<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[CJP Protest : પેપર લીક વિરોધ પ્રદર્શન કેસમાં દિલ્હી સરકારનો મોટો નિર્ણય, પ્રદર્શનકારીઓ સામે કાર્યવાહી નહીં થાય ]]></title><link>https://sandesh.com/india/news/cjp-protest-paper-leak-case-delhi-government-no-action-against-protesters</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/cjp-protest-paper-leak-case-delhi-government-no-action-against-protesters</guid><pubDate>Thu, 30 Jul 2026 18:41:11 +05:30</pubDate><description><![CDATA[<p>પેપર લીકના વિરોધમાં જંતર-મંતર ખાતે થયેલા પ્રદર્શન દરમિયાન નોંધાયેલા કેસોને લઈને દિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે નક્કી કર્યું છે કે આ પ્રદર્શનમાં સામેલ થયેલા લોકો સામે કોઈપણ પ્રકારની પ્રતિકૂળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે નહીં. જોકે, આ રાહત એવા લોકોને લાગુ નહીં પડે જેમનો પહેલાથી કોઈ ગુનાહિત ઈતિહાસ છે. આ મામલે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરવામાં આવશે.</p><h2><b>કેસોની સમીક્ષા કરવામાં આવશે</b></h2><p>દિલ્હી સરકારે જણાવ્યું છે કે જો પ્રદર્શન દરમિયાન કોઈ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હોય અથવા તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હોય તો તેના કેસોની સમીક્ષા કરવામાં આવશે. યોગ્ય પ્રક્રિયા બાદ તેમને ઝડપથી મુક્ત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. સરકારનું કહેવું છે કે પ્રદર્શનમાં સામેલ સામાન્ય લોકો સામે આગળ કોઈ નવી કાર્યવાહી કરવાનો તેનો ઈરાદો નથી અને આ કેસોને બંધ ગણવામાં આવશે.</p><p>આ દરમિયાન જંતર-મંતર ખાતે આ મુદ્દે યુથ કોંગ્રેસના કાર્યકરોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મોટી સંખ્યામાં કાર્યકરો એકત્ર થયા હતા અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે પ્રદર્શનકારીઓને નિયંત્રિત કરવા માટે બેરિકેડિંગ કરી હતી.&nbsp;</p><h3><b>કોંગ્રેસના નેતાઓએ ગૃહમંત્રીના રાજીનામાની માગ કરી હતી</b></h3><p>પ્રદર્શન દરમિયાન યુથ કોંગ્રેસના નેતાઓએ ગૃહમંત્રીના રાજીનામાની માગ કરી હતી અને કેન્દ્ર સરકાર પર અનેક આક્ષેપો લગાવ્યા હતા. તેમનો આરોપ છે કે પેપર લીક મુદ્દે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે પોલીસે બળપ્રયોગ કર્યો હતો અને કેટલાક વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી. યુથ કોંગ્રેસે વિદ્યાર્થીઓના સમર્થનમાં અવાજ ઉઠાવતા સમગ્ર મામલે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. બીજી તરફ, દિલ્હી સરકારના નિર્ણયથી આ કેસોમાં સામેલ ઘણા પ્રદર્શનકારીઓને રાહત મળવાની શક્યતા છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/weather-update-31-july--imd-issues-red-alert-for-19-states--heavy-rain" target="_blank">આ પણ વાંચો : Weather Update: હવામાન વિભાગે કરી ભયંકર આગાહી, ભારે વરસાદને લઈને આપ્યું અહીં રેડ એલર્ટ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/BhGJBahucVE4ubXO5Rs3nefu21SVVFMvRwd6kPrH.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: શહેરમાં ભારે વરસાદ સાથે ફ્લેશ ફ્લડ અને વાવાઝોડાની શક્યતા, મનપાના તમામ અધિકારીઓની રજાઓ રદ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/flash-flood-and-storm-alert-amc-cancels-all-staff-leaves</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/flash-flood-and-storm-alert-amc-cancels-all-staff-leaves</guid><pubDate>Thu, 30 Jul 2026 18:38:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને પગલે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.શહેરમાં ફ્લેશ ફ્લડ અને તીવ્ર વાવાઝોડાની આશંકાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે.સાવચેતી અને વિદ્યાર્થીઓની સુરક્ષાના ભાગરૂપે શહેરની તમામ શાળાઓ, કોલેજો અને આંગણવાડીઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને જરૂર વગર બહાર ન નીકળવા, શક્ય હોય ત્યાં સુધી ઘરેથી જ કામ કરવા અને સંપૂર્ણ સાવચેતી વર્તવા માટે અપીલ કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>શહેરમાં પાણીના નિકાલ માટે તંત્ર સજ્જ</b></h2><p style="text-align: justify; ">શહેરમાં જળબંબાકારની સ્થિતિને પહોંચી વળવા માટે AMC દ્વારા પૂરજોશમાં તૈયારીઓ કરી લેવાઈ છે. નદીના પાણીનું સ્તર ઘટાડવા માટે વાસણા બેરેજના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.શહેરના નીચાણવાળા અને પાણી ભરાતા વિસ્તારોમાંથી તાત્કાલિક નિકાલ માટે 245 સ્ટ્રોમ વોટર પંપ અને ડ્રેનેજ લાઇનના 345 પંપ સતત કાર્યરત કરી દેવાયા છે.