<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Prize Money : ક્રિકેટ વર્લ્ડ કપ કે ફીફા વર્લ્ડ કપ, કયા ટૂર્નામેન્ટમાં મળે છે સૌથી વધુ પ્રાઇઝ મની? ]]></title><link>https://sandesh.com/sports/news/prize-money-cricket-world-cup-or-fifa-world-cup-which-tournament-offers-the-most-prize-money</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/prize-money-cricket-world-cup-or-fifa-world-cup-which-tournament-offers-the-most-prize-money</guid><pubDate>Tue, 09 Jun 2026 17:27:21 +05:30</pubDate><description><![CDATA[<p>ફિફા વર્લ્ડકપની 23મી આવૃત્તિનું આયોજન યુએસએ,મેક્સિકો અને કેનેડા સંયુક્ત રીતે કરી રહ્યા છે.ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે ત્રણ દેશો એક આવૃત્તિનું આયોજન કરી રહ્યા છે.આ પહેલાં ફક્ત બે દેશોએ એકસાથે તેનું આયોજન કર્યું છે.આ વખતે,ટીમોની સંખ્યા વધારીને 48 કરવામાં આવી છે,જેને ચારના 12 જૂથોમાં વહેંચવામાં આવી છે.આ આવૃત્તિ ઇનામ રકમની દ્રષ્ટિએ પણ ઐતિહાસિક હશે,જેમાં અગાઉની આવૃત્તિની તુલનામાં કુલ ઇનામ રકમમાં 49 ટકાનો વધારો થશે.અહીં અમે ફૂટબોલ વર્લ્ડકપ અને ક્રિકેટ વર્લ્ડ કપની ઇનામ રકમ વચ્ચેનો તફાવત સમજાવીએ છીએ.</p><h4><b>ફિફા વર્લ્ડ કપ 11 જૂનથી પ્રારંભ થશે</b></h4><p>
</p><p>વિશ્વની સૌથી મોટી રમતગમત ઇવેન્ટ,ફિફા વર્લ્ડ કપ 11 જૂનથી શરૂ થાય છે.મહિલા T20 વર્લ્ડ કપ 12 જૂનથી શરૂ થાય છે.મહિલા વર્લ્ડ કપમાં કુલ 12 ટીમો ભાગ લઈ રહી છે.જેમાં ભારત અને પાકિસ્તાન ગ્રુપ 1માં છે.તેમનો મુકાબલો રવિવાર 14 જૂને છે.તેની ઇનામ રકમ સાથે ચાલો તમને જણાવીએ કે ભારતીય મહિલા ટીમને આ વર્ષે ODI વર્લ્ડ કપ જીતવા બદલ ઇનામ રકમ તરીકે કેટલી રકમ મળી.ભારતીય પુરુષ ટીમે આ વર્ષે T20 વર્લ્ડ કપ પણ જીત્યો હતો.જાણો તેમની ઇનામી રકમ કેટલી હતી.</p><h4><b>વુમેન્સ T20 વર્લ્ડ કપ પ્રાઇઝમની કેટલી&nbsp;</b></h4><p>
</p><p>વુમેન્સ T20 વર્લ્ડ કપ 2026 ચેમ્પિયન ટીમ માટે US$2,340,000 ની ઇનામી રકમ જાહેર કરવામાં આવી છે. ભારતીય ચલણમાં, આ આશરે ₹22 કરોડ થાય છે. ભારતીય મહિલા ટીમને ODI વર્લ્ડ કપ 2026 જીતવા બદલ ₹4.48 મિલિયન મળ્યા હતા, જે ભારતીય ચલણમાં આશરે ₹39 કરોડ થાય છે.</p><p>
</p><h5><b>ટીમને T20 વર્લ્ડ કપ જીતવા કેટલા પૈસા મળે છે</b></h5><p>સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમે પુરુષોનો T20 વર્લ્ડ કપ 2026 જીત્યો હતો, અને ટીમ ઇન્ડિયાને ₹3 મિલિયન, અથવા આશરે ₹27 કરોડ, ઇનામી રકમ તરીકે મળ્યા હતા. જોકે, ફૂટબોલ વર્લ્ડ કપ વિજેતાની ઇનામી રકમ આના કરતા ઘણી વધારે છે.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/cricket/news/two-deadly-players-of-team-india-pass-fitness-test-will-take-the-field-against-afghanistan" target="_blank">Team Indiaના બે ઘાતક ખેલાડીઓ ફિટનેસ ટેસ્ટમાં પાસ! અફઘાનિસ્તાન સામે મેદાનમાં ઉતરશે</a>
</p><p><br></p><p>
</p><p><br></p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/5WMZtyGRe8qT2AKIV2RP3SWDP09q0hzY5PpdrjYZ.webp'/></item><item><title><![CDATA[સાવલી ધારાસભ્યની કૃષિ મંત્રીને રજૂઆત: MSP મર્યાદા વધારવા માંગ ]]></title><link>https://sandesh.com/gujarat/news/agriculture/vadodara/mla-writes-letter-to-agriculture-minister</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/agriculture/vadodara/mla-writes-letter-to-agriculture-minister</guid><pubDate>Tue, 09 Jun 2026 17:01:50 +05:30</pubDate><description><![CDATA[<p>વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીને પત્ર પાઠવીને ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. તેમણે માવઠાના કારણે ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાનને ધ્યાનમાં રાખીને MSP (લઘુત્તમ ટેકાના ભાવ) હેઠળ 100 મણની ખરીદી મર્યાદામાં તાત્કાલિક વધારો કરવાની માંગ કરી છે. ધારાસભ્ય ઇનામદારે સાવલી સહિત સમગ્ર રાજ્યના ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા અને ગત વર્ષના નિયમ મુજબ ખરીદી કરવા માટે ભલામણ કરી છે. આ રજૂઆતનો મુખ્ય હેતુ ખેડૂતોને આર્થિક સંકટમાંથી બહાર લાવવાનો અને તેમને યોગ્ય ટેકો પૂરો પાડવાનો છે, જેથી તેઓ નુકસાનની ભરપાઈ કરી શકે.