<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Surendranagar News: લખતરના લીલાપુર રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે આધેડનું કરુણ મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/surendranagar/surendranagar-news-middle-aged-man-tragically-dies-after-being-hit-by-a-train-on-lilapur-railway-track-in-lakhtar</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/surendranagar/surendranagar-news-middle-aged-man-tragically-dies-after-being-hit-by-a-train-on-lilapur-railway-track-in-lakhtar</guid><pubDate>Fri, 07 Aug 2026 09:52:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના લીલાપુર ગામ પાસે એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં રેલવે ટ્રેક ઓળંગતી વખતે અથવા અકસ્માતે ટ્રેનની અડફેટે આવી જતાં એક આધેડનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ઢાંકી પ્લેટફોર્મ અને લીલાપુર રેલવે સ્ટેશન નજીકથી આધેડનો મૃતદેહ અત્યંત કપાયેલી હાલતમાં મળી આવ્યો હતો. મૃતકની ઓળખ લીલાપુર ગામના વતની રમેશભાઈ પટેલ તરીકે થઈ હતી, જેઓ પોતાના નગરમાં એકલવાયું જીવન જીવતા હતા, જ્યારે તેમનો પુત્ર જામનગર ખાતે રહે છે.</p><h2 style="text-align: justify; "><b>સ્ટેશન માસ્ટરે પોલીસ અને GRPF ને જાણ કરી</b></h2><p style="text-align: justify; ">ટ્રેક પર કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં સ્ટેશન માસ્ટર દ્વારા તાત્કાલિક લખતર પોલીસ અને GRPFને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી જીઆરપીએફના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા. સાથે જ અકસ્માતની જાણ થતાં જ ગ્રામજનો તેમજ લખતર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ઘનશ્યામભાઈ થળોદા પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.</p><h3 style="text-align: justify; "><b>મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી</b></h3><p style="text-align: justify; ">જીઆરપીએફ દ્વારા મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે લખતરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે મૃતક રમેશભાઈના પરિવારજનોને જાણ કરાતાં જામનગરથી પરિવારના સભ્યો અને સગા-સંબંધીઓ પણ હોસ્પિટલ તેમજ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ મામલે જીઆરપીએફ અને સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/Yxbojt0cwG1pYwhD6K3aVxg22AeC1qd3S6s1TiZa.webp'/></item><item><title><![CDATA[Arsenalનો મોટો દાવ, રીઅલ મેડ્રિડના વિનિસિયસ જુનિયર માટે રજૂ કરી આકર્ષક ડીલ ]]></title><link>https://sandesh.com/sports/news/arsenals-big-bet-real-madrids-attractive-deal-for-vinicius-junior</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/arsenals-big-bet-real-madrids-attractive-deal-for-vinicius-junior</guid><pubDate>Fri, 07 Aug 2026 09:46:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઇંગ્લિશ પ્રીમિયર લીગ (EPL) ની જાણીતી ક્લબ આર્સેનલ રીઅલ મેડ્રિડના સ્ટાર બ્રાઝિલિયન ફોરવર્ડ વિનિસિયસ જુનિયરને પોતાની ટીમમાં સામેલ કરવા માટે મોટો દાવ ખેલી રહી છે. મિકેલ આર્ટેટાના નેતૃત્વ હેઠળ છેલ્લા કેટલાક સમયથી સતત મજબૂત પ્રદર્શન કરી રહેલી આર્સેનલ વિનિસિયસને માત્ર સામાન્ય ફોરવર્ડ તરીકે નહીં, પરંતુ પોતાના મુખ્ય 'માર્કી સાઇનિંગ' (મુખ્ય ખેલાડી) તરીકે જોઈ રહી છે.</p><h2 style="text-align: justify; "><b>કરારનો વિવાદ અને આર્સેનલની ઓફર</b></h2><p style="text-align: justify; ">વિનિસિયસ જુનિયરનો રીઅલ મેડ્રિડ સાથેનો વર્તમાન કરાર જૂન 2027માં પૂર્ણ થઈ રહ્યો છે. બંને વચ્ચે નવા કરાર માટે વાટાઘાટો ચાલી રહી છે, પરંતુ પગાર અને ઇમેજ રાઇટ્સ (Image Rights) મુદ્દે અંતર જોવા મળી રહ્યું છે.