<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[ED Director Extension : કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રાહુલ નવીનને ED ડિરેક્ટર તરીકે ફરી એક વર્ષનું એક્સટેન્શન ]]></title><link>https://sandesh.com/india/news/ed-director-rahul-navin-tenure-extension-2027</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ed-director-rahul-navin-tenure-extension-2027</guid><pubDate>Sun, 09 Aug 2026 21:40:56 +05:30</pubDate><description><![CDATA[<p>કેન્દ્ર સરકારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના ડિરેક્ટર રાહુલ નવીનના કાર્યકાળને વધુ એક વર્ષ માટે લંબાવવાનો નિર્ણય કર્યો છે. કેબિનેટની એપોઈન્ટમેન્ટ્સ કમિટી (Appointments Committee of the Cabinet-ACC)એ રાહુલ નવીનના કાર્યકાળને 13 ઓગસ્ટ 2026 બાદ વધુ એક વર્ષ માટે લંબાવવાની મંજૂરી આપી છે. હવે તેઓ 13 ઓગસ્ટ 2027 સુધી EDના ડિરેક્ટર તરીકે પદ પર રહેશે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2086474619691864484"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>13 ઓગસ્ટ 2027 સુધી ED ડિરેક્ટર તરીકે સેવા આપશે</b></h2><p>સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, રાહુલ નવીન IRS (IT:93074) અધિકારી છે. તેમનો કાર્યકાળ 13 ઓગસ્ટ 2026ના રોજ પૂર્ણ થવાનો હતો. હવે ACCની મંજૂરી બાદ તેમના કાર્યકાળમાં એક વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે આ એક્સટેન્શન દરમિયાન રાહુલ નવીનને તેમની નિવૃત્તિની તારીખ બાદ પણ સેવા ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. તેમની સુપરએન્યુએશનની તારીખ 31 જુલાઈ 2027 છે. એટલે કે નિવૃત્તિની તારીખ બાદ પણ તેઓ 13 ઓગસ્ટ 2027 સુધી ED ડિરેક્ટર તરીકે સેવા આપી શકશે.</p><h3><b>EDમાં વિવિધ મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે રાહુલ નવીન</b></h3><p>સરકારના આ નિર્ણયને EDના નેતૃત્વમાં સતતતા જાળવવાના મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે. રાહુલ નવીનના નેતૃત્વ હેઠળ ED દ્વારા મની લોન્ડરિંગ અને આર્થિક ગુનાઓ સાથે જોડાયેલા અનેક કેસોમાં તપાસ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રાહુલ નવીનનો કાર્યકાળ 13 ઓગસ્ટ 2027 સુધી અથવા આગામી આદેશ સુધી, બેમાંથી જે પહેલાં આવે ત્યાં સુધી રહેશે.</p><p>રાહુલ નવીન અગાઉ EDમાં વિવિધ મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે અને તેમની પાસે તપાસ તથા નાણાકીય ગુનાઓ સંબંધિત કેસોનો લાંબો અનુભવ છે. કાર્યકાળ લંબાવવાના નિર્ણયથી આગામી એક વર્ષ દરમિયાન EDની ચાલી રહેલી તપાસ અને મહત્વપૂર્ણ કેસોમાં નીતિગત તથા વહીવટી સતતતા જળવાઈ રહેવાની શક્યતા છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/rg-kar-rape-case-fresh-probe-cm-suvendu-adhikari-action" target="_blank">આ પણ વાંચો : RG Kar રેપ કેસની ફરીથી શરૂ થશે તપાસ, CM સુવેન્દુ અધિકારીની મોટી કાર્યવાહી</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/9HcIgMSKFr6TQi0AfAHLk7AktFvCGTkvbeCqFTk8.webp'/></item><item><title><![CDATA[Ahmedabadમાં તિરંગા યાત્રાની તારીખ બદલાઈ, હવે 12 ઓગસ્ટે યોજાશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/tiranga-yatra-date-changed-in-ahmedabad-will-now-be-held-on-august-12</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/tiranga-yatra-date-changed-in-ahmedabad-will-now-be-held-on-august-12</guid><pubDate>Sun, 09 Aug 2026 21:38:41 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં યોજાનાર તિરંગા યાત્રાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ આ તિરંગા યાત્રા 11 ઓગસ્ટના રોજ યોજાનાર હતી, પરંતુ હવે નવી તારીખ મુજબ આ યાત્રા 12 ઓગસ્ટના રોજ યોજવામાં આવશે.