<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ganesh Mahotsav 2026 : ‘બાપ્પાની ભક્તિ અને સજાવટની ઝલક હવે પહોંચશે કરોડો વાચકો સુધી!’ સંદેશ ડિજિટલ લઈને આવ્યું છે ભક્તો માટે ગોલ્ડન ચાન્સ ]]></title><link>https://sandesh.com/ganeshotsav/news/bhakti/ahmedabad/ganesh-mahotsav-2026-ganpati-photos</link><guid isPermaLink="true">https://sandesh.com/ganeshotsav/news/bhakti/ahmedabad/ganesh-mahotsav-2026-ganpati-photos</guid><pubDate>Wed, 16 Sep 2026 19:16:10 +05:30</pubDate><description><![CDATA[<p>ગણેશ મહોત્સવ 2026ની ઉજવણીને વધુ ખાસ અને યાદગાર બનાવવા માટે સંદેશ ડિજિટલ લઈને આવ્યું છે એક સુંદર તક. હવે તમારા ઘેર કે સોસાયટીમાં પધારેલા ગણપતિ બાપ્પાની સુંદર તસવીરો અને વીડિયો માત્ર તમારા પરિવાર કે સોસાયટી પૂરતા સીમિત નહીં રહે, પરંતુ તેને દુનિયા સુધી પહોંચાડવાની તક મળશે. આ પાવન પર્વે તમારા ગણપતિ દાદાની સુંદર તસવીરો અને વીડિયો સંદેશ ડિજિટલ દ્વારા પ્રકાશિત કરવામાં આવશે. તમારા શ્રીજીની તસવીરો સંદેશ ડિજિટલની વેબસાઇટ sandesh.com તેમજ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ચમકશે. તમારા ઘેર, ફ્લેટમાં કે સોસાયટીમાં પધારેલા શ્રીજીની સુંદર તસવીરો અને વીડિયો અમને મોકલો. સાથે તમારું નામ અને સ્થળ જરૂરથી લખશો, જેથી તમારી તસવીરો યોગ્ય ઓળખ સાથે પ્રકાશિત કરી શકાય. તો આ ગણેશ મહોત્સવમાં તમારા બાપ્પાની ભક્તિ, શ્રદ્ધા અને સુંદર સજાવટની ઝલક દુનિયા સુધી પહોંચાડો. આજે જ તમારા શ્રીજીની તસવીરો અને વીડિયો મોકલો આ નંબર પર---- 9316724216&nbsp;</p><h2><b>માધવ એલાઇટ પરિવારના વિઘ્નહરતા, વડોદરા</b></h2><p><img alt="ganpati photos" src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/WqSqKD2fJr5kYCT6jCPaA4rYtV2VZIhiwoKEkbnJ.webp" style="width: 50%;"></p><h2><b>રાશિ આકાશ પુરોહિત, ડોમ્બિવલી, મુંબઈ</b></h2><p><img alt="ganpati photos" src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/YOVHUE3OfqKrmMp8QgXar3RuHJu1IqI6prCotUfh.webp" style="width: 50%;"><br></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/FDIaQv14CqQLilmvBVQIuLX9kfj5RuSGJCAA84g5.webp'/></item><item><title><![CDATA[Rajkot: યુવતીની છેડતીની અદાવતમાં પરપ્રાંતીયો વચ્ચે ખેલાયો ખૂની ખેલ; ઓડિશાના યુવક દુખીશ્યામની હત્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/odisha-laborer-dukhishyam-murdered-over-molestation-three-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/odisha-laborer-dukhishyam-murdered-over-molestation-three-arrested</guid><pubDate>Wed, 16 Sep 2026 19:09:37 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ શહેરમાં પરપ્રાંતીય શ્રમિકો વચ્ચે જૂની અદાવત અને યુવતીની છેડતી બાબતે એક સનસનાટીભરી હત્યાની ઘટના સામે આવી છે. ઓડિશાના વતની અને રાજકોટમાં છૂટક મજૂરી કામ કરતા દુખીશ્યામ નામના યુવકની યુવતીની છેડતીના મુદ્દે ઝઘડો થતાં ત્રણેય ભાઈઓએ ક્રૂરતાપૂર્વક હત્યા નીપજાવી છે.</p><h2><b>રાજકોટમાં યુવતીની છેડતી બાબતે ખેલાયો ખૂની ખેલ</b></h2><p>પોલીસ તપાસમાં સામે આવેલી વિગત મુજબ, મૃતક દુખીશ્યામ અને આરોપીઓ છેલ્લા ઘણા સમયથી સાથે રહીને છૂટક મજૂરી કામ કરતા હતા. દરમિયાન મૃતક દુખીશ્યામે આરોપીઓની બહેનનો હાથ પકડી છેડતી કરી હતી. આ બાબતે ઉશ્કેરાયેલા યુવતીના ત્રણ ભાઈઓ પિંજુ ભૂરીયા, રાજેશ ભૂરીયા અને અજીત ભૂરીયાએ દુખીશ્યામને આંતરીને ઢીકા-પાટુ તથા લાકડાના ધોકા વડે ગંભીર માર માર્યો હતો. ત્યારબાદ ફેન્સિંગ વાયર વડે તેનું ગળું દબાવીને સ્થળ પર જ મોતને ઘાટ ઉતારી દીધો હતો.ઘટનાની જાણ થતાં જ રાજકોટ પોલીસનો ઉચ્ચ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.