<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Tharad: ભાયલીમાં પ્લોટ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/tharad/tharad-problem-of-rainwater-filling-the-plot-area-in-bhayli</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/tharad/tharad-problem-of-rainwater-filling-the-plot-area-in-bhayli</guid><pubDate>Sat, 08 Aug 2026 01:11:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વાવ તાલુકાના ભાયલી ગામના પ્લોટ વિસ્તારમાં વસતા અનુસૂચિત જાતિના પરિવારો છેલ્લા કેટલાક સમયથી ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ગ્રામજનો દ્વારા કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ભાયલી ગામના કુણાસરી તળાવમાં વર્ષોથી એક કાયદેસરનું નાકું દક્ષિણ દિશા તરફ્ પાણીના ટાંકાની સામે આવેલું છે. આ સિવાય અન્ય કોઈ નવું નાકું પાડવામાં ન આવે તેવી ગ્રામજનોની માંગ છે. જો અન્ય કોઈ નવું નાકું પાડવામાં આવે તો તળાવનું પાણી પ્લોટ વિસ્તારના રહેણાંક મકાનોમાં ઘૂસી જાય તેમ છે, જેના કારણે સ્થાનિકોને જાન-માલનું મોટું નુકસાન થવાની ભીતિ છે.આ બાબતે અગાઉ પણ મામલતદાર અને નાયબ કલેક્ટરને રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પરિણામ ન આવતા રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ગ્રામજનોએ વહીવટી તંત્ર પાસે પોલીસ પ્રોટેક્શનની માંગ કરી છે અને જો આગામી સમયમાં યોગ્ય ન્યાય નહીં મળે તો ગાંધી-ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/7qDKvY0X6I6P4Q6IWHfqMDDj0SM5jBOdpaegmwvb.webp'/></item><item><title><![CDATA[Banaskantha: ધાનેરામાં બ્રહ્માકુમારીઝ દ્વારા 10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા અભિયાનનું લોન્ચિંગ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/banaskantha/banaskantha-10-</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/banaskantha/banaskantha-10-</guid><pubDate>Sat, 08 Aug 2026 01:10:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ધાનેરા : પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય, ધાનેરા સેવાકેન્દ્ર દ્વારા દેશને વ્યસનમુક્ત, સ્વસ્થ અને વિકસિત બનાવવાના ઉમદા હેતુથી 10 કરોડ નશા મુક્ત પ્રતિજ્ઞા મહાઅભિયાન અંતર્ગત એક ભવ્ય લોન્ચિંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જનભાગીદારી દ્વારા રાષ્ટ્ર નિર્માણના આ મહત્ત્વાકાંક્ષી રાષ્ટ્રીય અભિયાનને બ્રહ્માકુમારીઝના ભૂતપૂર્વ મુખ્ય પ્રશાસિકા, પૂજનીય રાજયોગિની દાદી પ્રકાશમણિજીની 19મી પુણ્યતિથિ નિમિત્તે તેમને સમર્પિત કરવામાં આવ્યું છે. બ્રહ્માકુમાર લલીતભાઈએ અભિયાનની રૂપરેખા અને ઉદ્દેશ્ય અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ અભિયાન અંતર્ગત દેશના 10 કરોડ નાગરિકોને નશા મુક્તિની પ્રતિજ્ઞા કરાવીને તેમને મૂલ્યઆધારિત અને સ્વસ્થ જીવનશૈલી તરફ્ પ્રેરિત કરવાનો એક ભગીરથ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બ્રહ્માકુમારી સોનુ દીદીએ હોલમાં ઉપસ્થિત તમામ નગરજનોને નશા મુક્તિની ભાવપૂર્વક પ્રતિજ્ઞા લેવડાવી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/LgqxPOc6JmJ5yNRA6nJ188P7IuQVHGxXdubq3sse.webp'/></item><item><title><![CDATA[Jharkhand Student Protest : વિદ્યાર્થીઓની સરકાર સાથેની પહેલી બેઠક સમાપ્ત, આંદોલન ચાલુ રહેશે ]]></title><link>https://sandesh.com/india/news/jharkhand-student-protest-first-meeting-of-students-with-government-ends-agitation-will-continue</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/jharkhand-student-protest-first-meeting-of-students-with-government-ends-agitation-will-continue</guid><pubDate>Fri, 07 Aug 2026 22:31:24 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સ્ટેટ ગેસ્ટ હાઉસ ખાતે JPSC-JSSC પરીક્ષા વિવાદનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અને ઝારખંડ સરકારના પ્રતિનિધિઓ વચ્ચે લગભગ દોઢ કલાક ચાલેલી વાટાઘાટો કોઈ નક્કર પરિણામ લાવી શકી નહીં. બેઠક બાદ વિદ્યાર્થી પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે તેઓ તેમની મુખ્ય માંગણીઓ પર સરકાર સાથે સંમત થયા નથી, અને તેથી, આંદોલન ચાલુ રહેશે.