<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabad: મોલબાયો ડાયગ્નોસ્ટિક્સ લિ.નો IPO 10 ઓગસ્ટે ખુલશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-molbio-diagnostics-ltd-ipo-to-open-on-august-10</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-molbio-diagnostics-ltd-ipo-to-open-on-august-10</guid><pubDate>Fri, 07 Aug 2026 03:14:38 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદઃ મોલબાયો ડાયગ્નોસ્ટિક્સ લિમિટેડે (the'Company') સોમવાર, 10 ઓગસ્ટ, 2026ના રોજ રૂ. 1 ની ફેસ વેલ્યૂ ધરાવતા તેના ઇક્વિટી શેર્સ ('Equity Shares'and such offering the'Offer') નો આઈપીઓ શરૂ કરવાની યોજના ધરાવે છે. એન્કર ઇન્વેસ્ટર્સ માટેની બિડીંગ તારીખ,બિડ/ઓફર શરૂ થવાની તારીખના કામકાજના એક દિવસ અગાઉ એટલે કે શુક્રવાર, 7 ઓગસ્ટ, 2026 રિેશે. જ્યારે બિડ/ઓફર બાંધ થવાની તારીખ બુધવાર, 12 ઓગસ્ટ, 2026 રહેશે. બિડ/ઓફર બાંધ થવાના દિવસે યુપીઆઈ મેન્ડેટ સ્વીકારવાનો છેલ્લો સમય સાંજે 5:00 વાગ્યા સુધી રહેશે. ઓફર માટેનો પ્રાઇસ બેન્ડ રૂ. 1 ની ફેસ વેલ્યૂ ધરાવતા દરેક ઇક્વિટી શેર દીઠ રૂ. 768થી રૂ. 807 નક્કી કરવામાં આવ્યો છે. રોકાણકારો રૂ. 1 ની ફેસ વેલ્યૂ ધરાવતા ઓછામાં ઓછા 18 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 18 શેરના ગુણાંકમાં બોલી લગાવી શકશે. આ ઓફરમાં રૂ. 2,000.00 મિલિયન સુધીના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ ઉપરાંત વેચાણકર્તા શેરધારકો દ્વારા 91,66,000 સુધીના ઇક્વિટી શેરની ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/AUAjCdaikj5Q4RwUqItZtZxJG7JF0dxhVdvQ1Akj.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: મોબાઈલના વધુ ઉપયોગથી બાળકોમાં વર્ચ્યુઅલ ઓટિઝમ અને મહિલાઓમાં હોર્મોનલ ઈમ્બેલેન્સનું ગંભીર જોખમ ! ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-excessive-use-of-mobile-phones-poses-a-serious-risk-of-virtual-autism-in-children-and-hormonal-imbalance-in-women</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-excessive-use-of-mobile-phones-poses-a-serious-risk-of-virtual-autism-in-children-and-hormonal-imbalance-in-women</guid><pubDate>Fri, 07 Aug 2026 03:13:52 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતમાં ટેકનોલોજીના નામે ચાલી રહેલી મોબાઈલ ક્રાંતિ હવે એક મોટી સાયલન્ટ હેલ્થ ઈમરજન્સી તરફ્ ઈશારો કરી રહી છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ્ ઈન્ડિયાના સત્તાવાર આંકડા મુજબ, ગુજરાતમાં સક્રિય મોબાઈલ સબસ્ક્રાઇબર્સની સંખ્યા 6.8 કરોડથી વધુ પર પહોંચી ગઈ છે, જેમાં દર વર્ષે અંદાજે 20 થી 25 લાખ નવા યુઝર્સનો ઉમેરો થઈ રહ્યો છે. આ આંધળી દોટ હવે વડીલો, મહિલાઓ અને માસૂમ બાળકો માટે શારીરિક તેમજ માનસિક રીતે જીવલણ સાબિત થઈ રહી હોવાના ચોંકાવનારા તબીબી પુરાવા સામે આવ્યા છે. બાળ રોગ નિષ્ણાતો અને સાયકોલોજિસ્ટ્સ માટે હાલમાં સૌથી ચિંતાનો વિષય બાળકોમાં વધતું સ્માર્ટફોનનું વલણ છે. વધુ પડતો મોબાઈલ જોતા બાળકોમાં હવે વર્ચ્યુઅલ ઓટિઝમના લક્ષણો જોવા મળી રહ્યા છે, જેમાં બાળક પોતાની ધૂનમાં જ રહે છે અને નજર મેળવવાનું ટાળે છે. નવા સંશોધન મુજબ, રોજ 2 કલાકથી વધુ સ્ક્રીન સામે વિતાવતા બાળકોના મગજના વ્હાઇટ મેટરનો વિકાસ ધીમો પડી જાય છે, જે ભાષા અને એકાગ્રતા માટે જવાબદાર છે. 2 થી 5 વર્ષના બાળકોમાં સ્પીચ ડિલે (બોલવામાં મોડું થવું) અને શારીરિક રમતો બંધ થતાં નાની ઉંમરે સ્થૂળતાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન દરેક ઘરની અનિવાર્ય જરૂરિયાત બની ગયો છે, પરંતુ આ જ મોબાઈલ ફોન હવે નાના બાળકોના ભવિષ્ય માટે એક મોટો ખતરો સાબિત થઈ રહ્યો છે. માતા-પિતા ઘણીવાર બાળકને શાંત રાખવા કે જમાડવા માટે તેના હાથમાં મોબાઈલ પકડાવી દેતા હોય છે, પરંતુ આ નાની ભૂલ બાળકોના શારીરિક, માનસિક અને સામાજિક વિકાસ પર અત્યંત ઘાતક અસરો છોડી રહી છે. તબીબો અને મનોવૈજ્ઞાનિકોના મતે, વધુ પડતો સ્ક્રીન ટાઈમ બાળકોના બાળપણને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યો છે.