<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Amreli : માસૂમ બાળકનો શિકાર કરનાર સિંહોને પકડવા મેગા ઓપરેશન, નર સિંહની ઉલટીમાંથી મળ્યા અવશેષો ]]></title><link>https://sandesh.com/gujarat/news/amreli/amreli-khamba-chaturi-lion-attack-child-death-forest-department-operation-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/amreli/amreli-khamba-chaturi-lion-attack-child-death-forest-department-operation-2026</guid><pubDate>Sat, 27 Jun 2026 10:31:50 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામે સિંહ દ્વારા પાંચ વર્ષના માસૂમ બાળક પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારવાની કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. નાના એવા ચતુરી ગામમાં દાદાની આંગળી પકડીને જઈ રહેલા માસૂમ બાળકને એક સિંહણ અચાનક આવીને ઉઠાવી ગઈ હતી અને 1 કિલોમીટર દૂર સીમ વિસ્તારમાં લઈ ગઈ હતી. આ હૃદયદ્રાવક ઘટનામાં માતા-પિતાના એકના એક 5 વર્ષના દીકરાનો ક્ષત-વિક્ષત મૃતદેહ સીમમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ભારે આક્રોશ અને ગમગીની વ્યાપી ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>અત્યાર સુધીમાં કુલ 8 સિંહોને પાંજરે પૂરી દેવામાં આવ્યા</b></h2><p style="text-align: justify; ">આ ઘટનાના રાજ્ય સરકાર સુધી ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. વન વિભાગ દ્વારા તાબડતોબ એક્શન મોડમાં આવીને ચતુરી ગામે સિંહોને પકડવા માટે સળંગ ત્રીજા દિવસે પણ મોટું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મોડી રાત્રે વન વિભાગે વધુ 3 સિંહોને રેસ્ક્યુ કરીને પાંજરે પૂર્યા છે. ઉલ્લેખનીય છે કે, ઘટનાના પ્રથમ દિવસે જ વન વિભાગે 5 સિંહોને ટ્રેક્યૂલાઈઝર કરીને પકડ્યા હતા. આમ, ચતુરી ગામેથી અત્યાર સુધીમાં કુલ ૮ સિંહોને પાંજરે પૂરી દેવામાં આવ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>નર સિંહે કરેલી ઉલટીમાંથી માસૂમ બાળકના અવશેષો મળી આવ્યા</b></h3><p style="text-align: justify; ">વન વિભાગની તપાસ દરમિયાન એક ચોંકાવનારી વિગત સામે આવી છે કે, પકડાયેલા સિંહો પૈકી એક નર સિંહે કરેલી ઉલટીમાંથી માસૂમ બાળકના અવશેષો મળી આવ્યા છે. વન વિભાગ દ્વારા આ અવશેષોને તાત્કાલિક લેબોરેટરી તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે, જ્યારે અન્ય પકડાયેલા સિંહોના પણ સેમ્પલ લઈને તપાસ માટે મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે જેથી નરભક્ષક સિંહની સચોટ ઓળખ થઈ શકે.</p><h4 style="text-align: justify; "><b>શુક્રવારે વનમંત્રી પણ ગામમાં પહોંચ્યા હતા</b></h4><p style="text-align: justify; ">આ ગોઝારી ઘટનાને પગલે રાજ્યના વનમંત્રી અર્જુન મોઢવાડિયા તાત્કાલિક ચતુરી ગામે પીડિત પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે શોકાતુર માતા-પિતા અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને વન વિભાગ તરફથી કડક પગલાં લેવાની ખાતરી આપી હતી.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp;<a href="https://sandesh.com/india/news/explainer/ayodhya-ram-mandir-donation-theft-case-8-arrested-sandesh-digital-explainer" target="_blank"><b> Sandesh Digital Explainer : રામ મંદિરમાં દાનની ચોરી, જેના પર આખા દેશે ભરોસો કર્યો, એ જ 'ખાસ' માણસે પાછળથી ભોંક્યું ખંજર</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/9f7xwjJXAOFTe9wpSIp7YwxHrlIS7VJpj7lqdCzR.webp'/></item><item><title><![CDATA[Surat: હાઇકોર્ટની ફટકાર બાદ સુરત મનપાએ ભરીમાતા હોલના તાળાં ખોલ્યા, બિલ્ડરની ચાલમાં નહીં ફસાયે- જનતા ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/nasir-nagar-demolition-smc-provides-shelter-at-bharimata-hall-residents-protest</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/nasir-nagar-demolition-smc-provides-shelter-at-bharimata-hall-residents-protest</guid><pubDate>Sat, 27 Jun 2026 10:23:00 +05:30</pubDate><description><![CDATA[<p>સુરતનો નાસિર નગર જમીન વિવાદ અને ડિમોલિશનનો મામલો હવે માત્ર બુલડોઝર ફેરવવા પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ તે માનવ અધિકાર અને બિલ્ડર-પોલીસ-તંત્રની કથિત મિલીભગતનો એક મોટો લાઈવ કિસ્સો બની ચૂક્યો છે. હાઇકોર્ટમાં થયેલી કડક સુનાવણી અને વચગાળાના આદેશો બાદ, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ તાત્કાલિક અસરથી નાસિર નગરમાંથી વિસ્થાપિત થનારા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે ભરીમાતા કોમ્યુનિટી હોલ ખાતે રહેવા અને જમવાની વૈકલ્પિક લાઈવ વ્યવસ્થા ઊભી કરી દીધી છે.</p><h2><b>જગ્યા છોડવા રહીશોનો ધરાર ઇનકાર</b></h2><p>મનપાની ટીમો જ્યારે રહીશોને શિફ્ટ કરવા માટે નાસિર નગર પહોંચી ત્યારે ત્યાં પરિસ્થિતિ ભારે તણાવપૂર્ણ બની ગઈ હતી. અનેક પરિવારોએ સામાન બાંધવાનો કે હોસ્પિટાલિટી સ્વીકારવાનો સ્પષ્ટ લાઈવ ઇનકાર કરી દીધો છે. રહીશોનું કહેવું છે કે, "તંત્ર જે કોમ્યુનિટી હોલ બતાવી રહ્યું છે તે માત્ર થોડા દિવસોની એડજસ્ટમેન્ટ છે. એકવાર અમે આ મૂળ જગ્યા ખાલી કરીને ત્યાં જતા રહીશું, એટલે પાછળથી આખી જમીન બિલ્ડરના હવાલે કરી દેવામાં આવશે. આ અમને અહીંથી કાયમ માટે ભગાડીને કરોડોની જમીન હડપ કરવાનું મોટું સત્તાવાર કાવતરું છે."