<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Mahuva: સોસાયટીમાં પ્રવેશવાની ના પાડતા સિક્યુરિટીની ઘાતકી હત્યા, આરોપીની શોધખોળ શરૂ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mahuva/mahuva-bhavani-residency-security-guard-rajendra-jagda-killed-by-gaurang-bhil-scrap-vendor</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mahuva/mahuva-bhavani-residency-security-guard-rajendra-jagda-killed-by-gaurang-bhil-scrap-vendor</guid><pubDate>Mon, 13 Jul 2026 11:05:11 +05:30</pubDate><description><![CDATA[<p>મહુવા તાલુકા મથકે મોડી રાત્રિના સમયે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહુવા ટાઉનમાં આવેલી ભવાની રેસિડેન્સીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા અને સોસાયટીની સુરક્ષાની જવાબદારી સંભાળતા 68 વર્ષીય વૃદ્ધ રાજેન્દ્રભાઈ રમણીકલાલ જગડાની ઘાતકી હત્યા કરવામાં આવી છે. એક સામાન્ય બાબતમાં થયેલી તકરાર હત્યા જેવા જઘન્ય અપરાધમાં પરિણમતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.</p><h2><b>ભવાની રેસિડેન્સીમાં ઘાતકી હત્યા</b></h2><p>પ્રાપ્ત વિગતો અનુસાર, ગૌરાંગ ઉર્ફે લાલજી ભીલ નામનો શખ્સ પોતાની ભંગારની લારી લઈને ભવાની રેસિડેન્સીમાં અંદર જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ સમયે મેઈન ગેટ પર હાજર સિક્યુરિટી ગાર્ડ રાજેન્દ્રભાઈએ અજાણ્યા શખ્સને અંદર જવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી અને સોસાયટીના નિયમોનું પાલન કરવા જણાવ્યું હતું. પોતાની લારી અંદર ન લઈ જવા દેતા ઉશ્કેરાયેલા ગૌરાંગ ઉર્ફે લાલજી ભીલે વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડ સાથે ઉગ્ર ઝઘડો કર્યો હતો અને જોઈ લેવાની ધમકી આપીને ત્યાંથી ચાલ્યો ગયો હતો. ત્યારબાદ તેની કડવાશ અને દાઝ મનમાં રાખીને આરોપીએ રાજેન્દ્રભાઈ પર તીક્ષ્ણ હથિયાર વડે તૂટી પડી આડેધડ ઘા ઝીંકી દીધા હતા. ગંભીર ઈજાઓ થવાને કારણે વૃદ્ધ રાજેન્દ્રભાઈનું ઘટનાસ્થળે જ લોહીલુહાણ હાલતમાં કરુણ મોત નીપજ્યું હતું.</p><h3><b>હત્યારો પોલીસના સકંજામાં ટૂંક સમયમાં આવી જશે</b></h3><p>હત્યાની આ ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મહુવા ટાઉન પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે સોસાયટીના સીસીટીવી ફૂટેજ અને આસપાસના લોકોના નિવેદનોના આધારે આરોપી ગૌરાંગ ઉર્ફે લાલજી ભીલ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.&nbsp;</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/bhabhar-deodar-highway-near-khara-triple-accident-ambulance-eeco-swift-two-dead" target="_blank">આ પણ વાંચો: Banaskantha: ભાભરના ખારા નજીક 3 ગાડીઓ વચ્ચે ભયાનક અકસ્માત, બે લોકોના કમકમાટીભર્યા મોત</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/13/fDbEvvapJi3Ek4VlV6C5uLtSt4yXMhMBw2OBi85D.webp'/></item><item><title><![CDATA[Stock Market Today: રોકાણકારોને 3 લાખ કરોડનું નુકસાન, ઇરાનના દાવાથી શેરબજારમાં ટેન્શન ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-today-investors-lose-rs-3-lakh-crore-tension-in-the-stock-market-due-to-irans-claim</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-today-investors-lose-rs-3-lakh-crore-tension-in-the-stock-market-due-to-irans-claim</guid><pubDate>Mon, 13 Jul 2026 10:58:30 +05:30</pubDate><description><![CDATA[<p>સોમવારે શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 700 પોઈન્ટથી વધુ ઘટ્યો જ્યારે નિફ્ટીમાં 210 પોઈન્ટથી વધુ ઘટાડો થયો જેના કારણે શેરબજારના રોકાણકારોને આશરે ₹3 લાખ કરોડનું નુકસાન થયું. ઈરાન તણાવ અને ક્રૂડ ઓઈલના ભાવ આ ઘટાડાનું મુખ્ય કારણ હોવાનું માનવામાં આવે છે.</p><h2><b>સોમવારે શેરબજારમાં ઘટાડો&nbsp;</b></h2><p>અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે સોમવારે શેરબજારમાં આશરે 1%નો ઘટાડો થયો. ઈરાને દાવો કર્યો હતો કે તેણે ફરી એકવાર હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધું છે. આના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં 5%નો વધારો થયો જેમાં ગલ્ફ ક્રૂડ ઓઈલ $80 પર પહોંચી ગયું. આ દરમિયાન રૂપિયામાં પણ ઘટાડો થયો છે અને એશિયન બજારોમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.</p><p>શરૂઆતના સત્રમાં સેન્સેક્સ 700 પોઈન્ટથી વધુ ઘટ્યો, જ્યારે નિફ્ટીમાં 210 પોઈન્ટથી વધુ ઘટાડો થયો. આ જ કારણ છે કે શેરબજાર ખુલ્યા પછી રોકાણકારોએ લગભગ ₹3 લાખ કરોડ ગુમાવ્યા છે. TCS, HCL, NTPC અને PowerGrid જેવી કંપનીઓને બાદ કરતાં, બધા શેરોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.