<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Bharuch News: દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર વહેલી સવારે ત્રિપલ અકસ્માત, ફાયર વિભાગે બસ ડ્રાઈવરનું રેસ્ક્યૂ કર્યું ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/triple-accident-on-delhi-mumbai-expressway</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/triple-accident-on-delhi-mumbai-expressway</guid><pubDate>Fri, 18 Sep 2026 11:15:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભરૂચના આમોદ પંથકમાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર આજે વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.માતર ગામ નજીક સર્જાયેલા આ ટ્રિપલ અકસ્માતમાં મુસાફરોથી ભરેલી ટ્રાવેલ્સ બસના ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયા હતા.જોકે કરજણ ફાયર વિભાગની સમયસૂચકતા અને કામગીરીના કારણે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. માતર ટોલ પ્લાઝાથી લગભગ બે કિલોમીટર વડોદરા તરફ આ ગમખ્વાર અકસ્માત થયો હતો.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ટ્રાવેલ્સ બસનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો&nbsp;</b></h2><p style="text-align: justify; ">રાજસ્થાનના બાડમેરથી સુરત તરફ મુસાફરોને લઈને જઈ રહેલી એક પેસેન્જર ટ્રાવેલ્સ બસ એક લાંબુ ટ્રેલર અને એક ફોર વ્હીલર ગાડી આ ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રાવેલ્સ બસનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. ટક્કરને કારણે ટ્રાવેલ્સ બસના ડ્રાઈવર આગળની કેબિનમાં જ ગંભીર રીતે ફસાઈ ગયા હતા.વાહનના પતરા અંદરની તરફ ધસી જવાને કારણે ડ્રાઈવર બહાર નીકળી શકે તેવી સ્થિતિમાં નહોતા.ઘટનાને પગલે હાઈવે પર અને આસપાસના વિસ્તારમાં થોડીવાર માટે દોડધામ મચી ગઈ હતી અને વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.</p><h3 style="text-align: justify; "><b>ડ્રાઈવરને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા</b></h3><p style="text-align: justify; ">અકસ્માતની આ ગંભીર ઘટનાની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.ફાયર જવાનોએ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હતી.આધુનિક હાઇડ્રોલિક રેસ્ક્યુ સાધનોની મદદથી કેબિનના લોખંડના પતરા અને સ્ટિયરિંગને કાળજીપૂર્વક કાપવામાં આવ્યા હતા.આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશનમાં એક કલાક જેટલો સમય લાગ્યો હતો.ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને હેમખેમ બહાર કાઢવામાં સફળતા મેળવી હતી.ડ્રાઈવરને બહાર કાઢ્યા બાદ તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/red-alert-in-9-districts-of-north-gujarat-until-1-pm" target="_blank">આ પણ વાંચોઃ Gujarat Weather News: ઉત્તર ગુજરાતવાસીઓ સાવધાન, બપોરે 1 વાગ્યા સુધી 9 જિલ્લામાં રેડ એલર્ટ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/EOpjlSh8lldaegM38GH7uIfxds9KqOHMu8PNwU1y.webp'/></item><item><title><![CDATA[Mehsana News: ખેરાલુમાં વહેલી સવારથી કડાકા ભડાકા સાથે બે ઈંચ વરસાદ ખાબક્યો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/mehsana/kheralu-receives-2-inches-of-rain-with-thunderstorms-in-4-hours</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/mehsana/kheralu-receives-2-inches-of-rain-with-thunderstorms-in-4-hours</guid><pubDate>Fri, 18 Sep 2026 10:48:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઉત્તર ગુજરાતમાં સક્રિય થયેલા ભારે વરસાદી માહોલ વચ્ચે હવે મહેસાણા જિલ્લાના ખેરાલુ પંથકમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે.ભાદરવા મહિનાના પ્રારંભે જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વીજળીના કડાકા-ભડાકા સાથે વહેલી પરોઢથી જ વરસાદી માહોલ સર્જાયો હતો.સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીના માત્ર ચાર કલાકના સમયગાળામાં ખેરાલુ પંથકમાં આશરે 51 મિમી એટલે કે અંદાજે બે ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસી ગયો હતો.સવારની આ તોફાની બેટિંગ બાદ હાલ પંથકમાં વરસાદે વિરામ લીધો છે.</p><p style="text-align: justify; "><img alt="ખેરાલુ વરસાદ" src="https://epapercdn.sandesh.com/images/2026/09/18/jB05KJ2HKr3rKiGzI2EdI9nSEuUpQY2NASyocQ3N.