<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Botad: રાણપુરમાં શ્રાવણ દરમિયાન નોન વેજના વેચાણ પર પ્રતિબંધ મૂકવા માગ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/botad/botad-demand-to-ban-sale-of-non-veg-during-shravan-in-ranpur</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/botad/botad-demand-to-ban-sale-of-non-veg-during-shravan-in-ranpur</guid><pubDate>Sat, 15 Aug 2026 01:45:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાણપુર : બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં શ્રાવણ માસના પ્રારંભ નિમિત્તે VHP, બજરંગ દળ સહિતના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા નોન વેજના વેચાણ પર એક મહિના માટે સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ સાથે રાણપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.સંગઠનો દ્વારા વધુમાં રજૂઆત કરવામાં આવી હતી કે શ્રાવણ માસ દરમિયાન પશુહત્યા પર રોક લગાવવા માટે તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવે અને શહેરમાં ચાલતા કતલખાનાઓ તથા માસ-મટનના વેચાણ કેન્દ્રોની તપાસ કરવામાં આવે. જો કોઈ સ્થળે લાગુ કાયદા અથવા નિયમોનો ભંગ થતો હોય તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/ohZMPoyX3CiNYlWqwmSUWG3S8g7PVpwrlvibg3IA.webp'/></item><item><title><![CDATA[Surendranagar: સુરેન્દ્રનગરની નેશનલ સ્ટેટિસ્ટિકલ કચેરી દ્વારા ગાંધીધામમાં કાર્યશાળા યોજાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surendranagar/surendranagar--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surendranagar/surendranagar--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</guid><pubDate>Sat, 15 Aug 2026 01:44:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરેન્દ્રનગર : ભારત સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય હેઠળની નેશનલ સ્ટેટીસ્ટીકલની પેટા પ્રાદેશીક કચેરી, સુરેન્દ્રનગર દ્વારા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે સ્વ સંકલન કાર્યશાળાનું આયોજન કરાયુ હતુ. જેમાં કચેરીના સહાયક નીયામક દીક્ષા ચાવલા સહિતનાઓ ઉપસ્થીત રહ્યા હતા. આ કાર્યશાળાનો ઉદ્દેશ કોર્પોરેટ ક્ષેત્રની સેવાઓ, વેપાર એકમો, સ્થાપનાઓ માટેના વાર્ષીક સર્વેક્ષણ 2026 માટે ડેટાના સંકલન અને સબમીશનની પ્રક્રીયાને સરળ બનાવવાનો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/aKdDpr08UOxWHqSUPpxOg8aNjmLf5gpQxzHVSfPQ.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: બાવળા નગરના આંબેડકર માર્ગ પર નર્કાગારની સ્થિતિથી છાત્રો તેમજ સ્થાનિક રહીશોને હાલાકી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-students-and-local-residents-are-suffering-due-to-the-hellish-conditions-on-ambedkar-marg-in-bavla-nagar</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-students-and-local-residents-are-suffering-due-to-the-hellish-conditions-on-ambedkar-marg-in-bavla-nagar</guid><pubDate>Sat, 15 Aug 2026 01:25:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બાવળા નગરના વોર્ડ નંબર 7માં સ્થાનિક રહીશોના અવરજવર અર્થે એકમાત્ર માર્ગ આંબેડકર માર્ગ પર છેલ્લાં ઘણાં દિવસોથી વરસાદી પાણી અને ખુલ્લી ગટરમાથી ઉભરાતુ દુષિત પાણી ભરાયેલા રહ્યા છે. તેમ છતાં પાલિકા દ્વારા આજદિન સુધીમાં કોઈ જ પગલાં ન લેવાતાં રોજબરોજ શાળાએ જતા વિદ્યાર્થીઓ તથા સ્થાનિકોને તે દુષિત પાણીમાંથી ફરજિયાત અવરજવર કરવી પડે છે. સતત ભરાયેલા રહેલાં પાણીના કારણે રોડ પર પણ ખાડા પડી ગયા છે. એથી જોખમી સ્થિતિ જોવા મળી રહી છે. આ પ્રશ્ને જાગૃત નાગરિકો