જોકે સરકારે વાટાઘાટોને સકારાત્મક ગણાવી હતી.મંત્રીઓએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની બધી માંગણીઓ અને સૂચનો પર ગંભીરતાથી વિચારણા કરવામાં આવી છે. સરકાર સમગ્ર મેમોરેન્ડમ અને દરખાસ્તોનો અભ્યાસ કર્યા પછી આગળની કાર્યવાહી અને નિર્ણયો લેશે.</p><h6 style="text-align: justify; "><b>બધી માંગણીઓ અને સૂચનો પર ગંભીરતાથી વિચારણા કરવાની ખાતરી</b></h6><p style="text-align: justify; ">સરકારે વિદ્યાર્થીઓને ખાતરી આપી હતી કે તેમની બધી માંગણીઓ અને સૂચનો પર ગંભીરતાથી વિચાર કરવામાં આવશે. પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે બેઠકમાં ઉઠાવવામાં આવેલા તમામ મુદ્દાઓ મુખ્યમંત્રી હેમંત સોરેન સમક્ષ મૂકવામાં આવશે અને ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. દરમિયાન, વિદ્યાર્થી પ્રતિનિધિઓએ દાવો કર્યો હતો કે વાતચીત સકારાત્મક વાતાવરણમાં થઈ હતી અને સરકારે તેમની વાત ગંભીરતાથી સાંભળી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમણે તેમની બધી માંગણીઓ, સહાયક તથ્યો અને પુરાવાઓ સાથે સરકાર સમક્ષ રજૂ કરી હતી. વિદ્યાર્થી પ્રતિનિધિઓના જણાવ્યા મુજબ, બેઠકમાં હાજર સમિતિના સભ્યો તેમની માંગણીઓ પર સંમત થયા હતા.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/ANI/status/2085758898422833629?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; "><br></p><h5 style="text-align: justify; "><b>નિર્ણય ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.</b></h5><p style="text-align: justify; ">જોકે, વિદ્યાર્થીઓએ સ્પષ્ટ કર્યું હતું કે તેમની માંગણીઓ પર કોઈ નક્કર નિર્ણય ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. તેમણે જણાવ્યું હતું કે જો સરકાર સકારાત્મક નિર્ણય નહીં લે, તો આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે. વિદ્યાર્થીઓએ આશા વ્યક્ત કરી હતી કે 10 ઓગસ્ટના રોજ આયોજિત વિધાનસભા ઘેરાબંધી પહેલાં સરકાર ઉકેલ શોધી કાઢશે. હાલમાં, બંને પક્ષો વચ્ચેની વાતચીતને સકારાત્મક માનવામાં આવી રહી છે, અને હવે બધાની નજર સરકારના આગામી નિર્ણય પર છે.</p><h5 style="text-align: justify; "><b>આંદોલનના ૧૪મા દિવસે સરકાર અને વિદ્યાર્થીઓ આમને-સામને</b></h5><p style="text-align: justify; ">JPSC-JSSC પરીક્ષા વિવાદ પર ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલનના14મા દિવસે, સરકાર અને વિદ્યાર્થી પ્રતિનિધિઓ વચ્ચે મહત્વપૂર્ણ વાટાઘાટો થઈ. શુક્રવારે સાંજે 7 વાગ્યે સ્ટેટ ગેસ્ટ હાઉસ ખાતે શરૂ થયેલી આ બેઠકમાં મંત્રીઓ દીપિકા પાંડે સિંહ, સુદિબ્ય કુમાર સોનુ, ચામરા લિન્ડા, સંજય યાદવ અને અધિક મુખ્ય સચિવ અજય કુમાર સિંહ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓ વતી, રવિન્દ્ર પાસવાન, પીયૂષ કુમાર, રાજેશ પ્રસાદ, નીતુ કુજુર, અંકિત રાજ, કાર્તિક સોરેન, શાલુ કુમારી, રવિન્દ્ર કુમાર રવિ, આનંદ કુમાર અને અંકિત કુમાર સહિત 10 સભ્યોના પ્રતિનિધિમંડળે સરકાર સમક્ષ તેમની માંગણીઓ અને વાંધાઓ વિગતવાર રજૂ કર્યા.