<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Gandhinagar News: આધુનિક સંશોધનોનો ઉપયોગ તબીબો દર્દીઓની વધુ ઉત્કૃષ્ટ અને અસરકારક સારવાર માટે કરશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/cidscon-2026-focuses-on-amr-and-advanced-medical-research</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/cidscon-2026-focuses-on-amr-and-advanced-medical-research</guid><pubDate>Sat, 22 Aug 2026 21:35:56 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વિશ્વભરમાં ઝડપથી ફેલાઈ રહેલા ચેપી રોગો અને એન્ટિબાયોટિક્સને બેઅસર બનાવતા એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ-AMRના સાયલન્ટ ખતરા સામે લડવા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે તબીબી જગતનું વૈજ્ઞાનિક મંથન શરૂ કરવામાં આવ્યું છે.જે અંતર્ગત ક્લિનિકલ ઇન્ફેક્શિયસ ડિસીઝ સોસાયટી-CIDS દ્વારા આયોજિત ૧૬મી વાર્ષિક પરિષદ Clinical Infectious Diseases Society Conference-CIDSCON 2026નું ઉદ્ઘાટન આજે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.આ આંતરરાષ્ટ્રીય પરિસંવાદની મુખ્ય થીમ “Addressing AMR:From Awareness to Action રાખવામાં આવી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>એન્ટીબાયોટીક્સનો આડેધડ વપરાશ મોટુ જોખમ</b></h2><p style="text-align: justify; ">નાના ક્લિનિક્સ અને તબીબો દ્વારા નાની-મોટી બીમારીઓમાં હાઇ-ડોઝ કે વધારે પાવરવાળી એન્ટીબાયોટીક્સ લખવાના વલણ પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે,એન્ટીબાયોટીક્સનો આડેધડ વપરાશ ભવિષ્યમાં જનસ્વાસ્થ્ય માટે મોટો ખતરો બની શકશે. આ સમસ્યાના નિવારણ અર્થે રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં એલોપેથિક, આયુર્વેદિક અને હોમિયોપેથિક સહિત તમામ તબીબી પદ્ધતિના ડોક્ટરોને સાંકળીને રાજ્યવ્યાપી જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવશે.</p><h3 style="text-align: justify; "><b>ફાર્માસિસ્ટ્સ અને પ્રત્યેક નાગરિકની સહિયારી જવાબદારી</b></h3><p style="text-align: justify; ">મંત્રી પાનશેરીયાએ જણાવ્યું હતું કે,તબીબી સલાહ વિના જાતે દવાઓ લેવાની ટેવના કારણે ન્યુમોનિયા અને યુરીનરી ઇન્ફેક્શન જેવા સામાન્ય રોગોમાં પણ એન્ટીબાયોટીક્સ દવાઓની અસર મનુષ્યના શરીરમાં ઘટી રહી છે. દર્દીઓ એન્ટીબાયોટીકનો કોર્સ અધૂરો ન છોડે તે માટે તેમને જાગૃત કરવા ડોક્ટરોને મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આહ્વાન કર્યું હતું.એન્ટીમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ સામેની લડાઈ એ માત્ર આરોગ્ય વિભાગ પૂરતી સીમિત નથી, પરંતુ રાજ્યના તમામ તબીબો, હોસ્પિટલો, ફાર્માસિસ્ટ્સ અને પ્રત્યેક નાગરિકની સહિયારી જવાબદારી છે.</p><h2 style="text-align: justify; "><b>મોનિટરિંગને વધુ સઘન અને અસરકારક બનાવાશે</b></h2><p style="text-align: justify; ">હોસ્પિટલોમાં ‘એન્ટીમાઇક્રોબાયલ સ્ટેવાર્ડશિપ’ અને ઇન્ફેક્શન કંટ્રોલ સિસ્ટમને વધુ મજબૂત બનાવવી આજના સમયની મુખ્ય જરૂરિયાત છે. રાજ્યમાં રોગોના આગોતરા નિયંત્રણ માટે ‘ગુજરાત સ્ટેટ AMR સર્વેલન્સ નેટવર્ક’ અને ‘AMR ડેશબોર્ડ’ જેવા આધુનિક ડિજિટલ માધ્યમો દ્વારા પૂર્વ-ચેતવણી સર્વેલન્સ તથા પ્રયોગશાળા આધારિત મોનિટરિંગને વધુ સઘન અને અસરકારક બનાવવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક તંદુરસ્તીની અગત્યતા પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કોરોના જેવા વૈશ્વિક સંક્રમણો અને આધુનિક જીવનશૈલીના તણાવ વચ્ચે માનસિક રીતે મજબૂત બનવું ખૂબ જરૂરી છે.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/surat/food-department-seals-two-hotels-in-kamrej-over-poor-hygiene" target="_blank">આ પણ વાંચોઃ Surat News: કામરેજમાં હાઈજીનના અભાવે ફૂડ વિભાગે બે હોટલો સીલ કરી દીધી,ખાણીપીણીના એકમોમાં ફફડાટ</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/22/tL3RinwYOsQSCe8JGb9ckcosv0QdBo6Z4aFKBLgr.webp'/></item><item><title><![CDATA[Rajkotમાં મહિલાનો ‘U-Turn’ ભારે પડ્યો! એક્ટિવા સીધી દુકાનમાં ઘૂસી, CCTV સામે આવ્યું ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/womans-u-turn-in-rajkot-goes-wrong-activa-drives-straight-into-shop-cctv-catches-it</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/womans-u-turn-in-rajkot-goes-wrong-activa-drives-straight-into-shop-cctv-catches-it</guid><pubDate>Sat, 22 Aug 2026 21:33:43 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ શહેરમાં વાહન શીખવા દરમિયાન બનતી ઘટનાઓ અવારનવાર ચર્ચાનો વિષય બનતી હોય છે. તાજેતરમાં શહેરના ગોવિંદબાગ શાકમાર્કેટ પાસે એક મહિલા એક્ટિવા ચલાવવાનું શીખી રહી હતી ત્યારે અકસ્માતની એક વિચિત્ર ઘટના સામે આવી છે. લોકમુખે બોલાતી રમૂજી કહેવત 'મહિલા એક્ટિવા શીખતી હોય ત્યારે આસપાસ ન રહેવાય' અહીં અક્ષરશઃ સાચી ઠરી હોય તેમ મહિલાએ યુ-ટર્ન મારતી વખતે એક્ટિવા પરથી કાબુ ગુમાવી દીધો હતો.</p><h2 style="text-align: justify; "><b>એક્ટિવા સીધું દુકાનના શટરમાં ઘુસાડી દેતાં મહિલા ઊંધે માથે પછડાયા</b></h2><p style="text-align: justify; ">મહિલા વાહનચાલકે રોડ પર માંડ માંડ યુ-ટર્ન તો લીધો, પરંતુ લીવર પરથી કાબુ છૂટી જતાં એક્ટિવા સીધું રોડ કિનારે આવેલી એક દુકાન તરફ ધસી ગયું હતું. પૂરપાટ ઝડપે ધસી ગયેલું એક્ટિવા દુકાનના બંધ શટર સાથે જોરદાર ધડાકા સાથે ભટકાયું હતું. અકસ્માત એટલો ઝડપી હતો કે શટર સાથે ભટકાતાં જ મહિલા એક્ટિવા પરથી ઊંધે માથે જમીન પર પછડાયા હતા. આ આખી ઘટના દુકાન નજીક લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/sandeshnews/status/2091161989246824614?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2 style="text-align: justify; "><b>સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ</b></h2><p style="text-align: justify; ">આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વીડિયો જોઈને લોકો જાતજાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. સદનસીબે આ જોખમી ઘટનામાં મહિલાનો આબાદ બચાવ થયો હતો અને કોઈ મોટી જાનહાનિ ટળી ગઈ હતી. જાહેર રસ્તાઓ કે શાકમાર્કેટ જેવા ભીડભાડવાળા વિસ્તારોમાં યોગ્ય તાલીમ કે સુરક્ષા વગર વાહન ચલાવતા શીખવું કેટલું જોખમી સાબિત થઈ શકે છે તે આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-polices-red-eye-41-high-profile-criminals-arrested-and-15-extradited-in-11-days" target="_blank">Ahmedabad પોલીસની લાલ આંખ, 11 દિવસમાં 41 માથાભારે ગુનેગારો પર પાસા અને 15 સામે તડીપારની કાર્યવાહી</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/22/jMe7jdcYMFcEzIDx16KP4xO0EqPFk62IdhHqdmRE.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: ઈદ-એ-મિલાદને પગલે પોલીસ એક્શનમાં, રખિયાલ અને બાપુનગરમાં યોજાયું ફુટ પેટ્રોલિંગ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/police-foot-patrolling-eid-e-milad-rakhiyal-bapunagar</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/police-foot-patrolling-eid-e-milad-rakhiyal-bapunagar</guid><pubDate>Sat, 22 Aug 2026 21:30:16 +05:30</pubDate><description><![CDATA[<p>આગામી પવિત્ર ઈદ-એ-મિલાદના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ તંત્ર એ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે પૂર્વ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તહેવાર દરમિયાન શહેરમાં શાંતિ, ભાઈચારો અને સલામતીનો માહોલ જળવાઈ રહે તે હેતુથી અમદાવાદ શહેરના સંવેદનશીલ અને જુલૂસના માર્ગો પર પોલીસે વિશેષ ફુટ પેટ્રોલિંગનું આયોજન કર્યું હતું.</p><h2><b>રખિયાલ અને બાપુનગરમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનું પેટ્રોલિંગ</b></h2><p>ઈદ-એ-મિલાદ પ્રસંગે નીકળનારા જુલૂસના નિર્ધારિત રૂટ પર પોલીસ કાફલાએ રૂબરૂ ઉતરીને નિરીક્ષણ કર્યું હતું. ખાસ કરીને રખિયાલ અને બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા વિસ્તારોમાં પોલીસે સંયુક્ત ફુટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ પેટ્રોલિંગમાં 1 DCP, 1 ACP, 5 PI, 10 PSI અને 100 થી વધુ પોલીસ કર્મચારીઓ જોડાતા સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો.</p><p><img alt="Ahmedabad News: Police Conducts Foot Patrol Ahead of Eid-e-Milad" src="https://epapercdn.sandesh.com/images/2026/08/22/LTKagrRHRpIThl5Tmo73fot4DoRrgDMPgOy33Udo.webp" style="width: 100%;"><br></p><h2><b>શાંતિ સમિતિ અને મોહલ્લા સમિતિઓ સાથે યોજાઈ બેઠક</b></h2><p>કોઈપણ પ્રકારની અફવા કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ વહીવટી તંત્ર એ સ્થાનિક આગેવાનો સાથે મળીને પૂર્વ આયોજન કર્યું છે. તહેવાર શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ અધિકારીઓએ શાંતિ સમિતિ અને મોહલ્લા સમિતિના સભ્યો સાથે ખાસ બેઠક યોજી હતી. જેમાં તમામ નાગરિકોને તહેવારની ઉજવણી દરમિયાન કાયદાનું પાલન કરવા અને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/breakingnews/bhavnagar/one-more-person-lost-his-life-in-bhavnagar-fake-liquor-case-death-toll-reaches-12" target="_blank">ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો, મૃત્યુઆંક 12 થયો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/22/MJm5ov4dRnoZy5sRHgOs3xK6mMWfYSWEzdpj03Ml.webp'/></item><item><title><![CDATA[PM મોદીએ BJPની નવી 65 સભ્યોની ટીમ સાથે કરી મુલાકાત, ચૂંટણીની તૈયારીઓ પર ચર્ચા ]]></title><link>https://sandesh.com/india/news/pm-modi-meets-bjp-new-65-member-team-election-preparations</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/pm-modi-meets-bjp-new-65-member-team-election-preparations</guid><pubDate>Sat, 22 Aug 2026 21:27:53 +05:30</pubDate><description><![CDATA[<p>નવી દિલ્હીમાં શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BJPની નવી રાષ્ટ્રીય ટીમ સાથે મુલાકાત કરી હતી. BJP અધ્યક્ષ નીતિન નવીને 17 ઓગસ્ટે 65 સભ્યોની નવી ટીમની જાહેરાત કર્યા બાદ આ પ્રથમ મુલાકાત હતી. બેઠક BJPના મુખ્યાલયમાં યોજાઈ હતી.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/narendramodi/status/2091171507246641543"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>સંગઠનની બેઠકોમાં નવા વિચારો અને નવા દૃષ્ટિકોણ સામે આવે છે</b></h2><p>મુલાકાત બાદ PM મોદીએ સોશિયલ મીડિયા પર બેઠકની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે સંગઠનની બેઠકોમાં નવા વિચારો અને નવા દૃષ્ટિકોણ સામે આવે છે. તેનો મુખ્ય હેતુ પાર્ટીને વધુ મજબૂત બનાવવાનો અને લોકો સાથે જોડાણ વધારવાનો છે. આ અગાઉ નીતિન નવીને પાર્ટીના નવા પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમાં સંગઠનની વ્યૂહરચના અને આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને ગ્રાઉન્ડ લેવલ પર સંગઠન મજબૂત બનાવવા અને સરકારની યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.</p><h3><b>'યુવા સંવાદ'ને પ્રાથમિકતા આપવાની તૈયારી</b></h3><p>BJP હવે યુવાનો સાથે સંપર્ક વધારવા માટે 'યુવા સંવાદ'ને પ્રાથમિકતા આપવાની તૈયારીમાં છે. પાર્ટીનું ફોકસ 14 વર્ષ અને તેથી વધુ ઉંમરના યુવાનો, ખાસ કરીને Gen Z અને Gen Alpha પર રહેશે. આ માટે દેશભરમાં વરિષ્ઠ નેતાઓની અલગ-અલગ ટીમો બનાવવાની તૈયારી છે. ભારતીય જનતા યુવા મોરચા આ અભિયાનમાં મદદ કરશે. BJPની નવી ટીમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને પણ મહત્વપૂર્ણ જવાબદારી આપવામાં આવી છે. RSSની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય રહી ચૂકેલા રામ માધવની પણ સંગઠનમાં વાપસી થઈ છે.</p><h4><b>'વંદે માતરમ્'ને લઈને પણ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો</b></h4><p>આ દરમિયાન બેઠકમાં 'વંદે માતરમ્'ને લઈને પણ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. BJPએ કોંગ્રેસના કાર્યક્રમોમાં રાષ્ટ્રગીતની માત્ર પ્રથમ બે પંક્તિ ગાવાના નિર્ણયની ટીકા કરી હતી. BJPએ કહ્યું કે રાજકીય સુવિધા અથવા તુષ્ટિકરણ માટે રાષ્ટ્રગીતના સન્માન સાથે સમાધાન ન થવું જોઈએ. આગામી દિવસોમાં પાર્ટી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ સક્રિય બનાવવાની દિશામાં આગળ વધશે.