<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Salman Khan બનવાના હતા રામ, માતા સીતાના રોલમાં હતી સોનાલી બેન્દ્રે! પછી અચાનક બંધ થઈ ગઈ ફિલ્મ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/salman-khan-ram-sonali-bendre-sita-old-ramayana-film</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/salman-khan-ram-sonali-bendre-sita-old-ramayana-film</guid><pubDate>Fri, 07 Aug 2026 10:30:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નિતેશ તિવારીની ફિલ્મ રામાયણ હાલમાં ખૂબ ચર્ચામાં છે. લોકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ રામાયણમાં રણબીર કપૂર ભગવાન રામના પાત્રમાં જોવા મળશે, જ્યારે સાઈ પલ્લવી માતા સીતાના પાત્રમાં જોવા મળશે. પરંતુ શું તમને ખબર છે કે સલમાન ખાન પણ એક સમયે રામના પાત્રમાં જોવા મળવાના હતા?</p><h2 style="text-align: justify; "><b>ફિલ્મનું શૂટિંગ ક્યારેય પૂરું થઈ શક્યું નહીં</b></h2><p style="text-align: justify; ">એક્ટર અને ડિરેક્ટર સોહેલ ખાન પણ સુપરસ્ટાર સલમાન ખાન અને એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેને લઈને પૌરાણિક કથા રામાયણ પર ફિલ્મ બનાવવાના હતા. આ ફિલ્મ માટે તેમણે સલમાન ખાનને ભગવાન રામ અને સોનાલી બેન્દ્રેને માતા સીતાના પાત્ર માટે પસંદ કર્યા હતા. જોકે, આ ફિલ્મનું શૂટિંગ ક્યારેય પૂરું થઈ શક્યું નહીં.</p><h3 style="text-align: justify; "><b>સોહેલ ખાનની રામાયણ કેમ બંધ થઈ ગઈ?</b></h3><p style="text-align: justify; ">90ના દાયકાનો સોહેલ ખાનનો એક પ્રોજેક્ટ હાલમાં ફરી ચર્ચામાં આવ્યો છે. અહેવાલ મુજબ, સોહેલ ખાન 90ના દાયકામાં મહાકાવ્ય રામાયણ પર ફિલ્મ બનાવવાના હતા. એટલું જ નહીં, આ ફિલ્મનું લગભગ 40% શૂટિંગ પણ પૂર્ણ થઈ ગયું હતું. ફિલ્મમાં સલમાન ખાન ભગવાન રામના પાત્રમાં જોવા મળવાના હતા. જ્યારે માતા સીતાનું પાત્ર સોનાલી બેન્દ્રે ભજવવાના હતા.<br><img alt="Sohail Khan, Salman Khan (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/07/q81u4jfjbDAf0whU3qbRVtnQS0b1V7hvU0ZAZxrW.webp"><br></p><p style="text-align: justify; ">આ ફિલ્મમાં એક્ટ્રેસ પૂજા ભટ્ટ પણ મહત્વના પાત્રમાં જોવા મળવાની હતી. જોકે, શૂટિંગ દરમિયાન સોહેલ અને પૂજા વચ્ચેની નિકટતા વધી ગઈ હતી. આ વાતનો ખુલાસો પૂજા ભટ્ટે એક ઈન્ટરવ્યૂ દરમિયાન કર્યો હતો. તેણે એ પણ જણાવ્યું હતું કે સલીમ ખાનના હસ્તક્ષેપ બાદ સોહેલ અને પૂજાનો સંબંધ લાંબો ચાલી શક્યો નહોતો. ત્યારબાદ બંને વચ્ચેના પ્રોફેશનલ સંબંધો પણ બગડી ગયા હતા. તેના કારણે ફિલ્મનું શૂટિંગ સંપૂર્ણપણે બંધ થઈ ગયું હતું.</p><h4 style="text-align: justify; "><b>રણબીરની રામાયણ ક્યારે રિલીઝ થશે?</b></h4><p style="text-align: justify; ">જાણીતા ડિરેક્ટર નિતેશ તિવારીની ફિલ્મ રામાયણ લગભગ 4000 કરોડ રૂપિયાના બજેટમાં તૈયાર થઈ રહી છે. આ ફિલ્મ 2 ભાગમાં રિલીઝ થવાની છે. ફિલ્મનો પહેલો ભાગ 6 નવેમ્બર 2026ના રોજ રિલીઝ કરવામાં આવશે. જ્યારે ફિલ્મનો બીજો ભાગ દિવાળી 2027 દરમિયાન રિલીઝ થઈ શકે છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/ramayana-vs-godzilla-diwali-box-office-clash" target="_blank">આ પણ વાંચો-Ramayana Vs Godzilla : બોક્સ ઓફિસ પર ગોડઝિલા અને રામાયણ વચ્ચે થશે જબરદસ્ત ટક્કર!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/ByvvnHvNsM0A4lxYym5vxTNjHAVWvXBEkdfxvOVf.webp'/></item><item><title><![CDATA[Loan Recovery New Guidelines: હવે રિકવરી એજન્ટો નહીં કરી શકે દાદાગીરી! RBIએ બદલ્યા નિયમો ]]></title><link>https://sandesh.com/business/news/loan-recovery-new-guidelines-now-recovery-agents-will-not-be-able-to-bully-rbi-has-changed-the-rules</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/loan-recovery-new-guidelines-now-recovery-agents-will-not-be-able-to-bully-rbi-has-changed-the-rules</guid><pubDate>Fri, 07 Aug 2026 10:28:38 +05:30</pubDate><description><![CDATA[<p>જો તમે બેંક કે કોઈ ફાઇનાન્સ કંપની પાસેથી લોન લીધી હોય ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા લોન રિકવરીના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવા નિયમોનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે લોન વસૂલાતના નામે ગ્રાહકો સાથે ગેરવર્તણૂક કે માનસિક દબાણ ન કરવામાં આવે. આ નવા નિયમો આગામી ૧ જાન્યુઆરી, 2027થી અમલમાં આવશે.