<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[BPSC TRE-4 હવે એક જ તબક્કામાં લેવાશે, બિહાર સરકારે વિદ્યાર્થીઓની માગ સ્વીકારી ]]></title><link>https://sandesh.com/india/news/bihar-bpsc-tre-4-teacher-recruitment-exam-single-phase</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/bihar-bpsc-tre-4-teacher-recruitment-exam-single-phase</guid><pubDate>Thu, 27 Aug 2026 22:32:32 +05:30</pubDate><description><![CDATA[<p>બિહાર સરકારે શિક્ષક ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારોની મહત્વપૂર્ણ માગ સ્વીકારી છે. BPSC શિક્ષક ભરતી પરીક્ષા TRE-4 હવે પ્રારંભિક અને મુખ્ય પરીક્ષાના અલગ-અલગ તબક્કાને બદલે એક જ તબક્કામાં યોજાશે. મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ આ નિર્ણયની જાહેરાત કરી છે. સરકારના આ નિર્ણયથી PT અને મેઈન્સની અલગ પરીક્ષા પદ્ધતિનો વિરોધ કરી રહેલા ઉમેદવારોને મોટી રાહત મળી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/samrat4bjp/status/2092965285716533565"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>સરકાર વિદ્યાર્થીઓની માગણીઓ અંગે ગંભીર&nbsp;</b></h2><p>મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ જણાવ્યું કે સરકાર શરૂઆતથી જ વિદ્યાર્થીઓની માગણીઓ અંગે ગંભીર રહી છે. ઉમેદવારોની માગને ધ્યાનમાં રાખીને આ વર્ષે TRE-4 પરીક્ષા એક જ તબક્કામાં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત પરીક્ષા અને ભરતી પ્રક્રિયામાં સુધારા માટે અન્ય મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. સરકારે વિવિધ પરીક્ષાઓમાં સુધારા માટે સૂચનો આપવા પરીક્ષા સુધારણા અંગે વિશેષ નિષ્ણાત સમિતિની રચના કરી છે. પટણા હાઈકોર્ટના જજની અધ્યક્ષતાવાળી આ સમિતિ વિદ્યાર્થીઓની પરીક્ષાઓ સંબંધિત ફરિયાદો પણ સાંભળશે.</p><h3><b>આગામી તબક્કો નિષ્ણાત સમિતિનો રિપોર્ટ આવ્યા બાદ શરૂ થશે</b></h3><p>વિદ્યાર્થીઓની સમસ્યાઓના ઝડપી ઉકેલ માટે 'વિદ્યાર્થી સહાય પોર્ટલ' અને 'વિદ્યાર્થી સહાય કેમ્પ' શરૂ કરવામાં આવ્યા છે. સરકારનો દાવો છે કે આ માધ્યમથી વિદ્યાર્થીઓની ફરિયાદોનો ઉકેલ 30 દિવસની અંદર લાવવામાં આવશે. સરકારના જણાવ્યા અનુસાર, 1,799 જગ્યાઓની સબ-ઈન્સ્પેક્ટર ભરતી પરીક્ષાનો આગામી તબક્કો નિષ્ણાત સમિતિનો રિપોર્ટ આવ્યા બાદ શરૂ થશે. BSSC ટૂંક સમયમાં પરીક્ષા કેલેન્ડર જાહેર કરશે.</p><p>આ ઉપરાંત ખાલી જગ્યાઓ સામે લાઈબ્રેરિયન ભરતી શરૂ કરવા, કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે અલગ કોટાની શક્યતા તપાસવા, મહત્તમ ડોમિસાઇલ નીતિ, ભરતીમાં મહત્તમ વયમર્યાદા અંગે વિચારણા અને ભરતી કેલેન્ડરનું કડક પાલન જેવા નિર્ણયો પણ લેવાયા છે.  ભરતી પરીક્ષામાં પ્રશ્નપત્ર, OMR શીટ અને ઉત્તરવહીઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે પણ સમિતિ સમક્ષ પ્રસ્તાવ મૂકવામાં આવશે. સાથે જ કથિત પેપર લીકના કેસોની EOU દ્વારા નિયમ મુજબ તપાસ કરવામાં આવી રહી છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/pm-modi-uzbekistan-kyrgyzstan-visit-august-29-sco-summit" target="_blank">આ પણ વાંચો : PM મોદી 29 ઓગસ્ટથી ઉઝબેકિસ્તાન-કિર્ગિઝસ્તાનની ચાર દિવસની મુલાકાતે જશે</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/9SvpD4t0hotiGI66iWTaWJzelRZZ9ami3753P7i3.webp'/></item><item><title><![CDATA[PM મોદી 29 ઓગસ્ટથી ઉઝબેકિસ્તાન-કિર્ગિઝસ્તાનની ચાર દિવસની મુલાકાતે જશે ]]></title><link>https://sandesh.com/india/news/pm-modi-uzbekistan-kyrgyzstan-visit-august-29-sco-summit</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/pm-modi-uzbekistan-kyrgyzstan-visit-august-29-sco-summit</guid><pubDate>Thu, 27 Aug 2026 21:29:18 +05:30</pubDate><description><![CDATA[<p>વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારથી ઉઝબેકિસ્તાન અને કિર્ગિઝસ્તાનની ચાર દિવસની મહત્વપૂર્ણ વિદેશ મુલાકાતે જશે. આ પ્રવાસનો મુખ્ય હેતુ ઉઝબેકિસ્તાન સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાનો તેમજ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવાનો છે.</p><h2><b>રાજધાની તાશકંદની રાજકીય મુલાકાત લેશે</b></h2><p>વિદેશ મંત્રાલય (MEA)ના જણાવ્યા અનુસાર, પ્રવાસના પ્રથમ તબક્કામાં વડાપ્રધાન મોદી 29 અને 30 ઓગસ્ટે ઉઝબેકિસ્તાનની રાજધાની તાશકંદની રાજકીય મુલાકાત લેશે. ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શાવકત મિર્ઝિયોયેવના આમંત્રણ પર થઈ રહેલી આ મુલાકાત વડાપ્રધાન મોદીની ઉઝબેકિસ્તાનની ચોથી મુલાકાત હશે.</p><p>મુલાકાત દરમિયાન બંને નેતાઓ ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે વેપાર અને રોકાણ, સંરક્ષણ, ડિજિટલ કનેક્ટિવિટી, ઊર્જા, શિક્ષણ તથા લોકો વચ્ચેના સંબંધો સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગની સમીક્ષા કરશે. બંને દેશોના 'વિકસિત ભારત 2047' અને 'ઉઝબેકિસ્તાન 2030'ના વિકાસ લક્ષ્યોને આગળ વધારવા અંગે પણ ચર્ચા થવાની શક્યતા છે. વડાપ્રધાન મોદી તાશકંદમાં શાસ્ત્રી સ્મારક અને તાશકંદ સ્ટેટ યુનિવર્સિટી ઓફ ઓરિએન્ટલ સ્ટડીઝ ખાતે આવેલા મહાત્મા ગાંધી કેન્દ્રની મુલાકાત પણ લઈ શકે છે.</p><h3><b>SCO શિખર સંમેલનમાં ભાગ લેશે</b></h3><p>ઉઝબેકિસ્તાન બાદ વડાપ્રધાન મોદી કિર્ગિઝસ્તાનની રાજધાની બિશ્કેક પહોંચશે અને SCO શિખર સંમેલનમાં ભાગ લેશે. સંમેલનમાં બદલાતી પ્રાદેશિક સુરક્ષા સ્થિતિ સહિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.</p><p>વિદેશ મંત્રાલયના સચિવ (વેસ્ટ) સિબી જ્યોર્જે જણાવ્યું કે SCOની સ્થાપના મુખ્યત્વે આતંકવાદ, અલગાવવાદ અને ઉગ્રવાદ સામે લડવા માટે કરવામાં આવી હતી અને આ પડકારો આજે પણ યથાવત છે. શિખર સંમેલન દરમિયાન PM મોદી અન્ય SCO નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરશે. ઉપરાંત તેઓ મધ્ય એશિયાની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતી છઠ્ઠી વર્લ્ડ નોમેડ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહમાં પણ ભાગ લેશે.<br><br><b><a href="https://sandesh.com/india/news/world/canada-india-first-economic-financial-dialogue-toronto-cooperation" target="_blank">આ પણ વાંચો : Canada: ટોરોન્ટોમાં ભારત-કેનેડા વચ્ચે પ્રથમ આર્થિક નાણાકીય સંવાદ શરૂ, આ ક્ષેત્રોમાં બંને દેશ વચ્ચે સહયોગની સંભાવનાઓ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/tCMP6rFUOyTe65xeFMp4Ff8XLQXDdIAJRMtCse6v.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : IIM ખાતે યુવતીની છેડતી કરનાર ફૂડ ડિલિવરી બોયની વસ્ત્રાપુર પોલીસે કરી ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-news-vastrapur-police-arrest-food-delivery-boy-who-molested-girl-at-iim</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-news-vastrapur-police-arrest-food-delivery-boy-who-molested-girl-at-iim</guid><pubDate>Thu, 27 Aug 2026 20:58:39 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદની પ્રતિષ્ઠિત આઈઆઈએમ (IIM) સંસ્થાના પરિસરમાં યુવતીની છેડતીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઓનલાઈન ઓર્ડર કરાયેલું ફૂડ ડિલિવરી આપવા માટે આવેલ એક યુવકે ગ્રાહક યુવતી સાથે અસભ્ય વર્તન કર્યું હતું. ફૂડ પાર્સલ આપતી વખતે યુવકની દાનત બગડી હતી અને તેણે યુવતીની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો, જેનાથી કેમ્પસ અને આસપાસના વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>યુવતી સામે બિભસ્ત શબ્દો ઉચ્ચારીને અસભ્ય વર્તન કર્યું</b></h2><p style="text-align: justify; ">ફૂડ ડિલિવરી કરવા આવેલા યુવકે ન કેવળ છેડતી કરી પરંતુ યુવતી સામે અત્યંત બિભસ્ત અને અશોભનીય શબ્દો બોલીને તેનું માનભંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. અચાનક બનેલી આ ઘટનાથી યુવતી સ્તબ્ધ થઈ ગઈ હતી. આરોપી યુવકનું આ પ્રકારનું હીન કૃત્ય સામે આવતાં જ ભોગ બનનાર યુવતીએ હિંમત દાખવીને તાત્કાલિક સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી આરોપી ડિલિવરી બોયની કરી ધરપકડ</b></h2><p style="text-align: justify; ">ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વસ્ત્રાપુર પોલીસે તાત્કાલિક ધોરણે કાયદેસરનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે ગુનામાં સંમેલિત ફૂડ ડિલિવરી બોયની ઓળખ કરી તેની ટૂંક સમયમાં જ ધરપકડ કરી લીધી છે. વસ્ત્રાપુર પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ આગળની કાયદાકીય તપાસ હાથ ધરવામાં આવી છે અને મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખીને ઘટના અંગે વધુ પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો :&nbsp; <a