<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Banaskantha : ડીસામાં ભાજપ મહિલા કોર્પોરેટરના પતિનું ભરબપોરે અપહરણ, રૂ. 50 લાખની માંગણી બાદ મુક્ત કરાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/deesa/banaskantha-deesa-bjp-corporator-husband-abducted-demanded-50-lakh-ransom</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/deesa/banaskantha-deesa-bjp-corporator-husband-abducted-demanded-50-lakh-ransom</guid><pubDate>Wed, 19 Aug 2026 09:14:56 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ડીસા નગરપાલિકાના ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ પરેશ કાનુડાવાળાનું ભરબપોરે જીઆઈડીસી (GIDC) વિસ્તારમાંથી ચાર અજાણ્યા શખ્સો દ્વારા બળજબરીપૂર્વક અપહરણ કરવામાં આવ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અને રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી જવા પામી છે.</p><h2 style="text-align: justify; "><b>મુક્ત કરવા માટે રૂપિયા 50 લાખની માગ કરી</b></h2><p style="text-align: justify; ">મળતી વિગતો અનુસાર, અપહરણકર્તાઓએ પરેશભાઈને મુક્ત કરવા માટે રૂપિયા 50 લાખની મોટી રકમની માંગણી કરી હતી. જોકે, બનાવ અંગે પોલીસ તંત્ર સતર્ક થતાં અને તપાસનો ધમધમાટ શરૂ થતાં અપહરણકર્તાઓ ગભરાઈ ગયા હતા.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>અડાલજ પાસે રસ્તા પર ઉતારી ભાગ્યા</b></h3><p style="text-align: justify; ">પોલીસે તપાસનો ધમધમાટ શરુ કરતાં મોડી રાત્રે અપહરણકર્તાઓ પરેશભાઈને અમદાવાદ નજીક અડાલજ પાસે રસ્તા પર ઉતારીને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા.</p><h4 style="text-align: justify; "><b>આ શખ્સો નકલી પત્રકાર બનીને આવ્યા હતા</b></h4><p style="text-align: justify; ">પીડિત પરેશ કાનુડાવાળાએ પોલીસ સમક્ષ જણાવ્યા મુજબ, અપહરણ કરનારા શખ્સો નકલી પત્રકાર બનીને આવ્યા હતા અને પોતાની ઓળખ છુપાવીને આ ગુનાહિત કૃત્ય આચર્યું હતું. આ મામલે ડીસા તાલુકા પોલીસે વિધિવત રીતે અપહરણનો ગુનો નોંધીને ચારેય આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">&nbsp;આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/patan/patan-radhanpur-folk-singer-kinjal-rabari-marriage-mukesh-rabari" target="_blank"><b> Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/kJSymC2Fw3pshGTLq0N766ZTt0adPGKcSa5knICn.webp'/></item><item><title><![CDATA[Khaki Ka Sitara: યુપી પોલીસનું ઓફિશિયલ ગીત લોન્ચ, અમિતાભ બચ્ચને શેર કર્યો વીડિયો ]]></title><link>https://sandesh.com/entertainment/news/khaki-ka-sitara-up-polices-official-song-launched-amitabh-bachchan-shares-video</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/khaki-ka-sitara-up-polices-official-song-launched-amitabh-bachchan-shares-video</guid><pubDate>Wed, 19 Aug 2026 08:39:12 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઉત્તર પ્રદેશ પોલીસનું પ્રથમ સત્તાવાર ગીત "ખાકી કા સિતારા" એક ખાસ વીડિયો સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. આ ગીત રિલીઝ થતાં જ બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સહિત દેશભરમાંથી તેને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. યુપી એન્થમની શરૂઆત મહાકુંભ સમયે થઈ હતી. આ સમયમાં યુપી પોલીસે ખડેપગે રહી નિષ્ઠાથી પોતાની ફરજ બજાવી હતી. મહાકુંભ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ પોલીસના કામની પ્રશંસા કરી હતી. ત્યારબાદથી ઉત્તરપ્રદેશ પોલીસ માટે આ ગીત વધું ખાસ બની ગયું.