<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabad: થલતેજ મેટ્રો સ્ટેશન નીચે ડમ્પરે 12 વર્ષની બાળકીને કચડી, ઘટનાસ્થળે જ સગીરાએ દમ તોડ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/thaltej-dumper-accident-12-year-old-girl-killed-driver-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/thaltej-dumper-accident-12-year-old-girl-killed-driver-arrested</guid><pubDate>Mon, 07 Sep 2026 16:48:43 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરમાં ફરી એકવાર બેફામ દોડતા ડમ્પરોએ દહેશત મચાવી છે. થલતેજ ચાર રસ્તા પર આવેલા મેટ્રો સ્ટેશન નીચે એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. એક માતા પોતાની 12 વર્ષની બાળકી સાથે એક્ટિવા પર જઈ રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરના ચાલકે એક્ટિવાને સખત ટક્કર મારી હતી.</p><h2><b>થલતેજમાં મોતના ડમ્પરે લીધો 12 વર્ષની દીકરીનો જીવ</b></h2><p>આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે ૧૨ વર્ષની માસૂમ બાળકીનું તેની માતાની નજર સામે જ ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું.અકસ્માત સર્જાયા બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ભાગવા જઈ રહેલા ડમ્પર ચાલકની અટકાયત કરી ડમ્પર જપ્ત કરી લીધું છે.</p><h3><b>માતાની નજર સામે જ બાળકીનું કરુણ મોત</b></h3><p>તપાસ દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી છે કે આ જ ડમ્પરે અગાઉ પણ બે નિર્દોષ લોકોનો જીવ લીધો હતો, છતાં રોડ પર દોડતું હતું.ટ્રાફિક પોલીસે ડમ્પર ચાલક સામે સાપરાધ મનુષ્યવધ અને અકસ્માતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.શહેરમાં દિવસે પણ બેફામ દોડતા ભારે વાહનો સામે ટ્રાફિક પોલીસ કડક ઝુંબેશ ચલાવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/auto-rickshaw-strike-brts-passengers-cross-one-lakh-revenue-soars" target="_blank">આ પણ વાંચો: Ahemdabad: રિક્ષાઓ બંધ રહેતાં BRTSમાં મુસાફરોનું ઘોડાપૂર, બપોર સુધીમાં 13.82 લાખની આવક રળી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/shuC93ktxq1ZHqZZ1p4DrW76pn00PG4I7yB2aXEE.webp'/></item><item><title><![CDATA[Kutch Crime News: પ્રેમિકાને પામવા પતિની હત્યા, બે ટુકડા કરી તળાવમાં ફેંક્યા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kutch/anjar-varsamedi-murder-case-wife-lover-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kutch/anjar-varsamedi-murder-case-wife-lover-arrested</guid><pubDate>Mon, 07 Sep 2026 16:47:05 +05:30</pubDate><description><![CDATA[<p>પૂર્વ કચ્છના અંજાર તાલુકાના વરસામેડી ગામેથી ગત 31 ઓગસ્ટના રોજ ગુમ થયેલા 43 વર્ષીય લખ્ખુભાઈ રૂડાભાઈ હુંબલની ઘાતકી હત્યાનો સનસનાટીભર્યો પર્દાફાશ થયો છે. 5 સપ્ટેમ્બરના રોજ ગામના તળાવ કિનારેથી બે શંકાસ્પદ પ્લાસ્ટિકના કોથળા મળી આવ્યા હતા, જેમાં તપાસ કરતા માનવ શરીરના અલગ-અલગ ટુકડા મળી આવ્યા હતા. પોલીસે મૃતદેહની ઓળખ ગુમ થયેલા લખ્ખુભાઈ તરીકે કરી હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.</p><h2><b>અનૈતિક સંબંધમાં પત્નીના પ્રેમીએ જ ઘડી હત્યાની સ્ક્રિપ્ટ</b></h2><p>પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચનાથી અંજાર પોલીસ અને એલસીબીની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ તપાસ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો કે મૃતક લખ્ખુભાઈની પત્ની સાથે પાડોશમાં રહેતા દિનેશ રાયધણભાઈ ઠાકોરનો છેલ્લા દોઢ વર્ષથી પ્રેમસંબંધ હતો. આ જ પ્રેમસંબંધના કારણે દિનેશે લખ્ખુભાઈને મોડી રાત્રે પોતાના ઘરે બોલાવી માથામાં લોખંડનો રોડ મારી હત્યા નીપજાવી હતી.</p><p><img alt="Kutch Crime News: Anjar Murder case: Wife's Lover Kills Man, Cuts Body into Two Pieces" src="https://epapercdn.sandesh.com/images/2026/09/07/tWRvlduKLki5PIySvwYvtn31RRQJQFtMl9n8QSJh.webp"><br></p><h2><b>મૃતદેહના બે ટુકડા કરી તળાવમાં ફેંકી દીધા</b></h2><p>હત્યા કર્યા બાદ આરોપી દિનેશે મૃતદેહનો નિકાલ કરવા માટે ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી. મૃતદેહ ભારે હોવાથી ઉપાડી ન શકાતાં તેણે ઘરે પડેલી હેક્સો બ્લેડ વડે લખ્ખુભાઈના શરીરના બે ટુકડા કરી નાખ્યા હતા. ત્યારબાદ અલગ-અલગ પ્લાસ્ટિકના કોથળામાં ભરીને વરસામેડી ગામના તળાવમાં ફેંકી દીધા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં આ ઘાતકી હત્યાનો ભેદ ઉકેલી આરોપી દિનેશ ઠાકોરની ધરપકડ કરી લીધી છે.