<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Surendranagar News: માલવણ MRL ટાયર કંપનીમાં 300 કામદારોની હડતાલ, શોષણનો આક્ષેપ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/surendranagar/malvan-mrl-tyre-company-workers-strike</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/surendranagar/malvan-mrl-tyre-company-workers-strike</guid><pubDate>Wed, 16 Sep 2026 18:19:58 +05:30</pubDate><description><![CDATA[<p>સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ-માલવણ હાઇવે પર આવેલી ખાનગી કંપનીના કામદારોમાં વહીવટી અને વ્યવસ્થાપકી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. માલવણ ટોલટેક્સ પાસે ધમધમતી MRL ટાયર બનાવતી કંપની સામે આશરે 300 થી વધુ કામદારોએ પોતાની પડતર માંગણીઓને લઈને સવારથી જ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. કામદારો દ્વારા કંપની બહાર મોરચો માંડીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.</p><h2><b>12 કલાક કામ છતાં પૂરતો ઓવરટાઇમ નહીં મળવાનો આક્ષેપ</b></h2><p>હડતાલ પર ઉતરેલા કામદારો અને સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કંપનીના કોન્ટ્રાક્ટરો દ્વારા કામદારોનું વ્યાપક શોષણ કરવામાં આવી રહ્યું છે. કામદારો પાસે નિયમ વિરુદ્ધ જઈને દિવસના 12 કલાક સુધી ભારે કામ કરાવવામાં આવે છે, પરંતુ તેની સામે યોગ્ય પ્રમાણમાં ઓવરટાઇમ કે વળતર આપવામાં આવતું નથી. આર્થિક શોષણ અને અમાનવીય પરિસ્થિતિના કારણે શ્રમિકો મુશ્કેલીમાં મુકાયા છે</p><p><img alt="Surendranagar News: Over 300 Workers Strike at MRL Tyre Company in Malvan Over Exploitation" src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/mErhSgREx5L4BE3o5pPUySVUVRhYxq8zMQALufne.webp"><br></p><h2><b>15 થી વધુ ગામોના શ્રમિકો સંડોવાયેલા</b></h2><p>આ કંપનીમાં માત્ર એક જ જગ્યા નહીં, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી, દસાડા, સેડલા, જેનાબાદ, બજાણા અને વિરમગામ સહિતના આસપાસના 15 થી વધુ ગામોના સેંકડો શ્રમિકો રોજગારી મેળવવા માટે આવે છે. અસહ્ય ત્રાસ અને અન્યાય સામે કંટાળીને આ તમામ ગામોના કામદારો એક થઈને કંપનીના મુખ્ય ગેટ બહાર હડતાલ પર બેસી ગયા હતા.</p><p><img alt="Surendranagar News: Over 300 Workers Strike at MRL Tyre Company in Malvan Over Exploitation" src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/s3esWFJBkt2VC2ItCiFnGc4Jd668sXgaN0a2lWRT.webp"><br></p><h2><b>પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી મેદાને, HR દ્વારા બાંહેધરી</b></h2><p>કામદારોના આ આંદોલનની ગંભીરતાને જોતાં પાટડી-દસાડાના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકી પણ કામદારોની વહારે દોડી આવ્યા હતા અને તેમને સમર્થન પૂરું પાડ્યું હતું. વિરોધ વધતા અંતે કંપની તંત્ર હરકતમાં આવ્યું હતું. માલવણ ટોલટેક્સ સ્થિત MRL કંપનીના HR દ્વારા આગામી 15 દિવસમાં કામદારોના તમામ પ્રશ્નોનું સંતોષકારક નિરાકરણ લાવવા માટે લેખિત કે મૌખિક બાંહેધરી આપવામાં આવી છે, ત્યારબાદ મામલો શાંત પડ્યો હતો.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surendranagar/surendrangar-night-clouds-in-the-villages-of-8-talukas-of-jhalawar-1" target="_blank">Surendrangar :ઝાલાવાડના 8 તાલુકા ગ્રામ્યમાં રાત્રિના મેઘમહેર</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/4ll5owSlDt0k9qr6KMuxU0Q5QtjhiJ3VXKVT9llu.webp'/></item><item><title><![CDATA[Hanuman Ansh : 300 કરોડની નજીક પહોંચતાં જ ફિલ્મને લાગ્યો મોટો ઝટકો! મેકર્સના મોટા પ્લાનિંગ પર ફરી વળ્યું પાણી! ]]></title><link>https://sandesh.com/entertainment/news/hanuman-ansh-300-crore-big-shock</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/hanuman-ansh-300-crore-big-shock</guid><pubDate>Wed, 16 Sep 2026 18:09:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફિલ્મ હનુમાન અંશએ જોરદાર કમાણી કરીને સૌને ચોંકાવી દીધા છે. માત્ર 2 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મની કમાણી હવે 300 કરોડ રૂપિયાના આંકડાને સ્પર્શવા જઈ રહી છે. ફિલ્મે હિન્દીમાં કરેલી જોરદાર કમાણીને જોતા થોડા સમય પહેલા નિર્માતાઓએ જાહેરાત કરી હતી કે તેઓ આ ફિલ્મને તેલુગુમાં પણ રિલીઝ કરશે. નિર્માતાઓએ રિલીઝ માટે 18 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી હતી. જાણીતા ફિલ્મ નિર્માતા ત્રિવિક્રમ શ્રીનિવાસને હનુમાન અંશ સાથે પ્રેઝેન્ટર તરીકે જોડવામાં આવ્યા હતા. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે ફિલ્મની તેલુગુ આવૃત્તિની રિલીઝ ટળી શકે છે.</p><h2 style="text-align: justify; "><b>હનુમાન અંશની તેલુગુ રિલીઝ પહેલા જ લાગ્યો મોટો ઝટકો</b></h2><p style="text-align: justify; ">હનુમાન અંશની શરૂઆત ભલે ધીમી રહી હોય, પરંતુ ત્રીજા અઠવાડિયાથી ફિલ્મે જે ઝડપ પકડી હતી તે હજુ પણ ચાલુ છે. દરેક તરફથી ફિલ્મને લઈને સારા સમાચાર આવી રહ્યા હતા. પરંતુ હવે ફિલ્મને મોટો ઝટકો લાગતો જોવા મળી રહ્યો છે. નિર્માતાઓએ 15 સપ્ટેમ્બરે હૈદરાબાદમાં ફિલ્મના તેલુગુ ટીઝર લોન્ચનો કાર્યક્રમ રાખ્યો હતો, પરંતુ આ કાર્યક્રમ યોજાયો જ નહીં. કાર્યક્રમ તો રદ થયો જ, સાથે તેનું ટીઝર પણ ક્યાંય રિલીઝ કરવામાં આવ્યું નથી.<br><img alt="Hanuman Ansh, Bollywood (9)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/o9fplbZ9Bq7CzxNOGbvvuLEeePdle2KncJITx6Gw.webp"><br></p><h2 style="text-align: justify; "><b>તેલુગુ રિલીઝ અટકી ગઈ?</b></h2><p style="text-align: justify; ">123 તેલુગુના અહેવાલ મુજબ, હનુમાન અંશના નિર્માતાઓ અને ત્રિવિક્રમ વચ્ચેની ડીલ અંગે વાત બની શકી નથી અને તેમણે આ પ્રોજેક્ટથી પોતાને દૂર કરી લીધા છે. જોકે, ત્રિવિક્રમ કે હનુમાન અંશના નિર્માતાઓ તરફથી આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. હાલની સ્થિતિને જોતા એવું કહેવામાં આવી રહ્યું છે કે તેલુગુમાં ફિલ્મની રિલીઝ પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. જોકે, એ પણ મહત્વનું છે કે નિર્માતાઓએ 18 સપ્ટેમ્બરની રિલીઝ તારીખ જાહેર કરી હતી અને હજુ સુધી તેને મોકૂફ રાખવાની સત્તાવાર જાહેરાત કરી નથી.</p><h3 style="text-align: justify; "><b>હનુમાન અંશ એ કેટલી કમાણી કરી?</b></h3><p style="text-align: justify; ">હનુમાન અંશ બોક્સ ઓફિસ પર કેટલું મોટું સફળ પ્રદર્શન કરી રહી છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ફિલ્મે પહેલા અઠવાડિયામાં માત્ર 1.08 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બીજા અઠવાડિયામાં તો કમાણી વધુ ઘટી ગઈ અને ફિલ્મે માત્ર 40 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. પરંતુ ત્રીજા અઠવાડિયામાં 10.40 કરોડ રૂપિયાની કમાણી કરીને ફિલ્મે સૌને ચોંકાવી દીધા હતા. ત્યારબાદ ચોથા અઠવાડિયામાં ફિલ્મે 61 કરોડ રૂપિયા અને પાંચમા અઠવાડિયામાં 90.25 કરોડ રૂપિયાની કમાણી કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. 40 દિવસમાં ફિલ્મે ભારતમાં નેટ 231.13 કરોડ રૂપિયા અને વર્લ્ડવાઇડ 291.40 કરોડ રૂપિયાની જોરદાર કમાણી કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/kishore-kumar-sanwar-goriya-bhojpuri-song-45-years" target="_blank">આ પણ વાંચો-Romantic Song : 45 વર્ષથી UP-બિહારમાં ધૂમ મચાવી રહ્યું છે કિશોર કુમારનું આ ભોજપુરી ગીત! આજે પણ છે નંબર-1!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/UNVICEP6yLdnJVRjwU6Qgf4aWHhG9ncLXALpFMYQ.webp'/></item><item><title><![CDATA[Gandhinagar : ચૂંટણીના માહોલ વચ્ચે ફાયર વિભાગમાં ACBનો સપાટો, રૂ.20 હજારની લાંચ લેતા ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર ઝડપાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/gandhinagar/gandhinagar-fire-officer-rajesh-patel-acb-trap-20000-bribe</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/gandhinagar/gandhinagar-fire-officer-rajesh-patel-acb-trap-20000-bribe</guid><pubDate>Wed, 16 Sep 2026 18:03:50 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગાંધીનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં લાંચના મામલે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ કાર્યવાહી કરી છે. ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ પટેલને રૂ.20 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે.</p><h2 style="text-align: justify; "><b>ફાયર વિભાગના અધિકારી સામે ACB ટ્રેપ</b></h2><p style="text-align: justify; ">મળતી પ્રાથમિક માહિતી મુજબ, ફાયર વિભાગ સાથે જોડાયેલા કામ માટે લાંચની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદના આધારે ACBએ છટકું ગોઠવી ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ પટેલને રૂ.20 હજારની લાંચ સ્વીકારતા ઝડપી પાડ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>ચૂંટણી જાહેર થવાના માહોલમાં કાર્યવાહી</b></h2><p style="text-align: justify; ">ગાંધીનગર મનપાની ચૂંટણી જાહેર થવાના માહોલ વચ્ચે ફાયર વિભાગમાં ACBની કાર્યવાહીથી વહીવટી તંત્રમાં ચર્ચા તેજ બની છે. જોકે, લાંચ કયા કામ માટે માંગવામાં આવી હતી અને ટ્રેપની સંપૂર્ણ વિગતો અંગે ACBની સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. આ મામલે ACBએ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; &nbsp;<a href="https://sandesh.com/business/news/new-upi-payment-rule--upi-rules-to-change-from-october-15" target="_blank"><b> UPI Transaction : 2,000 થી વધુના વ્યવહારો પર લાગશે ટેક્ષ, તમારા પર શું અસર ? 10 સવાલના જવાબો.</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/iiuSuSttqvhvGg3X2rXiJseKyGkS6TCUnYQuj9om.webp'/></item><item><title><![CDATA[Jharkhandના પૂર્વ મંત્રી આલમગીર આલમને સુપ્રીમ કોર્ટનો ઝટકો, મની લોન્ડરિંગ કેસમાં ડિસ્ચાર્જ અરજી ફગાવાઈ ]]></title><link>https://sandesh.com/india/news/alamgir-alam-tender-scam-money-laundering-case-supreme-court</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/alamgir-alam-tender-scam-money-laundering-case-supreme-court</guid><pubDate>Wed, 16 Sep 2026 18:03:30 +05:30</pubDate><description><![CDATA[<p>Jharkhandના પૂર્વ ગ્રામ વિકાસ મંત્રી આલમગીર આલમને ટેન્ડર કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ઝારખંડ હાઈકોર્ટના તે નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો છે, જેમાં આલમગીર આલમની ડિસ્ચાર્જ અરજી ફગાવી દેવામાં આવી હતી. આ સાથે કેસના આરોપોમાંથી મુક્ત કરવાની તેમની માંગ પણ ફગાવી દેવામાં આવી છે.</p><p><b>સુપ્રીમ કોર્ટમાં બે જજની બેન્ચ સમક્ષ સુનાવણી</b></p><p>આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ શીલ નાગુની બેન્ચ સમક્ષ થઈ હતી. આ પહેલાં રાંચીની વિશેષ PMLA કોર્ટે આલમગીર આલમની ડિસ્ચાર્જ અરજી ફગાવી હતી. ત્યારબાદ તેમણે ઝારખંડ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ હાઈકોર્ટે પણ નીચલી કોર્ટના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરીને અરજી ફગાવી દીધી હતી.</p><p><b>તપાસ દરમિયાન ₹37.55 કરોડ રોકડા મળ્યાનો દાવો</b></p><p>ઝારખંડ હાઈકોર્ટના 6 મે 2026ના ચુકાદા મુજબ, ED દ્વારા રજૂ કરવામાં આવેલી સામગ્રીમાં ટેન્ડર ફાળવણીના બદલામાં કથિત કમિશનની વસૂલાત અને તેમાં આલમગીર આલમની કથિત ભૂમિકા અંગેના દસ્તાવેજો તથા નિવેદનો સામેલ હતા. હાઈકોર્ટે કહ્યું હતું કે ડિસ્ચાર્જના તબક્કે કોર્ટને એ જોવાનું હોય છે કે આરોપી સામે પ્રથમદર્શી કેસ બને છે કે નહીં. EDના દસ્તાવેજો અનુસાર, મે 2024માં વિવિધ સ્થળોએ કરાયેલી તપાસ દરમિયાન લગભગ ₹37.55 કરોડ રોકડા મળ્યા હતા.</p><p><b>ટેન્ડર ફાળવણીના બદલામાં કથિત કમિશન</b></p><p>EDના જણાવ્યા મુજબ, તપાસમાં ગ્રામ્ય કાર્ય વિભાગમાં ટેન્ડર ફાળવવાના બદલામાં કોન્ટ્રાક્ટરો પાસેથી કથિત કમિશન વસૂલવાની વ્યવસ્થા હોવાની માહિતી મળી હતી. એજન્સીના આરોપ મુજબ, કુલ ટેન્ડર રકમના લગભગ 3.2 ટકા કમિશન લેવામાં આવતું હતું, જેમાં તત્કાલીન મંત્રી માટે લગભગ 1.5 ટકા હિસ્સો નક્કી કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટના ચુકાદામાં ED દ્વારા રજૂ કરાયેલા નિવેદનો અને જપ્ત કરાયેલા દસ્તાવેજોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.