</p><h2><b>RBIના નવા નિયમો શું?&nbsp;</b></h2><p>નવા નિયમો અનુસાર, રિકવરી એજન્ટો હવે કોઈપણ ગ્રાહકને ધમકાવી શકશે નહીં અને વારંવાર ફોન કે મેસેજ કરીને હેરાન પણ નહીં કરી શકે. સૌથી મહત્વની વાત એ છે કે, સવારે 8 વાગ્યા પહેલા અને સાંજ પછી રિકવરી કોલ કરવાની પણ મંજૂરી રહેશે નહીં. આ ઉપરાંત, એજન્ટો ગ્રાહકના પરિવારજનો કે મિત્રોને પણ પરેશાન કરી શકશે નહીં.</p><p><b style="font-size: 1.75rem;">સોશિયલ મીડિયા અને પ્રાઈવેસી સંબંધિત નિયમો</b></p><p>આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે રિકવરી એજન્ટો કોઈપણ ગ્રાહકનો ફોટો, વીડિયો કે વ્યક્તિગત માહિતી સોશિયલ મીડિયા પર શેર કરીને તેને બદનામ કરી શકશે નહીં. ગ્રાહકની પ્રાઈવેસીનું સંપૂર્ણ ધ્યાન રાખવું ફરજિયાત રહેશે.</p><p><b style="font-size: 1.75rem;">મોબાઈલ લોનના નિયમો</b></p><p>જો તમે ઈએમઆઈ (EMI) પર મોબાઈલ ખરીદ્યો હોય, તો બેંક અથવા ફાઇનાન્સ કંપની ફક્ત તે જ મોબાઈલને લોક કરી શકશે, જેના માટે લોન લેવામાં આવી છે. અન્ય કોઈ લોનની વસૂલાત માટે તમારો ફોન લોક કરી શકાશે નહીં. સાથે જ, ફોન લોક થયા બાદ પણ ઇનકમિંગ કોલ અને મેસેજ જેવી જરૂરી સુવિધાઓ બંધ કરી શકાશે નહીં.</p><p><br></p><h3><b>કોને મળશે વળતર?</b></h3><p>નવા નિયમો મુજબ જેવી ગ્રાહક બાકી રકમ ચૂકતે કરી દે, બેંકે એક કલાકની અંદર ફોનની તમામ સુવિધાઓ ફરીથી શરૂ કરવી પડશે. જો આ પ્રક્રિયામાં વિલંબ થાય, તો બેંક અથવા ફાઇનાન્સ કંપનીએ ગ્રાહકને&nbsp; 250 રૂપિયા પ્રતિ કલાકના હિસાબે વળતર ચૂકવવું પડશે.</p><p><br></p><h4><b>રિકવરી એજન્ટ માટે શું છે જરૂરી?</b></h4><p>હવે દરેક રિકવરી એજન્ટ પાસે બેંક દ્વારા જાહેર કરાયેલ આઈડી કાર્ડ અને ઓથોરાઈઝેશન લેટર હોવો અનિવાર્ય છે. બેંકે અગાઉથી જ ગ્રાહકને એ વાતની જાણ કરવી પડશે કે રિકવરી એજન્ટ ક્યારે મુલાકાતે આવશે. જો એજન્સી બદલવામાં આવે, તો તેની માહિતી પણ ગ્રાહકને આપવી પડશે.</p><p><br></p><h4><b>ફરિયાદ કરવાનું બનશે સરળ</b></h4><p>જો કોઈ ગ્રાહકને રિકવરી એજન્ટના વર્તનથી કોઈ તકલીફ હોય, તો બેંકે તેના માટે યોગ્ય ફરિયાદ નિવારણ વ્યવસ્થા ઊભી કરવી પડશે. જો ગેરકાયદેસર કે ખોટી રીતથી રિકવરી કરવામાં આવે, તો ગ્રાહકને નિયમો અનુસાર વળતર પણ મળી શકશે.</p><p><br></p><p>આ નવા નિયમોથી ખાસ કરીને એવા લોકોને મોટી રાહત મળશે જેઓ લોન લીધા પછી રિકવરી એજન્ટોની સતામણી અથવા અવારનવાર આવતા કોલ્સથી પરેશાન રહેતા હતા. આ ઉપરાંત, મોબાઈલ લોન લેનાર ગ્રાહકોને પણ સુરક્ષા મળશે, કારણ કે નાણાં ચૂકવ્યા પછી ફોન અનલોક કરવામાં વિલંબ થવા પર તેમને વળતર મળવાનો માર્ગ સાફ થયો છે.</p><p><br></p><p><a href="https://sandesh.com/astrology/news/bhakti/shani-transit-shani-dev-will-have-a-great-move-luck-will-shine-for-4-zodiac-signs-from-august-20" target="_blank">આ પણ વાંચો: Shani Transit: શનિ દેવ ચાલશે ગજબની ચાલ, 20 ઑગષ્ટથી 4 રાશિનું ચમકશે નસીબ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/OJX7Z9Hmmjsu6aNpVo2YnbeIFLTf7vJWqJYt2bUO.webp'/></item><item><title><![CDATA[Dahodના પડાવ સર્કલ પાસે શિવ જ્વેલર્સમાં તસ્કરો ત્રાટક્યા: તાળાં તોડી રૂ.4.52 લાખના દાગીનાની ચોરી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dahod/smugglers-raid-shiv-jewellers-near-padav-circle-dahod-locks-broken-jewellery-worth-rs-4-52-lakh-stolen</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dahod/smugglers-raid-shiv-jewellers-near-padav-circle-dahod-locks-broken-jewellery-worth-rs-4-52-lakh-stolen</guid><pubDate>Fri, 