<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Rajkot: અનૈતિક સંબંધની શંકા અને 2 વર્ષ જૂની અદાવતમાં હત્યા, સમાધાન ન થતાં ખેલાયો ખૂની ખેલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/rajkot/bhaktinagar-murder-case-ghanshyamsinh-vaghela-dharmendrasinh-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/rajkot/bhaktinagar-murder-case-ghanshyamsinh-vaghela-dharmendrasinh-arrested</guid><pubDate>Mon, 03 Aug 2026 17:56:08 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ શહેરના જલારામ ચોકથી ભક્તિનગર સર્કલ તરફ જતા માર્ગ પર આવેલા ધર્મજીવન એપાર્ટમેન્ટ નીચે શનિવારે સાંજે સાડા છ વાગ્યાના સુમારે સરેરાહ સનસનાટી મચી ગઈ હતી. ઓઇલ એન્જિનના વ્યવસાય સાથે સંકળાયેલા 42 વર્ષીય ઘનશ્યામસિંહ વાઘેલા પોતાના મિત્ર પ્રહલાદસિંહ જાડેજા અને સંદીપસિંહ સાથે કારમાં બેઠા હતા. આ દરમિયાન કાળા કપડાં પહેરેલો એક અજાણ્યો શખ્સ આવ્યો હતો અને ઘનશ્યામસિંહને બહાર આવવા કહ્યું હતું.</p><h2><b>ભક્તિનગર સર્કલ પાસે લોહિયાળ ખેલ!</b></h2><p>ઘનશ્યામસિંહ કારમાંથી નીચે ઉતરતાં જ પાછળથી ધસી આવેલા કૌટુંબિક ભાઈ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ તેમની છાતી, હાથ, ખભા, વાસા અને પડખાના ભાગે છરીના 6 થી 7 જેટલા ઊંડા ઘા ઝીંકી દીધા હતા. સાથે રહેલા મિત્રોએ વચ્ચે પડી બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા ઘનશ્યામસિંહને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. ભક્તિનગર પોલીસે બનાવ અંગે BNS ની કલમ 103(1) (હત્યા) નો ઉમેરો કરીને કાનૂની કાર્યવાહી કરી છે.</p><h3><b>કથિત અનૈતિક સંબંધોની શંકાએ ઝઘડો થયો</b></h3><p>બે વર્ષ અગાઉ નવરાત્રિમાં ધોરાજીના ભાડેર ગામે મૃતક ઘનશ્યામસિંહ અને આરોપીના મોટાભાઈની પત્ની (ભાભી) વચ્ચેના કથિત અનૈતિક સંબંધોની શંકાએ ઝઘડો થયો હતો. ત્યારે ધર્મેન્દ્રસિંહે મૃતક અને તેમના પિતા પર હુમલો કર્યો હતો, જેનો કેસ પાટણવાવ પોલીસ મથકે નોંધાયો હતો અને હાલ ધોરાજી કોર્ટમાં ચાલુ છે. આ વિવાદ બાદ ધર્મેન્દ્રસિંહના મોટાભાઈએ પત્ની સાથે છૂટાછેડા લીધા હતા. આરોપી પક્ષ કેસમાં સમાધાન માટે દબાણ કરતો હતો પરંતુ મૃતકનો પરિવાર તૈયાર નહોતો.</p><h5><b>આરોપીની પોલીસે અટકાયત કરી</b></h5><p>1 ઓગસ્ટના રોજ હુમલો કરનાર ધર્મેન્દ્રસિંહે અઠવાડિયા અગાઉ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી કે ઘનશ્યામસિંહ તેને ફોન પર ધમકીઓ આપી પરિવારને નુકસાન પહોંચાડી શકે છે, જેથી ડરના માર્યા તેણે ઘર પણ બદલ્યું હતું.ભક્તિનગર પોલીસ હાલ પકડાયેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાની સઘન પૂછપરછ કરી રહી છે. તેમજ હુમલા વખતે તેની સાથે રહેલો આશરે ૩૦ વર્ષનો અજાણ્યો શખ્સ કોણ હતો અને તેની શું ભૂમિકા હતી તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhuj/bhuj-ambulance-catches-fire-near-district-panchayat-gate-fire-brigade-controls" target="_blank">આ પણ વાંચો: Bhuj: જિલ્લા પંચાયત ગેટ પાસે જ એમ્બ્યુલન્સમાં અચાનક ભીષણ આગ, ફાયર વિભાગની ટીમે આગ પર મેળવ્યો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/mDro7pDqYsE5N9oTfEb1HPsHIT5yaSsmDaxBrxJU.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: 500 વિદ્યાર્થીઓએ માર્ગ સુરક્ષા અગ્રદૂત તરીકે તાલીમ મેળવી ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/500-students-trained-as-road-safety-ambassadors</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/500-students-trained-as-road-safety-ambassadors</guid><pubDate>Mon, 03 Aug 2026 17:54:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી અને વાહન વ્યવહાર વિભાગ ગુજરાતની પ્રેરણાથી આવાસ ફાઇનાન્સિયર્સ લિમિટેડ, રાજસ્થાન રોડ સેફ્ટી સોસાયટી અને સ્ટીલબર્ડના સંયુક્ત ઉપક્રમે તેમજ કડી સર્વ વિશ્વ વિદ્યાલય,ગાંધીનગરના સહયોગથી આવાસ યુથ રોડ સેફ્ટી શિક્ષણ અને જાગૃતિ અભિયાન અંતર્ગત માર્ગ સુરક્ષા અગ્રદૂત તાલીમ અને નિઃશુલ્ક હેલ્મેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.કાર્યક્રમ દરમિયાન તાલીમ પૂર્ણ કર્યા બાદ 500 વિદ્યાર્થીઓએ માર્ગ સુરક્ષા અગ્રદૂત તરીકે દેશમાં સુરક્ષિત માર્ગ સંસ્કૃતિ વિકસાવવા અને વર્ષ 2047 સુધી માર્ગ અકસ્માતમુક્ત ભારતના નિર્માણમાં સક્રિય યોગદાન આપવાનો સંકલ્પ લીધો હતો.