</p><p><br></p><p>ધારાસભ્ય કેતન ઇનામદારે કૃષિ મંત્રી જીતુ વાઘાણીને કરેલી રજૂઆતમાં વિગતવાર જણાવ્યું હતું કે, અણધાર્યા માવઠાને કારણે ખેડૂતોને પાકમાં ભારે નુકસાન થયું છે, જેના પરિણામે તેમની આર્થિક સ્થિતિ કથળી છે. આ નુકસાનની ભરપાઈ કરવા અને ખેડૂતોને આર્થિક ટેકો પૂરો પાડવા માટે MSP હેઠળ પ્રતિ ખેડૂત 100 મણની ખરીદી મર્યાદા વધારવી અત્યંત આવશ્યક છે. તેમણે પોતાના પત્રમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે કે, સાવલી સહિત રાજ્યના તમામ ખેડૂતોને આ કપરા સમયમાં સરકારી મદદની તાતી જરૂરિયાત છે. ધારાસભ્ય ઇનામદારે કૃષિ મંત્રીને રૂબરૂ મળીને પણ ખેડૂતોને યોગ્ય સહાય કરવા ભલામણ કરી હતી. તેમણે ગત વર્ષના નિયમ મુજબ ખેડૂતોના ઉત્પાદનની ખરીદી કરવા પણ ભારપૂર્વક માંગ કરી છે, જેથી ખેડૂતોને તેમના પાકનો યોગ્ય ભાવ મળી શકે અને તેઓ માવઠાના કારણે થયેલા નુકસાનમાંથી બહાર આવી શકે. આ પગલું ખેડૂતોને માવઠાના કારણે સર્જાયેલા આર્થિક સંકટમાંથી રાહત આપવા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2024/09/02/lzcHC7vTPAuUDZnvEpgOnDodNylZZu3Lsy6lAEdE.jpg'/></item><item><title><![CDATA[Russia India China Alliance: ભારત સાથે મળીને રશિયા અને ચીન અમેરિકી ડોલરને આપશે ટક્કર! ]]></title><link>https://sandesh.com/world/news/business/russia-india-china-alliance-russia-and-china-together-with-india-will-challenge-the-us-dollar</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/business/russia-india-china-alliance-russia-and-china-together-with-india-will-challenge-the-us-dollar</guid><pubDate>Tue, 09 Jun 2026 17:00:17 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ભારત-ચીન વચ્ચેનો સરહદ વિવાદ ઉકેલાઈ જાય, તો તે વિશ્વના આર્થિક પરિદૃશ્યને બદલી શકે છે. 
</p><h2 style="text-align: justify; ">રશિયા, ભારત અને ચીન વચ્ચે નવા જોડાણનો પાયો 
</h2><p style="text-align: justify; ">BRICS સમિટ પહેલા, વિશ્વની ત્રણ સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓ રશિયા, ભારત અને ચીન વચ્ચે એક નવા જોડાણનો પાયો નખાયો છે. તાજેતરના નિવેદનો સ્પષ્ટપણે દર્શાવે છે કે, ચીન અને રશિયા બંને ભારતને એક વ્યૂહાત્મક ભાગીદાર તરીકે જુએ છે અને ત્રિપુટીને મજબૂત બનાવવા માટે ઉત્સાહિત છે. પહેલા પુતિને ભારત વિશે નિવેદન આપ્યું હતું, અને હવે ચીને કહ્યું છે કે, તે ભારતને ભાગીદાર તરીકે જુએ છે.
</p><h3 style="text-align: justify; ">વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા
</h3><p style="text-align: justify; ">ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને તાજેતરમાં જણાવ્યું હતું કે, ભારત અને ચીનને એકબીજાને ભાગીદાર તરીકે જોવું જોઈએ, હરીફ નહીં. બંને દેશો એકબીજા માટે તકોનું પ્રતિનિધિત્વ કરે છે, ખતરો નહીં. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે, ભારત, રશિયા અને ચીન વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે અને તેઓએ સાથે મળીને કામ કરવું જોઈએ. આ નિવેદન રશિયા તરફથી તાજેતરના સકારાત્મક સંકેતો પછી આવ્યું છે. 
</p><h4 style="text-align: justify; ">વિવિધ ક્ષેત્રે વધશે સંકલન 
</h4><p style="text-align: justify; ">RIC મિકેનિઝમ 2002માં તત્કાલીન રશિયન વિદેશ પ્રધાન ઇગોર ઇવાનોવના પ્રસ્તાવ સાથે શરૂ કરવામાં આવ્યું હતું. 2020ના ગાલવાન સંઘર્ષ પછી તે લગભગ નિષ્ક્રિય થયું હતું. હવે, દિલ્હીમાં યોજાનારી BRICS 2026 સમિટ પહેલા, તેને પુનર્જીવિત કરવાના પ્રયાસો વધુ તીવ્ર બન્યા છે. ત્રણેય દેશોનો સંયુક્ત GDP વૈશ્વિક GDPના આશરે 32% દર્શાવે છે. તેમની વસ્તી વિશ્વની કુલ વસ્તીના આશરે 40% છે. જો આ ત્રણ દેશો આર્થિક, વેપાર, ઉર્જા અને સુરક્ષા ક્ષેત્રોમાં સંકલન વધારશે, તો તે ડોલર-પ્રભુત્વ ધરાવતા વિશ્વ વ્યવસ્થા માટે ગંભીર પડકાર ઉભો કરી શકે છે.