07 Aug 2026 10:28:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દાહોદ શહેરના ધમધમતા પડાવ સર્કલ પાસે આવેલા 'શિવ જ્વેલર્સ' નામના શોરૂમમાં રાત્રિના સમયે તસ્કરોએ ત્રાટકીને લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. તસ્કરોએ શોરૂમનું સેન્ટ્રલ લોક અને તાળાં તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનમાંથી 4 ગ્રામ સોનું તેમજ 1.9 કિલોગ્રામ ચાંદી મળીને કુલ રૂ.4.52 લાખની કિંમતના કિંમતી દાગીના ચોરીને ફરાર થઈ ગયા હતા. શહેરના મુખ્ય વિસ્તારમાં જ ચોરીનો બનાવ બનતાં સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>પડાવ સર્કલ પાસે તસ્કરોનો આતંક</b></h2><p style="text-align: justify; ">આ સમગ્ર ચોરીની ઘટના જ્વેલર્સના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે. રાત્રિના સમયે જ્વેલર્સના માલિકે પોતાના મોબાઈલ-ફોનમાં દુકાનના કેમેરાનું લાઈવ ફૂટેજ ચેક કરતાં જ દુકાનના દરવાજા ખુલ્લા હોવાનું માલૂમ પડ્યું હતું. જેથી તેઓ તાત્કાલિક દુકાને દોડી આવ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં અજાણ્યા તસ્કરો સ્પષ્ટપણે નજરે પડી રહ્યા છે, જેમાં બે ઈસમો શોરૂમની અંદર ઘૂસીને ચોરી કરી રહ્યા હતા જ્યારે ત્રીજો શખ્સ બહાર ઉભા રહીને ચોકીદારી કરી રહ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>પોલીસે ચોરીને લઈ વધુ તપાસ હાથ ધરી</b></h3><p style="text-align: justify; ">બનાવ અંગે જાણ થતાં જ દાહોદ ટાઉન 'એ' ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જ્વેલર્સના માલિકની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ત્રણ તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું સગડ મેળવવા માટે પોલીસે વિવિધ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/Giqhy3rpb3R1Tp4ZuhKGgylIRh4hvH7sjh0bMN4R.webp'/></item><item><title><![CDATA[Surat News: શહેરના જાણીતા બિલ્ડર રવિ ચૌધરીએ આપઘાતનો પ્રયાસ કર્યો, પોલીસે તપાસ શરૂ કરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/builder-ravi-chaudhary-attempts-suicide</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/builder-ravi-chaudhary-attempts-suicide</guid><pubDate>Fri, 07 Aug 2026 10:27:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતમાં બહુચર્ચિત તુષાર ઘેલાણી આપઘાત કેસ બાદ વધુ એક બિલ્ડરે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતા એક બિલ્ડરે ઘરમાં ઝેરી પીણું પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં. હાલમાં તેમની સારવાર ચાલી રહી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. ઘણા સમયથી આ બિલ્ડર માનસીક રીતે તણાવમાં હોવાની વિગતો સામે આવી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>બિલ્ડર રવિ ચૌધરીએ ઝેરી પીણું ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો</b></h2><p style="text-align: justify; ">સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.  જ્યાં જાણીતા બિલ્ડર રવિ ચૌધરીએ ઝેરી પીણું ગટગટાવીને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક ગંભીર હાલતમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં ડોક્ટરોની ટીમ દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે.પ્રાથમિક વિગતો મુજબ, બિલ્ડર રવિ ચૌધરી છેલ્લા કેટલાક સમયથી ભારે આર્થિક દબાણ અને સતત માનસિક ત્રાસથી હેરાન થઈ રહ્યા હતા.