<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Amarnath ની ગુફામાંથી ગાયબ થયા બર્ફાનીબાબા, તીર્થયાત્રીઓ માટે એડવાયઝરી કરી જાહેર ]]></title><link>https://sandesh.com/india/news/barfani-baba-disappears-from-amarnath-cave-advisory-issued-for-pilgrims</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/barfani-baba-disappears-from-amarnath-cave-advisory-issued-for-pilgrims</guid><pubDate>Tue, 07 Jul 2026 16:07:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આ વર્ષે પવિત્ર અમરનાથ યાત્રાએ છેલ્લા ચાર દાયકાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. 3  જુલાઈથી શરૂ થયેલી આ યાત્રાના પ્રથમ સપ્તાહમાં જ આશરે 1,00,000 ભક્તોએ બાબા બર્ફાનીના દર્શન કરી ધન્યતા અનુભવી છે. જોકે, ઉત્સાહ અને શ્રદ્ધાના આ મહાસાગર વચ્ચે એક ચિંતાજનક સમાચાર પણ સામે આવ્યા છે. ગ્લોબલ વોર્મિંગ, વધતા પ્રદૂષણ અને ભારે ભીડને કારણે પવિત્ર ગુફામાં રહેલું કુદરતી બરફનું શિવલિંગ આ વર્ષે માત્ર પાંચ દિવસમાં જ અદ્રશ્ય થઈ ગયું છે. ગયા વર્ષે શિવલિંગ સાત દિવસ સુધી ભક્તોને દર્શન આપતું હતું, પરંતુ આ વખતે તેના અકાળ પીગળી જવાથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓમાં નિરાશા જોવા મળી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>ભક્તોની ભારે ભીડ અને પર્યાવરણની અસર</b></h2><p style="text-align: justify; ">આ વર્ષે યાત્રાળુઓની સંખ્યામાં થયેલો અસાધારણ વધારો વહીવટીતંત્ર માટે એક મોટો પડકાર બની ગયો છે. દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો કાશ્મીર પહોંચી રહ્યા છે. નોંધપાત્ર બાબત એ છે કે મોટી સંખ્યામાં યાત્રાળુઓ કોઈપણ પ્રકારની પૂર્વ નોંધણી કરાવ્યા વિના જ આવી રહ્યા છે. આ ભીડને કારણે નોંધાયેલા યાત્રાળુઓને તેમના RFID કાર્ડ મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ગયા વર્ષે પ્રથમ ચાર દિવસમાં 55,000 યાત્રાળુઓ નોંધાયા હતા, તેની સામે આ વર્ષે આ સંખ્યા વધીને 86,000 સુધી પહોંચી ગઈ છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે સુરક્ષા દળો અને શ્રાઇન બોર્ડના અધિકારીઓને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.<br><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/enewsjammu/status/2074427286594670804"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></p><h3 style="text-align: justify; "><b>વહીવટીતંત્રની કડક સૂચનાઓ</b></h3><p style="text-align: justify; ">અમરનાથ શ્રાઇન બોર્ડે ભીડને નિયંત્રિત કરવા માટે સ્પષ્ટ સલાહકાર જાહેર કર્યો છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરતા, ચંદનવારી અને બાલતાલ માર્ગે જનારા યાત્રાળુઓની સંખ્યા મર્યાદિત રાખવામાં આવી છે. ઉપરાજ્યપાલે સ્પષ્ટ કર્યું છે કે નિયમોનું ઉલ્લંઘન કરી વધારાના યાત્રાળુઓને પ્રવેશ આપવો શક્ય નથી. વહીવટીતંત્રે ચેતવણી આપી છે કે હવે પછી કોઈપણ વ્યક્તિએ માન્ય નોંધણી દસ્તાવેજો અને સુરક્ષા પ્રોટોકોલનું પાલન કર્યા વિના મુસાફરી કરવી નહીં.</p><p style="text-align: justify; ">ભલે કુદરતી શિવલિંગ અકાળે પીગળી ગયું હોય, પરંતુ હજારો ભક્તોની શ્રદ્ધા અકબંધ છે. લોકો હજુ પણ બાબા બર્ફાનીની ગુફાના દર્શન કરવા માટે ઉત્સુક છે, જે ભગવાન શિવ પ્રત્યેની તેમની અતૂટ આસ્થાનો પુરાવો છે. વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે યાત્રાને સુગમ બનાવવા માટે જાહેર સહયોગ અત્યંત આવશ્યક છે, જેથી તમામ શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ રીતે દર્શન કરી શકશે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/world/news/india/pm-modis-address-to-the-indonesian-parliament-said-india-believes-in-the-policy-of-development-not-expansionism" target="_blank">આ પણ વાંચોઃ Indonesia ની સંસદમાં પીએમ મોદીનું સંબોધન, કહ્યું "ભારત વિસ્તરણવાદમાં નહીં, પણ વિકાસની નીતિમાં માને છે"</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/HY9KgrCuRn6THlJjLL0KZBRGFiO3ZUK3wEjm7COI.webp'/></item><item><title><![CDATA[Vande Bharat Express : નોર્થ ઈસ્ટના આ રાજ્યને ટૂંક સમયમાં મળશે વંદે ભારત એક્સપ્રેસ, રેલવે કનેક્ટિવિટીને મળશે નવી ગતિ ]]></title><link>https://sandesh.com/india/news/vande-bharat-express-tripura-northeast-rail-connectivity-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/vande-bharat-express-tripura-northeast-rail-connectivity-2026</guid><pubDate>Tue, 07 Jul 2026 16:04:20 +05:30</pubDate><description><![CDATA[<p>ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ જાહેરાત કરી છે કે રાજ્યમાંથી ટૂંક સમયમાં વંદે ભારત એક્સપ્રેસ શરૂ થવાની શક્યતા છે. અગરતલાના બદરઘાટ રેલવે સ્ટેશન ખાતે અગરતલા-કરીમગંજ-અગરતલા MEMU ટ્રેન સેવાના પ્રારંભ પ્રસંગે તેમણે આ માહિતી આપી હતી. તેમના જણાવ્યા મુજબ, વંદે ભારત ટ્રેન શરૂ થવાથી ઉત્તર-પૂર્વ ભારતમાં રેલવે કનેક્ટિવિટીને વધુ મજબૂતી મળશે અને મુસાફરોને ઝડપી તેમજ આરામદાયક મુસાફરીનો લાભ મળશે.</p><h2><b>ત્રિપુરામાં રેલવેનો ઈતિહાસ 1964થી શરૂ થયો</b></h2><p>મુખ્યમંત્રીએ જણાવ્યું કે ત્રિપુરામાં રેલવેનો ઈતિહાસ 1964થી શરૂ થયો હતો, જ્યારે પ્રથમ મીટર ગેજ ટ્રેને આસામના કલકલીઘાટને ધર્મનગર સાથે જોડ્યું હતું. ત્યારબાદ 1990માં રેલવે નેટવર્ક કુમારઘાટ સુધી વિસ્તર્યું હતું. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ દરમિયાન ત્રિપુરાની રેલવે યોજના રાષ્ટ્રીય પ્રોજેક્ટ જાહેર કરવામાં આવી હતી. વર્ષ 2008માં રેલવે સેવા અગરતલા સુધી પહોંચી અને 2014 બાદ 'એક્ટ ઈસ્ટ પોલિસી' હેઠળ મીટર ગેજને બ્રોડ ગેજમાં રૂપાંતરિત કરવાની કામગીરીને વેગ મળ્યો.</p><h3><b>કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી</b></h3><p>માણિક સાહાએ જણાવ્યું કે તેમણે તાજેતરમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી હતી અને રાજ્યમાં વધુ સારી રેલવે સુવિધા તેમજ મુસાફરો માટે નવી સેવાઓ શરૂ કરવાની માગ કરી હતી. રેલવે મંત્રીએ રાજ્યને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી છે. તેમણે વધુમાં જણાવ્યું કે ચુરાઈબારીથી શરૂ થતા આશરે 271 કિલોમીટર લાંબા રેલવે ટ્રેકનું વિદ્યુતીકરણ 2026 સુધી પૂર્ણ થવાની આશા છે.&nbsp;</p><p>આ કામગીરી પૂર્ણ થયા બાદ ત્રિપુરાથી વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવાની યોજના છે. ઉપરાંત, સબરૂમ સુધી ડબલ રેલવે લાઈન, જિરાનિયાથી બોધજંગનગર ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ સુધી નવી રેલવે લાઈન અને ત્રિપુરાને જમ્મુ, પુરી તથા ગયા સાથે નવી એક્સપ્રેસ ટ્રેનો દ્વારા જોડવાના પ્રસ્તાવ પણ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે.</p><p><b><a href="https://sandesh.com/world/news/india/pm-modis-address-to-the-indonesian-parliament-said-india-believes-in-the-policy-of-development-not-expansionism" target="_blank">આ પણ વાંચો : Indonesia ની સંસદમાં પીએમ મોદીનું સંબોધન, કહ્યું "ભારત વિસ્તરણવાદમાં નહીં, પણ વિકાસની નીતિમાં માને છે"</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/NXNPXPG1JaBQO8fKHHVZgudqAiVxYrgr1FDBfOwF.webp'/></item><item><title><![CDATA[Monsoon 2026 : સુરતના કામરેજમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સવારથી 6 ઇંચ વરસાદથી નેશનલ હાઈવે જળબંબાકાર ]]></title><link>https://sandesh.com/weather/news/gujarat/surat/monsoon-2026-6surat-kamrej-highway-flooded-heavy-rain-six-inches-traffic-jam</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/news/gujarat/surat/monsoon-2026-6surat-kamrej-highway-flooded-heavy-rain-six-inches-traffic-jam</guid><pubDate>Tue, 07 Jul 2026 15:45:46 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યા છે, ત્યારે સુરતના કામરેજ તાલુકામાં આજે સવારથી જ આકાશી આફત તૂટી પડી છે. કામરેજ અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા માત્ર થોડા જ કલાકોમાં 6 ઇંચથી વધુ મુસલધાર વરસાદ ખાબક્યો છે. આ આક્રમક વરસાદને કારણે સમગ્ર કામરેજ પંથક પાણી-પાણી થઈ ગયો છે અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.</p><h2 style="text-align: justify; "><b>હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો&nbsp;</b></h2><p style="text-align: justify; ">સૌથી ગંભીર સ્થિતિ કામરેજ નેશનલ હાઈવે પર જોવા મળી રહી છે. ધોધમાર વરસાદને કારણે મુખ્ય હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અનેક નાની ગાડીઓ અને ટુ-વ્હીલર્સ પાણીમાં બંધ પડી જતાં હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વાહનચાલકો જીવના જોખમે પાણીના જોરદાર પ્રવાહમાંથી પોતાના વાહનો પસાર કરવા મજબૂર બન્યા છે.</p><h3 style="text-align: justify; "><b>તંત્ર અને પોલીસ વિભાગ એક્શનમાં&nbsp;</b></h3><p style="text-align: justify; ">આ કપરી પરિસ્થિતિ વચ્ચે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ વરસતા વરસાદમાં પણ એક્શન મોડમાં જોવા મળ્યું હતું. ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં તે માટે પોલીસ જવાનો હાઈવે પર તૈનાત થઈ ગયા હતા અને પાણીની વચ્ચે ઉભા રહીને વાહનોને સલામત રીતે પસાર કરાવવાની પ્રશંસનીય કામગીરી હાથ ધરી હતી.</p><h4 style="text-align: justify; "><b>સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓમાં ભારે રોષ&nbsp;</b></h4><p style="text-align: justify; ">બીજી તરફ, સામાન્ય વરસાદમાં પણ નેશનલ હાઈવે જેવી મહત્વની સડક પર પાણી ભરાઈ જતાં સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રજાનો આક્રોશ છે કે હાઈવે ઓથોરિટી દ્વારા ચોમાસા પહેલા પ્રી-મોન્સૂન કામગીરી કે ડ્રેનેજ સફાઈ યોગ્ય રીતે કરવામાં આવી નથી. હાઈવે ઓથોરિટીની આ ગંભીર બેદરકારીનો ભોગ દર વર્ષની જેમ આ વખતે પણ સામાન્ય જનતા અને વાહનચાલકોએ બનવું પડ્યું છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો-----&nbsp; &nbsp; <a href="https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-ujarat-rain-forecast-red-alert-surat-navsari-valsad-port-signal-3" target="_blank"><b>&nbsp; Monsoon 2026 : ગુજરાતમાંથી ચોમાસાની સિસ્ટમ પસાર.. 23 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/9gv0akwvtZEQfilgjJDFmXhR5fY9MB8xt1OEF0Qd.webp'/></item><item><title><![CDATA[Sabarkantha Rain: હિંમતનગરમાં એક કલાકમાં 2 ઈંચ વરસાદ, ઓવરબ્રિજ પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/himatnagar/himmatnagar-records-2-inches-of-rain-in-one-hour</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/himatnagar/himmatnagar-records-2-inches-of-rain-in-one-hour</guid><pubDate>Tue, 07 Jul 2026 15:41:43 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે જેના કારણે સર્વત્ર જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે.ખાસ કરીને હિંમતનગર શહેરમાં માત્ર એક જ કલાકમાં 2 ઈંચ જેટલો ધોધમાર વરસાદ ખાબકતાં આખું શહેર પાણી-પાણી થઈ ગયું છે.આ આકાશી આફતના લીધે હાથમતી ઓવરબ્રિજ સહિત શહેરના અનેક મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.જેને કારણે વાહનવ્યવહાર ભારે પ્રભાવિત થયો છે અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિક જનજીવન પર વ્યાપક અસર પડી છે.</p><h2 style="text-align: justify; "><b>ગ્રામ્ય પંથકોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો</b></h2><p style="text-align: justify; ">શહેર ઉપરાંત હિંમતનગર અને વિજયનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાની ભારે મહેરબાની જોવા મળી છે.આખા દિવસના અસહ્ય ઉકળાટ અને વાદળછાયા વાતાવરણ બાદ પૂર્વના ગ્રામ્ય પંથકોમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો.હિંમતનગરના ગાંભોઈ, રૂપાલ અને રાયગઢ તેમજ વિજયનગરના આતરસુંબા, અંદ્રોખા, ધોરીવાવ, ખેડાસણ, વજેપુર અને કઠવાવડી સહિતના આસપાસના તમામ ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. આ વરસાદના પગલે સમગ્ર પંથકમાં વાતાવરણ આહલાદક બની ગયું છે અને ઠંડક પ્રસરી ગઈ છે.</p><h3 style="text-align: justify; "><b>સમગ્ર પંથકમાં વાવણી લાયક સારો વરસાદ થયો</b></h3><p style="text-align: justify; ">આ વરસાદ સાબરકાંઠાના ગ્રામીણ વિસ્તારો માટે આશીર્વાદ સમાન સાબિત થયો છે. લાંબા સમયની પ્રતીક્ષા બાદ બરાબર જરૂરિયાતના સમયે જ અમૃત સમાન વરસાદ વરસતાં ધરતીપુત્રોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. પંથકમાં વાવણી લાયક સારો વરસાદ થઈ જતાં જગતનો તાત હરખાયો છે અને ખેતરોમાં વાવણીના કાર્યો શરૂ કરવા માટે ખેડૂતોમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/heavy-showers-lash-city-east-and-south-zones-receive-half-inch-rain" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad Rain: શહેરના અનેક વિસ્તારોમાં મેઘમહેર, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં અડધો ઈંચ વરસાદ ખાબક્યો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/MXS31lluGEXEa6vwCfJFotXZaTYPCc7Kqx27ndk2.webp'/></item><item><title><![CDATA[Defense Production : રક્ષા ક્ષેત્રે આત્મનિર્ભર ભારતને વેગ, ઉત્પાદન રૂપિયા 1.78 લાખ કરોડને પાર ]]></title><link>https://sandesh.com/business/news/india/defense-production-india-record-rs-1-78-lakh-crore-fy2025-26</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/defense-production-india-record-rs-1-78-lakh-crore-fy2025-26</guid><pubDate>Tue, 07 Jul 2026 15:38:04 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન દેશનું કુલ સંરક્ષણ ઉત્પાદન પ્રથમ વખત ₹1.78 લાખ કરોડના રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે, જે ગયા વર્ષની સરખામણીએ 15.6 ટકાનો વધારો દર્શાવે છે. આ સિદ્ધિમાં ખાનગી સંરક્ષણ કંપનીઓનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. કુલ ઉત્પાદનમાંથી આશરે ₹42,000 કરોડનો ફાળો ખાનગી ક્ષેત્રનો રહ્યો, જે અત્યાર સુધીનો સૌથી મોટો હિસ્સો છે.</p><h2><b>ખરીદી પ્રક્રિયા વધુ સરળ બનાવી</b></h2><p>'ઓપરેશન સિંદૂર' બાદ ભારતીય સેનાને આધુનિક અને સ્વદેશી હથિયારોની માગમાં વધારો થયો છે. આ સાથે સરકારે નવી રક્ષા ખરીદી પ્રક્રિયા (DAP-2026) હેઠળ સ્વદેશી સામગ્રીનો ફરજિયાત હિસ્સો વધારીને 60 ટકા કર્યો છે અને ખરીદી પ્રક્રિયા વધુ સરળ બનાવી છે, જેના કારણે ખાનગી કંપનીઓને નવા અવસર મળ્યા છે.</p><h3><b>MALE ડ્રોન યોજનામાં અનેક કંપનીઓ રસ દાખવી રહી છે</b></h3><p>ખાનગી કંપનીઓ હવે માત્ર હથિયારોના ભાગો નહીં, પરંતુ સંપૂર્ણ હથિયાર પ્રણાલીઓ વિકસાવી રહી છે. ભારત ફોર્જને 2.55 લાખથી વધુ CQB કાર્બાઈન સપ્લાય કરવા માટે ₹1,661.9 કરોડનો ઓર્ડર મળ્યો છે. ઉપરાંત 184 ATAGS તોપોની સપ્લાય માટે ₹4,140 કરોડનો કરાર પણ મળ્યો છે. ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ અને ભારત ફોર્જ મળીને લગભગ ₹6,900 કરોડની ATAGS યોજના પર કામ કરી રહ્યા છે. ડ્રોન અને અદ્યતન યુદ્ધ ટેક્નોલોજી ક્ષેત્રે પણ ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ, એલએન્ડટી અને અદાણી ડિફેન્સ વચ્ચે સ્પર્ધા વધી રહી છે. લગભગ ₹30 હજાર કરોડની MALE ડ્રોન યોજનામાં અનેક કંપનીઓ રસ દાખવી રહી છે.