આ સાથે જ કોઈપણ આકસ્મિક કટોકટી, બચાવ કે રાહત કામગીરી માટે ફાયર બ્રિગેડની ટીમોને પણ હાઈએલર્ટ મોડ પર તૈનાત રાખવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>મેયરે નાગરિકોને અપીલ કરી</b></h3><p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં આગામી 48 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહીને પગલે મેયર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા ખાસ અપીલ કરવામાં આવી છે.મનપા દ્વારા નીચાણવાળા અને પૂરની સંભાવના ધરાવતા વિસ્તારોમાં રહેતા લોકો માટે વિવિધ કોમ્યુનિટી હોલ ખાતે રહેવા અને જમવાની વ્યવસ્થા સજ્જ કરી દેવામાં આવી છે. મેયરે ખાતરી આપતા જણાવ્યું હતું કે નાગરિકોની સેવા અને સુરક્ષા માટે મહાનગરપાલિકાનું તંત્ર સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે અને કોઈપણ મુશ્કેલીના સમયે મદદ માટે 24 કલાક હાજર રહેશે તેથી નાગરિકોએ ગભરાવાની જરૂર નથી.<br><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/patan/patan-district-collector-orders-instructs-all-government-officials-not-to-leave-headquarters-amid-fear-of-rain" target="_blank">આ પણ વાંચોઃ Patan જિલ્લા કલેક્ટરનો આદેશ, વરસાદની ભીતિ વચ્ચે તમામ સરકારી અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા સૂચના</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/I9RwmlfgbMck4TA4dkjNiRdXFfNaU05uPCk76I32.webp'/></item><item><title><![CDATA[Ahmedabad એરપોર્ટ પર સોનાની દાણચોરીનો પર્દાફાશ: દુબઈથી આવેલી મહિલા પાસેથી રૂ.35.49 લાખનું સોનું જપ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/gold-smuggling-busted-at-ahmedabad-airport-24-carat-gold-worth-rs-35-49-lakh-seized-from-woman-arriving-from-dubai</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/gold-smuggling-busted-at-ahmedabad-airport-24-carat-gold-worth-rs-35-49-lakh-seized-from-woman-arriving-from-dubai</guid><pubDate>Thu, 30 Jul 2026 18:36:02 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોનાની દાણચોરીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દુબઈથી અમદાવાદ પહોંચેલી એક મહિલા મુસાફર પર શંકા જતાં કસ્ટમ્સ વિભાગની એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા તેની અટકાયત કરીને સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. મહિલાની તલાશી દરમિયાન તેની પાસેથી ગેરકાયદેસર રીતે લાવવામાં આવેલું કિંમતી સોનું મળી આવ્યું હતું, જેથી એરપોર્ટ પર ફરી એકવાર સોનાની દાણચોરીનો પર્દાફાશ થયો છે.</p><h2 style="text-align: justify; "><b>24 કેરેટનું સોનું અને દાગીના જપ્ત</b></h2><p style="text-align: justify; ">તપાસ દરમિયાન મહિલા મુસાફર પાસેથી 240.830 ગ્રામ વજન ધરાવતું 24 કેરેટનું શુદ્ધ સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. આ સોનાના દાગીનામાં ચાર સોનાની બંગડીઓ અને પેન્ડન્ટ સાથેની સોનાની ચેઇનનો સમાવેશ થાય છે. જપ્ત કરાયેલા આ સોનાની બજાર કિંમત રૂ.35.49 લાખથી પણ વધુ આંકવામાં આવી છે. મહિલા કસ્ટમ્સ અધિકારીઓ સામે આ સોના અંગેના કોઈ પણ માન્ય કે કાયદેસરના દસ્તાવેજો રજૂ કરી શકી ન હતી.</p><h3 style="text-align: justify; "><b>કસ્ટમ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ</b></h3><p style="text-align: justify; ">સોના સંબંધિત યોગ્ય પુરાવા કે દસ્તાવેજો ન મળતાં અમદાવાદ કસ્ટમ્સ AIU ની ટીમ દ્વારા કસ્ટમ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરીને સમગ્ર સોનું જપ્ત કરી લેવામાં આવ્યું છે. મહિલા દ્વારા આ સોનું કોના માટે લાવવામાં આવ્યું હતું અને આ દાણચોરી પાછળ કોઈ મોટી આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ કાર્યરત છે કે કેમ, તે દિશામાં કસ્ટમ્સ વિભાગે ઊંડાણપૂર્વકની વધુ તપાસ હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/9tzIN4zMsPBRmHqwzirjYBSpBueY5JqJJjNr8H6x.webp'/></item><item><title><![CDATA[Independence Day 2026: 15મી ઓગસ્ટની રાજ્યકક્ષાની અમરેલીમાં ઉજવણી, જાણો કોણ કયા રહેશે ઉપસ્થિત? ]]></title><link>https://sandesh.com/gujarat/news/independence-day/gandhinagar/independence-day-2026-celebration-amreli-cm-flag-hoisting</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/independence-day/gandhinagar/independence-day-2026-celebration-amreli-cm-flag-hoisting</guid><pubDate>Thu, 30 Jul 2026 18:33:04 +05:30</pubDate><description><![CDATA[<p>આગામી 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી માટે રાજ્ય સરકારે તૈયારીઓ આરંભી દીધી છે. આ વર્ષે રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય પર્વનો મુખ્ય કાર્યક્રમ અમરેલી જિલ્લામાં યોજાવા જઈ રહ્યો છે. પ્રોટોકોલ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, 15મી ઓગસ્ટે સવારે 9.00 વાગ્યે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલી ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદન કરાવશે અને રાજ્યવાસીઓને સંબોધિત કરશે.