<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabad News : સાબરમતી જેલ વિવાદ બાદ હરૂ સિંધી સામે મોટી કાર્યવાહી, પોલીસ દ્વારા 2 વર્ષ માટે તડીપાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-news-major-action-against-haru-sindhi-after-sabarmati-jail-controversy-police-deport-him-for-2-years</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-news-major-action-against-haru-sindhi-after-sabarmati-jail-controversy-police-deport-him-for-2-years</guid><pubDate>Sun, 16 Aug 2026 21:13:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સાબરમતી જેલ વિવાદને લઈને ચર્ચામાં આવેલા કુખ્યાત આરોપી હરેશ ઉર્ફે હરૂ પ્રેમચંદ મૂલચંદાની (હરૂ સિંધી) સામે સરદારનગર પોલીસે આકરા પગલાં લીધા છે. પોલીસે હરૂ સિંધીને રાજસ્થાનના ઉદયપુરથી ઝડપી પાડી તેની સામે તડીપારની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેના ગુનાહિત ઇતિહાસ અને પોલીસ ચોપડે નોંધાયેલા અનેક ગુનાઓને ધ્યાનમાં રાખીને શહેર પોલીસે ગુનાહિત પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે આ કડક નિર્ણય લીધો છે.</p><h2 style="text-align: justify; "><b>અમદાવાદ સહિત આસપાસના જિલ્લાઓમાંથી 2 વર્ષ માટે તડીપાર</b></h2><p style="text-align: justify; ">પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી હેઠળ હરૂ સિંધીને આગામી બે વર્ષ માટે તડીપાર જાહેર કરવામાં આવ્યો છે. આ હુકમના કારણે તેના અમદાવાદ શહેર સહિત આસપાસના અન્ય સંલગ્ન જિલ્લાઓમાં પ્રવેશ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. હરૂ સિંધી અને તેની ટોળકી દ્વારા નિર્દોષ નાગરિકો તેમજ વેપારીઓને ધમકીઓ આપી ભયનો માહોલ ઉભો કરવામાં આવતો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા બાદ આ નિર્ણય લેવાયો છે.</p><h2 style="text-align: justify; "><b>તડીપાર બાદ પણ પ્રજાના મનમાં મોટો સવાલ</b></h2><p style="text-align: justify; ">સાબરમતી જેલ વિવાદથી લઈને તડીપારની કાર્યવાહી સુધી હરૂ સિંધી ફરી એકવાર પોલીસની કડક કાર્યવાહીને કારણે ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. જોકે, હરૂ સિંધી સામે તડીપારનું શસ્ત્ર ઉગામાયા બાદ પણ સ્થાનિકોના મનમાં એક મોટો પ્રશ્ન ઊભો થયો છે કે, હરૂ સિંધી તો તડીપાર થઈ ગયો પરંતુ તેની ટોળકી દ્વારા ફેલાવવામાં આવતા કહેવાતા આતંકથી સામાન્ય જનતા અને વેપારીઓને ક્યારે કાયમી મુક્તિ મળશે?</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-news-bjp-protests-in-rajkot-on-vande-mataram-issue-holds-candle-march-and-shouts-slogans-against-congress" target="_blank">Rajkot News : વંદે માતરમ મુદ્દે રાજકોટમાં ભાજપનો વિરોધ, કેન્ડલ માર્ચ યોજી કોંગ્રેસ સામે સૂત્રોચ્ચાર</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/53d2vbYQJewkKSFdwYFprDWNqHgsrHq1hUAiqwn8.webp'/></item><item><title><![CDATA[Gandhinagar: પી. ચિદમ્બરમના 'દિમાગી નક્સલ' નિવેદનથી દેશનું રાજકારણ ગરમાયું, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો આકરો પ્રહાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/harsh-sanghavi-slams-p-chidambaram-over-naxalism-tweet-upa-record</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/harsh-sanghavi-slams-p-chidambaram-over-naxalism-tweet-upa-record</guid><pubDate>Sun, 16 Aug 2026 21:12:39 +05:30</pubDate><description><![CDATA[<p>કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને દેશના ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિદમ્બરમ દ્વારા સોશિયલ મીડિયા પર 'દિમાગી નક્સલ' શબ્દાવલી અને નક્સલવાદને લઈને કરવામાં આવેલા ટ્વીટ બાદ નવો વિવાદ ઊભો થયો છે. દેશની રાષ્ટ્રીય સુરક્ષા અને નક્સલવાદ જેવા સંવેદનશીલ મુદ્દે પૂર્વ ગૃહમંત્રીના નિવેદન સામે ભાજપના નેતાઓએ કડક પ્રતિક્રિયા આપી છે.