<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Assam Flood: ભારે વરસાદના કારણે પૂર સંકટ, 45 હજાર લોકો થયા બેઘર ]]></title><link>https://sandesh.com/india/news/monsoon-2026/assam-flood-flood-crisis-due-to-heavy-rains-45-thousand-people-became-homeless</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/monsoon-2026/assam-flood-flood-crisis-due-to-heavy-rains-45-thousand-people-became-homeless</guid><pubDate>Tue, 30 Jun 2026 19:11:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">અસમનો ધેમાજી જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે. અસમમાં પૂર દરવર્ષે આવે છે અને આ મોટું સંકટ ઘેરાય છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">ગામડાઓ થયા સંપર્ક વિહોણા&nbsp;</h2><p style="text-align: justify; ">અસમમાં પૂરે ભારે તબાહી મચાવી છે. પાંચ જિલ્લાઓમાં 45 હજાર લોકો પ્રભાવિત થયા છે. વાયુસેના રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલી છે. 300 મીટર લાંબો લોખંડનો પુલ તૂટી પડ્યો છે, અને રસ્તાઓ ખાડામાં પડી ગયા છે. ધેમાજી જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે. ડિબ્રુગઢ, ચિરાંગ, લખીમપુર અને નલબારી જિલ્લાઓ પણ પ્રભાવિત થયા છે. આસામમાં પૂર આવવાનો આ પહેલો પ્રસંગ નથી. અસમમાં પૂર આવવાના ઘણા કારણો છે.</p><h3 style="text-align: justify; ">અસમમાં પૂરના મુખ્ય કારણો</h3><p style="text-align: justify; "><b>1. ભારે ચોમાસાનો વરસાદ:&nbsp;</b></p><p style="text-align: justify; ">અસમ એક ઉત્તરપૂર્વીય રાજ્ય છે જ્યાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડે છે. આ ભારે વરસાદ પૂરમાં ફાળો આપે છે. આસામમાં દર વર્ષે જૂન અને સપ્ટેમ્બર વચ્ચે ભારે વરસાદ પડે છે. સતત વરસાદ નદીઓના પાણીનું સ્તર ઝડપથી વધારે છે, જેના કારણે પૂર આવે છે. અસમમાં પૂરનું એક મુખ્ય કારણ બ્રહ્મપુત્ર અને તેની ઉપનદીઓ છે. ચોમાસા દરમિયાન બ્રહ્મપુત્ર અને તેની ઉપનદીઓ ફૂલી જાય છે. તેનો વિશાળ જળક્ષેત્ર પૂરનું જોખમ વધારે છે. આ જ કારણ છે કે જ્યારે પૂર આવે છે ત્યારે તે સરળતાથી ઓછું થતું નથી.</p><p style="text-align: justify; "><b>2. નદીઓમાં કાંપનું જમાવટ:&nbsp;</b></p><p style="text-align: justify; ">અસમના પર્વતોમાંથી વહેતી માટી અને કાંપ પણ પૂરની તીવ્રતામાં ફાળો આપે છે. આ કાંપ નદીના પટમાં એકઠા થાય છે. પરિણામે, કાંપ નદીની પાણી સંગ્રહ ક્ષમતા ઘટાડે છે. પરિણામે, પાણી ઝડપથી તેના કાંઠાઓ ઉપર વહી જાય છે, જેના કારણે ગંભીર પૂર આવે છે.</p><p style="text-align: justify; "><b>3. વનનાબૂદી પરિસ્થિતિને વધુ ખરાબ કરે છે:&nbsp;</b></p><p style="text-align: justify; ">પહાડી વિસ્તારોમાં વનનાબૂદીથી માટીનું ધોવાણ વધ્યું છે. આ વધતા ધોવાણથી નદીઓ સુધી કાટમાળ પહોંચે છે, જેનાથી પૂરની સ્થિતિ વધુ ખરાબ થાય છે. આ જ કારણ છે કે પૂર વિનાશક છે.</p><p style="text-align: justify; "><b>4. પૂરના મેદાનો પર અતિક્રમણ:&nbsp;</b></p><p style="text-align: justify; ">નદી કિનારા અને કુદરતી પૂરના મેદાનોમાં વધતા બાંધકામો, રસ્તાઓ અને બિનઆયોજિત વસાહતો પાણીના કુદરતી પ્રવાહને અવરોધે છે, જે પૂરની અસરને વધારે છે. નિષ્ણાતો કહે છે કે આસામનો 40 ટકાથી વધુ ભાગ પૂર માટે ખૂબ જ સંવેદનશીલ છે. આ જ કારણે રાજ્યના લાખો લોકો દર વર્ષે પૂરથી પ્રભાવિત થાય છે, અને બ્રહ્મપુત્ર ખીણને સૌથી સંવેદનશીલ વિસ્તારોમાંનો એક માનવામાં આવે છે.