<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[હવે નેપાળની મુસાફરી બનશે સરળ, મુસાફરોને ID કાર્ડ આપવાનો થઈ રહ્યો છે પ્લાન! ]]></title><link>https://sandesh.com/india/news/india-nepal-travel--nepal-requests-nid-card-as-valid-document-for-border-cross</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/india-nepal-travel--nepal-requests-nid-card-as-valid-document-for-border-cross</guid><pubDate>Sun, 26 Jul 2026 13:40:33 +05:30</pubDate><description><![CDATA[<p>ભારત અને નેપાળ વચ્ચે દરરોજ હજારો લોકો સરહદ પાર કરે છે અને આ યાત્રા પહેલા કરતાં વધુ સરળ બનાવવા માટે બંને દેશો વચ્ચે ચર્ચાઓ ચાલી રહી છે. નેપાળ સરકારે સત્તાવાર રીતે ભારતને વિનંતી કરી છે કે તેઓ તેમના નવા બાયોમેટ્રિક રાષ્ટ્રીય ઓળખ કાર્ડ (NID) ને બંને દેશો વચ્ચે મુસાફરી માટે માન્ય દસ્તાવેજ તરીકે સ્વીકારે. જો ભારત સરકાર આ દરખાસ્તને મંજૂરી આપે છે, તો નેપાળી નાગરિકોને ભારતમાં આવવા-જવા માટે વારંવાર તેમના પાસપોર્ટ અથવા જૂના નાગરિકતા પ્રમાણપત્રો સાથે રાખવાની જરૂરિયાતમાંથી ઘણી રાહત મળશે.</p><p>નેપાળના ઇમિગ્રેશન વિભાગના ડિરેક્ટર જનરલ રામ ચંદ્ર તિવારીએ પુષ્ટિ આપી હતી કે આ પ્રસ્તાવ વિદેશ મંત્રાલય દ્વારા નવી દિલ્હી મોકલવામાં આવ્યો છે. નેપાળી અધિકારીઓ હાલમાં ભારત તરફથી સત્તાવાર પ્રતિભાવની રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં, કાઠમંડુમાં ભારતીય દૂતાવાસના એક પ્રતિનિધિમંડળે આ મુદ્દે નેપાળના ઇમિગ્રેશન વિભાગના અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય પક્ષ આ પહેલ અંગે સકારાત્મક છે અને આ મામલો અંતિમ નિર્ણય માટે નવી દિલ્હીમાં ગૃહ અને વિદેશ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓને મોકલવામાં આવ્યો છે.
</p><h3><b>વર્તમાન નિયમો શું છે અને શા માટે ફેરફારની જરૂર છે?
</b></h3><p>હાલના નિયમો હેઠળ, હવાઈ કે માર્ગ માર્ગે ભારતમાં પ્રવેશતા કોઈપણ નેપાળી નાગરિકે ઓળખના પુરાવા તરીકે માન્ય પાસપોર્ટ અથવા મૂળ નાગરિકતા પ્રમાણપત્ર રજૂ કરવું આવશ્યક છે. બીજી તરફ, ભારતીય નાગરિકોએ નેપાળમાં પ્રવેશવા માટે ફોટો સાથે પાસપોર્ટ અથવા મૂળ મતદાર ઓળખ કાર્ડ રજૂ કરવું આવશ્યક છે.
</p><p>નેપાળ સરકાર હવે જૂના નાગરિકતા પ્રમાણપત્રને ધીમે ધીમે દૂર કરવાની યોજના બનાવી રહી છે. બેંક ખાતા ખોલવા, જમીન નોંધણી કરાવવા, પાસપોર્ટ મેળવવા અને વિવિધ સરકારી સેવાઓ માટે બાયોમેટ્રિક NID કાર્ડ ફરજિયાત બનાવવામાં આવી રહ્યું છે. ભવિષ્યમાં આ નેપાળમાં એકમાત્ર પ્રાથમિક ઓળખ કાર્ડ હશે. આ કારણોસર નેપાળ ઇચ્છે છે કે ભારત તેને સત્તાવાર મુસાફરી દસ્તાવેજ તરીકે માન્યતા આપે.
</p><h4><b>આ NID કાર્ડ ટેકનોલોજીની રીતે અદ્યતન અને સંપૂર્ણપણે સુરક્ષિત
</b></h4><p>નેપાળી અધિકારીઓ કહે છે કે આ બાયોમેટ્રિક કાર્ડ છેતરપિંડી અટકાવવામાં ખૂબ અસરકારક છે. તેમાં નાગરિકની ફિંગરપ્રિન્ટ, ડિજિટલ ચહેરાનો ફોટો અને આઇરિસ સ્કેન જેવી અદ્યતન બાયોમેટ્રિક સુવિધાઓ સામેલ છે. આ બાયોમેટ્રિક સુવિધાઓને કારણે, આ ઓળખ કાર્ડ કાગળ નાગરિકતા પ્રમાણપત્રો કરતાં નોંધપાત્ર રીતે વધુ સુરક્ષિત અને આધુનિક છે. આ એરપોર્ટ અને જમીન સરહદો પર ઇમિગ્રેશન પ્રક્રિયાને ઘણી ઝડપી અને વધુ પારદર્શક બનાવશે.
</p><h4><b>તે સરહદ સુરક્ષા અને ડેટા મેનેજમેન્ટમાં પણ મદદ કરશે
</b></h4><p>બંને દેશો વચ્ચે વિઝા-મુક્ત મુસાફરીની પરવાનગી છે, પરંતુ જમીન સરહદ પાર કરતા દરેક વ્યક્તિનો સચોટ ડેટા જાળવવો અત્યાર સુધી એક પડકાર રહ્યો છે. દ્વિપક્ષીય વાટાઘાટો દરમિયાન, બંને પક્ષોએ એ પણ ચર્ચા કરી છે કે આ બાયોમેટ્રિક કાર્ડ સરહદ ક્રોસિંગનો વ્યવસ્થિત ડેટાબેઝ બનાવવા માટે સક્ષમ બનાવશે. જે સુરક્ષા એજન્સીઓને દેખરેખ રાખવામાં પણ મદદ કરશે.