</p><h5 style="text-align: justify; ">ત્રિપુટીને પુનર્જીવિત કરવાનો પ્રયાસ
</h5><p style="text-align: justify; ">RIC ભારતને ઘણા ક્ષેત્રોમાં ફાયદો કરાવે છે. તે સસ્તી રશિયન ઊર્જા, ચીની બજાર અને ટેકનોલોજી તેમજ ત્રણેય દેશો વચ્ચે સુરક્ષા સહયોગથી લાભ મેળવી શકે છે. જોકે, ભારત LAC પર ચીન સાથેના તણાવને સંપૂર્ણપણે ઉકેલ્યા વિના RIC ને સંપૂર્ણપણે સક્રિય કરવા માંગતું નથી. RIC બેઠક BRICS સમિટ પહેલાં થઈ શકે છે, અને જો ત્રણેય દેશો સર્વસંમતિ પર પહોંચે છે, તો તે ફક્ત BRICS ને મજબૂત બનાવશે નહીં પરંતુ વિશ્વ વ્યવસ્થામાં એક નવો ધ્રુવ પણ બનાવશે, જે વર્તમાન પરિસ્થિતિથી નોંધપાત્ર ફેરફાર છે. રશિયા પછી, ચીન પણ ભારતને ભાગીદાર કહીને RIC ત્રિપુટીને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. 
</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/what-is-putin-afraid-of-after-the-assassination-of-ayatollah-ali-khamenei-why-were-security-cameras-turned-off-know" target="_blank">Ayatollah Ali Khameneiની હત્યા બાદ Putinને શેનો ડર, સુરક્ષા કેમેરા કેમ કરાયા બંધ?,જાણો</a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/PFuc7JeZMgGyKfxoX8m8hfFC8VCvRLA4oLtfg9AK.webp'/></item><item><title><![CDATA[Tharad નજીક નર્મદા કેનાલમાંથી મળ્યો આધેડ મહિલાનો મૃતદેહ, સમગ્ર પંથકમાં મચી ચકચાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/tharad/the-body-of-a-middle-aged-woman-was-found-in-the-narmada-canal-near-tharad-causing-a-stir-in-the-entire-district</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/tharad/the-body-of-a-middle-aged-woman-was-found-in-the-narmada-canal-near-tharad-causing-a-stir-in-the-entire-district</guid><pubDate>Tue, 09 Jun 2026 16:55:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ પંથકમાંથી એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. થરાદ નજીકથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાંથી એક આધેડ વયની મહિલાનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ મહિલાએ કોઈ અગમ્ય કારણોસર નર્મદા કેનાલના ઊંડા પાણીમાં ઝંપલાવીને પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી.</p><h2 style="text-align: justify; ">ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરી</h2><p style="text-align: justify; ">કેનાલમાં મહિલાએ આત્મહત્યા કરી હોવાની ઘટનાની જાણ આસપાસના લોકોએ તાત્કાલિક સ્થાનિક પ્રશાસનને કરી હતી. બનાવની ગંભીરતાને પગલે થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તમામ સાધન-સામગ્રી સાથે મિનિટોમાં જ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટર્સ અને સ્થાનિક તરવૈયાઓએ કેનાલના ધસમસતા પ્રવાહમાં ભારે જહેમત આદરી હતી. સતત ૩૦ મિનિટની સઘન શોધખોળ બાદ ફાયરની ટીમને મહિલાના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી.</p><h3 style="text-align: justify; ">પોલીસે કાર્યવાહી હાથ ધરી</h3><p style="text-align: justify; ">મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યા બાદ સ્થાનિક પોલીસને પણ વાકેફ કરવામાં આવી હતી. પોલીસે જરૂરી સરકારી અને કાનૂની કાગળોની કાર્યવાહી પૂર્ણ કરીને મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો, અને ત્યારબાદ તેના વાલી-વારસદારો (પરિવારજનો) ને સોંપી દીધો હતો. મહિલાએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે મૃતકના પરિવાર સહિત સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/GjyK8K57rYpGyi4sWr9NL3xTBx1jn6lmD0hq4Uxq.webp'/></item><item><title><![CDATA[International Yoga Day 2026: શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી આપશે આ 3 હેલ્ધી ડ્રિંક્સ, જાણો યોગના અદભુત ફાયદા ]]></title><link>https://sandesh.com/india/news/international-yoga-day-2026-these-3-healthy-drinks-will-give-instant-energy-to-the-body-know-the-amazing-benefits-of-yoga</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/international-yoga-day-2026-these-3-healthy-drinks-will-give-instant-energy-to-the-body-know-the-amazing-benefits-of-yoga</guid><pubDate>Tue, 09 Jun 2026 16:48:39 +05:30</pubDate><description><![CDATA[<p>આજની ભાગદોડભરી અને તણાવપૂર્ણ જીવનશૈલીમાં હેલ્ધી રહેવા માટે 'યોગ' એ રામબાણ ઈલાજ છે. દર વર્ષે 21 જૂને વિશ્વભરમાં 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' (International Yoga Day) ઉજવવામાં આવે છે. આ વૈશ્વિક ઉજવણીની શરૂઆત વર્ષ 2015 થી થઈ હતી, જેનો મુખ્ય હેતુ દુનિયાભરના લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. ભારતમાં યોગની પરંપરા હજારો વર્ષ જૂની છે, જે શરીર અને મન બંનેને સ્વસ્થ રાખે છે.