દ્વારા બાવળા પાલિકાના ચીફ્ ઓફ્સિર, પ્રમુખને વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાના નિકાલ માટે કોઈ જ કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં રોષની લાગણી વ્યાપી છે. તેમજ વહેલી તકે કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી પણ અપાઈ છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/v7ay1VKYUxmlO4IMfykwWYtgMJmFyyHvgZLF8wxr.webp'/></item><item><title><![CDATA[80th Independence Day: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 78 ગેલન્ટ્રી એવોર્ડને આપી મંજૂરી ]]></title><link>https://sandesh.com/india/news/80th-independence-day-president-approves-78-gallantry-awards</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/80th-independence-day-president-approves-78-gallantry-awards</guid><pubDate>Fri, 14 Aug 2026 22:35:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ ગેલન્ટ્રી એવોર્ડ વિજેતાઓની યાદી સામે આવી ગઈ છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 78 વીરતા પુરસ્કારો અને 89 મેન્શન ઈન ડિસ્પેચને મંજૂરી આપી દીધી છે.રાષ્ટ્રપતિ ભવને સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ શુક્રવારની સાંજે વીરતા પુરસ્કારોની યાદી જારી કરી દીધી છે.જે 78 જવાનોને ગેલન્ટ્રી એવોર્ડ આપવામાં આવી રહ્યા છે, તેમાંથી 13 જવાનોને મરણોત્તર આ સન્માન આપવામાં આવી રહ્યું છે. આ પુરસ્કારોમાં ભારતીય ભૂમિસેનાની સાથે જ નૌકાદળ, વાયુસેના અને ગૃહ મંત્રાલય હેઠળ કામ કરતા સુરક્ષા દળોના જવાનોને અસાધારણ સાહસ અને વીરતા માટે આપવામાં આવતા કેટલાક સર્વોચ્ચ સન્માન પણ સામેલ છે જે શાંતિકાળ અને આતંકવાદ વિરોધી અભિયાનો માટે આપવામાં આવે છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>રાષ્ટ્રપતિએ વિવિધ એવોર્ડને મંજૂરી આપી</b></h2><p style="text-align: justify; ">રાષ્ટ્રપતિએ નવ કીર્તિ ચક્ર, એક શૌર્ય ચક્ર બાર, 19 શૌર્ય ચક્ર, વીરતા માટે સેના મેડલના પાંચ બાર, વીરતા માટે 36 સેના મેડલ, વીરતા માટે ત્રણ નૌકાદળ મેડલ અને પાંચ વાયુસેના મેડલને પણ મંજૂરી આપી છે. કીર્તિ ચક્ર એ શાંતિકાળમાં આપવામાં આવતો બીજો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર છે. આ વખતે આ સન્માન સેનાના લેફ્ટનન્ટ કર્નલ માનેઓ ફ્રાન્સિસ, મેજર જિતેન્દ્ર રાઠી અને હવલદાર ગજેન્દ્ર સિંહની સાથે ગૃહ મંત્રાલય હેઠળ આવતા દળોમાંથી હેડ કોન્સ્ટેબલ જગબીર સિંહ, કોન્સ્ટેબલ જસવંત સિંહ, કોન્સ્ટેબલ બલવિંદર સિંહ, કોન્સ્ટેબલ તારિક હુસૈન, હેડ કોન્સ્ટેબલ બશીર અહમદ અને એસટીએફના ઈન્સ્પેક્ટર સુનીલ કુમારને આપવામાં આવશે. ગજેન્દ્ર સિંહને આ સન્માન મરણોત્તર આપવામાં આવી રહ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>અસામ રાઈફલ્સના મેજરને શૌર્ય ચક્ર બાર</b></h3><p style="text-align: justify; ">અસામ રાઈફલ્સના મેજર આદિત્ય પ્રતાપ સિંહને 'શૌર્ય ચક્ર બાર'થી સન્માનિત કરવામાં આવશે. મેજર આદિત્ય પ્રતાપ સિંહને અગાઉ પણ શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે, આ જ કારણ છે કે આ વખતે તેમને 'બાર'થી સન્માનિત કરવામાં આવશે. વાસ્તવમાં, જો કોઈ વ્યક્તિને અગાઉથી જ વીરતા પુરસ્કાર મળી ચૂક્યો હોય અને એ જ પુરસ્કાર તેને બીજી વાર આપવામાં આવે છે, તો તેવા કિસ્સામાં ફરીથી મેડલ આપવાને બદલે રીબન પર એક 'બાર' ઉમેરી દેવામાં આવે છે.