</p><p>નેપાળના ઇમિગ્રેશન વિભાગનું માનવું છે કે જોકે બધા નાગરિકોને હજુ સુધી આ કાર્ડ મળ્યું નથી, પરંતુ તે જેમની પાસે છે તેમના માટે મુસાફરીને નોંધપાત્ર રીતે સરળ બનાવશે. ગયા વર્ષના ડેટા અનુસાર, આશરે 150,000 નેપાળી નાગરિકોએ હવાઈ માર્ગે ભારતની મુસાફરી કરી હતી, જ્યારે માર્ગ દ્વારા પ્રવાસીઓની સંખ્યા ઘણી વધારે છે. ભારતની મંજૂરીથી લાખો પ્રવાસીઓને સીધો ફાયદો થશે.
</p><p><br>આ પણ વાંચો:<a href="https://sandesh.com/india/news/pralhad-joshi-given-additional-charge-of-education-ministry-after-dharmendra-pradhan-resignation" target="_blank"><b> Prahlad Joshi: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પ્રહલાદ જોશીએ શિક્ષણ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો</b></a>
</p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/26/0sffgj6bi2rJAoVYS9oXmZ4EfShu0GBSfFtaS2sn.webp'/></item><item><title><![CDATA[Tamil Nadu News: 70 વર્ષના પિતા માટે દીકરાએ 55 ફૂટ ઊંચા ખજૂરના ઝાડ પર બનાવી સીડી ]]></title><link>https://sandesh.com/india/news/tamil-nadu-news-son-builds-staircase-on-55-foot-tall-palm-tree-for-70-year-old-father</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/tamil-nadu-news-son-builds-staircase-on-55-foot-tall-palm-tree-for-70-year-old-father</guid><pubDate>Sun, 26 Jul 2026 13:33:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">તમિલનાડુના સલાઈપુથુર ગામમાં દીકરાએ પોતાના 70 વર્ષના પિતાના દુઃખને દૂર કરવા માટે તાડના ઝાડની આસપાસ સીડીઓ લગાવી છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">આજના સમયનો શ્રવણ</h2><p style="text-align: justify; ">ઘણા લોકોને રોજિંદા જીવન જીવવા માટે દરરોજ ઘણા ફૂટ ઊંચા ઝાડ પર ચઢવું પડે છે. જોખમ તો સતત રહે છે, પરંતુ પોતાના પરિવાર અને આજીવિકા માટે લોકો દરેક જોખમ લે છે. તમિલનાડુમાં ખેડૂતના દીકરાએ પોતાના 70 વર્ષના પિતા માટે કંઈક એવું ખાસ કર્યું કે લોકો સતત તેમની પ્રશંસા કરી રહ્યા છે. આ અસાધારણ ચાતુર્ય અને દીકરાના પિતા પ્રત્યેના પ્રેમે લોકોના દિલ જીતી લીધા છે.&nbsp;</p><h3 style="text-align: justify; ">ઝાડ પર બનાવી લોખંડની સર્પાકાર સીડી</h3><p style="text-align: justify; ">એક ખેડૂતના દીકરાએ પોતાના વૃદ્ધ પિતાને મદદ કરવા માટે તાડના ઝાડની આસપાસ 55 ફૂટ ઊંચી લોખંડની સર્પાકાર સીડી બનાવી છે. વૃદ્ધાવસ્થાને કારણે ઝાડ પર યોગ્ય રીતે ચઢી ન શકતા તેના પિતાએ પોતાનું કામ સરળ અને સલામત બનાવવા માટે આ અનોખી પદ્ધતિ શોધી કાઢી છે.&nbsp;</p><h4 style="text-align: justify; ">સ્થાનિકો અને યુઝર્સનું ખેંચ્યુ ધ્યાન&nbsp;</h4><p style="text-align: justify; ">દિનાકરનો પરિવાર પેઢીઓથી તાડના ઝાડના વ્યવસાયમાં સંકળાયેલો છે. તેના પિતા 70 વર્ષથી ત્યાં કામ કરી રહ્યા છે. આટલી ઊંચાઈ પર ચઢવું તેમના માટે જોખમી સાબિત થઈ શકે છે, તેથી પુત્રએ પિતાની સલામતીને ધ્યાનમાં રાખીને ઝાડની આસપાસ મજબૂત લોખંડની સીડીઓ ઉભી કરી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુઝર્સ અને સ્થાનિકો પિતા પ્રત્યેના પ્રેમ માટે પુત્રની પ્રંશસા કરી રહ્યા છે.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/india/news/-political-news/telangana-news-now-you-can-become-an-mp-mla-at-the-age-of-21-instead-of-25-telangana-cm-revanth-reddys-masterstroke-on-gen-z" target="_blank">25 નહીં હવે 21 વર્ષે જ બની શકાશે MP-MLA! તેલંગાણાના CM રેવંત રેડ્ડીનો Gen-Z પર માસ્ટરસ્ટ્રોક</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/26/sOsdYxTl9Kse78eH4B48kgUBtlVPiW5gpqbZnYzE.webp'/></item><item><title><![CDATA[Bollywoodના ક્યૂટ હેન્ડસમ એક્ટર જે થઈ ગયા અચાનક ગાયબ! સલમાન-શાહરૂખને આપતા હતા ટક્કર! ]]></title><link>https://sandesh.com/entertainment/news/jugal-hansraj-birthday-40-films-career-salman-khan</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/jugal-hansraj-birthday-40-films-career-salman-khan</guid><pubDate>Sun, 26 Jul 2026 13:06:51 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જુગલ હંસરાજ બોલીવુડના એક એવા એક્ટર રહ્યા છે જેમણે પોતાની એક્ટિંગની સાથે-સાથે ફેન્સને પોતાની સ્માઈલ અને લુક્સથી પણ દીવાના બનાવ્યા હતા. ક્યારેક તેમને નેશનલ ક્રશનું ટેગ પણ મળ્યું હતું અને તેઓ મોટા સ્ટાર્સને ટક્કર આપવા લાગ્યા હતા, પરંતુ આના છતાં તેઓ વધુ સફળ ન થયા અને જલદી જ બોલીવુડથી અદ્રશ્ય થઈ ગયા.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>પિતાની જેમ ક્રિકેટ નહીં, એક્ટિંગને પસંદ કરી</b></h2><p style="text-align: justify; ">જુગલ હંસરાજનો જન્મ 26 જુલાઈ 1972 ના રોજ મુંબઈમાં થયો હતો. તેમના પિતા પ્રવીણ હંસરાજ ક્રિકેટ રમતા હતા. પ્રવીણ હંસરાજ ભારત તરફથી ક્રિકેટ રમી ચૂક્યા છે. પરંતુ, બીજી તરફ જુગલે સ્પોર્ટ્સમાં રસ ન દાખવ્યો અને ફિલ્મી પડદાનો પ્રવાસ ખેડવાનું સપનું જોયું. આ સપનાને તેમણે બાળપણમાં જ સાકાર કરી લીધું હતું અને મોટા થયા તો પણ એક્ટિંગ જગતમાં જ કામ કર્યું.