<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Gandhinagar News: કલોલમાં રહેણાંક વિસ્તારમાં કુટણખાનું ઝડપાયું, 3 મહિલા ઝડપાઈ ]]></title><link>https://sandesh.com/crime/news/gandhinagar/kalol-prostitution-racket-busted-residential-area</link><guid isPermaLink="true">https://sandesh.com/crime/news/gandhinagar/kalol-prostitution-racket-busted-residential-area</guid><pubDate>Mon, 22 Jun 2026 20:20:34 +05:30</pubDate><description><![CDATA[<p>ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કલોલમાં એક શાંત અને રહેણાંક વિસ્તારમાં ધમધમતા કુટણખાના પર સ્થાનિક લોકોએ પોલીસને સાથે રાખીને દરોડો પાડ્યો હતો. આ જનતા રેડને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે અને આસપાસના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.</p><h2><b>સ્થાનિકોએ પોલીસ સાથે મળી પાડ્યો દરોડો, 3 મહિલા ઝડપાઈ</b></h2><p>મળતી માહિતી મુજબ, કલોલના એક રહેણાંક વિસ્તારમાં લાંબા સમયથી શંકાસ્પદ ગતિવિધિઓ ચાલી રહી હતી. જે અંગે સ્થાનિક રહીશોએ કલોલ શહેર પોલીસ મથકમાં રજૂઆત કરી હતી. ત્યારબાદ જાગૃત નાગરિકોએ પોલીસ કાફલાને સાથે રાખીને સંબંધિત મકાન પર અચાનક દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન દેહ વ્યાપારના કાળા કારોબાર સાથે સંકળાયેલી ૩ મહિલાઓ રંગેહાથ ઝડપાઈ ગઈ હતી. જોકે, દરોડાની ભનક લાગતા જ ત્યાં હાજર 3 ગ્રાહકો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.</p><h2><b>રહેણાંક વિસ્તારમાં ગંદો ધંધો બંધ કરવા ઉગ્ર માંગ</b></h2><p>પકડાયેલી ત્રણેય મહિલાઓને પોલીસ મથકે લાવવામાં આવી છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોએ કલોલ શહેર પોલીસ મથકે એકઠા થઈને ઉગ્ર રજૂઆત કરી હતી. લોકોની માંગ છે કે, પકડાયેલી મહિલાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને રહેણાંક વિસ્તારની શાંતિ હણતા આવા અનૈતિક અડ્ડાઓ કાયમ માટે બંધ કરાવવામાં આવે. પોલીસે હાલ ફરાર થઈ ગયેલા ગ્રાહકોને શોધવા અને આ રેકેટના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/gandhinagar-sogs-big-crackdown-vijay-patel-the-mastermind-of-the-crores-scholarship-scam-arrested" target="_blank">Gandhinagar SOGનો મોટો સપાટો: કરોડોના શિષ્યવૃત્તિ કૌભાંડના માસ્ટરમાઇન્ડ ‘વિજય પટેલ’ની કરી ધરપકડ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/22/YuafXSXhRaxl1axAaOGNR1lfMTOXP2xzMClBx1gc.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup: મેસ્સી પાસે ઈતિહાસ રચવાની તક, ઓસ્ટ્રિયા સામે ગોલ કરતા બનશે 3 મોટા રેકોર્ડ ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/lionel-messi-close-to-multiple-fifa-wc-records-vs-austria</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/lionel-messi-close-to-multiple-fifa-wc-records-vs-austria</guid><pubDate>Mon, 22 Jun 2026 20:10:50 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આર્જેન્ટિનાના ફિફા વર્લ્ડકપ 2026ના કેપ્ટન લિયોનેલ મેસ્સી સોમવારે ઓસ્ટ્રિયા સામે ગ્રુપ J મેચમાં ફૂટબોલ ઈતિહાસના ઘણા મોટા રેકોર્ડ તોડવાની ખૂબ નજીક છે. આ પહેલા આર્જેન્ટિનાએ અલ્જેરિયા સામે રમાયેલી મેચમાં 3-0 થી શાનદાર વિજય નોંધાવ્યો હતો.