<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[PM મોદી લેશે મંત્રીઓના કામકાજનો હિસાબ, સોમવારે મહત્વની બેઠક ]]></title><link>https://sandesh.com/india/news/political-news/pm-modi-ministers-performance-review-meeting-social-justice-welfare</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/political-news/pm-modi-ministers-performance-review-meeting-social-justice-welfare</guid><pubDate>Sun, 06 Sep 2026 16:53:16 +05:30</pubDate><description><![CDATA[<p>Ministers Performance Review: સરકારના વિવિધ ક્ષેત્રોમાં કામગીરીની સમીક્ષા કરવા માટે આવતીકાલે સાંજે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે. તેમાં ખાસ કરીને સામાજિક ન્યાય અને સામાજિક કલ્યાણના ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સાંજે આ બેઠકની અધ્યક્ષતા કરશે. બેઠકમાં વિવિધ મંત્રાલયો, મંત્રીઓ અને તેમના સમગ્ર કામકાજની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવશે. સમીક્ષા બેઠક માટે માત્ર એવા રાજ્ય મંત્રીઓ (MoS) અને સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય મંત્રીઓના એક વર્ગને બોલાવવામાં આવ્યા છે, જેમના મંત્રાલયો સામાજિક ન્યાય અને સામાજિક કલ્યાણ સાથે સંબંધિત છે.</p><h2><b>કયા મંત્રાલયોનું કામકાજ થશે રિવ્યૂ?</b></h2><p>આવતીકાલની બેઠકમાં જે મંત્રાલયો પર ખાસ ધ્યાન રહેશે અને જેમના કામકાજની સમીક્ષા કરવામાં આવશે તેમાં શિક્ષણ મંત્રાલય, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, કૃષિ મંત્રાલય વગેરેનો સમાવેશ થાય છે. આ બેઠકમાં મંત્રીઓના કામકાજનું મૂલ્યાંકન કરવામાં આવશે. જવાબદારી અંગે પણ ચર્ચા થશે.</p><h3><b>આગામી દિવસોમાં વધુ બેઠકો યોજાશે</b></h3><p>રાજ્ય મંત્રીઓના અન્ય વર્ગ સાથે પણ આગામી દિવસોમાં આવી વધુ બેઠકો યોજાશે. આ બેઠકોને રાજ્ય મંત્રીઓની કામગીરી સાથે પણ જોડવામાં આવી રહી છે. ભવિષ્યમાં થનારા કેબિનેટ ફેરબદલમાં પણ તેની અસર જોવા મળી શકે છે. કેબિનેટ વિસ્તરણ સમયે આ પ્રકારની પ્રક્રિયા અગાઉથી થતી આવી છે</p><h4><b>‘કામોની સતત સમીક્ષા થવી જોઈએ’</b></h4><p>વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બરમાં જળ શક્તિ મંત્રાલયની બે દિવસીય રાષ્ટ્રીય શિખર પરિષદના સમાપન સત્રની અધ્યક્ષતા કરી હતી. તેમણે કહ્યું હતું કે પરિષદમાં આપવામાં આવેલા સૂચનોને નક્કી કરેલા સમયમાં લાગુ કરવા જોઈએ. સાથે જ, આ કામોની સતત સમીક્ષા પણ થવી જોઈએ, જેથી જરૂરિયાત મુજબ તેમાં સુધારા કરી શકાય. વડાપ્રધાને શહેરોની વધતી વસ્તી અને ભવિષ્યમાં પાણીની જરૂરિયાત જેવા પડકારોને લઈને સ્થાનિક સંસ્થાઓને જાગૃત કરવાની વાત કરી હતી. તેમણે શહેરી વિસ્તારોમાં પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વધુ સારી તૈયારી કરવા પર ભાર મૂક્યો હતો.</p><h5><b>પાણી બચાવતી ટેક્નોલોજી અપનાવવા પર ભાર</b></h5><p>વડાપ્રધાને પાણી બચાવતી ટેક્નોલોજીને વધુ પ્રમાણમાં અપનાવવા માટે પણ કહ્યું હતું. તેમણે ભારતીય ઉત્પાદકો અને સંબંધિત લોકોને વધુ સારા અને અસરકારક ઉકેલો વિકસાવવા તથા તેને મોટા પાયે લાગુ કરવામાં મદદ કરવા માટે ખાસ પ્રદર્શનો અને વર્કશોપ યોજવાનું સૂચન કર્યું હતું. આ માધ્યમથી સમગ્ર દુનિયામાં અપનાવવામાં આવતી શ્રેષ્ઠ પદ્ધતિઓની માહિતી પણ સામેલ કરી શકાય છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/delhi-pm-modi-delhi-metro-interacts-with-children-srcc-centenary" target="_blank">આ પણ વાંચો: PM મોદીએ મેટ્રોમાં કરી મુસાફરી, બાળકો સાથે કરી વાતચીત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/06/aeKRQ9UKsg5pE0wpUuJ472n21nbEvOtCUNYWQ2PN.webp'/></item><item><title><![CDATA[Suratના ઓલપાડથી કિમ જતા માર્ગ પર સીએનજી કારમાં અચાનક લાગી ભીષણ આગ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-olpad-kim-cng-car-fire</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-olpad-kim-cng-car-fire</guid><pubDate>Sun, 06 Sep 2026 16:49:07 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત જિલ્લાના ઓલપાડથી કિમ તરફ જતા મુખ્ય માર્ગ પર એક સીએનજી (CNG) કારમાં અચાનક ભીષણ આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી છે. સુરતથી હાંસોટ તરફ જઈ રહેલી કારમાં કોઈ અગમ્ય કારણોસર અચાનક આગ ભભૂકી ઊઠી હતી. જોતજોતામાં આગે સમગ્ર કારને પોતાની ચપેટમાં લઈ લેતાં માર્ગ પરથી પસાર થતાં અન્ય વાહનચાલકોમાં થોડા સમય માટે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.