<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Pradeep Rawat Death : અભિનેતા પ્રદીપ રાવતનું કેન્સરની બિમારીને કારણે નિધન, 150થી વધુ ફિલ્મમાં કર્યું હતું કામ ]]></title><link>https://sandesh.com/entertainment/news/pradeep-rawat-death-veteran-actor-known-for-ghajini-passes-away-at-74</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/pradeep-rawat-death-veteran-actor-known-for-ghajini-passes-away-at-74</guid><pubDate>Tue, 04 Aug 2026 23:00:42 +05:30</pubDate><description><![CDATA[<p>હિન્દી ફિલ્મ જગત માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આમિર ખાનની સુપરહિટ ફિલ્મ 'ગજની' સહિત અનેક યાદગાર ફિલ્મોમાં પોતાના અભિનયથી ઓળખ બનાવનાર વરિષ્ઠ અભિનેતા પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે. તેઓ લાંબા સમયથી કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડી રહ્યા હતા. તેમના નિધનના સમાચાર સામે આવતા ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ફેન્સમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.</p><h2><b>મધ્યપ્રદેશમાં થયો હતો જન્મ</b></h2><p>21 જાન્યુઆરી, 1953ના રોજ મધ્ય પ્રદેશના જબલપુરમાં જન્મેલા પ્રદીપ રાવતના પિતા એમ.એસ. રાવત ભારતીય સેનામાં હતા. પ્રદીપ રાવતનું પણ સપનું સેનામાં જોડાવાનું હતું, પરંતુ તેમાં સફળતા ન મળતા તેમણે ગ્રેજ્યુએશન બાદ જબલપુરની એક બેંકમાં નોકરી શરૂ કરી હતી. બાદમાં તેમણે અભિનેતા રાજ બબ્બરના થિયેટર ગ્રુપ 'એકજૂટ' સાથે જોડાઈ અભિનય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો.</p><h3><b>ફિલ્મ 'મેરી જંગ'થી બોલિવૂડમાં કારકિર્દીની શરૂઆત કરી&nbsp;</b></h3><p>તેમણે 1985માં સુભાષ ઘઈ દિગ્દર્શિત ફિલ્મ 'મેરી જંગ'થી બોલિવૂડમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે ક્યારેય પાછળ વળી જોયું નહીં. હિન્દી ઉપરાંત તેમણે તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ભોજપુરી, નેપાળી, બંગાળી અને અંગ્રેજી સહિત અનેક ભાષાઓની ફિલ્મોમાં અભિનય કર્યો હતો.</p><h4><b>'ગજની'માં ભજવેલા પાત્રએ અપાવી એક નવી ઓળખ</b></h4><p>પ્રદીપ રાવતે પોતાની 41 વર્ષની કારકિર્દીમાં 150થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. 'ગજની'માં ભજવેલું તેમનું ખતરનાક વિલનની ભૂમિકા આજે પણ યાદગાર માનવામાં આવે છે. આ ઉપરાંત તેમણે 'લગાન', 'સરફરોશ', 'કોયલા', 'ધ હીરો: લવ સ્ટોરી ઑફ અ સ્પાય' અને એસ.એસ. રાજામૌલીની 'સાઈ' જેવી ફિલ્મોમાં પણ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. ફિલ્મો ઉપરાંત તેઓ બી.આર. ચોપરાની લોકપ્રિય ટીવી શ્રેણી 'મહાભારત'માં અશ્વત્થામાના પાત્ર માટે પણ જાણીતા હતા. તેમના નિધનથી ભારતીય સિનેમાએ એક બહુમુખી અને પ્રતિભાશાળી અભિનેતાને ગુમાવ્યો છે.</p><p><b><a href="https://sandesh.com/entertainment/news/kangana-ranaut-old-interview-pakistani-groom-viral" target="_blank">આ પણ વાંચો : Kangana Ranaut શોધી રહી છે પાકિસ્તાની વરરાજા! વાયરલ થયો જુનો VIDEO</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/kWoDX5pJEP2HBaeD64lwthbN6yypbSPPM8bahJuR.webp'/></item><item><title><![CDATA[Bhavnagarના પાલીતાણા પંથકમાં સિંહનો આતંક, ટોડી ગામે પશુપાલક પર કર્યો હુમલો... ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/lion-terror-in-palitana-parishad-of-bhavnagar-lion-attacked-a-cattle-farmer-in-todi-village</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/lion-terror-in-palitana-parishad-of-bhavnagar-lion-attacked-a-cattle-farmer-in-todi-village</guid><pubDate>Tue, 04 Aug 2026 21:44:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભાવનગર જિલ્લાના પાલીતાણા પંથકમાં સિંહોની સતત વધતી જતી દખલગીરી વચ્ચે વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. પાલીતાણાના ટોડી ગામે સીમાડામાં ગાયો ચરાવી રહેલા એક પશુપાલક પર અચાનક સિંહે હુમલો કરી દીધો હતો, જેના કારણે વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે.</p><p style="text-align: justify; "><b>વિજયભાઈ બલિયા ગંભીર રીતે ઈજાગ્રસ્ત, હોસ્પિટલમાં રિફર</b></p><p style="text-align: justify; ">આ હુમલામાં પશુપાલક વિજયભાઈ બલિયાના શરીરના વિવિધ ભાગોમાં સિંહના પંજા અને દાંતથી ગંભીર ઈજાઓ પહોંચી હતી. પ્રાથમિક સારવાર બાદ તેમની તબિયત વધુ નાજુક જણાતા તેમને તાત્કાલિક ધોરણે વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.</p><p style="text-align: justify; "><b>પશુપાલકો અને ખેડૂતોમાં ફેલાયો ભયનો માહોલ</b></p><p style="text-align: justify; ">આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોના હુમલાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે સ્થાનિક પશુપાલકો અને ખેડૂતોમાં ભારે ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં સિંહોની અવરજવર પર કાયમી ધોરણે નજર રાખવામાં આવે અને યોગ્ય સુરક્ષા પગલાં લેવામાં આવે તેવી ઉગ્ર માગણી ઉઠી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/tharad/monsoon-2026-severe-problem-of-water-filling-in-bhachli-village-of-vav-taluka-villagers-protest-at-mamlatdars-office" target="_blank">Monsoon 2026 : વાવ તાલુકાના ભાચલી ગામે પાણી ભરાવવાની વિકટ સમસ્યા, મામલતદાર કચેરીએ ગ્રામજનોનો હલ્લો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/1wD8HLCnIF801GSxy4LLmQ7Ya5Ttm78FhlZWpvel.webp'/></item><item><title><![CDATA[Vadodara: હથોડો મારી ATM તોડવાનો પ્રયાસ નિષ્ફળ જતાં આરોપીઓ ભાગ્યા, પોલીસે ચોરોને રિક્ષા સાથે દબોચી લીધા ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/angadh-bank-of-baroda-atm-theft-attempt-failed-crime-branch-arrests-two</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/angadh-bank-of-baroda-atm-theft-attempt-failed-crime-branch-arrests-two</guid><pubDate>Tue, 04 Aug 2026 21:29:59 +05:30</pubDate><description><![CDATA[<p>વડોદરા શહેર અને ગ્રામ્યને જોડતા ગોત્રી-અનગઢ રોડ પર આવેલી બેંક ઓફ બરોડા (BOB) ના એટીએમ (ATM) મશીનને નિશાન બનાવી ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રાત્રિના સુમારે અંધારાનો લાભ ઉઠાવીને એટીએમ સેન્ટરમાં ઘૂસેલા તસ્કરોએ પોતાની સાથે લાવેલા લોખંડના ભારેખમ હથોડા વડે મશીનના રોકડ કમ્પાર્ટમેન્ટને તોડવા માટે ધાડા પાડ્યા હતા.</p><h2><b>ગોત્રી-અનગઢ રોડ પર ATMમાં ચોરીનો પ્રયાસ</b></h2><p>જોકે, એટીએમ મશીનની મજબૂત બોડી અને સિક્યોરિટી લોક ન તૂટતાં ચોરી કરવાનો તસ્કરોનો મનોરથ નિષ્ફળ રહ્યો હતો. મશીનમાંથી કેશ ન નીકળતાં પકડાાઈ જવાના ડરે આરોપીઓ સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે બેંક સત્તાવાળાઓ અને પોલીસને જાણ થતાં જ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે એટીએમ સેન્ટરના સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવી આરોપીઓનું સગડ મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.</p><h4><b>&nbsp;બે આરોપીઓને ઝડપી લીધા</b></h4><p>સીસીટીવી કેમેરામાં કેદ થયેલા શંકાસ્પદ ચહેરાઓ અને વાહનની મૂવમેન્ટના આધારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને તપાસ તેજ કરી હતી. ટૂંક જ સમયમાં ક્રાઇમ બ્રાન્ચે ચોરીના પ્રયાસમાં સંકળાયેલા બે આરોપીઓ સુરેશ પઢિયાર અને સંજય પઢિયાર ની સફળતાપૂર્વક ધરપકડ કરી લીધી હતી.