<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Vadodaraમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ.1,297 કરોડના વિકાસકામોની ભેટ ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/bhupendra-patel-vadodara-development-works-1297-crore</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/bhupendra-patel-vadodara-development-works-1297-crore</guid><pubDate>Sun, 20 Sep 2026 18:11:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સંસ્કારી નગરી વડોદરા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે રૂ.1,297 કરોડથી વધુના વિવિધ પ્રજાલક્ષી સર્વાંગી વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયું છે. આ ભવ્ય કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના 2 મંત્રીઓ, સ્થાનિક સાંસદ, ધારાસભ્યો તેમજ ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મધ્ય ગુજરાતની કનેક્ટિવિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નવી ઊંચાઈ આપતા કુલ રૂ.676.68 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને રૂ.352.54 કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>રૂ.29 કરોડનું સંકલ્પ સ્મારક અને PM આવાસનું લોકાર્પણ</b></h2><p style="text-align: justify; ">આયોજિત કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ રૂ.235 કરોડના ખર્ચે નવનિર્મિત ગંભીરા બ્રિજનું વિધિવત લોકાર્પણ કરીને જનતા માટે ખુલ્લો મૂક્યો હતો. આ ઉપરાંત ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરના સ્મરણાર્થે બનાવેલા રૂ.29 કરોડના સંકલ્પ સ્મારક ઓડિટોરિયમ, રૂ.8.35 કરોડના ઓબ્ઝર્વેશન રૂમ તેમજ પીએમ આવાસ યોજના (PMAY) હેઠળ તૈયાર થયેલા 593 મકાનોનું પણ લોકાર્પણ કરી લાભાર્થીઓને ચાવીઓ અર્પણ કરી હતી.</p><p style="text-align: justify; "><img alt="Gift of development works to Vadodara" src="https://epapercdn.sandesh.com/images/2026/09/20/dnKcnPDqZJESEVPhWFaVp314GYsUVfAizFR6y1xq.webp"><br></p><h3 style="text-align: justify; "><b>2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પ સાથે જનકલ્યાણની યોજનાઓ આપી: CM</b></h3><p style="text-align: justify; ">જાહેર સભાને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનો દ્રઢ નિશ્ચય કરવામાં આવ્યો છે, જે અન્વયે જન-જનના કલ્યાણ માટે સતત નવી સુવિધાઓ આપવામાં આવી રહી છે. તેમણે સ્વાસ્થ્ય ક્ષેત્રે રૂ.10 લાખનું આયુષ્માન કાર્ડ કવરેજ પૂરું પાડવા બદલ પીએમ મોદીનો આભાર માન્યો હતો. આ સાથે ભાજપ દ્વારા સંત શિરોમણી રવિદાસજીની 650મી જન્મજયંતીની રાજ્યવ્યાપી ઉજવણી અને આગામી 7 ઓક્ટોબરે સુશાસનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરનો પણ ઉલ્લેખ કર્યો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/9Q6qQBMiIAW2nHvN9bni8wdQulD3BBnI4qWad33T.webp'/></item><item><title><![CDATA[Tata Group વિવાદ હવે કોર્ટમાં પહોંચશે?,  ટાટા ટ્રસ્ટે અભિષેક મનુ સિંઘવીને સોંપી કાનૂની લડાઈ ]]></title><link>https://sandesh.com/business/news/will-tata-group-dispute-now-reach-court-tata-trusts-hands-over-legal-battle-to-abhishek-manu-singhvi</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/will-tata-group-dispute-now-reach-court-tata-trusts-hands-over-legal-battle-to-abhishek-manu-singhvi</guid><pubDate>Sun, 20 Sep 2026 18:08:04 +05:30</pubDate><description><![CDATA[<p>Tata Group News: ટાટા ગ્રુપની અંદર ચાલી રહેલી વર્ચસ્વની લડાઈ હવે કોર્ટ સુધી પહોંચી શકે છે. ટાટા ટ્રસ્ટ્સે સિનિયર વકીલ અભિષેક મનુ સિંઘવીને કાનૂની સલાહ અને પ્રતિનિધિત્વ માટે નિયુક્ત કર્યા છે. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ટાટા સન્સના બોર્ડે એન. ચંદ્રશેખરનને ફરીથી ચેરમેન બનાવવાનો નિર્ણય લીધો. ત્યારબાદ ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટાએ નિવેદન આપીને આ નિમણૂકને નિયમોની વિરુદ્ધ ગણાવી હતી.</p><p><b>સિંઘવીએ શું કહ્યું?