બીજી તરફ મહિલાઓની વાત કરીએ તો તેમના શારીરિક બંધારણ અને દિનચર્યાના કારણે મોબાઈલ રેડિયેશનની તેમના પર મોટી નકારાત્મક અસરો થઈ રહી છે. મેડિકલ રિસર્ચ અનુસાર, રાત્રે મોડા સુધી મોબાઈલ વાપરવાથી મહિલાઓમાં માસિક ધર્મની અનિયમિતતા અને પોલીસીસ્ટીક ઓવેરીયન સિન્ડ્રોમ જેવી ગંભીર હોર્મોનલ સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. સૌથી ગંભીર બાબત એ છે કે, સગર્ભા મહિલાઓ જ્યારે પેટની નજીક સતત મોબાઈલ રાખે છે, ત્યારે તેનાઈલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનની સીધી અસર ગર્ભમાં રહેલા શિશુના મગજના વિકાસ પર થાય છે. આ ઉપરાંત સોશિયલ મીડિયાના અતિરેકથી મહિલાઓમાં એન્ઝાયટી અને ડિપ્રેશનનું પ્રમાણ પુરુષો કરતાં વધુ નોંધાયું છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/aromgIFmOokr5HUSgBZnK9kgpRVeFH9GlBgcu7vz.webp'/></item><item><title><![CDATA[Junagadh: માતાની મમતા વગર ઉછરેલા ચાર Gen-Z સિંહબાળ હવે જૂનાગઢ સક્કરબાગના સ્ટાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/junagadh/junagadh-four-gen-z-lion-cubs-who-grew-up-without-a-mothers-love-are-now-the-stars-of-junagadh-sakkarbagh</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/junagadh/junagadh-four-gen-z-lion-cubs-who-grew-up-without-a-mothers-love-are-now-the-stars-of-junagadh-sakkarbagh</guid><pubDate>Fri, 07 Aug 2026 03:13:07 +05:30</pubDate><description><![CDATA[<p>જૂનાગઢનું ઐતિહાસિક સક્કરબાગ ઝૂ ફરી એકવાર વન્યજીવ સંરક્ષણ અને સંવેદનશીલ સંભાળનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે. ઝૂમાં જન્મેલા ચાર સિંહબાળને માતાનો પૂરતો સહારો ન મળતાં ઝૂના વેટરનરી ડોક્ટરો અને સ્ટાફે માતાની જેમ તેમની સંભાળ રાખી હાથથી ઉછેર્યા છે. લગભગ સાત મહિનાની સતત દેખરેખ અને યોગ્ય સારવાર બાદ આજે આ ચારેય સિંહબાળ સ્વસ્થ અને તંદુરસ્ત હાલતમાં પ્રવાસીઓ માટે ડિસ્પ્લે કેજમાં મૂકવામાં આવ્યા છે, જ્યાં તેઓ સૌના આકર્ષણનું કેન્દ્ર બની</p><p>ગયા છે.</p><p>સક્કરબાગ ઝૂના ડાયરેક્ટર રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે આ ચારેય સિંહબાળ માટે શરૂઆતના દિવસો પડકારજનક રહ્યા હતા. પ્રથમ વખત માતા બનેલી સિંહણ અનુભવના અભાવે કે અન્ય કારણોસર પોતાના બચ્ચાંની યોગ્ય રીતે સંભાળ રાખી શકી નહોતી. આવી સ્થિતિમાં સિંહબાળનું જીવન જોખમમાં આવી શકે તેમ હતું. ત્યારે ઝૂના એનિમલ હોસ્પિટલ અને રેસ્ક્યૂ સેન્ટરની નિષ્ણાત ટીમે તેમને દેખરેખ હેઠળ લઈ હેન્ડ-રેઝિંગની પ્રક્રિયા શરૂ કરી. દિવસ-રાતની મહેનત અને સતત કાળજીથી ચારેય સિંહબાળ સુરક્ષિત રીતે મોટા થયા છે.</p><p>માતાનું દૂધ ન મળતાં સિંહબાળ માટે ખાસ પ્રકારનું મિલ્ક રિપ્લેસર ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવ્યું હતું. દર બે થી ત્રણ કલાકે બોટલ દ્વારા દૂધ પીવડાવવું, જરૂરી પોષક તત્ત્વો આપવાં, નિયમિત આરોગ્ય તપાસ કરવી અને તેમની દરેક હરકત પર નજર રાખવી-આ બધું ઝૂના સ્ટાફ્ની જવાબદારી બની ગયું હતું. ત્રણ મહિનાની ઉંમર પછી તેમને ધીમે-ધીમે માંસાહારી આહારની ટેવ પાડવામાં આવી. યોગ્ય પોષણ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી થયેલી સાળ સંભાળને કારણે આજે ચારેય સિંહબાળ સંપૂર્ણપણે સ્વસ્થ છે. આ સિંહબાળ માત્ર પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર જ નથી, પરંતુ સક્કરબાગ ઝૂની વન્યજીવ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું શ્રોષ્ઠ અને જીવંત ઉદાહરણ બની રહ્યા છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/l63xASfCIjHEwW1YWeKFJIZ99ArYBBNFL4Zb2snL.webp'/></item><item><title><![CDATA[Patan: ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સપાટો 16.14 લાખનો ખાદ્ય તેલનો જથ્થો સીઝ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/patan/patan-food-and-drugs-department-seizes-1614-lakh-edible-oil</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/patan/patan-food-and-drugs-department-seizes-1614-lakh-edible-oil</guid><pubDate>Fri, 07 Aug 2026 03:12:18 +05:30</pubDate><description><![CDATA[<p>પાટણ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ભેળસેળીયા તત્વો અને બનાવટ દરમિયાન બેદરકારી દાખવતાં લોકોને સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં વધુ એક વખત ખાદ્ય તેલનું પેકિંગ કરતાં બે અલગ અલગ એકમો પર તપાસ હાથધરી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં એકમો દ્વારા જૂના ડબ્બામાં ખાદ્ય તેલનું પેકિંગ કરાતું હોવાનું સામે આવતાં તંત્ર દ્વારા રૂ. 