<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Morbi News: હળવદમાં ધોરણ 9ના 30 વિદ્યાર્થીઓને સ્પેલિંગ નહીં આવડતાં શિક્ષકે ઢોર માર માર્યો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/morbi/class-9-30-students-allegedly-beaten-by-teacher-over-spelling-mistakes</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/morbi/class-9-30-students-allegedly-beaten-by-teacher-over-spelling-mistakes</guid><pubDate>Tue, 14 Jul 2026 16:09:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મોરબી જિલ્લાના હળવદમાં આવેલી એક ખાનગી શાળામાં શિક્ષણ જગતને શરમાવે તેવી ઘટના સામે આવી છે.હળવદની જાણીતી સંસ્કાર વિદ્યાલયમાં ધોરણ 9માં અભ્યાસ કરતા અંદાજે 30 જેટલા માસૂમ વિદ્યાર્થીઓને શિક્ષક અને શાળાના આચાર્ય દ્વારા નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>કેટલાક વિદ્યાર્થીઓને સ્પેલિંગ પૂછવામાં આવ્યા હતા</b></h2><p style="text-align: justify; ">ધોરણ 9ના વર્ગખંડમાં અંગ્રેજી વિષયના શિક્ષણ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓને સ્પેલિંગ પૂછવામાં આવ્યા હતા.સ્પેલિંગ ન આવડવા જેવી સામાન્ય બાબત પર ઉશ્કેરાઈ જઈને શિક્ષકે વિદ્યાર્થીઓ પર હાથ ઉપાડ્યો હતો.વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે શાળાના આચાર્ય મયુર સાહેબ દ્વારા પણ તેઓને બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો. શિક્ષક અને આચાર્યના ગુસ્સાનો ભોગ બનેલા વિદ્યાર્થીઓની હાલત જોઈને વાલીઓ પણ ધ્રુજી ઉઠ્યા હતા.મારના કારણે માસૂમ વિદ્યાર્થીઓના શરીર પર પીઠના ભાગે અને હાથપગ પર ગંભીર પ્રકારના લાલચોળ ચાઠા પડી ગયા છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>એકસાથે આશરે 30 જેટલા વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો</b></h2><p style="text-align: justify; ">એકસાથે આશરે 30 જેટલા વિદ્યાર્થીઓને આ રીતે ઢોર માર મારવામાં આવતા શાળાના શિક્ષકોની ક્રૂરતા સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. વાલીઓનું કહેવું છે કે શિક્ષણના ધામમાં બાળકોને સંસ્કાર આપવાના બદલે આ પ્રકારે પશુની જેમ માર મારવામાં આવે તે સહેજ પણ ચલાવી ન લેવાય.જવાબદારો સામે કડક કાયદાકીય પગલાં ભરાવા જોઈએ. સંસ્કાર વિદ્યાલયમાં બનેલી આ ઘટનાએ શિક્ષણ વિભાગની કામગીરી સામે પણ પ્રશ્નાર્થ ચિહ્ન ખડા કર્યા છે.પીડિત બાળકોના વાલીઓ આ મામલે પોલીસ ફરિયાદ અને શિક્ષણ વિભાગ સમક્ષ લેખિત રજૂઆત કરી કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.<br><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/two-men-arrested-for-harassing-tiger-at-sakkarbaug-zoo-after-viral-video" target="_blank">આ પણ વાંચોઃ Junagadh News: સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરનારા બે શખ્સો ઝડપાયા</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/zR2gyFbiSg6Y5ct1H64KEgRD7bNJqlgr9Zbju9yC.webp'/></item><item><title><![CDATA[Surat News:કામરેજના  ધાતવા ગામે ગેરકાયદેસર ફ્રૂટ બીયર ફેક્ટરી ઝડપાઈ, 1.78 લાખનો મુદ્દામાલ જપ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/illegal-fruit-beer-factory-busted-in-kamrej</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/illegal-fruit-beer-factory-busted-in-kamrej</guid><pubDate>Tue, 14 Jul 2026 15:46:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે એક મોટી કાર્યવાહી કરતા કામરેજ તાલુકાના ધાતવા ગામે ધમધમતી એક ગેરકાયદેસર ફ્રૂટ બીયર બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે.ચોક્કસ બાતમીના આધારે પોલીસે પાડેલા આ દરોડામાં નકલી ફ્રૂટ બીયરનો મોટો જથ્થો અને બિનઅધિકૃત સામગ્રી ઝડપી પાડવામાં આવી છે.આ ફેક્ટરીમાં ગેરકાયદેસર રીતે ફ્રૂટ બીયર તૈયાર કરી તેના પર આકર્ષક લેબલ લગાવીને બજારમાં વેચવાનું મોટું કૌભાંડ ચાલી રહ્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>ગેરકાયદેસર ફ્રૂટ બીયર ફેક્ટરી ઝડપાઈ</b></h2><p style="text-align: justify; ">દરોડા દરમિયાન પોલીસને ફેક્ટરીમાંથી બિનઅધિકૃત રીતે તૈયાર કરાયેલી 584 ફ્રૂટ બીયરની બોટલો તેમજ સોડા અને કોલ્ડડ્રિંક બનાવવાની મશીનરી મળી આવી હતી. પોલીસે આ તમામ સાધન સામગ્રી અને બોટલો મળીને કુલ રૂપિયા 1.78 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.