</p><p><img alt="Kutch Crime News: Anjar Murder case: Wife's Lover Kills Man, Cuts Body into Two Pieces" src="https://epapercdn.sandesh.com/images/2026/09/07/u2ZMBXNM7poKvTYPvpZ7KWZmDVJGTdHBZ3ulZcrG.webp"><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kutch/kachchh-mandvi-narmada-canal-farmers-protest" target="_blank">Kutchના માંડવીમાં નર્મદા કેનાલના અનિયમિત પાણીથી ખેડૂતોમાં ભારે રોષ, સિંચાઈના પાણી માટે નોંધાવ્યો વિરોધ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/fCigxh9qpT5QE4byFxG2Sp8NAasCTKYUJTZh95rN.webp'/></item><item><title><![CDATA[Gujarati Singer કિંજલ રબારી અપહરણ મામલો: રાધનપુરના PSI પર હુમલા બાદ સિનાડ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું! ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/patan/kinjal-rabari-alleged-kidnapping-sinad-village-police-clash</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/patan/kinjal-rabari-alleged-kidnapping-sinad-village-police-clash</guid><pubDate>Mon, 07 Sep 2026 16:41:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના સીબીડી (CBD) મોલ ખાતેથી ગુજરાતની જાણીતી લોક ગાયિકા કિંજલ રબારીના કથિત અપહરણ થવાની હાઈપ્રોફાઈલ ઘટના સામે આવતા સમગ્ર પાટણ જિલ્લામાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ ચકચારી બનાવને પગલે કિંજલ રબારીના વતન રાધનપુર તાલુકાના સિનાડ ગામે શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસનો મોટો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે કડક મોરચો સંભાળ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>સ્થાનિકો સાથે ઝપાઝપી અને PSI પર હુમલો&nbsp;</b></h2><h2 style="text-align: justify; "><img alt="Kinjal Rabari kidnapping case" src="https://epapercdn.sandesh.com/images/2026/09/07/8QE1SIhfla6JaWMAgG4xgABv5iqIbxnrBWAGEUFT.webp"></h2><p style="text-align: justify; ">બંદોબસ્ત દરમિયાન સિનાડ ગામે આવેલા લાખણેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા જઈ રહેલા લોકોને પોલીસે રોકતા પરિસ્થિતિ વણસી હતી. ગામ લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં મામલો બિચક્યો હતો, જેમાં ઉશ્કેરાયેલા ટોળાએ રાધનપુરના પીએસઆઈ (PSI) એચ.વી. ચૌધરી પર હુમલો કરી દીધો હતો. આ હિંસક ઝપાઝપીમાં પીએસઆઈ ચૌધરીને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી, જેના પગલે ગામમાં તણાવ વધુ વધી ગયો હતો.</p><h3 style="text-align: justify; "><b>ગામમાં પોલીસ છાવણી અને કાયદાકીય કડક કાર્યવાહી&nbsp;</b></h3><p style="text-align: justify; "><img alt="Kinjal Rabari kidnapping case" src="https://epapercdn.sandesh.com/images/2026/09/07/5z3QFChvDYEzZLlT0u0aX3PvzCNNCamYa8gaIEec.webp"><br></p><p style="text-align: justify; ">ઘટનાની ગંભીરતાને જોતાં પાટણ એલસીબી (LCB) અને એસઓજી (SOG) સહિતનો વધારાનો પોલીસ કાફલો સ્થળ પર ઉતારી દેવામાં આવ્યો છે અને સમગ્ર ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું છે. પરિસ્થિતિની સમીક્ષા કરવા અને શાંતિ જાળવવા માટે સંદેશ ન્યૂઝની ટીમ પણ સ્થળ પર પહોંચી છે. બીજી તરફ, પોલીસ અધિકારી પર હુમલો કરનારા અને કાયદો હાથમાં લેનારા અસામાજિક તત્વો સામે ગુનો નોંધી કાયદેસરની કડક કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/b1ZU9PjErzwa70cC3KpZEuMmJdNBDqILOFV3qKY9.webp'/></item><item><title><![CDATA[Rajkot News: લોકમેળામાં ફૂડ વિભાગની કાર્યવાહી, 417 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-news-food-department-action-at-lok-mela-417-kg-of-inedible-food-destroyed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-news-food-department-action-at-lok-mela-417-kg-of-inedible-food-destroyed</guid><pubDate>Mon, 07 Sep 2026 16:40:18 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટના પ્રસિદ્ધ જન્માષ્ટમી લોકમેળામાં દેશ-વિદેશથી આવતા મુલાકાતીઓના આરોગ્યની જાળવણી માટે ફૂડ વિભાગ મારફતે કડક ઝુંબેશ ચલાવવામાં આવી હતી. મહાનગરપાલિકાના ફૂડ વિભાગે તા. 