</b></p><p>અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે તેમને ખૂબ જ દુઃખ અને અફસોસ સાથે આ સમગ્ર મામલાનો ભાગ બનવું પડી રહ્યું છે. તેમણે કહ્યું કે તેઓ રતન ટાટા સાથે કામ કરી ચૂક્યા છે અને આ મામલાના બંને પક્ષોને પણ સારી રીતે જાણે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સિંઘવીએ લખ્યું કે શેરહોલ્ડરના માલિકીના અધિકારને નબળો પાડવાથી ભારતમાં સૈંકડો કંપનીઓ સામે મુશ્કેલી ઊભી થઈ શકે છે. તેમના મતે, તેની અસર કંપનીઓના કોર્પોરેટ ગવર્નન્સ પર પણ પડી શકે છે.</p><p><b>ટાટા-મિસ્ત્રી વિવાદનો પણ ઉલ્લેખ</b></p><p>સિંઘવીએ પોતાના પોસ્ટમાં ટાટા-મિસ્ત્રી વિવાદનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે આ મામલે સુપ્રીમ કોર્ટે ટાટા ટ્રસ્ટ્સને સ્પષ્ટ રીતે પ્રાથમિકતા આપી હતી. સિંઘવીના જણાવ્યા પ્રમાણે, હવે આ નિર્ણયને ભૂલી જવામાં આવ્યો છે. સિંઘવીએ કહ્યું કે બંને પક્ષો વચ્ચે સહયોગ અને સૌહાર્દની કમીના કારણે હવે આ મામલાનો ઉકેલ લાવવા માટે કાનૂની રસ્તો જ બચ્યો છે.</p><p><b>ચંદ્રશેખરનની ફરી નિમણૂકથી વિવાદ</b></p><p>ટાટા સન્સના વર્તમાન ચેરમેન એન. ચંદ્રશેખરનનો કાર્યકાળ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં પૂરો થવાનો છે. તેમણે પોતાને ફરી ચેરમેન ન બનાવવાની અપીલ કરી હતી. જોકે, 17 સપ્ટેમ્બરે ટાટા સન્સના બોર્ડની બેઠકમાં તેમને ફરી ચેરમેન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.</p><p><b>નોએલ ટાટાએ કર્યો વિરોધ</b></p><p>ચંદ્રશેખરનની ફરી નિમણૂકના નિર્ણયનો ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોેલ ટાટાએ વિરોધ કર્યો છે. ટાટા સન્સમાં ટાટા ટ્રસ્ટ્સની કુલ 66 ટકા હિસ્સેદારી છે. આ દરમિયાન રિઝર્વ બેન્કે ટાટા સન્સને NBFC ન ગણવાની અપીલ સ્વીકારી નથી. તેના કારણે હાલના નિયમો પ્રમાણે ટાટા સન્સનું લિસ્ટિંગ કરવું ફરજિયાત બન્યું છે. જોકે, ટાટા ટ્રસ્ટ્સ ટાટા સન્સના લિસ્ટિંગ સાથે સહમત નથી. આ મુદ્દો પણ બંને પક્ષો વચ્ચેના મતભેદનું એક કારણ છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/tata-sons-n-chandrasekaran-third-term-noel-tata-statement-2026" target="_blank">આ પણ વાંચો: ચંદ્રશેખરનના ચેરમેન પદને લઈને નોએલ ટાટાનું મોટું નિવેદન, જાણો શું છે મામલો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/S6hlsKbh3GURvJcLgBBQX6PRx1NWFUgrXIwf5aff.webp'/></item><item><title><![CDATA[Shah Rukh Khanની કિંગમાં થઈ હનુમાન અંશ એક્ટરની એન્ટ્રી, ક્યારેક દૂરદર્શનની સીરિયલ્સમાં કરતો હતો કામ ]]></title><link>https://sandesh.com/entertainment/news/shah-rukh-khan-king-hanuman-ansh-actor</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/shah-rukh-khan-king-hanuman-ansh-actor</guid><pubDate>Sun, 20 Sep 2026 17:15:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુપરસ્ટાર શાહરૂખ ખાનની આગામી ફિલ્મ કિંગમાં તમને હનુમાન અંશનો એક એક્ટર પણ જોવા મળશે. અત્યારે થિયેટરોમાં ફિલ્મ હનુમાન અંશ દર્શકોનું ભરપૂર મનોરંજન કરી રહી છે. નીમ કરોલી બાબાની બાયોપિક આ ફિલ્મની સ્ટોરી અને કાસ્ટની કમાલની એક્ટિંગના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે. હવે સમાચાર આવી રહ્યા છે કે હનુમાન અંશના એક એક્ટરને શાહરૂખ ખાનની આગામી ફિલ્મ કિંગ મળી ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>હનુમાન અંશના કલાકારની કિંગમાં એન્ટ્રી</b></h2><p style="text-align: justify; ">જાણો કે હનુમાન અંશનો તે કયો કલાકાર છે જે આવનારા સમયમાં શાહરૂખની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ કિંગમાં પોતાના દમદાર અભિનયની છાપ છોડતો જોવા મળશે. લાંબા સમયથી શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ કિંગની ચર્ચા ચાલી રહી છે. પઠાન અને વોર જેવી સફળ ફિલ્મો બનાવનાર ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદના ડિરેક્શનમાં બનેલી કિંગની કાસ્ટને લઈને હવે લેટેસ્ટ અપડેટ સામે આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>ચંદન આનંદે પોતે કરી પુષ્ટિ</b></h2><p style="text-align: justify; ">હનુમાન અંશ ફિલ્મમાં ડોક્ટર રામ નંદન ભોસલેનું પાત્ર ભજવનાર એક્ટર ચંદન કે. આનંદે હાલમાં જ દૈનિક જાગરણ સાથેની વાતચીતમાં આ વાતની પુષ્ટિ કરી છે કે તે કિંગ ફિલ્મનો હિસ્સો બની ગયો છે. ચંદને જણાવ્યું કે હનુમાન અંશ ફિલ્મ પછી મને ઘણા મોટા પ્રોજેક્ટ મળ્યા છે, જેમાં સુપરસ્ટાર શાહરૂખ ખાનની ચર્ચિત ફિલ્મ કિંગનું નામ પણ સામેલ છે. આ ફિલ્મમાં તમે મને એક મહત્વના પાત્રમાં જોશો.