</p><h4 style="text-align: justify; ">અસમના મુખ્યમંત્રીનુ નિવેદન&nbsp;</h4><p style="text-align: justify; ">અસમના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા કહે છે કે, સલામતી અમારી ટોચની પ્રાથમિકતા છે. વધતા પાણીએ ધેમાજીના જોનાઈ નજીકના અનેક ગામોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે, જેના કારણે લોકોની આજીવિકા ખોરવાઈ છે. મોટા પાયે પુનર્વસન કાર્યક્રમ ચાલી રહ્યો છે. સરકાર આપત્તિથી પ્રભાવિત દરેક વ્યક્તિ સાથે મજબૂત રીતે ઉભી છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ&nbsp;<a href="https://sandesh.com/world/news/un-poverty-report-2026-un-report-on-the-impact-of-the-middle-east-war-45-million-people-will-be-pushed-into-poverty" target="_blank"> મધ્ય પૂર્વ યુદ્ધની અસર મામલે યુએનનો અહેવાલ, 4.5 કરોડ લોકો ગરીબીની ખાઈમાં ધકેલાશે</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/30/rh2oPN67b4GoHRUbI5VViNU9UTlQxjNxmWdrLnoW.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને ઝટકો, PMLA કેસમાં જામીન અરજી ફગાવી ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/high-court-rejects-bail-plea-of-former-surendranagar-collector-rajendra-patel-in-pmla-case</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/high-court-rejects-bail-plea-of-former-surendranagar-collector-rajendra-patel-in-pmla-case</guid><pubDate>Tue, 30 Jun 2026 19:00:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામેના કથિત કૌભાંડ કેસમાં ગુજરાત હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે.કોર્ટે PMLA કેસમાં રાજેન્દ્ર પટેલની જામીન અરજી ફગાવી દેતા તેમને હાલ જેલમાં જ રહેવું પડશે.કોર્ટે પોતાના અવલોકનમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે,જે અધિકારીઓ પોતાની સત્તાનો દુરુપયોગ કરે છે તેઓ જામીન મેળવવા માટે પાત્ર ગણી શકાય નહીં. સુનાવણી દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવેલી રજૂઆત પર હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી હતી.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>કોર્ટમાં EDની ધારદાર દલીલ</b></h2><p style="text-align: justify; ">EDએ કોર્ટ સમક્ષ ચોંકાવનારા પુરાવા રજૂ કરતા દાવો કર્યો હતો કે,રાજેન્દ્ર પટેલે તપાસની પ્રક્રિયામાં અવરોધ ઊભો કરવા અને પુરાવાનો નાશ કરવા માટે ગૂગલ સર્ચ કર્યા હતા.આ પ્રકારની હરકતો તેમની ગુનાહિત માનસિકતા અને પુરાવાઓ સાથે ચેડાં કરવાની કોશિશ દર્શાવે છે.તપાસ એજન્સીએ વધુમાં ખુલાસો કર્યો હતો કે, પૂર્વ કલેક્ટરના મોબાઈલ ફોનમાંથી 800થી વધુ ફોટા મળી આવ્યા છે. જે ગેરરીતિઓ તરફ ઈશારો કરે છે.આ ડિજિટલ પુરાવાઓ કેસની તપાસમાં મહત્વની કડી બની રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>PMLA કેસમાં જામીન અરજી ફગાવી</b></h2><p style="text-align: justify; ">હાઈકોર્ટે EDની આ દલીલોને ધ્યાનમાં રાખ્યા હતાં, કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે,આરોપી સામેના આરોપો ગંભીર છે અને તપાસ હજુ પણ મહત્વના તબક્કે હોવાથી તેમને મુક્ત કરવા યોગ્ય નથી.જાહેર હોદ્દા પર બેઠેલી વ્યક્તિ જ્યારે સત્તાનો દુરુપયોગ કરે છે ત્યારે સમાજમાં ન્યાય પ્રત્યેની આસ્થા ડગે છે. સત્તાનો દુરુપયોગ કરનાર વ્યક્તિ જામીન મેળવવા માટે હકદાર નથી.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-high-court-says-marriage-certificate-alone-is-not-valid-without-hindu-marriage-rituals" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: મેરેજ સર્ટિફિકેટ ભલે હોય પણ સાત ફેરાની વિધિ વિના હિન્દુ લગ્ન અમાન્ય : ગુજરાત હાઈકોર્ટ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/30/8EZdYswLWgnNYfigBB0hbi4jNvZ5k8PQWePyYijR.webp'/></item><item><title><![CDATA[CJP Protest : જંતર-મંતર પર વિરોધનો 11મો દિવસ, સોનમ વાંગચુકની તબિયત લથડી ]]></title><link>https://sandesh.com/india/news/cjp-protest-jantar-mantar-day-11-sonam-wangchuk-health</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/cjp-protest-jantar-mantar-day-11-sonam-wangchuk-health</guid><pubDate>Tue, 30 Jun 2026 18:47:46 +05:30</pubDate><description><![CDATA[<p>દિલ્હીના જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહેલું વિરોધ પ્રદર્શન