</p><h2><b>નેતાઓને વિવિધ જિલ્લાઓની સોંપાઈ જવાબદારી</b></h2><p>રાજ્યના પ્રોટોકોલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા અધિકૃત પત્ર વ્યવહાર મુજબ રાજ્યના તમામ કેબિનેટ મંત્રીઓ, રાજ્યકક્ષાના મંત્રીઓ અને વરિષ્ઠ હોદ્દેદારોને વિવિધ જિલ્લાઓમાં ધ્વજવંદન માટેની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા ખાતે ધ્વજવંદન કરશે. આ ઉપરાંત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વાવ-થરાદ (બનાસકાંઠા) માં ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપશે.</p><h2><b>મહત્વના મંત્રીઓ અને જિલ્લા ફાળવણીની યાદી</b></h2><p>સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વિવિધ નેતાઓને ફાળવવામાં આવેલા મુખ્ય જિલ્લાઓ નીચે મુજબ છે</p><p><img alt="Gujarat Independence Day 2026: CM Bhupendra Patel to Hoist Flag in Amreli" src="https://epapercdn.sandesh.com/images/2026/07/30/RMKw3KN0ptIaOGSGz8FLTCdlrgv4PNwu8LCtw2OY.webp"><br></p><p><img alt="Gujarat Independence Day 2026: CM Bhupendra Patel to Hoist Flag in Amreli" src="https://epapercdn.sandesh.com/images/2026/07/30/53VY3KE4CefCTqIeyFJ29BChrcx7YYSusQTRM4tL.webp"><br></p><p><br></p><h2><b>સવારે 9:00 વાગ્યે યોજાશે કાર્યક્રમો, વહીવટી તંત્ર સજ્જ</b></h2><p>રાજ્યભરમાં જિલ્લા કક્ષાના તમામ ધ્વજવંદન કાર્યક્રમો સવારે 9.00 વાગ્યે એકસાથે યોજવા માટેનું સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય વહીવટ વિભાગ (પ્રોટોકોલ) દ્વારા તમામ જિલ્લા કલેક્ટરો અને પોલીસ વડાઓને કાર્યક્રમની વ્યવસ્થા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂરી આદેશો આપી દેવામાં આવ્યા છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/knowledge/news/india/15-august-historical-events-world-independence-day" target="_blank">Independence Day 2026 : ભારત 15 ઓગસ્ટે સ્વતંત્ર થયું, પણ વિશ્વ ઈતિહાસમાં આ જ દિવસે બની હતી આ 5 મોટી ઘટનાઓ!</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/YtFtbYxIEdqplLGQtMJtmOu0CZptUkK1Wiv7SKcC.webp'/></item><item><title><![CDATA[Personal Loanના EMI ન ચૂકવવા પર શું જવું પડે છે જેલ? આ છે RBIના નિયમ ]]></title><link>https://sandesh.com/business/news/personal-loan-emi-missed--will-police-come-or-jail-happen--know-truth</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/personal-loan-emi-missed--will-police-come-or-jail-happen--know-truth</guid><pubDate>Thu, 30 Jul 2026 18:26:06 +05:30</pubDate><description><![CDATA[<p>આજકાલ મોબાઇલ એપ અથવા બેંક દ્વારા પર્સનલ લોન મેળવવામાં થોડી જ મિનિટો લાગે છે અને પૈસા તરત જ તમારા ખાતામાં જમા થઈ જાય છે. જોકે, વાસ્તવિક ચિંતા ત્યારે થાય છે જ્યારે તમે તમારી નોકરી ગુમાવો છો તમારો વ્યવસાય નિષ્ફળ જાય છે અથવા તમારે અન્ય અનિવાર્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવી પરિસ્થિતિઓમાં  EMI બાઉન્સ થવા લાગે છે. જેમ જેમ પરિસ્થિતિ વધુ વણસે છે, તેમ તેમ એક સામાન્ય ભય ઊભો થાય છે: જો હું લોન ચૂકવીશ નહીં તો શું પોલીસ મારા ઘરે આવશે? શું મારે જેલમાં જવું પડશે? સ્પષ્ટ અને સીધો જવાબ છે ના. ફક્ત લોન ચૂકવવામાં અસમર્થ રહેવું એ કાયદા હેઠળ ગુનો નથી. જો તમારા ઇરાદા પ્રામાણિક હોય પરંતુ તમે પ્રતિકૂળ પરિસ્થિતિઓને કારણે તમારો EMI ચૂકવી શકતા નથી, તો તમને ફક્ત એટલા માટે જેલમાં મોકલી શકાય નહીં.</p><p><b>જ્યારે EMI ચૂકી જાવ તો બેંક શું કરે છે?</b></p><p>જો તમે સતત તમારા EMI ચૂકવવામાં નિષ્ફળ જાઓ છો, તો બેંક તાત્કાલિક કડક પગલાં લેતી નથી. શરૂઆતમાં, તમને કોલ અને સંદેશાઓ દ્વારા ચુકવણી કરવાનું યાદ અપાવવામાં આવે છે. ત્યારબાદ, કાયદાકીય નોટિસ મોકલવામાં આવે છે. જો ચુકવણી લાંબા સમય સુધી બાકી રહે છે. તો બેંક તમારા લોન ખાતાને NPA' (નોન-પર્ફોર્મિંગ એસેટ) તરીકે વર્ગીકૃત કરે છે. સૌથી નોંધપાત્ર પ્રતિકૂળ અસર તમારા CIBIL સ્કોર પર પડે છે. નબળા CIBIL સ્કોરનો અર્થ એ છે કે ભવિષ્યમાં તમને નવી લોન અથવા ક્રેડિટ કાર્ડ મેળવવામાં મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે. આ પછી, બેંક કોર્ટ દ્વારા બાકી રકમ વસૂલવા માટે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી શકે છે. જો તમે લોન સામે કોઈ કોલેટરલ આપ્યું હોય, તો તે સંપત્તિ અંગે પણ કાર્યવાહી કરી શકાય છે.