16.14 લાખની કિંમતનો ખાદ્ય તેલનો જથ્થો સીઝ કરીને બંને જગ્યાએથી કુલ 433 જેટલા જુના પેકિંગ માટે વપરાતાં ડબ્બાનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ અલગ અલગ પાંચ જેટલા નમુના મેળવીને પૃથક્કરણ માટે મોકલી આપ્યા હતા. જેના અહેવાલ બાદ એકમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. જોકે હાલમાં બંને એકમોને ઈમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહીને પગલે ભેળસેળીયા તત્વોમાં ફ્ફ્ડાટ વ્યાપી ગયો હતો.</p><p>પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે પાટણના રાજપુર વિસ્તારમાં ગોલાપુર રોડ પર આવેલ એન.એ. ઈન્ડસ્ટ્રીઝ નામના એકમમાં તપાસ કરતાં જ્યાં જુના 15 કિલોના ડબ્બામાં ખાદ્ય તેલનું પેકિંગ કરાતું હોવાનું સામે આવતાં કુલ. 12,01,730 ની કિંમતનો રિફાઈન સોયાબીન તેલ અને મસ્ટર્ડ તેલનો 7331 કિલોગ્રામ વજનનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો અને સ્થળ પરથી વિવિધ બ્રાન્ડના વપરાશ કરેલા 145 ખાલી જુના ડબ્બાનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ બે અલગ અલગ નમુના લઈને પૃથક્કરણ માટે મોકલી આપ્યા હતા. તદ્પરાંત અન્ય મેં. પારેવા ટ્રેડિંગ કંપની નામના એકમમાંથી પણ રૂ. 4,12,421 ની કિંમતના 15 કિલો પેકિંગના રિફાઈન સોયાબીન તેલ તથા 15 લીટર પેકિંગના રિફાઈન સોયાબીન તેલ અને પાંચ કિલો પેકિંગના રિફાઈન સોયાબીન તેલનો કુલ 598 કિલોગ્રામ તથા 1516 લીટરનો જથ્થો સીઝ કરીને અલગ અલગ 3 નમુના મેળવીને પૃથક્કરણ માટે મોકલી આપ્યા હતા.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/m3hnwK7vrZMDRh5FAGYdOCv2Q1SERnfoBw8jd4X1.webp'/></item><item><title><![CDATA[Rajkot: જિલ્લાના લાયસન્સી સર્વેયરોની 14 ઓગસ્ટથી જિલ્લાવ્યાપી હડતાલની ચીમકી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/rajkot/rajkot-licensed-surveyors-of-the-district-threaten-district-wide-strike-from-august-14</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/rajkot/rajkot-licensed-surveyors-of-the-district-threaten-district-wide-strike-from-august-14</guid><pubDate>Fri, 07 Aug 2026 03:11:29 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ જિલ્લાના લાયસન્સી સર્વેયરોએ તેમના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે કલેક્ટર અને જમીન દફ્તરના નાયબ નિયામકને 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. જો પ્રશ્નો નહીં ઉકેલાય તો 14 ઓગસ્ટથી હડતાલ પર ઉતરવાની ચીમકી આપી છે. બદલાયેલી કામગીરી અને મોંઘવારી સામે યોગ્ય વળતર ન મળતાં આર્થિક કટોકટી સર્જાઈ હોવાનું જણાવાયું છે. સર્વેયરોએ સમગ્ર જિલ્લામાં ઓનલાઈન લોગિન એક્સેસ, સમાન કાર્યવાહી, માસિક બિલનું સમયસર ચુકવણું, 2016 પછી મોંઘવારી મુજબ માપણી ફીમાં સુધારો અને લાયસન્સ રીન્યુઅલ સરળ બનાવવા માંગ કરી છે. આ ઉપરાંત સરકારી ખર્ચે રેકોર્ડ-નકશાની ઝેરોક્ષ, ફ્લ્ડિ વર્કમાં સુરક્ષા અને વાહન વ્યવસ્થા, પાયલોટ પ્રોજેક્ટમાં તક, 5 વર્ષથી વધુ અનુભવીઓને સરકારી ખાતામાં સમાવેશ તેમજ GPS, DGPS, TS જેવાં આધુનિક મશીનો પૂરાં પાડવાની રજૂઆત કરી છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/QzIRnm5VgB8XwQDN4jVKEeUkdwXNHy8wkvwiqkDf.webp'/></item><item><title><![CDATA[Modi Cabinetના મહત્વપૂર્ણ નિર્ણયો, 23,731 કરોડની ગોબરધન યોજના અને ગુવાહાટી-તેજપુર કોરિડોરને લીલી ઝંડી ]]></title><link>https://sandesh.com/india/news/modi-cabinet-gobardhan-scheme-guwahati-tezpur-corridor-approval</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/modi-cabinet-gobardhan-scheme-guwahati-tezpur-corridor-approval</guid><pubDate>Thu, 06 Aug 2026 23:44:56 +05:30</pubDate><description><![CDATA[<p>વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બેઠક બાદ માહિતી