</p><h4><b>MSME કંપનીઓ પણ સંરક્ષણ ઉત્પાદન સાથે જોડાઈ</b></h4><p>નાણાકીય વર્ષ 2025-26માં ભારતનું સંરક્ષણ નિકાસ ₹38,424 કરોડના રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે, જેમાં ખાનગી ક્ષેત્રનો લગભગ 45 ટકા ફાળો રહ્યો છે. ઉપરાંત સરકારની iDEX યોજના હેઠળ સ્ટાર્ટઅપ્સ અને MSME કંપનીઓ પણ સંરક્ષણ ઉત્પાદન સાથે જોડાઈ રહી છે. નિષ્ણાતોના મતે ખાનગી ક્ષેત્રની વધતી ભાગીદારી ભારતને વૈશ્વિક સંરક્ષણ ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રમાં વધુ મજબૂત સ્થાન અપાવશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/ram-mandir-donation-row-champatraiyas-only-mistake-was-treasurer-govind-devgiris-statement-on-donation-theft" target="_blank">આ પણ વાંચો : Ram Mandir Donation Row: ચંપતરાયની એકમાત્ર ભૂલ હતી કે.. દાનચોરી મામલે કોષાધ્યક્ષ ગોવિંદ દેવગિરીનું નિવેદન</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/QJ3Jk13RZKXxC5J6hNbewevbBDtLbbIcNI7J2Mvd.webp'/></item><item><title><![CDATA[વાંચો બપોરે 12થી 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/read-important-news-from-12-pm-to-03-pm-07-july-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/read-important-news-from-12-pm-to-03-pm-07-july-2026</guid><pubDate>Tue, 07 Jul 2026 15:00:00 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/world/breakingnews/french-president-macron-on-syria-visit-two-explosions-near-hotel-in-damascus" target="_blank">1. France ના રાષ્ટ્રપતિ મેક્રોં સીરિયાના પ્રવાસે, દમિશ્કમાં થયા સીરિયલ બ્લાસ્ટ, 4ના મોત</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/entertainment/news/monday-box-office-break-alpha-remains-no-1-big-drop-in-earnings-of-all-films-including-welcome-to-the-jungle" target="_blank">2. Monday બોક્સ ઓફિસ પર બ્રેક! 'આલ્ફા' નંબર-1 રહી, 'વેલકમ ટુ ધ જંગલ' સહિત તમામ ફિલ્મોની કમાણીમાં મોટો ઘટાડો</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/kutch/bhuj-vayor-psi-indravijaysinh-gohil-acb-trap-bribery-case-absconding" target="_blank">3. Kutch: ભુજમાં વાયોર પોલીસ સ્ટેશનના PSI 40 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/world/news/pakistan-terror-attack-terrorist-attack-on-police-post-in-balochistan-9-killed-including-two-officers" target="_blank">4. Pakistan Terror Attack: બલુચિસ્તાનમાં પોલીસ પોસ્ટ પર આતંકી હુમલો, બે અધિકારી સહિત 9ના મોત</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/cricket/news/sanju-samson-will-sanju-samson-be-out-of-the-2026-asian-games-a-big-reason-has-emerged" target="_blank">5. Sanju Samson: શું સંજુ સેમસન 2026 એશિયન ગેમ્સમાંથી બહાર થઈ જશે? સામે આવ્યું મોટું કારણ!</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-2008-serial-blast-case-high-court-verdict-sanjay-paswan" target="_blank">6. Ahmedabad બ્લાસ્ટ કેસ : " મારા શરીરમાં આજેય બોમ્બના છરા છે " કહેતા પીડિત સંજય પાસવાને ચૂકાદાને સહર્ષ સ્વીકાર્યો, વાંચો તે દિવસે શું થયેલું..</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/ram-mandir-donation-row-why-are-those-who-raised-questions-about-donation-theft-silent-on-the-issue-of-waqf-theft-cm-yogi-lashed-out-at-the-opposition" target="_blank">7. Ram Mandir Donation Row: દાનચોરી પર સવાલ ઉઠાવનારા વક્ફ ચોરી મુદ્દે ચૂપ કેમ? વિપક્ષ પર વરસ્યા CM યોગી</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/rajkot/edible-oil-price-hike-groundnut-oil-cottonseed-oil-rates-up" target="_blank">8. Rajkot: વરસાદી માહોલમાં ભજીયા ખાવા મોંઘા પડશે, સિંગતેલમાં રૂ. 50 અને કપાસિયા તેલમાં 30નો વધારો</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-surat-heavy-rain-waterlogging-varachha-pandesara-kim-gidc-chemical-water-mayor" target="_blank">9. Monsoon 2026 : સુરતની બગડી સૂરત,આખુ શહેર બેટમાં ફેરવાયું,વરાછાથી પાંડેસરા સુધીના વિસ્તારો પાણીમાં ગરકાવ, Video</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/maharashtra-rains-trimbakeshwar-temple-closed-red-alert-for-heavy-rain-in-5-talukas-of-nashik" target="_blank">10. Maharashtra Rains: ત્ર્યંબકેશ્વર મંદિર કરાયુ બંધ, નાસિકના 5 તાલુકામાં ભારે વરસાદનું રેડ એલર્ટ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/tXiBjrbU9qKJB3IAqmvlUkSqeIXws88aLm172bmH.webp'/></item><item><title><![CDATA[Lock Upp Season 2: ગોવિંદા ગમે ત્યાં જાય....50 અફેર કરે...કહેતાં ધ્રુસકે-ધ્રુસકે રોઈ પડી સુનિતા આહુજા, જાણો મામલો ]]></title><link>https://sandesh.com/entertainment/news/lock-upp-season-2-sunita-ahuja-bursts-into-tears-saying-govinda-goes-anywherehas-an-affair-know-the-matter</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/lock-upp-season-2-sunita-ahuja-bursts-into-tears-saying-govinda-goes-anywherehas-an-affair-know-the-matter</guid><pubDate>Tue, 07 Jul 2026 14:49:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલિવૂડ સુપરસ્ટાર ગોવિંદાની પત્ની સુનિતા આહુજા હાલમાં રિયાલિટી શો 'લોક અપ'માં પોતાના વન-લાઇનર્સ અને બિન્દાસ અંદાજને કારણે ભારે ચર્ચામાં છે. શોમાં પોતાના દિલ ખોલીને વાત કરનારી સુનિતાએ તાજેતરમાં જ પતિ ગોવિંદા સાથેના સંબંધો અને તેમના કથિત અફેરને લઈને એવા ખુલાસા કર્યા છે, જેણે સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી છે. વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી શિલ્પા શિંદે સાથેની તકરાર અને સુનિતાના ચોંકાવનારા નિવેદનો સમાચોરની હેડલાઈન બન્યા છે. જાણો સુનિતા આહુજા આખરે કેમ લોકઅપ સિઝન 2માં રોવા લાગી.