</p><p><b>કયા કિસ્સાઓમાં જેલનું જોખમ છે?</b></p><p>જેમ અગાઉ ઉલ્લેખ કર્યો છે,  મુશ્કેલીને કારણે EMI ચૂકવવામાં નિષ્ફળતા ગુનો નથી. જેલનું જોખમ ફક્ત છેતરપિંડીના કિસ્સાઓમાં જ થાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈએ બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને લોન મેળવી હોય, તેમના રોજગાર અથવા આવક વિશે બેંકને ખોટું બોલ્યું હોય, અથવા જાણી જોઈને પૈસા લઈને ફરાર થઈ જાય. આવા કિસ્સાઓમાં બેંક FIR દાખલ કરવા માટે સીધી પોલીસનો સંપર્ક કરી શકે છે, જેનાથી ફોજદારી કેસ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો બેંક સાથે ઇરાદાપૂર્વક છેતરપિંડી કરવી અને અનિવાર્ય સંજોગોને કારણે લોન ચૂકવવામાં અસમર્થ રહેવું એ બે સંપૂર્ણપણે અલગ બાબતો છે.</p><p><b>રિકવરી એજન્ટો તરફથી ધમકીઓનો તમે કેવી રીતે સામનો કરી શકો છો?</b></p><p>લોન ચૂકવવામાં ડિફોલ્ટ કરનારા દેવાદારો ઘણીવાર રિકવરી એજન્ટોથી સૌથી વધુ ડરતા હોય છે. જોકે, રિઝર્વ બેંક (RBI) એડવાઈઝરી આ ​​સંદર્ભમાં સામાન્ય વ્યક્તિને સશક્ત બનાવે છે. જ્યારે રિકવરી એજન્ટો તમને ફોન કરી શકે છે અથવા તમારા ઘરે અથવા ઓફિસમાં લેણાં વસૂલવા માટે જઈ શકે છે, ત્યારે તેમને અસભ્ય વર્તન કરવાનો અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાનો અથવા તમને ધમકી આપવાનો કોઈ અધિકાર નથી. તેઓ રાત્રે ફોન કરીને તમને હેરાન કરી શકતા નથી. જો કોઈ એજન્ટ મર્યાદા ઓળંગે છે અથવા તમને અપમાનિત કરવાનો પ્રયાસ કરે છે, તો તમારે પોલીસ અથવા RBIમાં ફરિયાદ નોંધાવવામાં અચકાવું જોઈએ નહીં. આવી બાબતોમાં કાયદો તમને સંપૂર્ણ ટેકો આપે છે.</p><p><b>જો તમને નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડે તો તમારે શું કરવું જોઈએ?</b></p><p>લોકો ઘણીવાર ડરના કારણે બેંકના કોલનો જવાબ આપવાનું બંધ કરી દે છે. આ એક મોટી ભૂલ છે; આમ કરવાથી સમસ્યાનો ઉકેલ આવવાને બદલે તે વધુ ખરાબ થાય છે. જો તમને લાગે કે તમારા EMI ચૂકવવાનું હવે તમારા હાથમાં નથી, તો સીધા બેંકની મુલાકાત લો અને અધિકારીઓને ખુલ્લેઆમ તમારી પરિસ્થિતિ સમજાવો. બેંકો ઘણીવાર આવા કિસ્સાઓમાં સહાય પૂરી પાડે છે. જો જરૂરી હોય તો તેઓ તમારા EMI ઘટાડી શકે છે. લોન ચુકવણીનો સમયગાળો લંબાવી શકે છે અથવા થોડા મહિનાનો ગ્રેસ પીરિયડ આપી શકે છે. ક્યારેક 'વન-ટાઇમ સેટલમેન્ટ' વિકલ્પ પણ શોધી શકાય છે, જે કાયદાકીયમુશ્કેલીઓનો કાયમી ઉકેલ લાવી શકે છે અને તમારા માનસિક તણાવને દૂર કરી શકે છે.</p><p><br>આ પણ વાંચો:<a href="https://sandesh.com/india/news/weather-update-31-july--imd-issues-red-alert-for-19-states--heavy-rain" target="_blank"><b> Weather Update: હવામાન વિભાગે કરી ભયંકર આગાહી, ભારે વરસાદને લઈને આપ્યું અહીં રેડ એલર્ટ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/zbXJMElr3tC6rkr8kmW279uBHzrnuwqnKZiox49M.webp'/></item><item><title><![CDATA[India Textile Export Opportunity: યુએસ ટેરિફમાં રાહત, છતાં વિયેતનામ-બાંગ્લાદેશ સામે આ છે મોટા પડકારો ]]></title><link>https://sandesh.com/business/news/india/india-textile-export-opportunity-us-tariff-relief-yet-these-are-the-big-challenges-facing-vietnam-bangladesh</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/india-textile-export-opportunity-us-tariff-relief-yet-these-are-the-big-challenges-facing-vietnam-bangladesh</guid><pubDate>Thu, 30 Jul 2026 18:19:46 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">સૌથી મોટા હરીફ વિયેતનામ પર 12.5 ટકા કર હતો. જ્યાં દરેક રૂપિયાની ગણતરી થાય છે. ત્યાં આ 2.5 ટકાનો તફાવત મહત્વપૂર્ણ ફાયદો માનવામાં આવે છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">વૈશ્વિક કાપડ બજારમાં પ્રભુત્વ&nbsp;</h2><p style="text-align: justify; ">વર્ષોથી, વિયેતનામ, ચીન અને બાંગ્લાદેશ વૈશ્વિક કાપડ બજારમાં પ્રભુત્વ ધરાવે છે. આપણી પાસે વિપુલ પ્રમાણમાં કપાસ, ઉત્તમ કારીગરો અને મોટા કારખાનાઓ છે, છતાં આપણે આ નાના દેશોથી પાછળ રહી ગયા છીએ. આ અમેરિકા અને યુરોપ જેવા મુખ્ય બજારો દ્વારા લાદવામાં આવેલા ભારે ટેરિફને કારણે હતું. પરંતુ હવે, અમેરિકાએ તેના કર નિયમોમાં નોંધપાત્ર ફેરફાર કર્યો છે, જેનાથી કાપડ બજારમાં ભારે આનંદ થયો છે. એવું લાગે છે કે અમેરિકાએ જ ભારતને ગોલ્ડન પાસ આપ્યો છે.</p><h3 style="text-align: justify; ">શુ કહે છે નિષ્ણાંતો ?