ઉપર બેસી કર્યું સ્નાન ]]></title><link>https://sandesh.com/crime/news/india/agra-wife-kills-husband-sleeping-pills-kheer-body-hidden-46-days</link><guid isPermaLink="true">https://sandesh.com/crime/news/india/agra-wife-kills-husband-sleeping-pills-kheer-body-hidden-46-days</guid><pubDate>Sat, 04 Jul 2026 18:34:43 +05:30</pubDate><description><![CDATA[<p>ઉત્તર પ્રદેશના આગ્રામાંથી એક ભયાનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેને લોકો ‘દૃશ્યમ કાંડ’ તરીકે ઓળખાવી રહ્યા છે. આરોપ છે કે 40 વર્ષની રૂબી શર્માએ પોતાના પતિ સુરેન્દ્ર કુમાર શર્માની હત્યા કરી અને લાશને ઘરના બાથરૂમમાં જ દફનાવી દીધી હતી. પોલીસ તપાસ મુજબ આ ઘટના માર્ચથી મે 2025 વચ્ચે બની હોવાનું માનવામાં આવે છે.</p><h2><b>પતિને ખીરમાં એક ડઝનથી વધુ ઊંઘની ગોળીઓ આપી બેભાન કર્યા બાદ હત્યા કરી</b></h2><p>આરોપ મુજબ રૂબીએ પતિને ખીરમાં એક ડઝનથી વધુ ઊંઘની ગોળીઓ આપી બેભાન કર્યા બાદ હત્યા કરી હતી. ત્યારબાદ તેણે બાથરૂમનો ફર્શ તોડી લાશને ત્યાં ઘસેડીને દફનાવી દીધી હતી. લાશ પર મીઠું અને માટી નાખીને તેને ઢાંકી દેવામાં આવ્યું હતું અને પછી ફરીથી ફર્શ પ્લાસ્ટર કરી દેવામાં આવ્યો હતો. આશ્ચર્યજનક રીતે, રૂબી લગભગ 46 દિવસ સુધી તે જ બાથરૂમમાં ન્હાતી રહી જ્યાં નીચે પતિની લાશ દફન હતી.</p><h3><b>એકથી વધુ લોકોની સંડોવણી હોવાની પોલીસને શંકા&nbsp;</b></h3><p>પોલીસ તપાસમાં ખુલ્યું છે કે બાદમાં રૂબીએ પોતાના સાસરિયા અને અન્ય લોકોને પતિ ગાયબ હોવાનું જણાવ્યું હતું. શરૂઆતમાં તેણે ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને શંકા છે કે આ ઘટનામાં એકથી વધુ લોકોની સંડોવણી હોઈ શકે છે, જોકે અત્યાર સુધી મુખ્ય આરોપ રૂબી સામે જ છે. રૂબીનો દાવો છે કે તેણે ફિલ્મ ‘દૃશ્યમ’ જોઈને લાશ છુપાવવાનો વિચાર કર્યો હતો. તેણે કહ્યું કે પતિથી તંગ આવીને તેણે આ પગલું ભર્યું અને જેલથી બચવા માટે લાશ છુપાવી. પોલીસ હવે મોબાઈલ કોલ ડીટેલ્સ, ગૂગલ સર્ચ હિસ્ટ્રી અને પરિવારજનોના નિવેદનોના આધારે સમગ્ર કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.</p><p>પોલીસને ત્યારે શંકા ગઈ જ્યારે તે સતત બાથરૂમનો ઉપયોગ કરતી હતી. તપાસ દરમિયાન અંતે રૂબીએ પોતે જ પતિની હત્યાની કબૂલાત કરી હતી, જેના બાદ સમગ્ર વિસ્તાર હચમચી ગયો છે. પોલીસ હવે આ ઘટનામાં વધુ કોઈ સહયોગી હતો કે નહીં તેની તપાસ કરી રહી છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/crime/bjp-mla-raju-kumar-singh-4-year-jail-harsh-firing-case" target="_blank">આ પણ વાંચો : Harsh Firing Case : ભાજપના ધારાસભ્યને 4 વર્ષની જેલની સજા, 25 લાખ વળતર ચૂકવવાનો આદેશ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/04/6PPbjzD7atR9mGUO4Es5ze1EeuKnrfW9Wt6XyNWL.webp'/></item><item><title><![CDATA[Cristiano Ronaldoએ ગોલ કરતા પહેલા શું કહ્યું? વાયરલ વીડિયોથી શરૂ થઈ અનેક ચર્ચા ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/cristiano-ronaldo-bismillah-viral-video-penalty-debate</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/cristiano-ronaldo-bismillah-viral-video-penalty-debate</guid><pubDate>Sat, 04 Jul 2026 17:23:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઘણા મુસ્લિમ અને આરબ ફેનનો દાવો છે કે રોનાલ્ડો શોટ લેતા પહેલા મુસ્લિમ શબ્દ "બિસ્મિલ્લાહ"નું પુનરાવર્તન કરી રહ્યો હતો. આ દરમિયાન પોર્ટુગીઝ ફેનનો દાવો છે કે તે આવું કંઈ બોલી રહ્યો ન હતો, પરંતુ પોર્ટુગીઝમાં "vais marcar" બોલીને પોતાને પ્રોત્સાહિત કરી રહ્યો હતો, જેનો અર્થ થાય છે "તમે સ્કોર કરશો."