<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Supaul Madrasa Food Poisoning: મદરેસામાં ફૂડ પોઇઝનિંગથી 4 વિદ્યાર્થીનીઓની તબિયત લથડી, એક વિદ્યાર્થીનીનું મોત ]]></title><link>https://sandesh.com/india/news/supaul-madrasa-food-poisoning-girl-dies</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/supaul-madrasa-food-poisoning-girl-dies</guid><pubDate>Tue, 08 Sep 2026 15:50:33 +05:30</pubDate><description><![CDATA[<p>Supaul Madrasa Food Poisoning: બિહાર (Bihar)ના સુપૌલ (Supaul)માં એક ખાનગી મદરેસામાં રાત્રે જમ્યા બાદ 4 વિદ્યાર્થીનીઓને ફૂડ પોઇઝનિંગ (Food Poisoning) થયું હતુ. આ ઘટનામાં એક 10 વર્ષની વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે. આ ઘટના બસબિટ્ટી રોડ પર નગર પરિષદના વોર્ડ નંબર-19માં આવેલી એક ખાનગી મદરેસા (Madrasa)માં બની હતી. 7 સપ્ટેમ્બરની રાત્રે જમ્યા બાદ 4 વિદ્યાર્થીનીઓની અચાનક તબિયત બગડી હતી. તમામને શહેરની ખાનગી ક્લિનિકમાં દાખલ કરવામાં આવી હતી. જો કે સારવાર દરમિયાન મંગળવારે એક વિદ્યાર્થીનીનું મોત થયું છે, જ્યારે અન્ય વિદ્યાર્થીનીઓની અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.</p><h2><b>2 વર્ષથી ચાલી રહી છે મદરેસા</b></h2><p>મૃતક વિદ્યાર્થીનીની ઓળખ નેમુઆ ગામના કમર આલમની 10 વર્ષની દીકરી અલફિશા તરીકે થઈ છે. અલફિશા છેલ્લા લગભગ દોઢથી 2 વર્ષથી આ જ મદરેસામાં રહીને અભ્યાસ કરતી હતી. મદરેસા સંચાલકના જણાવ્યા પ્રમાણે અહીં લગભગ 60-65 વિદ્યાર્થીનીઓ રહેવાની સુવિધા સાથે અભ્યાસ કરે છે. આ મદરેસા છેલ્લા 2 વર્ષથી ચાલી રહી છે.</p><h2><b>જમ્યા બાદ તબિયત બગડી</b></h2><p>મદરેસાના સંચાલક ખલીલ રહેમાને જણાવ્યું હતું કે ગત સોમવારે અલફિશાની માતા પોતાની દીકરીને મળવા આવી હતી. તેઓ દીકરી માટે મીઠાઈ અને સમોસા લઈને આવ્યા હતા અને ત્યારબાદ પરત જતા રહ્યા હતા. તે જ રાત્રે જમ્યા બાદ 4 વિદ્યાર્થીનીઓની અચાનક તબિયત બગડી હતી.</p><p>બીમાર પડેલી વિદ્યાર્થીનીઓમાં અલફિશા ઉપરાંત આફિયા, સહાના ખાતૂન અને હલીમા સાદિયા સામેલ છે. તમામને તાત્કાલિક ખાનગી ક્લિનિકમાં લઈ જવામાં આવી હતી. સારવાર દરમિયાન અલફિશાની તબિયત વધુ બગડી અને તેનું મોત થયું.</p><h2><b>પરિવારે પોસ્ટમોર્ટમ કરાવવાનો ઇનકાર કર્યો</b></h2><p>ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ મદરેસા પહોંચી હતી. તપાસ કરવામાં આવી અને મદરેસાના સંચાલક સહિત અન્ય લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. બીજી તરફ, પરિવારે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાનો ઇનકાર કર્યો છે.</p><p>સદર એસડીએમ મનોહર કુમાર સાહે જણાવ્યું હતું કે માહિતી મળ્યા બાદ તેઓ એસડીપીઓ અને પોલીસ સ્ટેશનના અધિકારી સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે એક વિદ્યાર્થીનીના મોતની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે અન્ય 2-3 વિદ્યાર્થીનીઓની અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.</p><p>ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીએમ સાવન કુમારના નિર્દેશ પર જિલ્લા શિક્ષણ કચેરીની ટીમે પણ મદરેસાની તપાસ કરી હતી. અધિકારીઓએ સંસ્થાનું સંચાલન, ઉપલબ્ધ સુવિધાઓ, વિદ્યાર્થીનીઓના રહેવાની વ્યવસ્થા અને સંબંધિત દસ્તાવેજોની માહિતી મેળવી હતી. વિદ્યાર્થીનીઓને રહેણાંક સુવિધા સાથે રાખવાની મંજૂરી સંસ્થાને મળી છે કે નહીં અને નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં, તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.</p><p>સદર એસડીઓના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક તપાસમાં મામલો ફૂડ પોઇઝનિંગ સાથે જોડાયેલો હોવાનું જણાય છે, પરંતુ વિદ્યાર્થીનીઓની તબિયત બગડવાનું સાચું કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.</p><h2><b>એસપીએ શું કહ્યું?</b></h2><p>એસપી શરથ આરએસે જણાવ્યું કે બસબિટ્ટી રોડ પર આવેલી મદરેસામાં એક બાળકીના મોત અને અન્ય ઘણી બાળકીની તબિયત બગડવાની માહિતી પોલીસને મળી હતી. ડોક્ટરો સાથે વાતચીત અને તપાસ બાદ જ ઘટનાનું સાચું કારણ સામે આવશે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/PRtMWyYAsr5F0R26UHBhBPD3WJQ5CkOI68i47lwU.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : 60 ટકા આંગણવાડીઓ ભાડાના મકાનમાં, કોર્પોરેશનના કરોડોના બજેટ વચ્ચે ચોંકાવનારી હકીકત ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-60-percent-anganwadi-rented-buildings-amc-budget</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-60-percent-anganwadi-rented-buildings-amc-budget</guid><pubDate>Tue, 08 Sep 2026 15:48:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદમાં આંગણવાડીઓને લઈને ચોંકાવનારી વિગતો સામે આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 2,128 આંગણવાડીઓ ચલાવવામાં આવી રહી છે. જોકે, આમાંથી 1,295 આંગણવાડીઓ ભાડાના મકાનમાં કાર્યરત હોવાનું સામે આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>60 ટકા આંગણવાડીઓ આજે પણ ભાડાના મકાનમાં</b></h2><p style="text-align: justify; ">એટલે કે, અમદાવાદ શહેરની લગભગ 60 ટકા આંગણવાડીઓ આજે પણ ભાડાના મકાનમાં ચાલી રહી છે. કરોડો રૂપિયાનું વાર્ષિક બજેટ ધરાવતા કોર્પોરેશન સામે હવે આ મુદ્દે સવાલો ઊભા થયા છે.</p><h3 style="text-align: justify; "><b>દર મહિને ભાડા પાછળ કેટલો ખર્ચ થાય છે?