<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabad News : વિરમગામમાં પૂરની સ્થિતિ સર્જાતા સમીક્ષા બેઠક, પાણીના નિકાલ અને સર્વે અંગે ચર્ચા કરાઈ... ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/ahmedabad-news-review-meeting-held-in-viramgam-due-to-flood-situation-discussion-on-water-disposal-and-survey</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/ahmedabad-news-review-meeting-held-in-viramgam-due-to-flood-situation-discussion-on-water-disposal-and-survey</guid><pubDate>Wed, 29 Jul 2026 17:30:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વિરમગામમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ નિર્માણ પામતા તંત્ર સક્રિય થયું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિરમગામ તાલુકા સેવાસદન ખાતે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ કલેક્ટર ભવ્ય વર્માની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં તમામ જવાબદાર અધિકારીઓ હાજર રહ્યા હતા અને સમગ્ર તાલુકાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.</p><h2 style="text-align: justify; "><b>રાહત-બચાવ અને પાણીના નિકાલ અંગે ચર્ચા</b></h2><p style="text-align: justify; ">બેઠક દરમિયાન ભારે વરસાદથી પ્રભાવિત થયેલા વિસ્તારોમાં હાથ ધરાયેલી રાહત અને બચાવ કામગીરીની વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ભરાયેલા પૂરના પાણીના ઝડપી નિકાલ માટેની વ્યવસ્થા ગોઠવવા તથા નુકસાનીનો ક્યાસ કાઢવા માટે તાત્કાલિક ધોરણે સર્વે કામગીરી શરૂ કરવા અંગે અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશ આપવામાં આવ્યા હતા.</p><h3 style="text-align: justify; "><b>અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય ચૂકવવા આદેશ</b></h3><p style="text-align: justify; ">કલેક્ટર ભવ્ય વર્માએ પૂરથી અસરગ્રસ્ત થયેલા લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્રને સતર્ક રહેવા જણાવ્યું હતું. તેમણે પૂર પીડિતો અને નુકસાન પામેલા લોકોને તાત્કાલિક ધોરણે વળતર અને કેશડોલ્સની સહાય ચૂકવવા માટે સંબંધિત અધિકારીઓને આકરા આદેશ કર્યા હતા, જેથી પ્રભાવિત પરિવારોને સમયસર આર્થિક રાહત મળી શકે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/surendranagar/surendranagar-news-dhrangadhra-apmc-election-battle-rages-on-bjp-bets-on-experienced-faces" target="_blank">Surendranagar News : ધ્રાંગધ્રા APMC ની ચૂંટણીનો જંગ જામ્યો, ભાજપે અનુભવી ચહેરાઓ પર ખેલ્યો દાવ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/29/69KUWUhawjK37qT6w3es831XkRztAixJxvvLy8r5.webp'/></item><item><title><![CDATA[Uttar Pradesh: કાવડ યાત્રાને લઈને મુઝફ્ફરનગરમાં એલર્ટ, ATS-ડ્રોન અને 4 હજાર પોલીસકર્મી તૈનાત ]]></title><link>https://sandesh.com/india/news/uttar-pradesh-police-makes-tight-security-arrangements-for-kanwar-yatra--2026-in-muzaffarnagar</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/uttar-pradesh-police-makes-tight-security-arrangements-for-kanwar-yatra--2026-in-muzaffarnagar</guid><pubDate>Wed, 29 Jul 2026 17:27:58 +05:30</pubDate><description><![CDATA[<p>Uttar Pradesh: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં પોલીસ વહીવટીતંત્રે કાવડ યાત્રા 2026 માટે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા કરી છે. પોલીસ લાઇન્સમાં આયોજિત બ્રીફિંગ દરમિયાન એસએસપી સંજય કુમાર વર્માએ જણાવ્યું હતું કે મુઝફ્ફરનગર આતંકવાદ પ્રત્યે સંવેદનશીલ જિલ્લો છે. તેથી ફરજ પરના દરેક પોલીસ અધિકારીએ કોઈપણ તોફાની તત્વોને કોઈપણ ઘટનાને અંજામ ન આપે તે માટે તેમની આંખો, કાન અને નાક ખુલ્લા રાખીને અત્યંત સતર્કતા સાથે કામ કરવું જોઈએ.