આપતા જણાવ્યું કે કેબિનેટે રાષ્ટ્રીય યુનિફાઇડ સ્કીમ ફોર કમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG) એટલે કે ગોબરધન યોજનાને મંજૂરી આપી છે. આ યોજના માટે કુલ ₹23,731 કરોડનો ખર્ચ કરવામાં આવશે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/MIB_India/status/2085313380144099634"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>ઉત્પાદનને લગભગ દસ ગણું વધારવાનો હેતુ</b></h2><p>આ યોજના નાણાકીય વર્ષ 2026-27થી 2035-36 સુધી અમલમાં રહેશે. તેનો મુખ્ય હેતુ દેશમાં કમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG)ના ઉત્પાદનને લગભગ દસ ગણું વધારવાનો છે. આ યોજના દ્વારા સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન મળશે, ગ્રામ્ય અર્થતંત્ર મજબૂત બનશે અને દેશની ઊર્જા સુરક્ષામાં વધારો થશે. યોજનાના છ મુખ્ય આધારસ્તંભોમાં સુનિશ્ચિત ખરીદી, ભાવ સ્થિરતા, મૂડી સહાય, પાઈપલાઈન ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, ક્રેડિટ ગેરંટી અને નવીનતા માટે ચેલેન્જ ફંડનો સમાવેશ થાય છે.</p><p>કેબિનેટે આસામમાં NH-15 પર ગુવાહાટી-તેજપુર કોરિડોરના નિર્માણને પણ મંજૂરી આપી છે. અંદાજે 135.87 કિલોમીટર લાંબા આ ચાર લેન એક્સેસ-કંટ્રોલ્ડ હાઈવે માટે લગભગ ₹8,970 કરોડનો ખર્ચ થશે. આ પ્રોજેક્ટમાં બાયપાસ, ઈમરજન્સી લેન્ડિંગ સુવિધા અને અદ્યતન ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ જેવી આધુનિક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવશે.&nbsp;</p><h3><b>ટ્રાફિકની સમસ્યા પણ ઓછી થવાની શક્યતા</b></h3><p>આ માર્ગ આસામ અને અરુણાચલ પ્રદેશ વચ્ચેની કનેક્ટિવિટી સુધારશે તેમજ આર્થિક, સામાજિક અને લોજિસ્ટિક્સ વિકાસને વેગ આપશે. સાથે જ ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા પણ ઓછી થવાની શક્યતા છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, સ્વચ્છ ઊર્જા અને ગ્રામ્ય અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા માટે સતત મહત્વપૂર્ણ પગલાં લઈ રહી છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/pm-modi-national-handloom-day-video-message-swadeshi" target="_blank">આ પણ વાંચો : PM Modiએ પોસ્ટ કર્યો નવો વીડિયો, આ વખતે શું આપ્યો સંદેશ?</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/06/3nMCqHinBcke9sbw0fd2BycVE7pixY5SlcoPG2Nu.webp'/></item><item><title><![CDATA[FCRA સુધારા બિલ પર વિવાદ યથાવત, ચર્ચના પ્રતિનિધિમંડળે અમિત શાહ સાથે કરી મુલાકાત ]]></title><link>https://sandesh.com/india/news/fcra-amendment-bill-2026-christian-delegation-meets-amit-shah</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/fcra-amendment-bill-2026-christian-delegation-meets-amit-shah</guid><pubDate>Thu, 06 Aug 2026 23:25:07 +05:30</pubDate><description><![CDATA[<p>વિદેશી અનુદાન (નિયંત્રણ) સુધારા વિધેયક (FCRA) 2026ને લઈને દેશમાં વિવાદ યથાવત છે. આ દરમિયાન મિઝોરમના મુખ્યમંત્રી લાલદુહોમાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત બાદ જણાવ્યું કે આ બિલ 12 ઓગસ્ટે સંસદમાં પસાર કરવા માટે રજૂ થઈ શકે છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે કાયદો તે જ તારીખથી અમલમાં આવશે તે જરૂરી નથી.</p><h2><b>શું JPC સમક્ષ મોકલાશે બિલ?</b></h2><p>બિલની કેટલીક જોગવાઈને લઈને ખ્રિસ્તી સમાજ અને વિવિધ બિનસરકારી સંસ્થાઓ (NGOs)માં ચિંતા વ્યક્ત થઈ રહી છે. રાજ્યસભાના સાંસદ પી. વિલ્સનના નેતૃત્વમાં 10 સભ્યોના ખ્રિસ્તી ધર્મગુરુઓના પ્રતિનિધિમંડળે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરીને બિલને પાછું ખેંચવાની અથવા તેને સંયુક્ત સંસદીય સમિતિ (JPC) પાસે સમીક્ષા માટે મોકલવાની માગ કરી હતી.</p><h3><b>અમિત શાહે પ્રતિનિધિમંડળની તમામ રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી</b></h3><p>આ બીજી વખત છે જ્યારે કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઈન્ડિયા (CBCI)એ આ મુદ્દે ગૃહમંત્રી સાથે મુલાકાત કરી છે. અગાઉ 10 જુલાઈએ પણ CBCIએ પત્ર લખીને તમામ હિતધારકો સાથે ચર્ચા કર્યા બાદ જ નવો ડ્રાફ્ટ તૈયાર કરવાની અપીલ કરી હતી. અમિત શાહે પ્રતિનિધિમંડળની તમામ રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી અને સરકાર તરફથી ખાતરી આપવામાં આવી હતી કે આ કાયદાથી ખ્રિસ્તી મિશનરીઓ અને સામાજિક સંસ્થાઓને કોઈ નકારાત્મક અસર નહીં થાય.