<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Panchmahal: નસવાડીની સરકારી કૉલેજમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઇ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/panchmahal/panchmahal-guru-purnima-celebrated-at-naswadi-government-college</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/panchmahal/panchmahal-guru-purnima-celebrated-at-naswadi-government-college</guid><pubDate>Fri, 31 Jul 2026 05:48:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નસવાડી : નસવાડીની સરકારી બી.એડ. કોલેજ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઇ હતી. જેમાં કોલેજના આચાર્ય, અધ્યાપકગણ અને તાલીમાર્થીઓની ઉપસ્થિતિમાં ગુરુ-શિષ્ય પરંપરાના મહત્ત્વને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેનો પ્રારંભ દીપ પ્રાગટય અને ગુરુવંદનાથી કરાયો હતો. ત્યારબાદ તાલીમાર્થીઓએ ગુરુ મહિમા દર્શાવતા ભક્તિપદો, પ્રાસંગિક વક્તવ્યો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોની સુંદર રજૂઆત કરી હતી. કોલેજના આચાર્યએ જણાવ્યું હતું કે, આધુનિક અને ટેકનોલોજીના યુગમાં પણ ગુરુનું સ્થાન અદ્વિતીય છે. ગુરુ માત્ર જ્ઞાન આપનાર નથી, તેમ જણાવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; ">&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/31/XCE9luC9SGea6r9MmKx0KOAnYvxUHKZT4NNEQSA6.webp'/></item><item><title><![CDATA[Dabhoi: ડભોઇ ઢાલનગર વસાહતમાં બિસમાર રોડને પગલે ગ્રામજનો હેરાન પરેશાન ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dabhoi/dabhoi-villagers-are-disturbed-due-to-the-dilapidated-road-in-dabhoi-dhalnagar-settlement</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dabhoi/dabhoi-villagers-are-disturbed-due-to-the-dilapidated-road-in-dabhoi-dhalnagar-settlement</guid><pubDate>Fri, 31 Jul 2026 05:47:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ડભોઇ પાસે નર્મદા વિસ્થાપિતોની ઢાલનગર વસાહત ખાતે કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે સ્થાનિકો માટે નરક સમાન પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગટર લાઈનની કામગીરી કરવા આવેલા કોન્ટ્રાક્ટરોએ રસ્તાની આબેહૂબ વચ્ચેવચ્ચે જ ખોદકામ કરી ગટર લાઈન નાખતા આશરે 1 કિ.મી જેટલો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે બિસ્માર અને ખલાસ થયો છે. આ મામલે આજે આક્રોશિત ગ્રામજનોએ ભેગા મળીને તંત્ર અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ઉગ્ર રોષ સાથે વિરોધ દર્શાવ્યો હતો.</p><p style="text-align: justify; ">સ્થાનિકોના જણાવ્યા અનુસાર, રસ્તાની હાલત એટલી વણસી છે કે રોજીંદા કામકાજ માટે બહાર નીકળવું પણ જોખમી બન્યું છે. 108 એમ્બ્યુલન્સ પણ આવતી નથી. કટોકટીના સમયે 108 એમ્બ્યુલન્સ ગામમાં આવવા ના પાડે છે. જેથી બીમાર વ્યક્તિઓ કે સગર્ભા મહિલાઓને હોસ્પિટલ પહોંચાડવામાં મોટો જીવનું જોખમ ઊભું થાય છે. શાળાના બાળકો અને શિક્ષકો હેરાન શાળાએ જતા નાના બાળકો તથા શિક્ષકો પોતાના વાહનો દૂર મૂકીને પગપાળા ચાલવા મજબૂર બન્યા છે.</p><p style="text-align: justify; ">સરકાર નર્મદા વિસ્થાપિતોને પ્રાથમિક સુવિધા આપવા દાવા કરે છે. પરંતુ વાસ્તવિકતા અલગ છે. હાલ ચોમાસુ હોવાથી આ બિસ્માર રસ્તા પર ચારે તરફ કાદવ-કીચડનું સામ્રાજ્ય છે. જેનાથી અકસ્માતોની હારમાળા સર્જાય છે. પૂરતી સુવિધાના અભાવે વિસ્થાપિતો ભારે હેરાન-પરેશાન થઈ રહ્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/31/wpyxr6E6IAaV6aOSKBghtK2y14x6vXj74fU10umD.