<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Valsadના મધુબન ડેમ તૂટવાની ખોટી અફવાથી ભારે ચકચાર, કલેક્ટરે કહ્યું- "ડેમ સંપૂર્ણ સુરક્ષિત છે, ગભરાશો નહીં" ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/valsad/huge-stir-over-false-rumours-of-madhuban-dam-breaching-in-valsad-collector-says-the-dam-is-completely-safe-dont-panic</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/valsad/huge-stir-over-false-rumours-of-madhuban-dam-breaching-in-valsad-collector-says-the-dam-is-completely-safe-dont-panic</guid><pubDate>Sat, 25 Jul 2026 17:00:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વલસાડ જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે સોશિયલ મીડિયા પર એક ભ્રામક અને ખોટી અફવા વાયરલ થઈ હતી કે વલસાડ જિલ્લાનો મહત્વનો મધુબન ડેમ તૂટી ગયો છે. આ સમાચાર વહેતા થતાં જ સ્થાનિક નાગરિકો અને નીચાણવાળા વિસ્તારના લોકોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. ખોટા અહેવાલોના કારણે લોકોમાં ચિંતા વધતાં તંત્ર ત્વરિત હરકતમાં આવ્યું હતું.</p><h2 style="text-align: justify;"><b>કલેક્ટર નીતિન સાંગવાનનું નિવેદન: ડેમ સંપૂર્ણ સુરક્ષિત</b></h2><p style="text-align: justify; ">અફવાઓની ગંભીરતાને ધ્યાને રાખીને વલસાડ જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાન દ્વારા સોશિયલ મીડિયા અને અધિકૃત માધ્યમો મારફતે તાત્કાલિક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. કલેક્ટરે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, "મધુબન ડેમ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેને કોઈ નુકસાન થયું નથી. નાગરિકોએ કોઈ પણ પ્રકારના ગભરાટમાં આવવાની કે અફવાઓથી દોરવાવાની બિલકુલ જરૂર નથી."</p><h3 style="text-align: justify;"><b>ભ્રામક અફવાઓ પર ધ્યાન ન આપવા તંત્રની અપીલ</b></h3><p style="text-align: justify;">જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને શાંતિ અને ધીરજ જાળવી રાખવા ખાસ અપીલ કરવામાં આવી છે. કલેક્ટરે વધુમાં ઉમેર્યું હતું કે સોશિયલ મીડિયા પર વહેતી થતી આવી બિનઅધિકૃત માહિતી અને અફવાઓ પર સહેજ પણ વિશ્વાસ ન કરવો. પૂર કે વરસાદ સંબંધી કોઈ પણ માહિતી માટે માત્ર સરકારી અને અધિકૃત સુત્રો દ્વારા આપવામાં આવતી માહિતી પર જ ભરોસો રાખવા નાગરિકોને જણાવાયું છે.</p><p style="text-align: justify;"><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify;"><br></p><p style="text-align: justify;"><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/A8JtLVUlnRDQzkv7VbhqxiNoznMtEWX0VQ8BpQ69.webp'/></item><item><title><![CDATA[Delhi Metro: રાજીવ ચોક, મંડી હાઉસ અને સચિવાલય..દિલ્હીના મેટ્રો સ્ટેશનો ફરીથી શરૂ કરાયા ]]></title><link>https://sandesh.com/india/news/delhi-metro-rajiv-chowk-mandi-house-and-secretariatdelhi-metro-stations-reopened</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/delhi-metro-rajiv-chowk-mandi-house-and-secretariatdelhi-metro-stations-reopened</guid><pubDate>Sat, 25 Jul 2026 16:39:08 +05:30</pubDate><description><![CDATA[<p>દિલ્હીમાં CJP વિરોધ પ્રદર્શન દરમિયાન સાવચેતીના પગલા તરીકે બંધ કરાયેલા રાજીવ ચોક, મંડી હાઉસ અને સેન્ટ્રલ સચિવાલય સહિત અનેક મોટા મેટ્રો સ્ટેશન ફરી ખુલ્યા છે. પરિસ્થિતિ સામાન્ય થયા પછી DMRC એ બધા પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા ફરીથી ખોલ્યા છે.