&nbsp;</p><p style="text-align: justify; ">તે મેચમાં મેસ્સીએ તેના કરિયરની પ્રથમ વર્લ્ડકપ હેટ્રિક ફટકારી હતી અને આર્જેન્ટિના માટે તેની 200મી મેચ પણ પૂર્ણ કરી હતી. હવે 38 વર્ષનો મેસ્સી ઓસ્ટ્રિયા સામેની મેચમાં 3 નવા રેકોર્ડ બનાવવા પર નજર રાખી રહ્યો છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>મેસ્સી પાસે વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરવાની તક છે</b></h2><p style="text-align: justify; ">લિયોનેલ મેસ્સીએ સતત 5 વર્લ્ડકપ મેચોમાં ગોલ કર્યા છે. જો તે ઓસ્ટ્રિયા સામે ઓછામાં ઓછો 1 ગોલ કરે છે, તો તે સતત 6 વર્લ્ડકપ મેચોમાં ગોલ કરવાના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરશે. હાલમાં આ રેકોર્ડ સંયુક્ત રીતે ફ્રાન્સના જસ્ટ ફોન્ટેન અને બ્રાઝિલના જૈરઝિન્હો પાસે છે. આ મેચમાં મેસ્સી પાસે આ વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરવાની તક હશે.</p><h3 style="text-align: justify; "><b>મેસ્સી સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બની શકે છે</b></h3><p style="text-align: justify; ">ઓસ્ટ્રિયા સામે ફક્ત 1 ગોલ કરીને, મેસ્સી ફિફા વર્લ્ડકપના ઈતિહાસમાં સર્વકાલીન ટોપ સ્કોરર બની જશે. તે હાલમાં 16 ગોલ સાથે જર્મન દિગ્ગજ મિરોસ્લાવ ક્લોઝ સાથે રેકોર્ડ શેર કરે છે. વધુમાં જો મેસ્સી પેનલ્ટી બોક્સની બહાર (લાંબા અંતરથી) આ ગોલ કરે છે, તો તે વર્લ્ડકપ ઈતિહાસમાં બોક્સની બહારથી સૌથી વધુ ગોલ કરવાનો નવો રેકોર્ડ પણ બનાવશે. મેસ્સીએ અત્યાર સુધી બોક્સની બહારથી 5 ગોલ કર્યા છે.</p><h4 style="text-align: justify; "><b>મેસ્સીએ 16 વર્લ્ડકપ મેચ જીતી</b></h4><p style="text-align: justify; ">જો આર્જેન્ટિના ઓસ્ટ્રિયા સામેની આ મેચ જીતી જાય છે, તો તે મેસ્સીની 17મી વર્લ્ડકપ જીત હશે. આ સાથે તે મિરોસ્લાવ ક્લોઝના સૌથી વધુ વર્લ્ડકપ જીતના રેકોર્ડની બરાબરી કરશે. મેસ્સીએ અત્યાર સુધીમાં 16 વર્લ્ડકપ મેચ જીતી છે, જ્યારે મિરોસ્લાવ ક્લોઝ 17 વર્લ્ડકપ મેચ જીતવામાં સફળ રહ્યો છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/entertainment/virat-kohli-photos-with-son-akaay-anushka-sharma" target="_blank">Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/22/BmvXOxD1GkVAG9sB8PZvg6yqE4atagrdzIp3wJph.webp'/></item><item><title><![CDATA[West Bengal : બળવાખોર ધારાસભ્યોએ TMCની કમાન સંભાળી, મમતા બેનર્જીને અધ્યક્ષ પદથી હટાવ્યા ]]></title><link>https://sandesh.com/india/news/-political-news/west-bengal-tmc-rebel-mlas-take-control-remove-mamata-banerjee-chairperson</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/-political-news/west-bengal-tmc-rebel-mlas-take-control-remove-mamata-banerjee-chairperson</guid><pubDate>Mon, 22 Jun 2026 20:02:20 +05:30</pubDate><description><![CDATA[<p>પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં ચાલી રહેલી આંતરિક રાજકીય ખેંચતાણ હવે વધુ તેજ બની છે. ઋતબ્રત બેનર્જીના નેતૃત્વ હેઠળના બળવાખોર ધારાસભ્યોના સંગઠને મોટો દાવો કર્યો છે કે તેમણે પાર્ટી પર કબજો કરી લીધો છે અને નવા સંગઠનાત્મક ફેરફારો પણ જાહેર કર્યા છે.</p><h2><b>અરૂપ રોયને નવા ચેરમેન બનાવવામાં આવ્યા</b></h2><p>બળવાખોર ધારાસભ્યોના સંગઠન દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, મમતા બેનર્જીને પાર્ટીના ચેરપર્સન પદેથી હટાવવામાં આવ્યા છે અને અભિષેક બેનર્જીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ ધારાસભ્ય અરુપ રોયને નવા ચેરમેન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ નિર્ણય બાદ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.</p><h3><b>બળવાખોર TMC માટે એક મોટો રાજકીય દાવો</b></h3><p>આ સમગ્ર ઘટનાક્રમને બળવાખોર TMC માટે એક મોટો રાજકીય દાવો માનવામાં આવી રહ્યો છે, જેમાં તેઓ પાર્ટીની નેતૃત્વ રચનાને સંપૂર્ણપણે બદલવાનો સંકેત આપી રહ્યા છે. મળતી માહિતી મુજબ, બળવાખોર ધારાસભ્યોના સંગઠન પાસે આશરે 60 ધારાસભ્યો અને 70થી વધુ નગરપાલિકા સભ્યોનું સમર્થન છે, જેના આધારે તેઓ સંગઠન પર કાબૂનો દાવો કરી રહ્યા છે.