<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Suratમાં પ્રેમનું કરુણ અંજામ! 19 વર્ષીય પ્રેમિકાને હોસ્પિટલમાં રઝળતી મૂકી 45 વર્ષીય પ્રેમી ફરાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/tragic-end-of-love-in-surat-45-year-old-lover-absconds-leaving-19-year-old-girlfriend-stranded-in-hospital</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/tragic-end-of-love-in-surat-45-year-old-lover-absconds-leaving-19-year-old-girlfriend-stranded-in-hospital</guid><pubDate>Wed, 26 Aug 2026 22:47:13 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતમાં એક હૃદયદ્રાવક અને ચકચારી ઘટના સામે આવી છે, જેમાં 45 વર્ષીય આધેડ પ્રેમી પોતાની 19 વર્ષીય પ્રેમિકાને ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં રઝળતી મૂકીને ફરાર થઈ ગયો હતો. હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન કમનસીબ યુવતીનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના હોસ્પિટલના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.</p><h2 style="text-align: justify; "><b>રાજસ્થાનથી પ્રેમજાળમાં ફસાવી સુરત લાવ્યાનો પરિવારનો આક્ષેપ</b></h2><p style="text-align: justify; ">મૃતક યુવતીના પરિવારજનોએ દિલીપ નામના 45 વર્ષીય આધેડ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારના જણાવ્યા અનુસાર, આરોપી દિલીપે 19 વર્ષીય યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવીને રાજસ્થાનથી સુરત લાવ્યો હતો. યુવતીની તબિયત બિગડતાં તેણે હોસ્પિટલમાં દાખલ કરી પરિવારજનોને હોસ્પિટલના ફોટા મોકલ્યા હતા અને ત્યારબાદ પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરીને ફરાર થઈ ગયો હતો.</p><h2 style="text-align: justify; "><b>રાજસ્થાન પોલીસ સુરત પહોંચી, આરોપી સામે કડક પગલાંની માંગ</b></h2><p style="text-align: justify; ">યુવતીના મોતના સમાચાર મળતાં જ તેના પરિજનો તાત્કાલિક સુરત દોડી આવ્યા હતા. બનાવની ગંભીરતાને ધ્યાને રાખી રાજસ્થાન પોલીસની ટીમ પણ તપાસ અર્થે સુરત આવી પહોંચી છે. પરિવારે આરોપી દિલીપ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરી ન્યાય આપવાની ઉગ્ર માંગ કરી છે. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે ફરાર પ્રેમીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/bhavnagar-news-gagandeep-gambhirs-big-statement-inquiry-completed-in-bhavnagar-now-specific-steps-will-be-taken-based-on-the-report" target="_blank">Bhavnagar News : ગગનદીપ ગંભીરનું મોટું નિવેદન, ભાવનગરમાં ઈન્ક્વાયરી પૂરી, હવે રિપોર્ટ આધારે લેવાશે ચોક્કસ પગલાં</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/26/14Nz60IKUmF5z93GSVOFenPZwIxWNe4iUSJOU1eT.webp'/></item><item><title><![CDATA[Hindustan Zinc Share : સરકારે કરી મોટી સ્પષ્ટતા, રોકેટ બની ગયો શેર ]]></title><link>https://sandesh.com/business/news/hindustan-zinc-share-government-stake-sale-clarification-jefferies-target</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/hindustan-zinc-share-government-stake-sale-clarification-jefferies-target</guid><pubDate>Wed, 26 Aug 2026 22:41:59 +05:30</pubDate><description><![CDATA[<p>હિન્દુસ્તાન ઝિંકના શેરમાં 26 ઓગસ્ટે બજાર ખુલતાની સાથે જ જોરદાર તેજી જોવા મળી હતી. કંપનીના શેરમાં શરૂઆતના કારોબારમાં આશરે 5.1 ટકાનો ઉછાળો નોંધાયો અને શેર રૂ. 623 સુધી પહોંચી ગયો હતો. બાદમાં તેજી થોડી ઘટી હતી. સરકાર તરફથી કંપનીમાં પોતાની હિસ્સેદારી વેચવા અંગે હાલ કોઈ યોજના ન હોવાની સ્પષ્ટતા બાદ રોકાણકારોમાં સકારાત્મક માહોલ જોવા મળ્યો છે.