બાતમીના આધારે ધાતવા ગામે રેડ કરીને ગેરકાયદેસર રીતે ચાલતી આ ફેક્ટરીને સીલ કરવામાં આવી છે.આ સમગ્ર નેટવર્ક પાછળ ધનાલાલ ગુર્જર નામનો શખ્સ મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે.એક્સપાયરી ડેટવાળી 552 બોટલો પણ રાખવામાં આવી હતી જેનો LCBની ટીમે સ્થળ પર જ તાત્કાલિક નાશ કર્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>મુખ્ય સૂત્રધાર સામે કાયદાકીય ગાળિયો</b></h2><p style="text-align: justify; ">આ ગેરકાયદે ફેક્ટરી ચલાવવામાં ધનાલાલ ગુર્જર મુખ્ય સૂત્રધાર હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.હાલ પોલીસે તેની સામે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ઉનાળાની સિઝનની શરૂઆતમાં જ આ પ્રકારે ઠંડા પીણાના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે LCBની આ કાર્યવાહીથી ગેરકાયદેસર વેપાર કરતા અન્ય તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.<br><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/morbi/class-9-30-students-allegedly-beaten-by-teacher-over-spelling-mistakes" target="_blank">આ પણ વાંચોઃ Morbi News: હળવદમાં ધોરણ 9ના 30 વિદ્યાર્થીઓને સ્પેલિંગ નહીં આવડતાં શિક્ષકે ઢોર માર માર્યો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/jPfTumQXW42QSAqZGiLFdGFkyYEBHgpzfDawCXi9.webp'/></item><item><title><![CDATA[Ayodhya : શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટને RTIના દાયરામાં લાવવાની માગ, સુપ્રીમ કોર્ટમાં PIL કરાઈ દાખલ ]]></title><link>https://sandesh.com/india/news/ayodhya-shri-ram-janmabhoomi-trust-rti-pil-supreme-court</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ayodhya-shri-ram-janmabhoomi-trust-rti-pil-supreme-court</guid><pubDate>Tue, 14 Jul 2026 15:42:42 +05:30</pubDate><description><![CDATA[<p>અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરી મામલે થયેલી કથિત ચોરીના મામલે હવે દેશની સર્વોચ્ચ કોર્ટ સુધી મુદ્દો પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરીને શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટને માહિતીનો અધિકાર (RTI) કાયદાની કલમ 2(હ) હેઠળ જાહેર સત્તાધિકારી જાહેર કરવાની માગ કરવામાં આવી છે. અરજી વકીલ અનુપ પ્રકાશ અવસ્થીએ દાખલ કરી છે.</p><h2><b>ટ્રસ્ટના વહીવટમાં પારદર્શિતા વધશે</b></h2><p>અરજીમાં દલીલ કરવામાં આવી છે કે ટ્રસ્ટના આવક-જાવકના હિસાબ, દાનની રકમ અને નાણાકીય વ્યવહારો અંગેની માહિતી સામાન્ય નાગરિકો માટે ઉપલબ્ધ હોવી જોઈએ. તેનાથી ટ્રસ્ટના વહીવટમાં પારદર્શિતા વધશે અને જવાબદારી પણ નિશ્ચિત થશે. અરજીમાં વધુમાં જણાવાયું છે કે ટ્રસ્ટ પાસે રહેલી તમામ સંપત્તિ ભગવાન શ્રીરામની છે, તેથી તેના સંચાલનમાં સંપૂર્ણ પારદર્શિતા અનિવાર્ય છે.</p><h3><b>સરકારે SIT બનાવી&nbsp;</b></h3><p>અરજદારે સુપ્રીમ કોર્ટને 9 નવેમ્બર, 2019ના અયોધ્યા ચુકાદામાં ટ્રસ્ટની રચના, તેની કાનૂની સ્થિતિ અને સત્તાઓ અંગે આપવામાં આવેલા નિર્દેશોની સ્પષ્ટ વ્યાખ્યા કરવાની પણ વિનંતી કરી છે. આ દરમિયાન રામ મંદિરમાં દાનની કથિત ચોરીના કેસની તપાસ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની વિશેષ તપાસ ટીમ (SIT) કરી રહી છે. મળતી માહિતી મુજબ તપાસ અહેવાલ ટૂંક સમયમાં સરકારને સોંપવામાં આવી શકે છે. અહેવાલમાં માત્ર સંડોવાયેલા લોકોની ઓળખ જ નહીં, પરંતુ સુરક્ષા અને દેખરેખની વ્યવસ્થામાં ક્યાં ખામીઓ રહી તે અંગે પણ માહિતી આપવામાં આવશે. સાથે જ દાનના સંચાલન અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે જરૂરી ભલામણો પણ કરવામાં આવશે.