<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Fixed Deposit: બેન્કમાં FD કરાવનારાઓ માટે મોટી ખબર! RBIએ બદલી દીધા બેન્ક ડિપોઝિટના નિયમ ]]></title><link>https://sandesh.com/business/news/rbi-new-fd-rules-from-oct-1--same-interest-rate-for-all-customers</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/rbi-new-fd-rules-from-oct-1--same-interest-rate-for-all-customers</guid><pubDate>Sat, 22 Aug 2026 18:36:31 +05:30</pubDate><description><![CDATA[<p>Fixed Deposit: જો તમે તમારી બચત ફિક્સ્ડ ડિપોઝિટ (FD) માં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ બેંક ડિપોઝિટ વ્યાજ દરોને નિયંત્રિત કરતા નિયમોમાં નોંધપાત્ર ફેરફારો રજૂ કર્યા છે. RBI નો આ નવો નિર્દેશ 1 ઓક્ટોબર, 2026 થી દેશભરની બધી બેંકોમાં અમલમાં આવશે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય બેંક FD વ્યાજ દરોમાં સંપૂર્ણ પારદર્શિતા સુનિશ્ચિત કરવાનો અને બધા ગ્રાહકોને સમાન તકો અને લાભો પૂરા પાડવાનો છે.</p><p>RBI દ્વારા જારી કરાયેલી નવી એડવાઇઝરી મુજબ બેંકોને હવે એક જ બેંકની વિવિધ શાખાઓમાં વ્યાજ દરો અંગે ગ્રાહકો વચ્ચે ભેદભાવ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જો બે ગ્રાહકો એક જ દિવસે સમાન રકમ અને મુદત માટે FD ખોલે છે, અને સમાન શરતો હેઠળ બેંક તેમને અલગ-અલગ વ્યાજ દરો ઓફર કરી શકશે નહીં. બીજા શબ્દોમાં કહીએ તો ફક્ત શહેર અથવા બેંક શાખાના આધારે અલગ અલગ દરો મેળવવાની શક્યતા સંપૂર્ણપણે દૂર થઈ જશે. જેનાથી સામાન્ય ગ્રાહકોને સમાન અને વાજબી વ્યાજ દરો મળે છે.</p><p><br></p><h4><b>વેબસાઇટ પર સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવશે</b></h4><p>નવા નિયમો અનુસાર, બેંકોએ હવે તેમની સત્તાવાર વેબસાઇટ પર લાગુ પડતા તમામ FD વ્યાજ દરો અંગે વ્યાપક માહિતી અગાઉથી ઉપલબ્ધ કરાવવી જરૂરી છે. આનાથી ગ્રાહકોને બેંક શાખાઓમાં જવાની જરૂરિયાત ઓછી થશે. લોકો તેમના ઘરના આરામથી વિવિધ મુદત અને થાપણ રકમ માટે આપવામાં આવતા વ્યાજ દરો સરળતાથી ચકાસી શકશે, જેનાથી વિવિધ બેંકોમાં FD દરોની તુલના કરવાનું ખૂબ સરળ બનશે.</p><p><br></p><h4><b>છૂટક રોકાણકારો દ્વારા રાખવામાં આવેલી હાલની FD પર શું અસર પડશે?</b></h4><p>RBI એ સ્પષ્ટતા કરી છે કે ₹3 કરોડથી ઓછી રકમની FD ધરાવતા છૂટક રોકાણકારોએ આ ફેરફારો વિશે ચિંતા કરવાની જરૂર નથી. નવા નિયમોના અમલીકરણનો અર્થ એ નથી કે 1 ઓક્ટોબરથી તમારા FD વ્યાજ દરો આપમેળે વધશે અથવા ઘટશે. તમારી હાલની FD ના વ્યાજ દરોમાં કોઈ મધ્ય-ગાળાના ફેરફારો થશે નહીં. RBI અનુસાર, ₹3 કરોડ કે તેથી વધુ રકમની એક જ થાપણને 'બલ્ક ડિપોઝિટ' તરીકે વર્ગીકૃત કરવામાં આવશે, જેના માટે અલગ નિયમો લાગુ થશે.</p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/world/news/china-bans-foreign-climbers-from-tibet-peaks-including-everest-north-side" target="_blank"><b>China: પહાડો પર આતશબાજીથી ભડક્યું ચીન, વિદેશી પર્વતારોહકો માટે બંધ કર્યું માઉન્ટ એવરેસ્ટ અને તિબ્બતના રસ્તા</b></a></p><p><br></p><p><br></p><p><br></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/22/MGXMZ9Q7WZWZqm91gfVVWqBNURoKf4sJ5au6CmPr.webp'/></item><item><title><![CDATA[Tamil Naduમાં વિજય-સ્ટાલિન વચ્ચે શાબ્દિક જંગ તેજ, CM પર સ્ટાલિનના આકરા પ્રહાર ]]></title><link>https://sandesh.com/india/news/political-news/war-of-words-between-vijay-and-stalin-intensifies-in-tamil-nadu-stalin-attacks-cm</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/political-news/war-of-words-between-vijay-and-stalin-intensifies-in-tamil-nadu-stalin-attacks-cm</guid><pubDate>Sat, 22 Aug 2026 18:32:54 +05:30</pubDate><description><![CDATA[<p>Tamil Naduની રાજનીતિમાં CM વિજય અને DMK વચ્ચેની શાબ્દિક બોલાચાલી વધુ તેજ બની છે. DMK અધ્યક્ષ એમકે સ્ટાલિને શનિવારે પાર્ટીની કાર્યકારિણી બેઠકમાં મુખ્યમંત્રી વિજય પર વિધાનસભામાં તેમના વર્તનને લઈને નિશાન સાધ્યું.