2 થી 6 સપ્ટેમ્બર દરમિયાન મેળા પરિસરમાં આવેલા વિવિધ ખાદ્યચીજોના સ્ટોલ તેમજ ફેરિયાઓનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં કડક હાથે કાર્યવાહી કરવામાં આવી હતી.</p><h2><b>વાસી બટેટા, દાઝેલું તેલ અને ચટણી જપ્ત કરાયા</b></h2><p>તપાસ દરમિયાન ખાદ્ય પદાર્થો વેચતા વેપારીઓ પાસેથી મોટા પ્રમાણમાં અસ્વસ્થ અને આરોગ્ય માટે હાનિકારક સામગ્રી મળી આવી હતી. ફૂડ વિભાગની ટીમે વાસી બટેટા, વારંવાર વપરાયેલું દાઝેલું તેલ, સડેલા શાકભાજી, વાસી ઘૂઘરા-ચટણી અને પાણિપુરીનું અશુદ્ધ પાણી સહિત અંદાજે 417 કિલો જેટલો અખાદ્ય જથ્થો પકડી પાડી સ્થળ પર જ તેનો નાશ કર્યો હતો.</p><p><img alt="Rajkot Janmashtami Lok Mela 2026: Food Dept Destroys 417 kg Inedible Food" src="https://epapercdn.sandesh.com/images/2026/09/07/xVr83dFmKRue3MjzweWJjRbjvIMuD1rriLRsRzGK.webp"><br></p><h2><b>નિયમભંગ કરનાર વેપારીઓ પાસેથી વહીવટી દંડ વસૂલાયો</b></h2><p>લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા અને સ્વચ્છતાના નિયમોનું પાલન ન કરનારા સ્ટોલ ધારકો સામે તંત્રએ દંડાત્મક કાર્યવાહી કરાઈ છે. ફૂડ વિભાગે બેદરકાર વેપારીઓ પાસેથી કુલ 15,750 નો વહીવટી ચાર્જ પણ વસૂલ કર્યો હતો. આગામી દિવસોમાં પણ આવી તપાસ ચાલુ રાખવાની ચિંતન સાથે ફૂડ વિભાગે વેપારીઓને શુદ્ધ સામગ્રી જ વેચવાની સખત તકીદ કરી છે. આ કાર્યવાહીને કારણે લોકોને મેળામાં સ્વચ્છ અને આરોગ્યપ્રદ ખાણીપીણીની વસ્તું મળી હતી.</p><p><img alt="Rajkot Janmashtami Lok Mela 2026: Food Dept Destroys 417 kg Inedible Food" src="https://epapercdn.sandesh.com/images/2026/09/07/riTOsJXQ3cHQne7bxxb5hUn84IkrWrlzWAIG1oCK.webp"><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/rajkot/railway-station-ganja-seized-crime-branch-raid-one-arrested" target="_blank">Rajkot: ટ્રેનો બની નશીલા પદાર્થોની હેરાફેરીનું માધ્યમ, પ્લેટફોર્મ નંબર 1 પરથી 18 કિલો ગાંજો જપ્ત</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/WqhgaSg26iaJSgLRCR3r84MW2akrRV6RBwnOKuLB.webp'/></item><item><title><![CDATA[Ahemdabad: રિક્ષાઓ બંધ રહેતાં BRTSમાં મુસાફરોનું ઘોડાપૂર, બપોર સુધીમાં 13.82 લાખની આવક રળી ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/auto-rickshaw-strike-brts-passengers-cross-one-lakh-revenue-soars</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/auto-rickshaw-strike-brts-passengers-cross-one-lakh-revenue-soars</guid><pubDate>Mon, 07 Sep 2026 16:34:59 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરમાં વિવિધ પડતર માંગણીઓને લઈને ઓટોરિક્ષા ચાલકો હડતાળ પર ઉતરી જતાં શહેરના રોડ-રસ્તા પરથી રિક્ષાઓ ગાયબ જોવા મળી હતી. આ સ્થિતિમાં દૈનિક અપ-ડાઉન કરતા નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો માટે BRTS જાનકી સમાન સાબિત થઈ છે.</p><h2><b>BRTSમાં સામાન્ય દિવસો કરતાં મુસાફરોમાં તોતિંગ વધારો</b></h2><p>હડતાળના પગલે BRTS તંત્ર દ્વારા તાબડતોબ નિર્ણય લઈને તમામ રૂટ પર બસો દોડતી રાખવામાં આવી છે. એટલું જ નહીં, જે ડ્રાઇવરો રજા પર હતા તેમની રજાઓ પણ ત્વરિત અસરથી રદ્દ કરીને તમામ સ્ટાફને ઓન-ડ્યુટી બોલાવી લેવામાં આવ્યો છે.આંકડાકીય વિગતો મુજબ, સામાન્ય દિવસોમાં બપોરના અઢી વાગ્યા સુધીમાં BRTS માં અંદાજે 65,000જેટલા મુસાફરો યાત્રા કરતા હોય છે. જોકે, હડતાળના દિવસે બપોરે અઢી વાગ્યા સુધીમાં જ આ આંકડો 1,00,804 મુસાફરો પર પહોંચી ગયો હતો.</p><h3><b>બપોર સુધીમાં જ 1 લાખથી વધુ મુસાફરોએ કરી સવારી</b></h3><p>બપોરે અઢી વાગ્યા સુધીમાં જ BRTS ને રૂ. 