<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Surendranagar: સાયલા ગ્રામ્યમાં ખંડણી માંગવાના કેસમાં વોન્ટેડ આરોપીને ઝડપી ધજાળા પોલીસના હવાલે કરાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surendranagar/surendranagar-the-wanted-accused-in-the-extortion-case-in-sayla-village-was-quickly-handed-over-to-the-dhajala-police</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surendranagar/surendranagar-the-wanted-accused-in-the-extortion-case-in-sayla-village-was-quickly-handed-over-to-the-dhajala-police</guid><pubDate>Wed, 08 Jul 2026 05:12:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરેન્દ્રનગર : સાયલાના ગંગાજળ ગામે રહેતા નાજભાઈ પુંજભાઈ ધાંધલ જયસુર્યા સ્ટોન ક્રશર નામે ભરડીયો ચલાવે છે. ગત તા. 6-1-26ના રોજ 7 શખ્સોએ તેમના ઘરે આવી પીસ્ટલ બતાવી ભરડીયો ચાલુ રાખવો હોય તો દર મહીને રૂપીયા 1 લાખ આપવા પડશે તેવી ધમકી આપી હતી. આ બનાવની પોલીસ ફરિયાદ તા. 10-1ના રોજ નોંધાઈ હતી. જેમાં આરોપી વીંછીયાનો જયદીપ ભરતભાઈ પટગીર પોલીસ ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો. આ દરમીયાન રાજકોટ રેંજની ટીમના ધર્મેન્દ્રસિંહ વાઘેલા, રાજદીપસિંહ ઝાલા સહિતનાઓને આ શખ્સ વીંછીયા પોલીસ મથકે નોંધાયેલ 2 ગુનામાં ફરાર હોવાનું તથા તે સાયલાના હરણીયા ગામે હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે વોચ રાખી ફરાર આરોપી જયદીપ પટગીરને ઝડપી લઈ ધજાળા પોલીસના હવાલે કરાયો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/08/R5fW0fnszyvaXB3xLOz7esSJhj1sfI6AAMyWTXyF.webp'/></item><item><title><![CDATA[Surendranagar: ધ્રાંગધ્રાના હળવદ રોડની સોસાયટીઓમાં ગટરના કામ બાદ યોગ્ય બુરાણના અભાવે રહીશો પરેશાન ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surendranagar/surendranagar-residents-of-dhrangadhras-halvad-road-societies-are-troubled-by-the-lack-of-proper-drainage-after-the-sewerage-work</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surendranagar/surendranagar-residents-of-dhrangadhras-halvad-road-societies-are-troubled-by-the-lack-of-proper-drainage-after-the-sewerage-work</guid><pubDate>Wed, 08 Jul 2026 05:11:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ધ્રાંગધ્રાના હળવદરોડ ઉપર નવી બનેલી સોસાયટીઓમાં ભુગર્ભ ગટરના કામ બાદ યોગ્ય બુરાણના અભાવે રહીશોને મુસ્કેલી પડી રહી હોવાથી જીયુડીસીની ટીમ દ્વારા શીવધારા,સાઇ પેલેસ સહિતના વિસ્તારમાં રસ્તામાં યોગ્ય રીતે ખાડામાં બુરાણ કરવાની માંગ ઉઠી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રામાં સૌથી વધારે વિકસીત વિસ્તાર હળવદરોડ છે અહી અનેક નવી સોસાયટીઓ બની છે અને બની રહી છે.ત્યારે હાલ શીવધારા અને સાઇ પેલેસ સહિતની સોસાયટીઓમાં જીયુડીસી દ્વારા ગટરના કામો કર્યા બાદ ખોદાણ કરેલા રોડ ઉપર યોગ્ય રીતે બુરાણ નહી થયુ હોવાથી રહીશોને ચોમાસમાં વરસાદના કારણે ભારે મુસ્કેલી પડી રહી છે.જીયુડીસી નગરપાલીકાના તાબામાં નહી આવતુ મનમાની ચલાવતા હોય છે.પરંતુ આ ગંભીર બાબતની વોર્ડ નંબર એકના કોર્પોરેટરોએ પ્રમુખ દામીનીબેન ગોવાણી,કારોબારી ચેરમેન પ્રવિણભાઇ રબારી અને ચીફ ઓફીસર મંટીલ પટેલને રજૂઆત કરી હળવદરોડની શીવધારા,સાઇ પેલેસ સહિતના વિસ્તારમાં ગટરના કામો બાદ રસ્તામાં પડતી મુસ્કેલી દૂર કરવા જણાવ્યુ હતુ.