</p><h2 style="text-align: justify; "><b>કારચાલકની સમયસૂચકતાથી જીવ બચ્યો</b></h2><p style="text-align: justify; ">કારમાં ધુમાડા નીકળતાં અને આગ લાગતાં જ કારચાલકે અદભુત સમયસૂચકતા અને ત્વરિત બુદ્ધિશક્તિ વાપરી હતી. કારમાં સવાર ચાલકે તાત્કાલિક વાહન રોકીને સુરક્ષિત રીતે બહાર નીકળી જતાં તેનો આબાદ બચાવ થયો હતો. ચાલકના ઝડપી નિર્ણયના કારણે એક મોટી હોનારત ટળી ગઈ હતી અને કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી.</p><h3 style="text-align: justify; "><b>ફાયર બ્રિગેડે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો</b></h3><p style="text-align: justify; ">કારમાં વિકરાળ આગ લાગી હોવાની જાણ થતાં જ તાત્કાલિક સ્થાનિક ફાયર બ્રિગેડને લાઈવ કોલ કરીને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે દોડી આવેલા ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવીને ટૂંક સમયમાં જ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. આગના કારણે સીએનજી કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી, જ્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/06/LZaHpf4gHR5pEkJgpGKPcRJImaaGGqfbLOhylVW5.webp'/></item><item><title><![CDATA[Amreliના રાજુલામાં સરકારી પરિપત્રના લીરેલીરા, તંત્ર અને નેતાઓએ પ્રાંત કચેરીમાં માત્ર ‘ફોટો સેશન’ કરી ચોપડે સફાઈ બતાવી દીધી! ]]></title><link>https://sandesh.com/gujarat/news/amreli/rajula-admin-faces-backlash-over-superficial-cleanliness-and-plantation-drive</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/amreli/rajula-admin-faces-backlash-over-superficial-cleanliness-and-plantation-drive</guid><pubDate>Sun, 06 Sep 2026 16:38:03 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમરેલી જિલ્લાના રાજુલામાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સફાઈ અને વૃક્ષારોપણના સંયુક્ત પરિપત્રનો ફિયાસ્કો થયો હોવાની ગંભીર બાબત સામે આવી છે. દર મહિનાના રવિવારે સઘન સફાઈ અભિયાન અને 'કેચ ધ રેઇન' અંતર્ગત નક્કર કામગીરી કરવાના બદલે રાજુલા વહીવટી તંત્ર અને વિવિધ વિભાગોએ માત્ર ઔપચારિકતા પૂરી કરી હતી. સાર્વજનિક સ્થળોએ વાસ્તવિક કામગીરી કરવાને બદલે અધિકારીઓ અને ભાજપના સ્થાનિક હોદ્દેદારોએ પ્રાંત કચેરી ખાતે ભેગા થઈ માત્ર ફોટો સેશન કરીને સંતોષ માન્યો હોવાનો આક્ષેપ ઉઠ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>જ્યાં પહેલેથી જ સ્વચ્છતા અને વૃક્ષો હતાં ત્યાં જ કામગીરી બતાવી જિલ્લામાં રિપોર્ટ મોકલ્યો</b></h2><p style="text-align: justify; ">બનાવની ચોંકાવનારી વિગત મુજબ, રાજુલા પ્રાંત કચેરીમાં પહેલેથી જ પૂરતા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર થયેલું છે અને પરિસર એકદમ સ્વચ્છ છે. છતાં પણ વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ, તાલુકા પંચાયત, વન વિભાગ અને શાસક પક્ષ ભાજપના આગેવાનોએ પ્રાંત કચેરીમાં જ ફરીથી રોપાઓ વાવીને તેમજ સફાઈના પોઝ આપીને તસવીરો પડાવી હતી. આ પ્રકારની બોગસ કામગીરી દર્શાવીને વહીવટી તંત્ર દ્વારા ઉચ્ચ કક્ષાએ અને જિલ્લા મથકે સફાઈ અભિયાન સફળ રહ્યું હોવાનો રિપોર્ટ મોકલી દેવામાં આવ્યો હતો.</p><p style="text-align: justify; "><img alt="Rajula photo session controversy" src="https://epapercdn.sandesh.com/images/2026/09/06/H4vMj9t1SjAfziw6GmGzH2S6wY9pEG3guaQg0eaL.