<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabad News : મુંબઈમાં ભારે વરસાદથી પશ્ચિમ રેલવે સેવા પ્રભાવિત, ગુજરાત મેઈલ સહિત અનેક ટ્રેનો રદ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/mumbai-heavy-rain-disrupts-western-railway-services</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/mumbai-heavy-rain-disrupts-western-railway-services</guid><pubDate>Mon, 06 Jul 2026 23:07:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં પડી રહેલા અનરાધાર વરસાદને પગલે રેલવે વ્યવહાર પર ગંભીર અસર પડી છે. મુંબઈ સેન્ટ્રલ અને ઉપનગરીય વિસ્તારોમાં અનેક રેલવે રૂટ પર પાણી ભરાઈ જવાથી પશ્ચિમ રેલવેની સેવાઓ ખોરવાઈ ગઈ છે. સુરક્ષાના કારણોસર ટ્રેનોનું સંચાલન પ્રભાવિત થતાં મુસાફરોની હાલત કફોડી બની છે અને તેમને સ્ટેશનો પર ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ભારે વરસાદની અસર ગુજરાતથી મુંબઈ જતી અને આવતી મહત્વની ટ્રેનો પર પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ભારે વરસાદને કારણે મુંબઈ તરફ જતી ટ્રેનોને અસર</b></h2><p style="text-align: justify; ">રેલવે તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણય અનુસાર, ગાંધીનગર-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ અને અમદાવાદ-મુંબઈ શતાબ્દી એક્સપ્રેસને સુરત સુધી જ દોડાવવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત, ભુજ-બાંદ્રા કચ્છ એક્સપ્રેસને દહાણુ રોડ સુધી જ મર્યાદિત રાખવામાં આવી છે. જ્યારે દાદર-અમદાવાદ વચ્ચે દોડતી ગુજરાત મેઈલ ટ્રેનને સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. રેલવે વિભાગ દ્વારા તમામ મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ મુસાફરી શરૂ કરતા પહેલા પોતાની ટ્રેનની વર્તમાન સ્થિતિ અને સમયપત્રકને સત્તાવાર વેબસાઇટ કે એપ્લિકેશન પર અચૂક ચકાસી લે. પાણીના ભરાવાને કારણે ટ્રેનોના સમયમાં સતત ફેરફાર થઈ રહ્યા હોવાથી, રેલવે તંત્ર દ્વારા અપડેટ્સ મેળવ્યા બાદ જ સ્ટેશન તરફ પ્રયાણ કરવા મુસાફરોને અપીલ કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>રેલવે વિભાગ દ્વારા નિર્ણય લેવાયો</b></h2><p style="text-align: justify; ">અમદાવાદથી મુંબઈ તરફના ટ્રેન રૂટ પર ભારે વરસાદની અસર છે. સુરતથી લઈને મુંબઈ સુધી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે અનેક ઠેકાણે પાણી ભરાઈ ગયાં છે. આ ઉપરાંત મુંબઈમાં પણ અનેક ઠેકાણે વરસાદને કારણે નુકસાનની વિગતો સામે આવી છે. રેલવેના ટ્રેક પણ પાણીમાં ગરકાવ હોવાનું સામે આવ્યું છે. જેથી મુસાફરોની સુરક્ષા અને દુર્ઘટના ના સર્જાય તે માટે રેલવે વિભાગ દ્વારા નિર્ણય લેવાયો છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/heavy-rain-recorded-in-umargam-valsad-tops-with-1-26-inches" target="_blank">આ પણ વાંચોઃ Gujarat Weather: આજે બપોરે 2થી 4 વાગ્યા સુધીમાં ઉમરગામમાં સૌથી વધુ 1.26 ઇંચ વરસાદ નોંધાયો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/06/LYQqdmZhTpO3cIUUiO1Gl2przkS2mqJdcg4rGkz9.webp'/></item><item><title><![CDATA[Suratમાં નરાધમ પુત્રએ કરી પિતાની કરપીણ હત્યા: ઘરમાં થતા ઝઘડાની અદાવતમાં ચપ્પુ ઝીંક્યું ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/in-surat-a-son-brutally-murdered-his-father-the-incident-took-place-due-to-a-domestic-dispute</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/in-surat-a-son-brutally-murdered-his-father-the-incident-took-place-due-to-a-domestic-dispute</guid><pubDate>Mon, 06 Jul 2026 22:55:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ડાયમંડ સિટી સુરતના સિંગણપોર વિસ્તારમાંથી પવિત્ર પિતા-પુત્રના સંબંધને કલંકિત કરતી એક અત્યંત ચોંકાવનારી અને લોહી ઉકાળે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં ઘરમાં અવાર-નવાર થતા ઝઘડા અને ગાળાગાળીની અદાવત રાખીને એક કળિયુગી પુત્રએ પોતાના જ સગા પિતા પર તીક્ષ્ણ ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. પુત્ર દ્વારા કરાયેલા આ ઘાતકી હુમલામાં ગંભીર ઈજાઓ થવાને કારણે કમનસીબ પિતાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.