<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Celebrity Divorce : ગોવિંદા અને સુનીતા આહૂજા વચ્ચે કેમ બગડ્યા સંબંધો? સામે આવી અંદરની વાત! ]]></title><link>https://sandesh.com/entertainment/news/govinda-sunita-ahuja-rift-reasons-behind-divorce-rumors</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/govinda-sunita-ahuja-rift-reasons-behind-divorce-rumors</guid><pubDate>Thu, 20 Aug 2026 15:05:46 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગોવિંદા અને સુનીતા આહુજાના લગભગ 40 વર્ષ જૂના લગ્નજીવનની ચર્ચા ફરી એકવાર ચાલી રહી છે. છેલ્લા ઘણા સમયથી બંનેના સંબંધોમાં તણાવ અને અલગ રહેવાની અફવાઓ સામે આવી રહી હતી. આ દરમિયાન 19 ઓગસ્ટ 2026ના રોજ સુનીતા આહુજા મુંબઈની બાંદ્રા ફેમિલી કોર્ટની બહાર જોવા મળ્યાં હતા, ત્યારબાદ છૂટાછેડાની ચર્ચાએ વધુ જોર પકડ્યું હતું. જોકે, થોડા કલાકો બાદ ગોવિંદાના મેનેજર શશી સિન્હાએ સ્પષ્ટ કર્યું હતું કે સુનીતા કોર્ટમાં છૂટાછેડાનો કેસ દાખલ કરવા નહીં, પરંતુ અગાઉથી ચાલી રહેલો કેસ પાછો ખેંચવા માટે પહોંચ્યાં હતા. મેનેજરના જણાવ્યા અનુસાર હવે બંને વચ્ચે અલગાવ નથી અને સુનીતાએ પોતાનો નિર્ણય બદલીને છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી છે.</p><h2 style="text-align: justify; "><b>સુનીતાએ 2024માં ગોવિંદા સામે છૂટાછેડાની અરજી દાખલ કરી હતી</b></h2><p style="text-align: justify; ">અહેવાલો અનુસાર સુનીતાએ ડિસેમ્બર 2024માં ગોવિંદા સામે છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. ત્યારથી બંનેના સંબંધોને લઈને સતત ચર્ચા થતી રહી હતી. હવે છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધા બાદ સૌથી મોટો સવાલ એ છે કે બંનેના સંબંધોમાં એવું શું થયું હતું કે મામલો કોર્ટ સુધી પહોંચ્યો અને પછી સુનીતાએ પોતાનો નિર્ણય બદલી નાખ્યો?&nbsp;</p><h3 style="text-align: justify; "><b>સુનીતાએ ક્યારે છૂટાછેડાનો કેસ દાખલ કર્યો હતો?</b></h3><p style="text-align: justify; ">અહેવાલો અનુસાર સુનીતા આહુજાએ 5 ડિસેમ્બર 2024ના રોજ મુંબઈની બાંદ્રા ફેમિલી કોર્ટમાં ગોવિંદા સામે છૂટાછેડાનો કેસ દાખલ કર્યો હતો. જોકે, બંનેએ પોતાના છૂટાછેડાના મામલે ખુલ્લેઆમ વાત કરી નહોતી. ઓગસ્ટ 2025માં ગોવિંદાના વકીલે જણાવ્યું હતું કે તે સમયે બંને વચ્ચે સત્તાવાર રીતે અલગાવ થયો નહોતો, પરંતુ તેમના છૂટાછેડાને લઈને કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>કયા કારણોસર સુનીતાએ કેસ દાખલ કર્યો હતો?</b></h3><p style="text-align: justify; ">અહેવાલો અનુસાર સુનીતા આહુજાની છૂટાછેડાની અરજી હિંદુ મેરેજ એક્ટ, 1955ની કલમ 13(1)(i), 13(1)(ia) અને 13(1)(ib) હેઠળ દાખલ કરવામાં આવી હતી. આ કલમોમાં વ્યભિચાર, ક્રૂરતા અને ત્યાગ જેવા કારણો સામેલ છે. આ જ કારણોને ગોવિંદાથી છૂટાછેડા માંગવા પાછળનું કારણ જણાવવામાં આવ્યું હતું. આ અરજી વિશે ધ ઇન્ડિયન એક્સપ્રેસ એ પણ પોતાના અહેવાલમાં માહિતી આપી હતી. ગોવિંદાનું નામ અગાઉ પણ તેમની અનેક સહ-અભિનેત્રીઓ સાથે જોડાતું રહ્યું છે, પરંતુ આ પહેલીવાર હતું જ્યારે સુનીતા આહુજાએ જાહેરમાં અભિનેતા પર સવાલ ઉઠાવ્યા હતા.</p><h4 style="text-align: justify; "><b>સુનીતા આહુજાએ શું કહ્યું હતું?</b></h4><p style="text-align: justify; ">સુનીતા ઘણીવાર ગોવિંદા અને તેમની ફિલ્મ રૂપ કી રાની ચોરોં કા રાજાની સહ-અભિનેત્રી કોમલ રાની સ્વર્ણકારના સંબંધને લઈને સવાલ ઉઠાવતા રહ્યા છે. તાજેતરમાં બંને સાથે જોવા મળ્યા બાદ સુનીતાએ તેમના પર નિશાન સાધ્યું હતું. સુનીતાએ કહ્યું હતું, ફિલ્મ બનવી પણ જોઈએ. ફિલ્મ બન્યા બાદ પ્રમોશન થાય છે. શું કહેવાનું... દીકરીની ઉંમરની છોકરી સાથે ફરી રહ્યો છે, તેને થોડી શરમ આવવી જોઈએ અને સ્ટાન્ડર્ડ પણ હોવો જોઈએ. તમારો સુગર ડેડી આટલો અમીર છે તો કપડાં તો યોગ્ય પહેરો. અમને જુઓ, અમે કઈ સ્ટાઇલમાં ફરીએ છીએ. ખૂબ ખરાબ, તેણે પોતાનું મગજ ગુમાવી દીધું છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DLHPg2xhiGN/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DLHPg2xhiGN/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DLHPg2xhiGN/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DLHPg2xhiGN/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><p style="text-align: justify; ">સુનીતાની આ ટિપ્પણી પર ગોવિંદાએ પણ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું, તમે એક પણ તક નથી છોડતા કે હું લોકોના દિલમાંથી ઉતરી જાઉં. પ્રસિદ્ધિ, માન-સન્માન, સંપત્તિ બધું મળ્યું છે, ઉપરવાળાએ આપ્યું છે. તેનો અર્થ એ નથી કે જેની પાસે નથી તેને તમે અપમાનિત કરો. તમે થોડી મર્યાદામાં રહો.