</p><h3 style="text-align: justify; "><b>19 જવાનોને શૌર્ય ચક્ર</b></h3><p style="text-align: justify; ">આ વખતે 19 જવાનોને શૌર્ય ચક્ર આપવાની જાહેરાત થઈ છે. જેમાં મેજર પરમવીર, મેજર તરુણ વાસુદેવન, નાયબ સુબેદાર શંકર રામ, હવલદાર જગતાર સિંહ, લાન્સ નાયક નરેન્દ્ર સિંધુના નામ સામેલ છે. લાન્સ નાયક નરેન્દ્ર સિંધુને આ સન્માન મરણોત્તર આપવામાં આવી રહ્યું છે. નૌકાદળના લેફ્ટનન્ટ કમાન્ડર શિવમ કુમાર અને વાયુસેનાના સ્ક્વોડ્રન લીડર સુધીર કુમારને પણ શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવી રહ્યું છે. ડીએસપી ધીરજ સિંહ કટોચ અને ઈન્સ્પેક્ટર અજય સિંહ ચિબ સહિત ગૃહ મંત્રાલયના છ કર્મચારીઓને પણ શૌર્ય ચક્ર વિજેતાઓની યાદીમાં સ્થાન મળ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>36 જવાનોને સેના મેડલ</b></h2><p style="text-align: justify; ">મેજર ડીએસ પાઓશો અને મેજર કૃષ્ણકાંત સહિત પાંચ અધિકારીઓને સેના મેડલના 'બાર'થી સન્માનિત કરવાના છે. તો બીજી તરફ, 36 સેના મેડલને પણ રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે.જેમાં કર્નલ પુષ્કર વિજય ચૌધરી, મેજર મોહિત પોડિયા, કેપ્ટન કરણ સિંહ ચીમા, કેપ્ટન અંશુમાન સિંહ, સુબેદાર પવન કુમારના નામ પણ સેના મેડલ મેળવનારાઓની યાદીમાં છે. સુબેદાર પ્રભાત ગૌર, લાન્સ હવલદાર પલાશ ઘોષ અને સિપાહી હરમિંન્દર સિંહ સહિત પાંચ જવાનોને મરણોત્તર સેના મેડલ આપવામાં આવ્યા છે. નૌકાદળમાંથી કમાન્ડર વિનીત શર્મા,કમાન્ડર યુવરાજ કુમાર, અવિનાશ અન્નાસોની સાથે જ વાયુસેનામાંથી ગ્રુપ કેપ્ટન રાહુલ જગોટા, ગ્રુપ કેપ્ટન રાહુલ રાવત, વિંગ કમાન્ડર આશિષ રાજપૂત,ફ્લાઈટ લેફ્ટનન્ટ યશ અને પેરાશૂટ જમ્પ ઈન્સ્ટ્રક્ટર એમડબલ્યુઓ રવિંદરજીત સિંહને પણ સેના મેડલ એનાયત કરવામાં આવનાર છે. રાષ્ટ્રપતિએ વિશિષ્ટ સેવા માટે 89 'મેન્શન ઈન ડિસ્પેચ'ને પણ મંજૂરી આપી છે. જેમાં સેનાના 75, નૌકાદળના ચાર અને વાયુસેનાના 10 કર્મચારીઓ સામેલ છે.<br><br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/piyush-jethva-sentenced-to-20-years-in-rape-case" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: દુષ્કર્મ કેસમાં દોષિત પિયુષ જેઠવાને કોર્ટે 20 વર્ષની કેદની સજા ફટકારી</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/Ovs6VCa2lIoXE4UUFSVJ95uqFxxF9Bupo1FBIrID.webp'/></item><item><title><![CDATA[Bhavnagar news: ITI માં આધુનિક લેબ્સનું ભવ્ય લોકાર્પણ, મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે 208 તાલીમાર્થીઓને એનાયત કરાયા જોબ ઓફર લેટર ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/iti-modern-labs-inauguration-kuvarji-bavaliya</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/iti-modern-labs-inauguration-kuvarji-bavaliya</guid><pubDate>Fri, 14 Aug 2026 22:22:00 +05:30</pubDate><description><![CDATA[<p>ભાવનગર સરકારી ITI ખાતે તાલીમાર્થીઓને વૈશ્વિક કક્ષાનું સ્કિલ બેઝ્ડ શિક્ષણ મળી રહે તે હેતુથી આધુનિક લેબ્સના લોકાર્પણ નો ભવ્ય સમારંભ યોજાયો હતો. કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ઉદ્યોગોના સહયોગથી તૈયાર કરાયેલી નવીનતમ લેબ્સ યુવાનોને સમર્પિત કરવામાં આવી હતી.</p><h2><b>નિરમા અને પીડિલાઇટના સહયોગથી આધુનિક લેબ્સ તૈયાર</b></h2><p>ઔદ્યોગિક સામાજિક ઉત્તરદાયિત્વ (CSR) હેઠળ નિરમા લિમિટેડના સહયોગથી ITI માં અત્યાધુનિક STEM લેબ તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત, દેશની અગ્રણી કંપની પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પ્લમ્બર, કાર્પેન્ટર અને મેશન (કડીયાકામ) ના કોર્સ માટેની આધુનિક પ્રાયોગિક લેબ્સ તૈયાર કરાઈ છે, જેનાથી તાલીમાર્થીઓને પ્રેક્ટિકલ તાલીમ મળશે.</p><h2><b>208 તાલીમાર્થીઓને મળ્યા જોબ ઓફર લેટર</b></h2><p>સમારંભ દરમિયાન મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના વરદ હસ્તે સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનાર 208 તાલીમાર્થીઓને વિવિધ ઉદ્યોગોમાં રોજગારી માટેના જોબ ઓફર લેટર એનાયત કરવામાં આવ્યા હતા. રોજગારીના પત્રો મળતા જ તાલીમાર્થીઓ અને તેમના પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.