<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Bhavnagar: ઉખરલા ગામે 3 યુવકોના મોત મામલે પોલીસ અને વાડી માલિકના વિરોધાભાસી નિવેદનોથી રહસ્ય ઘેરાયું ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/ukharla-3-youths-death-well-police-raid-controversy-vartej</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/ukharla-3-youths-death-well-police-raid-controversy-vartej</guid><pubDate>Tue, 18 Aug 2026 17:26:52 +05:30</pubDate><description><![CDATA[<p>ભાવનગરના ઘોઘા તાલુકાના ઉખરલા ગામે વાડી વિસ્તારમાં બનેલી દુર્ઘટનામાં 3 યુવકોના મોત નીપજતાં સમગ્ર જિલ્લામાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટનામાં વાડી માલિક મહાવીરસિંહ દ્વારા મીડિયા સમક્ષ સનસનાટીભર્યો ખુલાસો કરવામાં આવ્યો છે.</p><h2><b>જુગાર રમી રહેલા યુવકોમાં ભારે નાસભાગ મચી</b></h2><p>તેમના જણાવ્યા અનુસાર, વાડીમાં કેટલાક યુવકો જુગાર રમી રહ્યા હતા ત્યારે ખાનગી આઉટફિટ (સાડા ડ્રેસ) માં 2 પોલીસ કર્મચારીઓ ત્યાં રેડ પાડવા પહોંચ્યા હતા. પોલીસને જોઈને જુગાર રમી રહેલા યુવકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. પોલીસ પકડથી બચવા માટે ભાગદોડ દરમિયાન 4 યુવકો નજીકમાં આવેલા કૂવામાં ખાબક્યા હતા, જેમાં ઊંડા પાણીમાં ડૂબી જવાથી 3 યુવકોના કરુણ મોત નીપજ્યા હતા.</p><h3><b>DySP અને વરતેજ પોલીસે રેડનો કર્યો સંપૂર્ણ ઈનકાર</b></h3><p>બીજી તરફ આ ઘટના અંગે ભાવનગરના ડીવાયએસપી (DySP) અને વરતેજ પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા મીડિયા સમક્ષ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે. અંકુશિત કાયદાકીય વલણ અપનાવતા પોલીસે દાવો કર્યો છે કે, વરતેજ પોલીસ કે સ્થાનિક ડી-સ્ટાફ દ્વારા આવી કોઈ જ રેડ પાડવામાં આવી નહોતી.</p><h4><b>ઉખરલામાં 3 યુવકોના મોત અંગે સસ્પેન્સ</b></h4><p>ખુદ વાડી માલિક સ્થળ પર પોલીસ આવ્યા બાદ જ દુર્ઘટના બની હોવાનું જણાવી રહ્યા છે, જ્યારે પોલીસ તંત્ર રેડની વાતને સંપૂર્ણપણે નકારી રહ્યું છે. સ્થાનિક ચર્ચા મુજબ, ઘટના બન્યા બાદ સ્થળ પરથી મળી આવેલા અન્ય જુગાર રમતા ઈસમોને વરતેજ પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફ રૂમમાં સવારથી બેસાડી રાખવામાં આવ્યા છે. સ્થાનિકો અને મૃતકોના પરિવારજનો દ્વારા આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થાય અને સત્ય સામે આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/nitin-patel-social-media-post-sparks-controversy-omits-rohan-gupta-bjp-appointments" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: નીતિન પટેલની પોસ્ટથી રાજકારણ ગરમાયું, રોહન ગુપ્તાને બાદ કરી મૂળ ભાજપીઓને જ આપ્યા અભિનંદન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/hPEcJd8yDyIfswJHqbkgvvSVwVbKKZlYCaMQqSKs.webp'/></item><item><title><![CDATA[Ahmedabadમાં રોગચાળાનો ખતરો વધ્યો, 15 દિવસમાં મેલેરિયાના 48 અને ડેન્ગ્યુના 68 કેસ નોંધાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/the-threat-of-epidemic-has-increased-in-ahmedabad-48-cases-of-malaria-and-68-cases-of-dengue-have-been-reported-in-15-days</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/the-threat-of-epidemic-has-increased-in-ahmedabad-48-cases-of-malaria-and-68-cases-of-dengue-have-been-reported-in-15-days</guid><pubDate>Tue, 18 Aug 2026 17:09:26 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં ચોમાસાની ઋતુ વચ્ચે રોગચાળાએ ભારે અજગરી ભરડો લીધો છે. ઓગસ્ટ મહિનાના માત્ર પ્રથમ 15 દિવસમાં જ મેલેરિયાના 48 કેસ (ચાલુ વર્ષે કુલ 223), ડેન્ગ્યુના 68 કેસ (ચાલુ વર્ષે કુલ 295) અને ઝેરી મેલેરિયાના 6 કેસ (ચાલુ વર્ષે કુલ 25) નોંધાયા છે. બીજી તરફ, પીવાના પાણીના 18 નમૂના ફેલ થતાં પાણીજન્ય રોગચાળો પણ વકર્યો છે, જેમાં આ 15 દિવસમાં જ ઝાડા-ઊલટીના 192 (કુલ 3,748), ટાઈફોઈડના 95 (કુલ 1,296) અને કમળાના 39 કેસ (કુલ 491) સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.