</p><h2 style="text-align: justify; ">માનસિક અસ્થિરતા અને આત્મહત્યાની ખોટી કહાની ઘડી</h2><p style="text-align: justify; ">પિતાની હત્યા કર્યા બાદ શાતિર આરોપી પુત્ર સુભાષ ઉર્ફે ટુન્નોએ કાયદાના સકંજામાંથી બચવા માટે એક હીન કાવતરું ઘડ્યું હતું. તેણે પોલીસ સમક્ષ એવી ખોટી વાર્તા રજૂ કરી હતી કે તેના પિતા માનસિક રીતે અસ્થિર મગજના હતા, જેથી તેમણે પોતે જ પોતાના શરીર પર ચાકુના ઘા મારીને આત્મહત્યા કરી લીધી છે. જોકે, ઘટનાસ્થળની સ્થિતિ અને પુત્રના નિવેદનોમાં વિસંગતતા જણાતા પોલીસને આ આત્મહત્યાની કહાની પર ભારે શંકા ગઈ હતી.</p><h3 style="text-align: justify; ">સિંગણપોર પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી આરોપીને દબોચ્યો</h3><p style="text-align: justify; ">સિંગણપોર પોલીસની ટીમે આ મામલે સમયસૂચકતા વાપરીને અત્યંત ઊંડાણપૂર્વક અને વૈજ્ઞાનિક ઢબે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસની કડક પૂછપરછ અને પુરાવાઓ સામે આવતા જ આરોપી સુભાષ ઉર્ફે ટુન્નો ભાંગી પડ્યો હતો અને પોતે જ પિતાની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આ હત્યાનો ભેદ ઉકેલીને આરોપી પુત્રની વિધિવત ધરપકડ કરી લીધી છે અને તેની સામે હત્યાની કલમો હેઠળ આગળની કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/06/ki42rwUJUpvDK5En9FdTY7t6p9xFMGtgHjRKnct5.webp'/></item><item><title><![CDATA[Ram Mandir Donation Row : ખિસ્સામાં અને પગરખામાં નોટો છુપાવતા જોવા મળ્યા કર્મચારીઓ, SITના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો ]]></title><link>https://sandesh.com/india/news/ram-mandir-donation-row-sit-report-cash-counting-irregularities</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ram-mandir-donation-row-sit-report-cash-counting-irregularities</guid><pubDate>Mon, 06 Jul 2026 22:41:04 +05:30</pubDate><description><![CDATA[<p>અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં દાનની રકમની ગણતરી દરમિયાન થયેલી કથિત ચોરી અને ગેરવહીવટ મામલે વિશેષ તપાસ ટીમ (SIT)ની પ્રાથમિક તપાસમાં અનેક ગંભીર અનિયમિતતાઓ સામે આવી છે. ઉત્તર પ્રદેશ સરકારે 25 જૂન, 2026ના રોજ આ અહેવાલ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને મોકલી આપ્યો છે.</p><h2><b>70 શંકાસ્પદ બનાવો નોંધાયા</b></h2><p>SITના અહેવાલ મુજબ 27 એપ્રિલથી 5 જૂન, 2026 દરમિયાનના CCTV ફૂટેજમાં ગણતરી રૂમમાં કેટલાક કર્મચારીઓ નોટોના બંડલ અને રોકડ રકમ કપડાં, ખિસ્સા, જૂતા તથા અન્ય જગ્યાએ છુપાવતા જોવા મળ્યા હતા. તપાસમાં આવા અંદાજે 70 શંકાસ્પદ બનાવો નોંધાયા છે. તપાસમાં જાણવા મળ્યું કે આ એકાદ ઘટના નહોતી, પરંતુ અનેક દિવસો સુધી ચાલતી વ્યવસ્થિત ગેરરીતિ હતી. ગણતરી રૂમમાં સુરક્ષાના નિયમોનું યોગ્ય પાલન થયું નહોતું. કર્મચારીઓની પ્રવેશ-નિકાસ સમયે તપાસ કરવામાં આવતી નહોતી, વ્યક્તિગત સામાન પર નિયંત્રણ ન હતું અને અનેક દાનપેટીઓની રકમ એકસાથે ગણાતી હતી.&nbsp;</p><h3><b>કર્મચારીઓ પાસેથી 78.94 લાખ રૂપિયા મળ્યાનો ઉલ્લેખ</b></h3><p>SITએ અવનીશ શુક્લા, અનુકૂલ મિશ્ર, લવકુશ મિશ્ર, મનીષ કુમાર યાદવ, કરુણેશ પાંડે અને રામશંકર મિશ્ર સહિત છ લોકોની પ્રાથમિક સંડોવણી દર્શાવી છે. તપાસ પહેલાં કેટલાક કર્મચારીઓ પાસેથી આશરે 78.94 લાખ રૂપિયા અને 4 જૂનના રોજ ગણતરી રૂમમાંથી વધારાના 2.25 લાખ રૂપિયા મળ્યાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.</p><h4><b>અનિલ મિશ્રા સામે અનેક સવાલો</b></h4><p>અહેવાલમાં જણાવાયું છે કે કેટલાક કર્મચારીઓના બેન્ક ખાતામાં તેમની જાહેર આવક કરતાં વધુ રોકડ જમા થઈ હોવાનું પણ સામે આવ્યું છે. ઉપરાંત ટ્રસ્ટના વરિષ્ઠ ટ્રસ્ટી ડૉ. અનિલ મિશ્રાની દેખરેખ અને સુરક્ષા વ્યવસ્થાના અમલીકરણ અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. જોકે, ચાંદીની ઈંટો સહિતની કિંમતી વસ્તુઓ ગુમ થયાના સોશિયલ મીડિયા પરના દાવાઓની પ્રાથમિક તપાસમાં પુષ્ટિ થઈ નથી. આ મામલે વધુ તપાસ અને કાયદાકીય કાર્યવાહી ચાલુ છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/ayodhya-news-ram-temple-trust-makes-gold-ramcharitmanas-and-foot-mark-public-krishna-mohan-becomes-general-secretary" target="_blank">આ પણ વાંચો : Ayodhya News: રામ મંદિર ટ્રસ્ટે સાર્વજનિક કર્યા સોનાના રામચરિતમાનસ અને ચરણ ચિહ્ન, કૃષ્ણ મોહન બન્યા મહાસચિવ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/06/3z0Q1kXN68gELf3QozyVBBaCNkqAJ1XDRmEHhasK.webp'/></item><item><title><![CDATA[Mahisagarમાં કેનાલમાં કૂદેલી માતાને બચાવવા જતાં 15 વર્ષનો બહાદુર પુત્ર પાણીમાં ગરકાવ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mahisagar/brave-15-year-old-son-drowns-while-trying-to-save-mother-who-jumped-into-canal-in-mahisagar</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mahisagar/brave-15-year-old-son-drowns-while-trying-to-save-mother-who-jumped-into-canal-in-mahisagar</guid><pubDate>Mon, 06 Jul 2026 22:31:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મહીસાગર જિલ્લાના કાલસર વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રખિયાલ ગામના રહેવાસી જયપાલસિંહ રાઉલજી તેમની પત્ની શિલ્પાબેન અને 15 વર્ષીય પુત્ર આર્યસિંહ સાથે બાઇક પર સવાર થઈને કાલસરથી જોરબંધ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન કાલસર પાસે આવેલી મહી બજાજ સાગરની મુખ્ય કેનાલ નજીક કોઈ કારણોસર બાઇક ઊભું રાખવામાં આવ્યું હતું. બાઇક ઊભું રહેતાં જ પત્ની શિલ્પાબેને અચાનક કેનાલના ઊંડા પાણીમાં આપઘાત કરવાના ઇરાદે છલાંગ લગાવી દીધી હતી.</p><h2 style="text-align: justify; ">માતાનો આબાદ બચાવ, પુત્ર ઊંડા પાણીમાં લાપતા</h2><p style="text-align: justify; ">પોતાની જનનીને મોત વહાલ કરવા માટે પાણીમાં કૂદતી જોઈને પુત્ર આર્યસિંહ જયપાલસિંહ રાઉલજી પણ કેનાલના ધસમસતા પ્રવાહમાં કૂદી પડ્યો હતો. ઘટનાને નજરે જોતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત બાદ માતા શિલ્પાબેનને પાણીમાંથી જીવતેજીવ આબાદ બહાર કાઢી લીધા હતા, પરંતુ અફસોસ કે તેમને બચાવવા ગયેલો માસૂમ પુત્ર આર્યસિંહ કેનાલના ભારે પ્રવાહમાં વહી જતાં પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.</p><h3 style="text-align: justify; ">ઈજાગ્રસ્ત માતા હોસ્પિટલમાં, પુત્રની શોધખોળ તેજ</h3><p style="text-align: justify; ">આ ગંભીર હોનારતની જાણ થતાં જ સ્થાનીય વહીવટી તંત્ર, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. શિલ્પાબેનને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક ડાકોર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ, કેનાલના પાણીમાં ડૂબી ગયેલા 15 વર્ષના આર્યસિંહની શોધખોળ કરવા માટે ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ કમનસીબ ઘટનાને પગલે સમગ્ર રખિયાલ પંથકમાં ભારે અરેરાટી અને શોક વ્યાપી ગયો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/06/V1oSoxeAMrigSVzgHyiAcoCn4xaz4qqUw18nDB23.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: ડિજિટલ સંદીપ એકેડેમી દ્વારા DSA Convocation 2026નું સફળ આયોજન ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/digital-sandeep-academy-successfully-organizes-dsa-convocation-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/digital-sandeep-academy-successfully-organizes-dsa-convocation-2026</guid><pubDate>Mon, 06 Jul 2026 22:17:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ડિજિટલ સંદીપ એકેડેમી (DSA)દ્વારા અમદાવાદના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે ગુજરાતના સૌથી મોટા યુવા કેન્દ્રિત કોન્વોકેશન અને સન્માન સમારોહ પૈકીના એક એવા DSA Convocation 2026નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય સમારોહમાં 1,500થી વધુ વિદ્યાર્થીઓ, ઉદ્યોગસાહસિકો, ફ્રીલાન્સર્સ, ડિજિટલ ક્રિએટર્સ, શિક્ષણવિદો, ઉદ્યોગ નિષ્ણાતો, બિઝનેસ લીડર્સ અને વિવિધ ક્ષેત્રોના વ્યાવસાયિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>કારકિર્દી ઉત્કૃષ્ટતાની ઉજવણીનું અનોખું મંચ</b></h2><p style="text-align: justify; ">આ કાર્યક્રમ શિક્ષણ, સિદ્ધિ, નવીનતા અને કારકિર્દી ઉત્કૃષ્ટતાની ઉજવણીનું અનોખું મંચ બન્યો હતો. ડિજિટલ સંદીપ એકેડેમીની યુવાનોને પ્રેક્ટિકલ શિક્ષણ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI),ડિજિટલ માર્કેટિંગ, ઉદ્યોગસાહસિકતા અને ઉદ્યોગ આધારિત કૌશલ્ય વિકાસ દ્વારા સશક્ત બનાવવાની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ હતો. કાર્યક્રમમાં ગુજરાતભરના જાણીતા ડિજિટલ ક્રિએટર્સ, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ, ઉદ્યોગસાહસિકો, સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ, ફ્રીલાન્સર્સ, એલ્યુમ્નાઇ, બિઝનેસ લીડર્સ અને ઇન્ડસ્ટ્રી પ્રોફેશનલ્સ પણ ઉપસ્થિત રહ્યા હતા.