<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Khedaના ગળતેશ્વરમાં મુસાફરો અને સ્થાનિક વેપારીઓ વચ્ચે ઉગ્ર મારામારી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/kheda/fierce-fight-between-passengers-and-local-traders-in-galteshwar-kheda</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/kheda/fierce-fight-between-passengers-and-local-traders-in-galteshwar-kheda</guid><pubDate>Tue, 09 Jun 2026 19:41:12 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ અને પવિત્ર યાત્રાધામ ગળતેશ્વર ખાતેથી એક અત્યંત ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. મહીસાગર અને ગળતી નદીના ત્રિવેણી સંગમ તટે આવેલા આ પવિત્ર સ્થળે દર્શનાર્થે અને નાહવા માટે આવેલા મુસાફરો અને નદી કિનારે ધંધો કરતા સ્થાનિક વેપારીઓ વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી બાદ સામસામે ધીંગાણું સર્જાયું હતું. બંને પક્ષો વચ્ચે થયેલી આ લોહિયાળ ઝપાઝપી અને મારામારીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જોકે, આ વાયરલ વીડિયોની 'સંદેશ' સત્તાવાર પુષ્ટિ કરતું નથી.</p><h2 style="text-align: justify; ">ઉમટેલી મેદની વચ્ચે ગેરકાયદે વેપારીઓની દાદાગીરી</h2><p style="text-align: justify; ">હાલમાં ચાલી રહેલા પવિત્ર અક્ષર પુરુષોત્તમ માસના કારણે ગળતેશ્વર મહાદેવના દર્શન કરવા અને સંગમ નદીમાં પવિત્ર સ્નાન કરવા માટે ઐતિહાસિક કહી શકાય તેટલું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. આ ભીડનો લાભ ઉઠાવીને નદીના પટમાં ગેરકાયદેસર રીતે ઝુંપડા અને કેબિનો તાણી બાંધીને વ્યવસાય કરતા કેટલાક અસામાજિક તત્વો જેવા વેપારીઓએ સામાન્ય બાબતમાં યાત્રીઓ સાથે બબાલ શરૂ કરી દીધી હતી. જોતજોતામાં વિવાદ એટલો વધી ગયો કે લાકડીઓ અને હાથઉછીના હથિયારો વડે મુસાફરો પર હુમલો કરવામાં આવ્યો હતો, જેનાથી પવિત્ર યાત્રાધામની ગરિમા ખરડાઈ છે.</p><h3 style="text-align: justify; ">તીર્થધામોમાં સુરક્ષા વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલો</h3><p style="text-align: justify; ">ભક્તિમય માહોલ વચ્ચે સર્જાયેલી આ હિંસક ઘટનાને પગલે ત્યાં હાજર અન્ય શ્રદ્ધાળુઓમાં ભારે નાસભાગ અને ભયનો માહોલ વ્યાપી ગયો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, નદી કિનારે ગેરકાયદે દબાણો કરીને બેઠેલા આ વેપારીઓ અવારનવાર યાત્રીઓ સાથે લૂંટફાટ અને ઉદ્ધત વર્તન કરતા હોય છે. આ ચકચારી ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ, પ્રશાસન દ્વારા આવા ગેરકાયદેસર તત્વો સામે તાત્કાલિક કડક બુલડોઝર કાર્યવાહી કરવામાં આવે અને પવિત્ર સ્થળોએ આવતા પ્રવાસીઓની સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/EiXQvC7cEsLaVk6Sslzxr6CrXoEAYNpx4jdtEfbh.webp'/></item><item><title><![CDATA[Ahmedabad ગ્રામ્ય LCBનો સપાટો: નળસરોવરના વાસણ ગામે સ્મશાન નજીકથી ઝડપાઈ દેશી દારૂની ભઠ્ઠી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-rural-lcb-raid-country-liquor-factory-seized-near-crematorium-in-vasan-village-of-nalsarovar</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-rural-lcb-raid-country-liquor-factory-seized-near-crematorium-in-vasan-village-of-nalsarovar</guid><pubDate>Tue, 09 Jun 2026 18:56:50 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચએ પ્રોહિબિશનના કાયદાના કડક અમલીકરણ અંતર્ગત એક બહુ મોટી કાર્યવાહી કરીને સફળ દરોડો પાડ્યો છે. અમદાવાદના સુપ્રસિદ્ધ નળસરોવર વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. આ વ્યાપક નશાના કારોબારને નાબૂદ કરવા માટે એલસીબીની ટીમે વાસણ ગામના તળાવ કાંઠે આવેલા સ્મશાન ગૃહની નજીક ઓચિંતો દરોડો પાડીને દેશી દારૂ બનાવવાની ધમધમતી ભઠ્ઠી ઝડપી પાડી છે.</p><h2 style="text-align: justify; ">હજારો લીટર દારૂનો વોશ અને લાખોનો મુદ્દામાલ જપ્ત</h2><p style="text-align: justify; ">પોલીસના આ સફળ ઓપરેશન દરમિયાન ઘટનાસ્થળેથી અંદાજે 4,650 લીટર જેટલો દેશી દારૂ બનાવવાનો કાચો માલ એટલે કે 'વોશ' ઝડપાયો હતો, જેને પોલીસે સ્થળ પર જ નષ્ટ કર્યો હતો. આ ઉપરાંત, વેચાણ માટે સંપૂર્ણ રીતે તૈયાર રાખવામાં આવેલો 105 લીટર દેશી દારૂ પણ પોલીસે કબ્જે કર્યો છે. એલસીબીની ટીમે દારૂ ગાળવાના સાધનો, વાસણો અને અન્ય સામગ્રી સહિત કુલ રૂપિયા 1,37,000 (1.37 લાખ) નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.</p><h3 style="text-align: justify; ">દારૂના કારોબારમાં ત્રણ મહિલાઓ વોન્ટેડ</h3><p style="text-align: justify; ">આ સમગ્ર ગેરકાયદેસર દેશી દારૂની ભઠ્ઠી ચલાવવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ નેટવર્ક મહિલાઓ દ્વારા ઓપરેટ કરવામાં આવી રહ્યું હતું. પોલીસ દરોડા દરમિયાન આ કેસના મુખ્ય ત્રણ મહિલા આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, જેમને પોલીસે ચોપડે વોન્ટેડ જાહેર કર્યા છે. ફરાર થઈ ગયેલી મહિલાઓમાં સવિતાબેન ઠાકોર, શકરીબેન ઠાકોર અને નાનીબેન ઠાકોરનો સમાવેશ થાય છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે આ ત્રણેય મહિલા આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/ksI62cDILAMuKYSebYhqlEImwihDHKRgcGh2mS0G.webp'/></item><item><title><![CDATA[Fertility Rate: ભારતનો પ્રજનન દર 54 વર્ષમાં 5.2થી ઘટીને 1.9 થયો, જાણો શું કહે છે બિહાર અને દિલ્હીના આંકડા? ]]></title><link>https://sandesh.com/india/news/health-fitness/fertility-rate-indias-fertility-rate-has-decreased-from-52-to-19-in-54-years-know-what-the-statistics-of-bihar-and-delhi-say</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/health-fitness/fertility-rate-indias-fertility-rate-has-decreased-from-52-to-19-in-54-years-know-what-the-statistics-of-bihar-and-delhi-say</guid><pubDate>Tue, 09 Jun 2026 18:49:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">2024માં પ્રકાશિત થયેલા નવીનતમ નમૂના નોંધણી પ્રણાલી અહેવાલ આ ચર્ચાને એક નવા સ્તરે લઈ ગયુ છે. 