જેથી આ ગંભીર બાબતને લઇને પાલીકા પ્રમુખે જીયુડીસીની ટીમને રૂબરૂ બોલાવી સુચના આપી રસ્તામાં માટી નાખી સમસ્યા દૂર કરાવવાની ખાતરી આપી છે. ધ્રાંગધ્રા પાલીકા પ્રમુખ દામીનીબેન ગોવાણીએ જણાવેલકે હળવદરોડની સોસાયટીઓમાં ગટરના કામ બાદ રસ્તામાં માટી બેસી જતા સમસ્યા દૂર કરવા જીયુડીસીની ટીમને રૂબરૂ બોલાવી જલદી સમસ્યા હલ થાય એવી કાર્યવાહી કરીએ છીએ.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/08/0HOPrBLzNiV7gQ9yHmVHYKn3zOK90pSRVDW8PeKd.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: વિરમગામના શાકભાજી માર્કેટમાં પાણી ભરાયેલા રહેતાં વેપારીઓ-ગ્રાહકો પરેશાન ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-traders-and-customers-are-troubled-as-the-vegetable-market-in-viramgam-remains-waterlogged</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-traders-and-customers-are-troubled-as-the-vegetable-market-in-viramgam-remains-waterlogged</guid><pubDate>Wed, 08 Jul 2026 05:03:19 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વિરમગામ (સં.ન્યૂ.સ) : વિરમગામમાં છેલ્લા પાંચ દિવસથી હવામાન પલટાઈ વરસાદની શરૂઆત થઈ છે. ખાસ કરીને સોમવારે મોડી સાંજે કાળા ડીબાંગ વાદળો વીજળીના ચમકારા પવનનું વાતાવરણ છવાયું હતુ અને જાણે કે ધોધમાર વરસાદ હમણાં વરસી પડશે. પરંતુ એક ઝાપટું વરસીને વરસાદ બંધ થઈ ગયો હતો. મંગળવાર સવારથી જ સૂર્ય દેવતાના દર્શન લોકોને થયા ન હતા અને વરસાદી માહોલ છવાયો હતો અને સમગ્ર દિવસ દરમિયાન મેઘરાજા મન મુકીને નહિ વરસી હાથતાળી આપી માત્ર ઝરમર વરસાદ થવા પામ્યો છે. સરકારી આંકડા અનુસાર હાલની સીઝનમાં લખાય રહ્યું છે ત્યાં સુધી કુલ 107 મીમી વરસાદ થયાનુ જાણવા મળ્યુ છે. સામન્ય વરસાદમાં શહેરના શાકભાજી માર્કેટમાં પાણી ભરાઈ રહેતા વેપારીઓ સહિત ખરીદારી માટે આવતા લોકોને હાલાકીઓ વેઠવી પડી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/08/JVCSqICbmz9na31u1ELdUi5NokTwxhkPuCAj4toC.webp'/></item><item><title><![CDATA[Rajkotના મોચીબજારમાં નોન-વેજના વેપારી પિતા-પુત્ર પર લાકડી અને છરી વડે હુમલો ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/father-son-non-veg-trader-attacked-with-stick-and-knife-in-rajkots-mochi-bazaar</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/father-son-non-veg-trader-attacked-with-stick-and-knife-in-rajkots-mochi-bazaar</guid><pubDate>Tue, 07 Jul 2026 23:34:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ શહેરમાંથી ગુનાખોરીની એક ચોંકાવનારી અને લોહીયાળ ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા મોચીબજાર ખાટકીવાડ વિસ્તારમાં એક નોન-વેજના વેપારી પિતા અને પુત્ર પર કેટલાક શખ્સો દ્વારા અચાનક જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરો હથિયારો સાથે તૂટી પડતા સમગ્ર બજારમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી. આ હિંસક હુમલામાં ફારુક ચૌહાણ નામના સ્થાનિક વેપારીને શરીરના ભાગે છરી અને લાકડીઓના કારણે ગંભીર ઈજાઓ પહોંચી હતી.</p><h2 style="text-align: justify; "><b>હુમલાના સીસીટીવી ફૂટેજ થયા વાયરલ&nbsp;</b></h2><p style="text-align: justify;">આ સમગ્ર લોહીયાળ ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં હુમલાખોરોની ક્રૂરતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ ઘટના અંગે ભોગ બનનાર પરિવાર દ્વારા રાજકોટના 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ભોગ બનનારની ફરિયાદના આધારે મહેબુબ ઉર્ફે મુકુ, મહેબુબ હાસમ, આફતાબ યુસૂફ અને જાફર યુસૂફ નામના ચાર શખ્સો સામે આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.