</p><h2><b>દિલ્હીના મુખ્ય મેટ્રો સ્ટેશન ખૂલ્યા&nbsp;</b></h2><p>CJP અને વિદ્યાર્થીઓના વિરોધને કારણે સાવચેતીના પગલા તરીકે બંધ કરાયેલા રાજધાનીના મુખ્ય મેટ્રો સ્ટેશનો સામાન્ય મુસાફરો માટે ફરી ખુલ્યા છે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) એ પુષ્ટિ આપી છે કે પરિસ્થિતિ નિયંત્રણમાં આવ્યા પછી અને કાયદો અને વ્યવસ્થા પાછી આવી ગયા પછી રાજીવ ચોક, મંડી હાઉસ અને સેન્ટ્રલ સચિવાલય સ્ટેશનો પર સેવાઓ સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરવામાં આવી છે.</p><p>સુરક્ષા એજન્સીઓ સાથે પરામર્શ કર્યા પછી, DMRC એ પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા ફરીથી ખોલ્યા છે, જેનાથી લુટિયન્સ દિલ્હી અને કનોટ પ્લેસ જતા અને જતા મુસાફરો અને કામ કરતા લોકોને નોંધપાત્ર રાહત મળી છે.</p><h3><b>સુરક્ષા કારણોસર દરવાજા બંધ કરાયા હતા&nbsp;</b></h3><p>જંતર મંતર પર ચાલી રહેલા વિદ્યાર્થીઓના વિરોધને કારણે મોટી ભીડ અને હિંસક અથડામણોને કારણે, પોલીસની સૂચના પર ઘણા મેટ્રો સ્ટેશનો સીલ કરવામાં આવ્યા હતા. આના કારણે રાજીવ ચોક અને મંડી હાઉસ જેવા વ્યસ્ત ઇન્ટરચેન્જ સ્ટેશનો પર મુસાફરોને મોટી અસુવિધા થઈ. હાલમાં, મેટ્રો સ્ટેશનો પર સુરક્ષા દળો તૈનાત છે, પરંતુ ટ્રેન સેવાઓ અને મુસાફરોનો ટ્રાફિક સામાન્ય રીતે ચાલી રહ્યો છે.<br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/fbzRI7pzTXkTDNO8n5mW44cvlZW3h5fwjfZY5HHK.webp'/></item><item><title><![CDATA[Chhota Udepur News: કવાંટના રાયસિંગપુરામાં માનવભક્ષી દીપડાએ સૂતેલી 65 વર્ષીય વૃદ્ધાને સીમમાં ખેંચી જઈ ફાડી ખાધી! ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/chhota-udepur/chhota-udepur-news-in-raisinghpura-kwant-a-man-eating-leopard-dragged-a-sleeping-65-year-old-woman-into-the-vicinity-and-tore-her-apart</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/chhota-udepur/chhota-udepur-news-in-raisinghpura-kwant-a-man-eating-leopard-dragged-a-sleeping-65-year-old-woman-into-the-vicinity-and-tore-her-apart</guid><pubDate>Sat, 25 Jul 2026 16:38:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલ રાયસિંગપુરા ગામે દીપડાના હુમલાની અત્યંત કમકમાટીભરી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રાત્રિના સમયે ઘરમાં સૂતેલા ૬૫ વર્ષીય રહલીબેન રેવજીભાઈ નાયક પર અચાનક આવી ચડેલા દીપડાએ ત્રાટકીને હુમલો કર્યો હતો. હિંસક દીપડો વૃદ્ધાને ઢસડીને ગામની સીમમાં ખેંચી ગયો હતો અને ત્યાં તેમને ઘાતકી રીતે ફાડી ખાધા હતા.</p><h2 style="text-align: justify; "><b>માથું ધડથી અલગ હાલતમાં મળતાં ભારે અરેરાટી</b></h2><p style="text-align: justify; ">સવારે જ્યારે ગ્રામજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી ત્યારે સીમમાંથી રહલીબેનનો મૃતદેહ મળી આવ્યો હતો. દીપડાએ વૃદ્ધા પર એ હદે ભયાનક હુમલો કર્યો હતો કે તેમનું માથું ધડથી અલગ થઈ ગયેલી હાલતમાં મળી આવ્યું હતું. આ ભયાનક દ્રશ્ય જોઈને સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું હતું.</p><h3 style="text-align: justify; "><b>માનવભક્ષી દીપડાને પકડવા વન વિભાગ હરકતમાં</b></h3><p style="text-align: justify; ">ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ પણ રાયસિંગપુરા ગામે દીપડાના હુમલામાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ફરી એકવાર આ પ્રકારે જીવલેણ હુમલો થતાં સમગ્ર કવાંટ પંથક અને ગ્રામજનોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. માનવભક્ષી બનેલા આ દીપડાને વહેલી તકે પાંજરે પૂરવા માટે વન વિભાગ દ્વારા બોનસ પાંજરા મૂકીને તજવીજ હાથ ધરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/35ioOX5gtNESV5t2rkkA0qjwvxUXDRB532N7IPjL.webp'/></item><item><title><![CDATA[Madhya Pradsh : રાજગઢ જિલ્લામાં મોટી દુર્ઘટના, કાર તળાવમાં ખાબકી, 5 લોકોના મોત ]]></title><link>https://sandesh.com/india/news/madhya-pradesh-rajgarh-car-falls-into-pond-five-died</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/madhya-pradesh-rajgarh-car-falls-into-pond-five-died</guid><pubDate>Sat, 25 Jul 2026 16:30:11 +05:30</pubDate><description><![CDATA[<p>મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં શનિવારે સવારે એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લાના ખુજનેર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ ભીલખેડી જોડ પાસે એક ફૂલ સ્પીડે દોડી રહેલી સ્વિફ્ટ કાર અચાનક બેકાબૂ બનીને રસ્તા કિનારે આવેલા તળાવમાં ખાબકી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ.</p><h2><b>ભારે જહેમત બાદ કારને તળાવમાંથી બહાર કાઢવામાં આવી</b></h2><p>માહિતી મળતા જ ખુજનેર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થાનિક ગ્રામજનોની મદદથી ભારે જહેમત બાદ કારને તળાવમાંથી બહાર કાઢવામાં આવી હતી. કારમાં ફસાયેલા પાંચેય લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબોએ તપાસ બાદ તમામને મૃત જાહેર કર્યા હતા.</p><h3><b>અંદર બેઠેલા લોકો બહાર નીકળી શક્યા નહોતા</b></h3><p>પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અકસ્માત સમયે કારના તમામ દરવાજા અને કાચ બંધ હતા. જેના કારણે કાર તળાવમાં ડૂબી જતા અંદર બેઠેલા લોકો બહાર નીકળી શક્યા નહોતા. પોલીસ અને સ્થાનિક લોકોએ કારના કાચ તોડી બચાવ કામગીરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.</p><h4><b>તમામ મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરાશે</b></h4><p>મૃતકોની ઓળખ માટે પોલીસને તેમની પાસે મળેલા દસ્તાવેજોના આધારે કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ મૃતકો અરનિયા ખુર્દ, અવંતીપુર બડોદિયા, મોહન બડોદિયા અને હતાઈ ખેડા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જોકે, પરિવારજનોના આગમન બાદ જ પોલીસ તેમની સત્તાવાર ઓળખની પુષ્ટિ કરશે.</p><p>તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અને ઓળખ પ્રક્રિયા માટે મોર્ચરીમાં રાખવામાં આવ્યા છે. પરિવારજનો પહોંચ્યા બાદ પંચનામું અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ કરીને મૃતદેહો તેમને સોંપવામાં આવશે. હાલમાં પોલીસ અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ કરી રહી છે. પ્રાથમિક અનુમાન મુજબ વધુ ઝડપ અને વાહન પરનો કાબૂ ગુમાવવાને કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ કરુણ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/sonam-wangchuk-reacts-to-dharmendra-pradhan-resignation-victory-of-democracy" target="_blank">આ પણ વાંચો : આ શાંતિ, ધૈર્ય અને દ્રઢતાનો વિજય... સોનમ વાંગચુકે આપી પ્રતિક્રિયા</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/QPFTFSWOtj5X14KgYQAxheQtsGYn2DoM8ClY5RuN.webp'/></item><item><title><![CDATA[Senior Citizen FD: સિનિયર સિટીઝન્સ માટે 5 વર્ષની FD પર ક્યાં મળશે સૌથી વધુ વ્યાજ ]]></title><link>https://sandesh.com/business/news/india/senior-citizen-fd-where-will-you-get-the-highest-interest-on-a-5-year-fd-for-senior-citizens</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/senior-citizen-fd-where-will-you-get-the-highest-interest-on-a-5-year-fd-for-senior-citizens</guid><pubDate>Sat, 25 Jul 2026 16:04:13 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સિનિયર સિટીઝન્સ માટે 5 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર ખાનગી અને સરકારી બેંકોના વ્યાજ દરોમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. કેટલીક બેંકો 8% સુધીનું વળતર આપી રહી છે. તેથી, રોકાણ કરતા પહેલાં વ્યાજ દરોની સરખામણી કરીને વધુ સારું વળતર આપતો વિકલ્પ પસંદ કરવો ફાયદાકારક રહેશે.