</p><h4><b>પુરાવાની તપાસ ચાલી રહી છે</b></h4><p>SITએ સ્પષ્ટ કર્યું છે કે તપાસ હજુ પૂર્ણ થઈ નથી. અંતિમ અહેવાલ તૈયાર કરતા પહેલાં બેન્ક વ્યવહારો, નાણાકીય દસ્તાવેજો, CCTV ફૂટેજ, ઈલેક્ટ્રોનિક પુરાવા અને સાક્ષીઓના નિવેદનોની વિગતવાર તપાસ ચાલી રહી છે. ઉપરાંત, લાંબા સમય સુધી કથિત ગેરરીતિ બહાર ન આવવા પાછળ જે અધિકારીઓની બેદરકારી જવાબદાર હોઈ શકે છે, તેમની ભૂમિકાની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. અંતિમ હકીકતો તપાસ અહેવાલ રજૂ થયા બાદ જ સ્પષ્ટ થશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/up-politics-after-ayodhya-now-there-is-a-poster-war-against-sp-in-mathura-vrindavan-know-what-is-the-whole-controversy" target="_blank">આ પણ વાંચો : UP Politics : અયોધ્યા બાદ હવે મથુરા-વૃંદાવનમાં સપા વિરુદ્ધ પોસ્ટર વોર, જાણો શું છે આખો વિવાદ?</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/KErLApVkXl6GlywEoAmedKiq08mYN3loOpCaOqJd.webp'/></item><item><title><![CDATA[Stock Market Closing: સેન્સેક્સ 561 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 24,052 અંકે બંધ ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-closing-sensex-falls-561-points-nifty-closes-at-24052-points</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-closing-sensex-falls-561-points-nifty-closes-at-24052-points</guid><pubDate>Tue, 14 Jul 2026 15:39:01 +05:30</pubDate><description><![CDATA[<p>મંગળવારે અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવની ભારતીય શેરબજાર પર અસર પડી. નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે, રોકાણકારોએ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું, જેના કારણે મુખ્ય શેરબજાર સૂચકાંકો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.</p><h2><b>શેરબજાર લાલ નિશાનમાં બંધ&nbsp;</b></h2><p>બપોરે 2:00 વાગ્યા સુધીમાં, નિફ્ટી 50 24,069.75 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે 141.25 પોઈન્ટ (0.58 ટકા) ઘટીને હતો. દરમિયાન, સેન્સેક્સ 419 પોઈન્ટ (0.63 ટકા) ઘટીને 77,125.21 પર પહોંચ્યો. જ્યારે બપોરે 3.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં જ બંધ થયા. સેન્સેક્સ&nbsp; −561.46 પોઇન્ટના ઘટાડા સાથે 77,054.94 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી −172.95 પોઇન્ટના ઘટાડા સાથે&nbsp; 24,038.05 અંકે બંધ થયો.&nbsp;</p><h3><b>મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વેચાણ</b></h3><p>બજારમાં ઘટાડાની અસર વ્યાપક સૂચકાંકો પર પણ પડી. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ આશરે 0.54 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સમાં લગભગ 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો.</p><p>ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસ, નિફ્ટી ઓટો, નિફ્ટી પીએસયુ બેંક અને નિફ્ટી રિયલ્ટીમાં સૌથી તીવ્ર ઘટાડો જોવા મળ્યો. તેનાથી વિપરીત, નિફ્ટી ફાર્મા અને નિફ્ટી હેલ્થકેર સૂચકાંકોમાં વધારો થયો હતો, જે દર્શાવે છે કે રોકાણકારો આ ક્ષેત્રોમાં ખરીદીમાં રસ ધરાવે છે.</p><h4><b>ક્રૂડ ઓઇલ $84 ને પાર કરી ગયું</b></h4><p>અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ઈરાની શિપિંગ પર ફરીથી નાકાબંધી લાદશે. આ પછી, જુલાઈમાં બ્રેન્ટ ક્રૂડનો વાયદો ભાવ પ્રતિ બેરલ $84.11 થયો, જે આશરે 0.97 ટકાનો વધારો દર્શાવે છે.</p><p><br></p><p><a href="https://sandesh.com/astrology/news/bhakti/shani-dev-2026-saturn-will-move-in-reverse-these-2-zodiac-signs-should-be-especially-careful" target="_blank">આ પણ વાંચો: Shani Dev 2026: શનિની ચાલશે ઉલટી ચાલ, આ 2 રાશિએ ખાસ સાચવવુ !</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/04/22/ImEoH8XVKSpwKohsEtbZTWR6IaJ4XBQ4dmVVsfy6.webp'/></item><item><title><![CDATA[Junagadh News: સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરનારા બે શખ્સો ઝડપાયા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/two-men-arrested-for-harassing-tiger-at-sakkarbaug-zoo-after-viral-video</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/two-men-arrested-for-harassing-tiger-at-sakkarbaug-zoo-after-viral-video</guid><pubDate>Tue, 14 Jul 2026 15:20:25 