</p><h2><b>અગાઉ OFSની હતી અટકળો&nbsp;</b></h2><p>DIPAMના સચિવ અરુણિશ ચાવલાએ એક દિવસ અગાઉ જણાવ્યું હતું કે સરકાર હાલ હિન્દુસ્તાન ઝિંકમાં પોતાની હિસ્સેદારી વેચવાનો વિચાર કરી રહી નથી. આ નિવેદન બાદ કંપનીના શેરમાં ખરીદીનું વલણ વધ્યું હતું. અગાઉ હિન્દુસ્તાન ઝિંકમાં સરકાર ઓફર ફોર સેલ (OFS) મારફતે હિસ્સો વેચી શકે તેવી અટકળો ચાલી રહી હતી. ખાસ કરીને હિન્દુસ્તાન કૉપરનો OFS શરૂ થયા બાદ આ ચર્ચાએ જોર પકડ્યું હતું. હાલમાં હિન્દુસ્તાન ઝિંકમાં ભારત સરકારની 27.92 ટકા હિસ્સેદારી છે, જ્યારે વેદાંતાની 60.71 ટકા ભાગીદારી છે.</p><h3><b>ચાંદીના ભાવ જુલાઈના નીચલા સ્તરથી લગભગ 23 ટકા ઉપર આવ્યા</b></h3><p>આ દરમિયાન એક વિદેશી બ્રોકરેજ ફર્મે હિન્દુસ્તાન ઝિંક માટે ‘Buy’ રેટિંગ જાળવી રાખ્યું છે અને ટાર્ગેટ પ્રાઈસ વધારીને રૂ. 750 કર્યો છે. ઝિંક અને ચાંદીના ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને બ્રોકરેજે કંપનીના EPS અંદાજમાં 10થી 11 ટકાનો વધારો કર્યો છે. ઝિંકના ભાવ જૂન ક્વાર્ટરના સરેરાશ ભાવની સરખામણીએ આશરે 15 ટકા વધ્યા છે, જ્યારે ચાંદીના ભાવ જુલાઈના નીચલા સ્તરથી લગભગ 23 ટકા ઉપર આવ્યા છે. આ ભાવવધારાથી કંપનીની કમાણીમાં સુધારાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. 26 ઓગસ્ટે ભારતીય શેરબજારમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું.&nbsp;</p><p><b><a href="https://sandesh.com/business/news/hal-safran-aravalli-helicopter-engine-imrh-dbmrh" target="_blank">આ પણ વાંચો : HAL-Safranની મોટી ડીલ, 3,500થી 4,000 SHPનું 'અરાવલ્લી' એન્જિન બનાવશે</a></b></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/26/4dKFSjeuL8XxC2zD2Q0NTy6oEqKqm1yrlymlmdHW.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: નિવૃત્ત મહિલા પ્રોફેસર ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યા, ગઠિયાએ 19 દિવસ સુધી ડરાવી 54 લાખ પડાવ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/retired-professor-loses-rs-54-60-lakh-in-19-day-digital-arrest-scam</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/retired-professor-loses-rs-54-60-lakh-in-19-day-digital-arrest-scam</guid><pubDate>Wed, 26 Aug 2026 22:30:13 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સાયબર ક્રાઈમ અને ઠગાઈ આચરતી ગેંગ હવે શિક્ષિત અને વરિષ્ઠ નાગરિકોને લક્ષ્ય બનાવી રહી છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત મહિલા પ્રોફેસર ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે આચરવામાં આવેલી એક મોટી સાયબર ઠગાઈનો ભોગ બન્યા છે. શાતિર સાયબર માફિયાઓએ સંચાલિત સરકારી એજન્સીઓના ખોટા નામે ડરાવી ધમકાવીને મહિલા પાસેથી 54.60 લાખની માતબર રકમ પડાવી લીધી છે.</p><h2 style="text-align: justify; "><b>ગઠિયાઓએ તેમને માનસિક દબાણમાં મૂકી દીધા</b></h2><p style="text-align: justify; ">મળતી વિગતો અનુસાર, ગઠિયાઓએ પીડિત મહિલા પ્રોફેસરનો સંપર્ક કરીને પોતાને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) અને મુંબઈ પોલીસના અધિકારીઓ તરીકે ઓળખાવ્યા હતા. તેમણે મહિલાને જણાવાયું હતું કે તેમના નામે મુંબઈથી ખરીદવામાં આવેલા એક સિમકાર્ડનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં થયો છે અને તેના સંદર્ભે મુંબઈમાં ૨૫ જેટલી FIR નોંધાયેલી છે. મહિલાને ગંભીર કાનૂની કાર્યવાહી અને જેલ જવાનો ભય બતાવીને ગઠિયાઓએ તેમને માનસિક દબાણમાં મૂકી દીધા હતા.</p><h3 style="text-align: justify; "><b>ગઠિયાએ રકમ પોતાના ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લીધી</b></h3><p style="text-align: justify; ">ઠગબાજોએ મહિલાને સતત 19 દિવસ સુધી ફોન કૉલ્સ અને વોટ્સએપ વીડિયો કૉલ મારફતે પોતાની નજર હેઠળ એટલે કે ‘ડિજિટલ અરેસ્ટ’ રાખ્યા હતા. આ દરમિયાન તેમને કોઈની સાથે વાત ન કરવા અને ઘરની બહાર ન નીકળવાની ધમકી આપવામાં આવી હતી. મહિલાને આ કેસમાંથી મુક્ત કરાવવાના અને તપાસના બહાને જુદા જુદા બેંક ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર કરાવવાનું શરૂ કર્યું હતું. આ રીતે 19 દિવસ દરમિયાન ગઠિયાઓએ ટુકડે-ટુકડે કુલ રૂ. 