</p><h5 style="text-align: justify; "><b>સુનીતા-ગોવિંદાના કેસમાં હવે શું થયું?</b></h5><p style="text-align: justify; ">બુધવારે સુનીતા આહુજા મુંબઈની ફેમિલી કોર્ટની બહાર જોવા મળ્યા હતા. ત્યારબાદ તેમના અને ગોવિંદાના સંબંધોમાં ચાલી રહેલા મતભેદની ચર્ચાએ ફરી જોર પકડ્યું હતું. જોકે, સુનીતા કોર્ટમાંથી બહાર નીકળ્યાના થોડા કલાક બાદ ગોવિંદાના મેનેજરે સ્થિતિ સ્પષ્ટ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સુનીતા ત્યાં છૂટાછેડાનો કેસ દાખલ કરવા નહીં, પરંતુ અગાઉથી દાખલ કરેલો કેસ પાછો ખેંચવા માટે ગયાં હતા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/chiranjeevi-net-worth-business-income-sources" target="_blank">આ પણ વાંચો-South Megastar : 1650 કરોડનું સામ્રાજ્ય અને રાજા જેવી લક્ઝરી લાઈફ! કરોડો કમાય છે સ્ટાર ચિરંજીવી!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/gsttEpX8n2KzVD07JB13yQefQGLnQDwhBCqPng2H.webp'/></item><item><title><![CDATA[UP: પ્રયાગરાજમાં પૂરનો કહેર, ગંગા-યમુનાના પાણી ખતરાના નિશાનની ઉપર, જનજીવન પ્રભાવિત ]]></title><link>https://sandesh.com/india/news/prayagraj-flood-ganga-yamuna-water-level-high-court</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/prayagraj-flood-ganga-yamuna-water-level-high-court</guid><pubDate>Thu, 20 Aug 2026 15:00:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ શહેરમાં સતત થઈ રહેલા ભારે વરસાદ અને બેકાબૂ કુદરતી પ્રકોપને કારણે ગંગા અને યમુના નદીઓનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયું છે. બંને નદીઓના પાણી ખતરાના નિશાનની આસપાસ વહી રહ્યા છે, જેના કારણે સમગ્ર સંગમ વિસ્તાર અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ પૂરની સ્થિતિએ સામાન્ય જનજીવનને સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/Abhimanyu1305/status/2090031590454009881"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2 style="text-align: justify; "><b>રસ્તાઓ પર દોડી રહી છે હોડીઓ</b></h2><p style="text-align: justify; ">સામાન્ય દિવસોમાં જ્યાં હજારો વાહનો અને રાહદારીઓની અવરજવર રહેતી હતી, તે સંગમના રસ્તાઓ પર હવે નાની-મોટી હોડીઓ દોડી રહી છે. પાણીનું સ્તર એટલું વધી ગયું છે કે લોકો રસ્તાઓ પર જ પાણીમાં સ્નાન કરવા મજબૂર બન્યા છે. પૂરના આ પાણી પ્રખ્યાત લટ્ટે હનુમાન મંદિરની સીમાઓ સુધી પહોંચી ગયા છે. મંદિર પરિસરમાં અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી પૂજારીઓ, પંડિતો અને યાત્રાળુઓ પોતાના કિંમતી સામાન અને સામગ્રીને સુરક્ષિત રીતે ઊંચા અને સલામત સ્થળો પર ખસેડી રહ્યા છે.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/shashankjournal/status/2090121562276192645"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h3 style="text-align: justify; "><b>રેલવે વ્યવહાર પર માઠી અસર</b></h3><p style="text-align: justify; ">શહેરમાં પ્રવર્તી રહેલી આ પૂર જેવી પરિસ્થિતિને કારણે પરિવહન સેવાઓ પણ ગંભીર રીતે પ્રભાવિત થઈ છે. ઉત્તર પૂર્વીય રેલવેના રામબાગ સ્ટેશન પર પાટા અને યાર્ડ પાણીમાં ડૂબી ગયા છે. સ્ટેશન નીચાણવાળા વિસ્તારમાં હોવાથી ત્યાં સતત પાણી ભરાઈ રહ્યું છે. આ કારણોસર રેલવે તંત્ર દ્વારા રામબાગથી ચાલતી ચાર મહત્વપૂર્ણ પેસેન્જર ટ્રેનોનું સંચાલન અસ્થાયી ધોરણે ઝુંસી સ્ટેશન તરફ વાળી દેવામાં આવ્યું છે. જોકે, રાહતની વાત એ છે કે ઉત્તર મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીના જણાવ્યા અનુસાર પ્રયાગરાજ જંકશન, નૈની અને પ્રયાગરાજ છીકી સ્ટેશનો પર હજુ સુધી પાણી ભરાયાના કોઈ અહેવાલ નથી અને ત્યાં ટ્રેનો સમયપત્રક મુજબ દોડી રહી છે.