</p><h2 style="text-align: justify; "><b>અમિતાભ બચ્ચને શેર કરી ખાસ પોસ્ટ</b></h2><p style="text-align: justify; ">૬.૫ મિનિટના આ પ્રેરણાદાયી ગીતના વખાણ કરતા સદીના મહાનાયક અમિતાભ બચ્ચને પોતાના X (ટ્વિટર) એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો હતો. તેમણે ભાવુક અંદાજમાં લખ્યું: "કેટલાક તારા આકાશમાં ચમકે છે, તો કેટલાક ખાખી પહેરીને જમીન પર ચમકે છે. ખાખીનો તારો." બચ્ચન સાહેબની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે.</p><h3 style="text-align: justify; "><b>દિગ્ગજ કલાકારોનું યોગદાન</b></h3><p style="text-align: justify; ">આ ખાસ ગીતમાં દેશની અગ્રણી હસ્તીઓએ પોતાનું યોગદાન આપ્યું છે. આ ગીતમાં સંગીત અને અવાજ મહાન ગાયક પદ્મશ્રી શંકર મહાદેવનનો છે. જયારે જાણીતા કવિ આલોક શ્રીવાસ્તવ દ્વારા યુપી એન્થમ ગીતની રચના કરવામાં આવી. આ ગીતના વીડિયોમાં અભિનેતા કરણ આનંદ પોલીસ અધિકારીની મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. અને આ એન્થમ માટે વિશેષ સહયોગ અમિતાભ બચ્ચન અને પદ્મશ્રી નાના પાટેકર જેવી હસ્તીઓ પણ આ પહેલ સાથે જોડાઈ છે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/SrBachchan/status/2089276564357923059"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h4 style="text-align: justify; "><b>આ ગીત શા માટે છે ખાસ?</b></h4><p style="text-align: justify; ">યુપી પોલીસના જણાવ્યા મુજબ, આ માત્ર એક મ્યુઝિક વીડિયો નથી પરંતુ પોલીસ જવાનોની કઠિન ફરજો, ત્યાગ અને સમર્પણની વાર્તા છે. વીડિયોમાં કાયદો અને વ્યવસ્થા, મહિલા સુરક્ષા, ટ્રાફિક મેનેજમેન્ટ, આધુનિક ટેકનોલોજી, આપત્તિ વ્યવસ્થાપન અને જાહેર સેવાની ઝાંખી બતાવવામાં આવી છે. એક વર્ષનું મહેનતભર્યું શૂટિંગ થયું. આ ગીતનું શૂટિંગ મહાકુંભ ૨૦૨૫ થી શરૂ કરીને સ્વતંત્રતા દિવસ સુધી સમગ્ર એક વર્ષ દરમિયાન કરવામાં આવ્યું હતું, જેથી પોલીસના વાસ્તવિક કામને કેદ કરી શકાય. તહેવારો, ભીડ નિયંત્રણ અને કટોકટીના સમયે પોતાના પરિવારથી દૂર રહીને અવિરત સેવા આપતા જવાનોના જીવનને પણ આમાં સુંદર રીતે વણી લેવાયું છે.</p><h5 style="text-align: justify; "><b>ભવ્ય લોન્ચિંગ સમારોહ</b></h5><p style="text-align: justify; ">ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ૧૪ ઓગસ્ટના રોજ લખનૌના લોક ભવન ખાતે આ ગીત દેશને સમર્પિત કર્યું હતું. આ કાર્યક્રમમાં શંકર મહાદેવન, નાના પાટેકર, આલોક શ્રીવાસ્તવ અને કરણ આનંદ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.</p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/iFgFIboq6OkvoASUek26LYIooyErRDhEgS3MZ5GG.webp'/></item><item><title><![CDATA[Jharkhand: ઝારખંડમાં 44 ભરતી પરીક્ષાઓ રદ, 2014થી 2026 સુધી કઈ-કઈ પરીક્ષાઓ થઈ રદ સોરેન સરકારે જાહેર કરી યાદી ]]></title><link>https://sandesh.com/india/news/jharkhand-44-recruitment-exams-cancelled-in-jharkhand-soren-government-releases-list-of-exams-cancelled-from-2014-to-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/jharkhand-44-recruitment-exams-cancelled-in-jharkhand-soren-government-releases-list-of-exams-cancelled-from-2014-to-2026</guid><pubDate>Wed, 19 Aug 2026 08:37:31 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સોરેન સરકારે ગઈ રાત્રે લગભગ 44 ભરતી પરીક્ષાઓ રદ કરી દીધી છે. આ અંગે અધિસૂચના જાહેર કરીને નિર્ણયને તાત્કાલિક અસરથી લાગુ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સરકાર દ્વારા ગઈ રાત્રે લગભગ 8 અધિસૂચનાઓ જાહેર કરવામાં આવી હતી.