</p><h3><b>ઓડિશાના યુવક દુખીશ્યામની હત્યા</b></h3><p> </p><p>પોલીસે મૃતદેહને પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો.પોલીસે ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલીને હત્યા આચરનાર ત્રણેય ભાઈઓ પિંજુ ભૂરીયા, રાજેશ ભૂરીયા અને અજીત ભૂરીયાની અટકાયત કરી લીધી છે. રાજકોટ પોલીસે આરોપીઓ સામે હત્યા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી અને સઘન પૂછપરછ હાથ ધરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/morbi/cyber-police-arrests-three-in-86-lakh-stock-market-scam-recovers-61-lakh" target="_blank">આ પણ વાંચો: Morbi: શેરબજારના નામે 86.25 લાખ ચાઉં કરનાર 3 ઠગ ગણતરીના દિવસોમાં ઝડપાયા, 61 લાખ જપ્ત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/8qOwA6e1jlJNYYip14G7Fns8GjJQFgRyEZZsEuHQ.webp'/></item><item><title><![CDATA[Reliance Foundationની મોટી ભેટ, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્‌ને અર્પણ કરી 25 ઇલેક્ટ્રિક બસો અને ચાર્જિંગ સ્ટેશન ]]></title><link>https://sandesh.com/india/news/reliance-foundation-donates-25-electric-buses-to-tirumala-tirupati-devasthanam-tirumala</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/reliance-foundation-donates-25-electric-buses-to-tirumala-tirupati-devasthanam-tirumala</guid><pubDate>Wed, 16 Sep 2026 19:04:30 +05:30</pubDate><description><![CDATA[<p>યાત્રાધામ તિરુમાલા ખાતે લાખો શ્રદ્ધાળુઓની આસ્થા અને પર્યાવરણના જતન માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સખાવતી સંસ્થા રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્‌ (TTD) ને 25 ઇલેક્ટ્રિક બસો અને તેનું સમર્પિત ચાર્જિંગ સ્ટેશન અર્પણ કરવામાં આવ્યું છે. તિરુમાલા ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુના વરદ્ હસ્તે આ ઇલેક્ટ્રિક બસોને વિધિવત્ ફ્લેગ ઓફ કરવામાં આવી હતી.</p><h2><b>અનંત અંબાણીએ કરેલું વચન પાળ્યું</b></h2><p>આગામી સમયમાં તિરુમાલાના પવિત્ર પર્વત-સ્થિત મંદિરે બે મહત્વપૂર્ણ શ્રીવારી બ્રહ્મોત્સવમ્‌ યોજાવાના છે, જેમાં દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. આ મહાપર્વ પૂર્વે જ આ બસો ઉપલબ્ધ થવાથી મુસાફરી વધુ સરળ બનશે. તમને જણાવી દઈએ કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ જૂન 2026માં તિરુમાલાની મુલાકાત દરમિયાન પર્યાવરણને અનુકૂળ પરિવહન વ્યવસ્થા માટે 25 ઇલેક્ટ્રિક બસો આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી, જે આજે સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે.</p><p><img alt="Reliance Foundation Donates 25 Electric Buses to Tirumala Tirupati Devasthanam Before Brahmotsavam " src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/20pgQFSbUg7SkSy3G02EdZNg3io9KBPHOHOiny8u.webp"><br></p><h2><b>ગ્રીન મોબિલિટી અને જૈવવિવિધતાનું સંરક્ષણ</b></h2><p>આ ઇલેક્ટ્રિક બસોના ઉમેરાથી TTDના ગ્રીન મોબિલિટીના પ્રયાસોને વેગ મળશે તેમજ પરંપરાગત ઇંધણવાળા વાહનો પરની નિર્ભરતા ઘટશે. રિલાયન્સ ફાઉન્ડેશને આર્થિક સહયોગ પૂરો પાડ્યો છે, જ્યારે Jio-bp દ્વારા EV ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પોતાની નિપુણતાનું યોગદાન આપવામાં આવ્યું છે. આ પહેલથી તિરુમાલાની સમૃદ્ધ જૈવવિવિધતાના સંરક્ષણમાં પણ મોટો સહારો મળશે.</p><p><img alt="Reliance Foundation Donates 25 Electric Buses to Tirumala Tirupati Devasthanam Before Brahmotsavam " src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/XdgYCEBZk85TTHhLj2le8gnYztbeM8ShvujlPM1b.webp"><img alt="Reliance Foundation Donates 25 Electric Buses to Tirumala Tirupati Devasthanam Before Brahmotsavam " src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/24VwylWLULsyeLmI3fxrngXagLjvRGJVLQFnrjSV.webp"><br></p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/news/crime/surat/surat-govind-dholakia-deepfake-video-cyber-fraud-arrests" target="_blank">Surat : રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાના ડીપફેક વીડિયોથી સાયબર ઠગાઈ કરનારા 2 આરોપી ઝડપાયા</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/URDHnfBg6Ang01O6bUsl7DWQhTaRjlanE2q2l6ac.webp'/></item><item><title><![CDATA[Naxal Attack Case: ઝીરમ ઘાટી હુમલા કેસમાં 10 દોષિતોને ફાંસી, જાણો કેવી રીતે થયો હતો હુમલો ]]></title><link>https://sandesh.com/india/news/jeeram-ghati-naxal-attack-case-10-convicts-death-sentence</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/jeeram-ghati-naxal-attack-case-10-convicts-death-sentence</guid><pubDate>Wed, 16 Sep 2026 18:52:38 +05:30</pubDate><description><![CDATA[<p>Naxal Attack Case: છત્તીસગઢના બસ્તર જિલ્લામાં આવેલી વિશેષ NIA કોર્ટે 2013ના ઝીરમ ઘાટી નક્સલી હુમલા કેસમાં તમામ 10 દોષિતોને ફાંસીની સજા સંભળાવી છે. આ હુમલામાં કુલ 29 લોકોનાં મોત થયા હતા. આ મહિનાની શરૂઆતમાં કોર્ટે તમામ 10 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા અને 16 સપ્ટેમ્બરે સજા સંભળાવવાની તારીખ નક્કી કરી હતી.</p><p><b>ઝીરમ ઘાટી કેસમાં 10 દોષિતોને ફાંસીની સજા</b></p><p>જગદલપુરની NIAની વિશેષ અદાલતમાં વિશેષ ન્યાયાધીશ અભય સિંહ રાજપૂતે આ કેસમાં આરોપીઓને દોષિત ઠેરવવાનો નિર્ણય આપ્યો હતો. બચાવ પક્ષના વકીલ અરવિંદ ચૌધરીએ જણાવ્યું હતું કે બે મહિલાઓ સહિત કુલ 10 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, કેસની સુનાવણી દરમિયાન 101 સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા હતા.</p><p><b>દોષિતોના નામ જાહેર</b></p><p>કોર્ટે જે 10 દોષિતોને મોતની સજા સંભળાવી છે, તેમાં પ્રમિલા મોડિયમ, ચૈતૂ લેકામ ઉર્ફે મુન્ના, સુમિતા ઉર્ફે પુનેમ મોડિયમ, મુકકા માંડવી, કોસા કવાસી ઉર્ફે કોસારામ, આયતા મરકામ, મડકામી દેવા, જોગા મડકામી, બનજામી સન્ના ઉર્ફે ચમરુ અને મહાદેવ નાગનો સમાવેશ થાય છે. આ કેસના 11મા આરોપીનું સુનાવણી દરમિયાન જ મોત થયું હતું.</p><p><b>&nbsp;25 મે 2013ની ઘટના</b></p><p>આ હુમલો 25 મે 2013ના રોજ થયો હતો. બસ્તર જિલ્લાના દરભા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ઝીરમ ઘાટીમાં નેશનલ હાઈવે પર કોંગ્રેસની ‘પરિવર્તન રેલી’ના કાફલા પર નક્સલીઓએ ઘાત લગાવીને હુમલો કર્યો હતો. આ હુમલાને ડાબેરી ઉગ્રવાદ સાથે જોડાયેલા સૌથી ઘાતક હુમલાઓમાંથી એક માનવામાં આવે છે. હુમલામાં કોંગ્રેસના નેતાઓ, સામાન્ય નાગરિકો અને સુરક્ષાકર્મીઓ સહિત 29 લોકોનાં મોત થયા હતા, જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા હતા.</p><p><b>કોંગ્રેસના નેતાઓનાં મોત થયા&nbsp;</b></p><p>ઝીરમ ઘાટી હુમલામાં તે સમયના રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ નંદકુમાર પટેલ અને તેમના પુત્ર દિનેશ, વિધાનસભામાં પૂર્વ વિપક્ષના નેતા મહેન્દ્ર કર્મા, પૂર્વ કેન્દ્રીય મંત્રી વિદ્યા ચરણ શુક્લ અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા તથા પૂર્વ ધારાસભ્ય ઉદય મુડલિયારનું પણ મોત થયું હતું.</p><p><b>પહેલા બ્લાસ્ટ, પછી ગોળીબાર</b></p><p>નક્સલીઓએ લાલ રંગની બોલેરો ગાડીની નીચે બિછાવેલી લેન્ડમાઇનમાં વિસ્ફોટ કર્યો હતો. વિસ્ફોટથી રસ્તા પર લગભગ 5 ફૂટ ઊંડો ખાડો પડી ગયો હતો. ત્યારબાદ એક ખરાબ ટ્રકને કારણે રસ્તો પણ બંધ થઈ ગયો હતો. આ રીતે કાફલો ફસાઈ ગયા બાદ લગભગ બે કલાક સુધી નક્સલીઓએ 20 વાહનોના કાફલા પર અંધાધૂંધ ગોળીબાર કર્યો અને ગ્રેનેડ પણ ફેંક્યા હતા.