<br><img alt="Shah Rukh Khan King movie cast (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/20/SKhkzVq1VBtZvKOVwp5nKzf7SRCoxQfJ0PX9Ppyv.webp"><br></p><h4 style="text-align: justify; "><b>મોટા સુપરસ્ટાર્સ સાથે ચમકી કિસ્મત</b></h4><p style="text-align: justify; ">ચંદન કે. આનંદના આ નિવેદન પછી સ્પષ્ટ થઈ ગયું છે કે હનુમાન અંશની સફળતાથી તેનું નસીબ ચમકી ગયું છે અને એક્ટર તરીકે આવનારા સમયમાં તે શાહરૂખ જેવા મોટા સુપરસ્ટાર્સ સાથે કામ કરતો જોવા મળશે. આ પહેલાં ચંદન સુપરસ્ટાર રિતિક રોશન અને અનિલ કપૂર સાથે ફાઈટર ફિલ્મમાં સ્ક્રીન શેર કરી ચૂક્યો છે. આટલું જ નહીં, એક્ટર તરીકે ચંદન આનંદે 1 દાયકા સુધી દુરદર્શન ટીવી ચેનલના જબ જબ બહાર આયે અને ધર્મક્ષેત્ર જેવા ઘણા ટીવી સિરિયલ્સમાં કામ કર્યું છે.</p><h5 style="text-align: justify; "><b>કિંગ ફિલ્મની સ્ટાર કાસ્ટ અને રિલીઝ</b></h5><p style="text-align: justify; ">શાહરૂખ ખાનની આગામી ફિલ્મ કિંગની કાસ્ટની વાત કરીએ તો ચંદન આનંદ સિવાય આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, સુહાના ખાન, રાઘવ જુયાલ, અનિલ કપૂર, જેકી શ્રોફ, જયદીપ અહલાવત અને સૌરભ શુક્લા જેવા કલાકારો મહત્વના રોલમાં જોવા મળશે. કિંગ ફિલ્મ 24 ડિસેમ્બર 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/toxic-highest-grossing-south-film-2026" target="_blank">આ પણ વાંચો-KGF Star Yash : ફ્લોપ થવા છતાં ટોક્સિકનો રેકોર્ડ, બની 2026ની હાઇએસ્ટ ગ્રોસિંગ સાઉથ ફિલ્મ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/RPolsmEeQmA6SFidx99e4npdBKrhXpxg9OezV8yT.webp'/></item><item><title><![CDATA[Asian Games 2026: શૂટિંગમાં ભારતની ધમાકેદાર શરૂઆત; શૂટિંગમાં બે સિલ્વર, મહિલા ક્રિકેટ ટીમ ફાઇનલમાં ]]></title><link>https://sandesh.com/sports/news/asian-games-2026-elavenil-valarivan-india-first-medal-shooting-silver</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/asian-games-2026-elavenil-valarivan-india-first-medal-shooting-silver</guid><pubDate>Sun, 20 Sep 2026 17:10:34 +05:30</pubDate><description><![CDATA[<p>Asian Games 2026: એશિયન ગેમ્સ 2026ના બીજા દિવસે ભારતીય એથ્લેટ્સ તરફથી સારુ પ્રદર્શન જોવા મળ્યું છે. દેશને પહેલો મેડલ શૂટિંગમાંથી મળ્યો. મહિલા 10 મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટમાં એલાવેનિલ વલારિવન, સોનમ ઉત્તમ મસ્કર અને વિદરશા કે. વિનોદે શાનદાર પ્રદર્શન કર્યું અને સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યા.</p><p><b>શૂટિંગમાં ભારતને બે સિલ્વર મેડલ</b></p><p>આ પછી ભારતને બીજો મેડલ પણ શૂટિંગમાંથી જ મળ્યો. એલાવેનિલ વલારિવને 10 મીટર એર રાઇફલ મહિલા સ્પર્ધામાં જોરદાર પ્રદર્શન કરતા સિલ્વર મેડલ પોતાના નામે કર્યો. આ બે મેડલ ઉપરાંત MMAમાંથી પણ ભારતનો મેડલ પાક્કો થઈ ગયો છે. સુચિકા તારિયાલે મહિલાઓના પરંપરાગત 60 કિલોગ્રામ વર્ગની સેમિફાઇનલમાં પહોંચીને ભારત માટે ઓછામાં ઓછો મેડલ પાક્કો કરી દીધો છે.</p><p><b>મહિલા ક્રિકેટ ટીમ ફાઇનલમાં પહોંચી</b></p><p>ભારતીય મહિલા ટીમે સેમિફાઇનલ મુકાબલામાં બાંગ્લાદેશ મહિલા ટીમને 114 રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. મંગળવારે હરમનપ્રીત કૌરની ટીમ જો ફાઇનલ મુકાબલો જીતવામાં સફળ રહેશે તો ગોલ્ડ મેડલ જીતશે. જ્યારે હાર મળશે તો તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડશે. ભારતીય મહિલા ટીમે એશિયન ગેમ્સ 2026માં ધમાકેદાર શરૂઆત કરી છે. ટીમે પૂલ બીના પોતાના પ્રથમ મુકાબલામાં ઉઝબેકિસ્તાનને 19-0થી કરારી હાર આપી. આ જીતમાં પેનલ્ટી કોર્નર નિષ્ણાત દીપિકાએ આઠ ગોલ કરીને શાનદાર પ્રદર્શન કર્યું. જ્યારે ઇશિકાએ હેટ્રિક પૂરી કરી.</p><p><b>પુરુષ હોકીમાં ભારતની મોટી જીત</b></p><p>ભારતીય પુરુષ હોકી ટીમે ઇન્ડોનેશિયાની ટીમને મોટી હાર આપી છે. પૂલ એના મુકાબલામાં ભારતે ઇન્ડોનેશિયા સામે 13-1ના મોટા અંતરથી જીત મેળવી. મેચ દરમિયાન ભારત તરફથી કુલ આઠ અલગ-અલગ ખેલાડીઓએ ગોલ કર્યા. જેમાં દિલપ્રીત સિંહે ચાર ગોલ કરીને શાનદાર પ્રદર્શન કર્યું. ભારતે શરૂઆતથી અંત સુધી શાનદાર રમતનું પ્રદર્શન કર્યું. આ દબદબાભર્યા પ્રદર્શન સાથે ભારતે ખંડીય ખિતાબની રક્ષા કરવાની શરૂઆતમાં જ પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા.</p><p><b>પીવી સિંધુ પણ ક્વાર્ટર ફાઇનલમાં</b></p><p>ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ મહિલા ટીમ સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. પીવી સિંધુ અને તેમની ટીમે રાઉન્ડ ઓફ 16માં કઝાકિસ્તાનને 3-0થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે. ભારતનો આગામી મુકાબલો 22 સપ્ટેમ્બરે જાપાન સામે છે, જ્યાં ટીમ મેડલ મેળવવાનો પ્રયાસ કરશે.</p><p><b>ટેકબોલમાં ક્વિમ્સી ડિસૂઝા ચોથા સ્થાને</b></p><p>ટેકબોલના કાંસ્ય પદકના પ્લેઓફ મુકાબલામાં ક્વિમ્સી ડિસૂઝાને યૂઇના સકામોટો સામે હારનો સામનો કરવો પડ્યો. આ સાથે તેમણે પોતાના સફરનો અંત ચોથા સ્થાન સાથે કર્યો. આ ઉપરાંત ક્વિમ્સી જોઆકિમ ડિસૂઝા અને મોહમ્મદ અનસ ઇમરાન બેગ પણ કાંસ્ય પદકના પ્લેઓફમાં વિયેતનામના મિન્હ તાન ગુયેન અને જિયા નઘી ત્રિન્હ સામે હારી ગયા.</p><p><b>કોણ છે એલાવેનિલ વલારિવન?</b></p><p>એલાવેનિલ વલારિવનનો જન્મ 2 ઓગસ્ટ 1999ના રોજ તમિલનાડુમાં થયો હતો. હાલમાં તે ગુજરાતમાં રહે છે. એલાવેનિલ ભારત તરફથી રાઇફલ શૂટિંગ ગેમમાં ભાગ લે છે. તે 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં નિષ્ણાત છે. એલાવેનિલે પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2014માં કરી હતી. તેમના કોચનું નામ નેહા ચવ્હાણ છે. જ્યારે દીપાલી દેશપાંડે અને દીપક દુબે તેમના રાષ્ટ્રીય કોચ છે.</p><p><b>બે વખત ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ</b></p><p>એલાવેનિલ વલારિવને ભારત તરફથી બે વખત ઓલિમ્પિક રમતોમાં ભાગ લીધો છે. જેમાં ટોક્યો 2020 અને પેરિસ 2024નો સમાવેશ થાય છે. એલાવેનિલનું નામ દુનિયાની ટોચની મહિલા એર રાઇફલ શૂટર્સમાં સામેલ છે. તેઓ પોતાના કરિયરમાં વિશ્વ નંબર-1 રેન્કિંગ સુધી પણ પહોંચી ચૂક્યા છે.</p><p><b>અનેક મોટી સ્પર્ધાઓમાં મેડલ જીત્યા</b></p><p>એલાવેનિલને આંતરરાષ્ટ્રીય સ્તરે પહેલી મોટી ઓળખ 2018 ISSF જુનિયર વર્લ્ડ કપ, સિડનીમાં મળી હતી. અહીં તેમણે પોતાના માત્ર બીજા ISSF ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને બધાને ચોંકાવી દીધા હતા. આ પછી તેમણે ISSF વર્લ્ડ ચેમ્પિયનશિપ, ISSF વર્લ્ડ કપ, ISSF વર્લ્ડ કપ ફાઇનલ અને એશિયન ચેમ્પિયનશિપ જેવી પ્રતિષ્ઠિત સ્પર્ધાઓમાં પણ અનેક મેડલ પોતાના નામે કર્યા.</p><p><b><a href="https://sandesh.com/sports/news/asian-games-2026-suchika-tariyal-won-indias-first-medal-who-is-this-player" target="_blank">આ પણ વાંચો: સુચિકા તરિયાલે ભારતને અપાવ્યો પહેલો મેડલ, કોણ છે આ ખેલાડી?</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/A6pTijupllrQdHPgS97qT1IHKGcCkqgBoQFLcdfZ.webp'/></item><item><title><![CDATA[Jammu ISI Honey-Trap: રોમાન્સથી ભરેલી વાતો... ISIના હનીટ્રેપમાં એવો ફસાયો કે સેનાની લાઈવ ફીડ આપવા લાગ્યો કઠુઆનો ડ્રાઈવર ]]></title><link>https://sandesh.com/india/news/jammu-isi-honey-trap-truck-driver-arrested-for-installing-sim-cctv-for-pakistan</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/jammu-isi-honey-trap-truck-driver-arrested-for-installing-sim-cctv-for-pakistan</guid><pubDate>Sun, 20 Sep 2026 17:07:01 +05:30</pubDate><description><![CDATA[<p>ડિજિટલ પ્લેટફોર્મ પર થતી લુભાવણી વાતચીતથી લઈને સેનાના કાફલાના માર્ગો પર મૂકવામાં આવેલા સિમ-ઇનેબલ્ડ (SIM-enabled) જાસૂસી કેમેરા સુધી, જમ્મુમાં ISIની 'હની-ટ્રેપિંગ' (પ્રેમજાળમાં ફસાવવાની) પદ્ધતિઓ વધુને વધુ હાઈ-ટેક બની રહી છે. જાસૂસી વિરોધી કાર્યવાહીમાં મળેલી એક મોટી સફળતામાં જમ્મુ-કાશ્મીર પોલીસે કઠુઆના 24 વર્ષીય ટ્રક ડ્રાઈવર અમનની ધરપકડ કરી છે. તેના પર આરોપ છે કે હની-ટ્રેપનો શિકાર બન્યા બાદ તેણે પાકિસ્તાની હેન્ડલર્સ માટે લાઈવ સર્વેલન્સ ફીડ (સીધું નિરીક્ષણ) ગોઠવ્યું હતું. જમ્મુ-કાશ્મીર પોલીસ અને ગુપ્તચર એજન્સીઓના સંયુક્ત ઓપરેશન બાદ, આરોપી વિરુદ્ધ રાજબાગ પોલીસ સ્ટેશનમાં કડક 'ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ' હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.</p><p><br></p><h4><b>આ જાળ કેવી રીતે બિછાવવામાં આવી હતી?