</p><p style="text-align: justify; ">રદ કરવામાં આવેલી 44 પરીક્ષાઓમાં વર્ષ 2014થી ઝારખંડ લોક સેવા આયોગ (JPSC) તેમજ આઉટસોર્સ એજન્સી TSR Data Processing Private Limited (TDPL) દ્વારા લેવામાં આવેલી પરીક્ષાઓનો સમાવેશ થાય છે. સરકારે આ તમામ પરીક્ષાઓની યાદી પણ જાહેર કરી છે. તમામ યાદીઓ અને સંબંધિત નોટિફિકેશન X પર અપલોડ કરવામાં આવ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>ઝારખંડ સરકારે આ પરીક્ષાઓ કરી રદ</b></h2><p style="text-align: justify; ">ઝારખંડની હેમંત સોરેન સરકારે ડ્રગ ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ પ્રોફેસર, ડેપ્યુટી કલેક્ટર, ડેન્ટલ ડોક્ટર, આસિસ્ટન્ટ એન્જિનિયર, સિવિલ જજ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર અને ફોરેસ્ટ રેન્જ ઓફિસર જેવા મહત્વપૂર્ણ પદોની ભરતી માટેની પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લીધો છે.</p><p style="text-align: justify; ">આ ઉપરાંત સરકારી પોલિટેકનિક કોલેજોમાં લેક્ચરર, સિનિયર સાયન્ટિફિક ઓફિસર, આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તેમજ વિવિધ વહીવટી અને ટેકનિકલ પદો માટે લેવામાં આવેલી ભરતી પરીક્ષાઓ પણ રદ કરવામાં આવી છે.</p><p style="text-align: justify; ">સરકાર હવે ઝારખંડ હાઈકોર્ટને વિનંતી કરશે કે JPSC અને JSSCની ભરતી પરીક્ષાઓમાં થયેલી કથિત ગેરરીતિઓના કેસોની વહેલી સુનાવણી માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટની રચના કરવામાં આવે. સરકારનું કહેવું છે કે ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા અને વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા માટે આ પગલું જરૂરી છે.</p><h3 style="text-align: justify; "><b>2 મહિનામાં તપાસ કમિટી આપશે રિપોર્ટ</b></h3><p style="text-align: justify; ">ભવિષ્યમાં JPSC અને JSSCની ભરતી પરીક્ષાઓમાં આવી ગેરરીતિઓ ન થાય તે માટે બંને સંસ્થાઓમાં વિજિલન્સ સેલ પણ બનાવવામાં આવશે. ભરતી પ્રક્રિયામાં સુધારા માટે વરિષ્ઠ IAS અધિકારી અમિતાભ કૌશલની અધ્યક્ષતામાં એક કમિટી કામ કરી રહી છે. આ કમિટી આગામી 2 મહિનાની અંદર સરકારને પોતાનો રિપોર્ટ સોંપશે.</p><p style="text-align: justify; ">ગત સોમવારે મળેલી કેબિનેટ બેઠકમાં સોરેન સરકારે JSSCની કૉમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ (CGL) પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી. આ પરીક્ષા રદ કરવાની માંગ આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓની મુખ્ય માંગોમાંની એક હતી.