<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Vadodara: મંજુસર કેનાલ પાસે યુવકે પોતે જ ગોળી મારી કર્યો આત્મહત્યાનો પ્રયાસ, રિવોલ્વર પાણીમાં ફેંકી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/vadodara/vadodara-savli-manjusar-youth-suicide-attempt-firing-revolver-canal</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/vadodara/vadodara-savli-manjusar-youth-suicide-attempt-firing-revolver-canal</guid><pubDate>Fri, 17 Jul 2026 08:46:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાંથી સનસનાટીભરી ઘટના સામે આવી છે. સાવલીના મંજુસર પોલીસ મથકની હદમાં આવેલી નિરમા કેનાલ પાસે એક યુવકે પોતાની જાત પર ફાયરિંગ કરીને આત્મહત્યા કરવાનો ભયાનક પ્રયાસ કર્યો છે. ઘટનાની ગંભીરતાને જોતાં જ મંજુસર પોલીસ સહિત લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ નો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.</p><h2 style="text-align: justify; "><b>રણજીત ચૌધરીએ પોતાની જાતને જ ગોળી મારી</b></h2><p style="text-align: justify; ">મળતી વિગતો અનુસાર, મૂળ ઉત્તર પ્રદેશનો વતની અને હાલ સાવલીના મંજુસરમાં રહેતો રણજીત ચૌધરી નામનો યુવક નિરમા કેનાલ પર પહોંચ્યો હતો. ત્યાં તેણે અગમ્ય કારણોસર પોતાની પાસે રહેલા એક ખાનગી હથિયાર વડે પોતાની જાતને જ ગોળી મારી દીધી હતી.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>રિવોલ્વરને કેનાલના વહેતા પાણીમાં ફેંકી દીધી</b></h3><p style="text-align: justify; ">આ ચોંકાવનારા પગલા બાદ લોહીલુહાણ હાલતમાં યુવકે ગુનામાં વપરાયેલી રિવોલ્વરને કેનાલના વહેતા પાણીમાં ફેંકી દીધી હતી અને પોતે રસ્તા પર ઢળી પડ્યો હતો. રસ્તા પર તડપતી હાલતમાં પડેલા આ યુવક પર પોલીસની નજર પડતા જ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.</p><h4 style="text-align: justify; "><b>યુવકે ગૃહક્લેશથી કંટાળીને પગલું ભર્યું હોવાની આશંકા</b></h4><p style="text-align: justify; ">પ્રાથમિક પોલીસ તપાસમાં બહાર આવેલા અહેવાલો મુજબ, યુવકે ગૃહક્લેશ અને કૌટુંબિક વિવાદથી કંટાળીને આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ લોહીથી લથપથ ઇજાગ્રસ્ત રણજીતને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ ગુનામાં વપરાયેલું હથિયાર ગેરકાયદેસર છે કે પરવાનાવાળું, તે જાણવા માટે પોલીસે કેનાલમાં રિવોલ્વર શોધવાની કવાયત હાથ ધરી છે અને ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-indepth-gujarat-monsoon-2026-rain-deficit-paresh-goswami-weather-forecast-july-round" target="_blank"><b> Sandesh Indepth : ચોમાસું ખોટકાયું, ગુજરાતમાં ગત વર્ષ કરતાં અડધો જ વરસાદ; 24.64% સાથે ખેડૂતો ચિંતિત, જળસંકટની ભીતિ!</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/xyzSCRZ74IkAVwayT5Cxy2JEWHuUZb0UcbsNz1qI.webp'/></item><item><title><![CDATA[IND vs ENG: જો રૂટે ધૈર્યપૂર્વક 133 બોલમાં 99 રન બનાવી ભારત પાસેથી જીત છીનવી લીધી ]]></title><link>https://sandesh.com/sports/news/cricket/india-vs-england-2nd-odi-cardiff-joe-root-99-unbeaten-rohit-sharma-slow-batting</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/cricket/india-vs-england-2nd-odi-cardiff-joe-root-99-unbeaten-rohit-sharma-slow-batting</guid><pubDate>Fri, 17 Jul 2026 08:43:04 +05:30</pubDate><description><![CDATA[<p>કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે રમાયેલી બીજી વનડે મેચમાં ભારતીય ટીમને ઇંગ્લેન્ડ સામે ૬ વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ સંપૂર્ણ 50 ઓવર પણ રમી શકી નહોતી અને 44 ઓવરમાં જ 233 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.