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>શહેરથી લઈને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી વહેતા થયા</b></h2><p style="text-align: justify; ">ખેરાલુ શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ તૂટી પડતાં નીચાણવાળા વિસ્તારો અને શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા હતા. માત્ર ચાર કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકતા જનજીવન પર તેની સામાન્ય અસર જોવા મળી હતી. આ ભારે વરસાદ માત્ર શહેર પૂરતો સીમિત ન રહેતા ખેરાલુ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસી રહ્યો છે.તાલુકાના ડભાડ, ચાણસોલ, હિરવાણી, મલેકપુર, સાકરી, વાલાપુરા, મંદ્વોપુર, ડાવોલ, ડાલીસણા, વિઠોડા, થાગણા, કુંડા, ગોરીસણા, ગઠામણ, નાનીવાડા, વઘવાડી, ચોટીયા અને મલારપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેના પગલે સર્વત્ર પાણી વહેતા થયા હતા.</p><p style="text-align: justify; "><img alt="ખેરાલુમાં વરસાદ" src="https://epapercdn.sandesh.com/images/2026/09/18/1kAQ1N2YurcwPFr9pTzoCs8ArOSlgPblsaoqp6VF.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>સુકાઈ રહેલા પાકોને મળ્યું નવું જીવનદાન</b></h2><p style="text-align: justify; ">ત્રણ દિવસના લાંબા વિરામ બાદ મેઘરાજાના આ અણધાર્યા આગમનથી ખેડૂતોમાં ભારે ખુશીની લહેર વ્યાપી ગઈ છે. ભાદરવા માસમાં પડેલો આ વરસાદ ધરતીપુત્રો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે.છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ન થવાને કારણે ખેતરોમાં ઉભેલા પાકને પાણીની જરૂરિયાત ઊભી થઈ હતી અને પાક સુકાઈ રહ્યો હતો. આજના બે ઇંચ વરસાદને કારણે એરંડા,જુવાર,ગવાર અને મગફળી સહિતના મહત્વના ચોમાસું પાકોને નવું જીવનદાન મળ્યું છે.ખેડૂતોનું માનવું છે કે પાકના વિકાસના આ નિર્ણાયક તબક્કે આ વરસાદ અત્યંત ગુણકારી સાબિત થશે.વહેલી સવારે પડેલા આ વરસાદને કારણે ઉકળાટ અને બફારાથી ત્રસ્ત લોકોને મોટી રાહત મળી છે.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/prayagraj-special-train-shifted-to-sabarmati-terminal" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: ગાંધીગ્રામનું ટર્મિનલ બદલાયું હવે સાબરમતીથી પ્રયાગરાજ ટ્રેન દોડશે</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/oMd38g2OmXenEfblURzfqq0UQ0yAe9HvfU7qkGrC.webp'/></item><item><title><![CDATA[Amritsarમાં મોડી રાતે ડ્યૂટી પર તૈનાત ASIની ગોળી મારી હત્યા, આતંકી સંગઠને લીધી જવાબદારી ]]></title><link>https://sandesh.com/india/news/punjab-amritsar-asi-harjit-singh-shot-dead-on-duty-gate-hakima-law-order</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/punjab-amritsar-asi-harjit-singh-shot-dead-on-duty-gate-hakima-law-order</guid><pubDate>Fri, 18 Sep 2026 10:48:03 +05:30</pubDate><description><![CDATA[<p>પંજાબના અમૃતસરમાં ગઈકાલે રાત્રે ફરજ પરના એક આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) ની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ અધિકારીની ઓળખ હરજીત સિંહ તરીકે થઈ છે. તેઓ 'ગેટ હકીમા' પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા હુમલાખોરોએ તેમને ગોળી મારી હતી. આ ઘટના પર શોક વ્યક્ત કરતા પંજાબ પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું: "અમૃતસર જિલ્લાના અમારા બહાદુર પોલીસ અધિકારી, ASI હરજીત સિંહે ફરજ દરમિયાન પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે. દુઃખની આ ઘડીમાં અમે શોકગ્રસ્ત પરિવારની સાથે મક્કમતાથી ઊભા છીએ."</p><p><br></p><h4><b>આતંકવાદી સંગઠને જવાબદારી સ્વીકારી; પોલીસે દાવો નકાર્યો</b></h4><p>આતંકવાદી સંગઠન 'તહરીક-એ-તાલિબાન હિન્દુસ્તાન'એ આ હત્યાની જવાબદારી સ્વીકારી છે. જોકે, પંજાબ પોલીસે આતંકવાદી હુમલાની શક્યતાને નકારી કાઢી છે. આ ઘટનાને લઈને પંજાબમાં રાજકીય વિવાદ સર્જાયો છે.</p><p><br></p><h4><b>મુખ્યમંત્રી દ્વારા ₹1 કરોડના વળતરની જાહેરાત</b></h4><p>પોલીસે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ પરિવાર માટે ₹1 કરોડની સહાયની જાહેરાત કરી છે, જ્યારે HDFC બેંક વધારાના ₹1 કરોડની વીમા રકમ ચૂકવશે. શહીદ અધિકારીને સંપૂર્ણ પોલીસ સન્માન સાથે વિદાય આપવામાં આવશે. અમારી પ્રાર્થના તેમના પરિવાર અને સંબંધીઓ સાથે છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/DGPPunjabPolice/status/2100797014619640171"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b style="font-size: 1.5rem;">ભાજપ અને અકાલી દળ દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા</b></p><p>બીજી તરફ, ભાજપ અને અકાલી દળે આમ આદમી પાર્ટીની સરકાર હેઠળ પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. શોક વ્યક્ત કરતા ભાજપના વરિષ્ઠ નેતા તરુણ ચુગે નોંધ્યું હતું કે સમગ્ર પંજાબમાં 22 પોલીસ સ્ટેશનો પર ગ્રેનેડ હુમલા થયા છે. તેમણે ધ્યાન દોર્યું કે ભાજપની ઓફિસ પર ગ્રેનેડ હુમલો થયો હતો અને પંજાબ પોલીસના મુખ્યાલયને રોકેટ લોન્ચરથી નિશાન બનાવવામાં આવ્યું હતું. વધુમાં, એવી ઘણી ઘટનાઓ બની છે જેમાં ગણવેશધારી પોલીસ કર્મચારીઓને સીધા નિશાન બનાવીને ગોળી મારવામાં આવી છે.