</p><p><b>હર્ષ સંઘવીનો સણસણતો જવાબ</b></p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sanghaviharsh/status/2088980430137471134"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>ચિદમ્બરમના&nbsp; નિવેદન પર હર્ષ સંઘવીનો પલટવાર</b></h2><p>ચિદમ્બરમના આ નિવેદન સામે ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કડક શબ્દોમાં પ્રત્યુત્તર આપતા યુપીએ (UPA) સરકારના 10 વર્ષના શાસન પર સીધા સવાલો દાગ્યા છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ચિદમ્બરમના આ નિવેદન પરથી હવે દેશને સમજાય છે કે UPA શાસન દરમિયાન દેશમાં નક્સલવાદીઓ આટલા બધા સક્રિય કેમ થયા હતા.</p><h3><b>હર્ષ સંઘવીના મુખ્ય પ્રહારો</b></h3><p>પીએના દસ વર્ષના શાસનકાળમાં શા માટે આપણા પોલીસ જવાનો અને સીઆરપીએફ (CRPF) ના શૂરવીર જવાનો શહીદ થતા રહ્યા તે આ માનસિકતાથી સ્પષ્ટ થાય છે.નક્સલવાદીઓના હિંસક હુમલાઓમાં ૫ હજાર જેટલા નિર્દોષ નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા તે પાછળ તત્કાલીન સરકારની ઢીલી નીતિ અને નક્સલવાદ પ્રત્યેની નરમ માનસિકતા જવાબદાર હતી.દેશના પૂર્વ ગૃહમંત્રી જો નક્સલવાદના બચાવમાં આવા નિવેદનો આપતા હોય તો તે અત્યંત ગંભીર અને ચિંતાજનક બાબત છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/himatnagar/himmatnagar-police-arrests-wanted-accused-sukhdev-gurjar-10-cases" target="_blank">આ પણ વાંચો: Sabarkantha: હિંમતનગરમાંથી 4 વર્ષથી ફરાર અને 10 ગુનાનો વોન્ટેડ રીઢો ગુનેગાર સુખદેવ ઉર્ફે સુરજ ગુર્જર ઝબ્બે</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/LS1b4HWkdXaikkGBeWEkRrQvNyDfHbfsFByPLVCr.webp'/></item><item><title><![CDATA[Sardar Sarovar Narmada Dam: આ સીઝનમાં પ્રથમવાર જળસપાટી 135 મીટરને પાર, ડેમ 87.95% ભરાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/narmada/sardar-sarovar-narmada-dam-water-level-crosses-135-meters</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/narmada/sardar-sarovar-narmada-dam-water-level-crosses-135-meters</guid><pubDate>Sun, 16 Aug 2026 21:11:49 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતની જીવનદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાંથી રાજ્યવાસીઓ માટે ખૂબ જ આશાસ્પદ અને રાહતના સમાચાર આવ્યા છે. ચાલુ ચોમાસાની સીઝનમાં પ્રથમ વખત નર્મદા ડેમની જળસપાટી 135 મીટરની સપાટી વટાવીને 135.03 મીટરે પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં જ ડેમની પાણીની સપાટીમાં 09 સેન્ટીમીટરનો નોંધપાત્ર વધારો થયો છે.</p><h2><b>નર્મદા ડેમમાં હાલ 87.95 ટકા જળસંચય</b></h2><p>નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે, જેની સામે હાલ ડેમ 87.95 ટકા જેટલો ભરાઈ ચૂક્યો છે. ડેમની વર્તમાન સ્થિતિએ ગ્રોસ સ્ટોરેજ 8320.30 એમસીએમ (MCM) નોંધાયું છે. ડેમમાં થઈ રહેલા સતત પાણીના સંગ્રહને કારણે આગામી સમયમાં સમગ્ર રાજ્ય માટે પીવાના અને સિંચાઈના પાણીની જરૂરિયાતો પૂરી પાડવામાં મોટી રાહત મળશે.</p><h2><b>ઉપરવાસમાંથી પાણીની આવક અને જાવકના આંકડા</b></h2><p>ઉપરવાસમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને કારણે નર્મદા ડેમમાં હાલ 5162.00 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે સામે નર્મદા નદીમાં 630 ક્યુસેક અને મુખ્ય નર્મદા કેનાલમાં 5435.00 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આમ, ડેમમાંથી કુલ મળીને 6065.00 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ રહી છે.</p><h2><b>રાજ્યમાં જળસંકટની ચિંતા દૂર થઈ</b></h2><p>ડેમની જળસપાટીમાં ઉત્તરોત્તર થઈ રહેલા વધારાને પગલે ખેડૂતો અને સામાન્ય જનતામાં ખુશીનો માહોલ છે. ચોમાસાની બાકીની સીઝન દરમિયાન ઉપરવાસમાંથી વધુ પાણીની આવક થવાની શક્યતા છે, જેને પગલે ડેમ પૂર્ણ સપાટીએ ભરાય તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ahwa/saputara-monsoon-festival-2026-nature-and-tribal-art-festival-begins-in-dang" target="_blank">Saputara Monsoon Festival 2026: ડાંગમાં પ્રકૃતિ અને આદિવાસી કલાના મહોત્સવનો