href="https://sandesh.com/india/news/crime/india-news-ncb-takes-strict-action-against-punjabs-absconding-drug-supplier-freezes-property-worth-rs-280-crore" target="_blank">India News : પંજાબના ફરાર ડ્રગ્સ સપ્લાયર સામે NCBની આકરી કાર્યવાહી, 2.80 કરોડની મિલકત કરી ફ્રીઝ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/M4a5fUSwcjlsMCrNVCPQDfKYKQ0AY4rjG4eUWyQh.webp'/></item><item><title><![CDATA[Ahmedabad ક્રાઈમ બ્રાન્ચે 12 દિવસમાં MD-ગાંજાના 10 કેસ કર્યા, રાણીપ અને બાપુનગરમાંથી 2 સપ્લાયર ઝડપાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/crime-branch-ndps-drive-ganja-md-seized-ranip-bapunagar-arrests</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/crime-branch-ndps-drive-ganja-md-seized-ranip-bapunagar-arrests</guid><pubDate>Thu, 27 Aug 2026 20:45:17 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરને નશા મુક્ત કરવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે NDPS (નાર્કોટિક્સ) ના ગુનાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજીને છેલ્લા 12 દિવસમાં જ MD ડ્રગ્સ અને ગાંજાના કુલ 10 જેટલા ગંભીર કેસો શોધી કાઢવામાં આવ્યા છે. આ દરોડાઓ દરમિયાન પોલીસે રૂ. 15 લાખથી પણ વધુની કિંમતનો માતબર ડ્રગ્સનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.</p><h2><b>રાણીપમાંથી હિરેન ઉર્ફે કાળીયો ઝડપાયો, રાજસ્થાન કનેક્શન ખુલ્યું</b></h2><p>NDPS સામેની આ કાર્યવાહીમાં ક્રાઈમ બ્રાન્ચને બે અલગ-અલગ કેસમાં મોટી સફળતા મળી છે. રાણીપ વિસ્તારમાંથી ચોક્કસ બાતમીના આધારે પોલીસે હિરેન ઉર્ફે કાળીયો ભટ્ટ નામના ઈસમની ધરપકડ કરી હતી. તેની તલાશી લેતાં તેની પાસેથી 38 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસની કડક પૂછપરછમાં હિરેને ખુલાસો કર્યો હતો કે, તે આ ગાંજો ઝુલતા મિનારા પાસે રહેતા રહીમ અન્સારી પાસેથી મેળવતો હતો. રહીમ આ ડ્રગ્સનો જથ્થો સાબરમતી રેલવે સ્ટેશન મારફતે છેક રાજસ્થાનના પ્રતાપગઢથી મંગાવતો હોવાનું સામે આવતાં પોલીસે તપાસ લંબાવી છે.</p><p><img alt="Ahmedabad News: Ahmedabad Crime Branch NDPS Crackdown: 10 Drug Cases Registered in 12 Days" src="https://epapercdn.sandesh.com/images/2026/08/27/0IvLmJNuqWyAJcZ71wS3tAPFuHJVsh3JHiELoUro.webp" style="width: 100%;"><br></p><h2><b>બાપુનગરમાંથી રૂ. 1 લાખના ગાંજા સાથે બિહારનો યુવક પકડાયો</b></h2><p>બીજા એક સફળ ઓપરેશનમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાપુનગર વિસ્તારમાંથી મોહમ્મદ સદાબ આલમ નામના આરોપીની ધરપકડ કરી છે. મૂળ બિહારનો વતની એવો સદાબ બાપુનગરમાં ગાંજાનું વેચાણ કરતો હતો. તેની પાસેથી રૂ. 1 લાખની અંદાજિત કિંમત ધરાવતો 2.51 કિલોગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે સદાબ આ જથ્થો મોહમ્મદ જુનેદ નામના શખ્સ પાસેથી લાવ્યો હતો.</p><h2><b>ડ્રગ્સના મુખ્ય સપ્લાયરો સુધી પહોંચવા પોલીસની તપાસ તેજ</b></h2><p>માત્ર 12 દિવસના ટૂંકા ગાળામાં ડ્રગ્સ અને ગાંજાના 10 કેસ નોંધીને રૂ. 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાતાં નશાના કારોબારીઓમાં ફાળ પડી છે. આ કેસમાં હવે મોહમ્મદ જુનેદ અને રહીમ અન્સારીને ડ્રગ્સ સપ્લાય કરનારા મુખ્ય માસ્ટરમાઈન્ડ કોણ છે અને અમદાવાદ શહેરમાં આ સ્થાનિક નેટવર્ક સાથે અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં ક્રાઈમ બ્રાન્ચે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/amit-shah-speech-at-gujarat-vidyapith-convocation" target="_blank">Ahmedabad News: ગૂજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સંબોધન, વિદ્યાર્થીઓને આ 7 પાપથી દૂર રહેવા કર્યું આહ્વાન</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/yHJN0Ce5KZtpcFvxHooAvoOju1eLogQAsffvvGYk.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: કલોલ સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ચાર્જશીટ બાદ માત્ર 72 કલાકમાં ટ્રાયલ ચલાવી પોક્સોના આરોપીને આજીવન કેદની સજા ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/gandhinagar/kalol-sessions-court-fast-track-trial-pocso-case</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/gandhinagar/kalol-sessions-court-fast-track-trial-pocso-case</guid><pubDate>Thu, 27 Aug 2026 20:04:43 +05:30</pubDate><description><![CDATA[<p>ગાંધીનગર જિલ્લાના કલોલની સેશન્સ કોર્ટે ન્યાયિક પ્રક્રિયામાં એક નવો માઇલસ્ટોન સ્થાપિત કર્યો છે. પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા એક અત્યંત ગંભીર ગુનામાં કોર્ટે પોલીસ દ્વારા ચાર્જશીટ રજૂ કરાયાના ગણતરીના દિવસોમાં જ, માત્ર 72 કલાકની અંદર કેસની સઘન ટ્રાયલ ચલાવીને આરોપીને દોષિત ઠેરવ્યો છે. સરકારી વકીલની ધારદાર દલીલો, સાક્ષીઓની જુબાની અને મજબૂત પુરાવા ધ્યાને રાખી કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે.</p><h2><b>શું હતી સમગ્ર ઘટના?</b></h2><p>ગાંધીનગર તાલુકાના મોટી આદરજ ગામમાં રહેતો 42 વર્ષીય ભરતજી બચુજી ઠાકોર નામનો ઈસમ એક સગીરાને લલચાવી-ફોસલાવીને ગેરકાયદે દુષ્કર્મ આચરવાના ઈરાદે તારીખ 2 જૂન 2026 ના રોજ ભગાડી ગયો હતો. સગીરાના વાલી દ્વારા તેની ભારે શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન મળતાં આખરે તારીખ 12 જુલાઈ 2026 ના રોજ કલોલ તાલુકા પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.</p><h2><b>હળવદથી પકડાયો આરોપી, પોલીસે ત્વરિત ચાર્જશીટ રજૂ કર્યું</b></h2><p>ફરિયાદના આધારે તપાસમાં જોડાયેલી કલોલ પોલીસે ટેકનિકલ સપોર્ટથી આરોપી ભરતજી ઠાકોરને સગીરા સાથે તારીખ 3 ઓગસ્ટ 2026 ના રોજ મોરબીના હળવદ તાલુકાના એક ગામમાંથી ઝડપી પાડ્યો હતો. સગીરા ગર્ભવતી હોવાનું સામે આવતાં પોલીસે કેસમાં પોક્સો એક્ટની ગંભીર કલમોનો ઉમેરો કર્યો હતો અને આરોપીને જેલહવાલે કર્યો હતો. પોલીસે કોઈ પણ વિલંબ વગર ગણતરીના દિવસોમાં જ કોર્ટમાં પાકા પુરાવા સાથે ચાર્જશીટ રજૂ કરી દીધું હતું.</p><h2><b>સંસ્કૃત શ્લોકના ઉલ્લેખ સાથે સંભળાવી આજીવન કેદની સજા</b></h2><p>કલોલ સેશન્સ કોર્ટમાં કેસ ચાલવા ઉપર આવતાં ન્યાયાધીશે સંસ્કૃતના શ્લોકનો ઉલ્લેખ કરીને સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો આપ્યો હતો. કોર્ટે આરોપી ભરતજી ઠાકોરને તેના છેલ્લા શ્વાસ સુધીની આજીવન કેદની સજા સંભળાવી છે. આ ઉપરાંત આરોપીને રૂ. 2,00,000નો રોકડ દંડ પણ ફટકારવામાં આવ્યો છે.</p><h2><b>ભોગ બનનાર સગીરાને રૂ. 3 લાખનું વળતર આપવા હુકમ</b></h2><p>ન્યાયમૂર્તિએ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પીડિતાના પુનર્વસન માટે પણ મહત્વનો આદેશ કર્યો છે. કોર્ટે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ગાંધીનગરને ભોગ બનનાર સગીરાને રૂ. 3,00,000નું વળતર ચુકવવા આદેશ આપ્યો છે. માત્ર 72 કલાકમાં ચાલયેલી ટ્રાયલ અને કડક સજાના આ ચુકાદાથી અસામાજિક અને વિષયાસક્ત તત્વોમાં ભારે ફાળ પડી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/morbi/3-gates-of-morbis-brahmini-dam-2-opened-6000-cusecs-of-water-released-into-the-river-11-downstream-villages-alerted" target="_blank">Morbiના બ્રાહ્મણી ડેમ-2ના 3 દરવાજા ખોલાયા: નદીમાં 6000 ક્યુસેક પાણી છોડાતાં હેઠવાસના 11 ગામોને કરાયા એલર્ટ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/cxtUAFvWf1vnE7Qmrjs02oDWxoH5bUQebqdvy2pE.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: ગૂજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સંબોધન, વિદ્યાર્થીઓને આ 7 પાપથી દૂર રહેવા કર્યું આહ્વાન ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/amit-shah-speech-at-gujarat-vidyapith-convocation</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/amit-shah-speech-at-gujarat-vidyapith-convocation</guid><pubDate>Thu, 27 Aug 2026 19:37:20 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ સ્થિત મહાત્મા ગાંધીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠ ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમ દરમિયાન સામે બેઠેલા 900 થી વધુ વિદ્યાર્થીઓને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ દિવસને અનમોલ ગણાવ્યો હતો. તેમણે પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેમણે ગૂજરાત વિદ્યાપીઠની લાઇબ્રેરીના પુસ્તકોનો ગહન અભ્યાસ કર્યો છે, પરંતુ ક્યારેય કલ્પના ન હતી કરી કે, તેઓ પોતે ગૂજરાત વિદ્યાપીઠના મંચ પર મુખ્ય અતિથિ તરીકે ભાષણ આપશે.</p><h2><b>માતાનું ખાદી વ્રત અને બાળપણના સંસ્કારોનું સ્મરણ</b></h2><p>પોતાના જીવનના સંસ્કારો વાગોળતા અમિત શાહે જણાવ્યું હતું કે, તેમના માતા મહાત્મા ગાંધીના અનુયાયી હતા. તેમણે બાળપણમાં પોતે પણ ખાદી વણી છે અને સૂતર કાંત્યું છે. તેમની માતાએ જીવનપર્યંત માત્ર ખાદી પહેરવાનું વ્રત લીધું હતું. આઝાદી પછી ભારતની શિક્ષણ નીતિનું મોડલ કેવું હોવું જોઈએ, તે આ વિદ્યાપીઠે સાબિત કરી બતાવ્યું છે. રાજ્યપાલ અને આચાર્ય પરંપરાના કુલાધિપતિના નેતૃત્વમાં લાંબા સમય બાદ વિદ્યાપીઠ ફરી ગાંધીજીના મૂળ વિચારો સાથે આગળ વધી રહી છે.