&nbsp; વિનિસિયસની માંગ છે કે તેને વાર્ષિક આશરે 30 મિલિયન યુરો (આશરે ₹329 કરોડ). ક્લબ પોતાની ઓફર 20 મિલિયન યુરોથી વધારીને 22 મિલિયન યુરો કરવા તૈયાર છે, છતાં પણ માંગ અને ઓફર વચ્ચે 8 મિલિયન યુરોનું અંતર છે. UOL એસ્પોર્ટના અહેવાલ મુજબ, આર્સેનલ વિનિસિયસને વાર્ષિક 24 મિલિયન યુરો (આશરે €263 કરોડ) નો પગાર આપવા તૈયાર છે. જોકે આ રકમ વિનિસિયસની માંગ કરતા ઓછી છે, પરંતુ આર્સેનલ તેને ઇમેજ રાઇટ્સ પર 100% અધિકાર આપવા સંમત થઈ છે. આ જ શરત આ સોદાને વિનિસિયસ માટે ખૂબ આકર્ષક બનાવી શકે છે.</p><h3 style="text-align: justify; "><b>લાંબા ગાળાની રણનીતિ અને રીઅલ મેડ્રિડ પર દબાણ</b></h3><p style="text-align: justify; ">આર્સેનલની યોજના માત્ર વર્તમાન ટ્રાન્સફર વિન્ડો સુધી મર્યાદિત નથી. જો આ ઉનાળામાં કરાર શક્ય ન બને, તો ક્લબ 2027 સુધી રાહ જોવા પણ તૈયાર છે. જો વિનિસિયસ 2027 સુધી નવો કરાર ન કરે, તો આર્સેનલ તેને ફ્રી ટ્રાન્સફર (કોઈપણ ટ્રાન્સફર ફી વગર) દ્વારા ટીમમાં સામેલ કરી શકે છે. આ પરિસ્થિતિ રીઅલ મેડ્રિડ પર ભારે દબાણ ઊભું કરે છે.</p><h4 style="text-align: justify; "><b>રીઅલ મેડ્રિડનું વલણ</b></h4><p style="text-align: justify; ">જોકે, રીઅલ મેડ્રિડ પોતાના આ સ્ટાર ખેલાડીને સરળતાથી જવા દેવા માંગતું નથી. મીડિયા અહેવાલ મુજબ, ખેલાડીના પ્રતિનિધિઓ અને રીઅલ મેડ્રિડ વચ્ચે તાજેતરમાં થયેલી વાટાઘાટો સકારાત્મક રહી છે. રીઅલ મેડ્રિડે પોતાની ઓફરમાં સુધારો કર્યો છે, જેના કારણે વિનિસિયસનો કેમ્પ નવો કરાર થવાની બાબતે આશાવાદી છે. જો આર્સેનલ વિનિસિયસને પોતાની સાથે જોડવામાં સફળ રહે છે, તો આ ટ્રાન્સફર યુરોપિયન ફૂટબોલના ઇતિહાસમાં સૌથી મોટા અને ચર્ચિત સોદાઓમાંથી એક સાબિત થશે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/sports/news/neeraj-chopra-lausanne-diamond-league-2026#google_vignette" target="_blank">આ પણ વાંચો : Neeraj Chopra ડાયમંડ લીગમાં મળશે જોવા, અરશદ નદીમ અને રૂમેશ પથિરાગેનો કરશે સામનો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/pKnOjOgsrGuKOWiYPkzHgMYSiUcrcOp5CQQ9aqLZ.webp'/></item><item><title><![CDATA[Stock Market Closing: સેન્સેક્સમાં 260 પોઇન્ટનો ઘટાડો, નિફ્ટી 24,596 અંકે ખૂલ્યો ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-closing-sensex-falls-260-points-nifty-opens-at-24596-points</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-closing-sensex-falls-260-points-nifty-opens-at-24596-points</guid><pubDate>Fri, 07 Aug 2026 09:42:49 +05:30</pubDate><description><![CDATA[<p>શુક્રવારે ભારતીય શેરબજાર નબળા દેખાવ સાથે ખુલ્યું. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર અંગે ચાલી રહેલા નિવેદનબાજી વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં સ્થિરતાથી બજારના સેન્ટિમેન્ટ પર અસર પડી. શરૂઆતના વેપારમાં, સેન્સેક્સ અને નિફ્ટી50 બંને નીચા સ્તરે ટ્રેડ કરી રહ્યા હતા.</p><h2><b>શેરબજારમાં ઘટાડો&nbsp;</b></h2><p>સવારે 9:18 વાગ્યે, સેન્સેક્સ 337 પોઈન્ટ અથવા 0.43% ઘટીને 78,617.87 પર પહોંચ્યો. દરમિયાન, નિફ્ટી50 47 પોઈન્ટ અથવા 0.19% ઘટીને 24,589.00 પર ટ્રેડ કરી રહ્યો હતો. સવારે 9.33 કલાકે સેન્સેક્સ −257.19 પોઇન્ટના ઘટાડા સાથે 78,697.57 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 39.45 પોઇન્ટના ઘટાડા સાથે 24,596.55 અંકે ખૂલ્યો.&nbsp;</p><h3><b>બજાજ ફાઇનાન્સ અને શ્રીરામ ફાઇનાન્સમાં ઘટાડો</b></h3><p>શરૂઆતના વેપારમાં નિફ્ટી50 પર બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ અને શ્રીરામ ફાઇનાન્સ ટોચના ઘટાડામાં હતા.</p><h3><b>મિડકેપ અને સ્મોલકેપ સેગમેન્ટમાં હળવો વધારો</b></h3><p>વ્યાપક બજારે થોડું સારું ચિત્ર રજૂ કર્યું. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ અને નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સ અનુક્રમે 0.2% અને 0.07% ના નજીવા વધારા સાથે ટ્રેડ કરી રહ્યા હતા.