<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Morbi News: ખેડૂત આંદોલનના સમર્થનમાં માળિયા તાલુકા ભાજપ ઉપપ્રમુખે આપ્યું રાજીનામું ]]></title><link>https://sandesh.com/gujarat/news/morbi/maliya-taluka-bjp-vice-president-bhavik-kavar-resigns-to-support-farmers-protest</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/morbi/maliya-taluka-bjp-vice-president-bhavik-kavar-resigns-to-support-farmers-protest</guid><pubDate>Wed, 24 Jun 2026 15:51:03 +05:30</pubDate><description><![CDATA[<p>મોરબી જિલ્લાના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દેશ અને રાજ્યમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનની સીધી અસર હવે શાસક પક્ષ ભાજપના આંતરિક સંગઠન પર જોવા મળી રહી છે. ખેડૂતોની પડતર માંગણીઓ અને આંદોલનના સમર્થનમાં ભાજપના હોદ્દેદારોમાં નારાજગીનો સૂર ઉઠ્યો છે, જેના લીધે મોરબી ભાજપના રાજકારણમાં મોટો ખળભળાટ મચી ગયો છે.</p><h2><b>સરકાર ઉકેલ લાવવામાં નિષ્ફળ રહેતા ઉપપ્રમુખ ભાવિક કાવરે પદ છોડ્યું</b></h2><p>માળિયા તાલુકા ભાજપના ઉપપ્રમુખ ભાવિક કાવરે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપીને પક્ષને મોટો ઝટકો આપ્યો છે. ભાવિક કાવરે રાજીનામું આપતાં ખુલ્લેઆમ જણાવ્યું છે કે, લાંબા સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલનનો સરકાર ઝડપથી કોઈ સકારાત્મક ઉકેલ લાવશે તેવી આશા હતી, પરંતુ લાંબો સમય વીતવા છતાં પણ સરકાર દ્વારા કોઈ યોગ્ય ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેથી ખેડૂતોના હિતમાં હું મારા પદ પરથી રાજીનામું આપું છું.</p><p><img title="Morbi News: BJP Leader Bhavik Kavar Resigns In Support Of Farmers Protest" src="https://epapercdn.sandesh.com/images/2026/06/24/jgo5jHOR7OOyIvqTgGYRltEoRFmGb4Ekl1PVhpT7.webp" style="width: 100%;"><br></p><h2><b>આગામી દિવસોમાં સંગઠનમાંથી વધુ રાજીનામા પડવાની શક્યતા</b></h2><p>માળિયા તાલુકા ભાજપના સત્તાવાર પદ પરથી ભાવિક કાવરના રાજીનામા બાદ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપના જ હોદ્દેદારો હવે ખેડૂતોના મુદ્દે પોતાની જ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા હોવાનું ચિત્ર સ્પષ્ટ થતાં વિપક્ષને પણ મોટો મુદ્દો મળ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં મોરબી જિલ્લા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ભાજપના અન્ય કેટલાક નાના-મોટા હોદ્દેદારો પણ ખેડૂતોના સમર્થનમાં રાજીનામા ધરી દે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/morbi/morbi-jetpar-farmers-protest-hunger-strike-compensation-update" target="_blank">Morbi : જેતપરમાં ખેડૂત આંદોલનનો છઠ્ઠો દિવસ, તબિયત લથડતાં 3 ઉપવાસીઓને હોસ્પિટલ ખસેડાયા</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/8E37BwkICdU7XXbtEYGH8PKJ2vRt3aU3KwSzymMs.webp'/></item><item><title><![CDATA[Gir Somnath News: ઇણાજ ચેરિટી કમિશનર કચેરીનો પટાવાળો પાંચ હજારની લાંચ લેતા ઝડપાયો ]]></title><link>https://sandesh.com/crime/news/maru-saher-maru-gaam/gir-somnath/inaj-charity-commissioner-office-acb-trap-bribe</link><guid isPermaLink="true">https://sandesh.com/crime/news/maru-saher-maru-gaam/gir-somnath/inaj-charity-commissioner-office-acb-trap-bribe</guid><pubDate>Wed, 24 Jun 2026 15:49:11 +05:30</pubDate><description><![CDATA[<p>ગીર સોમનાથ જિલ્લામાં લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓ સામે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત જિલ્લાના ઇણાજ ખાતે આવેલી મદદનીશ ચેરિટી કમિશનરની કચેરીમાં એસીબીની ટીમે એક સફળ ટ્રેપ ગોઠવીને લાંચિયા તત્વો પર સકંજો કસ્યો છે. કચેરીમાં જ એસીબીની ટીમ ત્રાટકતાં લાંચિયા કર્મચારીઓ અને અન્ય સ્ટાફમાં ભારે ફફડાટ મચી ગયો છે.</p><h2><b>ટ્રસ્ટ નોંધણી પ્રમાણપત્ર આપવાના બદલામાં માંગી હતી લાંચ</b></h2><p>આ કેસની વિગતો મુજબ, ફરિયાદી પોતાના એક ટ્રસ્ટની નોંધણી કરાવીને તેનું સત્તાવાર પ્રમાણપત્ર મેળવવા માટે ચેરિટી કમિશનર કચેરીના ચક્કર કાપી રહ્યા હતા. આ દરમિયાન કચેરીમાં કરાર આધારિત પટાવાળા તરીકે ફરજ બજાવતા રાહુલ વંશ નામના કર્મચારીએ ફરિયાદી પાસે ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ આપવાના બદલામાં રૂપિયા 5,000ની લાંચની માંગણી કરી હોવાનો આક્ષેપ છે. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેઓએ આ અંગે એસીબીનો સંપર્ક કર્યો હતો.</p><h2><b>રૂપિયા 5 હજાર લેતા પટાવાળો રાહુલ વંશ રંગેહાથ ઝડપાયો</b></h2><p>ફરિયાદીની વિગતોના આધારે એસીબીની ટીમે તાત્કાલિક પ્લાન બનાવીને ઇણાજ કચેરી ખાતે જ લાંચનું છટકું ગોઠવ્યું હતું. આયોજન મુજબ, જ્યારે ફરિયાદી લાંચના રૂપિયા 5,000 પટાવાળા રાહુલ વંશને આપી રહ્યા હતા, ત્યારે જ વોચમાં ઉભેલી એસીબીની ટીમે આરોપીને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધો હતો. એસીબી દ્વારા હાલ કેસ નોંધીને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ કૌભાંડમાં કચેરીના અન્ય કોઈ મોટા અધિકારી સામેલ છે કે કેમ તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gir-somnath/moharram-peace-committee-meeting-veraval-police-foot-patrolling" target="_blank">Gir Somnath News: વેરાવળમાં મોહરમ પર્વને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/WOWfCEGWhg9HsHMAt5cLMdIMdYWabDs908eK2C0r.webp'/></item><item><title><![CDATA[Hormuz Straitમાં સીઝફાયર બાદ પણ ખાડીમાં તૈનાત રહેશે ભારતીય નૌકાદળ, જાણો કારણ ]]></title><link>https://sandesh.com/world/news/india/indian-navy-to-remain-deployed-in-gulf-despite-hormuz-strait-ceasefire</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/india/indian-navy-to-remain-deployed-in-gulf-despite-hormuz-strait-ceasefire</guid><pubDate>Wed, 24 Jun 2026 15:43:28 +05:30</pubDate><description><![CDATA[<p>ઈરાન અને અમેરિકાની વચ્ચે સંઘર્ષ વિરામ જાહેર થયા છતાં ભારતીય નૌસેનાએ ખાડી વિસ્તારમાં પોતાની સૈન્ય હાજરી યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. નૌસેના યુદ્ધપોતો, હેલિકોપ્ટરો અને માર્કોસ (MARCOS) કમાન્ડોની તૈનાતી અગાઉના સંઘર્ષકાળના સ્તર પર જ જાળવી રાખશે.</p><h2><b>પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય બની નથી&nbsp;</b></h2><p>નૌસેનાનો મુખ્ય હેતુ ભારતીય વેપારી જહાજોની સુરક્ષા, ક્રૂડ ઓઈલ અને એલપીજી વહન કરતા જહાજોની સલામત અવરજવર સુનિશ્ચિત કરવી તેમજ મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગો પર સતત નજર રાખવાનો છે. વર્ષ 2019થી ચાલી રહેલા ઓપરેશન સંકલ્પ હેઠળ ભારતીય નૌસેના હોર્મુઝની ખાડી અને ઉત્તર અરબી સમુદ્ર વિસ્તારમાં સુરક્ષા જાળવી રહી છે. તાજેતરના ઈરાન-અમેરિકા તણાવ દરમિયાન નૌસેનાએ પોતાની હાજરી વધુ મજબૂત બનાવી હતી. હવે સંઘર્ષ વિરામ પછી પણ પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય બની નથી એવી માન્યતા હેઠળ તૈનાતી યથાવત રાખવામાં આવશે.</p><h3><b>ઓપરેશન સંકલ્પનું મહત્વ</b></h3><p>ભારતની દરિયાઈ સુરક્ષા નીતિમાં ઓપરેશન સંકલ્પને મહત્વપૂર્ણ સ્થાન મળ્યું છે. આ અભિયાન હેઠળ ભારતીય નૌસેના ઓમાનની ખાડી અને એડનની ખાડીમાં નિયમિત પેટ્રોલિંગ કરે છે. જરૂરિયાત મુજબ ભારતીય ધ્વજ ધરાવતા વેપારી જહાજોને સુરક્ષા એસ્કોર્ટ પણ આપવામાં આવે છે. હેલિકોપ્ટરો હવાઈ દેખરેખ માટે કાર્યરત રહે છે, જ્યારે માર્કોસ કમાન્ડો કોઈપણ સંભવિત ઓપરેશન માટે સજ્જ રાખવામાં આવે છે.</p><h4><b>ભારતની ઊર્જા સુરક્ષા માટે જરૂરી પગલું</b></h4><p>ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાતકાર દેશ છે અને દેશના મોટા ભાગના તેલની આયાત હોર્મુઝની ખાડી મારફતે થાય છે. આ વિસ્તારમાં કોઈપણ પ્રકારની અસ્થિરતા ભારતની ઊર્જા સુરક્ષાને સીધી અસર કરી શકે છે. તેથી ભારતીય નૌસેનાએ 2019થી અહીં કાયમી યુદ્ધપોતોની તૈનાતી જાળવી રાખી છે. ભારતીય નૌસેનાને ઓમાનના દુક્મ અને સલાલાહ બંદરો પરથી લોજિસ્ટિક સપોર્ટ પ્રાપ્ત થાય છે. ઉપરાંત સમુદ્રમાં ફ્લીટ ટેન્કરો દ્વારા ઈંધણ અને જરૂરી સામગ્રીની પૂર્તિ કરવામાં આવે છે, જેના કારણે લાંબા સમય સુધી સતત તૈનાતી શક્ય બને છે. તાજેતરના તણાવ દરમિયાન નૌસેનાએ ક્રૂડ ઓઈલ અને એલપીજી કેરિયર્સને વિશેષ સુરક્ષા એસ્કોર્ટ આપી હતી. હાલ પણ આ વ્યવસ્થા ચાલુ રહેશે.