</p><p>આ વર્ષે કાવડ યાત્રા માટે આશરે 4,000 પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષા વ્યવસ્થામાં PAC, RRF, ATS, BDS, ASH અને ડોગ સ્ક્વોડની નવ કંપનીઓ, અત્યાધુનિક ડ્રોન અને હજારો સીસીટીવી કેમેરાનો સમાવેશ થાય છે. સમગ્ર જિલ્લાને નવ સુપર ઝોન, 16 ઝોન, 230 સબ-સેક્ટર અને છ સુપર ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યો છે. છ એએસપી, 16 ડીએસપી અને 30 ઇન્સ્પેક્ટર સહિત મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે.</p><h4><b>ફરજ છોડી જનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.</b></h4><p>આ વખતે કાવડ યાત્રા દરમિયાન ડાયનેમિક ડ્યુટી મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. કોઈપણ પોલીસ અધિકારી જે અન્ય લોકોને જાણ કર્યા વિના ફરજ છોડી દેશે તે આ સિસ્ટમ દ્વારા પકડાઈ જશે. આ સિસ્ટમ તમામ પોલીસ અધિકારીઓના સ્થાનને ટ્રેક કરે છે. જો પકડાશે તો ગુનેગાર સામે વિભાગીય કાર્યવાહી કરવામાં આવશે.</p><h4><b>પોલીસને સતર્ક રહેવાનો આદેશ આપ્યો</b></h4><p>જ્યારે મીડિયા કર્મચારીઓએ SSP મુઝફ્ફરનગર સંજય કુમાર વર્માને આતંકવાદીઓ વિશે પ્રશ્ન કર્યો, ત્યારે તેમણે સ્પષ્ટપણે કહ્યું, "મેં બ્રીફિંગ દરમિયાન કહ્યું હતું કે મુઝફ્ફરનગર જિલ્લો સંવેદનશીલ છે, તેથી ફરજ પરના તમામ પોલીસ અધિકારીઓએ તેમની આંખો, નાક અને કાન ખુલ્લા રાખવા જોઈએ જેથી કોઈપણ બેકાબૂ તત્વો આવી ઘટનાઓને અંજામ ન આપે." જિલ્લા પોલીસે ટ્રાફિક ડાયવર્ઝન પણ લાગુ કર્યું છે, જેમાં હળવા અને ભારે વાહનો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રા દરમિયાન કોઈપણ ભારે વાહનોને મંજૂરી આપવામાં આવશે નહીં.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/e20-petrol-impact-on-vehicles--nitin-gadkari-says-no-engine-change-needed" target="_blank"><b>E20 પેટ્રોલ વાહનો પર કેટલી અસર કરશે? નીતિન ગડકરીએ કહ્યું- શું એન્જિન બદલવાની પડશે જરૂર?</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/29/PW83YQ02uMS7jBpeUxgpMl4PdbZqsuAOQ7mLKvmC.webp'/></item><item><title><![CDATA[Mehsana News: વહીવટદાર શાસનમાં કચરાની લારી ખરીદીમાં કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપ, વર્ક ઓર્ડર વગર જ આવી પહોંચી લારીઓ ]]></title><link>https://sandesh.com/crime/news/mehsana/municipal-corporation-dustbin-wheel-barrow-corruption</link><guid isPermaLink="true">https://sandesh.com/crime/news/mehsana/municipal-corporation-dustbin-wheel-barrow-corruption</guid><pubDate>Wed, 29 Jul 2026 17:23:37 +05:30</pubDate><description><![CDATA[<p>મહેસાણા મહાનગરપાલિકામાં વહીવટદારના શાસન દરમિયાન કચરો ઉપાડવાની લારીઓની ખરીદીમાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના ચોંકાવનારા અને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. વહીવટદારના શાસનમાં ચોક્કસ ગોલમાલ કરીને અને પ્રજાના ટેક્સના નાણાંનો બેફામ વ્યય કરવામાં આવ્યો હોવાના આરોપો સ્થાનિકો તેમજ વિપક્ષ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે.</p><h2><b>નગરપાલિકા કરતા વહીવટદારે બમણા ભાવે કરી ખરીદી</b></h2><p>મળતી વિગતો અનુસાર, પૂર્વ નગરપાલિકાના શાસન વખતે જે કચરાની લારી રૂ. 6,600 માં ખરીદવામાં આવતી હતી, તે જ લારી વહીવટદારના શાસન દરમિયાન રૂ. 10,000 થી પણ વધુના ઊંચા ભાવે ખરીદવામાં આવી છે. વર્ષ 2025-26 દરમિયાન કુલ 250 નંગ લારીઓ રૂ. 25.50 લાખ ના મસમોટા ખર્ચે ખરીદવામાં આવી હોવાનું સામે આવ્યું છે, જેમાં સીધેસીધો ભ્રષ્ટાચાર થયો હોવાનો સૂર ઊઠ્યો છે.</p><h2><b>વર્ક ઓર્ડર વિના જ લારીઓ કચેરીએ પહોંચી</b></h2><p>આ સમગ્ર ખરીદી પ્રક્રિયામાં ભારે અનિયમિતતા આચરવામાં આવી હોવાના પણ આક્ષેપ કરાયા છે. ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ યોગ્ય ખર્ચ મંજૂર થયા વગર અને સંબંધિત એજન્સીને સત્તાવાર વર્ક ઓર્ડર આપ્યા વિના જ કચરાની તમામ લારીઓ મહેસાણા મહાનગરપાલિકાની કચેરીએ આવી પહોંચી હતી. વર્ક ઓર્ડર વગર જ માલ સપ્લાય થઈ જતાં વહીવટદાર અને સપ્લાયર વચ્ચે ગોઠવણ થઈ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.