</p><h2 style="text-align: justify; "><b>DyCMના શિડ્યુલમાં ફેરફાર થતાં તારીખ બદલાઈ</b></h2><p style="text-align: justify; ">યાત્રાની તારીખ લંબાવવા પાછળનું મુખ્ય કારણ નાયબ મુખ્યમંત્રી (DyCM)ના વ્યસ્ત શિડ્યુલમાં આવેલો ફેરફાર છે. તેમના આગામી કાર્યક્રમો અને સમયપત્રકમાં ફેરફાર થવાના કારણે આયોજકો દ્વારા તિરંગા યાત્રાના આયોજનની તારીખમાં એક દિવસનો સુધારો કરવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>ખાડિયા વોર્ડમાં ધામધૂમથી યોજાશે તિરંગા યાત્રા</b></h2><p style="text-align: justify; ">આ તિરંગા યાત્રાનું આયોજન અમદાવાદના ઐતિહાસિક ખાડિયા વોર્ડમાં કરવામાં આવ્યું છે. તારીખ બદલાયા બાદ હવે 12 ઓગસ્ટે ખાડિયા વિસ્તારમાં દેશભક્તિના માહોલ વચ્ચે મંત્રીઓ, સ્થાનિક નેતાઓ અને નાગરિકોની વિશાળ ઉપસ્થિતિમાં આ યાત્રા ધામધૂમથી નીકળશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/gandhinagar/gandhinagar-news-acb-raids-in-kalol-three-arrested-for-taking-bribe-of-rs-15-thousand" target="_blank">Gandhinagar News : કલોલમાં ACBનો સપાટો, રૂ.15 હજારની લાંચ લેતા ત્રણ ઝડપાયા</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/ZG1XQhs2zSBUms5woijErJB1EGtfLOASTQ36RV7b.webp'/></item><item><title><![CDATA[Suratના ઓલપાડના સિવાણ ગામના યુવકે તાપી નદીમાં ઝંપલાવ્યું, ફાયર વિભાગે શોધખોળ શરૂ કરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/a-youth-from-siwan-village-of-olpad-surat-jumped-into-the-tapi-river-the-fire-department-started-a-search</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/a-youth-from-siwan-village-of-olpad-surat-jumped-into-the-tapi-river-the-fire-department-started-a-search</guid><pubDate>Sun, 09 Aug 2026 21:00:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સિવાણ ગામે રહેતા એક માલધારી યુવકે તાપી નદીમાં ઝંપલાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. નેશનલ હાઈવે 48 પર આવેલા તાપી નદીના બ્રિજ પરથી આ યુવકે નદીના ઊંડા પાણીમાં છલાંગ લગાવી હતી. ઘટના અંગે જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>તાપી નદીના બ્રિજ પાસે યુવકની બાઈક મળી આવી</b></h2><p style="text-align: justify; ">ઘટનાસ્થળે તપાસ દરમિયાન તાપી નદીના બ્રિજ પાસે યુવકની મોટરસાઇકલ બિનવારસી હાલતમાં મળી આવી હતી. બાઈકના આધારે યુવકની પ્રાથમિક ઓળખ સિવાણ ગામના રહેવાસી તરીકે થઈ હતી. યુવકે કયા કારણોસર આ આત્યંતિક પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી શકી નથી.</p><h2 style="text-align: justify; "><b>ફાયર બ્રિગેડ દ્વારા નદીમાં શોધોખોળ શરૂ</b></h2><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર વિભાગની ટીમ દ્વારા તાપી નદીના વહેણમાં યુવકની શોધખોળ માટે સઘન રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. હાલમાં યુવકની શોધખોળ હજુ પણ યથાવત ચાલુ જ છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/surat/surat-new-civil-doctor-suicide-case-order-to-submit-report-within-24-hours" target="_blank">Surat નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો, 24 કલાકમાં રિપોર્ટ આપવા આદેશ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/2Jy72rEODKwOfyM4gpApQ031Bloasz5KXmXlnmSc.webp'/></item><item><title><![CDATA[Amreli News: રાજુલામાં હિંડોરણા બ્રિજ પાસે અકસ્માતમાં વૃદ્ધા ઈજાગ્રસ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/rajula-hindorna-bridge-trailer-auto-rickshaw-accident</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/rajula-hindorna-bridge-trailer-auto-rickshaw-accident</guid><pubDate>Sun, 09 Aug 2026 20:56:15 +05:30</pubDate><description><![CDATA[<p>અમરેલી જિલ્લાના રાજુલા નજીક આવેલા હિંડોરણા બ્રિજ પાસે આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રેલર અને પેસેન્જર ઓટો રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ઘાતક હતો કે, રિક્ષામાં સવાર મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી.</p><h2><b>65 વર્ષીય માલુબહેન કવાડ ગંભીર રીતે ઇજાગ્રસ્ત</b></h2><p>આ અકસ્માતમાં ખરેડ ગામના રહેવાસી 65 વર્ષીય વૃદ્ધા માલુબહેન દેવાભાઈ કવાડને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બનતા જ આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો મદદ માટે દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.</p><h2><b>108 ની મદદથી રાજુલા સરકારી હોસ્પિટલ ખસેડાયા</b></h2><p>ઘટનાની માહિતી મળતા જ 108 એમરજન્સી એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. 108 ના પેરામેડિકલ સ્ટાફે ઇજાગ્રસ્ત વૃદ્ધાને પ્રાથમિક સારવાર આપીને વધુ ઉપચાર અર્થે રાજુલાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.</p><h2><b>ગંભીર હાલત હોવાથી વધુ સારવાર અર્થે મહુવા રિફર કરાયા</b></h2><p>રાજુલા સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ, 65 વર્ષીય માલુબહેનને શરીરે વધુ પડતી અને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું માલૂમ પડ્યું હતું. તબીબોએ તેમની નાજુક સ્થિતિને ધ્યાને રાખીને વધુ અને ગહન સારવાર માટે તાત્કાલિક મહુવા હોસ્પિટલ ખાતે રિફર કર્યા હતા.</p><h2><b>પોલીસે તપાસ હાથ ધરી</b></h2><p>અકસ્માત અંગે સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી દૂર કરાવી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો અને ટ્રેલર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/amreli/megharaja-re-enters-amreli-after-a-long-break-creating-an-atmosphere-of-happiness-among-farmers" target="_blank">Amreliમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ફરી એન્ટ્રી, ખેડૂતોમાં ખુશીનો માહોલ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/TcDkHvlKJAgI32m18FiejnorqPegSGeKEGNNa8Sq.webp'/></item><item><title><![CDATA[Vadodara News: "ભાઈ નથી તો શું થયું, સરહદનો જવાન તો છે" – 14 દેશોની બહેનો વડોદરાથી સરહદના જવાનો માટે મોકલશે 68,000 થી વધુ રાખડીઓ ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/sanjay-bachhav-rakhi-initiative-indian-army-raksha-bandhan-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/sanjay-bachhav-rakhi-initiative-indian-army-raksha-bandhan-2026</guid><pubDate>Sun, 09 Aug 2026 20:27:27 +05:30</pubDate><description><![CDATA[<p>દેશની રક્ષા માટે ગમે તેવા કપરાં વાતાવરણમાં સરહદ પર ખડેપગે તૈનાત ભારતીય સેનાના જવાનો માટે વડોદરા શહેરથી એક અત્યંત ભાવુક અને અનોખું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વડોદરાના પૂર્વ શિક્ષક અને જાણીતા લેખક સંજય બચ્છાવ દ્વારા શરૂ કરવામાં આવેલા આ અભિયાન હેઠળ આ વર્ષે રક્ષાબંધન પર્વ નિમિત્તે 68,000 થી પણ વધુ રાખડીઓ દેશના વીર જવાનો સુધી પહોંચાડવામાં આવશે.</p><h2><b>2015માં 75 રાખડીઓથી શરૂ થયેલી પહેલ આજે વટવૃક્ષ બની</b></h2><p>વર્ષ 2015 માં સંજય બચ્છાવ દ્વારા અત્યંત નાના પાયે માત્ર 75 રાખડીઓ એકઠી કરીને જવાનોને મોકલવાથી આ કાર્યોની શરૂઆત થઈ હતી. જોતજોતામાં આ ભાવનાત્મક પહેલે એક વિશાળ લોકઅભિયાનનું રૂપ ધારણ કરી લીધું છે. આજે ભારત દેશના 14 રાજ્યોના 40 થી વધુ શહેરોમાંથી બહેનો પ્રેમપૂર્વક રાખડીઓ બનાવીને તેમજ ખરીદીને આ અભિયાનમાં મોકલી રહી છે.</p><h2><b>અમેરિકા અને કેનેડા સહિત 14 દેશોની બહેનો જોડાઈ</b></h2><p>આ અનોખી પહેલની ગૂંજ માત્ર ભારત પૂરતી સીમિત નથી રહી પણ સરહદ પાર વિદેશોમાં વસતી ભારતીય મહિલાઓ સુધી પહોંચી છે. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, દુબઈ અને જર્મની સહિત વિશ્વના 14 દેશોમાં રહેતી બહેનો પણ આ અભિયાનમાં ઉત્સાહભેર જોડાઈ છે અને દેશની રક્ષા કરતા અનનોન ભાઈઓ માટે રાખડીઓ વડોદરા મોકલી આપી છે.