મંગળવારે 11મા દિવસે પહોંચી ગયું છે. NEET સહિત પરીક્ષા વ્યવસ્થામાં થયેલી ગેરરીતિઓના વિરોધમાં શરૂ થયેલું આ આંદોલન હવે સરકાર સામે જવાબદારી અને પારદર્શિતાની માંગ સુધી પહોંચી ગયું છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/CJP_for_India/status/2071901132553920823"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>બ્લડ શુગર લેવલ 66 નોંધાયું&nbsp;</b></h2><p>આંદોલન દરમિયાન એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની તબિયતને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેઓ ભૂખ હડતાળ પર છે અને આજે તેમના ઉપવાસનો ત્રીજો દિવસ છે. આરોગ્ય રિપોર્ટ મુજબ તેમનું બ્લડ શુગર લેવલ 66 નોંધાયું છે, જે સામાન્ય કરતાં ઓછું છે. તેમનું બ્લડ પ્રેશર 117/60, ઓક્સિજન સેચ્યુરેશન 96 અને પલ્સ રેટ 92 નોંધાયો છે. ડોક્ટરોએ જણાવ્યું છે કે ગરમીમાં ઉપવાસ પર રહેવું શરીર માટે જોખમી બની શકે છે અને તેમની તબિયત પર સતત નજર રાખવામાં આવી રહી છે.</p><h3><b>ભવિષ્યમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે વધુ છેડછાડ થઈ શકે</b></h3><p>આંદોલનકારીઓએ આરોપ લગાવ્યો છે કે સરકાર પરીક્ષા વ્યવસ્થામાં થયેલી ભૂલો અને પેપર લીક જેવા મુદ્દાઓને ગંભીરતાથી લેતી નથી. પ્રદર્શનકારીઓએ કહ્યું કે જો આજે અવાજ નહીં ઉઠાવવામાં આવે તો ભવિષ્યમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે વધુ છેડછાડ થઈ શકે છે. સાથે જ જંતર-મંતર પર પ્રવેશ અને પોલીસ વ્યવસ્થા અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.&nbsp;</p><p>પ્રદર્શનકારીઓનું કહેવું છે કે કેટલાક લોકોને ઓળખપત્રના અભાવના કારણે પ્રવેશ આપવામાં આવ્યો નથી, જ્યારે કેટલાક સમર્થકોને પણ રોકવામાં આવ્યા છે. તેઓએ આરોપ લગાવ્યો કે પોલીસ તૈનાતીનો ઉપયોગ પ્રદર્શનને દબાવવા માટે કરવામાં આવી રહ્યો છે. આંદોલનકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે તમામ અવરોધો છતાં તેઓ પોતાનો વિરોધ ચાલુ રાખશે અને પરીક્ષા વ્યવસ્થામાં સુધારા તથા જવાબદારી નક્કી થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/crime/twisha-sharma-case-giribala-singh-samarth-singh-judicial-custody-extended" target="_blank">આ પણ વાંચો : Twisha Sharma Case : આરોપી ગિરિબાલા સિંહ અને સમર્થ સિંહ 13 જૂલાઈ સુધી રહેશે જેલમાં, ન્યાયિક કસ્ટડીમાં કરાયો વધારો</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/30/RtFGCz1M1tMPNDJ28PabHIXaWXSrYQx8kBrCThvs.webp'/></item><item><title><![CDATA[Kachchh News: મુન્દ્રામાં દારૂના કટિંગ સમયે જ પોલીસ ત્રાટકી, વાહનો સહિત 55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhuj/police-seize-liquor-vehicles-confiscated-in-mundra-raid</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhuj/police-seize-liquor-vehicles-confiscated-in-mundra-raid</guid><pubDate>Tue, 30 Jun 2026 18:44:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કચ્છના મુન્દ્રા વિસ્તારમાં પશ્ચિમ કચ્છ એસઓજી પોલીસ દ્વારા કરવામાં આવેલી એક મોટી કાર્યવાહીમાં લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાઈ ગયો છે.પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે સીમ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા.જ્યાં દારૂનું કટિંગ થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે.આ સફળ ઓપરેશન દરમિયાન પોલીસે આશરે 15 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.</p><h2 style="text-align: justify; "><b>કુલ 55 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો</b></h2><p style="text-align: justify; ">આ દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી વાહનો મળી આવ્યા હતાં.જે દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવામાં આવતો હતો.પોલીસે ઘટનાસ્થળેથી એક ટ્રક,એક આયસર,બે કાર અને એક મોટરસાયકલ સહિત કુલ 55 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.