</p><p style="text-align: justify; ">ત્યારબાદ સરકારે વધુ એક મોટો નિર્ણય લેતા TDPL એજન્સી દ્વારા લેવામાં આવેલી તમામ ભરતી પરીક્ષાઓ તેમજ તે પરીક્ષાઓના જાહેર થયેલા પરિણામોને પણ રદ કરી દીધા છે. આ નિર્ણય બાદ ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના મુદ્દે ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલનને લઈને સરકારના વલણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/YlJ4tDzuF6U4tPYwU0MxM74MNoB5NUDw4D6AwKvH.webp'/></item><item><title><![CDATA[UPમાં વરસાદનો કહેર, 13 જિલ્લાના 173 ગામો જળમગ્ન, 4,800 થી વધુ લોકોનું સ્થળાંતર ]]></title><link>https://sandesh.com/india/news/up-floods-173-villages-submerged-13-districts-evacuated</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/up-floods-173-villages-submerged-13-districts-evacuated</guid><pubDate>Wed, 19 Aug 2026 08:26:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઉત્તર પ્રદેશમાં ભારે ચોમાસાના વરસાદ અને નદીઓમાં આવેલા પૂરના કારણે ગંભીર સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના ૧૩ જિલ્લાઓ પૂરની ચપેટમાં આવી ગયા છે, જેના કારણે 173 ગામો જળમગ્ન થયા છે અને આશરે 84,362 લોકો પ્રભાવિત થયા છે. આ પૂરની સ્થિતિમાં 13,058 હેક્ટર જમીનને પણ મોટું નુકસાન થયું છે.</p><h2 style="text-align: justify; "><b>અનેક જિલ્લાઓ પૂરથી પ્રભાવિત</b></h2><p style="text-align: justify; ">પ્રભાવિત જિલ્લાઓમાં બદાયૂં, બહરાઇચ, બલિયા, બારાબંકી, બિજનોર, ફરુખાબાદ, ગૌતમ બુદ્ધ નગર, ગોંડા, કાસગંજ, લખીમપુર ખેરી, મુઝફ્ફરનગર, સીતાપુર અને ઉન્નાવનો સમાવેશ થાય છે. રાજ્યના રાહત કમિશનરે સમીક્ષા બેઠક દરમિયાન જણાવ્યું હતું કે પરિસ્થિતિ હાલ નિયંત્રણ હેઠળ છે. વહીવટીતંત્રને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 4800 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. રાહત અને બચાવ કામગીરી માટે રાજ્યભરમાં 1589 પૂર ચોકીઓ અને 1263 આશ્રયસ્થાનો ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં અસરગ્રસ્તોને આશરો આપવામાં આવ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>રાહત પહોંચાડવા વહીવટી તંત્ર સજ્જ</b></h3><p style="text-align: justify; ">લોકોને રાહત પહોંચાડવા માટે વહીવટીતંત્ર દ્વારા 428 બોટ અને મોટર બોટની સાથે 1,101 સ્થાનિક ડાઇવર્સ તૈનાત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાહત સામગ્રી તરીકે 15,238 ફૂડ પેકેટ અને 30,316 લંચ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.</p><h4 style="text-align: justify; "><b>ટીમ અનેક જિલ્લાઓમાં રખાઇ સ્ટેન્ડબાય</b></h4><p style="text-align: justify; ">કોઈપણ પ્રકારની કટોકટીનો પહોંચી વળવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની 16 ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે, જ્યારે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) અને પીએસી (PAC) ની ટીમોને ૫૨ જિલ્લાઓમાં સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.</p><h5 style="text-align: justify; "><b>ફરિયાદોનું તાત્કાલિક લવાઇ રહ્યુ છે નિરાકરણ</b></h5><p style="text-align: justify; ">નાગરિકોને સતત સાવચેત રાખવા માટે 1 ઓગસ્ટથી 18 ઓગસ્ટ દરમિયાન 140.52 કરોડથી વધુ SMS ચેતવણીઓ મોકલવામાં આવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આપત્તિ નિવારણની માહિતી સતત શેર કરવામાં આવી રહી છે. પૂર સંકટ પર નજર રાખવા માટે રાહત કમિશનર કચેરીનો કંટ્રોલ રૂમ સતત કાર્યરત છે અને હેલ્પલાઇન નંબર 1070 પર મળતી ફરિયાદોનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/ugc-net-controversy-nta-removes-600-experts-exam-system-changes" target="_blank">આ પણ વાંચોઃ UGC-NET વિવાદ બાદ NTAમાં મોટો ફેરફાર, એજન્સીએ 600 એક્સપર્ટસને હટાવ્યા</a></b></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/fL0PhNDc5nWGYKIkOmwpd0whiwpleIY0jqi3Blzk.webp'/></item><item><title><![CDATA[Vadodara : પોલીસ કર્મી જ બુટલેગર બન્યો: રેલવે પોલીસનો કોન્સ્ટેબલ રૂ. 