<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Gandhinagar News: આગામી 7 દિવસ ગુજરાત માટે ભારે, વહીવટી તંત્રને હાઈ એલર્ટ પર રહેવા આદેશ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/gujarat-on-high-alert-as-heavy-rain-forecast-for-next-7-days</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/gujarat-on-high-alert-as-heavy-rain-forecast-for-next-7-days</guid><pubDate>Tue, 21 Jul 2026 18:39:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજ્યમાં ચોમાસાની ઋતુમાં આગામી દિવસોમાં વરસાદની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને આજે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને વેધર વૉચ ગ્રુપની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં ચોમાસા દરમિયાન વરસાદી પરિસ્થિતિ સામે નાગરિકોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન માટેની વહીવટી તંત્રની પૂર્વતૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.બેઠકમાં રાહત કમિશનરએ તમામ સંબંધિત વિભાગો પાસેથી માહિતી મેળવીને આ વિભાગોને પરસ્પર સુદ્રઢ સંકલન જાળવવા અનુરોધ કર્યો હતો.તેમણે કોઈપણ કટોકટી વખતે સ્ટેટ કંટ્રોલ રૂમને તરત જાણ કરવા સૂચના આપી હતી.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>વહીવટી તંત્રને હાઈ એલર્ટ પર રહેવા આદેશ</b></h2><p style="text-align: justify; ">તેમણે જણાવ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલા સેટેલાઈટ ઈમેજરી અને અદ્યતન પૂર્વાનુમાનના આધારે રાજ્યમાં દક્ષિણ ગુજરાત સહિત જ્યાં પણ ભારે વરસાદની શક્યતા છે, તેવા તમામ વિસ્તારો પર કંટ્રોલ રૂમ દ્વારા 24 કલાક સતત નજર રાખવામાં આવી રહી છે.રાહત અને બચાવ કામગીરી સંદર્ભે પૂર્વ તૈયારીની વિગતો આપતા તેમણે કહ્યું કે,આપાતકાલીન સ્થિતિમાં બચાવ અને રાહત કામગીરી ઝડપથી થઈ શકે તે માટે NDRF અને SDRFની ટુકડીઓને જરૂરી તમામ સાધન-સામગ્રી સાથે સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરી દેવામાં આવી છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>ખૂબ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી</b></h3><p style="text-align: justify; ">હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને અરબી સમુદ્રમાં સર્જાયેલી હવામાન સિસ્ટમના કારણે આગામી સાત દિવસ દરમિયાન હળવાથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વ્યાપક વરસાદની આગાહી કરવામાં આવી છે.આવતીકાલ 22 જુલાઇના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.22 અને 23 જુલાઇના રોજ ઉત્તર અને મધ્ય ગુજરાતના અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, નર્મદા, સુરત, ડાંગ અને તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ખૂબ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>રાજ્યના મુખ્ય ડેમની વર્તમાન સપાટી પર સતત નિરીક્ષણ</b></h2><p style="text-align: justify; ">24 જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર  તેમજ દક્ષિણ ગુજરાતનાં તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.રાહત કમિશનરએ એમ પણ જણાવ્યું હતુ કે, માળખાકીય સુવિધાઓ અને જળાશયોની સલામતી માટે આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે તેમ જ જળસંપત્તિ અને સિંચાઈ વિભાગ દ્વારા રાજ્યના મુખ્ય ડેમની વર્તમાન સપાટી પર સતત નિરીક્ષણ રાખવામાં આવી રહ્યું છે.વરસાદના કારણે જો રસ્તાઓ બંધ થાય ત્યારે વાહનવ્યવહાર ચાલુ રાખવા માટે માર્ગ અને મકાન વિભાગને વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા માટેની સૂચના આપવામાં આવી છે.