54.60  લાખ રકમ પોતાના ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લીધી હતી.</p><h2 style="text-align: justify; "><b>બોપલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી</b></h2><p style="text-align: justify; ">નાણાં ટ્રાન્સફર થઈ ગયા બાદ પણ ધમકીઓ ચાલુ રહેતાં મહિલાને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થયો હતો. ત્યારબાદ તેમણે તુરંત પરિજનોને જાણ કરી બોપલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. બોપલ પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધીને સાયબર સેલની મદદ વડે નાણાં જે બેંક ખાતાઓમાં ટ્રાન્સફર થયા છે તેના ડેટા અને કોલ ડિટેલ્સ આધારે આંતરરાજ્ય સાયબર ગેંગને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/sandesh-digital-exclusive--kutch-pilgrims-escaped-nepal-flood-disaster-hours-earlier" target="_blank">આ પણ વાંચોઃ Sandesh Digital Exclusive : નેપાળમાં વિનાશક પૂરની દુર્ઘટના પહેલા જ ગુજરાતના પ્રવાસીઓએ છોડી હતી જગ્યા, જાણો કેવી હતી સ્થિતિ?</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/26/5YB1l0OCx5jgmo0INr7IOXAvAYbB0oXWm84qiAHU.webp'/></item><item><title><![CDATA[India News : યુટ્યુબર અને હરિયાણવી એક્ટર અંકિત બાલિયાનની ગોળી મારીને હત્યા, યુપીના શામલીમાં જીમ બહાર હુમલો ]]></title><link>https://sandesh.com/india/news/crime/india-news-youtuber-and-haryanvi-actor-ankit-baliyan-shot-dead-attacked-outside-gym-in-shamli-up</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/crime/india-news-youtuber-and-haryanvi-actor-ankit-baliyan-shot-dead-attacked-outside-gym-in-shamli-up</guid><pubDate>Wed, 26 Aug 2026 21:52:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઉત્તર પ્રદેશના શામલીમાં બુધવારે સાંજે પ્રખ્યાત યુટ્યુબર અને હરિયાણવી કલાકાર અંકિત બાલિયાનની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. શામલી કોટવાલી વિસ્તારમાં આવેલા એક જીમમાંથી અંકિત બહાર નીકળી રહ્યા હતા ત્યારે બદમાશોએ તેમના પર અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ગંભીર રીતે ઘવાયેલા અંકિતને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>'ભરી કોર્ટ મેં ગોલી મારેંગે' ગીતથી મળ્યા હતા લોકપ્રિયતા</b></h2><p style="text-align: justify; ">શામલીના બંતીખેડાના નિવાસી અંકિત બાલિયાન હરિયાણવી મ્યુઝિક અને સોશિયલ મીડિયા ક્ષેત્રે જાણીતો ચહેરો હતા. તેઓ પોતાના લોકપ્રિય ગીત 'ભરી કોર્ટ મેં ગોલી મારેંગે મેરી જાન'થી ખૂબ ચર્ચામાં આવ્યા હતા. અંકિત આગામી જિલ્લા પંચાયત ચૂંટણી લડવાની તૈયારી પણ કરી રહ્યા હતા, જેથી તેમની અચાનક હત્યાથી વિસ્તારમાં સન્સનાટી મચી ગઈ છે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/ians_india/status/2092629821813878854?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2 style="text-align: justify; "><b>સીસીટીવી ફુટેજના આધારે પોલીસ તપાસ</b></h2><p style="text-align: justify; ">હત્યા પાછળનું સાચું કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. હુમલાખોરોની ઓળખ કરવા અને તેમનો માર્ગ શોધવા માટે આસપાસના સીસીટીવી (CCTV) ફુટેજ ખંખોળવામાં આવી રહ્યા છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/india/news/india-news-big-decision-of-himachal-pradesh-government-caste-column-will-be-removed-from-admission-form" target="_blank">India News : હિમાચલ પ્રદેશ સરકારનો મોટો નિર્ણય, એડમિશન ફોર્મમાંથી જાતિનું કોલમ હટાવાશે</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/26/Czbnf9kxilRWSOQeFlHpJmU3OI2ZQW0GL9hL6YCt.webp'/></item><item><title><![CDATA[Bhavnagar