<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Mahisagar: જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ડાંગરના પાકને મળી સંજીવની ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/mahisagar/mahisagar-paddy-crop-gets-a-boost-from-universal-rains-in-the-district</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/mahisagar/mahisagar-paddy-crop-gets-a-boost-from-universal-rains-in-the-district</guid><pubDate>Sat, 25 Jul 2026 01:29:44 +05:30</pubDate><description><![CDATA[<p>મહીસાગર જિલ્લામાં લાંબા સમયની આતુરતાનો અંત આણીને મેઘરાજાએ મહેર કરી છે. જિલ્લાભરમાં સાર્વત્રિક વરસાદ ખાબકતા ધૂળિયા વાતાવરણ વચ્ચે તરસતી ધરા તૃપ્ત થઈ છે.</p><p>મહીસાગર જિલ્લામાં ચોમાસાના પ્રારંભે ધમાકેદાર એન્ટ્રી બાદ મેઘરાજા લાંબો સમય માટે ગાયબ થઈ ગયા હતાં. જેને કારણે જિલ્લામાં ખેડૂતોએ શરૂઆતમાં વાવણી કરેલ વાવેતર નિષ્ફળ જવાની ભીતિ સેવાતી હતી, ત્યારે છેલ્લા બે દિવસથી વરસી રહેલા  વરસાદને કારણે વાવણી કરી ચૂકેલા ખેડૂતોના મુરઝાઈ રહેલા પાકને નવું જીવતદાન મળ્યું છે, જેને પગલે સમગ્ર પંથકના જગતના તાતમાં આનંદની લહેર ફરી વળી છે. ડાંગરના પાક માટે વરસાદ 'અમૃત'સાબિત થયો છેલ્લા કેટલાક સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર બન્યા હતા અને તૈયાર થયેલા મોલ પર સંકટના વાદળો ઘેરાયા હતા. પરંતુ તાજેતરમાં થયેલા સાર્વત્રિક વરસાદથી ક્યારાઓ પાણીથી છલકાયા હતાં. ખેતરોના ખૂણે-ખૂણા અને ક્યારાઓ પાણીથી ભરાઈ જતાં ડાંગરના પાકને મોટો ફાયદો થયો છે. પાણીની તંગી દૂર થતાં ખેતર-ખેતરોમાં હરિયાળી લહેરાવાની આશા જાગી છે અને ધરતીપુત્રો પૂર્ણ જોશ સાથે ખેતીકામમાં પરોવાઈ ગયા છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/ffr0PW3NZU8eee0CHftOcAXeGRtUWcd39ZJenWig.webp'/></item><item><title><![CDATA[Panchmahal: શહેરા 108ની ટીમે એક કિ.મી. પાણીમાં ચાલીને દર્દીના ઘરે પહોંચી પ્રસૂતિ કરાવી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/panchmahal/panchmahal-city-108-team-walked-one-km-in-water-to-reach-patients-house-and-deliver-baby</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/panchmahal/panchmahal-city-108-team-walked-one-km-in-water-to-reach-patients-house-and-deliver-baby</guid><pubDate>Sat, 25 Jul 2026 01:28:55 +05:30</pubDate><description><![CDATA[<p>શહેરા : શહેરા તાલુકાના લાભી ગામના તલાર ફ્ળિયામાંથી સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા 108ને કોલ કરાયો હતો. જે બાદ શહેરા 108ની ટીમે ગામ સુધી પહોંચી હતી. પરંતુ વિસ્તારમાં ભારે વરસાદના કારણે રસ્તો બંધ હોવા સાથે ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાથી એમ્બ્યુલન્સ દર્દીના ઘર સુધી પહોંચી શકે તેમ નહોતી. આવી વિષમ પરિસ્થિતિમાં સહેજ પણ સમય બગાડયા વિના 108ના ઇએમટી કલ્પેશ પરમારે સાહસ બતાવી લગભગ 1 કિ.મી. સુધી પાણીમાં ચાલીને દર્દીના ઘરે પહોંચી હતી. જ્યાં મહિલાની હાલત જોતાં ત્યાં જ પ્રસુતિ કરાવવાનો નિર્ણય લઈ ઇઆરસીપી ડૉ.મહેતા સાથે ટેલિફોનિક સંપર્ક સાધી તેમના માર્ગદર્શન હેઠળ સ્થળ પર જ સફળ નોર્મલ ડિલિવરી કરાવી હતી. પ્રસૂતિ બાદ નવજાત શિશુ અને માતાને શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/Hyw4q4jAeGqbZUgREJCK33VGSSnwCrwSZYjRDqwj.webp'/></item><item><title><![CDATA[Vadodara: રેડ એલર્ટ : 4 ઈંચ વરસાદ, વડોદરા તરબોળ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-red-alert-4-inches-of-rain-vadodara-inundated</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-red-alert-4-inches-of-rain-vadodara-inundated</guid><pubDate>Sat, 25 Jul 2026 01:22:28 +05:30</pubDate><description><![CDATA[<p>આજે શુક્રવારે રેડ એલર્ટ વચ્ચે છૂટો છવાયા વરસેલા વરસાદમાં 4 ઈંચ પાણી વરસ્યુ હતુ. જે દરમિયાન 44 જેટલા ઝાડ પડયા હતા અને એક મકાન ધરાશાયી થયુ હતુ. આ વડોદરા શહેર તરબોળ થઈ ગયુ હતુ.