</b></h3><p style="text-align: justify; ">અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડીઓ માટે દર મહિને અંદાજે 8 હજારથી 14 હજાર રૂપિયા સુધીનું ભાડું ચૂકવવામાં આવી રહ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>યોજન પર પણ પ્રશ્નો ઊભા થયા</b></h3><p style="text-align: justify; ">એક તરફ શહેરમાં મોટી સંખ્યામાં આંગણવાડીઓ માટે દર મહિને ભાડાનો ખર્ચ થઈ રહ્યો છે, ત્યારે વર્ષો સુધી આ ખર્ચ ચાલુ રાખવા પાછળના આયોજન પર પણ પ્રશ્નો ઊભા થયા છે.</p><h4 style="text-align: justify; "><b>પોતાની જમીન છતાં કાયમી મકાનો કેમ નહીં?</b></h4><p style="text-align: justify; ">અમદાવાદમાં કુલ 2,128 આંગણવાડીઓમાંથી માત્ર 603 આંગણવાડીઓ જ કોર્પોરેશનના પોતાના મકાનમાં કાર્યરત છે. જ્યારે 1,295 આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચાલી રહી છે. આ સ્થિતિ વચ્ચે મોટો સવાલ એ ઊભો થયો છે કે, જો કોર્પોરેશન વર્ષોથી આંગણવાડીઓના ભાડા પાછળ મોટી રકમ ખર્ચી રહ્યું છે તો કોર્પોરેશનની પોતાની જમીન પર કાયમી આંગણવાડીઓનું નિર્માણ કેમ કરવામાં આવતું નથી?</p><h4 style="text-align: justify; "><b>હવે ખાલી પ્લોટોની યાદી મંગાવાઈ</b></h4><p style="text-align: justify; ">આ મુદ્દે મહિલા અને બાળ વિકાસ કમિટીના ચેરમેન દ્વારા મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ, કોર્પોરેશનના ખાલી પ્લોટ પર આંગણવાડીઓ બનાવવા માટે તંત્ર પાસેથી ખાલી પ્લોટોની યાદી મંગાવવામાં આવી છે. હવે તંત્ર દ્વારા ખાલી જમીનોની યાદી મળ્યા બાદ કોર્પોરેશનની પોતાની જમીન પર નવી અને કાયમી આંગણવાડીઓ બનાવવાની પ્રક્રિયા આગળ વધે છે કે નહીં, તેના પર નજર રહેશે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-gujarat-drowning-deaths-1999-river-lake-check-dam-water-safety#google_vignette" target="_blank"><b>Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/cJGyLvU8KxdywtK75WBAjO3g2qt0PZ3tWfMXsNyt.webp'/></item><item><title><![CDATA[Gen Z Effect: ભારતની Gen Z બદલશે બજારની દિશા, ખર્ચથી લઈને રોકાણ સુધી મોટો બદલાવ ]]></title><link>https://sandesh.com/business/news/gen-z-spending-in-india-consumption-investment-lifestyle-trends</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/gen-z-spending-in-india-consumption-investment-lifestyle-trends</guid><pubDate>Tue, 08 Sep 2026 15:36:09 +05:30</pubDate><description><![CDATA[<p>Gen Z: ભારતીય અર્થવ્યવસ્થામાં ‘જેન-ઝેડ’ (Gen Z) એટલે કે 1997થી 2012 વચ્ચે જન્મેલા યુવાનો હવે માત્ર વસ્તીનો એક આંકડો રહ્યા નથી. તેઓ દેશના કન્ઝ્યુમર માર્કેટને અસર કરતી મોટી તાકાત બની રહ્યા છે. ભારતીય યુવાનોના ખર્ચ અને બચત કરવાની રીતમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. અગાઉની પેઢીઓ એટલે કે મિલેનિયલ્સ અને Gen X પોતાની આવકનો મોટો હિસ્સો ફિક્સ્ડ ડિપોઝિટ (FD), રિયલ એસ્ટેટ અને સોનામાં રોકાણ કરતી હતી.</p><p><b>લાઇફસ્ટાઇલ પર ખર્ચ કરવાનો ટ્રેન્ડ વધ્યો</b></p><p>Gen Zમાં ‘You Only Live Once’ એટલે કે ‘જીવન એક જ વાર મળે છે’ જેવી વિચારસરણી જોવા મળે છે. આ કારણે તેઓ સારા અને પ્રીમિયમ અનુભવ, સ્કિનકેર, રોજિંદા ઉપયોગની હળવી જ્વેલરી અને BMW જેવી એન્ટ્રી-લેવલ લક્ઝરી કાર તરફ આકર્ષાઈ રહ્યા છે. જોકે, તેનો અર્થ એવો નથી કે Gen Z બચત કરતી નથી. આ પેઢીએ બચત અને રોકાણની રીત બદલી છે. તેઓ પરંપરાગત બેંક ખાતા કરતાં મ્યુચ્યુઅલ ફંડ SIP, ડિજિટલ ગોલ્ડ અને માઇક્રો-ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ તરફ વધુ આગળ વધી રહ્યા છે.</p><p><b>37.7 કરોડ Gen Zનો ખર્ચ કેટલો?</b></p><p>Boston Consulting Group (BCG) અને Snap Inc.ના સંયુક્ત રિપોર્ટ પ્રમાણે ભારતમાં 1997થી 2012 વચ્ચે જન્મેલા લગભગ 37.7 કરોડ Gen Z લોકો છે. આ લોકો દેશના કુલ વપરાશના ખર્ચમાંથી લગભગ 43 ટકા હિસ્સો ખર્ચે છે. ભારતનો કુલ કન્ઝમ્પશન ખર્ચ લગભગ 860 બિલિયન ડોલર ગણવામાં આવે છે, એટલે Gen Zનો હિસ્સો આશરે 370 બિલિયન ડોલર થાય છે.</p><p><b>2035 સુધી ખર્ચમાં મોટો ઉછાળો આવવાની શક્યતા</b></p><p>અંદાજ પ્રમાણે 2035 સુધીમાં Gen Zનો ખર્ચ બમણાથી પણ વધુ વધીને લગભગ 2 ટ્રિલિયન ડોલર થઈ શકે છે. તે સમયે ભારતનો કુલ કન્ઝમ્પશન ખર્ચ આશરે 3.9 ટ્રિલિયન ડોલર રહેવાનો અંદાજ છે. એટલે Gen Zનો ખર્ચ દેશના કુલ વપરાશ ખર્ચના લગભગ અડધા જેટલો થઈ શકે છે.</p><p><b>Gen Z શું ખરીદે છે તે વધુ મહત્વનું</b></p><p>આ પેઢી કેટલો ખર્ચ કરે છે તેના કરતાં તેઓ કઈ વસ્તુઓ પર ખર્ચ કરે છે તે વધુ મહત્વનું છે. તેઓ કઈ રીતે રોકાણ કરે છે, કાર ખરીદવા માટે લોન લે છે, જ્વેલરી પસંદ કરે છે અને કઈ બ્રાન્ડ તરફ આકર્ષાય છે તે બાબતો હવે કંપનીઓની વ્યૂહરચનાને પણ બદલી રહી છે. અગાઉ મિલેનિયલ્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવતી માર્કેટિંગ સ્ટ્રેટેજી હવે Gen Zને ધ્યાનમાં રાખીને બદલાઈ રહી છે.</p><p><b>ભારતની Gen Z વસ્તી અમેરિકાથી પણ મોટી</b></p><p>BCG-Snapના રિપોર્ટ પ્રમાણે ભારતમાં Gen Zની વસ્તી અમેરિકાની કુલ વસ્તી કરતાં પણ વધુ છે. હાલમાં Gen Zના દર ચારમાંથી માત્ર એક વ્યક્તિ કામ કરે છે. જોકે, 2030 સુધીમાં કામ કરતા Gen Z લોકોનો હિસ્સો 36 ટકા અને 2035 સુધીમાં 47 ટકા થવાની ધારણા છે.</p><p><b>હાલ Gen Zના ખર્ચમાં પરિવારની મોટી ભૂમિકા</b></p><p>Gen Zની વસ્તી મોટી હોવા છતાં હાલમાં તેમની આવકની ક્ષમતા હજુ ઓછી છે. તેથી હાલમાં તેઓ જે 860 બિલિયન ડોલર જેટલો ખર્ચ કરે છે, તેમાં લગભગ 660 બિલિયન ડોલર સીધા તેમનાં પોતાના પૈસા નથી. આને ‘ઇન્ફ્લુએન્સ્ડ સ્પેન્ડિંગ’ કહી શકાય. એટલે કે પરિવાર પર નિર્ભર Gen Z વ્યક્તિ કોઈ ચોક્કસ બ્રાન્ડ કે એપ પસંદ કરે છે અને તેનો ખર્ચ માતા-પિતા કરે છે.