</p><p style="text-align: justify; ">નિવૃત્તિ (રિટાયરમેન્ટ) પછી નિયમિત અને સુરક્ષિત આવકની શોધમાં હોય તેવા વરિષ્ઠ નાગરિકો માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) આજે પણ સૌથી પસંદગીના રોકાણ વિકલ્પોમાંથી એક છે. જોકે, બધી બેંકો એકસરખું વ્યાજ આપતી નથી. આવી સ્થિતિમાં રોકાણ કરતા પહેલાં અલગ-અલગ બેંકોના FD દરોની સરખામણી કરવી ખૂબ જ જરૂરી છે. જો તમે 3 વર્ષ કે 5 વર્ષની FD કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો કેટલીક ખાનગી અને સરકારી બેંકો વરિષ્ઠ નાગરિકોને આકર્ષક વ્યાજ દરો ઓફર કરી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>5 વર્ષની FD પર ખાનગી બેંકોમાં કોણ સૌથી આગળ?</b></h2><p style="text-align: justify; ">5 વર્ષની FD પર ખાનગી ક્ષેત્રની બેંકોમાં DCB Bank સૌથી વધુ 8.00% વ્યાજ આપી રહી છે. ત્યારબાદ SBM Bank India અને YES Bank 7.50% નો દર ઓફર કરી રહ્યા છે.જ્યારે Jammu &amp; Kashmir Bank 7.35%, Axis Bank 7.25% અને RBL Bank તથા Tamilnad Mercantile Bank 7.20% વ્યાજ આપી રહ્યા છે. આ પરિસ્થિતિમાં વધુ વળતર ઈચ્છતા વરિષ્ઠ નાગરિકો માટે ખાનગી બેંકો વધુ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.</p><h3 style="text-align: justify; "><b>સરકારી બેંકોમાં SBI સૌથી આગળ</b></h3><p style="text-align: justify; ">જો તમે સરકારી બેંકમાં રોકાણ કરવા માંગો છો, તો State Bank of India (SBI) 5 વર્ષની FD પર વરિષ્ઠ નાગરિકોને 7.05% વ્યાજ આપી રહી છે.ત્યારબાદ Bank of Baroda 6.90%, Punjab National Bank (PNB) 6.85%, જ્યારે Bank of India અને Canara Bank 6.75% વ્યાજ આપી રહ્યા છે. અન્ય જાહેર ક્ષેત્રની (સરકારી) બેંકોમાં આ દર 6.50% થી 6.60% ની વચ્ચે છે.</p><h4 style="text-align: justify; "><b>3 વર્ષની FD પર પણ મળી રહ્યું છે આકર્ષક વળતર</b></h4><p style="text-align: justify; ">જો તમારા રોકાણનો સમયગાળો 3 વર્ષનો છે, તો ખાનગી બેંકોમાં Bandhan Bank, IndusInd Bank અને YES Bank વરિષ્ઠ નાગરિકોને 7.75% વ્યાજ આપી રહ્યા છે.જ્યારે RBL Bank 7.70% અને IDFC FIRST Bank તથા SBM Bank India 7.60% નો દર ઓફર કરી રહ્યા છે. સરકારી બેંકોમાં Bank of India 7.45% સાથે સૌથી આગળ છે, જ્યારે PNB અને SBI 6.80% તથા Bank of Baroda અને Canara Bank 6.75% વ્યાજ આપો છો.</p><h5 style="text-align: justify; "><b>રોકાણ કરતા પહેલાં આ બાબતોનું ખાસ ધ્યાન રાખો</b></h5><p style="text-align: justify; ">નિષ્ણાતોનું કહેવું છે કે માત્ર સૌથી વધુ વ્યાજ દર જોઈને FDમાં રોકાણ ન કરવું જોઈએ. રોકાણ કરતા પહેલાં બેંકની વિશ્વસનીયતા, મુદત પૂરી થાય તે પહેલાં FD તોડવાના નિયમો (Premature Withdrawal Rules), વ્યાજ ચુકવણીનો વિકલ્પ (માસિક, ત્રિમાસિક કે વાર્ષિક) અને ટેક્સ (TDS) સંબંધિત નિયમોને સમજવા જરૂરી છે.જો રોકાણની રકમ મોટી હોય, તો તેને એક જ બેંકમાં મૂકવાને બદલે અલગ-અલગ બેંકોમાં વહેંચીને રોકાણ કરવું એ જોખમ ઘટાડવાની એક શ્રેષ્ઠ રણનીતિ હોઈ શકે છે. યોગ્ય સરખામણી કર્યા પછી જ કરાયેલું રોકાણ વરિષ્ઠ નાગરિકોને સુરક્ષિત અને સારું વળતર મેળવવામાં મદદ કરી શકે છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/world/news/iran-war-2026-gulf-countries-bahrain-kuwait-launch-secret-attacks-against-iran" target="_blank">આ પણ વાંચો: Iran War 2026: ઈરાન વિરુદ્ધ અખાતી દેશો, બહરીન-કુવૈતે કર્યા સીક્રેટ હુમલા</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/Bouqpx7ydS8p5aVc1x0PLUui6B2pdR6EHY4gxvzF.