</p><h3><b>પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી</b></h3><p>પોલીસે પકડાયેલા બંને આરોપીઓ પાસેથી ગુનામાં વાપરેલો લોખંડનો હથોડો, ગુના આચરવા અને નાસી છૂટવા માટે વાપરેલી એક રિક્ષા તેમજ એક મોબાઇલ ફોન કબ્જે કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓને જેલ હવાલે કરી તેમની સઘન પૂછપરછ શરૂ કરી છે. આ પઢિયાર બેલડીએ અગાઉ વડોદરા કે આસપાસના વિસ્તારમાં કોઈ અન્ય ચોરી કે ઘરફોડ ગુના આચર્યા છે કે કેમ તે દિશામાં પણ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/vesu-canal-road-bhuva-raj-newly-built-road-cave-in-smc" target="_blank">આ પણ વાંચો: Surat: વેસુ કેનાલ રોડ પર તાજેતરમાં બનેલા રસ્તા પર પડ્યો મસમોટો ભુવો, લોકોમાં આક્રોશ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/zePK0nQH2vEMxNQNhE15V9CTX0cCsPXp0bqYz6h2.webp'/></item><item><title><![CDATA[India News : DMK નેતા ઉદયનિધિ સ્ટાલિનને પૂછપરછ બાદ જામીન મળ્યા, સ્ટેશન બહાર સમર્થકોની ભારે ભીડ ઉમટી... ]]></title><link>https://sandesh.com/india/news/india-news-dmk-leader-udayanidhi-stalin-gets-bail-after-questioning-huge-crowd-of-supporters-gathers-outside-the-station</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/india-news-dmk-leader-udayanidhi-stalin-gets-bail-after-questioning-huge-crowd-of-supporters-gathers-outside-the-station</guid><pubDate>Tue, 04 Aug 2026 21:28:27 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અભિનેત્રી તૃષા અંગેના એક વિવાદિત નિવેદનને લઈને DMK નેતા ઉદયનિધિ સ્ટાલિનની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ માעમલે પૂછપરછની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અદાલત દ્વારા તેમને જામીન મંજૂર કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાક્રમને કારણે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે અને વિવાદ વધુ ઘેરો બન્યો છે.</p><h2 style="text-align: justify; "><b>પોલીસ સ્ટેશન બહાર સમર્થકોનો જમાવડો</b></h2><p style="text-align: justify; ">ધરપકડના સમાચાર વાયુવેગે પ્રસરતા જ થાણાની બહાર DMK સમર્થકોની ભારે ભીડ એકત્ર થઈ ગઈ હતી. સમર્થકો દ્વારા કરવામાં આવેલા જમાવડા અને સૂત્રાચારને ધ્યાનમાં રાખીને કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણપણે સતર્ક બની ગયું હતું અને વધારાનો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>પોલીસ સ્ટેશન બદલવા અને ત્યાં ઉતરવાના ઇનકારનો દાવો</b></h2><p style="text-align: justify; ">આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઉદયનિધિ સ્ટાલિને સેંગિપટ્ટી પોલીસ સ્ટેશનમાં ઉતરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. તેમણે અદાલતમાં જે પોલીસ સ્ટેશનનું નામ જણાવવામાં આવ્યું હતું, તેના બદલે તેમને અન્ય અલગ સ્થળે લાવવામાં આવ્યા હોવાનો ગંભીર દાવો કર્યો હતો, જેને લઈને કાનૂની અને પ્રશાસનિક સ્તરે પણ સવાલો ઉઠ્યા છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/india/news/india-news-25-people-tragically-died-10-injured-due-to-megh-tandav-torrential-rain-and-flood-conditions-in-kerala" target="_blank">India News : કેરળમાં મેઘ તાંડવ, ધોધમાર વરસાદ અને પૂરની સ્થિતિને કારણે 25 લોકોના કરૂણ મોત, 10 ઇજાગ્રસ્ત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/Zvp2WWBVfG8GCuP7ZLlj6ovL2z6dJzBGTMsOunUH.webp'/></item><item><title><![CDATA[Surat: વેસુ કેનાલ રોડ પર તાજેતરમાં બનેલા રસ્તા પર પડ્યો મસમોટો ભુવો, લોકોમાં આક્રોશ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/vesu-canal-road-bhuva-raj-newly-built-road-cave-in-smc</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/vesu-canal-road-bhuva-raj-newly-built-road-cave-in-smc</guid><pubDate>Tue, 04 Aug 2026 21:09:38 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત શહેરમાં ચોમાસા દરમિયાન અને ચોમાસા બાદ રસ્તાઓ પર ભુવા પડવાની પરંપરા યથાવત રહી છે. શહેરના પોશ અને ધમધમતા વેસુ વિસ્તારમાં આવેલા કેનાલ રોડ પર આજે અચાનક ગાબડું પડતાં રોડ બેસી ગયો હતો અને મસમોટો ભુવો પડી ગયો હતો.</p><p><b>સુરતમાં વેસુ કેનાલ રોડ પર મોટો ભુવો પડ્યો</b></p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2084613474911728028"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>પોશ વિસ્તારોમાં રોડ બેસી ગયો</b></h2><p>અત્યંત ચોંકાવનારી બાબત એ છે કે સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા હજુ થોડા સમય પહેલા જ આ કેનાલ રોડનું કરોડો રૂપિયાના ખર્ચે નવેસરથી કાર્પેટિંગ અને રોડ નિર્માણનું કામ કરવામાં આવ્યું હતું. નવી નવી ડામરની સપાટી વચ્ચે અચાનક વિશાળ ભુવો પડી જતાં આ માર્ગ પરથી પસાર થતાં દૈનિક હજારો વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા છે.</p><h3><b>વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા</b></h3><p>સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, રોડ બનાવતી વખતે નીચેની પાઈપલાઈનો, ડ્રેનેજ કે માટીના પુરાણનું યોગ્ય કમ્પેક્શન (દબાણ) કરવામાં આવ્યું ન હોવાથી આ ભુવો પડ્યો છે. સ્માર્ટ સીટીના દાવાઓ વચ્ચે શહેરના પોશ વિસ્તારોમાં પણ જો નવા રોડ આ રીતે બેસી જતા હોય, તો પાલિકાના ઇજનેરો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત અને ભ્રષ્ટાચાર સામે નાગરિકો તીખા સવાલો ઉઠાવી રહ્યા છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/palej-highway-service-road-rickshaw-overturned-in-water-pothole" target="_blank">આ પણ વાંચો: Bharuch: પાલેજમાં સર્વિસ રોડ પર પાણી ભરેલા ખાડામાં રિક્ષા ખાબકી, બિસ્માર રોડથી વાહનચાલકો પરેશાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/9Oi8RjpNmKGHSQRvHv8HhpWv75qxbnZhmfPmIBua.webp'/></item><item><title><![CDATA[India News : કેરળમાં મેઘ તાંડવ, ધોધમાર વરસાદ અને પૂરની સ્થિતિને કારણે 25 લોકોના કરૂણ મોત, 10 ઇજાગ્રસ્ત ]]></title><link>https://sandesh.com/india/news/india-news-25-people-tragically-died-10-injured-due-to-megh-tandav-torrential-rain-and-flood-conditions-in-kerala</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/india-news-25-people-tragically-died-10-injured-due-to-megh-tandav-torrential-rain-and-flood-conditions-in-kerala</guid><pubDate>Tue, 04 Aug 2026 21:06:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી સતત પડી રહેલા ધોધમાર અને અતિભારે વરસાદે કેરળમાં ભારે તારાજી સર્જી છે. આ કુદરતી હોનારતમાં અત્યાર સુધીમાં 25 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 10 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અવિરત વરસાદના કારણે નદીઓ ઉભરાઈ ગઈ છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે, જેના કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે.</p><h2 style="text-align: justify; "><b>8 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર</b></h2><p style="text-align: justify; ">સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા રાજ્યના 8 જિલ્લાઓમાં 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. સતત વરસાદને કારણે અનેક સ્થાનો પર ભૂસ્ખલન થવાના અહેવાલો છે, જેનાથી રસ્તાઓ બ્લોક થઈ ગયા છે અને વાહનવ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે. વીજળી અને સંદેશાવ્યવહારની સેવાઓ પણ ખોરવાઈ જતાં રાહત અને બચાવ કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>પ્રશાસન દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ</b></h2><p style="text-align: justify; ">આ ગંભીર આપત્તિના સમયમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની રાહત એજન્સીઓ યુદ્ધના ધોરણે મેદાનમાં ઉતરી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવા માટે વિશેષ બચાવ ટીમો અને સેનાની મદદ લેવામાં આવી રહી છે. પ્રભાવિત વિસ્તારોમાં રાહત છાવણીઓ ઉભી કરીને ઇજાગ્રસ્તોને તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે તેમજ લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/india/news/india-news-we-will-do-whatever-is-necessary-in-the-national-interest-indias-befitting-reply-to-pakistans-deployment-of-250-chinese-howitzers" target="_blank">India News : 'રાષ્ટ્રહિતમાં જે પણ જરૂરી હશે તે કરીશું', પાકિસ્તાનની 250 ચીની હોવિટ્ઝર તૈનાતી પર ભારતનો જડબાતોડ જવાબ</a></b></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/bTKud0IrA3r30lJf88RTSE9FWcxYMHwxS3TWAZHJ.webp'/></item><item><title><![CDATA[Bharuch: પાલેજમાં સર્વિસ રોડ પર પાણી ભરેલા ખાડામાં રિક્ષા ખાબકી, બિસ્માર રોડથી વાહનચાલકો પરેશાન ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/palej-highway-service-road-rickshaw-overturned-in-water-pothole</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/palej-highway-service-road-rickshaw-overturned-in-water-pothole</guid><pubDate>Tue, 04 Aug 2026 21:02:14 +05:30</pubDate><description><![CDATA[<p>ભરૂચ જિલ્લામાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા પાલેજ હાઈવે ઓવરબ્રિજ નજીક સર્વિસ રોડની હાલત અત્યંત જર્જરિત અને જોખમી બની ગઈ છે. ચોમાસાના વરસાદ બાદ સર્વિસ રોડ પર ઠેર-ઠેર વિશાળકાય ખાડા પડી ગયા છે, જેમાં વરસાદી પાણી ભરાયેલા રહેતા હોવાથી વાહનચાલકોને ખાડાની ઊંડાઈનો અંદાજ આવતો નથી.</p><h2><b>સર્વિસ રોડની હાલત અત્યંત જર્જરિત</b></h2><p>આજે આવા જ એક પાણી ભરેલા ઊંડા ખાડાના કારણે મોટી દુર્ઘટના ઘટે તેવો અકસ્માત સર્જાયો હતો. પાલેજ સર્વિસ રોડ પરથી પસાર થઈ રહેલી એક પેસેન્જર રિક્ષા અચાનક પાણી ભરેલા ખાડામાં ખાબકી હતી અને સંતુલન ગુમાવતાં રિક્ષા રોડ પર જ પલટી મારી ગઈ હતી. રિક્ષા પલટતાં જ આસપાસના સ્થાનિક લોકો અને અન્ય વાહનચાલકો મદદ માટે દોડી આવ્યા હતા.</p><h3><b>તંત્રની બેદરકારી સામે વાહનચાલકોમાં ભારે રોષ&nbsp;</b></h3><p>રિક્ષા પલટી મારવાની ઘટનામાં સદનસીબે તમામ મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો અને કોઈ ગંભીર ઈજા કે જાનહાનિ નોંધાઈ ન હતી, જેથી ઉપસ્થિત લોકોએ હાશકારો અનુભવ્યો હતો. જોકે, અકસ્માતને પગલે સ્થળ પર એકઠા થયેલા સ્થાનિકો અને વાહનચાલકોમાં તંત્રની બેદરકારી સામે ભારે રોષ જોવા મળ્યો હતો.