</p><h3 style="text-align: justify;"><b>જૂની અદાવતમાં ખેલાયો લોહીયાળ ખેલ</b></h3><p style="text-align: justify;">પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ હિંસક હુમલો કોઈ તાત્કાલિક ઝઘડાને કારણે નહીં, પરંતુ બંને પક્ષો વચ્ચે ચાલી આવતી જૂની અદાવત અને મનદુઃખના કારણે કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા વેપારી ફારુક ચૌહાણને તાત્કાલિક અસરથી સારવાર અર્થે નજીકની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલ 'એ' ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાયદાકીય તપાસ તેજ કરી છે અને ફરાર થઈ ગયેલા તમામ ચારેય હુમલાખોરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify;"><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify;"><br></p><p style="text-align: justify;"><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/CqJrWHfvgdVb3UZ0UfPRHBjKWRNf32Net5zxen9b.webp'/></item><item><title><![CDATA[Gujarat News: ભારે વરસાદને કારણે સુરત, નવસારી અને તાપીમાં સ્કૂલોમાં રજા અપાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/schools-closed-in-surat--navsari-and-parts-of-tapi-due-to-heavy-rain</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/schools-closed-in-surat--navsari-and-parts-of-tapi-due-to-heavy-rain</guid><pubDate>Tue, 07 Jul 2026 23:14:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.ભારે વરસાદ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યાને પગલે સુરત અને નવસારી જિલ્લાની તમામ શાળાઓમાં બુધવારે રજા જાહેર કરવામાં આવી છે.આ નિર્ણયનો હેતુ બાળકોને વરસાદી આફતથી સુરક્ષિત રાખવાનો અને કોઈ પણ પ્રકારની દુર્ઘટનાને ટાળવાનો છે.</p><h2 style="text-align: justify; "><b>સુરત, તાપી અને નવસારીમાં સ્કૂલો બંધ</b></h2><p style="text-align: justify; ">નવસારી અને સુરત ઉપરાંત તાપી જિલ્લામાં પણ વરસાદની સ્થિતિને જોતા તંત્ર સતર્ક બન્યું છે.તાપી જિલ્લાના વાલોડ, ડોલવણ અને વ્યારા તાલુકાની શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં પણ બુધવારે રજા જાહેર કરવામાં આવી છે. આ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધારે હોવાથી શાળાએ જતા બાળકોને મુશ્કેલી ન પડે તે માટે તંત્રએ આ પગલું લીધું છે.</p><h2 style="text-align: justify; "><b>વાલીઓ અને વિદ્યાર્થીઓને ખાસ વિનંતી</b></h2><p style="text-align: justify; ">વાલીઓ અને વિદ્યાર્થીઓને ખાસ વિનંતી કરવામાં આવે છે કે તેઓ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરે.વરસાદી માહોલ વચ્ચે સલામત રહેવા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં અવર-જવર ન કરવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.પરિસ્થિતિ સામાન્ય થતા આગામી દિવસોમાં શૈક્ષણિક કાર્ય અંગેનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવશે.<br><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/valsad/administrations-apathy-in-valsad-locals-in-maha-amardham-society-suffer-as-knee-deep-water-fills-them" target="_blank">આ પણ વાંચોઃ Valsadમાં તંત્રની ઉદાસીનતા: મહા અમરધામ સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/6td9j2rg2Af0gDIfJzwVTPT4YUX2IXJ0bAzgGOux.webp'/></item><item><title><![CDATA[Badrinath મંદિરમાં દાન ચોરીનો મામલો, BKTCએ પ્રમુખના અંગત સચિવને કર્યા સસ્પેન્ડ ]]></title><link>https://sandesh.com/india/news/badrinath-temple-donation-theft-case-bktc-suspends-secretary</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/badrinath-temple-donation-theft-case-bktc-suspends-secretary</guid><pubDate>Tue, 07 Jul 2026 22:55:08 +05:30</pubDate><description><![CDATA[<p>બદ્રીનાથ મંદિરના દાનની ચોરીના મામલામાં મોટું એક્શન લેવામાં આવ્યું છે. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)એ કમિટી અધ્યક્ષના અંગત સચિવ અને આરોપી પ્રમોદ નૌટિયાલને સસ્પેન્ડ કરી દીધા છે. આ સાથે જ તેમને કારણ દર્શક નોટિસ પણ આપવામાં આવી છે. સમિતિએ આરોપી પાસેથી 48 કલાકની અંદર લેખિત સ્પષ્ટીકરણ માંગ્યું છે.</p><h2><b>સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ</b></h2><p>BKTC દ્વારા જાહેર કરાયેલી નોટિસ મુજબ 2 જુલાઈ 2026ના રોજ મંદિર પરિસરમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે પ્રમોદ નૌટિયાલે થાળી ભેટ ગણતરી સ્થળે સામાન્ય ગણતરી સિવાય કેટલીક વસ્તુઓ પોતાના મોબાઈલ સાથે પોતાની પાસે રાખી હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સમિતિએ જણાવ્યું છે.</p><h3><b>ઉત્તરાખંડ સરકાર પણ આ મામલે સક્રિય બની</b></h3><p>મંદિર સમિતિનું કહેવું છે કે આવી કાર્યવાહી થાળી ભેટ ગણતરીની નિયમિત પ્રક્રિયાની વિરુદ્ધ છે. જો આરોપી યોગ્ય જવાબ નહીં આપે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. આ દરમિયાન ઉત્તરાખંડ સરકાર પણ આ મામલે સક્રિય બની છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના નિર્દેશ પર દાન મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિના અધ્યક્ષ ગઢવાલ મંડળના કમિશનર રહેશે. જ્યારે NHMના મેનેજિંગ ડિરેક્ટર સંદીપ તિવારી અને આરોગ્ય વિભાગના નાણાં નિયામક જગત સિંહ ચૌહાણને સભ્ય બનાવવામાં આવ્યા છે.</p><h4><b>સમિતિ 15 દિવસમાં રિપોર્ટ સરકારને સોંપશે</b></h4><p>આ સમિતિ મંદિરના દાન સાથે જોડાયેલી ગેરરીતિઓની વિગતવાર તપાસ કરશે અને 15 દિવસમાં રિપોર્ટ સરકારને સોંપશે. સાથે જ દાન વ્યવસ્થાને વધુ પારદર્શક અને જવાબદાર બનાવવા માટે જરૂરી સૂચનો પણ આપશે. આ મામલો એક હિંદુ સંગઠન દ્વારા 3 જુલાઈએ દાનની ચોરીના આરોપો લગાવ્યા બાદ સામે આવ્યો હતો. હવે BKTC અને સરકાર સ્તરની તપાસ બાદ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે.<br><br><b><a href="https://sandesh.com/india/news/delhi-riots-case-ankit-sharma-murder-verdict-july-13" target="_blank">આ પણ વાંચો : Delhi Riots Case : IB અધિકારી અંકિત શર્મા હત્યા કેસમાં કોર્ટ 13 જુલાઈએ આપશે ચુકાદો</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/a5fqi2cDwRB1FltztMPtnS1cGkd2eyQHfPY9IZ6Y.webp'/></item><item><title><![CDATA[Auto News: માર્કેટ ગજવતી આ લોકપ્રિય SUV થઈ સસ્તી, જુઓ નવી પ્રાઇસ લિસ્ટ ]]></title><link>https://sandesh.com/business/news/automobile/auto-news-this-popular-suv-that-is-sweeping-the-market-has-become-cheaper-see-the-new-price-list</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/auto-news-this-popular-suv-that-is-sweeping-the-market-has-become-cheaper-see-the-new-price-list</guid><pubDate>Tue, 07 Jul 2026 22:28:51 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મારુતિ સુઝુકીએ પોતાની લોકપ્રિય મિડ-સાઇઝ SUV 'Victoris'ની કિંમતોમાં મોટો ઘટાડો કર્યો છે. કંપનીએ આ કારના પસંદગીના પેટ્રોલ વેરિઅન્ટ્સની કિંમતમાં રૂ. 