સ્ટાલિને આરોપ લગાવ્યો કે વિજય વિધાનસભાનો ઉપયોગ ફિલ્મના સેટની જેમ કરી રહ્યા છે અને ગંભીર મુદ્દાઓને બદલે ફિલ્મી અંદાજમાં ‘પંચ ડાયલોગ’ બોલવા પર વધુ ધ્યાન આપે છે.</p><h2><b>વિજયના ભાષણના કેટલાક ભાગ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ</b></h2><p>જૂનની શરૂઆતમાં વિધાનસભામાં DMKના વોકઆઉટ દરમિયાન વિજયનો એક અંદાજ ખૂબ ચર્ચામાં રહ્યો હતો. વિપક્ષના સભ્યો ગૃહની બહાર ગયા બાદ વિજયે વિધાનસભા અધ્યક્ષ JCD પ્રભાકર પાસેથી એક ખાસ ઈશારો કરવાની મંજૂરી માંગી હતી. મંજૂરી મળ્યા બાદ તેમણે તમિલગા વેટ્રી કઝગમ એટલે કે TVKના ચૂંટણી ચિહ્ન સાથે જોડાયેલો ‘ઇટ્સ ઓવર’ વાળો નાટકીય ઈશારો કર્યો હતો. આ ઘટનાનો વીડિયો અને વિજયના ભાષણના કેટલાક ભાગ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા.</p><h3><b>અમે માત્ર એક ચૂંટણી હાર્યા છીએ: સ્ટાલિન</b></h3><p>સ્ટાલિને આરોપ લગાવ્યો કે હાલની સરકાર DMKના શાસન દરમિયાન શરૂ કરવામાં આવેલી યોજનાઓના નામ બદલવામાં લાગી છે. તેમણે કહ્યું કે DMK ચૂંટણી જીતે કે હારે, પાર્ટી હંમેશા લોકોની સમસ્યાઓ સાથે જોડાયેલી રહેશે. MK સ્ટાલિને પાર્ટીની ચૂંટણીમાં થયેલી હારનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કાર્યકર્તાઓને કહ્યું કે તેને પાર્ટીના ભવિષ્યની રણનીતિ તૈયાર કરવાની તક તરીકે જોવી જોઈએ.આ કાર્યકારિણી બેઠક પાર્ટીના ઈતિહાસમાં મહત્વપૂર્ણ છે અને તેમની મંજૂરીથી સંગઠનના માળખામાં જરૂરી અને મોટા ફેરફારો કરવામાં આવશે.</p><p><b><a href="https://sandesh.com/d." target="_blank">વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ&nbsp;</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/22/y2UjNXEzl6bedPjoBsU9oj6Zt6hqelvOEJjeR6tH.webp'/></item><item><title><![CDATA[Botadમાં બેકાબૂ સ્વિફ્ટ વીજપોલ સાથે અથડાઈ, બે વ્યક્તિઓનો આબાદ બચાવ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/botad/out-of-control-swift-collides-with-electric-pole-in-botad-two-people-rescued-safely</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/botad/out-of-control-swift-collides-with-electric-pole-in-botad-two-people-rescued-safely</guid><pubDate>Sat, 22 Aug 2026 18:19:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોટાદના ભાવનગર રોડ પર આવેલા રેલવે ફાટક નજીક એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે આવી રહેલી એક મારૂતિ સ્વીફ્ટ કારના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દેતાં કાર રોડ કિનારે આવેલા વીજપોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતનો ધડાકો એટલો જોરદાર હતો કે આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પ્રાથમિક વિગતો મુજબ, વાહનની અતિશય ઝડપ જ આ દુર્ઘટનાનું મુખ્ય કારણ બની હતી.</p><h2 style="text-align: justify; "><b>બે લોકોનો આબાદ બચાવ, સદનસીબે મોટી જાનહાનિ ટળી</b></h2><p style="text-align: justify; ">અકસ્માત સર્જાયો તે સમયે કારમાં ડ્રાઇવર સહિત બે લોકો સવાર હતા. કાર સીધી વીજપોલ સાથે અથડાવા છતાં સદનસીબે કારમાં સવાર બંને વ્યક્તિઓનો ચમત્કારિક બચાવ થયો હતો અને તેમને કોઈ ગંભીર ઈજાઓ પહોંચી નહોતી. મોટી જાનહાનિ ટળતાં સ્થાનિક લોકો અને પ્રશાસને રાહતનો શ્વાસ લીધો હતો. ઘટના બનતા જ આસપાસના લોકોએ મદદ માટે હાથ લંબાવીને અંદર સવાર લોકોને બહાર કાઢ્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>નંબર પ્લેટ વગરની કારને લઈને સ્થાનિકોમાં તર્ક-વિતર્ક</b></h2><p style="text-align: justify; ">આ સમગ્ર અકસ્માતમાં