</p><h4><b>ઋતબ્રત બેનર્જી કરશે આગેવાની</b></h4><p>ઋતબ્રત બેનર્જીની આગેવાની હેઠળ ન્યુટાઉનમાં બાગી કાઉન્સિલરોની બેઠક યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આવનારા સમયમાં કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ રાજકીય હલચલ વધુ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અગાઉ વિધાનસભામાં પણ બળવાખોર ધારાસભ્યોના સંગઠન દ્વારા સહી સંબંધિત વિવાદ ઉભો થયો હતો, જેમાં કેટલાક ધારાસભ્યોએ સહી ન કરવા અને ખોટી સહીના આક્ષેપો કર્યા હતા. ત્યારબાદ મામલો સ્પીકર સુધી પહોંચ્યો હતો.</p><p>ધીમે ધીમે અનેક ધારાસભ્યો ઋતબ્રત બેનર્જીના સમર્થનમાં આવ્યા અને પછી વિપક્ષ નેતા પદને લઈને પણ વિવાદ ઊભો થયો. મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો, પરંતુ અંતે ઋતબ્રત બેનર્જીના પક્ષમાં નિર્ણય આવ્યો હતો. આ નવી ઘટનાથી પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ફરીથી મોટો ભૂકંપ આવ્યો છે.<br><br><b><a href="https://sandesh.com/knowledge/news/india/lucknow-gaming-zone-fire-why-does-fire-spread-so-quickly-in-the-gaming-zone-what-is-the-reason-know" target="_blank">આ પણ વાંચો : Lucknow Gaming Zone Fire: ગેમિંગ ઝોનમાં કેમ આટલી ઝડપથી લાગે છે આગ, શું છે કારણ?, જાણો</a></b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/22/26J16lLzSNmMdsqrsIFHY7pga1oFUfXUnOlAbAhT.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે પર વાહન રિપેર અને પંક્ચર સુવિધા અપાશે: NHAIનો નિર્ણય ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/nhai-to-provide-vehicle-repair-and-puncture-services-on-national-highways-and-expressways</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/nhai-to-provide-vehicle-repair-and-puncture-services-on-national-highways-and-expressways</guid><pubDate>Mon, 22 Jun 2026 19:52:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા મુસાફરોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.હવેથી નેશનલ હાઈવે અને એક્સપ્રેસવે પર વાહન રિપેરિંગ અને પંક્ચરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોને મુસાફરી દરમિયાન પડતી મુશ્કેલીઓ ઘટાડવાનો અને ઇમરજન્સીમાં તાત્કાલિક મદદ પહોંચાડવાનો છે.</p><h2 style="text-align: justify; "><b>મુસાફરોને તાત્કાલિક મિકેનિકલ મદદ મળી રહેશે</b></h2><p style="text-align: justify; ">NHAI દ્વારા જારી કરવામાં આવેલી સૂચના મુજબ હાઈવે પર આવેલી વેઈસાઈડ એમેનિટીઝ એટલે કે રસ્તાની બાજુમાં આવેલી સુવિધાઓમાં હવે ખાસ રિપેર શોપ અને પંક્ચરની દુકાનો શરૂ કરવામાં આવશે.અત્યાર સુધી લાંબા અંતરની મુસાફરી દરમિયાન જો વાહન બગડે કે ટાયર પંક્ચર થાય તો વાહનચાલકોએ ઘણીવાર કલાકો સુધી મિકેનિકની રાહ જોવી પડતી હતી અથવા તો દૂર સુધી વાહન ખેંચીને જવું પડતું હતું.નવી વ્યવસ્થાના અમલીકરણથી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.આ નવી વ્યવસ્થાથી વાહન બગડવાની સ્થિતિમાં મુસાફરોને તાત્કાલિક મિકેનિકલ મદદ મળી રહેશે જેથી તેઓ ઝડપથી મુસાફરી ફરી શરૂ કરી શકશે.</p><h3 style="text-align: justify; "><b>સમય વેડફાતો હતો તેમાં નોંધપાત્ર ઘટાડો</b></h3><p style="text-align: justify; ">અગાઉ વાહન રિપેરિંગ માટે જે સમય વેડફાતો હતો તેમાં નોંધપાત્ર ઘટાડો થશે.અકસ્માત કે વાહન બંધ પડવા જેવી સ્થિતિમાં હાઈવે પર ઊભા રહેવું જોખમી બની શકે છે.રિપેરિંગ સુવિધા ઉપલબ્ધ હોવાથી વાહનચાલકો વધુ સુરક્ષિત અનુભવશે.