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં સિંહની પજવણીના અનેક કિસ્સા સામે આવી રહ્યાં છે. ગેરકાયદે સિંહ દર્શન અંગેના પણ વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. ત્યારે હવે જૂનાગઢમાં સક્કરબાગ ઝૂમાં વન્ય જીવોની પજવણીનો વીડિયો વાયરલ થયો છે. વાઘના પાંજરામાં કપડું નાંખીને પજવણી કરતો વીડિયો વાયરલ થયો છે. વન્ય જીવોની સુરક્ષાને લઈને તંત્ર સામે ગંભીર સવાલો ઉભા થયાં છે. સુરક્ષા તંત્રએ વાયરલ વીડિયોના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને વાઘની પજવણી કરનારા બે શખ્સોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરાઈ છે.&nbsp;&nbsp;</p><h2 style="text-align: justify; "><b>રાજકોટના બે શખ્સોને તંત્ર દ્વારા ઝડપી લેવાયા</b></h2><p style="text-align: justify; ">જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં કપડૂ નાંખીને વાઘની પજવણી કરનારા બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. રાજકોટના બોડી ઘોડીના શખ્સોની આ પજવણીમાં સંડોવણી હોવાનું સામે આવ્યું છે. દેવાભાઈ અને બાબુલાલ શિરોડીયાની ધરપકડ કરવામાં આવી છે. સક્કરબાગ ઝૂની ટીમે સીસીટીવી અને વાયરલ વીડિયોના આધારે તપાસ હાથ ધરી બે શખ્સોને ઝડપી પાડ્યા છે. જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં વન્યજીવોની સુરક્ષા અને તંત્રની બેદરકારી દર્શાવતો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.</p><h3 style="text-align: justify; "><b>આ પહેલા પણ આવા કિસ્સા સામે આવ્યા છે</b></h3><p style="text-align: justify; ">આ વાયરલ વીડિયોમાં કેટલાક પ્રવાસીઓ દ્વારા ખુલ્લેઆમ વાઘને હેરાન કરવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું હતું.સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે,સક્કરબાગ ઝૂની મુલાકાતે આવેલા કેટલાક પ્રવાસીઓ દ્વારા વાઘના પિંજરામાં કપડું ફેંકવામાં આવ્યું હતું.આ કપડું ફેંકીને પ્રવાસીઓ વાઘને હેરાનગતિ પહોંચાડી રહ્યા હતા અને તેને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.સક્કરબાગ ઝૂમાં વન્યજીવોની પજવણીની આ કોઈ પ્રથમ ઘટના નથી.અગાઉ પણ પ્રવાસીઓ દ્વારા અહીં અબોલ વન્ય પ્રાણીઓને હેરાન કરવામાં આવ્યા હોવાના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે.<br><br>આ પણ વાંચોઃ&nbsp;</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/gXtyYckMxVny3xvCeXXa9FUA6ylmSaUyFyZrZ3Dn.webp'/></item><item><title><![CDATA[Datia By Election: સંપત્તિ મામલે કોંગી ઉમેદવારે મારી બાજી,  બીજેપી ઉમેદવાર કરતા 11 ઘણી સંપત્તિ ]]></title><link>https://sandesh.com/india/news/datia-by-election-congress-candidate-wins-in-asset-case-has-11-times-more-assets-than-bjp-candidate</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/datia-by-election-congress-candidate-wins-in-asset-case-has-11-times-more-assets-than-bjp-candidate</guid><pubDate>Tue, 14 Jul 2026 15:17:11 +05:30</pubDate><description><![CDATA[<p>દતિયા વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારી પત્રો સાથે દાખલ કરાયેલા સોગંદનામામાં બંને મુખ્ય પક્ષોના ઉમેદવારોની નાણાકીય સ્થિતિની સંપૂર્ણ વિગતો બહાર આવી છે. માહિતી અનુસાર કોંગ્રેસના ઉમેદવાર કુંવર ઘનશ્યામ સિંહ સંપત્તિની દ્રષ્ટિએ ભાજપના આશુતોષ તિવારી કરતા નોંધપાત્ર રીતે આગળ છે.</p><p><b style="font-size: 2rem;">રાજવી પરિવારના વડા કોંગ્રેસના ઉમેદવાર&nbsp;</b></p><p>દતિયા રાજવી પરિવારના વડા અને કોંગ્રેસના ઉમેદવાર ઘનશ્યામ સિંહે તેમના સોગંદનામામાં આશરે ₹20.08 કરોડની કુલ સંપત્તિ જાહેર કરી છે. આમાં ₹3.5 કરોડથી વધુની ખેતીલાયક જમીન અને ₹2.5 કરોડની બિન-ખેતીલાયક જમીનનો સમાવેશ થાય છે. વધુમાં તેઓ શહેરમાં અનેક વાણિજ્યિક ઇમારતોના માલિક છે.</p><h3><b>ભાજપના ઉમેદવાર પાસે કેટલી સંપત્તિ ?&nbsp;</b></h3><p>રોકડની દ્રષ્ટિએ તેમની પાસે ₹1.80 લાખ રૂપિયા છે. તેમની પાસે ₹5.63 લાખની બાકી બેંક લોન પણ છે. તો બીજી તરફ ભાજપના ઉમેદવાર આશુતોષ તિવારીએ ₹1.79 કરોડની સંપત્તિ જાહેર કરી છે. જે ઘનશ્યામ સિંહની સંપત્તિનો લગભગ અગિયારમો ભાગ છે. તેમની પાસે ₹ 154500  રોકડા છે અને કુલ ₹11.83  લાખ બેંક લોન છે.