</p><p><img alt="Bhavnagar news: Modern Labs Inaugurated at Bhavnagar ITI, 208 Trainees Offered Jobs" src="https://epapercdn.sandesh.com/images/2026/08/14/QwEz4nE82PfWTZ5Xj9Nu6gxXgsjNRAcHl8m5etKn.webp" style="width: 100%;"><br></p><h2><b>પ્રેક્ટિકલ અને સ્કિલ-આધારિત શિક્ષણ પર સરકારનો ભાર</b></h2><p>કાર્યક્રમમાં સંબોધન કરતા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયની ઉદ્યોગોની જરૂરિયાત મુજબ યુવાનોને સ્કિલ-આધારિત અને પ્રેક્ટિકલ તાલીમ આપવા પર સરકાર વિશેષ ભાર મૂકી રહી છે. નવીન લેબ્સના આગમનથી ITI ના તાલીમાર્થીઓ માટે રોજગારીની નવી અને ઉત્કૃષ્ટ તકો ઉભી થશે.</p><h2><b>અગ્રણીઓની ખાસ ઉપસ્થિતિ</b></h2><p>આ ગરિમાપૂર્ણ સમારંભમાં પૂર્વ સાંસદ ભારતીબેન શિયાળ, સ્થાનિક પદાધિકારીઓ, વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ ઉદ્યોગ જગતના અનેક અગ્રણીઓ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/india/news/gujarat/15-august-top-news-independence-day-2026-history-events-updates" target="_blank">15 August Top News: 15 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/XXfUyrKuh16kPoixkCpltTWVBuijfEJAYpvlPH3y.webp'/></item><item><title><![CDATA[India News : રાષ્ટ્રપતિ મુર્મૂનું દેશવાસીઓને સંબોધન, ‘આતંકવાદીઓ અને સમર્થકોને પરિણામ ભોગવવું પડશે’ ]]></title><link>https://sandesh.com/india/news/india-news-president-murmus-address-to-the-countrymen-terrorists-and-supporters-will-have-to-face-consequences</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/india-news-president-murmus-address-to-the-countrymen-terrorists-and-supporters-will-have-to-face-consequences</guid><pubDate>Fri, 14 Aug 2026 21:44:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ સમગ્ર દેશવાસીઓને આઝાદીના પર્વની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે પોતાના સંબોધનમાં આઝાદી સમયે દેશ સામે રહેલા પડકારો અને સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને યાદ કરતા જણાવ્યું કે, આઝાદી વખતે દેશનું એકીકરણ એક મોટો પડકાર હતો અને સરદાર પટેલ આ અખંડ એકતાના સાચા શિલ્પી હતા. આજે ભારત એક આધુનિક રાષ્ટ્ર તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, જેમાં દેશના વિદ્યાર્થીઓ અને યુવાનો ભારતનું ઉજ્જવળ ભવિષ્ય કંડારી રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>'ઓપરેશન સિંદૂર' અને ત્રાસવાદ સામે કડક વલણ</b></h2><p style="text-align: justify; ">સેનાના અદમ્ય સાહસની પ્રશંસા કરતા રાષ્ટ્રપતિએ 'ઓપરેશન સિંદૂર'નો ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, આ ઓપરેશને આતંકવાદી નેટવર્ક પર સચોટ પ્રહાર કરવાની ભારતીય આર્મીની ક્ષમતા સાબિત કરી દીધી છે. આતંકવાદને આશ્રય આપતા દેશ સામે રાષ્ટ્રીય હિતમાં 'સિંધુ જળ સંધિ'ને મોકૂફ રાખવાનો નિર્ણય ખાસ કરીને ભારતીય ખેડૂતો માટે એક નિર્ણાયક અને મહત્વપૂર્ણ પગલું છે. તેમણે ચીમકી આપી હતી કે, આતંકવાદીઓ અને તેમના સમર્થકો ગમે ત્યાં છુપાયેલા હશે તેમણે પરિણામ ભોગવવું જ પડશે.</p><h2 style="text-align: justify; "><b>ડિજિટલ ભારત, આર્થિક મજબૂતી અને ગરીબી મુક્તિ</b></h2><p style="text-align: justify; ">દેશની આર્થિક અને સામાજિક ક્ષેત્રે થયેલી અભૂતપૂર્વ પ્રગતિ અંગે વાત કરતા રાષ્ટ્રપતિએ જણાવ્યું કે વૈશ્વિક અસ્થિરતા વચ્ચે પણ ભારતનો વિકાસ દર વૈશ્વિક સરેરાશ કરતા બમણાથી વધુ રહેવાનો અંદાજ છે. આજે વિશ્વના કુલ રિયલ-ટાઇમ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાંથી અડધાથી વધુ એકલા ભારતમાં થાય છે. છેલ્લા દાયકામાં સમાવેશી વિકાસના કારણે 25 કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે અને ફ્રી રાશન યોજના દ્વારા 80 કરોડથી વધુ લોકોને ખાદ્ય સુરક્ષા મળી રહી છે. આ ઉપરાંત તેમણે દેશને નક્સલમુક્ત બનાવવાની દિશામાં મળેલી સફળતાને પણ મોટી રાષ્ટ્રીય ઉપલબ્ધિ ગણાવી હતી.