</p><p><br></p><p>તેમણે કહ્યું કે હુમલાખોરો ગોળીબારના વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂકી રહ્યા છે, જ્યારે પંજાબ સરકાર અને આમ આદમી પાર્ટીના નેતાઓ માત્ર આ મામલાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.</p><p><br></p><h4><b>તરુણ ચુગે પંજાબમાં ભયના વાતાવરણ વિશે વાત કરી</b></h4><p>તરુણ ચુગે ટિપ્પણી કરી હતી કે જેમને પંજાબની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે તેઓ પોતે જ આતંકવાદ અને હિંસાનો ભોગ બની રહ્યા છે. ભાજપના નેતાએ જણાવ્યું હતું કે પંજાબમાં ભયનું વાતાવરણ પ્રવર્તે છે, જેમાં ડ્રગ માફિયા, ખંડણીખોરો અને ગેંગસ્ટરવાદ સરહદી રાજ્ય માટે મોટો ખતરો બની રહ્યા છે. આપ (AAP) સરકાર પર બેદરકારીનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે સરકારની નિષ્ફળતા જ ભયનું આ વાતાવરણ ઊભું કરી રહી છે. પોલીસ કર્મચારીઓની સુરક્ષા અંગેની ચિંતાઓ વ્યક્ત કરતા તરુણ ચુગે જણાવ્યું કે જ્યારે પોલીસ સ્ટેશન કે ખુદ પોલીસ કર્મચારીઓ જ સુરક્ષિત નથી, ત્યારે સામાન્ય જનતાની સુરક્ષા અંગે સવાલ ઉઠાવવો સ્વાભાવિક છે.</p><p><br></p><h4><b>અકાલી નેતાએ કાયદો અને વ્યવસ્થા અંગે સવાલો ઉઠાવ્યા</b></h4><p>અકાલી દળના નેતા બિક્રમ સિંહ મજીઠિયાએ નોંધ્યું કે અત્યાર સુધીમાં ત્રણ ASIની હત્યા થઈ ચૂકી છે. ગઈકાલે રાત્રે અમૃતસરમાં બે હત્યાઓ થઈ હતી, જેમાં ASI હરજીત સિંહનો પણ સમાવેશ થાય છે; ભગતનવાલા અનાજ મંડીમાં ફરજ દરમિયાન તેમને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જો ફરજ પર પોલીસ જ સુરક્ષિત ન હોય, તો સામાન્ય પંજાબીઓની સુરક્ષાનું શું થશે?</p><p><br></p><h4><b>અમૃતસરમાં પોલીસ કર્મચારીઓ પર હુમલાની તાજેતરની ઘટનાઓ</b></h4><p>30 ઓગસ્ટ: અમૃતસરમાં ફરજ દરમિયાન ટુ-વ્હીલરની ટક્કર વાગવાથી ASI પવન કુમાર શર્મા ગંભીર રીતે ઘાયલ થયા હતા; સારવાર દરમિયાન 12 દિવસ બાદ તેમનું અવસાન થયું હતું.&nbsp;</p><p>11 સપ્ટેમ્બર: અજનાલા વિસ્તારના ભલ્લા પિંડ નજીક ફરજ પરથી પરત ફરી રહેલા અમૃતસર કમિશનરેટના ASI જસવંત સિંહ પર મોટરસાઇકલ સવાર બે યુવકોએ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો અને એક ગોળી તેમના માથાને સ્પર્શીને નીકળી ગઈ હતી, જેનાથી તેમને સામાન્ય ઈજા થઈ હતી.&nbsp;</p><p>17 સપ્ટેમ્બર: ASI હરજીત સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે હરજીતની હત્યા કોણે કરી અને હત્યા પાછળનો હેતુ શું હતો તે અંગે તપાસ શરૂ કરી છે.<br><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/red-alert-in-9-districts-of-north-gujarat-until-1-pm" target="_blank"><b>Gujarat Weather News: ઉત્તર ગુજરાતવાસીઓ સાવધાન, બપોરે 1 વાગ્યા સુધી 9 જિલ્લામાં રેડ એલર્ટ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/fnGq8gzOgxTbCcY5Q4PRIfz3oIRnQkbEYOtBr6uw.webp'/></item><item><title><![CDATA[IndiGo : ફ્લાઇટ મુસાફરોને લાગશે આંચકો, ઇન્ડિગો એરલાઇન્સે ડોમેસ્ટિક ફ્લાઇટ્સના ભાડામાં કર્યો વધારો! ]]></title><link>https://sandesh.com/business/news/india/indigo-airlines-domestic-flight-charges-fare-hike-update</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/indigo-airlines-domestic-flight-charges-fare-hike-update</guid><pubDate>Fri, 18 Sep 2026 10:31:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઇન્ડિગો એરલાઇન્સમાં મુસાફરી કરતા મુસાફરો માટે એક મોટો આંચકો સમાન સમાચાર સામે આવ્યા છે. દેશેની અગ્રણી એરલાઇન ઇન્ડિગોએ ઘરેલુ ફ્લાઇટ્સ માટે પોતાની વિવિધ સેવાઓ અને ચાર્જમાં મોટો વધારો કર્યો છે. જો તમે આગામી દિવસોમાં ઇન્ડિગોની ફ્લાઇટમાં પ્રવાસ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે બાળકોની ટિકિટ, સામાનનું ભાડું અને અન્ય સુવિધાઓ માટે વધુ ખિસ્સું ખાલી કરવું પડશે.