<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Nepal Flood : કૈલાશ માનસરોવર યાત્રાએ નીકળેલું અમદાવાદનું NRI દંપતી ગુમ, મણિનગરમાં પરિવાર ચિંતાતુર ]]></title><link>https://sandesh.com/gujarat/news/world/ahmedabad/nepal-flood-nri-couple-from-ahmedabad-who-set-out-on-kailash-mansarovar-yatra-goes-missing-family-worried-in-maninagar</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/world/ahmedabad/nepal-flood-nri-couple-from-ahmedabad-who-set-out-on-kailash-mansarovar-yatra-goes-missing-family-worried-in-maninagar</guid><pubDate>Sat, 29 Aug 2026 14:54:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મૂળ અમદાવાદના અને હાલ ન્યૂઝીલેન્ડ ખાતે સ્થાયી થયેલું એક દંપતી કૈલાશ માનસરોવરની પવિત્ર યાત્રા કરવા માટે ભારત આવ્યું હતું. આ દંપતી નેપાળ બોર્ડર ક્રોસ કરીને આગળ વધી રહ્યું હતું તે દરમિયાન નેપાળમાં સર્જાયેલી દુર્ઘટના બાદ તેઓ અચાનક ગુમ થઈ ગયા છે. દંપતી ગુમ થવાના સમાચાર મળતાં જ અમદાવાદના મણિનગર સ્થિત તેમના પરિવારજનો ભારે ચિંતામાં મુકાઈ ગયા છે. નેપાળમાં બનેલી આ હોનારતમાં અન્ય ભારતીયો પણ ગુમ થયા હોવાના અહેવાલો વચ્ચે મણિનગરના પરિવારમાં ભારે અફરાતફરી અને ચિંતાનો માહોલ છે.</p><h2 style="text-align: justify; "><b>ફોન સ્વિચ ઓફ આવતા સંપર્ક તૂટ્યો</b></h2><p style="text-align: justify; ">દુર્ઘટના ઘટી ત્યારથી જ ગુમ થયેલા દંપતીના મોબાઈલ ફોન સતત સ્વિચ ઓફ આવી રહ્યા છે, જેના કારણે પરિવારનો તેમની સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી. ચિંતાતુર પરિવારજનોએ આશંકા વચ્ચે સરકાર સમક્ષ ગુહાર લગાવી છે. પરિવારજનોનું માનવું છે કે જો નેપાળ અને ચીન સરકાર બંને તરફથી વધુ સપોર્ટ અને મદદ મળે, તો રેસ્ક્યૂ ઓપરેશન વધુ ઝડપી બની શકે છે અને ગુમ થયેલા દંપતી સહિત અન્ય લોકોને વહેલી તકે શોધી શકાય તેમ છે.</p><h2 style="text-align: justify; "><b>સ્થાનિક ધારાસભ્ય અને ભાજપ સંગઠન પરિવારના સતત સંપર્કમાં</b></h2><p style="text-align: justify; ">આ મુશ્કેલ સમયમાં સ્થાનિક ધારાસભ્ય તેમજ ભાજપના હોદ્દેદારો અને પદાધિકારીઓ મણિનગર સ્થિત પીડિત પરિવારના સતત સંપર્કમાં છે. નેતાઓ અને તંત્ર દ્વારા પરિવારને સાંત્વના આપવાની સાથે સાથે દંપતીની શોધખોળ માટે ઉચ્ચ સ્તરે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. હાલ સમગ્ર પરિવાર પોતાના સ્વજનોના કુશળ સમાચાર મેળવવા અને રેસ્ક્યૂ કામગીરી ઝડપી બને તેની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/world/news/nepal-flash-flood-lone-house-survives-village-swept-away-viral-video" target="_blank">Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/afNe9Xe7QBqLLBhZmp1CR8Ew1IlZBNSVXlxZlJti.webp'/></item><item><title><![CDATA[વાંચો બપોરે 12થી 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/today-top-breaking-news-bulletin-gujarat-india-read-important-news-from-12-pm-to-03-pm-29-august-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/today-top-breaking-news-bulletin-gujarat-india-read-important-news-from-12-pm-to-03-pm-29-august-2026</guid><pubDate>Sat, 29 Aug 2026 14:54:06 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર&nbsp; &nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/nepal-bhotekoshi-flood--626-dead--3-bodies-found-in-ups-gandak-river" target="_blank">1. Nepalથી ભારત સુધી વહીને આવ્યા... ગંડક નદીમાંથી મળ્યા 3 મૃતદેહ, એક જ પરિવારના 40 લોકો ગુમ</a>&nbsp; &nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/business/news/india/preparations-for-budget-2027-begin-emphasis-on-controlling-government-expenditure-and-increasing-non-tax-revenue" target="_blank">2. Budget 2027ની તૈયારી શરૂ, સરકારી ખર્ચ પર નિયંત્રણ અને બિન-કર આવક વધારવા પર ભાર</a>&nbsp; &nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-police-recruitment-2026-3000-lokrakshak-vacancies-class-12-pass" target="_blank">3. Gujarat Police Recruitment : પોલીસ ભરતીનું મોટું અપડેટ, લોકરક્ષક કેડરની 3000 નવી જગ્યાઓ, ધોરણ 12 પાસ માટે તક</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/entertainment/news/bigg-boss-20-faisal-khan-entry-aamir-khan-brother" target="_blank">4. Bigg Boss 20 માં જશે આમિર ખાનનો ભાઇ ફૈઝલ, પરિવાર માનસિક હેરાન કરતો હોવાનો કર્યો હતો આક્ષેપ</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/cricket/news/cricket-news-suryakumar-broke-his-silence-for-the-first-time-after-losing-the-captaincy-said-for-one-and-a-half-months" target="_blank">5. Cricket News : કેપ્ટનશીપ ગુમાવ્યા બાદ પહેલીવાર સૂર્યકુમારે મૌન તોડ્યું, કહ્યું-દોઢમહિનાથી...!