</p><p><img alt="Mehsana News: Corruption Allegations in Dustbin Cart Purchase During Administrator Rule" src="https://epapercdn.sandesh.com/images/2026/07/29/j2CkWkDtKqYp6hmgbeWjbrn692BYjnWh89sZNCST.webp" style="width: 100%;"><br></p><h2><b>પ્રજાના નાણાંનો વ્યય થતાં તટસ્થ તપાસની માગ</b></h2><p>કોઈપણ જાતના મંજૂરીપત્ર કે યોગ્ય પ્રક્રિયા વગર જ લાખો રૂપિયાની લારીઓ ખરીદી લેવાતાં સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. પ્રજાના પરસેવાની કમાણી અને ટેક્સના નાણાંનો ખુલ્લેઆમ દુરૂપયોગ કરનાર જવાબદાર અધિકારીઓ અને વહીવટદાર સામે કડક પગલાં ભરીને સમગ્ર કૌભાંડની તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસ કરવાની માગ બળવત્તર બની છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/mahesana/mehsana-dharoi-tourism-project-phase-1-completed-update" target="_blank">Mehsana : 1500 કરોડના ધરોઈ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો ફેઝ-1 પૂર્ણ, ટુરિઝમ અને રોજગારીને મળશે બૂસ્ટર ડોઝ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/29/0gaG6BheeujhJe3tmCSNtfy22l6TrFY2D7BZQAna.webp'/></item><item><title><![CDATA[Banaskantha News: ડીસાના ઝાબડીયા ગામે SMCની રેડ, ધમધમતા જુગારધામમાંથી લાખોનો મુદ્દામાલ જપ્ત ]]></title><link>https://sandesh.com/crime/news/maru-saher-maru-gaam/banaskantha/deesa-zhabadiya-smc-raid-gambling-den-seized</link><guid isPermaLink="true">https://sandesh.com/crime/news/maru-saher-maru-gaam/banaskantha/deesa-zhabadiya-smc-raid-gambling-den-seized</guid><pubDate>Wed, 29 Jul 2026 17:19:40 +05:30</pubDate><description><![CDATA[<p>બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં મસમોટા જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા ત્રાટકીને મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ડીસા તાલુકાના ઝાબડીયા ગામે ધમધમી રહેલા જુગારધામ અંગે SMC ને ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે ટીમે અચાનક રેડ કરીને જુગાર રમી રહેલા તત્વોમાં ભારે ભાગદોડ મચાવી દીધી હતી.</p><h2><b>રેડ દરમિયાન લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત</b></h2><p>SMC ના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઝાબડીયા ગામના આ જુગારધામ પરથી રેડ દરમિયાન રોકડ રકમ, વાહનો અને મોબાઈલ ફોન સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. SMC ની ટીમે સ્થળ પરથી અનેક જુગારીઓને ઝડપી પાડી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.</p><h2><b>ડીસા રૂરલ પોલીસ મથકે ગુનો નોંધવાની તજવીજ</b></h2><p>આ સમગ્ર મામલે SMC ની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવેલા મુદ્દામાલ અને અટકાયત કરવામાં આવેલા આરોપીઓ સાથે આગળની કાયદેસરની કાર્યવાહી માટે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટના અંગે ડીસા રૂરલ પોલીસ મથકે પ્રોહિબિશન અને જુગારધારાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવાની કવાયત હાથ ધરવામાં આવી છે.</p><p><img alt="Banaskantha News: Deesa SMC Raid: Gambling Den Busted in Zhabadiya, Huge Seizure" src="https://epapercdn.sandesh.com/images/2026/07/29/L5ICRBRXtcz6JhP9t5muGY0XNEUDGB9yu8cM5bhr.webp" style="width: 100%;"><br></p><h2><b>સ્થાનિક પોલીસની કામગીરી અને નિષ્ક્રિયતા પર ઉઠ્યા સવાલો</b></h2><p>ડીસા રૂરલ પોલીસ મથકની હદમાં જ લાંબા સમયથી આટલું મોટું જુગારધામ ચાલી રહ્યું હોવા છતાં સ્થાનિક પોલીસ અજાણ રહી કે, પછી આંખ આડા કાન કરતી હતી, તેને લઈને અનેક ચર્ચાઓ જાગી છે. ગાંધીનગરથી SMC ની ટીમે આવીને સફળ રેડ કરતા સ્થાનિક પોલીસની કામગીરી અને નિષ્ક્રિયતા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/banaskantha/chandipura-virus-outbreak-in-banaskantha-fear-after-death-of-3-year-old-child-in-changa-village" target="_blank">Banaskantha માં ચાંદીપુરા વાયરસનો કાળો કેર, ચાંગા ગામે 3 વર્ષના બાળકનું મોત થતાં ભયનો માહોલ...