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/udayamdigital/status/2089716920648180050"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h4 style="text-align: justify; "><b>હાઈકોર્ટની સખત નોટિસ</b></h4><p style="text-align: justify; ">શહેરમાં ઠેર-ઠેર ભરાયેલા પાણી અને વહીવટી તંત્રની બેદરકારી સામે અલ્હાબાદ હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે. કોર્ટે જિલ્લા વહીવટીતંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને આડેહાથ લઈને કડક ઠપકો આપ્યો છે. શહેરમાં ડ્રેનેજ સિસ્ટમની ખરાબ હાલત પર નારાજગી વ્યક્ત કરતા કોર્ટે વત્વિતંત્રને તાત્કાલિક ધોરણે પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અને નાગરિકોને રાહત આપવા માટે સખત આદેશો જારી કર્યા છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/sanwariya-seth-temple-donation-shravan-chittorgarh" target="_blank">આ પણ વાંચોઃ Sanwariya Seth પર ભક્તોની ધનવર્ષા, ભંડારમાંથી મળ્યા ₹35.66 કરોડ અને ટનબંધ ચાંદી-સોનું</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/oWJqubVNSeOiSb39vETP9rHgBzzBJkbALx5kHHsK.webp'/></item><item><title><![CDATA[Sanwariya Seth પર ભક્તોની ધનવર્ષા, ભંડારમાંથી મળ્યા ₹35.66 કરોડ અને ટનબંધ ચાંદી-સોનું ]]></title><link>https://sandesh.com/india/news/sanwariya-seth-temple-donation-shravan-chittorgarh</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/sanwariya-seth-temple-donation-shravan-chittorgarh</guid><pubDate>Thu, 20 Aug 2026 14:37:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લામાં આવેલા પ્રખ્યાત અને આસ્થાનું પ્રતિક એવા શ્રી સાંવલિયા શેઠ મંદિરમાં ભક્તોની શ્રદ્ધા અનોખી રીતે છલકાઈ રહી છે. શ્રાવણ માસના પવિત્ર તહેવારો દરમિયાન દેશ-વિદેશથી આવેલા લાખો ભક્તોએ સાંવલિયા શેઠના દરબારમાં મુક્ત હાથે દાન કર્યું છે. મંદિરની દાનપેટીઓ (ભંડાર) ખોલ્યા બાદ તેની ગણતરીના છ રાઉન્ડ પૂરા થયા છે, જેમાં અકલ્પનીય દાન રાશિ સામે આવી છે. આ વખતે ભગવાનના દરબારમાં રોકડ રૂપિયા ઉપરાંત સોના અને ચાંદીનો ભંડાર પણ ઉભરાયો છે, જેને જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે.</p><h2 style="text-align: justify; "><b>ભંડારમાંથી મળ્યા ₹35.66 કરોડ</b></h2><p style="text-align: justify; ">મંદિર બોર્ડ દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, 11 ઓગસ્ટથી શરૂ થયેલી દાનપેટીઓની ગણતરી તાજેતરમાં સંપન્ન થઈ છે. આ ગણતરી દરમિયાન ભંડારમાંથી કુલ ₹35.66 કરોડથી વધુની માતબર રકમ પ્રાપ્ત થઈ છે. આ કુલ આંકડામાં ભંડારની રોકડ રકમ ઉપરાંત મનીઓર્ડર, ઓનલાઈન માધ્યમો અને સીધા દાન દ્વારા આવેલા લગભગ ₹7.77 કરોડનો પણ સમાવેશ થાય છે. માત્ર ભંડારની પેટીઓમાંથી જ અંદાજે ₹27.89 કરોડથી વધુની રોકડ ગણવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>30 કિલો વધુ ચાંદીનું દાન મળ્યું&nbsp;</b></h3><p style="text-align: justify; ">આ દાનની સૌથી મોટી વિશેષતા એ રહી છે કે શ્રાવણ મહિનામાં ભક્તોએ સોના અને ચાંદીનું પણ ભારોભાર દાન કર્યું છે. મંદિરની તિજોરી અને પ્રસાદ ખંડમાંથી કરવામાં આવેલી ગણતરી મુજબ, આ વખતે કુલ 133 કિલોગ્રામથી વધુ ચાંદી અને 1 કિલો 38 ગ્રામ જેટલું શુદ્ધ સોનું પ્રાપ્ત થયું છે. ગત વખતની સરખામણીએ આ વખતે આશરે 30 કિલો વધુ ચાંદીનું દાન મળ્યું છે, જે ભક્તોની અતૂટ શ્રદ્ધા અને ભક્તિભાવની સાક્ષી પૂરે છે.