38,900 સુધીનો ઘટાડો જાહેર કર્યો છે. ભારતીય બજારમાં C-સેગમેન્ટ મિડ-સાઇઝ SUVમાં Victoris પહેલેથી જ બીજા ક્રમે સૌથી વધુ વેચાતી કાર છે, તેમ છતાં ગ્રાહકોને આકર્ષવા કંપનીએ આ નિર્ણય લીધો છે.</p><h2 style="text-align: justify; "><b>માત્ર આ વેરિઅન્ટ્સ પર મળશે ડિસ્કાઉન્ટ</b></h2><p style="text-align: justify; ">કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રાઇસ કટ તમામ વેરિઅન્ટ્સ પર લાગુ થશે નહીં. LXi, VXi, ZXi અને ZXi Plus ના નોર્મલ પેટ્રોલ એન્જિનવાળા ફ્રન્ટ-વ્હીલ ડ્રાઇવ મેન્યુઅલ અને ઓટોમેટિક વેરિઅન્ટ્સની કિંમતો પહેલા જેવી જ રહેશે. આ ઘટાડો માત્ર ZXi (O) અને ZXi Plus (O) વેરિઅન્ટ્સ પર કરવામાં આવ્યો છે, જે મેન્યુઅલ અને ઓટોમેટિક બંને ગિયરબોક્સ વિકલ્પોમાં ઉપલબ્ધ છે.</p><h3 style="text-align: justify;"><b>કયા વેરિઅન્ટમાં કેટલો ઘટાડો થયો?</b></h3><p style="text-align: justify;">ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો, ZXi (O) પેટ્રોલ મેન્યુઅલ વેરિઅન્ટ પર સૌથી વધુ 2.76% નો ઘટાડો થયો છે. જ્યારે ZXi (O) પેટ્રોલ ઓટોમેટિકની કિંમતમાં અંદાજે 2.49% નો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ZXi Plus (O) પેટ્રોલ મેન્યુઅલ અને ઓટોમેટિક બંને વેરિઅન્ટ્સની કિંમતોમાં આશરે 2.46% નો ઘટાડો જોવા મળ્યો છે.</p><h4 style="text-align: justify;"><b>મારુતિએ કેમ લીધો આ નિર્ણય?</b></h4><p style="text-align: justify;">આજના સમયમાં જ્યારે મોટાભાગની ઓટોમોબાઈલ કંપનીઓ પોતાની કારના ભાવ સતત વધારી રહી છે, ત્યારે આટલી લોકપ્રિય SUVના ભાવ ઘટાડવા તે એક આશ્ચર્યજનક પગલું છે. નિષ્ણાતોના મતે, મારુતિ સુઝુકી આ કિંમત ઘટાડા દ્વારા મિડ-સાઇઝ SUV સેગમેન્ટમાં પોતાનો દબદબો અને પકડ વધુ મજબૂત કરવા માંગે છે.</p><h5 style="text-align: justify;"><b>CNG અને હાઇબ્રિડ મોડલ્સમાં કોઈ ફેરફાર નહીં</b></h5><p style="text-align: justify;">અત્રે નોંધનીય છે કે Victoris ના CNG અને સ્ટ્રોંગ હાઇબ્રિડ વેરિઅન્ટ્સની કિંમતોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. તેનો અર્થ એ કે કિંમતમાં ઘટાડાનો આ સીધો ફાયદો માત્ર પસંદગીના પેટ્રોલ મેન્યુઅલ અને ઓટોમેટિક વેરિઅન્ટ ખરીદનારા ગ્રાહકોને જ મળશે.</p><h6 style="text-align: justify;"><b>આ પ્રખ્યાત કાર્સ સાથે છે સીધી ટક્કર</b></h6><p style="text-align: justify;">ભારતીય ઓટો માર્કેટમાં આ સેગમેન્ટમાં ભારે સ્પર્ધા છે. Victoris નો સીધો મુકાબલો Hyundai Creta, Toyota Urban Cruiser Hyryder, Maruti Grand Vitara, Tata Sierra, Renault Duster અને Honda Elevate જેવી SUVs સાથે છે. આગામી સમયમાં Nissan Tekton પણ આ સેગમેન્ટમાં એન્ટ્રી કરવાની છે, જેથી આ કોમ્પિટિશન વધુ રસપ્રદ બનશે.</p><p style="text-align: justify;"><a href="https://sandesh.com/automobile" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify;"><br></p><p style="text-align: justify;"><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/0Tf2c6WayV3ZXyQYyCw07532T1ikVSgar47731LJ.webp'/></item><item><title><![CDATA[Delhi Riots Case : IB અધિકારી અંકિત શર્મા હત્યા કેસમાં કોર્ટ 13 જુલાઈએ આપશે ચુકાદો ]]></title><link>https://sandesh.com/india/news/delhi-riots-case-ankit-sharma-murder-verdict-july-13</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/delhi-riots-case-ankit-sharma-murder-verdict-july-13</guid><pubDate>Tue, 