</p><h2 style="text-align: justify;"><b>ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો વીડિયો થયો વાયરલ</b></h2><p style="text-align: justify;">પોર્ટુગીઝ ફૂટબોલ દિગ્ગજ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ઘણીવાર મેદાન પરના તેના પ્રદર્શન માટે ચર્ચામાં રહે છે. રોનાલ્ડો તેના શક્તિશાળી પ્રદર્શનથી ફિફા વર્લ્ડકપ 2026માં પણ પ્રભુત્વ મેળવી રહ્યો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક શબ્દને લઈને એક નવી ચર્ચા શરૂ થઈ છે, જેને અનેક દાવાઓ સાથે જોડવામાં આવી રહી છે. આ ઘટના રાઉન્ડ ઓફ 32માં ક્રોએશિયા સામે પોર્ટુગલની 2-1 થી રોમાંચક જીત દરમિયાન બની હતી.&nbsp;</p><p style="text-align: justify;">નિર્ણાયક પેનલ્ટી લેતા પહેલા રોનાલ્ડો કેમેરા સામે કંઈક કહેતો જોવા મળ્યો હતો. આનાથી સોશિયલ મીડિયા પર એક નવી ચર્ચા શરૂ થઈ છે. નજીકથી કેદ થયેલી આ ક્ષણ હવે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે, અને ફેન્સ મૂંઝવણમાં છે કે રોનાલ્ડોએ ખરેખર શું કહ્યું - અરબી પ્રાર્થના કે પોર્ટુગીઝ શબ્દ પોતાને પ્રેરણા આપવા માટે.</p><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/MENACatholics/status/2073109668470173948"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><a href="http://" target="_blank"></a><br></p><h3 style="text-align: justify;"><b>'બિસ્મિલ્લાહ' કે પોર્ટુગીઝ મંત્ર?</b></h3><p style="text-align: justify;">આરબ અને મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાં સોશિયલ મીડિયા યુઝર્સ દાવો કરે છે કે રોનાલ્ડોએ શોટ લેતા પહેલા 2 વાર 'બિસ્મિલ્લાહ' કહ્યું હતું. સાઉદી અરેબિયન ક્લબ અલ નાસ્સર માટે રમ્યા પછી રોનાલ્ડો ત્યાંની સંસ્કૃતિથી ખૂબ પ્રભાવિત દેખાય છે. એક પાકિસ્તાની યુઝર્સે તો એવો પણ દાવો કર્યો હતો કે રોનાલ્ડોએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે પણ તે 'બિસ્મિલ્લાહ' કહે છે, ત્યારે ગોલ થાય છે.</p><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/RmSalih/status/2073024198755197427"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><a  target="_blank"></a></p><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/OfCL_Special/status/2072946172159811635"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p style="text-align: justify;">આ દરમિયાન પોર્ટુગીઝ ફેન દાવો કરે છે કે રોનાલ્ડો પોતાને પ્રેરણા આપવા માટે "વામોસ લા" (ચાલો, આગળ વધો) અથવા "વૈસ માર્કાર" (તમે ગોલ કરશો) કહી રહ્યો હતો. રોનાલ્ડોના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.