</p><h4><b>પ્રદેશમાં હજુ પણ જોખમ યથાવત</b></h4><p>ભારત સરકાર અને નૌસેનાનું માનવું છે કે ખાડી વિસ્તારમાં શાંતિ હજુ સ્થાયી નથી. ડ્રોન હુમલા, સમુદ્રી ચાંચિયાગીરી (પાઈરસી) અને રાજકીય અસ્થિરતા જેવા જોખમો હજુ પણ અસ્તિત્વમાં છે. તેથી સતત સતર્કતા જાળવવી જરૂરી છે. ચીનની વધતી નૌસેનાકીય પ્રવૃત્તિઓ અને પ્રાદેશિક તણાવ વચ્ચે ભારતીય નૌસેના પોતાની ક્ષમતાઓમાં વધારો કરી રહી છે. ખાડી વિસ્તાર ભારતના વેપાર અને ઊર્જા પુરવઠા માટે અત્યંત મહત્વપૂર્ણ છે, જ્યાંથી દેશની 60 ટકાથી વધુ તેલ આયાત થાય છે.</p><h5><b>નૌસેના ભવિષ્યમાં પરિસ્થિતિની સતત સમીક્ષા કરતી રહેશે</b></h5><p>ભારતીય નૌસેના ભવિષ્યમાં પરિસ્થિતિની સતત સમીક્ષા કરતી રહેશે. જો સમગ્ર વિસ્તાર સંપૂર્ણપણે સ્થિર અને શાંત બને તો તૈનાતીમાં ફેરફાર થઈ શકે છે, પરંતુ હાલ માટે અગાઉના સ્તરની સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પગલું ભારતની સમુદ્રી શક્તિ, ઊર્જા સુરક્ષા અને વૈશ્વિક જવાબદારીને વધુ મજબૂત બનાવે છે.</p><p><b><a href="https://sandesh.com/world/news/-political-news/pakistan-politics-tussle-big-claim-by-former-pakistan-finance-minister-no-one-can-stand-against-asim-munir" target="_blank">આ પણ વાંચો : Pakistan Politics Tussle: પાકિસ્તાનના પૂર્વ નાણામંત્રીનો મોટો દાવો, અસીમ મુનીર સામે કોઈ ટકી શકશે નહીં</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/6snA5zkfdYxNnaIK1C46cNAUNStuasSEDvRQyH3m.webp'/></item><item><title><![CDATA[Air India Flight: એઅર ઇન્ડિયાનું વિમાન પાકિસ્તાની એરસ્પેસમાં પ્રવેશ્યુ, બાદમાં દિલ્હી ડાયવર્ટ કરાયું ]]></title><link>https://sandesh.com/india/news/air-india-flight-air-india-plane-entered-pakistani-airspace-later-diverted-to-delhi</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/air-india-flight-air-india-plane-entered-pakistani-airspace-later-diverted-to-delhi</guid><pubDate>Wed, 24 Jun 2026 15:41:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">પાકિસ્તાનની એર ટ્રાફિક કંટ્રોલ એજન્સીની સૂચના બાદ, ફ્લાઇટને ફરીથી રૂટ કરવામાં આવી હતી અને ભારતીય હવાઈ ક્ષેત્રમાં પાછી મોકલાઇ હતી.&nbsp;</p><h2 style="text-align: justify; ">ટેકનિકલ નિરીક્ષણ કરાયુ&nbsp;</h2><p style="text-align: justify; ">એરબસ A-321 વિમાન દિલ્હીથી અમૃતસર માટે રવાના થયું હતું. ફ્લાઇટ દરમિયાન ટેકનિકલ ખામીને કારણે વિમાનનો રૂટ ખોરવાઈ ગયો હતો અને તે તેના નિર્ધારિત હવાઈ કોરિડોરથી ભટકી ગયું હતું. વિમાન થોડા સમય માટે પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યું હતું. જેના પગલે પાકિસ્તાની હવાઈ ટ્રાફિક નિયંત્રણ એજન્સીઓ સાથે સંકલન સ્થાપિત કરવામાં આવ્યું હતું. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સીધા અમૃતસર જવાને બદલે, વિમાનને દિલ્હી પાછું વાળવામાં આવ્યું હતું જ્યાં તેનું ટેકનિકલ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.&nbsp;</p><h3 style="text-align: justify; ">હવાઈ ક્ષેત્ર અંગે ખાસ તકેદારી&nbsp;</h3><p style="text-align: justify; ">આ ઘટના એવા સમયે બની જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેના હવાઈ ક્ષેત્ર અંગે ખાસ તકેદારી રાખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને બીજા દેશના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશતા વિમાનને ગંભીર ઉડ્ડયન ઘટના માનવામાં આવે છે. જોકે હવાઈ ટ્રાફિક નિયંત્રણ એજન્સીઓ સ્થાપિત આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ અનુસાર આવી પરિસ્થિતિઓનું સંચાલન કરે છે.</p><h4 style="text-align: justify; ">મુસાફરોને તકલીફનો સામનો કરવો પડ્યો</h4><p style="text-align: justify; ">આ ઘટનાને કારણે મુસાફરો માટે લગભગ ચાર કલાકનો વિલંબ થયો. અમૃતસરમાં તેના નિર્ધારિત આગમન સમય કરતાં વધુ સમય પસાર થયા પછી, વિમાન બુધવારે સવારે તેના ગંતવ્ય સ્થાને પહોંચ્યું. ઉડ્ડયન અધિકારીઓ સમગ્ર ઘટનાની સમીક્ષા કરી રહ્યા છે અને ટેકનિકલ ખામીના કારણની તપાસ કરી રહ્યા છે.