</p><h2 style="text-align: justify; ">કુટુંબ નિયોજન અભિયાન
</h2><p style="text-align: justify; ">1971માં, ભારતનો કુલ પ્રજનન દર 5.2 હતો. આનો અર્થ એ થયો કે સરેરાશ, એક ભારતીય મહિલાએ તેના જીવનકાળમાં પાંચથી વધુ બાળકોને જન્મ આપ્યો હતો. આજે, આ સંખ્યા ઘટીને 1.9 થઈ છે. પાંચ દાયકામાં આ ઘટાડો ભારતના વસ્તી વિષયક ઇતિહાસની સૌથી મોટી ઘટનાઓમાંની એક છે. SRS અહેવાલ ઘણા વિવિધ પાસાઓ પર માહિતી પ્રદાન કરે છે. આ ફેરફાર અચાનક આવ્યો નથી. 1967માં શરૂ કરાયેલા કુટુંબ નિયોજન અભિયાન અને ત્યારબાદ "બે બાળકો પૂરતા છે" સંદેશના લોકપ્રિયતાએ નાના પરિવારોની વિભાવનાને પ્રોત્સાહન આપ્યું છએ. 
</p><h3 style="text-align: justify; ">શું છે TFR, 2.1નો આંકડો શા માટે મહત્વનો ?
</h3><p style="text-align: justify; ">કુલ પ્રજનન દર એટલે કે, TFR દર્શાવે છે કે, જો વર્તમાન વય-વિશિષ્ટ જન્મ દર યથાવત રહે તો સ્ત્રી તેના પ્રજનન જીવનકાળ એટલ કે 15થી 49 વર્ષ દરમિયાન સરેરાશ કેટલા બાળકો પેદા કરશે. વસ્તી વિષયક દ્રષ્ટિએ, 2.1ના TFRને "રિપ્લેસમેન્ટ લેવલ" કહેવામાં આવે છે. આનો અર્થ એ છે કે, સરેરાશ, દરેક સ્ત્રીને વર્તમાન પેઢીને બદલવા માટે પૂરતા બાળકો હોવા જોઈએ. જો કોઈ દેશનો TFR લાંબા સમય સુધી 2.1 થી નીચે રહે છે. તો વસ્તી વૃદ્ધિ ધીમે ધીમે ધીમી પડે છે, અને ભવિષ્યમાં વસ્તી સ્થિર થવા અથવા ઘટવા લાગે છે.
</p><h4 style="text-align: justify; ">રાષ્ટ્રીય પ્રજનન દરમાં સતત ઘટાડો
</h4><p style="text-align: justify; ">ભારતનો TFR હવે 1.9 છે, જેનો અર્થ છે કે દેશ રાષ્ટ્રીય રિપ્લેસમેન્ટ સ્તરથી નીચે પહોંચ્યો છે. આ પરિસ્થિતિ અગાઉ યુરોપ, જાપાન, દક્ષિણ કોરિયા અને ચીન જેવા દેશોમાં જોવા મળી છે. જો કે, ભારતની પરિસ્થિતિઓ અલગ છે. તાજેતરના ડેટા દર્શાવે છે કે, પ્રજનન દરમાં ઘટાડો તાજેતરની ઘટના નથી કે એકલ વલણ નથી. છેલ્લા દાયકામાં રાષ્ટ્રીય પ્રજનન દરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તે 2012-14 દરમિયાન 2.3 થી ઘટીને 2022-24 દરમિયાન 1.9 થયું છે. જે લગભગ 17.4 ટકાનો ઘટાડો દર્શાવે છે.
</p><h5 style="text-align: justify; ">ભારતનો પ્રજનન દર ઘટ્યો
</h5><p style="text-align: justify; "><b>1971થી2024: એક મોટો ફેરફાર
</b></p><p style="text-align: justify; ">છેલ્લા પાંચ દાયકામાં ભારતના વસ્તી વિષયક સૂચકાંકોમાં નોંધપાત્ર સુધારો થયો છે.
</p><p style="text-align: justify; ">-જન્મ દર 36.9 થી ઘટીને 18.3 પ્રતિ હજાર થયો છે.
</p><p style="text-align: justify; ">-મૃત્યુ દર 14.9 થી ઘટીને 6.4 પ્રતિ હજાર થયો છે.
</p><p style="text-align: justify; ">-શિશુ મૃત્યુ દર 129 થી ઘટીને 24  પ્રતિ હજાર થયો છે.
</p><p style="text-align: justify; ">-કુલ પ્રજનન દર 5.2 થી ઘટીને 1.9 થયો છે.