&nbsp;&nbsp;</p><h2 style="text-align: justify; "><b>અભિયાન અને તાલીમ મોડ્યુલની પ્રશંસા કરી</b></h2><p style="text-align: justify; ">ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના કમિશનર સતીશ પટેલે સુરક્ષિત માર્ગો દ્વારા સમૃદ્ધ ભારતના નિર્માણ માટે અપીલ કરી અને માર્ગ સુરક્ષાના વિશેષ સંદેશ સાથે સ્ટીલબર્ડ હેલ્મેટ વિદ્યાર્થીઓને વિતરણ કર્યા હતાં. તેમણે આવાસ ફાઇનાન્સિયર્સ લિમિટેડ, રાજસ્થાન રોડ સેફ્ટી સોસાયટીની અધ્યક્ષ ઋતુ ચૌહાણ તથા તેમની ટીમ દ્વારા માર્ગ સુરક્ષા ક્ષેત્રે ચાલી રહેલા જનજાગૃતિ અભિયાનની પ્રશંસા કરી અને માર્ગ અકસ્માતો ઘટાડવા માટે સૌને સાથે મળીને કાર્ય કરવાની અપીલ કરી હતી.કડી સર્વ વિશ્વ વિદ્યાલય ડિરેક્ટર ગાર્ગી રાજપરાએ આ અનોખા અભિયાન અને તાલીમ મોડ્યુલની પ્રશંસા કરી હતી.</p><p style="text-align: justify; "><img alt="માર્ગ અકસ્માતથી બચવાની તાલિમ" src="https://epapercdn.sandesh.com/images/2026/08/03/jMh59m5V0hEfoeOje24SGeidH3ft7RqoVIAeH7R3.webp" style="width: 100%;"><br></p><h3 style="text-align: justify; "><b>અકસ્માતગ્રસ્તોની મદદ માટે આગળ આવવાની અપીલ</b></h3><p style="text-align: justify; ">મુખ્ય પ્રશિક્ષક તરીકે રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા પુરસ્કારથી સન્માનિત માર્ગ સુરક્ષા વિષયના ગોલ્ડ મેડાલિસ્ટ અને રાજસ્થાનના ઉપ પરિવહન આયુક્ત ડૉ. વીરેન્દ્ર સિંહ રાઠોડે પોતાના દ્વારા તૈયાર કરાયેલા રોડ સેફ્ટી ચક્ર અને માર્ગ સુરક્ષા પોકેટ બુકના માધ્યમથી સરળ અને રસપ્રદ ઉદાહરણો દ્વારા સુરક્ષિત મુસાફરીના નિયમોની સમજ આપી હતી.તેમણે રાહવીર યોજના હેઠળ માર્ગ અકસ્માતમાં ઘાયલોની મદદ કરનારાઓને મળતા રોકડ ઇનામ અને પ્રશસ્તિપત્ર વિશે માહિતી આપી તેમજ વધુમાં વધુ લોકોને અકસ્માતગ્રસ્તોની મદદ માટે આગળ આવવાની અપીલ કરી હતી.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><img alt="માર્ગ અકસ્માત અને હેલ્મેટ" src="https://epapercdn.sandesh.com/images/2026/08/03/NDaKc11URcEXYOovlNptPnb6A3GE9MnglC3OJmMq.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>વિદ્યાર્થીઓને હંમેશા હેલ્મેટ પહેરવાની અપીલ</b></h2><p style="text-align: justify; ">ડૉ.રાઠોડે જણાવ્યું કે,ભારત માર્ગ અકસ્માતોમાં થતા મૃત્યુના મામલે લાંબા સમયથી વિશ્વના અગ્રણી દેશોમાં સ્થાન ધરાવે છે. જે અત્યંત ચિંતાજનક બાબત છે. તેમણે વર્ષ 2047 સુધી અકસ્માતમુક્ત ભારતના લક્ષ્યને હાંસલ કરવા માટે યુવાનોને માર્ગ સુરક્ષા પ્રત્યે જાગૃત રહેવા આહ્વાન કર્યું હતું.ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના સંયુક્ત કમિશનર પ્રશાંત માંગુડાએ તમામ વિદ્યાર્થીઓને માર્ગ સુરક્ષાની શપથ લેવડાવી. તેમણે જણાવ્યું કે માર્ગ અકસ્માતોમાં થતા મૃત્યુના મામલે ગુજરાત દેશના ટોચના દસ રાજ્યોમાં સમાવિષ્ટ હોવું ગંભીર ચિંતાનો વિષય છે. તેમણે દ્વિચક્રી વાહન લઈને કોલેજ આવતા વિદ્યાર્થીઓને હંમેશા હેલ્મેટ પહેરવાની અપીલ કરી હતી.</p><p style="text-align: justify; "><img alt="ગાંધીનગર" src="https://epapercdn.sandesh.com/images/2026/08/03/lz8PwUgQOYZ2IUCVuxdXHfmPuX8BOWr1v8MxNvrz.webp"><br></p><h2 style="text-align: justify; "><b>1.15 લાખથી વધુ લોકોને તાલીમ અને હેલ્મેટ આપ્યા</b></h2><p style="text-align: justify; ">આરટીઓ ગાંધીનગર કનકસિંહ પરમારે વિદ્યાર્થીઓને ડ્રાઇવિંગ લાઇસન્સનું મહત્વ, તેના નિયમો અને લાઇસન્સ મેળવવાની સંપૂર્ણ પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપી હતી.આવાસ ફાઇનાન્સિયર્સ લિમિટેડના CSR હેડ સત્યજીત તિવારીએ હેલ્મેટના મહત્વ વિશે સમજાવતાં જણાવ્યું કે આ અભિયાન હેઠળ અત્યાર સુધી 35 હજારથી વધુ માર્ગ સુરક્ષા અગ્રદૂતો તૈયાર કરીને માર્ગ સુરક્ષાના વિશેષ સંદેશ સાથેના હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું છે. રાજસ્થાન રોડ સેફ્ટી સોસાયટીના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ભરતરાજ ગુર્જરે જણાવ્યું કે સોસાયટીએ અત્યાર સુધી 1.15 લાખથી વધુ લોકોને તાલીમ અને હેલ્મેટ આપીને માર્ગ સુરક્ષા અગ્રદૂત બનાવ્યા છે, તેમજ 10 લાખથી વધુ લોકોને માર્ગ સુરક્ષા અંગે જાગૃત કર્યા છે.</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-approves-subhash-bridge-work" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: AMC રોડ કમિટીએ સુભાષબ્રિજના કામને મંજૂરી આપી, કુલ ખર્ચમાં 7થી 10 કરોડનો ફાયદો થશે</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/QiNEygPZ0fEshAAVyxdnzAwkrTPXP0HuSD508zu9.webp'/></item><item><title><![CDATA[Celebrity Home  : 1 કરોડનું ઈન્ટીરીયર, 5 કરોડનું ઘર... મનીષા રાનીએ બતાવ્યું પોતાનું ડ્રીમ હોમ આંગન ]]></title><link>https://sandesh.com/entertainment/news/bigg-boss-ott-manisha-rani-new-house-1</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/bigg-boss-ott-manisha-rani-new-house-1</guid><pubDate>Mon, 