</p><h2 style="text-align: justify; "><b>11 વર્ષની ઉંમરે કર્યું હતું બોલીવુડમાં ડેબ્યુ</b></h2><p style="text-align: justify; ">જુગલ હંસરાજે મોટા પડદા માટે સૌથી પહેલા કેમેરો ફિલ્મ 'માસૂમ' ના માધ્યમથી ફેસ કર્યો હતો. આ ફિલ્મ વર્ષ 1983 માં રિલીઝ થઈ હતી અને આમાં જુગલે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું. તેમના પાત્રનું નામ રાહુલ મલ્હોત્રા હતું. તે વખતે તેમની ઉંમર 11 વર્ષ હતી. 43 વર્ષ જૂની આ ફિલ્મમાં જુગલને શબાના આઝમી, નસીરુદ્દીન શાહ, તનુજા, સઈદ જાફરી અને સતીશ કૌશિક જેવા સિનેમાના મોટા દિગ્ગજો સાથે કામ કરવાની તક મળી હતી.<br><img alt="Celebrate Jugal Hansraj's birthday (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/07/26/6ZR0wfGBkAsCQqQI3bzwtXSSgdfXjGLJPZoWi0Wi.webp"><br></p><h3 style="text-align: justify; "><b>આ ગલે લગ જાથી લીડ એક્ટર ડેબ્યુ</b></h3><p style="text-align: justify; ">માસૂમથી ડેબ્યુ કરનાર જુગલ હંસરાજે વર્ષ 1986 માં બીજી બે ફિલ્મોમાં પણ બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. આ ફિલ્મો હતી કર્મ અને સલ્તનત. આમાંથી કર્મ ખૂબ મોટી હિટ સાબિત થઈ હતી. જુગલે લીડ એક્ટર તરીકે બોલીવુડમાં પોતાની શરૂઆત વર્ષ 1994 માં કરી હતી. આ દરમિયાન તેઓ ફિલ્મ આ ગલે લગ જા  માં નજરે પડ્યા હતા. 32 વર્ષ જૂની આ રોમેન્ટિક ફિલ્મમાં તેમની જોડી ઉર્મિલા માતોંડકર સાથે બની હતી. ફિલ્મનું ડિરેક્શન હામિદ અલી ખાને કર્યું હતું. આમાં જુગલે સુરજ અને ઉર્મિલાએ રોશની નામનું પાત્ર ભજવ્યું હતું. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ હતી.</p><h3 style="text-align: justify; "><b>'ઘર સે નિકલતે હી' ગીતથી આવ્યા ચર્ચામાં</b></h3><p style="text-align: justify; ">વર્ષ 1996 ની ફિલ્મ પાપા કહેતે હૈંના ગીત ઘર સે નિકલતે હી થી જુગલ ચર્ચામાં આવી ગયા હતા. આ ગીત જુગલ અને એક્ટ્રેસ મયૂરી કાંગો પર ફિલ્માવવામાં આવ્યું હતું. તેને લોકો આજ પણ ખૂબ પસંદ કરે છે. ગીતને ઉદિત નારાયણે અવાજ આપ્યો હતો અને આના બોલ જાવેદ અખ્તરે લખ્યા હતા.</p><h4 style="text-align: justify; "><b>મોહબ્બતેં એ બનાવી દીધો હતો નેશનલ ક્રશ</b></h4><p style="text-align: justify; ">જુગલને મોટું ફેમ વર્ષ 2000 ની બ્લોકબસ્ટર ફિલ્મ મોહબ્બતેં થી મળ્યું હતું. આ પછી તેમને નેશનલ ક્રશ કહેવામાં આવવા લાગ્યા હતા. આ ફિલ્મમાં તેમણે ઐશ્વર્યા રાય, અનુપમ ખેર, અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન જેવા દિગ્જો સાથે કામ કર્યું હતું.</p><h4 style="text-align: justify; "><b>ક્યારેક એક સાથે સાઈન કરી હતી 40 ફિલ્મો</b></h4><p style="text-align: justify; ">જુગલનું કરિયર ચાલવા લાગ્યું હતું. રિપોર્ટ્સ મુજબ એક્ટરે ત્યારે એક સાથે 40 ફિલ્મો સાઈન કરી નાખી હતી. એવું કહેવાય છે કે તેઓ બધા પર એક સાથે કામ કરવા લાગ્યા હતા. જોકે તેમની ઘણી ફિલ્મો ડબ્બા બંધ થઈ ગઈ અને ઘણી રિલીઝ જ ન થઈ શકી. આ ખુલાસો ખુદ એક્ટરે ઈ ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાંં કર્યો હતો.</p><h5 style="text-align: justify; "><b>હવે ક્યાં છે જુગલ હંસરાજ?</b></h5><p style="text-align: justify; ">જુગલ હંસરાજે કભી ખુશી કભી ગમ, સલામ નમસ્તે, આજા નચલે અને કહાની 2 જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. સફળતા ન મળવાથી તેમણે બોલીવુડથી અંતર બનાવી લીધું હતું. પછી તેમણે શિવ શાસ્ત્રી બલ્બોઆથી કમબેક કર્યું હતું. આ પછી એક્ટર ખુશી કપૂર અને ઈબ્રાહિમ અલી ખાનની વર્ષ 2025 માં આવેલી ફિલ્મ નાદાનિયાંમાં પણ નજરે પડ્યા હતા. જુગલ હંસરાજે વર્ષ 2014 માં જૈસ્મીન ધિલ્લોન સાથે લગ્ન કર્યા હતા. આ પછી તેઓ અમેરિકાના ન્યૂયોર્કમાં સેટલ થઈ ગયા હતા. હવે જુગલ અને જૈસ્મીન એક પુત્રના પેરેન્ટ્સ છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/layak-nalayakk-gujarati-movie-trailer-music-poster-launch" target="_blank">આ પણ વાંચો-Gujrati કોમેડી-થ્રિલર લાયક નાલાયકનું ટ્રેલર લોન્ચ, કોમેડી-થ્રિલરનો મળશે જબરદસ્ત ડોઝ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/26/9oadECYqFr1doR3Ou83IUvQMsda3SLMv0X6blRKH.