</p><h5 style="text-align: justify; ">બિહાર ટોચ પર, દિલ્હી સૌથી નીચેના સ્તેરે 
</h5><p style="text-align: justify; ">જનન દર માટે રાષ્ટ્રીય સરેરાશ1.9 છે, પરંતુ રાજ્યો વચ્ચે નોંધપાત્ર તફાવત ચાલુ રહે છે. બિહારમાં સૌથી વધુ પ્રજનન દર છે, જ્યારે રાજધાની, દિલ્હી, તળિયે રહે છે. બિહાર દેશનું એકમાત્ર મુખ્ય રાજ્ય છે જ્યાં TFR 2.9 છે, જેનો અર્થ છે કે પ્રજનન દર ઘણો ઊંચો રહે છે. આ રાષ્ટ્રીય સરેરાશ કરતા આશરે 53 ટકા વધારે છે. દિલ્હીમાં દેશમાં સૌથી ઓછો પ્રજનન દર છે. અહીં એક મહિલા સરેરાશ 1.2 બાળકોને જન્મ આપે છે.
</p><h2 style="text-align: justify; ">કયા રાજ્યોમાં સૌથી ઓછો પ્રજનન દર ?
</h2><p style="text-align: justify; ">અહેવાલ મુજબ, ઘણા રાજ્યો રિપ્લેસમેન્ટ સ્તરથી ઘણા નીચે આવ્યા છે. 
</p><p style="text-align: justify; ">દિલ્હી - 1.2
</p><p style="text-align: justify; ">કેરળ - 1.3
</p><p style="text-align: justify; ">તમિલનાડુ - 1.3
</p><p style="text-align: justify; ">મહારાષ્ટ્ર - 1.4
</p><p style="text-align: justify; ">આંધ્રપ્રદેશ - 1.4
</p><p style="text-align: justify; ">જમ્મુ અને કાશ્મીર - 1.4
</p><p style="text-align: justify; ">પંજાબ - 1.4
</p><p style="text-align: justify; ">કર્ણાટક - 1.5
</p><p style="text-align: justify; ">તેલંગાણા - 1.5
</p><p style="text-align: justify; ">હિમાચલપ્રદેશ - 1.5
</p><p style="text-align: justify; ">ભારતમાં પ્રજનન દરમાં સૌથી મોટો તફાવત ગ્રામીણ અને શહેરી વિસ્તારો વચ્ચે જોવા મળે છે.
</p><p style="text-align: justify; ">ગ્રામીણ ભારત માટે TFR - 2.1
</p><p style="text-align: justify; ">શહેરી ભારત માટે TFR - 1.5
</p><h3 style="text-align: justify; ">શું ભારતની વસ્તી નિયંત્રણમાં રહેશે ?
</h3><p style="text-align: justify; ">આ પ્રશ્નનો જવાબ 'તાત્કાલિક નહીં' છે. જોકે TFR 2.1થી નીચે આવ્યો છે. ભારતની વસ્તી ઘણા દાયકાઓ સુધી વધતી રહેશે. આ 'વસ્તી ગતિ'ને કારણે છે. ભારતમાં હજુ પણ પ્રજનન વય જૂથમાં પ્રવેશતા યુવાનોની સંખ્યા મોટી છે. તેથી, નીચા પ્રજનન દર હોવા છતાં, જન્મની કુલ સંખ્યા થોડા સમય માટે ઊંચી રહી શકે છે. જોકે, લાંબા ગાળે વસ્તી વૃદ્ધિ નોંધપાત્ર રીતે ધીમી રહેવાની ધારણા છે.
</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/entertainment/news/india/salman-khan-salman-khan-got-emotional-at-the-final-farewell-of-his-friend-the-entire-family-was-seen-together-in-the-hour-of-grief" target="_blank">મિત્રની અંતિમ વિદાયમાં ભાવુક થયા સલમાન ખાન, દુઃખની ઘડીમાં સમગ્ર પરિવાર જોવા મળ્યો એકસાથે</a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/TaWIXuYOJQvV3MniiEW9CCSVo791r7LEE7O6OjNI.webp'/></item><item><title><![CDATA[Auto Sectorમાં મોટો બદલાવ: આવી ગઈ નેક્સ્ટ જનરેશન પ્લગ-ઇન હાઇબ્રિડ ટેકનોલોજી ]]></title><link>https://sandesh.com/business/news/automobile/big-change-in-the-auto-sector-next-generation-plug-in-hybrid-technology-has-arrived</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/big-change-in-the-auto-sector-next-generation-plug-in-hybrid-technology-has-arrived</guid><pubDate>Tue, 09 Jun 2026 18:45:16 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતમાં અત્યાર સુધી માત્ર પ્રીમિયમ ઇલેક્ટ્રિક કાર વેચવા માટે જાણીતી ચીની ઓટોમોબાઈલ કંપની BYD (Build Your Dreams) હવે ભારતીય બજારમાં એક મોટો વ્યૂહાત્મક ફેરફાર કરવા જઈ રહી છે. કંપની દેશમાં પહેલીવાર તેની વૈશ્વિક સ્તરે સફળ 'DM-i Plug-in Hybrid' ટેકનોલોજી રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આ આધુનિક ટેકનોલોજીની શરૂઆત કંપનીની નવી 'Seal U SUV' સાથે થશે, જેને ટૂંક સમયમાં જ ભારતીય રોડ પર લોન્ચ કરવામાં આવશે.</p><h2>ઇલેક્ટ્રિક અને પેટ્રોલ એન્જિનનો અનોખો સંગમ</h2><p>આ નવી પ્લગ-ઇન હાઇબ્રિડ ટેકનોલોજીની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ગ્રાહકોને ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) અને પરંપરાગત પેટ્રોલ કાર બંનેનો આનંદ એકસાથે આપશે. આ કારની મદદથી વાહનચાલકો ઓફિસ જવા કે શાકભાજી લેવા જેવા રોજિંદા નાના અંતરના કામો માત્ર બેટરી પાવર (EV મોડ) પર પૂરા કરી શકશે. જ્યારે લાંબી મુસાફરી અથવા હાઈવે પર જવા માટે કારનું પેટ્રોલ એન્જિન બેકઅપ તરીકે આપોઆપ ચાલુ થઈ જશે, જેથી ચાર્જિંગ સ્ટેશન શોધવાની ચિંતા રહેશે નહીં.