News : ગગનદીપ ગંભીરનું મોટું નિવેદન, ભાવનગરમાં ઈન્ક્વાયરી પૂરી, હવે રિપોર્ટ આધારે લેવાશે ચોક્કસ પગલાં ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/bhavnagar-news-gagandeep-gambhirs-big-statement-inquiry-completed-in-bhavnagar-now-specific-steps-will-be-taken-based-on-the-report</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/bhavnagar-news-gagandeep-gambhirs-big-statement-inquiry-completed-in-bhavnagar-now-specific-steps-will-be-taken-based-on-the-report</guid><pubDate>Wed, 26 Aug 2026 21:42:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભાવનગરમાં થયેલા ચર્ચિત લઠ્ઠાકાંડ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ના વડા ગગનદીપ ગંભીરે તપાસ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ગગનદીપ ગંભીર છેલ્લા પાંચ દિવસથી પોતે ભાવનગરમાં કેમ્પ કરીને તપાસની કમાન સંભાળી રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેમણે કેસમાં સંડોવાયેલા આરોપીઓથી લઈને સ્થાનિક તંત્રના નાના-મોટા તમામ અધિકારીઓ સુધીના લોકોની તબીબી અને કાનૂની પાસાંઓ પર ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરી હતી.</p><h2 style="text-align: justify; "><b>સાહેદોને ગાંધીનગર ધક્કા ન પડે તે માટે સ્થાનિક સ્તરે જ પૂછપરછ કરાઈ</b></h2><p style="text-align: justify; ">પૂછપરછની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ SMC ચીફે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે કેસ સંબંધિત તમામ અગત્યના સાહેદોના નિવેદન લેવાની કામગીરી પૂરી થઈ ગઈ છે. તેમણે ઉમેર્યું કે, સાહેદો અને અધિકારીઓને ઈન્ક્વાયરી માટે વારંવાર ગાંધીનગર સુધી ધક્કા ખાવા ન પડે તે હેતુથી જ SMC ની ટીમે ભાવનગરમાં રોકાઈને જ સ્થળ પર તમામના સ્ટેટમેન્ટ નોંધવાનો નિર્ણય કર્યો હતો, જેથી તપાસ પ્રક્રિયા સુચારુ રીતે પૂર્ણ થઈ શકે.</p><h2 style="text-align: justify; "><b>તપાસ કામગીરી પૂર્ણ થતાં હવે આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે</b></h2><p style="text-align: justify; ">તમામ સાહેદોના નિવેદનો દર્જ થઈ ગયા હોવાથી હવે SMC દ્વારા તપાસનો આગળનો તબક્કો શરૂ કરવામાં આવશે. એકત્રિત કરવામાં આવેલા કાગળો, પુરાવાઓ અને નોંધાયેલા સ્ટેટમેન્ટના આધારે આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ તપાસના આધારે જવાબદારો સામે કડકમાં કડક પગલાં ભરીને કેસને ઝડપથી અંજામ સુધી પહોંચાડવામાં આવશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/rakshabandhan/gandhinagar/gandhinagar-news-cm-bhupendra-patel-will-celebrate-raksha-bandhan-upon-returning-to-his-hometown-will-receive-affection-and-blessings-from-his-sisters" target="_blank">Gandhinagar News : વતન પરત ફરતા જ CM ભૂપેન્દ્ર પટેલ ઉજવશે રક્ષાબંધન, બહેનો પાસેથી મેળવશે સ્નેહ અને આશીર્વાદ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/26/9cFXZaTNok0Svv3ArGsc1NEwqYn7QsncniH9csR3.webp'/></item><item><title><![CDATA[Nepalમાં વિનાશક પૂર વચ્ચે ભારતની મદદ, 10 ટન HADR સામગ્રી અને જરૂરી દવાઓ મોકલાઈ ]]></title><link>https://sandesh.com/india/news/world/india-sends-10-tonnes-hadr-aid-medicines-nepal-floods</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/world/india-sends-10-tonnes-hadr-aid-medicines-nepal-floods</guid><pubDate>Wed, 26 Aug 2026 21:32:29 +05:30</pubDate><description><![CDATA[<p>નેપાળમાં વિનાશક પૂર અને ફ્લેશ ફ્લડથી સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ વચ્ચે ભારતે પડોશી દેશને મદદનો હાથ લંબાવ્યો છે. ભારતે નેપાળના રાહત અને બચાવ પ્રયાસોને વેગ આપવા માટે 10 ટન HADR (Humanitarian Assistance and Disaster