</p><h3><b>'ઘરના બદલે ઘર' ની કાનૂની લડત</b></h3><p>ચોમાસાની ઋતુ નજીક હોવાથી પીડિત પરિવારો ભારે ચિંતામાં છે, પરંતુ તેઓ પોતાના હક માટે લાઈવ મોરચો માંડીને બેઠા છે. સ્થાનિક આગેવાનોએ મીડિયા સમક્ષ જણાવ્યું કે જ્યાં સુધી સરકાર કે મહાનગરપાલિકા અમને આ હોલના બદલે સ્લમ રિહાઇબિલિટેશન સ્કીમ અથવા આવાસ યોજના હેઠળ 'ઘરના બદલે પાકું ઘર' લખીને નહીં આપે, ત્યાં સુધી અમે નાસિર નગરથી એક ઇંચ પણ ખસીશું નહીં. રહીશોના આ કડક વલણ અને બિલ્ડર સામેના ખુલ્લેઆમ આક્ષેપોના કારણે સુરત મનપાના ઉચ્ચ અધિકારીઓ પણ હવે કાનૂની ગૂંચવણમાં મુકાયા છે, અને આ મામલે કલેક્ટર કચેરી સાથે મળીને કોઈ નવો લાઈવ રસ્તો કાઢવા માટે બેઠકોનો દોર શરૂ કરાયો છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/thaltej-incomplete-road-drainage-work-poses-accident-risk-monsoon" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: થલતેજમાં ચોમાસું બેસી ગયું છતાં રોડ-ગટરના કામો અધૂરા, ‘આગ લાગે ત્યારે કૂવો ખોદવા’ જેવો ઘાટ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/XoTVLbSQKBmqytf2EX4ykhFPBwHmt9FgRNHTg1at.webp'/></item><item><title><![CDATA[Salman Khan New House: બિશ્નોઈ ગેંગની ધમકીઓ, ફાયરિંગ ઘટના, સલમાન ખાન ગેલેક્સી છોડી સી-ફેસિંગ પાસે બનાવશે આશિયાના ]]></title><link>https://sandesh.com/entertainment/news/salman-khan-new-house-threats-from-bishnoi-gang-firing-incident-salman-khan-will-leave-galaxy-and-build-asiana-near-sea-facing</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/salman-khan-new-house-threats-from-bishnoi-gang-firing-incident-salman-khan-will-leave-galaxy-and-build-asiana-near-sea-facing</guid><pubDate>Sat, 27 Jun 2026 10:21:27 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન ટૂંક સમયમાં જ પોતાનું વર્ષો જૂનું નિવાસસ્થાન 'ગેલેક્સી એપાર્ટમેન્ટ' છોડીને નવી ઇમારતમાં શિફ્ટ થઈ શકે છે. બિશ્નોઈ ગેંગ તરફથી સતત મળી રહેલી ધમકીઓ અને ૨૦૨૪ માં ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર થયેલી ગોળીબારની ઘટનાને ધ્યાનમાં રાખીને સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવાયો હોવાનું મનાય છે. સલમાન ખાન અને તેમનો આખો પરિવાર બાંદ્રામાં જ દરિયા કિનારે બની રહેલા એક નવા ૬ માળના આલીશાન ઘરમાં રહેવા જશે.</p><h2 style="text-align: justify; "><b>સી-ફેસિંગ પાસે ભાઈજાનનું નવું ઘર</b></h2><p style="text-align: justify; ">સલમાન ખાનનું નવું ઘર બાંદ્રાના ચિંબાઈ વિસ્તારમાં દરિયા કિનારે બની રહ્યું છે, જે તેમના વર્તમાન ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટથી થોડે જ દૂર છે. સલમાન ખાન ૧૯૭૪ થી ગેલેક્સી એપાર્ટમેન્ટ્સમાં રહી રહ્યા છે. આ નવી ઇમારતમાં ગ્રાઉન્ડ ફ્લોર, સ્ટિલ્ટ પાર્કિંગ અને ૬ માળ હશે. તેનો કુલ બાંધકામ વિસ્તાર આશરે ૧,૦૧૪ ચોરસ મીટર જેટલો છે અને તે 'સચ ડેવલપર્સ' દ્વારા બનાવવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ સલમાન ખાનની માતા સલમા ખાનની માલિકીની જમીન પર બની રહ્યો છે. અહીં ૧૯૫૬ પહેલાંનું એક જર્જરિત બે માળનું મકાન હતું, જેને પરિવારે ખરીદ્યા બાદ તોડી પાડ્યું હતું.</p><h3 style="text-align: justify; "><b>સલમાનના નવા ઘરના પ્રોજેક્ટને મળી જરૂરી મંજૂરીઓ</b></h3><p style="text-align: justify; ">સલમાન ખાનના આ ડ્રીમ પ્રોજેક્ટ માટે મહાનગરપાલિકા (BMC) એ ઓક્ટોબર ૨૦૨૫ માં જ પ્રારંભિક પરવાનગી (IOD) આપી દીધી હતી. જ્યારે મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી (MCZMA) એ ૧૬ જૂને આ પ્રોજેક્ટને સત્તાવાર મંજૂરી આપી દીધી છે.&nbsp; ખાસ વાત એ છે કે આ આખી ઇમારતના બાંધકામ દરમિયાન એક પણ વૃક્ષ કાપવામાં આવશે નહીં. તેના બદલે આસપાસના વિસ્તારમાં સ્થાનિક પ્રજાતિના નવા વૃક્ષો વાવવામાં આવશે.</p><h4 style="text-align: justify; "><b>ગેલેકસી છોડવાનો દબંગ એકટરે કેમ લીધો નિર્ણય</b></h4><p style="text-align: justify; ">૨૦૨૪ માં બે બાઇક સવાર હુમલાખોરોએ ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કર્યું હતું, જેના તાર બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આ ઘટના બાદ સલમાન ખાનને Y+ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે અને ગેલેક્સી એપાર્ટમેન્ટની જે બાલ્કનીમાંથી તેઓ ચાહકોનું અભિવાદન ઝીલે છે, ત્યાં બુલેટપ્રૂફ કાચ પણ લગાવવામાં આવ્યો છે. નવું ઘર મુખ્ય માર્ગથી દૂર એક શાંત શેરીમાં હોવાથી, તે સલમાન ખાન અને તેમના પરિવારને પહેલા કરતાં વધુ મજબૂત સુરક્ષા અને પ્રાઇવસી (ગોપનીયતા) પૂરી પાડશે. જો કે, આ સમગ્ર પ્રોજેક્ટ અંગે સલમાન ખાન કે તેમની ટીમ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો :&nbsp;</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/LXa6Hl7A3njKutS6OChiN1Mqtz1deKRoDIeOubU4.webp'/></item><item><title><![CDATA[VB G RAM G Scheme: પંજાબમાં VB G RAM G યોજના લાગુ, પહેલા AAP સરકારે કર્યો હતો વિરોધ ]]></title><link>https://sandesh.com/india/news/vb-g-ram-g-scheme-vb-g-ram-g-scheme-implemented-in-punjab-earlier-aap-government-had-opposed-it</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/vb-g-ram-g-scheme-vb-g-ram-g-scheme-implemented-in-punjab-earlier-aap-government-had-opposed-it</guid><pubDate>Sat, 27 Jun 2026 10:11:59 +05:30</pubDate><description><![CDATA[<p>પંજાબ સરકારે VB-G RAM G (રોજગાર અને આજીવિકા મિશન માટે વિકાસ ભારત ગેરંટી) યોજના લાગુ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે તેના અમલીકરણ માટે એક સૂચના પણ આપી છે.&nbsp; આ યોજના 1 જુલાઈથી અમલમાં આવશે. ઉલ્લેખનીય છે કે, પંજાબ સરકારે અગાઉ વિધાનસભામાં તેનો વિરોધ કરતો ઠરાવ પસાર કર્યો હતો.</p><h2><b>125 દિવસ રોજગારની ગેરંટી</b></h2><p>આ યોજના હેઠળ, ગ્રામીણ પરિવારોને નાણાકીય વર્ષમાં 125 દિવસની રોજગારીની ગેરંટી આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના 'વિકસિત ભારત@2047' ના વિઝનને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવી છે.