</b></h4><p>સૂત્રોના જણાવ્યા અનુસાર, અમનને સૌપ્રથમ સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની ISI સાથે સંકળાયેલા લોકો દ્વારા હની-ટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો. તેમના પ્રભાવ હેઠળ તેને સંવેદનશીલ કઠુઆ સરહદી વિસ્તારમાં લશ્કરી મથકો અને લોજિસ્ટિકલ માર્ગોની જાસૂસી (રેકોનિસન્સ) કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે આ કેસમાં મહત્વપૂર્ણ સફળતા માત્ર ફોટોગ્રાફ્સથી જ નહીં, પરંતુ ચોક્કસ હાર્ડવેરની શોધથી મળી હતી.</p><p><br></p><p>પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે અમને તેના ઘરની બહાર સિમ-ઇનેબલ્ડ (SIM-enabled) CCTV કેમેરો લગાવ્યો હતો. તેને એવી રીતે ગોઠવવામાં આવ્યો હતો કે તે સરહદ નજીકના એ રસ્તા પર ધ્યાન કેન્દ્રિત કરે જેનો સુરક્ષા દળો દ્વારા વારંવાર ઉપયોગ થતો હતો. આરોપ છે કે આ કેમેરો તેના હેન્ડલર્સને લાઈવ ફૂટેજ મોકલતો હતો. કેમેરો લગાવવા માટે તેને ₹20,000 ચૂકવવામાં આવ્યા હતા, અને આ ચુકવણી દુબઈ મારફતે કરવામાં આવી હતી. પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે તેનો મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો છે અને ફોરેન્સિક તપાસ ચાલી રહી છે.</p><p><br></p><h4><b>જમ્મુમાં એક નવું વલણ...</b></h4><p>ચાર મહિનામાં આ બીજી ઘટના છે જ્યારે જમ્મુ વિસ્તારમાં ISIનું હની-ટ્રેપ નેટવર્ક પકડાયું છે. આ માત્ર ફોટોગ્રાફ્સ શેર કરવાથી આગળ વધીને ચોવીસ કલાક (24x7) ડિજિટલ દેખરેખ રાખવા તરફના બદલાવને સૂચવે છે.</p><p><br></p><p>મે મહિનામાં, પોલીસે જમ્મુના મકવાલ ગામના ૨૩ વર્ષીય રહેવાસી કરણ કુમારની સમાન આરોપો હેઠળ ધરપકડ કરી હતી. આરોપ છે કે પંજાબમાં તૈનાત BSF જવાન હોવાનો ઢોંગ કરતી એક મહિલાએ સ્નેપચેટ (Snapchat) પર એક વ્યક્તિને ફસાવ્યો હતો. તેણે અશ્લીલ વીડિયો કોલનો ઉપયોગ કરીને તેને જાળમાં ફસાવ્યો, તેની માતાના WhatsApp OTP મેળવીને તેનું એકાઉન્ટ હેક કર્યું અને પછી ₹2000ના બદલામાં બંકરો અને ફ્લાયઓવરના ફોટોગ્રાફ્સ મોકલવાનું કહ્યું. પઠાણકોટમાં એક અન્ય મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, જ્યાં સુજાનપુરમાં એક દુકાનની બહાર સીસીટીવી કેમેરા લગાવવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. આ કેમેરા જમ્મુ-પઠાણકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ જે કાશ્મીરમાં સેનાની ગતિવિધિ માટે એક મહત્વપૂર્ણ માર્ગ છે તેની પર નજર રાખવા અને સેનાના કાફલાની ગતિવિધિઓના ફૂટેજ સીધા પાકિસ્તાનમાં સ્ટ્રીમ કરવા માટે ગોઠવવામાં આવ્યો હતો.</p><p><br></p><p>પોલીસે સરહદ નજીક રહેતા યુવાનો માટે એક નવી સલાહ જારી કરી છે, જેમાં તેમને સ્નેપચેટ, મેસેન્જર અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર નકલી મહિલા પ્રોફાઇલથી સાવધ રહેવા વિનંતી કરવામાં આવી છે. BSF કર્મચારીઓ, કાશ્મીરી મહિલાઓ અથવા નોકરીના એજન્ટ તરીકે પોતાને રજૂ કરીને, આ પ્રોફાઇલ્સ યુવાનોને પૈસા અને અશ્લીલ સામગ્રીના વચન આપીને તેમની પાસેથી સંવેદનશીલ માહિતી મેળવવા માટે લલચાવે છે.<br><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/kedarnath-garbhagriha-reel-viral-bktc-orders-probe-warns-strict-action" target="_blank"><b>Kedarnath ગર્ભગૃહની વાયરલ રીલ પર બબાલ! મંદિર સમિતિ આકરાપાણીએ...</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/sotMW5T8ZjSKTMzcZGaKgz7JEt2OYe9WLGxYY2IN.webp'/></item><item><title><![CDATA[Vadodara: સિકંદરપુરા ગામે રામદેવપીરના નેજા યાત્રામાં 8 થી 10 યુવાનોને લાગ્યો વીજ કરંટ! સરઘસમાં દોડધામ ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/-waghodia-sikandarpura-ramdevpir-neja-procession-electric-shock-youths-injured</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/-waghodia-sikandarpura-ramdevpir-neja-procession-electric-shock-youths-injured</guid><pubDate>Sun, 20 Sep 2026 16:49:20 +05:30</pubDate><description><![CDATA[<p>વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલા સિકંદરપુરા ગામે આજે એક અત્યંત દુઃખદ અને કરૂણ અકસ્માતની ઘટના સામે આવી છે. ગામમાં રામદેવપીરના નેજા લઈને નીકળેલા યુવાનોના સરઘસ દરમિયાન અચાનક વીજ કરંટ ફેલાતાં 8 થી 10 જેટલા શ્રદ્ધાળુ યુવાનો વીજળીના આંચકાથી દાઝી ગયા હતા.