<br><br><h2><b>રોજ યોગ કરવાથી થતા અદભુત ફાયદા</b></h2></p><p>જો તમે રોજ નિયમિત રીતે યોગાસન કરો છો, તો તેનાથી સ્વાસ્થ્યને અગણિત ફાયદા થાય છે:</p><ul><li>માનસિક શાંતિ અને એકાગ્રતા: યોગ કરવાથી મન શાંત થાય છે અને ચિંતા (Anxiety) તેમજ ડિપ્રેશન જેવી માનસિક સમસ્યાઓથી મુક્તિ મળે છે.</li><li>વજન નિયંત્રણ: જે લોકો વધતા વજનથી પરેશાન છે, તેમના માટે યોગાસન વજન ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.</li><li>દુખાવામાંથી રાહત: હાડકાં, સાંધાના દુખાવા, કમરનો દુખાવો કે સર્વાઈકલ (Cervical) ની તકલીફથી પીડાતા લોકો માટે યોગ આશીર્વાદ સમાન છે. તે સ્નાયુઓને મજબૂત અને ફ્લેક્સિબલ બનાવે છે.</li></ul><h3><b>યોગ કર્યા પછી ડાયેટ કેમ મહત્વનું છે?</b></h3><p>યોગાભ્યાસ દરમિયાન શરીરમાંથી કેલરી બર્ન થાય છે અને પરસેવો નીકળે છે. તેથી, યોગ કર્યા પછી તમે શું આહાર લો છો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે યોગ કર્યા પછી નબળાઈ કે થાક અનુભવવા ન માગતા હોવ અને શરીરને હાઇડ્રેટેડ રાખવા માગતા હોવ, તો નીચે આપેલા 3 હેલ્ધી એનર્જી ડ્રિંક્સનું સેવન કરી શકો છો:<br><br><b>1. લીંબુ પાણી (રોગપ્રતિકારક શક્તિ વધારે)</b></p><p>યોગ કર્યા પછી શરીરમાં સોડિયમ અને પોટેશિયમનું સ્તર સંતુલિત કરવું જરૂરી છે. આ માટે એક ગ્લાસ નવશેકા પાણીમાં લીંબુ અને એક ચપટી સિંધવ મીઠું (Rock Salt) મિક્સ કરીને પીવો. લીંબુમાં ભરપૂર માત્રામાં વિટામિન-સી હોય છે, જે ઈમ્યુનિટી વધારે છે અને શરીરને દિવસભર એનર્જેટિક રાખે છે.</p><p><br></p><p><b>2. નારિયેળ પાણી (કુદરતી હાઇડ્રેશન)</b></p><p>નારિયેળ પાણીને શ્રેષ્ઠ નેચરલ ડ્રિંક માનવામાં આવે છે. યોગ પછી શરીરમાં થતી પાણીની અછત (Dehydration) ને દૂર કરવા માટે આ ઉત્તમ વિકલ્પ છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ, એમિનો એસિડ, એન્ઝાઇમ્સ અને વિટામિન-સી જેવા જરૂરી પોષક તત્વો હોય છે, જે શરીરને અંદરથી રિફ્રેશ કરે છે.</p><p><br></p><p><b>3. આમ પન્ના (ઉનાળાનું સુપરફૂડ)</b></p><p>કાચી કેરીમાંથી બનતું 'આમ પન્ના' ખાસ કરીને ઉનાળાની ઋતુમાં શરીર માટે ખૂબ ગુણકારી છે. તે ફાઈટો-ન્યુટ્રિઅન્ટ્સ અને એન્ટી-ઓક્સીડેન્ટ્સથી ભરપૂર હોય છે. યોગાભ્યાસ પછી તેને પીવાથી શરીરમાં ગુમાવેલી ઉર્જા તરત જ પાછી આવે છે અને પાચનતંત્ર પણ સારું રહે છે.</p><p><br></p><p><a href="https://sandesh.com/gallery/news/lifestyle/this-district-is-considered-the-litchi-capital-of-india-know-which-one" target="_blank">આ પણ વાંચો-  આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/qly04DBBFCDSmjya20XK9QrCFh7IuNk9YVqm7Yae.webp'/></item><item><title><![CDATA[FIFA 2026: નોરા ફતેહીના ગીત ‘Siir Siir’એ રિલીઝ થતાની સાથે જ ઇન્ટરનેટ પર મચાવી ધમાલ ]]></title><link>https://sandesh.com/sports/news/entertainment/fifa-2026-nora-fatehis-song-siir-siir-created-a-stir-on-the-internet-as-soon-as-it-was-released</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/entertainment/fifa-2026-nora-fatehis-song-siir-siir-created-a-stir-on-the-internet-as-soon-as-it-was-released</guid><pubDate>Tue, 09 Jun 2026 16:28:38 +05:30</pubDate><description><![CDATA[<p>નોરા ફતેહીના ગીતોનો ફેન્સ વચ્ચે એક અલગ જ ક્રેઝ અને બઝ જોવા મળે છે.આ દરમિયાન હવે ફીફા વર્લ્ડ કપ 2026 માટે નોરા ફતેહીનું નવું ગીત ‘સીર સીર’ રિલીઝ થઈ ગયું છે, જેણે આવતાની સાથે જ ધમાકો મચાવી દીધો છે.આ ટ્રેક ફીફા વર્લ્ડ કપ 2026ના ઓફિશિયલ મ્યુઝિક પ્રોજેક્ટના ભાગ રૂપે બહાર પાડવામાં આવ્યો છે,જે ટૂર્નામેન્ટના ઓફિશિયલ આલ્બમમાં જોડાયેલ છે.રિલીઝ થતાની સાથે જ ગીતને એટલો બધો પ્રેમ મળ્યો કે, તેણે 18 કલાકમાં જ કમાલ કરી દીધો.
</p><h4><b>18 કલાકમાં જ 6.1 મિલિયન વ્યુઝ
</b></h4><p>સમગ્ર વિશ્વમાં આ ગીત એટલું પસંદ કરવામાં આવી રહ્યું છે કે, તેને માત્ર 18 કલાકમાં જ 6.1 મિલિયન વ્યુઝ મળી ચૂક્યા છે. જણાવી દઈએ કે, આ ટ્રેક માટે વિશ્વભરમાંથી મ્યુઝિકલ બેકગ્રાઉન્ડના કલાકારોને એકસાથે લાવવામાં આવ્યા છે. આ ગીતને મ્યુઝિક પ્રોડ્યુસર સંજય અને ફ્રેન્ચ સિંગર વેજડ્રીમ સાથે મળીને બનાવવામાં આવ્યું છે.</p><p><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DZUy_MyCOqV/?utm_source=ig_web_copy_link" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DZUy_MyCOqV/?utm_source=ig_web_copy_link" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a></p><p><br></p><p>
</p><h4><b>નોરા ફતેહી કરશે પરફોર્મ</b></h4><p>નોરા ફતેહી 12 જૂનના રોજ ટોરોન્ટોના આઉટડોર સ્ટેડિયમ BMO ફીલ્ડમાં ફીફા વર્લ્ડ કપ 2026 ની ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરશે. નોંધનીય છે કે, કતાર વર્લ્ડ કપ દરમિયાન એક ફેન ઇવેન્ટમાં પરફોર્મ કર્યા બાદ ફીફામાં આ નોરા ફતેહીનું બીજું પરફોર્મન્સ હશે, જેના માટે ફેન્સ આતુર છે.