</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/29/WlTpItktgK9QIEPlqXioPS9uHqf0uwDlRATzZI4J.webp'/></item><item><title><![CDATA[Kajal Aggarwal બની હતી કાસ્ટિંગ કાઉચનો શિકાર, વેનિટીમાં ઘૂસી ગયો હતો અસિસ્ટન્ટ ડિરેક્ટર ]]></title><link>https://sandesh.com/entertainment/news/kajal-aggarwal-casting-couch-shocking-revelation</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/kajal-aggarwal-casting-couch-shocking-revelation</guid><pubDate>Wed, 29 Jul 2026 17:18:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડ અને દક્ષિણ ભારતીય ફિલ્મોની અભિનેત્રી કાજલ અગ્રવાલે પોતાની શાનદાર અભિનય ક્ષમતાથી દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે. અભિનેત્રી હાલમાં એક પછી એક મુલાકાતો આપી રહી છે. તાજેતરની એક મુલાકાતમાં તેણે પોતાની સાથે બનેલી એક ચોંકાવનારી ઘટનાનો ઉલ્લેખ કર્યો. તેણે જણાવ્યું કે એક ફિલ્મના સેટ પર અસિસ્ટન્ટ ડિરેક્ટર તેની પરવાનગી વિના તેની વેનિટી વેનમાં ઘૂસી આવ્યો હતો અને તેણે પોતાનો શર્ટ ઉતારી દીધો હતો. આ ઘટનાથી કાજલ અગ્રવાલ ખૂબ જ ડરી ગઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>વેનિટી વેનમાં ઘૂસીને અસિસ્ટન્ટ ડિરેક્ટરે ઉતાર્યો શર્ટ</b></h2><p style="text-align: justify; ">કાજલ અગ્રવાલે તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં પોતાની સાથે બનેલી આ ઘટના વિશે વાત કરી. તેણે જણાવ્યું, એક ફિલ્મના શૂટિંગ દરમિયાન થોડા દિવસ પહેલાં હું મારી વેનિટીમાં આરામ કરી રહી હતી. ત્યારે અચાનક તે ફિલ્મનો અસિસ્ટન્ટ ડિરેક્ટર કોઈ પરવાનગી લીધા વિના અંદર આવી ગયો. તેણે તરત જ શર્ટ ઉતારી દીધો અને પોતાની છાતી પર બનાવેલું મારું ટેટૂ બતાવવા લાગ્યો.<br><img alt="Kajal Aggarwal (2)" src="https://epapercdn.sandesh.com/images/2026/07/29/tStWmG7Y5FYydKVSKvcLd2M53PnoAMlNLxVP73yF.webp"><br></p><h3 style="text-align: justify; "><b>ઘટનાથી કાજલના હાથ-પગ ધ્રૂજવા લાગ્યા</b></h3><p style="text-align: justify; ">અસિસ્ટન્ટ ડિરેક્ટરે શર્ટ ઉતારવાનું શરૂ કરતાં જ આ સમગ્ર ઘટનાથી અભિનેત્રી ખૂબ જ ડરી ગઈ હતી. તેને લાગ્યું હતું કે તેની સાથે કંઈક ખરાબ બની શકે છે. અભિનેત્રીએ આગળ જણાવ્યું, આ ઘટનાથી હું એટલી ચોંકી ગઈ હતી કે મારા હાથ-પગ ધ્રૂજવા લાગ્યા હતા.</p><h4 style="text-align: justify; "><b>અન્ય અભિનેત્રીઓ પણ આવી ઘટનાઓનો સામનો કરી ચૂકી છે</b></h4><p style="text-align: justify; ">ઘણી જાણીતી અને મોટી અભિનેત્રીઓ પણ ફિલ્મ જગતમાં આવી અયોગ્ય પરિસ્થિતિઓનો સામનો કરી ચૂકી છે. તેમાં કંગના રનૌતથી લઈને વિદ્યા બાલન સુધીની અભિનેત્રીઓના નામ સામેલ છે. કંગના રનૌતે જણાવ્યું હતું કે તનુ વેડ્સ મનુના ઓડિશન બાદ તેમને શારીરિક સંબંધ બાંધવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો, જેને તેણે ઠુકરાવી દીધો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/the-odyssey-box-office-6000-crore" target="_blank">આ પણ વાંચો-Hollywood ફિલ્મ ધ ઓડિસીનું ભારતીય બોક્સ ઓફિસ પર તુફાન! દુનિયાભરમાં કરી 6000 કરોડની છપ્પરફાડ કમાણી!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/29/lerRd3IQU6Jx12Ik8LGbFtUakjSkFr90KdljkFkW.webp'/></item><item><title><![CDATA[E20 પેટ્રોલ વાહનો પર કેટલી અસર કરશે? નીતિન ગડકરીએ કહ્યું- શું એન્જિન બદલવાની પડશે જરૂર? ]]></title><link>https://sandesh.com/india/news/e20-petrol-impact-on-vehicles--nitin-gadkari-says-no-engine-change-needed</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/e20-petrol-impact-on-vehicles--nitin-gadkari-says-no-engine-change-needed</guid><pubDate>Wed, 29 Jul 2026 17:05:37 +05:30</pubDate><description><![CDATA[<p>E20 પેટ્રોલ અંગે લાંબા સમયથી ચાલી રહેલા પ્રશ્નો વચ્ચે કેન્દ્ર સરકારે સંસદમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. સરકાર જણાવે છે કે E20 પેટ્રોલ માટે કાર, બાઇક અને સ્કૂટરના એન્જિનમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. જોકે, 1 એપ્રિલ, 2005 થી લાગુ કરાયેલા અને 2016 પહેલા ઉત્પાદિત BS-III ધોરણો ધરાવતા કેટલાક વાહનોને ચોક્કસ રબરના ભાગો અને ગેસ્કેટ બદલવાની જરૂર પડી શકે છે. સરકારના મતે આ કાર્ય નિયમિત સર્વિસિંગ દરમિયાન સરળતાથી કરી શકાય છે.