&nbsp;</p><p>સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. માહિતી અનુસાર, ટ્રેડિંગ સત્ર દરમિયાન સેન્સેક્સ 711.96 પોઈન્ટ ઘટીને 76,857.43 પોઈન્ટની નીચી સપાટીએ પહોંચ્યો હતો. શુક્રવારે સેન્સેક્સ 76,963.35 પોઈન્ટ પર ખુલ્યો અને 77,569.39 પોઈન્ટ પર બંધ થયો. દરમિયાન, નેશનલ સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક, નિફ્ટી, લગભગ 210 પોઈન્ટ ઘટીને 24,000.20 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે સવારે 9:40 વાગ્યે, તે 140 પોઈન્ટ ઘટીને 24,044.60 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો હતો.</p><p><b style="font-size: 1.75rem;">શેરબજારમાં ઘટાડાનું શું કારણ ?&nbsp;</b></p><p>ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો શેરબજારમાં ઘટાડાનું મુખ્ય કારણ છે. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 4 ટકાથી વધુ વધીને $79 પ્રતિ બેરલ થયો, જેનાથી ભારતમાં ફુગાવાની ચિંતા ફરી જાગી છે. તેલના ઊંચા ભાવ ભારત માટે ખરાબ સમાચાર છે, કારણ કે તે વિશ્વનો ત્રીજો સૌથી મોટો ક્રૂડ ઓઈલ આયાતકાર દેશ છે.આનાથી ફુગાવાનું જોખમ વધે છે અને આર્થિક વૃદ્ધિ અને કોર્પોરેટ કમાણી પર દબાણ આવે છે. વધુમાં, યુએસ અને ઈરાન&nbsp; વચ્ચે મોટા પાયે મિસાઇલ અને ડ્રોન હુમલા થયા હતા. </p><p>રવિવારે, તેહરાને ગલ્ફ ક્ષેત્રમાં યુએસ બેઝને નિશાન બનાવ્યા અને કહ્યું કે તેણે ફરીથી મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધું છે. ભય અથવા અસ્થિરતાને માપતો VIX લગભગ 10 ટકા વધીને 13.38 પર પહોંચ્યો, જે વધુ અનિશ્ચિતતા દર્શાવે છે.બીજી તરફ, ડોલર સામે રૂપિયામાં 37 પૈસાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. એશિયન બજારોમાં ઘટાડાની અસર પણ અનુભવાઈ રહી છે.</p><p><b style="font-size: 1.75rem;">3 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ&nbsp;</b></p><p>શેરબજારમાં ઘટાડાથી રોકાણકારોને પણ નોંધપાત્ર નુકસાન થયું છે. રોકાણકારોનું નુકસાન BSEના માર્કેટ કેપ સાથે જોડાયેલું છે. શેરબજારના માર્કેટ કેપમાં વધારો રોકાણકારો માટે લાભ સૂચવે છે. માર્કેટ કેપમાં ઘટાડો રોકાણકારો માટે નુકસાન સૂચવે છે. આંકડાકીય રીતે સમજવાનો પ્રયાસ કરીએ તો શુક્રવારે, BSEનું માર્કેટ કેપ આશરે ₹482 લાખ કરોડ હતું, જે સોમવારના ટ્રેડિંગ સત્ર દરમિયાન ઘટીને આશરે ₹479 લાખ કરોડ થયું. આનો અર્થ એ થયો કે BSE ના માર્કેટ કેપમાં આશરે ₹3 લાખ કરોડનો ઘટાડો થયો છે, જે શેરબજારના રોકાણકારો માટે નોંધપાત્ર નુકસાન છે.<br><br><br></p><p><a href="https://sandesh.com/astrology/news/bhakti/shani-dev-2026-saturn-will-move-in-reverse-these-2-zodiac-signs-should-be-especially-careful" target="_blank">આ પણ વાંચો: Shani Dev 2026: શનિની ચાલશે ઉલટી ચાલ, આ 2 રાશિએ ખાસ સાચવવુ !</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2024/12/17/TlyBMXrRqCpIBH4aNtsJVmTsvd2JATtrOngLwsk9.jpg'/></item><item><title><![CDATA[Banaskantha: ભાભરના ખારા નજીક 3 ગાડીઓ વચ્ચે ભયાનક અકસ્માત, બે લોકોના કમકમાટીભર્યા મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/bhabhar-deodar-highway-near-khara-triple-accident-ambulance-eeco-swift-two-dead</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/bhabhar-deodar-highway-near-khara-triple-accident-ambulance-eeco-swift-two-dead</guid><pubDate>Mon, 13 Jul 2026 10:55:58 +05:30</pubDate><description><![CDATA[<p>ભાભર-દિયોદર હાઇવે પર ગત રાત્રે સર્જાયેલા એક ભયાનક ત્રિપલ અકસ્માતમાં બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી વિગતો અનુસાર, જૂનાગઢની એક એમ્બ્યુલન્સના ચાલક બનાસકાંઠાના તડાવ ગામે એક અકસ્માતના દર્દીને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ સહીસલામત મૂકવા માટે આવ્યા હતા. દર્દીને તેના ઘરે મૂકીને એમ્બ્યુલન્સ ચાલક ગત રાત્રે પરત જૂનાગઢ જવા નીકળ્યા હતા. આ દરમિયાન ભાભરના ખારા ગામની સીમ નજીક હાઇવે પર એમ્બ્યુલન્સ, એક મારુતિ ઇકો ગાડી અને સ્વિફ્ટ કાર વચ્ચે ભારે ધડાકા સાથે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.</p><h2><b>ભાભર-દિયોદર હાઇવે પર ત્રિપલ અકસ્માત</b></h2><p>અકસ્માત એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો અને હાઇવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ટક્કરના કારણે એમ્બ્યુલન્સ ગાડી રોડ પરથી નીચે ઉતરીને બાજુમાં આવેલી બાવળની ભારે ઝાડીઓમાં અંદર સુધી ઘૂસી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં બંને ગાડીના ચાલકોને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.