</p><p><b>આવક વધશે તેમ ખર્ચની જવાબદારી પણ બદલાશે</b></p><p>2035 સુધીમાં Gen Zના વધુ લોકો નોકરી અને કમાણી કરવા લાગશે. ત્યારબાદ સ્થિતિ ઘણી બદલાઈ શકે છે. અંદાજ પ્રમાણે 2035 સુધીમાં Gen Zના લગભગ 93 ટકા ખર્ચ તેમની પોતાની કમાણીમાંથી થઈ શકે છે. એટલે આવનારા વર્ષોમાં તેમની ખરીદશક્તિ વધુ મજબૂત બનવાની શક્યતા છે.</p><p><b>દેશમાં Gen Zની વસ્તી લગભગ 40 કરોડ</b></p><p>Kotak Mutual Fundના ‘Gen Z Effect on Consumption’ બ્લોગના અંદાજ પ્રમાણે ભારતમાં Gen Zની વસ્તી લગભગ 40 કરોડ છે, જે દેશની કુલ વસ્તીના આશરે 28 ટકા જેટલી છે. 2029 સુધીમાં ભારતની અડધાથી વધુ વસ્તી Gen Z અથવા Gen Alpha કેટેગરીમાં હોઈ શકે છે.</p><p><b>આવક વધતા પ્રીમિયમ વસ્તુઓની માંગ વધી શકે</b></p><p>આ જ રિપોર્ટ પ્રમાણે ભારતમાં 40 ટકાથી વધુ પરિવારો ‘અપર મિડલ ક્લાસ’ અથવા તેનાથી ઉપરની કેટેગરીમાં આવી શકે છે. અહીં અપર મિડલ ક્લાસનો અર્થ એવો પરિવાર છે, જેની વાર્ષિક ઘરેલુ આવક 9,600 ડોલરથી વધુ હોય. આવક વધવાથી પરિવારોનો ખર્ચ માત્ર ખાવા-પીવાની વસ્તુઓ પૂરતો સીમિત રહેતો નથી, પરંતુ ટ્રાન્સપોર્ટ, ગેજેટ્સ અને અન્ય લાંબા સમય સુધી ચાલતી વસ્તુઓ પર પણ વધી રહ્યો છે.</p><p><b>પરિવારના બજેટમાં ટ્રાન્સપોર્ટ અને ડ્યુરેબલ્સનો હિસ્સો વધ્યો</b></p><p>શહેરી પરિવારોના માસિક ખર્ચમાં ટ્રાન્સપોર્ટનો હિસ્સો 2011-12માં 6.52 ટકા હતો, જે વધીને 8.46 ટકા થયો છે. તેવી જ રીતે લાંબા સમય સુધી ચાલતી વસ્તુઓ એટલે કે ડ્યુરેબલ ગુડ્સનો હિસ્સો 5.60 ટકાથી વધીને 6.87 ટકા થયો છે.</p><p><b>દરેક બદલાવ માટે માત્ર Gen Zને જવાબદાર ન ગણાય</b></p><p>Deloitteના પાર્ટનર અને સાઉથ એશિયામાં કન્ઝ્યુમર ઇન્ડસ્ટ્રી લીડર આનંદ રામનાથનનું માનવું છે કે ભારતના કન્ઝમ્પશન માર્કેટમાં Gen Z મહત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ દેશના કુલ ખર્ચમાં થયેલા વધારા માટે માત્ર Gen Zને જ જવાબદાર ગણવું યોગ્ય નથી.</p><p><b>શહેરીકરણ પણ વધતા ખર્ચનું મોટું કારણ</b></p><p>રામનાથન Gen Zને ભારતના કન્ઝમ્પશન માર્કેટમાં થઈ રહેલા મોટા બદલાવને ઝડપી બનાવતી એક શક્તિ તરીકે જુએ છે. તેમના મતે ભારતની ઝડપથી વધતી શહેરી વસ્તી પણ આ બદલાવનું મોટું કારણ છે. 2030 સુધીમાં ભારતની શહેરી વસ્તી લગભગ 60 કરોડ સુધી પહોંચવાની ધારણા છે.</p><p><b>વધતી આવકથી સમગ્ર પરિવારની ખરીદશક્તિ વધી</b></p><p>BCGની કનિકા સાંઘી પણ માને છે કે ખાવા-પીવા સિવાયની વસ્તુઓ પર ખર્ચ કરવાનો ટ્રેન્ડ માત્ર Gen Z પૂરતો સીમિત નથી. પરિવારોની આવક વધવાથી લોકો લાઇફસ્ટાઇલ, મનોરંજન, મુસાફરી અને અન્ય કેટેગરી પર વધુ ખર્ચ કરી રહ્યા છે. એટલે આ એક સામાન્ય અને વ્યાપક ટ્રેન્ડ છે.</p><p><b>ફૂટવેરથી લઈને OTT સુધી Gen Zનો મોટો પ્રભાવ</b></p><p>Gen Zનો પ્રભાવ તેમની ખરીદીમાં સૌથી સ્પષ્ટ જોવા મળે છે. BCG-Snapના રિપોર્ટ પ્રમાણે ભારતમાં ફૂટવેર, બહાર ખાવા-પીવા, ઘરની બહાર મનોરંજન, મુસાફરી, OTT સબ્સ્ક્રિપ્શન અને ફેશન જેવી કેટેગરીમાં થનારા દરેક 1 રૂપિયાના ખર્ચમાંથી લગભગ 50 પૈસા સીધા Gen Z ખરીદદારો કરે છે અથવા તેમની પસંદગીથી પ્રભાવિત થાય છે.</p><p><b>બ્યુટી માર્કેટમાં પણ યુવાનોનો હિસ્સો વધશે</b></p><p>Gen Zના કુલ ખર્ચમાં હાલમાં બ્યુટીનો હિસ્સો 44 ટકા છે. જોકે, બ્યુટી અને પર્સનલ કેર માર્કેટ ઝડપથી વધી રહ્યું છે. Redseerની ‘India BPC 2030: Growth, Shifts and Opportunities’ રિપોર્ટ પ્રમાણે 2030 સુધીમાં ભારતનું બ્યુટી અને પર્સનલ કેર માર્કેટ લગભગ બમણું થઈને 40 બિલિયન ડોલર સુધી પહોંચી શકે છે.</p><p><b>ક્વિક કોમર્સથી બ્યુટી પ્રોડક્ટની ખરીદી વધવાની શક્યતા</b></p><p>હાલમાં ઓનલાઈન બ્યુટી સેલ્સમાં ક્વિક કોમર્સનો હિસ્સો લગભગ 15 ટકા છે. 2030 સુધીમાં આ હિસ્સો વધીને લગભગ 40 ટકા થવાની ધારણા છે. Redseerના અંદાજ પ્રમાણે 2030 સુધીમાં ભારતમાં બ્યુટી પર થતા કુલ ખર્ચનો લગભગ અડધો હિસ્સો Gen Z અને Gen Alpha દ્વારા થઈ શકે છે.</p><p><b>યુવાનો હવે નાની ઉંમરે રોકાણ શરૂ કરી રહ્યા છે</b></p><p>ભારતમાં શેરબજારના રોકાણકારોની ઉંમરમાં પણ મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. IBEF દ્વારા રજૂ કરવામાં આવેલા RBIના ડેટા પ્રમાણે માર્ચ 2019માં 30 વર્ષથી ઓછી ઉંમરના સ્ટોક માર્કેટ રોકાણકારોનો હિસ્સો 22.6 ટકા હતો. જુલાઈ 2025 સુધીમાં આ હિસ્સો વધીને 38.9 ટકા થયો છે.</p><p><b>રોકાણકારોની સરેરાશ ઉંમર પણ ઘટી</b></p><p>યુવાનોની વધતી ભાગીદારીને કારણે રોકાણકારોની સરેરાશ ઉંમર 38 વર્ષથી ઘટીને 33 વર્ષ થઈ છે. IBEFના જણાવ્યા પ્રમાણે મિલેનિયલ્સ અને Gen Z મળીને ભારતની મ્યુચ્યુઅલ ફંડ એसेટ્સમાં લગભગ 48 ટકા હિસ્સો ધરાવે છે. તે સમયે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની કુલ Assets Under Management લગભગ ₹75.35 લાખ કરોડ એટલે કે 862.64 બિલિયન ડોલર હતી.</p><p><b>નવા રોકાણકારોમાં યુવાનોનો દબદબો</b></p><p>Kotak Securitiesના MD અને CEO શ્રીપાલ શાહે NSEના જુલાઈ 2026ના ‘Market Pulse’નો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે 30 વર્ષથી ઓછી ઉંમરના રોકાણકારો નવા રજિસ્ટ્રેશનમાં 59 ટકા હિસ્સો ધરાવે છે. નાણાકીય વર્ષ 2020માં આ હિસ્સો 52 ટકા હતો.</p><p><b>Gen Z ઝડપથી નિર્ણય લેતી પેઢી</b></p><p>શ્રીપાલ શાહના જણાવ્યા પ્રમાણે Gen Z પોતાના કામ પોતે કરવાની એટલે કે DIY માનસિકતા ધરાવે છે. તેમની પાસે અગાઉની પેઢીની સરખામણીએ વધુ જોખમ લેવાની ક્ષમતા છે અને તેઓ ઝડપથી નિર્ણય લે છે. કોઈ નિર્ણય માટે દિવસો સુધી વિચારવાને બદલે તેઓ મિનિટોમાં નિર્ણય લેવાનું પસંદ કરે છે.