પ્રારંભ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/embllaFnUdKwIezxfXzRazGUtx1aSEUZArHhvXXJ.webp'/></item><item><title><![CDATA[Sukhbir Singh Badal પર હુમલાની NIA તપાસની માગ, હરિસિમરત કૌર બાદલે અમિત શાહને લખ્યો પત્ર ]]></title><link>https://sandesh.com/india/news/sukhbir-singh-badal-attack-nia-probe-harsimrat-kaur-badal-amit-shah</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/sukhbir-singh-badal-attack-nia-probe-harsimrat-kaur-badal-amit-shah</guid><pubDate>Sun, 16 Aug 2026 21:01:13 +05:30</pubDate><description><![CDATA[<p>શિરોમણી અકાલી દળના સાંસદ હરિસિમરત કૌર બાદલે પોતાના પતિ અને પાર્ટીના નેતા સુખબીર સિંહ બાદલ પર 13 ઓગસ્ટે થયેલા હુમલાની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપવાની માગ કરી છે. આ મામલે તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે.</p><h2><b>હરિસિમરત કૌરે ગંભીર સવાલો ઉઠાવ્યા&nbsp;</b></h2><p>હરિસિમરત કૌર બાદલે પત્રમાં જણાવ્યું કે હુમલા દરમિયાન સુખબીર બાદલના જમણા હાથમાં ઈજા થઈ હતી. તેમણે દાવો કર્યો કે સતર્ક સુરક્ષાકર્મીએ હુમલાખોરને રોકવા માટે પોતાનો જીવ જોખમમાં ન મૂક્યો હોત તો પરિણામ વધુ ગંભીર બની શક્યું હોત. તેમણે કહ્યું કે 13 ઓગસ્ટની ઘટના કોઈ એકલદોકલ ઘટના નથી. અગાઉ 4 ડિસેમ્બર 2024ના રોજ અમૃતસરના શ્રી હરમંદિર સાહિબના પરિસરમાં પણ સુખબીર બાદલ પર જીવલેણ હુમલાનો પ્રયાસ થયો હતો. બંને ઘટનાઓમાં કેટલીક સમાનતાઓ હોવાનો દાવો કરી તેમણે બંને હુમલા એકબીજા સાથે જોડાયેલા છે કે કેમ તે અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.</p><h3><b>હથિયારથી કર્યો હુમલો&nbsp;</b></h3><p>હરિસિમરતે હુમલામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારનો ઉલ્લેખ કરતા કહ્યું કે હુમલાખોરે આશરે દોઢ ફૂટ લાંબા ધારદાર હથિયારથી સુખબીર બાદલની છાતી પર હુમલો કર્યો હતો. પોતાનો બચાવ કરવા માટે હાથ ઊંચો કરતાં હથિયાર તેમના હાથમાં વાગ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે અગાઉના હુમલામાં સામેલ આરોપી હજુ ખુલ્લેઆમ ફરી રહ્યો છે અને પંજાબના DGP તથા અન્ય અધિકારીઓએ મામલાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો.&nbsp;</p><h4><b>સમગ્ર મામલામાં મોટું ષડયંત્ર હોવાનો દાવો</b></h4><p>તેમણે સમગ્ર મામલામાં મોટું ષડયંત્ર હોવાનો દાવો કરી સંડોવાયેલા પોલીસ અધિકારીઓ કે રાજકીય નેતાઓ સામે પણ કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. 13 ઓગસ્ટે નાંદેડ નજીક એક ગુરુદ્વારામાં નિહંગ જૂથના એક સભ્યએ કૃપાણથી સુખબીર બાદલ પર હુમલો કર્યો હતો. હુમલાખોરની ધરપકડ કરવામાં આવી હતી. બાદલને સારવાર બાદ નાંદેડની હોસ્પિટલમાંથી રજા આપી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સર્જરી માટે દાખલ કરવામાં આવ્યા હતા.</p><p><b><a href="https://sandesh.com/india/news/delhi-100-atal-canteens-launched-eight-months-5-rupees-meal" target="_blank">આ પણ વાંચો : Delhi : 8 મહિનામાં 100 'અટલ કેન્ટીન' શરૂ, 5 રૂપિયામાં મળશે પૌષ્ટિક ભોજન</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/TJKxhp6el8TSXJ4qqhBIe8e6bPm6Y4xVlzJAUrHM.webp'/></item><item><title><![CDATA[Surat: સેગવામાં મસાલા ફેક્ટરીમાં બાથરૂમની બારી તોડી 2 તસ્કરો ઘૂસ્યા, 1.94 લાખની રોકડ ચોરી ચોર ફરાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/kamrej-segwa-masala-factory-burglary-1-94-lakh-stolen-cctv-captured</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/kamrej-segwa-masala-factory-burglary-1-94-lakh-stolen-cctv-captured</guid><pubDate>Sun, 16 Aug 2026 20:38:27 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત ગ્રામ્યના કામરેજ તાલુકામાં ગુનાખોરીની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે સેગવા ગામે આવેલી 'ગોપીન ઈન્ડસ્ટ્રીઝ' નામની મસાલા ફેક્ટરીને તસ્કરોએ નિશાન બનાવી છે. મોડી રાત્રિના સુમારે ફેક્ટરી બંધ હતી ત્યારે બે અજાણ્યા તસ્કરોએ ફેક્ટરીની પાછળના ભાગે આવેલા બાથરૂમની બારીમાંથી અંદર પ્રવેશ કર્યો હતો.