</p><h4><b>ભાભર પોલીસ સ્ટેશનનો કાફલો દોડી ગયો</b></h4><p>ઘટનાની જાણ થતાં જ ભાભર પોલીસ સ્ટેશનનો કાફલો હાઇવે પર દોડી ગયો હતો. પોલીસે સ્થાનિક લોકોની મદદથી વાહનોમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢીને ભાભરની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ (PM) અર્થે ખસેડ્યા હતા. અકસ્માતના પગલે હાઇવે પર બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેને પોલીસે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનો હટાવીને ટ્રાફિક હળવો કરાવ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી મૃતકોના પરિજનોને જાણ કરવા સહિતની આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/rajkot/municipal-corporation-issued-notices-to-high-rise-buildings-for-illegal-water-theft-in-ward-9-and-11" target="_blank">આ પણ વાંચો: Rajkot: હાઇરાઇઝ બિલ્ડિંગો દ્વારા થતી પાણીચોરીનો મનપાએ કર્યો પર્દાફાશ, વોર્ડ નંબર 9 અને 11 માં કડક નોટિસ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/13/J706V77i0CkuYTT21zRJi03Y6Z9lElMw5e4hqMqo.webp'/></item><item><title><![CDATA[Samantha Ruth Prabhuની મા ઇન્ટિ બંગારમ બની સુપરહિટ, 100 કરોડ ક્લબમાં કરી શાનદાર એન્ટ્રી! ]]></title><link>https://sandesh.com/entertainment/news/samantha-maa-inti-bangaram-box-office-collection-crosses-100-crore-club</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/samantha-maa-inti-bangaram-box-office-collection-crosses-100-crore-club</guid><pubDate>Mon, 13 Jul 2026 10:49:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સામંથા રુથ પ્રભુ ફિલ્મ મા ઇન્ટિ બંગારમને લઈને ચર્ચામાં છે. આ તેની પહેલી સોલો ફીમેલ લીડ ફિલ્મ છે, જેમાં તે પોતે હીરો બની છે. ફિલ્મમાં સામંથા એક ગૃહિણીની સાથે એક્શન અવતારમાં પણ નજરે પડે છે. આ તેલુગુ ફિલ્મને દર્શકો તરફથી અદ્ભુત રિસ્પોન્સ મળ્યો. આ ફિલ્મને 19 જૂને રિલીઝ કરવામાં આવી હતી અને ફિલ્મે 23 દિવસ પછી બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચી દીધો છે. 100 કરોડની ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે.</p><h2 style="text-align: justify; "><b>મા ઇન્ટિ બંગારમની 100 કરોડની ક્લબમાં એન્ટ્રી</b></h2><p style="text-align: justify; ">સામંથા રુથ પ્રભુએ પોતે ફિલ્મ મા ઇન્ટિ બંગારમની કમાણીને કન્ફર્મ કરી છે. ફિલ્મે 100 કરોડની ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. આ સિવાય જો ફિલ્મના ઇન્ડિયા નેટ કલેક્શન વિશે વાત કરવામાં આવે તો સેકનિલ્કના જણાવ્યા અનુસાર, ફિલ્મે 23મા દિવસે એટલે કે શનિવારે 55 લાખનું કલેક્શન કર્યું હતું, જેના પછી આનું ઇન્ડિયા નેટ કલેક્શન 60.52 કરોડ થઈ ગયું છે. ફિલ્મને બે ભાષાઓ તમિલ અને તેલુગુમાં જ રિલીઝ કરવામાં આવી છે. આ સાથે જ જો ફિલ્મના બાકીના દિવસોની કમાણી વિશે વાત કરવામાં આવે તો સેકનિલ્કના મુજબ, ફિલ્મે પહેલા અઠવાડિયે 33.70 કરોડ, બીજા વીકમાં 20.25 કરોડ અને ત્રીજા અઠવાડિયે 5.75 કરોડનું કલેક્શન કર્યું હતું.</p><h3 style="text-align: justify; "><b>ફિલ્મને લઈને ચિંતામાં રહેતી હતી સામંથા</b></h3><p style="text-align: justify; ">સામંથા રુથ પ્રભુએ ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મના 100 કરોડની ક્લબમાં સામેલ થવાના ખુશખબર શેર કર્યા અને આ સાથે જ તેણે જણાવ્યું કે રિલીઝ પહેલા તે આને લઈને ચિંતામાં રહેતી હતી. એક્ટ્રેસ પોતાની પોસ્ટમાં લખ્યું છે, ફિલ્મની રિલીઝ પહેલા હું ચિંતામાં રહેતી હતી કે લોકો આના વિશે વાત કરી રહ્યા છે કે નહીં. આપણું પ્રમોશન લોકો સુધી પહોંચી રહ્યું છે કે નહીં.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DasDSNqjsTN/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DasDSNqjsTN/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DasDSNqjsTN/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DasDSNqjsTN/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>હિરોઈનની ફિલ્મ કોણ જોશે? - એક્ઝિબિટર</b></h4><p style="text-align: justify; ">સામંથા જણાવે છે, મારા મિત્રએ એક B સેન્ટરના એક્ઝિબિટરને (સિનેમા હોલના માલિકને) ફોન કર્યો. તેને ખબર નહોતી કે હું તેની વાત સાંભળી રહી છું. મારા મિત્રએ પૂછ્યું કે મા ઇન્ટિ બંગારમ વિશે શું વિચારો છો? તમને શું લાગે છે કે પહેલા દિવસે કેટલું કમાશે? એક્ઝિબિટરે જવાબ આપ્યો, હિરોઈનની ફિલ્મ જોવા માટે કોણ આવશે? જો મોટા હીરોની ફિલ્મ હોય તો ઠીક છે, લોકો તેને તેના ગ્લેમરના કારણે જાણે છે પરંતુ માત્ર હિરોઈનના દમ પર બનેલી ફિલ્મ જોવા કોણ જશે, કોઈ નહીં.</p><h5 style="text-align: justify; "><b>સક્સેસફુલ રહ્યો સામંથાનો રિસ્ક</b></h5><p style="text-align: justify; ">સામંથા એક્ઝિબિટરની વાત સાંભળીને હેરાન થઈ જાય છે પરંતુ પોતાનો હોંસલો તૂટવા દેતી નથી. તે પોસ્ટમાં આગળ લખે છે, ફિલ્મની રિલીઝ પહેલા લોકોની આ જ વિચારસરણી હતી. મારું માનવું છે કે અસલી બદલાવ જોખમ ઉઠાવવાની હિંમત પછી જ આવે છે. કેટલીય વાર આવા જોખમ સફળ નથી થતા, પરંતુ ક્યારેક-ક્યારેક તે કામ કરી જાય છે અને અમારા માટે આ રિસ્ક સક્સેસફુલ રહ્યું. આશા છે કે આ કોઈ મોટા બદલાવની શરૂઆત હશે.