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/india/news/gujarat/8-august-top-news-and-historical-events-current-affairs" target="_blank"> 8 August Top News: 8 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/KQlkfae9GlhnH7y8mIOQ3OvWVodvarAX67ZFutmE.webp'/></item><item><title><![CDATA[Ahmedabadમાં ACBનો મોટો ટ્રેપ, બે ચીફ ફાયર ઓફિસર લાંચ લેતા રંગેહાથ ઝડપાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/acbs-big-trap-in-ahmedabad-two-chief-fire-officers-caught-red-handed-taking-bribe</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/acbs-big-trap-in-ahmedabad-two-chief-fire-officers-caught-red-handed-taking-bribe</guid><pubDate>Fri, 07 Aug 2026 22:17:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર અમીતકુમાર ડોંગરે અને ચીફ ફાયર ઓફિસર ભાવસિંહ પ્રતાપ ઝાલા લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. ઉચ્ચ હોદ્દા પર બેઠેલા બંને અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાતાં એડમિનિસ્ટ્રેશન અને પોલીસ વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>6 બિલ્ડિંગની ફાયર NOC માટે માંગી હતી લાંચ</b></h2><p style="text-align: justify; ">તપાસ દરમિયાન સામે આવેલી વિગતો મુજબ, શહેરમાં 6 જેટલી બિલ્ડિંગોની ફાયર NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) મંજૂર કરવાની કામગીરીના બદલામાં આ લાંચ માંગવામાં આવી હતી. આરોપી અધિકારીઓએ પ્રત્યેક NOC દીઠ રૂ. 6 હજાર લેખે લાંચની રકમ નક્કી કરી હતી. બંને આરોપીઓએ સાથે મળીને આ નાણાંની માંગણી કરી હતી અને ગેરકાયદે આર્થિક ફાયદો મેળવવાનો પ્રયાસ કર્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>ફોન પર સંમતિ આપ્યાનું સામે આવ્યું, ભ્રષ્ટાચારનો ગુનો નોંધાયો</b></h2><p style="text-align: justify; ">ACBની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે લાંચની રકમ સ્વીકારવા માટે અધિકારીઓએ ફોન પર પણ પોતાની સ્પષ્ટ સંમતિ આપી હતી, જે અંગેના પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. લાંચની રકમ માંગવા અને સ્વીકારવાના મામલે બંને અધિકારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (એન્ટી કરપ્શન એક્ટ) હેઠળ ગુનો નોંધીને આગળની સઘન કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/gandhinagar/gandhinagar-news-factory-manufacturing-fake-ghee-busted-in-dahegam-large-quantity-seized" target="_blank">Gandhinagar News : દહેગામમાં નકલી ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, મોટી માત્રામાં જથ્થો જપ્ત</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/2WwqaO3sPE5Qs0nQ7qUmXUCHfjvNIp3bry7uOFwD.webp'/></item><item><title><![CDATA[Gujarat Assembly Election 2027: એકશન મોડમાં AAP, 7 બેઠકો માટે સંગઠન મંત્રીઓની કરી નિમણૂક ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/aam-aadmi-party-gujarat-assembly-election-2027-sangathan-mantri-appointment-list</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/aam-aadmi-party-gujarat-assembly-election-2027-sangathan-mantri-appointment-list</guid><pubDate>Fri, 07 Aug 2026 21:18:42 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતમાં વર્ષ 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે આમ આદમી પાર્ટી અત્યારથી જ એક્શન મોડમાં આવી ગઈ છે. સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવાના હેતુથી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા સાથેની ચર્ચા બાદ 7 મહત્વપૂર્ણ વિધાનસભા બેઠકો પર નવા ‘વિધાનસભા સંગઠન મંત્રી’ ઓની નિમણૂક કરવામાં આવી છે.</p><h2><b>7 વિધાનસભા બેઠકો પર નીમાયેલા સંગઠન મંત્રીઓની યાદી</b></h2><p>પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલ સત્તાવાર યાદી મુજબ નીચે મુજબના હોદ્દેદારોને જવાબદારી સોંપવામાં આવી છે:</p><ul><li>ગાંધીનગર ઉત્તર: દિલીપભાઈ ત્રિવેદી</li><li>કલોલ (ગાંધીનગર): ઈશિત જૈન</li><li>નારણપુરા: હિમાંશુ વિક્રમભાઈ શાહ</li><li>મહેસાણા: અમૃતભાઈ પ્રજાપતિ</li><li>જામનગર ઉત્તર: જીવરાજભાઈ ચૌહાણ</li><li>ધાનેરા: ઈન્દરકુમાર કાલિદાસ વાલંદ</li><li>વાંસદા: નરેશભાઈ નટુભાઈ પટેલ</li></ul><p><img alt="Gujarat Assembly Election 2027 AAP in action mode appoints organization ministers for 7 seats" src="https://epapercdn.sandesh.com/images/2026/08/07/8Ujj7vMY5CFY3YDPQyRMPnxF8e3AHqCG7scTaGoL.webp" style="width: 100%;"><br></p><h2><b>પ્રદેશ પ્રભારી અને પ્રમુખે પાઠવી શુભકામનાઓ</b></h2><p>આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ તમામ નવનિયુક્ત હોદ્દેદારોને તેમની નવી જવાબદારી બદલ સફળતાની શુભકામનાઓ પાઠવી છે.