</a>&nbsp; &nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/gujarat-weather-forecast-universal-rain-september" target="_blank">6. Gujarat રાજ્યમાં છૂટોછવાયો વરસાદ રહેશે, 2-3 સપ્ટેમ્બરે સાર્વત્રિક વરસાદના એંધાણ</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-crime-branch-missing-children-search-reward" target="_blank">7. Ahmedabadમાં 15 વર્ષથી ગુમ 30 બાળકોને શોધવા ક્રાઇમ બ્રાન્ચની ખાસ ઝુંબેશ: માહિતી આપનારને રૂ.10 હજારનું ઇનામ</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/world/news/political-news/pakistan-politics-javed-miandad-cried-remembering-imran-khan-appealed-to-the-government-to-release-him-from-prison" target="_blank">8. Pakistan politics: Imran Khanને યાદ કરી રડી પડ્યા Javed Miandad, સરકારને કરી જેલમુક્તિની અપીલ</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-amraiwadi-brother-in-law-murdered-man" target="_blank">9. Ahmedabadના અમરાઈવાડીમાં રીસાઈને પિયર આવેલી પત્નીને લેવા આવેલા પતિની સાળાએ કરી હત્યા</a>&nbsp; &nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/world/news/nepal-china-border-disaster-debris-flood-spread-20-km-due-to-glacier-break-more-than-579-people-died" target="_blank">10. Nepal China border disaster: ગ્લેશિયર તૂટવાથી કાટમાળ પૂર 20 કિમી સુધી ફેલાયો, 579થી વધુ લોકોના મોત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/9d89g5tkn3DHkUuGTTIZh52KBmhbM8uyuTG5unDy.webp'/></item><item><title><![CDATA[Prantijના કરોલ ગંડેરી પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત: પૂરઝડપે આવેલી કારે ભાઈ-બહેન અને બાળકને કચડ્યા! ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/prantij/prantij-karol-ganderi-car-accident-child-death</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/prantij/prantij-karol-ganderi-car-accident-child-death</guid><pubDate>Sat, 29 Aug 2026 14:50:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક આવેલા કરોલ ગંડેરી પાસે એક અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પૂરઝડપે આવી રહેલી એક કારના ચાલકે રોડની સાઈડમાંથી પસાર થઈ રહેલા ભાઈ-બહેન અને એક વર્ષના નિર્દોષ બાળકને જોરદાર અડફેટે લીધા હતા. આ ભયાનક અકસ્માતમાં 13 વર્ષીય હિતેશ સોલંકીનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓના કારણે કરુણ મોત નીપજ્યું હતું, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટીનો માહોલ વ્યાપી ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>માતા અને એક વર્ષના પુત્રને ગંભીર ઈજાઓ</b></h2><p style="text-align: justify; ">આ અકસ્માતમાં મૃતક કિશોરની બહેન અનિતાબેન અને તેમના એક વર્ષના માસૂમ પુત્ર રણવીરસિંહને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ તરત જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત માતા-પુત્રને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રાંતિજ ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, પરંતુ તેમની તબિયત વધુ નાજુક જણાતાં તેમને વધુ સઘન સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>પોલીસે કારચાલકની કરી અટકાયત&nbsp;</b></h3><p style="text-align: justify; ">અકસ્માત અંગેની જાણ થતાં જ 108ની ટીમ સાથે પ્રાંતિજ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતક કિશોરના શબને કબ્જે લઈ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યું હતું. આ સાથે જ પોલીસે અકસ્માત સર્જનાર કારચાલકની સ્થળ પરથી જ અટકાયત કરી તેને પોલીસ સ્ટેશન લઈ જઈ અકસ્માતનો ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/hS0vfTjEjd4oP0kYjzAaVs83S6fC21bleOx1tnlp.webp'/></item><item><title><![CDATA[Aravalli : મેઘરજનો વેપારી ડિજિટલ અરેસ્ટના કૌભાંડમાં ફસાતા બચ્યો, વોરંટ રદ કરવાના નામે 5 લાખ માંગ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/aravalli/aravalli-meghraj-digital-arrest-scam-trader-fake-warrant-five-lakh-demand</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/aravalli/aravalli-meghraj-digital-arrest-scam-trader-fake-warrant-five-lakh-demand</guid><pubDate>Sat, 29 Aug 2026 14:43:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અરવલ્લીના મેઘરજમાં કાપડના વેપારીને કથિત પોલીસકર્મીનો ફોન કરી ડિજિટલ અરેસ્ટના કૌભાંડમાં ફસાવવાનો પ્રયાસ થયો હતો. મહિલા આરોપીએ પોતે પોલીસ હોવાનું જણાવી વેપારીને ધમકાવ્યો હતો. ત્યારબાદ વોટ્સેએપ કોલ મારફતે અન્ય એક શખ્સને પણ પોલીસ તરીકે ઓળખાવી વેપારી સાથે વાત કરાવવામાં આવી હતી. જોકે, વેપારીને શંકા જતા તેણે મોડાસા સાયબર ટીમનો સંપર્ક કરતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો અને વેપારી મોટી છેતરપિંડીનો ભોગ બનતા બચી ગયો.