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: તરણ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી નેશનલ માટે પસંદગી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</guid><pubDate>Fri, 31 Jul 2026 01:16:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નેત્રામલી : અમદાવાદ સ્થિત CBSE અપોલો ઈન્ટરનેશનલ સ્કૂલ (ત્રાગડ)માં અભ્યાસ કરતી અને જાદર નિવાસી ચિ. જેલીના વિક્રાંતકુમાર લીંબચીયાએ તરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરી ઈડર 42 લીંબચિયા સમાજ તેમજ સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. તાજેતરમાં મધ્યપ્રદેશના ભોપાલ ખાતે યોજાયેલી સ્ટેટ લેવલની 200 મીટર તરણ સ્પર્ધામાં જેલીનાએ શાનદાર પ્રદર્શન કરી પ્રથમ નંબરે આવીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. આ અદ્દભુત સિદ્ધિના આધારે તેની આગામી નેશનલ લેવલની સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી છે. આ ગૌરવવંતી સિદ્ધિ બદલ ઈડર 42 લીંબચિયા સમાજના શ્રોષ્ઠીઓ, પરિવારજનો, શાળા પરિવાર અને સ્નેહીજનો દ્વારા તેને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. નેશનલ લેવલની સ્પર્ધામાં પણ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી વિજયી બને તેવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/LsIOBgRajBFhaESRRva7y5zFrQDGQlrbl7gKrA6E.webp'/></item><item><title><![CDATA[Surat: કિર્તી પટેલ ખંડણીખોર નીકળી, બળાત્કારના ગુનામાં ફસાવવાનું કહી 12 લાખ પડાવ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-kirti-patel-turns-out-to-be-an-extortionist-extorted-12-lakhs-by-asking-to-frame-her-for-rape</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-kirti-patel-turns-out-to-be-an-extortionist-extorted-12-lakhs-by-asking-to-frame-her-for-rape</guid><pubDate>Fri, 31 Jul 2026 01:04:48 +05:30</pubDate><description><![CDATA[<p>ભાવનગરની વિવાદીત અને સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નયના બારૈયાએ પોતાનાં લિવઇન પાર્ટનરને બદનામ કરવા તેની પત્ની અને દિયર વચ્ચે અનૈતિક સંબંધ હોવાનું કિર્તી પટેલ પાસે સોશિયલ મીડિયા પર વાયરલ કરાવી બદનક્ષી અને ધાકધમકીના ગુનામાં પૂણા પોલીસે કિર્તી પટેલની ધરપકડ કરી હતી. કોન્સ્ટેબલ નયના બારૈયાએ કામરેજ પોલીસ મથકે લીવ ઇન પાર્ટનર વિરૂદ્ધ બળાત્કારની અરજી કરી તેમાં સમાધાનના બહાને કિર્તી પટેલ સાથે મળી 12 લાખ રૂપિયા પડાવ્યાનો ફણગો ફૂટયો હતો. પૂણામાં નોંધાયેલી ફરિયાદમાં પણ ખંડણી માંગી હોઇ પોલીસે ખંડણી અને કાવતરાંની કલમનો ઉમેરો કર્યો હતો.</p><p>ભાવનગરના વતની અને પુણા વિસ્તારમાં રહેતા 43 વર્ષીય વેપારીએ પુણા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે ગત પાંચમી જૂને તેને કીર્તિ પટેલે વોટ્સએપ કોલ કર્યો હતો. તારી સરપંચ પત્નીના તારા ભાઇ સાથે જ અનૈતિક સંબંધ છે તેવું જણાવવાની સાથે પોતાના સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. જેમાં આ વેપારી તેની પત્ની અને તેના ભાઇને બદનામ કરતો વાણીવિલાસ કરતી જોવા મળી હતી. એટલું જ નહિ આ વેપારીએ 250 છોકરીઓની જિંદગી બગાડી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. આ રીલને પોતાની ઇન્સ્ટા., આઇ.ડી. સ્ટોરીમાં ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાએ મૂકી હતી. આ વેપારી નયના બારૈયા સાથે 21 મહિના લિવ ઇન રિલેશનમાં હતો. પોતાની સાથે પોતાની સરપંચ પત્ની અને ભાઇને પણ ટાર્ગેટ કરી સોશિયલ મીડિયા પર બદનામ કરવા બદલ બી.એન.એસ.ની કલમ 296(b), 351(2), 356(3), 54 તથા આઇ.