</p><h4 style="text-align: justify; "><b>સાંવલિયા શેઠ પ્રત્યે લોકોની આસ્થા</b></h4><p style="text-align: justify; ">સાંવલિયા શેઠના દરબારમાં થયેલી આ નાણાકીય અને કિંમતી ધાતુઓની વર્ષા હાલ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો મુખ્ય વિષય બની છે. મંદિર પ્રશાસન દ્વારા આ તમામ રકમ અને કિંમતી ચીજવસ્તુઓની સુરક્ષિત નોંધણી કરીને તેને મંદિરના વિકાસ કાર્યો તથા વ્યવસ્થાઓ પાછળ ઉપયોગમાં લેવામાં આવશે. ભક્તોનો આ અપાર પ્રેમ સાબિત કરે છે કે સાંવલિયા શેઠ પ્રત્યે લોકોની આસ્થા દિવસ-પ્રતિદિન વધુ ગાઢ બની રહી છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/world/news/tech/why-google-maps-doesnt-work-in-china-and-best-alternatives" target="_blank">આ પણ વાંચોઃ Google Maps in China: ચીનમાં લોકો ગૂગલ મેપ્સ નહીં તો પછી કઇ એપ્સ દ્વારા ડેસ્ટિનેશન પર પહોંચે છે લોકો?&nbsp;</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/IVBPmplG0nrQMDGypgmkHAKrufLSQI3J2WFGHyED.webp'/></item><item><title><![CDATA[Rajkot લોધિકા સંઘની ચૂંટણીમાં મોટો ટ્વિસ્ટ, ભાજપે તમામ ઇચ્છુકોને ફોર્મ ભરવાની આપી છૂટ ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-lodhika-sangh-election-bjp-candidates-nomination-forms</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-lodhika-sangh-election-bjp-candidates-nomination-forms</guid><pubDate>Thu, 20 Aug 2026 14:36:26 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ લોધિકા સહકારી સંઘની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, પાર્ટીનો મેન્ડેટ જાહેર થાય તે પહેલાં જ અનેક દાવેદારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભરી દીધા છે. પ્રશિક્ષણ વર્ગ ચાલુ હોવાથી મેન્ડેટ અંગેનો નિર્ણય મોડો થયો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>61માંથી 59 મંડળીઓ ભાજપ સમર્થિત&nbsp;</b></h2><p style="text-align: justify; ">લોધિકા સંઘની ચૂંટણીમાં ચેરમેન પદ અને ડિરેક્ટર પદ માટે ભારે રસાકસી જોવા મળી રહી છે. 61માંથી 59 મંડળીઓ ભાજપ સમર્થિત હોવાનું સામે આવતાં ચૂંટણીને લઈને ગાંધીનગર સુધી લોબિંગ શરૂ થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પૂર્વ અને વર્તમાન ચેરમેન સહિત અનેક ઇચ્છુક ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.</p><h3 style="text-align: justify; "><b>તમામ ઇચ્છુકોને ફોર્મ ભરવા જણાવાયું</b></h3><p style="text-align: justify; ">ભાજપ દ્વારા હાલ તમામ ઇચ્છુકોને ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી ફોર્મ ભરવાની છૂટ આપવામાં આવી છે. જોકે અંતિમ નિર્ણય પાર્ટી દ્વારા લેવામાં આવશે. ઢોલરીયાએ સ્પષ્ટ કહ્યું કે, પાર્ટી જે ઉમેદવારને ફોર્મ પરત ખેંચવા કહેશે, તે ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચવું પડશે.</p><h4 style="text-align: justify; "><b>27 સપ્ટેમ્બરે ચિત્ર સ્પષ્ટ થશે</b></h4><p style="text-align: justify; ">27 સપ્ટેમ્બરના બપોરે 3 વાગ્યા બાદ ઉમેદવારી ચિત્ર સ્પષ્ટ થવાની શક્યતા છે. કેટલા ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચે છે અને કેટલાના ફોર્મ યથાવત રહે છે, તેના પરથી ચૂંટણીમાં કયા જૂથનું કેટલું પ્રભુત્વ રહેશે તે સામે આવશે.</p><h4 style="text-align: justify; "><b>આ વખતે અલગ પરિસ્થિતિ સર્જાઈ&nbsp;</b></h4><p style="text-align: justify; ">સહકારી ચૂંટણીમાં અગાઉથી ચાલતી મેન્ડેટ પ્રથાને લઈને આ વખતે અલગ પરિસ્થિતિ સર્જાઈ છે. પાર્ટીનો અંતિમ નિર્ણય આવે તે પહેલાં જ મોટી સંખ્યામાં ફોર્મ ભરાઈ જતાં બળવો થવાની શક્યતા અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. જોકે જિલ્લા ભાજપ પ્રમુખે કોઈ વિવાદ ન હોવાનું જણાવીને પાર્ટીના નિર્ણય મુજબ તમામ પ્રક્રિયા આગળ વધશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp; :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-indepth-gujarat-prohibition-failure-liquor-scam-police-nexus" target="_blank"><b>&nbsp;Sandesh Indepth : દારૂમુક્ત ગુજરાતનો ફ્લોપ શો: કરોડોનો દારૂ, નકલી ફેક્ટરીઓ અને 'ખાખી'ની ખામોશી</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/O4CiuMs93p0oiFlXlsJ9CYAshwWuOZvyuXnnBrOl.webp'/></item><item><title><![CDATA[Surendranagar News: લીંબડીના જાંબુ ગામેથી