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના ફતેવાડીમાં જૂની અદાવતમાં પિસ્તોલથી ધાણીફૂટ ફાયરિંગ, એક વ્યક્તિ ગંભીર રીતે ઘવાયી ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/in-ahmedabads-fatehwadi-a-man-was-seriously-injured-in-a-gunfight-over-an-old-enmity</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/in-ahmedabads-fatehwadi-a-man-was-seriously-injured-in-a-gunfight-over-an-old-enmity</guid><pubDate>Sat, 25 Jul 2026 16:02:18 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરના વેજલપુર-સરખેજ વિસ્તાર નજીક આવેલા ફતેવાડી પંથકમાં ફાયરિંગની સનસનાટીભરી ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. જૂની અદાવત અને ફરિયાદીની પત્ની સાથેના પ્રેમ સંબંધની તકરારમાં પિસ્તોલ જેવા ઘાતક હથિયારથી યુવક પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ હુમલામાં જાવેદ પઠાણ નામના વ્યક્તિને ગોળી વાગતાં તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં ભારે ભાગદોડ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.</p><h2><b>ઈજાગ્રસ્ત જાવેદ પઠાણ હોસ્પિટલમાં સારવાર હેઠળ</b></h2><p>ગોળી વાગવાથી ગંભીર રીતે ઘવાયેલા જાવેદ પઠાણને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ નાજુક હોવાનું કહેવાઈ રહ્યું છે. ફાયરિંગની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને વિસ્તારને કોર્ડન કરીને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.</p><h3><b>ત્રણ સામે હત્યાના પ્રયાસનો ગુનો, એક આરોપીની અટકાયત</b></h3><p>પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી મુખ્ય આરોપીઓ મુસાહિદ ઉર્ફે બાબુ કાલીયા, સહેજાન ઉર્ફે ભૂરો અને ડેમો નામના ત્રણ શખ્સો વિરુદ્ધ હત્યાના પ્રયાસ (IPC/BNS) તેમજ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આ ઘટનામાં સંડોવાયેલા એક આરોપીની અટકાયત કરી લીધી છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવી આગળની કાયદેસરની તપાસ તેજ કરી છે.</p><p><a href="http://ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/yxSiKUnepXsFtdbnOwmEbA9atQ5XawMvKzXN7ckF.webp'/></item><item><title><![CDATA[Sports News : ભારતમાં મેચ રમવા આવશે બ્રાઝિલની ટીમ, ક્યાં અને ક્યારે થશે ટક્કર ]]></title><link>https://sandesh.com/sports/news/sports-news-brazilian-team-will-come-to-india-to-play-a-match-where-and-when-will-the-match-take-place</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/sports-news-brazilian-team-will-come-to-india-to-play-a-match-where-and-when-will-the-match-take-place</guid><pubDate>Sat, 25 Jul 2026 15:46:30 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય ફૂટબોલ ચાહકો માટે એક સારા સમાચાર છે.વિશ્વની સૌથી લોકપ્રિય અને પાંચ વખતની વિશ્વ ચેમ્પિયન બ્રાઝિલિયન ફૂટબોલ ટીમ ઓક્ટોબરમાં ભારતનો પ્રવાસ કરે તેવી શક્યતા છે. મીડિયા રિપોર્ટ અનુસાર બ્રાઝિલિયન ફૂટબોલ એસોસિએશન (CBF) ઓક્ટોબરની શરૂઆતમાં ભારતમાં એક મૈત્રીપૂર્ણ મેચ રમવા માટે આયોજકો સાથે વાતચીત કરી રહ્યું છે.</p><h5><b>કોલકાતા એક ઐતિહાસિક મેચનું સાક્ષી બની શકે છે</b></h5><p>ફૂટબોલના મક્કા તરીકે ઓળખાતું કોલકાતા આ પ્રસ્તાવિત મેચનું આયોજન કરે તેવી શક્યતા છે. મીડિયા રિપોર્ટ અનુસાર CBF અને આયોજકો વચ્ચે આ મેચ અંગે પ્રારંભિક ચર્ચાઓ 2026 માં યુનાઇટેડ સ્ટેટ્સમાં યોજાયેલા FIFA વર્લ્ડ કપ દરમિયાન શરૂ થઈ હતી. જોકે, હજુ સુધી સ્પષ્ટ નથી કે પાંચ વખતની વિશ્વ ચેમ્પિયન ટીમ ભારતીય રાષ્ટ્રીય ટીમનો સામનો કરશે કે અન્ય આંતરરાષ્ટ્રીય ટીમનો.</p><h4><b>બ્રાઝિલનો 3-મેચનો આંતરરાષ્ટ્રીય વિન્ડો પ્લાન</b></h4><p>FIFAનો આંતરરાષ્ટ્રીય વિન્ડો 21 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર સુધી ચાલવાનો છે. આ સમયગાળા દરમિયાન, બ્રાઝિલિયન ટીમ કુલ ત્રણ મેચ રમવાની યોજના ધરાવે છે: બે ઓસ્ટ્રેલિયામાં અને એક ભારતમાં.</p><ul><li>25 સપ્ટેમ્બર: ઓસ્ટ્રેલિયાના ટાઉન્સવિલેમાં મેચ.