</p><h4><b>નીતિન ગડકરીએ સંસદમાં વાત કરી</b></h4><p>રાજ્યસભામાં લેખિત જવાબમાં, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે E20 પેટ્રોલના ઉપયોગને કારણે વાહનના માઇલેજ અંગે ઉઠાવવામાં આવતી ચિંતાઓ અંગે ઓટોમોબાઇલ કંપનીઓ અને વાહન પરીક્ષણ એજન્સીઓએ સ્પષ્ટતા કરી છે કે વાહનનું માઇલેજ ફક્ત ઇંધણના પ્રકાર પર આધારિત નથી. માઇલેજ અન્ય ઘણા તકનીકી અને ઉપયોગ-સંબંધિત પરિબળોથી પણ પ્રભાવિત થાય છે.</p><h4><b>કયા વાહનોને રબરના ભાગો બદલવાની જરૂર પડી શકે છે?</b></h4><p>સરકારના જણાવ્યા અનુસાર, 1 એપ્રિલ, 2005 થી રજૂ કરાયેલા અને 2016 પહેલા ઉત્પાદિત BS-III વાહનોને E20 પેટ્રોલનો ઉપયોગ કરતી વખતે કેટલાક રબરના ભાગો અને ગાસ્કેટ બદલવાની જરૂર પડી શકે છે. જો કે, સરકાર જણાવે છે કે આ કોઈ મોટી ટેકનિકલ સમસ્યા નથી અને નિયમિત સર્વિસિંગ દરમિયાન સરળતાથી બદલી શકાય છે.</p><p>સરકારે જણાવ્યું હતું કે E20 પેટ્રોલની અસર પરનો અભ્યાસ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ (IIP) દેહરાદૂન, સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (SIAM) અને ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ARAI) દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યો હતો. અભ્યાસમાં ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનોની તપાસ કરવામાં આવી હતી. નિષ્કર્ષ એ આવ્યો હતો કે E20 પેટ્રોલનો ઉપયોગ કરવા માટે એન્જિનમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. સરકારના જણાવ્યા અનુસાર, જૂના વાહનો, જેમ કે લેગસી વાહનોમાં પણ કામગીરીમાં કોઈ નોંધપાત્ર તફાવત જોવા મળ્યો નથી. વધુમાં, અસામાન્ય ઘસારો અથવા એન્જિનને નુકસાન જેવી કોઈ સમસ્યા જોવા મળી નથી.</p><h4><b>કયા પરિબળોને કોઈ સમસ્યા મળી નથી?</b></h4><p>સરકારે જણાવ્યું હતું કે પરીક્ષણ દરમિયાન વાહન ચલાવવાની ક્ષમતા, શરૂ કરવાની ક્ષમતા અને ધાતુ અને પ્લાસ્ટિકના ભાગોની સુસંગતતા જેવા ધોરણોમાં કોઈ સમસ્યા જોવા મળી નથી. આનો અર્થ એ થયો કે E20 પેટ્રોલના ઉપયોગથી આ ક્ષેત્રોમાં કોઈ અસામાન્યતા થઈ નથી.</p><h4><b>E20 પેટ્રોલની આસપાસનો વિવાદ</b></h4><p>E20 પેટ્રોલમાં 80 ટકા પેટ્રોલ અને 20 ટકા ઇથેનોલ હોય છે. તેના અમલીકરણ પછી, વિરોધ પક્ષો અને કેટલાક ગ્રાહક સંગઠનોએ ચિંતા વ્યક્ત કરી હતી કે E20 માટે ડિઝાઇન ન કરાયેલા જૂના વાહનો પ્રભાવિત થઈ શકે છે. ટીકાકારોએ ઘટાડો માઇલેજ, જાળવણી ખર્ચમાં વધારો અને એન્જિન અથવા ઇંધણ સિસ્ટમ નિષ્ફળતાઓ માટે જવાબદારી જેવા મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતા.</p><h4><b>સરકારની પ્રતિક્રિયા</b></h4><p>સરકારે પ્રતિક્રિયા આપી છે કે E20 પેટ્રોલ તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવ્યું છે અને આ પહેલા વ્યાપક લેબ પરીક્ષણ, ટકાઉપણું પરીક્ષણ અને ક્ષેત્ર માન્યતા હાથ ધરવામાં આવી હતી. સરકારે એમ પણ જણાવ્યું હતું કે ઓટોમોબાઈલ કંપનીઓ E20 પેટ્રોલનો ઉપયોગ કરતા વાહનો માટે વોરંટી લંબાવવાનું ચાલુ રાખે છે. સરકારના જણાવ્યા અનુસાર, નીતિ આયોગ હેઠળ રચાયેલી આંતર-મંત્રી સમિતિએ વાહન સુસંગતતા, એન્જિન કેલિબ્રેશન, ઇંધણ સિસ્ટમ, ટકાઉપણું, ઉત્સર્જન, માઇલેજ અને અન્ય તકનીકી પાસાઓની ઊંડાણપૂર્વક સમીક્ષા કરી હતી. આ પછી, જૂન 2021 માં ભારતમાં ઇથેનોલ બ્લેન્ડિંગ માટેનો રોડમેપ 2020-25 બહાર પાડવામાં આવ્યો, જેના આધારે E20 પેટ્રોલ લાગુ કરવામાં આવ્યું. ભારતમાં ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ પ્રોગ્રામ 2001 માં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ થયો. ત્યારબાદ, 2006 માં E5 ઇંધણ રજૂ કરવામાં આવ્યું, અને જરૂરી માળખાગત સુવિધાઓ અને ઉત્પાદન ક્ષમતા વિકસાવવામાં આવ્યા પછી E20 પેટ્રોલ ધીમે ધીમે લાગુ કરવામાં આવ્યું.