SOGએ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/surendranagar/surendranagar-limbdi-jambu-fake-doctor-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/surendranagar/surendranagar-limbdi-jambu-fake-doctor-arrested</guid><pubDate>Thu, 20 Aug 2026 14:21:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરેન્દ્રનગર જિલ્લામાં અસલી ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે ક્લિનિક ચલાવતા બોગસ ડોક્ટરો સામે પોલીસે લાલ આંખ કરી છે. જિલ્લા પોલીસની ખાસ ઝુંબેશ અંતર્ગત એસઓજી (SOG) ટીમે લીંબડી તાલુકાના જાંબુ ગામે સરપ્રાઈઝ દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન ગામમાં કોઈ પણ પ્રકારની માન્ય તબીબી ડિગ્રી કે લાયકાત વિના ક્લિનિક ખોલીને એલોપેથી સારવાર આપતા એક બોગસ ડોક્ટરને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>સ્થળ પરથી રૂ.16,388નો મુદ્દામાલ જપ્ત</b></h2><p style="text-align: justify; ">એસઓજી પોલીસની ટીમે સ્થળ પર સઘન તપાસ હાથ ધરતાં દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાતી વિવિધ નામાંકિત કંપનીઓની એલોપેથી દવાઓ, એન્ટીબાયોટીક્સ અને તબીબી સાધનો મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.16,388ની કિંમતનો એલોપેથી દવાનો જથ્થો અને સાધન-સામગ્રી કબ્જે કરી હતી. ગ્રામ્ય વિસ્તારના નિર્દોષ લોકોના આરોગ્ય અને જીવ સાથે ચેડાં કરતા આ ગેરકાયદેસર ક્લિનિકને પોલીસે તાત્કાલિક અસરથી બંધ કરાવ્યું હતું.</p><h3 style="text-align: justify; "><b>પાણશીણા પોલીસ મથકે ગુનો દાખલ</b></h3><p style="text-align: justify; ">પોલીસે બોગસ ડોક્ટરની અટકાયત કરીને તેની વિરુદ્ધ પાણશીણા પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ-30 હેઠળ ગુનો નોંધાવ્યો છે. કાયદેસરની એફઆઈઆર દાખલ કર્યા બાદ પાણશીણા પોલીસે આરોપીની વિધિવત ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે. આ બોગસ ડોક્ટર કેટલા સમયથી અહીં પ્રેક્ટિસ કરતો હતો અને ક્યાંથી એલોપેથી દવાઓ મેળવતો હતો તે દિશામાં પણ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની પૂછપરછ કરવામાં આવી રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/s7JNz2A1tjilt5DX0L7pt7Ma2n0wDJJ4JAbsOBf4.webp'/></item><item><title><![CDATA[Multibagger Stock: એક જ દિવસમાં 177%નો ઐતિહાસિક ઉછાળો.. આ શેરે રોકાણકારોને કર્યા માલામાલ ]]></title><link>https://sandesh.com/business/news/multibagger-stock-historic-jump-of-177-in-a-single-day-this-stock-made-investors-rich</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/multibagger-stock-historic-jump-of-177-in-a-single-day-this-stock-made-investors-rich</guid><pubDate>Thu, 20 Aug 2026 13:50:51 +05:30</pubDate><description><![CDATA[<p>શેર બજારમાં ક્યારે કયો શેર રોકાણકારોને ધનવાન બનાવી દે તે કહેવાય નહીં. ત્યારે આવુ જ કંઇક જોવા મળ્યુ છે બાયોટેક કંપનીના શેરમાં. જેમાં એક જ દિવસમાં કારોબારમાં 177 ટકાનો ઉછાળો આવ્યો અને રોકાણકારો માલામાલ થઇ ગયા.</p><h2><b>આ શેર્સે રોકાણકારોને કર્યા માલામાલ&nbsp;</b></h2><p>અત્યારે જે શેરની વાત કરી રહ્યા છીએ તે ભારતીય શેરબજારમાં લિસ્ટેડ નથી. તે યુએસ સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ છે.  યુએસ બાયોટેકનોલોજી કંપની મોડર્નાના શેરે એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે જે રોકાણકારો માટે એક જ દિવસમાં "મલ્ટિબેગર" સ્ટોક બની ગયો છે. યુએસ શેરબજારમાં પાછલા ટ્રેડિંગ સત્ર દરમિયાન, શેર ખુલતા જ $116.02 પર પહોંચી ગયો, જે તેના અગાઉના બંધ $62.51 થી વધુ હતો.</p><h3><b>એક જ દિવસમાં 177ટકાનો ઉછાળો&nbsp;</b></h3><p>આટલુ જ નહીં, જેમ જેમ ટ્રેડિંગ આગળ વધતુ ગયુ તેમ તેમ આ શેર તો વધતો ગયો.  177% થી વધુ વધીને $176.66 પર ટ્રેડ થયો  જે એક નવી સર્વકાલીન ઉચ્ચતમ સ્તર છે. આ વેગ બજાર બંધ થાય ત્યાં સુધી ચાલુ રહ્યો, મોડર્નાના શેર આખરે દિવસના અંતે $174.38 પર બંધ થયા, જે 173% નો વધારો દર્શાવે છે.