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/-political-news/pakistan-politics-tussle-big-claim-by-former-pakistan-finance-minister-no-one-can-stand-against-asim-munir" target="_blank">પાકિસ્તાનના પૂર્વ નાણામંત્રીનો મોટો દાવો, અસીમ મુનીર સામે કોઈ ટકી શકશે નહીં</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/cEggjd9l8OHw5g70VdSk740WNrvsX3CLsSfzeJvg.webp'/></item><item><title><![CDATA[વાંચો બપોરે 12થી 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/read-important-news-from-12-pm-to-03-pm-24-june-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/read-important-news-from-12-pm-to-03-pm-24-june-2026</guid><pubDate>Wed, 24 Jun 2026 14:49:20 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/ketan-agrawal-death-i-didnt-want-to-marry-ketan-shocking-revelation-from-fiance-and-lover" target="_blank">1. Ketan Agrawal Death: "હું કેતન સાથે લગ્ન કરવા નહોતી માંગતી", મંગેતર અને પ્રેમીનો ચોંકાવનારો ખુલાસો</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-gujarat-monsoon-official-entry-south-gujarat-rain-forecast-weather-updates" target="_blank">2. Monsoon 2026 : આખરે ગુજરાતમાં બેઠું ચોમાસું, આગામી 2-3 દિવસમાં આખું રાજ્ય થશે તરબતર..!</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/world/news/nirav-modi-london-court-london-court-gives-a-big-blow-to-nirav-modi-orders-him-to-pay-100-crore-to-boi" target="_blank">3. Nirav Modi London Court: લંડન કોર્ટે નીરવ મોદીને આપ્યો મોટો ઝટકો, BOIને ₹100 કરોડ ચૂકવવાનો આદેશ</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/cricket/news/ind-vs-ire-vaibhav-suryavanshi-can-break-this-legendary-record-in-the-ireland-series" target="_blank">4. IND vs IRE: આયર્લેન્ડ સીરિઝમાં વૈભવ સૂર્યવંશી તોડી શકે છે આ દિગ્ગજનો રેકો</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-rural-sog-busts-fake-blood-plasma-racket-changodar-four-arrested" target="_blank">5. Ahmedabad : મોતનો વેપાર, બ્લડ બેંકો સાથે દગો કરી ‘બ્લડ પ્લાઝ્મા’ બારોબાર વેચતી ગેંગ પકડાઈ, 11 લાખનો જથ્થો જપ્ત</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/dgp-gs-malik-traffic-management-inspection-palladium-mall" target="_blank">6. Ahmedabad News: ટ્રાફિક સમસ્યા નિવારવા DGP એક્શન મોડમાં, એસજી હાઇવે પર ટ્રાફિક વ્યવસ્થાની સમીક્ષા કરી</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-high-court-strict-on-journalists-misusing-rti-act-controversy-updates" target="_blank">7. Ahmedabad : RTI કરીને તોડપાણી કરતા કથિત પત્રકારોને હાઈકોર્ટે ધોઈ નાખ્યા, 800 અરજીઓ જોઈ ભડકી અદાલત..!</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/mundra-port-drug-case-money-from-drug-case-invested-in-delhis-night-clubs-ed-raids" target="_blank">8. Mundra Port Drug Case: દિલ્હીની નાઇટ ક્લબોમાં ડ્રગ્સ કેસના પૈસાનું રોકાણ? EDએ પાડ્યા દરોડા</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/entertainment/news/not-123-or-4-but-even-after-the-scene-was-cut-the-actor-kissed-the-15-year-old-heroine-several-times-she-cried-during-the-intimate-scene" target="_blank">9. 1,2,3 કે 4 નહીં પરંતુ સીન કટ કર્યા પછી પણ અભિનેતાએ અનેક વખત કરી 15 વર્ષની હિરોઇનને Kiss, ઇન્ટિમેટ સીન દરમિયાન રડી પડી</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/ayodhya-ram-mandir-donations-200-silver-bricks-donated-but-no-receipt-received-castles-group-mds-statement-on-donation-theft-case" target="_blank">10. Ayodhya Ram Mandir Donations: 200 ચાંદીની ઇંટ દાનમાં આપી પણ રસીદ ન મળી.. દાન ચોરી મામલે Castles ગ્રુપના MDનું નિવેદન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/Ctc4Iflmmo6iWANCaTxAYWX94JssGiVECi1OkdOl.webp'/></item><item><title><![CDATA[Flight Ticket Prices: હવાઈ મુસાફરી હવે મોંઘી બનશે! ટિકિટના ભાવમાં 25% સુધીના વધારાની શક્યતા ]]></title><link>https://sandesh.com/business/news/flight-ticket-prices-air-travel-will-now-become-more-expensive-ticket-prices-likely-to-increase-by-up-to-25</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/flight-ticket-prices-air-travel-will-now-become-more-expensive-ticket-prices-likely-to-increase-by-up-to-25</guid><pubDate>Wed, 24 Jun 2026 14:43:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જો તમે આગામી દિવસોમાં દેશ-વિદેશની મુસાફરીનું આયોજન કરી રહ્યા હોવ, તો તમારે તમારા બજેટમાં વધારો કરવો પડી શકે છે. મેકકિન્સીના તાજેતરના અહેવાલ મુજબ, હવાઈ ભાડામાં 25% સુધીનો તોતિંગ વધારો થવાની સંભાવના છે, જે સામાન્ય મુસાફરો માટે ચિંતાનો વિષય છે.