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>કારકિર્દી નિર્માણ માટેની પ્રતિબદ્ધતા</b></h2><p style="text-align: justify; ">ડિજિટલ માર્કેટિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે વ્યાવસાયિક તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર સેંકડો વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની મહેનત, સતત શીખવાની ભાવના અને સફળ કારકિર્દી નિર્માણ માટેની પ્રતિબદ્ધતાને બિરદાવવામાં આવી હતી. આ ઉપરાંત ઉદ્યોગસાહસિકો, ફ્રીલાન્સર્સ, ડિજિટલ ક્રિએટર્સ, સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ, કર્મચારીઓ અને વિવિધ ક્ષેત્રના અચીવર્સને પણ તેમની નોંધપાત્ર સિદ્ધિઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/06/8KKBTUUuUDD7yIEuDz25VE3VtrQQZaQ7JW4J6j93.webp'/></item><item><title><![CDATA[Manipur : આસામ રાઈફલ્સના કાફલા પર આતંકી હુમલો, 2 જવાન શહીદ ]]></title><link>https://sandesh.com/india/news/manipur-assam-rifles-convoy-terror-attack-two-soldiers-martyred</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/manipur-assam-rifles-convoy-terror-attack-two-soldiers-martyred</guid><pubDate>Mon, 06 Jul 2026 21:23:02 +05:30</pubDate><description><![CDATA[<p>મણિપુરના ઉખરૂલ જિલ્લામાં સોમવારે આસામ રાઈફલ્સના કાફલા પર આતંકવાદીઓએ ઘાતકી હુમલો કર્યો હતો. હુમલાખોરોએ પહેલા IEDથી વિસ્ફોટ કર્યો અને ત્યારબાદ અનેક દિશાઓમાંથી અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો. આ હુમલામાં આસામ રાઇફલ્સના બે જવાનો શહીદ થયા છે.</p><h2><b>બંને જવાન કાફલાની એક ગાડીમાં સવાર હતા</b></h2><p>શહીદ થયેલા જવાનોની ઓળખ વોરન્ટ ઓફિસર બલવંત સિંહ અને રાઇફલમેન સી. એમ. સિંહ તરીકે થઈ છે. બંને કાફલાની એક ગાડીમાં સવાર હતા. ગંભીર રીતે ઘાયલ થયા બાદ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા. સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, 40 આસામ રાઈફલ્સનો કાફલો કેમ્પમાંથી પોલીસ સ્ટેશન તરફ જઈ રહ્યો હતો ત્યારે શાંગશાક નજીક મુન્ગશાંગ કોંગ ગામ પાસે પુલની બંને બાજુ ત્રણ IED ગોઠવવામાં આવ્યા હતા. કાફલો ત્યાં પહોંચતા બે વિસ્ફોટ થયા અને તરત જ ભારે ગોળીબાર શરૂ થયો.</p><h3><b>મુખ્યમંત્રી યુમનામ ખેમચંદે હુમલાની કડક નિંદા કરી</b></h3><p>આસામ રાઈફલ્સના જવાનોએ તરત જ જવાબી કાર્યવાહી હાથ ધરી હતી. બંને પક્ષો વચ્ચે લગભગ એક કલાક સુધી ગોળીબાર ચાલ્યો હતો. ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ અને કોમ્બિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વધુ એક IED મળી આવી હતી, જેને સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરવામાં આવી.</p><p>હુમલામાં સામેલ આતંકવાદીઓની શોધખોળ ચાલુ છે અને હજુ સુધી કોઈ પણ ઉગ્રવાદી સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી નથી. મણિપુરના મુખ્યમંત્રી યુમનામ ખેમચંદે હુમલાની કડક નિંદા કરી છે અને શહીદ જવાનોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. રાજ્યના ગૃહમંત્રી ગોવિંદદાસ કોન્થૌજમે પણ હુમલાને શાંતિ ભંગ કરવાનો પ્રયાસ ગણાવ્યો અને દોષિતોને કાયદાના કટઘરામાં લાવવાની ખાતરી આપી છે.