સૌથી વધુ ધ્યાન ખેંચનારી બાબત એ હતી કે અકસ્માતગ્રસ્ત થયેલી મારૂતિ સ્વીફ્ટ કાર પર આગળ કે પાછળ કોઈ જ નંબર પ્લેટ નહોતી. નંબર પ્લેટ વિનાની કાર પુરપાટ ઝડપે દોડી રહી હોવાના કારણે અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકોમાં જાતજાતની ચર્ચાઓ અને તર્ક-વિતર્કો શરૂ થઈ ગયા છે. આ અંગે સ્થાનિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર કોની છે અને કયા સંજોગોમાં નંબર પ્લેટ વગર હંકારી જવામાં આવી રહી હતી તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-polices-drama-in-the-name-of-checking-a-vehicle-without-a-number-plate-left-in-front-of-the-police-the-police-kept-watching" target="_blank">Rajkot પોલીસનું ચેકિંગના નામે નાટક, નજર સામેથી નંબર પ્લેટ વગરનું વાહન નીકળી ગયું, પોલીસ જોતી રહી!</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/22/k9kpX4nRpihgwtA3EfbBpmNTzU7oqn3lpKPNAWOl.webp'/></item><item><title><![CDATA[Hafiz Saeed પર વધુ કસાયો સકંજો, પાકિસ્તાનમાં સમન્સ મોકલશે ભારત ]]></title><link>https://sandesh.com/india/news/world/india-to-send-court-summons-hafiz-saeed-pakistan-pahalgam-terror-case</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/world/india-to-send-court-summons-hafiz-saeed-pakistan-pahalgam-terror-case</guid><pubDate>Sat, 22 Aug 2026 18:13:28 +05:30</pubDate><description><![CDATA[<p>પહલગામ આતંકી હુમલા કેસમાં લશ્કર-એ-તૈયબાના ચીફ હાફિઝ સઈદ સામે ભારતે કાયદાકીય કાર્યવાહી વધુ ઝડપી બનાવી છે. NIA હવે હાફિઝ સઈદને પાકિસ્તાનમાં કોર્ટનું સમન્સ મોકલવાની તૈયારીમાં છે. આ સમન્સ વિદેશ મંત્રાલયના માધ્યમથી મોકલવામાં આવશે. NIAએ જુલાઈ 2026માં દાખલ કરેલી પૂરક ચાર્જશીટમાં હાફિઝ સઈદને પહલગામ હુમલાનો મુખ્ય કાવતરાખોર ગણાવી આરોપી બનાવ્યો હતો. ત્યારબાદ જમ્મુની વિશેષ NIA કોર્ટે તેની સામે બિનજામીનપાત્ર વોરંટ પણ જાહેર કર્યું હતું.&nbsp;</p><h2><b>કાયદામાં નિર્ધારિત શરતો પૂર્ણ કરવી જરૂરી&nbsp;</b></h2><p>હાફિઝ સઈદ પાકિસ્તાનમાં હોવાથી તેને ભારતીય કોર્ટમાં હાજર કરવો મુશ્કેલ છે. આવી સ્થિતિમાં BNSSની કલમ 356 હેઠળ 'ટ્રાયલ ઈન એબ્સેન્ટિયા' એટલે કે આરોપીની ગેરહાજરીમાં ટ્રાયલ ચલાવવાની જોગવાઈનો ઉપયોગ થઈ શકે છે. જોકે, આ પ્રક્રિયા માટે કાયદામાં નિર્ધારિત શરતો પૂર્ણ કરવી જરૂરી છે. 22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામની બૈસરન ખીણમાં પ્રવાસીઓ પર આતંકી હુમલો થયો હતો, જેમાં 26 લોકોના મોત થયા હતા. NIAની તપાસમાં હાફિઝ સઈદની હુમલાના આયોજન અને દેખરેખમાં ભૂમિકા હોવાના આરોપો મૂકવામાં આવ્યા છે.</p><h3><b>સિંધુ જળ સંધિ સંબંધિત નિર્ણય અંગે ચિંતા</b></h3><p>બીજી તરફ, પાકિસ્તાનના આયોજન મંત્રી અહસાન ઈકબાલે ભારતના સિંધુ જળ સંધિ સંબંધિત નિર્ણય અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે ભારત પોતાની ભૌગોલિક સ્થિતિનો ઉપયોગ કરીને જરૂરિયાતના સમયે પાકિસ્તાનના પાણીના પ્રવાહને અસર કરી શકે છે. પહલગામ હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત રાખવાનો નિર્ણય લીધો હતો. ભારતનું કહેવું છે કે સરહદ પારનો આતંકવાદ બંધ ન થાય ત્યાં સુધી સંધિ પુનઃસ્થાપિત કરવામાં આવશે નહીં.