</p><p><b>ઝડપી રોકાણ સાથે નિર્ણયની ગુણવત્તા પણ મહત્વની</b></p><p>યુવાનો માટે હવે બજાર સુધી પહોંચવું મોટી મુશ્કેલી નથી. મોબાઇલ અને ડિજિટલ પ્લેટફોર્મના કારણે રોકાણ કરવું સરળ બન્યું છે. હવે મોટો પડકાર એ છે કે ઝડપથી લેવાતા રોકાણના નિર્ણયો કેટલા યોગ્ય અને સમજદારીભર્યા છે.</p><p><b>Gen Z ક્રેડિટનો પણ ઝડપથી ઉપયોગ કરી રહી છે</b></p><p>TransUnion CIBILની માર્ચ 2025માં જાહેર થયેલી રિપોર્ટ પ્રમાણે 2024માં ભારતમાં પ્રથમ વખત ક્રેડિટ લેનારા લોકોમાં Gen Zનો હિસ્સો 41 ટકા હતો. આ હિસ્સો અન્ય તમામ પેઢીઓ કરતાં વધારે હતો. એટલે યુવાનો માત્ર રોકાણ જ નહીં, પરંતુ ક્રેડિટ અને લોનનો પણ ઝડપથી ઉપયોગ કરી રહ્યા છે.</p><p><b>જ્વેલરીમાં પણ યુવાનોની પસંદગી બદલાઈ</b></p><p>જ્વેલરી લાંબા સમયથી લગ્ન અને ખાસ પ્રસંગો સાથે જોડાયેલી રહી છે. પરંતુ હવે યુવાનોની પસંદગીમાં બદલાવ જોવા મળી રહ્યો છે. ભારે-ભરકમ જ્વેલરી કરતાં તેઓ હળવી, સુંદર ડિઝાઇનવાળી અને રોજિંદા ઉપયોગમાં લઈ શકાય તેવી જ્વેલરીને વધુ પસંદ કરી રહ્યા છે.</p><p><b>લાઇટવેઇટ જ્વેલરીની માંગથી બ્રાન્ડ્સની વ્યૂહરચના બદલાઈ</b></p><p>Kotak Mutual Fundની રિસર્ચ પ્રમાણે BlueStoneની વૃદ્ધિ પાછળ Gen Zની સસ્તી, હળવી અને સારી ડિઝાઇનવાળી રોજિંદા ઉપયોગની જ્વેલરી પ્રત્યેની પસંદગી મહત્વનું કારણ છે. આ સાથે કામકાજ કરતી મહિલાઓની સંખ્યા વધવાથી પણ લાઇફસ્ટાઇલ જ્વેલરીની માંગ વધી છે.</p><p><b>બ્રાઇડલ જ્વેલરી કરતાં રોજિંદી જ્વેલરી તરફ વળાંક</b></p><p>ભારતના લાઇફસ્ટાઇલ જ્વેલરી રિટેલ માર્કેટમાં BlueStone બીજી સૌથી મોટી કંપની છે. કંપનીએ ભારે બ્રાઇડલ સેટ કરતાં રોજિંદા ઉપયોગની ડિઝાઇનર જ્વેલરી પર વધુ ધ્યાન આપ્યું છે. જેના કારણે તેનો રેવન્યુ માર્કેટ શેર નાણાકીય વર્ષ 2019ના 17.7 ટકાથી વધીને નાણાકીય વર્ષ 2025માં 24.6 ટકા થયો છે.</p><p><b>લાઇફસ્ટાઇલ જ્વેલરી માર્કેટ ઝડપથી વધી શકે</b></p><p>અંદાજ પ્રમાણે ભારતમાં લાઇફસ્ટાઇલ જ્વેલરી સેગમેન્ટ 2029 સુધી દર વર્ષે 16થી 18 ટકાની ઝડપે વધી શકે છે. આ વૃદ્ધિ લગ્ન માટેની જ્વેલરીની સરખામણીએ વધુ રહેવાની શક્યતા છે. યુવાનોની બદલાતી પસંદગી આ માર્કેટને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.</p><p><b>સ્કિનકેરમાં પણ માત્ર દેખાવ નહીં, માહિતી પર ભાર</b></p><p>સ્કિનકેર માર્કેટમાં પણ Gen Zની પસંદગીથી મોટો બદલાવ આવી રહ્યો છે. આનંદ રામનાથનના જણાવ્યા પ્રમાણે હવે બ્રાન્ડ્સ માત્ર સુંદરતા અંગે મોટા દાવા કરવાને બદલે પ્રોડક્ટમાં કયા ingredients છે, તેનું formulation કેવું છે, તેની અસર શું છે અને તેના વિશેની માહિતી કેટલી ચકાસી શકાય છે તેના પર વધુ ધ્યાન આપી રહ્યા છે.</p><p><b>ગ્રાહકો પ્રોડક્ટના લેબલ પણ ધ્યાનથી વાંચે છે</b></p><p>હાલમાં 74 ટકા ગ્રાહકો સ્કિનકેર પ્રોડક્ટ ખરીદતા પહેલા તેમાં રહેલા ingredientsના લેબલ વાંચે છે. ઉપરાંત, છેલ્લા છ મહિનામાં 44 ટકા ગ્રાહકોએ વધુ સારા formulation માટે વધુ કિંમત ચૂકવી છે. જોકે, મોટાભાગના ગ્રાહકો આ વધારાનો ખર્ચ 10 ટકા કે તેનાથી ઓછો રાખવા માંગે છે.</p><p><b>Gen Z બદલશે ભારતના બજારની દિશા?</b></p><p>આ સમગ્ર ટ્રેન્ડ પરથી સ્પષ્ટ થાય છે કે Gen Z ભારતના કન્ઝ્યુમર માર્કેટમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. આ પેઢી એક તરફ અનુભવ, ફેશન, બ્યુટી, મુસાફરી અને લાઇફસ્ટાઇલ પર ખર્ચ કરી રહી છે, તો બીજી તરફ SIP, મ્યુચ્યુઅલ ફંડ અને અન્ય ડિજિટલ માધ્યમો દ્વારા નાની ઉંમરે રોકાણ પણ શરૂ કરી રહી છે. આગામી વર્ષોમાં જ્યારે Gen Zની આવક વધશે, ત્યારે તેમની ખરીદશક્તિ પણ મોટા પ્રમાણમાં વધવાની શક્યતા છે. તેથી કંપનીઓ અને બ્રાન્ડ્સ માટે હવે Gen Z માત્ર એક યુવા ગ્રાહક વર્ગ નહીં, પરંતુ ભવિષ્યના સૌથી મોટા માર્કેટ તરીકે સામે આવી રહી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/vadodara/pm-modi-vadodara-tour-talk-to-gen-z-and-intellectuals#google_vignette" target="_blank">આ પણ વાંચો:&nbsp; વડાપ્રધાન મોદીએ કહ્યું , સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને મફતમાં કોચિંગ આપવા સરકારની તૈયારી છે</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/V4Q82J7RFyHIkxoI8NvI0dOQFDCkjmLrfjTKIfhH.webp'/></item><item><title><![CDATA[Kalol : માતા સાથેની માથાકૂટની વાત સાંભળી પુત્ર ઉશ્કેરાયો, લાકડી લઇને તૂટી પડતાં પિતાનું મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/kalol/kalol-son-kills-father-kantilal-prajapati-family-dispute</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/kalol/kalol-son-kills-father-kantilal-prajapati-family-dispute</guid><pubDate>Tue, 08 Sep 2026 15:31:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મહેસાણા જિલ્લાના કલોલમાં પુત્રએ પિતા પર લાકડી વડે હુમલો કરતાં 65 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. કલોલના ફોર્ચ્યુન ફ્લેટ પાસે બનેલી આ ઘટનાથી ચકચાર મચી ગઈ છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.</p><h2 style="text-align: justify; "><b>માથાકૂટ કેવી રીતે હત્યા સુધી પહોંચી?</b></h2><p style="text-align: justify; ">કલોલ પાસેના બોરીસણા નજીક આવેલા સંકલ્પ ફ્લેટમાં રહેતા 65 વર્ષીય કાંતિલાલ પ્રજાપતિને તેમની પત્ની સાથે માથાકૂટ થઈ હતી. માથાકૂટ બાદ કાંતિલાલ પ્રજાપતિ ફોર્ચ્યુન ફ્લેટ પાસે આવેલી પોતાની દુકાને પહોંચ્યા હતા.