13,82,882 (તેર લાખ ચોર્યાસી હજાર આઠસો અડ્યાસી) ની ભવ્ય આવક થઈ છે. શહેરના તમામ રૂટ પર મુખ્યત્વે ઇલેક્ટ્રિક બસો દોડતી હોવાથી સતત સેવાઓ ખોરવાય નહીં તે માટે ચાર્જિંગ પોઇન્ટ્સ પર વિશેષ ટેકનિકલ ટીમ તૈનાત રાખવામાં આવી છે. ઓટોરિક્ષાઓ બંધ હોવા છતાં BRTS ની સુચારુ કામગીરીને કારણે શહેરીજનોને હાલાકીમાંથી મોટી રાહત મળી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/rajkot/railway-station-ganja-seized-crime-branch-raid-one-arrested" target="_blank">આ પણ વાંચો: Rajkot: ટ્રેનો બની નશીલા પદાર્થોની હેરાફેરીનું માધ્યમ, પ્લેટફોર્મ નંબર 1 પરથી 18 કિલો ગાંજો જપ્ત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/AMBVaguT24dmb2ekNBt0KnkxsCalFyzdJkdxUEMu.webp'/></item><item><title><![CDATA[Stock Market Closing: શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સ 382.62 પોઇન્ટ તૂટ્યો ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-closing-stock-market-declines-sensex-falls-38262-points</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-closing-stock-market-declines-sensex-falls-38262-points</guid><pubDate>Mon, 07 Sep 2026 15:34:27 +05:30</pubDate><description><![CDATA[<p>સોમવારે શેરબજારમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું. ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે રોકાણકારોની ચિંતા વધી ગઈ છે. મોંઘા તેલ ફુગાવાને વેગ આપી શકે છે તેવી આશંકાને કારણે બજાર દબાણ હેઠળ છે.</p><h2><b>શેરબજારમાં ઘટાડો&nbsp;</b></h2><p>બપોરે 1:00 વાગ્યા સુધીમાં, સેન્સેક્સ 515.89 પોઈન્ટ અથવા 0.67 ટકા ઘટીને 75,999.54 પર ટ્રેડ કરી રહ્યો હતો. દરમિયાન, નિફ્ટી 23,743.55 પર ટ્રેડ કરી રહ્યો હતો, જે 154.15 પોઈન્ટ અથવા 0.65 ટકાનો ઘટાડો દર્શાવે છે. જ્યારે બપોરે 3.30 કલાકે સેન્સેક્સ 382.62 પોઇન્ટના ઘટાડા સાથે&nbsp; 76,132 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી −118.55 પોઇન્ટના ઘટાડા સાથે&nbsp; 23,779.15 અંકે બંધ થયો.&nbsp;</p><h2><b>ઇન્ફોસિસ અને ટેક મહિન્દ્રામાં ઘટાડો</b></h2><p>નિફ્ટી 50 ઇન્ડેક્સમાં ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા અને બજાજ ઓટો ટોચના ઘટાડા કરનારાઓમાં સામેલ હતા. આઇટી શેરોમાં નોંધપાત્ર દબાણ જોવા મળ્યું.વ્યાપક બજારમાં, નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 0.15 ટકા ઘટ્યો હતો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સ 0.24 ટકાના વધારા સાથે ટ્રેડ થયો હતો.</p><h3><b>આઇટી અને રિયલ્ટી ક્ષેત્રો પર દબાણ</b></h3><p>ક્ષેત્રીય સૂચકાંકોમાં, નિફ્ટી આઇટી, નિફ્ટી રિયલ્ટી અને નિફ્ટી પીએસયુ બેંકમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો. તેનાથી વિપરીત, નિફ્ટી ફાર્મા અને નિફ્ટી હેલ્થકેરમાં સૌથી નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો.</p><h3><b>IT શેર ખુલતા જ ઘટ્યા</b></h3><p>ટ્રેડિંગની શરૂઆતમાં, આશરે 1,519 શેર વધારા સાથે ખુલ્યા, જ્યારે 1,224 શેર લાલ નિશાનમાં ખુલ્યા; અન્ય 261 શેર સ્થિર ખુલ્યા. અઠવાડિયાના પહેલા દિવસે આ ઘટાડા વચ્ચે, IT કંપનીના શેરમાં ઘટાડો અને મૂલ્યમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો.</p><p>BSE લાર્જ-કેપ કંપનીઓમાં, ઇન્ફોસિસ (-2.60%), ટેક મહિન્દ્રા (-1.75%), HCL ટેક (-1.60%), અને TCS (-1%) ના શેર નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા. મિડ-કેપ કેટેગરીમાં, ભારત ફોર્જ (-1.90%), એમફેસિસ (-1.75%), પર્સિસ્ટન્ટ (-1.70%) અને ગોદરેજ પ્રોપર્ટીઝ (-1.40%) ના શેર પણ નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.</p><h4><b>માર્કેટમાં કડાકાના ચાર મુખ્ય કારણો</b></h4><p><b>પહેલું કારણ: </b>આ શેરબજારના ઘટાડા પાછળના મુખ્ય પરિબળોની વાત કરીએ તો, આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવમાં ઉથલપાથલ સ્પષ્ટપણે દેખાય છે. બ્રેન્ટ ક્રૂડના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો, પ્રતિ બેરલ $97 થી ઉપર ટ્રેડ થયો. આનાથી વૈશ્વિક ફુગાવાના જોખમો વધ્યા છે અને રોકાણકારોના ભાવનામાં ઘટાડો થયો છે.</p><p><b>બીજું કારણ:</b> અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઓછો થવાના કોઈ સંકેતો નથી મળતા. તાજેતરના વિકાસમાં, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના અર્થતંત્ર, તેલ ક્ષેત્ર અને ચલણને લક્ષ્ય બનાવતી અનેક સોશિયલ મીડિયા પોસ્ટ્સ શેર કરી. એક પોસ્ટમાં તેહરાનના નકશા પર ટ્રમ્પની છબી દર્શાવવામાં આવી હતી, જ્યારે બીજી પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઈરાનની તેલ નિકાસ ઘટી રહી છે. આ ક્રિયાઓ મધ્ય પૂર્વમાં તણાવ વધારી રહી હોય તેવું લાગે છે.