</p><h6 style="text-align: justify; "><b>મા ઇન્ટિ બંગારમ ફિલ્મ</b></h6><p style="text-align: justify; ">જો તેલુગુ ફિલ્મ મા ઇન્ટિ બંગારમ વિશે વાત કરવામાં આવે તો આ એક તેલુગુ એક્શન કોમેડી ફિલ્મ છે. આનું નિર્દેશન બી.વી. નંદિની રેડ્ડીએ કર્યું છે અને લીડ રોલમાં સામંથા રુથ પ્રભુ છે. ફિલ્મમાં એક એવી મહિલાની સ્ટોરી બતાવવામાં આવી છે, જે ભૂતકાળને છુપાવીને એક પુત્રવધૂ બનીને જાય છે અને પરિવારની રક્ષા માટે ખતરનાક એક્શન કરતી નજરે પડે છે. ફિલ્મમાં સ્વર્ણ નામની મહિલાની સ્ટોરી છે, જેનું પાત્ર સામંથાએ ભજવ્યું છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/inside-evergreen-actress-rekha-luxury-home-basera-mumbai-interior-photos-viral" target="_blank">આ પણ વાંચો-Rekha: શાહી મહેલ જેવું છે રેખાનું આલીશાન ઘર, મુંબઈના પોશ વિસ્તારમાં આવેલા બંગલાની કિંમત જાણી દંગ રહી જશો!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/13/eq2vWLorqectpdb3gxLDE8WeYIAisVbUw7xleGID.webp'/></item><item><title><![CDATA[Corona Virus Cases: પહેલા આંધ્ર અને હવે મુંબઇ...કોરોનાનો વધ્યો ખતરો, જાણો શું સાવધાની રાખવી જોઇએ ]]></title><link>https://sandesh.com/india/news/corona-virus-cases-first-andhra-and-now-mumbai-corona-threat-increased-know-what-precautions-should-be-taken</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/corona-virus-cases-first-andhra-and-now-mumbai-corona-threat-increased-know-what-precautions-should-be-taken</guid><pubDate>Mon, 13 Jul 2026 10:25:02 +05:30</pubDate><description><![CDATA[<p>દેશમાં કોરોનાવાયરસનો ખતરો ફરી વધ્યો છે. આંધ્રપ્રદેશમાં બે લોકોના મો જ્યારે  આઠ  એક્ટિવ કેસ નોંધાયા છે. તો આ તરફ મુંબઈમાં પણ કોરોનાવાયરસનો એક નવો કેસ નોંધાયો છે. ગાયક કુમાર સાનુના પુત્ર જાન કુમાર સાનુનો ​​કોરોનાવાયરસ માટેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને તે હોસ્પિટલમાં દાખલ છે.</p><h2><b>આંધ્રપ્રદેશ બાદ મુંબઇમાં કોરોનાનો ખતરો&nbsp;</b></h2><p>દેશમાં ફરી એકવાર કોરોનાવાયરસ ફેલાવા લાગ્યો છે. પહેલા આંધ્રપ્રદેશ અને હવે મુંબઈથી આવતા કેસોએ ચિંતા વધારી છે. સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટીઓ સુધી તેનો ભોગ બની રહ્યા છે, જેના કારણે કોરોનાવાયરસનો ખતરો ફરી એકવાર મોટો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં આંધ્રપ્રદેશમાં કોરોનાવાયરસથી બે મૃત્યુ નોંધાયા છે. હાલમાં રાજ્યમાં આઠ સક્રિય કેસ નોંધાયા છે, જ્યારે મુંબઈમાં પણ કોરોનાવાયરસનો એક કેસ નોંધાયો છે.</p><h3><b>2 લોકોના મોત&nbsp;</b></h3><p>આંધ્રપ્રદેશના કડપામાં કોરોનાવાયરસને કારણે 46 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું. કડાપાના મસાપેટા વિસ્તારનો રહેવાસી આ વ્યક્તિ કોરોનાવાયરસ સામે લડી રહ્યો હતો. શ્વાસ લેવામાં તકલીફ અને તીવ્ર ઉધરસની ફરિયાદ બાદ મૃતકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં એક્સ-રેમાં જાણવા મળ્યું કે વાયરસથી તેના બંને ફેફસાં સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા જેના કારણે ગંભીર ન્યુમોનિયા થયો હતો.</p><h4><b>કુમાર સાનુના પુત્રનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટીવ&nbsp;</b></h4><p>મુંબઈમાં પણ કોવિડ-19નો ચેપ લાગ્યો છે. ગાયક કુમાર સાનુના પુત્ર જાન કુમાર સાનુનો ​​પણ કોવિડ-19નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. બિગ બોસના ભૂતપૂર્વ સ્પર્ધક જાને 12  જુલાઈના રોજ સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને વ્યક્તિગત રીતે જાણ કરી હતી. તે હાલમાં હોસ્પિટલમાં દાખલ છે અને સારવાર લઈ રહ્યા છે.</p><p><br></p><p><b style="font-size: 1.5rem;">કોવિડ-19થી બચવા માટેની સાવચેતીઓ</b></p><ul><li><b>માસ્ક પહેરો:</b> ભીડભાડવાળા વિસ્તારો, બજારો અને હોસ્પિટલોની મુલાકાત લેતી વખતે હંમેશા માસ્ક પહેરો.</li><li><b>લક્ષણો છુપાવશો નહીં:</b> જો તમને તીવ્ર ઉધરસ, તાવ અથવા શ્વાસ લેવામાં થોડી તકલીફનો અનુભવ થાય છે, તો તેને સામાન્ય ફ્લૂ માનીને તેને અવગણશો નહીં. તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો.</li><li><b>તમારા હાથ સાફ રાખો</b>: બહારથી આવ્યા પછી, તમારા હાથને સાબુ અને પાણીથી સારી રીતે ધોઈ લો અથવા હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરો.</li><li><b>જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી છે તેઓએ સાવધ રહેવું જોઈએ:</b> જે લોકો પહેલાથી જ ગંભીર બીમારીથી પીડાય છે, વધુ પડતું પીવે છે અથવા ધૂમ્રપાન કરે છે તેઓએ ખાસ કરીને સાવધ રહેવું જોઈએ, કારણ કે તેમના ફેફસાં ચેપ માટે વધુ સંવેદનશીલ હોય છે.