ઠેરઠેર પાણી ભરાયા હતા અને ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાં.તેમજ ઠેરઠેર રોડ પર ખાડા- ભૂવા પડવાનો સિલસિલો શરૂ થઈ ગયો હતો. સામાન્ય વરસાદમાં જ શહેરની આ હાલતને લઈને લોકો ત્રાહિ ત્રાહિ પોકારી ગયા હતાં. ત્યારે પ્રી મોનસૂન કામગીરીના બણગાં ફૂંકતી કોર્પોરેશનની પોલ હવે ખુલી ગઈ હતી.</p><p>ભારતીય હવામાન વિભાગે ગઈ તા.23 થી આવતીકાલ તા.25 જૂલાઈ સુધી ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરેલુ છે. ગઈકાલે 3 ઈંચ વરસાદ પછી આજે 4 ઈંચ વરસાદ વરસ્યો હતો. ગઈકાલ ગુરુવારે રાતે 8 કલાકથી આજે શુક્રવારે રાતના 8 કલાક સુધીમાં શહેરમાં 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.આ વરસાદ દરમિયાન શહેરના ગોત્રી,પાણીગેટ, આજવા રોડ, વાઘોડિયા રોડ, નવાપુરા, માંજલપુર સહિતના વિવિધ વિસ્તારોમાં મળીને કુલ 44 જેટલા ઝાડ કે ઝાડની ડાળખીઓ ધરાશાયી થઈ હતી.</p><p>ગઈકાલે બે મકાનનો ભાગ પડયા પછી આજે શહેરના વાડી વિસ્તારમાં આવેલા ભાટવાડા ગોતમલાલ મંદિર નજીક એક મકાન ધરાશાયી થયુ હતુ. જોકે કોઈ જાનહાની સર્જાઈ ન હતી. તેમજ ખોડિયારનગર મૂખી નગર સામે એક દીવાલ ધરાશાયી થતા કલ્પેશ મધુસૂદન ઠક્કર (48) નામનો યુવાન ઈજાગ્રસ્ત થયો હતો. જેને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.ચાર ઈંચ જેટલા સામાન્ય વરસાદમાં વડોદરા શહેરની હાલત કફોડી થઈ ગઈ હતી.પ્રી મોનસૂનની કામગીરીના બમણાં ફૂંકતા કોર્પોરેશનના વહિવટી તંત્રની પોલ ખુલી ગઈ હતી. શહેરના માંડવી સહિત ચાર દરવાજા વિસ્તાર,સરદાર એસ્ટેટ, બાપોદ, વાઘોડિયા રોડ, દંતેશ્વર, લાલબાગ, અકોટા, સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા, ઉંડેરા ગામ, કરોડિયા ગામ, ગોરવા રીફાઈનરી રોડ, કલાકી ખીસકોલી સર્કલ, ગોત્રી પ્રીયા સિનેમા રોડ, ગોત્રી ગામની પાછળ, વાસણા ભાયલી રોડ, ભાયલી ગામ વિસ્તાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. જેથી જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયુ હતુ.</p><p>શહેરમાં ઠેરઠેર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાં. જેને લઈને વાહન વ્યવહાર ખોરવાયો હતો. શહેરના કલાલી ખીસકોલી સર્કલ,દિવાળીપુરા રોડ, વાસણા રોડ ટાઈમ સર્કલ,ન્યૂ તાંદલજાથી વાસણા ફાયર સ્ટેશન રોડ, ગોત્રી પ્રીયા સિનેમાથી નિલાંબર સર્કલ સુધી, ભાયલી ગામથી બ્રાઈટ સ્કૂલ,ભાયલી કેનાલથી અટલાદરા સનફાર્મા રોડ તરફ જવાના રસ્તે, ઉંડેરા રોડ, કરોડિયા- બાજવા રોડ સહિતના વિસ્તારોમાં રોડ પર ખાડા અને કેટલીક જગ્યાએ ભૂવા પડી જતા કોર્પોરેશનના ભ્રષ્ટ તંત્રની પોલ ખુલી ગઈ હતી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/GQbgl22sqWFjwdGqUNrHYbZ8BOg7B1CfTxAUrCFK.webp'/></item><item><title><![CDATA[Vadodara: પાંચ તળાવો ફાટયાં,વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-five-lakes-burst-flood-like-situation-created-in-the-area</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-five-lakes-burst-flood-like-situation-created-in-the-area</guid><pubDate>Sat, 25 Jul 2026 01:21:15 +05:30</pubDate><description><![CDATA[<p>રેડ એલર્ટ વચ્ચે મેઘરાજાએ એક ધારું વરસવાનું ચાલું જ રાખતા વડોદરા શહેર અને તેની આસપાસના પાંચ તળાવો ફાટયાં હતાં. જેના કારણે વરસાદી પાણી આસપાસના વિસ્તારોમાં ઘૂસી જતાં પૂર જેવી સ્થિતિનુ નિર્માણ થયું હતું. કેટલાક વિસ્તારો બેટમાં ફેરવાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. મકાનો-દુકાનોમાં ઘૂસી ગયેલા પાણીના કારણે સેંકડો લોકોને લાખો રૂપિયાનું નુક્સાન વેઠવાનો વારો આવ્યો છે. જેનાથી વડોદરા મ્યુનિ. કોર્પોરેશન અને જિલ્લા પંચાયત તંત્રની નિષ્ફળતાના દ્રશ્યો સામે આવ્યા હતાં.