</p><h3 style="text-align: justify; "><b>નાણાકીય ખેંચતાણ અને માનસિક તણાવથી પગલું ભર્યાની ચર્ચા</b></h3><p style="text-align: justify; ">બિઝનેસમાં નાણાકીય ખેંચતાણ અને માનસિક તણાવથી કંટાળીને આખરે તેમણે આ અત્યંત આકરું અને અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવી રહ્યું છે. આ ઘટનાથી સ્થાનિક બિલ્ડર આલમ અને વેપારી વર્ગમાં ભારે ચર્ચા જાગી છે. ઘટના અંગે જાણ થતાં જ ડિંડોલી પોલીસ કાફલો તુરંત હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ડિંડોલી પોલીસે આ મામલે કાયદેસરની નોંધ કરીને તપાસ હાથ ધરી છે. બિલ્ડરની તબિયતમાં સુધારો આવ્યા બાદ તેમના નિવેદનના આધારે આગળની કડક કાર્યવાહી કરવામાં આવશે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/kisan-sangh-seeks-compensation-for-farmers-after-heavy-rain-damage" target="_blank">આ પણ વાંચોઃ Gandhinagar News: ભારે વરસાદથી ખેતાના પાકમાં ભારે નુકસાન, ખેડૂતોને સહાય આપવા કિસાન સંઘની માગ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/xnNpvK97KzuNnZj88jeJ7rX6EaH1Y6PnUJP3Jl8q.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: ભારે વરસાદથી ખેતીના પાકમાં ભારે નુકસાન, ખેડૂતોને સહાય આપવા કિસાન સંઘની માગ ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/kisan-sangh-seeks-compensation-for-farmers-after-heavy-rain-damage</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/kisan-sangh-seeks-compensation-for-farmers-after-heavy-rain-damage</guid><pubDate>Fri, 07 Aug 2026 10:07:19 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ચાલુ વર્ષે અલ નીનોની અસરને પગલે શરૂઆતમાં વરસાદ ખેંચાયા બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં અનરાધાર અને ભારે વરસાદ નોંધાયો છે.આ અતિવૃષ્ટિ અને પૂર જેવી સ્થિતિના કારણે ખેડૂતોના મુખમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે.અતિભારે વરસાદને લીધે કપાસ, દેશી કપાસ, ડાંગર, મગફળી, તુવેર તથા બાગાયતી પાકોમાં વ્યાપક નુકસાન થયું છે.ખેડૂતોની આ વિષમ સ્થિતિને ધ્યાન પર લાવી ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા રાજ્યના કૃષિ મંત્રી જિતુ વાઘાણીને પત્ર લખીને અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક ધોરણે યોગ્ય સહાય અને વળતર ચૂકવવાની રજૂઆત કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>માનવસર્જિત આડાશ અને જમીન ખારાપાટ થવાનું જોખમ</b></h2><p style="text-align: justify; ">કિસાન સંઘે પત્રમાં ગંભીર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે,કેટલીક જગ્યાઓએ માનવસર્જિત આડાશના કારણે પાણી નિકાલના કુદરતી વહેણ બદલાઈ ગયા છે. પરિણામે પાક નુકસાનીની સાથે સાથે ખેતર ધોવાણના પણ મોટા પ્રમાણમાં બનાવો બન્યા છે.હજુ પણ કેટલાય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાયેલાં રહેતાં ખેડૂતોની દયનીય હાલત થઈ છે. ખાસ કરીને રણપ્રદેશ નજીકના તાલુકાઓમાં પાણી ભરાવાના લીધે સારી ફળદ્રુપ જમીનમાં ક્ષાર આગળ વધવાની અને મહામુલે જમીન કાયમ માટે ખારાપાટમાં ફેરવાઈ જવાની ભયાનક ભીતિ સેવાઈ રહી છે.</p><h3 style="text-align: justify; "><b>કાયમી નિકાલ અને ત્વરિત સર્વે હાથ ધરવા માંગ</b></h3><p style="text-align: justify; ">વરસાદે વિરામ લીધો હોવા છતાં ભરાયેલા પાણીના કાયમી નિકાલ માટે કલેક્ટર કક્ષાએથી આદેશ આપી રીચાર્જ વેલ બનાવવા તેમજ માનવસર્જિત આડાશો દૂર કરવા સંઘે અપીલ કરી છે. આ ઉપરાંત, રસ્તાઓના જોડાણ વખતે બનાવાયેલા નાના કદના નાળાં પહોળા કરવા અને ચોકડીઓ ખુલ્લી કરાવવી જરૂરી બની છે. આ પત્રમાં જણાવાયું છે કે, તાલુકાના જે ભાગોમાં વ્યાપક નુકસાન થયું છે ત્યાં ખેતર ધોવાણ માટે વિશેષ સહાય આપવી અત્યંત આવશ્યક છે.કારણ કે ખેડૂતોએ હવે ફરીથી નવી વાવણી કરવી પડશે.ખેડૂતોને વહેલી તકે ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સત્વરે સઘન સર્વેના આદેશો કરી સહાય ચૂકવવાની દિશામાં ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવા આગ્રહભરી વિનંતી કરાઈ છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/police-launch-midnight-action-plan" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: શહેર પોલીસે 150થી વધુ પોઇન્ટ પર મોડી રાત્રે સઘન કોમ્બિંગ કર્યું, 3 યુવકની અટકાયત</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/hZt4IY2Rg4SmtSavqDMFoGjBJTfD05fLuFl2GF4k.webp'/></item><item><title><![CDATA[Suvendu Adhikari PA Murder: PA ચંદ્રનાથ રથની