</p><h2><b>બેટિંગ પાવરપ્લે અને રોહિત શર્માનો સંઘર્ષ</b></h2><p>ટીમ ઇન્ડિયાની શરૂઆત અતિશય ધીમી રહી હતી. ખાસ કરીને પૂર્વ કેપ્ટન રોહિત શર્મા શરૂઆતથી જ આઉટ ઓફ ફોર્મ જણાતો હતો. સેમ કુરનની ઓવરમાં સતત સંઘર્ષ કર્યા બાદ તે આદિલ રશીદ અને વિલ જેક્સ સામે પણ રન બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો અને 47 બોલમાં માત્ર 26 રન બનાવી સસ્તો કેચ આપી બેઠો હતો. ઓપનિંગમાં આ ધીમી ગતિએ મધ્યમ ક્રમના બેટ્સમેનો પર દબાણ વધાર્યું હતું.</p><h3><b>કોહલી-ઐયરની લડત પણ એળે ગઈ</b></h3><p>એક સમયે ભારતે વહેલી વિકેટો ગુમાવી દીધી હતી, પરંતુ વિરાટ કોહલી (66 બોલમાં 65 રન) અને શ્રેયસ ઐયર (66 રન) વચ્ચે સંગીન ભાગીદારી થઈ હતી. કોહલીએ પોતાની ક્લાસિક શૈલીમાં 8 ચોગ્ગા ફટકારી લય મેળવી હતી. જોકે, આ બંને આઉટ થતાં જ ભારતીય મિડલ ઓર્ડર પત્તાના મહેલની જેમ તૂટી પડ્યો હતો. શુભમન ગિલ (31) સિવાય ઇશાન કિશન (1), શિવમ દુબે (0) અને અક્ષર પટેલ (1) ક્રિઝ પર ટકી શક્યા નહોતા. ભારતે માત્ર ૨૬ બોલના ગાળામાં 15 રન બનાવી પોતાની 4 મહત્વની વિકેટો ગુમાવી દીધી હતી, જેના લીધે ટીમ મોટો સ્કોર કરી શકી નહીં.</p><h4><b>જો રૂટની કિંગ સાઈઝ ઇનિંગ</b></h4><p>234&nbsp; રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની શરૂઆત પણ ખરાબ રહી હતી. જસપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ શરૂઆતમાં વિકેટો ઝડપી ભારતને મેચમાં લાવી દીધું હતું. પરંતુ વન-ડાઉન ઉતરેલા અનુભવી બેટ્સમેન જો રૂટે એક છેડો સાચવી રાખ્યો હતો. રૂટે 133 બોલમાં અણનમ 99 રનની મેચવિનિંગ ઇનિંગ રમી હતી. તેણે વિલ જેક્સ સાથે છઠ્ઠી વિકેટ માટે 72 રનની મહત્વની ભાગીદારી કરી ઇંગ્લેન્ડને જીત અપાવી હતી. અક્ષર પટેલે જોસ બટલરને આઉટ કર્યો હતો, પરંતુ વોશિંગ્ટન સુંદર ઈજાના કારણે બોલિંગ ન કરી શકતાં ભારતની સ્પિન બોલિંગ ધાર વિનાની સાબિત થઈ હતી. અંતે ગુસ એટકિન્સને વિજયી ચોગ્ગો ફટકારતાં રૂટ સદીથી વંચિત રહ્યો હતો પણ પોતાની ટીમને જીત અપાવી ગયો હતો.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mahisagar/kadana-dam-water-release-stopped-irrigation-bhadar-dam-closed-rain-delayed" target="_blank">આ પણ વાંચો:Mahisagar: વરસાદ ખેંચાતા કડાણા ડેમમાંથી પાણી છોડવાનું કરાયું બંધ,  જળસંકટ ન સર્જાય તે માટે નિર્ણય</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/Twjf7rZytMUD6GbceSgc0uaOgiUvTmr21uAm1dbN.webp'/></item><item><title><![CDATA[Mahisagar: વરસાદ ખેંચાતા કડાણા ડેમમાંથી પાણી છોડવાનું કરાયું બંધ,  જળસંકટ ન સર્જાય તે માટે નિર્ણય ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mahisagar/kadana-dam-water-release-stopped-irrigation-bhadar-dam-closed-rain-delayed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mahisagar/kadana-dam-water-release-stopped-irrigation-bhadar-dam-closed-rain-delayed</guid><pubDate>Fri, 17 Jul 2026 08:20:01 +05:30</pubDate><description><![CDATA[<p>ચોમાસાની સિઝન શરૂ થવા છતાં મધ્ય ગુજરાત સહિત રાજ્યના અનેક પંથકોમાં વરસાદ ખેંચાતા જળસંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે. મહીસાગર જિલ્લાની જીવાદોરી અને આસપાસના અનેક જિલ્લાના ખેડૂતો માટે આશીર્વાદ સમાન કડાણા ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરવાનો એક મોટો અને કપરો નિર્ણય સિંચાઈ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે.</p><h2><b>કડાણા ડેમમાંથી પાણી છોડવાનું બંધ</b></h2><p>ચોમાસાના પ્રારંભિક રાઉન્ડ બાદ મેઘરાજાએ લાંબો વિરામ લેતાં ડેમમાં પાણીની નવી આવક તદ્દન ઘટી ગઈ છે કે નહિવત થઈ ગઈ છે. વર્તમાન સ્થિતિએ કડાણા ડેમમાં માત્ર 41 ટકા જેટલો જ લાઈવ સ્ટોરેજ જથ્થો બચ્યો છે, અને ડેમની જળસપાટી 389 ફૂટે પહોંચી ગઈ છે. જો આ સ્થિતિમાં પણ સતત પાણી છોડવાનું ચાલુ રાખવામાં આવે, તો ભવિષ્યમાં પીવાના પાણીની ગંભીર કટોકટી સર્જાઈ શકે છે. આ બાબતને ગંભીરતાથી લઈને તંત્ર દ્વારા ડેમ આધારિત પાવર પ્રોજેક્ટ અને ખેતી માટે અપાતું સિંચાઈનું પાણી રોકી દેવામાં આવ્યું છે.