</p><h2 style="text-align: justify; "><b>ભાવ વધવાનું મુખ્ય કારણ: જેટ ઇંધણની અછત</b></h2><p style="text-align: justify; ">આ મોંઘવારી પાછળનું મુખ્ય કારણ 'જેટ ઇંધણ' (Jet Fuel) નો વધતો જતો ભાવ અને તેની અછત છે. વિશ્વભરમાં ભૌગોલિક રાજકીય તણાવ અને રિફાઇનરીઓમાં ઉત્પાદન ઘટવાને કારણે ઇંધણનો પુરવઠો ખોરવાયો છે. ગલ્ફ દેશો અને એશિયન નિકાસકારો, જે વિશ્વના 40% જેટ ઇંધણનો પુરવઠો પૂરો પાડે છે, તેમની રિફાઇનરીઓની ઉત્પાદન ક્ષમતામાં ઘટાડો થયો છે. આ ઉપરાંત, ચીન અને ભારત જેવા દેશો દ્વારા નિકાસ પરના પ્રતિબંધોએ પણ આ સમસ્યાને ગંભીર બનાવી દીધી છે.</p><h3 style="text-align: justify; "><b>'ક્રેક સ્પ્રેડ' અને તેની અસર</b></h3><p style="text-align: justify; ">ક્રૂડ ઓઇલ અને રિફાઇન્ડ ઇંધણ વચ્ચેના ભાવના તફાવતને 'ક્રેક સ્પ્રેડ' કહેવાય છે. રિપોર્ટ મુજબ, ૨૦૨૬ સુધીમાં ક્રેક સ્પ્રેડ સરેરાશ $૫૦ પ્રતિ બેરલને પાર કરી શકે છે. જ્યારે ઇંધણના ભાવમાં આટલો મોટો વધારો થાય છે, ત્યારે એરલાઇન્સ કંપનીઓ પાસે પોતાની ઓપરેટિંગ કોસ્ટ કાઢવા માટે ટિકિટના ભાવ વધારવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. સામાન્ય રીતે વિમાનની કુલ ટિકિટના ભાવમાં 30% હિસ્સો માત્ર ઇંધણનો હોય છે, તેથી જેટ ઇંધણ મોંઘું થતા તેની સીધી અસર મુસાફરોના ખિસ્સા પર પડે છે.</p><h4 style="text-align: justify; "><b>મુસાફરો પર કેટલી અસર પડશે?</b></h4><p style="text-align: justify; ">ઉદાહરણ તરીકે, જો ચાર વ્યક્તિઓનું ગ્રુપ દિલ્હીથી દુબઈની મુસાફરી કરે અને તેનું કુલ ભાડું હાલમાં 1 લાખ રૂપિયા હોય, તો ૨૫% ના વધારા સાથે આ ખર્ચ 1.25 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. જોકે, હોર્મુઝ સ્ટ્રેટમાં ટેન્કર ટ્રાફિક વધે અથવા સપ્લાય ચેઈન સામાન્ય થાય તો ભાવમાં થોડી રાહત મળી શકે છે, પરંતુ હાલની સ્થિતિ જોતા આગામી કેટલાક મહિનાઓ સુધી ભાડામાં તેજી રહેવાની પૂરેપૂરી શક્યતા છે. જેટ ઇંધણની અછત અને વૈશ્વિક અર્થતંત્રમાં ચાલી રહેલા સંઘર્ષો હવાઈ મુસાફરીને વધુ ખર્ચાળ બનાવી રહ્યા છે. મુસાફરોએ હવે તેમના પ્રવાસ માટે અગાઉથી વધુ આર્થિક તૈયારી રાખવી પડશે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/ketan-agrawal-death-i-didnt-want-to-marry-ketan-shocking-revelation-from-fiance-and-lover" target="_blank">આ પણ વાંચોઃ Ketan Agrawal Death: "હું કેતન સાથે લગ્ન કરવા નહોતી માંગતી", મંગેતર અને પ્રેમીનો ચોંકાવનારો ખુલાસો</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/1MgOtww3eODOZOFabIvjXq6pE0mBb8PO7WgJdBHn.webp'/></item><item><title><![CDATA[Rajkot News: જંગલેશ્વર ડિમોલેશન માં રૂ. 27 લાખનું ફૂડ બિલ, જાણો કેટલા રૂપિયાનું શું ખાધું? ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/jangleshwar-demolition-food-bill-scam-paresh-pipliya-standing-committee</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/jangleshwar-demolition-food-bill-scam-paresh-pipliya-standing-committee</guid><pubDate>Wed, 24 Jun 2026 14:30:43 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ મહાનગરપાલિકા ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. જંગલેશ્વર વિસ્તારમાં સરકારી તંત્ર દ્વારા કરવામાં આવેલા ડિમોલેશન  ઓપરેશન દરમિયાન અધિકારીઓ અને સ્ટાફ માટેના ખાણી-પીણીના બિલમાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. જંગલેશ્વર ડિમોલેશન ના કામકાજ વચ્ચે અધિકારીઓની જ્યાફત માટે કુલ રૂ. 27 લાખ 20 હજારનું અધધ કહી શકાય તેવું ફૂડ બિલ મનપા સમક્ષ મંજૂરી માટે મૂકવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.</p><h2><b>રૂ. 