Relief) સામગ્રી અને જરૂરી દવાઓ મોકલી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2092630598657744918"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>ભારત નેપાળ સાથે મજબૂતીથી ઉભું છે</b></h2><p>વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે નેપાળમાં આવેલા વિનાશક પૂરના પ્રતિસાદને સહયોગ આપવા માટે 10 ટન માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત સામગ્રી તથા જરૂરી દવાઓ મોકલવામાં આવી છે. ડૉ. જયશંકરે પૂર હોનારતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે આ મુશ્કેલ સમયમાં ભારત નેપાળ અને તેના લોકોની સાથે મજબૂતીથી ઊભું છે.</p><h3><b>અનેક વિસ્તારોમાં જાનમાલનું ભારે નુકસાન</b></h3><p>નેપાળમાં આવેલા અચાનક ફ્લેશ ફ્લડથી અનેક વિસ્તારોમાં જાનમાલનું ભારે નુકસાન થયું છે. ઘરો, રસ્તાઓ, પુલો, હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સ સહિતની માળખાકીય સુવિધાઓને નુકસાન પહોંચ્યું છે. અનેક લોકો લાપતા હોવાના અહેવાલ વચ્ચે નેપાળની સુરક્ષા એજન્સીઓ અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો દ્વારા સર્ચ, રેસ્ક્યૂ, સ્થળાંતર અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.</p><h4><b>નેપાળની પરિસ્થિતિ પર ભારત સરકારની નજર</b></h4><p>ભારત સરકાર નેપાળની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને કાઠમંડુ સાથે સંપર્કમાં છે. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહ સાથે વાતચીત કરીને પૂરથી થયેલી જાનહાનિ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને ભારત તરફથી શક્ય તમામ માનવતાવાદી સહાયની ખાતરી આપી હતી. ભારત અને નેપાળ વચ્ચેના ગાઢ સંબંધોને ધ્યાનમાં રાખીને ભારતની આ મદદ આપત્તિના સમયમાં બંને દેશો વચ્ચેના સહયોગનું વધુ એક ઉદાહરણ બની છે. આવનારા સમયમાં જરૂરિયાત મુજબ વધુ સહાય અંગે પણ નિર્ણય લેવામાં આવી શકે છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/world/nepal-flood-pm-modi-balen-shah-humanitarian-relief-support" target="_blank">આ પણ વાંચો : Nepal Flood : નેપાળમાં પૂરથી તબાહી, PM મોદીએ બાલેન શાહ સાથે કરી વાત, મદદની આપી ખાતરી</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/26/BR7fAuIJx2bVvtkuGdZKDbTfXQeyJtZYu0drlTz0.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: મુખ્યમંત્રીનો અમેરિકા અને કેનેડા પ્રવાસ પૂર્ણ, આવતીકાલે અમદાવાદ આવશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/cm-bhupendra-patel-returns-from-us-canada-visit-on-august-27</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/cm-bhupendra-patel-returns-from-us-canada-visit-on-august-27</guid><pubDate>Wed, 26 Aug 2026 21:00:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના રોડ શો અને રોકાણકારો સાથેની બેઠકો અર્થે હાથ ધરાયેલો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અમેરિકા અને કેનેડાનો પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે.મુખ્યમંત્રી દુબઈ થઈને આગામી ૨૭ ઓગસ્ટના રોજ વહેલી સવારે ૪ વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે.પરત ફર્યા બાદ જ તેઓ તુરંત વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી આપશે, જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના કાર્યક્રમમાં ઉપસ્થિતિ તેમજ ગાંધીનગર સચિવાલય ખાતે યોજાનારા ‘સ્વાગત ઓનલાઈન’ કાર્યક્રમનો સમાવેશ થાય છે.</p><h2 style="text-align: justify; "><b>કેનેડામાં નિર્મલા સિતારમણ સાથે મુલાકાત</b></h2><p style="text-align: justify; ">કેનેડાના ટોરોન્ટો ખાતે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે ખાસ મુલાકાત યોજાઈ છે.વિદેશ પ્રવાસ દરમિયાન યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં બંને નેતાઓ વચ્ચે ગુજરાતના વિકાસ, આર્થિક પ્રગતિ તેમજ વિવિધ મહત્વના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.