07 Jul 2026 21:55:21 +05:30</pubDate><description><![CDATA[<p>વર્ષ 2020ના દિલ્હી રમખાણ દરમિયાન થયેલા ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)ના અધિકારી અંકિત શર્માની હત્યા કેસમાં હવે 13 જુલાઈએ મહત્વપૂર્ણ ચુકાદો આવશે. દિલ્હીની કડકડડૂમા કોર્ટે આ કેસમાં પોતાનો નિર્ણય હાલ માટે મુલતવી રાખ્યો છે અને હવે 13 જુલાઈએ ચુકાદો સંભળાવવાની જાહેરાત કરી છે.</p><h2><b>તાહિર હુસૈન સહિતના આરોપીઓ સામે ટ્રાયલો ચાલુ</b></h2><p>આ કેસમાં આમ આદમી પાર્ટીના પૂર્વ MCD કાઉન્સિલર તાહિર હુસૈન સહિત કુલ 11 આરોપીઓ સામે ટ્રાયલ ચાલી રહ્યો છે. તમામ આરોપીઓ પર 2020ના દિલ્હી રમખાણ દરમિયાન અંકિત શર્માની હત્યામાં સંડોવણી હોવાનો આરોપ છે. આ કેસની સુનાવણી પૂર્ણ થયા બાદ કોર્ટે અગાઉ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો, પરંતુ હવે ચુકાદાની તારીખ આગળ વધારી દેવામાં આવી છે.</p><h3><b>તપાસ એજન્સીઓએ અનેક પુરાવા એકત્ર કર્યા&nbsp;</b></h3><p>અંકિત શર્માની હત્યા કેસ દિલ્હીના 2020ના સાંપ્રદાયિક રમખાણો સાથે જોડાયેલા સૌથી ચર્ચિત કેસોમાંનો એક છે. આ કેસમાં તપાસ એજન્સીઓએ અનેક પુરાવા અને સાક્ષીઓના આધારે આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. તાહિર હુસૈન સામે પણ ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે, જેને લઈને સમગ્ર દેશનું ધ્યાન આ કેસ પર કેન્દ્રિત છે.</p><h4><b>કોર્ટના નિર્ણય પર લોકોની નજર&nbsp;</b></h4><p>હવે 13 જુલાઈએ કોર્ટ શું નિર્ણય આપે છે તેના પર તમામની નજર રહેશે. ખાસ કરીને તાહિર હુસૈન સહિતના આરોપીઓ માટે આ ચુકાદો અત્યંત મહત્વનો સાબિત થઈ શકે છે. જો કોર્ટ આરોપોને યોગ્ય ગણશે તો આરોપીઓની મુશ્કેલીઓ વધી શકે છે, જ્યારે બચાવ પક્ષ પણ પોતાનો પક્ષ મજબૂતીથી રજૂ કરી રહ્યો છે. આથી આવનારો નિર્ણય દિલ્હી રમખાણો સાથે જોડાયેલા મહત્વના કેસોમાં એક મહત્વપૂર્ણ કાનૂની માઈલસ્ટોન બની શકે છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/tamilnadu-cm-vijay-tasmac-employees-salary-hike-25-percent" target="_blank">આ પણ વાંચો : Tamilnadu : CM વિજયનો મોટો નિર્ણય, દારૂની દુકાનમાં કામ કરતા કર્મચારીઓના વેતનમાં કર્યો અધધધ 25 ટકાનો વધારો</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/wqTd9x4JbSgaGof8WnQksXYAHaeQetfYAjoR9vL7.webp'/></item><item><title><![CDATA[Pop singer ટેલર સ્વિફ્ટ ના શાહી લગ્ન, મહેમોનોને આપી કરોડોની ભેટ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/pop-singer-taylor-swifts-royal-wedding-gifts-worth-crores-given-to-guests</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/pop-singer-taylor-swifts-royal-wedding-gifts-worth-crores-given-to-guests</guid><pubDate>Tue, 07 Jul 2026 18:18:12 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વિશ્વપ્રસિદ્ધ પોપ ગાયિકા ટેલર સ્વિફ્ટ અને જાણીતા ફૂટબોલર ટ્રેવિસ કેલ્સના લગ્ન હાલ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યા છે. આ દંપતીની સંયુક્ત સંપત્તિ ૨ બિલિયન ડોલરથી વધુ છે, ત્યારે તેમના લગ્ન કોઈ સામાન્ય સમારોહ ન રહેતા એક ઐતિહાસિક અને અત્યંત ભવ્ય ઘટના બની ગયા હતા. 