ટી. એક્ટ 67 મુજબ ફરિયાદ નોંધાઇ હતી. છેલ્લાં 17 દિવસથી પોલીસને મથાવતી કિર્તી પટેલ જૂનાગઢનાં આશ્રમમાં ગુરૂપૂર્ણિમાએ ગઇ હતી અને ત્યાંથી સુરેન્દ્ર નગરના રતનપરમાં પિતાના ઘરે પહોંચી હોવાની બાતમીને પગલે પૂણા પોલીસે સવારે ઝડપી લીધી હતી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/31/1Va2Ibt03UliLu9Ra404CjmjyH0BQUzO5RKOK8I7.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: ઓગણ સહિતનો નળકાંઠા વિસ્તાર સપ્તાહથી જળમગ્ન ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-nalkantha-area-including-ogan-has-been-submerged-in-water-for-a-week</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-nalkantha-area-including-ogan-has-been-submerged-in-water-for-a-week</guid><pubDate>Fri, 31 Jul 2026 01:03:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વિરમગામ પંથકમાં ગત ગુરુવારે મેઘરાજાએ મુશળધાર વરસાદ વરસાવતા સમગ્ર પંથક પાણીથી ધમરોળાયો છે. ત્યારે 7 દિવસ પછી પણ તાલુકાના ઘણા ગામોમાં પાણી ભરાયેલા છે. જેથી લોકો આર્થિક,માનસિક અને શારીરિક રીતે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. લોકોના ઘરો, રોજગાર જગ્યાઓમાં પાણી ઘુસી જવાથી તેમજ ખેતર વિસ્તાર પાણી જ પાણી થવાથી મોટું નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. પશુધનને પણ નુકશાન થવા પામ્યું છે. ત્યારે તાલુકાના નળકાંઠામા અભેસંગપુરા, ઓગણ, વિષ્ણુપુરા, વાંસવા, થુલેટા, ઘોડા, જેતાપુર, કરણગઢ, સૂરજપુર, ઝેઝરા, અસલગામ, શાહપુર, કીશોલ, કાયલાથી આગળ નળસરોવર પાસે આવેલા બાવળા તાલુકાના ધરજી સહિતના ગામો પાણીથી તરબોળ થયા છે. ઘોડા - થુલેટા ગામ પાસેના ચેક ડેમમાં ગાબડુ પડતા તથા ઉપરવાસના પાણી આવતા 14 ગામ વધુ પ્રભાવિત થયા છે. અંદર બહાર મુખ્ય રસ્તાઓ પર પાણી છે. રસ્તાઓનું ધોવાણ થતાં મોટા ભાગના આ ગામોને આંતરિક જોડતા માર્ગો બંધ થયા છે. બિસ્માર બન્યા છે. ધરજી સહિત અન્ય કેટલાંક ગામોમાં પાણી વધતા નળ સરોવર પોલીસે હોળી અને તરાપા વડે ફ્સાયેલા લોકોને રેસક્યુ કર્યા હતા. તેમજ તેમના રહેવા, ભોજન વ્યવસ્થા કરાઈ છે. ત્યારે કાંઠા વિસ્તારની 25 હજાર હેકટર જમીનમાં વાવેતર કરેલી મુખ્ય ડાંગર અન્ય કપાસ, તુવેરની વાવણી ધોવાઈ ગઈ છે. ઓગણ સીમમાં 15 હજાર હેકટરથી વધુ વાવેતર ધોવાયાનું ગ્રામજનો દ્વારા જાણવા મળ્યુ છે. નળકાંઠા ગ્રામ્યમાં ઘણા કાચા મકાનો તુટી ગયા છે. ઓગણમા કેટલીક જગ્યાએ છાતી સમાં પાણી ભરાઈ જતા લોકોના જીવ તાળવે ચોંટયા હતા.</p><p style="text-align: justify; ">આ ઉપરાંત ગુરુવારે પૂરના પાણીથી ઘેરાયેલા થુલેટા ગામમાં નારણભાઈ કોળી પટેલને ખેતરમાં મોટર ચાલુ કરવા જતા વીજ કરંટ લાગ્યો હતો અને મૃત્યુ નિપજ્યુ હતુ. જેથી પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોક વ્યાપી જવા પામ્યો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/0FFyKEAWw2tKcDZ3G4jcvh8FIrFrpuSRYlzkkACx.webp'/></item><item><title><![CDATA[CWG 2026 Medal Tally: ઓસ્ટ્રેલિયાએ વગાડ્યો ડંકો, મેડલ ટેલીમાં ભારત ક્યાં નંબરે? ]]></title><link>https://sandesh.com/sports/news/commonwealth-games-2026-medal-tally-australia-india</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/commonwealth-games-2026-medal-tally-australia-india</guid><pubDate>Thu, 30 Jul 2026 23:46:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઓસ્ટ્રેલિયાએ ફરી એકવાર 2026 કોમનવેલ્થ ગેમ્સમાં પોતાના પ્રભાવશાળી પ્રદર્શનથી મેડલ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ કુલ 107 મેડલ જીત્યા છે, જેમાં 49 ગોલ્ડ, 23 સિલ્વર અને 35 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.</p><p style="text-align: justify; ">તેમના ખેલાડીઓએ સ્વિમિંગ, સાયકલિંગ, એથ્લેટિક્સ અને જિમ્નેસ્ટિક્સ જેવી રમતોમાં સારું પ્રદર્શન કર્યું છે, જેના કારણે તેઓ અન્ય તમામ દેશો કરતા ઘણા આગળ છે.