</p><p><b style="font-size: 1.75rem;">આઇટી શેરોમાં ખરીદી</b></p><p>ક્ષેત્રીય સૂચકાંકોની દ્રષ્ટિએ, નિફ્ટી આઇટીએ અન્ય ક્ષેત્રો કરતાં વધુ સારો દેખાવ કર્યો, લગભગ 1% વધ્યો. તેનાથી વિપરીત, નિફ્ટી પીએસયુ બેંક અને નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસમાં નબળાઈ જોવા મળી.</p><p><b style="font-size: 1.5rem;">ક્રૂડ ઓઇલમાં વધારો, યુએસ-ઇરાન તણાવ એક મુખ્ય પરિબળ</b></p><p>આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે. ઇરાની સંસદ હોર્મુઝ સ્ટ્રેટમાં યુએસ અને ઇઝરાયલી જહાજો પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ મૂકતા ડ્રાફ્ટ બિલ પર વિચાર કરી રહી છે, જેનાથી પ્રાદેશિક તણાવ વધવાની આશંકા છે. દરમિયાન, ઇરાનના મુખ્ય વાટાઘાટકારે યુએસ પર "નાટક રાજકારણ" માં સામેલ થવાનો આરોપ લગાવ્યો છે.</p><p>ઓગસ્ટ ડિલિવરી માટે ક્રૂડ ઓઇલ ફ્યુચર્સ $83.24 પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યા હતા, જે લગભગ 0.91% વધીને છે. **સોના અને ચાંદીમાં તેજી**</p><p>સુરક્ષિત રોકાણોની વધતી માંગને કારણે, સોનાના વાયદામાં 0.42%નો વધારો થયો અને ચાંદીના વાયદામાં 1.36%નો વધારો થયો.</p><h4><b>આ કંપનીઓના ત્રિમાસિક પરિણામો આવશે&nbsp;</b></h4><p>ઘણી મોટી કંપનીઓ આજે એપ્રિલ-જૂન ક્વાર્ટર (Q1 FY27) માટે તેમના પરિણામો જાહેર કરશે. તેમાંની મુખ્ય કંપનીઓમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), ટાઇટન કંપની, હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, પાવર ફાઇનાન્સ કોર્પોરેશન (PFC), ઓઇલ ઇન્ડિયા, BEML, આઇનોક્સ વિન્ડ, કેન્સ ટેકનોલોજી, લેમન ટ્રી હોટેલ્સ, રેમન્ડ, રેમન્ડ રિયલ્ટી અને ધ રેમ્કો સિમેન્ટ્સનો સમાવેશ થાય છે. રોકાણકારો આ પરિણામો પર નજીકથી નજર રાખશે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2024/12/16/nssx0nFMCWEFJi9091P88E6iSf9biI9lascMugJJ.jpg'/></item><item><title><![CDATA[Morbi News: જિલ્લા કલેક્ટરે ગ્રાઉન્ડવોટર રિસર્ચ ટીમ પાસે કૂવાના પાણીની ઘટનાનો વિગતવાર અહેવાલ માંગ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/morbi/well-water-mystery-collector-seeks-detailed-groundwater-research-report</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/morbi/well-water-mystery-collector-seeks-detailed-groundwater-research-report</guid><pubDate>Fri, 07 Aug 2026 09:33:31 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મોરબી જિલ્લાના વિરપરડા ગામે એક અનોખી અને રહસ્યમય ઘટના સામે આવી છે.જ્યાં ગામમાં આવેલા એક કૂવાનું પાણી ફરીવાર આપમેળે હાલકડોલક થતું જોવા મળ્યું છે.2 દિવસ પહેલા કૂવાના પાણીમાં અચાનક હલચલ શરુ થઈ હતી. ત્યારબાદ ગત રોજ બપોર સુધી બંધ રહી હતી.જોકે ગઈકાલે બપોરે કૂવાના પાણીમાં ફરીથી આ પ્રકારની અનોખી હલચલ શરુ થતાં સ્થાનિક રહીશોમાં કુતૂહલનો માહોલ સર્જાયો હતો.આ દ્રશ્ય જોવા માટે ગામજનોના ટોળેટોળા કૂવા પાસે ઉમટી પડ્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.</p><p style="text-align: justify; "><br><h2><b>જુઓ જિલ્લા કલેક્ટરે શું કહ્યું?</b></h2><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbuagpijOgc/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA%3D%3D" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbuagpijOgc/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA%3D%3D" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a><br><br><br></p><h2 style="text-align: justify; "><b>ઘટનાથી સ્થાનિક લોકોમાં વિવિધ તર્ક વિતર્ક&nbsp;</b></h2><p style="text-align: justify; ">કૂવાના પાણીમાં અચાનક ઉછાળો અને હાલક-ડોલક થવાની ઘટનાથી સ્થાનિક લોકોમાં વિવિધ તર્ક-વિતર્ક શરુ થયા હતા.મોરબી અને આસપાસનો વિસ્તાર ભૂકંપ ઝોનમાં આવતો હોવાના કારણે કેટલાક ગ્રામજનો એવું અનુમાન લગાવી રહ્યા હતા કે જમીનની અંદર ભૂગર્ભમાં થતી કોઈ ભૂકંપ જેવી હલચલ કે પ્લેટોના ખસવાને કારણે કૂવાનું પાણી આ રીતે હલી રહ્યું હોઈ શકે છે.સતત બીજા દિવસે પણ આ ઘટના પુનરાવર્તિત થતાં ગ્રામજનોમાં ચિંતા અને આશ્ચર્ય બંને જોવા મળ્યા હતા.