</p><h3><b>ખેડા જિલ્લાના ખેડૂતો ભારે મુંઝવણમાં મૂકાયા</b></h3><p>આ નિર્ણયના ભાગરૂપે સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ ભરાતી કેનાલો, જમણા કાંઠાની મુખ્ય નહેર તેમજ મહી નદીના પટમાં છોડાતું પાણી તાત્કાલિક અસરથી બંધ કરી દેવાયું છે. કડાણાની સાથે સાથે ભાદર ડેમમાંથી પણ સિંચાઈનું પાણી બંધ કરવાનો આદેશ જારી કરાયો છે. વરસાદ ખેંચાવાના કારણે એકતરફ ઊભા પાકને પાણીની જરૂર છે, ત્યારે જ સિંચાઈનું પાણી બંધ થતાં મહીસાગર, પંચમહાલ અને ખેડા જિલ્લાના ખેડૂતો ભારે મુંઝવણમાં મૂકાયા છે. હવે જો આગામી દિવસોમાં સારો વરસાદ ન થાય, તો કૃષિ પાકોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dahod/zalod-anwarpura-tragic-suicide-mother-two-daughters-jump-in-well" target="_blank">આ પણ વાંચો:&nbsp; Dahod: ઝાલોદના અનવરપુરા ગામે માતાએ બે માસૂમ બાળકીઓ સાથે કૂવામાં કૂદીને આત્મહત્યા કરી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/0jUH39vs3cnJwHIYlUN0guFYt2JfvFxrD5DAFQeh.webp'/></item><item><title><![CDATA[Vadodara: જરોદ ગામે કપિરાજનો આંતક, 3 દિવસમાં 4ને બચકાં ભર્યા, અંતે કપિરાજ ઝડપાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-3-4-</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-3-4-</guid><pubDate>Fri, 17 Jul 2026 05:46:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જરોદ : જરોદ ગામે છેલ્લા ત્રણ દિવસથી ડેરી ફ્ળિયામાં તેમજ વિસ્તારમાં કપિરાજે આંતક મચાવ્યો છે. જેમાં ગત તા.14મીએ બારીયા મનીષ કમલેશભાઈને કપિરાજે બચકું ભર્યું હતું. જ્યારે તા.15મીએ મંજુલાબેન ઈશ્વર પાટણવાડીયા અને વિવેકકુમાર સિંગને કપિરાજે બચકું ભર્યું હતું. જ્યારે આજે ભાવનાબેન શૈલેષ પટેલને તેઓ ફ્ળિયામાંથી નોકરી જતા ત્યારે કપિરાજે પગે બચકું ભર્યું હતું. તમામે જરોદ રેફરલ હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. આ બાબતે વડોદરા ફેરેસ્ટ ખાતાને જાણ કરતાં ફેરેસ્ટ ખાતાની ટીમ જરોદ આવી પહોંચી વાંદરાને પાંજરે પુરવા પાંજરું મૂક્યું છે. પરંતુ આ લખાય છે. ત્યાં સુધી વાંદરો પાંજરે પુરાયો નથી. ટ્રાન્કવી લાયસર (ડાર્ક ઘ્ાન) ઘન સાથે ફેરેસ્ટ ખાતાની ટીમ કપિને પાંજરે પુરવા પ્રયાસ કર્યા હતા. ત્યારે મોડીસાંજે જરોદ ગામના પરમાર ફળિયામાંથી વનવિભાગની ટીમે તોફાની કપિરાજને પાંજરે પુરવા સફળતા પ્રાપ્ત કરી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/fBkPQ7v5kcmLIdDOxoAAsEl8Nh2U0B4lcpilYK6s.webp'/></item><item><title><![CDATA[Vadodara: સાઠોદ ગામેથી 7 ફૂટનો ઇન્ડિયન રોક પાયથન ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-7-foot-indian-rock-python-caught-from-sathod-village</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-7-foot-indian-rock-python-caught-from-sathod-village</guid><pubDate>Fri, 17 Jul 2026 05:46:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ડભોઇ તાલુકાના સાઠોદ ગામમાં આવેલીMPવસાહત વિસ્તારમાં આશરે 7 ફૂટ લાંબો ઇન્ડિયન રોક પાયથન (ભારતીય અજગર) હોવાનું માલૂમ પડયું હતું. રહેણાંક વિસ્તારની નજીક આટલો મોટો અજગર દેખાતા જ સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. પરંતુ લોકોએ ધીરજ રાખીને વન વિભાગ તેમજ સ્થાનિક રેસ્ક્યુ ટીમનો તાત્કાલિક સંપર્ક કર્યો હતો. બાતમી મળતાની સાથે જ વન વિભાગના અધિકારી અને વાઇલ્ડ લાઇફ્ ટ્રસ્ટની ટીમના અર્જુન રાઠવા અને જયદીપ રાવલે સાવચેતીપૂર્વક 7 ફૂટના અજગરનું રેસ્ક્યુ કર્યું હતું.