</p><p>ગઈકાલે ત્રણ ઈંચ વરસ્યા બાદ ગઈ રાતે 8 કલાકથી આજે રાતે 8 કલાક દરમિયાનના 24 કલાકમાં 4 ઈંચ જેટલો વરસાદ પડયો હતો. જે દરમિયાન શહેર તરબોળ થયું હતું. તેમજ શહેરમાં અનેક ઠેકાણે પાણી ભરાઈ ગયા હતાં. જેના કારણે જનજીવન ખોરવાયું હતું. સૂત્રોએ કહ્યું કે,બીજી તરફ, મ્યુનિ. કોર્પોરેશનની હદમાં સમાવેશ કરાયેલ ઉંડેરા તળાવ, કરોડિયા તળાવ, બાજવા તળાવ, કોયલી તળાવ અને ભાયલી તળાવ ફાટતા આસપાસના વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતાં. કરોડિયા ગામ, બાજવા ગામ, બાજવાથી કરોડિયા તરફ જવાનો મુખ્ય રોડ,ગોકુલ નગર, વૃંદાવન સોસાયટી, ક્ષત્રિય સોસાયટી, જય અંબે સોસાયટી, પાયલ સોસાયટી, વહાણવટી માતા મંદિરની આસપાસનો વિસ્તાર,હરિ કૃષ્ણ સોસાયટી, ગોરવા મધુનગર ચાર રસ્તા પાસે આવેલ રાજીવનગર, ઉંડેરા ગામ, ઉંડેરા ગામને જોડતા રોડ પર, કોયલી ગામ, કોયલીથી અંકોડિયા રોડ, ભાયલી ગામ, ઈંદીરાનગર અને તેની આસપાસ,કોયલી તળાવની આસપાસ આવેલા સોસાયટી વિસ્તારો સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેમાં મોટાભાગના વિસ્તારો બેટમાં ફેરવાઈ જતાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. સૂત્રોએ ઉમેર્યું કે,અનેક રહેણાકના મકાનો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં સેંકડો લોકો મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતાં. આ પૈકી ઘણી જગ્યાએ તો ડ્રેનેજના પાણી ઘરમાં ઊભરાવા લાગ્યા હતાં.</p><p>વડોદરા મ્યુનિ. કોર્પોરેશન તેમજ વડોદરા તાલુકાની હદમાં આવતા આ વિસ્તારોમાં આટઆટલી ખરાબ પરિસ્થિતિ સર્જાવા છતાં પણ કોઈ રાજકારણી જોવા શુદ્ધા આવ્યો ન હતો. સૂત્રોએ ઉમેર્યું કે, ગોરવા તળાવની પણ આવી જ સ્થિતિ છે. ગોરવા તળાવ પણ પાણીથી ભરાઈ ગયું છે. તેમજ આસપાસ રોડ પરથી પાણી આ તળાવ લેતું નથી.આ તળાવ પણ છલકાઈ જવાની તૈયારીમાં છે. આવી જ રીતે,ગોત્રી તળાવમાં પણ ગોરવા, લક્ષ્મીપુરા તરફથી પાણી આવતા તે તળાવ પણ કોઈ પણ સમયે ફાટે તેવી સ્થિતિ હોવાનું જાણવા મળે છે. હજુ તો ચાર ઈંચ જ વરસાદ થયો છે, એવામાં આવી હાલત થઈ ગઈ છે ત્યારે ભારે વરસાદ કે અતિ ભારે વરસાદ પડશે તો વડોદરાની શું દશા થશે ? તે પ્રશ્નની કલ્પના જ કપાળે ચિંતાની રેષાઓ ખેંચી દે છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/USTVDK4y2K0XwKX5vCuB9irDceHzOgIFqIPRDpIV.webp'/></item><item><title><![CDATA[Vadodara: 25થી વધુ વિસ્તાર અને હાઈવેની ચાર ચોકડીઓ પર ટ્રાફ્કિ બેકાબૂ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-traffic-is-out-of-control-at-more-than-25-areas-and-four-highway-crossings</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-traffic-is-out-of-control-at-more-than-25-areas-and-four-highway-crossings</guid><pubDate>Sat, 25 Jul 2026 01:18:33 +05:30</pubDate><description><![CDATA[<p>શહેરના રાજમાર્ગો પર ટ્રાફ્કિ જામની સમસ્યા દિન-પ્રતિદિન બેકાબૂ બની રહી છે. ખાસ કરીને સવાર-સાંજ પિક અવર્સ દરમિયાન ટ્રાફ્કિની આ વિકટ સ્થિતિ વાહન ચાલકો અને રાહદારીઓ માટે શિર દર્દ સમાન સાબિત થઈ રહી છે. શુક્રવારની વરસાદી રાત્રે પણ ટ્રાફ્કિની કટોકટી યથાવત રહી હતી, જેમાં અનેક નાગરિકો અટવાઈ પડયા હતા.</p><p>શહેરના રાજમાર્ગો પર ટ્રાફિક જામની સમસ્યા બેકાબુ થઈ રહી છે. ખાસ કરની સવાર અને સાંજનો પિક અર્વસનો ટ્રાફિક રાહદારીઓ માટે માથાના દુખાવા સમાન બની રહયો છે. શુક્રવારે સવારે વરસાદ થંભી ગયા બાદ પણ અગિયારથી સાડા અગિયાર વાગ્યાના સુમારે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફ્કિ જામ સર્જાયો હતો. ત્યારબાદ રાતે વરસાદી માહોલમાં પણ ટ્રાફિકની સમસ્યા યથાવત રહી હતી.</p><p>શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે કારેલીબાગ, એરપોર્ટ સર્કલ, સંગમ ચાર રસ્તા, ઓલ્ડ પાદરા રોડ, અટલાદરા સ્વામિનારાયણ મંદિર નજીક, ભાઈલાલ અમીન માર્ગ,ફ્તેગંજ ચાર રસ્તા, વુડા સર્કલ, અમિત નગર, જીવન ભારતી, વારસિયા રિંગ રોડ, ગધેડા માર્કેટ ચાર રસ્તા, મહાવીર હોલ, સોમા તળાવ ચાર રસ્તા, અટલાદરા-બીલ રોડ, એમ.