<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Hormuz Strait સંકટ વચ્ચે ભારતનો રાજદ્વારી દાવ, ઈરાનમાં ભારતના નવા રાજદૂત તરીકે વિશ્વેશ નેગીની નિમણૂક ]]></title><link>https://sandesh.com/india/news/world/india-appoints-vishwesh-negi-new-ambassador-to-iran-hormuz-strait-tensions</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/world/india-appoints-vishwesh-negi-new-ambassador-to-iran-hormuz-strait-tensions</guid><pubDate>Tue, 04 Aug 2026 15:47:04 +05:30</pubDate><description><![CDATA[<p>પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટને લઈને સર્જાયેલી અનિશ્ચિતતા વચ્ચે ભારત સરકારે વરિષ્ઠ રાજદ્વારી અધિકારી વિશ્વેશ નેગીને ઈરાનમાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત કર્યા છે. વિદેશ મંત્રાલય (MEA)એ સોમવારે તેમની નિમણૂકની સત્તાવાર જાહેરાત કરી છે. 2002ની બેચના ભારતીય વિદેશ સેવા (IFS)ના અધિકારી વિશ્વેશ નેગી હાલમાં વિદેશ મંત્રાલયમાં સંયુક્ત સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે.&nbsp;</p><h2><b>હાલના રાજદૂત રુદ્ર ગૌરવ શ્રેષ્ઠનું સ્થાન લેશે</b></h2><p>તેઓ ટૂંક સમયમાં તેહરાનમાં પોતાનો કાર્યભાર સંભાળશે અને હાલના રાજદૂત રુદ્ર ગૌરવ શ્રેષ્ઠનું સ્થાન લેશે. રુદ્ર ગૌરવ શ્રેષ્ઠને હવે તુર્કીમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વિશ્વેશ નેગીને આંતરરાષ્ટ્રીય કૂટનીતિ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓનો લાંબો અનુભવ છે. હાલ તેઓ ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર સાથે ભારતના સંબંધોની જવાબદારી સંભાળી રહ્યા છે. અગાઉ તેઓ રક્ષા મંત્રાલયમાં આંતરરાષ્ટ્રીય સહકાર વિભાગના સંયુક્ત સચિવ તરીકે કાર્યરત હતા, જ્યાં તેમણે સંરક્ષણ કૂટનીતિ, આંતરરાષ્ટ્રીય સૈન્ય સહયોગ અને અનેક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય ચર્ચાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે સંયુક્ત રાષ્ટ્રના રાજકીય વિભાગમાં નિર્દેશક તરીકે પણ સેવા આપી છે અને પાકિસ્તાન, ઓશિનિયા સહિત અનેક ક્ષેત્રોમાં રાજદ્વારી જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી છે.</p><h3><b>શું રહેશે પડકારો?</b></h3><p>ભારત અને ઈરાન વચ્ચે ઊર્જા, વેપાર અને વ્યૂહાત્મક સહકારના મહત્વપૂર્ણ સંબંધો છે. આવી સ્થિતિમાં વિશ્વેશ નેગીની નિમણૂકને ખાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. પશ્ચિમ એશિયામાં છેલ્લા કેટલાક મહિનાથી સુરક્ષા પરિસ્થિતિ સતત બદલાઈ રહી છે. અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના વધતા તણાવ, હોર્મુઝ સ્ટ્રેટને લઈને ઉભા થયેલા પડકારો તથા ઊર્જા પુરવઠા અને વૈશ્વિક વેપાર પર પડતી અસર વચ્ચે ભારતે હંમેશા શાંતિ, સ્થિરતા અને સંવાદનો માર્ગ અપનાવવાની વકાલાત કરી છે. હવે નવા રાજદૂત તરીકે વિશ્વેશ નેગી ભારત-ઈરાન સંબંધોને વધુ મજબૂત બનાવવા અને પ્રાદેશિક પડકારો વચ્ચે રાજદ્વારી સંતુલન જાળવવાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.</p><p><b><a href="https://sandesh.com/business/news/india/business-in-india-which-states-are-the-best-for-starting-a-new-business-or-startup-in-india" target="_blank">આ પણ વાંચો : Business In India: ભારતમાં નવો બિઝનેસ કે સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે કયા રાજ્યો છે શ્રેષ્ઠ?</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/gxZgdh4j5eF69VdUKQkAMYi2HXNlOysgdjUPTNiS.webp'/></item><item><title><![CDATA[Monsoon 2026 : વિરમગામમાં વરસાદે ખોલી તંત્રની પોલ, મુખ્ય માર્ગો પર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય... ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/ahmedabad/monsoon-2026-rains-in-viramgam-have-opened-the-floodgates-causing-huge-potholes-on-the-main-roads</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/ahmedabad/monsoon-2026-rains-in-viramgam-have-opened-the-floodgates-causing-huge-potholes-on-the-main-roads</guid><pubDate>Tue, 04 Aug 2026 15:39:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વિરમગામ વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે વહીવટી તંત્રની પોલ ખુલી ગઈ છે. ધોધમાર વરસાદના પગલે શહેરમાં મહત્વના રસ્તાઓનું મોટા પાયે ધોવાણ થયું છે, જેના કારણે ઠેર-ઠેર ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે. તંત્રના દાવાઓ ખોટા સાબિત થયા છે અને સામાન્ય વરસાદમાં જ માર્ગોની હાલત દયનીય બની ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>મુખ્ય માર્ગો અને દરવાજાઓ પાસે મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય</b></h2><p style="text-align: justify; ">શહેરના મુખ્ય રસ્તાઓ પર પડેલા મસમોટા અને ઊંડા ખાડાઓને કારણે વાહનચાલકો અને રાહદારીઓ ત્રાસી ગયા છે. ખાસ કરીને બસસ્ટેન્ડ રોડ, અક્ષરનગર માંડલ રોડ, તેમજ ભરવાડી દરવાજા અને ગોલવાડી દરવાજા જેવા વ્યસ્ત વિસ્તારોમાં મોટા ખાડાઓ પડી ગયા છે. આ ખાડાઓમાં પાણી ભરાઈ જવાને કારણે અકસ્માત સર્જાવાની સંભાવના પણ વધી ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>રહિશોને ભારે હાલાકી અને તંત્ર સામે રોષ</b></h2><p style="text-align: justify; ">મુખ્ય માર્ગો પર પડેલા જોખમી ખાડાઓના કારણે સ્કૂલે જતા બાળકો, નોકરીયાતો અને વરિષ્ઠ નાગરિકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહનો પણ વારંવાર પંક્ચર થવા કે ખરાબ થવાની સમસ્યા સર્જાય છે. સ્થાનિક રહીશોમાં તંત્રની બેદરકારી સામે ભારે રોષ ફેલાયો છે અને વહેલી તકે આ રસ્તાઓનું રીકાર્પેટિંગ કે મરામત કરવામાં આવે તેવી ઉગ્ર માગણી ઉઠી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/monsoon-2026-disaster-in-ahmedabad-villages-despite-the-passage-of-fifteen-days-rainwater-is-still-present-in-the-societies" target="_blank">Monsoon 2026 : અમદાવાદ ગ્રામ્યમાં આફત, પંદર દિવસ વીતવા છતાં સોસાયટીઓમાં હજુ પણ વરસાદી પાણી યથાવત...</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/t5I0YDN37WTQTGsfVVxnbX3YgAgfrf6S042ATlYg.webp'/></item><item><title><![CDATA[Palanpurના હસનપુર-ખરોડપુર ગામની સીમમાં ઘૂસેલા રીંછે 7 લોકો પર હુમલો કરી મચાવ્યો આતંક! ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/palanpur/a-bear-that-entered-the-boundaries-of-hasanpur-kharodpur-village-in-palanpur-created-terror-by-attacking-7-people</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/palanpur/a-bear-that-entered-the-boundaries-of-hasanpur-kharodpur-village-in-palanpur-created-terror-by-attacking-7-people</guid><pubDate>Tue, 04 Aug 2026 15:39:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બનાસકાંઠા જિલ્લાના પાલનપુર પંથકમાં વન્યજીવ માનવીય વસ્તીમાં ઘૂસી આવવાની ઘટનાઓ સતત વધી રહી છે. પાલનપુરના હસનપુર અને ખરોડપુર ગામની સીમમાં એક જંગલી રીંછ અચાનક ઘૂસી આવતાં ભારે દોડધામ મચી ગઈ હતી. ગામની સીમમાં આંટાફેરા કરી રહેલા આ આક્રમક રીંછે ત્યાંથી પસાર થતા કે ખેતરમાં કામ કરતા આશરે 6થી 7 જેટલા સ્થાનિક લોકો પર અચાનક હુમલો કરી દીધો હતો. રીંછના અચાનક થયેલા આ હુમલાને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.</p><h2 style="text-align: justify; "><b>ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા</b></h2><p style="text-align: justify; ">રીંછના નખ અને દાંતના હુમલાથી ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તમામ ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. સળંગ સાત લોકો પર હુમલાની આ ઘટનાથી સમગ્ર વિસ્તારના ખેડૂતો અને ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે, જેના કારણે લોકો પોતાના ખેતરોમાં જતા પણ ડરી રહ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>રીંછને પકડવાના પ્રયાસો ચાલુ</b></h3><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં જ વન વિભાગ (ફોરેસ્ટ) ની ટીમ વહેલી સવારથી જ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફોરેસ્ટની ટીમ દ્વારા રીંછને સલામત રીતે પકડી પાડવા માટેના સઘન પ્રયાસો અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે. જોકે, વન વિભાગની ટીમ તેને પકડે તે પહેલા જ રીંછે કેટલાક વધુ લોકો પર હુમલો