ટોરોન્ટોની આ બેઠક દરમિયાન ગુજરાતમાં વિદેશી રોકાણો વધારવા અને રાજ્યના આર્થિક માળખાને વધુ મજબૂત બનાવવાની દિશામાં ફળદાયી ચર્ચા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.કેન્દ્રીય નાણાં મંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી વચ્ચે વિદેશની ધરતી પર યોજાયેલી આ ખાસ મુલાકાતને લઈને રાજકીય અને ઔદ્યોગિક વર્તુળોમાં મોટો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>આવતીકાલે મુખ્યમંત્રી લોકોની રજૂઆતો સાંભળશે</b></h3><p style="text-align: justify; ">મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજવામાં આવતાં રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત ઓગસ્ટ-2026નો રાજ્ય સ્વાગત ગુરૂવાર,તા.27મી ઓગસ્ટે યોજવામાં આવશે.વડાપ્રધાન મોદીની પ્રેરણાથી વર્ષ 2003થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે. નાગરિકો  ઓગસ્ટ મહિનાના રાજ્ય સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો ગુરૂવાર  ના  રોજ સવારે 8-00 થી 11-00 દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવારે બપોર બાદ આ રાજ્ય સ્વાગતમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નાગરિકોની આવેલી રજૂઆતો સાંભળશે.<br><br><a href="https://sandesh.com/india/news/delhi-mumbai-expressway-vadodara-mumbai-section-opening-august-31" target="_blank">આ પણ વાંચોઃ India: વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે 31 ઓગસ્ટથી શરૂ થવાની આશા, 8 કલાકની સફર હવે 4 કલાકમાં પૂરી થશે</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/26/XLaaioJ46WwAz3VqIsaRlFXcP85MCJ7JJvZvMAqD.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News:જંગલ જમીન વિવાદમાં મનસુખ વસાવા સાથે સરકારની બેઠક, આંદોલનકારી ખેડૂતો સાથે મંત્રીઓ કરશે ચર્ચા ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/government-meeting-held-over-forest-land-dispute-in-narmada</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/government-meeting-held-over-forest-land-dispute-in-narmada</guid><pubDate>Wed, 26 Aug 2026 20:39:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં લાંબા સમયથી ચાલી રહેલા જંગલ જમીનના વિવાદને ઉકેલવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ અને નિર્ણાયક કદમ ઉઠાવવામાં આવ્યું છે.સાંસદ મનસુખ વસાવા તેમજ નાયબ મુખ્યમંત્રી અને વન મંત્રી વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે.વન મંત્રી પ્રવિણ માળી અને જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ રક્ષાબંધનનો તહેવાર પૂર્ણ થયા બાદ તુરંત સાગબારાની મુલાકાતે જશે.આ મુલાકાત દરમિયાન બંને મંત્રીઓ વન વિભાગના સ્થાનિક અધિકારીઓ સાથે સગન સમીક્ષા બેઠક યોજશે અને પરિસ્થિતિની વિગતવાર માહિતી મેળવશે.</p><h2 style="text-align: justify; "><b>આંદોલનકારી ખેડૂતો સાથે મંત્રીઓ કરશે ચર્ચા</b></h2><p style="text-align: justify; ">જંગલ જમીનના હક માટે આંદોલન ચલાવી રહેલા સ્થાનિક ખેડૂતો અને અગ્રણીઓ સાથે બંને મંત્રીઓ સીધો સંવાદ સાધશે. ખેડૂતોની રજૂઆતો અને સમસ્યાઓને સાંભળીને સ્થળ પર જ ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.આ અંગે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, જે ખેડૂતો વર્ષોથી જમીન ખેડી રહ્યા છે અને જેમની પાસે તેના યોગ્ય પુરાવા છે, તેમને નિયમ મુજબ જમીનના હક આપવામાં આવશે. કોઈ પણ અન્યાય વગર પુરાવાના આધારે જમીન સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.