</p><h2 style="text-align: justify; "><b>ડુપ્લિકેટ નંબરના નામે વોરંટની ધમકી</b></h2><p style="text-align: justify; ">કથિત મહિલા પોલીસકર્મીએ વેપારીને કહ્યું હતું કે, તેના નામે ચાલુ નંબર ડુપ્લિકેટ હોવાનું સામે આવ્યું છે અને તેના નામે વોરંટ ઈશ્યૂ થયું છે. આ વાત કહી વેપારીને ડરાવવામાં આવ્યો હતો. પોલીસ કાર્યવાહીનો ભય બતાવી તેને માનસિક રીતે દબાણમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>વોટ્સેએપ કોલમાં બીજો શખ્સ જોડાયો</b></h3><p style="text-align: justify; ">આરોપીઓએ વાતને વધુ ગંભીર બનાવવા માટે વોટ્સેપ  કોલમાં અન્ય એક શખ્સને જોડ્યો હતો. તેને પણ પોલીસ તરીકે ઓળખાવવામાં આવ્યો હતો. બંનેએ મળીને વેપારીને કથિત કાયદાકીય કાર્યવાહી અને વોરંટનો ભય બતાવી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હતો.</p><h4 style="text-align: justify; "><b>વોરંટ કેન્સલ કરવાના નામે 5 લાખની માંગ</b></h4><p style="text-align: justify; ">આરોપીઓએ વેપારીને વોરંટ રદ કરાવી આપવાના નામે 5 લાખની માંગણી કરી હતી. પોલીસ કેસમાં ફસાઈ જવાના ભય વચ્ચે વેપારી પાસેથી મોટી રકમ પડાવવાનો આ પ્રયાસ કરવામાં આવ્યો હતો.</p><h4 style="text-align: justify; "><b>શંકા જતા સાયબર ટીમનો સંપર્ક</b></h4><p style="text-align: justify; ">સમગ્ર વાતચીત દરમિયાન વેપારીને શંકા જતા તેણે મોડાસા સાયબર ટીમનો સંપર્ક કર્યો હતો. સાયબર ટીમે સમયસૂચકતા દાખવી વેપારીને જરૂરી સાવચેતી રાખવા સમજાવ્યો હતો. જેના કારણે વેપારી આ કથિત ડિજિટલ અરેસ્ટ કૌભાંડમાં ફસાતા બચી ગયો.</p><h4 style="text-align: justify; "><b>સાયબર ઠગાઈથી સાવધાન રહેવાની જરૂર</b></h4><p style="text-align: justify; ">આ ઘટનાએ ફરી એકવાર ચેતવણી આપી છે કે પોલીસ, સીબીઆઇ, કોર્ટ કે અન્ય સરકારી અધિકારી બનીને ફોન કરનારા શખ્સો સામે સાવચેત રહેવું જરૂરી છે. કોઈપણ વ્યક્તિ વોરંટ કે કેસના નામે પૈસા માંગે તો ગભરાઈને રકમ ચૂકવવાને બદલે સંબંધિત પોલીસ અથવા સાયબર સેલનો સીધો સંપર્ક કરવો જોઈએ.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp;<a href="https://sandesh.com/world/news/nepal-flash-flood-lone-house-survives-village-swept-away-viral-video" target="_blank"><b> &nbsp;Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/3x5OmHMTBtTqbBZXqDdELX2rBj6AiFDTgX6tDMql.webp'/></item><item><title><![CDATA[Captain India: સર્જરી બાદ કાર્તિક આર્યન કામભેગો, ‘કેપ્ટન ઈન્ડિયા’નું શૂટિંગ કર્યું શરૂ ]]></title><link>https://sandesh.com/entertainment/news/captain-india-kartik-aaryan-shooting-release-date</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/captain-india-kartik-aaryan-shooting-release-date</guid><pubDate>Sat, 29 Aug 2026 14:38:52 +05:30</pubDate><description><![CDATA[<p>બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યનની અપકમિંગ ફિલ્મ ‘કેપ્ટન ઈન્ડિયા’ને લઈને અપડેટ સામે આવ્યું છે. અહેવાલ છે કે ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બરમાં શરૂ થશે. સર્જરી બાદ એક્ટર ફરી કામ પર પરત ફરવા માટે તૈયાર છે.</p><p>કાર્તિક આર્યનની તાજેતરમાં ઘૂંટણની સર્જરી થઈ છે અને હાલ તેઓ ઘરે આરામ કરી રહ્યા છે. આ દરમિયાન સમાચાર સામે આવી રહ્યા છે કે તેઓ ટૂંક સમયમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘કેપ્ટન ઈન્ડિયા’નું શૂટિંગ શરૂ કરશે. કાર્તિક આ ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે.</p><h2><b>સપ્ટેમ્બરમાં શરૂ થશે ‘કેપ્ટન ઈન્ડિયા’નું શૂટિંગ</b></h2><p>અહેવાલ મુજબ ફિલ્મનું શૂટિંગ 1 સપ્ટેમ્બર 2026થી લંડનમાં શરૂ થશે અને ઓક્ટોબરના અંત સુધીમાં પૂરું થવાની આશા છે. ફિલ્મનું ડિરેક્શન શિમિત અમીન કરશે, જેઓ શાહરુખ ખાનની ફિલ્મ ‘ચક દે! ઈન્ડિયા’ માટે જાણીતા છે. ‘કેપ્ટન ઈન્ડિયા’ને T-Seriesના ભૂષણ કુમાર અને બાવેજા સ્ટુડિયોઝ, ડોપામિન સ્ટુડિયોઝ સાથે મળીને પ્રોડ્યુસ કરી રહ્યા છે. ફિલ્મમાં ઈમોશન સાથે જબરદસ્ત એક્શન પણ જોવા મળશે. ફિલ્મની સ્ટોરી નૈશ વજીફદાર, સંચિત ગુપ્તા અને પ્રિયદર્શી શ્રીવાસ્તવે લખી છે. કાર્તિક સાથે ફિલ્મમાં અન્ય ઘણા કલાકારો પણ જોવા મળશે.</p><h2><b>ક્યારે રિલીઝ થશે ફિલ્મ?</b></h2><p>દર્શકો ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 13 ઓગસ્ટ 2027ના રોજ સ્વતંત્રતા દિવસના વીકએન્ડ પર સિનેમાઘરોમાં રિલીઝ થશે. જણાવી દઈએ કે કાર્તિક આર્યનને તાજેતરમાં કબીર ખાનની સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મના શૂટિંગ દરમિયાન ઘૂંટણમાં ગંભીર ઈજા થઈ હતી. ત્યારબાદ એક્ટરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમના ઘૂંટણની સર્જરી કરવામાં આવી હતી. હવે તેઓ હોસ્પિટલમાંથી ઘરે પરત આવી ગયા છે.</p><h2><b>કાર્તિક આર્યનની અપકમિંગ ફિલ્મો</b></h2><p>કાર્તિક આર્યન છેલ્લે અનન્યા પાંડે સાથે ‘તૂ મેરી મેં તેરા, મેં તેરા તૂ મેરી’માં જોવા મળ્યા હતા. હાલમાં કાર્તિક પાસે ઘણા મોટા પ્રોજેક્ટ્સ છે. તેમાં ‘નાગઝીલા’ પણ સામેલ છે, જે હવે ફેબ્રુઆરી 2027માં રિલીઝ થશે.</p><p>આ ઉપરાંત તેઓ અનુરાગ બાસુ અને કબીર ખાનની ફિલ્મમાં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે એક્ટ્રેસ શ્રીલીલા લીડ રોલમાં જોવા મળશે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/rcqTORVU3QTWyfBLjLJrvNYbCaNPSRpZS4QkjZHJ.webp'/></item><item><title><![CDATA[Nepalથી ભારત સુધી વહીને આવ્યા... ગંડક નદીમાંથી મળ્યા 3 મૃતદેહ, એક જ પરિવારના 40 લોકો ગુમ ]]></title><link>https://sandesh.com/india/news/nepal-bhotekoshi-flood--626-dead--3-bodies-found-in-ups-gandak-river</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/nepal-bhotekoshi-flood--626-dead--3-bodies-found-in-ups-gandak-river</guid><pubDate>Sat, 29 Aug 2026 14:37:29 +05:30</pubDate><description><![CDATA[<p>Nepal: નેપાળની ભોટે કોશી નદીમાં અચાનક આવેલા પ્રચંડ પૂરે એટલી હદે વિનાશ મચાવ્યો છે કે તેણે માનવજાતને હચમચાવી નાખી છે. નેપાળમાં હજારો લોકો ગુમ થયા છે અને વિવિધ દેશોના નાગરિકો સહિત કુલ 626 લોકોએ અત્યાર સુધીમાં પોતાના જીવ ગુમાવ્યા છે. ભારત, ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને ચીન જેવા દેશોના સેંકડો નાગરિકો ક્યાં છે તે અંગે કોઈ માહિતી નથી, જેના કારણે તેમના ભાવિ અંગે ગંભીર ચિંતાઓ ઉભી થઈ છે. નેપાળમાં થયેલા વિનાશનું પરિણામ ભારતમાં પણ ફેલાઈ રહ્યું છે; ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં ગંડક નદીમાં ત્રણ મૃતદેહો તરતા મળી આવ્યા હતા અને ત્યારથી તેમને બહાર કાઢવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર આ મૃતદેહો નેપાળના પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી નીચે વહેતા હતા.</p><p><br></p><p>અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે બેરેજ પિયર નંબર 3 નજીક મૃતદેહો મળી આવ્યા હતા. કુશીનગરના ખડ્ડા વિસ્તારમાં મળી આવેલા મૃતકોની ઓળખ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ખડ્ડા એસએચઓ સંદીપ સિંહે જણાવ્યું હતું કે એક મોનિટરિંગ ટીમે પાણીમાં તરતા મૃતદેહો જોયા હતા અને પોલીસને જાણ કરતા પહેલા તરત જ તેમને બહાર કાઢ્યા હતા. વહીવટીતંત્રે નેપાળના પડોશી જિલ્લાઓને ઓળખની સુવિધા માટે માહિતી આપી છે, જોકે હાલ મૃતદેહોની ઓળખ થઈ શકી નથી. મૃતદેહો ઉપરાંત, ગેસ સિલિન્ડર, વાહનો, ઘરનો સામાન અને વિવિધ પ્રકારના કાટમાળ જેવી વસ્તુઓ પણ ગંડક નદી ભારતમાં વહી ગઈ છે.</p><p><br></p><p>નેપાળના એક પરિવારના 40 સભ્યો પૂરમાં ગુમ થયા છે. મીડિયા સાથે વાત કરતા, પરિવારના એક સભ્યએ કહ્યું, "અમારા પરિવારના કુલ 40 લોકો ગુમ છે. હું એકલો છું; હું કોઈને શોધી શકતો નથી. અમે ભગવાન પર ભરોસો રાખી રહ્યા છીએ. આ એક કુદરતી આફત છે બીજું શું કહી શકાય? અમે ખૂબ જ દુઃખી છીએ, પરંતુ અમે કંઈ કરી શકતા નથી."</p><p><br></p><p>તે વ્યક્તિએ જણાવ્યું કે તેનો પરિવાર ધુંગે બજાર વિસ્તારનો રહેવાસી હતો, જે પૂરમાં સંપૂર્ણપણે ધોવાઈ ગયો હતો. આ વ્યક્તિઓ સાથે સંપર્ક સ્થાપિત કરવો અશક્ય બની ગયો છે. અત્યાર સુધીમાં, અહેવાલો દર્શાવે છે કે નેપાળમાં કુલ 626 લોકો મૃત્યુ પામ્યા છે. આ ઉપરાંત, 2,000 લોકોએ જીવ ગુમાવ્યા છે.