</p><h2 style="text-align: justify; "><b>સિલ્વર મેડલની સંખ્યામાં ઈંગ્લેન્ડ તમામ દેશોમાં સૌથી આગળ</b></h2><p style="text-align: justify; ">યજમાન ઈંગ્લેન્ડ બીજા સ્થાને છે, તેમને 14 ગોલ્ડ, 28 સિલ્વર અને 18 બ્રોન્ઝ સહિત કુલ 60 મેડલ જીત્યા છે. ઓસ્ટ્રેલિયા કરતા ઓછા ગોલ્ડ મેડલ હોવા છતાં ઈંગ્લેન્ડે તેના સિલ્વર મેડલને કારણે તેનું બીજું સ્થાન જાળવી રાખ્યું છે. કેનેડાએ પણ સારું પ્રદર્શન કર્યું છે, તેને 14 ગોલ્ડ, 11 સિલ્વર અને 16 બ્રોન્ઝ સહિત કુલ 41 મેડલ જીત્યા છે. સિલ્વર મેડલની સંખ્યામાં ઈંગ્લેન્ડ તમામ દેશોમાં સૌથી આગળ છે.</p><p style="text-align: justify; "><img alt="CWG 2026 Medal Tally" src="https://epapercdn.sandesh.com/images/2026/07/30/HsBfPgS96HcdXplW6LeEYxp36gXk0l1OTdSp2zEY.webp"><br></p><p style="text-align: justify; ">સ્કોટલેન્ડ 9 ગોલ્ડ, 7 સિલ્વર અને 7 બ્રોન્ઝ સહિત કુલ 23 મેડલ સાથે ચોથા સ્થાને છે. નાઈજીરીયા 7 ગોલ્ડ, 5 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ સાથે પાંચમા સ્થાને છે. દક્ષિણ આફ્રિકાએ કુલ 22 મેડલ સાથે છઠ્ઠા સ્થાને રહીને 6 ગોલ્ડ, 6 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ જીત્યા. મલેશિયાએ 6 ગોલ્ડ, 3 સિલ્વર અને 3 બ્રોન્ઝ સહિત 12 મેડલ સાથે સાતમા સ્થાને રહ્યું.</p><h3 style="text-align: justify; "><b>ભારત પાસે હજુ પણ ઘણી ઈવેન્ટ્સમાં મેડલ જીતવાની તક</b></h3><p style="text-align: justify; ">ન્યુઝીલેન્ડ 4 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ સહિત 18 મેડલ સાથે આઠમા સ્થાને છે. ભારત હાલમાં મેડલ ટેબલમાં નવમા સ્થાને છે. ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધીમાં 15 મેડલ જીત્યા છે, જેમાં 3 ગોલ્ડ, 9 સિલ્વર અને 3 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. ભારત પાસે હજુ પણ ઘણી ઈવેન્ટ્સમાં મેડલ જીતવાની તક છે, તેથી આગામી દિવસોમાં તેના રેન્કિંગમાં સુધારાની આશા છે.</p><p style="text-align: justify; ">જમૈકા ટોપ 10 માં છેલ્લા સ્થાને છે, જેને 3 ગોલ્ડ અને 1 બ્રોન્ઝ સહિત 4 મેડલ જીત્યા છે. સ્પર્ધા હજુ પણ ચાલુ છે, અને ઘણી મોટી મેચો બાકી છે. તેથી મેડલ ટેબલમાં વધુ ફેરફારો જોવા મળી શકે છે. ભારત, ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા જેવા દેશો પાસે પોતાનું સ્થાન મજબૂત કરવાની સારી તક છે, જ્યારે ઓસ્ટ્રેલિયા ટોપ પર પોતાની લીડ જાળવી રાખવાનો પ્રયાસ કરશે. આ મેડલ ટેબલ ટેલી ભારતીય સમય મુજબ 29 જુલાઈ, 11:30નું છે, જેમાં ફેરફાર થવાની શક્યતા છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/ishan-kishan-run-out-abhishek-sharma-stump-mic-video" target="_blank">Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/HTW3VojCOo8MXT56VfzFp6oYdefGzn01z6bEY2VB.webp'/></item><item><title><![CDATA[Paper Leak સામે મોટું પગલું, PM મોદીએ કહ્યું 'પરીક્ષા સિસ્ટમમાં વિશ્વાસ વધશે', જુઓ VIDEO ]]></title><link>https://sandesh.com/india/news/pm-modi-anti-paper-leak-bill-exam-system-trust-video</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/pm-modi-anti-paper-leak-bill-exam-system-trust-video</guid><pubDate>Thu, 30 Jul 2026 22:58:43 +05:30</pubDate><description><![CDATA[<p>વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર એક નવો વીડિયો સંદેશ જાહેર કરીને સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા નવા બિલ અંગે માહિતી આપી છે. વડાપ્રધાને કહ્યું કે સંસદે એવું મહત્વપૂર્ણ બિલ પસાર કર્યું છે, જે દેશની પરીક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત, પારદર્શક અને વિશ્વસનીય બનાવવામાં