</p><p><b><a href="https://sandesh.com/india/news/hyderabad-seven-storey-building-collapse-two-dead-rescue-operation" target="_blank">આ પણ વાંચો : Hyderabad Building Collapsed : 7 માળની નિર્માણાધીન બિલ્ડિંગ થઈ ધરાશાયી, 2 લોકોના મોત</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/22/VSdjKWoMgJjJ9lLtCxLCztNEduUZw3lzNNffdSkY.webp'/></item><item><title><![CDATA[Surat: આંજણાફાર્મમાં લુમ્સના ખાતા અને ગોડાઉનમાં વિકરાળ આગ, 2 લોકોનું સલામત રેસ્ક્યૂ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/anjana-farm-looms-godown-fire-two-rescued</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/anjana-farm-looms-godown-fire-two-rescued</guid><pubDate>Sat, 22 Aug 2026 18:00:40 +05:30</pubDate><description><![CDATA[<p>ટેક્સટાઇલ હબ ગણાતા સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલા આંજણાફાર્મ ખાતે એક ટેક્સટાઇલ યુનિટમાં આગ લાગવાની ગંભીર ઘટના બની છે. આંજણાફાર્મમાં આવેલા જય નારાયણ ખાતા નંબર 38 નામના લુમ્સના ખાતા અને તેને સંલગ્ન કાપડના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. કાપડનો વિપુલ જથ્થો હોવાના કારણે જોતજોતામાં આગે સમગ્ર પરિસરને લપેટમાં લઈ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.</p><h2><b>પુણા આંજણાફાર્મમાં ભીષણ આગ</b></h2><p>આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે સામે આવ્યું નથી, પરંતુ પ્રાથમિક આંકલન મુજબ શોર્ટ સર્કિટના કારણે આ હોનારત સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.આગની ઘટના અંગે ફાયર બ્રિગેડને કોલ મળતા જ લશ્કરની ગાડીઓ અને જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. ગોડાઉનની અંદર બે લોકો ફસાઈ ગયા હોવાની જાણ થતાં જ ફાયરના જવાનોએ વહેલી તકે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી બંને લોકોને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા.</p><h3><b>ફાયર બ્રિગેડે ગોડાઉનમાં ફસાયેલા 2 લોકોને ઉગાર્યા</b></h3><p>ફેક્ટરી પર પતરાનો ગેરકાયદેસર શેડ બનાવેલો હોવાથી અંદર પાણીનો મારો ચલાવવામાં અને ધુમાડો બહાર કાઢવામાં ફાયર ફાઇટરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કલાકોની ભારે જહમત બાદ ફાયરે આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં ગોડાઉનમાં રહેલો તમામ કાપડનો સામાન બળીને ખાખ થઈ ગયો છે, જેનાથી મોટા આર્થિક નુકસાનની ભીતિ છે. જોકે, બે લોકોનો આબાદ બચાવ થતાં મોટી જાનહાની ટળી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ambaji/ambaji-temple-receives-silver-paduka-donation-rajula-devotee" target="_blank">આ પણ વાંચો: Ambaji: રાજુલાના માઇભક્તે મા અંબાના ચરણોમાં 82,800ની ચાંદીની પાદુકા અર્પણ કરી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/22/ezAAdDiP51QpO6EwenmMrJyHGqGlq68DiKcsPw0N.webp'/></item><item><title><![CDATA[Emraan Hashmiની આ 5 બ્લોકબસ્ટર ફિલ્મોએ સિનેમાઘરોમાં મચાવ્યો હતો તરખાટ, કરી હતી રેકોર્ડતોડ કમાણી! ]]></title><link>https://sandesh.com/entertainment/news/emraan-hashmi-top-5-hits-awarapan-2</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/emraan-hashmi-top-5-hits-awarapan-2</guid><pubDate>Sat, 22 Aug 2026 17:50:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડના લોકપ્રિય અભિનેતા ઈમરાન હાશ્મી હાલમાં ફિલ્મ આવારાપન 2ને લઈને ચર્ચામાં છે. 14 ઓગસ્ટે રિલીઝ થયેલી તેમની આ ફિલ્મ પહેલા દિવસથી જ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. રિલીઝના 9 દિવસ બાદ પણ ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને સિનેમાઘરોમાં તેના શોની માંગ યથાવત છે.</p><h2 style="text-align: justify; "><b>ધ ડર્ટી પિક્ચર</b></h2><p style="text-align: justify; ">ધ ડર્ટી પિક્ચર વર્ષ 2011માં રિલીઝ થયેલી જીવનકથા આધારિત ડ્રામા ફિલ્મ છે, જેનું દિગ્દર્શન મિલન લુથરિયાએ કર્યું હતું. એકતા કપૂર અને શોભા કપૂરે તેનું નિર્માણ કર્યું હતું. ફિલ્મમાં વિદ્યા બાલન, ઈમરાન હાશ્મી, નસીરુદ્દીન શાહ અને તુષાર કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. 'ધ ડર્ટી પિક્ચર'ને દર્શકો અને સમીક્ષકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. સેકનિલ્કના અહેવાલ મુજબ, ધ ડર્ટી પિક્ચરએ દુનિયાભરમાં 116.55 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ જિયો હોટસ્ટાર પર ઉપલબ્ધ છે.