</p><p>મિઝોરમના મુખ્યમંત્રી લાલદુહોમાએ ચેતવણી આપી હતી કે જો કાયદો પૂર્વલક્ષી અસરથી અમલમાં મૂકવામાં આવશે તો વર્ષોથી ચાલી રહેલી શાળાઓ, હોસ્પિટલો, અનાથાશ્રમો અને પુનર્વસન કેન્દ્રો પર અસર પડી શકે છે. ઉલ્લેખનીય છે કે 25 માર્ચે લોકસભામાં રજૂ કરાયેલા FCRA સુધારા વિધેયકમાં વિદેશી ફંડથી બનાવવામાં આવેલી સંપત્તિ પર વધુ દેખરેખ અને સંસ્થાનું લાયસન્સ રદ થાય અથવા રિન્યુ ન થાય તો તેની સંપત્તિ સરકારના નિયુક્ત અધિકારીને સોંપવાની જોગવાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/world/pm-modi-benjamin-netanyahu-phone-call-west-asia-discussion" target="_blank">આ પણ વાંચો : PM મોદી અને બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે ટેલિફોનિક વાતચીત, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર કરી ચર્ચા</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/06/vcKMFZBeTiYJsx09XWfEtPLb0PfMaMihS9qnc2xe.webp'/></item><item><title><![CDATA[Ramayana Vs Godzilla : બોક્સ ઓફિસ પર ગોડઝિલા અને રામાયણ વચ્ચે થશે જબરદસ્ત ટક્કર! ]]></title><link>https://sandesh.com/entertainment/news/ramayana-vs-godzilla-diwali-box-office-clash</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/ramayana-vs-godzilla-diwali-box-office-clash</guid><pubDate>Thu, 06 Aug 2026 17:21:31 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દિવાળીના અવસર પર બોક્સ ઓફિસ પર ફિલ્મોનો ધમાકો અને ક્લેશ ન થાય એવું બની જ ન શકે. દિવાળીની રજાનો ફાયદો ઉઠાવવામાં મેકર્સ પણ પાછળ રહેતા નથી. આ દિવાળી 2026માં સિનેમાઘરોમાં રામ આવી રહ્યા છે એટલે નિતેશ તિવારીની ફિલ્મ રામાયણ રિલીઝ થવાની છે. ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર થઈ ગઈ છે, પરંતુ બોક્સ ઓફિસ પર તેનો ક્લેશ પણ નક્કી છે. હોલીવુડ ફિલ્મ ગોડઝિલા માઈનસ ઝીરો સાથે તેની ટક્કર થશે.</p><h2 style="text-align: justify; "><b>રામાયણ અને ગોડઝિલા કયા દિવસે રિલીઝ થશે?</b></h2><p style="text-align: justify; ">નિતેશ તિવારીની ફિલ્મ રામાયણ આ વર્ષે 2026ની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે. દર્શકો તેની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને હવે આ રાહ પણ પૂરી થઈ ગઈ છે. ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી દેવામાં આવી છે. ફિલ્મનું ટ્રેલર પહેલેથી જ રિલીઝ થઈ ગયું હતું, જેને લોકોએ ઘણું પસંદ કર્યું હતું. રણબીર કપૂર અને સાઈ પલ્લવી અભિનિત આ ફિલ્મ 6 નવેમ્બર, 2026ના રોજ રિલીઝ થશે.</p><h2 style="text-align: justify; "><b>દિવાળીએ થશે બોક્સ ઓફિસ ક્લેશ</b></h2><p style="text-align: justify; ">આ સાથે જ જાપાનની જાણીતી ફ્રેન્ચાઈઝીની ફિલ્મ ગોડઝિલા માઈનસ ઝીરો પણ રિલીઝ થશે. ફિલ્મના મેકર્સે પણ તેની રિલીઝ ડેટ 6 નવેમ્બર, 2026 જ નક્કી કરી છે. બંને ફિલ્મો વિશ્વભરમાં એક જ દિવસે રિલીઝ થઈ રહી છે, જેના કારણે એક વાત સ્પષ્ટ છે કે બંને ફિલ્મો વચ્ચે બોક્સ ઓફિસ પર ક્લેશ નક્કી છે. બંને ફિલ્મોના મેકર્સની નજર IMAX સ્ક્રીન્સ અને અન્ય પ્રીમિયમ ફોર્મેટ્સ પર છે.</p><h3 style="text-align: justify; "><b>દિવાળીના લોંગ વીકએન્ડનો ફાયદો કોણ ઉઠાવશે?</b></h3><p style="text-align: justify; ">6 નવેમ્બર, 2026થી દિવાળીના લોંગ વીકએન્ડની શરૂઆત થઈ રહી છે. રામાયણને લઈને અગાઉ ચર્ચા હતી કે તેને 30 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવશે, પરંતુ દિવાળીના લોંગ વીકએન્ડને ધ્યાનમાં રાખીને મેકર્સે તેની રિલીઝ ડેટ 6 નવેમ્બર એટલે કે ધનતેરસના દિવસે નક્કી કરી છે. આ લોંગ વીકએન્ડમાં ગોવર્ધન પૂજા અને ભાઈબીજ જેવા તહેવારો પણ આવશે, જેનો ફાયદો ફિલ્મોને બોક્સ ઓફિસ પર મળી શકે છે. હવે જોવાનું રહેશે કે 2026ની દિવાળી કોની મનાય છે.