મદદ કરશે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/narendramodi/status/2082877914035753239"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>પરીક્ષાઓ દેશના યુવાનોના ભવિષ્ય સાથે સીધી રીતે જોડાયેલી</b></h2><p>PM મોદીએ પોતાના સંદેશમાં જણાવ્યું કે પરીક્ષાઓ દેશના યુવાનોના ભવિષ્ય સાથે સીધી રીતે જોડાયેલી છે. તેથી પરીક્ષા પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ, પેપર લીક અથવા અન્ય અનિયમિતતાઓને રોકવા માટે કડક વ્યવસ્થા જરૂરી છે. તેમણે કહ્યું કે નવી વ્યવસ્થાથી મહેનત કરનારા વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ થશે અને તેમને ન્યાય મળશે. વડાપ્રધાને જણાવ્યું કે સરકારનો પ્રયાસ છે કે દેશની પરીક્ષા પ્રણાલી એવી બને જેમાં દરેક વિદ્યાર્થીને સમાન તક મળે. પરીક્ષામાં પારદર્શિતા વધે અને વિદ્યાર્થીઓ તથા તેમના પરિવારોનો વિશ્વાસ વધુ મજબૂત બને તે માટે સતત સુધારા કરવામાં આવી રહ્યા છે.</p><h3><b>અન્યાય ન થાય તે સરકારની પ્રાથમિકતા</b></h3><p>આ બિલનો મુખ્ય ઉદ્દેશ પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ સામે કડક કાર્યવાહી માટે કાયદાકીય માળખું તૈયાર કરવાનો છે. પેપર લીક જેવી ઘટનાઓને ગંભીર ગુનો માનવામાં આવશે અને તેમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. PM મોદીએ કહ્યું કે દેશના કરોડો વિદ્યાર્થીઓ દિવસ-રાત મહેનત કરીને પરીક્ષાની તૈયારી કરે છે. તેમની મહેનત સાથે અન્યાય ન થાય તે સરકારની પ્રાથમિકતા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ નવા કાયદાથી પરીક્ષા વ્યવસ્થામાં સુધારો આવશે અને યુવાનોમાં વિશ્વાસ વધશે.</p><p>સંસદ દ્વારા આ બિલ પસાર થયા બાદ હવે પરીક્ષા સંબંધિત ગેરરીતિઓ સામે વધુ અસરકારક રીતે કાર્યવાહી કરી શકાશે. સરકારનું માનવું છે કે મજબૂત કાયદાકીય વ્યવસ્થા દ્વારા દેશની શિક્ષણ અને પરીક્ષા પ્રણાલીને વધુ સુરક્ષિત અને વિશ્વસનીય બનાવી શકાય છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/jharkhand-baba-baidyanath-dham-vip-darshan-ban-shravan-devotees-priority" target="_blank">આ પણ વાંચો : Jharkhand : પ્રસિદ્ધ બાબા વૈદ્યનાથ ધામમાં VIP દર્શન પર પ્રતિબંધ, સામાન્ય ભક્તોને મળશે પ્રાથમિકતા</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/Rojgb8bU98sMgXMZuJQdSb0LQIIE9t6svPpucEfq.webp'/></item><item><title><![CDATA[Toll Tax ક્યારે દૂર થશે? સરકારે સંસદમાં આપ્યો આ જવાબ ]]></title><link>https://sandesh.com/india/news/toll-tax-removal-government-parliament-answer-national-highways-toll-collection</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/toll-tax-removal-government-parliament-answer-national-highways-toll-collection</guid><pubDate>Thu, 30 Jul 2026 22:28:28 +05:30</pubDate><description><![CDATA[<p>રાષ્ટ્રીય રાજમાર્ગો પરથી ટોલ ટેક્સ ક્યારે દૂર થશે તે અંગે સરકારને સંસદમાં પૂછાયેલા પ્રશ્નનો સ્પષ્ટ જવાબ આપ્યો છે. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે હાલમાં નેશનલ હાઈવે પરથી ટોલ ટેક્સ હટાવવાનો કે ટોલ પ્લાઝા બંધ કરવાનો કોઈ પ્રસ્તાવ વિચારાધીન નથી. તેથી હાલની ટોલ વસૂલાતની વ્યવસ્થા યથાવત રહેશે.</p><h2><b>આ હાઈવે પર ખાનગી કંપનીઓ ટોલ વસૂલે છે</b></h2><p>માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે જણાવ્યું કે જાહેર-ખાનગી ભાગીદારી (PPP) હેઠળ બનેલા હાઈવે પર કન્સેશન અવધિ સુધી ખાનગી કંપનીઓ ટોલ વસૂલે છે. આ સમયગાળો પૂર્ણ થયા બાદ હાઈવે સરકાર અથવા અધિકૃત એજન્સીને સોંપવામાં આવે છે, પરંતુ ત્યારબાદ પણ નિયમો મુજબ ટોલ વસૂલાત ચાલુ રહે છે. સરકારી ભંડોળથી નિર્મિત રાષ્ટ્રીય રાજમાર્ગો પર પણ ટોલ વસૂલવામાં આવે છે.