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>બસ સ્ટેન્ડ અને મુખ્ય બજારમાં ગંદકીના ઢગલા યથાવત, સ્થાનિકોમાં ભારે આક્રોશ</b></h2><p style="text-align: justify; ">બીજી તરફ, રાજુલા શહેરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડ, મુખ્ય બજાર અને વિવિધ નિચાણવાળા રહીશોના વિસ્તારોમાં જ્યાં ખરેખર સફાઈ અને પબ્લિક હાઈજીનની જરૂરિયાત છે, ત્યાં ગંદકીના ખડકાયેલા ઢગલા યથાવત જોવા મળી રહ્યા છે. જે જગ્યાઓએ તંત્રના દ્રષ્ટિપાતની તાતી જરૂર છે તેને બાજુ પર મૂકીને માત્ર પ્રાંત કચેરીના કમ્પાઉન્ડમાં નાટક રચવામાં આવતાં સ્થાનિક નાગરિકો અને વેપારીઓમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. લોકોએ માગ કરી છે કે કાગળ પર રિપોર્ટિંગ કરવાને બદલે તંત્ર દ્વારા શહેરના જાહેર સ્થળોની રૂબરૂ મુલાકાત લઈને ખરી સફાઈ કામગીરી હાથ ધરવામાં આવે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/in-ahmedabads-vatva-old-friends-became-mortal-enemies-for-not-giving-a-wedding-ring-four-men-attacked-two-brothers" target="_blank">Ahmedabadના વટવામાં લગ્નની કંકોત્રી ન આપતાં જૂના મિત્રો બન્યા જાનના દુશ્મન, બે ભાઈઓ પર ચાર શખ્સોનો હિચકારો હુમલો</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/06/ArZ7LLsc5WPSs6Bv1BfWT647rbZ8PXNFxyL8WEIK.webp'/></item><item><title><![CDATA[Surat: સલાબતપુરામાં ટેક્સટાઇલ વેપારી સાથે 21.86 લાખની ઠગાઈ આચરનાર બે વોન્ટેડ આરોપી રાજસ્થાનથી પકડાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/salabatpura-police-arrest-two-wanted-accused-from-rajasthan-in-saree-fraud-case</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/salabatpura-police-arrest-two-wanted-accused-from-rajasthan-in-saree-fraud-case</guid><pubDate>Sun, 06 Sep 2026 16:29:22 +05:30</pubDate><description><![CDATA[<p>કાપડ ઉદ્યોગના મુખ્ય કેન્દ્ર ગણાતા સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટેક્સટાઇલ વેપારી સાથે થયેલી રૂ. ૨૧.૮૬ લાખની છેતરપિંડીનો ઉકેલ લાવવામાં પોલીસને સફળતા મળી છે. આરોપીઓએ સલાબતપુરાના એક ટેક્સટાઇલ વેપારી પાસેથી મોટી માત્રામાં રૂ. ૨૧.૮૬ લાખની કિંમતની સાડી ખરીદી હતી.</p><h2><b>ઠગાઈ આચરનાર 2 વોન્ટેડ આરોપી રાજસ્થાનથી ઝડપાયા</b></h2><p>માલ મેળવી લીધા બાદ આરોપીઓએ નિયત સમયમર્યાદામાં વેપારીને નાણાં ચૂકવ્યા ન હતા. વેપારી દ્વારા ઉઘરાણી કરવામાં આવતાં આરોપીઓએ ફોન બંધ કરી દીધા હતા અને પોતાના વેપારધંધા બંધ કરી છેલ્લા બે મહિનાથી નાસતા ફરતા હતા. આ અંગે પીડિત વેપારી દ્વારા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીઓનું લોકેશન ટ્રેસ કર્યું હતું.</p><h3><b>બે મહિનાથી નાસતા ફરતા આરોપીઓને દબોચ્યા</b></h3><p>આરોપીઓ રાજસ્થાનમાં છુપાયા હોવાની ચોક્કસ માહિતી મળતાં સલાબતપુરા પોલીસની ખાસ ટીમે રાજસ્થાન ખાતે દરોડો પાડી બંને વોન્ટેડ આરોપીઓને ઝડપી લીધા હતા. પકડાયેલા બંને આરોપીઓને ટ્રાન્સફર રિમાન્ડ મેળવી સુરત લાવવામાં આવી રહ્યા છે.આરોપીઓએ સુરત માર્કેટના અન્ય કોઈ કાપડ વેપારી સાથે આ પ્રકારની ઠગાઈ આચરી છે કે કેમ તે દિશામાં પૂછપરછ હાથ ધરવામાં આવશે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/vadodara/pm-modi-vadodara-event-registration-full-in-one-hour-harsh-sanghavi-post" target="_blank">આ પણ વાંચો: Vadodara: પીએમ મોદીના કાર્યક્રમનું રજિસ્ટ્રેશન 1 કલાકમાં ફુલ, 36 હજારથી વધુ લોકો વેટિંગમાં</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/06/jNPdVbjMmdljpyFQmTf6LcKoqk1lYvncWfmDs4A3.webp'/></item><item><title><![CDATA[Suratના કાપોદ્રામાં પ્રેમલગ્નના વિવાદમાં વેવાઈએ જ કર્યું વેવાઈનું અપહરણ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-kapodra-love-marriage-kidnapping-case</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-kapodra-love-marriage-kidnapping-case</guid><pubDate>Sun, 06 Sep 2026 16:28:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં પ્રેમલગ્નના કૌટુમ્બિક વિવાદમાં અપહરણની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દીકરો અને દીકરી ભાગીને પ્રેમલગ્ન કરી લેતાં ઉશ્કેરાયેલા દીકરીના પિતા અને તેમના પરિવારે વેવાઈનું જ અપહરણ કરી લીધું હતું. કાપોદ્રા વિસ્તારમાં આવેલ સીમાડા નાકા પાસેની શક્તિવિજય સોસાયટી પાસેથી ગત રાત્રે આશરે 10 વાગ્યાના સુમારે આ સમગ્ર વારદાતને અંજામ આપવામાં આવ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>ગાડીમાં આવીને બળજબરીથી કરી ગયા અપહરણ</b></h2><p style="text-align: justify; ">જયંતીભાઈનો દીકરો અને ભરતભાઈ મકવાણાની દીકરી તાજેતરમાં પ્રેમલગ્ન કરવા માટે ભાગી ગયા હતા. પોતાની દીકરીને કોઈપણ ભોગે પાછી મેળવવાના આશયથી ભરતભાઈ મકવાણા અને તેમના પરિવારે આ કાવતરું રચ્યું હતું. ભરતભાઈનો પરિવાર અમદાવાદથી આવેલી ગ્રે કલરની ઈકો ગાડીમાં આવ્યો હતો અને સીમાડા નાકા પાસે જયંતીભાઈને આંતરીને ઢોર માર માર્યો હતો. ત્યારબાદ તેમને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડીને અપહરણ કરી ભાગી છૂટ્યા હતા.