</p><h3>200 કિમીની ઇલેક્ટ્રિક રેન્જ અને દમદાર માઇલેજ</h3><p>BYDની આ DM-i સિસ્ટમમાં 18.3 kWh નો પાવરફુલ બેટરી પેક, બે ઇલેક્ટ્રિક મોટર અને 1.5 લીટરનું ટર્બો પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. જો તમે કારને માત્ર ચાર્જ કરીને ચલાવો, તો તે અંદાજે 200 કિમી સુધી દોડી શકે છે. બેટરી અને ફૂલ પેટ્રોલ ટેન્ક બંને મળીને આ કાર સળંગ 1200 કિમી સુધીનું લાંબુ અંતર કાપી શકે છે. આ કારમાં પેટ્રોલ એન્જિન મુખ્યત્વે 'રેન્જ એક્સ્ટેન્ડર' એટલે કે બેટરીને ચાર્જ કરવાનું કામ કરે છે. કંપનીના જણાવ્યા અનુસાર આ કાર દર 100 કિમીના અંતરે માત્ર 4.8 લીટર પેટ્રોલ વાપરે છે, જે તેની શ્રેષ્ઠ ઇંધણ ક્ષમતા દર્શાવે છે.</p><h4>સ્માર્ટ ડ્રાઇવિંગ મોડ્સ અને આકર્ષક ડિઝાઇન</h4><p>નવી Seal U SUVમાં ડ્રાઇવર પોતાની જરૂરિયાત મુજબ અલગ-અલગ મોડ્સ પસંદ કરી શકશે. આ કાર પરિસ્થિતિ અનુસાર EV મોડ, સિરીઝ હાઇબ્રિડ મોડ અને પેરેલલ હાઇબ્રિડ મોડ વચ્ચે સરળતાથી સ્વિચ થઈ શકે છે. દેખાવની વાત કરીએ તો, આ SUVનો લુક કંપનીની પ્રખ્યાત Sealion SUV જેવો જ પ્રીમિયમ રાખવામાં આવ્યો છે. તેની અંદર હાઈ-ટેક ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વૈભવી સીટો અને અનેક સુરક્ષા ફીચર્સ જોવા મળશે.</p><h5>ચાર્જિંગની ચિંતા કરતા ગ્રાહકો માટે બેસ્ટ ઓપ્શન</h5><p>ભારતમાં હાલમાં ઇલેક્ટ્રિક વાહનો વધી રહ્યા છે, પરંતુ હજુ પણ ઘણા ગ્રાહકો ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે પ્યોર EV ખરીદતા ડરે છે. આવા ગ્રાહકો માટે BYDની આ નવી કાર એક વરદાન સમાન સાબિત થશે. આગામી સમયમાં અન્ય કંપનીઓ પણ ભારતમાં પ્લગ-ઇન હાઇબ્રિડ મોડલ લાવવાની તૈયારીમાં છે. પરિણામે, ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં ગ્રાહકોને પર્યાવરણને અનુકૂળ અને લાંબી રેન્જ આપતું એક વ્યવહારુ નવું ઓપ્શન મળશે.</p><p><a href="https://sandesh.com/automobile" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/eXM6fOcBKQfprFVzSTQESTPc8gzAckfiqZ2MlLk0.webp'/></item><item><title><![CDATA[MP Rajya Sabha Election :3 બેઠક માટે 18 જૂને મતદાન,ધારાસભ્યોને બચાવવા કોંગ્રેસે કેમ મોકલ્યા કર્ણાટક? ]]></title><link>https://sandesh.com/india/news/mp-rajya-sabha-election-voting-for-3-seats-on-june-18-why-did-congress-send-mlas-to-karnataka-to-save-them</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/mp-rajya-sabha-election-voting-for-3-seats-on-june-18-why-did-congress-send-mlas-to-karnataka-to-save-them</guid><pubDate>Tue, 09 Jun 2026 18:32:51 +05:30</pubDate><description><![CDATA[<p>મધ્ય પ્રદેશમાં રાજ્યસભાની ત્રણ બેઠકો માટે 18 જૂનના રોજ યોજાનારી ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે.ભાજપ દ્વારા છેલ્લી ઘડીએ ત્રીજો ઉમેદવાર ઉતારવામાં આવતા કોંગ્રેસ છાવણીમાં ફફડાટ ફેલાયો છે.ક્રોસ વોટિંગ ટાળવા અને પોતાના ધારાસભ્યોને એકજૂથ રાખવાના હેતુથી કોંગ્રેસે તમામ ધારાસભ્યોને ભોપાલથી કર્ણાટક મોકલી દીધા છે.
</p><h3><b>કોંગ્રેસના ધારાસભ્યે શું કહ્યું 
</b></h3><p>કોંગ્રેસના ધારાસભ્ય વિજય રેવાનાથ ચૌરેએ જણાવ્યું હતું કે ભાજપ દ્વારા ધારાસભ્યોના ખરીદ-વેચાણના પ્રયાસો થઈ રહ્યા હોવાથી હાઈકમાન્ડે આ નિર્ણય લીધો છે.નેતા વિપક્ષ ઉમંગ સિંઘારના નિવાસે મળેલી બેઠક બાદ ધારાસભ્યોને બેંગલુરુ રવાના કરાયા હતા.આ બેઠકમાં વરિષ્ઠ નેતા કમલનાથ પણ ઓનલાઇન જોડાયા હતા.
</p><h5><b>બે બેઠકો પર ભાજપ મજબૂત,ત્રીજી બેઠક પર પેચ ફસાયો
</b></h5><p>મધ્ય પ્રદેશ વિધાનસભાના આંકડાકીય સમીકરણો મુજબ 3 માંથી 2 બેઠકો પર ભાજપની જીત નક્કી માનવામાં આવે છે.ભાજપે રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુઘ અને રાજ્ય સચિવ રજનીશ અગ્રવાલને મેદાનમાં ઉતાર્યા છે.જ્યારે ત્રીજી બેઠક માટે ભાજપે મધ્ય પ્રદેશ મત્સ્યઉદ્યોગ કલ્યાણ બોર્ડના અધ્યક્ષ મહેશ કેવટ પર દાવ ખેલ્યો છે.બીજી તરફ કોંગ્રેસે પૂર્વ સાંસદ મીનાક્ષી નટરાજનને પોતાના ઉમેદવાર બનાવ્યા છે,જેથી ત્રીજી બેઠક માટે મુકાબલો રસપ્રદ બન્યો છે.
</p><h5><b>શું છે રાજ્યસભાની જીતનું ગણિત?