</p><h2 style="text-align: justify; "><b>શિશુ ટિકિટ અને વધારાના સામાનના ચાર્જમાં વધારો</b></h2><p style="text-align: justify; ">જો તમે ઇન્ડિગોની ડોમેસ્ટિક ફ્લાઇટમાં નાના બાળક સાથે મુસાફરી કરી રહ્યા છો, તો હવે શિશુ ટિકિટ (Infant Ticket) માટે તમારે વધારાના ₹૧,૦૦૦ ચૂકવા પડશે. અગાઉ આ ફી ₹૨,૦۰۰ હતી, જે હવે વધારીને ₹૩,૦૦૦ કરી દેવામાં આવી છે. આ નિયમ એવા બાળકો પર લાગુ થાય છે જેમને અલગ સીટ ફાળવવામાં આવતી નથી અને તેઓ માતા-પિતા સાથે પ્રવાસ કરે છે.</p><p style="text-align: justify; ">આ ઉપરાંત, ફ્રી અલોવાન્સ મર્યાદા કરતાં વધુ સામાન સાથે મુસાફરી કરવા પર હવે પ્રવાસીઓએ પ્રતિ કિલોગ્રામ ₹૮૦૦ ચૂકવવા પડશે, જે અગાઉ ₹૭૦૦ પ્રતિ કિલોગ્રામ હતો.</p><h3 style="text-align: justify; "><b>પ્રાયોરિટી ચેક-ઇન અને અન્ય સેવાઓ મોંઘી</b></h3><p style="text-align: justify; ">એરપોર્ટ પર લાંબી કતારોથી બચવા માટે લેવાતી સેવાઓ પણ હવે મોંઘી બની છે:</p><p style="text-align: justify; ">પ્રાયોરિટી ચેક-ઇન અને બોર્ડિંગ: આ સેવા માટે હવે મુસાફરોએ ₹૪૫૦ ની જગ્યાએ ₹૬૫૦ ચૂકવવા પડશે.</p><p style="text-align: justify; ">અનએકંપનીડ માઇનોર સર્વિસ (એકલા મુસાફરી કરતા બાળકો): જો કોઈ બાળક વાલી વગર એકલું મુસાફરી કરી રહ્યું હોય, તો આ ખાસ સેવાનો ચાર્જ ₹૫,૦૦૦ થી વધારીને ₹૫,૯૯૯ કરી દેવામાં આવ્યો છે.</p><p style="text-align: justify; ">ટ્રાવેલ સર્ટિફિકેટ ફી: ટ્રાવેલ સર્ટિફિકેટ મેળવવા માટે હવે અગાઉના ₹૨૦૦ ના બદલે ₹૩૦૦ ફી વસૂલવામાં આવશે. સેવા શુલ્કમાં થયેલા આ વધારાને કારણે હવે મુસાફરોનું પ્રવાસ બજેટ થોડું વધી જશે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/railway-employee-bonus-hike-demand-festival-update" target="_blank">આ પણ વાંચોઃ&nbsp; તહેવારો પહેલા રેલવે કર્મચારીઓ માટે ખુશખબર,  ₹18,000 થી વધીને ₹53,000 સુધી વધી શકે છે બોનસ!</a></b></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/7om3Q7BPyxPgo8bkbsx2a9i45wdfQ5vH8kQ3st1m.webp'/></item><item><title><![CDATA[IndiGo : ફ્લાઇટ મુસાફરોને લાગશે આંચકો, ઇન્ડિગો એરલાઇન્સે ડોમેસ્ટિક ફ્લાઇટ્સના ભાડામાં કર્યો વધારો! ]]></title><link>https://sandesh.com/business/news/india/indigo-airlines-domestic-flight-charges-fare-hike-update</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/indigo-airlines-domestic-flight-charges-fare-hike-update</guid><pubDate>Fri, 18 Sep 2026 10:31:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઇન્ડિગો એરલાઇન્સમાં મુસાફરી કરતા મુસાફરો માટે એક મોટો આંચકો સમાન સમાચાર સામે આવ્યા છે. દેશેની અગ્રણી એરલાઇન ઇન્ડિગોએ ઘરેલુ ફ્લાઇટ્સ માટે પોતાની વિવિધ સેવાઓ અને ચાર્જમાં મોટો વધારો કર્યો છે. જો તમે આગામી દિવસોમાં ઇન્ડિગોની ફ્લાઇટમાં પ્રવાસ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે બાળકોની ટિકિટ, સામાનનું ભાડું અને અન્ય સુવિધાઓ માટે વધુ ખિસ્સું ખાલી કરવું પડશે.</p><h2 style="text-align: justify; "><b>શિશુ ટિકિટ અને વધારાના સામાનના ચાર્જમાં વધારો</b></h2><p style="text-align: justify; ">જો તમે ઇન્ડિગોની ડોમેસ્ટિક ફ્લાઇટમાં નાના બાળક સાથે મુસાફરી કરી રહ્યા છો, તો હવે શિશુ ટિકિટ (Infant Ticket) માટે તમારે વધારાના ₹૧,૦૦૦ ચૂકવા પડશે. અગાઉ આ ફી ₹૨,૦۰۰ હતી, જે હવે વધારીને ₹૩,૦૦૦ કરી દેવામાં આવી છે. આ નિયમ એવા બાળકો પર લાગુ થાય છે જેમને અલગ સીટ ફાળવવામાં આવતી નથી અને તેઓ માતા-પિતા સાથે પ્રવાસ કરે છે.</p><p style="text-align: justify; ">આ ઉપરાંત, ફ્રી અલોવાન્સ મર્યાદા કરતાં વધુ સામાન સાથે મુસાફરી કરવા પર હવે પ્રવાસીઓએ પ્રતિ કિલોગ્રામ ₹૮૦૦ ચૂકવવા પડશે, જે અગાઉ ₹૭૦૦ પ્રતિ કિલોગ્રામ હતો.</p><h3 style="text-align: justify; "><b>પ્રાયોરિટી ચેક-ઇન અને અન્ય સેવાઓ મોંઘી</b></h3><p style="text-align: justify; ">એરપોર્ટ પર લાંબી કતારોથી બચવા માટે લેવાતી સેવાઓ પણ હવે મોંઘી બની છે:</p><p style="text-align: justify; ">પ્રાયોરિટી ચેક-ઇન અને બોર્ડિંગ: આ સેવા માટે હવે મુસાફરોએ ₹૪૫૦ ની જગ્યાએ ₹૬૫૦ ચૂકવવા પડશે.</p><p style="text-align: justify; ">અનએકંપનીડ માઇનોર સર્વિસ (એકલા મુસાફરી કરતા બાળકો): જો કોઈ બાળક વાલી વગર એકલું મુસાફરી કરી રહ્યું હોય, તો આ ખાસ સેવાનો ચાર્જ ₹૫,૦૦૦ થી વધારીને ₹૫,૯૯૯ કરી દેવામાં આવ્યો છે.</p><p style="text-align: justify; ">ટ્રાવેલ સર્ટિફિકેટ ફી: ટ્રાવેલ સર્ટિફિકેટ મેળવવા માટે હવે અગાઉના ₹૨૦૦ ના બદલે ₹૩૦૦ ફી વસૂલવામાં આવશે. સેવા શુલ્કમાં થયેલા આ વધારાને કારણે હવે મુસાફરોનું પ્રવાસ બજેટ થોડું વધી જશે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/railway-employee-bonus-hike-demand-festival-update" target="_blank">આ પણ વાંચોઃ&nbsp; તહેવારો પહેલા રેલવે કર્મચારીઓ માટે ખુશખબર,  ₹18,000 થી વધીને ₹53,000 સુધી વધી શકે છે બોનસ!