</p><h2><b>મજબૂત સંગઠન સાથે ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી શરૂ</b></h2><p>વિધાનસભા વાઈઝ સંગઠન મંત્રીઓની નિમણૂક થતાં જ સ્થાનિક સ્તરે કાર્યકરોને એકજૂથ કરવા અને જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી ઝડપી બનાવવામાં આવશે. 2027 ની ચૂંટણી પહેલા જ સમગ્ર રાજ્યમાં સંગઠનનો પાયો વધુ મજબૂત કરવાનો AAP નો આ મહત્વનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-news-internal-discord-in-congress-exposed-mla-corporator-husband-face-to-face-in-snehamilan" target="_blank">Ahmedabad News : કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ખુલ્લો, સ્નેહમિલનમાં ધારાસભ્ય-કોર્પોરેટર પતિ આમને-સામને</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/aoSYJwRNP0Hg7Abgc7ogJdrkm7HlHxNIilISzKFn.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : નકલી CBI અને પોલીસ બની 44 લાખની ઠગાઈ, જોધપુરથી બે આરોપીઓની ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-news-fake-cbi-and-police-defrauded-of-rs-44-lakh-two-accused-arrested-from-jodhpur</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-news-fake-cbi-and-police-defrauded-of-rs-44-lakh-two-accused-arrested-from-jodhpur</guid><pubDate>Fri, 07 Aug 2026 21:14:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે દેશભરમાં આતંક મચાવતી સાયબર ગેંગ સામે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે રાજસ્થાનના જોધપુર ખાતે દરોડો પાડીને 2 શાતિર સાયબર ઠગોની ધરપકડ કરી છે. આ આરોપીઓ નિર્દોષ લોકોને પોતાના શિકાર બનાવીને લાખો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી આચરતા હતા, જેમને પકડી પાડી પોલીસે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.</p><h2 style="text-align: justify; "><b>નકલી CBI અને પોલીસ બની 'ડિજિટલ એરેસ્ટ'ના નામે 44 લાખની ઠગાઈ</b></h2><p style="text-align: justify; ">આરોપીઓ ભોગ બનનાર વ્યક્તિને વોટ્સએપ વીડિયો કોલ કરીને સીબીઆઈ (CBI)ના ઉચ્ચ અધિકારી, પોલીસ કે બેંક મેનેજર તરીકેની ખોટી ઓળખ આપતા હતા. ત્યારબાદ ગુનામાં સંડોવણી હોવાનો ખોટો ડર બતાવી, વ્યક્તિને 'ડિજિટલ એરેસ્ટ' કરવાનો ડર બતાવીને માસિક અને માનસિક દબાણ ઊભું કરતા હતા. આ ભયાનક તકનીકનો ઉપયોગ કરીને તેમણે એક નાગરિક પાસેથી રૂ. 44 લાખ જેટલી મોટી રકમ પડાવી લીધી હતી.</p><h2 style="text-align: justify; "><b>વોટ્સએપ વીડિયો કોલથી ડરાવી આચરતા હતા કૌભાંડ</b></h2><p style="text-align: justify; ">તપાસમાં સામે આવ્યું છે કે ઠગો સંપૂર્ણ આયોજનબદ્ધ રીતે કોલ સેન્ટરની જેમ કામ કરતા હતા. વીડિયો કોલ દરમિયાન બેકગ્રાઉન્ડ પણ સરકારી ઓફિસ જેવું રાખીને લોકોને વિશ્વાસમાં લેતા હતા. સાયબર ક્રાઈમની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે આ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે અને પકડાયેલા આરોપીઓની કડક પૂછપરછ કરી અન્ય કેટલા લોકોને નિશાન બનાવ્યા છે તેની તપાસ શરૂ કરી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-news-internal-discord-in-congress-exposed-mla-corporator-husband-face-to-face-in-snehamilan" target="_blank">Ahmedabad News : કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ખુલ્લો, સ્નેહમિલનમાં