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: વિરમગામમાં 18 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, અનેક સોસાયટીઓ અને રસ્તાઓ હજુ પાણીમાં ગરકાવ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/viramgam-waterlogged-after-18-inches-rain-residents-use-tractors-for-commuting</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/viramgam-waterlogged-after-18-inches-rain-residents-use-tractors-for-commuting</guid><pubDate>Sun, 26 Jul 2026 12:54:03 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ જિલ્લાના વિરમગામ પંથકમાં ચોમાસાના તોફાની સ્પેલ દરમિયાન મેઘરાજાએ મચાવેલા તાંડવે સમગ્ર શહેરની ડ્રેનેજ અને પાણી નિકાલ વ્યવસ્થાના ધજાગરા ઉડાડી દીધા છે. વિરમગામમાં છેલ્લા 3 દિવસ દરમિયાન 18 ઇંચ જેટલો મુસળધાર વરસાદ ખાબકતાં સમગ્ર શહેર જળબંબાકાર થઈ ગયું હતું. આજે ચોથા દિવસે મેઘરાજાએ વિરામ લીધો છે અને આકાશ ઉઘાડું નીકળ્યું છે, પરંતુ આટલા કલાકો વિત્યા છતાં શહેરના નીચાણવાળા અને મુખ્ય વિસ્તારોમાંથી વરસાદી પાણી ઓસરવાનું નામ લઈ રહ્યા નથી.</p><h2><b>રહેણાંક વિસ્તારો બેટમાં ફેરવાયા</b></h2><p>વિરમગામ શહેરના જૂની મિલની ચાલી, નવાપરા, કુંવરબા પાર્ક, ધાંચાની લાટી અને વિરમગામ-માંડલ રોડ પર હજુ પણ કમર અને ઢૂંટણસમા પાણી ભરાયેલાં છે. ઘરો અને દુકાનોની બહાર પાણી જ પાણી હોવાથી લોકો ઘરની બહાર નીકળી શકતા નથી. સ્થિતિ એટલી વિકટ બની છે કે સામાન્ય દ્વિચક્રી કે ચારચક્રી વાહનો બંધ પડી રહ્યા છે. આ સંજોગોમાં સ્થાનિક રહીશો અને વેપારીઓ જરૂરિયાતી સામાન લાવવા કે ઇમરજન્સી કામગીરી માટે ટ્રેક્ટરોની મદદ લઈને પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે.</p><h3><b>&nbsp;પાણી નિકાલની કામગીરી કરવાની માગ</b></h3><p>વરસાદ રોકાઈ ગયા બાદ પણ સ્થાનિક વહીવટી તંત્ર કે નગરપાલિકા દ્વારા મોટા ડીવોટરિંગ પમ્પ મૂકીને પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવતો ન હોવાનો રહીશોએ ગંભીર આરોપ લગાવ્યો છે. દિવસો સુધી પાણી ભરાઈ રહેવાને કારણે આસપાસના વિસ્તારોમાં દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે, જેથી રોગચાળો ફેલાવાની દહેશત સેવાઈ રહી છે. કંટાળેલા સ્થાનિકોએ તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કરીને તાત્કાલિક અસરથી યુદ્ધના ધોરણે પાણી નિકાલની કામગીરી કરવાની માંગ કરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/valsad/nanapondha-kolak-river-floods-pandor-ambach-villages-damaged" target="_blank">આ પણ વાંચો: Valsad: નાનાપોંઢાના પંડોર-અંબાચમાં કોલક નદીના પૂરથી ભારે નુકસાન, ગામોમાં પાણી ઘૂસતાં શાળા અને ઘરોમાં વ્યાપક નુકસાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/26/GngiTRPGgmGSkafCFEwBQplMMST32CwTtrX79L12.webp'/></item><item><title><![CDATA[CWG 2026 : જિમ્નાસ્ટનું બેલેન્સ બગડ્યું અને જમીન પર પટકાયો , જુઓ Video ]]></title><link>https://sandesh.com/sports/news/cwg-2026-gymnast-loses-balance-and-falls-to-the-ground-watch-video</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/cwg-2026-gymnast-loses-balance-and-falls-to-the-ground-watch-video</guid><pubDate>Sun, 26 Jul 2026 12:47:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કોઈ પણ રમત હોય તેના માટે ખેલાડીઓ તનતોડ મહેનત કરતા હોય છે. તેમજ પ્રેક્ટિસ કરતી વખતે અથવા તો ફાઈનલમાં પ્રદર્શન દરમિયાન કેટલીક વખત અકસ્માતનો ભોગ બને છે. જે ચાહકો અને ખેલાડીઓ માટે દુખદ ઘટના બને છે. આવી જ એક ઘટના કોમનવેલ્થ ગેમ્સમાંથી સામે આવી રહી છે. કોમનવેલ્થ ગેમમાં પુરુષ ટીમ જિમ્નાસ્ટિક ફાઈનલ દરમિયાન ઈંગ્લેન્ડના ગૈબ્રિયલ લૈંગટન ખરાબ રીતે નીચે પટકાયો હતો.</p><h5 style="text-align: justify; "><b>ખેલાડીને સ્ટ્રેચર પર લઈ જવામાં આવ્યો</b></h5><p style="text-align: justify; ">પુરુષ ટીમની ફાઈનલ દરમિયાન તે પોતાનું પ્રદર્શન કરી રહ્યો હતો. આ દરમિયાન તેનું સંતુલન બગડી ગયું હતુ. તે સીધો માથા સાથે નીચે પટકાય છે. આ અકસ્માત પછી મેડીકલ ટીમ તરત તેની પાસે પહોંચી જાય છે. થોડા સમય સુધી બધાના શ્વાસ અધ્ધર થયા હતા. ખેલાડીને સ્ટ્રેચર પર લઈ હોસ્પિટલ પહોંચાડવામાં આવે છે</p><p style="text-align: justify; "><a href="https://x.com/BasilTheGreat/status/2080966449925869674?s=20" target="_blank">https://x.com/BasilTheGreat/status/2080966449925869674?s=20</a></p><h5 style="text-align: justify; "><b>હોસ્પિટલમાંથી રજા</b></h5><p style="text-align: justify; ">હોસ્પિટલમાં ગૈબ્રિયલ લૈંગટનની તપાસ થઈ અને સ્કેન પણ કરવામાં આવ્યું હતુ. જેમાં ગંભીર ઈજાની કોઈ સમસ્યા સામે આવી ન હતી. ઈંગ્લેન્ડ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ખેલાડીને સાંજે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આજે તેનું સ્કેન કરવામાં આવ્યું છે. તેમજ પરિણામ ખુબ સારું રહ્યું. મહત્વની વાત એ છે કે, તેને કોઈ ગંભીર ઈજા થઈ નથી. આજે સાંજે હોસ્પિટલમાંથી રજા આપી હોટલ મોકલવામાં આવશે.&nbsp; નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે, તે સારા મૂડમાં છે અને તેને મળેલા સમર્થનના અસંખ્ય મેસેજ અને તબીબી ટીમ દ્વારા પૂરી પાડવામાં આવેલી ઉત્તમ સંભાળ માટે તે ખૂબ જ આભારી છે. તે પોતાના મેડલની ઉજવણી કરવા માટે ટીમ સાથે ફરી જોડાવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.