<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[ભારત સામેના યુદ્ધમાં પાકને ઈરાને આપ્યો હતો મજબૂત ટેકો, શાહબાઝ શરીફે માન્યો હતો આભાર ]]></title><link>https://sandesh.com/world/news/india/iran-backed-pakistan-conflict-india-ishaq-dar</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/india/iran-backed-pakistan-conflict-india-ishaq-dar</guid><pubDate>Tue, 25 Aug 2026 11:35:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પાકિસ્તાન દ્વારા એક અત્યંત ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. પાકિસ્તાનનું કહેવું છે કે મે 2025માં ભારત સાથે થયેલા યુદ્ધ દરમિયાન ઈરાને ઈસ્લામાબાદને "મજબૂત ટેકો" આપ્યો હતો. પાકિસ્તાનનો આ દાવો ઈરાનના સત્તાવાર વલણથી એકદમ વિપરિત છે, કારણ કે ભૂતકાળમાં સંઘર્ષ દરમિયાન ઈરાને પોતાને એક "તટસ્થ" દેશ તરીકે રજૂ કર્યો હતો અને બંને પડોશી દેશોને સંયમ રાખવા તેમજ તણાવ ઓછો કરવા માટે અપીલ કરી હતી. તેમ છતાં, પાકિસ્તાને હવે જાહેરમાં સ્વીકાર્યું છે કે આ સંકટના સમયમાં ઈરાન તરફથી તેમને ભરપૂર સહયોગ મળ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>ભારત સામેના યુદ્ધમાં ઇરાને કર્યો હતો ટેકો</b></h2><p style="text-align: justify; ">આ બાબતનો ખુલાસો પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઈશાક ડારે કર્યો છે. તેમણે પાકિસ્તાન-ઈરાન સંબંધોની સ્થિતિ અંગે રાષ્ટ્રીય સભાને આપેલા એક લેખિત જવાબમાં આ વાત કહી છે. ઈશાક ડારે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયમાં બંને દેશોના સંબંધોમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે જૂન 2025માં થયેલા સંઘર્ષ દરમિયાન પાકિસ્તાને ઈરાનને મજબૂત રાજદ્વારી અને રાજકીય ટેકો પૂરો પાડ્યો હતો, અને બદલામાં મે 2025ના ભારત સાથેના સંઘર્ષ વખતે ઈરાને પણ પાકિસ્તાનને મજબૂત ટેકો આપ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>ઇરાન ભારત સાથે સંબંધો સારા ઇચ્છે છે</b></h3><p style="text-align: justify; ">જોકે, પાકિસ્તાની વિદેશ મંત્રીનું આ નિવેદન ઈરાન માટે અસ્વસ્થતાજનક સાબિત થઈ શકે છે, કારણ કે ઈરાન ભારત સાથે પણ સારા સંબંધો જાળવી રાખવા માંગે છે. આ વિવાદાસ્પદ દાવા અંગે ઈરાન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કે પ્રતિક્રિયા આપવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મા અંગે નવી દિલ્હી સ્થિત ઈરાની દૂતાવાસ પાસેથી પણ જવાબ માંગવામાં આવ્યો છે.</p><h4 style="text-align: justify; "><b>બે અઠવાડિયા પહેલા લીધી હતી ઇરાનની મુલાકાત</b></h4><p style="text-align: justify; ">એવું પણ સામે આવ્યું છે કે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે મે 2025ના ભારત-પાકિસ્તાન સંઘર્ષના લગભગ બે અઠવાડિયા પછી જ ઈરાનની સત્તાવાર મુલાકાત લીધી હતી. ઈશાક ડારના જણાવ્યા મુજબ, આ મુલાકાતનો મુખ્ય હેતુ ભારત સામેના યુદ્ધ દરમિયાન પાકિસ્તાનને સમર્થન આપવા બદલ ઈરાની નેતૃત્વનો આભાર વ્યક્ત કરવાનો હતો. જો કે, ડારે પોતાના નિવેદનમાં એ સ્પષ્ટ નથી કર્યું કે આ "મજબૂત સમર્થન"નો અર્થ રાજદ્વારી, ગુપ્તચર કે લશ્કરી સહાયમાંથી કયા પ્રકારનું સમર્થન હતો.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/world/news/trump-administration-cancel-200000-b1-b2-visas" target="_blank">આ પણ વાંચોઃ Visa cancellation: 2,00,000 લોકોના વિઝા રદ્દ કરવાની તૈયારીમાં ટ્રમ્પ, ભારત પર શું અસર પડશે?