<br><br><b><a href="https://sandesh.com/india/news/abhijeet-dipke-5-booked-government-school-inspection-latur" target="_blank">આ પણ વાંચો : Abhijeet Dipke સહિત 5 લોકો સામે કેસ દાખલ, સરકારી શાળા પર દેખાડો કરવાના લગાવ્યા આરોપ</a></b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/22/gXa5I4TMIflJMRtTQsnFwQmMqnLvF2TY9NU4uiUU.webp'/></item><item><title><![CDATA[Bharuch News: જંબુસરની સારોદ હાઇસ્કૂલમાં બાળકો પાસે સફાઈ કરાવવાનો વીડિયો વાયરલ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/food-department-seals-two-hotels-in-kamrej-over-poor-hygiene</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/food-department-seals-two-hotels-in-kamrej-over-poor-hygiene</guid><pubDate>Sat, 22 Aug 2026 21:25:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલી સારોદ ગામની સાર્વજનિક હાઇસ્કૂલ વિવાદના વંટોળમાં સપડાઈ છે. શાળામાં અભ્યાસ કરતા નાના વિદ્યાર્થીઓ પાસે શાળા પરિસરની સફાઈ કરાવવામાં આવતી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. વાયરલ થયેલા વીડિયોમાં શાળાના બાળકો પોતાના હાથમાં સાવરણા અને સફાઈના સાધનો લઈને સફાઈ કામગીરી કરતા નજરે પડી રહ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>માસૂમ વિદ્યાર્થીઓ પાસે મજૂરી જેવી કામગીરી&nbsp;</b></h2><p style="text-align: justify; ">સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજ્ય સરકાર દ્વારા દરેક ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓને સફાઈ કામગીરી તેમજ મકાન સમારકામ માટે ચોક્કસ સરકારી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. આમ છતાં, શાળા પ્રશાસન દ્વારા સફાઈ કર્મચારીઓ રાખવાના બદલે માસૂમ વિદ્યાર્થીઓ પાસે મજૂરી જેવી કામગીરી કરાવવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. સરકારી ગ્રાન્ટ મળવા છતાં બાળકો પાસે આ પ્રકારે કામ કરાવવું એ શિક્ષણ ધામની મર્યાદા પર સવાલો ઊભા કરે છે.</p><h3 style="text-align: justify; "><b>જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અને બાળ મજૂરી પ્રતિબંધનો કાયદો</b></h3><p style="text-align: justify; ">આ સમગ્ર મામલે સારોદ ગામના જાગૃત નાગરિક અકરમ સઈદ બાપાએ આકરી ટીકા કરી છે અને સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી (DEO)ને વિધિવત લેખિત ફરિયાદ સોંપી છે. ફરિયાદમાં જણાવાયું છે કે માસૂમ બાળકો પાસે સફાઈ કરાવવી એ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અને બાળ મજૂરી પ્રતિબંધ સંબંધિત કાયદાઓનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. તેમણે આ મામલે તાત્કાલિક અસરથી તટસ્થ તપાસ સમિતિ નીમીને શાળાના જવાબદાર સંચાલકો તથા શિક્ષકો સામે કાયદેસરની આકરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.</p><h2 style="text-align: justify; "><b>રાજ્ય સરકારના શિક્ષણના સ્તરને ઊંચું લાવવા પ્રયાસો</b></h2><p style="text-align: justify; ">આ ઉપરાંત, અરજીમાં શાળાને મળતી સરકારી સફાઈ ગ્રાન્ટ અને સમારકામ ગ્રાન્ટનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થઈ રહ્યો છે તે અંગે પણ નાણાકીય તપાસ કરવાની રજૂઆત કરવામાં આવી છે. એક તરફ રાજ્ય સરકાર શિક્ષણના સ્તરને ઊંચું લાવવા પ્રયાસો કરી રહી છે ત્યારે બીજી તરફ આવી ઘટનાઓ સામે આવતાં વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે આ ચર્ચિત કેસમાં ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શું તપાસ હાથ ધરવામાં આવે છે અને કસૂરવારો સામે કેવા પગલાં લેવાય છે તેના પર સૌની નજર ટકેલી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/surat/food-department-seals-two-hotels-in-kamrej-over-poor-hygiene" target="_blank">આ પણ વાંચોઃ Surat News: કામરેજમાં હાઈજીનના અભાવે ફૂડ વિભાગે બે હોટલો સીલ કરી દીધી,ખાણીપીણીના એકમોમાં ફફડાટ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/22/bTSE5Qu2NxlKle8QlOeFFwGzt8sssn090OVevzdM.