</p><h3 style="text-align: justify; "><b>ઘટનાને લઈ જિલ્લા કલેક્ટરે શું કહ્યું?</b></h3><p style="text-align: justify; ">ગુજરાતના મોરબી તાલુકાના વિરપરડા ગામમાંથી એક અનોખી ઘટના સામે આવી છે જ્યાં એક વાડીના કૂવામાં પાણીમાં મોજાં જેવું હલનચલન જોવા મળી રહ્યું છે. આ મામલે જિલ્લા કલેક્ટરે ગ્રાઉન્ડવોટર રિસર્ચ ટીમ પાસે વિગતવાર અહેવાલ માંગ્યો છે.કલેક્ટર સ્વપ્નિલ ખરેના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિરપરડા ગામના કૂવાના અહેવાલોને આધારે જિલ્લા જીઓલોજિસ્ટની ટીમે સ્થળની મુલાકાત લીધી હતી.તેમની પ્રાથમિક તપાસ સૂચવે છે કે પાણીનું આ હલનચલન સંભવતઃ પાણીની નીચે ફસાયેલી હવાને કારણે થઈ રહ્યું છે.ફસાયેલી હવા જેમ જેમ ખસે છે તેમ તે પાણીની સપાટી પર હલચલ પેદા કરે છે.આ બાબતે વિસ્તૃત અભ્યાસ કરીને અહેવાલ સોંપવા માટે ગુજરાત ગ્રાઉન્ડવોટર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને પણ જણાવાયું છે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2085278023071531026"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><h2 style="text-align: justify; "><b>ભૂસ્તર વિભાગના અધિકારીઓ શું કહી રહ્યા છે?</b></h2><p style="text-align: justify; ">આ ઘટના અંગે જાણ થતાં જ મોરબીના ભૂસ્તર વિભાગના અધિકારીઓની ટીમ તાત્કાલિક વિરપરડા ગામે પહોંચી ગઈ હતી. આ ટીમે કૂવાની સ્થિતિ તેમજ પાણીની હલચલનું સઘન નિરીક્ષણ કર્યું હતું.તપાસ બાદ ભૂસ્તર અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે,આ ઘટના પાછળ કોઈ ભૂકંપ કે જોખમી પ્રવૃત્તિ જવાબદાર નથી. અધિકારીઓએ જણાવ્યું કે,આ પ્રવૃત્તિ માત્ર ભૌગોલિક કારણોસર થઈ રહી છે.તાજેતરમાં પડેલા ભારે વરસાદના લીધે કૂવા રિચાર્જ થયા છે અને પવનની ગતિના લીધે કૂવાના પાણીમાં આ પ્રકારે હાલક-ડોલક થવાની પ્રક્રિયા જોવા મળી રહી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/morbi/virparda-well-water-mysterious-movement-geologist-explanation" target="_blank">આ પણ વાંચોઃ Morbi News: વિરપરડામાં કૂવાનું પાણી ફરી આપમેળે હાલક-ડોલક થયું, ભૂસ્તરશાસ્ત્રીઓએ જણાવ્યું સાચું કારણ, Video</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/8gXoR4IajwsQqTYhVsPLoF3rtcnk9gOXZm1EQwU5.webp'/></item><item><title><![CDATA[Ahmedabad મનપાની ઘોર બેદરકારી: વસ્ત્રાપુર તળાવમાં ડ્રેનેજનું દૂષિત પાણી છોડાતાં વધ્યો મચ્છરોનો ઉપદ્રવ! ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/mosquito-infestation-increased-due-to-discharge-of-sewage-water-into-vastrapur-lake-in-ahmedabad</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/mosquito-infestation-increased-due-to-discharge-of-sewage-water-into-vastrapur-lake-in-ahmedabad</guid><pubDate>Fri, 07 Aug 2026 09:29:26 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ મહાનગરપાલિકાની ભારે બેદરકારી સામે આવી છે, જેમાં કરોડો રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવેલા ઐતિહાસિક વસ્ત્રાપુર તળાવની જાળવણીમાં ઘોર ઉપેક્ષા દાખવવામાં આવી રહી છે. તળાવમાં STPના પાણીના નિકાલ માટે મૂકાયેલી જાળીઓ ખોલી નાખવામાં આવી છે. આ જાળીઓ ખુલ્લી કરી દેવાતાં ગંદા પાણીની સાથે મોટા પ્રમાણમાં ઘન કચરો અને પ્લાસ્ટિક સીધું તળાવમાં ઠલવાઈ રહ્યું છે. વહીવટી તંત્રની આ લાપરવાહીના કારણે તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય સ્થપાયું છે અને આસપાસના વિસ્તારમાં મોહરા અને મચ્છરોનો ઉપદ્રવ અસહ્ય રીતે વધી ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>મોર્નિંગ વોકર્સ અને સ્થાનિકો પરેશાન</b></h2><p style="text-align: justify; ">સામાન્ય રીતે ચોમાસા દરમિયાન તળાવોમાં માત્ર ચોખ્ખું વરસાદી પાણી જ એકત્ર કરવાનું હોય છે અને એસટીપીનું પાણી છોડવાનું હોતું નથી. આમ છતાં, મનપાના જવાબદાર અધિકારીઓ દ્વારા વસ્ત્રાપુર તળાવમાં ડ્રેનેજ મિશ્રિત પાણી છોડવામાં આવી રહ્યું છે. વરસાદ બાદ તળાવ પરિસરમાં યોગ્ય સફાઈ ન થવાના કારણે સવારે વોકિંગ માટે આવતા મોર્નિંગ વોકર્સ અને સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. દુર્ગંધ અને મચ્છરોના ત્રાસના કારણે લોકો માટે અહીં બે મિનિટ ઊભા રહેવું પણ મુશ્કેલ બની ગયું છે.