</a></b></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/7om3Q7BPyxPgo8bkbsx2a9i45wdfQ5vH8kQ3st1m.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: શહેરમાં ભારે વરસાદની આગાહીને લઈ સ્કૂલોમાં રજા જાહેર, AMTSના રૂટ ડાયવર્ટ કરાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/schools-advised-to-declare-holiday-amid-heavy-rain</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/schools-advised-to-declare-holiday-amid-heavy-rain</guid><pubDate>Fri, 18 Sep 2026 10:04:43 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ, સુરત અને કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો છે. અમદાવાદ શહેરમાં ભારે વરસાદ બાદ રોડ અને રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે પરિમલ, શાહિબાગ, અખબારનગર અને મકરબા અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયા છે. જ્યારે વાસણા બેરેજના 14 દરવાજા ખોલાયા છે.બીજી તરફ સ્કૂલોમાં પણ સ્વૈચ્છિક રીતે રજા આપવા માટે શિક્ષણ અધિકારીએ સૂચના આપી છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><img alt="અમદાવાદ વરસાદ" src="https://epapercdn.sandesh.com/images/2026/09/18/iIuQvwe0GuXIYr4MHR2gNbDhQiFyc1x2poPLdjed.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>શિક્ષણ અધિકારીએ સ્કૂલોને આદેશ આપ્યો</b></h2><p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરવાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.ભારે વરસાદ અને પાણી ભરાવાની સમસ્યાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સાવચેતીના વિવિધ પગલાં લેવામાં આવ્યા છે.  શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિને જોતાં સ્કૂલ સંચાલકો દ્વારા સ્વૈચ્છિક રીતે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.અગાઉ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળાઓને સૂચન કરવામાં આવ્યું હતું કે તેઓ સ્થાનિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને રજા બાબતે સ્વતંત્ર નિર્ણય લઈ શકે છે.&nbsp;</p><p style="text-align: justify; "><img alt="અમદાવાદમાં સ્કૂલોમાં રજા" src="https://epapercdn.sandesh.com/images/2026/09/18/AYfGZs6OA3CPfg7KqdNMCi9nUP0CMg1zunJfK4RH.webp" style="width: 100%;"><br></p><h3 style="text-align: justify; "><b>વિદ્યાર્થીઓને સમયસર જાણ કરવા પણ નિર્દેશ</b></h3><p style="text-align: justify; ">અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ DEO દ્વારા શાળાઓને સ્પષ્ટ આદેશ અપાયા છે કે વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી.પરિસ્થિતિ મુજબ શાળા ચાલુ કે બંધ રાખવાનો નિર્ણય લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓને સમયસર જાણ કરવા પણ નિર્દેશ કરવામાં આવ્યા છે. શહેરમાં ખાબકેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ઝાડ પડવાના બનાવો સામે આવ્યા છે.જેમાં બોડકદેવ, શાસ્ત્રીનગર, પ્રગતિનગર,નવરંગપુરા અને કેશવબાગ વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા હોવાના અહેવાલ છે.રસ્તાઓ પર પડેલાં વૃક્ષોને હટાવીને ટ્રાફિક વ્યવને પૂર્વવત કરવા માટે ફાયર વિભાગની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.&nbsp;</p><p style="text-align: justify; "><img alt="અમદાવાદનો વરસાદ" src="https://epapercdn.sandesh.com/images/2026/09/18/uIc3hO0KXTMC3hPfsiJ7K7w106GhF1nVvcqW3Pfk.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>ફાયર વિભાગને સંપૂર્ણપણે એલર્ટ રહેવા આદેશ</b></h2><p style="text-align: justify; ">આગામી સમયની સ્થિતિને જોતાં તંત્ર દ્વારા ફાયર વિભાગને સંપૂર્ણપણે એલર્ટ રહેવા આદેશ કરાયો છે. ભારે વરસાદને કારણે પાણી  ભરાઈ જવાની સ્થિતિમાં શહેરના ચાર અંડર પાસ બંધ કરવામાં આવ્યા છે. અખબારનગર, મકરબા, પરિમલ અને શાહિબાગ અંડરપાસ બંધ કરાયો છે. જ્યારે શહેરમાં ભરાયેલું પાણી વહેલી તકે ઓસરી જાય તે માટે વાસણા બેરેજના 14 દરવાજા ખોલી નાંખવામાં આવ્યા હતાં.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/prayagraj-special-train-shifted-to-sabarmati-terminal" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: ગાંધીગ્રામનું ટર્મિનલ બદલાયું હવે સાબરમતીથી પ્રયાગરાજ ટ્રેન દોડશે</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/F3gMteXbzybIiF181IwKidFrZFpT2rNoaeBFlmIA.