</p><p><b>હાઈકોર્ટની સ્પષ્ટતા</b></p><p>હાઈકોર્ટે કહ્યું કે હાલના પુરાવા જોતા આલમગીર આલમની ભૂમિકા હોવાની શક્યતા દેખાય છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ દોષિત સાબિત થઈ ગયા છે. કોર્ટનો આ નિર્ણય માત્ર કેસના આ તબક્કા પૂરતો છે.</p><p><b><a href="https://sandesh.com/india/breakingnews/jharkhand-high-court-stays-jpsc-exam-cancellation" target="_blank">આ પણ વાંચો: સોરેન સરકારને હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો, JPSC પરીક્ષા રદ કરવાના નિર્ણય પર લગાવી રોક</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/ibyrk49gP6XapbjIZ68KYhtehR5TFTNeepOapdpc.webp'/></item><item><title><![CDATA[UPI ચાર્જને લઈને ઘમાસાણ! સુપ્રીમ કોર્ટ પહોંચ્યો મામલો, 2000થી વધુના મર્ચન્ટ પેમેન્ટ્સ વિરુદ્ધ અરજી દાખલ ]]></title><link>https://sandesh.com/india/news/business/upi-payments-charge-above-rs-2000-supreme-court-plea-mdr-framework</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/upi-payments-charge-above-rs-2000-supreme-court-plea-mdr-framework</guid><pubDate>Wed, 16 Sep 2026 18:03:06 +05:30</pubDate><description><![CDATA[<p>UPI પેમેન્ટ્સ પરના ચાર્જનો મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. ₹2,000થી વધુના મર્ચન્ટ UPI પેમેન્ટ્સ પર લાદવામાં આવેલા ચાર્જને પડકારતી એક અરજી દાખલ કરવામાં આવી છે. આ નિર્ણયની જાહેરાત કેન્દ્ર સરકારે બુધવારે કરી હતી. આ અરજી એડવોકેટ અંજન દત્તા દ્વારા દાખલ કરવામાં આવી છે.</p><p><br></p><p>એડવોકેટ અંજન દત્તા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં 14 ડિસેમ્બરે બહાર પાડવામાં આવેલી સૂચના અને આ બાબતે 15 સપ્ટેમ્બરે બહાર પાડવામાં આવેલા MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) ફ્રેમવર્કને રદ કરવાની માંગ કરવામાં આવી છે. તેઓ દલીલ કરે છે કે આ પગલાં સંપૂર્ણપણે ગેરબંધારણીય અને ખામીયુક્ત છે. અરજીમાં જણાવાયું છે કે સરકારે પૂરતા કાનૂની આધાર વિના આ નિર્ણય લીધો છે.</p><p><br></p><h4><b>રાહુલ ગાંધીએ સરકારને નિશાન બનાવી</b></h4><p>વિપક્ષ UPI ચાર્જને લઈને સતત સરકારને નિશાન બનાવી રહ્યું છે. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ UPI વ્યવહારો પર ટેક્સ લાદવાના કેન્દ્ર સરકારના પગલાની ટીકા કરી છે. તેમણે વડાપ્રધાન મોદી પાસે UPI પર લાદવામાં આવેલો ટેક્સ પાછો ખેંચવાની માંગ કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક વીડિયો પોસ્ટ કરીને રાહુલ ગાંધીએ ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે તેમનો અભિગમ સ્પષ્ટ અને સરળ હતો. વડાપ્રધાન મોદીને સંબોધતા તેમણે UPI ટેક્સ પાછો ખેંચવાની અપીલ કરી.<br><br>નોંધનીય છે કે, કોંગ્રેસ નેતા કાર્તિ ચિદમ્બરમે ₹2000થી વધુના મર્ચન્ટ વ્યવહારો પર 0.4% MDR લાદવા અંગે ટિપ્પણી કરતા તેને એવો ટેક્સ ગણાવ્યો જે ધીમે ધીમે વધતો જશે. જે વ્યવહારો પર અગાઉ કોઈ ટેક્સ લાગતો ન હતો, તેના પર હવે ₹2000ની મર્યાદા વટાવવા પર ટેક્સ લાગશે. આ પગલું ક્રમશ ટેક્સ વધારવાની નીતિ માટે એક દાખલો બેસાડે છે; એકવાર અમલદારશાહીને પ્રવેશ મળી જાય, પછી તેઓ સંપૂર્ણ રીતે સામેલ થઈ જાય અને તમામ વ્યવહારો પર ટેક્સ વસૂલવાનું શરૂ કરે તે માત્ર સમયની વાત છે. આખરે, ટેક્સનો બોજ ગ્રાહકો પર પડશે, જેનાથી ભાવ વધશે અને મોંઘવારી વધશે.</p><p><br></p><h4><b>સરકારનો નિર્ણય શું છે?&nbsp;</b></h4><p>ઉલ્લેખનીય છે કે મંગળવારે સરકારે મોટા મર્ચન્ટ પેમેન્ટ્સ સાથે સંકળાયેલા UPI વ્યવહારો માટે નવા ફી માળખાની જાહેરાત કરી હતી, જે 15 ઓક્ટોબરથી અમલમાં આવશે. આ વ્યવસ્થા હેઠળ, વેપારીઓ પાસેથી ₹2000થી વધુના વ્યવહારો પર 0.4 ટકા ફી વસૂલવામાં આવશે, જેમાં ₹75,000 કે તેથી વધુના પેમેન્ટ્સ પર મહત્તમ મર્યાદા (કેપ) ₹300 રહેશે.