</p><h2><b>જીવનના ઉતાર-ચડાવ અને કઠણાઈઓ વચ્ચે લક્ષ્ય નિર્ધારણ</b></h2><p>વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતાં તેમણે ઉમેર્યું કે, જીવનમાં અનેક ઉતાર-ચડાવ અને કઠણાઈઓ આવે છે. તેમણે પોતાના અનુભવોમાંથી કહ્યું કે, ઘણા લોકોએ મને નિરાશ કરવાના પ્રયાસો કર્યા, પરંતુ હું હિંમત હાર્યા વગર હસતા હસતા બહાર નીકળી ગયો કારણ કે મારું લક્ષ્ય સ્પષ્ટ હતું. તેમણે સલાહ આપી કે, લક્ષ્ય ક્યારેય પોતાના સ્વાર્થ માટે નહીં, પરંતુ દેશ અને પરિવાર માટે નક્કી કરવું જોઈએ. કામ થશે કે નહીં તે વિચારવા કરતાં કામ કરવું કે ન કરવું એ વિચારવું વધુ મહત્વનું છે.</p><h2><b>ગાંધીજીના 100 વર્ષ જૂના વિચારો અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020</b></h2><p>અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું કે, ગાંધીજીનો સંદેશ ગઈકાલે, આજે અને 100 વર્ષ પછી પણ દુનિયાના કલ્યાણ માટે એટલો જ મહત્વનો રહેશે. વર્ષ 1920 માં અસહયોગ આંદોલન અને દાંડી યાત્રાના ચિંતનમાંથી વિદ્યાપીઠનો વિચાર આવ્યો હતો. સ્વભાષા વગર સ્વરાજ્ય શક્ય નથી. વર્ષ 2020 ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, તે મૂળભૂત મૂલ્યો બદલ્યા વગર 5 મુખ્ય સ્તંભો પર બનાવવામાં આવી છે, જે ભારતીય જ્ઞાન પરંપરાને પુનર્જીવિત કરશે. ગાંધીજી હંમેશા 'નવનિર્માણ' ના બદલે 'પુનઃનિર્માણ' ની વાત કરતા હતા.</p><p><b>ગાંધીજીએ દર્શાવેલા 7 સામાજિક પાપ યાદ રાખવા આહ્વાન</b></p><p>પોતાના પ્રબોધનમાં તેમણે ગાંધીજીએ ગણાવેલા 7 સામાજિક પાપને હંમેશાં યાદ રાખવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો.</p><ul><li>સિદ્ધાંત વિહીન રાજનીતિ</li><li>નૈતિકતા વિહીન વ્યાપાર</li><li>શ્રમ વિહીન ધન</li><li>વિવેક વિહીન જ્ઞાન અને ભોગ</li><li>ચારિત્ર્ય વિહીન જ્ઞાન</li><li>માનવતા વિહીન વિજ્ઞાન</li><li>ત્યાગ વગરની ઉપાસના</li></ul><p>તેમણે કહ્યું કે, આપણને આ પાપ વિશે ખ્યાલ હશે તો ખોટા કામ કરતી વખતે સંશય થશે અને આપણે સાચા માર્ગ પર રહી શકીશું.</p><h2><b>વર્ષ 2047 ના સમૃદ્ધ ભારતના સાક્ષી બનશે યુવાનો</b></h2><p>મંચ પરથી ભાવુક અપીલ કરતાં અમિત શાહે કહ્યું કે, આજે મંચ પર બેઠેલા લોકોમાંથી કદાચ જૂજ લોકો વર્ષ 2047 માં હશે, પરંતુ સામે બેઠેલા 900 વિદ્યાર્થીઓ 2047 માં ચોક્કસ હશે. તમે ખૂબ જ ભાગ્યશાળી છો કે ભારતના આઝાદીના શતાબ્દી વર્ષમાં વિકસિત અને સમૃદ્ધ ભારત પોતાની આંખે જોશો. વિદ્યાપીઠમાંથી બહાર નીકળીને સમાજમાં આવનારી પડકારો સામે શીખેલા જ્ઞાનનો સતત સ્વાધ્યાય કરવા તેમણે ટાંક્યું હતું.</p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/india/news/crime/india-news-ncb-takes-strict-action-against-punjabs-absconding-drug-supplier-freezes-property-worth-rs-280-crore" target="_blank"> India News : પંજાબના ફરાર ડ્રગ્સ સપ્લાયર સામે NCBની આકરી કાર્યવાહી, 2.80 કરોડની મિલકત કરી ફ્રીઝ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/FuZKTmkJTaEhOYxoOktxDeU6COzYx7TAu5g8sLgO.webp'/></item><item><title><![CDATA[EPFOએ 800 કંપનીઓને આપી ચેતવણી, કહ્યું '31 ઓક્ટોબર સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવાની આપી સલાહ' ]]></title><link>https://sandesh.com/business/news/epfo-warning-800-noida-companies-pf-enrolment-october-31</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/epfo-warning-800-noida-companies-pf-enrolment-october-31</guid><pubDate>Thu, 27 Aug 2026 19:20:28 +05:30</pubDate><description><![CDATA[<p>કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાં આશરે 800 કંપનીઓની ઓળખ કરી છે, જ્યાં કામ કરતા કર્મચારીઓની PF હેઠળ હજુ સુધી રજિસ્ટ્રેશન કર્યું નથી. EPFOએ આ કંપનીઓને નોટિસ પાઠવીને કર્મચારીઓનું PF રજિસ્ટ્રેશન 31 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવા સૂચના આપી છે.