</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/25/UVBuvn1nGSFlfVbRIxigoDmmJkApDs0e4J2GLn6i.webp'/></item><item><title><![CDATA[Kriti Sanon Raksha Bandhan Ad પર કેમ મચ્યો બબાલ? જાણો સોશિયલ મીડિયા ટ્રોલિંગ અને વિવાદનું કારણ ]]></title><link>https://sandesh.com/entertainment/news/why-was-there-an-uproar-over-kriti-sanons-rakshabandhan-advertisement-know-the-reason-for-social-media-trolling-and-controversy</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/why-was-there-an-uproar-over-kriti-sanons-rakshabandhan-advertisement-know-the-reason-for-social-media-trolling-and-controversy</guid><pubDate>Tue, 25 Aug 2026 11:23:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">તહેવારોની મોસમમાં સેલિબ્રિટીઝની જાહેરાતો અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે, પરંતુ બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનનની રક્ષાબંધન અંગેની એક નવી જાહેરાતે સોશિયલ મીડિયા પર મોટો વિવાદ ઊભો કર્યો છે. બ્રાન્ડ જીવા (GIVA) માટે કરવામાં આવેલી આ જ્વેલરી એડમાં તહેવારના આધુનિક ચિત્રણને લઈને યુઝર્સમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.</p><p style="text-align: justify; "><b>બોલ્ડ આઉટફિટ અને ટ્રેડિશનલ એલિમેન્ટ્સની ગેરહાજરી</b></p><p style="text-align: justify; ">જાહેરાતમાં કૃતિ સેનન ઓફ-વ્હાઇટ બ્રેલેટ-સ્ટાઇલ બ્લાઉઝ, કેપ અને ડ્રેપ્ડ સ્કર્ટમાં જોવા મળે છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે આ પોશાકને રક્ષાબંધન જેવા પવિત્ર તહેવાર માટે અયોગ્ય ગણાવ્યો હતો. આ ઉપરાંત, જાહેરાતમાં પરંપરાગત પૂજાની થાળી અને તિલક જેવી બાબતો ગાયબ હોવા સામે પણ લોકોએ વિરોધ નોંધાવ્યો છે.</p><p style="text-align: justify; "><b>પેટ ડોગને રાખડી બાંધવા પર બે જૂથમાં વહેંચાયા યુઝર્સ</b></p><p style="text-align: justify; ">એડમાં કૃતિ પોતાના ભાઈની સાથે સાથે પોતાના પાલતુ કૂતરા (Pet Dog) ને પણ રાખડી બાંધતી જોવા મળે છે. કેટલાક યુઝર્સે તેને સનાતન સંસ્કૃતિની પરંપરાનું અપમાન ગણાવ્યું, જ્યારે બીજા પક્ષે પાલતુ પ્રેમીઓએ એવો બચાવ કર્યો કે પ્રાણીઓ પણ પરિવારનો જ એક ભાગ છે, જેથી તેમને તહેવારમાં સામેલ કરવામાં કંઈ ખોટું નથી. પેટ ડોગને રાખડી બાંધવા પર જે લોકો તેને અપમાન ગણાવી રહ્યા છે તેના પર યુઝર્સ પણ સવાલ કરી રહ્યા છે. સનાતન સંસ્કૃતિમાં ગાય અને નાગ દેવતાની પૂજા થાય છે. તો પછી પેટ ડોગને રાખડી બાંધવા પર કેમ વિવાદ...? કૃતિની રક્ષાબંધન જાહેરાત પર સોશિયલ મીડિયામાં હંગામો મચતા યુઝર્સ સામસામે આવી ગયા.</p><p style="text-align: justify; "><b>બ્રાન્ડ અને ક્રિએટિવ ટીમ પર ઉઠ્યા સવાલો</b></p><p style="text-align: justify; ">આ વિવાદ માત્ર કૃતિ સેનન પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ આ એડને મંજૂરી આપનાર બ્રાન્ડ અને તેની ક્રિએટિવ ટીમની વિચારસરણી સામે પણ સવાલો ઊભા થયા છે. તહેવારને આધુનિક ટચ આપવાનો પ્રયાસ મેકર્સ માટે બેકફાયર સાબિત થયો છે.</p><p style="text-align: justify; "><b>ભવિષ્યમાં આવા વિવાદો વધવાની શક્યતા</b></p><p style="text-align: justify; ">જાહેરાત અને બોલીવુડના ટ્રેડ&nbsp; વિશ્લેષણ મુજબ, સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી સેલિબ્રિટીઝની જૂની જાહેરાતો, બ્રાન્ડ ડીલ્સ અથવા તો ખોટા નિવેદનોને કારણે નવા વિવાદો સપાટી પર આવવાની શક્યતા છે.&nbsp; આવા કિસ્સાઓ માત્ર સોશિયલ મીડિયા ટ્રોલિંગ સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ ભવિષ્યમાં જાહેરાતો પાછી ખેંચવી, સ્પષ્ટતાઓ કરવી કે સરકારી નોટિસો મળવા સુધી મામલો પહોંચી શકે છે. કૃતિ સેનન પહેલા અજય, ટાઈગર અને શાહરૂખને પાન મસાલા એડને લઈને નોટિસ ફટકારવામાં આવી છે. હવે એ જોવાનું રહેશે કે આગામી સમયમાં કયા સ્ટાર્સને કઈ બ્રાન્ડની જાહેરાત પર વિવાદ કે ટ્રોલિંગનો સામનો કરવો પડશે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/25/nz0NvWFbN0fPqYYXGgDuswD92Ci3sh0WqvNwfPPB.webp'/></item><item><title><![CDATA[Sabarkantha : ઇડરમાં 8 વર્ષના માસૂમનું અપહરણ અને હત્યા કરી કૂવામાં ફેંકી દેવાયો, શંકાસ્પદ યુવકની પૂછપરછમાં હત્યાનો ખુલાસો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/idar/sabarkantha-idar-8-year-old-child-kidnapped-killed-body-found-in-well</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/idar/sabarkantha-idar-8-year-old-child-kidnapped-killed-body-found-in-well</guid><pubDate>Tue, 25 Aug 2026 11:01:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના સમલાપુર ગામમાં 8 વર્ષના નિર્દોષ બાળકના અપહરણ અને કૃર હત્યાની ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી દીધો છે. રવિવાર રાતથી ગુમ થયેલા માસૂમ બાળકની શોધખોળ ચાલી રહી હતી. પરિવારજનોએ બાળક ગુમ થતાં પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ ઇડર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>શંકાસ્પદ યુવક સાવનજી ઠાકોરની પૂછપરછ</b></h2><p style="text-align: justify; ">તપાસ દરમિયાન પોલીસની શંકા એક યુવક પર ગઈ હતી. પોલીસે શંકાસ્પદ યુવક સાવનજી ઠાકોરને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધો હતો. કડક પૂછપરછ દરમિયાન યુવકે બાળકનું અપહરણ કર્યા બાદ તેની હત્યા કરી હોવાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>બાળકને ગામની સીમ વિસ્તારમાં આવેલા એક કૂવામાં ફેંકી દીધો</b></h3><p style="text-align: justify; ">પ્રાથમિક વિગતો મુજબ 19 વર્ષના આરોપીએ 8 વર્ષના બાળકને ગામની સીમ વિસ્તારમાં આવેલા એક કૂવામાં ફેંકી દીધો હતો. પોલીસ આરોપીને સાથે રાખીને ઘટનાસ્થળે પહોંચી હતી અને કૂવામાંથી બાળકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી</b></h3><p style="text-align: justify; ">માસૂમ બાળકની હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસે હત્યા પાછળનું કારણ, અપહરણની ઘટના અને આરોપી સાથે બાળકનો કોઈ અગાઉનો સંબંધ હતો કે નહીં સહિતના વિવિધ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.</p><h4 style="text-align: justify; "><b>ગામમાં ભારે શોક અને રોષની લાગણી ફેલાઈ</b></h4><p style="text-align: justify; ">આ ઘટના સામે આવતા બાળકના પરિવારજનો સહિત સમગ્ર સમલાપુર ગામમાં ભારે શોક અને રોષની લાગણી ફેલાઈ છે. 8 વર્ષની કુમળી વયના બાળક સાથે બનેલી આ ઘટનાને લઈને ગ્રામજનોએ આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.</p><h4 style="text-align: justify; "><b>આરોપીની સઘન પુછપરછ</b></h4><p style="text-align: justify; ">ઇડર પોલીસ હવે આરોપી સાવનજી ઠાકોરને કોર્ટમાં રજૂ કરીને વધુ પૂછપરછ અને તપાસ માટે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરશે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ માસૂમની હત્યા પાછળનું સાચું કારણ અને સમગ્ર ઘટનાક્રમ સ્પષ્ટ થઈ શકશે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">&nbsp;આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-gujarat-monsoon-el-nino-impact-rainfall-deficit-september-forecast#google_vignette" target="_blank"><b>Monsoon 2026 : અલ નીનોનો પ્રભાવ વધ્યો, ગુજરાતમાં ચોમાસું નબળું પડવાની આશંકા</b></a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/25/wnDljG2FJvVw5LOiKT0hgU4I2hB2oPS9w4GdbwxA.webp'/></item><item><title><![CDATA[Rajkotમાં PCBની ટીમે બેડી ચોકડી પાસેથી 600 લિટર દેશી દારૂ ઝડપી પાડ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/pcb-seizes-600-liters-liquor-bedi-chokdi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/pcb-seizes-600-liters-liquor-bedi-chokdi</guid><pubDate>Tue, 25 Aug 2026 10:58:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ શહેરમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને વેચાણ સામે પ્રોહિબિશન સ્ક્વોડ (PCB) દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાતમીના આધારે PCBની ટીમે શહેરના બેડી ચોકડી નજીક વોચ ગોઠવીને શંકાસ્પદ હાલતમાં પસાર થતી એક કારને અટકાવી હતી. કારની તલાશી લેતાં પોલીસ ટીમ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે કારની અંદર ગેરકાયદેસર રીતે છુપાવીને લઈ જવાતો મોટા જથ્થામાં દારૂ મળી આવ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>600 લિટર દારૂ અને અલ્ટો કાર જપ્ત&nbsp;</b></h2><p style="text-align: justify; ">પોલીસ ટીમે કારમાંથી 600 લિટર દેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો. આ દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી અલ્ટો કાર તેમજ દેશી દારૂનો તમામ જથ્થો PCBએ સ્થળ પરથી જ કબ્જે કર્યો હતો. ગુનેગારો દ્વારા નાની કારનો ઉપયોગ કરીને દારૂની સપ્લાય કરવાનો કીમિયો પોલીસની તીક્ષ્ણ નજર સામે નિષ્ફળ નીવડ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>પોલીસે વધુ તપાસ હાથ ધરી&nbsp;</b></h3><p style="text-align: justify; ">બનાવ અંગે પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને શહેરના કયા વિસ્તારમાં સપ્લાય કરવાનો હતો તે દિશામાં PCBએ કડક પૂછપરછ અને સઘન તપાસ શરૂ કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/25/FWbSmv1p0UUw0nLtBB4vn4UCDiY5dLKD7B6flnBv.webp'/></item><item><title><![CDATA[Onion Price Hike: આ પાંચ શહેરોમાં મળશે 35 રૂપિયે કિલો ડુંગળી.. આવી રહી છે કાંદા એક્સપ્રેસ ]]></title><link>https://sandesh.com/india/news/onion-price-hike-onion-will-be-available-at-rs-35-per-kg-in-these-five-cities-onion-express-is-coming</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/onion-price-hike-onion-will-be-available-at-rs-35-per-kg-in-these-five-cities-onion-express-is-coming</guid><pubDate>Tue, 25 Aug 2026 10:56:45 +05:30</pubDate><description><![CDATA[<p>તહેવારોની મોસમ નજીક આવી રહી છે. આ સમય દરમિયાન લાખો ભારતીય પરિવારો માટે ડુંગળીના વધતા ભાવોને અવગણવા મુશ્કેલ જ નહીં પણ અશક્ય પણ છે. દેશવ્યાપી ડુંગળીના ભાવ વધારાને રોકવા માટે સરકારે ખાસ રેલ્વે રેક દ્વારા તેના રિઝર્વ સ્ટોકને એવા શહેરોમાં પરિવહન કરવાનું શરૂ કર્યું છે જ્યાં ગ્રાહકો વધુ ભાવ ચૂકવી રહ્યા છે. સરકારે આ કામગીરીને "કાંદા એક્સપ્રેસ" નામ આપ્યું છે.</p><h2><b>આવી રહી છે કાંદા એક્સપ્રેસ&nbsp;</b></h2><p>ગ્રાહક બાબતોના સચિવ નિધિ ખરેના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં ડુંગળી દેશના પાંચ મુખ્ય ઉચ્ચ વપરાશવાળા શહેરોમાં મોકલવામાં આવી રહી છે.&nbsp; જ્યાં તે ₹35 પ્રતિ કિલોગ્રામના ડિસ્કાઉન્ટ દરે વેચવામાં આવશે. હાલમાં "કાંદા એક્સપ્રેસ" પર લોડ કરવામાં આવી રહેલા કન્સાઇન્મેન્ટ બુધવાર, 26 ઓગસ્ટ સુધીમાં નિર્ધારિત બજારોમાં પહોંચવાની અપેક્ષા છે.</p><h3><b>'કાંદા એક્સપ્રેસ'ના પ્રથમ તબક્કામાં પાંચ મુખ્ય શહેરો</b></h3><ul><li>દિલ્હી (દિલ્હી / NCR)</li><li>ચેન્નાઈ (ચેન્નાઈ)</li><li>મદુરાઈ (મદુરાઈ)</li><li>એર્નાકુલમ / કોચી)</li><li>ગુવાહાટી (ગુવાહાટી)</li></ul><p>ગ્રાહક બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર આ શહેરોમાં ડુંગળીના છૂટક ભાવ રાષ્ટ્રીય સરેરાશ કરતાં નોંધપાત્ર રીતે વધી ગયા છે. વિભાગનું કહેવું છે કે બુધવાર સુધીમાં ટ્રેનો આ શહેરોમાં પહોંચી જશે, ત્યારબાદ બજારની જરૂરિયાતોને આધારે કોલકાતા અને લખનૌ જેવા અન્ય સ્થળોને યાદીમાં ઉમેરવામાં આવશે.</p><p><b style="font-size: 1.5rem;">ડુંગળી ક્યાંથી મળશે? 35 રૂપિયા પ્રતિ કિલો?