</li><li>29 સપ્ટેમ્બર: ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં બીજી મેચ.</li><li>ઓક્ટોબરની શરૂઆતમાં: ભારતમાં ત્રીજી મૈત્રીપૂર્ણ મેચ.</li></ul><h5><b>સિંગાપોર સાથે પણ વાટાઘાટો થઈ હતી</b></h5><p>બ્રાઝિલિયન ફૂટબોલ એસોસિએશને આ સમયગાળા દરમિયાન બાંગ્લાદેશમાં ચોથી મેચ રમવાનું પણ વિચાર્યું હતું, પરંતુ ખેલાડીઓનો થાક, મુસાફરીનો સમય અને તૈયારીને ધ્યાનમાં રાખીને, યોજના મુલતવી રાખવામાં આવી છે. સિંગાપોર સાથે પણ વાટાઘાટો થઈ હતી, પરંતુ કોઈ કરાર થઈ શક્યો ન હતો, જેના કારણે કોલકાતાની બોલી સૌથી મજબૂત રહી.</p><h5><b>કોલકાતાનો બ્રાઝિલ સાથે લાંબા ગાળાનો સંબંધ</b></h5><p>કોલકાતાનો બ્રાઝિલિયન ફૂટબોલ સાથે લાંબા સમયથી સંબંધ છે. દિગ્ગજ ફૂટબોલ દિગ્ગજ પેલેએ 1977માં ન્યૂ યોર્ક કોસ્મોસ માટે રમતી વખતે ઇડન ગાર્ડન્સ ખાતે મોહન બાગાન સામે ઐતિહાસિક મેચ રમી હતી. ત્યારબાદ તેમણે 2015માં કોલકાતાની મુલાકાત લીધી હતી. જો આ પ્રવાસ નિર્ધારિત સમય મુજબ ચાલે છે, તો કોલકાતાના ચાહકોને વિનિસિયસ જુનિયર જેવા ફૂટબોલ દિગ્ગજોને વ્યક્તિગત રીતે રમતા જોવાની સુવર્ણ તક મળી શકે છે.</p><p>આ પણ&nbsp; વાંચો <a href="https://sandesh.com/sports/news/cwg-2026-medals-tally-australia-no-1-where-is-india-after-jhandu-kumars-bronze-medal" target="_blank">- CWG 2026 Medals Tally : ઓસ્ટ્રેલિયા નંબર-1, ઝાંડુ કુમારના બ્રોન્ઝ મેડલ બાદ ભારત કયા સ્થાને?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/WGQCJbtFOvCHvaDTTKLtlr0kve93CEqEqB8sKmod.webp'/></item><item><title><![CDATA[Monsoon 2026 : અમદાવાદ-બાવળા હાઈવે પાણીમાં ગરકાવ, ગેલોપ્સ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં ફસાયેલા 900 પૈકી 400નું સફળ રેસ્ક્યૂ ]]></title><link>https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-ahmedabad-bavla-highway-flooded-gallops-industrial-park-rescue-update</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-ahmedabad-bavla-highway-flooded-gallops-industrial-park-rescue-update</guid><pubDate>Sat, 25 Jul 2026 15:34:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અવિરત વરસેલા અતિભારે વરસાદને કારણે અમદાવાદ-બાવળા હાઈવે પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. બાવળા નજીક આવેલા ગેલોપ્સ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં ચોમેર કમરટોળ પાણી ભરાઈ જતાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે. આ પરિસરમાં અંદાજિત 900 જેટલા લોકો ફસાઈ ગયા હતા, જેમને બહાર કાઢવા માટે છેલ્લા બે દિવસથી રાત-દિવસ મોટા પાયે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>સંયુક્ત ટીમો રેસ્ક્યૂ કામગીરીમાં જોડાઈ&nbsp;</b></h2><p style="text-align: justify; ">સ્થિતિની નાજુકતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ ઉપરાંત એનડીઆરએફ, એસડીઆરએફ , ભારતીય આર્મી અને કોસ્ટગાર્ડની સંયુક્ત ટીમો રેસ્ક્યૂ કામગીરીમાં જોડાઈ છે. ઘટનાસ્થળે પહોંચેલા રેન્જ આઈજી  તેમજ જિલ્લા એસપી એ પોતે ટ્રેક્ટરમાં બેસીને પાણીમાં ગરકાવ વિસ્તારોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું અને રાહત કામગીરીને વધુ ઝડપી બનાવવા સૂચનાઓ આપી હતી.</p><h3 style="text-align: justify; "><b>400 લોકોને બચાવાયા</b></h3><p style="text-align: justify; ">તંત્ર દ્વારા હાથ ધરાયેલા આ દિલધડક ઓપરેશનમાં અત્યાર સુધીમાં અંદાજિત 400 લોકોને બોટ અને હેલિકોપ્ટરની મદદથી સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>હજું પણ 500 લોકો ફસાયેલા છે</b></h4><p style="text-align: justify; ">જોકે, હજુ પણ ઈન્ડસ્ટ્રીયલ પાર્કની અંદર 500 જેટલા લોકો ફસાયેલા હોવાનું સામે આવ્યું છે. તમામ ફસાયેલા લોકોને વહેલી તકે સુરક્ષિત સ્થળે ખસેડવા માટે બચાવ ટુકડીઓ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ રાખવામાં આવી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp; :&nbsp; &nbsp;<a href="https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/sandesh-indepth-gujarat-heavy-rain-reason-el-nino-fail-negative-pdo-impact" target="_blank"><b> Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/2Yg0mXUTeqypASnsHMTqDClTvOKx2VPKeEOKROqV.webp'/></item><item><title><![CDATA[વાંચો બપોરે 12થી 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/today-top-breaking-news-bulletin-gujarat-india-read-important-news-from-12-pm-to-03-pm-25-july-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/today-top-breaking-news-bulletin-gujarat-india-read-important-news-from-12-pm-to-03-pm-25-july-2026</guid><pubDate>Sat, 25 Jul 2026 14:52:25 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર&nbsp; &nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/dharmendra-pradhan-resigns-dharmendra-pradhan-resigns-from-the-post-of-education-minister-cjp-protest-delhi-police-jantar-mantar-sonam-wangchukl" target="_blank">1. Dharmendra pradhan resign: ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણમંત્રી પદેથી આપ્યુ રાજીનામુ</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/navsari/navsari-flood-tragedy-17-dead-in-gandevi-bilimora-indian-army-ndrf-launch-mega-rescue" target="_blank">2. Navsari: નવસારીમાં પૂર બાદ માનવ હોનારતના ભયાનક દ્રશ્યો, ગણદેવી અને બીલીમોરામાંથી 17 મૃતદેહ મળી આવ્યા</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/central-government-informed-parliament--nta-income-reached--1116-crore" target="_blank">3. NTA Controversy: NEET વિવાદ વચ્ચે ચોંકાવનારો અહેવાલ, NTA બન્યું ATM, 5 વર્ષમાં આવક બમણી થઈ 1100 કરોડને પાર</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/delhi-cjp-protest-more-than-400-fake-news-handles-fake-video-of-sonam-wangchuk-too-delhi-police-reveals" target="_blank">4. Delhi CJP Protest: 400થી વધારે ફેક ન્યૂઝ હેન્ડલ, સોનમ વાંગચુકનો પણ ફેક વીડિયો, દિલ્હી પોલીસનો ખુલાસો</a>&nbsp;</b></p><p><br></p><p><a href="https://sandesh.com/india/news/mea-says-no-info-on-foreign-funding-in-cjp-protests--delhi-hc-rejects-nia-plea" target="_blank"><b>5. CJPને વિરોધ પ્રદર્શનમાં મળ્યું વિદેશી ફંડિગ? વિદેશ મંત્રાલયે કર્યો ખુલાસો</b></a>&nbsp;&nbsp;</p><p><br></p><p><a href="https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-ahmedabad-rural-rain-sanathal-bagodara-highway-closed-waterlogging-update" target="_blank"><b>6. Monsoon 2026 : અતિભારે વરસાદથી હાલાકી: જળબંબાકાર વચ્ચે સનાથલ-બગોદરા હાઈવે બંધ કરાયો, પાણીમાં અનેક વાહનો ડુબ્યા, Vide</b></a>&nbsp;&nbsp;</p><p><br></p><p><b><a href="https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-ahmedabad-ghuma-heavy-rain-waterlogging-boats-deployed-amc-fail" target="_blank">7. Monsoon 2026 : અમદાવાદના ઘુમામાં ગળાડૂબ પાણી ભરાતાં લોકો બોટમાં બેસવા મજબૂર,સ્માર્ટ સિટીનો પરપોટો ફૂટ્યો, Video</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-viramgam-nalkantha-jetapur-kesardi-causeway-car-rescue-children-saved" target="_blank">8. Monsoon 2026 : વિરમગામના નળકાંઠામાં જળસંકટ વચ્ચે દિલધડક રેસ્ક્યૂ: કોઝવેમાં કાર તણાઈ, 4 બાળકો સહિત 5નો બચાવ, Video</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/godadara-road-flooded-1km-stretch-underwater-mla-sandip-desai-faces-public-anger" target="_blank">9. Surat: ગોડાદરામાં પૂરની ભયાનક સ્થિતિ! 