</p><h3 style="text-align: justify; "><b>માતાની વાત સાંભળી કલ્પેશ ઉશ્કેરાઈ ગયો</b></h3><p style="text-align: justify; ">દરમિયાન તેમનો પુત્ર કલ્પેશ ઘરે આવ્યો હતો. જ્યાં તેની માતાએ પિતા સાથે થયેલી માથાકૂટ અંગે વાત કરી હતી. આ વાત સાંભળીને કલ્પેશ ઉશ્કેરાઈ ગયો હતો.</p><h3 style="text-align: justify; "><b>પિતા પાસે પહોંચ્યા બાદ પુત્રએ શું કર્યું?</b></h3><p style="text-align: justify; ">કલ્પેશ સાયકલ પંચરનું કામ કરતા પોતાના પિતા પાસે પહોંચ્યો હતો. ત્યાં પિતા અને પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.</p><h4 style="text-align: justify; "><b>પિતા કાંતિલાલ પ્રજાપતિ પર હુમલો</b></h4><p style="text-align: justify; ">બોલાચાલી દરમિયાન પુત્ર કલ્પેશે ત્યાં પડેલી લાકડી હાથમાં લઈને પિતા કાંતિલાલ પ્રજાપતિ પર હુમલો કર્યો હતો. લાકડીઓ વડે માર મારવામાં આવતા કાંતિલાલ પ્રજાપતિને ગંભીર ઇજાઓ પહોંચી હતી.</p><h4 style="text-align: justify; "><b>108 મારફતે હોસ્પિટલ ખસેડાયા, પરંતુ બચી ન શક્યા</b></h4><p style="text-align: justify; ">ગંભીર રીતે ઘાયલ કાંતિલાલ પ્રજાપતિને સારવાર માટે 108 મારફતે કલોલની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન કાંતિલાલ પ્રજાપતિનું મોત થયું હતું. પુત્રના હુમલામાં પિતાનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.</p><h4 style="text-align: justify; "><b>ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી</b></h4><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં પોલીસે શું કાર્યવાહી કરી? ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે બનાવ અંગે કાર્યવાહી શરૂ કરીને આરોપી પુત્રને ઝડપી લીધો હોવાનું જાણવા મળ્યું છે. પારિવારિક વિવાદ પાછળનું ચોક્કસ કારણ શું હતું અને ઘટના દરમિયાન ખરેખર શું બન્યું હતું, તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.</p><h4 style="text-align: justify; "><b>હવે તપાસમાં કયા ખુલાસા સામે આવશે?</b></h4><p style="text-align: justify; ">મૃતક કાંતિભાઈ પ્રજાપતિની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોત અંગે વધુ વિગતો સ્પષ્ટ થઈ શકે છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-gujarat-drowning-deaths-1999-river-lake-check-dam-water-safety#google_vignette" target="_blank"><b>Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/dBYwBgRjaki2SZDrxXq9Uhs3Qye3FrvFkeBvSda6.webp'/></item><item><title><![CDATA[Bigg Boss 20 latest episode: કાઝી તૌકીર અને યંગ વચ્ચે બબાલ, ઇશા રિખીએ ડિવોર્સ પર શું કહી દીધું? ]]></title><link>https://sandesh.com/entertainment/news/bigg-boss-20-isha-rikhi-divorce-mary-kom-qazi-fight</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/bigg-boss-20-isha-rikhi-divorce-mary-kom-qazi-fight</guid><pubDate>Tue, 08 Sep 2026 15:30:29 +05:30</pubDate><description><![CDATA[<p>Bigg Boss 20ના નવા episodeની શરૂઆતમાં શોના કન્ટેસ્ટન્ટ્સના પોતાના સામાનને ગોઠવતા અને એકબીજા સાથે વાતચીત કરતા જોવા મળ્યા. એ પછી શોમાં ઘણી બબાલો પણ થઇ.</p><p>સલમાન ખાન (Salman Khan)ના પોપ્યુલર શો બિગ બોસ 20 (Bigg Boss 20)ની શરૂઆત થઈ ચૂકી છે અને નવા એપિસોડમાં કન્ટેસ્ટન્ટ્સ વચ્ચે જોરદાર બબાલ જોવા મળી છે.&nbsp; ઈશા રિખી (Isha Rikhi) એ રેપર બાદશાહ (Baadshah) સાથે ડિવોર્સ પછી બીજા લગ્ન પર મોટું સ્ટેટમેન્ટ આપ્યું હતું.&nbsp;</p><h2><b>પર્સનલ લાઈફ પર મેરી કોમનો ખુલાસો</b></h2><p>મેરી કોમ (Mary Kom) પોતાની પર્સનલ લાઈફ વિશે વાત કરી હતી અને જણાવ્યું હતું કે તેઓ હંમેશાથી એક દીકરી ઈચ્છતા હતા. ટ્વિન્સ દીકરાઓના જન્મ પછી તેમણે પોતાની આ વિશ પૂરી કરવા માટે એક બાળકીને દત્તક લેવાનો નિર્ણય કર્યો. ત્યાં જ આમ્રપાલી દુબે (Amrapali Dubey) કહે છે કે તેમણે ક્યારેય નહોતું વિચાર્યું કે મેરી કોમને તેઓ આ રીતે પોતાની સામે જોશે.</p><h2><b>બીજા લગ્ન પર શું બોલી ઈશા રિખી</b></h2><p>આ દરમિયાન, બેડરૂમમાં માહી વિજ (Mahhi Vij) ઈશા રિખીને કહે છે કે આ સીઝનમાં ઘરમાં તે, ઈશા અને મેરી કોમ ત્રણેય ડિવોર્સી છે. માહી, ઈશાને એ પણ પૂછે છે કે તેમણે બિગ બોસ 20 માં આવવાનો ડિસિઝન કેમ લીધો. ત્યાં જ, આમ્રપાલી દુબે ઈશા રિખીને કહે છે કે જ્યારે તે કમ્ફર્ટેબલ ફીલ કરે ત્યારે પોતાના લગ્ન અને ડિવોર્સ વિશે ચોક્કસ જણાવે, કારણ કે તે તેના વિશે બધું જાણવામાં ખૂબ ઈન્ટરેસ્ટ ધરાવે છે.</p><p>ઈશા કહે છે કે તે આ વિશે બધું જ જણાવશે, પણ શોની બહાર. ઈશા કહે છે, 'મને મેરેજનો આઈડિયા એટલો પસંદ હતો કે મેં વિચાર્યું હતું કે 18 વર્ષની થતાં જ લગ્ન કરી લઈશ. પરંતુ હવે હું સિંગલ રહેવા માંગું છું, કારણ કે હવે મારું લગ્ન કરવાનું બિલકુલ મન નથી થતું.'</p><h2><b>યંગ અને કાઝી વચ્ચે ઝઘડો</b></h2><p>આ પછી ઉદિતિ સિંહ, તન્મયને હાઈજિનથી જોડાયેલા મુદ્દાની મજાક ન ઉડાવવા માટે ટોકે છે. ત્યાં જ, યંગ અને કાઝી વચ્ચે મેણા-ટોણાને લઈને બહસ શરૂ થઈ જાય છે. જોતજોતામાં બંને વચ્ચે મામલો ખૂબ ગરમ થઈ જાય છે અને બાકીના કન્ટેસ્ટન્ટ્સ વચ્ચે આવીને બંનેને રોકવાનો ટ્રાય કરે છે.</p><p>યંગ કાઝીને કહે છે, 'મને હાથ ન લગાડ' અને તેમને પોતાની નકલ કરવાની પણ ના પાડે છે. આ દરમિયાન 'ફેમ ગુરુકુલ'ના વિનર કાઝી, યંગને 'મગફળીના ફોતરાં' કહે છે અને તેના પર સતત મેણાં મારતા રહે છે.