231ની એક કાજુકતરી અને લાખોની ચા-કોફીના આંકડાથી ચેરમેન ચોંક્યા</b></h2><p>આ આખા બિલમાં એવી વિગતો સામે આવી છે, જેને જોઈને સામાન્ય માણસ પણ માથું ખંજવાળવા લાગે. એક તરફ જંગલેશ્વરમાં જેસીબી ગર્જી રહ્યા હતા, તો બીજી તરફ અધિકારીઓ રૂ. 231ની એક નંગ લેખે કાજુકતરી આરોગી રહ્યા હતા! બિલની વિગતો મુજબ, કાજુકતરી, સમોસા, ખજૂરરોલ અને ખમણની માત્ર 150 નંગ પ્લેટનું બિલ જ રૂ. 34,650 મૂકવામાં આવ્યું છે. આ સિવાય, આરાધના ટી સ્ટોલમાંથી મંગાવવામાં આવેલી ચા-કોફી અને બિસ્કિટનું બિલ રૂ. 6,30,946 આવ્યું છે, જેમાં અધિકારીઓ અને સ્ટાફ 21,000 કપ ચા અને 4,000 બોટલ લીંબુ શરબત ગટગટાવી ગયા હોવાનું દર્શાવાયું છે!</p><h2><b>પ્રેમવતીનું રૂ. 20 લાખથી વધુનું બિલ, સ્ટેન્ડિંગ કમિટીએ દરખાસ્ત પેન્ડિંગ રાખી</b></h2><p>અધિકારીઓના આ શાહી ભોજનની યાદી અહીં જ પૂરી નથી થતી. 'પ્રેમવતી રેસ્ટોરન્ટ'માંથી મંગાવવામાં આવેલા જમવાનું બિલ જ માત્ર રૂ. 20 લાખ 68 હજાર રૂપિયાનું મૂકવામાં આવ્યું છે. આટલા ટૂંકા ગાળાના ડિમોલેશન માં લાખો રૂપિયાના આંધણની ગંધ આવી જતાં રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ આ બિલની દરખાસ્તને મંજૂરી આપવાના બદલે હાલ પૂરતી પેન્ડિંગ રાખી દીધી છે. આ મામલે હવે આંતરિક તપાસ થાય અને મોટા ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-jangleshwar-demolition-27-lakh-food-bill-controversy-updates" target="_blank">Rajkot : બાબુઓની શાહી જ્યાફત, દબાણ તોડવા ગયા ને 27 લાખના ગાંઠિયા, સમોસા અને કાજુ કતરી ઝાપટી ગયા..!</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/Y4nctqs7FmYps5T2Zimoj8zGl7pkkTy4q1YGODVU.webp'/></item><item><title><![CDATA[Monsoon 2026 : આખરે ગુજરાતમાં બેઠું ચોમાસું, આગામી 2-3 દિવસમાં આખું રાજ્ય થશે તરબતર..! ]]></title><link>https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-gujarat-monsoon-official-entry-south-gujarat-rain-forecast-weather-updates</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-gujarat-monsoon-official-entry-south-gujarat-rain-forecast-weather-updates</guid><pubDate>Wed, 24 Jun 2026 13:34:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતના કરોડો નાગરિકો અને જગતના તાત એવા ખેડૂતો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે ચોમાસાને લઈને આ વર્ષના સૌથી મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે ગુજરાતમાં ચોમાસાનું વિધિવત અને ધમાકેદાર આગમન થઈ ચૂક્યું છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ્યું</b></h2><p style="text-align: justify; ">નૈઋત્યનું ચોમાસું તમામ અવરોધો પાર કરીને દક્ષિણ ગુજરાતના સરહદી વિસ્તારોમાં પ્રવેશી ગયું છે, જેને પગલે વલસાડ, નવસારી અને આસપાસના જિલ્લાઓમાં સવારથી જ મેઘમહેર શરૂ થઈ ગઈ છે.</p><h3 style="text-align: justify; "><b>વાતાવરણ સંપૂર્ણપણે સાનુકૂળ અને અનુકૂળ&nbsp;</b></h3><p style="text-align: justify; ">હવામાન વિભાગના તાજા બુલેટિન અનુસાર, હાલ રાજ્યમાં ચોમાસું આગળ વધવા માટે વાતાવરણ સંપૂર્ણપણે સાનુકૂળ અને અનુકૂળ બનેલું છે. અરબી સમુદ્ર તરફથી આવતા ભેજવાળા પવનો અને બંગાળની ખાડીની સિસ્ટમના કારણે મોન્સૂન લાઈન ઝડપથી આગળ વધી રહી છે.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>બેથી ત્રણ દિવસની અંદર જ ચોમાસું મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વધુ વિસ્તારોને કવર કરી </b>લેશે</h4><p style="text-align: justify; ">હવામાન નિષ્ણાતોના મતે, આગામી બેથી ત્રણ દિવસની અંદર જ ચોમાસું મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વધુ વિસ્તારોને કવર કરી લેશે, જેના કારણે રાજ્યના મોટાભાગના ભાગોમાં વાવણી લાયક સારો વરસાદ પડવાની પૂરી શક્યતા છે.</p><h4 style="text-align: justify; "><b>વરસાદથી મોટી રાહત મળવાના સંકેતો</b></h4><p style="text-align: justify; ">છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને અકળાવનારા બફારાથી ત્રસ્ત બનેલી ગુજરાતની જનતાને હવે આકાશી આફત નહીં પણ અમૃત સમાન વરસાદથી મોટી રાહત મળવાના સંકેતો મળી રહ્યા છે. ચોમાસાના સત્તાવાર આગમનની સાથે જ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં વહેલી સવારથી જ સરસ ઠંડક પ્રસરી ગઈ છે.