</p><h3 style="text-align: justify; "><b>મનપાના 'કેચ ધ રેન' અભિયાનના ઉડ્યા ધજાગરા</b></h3><p style="text-align: justify; ">એક તરફ અમદાવાદ મનપા દ્વારા વરસાદી પાણીના સંગ્રહ અને તળાવોના સંવર્ધન માટે 'કેચ ધ રેન' (Catch The Rain) જેવા મોટા-મોટા અભિયાનોની ગુલબાંગો પોકારવામાં આવે છે, તો બીજી તરફ વસ્ત્રાપુર જેવા પોશ વિસ્તારના તળાવમાં જ ડ્રેનેજના દૂષિત પાણી છોડીને આ અભિયાનના ખુલ્લેઆમ ધજાગરા ઉડાવવામાં આવી રહ્યા છે. સ્થાનિક નાગરિકો અને મોર્નિંગ વોકર્સે માગ કરી છે કે તળાવમાં ગંદુ પાણી છોડવાનું તાત્કાલિક બંધ કરવામાં આવે અને આખી જગ્યાની યોગ્ય સફાઈ હાથ ધરીને જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/IXXR8tYaExodn9gwOb1U9AJMqNsilUcwA8Dlgi83.webp'/></item><item><title><![CDATA[Ranbir Kapoor 'રામાયણ' ઓસ્કાર નહીં જીતે તો મને નિરાશા થશે..દેવેન્દ્ર ફડણવીસ ]]></title><link>https://sandesh.com/entertainment/news/will-be-disappointed-if-ranbir-kapoors-ramayana-doesnt-win-oscar-says-devendra-fadnavis</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/will-be-disappointed-if-ranbir-kapoors-ramayana-doesnt-win-oscar-says-devendra-fadnavis</guid><pubDate>Fri, 07 Aug 2026 09:17:49 +05:30</pubDate><description><![CDATA[<p>નિતેશ તિવારીના દિગ્દર્શનમાં બની રહેલી બહુચર્ચિત ફિલ્મ 'રામાયણ'ને લઈને દરરોજ કોઈને કોઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે આ ફિલ્મે રિલીઝ પહેલા જ એક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે, જેનાથી ચાહકોનો ઉત્સાહ બેવડાઈ ગયો છે.</p><h2><b>રામાયણ, આંતરરાષ્ટ્રીય સ્તરે 50,000 સ્ક્રીન્સ પર થશે રિલીઝ</b></h2><p>ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યા અનુસાર, સોની પિક્ચર્સ આ ફિલ્મના આંતરરાષ્ટ્રીય વિતરણ (International Distribution)ની જવાબદારી સંભાળશે. વિશ્વભરમાં આ ફિલ્મને 50,000 સ્ક્રીન્સ પર રિલીઝ કરવાનું આયોજન છે, જે ભારતીય સિનેમાના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું વૈશ્વિક રિલીઝ માનવામાં આવે છે. આ સાથે જ વૈશ્વિક દર્શકોને જોડવા માટે ખાસ અંગ્રેજી લિપ-સિંક્ડ ટ્રેલર પણ રજૂ કરવામાં આવ્યું છે.</p><h3><b>"જો 'રામાયણ' ઓસ્કાર નહીં જીતે તો નિરાશા થશે" - દેવેન્દ્ર ફડણવીસ</b></h3><p>મુંબઈ ફિલ્મ સિટીમાં નમિત મલ્હોત્રાની 'પ્રાઈમ ફોકસ' સુવિધાના ઉદ્ઘાટન પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ફિલ્મ વિશે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, "જો 'રામાયણ' ઓસ્કાર નહીં જીતે તો મને ખૂબ નિરાશા થશે." આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કરવાની ફિલ્મની ક્ષમતા પર વ્યક્ત કરેલો આ વિશ્વાસ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.</p><h4><b>દમદાર VFX, તારક કલાકારો અને ટ્રેલરની ધૂમ</b></h4><p>હાલમાં જ રિલીઝ થયેલા ટ્રેલરના ભવ્ય દ્રશ્યો અને VFX દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યા છે. મલ્ટીસ્ટારર કાસ્ટમાં રણબીર કપૂર (ભગવાન રામ), સાઈ પલ્લવી (માતા સીતા), યશ (રાવણ), સની દેઓલ (ભગવાન હનુમાન) અને રવિ દુબે (લક્ષ્મણ) મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ખાસ કરીને રણબીર કપૂર અને યશના લુકની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઈ રહી છે. નમિત મલ્હોત્રા દ્વારા નિર્મિત ભારતીય સિનેમાનો આ સૌથી મોંઘો અને ભવ્ય પ્રોજેક્ટ બે ભાગમાં રજૂ થશે, જેનો પહેલો ભાગ 6 નવેમ્બર 2026 એટલે કે દિવાળીના શુભ અવસરે થિયેટરોમાં દસ્તક આપશે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/WkNIgWqpbxeqCqgFesRWFtohKaVEaSS4BOGlOIbD.webp'/></item><item><title><![CDATA[National Handloom Day:   પીએમ મોદીની