</p><p>નોંધનીય છે કે કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) રદ કરીને વિકસિત ભારત-રોજગાર અને આજીવિકા ગેરંટી મિશન (ગ્રામીણ) અધિનિયમ રજૂ કર્યો હતો. આ બિલ ગયા ડિસેમ્બરમાં સંસદમાં પસાર થયું હતું અને ત્યારબાદ રાષ્ટ્રપતિની મંજૂરી મળી હતી.</p><h3><b>પાંચ વિપક્ષ શાસિત રાજ્યોએ કર્યો હતો વિરોધ&nbsp;</b></h3><p>કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારે 2005માં મનરેગા શરૂ કરી હતી, જેમાં ગ્રામીણ પરિવારોને દર વર્ષે 100 દિવસ કામની ખાતરી આપવામાં આવી હતી. હવે નવા કાયદા હેઠળ ગેરંટીકૃત કામના દિવસોની સંખ્યા વધીને 125 થઈ ગઈ છે.</p><p>પાંચ વિપક્ષ શાસિત રાજ્યો - કર્ણાટક, કેરળ, પંજાબ, તેલંગાણા અને ઝારખંડ - એ VB-G RAM G કાયદાનો વિરોધ કરતા અને મનરેગા યોજનાને પુનઃસ્થાપિત કરવાની માંગ કરતા ઠરાવો પસાર કર્યા હતા. પંજાબ સરકારે દલીલ કરી હતી કે VB-G RAM G કાયદો ગરીબી રેખા નીચે રહેતા પરિવારો, અનુસૂચિત જાતિ સમુદાયો અને ગ્રામીણ મજૂરો પર પ્રતિકૂળ અસર કરશે જેઓ તેમની આજીવિકા માટે મનરેગા પર આધાર રાખે છે.</p><p><b style="font-size: 1.75rem;">સરકારે શું કહ્યું?</b></p><p>જોકે, કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે VB-G RAM G કાયદો શ્રમિકોના જીવનમાં એક નવા યુગની શરૂઆત કરશે. તેમણે જણાવ્યું હતું કે આ યોજના પાણી સંરક્ષણ અને ગ્રામીણ માળખાગત વિકાસ જેવી પ્રવૃત્તિઓને વેગ આપશે, જેનાથી રસ્તાઓ, પુલો, કલ્વર્ટ, શાળાઓ અને આંગણવાડી ઇમારતોનું નિર્માણ શક્ય બનશે. કેન્દ્ર સરકારે 2026-27 નાણાકીય વર્ષ માટે આ યોજના માટે ₹95,600 કરોડથી વધુનું બજેટ ફાળવ્યું છે.</p><p><b style="font-size: 1.5rem;">યોજના 1 જુલાઈથી અમલમાં મુકાશે</b></p><p>શિવરાજ ચૌહાણે જાહેરાત કરી હતી કે VB GRAM-G યોજના 1 જુલાઈથી અમલમાં આવી રહી છે, અને કોઈપણ વિક્ષેપો વિના સંપૂર્ણપણે સરળ અને કર્મચારી-કેન્દ્રિત સંક્રમણ સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ટિપ્પણી કરી હતી કે આ ફક્ત યોજનામાં પરિવર્તન નથી પરંતુ કરોડો કામદારોના જીવન અને આજીવિકા સાથે સંબંધિત બાબત છે. એક પણ કામદાર એક દિવસ પણ કામ વગર ન રહેવો જોઈએ; રોજગાર સર્જન, વેતન ચુકવણી અથવા કાનૂની અધિકારો અંગે કોઈ અવરોધ ન હોવો જોઈએ. તેમણે નોંધ્યું હતું કે કેન્દ્ર સરકારે મનરેગા હેઠળ ₹30,000 કરોડ ફાળવ્યા છે. આ નવી ફાળવણી સાથે, યોજના હેઠળ કુલ ભંડોળ હવે ₹1.25 લાખ કરોડને વટાવી ગયું છે.</p><p><a href="https://sandesh.com/gallery/news/india/why-are-potatoes-and-chickpeas-the-filling-in-panipuri?2" target="_blank">&nbsp;આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/0POCgPTi7szIsO7GinktB8EJivY926CsaTYZ9tHA.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup : કેપ વર્ડે રચ્યો ઇતિહાસ, નોકઆઉટમાં પહોંચનાર વિશ્વનો સૌથી નાનો દેશ બન્યો ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-cape-verde-creates-history-becomes-the-smallest-country-in-the-world-to-reach-the-knockout-stages</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-cape-verde-creates-history-becomes-the-smallest-country-in-the-world-to-reach-the-knockout-stages</guid><pubDate>Sat, 27 Jun 2026 10:03:51 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">FIFA વર્લ્ડ કપ 2026 એ ફૂટબોલ ઇતિહાસમાં એક પરીકથા બનાવી છે, જેણે વિશ્વભરના ચાહકોના દિલ જીતી લીધા છે. આફ્રિકાના પશ્ચિમ કિનારે આવેલા 500,000 થી થોડી વધુ વસ્તી ધરાવતા નાના દેશ કેપ વર્ડેએ સાઉદી અરેબિયા સામે ઐતિહાસિક 0-0 ડ્રો બાદ વર્લ્ડ કપ નોકઆઉટ સ્ટેજમાં સ્થાન મેળવ્યું. આ ડ્રો સાથે, કેપ વર્ડે વર્લ્ડ કપના ઇતિહાસમાં નોકઆઉટ સ્ટેજ માટે ક્વોલિફાય થનાર સૌથી નાનો દેશ બન્યો.</p><h4 style="text-align: justify; "><b>હેવીવેઇટ્સના જૂથમાં અજેય રહ્યો.</b></h4><p style="text-align: justify; ">કેપ વર્ડે, જે તેનો પ્રથમ FIFA વર્લ્ડ કપ રમી રહ્યો હતો, તેને ટુર્નામેન્ટના સૌથી મુશ્કેલ જૂથોમાંના એકમાં મૂકવામાં આવ્યો હતો. જોકે, આ અંડરડોગ ટીમ એક પણ મેચ હાર્યા વિના અજેય રહી અને નોકઆઉટ સ્ટેજમાં ટિકિટ મેળવી. તેની પ્રથમ મેચમાં, કેપ વર્ડે 2010 વર્લ્ડ કપ ચેમ્પિયન સ્પેનને 0-0 ડ્રો પર રોકીને સનસનાટી મચાવી. ત્યારબાદ તેઓએ તેમની બીજી મેચમાં એક અદ્ભુત વાપસી કરી, બે વખતના ચેમ્પિયન ઉરુગ્વે સામે રોમાંચક 2-2 ડ્રો મેળવ્યો. તેમણે સાઉદી અરેબિયાને 0-0 થી ડ્રો કરીને ત્રણ પોઈન્ટ સાથે ગ્રુપમાં બીજું સ્થાન મેળવ્યું, જ્યારે સ્પેને ઉરુગ્વેને હરાવીને ગ્રુપમાં ટોચનું સ્થાન મેળવ્યું.</p><p style="text-align: justify; "><a href="https://x.com/FIFAWorldCup/status/2070688565567115656?s=20" target="_blank">https://x.com/FIFAWorldCup/status/2070688565567115656?s=20</a></p><h4 style="text-align: justify; "><b>રાઉન્ડ ઓફ 32 માં તેઓ કોનો સામનો કરશે?</b></h4><p style="text-align: justify; ">કેપ વર્ડે હવે રાઉન્ડ ઓફ 32 માં વધુ એક મોટો પડકારનો સામનો કરશે. તેઓ વર્તમાન વિશ્વ ચેમ્પિયન આર્જેન્ટિનાનો સામનો કરશે. આ મેચ 3 જુલાઈના રોજ મિયામીમાં રમાશે. કેપ વર્ડે માટે આ એક મોટી ક્ષણ હશે, અને અંડરડોગ્સ વધુ એક અપસેટ સર્જીને ટોપ 16 માં સ્થાન મેળવવાનો પ્રયાસ કરશે.</p><h5 style="text-align: justify; "><b>40 વર્ષીય ગોલકીપર વોજિન્હા તારણહાર બન્યા</b></h5><p style="text-align: justify; ">કેપ વર્ડેના ઐતિહાસિક પ્રદર્શનનો સૌથી મોટો હીરો તેમનો 40 વર્ષીય ગોલકીપર વોજિન્હા હતો. આ વર્લ્ડ કપમાં તેના જાદુઈ પ્રદર્શને સોશિયલ મીડિયા પર તેની લોકપ્રિયતાને આસમાને પહોંચાડી દીધી છે, તેના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ 16 મિલિયનને વટાવી ગયા છે. સાઉદી અરેબિયા સામેની મેચમાં, વોઝિન્હાએ ત્રણ આશ્ચર્યજનક બચાવ કર્યા જેણે સાઉદી અરેબિયાને આશ્ચર્યચકિત કરી દીધું. પહેલા હાફના સ્ટોપેજ સમયમાં, તેણે મોહમ્મદ કાનોના શાનદાર હેડરને અવરોધિત કરીને સાઉદી અરેબિયાને લીડ લેતા અટકાવ્યું. પછી, બીજા હાફમાં, તેણીએ મોહમ્મદ અબુ અલ-શમાતના ખતરનાક શોટને ડિફ્લેક્ટ કરવા માટે કૂદકો માર્યો. 