</li></ul><p><br></p><p><a href="https://sandesh.com/astrology/news/bhakti/shani-dev-2026-saturn-will-move-in-reverse-these-2-zodiac-signs-should-be-especially-careful" target="_blank">આ પણ વાંચો: Shani Dev 2026: શનિની ચાલશે ઉલટી ચાલ, આ 2 રાશિએ ખાસ સાચવવુ !</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/13/QJmYWzppeDJ0KiIJoHPUylDwGVKwXFGDwgCHZf4y.webp'/></item><item><title><![CDATA[Rajkot: હાઇરાઇઝ બિલ્ડિંગો દ્વારા થતી પાણીચોરીનો મનપાએ કર્યો પર્દાફાશ, વોર્ડ નંબર 9 અને 11 માં કડક નોટિસ ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/municipal-corporation-issued-notices-to-high-rise-buildings-for-illegal-water-theft-in-ward-9-and-11</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/municipal-corporation-issued-notices-to-high-rise-buildings-for-illegal-water-theft-in-ward-9-and-11</guid><pubDate>Mon, 13 Jul 2026 10:20:30 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ શહેરમાં પાણીના સમાન વિતરણને ખોરવતા તત્વો સામે રાજકોટ મહાનગરપાલિકાએ કડક કાયદાકીય શસ્ત્ર ઉગામ્યું છે. ખાસ કરીને પશ્ચિમ રાજકોટના પોશ ગણાતા વોર્ડ નંબર 9 અને વોર્ડ નંબર 11 ના વિવિધ વિસ્તારોમાંથી મનપાના કંટ્રોલ રૂમમાં વ્યાપક ફરિયાદો મળી હતી કે, હાઇરાઇઝ બિલ્ડિંગોના કારણે સામાન્ય સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારો સુધી પૂરતા પ્રેશરથી પાણી પહોંચતું નથી. આ બાબતની આંતરિક તપાસ કરતાં એક ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી હતી.</p><h2><b>હાઇરાઇઝ બિલ્ડિંગો દ્વારા પાણી ચોરી</b></h2><p>બહુમાળી બિલ્ડિંગોના કેટલાક આસામીઓ અને મેન્ટેનન્સ સંભાળતા શખ્સોએ મનપાના પાણીના મુખ્ય વાલ્વ ઓપરેટ કરવા માટે બજારમાંથી ગેરકાયદેસર રીતે લોખંડની ચાવીઓ (વ્હીલ લોક કી) બનાવી લીધી હતી. જ્યારે મનપાના લાઇનમેન જે-તે વિસ્તારનો વાલ્વ બંધ કરીને જાય, ત્યારે આ બિલ્ડિંગના લોકો પોતાની ગેરકાયદેસર ચાવીઓ વડે વાલ્વ ફરીથી ખોલી નાખતા હતા અને કલાકો સુધી પોતાની બિલ્ડિંગના અંડરગ્રાઉન્ડ સમ્પ (ટાંકા) માં પાણી ચોરીથી ભરી લેતા હતા. આ કરતૂતને કારણે આગળની સોસાયટીઓમાં પાણીનો એક ટીપો પણ પહોંચતો નહોતો.</p><h3><b>ઠેર-ઠેર ચેકિંગ અને દંડનીય કાર્યવાહી</b></h3><p>આ ગંભીર ફરિયાદોના આધારે રાજકોટ મહાનગરપાલિકાના સિટી એન્જિનિયર અને વોટર વર્ક્સ વિભાગના અધિકારીઓની જુદી-જુદી ટીમોએ વહેલી સવારે પાણી વિતરણના સમયે જ જે-તે વોર્ડમાં ઠેર-ઠેર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન અનેક બિલ્ડિંગો પાસે આવી ગેરકાયદે ચાવીઓ મળી આવી હતી અને નિયમભંગ થતો હોવાનું રંગેહાથ પકડાયું હતું. મનપા દ્વારા આવી તમામ હાઇરાઇઝ બિલ્ડિંગોના એસોસિએશનને નોટિસ ફટકારીને તમામ ગેરકાયદેસર ચાવીઓ ચોવીસ કલાકમાં મનપાની વોર્ડ ઓફિસે જમા કરાવી દેવા આખરી તાકીદ કરી છે. જો આગામી દિવસોમાં ફરીથી આવી પ્રવૃત્તિ જણાશે, તો પાણીના કનેક્શન કાપી નાખવા તેમજ ભારે દંડ વસૂલવા સહિતની ફોજદારી કાર્યવાહી કરવાની ચીમકી મનપા સત્તાધીશો દ્વારા આપવામાં આવી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/uttran-police-arrested-husband-pravin-golakiya-for-attacking-wife-in-mota-varachha-cctv-viral" target="_blank">આ પણ વાંચો:&nbsp; Surat: મોટા વરાછામાં પત્ની પર જાહેરમાં જીવલેણ હુમલો કરનાર પતિ ઝડપાયો, પોલીસે ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલ્યો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/13/a7YdSLm08wSoW22cjM0pB4StC6GwuCgWd5GIE3I7.webp'/></item><item><title><![CDATA[Kanwar Yatra : યુપી અને ઉત્તરાખંડ સરકારે કાંવડ યાત્રા પર નિયમો કડક બનાવ્યા ]]></title><link>https://sandesh.com/india/news/kanwar-yatra-up-and-uttarakhand-governments-tighten-rules-on-kanwar-yatra</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/kanwar-yatra-up-and-uttarakhand-governments-tighten-rules-on-kanwar-yatra</guid><pubDate>Mon, 13 Jul 2026 10:01:39 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આ પવિત્ર મહિનામાં લાખો ભક્તો ભગવાન શિવની ભક્તિમાં લીન થઈ જાય છે અને કાવડ યાત્રા કાઢે છે. ઉત્તરભારતમાં વર્ષ 2026માં કાવડ યાત્રાની શરૂઆત ગુરુવાર, 30 જુલાઈ 2026થી થશે અને તેનું સમાપન મંગળવાર, 11 ઓગસ્ટ 2026ના રોજ શ્રાવણ શિવરાત્રિના દિવસે થશે. ગુજરાતમાં શ્રાવણ મહિનો 15 દિવસ પછી શરૂ થાય છે. આ દરમિયાન દેશભરમાંથી લાખો શિવભક્તો ગંગાજળ લઈને ભગવાન શિવનો જલાભિષેક કરવા માટે નીકળશે.