અપીલ, 'સ્થાનિક કપડાં પહેરો, 'GRWM' ટ્રેન્ડને અનુસરો ]]></title><link>https://sandesh.com/india/news/national-handloom-day-pm-modi-grwm-trend</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/national-handloom-day-pm-modi-grwm-trend</guid><pubDate>Fri, 07 Aug 2026 08:48:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આજે એટલે કે 7 ઓગસ્ટના દિવસે દેશ ભરમાં 12મા નેશનલ હેન્ડલુમ દિવસ તરીકેની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને વીડિયો બનાવીને સમૃદ્ધ હેન્ડલુમની વિવિધતાને પ્રોત્સાહન આપવાની એક વિશેષ અપીલ કરી છે. કે સ્થાનિક કપડાં પહેરી અને ગેટ રેડી વિથમી વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરો.&nbsp;<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/narendramodi/status/2085397848154345956"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2 style="text-align: justify; "><b>ભવ્ય કાર્યક્રમનું આયોજન</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી પ્રમાણે આજે કાપડ મંત્રાલય દ્વારા નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં હાથશાળ ક્ષેત્રમાં અસાધારણ યોગદાન આપનારા કારીગરોને સન્માનિત કરવામાં આવશે. જેમાં કુલ 22 એવોર્ડ્સ - 3 'સંત કબીર હેન્ડલૂમ એવોર્ડ' અને 19 'રાષ્ટ્રીય હેન્ડલૂમ એવોર્ડ' - 2025 એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત, વિવિધ વણાટ પરંપરાઓની ઝલક આપતી ચાર સ્મારક ટપાલ ટિકિટોનું પણ વિમોચન કરવામાં આવશે.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/narendramodi/status/2085546720067457041"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h3 style="text-align: justify; "><b>ભારતના સ્થાનિક ઉદ્યોગો અને કારીગરોને બળ પૂરૂં પાડવાનો ઉદેશ્ય</b></h3><p style="text-align: justify; ">ભારતના હાથશાળ ક્ષેત્રનું મહત્વ સમજાવતા, આંકડાઓ દર્શાવે છે કે આ ક્ષેત્ર દેશના 3.5 મિલિયનથી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે, જેમાં 70 ટકાથી વધુ મહિલાઓનો સમાવેશ થાય છે. આ ક્ષેત્ર માત્ર આજીવિકાનું સાધન નથી, પરંતુ પર્યાવરણને અનુકૂળ ઉત્પાદન પદ્ધતિનું ઉત્તમ ઉદાહરણ પણ છે. 1905 માં શરૂ થયેલી 'સ્વદેશી ચળવળ'ની યાદમાં દર વર્ષે 7 ઓગસ્ટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય ભારતના સ્થાનિક ઉદ્યોગો અને કારીગરોને બળ પૂરું પાડવાનો છે.</p><h4 style="text-align: justify; "><b>પટોળા અને કચ્છનું વણાટ કાર્ય પ્રખ્યાત</b></h4><p style="text-align: justify; ">ગુજરાત પણ આ ક્ષેત્રમાં મોટું યોગદાન આપી રહ્યું છે. રાજ્યના વિશ્વપ્રસિદ્ધ પટોળા અને કચ્છના વણાટ કાર્યને આજે યુએસ, યુરોપ અને જાપાન જેવા દેશોમાં મોટી ઓળખ મળી છે. ગુજરાતના આ ક્ષેત્રમાં 12,000 થી વધુ કારીગરો જોડાયેલા છે, જેનું ટર્નઓવર ૫૧ કરોડથી વધુ છે. આ દિવસ માત્ર કારીગરોની કલાનું સન્માન નથી, પરંતુ ભારતની પ્રાચીન સંસ્કૃતિને પેઢી દર પેઢી જીવંત રાખનારા કારીગરો પ્રત્યે આદર વ્યક્ત કરવાનો અવસર છે. સરકારની પ્રતિબદ્ધતા અને નાગરિકોનો સહયોગ આ ક્ષેત્રના ટકાઉ વિકાસ માટે અત્યંત આવશ્યક છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/world/news/pm-modi-netanyahu-phone-call-middle-east-tension" target="_blank">આ પણ વાંચોઃ Middle East તણાવ વચ્ચે નેતન્યાહૂએ PM મોદીને ગુમાવ્યો ફોન, જાણો કયા કયા મુદ્દાઓ પર થઇ ચર્ચા</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/FqvOidIlQXi323xHSQrmupZQeZH5MpbftmMIMVnV.webp'/></item><item><title><![CDATA[Suratમાં એનાલોગ ચીઝ સામે તંત્રની લાલ આંખ: 24 કલાકમાં 14 સ્થળે દરોડા પાડી 235 કિલો જથ્થો નષ્ટ કરાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/food-safety-department-raids-14-dairy-farms-in-surat-traders-angry-as-235-kg-of-analogue-cheese-destroyed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/food-safety-department-raids-14-dairy-farms-in-surat-traders-angry-as-235-kg-of-analogue-cheese-destroyed</guid><pubDate>Fri, 