</p><h2><b>સંગઠને કર્મચારીઓને કરી આ અપીલ&nbsp;</b></h2><p>EPFOના જણાવ્યા મુજબ, આ યાદીમાં રેસ્ટોરન્ટ, શ્રમ સપ્લાય એજન્સીઓ, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર્સ, ટ્રાન્સપોર્ટ કંપનીઓ સહિત અન્ય સંસ્થાઓનો સમાવેશ થાય છે. સંગઠને કર્મચારીઓને પણ પોતાના PF કવરેજ અને નોંધણીની સ્થિતિ તપાસવા અપીલ કરી છે. EPFOએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે નિર્ધારિત સમયમર્યાદામાં નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો સંબંધિત કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે. સંગઠનનું કહેવું છે કે કર્મચારીઓને PF વ્યવસ્થામાં સામેલ કરવાની જવાબદારી મુખ્યત્વે નોકરીદાતાની છે.</p><h3><b>EPFO ચલાવી રહ્યું છે જાગૃતિ અભિયાન</b></h3><p>પ્રાદેશિક ભવિષ્ય નિધિ કમિશનરે જણાવ્યું કે EPFO કંપનીઓ અને કર્મચારીઓને PFના નિયમો તથા તેમના અધિકારો અંગે માહિતી આપવા માટે વિશેષ અભિયાન ચલાવી રહ્યું છે. પ્રથમ તબક્કામાં કંપનીઓને નિયમોની જાણકારી આપી પાલન સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.</p><h4><b>ડેડલાઈન બાદ થશે તપાસ</b></h4><p>31 ઓક્ટોબર બાદ EPFO દ્વારા ઓળખાયેલી કંપનીઓએ નિયમોનું પાલન કર્યું છે કે નહીં તેની સમીક્ષા કરવામાં આવશે. જો કંપનીઓ દ્વારા PF નોંધણી પૂર્ણ નહીં કરવામાં આવે તો કાર્યવાહી શરૂ થઈ શકે છે. PF વ્યવસ્થા કર્મચારીઓને ભવિષ્યની નાણાકીય સુરક્ષા ઉપરાંત પેન્શન, વીમા અને અન્ય સામાજિક સુરક્ષા લાભ મેળવવામાં મદદ કરે છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/madhya-pradesh-jabalpur-defence-manufacturing-hub-new-project" target="_blank">આ પણ વાંચો : Madhya Pradesh : જબલપુરને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની મોટી તૈયારી, સંરક્ષણ ક્ષેત્રના નવા પ્રોજેક્ટનો કરાયો શુભારંભ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/LhLAKeLDp0HW4Bmhd6bb4CX7vjqJaSNApNWAuRP0.webp'/></item><item><title><![CDATA[Manoj Bajpayeeની 'Last Man In Tower'નું ટીઝર આઉટ, લોકોએ કહ્યું 'આને ભૂલથી ય થિયેટરમાં ન લાવતા!' ]]></title><link>https://sandesh.com/entertainment/news/manoj-bajpayee-last-man-in-tower-teaser-ott-release</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/manoj-bajpayee-last-man-in-tower-teaser-ott-release</guid><pubDate>Thu, 27 Aug 2026 18:58:23 +05:30</pubDate><description><![CDATA[<p>મનોજ બાજપેયીની આગામી ફિલ્મ 'લાસ્ટ મેન ઇન ટાવર'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ થોડા જ દિવસોમાં થિયેટરમાં રિલીઝ થવાની છે. બેન રેખીના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મને રાણા દગ્ગુબાતીની 'સ્પિરિટ મીડિયા'એ પ્રોડ્યુસ કરી છે. જો કે સોશિયલ મીડિયા પર આ ફિલ્મને અલગ અલગ પ્રતિભાવો મળી રહ્યા છે.&nbsp;</p><p>ટીઝરની શરૂઆતનું દ્રશ્ય મનોજ બાજપેયીથી શરૂ થાય છે જે એક નિવૃત્ત શિક્ષક છે. જે પોતાના સમુદાયના લોકોની વિરુદ્ધ જતા તેમને કોઇ પસંદ નથી કરી રહ્યું.&nbsp;</p><h2><b>મનોજ બાજપેયીનો ધ્રૂજતો અવાજ</b></h2><p>ટીઝરની શરૂઆતમાં ધ્રૂજારી સાથે મનોજ બાજપેયી કહેતા જોવા મળે છે કે કોઇ વ્યક્તિ તેના સમાજ કે તેની આસપાસના લોકો પૂરતો મર્યાદિત તો ન હોઇ શકે ને! ત્યારબાદ વધુ એક અવાજ સંભળાય છે, "સંબંધોને તો સન્માન મળી જ જાય છે, પરંતુ શું તે આ સન્માનને લાયક પણ છે?" ત્યારબાદ મનોજ બાજપેયીના પાત્ર વિશે કોઈ કહે છે, "મને તો નથી લાગતું કે તેણે જેને ભણાવેલો હોય તે ક્યારેય પાસ પણ થયો હોય." બીજી તરફ મહિલાઓ તેમની વચ્ચે વાત કરતી જોવા મળે છે. તેઓ કહે છે, "બહાર તો ગાંધીજી બનીને ફરે છે, પરંતુ ઘરમાં તો બિલકુલ સરમુખત્યાર છે." અંતમાં મનોજ બાજપેયી આ અવાજોથી ડરીને ભાગીને પોતાના ફ્લેટમાં પ્રવેશતા જોવા મળે છે. તેમના ફ્લેટ પર 'લાસ્ટ મેન ઇન ટાવર' લખેલું જોવા મળે છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/INOXMovies/status/2092888255461249124"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>'આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ ન કરો, OTT પર લાવો'</b></h2><p>ટીઝર જોયા બાદ લોકોએ કહ્યું કે આ ફિલ્મને સિનેમામાં રિલીઝ ન કરો, તેને OTT પર રિલીઝ કરો. અન્ય એક વ્યક્તિએ પણ OTT પર રિલીઝ કરવાની વાત કહી. એક અન્ય વ્યક્તિએ કહ્યું કે આશા છે કે આ ફિલ્મ 'ધ વાઇટ ટાઇગર' જેવી ગડબડ નહીં કરે.</p><h2><b>અરવિંદ અડિગાની આ જ નામની નવલકથા પરથી બની છે ફિલ્મ</b></h2><p>આ ફિલ્મ ભારતીય મૂળના લેખક અને બુકાર પ્રાઇઝ વિજેતા પત્રકાર અરવિંદ અડિગાની આ જ નામની નવલકથા પરથી બની છે. આ ફિલ્મ દ્વારા પહેલીવાર મનોજ બાજપેયી અને બોમન ઈરાની સાથે કામ કરતા જોવા મળશે.