</p><h4 style="text-align: justify;"><b>રોનાલ્ડોએ નથી આપી કોઈ પ્રતિક્રિયા</b></h4><p style="text-align: justify;">આ વિવાદ અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોતે હજુ સુધી કોઈ સ્પષ્ટતા આપી નથી. મેચ જીત્યા પછી અને પોર્ટુગલને ક્વાર્ટર ફાઈનલમાં પહોંચાડ્યા પછી તે ટીમ હોટલની બહાર ભેગા થયેલા ફેન સાથે સેલિબ્રેશનમાં વ્યસ્ત હતો.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/ishan-kishan-run-out-abhishek-sharma-stump-mic-video" target="_blank">Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?&nbsp;</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/04/s58CAWSKRe47UO9Tciz8fCzNgfgza9kLQusFRCT7.webp'/></item><item><title><![CDATA[Friday Box Office: ‘આલ્ફા’ની ધમાકેદાર એન્ટ્રી, ‘વેલકમ ટુ ધ જંગલ’ની રફ્તાર થઈ ધીમી, ‘મેં વાપસ આઉંગા’નો દમ યથાવત ]]></title><link>https://sandesh.com/entertainment/news/friday-box-office-alpha-makes-a-bang-welcome-to-the-jungle-slows-down-main-vaaps-aunga-maintains-momentum</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/friday-box-office-alpha-makes-a-bang-welcome-to-the-jungle-slows-down-main-vaaps-aunga-maintains-momentum</guid><pubDate>Sat, 04 Jul 2026 16:49:28 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">3 જુલાઈના શુક્રવારના બોક્સ ઓફિસ પર અનેક ફિલ્મો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી. નવી રિલીઝ ‘આલ્ફા’એ શાનદાર શરૂઆત કરી, જ્યારે ‘વેલકમ ટુ ધ જંગલ’ અને કોકટેલ-2 સહિત અન્ય ફિલ્મોની કમાણીમાં ઘટાડો નોંધાયો.&nbsp; આલિયા ભટ્ટની એકશન સ્પાય ફિલ્મને લઈને દર્શકો આતુર હતા. જો કે આ ફિલ્મમાં દર્શકોને ઋતિક રોશનનો કેમિયો પસંદ આવ્યો. આલ્ફા રિલીઝ થતાં જ બોક્સ ઓફિસ પર કોકટેલ-2, વેલકમ ટુ ધ જંગલ અને મેં વાપસ આઉંગાની કમાણીમાં મોટો ઝટકો લાગ્યો.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>‘આલ્ફા’એ પ્રથમ જ દિવસે બતાવ્યો દમ</b></h2><p style="text-align: justify; ">આલિયા ભટ્ટ, શર્વરી વાઘ, બોબી દેઓલ અને અનિલ કપૂર અભિનીત YRF Spy Universeની ફિલ્મ ‘આલ્ફા’ શુક્રવારે થિએટરમાં રિલીઝ થઈ હતી. ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો હોવા છતાં દર્શકોનો સારો પ્રતિસાદ મળતાં તેણે બોક્સ ઓફિસ પર મજબૂત શરૂઆત કરી છે. સેકનિલ્કના પ્રારંભિક અહેવાલો મુજબ, ફિલ્મે પ્રથમ દિવસે અંદાજે ₹9 કરોડનું કલેક્શન કર્યું. નવા સપ્તાહની શરૂઆત સાથે ‘આલ્ફા’ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની અને બોક્સ ઓફિસ પર પોતાની મજબૂત હાજરી નોંધાવી.</p><h3 style="text-align: justify; "><b>‘વેલકમ ટુ ધ જંગલ’ને સ્પર્ધાનો ફટકો, ‘કોકટેલ 2’માં મોટો ઘટાડો</b></h3><p style="text-align: justify; ">અક્ષય કુમારની મલ્ટીસ્ટારર ‘વેલકમ ટુ ધ જંગલ’ બીજા અઠવાડિયામાં પ્રવેશતા નવી રિલીઝ ‘આલ્ફા’થી પ્રભાવિત થઈ. ફિલ્મે બીજા શુક્રવારે ₹4.50 કરોડની કમાણી કરી અને કુલ કલેક્શન ₹97.65 કરોડ સુધી પહોંચ્યું. વેલકમ 3માં કલાકારોનો કાફલો હોવા છતાં આ ફિલ્મ સિનેમાઘરમાં દર્શકોને ખેંચવા નિષ્ફળ રહી. બીજી તરફ, શાહિદ કપૂર, કૃતિ સેનન અને રશ્મિકા મંદન્નાની ‘કોકટેલ 2’ ત્રીજા અઠવાડિયામાં નબળી પડી. ફિલ્મે ત્રીજા શુક્રવારે માત્ર ₹0.75 કરોડની કમાણી કરી, જ્યારે તેની કુલ આવક ₹90.15 કરોડ સુધી પહોંચી છે.