&nbsp;</h3><p style="text-align: justify; ">ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશનના ડિરેક્ટર જનરલ અજય સહાય કહે છે કે 2.5 ટકા ટેક્સ સારો હોવા છતાં, તે રાતોરાત કામ કરશે નહીં. કોઈપણ દેશમાં સપ્લાય ચેઇન બનાવવા માટે વર્ષો અને દાયકાઓની સખત મહેનત લાગે છે. કોઈ પણ વિદેશી બ્રાન્ડ ફક્ત થોડો ટેક્સ બચાવવા માટે લાંબા સમયથી ચાલતા, વિશ્વસનીય ભાગીદારને અચાનક છોડી દેશે નહીં. તેઓએ વિયેતનામમાં અબજો ડોલરનું રોકાણ કર્યું છે, તેમના કામદારોને તાલીમ આપી છે અને એક મજબૂત પોર્ટ એક્સેસ સિસ્ટમ સ્થાપિત કરી છે.&nbsp;</p><h4 style="text-align: justify; ">ભારત માટે ટેરિફ ઘટાડ્યા</h4><p style="text-align: justify; ">યુએસએ ભારત માટે ટેરિફ ઘટાડ્યા છે, પરંતુ TRQ નામની એક કેચ છે. TRQ એટલે ટેરિફ-રેટ ક્વોટા. યુએસ બાંગ્લાદેશ, કંબોડિયા અથવા ઇન્ડોનેશિયા જેવા અન્ય હરીફ દેશોને ઓફર કરી શકે છે કે જો તેઓ ભારતમાં ચોક્કસ માત્રામાં કપડાં નિકાસ કરે છે, તો તેઓ 10% ને બદલે 0% અથવા ખૂબ જ ઓછો ટેક્સ વસૂલશે. હવે, જો યુએસ ખરેખર બાંગ્લાદેશને આ ખાસ છૂટ આપે છે, તો ભારતનો 10% ફાયદો સંપૂર્ણપણે ખોવાઈ જશે. તેઓ સસ્તા ભાવે યુએસ બજારને છલકાવી દેશે.</p><h5 style="text-align: justify; ">ભારત કેમ પાછળ ?&nbsp;</h5><p style="text-align: justify; ">ભારતમાં બધું છે, છતાં આપણે કેમ પાછળ રહીએ છીએ? એક કારણ છે. ભૂતપૂર્વ કાપડ સચિવ ઉપેન્દ્ર પ્રસાદ સિંહે કહ્યું કે ભારતની સૌથી મોટી તાકાત ખરેખર આપણી સૌથી મોટી નબળાઈ બની ગઈ છે. વિયેતનામ કે ચીનમાં, બધા કાપડ ઉત્પાદન એક જ શહેર અથવા એક મોટી ફેક્ટરીમાં થાય છે. જો કે, ભારતમાં, ઉદ્યોગ ખૂબ જ ખંડિત છે. ગુજરાત કે મહારાષ્ટ્રના ખેતરોમાં કપાસ ઉગાડવામાં આવે છે. પછી, આ કપાસ ટ્રકમાં લોડ કરવામાં આવે છે અને યાર્ન બનાવવા માટે તમિલનાડુ મોકલવામાં આવે છે. યાર્ન બનાવ્યા પછી, તેને કાપડમાં વણવા માટે બીજા રાજ્યમાં પાછું મોકલવામાં આવે છે, અને પછી, રંગકામ અને છાપકામ પછી, તેને સીવણ માટે લુધિયાણા અથવા તિરુપુર મોકલવામાં આવે છે. આ પ્રક્રિયામાં, એક વસ્તુ ટ્રકમાં હજારો કિલોમીટર મુસાફરી કરે છે. આ ફક્ત અમારા પરિવહન ખર્ચમાં નોંધપાત્ર વધારો કરતું નથી પરંતુ ઓર્ડર પૂર્ણ થવાનો સમય પણ લંબાય છે, જે વિદેશી ખરીદદારોને હેરાન કરે છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/lifestyle/news/health-fitness/stomach-gas-causes-why-does-gas-occur-frequently-in-the-stomach-know-the-causes-home-remedies-and-symptoms" target="_blank">વારંવાર પેટમાં કેમ થાય છે ગેસ?, જાણો કારણો, ઘરેલુ ઉપાયો અને લક્ષણો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/xapn8XgbbPcnrddiK6nquGx4SJURd8StQcxxgdpz.webp'/></item><item><title><![CDATA[Mahira Sharmaના રાણા જી 2.0 પર મમતા કુલકર્ણીની પ્રતિક્રિયા, કહ્યું- 'ઓરિજિનલની વાત જ અલગ છે' ]]></title><link>https://sandesh.com/entertainment/news/mahira-sharma-rana-ji-2-mamta-kulkarni-reaction</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/mahira-sharma-rana-ji-2-mamta-kulkarni-reaction</guid><pubDate>Thu, 30 Jul 2026 18:04:27 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ટીવી અભિનેત્રી માહિરા શર્મા હાલમાં ચર્ચામાં છે અને તેનું કારણ છે તેમનું નવું ગીત. તાજેતરમાં માહિરા શર્માનો નવો મ્યુઝિક વીડિયો રાણાજી 2.0 રિલીઝ થયો છે, જે સતત સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. આ ગીત 90ના દાયકાના સુપરહિટ ગીત રાણાજી માફ કરનાનું રિમેક છે. લોકોના મનમાં સવાલ હતો કે આ ગીતની મૂળ અભિનેત્રી મમતા કુલકર્ણી રિમેક&nbsp; વિશે શું વિચારે છે. હવે પોતે મમતાએ તેના પર પોતાની પ્રતિક્રિયા આપી છે.</p><h2 style="text-align: justify; "><b>મૂળ ગીતમાં મમતા કુલકર્ણીની અદાઓએ જીતી લીધા હતા દિલ</b></h2><p style="text-align: justify; ">1995માં આવેલી સલમાન ખાન, શાહરુખ ખાન અને કાજોલની ફિલ્મ કરણ અર્જુનનું ગીત રાણાજી માફ કરના ખૂબ લોકપ્રિય થયું હતું. આ ગીતમાં મમતા કુલકર્ણીની અદાઓ અને તેમનો ડાન્સ આજે પણ લોકોમાં ખૂબ લોકપ્રિય છે. હવે આ જ ગીતને નવા અંદાજમાં રાણાજી 2.0 નામથી રજૂ કરવામાં આવ્યું છે, જેમાં માહિરા શર્મા જોવા મળી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>મમતા કુલકર્ણીએ આપ્યું પોતાનું મંતવ્ય</b></h3><p style="text-align: justify; ">માહિરા શર્માનું ગીત રાણા જી 2.0 સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે અને તેને મિશ્ર પ્રતિક્રિયાઓ મળી રહી છે. જોકે, મોટાભાગના લોકો તેની ટીકા કરતા જોવા મળ્યા અને કહ્યું કે ફરી એક લોકપ્રિય ગીતને બગાડી નાખવામાં આવ્યું છે. હવે આ રિમેક વિશે વાત કરતાં મમતા કુલકર્ણીએ કહ્યું, તેણે સારું કામ કર્યું છે. વાત