</p><p><br>આ પણ વાંચો:<a href="https://sandesh.com/india/news/himalaya-floods-rising--study-reveals-5-reasons-beyond-climate-change" target="_blank"><b> Himalayaમાં કેમ વધી રહી છે પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ? આબોહવા પરિવર્તન સિવાય આ 5 કારણ પણ જવાબદાર</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/H3EEHvAnHzi1l6hPvfqGRhBqd0utcXSO56CfrbR9.webp'/></item><item><title><![CDATA[Budget 2027ની તૈયારી શરૂ, સરકારી ખર્ચ પર નિયંત્રણ અને બિન-કર આવક વધારવા પર ભાર ]]></title><link>https://sandesh.com/business/news/india/preparations-for-budget-2027-begin-emphasis-on-controlling-government-expenditure-and-increasing-non-tax-revenue</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/preparations-for-budget-2027-begin-emphasis-on-controlling-government-expenditure-and-increasing-non-tax-revenue</guid><pubDate>Sat, 29 Aug 2026 14:37:07 +05:30</pubDate><description><![CDATA[<p>Budget 2027ની તૈયારી શરૂ થઈ ગઈ છે. નાણાં મંત્રાલયે તમામ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોને આગામી નાણાકીય વર્ષ માટે ખર્ચ અને આવકનો વાસ્તવિક અંદાજ તૈયાર કરવા કહ્યું છે. સરકારનું ફોકસ સરકારી ખર્ચને નિયંત્રિત કરવા, યોજનાઓની સમીક્ષા કરવા અને બિન-કર આવક વધારવા પર રહેશે. નાણાં મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા બજેટ સર્ક્યુલર મુજબ, 12 ઓક્ટોબર 2026થી પ્રી-બજેટ બેઠકો શરૂ થશે..</p><h2>&nbsp;<b>12 ઓક્ટોબર 2026થી પ્રી-બજેટ બેઠકો શરૂ થશે</b></h2><p> </p><p>આ બેઠકો નવેમ્બરના મધ્ય સુધી ચાલશે. આ બેઠકોની અધ્યક્ષતા ખર્ચ સચિવ કરશે. મંત્રાલયોએ બજેટ સાથે જોડાયેલી જરૂરી માહિતી 6 ઓક્ટોબર સુધી જમા કરાવવાની રહેશે, જ્યારે ટેક્સથી થતી આવકનો અંદાજ 15 ઓક્ટોબર સુધી આપવાનો રહેશે. મંત્રાલયોએ પહેલા તે ખર્ચ માટે જોગવાઈ કરવાની રહેશે, જે પહેલાથી ચાલી રહ્યા છે અથવા જેને પૂર્ણ કરવા જરૂરી છે. ત્યારબાદ જ નવી યોજનાઓ અથવા નવા ખર્ચ માટે નાણાંની માંગ કરી શકાશે. ખર્ચનો અંદાજ લગાવતી વખતે સપ્ટેમ્બર 2026 સુધીનો વાસ્તવિક ખર્ચ, ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન થયેલો ખર્ચ, બાકી ચૂકવણી અને બચેલી રકમને ધ્યાનમાં લેવાની રહેશે.</p><h3><b>જૂની યોજનાઓની થશે સમીક્ષા</b></h3><p>સરકારે બંધ થઈ ચૂકેલી યોજનાઓને સુધારેલા અંદાજમાં સામેલ નહીં કરવાની સૂચના આપી છે. જ્યારે જે યોજનાઓ 2026-27 પછી ચાલુ નહીં રહે, તેમના માટે Budget 2027-28માં કોઈ રકમ ફાળવવામાં આવશે નહીં. સરકાર મંત્રાલયોને એવી પણ સૂચના આપી રહી છે કે નાણાકીય વર્ષના અંતે મોટી રકમ ખર્ચ્યા વિના પરત ન કરવી પડે. જો કોઈ ગ્રાન્ટમાં 100 કરોડ રૂપિયા કે તેનાથી વધુની બચત થાય છે, તો તેનું કારણ જણાવવું પડશે.</p><h4><b>બિન-કર આવક વધારવા પર ભાર</b></h4><p>સરકારે મંત્રાલયો પાસેથી યુઝર ચાર્જ, બાકી રકમ અને અન્ય બિન-કર આવકની માહિતી માંગી છે. સેવાઓ માટે લેવામાં આવતા ચાર્જની પણ સમીક્ષા થઈ શકે છે, જેથી સરકારને પોતાની કિંમત સાથે યોગ્ય વળતર મળી શકે. જોકે, હજુ એ સ્પષ્ટ નથી કે Budget 2027માં ટેક્સમાં શું ફેરફાર થશે, સબસિડી કેટલી ઘટશે અથવા કઈ યોજનાને કેટલી રકમ મળશે. બજેટ પ્રક્રિયા આગળ વધશે તેમ આ નિર્ણયો અંગેની તસવીર સ્પષ્ટ થશે.</p><p><b><a href="https://sandesh.com/" target="_blank">વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/hlm3UIHoJwn9Ljl8xgKhCB9llBgcpwj7ogVNPrwe.webp'/></item><item><title><![CDATA[Budget 2027ની તૈયારી શરૂ, સરકારી ખર્ચ પર નિયંત્રણ અને બિન-કર આવક વધારવા પર ભાર ]]></title><link>https://sandesh.com/business/news/india/preparations-for-budget-2027-begin-emphasis-on-controlling-government-expenditure-and-increasing-non-tax-revenue</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/preparations-for-budget-2027-begin-emphasis-on-controlling-government-expenditure-and-increasing-non-tax-revenue</guid><pubDate>Sat, 29 Aug 2026 14:37:07 +05:30</pubDate><description><![CDATA[<p>Budget 2027ની તૈયારી શરૂ થઈ ગઈ છે. નાણાં મંત્રાલયે તમામ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોને આગામી નાણાકીય વર્ષ માટે ખર્ચ અને આવકનો વાસ્તવિક અંદાજ તૈયાર કરવા કહ્યું છે. સરકારનું ફોકસ સરકારી ખર્ચને નિયંત્રિત કરવા, યોજનાઓની સમીક્ષા કરવા અને બિન-કર આવક વધારવા પર રહેશે. નાણાં મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા બજેટ સર્ક્યુલર મુજબ, 12 ઓક્ટોબર 2026થી પ્રી-બજેટ બેઠકો શરૂ થશે..</p><h2>&nbsp;<b>12 ઓક્ટોબર 2026થી પ્રી-બજેટ બેઠકો શરૂ થશે</b></h2><p> </p><p>આ બેઠકો નવેમ્બરના મધ્ય સુધી ચાલશે. આ બેઠકોની અધ્યક્ષતા ખર્ચ સચિવ કરશે. મંત્રાલયોએ બજેટ સાથે જોડાયેલી જરૂરી માહિતી 6 ઓક્ટોબર સુધી જમા કરાવવાની રહેશે, જ્યારે ટેક્સથી થતી આવકનો અંદાજ 15 ઓક્ટોબર સુધી આપવાનો રહેશે. મંત્રાલયોએ પહેલા તે ખર્ચ માટે જોગવાઈ કરવાની રહેશે, જે પહેલાથી ચાલી રહ્યા છે અથવા જેને પૂર્ણ કરવા જરૂરી છે. ત્યારબાદ જ નવી યોજનાઓ અથવા નવા ખર્ચ માટે નાણાંની માંગ કરી શકાશે. ખર્ચનો અંદાજ લગાવતી વખતે સપ્ટેમ્બર 2026 સુધીનો વાસ્તવિક ખર્ચ, ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન થયેલો ખર્ચ, બાકી ચૂકવણી અને બચેલી રકમને ધ્યાનમાં લેવાની રહેશે.