92મી મિનિટે, વોઝિન્હાએ અબ્દુલ્લા અલ-હમદાનના ચોક્કસ શોટને બ્લોક કર્યો, જેનાથી તેની ટીમ નોકઆઉટમાં સ્થાન મેળવી શક્યો.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-senegal-beat-iraq-5-0-in-knockout-match" target="_blank">FIFA World Cup 2026 : નોકઆઉટ મેચમાં સેનેગલે ઇરાકને 5-0 થી હરાવ્યું</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/JWlhHzAZqdwbXfyXnIvPF4MX2fiZKeYvK6PnClEv.webp'/></item><item><title><![CDATA[Surat: અડાજણ મામલતદારે કોના ઈશારે કાયદો ગજવામાં મૂક્યો? નોટિસ પાછી ખેંચવાના બદલે વેપારીઓને દબાવવા શરતભંગનું નવું હથિયાર ઉગામ્યું ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/adajan-mamlatdar-issued-illegal-land-eviction-notice-before-tp-scheme-final</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/adajan-mamlatdar-issued-illegal-land-eviction-notice-before-tp-scheme-final</guid><pubDate>Sat, 27 Jun 2026 08:49:46 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત કલેક્ટર કચેરી અવારનવાર જમીન સુધારણા, પ્રીમિયમ અને મિલકતના વિવાદોને લઈને ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે અડાજણ મામલતદારની એક લાઈવ કાર્યવાહીએ સરકારી તંત્રની શુદ્ધતા સામે મોટા સવાલો ઊભા કર્યા છે. સુરતના અડાજણ વિસ્તારમાં કરોડો રૂપિયાની કિંમતી જમીનનો કબજો ખાલી કરાવવા માટે મામલતદાર દ્વારા જમીનધારકોને સત્તાવાર નોટિસ મોકલવામાં આવી હતી. આ નોટિસ બહાર આવતા જ સુરતના રિયલ એસ્ટેટ અને મહેસૂલ બાર એસોસિએશનમાં હોબાળો મચી ગયો છે.</p><h2><b>કાયદાકીય જોગવાઈનો ખુલ્લેઆમ ભંગ</b></h2><p>નિયમ અનુસાર, જ્યારે કોઈપણ વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમ અમલમાં આવે છે, ત્યારે તે સ્કીમ સંપૂર્ણપણે ફાઇનલ (મંજૂર) થયા બાદ જ સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાનૂની પ્રોસેસ કરીને જગ્યાનો કબજો મેળવવાની સત્તાવાર લાઈવ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પરંતુ અડાજણ મામલતદારે કયા દબાણ હેઠળ કે કઈ લાલચમાં આવીને આ ટીપી સ્કીમ હજુ પ્રિલિમિનરી (પ્રાથમિક) લેવલ પર હોવા છતાં જગ્યા ખાલી કરવાનો હુકમ કર્યો, તે સૌથી મોટો રહસ્યમય સવાલ છે. જમીન માલિકોનો આક્ષેપ છે કે આ સીધેસીધો સત્તાનો દુરુપયોગ છે અને ભૂતકાળના નાસિર નગર કાંડની જેમ જ જમીન પચાવી પાડવાનું મોટું કૌભાંડ છે.</p><h3><b>ભૂલ સ્વીકારવાને બદલે જનતા પર નવો પ્રહાર</b></h3><p>સૌથી વધુ ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે મામલતદાર કચેરીને ભાન થયું કે કાનૂની રીતે ટીપી સ્કીમ અધૂરી હોવાથી કબજો ખાલી કરાવવાની નોટિસ કોર્ટમાં ટકી શકે તેમ નથી અને અધિકારીઓ જેલભેગા થઈ શકે છે. આ લાઈવ ભૂલ છુપાવવા માટે સરકારી અધિકારીઓએ પોતાની જૂની નોટિસ રદ કરવાને બદલે, જમીન માલિકોને ભીંસમાં લેવા માટે તે જ જમીન પર 'શરતભંગ' થયાની એક નવી જ નોટિસ ફટકારી દીધી છે. એક જ જમીન પર ટૂંકા ગાળામાં બે અલગ-અલગ કારણોસર નોટિસ અપાતા સુરત જિલ્લા કલેક્ટર આ મામલે હસ્તક્ષેપ કરી અડાજણ મામલતદાર સામે લાઈવ વિજિલન્સ તપાસના આદેશ આપે તેવી માગ પ્રબળ બની છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/crime/surat/khatodara-jeweller-cheated-by-sales-manager-twenty-two-lakhs-gold-stolen" target="_blank">આ પણ વાંચો: Surat: ખટોદરામાં 1.10 લાખનો પગાર લેતો સેલ્સ મેનેજર 22.21 લાખના દાગીના લઈ ફરાર</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/N0eVUTspdZ9XVpq55DpS4LhuJpqUa4CyCQK05JEc.webp'/></item><item><title><![CDATA[Surat: ખટોદરામાં 1.10 લાખનો પગાર લેતો સેલ્સ મેનેજર 22.21 લાખના દાગીના લઈ ફરાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/khatodara-jeweller-cheated-by-sales-manager-twenty-two-lakhs-gold-stolen</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/khatodara-jeweller-cheated-by-sales-manager-twenty-two-lakhs-gold-stolen</guid><pubDate>Sat, 27 Jun 2026 08:40:02 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત શહેરમાં જ્વેલરી શો-રૂમમાં કામ કરતા કર્મચારીઓ દ્વારા માલિકો સાથે ઠગાઈ અને વિશ્વાસઘાતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનની હદમાં બનેલી એક તાજી ઘટનાએ ફરી એકવાર વેપારીઓને પોતાના સ્ટાફ પર આંધળો વિશ્વાસ ન કરવા માટે મજબૂર કર્યા છે. એક નામચીન જ્વેલર્સની દુકાનમાં છેલ્લા લાંબા સમયથી ફરજ બજાવતા અને માલિકના અત્યંત નજીકના ગણાતા સેલ્સ મેનેજરે જ આખા શો-રૂમને મોટો આર્થિક ફટકો આપ્યો છે.</p><h2><b>ભરોસો જીતીને લાખોનો માલ સાફ કર્યો</b></h2><p>પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી સત્તાવાર ફરિયાદ મુજબ, ફરાર થઈ ગયેલા સેલ્સ મેનેજરનો માસિક પગાર 1,10,000 જેટલો ઊંચો હતો, જેથી જ્વેલર્સ માલિકને તેના પર ક્યારેય કોઈ શંકા ગઈ નહોતી. ઘટનાના દિવસે શો-રૂમમાં નિયમિત વેપાર ચાલી રહ્યો હતો ત્યારે મેનેજરે કાઉન્ટર પરથી કિંમતી સોનાના દાગીનાનો જથ્થો (કિંમત ₹22.21 લાખ) એવું કહીને લીધો હતો કે બહાર સોફા પર બેઠેલા એક વીઆઈપી ગ્રાહકને આ ડિઝાઇન લાઈવ બતાવવાની છે. માલિકે હંમેશની જેમ પરવાનગી આપી હતી, પરંતુ આ બહાના હેઠળ મેનેજરે તમામ કિંમતી ઘરેણાં પોતાના ખિસ્સા કે થેલામાં છુપાવી દીધા હતા અને તક મળતાં જ શો-રૂમમાંથી લાઈવ એક્ઝિટ મારી દીધી હતી.