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mahisagar/mahisagar-news-shock-as-middle-aged-mans-body-found-in-varadhara-virpur-murder-revealed-in-pm-report" target="_blank">આ પણ વાંચોઃ Mahisagar News: વીરપુરના વરધરામાં આધેડનો મૃતદેહ મળતાં ચકચાર, પીએમ રિપોર્ટમાં હત્યાનો ખુલાસો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/lDsplyhVYXaUFpe2xQ8wvI18na6d5XDVIMKgpZNB.webp'/></item><item><title><![CDATA[Adani Energy Solutionsનું ધમાકેદાર ત્રિમાસિક પરિણામ, નફામાં થયો 124 ટકાનો વધારો ]]></title><link>https://sandesh.com/business/news/adani-energy-solutions-qtr-results-profit-up-124-percent-revenue-up-42-percent</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/adani-energy-solutions-qtr-results-profit-up-124-percent-revenue-up-42-percent</guid><pubDate>Tue, 21 Jul 2026 18:36:18 +05:30</pubDate><description><![CDATA[<p>અદાણી ગ્રુપની કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સે નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક (એપ્રિલ-જૂન)ના શાનદાર પરિણામો જાહેર કર્યા છે. કંપનીના નેટ પ્રોફિટમાં ગયા વર્ષની સરખામણીએ 124 ટકાનો મોટો ઉછાળો નોંધાયો છે. કંપનીનો નફો વધીને રૂ. 1,149 કરોડ થયો છે, જ્યારે ગયા વર્ષે સમાન સમયગાળામાં કંપનીનો નફો રૂ. 513 કરોડ હતો.</p><h2><b>કંપનીની આવક 42 ટકા વધીને 9,711 કરોડ રહી</b></h2><p>ત્રિમાસિક પરિણામ જાહેર થયા બાદ અદાણી એનર્જી સોલ્યુશન્સના શેરમાં તેજી જોવા મળી. NSE પર બપોરના ટ્રેડિંગ દરમિયાન શેરનો ભાવ લગભગ 3 ટકા વધીને રૂ. 1,781.20 સુધી પહોંચ્યો હતો. કંપનીની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. એપ્રિલથી જૂન ત્રિમાસિક દરમિયાન ઓપરેશનમાંથી મળતી આવક 42 ટકા વધીને રૂ. 9,711 કરોડ રહી છે, જે ગયા વર્ષે રૂ. 6,819 કરોડ હતી. અગાઉની ત્રિમાસિકની સરખામણીએ પણ આવકમાં વધારો નોંધાયો છે. જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકમાં કંપનીની આવક રૂ. 7,443 કરોડ હતી.</p><p>કંપનીનું EBITDA 30 ટકા વધીને રૂ. 3,008 કરોડ થયું છે, જે ગયા વર્ષે રૂ. 2,314.5 કરોડ હતું. જોકે EBITDA માર્જિન 33.9 ટકાથી ઘટીને 31 ટકા રહ્યું છે. આ ત્રિમાસિકમાં કંપનીએ રૂ. 29 કરોડની રેગ્યુલેટરી ડિફરલ આવક નોંધાવી છે. કંપનીના કુલ ખર્ચમાં પણ વધારો થયો છે અને તે રૂ. 8,440 કરોડ સુધી પહોંચ્યો છે. વીજ ખરીદીનો ખર્ચ રૂ. 1,724 કરોડથી વધીને રૂ. 3,561 કરોડ થયો છે, જ્યારે બાંધકામ સંબંધિત ખર્ચ રૂ. 2,138 કરોડ રહ્યો છે.</p><h3><b>સ્માર્ટ મીટર બિઝનેસમાં સૌથી ઝડપી વૃદ્ધિ નોંધાઈ</b></h3><p>કારોબાર મુજબ ટ્રાન્સમિશન સેગમેન્ટની આવક 52.4 ટકા વધીને રૂ. 3,335.3 કરોડ થઈ છે. ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસની આવક 5 ટકા વધીને રૂ. 3,520.4 કરોડ રહી છે. સ્માર્ટ મીટર બિઝનેસમાં સૌથી ઝડપી વૃદ્ધિ નોંધાઈ છે, જેમાં આવક રૂ. 112 કરોડથી વધીને રૂ. 346.9 કરોડ થઈ છે. એનર્જી સોલ્યુશન્સ પ્લેટફોર્મની આવક પણ 9 ગણાથી વધુ વધીને રૂ. 1,906.8 કરોડ થઈ છે.<br><br><b><a href="https://sandesh.com/business/news/millworks-technologies-ipo-investors-money-doubled-on-listing" target="_blank">આ પણ વાંચો : Millworks Technologies IPO : કંપની શેરબજારમાં લિસ્ટ થતાં જ રોકાણકારોના પૈસા થઈ ગયા ડબલ</a></b></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/E6HD8XUvO1hdh3rXR2qmwc44tYHOCNfqEkZ1Ifxn.webp'/></item><item><title><![CDATA[વાંચો બપોરે 03થી સાંજે 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-03-pm-to-06-pm-21-july-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-03-pm-to-06-pm-21-july-2026</guid><pubDate>Tue, 21 Jul 2026 17:59:43 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર</b></p><p><a href="https://sandesh.com/india/news/delhi-statement-in-the-house-resignation-and-know-what-congress-demanded-during-the-sit-in-protest" target="_blank"><b>1. Delhi: સદનમાં નિવેદન, રાજીનામુ અને.. ધરણા પ્રદર્શન દરમિયાન જાણો કોંગ્રેસે શું કરી માગ ?