હત્યામાં 2 બીજેપી કાર્યકર્તા સહિત 11 આરોપીઓ.. CBIની ચાર્જશીટે ચોંકાવ્યા ]]></title><link>https://sandesh.com/india/news/suvendu-adhikari-pa-murder-11-accused-including-2-bjp-workers-in-the-murder-of-pa-chandranath-rath-cbis-chargesheet-shocked</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/suvendu-adhikari-pa-murder-11-accused-including-2-bjp-workers-in-the-murder-of-pa-chandranath-rath-cbis-chargesheet-shocked</guid><pubDate>Fri, 07 Aug 2026 10:02:21 +05:30</pubDate><description><![CDATA[<p>પશ્ચિમ બંગાળના નેતા શુભેન્દુ અધિકારીના સહયોગી ચંદ્રનાથ રથની હત્યા કેસમાં સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી છે. આ કેસમાં બે ભાજપના કાર્યકરો સહિત 11 આરોપીઓ છે. સીબીઆઈએ તાજેતરમાં જ રથની ઓફિસમાં કામ કરતા ભાજપ કાર્યકર સાગર સોનકર અને તેમના ભાઈ સાહિબ સોનકરની ધરપકડ કરી હતી. તેમના પર રથની હત્યા માટે ઉત્તર પ્રદેશના કોન્ટ્રાક્ટ કિલર્સને નોકરી પર રાખવાનો આરોપ છે.</p><h2>શું<b> છે સીબીઆઇ પાસે માહિતી ?&nbsp;</b></h2><p>અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યના અન્ય રાજકીય પક્ષના પદાધિકારીની ભૂમિકાની પણ તપાસ ચાલી રહી છે. તેમણે ખુલાસો કર્યો હતો કે સીબીઆઈ પાસે એવી માહિતી છે કે સાગર ભાજપમાં જોડાતા પહેલા 2020 સુધી હરીફ પક્ષના ધારાસભ્ય સાથે કામ કરતો હતો. સીબીઆઈના જણાવ્યા અનુસાર, તપાસમાં જાણવા મળ્યું છે કે ભવાનીપુર મતવિસ્તાર માટે શુભેન્દુ અધિકારીના ચૂંટણી પ્રચારમાં મુખ્ય ભૂમિકા ભજવનાર રથની હત્યાનું કાવતરું ડિસેમ્બર 2025થી ચાલી રહ્યું હતું.&nbsp; જોકે કોન્ટ્રાક્ટ કિલિંગની નિર્ધારિત તારીખ વિવિધ કારણોસર બદલાતી રહી.</p><p><b style="font-size: 1.75rem;">6મેના રોજ થઇ હતી હત્યા&nbsp;</b></p><p>મળતી માહિતી મુજબ, ચંદ્રનાથ રથ પોતાની કાળી સ્કોર્પિયો કારમાં મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે મોટરસાયકલ પર સવાર થઈને આવેલા હુમલાખોરોએ તેમને નિશાન બનાવ્યા હતા. હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં ચંદ્રનાથને માથા અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ હુમલો એટલો ઝડપી હતો કે કોઈને બચાવની તક મળી ન હતી.</p><h3><b>અત્યાર સુધીમાં છ શૂટર્સની ધરપકડ</b></h3><p>પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાના બે દિવસ પછી, 6 મેના રોજ મધ્યમગ્રામમાં રથની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે સીબીઆઈએ અત્યાર સુધીમાં છ શૂટર્સ - મોનુ સિંહ, રાજ સિંહ, ગોલુ સિંહ, મયંક રાજ મિશ્રા, વિક્કી મૌર્ય અને નવીન કુમાર સિંહ - તેમજ કોન્ટ્રાક્ટ કિલિંગમાં દલાલી કરનારા વચેટિયાઓ - વિનય રાય, સંજય રાય અને વિકાસ મિશ્રાની ધરપકડ કરી છે. તેમણે ઉમેર્યું હતું કે એક આરોપી હજુ પણ ફરાર છે. પશ્ચિમ બંગાળ સરકારની વિનંતી પર સીબીઆઈએ રથની હત્યાની તપાસ રાજ્ય પોલીસ પાસેથી પોતાના હાથમાં લીધી હતી.&nbsp;</p><h4><b>કોણ હતા ચંદ્રનાથ રથ?</b></h4><p>ચંદ્રનાથ રથ છેલ્લા 10 થી 12 વર્ષથી શુભેન્દુ અધિકારી સાથે સંકળાયેલા હતા. તેઓ અધિકારીના 'પડછાયા' સમાન માનવામાં આવતા હતા અને ચૂંટણી પ્રચારથી લઈને તમામ મુખ્ય વહીવટી જવાબદારીઓ સંભાળતા હતા. શુભેન્દુ અધિકારીના તેઓ અત્યંત વિશ્વાસુ અને અંગત વ્યક્તિ હતા.<br><br><a href="https://sandesh.com/astrology/news/bhakti/shani-transit-shani-dev-will-have-a-great-move-luck-will-shine-for-4-zodiac-signs-from-august-20" target="_blank">આ પણ વાંચો: Shani Transit: શનિ દેવ ચાલશે ગજબની ચાલ, 20 ઑગષ્ટથી 4 રાશિનું ચમકશે નસીબ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/iPq2IvyUySW8ExcA6MN2Sub5BS0J0kt5LQyHE9K7.webp'/></item><item><title><![CDATA[Arsenalનો મોટો દાવ, રીઅલ મેડ્રિડના વિનિસિયસ જુનિયર માટે રજૂ કરી આકર્ષક ડીલ ]]></title><link>https://sandesh.com/sports/news/arsenals-big-bet-real-madrids-attractive-deal-for-vinicius-junior</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/arsenals-big-bet-real-madrids-attractive-deal-for-vinicius-junior</guid><pubDate>Fri, 