<br><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/karnataka-colleges-to-hold-hiv-testing-and-counselling-camps-for-students" target="_blank"><b>HIV: કર્ણાટકથી આવ્યો ભયાનક રિપોર્ટ: 7000થી વધારે વિદ્યાર્થી HIV પોઝિટિવ આવતા મચ્યો ખળભળાટ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/29/777jzZnzeUm9LqlAr24VQVARKmAE2gauDiId0hhT.webp'/></item><item><title><![CDATA[Rajkot News : આંબેડકર ચોક પાસે બેફામ રિક્ષાએ વૃદ્ધાને અડફેટે લીધા, અકસ્માતની સમગ્ર ઘટના CCTV માં કેદ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/rajkot/rajkot-news-a-reckless-rickshaw-hit-an-old-man-near-ambedkar-chowk-the-entire-accident-incident-was-captured-on-cctv</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/rajkot/rajkot-news-a-reckless-rickshaw-hit-an-old-man-near-ambedkar-chowk-the-entire-accident-incident-was-captured-on-cctv</guid><pubDate>Wed, 29 Jul 2026 16:56:45 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ શહેરના આંબેડકર ચોક વિસ્તારમાં એક હૃદયકંપાવનારો અકસ્માત સર્જાયો છે. અહીં પૂરપાટ ઝડપે આવી રહેલી એક બેફામ રિક્ષાના ચાલકે રસ્તો ઓળંગી રહેલા એક વૃદ્ધાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં વૃદ્ધાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક અસરથી વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.</p><h2><b>ટક્કર એટલી જોરદાર હતી કે પેસેન્જર પણ હવામાં ફંગોળાયા</b></h2><p>અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર વાગતાની સાથે જ રિક્ષામાં બેઠેલા પેસેન્જર પણ હવામાં ફંગોળાઈને નીચે રોડ પર પટકાયા હતા. આ ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તોને મદદ કરવા માટે દોડી આવ્યા હતા.</p><h3><b>અકસ્માતના દ્રશ્યો CCTV કેમેરામાં થયા કેદ</b></h3><p>આ સમગ્ર અકસ્માતની ભયાનક ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. અકસ્માતના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને મળેલા CCTV ફૂટેજના આધારે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.</p><p><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/banaskantha/chandipura-virus-outbreak-in-banaskantha-fear-after-death-of-3-year-old-child-in-changa-village" target="_blank">Banaskantha માં ચાંદીપુરા વાયરસનો કાળો કેર, ચાંગા ગામે 3 વર્ષના બાળકનું મોત થતાં ભયનો માહોલ...</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/29/WuMBikA2BvaAmN03C5Zf9HdtnkaFNy85kqkeV6TI.webp'/></item><item><title><![CDATA[Rajkot News: સાધુ વાસવાણી રોડ પર પરિવારે કર્યો સામુહિક આત્મહત્યા, ત્રણેય સભ્યોના મોતથી અરેરાટી ]]></title><link>https://sandesh.com/crime/news/rajkot/sadhu-vaswani-road-khakhar-family-mass-suicide-investigation</link><guid isPermaLink="true">https://sandesh.com/crime/news/rajkot/sadhu-vaswani-road-khakhar-family-mass-suicide-investigation</guid><pubDate>Wed, 29 Jul 2026 16:33:41 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ શહેરના પોશ ગણાતા સાધુ વાસવાણી રોડ પર આવેલા અજંતા પાર્કમાંથી એક અત્યંત કરૂણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અજંતા પાર્કના ફ્લેટ નંબર 9 માં ભાડેથી રહેતા લોહાણા પરિવારના 3 સભ્યોએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવીને સામુહિક આત્મહત્યા કરી લીધો છે. એક જ પરિવારના તમામ સભ્યોના મોતથી સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે.</p><h2><b>માતાનું સ્થળ પર જ મોત, પિતા અને પુત્રએ હોસ્પિટલમાં દમ તોડ્યો</b></h2><p>ઘટનાની વિગત મુજબ, પરિવારે ઝેરી દવા પી લેતાં માતા સ્મિતાબેન ખખ્ખરનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયેલા નિવૃત્ત સરકારી કર્મચારી પિતા દિલીપભાઈ ખખ્ખર અને પુત્ર નિશિત ખખ્ખરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ હવે આ પરિવારમાં કોઈ જીવિત બચ્યું નથી અને તેમના ભાડાના મકાને તાળું લાગી ગયું છે.