</p><h3 style="text-align: justify; "><b>80 હજાર જેટલા દાવાઓ બાબતે પણ આ બેઠકમાં સઘન ચર્ચા</b></h3><p style="text-align: justify; ">રાજ્યમાં જંગલ જમીનના અધિકાર મેળવવા માટે અટકાયેલા અને પેન્ડિંગ પડેલા આશરે 80 હજાર જેટલા દાવાઓ બાબતે પણ આ બેઠકમાં સઘન ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આ નિર્ણયથી સાગબારા અને આસપાસના વિસ્તારના હજારો આદિવાસી ખેડૂતોમાં આશાનું કિરણ જાગ્યું છે. સાગબારા તાલુકામાં જંગલ જમીન ખેડાણની મંજૂરીના મુદ્દે ખેડૂતોનું આંદોલન યથાવત્ રહ્યું છે. સાંસદ મનસુખ વસાવાએ ધરણાં સ્થળની મુલાકાત લીધી હતી અને ખેડૂતોને સમર્થન આપ્યું હતું.તેઓ ખેડૂતો સાથે ધરણાં પર બેઠા હતા અને વન વિભાગના અધિકારીઓ પર આકરા પ્રહારો કર્યા હતા.</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/sandesh-digital-exclusive--kutch-pilgrims-escaped-nepal-flood-disaster-hours-earlier" target="_blank">આ પણ વાંચોઃ Sandesh Digital Exclusive : નેપાળમાં વિનાશક પૂરની દુર્ઘટના પહેલા જ ગુજરાતના પ્રવાસીઓએ છોડી હતી જગ્યા, જાણો કેવી હતી સ્થિતિ?</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/26/TnsQBUKVnEBaZBH3XfCS8LMq84Lc7UAqkj31pjvt.webp'/></item><item><title><![CDATA[Akanksha Chamolaની બાઇસેક્સ્યુઅલિટી જાણીને સાસુ-સસરાનો કેવું હતું રિએક્શન? એક્ટ્રેસે કર્યો ખુલાસો ]]></title><link>https://sandesh.com/entertainment/news/akanksha-chamola-bisexuality-gaurav-khanna-parents-reaction</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/akanksha-chamola-bisexuality-gaurav-khanna-parents-reaction</guid><pubDate>Wed, 26 Aug 2026 17:40:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અભિનેત્રી અને લોક અપ સીઝન 2ની કન્ટેસ્ટન્ટ આકાંક્ષા ચમોલા આ શો દરમિયાન ખૂબ ચર્ચામાં રહી હતી. અભિનેત્રીએ આ દરમિયાન 2 મોટા ખુલાસા કરીને ઘણી ચર્ચા મેળવી હતી. તેણે ગૌરવ ખન્ના સાથેના છૂટાછેડા અને પોતે બાયસેક્સ્યુઅલ હોવાનો ખુલાસો કર્યો હતો. ત્યારબાદ તેણે એમ પણ કહ્યું હતું કે તે પોતાનું 3જું રહસ્ય પણ જણાવશે. જોકે, તે પહેલા જ તે શોમાંથી બહાર થઈ ગઈ હતી. ફેન્સને આશા હતી કે તેનું 3જું રહસ્ય પ્રેગ્નેન્સી સાથે જોડાયેલું હોઈ શકે છે. હવે એક ઈન્ટરવ્યૂમાં અભિનેત્રીને આ અંગે સવાલ કરવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>પ્રેગ્નેન્સીની અફવાઓ પર આકાંક્ષા ચમોલાએ શું કહ્યું?</b></h2><p style="text-align: justify; ">તાજેતરમાં આકાંક્ષા ચમોલાએ સમાચાર એજન્સી IANSને એક ઈન્ટરવ્યૂ આપ્યો હતો. આ દરમિયાન અભિનેત્રીને તેમની પ્રેગ્નેન્સીની અફવાઓ વિશે પણ સવાલ કરવામાં આવ્યો હતો. જોકે, અભિનેત્રીએ આ અંગે સ્પષ્ટ કંઈ કહ્યું નહોતું. તેમણે કહ્યું, ના, ના, ના. સવાલ બદલી દો. મને 3જા રહસ્ય માટે પૈસા મળશે. આ અંગે જો કોઈ કંઈ કહે છે, તો હું 3જું રહસ્ય જાહેર કરી દઈશ. નહીં તો હું તેને જાહેર નહીં કરું. સોશિયલ મીડિયા પર તાજેતરમાં આકાંક્ષાની પ્રેગ્નેન્સીની અફવાઓને લઈને ઘણી ચર્ચા થઈ હતી.<br><img alt="Akanksha Chamola Bisexuality, Gaurav Khanna (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/26/Y0XzZyvzFTRrFZycp9Vpp8jseORL2235WeHqTM8O.webp"><br></p><h3 style="text-align: justify; "><b>આકાંક્ષા બાયસેક્સ્યુઅલ હોવાના ખુલાસા પર ગૌરવના માતા-પિતાએ પ્રતિક્રિયા આપી હતી?</b></h3><p style="text-align: justify; ">વાતચીત દરમિયાન આકાંક્ષાએ એ પણ જણાવ્યું કે જ્યારે તેણે શોમાં પોતાના છૂટાછેડા અને પોતે બાયસેક્સ્યુઅલ હોવાનો ખુલાસો કર્યો હતો, ત્યારે તેના માતા-પિતા અને સાસરિયા એટલે કે ગૌરવ ખન્નાના માતા-પિતાએ કોઈ પ્રતિક્રિયા આપી હતી કે નહીં. અભિનેત્રીએ જણાવ્યું કે આ બાબતો પર તેમના સાસરિયા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નહોતી. અભિનેત્રીએ કહ્યું, આ અંગે મારા સાસરિયા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નહોતી. કારણ કે અમે એકબીજા સાથે વાતચીત કરતા નથી અને અમારા માતા-પિતા તો અમારા પોતાના હોય છે. મારા માતા-પિતા શું કહે? કયા માતા-પિતા પોતાના બાળકોને કંઈ કહેશે?