</p><h3><b>આ બે ટેક્સ છે અલગ પ્રકારના ચાર્જ&nbsp;</b></h3><p>સરકારે સ્પષ્ટ કર્યું કે વાહન ટેક્સ અને ટોલ ટેક્સ બંને અલગ પ્રકારના ચાર્જ છે. વાહન ટેક્સ રાજ્ય સરકારો અથવા કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા વસૂલવામાં આવે છે, જ્યારે ટોલ ટેક્સ રાષ્ટ્રીય રાજમાર્ગનો ઉપયોગ કરનાર મુસાફરો પાસેથી 'યુઝર ફી' તરીકે લેવામાં આવે છે. સરકારના જણાવ્યા મુજબ ટોલમાંથી મળતી આવકનો ઉપયોગ રાષ્ટ્રીય રાજમાર્ગોના જાળવણી, સમારકામ, વિસ્તરણ, નવા માર્ગોના નિર્માણ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ કાર્યો માટે કરવામાં આવે છે. આ રકમ ભારતની સંચિત નિધિમાં જમા થાય છે અને ત્યારબાદ બજેટ ફાળવણી દ્વારા વિવિધ માર્ગ વિકાસ યોજનાઓમાં ખર્ચવામાં આવે છે.</p><p>સરકારનું માનવું છે કે ટોલ વસૂલાત દેશભરમાં આધુનિક, સુરક્ષિત અને ઉચ્ચ ગુણવત્તાવાળા માર્ગોના વિકાસ માટે જરૂરી નાણાકીય સ્ત્રોત છે. તેથી હાલના નિયમો મુજબ દેશના તમામ નેશનલ હાઈવે પર ટોલ પ્લાઝા કાર્યરત રહેશે અને ટોલ ટેક્સની વસૂલાત પણ ચાલુ રહેશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/jharkhand-baba-baidyanath-dham-vip-darshan-ban-shravan-devotees-priority" target="_blank">આ પણ વાંચો : Jharkhand : પ્રસિદ્ધ બાબા વૈદ્યનાથ ધામમાં VIP દર્શન પર પ્રતિબંધ, સામાન્ય ભક્તોને મળશે પ્રાથમિકતા</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/iRIoH481pB8cVhQFRhfpa9xBQzhS2ZpzBoVgbfwu.webp'/></item><item><title><![CDATA[Personal Loanના EMI ન ચૂકવવા પર શું જવું પડે છે જેલ? આ છે RBIના નિયમ ]]></title><link>https://sandesh.com/business/news/personal-loan-emi-missed--will-police-come-or-jail-happen--know-truth</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/personal-loan-emi-missed--will-police-come-or-jail-happen--know-truth</guid><pubDate>Thu, 30 Jul 2026 18:26:06 +05:30</pubDate><description><![CDATA[<p>આજકાલ મોબાઇલ એપ અથવા બેંક દ્વારા પર્સનલ લોન મેળવવામાં થોડી જ મિનિટો લાગે છે અને પૈસા તરત જ તમારા ખાતામાં જમા થઈ જાય છે. જોકે, વાસ્તવિક ચિંતા ત્યારે થાય છે જ્યારે તમે તમારી નોકરી ગુમાવો છો તમારો વ્યવસાય નિષ્ફળ જાય છે અથવા તમારે અન્ય અનિવાર્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવી પરિસ્થિતિઓમાં  EMI બાઉન્સ થવા લાગે છે. જેમ જેમ પરિસ્થિતિ વધુ વણસે છે, તેમ તેમ એક સામાન્ય ભય ઊભો થાય છે: જો હું લોન ચૂકવીશ નહીં તો શું પોલીસ મારા ઘરે આવશે? શું મારે જેલમાં જવું પડશે? સ્પષ્ટ અને સીધો જવાબ છે ના. ફક્ત લોન ચૂકવવામાં અસમર્થ રહેવું એ કાયદા હેઠળ ગુનો નથી. જો તમારા ઇરાદા પ્રામાણિક હોય પરંતુ તમે પ્રતિકૂળ પરિસ્થિતિઓને કારણે તમારો EMI ચૂકવી શકતા નથી, તો તમને ફક્ત એટલા માટે જેલમાં મોકલી શકાય નહીં.</p><p><b>જ્યારે EMI ચૂકી જાવ તો બેંક શું કરે છે?</b></p><p>જો તમે સતત તમારા EMI ચૂકવવામાં નિષ્ફળ જાઓ છો, તો બેંક તાત્કાલિક કડક પગલાં લેતી નથી. શરૂઆતમાં, તમને કોલ અને સંદેશાઓ દ્વારા ચુકવણી કરવાનું યાદ અપાવવામાં આવે છે. ત્યારબાદ, કાયદાકીય નોટિસ મોકલવામાં આવે છે. જો ચુકવણી લાંબા સમય સુધી બાકી રહે છે. તો બેંક તમારા લોન ખાતાને NPA' (નોન-પર્ફોર્મિંગ એસેટ) તરીકે વર્ગીકૃત કરે છે. સૌથી નોંધપાત્ર પ્રતિકૂળ અસર તમારા CIBIL સ્કોર પર પડે છે. નબળા CIBIL સ્કોરનો અર્થ એ છે કે ભવિષ્યમાં તમને નવી લોન અથવા ક્રેડિટ કાર્ડ મેળવવામાં મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે. આ પછી, બેંક કોર્ટ દ્વારા બાકી રકમ વસૂલવા માટે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી શકે છે. જો તમે લોન સામે કોઈ કોલેટરલ આપ્યું હોય, તો તે સંપત્તિ અંગે પણ કાર્યવાહી કરી શકાય છે.