જી. રોડ, અકોટા-દાંડિયા બજાર બ્રિજ,ગાય સર્કલ, સેવાસી-ગોત્રી રોડ, વાસણા-ભાયલી રોડ, ઈસ્કોન સર્કલ, તુલસીધામ, દરબાર ચોકડી અને સુઝેન સર્કલ ખાતે હેવી ટ્રાફ્કિથી ગૂગલ મેપ પર આ તમામ માર્ગો લાલ લાઈનોથી ભરાઈ ગયા હતા. ઉલ્લેખનિય છે કે, રાત્રિના સમયે અટલ બ્રિજ નીચે આવેલા સર્વિસ રોડ અને મુખ્ય ટ્રાફ્કિ સિગ્નલો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી, જેના કારણે લોકોનો કીમતી સમય વેડફાયો હતો.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/uIHlA84JFUWy0Rf8C1yYBZmNqEqJbCmGM6mLZyix.webp'/></item><item><title><![CDATA[Delhi News: NEET વિરોધ પ્રદર્શન દરમિયાન છાત્રો પર પેલેટ ગન ચલાવાઈ? તપાસના આદેશ ]]></title><link>https://sandesh.com/india/news/neet-protest-probe-ordered-over-pellet-gun-use-allegations</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/neet-protest-probe-ordered-over-pellet-gun-use-allegations</guid><pubDate>Fri, 24 Jul 2026 22:26:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">NEET પેપર લીકને લઈને દિલ્હીના જંતર-મંતર પર પણ આ મુદ્દે સતત વિરોધ પ્રદર્શન ચાલુ છે. 20 જુલાઈના રોજ કોકરોચ જનતા પાર્ટી દ્વારા ચલો સંસદ માર્ચનું એલાન કરવામાં આવ્યું હતું.આ દરમિયાન પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે હિંસક ઝડપ થઈ હતી.પ્રદર્શન દરમિયાન પેલેટ ગનનો ઉપયોગ કરાયો હોવાના ગંભીર આરોપો લાગ્યા હતા.હવે આ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. રેપિડ એક્શન ફોર્સ દ્વારા પોતાના જવાનો પર લાગેલા બળપ્રયોગ અને પેલેટ ગનના કથિત ઉપયોગના આરોપોની તપાસ માટે વેરિફિકેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>પેલેટ ગનના ઉપયોગના તમામ આરોપોને નકારી કાઢ્યા</b></h2><p style="text-align: justify; ">અહેવાલો મુજબ દિલ્હીમાં વિદ્યાર્થીઓના પ્રદર્શન દરમિયાન RAFના જવાનો દ્વારા જરૂરિયાતથી વધુ બળપ્રયોગ કરવા અને પેલેટ ગન ચલાવવાના આરોપોની તપાસ શરૂ કરી દેવાઈ છે.મીડિયા રિપોર્ટ્સમાં ઈજાગ્રસ્તોની જુબાની અને મેડિકલ રેકોર્ડના આધારે દાવો કરાયો હતો કે 20 જુલાઈની માર્ચ દરમિયાન અનેક પ્રદર્શનકારીઓને પેલેટ ગનના કારણે ઈજાઓ પહોંચી હતી. મીડિયા રિપોર્ટ્સમાં દેશની રાજધાની દિલ્હીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પેલેટ ગનના ઉપયોગની આ એક દુર્લભ ઘટના ગણાવાઈ રહી છે.દિલ્હી પોલીસે પેલેટ ગનના ઉપયોગના તમામ આરોપોને નકારી કાઢ્યા છે.પોલીસનું કહેવું છે કે તેઓ ભીડને કાબૂમાં લેવા માટે પેલેટ ગન રાખતા પણ નથી અને તેનો ઉપયોગ પણ કરતા નથી.</p><h3 style="text-align: justify; "><b>કોર્ટ ઓફ ઈન્ક્વાયરીના આદેશ આપવામાં આવ્યા નથી</b></h3><p style="text-align: justify; ">અધિકારીઓના જણાવ્યા અનુસાર, રેપિડ એક્શન ફોર્સ જે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ હેઠળ કામ કરે છે.તેણે RAFના ઈન્સ્પેક્ટર જનરલને 20 જુલાઈના ઓપરેશન દરમિયાન બનેલી ઘટનાઓનો આખો ક્રમ ફરીથી તપાસવા સૂચના આપી છે.આ વેરિફિકેશન દરમિયાન બંને પક્ષોની ઘટનાઓની નિષ્પક્ષ તપાસ થશે.જેમાં પ્રદર્શનકારીઓને કાબૂમાં લેવા માટે કરાયેલી કાર્યવાહી તેમજ RAFના જવાનો પર થયેલા કથિત હુમલા બંને પાસાં આવરી લેવાશે.CRPFના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે હજુ સુધી કોઈ ઔપચારિક કોર્ટ ઓફ ઈન્ક્વાયરીના આદેશ આપવામાં આવ્યા નથી.</p><h2 style="text-align: justify; "><b>વીડિયો અને તસવીરોની પણ થશે ગહન તપાસ</b></h2><p style="text-align: justify; ">અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ માત્ર વેરિફિકેશન દ્વારા ઘટનાના સાચા તથ્યો મેળવવામાં આવી રહ્યા છે.આ પ્રક્રિયા પૂરી થયા બાદ જ નિર્ણય લેવાશે કે મામલે સત્તાવાર તપાસની જરૂર છે કે નહીં.RAFએ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા અનેક વીડિયો અને તસવીરોની પણ નોંધ લીધી છે.જેમાં બ્લુ કૅમોફ્લાજ વર્દીમાં સજ્જ જવાનો ભીડને નિયંત્રિત કરવા માટે લાઠી અને શસ્ત્રો સાથે દેખાઈ રહ્યા છે.આ સિવાય કેટલાક વીડિયોમાં RAFના જવાનો પ્રદર્શનકારીઓથી ઘેરાયેલા અને તેમના પર હુમલો થતો પણ જોવા મળે છે.