ધારાસભ્ય-કોર્પોરેટર પતિ આમને-સામને</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/4JDQVvg0H0vYI8bcsYW66v6xFIavUfPawWqwgz7H.webp'/></item><item><title><![CDATA[Sugar Price Hike: એક જ મહિનામાં ખાંડ 15% મોંઘી થઈ!, તહેવારો પહેલા કેમ વધ્યા ભાવ, જાણો શુ છે કારણો? ]]></title><link>https://sandesh.com/business/news/india/sugar-price-hike-sugar-became-15-more-expensive-in-a-single-month-why-did-the-prices-increase-before-the-festivals-know-what-are-the-reasons</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/sugar-price-hike-sugar-became-15-more-expensive-in-a-single-month-why-did-the-prices-increase-before-the-festivals-know-what-are-the-reasons</guid><pubDate>Fri, 07 Aug 2026 19:49:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">વધતા ભાવોને કાબુમાં લેવા માટે, મિલો હવે 15 દિવસ વહેલા શેરડીનું પિલાણ શરૂ કરી રહી છે.</p><h2 style="text-align: justify; ">ખાંડના ભાવમાં સરેરાશ 8%નો વધારો&nbsp;</h2><p style="text-align: justify; ">આગામી તહેવારોની મોસમમાં ફુગાવાનો માર સામાન્ય માણસના ખિસ્સા પર પડવાની શક્યતા છે. સરકારના પ્રયાસો છતાં, સ્થાનિક બજારમાં ખાંડના ભાવ સતત વધી રહ્યા છે. ગયા મહિનાના આંકડાઓના આધારે, ખાંડના ભાવમાં સરેરાશ 8%નો વધારો થયો છે, જ્યારે કેટલાક રાજ્યોમાં આ વધારો 15% સુધી પહોંચી ગયો છે. એવી આશંકા છે કે આ વર્ષે દિવાળી, દશેરા અને અન્ય તહેવારો દરમિયાન મીઠાઈનો આનંદ માણવો જનતા માટે મોંઘો સાબિત થઈ શકે છે.</p><h3 style="text-align: justify; ">તહેવારોની મીઠાશ પર નજર&nbsp;</h3><p style="text-align: justify; ">તહેવારોની મોસમ દરમિયાન ખાંડનો વપરાશ ટોચ પર હોય છે, પરંતુ આ સમયે આ તીવ્ર ભાવ વધારો ઘરના બજેટને ખોરવી નાખવાનો ભય છે. ખાંડ મિલોએ હવે વધતી કિંમતોને કાબુમાં લેવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. છેલ્લા એક મહિનામાં જથ્થાબંધ બજારમાં ખાંડના ભાવ પ્રતિ ક્વિન્ટલ ₹400 સુધી વધ્યા છે. આ બગડતી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, ખાંડ મિલોએ આ વર્ષે ખાંડની પિલાણ પ્રક્રિયા 10 થી 15 દિવસ વહેલા શરૂ કરવાનો નિર્ણય લીધો છે જેથી બજારમાં તાજી ખાંડનો પુરવઠો શક્ય તેટલી ઝડપથી વધે.</p><h4 style="text-align: justify; ">ભાવ શા માટે આસમાને પહોંચ્યા ?</h4><p style="text-align: justify; ">ખાંડના ભાવમાં અચાનક વધારો થવા પાછળનું સૌથી મોટું કારણ ઉત્પાદનમાં ઘટાડો છે. શરૂઆતમાં, અંદાજ મુજબ આ વર્ષે 29.3 મિલિયન ટન ખાંડનું ઉત્પાદન થવાની આગાહી કરવામાં આવી હતી, પરંતુ વાસ્તવિક આંકડો ફક્ત 28 મિલિયન ટન હતો, જે પાછલા વર્ષ કરતા લગભગ 5 મિલિયન ટન ઓછો છે. જો કે, એકમાત્ર બચત એ છે કે ગયા વર્ષનો આશરે 5 મિલિયન ટન સ્ટોક હજુ પણ ઉપલબ્ધ છે. જો કે, પડકાર એ છે કે દેશનો કુલ વાર્ષિક ખાંડનો વપરાશ ફક્ત 28 મિલિયન ટન જેટલો છે, અને આ વર્ષે 8 લાખ ટન ખાંડની નિકાસ થઈ ચૂકી છે. વધુમાં, અલ નીનોની અસર અને આવતા વર્ષે ઉત્પાદનમાં ઘટાડાની શક્યતાએ બજારમાં ગભરાટ પેદા કર્યો છે, જેનાથી ભાવમાં વધુ વધારો થયો છે.</p><h5 style="text-align: justify; ">મેટ્રો શહેરોમાં ખાંડના નવા ભાવ</h5><p style="text-align: justify; ">સરકારી માહિતી અનુસાર, દેશના લગભગ દરેક મોટા શહેરોમાં છૂટક ખાંડના ભાવમાં વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં એક મહિના પહેલા 45 રૂપિયા પ્રતિ કિલો વેચાતી ખાંડ હવે 49 રૂપિયા પર પહોંચી ગઈ છે. પશ્ચિમ બંગાળમાં તેની અસર ખાસ કરીને સ્પષ્ટ છે, જ્યાં 49 રૂપિયા પ્રતિ કિલો વેચાતી ખાંડ હવે 55 રૂપિયામાં વેચાઈ રહી છે. તેવી જ રીતે, ચેન્નાઈમાં ભાવ 46 રૂપિયાથી વધીને 53 રૂપિયા, મુંબઈમાં 46 રૂપિયાથી વધીને 52 રૂપિયા અને ઝારખંડની રાજધાની રાંચીમાં 47 રૂપિયાથી વધીને 51 રૂપિયા થઈ ગયા છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/india/news/jantar-mantar-protest-why-is-the-entire-city-held-hostage-during-the-protest-at-jantar-mantar-delhi-hc-questions-the-government-and-police" target="_blank">પ્રદર્શન જંતર-મંતર પર તો આખા શહેરને કેમ બંધક બનાવાય?, Delhi HCના સરકાર-પોલીસને સવાલ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/o0MmWdWvS5GxHKh1PkDZuNnvj4Ezsxh5Wk1E9WVZ.webp'/></item><item><title><![CDATA[Sugar Price Hike: એક જ મહિનામાં ખાંડ 15% મોંઘી થઈ!, તહેવારો પહેલા કેમ વધ્યા ભાવ, જાણો શુ છે કારણો? ]]></title><link>https://sandesh.com/business/news/india/sugar-price-hike-sugar-became-15-more-expensive-in-a-single-month-why-did-the-prices-increase-before-the-festivals-know-what-are-the-reasons</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/sugar-price-hike-sugar-became-15-more-expensive-in-a-single-month-why-did-the-prices-increase-before-the-festivals-know-what-are-the-reasons</guid><pubDate>Fri, 07 Aug 2026 19:49:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">વધતા ભાવોને કાબુમાં લેવા માટે, મિલો હવે 15 દિવસ વહેલા શેરડીનું પિલાણ શરૂ કરી રહી છે.</p><h2 style="text-align: justify; ">ખાંડના ભાવમાં સરેરાશ 8%નો વધારો&nbsp;</h2><p style="text-align: justify; ">આગામી તહેવારોની મોસમમાં ફુગાવાનો માર સામાન્ય માણસના ખિસ્સા પર પડવાની શક્યતા છે. સરકારના પ્રયાસો છતાં, સ્થાનિક બજારમાં ખાંડના ભાવ સતત વધી રહ્યા છે. ગયા મહિનાના આંકડાઓના આધારે, ખાંડના ભાવમાં સરેરાશ 8%નો વધારો થયો છે, જ્યારે કેટલાક રાજ્યોમાં આ વધારો 15% સુધી પહોંચી ગયો છે. એવી આશંકા છે કે આ વર્ષે દિવાળી, દશેરા અને અન્ય તહેવારો દરમિયાન મીઠાઈનો આનંદ માણવો જનતા માટે મોંઘો સાબિત થઈ શકે છે.</p><h3 style="text-align: justify; ">તહેવારોની મીઠાશ પર નજર&nbsp;</h3><p style="text-align: justify; ">તહેવારોની મોસમ દરમિયાન ખાંડનો વપરાશ ટોચ પર હોય છે, પરંતુ આ સમયે આ તીવ્ર ભાવ વધારો ઘરના બજેટને ખોરવી નાખવાનો ભય છે. ખાંડ મિલોએ હવે વધતી કિંમતોને કાબુમાં લેવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. છેલ્લા એક મહિનામાં જથ્થાબંધ બજારમાં ખાંડના ભાવ પ્રતિ ક્વિન્ટલ ₹400 સુધી વધ્યા છે. આ બગડતી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, ખાંડ મિલોએ આ વર્ષે ખાંડની પિલાણ પ્રક્રિયા 10 થી 15 દિવસ વહેલા શરૂ કરવાનો નિર્ણય લીધો છે જેથી બજારમાં તાજી ખાંડનો પુરવઠો શક્ય તેટલી ઝડપથી વધે.</p><h4 style="text-align: justify; ">ભાવ શા માટે આસમાને પહોંચ્યા ?</h4><p style="text-align: justify; ">ખાંડના ભાવમાં અચાનક વધારો થવા પાછળનું સૌથી મોટું કારણ ઉત્પાદનમાં ઘટાડો છે. શરૂઆતમાં, અંદાજ મુજબ આ વર્ષે 29.3 મિલિયન ટન ખાંડનું ઉત્પાદન થવાની આગાહી કરવામાં આવી હતી, પરંતુ વાસ્તવિક આંકડો ફક્ત 28 મિલિયન ટન હતો, જે પાછલા વર્ષ કરતા લગભગ 5 મિલિયન ટન ઓછો છે. જો કે, એકમાત્ર બચત એ છે કે ગયા વર્ષનો આશરે 5 મિલિયન ટન સ્ટોક હજુ પણ ઉપલબ્ધ છે. જો કે, પડકાર એ છે કે દેશનો કુલ વાર્ષિક ખાંડનો વપરાશ ફક્ત 28 મિલિયન ટન જેટલો છે, અને આ વર્ષે 8 લાખ ટન ખાંડની નિકાસ થઈ ચૂકી છે. વધુમાં, અલ નીનોની અસર અને આવતા વર્ષે ઉત્પાદનમાં ઘટાડાની શક્યતાએ બજારમાં ગભરાટ પેદા કર્યો છે, જેનાથી ભાવમાં વધુ વધારો થયો છે.