</p><p><img alt="Rajkot News: Mass Suicide: Khakhar Family 3 Members Die Near Sadhu Vaswani Road" src="https://epapercdn.sandesh.com/images/2026/07/29/2DByPmjGRzmrG4WUDfJYY05uXzdSJAQNkdDWJCR7.webp" style="width: 100%;"><br></p><h2><b>વ્યાજખોરોનો ત્રાસ કે આર્થિક સંકટ? પોલીસનું પ્રાથમિક અનુમાન</b></h2><p>પ્રાથમિક વિગતો અનુસાર, પરિવારના પુત્ર નિશિત ખખ્ખર પર લેણદારોનું ભારે દેવું અને માનસિક દબાણ હોવાનું જાણવા મળ્યું છે. સંભવતઃ વ્યાજખોર તત્વોના ત્રાસ અને સતત મળતી ધમકીઓના દબાણ હેઠળ આવીને આખા પરિવારે આ ખૌફનાક પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે, આર્થિક સંકટ કે વ્યાજખોરી પાછળનું સાચું કારણ શું છે, તે દિશામાં પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે.</p><p><img alt="Rajkot News: Mass Suicide: Khakhar Family 3 Members Die Near Sadhu Vaswani Road" src="https://epapercdn.sandesh.com/images/2026/07/29/nhYJoxv21ynRfdeiHkZSDRza68cG2BBZNwKFT4xm.webp" style="width: 100%;"><br></p><h2><b>સ્થળ પરથી સ્યુસાઇડ નોટ અપ્રાપ્ય, CDR આધારે ઉંડાણપૂર્વક તપાસ</b></h2><p>સમગ્ર મામલે રાજકોટ ACP રાજેશ બારીયાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, બનાવ સ્થળેથી કોઈ સ્યુસાઇડ નોટ મળી આવી નથી. પોલીસે પુત્ર નિશિતના વ્યવસાય, તેના આર્થિક વ્યવહારો અને લેણદારો અંગેની તમામ માહિતી એકત્રિત કરવાની કામગીરી શરૂ કરી છે. પરિવારને કોઈ ધમકી આપતું હતું કે, કેમ તે જાણવા માટે મૃતકોના મોબાઈલ ફોનની કોલ ડિટેલ્સ રેકોર્ડ (CDR) અને ટેકનિકલ એવિડન્સના આધારે પોલીસે તપાસ વધુ તેજ બનાવી છે.</p><p><br></p><p>આ પણ વાંચો -&nbsp;</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/29/Qzfm0AQKE0FIGIxw1ltcDTPIykvPP9WVastXuhwl.webp'/></item><item><title><![CDATA[Adani Ports Q1 Results : અદાણી પોર્ટ્સને 3 મહિનામાં થયો 3,620 કરોડનો નફો, છતાં શેરમાં 3%નો ઘટાડો નોંધાયો ]]></title><link>https://sandesh.com/business/news/adani-ports-q1-results-profit-rs-3620-crore-shares-fall-3-percent</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/adani-ports-q1-results-profit-rs-3620-crore-shares-fall-3-percent</guid><pubDate>Wed, 29 Jul 2026 15:29:54 +05:30</pubDate><description><![CDATA[<p>અદાણી ગ્રુપની કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ)એ બુધવારે નાણાકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક (Q1)ના પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ આ ત્રિમાસિક ગાળામાં ₹3,620 કરોડનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ નોંધાવ્યો છે, જે ગયા વર્ષના સમાન ગાળાના ₹3,315 કરોડની સરખામણીએ 9 ટકા વધુ છે. જોકે સારા પરિણામો છતાં શેરબજારમાં કંપનીના શેરમાં લગભગ 3 ટકાનો ઘટાડો જોવા મળ્યો અને BSE પર શેરનો ભાવ ₹1,720 સુધી આવી ગયો.</p><h2><b>EBITDA પણ 19 ટકા વધીને ₹6,540 કરોડ થયો</b></h2><p>કંપનીની ઓપરેશનલ આવક 18.5 ટકા વધીને ₹10,821 કરોડ પર પહોંચી છે, જ્યારે ગયા વર્ષે તે ₹9,126 કરોડ હતી. EBITDA પણ 19 ટકા વધીને ₹6,540 કરોડ થયો છે, જ્યારે EBITDA માર્જિન 60.4 ટકા રહ્યો, જે ગયા વર્ષના 60.2 ટકાથી થોડો વધુ છે. કંપનીના આંતરરાષ્ટ્રીય પોર્ટ બિઝનેસે સૌથી વધુ પ્રભાવશાળી દેખાવ કર્યો છે. આ વિભાગની આવક 80 ટકા વધીને ₹1,747 કરોડ થઈ છે અને EBITDAમાં 256 ટકાનો ઉછાળો આવી ₹730 કરોડ થયો છે.&nbsp;</p><h3><b>ઘરેલુ પોર્ટ્સનું EBITDA માર્જિન 74 ટકા રહ્યું</b></h3><p>ઓસ્ટ્રેલિયા અને કોલંબોના પોર્ટ્સના મજબૂત પ્રદર્શનને આ વૃદ્ધિનું મુખ્ય કારણ માનવામાં આવ્યું છે. ઉપરાંત, મરીન આવક 67 ટકા વધીને ₹901 કરોડ થઈ છે, જેમાં ઓફશોર વેસલ ફ્લીટના વિસ્તરણ અને યુરોપમાં સબસી ઓપરેશન્સનો મહત્વનો ફાળો રહ્યો છે. ઘરેલુ પોર્ટ બિઝનેસમાંથી આવકમાં પણ 12 ટકાનો વધારો નોંધાયો છે. વધુ કાર્ગો હેન્ડલિંગ, સુધારેલા પ્રોડક્ટ મિક્સ અને સારી રિયલાઇઝેશનના કારણે આ વૃદ્ધિ શક્ય બની છે. ઘરેલુ પોર્ટ્સનું EBITDA માર્જિન 74 ટકા રહ્યું, જે આ ક્ષેત્રમાં અગ્રણી માનવામાં આવે છે.