</p><h4><b>બંને ઉમેદવારોની પત્ની પાસે કેટલી સંપત્તિ ?&nbsp;</b></h4><p>&nbsp;આશુતોષે તેમની પત્નીની સંપત્તિના સંદર્ભમાં તેમના હરીફને પાછળ છોડી દીધા છે. તેમની પત્ની કલ્પના તિવારી પાસે આશરે ₹1.76  કરોડની સંપત્તિ છે, જેમાં માત્ર ₹1.31  કરોડની ખેતીલાયક જમીનનો સમાવેશ થાય છે. તેનાથી વિપરીત ઘનશ્યામ સિંહની પત્ની પાસે ₹84.17  લાખની સંપત્તિ છે. ઉમેદવારોની પત્નીઓ કિંમતી ધાતુના ભંડારમાં પણ તેમના પતિઓને પાછળ છોડી દે છે.  ઘનશ્યામ સિંહ પાસે 240  ગ્રામ સોનું છે જ્યારે તેમની પત્ની પાસે 580 ગ્રામ છે.</p><p>આશુતોષ તિવારી પાસે 80  ગ્રામ સોનું છે અને તેમની પત્ની કલ્પના પાસે 312 ગ્રામ છે. સોગંદનામા અનુસાર, ઘનશ્યામ સિંહ સામે ત્રણ ફોજદારી કેસ નોંધાયેલા છે, જ્યારે ભાજપના ઉમેદવાર આશુતોષ તિવારીએ જાહેર કર્યું છે કે તેમનો કોઈ ફોજદારી રેકોર્ડ નથી.</p><p>સોમવારે ઉમેદવારીપત્રો ભરવાનો અંતિમ દિવસ હતો. જિલ્લામાં કુલ 32 ઉમેદવારીપત્રો દાખલ થયા છે. ઘણા ઉમેદવારોએ એક કરતાં વધુ ઉમેદવારીપત્રો રજૂ કર્યા છે ખાસ કરીને આશુતોષ તિવારીએ બે, ઘનશ્યામ સિંહે ત્રણ અને દામોદરએ બે ઉમેદવારીપત્રો દાખલ કર્યા છે.</p><p><br></p><h4><b>ઉમેદવારી પત્ર પાછી ખેંચવાની તારીખ 16 જુલાઇ&nbsp;</b></h4><p>નોંધણીપત્રો પાછા ખેંચવાની અંતિમ તારીખ 16 જુલાઈ છે, ત્યારબાદ મેદાનમાં બાકી રહેલા ઉમેદવારોની અંતિમ યાદી નક્કી કરવામાં આવશે. રાજકીય નિરીક્ષકો માને છે કે દતિયામાં ચૂંટણી 'વિકાસ વિરુદ્ધ વારસો' તેમજ 'ધનવાન વિરુદ્ધ સામાન્ય' ની સ્પર્ધામાં પરિણમી શકે છે. એક તરફ, રાજવી પરિવારોમાંથી આવતા કરોડપતિ ઉમેદવારો છે, જ્યારે બીજી તરફ, તુલનાત્મક રીતે સામાન્ય સંપત્તિ ધરાવતા વ્યક્તિઓ છે જે સંગઠન સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા છે.</p><p><a href="https://sandesh.com/astrology/news/bhakti/shani-dev-2026-saturn-will-move-in-reverse-these-2-zodiac-signs-should-be-especially-careful" target="_blank">આ પણ વાંચો: Shani Dev 2026: શનિની ચાલશે ઉલટી ચાલ, આ 2 રાશિએ ખાસ સાચવવુ !</a></p><p><br></p><p><br></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/fa0wBgClkCg9cB57pJKBj5Beygxvm0gBsEkUv8K5.webp'/></item><item><title><![CDATA[Pakistan Cricket શોએબ અખ્તર અને મોહમ્મદ આસિફ ભારત આવતી વખતે ડ્રગ્સ લાવતા હોવાનો આરોપ ]]></title><link>https://sandesh.com/sports/news/pakistan-cricket-shoaib-akhtar-and-mohammad-asif-accused-of-bringing-drugs-while-coming-to-india</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pakistan-cricket-shoaib-akhtar-and-mohammad-asif-accused-of-bringing-drugs-while-coming-to-india</guid><pubDate>Tue, 14 Jul 2026 15:13:05 +05:30</pubDate><description><![CDATA[<p>કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) ના ભૂતપૂર્વ અંડર સેક્રેટરી આર.વી.એસ. મણિએ પાકિસ્તાની ક્રિકેટરો અને ભારત આવતા પાકિસ્તાની ડેલિગેશનને લઈને એક અત્યંત ચોંકાવનારો અને સનસનીખેજ દાવો કર્યો છે. એએનઆઈ (ANI) ના એક પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે, 2006-07 ના ગાળામાં જ્યારે પણ પાકિસ્તાની ટીમ કે અન્ય પ્રતિનિધિમંડળ ભારત આવતા હતા, ત્યારે તેઓ પોતાની સાથે ડ્રગ્સની હેરાફેરી (ડ્રગ્સ ટ્રાફિકિંગ) કરતા હતા. આ ગંભીર ષડયંત્ર પાછળ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI નો હાથ હોવાનો પણ તેમણે દાવો કર્યો છે.</p><h2><b>શોએબ અખ્તર અને મોહમ્મદ આસિફ પર આરોપ</b></h2><p>વર્ષ 2006 થી 2010 દરમિયાન ગૃહ મંત્રાલયના આંતરિક સુરક્ષા વિભાગમાં કાર્યરત રહેલા નિવૃત્ત અધિકારી આર.વી.એસ. મણિએ પાકિસ્તાનના ભૂતપૂર્વ સ્ટાર ફાસ્ટ બોલર શોએબ અખ્તર અને મોહમ્મદ આસિફનું નામ લઈને સીધો હુમલો કર્યો છે. તેમણે જણાવ્યું કે, "આ કેસ ઓફિશિયલી રિપોર્ટ થયેલો છે. શોએબ અખ્તર અને મોહમ્મદ આસિફે પાકિસ્તાની હાઈ કમિશનર સામે પોતે ડ્રગ્સ લાવ્યા હોવાની કબૂલાત કરી હતી, જે બાદ તેમને પરત મોકલી દેવાયા હતા." તેમણે ઉમેર્યું કે આ ડ્રગ્સ વ્યક્તિગત વપરાશ માટે નહીં, પરંતુ મોટા પાયે ટ્રાફિકિંગના હેતુથી લાવવામાં આવતું હતું.