</p><h5 style="text-align: justify; ">મેટ્રો શહેરોમાં ખાંડના નવા ભાવ</h5><p style="text-align: justify; ">સરકારી માહિતી અનુસાર, દેશના લગભગ દરેક મોટા શહેરોમાં છૂટક ખાંડના ભાવમાં વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં એક મહિના પહેલા 45 રૂપિયા પ્રતિ કિલો વેચાતી ખાંડ હવે 49 રૂપિયા પર પહોંચી ગઈ છે. પશ્ચિમ બંગાળમાં તેની અસર ખાસ કરીને સ્પષ્ટ છે, જ્યાં 49 રૂપિયા પ્રતિ કિલો વેચાતી ખાંડ હવે 55 રૂપિયામાં વેચાઈ રહી છે. તેવી જ રીતે, ચેન્નાઈમાં ભાવ 46 રૂપિયાથી વધીને 53 રૂપિયા, મુંબઈમાં 46 રૂપિયાથી વધીને 52 રૂપિયા અને ઝારખંડની રાજધાની રાંચીમાં 47 રૂપિયાથી વધીને 51 રૂપિયા થઈ ગયા છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/india/news/jantar-mantar-protest-why-is-the-entire-city-held-hostage-during-the-protest-at-jantar-mantar-delhi-hc-questions-the-government-and-police" target="_blank">પ્રદર્શન જંતર-મંતર પર તો આખા શહેરને કેમ બંધક બનાવાય?, Delhi HCના સરકાર-પોલીસને સવાલ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/o0MmWdWvS5GxHKh1PkDZuNnvj4Ezsxh5Wk1E9WVZ.webp'/></item><item><title><![CDATA[Evergreen Song : કિશોર કુમારના અવાજે અમર બનેલું 68 વર્ષ જૂનું ગીત, Sixteen Tons સાથે છે ખાસ કનેક્શન! ]]></title><link>https://sandesh.com/entertainment/news/kishore-kumar-rain-song-sixteen-tons-merle-travis</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/kishore-kumar-rain-song-sixteen-tons-merle-travis</guid><pubDate>Fri, 07 Aug 2026 17:26:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વરસાદની ઋતુ હોય અને બોલીવુડનું ગીત ન હોય એવું બની શકે નહીં. તમે વરસાદની ઋતુમાં પ્યાર હુઆ ઇકરાર હુઆ, યે રાત ભીગી ભીગી અને રિમઝિમ ગિરે સાવન જેવા ગીતો તો સાંભળ્યા જ હશે. પરંતુ શું તમે કિશોર કુમારના એ 68 વર્ષ જૂના ગીત વિશે સાંભળ્યું છે, જે મર્લે ટ્રેવિસના સિક્સટીન ટન્સ પર આધારિત હતું? ખાસ વાત એ હતી કે આ ફિલ્મના હીરો પોતે કિશોર કુમાર હતા અને તેમણે જ ફિલ્મનું નિર્માણ પણ કર્યું હતું. ફિલ્મમાં તેમના ઉપરાંત અશોક કુમાર, મધુબાલા અને અનૂપ કુમાર મહત્વના પાત્રોમાં જોવા મળ્યા હતા. ફિલ્મનું દિગ્દર્શન સત્યેન બોઝે કર્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>કિશોર કુમારનું 68 વર્ષ જૂનું ગીત</b></h2><p style="text-align: justify; ">અમે 68 વર્ષ પહેલાં રિલીઝ થયેલી ફિલ્મ ચલતી કા નામ ગાડીની વાત કરી રહ્યા છીએ. આ ફિલ્મનું ગીત એક લડકી ભીગી ભાગી સી આજે પણ ખૂબ લોકપ્રિય છે. આ ગીતનું સંગીત એસ.ડી. બર્મને આપ્યું હતું. તેમના પુત્ર આર.ડી. બર્મન અને જયદેવ સહાયક સંગીતકાર હતા. ગીતના શબ્દો મજરૂહ સુલ્તાનપુરીએ લખ્યા હતા. જ્યારે વરસાદનું આ ગીત મર્લે ટ્રેવિસના સિક્સટીન ટન્સ પર આધારિત હતું.</p><h3 style="text-align: justify; "><b>ગીતના લિરીક્સ છે શાનદાર...</b></h3><p style="text-align: justify; ">એક લડકી ભીગી ભાગી સી</p><p style="text-align: justify; ">સોતી રાતોં મેં જાગી સી</p><p style="text-align: justify; ">મિલી એક અજનબી સે કોઈ આગે ના પીછે</p><p style="text-align: justify; ">તુમ હી કહો યે કોઈ બાત હૈ</p><p style="text-align: justify; ">હમ્મ્મ...એક લડકી ભીગી ભાગી સી</p><p style="text-align: justify; ">સોતી રાતોં મેં જાગી સી</p><p style="text-align: justify; ">મિલી એક અજનબી સે કોઈ આગે ના પીછે</p><p style="text-align: justify; ">તુમ હી કહો યે કોઈ બાત હૈ હમ્મ્મ</p><p style="text-align: justify; ">ખાસ વાત એ છે કે આ ગીતને ખૂબ લોકપ્રિયતા મળી હતી. ફિલ્મ કમ્પેનિયનની ટોપ 100 બોલીવુડ આલ્બમની યાદીમાં આ ગીત 51મા ક્રમે સામેલ છે. જ્યારે રેડિફ અનુસાર બોલિવૂડના ટોપ 25 ગીતોની યાદીમાં પણ 'એક લડકી ભીગી ભાગી સી' સામેલ છે.</p><h4 style="text-align: justify; "><b>કિશોર કુમાર ફિલ્મ ફ્લોપ થાય એવું ઈચ્છતા હતા</b></h4><p style="text-align: justify; ">આઈએમડીબી અનુસાર, એવું કહેવાય છે કે કિશોર કુમારે ચલતી કા નામ ગાડી ફિલ્મ એ આશા સાથે બનાવી હતી કે તે કમર્શિયલી ફ્લોપ થશે. તેનું કારણ એ હતું કે તેઓ પોતાની આવકમાં નુકસાન બતાવવા માગતા હતા, જેથી અધિકારીઓને વધારે ઇન્કમ ટેક્સ ન ચૂકવવો પડે. તેથી તેમણે 2 ફિલ્મો બનાવી હતી, લુકોચુરી અને ચલતી કા નામ ગાડી, અને ફિલ્મ ફ્લોપ થાય તેની રાહ જોઈ હતી. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. તેના કારણે કિશોર કુમાર એટલા નિરાશ થયા કે તેમણે ચલતી કા નામ ગાડી અને તેના તમામ અધિકારો પોતાના સેક્રેટરી અનૂપ શર્માને આપી દીધા હતા અને કૉપિરાઇટ પોતાની પાસે રાખ્યો હતો.&nbsp;</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/ameesha-patel-51-unmarried-why-not-married" target="_blank" style="background-color: rgb(255, 255, 255);">આ પણ વાંચો-Actress Love Life : 51ની ઉંમરે પણ અમીષા પટેલે કેમ નથી કર્યા લગ્ન? એક્ટ્રેસે પોતે કર્યો ખુલાસો!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/0uToJSPsPuplAppnsYUbDj72VHfJyOEMgVBzQxqC.webp'/></item><item><title><![CDATA[Sports News : ફૂટબોલ મેચ દરમિયાન ખેલાડી પર પડી વીજળી, Videoમાં કેદ થઈ ઘટના ]]></title><link>https://sandesh.com/sports/news/sports-news-lightning-strikes-player-during-football-match-incident-captured-on-video</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/sports-news-lightning-strikes-player-during-football-match-incident-captured-on-video</guid><pubDate>Fri, 07 Aug 2026 16:01:27 +05:30</pubDate><description><![CDATA[<p>થાઈલેન્ડમાં એક દુ:ખદ અને આઘાતજનક ઘટના બની છે,જ્યાં ફૂટબોલ મેચ દરમિયાન મેદાન પર વીજળી પડી હતી.આ ભયાનક દુર્ઘટનામાં 24 વર્ષીય ફૂટબોલર સફવાન અવેનું દુઃખદ મૃત્યુ થયું હતું,જ્યારે 12 અન્ય ખેલાડીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા.વરસાદ અને તોફાની વાતાવરણ વચ્ચે મેચ રમાઈ રહી હતી, જ્યારે ખેલાડીઓ ધોધમાર વરસાદ છતાં મેદાન પર જ રહ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.</p><h4><b>ભયાનક દ્રશ્ય કેમેરામાં કેદ</b></h4><p>સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં, જોઈ શકાય છે કે ખેલાડીઓ જ્યાં દોડી રહ્યા હતા તે વિસ્તારની નજીક, અચાનક વીજળી એક તેજસ્વી ફ્લેશ સાથે જમીન પર પડી. વીજળી પડતાં ધુમાડાના ગોટેગોટા અને આગની જ્વાળાઓ ઉંચી થતી જોવા મળી હતી. વીજળી પડતાં ફૂટબોલર સફવાન અવે મેદાન પર પડી ગયો. ત્યાં હાજર ચાહકો અને સાથી ખેલાડીઓ તાત્કાલિક મેદાનમાં દોડી ગયા અને તેને જીવિત કરવાનો પ્રયાસ કર્યો.</p><h5><b>સ્થાનિક પોલીસે શું કહ્યું</b></h5><p>ત્યારબાદ સફવાનને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. પરંતુ તેને બચાવી શકાયો નહીં. સ્થાનિક પોલીસે બાદમાં સત્તાવાર રીતે સફવાનના મૃત્યુની પુષ્ટિ કરી. પોલીસે એ પણ જાહેર કર્યું કે વીજળી પડવાથી 12 અન્ય લોકો પણ ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોમાં 22 વર્ષીય મલેશિયન ફૂટબોલર અલિફ અઝાન ઝુલ્કિફલીનો પણ સમાવેશ થાય છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/praylaughlift/status/2085332343762337981?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><br></p><h5><b>સમગ્ર રમતગમત જગતમાં શોકની લહેર&nbsp;</b></h5><p>24 વર્ષીય સફવાન અવેએ તાજેતરમાં થાઈ લીગ 3 સધર્ન રિજનમાં રમતા ફૂટબોલ ક્લબ એફસી યાલા સાથે કરાર કર્યો હતો. તેમના યુવા ખેલાડીના અવસાનથી આઘાત પામેલા ક્લબે સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરીને લખ્યું, "ચોક્કસ, આપણે અલ્લાહના છીએ, અને આપણે તેની પાસે પાછા ફરવું જોઈએ." આ દુ:ખદ ઘટનાએ સમગ્ર રમતગમત જગતમાં શોકની લહેર ફેલાવી દીધી છે.</p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/cricket/news/ind-vs-sl-warm-up-match-kl-rahul-did-something-like-this-in-kuldeep-yadavs-over-video-goes-viral" target="_blank"> IND Vs SL Warm-Up Match : કુલદીપ યાદવની ઓવરમાં કેએલ રાહુલે કર્યું કંઈક એવું, વીડિયો થયો વાયરલ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/ENpFTthkyKp0r7kOAPIIfaXsl0yjFZjGKEx3dOCI.webp'/></item></channel></rss>