4.60 લાખના દારૂની ખેપ મારતા ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/vadodara/vadodara-police-constable-arrested-bootlegging-liquor-seized</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/vadodara/vadodara-police-constable-arrested-bootlegging-liquor-seized</guid><pubDate>Wed, 19 Aug 2026 08:21:07 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરામાંથી કાયદો અને વ્યવસ્થાને શરમાવે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં જનતાની સુરક્ષા અને કાયદાનું પાલન કરાવવાની જેની જવાબદારી છે તે જ પોલીસ કર્મી દારૂની હેરાફેરી કરતા રંગેહાથ ઝડપાઈ ગયો છે. ગોધરાના ડેરોલ રેલવે પોલીસમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ સંજય ચુડાસમા બુટલેગર સાથે મળીને સુરતથી દારૂની ખેપ મારી વડોદરા તરફ આવી રહ્યો હતો, ત્યારે જ પોલીસે તેને ઝડપી પાડ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>પોલીસ કાફલાએ શંકાસ્પદ કારને રોકીને ચેકિંગ હાથ ધર્યું</b></h2><p style="text-align: justify; ">મળતી વિગતો અનુસાર, નાયબ મુખ્યમંત્રીના બંદોબસ્તમાં તૈનાત પોલીસ કાફલાએ શંકાસ્પદ કારને રોકીને ચેકિંગ હાથ ધર્યું હતું. કારની તલાશી લેતા તેમાંથી રૂ. 4.60 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને કારમાં સવાર ગોધરા રેલવે પોલીસના કોન્સ્ટેબલ સંજય ચુડાસમા અને બુટલેગર વિક્રમ થાપાની સ્થળ પર જ ધરપકડ કરી લીધી હતી.</p><h3 style="text-align: justify; "><b>કોન્સ્ટેબલ બુટલેગર સાથે દારૂના ધંધામાં 50 ટકાની ભાગીદારી ધરાવતો&nbsp;</b></h3><p style="text-align: justify; ">પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી કોન્સ્ટેબલ બુટલેગર સાથે દારૂના ધંધામાં 50 ટકાની ભાગીદારી ધરાવતો હતો. એટલું જ નહીં, દારૂની ખેપ મારવાના દિવસે જ તેણે પોલીસ વિભાગમાં માંદગીનું બહાનુ બતાવીને રજા લીધી હતી અને બાદમાં દારૂનું નેટવર્ક ચલાવતો હતો. ખીસામાં ખાખી પહેરીને ગુનાખોરી આચરતા આ કોન્સ્ટેબલ સામે કડક કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો :&nbsp;<a href="https://sandesh.com/gujarat/news/patan/patan-radhanpur-folk-singer-kinjal-rabari-marriage-mukesh-rabari" target="_blank"><b>&nbsp;Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/pxS5YHWndFRmcRUXezWEYUJJ2uV5uRK3z9EbNCqJ.webp'/></item><item><title><![CDATA[Dahod: ખીરખાઈ ગામે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે ગ્રામસભા યોજાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dahod/dahod-gram-sabha-held-in-khirkhai-village-to-celebrate-independence-day</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dahod/dahod-gram-sabha-held-in-khirkhai-village-to-celebrate-independence-day</guid><pubDate>Wed, 19 Aug 2026 06:36:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દુધિયા : લીમખેડા તાલુકાના ખીરખાઈ ગામે ગ્રામ પંચાયત કચેરી ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે પીરામલ ફાઉન્ડેશનના સહયોગથી વિશેષ ગ્રામસભા યોજાઈ હતી. જેમાં