</b></h5><p>230 સભ્યોની મધ્ય પ્રદેશ વિધાનસભામાં હાલ 229 ધારાસભ્યો છે.જેમાંથી ભાજપ પાસે 164 અને કોંગ્રેસ પાસે 64 ધારાસભ્યો છે.જ્યારે એક બેઠક ભારત આદિવાસી પાર્ટી પાસે છે.કોંગ્રેસના રાજેન્દ્ર ભારતીનું સભ્ય રદ્દ થયું છે  અને મુકેશ મલ્હોત્રાના વોટિંગ પર હાઈકોર્ટે રોક લગાવી છે.</p><p>
</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/india/news/monsoon-2026-monsoon-reaches-sikkim-and-north-bengal-heavy-rain-alert-in-these-4-states" target="_blank">Monsoon 2026: સિક્કિમ અને નોર્થ બંગાળ પહોંચ્યુ ચોમાસુ, આ 4 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ</a>
</p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/yd6e4egheT55Wh9ObhsY7EMwFTrefyNkNuzhCjtJ.webp'/></item><item><title><![CDATA[Gujarat News: ચૂંટણી પૂરી થઈ ગઈ પણ ભાજપ અને કોંગ્રેસના સંગઠનમાં નિમણૂકો હજી બાકી છે ]]></title><link>https://sandesh.com/gujarat/news/-political-news/ahmedabad/bjp-and-congress-yet-to-complete-key-organizational-appointments-after-local-elections</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/-political-news/ahmedabad/bjp-and-congress-yet-to-complete-key-organizational-appointments-after-local-elections</guid><pubDate>Tue, 09 Jun 2026 18:21:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે. લગભગ મોટાભાગની સંસ્થાઓમાં ભાજપનું શાસન છે. ત્યારે રાજ્યના મુખ્ય બે રાજકીય પક્ષોમાં સંગઠનની કામગીરી હજી અધૂરી છે. ભાજપમાં મહિલા મોરચા સહિત અનેક સેલમાં નિમણૂકો બાકી છે. જ્યારે કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ સિવાય લગભગ તમામ પ્રકારની નિમણૂંકો હજુ અટવાયેલી છે. બંને પક્ષો ટૂંક સમયમાં સંગઠનની કામગીરી પૂર્ણ કરવાની વાતો કરે છે.એક પક્ષ કહે છે કે ચર્ચા ચાલી રહી છે, બીજો પક્ષ કહે છે કે પ્રક્રિયા ચાલી રહી છે. પરંતુ કાર્યકરોને તો બસ એક જ રાહ છે નિમણૂક ક્યારે આવશે?</p><h2 style="text-align: justify; "><b>ચહેરાઓ નક્કી કરવામાં હજુ મંથન ચાલી રહ્યું છે</b></h2><p style="text-align: justify; ">ગુજરાતના રાજકારણમાં ભાજપ અને કોંગ્રેસ બંને એકબીજાને સંગઠનને લઈને સલાહો આપે છે. પરંતુ હાલમાં સ્થિતિ એવી છે કે બંને પક્ષો પોતાનું જ સંગઠન પૂર્ણ કરવામાં વ્યસ્ત થયા છે. ભાજપમાં પ્રદેશ પ્રમુખ અને તેમની ટીમ જાહેર થઈ ચૂકી છે. મોરચાના પ્રમુખોની નિમણૂક પણ થઈ ગઈ છે, પરંતુ મહિલા મોરચા સહિત અનેક સેલ, પ્રકોષ્ઠ અને ડિપાર્ટમેન્ટમાં હજુ હોદ્દેદારોની નિમણૂક બાકી છે. ભાજપનું કહેવું છે કે પાર્ટીમાં દરેક નિર્ણય ચર્ચા-વિચારણા અને સર્વાનુમતે લેવાય છે. રાજકીય ભાષામાં કહીએ તો ખુરશીઓ ઘણી છે પરંતુ તેના માટેના ચહેરાઓ નક્કી કરવામાં હજુ મંથન ચાલી રહ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કારણે નિમણૂકો અટકી હતી</b></h3><p style="text-align: justify; ">ભાજપના મુખ્ય પ્રવક્તા અનિલ પટેલે કહ્યું હતું કે, હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કારણે નિમણૂકો અટકી હતી અને હવે ભાજપના નેતૃત્વની ચર્ચાઓ બાદ તેની તબક્કાવાર કામગીરી કરવામાં આવશે. સંગઠન હવે વધુ વિસ્તર્યું છે અને અનેક પ્રકોષ્ઠો વ્યવસાયિક તથા પ્રોફેશનલ ક્ષેત્ર સાથે જોડાયેલા હોવાથી યોગ્ય વ્યક્તિની પસંદગી માટે સમય લાગી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસની સ્થિતિ પણ કંઈ બહુ અલગ નથી. કોંગ્રેસે સંગઠન સૃજન અભિયાન હેઠળ જિલ્લા, તાલુકા અને શહેરની બોડીઓ જાહેર કરી દીધી છે. પરંતુ પ્રદેશ સ્તરે હજુ અનેક નિમણૂકો બાકી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>જિલ્લા અને તાલુકામાં તબક્કા વાર સંગઠનની નિમણૂકો</b></h2><p style="text-align: justify; ">કોંગ્રેસનું કહેવું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કારણે પ્રક્રિયામાં વિલંબ થયો હતો અને હવે પ્રભારી સાથે ચર્ચા શરૂ થઈ ગઈ છે. ટૂંક સમયમાં બાકી રહેલી નિમણૂકો પૂર્ણ કરવામાં આવશે. કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ કહ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસનો સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ થયો છે. જિલ્લા અને તાલુકામાં તબક્કા વાર સંગઠનની નિમણૂકો થઈ રહી છે. જ્યાં નિમણૂકો બાકી છે ત્યાં પણ તબક્કાવાર કરવામાં આવી રહી છે.