</p><h5 style="text-align: justify; "><b>મૈક્સ વ્હિટલોકના સ્થાને મળ્યું હતુ ટીમમાં સ્થાન</b></h5><p style="text-align: justify; ">ગૈબ્રિયલ લૈંગટનને આ મહિને ઈંગ્લેન્ડની ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. તેમણે 3 ગોલ્ડ સહિત 6 ઓલિમ્પિક મેડલ જીત્યા હતા. મૈક્સ વ્હિટલોકના સ્થાને લીધું હતુ. વ્હિટલોક ઈજાના કારણે કોમનવેલ્થ ગેમ્સ 2026થી દુર કરવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડની ટીમે સિલ્વર મેડલ પોતાને નામ કર્યો હતો. અકસ્માતના કારણે લૈગટન મેડલ સમારોહમાં સામેલ જઈ શક્યો નહી. જ્યારે તેના સાથી લ્યુક વ્હાઈટહાઉસ, એલેક્સ યોલશિન-કૈશ,જોશ નાથન અને એડમ ટોબિને સિલ્વર મેડલ જીત્યો હતો. ત્યારે તે હોસ્પિટલમાં હતો. 2010માં કોમનવેલ્થ ગેમ્સ પછી આ પહેલી તક છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ પુરુષ જિમ્નાસ્ટિક ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી શકી નહી.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/fih-youth-hockey5s-india-created-history-by-defeating-pakistan-secured-a-place-in-the-world-cup-womens-team-also-shone" target="_blank"> FIH Youth Hockey5s : પાકિસ્તાનને હરાવી ભારતે રચ્યો ઈતિહાસ,વર્લ્ડ કપમાં મેળવ્યું સ્થાન, મહિલા ટીમ પણ ચમકી</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/26/T3QY5Ij1Kufm4PUiGKtNLlQc7aLbAnpoMsvxslIV.webp'/></item><item><title><![CDATA[Banaskantha News: આબુ અમદાવાદ નેશનલ હાઈવેની સ્થિતિ બિસમાર, ચોમાસામાં સ્ક્રેપિંગ કરતા હાઈવે પર ખાડા પડ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/banaskantha/abu-ahmedabad-highway-full-of-potholes-after-rain</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/banaskantha/abu-ahmedabad-highway-full-of-potholes-after-rain</guid><pubDate>Sun, 26 Jul 2026 12:29:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં પડેલા વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગ તથા નેશનલ હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારી સામે આવી રહી છે.પાલનપુર નજીક આવેલા આબુ-અમદાવાદ નેશનલ હાઈવે પર ચોમાસાની સીઝનમાં અયોગ્ય રીતે સ્ક્રેપિંગ કામગીરી કરવાને કારણે સમગ્ર હાઈવે પર મોટા મોટા ખાડા પડી ગયા છે.રાષ્ટ્રીય રાજમાર્ગની સ્થિતિ ગ્રામીણ રસ્તાઓ કરતાં પણ વધુ ખરાબ અને બિસ્માર બની જતાં NHAI ની બેદરકારી સામે વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>અનેક રોડ-રસ્તાઓનું ધોવાણ થઈ ગયું</b></h2><p style="text-align: justify; ">ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે અકસ્માતની મોટી ભીતિ સેવાઈ રહી છે અને વાહનચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે.બનાસકાંઠા જિલ્લામાં પૂર અને વરસાદી પાણીના તીવ્ર પ્રવાહના કારણે અનેક રોડ-રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે. ખાસ કરીને ડીસા તાલુકાના વિઠોદર ગામે શાળા તરફ જતો મુખ્ય માર્ગ જ પાણીના પ્રવાહમાં ધોવાઈને તૂટી ગયો છે. શાળાએ જવાનો માર્ગ જ બંધ થઈ જતાં વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહેવાની નોબત આવી છે, જ્યારે બીજી તરફ માર્ગ તૂટવાના કારણે ગ્રામજનોની અવરજવર પણ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે.</p><h3 style="text-align: justify; "><b>તૂટેલો રસ્તો યુદ્ધના ધોરણે પુનઃ શરૂ કરવા માગ</b></h3><p style="text-align: justify; ">રસ્તો તૂટી જવાથી રોજિંદા ધોરણે ખેતી અને પશુપાલન પર નિર્ભર રહેતા સ્થાનિક ખેડૂતો અને માલધારીઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. દૂધ અને શાકભાજી જેવા નિત્ય ઉત્પાદનો બજાર સુધી પહોંચાડવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે. હાઈવે પર પડેલા ખાડાઓનું તાત્કાલિક ધોરણે યોગ્ય સમારકામ કરવામાં આવે તેમજ વિઠોદર ગામનો તૂટેલો રસ્તો યુદ્ધના ધોરણે પુનઃ શરૂ કરવામાં આવે તેવી સ્થાનિક રહીશો અને વાહનચાલકો દ્વારા તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/rain-damaged-roads-sinkholes-disrupt-traffic" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: વરસાદી પાણીથી સાચવ્યું હવે રોડથી સાચવજો, ભૂવા પડવાથી રસ્તા બંધ થતા વાહનચાલકો પરેશાન</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/26/VNxLafFGrEAL6bWmQNgxLNyJB43a7pJQ6x62iEek.webp'/></item><item><title><![CDATA[Sabarkantha: દેરોલમાં એક્ટિવા ચાલકની લૂંટ અને હત્યાના કેસમાં હનીટ્રેપ ગેંગનો પર્દાફાશ, મુખ્ય માસ્ટરમાઇન્ડ સહિત 10 જેલહવાલે ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/himatnagar/sabarkantha-lcb-busts-honeytrap-gang-arrests-10-in-derol-robbery-culpable-homicide-case</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/himatnagar/sabarkantha-lcb-busts-honeytrap-gang-arrests-10-in-derol-robbery-culpable-homicide-case</guid><pubDate>Sun, 26 Jul 2026 12:14:09 +05:30</pubDate><description><![CDATA[<p>હિંમતનગર નજીક આવેલા દેરોલ ગામની સીમમાં થોડા દિવસો પૂર્વે એક્ટિવા મોપેડ પર પસાર થઈ રહેલા જગદીશભાઈ પ્રજાપતિ નામના આધેડ પર અજાણ્યા શખ્સોએ હુમલો કરી, તેમની પાસેથી મોબાઈલ ફોન અને કિંમતી સામાનની લૂંટ ચલાવી હતી. આ હુમલામાં જગદીશભાઈ ગંભીર રીતે ઘવાતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું હતું.