1 કિમી સુધીનો આખો રોડ 4 દિવસથી પાણીમાં ગરકાવ</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/business/news/gold-silver-price-what-is-the-change-in-the-price-of-gold-and-silver-know-the-latest-rate-of-10-grams" target="_blank">10. Gold Silver Price: સોના ચાંદીના ભાવમાં શું છે ફેરફાર, જાણી લો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/NrFum9xJz7e7OApuwMxSMiOIETGM9VPHEmjvrHy7.webp'/></item><item><title><![CDATA[Shehnaaz Gill મસ્જિદમાં માથું ટેકવતી નજરે પડી, શું રાઘવ જુયાલ સાથે કરશે લગ્ન? ]]></title><link>https://sandesh.com/entertainment/news/india/shehnaaz-gill-seen-bowing-her-head-in-the-mosque-will-raghav-marry-juyal</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/india/shehnaaz-gill-seen-bowing-her-head-in-the-mosque-will-raghav-marry-juyal</guid><pubDate>Sat, 25 Jul 2026 12:11:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બિગ બોસ ફેમ અને બોલિવૂડ અભિનેત્રી શહેનાઝ ગિલ અવારનવાર પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર શહેનાઝ ગિલનો એક નવો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક મસ્જિદમાં જઈને શ્રદ્ધાપૂર્વક માથું ટેકવતી જોવા મળી રહી છે. આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ અને યુઝર્સ વચ્ચે ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>સોશિયલ મીડિયા પર સવાલો</b></h2><p style="text-align: justify; ">વાયરલ થઈ રહેલી આ ઝલકમાં શહેનાઝ ખૂબ જ સાદગીપૂર્ણ અંદાજમાં મસ્જિદમાં પ્રવેશતી અને નમન કરતી નજરે પડે છે. આ દ્રશ્ય જોયા બાદ નેટીઝન્સ વિવિધ પ્રકારની અટકળો લગાવી રહ્યા છે. કેટલાક યુઝર્સ સવાલ ઉઠાવી રહ્યા છે કે શું શહેનાઝ ગિલ પોતાના જીવનમાં કોઈ મોટો નિર્ણય લેવા જઈ રહી છે? શું તે બીજા ધર્મમાં લગ્ન કરવાની યોજના બનાવી રહી છે? આવા અનેક પ્રશ્નો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ટ્રેન્ડ કરવા લાગ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>રાઘવ જુયાલ સાથે જોડાતું નામ</b></h3><p style="text-align: justify; ">આ વીડિયો વાયરલ થતાંની સાથે જ શહેનાઝ ગિલ અને જાણીતા ડાન્સર-એક્ટર રાઘવ જુયાલના અફેરની અફવાઓને ફરી એકવાર હવા મળી છે. અગાઉ પણ બંનેના ડેટિંગ અને ખાસ બોન્ડિંગને લઈને મીડિયામાં અહેવાલો વહેતા થયા હતા. જોકે, ભૂતકાળમાં શહેનાઝ અને રાઘવ બંને સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે તેઓ માત્ર ખૂબ સારા મિત્રો છે અને એકબીજાને સપોર્ટ કરે છે. તેમ છતાં, મસ્જિદની આ મુલાકાત બાદ યુઝર્સ ફરીથી બંનેના સંબંધો અને અલગ ધર્મમાં લગ્નની શક્યતાઓને જોડીને ચર્ચા કરી રહ્યા છે.</p><h4 style="text-align: justify; "><b>ફેન્સની પ્રતિક્રિયા</b></h4><p style="text-align: justify; ">એકતરફ જ્યાં કેટલાક લોકો આ બાબતે જાતજાતના તર્કો લગાવી રહ્યા છે, તો બીજી તરફ શહેનાઝના પ્રશંસકો તેને સર્વધર્મ સંભાવના ઉદાહરણ ગણાવી રહ્યા છે. ફેન્સનું માનવું છે કે દરેક ધર્મસ્થળ પ્રત્યે આદર દાખવવો એ સરાહનીય બાબત છે અને તેને લગ્ન કે અફેર સાથે જોડવું યોગ્ય નથી. શહેનાઝ તરફથી હજુ સુધી આ વાયરલ વીડિયો અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/thalapathy-vijays-last-film-jana-nayakkan-released-in-cinemas-earned-a-whopping-rs-50-crore-on-the-first-day" target="_blank">આ પણ વાંચો: Thalapathy Vijayની છેલ્લી ફિલ્મ "જન નાયકન" સિનેમાઘરોમાં રિલીઝ, ફર્સ્ટ ડે 50 કરોડની ધૂમ કમાણી કરી</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/zokbrfVToEjH7QXf8QFadATHaQXjmhwVLavlpNy0.webp'/></item></channel></rss>