</p><h4><b>નોરાના ગીત પર વિવાદ</b></h4><p>આ સિવાય જો નોરાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તાજેતરમાં જ નોરા એક મ્યુઝિક વીડિયોમાં વાંધાજનક ડાન્સને લઈને વિવાદોમાં આવી હતી. આ મામલામાં તેણે રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) સમક્ષ હાજર થવું પડ્યું હતું. નોરા પર આરોપ છે કે, તેણે ‘સરકે ચુનર’ ગીતમાં મહિલાઓને ખોટી રીતે રજૂ કરી છે.
</p><h4><b>ફેન્સ કરી રહ્યા છે ‘રાહ’
</b></h4><p>આટલું જ નહીં પરંતુ આ ગીતના હિન્દી બોલ અને દ્રશ્યોને વાંધાજનક તેમજ ડબલ મિનિંગ વાળા ગણાવવામાં આવ્યા હતા, જેને લઈને ભારે વિરોધ થયો હતો. જો કે, હવે નોરા ફતેહી તેના નવા ગીત ‘સીર સીર’ ને લઈને ચર્ચામાં છે. આ સાથે જ ફેન્સ અને તેના ચાહકો પણ તેના પરફોર્મન્સની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/no-football-in-fifa-world-cup-now-fear-of-snakes-know-which-team-has-received-death-warning" target="_blank">FIFA World Cupમાં ફૂટબોલ નહીં, હવે સાપનો ડર! જાણો કઈ ટીમને કરાઈ એલર્ટ!</a>
</p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/OLnhWysHc6I3mGjGiWifmRMeWTPhwBvi9GjQizFf.webp'/></item><item><title><![CDATA[Nuclear Weopons: ભારતમાં વધી પરમાણુ હથિયારની સંખ્યા, જાણો હવે કેટલી છે? ]]></title><link>https://sandesh.com/india/news/nuclear-weapons-the-number-of-nuclear-weapons-has-increased-in-india-know-how-many-there-are-now</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/nuclear-weapons-the-number-of-nuclear-weapons-has-increased-in-india-know-how-many-there-are-now</guid><pubDate>Tue, 09 Jun 2026 16:25:32 +05:30</pubDate><description><![CDATA[<p>રિપોર્ટ અનુસાર, ભારતે પોતાની પરમાણુ ક્ષમતામાં ક્રમિક વધારો કર્યો છે. 2026ની શરૂઆત સુધીમાં ભારત પાસે અંદાજિત 190 પરમાણુ હથિયાર ( વોરહેડ્સ) છે, જે પાકિસ્તાનના કુલ પરમાણુ જથ્થા કરતાં પણ વધુ હોવાનું અહેવાલમાં જણાવાયું છે.</p><p><br></p><p>ભારત હાલમાં પોતાના પરમાણુ હથિયારો અને તેને વહન કરતી પ્રણાલીઓ (ડિલિવરી સિસ્ટમ્સ) નું આધુનિકીકરણ કરી રહ્યું છે. નવી દિલ્હીનું મુખ્ય ધ્યાન ચીન જેવા દૂરના દેશોના વ્યૂહાત્મક વિસ્તારો સુધી પહોંચવા માટે લાંબી રેન્જની મિસાઈલ ક્ષમતા વિકસાવવા પર છે, જ્યારે પાકિસ્તાન સાથે પ્રાદેશિક સંતુલન જાળવી રાખવાની નીતિ પર પણ કામ થઈ રહ્યું છે.<br><br><h3><b>'ઓપરેશન સિંદૂર' અને પ્રથમ વખત સાયબર યુદ્ધનો ઉપયોગ</b></h3></p><p>SIPRI ના અહેવાલમાં મે 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા 'ઓપરેશન સિંદૂર' (Operation Sindhu) નો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સંસ્થાએ તેને તાજેતરના વર્ષોની સૌથી ગંભીર લશ્કરી કટોકટી ગણાવી છે. આ ગજગ્રાહ દરમિયાન ભારતે પાકિસ્તાનના એવા એરબેઝ અને મિસાઈલ લોન્ચિંગ સેન્ટરોને નિશાન બનાવ્યા હતા, જે પરમાણુ હથિયારો સાથે સંબંધિત હોવાની આશંકા હતી. જોકે, બંને પક્ષોએ ભારે સંયમ રાખીને સ્થિતિને પરમાણુ યુદ્ધમાં બદલાતા અટકાવી હતી.</p><p><br></p><p>આ સંઘર્ષની સૌથી મોટી અને ચિંતાજનક બાબત એ રહી કે બંને દેશો વચ્ચે પરંપરાગત લડાઈની સાથે પ્રથમ વખત સત્તાવાર રીતે સાયબર ઓપરેશન્સ (Cyber Warfare) નો પણ યુદ્ધના હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આનાથી સ્પષ્ટ થાય છે કે ભવિષ્યના યુદ્ધોમાં સાયબર હુમલા મહત્વની ભૂમિકા ભજવશે.</p><p><br></p><h3><b>સંરક્ષણ પાછળ ખર્ચ કરવામાં ભારત વિશ્વમાં પાંચમા સ્થાને</b></h3><p>વૈશ્વિક સ્તરે હથિયારોની ખરીદી અને લશ્કરી ખર્ચ મામલે ભારત અગ્રેસર રહ્યું છે</p><p><br></p><p><b>સંરક્ષણ બજેટ</b>: વર્ષ 2025માં ભારતનું લશ્કરી બજેટ 8.9% ના વધારા સાથે 92.1 અબજ ડોલર થયું છે, જે ભારતને વિશ્વનો 5મો સૌથી મોટો ડિફેન્સ બજેટ ધરાવતો દેશ બનાવે છે.</p><p><b>હથિયારોની આયાત: </b>વર્ષ 2021-25ના સમયગાળા દરમિયાન ભારત વિશ્વનો બીજો સૌથી મોટો શસ્ત્ર આયાતકાર દેશ રહ્યો છે, જે વૈશ્વિક હથિયારોની કુલ આયાતમાં 8.2% નો હિસ્સો ધરાવે છે.</p><p><br></p><h3><b>નૌકાદળ આધારિત પરમાણુ ક્ષમતા (Sea-based Deterrence) પર ભાર</b></h3><p>ભારત પોતાની ત્રિપાંખીયો પરમાણુ તાકાત (Nuclear Triad) ને વધુ સખત બનાવી રહ્યું છે, જેમાં અત્યારે સમુદ્ર આધારિત પરમાણુ પ્રતિરોધક ક્ષમતા પર સૌથી વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે. સબમરીનમાંથી છોડી શકાય તેવી બેલિસ્ટિક મિસાઈલો (SLBM) ભારત માટે અત્યંત મહત્વની છે, કારણ કે તે દુશ્મન દેશના પ્રથમ પરમાણુ હુમલા બાદ પણ વળતો પ્રહાર (Second-strike capability) કરવાની અતૂટ ગેરંટી આપે છે.