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/qjiSghGACrLvmxz4bWrCwAPXHUTAAL3YFNUVrkwB.webp'/></item><item><title><![CDATA[Chhotaudepur: કવાંટના ધનીવાડામાં રસ્તો બનાવવા યુવાનો માંઝી બન્યાં ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-youths-became-volunteers-to-build-a-road-in-dhaniwada-kwant</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-youths-became-volunteers-to-build-a-road-in-dhaniwada-kwant</guid><pubDate>Fri, 17 Jul 2026 05:44:43 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વિકાસના મોટા દાવા વચ્ચે ક્યારેક કોઈ ગામ એવી પ્રેરણાદાયી કથા લખી જાય છે. જે સરકારી અહેવાલોમાં નહીં પરંતુ સીધા લોકોના હૃદયમાં સ્થાન પામે છે. કવાંટ તાલુકાની સમલવાટ ગ્રામ પંચાયતના ધનીવાડા ગામે પણ આવી જ ગૌરવશાળી અને પ્રેરણાદાયી ગાથા રચાઈ છે. જ્યાં તંત્રની નિષ્ક્રિયતા સામે ગામની જાગૃત યુવાની વિજયી બની છે.</p><p style="text-align: justify; ">ધનીવાડા ગામના ઉચલા ફ્ળિયાના મુખ્ય કોન્ક્રીટ માર્ગમાં છેલ્લા 4 વર્ષથી મોટું પોલાણ પડયું હતું. આ માર્ગ માત્ર એક રસ્તો નથી. પરંતુ ગામની સાચી જીવનરેખા છે. ખેડૂતો પોતાના પાક સાથે, પશુપાલકો દૂધ લઈને, માસૂમ વિદ્યાર્થી ભવિષ્યના સપનાઓ સાથે અને સામાન્ય ગ્રામજનો પોતાના રોજિંદા કામો માટે આ જ માર્ગેથી પસાર થાય છે. પરંતુ રસ્તાની બાજુએ પડેલા આ જોખમી પોલાણ અને ધોવાણે દરેક સફરને અકસ્માતના ભયના ઓથાર હેઠળ લાવી દીધી હતી. છેલ્લા 4 વર્ષ દરમિયાન ગ્રામજનો દ્વારા સ્થાનિક સુધરાઈથી લઈને ઉચ્ચ વહીવટી તંત્ર સુધી અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરાઇ હતી. દરેક વખતે તંત્ર તરફ્થી આશાનું આશ્વાસન મળ્યું હતું. પરંતુ વાસ્તવમાં કામનો એક પણ કંકર રસ્તા પર પડયો નહીં. અનેક રજૂઆતો છતાં તંત્રના કાન પર જૂં ન રેંગી. અંતે ગામના યુવાનો વચ્ચે એક જ સવાલ ઉઠયો કે, જ્યારે આપણું ગામ આપણું છે, તો રસ્તો પણ આપણે જ કેમ નહીં સુધારીએ ? આ એક જ વિચાર ગામમાં ચિનગારી બન્યો હતો. અને જોતજોતામાં આખું ગામ એક મંચ પર આવ્યું હતું. યુવાનોએ પોતાના રોજગાર, ખેતી અને અંગત કામોને થોડા સમય માટે વિરામ આપ્યો હતો. કોઈએ કામ માટે મશીનરી આપી તો, કોઈએ આર્થિક સહયોગ આપ્યો હતો તો કોઈએ પોતાના હાથનો પરસેવો વહાવ્યો હતો. પાવડા, કોદાળી અને તગારાં સાથે શરૂ થયેલો આ શ્રામયજ્ઞ થોડા જ સમયમાં લોકસહભાગિતાના ઉત્સવમાં પરિવર્તિત થયો હતો. ગામના યુવાનોએ પોતાના અંગત ખર્ચે પાંચ ટ્રેક્ટર મેટલ અને જરૂરી પુરાણ સામગ્રી મંગાવી હતી. સામૂહિક શ્રામદાન કરીને રસ્તાના પોલાણને વ્યવસ્થિત ભરી માર્ગને ફરી એકવાર સંપૂર્ણ સલામત બનાવી દીધો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/QEwILy2D5GX59lUIBNeIHiqgjjy6OxEmVw9DeiXt.webp'/></item><item><title><![CDATA[NEET UG 2026નું પરિણામ જાહેર, પંજાબ અને હરિયાણાના વિદ્યાર્થીઓએ કર્યું ટોપ ]]></title><link>https://sandesh.com/india/breakingnews/neet-ug-2026-results-declared-punjab-haryana-students-top-ranks</link><guid isPermaLink="true">https://sandesh.com/india/breakingnews/neet-ug-2026-results-declared-punjab-haryana-students-top-ranks</guid><pubDate>Thu, 16 Jul 2026 23:06:09 +05:30</pubDate><description><![CDATA[<p>નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ NEET UG 2026નું પરિણામ જાહેર કર્યું છે. દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષામાં પંજાબના આર્યન ગુપ્તા અને હરિયાણાના પંશુલ બંસલે સંયુક્ત રીતે પ્રથમ સ્થાન મેળવ્યું છે. બંનેએ 720માંથી 715 ગુણ મેળવી સમગ્ર દેશમાં ટોપ કર્યું છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2077802014080466971"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p></p><div><b style="font-size: 2rem;">20 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી</b></div><div>આ વર્ષે ભારતના 551 શહેરો તેમજ વિદેશના 14 શહેરોમાં આવેલા કુલ 5,440 પરીક્ષા કેન્દ્રો પર લગભગ 20 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. તેમાંમાંથી 11.21 લાખ ઉમેદવારો એમબીબીએસ, બીડીએસ, આયુષ અને અન્ય અંડરગ્રેજ્યુએટ મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે ક્વોલિફાય થયા છે. NTAના જણાવ્યા અનુસાર, મેડિકલ પ્રવેશ અને કાઉન્સેલિંગ પ્રક્રિયા સમયસર શરૂ થઈ શકે તે માટે પરિણામ સમયસર જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવારો પોતાના સ્કોરકાર્ડ NEET UGની સત્તાવાર વેબસાઇટ પર જોઈ અને ડાઉનલોડ કરી શકે છે.</div><div><b><br></b></div><h3><b>ઉમેદવારોમાં 58 ટકાથી વધુ મહિલાઓ&nbsp;</b></h3><div>આ વર્ષે પરીક્ષામાં મહિલાઓનું પ્રદર્શન ખાસ નોંધપાત્ર રહ્યું છે. કુલ ક્વોલિફાય થયેલા ઉમેદવારોમાં 58 ટકાથી વધુ મહિલાઓ છે. મહિલાઓનો ક્વોલિફિકેશન દર 56.8 ટકા રહ્યો, જ્યારે પુરુષ ઉમેદવારોમાં આ આંકડો 55.1 ટકા નોંધાયો હતો. પરીક્ષામાં 138 ઉમેદવારોએ 720માંથી 690થી વધુ ગુણ મેળવ્યા છે. તેમાંના 93 ટકાથી વધુ ઉમેદવારો પ્રથમ વખત NEET UGમાં બેઠા હતા અને 99 ટકા ઉમેદવારોની ઉંમર 17થી 19 વર્ષની વચ્ચે હતી. રાજ્યવાર પરિણામમાં ઉત્તર પ્રદેશ સૌથી આગળ રહ્યું છે, જ્યાંથી 1.7 લાખથી વધુ ઉમેદવારો ક્વોલિફાય થયા છે. જ્યારે લક્ષદ્વીપમાંથી સૌથી ઓછા 43 ઉમેદવારો સફળ થયા છે.</div><div><br></div><div>NTAના જણાવ્યા મુજબ, 705થી વધુ ગુણ મેળવનારા ટોચના 17 ઉમેદવારો પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, તમિલનાડુ અને તેલંગાણા સહિત 8 રાજ્યોમાંથી છે, જે દેશભરમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કરે છે.</div><div><br></div><div><b><a href="https://sandesh.com/india/news/indian-navy-ins-malvan-commissioning-mahe-class-asw-swc-july-22" target="_blank">આ પણ વાંચો : Indian Navyમાં 22 જુલાઈએ સામેલ થશે 'માલવણ' યુદ્ધજહાજ, આત્મનિર્ભર ભારતને મળશે વધુ મજબૂતી</a></b></div><div><br></div><div><br></div><p></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/8qhCU9mtgGtlBzzIAZRXon18Tcjch2rtbtrqSFEx.webp'/></item><item><title><![CDATA[Mumbai : મીરા રોડમાં નિર્માણાધીન ઈમારત પરથી ક્રેન તૂટી પડી, 1 યુવકનું મોત, અનેક વાહનોને નુકસાન ]]></title><link>https://sandesh.com/india/news/mumbai-mira-road-crane-collapse-under-construction-building-one-dead</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/mumbai-mira-road-crane-collapse-under-construction-building-one-dead</guid><pubDate>Thu, 16 Jul 2026 22:32:59 +05:30</pubDate><description><![CDATA[<p>મુંબઈના મીરા રોડ પૂર્વ વિસ્તારમાં આવેલી જેપી નોર્થ સોસાયટીમાં ગુરુવારે સાંજે ગંભીર અકસ્માત સર્જાયો હતો. નિર્માણાધીન ઈમારતના 11મા માળે કાર્યરત એક વિશાળ ક્રેન અચાનક તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં 22 વર્ષીય યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.</p><h2><b>ક્રેન પડતાં જ જોરદાર ધડાકો થયો</b></h2><p>પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર જેપી નોર્થ કોમ્પ્લેક્સમાં આવેલી RERS નામની નિર્માણાધીન ઈમારતમાં નિયમિત કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન ભારે સામાન ઊંચકવા માટે ઉપયોગમાં લેવાતી ક્રેન અચાનક સંતુલન ગુમાવી નીચે ધરાશાયી થઈ હતી. ક્રેન પડતાં જ જોરદાર ધડાકો થયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.