</p><h3 style="text-align: justify; "><b>ભારતમાં હિટ છે ગોડઝિલા ફ્રેન્ચાઈઝી</b></h3><p style="text-align: justify; ">બીજી તરફ, જાપાનની જાણીતી ફ્રેન્ચાઈઝી ગોડઝિલાનો પણ ભારતમાં ક્રેઝ ઓછો નથી. આ પહેલાં ભારતમાં આ ફ્રેન્ચાઈઝીની 4 ફિલ્મો રિલીઝ થઈ ચૂકી છે, જેને બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ મળ્યો હતો અને તમામ ફિલ્મોએ સારી કમાણી કરી હતી.&nbsp;</p><ul><li style="text-align: justify;">ગોડઝિલા 2014 - 34-35 કરોડ</li><li style="text-align: justify;">ગોડઝિલા: કિંગ ઓફ મોન્સ્ટર્સ 2019 - 25.30 કરોડ</li><li style="text-align: justify;">ગોડઝિલા વર્સિસ કોંગ 2021 - 48.58 કરોડ</li><li style="text-align: justify;">ગોડઝિલા x કોંગ 2024 - 112.54 કરોડ</li></ul><h4 style="text-align: justify; "><b>રામાયણની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે</b></h4><p style="text-align: justify; ">ભારતમાં રામાયણનો અલગ જ ક્રેઝ છે. લોકોને રામાયણ જોવું પસંદ છે. રામાનંદ સાગરની રામાયણ આજે પણ લોકોને પસંદ છે. બીજી તરફ, દિવાળી અને દશેરા સાથે જ આવે છે, જેમાં રામાયણને સ્ટેજ શો દ્વારા રજૂ કરવામાં આવે છે. હવે નિતેશ તિવારી 4000 કરોડના બજેટમાં રામાયણ લઈને આવી રહ્યા છે, જેના કારણે લોકોમાં તેનો અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં રણબીર કપૂર, સાઈ પલ્લવી, સની દેઓલ, યશ અને રવિ દુબે સાથે રકુલ પ્રીત સિંહ જેવા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/bigg-boss-20-four-big-twists-salman-khan-show" target="_blank">આ પણ વાંચો-Bigg Boss 20 : શું હશે ખાસ? 4 મોટા ટ્વિસ્ટ સાથે સલમાન ખાનનો શો મચાવશે જબરદસ્ત ધમાકો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/06/RmMC9zeILFbrCMl35xzDs99sT6YgY4PsMJ0ISKWs.webp'/></item><item><title><![CDATA[નિયમિત સ્કોર તપાસવો: એ મફત આદત જે તમારી નાણાકીય સ્થિતિ સાચવે છે ]]></title><link>https://sandesh.com/business/news/regular-credit-score-check-financial-health</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/regular-credit-score-check-financial-health</guid><pubDate>Thu, 06 Aug 2026 16:04:59 +05:30</pubDate><description><![CDATA[<p>મોટા ભાગના લોકો પોતાના ક્રેડિટ સ્કોર વિશે ત્યારે જ વિચારે છે જ્યારે તેમને કંઈક જોઈતું હોય. હોમ લોન, કાર લોન, કે ક્રેડિટ કાર્ડની અરજી. આ જ સમસ્યા છે, કારણ કે જ્યાં સુધીમાં તમે બેંક અધિકારીની સામે બેઠા હો, ત્યાં સુધીમાં તમારો સ્કોર નીચે ખેંચી રહેલી કોઈ પણ બાબત સુધારવાનો સમય વીતી ચૂક્યો હોય છે. ક્રેડિટ સ્કોર નિયમિત તપાસવો એ એવી નાની આદતોમાંની એક છે જેમાં ખર્ચ કંઈ થતો નથી, પણ ફાયદો એટલો મોટો હોય છે કે તેને ઓછો આંકવો મુશ્કેલ છે.</p><h2><b>તમારો ક્રેડિટ સ્કોર તમે ધારો છો તેના કરતાં વધુ કેમ મહત્ત્વનો છે</b></h2><p>તમારો ક્રેડિટ સ્કોર એ ત્રણ આંકડાનો નંબર છે, જે ભારતમાં સામાન્ય રીતે 300થી 900 વચ્ચે હોય છે, અને ધિરાણકર્તાઓને જણાવે છે કે તમને પૈસા આપવામાં કેટલું જોખમ છે. નંબર જેટલો ઊંચો, એટલું સારું. 750થી ઉપરનો સ્કોર સામાન્ય રીતે સારો ગણાય છે. 650થી નીચે જાઓ એટલે મુશ્કેલીઓ શરૂ થવા લાગે છે.</p><p>પણ મોટા ભાગના લોકો જે ચૂકી જાય છે તે આ છે: તમારો ક્રેડિટ સ્કોર માત્ર લોન મંજૂરી પૂરતો મર્યાદિત નથી. તે તમને મળનારા વ્યાજદરને પણ અસર કરે છે. હોમ લોન પર 750 અને 680 સ્કોર વચ્ચેનો તફાવત લોનની સમગ્ર મુદત દરમિયાન લાખો રૂપિયાના વધારાના વ્યાજ સમાન બની શકે છે. એ સાચા પૈસા છે, જે ખરાબ નસીબને કારણે નહીં પણ બેધ્યાનપણાને કારણે ગુમાવાય છે.</p><p>તમે ક્રેડિટ કાર્ડ માટે અરજી કરો, અમુક કિસ્સાઓમાં ફ્લેટ ભાડે લો, કે અમુક નોકરીદાતાઓ બેકગ્રાઉન્ડ ચેક કરે — ત્યારે પણ તમારો સ્કોર મહત્ત્વનો બને છે. એ શાંત રહેતો આંકડો છે, જેની અસર ખૂબ મોટી હોય છે.</p><h3><b>નિયમિત દેખરેખ શા માટે જરૂરી છે</b></h3><p>ઘણા લોકો માની લે છે કે તેમનો ક્રેડિટ સ્કોર બરાબર જ હશે, કારણ કે તેઓ સમયસર બિલ ભરે છે. આ ધારણા વાજબી છે, પણ હંમેશાં સાચી હોતી નથી. ક્રેડિટ રિપોર્ટમાં ભૂલો તમે ધારો છો તેના કરતાં ઘણી વધુ સામાન્ય છે. બંધ કરેલું ખાતું હજી ચાલુ દેખાતું હોય. સમયસર ભરેલી ચુકવણી મોડી તરીકે નોંધાયેલી હોય. તમે ક્યારેય લીધી ન હોય એવી લોન ડેટા એન્ટ્રીની ભૂલને કારણે — અથવા તેનાથી પણ ખરાબ, ઓળખની ચોરીને કારણે — તમારા નામે દેખાતી હોય.