</p><h3 style="text-align: justify; "><b>ત્રીજા શુક્રવારે 'કોકટેલ 2' ની કમાણીમાં મોટો ઘટાડો</b></h3><p style="text-align: justify; ">શાહિદ કપૂર અને કૃતિ સેનન અભિનીત 'કોકટેલ 2' ની કમાણીમાં ત્રીજા અઠવાડિયે મોટો ઘટાડો જોવા મળ્યો છે, જેમાં ૧૫મા દિવસે (ત્રીજો શુક્રવાર) ફિલ્મનું નેટ કલેક્શન ₹0.75 કરોડ રહ્યું હતું. સેકનિલ્કના અહેવાલ મુજબ, આ ઘટાડા સાથે ૧૫ દિવસનું કુલ ઇન્ડિયા નેટ કલેક્શન ₹90.15 કરોડ સુધી પહોંચ્યું છે.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>‘મેં વાપસ આઉંગા’નો જાદુ યથાવત, ‘કેરી ઓન જટ્ટા 4’ની ગતિ ધીમી</b></h4><p style="text-align: justify; ">ઈમ્તિયાઝ અલીની ‘મેં વાપસ આઉંગા’ ચોથા અઠવાડિયામાં પણ સ્થિર પ્રદર્શન કરી રહી છે. ફિલ્મે 22મા દિવસે ₹1.05 કરોડની કમાણી સાથે કુલ ₹53.30 કરોડનો આંક પાર કર્યો છે, જે તેની મજબૂત વર્ડ-ઓફ-માઉથનો પુરાવો છે. બીજી તરફ, ગિપ્પી ગ્રેવાલ અને સરગુન મહેતા અભિનીત પંજાબી ફિલ્મ ‘કેરી ઓન જટ્ટા 4એ બીજા શુક્રવારે ₹0.65 કરોડનું કલેક્શન કર્યું. નવી ફિલ્મોની એન્ટ્રી બાદ અનેક ફિલ્મોની કમાણીમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ ‘આલ્ફા’એ પહેલા જ દિવસે બોક્સ ઓફિસની રેસમાં આગેવાની મેળવી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/alpha-movie-review-alia-sharvaris-look-created-a-stir-whistles-rang-out-on-hrithik-roshans-entry-in-the-theater-know-how-the-film-is" target="_blank">આ પણ વાંચો : Alpha Movie Review: આલિયા-શર્વરીના લુકે મચાવી ધૂમ, થિયેટરમાં 'વોર' અભિનેતાની એન્ટ્રી પર વાગી સીટીઓ, જાણો કેવી છે ફિલ્મ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/04/ytAr2uohrroF6YcmoTGNsgOqubXbbigPgCr9Y8Fp.webp'/></item><item><title><![CDATA[Gold Silver Price Today: અઠવાડિયામાં સોનું રૂ.6400 મોંઘુ, ચાંદી પણ વધ્યા ભાવ, જાણો લેટેસ્ટ રેટ ]]></title><link>https://sandesh.com/business/news/gold-silver-price-today-gold-becomes-expensive-by-rs-6400-in-a-week-silver-prices-also-increased-know-the-latest-rate</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/gold-silver-price-today-gold-becomes-expensive-by-rs-6400-in-a-week-silver-prices-also-increased-know-the-latest-rate</guid><pubDate>Sat, 04 Jul 2026 12:38:02 +05:30</pubDate><description><![CDATA[<p>ડોલર ઇન્ડેક્સ પર દબાણ અને વૈશ્વિક ફુગાવાને ઘટાડવાની સંભાવનાને કારણે આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો. બંને કિંમતી ધાતુઓમાં મજબૂત ખરીદી પ્રવૃત્તિને કારણે સોનાના ભાવમાં આશરે ₹6,500 અને ચાંદીના ભાવમાં ₹17,000 થી વધુનો વધારો થયો છે. </p><h2><b>અઠવાડિયામાં સોના ચાંદીના ભાવ વધ્યા</b></h2><p>સ્થાનિક તેમજ વૈશ્વિક બજારોમાં બંને ધાતુઓના ભાવમાં વધારો થયો છે; આંતરરાષ્ટ્રીય સ્તરે, સોનું પ્રતિ ઔંસ $4,170 અને ચાંદી $62 ની નજીક ટ્રેડ થઈ રહી છે.