</p><p><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/jhiram-ghati-massacre-nia-special-court-death-sentence-10-maoists" target="_blank"><b>ઝિરામ ઘાટી નરસંહારમાં NIA કોર્ટનો મોટો નિર્ણય, 10 માઓવાદીઓને ફાંસીની સજા</b></a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/U42NxLCdlBmrZxJZPYnl5qz4zP9a2OuNkg0m5SVP.webp'/></item><item><title><![CDATA[UPI ચાર્જને લઈને ઘમાસાણ! સુપ્રીમ કોર્ટ પહોંચ્યો મામલો, 2000થી વધુના મર્ચન્ટ પેમેન્ટ્સ વિરુદ્ધ અરજી દાખલ ]]></title><link>https://sandesh.com/india/news/business/upi-payments-charge-above-rs-2000-supreme-court-plea-mdr-framework</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/upi-payments-charge-above-rs-2000-supreme-court-plea-mdr-framework</guid><pubDate>Wed, 16 Sep 2026 18:03:06 +05:30</pubDate><description><![CDATA[<p>UPI પેમેન્ટ્સ પરના ચાર્જનો મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. ₹2,000થી વધુના મર્ચન્ટ UPI પેમેન્ટ્સ પર લાદવામાં આવેલા ચાર્જને પડકારતી એક અરજી દાખલ કરવામાં આવી છે. આ નિર્ણયની જાહેરાત કેન્દ્ર સરકારે બુધવારે કરી હતી. આ અરજી એડવોકેટ અંજન દત્તા દ્વારા દાખલ કરવામાં આવી છે.</p><p><br></p><p>એડવોકેટ અંજન દત્તા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં 14 ડિસેમ્બરે બહાર પાડવામાં આવેલી સૂચના અને આ બાબતે 15 સપ્ટેમ્બરે બહાર પાડવામાં આવેલા MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) ફ્રેમવર્કને રદ કરવાની માંગ કરવામાં આવી છે. તેઓ દલીલ કરે છે કે આ પગલાં સંપૂર્ણપણે ગેરબંધારણીય અને ખામીયુક્ત છે. અરજીમાં જણાવાયું છે કે સરકારે પૂરતા કાનૂની આધાર વિના આ નિર્ણય લીધો છે.</p><p><br></p><h4><b>રાહુલ ગાંધીએ સરકારને નિશાન બનાવી</b></h4><p>વિપક્ષ UPI ચાર્જને લઈને સતત સરકારને નિશાન બનાવી રહ્યું છે. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ UPI વ્યવહારો પર ટેક્સ લાદવાના કેન્દ્ર સરકારના પગલાની ટીકા કરી છે. તેમણે વડાપ્રધાન મોદી પાસે UPI પર લાદવામાં આવેલો ટેક્સ પાછો ખેંચવાની માંગ કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક વીડિયો પોસ્ટ કરીને રાહુલ ગાંધીએ ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે તેમનો અભિગમ સ્પષ્ટ અને સરળ હતો. વડાપ્રધાન મોદીને સંબોધતા તેમણે UPI ટેક્સ પાછો ખેંચવાની અપીલ કરી.<br><br>નોંધનીય છે કે, કોંગ્રેસ નેતા કાર્તિ ચિદમ્બરમે ₹2000થી વધુના મર્ચન્ટ વ્યવહારો પર 0.4% MDR લાદવા અંગે ટિપ્પણી કરતા તેને એવો ટેક્સ ગણાવ્યો જે ધીમે ધીમે વધતો જશે. જે વ્યવહારો પર અગાઉ કોઈ ટેક્સ લાગતો ન હતો, તેના પર હવે ₹2000ની મર્યાદા વટાવવા પર ટેક્સ લાગશે. આ પગલું ક્રમશ ટેક્સ વધારવાની નીતિ માટે એક દાખલો બેસાડે છે; એકવાર અમલદારશાહીને પ્રવેશ મળી જાય, પછી તેઓ સંપૂર્ણ રીતે સામેલ થઈ જાય અને તમામ વ્યવહારો પર ટેક્સ વસૂલવાનું શરૂ કરે તે માત્ર સમયની વાત છે. આખરે, ટેક્સનો બોજ ગ્રાહકો પર પડશે, જેનાથી ભાવ વધશે અને મોંઘવારી વધશે.</p><p><br></p><h4><b>સરકારનો નિર્ણય શું છે?&nbsp;</b></h4><p>ઉલ્લેખનીય છે કે મંગળવારે સરકારે મોટા મર્ચન્ટ પેમેન્ટ્સ સાથે સંકળાયેલા UPI વ્યવહારો માટે નવા ફી માળખાની જાહેરાત કરી હતી, જે 15 ઓક્ટોબરથી અમલમાં આવશે. આ વ્યવસ્થા હેઠળ, વેપારીઓ પાસેથી ₹2000થી વધુના વ્યવહારો પર 0.4 ટકા ફી વસૂલવામાં આવશે, જેમાં ₹75,000 કે તેથી વધુના પેમેન્ટ્સ પર મહત્તમ મર્યાદા (કેપ) ₹300 રહેશે.</p><p><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/jhiram-ghati-massacre-nia-special-court-death-sentence-10-maoists" target="_blank"><b>ઝિરામ ઘાટી નરસંહારમાં NIA કોર્ટનો મોટો નિર્ણય, 10 માઓવાદીઓને ફાંસીની સજા</b></a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/U42NxLCdlBmrZxJZPYnl5qz4zP9a2OuNkg0m5SVP.webp'/></item><item><title><![CDATA[Surat : રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાના ડીપફેક વીડિયોથી સાયબર ઠગાઈ કરનારા 2 આરોપી ઝડપાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/surat-govind-dholakia-deepfake-video-cyber-fraud-arrests</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/surat-govind-dholakia-deepfake-video-cyber-fraud-arrests</guid><pubDate>Wed, 16 Sep 2026 17:29:51 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતના રાજ્યસભા સાંસદ અને જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાના નામે બનાવાયેલા ડીપફેક વીડિયોનો ઉપયોગ કરી સાયબર ઠગાઈ કરવાના મામલે સુરત સાયબર ક્રાઇમ સેલે 2 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે વેશપલટ કરી પરવેઝ આરીફ કુમેદાન અને ઈરસાદ કુમેદાન સમ્મુને હરિયાણાથી ઝડપી પાડ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>ChatGPT જેવા AI ટૂલ્સથી ડીપફેક વીડિયો તૈયાર</b></h2><p style="text-align: justify; ">પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ ChatGPT જેવા AI ટૂલ્સનો ઉપયોગ કરીને ગોવિંદ ધોળકિયાના મૂળ વીડિયોમાં ફેરફાર કર્યા હતા. એડિટિંગ કરીને સાંસદનો ડીપફેક વીડિયો તૈયાર કરવામાં આવ્યો હતો અને તેનો ઉપયોગ લોકોનો વિશ્વાસ જીતવા માટે કરવામાં આવતો હતો.</p><h3 style="text-align: justify; "><b>જૂના સિક્કા-નોટોના નામે બનાવટી પ્રોફાઇલ</b></h3><p style="text-align: justify; ">આરોપીઓએ ‘ઓલ્ડ કોઈન કંપની’ના નામે ફેક પ્રોફાઇલ બનાવી હતી. જૂના સિક્કા અને નોટોના બદલામાં લાખો-કરોડો રૂપિયા આપવાની લાલચ આપી લોકોને પોતાની જાળમાં ફસાવતા હતા. ત્યારબાદ રજિસ્ટ્રેશન અને વેરિફિકેશનના નામે નાણાં પડાવવામાં આવતા હતા.</p><h4 style="text-align: justify; "><b>11 UPI આઈડી અને 2 બેંક ખાતાંનો ઉપયોગ</b></h4><p style="text-align: justify; ">પોલીસ તપાસ મુજબ, આરોપીઓએ 11 UPI આઈડી અને 2 બેંક ખાતાં મારફતે દેશભરના લોકો પાસેથી નાણાં વસૂલ્યા હતા. બનાવટી ઓળખપત્રો તૈયાર કરવા માટે નકલી આધારકાર્ડ અને પાનકાર્ડનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. સાયબર ક્રાઇમ સેલે બંને આરોપીઓની ધરપકડ કરીને સમગ્ર નેટવર્ક, નાણાકીય વ્યવહારો અને અન્ય સંડોવાયેલા લોકો અંગે તપાસ શરૂ કરી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp;<a href="https://sandesh.com/business/news/new-upi-payment-rule--upi-rules-to-change-from-october-15" target="_blank"><b>UPI Transaction : 2,000 થી વધુના વ્યવહારો પર લાગશે ટેક્ષ, તમારા પર શું અસર ? 10 સવાલના જવાબો.</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/7NdJf68RuTrcQNHTDbUP7viGJl3KNCzF7FmH6Lgs.webp'/></item><item><title><![CDATA[Bhavnaagr લઠ્ઠાકાંડ મામલે સૌથી મોટો ખુલાસો, બજારમાં 500 પેટી નકલી વિદેશી દારૂ વેચી માર્યાનો પર્દાફાશ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/bhavnagar-fake-liquor-racket--main-accused-sold-500-cases-of-counterfeit-alcohol</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/bhavnagar-fake-liquor-racket--main-accused-sold-500-cases-of-counterfeit-alcohol</guid><pubDate>Wed, 16 Sep 2026 17:14:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભાવનગર શહેરના હાડાનગર વિસ્તારમાં આવેલ સરકારી રેલવે ક્વાર્ટરમાંથી ઝડપાયેલી ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી અંગે પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે. સ્થાનિક પોલીસ અને LCB ની તપાસમાં સામે આવ્યું છે કે આ ફેક્ટરીમાંથી આરોપીઓએ અત્યાર સુધીમાં અંદાજે 500 પેટી જેટલો ડુપ્લીકેટ વિદેશી દારૂ બજારમાં વેચી માર્યો હતો. આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર રેલવે કર્મચારી અક્ષયરાજસિંહ ગોહિલ હોવાનું બહાર આવ્યું છે. આ મામલે પોલીસે 10 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને મુખ્ય આરોપી સહિત 3 લોકોની અટકાયત કરી છે, જ્યારે અન્ય 7 આરોપીઓને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે.</p><h2 style="text-align: justify; "><b>રાજસ્થાનના અજીતસિંગ ઉર્ફે બન્નાનું નેટવર્ક અને ટ્રાન્સપોર્ટ સંચાલકની પૂછપરછ</b></h2><p style="text-align: justify; ">પોલીસ તપાસ દરમિયાન ડુપ્લીકેટ દારૂ બનાવવાનું રો-મટીરિયલ સપ્લાય કરનાર રાજસ્થાનના અજીતસિંગ ઉર્ફે બન્નાની પણ મોટી સંડોવણી ખુલી છે. અજીતસિંગ અગાઉ મહુવા તેમજ હાલમાં મોરબી અને કચ્છમાં ઝડપાયેલી ડુપ્લીકેટ દારૂની ફેક્ટરીઓના રેકેટમાં પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. આ ઈસમ રાજસ્થાનથી તમામ સ્થળો પર ડુપ્લીકેટ દારૂ બનાવવા માટેનું રો-મટીરિયલ પૂરૂં પાડતો હતો. માલસામાન લાવવા માટે ઉપયોગમાં લેવાયેલા ભાવનગરના 'વિકાસ ટ્રાન્સપોર્ટ'ના સંચાલકનું પણ LCB પોલીસે સત્તાવાર નિવેદન નોંધ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>લઠ્ઠાકાંડ બાદ પણ મોટું રેકેટ, કોના ઈશારે ચાલતો હતો કારોબાર?