</b></a></p><p><a href="https://sandesh.com/india/news/-political-news/neet-protest-2026-congress-will-provide-lawyers-to-the-youth-arrested-during-chalo-sansad-march" target="_blank"><b>2. NEET Protest 2026: 'ચલો સંસદ માર્ચ' દરમિયાન ધરપકડ કરાયેલા યુવાનોને કોંગ્રેસ આપશે વકીલ</b></a></p><p><a href="https://sandesh.com/india/news/mamata-banerjee-supports-cjp-protest-may-join-demonstration" target="_blank"><b>3. Mamata Banerjeeએ CJPને કર્યું સમર્થન, કહ્યું 'જરૂર પડશે તો વિરોધ પ્રદર્શનમાં પણ જોડાઈશ'</b></a></p><p><a href="https://sandesh.com/india/news/raja-raghuvanshi-murder-case-supreme-court-advises-sonam-to-surrender-decision-to-be-taken-on-july-23" target="_blank"><b>4. Raja Raghuvanshi Murder Case : સુપ્રીમ કોર્ટે સોનમને સરેન્ડર કરવાની આપી સલાહ, 23 જુલાઇએ કરાશે નિર્ણય</b></a></p><p><a href="https://sandesh.com/cricket/news/india-vs-zimbabwe-t20-series-2026-preview-squads" target="_blank"><b>5. Team Indiaને ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ આપી વોર્નિંગ, કહ્યું- "મને નથી લાગતું કે..."</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/surat/mp-govind-dholakia-questions-poor-roads" target="_blank"><b>6. Surat News : રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ બિસ્માર રસ્તાઓ સામે સવાલો ઉઠાવ્યા</b></a></p><p><a href="https://sandesh.com/india/news/delhi-rahul-priyanka-gandhis-dharna-near-pms-residence-union-minister-jitendra-singh-reaches-the-dharna-site" target="_blank"><b>7. Delhi: PM આવાસ પાસે રાહુલ પ્રિયંકા ગાંધીના ધરણા, કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહ સાથે મુલાકાત કરી</b></a></p><p><a href="https://sandesh.com/india/news/himachal-cloud-burst-cloud-burst-causes-devastation-in-himachal-pradesh-6-houses-destroyed-in-kangra-1-dead" target="_blank"><b>8. Himachal Cloud Burst: હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાથી તારાજી સર્જાઇ, કાંગડામાં 6 ઘરો તણાયા, 1નું મોત</b></a></p><p><a href="https://sandesh.com/india/news/mp-ucc-bill-ucc-bill-passed-in-madhya-pradesh-assembly-opposition-creates-ruckus" target="_blank"><b>9. MP UCC Bill: મધ્યપ્રદેશ વિધાનસભામાં UCC બિલ પસાર, વિપક્ષે કર્યો હોબાળો</b></a></p><p><a href="https://sandesh.com/business/news/stock-market-closing-the-decline-in-the-stock-market-continues-sensex-falls-by-23841-points" target="_blank"><b>10. Stock Market Closing: શેરબજારમાં ઘટાડો યથાવત, સેન્સેક્સ 238.41 પોઇન્ટ તૂટ્યો</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/05/30/ci0PwfUyHcao4H4ziwpdhMLnO6QMfKyI3jwCPvfh.webp'/></item><item><title><![CDATA[Manipur : પીપલ્સ વોર ગ્રુપના 46 કેડરે આત્મસમર્પણ કર્યું, 28 હથિયારો જમા કરાવ્યા ]]></title><link>https://sandesh.com/india/news/manipur-kcp-peoples-war-group-cadres-surrender-28-weapons-seized</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/manipur-kcp-peoples-war-group-cadres-surrender-28-weapons-seized</guid><pubDate>Tue, 21 Jul 2026 17:58:18 +05:30</pubDate><description><![CDATA[<p>મણિપુરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. કાંગલેઈપાક કમ્યુનિસ્ટ પાર્ટી (પીપલ્સ વોર ગ્રુપ) એટલે કે KCP (PWG)ના 46 સક્રિય કેડરે હથિયાર છોડીને આત્મસમર્પણ કર્યું છે. આ આત્મસમર્પણ સમારોહ ઈમ્ફાલ ઈસ્ટ જિલ્લાના મંત્રિપુખરી ગેરિસન ખાતે હેડક્વાર્ટર આસામ રાઇફલ્સ (સાઉથ)માં યોજાયો હતો. આ દરમિયાન મણિપુરના મુખ્યમંત્રી વાય. ખેમચંદ સિંહની હાજરીમાં કેડરોએ મુખ્ય પ્રવાહના નાગરિક જીવનમાં પરત ફરવાનો નિર્ણય જાહેર કર્યો હતો.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2079533628875481461"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>28 અત્યાધુનિક હથિયારો સુરક્ષા દળોને સોંપ્યા&nbsp;</b></h2><p>રક્ષા મંત્રાલયના પ્રો અને પ્રવક્તાએ જણાવ્યું કે આત્મસમર્પણ કરનાર કેડરોએ કુલ 28 અત્યાધુનિક હથિયારો સુરક્ષા દળોને સોંપ્યા છે. તેમાં AK રાઇફલ, .303 રાઇફલ, પિસ્તોલ, ડબલ બેરલ રાઇફલ, સિંગલ બેરલ રાઇફલ, INSAS રાઇફલ, સેલ્ફ લોડિંગ રાઇફલ (SLR), કાર્બાઈન મશીન ગન અને રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ (RPG) લોન્ચરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં મેગેઝિન, ગોળા-બારૂદ અને વિસ્ફોટક સામગ્રી પણ જમા કરાવવામાં આવી છે.