</p><h3><b>મોડી રાત્રે ભાંડો ફૂટ્યો, પોલીસ એક્શનમાં</b></h3><p>ઘણો સમય વીતી જવા છતાં જ્યારે સેલ્સ મેનેજર દાગીનાના બોક્સ સાથે પરત ન ફર્યો ત્યારે માલિકે તેની શોધખોળ આદરી હતી. આસપાસ તપાસ કરતા અને તેનો પર્સનલ મોબાઈલ ફોન પણ લાઈવ સ્વિચ ઓફ આવતા જ્વેલર્સ માલિકના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. શો-રૂમના સીસીટીવી ચેક કરતા મેનેજર માલ લઈને ભાગી રહ્યો હોવાનું સ્પષ્ટ જણાતા તાત્કાલિક ખટોદરા પોલીસને જાણ કરવામાં આવી હતી. ખટોદરા પોલીસે જ્વેલર્સ માલિકની ફરિયાદના આધારે આઈપીસી/બીએનએસની કડક કલમો હેઠળ વિશ્વાસઘાત અને ચોરીનો ગુનો નોંધી આરોપીના લોકેશન ટ્રેક કરવા અને તેના વતન સુધી દરોડા પાડવા માટે સ્પેશિયલ ક્રાઇમ ટીમો રવાના કરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/rural-bopal-police-psi-prital-chaudhari-constable-caught-in-five-lakh-acb-trap" target="_blank">&nbsp;આ પણ વાંચો: Ahmedabad: લાંચના રૂપિયા ગજવામાં મૂક્યા બાદ કોન્સ્ટેબલે મહિલા PSIને માલ મળી ગયાની કન્ફર્મેશન આપી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/AnHA9DvMmME5Osjzkd48rcu5VXaiWAZPExnyavf0.webp'/></item><item><title><![CDATA[Dabhoi: ડભોઇમાં ટાવરથી ઝારોલાવગા સુધી ખૂલ્લા ખાડા છોડી દેવાતા લોકોમાં રોષ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dabhoi/dabhoi-people-are-angry-over-open-pits-being-left-open-from-tower-to-zarolavga-in-dabhoi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dabhoi/dabhoi-people-are-angry-over-open-pits-being-left-open-from-tower-to-zarolavga-in-dabhoi</guid><pubDate>Sat, 27 Jun 2026 05:56:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં ટાવર વિસ્તારથી લઈને ઝારોલાવગા દ્વારકાધીશ મંદિર સુધી હાલમાં પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે નવી પાઈપલાઈન નાખવાની કામગીરી ચાલે છે. પરંતુ, આ કામગીરી દરમિયાન ખોદેલા મસમોટા ખાડાને કોઈપણ જાતની સુરક્ષા વિના ખુલ્લા જ છોડી દેવાતા લોકોમાં રોષ જોવા મળે છે.</p><p style="text-align: justify; ">સ્થળ ઉપર બેરિકેડ કે નથી ચેતવણી બોર્ડ નિયમ મુજબ કોઈપણ જાહેર માર્ગ પર ખોદકામ ચાલતું હોય ત્યારે સુરક્ષાના સાધનો રાખવા અનિવાર્ય છે. પરંતુ આ સ્થળ પર કોઈપણ પ્રકારના સુરક્ષા બેરિકેડ લગાડાયા નથી. રાત્રિના સમયે વાહનચાલકો દૂરથી ખાડો જોઈ શકે તેવી કોઈ રેડ-લાઈન કે રેડ-ટેપ મારી નથી. દ્વારકાધીશ મંદિર તરફ્ જતો આ રોડ મુખ્ય માર્ગ હોવાથી અહીં દિવસ-રાત વાહનો અને લોકોની સતત અવરજવર રહે છે. ખાસ કરીને રાત્રે વિસ્તારમાં અપૂરતી સ્ટ્રીટ લાઈટોને કારણે અંધારું હોય છે. અંધારામાં વાહનચાલકો સીધા જ ખાડામાં ખાબકે તેવી સંભાવના છે. સ્થાનિક રહીશોએ નગરપાલિકા અને કામ કરનાર કોન્ટ્રાક્ટર પર ગંભીર આક્ષેપો કર્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/8fkFUAiOZnQusxCx8IZBlEKLsIsU1fPSCXUvkH0F.webp'/></item><item><title><![CDATA[સંદેશ ન્યૂઝ ‘Powering Tomorrow’: ગ્રીન એનર્જી અને નેટ ઝીરો રોડમેપ પર ઊર્જા મંત્રીનું મોટું નિવેદન ]]></title><link>https://sandesh.com/gujarat/news/business/sandesh-news-powering-tomorrow-conclave-gujarat-green-energy-rushikesh-patel</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/business/sandesh-news-powering-tomorrow-conclave-gujarat-green-energy-rushikesh-patel</guid><pubDate>Fri, 26 Jun 2026 23:36:09 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદમાં સંદેશ ન્યૂઝ દ્વારા આયોજિત 'Powering Tomorrow' કોન્ક્લેવમાં ગ્રીન એનર્જી, રિન્યુએબલ એનર્જી અને નેટ ઝીરો રોડમેપ પર દેશના અગ્રણી નિષ્ણાતો દ્વારા ઊંડાણપૂર્વક મનોમંથન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા રાજ્યના ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે વર્ષ 2026ની નવી ઊર્જા નીતિ અને ઇન્વેસ્ટમેન્ટ પોલિસી અંગે મહત્વના નિવેદનો આપ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, ગ્રીન એનર્જી તરફ ગુજરાત ઝડપથી આગળ વધી રહ્યું છે, અને આગામી સમયમાં ગ્રીન પ્રોડક્ટ્સ બનાવતા ઉદ્યોગોને સરકાર વિશેષ રિબેટ પણ આપશે.</p><h2><b>'Powering Tomorrow' માં નેટ ઝીરો અને ગ્રીન એનર્જી પર વિશેષ ફોકસ</b></h2><p>આ કોન્ક્લેવ દરમિયાન 'ગુજરાત રોડમેપ ટુ નેટ ઝીરો એન્ડ એનર્જી સિક્યુરિટી', 'ડી-કાર્બનાઇઝિંગ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ વિથ સોલાર એન્ડ રિન્યુએબલ એનર્જી' તેમજ 'એફોર્ડેબલ હોમ્સ એન્ડ ફાર્મર્સ થ્રુ અફોર્ડેબલ સોલાર એનર્જી' જેવા વિષયો પર સઘન ચર્ચા કરવામાં આવી હતી. સનાતન કાળથી સૂર્યને ઊર્જાનો મુખ્ય સ્ત્રોત ગણાવતા ઊર્જા મંત્રીએ જણાવ્યું કે, કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ગ્રીન ઉત્પાદન વધારવું અને ગ્રીન ઇલેક્ટ્રિસિટીની ક્ષમતા વધારવી એ અત્યારે મુખ્ય પડકાર છે, જેના માટે સ્માર્ટ નેટવર્ક ઊભું કરવા વિભાગ રાત-દિવસ કામ કરી રહ્યો છે.</p><h2><b>વડાપ્રધાનના વિઝનથી 'મેક ઇન ઇન્ડિયા' સોલાર સેલ અને હાઇડ્રોજન પોલિસી</b></h2><p>ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનની પ્રશંસા કરતા જણાવ્યું કે, અગાઉ આપણે સોલાર સેલની આયાત કરવી પડતી હતી, પરંતુ હવે 'મેક ઇન ઇન્ડિયા' અંતર્ગત દેશમાં જ તેનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે. ગુજરાતમાં ઐતિહાસિક 'હાઇડ્રોજન પોલિસી' પણ લાગુ કરવામાં આવી છે. પહેલાં રાજ્ય માત્ર થર્મલ પાવર પર નિર્ભર હતું, પરંતુ હવે સોલાર, વિન્ડ અને કોલસા આધારિત પાવરનું સ્માર્ટ એકીકરણ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીની મદદથી વીજ ઉત્પાદનનું સચોટ ફોરકાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.