</p><h3><b>ટેરર ફંડિંગ અને બોબ વૂલ્મરના મોત સાથે કનેક્શન</b></h3><p>પૂર્વ અધિકારીએ દાવો કર્યો કે ભારતમાં થતા આતંકવાદી હુમલાના ફંડિંગનો 30 ટકા હિસ્સો ડ્રગ્સ ટ્રાફિકિંગમાંથી આવે છે. તેમણે આ બાબતને 2007 ના વર્લ્ડ કપ દરમિયાન પાકિસ્તાની ટીમના તત્કાલીન કોચ બોબ વૂલ્મરના શંકાસ્પદ મોતના કેસ સાથે પણ જોડી છે. મણિના મતે, બોબ વૂલ્મર પાકિસ્તાની ખેલાડીઓ દ્વારા થતી આ ડ્રગ્સ હેરાફેરીનો વિરોધ કરી રહ્યા હતા, જેના કારણે જ જમૈકાની હોટલમાં રહસ્યમય સંજોગોમાં તેમનું મોત નીપજ્યું હતું.</p><p>તેમણે ઉમેર્યું કે પાકિસ્તાન સાથે 'પીપુલ ટુ પીપુલ કોન્ટેક્ટ' (સરહદ પારના સામાન્ય સંબંધો) એ માત્ર એક મોટો ધોકો છે, જેની આડમાં આવા ગેરકાયદેસર અને દેશવિરોધી કૃત્યો આચરવામાં આવતા હતા. ગૃહ મંત્રાલય પાસે આ તમામ બાબતોના અનેક અહેવાલો અને આઈબી (IB) ના એલર્ટ્સ મોજૂદ હોવાનું પણ તેમણે સ્વીકાર્યું છે.</p><p><br></p><p><a href="https://sandesh.com/world/news/more-than-10000-christians-arrested-in-china-for-not-worshipping-xi-jinping-causing-uproar-around-the-world" target="_blank">આ પણ વાંચો: Chinaમાં શિ જિનપિંગની પૂજા ન કરનાર 10 હજારથી વધુ ખ્રિસ્તીની ધરપકડ, દુનિયાભરમાં ખળભળાટ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/hkQDh0iSb60hQHapAZQokS5wEvQyjK6J0vKVAdW9.webp'/></item><item><title><![CDATA[વાંચો બપોરે 12થી 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-afternoon-top-news-bulletin-chandipura-virus-girnar-silence-zone-surat-tapi-wall</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-afternoon-top-news-bulletin-chandipura-virus-girnar-silence-zone-surat-tapi-wall</guid><pubDate>Tue, 14 Jul 2026 15:01:50 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર&nbsp; &nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/world/news/more-than-10000-christians-arrested-in-china-for-not-worshipping-xi-jinping-causing-uproar-around-the-world" target="_blank">1. Chinaમાં શિ જિનપિંગની પૂજા ન કરનાર 10 હજારથી વધુ ખ્રિસ્તીની ધરપકડ, દુનિયાભરમાં ખળભળાટ</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dhoraji/moti-marad-couple-brutally-murdered-ramesh-bhoot-farm" target="_blank">2. Dhoraji: મોટી મારડ ગામની સીમમાં ખૂની ખેલ, વાડી વિસ્તારમાંથી દંપતીના લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળ્યા</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/cbses-big-decision-now-it-is-mandatory-to-pass-third-language-in-class-9-and-10" target="_blank">3. CBSE નો મોટો નિર્ણય, ધોરણ 9 અને 10 માં હવે 'થર્ડ લેંગ્વેજ' માં પાસ થવું ફરજિયાત</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/junagadh/junagadh-girnar-datar-steps-silence-zone-forest-check-post-trackers-lion-attack" target="_blank">4. Junagadh : સિંહના હુમલા બાદ નિર્ણય, ગિરનાર અને દાતાર પર્વત સાયલેન્સ ઝોન જાહેર કરાશે, ગિરનારની સીડીઓ ઉપર ચેકપોસ્ટ બનશે</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/up-politics-after-ayodhya-now-there-is-a-poster-war-against-sp-in-mathura-vrindavan-know-what-is-the-whole-controversy" target="_blank">5. UP Politics : અયોધ્યા બાદ હવે મથુરા-વૃંદાવનમાં સપા વિરુદ્ધ પોસ્ટર વોર, જાણો શું છે આખો વિવાદ?</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/world/news/russias-powerful-attack-on-ukraine-ukraine-trembled-with-fab-3000-bomb-watch-shocking-video" target="_blank">6. Russia નો યુક્રેન પર જોરદાર હુમલો, FAB-3000 બોમ્બથી ધ્રૂજી ઉઠ્યું યુક્રેન! જુઓ શોકિંગ VIDEO</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/gujarat-weather-forecast-light-rain-rath-yatra-upper-air-cyclonic-circulation-fishermen-alert" target="_blank">7. Weather Update : ગુજરાતમાં આગામી દિવસોમાં સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/kolkata-high-court-train-seats-are-sold-like-vegetables-calcutta-high-court-in-red-over-tte-bribery" target="_blank">8. Kolkata