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ VC નીરજા ગુપ્તા સામે 40 કરોડની ગ્રાન્ટ અને નાણાકીય કૌભાંડનો આક્ષેપ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-university-former-vc-neerja-gupta-grant-scam-forex-transfer-son-account</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-university-former-vc-neerja-gupta-grant-scam-forex-transfer-son-account</guid><pubDate>Sat, 22 Aug 2026 20:45:47 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ (VC) નીરજા ગુપ્તાના શાસનકાળ દરમિયાન થયેલી ગેરરીતિઓ અને કૌભાંડોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. અગાઉ ચર્ચાસ્પદ બનેલા ભરતી કૌભાંડનો વિવાદ હજુ શાંત થયો નથી, ત્યાં જ કેન્દ્ર સરકાર તરફથી મળેલી કરોડો રૂપિયાની ગ્રાન્ટમાં નાણાકીય ગોટાળા કર્યાનું વધુ એક સળગતું પ્રકરણ સપાટી પર આવ્યું છે.</p><h3><b>GUના પૂર્વ VC નીરજા ગુપ્તાનું વધુ એક કારસ્તાન</b></h3><p>મળતી વિગતો અનુસાર, 15 સપ્ટેમ્બરના રોજ નીરજા ગુપ્તાએ યુનિવર્સિટીની સર્વોચ્ચ કારોબારી સમિતિ 'સિન્ડિકેટ'માં કોઈ પણ પ્રકારની ચર્ચા કે મંજૂરી લીધા વિના જ પોતાની જાતે 'પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર'ના હોદ્દા પર નિમણૂક કરી દીધી હતી. નીરજા ગુપ્તાને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે દર મહિને રૂ. 2.50 લાખનો સત્તાવાર પગાર ચૂકવવામાં આવતો હતો. તેમ છતાં, તેમણે કેન્દ્ર સરકારના પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ (PMJVK) હેઠળ યુનિવર્સિટીને ફાળવવામાં આવેલી રૂ. 40 કરોડની ગ્રાન્ટ પોતાના ખાતામાં જમા લઈ લીધી હતી.</p><h2><b>યુનિવર્સિટી વર્તુળોમાં ભારે રોષ અને ચર્ચા</b></h2><p>પોતે જ પોતાની જાતને પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર બનાવીને તે હોદ્દા પેટે રૂ. 4.20લાખનો વધારાનો પગાર મેળવ્યો હતો.કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી જર્મનીમાં રહેતા પોતાના પુત્રના બેંક ખાતામાં રૂ. 9.84 લાખની રકમ ફોરેક્સ (વિદેશી હૂંડિયામણ) મારફતે ટ્રાન્સફર કરવામાં આવી હતી.રાજ્યની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત યુનિવર્સિટીના પૂર્વ વડા દ્વારા પોતાના અંગત લાભ માટે આચરવામાં આવેલા આ કારસ્તાનને કારણે યુનિવર્સિટી વર્તુળોમાં ભારે રોષ અને ચર્ચા જાગી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/rakhial-police-raid-519-gram-ganja-seized-two-arrested" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: રખિયાલમાં પોલીસે 519.8 ગ્રામ ગાંજા સાથે મહિલા સહિત બે આરોપીઓને ઝડપ્યા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/22/GFfkkwUimckYSgcfpkPiCNu1HuMxuYLDQpZqc050.webp'/></item><item><title><![CDATA[Abhijeet Dipke સહિત 5 લોકો સામે કેસ દાખલ, સરકારી શાળા પર દેખાડો કરવાના લગાવ્યા આરોપ ]]></title><link>https://sandesh.com/india/news/abhijeet-dipke-5-booked-government-school-inspection-latur</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/abhijeet-dipke-5-booked-government-school-inspection-latur</guid><pubDate>Sat, 22 Aug 2026 19:29:32 +05:30</pubDate><description><![CDATA[<p>મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના ઔસા ખાતે સરકારી શાળાની વ્યવસ્થાને લઈને શરૂ થયેલો વિવાદ હવે પોલીસ કાર્યવાહી સુધી પહોંચ્યો છે. ‘સ્કૂલ ઠીક કરો’ અભિયાન હેઠળ શાળાનું નિરીક્ષણ કરવા પહોંચેલા કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સંસ્થાપક અભિજીત દીપકે સહિત પાંચ લોકો સામે પોલીસે કેસ નોંધ્યો છે. શિક્ષકોની ફરિયાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/abhijeet_dipke/status/2090373107249012771"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p>મળતી માહિતી મુજબ, અભિજીત દીપકેએ શાળાની મુલાકાત દરમિયાન મધ્યાહન ભોજનની વ્યવસ્થાને લઈને સવાલો ઉઠાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે બાળકોને ભોજન પીરસવા માટે નવી પ્લેટો લાવવામાં આવી હતી અને શાળા પ્રશાસનને તેમના નિરીક્ષણની જાણ થયા બાદ જ આ પ્લેટો મગાવવામાં આવી હતી.</p><h2><b>અન્ય શાળાના વિદ્યાર્થીઓને બોલાવવાની જરૂર શા માટે પડી?</b></h2><p>દીપકેએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે ભોજન માટે બેઠેલા કેટલાક બાળકો તે શાળાના વિદ્યાર્થીઓ નહોતા. તેમના દાવા મુજબ, નિરીક્ષણ દરમિયાન બીજી એક સ્કૂલમાંથી બાળકોને બોલાવવામાં આવ્યા હતા અને તેમને લગભગ એક કલાક સુધી શાળા પરિસરમાં બેસાડવામાં આવ્યા હતા. તેમણે સવાલ કર્યો હતો કે જો શાળામાં તમામ વ્યવસ્થા યોગ્ય હતી તો નવા વાસણો લાવવાની અને અન્ય શાળાના વિદ્યાર્થીઓને બોલાવવાની જરૂર શા માટે પડી?