અમારા બાળકો, અમારી જવાબદારીના સંકલ્પ સાથે સમગ્ર ગામને બાળ-મૈત્રીપૂર્ણ બનાવવા અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. જેમાં આગેવાનો અને ગ્રામજનોએ વૃક્ષારોપણ કર્યું હતું. સભામાં સરપંચ સરતનભાઈ, તલાટી જીગ્નેશભાઈ, તાલુકા સદસ્ય ગણેશકુમાર, સ્વચ્છ ભારત મિશનના ક્લસ્ટર કો-ઓર્ડિનેટર મહેન્દ્રભાઈ તેમજ પીરામલ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ ઇકબાલ, ગગન અને કુણાલજી ભાઈ ઉપસ્થિત રહ્યા હતા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/8wwwPA7zGOe0TERKdGZxgvu1aaFwa5OevkeGzcs3.webp'/></item><item><title><![CDATA[Vadodara: શહેરના મંગળબજાર સહિતના વિસ્તારોમાંથી દબાણો હટાવાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-pressures-removed-from-areas-including-mangalbazar-in-the-city</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-pressures-removed-from-areas-including-mangalbazar-in-the-city</guid><pubDate>Wed, 19 Aug 2026 06:32:12 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">શહેરના મંગળબજાર સહિતના વિસ્તારોમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નડતરરૂપ દબાણો સામે કાર્યવાહી કરી બે ટ્રક ભરી સામાન જમા લીધો હતો.</p><p style="text-align: justify; ">મંગળબજારમાં દબાણ શાખાની ટીમ પહોંચતા લારી ધારકોમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, સ્થળ પરથી લારી - ગલ્લા અને નડતરરૂપ સામાન જમા લેવાયો હતો. જે બાદ ખંડેરાવ માર્કેટ ચાર રસ્તાથી સિધ્ધનાથ તળાવ થઈ જયરત્ન બિલ્ડિંગ સુધી રોડની બંને સાઈડ પર આવેલા દબાણો સામે કાર્યવાહી કરાઈ હતી. વૉર્ડ નં.2માં સમાવિષ્ટ અભિલાષા ચાર રસ્તાથી પૃથ્વી સર્કલ કેનાલ સુધી રોડની બંને સાઈડ સર્કલથી 30 મીટરની અંતરમાં આવતાં લારી - ગલ્લા, કેરેટ, છત્રી અને પરચુરણ સામાન જમા લેવામાં આવ્યો હતો. વૉર્ડ નં.10માં આવતાં વાસણા પંચમુખી ચાર રસ્તા પાસે અને પંચમુખી હનુમાનજી મંદિરની આજુબાજુના તંબુ, બૉર્ડ, છત્રી સ્ટેન્ડ જપ્ત કરાયા હતા. ભાયલી રોડ અને કેનાલ પાસેના પણ લારી - ગલ્લા જમા લઈ પરચુરણ સામાન કબજે કર્યો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/OTXiTZ2GP3jGjWu6vf9ti3ABTbNqmOo8pzqGwLVn.webp'/></item><item><title><![CDATA[Vadodara: ધો.11ની વિદ્યાર્થિનીએ 7 દિવસમાં માઉન્ટ કિલિમંજારો સર કર્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-class-11-student-climbs-mount-kilimanjaro-in-7-days</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-class-11-student-climbs-mount-kilimanjaro-in-7-days</guid><pubDate>Wed, 19 Aug 2026 06:30:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતની યુવા પેઢી માટે ગૌરવ અને પ્રેરણાનો ક્ષણ સર્જતાં શહેરની ધોરણ 11ની વિદ્યાર્થિનીએ વિશ્વવિખ્યાત માઉન્ટ કિલિમંજારો સર કરીને ભારતનો તિરંગો વિશ્વના સર્વોચ્ચ મુક્ત ઊભેલા પર્વતના શિખર પર લહેરાવ્યો છે. જે વિશે માહિતી આપતા અનાયા શાહે જણાવ્યું હતું કે, માઉન્ટ કિલિમંજારો આફ્રિકા ખંડનું સર્વોચ્ચ શિખર છે. તે તાંઝાનિયા દેશમાં આવેલું છે અને તેની ઊંચાઈ 5,895 મીટર (19,341 ફૂટ) છે. આ પર્વત વિશ્વનો સૌથી ઊંચો Free-standing Mountain (એકલો ઊભેલો પર્વત) ગણાય છે અને યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ તરીકે પણ પ્રસિદ્ધ છે. વરસાદી જંગલોથી લઈને જ્વાળામુખી પ્રદેશ, પથ્થરાળ માર્ગો, હિમાચ્છાદિત