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/sahara-darwaja-parvat-patiya-bridge-damaged-potholes-after-monsoon-smc" target="_blank">આ પણ વાંચો:&nbsp; Surat: સહારા દરવાજા થી પર્વત પાટીયા બ્રિજ બન્યો જર્જરિત, ડામર ધોવાતાં બ્રિજના લોખંડના સળિયા અને હાડપિંજર દેખાયા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/9oRTPRSt4BClvEPkCIRyNucNbmJ1RbEUhK0GalHi.webp'/></item><item><title><![CDATA[Neeraj Chopra ડાયમંડ લીગમાં મળશે જોવા, અરશદ નદીમ અને રૂમેશ પથિરાગેનો કરશે સામનો ]]></title><link>https://sandesh.com/sports/news/neeraj-chopra-lausanne-diamond-league-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/neeraj-chopra-lausanne-diamond-league-2026</guid><pubDate>Tue, 04 Aug 2026 20:58:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતના દિગ્ગજ ભાલા ફેંકનાર અને ઓલિમ્પિક ગોલ્ડ ચંદ્રક વિજેતા નીરજ ચોપરા 21 ઓગસ્ટના રોજ યોજાનારી લૌઝેન ડાયમંડ લીગ સ્પર્ધામાં ભાગ લેશે. આયોજકોએ 3 ઓગસ્ટના રોજ આ વાતની પુષ્ટિ કરી.</p><p style="text-align: justify; ">નીરજ એથલેટિસિમા તરીકે ઓળખાતી સ્પર્ધામાં ચોથી વખત ભાગ લેશે. તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સમાં 85.83 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યા બાદ નીરજ આ ટુર્નામેન્ટ દ્વારા પોતાના ભૂતપૂર્વ ફોર્મમાં પરત ફરવાનો પ્રયાસ કરશે.</p><h2 style="text-align: justify; "><b>નીરજ ચોપરાનો સામનો શ્રીલંકાના રૂમેશ પથિરાગે સામે થશે</b></h2><p style="text-align: justify; ">28 વર્ષના નીરજ ચોપરાએ 2022માં 89.08 મીટરના બેસ્ટ થ્રો સાથે આ ઈવેન્ટ જીતી હતી અને પછીના વર્ષે 87.66 મીટરના ભાલા ફેંકીને પોતાની જીતનો સિલસિલો ચાલુ રાખ્યો હતો. ત્યારબાદ 89.49 મીટરના શાનદાર પ્રદર્શન છતાં તે 2024 લુઝેન ડાયમંડ લીગ ઈવેન્ટમાં બીજા સ્થાને રહ્યો.</p><p style="text-align: justify; ">2026ની ઈવેન્ટ ખૂબ જ રોમાંચક હોવાની અપેક્ષા છે, કારણ કે તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર શ્રીલંકાના રૂમેશ પથિરાગે પણ ભાગ લઈ રહ્યો છે. તેને 89.75 મીટરના બેસ્ટ થ્રો સાથે CWG 2026માં પ્રથમ સ્થાન મેળવ્યું અને ગોલ્ડ મેડલ જીત્યો.</p><h3 style="text-align: justify; "><b>ઘણા અનુભવી ખેલાડીઓ લૌઝેન ડાયમંડ લીગમાં ભાગ લેશે</b></h3><p style="text-align: justify; ">પાકિસ્તાનનો ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમ પણ આ સ્પર્ધામાં ભાગ લેશે, જે ફેન્સ માટે બીજી એક રોમાંચક સ્પર્ધા બનશે. તેના સિવાય બે વખતના વિશ્વ ચેમ્પિયન એન્ડરસન પીટર્સ, જર્મનીના થોમસ રોહલર અને ત્રિનિદાદ અને ટોબેગોના કેશોર્ન વોલકોટ પણ ભાલા ફેંકમાં પોતાની શક્તિનું પ્રદર્શન કરતા જોવા મળશે.</p><h4 style="text-align: justify; "><b>દોહા ડાયમંડ લીગમાં નીરજ ચોપરા ચોથા નંબરે રહ્યો</b></h4><p style="text-align: justify; ">લૌઝેન ડાયમંડ લીગ નીરજ ચોપરાની વર્ષની ત્રીજી મોટી સ્પર્ધા હશે. તે અગાઉ જૂનમાં દોહા ડાયમંડ લીગમાં ચોથા નંબરે રહ્યો હતો અને પછી કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો. ગંભીર ઈજા અને ટોક્યોમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ પછી બ્રેકને કારણે લાંબી ગેરહાજરી બાદ નીરજ આ વર્ષે મેદાનમાં પરત ફર્યો છે. આખી સીઝનમાં તેનું બેસ્ટ પ્રદર્શન ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં રહ્યું.