</p><p><b>ત્રીજું કારણ</b>: વિદેશી બજારોમાં મિશ્ર વલણે બજારમાં ઘટાડામાં ફાળો આપ્યો હતો. જ્યારે જાપાન અને દક્ષિણ કોરિયાના શેરબજારો સોમવારે ફાયદા સાથે વેપાર કરતા હતા, ત્યારે અન્ય એશિયન અને યુરોપિયન સૂચકાંકો - જેમ કે હોંગકોંગના હેંગ સેંગ, યુકેના FTSE-100, CAC અને DAX - નીચા વેપાર કરતા હતા. વધુમાં, ગિફ્ટ નિફ્ટી - જે ભારતીય શેરબજાર માટેનો મુખ્ય સૂચક છે - શરૂઆતના સમયે જ લપસી ગયો હતો અને આ અહેવાલ લખાય ત્યાં સુધીમાં લગભગ 90 પોઈન્ટ ઘટ્યો હતો.</p><p><br></p><p><b>ચોથું કારણ:</b> સોમવારે બજારમાં ઘટાડામાં IT શેરોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ઇન્ફોસિસ, એચસીએલ, ટીસીએસ અને ટેક મહિન્દ્રા સહિત વિવિધ આઇટી કંપનીઓના શેર ખુલતા જ ઝડપથી ઘટ્યા. નિફ્ટી આઇટી ઇન્ડેક્સ લગભગ 1 ટકા ઘટ્યો, જે એક એવો ઘટાડો હતો જેણે વ્યાપક શેરબજાર પર નોંધપાત્ર અસર કરી.</p><p><br></p><p><br></p><p><a href="https://sandesh.com/india/news/maithili-thakur-i-dont-think-it-makes-sense-to-base-the-surname-on-maithili-thakur-breaks-silence-on-reservation" target="_blank">આ પણ વાંચો:  Maithili Thakur: મની નથી લાગતું કે સરનેમને આધારે... અનામતને લઇને મૈથિલી ઠાકુરે તોડ્યુ મૌન</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/04/22/ImEoH8XVKSpwKohsEtbZTWR6IaJ4XBQ4dmVVsfy6.webp'/></item><item><title><![CDATA[Sonam Wangchuk: એક વર્ષમાં લદ્દાખમાં પોતાની વિધાનસભા અને... સોનમ વાંગચુકે સરકારને આપ્યુ વર્ષનું અલ્ટીમેટમ ]]></title><link>https://sandesh.com/india/news/sonam-wangchuk-in-a-year-ladakh-will-have-its-own-assembly-and-sonam-wangchuk-gave-the-government-an-ultimatum-of-the-year</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/sonam-wangchuk-in-a-year-ladakh-will-have-its-own-assembly-and-sonam-wangchuk-gave-the-government-an-ultimatum-of-the-year</guid><pubDate>Mon, 07 Sep 2026 14:59:51 +05:30</pubDate><description><![CDATA[<p>સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે લદ્દાખની માંગણીઓ અંગે કેન્દ્ર સરકારને એક વર્ષનું અલ્ટીમેટમ આપ્યું છે.&nbsp; &nbsp;એક સમાચાર ચેનલ સાથેની ખાસ વાતચીત દરમિયાન&nbsp; તેમણે જણાવ્યું હતું કે સરકારે સંસદના શિયાળુ સત્ર દરમિયાન 'લદ્દાખ બિલ' રજૂ કરીને પસાર કરવું જોઈએ. વાંગચુકના મતે, લદ્દાખની પોતાની વિધાનસભા અને સરકાર આગામી વર્ષની અંદર હોવી જોઈએ.</p><h2><b>લદ્દાખને લઇને સોનમ વાંગચૂકે શું માગણી કરી ?&nbsp;&nbsp;</b></h2><p>તેમણે એક મુખ્ય મુદ્દા પર પ્રકાશ પાડ્યો. વિધાનસભા અસ્તિત્વમાં આવે તે પહેલાં જ મહત્વપૂર્ણ વહીવટી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. તેમણે દલીલ કરી હતી કે પહેલા લોકોની વિધાનસભાની સ્થાપના થવી જોઈએ, ત્યારબાદ મોટા નિર્ણયો લેવા જોઈએ. તેમના મતે&nbsp; વિધાનસભા સર્વોચ્ચ સત્તા હોવી જોઈએ, જેના માટે સમગ્ર અમલદારશાહી જવાબદાર હોવી જોઈએ.&nbsp; કાયદો અને વ્યવસ્થા અને નાણાકીય સત્તાઓથી લઈને પ્રદેશના વહીવટ સુધીના મુદ્દાઓ નવી દિલ્હીની ચિંતા ન હોવી જોઈએ.</p><h3><b>એક જ પ્રયાસમાં બધુ પ્રાપ્ત ન કરી શકાય- સોનમ વાંગચૂક&nbsp;</b></h3><p>સોનમ વાંગચુકે પણ લદ્દાખ માટે પૂર્ણ રાજ્યની માંગ અંગે પોતાનું વલણ થોડું નરમ પાડ્યું. તેમણે સ્વીકાર્યું કે પ્રથમ પ્રયાસમાં બધું જ પ્રાપ્ત કરી શકાતું નથી. તેમણે જણાવ્યું હતું કે જો લદ્દાખ હાલમાં આર્થિક રીતે આત્મનિર્ભર ન ગણાય, તો તેઓ ખાસ કરીને આ પ્રદેશ માટે રચાયેલ લોકશાહી માળખાને સ્વીકારવા તૈયાર છે. તેમણે સૂચન કર્યું કે લદ્દાખને તેની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા, આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા અને અનુભવ મેળવવા માટે સમય આપી શકાય છે, જેમાં પાંચ કે દસ વર્ષ પછી રાજ્યનો દરજ્જો સંભવિત રીતે સુરક્ષિત થઈ શકે છે.