</p><h2><b>સેગવા ગામે મસાલા ફેક્ટરીમાંથી ચોરી</b></h2><p>ત્યારબાદ તસ્કરોએ ફેક્ટરીમાં આવેલી મુખ્ય ઓફિસનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ટેબલના ખાનામાં રાખેલા રૂ. 1.94 લાખની રોકડ રકમ ચોરીને રફુચક્કર થઈ ગયા હતા.સવારે જ્યારે ફેક્ટરીના સંચાલકો અને કર્મચારીઓ આવ્યા ત્યારે ઓફિસનો દરવાજો તૂટેલો અને સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. તપાસ કરતા ટેબલના ખાનામાંથી 1.94 લાખ રોકડા ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું.</p><h3><b>પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો&nbsp;</b></h3><p>ઘટના અંગે તાત્કાલિક કામરેજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફેક્ટરીમાં લગાવેલા સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજ ચકાસતા બે તસ્કરો ચોરી કરતા સ્પષ્ટપણે કેદ થયેલા જોવા મળ્યા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ મેળવી તેમને ઝડપી પાડવા માટે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dahod/santrampur-police-arrests-tina-pargi-husband-of-dahod-zilla-panchayat-member-in-prohibition-case" target="_blank">આ પણ વાંચો: Dahod: જિલ્લા પંચાયતના ભાજપ સભ્ય શાંતાબેનના પતિ મુકેશ ઉર્ફે ટીના પારગીની ધરપકડ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/OjchOfLrfX3RP6fJVbNiYfbDJYrU6pYpcxGxN6cH.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: એસઓજીની કૃષ્ણનગરમાં રેડ, 672 ગ્રામ હાઇબ્રીડ ગાંજો અને રૂ.21 લાખની રોકડ સાથે આરોપી ઝડપાયો ]]></title><link>https://sandesh.com/crime/news/gujarat/ahmedabad/sog-raid-krishnanagar-hybrid-ganja-seized-rahul-gade</link><guid isPermaLink="true">https://sandesh.com/crime/news/gujarat/ahmedabad/sog-raid-krishnanagar-hybrid-ganja-seized-rahul-gade</guid><pubDate>Sun, 16 Aug 2026 20:30:47 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરમાં ફૂટી નીકળેલા ડ્રગ્સ અને નશાના કાળા કારોબારને નાથવા માટે અમદાવાદ શહેર પોલીસ સતત એક્શન મોડમાં છે. તેવામાં અમદાવાદ શહેર એસઓજીની ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા રઘુનાથ સોસાયટીના એક મકાનમાં રેડ કરી હતો. આ રેડ દરમિયાન પોલીસે ઘરની અંદરથી 672 ગ્રામ જેટલો અત્યંત કિંમતી હાઇબ્રીડ ગાંજો જપ્ત કર્યો છે.</p><h2><b>ઘરમાંથી અંદાજિત 21 લાખ રૂપિયાની રોકડ મળી</b></h2><p>રેડ દરમિયાન એસઓજીની કસ્ટડીમાં આવેલા આરોપીનું નામ રાહુલ ગાડે હોવાનું સામે આવ્યું છે. પોલીસે જ્યારે આરોપી રાહુલના ઘરની સઘન તપાસ કરી ત્યારે હાઇબ્રીડ ગાંજાની સાથે ઘરમાંથી રૂ. 20.98 લાખની મોટી રોકડ રકમ પણ મળી આવી હતી. પોલીસે ગાંજો અને તમામ રોકડ રકમ કબ્જે કરીને આરોપી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.</p><h2><b>બન્ની ભાટીયા નામના મુખ્ય સૂત્રધારની શોધખોળ</b></h2><p>પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં સામે આવ્યું છે કે, આ હાઇબ્રીડ ગાંજાનું આખું નેટવર્ક બન્ની ભાટીયા નામનો શખ્સ ચલાવી રહ્યો છે. આ મુખ્ય આરોપી કૃષ્ણનગર, સરદારનગર અને આસપાસના વિસ્તારોમાં હાઇબ્રીડ ગાંજાનું વેચાણ અને નેટવર્ક ચલાવતો હતો. હાલમાં આ કેસમાં ફરાર થયેલા મુખ્ય સપ્લાયર બન્ની ભાટીયાને ઝડપી લેવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.</p><p><img alt="Ahmedabad News: SOG Seizes Hybrid Ganja and Rs 20.98 Lakh Cash in Krishnanagar" src="https://epapercdn.sandesh.com/images/2026/08/16/YfTDSCsgVewZo5SVYv357kKkVruGMhqlEvhKQpbX.webp" style="width: 100%;"><br></p><h2><b>રોકડ રકમ અને ડ્રગ્સ નેટવર્ક અંગે તપાસ તેજ</b></h2><p>આરોપીના ઘરેથી મળી આવેલી અંદાજિત રૂ. 