</p><h2><b>'લાસ્ટ મેન ઇન ટાવર' ક્યારે રિલીઝ થશે?</b></h2><p>ફિલ્મની સ્ક્રીનપ્લે સોની તારાપોરવાલાએ લખી છે અને જુહી ચતુર્વેદીએ હિન્દી ડાયલોગ લખ્યા છે. ફિલ્મમાં દિવ્યા દત્તા અને સુકાંત ગોયત પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 11 સપ્ટેમ્બર 2026ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/AhvFSK5h0VbmloV7cu9psM2LS2zX5qZBNJtxWts0.webp'/></item><item><title><![CDATA[Chhota Udaipurના મલાજા પાસે ઝોઝ PIની સરકારી કારને નડ્યો અકસ્માત, રોંગ સાઈડ આવેલી વાન અથડાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/chhota-udepur/a-government-car-of-a-jhoz-pi-met-with-an-accident-near-malaja-in-chhota-udaipur-hit-by-a-van-coming-from-the-wrong-side</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/chhota-udepur/a-government-car-of-a-jhoz-pi-met-with-an-accident-near-malaja-in-chhota-udaipur-hit-by-a-van-coming-from-the-wrong-side</guid><pubDate>Thu, 27 Aug 2026 18:42:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">છોટાઉદેપુર જિલ્લાના મલાજા નજીક ઝોઝ પોલીસ સ્ટેશનના PIની સરકારી કારને એક મારૂતિ વાને જોરદાર ટક્કર મારતાં માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ ઘટના સમયે મારુતિ વાન છોટાઉદેપુરથી પંચમહાલ તરફ જઈ રહી હતી, જ્યારે ઝોઝ પોલીસ સ્ટેશનના PIની ગાડી સામેથી છોટાઉદેપુર તરફ આવી રહી હતી. હાઈવે પર અચાનક જ બંને વાહનો સામસામે આવી જતાં આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.</p><h2 style="text-align: justify; "><b>રોંગ સાઈડ અને ઓવરસ્પીડના કારણે અકસ્માત</b></h2><p style="text-align: justify; ">આ દુર્ઘટના મારુતિ વાનના ચાલકની ઘોર બેદરકારીને કારણે સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. મારુતિ વાનનો ચાલક રોંગ સાઈડમાં અને ભારે ઓવર સ્પીડમાં ગાડી ચલાવી રહ્યો હતો, જેના કારણે તેણે વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો. પોલીસની કાર સાથે જોરદાર અથડામણ બાદ મારુતિ વાન રોડ પર આશરે 500 મીટર જેટલી ઘસડાઈ ગઈ હતી. આ ઘટનામાં મારુતિ વાનના ચાલકને શરીરના ભાગે ઈજાઓ પહોંચતાં તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>ઝોઝ PI જે.ડી. વસાવા સહિત પોલીસ સ્ટાફનો ચમત્કારિક બચાવ</b></h2><p style="text-align: justify; ">અકસ્માતની આ ઘટનામાં ઝોઝ પોલીસ મથકના PI જે.ડી. વસાવા અને તેમની સાથે કારમાં સવાર પોલીસ સ્ટાફનો ચમત્કારિક રીતે આબાદ બચાવ થયો હતો. સદનસીબે ધડાકાભેર અથડામણ છતાં પોલીસની સરકારી કારને માત્ર સામાન્ય નુકસાન પહોંચ્યું હતું. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને માર્ગ પરથી વાહનો હટાવીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી હતી.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/banaskantha/banaskantha-news-farmers-protest-strongly-against-palanpur-deesa-bypass-road-special-gram-sabha-to-be-held-in-vadaval" target="_blank">Banaskantha News : પાલનપુર-ડીસા બાયપાસ રોડ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વડાવળમાં યોજાશે વિશેષ ગ્રામસભા</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/WDaQDk9P80hVwM5vv4ETPphy99CS4uFcc0GIkIRb.webp'/></item><item><title><![CDATA[Gujarat Super League Season 3: 1 સપ્ટેમ્બરથી થશે ધમાકેદાર પ્રારંભ, અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે ટ્રોફી-જર્સી અનાવરણ સાથે નવી ડિજિટલ એપ લોન્ચ ]]></title><link>https://sandesh.com/sports/news/gujarat/ahmedabad/gujarat-super-league-season-3-schedule-transstadia-ahmedabad-gsfa-app-launch</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/gujarat/ahmedabad/gujarat-super-league-season-3-schedule-transstadia-ahmedabad-gsfa-app-launch</guid><pubDate>Thu, 27 Aug 2026 17:08:43 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતમાં ફૂટબોલની રમતે પકડાવેલા મજબૂત વાતાવરણ વચ્ચે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશને ગુજરાત સુપર લીગની ત્રીજી સીઝનની જાહેરાત કરી છે. GSL સીઝન-3 નો પ્રારંભ 1 સપ્ટેમ્બર, 2026 ના રોજ સાંજે 4:00 વાગ્યે અમદાવાદના વિશ્વકક્ષાના સ્ટેડિયમ ટ્રાન્સસ્ટેડિયા એરેના ખાતે થશે. આ લીગ રાજ્યમાં ઉચ્ચ સ્તરની ફૂટબોલ પ્રતિભાઓ તૈયાર કરવામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે.</p><h2><b>GSL-3 ની જર્સી અને ટ્રોફીનું ભવ્ય અનાવરણ</b></h2><p>અગ્રણી હોદ્દેદારો અને ટીમ માલિકોની વિશેષ ઉપસ્થિતિમાં GSFA ના ઉપપ્રમુખ પ્રદિપસિંહ વાઘેલા દ્વારા GSL સીઝન-3 ની સત્તાવાર ટ્રોફી અને ટીમ જર્સીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ જર્સી ગુજરાતના ફૂટબોલ ક્ષેત્રની આધુનિક ઊર્જાનું પ્રતિબિંબ પાડે છે, જ્યારે ટ્રોફી આ આખી સીઝન દરમિયાન સર્વોચ્ચ એવોર્ડ માટે ટીમો વચ્ચે ખેલાનાર રોમાંચક જંગનું પ્રતીક બનશે.</p><h2><b>U-20 ખેલાડીઓને મળશ જર્મનીમાં રમવાની મોટી તક</b></h2><p>આ વખતની સીઝનની સૌથી મોટી વિશેષતા યુવા ખેલાડીઓ માટેનું આંતરરાષ્ટ્રીય એક્સપોઝર છે. GSL-3 માંથી શાનદાર પ્રદર્શન કરનાર બે U-20 ફૂટબોલરોની પસંદગી જર્મનીમાં ટાયર-3 અને ટાયર-4 ડોમેસ્ટિક ટુર્નામેન્ટ્સના ટ્રાયલ માટે કરવામાં આવશે. જર્મન સાયકોલોજીસ્ટ પ્રોફેસર જેન માયર અને બોસ ટેકનોલોજી દ્વારા સ્પોર્ટ્સ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ખેલાડીઓની બારીકાઈથી પસંદગી કરવામાં આવશે.</p><p><img alt="Gujarat Super League Season 3 To Begin From Sept 1 at TransStadia Ahmedabad, GSFA Launches App" src="https://epapercdn.sandesh.com/images/2026/08/27/mYRThsdOn1CgdPjaTuzNRHqZvSGmvsSZoUzvPkAY.webp"><br></p><h2><b>ઇજાગ્રસ્ત યુવા ખેલાડી રાહુલ ભાટીયાને મદદની જાહેરાત</b></h2><p>GSFA દ્વારા માત્ર રમત જ નહીં, પરંતુ ખેલાડીઓની સુવિધા અને કલ્યાણ પર પણ પૂરો ભાર મૂકવામાં આવ્યો છે. કાર્યક્રમ દરમિયાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા રાજ્યના યુવા ફૂટબોલર રાહુલ ભાટીયાને રૂ. 2,00,000 ની એક્સ-ગ્રેશિયા રકમ ચૂકવવાની વિશેષ જાહેરાત પણ કરવામાં આવી હતી.</p><h2><b>જીએસએફએ પ્રમુખ પરિમલ નથવાણીનું નિવેદન</b></h2><p>લીગ અંગે વાત કરતાં GSFA ના પ્રમુખ પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, GSLની ત્રીજી સીઝન એ માત્ર એક રમત સ્પર્ધા નથી, પરંતુ ગુજરાતમાં ફૂટબોલના સર્વાંગી વિકાસ માટેની અમારી દ્રષ્ટિનો અગત્યનો ભાગ છે. અમારો મુખ્ય હેતુ રાજ્યના યુવાનોને એક ઉચ્ચ કક્ષાનું પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે, જેથી ગુજરાતમાં ફૂટબોલ લોકોની પહેલી પસંદગીની રમત બની શકે.</p><p><img alt="Gujarat Super League Season 3 To Begin From Sept 1 at TransStadia Ahmedabad, GSFA Launches App" src="https://epapercdn.sandesh.com/images/2026/08/27/SBrNO0oV6iNaXOUq1rCpkn9q7oOHLeld8K7pLy69.webp"><br></p><h2><b>ચાહકો માટે વન-સ્ટોપ 'જીએસએફએ ડિજિટલ એપ' લોન્ચ</b></h2><p>ફૂટબોલ ચાહકોને ટુર્નામેન્ટ સાથે સીધા જોડવા માટે એક વિશેષ સમર્પિત ડિજિટલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે. GSFA ના માનદ સચિવ મુલરાજસિંહ ચૂડાસમાએ પ્રેઝન્ટેશન દ્વારા એપની મુખ્ય વિશેષતાઓ સમજાવી હતી. આ વન-સ્ટોપ એપ મારફતે ચાહકો ઘરબેઠા મેચ ફિક્સ્ચર્સ, લાઇવ પરિણામો, શેડ્યૂલ, ટીમોની વિગત, પોઈન્ટ્સ ટેબલ અને ખેલાડીઓની પ્રોફાઈલ સરળતાથી જોઈ શકશે.</p><p><img alt="Gujarat Super League Season 3 To Begin From Sept 1 at TransStadia Ahmedabad, GSFA Launches App" src="https://epapercdn.sandesh.com/images/2026/08/27/FcXj2DbleZ7RFC3kgwv6f0oCEzmf0v5MfaQ7OuOz.webp"><br></p><h2><b>તમામ મેચોનું શેડ્યૂલ ઓનલાઈન ઉપલબ્ધ</b></h2><p>સમારોહ દરમિયાન GSL સીઝન-3 ના સંપૂર્ણ ફિક્સ્ચર્સ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. તમામ તારીખો, સમય અને ટીમોના મુકાબલાની માહિતી નવી લોન્ચ થયેલી એપ્લિકેશન અને GSFA ના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ઉપલબ્ધ રહેશે. આ ભવ્ય આયોજનમાં સહભાગી થઈ રાજ્યમાં ફૂટબોલનો ઉત્સાહ વધારવા તમામ રમતપ્રેમીઓને હાકલ કરવામાં આવી છે.</p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/gujarat/news/vadodara/fake-doctor-arrested-for-performing-hemorrhoid-surgeries-without-anesthesia" target="_blank"> Vadodara News: ધોરણ 10 ફેલ બોગસ ડોક્ટર ગરમ ચીપીયાથી દર્દીને બેભાન કર્યા વિના હરસ મસાના ઓપરેશન કરતો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/68mJxpU52aqMVN04T7Z4tD4Mb7lQhwAZysqg6G6O.webp'/></item></channel></rss>