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: ગાંધીગ્રામનું ટર્મિનલ બદલાયું હવે સાબરમતીથી પ્રયાગરાજ ટ્રેન દોડશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/prayagraj-special-train-shifted-to-sabarmati-terminal</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/prayagraj-special-train-shifted-to-sabarmati-terminal</guid><pubDate>Fri, 18 Sep 2026 08:41:52 +05:30</pubDate><description><![CDATA[<p>તહેવારો દરમિયાન મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ગુજરાતમાંથી ઉત્તર ભારતના વિવિધ શહેરો તરફ જતી 18  સ્પેશિયલ ટ્રેનોની સેવા લંબાવવામાં આવી છે.કેટલીક ટ્રેનોની ટ્રીપ નવેમ્બર સુધી વધારવામાં આવી છે.જ્યારે કેટલીક ટ્રેનોની વધારાની ટ્રીપ પણ શરૂ કરવામાં આવશે.ગાંધીગ્રામ ખાતે પ્લેટફોર્મની મર્યાદાને કારણે 04112 ગાંધીગ્રામ-પ્રયાગરાજ સ્પેશિયલ હવે 04180 સાબરમતી-પ્રયાગરાજ સ્પેશિયલ તરીકે દોડશે.નવી સેવા 4 ઓક્ટોબરથી 29 નવેમ્બર સુધી રહેશે.</p><h2><b>ગાંધીગ્રામનું ટર્મિનલ બદલાયું</b></h2><p>04111 પ્રયાગરાજ-ગાંધીગ્રામ હવે 04179 પ્રયાગરાજ-સાબરમતી તરીકે 3 ઓક્ટોબરથી 28નવેમ્બર સુધી દોડશે.04179 પ્રયાગરાજથી સાંજે 4 વાગ્યે ઉપડી બીજા દિવસે બપોરે 3.40 વાગ્યે સાબરમતી પહોંચશે.જ્યારે 04180 સાબરમતીથી સાંજે 5.45 વાગ્યે ઉપડશે.ફતેહપુરથી મહેસાણા વચ્ચેના સમય અને સ્ટોપેજમાં ફેરફાર નહીં થાય.પ્લેટફોર્મની મર્યાદાને કારણે 01906 આસારવા-કાનપુર સેન્ટ્રલ સ્પેશિયલના ટુંડલા,ફિરોઝાબાદ અને ઈટાવા સ્ટેશનના સમયમાં ફેરફાર કરાયો છે.આ ફેરફાર 6 ઓક્ટોબરથી અમલમાં આવશે.ગુજરાત સાથે જોડાયેલી આ વિસ્તૃત સ્પેશિયલ ટ્રેનોનું બુકિંગ 19 સપ્ટેમ્બર 2026થી તમામ પીઆરએસ કાઉન્ટર તથા આઈઆરસીટીસી (IRCTC) વેબસાઈટ પર શરૂ થશે.</p><h2><b>આ પ્રમાણે સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે</b></h2><p>ઉધના-આગ્રા કેન્ટ સ્પેશિયલ (09078) 25 નવેમ્બર 2026 સુધી અને પરત આગ્રા કેન્ટ-ઉધના (09077) 24 નવેમ્બર સુધી દોડશે</p><p>ઉધના-પ્રયાગરાજ સ્પેશિયલ (04106) 30 નવેમ્બર સુધી અને પરત પ્રયાગરાજ-ઉધના (04105) 29 નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે</p><p>ઉધના-સુબેદારગંજ સ્પેશિયલ (04146)ની વધારાની ટ્રીપ 20 ઓક્ટોબરથી 27 નવેમ્બર સુધી દર મંગળવાર અને શુક્રવારે દોડશે</p><p>સુબેદારગંજ-ઉધના (04145) 19 ઓક્ટોબરથી 26 નવેમ્બર સુધી દર સોમવાર અને ગુરૂવારે દોડશે</p><p>વલસાડ-સુબેદારગંજ સ્પેશિયલ (04120) 29 નવેમ્બર સુધી અને પરત 04119 28 નવેમ્બર સુધી દોડશે</p><p>બીજી વલસાડ-સુબેદારગંજ સ્પેશિયલ (04178) ૨૫ નવેમ્બર સુધી અને પરત 04177 24 નવેમ્બર સુધી દોડશે</p><p>આસારવા-આગ્રા કેન્ટ સ્પેશિયલ (09097) 24 નવેમ્બર સુધી અને પરત 09098 23 નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે</p><p>જ્યારે આસારવા-કાનપુર સેન્ટ્રલ સ્પેશિયલ (01906) 1 ડિસેમ્બર સુધી અને પરત 01905 30 નવેમ્બર સુધી દોડશે</p><p>વેરાવળ-પ્રયાગરાજ સ્પેશિયલ (04174) 27 નવેમ્બર સુધી અને પરત પ્રયાગરાજ-વેરાવળ (04173) 26 નવેમ્બર સુધી દોડશે</p><p><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-live-news-politics-weather-breaking-updates-18-september-2026" target="_blank">આ પણ વાંચોઃ Gujarat Latest News Live: ગુજરાતમાં આજે વીજળીના કડાકા સાથે ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયુ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/23TSGOYXYPnccAXMGrA7WOGsXB7gieiQvPN8cLTu.webp'/></item><item><title><![CDATA[Gujarat Weather News: આજે સવારે 10 વાગ્યા સુધીમાં 5 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/red-alert-in-5-districts--heavy-rain-forecast-today</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/red-alert-in-5-districts--heavy-rain-forecast-today</guid><pubDate>Fri, 18 Sep 2026 07:33:21 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ભારે વરસાદની શક્યતા છે.જેને લઈને વિવિધ જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.  સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યના પાંચ જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ વિસ્તારોમાં પ્રતિ કલાક 15 મિલીમીટરથી વધુ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.</p><h2><b>આ વિસ્તારોમાં રેડ અને યલો એલર્ટ જાહેર કરાયું</b></h2><p>ગુજરાતમાં  બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરાવલી એમ કુલ 5 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આ ઉપરાંત, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા-નગરમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.