3 જુલાઈના રોજ ન્યૂ યોર્કના પ્રતિષ્ઠિત મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે યોજાયેલા આ લગ્નમાં આશરે 475  કરોડ રૂપિયા (50 મિલિયન ડોલર) જેટલો જંગી ખર્ચ કરવામાં આવ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>&nbsp;1000  જેટલા દિગ્ગજ મહેમાનોએ આપી હતી હાજરી</b></h2><p style="text-align: justify; ">આ લગ્નમાં વિશ્વભરમાંથી આશરે 1000  જેટલા દિગ્ગજ મહેમાનો અને સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. જેમાં સ્ટીવન સ્પીલબર્ગ, રેપર જે-ઝેડ, ગીગી હદીદ, સેલેના ગોમેઝ અને એડ શીરન જેવા પ્રખ્યાત નામ સામેલ હતા. આ ભવ્યતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે લગ્નના આયોજન માટે મેડિસન સ્ક્વેર ગાર્ડન આસપાસના રસ્તાઓ ત્રણ દિવસ સુધી બંધ રાખવામાં આવ્યા હતા, જેનો એક દિવસનો ખર્ચ જ 66,000 ડોલર જેટલો હતો.</p><h3 style="text-align: justify; "><b>કરોડોની મોંધી ગિફ્ટ્સ આપવામાં આવી</b></h3><p style="text-align: justify; ">આ લગ્નની સૌથી વધુ ચર્ચા તેમના દ્વારા આપવામાં આવેલી ભેટોની થઈ રહી છે. લગ્ન સમારોહમાં મહેમાનો માટે ખાસ લોટરી ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાગ્યશાળી વિજેતા મહેમાનોને જે ઇનામો આપવામાં આવ્યા હતા તે ચોંકાવનારા છે. તેમાં કરોડોની કિંમતની લક્ઝરી કાર્ટિયર ઘડિયાળો, મોંઘી ડિઝાઇનર હેન્ડબેગ્સ અને સૌથી આકર્ષક ભેટ તરીકે 1970 ની વિન્ટેજ 'શેવરોલે શેવેલ' કારનો સમાવેશ થાય છે, જેમાં ખાસ "જસ્ટ એન્ડ ટી એમઆરડી" (Just &amp; TMRD) લખેલી લાયસન્સ પ્લેટ લગાવવામાં આવી હતી. જોકે, આ ભવ્ય ભેટો કયા નસીબદાર મહેમાનોને મળી તે રહસ્ય હજુ અકબંધ છે.</p><h4 style="text-align: justify; "><b>સોશિયલ મીડિયા પર ગિફ્ટ્સની ચર્ચાઓ&nbsp;</b></h4><p style="text-align: justify; ">સામાન્ય વર્ગ માટે લગ્નનું બજેટ હંમેશા એક પડકાર હોય છે, પરંતુ સ્વિફ્ટ અને કેલ્સના આ શાહી લગ્ને લક્ઝરી અને ભવ્યતાની નવી વ્યાખ્યા સ્થાપિત કરી છે. આ લગ્ન માત્ર તેમના જીવનની નવી શરૂઆત જ નહીં, પરંતુ એક વૈશ્વિક મનોરંજન ઘટના બની ગઈ છે. સોશિયલ મીડિયા પર ચાહકો આ લગ્નની તસવીરો અને ભેટોની ચર્ચા કરી રહ્યા છે, જે આગામી ઘણા સમય સુધી ચર્ચામાં રહેશે. ટેલર સ્વિફ્ટની આ શૈલીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તે જ્યારે કંઈ પણ કરે છે, ત્યારે તે હંમેશા ભવ્ય અને યાદગાર જ હોય છે.<br><br><b><a href="https://sandesh.com/lifestyle/news/world/video-a-place-in-the-world-where-a-stream-of-blood-flows-you-will-be-shocked-to-know-the-reason" target="_blank">આ પણ વાંચોઃ VIDEO: દુનિયાની એક એવી જગ્યા જ્યાં વહે છે લોહીનું ઝરણું, કારણ જાણીને ચોંકી ઉઠશો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/hanW9B4sIF6ZT02YH4nBRLTYU6D1yibyHXQfRvCQ.webp'/></item><item><title><![CDATA[Kylian Mbappeને કોણે આપી લીગલ એક્શનની ધમકી, જાણો શું છે આખો વિવાદ ]]></title><link>https://sandesh.com/sports/news/who-threatened-kylian-mbappe-with-legal-action-know-what-the-whole-controversy-is-about</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/who-threatened-kylian-mbappe-with-legal-action-know-what-the-whole-controversy-is-about</guid><pubDate>Tue, 07 Jul 2026 12:41:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફૂટબોલ વર્લ્ડ કપની રોમાંચક મેચો બાદ હવે મેદાનની બહાર પણ એક મોટો વિવાદ છેડાયો છે.ફ્રાન્સના સ્ટાર ફૂટબોલર અને કેપ્ટન કાઈલિયન એમ્બાપ્પે (Kylian Mbappe) અને પરાગ્વેના મહિલા સીનેટર સેલેસ્ટે અમરિલા (Celeste Amarilla) સામસામે આવી ગયા છે. આ વિવાદ એટલો વધી ગયો છે કે પરાગ્વેના સીનેટરે એમ્બાપ્પે સામે કાનૂની પગલાં લેવાની અને જેન્ડર વાયોલન્સનો કેસ કરવાની ધમકી આપી દીધી છે.