એ છે કે તમે એક એવું ગીત જોઈ રહ્યા છો, જે ઘાઘરા-ચોળી અને ભારતીય નૃત્યની મુદ્રાઓ સાથે હતું, જેને હવે પશ્ચિમી સ્વરૂપ અને પશ્ચિમી પોશાકમાં બનાવવામાં આવ્યું છે. તેથી તે અલગ દેખાય છે. પરંતુ જૂનું ગીત લોકોના મનમાં વસેલું છે, એટલે તે તરત યાદ આવી જાય છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbXWAB6t45J/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbXWAB6t45J/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbXWAB6t45J/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbXWAB6t45J/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>આ રીતે થયું હતું મૂળ ગીતનું શૂટિંગ</b></h4><p style="text-align: justify; ">મૂળ ગીતના શૂટિંગને યાદ કરતાં મમતા કુલકર્ણીએ કહ્યું, રાણાજી ગીતના નૃત્ય દિગ્દર્શક ચિન્ની પ્રકાશ માસ્ટરજી હતા. રિહર્સલ 2-3 દિવસ માટે નક્કી કરવામાં આવી હતી. પરંતુ મેં પહેલા જ દિવસે ડાન્સના સ્ટેપ્સ યોગ્ય રીતે શીખી લીધા હતા. જ્યારે હું સેટ પર પહોંચી ત્યારે સ્ટેપ્સ બદલી દેવામાં આવ્યા હતા. મેં તેમને પૂછ્યું કે તેમણે સ્ટેપ્સ કેમ બદલ્યા. મને સમજાતું નહોતું કે પછી રિહર્સલનો અર્થ શું હતો, પરંતુ ચિન્ની પ્રકાશ માસ્ટરજી ખૂબ સારા હતા અને અમે સમયસર ગીતનું શૂટિંગ પૂરું કરી લીધું.</p><h5 style="text-align: justify; "><b>તે સમયે હું યુવાન અને નાદાન હતી</b></h5><p style="text-align: justify; ">બોલીવુડમાં પોતાની સફર વિશે વાત કરતાં મમતા કુલકર્ણીએ કહ્યું, મને અભિનયની ઓફર મળી રહી છે. જો મને એવી કોઈ પટકથા મળે, જેને લઈને હું ખરેખર ઉત્સાહિત હોઉં, તો હું તેમાં કામ કરવા માટે તૈયાર છું. જોકે, આજે હું મુઝકો રાણાજી માફ કરના જેવા ગીતને તેના શબ્દો સાથે કરી શકીશ નહીં. હવે હું આધ્યાત્મિક રીતે વધુ જાગૃત બની ગઈ છું. તેથી કેટલાક ગીતો મારા માટે યોગ્ય નથી. હવે ડાન્સ કરતાં ગીતોના શબ્દો પર વધુ ધ્યાન આપવું પડે છે. અગાઉ હું ગીતના શબ્દો વિશે ક્યારેય વિચારતી નહોતી, કારણ કે મારું વધુ ધ્યાન ડાન્સના સ્ટેપ્સને વધુ સારા બનાવવા પર રહેતું હતું. તે સમયે હું યુવાન અને નાદાન હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/tmkoc-sundarlal-highest-paid-actor" target="_blank">આ પણ વાંચો-TMKOC : જેઠાલાલ નહીં, સુંદરલાલ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સૌથી મોંઘા એક્ટર!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/W9Oeu0jw3pcLr2BYlTbYBRixAAwdeJ8MscsHuc3q.webp'/></item><item><title><![CDATA[Surat News : વરસાદી સંકટ વચ્ચે વહીવટી તંત્રની અપીલ, નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા તાકીદ ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/surat/surat-news-amidst-the-monsoon-crisis-the-administration-appeals-urging-people-in-low-lying-areas-to-move-to-safer-places</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/surat/surat-news-amidst-the-monsoon-crisis-the-administration-appeals-urging-people-in-low-lying-areas-to-move-to-safer-places</guid><pubDate>Thu, 30 Jul 2026 17:57:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની વર્તાયેલી આગાહીને પગલે વહીવટી તંત્ર પૂરેપૂરું એક્શન મોડમાં આવી ગયું છે. સ્થિતિની સમીક્ષા કરવા અને પૂર્વતૈયારીઓ માટે કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓની બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. પૂરની સંભાવના ધરાવતા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક અસરથી સુરક્ષિત સ્થળે ખસી જવા સત્તાવાર તાકીદ કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>પશુપાલકો માટે માર્ગદર્શિકા, દરિયાકાંઠે જવા પર સંપૂર્ણ પ્રતિબંધ</b></h2><p style="text-align: justify; ">નાગરિકો તથા પશુઓની સુરક્ષા માટે તંત્ર દ્વારા ખાસ સૂચનાઓ જારી કરવામાં આવી છે. પશુપાલકોને પોતાના પશુધનને બાંધી રાખવાને બદલે ખુલ્લા રાખવા જણાવવામાં આવ્યું છે, જેથી પૂરના પાણી આવે તો તેઓ પોતાનો બચાવ કરી શકે. આ ઉપરાંત, સુરક્ષાત્મક પગલાં રૂપે જિલ્લાના તમામ દરિયાકાંઠાના પ્રવાસન સ્થળો પર સહેલાણીઓ માટે જવા પર સંપૂર્ણ મનાઈ ફરમાવી દેવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>જળભરાવ વાળા રસ્તા એવોઇડ કરવા અને કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલ</b></h2><p style="text-align: justify; ">તંત્ર દ્વારા વાહનચાલકો અને સામાન્ય નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જે રસ્તાઓ પર પાણી ભરાયા હોય ત્યાંથી પસાર થવાનું ટાળવું, જેથી કોઈ અકસ્માત ન સર્જાય. કોઈપણ પ્રકારની ઈમરજન્સી કે મુશ્કેલીના