</p><h3><b>રાજ્યના 150 તાલુકાઓમાં સારો વરસાદ</b></h3><p>છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 150 તાલુકાઓમાં સારો વરસાદ નોંધાયો છે, જેમાં મોરબી જિલ્લાના માળિયામાં સૌથી વધુ 5.61 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત, બનાસકાંઠાના દાંતામાં 3.58 ઈંચ, પાલનપુરમાં 2.17 ઈંચ, અમીરગઢમાં 2.48 ઈંચ અને રાધનપુરમાં 2.13 ઈંચ તેમજ પાટણના શંખેશ્વરમાં 3.35 ઈંચ, દેવભૂમિ દ્વારકાના ઓખામંડળમાં 2.8 ઈંચ, મહેસાણાના બેચરાજીમાં 2.56 ઈંચ, ખેડાના મહેમદાવાદમાં 2.28 ઈંચ, ગાંધીનગરના દહેગામમાં 2.28 ઈંચ અને અરવલ્લીના મોડાસામાં 2.28 ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો છે.<br><br><h2><b>બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં મોડી રાત્રે વરસાદ</b></h2></p><p>અમીરગઢ પંથકમાં મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા ધોધમાર વરસાદને કારણે અમીરગઢ તેમજ ઇકબાલગઢ સહિત ડાભેલા, વિરમપુર અને ઢોલીયા વિસ્તારમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. આ ભારે વરસાદના પગલે ખેડૂતોને મોટી રાહત મળી છે અને ખાસ કરીને મગફળી તથા કપાસના પાકને ઘણો મોટો ફાયદો થશે.<br><br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-live-news-politics-weather-breaking-updates-18-september-2026" target="_blank">આ પણ વાંચોઃ Gujarat Latest News Live: ગુજરાતમાં આજે વીજળીના કડાકા સાથે ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયુ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/cfTwwkGVYnXd7klbmCAUGSjtAOxWG1OOwIjUSFhd.webp'/></item><item><title><![CDATA[દિશા સાલિયન મામલે સવાલ પૂછતા રિયાએ ચાલતી પકડી! જીમ બહાર જોવા મળી અભિનેત્રી ]]></title><link>https://sandesh.com/entertainment/news/rhea-chakraborty-walked-away-when-asked-about-the-disha-salian-case-</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/rhea-chakraborty-walked-away-when-asked-about-the-disha-salian-case-</guid><pubDate>Thu, 17 Sep 2026 19:09:28 +05:30</pubDate><description><![CDATA[<p>બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયનના મૃત્યુના કેસે ફરી એકવાર વેગ પકડ્યો છે, કારણ કે CBI આ મામલામાં ફરી સક્રિય થઈ છે. બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ CBIએ દિશા સાલિયન કેસ અંગે FIR નોંધી છે. આ મામલામાં સંડોવાયેલા લોકોની યાદીમાં બોલિવૂડની હસ્તીઓથી લઈને રાજકીય વર્તુળો સુધીના લોકોનો સમાવેશ થાય છે, જેમાં રિયા ચક્રવર્તીનું નામ પણ સામેલ છે. આ દરમિયાન દિશા કેસ વિશે પૂછવામાં આવતા રિયાએ મૌન જાળવી રાખ્યું છે.</p><p><br></p><p>તાજેતરમાં રિયા ચક્રવર્તી મુંબઈમાં એક જિમની બહાર જોવા મળી હતી. જ્યારે મીડિયાએ તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે વાતચીત ટાળતી જણાઈ હતી. એક વીડિયોમાં એક રિપોર્ટર તેની પાછળ દોડીને દિશા સાલિયન કેસ વિશે પ્રશ્નો પૂછતા જોવા મળે છે; જોકે, તેણે આ બાબતે કોઈ પણ ટિપ્પણી કર્યા વિના પોતાની કારમાં બેસીને ત્યાંથી નીકળી જવાનું પસંદ કર્યું. તે સ્પષ્ટ છે કે અભિનેત્રીએ આ મુદ્દે મૌન રહેવાનું નક્કી કર્યું છે.</p><p><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DdYGrJyJQ-u/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DdYGrJyJQ-u/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a></p><p><b style="font-size: 1.5rem;"><br></b></p><p><b style="font-size: 1.5rem;">રિયા અને અન્ય લોકો વિરુદ્ધ CBI દ્વારા FIR નોંધાઈ</b></p><p>બોમ્બે હાઈકોર્ટના આદેશના પાલનમાં, CBIએ દિશા સાલિયન કેસમાં રિયા ચક્રવર્તી, ડીનો મોરિયા, સૂરજ પંચોલી, આદિત્ય ઠાકરે, રોહન રોય, આદિત્ય ઠાકરેના અંગરક્ષકો, શોવિક ચક્રવર્તી, સચિન વાઝે, DCP વિશાલ ઠાકુર, ઉદ્ધવ ઠાકરે, પરમબીર સિંહ, અનિલ દેશમુખ અને અન્ય સહિત અનેક વ્યક્તિઓ વિરુદ્ધ FIR નોંધી છે.</p><p><b style="font-size: 1.5rem;">ગેંગ-રેપ અને હત્યાના આરોપો: દિશા સાલિયનના વકીલ</b></p><p>દિશા સાલિયનના વકીલ નીલેશ ઓઝાએ જણાવ્યું હતું કે આદિત્ય ઠાકરે અને અન્ય લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે, જેમાં ગેંગ-રેપ અને હત્યાના આરોપો મૂકવામાં આવ્યા છે. વકીલનો દાવો છે કે તેમની પાસે સચિન વાઝે દ્વારા કરવામાં આવેલી 'એક્સ્ટ્રા-જ્યુડિશિયલ કબૂલાત' (ન્યાયાલયની બહાર કરેલી કબૂલાત) ઉપલબ્ધ છે. તેઓ વધુમાં દાવો કરે છે કે NCB પાસે પુરાવા હોવા છતાં, NCB અધિકારી સંજય સિંહ છેલ્લા છ વર્ષથી આ વ્યક્તિઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં નિષ્ફળ રહ્યા છે.