</p><h4 style="text-align: justify; "><b>વાવણીના પ્રારંભિક ચક્રો ગતિમાન થયા</b></h4><p style="text-align: justify; ">બીજી તરફ, ખેડૂતોએ પણ ચોમાસાના આ સત્તાવાર પગરવને વધાવી લીધા છે અને રાજ્યભરમાં વાવણીના પ્રારંભિક ચક્રો ગતિમાન થયા છે. અમદાવાદ, ગાંધીનગર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ આગામી 48 કલાકમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોર પકડશે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ગમે ત્યારે મેઘરાજા ધમાકેદાર બેટિંગ શરૂ કરશે તેવી આશા સેવાઈ રહી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/sandesh-digital-explainer-gujarat-monsoon-10-years-history" target="_blank"><b>Sandesh Digital Explainer : મેઘરાજાની એન્ટ્રીનું કાઉન્ટડાઉન..! જાણો છેલ્લા 10 વર્ષમાં ક્યારે વહેલા પધાર્યા અને ક્યારે કરાવ્યો ભારે ઈન્તેઝાર?</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/FG1zYszoAWJa8EclsexGUi9Wq0yOlEZO8e2ijrNU.webp'/></item><item><title><![CDATA[1,2,3 કે 4 નહીં પરંતુ સીન કટ કર્યા પછી પણ અભિનેતાએ અનેક વખત કરી 15 વર્ષની હિરોઇનને Kiss, ઇન્ટિમેટ સીન દરમિયાન રડી પડી ]]></title><link>https://sandesh.com/entertainment/news/not-123-or-4-but-even-after-the-scene-was-cut-the-actor-kissed-the-15-year-old-heroine-several-times-she-cried-during-the-intimate-scene</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/not-123-or-4-but-even-after-the-scene-was-cut-the-actor-kissed-the-15-year-old-heroine-several-times-she-cried-during-the-intimate-scene</guid><pubDate>Wed, 24 Jun 2026 12:31:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી રેખા આજે એક આઈકોન છે, પરંતુ તેમની સફળતાના માર્ગમાં એક અત્યંત પીડાદાયક અને વિવાદાસ્પદ ઘટના જોડાયેલી છે. આ ઘટના વર્ષ 1969 માં તેમની પ્રથમ ફિલ્મ "અંજના સફર"ના શૂટિંગ દરમિયાન બની હતી. તે સમયે રેખા માત્ર 15 વર્ષની હતી અને પરિવારની આર્થિક જવાબદારીઓ નિભાવવા માટે ફિલ્મ ઉદ્યોગમાં આવી હતી.</p><h2 style="text-align: justify; "><b>શું બની હતી ઘટના?</b></h2><p style="text-align: justify; ">આ ફિલ્મમાં રેખાની સામે અભિનેતા બિસ્વજીત ચેટર્જી હતા. એક દ્રશ્ય દરમિયાન, કોઈ પણ પૂર્વ સૂચના કે પરવાનગી વગર બિસ્વજીતે નિર્દેશક સાથે મળીને એક ઇન્ટિમેટ કિસિંગ સીન શૂટ કરવાનો નિર્ણય લીધો. મીડિયા રિપોર્ટમાં તાજેતરમાં આ ઘટનાનો ખુલાસો કરતા જણાવ્યું કે, તે સમયે 15 વર્ષની રેખા આ બાબતથી સંપૂર્ણ અજાણ હતી. તેને એવું કંઈ પણ કહેવામાં આવ્યું ન હતું કે ફિલ્મમાં આવો કોઈ સીન આવવાનો છે.<br><h3><b>નિર્દેશકે કટ બોલવાની તસ્દી પણ ન લીધી</b></h3></p><p style="text-align: justify; ">શૂટિંગ શરૂ થયું ત્યારે બિસ્વજીતે રેખાને અચાનક ચુંબન કરવાનું શરૂ કર્યું. નિર્દેશકે 'કટ' બોલવાની જરૂર ન સમજી અને અભિનેતા પણ ચુંબન કરવાનું ચાલુ રાખ્યું. આ ઘટનાથી રેખા સ્તબ્ધ થઈ ગઈ હતી. તે પોતાની જાતને બચાવી શકે તેવી સ્થિતિમાં નહોતી. તે એટલી હદે ગભરાઈ ગઈ અને આઘાતમાં સરી પડી કે તે આખી વાદળી પડી ગઈ હતી. જ્યારે દ્રશ્ય પૂરું થયું, ત્યારે રેખા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી હતી. તેની હાલત એવી હતી કે તે બેભાન થવાને આરે હતી. બીજી તરફ, સેટ પર હાજર ક્રૂ મેમ્બર્સ અને બિસ્વજીત આ શૂટિંગને એક સફળ સિદ્ધિ ગણીને તાળીઓ પાડી રહ્યા હતા.</p><h4 style="text-align: justify; "><b>પરિવાર માટે લાચારી</b></h4><p style="text-align: justify; ">એ સમયે ૧૫ વર્ષની કિશોરી માટે આ એક ખૂબ જ કઠિન પરિસ્થિતિ હતી. તેની પાસે કામ છોડવાનો વિકલ્પ નહોતો, કારણ કે તે સમયે તેના પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી. પોતાની લાચારીને કારણે તેણે આ આઘાત સહન કરવો પડ્યો. વર્ષો બાદ, અભિનેતા બિસ્વજીતની પુત્રી પલ્લવી ચેટર્જીએ પણ આ દ્રશ્યની ટીકા કરી હતી અને સ્વીકાર્યું હતું કે તેમના પિતાએ આ સીન પહેલા રેખાની પરવાનગી લેવી જોઈતી હતી.</p><p style="text-align: justify; ">લાંબા સમયના સેન્સરશીપ વિવાદો બાદ આ ફિલ્મ ૧૯૭૯માં "દો શિકારી" નામથી રિલીઝ થઈ, પરંતુ તે બોક્સ ઓફિસ પર નિષ્ફળ સાબિત થઈ. આ કિસ્સો ફિલ્મ ઇતિહાસની એ કાળી ક્ષણ તરીકે યાદ કરવામાં આવે છે, જ્યારે વ્યાવસાયિક સફળતા મેળવવા માટે એક કિશોરીની સંમતિ અને ગરિમાને અવગણવામાં આવી હતી.