21 લાખની રોકડ રકમ ગાંજાના વેચાણમાંથી જ એકઠી કરવામાં આવી હોવાની પોલીસને દ્રઢ શંકા છે. આથી પોલીસે આ નાણાકીય વ્યવહારો અને આવકના સ્ત્રોત અંગે ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. ડ્રગ્સ અને હાઇબ્રીડ ગાંજાનું આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે, અને તેમાં અન્ય કેવા પેડલરો સામેલ છે તે દિશામાં એસઓજીની અલગ-અલગ ટીમો તપાસ ચલાવી રહી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/airport-customs-seizes-gold-sharjah-passengers" target="_blank">Ahmedabad Airport પર કસ્ટમ્સની કાર્યવાહી, શારજાહથી લાવેલું રૂ.28.87 લાખનું સોનું અને સામાન જપ્ત</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/2UTd17TwwAgfsS6xXt7uw6CmOZXbfRZl1PxoAQCG.webp'/></item><item><title><![CDATA[Pakistan Economy Crisis 2026: પાકિસ્તાને ડિજિટલ પેમેન્ટ શરૂ કર્યું પણ અર્થતંત્રમાં કેશનો ફુગાવો રેકોર્ડ સ્તરે ]]></title><link>https://sandesh.com/business/news/world/pakistan-economy-crisis-2026-pakistan-launched-digital-payments-but-cash-inflation-in-the-economy-is-at-record-levels-1</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/world/pakistan-economy-crisis-2026-pakistan-launched-digital-payments-but-cash-inflation-in-the-economy-is-at-record-levels-1</guid><pubDate>Sun, 16 Aug 2026 20:11:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ડિજિટલ ચૂકવણીમાં વધારો થયો છે. પરંતુ રોકડનો ઉપયોગ પણ ઝડપથી વધ્યો છે. આ કટોકટીનું કારણ છે.</p><h2 style="text-align: justify; ">કેશલેસ અર્થતંત્ર પ્રાપ્ત કરવાનું શરૂ</h2><p style="text-align: justify; ">ભારતના ઉદાહરણને અનુસરીને, પાકિસ્તાને પણ કેશલેસ અર્થતંત્ર પ્રાપ્ત કરવાનું શરૂ કર્યું. થોડા મહિનામાં, મોબાઇલ બેંકિંગ, ડિજિટલ વોલેટ અને ઓનલાઈન ચુકવણીનો ઉપયોગ ઝડપથી વધ્યો. સરકારે પણ લોકોને રોકડને બદલે ડિજિટલ ચુકવણી કરવા માટે પ્રોત્સાહિત કરવાનું શરૂ કર્યું. પરંતુ અચાનક, પ્રવાહ ઉલટું થઈ ગયું. પહેલ અર્થતંત્રને કેશલેસ બનાવવાની હતી, પરંતુ તેના બદલે, અર્થતંત્રમાં બમણી રોકડ વહેવા લાગી.</p><h3 style="text-align: justify; ">ડિજિટલ ચૂકવણીમાં વધારો</h3><p style="text-align: justify; ">નાણાકીય વર્ષ 2025-26માં, પાકિસ્તાનમાં ચલણ 11.94 ટ્રિલિયન પાકિસ્તાની રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું. જ્યારે નાણાકીય વર્ષ 2020માં, તે 6.14 ટ્રિલિયન રૂપિયા હતું. આનો અર્થ એ થયો કે લગભગ છ વર્ષમાં રોકડ રકમમાં 94% નો વધારો થયો. આનો અર્થ એ થયો કે ડિજિટલ ચૂકવણીમાં વધારો થયો, પરંતુ રોકડની જરૂરિયાત અદૃશ્ય થઈ નહીં. વાસ્તવિક સમસ્યા એ છે કે પાકિસ્તાનમાં, ડિજિટલ રીતે પ્રાપ્ત થયેલા પૈસા ઘણીવાર ડિજિટલ રીતે ખર્ચાતા નથી. ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિ પોતાના બેંક ખાતા અથવા મોબાઇલ વોલેટમાં પૈસા મેળવે છે, તેને ATM અથવા બેંક ખાતામાંથી ઉપાડે છે, અને પછી તેને દુકાનમાં રોકડમાં ખર્ચ કરે છે.&nbsp;</p><h4 style="text-align: justify; ">ડિજિટલ વ્યવહારોમાં વધારો&nbsp;</h4><p style="text-align: justify; ">અહીં એક મહત્વપૂર્ણ તફાવત સમજવો જોઈએ. ડિજિટલ વ્યવહારોમાં વધારો હંમેશા એટલો અર્થ નથી કે દેશ રોકડ રહિત બની રહ્યો છે. પાકિસ્તાનમાં, ડિજિટલ સિસ્ટમે પૈસા એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવાની રીત બદલી નાખી છે, પરંતુ તેનાથી લોકો તેને ખર્ચવાની રીતમાં નોંધપાત્ર ફેરફાર થયો નથી. નાના દુકાનદારો, અનૌપચારિક વ્યવસાયો અને રોકડ આધારિત વ્યવહારો હજુ પણ અર્થતંત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો કે, ચિત્ર સંપૂર્ણપણે અંધકારમય નથી. પાકિસ્તાનમાં, કુલ નાણાં પુરવઠામાં રોકડનો હિસ્સો નાણાકીય વર્ષ 2020 માં 30.1% થી ઘટીને નાણાકીય વર્ષ 2026 માં 25.7% થયો છે.&nbsp;</p><h5 style="text-align: justify; ">રોકડની વાસ્તવિક ખરીદ શક્તિ&nbsp;</h5><p style="text-align: justify; ">ફુગાવાની અસરને બાદ કરતાં, આ સમયગાળા દરમિયાન રોકડની વાસ્તવિક ખરીદ શક્તિમાં આશરે 12.5%નો ઘટાડો થયો છે. જોકે, નાણાકીય વર્ષ 2024 પછી, આ વલણ ઉલટું થયું હોય તેવું લાગે છે, અને વાસ્તવિક રોકડ હોલ્ડિંગ વધવા લાગ્યું છે. આનો અર્થ એ છે કે પાકિસ્તાન ડિજિટલ ચુકવણી તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ રોકડ પાછળ છોડી શકતું નથી. ભારતમાં, UPI જેવી સિસ્ટમોએ ડિજિટલ ચુકવણીઓને બેંક-ટુ-બેંક ટ્રાન્સફર સુધી મર્યાદિત કરી નથી, પરંતુ ચા વિક્રેતાઓ, કરિયાણાની દુકાનો અને નાના દુકાનદારો સુધી સીધી ડિજિટલ ચુકવણીઓ પણ લાવી છે. પાકિસ્તાનનો હવે પડકાર એ સુનિશ્ચિત કરવાનો છે કે ડિજિટલ નાણાં ફક્ત ખાતાઓમાં જ ફરતા ન હોય, પરંતુ અંતિમ ચુકવણી પણ ડિજિટલ હોય. ત્યારે જ અર્થતંત્ર ખરેખર રોકડથી દૂર જશે.