</p><p>જો તમે તપાસશો નહીં, તો તમને ખબર નહીં પડે. અને જો ખબર જ ન પડે, તો તમે વાંધો પણ ઉઠાવી શકતા નથી. poonawalla cibil check જેવી સેવાનો ઉપયોગ કરીને તમે કોઈ ફી ચૂકવ્યા વિના જોઈ શકો છો કે તમારા ક્રેડિટ રિપોર્ટમાં ખરેખર શું છે, એટલે ન જોવાનું કોઈ કારણ જ રહેતું નથી.</p><p>ભારતીય રિઝર્વ બેંકે ફરજિયાત કર્યું છે કે દરેક વ્યક્તિ દર વર્ષે દરેક ક્રેડિટ બ્યુરો પાસેથી એક મફત ક્રેડિટ રિપોર્ટ મેળવવાની હકદાર છે. કેટલાંક ફિનટેક પ્લેટફોર્મ અને બેંકો હવે તેનાથી પણ વધુ વાર મફત સ્કોર ચેક આપે છે. તમે એક પણ રૂપિયો ખર્ચ્યા વિના દર મહિને તપાસી શકો છો.</p><h4><b>સોફ્ટ ચેકથી તમારા સ્કોરને નુકસાન થતું નથી</b></h4><p>ક્રેડિટ સ્કોર વિશેની સૌથી જીદ્દી ગેરસમજોમાંની એક એ છે કે પોતાનો સ્કોર જાતે તપાસવાથી તે ઘટી જાય છે. આ ખોટું છે. જ્યારે તમે તમારો પોતાનો ક્રેડિટ સ્કોર તપાસો છો, ત્યારે તે "સોફ્ટ ઇન્ક્વાયરી" તરીકે નોંધાય છે. સોફ્ટ ઇન્ક્વાયરીની તમારા સ્કોર પર કોઈ અસર થતી નથી. જે અસર કરે છે તે છે "હાર્ડ ઇન્ક્વાયરી", જે ત્યારે થાય છે જ્યારે તમે ધિરાણ માટે અરજી કરી હોવાથી કોઈ ધિરાણકર્તા તમારો રિપોર્ટ કઢાવે છે. એટલે જો તમે એમ માનીને સ્કોર તપાસવાનું ટાળતા હો કે તેનાથી નુકસાન થશે, તો ચિંતા છોડી દો. તપાસો. વારંવાર તપાસો.</p><h4><b>તપાસો ત્યારે શું જોવું</b></h4><p>સ્કોર કાઢી લેવો એ તો અડધું જ કામ છે. બાકીનું અડધું કામ છે રિપોર્ટ ખરેખર વાંચવો. અહીં એ બાબતો છે જેના પર ધ્યાન આપવું જોઈએ.</p><p>પહેલું, ખાતાંની ચોકસાઈ જુઓ. યાદીમાં દેખાતી દરેક લોન અને ક્રેડિટ કાર્ડ એવાં હોવાં જોઈએ જે તમે ખરેખર ખોલાવ્યાં હોય. જો કંઈક અજાણ્યું લાગે, તો એ લાલ બત્તી છે અને તરત તપાસ કરવા જેવી બાબત છે.</p><p>બીજું, તમારો ચુકવણીનો ઇતિહાસ તપાસો. ક્રેડિટ સ્કોરની ગણતરીમાં આ સૌથી મોટું પરિબળ છે. જો કોઈ ચુકવણી ખોટી રીતે મોડી કે ડિફોલ્ટ તરીકે નોંધાયેલી હોય, તો ક્રેડિટ બ્યુરોમાં ફરિયાદ નોંધાવો. તેમને તપાસ કરવી ફરજિયાત છે.</p><p>ત્રીજું, તમારો ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો જુઓ. આ એ ટકાવારી છે કે તમારી ઉપલબ્ધ ક્રેડિટમાંથી તમે અત્યારે કેટલી વાપરી રહ્યા છો. જો તમારા ક્રેડિટ કાર્ડની મર્યાદા એક લાખ હોય અને બાકી રકમ સિત્તેર હજાર હોય, તો તમારું યુટિલાઇઝેશન 70% છે. એ ઘણું વધારે છે. તંદુરસ્ત સ્કોર જાળવવા માટે તેને 30%થી નીચે રાખવો એ સામાન્ય નિયમ છે.</p><h5><b>મોટા નાણાકીય નિર્ણયોની તૈયારી</b></h5><p>જો તમે આવતા છથી બાર મહિનામાં હોમ લોન કે પર્સનલ લોન માટે અરજી કરવાનું વિચારી રહ્યા હો, તો સ્કોર પર નજર રાખવાનું અત્યારથી જ શરૂ કરો. ભૂલો સુધારવામાં, બાકી રકમ ઘટાડવામાં અને તમારી સ્થિતિ મજબૂત કરવામાં સમય લાગે છે. લોન અરજી માટે મજબૂત cibil score for loan એ રાતોરાત બનતી વસ્તુ નથી. એ મહિનાઓ અને વર્ષોની સાતત્યપૂર્ણ આદતોનું પરિણામ છે.</p><p>તમે ક્યાં ઊભા છો એ જાણવાથી તમને વાટાઘાટની તાકાત મળે છે. જ્યારે તમે 780ના સ્કોર સાથે બેંકમાં જાઓ છો, ત્યારે તમે મંજૂરીની આશા રાખતા નથી. તમે શરતો પર વાટાઘાટ કરો છો. એ સાવ અલગ પ્રકારની વાતચીત હોય છે, અને ઘણી વધુ આરામદાયક પણ.</p><h5><b>આ આદત કેળવવી</b></h5><p>આને ટકાવી રાખવાનો સૌથી સહેલો રસ્તો છે તેને એવી કોઈ બાબત સાથે જોડી દેવો જે તમે પહેલેથી કરો છો. દર મહિનાની પહેલી તારીખે, જે દિવસે તમે બેંક સ્ટેટમેન્ટ જુઓ છો કે ભાડું ભરો છો, તે જ દિવસે સ્કોર તપાસો. તેમાં પાંચ મિનિટ લાગે છે. જરૂર પડે તો કેલેન્ડરમાં રિમાઇન્ડર મૂકી દો.</p><p>સમય જતાં તમને સહજ સમજ કેળવાઈ જશે કે કઈ બાબત તમારો સ્કોર ઉપર લઈ જાય છે અને કઈ નીચે ખેંચે છે. તમને ધ્યાનમાં આવશે કે તમારું સૌથી જૂનું ક્રેડિટ કાર્ડ બંધ કરવાથી સ્કોર ઘટ્યો, કારણ કે તેનાથી તમારો ક્રેડિટ ઇતિહાસ ટૂંકો થઈ ગયો. તમે એ પણ પકડી પાડશો કે સરનામું બદલવાનું ભૂલી જવાને કારણે ટેલિકોમનું બિલ કલેક્શનમાં ચાલ્યું ગયું હતું.</p><p>નાણાકીય જાગૃતિ એટલે દરેક રૂપિયા પાછળ ચિંતામાં ડૂબી જવું એવો અર્થ નથી. તેનો અર્થ છે અચાનક આવતા આંચકાનું તત્વ દૂર કરવું. જ્યારે તમને તમારો ક્રેડિટ સ્કોર ખબર હોય, ત્યારે તમે તમારી નાણાકીય તંદુરસ્તી વિશે અંદાજ લગાવતા નથી. તમે તેને માપો છો.