આટલી મોટી માત્રામાં વાહનો અને દારૂ પકડાતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને પોલીસની ત્વરિત કાર્યવાહીના કારણે મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે.</p><h2 style="text-align: justify; "><b>આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો&nbsp;</b></h2><p style="text-align: justify; ">મુન્દ્રા પોલીસ મથકમાં આ મામલે આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.પોલીસ દ્વારા હવે આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય મુખ્ય સૂત્રધારો કોણ છે તે દિશામાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.આ સમગ્ર ઘટના કચ્છમાં નશાના કારોબારને ડામવા માટે પોલીસની સક્રિયતા વધી છે.&nbsp;&nbsp;<br><br>આ પણ વાંચોઃ&nbsp;</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/30/ldUIu1wbNNAgCGfBiuwoDR9aJo9yjvcfZpiTypvn.webp'/></item><item><title><![CDATA[Chhota Udepur News: પાવી જેતપુરના સુખી ડેમમાં નાહવા પડેલા યુવકનું ડૂબી જતાં કરુણ મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/chhota-udepur/chhota-udepur-news-tragic-death-of-a-young-man-who-was-bathing-in-sukhi-dam-in-pavi-jetpur-due-to-drowning</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/chhota-udepur/chhota-udepur-news-tragic-death-of-a-young-man-who-was-bathing-in-sukhi-dam-in-pavi-jetpur-due-to-drowning</guid><pubDate>Tue, 30 Jun 2026 18:42:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાંથી એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં આવેલા જાણીતા સુખી ડેમમાં નાહવા પડેલા એક આશાસ્પદ યુવકનું ઊંડા પાણીમાં ડૂબી જવાને કારણે કરુણ મોત નીપજ્યું છે. આ અકસ્માતને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને મૃતક યુવકના પરિવારમાં ભારે આક્રંદ માહોલ જોવા મળી રહ્યો છે.</p><h2 style="text-align: justify; ">નાહવા જતાં સર્જાયો જીવલેણ અકસ્માત</h2><p style="text-align: justify; ">મળતી માહિતી અનુસાર, આ દુર્ઘટનાનો ભોગ બનેલો યુવક કદવાલ ગામના સિંગાપુરા ફળિયાનો રહેવાસી હતો, જેની ઓળખ અનિલ બારીયા તરીકે થઈ છે. અનિલ પાવી જેતપુરના સુખી ડેમ ખાતે નાહવા માટે ગયો હતો. જોકે, ડેમના ઊંડા પાણીનો અંદાજ ન આવવાને કારણે તે અચાનક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને જોતજોતામાં તેનો શ્વાસ રૂંધાઈ જતાં પાણીમાં જ ડૂબી ગયો હતો.</p><h3 style="text-align: justify; ">ફાયર વિભાગે રેસ્ક્યુ કરીને મૃતદેહ બહાર કાઢ્યો</h3><p style="text-align: justify; ">આ ઘટનાની જાણ થતાં જ કદવાલ પોલીસ અને સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં ડેમ પર દોડી આવ્યા હતા. યુવકની શોધખોળ માટે તાત્કાલિક છોટાઉદેપુર નગરપાલિકાના ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટરોની ટીમે ઘટના સ્થળે પહોંચીને ભારે જહેમત બાદ ઊંડા પાણીમાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડીને આ અકસ્માત અંગે કાયદેસરની તપાસ શરૂ કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/30/7ukzCBZO2rgVi4g4jz0253zCTZEzMm8TmOdWS9IK.webp'/></item><item><title><![CDATA[Khedaમાં વરસાદ ખેંચાતાં શિક્ષણ આલમમાં ચિંતા: શાળાનો સમય સવારનો રાખવા શિક્ષક સંઘની માગ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kheda/education-sector-concerned-as-rains-continue-in-kheda-teachers-union-demands-school-timings-to-be-kept-in-the-morning</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kheda/education-sector-concerned-as-rains-continue-in-kheda-teachers-union-demands-school-timings-to-be-kept-in-the-morning</guid><pubDate>Tue, 30 Jun 2026 18:09:17 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં ચોમાસાની સીઝન શરૂ થઈ હોવા છતાં વરસાદની ભારે અનિશ્ચિતતાને કારણે હવે શિક્ષણ જગતમાં પણ ચિંતાના વાદળો ઘેરાયા છે. ખેડા જિલ્લામાં હજુ સુધી જોઈએ તેવો વરસાદ ન પડતાં અસહ્ય ગરમી અને ઉકળાટનું સામ્રાજ્ય વર્તાઈ રહ્યું છે. આ ભીષણ ગરમી વચ્ચે શાળાઓના સમય બદલવાના નિયમને કારણે વાલીઓ અને શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા છે, જેને પગલે ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શાળાના સમયમાં ફેરફાર કરવાની ઉગ્ર માંગ ઉઠાવવામાં આવી છે.</p><h2 style="text-align: justify; ">અસહ્ય ગરમીને કારણે સવારનો સમય રાખવા રજૂઆત</h2><p style="text-align: justify; ">પ્રાથમિક શાળાઓમાં 1લી એપ્રિલથી ચાલી રહેલો સવારનો સમય 30 જૂને પૂર્ણ થઈ રહ્યો છે અને નિયમ અનુસાર 1લી જુલાઈથી શાળાઓનો સમય બપોરનો કરવાનો થાય છે. જોકે, ચાલુ વર્ષે વરસાદ ન પડવાને કારણે આકરો તાપ પડી રહ્યો છે. આવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં માસૂમ બાળકોને બપોરના સમયે શાળાએ મોકલવા અંગે વાલીઓમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આથી, જિલ્લા શિક્ષક સંઘે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘને આ અંગે લેખિતમાં રજૂઆત કરી છે.</p><h3 style="text-align: justify; ">રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘને લેખિત રજૂઆત કરાઈ</h3><p style="text-align: justify; ">શિક્ષક સંઘે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, ચોમાસું મોડું થતાં ખાસ કરીને ગામડાઓમાં અવારનવાર લાઈટો જવાની અને પાણીની ભારે અછતની સમસ્યાઓ સર્જાઈ રહી છે. વીજળી અને પાણી વિના આકરા તાપમાં બાળકોના સ્વાસ્થ્ય પર મોટું જોખમ ઊભું થઈ શકે તેમ છે. ભીષણ ગરમી અને બપોરના સમયના કારણે બાળકો બીમાર પડે તેવી પૂરી આશંકા છે. આ તમામ મુશ્કેલીઓ નિવારવા અને બાળકોના આરોગ્યના હિતમાં શાળાનો સમય બપોરના બદલે સવારનો જ યથાવત રાખવા વહીવટી તંત્ર સમક્ષ ભારપૂર્વક માંગણી કરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/30/uvf1r6VtM1W8Gecyqm6pkFXijTp34PCOB1sAO2LN.webp'/></item><item><title><![CDATA[વાંચો બપોરે 03થી સાંજે 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-03-pm-to-06-pm-30-june-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-03-pm-to-06-pm-30-june-2026</guid><pubDate>Tue, 30 Jun 2026 17:59:51 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર</b></p><p><a href="https://sandesh.com/business/news/noel-tata-resigns-voltas-chairman-after-trent-exit-tata-group" target="_blank"><b>1. Noel Tataનો વધુ એક મોટો નિર્ણય, ટ્રેન્ટ બાદ હવે આ કંપનીના ચેરમેન પદેથી પણ આપશે રાજીનામું</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-high-court-says-marriage-certificate-alone-is-not-valid-without-hindu-marriage-rituals" target="_blank"><b>2. Ahmedabad News: મેરેજ સર્ટિફિકેટ ભલે હોય પણ સાત ફેરાની વિધિ વિના હિન્દુ લગ્ન અમાન્ય : ગુજરાત હાઈકોર્ટ</b></a></p><p><a href="https://sandesh.com/cricket/news/shashank-singh-assault-allegations-domestic-worker-response" target="_blank"><b>3. IPL સ્ટાર ખેલાડી શશાંક સિંહે નોકરના મારપીટ મામલે કર્યો મોટો ખુલાસો</b></a></p><p><a href="https://sandesh.com/world/news/pakistan-is-accused-of-attacking-afghanistan-targeting-innocent-civilians" target="_blank"><b>4. Pakistan અફઘાનિસ્તાન પર હુમલો કરતા હોવાનો આરોપ, નિર્દોષ નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે.</b></a></p><p><a href="https://sandesh.com/india/news/assam-guwahati-gold-smuggling-racket-seized-55-crore" target="_blank"><b>5. Assam : ગુવાહાટીમાં 55 કરોડથી વધુના સોનાની દાણચોરી ઝડપાઈ, આંતરરાષ્ટ્રીય રેકેટની તપાસ તેજ</b></a></p><p><a href="https://sandesh.com/india/news/world/india-us-bilateral-trade-agreement-usispf-high-level-meeting" target="_blank"><b>6. India-America વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર અંગે યુએસ ટ્રેડ પ્રતિનિધિ સાથે યોજાઈ ઉચ્ચસ્તરીય બેઠક</b></a></p><p><a href="https://sandesh.com/india/news/maharashtra-politics-another-setback-for-uddhav-faction-thackerays-close-aide-joins-shindes-shiv-sena" target="_blank"><b>7. Maharashtra Politics: ઉદ્ધવ જૂથને ફરી ઝટકો, ઠાકરેના નજીકના જોડાયા શિંદેની શિવસેનામાં</b></a></p><p><a href="https://sandesh.com/world/news/iran-us-deal-saudi-qatars-secret-plan-to-keep-america-out-of-the-iran-deal-know-what-is-the-strategy" target="_blank"><b>8. Iran US Deal: ઈરાન ડીલમાંથી અમેરિકાને બહાર રાખવા સાઉદી-કતારનો સિક્રેટ પ્લાન, જાણો શું છે વ્યૂહરચના?</b></a></p><p><a href="https://sandesh.com/cricket/news/ind-vs-eng-odi-series-nitish-kumar-reddy-injury-replacement" target="_blank"><b>9. Team Indiaને ઈંગ્લેન્ડ પહોંચતા લાગ્યો મોટો ઝટકો, આ ખેલાડી ODI સિરીઝમાંથી થયો બહાર?</b></a></p><p><a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-japans-coach-and-players-apologize-to-fans-after-defeat-watch-video" target="_blank"><b>10. FIFA World Cup 2026 : હાર બાદ જાપાનના કોચ અને ખેલાડીઓએ ફેન્સની સામે માફી માંગી, જુઓ Video</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/05/30/ci0PwfUyHcao4H4ziwpdhMLnO6QMfKyI3jwCPvfh.webp'/></item><item><title><![CDATA[Noel Tataનો વધુ એક મોટો નિર્ણય, ટ્રેન્ટ બાદ હવે આ કંપનીના ચેરમેન પદેથી પણ આપશે રાજીનામું ]]></title><link>https://sandesh.com/business/news/noel-tata-resigns-voltas-chairman-after-trent-exit-tata-group</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/noel-tata-resigns-voltas-chairman-after-trent-exit-tata-group</guid><pubDate>Tue, 30 Jun 2026 17:47:30 +05:30</pubDate><description><![CDATA[<p>ટાટા ગ્રુપમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ટ્રેન્ટ કંપનીના ચેરમેન પદેથી રાજીનામું આપ્યાના લગભગ એક અઠવાડિયા બાદ નોએલ ટાટાએ હવે ટાટા ગ્રુપની બીજી મોટી કંપની વોલ્ટાસના ચેરમેન પદેથી પણ હટવાની જાહેરાત કરી છે. આ જાહેરાત તેમણે કંપનીની 72મી વાર્ષિક સામાન્ય સભા (AGM) દરમિયાન કરી હતી.</p><h2><b>AGMમાં કરી જાહેરાત</b></h2><p>શેરહોલ્ડર્સને સંબોધતા નોએલ ટાટાએ જણાવ્યું કે વોલ્ટાસના ચેરમેન તરીકે આ તેમની છેલ્લી AGM રહેશે. તેમણે કંપનીની ટીમ પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે આંતરિક પ્રમોશન અને નવી નિમણૂકો દ્વારા કંપનીએ મજબૂત મેનેજમેન્ટ ટીમ તૈયાર કરી છે, જે ભવિષ્યમાં ઝડપી વૃદ્ધિ માટે સક્ષમ છે. નોએલ ટાટા 2003માં વોલ્ટાસના બોર્ડમાં જોડાયા હતા અને 2017માં તેમને નોન-એગ્ઝિક્યુટિવ ચેરમેન તરીકે નિમવામાં આવ્યા હતા. તેઓ અગાઉ ટ્રેન્ટના ચેરમેન પદેથી પણ હટી ચૂક્યા છે. ટાટા ગ્રુપના સંસ્થાપક પરિવારમાંથી એક મહત્વપૂર્ણ સભ્ય તરીકે તેમની ભૂમિકા લાંબા સમયથી નોંધપાત્ર રહી છે.</p><h3><b>રતન ટાટાના અવસાન બાદ ટાટા ગ્રુપના પાવર સ્ટ્રક્ચરમાં અનેક ફેરફારો</b></h3><p>ઉલ્લેખનીય છે કે નોએલ ટાટા આ વર્ષના નવેમ્બરમાં 70 વર્ષના થશે. કંપની કાયદા મુજબ 70 વર્ષની ઉંમર પછી કેટલીક નિમણૂકો પર મર્યાદા લાગુ પડે છે, જેના કારણે નેતૃત્વમાં બદલાવ જોવાઈ રહ્યો છે. રતન ટાટાના અવસાન બાદ ટાટા ગ્રુપના પાવર સ્ટ્રક્ચરમાં અનેક ફેરફારો જોવા મળ્યા છે. ટાટા ટ્રસ્ટ્સ, જે ટાટા સન્સના મોટાભાગના હિસ્સેદાર છે, તેમની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ બની છે. આ પરિવર્તનો સાથે ગ્રુપમાં નિર્ણય પ્રક્રિયા અને મેનેજમેન્ટ સ્ટ્રક્ચરમાં પણ નવી વ્યવસ્થા ઉભી થઈ રહી છે.