</p><h3 style="text-align: justify; "><b>પોલીસે હોટલમાંથી આરોપીઓને દબોચ્યા</b></h3><p style="text-align: justify; ">બનાવ અંગે ભોગ બનનાર જયંતીભાઈના પરિવારે તાત્કાલિક કાપોદ્રા પોલીસ મથકનો સંપર્ક કરીને મદદ માંગી હતી. ઘટનાની ગંભીરતા જોઈ કાપોદ્રા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી તપાસ શરૂ કરી હતી. પોલીસે સુરતથી આશરે 40 કિલોમીટર દૂર કોસંબા નજીક આવેલા ધમરોડ ગામની 'શિવશક્તિ હોટલ'ના પાર્કિંગમાંથી આરોપીઓને ઘેરી લીધા હતા. પોલીસે પીડિત જયંતીભાઈને સહીસલામત મુક્ત કરાવીને આરોપીઓને દબોચી લીધા હતા તથા રૂ. 2,40,000ની કિંમતની ઈકો ગાડી અને મોબાઈલ ફોન જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/06/bVAcIT0FFHXIyVOc6TFQzTcvafEDfK58PbiNtczk.webp'/></item><item><title><![CDATA[Post Officeની આ સ્કીમમાં 30 લાખ મૂકો, દર મહિને ₹20,500ની આવક મેળવો ]]></title><link>https://sandesh.com/business/news/post-office-scss-senior-citizen-savings-scheme-30-lakh-8-2-percent-interest</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/post-office-scss-senior-citizen-savings-scheme-30-lakh-8-2-percent-interest</guid><pubDate>Sun, 06 Sep 2026 16:10:19 +05:30</pubDate><description><![CDATA[<p>Post Office SCSS: વૃદ્ધાવસ્થામાં નાણાકીય સુરક્ષા દરેક વ્યક્તિની સૌથી મોટી જરૂરિયાત હોય છે. નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ નિયમિત આવકનો એક સ્ત્રોત હોવો ખૂબ જ જરૂરી છે, જેથી રોજિંદા ખર્ચ સરળતાથી ચલાવી શકાય. આવી સ્થિતિમાં પોસ્ટ ઓફિસની અનેક યોજનાઓ સામાન્ય લોકો માટે વરદાન સાબિત થઈ રહી છે. આ બચત યોજનાઓમાં એક વખત પૈસા રોકાણ કરીને તમે તમારી માસિક આવકને સંપૂર્ણપણે સુરક્ષિત કરી શકો છો. ખાસ વાત એ છે કે શેરબજારના ઉતાર-ચઢાવની તેના પર કોઈ અસર થતી નથી, એટલે કે તમારું રોકાણ સુરક્ષિત રહે છે.</p><h2><b>વૃદ્ધોની પસંદગીની યોજના</b></h2><p>પોસ્ટ ઓફિસની સિનિયર સિટિઝન સેવિંગ સ્કીમ (SCSS) વૃદ્ધોની નાગરિકોમાં ખૂબ લોકપ્રિય છે. સરકાર આ યોજનાની સુરક્ષાની ગેરંટી આપે છે, તેથી તે ઓછા જોખમવાળી સરકારી બચત યોજના છે. બેંક FDની સરખામણીમાં આ યોજનામાં સારું વ્યાજ આપવામાં આવી રહ્યું છે. કોઈપણ વૃદ્ધ નાગરિક માત્ર 1,000 રૂપિયાની રકમથી પોતાનું ખાતું ખોલાવી શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે તેમાં રોકાણ કરવા પર આવકવેરાની કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની કરછૂટનો લાભ પણ મેળવી શકાય છે.</p><h3><b>રોકાણની મર્યાદાના નિયમો</b></h3><p>આ સ્કીમમાં ખાતું ખોલાવવાના નિયમો ખૂબ સરળ રાખવામાં આવ્યા છે. જો તમે સિંગલ એકાઉન્ટ ખોલાવો છો, તો તેમાં મહત્તમ 15 લાખ રૂપિયા જમા કરી શકો છો. જ્યારે પતિ-પત્ની મળીને જોઈન્ટ એકાઉન્ટ ખોલાવે છે, ત્યારે મહત્તમ રોકાણની મર્યાદા 30 લાખ રૂપિયા થઈ જાય છે. યોજનાનો મેચ્યોરિટી પિરિયડ પાંચ વર્ષનો હોય છે. મેચ્યોરિટી પૂર્ણ થયા બાદ તમે તમારી મૂળ રકમ પરત મેળવી શકો છો. આ ઉપરાંત, જરૂરિયાત હોય તો યોજનાને આગામી ત્રણ વર્ષ માટે એક્સટેન્ડ પણ કરી શકાય છે.</p><h4><b>કેવી રીતે થશે બમ્પર કમાણી?</b></h4><p>હવે સૌથી મોટો સવાલ એ છે કે આ યોજનામાંથી દર મહિને સારી આવક કેવી રીતે થશે. હાલમાં સરકાર આ સ્કીમ પર 8.2 ટકાના દરે વાર્ષિક વ્યાજ આપી રહી છે. જો કોઈ કપલ જોઈન્ટ એકાઉન્ટમાં એકસાથે 30 લાખ રૂપિયા જમા કરે છે, તો 8.2 ટકાના હિસાબે વાર્ષિક 2,46,000 રૂપિયાનું વ્યાજ બને છે. નિયમો અનુસાર વ્યાજની ચુકવણી દર ત્રિમાસિક કરવામાં આવે છે. આ પ્રમાણે દર ત્રણ મહિને 61,500 રૂપિયા તમારા ખાતામાં આવશે. જો તેને મહિનાના હિસાબે જોવામાં આવે તો આ રકમ સીધી 20,500 રૂપિયા થાય છે.