</p><p>20 વર્ષ પૂરા થતાં સેલિબ્રેશન</p><p>આ પછી બિગ બોસ બધા કન્ટેસ્ટન્ટ્સનું સ્વાગત કરે છે અને શોના 20 વર્ષ પૂરા થવાની ખુશીમાં એક બર્થડે પાર્ટી ઓર્ગેનાઈઝ કરે છે. આ પાર્ટી કેપ્ટન્સી રેસના એક રાઉન્ડનો પાર્ટ હોય છે. કાઝીને આ ટાસ્કનો મેનેજર બનાવવામાં આવે છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/fkoDUwAWIwTuBMWTI1wo70H79FxjNumEzlgytZiX.webp'/></item><item><title><![CDATA[Bharuchમાં વિદ્યાર્થીને પાઇપથી ફટકારનાર શિક્ષક સસ્પેન્ડ, પરિવારની ફરિયાદ બાદ આમોદ પોલીસે ધાકધમકી આપનાર શિક્ષકને જેલભેગો કર્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/bharuch/bharuch--teacher-arrested-and-suspended-for-beating-class-2-student-with-pipe-in-ikhar</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/bharuch/bharuch--teacher-arrested-and-suspended-for-beating-class-2-student-with-pipe-in-ikhar</guid><pubDate>Tue, 08 Sep 2026 15:25:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં આવેલા ઇખર ગામે શિક્ષણ જગતને શર્મસાર કરતી અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઇખર ગામની આદર્શ પ્રાથમિક કુમાર શાળામાં ધોરણ 2 માં અભ્યાસ કરતા માસૂમ વિદ્યાર્થી હસનૈન રિઝવાન દીવાનને શાળાના શિક્ષક મુબારક યુસુફ ભડ (બરફા) દ્વારા પાઇપ વડે બેરહમીથી ઢોરમાર મારવામાં આવ્યો હતો. આ અમાનવીય બનાવ અંગે પીડિત બાળકના પરિવારે આમોદ પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્વરિત કડક પગલાં ભરીને શિક્ષક મુબારક ભડની ધરપકડ કરી લીધી છે.</p><h2 style="text-align: justify; "><b>આમોદ TPO ની તપાસમાં શિક્ષક દોષિત જાહેર</b></h2><p style="text-align: justify; ">બનાવની મળતી માહિતી મુજબ, આદર્શ પ્રાથમિક કુમાર શાળામાં અભ્યાસ કરતા 8 વર્ષીય માસૂમ બાળક હસનૈનને શિક્ષક મુબારક ભડે નજીવી બાબતે પાઇપ વડે ફટકારતાં બાળકના શરીર પર ગંભીર ઈજાના નિશાનો ઉપસી આવ્યા હતા. બાળક ઘરે પહોંચતાં જ તેના શરીરે પાઇપના મારના નિશાન જોઈને પરિવારજનો દંગ રહી ગયા હતા. આ મામલે રજૂઆત મળતાં જ આમોદ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી (TPO) ની સંયુક્ત ટીમ દ્વારા શાળા ખાતે પહોંચીને તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. TPO ની પ્રાથમિક તપાસ દરમિયાન જ શિક્ષક મુબારક ભડ વિદ્યાર્થી પર હુમલો કરવા બાબતે સંપૂર્ણપણે દોષિત હોવાનું ખુલ્લું પડ્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>જિલ્લા શિક્ષણ વિભાગે શિક્ષકને કર્યો સસ્પેન્ડ</b></h2><p style="text-align: justify; ">તપાસમાં શિક્ષકનો વાંક સામે આવ્યા બાદ ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ત્વરિત આકરાં પગલાં લેવામાં આવ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળામાં ભયનું વાતાવરણ ઊભું કરનાર અને બાળક પર અત્યાચાર ગુજારનાર શિક્ષક મુબારક યુસુફ ભડને નોકરીમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધો છે. બીજી તરફ, આમોદ પોલીસે પણ બાળકના પરિવારની ફરિયાદ આધારે ગુનો નોંધીને આરોપી શિક્ષકની અટકાયત કરી આગળની ધોરણસરની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. શાળા જેવા પવિત્ર સ્થળે 2 જા ધોરણના બાળક સાથે કરાયેલી આ ક્રૂરતા બદલ સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/mehsana/mehsana--female-doctor-and-family-assaulted-by-neighbors-in-takshashila-society--7-booked" target="_blank">Mehsanaમાં પાડોશી બન્યા જાનના દુશ્મન! મહિલા ડોક્ટરના ઘરમાં ઘૂસી હુમલો કરાતાં સોસાયટીમાં દહેશતનો માહોલ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/1vOx5Wdz0i1TnkGzhWsdmjZ7mquB29ZtuNHP5oSK.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના દરિયાપુરમાં ગેરકાયદે બાંધકામ સામે કડક કાર્યવાહી: પોપટિયા વાડમાં ડિમોલેશન ઝુંબેશ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-dariyapur-popatiya-wad-illegal-construction-demolition</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-dariyapur-popatiya-wad-illegal-construction-demolition</guid><pubDate>Tue, 08 Sep 2026 15:22:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં આવેલ દરિયાપુર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મોટું ડિમોલેશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. દરિયાપુર વિસ્તારની પોપટિયા વાડમાં ખડકી દેવામાં આવેલા અનધિકૃત રહેણાંક કોમ્પ્લેક્સ પર બુલડોઝર ફેરવીને ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. તંત્રની આ અચાનક અને કડક કાર્યવાહીથી ગેરકાયદે બાંધકામ કરનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>મંજૂરી વગર ઊભા કરાયા હતા રહેણાંક કોમ્પ્લેક્સ&nbsp;</b></h2><p style="text-align: justify; ">તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે પોપટિયા વાડ વિસ્તારમાં કોર્પોરેશનની કોઈ પણ પ્રકારની પૂર્વ પ્લાન મંજૂરી કે પરવાનગી લીધા વિના જ મસમોટા રહેણાંક કોમ્પ્લેક્સ ઊભા કરી દેવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ તંત્ર દ્વારા અગાઉ નોટિસો આપવા છતાં બાંધકામ દૂર કરવામાં ન આવતાં આખરે એસ્ટેટ વિભાગની ટીમે સ્થળ પર પહોંચીને જેસીબી અને ક્રેનની મદદથી ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી.</p><h3 style="text-align: justify; "><b>ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી પૂર્ણ&nbsp;</b></h3><p style="text-align: justify; ">ડિમોલેશનની કામગીરી દરમિયાન કોઈ અપ્રિય બનાવ ના બને અથવા સ્થાનિકો તરફથી કોઈ વિરોધ ન થાય તે માટે અગાઉથી જ સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસ કાફલાની હાજરીમાં તંત્ર દ્વારા સુચારુ રૂપે આખી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. કોર્પોરેશનના અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે શહેરમાં મંજૂરી વગર થતાં આવા ગેરકાયદે બાંધકામો સામે આવનારા દિવસોમાં પણ આ જ રીતે આકરાં પગલાં ચાલુ રહેશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/ZeP6nxcM7EwNax9xg4pH4tCX4mjNg0oVNkXhpcCL.webp'/></item><item><title><![CDATA[PM મોદીએ Gen Z ને શું કહ્યું, કિંજલ રબારીના કેસમાં અપડેટ સહિત વાંચો 03 વાગ્યા સુધીના મહત્વના સમાચાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-12-pm-to-03-pm-8-september-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-12-pm-to-03-pm-8-september-2026</guid><pubDate>Tue, 08 Sep 2026 15:10:52 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર</b></p><p><b><br><a href="https://sandesh.com/gujarat/news/vadodara/pm-modi-vadodara-tour-talk-to-gen-z-and-intellectuals" target="_blank">1.PM Narendra Modi Speech : વડાપ્રધાન મોદીએ કહ્યું , સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને મફતમાં કોચિંગ આપવા સરકારની તૈયારી છે</a></b></p><p><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/nora-fatehi-faces-3-crore-defamation-suit-in-gujarat-court" target="_blank"><b>2. Gandhinagar News : બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી સામે ગાંધીનગરની કોર્ટમાં 3 કરોડનો માનહાનિનો દાવો</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/patan/kinjal-rabari-kidnapping-case-takes-new-turn" target="_blank"><b>3. Patan News: લોક ગાયિકા કિંજલ રબારીના અપહરણ કેસમાં મોટો વળાંક, જાણો તેના પતિ મુકેશ રબારીએ ફરિયાદમાં શું કહ્યું?</b></a></p><p><a href="https://sandesh.com/india/news/viral-video-officer-fell-down-after-getting-dizzy-minister-gave-cpr-but-his-life-was-not-saved-watch-video" target="_blank"><b>4. Viral Video: ચક્કર ખાઇને અધિકારી પડ્યા..મંત્રીએ આપ્યો CPR છતાં ન બચ્યો જીવ, જુઓ Video</b></a></p><p><a href="https://sandesh.com/cricket/news/ind-vs-pak-i-only-want-to-defeat-india-pakistans-arrogance-remains-intact-venom-spewed-again" target="_blank"><b>5. IND Vs PAK : 'હું ફક્ત ભારતને હરાવવા માંગુ છું': પાકિસ્તાનનો ઘમંડ યથાવત, ફરી ઓક્યું ઝેર</b></a></p><p><a href="https://sandesh.com/india/news/aniruddhacharya-maharajs-explanation-about-inter-caste-love-marriage-check-aadhaar-card-before-falling-in-love" target="_blank"><b>6. આંતરજાતિય પ્રેમ લગ્ન અંગે Aniruddhacharya Maharajનો ખુલાસો, 'પ્રેમમાં પડતા પહેલા આધાર કાર્ડ તપાસો</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/gujarat-heavy-rain-forecast-september-11-13" target="_blank"><b>7. Gujarat રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી: 11 સપ્ટેમ્બરથી વધશે વરસાદનું જોર!</b></a></p><p><a href="https://sandesh.com/world/news/canada-is-bowing-to-us-threats-amid-strait-of-hormuz-dispute-so-why-did-iran-express-displeasure-know" target="_blank"><b>8. Strait of Hormuz વિવાદ વચ્ચે USની ધમકી સામે ઝૂકી રહ્યું છે Canada!, તો Iranએ કેમ વ્યક્ત કરી નારાજગી?, જાણો</b></a></p><p><a href="https://sandesh.com/world/news/iran-us-conflict-americas-big-plan-middle-east-military-plan-is-being-prepared-amid-tensions-with-iran" target="_blank"><b>9. Iran US Conflict: ઈરાન સાથેના તણાવ વચ્ચે અમેરિકાની મોટી યોજના, Middle East સૈન્ય પ્લાન થઇ રહ્યો છે તૈયાર</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/asaram-gujarat-high-court-bail-rejected-medical-ground" target="_blank"><b>10. Gujarat હાઇકોર્ટનો આસારામને મોટો ઝટકો: જામીન થયા રદ, જેલવાસ રહેશે યથાવત!</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/AQBH905hYwfPpaM2PbXsrQgfyoLLI9MsWV3Oaj10.webp'/></item><item><title><![CDATA[Viral Video: ચક્કર ખાઇને અધિકારી પડ્યા..મંત્રીએ આપ્યો CPR છતાં ન બચ્યો જીવ, જુઓ Video ]]></title><link>https://sandesh.com/india/news/viral-video-officer-fell-down-after-getting-dizzy-minister-gave-cpr-but-his-life-was-not-saved-watch-video</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/viral-video-officer-fell-down-after-getting-dizzy-minister-gave-cpr-but-his-life-was-not-saved-watch-video</guid><pubDate>Tue, 08 Sep 2026 15:02:16 +05:30</pubDate><description><![CDATA[<p>Viral Video Telangana: તેલંગાણા વિધાનસભા પરિસરમાં મંગળવારે સવારે એકા એક જ બધા ભેગા થઇ ગયા. લોકોને જોઇને ત્યાં હાજર મંત્રી પણ દોડી ગયા. ત્યાં જઇને જોયુ તો એક અધિકારી અચાનક જમીન પર ઢળી પડ્યો હતો. જે જોઇને મંત્રી તેમને સીપીઆર આપવા લાગ્યા. જો કે દુર્ભાગ્યપૂર્ણ બાબત એ રહી કે આમ કરવા છતાં પણ અધિકારીનો  જીવ ન બચ્યો.&nbsp;&nbsp;</p><h2><b>વિધાનસભા સંકુલમાં અધિકારી જમીન પર પડી ગયા&nbsp;</b></h2><p>સમાચાર એજન્સી PTI દ્વારા બહાર પાડવામાં આવેલા એક વીડિયો અનુસાર, ઉર્જા વિભાગના ખાસ મુખ્ય સચિવ, નવીન મિત્તલના અંગત સચિવ રાજુ અચાનક બીમાર પડી ગયા અને વિધાનસભા સંકુલમાં પડી ગયા. આ જોઈને, પશુપાલન મંત્રી વાકિતિ શ્રીહરિએ CPR આપ્યુ.