</p><h3><b>15થી 16 કાર અને ટુ-વ્હીલર વાહનોને ભારે નુકસાન&nbsp;</b></h3><p>ક્રેન સોસાયટીના પાર્કિંગ વિસ્તારમાં પડતાં ત્યાં પાર્ક કરેલી અંદાજે 15થી 16 કાર અને ટુ-વ્હીલર વાહનોને ભારે નુકસાન થયું હતું. અનેક વાહનો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને બચાવ દળની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. કાટમાળમાં કોઈ ફસાયું હોવાની આશંકાને ધ્યાનમાં રાખીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું. બાદમાં એક યુવકના મોતની પુષ્ટિ કરવામાં આવી હતી.</p><h4><b>પોલીસે તપાસ શરૂ કરી&nbsp;</b></h4><p>પ્રાથમિક તપાસમાં ક્રેન તૂટી પડવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. તકનીકી નિષ્ણાતોની ટીમ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે કે ક્રેનમાં કોઈ તકનીકી ખામી હતી કે સુરક્ષા નિયમોના ભંગના કારણે અકસ્માત સર્જાયો હતો. પ્રશાસને લોકોને ઘટનાસ્થળની આસપાસ ભીડ ન કરવા અને બચાવ કામગીરીમાં સહયોગ આપવા અપીલ કરી છે. હાલ પોલીસ અને સંબંધિત વિભાગો અકસ્માતના કારણોની વિગતવાર તપાસ કરી રહ્યા છે. ઘટનાએ સ્થાનિકોમાં ભારે રોષ અને ચિંતા ફેલાવી છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/tirupati-temple-record-donation-record-breaking-donation-of-rs-97-crores-received-in-just-24-hours-at-tirupati-temple-1" target="_blank">આ પણ વાંચો : Tirupati Temple Record Donation: તિરુપતિ મંદિરમાં માત્ર 24 કલાકમાં આવ્યું 97 કરોડનું રેકોર્ડબ્રેક દાન</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/ZmE48yjIC3WpuPkXHYNiMB1hlSKbmm2b5iohWG78.webp'/></item><item><title><![CDATA[Iran US Conflict 2026: લાલ સમુદ્રનો તેલ માર્ગ બંધ કરવા હુથીને આદેશ, દુનિયામાં તોળાશે તેલ કટોકટી ]]></title><link>https://sandesh.com/world/news/business/usa/iran-us-conflict-2026-houthis-ordered-to-close-the-red-sea-oil-route-oil-crisis-will-hit-the-world</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/business/usa/iran-us-conflict-2026-houthis-ordered-to-close-the-red-sea-oil-route-oil-crisis-will-hit-the-world</guid><pubDate>Thu, 16 Jul 2026 20:26:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવની અસર હવે વિશ્વના તેલ પુરવઠા પર પડી શકે છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">વૈશ્વિક ઉર્જા બજારમાં સંકટ&nbsp;</h2><p style="text-align: justify; ">ઈરાને યમનના હુથી બળવાખોરોને કહ્યું છે કે જો અમેરિકા તેના પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરે તો મહત્વપૂર્ણ લાલ સમુદ્રી સમુદ્રી માર્ગ બંધ કરવા માટે તૈયાર રહે. જો આવું થાય, તો વિશ્વના બે મુખ્ય તેલ માર્ગો એકસાથે પ્રભાવિત થઈ શકે છે, જેનાથી વૈશ્વિક ઉર્જા બજારમાં સંકટ સર્જાઈ શકે છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતો તણાવ હવે સમગ્ર વિશ્વ માટે ચિંતાનું કારણ બની શકે છે.</p><h3 style="text-align: justify; ">લાલ સમુદ્રી માર્ગ બંધ કરવા તૈયારી&nbsp;</h3><p style="text-align: justify; ">ઈરાને યમનના હુથી બળવાખોરોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જો અમેરિકા તેના પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરે તો લાલ સમુદ્રી સમુદ્રી માર્ગ બંધ કરવા માટે તૈયાર રહે. ઈરાન અને પ્રદેશની નજીકના ત્રણ સ્ત્રોતોને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે આ યોજના પર તેહરાનમાં ચર્ચા કરવામાં આવી છે અને હુથી નેતૃત્વને જાણ કરવામાં આવી છે. જોકે, ઈરાનના વિદેશ મંત્રાલય કે હુથી પ્રવક્તાએ કોઈ સત્તાવાર પ્રતિભાવ આપ્યો નથી. હુથી બળવાખોરોએ બાબ અલ-મંડેબ સ્ટ્રેટ નજીક મિસાઇલો અને ડ્રોન તૈનાત કર્યા છે, જે દરિયાઈ માર્ગ દ્વારા જહાજો લાલ સમુદ્રમાં પરિવહન કરે છે. તેઓ હાલમાં અંતિમ આદેશોની રાહ જોઈ રહ્યા છે. આ વિકાસ મહત્વપૂર્ણ છે કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ પહેલાથી જ તણાવનું કેન્દ્ર છે.