</p><p><b>હુમલાના બે દિવસ બાદ NIAને તપાસ સોંપાઈ</b></p><p>હુમલાના બે દિવસ બાદ NIAએ કેસની તપાસ પોતાના હાથમાં લીધી હતી. 25 સપ્ટેમ્બર 2014ના રોજ NIAએ જગદલપુર સ્થિત વિશેષ NIA કોર્ટમાં ધરપકડ કરાયેલા 9 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. ત્યારબાદ 28 સપ્ટેમ્બર 2015ના રોજ વધુ 30 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.</p><p><b>11 આરોપીઓમાંથી 10ને સજા</b></p><p>આ કેસમાં કુલ 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, એક આરોપીનું કેસની સુનાવણી દરમિયાન જ મોત થયું હતું. ત્યારબાદ કોર્ટે બાકીના 10 આરોપીઓને ઝીરમ ઘાટી હુમલા માટે દોષિત ઠેરવ્યા અને હવે તમામ 10ને ફાંસીની સજા સંભળાવી છે.</p><p><b><a href="https://sandesh.com/opinion/news/opinion-are-intelligent-naxalites-more-dangerous-than-gun-wielding-naxalites" target="_blank">આ પણ વાંચો: બંદૂકવાળા નક્સલી કરતાં દિમાગી નક્સલી વધુ ખતરનાક?</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/A0Qj15hhVUE0h4PmZlWnWqZduUTRr6vaf1moEMLJ.webp'/></item><item><title><![CDATA[હું તેને ઓળખતો પણ નથી... દિશા સાલિયન કેસમાં આદિત્ય ઠાકરેનું પહેલું નિવેદન ]]></title><link>https://sandesh.com/india/news/entertainment/disha-salian-case-aaditya-thackeray-first-reaction-cbi-fir-bombay-high-court</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/entertainment/disha-salian-case-aaditya-thackeray-first-reaction-cbi-fir-bombay-high-court</guid><pubDate>Wed, 16 Sep 2026 18:50:13 +05:30</pubDate><description><![CDATA[<p>દિશા સાલિયન કેસે મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે. બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ CBI દ્વારા FIR નોંધવામાં આવી ત્યારથી આ મામલો સતત ચર્ચામાં રહ્યો છે. આ કેસના સંદર્ભમાં આદિત્ય ઠાકરેનું નામ વારંવાર સામે આવ્યું છે અને હવે તેમણે પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપતા સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેઓ દિશા સાલિયનને ઓળખતા નથી.</p><p><br></p><p>"હું દિશા સાલિયનને ક્યારેય મળ્યો નથી કે તેમની સાથે મારો કોઈ પરિચય પણ નહોતો. છેલ્લા છ વર્ષોથી, રાજકીય ઈરાદાઓ, અંગત અદાવત અને મારી છબી ખરડવાના (ચરિત્ર હત્યાના) પ્રયાસોને કારણે અમુક લોકો જાણીજોઈને આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના સાથે મારું નામ જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે આ બાબતે કોઈ પણ પુરાવા કે જોડાણ અસ્તિત્વમાં નથી. સત્ય કે હકીકત વિના ચલાવવામાં આવતું આ ખોટું અભિયાન દુર્ભાગ્યપૂર્ણ છે."</p><p><br></p><h4><b>"નવી તપાસ થવી જોઈએ"</b></h4><p>આદિત્ય ઠાકરેએ વધુમાં કહ્યું, "ટીવી ચેનલો પર થતી સનસનીખેજ ચર્ચાઓ અને મીડિયા ટ્રાયલ સત્યને બદલી શકતા નથી. સત્તાવાર એજન્સીઓને અવરોધ, રાજકીય દખલગીરી કે ચરિત્ર હત્યાના પ્રયાસોથી મુક્ત રહીને આ મામલાની નિષ્પક્ષ અને નવી તપાસ કરવાની છૂટ મળવી જોઈએ. હું ફરીથી કહેવા માંગુ છું કે જો કોઈને એમ લાગતું હોય કે તેઓ આવી ચરિત્ર હત્યા અને ખોટા પ્રચાર દ્વારા અમને ચૂપ કરાવી શકે છે, તો તેઓ ભૂલ કરે છે. દેશની જનતાની સાથે રહીને સત્ય માટે અને અન્યાય વિરુદ્ધનો અમારો સંઘર્ષ ચાલુ રહેશે."</p><p><br></p><h4>આ સમગ્ર મામલો શું છે?</h4><p>સુશાંત સિંહ રાજપૂતના ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયનનું 8 જૂન, 2020ના રોજ મુંબઈના મલાડ વિસ્તારમાં આવેલી એક ઈમારતના 14મા માળેથી પડી જવાથી મૃત્યુ થયું હતું. શરૂઆતમાં, મુંબઈ પોલીસે આ ઘટનાને આત્મહત્યા ગણીને 'આકસ્મિક મૃત્યુનો અહેવાલ' (Accidental Death Report) નોંધ્યો હતો. જોકે, બાદમાં બોમ્બે હાઈકોર્ટે CBIને FIR નોંધીને આ કેસની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારથી આ મામલો સતત ચર્ચાના કેન્દ્રમાં રહ્યો છે અને તેમાં ઉદ્ધવ તથા આદિત્ય ઠાકરે સહિતના અનેક દિગ્ગજ નેતાઓના નામ જોડવામાં આવ્યા છે.