</p><h3 style="text-align: justify; "><b>મર્ડર 2</b></h3><p style="text-align: justify; ">વર્ષ 2011માં રિલીઝ થયેલી મર્ડર 2 મનોવૈજ્ઞાનિક ક્રાઇમ થ્રિલર ફિલ્મ છે, જેનું દિગ્દર્શન મોહિત સૂરીએ કર્યું હતું. ફિલ્મમાં ઈમરાન હાશ્મી, જેકલીન ફર્નાન્ડિઝ અને પ્રશાંત નારાયણન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મમાં ઈમરાન હાશ્મીએ અર્જુન ભગવતનું પાત્ર ભજવ્યું હતું, જે ભૂતપૂર્વ પોલીસ અધિકારી છે. બોક્સ ઓફિસ પર પણ ફિલ્મે સારો દેખાવ કર્યો હતો. સેકનિલ્કના આંકડા મુજબ, 'મર્ડર 2'એ દુનિયાભરમાં આશરે 67.59 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ તમે એમેઝોન પ્રાઇમ વીડિયો પર જોઈ શકો છો.</p><h4 style="text-align: justify; "><b>જન્નત</b></h4><p style="text-align: justify; ">જન્નત 16 મે 2008ના રોજ રિલીઝ થયેલી હિન્દી રોમેન્ટિક ક્રાઇમ ડ્રામા ફિલ્મ છે. તેનું દિગ્દર્શન કુણાલ દેશમુખે કર્યું હતું અને મુકેશ ભટ્ટે તેનું નિર્માણ કર્યું હતું. ફિલ્મમાં ઈમરાન હાશ્મી અને સોનલ ચૌહાણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મમાં ઈમરાને અર્જુન દીક્ષિત અને સોનલે ઝોયાનું પાત્ર ભજવ્યું હતું. સેકનિલ્કના અહેવાલ મુજબ, જન્નતએ દુનિયાભરમાં 40.39 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ નેટફ્લિક્સ અને પ્રાઇમ વીડિયો પર ઉપલબ્ધ છે.</p><h3 style="text-align: justify; "><b>રાજ 3: ધ થર્ડ ડાયમેન્શન</b></h3><p style="text-align: justify; ">રાજ 3: ધ થર્ડ ડાયમેન્શન વર્ષ 2012માં રિલીઝ થયેલી હિન્દી સુપરનેચરલ હોરર-થ્રિલર ફિલ્મ છે, જેનું દિગ્દર્શન વિક્રમ ભટ્ટે કર્યું હતું. મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટ ફિલ્મના નિર્માતા હતા. ફિલ્મમાં બિપાશા બાસુ, ઈમરાન હાશ્મી અને ઈશા ગુપ્તા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. સેકનિલ્કના અહેવાલ મુજબ, રાજ 3: ધ થર્ડ ડાયમેન્શનએ દુનિયાભરમાં 35.60 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ નેટફ્લિક્સ અને પ્રાઇમ વીડિયો પર ઉપલબ્ધ છે.</p><h4 style="text-align: justify; "><b>ગેંગસ્ટર: એ લવ સ્ટોરી</b></h4><p style="text-align: justify; ">ગેંગસ્ટર: એ લવ સ્ટોરી 28 એપ્રિલ 2006ના રોજ રિલીઝ થયેલી રોમેન્ટિક થ્રિલર ફિલ્મ છે, જેનું દિગ્દર્શન અનુરાગ બસુએ કર્યું હતું. ફિલ્મમાં ઈમરાન હાશ્મી, શાઇની આહુજા અને કંગના રનૌત મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ કંગના રનૌતની પ્રથમ ફિલ્મ હતી. આ ફિલ્મથી ઈમરાન હાશ્મીને પણ એક અલગ ઓળખ મળી હતી. સેકનિલ્કના અહેવાલ મુજબ, ફિલ્મે બોક્સ ઓફિસ પર આશરે 16.85 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ તમે પ્રાઇમ વીડિયો પર જોઈ શકો છો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/sunny-deol-mistake-shah-rukh-khan-career" target="_blank">આ પણ વાંચો-King Khan : સની દેઓલની એ એક ભૂલ, જેણે શાહરૂખ ખાનનું આખું કરિયર બદલી નાખ્યું!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/22/n3nYQRANTku1eCS8K3Ng9HT5ydiPKhztR8oXfEVC.webp'/></item><item><title><![CDATA[Rajkot પોલીસનું ચેકિંગના નામે નાટક, નજર સામેથી નંબર પ્લેટ વગરનું વાહન નીકળી ગયું, પોલીસ જોતી રહી! ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-polices-drama-in-the-name-of-checking-a-vehicle-without-a-number-plate-left-in-front-of-the-police-the-police-kept-watching</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-polices-drama-in-the-name-of-checking-a-vehicle-without-a-number-plate-left-in-front-of-the-police-the-police-kept-watching</guid><pubDate>Sat, 22 Aug 2026 17:28:29 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ શહેરમાં પોલીસ દ્વારા નંબર પ્લેટ વિનાના વાહનો સામે ખાસ ચેકિંગ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે, પરંતુ આ કાર્યવાહી માત્ર દેખાડા ખાતર જ થતી હોવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના જાણીતા ઈગલ પેટ્રોલ પંપ પર પોલીસ ટીમ ચેકિંગમાં ઉભી હતી, ત્યારે જ એક નંબર પ્લેટ વિનાનો વાહન ચાલક બિન્દાસપણે પેટ્રોલ પુરાવીને ત્યાંથી નીકળી ગયો હતો. સ્થળ પર હાજર પોલીસ કોન્સ્ટેબલ માત્ર તેને જોતા જ રહી ગયા હતા અને વાહન ચાલક તેમની નજર સામેથી જ સટાક દઈને પસાર થઈ ગયો હતો.</p><h2 style="text-align: justify; "><b>સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં કામગીરીની પોલ ખુલી</b></h2><p style="text-align: justify; ">આ સમગ્ર ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ થઈ ગયો હતો, જે હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પોલીસની નિષ્ક્રિયતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. એક તરફ રાજકોટ પોલીસ પ્રશાસન દ્વારા નિયમોનું કડક પાલન કરાવવા માટે વાહનોની ડ્રાઇવ યોજવાની મોટી મોટી વાતો કરવામાં આવે છે, તો બીજી તરફ પ્રત્યક્ષ નજર સામે જ થતા નિયમભંગ સામે પોલીસ લાચાર કે ઉદાસીન જણાઈ રહી છે. આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસની આ ડ્રાઇવ માત્ર એક નાટક હોવાનો દાવો લોકો કરી રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>પ્રજામાં રોષ અને પોલીસ પ્રશાસન સામે ઉઠતા સવાલો</b></h2><p style="text-align: justify; ">સામાન્ય નાગરિકો પાસેથી નાની-નાની ભૂલો બદલ કડક દંડ વસૂલતી પોલીસની આવી કામગીરી જોઈને રાજકોટવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આંખ સામેથી કાયદાનો ભંગ કરીને નીકળી જતા વાહનચાલકને પકડવાની તસ્દી પણ ન લેનાર પોલીસ કર્મચારીઓની ગંભીરતા સામે હવે સવાલો ઊભા થયા છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ મામલે સંબંધિત કર્મચારીઓ સામે શું પગલાં લે છે તેના પર સૌની નજર ટકેલી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો :&nbsp;</b></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/22/CsiqGjbXRi6SNwR5ZdXgZFugsEU3UY3FtSZ0K767.webp'/></item><item><title><![CDATA[Ambaji: રાજુલાના માઇભક્તે મા અંબાના ચરણોમાં 82,800ની ચાંદીની પાદુકા અર્પણ કરી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ambaji/ambaji-temple-receives-silver-paduka-donation-rajula-devotee</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ambaji/ambaji-temple-receives-silver-paduka-donation-rajula-devotee</guid><pubDate>Sat, 22 Aug 2026 17:25:39 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અને પવિત્ર 51 શક્તિપીઠમાંના એક એવા અંબાજી મંદિરે દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શનાર્થે આવે છે અને પોતાની શ્રદ્ધા અનુસાર દાન-ભેટ અર્પણ કરતા હોય છે. તાજેતરમાં અમરેલી જિલ્લાના રાજુલાના નિવાસી અને પરમ માઇભક્ત વાસંતીબેન નવીનચંદ્ર વાવડિયાએ મા અંબાના ચરણોમાં ચાંદીની પાદુકા અર્પણ કરી પોતાની ભક્તિ વ્યક્ત કરી છે.</p><h2><b>મા અંબાના ચરણોમાં ચાંદીની પાદુકા અર્પણ કરી</b></h2><p>વાસંતીબેન વાવડિયાએ મંદિર પરિસરમાં પહોંચીને શ્રી આરાસુરી અંબાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટના અધિકારીઓને વિધિવત રીતે આ ચાંદીની પાદુકા સોંપી હતી.માતાજીના ચરણોમાં ધરાવવામાં આવેલી આ ચાંદીની પાદુકાનું કુલ વજન અંદાજે 360 ગ્રામ થાય છે, જેની વર્તમાન બજાર કિંમત આશરે રૂપિયા 82,800 આંકવામાં આવી છે.