</b></h2><p style="text-align: justify; ">ગુજરાતમાં અગાઉ બનેલા ગંભીર લઠ્ઠાકાંડ બાદ પણ આ પ્રકારે નકલી વિદેશી દારૂનો કાળો કારોબાર ધમધમી રહ્યો હોવાથી ગંભીર સવાલો ઊભા થયા છે. બજારમાં વહેતી થયેલી 500 પેટી જેટલી ડુપ્લીકેટ વિદેશી દારૂની બોટલો કોના ઈશારે અને કોના આશીર્વાદથી વેચવામાં આવી રહી હતી તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. આ હાઈપ્રોફાઈલ કૌભાંડના તાર વધુ ઊંડે સુધી પહોંચવાની શક્યતા હોવાથી આગામી દિવસોમાં પોલીસ તપાસ દરમિયાન અનેક મોટા ખુલાસાઓ થવાની પૂર્ણ સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે.</p><p style="text-align: justify; "><b>આ પજ્ન વાંચો : Bharuchના વાલીયામાં દર્દનાક દુર્ઘટના, મોદલીયા ગામમાં ખુલ્લી ગટરની કુંડીમાં પડી જતાં 4 વર્ષીય બાળકીનું મોત</b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/szIBpkXdwwUaDGTQQwpNxve00bJGGkXwsLKOVc7L.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: સરોડા ગામે મંત્રીની ગાડી રોકી કર્યો વિરોધ, 9 વર્ષથી જમીનના કબજાની રાહ જોતા દલિતો... ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/dholka-saroda-village-land-dispute-dalit-protest</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/dholka-saroda-village-land-dispute-dalit-protest</guid><pubDate>Wed, 16 Sep 2026 17:09:56 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં જમીન વિવાદના મામલાઓ દિવસેને દિવસે ગરમાઈ રહ્યા છે. ભેટાવાડા ગામે છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહેલા આંદોલન બાદ હવે ધોળકાના જ સરોડા ગામે પણ જમીનના વિવાદને લઈને દલિત સમાજ દ્વારા ઉગ્ર આંદોલન છેડવામાં આવ્યું છે. વર્ષો વીતી જવા છતાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જમીનનો પ્રત્યક્ષ અને કાયદેસરનો કબજો ન મળતા ગ્રામજનોમાં વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.</p><h2><b>9 વર્ષ વીત્યા છતાં પ્રત્યક્ષ કબજો નહીં</b></h2><p>પ્રાપ્ત વિગતો અનુસાર, સરોડા ગામે દલિત સમાજના લોકોને 2017 માં સરકાર દ્વારા ખેતી માટે જમીન ફાળવવામાં આવી હતી. જોકે, અફસોસની વાત એ છે કે, આટલા લાંબા વર્ષો વીતી જવા છતાં આજદિન સુધી લાભાર્થીઓને પોતાની જમીનનો પ્રત્યક્ષ અને કાયદેસરનો કબજો સોંપવામાં આવ્યો નથી. સરોડા ગામે હજુ સુધી દલિત સમાજના કુલ 37 પરિવારો જમીનથી વંચિત છે અને તેઓ દરવાજે ધક્કા ખાવા મજબૂર બન્યા છે.</p><p><img alt="Ahmedabad News: Dholka Saroda Village Land Dispute, Dalit Families Protest After 9 Years Without Possession" src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/sqjowlknBHky5epFYniXLD8s3upQ1J9YPtPQDtsT.webp"><br></p><h2><b>રેતી ચોરી અને ગેરકાયદે ખનનના ગંભીર આક્ષેપો</b></h2><p>ભોગ બનેલા દલિત સમાજના લોકો દ્વારા તંત્ર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, સ્થાનિક માથાભારે તત્વો દ્વારા ફાળવવામાં આવેલી આ જગ્યાઓમાં બિનઅધિકૃત રીતે મોટા પાયે રેતી ચોરી અને ગેરકાયદે ખનન કરવામાં આવી રહ્યું છે, છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. આ બાબતે મામલતદાર, પ્રાંત અધિકારી, ખાણ ખનીજ વિભાગ તેમજ ગાંધીનગર સુધી લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.