&nbsp;</p><h3><b>શાંતિ પ્રક્રિયા માટે સકારાત્મક પગલું</b></h3><p>સુરક્ષા એજન્સીઓ માટે આ આત્મસમર્પણને મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે, કારણ કે મોટી સંખ્યામાં સશસ્ત્ર કેડરો હિંસાનો માર્ગ છોડીને શાંતિપૂર્ણ જીવન તરફ આગળ વધી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, સરકારની આત્મસમર્પણ અને પુનર્વસન નીતિના કારણે ઉગ્રવાદી સંગઠનો સાથે જોડાયેલા લોકો હવે સમાજની મુખ્યધારામાં જોડાવા માટે આગળ આવી રહ્યા છે. સુરક્ષા દળો અને રાજ્ય સરકાર દ્વારા શાંતિ સ્થાપવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મણિપુરમાં લાંબા સમયથી ચાલી રહેલી અશાંતિ વચ્ચે આ ઘટનાને શાંતિ પ્રક્રિયા માટે સકારાત્મક પગલું માનવામાં આવી રહ્યું છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/-political-news/neet-protest-2026-congress-will-provide-lawyers-to-the-youth-arrested-during-chalo-sansad-march" target="_blank">આ પણ વાંચો : NEET Protest 2026: 'ચલો સંસદ માર્ચ' દરમિયાન ધરપકડ કરાયેલા યુવાનોને કોંગ્રેસ આપશે વકીલ</a></b></p><p>&nbsp;&nbsp;</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/0MZmQjty3gu2GVcELoD0lnCPmatv9Rjucf7SBbdt.webp'/></item><item><title><![CDATA[Mamata Banerjeeએ CJPને કર્યું સમર્થન, કહ્યું 'જરૂર પડશે તો વિરોધ પ્રદર્શનમાં પણ જોડાઈશ' ]]></title><link>https://sandesh.com/india/news/mamata-banerjee-supports-cjp-protest-may-join-demonstration</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/mamata-banerjee-supports-cjp-protest-may-join-demonstration</guid><pubDate>Tue, 21 Jul 2026 17:34:19 +05:30</pubDate><description><![CDATA[<p>પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) પ્રમુખ મમતા બેનર્જીએ CJPના વિરોધ પ્રદર્શનને લઈને મોટું નિવેદન આપ્યું છે. મમતાએ કહ્યું કે જો જરૂર પડશે તો તેઓ ખુદ CJPના વિરોધ પ્રદર્શનમાં સામેલ થશે. તેમણે જણાવ્યું કે CJPના પ્રદર્શનકારીઓને શરૂઆતથી જ તેમનો સમર્થન મળતું આવ્યું છે અને આગળ પણ મળતું રહેશે.</p><h2><b>વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓ ઘાયલ થયા</b></h2><p>CJPના સમર્થકો ભારે વરસાદ અને કડક સુરક્ષા વચ્ચે દિલ્હીના જંતર-મંતર પર આખી રાત પ્રદર્શન કરતા રહ્યા હતા. એક દિવસ અગાઉ ‘સંસદ ચલો માર્ચ’ દરમિયાન પોલીસ કાર્યવાહી બાદ કેટલાક પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હતા. મંગળવારે સવારે CJP કાર્યકર્તાઓએ પ્રદર્શન સ્થળની સફાઈ કરી હતી. બીજી તરફ, CJPના સ્થાપક અભિજીત દીપકેએ પોલીસ કાર્યવાહીમાં ઘાયલ થયેલા સમર્થકો પાસે માફી માગી હતી.</p><h3><b>ભાજપ સામેની લડાઈ વ્યક્તિગત અહંકારથી મોટી</b></h3><p>મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં ભાજપ સામે લડવા માટે કોંગ્રેસ અને માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી સહિત INDIA ગઠબંધનના તમામ પક્ષોને મતભેદ ભૂલીને એક થવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે ભાજપ સામેની લડાઈ વ્યક્તિગત અહંકારથી મોટી છે અને તમામ વિપક્ષી પક્ષોએ એકજૂટ થઈને લડવું જોઈએ. આ દરમિયાન મમતાએ તૃણમૂલ કોંગ્રેસના બળવાખોર નેતાઓ સામે પણ કડક વલણ અપનાવ્યું હતું.&nbsp;</p><h4><b>બળવાખોર નેતાઓ ભાજપના ઈશારે કામ કરી રહ્યા છે</b></h4><p>તેમણે સ્પષ્ટ કહ્યું કે પાર્ટી છોડીને ભાજપ સાથે કામ કરનારા નેતાઓને ફરીથી તૃણમૂલમાં સ્થાન આપવામાં આવશે નહીં. મમતાએ આરોપ લગાવ્યો કે કેટલાક બળવાખોર નેતાઓ ભાજપના ઈશારે કામ કરી રહ્યા છે અને પાર્ટીના પ્રતીકને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. મમતાએ કહ્યું કે જો કોઈ નેતા ભાજપને સમર્થન આપવા માગે છે તો તેણે ખુલ્લેઆમ ભાજપમાં જોડાઈ જવું જોઈએ. તેમણે ઉમેર્યું કે પાર્ટીમાંથી જનાર ખાલી જગ્યાઓને યુવા અને વિદ્યાર્થી કાર્યકર્તાઓ દ્વારા ભરવામાં આવશે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તૃણમૂલ કોંગ્રેસની અંદર આંતરિક મતભેદો સામે આવી રહ્યા છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/delhi-rahul-priyanka-gandhis-dharna-near-pms-residence-union-minister-jitendra-singh-reaches-the-dharna-site" target="_blank">આ પણ વાંચો : Delhi: PM આવાસ પાસે રાહુલ પ્રિયંકા ગાંધીના ધરણા, કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહ ધરણા સ્થળે પહોંચ્યા</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/WsytMXt0hTd5PgadNluHFfxYYwQTOLFYOrg48Wfj.webp'/></item><item><title><![CDATA[Mahisagar News: વીરપુરના વરધરામાં આધેડનો મૃતદેહ મળતાં ચકચાર, પીએમ રિપોર્ટમાં હત્યાનો ખુલાસો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mahisagar/mahisagar-news-shock-as-middle-aged-mans-body-found-in-varadhara-virpur-murder-revealed-in-pm-report</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mahisagar/mahisagar-news-shock-as-middle-aged-mans-body-found-in-varadhara-virpur-murder-revealed-in-pm-report</guid><pubDate>Tue, 21 Jul 2026 17:31:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં આવેલા વરધરા ગામે એક ડરાવનારી ઘટના સામે આવી છે. ગામના 55 વર્ષીય આધેડ મનુભાઈ રામાભાઈ પટેલનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી. શરૂઆતમાં જમીન પર પડી જવાથી ઈજાઓ થઈ હોવાનું કે અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. મનુભાઈનો મૃતદેહ મળતાં જ ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને બનાવ અંગે તુરંત જ વીરપુર પોલીસને જાણ કરવામાં આવી હતી.</p><h2 style="text-align: justify; "><b>પીએમ અને એફએસએલ તપાસમાં હત્યાનો પર્દાફાશ</b></h2><p style="text-align: justify; ">ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને વીરપુર પોલીસ કુરતથી ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતકના શરીર પર ઈજા અને વાગેલાના નિશાનો મળી આવતાં પોલીસે ફોરેન્સિક (FSL) ટીમને પણ તપાસ માટે સ્થળ પર બોલાવી હતી. મનુભાઈ પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે ખસેડવામાં આવ્યો હતો. પીએમ રિપોર્ટ અને ફોરેન્સિક અધિકારીઓની પ્રાથમિક તપાસમાં આ ઘટના આત્મહત્યા કે સાધારણ અકસ્માત નહીં પરંતુ બોલચાલ કે ઝઘડા બાદ કરાયેલી હત્યા હોવાનું અનુમાન સ્પષ્ટ થઈ ગયું હતું.</p><h3 style="text-align: justify; "><b>ગામના જ યુવકના મારથી મોત થયાનું સામે આવ્યું, તપાસ તેજ</b></h3><p style="text-align: justify; ">પોલીસની પ્રાથમિક તપાસ અને પૂછપરછમાં વિગત બહાર આવી હતી કે મનુભાઈને ગામના જ એક યુવક સાથે કોઈ બાબતે બગડતાં તે યુવકે તેમને ગંભીર માર માર્યો હતો. આ મારના કારણે જ તેમનું મોત નીપજ્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. વીરપુર પોલીસે આ મામલે ગુનો નોંધીને ગુનેગારને વહેલી તકે ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી વરધરા ગામ અને આસપાસના વિસ્તારોમાં સઘન તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/NHaeZJS38j9s8XeUeC0ud2g09MNY2hZiSKPNX7kt.webp'/></item><item><title><![CDATA[20 વર્ષ બાદ આ એક્ટર લઇ રહ્યો છે ડિવોર્સ? 3 દિકરીઓનો છે પિતા.... ]]></title><link>https://sandesh.com/entertainment/news/this-actor-is-getting-a-divorce-after-20-years-he-is-the-father-of-3-daughters</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/this-actor-is-getting-a-divorce-after-20-years-he-is-the-father-of-3-daughters</guid><pubDate>Tue, 21 Jul 2026 17:30:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ટેલિવિઝન ઉદ્યોગના જાણીતા અને લોકપ્રિય અભિનેતા કરણવીર બોહરા હાલમાં પોતાની વ્યાવસાયિક કારકિર્દી કરતા અંગત જીવનને કારણે ચર્ચાના કેન્દ્રમાં રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા અને મનોરંજક જગતમાં એવી જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી હતી કે ત્રણ દીકરીઓના પિતા એવા કરણવીર બોહરા અને તેમની પત્ની તીજય સિદ્ધુ વચ્ચેના 20 વર્ષ જૂના લગ્નસંબંધો હવે તૂટવાના આરે છે અને બંને છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. આ અફવાઓએ તેમના ચાહકોમાં પણ ભારે ચિંતા અને આશ્ચર્ય ફેલાવ્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>અભિનેતા કરણવીર બોહરાએ મૌન તોડ્યું</b></h2><p style="text-align: justify; ">આ સમગ્ર વિવાદ અને અટકળો વચ્ચે આખરે અભિનેતા કરણવીર બોહરાએ છૂટાછેડાના આ સમાચારો પર પોતાનું મૌન તોડ્યું છે.