</p><h2><b>ગ્રીન પ્રોડક્ટ્સ પર રિબેટ અને વૈશ્વિક બજારનો નવો પડકાર</b></h2><p>વિશ્વ સ્તરે આવી રહેલા બદલાવો અંગે મંત્રીએ જણાવ્યું હતું કે, હાલમાં યુરોપ અને બાકીના દેશોમાં ગ્રીન પ્રોડક્ટ્સની ભારે માગ છે. આગામી સમયમાં દુનિયા બિન-પરંપરાગત ઊર્જાથી ન બનેલી વસ્તુઓ પર ટેક્સ લાદવા જઈ રહી છે, ત્યારે ગુજરાતે એડવાન્સમાં જ ગ્રીન પ્રોડક્ટ માટે સ્પષ્ટ નીતિ બનાવી લીધી છે, અને સરકાર આવી પ્રોડક્ટ્સના ઉત્પાદનમાં ઉદ્યોગોને રિબેટ આપશે. ઉદ્યોગોએ પણ હવે ઇલેક્ટ્રિફિકેશન તરફ બદલાવ લાવવાની શરૂઆત કરી દીધી છે.</p><h2><b>ગુજરાત મોડેલ: નાના ઉદ્યોગો અને ખેડૂતોને સોલારથી મોટો આર્થિક ફાયદો</b></h2><p>ગુજરાત આજે વીજળી ક્ષેત્રે સમગ્ર દેશમાં એક રોલ મોડેલ છે. રહેણાંક વિસ્તારોમાં 3 કિલોવોટ સુધીની સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવામાં ગુજરાત દેશમાં અગ્રેસર છે. મોટા ઉદ્યોગો પોતાના સોલાર પાર્ક ઊભા કરી રહ્યા છે, જ્યારે નાના ઉદ્યોગો માટે 'ક્લસ્ટર આધારિત મોડેલ' તૈયાર કરાયું છે. આ સોલાર ક્રાંતિથી નાના ઉદ્યોગોના વીજ બિલમાં મોટો ઘટાડો થશે અને તેમને સીધો ફાયદો મળશે. રાજ્ય સરકારે ઔદ્યોગિક ક્લસ્ટરોમાં મજબૂત ઊર્જા માળખું ઊભું કર્યું છે, જેના કારણે જ દેશ-વિદેશના ઉદ્યોગપતિઓનો ભરોસો ગુજરાત પર અકબંધ છે.</p><h2><b>ગૌરવવંતી ઉપસ્થિતિ અને સહયોગીઓ</b></h2><p>આ કાર્યક્રમને સફળ બનાવવામાં GPCLના ઉચ્ચ અધિકારીઓ, પાવર ટ્રેક ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર દિવ્યરાજસિંહ ઝાલા, GRE Renew Enertechના MD કમલેશ પટેલ, તેમજ પેટલાદ સોજીત્રા સૌરઉર્જા ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના ફાઉન્ડર અને ચેરમેન તેજસ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ભવ્ય સંવાદ કોન્ક્લેવને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સહિતની અગ્રણી સંસ્થાઓના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/india/news/gujarat/27-june-top-new-historical-events-news-updates-gujarati" target="_blank">વાંચો 27 જૂનના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/CwglCUBN0dKUi3FiQhOMyUmKI4PTuySncDQrD0ox.webp'/></item><item><title><![CDATA[વાંચો 27 જૂનના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે ]]></title><link>https://sandesh.com/india/news/gujarat/27-june-top-new-historical-events-news-updates-gujarati</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/gujarat/27-june-top-new-historical-events-news-updates-gujarati</guid><pubDate>Fri, 26 Jun 2026 22:12:03 +05:30</pubDate><description><![CDATA[<p>27 જૂનનો દિવસ વૈશ્વિક અને રાજકીય ગતિવિધિઓથી ભરચક રહેશે; જેમાં પીએમ નરેન્દ્ર મોદી સેશેલ્સના 50મા રાષ્ટ્રીય દિવસની ગોલ્ડન જુબલીમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેવા 3 દિવસના પ્રવાસે જશે, જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં 'ભારત ટેક્સી'નું લોન્ચિંગ, વૃક્ષારોપણ સમીક્ષા અને જનતા દરબાર જેવા મહત્વના કાર્યક્રમો ગજવશે. 27 જૂનના રોજ ઘણી ઘટનાઓ મહત્વની રહેશે.</p><h2><b>કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે</b></h2><p>કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 27 અને 28 જૂન દરમિયાન ગુજરાતના પ્રવાસે છે. તેઓ 27 જૂનના રોજ સવારે 11:15 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે 'ભારત ટેક્સી' (ગુજરાત) પહેલનું ભવ્ય લોન્ચિંગ કરશે. ત્યારબાદ બપોરે 12:45 વાગ્યે સેક્ટર-20 સર્કિટ હાઉસ ખાતે ગાંધીનગર જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા) ની બેઠકમાં હાજરી આપશે.</p><p>સાંજના સમયે તેઓ અમદાવાદમાં વ્યસ્ત રહેશે, જ્યાં સાંજે 5:15 વાગ્યે સરકારી અધિકારીઓ સાથે અને સાંજે 6:00 વાગ્યે સંસ્થાઓ સાથે શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે "હરિયાળી લોકસભા" અંતર્ગત સામૂહિક વૃક્ષારોપણ અભિયાનની સમીક્ષા બેઠકો કરશે. રાત્રે 7:00 વાગ્યે રાણીપની સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સાબરમતી વિધાનસભા મતવિસ્તાર (રાણીપ અને સાબરમતી વોર્ડ) ના જનતા દરબારમાં હાજરી આપી લોકપ્રશ્નો સાંભળશે. આગામી દિવસે તેઓ 'પીએમ ફેમિલી કેર ટ્રેકર પાયલોટ પ્રોજેક્ટ'નું ઉદ્ઘાટન પણ કરવાના છે.</p><h2><b>વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સેશેલ્સનો ઐતિહાસિક પ્રવાસ: ગોલ્ડન જુબલીમાં મુખ્ય અતિથિ</b></h2><p>વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 થી 29 જૂન સુધી સેશેલ્સના સત્તાવાર રાજદ્વારી પ્રવાસે જઈ રહ્યા છે. સેશેલ્સના રાષ્ટ્રપતિ ડૉ. પેટ્રિક હરમિનીના ખાસ આમંત્રણ પર વડાપ્રધાન મોદી ત્યાંના નેશનલ ડેના ગોલ્ડન જુબલી (50મા રાષ્ટ્રીય દિવસ) સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેશે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરશે, સેશેલ્સની નેશનલ એસેમ્બલીને સંબોધિત કરશે અને ત્યાં વસતા ભારતીય સમુદાયને પણ મળશે.</p><h2><b>નર્મદામાં યુવા શક્તિ સંમેલન અને દારૂ પર અગાઉની ટિપ્પણીની ચર્ચા</b></h2><p>નર્મદા આદર્શ ગ્રામ વિકાસ સમિતિની બેઠકમાં 27 જૂને 'યુવા શક્તિ સંમેલન'નું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિતિની રચના દ્વારા સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ હાજર રહીને કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની માહિતી આપશે, અને સરકારની યોજનાઓ લોકો સુધી કેવી રીતે પહોંચે તે માટે માર્ગદર્શન પૂરું પાડશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ આવા જ એક કાર્યક્રમમાં મનસુખ વસાવાએ દારૂ વિશે ટિપ્પણી કરી હતી અને મહુડાના દારૂની વાત કરી હતી, જેને લઈને આ બેઠક પર સૌની નજર રહેશે.