આ તમામ વીડિયો અને તસવીરોની ખરાઈ તપાસ દરમિયાન કરવામાં આવશે.<br><br><a href="https://sandesh.com/india/news/neet-paper-leak-governments-big-decision-in-the-paper-leak-case-47-officials-dismissed-from-nta" target="_blank">આ પણ વાંચોઃ NEET Paper Leak: પેપર લીક મામલે સરકારનો મોટો નિર્ણય, NTAમાંથી 47 અધિકારીઓને કરાયા બરતરફ</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/24/FR9ZAEYa7FjjwlxCsAajzQHVfT4NzpsxmteyzuKq.webp'/></item><item><title><![CDATA[Delhi News: કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી રવનીતસિંહ બિટ્ટુએ રાજીનામું આપ્યું, રાષ્ટ્રપતિએ મંજૂર કર્યું ]]></title><link>https://sandesh.com/india/news/ravneet-singh-bittu-resigns-as-union-minister-of-state-for-railways</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ravneet-singh-bittu-resigns-as-union-minister-of-state-for-railways</guid><pubDate>Fri, 24 Jul 2026 21:23:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની કેબિનેટમાંથી રેલ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ રાજીનામું આપી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ભારતીય બંધારણના આર્ટિકલ 75(2) હેઠળ કેન્દ્રીય મંત્રી પરિષદમાંથી રવનીત સિંહનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારી લીધું છે.રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર આ રાજીનામું તાત્કાલિક ધોરણે અમલી બનશે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>રવનીત સિંહ બિટ્ટુની રાજકીય સફર</b></h2><p style="text-align: justify; ">રવનીત સિંહ બિટ્ટુની રાજ્યસભાની મુદત 21 જૂનના રોજ પૂર્ણ થઈ ગઈ હતી.18  જૂને યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા તેમને ફરીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા ન હતા. તેમ છતાં અત્યાર સુધી તેમની પાસેથી રાજીનામું માગવામાં આવ્યું ન હતું. પરંતુ શુક્રવારે તેમનું રાજીનામું મંજૂર કરી દેવામાં આવ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>2024ના રોજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા</b></h3><p style="text-align: justify; ">રવનીત સિંહ બિટ્ટુ 24 માર્ચ 2024ના રોજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને 2024માં પીએમ નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળમાં કેન્દ્રીય મંત્રી બન્યા હતા.તેઓ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં લુધિયાણાથી તથા 2009માં આનંદપુર સાહેબ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>કોંગ્રેસ પક્ષના નેતા તરીકે સેવા આપી ચૂક્યા છે</b></h2><p style="text-align: justify; ">તેઓ 11 માર્ચ 2021થી 18 જુલાઈ 2021 સુધી લોકસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે સેવા આપી ચૂક્યા છે.પશ્ચિમ બંગાળ ચૂંટણી દરમિયાન અધિર રંજન ચૌધરી વ્યસ્ત હોવાથી તેમને આ જવાબદારી સોંપાઈ હતી.ઉપરાંત તેઓ લોકસભામાં પક્ષના વ્હિપ પણ રહ્યા હતા.રવનીત સિંહ બિટ્ટુ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બેઅંત સિંહના પૌત્ર છે.જાન્યુઆરી 2021માં જન સંસદ કાર્યક્રમ દરમિયાન સિંઘુ બોર્ડર પર તેમના પર હુમલો પણ થયો હતો.<br><br><a href="https://sandesh.com/india/news/neet-paper-leak-governments-big-decision-in-the-paper-leak-case-47-officials-dismissed-from-nta" target="_blank">આ પણ વાંચોઃ NEET Paper Leak: પેપર લીક મામલે સરકારનો મોટો નિર્ણય, NTAમાંથી 47 અધિકારીઓને કરાયા બરતરફ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/24/YlNg0cAPvmPafmaBNqrf6A1I6E1LH5r236IipT6t.webp'/></item><item><title><![CDATA[US Tariff Impact: અમેરિકાએ Forced Laborના નામે ભારત પર લગાવ્યો 10%નો વધારાનો ટેરિફ, ભારતીય ઉદ્યોગો પર