</p><p><img alt="Vadodara News: Over 68,000 Rakhis Sent to Border Jawans Under Unique Initiative" src="https://epapercdn.sandesh.com/images/2026/08/09/hs5MMX7Bqn2G22AzKA7fQK5sgnGj7s27iYm7oZI4.webp"><br></p><h2><b>સિયાચીનથી લઈને ગલવાન સુધી પહોંચશે બહેનોનો પ્રેમ</b></h2><p>એકત્રિત કરવામાં આવેલી આ તમામ 68,000 થી વધુ રાખડીઓ સિયાચીન, કારગિલ, ગલવાન ઘાટી અને અરુણાચલ પ્રદેશની ભારત-ચીન સરહદ જેવા અતિ દુર્ગમ વિસ્તારોમાં ફરજ બજાવતા દેશના સૈનિકો સુધી પહોંચાડવામાં આવશે. વિશેષ વાત એ છે કે, રાખડી સાથે બહેનો પોતાના નામ, મોબાઈલ નંબર અને હૃદયસ્પર્શી શુભેચ્છા સંદેશ પણ મોકલી રહી છે, જેથી જવાન અને બહેન વચ્ચે એક સીધો ભાવાત્મક સંબંધ સ્થાપિત થઈ શકે.</p><p><img alt="Vadodara News: Over 68,000 Rakhis Sent to Border Jawans Under Unique Initiative" src="https://epapercdn.sandesh.com/images/2026/08/09/YR581WLMYIXhHUk4oPnp6x1H1bXQySvvJoCJ855G.webp"><br></p><h2><b>'ભાઈ નથી તો શું થયું, સરહદનો જવાન તો છે'</b></h2><p>"ભાઈ નથી તો શું થયું, સરહદનો જવાન તો છે" – આ પવિત્ર અને પ્રેરણાદાયી સંદેશ સાથે વડોદરાથી શરૂ થયેલું આ અભિયાન દેશભક્તિ અને ભાઈ-બહેનના પ્રેમનું અદભુત ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. ઘર-પરિવારથી દૂર સરહદ પર તૈનાત જવાનોને જ્યારે આ રાખડીઓ મળશે, ત્યારે તેઓને પણ પોતાના પરિવારની ખોટ નહીં સાલે અને પ્રેમનો આ તાર તેમની હિંમતમાં વધારો કરશે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/crime/vadodara/chaos-open-handed-fighting-during-tribal-day-pilgrimage-near-soma-lake-in-vadodara-video-goes-viral" target="_blank">Vadodaraના સોમા તળાવ પાસે આદિવાસી દિવસની યાત્રામાં બબાલ, છૂટા હાથની મારામારી, વીડિયો વાયરલ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/F1U7oRhzBz1jI6SKyeJ1slJNUnvorPaDU7gqmPrP.webp'/></item><item><title><![CDATA[Morbi News: રાજપર રોડ પર ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 બેગનો મોટો જથ્થો ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/morbi/rajpar-road-sog-seized-1272-bags-urea-fertilizer-jay-agro</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/morbi/rajpar-road-sog-seized-1272-bags-urea-fertilizer-jay-agro</guid><pubDate>Sun, 09 Aug 2026 20:23:00 +05:30</pubDate><description><![CDATA[<p>મોરબી શહેરમાંથી સબસીડીયુક્ત યુરિયા ખાતરની ગેરકાયદે હેરાફેરી અને સંગ્રહ સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. મોરબી એસઓજીની ટીમે ચોક્કસ બાતમીના આધારે રેડ કરીને રાજપર રોડ પર આવેલા એક ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 જેટલી બેગનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ખાતરનો આટલો વિશાળ જથ્થો મળી આવતાં પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.</p><p><b style="font-size: 2rem;">જય એગ્રો નામની પેઢીનું ગોડાઉન સીલ કરાયું</b></p><p>પોલીસ અને કૃષિ વિભાગની સંયુક્ત તપાસ દરમિયાન પ્રાથમિક માહિતી સામે આવી છે કે, આ જથ્થો 'જય એગ્રો' નામની પેઢી સાથે સંકળાયેલો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને જિલ્લા કૃષિ વિભાગના અધિકારીઓ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. કૃષિ વિભાગ દ્વારા તમામ 1272 બેગ ખાતર જપ્ત કરીને ગોડાઉનને સીલ કરી દેવામાં આવ્યું છે.</p><h2><b>કોમર્શિયલ ઉપયોગ માટે ખરીદીની શંકા</b></h2><p>ખેડૂતોને રાહત દરે મળતા સરકારી યુરિયા ખાતરનો આ જથ્થો ખેતીના બદલે બિન-ખેતી એટલે કે ઔદ્યોગિક હેતુ માટે ડાયવર્ટ કરવામાં આવ્યો હોવાની પ્રબળ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતોના નામે બોગસ ખરીદી દર્શાવીને આ ખાતરનો જથ્થો ગોડાઉનમાં ભેગો કરવામાં આવ્યો હતો કે, કેમ તે દિશામાં તપાસ લંબાવવામાં આવી છે.