</p><h3><b>એક વર્ષમાં પૈસા છ ગણા વધ્યા</b></h3><p>મોડર્નાના શેર છેલ્લા એક વર્ષમાં રોકાણકારો પર સતત સંપત્તિનો વરસાદ કરી રહ્યા છે. આ વાત એ વાત પરથી સ્પષ્ટ થાય છે કે આ સમયગાળા દરમિયાન  આ ફાર્મા સ્ટોકમાં 548.49%નો ઉછાળો આવ્યો છે અને તેની કિંમત $147.49 વધી છે. બીજા શબ્દોમાં કહીએ તો આ સ્ટોકમાં રોકાણ કરાયેલી મૂડીમાં છ ગણો વધારો થયો છે. ન માત્ર એક વર્ષમાં પરંતુ  છેલ્લા છ મહિનામાં જ મોડર્નાના શેરે રોકાણકારો ભરપૂર રિટર્ન આપ્યું.&nbsp; 250% નું શાનદાર મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે. છેલ્લા એક મહિનામાં જ યુએસ સ્ટોકમાં 194%નો ઉછાળો આવ્યો છે.</p><p><b style="font-size: 1.5rem;">કેમ આવ્યો આટલો ઉછાળો ?&nbsp;</b></p><p>અમેરિકી શેર બજારમાં ધૂમ મચાવનાર Moderna Incનું કલેક્શન કોવિડ સાથે પણ છે. કારણ કે આ અમેરિકી   બાયોટેકનોલોજી કંપની તેની COVID-19 રસી માટે પ્રખ્યાત છે. કંપનીના શેરના ભાવમાં એક જ દિવસમાં 177%નો ઉછાળો આવવા પાછળના કારણો અંગે વાત કરીએ તો, કંપનીને લઇને એક સમાચાર છે. મોડર્ના દ્વારા મર્ક સાથે મળીને ડેવલપ કરવામાં આવી રહેલી તેની કેન્સરની વેક્સિન હાલમાં અંતિમ તબક્કાના પરિક્ષણમાં સફળ રહી છે.&nbsp;</p><p>આ સફળતાની જાહેરાત કરતા બંને કંપનીઓએ જણાવ્યું હતું કે તેમની પ્રાયોગિક mRNA કેન્સર સારવારે મેલાનોમાના અંતિમ તબક્કાના પરિક્ષણમાં  ટાર્ગેટને હાંસલ કરી લીધો છે.  મહત્વનું છે કે મેલેનોમા સ્કિન કેન્સરનું એક ગંભીર સ્વરૂપ છે. ત્યારે કેન્સર વેક્સિનની આ સફળતા ખરેખર મોટી ઉપલબ્ધિ છે.&nbsp;</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/V6qHx035xlD4dK3BTHxrBTXbT4HYbRI0pBwZGSNO.webp'/></item><item><title><![CDATA[Vadodara ભાયલી સગીરા ગેંગરેપ કેસ મામલે તમામ 5 આરોપીઓ દોષિત જાહેર ]]></title><link>https://sandesh.com/gujarat/breakingnews/vadodara/vadodara-bhayli-gangrape-case-all-accused-convicted</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/breakingnews/vadodara/vadodara-bhayli-gangrape-case-all-accused-convicted</guid><pubDate>Thu, 20 Aug 2026 13:34:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા શહેરને હચમચાવી મુકનારા ચકચારી ભાયલી ગેંગરેપ કેસમાં અદાલતે મોટો અને મહત્વનો ચૂકાદો આપ્યો છે. વડોદરાની ખાસ અદાલતે આ સનસનાટીભરી ઘટનામાં સામેલ તમામ પાંચેય આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવેલા આરોપીઓમાં મુન્ના બંજારા, આફતાબ બંજારા, શહરૂખ બંજારા, સૈફ અલી બંજારા અને અજમલ બંજારાનો સમાવેશ થાય છે. અદાલતે તમામ પક્ષોની દલીલો અને પુરાવાઓને ધ્યાને રાખીને આરોપીઓને દોષી ઠેરવ્યા છે અને હવે આગામી 25 ઓગસ્ટના રોજ સજાનું પરિમાણ જાહેર કરવામાં આવશે.</p><h2 style="text-align: justify; "><b>નવરાત્રીની રાત્રે જઈ રહેલી સગીરાને બનાવી હતી શિકાર</b></h2><p style="text-align: justify; ">આ ભયાનક ઘટના વર્ષ 2024માં નવરાત્રી તહેવાર દરમિયાન બની હતી. 16 વર્ષીય માસૂમ સગીરા પોતાના બોયફ્રેન્ડ સાથે ગરબા રમીને રાત્રિના સમયે ઘરે પરત ફરી રહી હતી, તે સમયે ભાયલી વિસ્તારમાં આરોપીઓએ તેમને આંતર્યા હતા. નરાધમોએ સગીરાના મિત્રને ધમકાવીને બંધક બનાવ્યો હતો અને સગીરા પર કાળો કેર વર્તાવ્યો હતો. આ ઘટનામાં બે આરોપીઓએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું, જ્યારે અન્ય આરોપીઓ ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યા હતા અને ગુનામાં મદદગારી કરી હતી.</p><h3 style="text-align: justify; "><b>પોલીસની ત્વરિત કામગીરી અને કોર્ટના ચૂકાદાથી ન્યાયની આશા</b></h3><p style="text-align: justify; ">ઘટનાની ગંભીરતાને જોઈને વડોદરા પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ગણતરીના દિવસોમાં જ પાંચેય આરોપીઓની ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા. પોલીસે અદાલતમાં મજબૂત ચાર્જશીટ અને વૈજ્ઞાનિક પુરાવા રજૂ કર્યા હતા, જેના આધારે કોર્ટે તમામ આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. 25 ઓગસ્ટે અદાલત દ્વારા આરોપીઓને કડકમાં કડક સજા ફટકારવામાં આવે તેવી પીડિત પરિવાર અને સમગ્ર ગુજ્જુ સમાજ આશા રાખી રહ્યો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p>                                    