</p><h2 style="text-align: justify; "><b>શહેરની જાણીતી હોસ્પિટલો જ બની મચ્છરોનું બ્રીડિંગ સેન્ટર</b></h2><p style="text-align: justify; ">રોગચાળાની ગંભીર સ્થિતિ વચ્ચે સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે દર્દીઓને સાજા કરતી હોસ્પિટલ સંકુલો જ મચ્છરજન્ય રોગોની જન્મદાતા બની છે. AMC ની તપાસ દરમિયાન વસ્ત્રાલની હેલ્થ-1, સૈજપુરની ચૌધરી, શાહીબાગની રાજસ્થાન, નિકોલની દેવસ્ય અને ચાંદલોડિયાની શાલીન હોસ્પિટલ ઉપરાંત સરદારનગરની એમ.એમ. સિંધી નર્સિંગ કોલેજમાંથી મચ્છરોના પોરા મળી આવ્યા છે. હોસ્પિટલ જેવા સંવેદનશીલ સ્થળોએ જ બ્રીડિંગ મળી આવતાં તંત્ર પણ હરકતમાં આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>AMC નો કડક ધાકધમકીનો કોરડો</b></h2><p style="text-align: justify; ">ચોમાસામાં વકરતા મચ્છરજન્ય કેસોને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વ્યાપક ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. છેલ્લા બે દિવસમાં જ ટીમ દ્વારા શાળાઓ, કોલેજો, કન્સ્ટ્રક્શન સાઈટ્સ અને હોસ્પિટલો સહિત કુલ 632 એકમોમાં સઘન તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 122 એકમોમાં મચ્છરોનું બ્રીડિંગ મળી આવતા 171 એકમોને કડક નોટિસ પાઠવવામાં આવી છે અને બે દિવસમાં જ રૂ. 5 લાખથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/junagadh/junagadh-news-mendarda-sasan-became-a-hotspot-for-alcohol-parties-police-raid-farm-house#google_vignette" target="_blank">Junagadh News : મેંદરડા-સાસણ બન્યું દારૂની મહેફિલનું હોટસ્પોટ? ફાર્મ હાઉસમાં પોલીસનો દરોડો</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/NtZ9zucZf8INfp9laR3UsaauB6EqozhsQKz51czy.webp'/></item><item><title><![CDATA[Junagadh News : મેંદરડા-સાસણ બન્યું દારૂની મહેફિલનું હોટસ્પોટ? ફાર્મ હાઉસમાં પોલીસનો દરોડો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/junagadh/junagadh-news-mendarda-sasan-became-a-hotspot-for-alcohol-parties-police-raid-farm-house</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/junagadh/junagadh-news-mendarda-sasan-became-a-hotspot-for-alcohol-parties-police-raid-farm-house</guid><pubDate>Tue, 18 Aug 2026 16:54:43 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જૂનાગઢ જિલ્લાના મેંદરડા અને સાસણ વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસો દારૂની મહેફિલો માટે હોટસ્પોટ બનતા હોવાની ફરિયાદો વચ્ચે પોલીસે લાલ આંખ કરી છે. જૂનાગઢ પોલીસે મેંદરડા તાલુકાના નતાડીયા ગામે આવેલા 'વાઈડ વાડી' ફાર્મ હાઉસ પર અચાનક દરોડો પાડ્યો હતો. શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે ધમધમતા આ ફાર્મ હાઉસ પર પોલીસે છાપો મારીને ગેરકાયદેસર રીતે ચાલતી દારૂની મહેફિલનો પર્દાફાશ કર્યો છે.</p><h2 style="text-align: justify; "><b>બે મહિલાઓ સહિત 10 લોકો શરાબની મહેફિલ માણતા ઝડપાયા</b></h2><p style="text-align: justify; ">પોલીસના આ દરોડા દરમિયાન ફાર્મ હાઉસમાંથી બે મહિલાઓ અને આઠ પુરુષો મળીને એકસાથે કુલ 10 લોકો દારૂની મહેફિલ માણતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. સામાન્ય રીતે ફાર્મ હાઉસનો ઉપયોગ વિસામો કે પ્રવાસ માટે થતો હોય છે, પરંતુ અહીં ફાર્મ હાઉસને દારૂના અડ્ડામાં ફેરવી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ હાઈ-પ્રોફાઈલ મહેફિલમાંથી મહિલાઓ પણ પકડાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>રૂપિયા 1.95 લાખનો મુદ્દામાલ જપ્ત</b></h2><p style="text-align: justify; ">દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી દારૂની બોટલો, મોબાઈલ ફોન અને વાહનો સહિત કુલ રૂપિયા 1.95 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા તમામ આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાસણ અને મેંદરડા બેલ્ટના અન્ય ફાર્મ હાઉસોમાં પણ આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોવાની આશંકાએ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/navsari/jaymala-boat-sinks-in-navsari-sea-9-fishermen-successfully-rescued-by-helicopter" target="_blank">Navsariના