&nbsp;<br><br><a href="https://sandesh.com/india/news/plastic-currency-india-will-plastic-notes-come-now-which-will-not-burst-or-deteriorate-in-water" target="_blank">આ પણ વાંચોઃ Plastic Currency India:હવે આવશે પ્લાસ્ટિકની નોટો? જે ના ફાટશે, ના પાણીમાં બગડશે</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/hKG5OHzE3ulNbgT2BvrvYQyXIThsdKv0PevIBneW.webp'/></item><item><title><![CDATA[વાંચો બપોરે 03થી સાંજે 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/read-important-news-from-03-pm-to-06-pm-09-june-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/read-important-news-from-03-pm-to-06-pm-09-june-2026</guid><pubDate>Tue, 09 Jun 2026 18:00:56 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર</b></p><p><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/rajkot/rajkot-delhi-koli-samaj-sammelan-controversy-kunvarji-bavaliya-pravin-koli-2026" target="_blank"><b>1. Rajkot : દિલ્હીમાં કોળી સમાજના બે અલગ સંમેલનો યોજાતા મોટો વિવાદ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષે કહ્યું- 'આ સમાજ હિત નહીં, વ્યક્તિગત સ્વાર્થ છે!'</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/gandhinagar/gandhinagar-gujarat-govt-job-recruitment-caste-certificate-scam-yuvrajsinh-jadeja-exposes-brothers-fraud-2026" target="_blank"><b>2. Gandhinagar : વધુ એક ભરતી કૌભાંડનો પર્દાફાશ, સગા બે ભાઈઓએ અલગ-અલગ જ્ઞાતિના સર્ટિફિકેટ કાઢી મેળવી સરકારી નોકરી</b></a></p><p><a href="https://sandesh.com/entertainment/news/kangana-ranaut-kangana-accuses-bollywood-mafia-they-wanted-to-put-me-in-jail" target="_blank"><b>3. Kangana Ranaut:બોલિવૂડ માફિયાઓ પર કંગનાનો આરોપ, મને જેલમાં ધકેલવા માંગતા હતા</b></a></p><p><a href="https://sandesh.com/sports/news/prize-money-cricket-world-cup-or-fifa-world-cup-which-tournament-offers-the-most-prize-money" target="_blank"><b>4. Prize Money : ક્રિકેટ વર્લ્ડ કપ કે ફીફા વર્લ્ડ કપ, કયા ટૂર્નામેન્ટમાં મળે છે સૌથી વધુ પ્રાઇઝ મની?</b></a></p><p><a href="https://sandesh.com/world/news/business/russia-india-china-alliance-russia-and-china-together-with-india-will-challenge-the-us-dollar" target="_blank"><b>5. Russia India China Alliance: ભારત સાથે મળીને રશિયા અને ચીન અમેરિકી ડોલરને આપશે ટક્કર!</b></a></p><p><a href="https://sandesh.com/india/news/plastic-currency-india-will-plastic-notes-come-now-which-will-not-burst-or-deteriorate-in-water" target="_blank"><b>6. Plastic Currency India:હવે આવશે પ્લાસ્ટિકની નોટો? જે ના ફાટશે, ના પાણીમાં બગડશે</b></a></p><p><a href="https://sandesh.com/sports/news/entertainment/fifa-2026-nora-fatehis-song-siir-siir-created-a-stir-on-the-internet-as-soon-as-it-was-released" target="_blank"><b>7. FIFA 2026: નોરા ફતેહીના ગીત ‘Siir Siir’એ રિલીઝ થતાની સાથે જ ઇન્ટરનેટ પર મચાવી ધમાલ</b></a></p><p><a href="https://sandesh.com/world/news/what-is-putin-afraid-of-after-the-assassination-of-ayatollah-ali-khamenei-why-were-security-cameras-turned-off-know" target="_blank"><b>8. Ayatollah Ali Khameneiની હત્યા બાદ Putinને શેનો ડર, સુરક્ષા કેમેરા કેમ કરાયા બંધ?,જાણો</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/rajkot/villagers-allege-balaji-wafers-factory-pollution-damaging-farms-" target="_blank"><b>9. Rajkot News: બાલાજી વેફર્સ ફેક્ટરીના ગંદા પાણીથી પશુપાલન સાથે ખેતીને ભયંકર નુકસાન</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/surat/probe-ordered-in-ghost-demolition-case--action-against-guilty-officials-assured-by-deputy-mayor" target="_blank"><b>10. Surat News: ભૂતિયા ડિમોલિશન મામલે તપાસ થશે, કસૂરવાર અધિકારી સામે પગલાં લેવાશેઃ ડેપ્યુટી મેયર</b></a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/05/30/ci0PwfUyHcao4H4ziwpdhMLnO6QMfKyI3jwCPvfh.webp'/></item><item><title><![CDATA[Kangana Ranaut:બોલિવૂડ માફિયાઓ પર કંગનાનો આરોપ, મને જેલમાં ધકેલવા માંગતા હતા ]]></title><link>https://sandesh.com/entertainment/news/kangana-ranaut-kangana-accuses-bollywood-mafia-they-wanted-to-put-me-in-jail</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/kangana-ranaut-kangana-accuses-bollywood-mafia-they-wanted-to-put-me-in-jail</guid><pubDate>Tue, 09 Jun 2026 17:48:02 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલિવૂડની સૌથી બિન્દાસ અને ‘ધાકડ ક્વીન’ તરીકે ઓળખાતી અભિનેત્રી કંગના રનૌત હંમેશા પોતાના બેબાક અંદાજ માટે ચર્ચામાં રહે છે. કંગના હંમેશા કોઈ પણ ફિલ્ટર વગર પોતાની વાત દુનિયા સામે રાખે છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક મોટા રહસ્યો જાહેર કરતી રહે છે. હવે તેણે ફરી એકવાર પોતાના કરિયરના શરૂઆતના દિવસોને લઈને એક ચોંકાવનારો દાવો કર્યો છે. કંગનાનું કહેવું છે કે કરિયરની શરૂઆતમાં તેણે ભારે આલોચનાઓનો સામનો કરવો પડ્યો હતો, એટલું જ નહીં પણ કેટલાક લોકો તેને જેલ ભેગી કરવા માંગતા હતા.