</p><h2 style="text-align: justify; "><b>સુનિતા- શિલ્પા શિંદેની થઈ ઉગ્ર બોલાચાલી</b></h2><p style="text-align: justify; ">શોમાં વાઇલ્ડ કાર્ડ તરીકે એન્ટ્રી કરનારી અભિનેત્રી શિલ્પા શિંદે સાથે વાતચીત દરમિયાન મામલો ગરમાયો હતો. શિલ્પાએ જ્યારે સુનિતાને કહ્યું કે લોકો તેને ખોટી સમજે છે અને તે એટલી સ્પષ્ટવક્તા નથી, ત્યારે સુનિતાએ જડબાતોડ જવાબ આપતા કહ્યું, "હું લોકોને કહેવા માંગુ છું કે પહેલા તેઓ મારી જગ્યાએ પોતાને મૂકે અને પછી મારો ન્યાય કરે. મારું જીવન, મારા નિયમો છે. ગોવિંદા મારા પતિ છે, ભલે તે ૧૦ અલગ-અલગ જગ્યાએ જાય, હું તેમને છોડવાની નથી. હું મારા મૃત્યુ સુધી ગોવિંદાને પ્રેમ કરતી રહીશ."</p><h4 style="text-align: justify; "><b>"૫૦ વર્ષની મહિલા સાથે અફેર..." સુનિતાનો શિલ્પા પર પલટવાર</b></h4><p style="text-align: justify; ">બાદમાં રામ કપૂર સાથે વાત કરતી વખતે સુનિતાએ શિલ્પા પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેણે શિલ્પા પર કટાક્ષ કરતા કહ્યું કે, તેને અહીં માત્ર લોકોને ઉશ્કેરવા માટે મોકલવામાં આવી છે. જો તે હદ પાર કરશે તો તેણે મારી ખરીખોટી સાંભળવી પડશે. સુનિતાએ ગુસ્સામાં શિલ્પા પર પ્રહાર કરતા વધુમાં કહ્યું, "મારા પરિવાર વિશે વાત ના કર. મારા પતિનું ૫૦ વર્ષની મહિલા સાથે અફેર છે, તારા પિતા શું કરશે? તે મારા પતિ છે, તેમને જે કરવું હોય તે કરવા દો. કોઈને પણ તેમના પર ટિપ્પણી કરવાનો અધિકાર નથી."</p><h4 style="text-align: justify; "><b>શોમાં ભાવુક થઈને રડી પડી સુનિતા</b></h4><p style="text-align: justify; ">આ આક્રમક અંદાજ સિવાય શોમાં સુનિતાનો એક એકદમ નરમ અને ભાવુક ચહેરો પણ જોવા મળ્યો હતો. શોના નિયમો મુજબ જ્યારે તેને ખાવાનું ન મળ્યું ત્યારે તે ખૂબ જ રડી પડી હતી અને તેણે પોતાના બાળકો પાસે ઘરે પાછા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તે સમયે સહ-સ્પર્ધક રિતેશે તેને સાંત્વના આપીને શાંત પાડી હતી. જોકે, ચાહકો માટે સારા સમાચાર એ છે કે સુનિતા આ અઠવાડિયે એલિમેનેશનથી સંપૂર્ણ સુરક્ષિત છે. તેના દમદાર પર્ફોર્મન્સને કારણે શોને જોરદાર ટીઆરપી (TRP) મળી રહી છે, જેને જોતા મેકર્સ તેને કોઈ પણ સંજોગોમાં ઘરે મોકલવાનું જોખમ લઈ શકે તેમ નથી.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/ranveer-singh-birthday-special-from-being-a-waiter-at-starbucks-to-becoming-a-superstar-here-is-ranveer-singhs-struggle-story" target="_blank">આ પણ વાંચો : Ranveer Singh Birthday Special: સ્ટારબક્સમાં વેઈટરથી લઈને સુપરસ્ટાર બનવા સુધી, આવી છે રણવીર સિંહની સંઘર્ષગાથા</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/UKMR8JYuIyZhcVFyLOKMPAk0IVffrjHDYX2PAOml.webp'/></item><item><title><![CDATA[Valsad: ઉપરવાસમાં ભારે વરસાદથી મધુબન ડેમમાં પાણીની  આવક, દમણગંગા નદીમાં પાણી છોડાતા નદી બંને કાંઠે ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/valsad/madhuban-dam-gates-opened-damanganga-river-flood-alert</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/valsad/madhuban-dam-gates-opened-damanganga-river-flood-alert</guid><pubDate>Tue, 07 Jul 2026 14:42:25 +05:30</pubDate><description><![CDATA[<p>દક્ષિણ ગુજરાત અને તેને અડીને આવેલા મહારાષ્ટ્રના પૂર્વીય વિસ્તારો સહિત ડાંગ અને નાસિકના ઘાટ સેક્ટરમાં અવિરત પડી રહેલા ભારે વરસાદની સીધી અસર વલસાડ જિલ્લાના જળાશયો પર જોવા મળી રહી છે. વલસાડ અને સંઘપ્રદેશની સરહદે આવેલા મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં થયેલા મુશળધાર વરસાદને કારણે ડેમમાં પાણીની આવકમાં રેકોર્ડબ્રેક વધારો થયો છે. ડેમની સપાટી નિયમન સ્તર વટાવીને 72.25મીટરે પહોંચી જતાં ઇરિગેશન વિભાગ હરકતમાં આવ્યું છે.</p><h2><b>6 દરવાજા ખોલીને દમણગંગાને કરાઈ સક્રિય</b></h2><p>ડેમની સુરક્ષા અને રૂલ લેવલ જાળવી રાખવા માટે ફ્લડ એન્જિનિયરો દ્વારા મધુબન ડેમના 6 મોટા દરવાજાઓને 1.40 મીટર સુધી ઊંચા કરવામાં આવ્યા છે. આ દરવાજા ખોલાતાની સાથે જ દમણગંગા નદીમાં સફેદ ફીણના ગોટેગોટા સાથે પ્રચંડ જળરાશિ વહેતી થઈ છે. હાલમાં નદીમાં દર કલાકે 31,972 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીનો આ પ્રવાહ આગામી સમયમાં ઉપરવાસના વરસાદના આધારે હજુ પણ વધારવામાં આવી શકે છે, જેના કારણે દમણગંગા નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે.</p><h3><b>&nbsp;લો-લાઇંગ એરિયા હાઇ એલર્ટ પર</b></h3><p>નદીમાં હજારો ક્યુસેક પાણી છોડાવાના કારણે વલસાડ જિલ્લા કલેક્ટર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ દ્વારા તાકીદની બેઠક યોજી નદી કિનારાના તમામ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. વાપી, દમણ અને સેલવાસના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને નદીના પટમાં ન જવા અને પૂરની સ્થિતિ પર નજર રાખવા લાઈવ એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્રે પોલીસ અને ફાયર ફાઇટર્સની ટીમોને કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે બોટ અને લાઈફ જેકેટ સાથે સ્ટેન્ડબાય પર રાખી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/dahegam-heavy-rain-gift-city-monsoon-updates-waterlogging" target="_blank">આ પણ વાંચો: Gandhinagar: દહેગામ પંથક અને ગિફ્ટ સિટીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, સર્વત્ર ઠંડક પ્રસરી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/SF4NgtNsJHuEm9dEZPEEKioZ5qKirWJU308yzN0W.webp'/></item><item><title><![CDATA[Ahmedabad બ્લાસ્ટ કેસ : " મારા શરીરમાં આજેય બોમ્બના છરા છે " કહેતા પીડિત સંજય પાસવાને ચૂકાદાને સહર્ષ સ્વીકાર્યો, વાંચો તે દિવસે શું થયેલું.. ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-2008-serial-blast-case-high-court-verdict-sanjay-paswan</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-2008-serial-blast-case-high-court-verdict-sanjay-paswan</guid><pubDate>Tue, 07 Jul 2026 13:07:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વર્ષ 2008માં સમગ્ર ગુજરાત અને દેશને હચમચાવી મુકનાર અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઇકોર્ટે એક અત્યંત મહત્વનો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે નીચલી અદાલતદ્વારા ફટકારવામાં આવેલી સજાને સંપૂર્ણપણે યથાવત રાખી છે, જેમાં 38 આતંકવાદીઓને ફાંસીની સજા અને 11 આતંકીઓને આજીવન કેદની સજાનો સમાવેશ થાય છે. કોર્ટે આ કેસમાં નીચલી અદાલતના ચુકાદા સામે કરાયેલી તમામ 3 અરજીઓને ફગાવી દીધી છે. આ ચુકાદાને બ્લાસ્ટના પીડિતોએ સહર્ષ સ્વીકારીને ન્યાયતંત્ર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે, પરંતુ સાથે જ આતંકીઓને વહેલી તકે ફાંસીના માચડે લટકાવવાની માંગ પણ બુલંદ બની છે.</p><h2 style="text-align: justify; "><b>પીડિત સંજય પાસવાનની કાળજું કંપાવતી વેદના</b></h2><p style="text-align: justify; ">આ ઐતિહાસિક ચુકાદા બાદ 2008ના બ્લાસ્ટમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા પીડિત સંજય પાસવાને પોતાની આપવીતી અને દર્દ મીડિયા સમક્ષ ઠાલવ્યું હતું. બ્લાસ્ટ થયો ત્યારે ઘટનાસ્થળે જ હાજર રહેલા સંજય પાસવાને જણાવ્યું કે, "હું હાઇકોર્ટના આ ચુકાદાનું સન્માન કરું છું અને તેને સહર્ષ સ્વીકારું છું. ન્યાય પ્રક્રિયાએ સાબિત કરી દીધું છે કે પાપનો ઘડો એક દિવસ ચોક્કસ ભરાય છે. પરંતુ અમારું જે શારીરિક અને માનસિક નુકસાન થયું છે તેની ભરપાઈ કોઈ કરી શકે તેમ નથી."</p><h3 style="text-align: justify; "><b>મારા શરીરમાં બોમ્બના ત્રણ છરા મોજૂદ છે</b></h3><p style="text-align: justify; ">તેમણે ધ્રુજતા અવાજે ઉમેર્યું, "બ્લાસ્ટના તે ભયાનક દિવસ બાદ મેં સતત ત્રણ મહિના સુધી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. આજે આટલા વર્ષો વીતી ગયા હોવા છતાં મારા શરીરમાં બોમ્બના ત્રણ છરા મોજૂદ છે. જો પગમાં આજીવન પાટો બાંધેલો હોય તો જ હું માંડ-માંડ ચાલી શકું છું. આ હુમલો પાકિસ્તાન પ્રેરિત આતંકી કાવતરું હતું જેણે હજારો પરિવારોને બરબાદ કરી દીધા." સંજય પાસવાને વેદના વ્યક્ત કરતા કહ્યું કે અત્યાર સુધી તેમને કોઈ યોગ્ય સરકારી વળતર મળ્યું નથી, પરંતુ હવે ગુનો સાબિત થયા બાદ આતંકીઓને તાત્કાલિક ફાંસી આપવી જોઈએ, તેમાં હવે જરાય રાહ ન જોવી જોઈએ. આ હુમલામાં 40 જેટલા પરિવારોએ પોતાના કમાતા અને વહાલા સ્વજનો ગુમાવ્યા હતા અને ૨૫૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા.</p><h4 style="text-align: justify; "><b>પીડિત પરિવારની કાળજું કંપાવતી વેદના&nbsp;</b></h4><p style="text-align: justify; ">2008 બ્લાસ્ટમાં પિતા ગુમાવનાર પીડિતે વેદના ઠાલવતા કહ્યું, ‘મેં પિતાજીને ના પાડી હતી, તોય તેઓ સાયકલ મૂકીને ગયા અને તેમાં જ બ્લાસ્ટ થયો.’ ન્યાય માટે હવે આતંકીઓ અરજીઓ કરીને સમય ન બગાડે, પીડિત પરિવારોની એક જ માંગ છે કે આવા નરાધમોને વહેલી તકે ફાંસીના માચડે લટકાવવામાં આવે.</p><h4 style="text-align: justify; "><b>પ્રત્યક્ષદર્શી તુલસી ભીલની કાળજું કંપાવતી આપવીતી&nbsp;</b></h4><p style="text-align: justify; ">બ્લાસ્ટના પ્રત્યક્ષદર્શી તુલસી ભીલે ચુકાદા પર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, આવા આતંકીઓને જાહેરમાં ફાંસી આપવી જોઈએ. બ્લાસ્ટ થતાં જ પોતાની ચાની કિટલી છોડી તેઓ ટ્રોમા સેન્ટર સેવા કરવા દોડ્યા હતા, જ્યાં બીજો બ્લાસ્ટ થયો. તેમને 14 છરા વાગ્યા હતા અને આજેય તેમના પગમાં એક છરો મોજૂદ છે.</p><h4 style="text-align: justify; "><b>હાઇકોર્ટ દ્વારા પીડિતોને વળતર ચૂકવવાનો મહત્વનો આદેશ</b></h4><p style="text-align: justify; ">ગુજરાત હાઇકોર્ટે માત્ર સજા જ યથાવત નથી રાખી, પરંતુ પીડિતોની આર્થિક અને સામાજિક સ્થિતિને ધ્યાનમાં રાખીને વળતર ચૂકવવાનો પણ મોટો આદેશ આપ્યો છે. કોર્ટે તમામ વળતરની રકમ  ચૂકવી દેવાનો આદેશ રાજ્ય સરકારને આપ્યો છે. વળતરનું માળખું નીચે મુજબ નક્કી કરવામાં આવ્યું છે:</p><p style="text-align: justify; ">બોમ્બ બ્લાસ્ટમાં મૃતક પામેલા નિર્દોષ લોકોના આશ્રિતોને રૂ. 10 લાખનું વળતર આપવા આદેશ અપાયો છે તો જેઓ ગંભીર રીતે ઘવાયા છે અને જેમના અંગોને નુકસાન થયું છે તેવા પીડિતોને રૂ. 