07 Aug 2026 08:19:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગે આરોગ્ય માટે હાનિકારક એવા એનાલોગ ચીઝ અને પનીરના વેચાણ સામે મોટા પાયે ઝુંબેશ શરૂ કરી છે. છેલ્લા 24 કલાક દરમિયાન ફૂડ વિભાગની ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી કુલ 14 જેટલી ડેરીઓ અને મિલ્ક પ્રોડક્ટ વિક્રેતાઓને ત્યાં અચાનક દરોડા પાડ્યા હતા. આ તપાસ દરમિયાન જુદા જુદા સ્થળો પરથી કુલ 235 કિલોગ્રામ જેટલો પ્રતિબંધિત એનાલોગ ચીઝનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો અને તંત્ર દ્વારા આ આરોગ્યપ્રદ ન હોય તેવા જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>સ્ટોક નિકાલનો સમય ન મળતાં વેપારીઓમાં ભારે અસંતોષ</b></h2><p style="text-align: justify; ">ફૂડ સેફ્ટી વિભાગની આ સરપ્રાઇઝ કાર્યવાહીથી ડેરી ઉદ્યોગ અને મિલ્ક પ્રોડક્ટના વેપારીઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે. અચાનક લાદવામાં આવેલા પ્રતિબંધ અને અગાઉથી ખરીદેલો સ્ટોક ખાલી કરવાનો કે તેનો નિકાલ કરવાનો પૂરતો સમય આપ્યા વિના જ સીધા દરોડા પાડીને જથ્થો જપ્ત કરવામાં આવતાં વેપારીઓએ તંત્રની કામગીરી સામે તીવ્ર વિરોધ નોંધાવ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>લાખોનું નુકસાન થવાની વેપારીઓની રાવ</b></h3><p style="text-align: justify; ">વેપારી મંડળો અને દુકાનદારોનું કહેવું છે કે અચાનક કરાયેલી આ કાર્યવાહીના કારણે નાના-મોટા વેપારીઓને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. એક તરફ ફૂડ સેફ્ટી વિભાગ નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા અર્થે આવા કડક પગલાં ભરી રહ્યું છે, તો બીજી તરફ વેપારીઓ આક્ષેપ કરી રહ્યા છે કે નિયમો અંગે પૂરતો સમય અને સ્પષ્ટ માર્ગદર્શિકા આપ્યા બાદ જ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/CT7qQ1R7ZuI6WIp34PVvFComKbzipsBxUo5CcJsy.webp'/></item><item><title><![CDATA[Surendranagar News: ડબ્બા ટ્રેડિંગ કેસમાં ફરાર ASIને સસ્પેન્ડ કરાયો, જેતપુર પોલીસે ત્રણ ઠેકાણે દરોડા પાડ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/dabba-trading-case-asi-suspended-police-raid-3-locations</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/dabba-trading-case-asi-suspended-police-raid-3-locations</guid><pubDate>Fri, 07 Aug 2026 07:39:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરેન્દ્રનગરના રતનપરમાં રહેતા પોલીસ કર્મીના મકાનમાં ડબ્બા ટ્રેડીંગ ચાલતુ હોવાની બાતમીને આધારે રેન્જ આઈજીની ટીમે ગત મંગળવારે સાંજે રેડ કરી હતી. જેમાં પોલીસ કર્મીના પિતા સહિત 6 આરોપીઓને 3 લાખથી વધુની મત્તા સાથે ઝડપી લીધા હતા.દરોડા બાદ રેન્જ આઈજીએ ASI સંજય રાઠોડને સસ્પેન્ડ કરી દીધો છે. બીજી તરફ આ કેસની તપાસ કરી રહેલી જેતપુર પોલીસે ફરાર એએસઆઈને ઝડપી લેવા શહેરમાં ત્રણ જુદાં જુદાં સ્થળે દરોડા કર્યા હતા.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો</b></h2><p style="text-align: justify; ">રાજકોટ રેન્જ આઈજી નીર્લીપ્ત રાયની સુચનાથી ટીમે ગત મંગળવારે સાંજે સુરેન્દ્રનગરના રતનપરની રામેશ્વર ટાઉનશીપમાં રહેતા ધજાળા પોલીસ મથકમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા સંજય નાથુભાઈ રાઠોડના રહેણાક મકાને ડબ્બા ટ્રેડીંગની બાતમીને આધારે રેડ કરી હતી.જેમાં દિવ્યરાજસિંહ વનરાજસિંહ ચુડાસમા, વિપુલ કરશનભાઈ સીધવ, અરૂણ મહેન્દ્રભાઈ કોઠારી, દલસુખ કરશનભાઈ સીંધવ, વિજય ગોવિંદભાઈ દેત્રોજા અને પોલીસ કર્મી સંજયના પિતા નાથુભા કાનાભા રાઠોડ ઝડપાયા હતા. આ શખ્સો પાસેથી 10 લેપટોપ, 29 મોબાઈલ ફોન, રૂપીયા 13900 રોકડા, ચાર્જર, વાઈફાઈ, પેનડ્રાઈવ અને સોદા લખેલ 13 નોટબુક સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો હતો.