03 Aug 2026 17:47:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">28 વર્ષની ઉંમરે મનીષા રાની એ એવી સિદ્ધિ મેળવી છે, જે મેળવવામાં ઘણા લોકોને વર્ષો લાગી જાય છે. બિહારના મુંગેરની રહેવાસી મનીષાએ મુંબઈના પોશ વિસ્તારમાં પોતાનું ઘર ખરીદીને તેને એક લક્ઝરી હોમમાં ફેરવી દીધું છે. બિગ બોસ OTT ફેમ અને ઇન્ફ્લુએન્સર મનીષા રાની એ આખરે મુંબઈના ગોરેગાંવમાં આવેલા પોતાના ભવ્ય ઘરની ઝલક બતાવી છે. લગભગ 5 કરોડ રૂપિયાની કિંમત ધરાવતા આ ઘરમાં રહેવા જતાં પહેલાં તેણે તેના રિનોવેશનમાં 1 વર્ષથી વધુ સમય આપ્યો હતો. મનીષાએ પોતાના ઘરને આંગન નામ આપ્યું છે. ઘરના મુખ્ય દરવાજા પર પિત્તળના હેન્ડલ સાથે સંપૂર્ણ સફેદ દરવાજો લગાવવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>ઘરનું રિનોવેશન પૂર્ણ કરવામાં 1 વર્ષ લાગ્યું</b></h2><p style="text-align: justify; ">મનીષા રાનીને પોતાના સપનાના ઘરનું રિનોવેશન પૂર્ણ કરવામાં 1 વર્ષ લાગ્યું હતું અને તેણે કસ્ટમાઇઝ્ડ ઇન્ટિરિયર ડિઝાઇન પર લગભગ 1 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. મનીષાનું આ 3-BHK એપાર્ટમેન્ટ લગભગ 5 કરોડ રૂપિયાનું છે. તેનું ઘર મુંબઈની એક સોસાયટીના 17મા માળે આવેલું છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dbke0ITudtV/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dbke0ITudtV/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dbke0ITudtV/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dbke0ITudtV/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h2 style="text-align: justify; "><b>મનીષા રાનીનું લક્ઝરી ઘર</b></h2><p style="text-align: justify; ">મનીષા રાનીએ પોતાના યુટ્યુબ ચેનલ પર હોમ ટૂર વીડિયો શેર કરીને પોતાના સપનાના ઘરની ઝલક બતાવી હતી. તેણે જણાવ્યું કે ઘરના દરેક ખૂણાને તેની પસંદ પ્રમાણે ડિઝાઇન કરવામાં આવ્યો છે. માત્ર ઇન્ટિરિયર પર જ લગભગ 1 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે, જેથી ઘર બરાબર એવું જ બને જેવું તેણે હંમેશા સપનું જોયું હતું. ઘરના પ્રવેશદ્વારથી લઈને લિવિંગ એરિયા સુધી દરેક જગ્યાએ મોડર્ન અને એલિગન્ટ ઇન્ટિરિયર જોવા મળે છે. મનીષાએ જણાવ્યું કે તેમણે પોતાના ઘરને આંગન નામ આપ્યું છે, કારણ કે તેઓ ઇચ્છતા હતા કે આ માત્ર ઘર નહીં, પરંતુ પરિવાર અને પોતાના લોકોની યાદો સાથે જોડાયેલી ખાસ જગ્યા બને.</p><h3 style="text-align: justify; "><b>મનીષા રાનીના ઘરનું પ્રવેશદ્વાર</b></h3><p style="text-align: justify; ">મનીષાના ઘરમાં પ્રવેશ કરતાં જ સૌથી પહેલાં એક નાનું મંદિર જોવા મળે છે. અહીં તેણે ભગવાન હનુમાન, માતા લક્ષ્મી, ભગવાન શિવ અને ભગવાન ગણેશની મૂર્તિઓ સ્થાપિત કરી છે. તેણે જણાવ્યું, પૂજારીએ વાસ્તુ મુજબ મંદિર અહીં રાખવાની સલાહ આપી હતી. મંદિરની બાજુમાં એક નાનો રબર પ્લાન્ટ પણ રાખવામાં આવ્યો છે. મનીષાના જણાવ્યા મુજબ વાસ્તુમાં રબર પ્લાન્ટને આર્થિક સમૃદ્ધિ માટે શુભ માનવામાં આવે છે.<br><img alt="Manisha Rani (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/03/glfTl7G1pDqL5zNLYj1hYoXM1SNyCGhLx0sj2KnS.webp"><br></p><p style="text-align: justify; ">હોમ ટૂર દરમિયાન મનીષાએ પોતાનો લિવિંગ રૂમ, ડાઇનિંગ એરિયા, મોડ્યુલર કિચન, બેડરૂમ, ડ્રેસિંગ એરિયા અને બાલ્કની પણ બતાવી હતી. ઘરમાં મોટી બાલ્કની, ડાઇનિંગ ટેબલ વગરનો વિશાળ ઓપન-પ્લાન લિવિંગ રૂમ અને કસ્ટમ વોક-ઇન વોર્ડરોબ સાથેનો ડ્રેસિંગ રૂમ છે. મનીષા રાનીના નવા ઘરમાં દરેક રૂમ માટે અલગ કલર થીમ રાખવામાં આવી છે અને કિચનમાં માર્બલ ફિનિશવાળી ખાસ કેબિનેટ્સ બનાવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે ઘરના દરેક ભાગનું પ્લાનિંગ તેમણે જાતે કર્યું છે અને દરેક નાની-મોટી બાબતમાં તેમની પસંદ સામેલ છે.</p><h4 style="text-align: justify; "><b>મનીષા રાનીની સફર</b></h4><p style="text-align: justify; ">ઘર બતાવતાં-બતાવતાં મનીષા ઘણી વખત ભાવુક પણ થઈ ગઈ હતી. તેણે કહ્યું કે એક સમય એવો હતો જ્યારે તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે મુંબઈ જેવા શહેરમાં તેનું પોતાનું આટલું સુંદર ઘર હશે. આજે તેનું આ સપનું સાકાર થયું છે અને તેના માટે તેઓ પોતાના ફેન્સનો દિલથી આભાર માને છે. મનીષા રાનીની સફર પણ પ્રેરણાદાયક છે. બિહારના એક નાના શહેરમાંથી બહાર આવી તેમણે સોશિયલ મીડિયા દ્વારા પોતાની ઓળખ બનાવી. ત્યારબાદ 'બિગ બોસ OTT 2', 'ઝલક દિખલા જા 11' અને અનેક મ્યુઝિક વીડિયોઝે તેમને ઘર-ઘરમાં લોકપ્રિય બનાવી દીધા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/highest-paid-bollywood-actresses-fees-top-5" target="_blank">આ પણ વાંચો-Highest Paid Actress : એક ફિલ્મ માટે કરોડો રૂપિયા વસૂલે છે બોલીવુડની આ અભિનેત્રીઓ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/G0uqDpZf2ORCUaVW9xDCXyGHMmRDWrvQ78godrbk.