&nbsp; ત્યારબાદ તેમણે તબીબી સ્ટાફને બોલાવ્યો અને રાજુને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા કરી. હોસ્પિટલમાં પહોંચ્યા પછી, ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PTI_News/status/2097199898299105766"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p><b style="font-size: 1.75rem;">CPR શું છે?</b></p><p>કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR) એ એક કટોકટી જીવન બચાવનાર પ્રક્રિયા છે જે હૃદય ધબકતું બંધ થઈ જાય ત્યારે કરવામાં આવે છે. CPR વ્યક્તિને કાર્ડિયાક અરેસ્ટથી બચવામાં મદદ કરી શકે છે. તેથી, સમાજમાં CPR વિશે જાગૃતિ લાવવી મહત્વપૂર્ણ છે. હૃદયરોગના હુમલાની સ્થિતિમાં, વ્યક્તિ અચાનક બેભાન થઈ શકે છે. જો દર્દીને તાત્કાલિક CPR આપવામાં આવે અને ત્યારબાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે, તો તેમનો જીવ બચાવી શકાય છે.&nbsp;</p><h4><b>CPR આપવાનો સાચો સમય કયો છે?</b></h4><p>જ્યારે કોઈ વ્યક્તિ અચાનક ચક્કર ખાઈને પડી જાય, સંપૂર્ણપણે બેભાન થઈ જાય, કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ (પ્રતિભાવ) ન આપે અથવા તેનો શ્વાસ બંધ થઈ ગયો હોય તો તરત આટલું કરો. સૌ પહેલા વિલંબ કર્યા વિના સૌથી પહેલા મેડિકલ ઇમરજન્સી કે એમ્બ્યુલન્સને કૉલ કરો. ત્યારબાદ એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી સમય બગાડ્યા વિના તરત જ CPR આપવાનું શરૂ કરી દો, કારણ કે વિલંબની દરેક સેકન્ડ દર્દીની સ્થિતિ વધુ ગંભીર બનાવી શકે છે.</p><p><br></p><p><a href="https://sandesh.com/india/news/maithili-thakur-i-dont-think-it-makes-sense-to-base-the-surname-on-maithili-thakur-breaks-silence-on-reservation" target="_blank">આ પણ વાંચો:  Maithili Thakur: મની નથી લાગતું કે સરનેમને આધારે... અનામતને લઇને મૈથિલી ઠાકુરે તોડ્યુ મૌન</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/sZkcPpEdZrPLg8lvy4gS7XfqEemfppLNUcbPBJrK.webp'/></item><item><title><![CDATA[Malaysia : 72 વર્ષના ફૂટબોલ દિગ્ગજે 20 વર્ષની યુવતી સાથે કર્યા લગ્ન, તસવીરો વાયરલ થતાં પરિવારે કરી પુષ્ટિ ]]></title><link>https://sandesh.com/world/news/sports/malaysia-football-legend-abdul-alif-marriage-72-year-old-20-year-old-wife</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/sports/malaysia-football-legend-abdul-alif-marriage-72-year-old-20-year-old-wife</guid><pubDate>Mon, 07 Sep 2026 23:00:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મલેશિયન ફૂટબોલના દિગ્ગજ અને પૂર્વ હરિમાઉ મલાયા સ્ટાર દાતુક અબ્દુલ અલિફે 72 વર્ષની ઉંમરે પોતાના જીવનનો નવો અધ્યાય શરૂ કર્યો છે. સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો વાયરલ થયા બાદ તેમના પરિવારે લગ્નની સત્તાવાર પુષ્ટિ કરી છે. અહેવાલ મુજબ 27 ઓગસ્ટે યોજાયેલા ખાનગી સમારંભમાં અબ્દુલ અલિફે પોતાની જીવનસંગિની સાથે નિકાહ કર્યા હતા. તેમની પત્નીની ઉંમર 20 વર્ષ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>લગ્નની ખબર કોણે કરી કન્ફર્મ?</b></h2><p style="text-align: justify; ">અબ્દુલ અલિફના નાના ભાઈ અને પૂર્વ ખેલાડી તથા કોચ દાતુક યુનુસ અલિફે લગ્નની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે 27 ઓગસ્ટે બંનેના લગ્ન થયા હતા અને બંને પરિવારોની સંમતિ તથા આશીર્વાદ સાથે આ સંબંધ બંધાયો છે. પરિવાર દ્વારા નવદંપતીના સુખી દાંપત્ય જીવન માટે શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>ફોન નહીં ઉઠાવતા ભાઈએ શું કહ્યું?</b></h3><p style="text-align: justify; ">લગ્ન બાદ અબ્દુલ અલિફ મીડિયા સંપર્કમાં ન આવતા તેમના ભાઈ યુનુસ અલિફે જણાવ્યું હતું કે તેઓ સંભવતઃ હનીમૂન પર હોવાથી ફોનનો જવાબ આપી શકતા નથી.જોકે પરિવારે સ્પષ્ટ કર્યું છે કે બંનેના નિકાહ થઈ ચૂક્યા છે અને પરિવાર તરફથી બંનેને શુભકામનાઓ આપવામાં આવી છે.</p><h4 style="text-align: justify; "><b>મલેશિયન ફૂટબોલના દિગ્ગજ રહ્યા છે અબ્દુલ અલિફ</b></h4><p style="text-align: justify; ">અબ્દુલ અલિફ મલેશિયન ફૂટબોલ ઇતિહાસના જાણીતાં ખેલાડીઓમાં સામેલ રહ્યા છે. 1970ના અંતિમ વર્ષો અને 1980ના શરૂઆતના સમયમાં મલેશિયન ફૂટબોલના સફળ સમયગાળામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.તેઓ તે મલેશિયન ટીમના સભ્ય હતા જેણે ક્વોલિફાઇંગ મેચમાં દક્ષિણ કોરિયાને 2-1થી હરાવી 1980ના મોસ્કો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું.</p><h4 style="text-align: justify; "><b>ઓલિમ્પિક રમવાનું સપનું કેમ અધૂરું રહ્યું?</b></h4><p style="text-align: justify; ">મલેશિયાએ સોવિયેત સંઘના અફઘાનિસ્તાન પરના આક્રમણના વિરોધમાં 1980ના મોસ્કો ઓલિમ્પિકનો બહિષ્કાર કર્યો હતો. જેના કારણે અબ્દુલ અલિફ સહિત અનેક ખેલાડીઓનું ઓલિમ્પિકમાં રમવાનું સપનું અધૂરું રહી ગયું હતું. લાંબા સમય સુધી વ્યાવસાયિક ફૂટબોલ અને મીડિયા લાઇમલાઇટથી દૂર રહ્યા બાદ આ દિગ્ગજ ખેલાડી હવે પોતાના અંગત જીવનના નવા નિર્ણયને કારણે ફરી ચર્ચામાં આવ્યા છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">&nbsp; આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-gujarat-drowning-deaths-1999-river-lake-check-dam-water-safety" target="_blank"><b>Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/oQuxxQEBdhQdWmZFxk2LOPbwDJRpf6zDEmwi2pJ3.webp'/></item></channel></rss>