દરિયામાં જયમાલા બોટ ડૂબી, 9 માછીમારોનું હેલિકોપ્ટરથી સફળ રેસ્ક્યુ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/Fl86I1ElKLJoKlV3lxBlQ4Qb9SPaZGpxg14FSzvU.webp'/></item><item><title><![CDATA[BJP New Team : નવી ટીમમાં નવા નેતાઓ પાસે કેટલા પૈસા, કોણ કેટલું છે અમીર? ]]></title><link>https://sandesh.com/india/news/bjp-new-team-leaders-assets-piyush-goyal-smriti-irani-baijayant-panda</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/bjp-new-team-leaders-assets-piyush-goyal-smriti-irani-baijayant-panda</guid><pubDate>Tue, 18 Aug 2026 16:34:16 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને પાર્ટીની નવી 65 સભ્યોની રાષ્ટ્રીય કાર્યકારિણીની જાહેરાત કરી છે. નવી ટીમમાં 51 નવા ચહેરાઓ એટલે કે 78.5 ટકા સભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે. આ સાથે પાર્ટીના સંગઠનને નવો આકાર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ચૂંટણી સોગંદનામા અને સત્તાવાર આંકડાઓના વિશ્લેષણથી નવા હોદ્દેદારોની આર્થિક પૃષ્ઠભૂમિ અને જાહેર કરાયેલી સંપત્તિ અંગે રસપ્રદ માહિતી સામે આવી છે.</p><h2><b>પીયૂષ ગોયલ સૌથી અમીર હોદ્દેદાર</b></h2><p>BJPના રાષ્ટ્રીય ખજાનચી તરીકે જવાબદારી સંભાળી રહેલા પીયૂષ ગોયલ નવી રાષ્ટ્રીય ટીમના સૌથી ધનિક નેતા તરીકે સામે આવ્યા છે. તેમના ચૂંટણી સોગંદનામા મુજબ તેમની કુલ સંપત્તિ આશરે 110.95 કરોડ રૂપિયા છે. તેમાં મોટો હિસ્સો શેર, મ્યુચ્યુઅલ ફંડ અને બેન્ક ડિપોઝિટ જેવી જંગમ સંપત્તિનો છે. મુંબઈ અને દિલ્હીમાં તેમના રહેણાંક ફ્લેટ સહિતની અચળ સંપત્તિનું મૂલ્ય 21 કરોડ રૂપિયાથી વધુ છે. તેમના નામે કોઈ દેવું જાહેર કરવામાં આવ્યું નથી.</p><h3><b>ટોપ-5 અમીર નેતાઓમાં કોના નામ સામેલ?</b></h3><ul><li>પીયૂષ ગોયલ બાદ બૈજયંત પાંડા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે 15 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ સાથે બીજા ક્રમે છે.&nbsp;</li><li>રાષ્ટ્રીય મહાસચિવ સ્મૃતિ ઈરાની પાસે આશરે 14.5 કરોડ રૂપિયાની સંપત્તિ છે, જેમાં મુંબઈ અને અમેઠીની અચળ મિલકતનો સમાવેશ થાય છે.</li><li>રાષ્ટ્રીય મહાસચિવ ડૉ. સતીશ પૂનિયા પાસે આશરે 5 કરોડ રૂપિયાની સંપત્તિ છે.&nbsp;</li><li>રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વસુંધરા રાજે સિંધિયા પાસે 4.09 કરોડ રૂપિયાની જાહેર કરાયેલી સંપત્તિ છે. તેમના સોગંદનામામાં 3.179 કિલોગ્રામ સોનું અને 15 કિલોગ્રામ ચાંદીનો પણ ઉલ્લેખ છે.</li></ul><h3><b>હેમાંગ જોશી સૌથી યુવા ચહેરો</b></h3><ul><li>નવી ટીમમાં મોટા નેતાઓની સાથે યુવાનો અને મધ્યમવર્ગીય પૃષ્ઠભૂમિના નેતાઓને પણ સ્થાન મળ્યું છે. 35 વર્ષીય ડૉ. હેમાંગ જોશી આ યાદીના સૌથી યુવા ચહેરાઓમાં છે અને તેમની જાહેર કરાયેલી સંપત્તિ આશરે 1 કરોડ રૂપિયા છે.</li><li>ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબ પાસે આશરે 1.2 કરોડ રૂપિયા, જ્યારે OBC મોરચાના પ્રમુખ ગજેન્દ્ર પટેલ પાસે લગભગ 2 કરોડ રૂપિયાની સંપત્તિ છે.&nbsp;</li><li>SC મોરચાના શિવેશ કુમાર રામ પાસે આશરે 80 લાખ રૂપિયાની સંપત્તિ જાહેર કરવામાં આવી છે.</li></ul><p>વિશ્લેષકોના મતે, નવી ટીમમાં અનુભવી નેતાઓ, આર્થિક રીતે મજબૂત ચહેરાઓ અને યુવા કાર્યકરો વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ટીમ આગામી વિધાનસભા ચૂંટણીઓ તેમજ 2029ની લોકસભા ચૂંટણી માટે BJPના સંગઠનને વધુ મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.</p><p><a href="https://sandesh.com/india/news/ugc-net-irregularities-nta-removes-50-employees-exam-reforms" target="_blank"><b>આ પણ વાંચો : UGC-NETમાં ગેરરીતિ બાદ NTAની મોટી કાર્યવાહી, 50થી વધુ કર્મચારીઓ હટાવાયા</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/uDH7Bxvfmz9uW7sm3slnxswWyudKl9bpu9hgMETM.webp'/></item><item><title><![CDATA[Rajkotમાં ભેળસેળિયા તત્વો સામે SOGની મોટી કાર્યવાહી, ખાદ્યતેલનો જથ્થો ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/rajkot/sog-takes-major-action-against-adulterated-elements-in-rajkot-quantity-of-edible-oil-seized</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/rajkot/sog-takes-major-action-against-adulterated-elements-in-rajkot-quantity-of-edible-oil-seized</guid><pubDate>Tue, 18 Aug 2026 16:05:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયા તત્વો સામે ગ્રામ્ય SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા એક અત્યંત મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. SOG ની ટીમે ભોજપરા ગામ નજીક આવેલા 'મુરલીધર પ્રોટીન' નામના યુનિટ પર અચાનક દરોડો પાડ્યો હતો. આ કામગીરી દરમિયાન સ્થળ પરથી મોટા પ્રમાણમાં ભેળસેળયુક્ત ખાદ્યતેલનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો, જેને પોલીસે જપ્ત કરીને આગળની કાયદાકીય પ્રોસેસ હાથ ધરી છે.</p><h2 style="text-align: justify; "><b>SP વિજયસિંહ ગુર્જરના આદેશથી સ્પેશિયલ ડ્રાઇવ</b></h2><p style="text-align: justify; ">રાજકોટ જિલ્લા પોલીસ વડા (SP) વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં નકલી અને ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોનું વેચાણ કે ઉત્પાદન કરતા અસામાજિક તત્વો સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી કડક કાર્યવાહી કરવાના સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા છે. જિલ્લા કપ્તાનના આ આદેશ બાદ એક્શન મોડમાં આવેલી ગ્રામ્ય SOG ટીમે ચોક્કસ બાતમીના આધારે આ રેડ પાડીને ભેળસેળના કાળો કારોબારનો પર્દાફાશ કર્યો છે.</p><h2 style="text-align: justify; "><b>ભેળસેળિયા તત્વો સામે પોલીસની સતત નજર</b></h2><p style="text-align: justify; ">આ સફળ દરોડા બાદ રાજકોટ જિલ્લાભરમાં ભેળસેળિયા વેપારીઓ અને ઉત્પાદકોમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો છે. સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી આર્થિક લાભ ખાટતા તત્વો સામે હવે જિલ્લા પોલીસ પણ સંપૂર્ણ રીતે સતર્ક બની ગઈ છે. પોલીસે જપ્ત કરેલા તેલના સેમ્પલ FSL અને ફૂડ વિભાગમાં પૃથ્થકરણ માટે મોકલી આપીને આ રેકેટમાં જોડાયેલા અન્ય લોકોની શોધખોળ અને વધુ તપાસ તેજ બનાવી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/junagadh/a-6-year-old-girl-was-brutally-beaten-and-suffered-serious-injuries-in-junagadh-a-complaint-was-filed" target="_blank">Junagadhમાં 6 વર્ષની બાળકી પર ક્રૂરતા, મારપીટથી શરીરે ગંભીર ઈજાઓ, ફરિયાદ નોંધાઈ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/VdeMqO9R4xROJByo1qdEk4vCVsQJhpMIurJvzPuI.webp'/></item><item><title><![CDATA[Auto News: વિદેશી બજારોમાં વાગ્યો ભારતીય ઓટો ગુણવત્તાનો ડંકો, યુરોપ બન્યું ‘મેડ-ઈન-ઈન્ડિયા’ EVsનું મોટું ગ્રાહક! ]]></title><link>https://sandesh.com/business/news/automobile/india-ev-exports-surge-q1-europe-spain</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/india-ev-exports-surge-q1-europe-spain</guid><pubDate>Tue, 18 Aug 2026 16:00:48 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતમાં બનેલી ઈલેક્ટ્રિક કારોની માગ હવે માત્ર દેશના આંતરિક બજાર પૂરતી સીમિત રહી નથી. ભારતીય ઓટોમોબાઈલ કંપનીઓ દ્વારા બનાવવામાં આવતી EVsને વિદેશોમાં પણ ખૂબ જ શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે. નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલથી જૂન 2026) દરમિયાન યુરોપ ભારતીય ઈલેક્ટ્રિક કાર માટે સૌથી મોટું નિકાસ બજાર બનીને ઉભરી આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>નિકાસની કમાણીમાં મજબૂત વધારો&nbsp;</b></h2><p style="text-align: justify; ">વાણિજ્ય મંત્રાલયના તાજેતરના આંકડા મુજબ એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં ભારતમાંથી ઈલેક્ટ્રિક કારની નિકાસ વધીને 36.9 કરોડ ડૉલર (આશરે રૂ.3,400 કરોડ) સુધી પહોંચી ગઈ છે. એક વર્ષ પહેલા સમાન સમયગાળામાં આ આંકડો માત્ર 2.22 કરોડ ડૉલર હતો. આમ, એક જ વર્ષના ગાળામાં ઈલેક્ટ્રિક કારના એક્સપોર્ટથી થતી કમાણીમાં અનેક ગણો ઉછાળો નોંધાયો છે.