07 Aug 2026 09:46:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઇંગ્લિશ પ્રીમિયર લીગ (EPL) ની જાણીતી ક્લબ આર્સેનલ રીઅલ મેડ્રિડના સ્ટાર બ્રાઝિલિયન ફોરવર્ડ વિનિસિયસ જુનિયરને પોતાની ટીમમાં સામેલ કરવા માટે મોટો દાવ ખેલી રહી છે. મિકેલ આર્ટેટાના નેતૃત્વ હેઠળ છેલ્લા કેટલાક સમયથી સતત મજબૂત પ્રદર્શન કરી રહેલી આર્સેનલ વિનિસિયસને માત્ર સામાન્ય ફોરવર્ડ તરીકે નહીં, પરંતુ પોતાના મુખ્ય 'માર્કી સાઇનિંગ' (મુખ્ય ખેલાડી) તરીકે જોઈ રહી છે.</p><h2 style="text-align: justify; "><b>કરારનો વિવાદ અને આર્સેનલની ઓફર</b></h2><p style="text-align: justify; ">વિનિસિયસ જુનિયરનો રીઅલ મેડ્રિડ સાથેનો વર્તમાન કરાર જૂન 2027માં પૂર્ણ થઈ રહ્યો છે. બંને વચ્ચે નવા કરાર માટે વાટાઘાટો ચાલી રહી છે, પરંતુ પગાર અને ઇમેજ રાઇટ્સ (Image Rights) મુદ્દે અંતર જોવા મળી રહ્યું છે.&nbsp; વિનિસિયસની માંગ છે કે તેને વાર્ષિક આશરે 30 મિલિયન યુરો (આશરે ₹329 કરોડ). ક્લબ પોતાની ઓફર 20 મિલિયન યુરોથી વધારીને 22 મિલિયન યુરો કરવા તૈયાર છે, છતાં પણ માંગ અને ઓફર વચ્ચે 8 મિલિયન યુરોનું અંતર છે. UOL એસ્પોર્ટના અહેવાલ મુજબ, આર્સેનલ વિનિસિયસને વાર્ષિક 24 મિલિયન યુરો (આશરે €263 કરોડ) નો પગાર આપવા તૈયાર છે. જોકે આ રકમ વિનિસિયસની માંગ કરતા ઓછી છે, પરંતુ આર્સેનલ તેને ઇમેજ રાઇટ્સ પર 100% અધિકાર આપવા સંમત થઈ છે. આ જ શરત આ સોદાને વિનિસિયસ માટે ખૂબ આકર્ષક બનાવી શકે છે.</p><h3 style="text-align: justify; "><b>લાંબા ગાળાની રણનીતિ અને રીઅલ મેડ્રિડ પર દબાણ</b></h3><p style="text-align: justify; ">આર્સેનલની યોજના માત્ર વર્તમાન ટ્રાન્સફર વિન્ડો સુધી મર્યાદિત નથી. જો આ ઉનાળામાં કરાર શક્ય ન બને, તો ક્લબ 2027 સુધી રાહ જોવા પણ તૈયાર છે. જો વિનિસિયસ 2027 સુધી નવો કરાર ન કરે, તો આર્સેનલ તેને ફ્રી ટ્રાન્સફર (કોઈપણ ટ્રાન્સફર ફી વગર) દ્વારા ટીમમાં સામેલ કરી શકે છે. આ પરિસ્થિતિ રીઅલ મેડ્રિડ પર ભારે દબાણ ઊભું કરે છે.</p><h4 style="text-align: justify; "><b>રીઅલ મેડ્રિડનું વલણ</b></h4><p style="text-align: justify; ">જોકે, રીઅલ મેડ્રિડ પોતાના આ સ્ટાર ખેલાડીને સરળતાથી જવા દેવા માંગતું નથી. મીડિયા અહેવાલ મુજબ, ખેલાડીના પ્રતિનિધિઓ અને રીઅલ મેડ્રિડ વચ્ચે તાજેતરમાં થયેલી વાટાઘાટો સકારાત્મક રહી છે. રીઅલ મેડ્રિડે પોતાની ઓફરમાં સુધારો કર્યો છે, જેના કારણે વિનિસિયસનો કેમ્પ નવો કરાર થવાની બાબતે આશાવાદી છે. જો આર્સેનલ વિનિસિયસને પોતાની સાથે જોડવામાં સફળ રહે છે, તો આ ટ્રાન્સફર યુરોપિયન ફૂટબોલના ઇતિહાસમાં સૌથી મોટા અને ચર્ચિત સોદાઓમાંથી એક સાબિત થશે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/sports/news/neeraj-chopra-lausanne-diamond-league-2026#google_vignette" target="_blank">આ પણ વાંચો : Neeraj Chopra ડાયમંડ લીગમાં મળશે જોવા, અરશદ નદીમ અને રૂમેશ પથિરાગેનો કરશે સામનો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/pKnOjOgsrGuKOWiYPkzHgMYSiUcrcOp5CQQ9aqLZ.webp'/></item><item><title><![CDATA[Ahmedabad મનપાની ઘોર બેદરકારી: વસ્ત્રાપુર તળાવમાં ડ્રેનેજનું દૂષિત પાણી છોડાતાં વધ્યો મચ્છરોનો ઉપદ્રવ! ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/mosquito-infestation-increased-due-to-discharge-of-sewage-water-into-vastrapur-lake-in-ahmedabad</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/mosquito-infestation-increased-due-to-discharge-of-sewage-water-into-vastrapur-lake-in-ahmedabad</guid><pubDate>Fri, 07 Aug 2026 09:29:26 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ મહાનગરપાલિકાની ભારે બેદરકારી સામે આવી છે, જેમાં કરોડો રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવેલા ઐતિહાસિક વસ્ત્રાપુર તળાવની જાળવણીમાં ઘોર ઉપેક્ષા દાખવવામાં આવી રહી છે. તળાવમાં