</p><h3><b>જૂની યોજનાઓની થશે સમીક્ષા</b></h3><p>સરકારે બંધ થઈ ચૂકેલી યોજનાઓને સુધારેલા અંદાજમાં સામેલ નહીં કરવાની સૂચના આપી છે. જ્યારે જે યોજનાઓ 2026-27 પછી ચાલુ નહીં રહે, તેમના માટે Budget 2027-28માં કોઈ રકમ ફાળવવામાં આવશે નહીં. સરકાર મંત્રાલયોને એવી પણ સૂચના આપી રહી છે કે નાણાકીય વર્ષના અંતે મોટી રકમ ખર્ચ્યા વિના પરત ન કરવી પડે. જો કોઈ ગ્રાન્ટમાં 100 કરોડ રૂપિયા કે તેનાથી વધુની બચત થાય છે, તો તેનું કારણ જણાવવું પડશે.</p><h4><b>બિન-કર આવક વધારવા પર ભાર</b></h4><p>સરકારે મંત્રાલયો પાસેથી યુઝર ચાર્જ, બાકી રકમ અને અન્ય બિન-કર આવકની માહિતી માંગી છે. સેવાઓ માટે લેવામાં આવતા ચાર્જની પણ સમીક્ષા થઈ શકે છે, જેથી સરકારને પોતાની કિંમત સાથે યોગ્ય વળતર મળી શકે. જોકે, હજુ એ સ્પષ્ટ નથી કે Budget 2027માં ટેક્સમાં શું ફેરફાર થશે, સબસિડી કેટલી ઘટશે અથવા કઈ યોજનાને કેટલી રકમ મળશે. બજેટ પ્રક્રિયા આગળ વધશે તેમ આ નિર્ણયો અંગેની તસવીર સ્પષ્ટ થશે.</p><p><b><a href="https://sandesh.com/" target="_blank">વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/hlm3UIHoJwn9Ljl8xgKhCB9llBgcpwj7ogVNPrwe.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : BRTS રૂટ બન્યો બેફામ વાહનોનો રસ્તો, કરોડોના બૂમ બેરિયર ફેઇલ, તંત્રની બેદરકારી સામે સવાલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-brts-route-faulty-boom-barrier-vehicle-entry-amc-action</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-brts-route-faulty-boom-barrier-vehicle-entry-amc-action</guid><pubDate>Sat, 29 Aug 2026 14:13:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદમાં BRTS કોરિડોરમાં સામાન્ય વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં વાહનચાલકો બિન્દાસ રીતે ટ્રેકમાં ઘૂસી રહ્યા છે. અકસ્માતો અટકાવવા માટે કરોડો રૂપિયાના ખર્ચે લગાવવામાં આવેલા સ્વિંગ ગેટ અને બૂમ બેરિયર જ હવે તંત્રની બેદરકારીના કારણે સમસ્યા બની રહ્યા છે. કેટલાક સ્થળોએ બેરિયર ખરાબ હોવાની રજૂઆતો સામે આવી છે, તો ક્યાંક બસ સિવાયના વાહનો માટે પણ ગેટ સરળતાથી ખુલી જતા હોવાના આક્ષેપ છે.</p><h2 style="text-align: justify; "><b>બસ માટેના ગેટ, વાહનો માટે ખુલ્લો રસ્તો?</b></h2><p style="text-align: justify; ">BRTS કોરિડોરમાં સામાન્ય વાહનો પ્રવેશ ન કરે તે માટે સ્વિંગ ગેટ અને બૂમ બેરિયર લગાવવામાં આવ્યા હતા. આ સિસ્ટમ BRTS બસો અને ઇમર્જન્સી વાહનોને પ્રવેશ આપવા માટે બનાવવામાં આવી છે. પરંતુ અનેક સ્થળોએ ગેટ તૂટી ગયા હોવાની અથવા ખુલ્લા રાખવામાં આવતા હોવાની ફરિયાદો સામે આવી છે.</p><h3 style="text-align: justify; "><b>કરોડોના ખર્ચ બાદ પણ વ્યવસ્થા ખોરવાઈ</b></h3><p style="text-align: justify; ">સવાલ એ છે કે જો કરોડો રૂપિયાના ખર્ચે સુરક્ષા માટે ગેટ લગાવવામાં આવ્યા હોય તો તેની નિયમિત જાળવણી કોણ કરશે? બેરિયર ખરાબ થાય અને સામાન્ય વાહનો BRTS ટ્રેકમાં ઘૂસી જાય તો અકસ્માતની જવાબદારી કોની? તંત્રની નબળી જાળવણીને કારણે જાહેર નાણાંનો ખર્ચ પણ સવાલોના ઘેરામાં આવ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>સ્ટેન્ડિંગ કમિટીમાં મુદ્દો ગાજ્યો</b></h3><p style="text-align: justify; ">આ ગંભીર મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલે ખામીયુક્ત બૂમ બેરિયર અને ગેટ અંગે કડક વલણ અપનાવ્યું હતું. તમામ ખરાબ બેરિયર તાત્કાલિક રિપેર કરવા અથવા જરૂરી હોય ત્યાં હટાવવા તથા વ્યવસ્થા નિયમિત રાખવા સૂચના આપવામાં આવી છે.</p><h4 style="text-align: justify; "><b>BRTS રૂટ પર અકસ્માતનું જોખમ</b></h4><p style="text-align: justify; ">BRTS કોરિડોરમાં સામાન્ય વાહનોની ઘૂસણખોરીથી બસ અને અન્ય વાહનો વચ્ચે અકસ્માતનું જોખમ વધી શકે છે. ખાસ કરીને ઝડપથી દોડતી BRTS બસોના રૂટમાં અનધિકૃત વાહનો પ્રવેશે તો ગંભીર પરિણામ આવી શકે છે.</p><h4 style="text-align: justify; "><b>હવે કાર્યવાહી ખરેખર થશે?</b></h4><p style="text-align: justify; ">માત્ર બેઠકમાં સૂચના આપવાથી સમસ્યા ઉકેલાશે કે ખરાબ બેરિયર ખરેખર રિપેર થશે? BRTS રૂટ પર સુરક્ષા વ્યવસ્થા જાળવવાની જવાબદારી ધરાવતા તંત્ર સામે હવે સૌથી મોટો સવાલ એ છે કે કરોડોના ખર્ચે ઉભી કરેલી વ્યવસ્થા કાગળ પર જ મજબૂત છે કે રસ્તા પર પણ?