ઘણીવાર હાઈવે પર વાહનો અધવચ્ચે અટવાઈ જવાને કારણે પાછળથી આવતા વાહનો સાથે અકસ્માત થવાની શક્યતા રહે છે. જો રિપેરિંગ સુવિધા નજીકમાં જ ઉપલબ્ધ હશે તો વાહનને જલ્દીથી રસ્તા પરથી દૂર કરી શકાશે. જેનાથી ટ્રાફિક જામની સમસ્યા ઘટશે અને માર્ગ અકસ્માતો પર પણ અંકુશ મેળવી શકાશે.</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/india/news/sandesh-explainer-why-do-major-fire-tragedies-keep-happening-lessons-from-lucknow-and-surat" target="_blank">આ પણ વાંચોઃ Sandesh Explainer: લખનઉમાં અલિગંજના અગ્નિકાંડ બાદ પણ સળગતા સવાલો, આખરે આવી ઘટનાઓ બને છે કેમ?</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/22/pVZNI4MiVY2JIzcdG6r1jzErjcSRBgEByWHnEblt.webp'/></item><item><title><![CDATA[Surat News: સરથાણાની હોટલમાં દંપતીનો આત્મહત્યાનો પ્રયાસ, સારવાર દરમિયાન પત્નીનું મોત, પતિ ગંભીર ]]></title><link>https://sandesh.com/crime/news/surat/sarthana-la-marina-hotel-couple-suicide-attempt-wife-dies</link><guid isPermaLink="true">https://sandesh.com/crime/news/surat/sarthana-la-marina-hotel-couple-suicide-attempt-wife-dies</guid><pubDate>Mon, 22 Jun 2026 19:40:15 +05:30</pubDate><description><![CDATA[<p>આર્થિક નગરી સુરતના સરથાણા વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં આવેલી એક હોટલના રૂમમાં પરિણીત દંપતીએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.</p><h2><b>લા મરિના હોટલમાં આત્મહત્યાનો પ્રયાસ</b></h2><p>મળતી માહિતી અનુસાર, સરથાણા વિસ્તારમાં આવેલી 'લા મરિના હોટલ'ના એક રૂમમાં આ દંપતીએ આ પગલું ભર્યું હતું. ઘટનાની જાણ થતાં જ હોટલ સ્ટાફ અને સ્થાનિક લોકોએ બંનેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન કમનસીબે પત્નીનું મોત નીપજ્યું છે, જ્યારે પતિની સ્થિતિ હજુ ગંભીર હોવાનું કહેવાય છે અને તે હાલ ડોક્ટરોની દેખરેખ હેઠળ સારવાર મેળવી રહ્યો છે.</p><h2><b>આત્મહત્યાનું કારણ હજુ અકબંધ</b></h2><p>ઘટનાની માહિતી મળતા જ સરથાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયો હતો. પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, દંપતીએ કયા કારણોસર આટલું આકરો પગલું ભર્યું તે કારણ હજૂ સુધી જાણી શકાયું નથી. પોલીસ હોટલના સ્ટાફ અને દંપતીના પરિવારજનોની પૂછપરછ કરી વધુ તપાસ ચલાવી રહી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/surat/surat-singer-riddhi-rajpara-jayesh-vaghela-intercaste-marriage-controversy-patidar-samaj" target="_blank">Surat : વધુ એક લોકગાયિકાના આંતરજ્ઞાતીય લગ્નથી ભારે ખળભળાટ, પાટીદાર સમાજ લાલઘૂમ, સ્ટેજ બહિષ્કારની અપીલ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/22/91FF8E9gsFGfNdNgTvhVj0oqMdAMiFOt9V2ChcHS.webp'/></item><item><title><![CDATA[Railwayમાં પ્રતિબંધિત સામાન લઈ જતા પકડાશો તો લાગશે તગડો દંડ, જાણી લો રકમ ]]></title><link>https://sandesh.com/india/news/indian-railways-new-fine-2026-banned-items-train-safety-rules-penalty-update</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/indian-railways-new-fine-2026-banned-items-train-safety-rules-penalty-update</guid><pubDate>Mon, 22 Jun 2026 19:30:24 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય રેલવેએ મુસાફરોની સુરક્ષા અને સલામતી વધારવા માટે નવા દંડ નિયમ 2026 હેઠળ મોટો નિર્ણય લીધો છે. હવે ટ્રેનોમાં પ્રતિબંધિત અથવા જોખમી વસ્તુઓ લઈ જનાર મુસાફરો પર વધુ કડક દંડ લાગુ કરવામાં આવશે. આ નિયમોનો હેતુ રેલવે વ્યવસ્થાને વધુ સુરક્ષિત અને શિસ્તબદ્ધ બનાવવાનો છે.