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ&nbsp; <a href="https://sandesh.com/world/news/tech/ai-model-predict-depression-china-created-an-ai-model-that-will-predict-depression-4-years-in-advance" target="_blank">ચીને બનાવ્યું એવું AI મોડેલ જે 4 વર્ષ પહેલા ડિપ્રેશનની કરશે ભવિષ્યવાણી</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/Wi0MnRpsHMdkiA2KHYrUr9RJvROWeU81w103RsGD.webp'/></item><item><title><![CDATA[Delhi : 8 મહિનામાં 100 'અટલ કેન્ટીન' શરૂ, 5 રૂપિયામાં મળશે પૌષ્ટિક ભોજન ]]></title><link>https://sandesh.com/india/news/delhi-100-atal-canteens-launched-eight-months-5-rupees-meal</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/delhi-100-atal-canteens-launched-eight-months-5-rupees-meal</guid><pubDate>Sun, 16 Aug 2026 19:36:24 +05:30</pubDate><description><![CDATA[<p>પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જનસેવા અને અંત્યોદયની ભાવનાને સમર્પિત 'અટલ કેન્ટીન' યોજનાએ મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. દિલ્હી સરકારે માત્ર આઠ મહિનામાં 100 અટલ કેન્ટીન શરૂ કરવાનો લક્ષ્યાંક પૂર્ણ કર્યો છે. 25 ડિસેમ્બર 2025ના રોજ વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/CMODelhi/status/2088908708705370320"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>કેન્ટીનથી વિદ્યાર્થીઓને પણ સસ્તું અને પૌષ્ટિક ભોજન મળશે</b></h2><p>16 ઓગસ્ટે વાજપેયીની પુણ્યતિથિ નિમિત્તે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ મુખ્યમંત્રી રેખા ગુપ્તા, સાંસદ મનોજ તિવારી અને કેબિનેટ મંત્રી આશિષ સૂદની હાજરીમાં યુનિવર્સિટી મેટ્રો સ્ટેશન નજીક 25 નવી અટલ કેન્ટીનનું ઉદ્ઘાટન કર્યું. આ સાથે દિલ્હીમાં કુલ 100 અટલ કેન્ટીન કાર્યરત થઈ ગઈ છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું કે યુનિવર્સિટી વિસ્તારમાં આવેલી કેન્ટીનથી વિદ્યાર્થીઓને પણ સસ્તું અને પૌષ્ટિક ભોજન મળશે. તેમણે કહ્યું કે ઘરથી દૂર હોસ્ટેલ અને પીજીમાં રહેતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે આ યોજના ઉપયોગી સાબિત થશે.</p><h3><b>શું કહ્યું પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ?</b></h3><p>પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ યોજનાને સેવા અને સંવેદનશીલતાનું ઉદાહરણ ગણાવી હતી. તેમણે કહ્યું કે આ કેન્ટીન ગરીબો, ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો, શ્રમિકો અને રોજગાર માટે દિલ્હીમાં આવતા લોકોને સસ્તું તથા પૌષ્ટિક ભોજન પૂરું પાડશે. દિલ્હીના શહેરી વિકાસ મંત્રી આશિષ સૂદે જણાવ્યું કે અટલ કેન્ટીન માત્ર સસ્તું ભોજન આપવાની યોજના નથી, પરંતુ દિલ્હીના મહેનતકશ લોકોના સન્માનનું પ્રતીક છે. હાલ 100 કેન્ટીનમાં માત્ર ₹5માં ભોજન આપવામાં આવે છે. દરરોજ આશરે 1 લાખ લોકોને ભોજન આપવાની ક્ષમતા ધરાવતી આ કેન્ટીન વર્ષમાં લગભગ 3.65 કરોડ થાળી ઉપલબ્ધ કરાવી શકે છે. અત્યાર સુધી આશરે 95 લાખ સબસિડાઈઝ્ડ ભોજન પીરસવામાં આવ્યા છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/cag-report-finds-e-coli-in-railway-station-water--poor-sanitation-at-458-stations" target="_blank">આ પણ વાંચો : CAG Report: રેલ્વે મુસાફરોના સ્વાસ્થ્ય સાથે ચેડાં, સ્ટેશનના પીવાના પાણીમાં ઝેરીલા બેક્ટેરિયા!