</p><h3><b>ચાંદીની પાદુકાનું કુલ વજન અંદાજે 360 ગ્રામ&nbsp;</b></h3><p>અંબાજી મંદિરમાં ભક્તો દ્વારા સોના-ચાંદીના અલંકારો, છત્ર અને રોકડ સ્વરૂપે ગુપ્ત તથા પ્રત્યક્ષ દાન કરવાનો મહિમા છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સોના-ચાંદીના દાનની યોગ્ય પહોંચ આપીને ચાંદીની પાદુકાનો સત્તાવાર સ્વીકાર કરવામાં આવ્યો હતો અને દાતા પરિવારની મનોકામના પૂર્ણ થાય તે માટે આશીર્વાદ સહ આભાર વ્યક્ત કરાયો હતો.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/pandwai-sugar-factory-election-hansot-minister-ishwarsinh-patel-nominations" target="_blank">આ પણ વાંચો: Bharuch: પંડવાઈ સુગર ફેક્ટરીની 15 બેઠકો માટે આગામી 5 સપ્ટેમ્બરે યોજાશે ચૂંટણી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/22/ephTipkk7rdWKFuKOXXJhgQ3H2yZk68uaDZXLBsi.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: કેન્દ્રીય ગૃહમંત્રી ઘાટલોડિયામાં લોક દરબાર યોજશે, સ્થાનિક પ્રશ્નો અને સમસ્યાઓ અંગે થશે ચર્ચા ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/amit-shah-to-hold-lok-darbar-in-ghatlodia-over-local-issues</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/amit-shah-to-hold-lok-darbar-in-ghatlodia-over-local-issues</guid><pubDate>Sat, 22 Aug 2026 17:11:41 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અમદાવાદના પ્રવાસે આવી રહ્યા છે.તેઓ પોતાના સંસદિય વિસ્તારના વિકાસ કાર્યોની સમીક્ષા કરશે અને નાગરિકોની રજૂઆતો સાંભળવા માટે ખાસ લોકદરબારનું આયોજન કરાશે.આ લોકદરબાર ઘાટલોડિયા વિધાનસભા ક્ષેત્રમાં આવતા બોપલ, આંબલી અને બોપલ-ઘુમા વિસ્તારમાં યોજવામાં આવશે.તાજેતરમાં જ આ વિસ્તારોમાં સર્જાયેલી જળભરાવની ગંભીર સમસ્યા તેમજ માળખાકીય સુવિધાઓને લગતા વિવિધ પ્રશ્નો અંગે તેઓ સ્થાનિક રહીશો સાથે સીધો સંવાદ સાધશે.</p><h2 style="text-align: justify; "><b>જળભરાવના પ્રશ્નને ગૃહમંત્રીએ અત્યંત ગંભીરતાથી લીધો</b></h2><p style="text-align: justify; ">અમદાવાદ શહેરના મેયર હિતેન્દ્ર બારોટે કહ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી બોપલ અને તેની આસપાસનો વિસ્તાર ખૂબ જ ઝડપથી ડેવલપ થઈ રહ્યો છે. ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા અને ત્યારબાદ અમદાવાદ મહાનગરપાલિકામાં સમાવેશ પામેલા આ વિસ્તારમાં વસતી અને બાંધકામ બંનેમાં મોટો ઉછાળો આવ્યો છે.ખાસ કરીને એસ.પી.રિંગ રોડની આસપાસના ચાર કિલોમીટરથી વધુના વિસ્તારમાં મોટા પાયે વિકાસ થયો છે.આ ડેવલપમેન્ટને પહોંચી વળવા માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે ટીપી સ્કીમો ખોલવામાં આવી છે અને રોડ-રસ્તા, પીવાના પાણી તથા ડ્રેનેજ લાઈન જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.તાજેતરના વરસાદ દરમિયાન સામે આવેલા જળભરાવના પ્રશ્નને ગૃહમંત્રીએ અત્યંત ગંભીરતાથી લીધો છે.</p><h3 style="text-align: justify; "><b>આ લોકદરબાર અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે</b></h3><p style="text-align: justify; ">તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ત્રણ દિવસ પહેલાં જ આ અંગે એક પત્ર પણ આવ્યો હતો, જેના પગલે પ્રશાસન હરકતમાં આવ્યું છે.જળભરાવની સમસ્યાના કાયમી નિકાલ માટે રૂ.147 કરોડથી વધુના વિકાસકામોનું ટેન્ડરિંગ થઈ ચૂક્યું છે અને કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે.પોતાના આ પ્રવાસ દરમિયાન અમિત શાહ સ્થાનિક સોસાયટીઓના ચેરમેન અને સેક્રેટરીઓ સાથે રૂબરૂ મુલાકાત કરીને તેમની સમસ્યાઓ સાંભળશે. વિસ્તારમાં કોઈ પણ વિકાસકાર્ય બાકી ન રહે તે હેતુથી તમામ પ્રશ્નોની યોગ્ય રજૂઆત લઈને તેનો ત્વરિત ઉકેલ લાવવા માટે આ લોકદરબાર અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.