</p><p><b style="font-size: 1.75rem;">દારૂની દુકાનો ખોલવી તે આગમાં ઘી હોમવા બરાબર- સોનમ વાંગચૂક</b></p><p>વાંગચુકે લદ્દાખમાં નવી દારૂની દુકાનો ખોલવાના પગલા પર પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો, ભારપૂર્વક જણાવ્યું હતું કે દારૂ ડ્રગ્સની સમસ્યાનો ઉકેલ ન હોઈ શકે. તેમણે દલીલ કરી હતી કે ડ્રગ સંકટનો સામનો કરવામાં નિષ્ફળ રહીને દારૂનો પરિચય કરાવવો એ આગમાં ઘી ઉમેરવા જેવું છે. તેમણે આ નીતિ અને તિબેટમાં ચીનની કથિત નીતિઓ વચ્ચે સમાનતાઓ દર્શાવી હતી. વાંગચુકે ચેતવણી આપી હતી કે યુવાનોને દારૂ અને ડ્રગ્સથી વિચલિત કરીને, સરકાર સામે અવાજ ઉઠાવવા માટે કોઈ યુવાન બચશે નહીં.&nbsp;</p><p><b style="font-size: 1.75rem;">Gen-Z વિરોધ અને પર્યાવરણીય ચિંતાઓ</b></p><p>Gen-Z વિરોધ અંગે વાંગચુકે ટિપ્પણી કરી હતી કે ભારત જેવા લોકશાહી દેશમાં, આ વિરોધને સરકારની ઇનવિંસિબિલિટી ' સામે પડકાર તરીકે ઓછા અને તેની ઇનઅપ્રોચેબિલિટીના પ્રતિબિંબ તરીકે વધુ જોવો જોઈએ. તેમણે કહ્યું કે જ્યારે લોકો પોતાના વિચારો વ્યક્ત કરવા માટે આગળ આવે છે ત્યારે તે લોકશાહી માટે સકારાત્મક સંકેત છે.</p><p>નેપાળમાં થયેલી આપત્તિનો ઉલ્લેખ કરતા, સોનમ વાંગચુકે વિનંતી કરી હતી કે ભારત હવે પર્યાવરણીય મુદ્દાઓ પર કાર્યવાહીમાં વિલંબ કરી શકે તેમ નથી. તેમણે નોંધ્યું હતું કે હિમાલય વિશ્વની લગભગ એક ચતુર્થાંશ વસ્તીનું પાલન કરે છે અને ભારત પોતે ખૂબ જ પર્યાવરણીય રીતે સંવેદનશીલ ક્ષેત્રમાં આવેલું છે. તેમના મતે, મેદાનો ગરમ છે, અને ભારતે પર્યાવરણીય સંરક્ષણ માટે અવાજ ઉઠાવવામાં આગેવાની લેવી જોઈએ.</p><p><br></p><p><a href="https://sandesh.com/india/news/maithili-thakur-i-dont-think-it-makes-sense-to-base-the-surname-on-maithili-thakur-breaks-silence-on-reservation" target="_blank">આ પણ વાંચો:  Maithili Thakur: મની નથી લાગતું કે સરનેમને આધારે... અનામતને લઇને મૈથિલી ઠાકુરે તોડ્યુ મૌન</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/AVz1BpiuhJkUA7cKHsuAhRduGzzTJmGumQee90rA.webp'/></item><item><title><![CDATA[Satya Niketan Building Collapse: માલિક હરિરામ બંસલ ઝડપાયો, MCDના 5 અધિકારીઓ સસ્પેન્ડ ]]></title><link>https://sandesh.com/india/news/satya-niketan-building-collapse-major-action-taken-on-mcd-5-officials-suspended-hariram-bansal-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/satya-niketan-building-collapse-major-action-taken-on-mcd-5-officials-suspended-hariram-bansal-arrested</guid><pubDate>Mon, 07 Sep 2026 14:12:55 +05:30</pubDate><description><![CDATA[<p>દિલ્હીના સત્ય નિકેતનમાં ઇમારત ધરાશાયી થવાની ઘટના અંગે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દક્ષિણ ઝોનના પાંચ અધિકારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે. MCD કમિશનરના આદેશ બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમજ બિલ્ડિંગનો માલિક હરિરામ બંસલ ઝડપાયો છે. રાજસ્થાનના ભિવાડીથી તેને ઝડપી પાડવામાં આવ્યો છે.&nbsp;</p><h2><b>માલિક હરિરામ બંસલ ઝડપાયો&nbsp;</b></h2><p>પોલીસે 6 સપ્ટેમ્બરના રોજ પૂર્વ દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં ધરાશાયી થયેલી ઇમારતના માલિક હરિરામ બંસલની ધરપકડ કરી છે. તેમને હરિયાણાના ભીવાડીમાંથી ધરપકડ કરવામાં આવી હતી</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2096880232238403997"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p>.</p><h3><b>MCDના 5 અધિકારીઓ સસ્પેન્ડ&nbsp;</b></h3><p>સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓમાં ડેપ્યુટી કમિશનર રાકેશ કુમાર, અધિક્ષક ઇજનેર (SE) રણવીર સિંહ, એક્ઝિક્યુટિવ એન્જિનિયર (EE - બિલ્ડિંગ) લલિત કુમાર ગોયલ, આસિસ્ટન્ટ એન્જિનિયર (AE - બિલ્ડિંગ) સુનિલ ચૌહાણ અને જુનિયર એન્જિનિયર આશિષ કુમારનો સમાવેશ થાય છે.</p><p>આદેશમાં જણાવાયું છે કે તેમની સામે શિસ્તભંગની કાર્યવાહીના પરિણામ સુધી સસ્પેન્શન અમલમાં રહેશે. MCD તકેદારી વિભાગે અલગ સસ્પેન્શન આદેશો  જાહેર કર્યા છે.&nbsp;</p><p>આ કાર્યવાહી અંગે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં નોંધવામાં આવ્યું છે કે, સત્ય નિકેતન ઘટના અંગે મુખ્યમંત્રીના નિર્દેશો અનુસાર, MCDના ડેપ્યુટી કમિશનર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, અધિક્ષક ઇજનેર, સહાયક ઇજનેર અને જુનિયર ઇજનેરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.</p><p><br></p><h3><b>સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓની જવાબદારી શું હતી?