<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[6 વર્ષ મોટી મુસ્લિમ એક્ટ્રેસ સાથે લગ્ન, કંગના સાથે લવ અફેર! જાણો આદિત્ય પંચોલીની Controversial Life! ]]></title><link>https://sandesh.com/entertainment/news/aditya-pancholi-zarina-wahab-kangana-ranaut-affair</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/aditya-pancholi-zarina-wahab-kangana-ranaut-affair</guid><pubDate>Sat, 12 Sep 2026 10:43:07 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">80 અને 90ના દાયકામાં ઘણા કલાકારોએ પોતાની એક્ટિંગની સાથે સારા લુક અને દમદાર વ્યક્તિત્વથી પણ ફેન્સનું ધ્યાન ખેંચ્યું હતું. આ યાદીમાં આદિત્ય પંચોલીનું નામ પણ સામેલ છે. ભૂરા આંખોવાળા આદિત્ય પોતાની ફિલ્મો કરતાં અંગત જિંદગીને કારણે વધુ ચર્ચામાં રહ્યા છે. આદિત્યએ બીજા ધર્મની અભિનેત્રી સાથે લગ્ન કર્યા હતા. જોકે, બાદમાં તેમનું દિલ કંગના રનૌત પર આવી ગયું હતું અને તેમના સંબંધને લઈને ઘણો વિવાદ પણ થયો હતો.</p><h2 style="text-align: justify; "><b>આદિત્ય પંચોલીનું અંગત જીવન રહ્યું છે ચર્ચામાં</b></h2><p style="text-align: justify; ">આદિત્ય પંચોલી માત્ર ચર્ચામાં જ નહીં, પરંતુ લગ્નજીવન બહારના સંબંધ અને બીજી ઘણી બાબતોને કારણે વિવાદોમાં પણ રહ્યા છે. જોકે, એ સમયે પણ તેમને તેમની મુસ્લિમ પત્નીનો સાથ મળ્યો હતો. આજે 80 અને 90ના દાયકાના આ હેન્ડસમ અભિનેતા પોતાનો 61મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.&nbsp;<br></p><h3 style="text-align: justify; "><b>મુંબઈમાં થયો હતો જન્મ</b></h3><p style="text-align: justify; ">આદિત્ય પંચોલીનો જન્મ 12 સપ્ટેમ્બર 1965ના રોજ મુંબઈમાં થયો હતો. જોકે, ઘણી જગ્યાએ તેમની જન્મતારીખ 4 જાન્યુઆરી 1965 પણ લખવામાં આવી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, અભિનેતાએ 2021માં પોતે જણાવ્યું હતું કે તેમની સાચી જન્મતારીખ 12 સપ્ટેમ્બર છે.<br><img alt="Aditya Pancholi married Zarina Wahab (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/12/PKnrnEEL0esTFlVvQ56b3gZildaMuWkkQM0RZE5V.webp"><br></p><h4 style="text-align: justify; "><b>40 વર્ષ પહેલા કર્યું હતું બોલીવુડ ડેબ્યૂ</b></h4><p style="text-align: justify; ">આદિત્ય પંચોલીએ પોતાના બોલીવુડ કરિયરની શરૂઆત 40 વર્ષ પહેલા કરી હતી. તેમની પહેલી ફિલ્મ સસ્તી દુલ્હન મહંગા દૂલ્હા હતી. દહેજ પ્રથા પર આધારિત આ ફિલ્મમાં અભિનેતાએ સહાયક ભૂમિકા ભજવી હતી. આ સાથે તેમણે વિનોદ ખન્ના અને માધુરી દીક્ષિતની 1988માં આવેલી જાણીતી ફિલ્મ દયાવાનમાં પણ સહાયક ભૂમિકા ભજવી હતી.<br></p><h4 style="text-align: justify; "><b>જમીન ફિલ્મથી મળી હતી ઓળખ</b></h4><p style="text-align: justify; ">આદિત્ય પંચોલી મોટા પડદા પર વધારે સફળ રહ્યા નહોતા. જોકે, તેમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. પોતાના સમયના ઘણા મોટા કલાકારોની જેમ તેમને સફળતા અને લોકપ્રિયતા મળી નહોતી. તેમને પહેલી મોટી ઓળખ 1990માં આવેલી ફિલ્મ જમીનથી મળી હતી. આદિત્યે બાજીરાવ મસ્તાની, બોડીગાર્ડ, જય હો અને રેસ 2 જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. કરિયરની શરૂઆતના સમયમાં તેઓ આતિશ, જાદુગર અને જંગ જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા.<br><img alt="Aditya Pancholi married Zarina Wahab (2)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/12/4XKZMtAnmK3L35htNa69djJ17072lXHlxwZpwg84.webp"><br></p><h4 style="text-align: justify; "><b>મુસ્લિમ અભિનેત્રી જરીના વહાબ સાથે કર્યા લગ્ન</b></h4><p style="text-align: justify; ">આદિત્યના અંગત જીવનની વાત કરીએ તો અભિનેતાનું દિલ તેમનાથી લગભગ 6 વર્ષ મોટી અને જાણીતી મુસ્લિમ અભિનેત્રી જરીના વહાબ પર આવી ગયું હતું. બંને વચ્ચેનો પ્રેમ એક ફિલ્મના સેટ પર શરૂ થયો હતો અને પછી આ જોડીએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.<br><img alt="Aditya Pancholi married Zarina Wahab (3)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/12/EPTlP6LaHQHsN3Wy596yZ9jMA7s7J0dc9A8rq4F1.webp"><br></p><p style="text-align: justify; ">જે વર્ષે આદિત્ય પંચોલીએ હિન્દી સિનેમામાં પગ મૂક્યો હતો, એ જ વર્ષે તેમણે પોતાના અંગત જીવનની નવી શરૂઆત પણ કરી હતી. આદિત્યે પોતાનાથી 6 વર્ષ મોટી જરીના સાથે 1986માં લગ્ન કર્યા હતા. ત્યારબાદ આ જોડીને એક દીકરો સૂરજ પંચોલી અને એક દીકરી સના પંચોલી થયાં. સૂરજ અભિનેતા છે. સના વિશે કેટલાક અહેવાલોમાં કહેવામાં આવે છે કે તે જ્વેલરી ડિઝાઈનર છે, જ્યારે કેટલાક અહેવાલો મુજબ આદિત્યની દીકરી બિઝનેસ સાથે જોડાયેલી છે.