</p><h2><b>વડોદરાના વાઘોડિયામાં મોટી દુર્ઘટના</b></h2><p>મળતી માહિતી મુજબ, સિકંદરપુરા ગામે રામદેવપીર મહારાજના નેજા (ધ્વજ) સાથે યુવાનો ભાવુક થઈને નીકળ્યા હતા. આ દરમિયાન રસ્તા પરથી પસાર થતી વખતે નેજાનો ઉપરનો ભાગ અચાનક જ માર્ગ પરથી પસાર થતા ઉચ્ચ દબાણવાળા વીજ તારને અડી ગયો હતો. નેજા સાથે વીજ તારનો સંપર્ક થતાં જ ક્ષણભરમાં જ લોખંડ કે ભીના વાંસ મારફતે કરંટ નીચે સુધી ફેલાઈ ગયો હતો અને નેજો પકડીને ચાલી રહેલા 8 થી 10 યુવાનો તેની ઝપેટમાં આવી ગયા હતા.</p><h3><b>રામદેવપીરના નેજા યાત્રામાં 8 થી 10 યુવાનોને લાગ્યો વીજ કરંટ</b></h3><p>અચાનક કરંટ લાગતાં જ સરઘસમાં ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક ગ્રામજનો અને યાત્રામાં જોડાયેલા લોકોએ ત્વરિત બુદ્ધિ વાપરીને યુવાનોને વીજ સંપર્કથી દૂર કર્યા હતા. ઘટનાની જાણ થતાં જ ભાજપના સ્થાનિક નેતા વિરેન્દ્રસિંહ જાડેજા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહત તથા બચાવ કામગીરીમાં મદદરૂપ બન્યા હતા.કરંટથી દાઝી ગયેલા તમામ યુવાનોને સમય ગુમાવ્યા વિના 108 અને ખાનગી વાહનો મારફતે વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલ ખાતે યુવાનોની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. આ ઘટનાને પગલે સિકંદરપુરા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-heavy-rain-roundup-saurashtra-surat-ahmedabad-monsoon-withdrawal-forecast" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: રાજ્યમાં ચોમાસાની વિદાય પૂર્વે મેઘરાજાની તોફાની બેટિંગ, વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/rRjqh9tN7HA47UWpUOYRaLrRh6wZFtTvQ3CbgB33.webp'/></item><item><title><![CDATA[Kedarnath ગર્ભગૃહની વાયરલ રીલ પર બબાલ! મંદિર સમિતિ આકરાપાણીએ... ]]></title><link>https://sandesh.com/india/news/kedarnath-garbhagriha-reel-viral-bktc-orders-probe-warns-strict-action</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/kedarnath-garbhagriha-reel-viral-bktc-orders-probe-warns-strict-action</guid><pubDate>Sun, 20 Sep 2026 16:43:11 +05:30</pubDate><description><![CDATA[<p>ઉત્તરાખંડના કેદારનાથ ધામનો એક વીડિયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. ગર્ભગૃહની અંદર શૂટ કરવામાં આવેલી કથિત 'રીલ' સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ બદ્રી-કેદાર મંદિર સમિતિ હરકતમાં આવી છે. સમિતિએ વીડિયો શૂટ કરનારા અને તેને ફેલાવનારાઓની ઓળખ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને નિયમોના ઉલ્લંઘનની પુષ્ટિ થવા પર કડક કાર્યવાહીની ચેતવણી આપી છે.</p><p><br></p><p>કેદારનાથ ધામમાં હાલમાં યાત્રાની મોસમ પૂરજોશમાં ચાલી રહી છે અને લાખો શ્રદ્ધાળુઓ બાબા કેદારના આશીર્વાદ લેવા માટે આવી રહ્યા છે. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર ગર્ભગૃહના વીડિયો અને રીલ્સ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેનાથી ધાર્મિક મર્યાદા અને મંદિરના નિયમો અંગે સવાલો ઊભા થયા છે. 'હર્ષિત કિચરા' (Harshit Kichra) નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી ગર્ભગૃહનો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા બાદ આ મામલો ચર્ચામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકોએ આ વીડિયો જોયો અને શેર કર્યો.</p><p><br></p><p>બદ્રી-કેદાર મંદિર સમિતિ (BKTC) એ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. સમિતિના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ જણાવ્યું હતું કે વીડિયો શૂટ કરનારા અને તેને ફેલાવનારાઓની ઓળખ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને વાયરલ થયેલી સામગ્રી પર નજર રાખવામાં આવી રહી છે.</p><p><br></p><h4><b>કોઈને પણ બક્ષવામાં આવશે નહીં: મંદિર સમિતિ</b></h4><p>સમિતિના જણાવ્યા અનુસાર, આ મામલાના કાનૂની અને ધાર્મિક પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. જો તપાસમાં મંદિરના નિયમોનું ઉલ્લંઘન સાબિત થશે, તો સંડોવાયેલા વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. સમિતિએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો મંદિર સમિતિ કે મંદિર વહીવટીતંત્ર સાથે સંકળાયેલી કોઈ વ્યક્તિ આમાં સામેલ હોવાનું જણાશે, તો તેમને પણ બક્ષવામાં આવશે નહીં અને નિયમો અનુસાર તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.