</p><p><img alt="Morbi News: SOG Seizes 1,272 Bags of Urea Fertilizer from Godown" src="https://epapercdn.sandesh.com/images/2026/08/09/kAi2lXvEBh4S5BpPEa4TiWr5oXB6TnnthKILgfgL.webp"><br></p><h2><b>SOG અને કૃષિ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ</b></h2><p>મોરબી SOG પોલીસ અને કૃષિ વિભાગે ખાતરના જથ્થાના બિલ, સ્ટોક રજિસ્ટર અને સપ્લાય ચેઇનની ઊંડાણપૂર્વક ચકાસણી શરૂ કરી છે. આ કૌભાંડમાં જય એગ્રોના સંચાલકો ઉપરાંત અન્ય કયા મોટા વેપારીઓ કે ફેક્ટરી માલિકો સામેલ છે તે દિશામાં તપાસ હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/morbi/sog-raid-bogus-doctor-narendra-kela-arrested-halvad-kadiyana" target="_blank">Morbi News: હળવદના કડિયાણા ગામે ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/6hOO3hAu5FevGwDDGDdWZ9r07ry4c02l4MLw1cBN.webp'/></item><item><title><![CDATA[US Tariff India Opportunity: અમેરિકા 100% ટેરિફ લગાવે તો પણ ભારતને ડર નથી, જાણો કેમ? ]]></title><link>https://sandesh.com/business/news/world/us-tariff-india-opportunity-even-if-america-imposes-100-tariff-india-is-not-afraid-know-why</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/world/us-tariff-india-opportunity-even-if-america-imposes-100-tariff-india-is-not-afraid-know-why</guid><pubDate>Sun, 09 Aug 2026 20:16:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ટેરિફનો ડર તેને સતાવવા લાગ્યો. જોકે, અર્થશાસ્ત્રી માને છે કે જો અમેરિકા 100% ટેરિફ લાદે તો પણ ભારત પાસે 15 અન્ય વિકલ્પો છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">આયાત-નિકાસ માટે સરળતા&nbsp;</h2><p style="text-align: justify; ">અર્થશાસ્ત્રી માને છે કે જો અમેરિકા ભારત પર 100% ટેરિફ લાદે તો પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ભારતે પહેલાથી જ 15 નવા બજારો બનાવ્યા છે. જ્યાં તે તેના તમામ માલની નિકાસ કરી શકે છે અને નોંધપાત્ર નફો કમાઈ શકે છે. આ 15 અન્ય બજારો છે જ્યાં તે તેના ઉત્પાદનો નિકાસ કરી શકે છે જે તે અમેરિકામાં નિકાસ કરવા માટે ઉપયોગમાં લેતો હતો. ભારત આ બજારોમાંથી 200 અબજ ડોલર કાઢી શકે છે.</p><h3 style="text-align: justify; ">ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત વેપાર&nbsp;</h3><p style="text-align: justify; ">ભારત પાસે ઘણા અન્ય નિકાસ વિકલ્પો છે અને તે યુએસ બજાર પર વધુ પડતું નિર્ભર નથી. જો કે, ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત વેપાર અને આર્થિક સંબંધો છે. તેમણે કહ્યું, આપણી પાસે 15 બજારો છે જ્યાં આપણે હાલમાં જે ઉત્પાદનો અમેરિકામાં મોકલીએ છીએ તે જ ઉત્પાદનો નિકાસ કરી શકીએ છીએ. જો અમેરિકામાં આપણી માલસામાન નિકાસ લગભગ $87-88 બિલિયન છે, તો 15 અન્ય દેશોમાં આ જ ઉત્પાદનો માટે લગભગ $200 બિલિયનનું વિશાળ બજાર છે.</p><h4 style="text-align: justify; ">નવા બજારો ક્યાં બનાવાયા ?</h4><p style="text-align: justify; ">નેધરલેન્ડ્સ, ફ્રાન્સ, યુકે, લેટિન અમેરિકન દેશો, સાઉદી અરેબિયા, યુએઈ અને નેપાળ જેવા બજારોનો ઉલ્લેખ કર્યો હતો જ્યાં ભારતીય નિકાસકારો પોતાનો વ્યવસાય વિસ્તારી શકે છે. તેમના મતે, અમેરિકા ઉપરાંત ભારતમાં ઘણા બજારો છે જ્યાં ભારતીય ઉત્પાદનોની માંગ વધી રહી છે. તેમણે જણાવ્યું હતું કે 2025-26માં અમેરિકામાં ભારતની નિકાસ $87.3 બિલિયન હતી, જે 2024-25માં $86.5 બિલિયન હતી. ટેરિફ અંગે અનિશ્ચિતતા અને વૈશ્વિક સ્તરે અસંખ્ય પડકારો હોવા છતાં, ભારતીય નિકાસકારોએ તેમના પ્રદર્શનમાં સુધારો કર્યો છે. શર્માએ કહ્યું કે અમેરિકામાં ભારતીય ઉત્પાદનોની મજબૂત માંગ છે અને ભારત સ્પર્ધાત્મક ભાવે શ્રમ-સઘન ઉત્પાદનો પ્રદાન કરી રહ્યું છે.