</p><h5 style="text-align: justify; "><b>પોતાનાથી 21 વર્ષ નાની કંગના સાથે રહ્યો સંબંધ, મારપીટના આરોપ લાગ્યા</b></h5><p style="text-align: justify; ">લગ્ન થયેલા હોવા છતાં અને 2 બાળકોના પિતા હોવા છતાં આદિત્ય પંચોલીએ પોતાનાથી 21 વર્ષ નાની અભિનેત્રી કંગના રનૌતને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. બંને વચ્ચેનો સંબંધ ત્યારે શરૂ થયો હતો જ્યારે કંગના બોલીવુડમાં નવી હતી અને કામની શોધમાં હતી. કંગના અને આદિત્યનો સંબંધ ઘણો ચર્ચામાં અને વિવાદમાં રહ્યો હતો. કંગના માટે આદિત્યે પોતાની પત્ની જરીના વહાબને પણ અવગણી હતી. આદિત્યે જણાવ્યું હતું કે કંગના અને તે પતિ-પત્નીની જેમ સાથે રહેતા હતા. બંનેએ લગભગ 5 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા.<br><img alt="Aditya Pancholi married Zarina Wahab (4)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/12/MpqwtckCMUtL17fuZhrdio1D0b41uF2aNSdqlSmT.webp"><br></p><h5 style="text-align: justify; "><b>કંગનાએ આદિત્ય પર મારપીટના આરોપ લગાવ્યા હતા</b></h5><p style="text-align: justify; ">સંબંધ તૂટ્યા બાદ કંગના અને આદિત્ય બંને પોતાના જીવનમાં આગળ વધી ગયા હતા, પરંતુ 2017માં બંને ફરી ચર્ચામાં આવ્યા હતા. તે સમયે કંગનાએ આદિત્ય પર આરોપ લગાવ્યો હતો કે સંબંધ દરમિયાન તે તેમની સાથે મારપીટ કરતા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમને ઘરમાં કેદ રાખવામાં આવતા હતા. જોકે, આદિત્યે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને કંગના પર આરોપ લગાવતા કહ્યું હતું કે અભિનેત્રીએ તેમનું આર્થિક અને ભાવનાત્મક રીતે શોષણ કર્યું હતું.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/40-year-old-doordarshan-serial-railway-station-title-song" target="_blank">આ પણ વાંચો-Retro TV : 40 વર્ષ પહેલાં આવેલી દૂરદર્શનની એ હિટ સિરિયલ જેના નામ પર છે રેલવે સ્ટેશન!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/12/X8TsMNWEAR1u5eXBGG0d02S0cEHPXhn9DkiCyB6r.webp'/></item><item><title><![CDATA[BRICS Summit Delhi: દિલ્હીમાં આજે દિગ્ગજોનો જમાવડો, ભારતનો દેખાશે દમ, જાણો આજે શું શું થશે ? ]]></title><link>https://sandesh.com/india/news/brics-summit-delhi-gathering-of-luminaries-in-delhi-today-indias-strength-will-be-visible-know-what-will-happen-today</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/brics-summit-delhi-gathering-of-luminaries-in-delhi-today-indias-strength-will-be-visible-know-what-will-happen-today</guid><pubDate>Sat, 12 Sep 2026 10:27:01 +05:30</pubDate><description><![CDATA[<p>નવી દિલ્હીમાં આજે ભારતનો દમ દેખાશે. કારણ કે અહીં યોજાનારી બ્રિક્સ સમિટમાં ટોચના નેતાઓ હાજરી આપી રહ્યા છે. જેમાં સાંજે 5:45 વાગ્યે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મહત્વપૂર્ણ બેઠકનો પણ સમાવેશ થાય છે. સમિટ દરમિયાન સભ્ય દેશોના નેતાઓની બેઠક, 'ભારત ઈનોવેટ્સ' (Bharat Innovates) પ્રદર્શન, સામૂહિક ફોટો સેશન, સંયુક્ત વૃક્ષારોપણ સમારોહ અને ભવ્ય રાત્રિભોજન જેવા કાર્યક્રમો યોજાશે.</p><h2><b>દિલ્હીમાં આજથી બ્રિક્સ સમિટ&nbsp;</b></h2><p>રાજધાની દિલ્હીમાં આજે 18મી BRICS સમિટનો સત્તાવાર પ્રારંભ થઈ રહ્યો છે. પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે. સૌથી મહત્વપૂર્ણ બેઠક સાંજે 5:45 વાગ્યે 'ભારત મંડપમ' ખાતે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે યોજાશે. ચીનના રાષ્ટ્રપતિ ભારત આવવા માટે રવાના થઈ ચૂક્યા છે. અગાઉ, શુક્રવારે વડાપ્રધાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સહિતના અનેક નેતાઓ સાથે મુલાકાત કરી હતી.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2098622215721824433"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3><b>&nbsp;બ્રિક્સ સમિટમાં&nbsp; જાણો આજે શું શું થશે ?&nbsp;</b></h3><ul><li>સવારે 10:00 વાગ્યે, વડાપ્રધાન હૈદરાબાદ હાઉસ ખાતે ઇથોપિયાના વડાપ્રધાન અબી અહેમદ અલીને મળશે.</li><li>ત્યારબાદ, સવારે 10:30 વાગ્યે વડાપ્રધાન મોદી મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમ સાથે મુલાકાત કરશે.</li><li>સવારે 11:00 વાગ્યે, તેઓ અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને મળશે.</li><li>સવારે 11:30 વાગ્યે, વડાપ્રધાન વિયેતનામના નેતા લે મિન્હ હંગ સાથે બેઠક કરશે.</li><li>તે જ સમયે, રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયનને મળશે.</li></ul><p>મુખ્ય BRICS સમિટની કાર્યવાહીના ભાગરૂપે, સભ્ય દેશોના નેતાઓ બપોરે 2:00 વાગ્યે 'ભારત મંડપમ'ના લેવલ-2 પર પહોંચશે. બપોરે 2:35 વાગ્યે, સમિટ હોલમાં "સમાવેશી વૈશ્વિક શાસન અને બહુપક્ષીયવાદને મજબૂત બનાવવું" (Inclusive Global Governance and Strengthening Multilateralism) વિષય પર બંધ-બારણે બેઠક (ક્લોઝ્ડ સેશન) યોજાશે.</p><h3><b>'ભારત ઈનોવેટ્સ પ્રદર્શન' નિહાળશે</b></h3><p>સાંજે 4:25 વાગ્યે, નેતાઓ 'ભારત મંડપમ'ના હોલ-14માં 'ભારત ઈનોવેટ્સ પ્રદર્શન' નિહાળશે. સાંજે 5:05 વાગ્યે 'ભારત મંડપમ'ની બહારના લૉન પર સામૂહિક ફોટો સેશન (ફેમિલી ફોટો સેશન) યોજાશે અને ત્યારબાદ સાંજે 5:10 વાગ્યે સંયુક્ત વૃક્ષારોપણ સમારોહ યોજાશે.