5 લાખનું વળતર ચૂકવવા આદેશ અપાયો છે.  બ્લાસ્ટમાં ઇજાગ્રસ્ત થયેલા અન્ય લોકોને રૂ. 1 લાખનું વળતર આપવા આદેશ કરાયો છે.</p><h4 style="text-align: justify; "><b>સરકારી વકીલ અમિત પટેલે શું કહ્યું</b></h4><p style="text-align: justify; ">સરકારી વકીલ અમિત પટેલે મીડિયાને કહ્યું હતું કે 18 વર્ષની લાંબી સુનાવણી બાદ હાઇકોર્ટે સ્પે. કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો છે. અમિત પટેલે જણાવ્યું કે, 38 દોષિતોની ફાંસી અને 11ની આજીવન કેદની સજા યથાવત રખાઈ છે. આ સાથે જ હાઇકોર્ટે સરકારને પીડિતો માટે વળતર ચૂકવવાનો પણ અત્યંત મહત્વનો આદેશ કર્યો છે.</p><p style="text-align: justify; "><b style="font-size: 1.5rem;">26 જુલાઈ 2008ની 90 મિનિટ જેણે અમદાવાદને લોહીલુહાણ કર્યું</b></p><p style="text-align: justify; ">26 જુલાઈ 2008 શનિવારનો એ કાળો દિવસ અમદાવાદના ઇતિહાસમાં ક્યારેય ન ભૂલી શકાય તેવો છે. સાંજે 6.15 થી 7.45 વાગ્યા સુધીના માત્ર 90 મિનિટના ગાળામાં અમદાવાદ શહેરના અલગ-અલગ 20 વિસ્તારોમાં 21 જેટલા ઉપરાઉપરી સિરિયલ બ્લાસ્ટ થયા હતા. આતંકીઓએ અત્યંત ક્રૂરતાપૂર્વક સાઇકલ, કાર અને સરકારી બસોમાં એલપીજી સિલિન્ડર સાથે બોમ્બ પ્લાન્ટ કર્યા હતા. આ બ્લાસ્ટમાં 56 નિર્દોષ નાગરિકોના કરુણ મોત નિપજ્યા હતા, જ્યારે 246 થી વધુ લોકો ગંભીર રીતે ઘવાયા હતા.</p><p style="text-align: justify; "><img alt="2008 Ahmedabad Blast Case: Gujarat High Court Upholds Death Penalty for 38 Convicts, Victim Demands Immediate Hanging." src="https://epapercdn.sandesh.com/images/2026/07/07/qSCx6wb2QTzBQNpqpshw0mq8vbuOr3wM8MfYwR64.webp"><br></p><h4 style="text-align: justify; "><b>હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બહાર પાર્ક કરેલી કારમાં પણ બ્લાસ્ટ</b></h4><p style="text-align: justify; ">આતંકવાદીઓની ક્રૂરતાની હદ તો ત્યારે વટાવી ગઈ જ્યારે તેમણે સિવિલ હોસ્પિટલ અને એલ.જી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બહાર પાર્ક કરેલી વેગન આર અને મારુતિ કારમાં પણ બોમ્બ બ્લાસ્ટ કર્યા. હોસ્પિટલમાં જ્યારે ઇજાગ્રસ્તોને લાવવામાં આવી રહ્યા હતા ત્યારે જ ત્યાં બીજો બ્લાસ્ટ કરીને વધુમાં વધુ તબીબો અને દર્દીઓને મારવાનું આયોજન હતું.</p><h4 style="text-align: justify; "><b>દેશના ઇતિહાસની સૌથી મોટી તપાસ અને ચુકાદો</b></h4><p style="text-align: justify; ">અમદાવાદ પોલીસે આ ઘટનાના માત્ર 19 જ દિવસમાં આખા આતંકી નેટવર્કનો પર્દાફાશ કરી દીધો હતો. વર્ષ 2009માં દાખલ થયેલા આ કેસનો ચુકાદો 13 વર્ષ બાદ 18 ફેબ્રુઆરી, 2022ના રોજ આવ્યો હતો. આ કેસમાં કુલ 35 એફઆઈઆર (અમદાવાદમાં 20 અને સુરતમાં 15) નોંધવામાં આવી હતી અને 548 ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. કાનૂની ઇતિહાસમાં પ્રથમ વખત 6 હજાર પુરાવા, 1163 સાક્ષીઓ તપાસીને 7 હજાર પેજનો ચુકાદો આપવામાં આવ્યો હતો. જેની પેપર બુક કુલ 7.88 લાખ પેજની છે. જેમાં અમદાવાદ સીટી સેશન્સ કોર્ટે દેશના ઈતિહાસમાં પહેલીવાર એકસાથે 38 આરોપીઓને ફાંસી અને 11 આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની કેદ ફટકારી હતી અને 29 આરોપીઓને નિર્દોષ છોડ્યા હતા.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><img alt="2008 Ahmedabad Blast Case: Gujarat High Court Upholds Death Penalty for 38 Convicts, Victim Demands Immediate Hanging." src="https://epapercdn.sandesh.com/images/2026/07/07/OGVpIgBNpd5TyLj5WT9lx3OzFr86jORRbMcRCjPE.webp"><br></p><h4 style="text-align: justify; "><b>હાલોલ આતંકી કેમ્પ: જ્યાં જેહાદના નામે અપાઈ હતી ટ્રેનિંગ</b></h4><p style="text-align: justify; ">તપાસમાં બહાર આવ્યું હતું કે આ બ્લાસ્ટનું આયોજન કરવા માટે જાન્યુઆરી 2008માં પંચમહાલના હાલોલ ખાતે આતંકી કેમ્પ યોજવામાં આવ્યો હતો. પ્રતિબંધિત સંગઠન SIMI (સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મુવમેન્ટ ઓફ ઇન્ડિયા) ના સફદર નાગોરીએ ગુજરાત આવીને હાલોલની જંગલવાળી જગ્યા પસંદ કરી હતી. અહીં 20 થી વધુ આતંકીઓએ ભાગ લીધો હતો, જેઓ ટ્રેકિંગના બહાને દરગાહના મુસાફરખાનામાં રોકાયા હતા. કયામુદ્દીન નામના આતંકીએ આ કેમ્પમાં પેટ્રોલ અને પાઇપ બોમ્બ બનાવવાની રીત શીખવી હતી. કેમ્પમાં જેહાદી ભાષણો આપીને ભીડવાળી જગ્યાઓ પર બ્લાસ્ટ કરવાનું આયોજન ઘડાયું હતું. આ આતંકીઓ ગુજરાત, મધ્યપ્રદેશ, કેરાલા, કર્ણાટક, ઉત્તર પ્રદેશ સહિત દેશના અલગ-અલગ 12 રાજ્યોના રહેવાસી હતા.