</p><h3 style="text-align: justify; "><b>વાહનોની સંખ્યામાં મોટો કૂદકો&nbsp;</b></h3><p style="text-align: justify; ">માત્ર કમાણીના સંદર્ભમાં જ નહીં, પરંતુ નિકાસ કરાયેલા વાહનોની સંખ્યામાં પણ મોટો ફાળો જોવા મળ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતે કુલ 10,802 ઈલેક્ટ્રિક કારો વિદેશી બજારોમાં મોકલી છે. તેની સરખામણીએ ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન માત્ર 1,309 કારની નિકાસ કરવામાં આવી હતી.</p><h4 style="text-align: justify; "><b>સ્પેન બન્યું સૌથી મોટું બજાર&nbsp;</b></h4><p style="text-align: justify; ">યુરોપીય દેશોમાં સ્પેન ભારતીય ઈલેક્ટ્રિક કારનો સૌથી મોટો ખરીદદાર દેશ બનીને સામે આવ્યો છે. ભારતે સ્પેનને આશરે 14.64 કરોડ ડૉલરની ઈલેક્ટ્રિક કાર એક્સપોર્ટ કરી છે, જે ભારતના કુલ EV નિકાસના લગભગ 40% જેટલો હિસ્સો ધરાવે છે. આ સમયગાળા દરમિયાન સ્પેનમાં 4,007 ઈલેક્ટ્રિક કાર મોકલવામાં આવી હતી, જેનાથી તે મૂલ્ય અને સંખ્યા બંનેની દ્રષ્ટિએ પ્રથમ સ્થાને રહ્યું છે.</p><h5 style="text-align: justify; "><b>બ્રિટન બીજા ક્રમે રહ્યું&nbsp;</b></h5><p style="text-align: justify; ">યુનાઈટેડ કિંગડમ (UK) ભારતીય EVs માટે બીજું સૌથી મોટું નિકાસ બજાર સાબિત થયું છે. પ્રથમ ત્રિમાસિક ગાળામાં બ્રિટનને આશરે 7.87 કરોડ ડૉલરની કિંમતની 2,646 ઈલેક્ટ્રિક કાર મોકલવામાં આવી છે. ખાસ વાત એ છે કે ગયા વર્ષે આ ગાળામાં બ્રિટનમાં ભારત તરફથી નહિવત નિકાસ થઈ હતી, જ્યારે આ વખતે યુરોપના આ મોટા માર્કેટમાં ભારતીય કારોએ મજબૂત પકડ બનાવી છે.</p><h6 style="text-align: justify; "><b>જર્મની અને નોર્વે સહિતના દેશોમાં વધતી માગ&nbsp;</b></h6><p style="text-align: justify; ">ભારતીય EVsનો ક્રેઝ માત્ર સ્પેન કે બ્રિટન પૂરતો સીમિત નથી રહ્યો. જર્મનીને 2.51 કરોડ ડૉલર, નોર્વેને 2.11 કરોડ ડૉલર અને ડેનમાર્કને 2.10 કરોડ ડૉલરની ઈલેક્ટ્રિક કાર નિકાસ કરવામાં આવી છે. આ સિવાય બેલ્જિયમ, નેધરલેન્ડ્સ, ગ્રીસ, ઇટલી, સ્વીડન અને પોલેન્ડ જેવા અન્ય યુરોપીય દેશોમાં પણ ભારતીય વાહનોની માંગ સતત વધી રહી છે.</p><p style="text-align: justify; "><b>એશિયા અને લેટિન અમેરિકામાં પણ એન્ટ્રી&nbsp;</b></p><p style="text-align: justify; ">યુરોપ ઉપરાંત ભારતે એશિયા-પેસિફિક વિસ્તારમાં પણ પોતાની પહોંચ વિસ્તારવામાં સફળતા મેળવી છે. જાપાનને 1.34 કરોડ ડૉલરની ઈલેક્ટ્રિક કાર મોકલવામાં આવી છે, જ્યારે ઇઝરાયેલ, ઓસ્ટ્રેલિયા, સિંગાપુર, તાઈવાન, દક્ષિણ કોરિયા અને પાડોશી દેશ નેપાળમાં પણ ભારતીય EVs પહોંચી છે. લેટિન અમેરિકાના બ્રાઝિલ, કોલંબિયા, ચિલી અને કોસ્ટા રિકા જેવા દેશોમાં પણ ભારતીય કારોનું નિકાસ થયું છે.</p><p style="text-align: justify; "><b>ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનવાની દિશામાં ભારત&nbsp;</b></p><p style="text-align: justify; ">આ તમામ આંકડાઓ સ્પષ્ટ દર્શાવે છે કે ભારત હવે ધીમે-ધીમે ઈલેક્ટ્રિક વાહનો માટે ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. યુરોપ જેવા કડક ધોરણો ધરાવતા વિકસિત બજારોમાં ભારતીય ઈલેક્ટ્રિક વાહનોની વધતી માંગ દેશના EV ઉદ્યોગની ગુણવત્તા, ક્ષમતા, સુરક્ષા અને વૈશ્વિક સ્પર્ધાત્મકતાને નવી ઓળખ આપી રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/automobile" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/8FR7AuyMYVLMaJBxLwEHOos3MAdZAmj2slw3Bv09.webp'/></item><item><title><![CDATA[UGC-NETમાં ગેરરીતિ બાદ NTAની મોટી કાર્યવાહી, 50થી વધુ કર્મચારીઓ હટાવાયા ]]></title><link>https://sandesh.com/india/news/ugc-net-irregularities-nta-removes-50-employees-exam-reforms</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ugc-net-irregularities-nta-removes-50-employees-exam-reforms</guid><pubDate>Tue, 18 Aug 2026 15:56:59 +05:30</pubDate><description><![CDATA[<p>UGC-NET જૂન 2026ની પરીક્ષામાં પ્રશ્નપત્રને લગતી ગેરરીતિઓ સામે આવ્યા બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ મોટો વહીવટી ફેરફાર કર્યો છે. શિક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પરીક્ષા વ્યવસ્થાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે NTAએ 50થી વધુ કર્મચારીઓ સામે કાર્યવાહી કરીને તેમને હટાવ્યા છે. સાથે જ 10 મહત્વના પદો પર નવા વ્યાવસાયિકોની ભરતી શરૂ કરવામાં આવી છે.