</a></b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/z5i7w1dC3c8XwGMqbIWYvPgUcFjsvSH5h6F9Yo6C.webp'/></item><item><title><![CDATA[Sunny Deol નથી પીતા દારૂ! કરિયરના ડાઉનફોલ અને સક્સેસ પર એક્ટરે તોડ્યું મૌન, કર્યો ચોંકાવનારો ખુલાસો! ]]></title><link>https://sandesh.com/entertainment/news/sunny-deol-alcohol-career-downfall-reaction</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/sunny-deol-alcohol-career-downfall-reaction</guid><pubDate>Sun, 16 Aug 2026 17:30:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સની દેઓલ હાલ ફિલ્મ બંટવારા 1947માં જોવા મળી રહ્યા છે. ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સની દેઓલ જોરશોરથી ફિલ્મના પ્રચારમાં વ્યસ્ત છે. તાજેતરમાં એક મુલાકાતમાં તેમણે પોતાની કારકિર્દીના ઉતાર વિશે વાત કરી હતી.</p><h2 style="text-align: justify; "><b>કારકિર્દીના ઉતાર પર સની દેઓલે કરી વાત</b></h2><p style="text-align: justify; ">ગદર ફિલ્મ ખૂબ સફળ થયા પછી પણ સની દેઓલની કારકિર્દીમાં જે ઉતાર આવ્યો હતો, તેના વિશે અભિનેતાએ શુભાંકર મિશ્રાના પોડકાસ્ટમાં વાત કરી. તેમણે કહ્યું કે અચાનક કોમ્પ્યુટરનો સમય આવ્યો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કામ કરવાની રીત બદલાવા લાગી. ગદરની સાથે તેમણે ઈન્ડિયન ફિલ્મમાં પણ કામ કર્યું હતું, જે ખૂબ મોટી સફળ રહી હતી. તે સમયે ઈન્ડિયનએ લગાન કરતાં બમણી કમાણી કરી હતી અને ગદરએ તો તેનાથી પણ વધુ કમાણી કરી હતી.</p><h2 style="text-align: justify; "><b>ફિલ્મોમાં રાજકારણ ન આવવું જોઈએ: સની દેઓલ</b></h2><p style="text-align: justify; ">સની દેઓલે વધુમાં કહ્યું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બદલાવ આવ્યો હતો. જો બોલે સો નિહાલ ફિલ્મને પણ રાજકારણના કારણે સિનેમાઘરોમાંથી હટાવવી પડી હતી. તેમણે કહ્યું કે આજકાલ ફિલ્મોની વચ્ચે જે રાજકારણ આવી રહ્યું છે, તે ન આવવું જોઈએ. રાજકારણને બહાર જ રાખવું જોઈએ. આપણે કોઈ ખોટું કામ નથી કરતા. આ મનોરંજન છે અને તેને મનોરંજન જ રહેવા દેવું જોઈએ.</p><h3 style="text-align: justify; "><b>અભિનેતા બનવાનું ક્યારે નક્કી કર્યું હતું?</b></h3><p style="text-align: justify; ">આ ઉપરાંત સની દેઓલે અભિનેતા બનવા અંગે પણ વાત કરી. તેમણે કહ્યું, જ્યારે મેં શાળાનો અભ્યાસ પૂરો કર્યો ત્યારે અભિનેતા બનવાનું વિચાર્યું હતું. તે પહેલાં ક્યારેય વિચાર્યું નહોતું. હું પિતાની ફિલ્મો ખૂબ જોતો હતો અને બીજાની ફિલ્મો ભાગ્યે જ જોતો હતો. પિતાની દરેક ફિલ્મ જોતો હતો. હોલીવુડની ફિલ્મો પણ ઘણી જોતો હતો. પિતાની જૂની ફિલ્મોથી મને પ્રેરણા મળી. મારા માટે અભિનય એટલે લાગણીઓને વ્યક્ત કરવી.</p><h3 style="text-align: justify; "><b>સફળતાનો અહંકાર ક્યારેય થયો નથી: સની દેઓલ</b></h3><p style="text-align: justify; ">સફળતા મળ્યા પછી અહંકાર આવવા અંગે સની દેઓલે કહ્યું, મારા મનમાં ક્યારેય એવો વિચાર આવ્યો નથી. આ એક પ્રકારનો નશો હોય છે અને એવો નશો ક્યારેય મારા પર ચઢ્યો નથી. કારણ કે હું ધર્મેન્દ્રનો દીકરો છું. અમે બધી વસ્તુઓ જોઈ છે અને અનુભવી છે. તેથી કારકિર્દીના ઉતાર-ચઢાવથી ક્યારેય ગભરાયો નથી. પિતા પણ ક્યારેય બદલાયા નથી.</p><h4 style="text-align: justify; "><b>દારૂ અને સિગારેટ અંગે શું બોલ્યા સની દેઓલ?</b></h4><p style="text-align: justify; ">સની દેઓલે સિગારેટ અને દારૂ અંગે પણ વાત કરી. તેમણે કહ્યું, મેં દારૂ અને સિગારેટ અજમાવ્યાં છે, પરંતુ ક્યારેય તેનું સેવન કર્યું નથી. જ્યારે હું યુવાન હતો ત્યારે અજમાવ્યું હતું. તે સમયે હું વિદેશમાં ભણતો હતો. મારી ઉંમરના લોકો આ બધું કરતા હતા, એટલે મેં પણ અજમાવ્યું હતું. મને તેનો સ્વાદ પસંદ નથી. તેની ગંધ પણ પસંદ નથી. હું સવારે શક્ય તેટલું વહેલું ઉઠું છું. મને હકારાત્મક લાગે છે.