</p><p><b>કયા કિસ્સાઓમાં જેલનું જોખમ છે?</b></p><p>જેમ અગાઉ ઉલ્લેખ કર્યો છે,  મુશ્કેલીને કારણે EMI ચૂકવવામાં નિષ્ફળતા ગુનો નથી. જેલનું જોખમ ફક્ત છેતરપિંડીના કિસ્સાઓમાં જ થાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈએ બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને લોન મેળવી હોય, તેમના રોજગાર અથવા આવક વિશે બેંકને ખોટું બોલ્યું હોય, અથવા જાણી જોઈને પૈસા લઈને ફરાર થઈ જાય. આવા કિસ્સાઓમાં બેંક FIR દાખલ કરવા માટે સીધી પોલીસનો સંપર્ક કરી શકે છે, જેનાથી ફોજદારી કેસ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો બેંક સાથે ઇરાદાપૂર્વક છેતરપિંડી કરવી અને અનિવાર્ય સંજોગોને કારણે લોન ચૂકવવામાં અસમર્થ રહેવું એ બે સંપૂર્ણપણે અલગ બાબતો છે.</p><p><b>રિકવરી એજન્ટો તરફથી ધમકીઓનો તમે કેવી રીતે સામનો કરી શકો છો?</b></p><p>લોન ચૂકવવામાં ડિફોલ્ટ કરનારા દેવાદારો ઘણીવાર રિકવરી એજન્ટોથી સૌથી વધુ ડરતા હોય છે. જોકે, રિઝર્વ બેંક (RBI) એડવાઈઝરી આ ​​સંદર્ભમાં સામાન્ય વ્યક્તિને સશક્ત બનાવે છે. જ્યારે રિકવરી એજન્ટો તમને ફોન કરી શકે છે અથવા તમારા ઘરે અથવા ઓફિસમાં લેણાં વસૂલવા માટે જઈ શકે છે, ત્યારે તેમને અસભ્ય વર્તન કરવાનો અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાનો અથવા તમને ધમકી આપવાનો કોઈ અધિકાર નથી. તેઓ રાત્રે ફોન કરીને તમને હેરાન કરી શકતા નથી. જો કોઈ એજન્ટ મર્યાદા ઓળંગે છે અથવા તમને અપમાનિત કરવાનો પ્રયાસ કરે છે, તો તમારે પોલીસ અથવા RBIમાં ફરિયાદ નોંધાવવામાં અચકાવું જોઈએ નહીં. આવી બાબતોમાં કાયદો તમને સંપૂર્ણ ટેકો આપે છે.</p><p><b>જો તમને નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડે તો તમારે શું કરવું જોઈએ?</b></p><p>લોકો ઘણીવાર ડરના કારણે બેંકના કોલનો જવાબ આપવાનું બંધ કરી દે છે. આ એક મોટી ભૂલ છે; આમ કરવાથી સમસ્યાનો ઉકેલ આવવાને બદલે તે વધુ ખરાબ થાય છે. જો તમને લાગે કે તમારા EMI ચૂકવવાનું હવે તમારા હાથમાં નથી, તો સીધા બેંકની મુલાકાત લો અને અધિકારીઓને ખુલ્લેઆમ તમારી પરિસ્થિતિ સમજાવો. બેંકો ઘણીવાર આવા કિસ્સાઓમાં સહાય પૂરી પાડે છે. જો જરૂરી હોય તો તેઓ તમારા EMI ઘટાડી શકે છે. લોન ચુકવણીનો સમયગાળો લંબાવી શકે છે અથવા થોડા મહિનાનો ગ્રેસ પીરિયડ આપી શકે છે. ક્યારેક 'વન-ટાઇમ સેટલમેન્ટ' વિકલ્પ પણ શોધી શકાય છે, જે કાયદાકીયમુશ્કેલીઓનો કાયમી ઉકેલ લાવી શકે છે અને તમારા માનસિક તણાવને દૂર કરી શકે છે.</p><p><br>આ પણ વાંચો:<a href="https://sandesh.com/india/news/weather-update-31-july--imd-issues-red-alert-for-19-states--heavy-rain" target="_blank"><b> Weather Update: હવામાન વિભાગે કરી ભયંકર આગાહી, ભારે વરસાદને લઈને આપ્યું અહીં રેડ એલર્ટ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/zbXJMElr3tC6rkr8kmW279uBHzrnuwqnKZiox49M.webp'/></item><item><title><![CDATA[Mahira Sharmaના રાણા જી 2.0 પર મમતા કુલકર્ણીની પ્રતિક્રિયા, કહ્યું- 'ઓરિજિનલની વાત જ અલગ છે' ]]></title><link>https://sandesh.com/entertainment/news/mahira-sharma-rana-ji-2-mamta-kulkarni-reaction</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/mahira-sharma-rana-ji-2-mamta-kulkarni-reaction</guid><pubDate>Thu, 30 Jul 2026 18:04:27 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ટીવી અભિનેત્રી માહિરા શર્મા હાલમાં ચર્ચામાં છે અને તેનું કારણ છે તેમનું નવું ગીત. તાજેતરમાં માહિરા શર્માનો નવો મ્યુઝિક વીડિયો રાણાજી 2.0 રિલીઝ થયો છે, જે સતત સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. આ ગીત 90ના દાયકાના સુપરહિટ ગીત રાણાજી માફ કરનાનું રિમેક છે. લોકોના મનમાં સવાલ હતો કે આ ગીતની મૂળ અભિનેત્રી મમતા કુલકર્ણી રિમેક&nbsp; વિશે શું વિચારે છે. હવે પોતે મમતાએ તેના પર પોતાની પ્રતિક્રિયા આપી છે.