STPના પાણીના નિકાલ માટે મૂકાયેલી જાળીઓ ખોલી નાખવામાં આવી છે. આ જાળીઓ ખુલ્લી કરી દેવાતાં ગંદા પાણીની સાથે મોટા પ્રમાણમાં ઘન કચરો અને પ્લાસ્ટિક સીધું તળાવમાં ઠલવાઈ રહ્યું છે. વહીવટી તંત્રની આ લાપરવાહીના કારણે તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય સ્થપાયું છે અને આસપાસના વિસ્તારમાં મોહરા અને મચ્છરોનો ઉપદ્રવ અસહ્ય રીતે વધી ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>મોર્નિંગ વોકર્સ અને સ્થાનિકો પરેશાન</b></h2><p style="text-align: justify; ">સામાન્ય રીતે ચોમાસા દરમિયાન તળાવોમાં માત્ર ચોખ્ખું વરસાદી પાણી જ એકત્ર કરવાનું હોય છે અને એસટીપીનું પાણી છોડવાનું હોતું નથી. આમ છતાં, મનપાના જવાબદાર અધિકારીઓ દ્વારા વસ્ત્રાપુર તળાવમાં ડ્રેનેજ મિશ્રિત પાણી છોડવામાં આવી રહ્યું છે. વરસાદ બાદ તળાવ પરિસરમાં યોગ્ય સફાઈ ન થવાના કારણે સવારે વોકિંગ માટે આવતા મોર્નિંગ વોકર્સ અને સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. દુર્ગંધ અને મચ્છરોના ત્રાસના કારણે લોકો માટે અહીં બે મિનિટ ઊભા રહેવું પણ મુશ્કેલ બની ગયું છે.</p><h3 style="text-align: justify; "><b>મનપાના 'કેચ ધ રેન' અભિયાનના ઉડ્યા ધજાગરા</b></h3><p style="text-align: justify; ">એક તરફ અમદાવાદ મનપા દ્વારા વરસાદી પાણીના સંગ્રહ અને તળાવોના સંવર્ધન માટે 'કેચ ધ રેન' (Catch The Rain) જેવા મોટા-મોટા અભિયાનોની ગુલબાંગો પોકારવામાં આવે છે, તો બીજી તરફ વસ્ત્રાપુર જેવા પોશ વિસ્તારના તળાવમાં જ ડ્રેનેજના દૂષિત પાણી છોડીને આ અભિયાનના ખુલ્લેઆમ ધજાગરા ઉડાવવામાં આવી રહ્યા છે. સ્થાનિક નાગરિકો અને મોર્નિંગ વોકર્સે માગ કરી છે કે તળાવમાં ગંદુ પાણી છોડવાનું તાત્કાલિક બંધ કરવામાં આવે અને આખી જગ્યાની યોગ્ય સફાઈ હાથ ધરીને જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/IXXR8tYaExodn9gwOb1U9AJMqNsilUcwA8Dlgi83.webp'/></item><item><title><![CDATA[National Handloom Day:   પીએમ મોદીની અપીલ, 'સ્થાનિક કપડાં પહેરો, 'GRWM' ટ્રેન્ડને અનુસરો ]]></title><link>https://sandesh.com/india/news/national-handloom-day-pm-modi-grwm-trend</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/national-handloom-day-pm-modi-grwm-trend</guid><pubDate>Fri, 07 Aug 2026 08:48:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આજે એટલે કે 7 ઓગસ્ટના દિવસે દેશ ભરમાં 12મા નેશનલ હેન્ડલુમ દિવસ તરીકેની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને વીડિયો બનાવીને સમૃદ્ધ હેન્ડલુમની વિવિધતાને પ્રોત્સાહન આપવાની એક વિશેષ અપીલ કરી છે. કે સ્થાનિક કપડાં પહેરી અને ગેટ રેડી વિથમી વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરો.&nbsp;<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/narendramodi/status/2085397848154345956"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2 style="text-align: justify; "><b>ભવ્ય કાર્યક્રમનું આયોજન</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી પ્રમાણે આજે કાપડ મંત્રાલય દ્વારા નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં હાથશાળ ક્ષેત્રમાં અસાધારણ યોગદાન આપનારા કારીગરોને સન્માનિત કરવામાં આવશે. જેમાં કુલ 22 એવોર્ડ્સ - 3 'સંત કબીર હેન્ડલૂમ એવોર્ડ' અને 19 'રાષ્ટ્રીય હેન્ડલૂમ એવોર્ડ' - 2025 એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત, વિવિધ વણાટ પરંપરાઓની ઝલક આપતી ચાર સ્મારક ટપાલ ટિકિટોનું પણ વિમોચન કરવામાં આવશે.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/narendramodi/status/2085546720067457041"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h3 style="text-align: justify; "><b>ભારતના સ્થાનિક ઉદ્યોગો અને કારીગરોને બળ પૂરૂં પાડવાનો ઉદેશ્ય</b></h3><p style="text-align: justify; ">ભારતના હાથશાળ ક્ષેત્રનું મહત્વ સમજાવતા, આંકડાઓ દર્શાવે છે કે આ ક્ષેત્ર દેશના 3.5 મિલિયનથી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે, જેમાં 70 ટકાથી વધુ મહિલાઓનો સમાવેશ થાય છે. આ ક્ષેત્ર માત્ર આજીવિકાનું સાધન નથી, પરંતુ પર્યાવરણને અનુકૂળ ઉત્પાદન પદ્ધતિનું ઉત્તમ ઉદાહરણ પણ છે. 