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/entertainment/news/cocktail-2-created-a-stir-at-the-box-office-on-the-fifth-day-audiences-were-captivated-by-shahid-rashmikas-chemistry" target="_blank">આ પણ વાંચોઃ Cocktail 2 એ પાંચમા દિવસે બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, શાહિદ-રશ્મિકાની કેમેસ્ટ્રી પર ફિદા થયા દર્શકો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/rapuFGcKWD0euagaKDlUs5Rzy8q01Nw29U7CzASo.webp'/></item><item><title><![CDATA[Cristiano Ronaldoએ ફિફા વર્લ્ડ કપમાં રચ્યો ઇતિહાસ, આવું કરનાર પ્રથમ ખેલાડી બન્યો ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/cristiano-ronaldo-created-history-in-the-fifa-world-cup-becoming-the-first-player-to-do-so</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/cristiano-ronaldo-created-history-in-the-fifa-world-cup-becoming-the-first-player-to-do-so</guid><pubDate>Wed, 24 Jun 2026 09:02:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પોર્ટુગલ ફિફા વર્લ્ડ કપમાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આજે પોર્ટુગલ ઉઝબેકિસ્તાનનો સામનો કરી રહ્યું છે. આ મેચની શરૂઆતની મિનિટોમાં રોનાલ્ડોએ પોર્ટુગલને લીડ અપાવી હતી. રોનાલ્ડોએ છઠ્ઠી મિનિટમાં ગોલ કરીને ટીમને 1-0ની લીડ અપાવી હતી. રોનાલ્ડોએ જોઆઓ કેન્સેલોની તકનો લાભ ઉઠાવ્યો અને ગોલ કર્યો. ફિફા વર્લ્ડ કપમાં આ રોનાલ્ડોનો 10મો ગોલ હતો. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો માટે આ એક ઐતિહાસિક ગોલ છે, અને તેણે એક વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો. તે છ વર્લ્ડ કપમાં ગોલ કરનાર પ્રથમ ખેલાડી બન્યો.</p><h4 style="text-align: justify; "><b>રોનાલ્ડો પોર્ટુગલનો સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો</b></h4><p style="text-align: justify; ">આ ગોલ સાથે, રોનાલ્ડો ફિફા વર્લ્ડ કપ ઇતિહાસમાં પોર્ટુગલનો સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બની ગયો છે, તેણે યુસેબિયોની બરાબરી કરી છે. યુસેબિયોએ 1966 વર્લ્ડ કપમાં કુલ નવ ગોલ કર્યા હતા. રોનાલ્ડોએ હવે પોર્ટુગલ માટે 10 ગોલ કર્યા છે. આ સંદર્ભમાં, તેણે યુસેબિયોને પાછળ છોડી દીધો છે. રોનાલ્ડોએ 2006 અને 2026 વર્લ્ડ કપ વચ્ચે આ ગોલ કર્યા હતા.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://x.com/FIFAWorldCup/status/2069496208876278116?s=20" target="_blank">https://x.com/FIFAWorldCup/status/2069496208876278116?s=20</a></p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>પહેલા હાફમાં રોનાલ્ડોએ બે ગોલ કર્યા</b></h4><p style="text-align: justify; ">પોર્ટુગલ અને ઉઝબેકિસ્તાન વચ્ચેની મેચમાં, રોનાલ્ડોએ છઠ્ઠી મિનિટમાં પહેલો ગોલ કર્યો અને પછી 39મી મિનિટે પોતાનો બીજો ગોલ કર્યો. રોનાલ્ડોના શાનદાર રમત અને નુનો મેન્ડેસના ગોલને કારણે, પોર્ટુગલે હાફ ટાઇમ સુધીમાં ઉઝબેકિસ્તાન પર 3-0ની લીડ મેળવી લીધી. પોર્ટુગલ હવે બીજા હાફમાં આ વર્ચસ્વ જાળવી રાખવાનો પ્રયાસ કરશે.</p><h5><div style="text-align: justify;"><b><br></b></div><b><div style="text-align: justify;"><b style="font-size: 1.25rem;">રોનાલ્ડો ટુર્નામેન્ટના પહેલા મેચમાં એક પણ ગોલ કરી શક્યો નહીં</b></div></b></h5><p style="text-align: justify; ">પોર્ટુગલના શરૂઆતના મેચમાં કોંગો સામે 1-1થી ડ્રો થવાથી ટીમ પર ભારે દબાણ આવ્યું. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તે મેચમાં પોતાના નબળા પ્રદર્શન માટે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો. કેટલાક લોકોએ એવો પણ દાવો કર્યો કે ટીમ પ્રથમ મેચ જીતવામાં નિષ્ફળ રહેવાનું કારણ રોનાલ્ડો હતા. જોકે, રોનાલ્ડોએ ફરી એકવાર વર્લ્ડ કપના એક મોટા મેચમાં શાનદાર ગોલ કરીને પોતાના ટીકાકારોને જવાબ આપ્યો.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/lionel-messi-creates-new-history-becomes-the-highest-scorer-in-the-world-cup" target="_blank"> Lionel Messiએ રચ્યો નવો ઈતિહાસ,વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/bZFkFUWUsiLV7XoMzcB8ZDZ3QVZDjrLIxxPClYdh.webp'/></item></channel></rss>