</p><h2 style="text-align: justify; "><b>મૂળ ગીતમાં મમતા કુલકર્ણીની અદાઓએ જીતી લીધા હતા દિલ</b></h2><p style="text-align: justify; ">1995માં આવેલી સલમાન ખાન, શાહરુખ ખાન અને કાજોલની ફિલ્મ કરણ અર્જુનનું ગીત રાણાજી માફ કરના ખૂબ લોકપ્રિય થયું હતું. આ ગીતમાં મમતા કુલકર્ણીની અદાઓ અને તેમનો ડાન્સ આજે પણ લોકોમાં ખૂબ લોકપ્રિય છે. હવે આ જ ગીતને નવા અંદાજમાં રાણાજી 2.0 નામથી રજૂ કરવામાં આવ્યું છે, જેમાં માહિરા શર્મા જોવા મળી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>મમતા કુલકર્ણીએ આપ્યું પોતાનું મંતવ્ય</b></h3><p style="text-align: justify; ">માહિરા શર્માનું ગીત રાણા જી 2.0 સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે અને તેને મિશ્ર પ્રતિક્રિયાઓ મળી રહી છે. જોકે, મોટાભાગના લોકો તેની ટીકા કરતા જોવા મળ્યા અને કહ્યું કે ફરી એક લોકપ્રિય ગીતને બગાડી નાખવામાં આવ્યું છે. હવે આ રિમેક વિશે વાત કરતાં મમતા કુલકર્ણીએ કહ્યું, તેણે સારું કામ કર્યું છે. વાત એ છે કે તમે એક એવું ગીત જોઈ રહ્યા છો, જે ઘાઘરા-ચોળી અને ભારતીય નૃત્યની મુદ્રાઓ સાથે હતું, જેને હવે પશ્ચિમી સ્વરૂપ અને પશ્ચિમી પોશાકમાં બનાવવામાં આવ્યું છે. તેથી તે અલગ દેખાય છે. પરંતુ જૂનું ગીત લોકોના મનમાં વસેલું છે, એટલે તે તરત યાદ આવી જાય છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbXWAB6t45J/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbXWAB6t45J/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbXWAB6t45J/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbXWAB6t45J/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>આ રીતે થયું હતું મૂળ ગીતનું શૂટિંગ</b></h4><p style="text-align: justify; ">મૂળ ગીતના શૂટિંગને યાદ કરતાં મમતા કુલકર્ણીએ કહ્યું, રાણાજી ગીતના નૃત્ય દિગ્દર્શક ચિન્ની પ્રકાશ માસ્ટરજી હતા. રિહર્સલ 2-3 દિવસ માટે નક્કી કરવામાં આવી હતી. પરંતુ મેં પહેલા જ દિવસે ડાન્સના સ્ટેપ્સ યોગ્ય રીતે શીખી લીધા હતા. જ્યારે હું સેટ પર પહોંચી ત્યારે સ્ટેપ્સ બદલી દેવામાં આવ્યા હતા. મેં તેમને પૂછ્યું કે તેમણે સ્ટેપ્સ કેમ બદલ્યા. મને સમજાતું નહોતું કે પછી રિહર્સલનો અર્થ શું હતો, પરંતુ ચિન્ની પ્રકાશ માસ્ટરજી ખૂબ સારા હતા અને અમે સમયસર ગીતનું શૂટિંગ પૂરું કરી લીધું.</p><h5 style="text-align: justify; "><b>તે સમયે હું યુવાન અને નાદાન હતી</b></h5><p style="text-align: justify; ">બોલીવુડમાં પોતાની સફર વિશે વાત કરતાં મમતા કુલકર્ણીએ કહ્યું, મને અભિનયની ઓફર મળી રહી છે. જો મને એવી કોઈ પટકથા મળે, જેને લઈને હું ખરેખર ઉત્સાહિત હોઉં, તો હું તેમાં કામ કરવા માટે તૈયાર છું. જોકે, આજે હું મુઝકો રાણાજી માફ કરના જેવા ગીતને તેના શબ્દો સાથે કરી શકીશ નહીં. હવે હું આધ્યાત્મિક રીતે વધુ જાગૃત બની ગઈ છું. તેથી કેટલાક ગીતો મારા માટે યોગ્ય નથી. હવે ડાન્સ કરતાં ગીતોના શબ્દો પર વધુ ધ્યાન આપવું પડે છે. અગાઉ હું ગીતના શબ્દો વિશે ક્યારેય વિચારતી નહોતી, કારણ કે મારું વધુ ધ્યાન ડાન્સના સ્ટેપ્સને વધુ સારા બનાવવા પર રહેતું હતું. તે સમયે હું યુવાન અને નાદાન હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/tmkoc-sundarlal-highest-paid-actor" target="_blank">આ પણ વાંચો-TMKOC : જેઠાલાલ નહીં, સુંદરલાલ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સૌથી મોંઘા એક્ટર!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/W9Oeu0jw3pcLr2BYlTbYBRixAAwdeJ8MscsHuc3q.webp'/></item></channel></rss>