</p><p><img alt="Ahmedabad News: Dholka Saroda Village Land Dispute, Dalit Families Protest After 9 Years Without Possession" src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/4q5iswcW9oZXiWN4Mi4bmteBqfqdfyTg5RXBOdcB.webp"><br></p><h2><b>મંત્રી અર્જુન મોઢવાડીયા અને ધારાસભ્યની ગાડી રોકી વિરોધ</b></h2><p>આ રોષે ભરાયેલા ખેડૂતો અને ગ્રામજનોનો ગુસ્સો ગતરોજસપાટી પર આવ્યો હતો. સરોડા ગામે યાત્રા દરમિયાન મંત્રી અર્જુન મોઢવાડીયા અને સ્થાનિક ધારાસભ્ય કિરીટસિંહ ડાભી આવી પહોંચતા ખેડૂતોએ તેમની ગાડી રોકીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગામના ખેડૂતો પોતાની વિવિધ માંગણીઓ અને જમીન પ્રશ્ને મંત્રી સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ પોલીસે તેમને અટકાવતા ખેડૂતોમાં રોષ વધુ ભડક્યો હતો. હાલ પરિવારોની એક જ માગ છે કે, તંત્ર તાત્કાલિક ધ્યાન આપીને તેમને જમીનનો કાયદેસરનો કબજો સોંપે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dholka/dholka-butbhavani-chemical-water-protest-concord-company" target="_blank">Dholkaના બુટભવાનીમાં કેમિકલયુક્ત પાણી ઘૂસતાં ગ્રામજનોનો ભારે વિરોધ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/ET6NyPmXgYc5TgwLf6KjTBfykZthLRZ8Vh5bUP2I.webp'/></item><item><title><![CDATA[પાકિસ્તાનની ટીમ ભારત આવશે! એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં જામશે ભારત-પાક જંગ ]]></title><link>https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</guid><pubDate>Mon, 14 Sep 2026 15:47:21 +05:30</pubDate><description><![CDATA[<p>આવતા મહિને પાકિસ્તાનની હોકી ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે. 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન પંજાબમાં યોજાનારી AHF મેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026માં પાકિસ્તાન સહિત કુલ છ ટીમો ભાગ લેશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પાકિસ્તાનની ભાગીદારી અંગેની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, મલ્ટી-નેશનલ ઇવેન્ટ્સ અંગે કેન્દ્ર સરકારની નીતિ હેઠળ બંને દેશોની ટીમો આમને-સામને રમશે.</p><h2><b>ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જાલંધરમાં રમાશે</b></h2><p>એશિયન મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન થશે. આ ટૂર્નામેન્ટમાં યજમાન ભારત અને પાકિસ્તાન ઉપરાંત ચીન, જાપાન, મલેશિયા અને કોરિયાની પણ ભાગ લેશે. લીગ સ્ટેજના મુકાબલા જાલંધરમાં યોજાશે, જ્યારે સેમિફાઇનલ અને ફાઇનલ મેચ મોહાલીના હોકી સ્ટેડિયમમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 1 નવેમ્બરે જાલંધરમાં રમાશે. કોઈ ટીમ છેલ્લી ઘડીએ ખસી જાય તો તે સ્થિતિ માટે ઓમાન અને બાંગ્લાદેશને રિઝર્વ ટીમન તરીકે રાખવામી આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PTI_News/status/2099416960278868155"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમવામાં કોઈ મુશ્કેલી નથી</b></h2><p>પાકિસ્તાનની ભાગીદારી અને જરૂરી મંજૂરીઓ અંગે પંજાબના મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં બંને દેશો વચ્ચે રમવામાં કોઈ મુશ્કેલી નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝનું આયોજન અલગ બાબત છે, કારણ કે કેન્દ્ર સરકારની વર્તમાન નીતિ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય રમત-ગમતના આયોજનની મંજૂરી આપતી નથી. પરંતુ મલ્ટી-નેશનલ ટૂર્નામેન્ટમાં બંને દેશોના ખેલાડીઓને એકબીજા સામે રમવાની પરવાનગી છે, જેથી પાકિસ્તાની ટીમ ભારત આવી શકશે.</p><h2><b>ભારત વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે</b></h2><p>ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. ભારતે 2023માં ચેન્નાઈ અને 2024માં ચીનના હુલુનબુઈરમાં યોજાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ગત વર્ષે આ સ્પર્ધા યોજાઈ શકી નહોતી. હવે પંજાબ પ્રથમ વખત આ ટૂર્નામેન્ટની મેજબાની કરવા જઈ રહ્યું છે.</p><h2><b>અગાઉ પાકિસ્તાની ટીમે ના કહી હતી&nbsp;</b></h2><p>પાકિસ્તાનની આ વખતની ભાગીદારી એટલા માટે પણ ખાસ છે, કારણ કે ગત વર્ષે તેણે તમિલનાડુમાં આયોજિત જૂનિયર હોકી વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તે સમયે બંને દેશો વચ્ચેના તણાવને તેનું કારણ ગણાવવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે અને પાકિસ્તાની ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે પૂરી રીતે તૈયાર છે.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/V6jwdiIr9RTCvR6EyBaGsP2qfZvYLq2JfkL7pytm.webp'/></item></channel></rss>