કરી દીધો હતો. તંત્ર દ્વારા ગ્રામજનોને સાવચેત રહેવા અને ઘરની બહાર નીકળતી વખતે કાળજી રાખવા અપીલ કરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/WrjNYmJJkiM7nPnAPtWQoEo2X5zkybGcaP2612ly.webp'/></item><item><title><![CDATA[Surat News: બદનક્ષી અને ખંડણી કેસમાં જેલમાં રહેલી કીર્તિ પટેલની 5 દિવસમાં ફરી ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/omicron/surat/kirti-patel-arrested-again-in-land-grabbing-case</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/omicron/surat/kirti-patel-arrested-again-in-land-grabbing-case</guid><pubDate>Tue, 04 Aug 2026 15:37:51 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતની વિવાદિત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ સામે કાયદાનો સકંજો વધુ મજબૂત થયો છે.બદનક્ષી અને ખંડણીના ગંભીર કેસમાં લાજપોર જેલમાં બંધ કીર્તિ પટેલની પુણા પોલીસે ટ્રાન્સફર વોરંટ આધારે પાંચ દિવસમાં બીજી વખત ગેરકાયદેસર કબ્જો જમાવવાના ગુના હેઠળ ધરપકડ કરી છે.વિવાદોથી ઘેરાયેલી ઇન્ફ્લુએન્સર સામે એક પછી એક નવા ગુના દાખલ થતાં તેની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે.</p><h2 style="text-align: justify; "><b>પુણા પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ&nbsp;</b></h2><p style="text-align: justify; ">કીર્તિ પટેલે વર્ષ 2019થી જૂઠું બોલીને અને ખોટા આશ્વાસનો આપીને એક મકાન ભાડે રાખ્યું હતું.ભાડાકરાર કર્યા વગર જ રહેવા ગયેલી કીર્તિ પટેલે ત્યારબાદ મકાન પર ગેરકાયદેસર કબજો જમાવી દીધો હતો.કોરોના કાળના નિયમોનો દુરુપયોગ કરીને તેણે ભાડું ચૂકવ્યા વિના જ મકાન ખાલી કરવાનો સાફ ઇનકાર કરી દીધો હતો અને મકાનમાલિકને ધમકીઓ આપી હતી.આખરે કંટાળેલા મકાનમાલિકે પુણા પોલીસ સ્ટેશનમાં ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.</p><h3 style="text-align: justify; "><b>કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ&nbsp;</b></h3><p style="text-align: justify; ">પુણા પોલીસે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી શકાય તે માટે કીર્તિ પટેલની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ તપાસમાં કીર્તિ પટેલ સામે ભૂતકાળમાં પણ ધમકી,ખંડણી અને છેતરપિંડી જેવા અનેક ગુના નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે.પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર,આગામી દિવસોમાં તેની સામે નોંધાયેલા અન્ય વિવાદિત કેસોમાં પણ તેની ધરપકડ થાય તેવી પૂર્ણ શક્યતાઓ સેવાઈ રહી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/passport-verification-rules-no-need-to-visit-police-station" target="_blank">આ પણ વાંચોઃ Gandhinagar News: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી: DGP જી.એસ. મલિક</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/a4aGPuTGjdAlkbRCY0xOr3hWE9kVVkMjHquDgomb.webp'/></item><item><title><![CDATA[Dabur India Share Price : FSSAIની કડક કાર્યવાહીથી ડાબર ઈન્ડિયાને ઝટકો, શેરના ભાવમાં 3.5 ટકાથી વધુનો ઘટાડો ]]></title><link>https://sandesh.com/business/news/dabur-india-share-price-fssai-action-shares-fall-3-5-percent</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/dabur-india-share-price-fssai-action-shares-fall-3-5-percent</guid><pubDate>Tue, 04 Aug 2026 15:30:54 +05:30</pubDate><description><![CDATA[<p>FMCG ક્ષેત્રની અગ્રણી કંપની ડાબર ઈન્ડિયાને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)ની કડક કાર્યવાહીનો મોટો ફટકો પડ્યો છે. FSSAI દ્વારા કંપનીના અનેક લોકપ્રિય પ્રોડક્ટ્સના વેચાણ પર તાત્કાલિક અસરથી રોક લગાવવામાં આવતા શેરબજારમાં પણ તેની નકારાત્મક અસર જોવા મળી છે. ડાબર ઈન્ડિયાના શેરમાં આજે 3.5 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો અને શેરનો ભાવ આશરે 410.5 રૂપિયા સુધી સરકી ગયો હતો.