</p><h2 style="text-align: justify; "><b>રણવીર સિંહના વિવાદ પર આપ્યું સમર્થન</b></h2><p style="text-align: justify; ">વાસ્તવમાં, છેલ્લા કેટલાક સમયથી અભિનેતા રણવીર સિંહ ફિલ્મ 'ડોન 3' ને લઈને વિવાદોમાં ઘેરાયેલો છે. 'ડોન 3' માંથી બહાર થવા પર ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ (FWICE) દ્વારા રણવીર સિંહ પર પ્રતિબંધ (બાન) મૂકવાની જાહેરાત કરવામાં આવી હતી. FWICE એ રણવીર વિરુદ્ધ અસહકારનો આદેશ જાહેર કર્યો હતો, જેને પાછળથી પાછો ખેંચી લેવાયો છે.</p><p style="text-align: justify; ">રણવીર સિંહ સામે થયેલી આ કાર્યવાહી પર કંગના રનૌતે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે જણાવ્યું કે, વિવાદો ઘણીવાર સફળતાનો એક એવો ભાગ હોય છે જેનાથી બચી શકાતું નથી. રણવીરને લઈને અત્યારે જે આલોચનાઓ કે તપાસ થઈ રહી છે, તે કોઈ નવી કે અનોખી વાત નથી.</p><h3 style="text-align: justify; "><b>‘તારીખો જ તારીખો પડતી હતી’</b></h3><p style="text-align: justify; ">રણવીર સિંહ સાથે થયેલો આ વિવાદ જોઈને કંગનાને પોતાના કરિયરનો એ મુશ્કેલ સમય યાદ આવી ગયો હતો. તેણે કહ્યું કે, તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફથી મળતા વિરોધ અને આલોચનાઓ સાથે જીવવાનું બહુ પહેલાં જ શીખી લીધું હતું. એક રેડિયો ચેનલ સાથેની વાતચીતમાં કંગનાએ મોટો ખુલાસો કરતા કહ્યું— "હા, બિલકુલ... સૌથી પહેલા મને જ બેન કરવામાં આવી હતી. લોકોએ મારા પર મુકદ્દમાઓ ચલાવ્યા, મને કાનૂની રીતે ફસાવવાનો પ્રયત્ન કર્યો અને મને જેલમાં નાખવાની પણ કોશિશ કરી હતી."</p><p style="text-align: justify; ">કંગનાએ વધુમાં ઉમેર્યું કે, "એક સમય એવો હતો જ્યારે મારા પર એટલા બધા કેસ નોંધાયેલા હતા કે મારો વકીલ બસ કોર્ટની તારીખો પર જ ચક્કર કાપી રહ્યો હતો. એવું લાગતું હતું જાણે બસ 'પેશીઓ જ પેશીઓ' થઈ રહી છે. તે સમયે મીડિયાએ પણ મારા પર મોટો પ્રતિબંધ લગાવી દીધો હતો." કંગનાએ હસતા હસતા કહ્યું કે, "હું તો આ બધી બાબતોમાં હવે ગુરુ બની ગઈ છું. મને વર્ષો સુધી આ રીતે બેન કરવામાં આવી છે કે હવે આ બધું મને બાળકોની રમત જેવું લાગે છે અને હું આનાથી ડરતી નથી."</p><h4 style="text-align: justify; "><b>આ દિવસે રિલીઝ થશે કંગનાની આગામી ફિલ્મ</b></h4><p style="text-align: justify; ">વર્કફ્રન્ટની વાત કરીએ તો, કંગના રનૌત આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ 'भारत भाग्य विधाता' (ભારત ભાગ્ય વિધાતા) ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મ 12 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં તે એક એવી જાંબાઝ નર્સની ભૂમિકા ભજવી રહી છે, જેણે 26/11 ના મુંબઈ આતંકી હુમલા દરમિયાન હોસ્પિટલ પર હુમલો થવા છતાં પોતાની જાન જોખમમાં મૂકીને અનેક દર્દીઓના જીવ બચાવ્યા હતા અને બાળકોની ડિલિવરી કરાવી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/india/news/plastic-currency-india-will-plastic-notes-come-now-which-will-not-burst-or-deteriorate-in-water" target="_blank">આ પણ વાંચો:Plastic Currency India: હવે આવશે પ્લાસ્ટિકની નોટો? જે ના ફાટશે, ના પાણીમાં બગડશે</a></p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/OEWEojv2FuYNuGbTSx0QSonb1mZbwZRIpYu26XuN.webp'/></item><item><title><![CDATA[Prize Money : ક્રિકેટ વર્લ્ડ કપ કે ફીફા વર્લ્ડ કપ, કયા ટૂર્નામેન્ટમાં મળે છે સૌથી વધુ પ્રાઇઝ મની? ]]></title><link>https://sandesh.com/sports/news/prize-money-cricket-world-cup-or-fifa-world-cup-which-tournament-offers-the-most-prize-money</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/prize-money-cricket-world-cup-or-fifa-world-cup-which-tournament-offers-the-most-prize-money</guid><pubDate>Tue, 09 Jun 2026 17:27:21 +05:30</pubDate><description><![CDATA[<p>ફિફા વર્લ્ડકપની 23મી આવૃત્તિનું આયોજન યુએસએ,મેક્સિકો અને કેનેડા સંયુક્ત રીતે કરી રહ્યા છે.ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે ત્રણ દેશો એક આવૃત્તિનું આયોજન કરી રહ્યા છે.આ પહેલાં ફક્ત બે દેશોએ એકસાથે તેનું આયોજન કર્યું છે.આ વખતે,ટીમોની સંખ્યા વધારીને 48 કરવામાં આવી છે,જેને ચારના 12 જૂથોમાં વહેંચવામાં આવી છે.આ આવૃત્તિ ઇનામ રકમની દ્રષ્ટિએ પણ ઐતિહાસિક હશે,જેમાં અગાઉની આવૃત્તિની તુલનામાં કુલ ઇનામ રકમમાં 49 ટકાનો વધારો થશે.અહીં અમે ફૂટબોલ વર્લ્ડકપ અને ક્રિકેટ વર્લ્ડ કપની ઇનામ રકમ વચ્ચેનો તફાવત સમજાવીએ છીએ.</p><h4><b>ફિફા વર્લ્ડ કપ 11 જૂનથી પ્રારંભ થશે</b></h4><p>