</p><p>વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક સાંજે 5:45 વાગ્યે 'ભારત મંડપમ' ખાતે નિર્ધારિત છે.</p><p>વડાપ્રધાન દ્વારા આયોજિત ભવ્ય રાત્રિભોજન (ગાલા ડિનર) સાંજે 7:30 વાગ્યે 'ભારત મંડપમ'ના ત્રીજા માળે યોજાશે.</p><p><b style="font-size: 1.5rem;">ટ્રાફિક એડવાઇઝરી</b></p><p>BRICS સમિટને કારણે દિલ્હી પોલીસે ટ્રાફિક અંગેની સૂચના જાહેર કરી છે. શનિવારે સવારે 9:30 થી રાત્રે 9:30 વાગ્યા સુધી 'લ્યુટિયન્સ દિલ્હી' અને મુખ્ય માર્ગો (જેમાં 'ભારત મંડપમ'ની આસપાસનો વિસ્તાર પણ સામેલ છે) પર ટ્રાફિકનું નિયમન અને ડાયવર્ઝન (માર્ગ પરિવર્તન) કરવામાં આવશે. ટ્રાફિક એડવાઇઝરીનો નકશો મધ્ય દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં નિયંત્રિત રસ્તાઓ, પ્રતિબંધિત વિસ્તારો, વૈકલ્પિક માર્ગો અને ડાયવર્ઝન પોઈન્ટ્સ દર્શાવે છે.</p><p>એડવાઇઝરી નકશા પર, વૈકલ્પિક માર્ગો વાદળી રંગમાં, નિયંત્રિત રસ્તાઓ નારંગી રંગમાં, પ્રતિબંધિત વિસ્તારો જાંબલી રંગમાં અને ડાયવર્ઝન પોઈન્ટ્સ લાલ તારા (સ્ટાર્સ) દ્વારા દર્શાવવામાં આવ્યા છે. આ નકશો એવા માર્ગોને પ્રકાશિત કરે છે જ્યાં સમિટ દરમિયાન મુસાફરોએ પ્રતિબંધો અથવા માર્ગ પરિવર્તનનો સામનો કરવો પડી શકે છે.</p><p><br></p><h3><b>સમિટ માટે હવામાનની આગાહી</b></h3><p>BRICS સમિટના દિવસે ઘણા રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આગામી 2 દિવસ દરમિયાન દિલ્હી-NCR (નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ)માં તેજ પવન અને વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/12/qnMFJci7tEDpYcUDwmdTWTkSfZGSBiiYLxmS5G4J.webp'/></item><item><title><![CDATA[Bhavnagar lattha kand: ઝેરી દારૂ પીવાથી વધુ એક મોતનો ખુલાસો, બે આરોપી સામે નોંધાયો હત્યાનો ગુનો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/fake-liquor-tragedy-another-death-murder-case-registered</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/fake-liquor-tragedy-another-death-murder-case-registered</guid><pubDate>Sat, 12 Sep 2026 10:22:23 +05:30</pubDate><description><![CDATA[<p>ભાવનગર શહેરમાં ઝેરી દારૂના લીધે વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અઠવાડિયા અગાઉ દારૂ પીધા બાદ રિક્ષાચાલક ભાવેશ વિસાણીનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું હતું. આ મામલે FSL અને વિસેરા રિપોર્ટ સામે આવતા સ્પષ્ટ થયું છે કે, ભાવેશનું મોત કેમિકલયુક્ત ઝેરી દારૂ પીવાના કારણે જ થયું હતું. રિપોર્ટના આધારે ઘોઘારોડ પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.</p><h2><b>જાણ હોવા છતાં પીવડાવ્યો ઝેરી દારૂ</b></h2><p>તપાસ દરમિયાન અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપી સંજય અને મુકેશ પટેલ નામના શખ્સો પાસે 'રોયલ સ્ટેગ' બ્રાન્ડની નકલી અને ઝેરી દારૂની બોટલ હતી. સંજયે પોતે પણ આ નકલી દારૂ પીધો હતો અને અગાઉ હોસ્પિટલમાં સારવાર પણ લીધી હતી. આ ઝેરી દારૂ પીવાથી 14 જેટલા લોકોના મોત થઈ ચૂક્યા છે, તે વાતની પૂરેપૂરી જાણ હોવા છતાં, આ બંને આરોપીઓએ ભાવેશભાઈને એક અઠવાડિયા પહેલાં તે જ જીવલેણ ઝેરી દારૂ પીવડાવ્યો હતો.</p><h2><b>પોલીસે દાખલ કર્યો હત્યાનો ગુનો</b></h2><p>પોલીસે આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને સંજય અને મુકેશ પટેલ સામે ગુનાહિત માનવવધ નહીં પણ સીધો હત્યાનો ગુનો (IPC/BNS હેઠળ) નોંધ્યો છે. જાણકા હોવા છતાં કોઈને ઝેર સમાન દારૂ આપવો એ ગંભીર અપરાધ બનતો હોવાથી ઘોઘારોડ પોલીસે કડક વલણ અપનાવ્યું છે.</p><p><img alt="Bhavnagar News: Another Death, Murder Case Filed In Bhavnagar lattha kand" src="https://epapercdn.sandesh.com/images/2026/09/12/VzxTkoXlYgDHe6HTQ6hwErGRtohHu7EHoqXlBc2g.webp" style="width: 100%;"><br></p><h2><b>આરોપીઓની શોધખોળ તેજ</b></h2><p>બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમ બનાવી તપાસના ચક્ર ગતિમાન કર્યા છે. આ લઠ્ઠાકાંડમાં નકલી બોટલો ક્યાંથી આવી અને આ રેકેટમાં અન્ય કોણ-કોણ સામેલ છે, તે દિશામાં પણ ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2098587821082824851"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><br><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/bhavnagar-somnath-highway-accident-ningala-fatal-collision" target="_blank">Bhavnagar-સોમનાથ હાઇવે પર કન્ટેનર અને બાઇક વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/12/Kupt0cIoB3m7Ts5Yq1b7DNZiAWnJxRqHLpKJeW1R.webp'/></item><item><title><![CDATA[Surat News : ફોન પર આવેલું વેડિંગ કાર્ડ ખોલતાં જ અચાનક શું થયું? પોલીસ કોન્સ્ટેબલ સાથે કઈ રીતે થઈ મોટી ઠગાઈ? ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/surat--police-constable-duped-of--1-lakh-via-fake-wedding-card-apk--complaint-filed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/surat--police-constable-duped-of--1-lakh-via-fake-wedding-card-apk--complaint-filed</guid><pubDate>Sat, 12 Sep 2026 09:58:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરમાં સાયબર ક્રાઇમના કિસ્સાઓ દિન-પ્રતિદિન ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આશ્ચર્યજનક વાત એ છે કે હવે સાયબર માફિયાઓથી પોલીસ કર્મચારીઓ પણ સુરક્ષિત રહ્યા નથી. સુરતમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલ જ સાયબર ઠગોની જાળમાં ફસાઈને ઠગાઈનો ભોગ બન્યા છે. પોલીસકર્મી જ સાયબર ફ્રોડમાં ફસાવવાને કારણે સુરત પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે.</p><h2 style="text-align: justify; "><b>વેડિંગ કાર્ડની APK ફાઇલ ડાઉનલોડ કરતાં રૂ.1 લાખ ગાયબ</b></h2><p style="text-align: justify; ">આ ઘટના અંગે મળતી વિગતો અનુસાર, પોલીસ કોન્સ્ટેબલના મોબાઈલ પર લગ્નની પત્રિકા (વેડિંગ કાર્ડ) નામે એક ફાઇલ અથવા લિંક મોકલવામાં આવી હતી. આ ફાઇલ વાસ્તવમાં એક જોખમી APK (Android Package) ફાઇલ હતી. જેવી કોન્સ્ટેબલે લગ્નનું કાર્ડ સમજીને તે ફાઇલ ડાઉનલોડ કરી, કે તરત જ તેમનો ફોન હેક થઈ ગયો હતો અને હેકર્સે તેમના બેંક ખાતામાંથી તબક્કાવાર રૂપિયા 1 લાખની રકમ ગાયબ કરી દીધી હતી.</p><h2 style="text-align: justify; "><b>સચિન પોલીસ મથકે ફરિયાદ અને સાયબર સેલની તપાસ</b></h2><p style="text-align: justify; ">પોતાના બેંક એકાઉન્ટમાંથી અચાનક નાણાં કપાઈ જતાં જ કોન્સ્ટેબલને પોતાની સાથે સાયબર ફ્રોડ થયાનો અહેસાસ થયો હતો. સમગ્ર મામલે ભોગ બનનાર પોલીસ કોન્સ્ટેબલે સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને સાયબર સેલની મદદથી બેંક ટ્રાન્ઝેક્શન અને શંકાસ્પદ ફાઇલ મોકલનાર નંબરના આધારે આરોપીઓનું સુરાગ મેળવવાની કામગીરી શરૂ કરી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/keshod/keshod--caterpillar-found-in-hotel-sizzler-sparks-ruckus--demands-raised-for-food-department-action" target="_blank">Junagadh News : કેશોદની જાણીતી હોટલમાં ઓર્ડર કરેલા સિઝલરમાં એવું તે શું નીકળ્યું કે ગ્રાહકનો પિત્તો ગયો?</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/12/N7DSepMuzTxcLcS2TaBDIiVLU0Dq3n8R5s4HVqAP.webp'/></item><item><title><![CDATA[VPDO ભરતી કૌભાંડ: PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું ]]></title><link>https://sandesh.com/india/news/vpdo-recruitment-scam-harish-rawat-resigns-from-cwc-after-ed-raids-pas-house</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/vpdo-recruitment-scam-harish-rawat-resigns-from-cwc-after-ed-raids-pas-house</guid><pubDate>Sat, 12 Sep 2026 09:50:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ED એ ૨૦૧૬ના ગ્રામ પંચાયત વિકાસ અધિકારી (VPDO) પરીક્ષા કૌભાંડમાં દેહરાદૂન સહિત વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડામાં ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતના પીએ (PA) ચંદન સિંહ જીનાનું ઘર પણ સામેલ હતું. તપાસ દરમિયાન ED ને ₹૩૨ લાખની બિનહિસાબી રોકડ, આશરે ૨૦૦.૫ ગ્રામ સોનું અને ૧૨ લક્ઝરી ઘડિયાળો મળી આવી હતી. ઉપરાંત, એજન્સીએ જીના અને તેમના પરિવારના બેંક ખાતાઓમાં ₹૫૨.૧ લાખ પણ ફ્રીઝ કર્યા છે અને તેમનો મોબાઈલ ફોન ફોરેન્સિક તપાસ માટે જપ્ત કર્યો છે.</p><h2 style="text-align: justify; "><b>હરીશ રાવતની સફાઈ અને પદ પરથી રાજીનામું</b></h2><p style="text-align: justify; ">દરોડા બાદ હરીશ રાવતે જણાવ્યું હતું કે તેમના સહયોગી પર લાગેલા આરોપો જો સાબિત થશે તો તે શરમજનક બાબત હશે, પરંતુ તેઓ હાલ આ આરોપોને માનતા નથી. તેમણે આ કાર્યવાહીને રાજકીય ષડયંત્ર ગણાવતા આરોપ લગાવ્યો હતો કે ચૂંટણીનું વાતાવરણ ખરાબ કરવા માટે આ રમત રમાઈ રહી છે. પાર્ટીની વિશ્વસનીયતા જાળવવા માટે તેમણે રાજ્ય કારોબારી અને કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) માંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે.</p><h3 style="text-align: justify; "><b>ભરતી કૌભાંડ પર સ્પષ્ટતા અને ભૂતકાળના નિર્ણયો</b></h3><p style="text-align: justify; ">પોતાના કાર્યકાળને યાદ કરતા રાવતે જણાવ્યું કે તેમના સમયે ૪૨,૦૦૦ થી વધુ સરકારી ભરતીઓ થઈ હતી. ભરતી પંચ (UKSSSC) ના તત્કાલીન અધ્યક્ષની નિમણૂક અંગે સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું કે ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભુવન ચંદ્ર ખંડુરીની સલાહ અને યોગ્યતાના આધારે જ નિમણૂક કરાઈ હતી. જોકે, ફરિયાદો મળતા જ તે અધિકારીને હોદ્દા પરથી હટાવી દેવાયા હતા. રાવતે અજાણતાં થયેલી કોઈપણ ભૂલ માટે યુવાનો અને રાજ્યના લોકોની માફી પણ માંગી હતી.</p><h4 style="text-align: justify; "><b>OMR શીટ્સમાં ગેરરીતિ અને તપાસનો દાયરો</b></h4><p style="text-align: justify; ">ED ની તપાસ અનુસાર, ૨૦૧૬ની પરીક્ષામાં OMR શીટ્સ સાથે ચેડા કરવામાં આવ્યા હતા. UKSSSC ના અધિકારીઓ અને કમ્પ્યુટર એજન્સીના માલિકોની મિલીભગતથી ખાનગી વ્યક્તિઓને ઉત્તરપત્રોમાં ફેરફાર કરવાનો મોકો આપવામાં આવ્યો હતો. હાલ એજન્સી આ કેસમાં મોટા પાયે થયેલા રોકડ વ્યવહારો અને નાણાંના સ્ત્રોત અંગે ઝીણવટભરી તપાસ કરી રહી છે.