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: AMC રોડ કમિટીએ સુભાષબ્રિજના કામને મંજૂરી આપી, કુલ ખર્ચમાં 7થી 10 કરોડનો ફાયદો થશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-approves-subhash-bridge-work</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-approves-subhash-bridge-work</guid><pubDate>Mon, 03 Aug 2026 17:40:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં સૌથી વ્યસ્ત ગણતા સુભાષ બ્રિજ પર તિરાડો પડી ગયા બાદ તેને સુરક્ષાના ભાગ રૂપે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. આ બ્રિજનું રિનોવેશન કરી અને તેની બાજુમાં અન્ય બે બ્રિજ બનાવવાનો નિર્ણય મનપા દ્વારા લેવાયો હતો. મનપાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 236 કરોડના ખર્ચે બ્રિજનું રિનોવેશન કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ બ્રિજ તૈયાર થતાં બે વર્ષ જેટલો સમય લાગશે.</p><h2 style="text-align: justify; "><b>કોર્પોરેશનને 3.37 કરોડ જેટલો ખર્ચ ઓછો થશે</b></h2><p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં સાબરમતી નદી પરનો સુભાષબ્રિજ નવો બનાવવા માટેની દરખાસ્ત તૈયાર કરી દેવામાં આવી છે. આ બ્રિજ તૈયાર થતાં બે વર્ષ જેટલો સમય લાગશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રોડ કમિટી દ્વારા સુભાષબ્રિજના નિર્માણ સંબંધિત કામગીરીને મંજૂરી આપી દેવામાં આવી છે.આ નિર્ણયથી કોર્પોરેશનને કરોડો રૂપિયાની મોટી બચત થવાની શક્યતા સેવાઈ રહી છે.રોડ કમિટીના ચેરમેન જૈનિક વકીલે વિગતો આપતા જણાવ્યું હતું કે,બ્રિજની ડિઝાઇનની ફી 1.7 ટકાથી ઘટાડીને 0.30 ટકા કરી દેવામાં આવી છે જેના કારણે માત્ર ડિઝાઇન ફી પેટે જ કોર્પોરેશનના 3.37 કરોડ જેટલો ખર્ચ ઓછો થશે.</p><h3 style="text-align: justify; "><b>બ્રિજનું કામ પણ ઝડપથી આગળ વધશે</b></h3><p style="text-align: justify; ">તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ઉપરાંત,બ્રિજના કામકાજ દરમિયાન Schedule of Rates સિવાયની બાબતો પર લાગતો GST પણ કાપી લેવામાં આવ્યો છે.તંત્ર દ્વારા લેવાયેલા આ આર્થિક અને તકનીકી નિર્ણયોના પરિણામે સુભાષબ્રિજના કુલ નિર્માણ ખર્ચમાં AMCને રૂ.7 થી 10  કરોડ સુધીનો સીધો ફાયદો થશે. કમિટીના આ નિર્ણયથી કરદાતાઓના નાણાંની મોટી બચત થશે અને બ્રિજનું કામ પણ ઝડપથી આગળ વધશે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/tat-s-2026-mains-exam-date-announced-seb-hall-ticket-september-7" target="_blank">આ પણ વાંચોઃ Gandhinagar: TAT-S 2026 મુખ્ય પરીક્ષાની તારીખો જાહેર, 20 સપ્ટેમ્બરે મુખ્ય પરીક્ષા, 7 સપ્ટેમ્બરથી ડાઉનલોડ થશે હોલ ટિકિટ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/9VMjDVhBoCRJwuSQ1nFKbW1aSUH46Vt0Yo4scWeM.webp'/></item><item><title><![CDATA[Bhuj: જિલ્લા પંચાયત ગેટ પાસે જ એમ્બ્યુલન્સમાં અચાનક ભીષણ આગ, ફાયર વિભાગની ટીમે આગ પર મેળવ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhuj/bhuj-ambulance-catches-fire-near-district-panchayat-gate-fire-brigade-controls</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhuj/bhuj-ambulance-catches-fire-near-district-panchayat-gate-fire-brigade-controls</guid><pubDate>Mon, 03 Aug 2026 17:31:07 +05:30</pubDate><description><![CDATA[<p>ભુજ શહેરમાં આવેલા જિલ્લા પંચાયત ગેટ પાસે આજે એક ભયાનક બનાવ સામે આવ્યો હતો. અહીંથી પસાર થઈ રહેલી અથવા પાર્ક કરેલી એક એમ્બ્યુલન્સમાં અચાનક એન્જિનના ભાગેથી ધુમાડો નીકળવાનો શરૂ થયો હતો અને જોતજોતામાં આગની જ્વાળાઓએ આખી એમ્બ્યુલન્સને લપેટમાં લઈ લીધી હતી.</p><h2><b>એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગી</b></h2><p>જિલ્લા પંચાયત ગેટનો વિસ્તાર અત્યંત વાહનવ્યવહાર અને સરકારી કાર્યાલયોથી ધમધમતો હોવાથી, એમ્બ્યુલન્સમાં સળગેલી આગ જોઈને આસપાસના વેપારીઓ, રાહદારીઓ અને વાહનચાલકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગના દ્રશ્યો જોવા માટે સ્થળ પર લોકોના મોટા ટોળાં એકઠા થઈ ગયા હતા.સ્થાનિક નાગરિકો અને સ્થળ પર હાજર લોકોએ તાત્કાલિક ભુજ મ્યુનિસિપલ ફાયર બ્રિગેડને બનાવની જાણ કરી હતી. કંટ્રોલ રૂમથી સંદેશો મળતાં જ ફાયર ફાઇટરનો કાફલો તાત્કાલિક જિલ્લા પંચાયત ગેટ ખાતે દોડી આવ્યો હતો. ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવીને ગણતરીની મિનિટોમાં એમ્બ્યુલન્સમાં લાગેલી વિકરાળ આગને ઓલવી નાખી હતી.</p><h3><b>વાહન ખાલી હોવાથી કોઈ જાનહાનિ ટળી</b></h3><p>સમયસૂચકતા વાપરીને એમ્બ્યુલન્સમાં સવાર લોકોને તુરંત બહાર નિકાળી દેવાયા હોવાથી અથવા વાહન ખાલી હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી, જેથી તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. એમ્બ્યુલન્સમાં આગ વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે લાગી કે અન્ય કોઈ યાંત્રિક ખામીને લીધે, તે અંગે ફાયર વિભાગ અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/jamnagar/food-safety-raid-38-establishments-stale-food-destroyed-ice-factory-samples" target="_blank">આ પણ વાંચો:&nbsp; Jamnagar: ફૂડ વિભાગ દ્વારા શહેરની હોટલ, રેસ્ટોરન્ટ અને લારીઓ સહિત 38 પેઢીઓમાં કડક ચેકિંગ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/JccueZGnJRD5O3DwtwF1ms6KQeMYh5BHtrUjD2lI.webp'/></item><item><title><![CDATA[Independence Day 2026 : 79મો કે 80મો? 15 ઓગસ્ટ 2026એ ભારત કયો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે? ]]></title><link>https://sandesh.com/knowledge/news/india/independence-day-2026-79th-or-80th-correct-answer</link><guid isPermaLink="true">https://sandesh.com/knowledge/news/india/independence-day-2026-79th-or-80th-correct-answer</guid><pubDate>Mon, 03 Aug 2026 17:21:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">15 ઓગસ્ટનું નામ આવતાં જ સમગ્ર દેશમાં દેશભક્તિનો માહોલ છવાઈ જાય છે. શાળાઓ, કોલેજો, સરકારી કચેરીઓ અને જાહેર સ્થળોએ તિરંગો ફરકાવવામાં આવે છે, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે અને લોકો સ્વતંત્રતાની ઉજવણીમાં જોડાય છે. દર વર્ષની જેમ આ વખતે પણ સ્વતંત્રતા દિવસની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, પરંતુ 2026માં એક સવાલ સૌથી વધુ ચર્ચામાં છે. ઘણા લોકો જાણવા માગે છે કે આ વર્ષે ભારત 79મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે કે 80મો.<br><h2><b>ગણતરીની રીતથી ઊભી થઈ ગૂંચવણ</b></h2></p><p style="text-align: justify; ">સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે અલગ-અલગ દાવા અને ચર્ચાઓ જોવા મળી રહી છે, જેના કારણે લોકોમાં ગૂંચવણ ઊભી થઈ છે. હકીકતમાં આ સવાલનો જવાબ ગણતરીના એક નાના તફાવતમાં છુપાયેલો છે. આ તફાવત સમજ્યા પછી આખી વાત સ્પષ્ટ થઈ જાય છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>79 વર્ષ પૂર્ણ... પરંતુ ઉજવણી 80મા સ્વતંત્રતા દિવસની</b></h3><p style="text-align: justify; ">ભારતને 15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્રતા મળી હતી. જો માત્ર સ્વતંત્રતાના પૂર્ણ થયેલા વર્ષોની વાત કરીએ તો 2026માં દેશને સ્વતંત્ર થયાને 79 વર્ષ પૂર્ણ થશે. પરંતુ સ્વતંત્રતા દિવસની ગણતરી અલગ રીતે થાય છે. કારણ કે 15 ઓગસ્ટ 1947ના રોજ ઉજવાયેલો પહેલો સ્વતંત્રતા દિવસ પણ આ ગણતરીમાં સામેલ થાય છે. તેથી 2026ની ઉજવણી 80મા સ્વતંત્રતા દિવસ તરીકે ઓળખાશે.</p><h3 style="text-align: justify; "><b>અહીં જ સૌથી વધુ ગૂંચવણ થાય છે</b></h3><p style="text-align: justify; ">ઘણા લોકો સ્વતંત્રતાના પૂર્ણ થયેલા વર્ષો અને સ્વતંત્રતા દિવસની ઉજવણીની સંખ્યાને એક જ માને છે. જ્યારે હકીકતમાં બંને અલગ બાબતો છે. એકમાં પૂર્ણ થયેલા વર્ષોની ગણતરી થાય છે અને બીજામાં દર વર્ષે ઉજવાયેલા સ્વતંત્રતા દિવસોની.</p><h4 style="text-align: justify; "><b>15 ઓગસ્ટ શા માટે એટલો ખાસ છે?</b></h4><p style="text-align: justify; ">15 ઓગસ્ટ માત્ર એક તારીખ નથી, પરંતુ ભારતના ઇતિહાસનો એવો દિવસ છે જ્યારે દેશને વિદેશી શાસનમાંથી આઝાદી મળી હતી. આ દિવસ લાખો સ્વતંત્રતા સેનાનીઓના સંઘર્ષ, ત્યાગ અને બલિદાનની યાદ અપાવે છે, જેમણે સ્વતંત્ર ભારતનું સ્વપ્ન સાકાર કર્યું.</p><h5 style="text-align: justify; "><b>આ રાષ્ટ્રીય પર્વ કેવી રીતે ઉજવવામાં આવે છે?</b></h5><p style="text-align: justify; ">દર વર્ષે સમગ્ર દેશમાં તિરંગો ફરકાવવામાં આવે છે, રાષ્ટ્રગાન ગવાય છે અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. નવી દિલ્હીના લાલ કિલ્લા પરથી વડાપ્રધાન દેશને સંબોધિત કરે છે, જ્યારે શાળાઓ અને કોલેજોમાં ભાષણ, નિબંધ, દેશભક્તિના ગીતો અને અન્ય કાર્યક્રમો યોજવામાં આવે છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/ramayana-makers-warning-ramleela-mahasangh-pre-release-screening" target="_blank">આ પણ વાંચો-Film Controversy : રામાયણ રિલીઝ પહેલા બતાવો, નહીં તો વિરોધ કરીશું, રામલીલા મહાસંઘની મેકર્સને ચેતવણી!