</p><h5 style="text-align: justify; "><b>લૌઝેન ડાયમંડ લીગ 2026 જેવેલિન થ્રો એન્ટ્રી લિસ્ટ</b></h5><p style="text-align: justify; ">એન્ડરસન પીટર્સ (ગ્રેનાડા)</p><p style="text-align: justify; ">અરશદ નદીમ (પાકિસ્તાન)</p><p style="text-align: justify; ">કર્ટિસ થોમ્પસન (યુએસએ)</p><p style="text-align: justify; ">જાકુબ વાડલેચ (ચેકિયા)</p><p style="text-align: justify; ">જુલિયન વેબર (જર્મની)</p><p style="text-align: justify; ">કેશોર્ન વોલકોટ (ત્રિનિદાદ અને ટોબેગો)</p><p style="text-align: justify; ">નીરજ ચોપરા (ભારત)</p><p style="text-align: justify; ">રુમેશ પાથિરાગે (શ્રીલંકા)</p><p style="text-align: justify; ">સાઈમન વીલેન્ડ (સ્વિટ્ઝર્લૅન્ડ)</p><p style="text-align: justify; ">થોમસ રોહલર (જર્મની)</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/ZQYBy8LBmgXlHyY1AXRQwO7F2gQ5xJMQHAaQK1oS.webp'/></item><item><title><![CDATA[Porbandar: સૌરાષ્ટ્રના બીજા નંબરના પ્રખ્યાત લોકમેળાની તૈયારીઓ તેજ, મહાનગરપાલિકામાં બેઠક યોજાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/porbandar/porbandar-lok-mela-preparation-meeting-pmc-mayor-sagar-modi-stall-auction-food-safety</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/porbandar/porbandar-lok-mela-preparation-meeting-pmc-mayor-sagar-modi-stall-auction-food-safety</guid><pubDate>Tue, 04 Aug 2026 20:28:31 +05:30</pubDate><description><![CDATA[<p>સૌરાષ્ટ્રના સાંસ્કૃતિક વારસા સમાન અને લાખો લોકોની આસ્થા તેમજ મનોરંજનના કેન્દ્ર એવા પોરબંદરના બીજા ક્રમના સૌથી મોટા લોકમેળાની તૈયારીઓ તંત્ર દ્વારા સઘન બનાવી દેવામાં આવી છે. મેળામાં દર વર્ષે પોરબંદર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી હજારો-લાખોની સંખ્યામાં માનવમેહરામણ ઉમટી પડતું હોવાથી સુરક્ષા અને વ્યવસ્થા જાળવવી એ પ્રાથમિકતા બની રહે છે. આ સંદર્ભે પોરબંદર મહાનગરપાલિકાના સભાખંડમાં મેયર સાગર મોદી અને મ્યુનિસિપલ કમિશનર ના અધ્યક્ષસ્થાને તમામ લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓની એક મહત્વની બેઠક યોજાઈ હતી.</p><p><b>પોરબંદરમાં લોકમેળાની તૈયારીઓ પૂરજોશમાં</b></p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2084639392933790106"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>પોરબંદરના લોકમેળાની તૈયારી</b></h2><p>બેઠકમાં મેળા દરમિયાન કોઈ પણ અપ્રિય ઘટના કે આપત્કાલીન સ્થિતિ સર્જાય તો નાસભાગ કે દોડધામ ન થાય તે માટે ઇમરજન્સી એક્ઝિટના માર્ગો પૂરતી પહોળાઈ સાથે ખુલ્લા રાખવા માટે આયોજકો અને તંત્રને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત રાઈડ્સની ટેકનિકલ ફિટનેસ અને સલામતીનું કડક ચેકિંગ કરવામાં આવશે. લોકમેળામાં સ્ટોલ ધારકો અને વેપારીઓ માટે પણ મહત્વના નિર્ણયો લેવાયા છે. મેળામાં સ્ટોલ મેળવવા ઈચ્છતા વેપારીઓએ નક્કી કરાયેલી અપસેટ પ્રાઈઝ કરતાં 10 ટકા વધુ રકમ ચૂકવવાની રહેશે. આ સાથે જ મેળામાં આવતી જનતાનું વેપારીઓ દ્વારા આર્થિક શોષણ ન થાય તે માટે તંત્ર અત્યંત સખત વલણ અપનાવશે.</p><h3><b>વેપારીઓ માટે નિયમ બનાવવામાં આવ્યા</b></h3><p>મેળામાં ખાદ્યપદાર્થોનું વેચાણ કરતા વેપારીઓ માટે સ્પષ્ટ નિયમ બનાવવામાં આવ્યો છે કે તેઓ માત્ર એવી જ પેકેટબંધ ખાણીપીણીની વસ્તુઓ વેચી શકશે જેના પર MRP સ્પષ્ટ રીતે દર્શાવેલી હોય. જો કોઈ પણ વેપારી એમ.આર.પી. કરતાં વધુ કિંમત વસૂલતો ઝડપાશે તો તેની સામે સ્થળ પર જ કાનૂની પગલાં લેવાશે. વધુમાં, ફૂડ સેફ્ટી કમિશનરની ટીમ સતત ચેકિંગ હાથ ધરીને ભેળસેળયુક્ત કે ગુણવત્તા વગરની સામગ્રી વેચનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરશે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/vapi/sog-seizes-42kg-ganja-worth-21-lakhs-in-vapi-1-arrested" target="_blank">આ પણ વાંચો: Vapi: ઓરિસ્સાથી સેલવાસ તરફ લઈ જવાતો 21 લાખથી વધુનો ગાંજો ઝડપાયો, SOG એ રાજસ્થાની યુવકને દબોચ્યો</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/eVBafxUu0EU2cu9vgphgBAwqrSFQbWv9KsJCQbqN.webp'/></item><item><title><![CDATA[India