</p><h4 style="text-align: justify; "><b>હરીશ રાવતનો ખુલ્લો પડકાર</b></h4><p style="text-align: justify; ">પોતાના ભાષણના અંતે હરીશ રાવતે ખુલ્લો પડકાર ફેંક્યો હતો કે જો કોઈની પાસે ભરતી પ્રક્રિયામાં તેમની સીધી દખલગીરીના પુરાવા હોય, તો તેણે તે CBI, ED અથવા પોલીસને સોંપી દેવા જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે જો કાયદાકીય તપાસમાં તેમની કોઈ ભૂલ સાબિત થશે, તો તેઓ કોઈપણ સજા ભોગવવા તૈયાર છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/crime/news/india/delhi-johri-pur-firing-rajwati-neeraj-neighbor-shooting-case" target="_blank">આ પણ વાંચો : Delhi : પાડોશી મહિલા પર ગોળીબાર બાદ યુવકે પોતાની જાતને ગોળી મારી, સનસનાટીભર્યો બનાવ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/12/Lra5Jtkq9F0ulNj4Fb6NfUwfax2B2jAQXEj5Tr0T.webp'/></item><item><title><![CDATA[Petrol Diesel Price Today: આજે બદલાયો છે પેટ્રોલ ડીઝલનો ભાવ ? જાણો 1 લિટરનો રેટ ]]></title><link>https://sandesh.com/business/news/petrol-diesel-price-today-has-the-price-of-petrol-and-diesel-changed-today-know-the-rate-of-1-liter</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/petrol-diesel-price-today-has-the-price-of-petrol-and-diesel-changed-today-know-the-rate-of-1-liter</guid><pubDate>Sat, 12 Sep 2026 09:48:43 +05:30</pubDate><description><![CDATA[<p>Petrol Diesel Price Today: દેશમાં લોકોને આજે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગે રાહત મળી છે. સરકારી તેલ કંપનીઓએ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી.&nbsp; આનો અર્થ એ છે કે 12 સપ્ટેમ્બર, 2026ના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ ગઈકાલ જેટલા જ યથાવત રહ્યા છે.</p><h2><b>ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા ?&nbsp;</b></h2><p>આજે ક્રૂડ ઓઈલના ભાવમાં થોડો ઘટાડો થયો છે અને તે લગભગ 3% ઘટીને $104.42 પ્રતિ બેરલ પર આવી ગયા છે; ગઈકાલે આ ભાવ થોડા સમય માટે $109 પ્રતિ બેરલ સુધી પહોંચ્યા હતા. ક્રૂડ ઓઈલના વધતા ભાવ વૈશ્વિક ચિંતાનો વિષય છે. જો ભાવમાં વધુ વધારો થશે, તો ઓઈલ કંપનીઓ પાસે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે. જોકે હાલમાં ભાવ સ્થિર હોવાથી થોડી રાહત છે. આજે દિલ્હીમાં પેટ્રોલ ₹102.12 પ્રતિ લિટર અને ડીઝલ ₹95.20 પ્રતિ લિટરના ભાવે ઉપલબ્ધ છે. પ્રીમિયમ XP95 નો ભાવ ₹109.24 છે, જ્યારે હાઈ-ઓક્ટેન XP100 નો ભાવ ₹167.35 છે.</p><h2><b>પેટ્રોલ ડીઝલના ભાવને લઇને રાહત&nbsp;</b></h2><p>જોકે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ખૂબ ઊંચા સ્તરે છે. પરિણામે આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર નજીકથી નજર રાખવામાં આવશે. તેમ છતાં, રાહતની વાત એ છે કે સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવ 25 મેથી યથાવત રહ્યા છે.</p><p><b style="font-size: 1.75rem;">શહેરનું નામ પેટ્રોલનો ભાવ ડીઝલનો ભાવ (12 સપ્ટેમ્બરે શું છે ભાવ)</b></p><p><br></p><table class="table table-bordered"><tbody><tr><td>શહેર&nbsp;</td><td>પેટ્રોલ / લિટર&nbsp;</td><td>ડીઝલ / લિટર</td></tr><tr><td>નવી દિલ્હી&nbsp;</td><td>102.12&nbsp;</td><td>95.20</td></tr><tr><td>કોલકાતા</td><td>&nbsp;113.51&nbsp;</td><td>99.82</td></tr><tr><td>મુંબઈ&nbsp;</td><td>111.21&nbsp;</td><td>97.83</td></tr><tr><td>ચેન્નાઈ&nbsp;</td><td>107.78&nbsp;</td><td>99.56</td></tr><tr><td>નોઈડા&nbsp;</td><td>102.1&nbsp;</td><td>95.56&nbsp;</td></tr></tbody></table><p><b style="font-size: 1.75rem;">શું ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે?</b></p><p>વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ જે ઝડપે વધી રહ્યા છે તે જોતાં, એવો સવાલ ઉઠી રહ્યો છે કે શું ભારતમાં પણ ઈંધણના ભાવ વધશે. સરકાર તરફથી આવા કોઈ સંકેત આપવામાં આવ્યા નથી. જોકે આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી, પરંતુ જો આ વલણ ચાલુ રહેશે. એટલે કે ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો થતો રહેશે. તો ભારતની સરકારી ઓઈલ કંપનીઓને ઈંધણના ભાવ વધારવાની ફરજ પડી શકે છે, કારણ કે તેઓ પહેલેથી જ પેટ્રોલ અને ડીઝલ પર નુકસાન વેઠી રહી છે.</p><h3><b>ગુજરાતના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ</b></h3><p>ગુજરાતમાં શહેર પ્રમાણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડો તફાવત જોવા મળી શકે છે. 12 સપ્ટેમ્બરના લેટેસ્ટ ભાવ નીચે મુજબ છે.