</p><h5 style="text-align: justify; ">અન્ય દેશોમાં નિકાસ ઝડપથી વધી&nbsp;</h5><p style="text-align: justify; ">ભારતની અમેરિકા કરતાં અન્ય કેટલાક બજારોમાં નિકાસ ઝડપથી વધી રહી છે. તેમણે કહ્યું, "જ્યારે અમેરિકામાં આપણી નિકાસ 10-15 ટકાના દરે વધી રહી છે, ત્યારે અન્ય બજારો સાથે નિકાસ વૃદ્ધિ દર 20-25 ટકાની વચ્ચે છે." તેમનું માનવું છે કે ભારત પાસે વિકલ્પો છે અને તે અમેરિકન અર્થતંત્ર પર વધુ પડતો નિર્ભર નથી. શર્માએ એમ પણ કહ્યું કે ભારત અને અમેરિકા મજબૂત આર્થિક સંબંધો ધરાવે છે અને દ્વિપક્ષીય વેપાર કરાર પર વાટાઘાટો કરી રહ્યા છે. તેમનું માનવું છે કે વેપાર વધારવો બંને દેશો માટે વધુ ફાયદાકારક રહેશે. જોકે, રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પર 100% સુધીનો ટેરિફ લાદવો અમેરિકા અને ભારત બંને માટે હાનિકારક હોઈ શકે છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/lifestyle/news/health-fitness/sleepy-after-eating-why-do-you-feel-sleepy-and-drowsy-after-eating-know-the-causes-and-remedies" target="_blank"> જમ્યા પછી કેમ આવે છે સુસ્તી અને ઊંઘ? જાણો કારણો અને ઉપાયો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/J51EHWEo029EvqF4TzNsQJ8u9cBXWEIhELO8ySkY.webp'/></item><item><title><![CDATA[RG Kar રેપ કેસની ફરીથી શરૂ થશે તપાસ, CM સુવેન્દુ અધિકારીની મોટી કાર્યવાહી ]]></title><link>https://sandesh.com/india/news/rg-kar-rape-case-fresh-probe-cm-suvendu-adhikari-action</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/rg-kar-rape-case-fresh-probe-cm-suvendu-adhikari-action</guid><pubDate>Sun, 09 Aug 2026 20:16:14 +05:30</pubDate><description><![CDATA[<p>કોલકાતાના RG Kar મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 9 ઓગસ્ટ 2024ની રાત્રે 31 વર્ષીય પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેઈની મહિલા ડૉક્ટર સાથે થયેલા બળાત્કાર અને હત્યાના કેસમાં પશ્ચિમ બંગાળની નવી સરકાર હવે કડક કાર્યવાહી કરી રહી છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ તપાસમાં થયેલી કથિત બેદરકારી સામે એક્શન લેતા ત્રણ IPS અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. સરકારનું કહેવું છે કે કેસની તપાસ દરમિયાન ગંભીર ખામીઓ સામે આવી હતી.</p><h2><b>ઘટનાએ સમગ્ર દેશમાં ભારે આક્રોશ ફેલાવ્યો હતો</b></h2><p>RG Kar કેસમાં પીડિતાને 'અભયા' નામથી ઓળખવામાં આવે છે. આ ઘટનાએ સમગ્ર દેશમાં ભારે આક્રોશ ફેલાવ્યો હતો અને મહિલા સુરક્ષા તથા પોલીસની કામગીરીને લઈને અનેક સવાલો ઊભા થયા હતા. સુવેન્દુ અધિકારીએ અગાઉ વિધાનસભામાં પીડિતાની માતાને ન્યાય અપાવવાનો વિશ્વાસ આપ્યો હતો. તેમણે મહિલાઓ સામેના ગુનાઓને લઈને સરકારની 'ઝીરો ટોલરન્સ' નીતિ હોવાનો દાવો કર્યો હતો. સરકાર તરફથી જણાવાયું હતું કે RG Kar કેસમાં તપાસ દરમિયાન થયેલી ખામીઓ માટે જવાબદારી નક્કી કરવામાં આવશે.</p><h3><b>તપાસમાં બેદરકારીનો આરોપ</b></h3><p>નવી સરકારની કાર્યવાહી હેઠળ પૂર્વ કોલકાતા પોલીસ કમિશનર સહિત ત્રણ IPS અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. સરકારનો આરોપ છે કે તપાસ યોગ્ય રીતે હાથ ધરવામાં આવી ન હતી અને કેટલાક અધિકારીઓની કામગીરીને કારણે કેસની તપાસ પર અસર પડી હતી. આ કેસમાં સંદીપ ઘોષનું નામ પણ અગાઉ તપાસ દરમિયાન સામે આવ્યું હતું અને તેમને RG Kar મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ પદેથી દૂર કરવામાં આવ્યા હતા.</p><p>RG Kar કેસ પશ્ચિમ બંગાળની રાજનીતિમાં પણ મહત્વનો મુદ્દો બની રહ્યો છે. 2026ની વિધાનસભા ચૂંટણીમાં આ કેસ અને મહિલા સુરક્ષાનો મુદ્દો ભાજપના પ્રચારમાં મહત્વપૂર્ણ રહ્યો હતો. ચૂંટણી બાદ સુવેન્દુ અધિકારી મુખ્યમંત્રી બન્યા અને નવી સરકારે કેસ સાથે જોડાયેલી તપાસમાં ખામીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/political-news/jharkhand-student-movement-3-members-resign-after-cid-summons-cm-seeks-suggestions-from-students" target="_blank">આ પણ વાંચો : Jharkhand Student Movement: CIDના સમન્સ બાદ 3 સભ્યના રાજીનામા, CMએ વિદ્યાર્થીઓ પાસે મંગાવ્યા સૂચનો</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/dYwTYRdPno979eWn2RyvVk39bBlZd0df3lbXsMwr.webp'/></item><item><title><![CDATA[Commonwealth Gamesના મેડલ વિજેતાઓને મળ્યા