</p><h2><b>ડુપ્લીકેટ પ્લાઝ્મા રેકેટ પર અમદાવાદ પોલીસનો મોટો ખુલાસો</b></h2><p>મેડિકલ ક્ષેત્રને હચમચાવી મૂકનારા ડુપ્લીકેટ પ્લાઝ્મા રેકેટમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસની ખાસ ટીમ મહારાષ્ટ્રમાં સઘન તપાસ કરીને 27 જૂનના રોજ પરત ફરશે. આ તપાસ બાદ રેકેટમાં અન્ય કેટલા લોકો સામેલ છે અને અત્યાર સુધીમાં આરોપીઓએ કેટલા ડુપ્લીકેટ પ્લાઝ્મા પાઉચ માર્કેટમાં સપ્લાય કરીને લોકોના જીવ જોખમમાં મૂક્યા છે, તેના પરથી પડદો ઊંચકાશે અને અનેક નવા ખુલાસા થશે.</p><h2><b>ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને દિલ્હીમાં વીવીઆઈપી ગતિવિધિઓ અને અબજોના વિકાસકાર્યો</b></h2><p>ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નોઇડામાં ₹2,478 કરોડની ભારેખમ રકમ ધરાવતી 70 વિકાસ પરિયોજનાઓનું લોન્ચિંગ અને શિલાન્યાસ કરશે, જેમાં નોઇડા ઓથોરિટીની નવી ભવ્ય એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગનું ઓપનિંગ અને જાહેર સંબોધન સામેલ છે. બીજી તરફ, ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન નવી દિલ્હીના ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરમાં આયોજિત 'એમએસએમઇ દિવસ 2026 - ઉદ્યમી ભારત' કાર્યક્રમની અધ્યક્ષતા કરશે. ત્યારબાદ તેઓ 27-28 જૂને કર્ણાટકના પ્રવાસે જશે, જ્યાં બેંગલુરુમાં નાદપ્રભુ શ્રી કેમ્પેગૌડાની 517મી જયંતી સમારોહમાં ભાગ લેશે.</p><h2><b>ગુજરાતના વેરાવળ અને ભાણવડમાં પ્રી-મોન્સૂન મેન્ટેનન્સ: ભારે વીજકાપની જાહેરાત</b></h2><p>ચોમાસા પૂર્વેની જાળવણી કામગીરીના ભાગરૂપે 27 જૂને ગુજરાતના બે મોટા વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે:</p><p><b>વેરાવળ શનિવાર વીજકાપ:</b> વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરી દ્વારા 11 કેવી જાલેશ્વર ફીડરના પ્રી-મોન્સૂન મેન્ટેનન્સને કારણે સવારે 10 થી બપોરે 1:30 વાગ્યા સુધી રબારી વાડા, મફતિયા પરા, જાલેશ્વર, સંજય નગર, પ્રજાપતી સોસાયટી અને BSNL ક્વાટર્સમાં પાવર સપ્લાય બંધ રહેશે. કટોકટી માટે ગ્રાહકો 96876 33787 અને 02876 22210 પર સંપર્ક કરી શકે છે.</p><p><b>ભાણવડ 13 કલાકનો વીજકાપ:</b> ભાણવડ પેટા વિભાગ હેઠળ આવતા રણજીતપરા, ભાણવડ અને રેલ્વે જ્યોતિ ફિડરમાં અગત્યની કામગીરીને કારણે સવારે 6 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી (સળંગ 13 કલાક) વીજળી ગુલ રહેશે. આનાથી રામેશ્વર પ્લોટ, વિકાસ રોડ, ઓમકાર ગ્રીન, વસંતનગર, જીઆઈડીસી અને માર્કેટિંગ યાર્ડ સહિતના વિસ્તારો પ્રભાવિત થશે. બંને સ્થળોએ કામ પૂર્ણ થતાં જ પૂર્વ સૂચના વિના પાવર સપ્લાય પુનઃ શરૂ કરાશે.</p><h2><b>ગુજરાત સહિત દેશના 16 રાજ્યોમાં આગામી કલાકોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી</b></h2><p>હવામાન વિભાગે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત, તમિલનાડુ, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર, અસમ, કર્ણાટક, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ સહિત 16 રાજ્યોમાં આગામી કલાકોમાં અતિભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ જાહેર કર્યું છે. આ સમયગાળા દરમિયાન 70 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે. આગામી 3 થી 4 દિવસમાં ચોમાસું ઉત્તર ભારત અને ગુજરાતમાં ઝડપથી આગળ વધશે, જેનાથી લોકોને ગરમીથી મોટી રાહત મળશે.</p><h2><b>ફિફા વર્લ્ડ કપ 2026: 27 જૂન મેચોનું શેડ્યૂલ (ભારતીય સમયાનુસાર - IST)</b></h2><p>ફિફા વર્લ્ડ કપ 2026 માં ગ્રૂપ સ્ટેજના રોમાંચક મુકાબલા ચાલી રહ્યા છે. 27 જૂનના રોજ રમાનારી મેચોનું લાઈવ પ્રસારણ ભારતીય સમય મુજબ નીચે મુજબ છે:</p><ul><li>00:30 AM: નોર્વે વિરુદ્ધ ફ્રાન્સ (ગ્રૂપ I) અને સેનેગલ વિરુદ્ધ ઇરાક (ગ્રૂપ I)</li><li>05:30 AM: કેપ વર્ડે વિરુદ્ધ સાઉદી અરેબિયા (ગ્રૂપ H) અને ઉરુગ્વે વિરુદ્ધ સ્પેન (ગ્રૂપ H)</li><li>08:30 AM: ન્યુઝીલેન્ડ વિરુદ્ધ બેલ્જિયમ (ગ્રૂપ G) અને ઇજિપ્ત વિરુદ્ધ ઇરાન (ગ્રૂપ G)</li></ul><h2><b>તમિલનાડુની રાજનીતિમાં ગરમાવો: MDMK ગઠબંધન છોડશે?</b></h2><p>DMK ની આગેવાની હેઠળના ગઠબંધનમાં યોગ્ય સન્માન ન મળવાના કારણે નારાજ વાઇકોની આગેવાનીવાળી MDMK પાર્ટી 27 જૂને યોજાનારી જનરલ કાઉન્સિલની બેઠકમાં ગઠબંધનમાંથી બહાર નીકળવાનો આખરી નિર્ણય જાહેર કરશે. અટકળો એવી પણ છે કે તેમના ધારાસભ્ય સેંથિલ સેલ્વન રાજીનામું આપીને સીએમ જોસેફ વિજયની પાર્ટી 'ટીવીકે' (TVK) માં જોડાઈ શકે છે.&nbsp;</p><h2><b>પીયૂષ ગોયલનો લંડન પ્રવાસ</b></h2><p>ભારતના કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ પણ 15 જુલાઈથી લાગુ થનારા ભારત-યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર (CETA) ની સમીક્ષા કરવા અને સમકક્ષ પીટર કાઈલ સાથે મુલાકાત કરવા લંડનના પ્રવાસે છે. 27 જૂને તેમના લંડન પ્રવાસનો અંતિમ દિવસ છે.</p><h2><b>અવકાશ વિજ્ઞાન: એફિલ ટાવર જેટલો મોટો એસ્ટરોઇડ પૃથ્વીની નજીકથી પસાર થશે</b></h2><p>ખગોળશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, શનિવાર, 27 જૂન 2026 ના રોજ એફિલ ટાવર કરતાં પણ કેટલાય ગણો મોટો એક વિશાળ લઘુગ્રહ પૃથ્વીની નજીકથી પસાર થવાનો છે. જોકે, સ્પેસ એજન્સીઓના મતે તે પૃથ્વીથી આશરે 16 લાખ માઈલ દૂર સુરક્ષિત અંતરેથી પસાર થશે, તેથી કોઈ જોખમ નથી. તે નરી આંખે જોઈ શકાશે નહીં, પરંતુ વૈજ્ઞાનિકો માટે આ એક મોટી ખગોળીય ઘટના છે.</p><h2><b>નેશનલ એચઆઇવી ટેસ્ટિંગ ડે&nbsp;</b></h2><p>વર્ષ 1995 થી શરૂ થયેલા આ દિવસનો હેતુ લોકોને એચઆઈવી ટેસ્ટ કરાવી પોતાની સ્થિતિ જાણવા અને સારવાર મેળવવા જાગૃત કરવાનો છે, કારણ કે હજુ પણ આ જીવલેણ બીમારીની કોઈ ચોક્કસ દવા શોધાઈ નથી.