                                </p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/3kuC0YC7s7xV6SXcu2rJAxmCvHsmifrktQHhwMip.webp'/></item><item><title><![CDATA[Rajkot મનપાનું જનરલ બોર્ડ બન્યું તોફાની: જંગલેશ્વર ડિમોલેશન ભ્રષ્ટાચાર અને દૂષિત પાણી મુદ્દે કોંગ્રેસનો હંગામો ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-mc-general-board-congress-protest</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-mc-general-board-congress-protest</guid><pubDate>Thu, 20 Aug 2026 12:45:17 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આજે અત્યંત આક્રમક અને તોફાની બની રહ્યું હતું. મનપા કેમ્પસમાં જનરલ બોર્ડની બેઠક ચાલી રહી હતી ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા વિવિધ લોકપ્રશ્નો અને ભ્રષ્ટાચારના મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓએ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી મેયર ઓફિસનો ઘેરાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ કાફલા અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે ભારે ઘર્ષણ અને તંગદિલી સર્જાઈ હતી. પોલીસે કડક વલણ અપનાવીને કોંગ્રેસના આગેવાનોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.</p><h2><b>જંગલેશ્વર ડિમોલેશનમાં SITની તપાસ સામે ઉઠ્યા સવાલો</b></h2><p>કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં મુખ્યત્વે જંગલેશ્વર વિસ્તારમાં કરવામાં આવેલા ડિમોલેશનના બિલમાં થયેલા મોટાપાયે ભ્રષ્ટાચારનો મુદ્દો ગુંજ્યો હતો. કોંગ્રેસ આગેવાનોએ ગંભીર આરોપ લગાવ્યો હતો કે ઘટનાના 50થી વધુ દિવસો વીતી ગયા હોવા છતાં એસઆઈટી (SIT) ની તપાસના નામે માત્ર ડીંડક ચલાવવામાં આવી રહ્યું છે અને દોષિતો સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આ ઉપરાંત, શહેરમાં ડિમોલેશન થયેલા વિસ્તારોમાં હજુ સુધી કોઈ ડેવલપમેન્ટ થયું નથી અને અસરગ્રસ્તોને રઝળતા મૂકી દેવાયા હોવાનો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.</p><h3><b>દૂષિત પાણી અને પ્રજાકીય પ્રશ્નો મુદ્દે વિરોધ</b></h3><p>શહેરમાં અનેક વિસ્તારોમાં આવી રહેલું દૂષિત પાણી અને પ્રાથમિક સુવિધાઓના અભાવ જેવા વિવિધ સ્થાનિક મુદ્દાઓને લઈને પણ મનપા તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનને પગલે મનપા કેમ્પસમાં કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. પોલીસે વિરોધ કરી રહેલા તમામ કાર્યકરોની અટકાયત કરી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. કોંગ્રેસના આ આક્રમક વલણને પગલે રાજકોટ મહાનગરપાલિકાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.</p><p><a href="https://sandesh.com/gujarat\" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/f23AsNCrrRT2KdHn4m5NCvZGBDWFNFKrsjmPBKnZ.webp'/></item><item><title><![CDATA[Dhari-Amreli હાઇવે પર માળીલા ફાટક પાસે કાર રેલવે ટ્રેકની જાળી સાથે અથડાતાં સર્જાયો અકસ્માત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/an-accident-occurred-when-a-car-collided-with-a-railway-track-fence-near-malila-phatak-on-the-dhari-amreli-highway</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/an-accident-occurred-when-a-car-collided-with-a-railway-track-fence-near-malila-phatak-on-the-dhari-amreli-highway</guid><pubDate>Thu, 20 Aug 2026 12:12:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમરેલી જિલ્લાના ધારી-અમરેલી હાઇવે પર ચલાલા નજીક આવેલા માળીલા ફાટક પાસે એક અકસ્માતની ઘટના સામે આવી છે. ધારીથી અમરેલી તરફ જઈ રહેલી એક કારના ચાલકે અચાનક પોતાના સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. કાબૂ બહાર ગયેલી કાર માળીલા ફાટક પાસે આવેલી રેલવે ટ્રેકની રક્ષણાત્મક જાળી સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતને પગલે આસપાસના વિસ્તારમાં ક્ષણભર માટે દોડધામ મચી ગઈ હતી અને ઘટનાસ્થળે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા.</p><h2 style="text-align: justify; "><b>રેલવે ટ્રેકની જાળી સાથે કાર અથડાતાં વાહનને નુકસાન</b></h2><p style="text-align: justify; ">અકસ્માત એટલો સખત હતો કે કાર રેલવે ટ્રેકની જાળી સાથે અથડાતાં વાહનના આગળના ભાગને મોટું નુકસાન પહોંચ્યું હતું. સદ્ભાગ્યે આ ઘટનામાં રેલવે વાહતુક પર કોઈ મોટી અસર પડી નહોતી. અકસ્માતના અવાજને કારણે આસપાસના સ્થાનિકો અને અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ અર્થે દોડી આવ્યા હતા. પ્રાથમિક તબક્કે કારમાં સવાર મુસાફરોની સ્થિતિ અને ઈજાઓ અંગેની માહિતી મેળવી ત્વરિત રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.</p><h3 style="text-align: justify; "><b>પોલીસ વિભાગ દ્વારા ઘટના અંગે વધુ તપાસ શરૂ</b></h3><p style="text-align: justify; ">બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત કારને રસ્તા પરથી ખસેડીને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. આ દુર્ઘટના કયા કારણોસર સર્જાઈ, કાર ચાલકની બેદરકારી હતી કે વાહનમાં કોઈ યાંત્રિક ખામી સર્જાઈ હતી તે દિશામાં પોલીસ વિભાગ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/bepG0w3tIApoEIFCsmqCAF9Jr80NYHtommhe8sH7.webp'/></item><item><title><![CDATA[BWF World Championships: પી.વી. સિંધુ અને આયુષ શેટ્ટીનો પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં એન્ટ્રી ]]></title><link>https://sandesh.com/sports/news/bwf-world-championship-pv-sindhu-and-aayush-shetty-enter-pre-quarterfinals</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/bwf-world-championship-pv-sindhu-and-aayush-shetty-enter-pre-quarterfinals</guid><pubDate>Thu, 20 Aug 2026 08:37:21 +05:30</pubDate><description><![CDATA[<p>નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી BWF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતીય શટલરોએ શાનદાર પ્રદર્શન જાળવી રાખ્યું છે. ભારતની સ્ટાર ખેલાડી પી.વી. સિંધુ અને યુવા ખેલાડી આયુષ શેટ્ટીએ પોતપોતાની મેચો જીતીને પ્રી-ક્વાર્ટર ફાઇનલ (રાઉન્ડ ઓફ 16) માં સ્થાન પાક્કું કર્યું છે.</p><p><b>પી.વી. સિંધુની સળંગ ગેમ્સમાં સરળ જીત</b></p><p>9મી ક્રમાંકિત પી.વી. સિંધુએ મહિલા સિંગલ્સના મુકાબલામાં કેનેડાની ઝાંગ વેન્યુને માત્ર 34 મિનિટમાં 21-16, 21-17 થી પરાજય આપ્યો હતો. પ્રથમ ગેમ (21-16)માં સિંધુએ આક્રમક શરૂઆત કરીને સતત 4 પોઈન્ટ સાથે લીડ મેળવી હતી. ઝાંગે વાપસી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સિંધુએ ઇન્ટરવલ સુધી 11-9 ની સરસાઈ જાળવી રાખી. બ્રેક બાદ કેનેડિયન ખેલાડીના દબાણ છતાં, અનુભવી સિંધુએ નિર્ણાયક ક્ષણોમાં સંયમ જાળવીને 16 મિનિટમાં પહેલી ગેમ પોતાના નામે કરી. બીજી ગેમમાં (21-17) ઝાંગે સિંધુને કડક ટક્કર આપી હતી. એક સમયે સ્કોર 9-9 થી બરાબર રહ્યા બાદ ઝાંગે ઇન્ટરવલ સુધી 11-9 ની લીડ મેળવી લીધી હતી. જોકે, બ્રેક પછી સિંધુએ શાનદાર વાપસી કરતાં સતત 5 પોઈન્ટ જીતીને મેચનું પાસું પલટી નાખ્યું અને બીજી ગેમ સાથે મેચ પણ જીતી લીધી.</p><p><b>આગામી પડકાર: વાંગ જી યી સામે ટક્કર</b></p><p>ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે સિંધુનો સામનો ચીનની 3જી ક્રમાંકિત ખેલાડી વાંગ જી યી સામે થશે. વાંગે પોતાની અગાઉની મેચમાં મલેશિયાની કરુપથેવન લેત્શાનાને 21-16, 21-9 થી હરાવીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ જીતથી આત્મવિશ્વાસથી છલકાતી સિંધુ મેડલ તરફ વધુ એક પગલું ભરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.</p><p><b>મેન્સ સિંગલ્સ: આયુષ શેટ્ટીની દબદબાભરી જીત</b></p><p>મહિલા સિંગલ્સ ઉપરાંત મેન્સ સિંગલ્સમાં પણ ભારતને સફળતા મળી હતી. ભારતના આયુષ શેટ્ટીએ શ્રીલંકાના ડુમિન્ડુ અબેવિક્રમાને એકતરફી મુકાબલામાં 21-8, 21-10 થી ધૂળ ચાટતી કરીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પોતાની જગ્યા પાકી કરી લીધી છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/KWwDOVDeKBVOUKY9Up6RYw33BPmdB9C3mh9TUL5O.webp'/></item></channel></rss>