&nbsp;</p><table class="table table-bordered"><tbody><tr><td><b>શહેર&nbsp;</b></td><td><b>પેટ્રોલ / લિટર&nbsp;</b></td><td><b>ડીઝલ / લિટર&nbsp;</b></td></tr><tr><td>અમદાવાદ&nbsp;</td><td>₹101.81&nbsp;</td><td>₹97.92</td></tr><tr><td>ગાંધીનગર&nbsp;</td><td>₹102.01&nbsp;</td><td>₹98.13</td></tr><tr><td>રાજકોટ&nbsp;</td><td>₹101.85&nbsp;</td><td>₹97.99&nbsp;</td></tr><tr><td>સુરત&nbsp;</td><td>₹102.15</td><td>&nbsp;₹98.27</td></tr><tr><td>વડોદરા&nbsp;</td><td>₹101.46&nbsp;</td><td>₹97.57</td></tr><tr><td>જૂનાગઢ&nbsp;</td><td>₹102.48&nbsp;</td><td>₹98.62</td></tr></tbody></table> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/wABET6R0o7pWcl9W3SMit6GNr8c0c8ozcETlWoEM.webp'/></item><item><title><![CDATA[Junagadh News : કેશોદની જાણીતી હોટલમાં ઓર્ડર કરેલા સિઝલરમાં એવું તે શું નીકળ્યું કે ગ્રાહકનો પિત્તો ગયો? ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/keshod/keshod--caterpillar-found-in-hotel-sizzler-sparks-ruckus--demands-raised-for-food-department-action</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/keshod/keshod--caterpillar-found-in-hotel-sizzler-sparks-ruckus--demands-raised-for-food-department-action</guid><pubDate>Sat, 12 Sep 2026 09:41:39 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જૂનાગઢના કેશોદમાં ગ્રાહકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ગંભીર ચેડાં થતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. કેશોદની જાણીતી દર્શન હોટલમાં જમવા ગયેલા ગ્રાહકે ઓર્ડર કરેલા ગરમાગરમ સિઝલરની ડિશમાંથી ઈયળ મળી આવી હતી. ખાવાની વાનગીમાંથી ઈયળ જોઈને ગ્રાહક ચોંકી ઉઠ્યા હતા અને તેમણે હોટલ સંચાલકો સામે વિરોધ નોંધાવીને ભારે હોબાળો મચાવ્યો હતો. ગ્રાહકના આરોગ્ય સાથે રમતો આ ખેલ સામે આવતાં જ સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>અસ્વચ્છ રસોડું અને હોટલ સંચાલકોની ઘોર બેદરકારી</b></h2><p style="text-align: justify; ">ઘટના બાદ હોટલના રસોડાની સ્થિતિ અંગે પણ ગંભીર સવાલો ઉભા થયા છે. કોઈપણ પ્રકારની સ્વચ્છતા જાળવ્યા વિના ધમધમતા રસોડામાં ખોરાક તૈયાર કરવામાં આવતો હોવાની પોલ ખુલ્લી પડી ગઈ છે. હોટલ સંચાલકોની આવી ઘોર બેદરકારીને કારણે નિર્દોષ ગ્રાહકોના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે. ગ્રાહકોએ આક્ષેપ કર્યો છે કે મોંઘા ભાવ વસૂલતી હોટલોમાં ખાણીપીણીની ગુણવત્તા અને ચોખ્ખાઈ બાબતે તદ્દન નિષ્કાળજી દાખવવામાં આવી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>ફૂડ વિભાગની નિદ્રાધીન કામગીરી સામે જનરોષ</b></h2><p style="text-align: justify; ">કેશોદમાં વારંવાર અખાદ્ય અને અસ્વચ્છ ખોરાક પીરસવાના બનાવો બનવા છતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કુંભકર્ણ નિંદ્રા સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક નાગરિકો અને ગ્રાહકોએ માગ કરી છે કે ફૂડ વિભાગ તાત્કાલિક ધોરણે નિદ્રામાંથી જાગીને આ હોટલ પર દરોડા પાડે. આ સાથે જ ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરનારા હોટલ સંચાલકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી સખત રજૂઆત કરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/junagadh/major-reshuffle-in-junagadh-police--9-pis-and-8-psis-transferred-by-district-sp" target="_blank">Junagadh પોલીસ તંત્રમાં મોટો ફેરફાર, જિલ્લા પોલીસ વડાએ 9 PI અને 8 PSI ની કરી આંતરિક બદલી</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/12/A0yVMe6LDmBE4KQIDl96E9tbYu8DWayqqAuTI3Ba.webp'/></item><item><title><![CDATA[Junagadh પોલીસ તંત્રમાં મોટો ફેરફાર, જિલ્લા પોલીસ વડાએ 9 PI અને 8 PSI ની કરી આંતરિક બદલી ]]></title><link>https://sandesh.com/gujarat/news/junagadh/major-reshuffle-in-junagadh-police--9-pis-and-8-psis-transferred-by-district-sp</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/junagadh/major-reshuffle-in-junagadh-police--9-pis-and-8-psis-transferred-by-district-sp</guid><pubDate>Sat, 12 Sep 2026 09:31:17 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જૂનાગઢ જિલ્લા પોલીસ તંત્રમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવાના હેતુસર જિલ્લા પોલીસ વડા (SP) દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ બેડામાં ધરખમ ફેરફારો કરતાં 9 પોલીસ ઈન્સ્પેક્ટર (PI) અને 8 પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) ની આંતરિક બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. એકસાથે 17 જેટલા ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલી થતાં જૂનાગઢ પોલીસ આલમમાં ભારે ચર્ચા જાગી છે.</p><h2 style="text-align: justify; "><b>ક્રાઈમ બ્રાન્ચ અને SOG માં નવા અધિકારીઓની નિમણૂક</b></h2><p style="text-align: justify; ">આ આંતરિક તબદીલીમાં જિલ્લાની મુખ્ય તપાસ એજન્સીઓમાં પણ મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ના PI તરીકે બી.