</p><h2><b>ફૂડ લેબલિંગ સંબંધિત નિયમોનું ઉલ્લંઘન</b></h2><p>FSSAIએ જણાવ્યું છે કે ડાબર પોતાના કેટલાક પ્રોડક્ટ્સ પર '100% Pure' અને '100% Natural' જેવા દાવાઓ સાથે માર્કેટિંગ કરી રહી હતી, જે ફૂડ લેબલિંગ સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરે છે. આ મુદ્દે અગાઉ પણ કંપનીને નોટિસ આપી વેબસાઈટ અને પેકેજિંગ પરથી આવા દાવાઓ દૂર કરવા સૂચના આપવામાં આવી હતી. જોકે સંતોષકારક સુધારાત્મક પગલાં ન લેવાતા હવે નિયમનકારે વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. સાથે જ કંપનીને 15 દિવસની અંદર એક્શન ટેકન રિપોર્ટ (ATR) રજૂ કરવા જણાવ્યું છે.</p><p>જે પ્રોડક્ટ્સના વેચાણ પર રોક લગાવવામાં આવી છે તેમાં ડાબર હની, ડાબર કાઉ ઘી, ડાબર હિમાલયન ઓર્ગેનિક એપલ સાઇડર વિનેગર, ડાબર હોમમેડ કોકોનટ મિલ્ક, ડાબર વર્જિન કોકોનટ ઓઇલ, ડાબર તલનું તેલ અને ડાબર કોકોનટ વોટરનો સમાવેશ થાય છે. FSSAIએ સ્પષ્ટ કર્યું છે કે '100%' જેવા શબ્દોનો ઉપયોગ ગ્રાહકોમાં ભ્રમ ફેલાવી શકે છે અને કોઈ પ્રોડક્ટને અન્ય કરતાં શ્રેષ્ઠ હોવાનું ભાન કરાવે છે.&nbsp;</p><h3><b>ગ્રાહકોને સાચી અને પારદર્શક માહિતી મળવી જરૂરી</b></h3><p>આ કાર્યવાહી દેશવ્યાપી અભિયાનનો ભાગ છે, જેમાં પેકેજ્ડ ફૂડ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર વેચાતા ઉત્પાદનોની બ્રાન્ડિંગ, લેબલિંગ અને પેકેજિંગ પર કડક નજર રાખવામાં આવી રહી છે. નિયમનકારનું કહેવું છે કે ગ્રાહકોને સાચી અને પારદર્શક માહિતી મળવી જરૂરી છે અને ભ્રામક જાહેરાતો સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવવામાં આવશે.</p><p><b><a href="https://sandesh.com/business/news/automobile/auto-news-huge-jump-in-demand-for-electric-vehicles-in-july-know-which-segment-performed-well-and-who-came-out-ahead-1" target="_blank">આ પણ વાંચો : Auto News: જુલાઈમાં ઈલેક્ટ્રિક વાહનોની માંગમાં જંગી ઉછાળો, જાણો કયા સેગમેન્ટે મારી બાજી અને કોણ રહ્યું આગળ</a></b></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/3MNICqV9m9iLtNj8iapRRbo9FtKTfpUbTG0LIabT.webp'/></item><item><title><![CDATA[Business In India: ભારતમાં નવો બિઝનેસ કે સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે કયા રાજ્યો છે શ્રેષ્ઠ? ]]></title><link>https://sandesh.com/business/news/india/business-in-india-which-states-are-the-best-for-starting-a-new-business-or-startup-in-india</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/business-in-india-which-states-are-the-best-for-starting-a-new-business-or-startup-in-india</guid><pubDate>Tue, 04 Aug 2026 15:24:30 +05:30</pubDate><description><![CDATA[<p>ભારત આજે વિશ્વભરમાં સૌથી સક્રિય અને ઝડપથી વધતા અર્થતંત્રોમાંનું એક છે. કેન્દ્ર સરકારની 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ' નીતિઓ અને પ્રોત્સાહનોને કારણે દેશમાં બિઝનેસ અને સ્ટાર્ટઅપ સંસ્કૃતિ ખૂબ જ ઝડપથી વધી રહી છે. પરંતુ કોઈપણ નવો ઉદ્યોગ શરૂ કરતા પહેલા યોગ્ય રાજ્યની પસંદગી કરવી અત્યંત મહત્વપૂર્ણ છે.દરેક રાજ્યની પોતાની મજબૂતીઓ, નીતિઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય છે. ચાલો જાણીએ ભારતના એવા મુખ્ય રાજ્યો વિશે, જે નવા બિઝનેસ માટે સૌથી શ્રેષ્ઠ ગણાય છે:</p><h2><b>1. ગુજરાત – ઉદ્યોગ સાહસિકોની પ્રથમ પસંદ</b></h2><p>જ્યારે પણ વેપાર કે ઉદ્યોગની વાત આવે ત્યારે ગુજરાતનું નામ સૌથી આગળ હોય છે.</p><p><b>મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર: </b>ગુજરાતમાં વિશ્વસ્તરીય રોડ, પોર્ટ (બંદરો) અને પાવર સપ્લાયની સુવિધા છે.</p><p><b>સરકારી નીતિઓ:</b> 'સિંગલ વિન્ડો ક્લિયરન્સ' સિસ્ટમના કારણે ઉદ્યોગ શરૂ કરવાની મંજૂરીઓ ખૂબ ઝડપથી મળે છે.</p><p><b>ટેક્સટાઇલ અને કેમિકલ હબ:</b> મેન્યુફેક્ચરિંગ, કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ અને ટેક્સટાઇલ સેક્ટરમાં ગુજરાત દેશમાં અગ્રેસર છે.</p><h3><b>2. ગોવા (Goa) – પ્રવાસન અને આઇટી સ્ટાર્ટઅપ્સ માટે ઉત્તમ</b></h3><p>ગોવા માત્ર પ્રવાસન માટે જ નહીં, પરંતુ હવે નવા બિઝનેસ માટે પણ હોટસ્પોટ બની રહ્યું છે.</p><p><b>ટુરિઝમ અને હોસ્પિટાલિટી:</b> હોટેલ, રિસોર્ટ, રેસ્ટોરન્ટ અને ટુરિઝમ લગતા બિઝનેસ માટે ગોવા શ્રેષ્ઠ છે.