</p><h2><b>સજાની પણ છે જોગવાઈ&nbsp;</b></h2><p>રેલવે મંત્રાલયે 19 જૂને જાહેર કરેલા નોટિફિકેશન મુજબ, જન વિશ્વાસ (પ્રાવધાન સંશોધન) અધિનિયમ 2026 હેઠળ રેલવે અધિનિયમ 1989ની સંબંધિત જોગવાઈઓ લાગુ કરવામાં આવી છે. નવા નિયમ મુજબ, ટ્રેનમાં આપત્તિજનક અથવા પ્રતિબંધિત સામાન લઈ જવા બદલ ઓછામાં ઓછો ₹10,000નો દંડ નક્કી કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, જો આવા કૃત્યથી રેલવેને કોઈ નુકસાન થાય તો સંબંધિત વ્યક્તિ તેની ભરપાઈ માટે પણ જવાબદાર રહેશે. દંડ ન ચૂકવવામાં આવે તો એક વર્ષ સુધીની કેદ અથવા ₹10,000નો દંડ અથવા બંને સજાની જોગવાઈ રાખવામાં આવી છે.</p><h3><b>અગાઉ 1000 રૂપિયા હતો દંડ&nbsp;</b></h3><p>આ પહેલા આવા ઉલ્લંઘન માટે ત્રણ વર્ષ સુધીની કેદ અથવા ₹1,000 સુધીનો દંડ લાગતો હતો. હવે નવા નિયમો હેઠળ દંડની રકમ અને કડકાઈ બંનેમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. રેલવે નિયમો મુજબ મુસાફરો ટ્રેનમાં સ્ટોવ, ગેસ સિલિન્ડર, કેરોસીન, પેટ્રોલ, ફટાકડા, માચિસ, સળગતી વસ્તુઓ, ધારદાર હથિયાર અથવા હથિયારો જેવી જોખમી વસ્તુઓ લઈ જઈ શકતા નથી.</p><p>રેલ મંત્રાલય મુસાફરોની સુવિધા અને સુરક્ષા સુધારવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. તાજેતરમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં રેલવે મંત્રીએ સ્ટેશન માસ્ટરની ભૂમિકા અને સત્તા વધારવા પર પણ ચર્ચા કરી હતી, જેથી ટ્રેન સંચાલન વધુ સુરક્ષિત અને કાર્યક્ષમ બની શકે.<br><br><b><a href="https://sandesh.com/india/news/world/brahmos-missile-global-demand-uae-thailand-14-countries-interested-india-defense-export" target="_blank">આ પણ વાંચો : Brahmos Missileની વૈશ્વિક માગમાં ઉછાળો, UAEથી થાઈલેન્ડ સહિતના 14 દેશ ખરીદવા માટે ઉત્સુક</a></b></p><p><br></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/22/OyBHjQ6sSh2rkeuakJwrpQYDhVqSjfsqc9uledAY.webp'/></item><item><title><![CDATA[Rajkotમાં સગીરના ભયાનક અકસ્માતના CCTV વાયરલ, પિતા સામે કેસ ન થતાં સોશિયલ મીડિયા પર હોબાળો ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/cctv-of-minors-horrific-accident-in-rajkot-goes-viral-uproar-on-social-media-as-no-case-is-filed-against-father</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/cctv-of-minors-horrific-accident-in-rajkot-goes-viral-uproar-on-social-media-as-no-case-is-filed-against-father</guid><pubDate>Mon, 22 Jun 2026 19:28:08 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ શહેરના રૈયા રોડ પર 21 જૂનના રોજ એક સગીર વયના કાર ચાલકે સર્જેલા ગંભીર અને ભયાનક અકસ્માતનો મામલો હવે ભારે વિવાદોમાં સપડાયો છે. આ ઘટના અંગે ગાંધીગ્રામ પોલીસે ગણતરીના કલાકોમાં કાર ચલાવનાર સગીર વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાનૂની કાર્યવાહીનો સંતોષ માની લીધો છે. જો કે, કાયદાકીય જોગવાઈઓ હોવા છતાં, સગીર વયના પુત્રને આટલી જોખમી રીતે કાર ચલાવવા આપનાર તેના પિતા વિરુદ્ધ હજુ સુધી કોઈ ગુનો નોંધવામાં ન આવતાં સ્થાનીકો અને સોશિયલ મીડિયા પર અનેક તર્કવિતર્કો શરૂ થયા છે.</p><h2 style="text-align: justify; ">દિલધડક સીસીટીવી ફૂટેજ થયા વાયરલ</h2><p style="text-align: justify; ">આ અકસ્માતની સમગ્ર ઘટનાના અત્યંત કાળજું કંપાવનારા અને રુંવાડા ઉભા કરી દે તેવા સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. વિડીયોમાં સગીરની બેફામ કાર જે રીતે ભયાનક અકસ્માત સર્જે છે તે જોતા આ મામલામાં કડક દાખલો બેસાડવો જરૂરી બન્યો છે. લોકમુખે ચર્ચા છે કે શું આ મામલામાં કાર ચાલકના પિતાને બચાવવા માટે પોલીસ પર કોઈ રાજકીય કે આર્થિક દબાણ કામ કરી રહ્યું છે? બીજી તરફ પોલીસ અધિકારીઓ હજુ પણ એવું જ રટણ કરી રહ્યા છે કે "તપાસ દરમિયાન જે કોઈ વ્યક્તિનું નામ કે બેદરકારી ખુલશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે."</p><h3 style="text-align: justify; ">ભવિષ્યમાં આવા બનાવો રોકવા માટે 'ખાસ ડ્રાઇવ'</h3><p style="text-align: justify; ">આ ગંભીર રોડ રેજ અને અકસ્માતની ઘટના બાદ એસીપી દ્વારા સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે સગીર વયના બાળકો વાહનો ન ચલાવે અને વાલીઓ પણ તેમને વાહનો આપવાનું ટાળે તે માટે શહેરમાં કડક ચેકિંગ કરવામાં આવશે. ભવિષ્યમાં આ પ્રકારની કાળજું કંપાવનારી દુર્ઘટનાઓ બીજી વખત ન બને તે માટે રાજકોટ પોલીસ દ્વારા ટૂંક જ સમયમાં એક 'ખાસ ડ્રાઇવ' યોજીને સગીર વાહનચાલકો અને તેમના વાલીઓ સામે આકરી ઝુંબેશ શરૂ કરવામાં આવશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/22/a2fEHs1T3TqeZKdXgfbQBdZCC9NooTAvBAeYY5eP.webp'/></item><item><title><![CDATA[Junagadhના જોષીપુરામાં કાર ચાલક નબીરાનો આતંક: સમજાવવા ગયેલા લોકો પર ગાડી ચડાવી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/car-driver-nabiras-terror-in-joshipura-junagadh-he-ran-over-people-who-went-to-explain</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/car-driver-nabiras-terror-in-joshipura-junagadh-he-ran-over-people-who-went-to-explain</guid><pubDate>Mon, 22 Jun 2026 18:05:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જૂનાગઢ શહેરના જોષીપુરા વિસ્તારમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક કાર ચાલક નબીરાએ જાહેર રસ્તા પર બેફામ બનીને ભારે આતંક મચાવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, કોઈ બાબતે સમજાવવા ગયેલા સ્થાનિક નાગરિકો પર આ કાર ચાલકે માનવતા અને કાયદાને નેવે મૂકીને સીધી પોતાની લક્ઝરી કાર ચડાવી દીધી હતી. કાર ચાલકની આ ઘાતકી અને નફ્ફટ હરકતને કારણે ત્યાં હાજર અનેક લોકોના જીવ જોખમમાં મૂકાઈ ગયા હતા.</p><h2 style="text-align: justify; ">નબીરાએ મોટરસાઇકલને પણ લીધી અડફેટે</h2><p style="text-align: justify;">અસામાજિક તત્વો કેટલા બેફામ બન્યા છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આ નબીરાએ માત્ર લોકો પર જ ગાડી નહોતી ચડાવી, પરંતુ ત્યાં પાર્ક કરેલી અને રસ્તા પરથી પસાર થતી મોટરસાઇકલને પણ જોરદાર ટક્કર મારીને અડફેટે લીધી હતી. અકસ્માત સર્જાયા બાદ અથવા લોકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે નમ્ર બનવાને બદલે કાર ચાલક નબીરાએ પોતાનો ખોટો રૂઆબ અને પાવર દેખાડ્યો હતો. જાહેર માર્ગ પર બનેલી આ ઘટનાને પગલે આસપાસના રહીશોમાં ભારે નાસભાગ અને ગભરાટનો માહોલ ફેલાઈ ગયો હતો.</p><h3 style="text-align: justify; ">સ્થાનિક લોકોમાં કાર ચાલક સામે ભારે આક્રોશ</h3><p style="text-align: justify; ">આ ઘટનાના પગલે જોષીપુરા પંથકના સ્થાનિક લોકોમાં આ મનસ્વી કાર ચાલક સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેણાંક વિસ્તારમાં આ પ્રકારે બેફામ ગાડી ચલાવીને લોકોના જીવ સાથે રમત રમતા નબીરાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા, પોલીસે આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજના આધારે કાયદો હાથમાં લેનારા કાર ચાલકની ઓળખ મેળવી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify;"><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify;"><br></p><p style="text-align: justify;"><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/22/Iq0168oYIi0cL93vZNEw3hmfhRa1rbHDkSciawf9.webp'/></item><item><title><![CDATA[Richest Actor : ક્યારેય દિલ્હીમાં સમોસા સપ્લાય કરતો હતો, આજે છે દુનિયાનો સૌથી અમીર એક્ટર! ]]></title><link>https://sandesh.com/entertainment/news/shah-rukh-khan-richest-actor-in-the-world-12000-crore-net-worth</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/shah-rukh-khan-richest-actor-in-the-world-12000-crore-net-worth</guid><pubDate>Mon, 22 Jun 2026 17:37:29 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડમાં આજના સમયમાં ઘણા એવા એક્ટર્સ છે, જેમણે પોતાની મહેનત અને દમદાર એક્ટિંગથી દુનિયાભરમાં ખૂબ ઓળખ બનાવી છે. એવું જ એક મોટું નામ શાહરૂખ ખાનનું છે, જેઓ ભારતના સૌથી મોટા સુપરસ્ટાર છે. દુનિયાભરમાં તેમના ચાહકો છે. તેમને બોલીવુડના બાદશાહ કહેવામાં આવે છે. તેમની પાસે કોઈ પણ વસ્તુની કોઈ ખામી નથી. અહેવાલો અનુસાર તેમની નેટવર્થ 12 હજાર કરોડ રૂપિયાથી વધારે છે. બોલીવુડના દિગ્ગજ એક્ટર પંકજ કપૂરે તાજેતરમાં જ શાહરૂખ સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો શેર કર્યો છે.</p><p style="text-align: justify; "></p><h2 style="text-align: justify;"><b>NSDની કેન્ટીનમાં સમોસા સપ્લાય કરતા હતા શાહરૂખ ખાન</b></h2><div style="text-align: justify;">પંકજ કપૂર દિલ્હીના નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના સ્ટુડન્ટ રહ્યા છે. તેમણે જણાવ્યું કે 70s ના દાયકામાં જ્યારે તેઓ NSD માં હતા ત્યારે તે સમયે શાહરૂખ પણ ત્યાં આવતા હતા અને તેઓ ઘણીવાર ત્યાં કેન્ટીનમાં સમોસા સર્વ કરતા હતા. પંકજ કપૂરે કહ્યું, NSD માં ઇન્ટરવલ દરમિયાન સમોસા પીરસવામાં આવતા હતા. ઘણી વખત શાહરૂખ ખાન સમોસા સપ્લાય કરતા હતા. શાહરૂખ તે સમયે 10 વર્ષના હતા. પંકજ કપૂરે એ પણ જણાવ્યું કે NSD માં શાહરૂખના પિતા અથવા તેમના અંકલ કેન્ટીન ચલાવતા હતા, એટલા માટે શાહરૂખ અવારનવાર ત્યાં આવતા હતા.</div><p></p><h3 style="text-align: justify; "><b>શાહરૂખ ખાન પણ કરી ચૂક્યા છે NSD નો ઉલ્લેખ</b></h3><p style="text-align: justify; ">શાહરૂખ ખાન પણ આ વિશે જણાવી ચૂક્યા છે. વર્ષ 2016માં એક ઇન્ટરવ્યૂમાં શાહરૂખે કહ્યું હતું, હું નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાનો ભાગ નહોતો, પરંતુ હું ત્યાંના ઘણા એક્ટર્સ સાથે કામ કરતો હતો. મનોજ બાજપેયી પણ ત્યાંના નહોતા, પરંતુ તેમણે અને મેં રઘુબીર યાદવ જેવા એક્ટર્સ સાથે કામ કર્યું, જેઓ NSD નો ભાગ હતા. જ્યારે અમે દિલ્હીમાં થિયેટર કરતા હતા ત્યારે તેઓ અમારા બોલવાની રીત અને ઉચ્ચારણને વધુ સારા બનાવવામાં મદદ કરતા હતા. મેં તેમની પાસેથી ઘણું શીખ્યું છે. મારા પિતા NSD માં કેન્ટીન ચલાવતા હતા અને આ જ કારણે હું ત્યાંના બધા શાનદાર એક્ટર્સને જાણી શક્યો.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DWJ4imrCGFf/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DWJ4imrCGFf/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DWJ4imrCGFf/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DWJ4imrCGFf/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ</b></h4><p style="text-align: justify; ">શાહરૂખ ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેઓ લાંબા સમયથી પોતાની અપકમિંગ ફિલ્મ કિંગ પર બિઝી ચાલી રહ્યા છે. આ ફિલ્મમાં તેઓ તો દેખાશે જ, સાથે જ તેમની દીકરી સુહાના પણ આમાં નજરે પડવાની છે. શાહરૂખ આ ફિલ્મ દ્વારા સુહાનાને સિલ્વર સ્ક્રીન પર લોન્ચ કરી રહ્યા છે. આ જ વર્ષે 24 ડિસેમ્બરના રોજ આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મનું ડાયરેક્શન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/120-crore-budget-bollywood-movie-released-in-2015-turned-out-super-flop" target="_blank">આ પણ વાંચો-Disaster Film : 120 કરોડનું આંધણ! વર્ષ 2015ની બોલીવુડની એ મહાફ્લોપ ફિલ્મ જેણે ડૂબાડી દીધા મેકર્સના કરોડો રૂપિયા!