</p><p><b><a href="https://sandesh.com/business/news/investment-tips-buy-a-house-or-invest-in-sip-what-is-the-safest-way-to-become-a-millionaire-and-where-will-your-money-grow-the-fastest" target="_blank">આ પણ વાંચો : Investment Tips: ઘર ખરીદવું કે SIPમાં રોકાણ કરવું? કરોડપતિ બનવાનો સૌથી સુરક્ષિત રસ્તો કયો છે અને તમારા પૈસા ક્યાં ઝડપથી વધશે?</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/30/cYScUmKD6nhe7eVHMbT3Lkrsky3DswIKoJuUJwur.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026 : હાર બાદ જાપાનના કોચ અને ખેલાડીઓએ ફેન્સની સામે માફી માંગી, જુઓ Video ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-japans-coach-and-players-apologize-to-fans-after-defeat-watch-video</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-japans-coach-and-players-apologize-to-fans-after-defeat-watch-video</guid><pubDate>Tue, 30 Jun 2026 16:20:07 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફિફા વર્લ્ડ કપ 2026માં રવિવારે રમાયેલી રોમાંચક મેચમાં બ્રાઝિલ સામે 2-1થી પરાજય થતાં જાપાનની સફરનો અંત આવ્યો છે. રાઉન્ડ ઓફ 32ની આ મેચમાં કારમી હાર બાદ જાપાનના હેડ કોચ હાજીમે મોરિયાસુ અને તેમના ખેલાડીઓ મેદાન પર જ ભાવુક થઈ ગયા હતા. જાપાનીઝ ટીમે સ્ટેડિયમમાં હાજર પોતાના પ્રશંસકો સમક્ષ નમીને માફી માગી હતી અને સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન મળેલા સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ હૃદયસ્પર્શી દ્રશ્યોએ વિશ્વભરના ફૂટબોલ ચાહકોના દિલ જીતી લીધા છે.</p><h4 style="text-align: justify; "><b>બ્રાઝિલને રાઉન્ડ ઓફ 16માં પહોંચ્યું&nbsp;</b></h4><p style="text-align: justify; ">મેચની વાત કરીએ તો, ફર્સ્ટ હાફમાં જાપાનના કાઈશુ સાનોએ શાનદાર ગોલ કરીને ટીમને લીડ અપાવી હતી, જેના કારણે પાંચ વખતની ચેમ્પિયન બ્રાઝિલની ટીમ દબાણમાં આવી ગઈ હતી. જોકે, બીજા હાફમાં બ્રાઝિલે જોરદાર વાપસી કરી હતી. કેસેમિરોએ ગોલ કરીને સ્કોર 1-1થી બરાબર કર્યો હતો. મેચ જ્યારે એક્સ્ટ્રા ટાઈમ તરફ વધી રહી હતી, ત્યારે જ સ્ટોપેજ ટાઈમની 5મી મિનિટે ગેબ્રિયલ માર્ટિનેલીએ વિનિંગ ગોલ ફટકારીને બ્રાઝિલને રાઉન્ડ ઓફ 16માં પહોંચાડી દીધું હતું.</p><p style="text-align: justify; "><a href="https://x.com/Argenpoirot/status/2071675289696919928?s=20" target="_blank">https://x.com/Argenpoirot/status/2071675289696919928?s=20</a></p><p style="text-align: justify; "><br></p><h5 style="text-align: justify; "><b>મેદાનની વચ્ચે ખેલાડીઓ ભાવુક થયા</b></h5><p style="text-align: justify; ">મેચ પૂરી થવાની વ્હીસલ વાગતાની સાથે જ કોચ મોરિયાસુએ તમામ ખેલાડીઓને મેદાનની વચ્ચે એકઠા કર્યા હતા. ટીમને સંબોધિત કરતી વખતે કોચ પોતે આંસુ રોકી શક્યા નહોતા. ત્યારબાદ તેઓ ખેલાડીઓ સાથે જાપાનીઝ સપોર્ટર્સ તરફ આગળ વધ્યા હતા. કોચ અને ટીમના તમામ સભ્યોએ ચાહકો સમક્ષ ઊંડા આદર સાથે માથું નમાવ્યું હતું. હારના આ આઘાત વચ્ચે પણ પ્રશંસકોએ તાળીઓના ગડગડાટ સાથે ખેલાડીઓની હિંમત વધારી હતી અને ટૂર્નામેન્ટમાં તેમના શાનદાર પ્રદર્શનને બિરદાવ્યું હતું.</p><h5 style="text-align: justify; "><b>છેલ્લી ઘડીએ તૂટ્યું જાપાનનું સપનું</b></h5><p style="text-align: justify; ">જાપાને પોતાની મજબૂત ડિફેન્સ લાઇનના જોરે કાર્લો એન્સેલોટીની બ્રાઝિલિયન ટીમને લાંબા સમય સુધી ગોલ કરવા દીધો નહોતો. પરંતુ છેલ્લી ઓવરટાઇમ મિનિટોમાં માર્ટિનેલીના આક્રમણ સામે જાપાનનું ડિફેન્સ ટકી શક્યું નહીં. આ હાર સાથે જાપાનનું પ્રથમ વખત વર્લ્ડ કપ નોકઆઉટ મેચ જીતવાનું સપનું ફરી એકવાર અધૂરું રહી ગયું છે. જોકે, મેચ બાદ જાપાનીઝ ટીમની નમ્રતા અને ખેલદિલીએ ફરી સાબિત કર્યું છે કે ફૂટબોલમાં માત્ર સ્કોરબોર્ડ જ નહીં, પણ સંસ્કાર અને પ્રશંસકો પ્રત્યેનો આદર પણ એટલો જ માયને રાખે છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - FI<a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-heatwave-why-were-the-spectators-upset-in-the-fifa-world-cup-a-big-reason-emerged" target="_blank">FA World Cup 2026: ફેન્સ કેમ થયા પરેશાન? હવામાન નહીં પણ આ મોટું કારણ આવ્યું સામે!