&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; &nbsp; <a href="https://sandesh.com/world/news/nepal-flash-flood-lone-house-survives-village-swept-away-viral-video" target="_blank"><b>Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/ciBhlLVTARiB40zn8T6cbJTV18sPKeQhlBE9Ko90.webp'/></item><item><title><![CDATA[National Sports Day 2026: મેજર ધ્યાનચંદના જીવનના 4 પ્રેરણાદાયી કિસ્સા, જાણો કેવી રીતે બન્યા હોકીના જાદુગર ]]></title><link>https://sandesh.com/sports/news/national-sports-day-2026-4-inspiring-stories-from-the-life-of-major-dhyan-chand-know-how-he-became-a-hockey-magician</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/national-sports-day-2026-4-inspiring-stories-from-the-life-of-major-dhyan-chand-know-how-he-became-a-hockey-magician</guid><pubDate>Sat, 29 Aug 2026 11:42:24 +05:30</pubDate><description><![CDATA[<p>Indiaમાં રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણીની શરૂઆત વર્ષ 2012માં થઈ. સરકારે આ ખાસ દિવસને હોકીના જાદુગર તરીકે ઓળખાતા પ્રસિદ્ધ ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતીના દિવસે ઉજવવાનો નિર્ણય કર્યો. મેજર ધ્યાનચંદનું હોકીમાં ખૂબ મોટું યોગદાન છે. તેઓ 1928, 1932 અને 1936ના ઓલિમ્પિકમાં શાનદાર રમત માટે જાણીતા છે. સતત ત્રણેય વખત ભારતના ખાતામાં સુવર્ણ ચંદ્રક આવ્યો હતો અને તેનો શ્રેય મેજરના નામે નોંધાયેલો છે.</p><h2><b>સેનાની નોકરી સાથે તેમણે હોકીને સાધના તરીકે અપનાવી.</b></h2><p>ભારતીય હોકીના ઇતિહાસમાં મેજર ધ્યાનચંદનું નામ સૌથી ચમકતા તારાની જેમ નોંધાયેલું છે. તેમની હોકીમાં ઝડપ હતી. બોલ પર અદ્ભુત નિયંત્રણ હતું. ગોલ કરવાની કળા એવી હતી કે દર્શકો ઘણીવાર પોતાની આંખો પર વિશ્વાસ કરી શકતા નહોતા. ધ્યાનચંદનો જન્મ 29 ઓગસ્ટ 1905ના રોજ પ્રયાગરાજમાં થયો હતો. તે સમયે તેમનું નામ ધ્યાન સિંહ હતું. બાદમાં હોકી તેમના જીવનનો સૌથી મોટો હિસ્સો બની ગઈ. તેઓ ભારતીય સેનામાં ભરતી થયા. સેનાની નોકરી સાથે તેમણે હોકીને સાધના તરીકે અપનાવી.</p><h3><b>હોકીની પ્રેક્ટિસ માટે સમય રાત્રે જ મળતો હતો</b></h3><p>ધ્યાનચંદના નામ સાથે સૌથી લોકપ્રિય કિસ્સો તેમની પ્રેક્ટિસ સાથે જોડાયેલો છે. કહેવાય છે કે તેઓ રાત્રે હોકીની પ્રેક્ટિસ કરતા હતા. તે સમયે મેદાનોમાં આજની જેમ લાઇટિંગની વ્યવસ્થા નહોતી. ધ્યાન સિંહ દિવસ દરમિયાન સેનાની ડ્યૂટી કરતા હતા. કામ બાદ તેમને હોકીની પ્રેક્ટિસ માટે સમય રાત્રે જ મળતો હતો. તેઓ ચાંદની રાત્રે મેદાનમાં ઉતરતા હતા. હોકી સ્ટિક અને બોલ સાથે લાંબા સમય સુધી પ્રેક્ટિસ કરતા હતા. આ કારણે તેમના સાથીઓ તેમને ચંદ કહેવા લાગ્યા. તેનો અર્થ ચાંદ સાથે જોડાયેલો છે. ધીમે-ધીમે તેમનું નામ ધ્યાન સિંહમાંથી ધ્યાનચંદ થઈ ગયું. આ કિસ્સો માત્ર નામ બદલાવાની કહાની નથી. આ તેમની લગનની કહાની પણ છે. તેઓ સુવિધાઓની રાહ જોતા નહોતા. તેમની પાસે ન તો આધુનિક મેદાન હતું. ન તો મોંઘી ટ્રેનિંગ. ન તો વિશેષ સાધનો. તેમની પાસે માત્ર એક હોકી સ્ટિક હતી. તેઓ માનતા હતા કે પ્રેક્ટિસથી જ રમતમાં નિખાર આવે છે.</p><h4><b>બોલ તેમની સ્ટિક સાથે ચોંટેલો હોય તેવું લાગતું હતું</b></h4><p>ધ્યાનચંદની હોકીનું સૌથી મોટું આકર્ષણ બોલ પર તેમનું નિયંત્રણ હતું. તેઓ બોલને સ્ટિકથી એવી રીતે સંભાળતા હતા કે એવું લાગતું હતું, જાણે બોલ તેમની સ્ટિક સાથે ચોંટી ગયો હોય. તેઓ દોડતી વખતે બોલને ખૂબ નજીક રાખતા હતા. વિરોધી ખેલાડીઓ તેમને રોકવાનો પ્રયાસ કરતા હતા. પરંતુ બોલ તેમના નિયંત્રણની બહાર જતો નહોતો. ઘણી મેચોમાં દર્શકોને લાગતું હતું કે ધ્યાનચંદ કોઈ જાદુનો ઉપયોગ કરી રહ્યા છે. કેટલાક લોકો તો એવું પણ માનવા લાગ્યા હતા કે તેમની સ્ટિકમાં કોઈ ખાસ વસ્તુ લગાવવામાં આવી છે. એક મેચ દરમિયાન અધિકારીઓએ તેમની હોકી સ્ટિકની તપાસ કરાવી. વિરોધી ટીમને શંકા હતી કે સ્ટિકમાં ચુંબક લગાવવામાં આવ્યું છે. તપાસ બાદ એવું કોઈ રહસ્ય મળ્યું નહોતું. આ કિસ્સો ભલે રમત જગતની ચર્ચાઓનો ભાગ બની ગયો હોય, પરંતુ અસલી સત્ય તેમની ટેકનિક હતી. બોલ પર તેમનું નિયંત્રણ વર્ષોની પ્રેક્ટિસનું પરિણામ હતું.