</p><p><br></p><p>લોકરની સુવિધા પૂરી પાડવામાં આવશે</p><p>કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં મોબાઈલ ફોનના ઉપયોગ અંગે પહેલેથી જ ઘણા નિયમો અને પ્રતિબંધો અમલમાં છે. શ્રદ્ધાળુઓના મોબાઈલ ફોન સુરક્ષિત રીતે રાખવાની વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના પગલાં પણ વિચારણા હેઠળ છે. મંદિર પરિસરની ધાર્મિક પવિત્રતા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા માટે મોબાઈલ લોકર જેવી સુવિધાઓની યોજનાઓ તૈયાર કરવામાં આવી રહી હોવાના અહેવાલ છે. હાલમાં, મંદિર સમિતિ તપાસ કરી રહી છે કે ગર્ભગૃહના વીડિયો કેવી રીતે રેકોર્ડ કરવામાં આવ્યા અને તે મંદિર પરિસરની બહાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સુધી કેવી રીતે પહોંચ્યા. સમિતિની એક ટીમ વાયરલ સામગ્રીની ઓળખ અને તપાસ કરવામાં વ્યસ્ત છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ૨૨ એપ્રિલે કેદારનાથ ધામના દ્વાર શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યા હતા. પ્રતિકૂળ હવામાન, સતત વરસાદ અને ભૂસ્ખલન જેવા પડકારો છતાં યાત્રા ચાલુ છે. ઉપલબ્ધ આંકડા મુજબ, અત્યાર સુધીમાં ૧૫.૧૮ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ બાબા કેદારના દર્શન અને પૂજા-અર્ચના કરી છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/vOuKTRVILsFYL5UrJIqFiC7eHdAGcsPsJWUXorwg.webp'/></item><item><title><![CDATA[Rajkot News : પારેવડી ચોકમાં ડીજે ભરેલી આઈશરે મચાવ્યો હાહાકાર, 2 રીક્ષા અને 3 બાઈકને અડફેટે લેતાં દર્દનાક દુર્ઘટના ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/rajkot/rajkot-accident--speeding-eicher-tempo-rams-multiple-vehicles-at-parevadi-chowk--1-dead</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/rajkot/rajkot-accident--speeding-eicher-tempo-rams-multiple-vehicles-at-parevadi-chowk--1-dead</guid><pubDate>Sun, 20 Sep 2026 16:27:26 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ શહેરના અત્યંત ધમધમતા ગણાતા પારેવડી ચોક ખાતે એક હૃદયદ્રાવક અને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ડીજે સાઉન્ડ સિસ્ટમ ભરીને આવતા એક આઈશર ટેમ્પોના ચાલકે પૂરપાટ અને બેફામ ઝડપે વાહન હંકારીને માર્ગ પરથી પસાર થઈ રહેલા અનેક વાહનોને કચડી નાખ્યા હતા. આ ટેમ્પોએ બે ઓટોરીક્ષા તેમજ બે થી ત્રણ મોટરસાઈકલ ચાલકોને જોરદાર અડફેટે લેતાં સ્થળ પર ભારે અફરાતફરી અને ચીસિયારીઓ મચી ગઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>1 નું સ્થળ પર જ નીપજ્યું મોત, 3 થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત</b></h2><p style="text-align: justify; ">આ દર્દનાક દુર્ઘટનામાં એક પુરુષ વાહનચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે 3 થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સર્જાતાં જ આસપાસના વેપારીઓ અને સ્થાનિક લોકો મદદ અર્થે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>અકસ્માતના ધ્રુજાવી દેતા CCTV આવ્યા સામે, પોલીસ તપાસ શરૂ</b></h2><p style="text-align: justify; ">આ અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આઈશર ટેમ્પો બ્રિજ પરથી અત્યંત પૂરપાટ ઝડપે નીચે ઉતરી રહ્યો હતો અને અચાનક જ કાબૂ ગુમાવીને એક પછી એક વાહનોને ધડાકાભેર ઉડાડતો આગળ વધ્યો હતો. બનાવ અંગે જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને CCTVના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/narmada/narmada--forest-department-safely-rescues-leopard-from-well-in-dediapada" target="_blank">Narmada News : ડેડીયાપાડાના કુનબાર ઈકો ટુરિઝમ નજીક કૂવામાં ખાબક્યો દીપડો, વનવિભાગનું સફળ રેસ્ક્યુ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/KVoMG706EPRl1nK67MBoGDtiytn97WxCt24UpBT3.webp'/></item><item><title><![CDATA[Bharuch News: અંકલેશ્વરના સારંગપૂરમાં બે યુવાનોના શંકાસ્પદ મોતનો મામલો ચોંકાવનારો ખુલાસો! ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/bharuch-ankleshwar-three-youths-painkiller-overdose-case</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/bharuch-ankleshwar-three-youths-painkiller-overdose-case</guid><pubDate>Sun, 20 Sep 2026 16:13:26 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં આવેલા સારંગપુર વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે. અહીં ત્રણ યુવાનોની તબિયત અચાનક બગડતાં તેમાંથી બે યુવાનોના શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યા છે, જ્યારે ત્રીજા યુવાનની હાલત ગંભીર હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવને પગલે સમગ્ર અંકલેશ્વર પંથકમાં ભારે અરેરાટી સાથે ચકચાર મચી ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>થાક ઉતારવા પેઇન કિલર ગોળીઓનો ઓવરડોઝ લીધાની શંકા</b></h2><p style="text-align: justify; ">પ્રાથમિક માહિતી અનુસાર, આ યુવાનોએ શારીરિક થાક ઉતારવાના ઇરાદાથી અતિશય માત્રામાં પેઇન કિલર (દુખાવાની દવાઓ) નો ઓવરડોઝ લીધો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ક્ષમતા કરતાં વધુ દવાઓનું સેવન કરવાને કારણે યુવાનોના શરીર પર તેની ગંભીર સાઇડ ઇફેક્ટ થઈ હતી, જેના લીધે તેમને કાર્ડિયાક અરેસ્ટ (હૃદય બંધ પડી જવું) આવ્યો હોવાનું તબીબી આંકલન કરવામાં આવી રહ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મરણનું સચોટ કારણ સ્પષ્ટ થશે</b></h3><p style="text-align: justify; ">બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો. પોલીસે મૃતક યુવાનોના મૃતદેહને કાયદેસરની પ્રક્રિયા પૂરી કરીને પેનલ તબીબો દ્વારા પોસ્ટમોર્ટમ (PM) અર્થે મોકલી આપ્યા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, યુવાનોના મોતનું ચોક્કસ અને સચોટ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ તેમજ વિસેરા સેમ્પલના એફએસએલ (FSL) અહેવાલ આવ્યા બાદ જ સ્પષ્ટ થઈ શકશે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/ibRHMsUJ9gS7Pt3jDMHuojJZUE6bbKx9uszchUvF.webp'/></item><item><title><![CDATA[Narmada News : ડેડીયાપાડાના કુનબાર ઈકો ટુરિઝમ નજીક કૂવામાં ખાબક્યો દીપડો, વનવિભાગનું સફળ રેસ્ક્યુ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/narmada/narmada--forest-department-safely-rescues-leopard-from-well-in-dediapada</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/narmada/narmada--forest-department-safely-rescues-leopard-from-well-in-dediapada</guid><pubDate>Sun, 20 Sep 2026 15:30:13 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં આવેલા પ્રસિદ્ધ કુનબાર ઈકો ટુરિઝમ નજીક એક ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. ઈકો ટુરિઝમથી માત્ર 100 મીટરના અંતરે આવેલા એક ખેતરના કૂવામાં અચાનક દીપડો ખાબક્યો હતો. કૂવામાં દીપડો પડવાની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં કૂતુહલ સાથે ભયનો માહોલ સર્જાયો હતો.</p><h2 style="text-align: justify; "><b>ખેડૂતની સતર્કતા અને વનવિભાગનું ત્વરિત રેસ્ક્યુ ઓપરેશન</b></h2><p style="text-align: justify; ">ખેતરમાં આવેલા કૂવામાં દીપડો પડ્યો હોવાની જાણ થતાં જ સ્થાનિક ખેડૂતે ત્વરિત સતર્કતા દાખવીને વનવિભાગને સમગ્ર બાબતની જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને સમજીને વનવિભાગની ટીમ તાત્કાલિક જરૂરી સાધન-સામગ્રી સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. વનકર્મીઓએ ગણતરીના સમયમાં જ કૂવામાંથી દીપડાને સલામત રીતે બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>દીપડાને સલામત બહાર કાઢી પાંજરામાં પૂર્યો, તબીબી તપાસ શરૂ</b></h2><p style="text-align: justify; ">વનવિભાગની ટીમે ભારે જહેમત બાદ દીપડાને કૂવામાંથી સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થયા બાદ દીપડાને પાંજરામાં પૂરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ દીપડાની શારીરિક સ્થિતિ જાણવા માટે તબીબી તપાસ (મેડિકલ ચેકઅપ) હાથ ધરીને વનવિભાગ દ્વારા આગળની જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/bhavnagar/bhavnagar--heavy-rain-lashes-mahuva--2-inches-in-1-hour-triggers-waterlogging" target="_blank">Bhavnagar News : વીજળીના કડાકા-ભડાકા સાથે મહુવામાં મેઘતાંડવ, 1 કલાકમાં 2 ઈંચ અનરાધાર વરસાદ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/iAqiiH09XENmHMPPxA6r7bHjmrUAfwZxohcOOiyz.webp'/></item></channel></rss>