</p><p><b>આઇટી અને સ્ટાર્ટઅપ વિઝન:</b> ગોવા સરકારની નવી 'સ્ટાર્ટઅપ પોલિસી' અંતર્ગત આઇટી અને સર્વિસ સેક્ટરના ઉદ્યોગોને ભારે સબસિડી અને ટેક્સ છૂટછાટ આપવામાં આવે છે.</p><h4><b>3. મહારાષ્ટ્ર (Maharashtra) – દેશની આર્થિક રાજધાની</b></h4><p>મુંબઈ અને પુણે જેવા શહેરો ધરાવતું મહારાષ્ટ્ર દેશનું સૌથી મોટું આર્થિક કેન્દ્ર છે.</p><p><b>ફાઇનાન્સ અને ટેકનોલોજી: </b>ફાઇનાન્શિયલ સર્વિસિસ, ઓટોમોબાઇલ અને આઇટી ઉદ્યોગો માટે મહારાષ્ટ્ર અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે.</p><p><b>વિશાળ માર્કેટ: </b>સ્થાનિક ધોરણે જ મોટું ગ્રાહક વર્ગ ઉપલબ્ધ હોવાથી બિઝનેસ ઝડપથી ગ્રો કરે છે.</p><h5><b>4. તેલંગાણા અને કર્ણાટક – ટેકનોલોજી અને સોફ્ટવેર હબ</b></h5><p>બેંગલુરુ (કર્ણાટક) અને હૈદરાબાદ (તેલંગાણા) ભારતના 'સિલિકોન વેલી' તરીકે ઓળખાય છે.</p><p>ટેક સ્ટાર્ટઅપ્સ: સોફ્ટવેર, AI, અને ટેકનોલોજી સંબંધિત બિઝનેસ માટે આ બંને રાજ્યો આદર્શ છે.</p><p>કુશળ માનવબળ: અહીં શ્રેષ્ઠ એન્જિનિયરો અને ટેકનિકલ એક્સપર્ટ્સ સરળતાથી મળી રહે છે.</p><h6><b>યોગ્ય રાજ્ય પસંદ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ:</b></h6><p>તમારા બિઝનેસનો પ્રકાર: જો મેન્યુફેક્ચરિંગ હોય તો ગુજરાત કે તમિલનાડુ શ્રેષ્ઠ રહે, પરંતુ આઇટી કે સર્વિસ બિઝનેસ માટે કર્ણાટક કે ગોવા અનુકૂળ રહે છે.</p><p>લોજિસ્ટિક્સ અને કનેક્ટિવિટી: માલ-સામાનની હેરફેર માટે રોડ, રેલ અને પોર્ટ કનેક્ટિવિટી જોવી જરૂરી છે.</p><p>સરકારી સબસિડી: જે-તે રાજ્ય સરકાર નવી MSME ને કેવા પ્રકારની છૂટછાટ આપે છે તે તપાસવું હિતાવહ છે.</p><h6><b>નબળો દેખાવ કરનારા રાજ્યો</b></h6><p>બીજી તરફ આ યાદીમાં કેટલાંક એવાં રાજ્યો પણ જોવા મળ્યાં, જ્યાં બિઝનેસમાં રોકાણના આંકડા ખૂબ જ નબળા રહ્યા હતા. જેમાં બિહાર (36.6), અરુણાચલ પ્રદેશ (37.5), મિઝોરમ (39.9), લડાખ (40.2), જમ્મુ-કાશ્મીર (27), અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહ (30.2) અને લક્ષદ્વીપ (24.5) નો સમાવેશ થાય છે.</p><h6><b>આ રેન્કિંગ શા માટે જરૂરી છે?</b></h6><p>આ રેન્કિંગ જોવું એટલા માટે જરૂરી છે કારણ કે કોઈપણ રાજ્યનું રેન્કિંગ જેટલું વધુ સારું હશે, ત્યાં કંપનીઓ દ્વારા ફેક્ટરી, મેન્યુફેક્ચરિંગ યુનિટ, લોજિસ્ટિક્સ સેન્ટર, સ્ટાર્ટઅપ અને અન્ય કારોબાર શરૂ કરવાની શક્યતા એટલી જ વધી શકે છે. આ ઇન્ડેક્સ રાજ્ય સરકારોને એ સમજવામાં પણ મદદ કરે છે કે રોકાણ આકર્ષવા માટે તેમણે કયા ક્ષેત્રોમાં સુધારો કરવાની જરૂર છે.</p><p><a href="https://sandesh.com/education/news/a-student-who-scored-23-marks-is-also-included-in-the-neet-merit-list-know-the-reason-why-his-name-appears-despite-minus-marks" target="_blank">આ પણ વાંચો: NEET મેરિટ લિસ્ટમાં -23 માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓ પણ સામેલ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/rQhRWyHOKjuMYGRryJaJZEVmcfwOzPFTYHJk7zrJ.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી: DGP જી.એસ. મલિક ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/passport-verification-rules-no-need-to-visit-police-station</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/passport-verification-rules-no-need-to-visit-police-station</guid><pubDate>Tue, 04 Aug 2026 15:21:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા રાજ્યના નાગરિકોની સુવિધા અને પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવા માટે તમામ પોલીસ સ્ટેશનો અને અધિકારીઓને મહત્વપૂર્ણ દિશા નિર્દેશો આપવામાં આવ્યા છે.નાગરિકોને પાસપોર્ટ વેરિફિકેશન માટે બિનજરૂરી ધક્કા ન ખાવા પડે તે હેતુથી વહીવટી પ્રક્રિયામાં કેટલાક મહત્વના સુધારા અંગેની સ્પષ્ટતાઓ કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>ગુનાહિત પૂર્વ ઇતિહાસની જ ચકાસણી</b></h2><p style="text-align: justify; ">પાસપોર્ટ વેરિફિકેશન સંબંધિત મુખ્ય બાબતોમાં પાસપોર્ટ અરજદારોને વેરિફિકેશનની પ્રક્રિયા માટે પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવવાની કોઈ આવશ્યકતા રહેશે નહીં.