</p><h5><b>  તેમનો આ વીડિયો ઘણી વખત વાયરલ થયો</b></h5><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/OlympicKhel/status/2093541651486544136"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h6><b>પહેલો મોટો મોકો સેનાના મેદાનમાંથી મળ્યો</b></h6><p>ધ્યાનચંદની હોકી કારકિર્દીની શરૂઆત કોઈ મોટી ક્લબ અથવા ચમકતા સ્ટેડિયમથી થઈ નહોતી. તેમને પહેલો મોટો મોકો સેનાના મેદાનોમાં મળ્યો. સેનામાં ભરતી થયા બાદ તેમણે હોકી રમવાનું શરૂ કર્યું. ત્યાં શિસ્ત ખૂબ કડક હતી. દિનચર્યા નક્કી હતી. ડ્યૂટી પણ કરવાની હતી. તેમ છતાં ધ્યાનચંદ પ્રેક્ટિસ માટે સમય કાઢી લેતા હતા. તેમના શરૂઆતના દિવસોનો એક કિસ્સો ઘણીવાર સાંભળવા મળે છે. કહેવાય છે કે તેઓ મેદાનના ખરાબ ભાગોમાં પણ પ્રેક્ટિસ કરતા હતા. મેદાન સમતલ નહોતું. ઘણી જગ્યાએ માટી ઊંચી-નીચી હતી. ક્યારેક બોલ અચાનક ઉછળી જતો હતો. પરંતુ ધ્યાનચંદે આવી જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાનું નિયંત્રણ વધુ સારું બનાવ્યું. તેઓ બોલને અલગ-અલગ ઝડપે ચલાવતા હતા. રોકાતા. વળતા. ઝડપથી દિશા બદલતા. તેનાથી તેમને મેચમાં વિરોધીઓને છકાવવામાં મદદ મળી. સેના સાથે તેમને દેશના અનેક ભાગોમાં રમવાની તક મળી. અલગ-અલગ મેદાનો પર રમવાથી તેમનો અનુભવ વધ્યો. તેમણે સમજ્યું કે દરેક મેદાનનો પોતાનો પડકાર હોય છે. </p><h6><b>મેજર ધ્યાનચંદે સંભળાવ્યા હતા કિસ્સાઓ</b></h6><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/RajatJain/status/2093538302976758242"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h6><b>ઓલિમ્પિકમાં ભારતની શાન બની ગયા</b></h6><p>ધ્યાનચંદને આંતરરાષ્ટ્રીય ઓળખ ઓલિમ્પિક રમતોમાંથી મળી. તેમણે 1928ના એમ્સ્ટરડેમ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. ટીમે સુવર્ણ ચંદ્રક જીત્યો. આ સફળતા બાદ ધ્યાનચંદનું નામ દુનિયાભરમાં ચર્ચામાં આવી ગયું. તેમની ગોલ કરવાની ક્ષમતાએ વિદેશી દર્શકોને પણ પ્રભાવિત કર્યા. 1932ના લોસ એન્જલસ ઓલિમ્પિકમાં પણ ભારતીય ટીમે સુવર્ણ ચંદ્રક જીત્યો. તે સમયગાળામાં ભારતની હોકી ટીમ ખૂબ જ મજબૂત માનવામાં આવતી હતી. ધ્યાનચંદ આ ટીમના સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓમાં સામેલ હતા. 1936ના બર્લિન ઓલિમ્પિકમાં તેમને ભારતીય ટીમની કેપ્ટનશિપ મળી. ફાઇનલમાં ભારતનો મુકાબલો જર્મની સામે હતો. વરસાદને કારણે મેદાન ભીનું હતું. આવી સ્થિતિમાં બોલ પર નિયંત્રણ રાખવું મુશ્કેલ હોય છે. પરંતુ ધ્યાનચંદે ટીમનું નેતૃત્વ સંભાળ્યું.</p><p><b>ભારતીય ટીમે જર્મનીને હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો</b></p><p>ભારતીય ટીમે જર્મનીને હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો. આ મેચ સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો છે. કહેવાય છે કે ધ્યાનચંદે મેચ દરમિયાન જૂતા ઉતારી દીધા હતા. ત્યારબાદ તેમણે ઉઘાડા પગે રમવાનું શરૂ કર્યું. ભીના મેદાન પર તેમને બોલ પર વધુ સારું નિયંત્રણ અનુભવાયું. દર્શકોએ જોયું કે એક ખેલાડી જૂતા વગર પણ આખા મેદાનમાં છવાઈ શકે છે. ધ્યાનચંદે આ મેચમાં માત્ર ગોલ જ કર્યા નહોતા. તેમણે સમગ્ર ટીમને સંભાળી હતી. સાથી ખેલાડીઓને પાસ આપ્યા. રમતની દિશા બદલી. કેપ્ટન તરીકે તેમણે ધીરજ જાળવી રાખી.</p><h6><b>પીએમ મોદીએ યાદ કર્યા</b></h6><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/narendramodi/status/2093545214652846299"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><a  target="_blank"></a></p><h6><b>દેશ માટે રમવું એ પદ અને સન્માન કરતાં વધુ મહત્વનું છે</b></h6><p>ધ્યાનચંદે સેનામાં સેવા આપી હતી. તેમણે પોતાની નોકરી અને રમતગમતની જવાબદારીઓ બંનેમાં ફેરફાર કરવો પડ્યો હતો. તેમણે મેદાન પર દેશનું પ્રતિનિધિત્વ કર્યું અને મેદાનની બહાર સૈનિકની ભૂમિકા ભજવી. તેમની રમત લોકપ્રિયતામાં વધારો થયો, જેના કારણે વિદેશમાં પણ તેમને માન મળ્યું. પરંતુ તેમણે ક્યારેય પોતાની સફળતાને ગૌરવનો સ્ત્રોત બનવા દીધી નહીં. એવું કહેવાય છે કે તેઓ પ્રેક્ટિસ દરમિયાન ખૂબ જ ગંભીર હતા. મેદાન પર આવતાની સાથે જ તેમનું સંપૂર્ણ ધ્યાન રમત પર કેન્દ્રિત થઈ ગયું. તેમણે યુવા ખેલાડીઓમાં શિસ્ત અને ટીમ ભાવનાનું મહત્વ પણ સિંચ્યું. ધ્યાનચંદ વ્યક્તિગત રેકોર્ડ પાછળ ન દોડતા. તેઓ ટીમની જીતને વધુ મહત્વપૂર્ણ માનતા હતા. તેઓ બોલને સારી સ્થિતિમાં રહેલા સાથી ખેલાડીને પાસ કરતા. તેમને ગોલ કરવાની તક ગુમાવવી મુશ્કેલ ન લાગી. આ આદત તેમને અન્ય લોકોથી અલગ પાડે છે. તેઓ જાણતા હતા કે હોકી એકલા જીતી શકાતી નથી; તેમાં સમગ્ર ટીમના યોગદાનની જરૂર હોય છે.</p><h6><b>ધ્યાનચંદનો સૌથી મોટો પાઠ</b></h6><p>મેજર ધ્યાનચંદની વાર્તાઓ ફક્ત રોમાંચક વાર્તાઓ નથી. તેઓ સખત મહેનતની શક્તિ, શિસ્તનું મહત્વ, ટીમવર્ક અને દેશભક્તિની ભાવનાને મૂર્તિમંત કરે છે. તેમની હોકીમાં ચોક્કસપણે જાદુ હતો. પરંતુ તે જાદુ કોઈ રહસ્યમય લાકડીમાં નહોતો. તે સખત મહેનતમાં, વ્યવહારમાં, રમતની સમજમાં હતો. મેજર ધ્યાનચંદે સાબિત કર્યું કે સાચી પ્રતિભા અવાજ કરતી નથી; તે મેદાન પર અસર કરે છે. તેથી જ તેમને આજે પણ હોકીના જાદુગર કહેવામાં આવે છે.</p><p><b><a href="https://sandesh.com/" target="_blank">વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/pwL9vy6dS3kb8hQhArQfGEo82EPh5NOqqwEjjuxu.webp'/></item></channel></rss>