</p><h6 style="text-align: justify; "><b>ઇક્કામાં પણ જોવા મળ્યા હતા સની દેઓલ</b></h6><p style="text-align: justify; ">ફિલ્મ બંટવારા 1947ની વાત કરીએ તો તેમાં સની દેઓલ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં પ્રીતિ ઝિન્ટા મુખ્ય અભિનેત્રીની ભૂમિકામાં છે. શબાના આઝમી પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળી રહ્યાં છે. ફિલ્મનું નિર્માણ આમિર ખાને કર્યું છે, જ્યારે રાજકુમાર સંતોષીએ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. સની દેઓલ આ પહેલાં ઇક્કામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં અક્ષય ખન્ના પણ જોવા મળ્યા હતા. ફિલ્મ OTT પર રિલીઝ થઈ હતી અને તેની ઘણી ચર્ચા થઈ હતી. દર્શકોને આ ફિલ્મ પસંદ પણ આવી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/shah-rukh-khan-ajay-devgn-tiger-fda-notice-elaichi-ad" target="_blank">આ પણ વાંચો-Shah Rukh Khan, અજય દેવગન અને ટાઈગર શ્રોફની વધી મુશ્કેલીઓ! ગુટખા એડને લઈને FDAની નોટિસ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/IaMVfZ3wdyeX2vfFzQA9q7xhhYjTySkwJf43acWK.webp'/></item><item><title><![CDATA[FIH World Cup 2026 : માતાના પગલે પુત્ર! 28 વર્ષ પછી એ જ ગ્રાઉન્ડ પર હોકી વર્લ્ડ કપમાં રમ્યો દીકરો ]]></title><link>https://sandesh.com/sports/news/fih-world-cup-2026-son-follows-in-mothers-footsteps-son-plays-in-hockey-world-cup-on-same-ground-after-28-years</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fih-world-cup-2026-son-follows-in-mothers-footsteps-son-plays-in-hockey-world-cup-on-same-ground-after-28-years</guid><pubDate>Sun, 16 Aug 2026 10:03:26 +05:30</pubDate><description><![CDATA[<p>હોકી વર્લ્ડ કપ 2026 શરૂ થઈ ગયો છે.ભારતે આ વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત વેલ્સ સામે પોતાની પહેલી મેચ રમીને કરી હતી.15 ઓગસ્ટની સાંજે વેલ્સ સામેની હોકી વર્લ્ડ કપ મેચ પ્રીતમ સિવાચ માટે માત્ર એક મેચ જ નહોતી.આ મેચ તેમના પુત્ર યશદીપના વર્લ્ડ કપ ડેબ્યૂ કર્યું હતું.એક માતા તરીકે,તે તેમના માટે ગર્વની ક્ષણ હતી.આ ગર્વ એ હકીકતથી વધુ વધ્યો કે તે તેમના પુત્રને તેમના પછી હોકી વર્લ્ડ કપમાં ભારત માટે રમતા જોઈ રહી હતી.</p><h5><b>1998માં માતા 2026માં પુત્ર</b></h5><p>પ્રીતમ સિવાચે નેધરલેન્ડ્સમાં 1998ના મહિલા હોકી વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું.હવે 28 વર્ષ પછી તે જ દેશમાં 2026ના પુરુષ હોકી વર્લ્ડ કપમાં તેમના પુત્ર યશદીપ સિવાચે ટુર્નામેન્ટની ભારતની પહેલી મેચ રમી હતી.નોંધપાત્ર વાત એ છે કે પ્રીતમ સિવાચે નેધરલેન્ડ્સમાં હોકી વર્લ્ડ કપ રમ્યો ત્યારે યશદીપનો જન્મ પણ થયો ન હતો.25 વર્ષીય ડિફેન્ડર યશદીપે 2022 માં ભારત માટે સિનિયર ડેબ્યૂ કર્યું હતું.</p><h5><b>પ્રીતમ સિવાચે તેમના પુત્રની સિદ્ધિ વિશે શું કહ્યું?</b></h5><p>પોતાના પુત્રની સિદ્ધિ પર પ્રતિબિંબ પાડતા,પ્રીતમ સિવાચે કહ્યું,આ મારા માટે એક મોટી ક્ષણ છે.મારો પુત્ર વર્લ્ડ કપમાં મારા જેવા જ સ્થળે રમ્યો હતો.તેણીએ શેર કર્યું કે તે નેધરલેન્ડમાં હતી અને તાજેતરમાં જ ત્યાંથી પાછી આવી છે.તે ટીવી પર મેચ જોઈ રહી છે.પ્રીતમએ કહ્યું કે તેણીએ આજે ​​સવારે તેના પુત્રને ફોન કર્યો અને તેને કહ્યું કે તેને તેની માતાનું અધૂરું સ્વપ્ન પૂર્ણ કરવું પડશે.પ્રીતમ સિવાચે કહ્યું કે તેણીને વિશ્વાસ છે કે ટીમ મેડલ સાથે પરત ફરશે.ટીમ ખૂબ જ મજબૂત દેખાય છે અને તેમનું મનોબળ ઊંચું છે.મોટી ટીમો સામે નિયમિત રમવાથી તેમને સારી તૈયારી કરવામાં પણ મદદ મળી છે.</p><h5><b>માતા અને પુત્રની રમવાની શૈલીઓ અલગ અલગ હોય છે</b></h5><p>પોતાના પુત્ર અને તેની પોતાની રમવાની શૈલીઓ વિશે,પ્રીતમ સિવાચે કહ્યું કે તેનો પુત્ર ઝડપથી શીખનાર છે.તે દબાણમાં પણ શાંત રહે છે.હું વધુ આક્રમક ખેલાડી હતો,તેણીએ કહ્યું.તેણીએ કહ્યું કે આ પાછળનું કારણ એ સ્થિતિ હોઈ શકે છે જેમાં અમે બંને રમીએ છીએ.તે ડિફેન્ડર છે.જ્યારે હું સ્ટ્રાઈકર હતો.</p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/cricket/news/rishabh-pants-historic-record-surpassing-adam-gilchrist-to-become-number-1-in-test-cricket" target="_blank"> Rishabh Pant નો ઐતિહાસિક રેકોર્ડ, એડમ ગિલક્રિસ્ટને પાછળ છોડી ટેસ્ટ ક્રિકેટમાં બન્યો નંબર-1</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/P3DXaGssQ6U3XKqDOsKzmdc3t6GpoIdoav8YxsBw.webp'/></item></channel></rss>