</p><p><br></p><h4><b>વૈશ્વિક સ્તરે પરમાણુ હથિયારોની સ્થિતિ: એક નજર</b></h4><p>SIPRI ના આંકડા અનુસાર, 2026ની શરૂઆતમાં વિશ્વના 9 પરમાણુ સંપન્ન દેશો (અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ, ચીન, ભારત, પાકિસ્તા, ઉત્તર કોરિયા અને ઈઝરાયેલ) પાસે કુલ મળીને આશરે 12,187 પરમાણુ હથિયારો છે.</p><p><br></p><p><b>સૈન્ય ભંડારમાં</b>: 9,745 પરમાણુ હથિયારો સક્રિય સૈન્ય સ્ટોકમાં છે.</p><p><b>ઓપરેશનલ સ્થિતિમાં</b>: આશરે 4,012 હથિયારો તૈનાત છે.</p><p><b>હાઈ એલર્ટ: </b>તેમાંથી 2,100 થી 2,200 જેટલા પરમાણુ વોરહેડ્સ અત્યંત હાઈ-એલર્ટ મોડ પર સીધા બેલિસ્ટિક મિસાઈલો પર ગોઠવીને રાખવામાં આવ્યા છે.</p><p><br></p><p>એશિયા-પ્રશાંત (Asia-Pacific) ક્ષેત્રમાં ચીન અને અમેરિકા વચ્ચે વધી રહેલી આર્થિક અને લશ્કરી સ્પર્ધા વચ્ચે, ભારત પોતાની સાર્વભૌમત્વની રક્ષા માટે લશ્કરી ક્ષમતાઓનું સતત વિસ્તરણ કરી રહ્યું છે. આગામી સમયમાં વૈશ્વિક સુરક્ષા માહોલ બદલાતા આ શસ્ત્ર સ્પર્ધા વધુ તીવ્ર બને તેવી સંભાવના છે.</p><p><br></p><p><a href="https://sandesh.com/gallery/news/lifestyle/this-district-is-considered-the-litchi-capital-of-india-know-which-one" target="_blank">આ પણ વાંચો-  આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?</a></p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/Ci300yFli2zBvyCDAFoIouxd7oaxKn3RsusuWcUd.webp'/></item><item><title><![CDATA[Vadodara-સાવલી માર્ગ પર અજાણ્યા વાહનની અડફેટે દુર્લભ વન્યજીવ 'વનયાર' થયું લોહીલુહાણ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/rare-wildlife-vanyar-dies-after-being-hit-by-unknown-vehicle-on-vadodara-savali-road</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/rare-wildlife-vanyar-dies-after-being-hit-by-unknown-vehicle-on-vadodara-savali-road</guid><pubDate>Tue, 09 Jun 2026 16:20:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા જિલ્લાના સાવલી-ડેસર પંથકમાંથી વન્યજીવ પ્રેમીઓને ચિંતામાં મૂકી દે તેવા સમાચાર સામે આવ્યા છે. સાવલીના ઝવેરીપુરા ગામ નજીક પસાર થતા વડોદરા-સાવલી મુખ્ય માર્ગ પર એક અજાણ્યા વાહનની ટક્કરે દુર્લભ ગણાતા વન્યપ્રાણી 'વનયાર' (શાહ wilds/જંગલી બિલાડી પ્રજાતિ) ને જોરદાર અડફેટે લીધું હતું. પૂરપાટ ઝડપે દોડતા વાહનની ટક્કર વાગતાં આ મૂંગું જીવ રોડ કિનારે ગંભીર હાલતમાં પછડાયું હતું અને લોહીલુહાણ થઈ ગયું હતું.</p><h2 style="text-align: justify; ">ગ્રામજનોની ત્વરિત જાગૃતતા અને વન વિભાગની દોડધામ</h2><p style="text-align: justify; ">અકસ્માત બાદ માર્ગ પરથી પસાર થતા ઝવેરીપુરા ગામના સ્થાનિક રહીશોની નજર રોડ કિનારે તરફડિયા મારી રહેલા આ અજાણ્યા વન્યજીવ પર પડી હતી. વનયારને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જોતાં જ ગ્રામજનોએ માનવતા દાખવીને તાત્કાલિક વન વિભાગ (Forest Department) ને ફોન પર જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા સમજીને વન વિભાગની રેસ્ક્યુ ટીમ સત્વરે ઘટનાસ્થળે દોડી આવી હતી. વનકર્મીઓએ ભારે જહેમત બાદ ઘાયલ વનયારનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું અને તેને તાત્કાલિક વેટરનરી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યું હતું.</p><h3 style="text-align: justify; ">હાઈવે પર વન્યજીવોની સુરક્ષા સામે ઉઠ્યા સવાલો</h3><p style="text-align: justify; ">આ અકસ્માત સર્જીને નાસી છૂટેલા અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ વન વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેની શોધખોળ શરૂ કરી છે. હાલમાં વન્યજીવ નિષ્ણાતો અને ડોક્ટરોની ટીમ દ્વારા વનયારની તબિયત પર સતત દેખરેખ (મોનિટરિંગ) રાખવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે જંગલ વિસ્તારની આસપાસથી પસાર થતા હાઈવે પર વન્યપ્રાણીઓની માર્ગ સલામતી અને વાહનોની ગતિમર્યાદા પર અંકુશ રાખવા અંગે સ્થાનિકો અને પર્યાવરણવાદીઓ દ્વારા ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/OY56Zlab6f9wI3FotpttiVwh2GrJVFC2R8AHvpZo.webp'/></item><item><title><![CDATA[Rajkot : દિલ્હીમાં કોળી સમાજના બે અલગ સંમેલનો યોજાતા મોટો વિવાદ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષે કહ્યું- 'આ સમાજ હિત નહીં, વ્યક્તિગત સ્વાર્થ છે!' ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/rajkot/rajkot-delhi-koli-samaj-sammelan-controversy-kunvarji-bavaliya-pravin-koli-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/rajkot/rajkot-delhi-koli-samaj-sammelan-controversy-kunvarji-bavaliya-pravin-koli-2026</guid><pubDate>Tue, 09 Jun 2026 15:38:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતના રાજકારણમાં સૌથી મોટું પ્રભુત્વ ધરાવતા કોળી સમાજમાં આંતરિક જૂથબંધી અને વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. દેશની રાજધાની દિલ્હી ખાતે કોળી સમાજના બે દિગ્ગજ નેતાઓ દ્વારા એક જ સમયે બે અલગ-અલગ રાષ્ટ્રીય સંમેલનો બોલાવવામાં આવતા સમાજમાં ભાગલા પડ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ હાઈપ્રોફાઈલ વિવાદને લઈને અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ કોળીએ એક અત્યંત સનસનાટીપૂર્ણ નિવેદન આપતાં આખો મામલો ગરમાયો છે.</p><h2 style="text-align: justify; "><b>સ્વાર્થ માટે અને રાજકીય લાભ માટે 21 તારીખનું આ સંમેલન બોલાવાનું નક્કી કર્યું
</b></h2><p style="text-align: justify; ">
</p><p style="text-align: justify; ">કુંવરજી બાવળીયાએ વીડિયો જાહેર કરીને કહ્યું કે દિલ્હીમાં  ભારતીય કોળી સમાજનું સંમેલન યોજાવાનું છે. મહારાષ્ટ્રના કોળી સમાજને મારી વિનંતી છે કે તમે 14 જૂનના રાષ્ટ્રીય અધિવેશનમાં આવો.હું તમને આમંત્રીત કરું છું. કોઇકે 21 તારીખે અખિલ ભારતીય કોળી સમાજના નામે બીજું સંમેલન બોલાવા એલાન કર્યું છે પણ  આ લોકોમાંથી મોટાભાગના પોતાના સ્વાર્થ માટે અને રાજકીય લાભ માટે 21 તારીખનું આ સંમેલન બોલાવાનું નક્કી કર્યું છે. આમાંથી ઘણા એવા છે કે ઘણા વર્ષોથી કોળી સમાજના રાષ્ટ્રીય સંમેલનમાં સામેલ છે પણ સમાજ માટે કંઇ કર્યું નતી. ગુજરાતના ત્રણ ચાર જણ છે. બીજા રાજ્યના પણ છે તેમણે આ સંમેલન બોલાવ્યું છે પણ આ લોકોએ કોળી સમાજ માટે કંઇ કર્યું નથી તે તમને પણ ખબર છે.  હું તમને કહીશ કે અખિલ ભારતીય કોળી સમાજના બંધારણમાં યુવા અને મહિલાઓને સામેલ કરવા જુના લોકોએ માત્ર વિરોધ જ કરેલો છે. પણ મને કોળી સમાજનો રાષ્ટ્રીય પ્રમુખ બનાવ્યો ત્યારે મે મહિલા અને યુવાઓને સામેલ કરવાનો પુરો પ્રયાસ કર્યો છે. જેથી સંગઠન સાથે જોડાયેલા કોળી સમાજના બંધુઓને વિનંતી છે કે  તેઓ 14 તારીખે ચોક્કસ આવે.</p><p style="text-align: justify; "><b style="font-size: 2rem;">એક સંમેલન  કુંવરજીભાઈ બાવળિયા દ્વારા આયોજીત</b></p><p style="text-align: justify; ">મળતી વિગતો મુજબ, દિલ્હીમાં એક સંમેલન ગુજરાતના કદાવર નેતા કુંવરજીભાઈ બાવળિયા દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે, જ્યારે બીજું સમાંતર સંમેલન વિરેન્દ્ર કશ્યપ દ્વારા બોલાવવામાં આવ્યું છે. સમાજના બે મોટા માથાઓ વચ્ચેની આ લડાઈ હવે જાહેરમાં આવી ગઈ છે.</p><p style="text-align: justify; "><b style="font-size: 1.75rem;">સમાજમાં મોટું વિભાજન ઊભું કરવાનું કામ</b></p><p style="text-align: justify; ">&nbsp;આ અંગે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ કોળીએ મીડિયા સાથેની ખાસ વાતચીતમાં આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, એક જ જ્ઞાતિના આવા બે અલગ-અલગ કાર્યક્રમો સમાજમાં મોટું વિભાજન ઊભું કરવાનું કામ કરી રહ્યા છે. આ સંમેલનો પાછળ સમાજનું કોઈ હિત છુપાયેલું નથી, પરંતુ નેતાઓનું માત્ર વ્યક્તિગત હિત (સ્વ-હિત) અને રાજકીય રોટલા શેકવાની ગણતરી છે.</p><p style="text-align: justify; "><a href="https://youtu.be/duFynLv0HtA" target="_blank">https://youtu.be/duFynLv0HtA</a>&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><b style="font-size: 1.5rem;">કોઈ પણ વ્યક્તિએ આ બંનેમાંથી એક પણ સંમેલનમાં હાજરી આપવી જોઈએ નહીં</b></p><p style="text-align: justify; ">પ્રવીણભાઈ કોળીએ દેશ અને ગુજરાતભરના કોળી સમાજના આગેવાનો તેમજ ભાઈઓને ખુલ્લી અપીલ કરી છે કે સમાજના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને કોઈ પણ વ્યક્તિએ આ બંનેમાંથી એક પણ સંમેલનમાં હાજરી આપવી જોઈએ નહીં. જો સમાજના લોકો આવા અલગ પક્ષોમાં વહેંચાશે તો સંગઠનની શક્તિ નબળી પડશે. 