</p><p><a href="https://sandesh.com/india/news/ayodhya-news-ram-temple-trust-makes-gold-ramcharitmanas-and-foot-mark-public-krishna-mohan-becomes-general-secretary" target="_blank"><b>આ પણ વાંચો : Ayodhya News: રામ મંદિર ટ્રસ્ટે સાર્વજનિક કર્યા સોનાના રામચરિતમાનસ અને ચરણ ચિહ્ન, કૃષ્ણ મોહન બન્યા મહાસચિવ</b></a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/06/T3eF1aQ8KuEOJOtbDg2yAjFYhGzazT5p5zy82p6k.webp'/></item><item><title><![CDATA[Mahisagar News: ખાનપુરના ડોલરિયા ગામે હનુમાનજીની મૂર્તિના બે ટુકડા કરી દાનપેટીની ચોરી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mahisagar/mahisagar-news-donation-box-stolen-after-breaking-hanumanji-idol-into-two-pieces-in-dolariya-village-of-khanpur</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mahisagar/mahisagar-news-donation-box-stolen-after-breaking-hanumanji-idol-into-two-pieces-in-dolariya-village-of-khanpur</guid><pubDate>Mon, 06 Jul 2026 21:04:19 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાંથી ધાર્મિક લાગણી દુભાવતી અને કાયદો-વ્યવસ્થા સામે સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આવેલા ડોલરિયા ગામે તસ્કરોએ રાત્રિના અંધકારનો લાભ ઉઠાવીને ગામના આસ્થા સમાન પ્રાચીન હનુમાનજીના મંદિરને પોતાનો નિશાન બનાવ્યું હતું. મંદિરમાં પ્રવેશેલા અજાણ્યા ચોર ઈસમોએ પવિત્ર હનુમાનજીની મૂર્તિને ખંડિત કરી દીધી હતી અને મંદિરમાં રાખેલી દાનપેટીની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.</p><h2 style="text-align: justify; ">ભગવાનની મૂર્તિના બે ભાગ કરાતા ગ્રામજનો સ્તબ્ધ</h2><p style="text-align: justify; ">ચોરી કરવાના બદઈરાદે આવેલા નરાધમોએ મંદિરમાં રહેલી હનુમાનજીની મૂર્તિને પછાડીને અથવા તીક્ષ્ણ સાધન વડે તોડીને તેના બે ભાગ કરી નાખ્યા હતા. સવારે જ્યારે ગ્રામજનો મંદિરે દર્શનાર્થે પહોંચ્યા ત્યારે ભગવાનની મૂર્તિ બે ટુકડામાં લોહી ઉકાળે તેવી સ્થિતિમાં જમીન પર પડેલી જોવા મળી હતી. આ પવિત્ર ધાર્મિક સ્થળ પર તોડફોડ અને નુકસાનની વિગતો વાયુવેગે પ્રસરતા જ સમગ્ર ડોલરિયા ગામ અને આસપાસના પંથકના લોકોમાં ભારે નારાજગી અને આક્રોશ ફેલાઈ ગયો હતો.</p><h3 style="text-align: justify; ">બાકોર પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા</h3><p style="text-align: justify; ">આ ગંભીર ઘટના અંગે ગામના અગ્રણીઓ અને સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક બાકોર પોલીસ મથકને જાણ કરવામાં આવી હતી. ઘટનાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને બાકોર પોલીસનો ઉચ્ચ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને રોષે ભરાયેલા ગ્રામજનોને શાંત પાડી કડક કાર્યવાહીની ખાતરી આપી હતી. પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ચોરી તેમજ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ ગુનો નોંધી, શંકાસ્પદોની પૂછપરછ અને તસ્કરોને દબોચી લેવા તપાસ તેજ કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/06/DAdcsHyzMMhWPp7DeVwiy66Y9PHLwTu2jwwn3Ywm.webp'/></item><item><title><![CDATA[Auto News: નવા લુક અને માઇલ્ડ-હાઇબ્રિડ એન્જિન સાથે 28 જુલાઈએ લોન્ચ થશે આ નવી પિકઅપ! ]]></title><link>https://sandesh.com/business/news/automobile/auto-news-this-new-pickup-will-be-launched-on-july-28-with-a-new-look-and-mild-hybrid-engine</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/auto-news-this-new-pickup-will-be-launched-on-july-28-with-a-new-look-and-mild-hybrid-engine</guid><pubDate>Mon, 06 Jul 2026 20:39:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જો તમે એક પાવરફુલ પિકઅપ ટ્રક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. Toyota આગામી 28 જુલાઈ 2026ના રોજ પોતાની લોકપ્રિય પિકઅપ Hiluxનું નવું મોડલ લોન્ચ કરવા જઈ રહી છે. આ Hiluxની 9મી જનરેશન હશે, જેમાં પહેલા કરતા ઘણા મોટા ફેરફારો જોવા મળશે. નવી Hiluxને નવું એક્સટીરિયર ડિઝાઇન, મોર્ડન ઇન્ટીરિયર અને ઘણા એડવાન્સ ફીચર્સ સાથે રજૂ કરવામાં આવશે. જો કે, કંપની આમાં પહેલા જેવું જ ભરોસાપાત્ર ડીઝલ એન્જિન ચાલુ રાખી શકે છે.</p><h2 style="text-align: justify; "><b>પહેલા કરતા વધુ આકર્ષક અને દમદાર</b></h2><p style="text-align: justify; ">નવી Toyota Hiluxની ઓવરઓલ ડિઝાઇન પહેલા જેવી જ રહેશે, પરંતુ તેના ફ્રન્ટ લુકમાં ઘણા ફેરફારો કરવામાં આવી શકે છે. તેમાં નવું બોડી-કલર હનીકોમ્બ ગ્રીલ, પહેલા કરતા પાતળી LED હેડલેમ્પ, નવું બમ્પર અને મજબૂત સ્કીડ પ્લેટ મળવાની આશા છે. આનાથી પિકઅપ ટ્રક પહેલા કરતા વધુ આકર્ષક અને દમદાર દેખાશે.