</p><p>વિશ્વની સૌથી મોટી રમતગમત ઇવેન્ટ,ફિફા વર્લ્ડ કપ 11 જૂનથી શરૂ થાય છે.મહિલા T20 વર્લ્ડ કપ 12 જૂનથી શરૂ થાય છે.મહિલા વર્લ્ડ કપમાં કુલ 12 ટીમો ભાગ લઈ રહી છે.જેમાં ભારત અને પાકિસ્તાન ગ્રુપ 1માં છે.તેમનો મુકાબલો રવિવાર 14 જૂને છે.તેની ઇનામ રકમ સાથે ચાલો તમને જણાવીએ કે ભારતીય મહિલા ટીમને આ વર્ષે ODI વર્લ્ડ કપ જીતવા બદલ ઇનામ રકમ તરીકે કેટલી રકમ મળી.ભારતીય પુરુષ ટીમે આ વર્ષે T20 વર્લ્ડ કપ પણ જીત્યો હતો.જાણો તેમની ઇનામી રકમ કેટલી હતી.</p><h4><b>વુમેન્સ T20 વર્લ્ડ કપ પ્રાઇઝમની કેટલી&nbsp;</b></h4><p>
</p><p>વુમેન્સ T20 વર્લ્ડ કપ 2026 ચેમ્પિયન ટીમ માટે US$2,340,000 ની ઇનામી રકમ જાહેર કરવામાં આવી છે. ભારતીય ચલણમાં, આ આશરે ₹22 કરોડ થાય છે. ભારતીય મહિલા ટીમને ODI વર્લ્ડ કપ 2026 જીતવા બદલ ₹4.48 મિલિયન મળ્યા હતા, જે ભારતીય ચલણમાં આશરે ₹39 કરોડ થાય છે.</p><p>
</p><h5><b>ટીમને T20 વર્લ્ડ કપ જીતવા કેટલા પૈસા મળે છે</b></h5><p>સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમે પુરુષોનો T20 વર્લ્ડ કપ 2026 જીત્યો હતો, અને ટીમ ઇન્ડિયાને ₹3 મિલિયન, અથવા આશરે ₹27 કરોડ, ઇનામી રકમ તરીકે મળ્યા હતા. જોકે, ફૂટબોલ વર્લ્ડ કપ વિજેતાની ઇનામી રકમ આના કરતા ઘણી વધારે છે.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/cricket/news/two-deadly-players-of-team-india-pass-fitness-test-will-take-the-field-against-afghanistan" target="_blank">Team Indiaના બે ઘાતક ખેલાડીઓ ફિટનેસ ટેસ્ટમાં પાસ! અફઘાનિસ્તાન સામે મેદાનમાં ઉતરશે</a>
</p><p><br></p><p>
</p><p><br></p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/5WMZtyGRe8qT2AKIV2RP3SWDP09q0hzY5PpdrjYZ.webp'/></item><item><title><![CDATA[Morbiના જેતપર ગામે હાઈટેન્શન વીજપોલની કામગીરી સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/morbi/farmers-protest-strongly-against-the-construction-of-high-tension-electricity-poles-in-jetpar-village-of-morbi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/morbi/farmers-protest-strongly-against-the-construction-of-high-tension-electricity-poles-in-jetpar-village-of-morbi</guid><pubDate>Tue, 09 Jun 2026 17:09:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મોરબી તાલુકાના જેતપર ગામમાંથી ખેડૂતોના આક્રોશ અને પોલીસ પ્રશાસન વચ્ચેના ગંભીર ઘર્ષણના સમાચાર સામે આવ્યા છે. ગામમાં ખાનગી કંપની દ્વારા નાખવામાં આવી રહેલા હાઈટેન્શન વીજપોલ (ટાસ્ક લાઈન) ની કામગીરી સામે સ્થાનિક ખેડૂતોમાં છેલ્લા કેટલાય દિવસોથી ઉગ્ર અસંતોષ જોવા મળી રહ્યો હતો. આ વિરોધ પ્રદર્શને આજે ત્યારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું જ્યારે મોટી સંખ્યામાં ખેડૂતો કંપનીનું કામ અટકાવવા માટે પ્રત્યક્ષ મેદાનમાં ઉતરી આવ્યા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તૈનાત પોલીસ કાફલા અને ખેડૂતો વચ્ચે ઘટનાસ્થળે ભારે ખેંચતાણ અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.</p><h2 style="text-align: justify; ">ખોટી રીતે કામગીરી થતી હોવાનો આક્ષેપ</h2><p style="text-align: justify; ">સ્થાનિક ખેડૂતોનો ગંભીર આક્ષેપ છે કે વીજપોલ ઊભા કરવાની આ સમગ્ર કામગીરી નિયમો વિરુદ્ધ અને ખોટી રીતે કરવામાં આવી રહી છે, જેનાથી ભવિષ્યમાં તેમની કિંમતી ખેતીની જમીનને મોટું નુકસાન પહોંચશે. અગાઉ પણ અનેક રજૂઆતો કરવા છતાં કંપની દ્વારા બળજબરીથી કામ ચાલુ રખાતા આજે ખેડૂતો આક્રમક બન્યા હતા. જોકે, કાયદો અને વ્યવસ્થા જાળવવાના નામે પોલીસે વિરોધ કરી રહેલા અને કામ અટકાવવાનો પ્રયાસ કરી રહેલા જગતના તાત સામે આકરો અભિગમ અપનાવ્યો હતો. પોલીસે અગમચેતીના ભાગરૂપે પ્રદર્શન કરી રહેલા અગ્રણી ખેડૂતોની અટકાયત (ડિટેઈન) કરવાનું શરૂ કર્યું હતું.</p><h3 style="text-align: justify; ">ખેડૂતોને ડિટેઈન કરી પોલીસ સ્ટેશન ખસેડાતા તણાવ વધ્યો</h3><p style="text-align: justify; ">પોલીસ તંત્ર દ્વારા વિરોધ કરી રહેલા તમામ ખેડૂતોને બળપૂર્વક ડિટેઈન કરીને પોલીસ વાનમાં ભરી સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ પોલીસ કાર્યવાહીને પગલે સમગ્ર જેતપર ગામ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂત સંગઠનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. ખેડૂતોના અધિકારો અને જમીનની સુરક્ષા માટે શરૂ થયેલો આ શાંતિપૂર્ણ વિરોધ હવે પોલીસિયા દમનને કારણે વધુ ઉગ્ર બને તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. હાલમાં ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ગ્રામ્ય પંથકમાં ભારે તણાવભરી શાંતિ જોવા મળી રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/9AR2CHTeswG1Z2EFpb8ULq4RmBAiE46BwrYkpksJ.webp'/></item></channel></rss>