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/DIsBGxChg1pNda74BEMq0MDEtOTdKzsRl577dhJn.webp'/></item><item><title><![CDATA[RSSના સંઘ પ્રમુખ મોહન ભાગવત Gen-Z સાથે કરશે સંવાદ, 100થી વધુ શહેરના વિદ્યાર્થીઓ થશે સામેલ ]]></title><link>https://sandesh.com/india/news/mohan-bhagwat-to-address-gen-z--gen-alpha-in-mumbai-on-aug-6</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/mohan-bhagwat-to-address-gen-z--gen-alpha-in-mumbai-on-aug-6</guid><pubDate>Mon, 03 Aug 2026 17:20:54 +05:30</pubDate><description><![CDATA[<p>RSS: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત 6 ઓગસ્ટના રોજ મુંબઈમાં Gen-Z અને Gen-Alpha સાથે સંવાદ કરશે. આ કાર્યક્રમ ભારતના 'International Movement to Unite Nations' (IIMUN) ની 15મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત કરવામાં આવી રહ્યો છે.&nbsp;</p><p>મળતી માહિતી અનુસાર IIMUN ના વાર્ષિક ચેમ્પિયનશિપ કોન્ફરન્સનો ઉદ્ઘાટન સમારોહ પણ તે જ દિવસે યોજાશે. દેશભરના 100 થી વધુ શહેરોમાંથી વિદ્યાર્થીઓ આ સંવાદમાં જોડાશે. જેમા 15 થી 19 વર્ષની વયના લગભગ 2000 વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમની થીમ 'The Role of Youth in Uniting the World, The Indian Way' છે.</p><p><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/ANI/status/2084223241959444895"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></p><p>નોંધનીય છે કે, આ કાર્યક્રમ વાર્ષિક ચેમ્પિયનશિપ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારોહનો એક ભાગ હશે, જે ભારતના આંતરરાષ્ટ્રીય એકતા આંદોલન (IIMUN) ની સ્થાપનાના 15 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આયોજિત કરવામાં આવી રહી છે. IIMUN ના સ્થાપક ઋષભ શાહે આ માહિતી શેર કરી. તેમણે જણાવ્યું હતું કે નેતૃત્વ ફક્ત આગામી પેઢીને માર્ગદર્શન આપવાનું નથી, પરંતુ તેમને સાંભળવાનું પણ છે. ભારતની યાત્રાના આ મહત્વપૂર્ણ તબક્કે, આવા સંવાદો પહેલા કરતાં વધુ જરૂરી છે. હું ડૉ. મોહન ભાગવતનો અમારા આમંત્રણને સ્વીકારવા અને આ મહત્વપૂર્ણ પ્રસંગે વિદ્યાર્થીઓને સંબોધવા માટે સંમત થવા બદલ આભારી છું.</p><p><br></p><p><br></p><p>સતત અપડેટ ચાલુ છે...&nbsp;</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/delhi-bomb-threat--schools--red-fort--mayor-office-targeted--police-probe" target="_blank"><b>Delhiની શાળા બાદ હવે લાલ કિલ્લાને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ એક્શન મોડમાં...</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/xEkfLz3Skez8t1LV1zpEsObVdmkdqbfoQ5Rj8DLZ.webp'/></item><item><title><![CDATA[Gandhinagar: TAT-S 2026 મુખ્ય પરીક્ષાની તારીખો જાહેર, 20 સપ્ટેમ્બરે મુખ્ય પરીક્ષા, 7 સપ્ટેમ્બરથી ડાઉનલોડ થશે હોલ ટિકિટ ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/tat-s-2026-mains-exam-date-announced-seb-hall-ticket-september-7</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/tat-s-2026-mains-exam-date-announced-seb-hall-ticket-september-7</guid><pubDate>Mon, 03 Aug 2026 16:59:17 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતની માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે જરૂરી એવી 'શિક્ષક અભિરૂચિ કસોટી - માધ્યમિક' (TAT-Secondary) 2026 ની મુખ્ય પરીક્ષાની રાહ જોઈ રહેલા હજારો ઉમેદવારો માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. બોર્ડે સત્તાવાર નોટિફિકેશન અને સૂચિપત્ર જાહેર કરીને મુખ્ય પરીક્ષાનું સમયપત્રક સ્પષ્ટ કરી દીધું છે.</p><h2><b>TAT ની મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર</b></h2><p>પ્રિલિમિનરી કસોટીમાં સફળ થયેલા ઉમેદવારો હવે 20 સપ્ટેમ્બર 2026 ના રોજ આયોજિત થનારી વર્ણનાત્મક અને વિષયવસ્તુ આધારિત મુખ્ય પરીક્ષામાં બેસશે. રાજ્ય પરીક્ષા બોર્ડના આદેશ મુજબ, પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર તમામ ઉમેદવારો 7 સપ્ટેમ્બર 2026 થી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જઈને પોતાનો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ દાખલ કરીને હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે.</p><h3><b>પરીક્ષા કેન્દ્રો અને તૈયારીઓ</b></h3><p>20 સપ્ટેમ્બરે યોજાનારી આ પરીક્ષા માટે રાજ્યના મુખ્ય જિલ્લા મથકો પર પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવશે. પરીક્ષામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે સીસીટીવી કેમેરા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આયોજન કરવામાં આવી રહ્યું છે. બોર્ડે તમામ ઉમેદવારોને સમયસર હોલ ટિકિટ ડાઉનલોડ કરી તેમાં દર્શાવેલ માર્ગદર્શિકાનું પાલન કરવા અપીલ કરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/heavy-rain-returns-waterlogging-kasak-shravan-chokdi" target="_blank">આ પણ વાંચો: Bharuch: બે દિવસના વિરામ બાદ તેજ પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/FW1nbV2dqOi75VerA9Rio7BQbgbgLE6FKuD8Q730.webp'/></item><item><title><![CDATA[Stock Market Close: : સોમવારે બજારમાં તેજીનો બુલ રન!, સેન્સેક્સ અને નિફ્ટી તેજી સાથે બંધ ]]></title><link>https://sandesh.com/business/news/stockmarket/https-sandesh-com-business-news-stock-market-opening-stock-market-starts-flat-sensex-opens-at-77929-points</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stockmarket/https-sandesh-com-business-news-stock-market-opening-stock-market-starts-flat-sensex-opens-at-77929-points</guid><pubDate>Mon, 03 Aug 2026 15:29:02 +05:30</pubDate><description><![CDATA[<p>સવારે શેરબજારમાં સારી શરૂઆત જોવા મળી હતી. જયારે બપોરે બજાર તેજી સાથે બંધ થયું. બપોરે 3.30 વાગ્યે બજાર BSE SENSEX +582.49 (0.75%) પોઈન્ટ વધી  78,677.13 ના સ્તર પર બંધ થયો. આ જ સમયે નિફ્ટી +189.75 (0.78%) પોઈન્ટ વધી 24,573.35ના સ્તર પર બંધ થયો.</p><h2><b>સોમવારે બજાર તેજી સાથે બંધ</b></h2><p>યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે તેહરાન સાથે વાતચીત શરૂ થશે તેવું કહ્યું ત્યારબાદ નિફ્ટી 50 અને સેન્સેક્સ વધ્યા અને તેલના ભાવ ઘટ્યા. બપોરે 12:00 વાગ્યા સુધીમાં, નિફ્ટી 50, 210 પોઈન્ટ અથવા 0.86 ટકા વધીને 24,593.10 પર અને સેન્સેક્સ 628 પોઈન્ટ અથવા 0.8 ટકા વધીને 78,722.36 પર બંધ રહ્યો હતો. આજે સપ્તાહના પ્રથમ દિવસે બજારના આરંભે સેન્સેક્સ 586 પોઈન્ટ અને નિફ્ટી 161 પોઈન્ટ વધીને ખુલ્યા હતા. સપ્તાહના પ્રથમ દિવસે બજારની સકારાત્મક શરૂઆતથી&nbsp;</p><h3><b>આ શેરમાં આજે રોકેટ જેવી તેજી</b></h3><p>સોમવારે GACM ટેક્નોલોજીસના શેરમાં તીવ્ર વધારો જોવા મળ્યો. આ લેખ લખતી વખતે, NSE પર શેર ₹0.75 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે 8.70% વધારે છે. બજારમાં આજે GACM ટેક્નોલોજીસના શેરનું સારું પ્રદર્શન જોવા મળ્યું. છેલ્લા અઠવાડિયા અને મહિનામાં શેરમાં આશરે 53%નો વધારો થયો છે. અત્યાર સુધીમાં, 2026 માં તેમાં આશરે 36%નો વધારો થયો છે, જ્યારે પાછલા વર્ષમાં શેરમાં આશરે 44% વળતર મળ્યું છે. જોકે, લાંબા ગાળે ચિત્ર થોડું અલગ છે. છેલ્લા ત્રણ વર્ષમાં શેરમાં આશરે 28% ઘટાડો થયો છે, પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં, તેણે રોકાણકારોને આશરે 23% વળતર આપ્યું છે.</p><p><br></p><p><br></p><p><a href="https://sandesh.com/business/news/coal-india-production-growth-july-2026-share-price-update" target="_blank">આ પણ વાંચો : Coal India Production: સરકારી કંપનીનું કોલસાનું પ્રોડક્શન 8 ટકા વધ્યું, શેરના ભાવ પર રહેશે નજર</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/Nr5BUsoyN9zYTincSLWYTw4m7j1dA8wyW2fbtdfY.webp'/></item><item><title><![CDATA[Vinesh Phogat Statement : બ્રિજભૂષણને રાહત મળતા જ વિનેશ ફોગાટનો મોટો ધડાકો! સિસ્ટમ પર સાધ્યું નિશાન ]]></title><link>https://sandesh.com/sports/news/vinesh-phogat-statement-vinesh-phogats-big-blast-as-soon-as-brijbhushan-gets-relief-targeted-at-the-system</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/vinesh-phogat-statement-vinesh-phogats-big-blast-as-soon-as-brijbhushan-gets-relief-targeted-at-the-system</guid><pubDate>Mon, 03 Aug 2026 14:52:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દિલ્હીની એક કોર્ટે સોમવારે ભારતીય કુસ્તી ફેડરેશનના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહને છ મહિલા કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપોમાંથી મુક્ત કર્યા છે.બ્રિજભૂષણે આ નિર્ણયને વિજય ગણાવ્યો છે,જ્યારે ઓલિમ્પિયન વિનેશ ફોગાટે સ્પષ્ટ કર્યું છે કે મહિલા કુસ્તીબાજો આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકારશે.આ કેસ છ મહિલા કુસ્તીબાજોની ફરિયાદોના આધારે દાખલ કરવામાં આવ્યો હતો જેમણે તેમના પર ગંભીર આરોપો લગાવ્યા હતા.