</p><h3 style="text-align: justify; "><b>ડિઝાઇનમાં થશે આ ફેરફારો</b></h3><p style="text-align: justify; ">સાઇડ પ્રોફાઇલમાં બહુ વધારે ફેરફાર જોવા નહીં મળે. દરવાજાની ડિઝાઇન અને પહોળા વ્હીલ આર્ચ પહેલા જેવા જ રહી શકે છે. જો કે કંપની આમાં નવી ડિઝાઇનવાળા એલોય વ્હીલ આપી શકે છે, જેનાથી તેનો લુક વધુ પ્રીમિયમ બની જશે. પાછળની તરફ પણ કેટલાક ફેરફારો જોવા મળી શકે છે. નવી Hiluxમાં અપડેટેડ LED ટેલલાઇટ્સ, નવું રિયર બમ્પર અને ટેલગેટ પર Toyotaનું મોટું નામ લખેલું મળી શકે છે. આનાથી ટ્રકનો પાછળનો ભાગ પણ પહેલા કરતા વધુ મોર્ડન દેખાશે.</p><h4 style="text-align: justify; "><b>અંદર મળશે અઢળક ફીચર્સ</b></h4><p style="text-align: justify; ">સૌથી મોટો ફેરફાર કેબિનની અંદર જોવા મળશે. નવી Hiluxમાં 12.3-ઇંચની બે મોટી સ્ક્રીન મળવાની સંભાવના છે. જેમાંથી એક ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને બીજી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ માટે હશે. આ સિવાય નવું સ્ટીયરીંગ વ્હીલ અને નવું સેન્ટર કન્સોલ પણ આપવામાં આવી શકે છે. Toyotaએ આ વખતે પણ ઘણા જરૂરી ફિઝિકલ બટનો જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. આનાથી ઓફ-રોડ ડ્રાઇવિંગ અને રોજિંદા ઉપયોગ દરમિયાન ફીચર્સનો ઉપયોગ કરવો સરળ રહેશે.</p><h5 style="text-align: justify; "><b>સેફ્ટી અને પાવર</b></h5><p style="text-align: justify; ">ફીચર્સની વાત કરીએ તો નવી Hiluxમાં 360 ડિગ્રી કેમેરા, ADAS, પાવર્ડ ફ્રન્ટ સીટ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ, વાયરલેસ કનેક્ટિવિટી અને અન્ય ઘણી પ્રીમિયમ સુવિધાઓ મળવાની આશા છે. આનાથી આ પિકઅપ પહેલા કરતા વધુ સુરક્ષિત અને આરામદાયક બની જશે. એન્જિનમાં મોટો ફેરફાર થવાની સંભાવના નથી. નવી Hiluxમાં એ જ 2.8-લીટર ડીઝલ એન્જિન મળશે, જે 204 હોર્સપાવર અને 500 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 6-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ બંને વિકલ્પોમાં ઉપલબ્ધ હોઈ શકે છે. સાથે જ આમાં 4×4 ડ્રાઇવ સિસ્ટમ પણ મળશે, જેનાથી તે મુશ્કેલ રસ્તાઓ પર પણ શાનદાર પ્રદર્શન કરશે.</p><h6 style="text-align: justify; "><b>હાઇબ્રિડ એન્જિન</b></h6><p style="text-align: justify; ">અહેવાલો અનુસાર, Toyota આ એન્જિન સાથે 48V માઇલ્ડ-હાઇબ્રિડ સિસ્ટમ પણ આપી શકે છે. આ જ ટેકનોલોજી કંપનીએ તાજેતરમાં Fortuner Neo Driveમાં પણ ઉપયોગ કરી છે. આનાથી વધુ સારી માઇલેજ અને સ્મૂધ ડ્રાઇવિંગનો ફાયદો મળી શકે છે. વૈશ્વિક સ્તરે Toyotaએ ઇલેક્ટ્રિક Hilux પણ રજૂ કરી છે, જેમાં 59.2 kWh બેટરી અને ડ્યુઅલ મોટર સેટઅપ આપવામાં આવ્યું છે. જો કે, હાલમાં એ સ્પષ્ટ નથી કે કંપની આ ઇલેક્ટ્રિક મોડલને ભારતમાં લોન્ચ કરશે કે નહીં.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/automobile" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/06/TbMk73QTYgQiwgYsQ49CmbNSwA1LDy3K7N4kth5c.webp'/></item><item><title><![CDATA[Ranveer Singh Birthday Special: સ્ટારબક્સમાં વેઈટરથી લઈને સુપરસ્ટાર બનવા સુધી, આવી છે રણવીર સિંહની સંઘર્ષગાથા ]]></title><link>https://sandesh.com/entertainment/news/ranveer-singh-birthday-special-from-being-a-waiter-at-starbucks-to-becoming-a-superstar-here-is-ranveer-singhs-struggle-story</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/ranveer-singh-birthday-special-from-being-a-waiter-at-starbucks-to-becoming-a-superstar-here-is-ranveer-singhs-struggle-story</guid><pubDate>Mon, 06 Jul 2026 12:21:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડના સૌથી એનર્જેટિક અને વર્સેટાઈલ સુપરસ્ટાર રણવીર સિંહનો આજે જન્મદિવસ છે. આજે ભલે તેઓ "ધુરંધર", "પદ્માવત" અને "બાજીરાવ મસ્તાની" જેવી અનેક સુપરહિટ ફિલ્મો આપીને સફળતાના શિખરે હોય, પરંતુ ફિલ્મી દુનિયામાં પ્રવેશતા પહેલા તેમણે ભારે સંઘર્ષ વેઠ્યો છે. ફિલ્મોમાં આવ્યા પહેલા તેઓ પ્રખ્યાત એજન્સી O&amp;M માં કોપીરાઇટર તરીકે કામ કરતા હતા. શરૂઆતમાં કાસ્ટિંગ કાઉચથી લઈને અસ્વીકાર (Rejection) સુધીના કઠોર અનુભવોનો સામનો કરનાર રણવીરના જીવનની સફર કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી કમ નથી.