પોલીસ વેરિફિકેશન દરમિયાન માત્ર અરજદારની નાગરિકતા અને તેમના ગુનાહિત પૂર્વ ઇતિહાસની જ ચકાસણી કરવાની રહે છે. પોલીસે પાસપોર્ટ અરજદારોના સરનામાની અલગથી ચકાસણી કરવાની જરૂરિયાત રહેતી નથી. એટલું જ નહીં, પોલીસે અરજદારને રૂબરૂ મળવાની કે અરજદારની સહી લેવાની પણ જરૂર રહેતી નથી.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>અરજદારને પોલીસ સ્ટેશન બોલાવવાની આવશ્યકતા નથી</b></h3><p style="text-align: justify; ">જે કિસ્સામાં પોલીસને કોઈ શંકાસ્પદ બાબત જણાય અથવા વધુ ખરાઈ કરવાની જરૂરિયાત લાગે, તેવા અપવાદરૂપ કિસ્સામાં જ પોલીસે રહેઠાણ સ્થળની મુલાકાત લેવાની રહેશે. જો કે આ સંજોગોમાં પણ અરજદારને પોલીસ સ્ટેશન બોલાવવાની આવશ્યકતા નથી.રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે પોલીસ અધિકારીઓને આ સૂચનાઓનું કડકપણે પાલન કરવા આદેશ આપ્યો છે. સાથોસાથ રાજ્યના તમામ નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ આ સરળ પ્રક્રિયાથી માહિતગાર થાય અને કોઈ પણ બિનજરૂરી પ્રક્રિયામાં ન પડે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/monsoon-2026-disaster-in-ahmedabad-villages-despite-the-passage-of-fifteen-days-rainwater-is-still-present-in-the-societies" target="_blank">આ પણ વાંચોઃ Monsoon 2026 : અમદાવાદ ગ્રામ્યમાં આફત, પંદર દિવસ વીતવા છતાં સોસાયટીઓમાં હજુ પણ વરસાદી પાણી યથાવત...</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/e47ySe6cFkqK8fYqk6CDwUDB2fCBpPvtpEyuM2TI.webp'/></item><item><title><![CDATA[Suratમાં ડિજિટલ લત બની જીવલેણ: હોમવર્ક કરવાનું કહેતાં ધોરણ-7ના બાળકે ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/digital-addiction-turns-deadly-in-surat-class-7-student-commits-suicide-by-hanging-himself-after-being-asked-to-do-homework</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/digital-addiction-turns-deadly-in-surat-class-7-student-commits-suicide-by-hanging-himself-after-being-asked-to-do-homework</guid><pubDate>Tue, 04 Aug 2026 15:06:07 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરના વેડ રોડ વિસ્તારમાં મોબાઈલ ફોનની લતે વધુ એક માસૂમ બાળકનો જીવ લીધો છે. પાલિકાની શાળા નંબર 331માં ધોરણ-7માં અભ્યાસ કરતા 13 વર્ષીય માસૂમ બાળકે પોતાના જ ઘરમાં પંખા સાથે લટકીને જીવન ટૂંકાવી લીધું હતું. મૂળ ઓડિશાના વતની એવા શ્રમજીવી પરિવારનો આ એકનો એક લાડકવાયો દીકરો સતત મોબાઈલમાં મશગૂલ રહેતો હતો. ઘટનાના દિવસે માતા-પિતાએ માત્ર તેને મોબાઈલ ફોન બાજુ પર મૂકીને હોમવર્ક કરી લેવાનું કહ્યું હતું. આ સામાન્ય સલાહ બાળકને અસહ્ય રીતે માઠું લાગી આવતાં તેણે આ ખોફનાક પગલું ભરી લીધું હતું.</p><h2 style="text-align: justify; "><b>સ્ક્રીન એડિક્શને લીધો માસૂમનો જીવ</b></h2><p style="text-align: justify; ">પરિવારજનોના જણાવ્યા અનુસાર, બાળકને લાંબા સમયથી મોબાઈલની ઘેરી લત વળગી હતી, જેના કારણે તેના મગજ પર ગંભીર નકારાત્મક અસરો થઈ હતી. સતત ગેમિંગ અને સ્ક્રીન ટાઈમના કારણે તેનો સ્વભાવ અત્યંત જિદ્દી અને ગુસ્સાવાળો બની ગયો હતો. નાની-નાની બાબતોમાં ચીડાઈ જવું અને પોતાની વાત મનાવવા જિદ્દે ચડવું તેની આદત બની ગઈ હતી. હોમવર્ક કરવાની નાની ટકોર પણ તેને એટલી ગંભીર લાગી કે તેણે ક્ષણિક આવેશમાં આવીને ફાંસો ખાઈ લીધો. ઘટના બાદ એકના એક પુત્રને ગુમાવતાં પરિવારમાં આક્રંદ અને અરેરાટી વ્યાપી ગઈ છે.</p><h3 style="text-align: justify; "><b>ચોક બજાર પોલીસે તપાસ હાથ ધરી</b></h3><p style="text-align: justify; ">ઘટના અંગે જાણ થતાં જ ચોક બજાર પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે. માસૂમ બાળકના આ કરુણ અંતથી સમગ્ર સુરત શહેરમાં ભારે શોકની કાળી ડિબ છવાઈ ગઈ છે. આ કાળજું કંપાવી દેતી ઘટના બાદ મૃતકના પરિચિતો અને મનોવૈજ્ઞાનિકો દ્વારા તમામ વાલીઓને પોતાના બાળકોને ડિજિટલ લત અને મોબાઈલ સ્ક્રીનથી દૂર રાખવા તથા તેમના વર્તનમાં આવતા માનસિક બદલાવો પ્રત્યે વિશેષ જાગૃત રહેવા માટે કરુણ અપીલ કરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/jDdX2TvBRM3YIYwM2p6IqTdV5psgrPtBbFW25E8T.webp'/></item><item><title><![CDATA[Thalapathy Vijay: 22 વર્ષની મિત્રતાનો જાદુ! પડદાં પર થલાપતિ વિજય અને તૃષાની ફિલ્મી કેમેસ્ટ્રી રહી