</p><h3 style="text-align: justify; "><b>વિવાદની શરૂઆત કેવી રીતે થઈ?</b></h3><p style="text-align: justify; ">આ સમગ્ર વિવાદની શરૂઆત વર્લ્ડ કપના રાઉન્ડ ઓફ 16ની મેચમાં ફ્રાન્સની પરાગ્વે સામેની જીત બાદ થઈ હતી. મેચ પછી પરાગ્વેના સીનેટર સેલેસ્ટે અમરિલાએ એમ્બાપ્પે પર આકરા પ્રહારો કરતા તેને કોલોનાઇઝ્ડ કેમરૂનિયન અને ફ્રેન્ચ હોવાનો ડોળ કરનારો,ઘમંડી,નવો અમીર અને કદરૂપો કહ્યો હતો.અમરિલાએ એવો પણ દાવો કર્યો હતો કે આખી મેચ દરમિયાન એમ્બાપ્પે અને તેની ટીમ ડરેલી હતી.</p><h4 style="text-align: justify; "><b>એમ્બાપ્પેનો પલટવાર</b></h4><p style="text-align: justify; ">સીનેટરની આ નસ્લવાદી (Racist) ટિપ્પણી પર એમ્બાપ્પેએ આકરા શબ્દોમાં વળતો પ્રહાર કર્યો હતો.એમ્બાપ્પેએ અમરિલાને ઘૃણાસ્પદ મહિલા ગણાવીને કહ્યું કે તમે આ પદ માટે લાયક નથી.તમે પરાગ્વેનું પ્રતિનિધિત્વ નથી કરતા,કારણ કે તે દેશે આખા ટૂર્નામેન્ટમાં જુસ્સા અને સન્માન સાથે રમત બતાવી છે. તમારા ખુલ્લેઆમ નસ્લવાદને કારણે દુનિયા પરાગ્વેના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન ભૂલી ગઈ છે અને તમારા જેવી અયોગ્ય મહિલાની છબી સામે આવી છે.હું દુનિયામાં નફરત ફેલાવવાની આઝાદી કોઈને નહીં આપું.</p><p style="text-align: justify; "><a href="https://x.com/CelesteSenadora/status/2074328338580025478?s=20" target="_blank">https://x.com/CelesteSenadora/status/2074328338580025478?s=20</a></p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>સીનેટર અમરિલાનો બચાવ અને એમ્બાપ્પે સામે નારાજગી</b></h4><p style="text-align: justify; ">એમ્બાપ્પેના જવાબ પછી, સીનેટર અમરિલાએ સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શેર કરીને પોતાનો બચાવ કર્યો હતો.તેમણે સ્પષ્ટતા કરી કે તેમને ફ્રાન્સ દેશ સામે કોઈ વાંધો નથી,પરંતુ સમસ્યા માત્ર એમ્બાપ્પેના ઘમંડ સામે છે.અમરિલાએ લખ્યું,સમસ્યા તમારી અને મારી વચ્ચે છે.મેં ફ્રાન્સ સામે ક્યારેય કંઈ નથી કહ્યું.હું તો નાનપણથી ફ્રેન્ચ સ્કૂલમાં ભણી છું,ફ્રેન્ચ બોલું છું અને ફ્રાન્સમાં રજાઓ ગાળવી મને ગમે છે.તેમણે એમ્બાપ્પે પર આરોપ લગાવ્યો કે મેચ પહેલા એમ્બાપ્પેએ પરાગ્વેની ટીમની મજાક ઉડાવી હતી,જેના કારણે ગુસ્સામાં આવીને તેમણે એ પોસ્ટ લખી હતી,જોકે બાદમાં તેમણે એ પોસ્ટ ડીલીટ પણ કરી દીધી હતી.</p><h4 style="text-align: justify; "><b>લૈંગિક હિંસાનો આરોપ અને કાનૂની ધમકી</b></h4><p style="text-align: justify; ">અમરિલાએ હવે એમ્બાપ્પે પાસે સાર્વજનિક માફીની માંગ કરી છે.તેમણે કહ્યું કે,તમે મને ઓળખતા નથી,તો તમે મને ઘટિયા કે નાકાબિલ કેવી રીતે કહી શકો? હું પરાગ્વેના હજારો લોકોના વોટથી ચૂંટાયેલી સીનેટર છું. આ સીધેસીધી લૈંગિક હિંસા અને રાજકીય હિંસા છે. તમે એક મહિલા હોવાના કારણે મારી નફરત કરી રહ્યા છો.સીનેટર અમરિલાએ અંતમાં ચીમકી આપતા લખ્યું છે કે,એમ્બાપ્પે પોતાનું નિવેદન પાછું ખેંચે અને માફી માંગે,નહીંતર તેઓ આ લૈંગિક હિંસા બદલ ફ્રેન્ચ કેપ્ટન સામે કાનૂની કાર્યવાહી કરશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-spain-scores-last-minute-goal-to-beat-portugal-1-0" target="_blank">FIFA World Cup 2026 : સ્પેને છેલ્લી ઘડીએ ગોલ કરીને પોર્ટુગલને 1-0 થી હરાવ્યું</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/NCPUH7Mzda99BfUaXviZRkXFXe4pAvn7k39ep8KW.webp'/></item></channel></rss>