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/india/news/cjps-abhijit-dipke-to-launch-school-thik-karo-campaign-on-independence-day-from-hingoli" target="_blank">CJP: જંતર મંતર આંદોલન બાદ શાળાઓ પર દિપકેનું ફોકસ... હવે કરશે આ અભિયાન</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/wnR5KXT5Uwg5xs5EeUsLvkKHs3gVwRDVDq517VH5.webp'/></item><item><title><![CDATA[Surat: સિવિલ હોસ્પિટલ રેગિંગ કેસમાં મુખ્ય આરોપી ડો. દિક્ષિતા ઘેવરીયા ખટોદરા પોલીસ સમક્ષ હાજર ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/civil-hospital-ragging-case-main-accused-dr-dikshita-ghevariya-presents-statement-at-khatodra-police-station</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/civil-hospital-ragging-case-main-accused-dr-dikshita-ghevariya-presents-statement-at-khatodra-police-station</guid><pubDate>Fri, 14 Aug 2026 21:19:09 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત નવી સિવિલ હોસ્પિટલમાં જુનિયર તબીબો પર સીનિયર્સ દ્વારા કરવામાં આવતા અતિશય માનસિક અને શારીરિક ત્રાસ (રેગિંગ) ના કારણે એક ગંભીર હોનારત સર્જાઈ હતી. તબીબ હર્ષ નામના જુનિયર ડોક્ટરે સીનિયરોના અસહ્ય રેગિંગ અને હેરાનગતિથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી.</p><h2><b>ડોક્ટરે હેરાનગતિથી કંટાળીને આત્મહત્યા કરી</b></h2><p>આ કરુણ ઘટના બાદ ખટોદરા પોલીસ સ્ટેશનમાં જુનિયરો પાસે જાતજાતની ઉજવણીઓ કરાવવા અને માનસિક ત્રાસ આપવા બદલ ૪ સીનિયર તબીબો સામે કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આ સમગ્ર રેગિંગ રેકેટ અને ત્રાસ આપવામાં સૌથી મુખ્ય ભૂમિકા અને માસ્ટરમાઇન્ડ ડોક્ટર દિક્ષિતા ઘેવરીયા હતી.</p><h3><b>ડોક્ટર દિક્ષિતા ઘેવરીયા પોલીસ સ્ટેશન હાજર થઈ</b></h3><p>ફરિયાદ નોંધાયા બાદ તપાસના ભાગરૂપે મુખ્ય આરોપી ડોક્ટર દિક્ષિતા ઘેવરીયા આજે ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે હાજર થઈ હતી. પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવતી વખતે તેણે જણાવ્યું હતું કે, "મારા કલીગ સાથે જે દુઃખદ ઘટના બની છે તેનો મને ઊંડો અફસોસ છે. પોલીસ તંત્ર પોતાનું કામ કરી રહ્યું છે અને અમને પોલીસ તંત્ર પર પૂરેપૂરો ભરોસો છે. તપાસ પૂર્ણ થયા બાદ હર્ષને ચોક્કસ ન્યાય મળશે."</p><h4><b>આરોપો અંગે મૌન સેવ્યું</b></h4><p>પોલીસ સ્ટેશનમાં હાજરી દરમિયાન જ્યારે ડો. દિક્ષિતાને જુનિયરો સાથે કરાતા રેગિંગ, માનસિક શ્રમ અને હેરાનગતિ અંગેના સવાલો પૂછવામાં આવ્યા, ત્યારે તેણે પોતાના પર લાગેલા આ ગંભીર આરોપો અંગે કશું જ બોલવાનું ટાળ્યું હતું. હાલ ખટોદરા પોલીસે તમામ ૪ તબીબોના નિવેદનો અને હોસ્પિટલના પુરાવાઓ એકત્ર કરીને કાયદેસરની એરેસ્ટ (ધરપકડ) સહિતની આગળની તજવીજ હાથ ધરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mahisagar/lunawada-santrampur-highway-fatal-accident-three-of-same-family-dead-tanker-collision" target="_blank">આ પણ વાંચો: Mahisagar: સંતરામપુર હાઇવે પર ટેન્કર-કારની ટક્કરમાં એક જ પરિવારના 3 ના મોત, ચાલક સ્થળ પરથી નાસી છૂટ્યો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/X9QhHw3UAz2swyanp5kRFMnuLdqGjYRc2fGkD5ES.webp'/></item><item><title><![CDATA[Hockey World Cup 2026 : ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે હાઈ વોલ્ટેજ મેચ, જાણો  સંપૂર્ણ શેડ્યૂલ ]]></title><link>https://sandesh.com/sports/news/hockey-world-cup-2026-high-voltage-match-to-be-played-between-india-and-pakistan-know-the-complete-schedule</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/hockey-world-cup-2026-high-voltage-match-to-be-played-between-india-and-pakistan-know-the-complete-schedule</guid><pubDate>Fri, 14 Aug 2026 18:41:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">FIH હોકી વર્લ્ડ કપ 2026 15 ઓગસ્ટથી શરૂ થવાનો છે.આ મોટી ટુર્નામેન્ટ નેધરલેન્ડ અને બેલ્જિયમમાં યોજાઈ રહી છે.ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ જીતવા માટે મજબૂત દાવેદાર માનવામાં આવે છે,પરંતુ તેમને આ ટુર્નામેન્ટમાં ઈંગ્લેન્ડ,ચીન,પાકિસ્તાન અને બેલ્જિયમને હરાવવા પડશે. હરમનપ્રીત સિંહની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમ 1975 પછીનો પોતાનો પહેલો વર્લ્ડ કપ જીતવાનું લક્ષ્ય રાખશે. ચાલો ટીમ ઈન્ડિયાના શેડ્યૂલ પર એક નજર કરીએ.</p><h5 style="text-align: justify;"><b>ટીમ ઈન્ડિયા કયા ગ્રુપમાં છે?</b></h5><p style="text-align: justify; ">હોકી વર્લ્ડ કપ 2026 માં કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે. ટીમ ઈન્ડિયા પૂલ D નો ભાગ છે, જેમાં ઈંગ્લેન્ડ, વેલ્સ અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. ભારતીય ટીમે FIH પ્રો લીગમાં ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનનો પણ સામનો કર્યો હતો. હવે, ભારત વર્લ્ડ કપમાં પણ આ બે ટીમોનો સામનો કરશે.</p><h4 style="text-align: justify;"><b>ટીમ ઈન્ડિયાનો હોકી વર્લ્ડ કપ 2026 શેડ્યૂલ</b></h4><p style="text-align: justify;">ભારતીય ટીમ 2026 FIH હોકી વર્લ્ડ કપના ગ્રુપ તબક્કામાં કુલ ત્રણ મેચ રમશે. ટીમ ઈન્ડિયાનો પહેલો મુકાબલો સ્વતંત્રતા દિવસે વેલ્સ સામે હશે. ટીમ ઈન્ડિયાનો ગ્રુપ સ્ટેજ શેડ્યૂલ નીચે મુજબ છે:</p><p style="text-align: justify;">ભારત vs વેલ્સ (15 ઓગસ્ટ - સાંજે 4:30 વાગ્યા)</p><p style="text-align: justify;">ભારત vs ઈંગ્લેન્ડ (17 ઓગસ્ટ - સાંજે 6:30 વાગ્યા)</p><p style="text-align: justify;">ભારત vs પાકિસ્તાન (19 ઓગસ્ટ - સાંજે 6:30 વાગ્યા)</p><h4 style="text-align: justify;"><b>એફઆઈએચ હોકી વર્લ્ડ કપ માટે ભારતની ટીમ</b></h4><ul><li style="text-align: justify;">ગોલકીપર્સ: સૂરજ કરકેરા, મોહિત એચએસ.</li><li style="text-align: justify;">ફોરવર્ડ્સ: સુખજીત સિંહ, મનદીપ સિંહ, દિલપ્રીત સિંહ, શિલાનંદ લાકરા, અભિષેક.</li><li style="text-align: justify;">ડિફેન્ડર્સ: હરમનપ્રીત સિંહ (કેપ્ટન), અમિત રોહિદાસ, જર્મનપ્રીત સિંહ, જુગરાજ સિંહ, સંજય, યશદીપ સિવાચ, સુમિત.</li><li style="text-align: justify;">મિડફિલ્ડર્સ: આદિત્ય અર્જુન લાલગે, હાર્દિક સિંહ, રાજિન્દર સિંહ, વિવેક સાગર પ્રસાદ, મનપ્રીત સિંહ, નીલકંઠ શર્મા.</li></ul><h5 style="text-align: justify;"><b>હોકી વર્લ્ડ કપ 2026ની મેચ ક્યાં જોઈ શકો છો?</b></h5><p style="text-align: justify;">હોકી વર્લ્ડ કપ 2026 15 ઓગસ્ટથી 30 ઓગસ્ટ દરમિયાન યોજાવાનો છે. આ મુખ્ય ટુર્નામેન્ટની બધી મેચો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક ચેનલો પર પ્રસારિત કરવામાં આવશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/jamshedpur-fc-football-club-sold-for-just-rs-100-tata-steels-shocking-decision" target="_blank">Jamshedpur FC : માત્ર 100 રૂપિયામાં વેચાઈ ફૂટબોલ ક્લબ,ટાટા સ્ટીલનો ચોંકાવનારો નિર્ણય</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/NrE0OQVsKqPshLxwD8fxfWnGNOw2UegWLcMwZKQ1.webp'/></item><item><title><![CDATA[Govinda : 'દીકરીની ઉંમરની છોકરીને લઈને ફરે...', કથિત ગર્લફ્રેન્ડ સાથે ગોવિંદાને જોઈ પત્ની સુનિતાએ કર્યો કટાક્ષ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/govinda-girlfriend-wife-comment-viral-photo</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/govinda-girlfriend-wife-comment-viral-photo</guid><pubDate>Fri, 14 Aug 2026 17:43:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડના હીરો નંબર 1 તરીકે ઓળખાતા અભિનેતા ગોવિંદા છેલ્લા ઘણા સમયથી પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. પત્ની સુનીતા આહુજા સતત તેમના પર અફેરના આરોપ લગાવતી રહી છે. એટલું જ નહીં, તેમણે એવું પણ કહ્યું હતું કે બંને ઘણા વર્ષોથી અલગ રહે છે. ત્યારબાદ તેમના છૂટાછેડાના સમાચાર પણ મીડિયામાં ખૂબ ચર્ચામાં રહ્યા હતા. ગોવિંદા પર લગ્નબહારના સંબંધોના આરોપ પણ લાગ્યા હતા. કોમલ નામની યુવતી સાથે તેમનું નામ સતત જોડાતું રહ્યું છે. હવે ફરી એકવાર સુનીતા આહુજાએ તેમના પર ગુસ્સો વ્યક્ત કર્યો છે.</p><h2 style="text-align: justify; "><b>કોમલ અને ગોવિંદા ફરી સાથે જોવા મળ્યા</b></h2><p style="text-align: justify; ">ગોવિંદા ફિલ્મ રૂપાની જાહેરાત બાદ અભિનેત્રી કોમલ રાની સાથે કામ કરવાને લઈને ચર્ચામાં છે. બંનેના અફેરના સમાચાર પણ ખૂબ ચર્ચામાં છે. થોડા દિવસ પહેલાં જ બંને કલાકારોને સાથે એરપોર્ટ પર જોવા મળ્યા હતા, જેને લઈને સુનીતાએ ગુસ્સો વ્યક્ત કર્યો હતો. હવે ફરી એકવાર ગોવિંદા અને કોમલ સાથે જોવા મળ્યા છે. ત્યારબાદ સુનીતાએ પ્રતિક્રિયા આપતાં પોતાના અભિનેતા પતિ માટે કહ્યું કે થોડું તો સ્ટાન્ડર્ડ હોવું જોઈએ.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DcA7HUqkx5S/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DcA7HUqkx5S/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DcA7HUqkx5S/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DcA7HUqkx5S/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h3 style="text-align: justify; "><b>ગોવિંદા અને કોમલ પર સુનીતા આહુજા ગુસ્સે થઈ</b></h3><p style="text-align: justify; ">ગોવિંદા અને કોમલ ફરી એકવાર સાથે જોવા મળ્યા બાદ પેપ્સે સુનીતા આહુજાને તેમની પ્રતિક્રિયા પૂછી હતી. તેના પર તેમણે કહ્યું, ફિલ્મ બનવી પણ તો જોઈએ ને? પ્રમોશન ફિલ્મ બન્યા પછી થાય છે. શું બોલવું... દીકરીની ઉંમરની છોકરીને લઈને ફરી રહ્યા છો, થોડી તો શરમ આવવી જોઈએ. થોડું તો સ્ટાન્ડર્ડ હોવું જોઈએ. તમારો શુગર ડેડી આટલો અમીર છે તો ઓછામાં ઓછા કપડાં તો યોગ્ય પહેરો. અમને જુઓ, અમે કેવી સ્ટાઇલથી ફરીએ છીએ. ખૂબ ખરાબ છે, મગજ ખરાબ થઈ ગયું છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DcA3-vszs8J/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DcA3-vszs8J/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DcA3-vszs8J/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DcA3-vszs8J/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, કોમલ અને ગોવિંદા કથિત રીતે સંબંધમાં છે અને છેલ્લા 4 વર્ષથી રિલેશનશિપમાં છે. જોકે, ગોવિંદાએ આ સંબંધની વાત સ્વીકારી નથી. સાથે જ હજુ સુધી એ પણ સ્પષ્ટ થયું નથી કે ગોવિંદા સાથે જે યુવતીનું નામ જોડવામાં આવી રહ્યું છે, તે આ જ કોમલ છે કે કોઈ બીજી વ્યક્તિ.