1905 માં શરૂ થયેલી 'સ્વદેશી ચળવળ'ની યાદમાં દર વર્ષે 7 ઓગસ્ટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય ભારતના સ્થાનિક ઉદ્યોગો અને કારીગરોને બળ પૂરું પાડવાનો છે.</p><h4 style="text-align: justify; "><b>પટોળા અને કચ્છનું વણાટ કાર્ય પ્રખ્યાત</b></h4><p style="text-align: justify; ">ગુજરાત પણ આ ક્ષેત્રમાં મોટું યોગદાન આપી રહ્યું છે. રાજ્યના વિશ્વપ્રસિદ્ધ પટોળા અને કચ્છના વણાટ કાર્યને આજે યુએસ, યુરોપ અને જાપાન જેવા દેશોમાં મોટી ઓળખ મળી છે. ગુજરાતના આ ક્ષેત્રમાં 12,000 થી વધુ કારીગરો જોડાયેલા છે, જેનું ટર્નઓવર ૫૧ કરોડથી વધુ છે. આ દિવસ માત્ર કારીગરોની કલાનું સન્માન નથી, પરંતુ ભારતની પ્રાચીન સંસ્કૃતિને પેઢી દર પેઢી જીવંત રાખનારા કારીગરો પ્રત્યે આદર વ્યક્ત કરવાનો અવસર છે. સરકારની પ્રતિબદ્ધતા અને નાગરિકોનો સહયોગ આ ક્ષેત્રના ટકાઉ વિકાસ માટે અત્યંત આવશ્યક છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/world/news/pm-modi-netanyahu-phone-call-middle-east-tension" target="_blank">આ પણ વાંચોઃ Middle East તણાવ વચ્ચે નેતન્યાહૂએ PM મોદીને ગુમાવ્યો ફોન, જાણો કયા કયા મુદ્દાઓ પર થઇ ચર્ચા</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/FqvOidIlQXi323xHSQrmupZQeZH5MpbftmMIMVnV.webp'/></item><item><title><![CDATA[Suratમાં એનાલોગ ચીઝ સામે તંત્રની લાલ આંખ: 24 કલાકમાં 14 સ્થળે દરોડા પાડી 235 કિલો જથ્થો નષ્ટ કરાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/food-safety-department-raids-14-dairy-farms-in-surat-traders-angry-as-235-kg-of-analogue-cheese-destroyed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/food-safety-department-raids-14-dairy-farms-in-surat-traders-angry-as-235-kg-of-analogue-cheese-destroyed</guid><pubDate>Fri, 07 Aug 2026 08:19:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગે આરોગ્ય માટે હાનિકારક એવા એનાલોગ ચીઝ અને પનીરના વેચાણ સામે મોટા પાયે ઝુંબેશ શરૂ કરી છે. છેલ્લા 24 કલાક દરમિયાન ફૂડ વિભાગની ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી કુલ 14 જેટલી ડેરીઓ અને મિલ્ક પ્રોડક્ટ વિક્રેતાઓને ત્યાં અચાનક દરોડા પાડ્યા હતા. આ તપાસ દરમિયાન જુદા જુદા સ્થળો પરથી કુલ 235 કિલોગ્રામ જેટલો પ્રતિબંધિત એનાલોગ ચીઝનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો અને તંત્ર દ્વારા આ આરોગ્યપ્રદ ન હોય તેવા જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>સ્ટોક નિકાલનો સમય ન મળતાં વેપારીઓમાં ભારે અસંતોષ</b></h2><p style="text-align: justify; ">ફૂડ સેફ્ટી વિભાગની આ સરપ્રાઇઝ કાર્યવાહીથી ડેરી ઉદ્યોગ અને મિલ્ક પ્રોડક્ટના વેપારીઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે. અચાનક લાદવામાં આવેલા પ્રતિબંધ અને અગાઉથી ખરીદેલો સ્ટોક ખાલી કરવાનો કે તેનો નિકાલ કરવાનો પૂરતો સમય આપ્યા વિના જ સીધા દરોડા પાડીને જથ્થો જપ્ત કરવામાં આવતાં વેપારીઓએ તંત્રની કામગીરી સામે તીવ્ર વિરોધ નોંધાવ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>લાખોનું નુકસાન થવાની વેપારીઓની રાવ</b></h3><p style="text-align: justify; ">વેપારી મંડળો અને દુકાનદારોનું કહેવું છે કે અચાનક કરાયેલી આ કાર્યવાહીના કારણે નાના-મોટા વેપારીઓને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. એક તરફ ફૂડ સેફ્ટી વિભાગ નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા અર્થે આવા કડક પગલાં ભરી રહ્યું છે, તો બીજી તરફ વેપારીઓ આક્ષેપ કરી રહ્યા છે કે નિયમો અંગે પૂરતો સમય અને સ્પષ્ટ માર્ગદર્શિકા આપ્યા બાદ જ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/CT7qQ1R7ZuI6WIp34PVvFComKbzipsBxUo5CcJsy.webp'/></item></channel></rss>