તાજેતરમાં મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં જ્યારે તેમને તેમના દાંપત્ય જીવનમાં તિરાડ પડવા અને છૂટાછેડા અંગે સીધો સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે અત્યંત સંયમિત અંદાજમાં પ્રતિક્રિયા આપી હતી. કરણવીરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "હું હમણાં આ બાબતે કોઈ પણ પ્રકારની ચર્ચા કરવા માંગતો નથી."</p><h3 style="text-align: justify; "><b>છૂટાછેટા પર કઇ પણ કહેવાની પાડી ના</b></h3><p style="text-align: justify; ">તેમણે પોતાની વાતને વધુ સ્પષ્ટ કરતા ઉમેર્યું હતું કે જ્યારે તેઓ કોઈ ચોક્કસ વિષય પર ખુલીને વાત કરવા તૈયાર ન હોય, ત્યારે તેઓ પોતાના વિચારો ખૂબ જ આદરપૂર્વક વ્યક્ત કરે છે અને તેમને પૂરી આશા છે કે લોકો તેમની આ ગોપનીયતા અને સ્થિતિને સમજી શકશે. લગ્નજીવનની અફવાઓ અને નકારાત્મક વાતોનો સામનો કરવાના સવાલ પર અભિનેતાએ મક્કમતાપૂર્વક કહ્યું કે તેઓ ક્યારેય આવી બાબતોને પોતાના ઉપર હાવી થવા દેતા નથી. ભલે લોકો તેમના વિશે ગમે તેવી અક્ષમ્ય કે નકારાત્મક વાતો ફેલાવતા હોય, પરંતુ તેનાથી તેમને કોઈ માનસિક પરેશાની કે ખરાબ અનુભવ થતો નથી.</p><h4 style="text-align: justify; "><b>અંગત જીવને મીડિયાથી દૂર રાખવા ઇચ્છે છે</b></h4><p style="text-align: justify; ">કરણવીર બોહરાના આ નપૂંસક અને સાવચેતીપૂર્વકના નિવેદનથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે તેઓ હાલ પોતાના અંગત જીવનને મીડિયાની નજરોથી દૂર રાખવા માગે છે. જોકે, છૂટાછેડા અંગે તેમણે સીધો ઇનકાર ન કરવાને કારણે ચાહકો અને મીડિયામાં આ ચર્ચાઓ હજુ પણ યથાવત છે, અને આગામી સમયમાં આ જોડી શું નિર્ણય લે છે તેના પર સૌની નજર ટકી રહી છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/raja-raghuvanshi-murder-case-supreme-court-advises-sonam-to-surrender-decision-to-be-taken-on-july-23" target="_blank">આ પણ વાંચોઃ Raja Raghuvanshi Murder Case : સુપ્રીમ કોર્ટે સોનમને સરેન્ડર કરવાની આપી સલાહ, 23 જુલાઇએ કરાશે નિર્ણય</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/uMpT128X7WugqGN5tr6ic9b7j8vbXohXc6QUt5Jf.webp'/></item><item><title><![CDATA[Dahodના ફતેપુરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો, લાંબા વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dahod/change-in-the-weather-in-rural-areas-including-fatehpur-in-dahod-rain-after-a-long-break-brings-happiness-to-farmers</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dahod/change-in-the-weather-in-rural-areas-including-fatehpur-in-dahod-rain-after-a-long-break-brings-happiness-to-farmers</guid><pubDate>Tue, 21 Jul 2026 17:13:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દાહોદ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કાળઝાળ ગરમી અને બફારા વચ્ચે આકાશમાં વાદળો ઘેરાયાં હતાં અને ફતેપુરા નગર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું હતું. ફતેપુરા તાલુકાના ઘૂઘસ, નાની ચરોલી અને મોટી ચરોલી સહિતના ગ્રામ્ય પંથકોમાં મેઘરાજાએ પધરામણી કરતાં જ સમગ્ર વિસ્તારમાં માહોલ અહલાદક બની ગયો હતો. વરસાદના લીધે ધૂળિયા માર્ગો અને વાતાવરણમાં પ્રસરેલી ગરમી શમી ગઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>લાંબા સમયના વિરામ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક</b></h2><p style="text-align: justify; ">છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લીધો હોવાથી લોકો અસહ્ય ગરમી અને અકળાવનારા બફારાથી ત્રસ્ત થઈ ગયા હતા. જોકે, લાંબા સમયના ઇંતેજાર બાદ આખરે વરસેલા આ વરસાદથી વાતાવરણમાં ક્ષણભરમાં જ આહલાદક ઠંડક પ્રસરી ગઈ હતી. કાળઝાળ ગરમીથી અકળાયેલા સ્થાનિક રહીશોને મોટી રાહત મળી હતી અને લોકોએ ગુલાબી ઠંડકનો અનુભવ કર્યો હતો. વરસાદ શરૂ થતાં જ બાળકો અને મોટેરાઓએ ભીંજાવાનો આનંદ માણ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>મુરઝાતા પાકને જીવનદાન મળતાં ધરતીપુત્રોમાં ખુશીની લહેર</b></h3><p style="text-align: justify; ">લાંબા સમયથી વરસાદ ગાયબ રહેતાં વાવણી કરી ચૂકેલા ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા હતા અને ઊભા પાક પર સંકટ તોળાઈ રહ્યું હતું. તેવામાં ફતેપુરા અને આસપાસના વિસ્તારોમાં વરસેલા આ વરસાદથી ખેતરોમાં મુરઝાતા પાકને નવું જીવનદાન મળ્યું છે. વરસાદ થતાં જ ધરતીપુત્રોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી. ખેડૂતોના મતે આ વરસાદ ખેતી માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે અને આગામી દિવસોમાં પાકનો ઉપડ સારો રહેશે તેવી આશા જાગી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/PTC5hI2NzF13WfydXj1BX1QBYYheKApzOcIs0iSX.webp'/></item><item><title><![CDATA[Surat News : રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ બિસ્માર રસ્તાઓ સામે સવાલો ઉઠાવ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/mp-govind-dholakia-questions-poor-roads</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/mp-govind-dholakia-questions-poor-roads</guid><pubDate>Tue, 21 Jul 2026 16:36:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતમાં બિસ્માર રસ્તાઓ અને અધૂરી કામગીરીને લઈને તંત્ર સામે ગંભીર સવાલો ઊભા થયા છે.આ મુદ્દો કોઈ સામાન્ય જનતાએ નહીં પરંતુ રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાએ પોતે ઉઠાવ્યો છે.શહેરના ઈચ્છાપુર ચાર રસ્તા ખાતે પાણી પુરવઠા વિભાગ દ્વારા કોઈ કારણોસર એક મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો.કામગીરી પૂર્ણ થયા બાદ તેનું પુરાણ યોગ્ય રીતે કરવાને બદલે અડધું જ છોડી દેવાતાં વાહનચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2079182839145484401"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><h2 style="text-align: justify; "><b>કામગીરી સામે કોઈના પેટનું પાણી પણ હલતુ નથી</b></h2><p style="text-align: justify; ">સાંસદ ગોવિંદ ધોળકિયાનો આ બિસ્માર રસ્તા અને અધૂરી કામગીરી અંગેનો વીડિયો અને ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયાને ત્રણ દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં, તંત્ર દ્વારા હજુ સુધી કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી.તંત્રની આ નિષ્ક્રિયતા અને બેદરકારીને કારણે પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાંસદ ગોવિંદ ધોળકિયા વીડિયોમાં એવું પણ બોલતા સંભળાય છે કે, સુરતમાં આ પ્રકારની કામગીરી સામે કોઈના પેટનું પાણી પણ હલતુ નથી. સુરત માટે આ શરમજનક સ્થિતિ છે.</p><h3 style="text-align: justify; "><b>જિલ્લા પંચાયત હસ્તકના 11 જેટલા રસ્તાઓ બંધ કરાયા</b></h3><p style="text-align: justify; ">નાયબ મામલતદાર ડિઝાસ્ટર સાજીદ મેરૂઝયે જણાવ્યું હતું કે,સુરત શહેરમાં છેલ્લા 12 કલાક દરમિયાન 4 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે.જેનાથી સીઝનનો કુલ વરસાદ 39 ઇંચ સુધી પહોંચી ગયો છે.સમગ્ર જિલ્લામાં છેલ્લા 12 કલાકમાં સરેરાશ 2.34 ઇંચ વરસાદ નોંધાયો છે.જેમાં પલસાણા તાલુકામાં સૌથી વધુ 5.23 ઇંચ વરસાદ ખાબક્યો છે.જિલ્લામાં સીઝનનો કુલ વરસાદ 33 ઇંચ થયો છે.ભારે વરસાદ અને રસ્તાઓ પર પાણી ફરી વળવાના કારણે જિલ્લા પંચાયત હસ્તકના 11 જેટલા રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી છે. બામરોલી વિસ્તારમાં આવેલા ભેદવાડ ખાડીના પાણી આસપાસના રહેણાંક વિસ્તારોમાં ફરી વળ્યા છે.