આ સપ્તાહના ઉતાર-ચઢાવની વાત કરીએ તો, 1 જુલાઈની સવારે સોનાનો ભાવ ₹1,39,434 ની નીચી સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે 3 જુલાઈની સાંજે તે ₹1,46,344 ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.&nbsp;</p><p><b style="font-size: 1.75rem;">સોનામાં તેજી&nbsp;</b></p><p>ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા અનુસાર, આ અઠવાડિયે 24 કેરેટ સોનાનો ભાવ ₹6,471 વધીને ₹10 ગ્રામ દીઠ ₹1,46,344 પર પહોંચી ગયો છે, જે ₹1,39,873 થી વધુ છે. 22 કેરેટ સોનાનો ભાવ પણ અગાઉના ₹1,28,124 ની સરખામણીમાં ₹1,34,051 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. 18 કેરેટ સોનું હવે 10 ગ્રામ દીઠ 1,09.758&nbsp; રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે. જ્યારે ગયા અઠવાડિયે તેનો ભાવ 1,04,905 રૂપિયા હતો.&nbsp;</p><h3><b>ચાંદીમાં તેજી&nbsp;</b></h3><p>સોનાની જેમ, ચાંદીમાં પણ આ સપ્તાહે તીવ્ર ઉછાળો જોવા મળ્યો. ચાંદીના ભાવ ₹17,317 વધીને ₹2,33,858 પ્રતિ કિલોગ્રામના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યા, જે અગાઉના ₹2,16,541 ના સ્તરથી વધુ છે. ચાંદીનો સૌથી નીચો ભાવ ₹2,21,355 હતો, અને 3 જુલાઈના રોજ સાંજના સત્ર દરમિયાન તે ₹2,33,858 ની ટોચ પર પહોંચ્યો હતો.</p><h4><b style="font-size: 1.5rem;">સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો શા માટે આવ્યો?</b></h4><p>બજારના નિષ્ણાતોના મતે, બુલિયન બજારમાં આ તાજેતરની તેજી પાછળ બે મુખ્ય વૈશ્વિક પરિબળો છે. પ્રથમ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાએ વૈશ્વિક ફુગાવાને હળવો કરવાની આશા જગાવી છે. બીજું, છેલ્લા બે ટ્રેડિંગ સત્રોમાં ડોલર ઇન્ડેક્સમાં સતત ઘટાડો જોવા મળ્યો છે, જે કિંમતી ધાતુઓને ટેકો પૂરો પાડે છે.<br><br></p><h4><b>દેશના મોટા શહેરોમાં શું છે સોના ચાંદીનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)&nbsp;</b></h4><p><br></p><table class="table table-bordered"><tbody><tr><td>શહેર&nbsp;</td><td>24 કેરેટ સોનાની કિંમત ( રૂપિયા/10 ગ્રામ) )&nbsp;</td><td>22 કેરેટ સોનાની કિંમત( રૂપિયા/10 ગ્રામ)</td></tr><tr><td>દિલ્હી&nbsp;</td><td>1,46,880&nbsp;</td><td>1,34,650&nbsp;&nbsp;</td></tr><tr><td>કોલકાતા&nbsp;</td><td>1,46,730&nbsp;</td><td>1,34,500&nbsp;</td></tr><tr><td>ચેન્નઈ&nbsp;</td><td>1,49,460&nbsp;</td><td>1,37,000&nbsp;&nbsp;</td></tr><tr><td>બેંગ્લોર&nbsp;</td><td>1,46,730&nbsp;</td><td>1,34,500&nbsp; &nbsp;</td></tr><tr><td>અમદાવાદ</td><td>&nbsp;1,46,780&nbsp;</td><td>1,34,550&nbsp;&nbsp;</td></tr><tr><td>વડોદરા</td><td>&nbsp;1,46,780<br></td><td>&nbsp;1,34,550&nbsp;</td></tr></tbody></table><p><br></p><p><a href="https://sandesh.com/astrology/news/bhakti/budh-gochar-2026-bank-balance-of-3-zodiac-signs-will-increase-mercury-will-change-its-course" target="_blank">&nbsp; &nbsp;આ પણ વાંચો-Budh Gochar 2026: 3 રાશિનું બેંક બેલેન્સ વધશે ! બુધ બદલશે ચાલ&nbsp;</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/05/22/ufi8sFvshBVfaevszYIKc8xe9wwUe7h0oWClYl0J.webp'/></item></channel></rss>