</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/30/rTpNIyQNT5DcGiNpyt5RK2SPQIu4dJwBtxWijAjv.webp'/></item><item><title><![CDATA["Ikka"ના ટ્રેલર લોન્ચમાં દિયા મિર્ઝાનો ખુલાસો, અક્ષય ખન્ના સાથે આવું કર્યા બાદ હું ખૂબ ડરી ગઈ હતી.... ]]></title><link>https://sandesh.com/entertainment/news/dia-mirza-reveals-at-the-trailer-launch-of-ikka-i-was-very-scared-after-slapping-akshaye-khanna</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/dia-mirza-reveals-at-the-trailer-launch-of-ikka-i-was-very-scared-after-slapping-akshaye-khanna</guid><pubDate>Tue, 30 Jun 2026 14:00:39 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સની દેઓલ અને અક્ષય ખન્નાની આગામી મોસ્ટ-અવેટેડ ફિલ્મ "ઇક્કા" નું શાનદાર ટ્રેલર સોમવારે મુંબઈમાં રિલીઝ કરવામાં આવ્યું છે. સિદ્ધાર્થ પી. મલ્હોત્રા દ્વારા દિગ્દર્શિત આ એક્શન-ડ્રામા ફિલ્મ આગામી ૧૦ જુલાઈના રોજ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર પ્રીમિયર થવા માટે તૈયાર છે. મુંબઈમાં યોજાયેલા ભવ્ય ટ્રેલર લોન્ચ દરમિયાન ફિલ્મની સ્ટાર કાસ્ટ હાજર રહી હતી, જેમાં સની દેઓલ, દિયા મિર્ઝા અને તિલોત્તમા શોમ જોવા મળ્યા હતા.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>દિયા મિર્ઝાના ખુલાસો પર સનીનો મજેદાર જવાબ</b></h3><p style="text-align: justify; ">ફિલ્મમાં સની દેઓલની પત્નીની ભૂમિકા ભજવી રહેલી અભિનેત્રી દિયા મિર્ઝાએ ટ્રેલર લોન્ચ દરમિયાન એક રસપ્રદ ખુલાસો કર્યો હતો. દિયાએ જણાવ્યું કે ફિલ્મમાં તેનો પહેલો જ સીન અક્ષય ખન્ના સાથે હતો અને તે સીનમાં તેણે અક્ષયને થપ્પડ મારવાની હતી. પોતાનો ડર વ્યક્ત કરતા દિયાએ મજાકમાં કહ્યું, "પહેલા મને એ કહો કે અક્ષય ખન્નાને થપ્પડ મારવા બદલ શું હું કોઈ મુશ્કેલીમાં મુકાઈશ? મને બહુ ડર લાગે છે કારણ કે તેના અસંખ્ય ચાહકો છે."</p><h4 style="text-align: justify; "><b>તું મારી પત્ની છે કેમ ડરે છે..સની દેઓલ</b></h4><p style="text-align: justify; ">દિયાની આ વાત સાંભળીને સની દેઓલે તુરંત જ પોતાના અંદાજમાં પ્રતિક્રિયા આપતા કહ્યું, "તું આટલી ચિંતિત કેમ થાય છે? તું ફિલ્મમાં મારી (સની દેઓલની) પત્નીનો રોલ કરી રહી છે." સની દેઓલનો આ દમદાર અને મજેદાર ડાયલોગ સાંભળીને ત્યાં હાજર તમામ લોકોએ જોરદાર તાળીઓ પાડી હતી અને દિયા પણ હસી પડી હતી.</p><h4 style="text-align: justify; "><b>વર્ષો પછી 'બોર્ડર' જોડીનું કમબેક</b></h4><p style="text-align: justify; ">"ઇક્કા" ફિલ્મની સૌથી મોટી ખાસિયત એ છે કે સુપરહિટ ફિલ્મ 'બોર્ડર' ના વર્ષો પછી સની દેઓલ અને અક્ષય ખન્ના ફરી એકસાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. ફિલ્મમાં સની દેઓલ 'અર્જુન મહેરા' નામના મુખ્ય પાત્રમાં નજર આવશે. દર્શકો આ શાનદાર સ્ટાર કાસ્ટવાળી ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. ઇક્કા ફિલ્મના ટ્રેલર લોન્ચમાં ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા અક્ષય ખન્ના હંમેશની જેમ આ મોટી ઇવેન્ટથી પણ દૂર રહ્યા હતા. તેઓ બોલિવૂડની પાર્ટીઓ, એવોર્ડ શો અને પ્રમોશનલ ઇવેન્ટ્સથી અંતર જાળવી રાખવા માટે જાણીતા છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/box-office-akshays-welcome-3-earns-a-lot-in-monday-test-know-whether-shahids-cocktail-2-and-maa-inti-bangaram-are-flops-or-hits" target="_blank">આ પણ વાંચો : Box Office: મંડે ટેસ્ટમાં અક્ષયની 'વેલકમ ૩'ની જોરદાર કમાણી, જાણો શાહિદની 'કોકટેલ-2' અને મા ઇન્તી બંગારામ ફલોપ કે હિટ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/30/C68Ai9Fu48HYdKPg1BVKtIBlXO2Aq46V5ErcysX0.webp'/></item></channel></rss>