</p><p>FY2027 માટે કંપનીએ ₹43,000 કરોડથી ₹45,000 કરોડની આવક અને ₹25,000 કરોડથી ₹26,000 કરોડના EBITDAનું માર્ગદર્શન આપ્યું છે. કંપનીએ નેટ ડેટ-ટુ-EBITDA રેશિયો 2.5 ગણાથી નીચે રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે, જ્યારે Q1ના અંતે આ રેશિયો 1.9 ગણો હતો. APSEZના CEO અશ્વિની ગુપ્તાએ જણાવ્યું કે ઘરેલુ ક્ષમતા વિસ્તરણ, આંતરરાષ્ટ્રીય બિઝનેસ અને લોજિસ્ટિક્સ નેટવર્કના વિસ્તરણના આધારે કંપની 2030 સુધી 1,000 MMT ક્ષમતા હાંસલ કરવા અને વૈશ્વિક સ્તરે મજબૂત પરિવહન પ્લેટફોર્મ તરીકે ઉભરી આવવા પ્રતિબદ્ધ છે.</p><p><b><a href="https://sandesh.com/business/news/lt-q1-results-profit-4123-crore-order-book-crosses-7-lakh-crore" target="_blank">આ પણ વાંચો : L&amp;T Q1 Results : ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને થયો 4,123 કરોડનો તગડો નફો, ઓર્ડર બુક 7 લાખ કરોડને પાર પહોંચી</a></b></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/29/G36QvYzDgwV0vLjj7u0owvsP4X7JdKZoNJbTWfCA.webp'/></item><item><title><![CDATA[CWG 2026 Boxing : બોક્સિંગમા ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે ફાઇનલ,જુઓ આખું સમીકરણ ]]></title><link>https://sandesh.com/sports/news/cwg-2026-boxing-the-final-will-be-played-between-india-and-pakistan-in-boxing-see-the-entire-equation</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/cwg-2026-boxing-the-final-will-be-played-between-india-and-pakistan-in-boxing-see-the-entire-equation</guid><pubDate>Wed, 29 Jul 2026 13:39:53 +05:30</pubDate><description><![CDATA[<p>કોમનવેલ્થ ગેમ્સ 2026ના બોક્સિંગ રિંગમાં ભારત-પાકિસ્તાન ફાઇનલ.સમીકરણો બનવા લાગ્યા છે,અને જો બધું બરાબર રહ્યું,તો ફાઇનલ 1 ઓગસ્ટના રોજ ગ્લાસગોમાં યોજાશે.તાજેતરમાં ભારતીય બોક્સર જદુમણી સિંહે રાઉન્ડ ઓફ 16 મેચમાં પાકિસ્તાની બોક્સર સુમામા રહેમાનને એક શક્તિશાળી મુક્કાથી હરાવ્યો હતો.આ વખતે ઉત્તેજના ચાર ગણી થઈ શકે છે કારણ કે મુકાબલો ફાઇનલમાં થશે, જેમાં ગોલ્ડ મેડલ દાવ પર છે.મહિલાઓના 60 કિગ્રા વજન વર્ગમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ માટેના સમીકરણો રચાતા દેખાય છે.</p><h3><b>ભારત અને પાકિસ્તાન બોક્સરો સેમિ-ફાઇનલમાં એન્ટ્રી&nbsp;</b></h3><p>28 જુલાઈના રોજ, ભારતીય અને પાકિસ્તાની બોક્સરોએ મહિલાઓના 60 કિગ્રા વજન વર્ગમાં પોતપોતાના મુકાબલા જીતીને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. પાકિસ્તાની બોક્સર ફાતિમા ઝહરાએ ક્વાર્ટર ફાઇનલમાં ન્યુઝીલેન્ડની જોર્ડન વિલ્સનને 5-0થી હરાવી. દરમિયાન, ભારતની પ્રિયા ઘંઘાસે સ્કોટલેન્ડની ઘરેલુ પ્રિય નિયામ મિશેલને 4-1થી હરાવી.</p><h5><b>સેમિફાઇનલ 31 જુલાઈના રોજ યોજાશે</b></h5><p>બોક્સિંગમાં મહિલાઓની 60 કિલો વજન શ્રેણીમાં સેમિફાઇનલ 31 જુલાઈના રોજ યોજાશે. સેમિફાઇનલમાં પાકિસ્તાની બોક્સર ફાતિમાનો મુકાબલો કેનેડિયન બોક્સર મેરી અલ અહમદી સાથે થશે. ભારતની પ્રિયા ઘંઘાસનો મુકાબલો ઇંગ્લેન્ડની લ્યુસી કિંગ્સ સાથે થશે.</p><h4><b>ભારત અને પાકિસ્તાન ફાઇનલમાં આમને-સામને થશે</b></h4><p>જો ભારતની પ્રિયા ઘંઘાસ અને પાકિસ્તાનની ફાતિમા ઝહરા 31 જુલાઈના રોજ પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરીને સેમિફાઇનલ જીતી જાય છે, તો આ બે કટ્ટર હરીફ ફાઇનલમાં પહોંચશે, જ્યાં તેઓ 1 ઓગસ્ટના રોજ અત્યાર સુધીની સૌથી રોમાંચક બોક્સિંગ મેચમાં ટકરાઈ શકે છે.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/commonwealth-games-2026-indias-fastest-runner-out-of-the-semifinals-know-the-reason" target="_blank">Commonwealth Games 2026: ભારતનો સૌથી ઝડપી દોડવીર સેમિફાઈનલમાંથી બહાર! જાણો કારણ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/29/dP1mSZ4FtUS8iMNvE5fyMbosAiQA04EhnJ62wteR.webp'/></item></channel></rss>