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/06/B7t7cRKMHyBAFdHZlSpddKzgTHFSyYAoKe4uhJnD.webp'/></item><item><title><![CDATA[Gautam Gambhirએ ટીમમાં કરી 3 નવા ચહેરાની એન્ટ્રી, અને આપી દીધી મોટી ચેતવણી; કહ્યું- બધા જાણે છે કે... ]]></title><link>https://sandesh.com/sports/news/india-vs-sri-lanka-test--gautam-gambhir-welcomes-3-new-team-members</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india-vs-sri-lanka-test--gautam-gambhir-welcomes-3-new-team-members</guid><pubDate>Thu, 06 Aug 2026 15:17:50 +05:30</pubDate><description><![CDATA[<p>Gautam Gambhir: ટીમ ઈન્ડિયા 15 ઓગસ્ટથી શ્રીલંકા સામે બે મેચની ટેસ્ટ સીરીઝ રમવા માટે તૈયાર છે અને આવતીકાલે 7 ઓગસ્ટથી પ્રેક્ટિસ મેચો શરૂ થશે. જોકે, ટીમ શ્રીલંકા પહોંચી ગઈ છે અને જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. જ્યારે મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ટીમમાં ત્રણ નવા સભ્યોનું સ્વાગત કર્યું છે - બે ખેલાડીઓ અને એક સપોર્ટ સ્ટાફ સભ્ય. તેમના સમાવેશ પર ગંભીરે ચેતવણી આપતા કહ્યું કે ટીમે આગળ અનેક પડકારોનો સામનો કરવો પડશે અને તે પડકારોમાં પાર નીકળવું પડશે.&nbsp;</p><p>નોંધનીય છે કે, વોશિંગ્ટન સુંદરની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવેલા સ્પિનર સારાંશ જૈન અને જસપ્રીત બુમરાહની જગ્યાએ આકિબ નબી ડાર સિવાય ફિલ્ડીંગ કોચ સુભાદીપ ધોષનું સ્વાગત પણ ગૌતમ ગંભીરે કર્યું છે. ગંભીરે બન્ને ટીમને મહેનત કરવા માટે શુભેચ્છા પાઠવી છે. જેના કારણે અહીં સુધી પહોંચ્યા છે. પરંતુ સાથે જ તેમણે યાદ અપાવ્યું કે આતો બસ શરૂઆત છે. વધુમાં ફિલ્ડિંગ કોચ અંગે તેમણે કહ્યું કે, તેમણે ઘણી ટીમો સાથે મહેનત કરી છે અને હવે અમે ટારગેટને હાંસલ કરવાનો છે.&nbsp;</p><p><b>સારાંશ, નબી અને ઘોષનું સ્વાગત</b></p><p>BCCI દ્વારા બહાર પાડવામાં આવેલા એક વિડીયોમાં ગૌતમ ગંભીરે ટીમને સંબોધતા કહ્યું, "સૌનું સ્વાગત છે. અમારી સાથે કેટલાક નવા ચહેરાઓ છે. સારાંશ અભિનંદન. તમે અહીં પહોંચવા માટે ખૂબ જ મહેનત કરી છે. ખાતરી કરો કે જ્યારે પણ તમને તક મળે, ત્યારે તમે તમારા પરિવાર અને દેશને ગૌરવ અપાવશો."</p><p>ગંભીરે પછી આકિબ નબીની પ્રશંસા કરતા કહ્યું, "બીજું, હું આકિબને અભિનંદન આપવા માંગુ છું. તમારી પાસે શાનદાર સિઝન રહી અને તમે J&amp;K ને રણજી ટ્રોફી જીતવામાં મદદ કરી, જે એક મોટી સિદ્ધિ છે. ફરી એકવાર અભિનંદન." મુખ્ય કોચે નવા સપોર્ટ સ્ટાફ સભ્યનું પણ સ્વાગત કર્યું; શુભદીપ ઘોષને નવા ફિલ્ડિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેમણે ટી. દિલીપ પાસેથી પદ સંભાળ્યું છે.&nbsp;</p><p><b>ફિલ્ડિંગ કોચનું સ્વાગત</b></p><p>ફિલ્ડિંગ કોચ વિશે વાત કરતા, ગંભીરે કહ્યું, "હું જોયનું પણ સ્વાગત કરવા માંગુ છું. તેમણે વર્ષોથી ઘણી ટીમો સાથે કામ કર્યું છે. મને વિશ્વાસ છે કે તેમનો જુસ્સો અને પ્રતિબદ્ધતા આ ટીમને આગળ ધપાવશે અને તેમની એનર્જી લેવલ દરેકને તે ટારગેટ હાંસલ કરવામાં મદદ કરશે જે આપણે હાંસલ કરવા માગીએ છીએ.&nbsp;</p><p><br></p><p>અંતે, ગંભીરે બધાને આગળના પડકારોની યાદ અપાવતા કહ્યું, "અંતે, મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણી સામે શું છે. આપણે જાણીએ છીએ કે આપણે કોના માટે રમી રહ્યા છીએ. આપણે સખત મહેનત કરી શકીએ છીએ, આપણી મર્યાદાઓને આગળ ધપાવી શકીએ છીએ અને બધા યોગ્ય ક્ષેત્રો પાર કરી શકીએ છીએ. 15મી તારીખની સવારે આવો - ભલે આપણે પહેલા બેટિંગ કરી રહ્યા હોઈએ કે બોલિંગ કરી રહ્યા હોઈએ. ચાલો આપણે આપણા માર્ગમાં આવનારા દરેક પડકારનો જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર રહીએ."</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/entertainment/news/rajpal-yadav-property-auction--bank-seizes-assets-over-rs-16-cr-loan" target="_blank"><b>Rajpal Yadavની મુશ્કેલીમાં થયો વધારો, શું હવે થશે અભિનેતાની મિલકતની હરાજી!</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/06/jyH1XVZDI32I7JuXYnqXpqfRXrvWPJRGdn7htgVE.webp'/></item></channel></rss>