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/22/Vo2VYdYylkxvXwQPqGD9AqgZZbVAd3hc1jTja555.webp'/></item><item><title><![CDATA[Business News : સરકારના એક મોટા નિર્ણયથી આ કંપનીના શેરમાં આવ્યો જોરદાર ઉછાળો, 20 ટકા વધ્યો ભાવ ]]></title><link>https://sandesh.com/business/news/nocil-shares-jump-20-percent-after-government-anti-dumping-duty-decision</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/nocil-shares-jump-20-percent-after-government-anti-dumping-duty-decision</guid><pubDate>Mon, 22 Jun 2026 16:55:52 +05:30</pubDate><description><![CDATA[<p>શેરબજારમાં સોમવારે રબર કેમિકલ ઉત્પાદક કંપની NOCILના શેરમાં જબરદસ્ત તેજી જોવા મળી. કંપનીના શેરમાં 19.64 ટકાનો ઉછાળો નોંધાયો, જેના કારણે શેરનો ભાવ વધીને ₹190.25 સુધી પહોંચી ગયો. આ તેજી પાછળ કેન્દ્ર સરકારનો મહત્વપૂર્ણ નીતિગત નિર્ણય જવાબદાર માનવામાં આવી રહ્યો છે.</p><h2><b>પાંચ વર્ષ માટે એન્ટી-ડમ્પિંગ ડ્યૂટી લગાવવાની જાહેરાત</b></h2><p>ભારત સરકારે ચીન, અમેરિકા અને યુરોપિયન યુનિયન (EU)માંથી આયાત થતા 'સલ્ફોનામાઇડ એક્સેલેરેટર્સ' પર આગામી પાંચ વર્ષ માટે એન્ટી-ડમ્પિંગ ડ્યૂટી લગાવવાની જાહેરાત કરી છે. વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આ નિર્ણયનો હેતુ ભારતીય ઉદ્યોગોને વિદેશી કંપનીઓની અયોગ્ય સ્પર્ધાથી સુરક્ષિત રાખવાનો છે. વિદેશી કંપનીઓ લાંબા સમયથી ભારતીય બજારમાં આ કેમિકલ્સ ખૂબ જ ઓછા ભાવે વેચી રહી હતી, જેના કારણે સ્થાનિક ઉત્પાદકોના નફા અને માર્કેટ શેર પર અસર પડી રહી હતી. હવે એન્ટી-ડમ્પિંગ ડ્યૂટી લાગુ થતાં આયાતી માલ મોંઘો બનશે અને સસ્તી આયાત પર અસરકારક નિયંત્રણ આવશે.</p><h3><b>ભારતની સૌથી મોટી રબર કેમિકલ ઉત્પાદક કંપની</b></h3><p>આ નિર્ણયનો સૌથી મોટો લાભ NOCILને મળવાની શક્યતા છે. NOCIL ભારતની સૌથી મોટી રબર કેમિકલ ઉત્પાદક કંપનીઓમાંની એક છે અને તે ‘Pilcure’ બ્રાન્ડ હેઠળ સલ્ફોનામાઇડ એક્સેલેરેટર્સનું મોટા પાયે ઉત્પાદન કરે છે. આ કેમિકલ્સનો ઉપયોગ ખાસ કરીને ટાયર અને અન્ય રબર ઉત્પાદનોના ઉત્પાદન માટે જરૂરી વલ્કેનાઇઝેશન પ્રક્રિયામાં થાય છે. સરકારના આ પગલાં બાદ સ્થાનિક બજારમાં NOCILની સ્થિતિ વધુ મજબૂત બનવાની અપેક્ષા છે. કંપનીને બજારમાં વધુ હિસ્સો મળશે તેમજ કિંમતો પર પણ તેની પકડ મજબૂત થશે.</p><h4><b>ઉત્પાદનોનું 40થી વધુ દેશોમાં નિકાસ&nbsp;</b></h4><p>માર્ચ 2026ના શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ કંપનીમાં સ્થાનિક અને વિદેશી સંસ્થાગત રોકાણકારોનો સારો વિશ્વાસ જોવા મળે છે. NOCIL પોતાના ઉત્પાદનોનું 40થી વધુ દેશોમાં નિકાસ પણ કરે છે. બજાર નિષ્ણાતોના મતે સરકારના આ નિર્ણયથી કંપનીના નફા, આવક અને ભવિષ્યના વિકાસને વધુ ગતિ મળી શકે છે, જેના કારણે રોકાણકારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.</p><p><b><a href="https://sandesh.com/business/news/top-10-indian-companies-market-cap-rises-2-15-lakh-crore-this-week-business-news" target="_blank">આ પણ વાંચો : Business News : આ અઠવાડિયે ટોપ 10 કંપનીમાંથી 9 કંપનીનું માર્કેટકેપ 2.15 લાખ કરોડ વધ્યું</a></b></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/22/lnk8loHbd8YaHJf6oFsxq2vn4qXjZmWlpEsPI23b.webp'/></item></channel></rss>