કોર્ટના નિર્ણયથી ફોજદારી કેસની સુનાવણી પૂર્ણ થાય છે.</p><h4 style="text-align: justify; "><b>વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી&nbsp;</b></h4><p style="text-align: justify; ">નિર્ણય પછી તરત જ, સ્ટાર કુસ્તીબાજ વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટમાં પોતાની નારાજગી વ્યક્ત કરી. વિનેશ ફોગાટે લખ્યું, શાસક પક્ષના એક શક્તિશાળી નેતા સામે રસ્તા પર ઉતરીને FIR દાખલ કરવામાં અમને ઘણી હિંમતની જરૂર પડી. પોતાની શક્તિ અને પ્રભાવનો ઉપયોગ કરીને, બ્રિજભૂષણ શરણ સિંહે ઘણી મહિલાઓને તેમના નામ પાછા ખેંચવા માટે ડરાવ્યા. જોકે, ઘણી મહિલા કુસ્તીબાજોએ અડગ રહીને કોર્ટમાં લડવાનું ચાલુ રાખ્યું.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/Phogat_Vinesh/status/2084179633893961951?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>કોર્ટેના નિર્ણયથી અમને ખૂબ જ દુઃખ થયું : વિનેશ ફોગા</b></h4><p style="text-align: justify; ">વિનેશ ફોગાટ લખે છે, મહિલા કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપોમાં કોર્ટે બ્રિજભૂષણ શરણ સિંહને દોષિત ઠેરવ્યા નથી તેનું અમને ખૂબ જ દુઃખ છે. શરૂઆતથી જ, સમગ્ર વ્યવસ્થા,સરકાર અને વ્યવસ્થા તેમને બચાવવા માટે કામ કરી રહી હતી. મહિલા કુસ્તીબાજોએ તેમના વકીલોને આ નિર્ણય સામે અપીલ કરવા સૂચના આપી છે. આ અપીલ ટૂંક સમયમાં દાખલ કરવામાં આવશે. અમે આશા ગુમાવી નથી અને અમારી લડાઈ ચાલુ રાખીશું.ચુકાદા પછી, બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું કે તેમને શરૂઆતથી જ વિશ્વાસ હતો કે તેમને દોષિત ઠેરવવામાં આવશે. તેમણે કહ્યું,મેં પહેલા જ દિવસે કહ્યું હતું કે જો આરોપો સાચા સાબિત થશે, તો હું ફાંસી લગાવીશ. આજે મને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. આ મારા અને મારા સમર્થકો માટે સારા સમાચાર છે.</p><h4 style="text-align: justify; "><b>કુસ્તીઓએ જંતર-મંતર પર ધરણા કર્યા</b></h4><p style="text-align: justify; ">આ કેસ જાન્યુઆરી 2023 માં હેડલાઇન્સમાં આવ્યો હતો જ્યારે વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા સહિત દેશના ઘણા ટોચના કુસ્તીબાજોએ દિલ્હીના જંતર-મંતર પર ધરણા કર્યા હતા. કુસ્તીબાજોએ બ્રિજભૂષણ શરણ સિંહ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો અને તેમની ધરપકડ અને WFI પ્રમુખ પદ પરથી હટાવવાની માંગ કરી હતી. રમતગમત મંત્રાલયે પાછળથી એક દેખરેખ સમિતિની રચના કરી હતી, પરંતુ કુસ્તીબાજોએ કાર્યવાહી ન થવાનો આરોપ લગાવતા તેમનો વિરોધ ફરી શરૂ કર્યો હતો.</p><h5 style="text-align: justify; "><b>એપ્રિલ 2023 માં સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી</b></h5><p style="text-align: justify; ">એપ્રિલ 2023 માં છ મહિલા કુસ્તીબાજોએ ઔપચારિક ફરિયાદ દાખલ કરી હતી.ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, અને દિલ્હી પોલીસે બે FIR નોંધી હતી. છ પુખ્ત મહિલા કુસ્તીબાજોની ફરિયાદના આધારે પ્રથમ FIR દાખલ કરવામાં આવી હતી. બીજી FIR એક સગીર કુસ્તીની ફરિયાદના આધારે POCSO એક્ટ હેઠળ દાખલ કરવામાં આવી હતી. બાદમાં, દિલ્હી પોલીસે સગીર કુસ્તીબાજો સાથે સંકળાયેલા કેસમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો, જેને કોર્ટે મે 2025 માં સ્વીકારી લીધો હતો.</p><h4 style="text-align: justify; "><b>બ્રિજભૂષણ નિર્દોષ જાહેર&nbsp;</b></h4><p style="text-align: justify; ">મહિલા કુસ્તીબાજો સાથે સંકળાયેલા કેસમાં, દિલ્હી પોલીસે જૂન 2023 માં ચાર્જશીટ દાખલ કરી હતી. મે 2024 માં, કોર્ટે બ્રિજભૂષણ શરણ સિંહ અને ભૂતપૂર્વ WFI સહાયક સચિવ વિનોદ તોમર સામે આરોપો ઘડ્યા હતા. બંનેએ પોતાને નિર્દોષ કબૂલ્યા હતા. ટ્રાયલ દરમિયાન, ફરિયાદ પક્ષે 32 સાક્ષીઓ રજૂ કર્યા હતા. મે 2026 માં જુબાની પૂર્ણ થઈ, આરોપીઓના નિવેદનો જૂનમાં નોંધાયા અને અંતિમ દલીલો 2 જુલાઈ, 2026 ના રોજ પૂર્ણ થઈ. ત્યારબાદ, 3 ઓગસ્ટ, 2026 ના રોજ કોર્ટે છ મહિલા કુસ્તીબાજો સાથે સંકળાયેલા જાતીય સતામણી કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહને નિર્દોષ જાહેર કર્યા.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/india/news/delhi-rouse-avenue-court-acquits-brijbhushan-singh-in-the-case-of-sexual-harassment-of-female-wrestlers" target="_blank">Delhi Rouse Avenue Courtએ મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ સિંહ નિર્દોષ જાહેર</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/7cwma2HEs4Zqjkv09mzdIf3r9xK1xvj77Uv3bay3.webp'/></item></channel></rss>