Oil Production: સમુદ્રમાં તેલના 60 કૂવા ખોદશે ભારત, દરેક કૂવા પાછળ સરકાર 650 કરોડ ખર્ચશે ]]></title><link>https://sandesh.com/business/news/india-oil-production-india-will-drill-60-oil-wells-in-the-sea-the-government-will-spend-650-crores-for-each-well</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india-oil-production-india-will-drill-60-oil-wells-in-the-sea-the-government-will-spend-650-crores-for-each-well</guid><pubDate>Tue, 04 Aug 2026 19:01:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની અસ્થિર કિંમતો અને વિદેશી આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટે ભારત સરકારે એક ઐતિહાસિક અને સાહસિક કદમ ઉઠાવ્યું છે. દેશને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે સરકારે વિશિષ્ટ ‘સમુદ્ર મંથન’ (Samudra Manthan) યોજનાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ ભારતીય દરિયાઈ સીમામાં 60 નવા તેલના કૂવા ખોદવાનું મહત્વાકાંક્ષી આયોજન કરવામાં આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>દરેક કૂવા પાછળ 650 કરોડનો ખર્ચ</b></h2><p style="text-align: justify; ">દરિયાના ઊંડા પાણીમાં તેલ અને ગેસના ભંડારો શોધવા એ અત્યંત જટિલ અને ખર્ચાળ પ્રક્રિયા છે. આથી જ, ભારત સરકાર આ મેગા પ્રોજેક્ટ માટે કમર કસી રહી છે. મિશન ‘સમુદ્ર મંથન’ હેઠળ દરિયામાં દરેક ઊંડા તેલના કૂવા (Deepsea Well)ના ડ્રિલિંગ માટે અંદાજે 650 કરોડનો અધધ ખર્ચ કરવામાં આવશે. આ રોકાણ દેશના ઊર્જા ભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.</p><h3 style="text-align: justify; "><b>આયાત પરનું નિર્ભરતા ઘટાડવાનો માસ્ટરપ્લાન</b></h3><p style="text-align: justify; ">હાલમાં ભારત પોતાની જરૂરિયાતનું 85% થી વધુ ક્રૂડ ઓઈલ વિદેશમાંથી આયાત કરે છે, જેના કારણે દેશની તિજોરી પર કરોડો ડોલરનું ભારે બોજ પડે છે. આ નવી યોજનાનો મુખ્ય હેતુ દેશમાં જ ક્રૂડ ઓઈલ અને નૈસર્ગિક ગેસનું ઉત્પાદન વધારીને આ મોંઘી આયાતમાં મોટો કાપ મૂકવાનો છે. જો આ 60 કૂવાઓમાંથી ધાર્યા મુજબ તેલ અને ગેસનો જથ્થો મળી આવશે, તો ભારતનું વિદેશી હૂંડિયામણ બચશે અને સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ સ્થિરતા લાવી શકાશે.</p><h4 style="text-align: justify; "><b>આધુનિક ટેકનોલોજી અને વૈશ્વિક તકો</b></h4><p style="text-align: justify; ">દરિયાની ઊંડાઈમાં ડ્રિલિંગ કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરની અદ્યતન ટેકનોલોજી અને નિષ્ણાતોની મદદ લેવામાં આવશે. હિંદ મહાસાગર, બંગાળની ખાડી અને અરબી સમુદ્રના સંભવિત વિસ્તારોમાં આ સર્વેક્ષણ અને ડ્રિલિંગ હાથ ધરવામાં આવશે. આ પ્રોજેક્ટથી ભારતનું એનર્જી સેક્ટર વધુ મજબૂત બનશે જ, સાથે સાથે દેશમાં ટેકનિકલ ક્ષેત્રે નવી રોજગારીની તકો પણ ઊભી થશે. સરકારનું આ કદમ ભારતને 'ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર' બનાવવાની દિશામાં એક માઈલસ્ટોન સાબિત થશે. સમુદ્રમાંથી તેલ મેળવવાનું આ 'મંથન' ભારતની આર્થિક સ્થિતિને એક નવી ઊંચાઈ પર લઈ જવાની ક્ષમતા ધરાવે છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/india/news/yogi-adityanath-cm-yogis-attack-on-ram-temple-donation-theft-sadhus-and-saints-are-not-guilty-oppositions-behavior-is-anti-sanatan" target="_blank">આ પણ વાંચો: Yogi Adityanath: રામ મંદિર ચંદા ચોરી પર CM યોગીના પ્રહાર-વિપક્ષનું વર્તન સનાતન વિરોધી</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/FpA8IMNnT7gF90illP5yJAGaZZThrvz79iKBvAST.webp'/></item></channel></rss>