</p><h2><b>ખાનગી ક્ષેત્રના નિષ્ણાતોની મદદ પણ લેવાશે</b></h2><p>આ ભરતીમાં મુખ્ય પ્રૌદ્યોગિકી અધિકારી (CTO), મુખ્ય નાણાં અધિકારી (CFO), મુખ્ય માહિતી સુરક્ષા અધિકારી (CISO), પરીક્ષા સુરક્ષાના મહાપ્રબંધક ઉપરાંત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને સાયકૉમેટ્રિક્સ સાથે જોડાયેલા હોદ્દાઓનો સમાવેશ થાય છે. NTA સાયબર સિક્યોરિટી, પ્રશ્નપત્ર તૈયાર કરવાની પ્રક્રિયા અને સાયકૉમેટ્રિક્સ જેવા ક્ષેત્રોમાં ખાનગી ક્ષેત્રના નિષ્ણાતોની મદદ પણ લેશે.</p><h3><b>પુનઃપરીક્ષા 9-10 સપ્ટેમ્બરે યોજાશે</b></h3><p>UGC-NET જૂન 2026ની પરીક્ષા 22થી 30 જૂન દરમિયાન 87 વિષયો માટે યોજાઈ હતી. પ્રશ્નપત્ર સંબંધિત ખામીઓને પગલે અંગ્રેજી અને કોમર્સની પુનઃપરીક્ષા 9 સપ્ટેમ્બરે, જ્યારે સોસિયોલોજીની પુનઃપરીક્ષા 10 સપ્ટેમ્બરે યોજાશે. આ પરીક્ષા JRF, આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની પાત્રતા અને PhD પ્રવેશ માટે લેવામાં આવે છે.</p><h4><b>NTAને આ સૂચના આપવામાં આવી</b></h4><p>પુનઃપરીક્ષાના નિર્ણય બાદ NSUI, SFI, AISA અને KYS સહિતના વિદ્યાર્થી સંગઠનોએ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યા હતા. વિપક્ષે પણ NTAની કાર્યપ્રણાલી પર સવાલ ઉઠાવી જવાબદારી નક્કી કરવાની માગ કરી છે. સરકાર દ્વારા પરીક્ષા પ્રક્રિયાના વ્યાપક ઓડિટ, સુરક્ષિત રૂમ, એર-ગેપ્ડ કમ્પ્યુટર સિસ્ટમ અને ઈલેક્ટ્રોનિક ઉપકરણો જમા કરાવવાની વ્યવસ્થામાં સુધારા સહિતના પગલાં લેવા NTAને સૂચના આપવામાં આવી છે.</p><p><a href="https://sandesh.com/india/news/delhi-jantar-mantar-protest-only-our-jawans-were-in-plain-clothes-delhi-polices-affidavit-in-the-supreme-court" target="_blank"><b>આ પણ વાંચો : Delhi Jantar Mantar Protest: સાદા કપડામાં અમારા જવાનો જ હતા, સુપ્રીમ કોર્ટમાં દિલ્હી પોલીસનું સોગંધનામુ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/ToiO1sLH4QlfgwXTILVHVQnzAkuzpAjoGlorxl2U.webp'/></item><item><title><![CDATA[Daman: સેશન્સ કોર્ટે ઈ-સ્ટે અરજી ના મંજૂર કરતાં સાંસદ ઉમેશ પટેલના પદ પર લટકતી તલવાર ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dadara/daman-sessions-court-rejects-stay-application-of-mp-umesh-patel-membership-at-risk</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dadara/daman-sessions-court-rejects-stay-application-of-mp-umesh-patel-membership-at-risk</guid><pubDate>Tue, 18 Aug 2026 15:50:44 +05:30</pubDate><description><![CDATA[<p>દમણની સ્પોર્ટ્સ ક્લબ ખાતે એક્સાઇઝ સબ ઇન્સ્પેક્ટરની ભરતી માટે શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઉમેશ પટેલ પર આક્ષેપ થયો હતો કે તેમણે ફરજ પરના પોલીસકર્મીઓને ધક્કો માર્યો હતો, બળજબરીથી ઓફિસમાં ઘૂસી ગયા હતા અને સરકારી સમિતિના સભ્યોને તેમની કાયદેસરની ફરજ બજાવતા અટકાવ્યા હતા.</p><h2><b>દમણ અને દીવના સાંસદ ઉમેશ પટેલની મુશ્કેલી વધી</b></h2><p>સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરવા અને કાયદાકીય ફરજમાં રૂકાવટ બદલ નોંધાયેલા કેસમાં નીચલી કોર્ટે ઉમેશ પટેલને 2 વર્ષની જેલની સજા સંભળાવી હતી.નીચલી કોર્ટના આ ચુકાદા સામે ઉમેશ પટેલે દમણ સેશન્સ કોર્ટમાં અપીલ પેન્ડિંગ હોય ત્યાં સુધી સજાના અમલ પર સ્ટે મેળવવા ઈ-અરજી કરી હતી. સાંસદના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે 2 વર્ષની સજા થતાં જ લોકપ્રતિનિધિત્વ અધિનિયમની જોગવાઈઓ મુજબ ઉમેશ પટેલ આપોઆપ સાંસદ પદેથી ગેરલાયક ઠરી શકે છે. તેથી આ કાયદાકીય પરિણામોને ટાળવા માટે સજા પર સ્ટે આપવો જરૂરી છે.