</p><h6><b>ખાતું બંધ કરવાની શરતો</b></h6><p>આ સરકારી સ્કીમનો સંપૂર્ણ લાભ ત્યારે જ મળે છે જ્યારે તમે સમગ્ર પાંચ વર્ષ સુધી તમારું રોકાણ જાળવી રાખો. જો કોઈ મજબૂરીના કારણે તમારે સમય પહેલાં પૈસા ઉપાડવા પડે, તો તેના માટે પણ કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે. સમય પહેલાં એકાઉન્ટ બંધ કરવા પર પેનલ્ટીની જોગવાઈ છે, જેના કારણે રોકાણકારને નુકસાન થઈ શકે છે. તેથી રોકાણ કરતા પહેલા તમારી ભવિષ્યની જરૂરિયાતોનું સંપૂર્ણ ધ્યાન રાખવું જરૂરી છે. કુલ મળીને, આ યોજના એવા લોકો માટે ઉપયોગી છે જેઓ ઓછા જોખમ સાથે નિયમિત આવક મેળવવા માંગે છે.&nbsp;</p><p><b><a href="https://sandesh.com/business/news/post-office-schemes-for-women-2026" target="_blank">આ પણ વાંચો:&nbsp; મહિલાઓ માટે રોકાણની મોટી તક! પોસ્ટ ઓફિસની આ યોજનાઓથી બનાવો મજબૂત ભવિષ્ય</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/06/JjRveFY97zVD4JOqsgPEo4nOWkyOqRVXXKOevrNC.webp'/></item><item><title><![CDATA[Valsadના ધરમપુરમાં કુવામાં ખાબક્યો દીપડો, ગુંદિયા ગામે ગ્રામજનો અને વન વિભાગે મહામુસીબતે કર્યું સફળ રેસ્ક્યુ ]]></title><link>https://sandesh.com/gujarat/news/valsad/a-leopard-fell-into-a-well-in-dharampur-valsad-and-was-successfully-rescued-by-villagers-and-the-forest-department-of-gundia-village-with-great-difficulty</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/valsad/a-leopard-fell-into-a-well-in-dharampur-valsad-and-was-successfully-rescued-by-villagers-and-the-forest-department-of-gundia-village-with-great-difficulty</guid><pubDate>Sun, 06 Sep 2026 15:56:50 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલા ગુંદિયા ગામે એક અવાવરૂ કૂવામાં દીપડો ખાબકવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગુંદિયા ગામના સીમ વિસ્તારમાં આવેલા કૂવામાંથી પ્રાણીનો અવાજ આવતાં જ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને તપાસ કરતાં કૂવામાં દીપડો હોવાનું માલૂમ પડ્યું હતું. કૂવામાં દીપડો પડ્યો હોવાની વાત વાયુવેગે પ્રસરતાં જ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં ગ્રામજનો અને આસપાસના લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. સ્થાનિકોએ ત્વરિત બુદ્ધિ વાપરીને આ અંગેની જાણ ધરમપુર વન વિભાગની ટીમને કરી હતી.</p><h2 style="text-align: justify; "><b>વન વિભાગ અને ગ્રામજનોના સંયુક્ત ઓપરેશનથી દીપડાનું મહામુસીબતે રેસ્ક્યૂ</b></h2><p style="text-align: justify; ">ઘટના અંગે માહિતી મળતાં જ વન વિભાગનો કાફલો જરૂરી રેસ્ક્યૂ સાધનો અને પાંજરા સાથે તુરંત ગુંદિયા ગામે દોડી આવ્યો હતો. કૂવો ઊંડો હોવાથી રેસ્ક્યૂ કામગીરી અત્યંત જોખમી અને પડકારજનક બની રહી હતી. વન વિભાગની ટીમે સ્થાનિક ગ્રામજનોના સહયોગથી ભારે જહેમત ઉઠાવીને કૂવામાં પાંજરૂં ઉતાર્યું હતું. કલાકોની ભારે મુસીબત અને ચીવટપૂર્વકના પ્રયાસો બાદ આખરે દીપડાને સલામત રીતે કૂવામાંથી બહાર કાઢીને પાંજરે પૂરવામાં સફળતા મળી હતી, જેનાથી વન વિભાગ અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.</p><p style="text-align: justify; "><video controls="" src="https://epapercdn.sandesh.com/images/2026/09/06/YKY67xrxykFQ35AR5F4GIASDajrYO6NHl3IrPI0h.mp4" width="640" height="360" class="note-video-clip"></video><br></p><h2 style="text-align: justify; "><b>વલસાડ અને ધરમપુરમાં દીપડાની સંખ્યા વધતાં સ્થાનિકોમાં ચિંતા ઘેરી બની</b></h2><p style="text-align: justify; ">સદનસીબે આ સમગ્ર રેસ્ક્યૂ કામગીરી દરમિયાન દીપડો કે કોઈ ગ્રામજન ઈજાગ્રસ્ત થયા નથી. પાંજરે પુરાયેલા દીપડાનું તબીબી પરીક્ષણ કરીને તેને સુરક્ષિત ઊંડા વન વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી વલસાડ અને ધરમપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાઓની વસતી અને માનવ વસાહતો નજીક ચહલપહલ ઉત્તરોત્તર વધતાં સ્થાનિક રહીશો તથા ખેડૂતોમાં ભારે ચિંતા અને ભયનું વાતાવરણ વ્યાપી ગયું છે. ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ સીમ વિસ્તારોમાં નિયમિત પાંજરા મૂકીને સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/imd-forecast--minimal-chance-of-heavy-rain-in-gujarat--light-showers-likely-in-ahmedabad" target="_blank">Weather Update : રાજ્યમાં વરસાદ અંગે મહત્વના સમાચાર, ભારે વરસાદનું જોર ઘટ્યું, વાતાવરણમાં માત્ર ઝાપટાં પડવાની શક્યતા</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/06/bC2hHnHUQ6j9FYTqPXzt75HpK8h7qucYbvmiz2AA.webp'/></item><item><title><![CDATA[London જઇ રહેલી ફ્લાઇટમાં ટેકનિકલ ખામી... અડધો કલાક આકાશમાં લગાવ્યા ચક્કર, બેંગલુરુ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ ]]></title><link>https://sandesh.com/india/news/bengaluru-kempegowda-airport-virgin-atlantic-london-flight-technical-glitch-emergency-return-270-safe</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/bengaluru-kempegowda-airport-virgin-atlantic-london-flight-technical-glitch-emergency-return-270-safe</guid><pubDate>Sun, 06 Sep 2026 15:54:19 +05:30</pubDate><description><![CDATA[<p>રવિવારે સવારે બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (KIAB) પર એક મોટી ઘટના ટળી ગઈ જ્યારે લંડન જતી વર્જિન એટલાન્ટિક ફ્લાઇટને ટેકનિકલ ખામીને કારણે ટેકઓફ કર્યા પછી તરત જ તાત્કાલિક પરત ફરવું પડ્યું. બેંગલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (BIAL) ના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, બોઇંગ વિમાનમાં સવાર તમામ 270 મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત છે.</p><p><br></p><p>વર્જિન એટલાન્ટિક ફ્લાઇટ સવારે લગભગ 8:20 વાગ્યે બેંગલુરુથી લંડન માટે ઉડાન ભરી હતી. જોકે, હવામાં ઉડાન ભર્યાના થોડા સમય પછી, ક્રૂને વિમાનમાં ટેકનિકલ ખામી જોવા મળી.</p><p><br></p><p>સલામતીને પ્રાથમિકતા આપતા, પાઇલટ્સે તાત્કાલિક સાવચેતીનાં પગલાં લીધાં અને વિમાનને એરપોર્ટ તરફ પાછું ફેરવ્યું. સલામત ઉતરાણની સ્થિતિ સુનિશ્ચિત કરવા અને માનક પ્રોટોકોલનું પાલન કરવા માટે વિમાન બેંગલુરુ પરત ફરતા પહેલા અડધા કલાકથી વધુ સમય માટે નજીકના તુમકુરુ વિસ્તારમાં ચક્કર લગાવ્યું.</p><p><br></p><p>ત્યારબાદ, વિમાન કેમ્પેગૌડા એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું. ઘટના અંગે વર્જિન એટલાન્ટિકના નિવેદનની રાહ જોવામાં આવી રહી છે, જ્યારે એરપોર્ટ અધિકારીઓ ટેકનિકલ ખામીનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ કરી રહ્યા છે.<br><br>આ પણ વાંચો:<a href="https://sandesh.com/india/news/baba-bageshwar-dhirendra-shastri-slams-swara-bhaskar-jauhar-cowardice" target="_blank"><b> Jauhar Row: જૌહર કાયરતા નથી... બાબા બાગેશ્વરે સ્વરા ભાસ્કરને લીધી આડેહાથ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/06/CkaVrFWZuyNVu4FpopHgRGYzBJMK1GflWDEmvJXw.webp'/></item><item><title><![CDATA[Badshah Divorce Truth : બાદશાહની એક્સ વાઇફે છૂટાછેડા અને બીજા લગ્ન પર તોડ્યું મૌન! સામે લાવી દીધું મોટું સત્ય ]]></title><link>https://sandesh.com/entertainment/news/badshah-ex-wife-separation-second-marriage</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/badshah-ex-wife-separation-second-marriage</guid><pubDate>Sun, 06 Sep 2026 11:35:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પંજાબી સિંગર અને રેપર બાદશાહ છેલ્લા ઘણા સમયથી પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. સિંગરે પંજાબી અભિનેત્રી ઈશા રિખી સાથે લગ્ન કર્યા હતા. જોકે, તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને બંનેએ અલગ થવાની જાહેરાત કરી હતી. પરંતુ વાત અહીં અટકી નહીં અને પછી આ મામલો વિવાદમાં ફેરવાઈ ગયો. ઈશાએ પોતાની પોસ્ટ દ્વારા પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. હવે અભિનેત્રીએ પોતાના બીજા લગ્ન અને છૂટાછેડાને લઈને પ્રતિક્રિયા આપી છે.