શું પડશે અસર? ]]></title><link>https://sandesh.com/world/news/business/usa/us-tariff-impact-america-imposed-an-additional-10-tariff-on-india-in-the-name-of-forced-labor-what-will-be-the-impact-on-indian-industries</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/business/usa/us-tariff-impact-america-imposed-an-additional-10-tariff-on-india-in-the-name-of-forced-labor-what-will-be-the-impact-on-indian-industries</guid><pubDate>Fri, 24 Jul 2026 19:59:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ કાર્યવાહી બળજબરીથી મજૂરી સંબંધિત ચિંતાઓના આધારે કરવામાં આવી હતી.&nbsp;</p><h2 style="text-align: justify; ">બળજબરીથી મજૂરી એટલે શું ?</h2><p style="text-align: justify; ">બળજબરીથી મજૂરીનો અર્થ વ્યક્તિને તેની ઇચ્છા વિરુદ્ધ કામ કરવા માટે દબાણ કરવાનો છે. જો કોઈ કામદાર પોતાની નોકરી છોડવા માંગે છે પરંતુ તેને મંજૂરી નથી, તો તે બળજબરીથી મજૂરી બની શકે છે. જો વ્યક્તિને ધમકી હેઠળ કામ કરવાની ફરજ પાડવામાં આવે તો પણ, મામલો ગંભીર હોઈ શકે છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન બળજબરીથી મજૂરીને માનવ અધિકારોનું ઉલ્લંઘન માને છે. વ્યક્તિની સંમતિ ખરેખર મુક્ત નથી. તેઓ દબાણ હેઠળ કામ કરી રહ્યા છે.</p><h3 style="text-align: justify; ">મુખ્ય વ્યાખ્યા શુ ?&nbsp;</h3><p style="text-align: justify; ">દરેક ઓછા વેતનવાળી નોકરીને બળજબરીથી મજૂરી ગણી શકાય નહીં. ઘણા દેશોમાં, કામદારોને ઓછું વેતન મળે છે. કામના કલાકો પણ લાંબા હોઈ શકે છે. આ શ્રમ અધિકારોનો મુદ્દો હોઈ શકે છે. પરંતુ બળજબરીથી મજૂરી સાબિત કરવા માટે, દબાણ અથવા નિયંત્રણના નક્કર સંકેતો જરૂરી છે. ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિ તેમની ઇચ્છા વિરુદ્ધ ઓછા વેતન માટે કામ કરી રહી છે અને ગમે ત્યારે કામ છોડી શકે છે. આવી પરિસ્થિતિ હંમેશા બળજબરીથી મજૂરીની કાનૂની વ્યાખ્યામાં આવતી નથી. જો કે, જો તેમને ચૂકવણી ન કરવાની, પોલીસ કાર્યવાહી, હિંસા, દેવું અથવા પાસપોર્ટ જપ્ત કરવાની ધમકી આપવામાં આવે છે, તો મામલો અલગ થઈ જાય છે.</p><h4 style="text-align: justify; ">બળજબરીથી મજૂરીના મુખ્ય સંકેતો&nbsp;</h4><p style="text-align: justify; ">બળજબરીથી મજૂરીને અનેક સંકેતો દ્વારા ઓળખવામાં આવે છે. આમાં નોકરી છોડવાની સ્વતંત્રતાનો ઇનકાર, હુમલો અથવા હિંસાની ધમકીઓ, પાસપોર્ટ, ઓળખ કાર્ડ અથવા અન્ય દસ્તાવેજો જપ્ત કરવા, વેતન રોકવું, કામદારોને વધુ પડતા દેવાથી બાંધવા, કામદારોની હિલચાલ પર પ્રતિબંધ મૂકવો, ભરતીના નામે ઊંચી ફી વસૂલવી, બાળકોને ખતરનાક અથવા બળજબરીથી મજૂરી કરવા માટે દબાણ કરવું, કામદારોને અલગ કરવા અને નિયંત્રિત કરવા વગેરેનો સમાવેશ થાય છે. આ સૂચકાંકોમાંથી એક અથવા વધુ શંકા પેદા કરી શકે છે.</p><h5 style="text-align: justify; ">દેવું-આધારિત મજૂર જાળ</h5><p style="text-align: justify; ">જબરદસ્તી મજૂરીના એક સામાન્ય સ્વરૂપમાં દેવું શામેલ છે, જેને બંધુઆ મજૂર તરીકે પણ ઓળખવામાં આવે છે. ધારો કે કોઈ ભરતી એજન્ટ કોઈ કામદારને વિદેશમાં નોકરી મેળવવાના નામે મોટી લોન આપે છે. બાદમાં, કામદારને કહેવામાં આવે છે કે તેઓ લોન ચૂકવ્યા વિના છોડી શકતા નથી. તેમના વેતનમાં પણ કાપ મૂકવામાં આવે છે. આ પરિસ્થિતિમાં, કામદાર નાણાકીય જાળમાં ફસાઈ જાય છે. ક્યારેક દેવું એટલું મોટું હોય છે કે કામદાર વર્ષો સુધી તેને ચૂકવી શકતો નથી. આ પરિસ્થિતિ આંતરરાષ્ટ્રીય વેપારમાં ગંભીર ચિંતાનો વિષય છે.</p><h5 style="text-align: justify; ">આંતરરાષ્ટ્રીય વેપારમાં આ મુદ્દો મહત્વપૂર્ણ&nbsp;</h5><p style="text-align: justify; ">આજે, એક ઉત્પાદન બહુવિધ દેશોમાં બનાવવામાં આવે છે. એક દેશમાં ઉગાડવામાં આવતા કપાસમાંથી કાપડ બનાવી શકાય છે, બીજા દેશમાં યાર્નનું ઉત્પાદન કરી શકાય છે, અને કપડાને ત્રીજા દેશમાં સીવી શકાય છે. પછી અંતિમ ઉત્પાદન ચોથા દેશમાંથી યુનાઇટેડ સ્ટેટ્સ અથવા યુરોપમાં મોકલી શકાય છે. આને વૈશ્વિક પુરવઠા શૃંખલા કહેવામાં આવે છે. આ સિસ્ટમમાં, કોઈપણ એક તબક્કે બળજબરીથી મજૂરીનો આરોપ સમગ્ર ઉત્પાદનને વિવાદાસ્પદ બનાવી શકે છે. ખરીદનાર દેશો ઉત્પાદનના ઉત્પાદનમાં કામદારોના અધિકારોનું સન્માન કરવામાં આવ્યું હતું કે કેમ તે અંગે પ્રશ્નો ઉભા કરે છે.