</p><h3><b>&nbsp;સેશન્સ કોર્ટે સજા પર સ્ટે આપવાની ઈ-અરજી કરી ના મંજૂર</b></h3><p>સેશન્સ કોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને માન્ય રાખીને સજા પર સ્ટે આપવાની અરજી ફગાવી દીધી છે. કાયદા મુજબ 2 કે તેથી વધુ વર્ષની સજા પામેલા લોકપ્રતિનિધિનું સંસદ સભ્યપદ રદ થઈ શકે છે, જો ઉપલી કોર્ટ સજા પર સ્ટે ન આપે. સેશન્સ કોર્ટમાંથી આંચકો મળ્યા બાદ ઉમેશ પટેલ માટે પોતાનું સાંસદ પદ બચાવવા માટે હવે મુંબઈ હાઈકોર્ટમાં અપીલ કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bardoli/sugar-factory-election-results-kisan-parivartan-panel-wins-mla-ishwar-parmar-defeated" target="_blank">આ પણ વાંચો: Bardoli: સુગર ફેક્ટરીની ચૂંટણીમાં સત્તાધારી સહકાર પેનલનો સફાયો, કિસાન પરિવર્તન પેનલનો ઝળહળતો વિજય</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/1GJnm9gJc2MblV233kQBbwqXnjY2QVvhiFCcRspV.webp'/></item><item><title><![CDATA[National Sports Awards 2025 announced : તેજસ્વિન શંકર અને અન્ય 17 ખેલાડીઓને મળશે અર્જુન પુરસ્કાર ]]></title><link>https://sandesh.com/sports/news/national-sports-awards-2025-announced-tejaswin-shankar-and-17-other-players-to-receive-arjuna-award</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/national-sports-awards-2025-announced-tejaswin-shankar-and-17-other-players-to-receive-arjuna-award</guid><pubDate>Tue, 18 Aug 2026 14:32:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારત સરકારે રાષ્ટ્રીય રમતગમત પુરસ્કારો 2025 ની જાહેરાત કરી છે. અર્જુન પુરસ્કાર માટે 17 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. એથ્લેટિક્સથી લઈને બેડમિન્ટન, હોકી, ચેસ, શૂટિંગ અને કબડ્ડી સુધીની વિવિધ રમતોના ખેલાડીઓને અર્જુન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. રમતગમત મંત્રાલયે પસંદગી સમિતિની ભલામણોના આધારે આ પુરસ્કારોની જાહેરાત કરી છે.</p><h4 style="text-align: justify;"><b>રાષ્ટ્રીય રમતગમત પુરસ્કારોની યાદી જાહેર</b></h4><p style="text-align: justify;">રાષ્ટ્રીય રમતગમત પુરસ્કારો 2025 ની યાદી જાહેર કરતા, યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે જણાવ્યું હતું કે દર વર્ષે, રમતગમતમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓ, કોચ અને સંસ્થાઓને આ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષે, સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ (નિવૃત્ત) અરુણ કુમાર મિશ્રાની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિએ પુરસ્કારો માટે નામોની ભલામણ કરી હતી.</p><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/IndiaSports/status/2089637873230463475?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify;"><br></p><h5 style="text-align: justify;"><b>આ ખેલાડીઓને અર્જુન પુરસ્કાર મળશે.</b></h5><p style="text-align: justify; ">2025ના અર્જુન પુરસ્કાર માટે કુલ 17 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. તેજસ્વિન શંકર, મોહમ્મદ અજમલ વી અને પ્રિયંકા ગોસ્વામીને એથ્લેટિક્સમાં આ સન્માન પ્રાપ્ત થશે. બેડમિન્ટનમાં સુપ્રસિદ્ધ કોચ પુલેલા ગોપીચંદની પુત્રી ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદની પસંદગી કરવામાં આવી છે. નરેન્દ્રને બોક્સિંગમાં અર્જુન પુરસ્કાર પ્રાપ્ત થશે.વિદિત સંતોષ ગુજરાતી અને દિવ્યા જીતેન્દ્ર દેશમુખને ચેસમાં આ સન્માન મળશે. ધનુષ શ્રીકાંતનો પણ બહેરા શૂટિંગમાં સમાવેશ થાય છે. લાલરેમસિયામી અને રાજકુમાર પાલને હોકીમાં અર્જુન એવોર્ડ મળશે. કબડ્ડીમાં સુરજીત અને પૂજાની પસંદગી કરવામાં આવી છે. પેરા-શૂટિંગમાં રુદ્રાંશ ખંડેલવાલ, પેરા-એથ્લેટિક્સમાં એકતા ભયાન, રોઇંગમાં અરવિંદ સિંહ અને શૂટિંગમાં અખિલ શિયોરનને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.</p><h5 style="text-align: justify;"><b>આજીવન અર્જુન એવોર્ડની પણ જાહેરાત</b></h5><p style="text-align: justify;">ફૂટબોલના આઈ. અરુમાનયગમને અર્જુન એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે, જે રમતગમતમાં લાંબા ગાળાનું યોગદાન આપનારા ખેલાડીઓને આપવામાં આવે છે. આ એવોર્ડ એવા ખેલાડીઓને આપવામાં આવે છે જેમણે તેમની સક્રિય કારકિર્દી દરમિયાન અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે અને નિવૃત્તિ પછી પણ રમતગમતના વિકાસમાં યોગદાન આપતા રહે છે.