જે. ચેતરીયાની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) ની કમાન પી. કે. ચાવડાને સોંપવામાં આવી છે. મહત્વની શાખાઓમાં અનુભવી અધિકારીઓની તૈનાતીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવામાં મદદ મળશે તેમ માનવામાં આવી રહ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>મહત્વના પોલીસ સ્ટેશનોના વડા બદલાયા</b></h2><p style="text-align: justify; ">જિલ્લા પોલીસ વડાના આદેશથી ભવનાથ, માંગરોળ અને માળિયા પોલીસ સ્ટેશનના પીઆઈની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન તથા ભેંસાણ પોલીસ સ્ટેશનમાં પણ પીઆઈની આંતરિક ફેરબદલ કરાઈ છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા અને પોલીસ કામગીરીને વધુ ક્ષમતાવાન બનાવવા માટે જિલ્લા SP દ્વારા આ વહીવટી બદલીનો આદેશ કરવામાં આવ્યો છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/surat/surat--woman-assaulted-after-refusing-couple-swapping--5-booked-by-katargam-police" target="_blank">Suratમાં કપલ સ્વેપિંગના નામે મહિલા પર શારીરિક-માનસિક અત્યાચાર! વિરોધ કરવા બદલ માર મારનાર પતિ સહિત 5 સામે ફરિયાદ</a></b></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/12/n92KUmqUXQHB8KDDRj6pltJGK43bkMS9otZlZ1Y8.webp'/></item><item><title><![CDATA[Suratમાં કપલ સ્વેપિંગના નામે મહિલા પર શારીરિક-માનસિક અત્યાચાર! વિરોધ કરવા બદલ માર મારનાર પતિ સહિત 5 સામે ફરિયાદ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/surat--woman-assaulted-after-refusing-couple-swapping--5-booked-by-katargam-police</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/surat--woman-assaulted-after-refusing-couple-swapping--5-booked-by-katargam-police</guid><pubDate>Sat, 12 Sep 2026 08:48:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરમાં સંબંધોને શર્મસાર કરતી અને વિકૃત માનસિકતા દર્શાવતી વધુ એક ઘટના સામે આવી છે. કતારગામ વિસ્તારની પરિણીતાને તેના પતિ અને પરિવારના અન્ય સભ્યો દ્વારા ગેરકાયદેસર અને અનૈતિક કપલ સ્વેપિંગ (Couple Swapping) માટે સતત દબાણ કરવામાં આવતું હોવાનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>ઈનકાર કરતાં પરિણીતાને ઢોર માર માર્યો</b></h2><p style="text-align: justify; ">કેસની વિગતો મુજબ, ઉત્રાણ ખાતે રહેતા પરિણીતાના પતિ અને તેની દેરાણી દ્વારા પરિણીતા પર અનૈતિક સંબંધો બાંધવા અને કપલ સ્વેપિંગ કરવા માટે ભારે માનસિક તથા શારીરિક દબાણ કરવામાં આવતું હતું. પરિણીતાએ આ માગણીનો સ્પષ્ટ ઈનકાર કરી દેતાં, ઉશ્કેરાયેલા પતિ અને સાસરિયાઓએ તેને ઢોર માર મારીને ભારે માનસિક-શારીરિક ત્રાસ આપ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>કતારગામ પોલીસે 5 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી</b></h3><p style="text-align: justify; ">સાસરિયાઓના સતામણી અને અમાનુષી અત્યાચારથી કંટાળીને આખરે ભોગ બનનાર પરિણીતાએ કતારગામ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પરિણીતાની ફરિયાદના આધારે કતારગામ પોલીસે પતિ અને દેરાણી સહિત કુલ પાંચ લોકો વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની સઘન તપાસ હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/gir-somnath/talala-talati-mantri-bribe-case-acb-trap-gir-somnath" target="_blank">Gir Somnath News: તાલાલામાં ACBનો સપાટો, 8 હજારની લાંચ લેતા તલાટી મંત્રી સહિત 3 ઝડપાયા</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/12/GtylZP4Pi91IzVBvZygh4tzkOlIxICenmBVxeg3x.webp'/></item><item><title><![CDATA[Delhi High Court : વિનેશ ફોગાટને મોટો ઝટકો, વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલમાંથી બહાર ]]></title><link>https://sandesh.com/sports/news/vinesh-phogat-world-championship-trials-delhi-high-court</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/vinesh-phogat-world-championship-trials-delhi-high-court</guid><pubDate>Fri, 11 Sep 2026 09:21:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને આંતરરાષ્ટ્રીય કુસ્તીમાં વાપસીના પ્રયાસ વચ્ચે મોટો ઝટકો લાગ્યો છે.દિલ્હી હાઈકોર્ટે 2026 સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપની પસંદગી માટે યોજાનારી ટ્રાયલમાં વિનેશને ભાગ લેવાની વચગાળાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે.આ નિર્ણય બાદ વિનેશ માટે 14 સપ્ટેમ્બરે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં યોજાનારી પસંદગી ટ્રાયલમાં ઉતરવાનો રસ્તો બંધ થઈ ગયો છે.જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ ગુરુવારે મોડી રાત્રે વિનેશ ફોગાટની વચગાળાની રાહતની માગ કરતી અરજી ફગાવી દીધી હતી.