</p><h2 style="text-align: justify; "><b>ઈશાએ અલગ થવા અને લગ્ન અંગે મૌન તોડ્યું</b></h2><p style="text-align: justify; ">ઈશા રિખીને લઈને હાલ એવી ચર્ચા ચાલી રહી છે કે બાદશાહથી અલગ થયા બાદ તે બીજા લગ્ન કરશે કે નહીં. તેમના છૂટાછેડાને લઈને પણ અનેક અહેવાલો સામે આવ્યા છે. આ અંગે ઈશા રિખીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે. તેમાં તેણે લખ્યું, મારા લગ્નને લઈને અનેક પ્રકારની અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. મારા વિશેના સમાચાર વાંચીને અને સાંભળીને હું ચોંકી ગઈ છું. હું મીડિયાને વિનંતી કરું છું કે મારા લગ્ન અને અલગ થવા અંગે કોઈપણ પ્રકારની અફવા ન ફેલાવે.</p><p style="text-align: justify; "><img alt="Badshah ex wife breaks silence (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/06/5dKl0yKayChl3O6CJj6XXsAFm4b2R65CzPW6Dlh0.webp"><br></p><p style="text-align: justify; ">આટલું જ નહીં, ઈશા રિખીએ પોતાની પોસ્ટમાં લોકોને પણ વિનંતી કરી હતી. તેણે લખ્યું, જ્યાં સુધી હું પોતે કોઈ માહિતી સીધી રીતે શેર ન કરું ત્યાં સુધી કોઈપણ પ્રકારના સમાચારને સાચા ન માનશો. હું મારી સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર પોતે જ માહિતી શેર કરીશ. આભાર.</p><h3 style="text-align: justify; "><b>અંગત જીવનને લોકો વચ્ચે ચર્ચાનો વિષય બનાવવા નથી માગતી ઈશા રિખી</b></h3><p style="text-align: justify; ">ઈશા રિખીએ તાજેતરમાં ઈ-ટાઇમ્સ સાથે પણ વાત કરી હતી. આ દરમિયાન તેણે પહેલીવાર બાદશાહ સાથે લગ્નજીવન તૂટવા અને અલગ થવા અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે આ મામલે તેણે પહેલા વાત એટલા માટે નહોતી કરી, કારણ કે તે પોતાના અંગત જીવનને લોકો વચ્ચે ચર્ચાનો વિષય બનાવવા માગતા નહોતા. તેથી તે ચૂપ રહ્યા હતા. અભિનેત્રીએ એ પણ કહ્યું હતું કે તેનો પ્રેમ પરથી વિશ્વાસ ઉઠ્યો નથી, પરંતુ હાલમાં તે રોમેન્ટિક સંબંધ માટે તૈયાર નથી.</p><p style="text-align: justify; "><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DZsNHu-DhGl/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DZsNHu-DhGl/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DZsNHu-DhGl/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DZsNHu-DhGl/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><p style="text-align: justify; ">ઈશાનું કહેવું છે કે તેની સાથે ઘણું ખરાબ થયું છે, તેથી તે નકારાત્મક વ્યક્તિ બનવા માગતી નથી. જોકે, તેનું માનવું છે કે આ બધામાંથી બહાર આવવામાં તેને સમય લાગશે. બીજા લગ્ન અંગે તેણે કહ્યું કે હાલમાં તેઓ તેના વિશે વિચારી રહી નથી. ફરી લગ્ન કરવાથી તેઓ ઘણા ડરી રહ્યા છે. તેનું કહેવું છે કે અત્યારે તેમના જીવનમાં લગ્ન માટે કોઈ જગ્યા નથી. જોકે, જીવનમાં ક્યારે શું થાય તે કહી શકાય નહીં.</p><h3 style="text-align: justify; "><b>ઈશા રિખીનો પ્રેમ અને લગ્ન</b></h3><p style="text-align: justify; ">ઈશા રિખી અને બાદશાહે લગ્ન પહેલાં 4 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. ત્યારબાદ બંનેએ ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. માર્ચ 2026માં ઈશાની માતાએ સોશિયલ મીડિયા પર તેમના લગ્નની તસવીરો શેર કરી હતી, ત્યારબાદ તેમના લગ્નની વાત સામે આવી હતી. જોકે, માત્ર 5 મહિનામાં જ તેમનો સંબંધ તૂટવાની અણી પર પહોંચી ગયો. ઈશા રિખી ટૂંક સમયમાં સલમાન ખાનના શો બિગ બોસ 20માં જોવા મળશે. શોનું ગ્રાન્ડ પ્રીમિયર 6 સપ્ટેમ્બર, 2026ના રોજ થવાનું છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/miss-world-2026-johery-mole-nikita-porwal'" target="_blank">આ પણ વાંચો-Miss World 2026 : ઝોહેરી મોલે જીત્યો વિશ્વ સુંદરીનો તાજ! ભારતની નિકિતા પોરવાલ ટોપ 20માંથી થઈ બહાર</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/06/dEkEhEAIGSnWmQb0ruRsV2JYgdglVXD22sqnBKar.webp'/></item><item><title><![CDATA[China Masters 2026 Badminton : સાત્વિક-ચિરાગની ધમાકેદાર એન્ટ્રી, ચાઇના માસ્ટર્સની ફાઇનલમાં પહોંચ્યા ]]></title><link>https://sandesh.com/sports/news/satwik-chirag-enter-china-masters-2026-final-after-beating-malaysia-pair</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/satwik-chirag-enter-china-masters-2026-final-after-beating-malaysia-pair</guid><pubDate>Sun, 06 Sep 2026 09:04:07 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતની અનુભવી બેડમિન્ટન જોડી સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ચાઇના માસ્ટર્સ 2026ની ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરી લીધું છે. શનિવારે રમાયેલી સેમિફાઇનલમાં ભારતીય જોડીએ મલેશિયાની જોડીને 21-16, 18-21, 21-11થી હરાવીને ખિતાબી મુકાબલામાં પ્રવેશ કર્યો હતો. આ મેચ લગભગ 1 કલાક અને 6 મિનિટ સુધી ચાલી હતી.