</p><p><br></p><p>ઉલ્લેખનીય છે કે બોમ્બે હાઈકોર્ટે CBIને દિશા સાલિયન કેસની નવી તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે તપાસની દેખરેખ માટે CBIના એક વરિષ્ઠ અધિકારીની નિમણૂક કરવામાં આવે.<br><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/entertainment/disha-salian-father-satish-salian-defamation-notice-aaditya-thackeray-matoshree-500-crore" target="_blank"><b>Disha Salian કેસમાં નવો વળાંક! પિતા સતીશ જશે માતોશ્રી, આદિત્ય ઠાકરેને આપશે 500 કરોડની નોટિસ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/5VyHEUsxM2q4mZ97LWnkMFF7ReDjGB4LKtjt3jYq.webp'/></item><item><title><![CDATA[Asian Games 2026: જાપાનમાં ભારતીય ખેલાડીઓની હાલાકી, ખાવા-પીવા માટે પણ ભટકવું પડ્યું! ]]></title><link>https://sandesh.com/sports/news/asian-games-2026-indian-players-in-japan-face-hardship-had-to-wander-even-for-food-and-drink</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/asian-games-2026-indian-players-in-japan-face-hardship-had-to-wander-even-for-food-and-drink</guid><pubDate>Thu, 17 Sep 2026 18:26:28 +05:30</pubDate><description><![CDATA[<p>હાલમાં ભારતીય ખેલાડીઓ એશિયન ટીમ 2026 રમવા માટે જાપાન પહોંચી છે. જ્યાં ખેલાડીઓને રહેવા, ખાવા-પીવા સહિતની અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોવાનું સામે આવ્યું છે. માત્ર ભારત જ નહીં, પરંતુ અન્ય દેશોના ખેલાડીઓ પણ પોતાના રૂમની ફાળવણી માટે કલાકો સુધી રાહ જોતા જોવા મળ્યા હતા.</p><h2><b>પાણી અને ભીજન માટે ભારે અવ્યવસ્થા&nbsp;</b></h2><p>મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય શૂટિંગ ટીમ સવારે લગભગ 9 વાગ્યે જાપાની શહેર આઈચી-નાગોયા પહોંચી હતી. જો કે, ખેલાડીઓને રહેવા માટેની વ્યવસ્થા મળતા રાત્રિના લગભગ 2 વાગી ગયા હતા. આ દરમિયાન ખેલાડીઓએ વેરિફિકેશન સેન્ટર પર લાંબો સમય રાહ જોવી પડી હતી. ખાસ વાત એ હતી કે આ સમગ્ર સમયગાળા દરમિયાન તેમને પીવા માટે પાણી કે ખાવા માટે ભોજન પણ ઉપલબ્ધ થયું નહોતું. સમસ્યા અહીં પૂરી થઈ નહોતી. એક હોટેલમાં રૂમની સંખ્યા ઓછી પડતાં ભારતીય શૂટિંગ ટીમના સભ્યોને બે અલગ-અલગ હોટેલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેના કારણે ટીમના ખેલાડીઓ એકબીજાથી અલગ થઈ ગયા હતા. બીજી તરફ, સોશિયલ મીડિયા પર સામે આવેલા કેટલાક વીડિયોમાં વિવિધ દેશોના ખેલાડીઓ લાંબા સમય સુધી રાહ જોતા તેમજ જમીન પર આરામ કરતા જોવા મળ્યા છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/TheKhelIndia/status/2100434449104343192"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>અલગ-અલગ હોટેલોમાં વિભાજન</b></h2><p>એશિયન ગેમ્સના ઇતિહાસમાં આ પહેલીવાર છે કે, જ્યારે ખેલાડીઓ માટે અલગથી ડેડિકેટેડ ગેમ્સ વિલેજ તૈયાર કરવામાં આવ્યું નથી. ખર્ચ ઘટાડવાના હેતુથી એશિયન ગેમ્સની ઓર્ગેનાઇઝિંગ કમિટીએ આ પ્રકારની વ્યવસ્થા પસંદ કરી હોવાનું જણાવવામાં આવ્યું છે. ગેમ્સ વિલેજ ન હોવાને કારણે ખેલાડીઓ માટે હોટેલ્સ ઉપરાંત ક્રૂઝ શિપ અને શિપિંગ કન્ટેનર જેવી અસ્થાયી લાકડાની કોટેજમાં પણ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/arunpudur/status/2100556168016109725"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>શૂટિંગમાં ભારતનો શાનદાર ઇતિહાસ</b></h2><p>શૂટિંગ ભારત માટે એશિયન ગેમ્સમાં મેડલ જીતવાની દૃષ્ટિએ મહત્વપૂર્ણ રમત રહી છે. અત્યાર સુધી એશિયન ગેમ્સના ઇતિહાસમાં ભારતીય શૂટર્સે દેશને કુલ 80 મેડલ અપાવ્યા છે. વર્ષ 2023માં હાંગઝોઉ ખાતે યોજાયેલી એશિયન ગેમ્સમાં પણ ભારતીય શૂટિંગ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું, અને કુલ 22 મેડલ જીત્યા હતા.</p><h2><b>ભારતની મજબૂત ટીમ</b></h2><p>આ વખતે જાપાનમાં ભારત તરફથી 30 સભ્યોની મજબૂત શૂટિંગ ટીમ ભાગ લઈ રહી છે. આ ટીમમાં પેરિસ ઓલિમ્પિકની સ્ટાર શૂટર મનુ ભાકર સહિત અનેક અનુભવી અને જાણીતા ખેલાડીઓનો સમાવેશ થાય છે. શરૂઆતમાં સામે આવેલી આ મુશ્કેલીઓ પાછળ છોડીને ભારતીય ખેલાડીઓ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરે અને દેશ માટે મેડલ જીતે તેવી આશા છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/JpnXkNSZZRE9tsbeRjnLi9E8fqaAptsHGVSYvDKv.webp'/></item></channel></rss>