</p><h2><b>હિંમતનગરમાં હનીટ્રેપ ગેંગનો પર્દાફાશ</b></h2><p>આ બનાવ અંગે પોલીસે સાપરાધ મનુષ્યવધ અને લૂંટનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જિલ્લા પોલીસ વડાની સૂચનાથી સાબરકાંઠા LCBની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને માનવ સ્ત્રોતોના આધારે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતાં એક ચોંકાવનારી હનીટ્રેપ ગેંગનો પર્દાફાશ થયો હતો.</p><h3><b>હનીટ્રેપ અને બ્લેકમેઇલિંગની રફ મોડસ ઓપરેન્ડી</b></h3><p>LCB ની તપાસમાં સામે આવ્યું કે, આ ટોળકી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર યુવતીઓના નામે ખોટા એકાઉન્ટ બનાવી પુરુષો સાથે મિત્રતા કેળવતી હતી. ત્યારબાદ પુરુષોને પ્રેમજાળમાં ફસાવી હોટલ અથવા અવાવરૂ જગ્યાઓએ મળવા બોલાવતા હતા.જ્યારે પુરુષ નિર્ધારિત સ્થળે પહોંચે ત્યારે ગેંગના અન્ય સભ્યો અચાનક ત્રાટકીને માર મારી, તેમની વિરૂદ્ધ દુષ્કર્મ કે પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપીને બ્લેકમેઇલ કરતા હતા. પોલીસ કેસના ડરથી ભોગ બનનાર પાસેથી આ ટોળકી મોટી રકમનો 'તોડ' કરી નાણાં પડાવી લેતી હતી. દેરોલ ખાતે જગદીશભાઈ પણ આ જ રીતે આ ગેંગનો શિકાર બન્યા હતા અને પ્રતિકાર કરતાં તેમના પર જીવલેણ હુમલો કરાયો હતો.</p><h4><b>હનીટ્રેપ અને લૂંટ ટોળકીના આરોપીઓની ધરપકડ&nbsp;</b></h4><p>સાબરકાંઠા LCB એ હિંમતપૂર્વક ઓપરેશન પાર પાડીને આ હનીટ્રેપ અને લૂંટ ટોળકીના મુખ્ય સૂત્રધાર સહિત કુલ 10 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસ ટીમે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલી 2 કાર (ચાર-વ્હીલર) અને 14 નંગ કિંમતી મોબાઈલ ફોન મળીને કુલ રૂ. 15,85,000/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ હાલ તમામ આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી રહી છે. આ ટોળકીએ ભૂતકાળમાં ઉત્તર ગુજરાતના અન્ય કેટલા લોકોને હનીટ્રેપનો શિકાર બનાવ્યા છે તે દિશામાં પણ સઘન પૂછપરછ ચાલુ છે.<br></p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/lathi-jamkudi-river-overflows-10km-water-storage-drone-video-savji-dholakia" target="_blank">આ પણ વાંચો: Amreli: લાઠીની જમકુડી નદીમાં નવા નીર, 10 કિમીમાં જળસંગ્રહથી 5 ગામોને સિંચાઈનો લાભ</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/26/XRz6ZTLdXmunqLBunOrfYsepL9qDnNixx1oluZfB.webp'/></item><item><title><![CDATA[વાંચો સવારે 08થી બપોરે 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-08-am-to-12-pm-26-july-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-08-am-to-12-pm-26-july-2026</guid><pubDate>Sun, 26 Jul 2026 11:59:26 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર</b></p><p><a href="https://sandesh.com/world/news/chinese-origin-female-intern-arrested-in-belgium-for-spying-at-nato-military-headquarters" target="_blank"><b>1. NATOના મિલિટ્રી હેડક્વાર્ટરમાં જાસૂસી, ચાઇનીઝ મૂળની મહિલા ઇન્ટર્નની બેલ્જિયમમાં ધરપકડ</b></a></p><p><a href="https://sandesh.com/sports/news/cwg-2026-medals-tally-india-fails-to-win-a-medal-on-the-third-day-but-gets-relief-in-loan-balls" target="_blank"><b>2. CWG 2026 Medals Tally : ત્રીજા દિવસે ભારત મેડલ મેળવવામાં નિષ્ફળ, પણ લોન બોલ્સમાં મળી રાહત</b></a></p><p><a href="https://sandesh.com/business/news/india/gold-silver-price-today-weekly-rise-city-wise-rates" target="_blank"><b>3. Gold Price Today : અઠવાડિયામાં જ મોંઘું થયું સોનું-ચાંદી, જાણો તમારા શહેરનો આજનો લેટેસ્ટ રેટ!</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/3-days-of-waterlogging-leave-residents-stranded" target="_blank"><b>4. Ahmedabad News: પાણી, વીજળી, લિફ્ટ, રસ્તા બધું જ બંધ, તંત્રના પાપે 3 દિવસથી યાતના ભોગવતા શહેરીજનો</b></a></p><p><a href="https://sandesh.com/entertainment/news/jana-nayagan-box-office-day-3-thalapathy-vijay-collection" target="_blank"><b>5. Jana Nayaganનો દબદબો! થલાપતિ વિજયની ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ!</b></a></p><p><a href="https://sandesh.com/india/news/pm-modi-to-136th-episode-of-mann-ki-baat-today" target="_blank"><b>6. LIVE: PM Modi Mann ki Baat: PM મોદીની 136મી વખત મનકી બાત, કારગિલ વિજય દિવસ ગૌરવપૂર્ણ</b></a></p><p><a href="https://sandesh.com/india/news/cjp-protest-ends-at-jantar-mantar--abhijit-dipke-thanks-supporters-video-viral" target="_blank"><b>7. Abhijit Dipkeએ કહ્યું- કેવી રહી આંદોલન પછીની નવી સવાર, Video શેર કરી કોને કહ્યું 'Thank You'</b></a></p><p><a href="https://sandesh.com/cricket/news/video-ishan-kishan-made-such-a-mistake-in-a-live-match-that-fans-burst-out-laughing" target="_blank"><b>8. VIDEO : Live મેચમાં ઈશાન કિશને કરી એવી ભૂલ કે ફેન્સ હસી-હસીને લોટપોટ થઈ ગયા</b></a></p><p><a href="https://sandesh.com/india/news/patna-tej-pratap-yadav-sentenced-to-14-days-in-jail-protested-against-neet-paper-leak" target="_blank"><b>9. Patna : તેજ પ્રતાપ યાદવને 14 દિવસની જેલ, NEET પેપર લીકના વિરોધમાં કર્યું હતું પ્રદર્શન</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/postponed-gpsc-exam-likely-on-1st-august-for-34-advertisements-subject-to-upsc-nod" target="_blank"><b>10.&nbsp;Gandhinagar: મોકૂફ રહેલી GPSC પરીક્ષાઓ 1 ઓગસ્ટે લેવાય તેવી સંભાવના, 34 જાહેરાતો માટે સામાન્ય અભ્યાસની પરીક્ષાનું આયોજન</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/05/30/mDmSiSJWp4EJffsL4XdCg0WZVmFETlBX3EYK5ohQ.webp'/></item><item><title><![CDATA[Gold Price Today : અઠવાડિયામાં જ મોંઘું થયું સોનું-ચાંદી, જાણો તમારા શહેરનો આજનો લેટેસ્ટ રેટ! ]]></title><link>https://sandesh.com/business/news/india/gold-silver-price-today-weekly-rise-city-wise-rates</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/gold-silver-price-today-weekly-rise-city-wise-rates</guid><pubDate>Sun, 26 Jul 2026 11:35:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જો તમે સોનું કે ચાંદી ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે જરૂરી છે. છેલ્લા એક અઠવાડિયામાં સોના અને ચાંદી બંનેની કિંમતોમાં સારો એવો ઉછાળો જોવા મળ્યો છે. જ્યાં 24 કેરેટ સોનું લગભગ 1,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘું થયું છે, ત્યાં 22 કેરેટ સોનાનો ભાવ 1,650 રૂપિયા સુધી વધી ગયો છે. બીજી તરફ, ચાંદીની કિંમતમાં એક સપ્તાહ દરમિયાન 10,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો વધારો નોંધાયો છે.</p><h2 style="text-align: justify; "><b>આજે શું છે સોનાનો તાજો ભાવ?</b></h2><p style="text-align: justify; ">26 જુલાઈની સવારે જારી કિંમતો અનુસાર, રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનું 1,45,080 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેપાર કરી રહ્યું છે. 22 કેરેટ સોનાનો ભાવ 1,33,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જો મુંબઈની વાત કરીએ તો અહીં 24 કેરેટ સોનાની કિંમત 1,44,930 રૂપિયા અને 22 કેરેટ સોનું 1,32,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેચાઈ રહ્યું છે. ચેન્નાઈમાં 24 કેરેટ સોનું 1,45,090 રૂપિયા અને 22 કેરેટ સોનું 1,33,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. પુણે, બેંગલુરુ અને કોલકાતામાં પણ સોનાની કિંમત લગભગ મુંબઈ જેટલી જ બનેલી છે. જોકે, શુક્રવારે દિલ્હી ઝવેરી બજારમાં 99.9 ટકા શુદ્ધતા વાળા સોનાની કિંમતમાં લગભગ 2,000 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. આ છતાં આખા સપ્તાહના હિસાબે સોનાના ભાવ હજુ પણ વધારામાં છે.<br><h2><b>મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)</b></h2></p><table class="table table-bordered" style="text-align: justify;"><tbody><tr><td><b>શહેર</b></td><td><b>24 કેરેટ સોનાની કિંમત</b></td><td><b>22 કેરેટ સોનાની કિંમત</b></td></tr><tr><td>દિલ્હી</td><td>1,45,080</td><td>1,33,000</td></tr><tr><td>મુંબઈ</td><td>1,44,930</td><td>1,32,850</td></tr><tr><td>કોલકાતા</td><td>1,44,930</td><td>1,32,850</td></tr><tr><td>ચેન્નઈ</td><td>1,45,090</td><td>1,33,000</td></tr><tr><td>અમદાવાદ</td><td>1,44,980</td><td>1,32,900</td></tr><tr><td>રાજકોટ</td><td>1,44,980</td><td>1,32,900</td></tr></tbody></table><h3 style="text-align: justify; "><b>ચાંદી પણ થઈ મોંઘી</b></h3><p style="text-align: justify; ">સોનાની સાથે-સાથે ચાંદીની કિંમતોમાં પણ તેજી બનેલી છે. 