&nbsp;</p><h2 style="text-align: justify;"><b>રણવીર સિંહના જન્મદિવસના ખાસ પ્રસંગે જાણીએ તેમના જીવનની રસપ્રદ કહાની</b></h2><p style="text-align: justify;"><b>કિસ્સો-1: ક્રિકેટર બનવાનું સ્વપ્ન તૂટ્યું; મોહિન્દર અમરનાથે કર્યા હતા રિજેક્ટ</b></p><p style="text-align: justify;">બાળપણમાં રણવીર ક્રિકેટર બનવા માંગતા હતા. સાતમા ધોરણમાં સ્કૂલની એક મેચમાં તેમણે માત્ર 46 બોલમાં 71 રન ફટકારી દીધા હતા. આ ઇનિંગથી પ્રેરિત થઈને તેમણે પૂર્વ ભારતીય ક્રિકેટર મોહિન્દર અમરનાથની ક્રિકેટ એકેડમીમાં ટ્રાયલ આપવાનું નક્કી કર્યું. વર્ષ 2017 માં ફિલ્મ '83' ના એક પ્રમોશનલ ઈવેન્ટમાં રણવીરે આ કિસ્સો શેર કરતા કહ્યું હતું, "મારા મિત્રો સમયસર પહોંચી ગયા પણ હું મોડો પડ્યો. અમરનાથ સરે મારી રમત જોઈને મને નકારી કાઢ્યો. સારું થયું કે તેમણે તે દિવસે મને રિજેક્ટ કરવાનો સાચો નિર્ણય લીધો, નહીંતર હું આજે એક અભિનેતા તરીકે અહીં ન હોત." રસપ્રદ વાત એ છે કે, જે ક્રિકેટ એકેડમીમાંથી તેઓ રિજેક્ટ થયા હતા, આગળ જતાં વર્ષ 2021 માં આવેલી ફિલ્મ '83' માં તેમણે ભારતના પૂર્વ કેપ્ટન કપિલ દેવનો આઇકોનિક રોલ ભજવ્યો.</p><p style="text-align: justify;"><b>કિસ્સો-2:અભિનેતા બનવાની પ્રેરણા અને અટક બદલવાનું કારણ</b></p><p style="text-align: justify;">રણવીરના દાદી ચાંદ બુર્ક ૧૯૫૦ અને ૧૯૬૦ ના દાયકાના જાણીતા અભિનેત્રી હતા. તેમણે રાજ કપૂરની પ્રખ્યાત ફિલ્મ "બૂટ પોલિશ" સહિત "બસંત બહાર" અને "અદાલત" જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. રણવીરે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેમની દાદી જ હતા જેમણે તેમનામાં એક્ટર બનવાનું સપનું જગાડ્યું હતું. બોલિવૂડમાં આવ્યા પછી રણવીરે પોતાના નામમાંથી 'ભાવનાની' અટક હટાવી દીધી હતી. તેમનું માનવું હતું કે 'રણવીર સિંહ ભાવનાની' નામ ખૂબ લાંબુ છે અને સ્ક્રીન નેમ તરીકે કદાચ ઘણું મોટું લાગશે.</p><p style="text-align: justify; "><b>કિસ્સો-3: પ્રોડ્યુસરે પાછળ કૂતરો દોડાવ્યો, સંઘર્ષના દિવસોનો કડવો અનુભવ</b></p><p style="text-align: justify;">૧૯મા મરાકેશ ફિલ્મ ફેસ્ટિવલમાં રણવીરે પોતાના સ્ટ્રગલના દિવસોનો એક ચોંકાવનારો કિસ્સો શેર કર્યો હતો. કામની શોધમાં તેઓ પોતાનો પોર્ટફોલિયો લઈને એક નિર્માતાના ઘરે પહોંચ્યા હતા. નિર્માતા અંદર મિત્રો સાથે બીયર પીવામાં મસ્ત હતા અને રણવીર કલાકો સુધી વરંડામાં રાહ જોતા રહ્યા. મજાક ઉડાવવાના ઈરાદે તે પ્રોડ્યુસરે પોતાના પાલતુ કૂતરાને રણવીર પાછળ દોડાવ્યો. રણવીર ડરના માર્યા ત્યાંથી ભાગ્યા હતા. તેમણે કહ્યું કે, "એક સંઘર્ષ કરતા કલાકારની આ રીતે મજાક ઉડાવાતી જોઈ હું ગભરાઈ ગયો હતો." જોકે તેમણે તે પ્રોડ્યુસરનું નામ જાહેર કર્યું ન હતું.</p><p style="text-align: justify; "><b>કિસ્સો-4: અમેરિકામાં સ્ટારબક્સમાં વેઈટર બન્યા અને બટર ચિકન વેચ્યું</b></p><p style="text-align: justify; ">અમેરિકાની ઇન્ડિયાના યુનિવર્સિટી બ્લૂમિંગ્ટનમાં ટેલિકોમ્યુનિકેશનનો અભ્યાસ કરતી વખતે રણવીર પોતાનો ખર્ચ કાઢવા પાર્ટ-ટાઇમ કામ કરતા હતા. તેમણે સ્ટારબક્સમાં વેઈટર અને સર્વર તરીકે નોકરી કરી હતી. "કોફી વિથ કરણ" શોમાં તેમણે મજાકમાં જણાવ્યું હતું કે ત્યાં આવતી છોકરીઓને ઈમ્પ્રેસ કરવા માટે તેઓ વાળ લાંબા રાખતા અને એનિમેટેડ શોના કેરેક્ટર 'અપુ' ની જેમ ભારતીય ઉચ્ચારણ (Accent) માં અંગ્રેજી બોલતા હતા. આ સિવાય વધારાની કમાણી માટે તેમણે અમેરિકામાં બટર ચિકન વેચવાનું કામ પણ કર્યું હતું.