High Court: 'ટ્રેનની સીટો શાકભાજીની જેમ વેચાય છે...' TTE ની લાંચખોરી પર કોલકાતા હાઈકોર્ટ લાલઘૂમ</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/waqf-properties-if-waqf-properties-are-investigated-the-ram-temple-donation-case-will-be-forgotten-alleges-maulana-shahabuddin" target="_blank">9. Waqf Properties : વકફ સંપત્તિની તપાસ થાય તો રામ મંદિર દાન મામલો ભૂલી જશો, મૌલાના શહાબુદ્દીનના આક્ષેપ, Video</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/cricket/news/dinesh-karthik-gave-a-big-statement-on-the-dispute-between-agarkar-and-gambhir" target="_blank">10. Dinesh Karthikએ અગરકર અને ગંભીર વચ્ચેના વિવાદ પર આપ્યું મોટું નિવેદન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/RTuQYLRHfaOVQbwOENIuui8K4gPCrMo5ki57LhqH.webp'/></item><item><title><![CDATA[Surat: સરથાણા ફાયર સ્ટેશનમાં ખાડીપૂરના પાણી ઘૂસ્યા, કંટ્રોલરૂમ સહિત મહત્વના દસ્તાવેજો પલળી ગયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/sarthana-fire-station-flooded-government-documents-ruined-khadi-flood</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/sarthana-fire-station-flooded-government-documents-ruined-khadi-flood</guid><pubDate>Tue, 14 Jul 2026 14:28:33 +05:30</pubDate><description><![CDATA[<p>કુદરતી આફત ક્યારેય કોઈનો ભેદભાવ રાખતી નથી, તેનો જીવતો-જાગતો દાખલો સુરતમાં જોવા મળ્યો છે. સુરત શહેરમાં ખાડીપૂરના પાણીએ હજારો સોસાયટીઓ અને લાખો લોકોને મુશ્કેલીમાં મૂક્યા હતા. આ કપરા સમયે લોકોને પૂરના પાણીમાંથી હેમખેમ બહાર કાઢવા અને ફૂડ પેકેટો પહોંચાડવા માટે સુરત મનપાનું ફાયર વિભાગ સતત કાર્યરત હતું. પરંતુ, આ બચાવ કામગીરીની વ્યસ્તતા વચ્ચે તંત્રને એ વાતની ભનક પણ ન રહી કે તેમનું પોતાનું જ સરથાણા ફાયર સ્ટેશન પૂરના પાણીમાં આખેઆખું ગરકાવ થઈ ચૂક્યું છે.</p><h2><b>રથાણા ફાયર સ્ટેશન કંટ્રોલરૂમમાં પાણી ઘૂસી ગયા</b></h2><p>સરથાણા ફાયર સ્ટેશન નીચાણવાળા વિસ્તારમાં હોવાથી અને ખાડીપૂરના પાણીનો ત્વરિત ભરાવો થતાં, જોતજોતામાં સ્ટેશનમાં 6 થી 7 ફૂટ સુધી પૂરના પાણી ફરી વળ્યા હતા. આ ભયાનક પૂરના કારણે કમ્પાઉન્ડમાં પડેલા ફાયર બ્રિગેડના જ 10 થી 15 ભારે કોમર્શિયલ વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સૌથી મોટી આફત તો ત્યારે આવી જ્યારે સ્ટેશનની જીવાદોરી સમાન કંટ્રોલરૂમમાં પાણી ઘૂસી ગયા. પાણી ભરાવાને કારણે અતિ મહત્વના સરકારી દસ્તાવેજો, એન્ટ્રી રજિસ્ટરો અને ઓફિસ ફાઇલો સંપૂર્ણપણે પાણીમાં પલળી ગઈ હતી.</p><h3><b>કિંમતી કાગળો પલળી ગયેલા</b></h3><p>જ્યારે પૂરના પાણી ઓસર્યા અને જવાનો સ્ટેશને પરત ફર્યા ત્યારે કંટ્રોલરૂમનો નજારો જોઈને ચોંકી ઉઠ્યા હતા. કાગળોનો કાદવ થઈ ગયો હતો. કિંમતી કાગળો અને વર્ષો જૂના સરકારી રેકોર્ડને બચાવવા માટે હવે ફાયર ફાઇટર્સના જવાનોએ એક અનોખી મથામણ શરૂ કરી છે. સ્ટેશનના ધાબા પર, ગાડીઓના બોનેટ પર અને ખુલ્લા મેદાનમાં પલળી ગયેલા તમામ દસ્તાવેજો અને ચોપડાઓને એક-એક પાનું ખોલીને તડકામાં સૂકવીને બચાવવાના લોઢાના ચણા ચાવવા જેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોતાની સરકારી મિલકત ડૂબી ગઈ હોવા છતાં, કોઈ જ અફસોસ વગર ફરજને પ્રથમ પ્રાધાન્ય આપનારા ફાયર જવાનોની કામગીરીને સ્થાનિકો બિરદાવી રહ્યા છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ankleshwar/dadhal-village-married-woman-suicide-case-five-inlaws-arrested-dowry-torture" target="_blank">આ પણ વાંચો: Ankleshwar: દહેજના લોભીઓએ પરણીતાને મરવા મજબૂર કરી, આપઘાત મામલે 5 સાસરિયાઓની ધરપકડ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/Hc3DykiZ1KZ8rxUnMf6Q285cplxeMh2iAmY2Jr3N.webp'/></item><item><title><![CDATA[સંગીતકાર પ્યારેલાલજી પર તૂટ્યો દુઃખનો પહાડ, પત્ની સુનીલા શર્માનું 78 વર્ષની વયે નિધન,અશ્રુભીની આંખે આપી અંતિમ વિદાય ]]></title><link>https://sandesh.com/entertainment/news/musician-pyarelaljis-mountain-of-grief-has-broken-his-wife-sunila-sharma-passes-away-at-the-age-of-78-he-bids-a-tearful-farewell</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/musician-pyarelaljis-mountain-of-grief-has-broken-his-wife-sunila-sharma-passes-away-at-the-age-of-78-he-bids-a-tearful-farewell</guid><pubDate>Tue, 14 Jul 2026 13:11:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડ સંગીત જગતની સુપ્રસિદ્ધ બેલડી લક્ષ્મીકાંત-પ્યારેલાલના પ્યારેલાલ રામપ્રસાદ શર્માના ઘરેથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ફેમસ સંગીતકાર પ્યારેલાલના પત્ની સુનીલાજીનું  ૧૩ જુલાઈના રોજ 78 વર્ષની ઉંમરે નિધન થયું. આ સમાચારથી બોલીવુડ જગતમાં શોકનો માહોલ છવાઈ ગયો. તે જ દિવસે મુંબઈના સાંતાક્રુઝ સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.શારીરિક અસ્વસ્થતાને કારણે પ્યારેલાલજીએ વ્હીલચેરમાં બેસીને ભારે હૈયે પત્નીની અંતિમ વિધિઓ પૂર્ણ કરી હતી. આ હૃદયદ્રાવક દ્રશ્ય જોઈને ત્યાં હાજર તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>પરિવારે 'અમ્મા' ને આપી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ</b></h2><p style="text-align: justify; ">સુનીલાજીના અવસાન બાદ પરિવાર દ્વારા એક સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. પરિવારમાં સૌ કોઈ તેમને પ્રેમથી "અમ્મા" કહીને બોલાવતા હતા. પરિવારે તેમના નિવેદનમાં લખ્યું: "અમ્મા પ્રેમ, સમર્પણ અને સાદગીથી ભરેલું જીવન જીવ્યા. તેઓ અમારા પરિવાર માટે બિનશરતી પ્રેમ અને પીઠબળનો મજબૂત સ્તંભ હતા. આજે અમારા હૃદય અત્યંત દુઃખી છે, પરંતુ અમને એ વાતનો સંતોષ છે કે તેમને હવે પરમ શાંતિ મળી છે. તમારી સુંદર જીવનયાત્રા પૂર્ણ થઈ, અમ્મા. ભગવાન તમારા આત્માને શાંતિ આપે."</p><h3 style="text-align: justify; "><b>સિનેમા જગતના કલાકારો અંતિમ સંસ્કારમાં જોડાયા</b></h3><p style="text-align: justify; ">સુનીલાજીના અંતિમ સંસ્કારમાં હિન્દી સિનેમા અને સંગીત જગતની ઘણી જાણીતી હસ્તીઓ પ્યારેલાલજીના દુઃખમાં સહભાગી થવા પહોંચી હતી. જેમાં પ્રખ્યાત ગાયક સુદેશ ભોંસલે, શબ્બીર કુમાર, રેડિયો હોસ્ટ આરજે અનમોલ અને જાણીતા ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈનો સમાવેશ થાય છે.</p><h4 style="text-align: justify; "><b>સુભાષ ઘાઈએ જૂની યાદો શેર કરીને વ્યક્ત કર્યું દુઃખ</b></h4><p style="text-align: justify; ">લક્ષ્મીકાંત-પ્યારેલાલની જોડી સાથે 'કર્ઝ' (૧૯૮૦), 'હીરો' (૧૯૮૩), 'રામ લખન' (૧૯૮૯) અને 'ખલનાયક' (૧૯૯૩) જેવી સુપરહિટ ફિલ્મો બનાવનાર ડાયરેક્ટર સુભાષ ઘાઈ આ સમાચાર સાંભળીને સ્તબ્ધ થઈ ગયા હતા. તેમણે સોશિયલ મીડિયા પર એક જૂનો ફેમિલી ફોટો શેર કરીને અત્યંત ભાવુક પોસ્ટ લખી છે. સુભાષ ઘાઈએ લખ્યું, "શ્રીમતી સુનીલા પ્યારેલાલ આપણને છોડીને ચાલ્યા ગયા છે, મને હજી પણ આ વાત પર વિશ્વાસ નથી આવી રહ્યો. ગયા મહિને જ હું મારી દીકરી સાથે પ્યારેલાલજી અને સુનીલાજીને મળવા તેમના ઘરે ગયો હતો. અમે ખૂબ સારો સમય સાથે વિતાવ્યો હતો</p><h4 style="text-align: justify; "><b>પ્યારેલાલજીની તાકત હતા તેમની પત્ની સુનિલા</b></h4><p style="text-align: justify; ">"૧૯૭૬થી આ પરિવારને ઓળખતા ઘાઈએ આગળ ઉમેર્યું, "તેઓ હંમેશા હસતા રહેતા અને સરળ-પ્રામાણિક પ્યારેલાલજીની સૌથી મોટી તાકાત હતા. પ્યારેલાલજી માટે આ ક્યારેય ન પુરાય તેવી ખોટ છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે ઈશ્વર તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે." મહત્વનું છે કે લક્ષ્મીકાંત શાંતારામ કુડાલકર અને પ્યારેલાલ રામપ્રસાદ શર્માની જોડીએ ત્રણ દાયકાથી વધુ સમય સુધી બોલિવૂડ પર રાજ કર્યું હતું. તેમણે ૭૫૦ થી વધુ ફિલ્મોમાં સદાબહાર સંગીત આપ્યું.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/zareen-khan-got-angry-over-paparazzi-rude-comment-actress-warns-paparazzi" target="_blank">આ પણ વાંચો : Zareen Khan on Paparazzi : અસભ્ય કમેન્ટ પર ભડકી ઝરીન ખાન, કેમેરા સામે જ પાપારાઝીનો ક્લાસ લગાવ્યો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/fZw57UrzFNmb6yYqhx5ADUsPKfVmNdnTSY6FI0hk.webp'/></item></channel></rss>