</b></p><p>બજાર ભાવોને નિયંત્રિત કરવા માટે, બફર સ્ટોકમાંથી પાછી ખેંચાયેલી આ ડુંગળી, મુખ્યત્વે બે સહકારી મંડળીઓના મોબાઇલ વાન અને આઉટલેટ્સ દ્વારા છૂટક સ્તરે ગ્રાહકોને વેચવામાં આવશે:</p><p>NCCF (નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા)</p><p>NAFED (નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા)</p><p><b style="font-size: 1.75rem;">સરકાર ડુંગળી 35 રૂપિયા પ્રતિ કિલો કેમ વેચી રહી છે?</b></p><p>કેન્દ્ર સરકારનો આ નિર્ણય દેશભરમાં ડુંગળીના ભાવમાં તીવ્ર વધારા બાદ આવ્યો છે. 24 ઓગસ્ટ, સોમવારના રોજ, દેશભરમાં ડુંગળીનો સરેરાશ છૂટક ભાવ ₹43.53 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો, જે ગયા વર્ષે ₹27.37 હતો. આ ગયા વર્ષે ભાવમાં 59% નો વધારો દર્શાવે છે.</p><p>સરેરાશ જથ્થાબંધ ભાવ પણ વાર્ષિક ધોરણે 68% વધીને ₹35.58 પ્રતિ કિલોગ્રામ થયો. દિલ્હી અને ચેન્નાઈ જેવા કેટલાક મુખ્ય શહેરોના છૂટક બજારોમાં, ડુંગળી ₹55 થી ₹65 પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાઈ રહી છે. કોલકાતામાં પણ, ભાવ ₹53 પ્રતિ કિલોગ્રામ છે.</p><p>ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં તહેવારોની માંગ અને હવામાન પરિસ્થિતિઓને કારણે ભાવમાં થયેલા વધારાને ઘટાડવા માટે, સરકાર પાસે 1.21 લાખ ટન ડુંગળીનો બફર સ્ટોક છે, જે તબક્કાવાર બહાર પાડવામાં આવી રહ્યો છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/25/BORpx5SbX9BY45MQlMcB108plUWLZBP7kQvU9Mqi.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના વિક્ટોરિયા ગાર્ડન પાસે રીક્ષા ચાલકની દાદાગીરી, TRB જવાન અને પોલીસકર્મી પર હુમલો ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/auto-rickshaw-driver-attacks-trb-jawan-victoria-garden</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/auto-rickshaw-driver-attacks-trb-jawan-victoria-garden</guid><pubDate>Tue, 25 Aug 2026 10:48:24 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન પાસે વાહનવ્યવહારના નિયમોના લીરા ઉડાવીને રીક્ષા ચાલકે દાદાગીરી આચરી હોવાનો સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. ટ્રાફિક સિગ્નલ બંધ હોવા છતાં એક રીક્ષા ચાલકે પુરઝડપે વાહન હંકારી મૂકતાં ત્યાં ફરજ પર તૈનાત TRB જવાને તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન રીક્ષા TRB જવાનના હાથ સાથે અથડાતાં રીક્ષાનો કાચ તૂટી ગયો હતો. જેથી ઉશ્કેરાયેલા રીક્ષા ચાલક જીગર સોલંકીએ ‘મને હાથ કેમ કર્યો’ કહીને બોલાચાલી કરી રીક્ષા રોડ પર જ ઊભી રાખી TRB જવાનને ઢોર માર માર્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>વચ્ચે પડેલા પોલીસકર્મીને ધક્કો મારી નીચે પાડ્યા&nbsp;</b></h2><p style="text-align: justify; ">આ ઝપાઝપી અને મામલો વણસતો જોઈને ત્યાં ફરજ પર હાજર પોલીસકર્મી મનોજભાઈ ત્વરિત વચ્ચે પડ્યા હતા. પરંતુ આક્રમક બનેલા રીક્ષા ચાલકે પોલીસકર્મી સાથે પણ ઝઘડો કરીને તેમને જોરદાર ધક્કો માર્યો હતો, જેના કારણે પોલીસકર્મી મનોજભાઈ નીચે પટકાઈ પડ્યા હતા. આ બનાવ બનતાં જ આસપાસથી અન્ય પોલીસકર્મીઓ દોડી આવ્યા હતા અને તેમણે ત્વરિત વચ્ચે પડીને હુમલાખોર રીક્ષા ચાલકની સ્થળ પર જ અટકાયત કરી લીધી હતી.</p><h3 style="text-align: justify; "><b>પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી&nbsp;</b></h3><p style="text-align: justify; ">પોલીસ ટીમે રીક્ષા ચાલકને તાત્કાલિક પોલીસ સ્ટેશન લઈ જઈ કડક પૂછપરછ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પકડાયેલા આરોપીની ઓળખ જીગર સોલંકી તરીકે થઈ છે, જે અમદાવાદના બહેરામપુરા વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ઈ-ટ્રાફિક પોલીસે સરકારી ફરજમાં અડચણ ઊભી કરવા તેમજ મારપીટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની સત્તાવાર ધરપકડ કરી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/25/ncgNw6WyFHCKFbfsAPnzaRTZoW1VXDSIEgxRbxg1.webp'/></item><item><title><![CDATA[ભારતમાં સૌથી મોટી બૂટ સ્પેસવાળી 5 કોમ્પેક્ટ SUV, જાણો કિંમત અને ખાસિયતો ]]></title><link>https://sandesh.com/business/automobile/news/5-compact-suvs-with-the-largest-boot-space-in-india-know-their-price-and-features</link><guid isPermaLink="true">https://sandesh.com/business/automobile/news/5-compact-suvs-with-the-largest-boot-space-in-india-know-their-price-and-features</guid><pubDate>Tue, 25 Aug 2026 10:43:57 +05:30</pubDate><description><![CDATA[<p>Indiaમાં SUV કારોની માંગ ઝડપથી વધી છે. ખાસ કરીને 4 મીટરથી નાની SUV ગ્રાહકોને ખૂબ પસંદ આવી રહી છે. તેનું મોટું કારણ છે તેનું સારું ગ્રાઉન્ડ ક્લિયરન્સ, શાનદાર ફીચર્સ, ધાંસુ લુક અને બીજી મોટી SUVsની સરખામણીએ ઓછી કિંમત. જોકે, કાર ખરીદતી વખતે ઘણા લોકો એન્જિન અને ફીચર્સની સાથે બૂટ સ્પેસને પણ ઘણું મહત્વ આપે છે. ખાસ કરીને પરિવાર માટે કાર ખરીદનારાઓ માટે મોટો બૂટ ઘણો ઉપયોગી સાબિત થાય છે.</p><h2>1. Kia Syros</h2><p>કિયા સાયરોસ એક પ્રીમિયમ કોમ્પેક્ટ SUV છે. તેમાં 1.0 લીટર ટર્બો પેટ્રોલ એન્જિન મળે છે, જે 118.3 bhpની પાવર અને 172 Nmનો ટોર્ક આપે છે. આ ઉપરાંત 1.5 લીટર ટર્બો ડીઝલ એન્જિન પણ મળે છે, જે 114.4 bhp અને 250 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ SUVમાં 390 લીટરનો બૂટ સ્પેસ મળે છે. તેની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત ₹8.41 લાખ છે</p><h3><b>2. Skoda Kylaq</b></h3><p>સ્કોડા કાઇલેક આ લિસ્ટમાં સૌથી વધુ બૂટ સ્પેસ ધરાવતી SUV છે. તેમાં 446 લીટરનો બૂટ સ્પેસ મળે છે. તેમાં 1.0 લીટર, 3-સિલિન્ડર ટર્બો પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 113 bhp અને 178 Nmનો ટોર્ક આપે છે. તેની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત ₹7.59 લાખ છે.</p><h4><b>3. Tata Nexon</b></h4><p>ટાટા નેક્સોન ભારતમાં લોકપ્રિય કોમ્પેક્ટ SUVsમાં સામેલ છે. તેમાં 1.2 લીટર ટર્બો પેટ્રોલ અને 1.5 લીટર ટર્બો ડીઝલ એન્જિનના વિકલ્પો મળે છે. ટ્રાન્સમિશન માટે મેન્યુઅલ, AMT અને DCT જેવા વિકલ્પો ઉપલબ્ધ છે. નેક્સોનમાં 382 લીટરનો બૂટ સ્પેસ છે અને તેની શરૂઆતની કિંમત ₹7.39 લાખ એક્સ-શોરૂમ છે.</p><h5><b>4. Hyundai Venue</b></h5><p>હ્યુન્ડાઈ વેન્યુમાં પેટ્રોલ અને ડીઝલ સહિત અનેક એન્જિન વિકલ્પો મળે છે. તેમાં 1.2 લીટર પેટ્રોલ, 1.0 લીટર ટર્બો પેટ્રોલ અને 1.5 લીટર ડીઝલ એન્જિન સામેલ છે. વેન્યુમાં 375 લીટરનો બૂટ સ્પેસ મળે છે. તેની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત ₹7.99 લાખ છે.</p><h6><b>5. Mahindra XUV 3XO</b></h6><p>મહિન્દ્રા XUV 3XO પણ આ સેગમેન્ટની મજબૂત SUV છે. તેમાં 1.2 લીટર ટર્બો પેટ્રોલના બે વિકલ્પો અને 1.5 લીટર ટર્બો ડીઝલ એન્જિન મળે છે. તેનું ડીઝલ એન્જિન 300 Nm સુધીનો ટોર્ક આપે છે. તેમાં 364 લીટરનો બૂટ સ્પેસ મળે છે અને શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત ₹7.79 લાખ છે. જો તમારી પ્રાથમિકતા મોટો બૂટ સ્પેસ અને કોમ્પેક્ટ SUV છે, તો સ્કોડા કાઇલેક, કિયા સાયરોસ અને ટાટા નેક્સોન ખાસ વિકલ્પો છે.&nbsp;</p><p><b><a href="https://sandesh.com/" target="_blank">વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/25/HQIYeyKN82E57QVaFKiopbLtfLjQ9jDQEAVN87vM.webp'/></item><item><title><![CDATA[Rajkot : લિવ-ઇનમાં રહેતા આધેડનું 12મા માળેથી પડતાં મોત, પરિવારજનોએ વ્યક્ત કરી શંકા ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/rajkot/rajkot-man-dies-after-falling-from-12th-floor-suspicious-death</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/rajkot/rajkot-man-dies-after-falling-from-12th-floor-suspicious-death</guid><pubDate>Tue, 25 Aug 2026 10:15:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટના ગંગોત્રી પાર્ક મેઇન રોડ વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં રાત્રીના સમયે કરુણ ઘટના સામે આવી છે. પામ યુનિવર્સ નામના ફ્લેટમાં રહેતા એક આધેડ વ્યક્તિનું 12મા માળેથી નીચે પડતાં મોત થયું હતું. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.</p><h2 style="text-align: justify; "><b>લિવ-ઇન સંબંધમાં રહેતા હોવાની માહિતી&nbsp;</b></h2><p style="text-align: justify; ">મૃતકની ઓળખ નિમેશભાઈ ભંડેરી તરીકે થઈ હોવાનું સામે આવ્યું છે. તેઓ લિવ-ઇન સંબંધમાં રહેતા હોવાનું પણ પ્રાથમિક વિગતોમાં બહાર આવ્યું છે. રાત્રીના સમયે તેઓ 12મા માળેથી નીચે પડ્યા હતા, જેના કારણે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત થયું હતું.</p><h3 style="text-align: justify; "><b>પરિવારજનોએ તેમના મૃત્યુને શંકાસ્પદ ગણાવ્યું</b></h3><p style="text-align: justify; ">ઘટના બાદ નિમેશભાઈ ભંડેરીના પરિવારજનોએ તેમના મૃત્યુને શંકાસ્પદ ગણાવ્યું છે. પરિવારજનોએ આ ઘટનામાં હત્યા થઈ છે કે પછી આત્મહત્યા છે તે અંગે યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. પરિવારજનોની શંકાને પગલે સમગ્ર ઘટનાએ વધુ ગંભીર વળાંક લીધો છે.</p><h4 style="text-align: justify; "><b>પોલીસે શરુ કરી તપાસ&nbsp;</b></h4><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા ઘટના કયા સંજોગોમાં બની તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. આધેડ વ્યક્તિ અકસ્માતે નીચે પડ્યા હતા, આત્મહત્યા કરી હતી કે પછી અન્ય કોઈ કારણસર તેમનું મૃત્યુ થયું તે સહિતના તમામ પાસાઓની તપાસ કરવામાં આવશે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp;<a href="https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-gujarat-monsoon-el-nino-impact-rainfall-deficit-september-forecast#google_vignette" target="_blank"><b> Monsoon 2026 : અલ નીનોનો પ્રભાવ વધ્યો, ગુજરાતમાં ચોમાસું નબળું પડવાની આશંકા</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/25/kHYAXPPNHV3chf00ThDt0x27gG4V6Eyzkzc07LFm.webp'/></item><item><title><![CDATA[Morbiમાં એસઓજી પોલીસે દરોડો પાડી ગેરકાયદે પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે શખ્સની કરી ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/morbi/sog-police-arrests-man-with-illegal-pistol-ravapar-road</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/morbi/sog-police-arrests-man-with-illegal-pistol-ravapar-road</guid><pubDate>Tue, 25 Aug 2026 10:03:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મોરબી શહેરમાં ગેરકાયદેસર હથિયારોની હેરફેર અને સંગ્રહ સામે મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. એસઓજી પોલીસે ચોક્કસ બાતમીના આધારે શહેરના પોશ વિસ્તાર ગણાતા રવાપર રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટ પાસેથી પરિમલ વાઘેલા નામના શખ્સની ધાકધમકી કે અન્ય કોઈ ગુનાહિત ઈરાદે ઘૂમી રહ્યો હતો ત્યારે ઝડપી લીધો હતો.</p><h2 style="text-align: justify; "><b>ગેરકાયદે પિસ્તોલ અને કારતૂસ જપ્ત&nbsp;</b></h2><p style="text-align: justify; ">પોલીસ ટીમે આરોપી પરિમલ વાઘેલાની અટકાયત કરીને તેની તલાશી લેતાં તેની પાસેથી એક ગેરકાયદેસર દેશી પિસ્તોલ તેમજ ૨ નંગ જીવતા કાર્ટીસ (કારતૂસ) મળી આવ્યા હતા. પોલીસે ત્વરિત ધોરણે આ ગેરકાયદે હથિયાર અને કારતૂસનો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપી આ હથિયાર ક્યાંથી લાવ્યો હતો અને તેનો શો ઉપયોગ કરવાનો હતો તે અંગે પોલીસે તપાસ આદરી છે.</p><h3 style="text-align: justify; "><b>સીટી એ ડિવિઝનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો&nbsp;</b></h3><p style="text-align: justify; ">આ મામલે મોરબી એસઓજી પોલીસ દ્વારા આરોપી પરિમલ વાઘેલા વિરુદ્ધ આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે સત્તાવાર ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. હથિયાર સપ્લાય કરનાર મુખ્ય સૂત્રધાર અને આરોપીના ગુનાહિત ઇતિહાસ અંગે સીટી એ ડિવિઝન પોલીસે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/25/0nn6sbq13V1l8x1Q4GhDIoZuRVMlVFFM2y1F8Fbc.webp'/></item><item><title><![CDATA[Team India વર્લ્ડકપમાંથી થઈ ગઈ બહાર, આર્જેન્ટિનાએ મેચ 5-3 ના માર્જિનથી જીતી ]]></title><link>https://sandesh.com/sports/news/india-out-2026-hockey-world-cup-argentina</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india-out-2026-hockey-world-cup-argentina</guid><pubDate>Mon, 24 Aug 2026 21:35:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">2026ના પુરુષ હોકી વર્લ્ડકપમાં ભારતીય હોકી ટીમની સફરનો અંત આવી ગયો છે. બીજા રાઉન્ડના મહત્વપૂર્ણ મેચમાં આર્જેન્ટિનાએ ભારતને 5-3 થી હરાવ્યું. આ હારથી ભારતીય ટીમ વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ છે, જેનાથી ફરી એકવાર વિશ્વ ચેમ્પિયન બનવાનું તેમનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું છે. આ પહેલા ટીમ ઈન્ડિયાને નેધરલેન્ડ્સ સામે પણ હારનો સામનો કરવો પડ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>આર્જેન્ટિના સામેની મેચમાં ભારતની શરૂઆત ખરાબ રહી&nbsp;</b></h2><p style="text-align: justify; ">ભારત માટે મેચની શરૂઆત ખરાબ રહી. રમત શરૂ થયાના 40 સેકન્ડમાં જ આર્જેન્ટિનાના ટોસ્કાનીએ ફિલ્ડ ગોલ કરીને ભારત પર દબાણ બનાવ્યું. થોડી જ વારમાં 7મી મિનિટે, નિકોલસ ડેલા ટોરીએ પેનલ્ટી કોર્નરને ગોલ કરીને આર્જેન્ટિનાને 2-0ની લીડ અપાવી.</p><p style="text-align: justify; ">સુખજીત સિંહે 10મી મિનિટે શાનદાર ફિલ્ડ ગોલ કરીને ભારત માટે વાપસીનો દરવાજો ખોલ્યો, પરંતુ ટીમ ગતિ જાળવી રાખવામાં અસમર્થ રહી. સમગ્ર મેચ દરમિયાન ભારતીય ટીમનો ડિફેન્સ ખરાબ જોવા મળ્યો હતો. બીજા અને ત્રીજા ક્વાર્ટરમાં ભારતીય ખેલાડીઓએ કબજો જાળવી રાખ્યો પરંતુ કોઈ પણ ગોલમાં રૂપાંતરિત કરવામાં નિષ્ફળ રહ્યા.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/TheHockeyIndia/status/2091897544658043073"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3 style="text-align: justify; "><b>ભારતને 4 પેનલ્ટી કોર્નર મળ્યા</b></h3><p style="text-align: justify; ">પરંતુ 34મી મિનિટે ભારતને સતત 4 પેનલ્ટી કોર્નર મળ્યા, અને કેપ્ટન હરમનપ્રીત સિંહ પાસે ગોલ કરવાની સુવર્ણ તક હતી. આર્જેન્ટિનાના મજબૂત ડિફેન્સ અને જુગરાજની ગેરહાજરીએ ભારતીય ટીમને કોઈપણ તકનો લાભ ઉઠાવવાથી રોકી. આર્જેન્ટિનાના ખેલાડી ડોમેન મેચના ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં પ્રભુત્વ ધરાવતો હતો, જ્યારે ભારતીય ગોલકીપર મોહિતે કેટલાક શાનદાર બચાવ કર્યા. યશદીપના ફાઉલથી આર્જેન્ટિનાને પેનલ્ટી સ્ટ્રોક મળ્યો, જેને ડોમેન સરળતાથી કન્વર્ટ કરી શક્યો. ભારતે અંતિમ ક્વાર્ટરમાં 2 ગોલ કર્યા, પરંતુ તે ખૂબ મોડું થયું હતું, અને તેઓ આખરે મેચ 5-3થી હારી ગયા.</p><h4 style="text-align: justify; "><b>ટીમ ઈન્ડિયા નેધરલેન્ડ્સ સામે 3-1થી હારી ગઈ</b></h4><p style="text-align: justify; ">આ હોકી વર્લ્ડકપનો બીજો રાઉન્ડ ભારતીય ટીમ માટે નિરાશાજનક રહ્યો. ટીમને નેધરલેન્ડ્સ સામે 3-1થી હારનો સામનો કરવો પડ્યો. વધુમાં ભારત પ્રથમ રાઉન્ડમાં ઈંગ્લેન્ડ સામે હારી ગયું, જેના કારણે તેમને પ્લેઓફ માટે કોઈ પોઈન્ટ મળ્યા નહીં. પરિણામે, બીજા રાઉન્ડમાં એક પણ પોઈન્ટ મેળવવામાં નિષ્ફળ જતાં ભારતીય ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/nsG2MC907d63vELFo1bIBVbS5CztflSAwMjiy4XY.webp'/></item></channel></rss>