<br><br><a href="https://sandesh.com/india/news/family-tragedy-over-iphone-emi-dispute-in-maharashtra-sambhajinagar" target="_blank">આ પણ વાંચોઃ India News : iphoneની EMIની જીદને કારણે પુત્ર પહાડ પરથી કૂદ્યો, બચાવવા જતાં પિતા મોતને ભેટ્યા, આઘાતમાં માતાએ પણ છલાંગ મારી</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/22/xbvBYIj2ETzpPaT5lHoinkkQtg5vkkPcMMz9yxxA.webp'/></item><item><title><![CDATA[Manu Bhakerને મળ્યા નવા કોચ, 2028 ઓલિમ્પિક માટે તૈયારીઓ શરૂ કરી ]]></title><link>https://sandesh.com/sports/news/manu-bhaker-gets-new-coach-starts-preparations-for-2028-olympics</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/manu-bhaker-gets-new-coach-starts-preparations-for-2028-olympics</guid><pubDate>Sat, 22 Aug 2026 10:55:19 +05:30</pubDate><description><![CDATA[<p>જૂન 2026માં રમતગમતની દુનિયામાં ભયંકર સમાચાર આવ્યા.મહાન જસપાલ રાણાનું 49 વર્ષની વયે અવસાન થયું.મનુ ભાકર માટે આ એક મોટો ફટકો હતો,જે તેના કોચ હતા.જસપાલના કોચિંગ હેઠળ મનુએ પેરિસ 2024 ઓલિમ્પિકમાં બે બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો.રાણા 2023માં મનુ સાથે જોડાઈ,અને આ પછી તેની શૂટિંગ કારકિર્દી બદલાઈ ગઈ.મનુએ હવે 2028 ઓલિમ્પિક માટે તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેણીને એક નવો કોચ પણ મળી ગયો છે.</p><h5><b>મનુ ભાકરને નવો કોચ મળ્યો</b></h5><p>2028 ઓલિમ્પિક લોસ એન્જલસમાં યોજાવાનું છે. મનુ ભાકર ત્યાં સારા પ્રદર્શન પર નજર રાખી રહી છે. આ વખતે, તે ગોલ્ડ માટે જશે. તેણીએ તેના નવા કોચ સાથે તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેના નવા કોચનું નામ જેલેના અરુણોવિચ છે, જે સર્બિયાની છે. મનુ હવે તેની સાથે તાલીમ લઈ રહી છે.</p><h5><b>જેલેના અરુણોવિચે નોંધપાત્ર ખ્યાતિ મેળવી&nbsp;</b></h5><p>જેલેના અરુણોવિચે શૂટિંગ કોચ તરીકે નોંધપાત્ર સફળતા મેળવી છે. તેણીએ ઓક્ટોબર 2024 માં ચીનની રાષ્ટ્રીય ટીમને કોચિંગ આપવાનું શરૂ કર્યું. તમને યાદ હશે કે ઝોરાનાએ પેરિસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે જેલેનાની નાની બહેન છે. જેલેનાએ તેની સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ઝોરાનાએ અગાઉ ત્રણ અન્ય ઇવેન્ટ્સમાં પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિરાશ થઈ હતી. જેલેનાના આગમનથી તેની કારકિર્દી બદલાઈ ગઈ. ઝોરાનાએ 10-મીટર એર પિસ્તોલ મિશ્ર ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો.</p><h5><b>જેલેના અરુણોવિચે ઓલિમ્પિકમાં ભાગ લીધો ન હતો.</b></h5><p>જેલેના અરુણોવિચે રાષ્ટ્રીય ટીમો સાથે વ્યાપકપણે કામ કર્યું છે. તેની પોતાની શૂટિંગ કારકિર્દી પણ શાનદાર હતી. જોકે તેણીએ ક્યારેય ઓલિમ્પિકમાં ભાગ લીધો ન હતો, તે નવ વખત યુરોપિયન ચેમ્પિયનશિપ વિજેતા છે. વધુમાં, તેણીએ યુરોપિયન ગેમ્સમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. જેલેના 2010 માં એથ્લીટમાંથી કોચ બની.</p><h5><b>મનુ ભાકરે ઓલિમ્પિક માટે તૈયારી શરૂ કરી&nbsp;</b></h5><p>મનુ ભાકરે જેલેના અરુણોવિચ સાથે તાલીમ શરૂ કરી છે. તે એશિયન ગેમ્સમાં પણ પોતાની પ્રતિભા દર્શાવશે. તે શિબિરમાં જોડાઈ ગઈ છે. મનુ હાલમાં તેની રમત માટે દિવસમાં લગભગ આઠ કલાક સમર્પિત કરી રહી છે. જેલેના તેની સાથે છે અને તેને સખત તાલીમ આપી રહી છે. આશા છે કે મનુ 2028 ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતીને પોતાના દેશનું ગૌરવ વધારશે.</p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/cricket/news/aus-vs-ban-2nd-test-mitchell-starc-creates-history-by-taking-6-wickets-becomes-the-bowler-to-take-the-most-wickets-in-wtc" target="_blank">AUS vs BAN 2nd Test : મિચેલ સ્ટાર્કે 6 વિકેટ લઈને રચ્યો ઇતિહાસ, WTCમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/22/L3TFyJ9jNRKFNz2wBwugKthSPjRkhXfdMLePuvyy.webp'/></item></channel></rss>