</p><h5 style="text-align: justify;"><b>કોચને દ્રોણાચાર્ય એવોર્ડ પણ પ્રાપ્ત થશે</b></h5><p style="text-align: justify;">રાષ્ટ્રીય રમતગમત પુરસ્કારોમાં દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતાઓના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. નિયમિત શ્રેણીમાં, એથ્લેટિક્સના પરવીર સિંહ, બોક્સિંગના છોટે લાલ યાદવ અને શૂટિંગના નેહા નંદકુમાર ચવ્હાણની પસંદગી કરવામાં આવી છે. લાઇફટાઇમ શ્રેણીમાં, બોક્સિંગના ધર્મેન્દ્ર સિંહ યાદવ અને કુસ્તીના વીરેન્દ્ર કુમારને સન્માનિત કરવામાં આવશે.</p><p style="text-align: justify;">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/world-championships-2026-aayush-shetty-scores-historic-win-by-defeating-world-number-1" target="_blank"> World Championships 2026: આયુષ શેટ્ટીએ વિશ્વના નંબર 1 ખેલાડીને હરાવી ઐતિહાસિક જીત મેળવી</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/xo47fWJorHfBwNcq6ohySJESbutGlmhsEtpRZIZR.webp'/></item><item><title><![CDATA[Nag Panchami ના દિવસે શાહરૂખ ખાનના બંગલા 'મન્નત'માં નીકળ્યો 8 ફૂટ લાંબો સાપ ]]></title><link>https://sandesh.com/entertainment/news/an-8-foot-long-snake-emerged-in-shahrukh-khans-bungalow-mannat-on-the-day-of-nag-panchami</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/an-8-foot-long-snake-emerged-in-shahrukh-khans-bungalow-mannat-on-the-day-of-nag-panchami</guid><pubDate>Tue, 18 Aug 2026 13:41:22 +05:30</pubDate><description><![CDATA[<p>બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના મુંબઈના બાંદ્રા સ્થિત આલીશાન બંગલા 'મન્નત'માંથી એક સાપ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. 17 ઓગસ્ટના રોજ મન્નતના લૉનમાં અચાનક સાપ દેખાતા તુરંત જ રેસ્ક્યૂ ટીમને જાણ કરવામાં આવી હતી. અગાઉ અભિનેત્રી અર્ચના પૂરન સિંહના બંગલેથી સાપની કાંચળી મળી હતી. શાહરૂખ જેવા સ્ટાર્સના ઘરેથી સાપ નીકળવાની ઘટનાથી તેના ફેન્સ ચિંતિત થયા છે. જો કે ટીમ દ્વારા સુરક્ષિત રીતે સાપનું રેસ્કયૂ કરાયું હતું.</p><h2><b>શાહરૂખના ઘરેથી નીકળેલા સાપનું કરાયું રેસ્કયૂ</b></h2><p>ઘટનાની માહિતી મળતા જ સ્નેક કેચર વિક્કી દુબે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર પરિસરમાં શોધખોળ હાથ ધરી હતી. ટીમે અત્યંત સાવધાનીપૂર્વક સાપને સુરક્ષિત રીતે પકડી લીધો હતો. પકડાયેલો સાપ ધમણ (ઇન્ડિયન રેટ સ્નેક) પ્રજાતિનો હતો. આ સાપ આશરે 8 ફૂટ લાંબો હતો. આ સાપ બિન-ઝેરી હોવાનું સામે આવતા મન્નતના સ્ટાફ અને સિક્યુરિટી ગાર્ડ્સે રાહતનો શ્વાસ લીધો હતો.</p><h3><b>નાગપંચમીના દિવસે શાહરૂખના ઘરે સાપ</b></h3><p>સૌથી રસપ્રદ વાત એ રહી કે આ ઘટના નાગ પંચમીના પવિત્ર દિવસે જ બની હતી. ઉલ્લેખનીય છે કે, બાંદ્રાના પોશ વિસ્તારમાં આવેલો મન્નત બંગલો શાહરૂખ ખાને 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, જેની હાલની કિંમત આશરે ₹300 કરોડ અંકાય છે. નાગપંચમીના દિવસે ઘરમાંથી સાપ નીકળવાને લઈને જુદી-જુદી માન્યાત છે. એક માન્યતા મુજબ ઘરમાં સાપ અથવા તો સાપની કાંચળી નીકળવાને શુભ માનવામાં આવે છે. નાગપંચમીએ સાપ નીકળવાને સુખ, સમૃદ્ધિનો સંકેત ગણાય છે.</p><h4><b>શાહરૂખના આગામી પ્રોજેક્ટ</b></h4><p>શાહરૂખ ખાન ટૂંક સમયમાં જ સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ "કિંગ"માં જોવા મળશે, જે 24 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેમની સાથે દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન, સુહાના ખાન, રાઘવ જુયાલ અને રાની મુખર્જી મુખ્ય ભૂમિકામાં નજરે પડશે.</p><p><br></p><p><a href="https://sandesh.com/entertainment/news/hema-malini-got-emotional-after-watching-batwara-1947-movie-praised-sunny-deol-and-shabana-azmi" target="_blank">આ પણ વાંચો : Batwara 1947 Movie જોઈ ભાવુક થઈ હેમા માલિની, સની દેઓલ અને શબાના આઝમીના વખાણ કર્યા, આપ્યો ખાસ મેસેજ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/QxsUpbiy1gV8mJEmGj17Hyr1dakwwW4g2BuDHdD7.webp'/></item></channel></rss>