<br><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/business/upi-payments-charge-above-rs-2000-supreme-court-plea-mdr-framework" target="_blank"><b>UPI ચાર્જને લઈને ઘમાસાણ! સુપ્રીમ કોર્ટ પહોંચ્યો મામલો, 2000થી વધુના મર્ચન્ટ પેમેન્ટ્સ વિરુદ્ધ અરજી દાખલ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/tjX7ComUj3HJXnZAOA5SJoYoU7exP6T5ybdTJPBM.webp'/></item><item><title><![CDATA[Morbi: શેરબજારના નામે 86.25 લાખ ચાઉં કરનાર 3 ઠગ ગણતરીના દિવસોમાં ઝડપાયા, 61 લાખ જપ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/morbi/cyber-police-arrests-three-in-86-lakh-stock-market-scam-recovers-61-lakh</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/morbi/cyber-police-arrests-three-in-86-lakh-stock-market-scam-recovers-61-lakh</guid><pubDate>Wed, 16 Sep 2026 18:48:26 +05:30</pubDate><description><![CDATA[<p>શેરબજારમાં રોકાણ કરી ટૂંક સમયમાં મોટો નફો કમાઈ આપવાની લાલચ આપીને નાગરિકોને શિકાર બનાવતી સાયબર ગેંગ સામે મોરબી સાયબર પોલીસે મોટી સફળતા મેળવી છે. મોરબીના એક વેપારી સાથે સ્ટોક માર્કેટમાં રોકાણના નામે રૂ. 86.25 લાખની વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરનાર ત્રણ ચાલાક આરોપીઓને પોલીસે ગણતરીના દિવસોમાં જ દબોચી લીધા છે.</p><h2><b>મોરબીના વેપારી સાથે 86.25 લાખની છેતરપિંડી</b></h2><p>પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ આરોપીઓ મુખ્યત્વે લોકોને અને યુવાનોને ફોન કરીને શેરબજારની વિવિધ લોભામણી સ્કીમો સમજાવતા હતા. સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાથી ટૂંકા સમયમાં અનેકગણો ફાયદો થશે તેવી ખાતરી આપીને તેઓ વેપારીઓ પાસે અલગ-અલગ બેંક ખાતાઓમાં લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવી લેતા હતા.વેપારીએ સાયબર ફ્રોડ અંગે મોરબી સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બેંક એકાઉન્ટ ડિટેલ્સના આધારે તપાસ તેજ કરી હતી. સાયબર પોલીસે સઘન કાર્યવાહી કરીને ગુનામાં સંમેલિત આરોપી નિતીન રબારી, ભલાભાઇ રબારી અને કશ્યપજી ઉર્ફે ચકો ઠાકોરની ધરપકડ કરી લીધી છે.</p><h3><b>આરોપીઓ પાસેથી 61 લાખની રકમ કબ્જે કરી લીધી</b></h3><p>પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીઓ પાસેથી 61 લાખ જેટલી મોટી રકમ પણ કબ્જે કરી લીધી છે. આ સાયબર ગેંગે અન્ય કોઈ લોકો સાથે આ પ્રકારે છેતરપિંડી કરી છે કે કેમ અને તેમની સાથે અન્ય કોઈ મોટા આકાઓ જોડાયેલા છે કે નહીં, તે અંગે મોરબી સાયબર પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી આગળની સઘન પૂછપરછ હાથ ધરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/una/gir-gadhada-rupen-river-eicher-truck-accident-one-dead-two-injured" target="_blank">આ પણ વાંચો: Una: ઉમેદપરા પાસે રૂપેણ નદીના પુલ પરથી માછલી ભરેલો આયશર ટ્રક 15 ફૂટ નીચે ખાબક્યો! અકસ્માતમાં 1 વ્યક્તિનું કરુણ મોત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/Zc25UMkGkeMkCQMA7f1CGzxuF3pYYZ87dv5T2Sgs.webp'/></item><item><title><![CDATA[Surat News: ડિંડોલીમાં પોલીસના સપાટામાં જુગારધામ, દીપકનગર સોસાયટીમાંથી 7 જુગારીઓ રંગે હાથે ઝડપાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/dindoli-police-raid-gambling-den-7-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/dindoli-police-raid-gambling-den-7-arrested</guid><pubDate>Wed, 16 Sep 2026 18:35:49 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને જુગારના અડ્ડાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. સુરતની ડિંડોલી પોલીસ દ્વારા બાતમીના આધારે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ડિંડોલી વિસ્તારમાં આવેલા દીપકનગર સોસાયટીમાં લાંબા સમયથી ચાલતા જુગારધામ પર પોલીસે અચાનક દરોડો પાડતા જુગારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો.</p><h2><b>સોસાયટીની અંદર ધમધમતું હતું જુગારધામ</b></h2><p>પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ડિંડોલીની દીપકનગર સોસાયટીમાં કેટલાક શખ્સો દ્વારા ગુપ્ત રીતે જુગાર રમાડવામાં આવી રહ્યો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે ચોક્કસ આયોજન કરીને સોસાયટીના મકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસને અચાનક સામે જોઈને જુગારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી, પરંતુ પોલીસની સઘન ટીમે તમામ તરફથી ઘેરાબંધી કરીને ઇસમોને ઝડપી લીધા હતા.</p><h2><b>7 જુગારીઓની ધરપકડ અને મુદ્દામાલ જપ્ત</b></h2><p>આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી જુગાર રમી રહેલા કુલ 7 જુગારીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં જુગારના પટમાંથી રોકડ રકમ સહિત કુલ 15,000 થી વધુની મુદ્દામાલ કબ્જે કરવામાં આવી છે. પોલીસ દ્વારા પકડાયેલા તમામ આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ કાયદેસરની સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.</p><h2><b>વધુ પૂછપરછ અને તપાસ જાહેર</b></h2><p>ડિંડોલી પોલીસે તમામ 7 આરોપીઓની અટકાયત કરી લીધા બાદ આ જુગારધામનો મુખ્ય સંચાલક કોણ હતો અને આ રેકેટ કેટલા સમયથી ચાલતું હતું તે અંગે વધુ સઘન તપાસ શરૂ કરી છે. સ્થાનિક સ્તરે પોલીસની આ સરાહનીય કામગીરીથી બુકીઓ અને અસામાજિક તત્વોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/news/crime/surat/surat-govind-dholakia-deepfake-video-cyber-fraud-arrests" target="_blank">Surat : રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાના ડીપફેક વીડિયોથી સાયબર ઠગાઈ કરનારા 2 આરોપી ઝડપાયા</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/qVUBRRMTVclORq8SnJhbTaFYBSLvqBu9hjxMELVs.webp'/></item><item><title><![CDATA[Pakistan Currency: પાકિસ્તાન સરકાર 10 રૂપિયાની નોટ ચલણમાંથી બહાર કાઢી સિક્કો લાવવાની તૈયારીમાં ]]></title><link>https://sandesh.com/world/news/business/pakistan-currency-the-pakistan-government-is-preparing-to-withdraw-the-10-rupee-note-from-circulation-and-introduce-coins</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/business/pakistan-currency-the-pakistan-government-is-preparing-to-withdraw-the-10-rupee-note-from-circulation-and-introduce-coins</guid><pubDate>Wed, 16 Sep 2026 18:34:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ચલણના મૂલ્યને ધ્યાનમાં રાખીને, બેંકે સરકારને 10 રૂપિયાની નોટ બંધ કરવાની સલાહ આપી છે. પાકિસ્તાન સરકાર નિર્ણયને અમલમાં લાવશે.&nbsp;</p><h2 style="text-align: justify; ">નોટના સ્થાને સિક્કા&nbsp;</h2><p style="text-align: justify; ">પાકિસ્તાનની સેન્ટ્રલ બેંકે 10 રૂપિયાની નોટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. બેંકના ડેપ્યુટી ગવર્નરે તાજેતરમાં સેનેટ કમિટીને આ અંગે માહિતી આપી હતી. બેંકે જણાવ્યું હતું કે ખર્ચ બચાવવા અને ચલણનું મૂલ્ય વધારવા માટે તે નોટને સિક્કાથી બદલશે. પાકિસ્તાન સરકારના જણાવ્યા અનુસાર, ચલણ છાપવામાં વાર્ષિક 29.6 અબજ રૂપિયાનો ખર્ચ થાય છે. સેન્ટ્રલ બેંકના ડેપ્યુટી ગવર્નર ઇનાયત હુસૈને સમિતિને જણાવ્યું હતું કે 10રૂ.