હવે ફાઇનલમાં સાત્વિક અને ચિરાગનો સામનો ચીનની ઘરઆંગણાની જોડી સામે થશે. ભારતીય જોડી છેલ્લા 4 વર્ષમાં ત્રીજી વખત આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે. જોકે, તેઓ અત્યાર સુધી એક પણ વખત ચાઇના માસ્ટર્સનો ખિતાબ જીતી શક્યા નથી. તેથી આ વખતે ભારતીય ચાહકોને સાત્વિક-ચિરાગ પાસેથી પ્રથમ વખત ચેમ્પિયન બનવાની મોટી આશા છે.</p><h5 style="text-align: justify; "><b>મલેશિયાની જોડી સામે ફરી ભારતનો દબદબો</b></h5><p style="text-align: justify; ">વિશ્વ રેન્કિંગમાં 5મા ક્રમે રહેલી સાત્વિક-ચિરાગની ભારતીય જોડીએ સેમિફાઇનલમાં શાનદાર રમત બતાવી હતી. બીજા સેટમાં થોડો પડકાર મળ્યા બાદ ભારતીય ખેલાડીઓએ નિર્ણાયક ત્રીજા સેટમાં જોરદાર વાપસી કરી હતી.મલેશિયાની 29મા ક્રમાંકની જોડી સામે સાત્વિક અને ચિરાગનો રેકોર્ડ પહેલેથી જ સારો હતો. આ મેચ પહેલાં બંને જોડીઓ વચ્ચે 2 મુકાબલા રમાયા હતા અને બંનેમાં ભારતીય જોડીનો વિજય થયો હતો. સાત્વિક-ચિરાગે 2024 થાઇલેન્ડ ઓપન અને 2025 મલેશિયા ઓપનમાં પણ આ જોડી સામે જીત મેળવી હતી.ભારતીય જોડી 2023 અને 2025માં પણ ચાઇના માસ્ટર્સની રનર-અપ રહી ચૂકી છે. એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી આ જોડી હવે ત્રીજી વખત ફાઇનલમાં પહોંચી છે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/ani_digital/status/2096259001201885563?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h5 style="text-align: justify; "><b>શરૂઆતમાં 0-5થી પાછળ હતા</b></h5><p style="text-align: justify; ">સેમિફાઇનલની શરૂઆત ભારતીય જોડી માટે સારી રહી નહોતી. ચોથી ક્રમાંકિત સાત્વિક અને ચિરાગ એક સમયે 0-5થી પાછળ ચાલી રહ્યા હતા. જોકે બંને ખેલાડીઓએ જોરદાર વાપસી કરતાં સતત 7 પોઇન્ટ મેળવી લીધા હતા.મેચ દરમિયાન 34 શોટની લાંબી રેલી પણ જોવા મળી હતી. આ રેલી બાદ ભારતે 7-5ની સરસાઈ મેળવી હતી. મલેશિયાના ખેલાડી નૂરની કેટલીક ભૂલોનો ફાયદો ઉઠાવીને ભારતીય જોડી 10-6થી આગળ થઈ હતી. જોકે ત્યારબાદ સાત્વિક અને ચિરાગ તરફથી પણ કેટલીક ભૂલો થઈ હતી. તેમ છતાં ભારતીય જોડી બ્રેક સમયે 11-9થી આગળ હતી.</p><h5 style="text-align: justify; "><b>નિર્ણાયક સેટમાં ભારતીય ખેલાડીઓનો દબદબો</b></h5><p style="text-align: justify; ">બીજા સેટમાં મલેશિયાની જોડીએ 21-18થી જીત મેળવીને મેચને નિર્ણાયક ત્રીજા સેટમાં પહોંચાડી હતી.જોકે ત્રીજા સેટમાં સાત્વિક અને ચિરાગે શરૂઆતથી જ મજબૂત રમત બતાવી હતી.ભારતીય જોડીએ લાંબા શોટ્સ પર પોતાની પકડ જાળવી રાખી અને બ્રેક સુધી 11-4ની મોટી સરસાઈ મેળવી લીધી હતી. ત્યારબાદ સાત્વિકે જોરદાર સ્મેશ ફટકારીને ભારતની સરસાઈ 13-6 કરી હતી.મેચ આગળ વધતાં મલેશિયાના ખેલાડીઓ પર થાક સ્પષ્ટ દેખાવા લાગ્યો હતો. ભારતીય જોડીએ તેનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને મેચ પર પોતાની પકડ વધુ મજબૂત કરી. ચિરાગના એક સચોટ શોટ બાદ ભારત મેચ જીતવાની નજીક પહોંચી ગયું હતું.મલેશિયાના ખેલાડી ટૈને શરૂઆતના 2 મેચ પોઇન્ટ બચાવ્યા હતા, પરંતુ ત્યારબાદ ચિરાગે સચોટ સર્વ કરીને મહત્વનો પોઇન્ટ મેળવ્યો અને ભારતની જીત પર મહોર મારી હતી.હવે સાત્વિક-ચિરાગની નજર ચાઇના માસ્ટર્સની ટ્રોફી પર છે. અગાઉ 2 વખત ફાઇનલમાં પહોંચ્યા બાદ ખિતાબથી વંચિત રહેલી ભારતીય જોડી આ વખતે ચીનની ઘરઆંગણાની જોડી સામે પ્રથમ ચાઇના માસ્ટર્સ ટ્રોફી જીતવા માટે કોર્ટ પર ઉતરશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો<a href="https://sandesh.com/sports/news/us-open-2026-aryna-sabalenka-stops-play-after-smelling-marijuana-during-match--complains-to-umpire" target="_blank"> - US Open 2026: ના વરસાદ, ના કોઈ ટેકનિકલ ખામી, સ્ટેડિયમમાં ગાંજાની ગંધ અને રોકાઈ રમત..</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/06/AhbIusQIZ09BJVatoI8b1zMTDEo9dtsbr3FXqYET.webp'/></item></channel></rss>