વિસ્તારો અને અત્યંત ઓછી ઓક્સિજન જેવી કઠિન પરિસ્થિતિઓ વચ્ચે આ શિખર સુધી પહોંચવું વિશ્વના સૌથી પડકારજનક ટ્રેકિંગ અભિયાનોમાંનું એક માનવામાં આવે છે. જેને મચામે રૂટ દ્વારા લગભગ 64 કિલોમીટરનું અંતર સાત દિવસમાં પૂર્ણ કર્યું હતું. માઇનસ 20 ડિગ્રી સેલ્સિયસ જેટલી કડકડતી ઠંડી અને અત્યંત કપરા સંજોગોમાં શિખર સર કર્યું હતું. આ સફળતા પાછળ એક વર્ષ સુધીની સતત તૈયારી છે. જે તૈયારીમાં દર અઠવાડિયે છ દિવસ જીમ અને એથ્લેટિક્સ તાલીમ સાથે મહેનત, આત્મવિશ્વાસ અને અડગ મનોબળ રહેલું છે. મારું માનવું છે કે, દૃઢ સંકલ્પ, શિસ્ત અને પરિશ્રામથી કોઈપણ ઊંચાઈ અશક્ય નથી. નોંધનીય છે કે, અનાયા શાહની આ સિદ્ધિ અસંખ્ય યુવાઓને જીવનમાં મોટા સપનાઓ જોવાની અને તેને સાકાર કરવા માટે અવિરત પ્રયત્ન કરવાની પ્રેરણા આપશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/Xs7hPUftDtBeYvtuG7hB9EEm63gA6F6ra5gYnJC3.webp'/></item><item><title><![CDATA[India Vs Pakistan વચ્ચેની વર્લ્ડકપ મેચ માટે ફેન્સ ખૂબ ઉત્સાહિત, વેચાઈ ગઈ તમામ 10,000 ટિકિટ ]]></title><link>https://sandesh.com/sports/news/india-pakistan-hockey-world-cup-2026-amstelveen</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india-pakistan-hockey-world-cup-2026-amstelveen</guid><pubDate>Tue, 18 Aug 2026 22:49:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બેલ્જિયમ અને નેધરલેન્ડ દ્વારા સંયુક્ત રીતે યોજાઈ રહેલા હોકી વર્લ્ડકપ 2026માં ભારતીય પુરુષ હોકી ટીમ 19 ઓગસ્ટના રોજ પૂલ Dમાં પાકિસ્તાન સામે એમસ્ટેલવીનમાં રમશે. બંને દેશોના ફેન્સ આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ એમસ્ટેલવીનમાં ફેન્સમાં ઘણો ઉત્સાહ છે અને તેથી જ મેચની તમામ 10,000 ટિકિટો વેચાઈ ગઈ છે.&nbsp;</p><p style="text-align: justify; ">ભારત અને પાકિસ્તાન લાંબા સમય પછી હોકી વર્લ્ડકપમાં એકબીજા સામે ટકરાશે અને બંને ટીમો વચ્ચેનો આ મેચ એમસ્ટેલવીનના વેગનર સ્ટેડિયમમાં રમાશે અને તે સંપૂર્ણપણે હાઉસફુલ રહેશે.</p><h2 style="text-align: justify; "><b>ભારતીય મૂળના લોકો આ મેચને લઈને ખૂબ જ ઉત્સાહિત</b></h2><p style="text-align: justify; ">મીડિયા રિપોર્ટ મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચે હોકી વર્લ્ડકપ 2026ની મેચને લઈને નેધરલેન્ડ્સમાં રહેતા ભારતીય મૂળના લોકોમાં ઘણો ઉત્સાહ છે. આ મેચ માટે ટિકિટ વેચાણ અંગેના એક નિવેદનમાં રોયલ ડચ હોકી ફેડરેશનના અધિકારી તમરા બૌવમેન્સે જણાવ્યું હતું કે મેચની ટિકિટ સપ્ટેમ્બર 2025થી ઓનલાઈન વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.&nbsp;</p><p style="text-align: justify; ">ટિકિટનું વેચાણ તબક્કાવાર કરવામાં આવ્યું હતું, જેનો પહેલો તબક્કો સપ્ટેમ્બરમાં શરૂ થયો હતો અને બીજો તબક્કો આ વર્ષે માર્ચમાં શરૂ થયો હતો. ટિકિટનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું, જેમાં નેધરલેન્ડ મેચ સિવાયની મેચો માટે સાઉથ સ્ટેન્ડ ટિકિટ 35 યુરોથી શરૂ થાય છે, જ્યારે ઢંકાયેલ મુખ્ય સ્ટેન્ડ માટે દિવસની ટિકિટની કિંમત 57 યુરો હતી.&nbsp;</p><p style="text-align: justify; ">હોસ્પિટાલિટી ટિકિટની કિંમત 251.34 યુરો હતી. બૌવમેન્સે સમજાવ્યું કે જ્યારે આપેલ દિવસના ગ્રુપ સ્ટેજ માટેની બધી ટિકિટો વેચાય છે, ત્યારે ટિકિટિંગ પ્લેટફોર્મ પર હાફ-ડે પાસ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેનાથી દર્શકો નેધરલેન્ડ મેચ સિવાય તે દિવસે બધી મેચો જોઈ શકે છે.