&nbsp;</p><h4 style="text-align: justify; ">નિર્ણય IRGCના આદેશ પર લેવાશે</h4><p style="text-align: justify; ">એક સ્ત્રોતે દાવો કર્યો હતો કે બાબ અલ-મંડેબ ક્યારે બંધ કરવો તે અંગેનો નિર્ણય યમનમાં તૈનાત ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના પ્રતિનિધિઓ દ્વારા લેવામાં આવશે. દરમિયાન, હુથીઓના નજીકના લોકો કહે છે કે તેઓ કોઈપણ કાર્યવાહી માટે સંપૂર્ણપણે તૈયાર છે. દરમિયાન, હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયા પર મિસાઇલ હુમલા પણ કર્યા છે. તેમનો આરોપ છે કે સાઉદી અરેબિયાએ તેમના નિયંત્રણ હેઠળના એક એરપોર્ટ પર બોમ્બમારો કર્યો હતો. આનાથી બંને પક્ષો વચ્ચે ચાર વર્ષનો યુદ્ધવિરામ તૂટી ગયો છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/world/news/-political-news/awami-league-workers-beat-up-police-after-announcing-on-microphone-amid-rumours-of-sheikh-hasinas-return" target="_blank"> Sheikh Hasinaના પાછા ફરવાની અફવા વચ્ચે આવામી લીગના કાર્યકરોએ માઇક્રોફોન પર જાહેરાત કર્યા પછી પોલીસને માર માર્યો!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/ab1h7Ewcv4AgXkls9SizeHZu2zi06kkTuPoyv075.webp'/></item><item><title><![CDATA[સોનમ વાંગચુકના સમર્થનમાં આવ્યા ઇમરાન ખાન અને સોનાક્ષી સિંહા, કહ્યું- 'હું ચુપ રહી શકતી નથી' ]]></title><link>https://sandesh.com/entertainment/news/imran-khan-and-sonakshi-sinha-came-in-support-of-sonam-wangchuk-said-i-cannot-remain-silent</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/imran-khan-and-sonakshi-sinha-came-in-support-of-sonam-wangchuk-said-i-cannot-remain-silent</guid><pubDate>Thu, 16 Jul 2026 17:39:06 +05:30</pubDate><description><![CDATA[<p>દિલ્હીના જંતર-મંતર પર લગભગ 18 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકને હવે ફિલ્મ સ્ટાર્સ પોતાનો ટેકો આપી રહ્યા છે. સોનમ વાંગચુકનું સ્વાસ્થ્ય સતત બગડી રહ્યું છે અને તેમનું વજન પણ ઘણું ઘટી ગયું છે. આ દરમિયાન અભિનેત્રી સોનાક્ષી સિંહાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને સોનમ વાંગચુકને સપોર્ટ કર્યો છે. તેણે કહ્યું, "જે થવાનું છે તે થશે, પણ હું ચૂપ રહી શકતી નથી." તેણે એમ પણ ઉમેર્યું, "હું પણ આ દેશની યુવા છું. હું પણ આ દેશ માટે બેસ્ટ ઇચ્છું છું."</p><p>ઇન્સ્ટાગ્રામ પર રિલીઝ થયેલા એક વીડિયોમાં સોનાક્ષી સિંહા કહે છે, "મેં ક્યારેય આવું નિવેદન આપ્યું નથી, પણ આજે હું મારી જાતને રોકી શકતી નથી. સોનમ વાંગચુક આપણે બધા તેમને જાણીએ છીએ કે તેમણે આપણા દેશ માટે શું કર્યું છે. તેમની સિદ્ધિઓ શું છે. તેમણે કેટલા પુરસ્કારો જીત્યા છે. તેઓ 18 દિવસથી ભૂખ્યા છે અને કંઈ ખાધું નથી. તેઓ અહીં શા માટે બેઠેલા છે? તેઓ અહીં તે બાળકોના ભવિષ્ય માટે બેઠેલા છે, જેને તેઓ વિનાશ તરફ આગળ વધતા જુએ છે. તેઓ એવા બાળકો માટે લડી રહ્યા છે જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે. તેઓ એવી સિસ્ટમ સામે લડી રહ્યા છે જે યોગ્ય રીતે કામ કરી રહી નથી. તમે પણ જાણો છો, મને પણ ખબર છે અને બધા જાણે છે."</p><p><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Da2Qsu0ib3-/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Da2Qsu0ib3-/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a></p><p><b style="font-size: 2rem;">"હું ચૂપ રહી શકતી નથી."</b></p><p>સોનાક્ષી કહે છે, "આપણે બધા તેમને ઓળખીએ છીએ. તેઓ આપણને ઓળખતા નથી. છતાં દેશ ખાતર આ દેશના બાળકોના ભવિષ્ય ખાતર, તેમણે 18 દિવસથી ખાધું નથી અને ઘણા લોકો ચૂપ છે. તેથી હું તે સહન કરી શકી નહીં. જે કંઈ થવાનું છે તે થશે, કોઈ વાંધો નહીં. પણ હું ચૂપ રહી શકતી નથી."