પીએમ મોદી, ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો VIDEO ]]></title><link>https://sandesh.com/sports/news/india/pm-modi-meets-india-commonwealth-games-medal-winners</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india/pm-modi-meets-india-commonwealth-games-medal-winners</guid><pubDate>Sun, 09 Aug 2026 19:37:43 +05:30</pubDate><description><![CDATA[<p>સ્કોટલેન્ડના ગ્લાસગોમાં 2026માં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં કુલ 39 મેડલ જીત્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નિવાસસ્થાને તમામ મેડલ વિજેતાઓને મળ્યા હતા, તેમને તેમના મેડલ જીતવા બદલ અભિનંદન આપ્યા હતા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક રીલ શેર કરી હતી, જેમાં લખ્યું હતું, "જો ખેલેગા વો ખિલેગા."</p><h2><b>દેશને હંમેશા પ્રોત્સાહિત કરો</b></h2><p>કોમનવેલ્થ ગેમ્સ 2026માં મેડલ જીતનારા ખેલાડીઓને મળ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર શેર કરેલી રીલમાં તેમને કહ્યું હતું કે "જો ખેલેગા વો ખિલેગા." હંમેશા દેશને પ્રોત્સાહિત કરો. આ પછી પીએમ મોદીએ ભારત માતા કી જયનો નારા લગાવ્યો, જે તેમની સાથે હાજર તમામ ખેલાડીઓએ વારંવાર બોલ્યો.&nbsp;</p><p>આ રીલમાં કોમનવેલ્થ ગેમ્સ 2026માં ગોલ્ડ મેડલ જીતનાર મહિલા બોક્સિંગ ખેલાડી સાક્ષી ચૌધરીએ વીડિયો હોસ્ટ કર્યો અને આ મુલાકાત માટે પીએમ મોદીનો આભાર માન્યો. વીડિયોમાં સાક્ષી ચૌધરીએ કહ્યું કે નમસ્તે મિત્રો, આજે પીએમ સાહેબે કોમનવેલ્થ ગેમ્સના મેડલ વિજેતાઓને બોલાવ્યા છે અને અમે બધા ખૂબ ગર્વ અનુભવી રહ્યા છીએ.</p><p><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reels/Db0hIieTgy8/" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reels/Db0hIieTgy8/" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a><br></p><h3><b>આ વખતે બોક્સિંગમાં 10 મેડલ જીત્યા</b></h3><p>કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતે બોક્સિંગના વિવિધ વજન કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું જેમાં તે 7 ગોલ્ડ અને 3 સિલ્વર સહિત કુલ 10 મેડલ જીતવામાં સફળ રહ્યું હતું. ભારતે એથ્લેટિક્સમાં કુલ 10 મેડલ મેળવ્યા હતા જેમાં ગુલવીર સિંહે 2 અલગ અલગ ઈવેન્ટમાં મેડલ જીત્યા હતા. વેઈટલિફ્ટિંગમાં 8 મેડલ, પેરા એથ્લેટિક્સમાં 6, જુડોમાં 4 અને પેરા પાવરલિફ્ટિંગમાં 1 મેડલ જીત્યો હતો. પહેલીવાર કોમનવેલ્થ ગેમ્સમાં ભારત જુડો ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યું હતું. હવે બધાની નજર જાપાનમાં યોજાવનારી આગામી એશિયન ગેમ્સ પર છે જ્યાં ભારતીય ખેલાડીઓ પાસેથી શાનદાર પ્રદર્શનની અપેક્ષા છે.</p><p><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/0fyqm4BfEeu88Gm4DZle9uesUw8R5L6FcuQSOLfe.webp'/></item><item><title><![CDATA[Aamir Khan ચોથા લગ્ન ક્યારે કરશે? KBC 18ના પ્રોમો પર યુઝર્સે કરી આવી કોમેન્ટ્સ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/aamir-khan-third-marriage-gauri-spratt-kbc-18</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/aamir-khan-third-marriage-gauri-spratt-kbc-18</guid><pubDate>Sun, 09 Aug 2026 17:29:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડ સુપરસ્ટાર આમિર ખાન ફરી એકવાર ચર્ચામાં છે, પરંતુ આ વખતે કારણ તેની કોઈ ફિલ્મ નહીં, પરંતુ તેની પર્સનલ લાઇફ છે. હાલમાં રિયાલિટી ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ સીઝન 18નો નવો પ્રોમો રિલીઝ થયો છે. આ પ્રોમો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર આમિર ખાનને લઈને લોકોની પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. કમેન્ટ સેક્શનમાં લોકો તેના ત્રીજા લગ્નને લઈને મજાક કરી રહ્યા છે અને મસ્તી કરી રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>બંટવારા 1947નું પ્રમોશન કરવા પહોંચ્યા આમિર ખાન</b></h2><p style="text-align: justify; ">કૌન બનેગા કરોડપતિ 18ના આ ખાસ એપિસોડમાં આમિર ખાન સાથે બોલીવુડ એક્ટર સની દેઓલ અને એક્ટ્રેસ પ્રીતિ ઝિંટા પણ જોવા મળશે. ત્રણેય કલાકારો અમિતાભ બચ્ચન સાથે હોટસીટ પર બેસીને શોની રોનક વધારશે. ત્રણેય કલાકારો ફિલ્મ બંટવારા 1947નું પ્રમોશન કરવા માટે KBCના મંચ પર પહોંચ્યા છે. આ ફિલ્મ 14 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મને લઈને દર્શકોમાં સારો માહોલ છે, પરંતુ પ્રોમો સામે આવતાં જ ફેન્સનું ધ્યાન ફિલ્મ પરથી હટીને આમિર ખાનની પર્સનલ લાઇફ તરફ ગયું.