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><img alt="2008 Ahmedabad Blast Case: Gujarat High Court Upholds Death Penalty for 38 Convicts, Victim Demands Immediate Hanging." src="https://epapercdn.sandesh.com/images/2026/07/07/szYWbcmwMlIeKZhJoyfmSYNT1vkSTYi7tmpDxtyX.webp"><br></p><h4 style="text-align: justify; "><b>ચુકાદાને પગલે હાઇકોર્ટ છાવણીમાં ફેરવાઈ</b></h4><p style="text-align: justify; ">હાઇકોર્ટના આ સંવેદનશીલ ચુકાદાને પગલે કોર્ટ પરિસરમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. DCP હર્ષદ પટેલની આગેવાનીમાં 120  થી વધુ પોલીસ જવાનો, સોલા અને ગુજરાત યુનિવર્સિટીના PI, તેમજ SRP ની ટુકડીઓ તહેનાત કરાઈ હતી. બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્ક્વોડ  દ્વારા સમગ્ર કોર્ટની તપાસ કરાઈ હતી અને દરેક મુલાકાતીને સઘન ચેકિંગ બાદ જ પ્રવેશ અપાયો હતો. એક અદ્ભુત સંયોગ એવો છે કે વર્ષ 2022માં નીચલી કોર્ટે જ્યારે સજા સંભળાવી ત્યારે પણ મંગળવાર હતો, અને આજે હાઇકોર્ટે પણ મંગળવારે જ આ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/india/ahmedabad/sandesh-digital-explainer-amarnath-yatra-ice-shivling-melting-reasons-global-warming-route-guide" target="_blank"><b> Sandesh Digital Explainer : અમરનાથ ગુફામાં હિમ શિવલિંગ વહેલા ઓગળવા પાછળના 5 ઇનસાઇડ કારણો..!</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/AiMzyMHWf1I6uOg3sOHWygii9zY3H6sg1OtGhFB6.webp'/></item><item><title><![CDATA[Kylian Mbappeને કોણે આપી લીગલ એક્શનની ધમકી, જાણો શું છે આખો વિવાદ ]]></title><link>https://sandesh.com/sports/news/who-threatened-kylian-mbappe-with-legal-action-know-what-the-whole-controversy-is-about</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/who-threatened-kylian-mbappe-with-legal-action-know-what-the-whole-controversy-is-about</guid><pubDate>Tue, 07 Jul 2026 12:41:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફૂટબોલ વર્લ્ડ કપની રોમાંચક મેચો બાદ હવે મેદાનની બહાર પણ એક મોટો વિવાદ છેડાયો છે.ફ્રાન્સના સ્ટાર ફૂટબોલર અને કેપ્ટન કાઈલિયન એમ્બાપ્પે (Kylian Mbappe) અને પરાગ્વેના મહિલા સીનેટર સેલેસ્ટે અમરિલા (Celeste Amarilla) સામસામે આવી ગયા છે. આ વિવાદ એટલો વધી ગયો છે કે પરાગ્વેના સીનેટરે એમ્બાપ્પે સામે કાનૂની પગલાં લેવાની અને જેન્ડર વાયોલન્સનો કેસ કરવાની ધમકી આપી દીધી છે.</p><h3 style="text-align: justify; "><b>વિવાદની શરૂઆત કેવી રીતે થઈ?</b></h3><p style="text-align: justify; ">આ સમગ્ર વિવાદની શરૂઆત વર્લ્ડ કપના રાઉન્ડ ઓફ 16ની મેચમાં ફ્રાન્સની પરાગ્વે સામેની જીત બાદ થઈ હતી. મેચ પછી પરાગ્વેના સીનેટર સેલેસ્ટે અમરિલાએ એમ્બાપ્પે પર આકરા પ્રહારો કરતા તેને કોલોનાઇઝ્ડ કેમરૂનિયન અને ફ્રેન્ચ હોવાનો ડોળ કરનારો,ઘમંડી,નવો અમીર અને કદરૂપો કહ્યો હતો.અમરિલાએ એવો પણ દાવો કર્યો હતો કે આખી મેચ દરમિયાન એમ્બાપ્પે અને તેની ટીમ ડરેલી હતી.</p><h4 style="text-align: justify; "><b>એમ્બાપ્પેનો પલટવાર</b></h4><p style="text-align: justify; ">સીનેટરની આ નસ્લવાદી (Racist) ટિપ્પણી પર એમ્બાપ્પેએ આકરા શબ્દોમાં વળતો પ્રહાર કર્યો હતો.એમ્બાપ્પેએ અમરિલાને ઘૃણાસ્પદ મહિલા ગણાવીને કહ્યું કે તમે આ પદ માટે લાયક નથી.તમે પરાગ્વેનું પ્રતિનિધિત્વ નથી કરતા,કારણ કે તે દેશે આખા ટૂર્નામેન્ટમાં જુસ્સા અને સન્માન સાથે રમત બતાવી છે. તમારા ખુલ્લેઆમ નસ્લવાદને કારણે દુનિયા પરાગ્વેના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન ભૂલી ગઈ છે અને તમારા જેવી અયોગ્ય મહિલાની છબી સામે આવી છે.હું દુનિયામાં નફરત ફેલાવવાની આઝાદી કોઈને નહીં આપું.</p><p style="text-align: justify; "><a href="https://x.com/CelesteSenadora/status/2074328338580025478?s=20" target="_blank">https://x.com/CelesteSenadora/status/2074328338580025478?s=20</a></p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>સીનેટર અમરિલાનો બચાવ અને એમ્બાપ્પે સામે નારાજગી</b></h4><p style="text-align: justify; ">એમ્બાપ્પેના જવાબ પછી, સીનેટર અમરિલાએ સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શેર કરીને પોતાનો બચાવ કર્યો હતો.તેમણે સ્પષ્ટતા કરી કે તેમને ફ્રાન્સ દેશ સામે કોઈ વાંધો નથી,પરંતુ સમસ્યા માત્ર એમ્બાપ્પેના ઘમંડ સામે છે.અમરિલાએ લખ્યું,સમસ્યા તમારી અને મારી વચ્ચે છે.મેં ફ્રાન્સ સામે ક્યારેય કંઈ નથી કહ્યું.હું તો નાનપણથી ફ્રેન્ચ સ્કૂલમાં ભણી છું,ફ્રેન્ચ બોલું છું અને ફ્રાન્સમાં રજાઓ ગાળવી મને ગમે છે.તેમણે એમ્બાપ્પે પર આરોપ લગાવ્યો કે મેચ પહેલા એમ્બાપ્પેએ પરાગ્વેની ટીમની મજાક ઉડાવી હતી,જેના કારણે ગુસ્સામાં આવીને તેમણે એ પોસ્ટ લખી હતી,જોકે બાદમાં તેમણે એ પોસ્ટ ડીલીટ પણ કરી દીધી હતી.</p><h4 style="text-align: justify; "><b>લૈંગિક હિંસાનો આરોપ અને કાનૂની ધમકી</b></h4><p style="text-align: justify; ">અમરિલાએ હવે એમ્બાપ્પે પાસે સાર્વજનિક માફીની માંગ કરી છે.તેમણે કહ્યું કે,તમે મને ઓળખતા નથી,તો તમે મને ઘટિયા કે નાકાબિલ કેવી રીતે કહી શકો? હું પરાગ્વેના હજારો લોકોના વોટથી ચૂંટાયેલી સીનેટર છું. આ સીધેસીધી લૈંગિક હિંસા અને રાજકીય હિંસા છે. તમે એક મહિલા હોવાના કારણે મારી નફરત કરી રહ્યા છો.સીનેટર અમરિલાએ અંતમાં ચીમકી આપતા લખ્યું છે કે,એમ્બાપ્પે પોતાનું નિવેદન પાછું ખેંચે અને માફી માંગે,નહીંતર તેઓ આ લૈંગિક હિંસા બદલ ફ્રેન્ચ કેપ્ટન સામે કાનૂની કાર્યવાહી કરશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-spain-scores-last-minute-goal-to-beat-portugal-1-0" target="_blank">FIFA World Cup 2026 : સ્પેને છેલ્લી ઘડીએ ગોલ કરીને પોર્ટુગલને 1-0 થી હરાવ્યું</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/NCPUH7Mzda99BfUaXviZRkXFXe4pAvn7k39ep8KW.webp'/></item></channel></rss>