</p><h6 style="text-align: justify; ">ભારત પર 10 ટકા ટેરિફનો સંદર્ભ</h6><p style="text-align: justify; ">યુનાઇટેડ સ્ટેટ્સે ભારતને એવા દેશોના જૂથમાં સામેલ કર્યું છે જેમની આયાત પર વધારાના 10 ટકા ટેરિફ લાદવામાં આવે છે. યુનાઇટેડ સ્ટેટ્સે એવા દેશો સામે વધુ કડક પગલાં લેવાની વિનંતી કરી છે જેઓ બળજબરીથી મજૂરી કરાવતી વસ્તુઓની આયાતને રોકવા માટે પૂરતા પગલાં લેવામાં નિષ્ફળ ગયા છે. એવું કહેવું યોગ્ય રહેશે નહીં કે ભારતમાં દરેક ઉત્પાદન અથવા દરેક ઉદ્યોગ પર બળજબરીથી મજૂરી કરવાનો આરોપ છે. વ્યાપક નીતિ સ્તરે, આ ટેરિફ દબાણનું સાધન છે. તેનો હેતુ પુરવઠા શૃંખલાની ચકાસણી, પારદર્શિતા અને શ્રમ ધોરણોનું પાલન વધારવાનો હોવાનું જણાવાયું છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/india/news/saharanpur-news-4-killed-in-blast-at-firecracker-factory-in-saharanpur-two-bodies-found" target="_blank"> સહારનપુરમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 4ના મોત, બે મૃતદેહ મળ્યા</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/24/2qEnFvwnpy6B9PGargJ2Pl13icuxxk3WFID6Ozoa.webp'/></item><item><title><![CDATA['કરણે મને લાફો માર્યો, મારા મમ્મી-પપ્પાને પણ અપશબ્દો...', અભિનેત્રીના ચોંકાવનારા ખુલાસાથી મચ્યો ખળભળાટ ]]></title><link>https://sandesh.com/entertainment/news/sanvi-talwar-alleges-karan-kundrra-slapped-her-on-yeh-kahan-aa-gaye-hum-set</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/sanvi-talwar-alleges-karan-kundrra-slapped-her-on-yeh-kahan-aa-gaye-hum-set</guid><pubDate>Fri, 24 Jul 2026 17:49:34 +05:30</pubDate><description><![CDATA[<p>ટીવી અભિનેતા કરણ કુન્દ્રા આજકાલ ચર્ચામાં છે. જોકે, આ વખતે તે કોઈ શો નથી, પરંતુ ભૂતકાળનો વિવાદ છે. 2015 માં કરણ કુન્દ્રા અને અભિનેત્રી સાનવી તલવાર ટીવી સીરિયલ "યે કહાં આ ગયે હમ" માં સાથે દેખાયા હતા. તેમની ઓન-સ્ક્રીન જોડી દર્શકોને ખૂબ ગમતી હતી, પરંતુ તેઓ સ્ક્રીનની બહાર ઝઘડતા હતા. આ દરમિયાન સાનવી તલવારે કરણ સાથેના તેના વિવાદ વિશે ખુલ્લેઆમ વાત કરી અને ઘણા ખુલાસા કર્યા જે ખૂબ જ ચોંકાવનારા છે.</p><p><h4><b>મેં કરણને લાફો માર્યો</b></h4>તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કરતા અભિનેત્રી સાનવીએ કહ્યું, "મેં કરણ સાથે સેટ પર વાત નહોતી કરી કારણ કે મને તે પસંદ નહોતો. પરંતુ કરણ અને દિગ્દર્શકને મારા ન બોલવાથી સમસ્યા હતી. ઘણી વાર મને ખબર પડી કે તે મને રિપ્લેસ કરશે." કિસિંગ સીન અંગે, સાનવીએ ખુલાસો કર્યો, "નિર્દેશક બોલે તે પહેલાં કરણે મને કિસ કરી, પરંતુ કોઈએ તેને કંઈ કહ્યું નહીં." મેં ગુસ્સામાં કરણને થપ્પડ મારી, અને તે ચાલ્યો ગયો.</p><h4><b>કરણે સાનવી સાથે દુર્વ્યવહાર કર્યો
</b></h4><p>સાનવીએ આગળ કહ્યું, "લગભગ 10-15 મિનિટ પછી, કરણ આવ્યો અને તેને એટલી જોરથી થપ્પડ મારી કે તે જમીન પર પડી ગઈ. તેણે મને અને મારા માતા-પિતાને પણ અપશબ્દો કહ્યા. તેના આવા વ્યવહાર પછી પણ કોઈએ મને સપોર્ટ કર્યો નહીં. પછી હું મારી કાર લઈને ચાલી ગઈ. મેં નક્કી કર્યું હતું કે હું ફરી ક્યારેય ત્યાં કામ નહીં કરું, પરંતુ એકતા કપૂરે માફી માંગી અને મને શોમાં પાછા ફરવાનું કહ્યું."
</p><h4><b>શો ટૂંક સમયમાં જ બંધ થઈ ગયો
</b></h4><p>નોંધનીય છે કો સિરિયલ "યે કહાં આ ગયે હમ" એક મ્યુઝિકલ ડ્રામા હતી. આ સિરીઝમાં કરણે રાહુલ સભરવાલ નામના રોકસ્ટારની ભૂમિકા ભજવી હતી અને સાનવી જેને માનવી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક ગાયિકા હતી. બાલાજી ફિલ્મ્સની આ સિરિયલની વાર્તા તે સમયે દર્શકોનું ધ્યાન ખેંચવામાં નિષ્ફળ ગઈ. આ શો 26 ઓક્ટોબર 2015 ના રોજ શરૂ થયો હતો, પરંતુ 24 ઓગસ્ટ 2016 ના રોજ બંધ થઈ ગયો.