</p><h4 style="text-align: justify; "><b>ગોવિંદાએ આપ્યું હતું મીઠાઈની દુકાનવાળું નિવેદન</b></h4><p style="text-align: justify; ">ગોવિંદાનું તાજેતરમાં મીઠાઈની દુકાનવાળું નિવેદન વાયરલ થયું હતું. તેમણે સમાચાર એજન્સી ANI સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન અભિનેતાએ કહ્યું હતું, મીઠાઈની દુકાનમાં રહીને ભૂખ્યા નીકળ્યા તો શું દુઃખ છે. તેમના આ નિવેદનને લગ્નબહારના સંબંધો સાથે જોડવામાં આવ્યું હતું. લોકોનું માનવું હતું કે અભિનેતાએ પોતાના અફેરના સમાચારની પુષ્ટિ કરી છે. જોકે, ગોવિંદાએ અફેર વિશે ખુલ્લેઆમ કોઈ વાત કરી નથી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/pooja-bedi-maneck-contractor-8-year-engagement" target="_blank">આ પણ વાંચો-Bollywood : 8 વર્ષની સગાઈ છતાં લગ્ન નહીં! માનેક કોન્ટ્રાક્ટર સાથે અનોખો સંબંધ નિભાવી રહી છે પૂજા બેદી</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/4s7eB1Yws0ASr4trAYoPUbZl0X1qdu0opOliTAWt.webp'/></item><item><title><![CDATA[Stock Market Closing: લાલ નિશાનમાં માર્કેટ બંધ, સેન્સેક્સ 78,009 અંકે ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-closing-market-closes-in-red-sensex-closes-at-78009-points</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-closing-market-closes-in-red-sensex-closes-at-78009-points</guid><pubDate>Fri, 14 Aug 2026 15:45:25 +05:30</pubDate><description><![CDATA[<p>શુક્રવાર, 14 ઓગસ્ટના રોજ ભારતીય શેરબજારમાં શરૂઆતના ઘટાડા પછી થોડી રિકવરી જોવા મળી. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ખરીદીને કારણે નિફ્ટી50 અને સેન્સેક્સ બંને તેમના ઇન્ટ્રાડે નીચા સ્તરથી પાછા ફર્યા, જેને ટેકો મળ્યો.</p><h2><b>શેરબજાર લાલ નિશાનમાં બંધ&nbsp;</b></h2><p>બપોરે 2:00 વાગ્યા સુધીમાં, સેન્સેક્સ 81.62 પોઈન્ટ (0.10%) ઘટીને 77,998.34 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે નિફ્ટી50 11.60 પોઈન્ટ (0.05%) ઘટીને 24,383.10 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બપોરે 3.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયુ. સેન્સેક્સ 78,009 અંકે 70.71 પોઇન્ટના ઘટાડા સાથે બંધ થયો. જ્યારે નિફ્ટી 29.85 પોઇન્ટના ઘટાડા સાથે 24,366.00 અંકે બંધ થયું.&nbsp;</p><h3><b>ટોચના નિફ્ટી50 લુઝર્સ</b></h3><p>ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ, મેક્સ હેલ્થકેર ઇન્સ્ટિટ્યૂટ અને હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ નિફ્ટી50 પર ટોચના ઘટાડામાં સામેલ હતા.</p><p><b style="font-size: 1.75rem;">મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો દબાણ હેઠળ</b></p><p>વ્યાપક બજારમાં પણ નબળાઈ ચાલુ રહી; નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 0.45% નીચામાં ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સ 0.55% નીચે હતો.</p><h3><b>મેટલ સ્ટોક્સ નબળા; કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં ખરીદી</b></h3><p>ક્ષેત્રની દ્રષ્ટિએ, નિફ્ટી મેટલ સૌથી ખરાબ પ્રદર્શન કરનારા ક્ષેત્રોમાંનો એક હતો. તેનાથી વિપરીત, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સે સારું પ્રદર્શન કર્યું, તેના ઘટક શેરોમાં ખરીદી પ્રવૃત્તિ જોવા મળી.</p><h4><b>એશિયન બજારોમાં મિશ્ર વેપાર</b></h4><p>પ્રારંભિક વધારા પછી, એશિયા-પેસિફિક બજારો મિશ્ર વલણ સાથે વેપાર કરી રહ્યા હતા. નબળા યુએસ પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ (PPI) ડેટાએ આશા જગાવી છે કે વ્યાજ દરમાં વધારાની શક્યતા ઘટી શકે છે, જેની અસર ટેકનોલોજી શેરોમાં પણ જોવા મળી હતી.</p><p>જાપાનનો નિક્કી 225 લગભગ 0.7% વધુ ટ્રેડ કરી રહ્યો હતો, અને દક્ષિણ કોરિયાનો કોસ્પી લગભગ 0.9% ઉપર હતો. દરમિયાન, હોંગકોંગનો હેંગ સેંગ લગભગ 0.51% નીચે હતો.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/04/22/ImEoH8XVKSpwKohsEtbZTWR6IaJ4XBQ4dmVVsfy6.webp'/></item></channel></rss>