</p><p style="text-align: justify; "><b>કિસ્સો-5: માલદીવના દરિયા કિનારે દીપિકાને કર્યું હતું સિક્રેટ પ્રપોઝ</b></p><p style="text-align: justify; ">રણવીર સિંહે ૨૦૧૫ માં જ દીપિકા પાદુકોણને પ્રપોઝ કરી દીધું હતું અને ૩ વર્ષ સુધી આ સગાઈ પરિવારના થોડા સભ્યો વચ્ચે ગુપ્ત રહી હતી. રણવીરે પોતાની ક્ષમતા કરતાં મોંઘી હીરાની વીંટી ખરીદી હતી. માલદીવમાં વેકેશન દરમિયાન, એક નાનકડા ટાપુ પર જ્યાં આસપાસ માત્ર વાદળી પાણી હતું, રણવીરે ઘૂંટણિયે બેસીને દીપિકાને પ્રપોઝ કર્યું. દીપિકા ભાવુક થઈ ગઈ અને તેણે "હા" પાડી. ત્યારબાદ નવેમ્બર ૨૦૧૮ માં ઇટાલીના લેક કોમોમાં બંનેએ લગ્ન કર્યા અને સપ્ટેમ્બર ૨૦૨૪ માં તેમની પુત્રી 'દુઆ' નો જન્મ થયો. આ રીયલ લાઈફ કપલે પડદા પર પણ 'રામ-લીલા', 'બાજીરાવ મસ્તાની', 'પદ્માવત' અને '83' જેવી શાનદાર ફિલ્મો આપી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/satluj-film-diljits-film-satluj-banned-immediately-after-release-fans-shocked" target="_blank">આ પણ વાંચો : Satluj Film: રિલીઝ થતા જ દિલજીતની ફિલ્મ 'સતલુજ' પર લાગ્યો પ્રતિબંધ? ચાહકો ચોંક્યા</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/06/QT7QBb6KCirDRYuUydrNBsk9gFjrm2USU0AK5rRQ.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026 : ઇંગ્લેન્ડે મેક્સિકોને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-england-defeats-mexico-to-secure-quarter-final-spot</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-england-defeats-mexico-to-secure-quarter-final-spot</guid><pubDate>Mon, 06 Jul 2026 11:12:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફિફા વર્લ્ડ કપ 2026માં ચાહકો એક રોમાંચક મુકાબલા માટે તૈયાર છે.16ના રોમાંચક રાઉન્ડ મેચમાં ઇંગ્લેન્ડે મેક્સિકોને હરાવીને FIFA વર્લ્ડ કપ 2026ના ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું.ઇંગ્લેન્ડની ટીમે નોંધપાત્ર પ્રદર્શન કર્યું.બીજા હાફમાં એક ઇંગ્લેન્ડના ખેલાડીને લાલ કાર્ડને કારણે મેદાનની બહાર મોકલી દેવામાં આવ્યો જેના કારણે ટીમ ફક્ત 10 ખેલાડીઓ સાથે રમી રહી હતી.આમ છતાં ઇંગ્લેન્ડે યજમાન મેક્સિકોને 3-2 થી હરાવ્યું અને તેમને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધા.</p><h3 style="text-align: justify; "><b>ઇંગ્લેન્ડ માટે જુડ બેલિંગહામે બે મિનિટમાં બે ગોલ કર્યા.</b></h3><p style="text-align: justify; ">આ મેચમાં બંને ટીમોમાં ઉત્તમ ખેલાડીઓ હતા, તેથી નજીકની સ્પર્ધાની અપેક્ષા હતી, અને મેદાન પર બરાબર એવું જ થયું. રમતના પહેલા હાફમાં બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી. ઇંગ્લેન્ડના સ્ટાર ખેલાડી, જુડ બેલિંગહામે એક નોંધપાત્ર પ્રદર્શન કર્યું, માત્ર 99 સેકન્ડમાં સતત બે ગોલ કર્યા. આ બંને ગોલ ફક્ત 99 સેકન્ડના અંતરે થયા. ઇંગ્લેન્ડ હજુ પણ આ ગોલની ઉજવણી કરી રહ્યું હતું, ત્યારે માત્ર ચાર મિનિટ પછી&nbsp; મેક્સિકોના ક્વિનોન્સે શાનદાર ગોલ કરીને તેમની ટીમને વાપસી અપાવી. છ મિનિટના અંતરે ત્રણ ગોલ થયા, અને પ્રથમ હાફના અંત સુધીમાં, ઇંગ્લેન્ડ ૨-૧થી આગળ હતું.</p><p style="text-align: justify; "><a href="https://x.com/FIFAWorldCup/status/2073966715495444610?s=20" target="_blank">https://x.com/FIFAWorldCup/status/2073966715495444610?s=20</a></p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>ઇંગ્લેન્ડના 10 ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું.</b></h4><p style="text-align: justify; ">બીજા હાફ દરમિયાન, ઇંગ્લેન્ડના જેરેલ ક્વિન્સાહને 54મી મિનિટે લાલ કાર્ડ મળ્યું. આ પછી, તેમની ટીમ માત્ર 10 ખેલાડીઓ સાથે રમી.આમ છતાં, ઇંગ્લેન્ડે શાનદાર પ્રદર્શન કર્યું, અને 60મી મિનિટે હેરી કેને પેનલ્ટી પર ગોલ કરીને ટીમને 3-1ની લીડ અપાવી. 69મી મિનિટે મેક્સિકોને પણ પેનલ્ટી મળી, જેને રાઉલ જીમેનેઝે રૂપાંતરિત કરીને 3-2ની લીડ બનાવી. અંતિમ 20 મિનિટમાં, મેક્સિકોએ બરાબરી કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પરંતુ ઇંગ્લેન્ડના ગોલકીપર પિકફોર્ડે દરેક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. આ જીત સાથે, ઇંગ્લેન્ડે 1966 પછી બીજી વખત વર્લ્ડ કપ જીતવાની આશા જીવંત રાખી છે. હવે ક્વાર્ટર ફાઇનલમાં ઇંગ્લેન્ડનો મુકાબલો નોર્વે સામે થશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/norway-vs-brazil-one-goal-shattered-brazils-dream-watch-the-video-of-hollands-historic-goal" target="_blank"> Norway vs Brazil :એક ગોલે રોળ્યું બ્રાઝિલનું સપનું, જુઓ હોલેન્ડના ઐતિહાસિક ગોલનો Video</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/06/K2bDAB4ydJTilkMmzxvCMKwHh84RYiInGn76ARYz.webp'/></item></channel></rss>