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>જેતપુર પોલીસે શહેરમાં 3 સ્થળે દરોડા કર્યા</b></h3><p style="text-align: justify; ">બનાવની ઝડપાયેલા 6 આરોપીઓ ઉપરાંત પોલીસ કર્મી સંજય રાઠોડ અને 16 બ્રોકર સહિત 23 સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.આ કેસની તપાસ જેતપુર પીઆઈ એ.ડી.પરમારને સોંપાઈ છે.બીજી તરફ સમગ્ર બનાવ સામે આવતા આઈજી નિલીપ્ત રાયે એએસઆઈ સંજય રાઠોડને સસ્પેન્ડ કરી દીધો છે. જયારે બુધવારે મોડી રાત્રે સંજયના પિતા સહિત 6 આરોપીઓ જામીન પર મુક્ત થયા છે.જયારે ફરાર સંજય રાઠોડને ઝડપી લેવા જેતપુર પોલીસે શહેરમાં 3 સ્થળે દરોડા કર્યા હતા.પરંતુ સસ્પેન્ડ પોલીસ કર્મી પોલીસ ધરપકડ ટાળવા નાસતો ફરે છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/light-rain-likely-high-humidity-to-cause-sultry-weather" target="_blank">આ પણ વાંચોઃ Gujarat Weather News: રાજ્યમાં હળવા વરસાદની શક્યતાઓ, ભેજનું પ્રમાણ વધવાથી ઉકળાટ અનુભવાશે</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/xEaSLRbRz8tfoENAjqB9N86uAq1PHFhsHVrEIY3w.webp'/></item><item><title><![CDATA[Modi Cabinetના મહત્વપૂર્ણ નિર્ણયો, 23,731 કરોડની ગોબરધન યોજના અને ગુવાહાટી-તેજપુર કોરિડોરને લીલી ઝંડી ]]></title><link>https://sandesh.com/india/news/modi-cabinet-gobardhan-scheme-guwahati-tezpur-corridor-approval</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/modi-cabinet-gobardhan-scheme-guwahati-tezpur-corridor-approval</guid><pubDate>Thu, 06 Aug 2026 23:44:56 +05:30</pubDate><description><![CDATA[<p>વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બેઠક બાદ માહિતી આપતા જણાવ્યું કે કેબિનેટે રાષ્ટ્રીય યુનિફાઇડ સ્કીમ ફોર કમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG) એટલે કે ગોબરધન યોજનાને મંજૂરી આપી છે. આ યોજના માટે કુલ ₹23,731 કરોડનો ખર્ચ કરવામાં આવશે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/MIB_India/status/2085313380144099634"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>ઉત્પાદનને લગભગ દસ ગણું વધારવાનો હેતુ</b></h2><p>આ યોજના નાણાકીય વર્ષ 2026-27થી 2035-36 સુધી અમલમાં રહેશે. તેનો મુખ્ય હેતુ દેશમાં કમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG)ના ઉત્પાદનને લગભગ દસ ગણું વધારવાનો છે. આ યોજના દ્વારા સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન મળશે, ગ્રામ્ય અર્થતંત્ર મજબૂત બનશે અને દેશની ઊર્જા સુરક્ષામાં વધારો થશે. યોજનાના છ મુખ્ય આધારસ્તંભોમાં સુનિશ્ચિત ખરીદી, ભાવ સ્થિરતા, મૂડી સહાય, પાઈપલાઈન ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, ક્રેડિટ ગેરંટી અને નવીનતા માટે ચેલેન્જ ફંડનો સમાવેશ થાય છે.</p><p>કેબિનેટે આસામમાં NH-15 પર ગુવાહાટી-તેજપુર કોરિડોરના નિર્માણને પણ મંજૂરી આપી છે. અંદાજે 135.87 કિલોમીટર લાંબા આ ચાર લેન એક્સેસ-કંટ્રોલ્ડ હાઈવે માટે લગભગ ₹8,970 કરોડનો ખર્ચ થશે. આ પ્રોજેક્ટમાં બાયપાસ, ઈમરજન્સી લેન્ડિંગ સુવિધા અને અદ્યતન ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ જેવી આધુનિક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવશે.&nbsp;</p><h3><b>ટ્રાફિકની સમસ્યા પણ ઓછી થવાની શક્યતા</b></h3><p>આ માર્ગ આસામ અને અરુણાચલ પ્રદેશ વચ્ચેની કનેક્ટિવિટી સુધારશે તેમજ આર્થિક, સામાજિક અને લોજિસ્ટિક્સ વિકાસને વેગ આપશે. સાથે જ ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા પણ ઓછી થવાની શક્યતા છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, સ્વચ્છ ઊર્જા અને ગ્રામ્ય અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા માટે સતત મહત્વપૂર્ણ પગલાં લઈ રહી છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/pm-modi-national-handloom-day-video-message-swadeshi" target="_blank">આ પણ વાંચો : PM Modiએ પોસ્ટ કર્યો નવો વીડિયો, આ વખતે શું આપ્યો સંદેશ?</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/06/3nMCqHinBcke9sbw0fd2BycVE7pixY5SlcoPG2Nu.webp'/></item></channel></rss>