</b></h3><p>બાંધકામ વિભાગને બાંધકામનું નિરીક્ષણ કરવાનું અને મકાન નિયમોના ઉલ્લંઘન સામે પગલાં લેવાનું કામ સોંપવામાં આવ્યું છે. જો બાંધકામ પરવાનગી વિના અથવા મંજૂર યોજનાઓથી વિચલિત થઈને ચાલી રહ્યું હોય, તો સંબંધિત અધિકારીઓ દ્વારા યોગ્ય દેખરેખ રાખવામાં નિષ્ફળતા અંગે પ્રશ્નો ઉભા થઈ શકે છે. સહાયક ઇજનેરો (AEs) અને જુનિયર ઇજનેરો (JEs) સામાન્ય રીતે પ્રારંભિક સ્થળ દેખરેખમાં સામેલ હોય છે.</p><p>એ જ રીતે, એક્ઝિક્યુટિવ ઇજનેરો (EEs) અને સુપરિન્ટેન્ડિંગ ઇજનેરો (SEs) તેમના સંબંધિત વિસ્તારોમાં દેખરેખ અને અમલીકરણની જવાબદારી નિભાવે છે. ઝોન માટે વહીવટી સ્તરે ડેપ્યુટી કમિશનર જવાબદારી નિભાવે છે.</p><p><b style="font-size: 1.5rem;">ખતરનાક બાંધકામો તોડી પાડવામાં આવશે- CM રેખા&nbsp;</b></p><p>રેખા ગુપ્તાએ કહ્યું, "આ ઇમારત અંગે કાર્યવાહી પહેલાથી જ શરૂ કરવામાં આવી છે, અને માલિક સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. વધુમાં આસપાસની અન્ય ખતરનાક ઇમારતોને ઓળખીને તોડી પાડવામાં આવશે. ખાસ કરીને અમે આ ઇમારતની પાછળની ઇમારત ખાલી કરાવી છે, અને તેને તાત્કાલિક તોડી પાડવામાં આવશે.</p><p>અકસ્માત બાદ કાર્યવાહી શરૂ કરીને, વહીવટીતંત્રે આસપાસના સમગ્ર વિસ્તારનો સર્વે શરૂ કર્યો છે. અકસ્માત સ્થળની પાછળ આવેલી બીજી જર્જરિત ઇમારતને તાત્કાલિક ખાલી કરાવવા અને તોડી પાડવા માટે કડક આદેશો આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન થાય તે માટે આ વિસ્તારમાં આવી બધી ખતરનાક અને ગેરકાયદેસર ઇમારતોને ઓળખવામાં આવશે અને બુલડોઝરનો ઉપયોગ કરીને તોડી પાડવામાં આવશે.</p><p><br></p><p><a href="https://sandesh.com/india/news/maithili-thakur-i-dont-think-it-makes-sense-to-base-the-surname-on-maithili-thakur-breaks-silence-on-reservation" target="_blank">આ પણ વાંચો: Maithili Thakur: મની નથી લાગતું કે સરનેમને આધારે... અનામતને લઇને મૈથિલી ઠાકુરે તોડ્યુ મૌન</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/Q4AVMyqs1zvpNwcFBXSOUH8iNMxttcWWsG8j51B0.webp'/></item><item><title><![CDATA['Hanuman Ansh' એ બ્રહ્મચારીઓને પણ પહોંચાડી દીધા થિયેટર , જુઓ વાયરલ VIDEO ]]></title><link>https://sandesh.com/entertainment/news/hanuman-ansh-viral-video-gurukul-brahmacharis</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/hanuman-ansh-viral-video-gurukul-brahmacharis</guid><pubDate>Mon, 07 Sep 2026 13:54:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જ્યારે કોઈ ફિલ્મ પાસેથી શરૂઆતમાં બહુ ઓછી અપેક્ષાઓ હોય, પરંતુ તેની રિલીઝ પછી તેનું પ્રદર્શન અપેક્ષાઓ કરતા અનેકગણું વધી જાય, ત્યારે તે ફિલ્મ ખાસ બની જાય છે. નીમ કરોલી બાબાના જીવન અને તેમની પવિત્ર ઉપદેશો પર આધારિત ભક્તિમય ફિલ્મ 'હનુમાન અંશ' સાથે પણ હાલમાં કઈંક આવું જ જોવા મળી રહ્યું છે. દર્શકો તરફથી આ ફિલ્મને અભૂતપૂર્વ પ્રેમ અને સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થયો છે જેણે સૌનું વિશેષ ધ્યાન ખેંચ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>પરંપરાગત પોશાકમાં પહોંચ્યા બ્રહ્મચારીઓ</b></h2><p style="text-align: justify; ">આ વાયરલ વીડિયોમાં&nbsp; થિયેટરની અંદર અને બહાર ગુરુકુલના કેટલાક બ્રહ્મચારીઓ પરંપરાગત પોશાકમાં નજરે પડી રહ્યા છે. ગુરુકુળના આ યુવા વિદ્યાર્થીઓ એકસાથે થિયેટરમાં પહોંચ્યા હતા અને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક 'હનુમાન અંશ' ફિલ્મનું સ્ક્રીનિંગ નિહાળ્યું હતું. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ આ બ્રહ્મચારીઓની ઉપસ્થિતિએ સિનેમાઘરમાં ઉપસ્થિત અન્ય દર્શકોનું પણ ધ્યાન આકર્ષિત કર્યું હતું. ફિલ્મનો મુખ્ય વિષય મહાન આધ્યાત્મિક ગુરુ નીમ કરોલી બાબાની જીવનકથા હોવાને કારણે ગુરુકુલના વિદ્યાર્થીઓનું આ રીતે ફિલ્મ જોવા પહોંચવું એ એક અનોખો અને પ્રેરણાદાયી સંયોગ બન્યો છે.