</p><h3><b>પરવાનગી વિના શાળા પરિસરમાં પ્રવેશ કર્યો</b></h3><p>બીજી તરફ, શિક્ષકોએ પોલીસ ફરિયાદમાં ગંભીર આક્ષેપો કર્યા છે. ફરિયાદ મુજબ, અભિજીત દીપકે અને તેમની સાથે આવેલા લોકોએ પરવાનગી વિના શાળા પરિસરમાં પ્રવેશ કર્યો હતો. તેમણે વર્ગખંડોમાં જઈ વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછ્યા અને તેમના ફોટા પણ લીધા હોવાનો આરોપ છે. શિક્ષકોએ એવો પણ દાવો કર્યો કે વાંધો ઉઠાવતાં તેમની સાથે કથિત રીતે ગેરવર્તન કરવામાં આવ્યું અને સસ્પેન્ડ કરવાની ધમકી આપવામાં આવી. ફરિયાદના આધારે ઔસા પોલીસે અભિજીત દીપકે, અજિંક્ય શિંદે સહિત પાંચ લોકો સામે કેસ નોંધ્યો છે. હવે પોલીસ સમગ્ર મામલે બંને પક્ષના આક્ષેપોની તપાસ કરી રહી છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/jaipur-ed-searches-foreign-funds-without-fcra-registration-2-20-crore" target="_blank">આ પણ વાંચો : Jaipur : FCRA રજિસ્ટ્રેશન વિના રૂપિયા 2.20 કરોડનું વિદેશી ફંડ મળ્યાની માહિતી, EDએ બે સ્થળે દરોડા પાડ્યા</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/22/bqa8KK5Msbj7VH1jtyhbPSnNTa2BNyNphDVuXUQ2.webp'/></item><item><title><![CDATA[Fixed Deposit: બેન્કમાં FD કરાવનારાઓ માટે મોટી ખબર! RBIએ બદલી દીધા બેન્ક ડિપોઝિટના નિયમ ]]></title><link>https://sandesh.com/business/news/rbi-new-fd-rules-from-oct-1--same-interest-rate-for-all-customers</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/rbi-new-fd-rules-from-oct-1--same-interest-rate-for-all-customers</guid><pubDate>Sat, 22 Aug 2026 18:36:31 +05:30</pubDate><description><![CDATA[<p>Fixed Deposit: જો તમે તમારી બચત ફિક્સ્ડ ડિપોઝિટ (FD) માં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ બેંક ડિપોઝિટ વ્યાજ દરોને નિયંત્રિત કરતા નિયમોમાં નોંધપાત્ર ફેરફારો રજૂ કર્યા છે. RBI નો આ નવો નિર્દેશ 1 ઓક્ટોબર, 2026 થી દેશભરની બધી બેંકોમાં અમલમાં આવશે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય બેંક FD વ્યાજ દરોમાં સંપૂર્ણ પારદર્શિતા સુનિશ્ચિત કરવાનો અને બધા ગ્રાહકોને સમાન તકો અને લાભો પૂરા પાડવાનો છે.</p><p>RBI દ્વારા જારી કરાયેલી નવી એડવાઇઝરી મુજબ બેંકોને હવે એક જ બેંકની વિવિધ શાખાઓમાં વ્યાજ દરો અંગે ગ્રાહકો વચ્ચે ભેદભાવ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જો બે ગ્રાહકો એક જ દિવસે સમાન રકમ અને મુદત માટે FD ખોલે છે, અને સમાન શરતો હેઠળ બેંક તેમને અલગ-અલગ વ્યાજ દરો ઓફર કરી શકશે નહીં. બીજા શબ્દોમાં કહીએ તો ફક્ત શહેર અથવા બેંક શાખાના આધારે અલગ અલગ દરો મેળવવાની શક્યતા સંપૂર્ણપણે દૂર થઈ જશે. જેનાથી સામાન્ય ગ્રાહકોને સમાન અને વાજબી વ્યાજ દરો મળે છે.</p><p><br></p><h4><b>વેબસાઇટ પર સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવશે</b></h4><p>નવા નિયમો અનુસાર, બેંકોએ હવે તેમની સત્તાવાર વેબસાઇટ પર લાગુ પડતા તમામ FD વ્યાજ દરો અંગે વ્યાપક માહિતી અગાઉથી ઉપલબ્ધ કરાવવી જરૂરી છે. આનાથી ગ્રાહકોને બેંક શાખાઓમાં જવાની જરૂરિયાત ઓછી થશે. લોકો તેમના ઘરના આરામથી વિવિધ મુદત અને થાપણ રકમ માટે આપવામાં આવતા વ્યાજ દરો સરળતાથી ચકાસી શકશે, જેનાથી વિવિધ બેંકોમાં FD દરોની તુલના કરવાનું ખૂબ સરળ બનશે.</p><p><br></p><h4><b>છૂટક રોકાણકારો દ્વારા રાખવામાં આવેલી હાલની FD પર શું અસર પડશે?</b></h4><p>RBI એ સ્પષ્ટતા કરી છે કે ₹3 કરોડથી ઓછી રકમની FD ધરાવતા છૂટક રોકાણકારોએ આ ફેરફારો વિશે ચિંતા કરવાની જરૂર નથી. નવા નિયમોના અમલીકરણનો અર્થ એ નથી કે 1 ઓક્ટોબરથી તમારા FD વ્યાજ દરો આપમેળે વધશે અથવા ઘટશે. તમારી હાલની FD ના વ્યાજ દરોમાં કોઈ મધ્ય-ગાળાના ફેરફારો થશે નહીં. RBI અનુસાર, ₹3 કરોડ કે તેથી વધુ રકમની એક જ થાપણને 'બલ્ક ડિપોઝિટ' તરીકે વર્ગીકૃત કરવામાં આવશે, જેના માટે અલગ નિયમો લાગુ થશે.