</p><h2 style="text-align: justify; ">ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સરકાર દ્વારા ખાસ નિયમો બનાવવામાં આવ્યા</h2><p style="text-align: justify; ">કાવડ યાત્રા દરમિયાન ભક્તોની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સરકાર દ્વારા ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે. દર વર્ષે કાવડ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લે છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશના મેરઠ ઝોનમાં કાવડિયાઓની સંખ્યા સૌથી વધુ જોવા મળે છે. આ કારણોસર મેરઠ ઝોનમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે.</p><h3 style="text-align: justify; ">આ વખતે કાવડ યાત્રાની વ્યવસ્થા માટે અનેક મહત્વપૂર્ણ નિયમો લાગુ કર્યા</h3><p style="text-align: justify; ">પ્રશાસને આ વખતે કાવડ યાત્રાની વ્યવસ્થા માટે અનેક મહત્વપૂર્ણ નિયમો લાગુ કર્યા છે. કાવડની ઊંચાઈ, પહોળાઈ અને ડાક કાવડની ગતિને નિયંત્રિત કરવામાં આવશે. ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પગપાળા કાવડ, ડાક કાવડ અને ઝાંખીઓની ઊંચાઈ નક્કી કરવામાં આવી છે.</p><h4 style="text-align: justify; ">10 ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતી કાવડ પર પ્રતિબંધ</h4><p style="text-align: justify; ">વિજળી સંબંધિત અકસ્માતોને રોકવા માટે 10 ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતી કાવડને હરિદ્વારથી ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. પ્રશાસનનું માનવું છે કે ઊંચી કાવડને કારણે વીજ તાર સાથે સંપર્ક થવાનો ખતરો વધી શકે છે, તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.</p><h4 style="text-align: justify; ">ત્રિશૂળ, ભાલા, તલવાર અથવા અન્ય કોઈ અણીવાળા હથિયારો પર પ્રતિબંધ</h4><p style="text-align: justify; ">આ ઉપરાંત કાવડ યાત્રા દરમિયાન ત્રિશૂળ, ભાલા, તલવાર અથવા અન્ય કોઈ અણીવાળા હથિયારો લઈને ચાલવા પર પ્રતિબંધ રહેશે. નશાની હાલતમાં કાવડ યાત્રામાં સામેલ થનારા લોકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. સરકાર અને પોલીસનો હેતુ યાત્રાને શાંતિપૂર્ણ અને સુરક્ષિત બનાવવાનો છે.</p><h4 style="text-align: justify; ">ભક્તો માટે ગાઇડલાઇન જાહેર&nbsp;</h4><p style="text-align: justify; ">હરિદ્વાર પોલીસે પણ કાવડ યાત્રા પહેલા ભક્તો માટે ગાઇડલાઇન જાહેર કરી છે. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે યાત્રામાં જુગાડ વાહનો, મોટા અવાજવાળા રેટ્રો સાઇલેન્સરવાળા વાહનો, ભાલા, ત્રિશૂલ, તલવાર અને અન્ય હથિયારો સાથે આવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.</p><h5 style="text-align: justify; ">આ વર્ષે કાવડ યાત્રામાં ભક્તોની સંખ્યા વધવાની સંભાવના</h5><p style="text-align: justify; ">માહિતી અનુસાર, આ વર્ષે કાવડ યાત્રામાં ભક્તોની સંખ્યા વધવાની સંભાવના છે. તેથી ટ્રાફિક વ્યવસ્થા અને ભીડ નિયંત્રણ માટે ખાસ રૂટ પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. યાત્રા દરમિયાન સામાન્ય લોકોની અવરજવર સરળ રહે તે માટે પણ અનેક પગલાં લેવામાં આવશે.</p><h5 style="text-align: justify; ">લાખો લોકોની ભાવનાઓનું પ્રતિક&nbsp;</h5><p style="text-align: justify; ">દિલ્હી-દહેરાદૂન ઇકોનોમિક કોરિડોર આ વખતે મુસાફરીને સરળ બનાવવામાં મદદરૂપ થશે. પ્રશાસન દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે કાવડ યાત્રા દરમિયાન ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે અને સાથે જ સામાન્ય વાહન વ્યવહાર પણ સરળતાથી ચાલુ રહે.</p><p style="text-align: justify; ">કાવડ યાત્રા માત્ર ધાર્મિક આસ્થા સાથે જોડાયેલી નથી, પરંતુ લાખો લોકોની ભાવનાઓનું પ્રતિક પણ છે. સરકાર અને પોલીસ દ્વારા બનાવવામાં આવેલા નિયમોનો હેતુ ભક્તોની શ્રદ્ધાને જાળવી રાખીને યાત્રાને સુરક્ષિત અને વ્યવસ્થિત બનાવવાનો છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/13/FNq4nbdZXFl9rL8ECE3Cfbk6PBgrxcMW57MOOvdC.webp'/></item><item><title><![CDATA[Ahmedabad Rath Yatra 2026 : 149મી રથયાત્રા માટે 14 કિમીના રૂટ પર 2 હજારથી વધુ જવાનોનું મેગા સુરક્ષા રિહર્સલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-149th-jagannath-rathyatra-police-mega-security-rehearsal-route-raf-srp</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-149th-jagannath-rathyatra-police-mega-security-rehearsal-route-raf-srp</guid><pubDate>Mon, 13 Jul 2026 09:18:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદની ઐતિહાસિક અને આસ્થાના પ્રતીક સમાન 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નજીકના દિવસોમાં યોજાવા જઈ રહી છે, ત્યારે લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. રથયાત્રા શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને સુરક્ષિત માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા સમગ્ર રૂટ પર એક વિશાળ અને મેગા સુરક્ષા રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>14  કિલોમીટર લાંબા પરંપરાગત રથયાત્રા રૂટ પર રિહર્સલ</b></h2><p style="text-align: justify; ">આ મેગા રિહર્સલમાં અમદાવાદ પોલીસ કમિશનર, જેસીપી , ડીસીપી સહિતના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ જાતે ગ્રાઉન્ડ ઝીરો પર ઉપસ્થિત રહ્યા હતા. જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથ મંદિરથી શરૂ કરીને સમગ્ર 14  કિલોમીટર લાંબા પરંપરાગત રથયાત્રા રૂટ પર સુરક્ષા વ્યવસ્થાની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>વિવિધ સુરક્ષા દળોના જવાનો જોડાયા</b></h3><p style="text-align: justify; ">આ મિશનમાં 2 હજારથી વધુ પોલીસકર્મીઓ, એસઆરપી , અને રેપિડ એક્શન ફોર્સ સહિતના વિવિધ સુરક્ષા દળોના જવાનો જોડાયા હતા અને વાસ્તવિક પરિસ્થિતિ મુજબ મોક ડ્રીલ કરી હતી.</p><h4 style="text-align: justify; "><b>ઈમરજન્સી રિસ્પોન્સની  ચકાસણી કરાઇ&nbsp;</b></h4><p style="text-align: justify; ">રિહર્સલ દરમિયાન ખાસ કરીને રથયાત્રાના રૂટમાં આવતા સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવાની ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, ભીડ નિયંત્રણ , રૂટ મેનેજમેન્ટ અને કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે ઈમરજન્સી રિસ્પોન્સની તૈયારીઓનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તમામ સુરક્ષા એજન્સીઓ વચ્ચે યોગ્ય સંકલન જળવાય તેનું પરીક્ષણ પણ કરાયું હતું. પોલીસ કમિશનરે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામ અધિકારીઓને અંતિમ સૂચનાઓ આપી દીધી છે અને પોલીસ તંત્ર લાખો ભક્તોની સુરક્ષા માટે સંપૂર્ણપણે સજ્જ છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-south-gujarat-heavy-rain-floods-reasons-geography-urban-planning-issues-updates" target="_blank"><b>Sandesh Digital Explainer : દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર! આખરે દર વર્ષે આ જ વિસ્તાર સૌથી વધુ કેમ ડૂબે છે? વાંચો એક જ ક્લિકમાં</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/13/uyU280qvqzx81x7QRiicrwp0krJ49ScT7tv7sxSI.webp'/></item><item><title><![CDATA[Wimbledon 2026 : યાનિક સિનર બન્યો નવો વિમ્બલ્ડન કિંગ, ઝ્વેરેવને હરાવી જીત્યું 5મું ગ્રાન્ડ સ્લેમ! ]]></title><link>https://sandesh.com/sports/news/wimbledon-2026-yannick-sinner-becomes-the-new-wimbledon-king-defeats-zverev-to-win-5th-grand-slam</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/wimbledon-2026-yannick-sinner-becomes-the-new-wimbledon-king-defeats-zverev-to-win-5th-grand-slam</guid><pubDate>Mon, 13 Jul 2026 08:12:47 +05:30</pubDate><description><![CDATA[<p>ઇટાલિયન ટેનિસ સુપરસ્ટાર યાનિક સિનર પોતાનો પ્રભાવશાળી પ્રવાસ ચાલુ રાખે છે.ફિટનેસ સમસ્યાઓના કારણે 2026 ફ્રેન્ચ ઓપન ગુમાવ્યા બાદ, સિનરે વિમ્બલ્ડન 2026 માં શાનદાર વાપસી કરી, સતત બીજી વખત ચેમ્પિયન બન્યો. રવિવાર, 12 જુલાઈના રોજ સેન્ટર કોર્ટ પર રમાયેલી મેન્સ સિંગલ્સની ફાઇનલમાં, સિનરે જર્મનીના બીજા ક્રમાંકિત એલેક્ઝાન્ડર ઝ્વેરેવને ચાર સેટની મેચમાં 6-7, 7-6, 6-3, 6-4 થી હરાવ્યો. આમ, સિનરે પોતાના ટાઇટલનો બચાવ કર્યો અને સતત બીજો વિમ્બલ્ડન ટાઇટલ અને એકંદરે તેનો પાંચમો ગ્રાન્ડ સ્લેમ જીત્યો.</p><h4><b>સિંગલ્સની ફાઇનલ હજારો અન્ય દર્શકો હાજર રહ્યા&nbsp;</b></h4><p>વિમ્બલ્ડન મેન્સ સિંગલ્સની ફાઇનલ માટે સેન્ટર કોર્ટ પર મોટી સંખ્યામાં સેલિબ્રિટી અને હજારો અન્ય દર્શકો હાજર રહ્યા હતા. બધાની નજર ફરી એકવાર યાનિક સિનર પર હતી, જેણે ગયા વર્ષે ટાઇટલ જીત્યું હતું અને આ વખતે ઉત્તમ ફોર્મમાં હતો. સેમિફાઇનલમાં નોવાક જોકોવિચ પર સિનરનો વિજય, ફક્ત ત્રણ સેટમાં, ફરી એકવાર તેને ટાઇટલ માટે દાવેદાર બનાવ્યો હતો. પરંતુ ઝ્વેરેવ સાથે સામનો કરવો સરળ નહોતો, જે આ સિઝનમાં તેના શ્રેષ્ઠ ફોર્મમાં છે અને તાજેતરમાં જ ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન બન્યો હતો.</p><p><a href="https://x.com/Wimbledon/status/2076389889415807042?s=20" target="_blank">https://x.com/Wimbledon/status/2076389889415807042?s=20</a></p><p><br></p><h4><b>ફાઇનલમાં પાછા ફરો, વર્ષનો પહેલો ગ્રાન્ડ સ્લેમ</b></h4><p>જ્યારે ફાઇનલ શરૂ થઈ, ત્યારે પહેલા સેટમાં એક કડક સ્પર્ધા જોવા મળી, જે ઝ્વેરેવે ટાઇટલ રેસમાં આગળ વધવા માટે ટાઇ-બ્રેકરમાં જીતી લીધી. હવે તેને વધુ બે સેટ જીતવાની જરૂર હતી, જ્યારે સિનરને સતત ત્રણ સેટ જીતવાની જરૂર હતી. બરાબર એવું જ થયું. બીજો સેટ પણ ટાઇ-બ્રેકરમાં ગયો, પરંતુ આ વખતે વિશ્વ નંબર 1 જીત્યો. ત્યારબાદ સિનરે જર્મન સ્ટારને આગામી બે સેટમાં કોઈ તક આપી નહીં, અને સતત બીજા વર્ષે પુરુષોનો સિંગલ્સ ટાઇટલ જીત્યો.