ની નોટ છાપવાથી પાકિસ્તાનને નુકસાન થઈ રહ્યું છે. તેઓ તેને સિક્કાથી બદલવાનું વિચારી રહ્યા છે.</p><h3 style="text-align: justify; ">પાકિસ્તાન કેમ અમલ લાવશે નિર્ણય ?&nbsp;</h3><p style="text-align: justify; ">પાકિસ્તાનની સેન્ટ્રલ બેંકના ભૂતપૂર્વ ગવર્નર સલીમ રઝાના મતે, ચલણના મૂલ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, સેન્ટ્રલ બેંકે 10 રૂપિયાની નોટના નોટબંધી અંગે સત્તાવાર રીતે કંઈ જણાવ્યું નથી. રઝા કહે છે કે, જ્યારે ચલણનું મૂલ્ય ઘટે છે. ત્યારે નાની નોટોનું મૂલ્ય પણ ઘટે છે અને તેમની સાથે કંઈ ખરીદી શકાતું નથી. મતલબ કે, તેમની કોઈ કિંમત બાકી નથી. ભૂતપૂર્વ ગવર્નર રઝા કહે છે કે હાલમાં, પાકિસ્તાની 10 રૂપિયાની નોટનું કોઈ મૂલ્ય નથી. તેનું મૂલ્ય ખૂબ જ ઓછું છે.</p><h4 style="text-align: justify; ">અગાઉ પણ અમુક નોટ થઇ ચુકી બંધ&nbsp;</h4><p style="text-align: justify; ">પાકિસ્તાને 1,2 અને 5 રૂપિયાની નોટો પહેલાથી જ બંધ કરી છે. શરૂઆતમાં તેમને બદલવા માટે સિક્કા રજૂ કરાયા હતા. પરંતુ પછીથી, સિક્કા પણ બજારમાંથી ગાયબ થયા હતા. હવે, પાકિસ્તાનમાં 1,2 અથવા 5ના સિક્કા જોવા મળતા નથી. આંતરરાષ્ટ્રીય ચલણ બજાર અનુસાર, ભારતમાં 10 પાકિસ્તાની રૂપિયાનું મૂલ્ય 3.46 રૂપિયા જેટલું છે એક કેન્ડી ટોફી 10 રૂપિયામાં વેચાઈ રહી છે. એક બિસ્કિટની ન્યૂનતમ કિંમત 40 રૂપિયા છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/lifestyle/news/health-fitness/body-hydration-along-with-water-balance-of-these-5-electrolytes-in-the-body-is-also-necessary-know-what-the-doctor-says" target="_blank">પાણીની સાથે શરીરમાં આ 5 ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન પણ જરૂરી, જાણો શુ કહે છે તબીબ?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/Qd8ojAKeJ646eaeCnPJbvYQ2stlYgOphcocpQEIL.webp'/></item><item><title><![CDATA[Una: ઉમેદપરા પાસે રૂપેણ નદીના પુલ પરથી માછલી ભરેલો આયશર ટ્રક 15 ફૂટ નીચે ખાબક્યો! અકસ્માતમાં 1 વ્યક્તિનું કરુણ મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/una/gir-gadhada-rupen-river-eicher-truck-accident-one-dead-two-injured</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/una/gir-gadhada-rupen-river-eicher-truck-accident-one-dead-two-injured</guid><pubDate>Wed, 16 Sep 2026 18:26:19 +05:30</pubDate><description><![CDATA[<p>ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં 15 સપ્ટેમ્બરે મોડી રાત્રે એક કરુણ અકસ્માત સર્જાયો હતો. તાલુકાના ઉમેદપરા ગામ નજીક આવેલા રૂપેણ નદીના પુલ પરથી પસાર થઈ રહેલો માછલી ભરેલો આયશર ટ્રક અચાનક ચાલકે કાબૂ ગુમાવતાં પુલની પ્રોટેક્શન રેલિંગ તોડીને અંદાજે 15 ફૂટ નીચે સીધો નદીના પટમાં ખાબક્યો હતો.</p><h2><b>રૂપેણ નદીમાં ટ્રક ખાબક્યો&nbsp;</b></h2><p>આ ભયાનક ગોઝારા અકસ્માતમાં ટ્રકમાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. દુર્ઘટનાના કારણે મૃતકના ત્રણ માસૂમ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતાં સમગ્ર પંથક અને પરિવારમાં ભારે અરેરાટી સાથે શોકની કાલિમા છવાઈ ગઈ છે. અકસ્માતમાં અન્ય બે લોકો ગંભીર રીતે ઘવાયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને ટ્રકમાંથી બહાર કાઢી વધુ સારવાર માટે વેરાવળની હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરી હતી.