</p><h4 style="text-align: justify; "><b>2016માં ગૌરવ અને આકાંક્ષાના લગ્ન થયા હતા</b></h4><p style="text-align: justify; ">આકાંક્ષા ચમોલાએ વર્ષ 2016માં ગૌરવ ખન્ના સાથે લગ્ન કર્યા હતા. જોકે, તેમનો સંબંધ એક દાયકો પણ ટકી શક્યો નહીં. બંને 1 વર્ષથી અલગ રહે છે. લોક અપ સીઝન 2માં આકાંક્ષાએ પોતે આ વાતનો ખુલાસો કર્યો હતો. આ ઉપરાંત અભિનેત્રીએ પોતાની બાયસેક્સ્યુઅલ ઓળખ વિશે પણ જણાવ્યું હતું. આ ખુલાસા બાદ ઘણી ચર્ચા થઈ હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/cid-show-closed-reason-dayanand-shetty-lata-mangeshkar" target="_blank">આ પણ વાંચો-TV Show : કેમ અચાનક બંધ થયો હતો CID? દયાએ વર્ષો બાદ ખોલ્યું રહસ્ય, કહ્યું- લતા મંગેશકરે શો બચાવવા લડી હતી લડાઈ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/26/CdRobEOEOGbObOcoe8MpeYaxXHaQlcvtkd2gBvcj.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : 2030 Commonwealth Games માટે એક્શનમાં સરકાર, અમિત શાહની અધ્યક્ષતામાં કાલે બેઠક ]]></title><link>https://sandesh.com/gujarat/news/sports/ahmedabad/ahmedabad-news-government-in-action-for-2030-commonwealth-games-meeting-chaired-by-amit-shah-tomorrow</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/sports/ahmedabad/ahmedabad-news-government-in-action-for-2030-commonwealth-games-meeting-chaired-by-amit-shah-tomorrow</guid><pubDate>Wed, 26 Aug 2026 17:16:51 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતને વૈશ્વિક રમતગમતનું હબ બનાવવાના વિઝન સાથે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 અને ભવિષ્યમાં યોજાનારા ઓલિમ્પિક્સના આયોજન માટેના રોડમેપ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય સ્તરની 'વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ'ના સફળ આયોજન માટેની માળખાકીય સુવિધાઓ અને રાજ્યની સજ્જતા અંગે પણ વિગતવાર માહિતી મેળવી સમીક્ષા કરવામાં આવી હતી.</p><h2><b>કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં કાલે હાઇ-લેવલ મીટિંગ</b></h2><p>આ તમામ તૈયારીઓને વધુ ગતિ આપવા માટે આવતીકાલે અમદાવાદ એનરેક્સી સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાશે. આ બેઠકમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓ અને રમતગમત વિભાગના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ખેલાડીઓની સુવિધાઓ, સુરક્ષા વ્યવસ્થા અને લોજિસ્ટિક્સ પ્લાનિંગ અંગે અમિત શાહ દ્વારા વિસ્તૃત સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે, જે ભારતની દાવેદારીને વૈશ્વિક મંચ પર વધુ મજબૂત બનાવશે.</p><h2><b>ઓલિમ્પિક્સ અને CWG મેજબાની માટે ગુજરાતનો માસ્ટરપ્લાન</b></h2><p>ભારતમાં વિશ્વસ્તરીય રમતગમતના આયોજન માટે અમદાવાદ અને ગાંધીનગરને મુખ્ય સેન્ટર તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. સરદાર પટેલ સ્પોર્ટ્સ એનક્લેવ સહિતની અત્યાધુનિક પાયાની સુવિધાઓ આ વૈશ્વિક સ્પર્ધાઓ માટે સજ્જ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રીની આ સમીક્ષા બેઠકથી મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના આયોજન માટેની કામગીરીને નવી ઊર્જા મળશે. આ તૈયારીઓ ભારતની ઓલિમ્પિક્સ અને કોમનવેલ્થ ગેમ્સ જેવી મોટી સ્પર્ધાઓની મેજબાની કરવાની વ્યાપક ક્ષમતા દર્શાવે છે.</p><p><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/rajkot/accident-near-raiya-telephone-exchange-in-rajkot-a-young-man-crossing-the-brts-road-was-hit-by-a-city-bus" target="_blank">Rajkotમાં રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે અકસ્માત, BRTS રોડ ક્રોસ કરતા યુવકને સિટી બસે અડફેટે લીધો</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/26/H68NkMlE5om42tvOiKCQXzvukLqLhFLn28OZxRzu.webp'/></item></channel></rss>