</p><h4><b>ટ્રોફી સિનર માટે પણ ખાસ</b></h4><p>આ ટ્રોફી સિનર માટે પણ ખાસ છે કારણ કે આ સિઝનમાં તે તેનું પહેલું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે. અગાઉ, તે ઓસ્ટ્રેલિયન ઓપનના સેમિફાઇનલમાં હારી ગયો હતો, જ્યારે તે ફ્રેન્ચ ઓપનના બીજા રાઉન્ડમાં બહાર થઈ ગયો હતો. માત્ર 24 વર્ષની ઉંમરે, સિનરે હવે બે ઓસ્ટ્રેલિયન ઓપન, બે વિમ્બલ્ડન અને એક યુએસ ઓપન ટાઇટલ જીત્યું છે. ગયા વર્ષે ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં તે હારી ગયો હતો, જેના કારણે તેને એક ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ મળ્યું હતું.</p><h5><b>સ્કીઇંગથી ટેનિસ સુધીની સફર</b></h5><p>ઘણા ખેલાડીઓથી વિપરીત, સિનરે બાળપણમાં ટેનિસ રમવાનું શરૂ કર્યું ન હતું, અને તે તેની મુખ્ય રમત પણ નહોતી. ઇટાલીના પ્રખ્યાત ડોલોમાઇટ પર્વતોમાં વસેલા એક શહેરમાં જન્મેલા અને ઉછરેલા, યાનિક સિનર નાની ઉંમરથી જ સ્કીઇંગમાં ડૂબી ગયા હતા. તેમણે માત્ર 7 વર્ષની ઉંમરે જુનિયર સ્કીઇંગ ચેમ્પિયનશિપ પણ જીતી હતી. પરંતુ પછી તે ટેનિસ તરફ વળ્યો, અને ત્યાંથી, આ યુવા સેન્સેશને પાછળ ફરીને જોયું નથી.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/wimbledon-2026-21-year-old-linda-noskova-becomes-champion-in-womens-singles-final" target="_blank">Wimbledon 2026 : વુમન્સ સિંગલ્સ ફાઇનલમાં 21 વર્ષની લિન્ડા નોસ્કોવા બની ચેમ્પિયન</a></p><p><br></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/13/e2F9WTHFXhyk4cBbxoWj8e5RZ2XMn9WjYXNQn8zI.webp'/></item><item><title><![CDATA[Rajkot: આટકોટમાંથી 2 દેશી પિસ્તોલ અને કારતૂસ સાથે ગુનેગાર ઝડપાયો, MP નો સપ્લાયર્સ ફરાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/rajkot/sog-police-seized-two-country-made-pistols-and-cartridges-in-atkot-one-arrested-mp-supplier-absconding</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/rajkot/sog-police-seized-two-country-made-pistols-and-cartridges-in-atkot-one-arrested-mp-supplier-absconding</guid><pubDate>Mon, 13 Jul 2026 08:10:00 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા અને ગેરકાયદેસર હથિયારોની હેરફેર રોકવા માટે એસઓજીની ટીમ સતત પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન એસઓજી ગ્રામ્ય બ્રાન્ચને ચોક્કસ અને સચોટ બાતમી મળી હતી કે, આટકોટ પોલીસ મથકની હદમાં એક ઇસમ ગેરકાયદેસર હથિયારોના જથ્થા સાથે કોઈ મોટી વારદાતને અંજામ આપવા અથવા હથિયારની ડીલ કરવા માટે ઊભો છે. બાતમીના આધારે એસઓજીની ટીમે તુરંત જ આટકોટ વિસ્તારમાં દરોડો પાડીને શંકાસ્પદ હાલતમાં ફરતા મહેશ ઉર્ફે મહાવીર નામના શખ્સને કોર્ડન કરીને ઝડપી લીધો હતો.</p><h2><b>બે પિસ્તોલ અને કારતૂસ જપ્ત</b></h2><p>પોલીસે જ્યારે ઝડપાયેલા આરોપી મહેશ ઉર્ફે મહાવીરની અંગઝડતી અને તલાશી લીધી ત્યારે તેની પાસેથી ગેરકાયદેસર રાખેલી ૨ નંગ લોડેડ દેશી પિસ્તોલ અને જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે હથિયાર અને કારતૂસનો આ મુદ્દામાલ જપ્ત કરીને આરોપીની કડક પૂછપરછ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલો આરોપી મહેશ અગાઉ પણ અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે અને તે વિસ્તારમાં પોતાની ધાક જમાવવા અથવા કોઈ ગુનાને અંજામ આપવા આ હથિયારો લાવ્યો હતો.</p><h3><b>સપ્લાયર્સ ફરાર, પોલીસ કમિશનરની સૂચનાથી તપાસ તેજ</b></h3><p>આરોપીની વધુ પૂછપરછ દરમિયાન આ કેસમાં આંતરરાજ્ય હથિયાર તસ્કરીનું નેટવર્ક બહાર આવ્યું છે. મહેશ ઉર્ફે મહાવીરને આ હથિયારો સપ્લાય કરનાર મુખ્ય સૂત્રધાર મધ્યપ્રદેશ (MP) નો વતની છે, જેણે સ્થાનિક કનેક્શનની મદદથી આ પિસ્તોલ ગુજરાતમાં મોકલી હતી. જોકે, પોલીસ દરોડાની ગંધ આવી જતાં હથિયાર ડિલિવર કરનાર સ્થાનિક સાગરીત અને એમપીનો સપ્લાયર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. આટકોટ પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને ફરાર થયેલા બંને સપ્લાયર્સને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને મધ્યપ્રદેશ અને સ્થાનિક સ્તરે ચક્રો ગતિમાન કર્યા છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/vadodara/manjalpur-assembly-by-election-bjp-satish-patel-and-congress-bhikhabhai-rabari-to-file-nomination-today" target="_blank">આ પણ વાંચો: Vadodara: માંજલપુર પેટાચૂંટણીમાં આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના સતીષ પટેલ અને કોંગ્રેસના ભીખાભાઈ રબારી ફોર્મ ભરશે</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/13/lbmUwl4W8xVqpAAtKOIsudz8FUwA23Hx8yThdkgK.webp'/></item></channel></rss>