શાનદાર ]]></title><link>https://sandesh.com/india/news/entertainment/thalapathy-vijay-trisha-friendship-chemistry-movies</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/entertainment/thalapathy-vijay-trisha-friendship-chemistry-movies</guid><pubDate>Tue, 04 Aug 2026 14:19:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દક્ષિણ ભારતીય સિનેમાના મશહૂર સુપરસ્ટાર અને રાજકારણી બની ચૂકેલા થલાપતિ વિજય તથા લોકપ્રિય અભિનેત્રી તૃષા કૃષ્ણનની જોડી હંમેશાં દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર રહી છે. આ બંને દિગ્ગજ કલાકારોએ સાથે મળીને સિનેમા જગતને અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. તેમની પહેલી ફિલ્મ આજથી બાવીસ વર્ષ પહેલાં રિલીઝ થઈ હતી, જેણે બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સફળતા મેળવી હતી. ત્યારથી લઈને આજદિન સુધી આ ઓનસ્ક્રીન જોડીએ ફેન્સના દિલમાં એક ખાસ સ્થાન જાળવી રાખ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>અંગત જીવનમાં પણ બંને છે ગાઢ મિત્ર</b></h2><p style="text-align: justify; ">માત્ર ફિલ્મી પડદે જ નહીં, પરંતુ વાસ્તવિક જીવનમાં પણ થલાપતિ વિજય અને તૃષા કૃષ્ણન ખૂબ જ ગાઢ મિત્રો છે. તેઓ હંમેશાં એકબીજાના સુખ-દુઃખમાં પડછાયાની જેમ સાથ આપતા જોવા મળે છે. તૃષાએ વિજયના ખાસ પ્રસંગોમાં પણ ઉત્સાહપૂર્વક હાજરી આપી છે. ચાલો નજર કરીએ તેમની સાથે કામ કરેલી કેટલીક યાદગાર ફિલ્મો પર:</p><h3 style="text-align: justify; "><b>જોડીએ 2004માં આવેલી ફિલ્મમાં મચાવી હતી ધૂમ</b></h3><p style="text-align: justify; ">'ગિલ્લી' (2004): આ જોડીએ સૌપ્રથમવાર 2004માં આવેલી ફિલ્મ 'ગિલ્લી'માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ તમિલ સિનેમાની સૌથી પ્રિય અને બ્લોકબસ્ટર ફિલ્મોમાં સ્થાન પામી. તેમની રોમાન્ટિક અને એનર્જેટિક કેમેસ્ટ્રીએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા, અને તાજેતરમાં 2024માં આ ફિલ્મે પોતાના શાનદાર 20 વર્ષ પૂરા કર્યા ત્યારે તેને થિયેટરોમાં ફરીથી રિલીઝ કરવામાં આવી હતી.</p><h4 style="text-align: justify; "><b>વિજય અને તૃષાની જોડી રહી હીટ</b></h4><p style="text-align: justify; ">'થિરુપાચી' અને 'આથી': 'ગિલ્લી' ની અપાર સફળતા બાદ આ બંનેએ 'થિરુપાચી' માં શાનદાર અભિનય કર્યો. ત્યારબાદ તેઓ "આથી" માં ફરી એકસાથે પડદા પર આવ્યા. ભલે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધાર્યું પરિણામ ન લાવી શકી, પરંતુ વિજય અને તૃષાની જોડીને દર્શકો દ્વારા ભરપૂર પ્રેમ મળ્યો હતો.</p><h5 style="text-align: justify; "><b>&nbsp;આ ફિલ્મે તો કમાણીના તમામ રેકોર્ડ તોડ્યા</b></h5><p style="text-align: justify; ">'કુરુવી' અને 'લિયો': થોડા જ વર્ષોમાં ચાર ફિલ્મો આપ્યા બાદ આ જોડીએ લાંબો વિરામ લીધો. પરંતુ, પૂરા 14 વર્ષના લાંબા અંતરાલ પછી, લોકેશ કનકરાજની બ્લોકબસ્ટર ફિલ્મ "લિયો" માં તેઓ ફરીથી સાથે પરત ફર્યા. આ ફિલ્મમાં તેમની પરિપક્વ અભિનય શૈલીએ ડાર્ક અને હાઇ-વોલ્ટેજ વાર્તામાં ચાર ચાંદ લગાવી દીધા અને ફિલ્મે કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/vidisha-video-children-risk-lives-crossing-river-route-closed" target="_blank">આ પણ વાંચોઃ Video : વિદિશામાં ભણતર માટે જીવના જોખમે બાળકો પાર કરી રહ્યા છે નદી, તંત્રના ધ્યાને આવતા રસ્તો કરાયો બંધ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/9Cly4Dk8F7dthkWBrSEL9KufFc3DfprxTqzPvfwU.webp'/></item><item><title><![CDATA[Asian Games 2026 : CWG ના મેડલ વિજેતાઓ હવે એશિયાડમાં મચાવશે ધમાલ, ગોલ્ડ મેડલ પર નજર! ]]></title><link>https://sandesh.com/sports/news/asian-games-2026-cwg-medal-winners-will-now-create-a-stir-in-the-asiad-eyeing-the-gold-medal</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/asian-games-2026-cwg-medal-winners-will-now-create-a-stir-in-the-asiad-eyeing-the-gold-medal</guid><pubDate>Tue, 04 Aug 2026 09:36:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">તાજેતરમાં પૂર્ણ થયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું.ભારતે કુલ 39 મેડલ જીત્યા,જેમાં 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 8 બ્રોન્ઝનો સમાવેશ થાય છે.જોકે, કેટલાક અગ્રણી ખેલાડીઓ ગોલ્ડ મેડલ જીતવાની નજીક પહોંચી ગયા હતા,તેમને સિલ્વર અથવા બ્રોન્ઝથી સંતોષ માનવો પડ્યો હતો.હવે આ ખેલાડીઓ પાસે આની ભરપાઈ કરવાની એક મહત્વપૂર્ણ તક છે.એશિયન ગેમ્સ 2026 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર 2026 દરમિયાન જાપાનના આઈચી-નાગોયામાં યોજાશે, જ્યાં આ સ્ટાર ભારતીય ખેલાડીઓ તેમના મેડલનો રંગ ગોલ્ડમાં બદલવાના લક્ષ્ય સાથે સ્પર્ધા કરશે.</p><h5 style="text-align: justify; "><b>આ 5 ખેલાડીઓની નજર હવે એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલ પર</b>&nbsp;</h5><p style="text-align: justify; ">નીરજ ચોપરા: સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરાએ 85.83 મીટરના થ્રો સાથે કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો. દરમિયાન, શ્રીલંકાના રૂમેશ પથિરાજે 89.75 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો. હવે, આઈચી-નાગોયામાં યોજાનારી એશિયન ગેમ્સમાં તેનું એકમાત્ર લક્ષ્ય તેના થ્રોમાં સુધારો કરીને ગોલ્ડ મેડલ મેળવવાનું રહેશે. નીરજ ચોપરાએ અત્યાર સુધી એશિયન ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ જીત્યા છે. તેથી, તેની નજર ત્રીજો ગોલ્ડ મેડલ મેળવવા પર રહેશે.</p><h5 style="text-align: justify; "><b>લવલીના બોર્ગોહેન</b></h5><p style="text-align: justify; ">ભારતની સ્ટાર બોક્સર, લવલીના બોર્ગોહેન, ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા 75 કિગ્રા વર્ગની ફાઇનલમાં હારી ગઈ હતી. લવલીના બોર્ગોહેનનો સામનો ઓસ્ટ્રેલિયાની એમ્મા-સુ ગ્રીનટ્રી સામે થયો હતો, જેણે ફાઇનલ 4-1થી જીતી હતી. હવે, તે એશિયન ગેમ્સ રિંગમાં પોતાની પંચિંગ કૌશલ્યનું પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ મેળવવાનું લક્ષ્ય રાખશે.</p><h5 style="text-align: justify; "><b>જદુમણી સિંહ</b></h5><p style="text-align: justify; ">બોક્સિંગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી જદુમણી સિંહે કોમનવેલ્થ ગેમ્સમાં દેશ માટે સિલ્વર મેડલ પણ જીત્યો હતો. જદુમણીએ પુરુષોની 55 કિગ્રા વર્ગની ફાઇનલના પહેલા રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયાના જે ડિક્સનને 3-2થી હરાવ્યો હતો. પરંતુ જદુમણી પછી ફાઇનલ મુકાબલાના બીજા રાઉન્ડમાં પાછળ રહી ગયો અને અંતે 0-5થી હારી ગયો. તેથી, તે એશિયન મંચ પર આ મેડલનો રંગ બદલવા માટે ઉત્સુક રહેશે.</p><h5 style="text-align: justify; "><b>લવપ્રીત સિંહ</b></h5><p style="text-align: justify; ">વેઇટલિફ્ટિંગમાં પોતાની પરાક્રમ દર્શાવતા, લવપ્રીત સિંહે CWG 2026 માં સિલ્વર મેડલ જીત્યો. તેણે સ્નેચમાં 176 કિગ્રા અને ક્લીન એન્ડ જર્કમાં 212 કિગ્રા વજન ઉપાડીને કોમનવેલ્થ ગેમ્સનો રેકોર્ડ વેઇટલિફ્ટિંગ રેકોર્ડ હાંસલ કર્યો. આ ઇવેન્ટમાં કુલ 388 કિગ્રા વજન ઉપાડ્યું, પરંતુ તે ફક્ત 1 કિગ્રાથી ગોલ્ડ મેડલ ચૂકી ગયો. પરિણામે, તે જાપાનમાં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ માટે મજબૂત દાવેદારોમાંનો એક હશે.</p><h5 style="text-align: justify; "><b>ગુલવીર સિંહ</b></h5><p style="text-align: justify; "> લાંબા અંતરના દોડવીર ગુલવીર સિંહે કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું, 10,000 મીટરમાં સિલ્વર મેડલ અને 5,000 મીટરમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. ગુલવીર એક જ કોમનવેલ્થ ગેમ્સમાં બે એથ્લેટિક્સ મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી પણ બન્યો, પરંતુ તે ગોલ્ડ મેડલ મેળવવામાં નિષ્ફળ ગયો. તેની બેવડી સફળતા પછી, તે હવે એશિયન ગેમ્સમાં ભારતને પોડિયમની ટોચ પર લઈ જવાનું લક્ષ્ય રાખશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/gyaneshwari-yadav-commonwealth-games-silver-dsp-reward" target="_blank">Gyaneshwari Yadavને મળશે 30 લાખ રૂપિયાનું ઈનામ અને પ્રમોશન, છત્તીસગઢના સીએમ વિષ્ણુ દેવ સાંઈએ કરી મોટી જાહેરાત</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/vKDGGDlm7so2k0JtuE5m6HYS8Nx2DvGveeFvA1br.webp'/></item></channel></rss>