</p><p><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/entertainment/news/akanksha-puri-claim--money-offered-to-celebs-for-neet-protest" target="_blank"><b>આ ગંદકીમાં નથી પડવું... વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા માટે ઓફર થઈ રહ્યા છે પૈસા, અભિનેત્રીનો મોટો દાવો</b></a></p><p><br><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/24/xdJvrJTsWTNVeKizkjpYbKp2OfZ45yJyfJ4HXTT0.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup ફાઈનલમાં હાર્યા બાદ આર્જેન્ટિનાના દિગ્ગજે લીધો સંન્યાસ, જાણો શાનદાર રેકોર્ડ ]]></title><link>https://sandesh.com/sports/news/argentina-legend-retires-after-losing-in-fifa-world-cup-final-know-his-amazing-record</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/argentina-legend-retires-after-losing-in-fifa-world-cup-final-know-his-amazing-record</guid><pubDate>Fri, 24 Jul 2026 17:38:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સ્પેને ફિફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં આર્જેન્ટિનાને 1-0 થી હરાવ્યું.સ્પેને 16 વર્ષ પછી ટ્રોફી જીતી.આર્જેન્ટિનાને સતત બીજી ટ્રોફી જીતવાની તક મળી હતી,પરંતુ તે નિષ્ફળ ગયો.આ લિયોનેલ મેસ્સીનો છેલ્લો વર્લ્ડ કપ હોવાનું માનવામાં આવતું હતું.મેસીએ હજુ સુધી નિવૃત્તિની જાહેરાત કરી નથી,અને અહેવાલો અનુસાર તે થોડા મહિનાઓ સુધી આંતરરાષ્ટ્રીય ફૂટબોલ રમશે. હવે, તેના સાથી ખેલાડીએ નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે.</p><h4 style="text-align: justify; "><b>આર્જેન્ટિનાના ડિફેન્ડરે નિવૃત્ત જાહેર કરી</b></h4><p style="text-align: justify; ">આર્જેન્ટિનાના ડિફેન્ડર નિકોલસ ઓટામેન્ડીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે, જેનાથી તેની 17 વર્ષની કારકિર્દીનો અંત આવ્યો છે. 38 વર્ષીય ડિફેન્ડરને આર્જેન્ટિનાના સૌથી સફળ ડિફેન્ડરોમાંના એક માનવામાં આવે છે. તેણે ફિફા વર્લ્ડ કપ 2026 માં સ્પેન સામે આર્જેન્ટિના માટે તેની છેલ્લી મેચ રમી હતી. નિવૃત્તિ પર, તેણે કહ્યું, આજે હું મારી કારકિર્દીના સૌથી મુશ્કેલ શબ્દો લખવા જઈ રહ્યો છું. હું ભાગ્યશાળી છું કે મારી છેલ્લી મેચ વર્લ્ડ કપ ફાઇનલ હતી." ભલે પરિણામ અમારા પક્ષમાં ન હતું, હું માથું ઉંચુ કરીને વિદાય આપી રહ્યો છું. વર્લ્ડ કપ જીતવાનું મારું સ્વપ્ન પૂરું કરવા બદલ આર્જેન્ટિનાનો આભાર.</p><p style="text-align: justify; "><a href="https://x.com/argfootballafa/status/2080262132634132692?s=20" target="_blank">https://x.com/argfootballafa/status/2080262132634132692?s=20</a></p><p style="text-align: justify; "><br></p><h5 style="text-align: justify; "><b>આર્જેન્ટિના માટે કેટલી મેચ રમી?</b></h5><p style="text-align: justify; ">નિકોલસ ઓટામેન્ડીએ આર્જેન્ટિના માટે 139મેચ રમી અને વર્ષોથી ટીમની સફળતામાં મુખ્ય પરિબળ રહ્યા. ઓટામેન્ડી માત્ર આર્જેન્ટિનામાં જ નહીં પરંતુ ફૂટબોલ લીગમાં પણ પોતાનું નામ બનાવવામાં સફળ રહ્યા. તેઓ પોર્ટો, વેલેન્સિયા, માન્ચેસ્ટર સિટી અને બેનફિકા માટે રમ્યા છે. તેમણે ચાર વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેઓ એક વારસો છોડીને ગયા છે અને ભવિષ્યના ઘણા ડિફેન્ડરોને પ્રેરણા આપશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/ferran-torres-love-story-he-made-the-coachs-daughter-his-girlfriend-then-this-is-why-they-broke-up" target="_blank">Ferran Torres Love Story: કોચની દીકરીને બનાવી ગર્લફ્રેન્ડ, પછી આ કારણે થયું બ્રેકઅપ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/24/uZjDSQITA43mVbUUCCRYfsXVySD3aBpao7mMJPH1.webp'/></item></channel></rss>