</p><h2><b>ઇન્ટરનેશનલ MSME ડે&nbsp;</b></h2><p>સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) હાંસલ કરવામાં નાના અને મધ્યમ ઉદ્યોગોના યોગદાનને બિરદાવવા માટે આ દિવસ ઉજવાય છે. ભારત સરકારે વર્ષ 2006 ના MSMED એક્ટ સાથે આ સાહસોની સત્તાવાર શરૂઆત કરી હતી જે ઉત્પાદન અને પ્રક્રિયા ક્ષેત્રે મહત્વના છે.</p><h2><b>27 જૂનની મહત્વની ઐતિહાસિક ઘટનાઓ</b></h2><ul><li>1743: બ્રિટનના કિંગ જ્યોર્જ દ્વિતીય ડેટિંગન યુદ્ધના મેદાનમાં ફ્રેન્ચ સામે સૈન્યનું નેતૃત્વ કરનારા છેલ્લા શાસક બન્યા.</li><li>1918 (ખેડા સત્યાગ્રહની પૂર્ણાહુતિ): મહાત્મા ગાંધીના નેતૃત્વમાં ખેડાના ખેડૂતોએ પ્લેગ અને પાક નિષ્ફળ જવા છતાં બ્રિટિશરોના અન્યાયી કર સામે લડત આપી હતી, જેનો જૂનના અંતમાં વિજય થયો અને બ્રિટિશ સરકારે કર વસૂલાત મુલતવી રાખી જપ્ત મિલકતો પરત કરી.</li><li>1946: કેનેડિયન સંસદે કેનેડિયન નાગરિકતા કાયદામાં નાગરિકત્વને વ્યાખ્યાયિત કર્યું.</li><li>1950: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો ઠરાવ 83 અપનાવવામાં આવ્યો.</li><li>1954: સોવિયેત યુનિયને ઓબ્નિન્સ્ક ખાતે વિશ્વનો પ્રથમ સિવિલિયન ન્યુક્લિયર પાવર પ્લાન્ટ શરૂ કર્યો.</li><li>1967: લંડનની બાર્કલેઝ બેંકમાં વિશ્વનું સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક એટીએમ (ATM) મશીન જોન શેફર્ડ-બેરોન દ્વારા ઇન્સ્ટોલ કરાયું.</li><li>1972: પ્રખ્યાત વિડીયો ગેમ કંપની 'અટારી' (Atari, Inc.) ની સ્થાપના થઈ, જેણે પોંગ ગેમ બનાવી.</li><li>1975 (ઇમરજન્સીનો કાળો દોર): ભારતમાં કટોકટીની જાહેરાત બાદ 27 જૂને સરકારે કલમ 358 અને 359 લાગુ કરીને નાગરિકોના મૂળભૂત અધિકારો (વાણી સ્વાતંત્ર્ય, અદાલતમાં જવાનો અધિકાર) સ્થગિત કરી વિપક્ષી નેતાઓની ધરપકડ કરી હતી.</li><li>1977: પૂર્વ આફ્રિકન દેશ જીબુતી ફ્રાન્સથી સંપૂર્ણ આઝાદ થયો.</li><li>2002: G8 દેશો પરમાણુ શસ્ત્રોનો નાશ કરવાની રશિયન યોજના પર સહમત થયા.</li><li>2003: અમેરિકામાં સમલૈંગિકતા પરનો પ્રતિબંધ નાબૂદ કરવામાં આવ્યો.</li><li>2004: યુએસ અને યુરોપિયન યુનિયને જીપીએસ ગેલિલિયોના વિકાસમાં સહકારના કરાર કર્યા.</li><li>2005: બ્રિટને વીટો પાવર વિના ભારતના યુએન કાયમી સભ્યપદને સમર્થન આપ્યું.</li><li>2006: ગુયેન મિન્હ ટ્રયેટ વિયેતનામના પ્રમુખ તરીકે ચૂંટાયા.</li><li>2007: જેમ્સ ગાર્ડન બ્રાઉને બ્રિટિશ વડા પ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો અને ટોની બ્લેરે રાજીનામું આપ્યું.</li><li>2008: ભારત-પાકિસ્તાને ઈરાન ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટની અડચણો દૂર કરી અને પાકિસ્તાનના આસિફ અલી ઝરદારી તુર્કી ગયા.</li><li>2014: આંધ્રપ્રદેશના ઇસ્ટ ગોદાવરીમાં ગેલ (GAIL) ગેસ પાઇપલાઇન બ્લાસ્ટમાં 15 લોકોના મોત થયા હતા.</li><li>2015: સંયુક્ત રાષ્ટ્રે તેના હેડક્વાર્ટરમાં ભારતના મહાન ફિલ્મ નિર્દેશક સત્યજીત રેની તસવીર પ્રદર્શિત કરવાનો નિર્ણય કર્યો.</li><li>2015 (ગ્રીન એનર્જી ક્રાંતિ): ગુજરાત સરકારે પાટણના ચારણકા ખાતે એશિયાના પ્રથમ સોલાર પ્રોજેક્ટના મલ્ટી-ફેઝ વિસ્તરણને મંજૂરી આપી, જે આજે ભારતના મેગા ક્લીન એનર્જી પાર્કનું મોડેલ બન્યું છે.</li></ul><h2><b>27 જૂનના રોજ જન્મેલી પ્રખ્યાત હસ્તીઓ</b></h2><ul><li>પી.ટી. ઉષા (1964): ભારતીય ટ્રેક એન્ડ ફીલ્ડના લેજન્ડ, 'પાયોલી એક્સપ્રેસ' અને ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના વર્તમાન પ્રમુખ.</li><li>આર. ડી. બર્મન 'પંચમ દા' (1939): ભારતીય સિનેમાના ક્રાંતિકારી સંગીતકાર, જેમણે બોલિવૂડ મ્યુઝિકને વેસ્ટર્ન ટચ આપ્યો.</li><li>બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય (1838): મહાન રાષ્ટ્રવાદી કવિ જેમણે આપણું રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્' આપ્યું.</li><li>છગનલાલ કરમશી પારેખ 'છગન બાપા' (1894): રાજકોટમાં જન્મેલા મહાન પરોપકારી અને સામાજિક સુધારક, જેમણે સૌરાષ્ટ્રમાં સ્ત્રી કેળવણી અને ગરીબી નિર્મૂલન માટે જીવન સમર્પિત કર્યું.</li><li>ટીકુ તલસાણિયા (1954): ગુજરાતી મૂળના જાણીતા કોમેડી કલાકાર જેમણે 150 થી વધુ ફિલ્મો અને સીરીયલોમાં કામ કર્યું છે.</li><li>તનની છેડા (1996): ઓસ્કાર વિજેતા ફિલ્મ 'સ્લમડોગ મિલિયોનેર' માં કિશોર જમાલ મલિકની ભૂમિકા ભજવનાર ગુજરાતી મૂળનો બાળ કલાકાર.</li><li>હેલન કેલર (1880) - પ્રથમ પ્રજ્ઞાચક્ષુ અને બધિર ગ્રેજ્યુએટ લેખિકા</li><li>ટોબી મેગુઇરે (1975) - સ્પાઇડર મેન ફેમ હોલીવુડ એક્ટર</li><li>વેરા વાંગ (1949) - ફેશન ડિઝાઇનર</li><li>જે. જે. એબ્રામ્સ (1966) - સ્ટાર વોર્સ ડાયરેક્ટર</li><li>ક્લોય કાર્દાશિયન (1984) - અમેરિકન સેલિબ્રિટી&nbsp;</li><li>નીતિન મુકેશ (1950) - પ્લેબેક સિંગર</li><li>પૂર્ણિમા વર્મન (1955) - પત્રકાર&nbsp;</li><li>આર. ડી. પ્રધાન (1928) - પૂર્વ ગૃહ સચિવ&nbsp;</li><li>અકિલન (1922) - તમિલ લેખક</li><li>અમલા શંકર (1919) - કોરિયોગ્રાફર</li></ul><h2><b>મહાન વિભૂતિઓની પુણ્યતિથિ</b></h2><ul><li><b>ફિલ્ડ માર્શલ સેમ માણેકશા (2008): </b>1971 ના ભારત-પાક યુદ્ધમાં ભારતને ઐતિહાસિક વિજય અપાવનાર વીર યોદ્ધાનું અવસાન આ જ દિવસે થયું હતું.</li><li><b>મહારાજા રણજીત સિંહ (1839):</b> શિખ સામ્રાજ્યના સ્થાપક અને 'લાયન ઓફ પંજાબ' તરીકે જાણીતા મહારાજાનું લાહોરમાં 58 વર્ષની વયે અવસાન થયું હતું.</li><li><b>ધનાજી જાધવ (1708):</b> મરાઠા સામ્રાજ્યના બહાદુર સરસેનાપતિ જેમણે ગેરીલા યુદ્ધ પદ્ધતિથી મુઘલ સમ્રાટ ઔરંગઝેબના દખ્ખણ વિજયના સપનાને રોક્યું હતું, તેઓની પુણ્યતિથિ છે.</li></ul><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/india/26-june-top-10-news-india-world-breaking-updates-summary" target="_blank">26 જૂનના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/NVAQVXlHrtGXPmJha5Yx8Nr3zI8cFxE5oGb9n3Wc.webp'/></item></channel></rss>