</p><h3 style="text-align: justify; "><b>વાયરલ પ્રોમોમાં શું છે?</b></h3><p style="text-align: justify; ">KBC 18નો જે પ્રોમો વીડિયો સામે આવ્યો છે, તેમાં આમિર ખાન શોના હોસ્ટ અમિતાભ બચ્ચનને સવાલ કરતા જોવા મળે છે. આમિર પૂછે છે કે આ વખતે સીઝનની થીમ સોચના પડેગા કેમ રાખવામાં આવી છે. આમિર કહે છે, તમે પ્રોમોમાં કહ્યું છે કે સોચના પડેગા, તો શું વિચારવું પડશે? તેના પર અમિતાભ બચ્ચન પોતાના દમદાર અંદાજમાં જવાબ આપે છે. બિગ બી કહે છે કે આ સીઝનમાં વસ્તુઓ એટલી સરળ નહીં હોય, કારણ કે હવે દરેક સવાલ બાદ કન્ટેસ્ટન્ટ્સે ઊંડાણથી વિચારવું પડશે. તેના પર આમિર ખાન હસતાં-હસતાં સહમત થાય છે અને કહે છે, સોચના પડેગા સર... ખરેખર સોચના પડેગા.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbxpyvjnZNI/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbxpyvjnZNI/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbxpyvjnZNI/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbxpyvjnZNI/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h2 style="text-align: justify; "><b>કમેન્ટ સેક્શનમાં ટ્રોલર્સે કરી મજાક</b></h2><p style="text-align: justify; ">પ્રોમોમાં આમિર ખાન અને અમિતાભ બચ્ચન વચ્ચેની આ વાતચીત ખૂબ મજેદાર લાગી રહી છે, પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સને ટ્રોલ કરવા માટે નવું કારણ મળી ગયું. કમેન્ટ સેક્શનમાં અનેક લોકો આમિર ખાનના લગ્નને લઈને મજાક કરવા લાગ્યા. હાલમાં જ આમિર ખાને ત્રીજી વાર લગ્ન કર્યા છે, તેથી નેટિઝન્સે પ્રોમોના બહાને તેની પર્સનલ લાઇફ પર અનેક કમેન્ટ્સ કર્યા.</p><p style="text-align: justify; "><img alt="Aamir Khan KBC 18 (2)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/09/GPLAez0tAaoPPaRflAly6xta0EXLaOlazhP4mrsz.webp"><br></p><p style="text-align: justify; ">એક યુઝરે મજાક કરતાં લખ્યું, અમિતાભજીએ આમિરને પૂછવું જોઈએ કે તેઓ ચોથા લગ્ન ક્યારે કરી રહ્યા છે? જ્યારે બીજા યુઝરે કમેન્ટ કરી, શું આમિર અહીં પોતાના લગ્ન વિશે વાત કરવા આવ્યા છે? કેટલાક યુઝર્સે તો KBCની થીમ સોચના પડેગાને પણ આમિરના લગ્ન સાથે જોડી દીધા. એક યુઝરે મજાક કરતાં લખ્યું, ત્રીજા લગ્ન બાદ આમિરને હવે ખરેખર વિચારવું પડશે. સોશિયલ મીડિયા પર આવા અનેક કમેન્ટ્સ વાયરલ થઈ રહ્યા છે, જેમાં લોકો આમિરની પર્સનલ લાઇફને લઈને અલગ-અલગ પ્રકારની મજાક કરી રહ્યા છે.</p><h4 style="text-align: justify; "><b>ગૌરી સ્પ્રૈટ સાથે આમિર ખાનની ત્રીજા લગ્ન&nbsp;</b></h4><p style="text-align: justify; ">આમિર ખાને 5 જુલાઈ 2026ના રોજ ગૌરી સ્પ્રૈટ સાથે લગ્ન કરી છે. આ લગ્ન મુંબઈના બાંદ્રામાં આવેલા આમિરના ઘરે ખૂબ જ સાદી અને ખાનગી રીતે થયા હતા. બંનેએ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ કોર્ટ મેરેજ રજિસ્ટર કરાવી હતી. ગૌરી સ્પ્રૈટ સાથેની આ આમિર ખાનની ત્રીજા લગ્ન છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/mahesh-babu-net-worth-property-luxury-cars" target="_blank">આ પણ વાંચો-Tollywood Actor : કરોડોનું ઘર અને લક્ઝરી કાર, સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુની નેટવર્થ જાણી દંગ રહી જશો!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/SWTLrXP8Ds54t1wAMfT8Y7oYOsU0U8DHLUmCMYO9.webp'/></item></channel></rss>