</p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/world/news/china-bans-foreign-climbers-from-tibet-peaks-including-everest-north-side" target="_blank"><b>China: પહાડો પર આતશબાજીથી ભડક્યું ચીન, વિદેશી પર્વતારોહકો માટે બંધ કર્યું માઉન્ટ એવરેસ્ટ અને તિબ્બતના રસ્તા</b></a></p><p><br></p><p><br></p><p><br></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/22/MGXMZ9Q7WZWZqm91gfVVWqBNURoKf4sJ5au6CmPr.webp'/></item><item><title><![CDATA[Emraan Hashmiની આ 5 બ્લોકબસ્ટર ફિલ્મોએ સિનેમાઘરોમાં મચાવ્યો હતો તરખાટ, કરી હતી રેકોર્ડતોડ કમાણી! ]]></title><link>https://sandesh.com/entertainment/news/emraan-hashmi-top-5-hits-awarapan-2</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/emraan-hashmi-top-5-hits-awarapan-2</guid><pubDate>Sat, 22 Aug 2026 17:50:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડના લોકપ્રિય અભિનેતા ઈમરાન હાશ્મી હાલમાં ફિલ્મ આવારાપન 2ને લઈને ચર્ચામાં છે. 14 ઓગસ્ટે રિલીઝ થયેલી તેમની આ ફિલ્મ પહેલા દિવસથી જ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. રિલીઝના 9 દિવસ બાદ પણ ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને સિનેમાઘરોમાં તેના શોની માંગ યથાવત છે.</p><h2 style="text-align: justify; "><b>ધ ડર્ટી પિક્ચર</b></h2><p style="text-align: justify; ">ધ ડર્ટી પિક્ચર વર્ષ 2011માં રિલીઝ થયેલી જીવનકથા આધારિત ડ્રામા ફિલ્મ છે, જેનું દિગ્દર્શન મિલન લુથરિયાએ કર્યું હતું. એકતા કપૂર અને શોભા કપૂરે તેનું નિર્માણ કર્યું હતું. ફિલ્મમાં વિદ્યા બાલન, ઈમરાન હાશ્મી, નસીરુદ્દીન શાહ અને તુષાર કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. 'ધ ડર્ટી પિક્ચર'ને દર્શકો અને સમીક્ષકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. સેકનિલ્કના અહેવાલ મુજબ, ધ ડર્ટી પિક્ચરએ દુનિયાભરમાં 116.55 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ જિયો હોટસ્ટાર પર ઉપલબ્ધ છે.</p><h3 style="text-align: justify; "><b>મર્ડર 2</b></h3><p style="text-align: justify; ">વર્ષ 2011માં રિલીઝ થયેલી મર્ડર 2 મનોવૈજ્ઞાનિક ક્રાઇમ થ્રિલર ફિલ્મ છે, જેનું દિગ્દર્શન મોહિત સૂરીએ કર્યું હતું. ફિલ્મમાં ઈમરાન હાશ્મી, જેકલીન ફર્નાન્ડિઝ અને પ્રશાંત નારાયણન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મમાં ઈમરાન હાશ્મીએ અર્જુન ભગવતનું પાત્ર ભજવ્યું હતું, જે ભૂતપૂર્વ પોલીસ અધિકારી છે. બોક્સ ઓફિસ પર પણ ફિલ્મે સારો દેખાવ કર્યો હતો. સેકનિલ્કના આંકડા મુજબ, 'મર્ડર 2'એ દુનિયાભરમાં આશરે 67.59 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ તમે એમેઝોન પ્રાઇમ વીડિયો પર જોઈ શકો છો.</p><h4 style="text-align: justify; "><b>જન્નત</b></h4><p style="text-align: justify; ">જન્નત 16 મે 2008ના રોજ રિલીઝ થયેલી હિન્દી રોમેન્ટિક ક્રાઇમ ડ્રામા ફિલ્મ છે. તેનું દિગ્દર્શન કુણાલ દેશમુખે કર્યું હતું અને મુકેશ ભટ્ટે તેનું નિર્માણ કર્યું હતું. ફિલ્મમાં ઈમરાન હાશ્મી અને સોનલ ચૌહાણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મમાં ઈમરાને અર્જુન દીક્ષિત અને સોનલે ઝોયાનું પાત્ર ભજવ્યું હતું. સેકનિલ્કના અહેવાલ મુજબ, જન્નતએ દુનિયાભરમાં 40.39 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ નેટફ્લિક્સ અને પ્રાઇમ વીડિયો પર ઉપલબ્ધ છે.</p><h3 style="text-align: justify; "><b>રાજ 3: ધ થર્ડ ડાયમેન્શન</b></h3><p style="text-align: justify; ">રાજ 3: ધ થર્ડ ડાયમેન્શન વર્ષ 2012માં રિલીઝ થયેલી હિન્દી સુપરનેચરલ હોરર-થ્રિલર ફિલ્મ છે, જેનું દિગ્દર્શન વિક્રમ ભટ્ટે કર્યું હતું. મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટ ફિલ્મના નિર્માતા હતા. ફિલ્મમાં બિપાશા બાસુ, ઈમરાન હાશ્મી અને ઈશા ગુપ્તા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. સેકનિલ્કના અહેવાલ મુજબ, રાજ 3: ધ થર્ડ ડાયમેન્શનએ દુનિયાભરમાં 35.60 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ નેટફ્લિક્સ અને પ્રાઇમ વીડિયો પર ઉપલબ્ધ છે.