</p><h3><b>એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મોત</b></h3><p>ઘટના અંગે જાણ થતાં જ ગીર ગઢડા પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી અકસ્માતે મોતનો ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માત સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવવાના કારણે થયો છે કે અન્ય કોઈ કારણસર, તે દિશામાં તપાસ તેજ કરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/dri-seizes-231-kg-methamphetamine-drug-bust-assam-tripura" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: આસામ અને ત્રિપુરામાં DRIના એકસાથે દરોડા; 4 ટ્રકોના ગુપ્ત ખાનામાંથી કરોડોનું ડ્રગ્સ મળ્યું</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/Hw1ryUCU2O7yhizZrurMLrMfqpduWJedfRCIf0qR.webp'/></item><item><title><![CDATA[પાકિસ્તાનની ટીમ ભારત આવશે! એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં જામશે ભારત-પાક જંગ ]]></title><link>https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</guid><pubDate>Mon, 14 Sep 2026 15:47:21 +05:30</pubDate><description><![CDATA[<p>આવતા મહિને પાકિસ્તાનની હોકી ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે. 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન પંજાબમાં યોજાનારી AHF મેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026માં પાકિસ્તાન સહિત કુલ છ ટીમો ભાગ લેશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પાકિસ્તાનની ભાગીદારી અંગેની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, મલ્ટી-નેશનલ ઇવેન્ટ્સ અંગે કેન્દ્ર સરકારની નીતિ હેઠળ બંને દેશોની ટીમો આમને-સામને રમશે.</p><h2><b>ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જાલંધરમાં રમાશે</b></h2><p>એશિયન મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન થશે. આ ટૂર્નામેન્ટમાં યજમાન ભારત અને પાકિસ્તાન ઉપરાંત ચીન, જાપાન, મલેશિયા અને કોરિયાની પણ ભાગ લેશે. લીગ સ્ટેજના મુકાબલા જાલંધરમાં યોજાશે, જ્યારે સેમિફાઇનલ અને ફાઇનલ મેચ મોહાલીના હોકી સ્ટેડિયમમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 1 નવેમ્બરે જાલંધરમાં રમાશે. કોઈ ટીમ છેલ્લી ઘડીએ ખસી જાય તો તે સ્થિતિ માટે ઓમાન અને બાંગ્લાદેશને રિઝર્વ ટીમન તરીકે રાખવામી આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PTI_News/status/2099416960278868155"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમવામાં કોઈ મુશ્કેલી નથી</b></h2><p>પાકિસ્તાનની ભાગીદારી અને જરૂરી મંજૂરીઓ અંગે પંજાબના મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં બંને દેશો વચ્ચે રમવામાં કોઈ મુશ્કેલી નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝનું આયોજન અલગ બાબત છે, કારણ કે કેન્દ્ર સરકારની વર્તમાન નીતિ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય રમત-ગમતના આયોજનની મંજૂરી આપતી નથી. પરંતુ મલ્ટી-નેશનલ ટૂર્નામેન્ટમાં બંને દેશોના ખેલાડીઓને એકબીજા સામે રમવાની પરવાનગી છે, જેથી પાકિસ્તાની ટીમ ભારત આવી શકશે.</p><h2><b>ભારત વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે</b></h2><p>ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. ભારતે 2023માં ચેન્નાઈ અને 2024માં ચીનના હુલુનબુઈરમાં યોજાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ગત વર્ષે આ સ્પર્ધા યોજાઈ શકી નહોતી. હવે પંજાબ પ્રથમ વખત આ ટૂર્નામેન્ટની મેજબાની કરવા જઈ રહ્યું છે.</p><h2><b>અગાઉ પાકિસ્તાની ટીમે ના કહી હતી&nbsp;</b></h2><p>પાકિસ્તાનની આ વખતની ભાગીદારી એટલા માટે પણ ખાસ છે, કારણ કે ગત વર્ષે તેણે તમિલનાડુમાં આયોજિત જૂનિયર હોકી વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તે સમયે બંને દેશો વચ્ચેના તણાવને તેનું કારણ ગણાવવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે અને પાકિસ્તાની ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે પૂરી રીતે તૈયાર છે.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/V6jwdiIr9RTCvR6EyBaGsP2qfZvYLq2JfkL7pytm.webp'/></item></channel></rss>