26 જુલાઈએ દેશમાં ચાંદીનો ભાવ 2,40,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગયો. એટલે કે છેલ્લા એક સપ્તાહમાં ચાંદી લગભગ 10,000 રૂપિયા પ્રતિ કિલો મોંઘી થઈ છે. જોકે, ઇન્દોર ઝવેરી બજારમાં 25 જુલાઈએ ચાંદીની કિંમતમાં 500 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો હળવો ઘટાડો નોંધાયો અને સરેરાશ ભાવ 2,22,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યો.</p><h4 style="text-align: justify; "><b>આંતરરાષ્ટ્રીય બજારની શું સ્થિતિ છે?</b></h4><p style="text-align: justify; ">વૈશ્વિક બજારમાં પણ કિંમતી ધાતુઓની કિંમતો ઊંચા સ્તરે બનેલી છે. સ્પૉટ ગોલ્ડની કિંમત લગભગ 4,052.78 ડૉલર પ્રતિ ઔંસ છે, જ્યારે સ્પૉટ સિલ્વર 58.11 ડૉલર પ્રતિ ઔંસની આસપાસ વેપાર કરી રહી છે.</p><h4 style="text-align: justify; "><b>કેમ બદલાય છે સોના-ચાંદીના ભાવ?</b></h4><p style="text-align: justify; ">ભારતમાં સોના અને ચાંદીની કિંમતો ફક્ત ઘરેલુ માંગ પર જ નિર્ભર નથી કરતી. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા માલની કિંમત, ડૉલર સામે રૂપિયાની ચાલ, મધ્યસ્થ બેંકોની નીતિઓ, વ્યાજ દરો, વૈશ્વિક આર્થિક સ્થિતિ અને રોકાણકારોની ખરીદી જેવા ઘણા પરિબળો તેના ભાવ નક્કી કરે છે. આ જ કારણ છે કે ઘણીવાર આંતરરાષ્ટ્રીય બજારમાં ઉતાર-ચઢાવની અસર ભારતીય બજારમાં પણ જોવા મળે છે. જો તમે રોકાણ અથવા જ્વેલરી ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો ખરીદી કરતા પહેલા તમારા શહેરનો તાજો દર જરૂર ચકાસી લો.</p><h6 style="text-align: justify; "><b>Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.</b></h6><p style="text-align: justify; "><a href="https://sandesh.com/business/news/world/why-diet-coke-price-increased-in-india-reasons" target="_blank">આ પણ વાંચો-Diet Coke Price Hike : ભારતમાં મોંઘી કેમ થઈ Diet Coke? જાણો શું છે તેની પાછળનું કારણ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/26/sag36thRNWpXqgKwxJZasNfXWEfJ328N88AmJCx8.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: સૌરાષ્ટ્ર શાખાની મુખ્ય નર્મદા કેનાલમાં 4 થી 5 મોટાં ગાબડાં પડ્યાં, વરખડીયા સાઇફન કેનાલ ઓવરફ્લો ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/viramgam-saurashtra-branch-narmada-canal-breached-varkhadiya-siphon-overflows</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/viramgam-saurashtra-branch-narmada-canal-breached-varkhadiya-siphon-overflows</guid><pubDate>Sun, 26 Jul 2026 10:24:01 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકા અને તેની સરહદે આવેલા કડી પંથક સહિત ઉપરવાસના વિસ્તારોમાં પડેલા તોફાની વરસાદના કારણે કેનાલ નેટવર્ક પર ભારે કટોકટી સર્જાઈ છે. ઉપરવાસમાંથી વહીને આવેલા લાખો ક્યુસેક વરસાદી પાણીના નિકાલ સામે નાની કુમાદ પાસે આવેલી વરખડીયા સાઇફન કેનાલ ટૂંકી પડતાં જળતાંડવની સ્થિતિ સર્જાઈ છે.</p><h2><b>&nbsp;કેનાલનું પૂરનું પાણી નર્મદા કેનાલમાં ધસમસતું ઘૂસી ગયું&nbsp;</b></h2><p>કડી અને આસપાસના વિસ્તારોમાંથી આવતો પાણીનો મોટો જથ્થો વરખડીયા સાઇફન કેનાલમાં ઠલવાયો હતો, જેના કારણે સાઇફન કેનાલ તેની સંગ્રહ ક્ષમતા કરતાં વધુ ભરાઈને ઓવરફ્લો થઈ ગઈ હતી. સાઇફન ઓવરફ્લો થતાં જ કાચી કેનાલનું પૂરનું પાણી નજીકમાંથી પસાર થતી સૌરાષ્ટ્ર શાખાની મુખ્ય નર્મદા કેનાલમાં ધસમસતું ઘૂસી ગયું હતું.</p><h3><b>મુખ્ય કેનાલનું ધોવાણ થતા 4 થી 5 મોટાં ગાબડાં</b></h3><p>વરસાદી પૂરના પાણીના અતિશય વેગ અને દબાણને કારણે કંક્રીટની બનેલી સૌરાષ્ટ્ર શાખાની મુખ્ય નર્મદા કેનાલની પાળ તૂટી ગઈ હતી. મુખ્ય કેનાલમાં એક જ વિસ્તારમાં 4 થી 5 મોટાં ભયાનક ગાબડાં (Canal Breach) પડી જતાં કેનાલનું પાણી આસપાસના સીમ અને ખેતરોમાં વહેવા લાગ્યું છે.</p><h4><b>નર્મદા કેનાલની પાળ તૂટી ગઈ&nbsp;</b></h4><p>કેનાલમાં તોતિંગ ગાબડાં પડવાની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતો મોટી સંખ્યામાં નાની કુમાદ ખાતે એકઠા થઈ ગયા હતા. કેનાલ તૂટવાના કારણે સૌરાષ્ટ્ર તરફ જતાં પીવાના અને સિંચાઈના પાણીના પુરવઠા પર પણ અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. ઘટનાની જાણ થતાં જ નર્મદા નિગમ (SSNNL) ના ઇજનેરો અને વિરમગામ તાલુકા વહીવટી તંત્રનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. ઉપરવાસમાંથી આવતા પાણીના પ્રવાહને રોકવા અને મુખ્ય કેનાલમાં પડેલા ગાબડાંનું યુદ્ધના ધોરણે સમારકામ (રીપેરિંગ) હાથ ધરવા માટે જેસીબી અને મશીનરી તૈનાત કરવામાં આવી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/postponed-gpsc-exam-likely-on-1st-august-for-34-advertisements-subject-to-upsc-nod" target="_blank">આ પણ વાંચો: Gandhinagar: મોકૂફ રહેલી GPSC પરીક્ષાઓ 1 ઓગસ્ટે લેવાય તેવી સંભાવના, 34 જાહેરાતો માટે સામાન્ય અભ્યાસની પરીક્ષાનું આયોજન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/26/UMJjm5XXZEYYfFNEusf7gxqrkliyEeISi9ghkBvd.webp'/></item></channel></rss>