</p><h4 style="text-align: justify; "><b>ગેંગસ્ટર: એ લવ સ્ટોરી</b></h4><p style="text-align: justify; ">ગેંગસ્ટર: એ લવ સ્ટોરી 28 એપ્રિલ 2006ના રોજ રિલીઝ થયેલી રોમેન્ટિક થ્રિલર ફિલ્મ છે, જેનું દિગ્દર્શન અનુરાગ બસુએ કર્યું હતું. ફિલ્મમાં ઈમરાન હાશ્મી, શાઇની આહુજા અને કંગના રનૌત મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ કંગના રનૌતની પ્રથમ ફિલ્મ હતી. આ ફિલ્મથી ઈમરાન હાશ્મીને પણ એક અલગ ઓળખ મળી હતી. સેકનિલ્કના અહેવાલ મુજબ, ફિલ્મે બોક્સ ઓફિસ પર આશરે 16.85 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ તમે પ્રાઇમ વીડિયો પર જોઈ શકો છો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/sunny-deol-mistake-shah-rukh-khan-career" target="_blank">આ પણ વાંચો-King Khan : સની દેઓલની એ એક ભૂલ, જેણે શાહરૂખ ખાનનું આખું કરિયર બદલી નાખ્યું!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/22/n3nYQRANTku1eCS8K3Ng9HT5ydiPKhztR8oXfEVC.webp'/></item><item><title><![CDATA[Manu Bhakerને મળ્યા નવા કોચ, 2028 ઓલિમ્પિક માટે તૈયારીઓ શરૂ કરી ]]></title><link>https://sandesh.com/sports/news/manu-bhaker-gets-new-coach-starts-preparations-for-2028-olympics</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/manu-bhaker-gets-new-coach-starts-preparations-for-2028-olympics</guid><pubDate>Sat, 22 Aug 2026 10:55:19 +05:30</pubDate><description><![CDATA[<p>જૂન 2026માં રમતગમતની દુનિયામાં ભયંકર સમાચાર આવ્યા.મહાન જસપાલ રાણાનું 49 વર્ષની વયે અવસાન થયું.મનુ ભાકર માટે આ એક મોટો ફટકો હતો,જે તેના કોચ હતા.જસપાલના કોચિંગ હેઠળ મનુએ પેરિસ 2024 ઓલિમ્પિકમાં બે બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો.રાણા 2023માં મનુ સાથે જોડાઈ,અને આ પછી તેની શૂટિંગ કારકિર્દી બદલાઈ ગઈ.મનુએ હવે 2028 ઓલિમ્પિક માટે તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેણીને એક નવો કોચ પણ મળી ગયો છે.</p><h5><b>મનુ ભાકરને નવો કોચ મળ્યો</b></h5><p>2028 ઓલિમ્પિક લોસ એન્જલસમાં યોજાવાનું છે. મનુ ભાકર ત્યાં સારા પ્રદર્શન પર નજર રાખી રહી છે. આ વખતે, તે ગોલ્ડ માટે જશે. તેણીએ તેના નવા કોચ સાથે તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેના નવા કોચનું નામ જેલેના અરુણોવિચ છે, જે સર્બિયાની છે. મનુ હવે તેની સાથે તાલીમ લઈ રહી છે.</p><h5><b>જેલેના અરુણોવિચે નોંધપાત્ર ખ્યાતિ મેળવી&nbsp;</b></h5><p>જેલેના અરુણોવિચે શૂટિંગ કોચ તરીકે નોંધપાત્ર સફળતા મેળવી છે. તેણીએ ઓક્ટોબર 2024 માં ચીનની રાષ્ટ્રીય ટીમને કોચિંગ આપવાનું શરૂ કર્યું. તમને યાદ હશે કે ઝોરાનાએ પેરિસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે જેલેનાની નાની બહેન છે. જેલેનાએ તેની સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ઝોરાનાએ અગાઉ ત્રણ અન્ય ઇવેન્ટ્સમાં પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિરાશ થઈ હતી. જેલેનાના આગમનથી તેની કારકિર્દી બદલાઈ ગઈ. ઝોરાનાએ 10-મીટર એર પિસ્તોલ મિશ્ર ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો.</p><h5><b>જેલેના અરુણોવિચે ઓલિમ્પિકમાં ભાગ લીધો ન હતો.</b></h5><p>જેલેના અરુણોવિચે રાષ્ટ્રીય ટીમો સાથે વ્યાપકપણે કામ કર્યું છે. તેની પોતાની શૂટિંગ કારકિર્દી પણ શાનદાર હતી. જોકે તેણીએ ક્યારેય ઓલિમ્પિકમાં ભાગ લીધો ન હતો, તે નવ વખત યુરોપિયન ચેમ્પિયનશિપ વિજેતા છે. વધુમાં, તેણીએ યુરોપિયન ગેમ્સમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. જેલેના 2010 માં એથ્લીટમાંથી કોચ બની.</p><h5><b>મનુ ભાકરે ઓલિમ્પિક માટે તૈયારી શરૂ કરી&nbsp;</b></h5><p>મનુ ભાકરે જેલેના અરુણોવિચ સાથે તાલીમ શરૂ કરી છે. તે એશિયન ગેમ્સમાં પણ પોતાની પ્રતિભા દર્શાવશે. તે શિબિરમાં જોડાઈ ગઈ છે. મનુ હાલમાં તેની રમત માટે દિવસમાં લગભગ આઠ કલાક સમર્પિત કરી રહી છે. જેલેના તેની સાથે છે અને તેને સખત તાલીમ આપી રહી છે. આશા છે કે મનુ 2028 ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતીને પોતાના દેશનું ગૌરવ વધારશે.</p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/cricket/news/aus-vs-ban-2nd-test-mitchell-starc-creates-history-by-taking-6-wickets-becomes-the-bowler-to-take-the-most-wickets-in-wtc" target="_blank">AUS vs BAN 2nd Test : મિચેલ સ્ટાર્કે 6 વિકેટ લઈને રચ્યો ઇતિહાસ, WTCમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/22/L3TFyJ9jNRKFNz2wBwugKthSPjRkhXfdMLePuvyy.webp'/></item></channel></rss>