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/choga_don/status/2096529724243931474"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h3 style="text-align: justify; "><b>હનુમાન અંશે કરી કરોડોની કમાણી</b></h3><p style="text-align: justify; ">વિશાલ ચતુર્વેદી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં શોભિનવ સત્ય મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે, જ્યારે તેમની સાથે વિહાન શેડગે, ચંદન કે. આનંદ, પૂર્ણિમા તિવારી અને ગુલશન પાંડે જેવા કલાકારો પણ મહત્વના રોલમાં છે. ફિલ્મની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ ફિલ્મને રાજ્યમાં કરમુક્ત (Tax-Free) જાહેર કરી છે. સિનેમાઘરોમાં દર્શકોની ભીડ જામી રહી છે અને ગુરુકુલના વિદ્યાર્થીઓનો આ વીડિયો ઇન્ટરનેટ પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/delhi-building-collapse-manual-rescue-body-found" target="_blank">આ પણ વાંચોઃ Delhi Building Collapse: કાટમાળ માંથી વધુ એક મૃતદેહ મળ્યો, હવે JCBથી નહીં મેન્યુઅલી કાટમાળ હટાવાશે</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/XR1zL2uAIINEHpv6AkalgIT8kOxwlwtjySF4eB2V.webp'/></item><item><title><![CDATA[China Masters Final : સાત્વિક-ચિરાગની જોડીએ રચ્યો ઇતિહાસ, ચીનને હરાવી પ્રથમ વાર બની ચેમ્પિયન ]]></title><link>https://sandesh.com/sports/news/satwik-and-chirag-created-history-by-defeating-a-chinese-pair-to-win-the-china-masters-title</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/satwik-and-chirag-created-history-by-defeating-a-chinese-pair-to-win-the-china-masters-title</guid><pubDate>Mon, 07 Sep 2026 10:23:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતની સ્ટાર પુરુષ ડબલ્સ જોડી સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર દેશનું નામ રોશન કર્યું છે.ચાઇના માસ્ટર્સ 2026ના રોમાંચક ફાઇનલ મુકાબલામાં ભારતીય જોડીએ શાનદાર વાપસી કરીને યજમાન ચીનની જોડી હે જી તિંગ અને રેન શિયાંગ યુને 1 કલાક 10 મિનિટ સુધી ચાલેલા સંઘર્ષપૂર્ણ મુકાબલામાં 11-21, 21-13, 21-17 થી હરાવીને ટ્રોફી પોતાના નામે કરી લીધી છે.આ ઐતિહાસિક જીત સાથે સાત્વિક-ચિરાગની જોડીએ 92,500 ડોલર ની માતબર ઇનામી રકમ પણ મેળવી છે.</p><h4 style="text-align: justify; "><b>ત્રીજા પ્રયાસે જીત્યો ઐતિહાસિક ખિતાબ</b></h4><p style="text-align: justify; ">ચાઇના માસ્ટર્સના મંચ પર સાત્વિક અને ચિરાગનો આ ત્રીજો ફાઇનલ મુકાબલો હતો.આ અગાઉ તેઓ વર્ષ 2023 અને 2025 માં ફાઇનલ સુધી પહોંચ્યા હતા, પરંતુ બંને વખતે તેમને રનર્સ-અપ એટલે કે ઉપવિજેતા બનીને સંતોષ માનવો પડ્યો હતો. આ વખતે પૂર્વ વર્લ્ડ નંબર-4 ચીની જોડી સામે પ્રથમ ગેમ 11-21 થી એકતરફી ગુમાવ્યા છતાં ભારતીય જોડીએ દબાણમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. બીજી ગેમ 21-13 થી જીતી મેચમાં બરાબરી કર્યા બાદ નિર્ણાયક ગેમમાં સાત્વિકના પાવરફુલ સ્મેશ અને ચિરાગના શાનદાર નેટ પ્લેના&nbsp; દમ પર 21-17 થી મેચ સીલ કરી લીધી હતી. આ સાથે ભારતીય જોડીએ ચીની જોડી સામે અજેય રેકોર્ડ જાળવી રાખતાં હેડ-ટુ-હેડ રેકોર્ડ 3-0 કરી લીધો છે.</p><p style="text-align: justify; "><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/Media_SAI/status/2096573691694121117?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></p><p style="text-align: justify; "><br></p><h5 style="text-align: justify; "><b>સિઝનનો બીજો મોટો ખિતાબ અને આગામી પડકારો</b></h5><p style="text-align: justify; ">સાત્વિક અને ચિરાગની જોડી માટે વર્તમાન સિઝનનો આ બીજો મોટો ખિતાબ છે. આ પહેલા તેમણે 'સિંગાપોર ઓપન સુપર 750'નો ખિતાબ જીત્યો હતો, જ્યારે 'થાઈલેન્ડ ઓપન સુપર 500'ના ફાઇનલમાં તેઓ ઉપવિજેતા રહ્યા હતા. સાત્વિકના ખભાની ઈજા અને ફિટનેસની સમસ્યાઓના કારણે આ સિઝન પડકારોથી ભરેલી રહી છે. તેમ છતાં મોટા મંચ પર દબાણ નિયંત્રિત કરવાની તેમની ક્ષમતા આ પ્રદર્શનથી સાબિત થાય છે. 'એશિયન ગેમ્સ 2026' (Asian Games 2026) પહેલાં મળેલી આ શાનદાર જીત ભારતીય બેડમિન્ટન માટે મોટું મનોબળ પૂરું પાડનારી સાબિત થશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/satwik-chirag-enter-china-masters-2026-final-after-beating-malaysia-pair" target="_blank"> China Masters 2026 Badminton : સાત્વિક-ચિરાગની ધમાકેદાર એન્ટ્રી, ચાઇના માસ્ટર્સની ફાઇનલમાં પહોંચ્યા</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/wztWfTUhL3UXUCxk4rAZXpTKylR2DQhLmrODhLPG.webp'/></item></channel></rss>