</p><h4 style="text-align: justify; "><b>દિલ્હી હાઈકોર્ટે શું કહ્યું</b></h4><p style="text-align: justify; ">અદાલતે કહ્યું કે ભારતીય કુસ્તી મહાસંઘ દ્વારા નક્કી કરવામાં આવેલી પાત્રતાની શરતો કોઈ એક ખેલાડી માટે અલગ રીતે લાગુ કરી શકાય નહીં.અદાલતે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું કે 7 સપ્ટેમ્બર 2026ના પરિપત્રમાં નક્કી કરાયેલા માપદંડ તમામ ખેલાડીઓ માટે સમાન છે.જો કોઈ કુસ્તીબાજે નક્કી કરાયેલી સ્પર્ધામાં ભાગ લીધો નથી,તો તે વર્તમાન નિયમો હેઠળ ટ્રાયલ માટે પાત્ર ગણાતો નથી.</p><h5 style="text-align: justify; "><b>વિનેશ ફોગાટે અદાલતનો દરવાજો કેમ ખખડાવ્યો?</b></h5><p style="text-align: justify; ">વિનેશ ફોગાટે ભારતીય કુસ્તી મહાસંઘના નવા પસંદગી નિયમોને પડકાર્યા હતા.7 સપ્ટેમ્બરે જાહેર કરાયેલા પરિપત્રમાં 2026 સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ માટેના ટ્રાયલમાં ભાગ લેવા માટે છ ઓલિમ્પિક વજન વર્ગો માટે પાત્રતાના નિયમો નક્કી કરવામાં આવ્યા છે.આ નિયમો હેઠળ કેટલીક નિર્ધારિત સ્પર્ધાઓના ચંદ્રક વિજેતા, રાષ્ટ્રીય તાલીમ શિબિરમાં સામેલ કુસ્તીબાજો અને 2026 અંડર-20 વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પસંદ થયેલા ખેલાડીઓ પાત્ર બને છે.વિનેશનું કહેવું હતું કે માતૃત્વના કારણે તે કેટલીક મહત્વની પસંદગી સ્પર્ધાઓમાં ભાગ લઈ શકી નહોતી.તેથી હાલના નિયમો તેમના માટે વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ સુધી પહોંચવાનો માર્ગ બંધ કરે છે.વિનેશે સીધી રીતે વર્લ્ડ ચેમ્પિયનશિપની ટીમમાં પસંદગીની માગ કરી નહોતી. તેમની માગ માત્ર એટલી હતી કે તેમને ટ્રાયલમાં ભાગ લેવાની તક આપવામાં આવે અને ત્યારબાદ તેમના પ્રદર્શનના આધારે ટીમમાં પસંદગી કરવામાં આવે.</p><h4 style="text-align: justify; "><b>એશિયન ગેમ્સના ટ્રાયલનો પણ આપ્યો હતો હવાલો</b></h4><p style="text-align: justify; ">વિનેશે પોતાની દલીલમાં 30 મેના એશિયન ગેમ્સના પસંદગી ટ્રાયલનો પણ ઉલ્લેખ કર્યો હતો.તેમણે 53 કિલોગ્રામ વજન વર્ગમાં ભાગ લીધો હતો અને ક્વાર્ટર ફાઇનલ જીતીને સેમિફાઇનલ સુધી પહોંચ્યા હતા.વિનેશે અદાલતને જણાવ્યું હતું કે માતા બન્યા બાદ તેમણે ફરી તાલીમ શરૂ કરી છે અને સ્પર્ધાત્મક કુસ્તીમાં વાપસી માટે પ્રયાસ કરી રહ્યા છે. તેઓ જુલાઈ 2025માં માતા બન્યા હતા.</p><h4 style="text-align: justify; "><b>માતૃત્વ નીતિ અંગે મોટી લડાઈ હજુ ચાલુ</b></h4><p style="text-align: justify; ">દિલ્હી હાઈકોર્ટે હાલ વિનેશની અરજીમાં ઉઠાવવામાં આવેલા મોટા કાયદાકીય પ્રશ્નો અંગે અંતિમ નિર્ણય આપ્યો નથી.અદાલતે એ પણ નોંધ્યું કે ગર્ભાવસ્થા, બાળકના જન્મ અને ત્યારબાદની શારીરિક પુનઃપ્રાપ્તિ જેવી પરિસ્થિતિઓને મહિલા ખેલાડીઓ માટેની પસંદગી નીતિની કાયદેસરતા અંગે વિચાર કરતી વખતે ધ્યાનમાં લેવાની જરૂર પડી શકે છે.જોકે, આ કારણોસર વિનેશને તાત્કાલિક વચગાળાની છૂટ આપી શકાય નહીં. અદાલતની એક મહત્વની ચિંતા એ પણ હતી કે માત્ર વિનેશને નિયમોમાં છૂટ આપવામાં આવે તો આવી જ સ્થિતિમાં રહેલા અન્ય ખેલાડીઓ સાથે સમાનતાનો પ્રશ્ન ઊભો થઈ શકે છે.વિનેશની કાનૂની લડાઈ માત્ર વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ પૂરતી મર્યાદિત નથી. તેઓ માતૃત્વ બાદ મહિલા ખેલાડીઓ માટે પારદર્શક અને વ્યવસ્થિત પસંદગી વ્યવસ્થા બનાવવાની માગ પણ કરી રહ્યા છે.</p><p style="text-align: justify; "><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/NalinisKitchen/status/2098245458540027916?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>WFIની શિસ્તભંગની કાર્યવાહી પણ પડકારાઈ</b></h4><p style="text-align: justify; ">વિનેશે ભારતીય કુસ્તી મહાસંઘ દ્વારા શરૂ કરવામાં આવેલી શિસ્તભંગની કાર્યવાહી સામે પણ અદાલતનો સંપર્ક કર્યો છે. તેમણે મે અને જૂનમાં આપવામાં આવેલી 2 કારણદર્શક નોટિસ રદ કરવાની માગ કરી છે.બીજી તરફ,કુસ્તી મહાસંઘનું કહેવું છે કે વિનેશને શિસ્ત સમિતિ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક આપવામાં આવી હતી.</p><h5 style="text-align: justify; "><b>ક્યારે યોજાશે વર્લ્ડ ચેમ્પિયનશિપ?</b></h5><p style="text-align: justify; ">2026 સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં 24 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન યોજાવાની છે. દિલ્હી હાઈકોર્ટના હાલના નિર્ણય બાદ વિનેશ ફોગાટ 14 સપ્ટેમ્બરે યોજાનારી ભારતીય પસંદગી ટ્રાયલમાં ભાગ લઈ શકશે નહીં.જોકે, માતૃત્વ બાદ મહિલા ખેલાડીઓને રમતગમતમાં વાપસી માટે કઈ રીતે તક મળવી જોઈએ અને પસંદગી પ્રક્રિયામાં તેમના માટે કેવી વ્યવસ્થા હોવી જોઈએ, તે અંગે વિનેશની મોટી કાનૂની લડાઈ હજુ ચાલુ છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો <a href="https://sandesh.com/cricket/news/shree-charani-breaks-radha-yadav-record-50-t20i-wickets" target="_blank">- Shree Charaniએ નોંધાવી ઐતિહાસિક સિદ્ધિ, રાધા યાદવનો મોટો રેકોર્ડ તોડી રચ્યો ઇતિહાસ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/kFL2T3ixL0obDmcYy4934aTdupVad2PjvKVjk8Ms.webp'/></item></channel></rss>