</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/palanpur/chandipura-virus-2-year-old-girl-dies-in-banas-medical-hospital-health-teams-alert" target="_blank">આ પણ વાંચોઃ Palanpur: ચાંદીપુરા વાયરસથી 2 વર્ષની માસુમ બાળકીનું કરુણ મોત, બનાસ મેડિકલમાં સારવાર દરમિયાન તોડ્યો દમ</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/xvzTw6v6wiCQ1TdY1mCCPGZFMxSjCOM7Q7BORx35.webp'/></item><item><title><![CDATA[Hockey વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત,જાણો કોને મળ્યું સ્થાન ]]></title><link>https://sandesh.com/sports/news/indian-team-announced-for-hockey-world-cup-know-who-got-a-place</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/indian-team-announced-for-hockey-world-cup-know-who-got-a-place</guid><pubDate>Tue, 21 Jul 2026 13:26:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હોકી ઇન્ડિયાએ આગામી FIH મેન્સ હોકી વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે.ટીમમાં કુલ 20 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.હોકી વર્લ્ડ કપ 15 થી 30 ઓગસ્ટ, 2026 દરમિયાન બેલ્જિયમ અને નેધરલેન્ડ્સમાં રમાશે.મુખ્ય કોચ ક્રેગ ફુલ્ટનને વિશ્વાસ છે કે પસંદ કરાયેલી ટીમ પાસે ભારતીય હોકી ઇતિહાસમાં પોતાનો અધ્યાય લખવાની સારી તક છે.</p><h4 style="text-align: justify; "><b>હરમનપ્રીત સિંહ ટીમનું નેતૃત્વ કરશે</b></h4><p style="text-align: justify; ">એશિયાના ટોચના ડિફેન્ડર અને ડ્રેગ-ફ્લિકર હરમનપ્રીત સિંહ ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે ભારતના સૌથી વધુ કેપ્ડ મિડફિલ્ડર મનપ્રીત સિંહ પણ ટીમનો ભાગ હશે, જે અનુભવી ખેલાડીઓ અને ઉત્તેજક યુવા પ્રતિભાઓની સંતુલિત ટીમમાં અનુભવનો ભંડાર લાવશે. મુખ્ય કોચ ફુલ્ટને ટીમ વિશે કહ્યું, આ એક સારી રીતે સંતુલિત ટીમ છે. ટુર્નામેન્ટના અનુભવ અને ફોર્મમાં રહેલા યુવાનોનું યોગ્ય મિશ્રણ છે. ખેલાડીઓએ પ્રતિષ્ઠા નહીં પણ પ્રદર્શન દ્વારા પોતાનું સ્થાન મેળવ્યું છે."</p><h4 style="text-align: justify; "><b>ગોલકીપિંગમાં મોહિત અને સૂરજનો સમાવેશ</b></h4><p style="text-align: justify; ">ગોલકીપિંગ વિભાગમાં મોહિત એચએસ અને સૂરજ કરકેરાનો સમાવેશ થાય છે, જ્યારે ડિફેન્સિવ યુનિટમાં જર્મનપ્રીત સિંહ, કેપ્ટન હરમનપ્રીત, અમિત રોહિદાસ, જુગરાજ સિંહ, સંજય, સુમિત અને યશદીપ સિવાચનો સમાવેશ થાય છે. મિડફિલ્ડનું નેતૃત્વ મનપ્રીત, હાર્દિક સિંહ અને વિવેક સાગર પ્રસાદ, નીલકંઠ શર્મા અને આશાસ્પદ યુવા ખેલાડીઓ રાજિન્દર સિંહ અને આદિત્ય અર્જુન લાલગે કરશે. આક્રમણની જવાબદારી મનદીપ સિંહ, દિલપ્રીત સિંહ, અભિષેક, સુખજીત સિંહ અને શિલાનંદ લાકરા સંભાળશે.</p><p style="text-align: justify; "><a href="https://x.com/TheHockeyIndia/status/2079454470547947669?s=20" target="_blank">https://x.com/TheHockeyIndia/status/2079454470547947669?s=20</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ઇંગ્લેન્ડ, પાકિસ્તાન અને વેલ્સની સાથે પૂલ ડીમાં સ્થાન મેળવનાર ભારત, નેધરલેન્ડ્સના એમ્સ્ટલવીનમાં તેની બધી પૂલ-સ્ટેજ મેચ રમશે. મુખ્ય કોચ ફુલ્ટને કહ્યું, પ્રેસ, કાઉન્ટર, પર્ફોર્મન્સ એ ફક્ત અમારી વ્યૂહાત્મક ઓળખ નથી; તે આ જૂથ દરરોજ કેવી રીતે તાલીમ આપે છે અને વિચારે છે તેના વિશે પણ છે. આપણે આપણી જાતથી આગળ નથી વધી રહ્યા&nbsp; એક સમયે એક રમત, બધું જ લાઇન પર મૂકી રહ્યા છીએ, તે માનસિકતા છે જે આપણે દરેક મેચમાં અપનાવી રહ્યા છીએ.</p><h5 style="text-align: justify; "><b>ભારત 15 ઓગસ્ટે અભિયાન શરૂ કરશે</b></h5><p style="text-align: justify; ">ભારત 15 ઓગસ્ટે વેલ્સ સામે પોતાનું અભિયાન શરૂ કરશે, ત્યારબાદ 17 ઓગસ્ટે ઈંગ્લેન્ડ અને 19 ઓગસ્ટે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રમશે, જે પૂલ સ્ટેજની સૌથી અપેક્ષિત મેચ છે. 1975 વર્લ્ડ કપ જીતના પચાસ વર્ષ પછી આ જૂથ પાસે ભારતીય હોકી ઇતિહાસમાં પોતાનો અધ્યાય લખવાની તક છે, અને અમે તેના માટે ખૂબ જ ઉત્સાહિત છીએ.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/lionel-messi-heartbreak-messi-broke-his-silence-after-losing-in-the-final-saying-this-big-thing" target="_blank"> Lionel Messi heartbreak : ફાઇનલમાં હાર બાદ મેસ્સીએ મૌન તોડ્યું, કહી આ મોટી વાત</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/AlUe6i2EaTqLxWn7wy7869U96l54gE2UbiMlcrnf.webp'/></item></channel></rss>