સમયે મદદ મેળવવા માટે જિલ્લા વહીવટી તંત્રના ઈમરજન્સી કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવાયું છે. સમગ્ર સુરત જિલ્લામાં તંત્ર દ્વારા સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/panchmahal/panchmahal-news-special-instructions-issued-for-devotees-going-to-pavagadh-system-on-alert-mode-in-case-of-heavy-rain" target="_blank">Panchmahal News : પાવાગઢ જતા શ્રદ્ધાળુઓ માટે ખાસ સૂચના જાહેર, ભારે વરસાદની સ્થિતિમાં તંત્ર એલર્ટ મોડ પર</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/q18wh5KRk6jUGKMoXclq7TiFUrFORVKWZB8YivzF.webp'/></item><item><title><![CDATA[Bharuch Rain Update: ભારે વરસાદનું રેડ એલર્ટ, કલેક્ટરના આદેશથી શાળાઓ, કોલેજો અને ITI માં રજા જાહેર ]]></title><link>https://sandesh.com/weather/monsoon-2026/news/bharuch/heavy-rain-red-alert-schools-colleges-iti-closed-ndrf-sdrf</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/monsoon-2026/news/bharuch/heavy-rain-red-alert-schools-colleges-iti-closed-ndrf-sdrf</guid><pubDate>Thu, 30 Jul 2026 17:39:49 +05:30</pubDate><description><![CDATA[<p>ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદની આ ગંભીર ચેતવણીને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની સુરક્ષા અને સ્વાસ્થ્યના હિતમાં ભરૂચ જિલ્લા વહીવટી તંત્રે મોટો નિર્ણય લીધો છે. ભરૂચ જિલ્લા કલેક્ટરના સ્પષ્ટ આદેશ બાદ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા સત્તાવાર પરિપત્ર બહાર પાડીને 30 જુલાઈના રોજ ભરૂચ જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક શાળાઓ, કોલેજો તેમજ ITI માં શૈક્ષણિક કાર્ય બંધ રાખી રજા જાહેર કરવામાં આવી છે.</p><h2><b>જિલ્લા વહીવટી તંત્ર પૂરજોશમાં સજ્જ</b></h2><p>ભારે વરસાદની સંભાવનાને પગલે ભરૂચ જિલ્લાનું સરકારી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડમાં આવી ગયું છે. નિચાણવાળા વિસ્તારો અને પાણી ભરાવાની શક્યતા ધરાવતા વિસ્તારો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.</p><p><img alt="Bharuch Rain Update: Heavy Rain Red Alert: Schools, Colleges &amp; ITI Closed" src="https://epapercdn.sandesh.com/images/2026/07/30/TlFQMQkkjPlm9heZNNorGJphSlF5A4HZtXzJI6C7.webp"><br></p><p> </p><p>કંટ્રોલ રૂમ દ્વારા તમામ તાલુકાઓના પળેપળના અહેવાલો મેળવવામાં આવી રહ્યા છે, જેથી કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક પગલાં ભરી શકાય.</p><h2><b>NDRF અને SDRF ની ટીમો તૈનાત</b></h2><p>કોઈપણ અણધારી આફત કે બચાવ કામગીરી માટે NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) અને SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. </p><p><img alt="Bharuch Rain Update: Heavy Rain Red Alert: Schools, Colleges &amp; ITI Closed" src="https://epapercdn.sandesh.com/images/2026/07/30/mjmiXn8ecoDGpLeJttuCji2rAdV6xfgFQjvBI84z.webp"><br></p><p>તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા, નદી, નાળાં કે લો-લેવલ પુલ પાસે ન જવા અને સરકારી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/bharuch-news-a-young-man-originally-from-bihar-committed-suicide-by-hanging-himself-from-a-tree-on-the-outskirts-of-bhadkodra-ankleshwar" target="_blank">Bharuch News: અંકલેશ્વરના ભડકોદ્રાની સીમમાં મૂળ બિહારના યુવકે વૃક્ષ સાથે ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/780hx06NIyTr7fKYzLm5HbIEUjFGtaeD3CnSJxid.webp'/></item><item><title><![CDATA[Indian Hockey Team : વાદળીમાંથી કેસરી થઈ હોકી ટીમની જર્સી, હોકી ઈન્ડિયાએ આપ્યો જવાબ! ]]></title><link>https://sandesh.com/sports/news/indian-hockey-team-saffron-jersey-change</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/indian-hockey-team-saffron-jersey-change</guid><pubDate>Thu, 30 Jul 2026 14:17:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય પુરુષ અને મહિલા હોકી ટીમો આગામી મહિને નેધરલેન્ડ્સ અને બેલ્જિયમમાં યોજાનારા FIH વિશ્વ કપમાં પરંપરાગત વાદળી જર્સી નહીં, પરંતુ કેસરી રંગની જર્સી પહેરશે. આ નિર્ણયને લઈને ચર્ચા ચાલી રહી છે. હવે હોકી ઈન્ડિયાએ આ નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું છે કે આખરે જર્સીનો રંગ બદલવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો.</p><h2 style="text-align: justify; "><b>સપોર્ટ સ્ટાફ અને ખેલાડીઓની સલાહ બાદ લેવાયો નિર્ણય</b></h2><p style="text-align: justify; ">હોકી ઈન્ડિયાએ આ અંગે જણાવ્યું, અમે તમને જણાવવા માગીએ છીએ કે જર્સીનો રંગ બદલવાનો નિર્ણય સપોર્ટ સ્ટાફ અને ખેલાડીઓની સલાહ તેમજ તેમની સાથે થયેલી વિગતવાર વાતચીતના આધારે લેવામાં આવ્યો હતો. તેનું મુખ્ય કારણ ટેક્નિકલ હતું. એવું જોવા મળ્યું હતું કે વાદળી રંગની પ્લેઇંગ યુનિફોર્મ વાદળી સિન્થેટિક પ્લેઇંગ સપાટી સાથે ભળી જતી હતી. આ સપાટી હવે આંતરરાષ્ટ્રીય હોકી મેદાનોનો રંગ છે. બંનેનો રંગ એકસરખો દેખાતો હોવાથી ખેલાડીઓને મેદાન પર સ્પષ્ટ રીતે જોવામાં મુશ્કેલી પડતી હતી.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/TheHockeyIndia/status/2081644738240024713"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3 style="text-align: justify; "><b>કેસરી રંગ પસંદ કરવા પાછળનું કારણ</b></h3><p style="text-align: justify; ">હોકી ઈન્ડિયાએ આગળ જણાવ્યું, આ બાબતને ધ્યાનમાં રાખીને કોચ અને ખેલાડીઓએ પીળા અથવા કેસરી જેવા અન્ય રંગોનું સૂચન કર્યું હતું. સારી રીતે વિચારી કર્યા બાદ કેસરી રંગને અંતિમ પસંદગી કરવામાં આવી. ટેક્નિકલ જરૂરિયાત પૂરી કરવા ઉપરાંત, કેસરી રંગનું ઊંડું મહત્વ પણ છે, કારણ કે તે આપણા રાષ્ટ્રીય ધ્વજના રંગોમાંથી એક છે, જે સાહસ, ત્યાગ અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે.</p><h3 style="text-align: justify; "><b>ભારતીય હોકીમાં જર્સીનો રંગ બદલવો નવી વાત નથી</b></h3><p style="text-align: justify; ">એ વાત પણ ધ્યાનમાં લઈ શકાય કે ભારતીય હોકીમાં જર્સીનો રંગ બદલવો કોઈ નવી વાત નથી. સમયાંતરે જરૂરિયાત અને અન્ય કારણોસર રાષ્ટ્રીય ટીમની પ્લેઇંગ કિટનો રંગ બદલવામાં આવતો રહ્યો છે.</p><h4 style="text-align: justify; "><b>2014 અને 2018માં પણ બદલાયો હતો જર્સીનો રંગ</b></h4><p style="text-align: justify; ">ઉદાહરણ તરીકે, 2014 FIH હોકી વિશ્વ કપ દરમિયાન ટીમની જર્સીનો રંગ પીળો કરવામાં આવ્યો હતો અને 2018 FIH હોકી વિશ્વ કપ દરમિયાન રંગ બદલીને આસમાની વાદળી કરવામાં આવ્યો હતો. તે સમયે જર્સીની ડિઝાઇન પણ સંપૂર્ણપણે અલગ હતી. કેસરી રંગમાં કરવામાં આવેલો આ ફેરફાર કોચ અને ખેલાડીઓ પાસેથી મળેલા ટેક્નિકલ પ્રતિસાદ તેમજ રાષ્ટ્રીય ધ્વજનો ભાગ હોવાના કારણે કેસરી રંગના પ્રતીકાત્મક મહત્વને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.</p><h4 style="text-align: justify; "><b>હોકી ઈન્ડિયાની નવી જર્સીમાં શું ખાસ છે?</b></h4><p style="text-align: justify; ">કેસરી રંગ: પરંપરાગત વાદળી જર્સીની જગ્યાએ હવે કેસરી રંગની જર્સી હશે. હોકી ઈન્ડિયાનું કહેવું છે કે આ રંગ સાહસ, ત્યાગ અને જીતનું પ્રતીક છે અને તે ભારતીય રાષ્ટ્રીય ધ્વજ તથા ઉગતા સૂર્યથી પ્રેરિત છે.</p><ul><li style="text-align: justify;"><b>એક ભારત, શ્રેષ્ઠ ભારત થીમ: </b>નવી જર્સીની ડિઝાઇનનો હેતુ એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવના દર્શાવવાનો અને રાષ્ટ્રીય ગૌરવને ઉજાગર કરવાનો છે.</li><li style="text-align: justify;"><b>મંડલા પ્રેરિત પેટર્ન: </b>જર્સીમાં મંડલા શૈલીના ગ્રાફિક્સ છે, જે ભારતના સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરે છે.</li><li style="text-align: justify;"><b>અશોક ચક્રના તત્વો: </b>ઘેરા નેવી-બ્લૂ રંગના ભાગો અશોક ચક્રથી પ્રેરિત છે, જે પ્રગતિ, શાંતિ અને એકાગ્રતાનું પ્રતિનિધિત્વ કરે છે.</li><li style="text-align: justify;"><b>સુદર્શન ચક્ર ગ્રાફિક: </b>છાતી પર સુદર્શન ચક્રનું આધુનિક સ્વરૂપ બનાવવામાં આવ્યું છે, જે શક્તિ, એકતા અને ગતિનું પ્રતીક છે.</li><li style="text-align: justify;"><b>તિરંગાની ડિટેલિંગ: </b>ખભા અને કિનારીઓ પર તિરંગા રંગની પાઇપિંગ આપવામાં આવી છે, જે રાષ્ટ્રીય ઓળખ અને ગૌરવને વધુ મજબૂત બનાવે છે.</li><li style="text-align: justify;"><b>સ્ટાઇલિશ INDIA બ્રાન્ડિંગ: </b>દેશની ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતાની ઉજવણી કરવા માટે INDIAને દેવનાગરીથી પ્રેરિત સ્ટાઇલિશ ડિઝાઇનમાં લખવામાં આવ્યું છે.</li><li style="text-align: justify;"><b>વૈકલ્પિક સફેદ કિટ:</b> કેસરી જર્સી ઉપરાંત ભારતીય ટીમો પાસે સફેદ જર્સી પણ હશે, જેમાં આ જ ડિઝાઇન તત્વોનો સમાવેશ કરવામાં આવ્યો છે.</li></ul><p style="text-align: justify; "><a href="https://sandesh.com/world/news/tech/us-ban-chinese-humanoid-robots-trump" target="_blank">આ પણ વાંચો-Americaમાં હ્યુમનોઇડ રોબોટ્સની એન્ટ્રી પર બેન, ડોનાલ્ડ ટ્રમ્પને હેકિંગનો ડર કે ચીન પર ભરોસો નહીં?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/Y0NAmbSPfG8N6PiVvh0X0R4g0Lmw3rqaA5IacVOM.webp'/></item></channel></rss>