</p><h5 style="text-align: justify; "><b>સંમેલનો ઉપર સૌની નજર
</b></h5><p style="text-align: justify; ">રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના રાજકીય વર્તુળોમાં આ નિવેદન બાદ ભારે ખળભળાટ મચી ગયો છે અને આગામી દિવસોમાં કોળી સમાજનું આ આંતરિક યુદ્ધ કયું નવું સ્વરૂપ લે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો---&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-gujarat-latest-news-live-and-samachar-09-june-2026-politics-weather-updates-daily-breaking-news-natio" target="_blank"><b>Gujarat Latest News Live : અમદાવાદ ધરપડાના સરપંચના પતિ .1.10 લાખની લાંચ લેતા ACB ટ્રેપમાં ઝડપાયા</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/BSWH0EDAVoqAn20pBxPy1QiKj48jtLztTXIkgACi.webp'/></item><item><title><![CDATA[Gandhinagar : વધુ એક ભરતી કૌભાંડનો પર્દાફાશ, સગા બે ભાઈઓએ અલગ-અલગ જ્ઞાતિના સર્ટિફિકેટ કાઢી મેળવી સરકારી નોકરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/gandhinagar/gandhinagar-gujarat-govt-job-recruitment-caste-certificate-scam-yuvrajsinh-jadeja-exposes-brothers-fraud-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/gandhinagar/gandhinagar-gujarat-govt-job-recruitment-caste-certificate-scam-yuvrajsinh-jadeja-exposes-brothers-fraud-2026</guid><pubDate>Tue, 09 Jun 2026 15:29:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં સરકારી ભરતીઓમાં કૌભાંડો ઉજાગર કરવા માટે જાણીતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ વધુ એક વખત 'લેટર બોમ્બ' ફેંકીને રાજ્યના વહીવટી તંત્ર અને સ્ક્રુટિની સિસ્ટમની પોલ ખોલી નાખી છે. આ વખતે યુવરાજસિંહે સરકારી ભરતીઓમાં ખોટા જ્ઞાતિ પ્રમાણપત્રો ના આધારે નોકરીઓ પચાવી પાડવાનું એક મોટું આંતરિક કૌભાંડ ઉજાગર કર્યું છે. આ આક્ષેપની સૌથી ચોંકાવનારી વાત એ છે કે એક જ પરિવારના બે સગા ભાઈઓએ સરકારી લાભો ખાતર અલગ-અલગ જાતિના સર્ટિફિકેટ રજૂ કરીને સરકારી નોકરીઓ મેળવી લીધી છે.</p><h2 style="text-align: justify; "><b>યુવરાજસિંહ જાડેજાએ પુરાવા સાથે આક્ષેપ કર્યો છે
</b></h2><p style="text-align: justify; ">યુવરાજસિંહ જાડેજાએ પુરાવા સાથે આક્ષેપ કર્યો છે કે, સરસૈયા પરિવારના બે સગા ભાઈઓએ કાયદાની આંખમાં ધૂળ નાખી છે. જેમાં મોટો ભાઈ હરેશ સરસૈયા ઓબીસી (OBC) પ્રમાણપત્રના આધારે હાલ મોરબી જિલ્લામાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવી રહ્યો છે. જ્યારે તેનો જ સગો નાનો ભાઈ નવઘણ સરસૈયા એસસી (SC) એટલે કે અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર રજૂ કરીને અમદાવાદ મહાનગરપાલિકા (AMC) માં ક્લાર્ક તરીકે સરકારી નોકરી મેળવવામાં સફળ રહ્યો છે. લોહીના સગા બે ભાઈઓની જ્ઞાતિ સરકારી ચોપડે અલગ-અલગ કેવી રીતે હોઈ શકે તે મોટો સવાલ છે.&nbsp;</p><p style="text-align: justify; ">https://youtu.be/WlKeex-QpdQ</p><p style="text-align: justify; "><br></p><h3 style="text-align: justify; "><b>નવઘણ સરસૈયા સામે રાજકીય સ્તરે પણ મોટો આક્ષેપ
</b></h3><p style="text-align: justify; ">આટલું જ નહીં, નાના ભાઈ નવઘણ સરસૈયા સામે રાજકીય સ્તરે પણ મોટો આક્ષેપ થયો છે. તે અગાઉ વર્ષ ૨૦૨૧માં વાંકાનેર ખાતે આવેલી અરણી ટીંબા બેઠક પરથી તાલુકા પંચાયતની ચૂંટણી પણ લડી ચૂક્યો છે. આ ચૂંટણીમાં તેણે વળી ત્રીજી જ જ્ઞાતિ એટલે કે એસટી (ST - અનુસૂચિત જનજાતિ) નું સર્ટિફિકેટ રજૂ કર્યું હોવાનો દાવો કરાયો છે. એક જ વ્યક્તિ નોકરી માટે SC અને ચૂંટણી માટે ST બને તે બાબતે હવે ચૂંટણી પંચની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉભા થયા છે. યુવરાજસિંહે સરકારી ભરતીઓની નબળી ડોક્યુમેન્ટ વેરિફિકેશન સિસ્ટમ પર પ્રહારો કરી આ મામલે તટસ્થ તપાસ કરી બંને ભાઈઓ સામે કડક ફોજદારી પગલાં લેવાની માગ કરી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો---&nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-gujarat-latest-news-live-and-samachar-09-june-2026-politics-weather-updates-daily-breaking-news-natio" target="_blank"><b> &nbsp;Gujarat Latest News Live : અમદાવાદ ધરપડાના સરપંચના પતિ .1.10 લાખની લાંચ લેતા ACB ટ્રેપમાં ઝડપાયા</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/eaYG8CAUUCkMS5OykFwlsyKUbbfZPkUaDpD7AFnE.webp'/></item></channel></rss>