</p><h3 style="text-align: justify; "><b>પાકિસ્તાન સામે ભારતીય ટીમનો અત્યાર સુધીનો આ રેકોર્ડ&nbsp;</b></h3><p style="text-align: justify; ">જો આપણે હોકીમાં પાકિસ્તાન સામે ભારતીય ટીમના હેડ-ટુ-હેડ રેકોર્ડ પર નજર કરીએ તો બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 183 મેચ રમાઈ છે, જેમાંથી ભારતીય ટીમ 69 મેચ જીતવામાં સફળ રહી છે, જ્યારે પાકિસ્તાને 82 મેચ જીતી છે. આ ઉપરાંત 32 મેચ ડ્રો રહી છે. છેલ્લા દાયકામાં ભારતનો દબદબો રહ્યો છે, જેમાં પાકિસ્તાનનો ભારત સામે છેલ્લો વિજય 2016 સાઉથ એશિયન ગેમ્સની ફાઈનલમાં 1-0થી થયો હતો. આ પછી બંને ટીમો વચ્ચે રમાયેલી 19 મેચોમાં પાકિસ્તાન એક પણ મેચ જીતી શક્યું નથી. આમાંથી 17 મેચ ભારતે જીતી છે, જ્યારે 2 મેચ ડ્રો રહી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/tf2tjyGU8vH706ijoENI1WH3RIuxGUJunWpUpCne.webp'/></item><item><title><![CDATA[Bank Holidays List: આ અઠવાડિયે 3 દિવસ બંધ રહેશે બેન્ક, જાણી લો તારીખ ]]></title><link>https://sandesh.com/india/news/business/bank-holidays-list-3-days-bank-closed-this-week-august-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/bank-holidays-list-3-days-bank-closed-this-week-august-2026</guid><pubDate>Tue, 18 Aug 2026 19:19:42 +05:30</pubDate><description><![CDATA[<p>જો આ અઠવાડિયે તમને ચેક ક્લિયરન્સ, ડ્રાફ્ટ કઢાવવો, રોકડ જમા કરાવવી કે અન્ય કોઈ મહત્વપૂર્ણ બેન્કિંગ કામ હોય તો રજાઓની તારીખો જાણી લેવી જરૂરી છે. ઓગસ્ટ 2026માં તહેવારો અને મહિનાના ચોથા શનિવારને કારણે અલગ-અલગ રાજ્યોમાં બેન્ક શાખાઓ બંધ રહેશે. બેન્ક હોલિડે રાજ્ય પ્રમાણે અલગ હોઈ શકે છે, જ્યારે બીજા અને ચોથા શનિવારે બેન્કો માટે રજા રહે છે.</p><ul><li>19 ઓગસ્ટ, બુધવાર: ત્રિપુરામાં મહારાજા બીર બિક્રમ કિશોર માણિક્ય બહાદુર જયંતિના કારણે બેન્કોમાં રજા રહેશે.</li><li>22 ઓગસ્ટ, શનિવાર: મહિનાનો ચોથો શનિવાર હોવાથી દેશભરની બેન્ક શાખાઓ બંધ રહેશે.</li><li>23 ઓગસ્ટ, રવિવાર: સાપ્તાહિક રજાના કારણે સમગ્ર દેશમાં બેન્કો બંધ રહેશે.</li></ul><p>આ ઉપરાંત આગામી સપ્તાહમાં પણ કેટલાક રાજ્યોમાં તહેવારોને કારણે બેંકિંગ સેવાઓ પર અસર પડશે.</p><ul><li>25 ઓગસ્ટે- મિલાદ-ઉન-નબી અને પ્રથમ ઓણમના અવસર પર કેટલાક રાજ્યોમાં રજા રહેશે.&nbsp;</li><li>26 ઓગસ્ટે- ઈદ-એ-મિલાદ/બારાવફાત અને તિરુવોનમને કારણે અનેક રાજ્યોમાં બેંકો બંધ રહેશે.&nbsp;</li><li>28 ઓગસ્ટે - રક્ષાબંધનના કારણે ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં બેન્ક શાખાઓમાં રજા રહેશે.</li></ul><p>બેન્ક શાખાઓ બંધ હોવા છતાં ગ્રાહકોને ડિજિટલ બેન્કિંગની સુવિધાઓ મળતી રહેશે. મોબાઈલ બેન્કિંગ અને નેટ બેન્કિંગ દ્વારા ફંડ ટ્રાન્સફર કરી શકાશે. ATM સેવા પણ સામાન્ય રીતે ઉપલબ્ધ રહેશે. જોકે, પાસબુક અપડેટ, ચેક સંબંધિત કામ અને બ્રાન્ચમાં રોકડ જમા કરવા જેવા કામ માટે બેન્ક ખુલવાની રાહ જોવી પડશે.</p><p><a href="https://sandesh.com/india/news/business/india-fdi-rules-15000-crore-investment-direct-approval" target="_blank"><b>આ પણ વાંચો : FDIના નિયમોમાં મોટા ફેરફાર કરવાની શક્યતા, 15,000 કરોડ સુધીના રોકાણને સીધી મંજૂરીની તૈયારી</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/jxItYMyt3k14V2H9VoPIWoO0GC9claNuESETqhm7.webp'/></item></channel></rss>