</p><h4><b>"કોઈ કેમ સાંભળતું નથી?"
</b></h4><p>આ દરમિયાન તેણે કોકરોચ જનતા પાર્ટીનો પણ ઉલ્લેખ કર્યો અને દેશના યુવાનોને પોતાનો અવાજ ઉઠાવવા બદલ અભિનંદન આપ્યા. તેણે કહ્યું કે યુવાનો સત્ય અને કંઈક સારા માટે લડી રહ્યા છે. પણ કોઈ કેમ સાંભળતું નથી? તે કહે છે, "ખરેખર, કોઈને ચિંતા નથી. કોઈ સંવાદ નથી. કોઈ વાત કરી રહ્યું નથી. મારો મતલબ છે કે, કોઈ તેમની તરફ જોતું પણ નથી. પછી મેં નક્કી કર્યું કે, હું શા માટે ચૂપ રહીશ? હું પણ આ દેશની યુવાન છું. હું પણ આ દેશનું ભલું ઇચ્છું છું. હું રાષ્ટ્રવિરોધી નથી. તો હું કેમ ચૂપ છું?"
</p><h5><b>"જે થઈ રહ્યું છે તે યોગ્ય નથી."
</b></h5><p>સોનાક્ષીએ સોનમ વાંગચુકના એક નિવેદનને ટાંકીને કહ્યું, "હા, હું તમને ભૂખ હડતાળ સમાપ્ત કરવાનું નહીં કહું. હું ફક્ત એટલું જ પૂછવા માંગુ છું કે તમે ક્યારે જાગશો? તમે ત્યારે જ જાગશો જ્યારે આ માણસ મરી જશે. અને તેના માટે કોણ જવાબદાર હશે? જે થઈ રહ્યું છે તે યોગ્ય નથી. આપણે અવાજ ઉઠાવવો જોઈએ, આપણે આપણી આંખો ખોલવી જોઈએ, પછી ભલે કોઈ બીજું કરે કે ન કરે. જય હિંદ."
</p><h5><b>અભિનેતા ઇમરાન ખાને પણ ઉઠાવ્યા સવાલ
</b></h5><p>આ વિવાદ વચ્ચે, અભિનેતા ઇમરાન ખાને સોશિયલ મીડિયા પર પોતાના ભાવનાત્મક અને મહત્વપૂર્ણ વિચારો વ્યક્ત કર્યા છે, જેમાં વિદ્યાર્થીઓની પીડા વ્યક્ત કરી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં NEET કૌભાંડ અંગે જે કંઈ બન્યું છે અને જે વિવિધ બાબતો સામે આવી છે તે જોવી ખૂબ જ પરેશાન કરે છે. ઇમરાન ખાને સ્પષ્ટતા કરી કે આ કોઈ રાજકીય મુદ્દો નથી, પરંતુ દેશના બાળકોના ભવિષ્ય સાથે સંબંધિત મુદ્દો છે. તેમણે ફક્ત એટલું જ કહ્યું કે જો આપણે અપેક્ષા રાખીએ છીએ કે આપણા વિદ્યાર્થીઓ સંપૂર્ણ પ્રામાણિકતા અને સમર્પણ સાથે પરીક્ષા આપે, તો પરીક્ષાનું સંચાલન કરતી સરકારી એજન્સીઓ પાસેથી સમાન સ્તરની પ્રામાણિકતા અને જવાબદારીની અપેક્ષા કેમ ન રાખવી જોઈએ?
</p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/narottam-mishra-warns-officials--i-remember-friendship-and-enmity" target="_blank"><b>'હું ભૂલી જનારો માણસ નથી'. નરોત્તમ મિશ્રાની ખુલ્લેઆમ પોલીસને ચેતવણી</b></a>
</p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/R5YMICmTzR8NIZUz26R74r6lK9sL2BTr6JVWPeDn.webp'/></item></channel></rss>