<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Gandhinagar News : વતન પરત ફરતા જ CM ભૂપેન્દ્ર પટેલ ઉજવશે રક્ષાબંધન, બહેનો પાસેથી મેળવશે સ્નેહ અને આશીર્વાદ ]]></title><link>https://sandesh.com/gujarat/news/rakshabandhan/gandhinagar/gandhinagar-news-cm-bhupendra-patel-will-celebrate-raksha-bandhan-upon-returning-to-his-hometown-will-receive-affection-and-blessings-from-his-sisters</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rakshabandhan/gandhinagar/gandhinagar-news-cm-bhupendra-patel-will-celebrate-raksha-bandhan-upon-returning-to-his-hometown-will-receive-affection-and-blessings-from-his-sisters</guid><pubDate>Wed, 26 Aug 2026 19:39:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ પોતાના વિદેશ પ્રવાસથી પરત ફરતા જ ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ સમાન રક્ષાબંધન પર્વની ખાસ ઉજવણી કરશે. રાજ્યના વડા તરીકેની વ્યસ્ત દિનચર્યા અને વિદેશ પ્રવાસની થાક હોવા છતાં, CMએ આ સાંસ્કૃતિક અને ભાવનાત્મક તહેવાર ઉજવવા માટે સમય ફાળવ્યો છે. વિદેશથી આગમન થતાં જ તેઓ બહેનો સાથે આ પવિત્ર ઉત્સવમાં સહભાગી થશે.</p><h2 style="text-align: justify; "><b>ભાજપ મહિલા કાર્યકર્તાઓ અને સંસ્થાઓ દ્વારા રાખડી બાંધવામાં આવશે</b></h2><p style="text-align: justify; ">આ રક્ષાબંધન કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP)ની મહિલા કાર્યકર્તાઓ તથા રાજ્યની વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક સંસ્થાઓની બહેનો CM ભૂપેન્દ્ર પટેલને રક્ષાસૂત્ર બાંધશે. રાજ્યભરમાંથી આવેલી મહિલાઓ CMના દીર્ઘાયુ અને સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી તેમને રાખડી બાંધી આશીર્વાદ આપશે.</p><h2 style="text-align: justify; "><b>CM નિવાસ્થાને ઉત્સાહભર્યું વાતાવરણ</b></h2><p style="text-align: justify; ">આ પવિત્ર પ્રસંગે CM અને રાજ્યની બહેનો વચ્ચે એક અનોખો આત્મીય સંબંધ જોવા મળશે. આ ઉજવણીથી કાયદા-વ્યવસ્થા અને પ્રજાકલ્યાણના કાર્યોમાં સતત કાર્યરત રહેતા CMશ્રી માટે બહેનોનો પ્રેમ અને સમર્થન ફરી એકવાર પ્રગટ થશે. આ કાર્યક્રમને લઈને CM નિવાસ્થાને રક્ષાબંધનની વિશેષ તૈયારીઓ અને ઉત્સાહભર્યો માહોલ સર્જાયો છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/dwarka/dwarka-news-farmers-rejoice-as-water-from-the-sauni-yojana-is-released-in-bhanvad-vartu-1-and-sonmati-dams-overflow" target="_blank">Dwarka News : ભાણવડમાં સૌની યોજનાનું પાણી છોડાતાં ખેડૂતોમાં હર્ષોલ્લાસ, વર્તુ-1 અને સોનમતી ડેમ છલકાયા</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/26/SuMadAeb4qsFbmYSDntIMUF8jkvQtJErBlkVe8zH.webp'/></item><item><title><![CDATA[Bharuch: હાંસોટની પંડવાઈ શુગર ફેક્ટરીની ચૂંટણીમાં મતદાન પૂર્વે જ મંત્રી ઈશ્વરસિંહ પટેલની પેનલનો ભવ્ય વિજય ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/hansot-pandwai-sugar-factory-election-ishwarsinh-patel-panel-wins-14-seats</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/hansot-pandwai-sugar-factory-election-ishwarsinh-patel-panel-wins-14-seats</guid><pubDate>Wed, 26 Aug 2026 19:38:55 +05:30</pubDate><description><![CDATA[<p>ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલી પ્રસિદ્ધ પંડવાઈ શુગર ફેક્ટરીની સામાન્ય ચૂંટણીમાં મતદાન યોજાય તે પહેલાં જ મંત્રી ઈશ્વરસિંહ પટેલની 'સહકાર પેનલ' એ પોતાનું વર્ચસ્વ સાબિત કરી દીધું છે. ફેક્ટરીની કુલ 16 ઝોનની બેઠકો પૈકી 14 ઝોનમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલની સહકાર પેનલના ઉમેદવારો સામે અન્ય કોઈ ઉમેદવારી ન રહેતાં તેઓ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા.</p><h2><b>ભરૂચના સહકારી જગતમાં મોટી ખબર</b></h2><p>14 બેઠકો પર બિનહરીફ જીત સુનિશ્ચિત થતાં જ મંત્રી ઈશ્વરસિંહ પટેલ ગાંધીનગરથી સીધા પંડવાઈ શુગર ફેક્ટરી ખાતે આવી પહોંચ્યા હતા. તેમના આગમન સાથે જ સહકારી જગતના અગ્રણીઓ અને સમર્થકો દ્વારા ફટાકડા ફોડીને અને ઈશ્વરસિંહ પટેલને ફૂલહાર પહેરાવીને જીતનો આગોતરો ભવ્ય વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લાના સહકારી ક્ષેત્રના અનેક દિગ્ગજ આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 16 માંથી 14 ઝોન બિનહરીફ થઈ જતાં હવે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. બાકી રહેલી માત્ર 2 બેઠકો પર આગામી 5 સપ્ટેમ્બરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.</p><h3><b>મંત્રી ઈશ્વરસિંહ પટેલનું નિવેદન</b></h3><p>વિજયોત્સવ દરમિયાન ખેડૂતો અને સહકારી આગેવાનોને સંબોધતા મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, "પંડવાઈ શુગર ફેક્ટરી સાથે જોડાયેલા ખેડૂત સભાસદોએ અમારી પેનલ પર જે અવિરત વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું આભાર વ્યક્ત કરું છું. આગામી દિવસોમાં પણ ફેક્ટરીનું સંચાલન વધુ સુચારુ બનાવીને ખેડૂતોને તેમની શેરડીના પાકના હજુ પણ વધુ સારા અને મહત્તમ ભાવ મળી રહે તે માટે મારી પેનલ સંપૂર્ણપણે કટિબદ્ધ રહેશે."</p><p><b><a href="https://sandesh.com/india/news/delhi-mumbai-expressway-vadodara-mumbai-section-opening-august-31" target="_blank">આ પણ વાંચો: India: વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે 31 ઓગસ્ટથી શરૂ થવાની આશા, 8 કલાકની સફર હવે 4 કલાકમાં પૂરી થશે</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/26/qRIj090rpTJHA4jEuL681pn2p66gfZFOCCYiHRZ5.webp'/></item><item><title><![CDATA[Nepal Flood : નેપાળમાં ફસાયેલા ભારતીયો માટે દૂતાવાસે જાહેર કર્યા ઈમરજન્સી હેલ્પલાઈન નંબર ]]></title><link>https://sandesh.com/india/news/world/nepal-flood-indian-embassy-emergency-helpline-numbers</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/world/nepal-flood-indian-embassy-emergency-helpline-numbers</guid><pubDate>Wed, 26 Aug 2026 19:37:01 +05:30</pubDate><description><![CDATA[<p>નેપાળમાં બુધવારે આવેલા ભીષણ ફ્લેશ ફ્લડ બાદ ભારતે પડોશી દેશની મદદ માટે રાહત સામગ્રી મોકલવાની તૈયારી શરૂ કરી છે. ભારત સરકાર કાઠમંડુના સતત સંપર્કમાં છે અને નેપાળ ઉપરાંત સરહદને અડીને આવેલા વિસ્તારોની સ્થિતિ પર પણ નજર રાખવામાં આવી રહી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/IndiaInNepal/status/2092578993673478189"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>આ બે નંબર પર મદદ માટે સંપર્ક કરી શકાશે</b></h2><p>નેપાળમાં પૂરથી પ્રભાવિત ભારતીય નાગરિકોની મદદ માટે ભારતીય દૂતાવાસે બે ઈમરજન્સી હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે. કોઈપણ પ્રકારની મદદ અથવા માહિતી માટે ભારતીય નાગરિકો +977 985 131 6807 અને +977 970 910 7500 પર સંપર્ક કરી શકે છે. દૂતાવાસે જણાવ્યું છે કે તે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂરિયાતમંદ ભારતીય નાગરિકોને શક્ય તમામ મદદ પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા છે.</p><h3><b>ભારતે માનવતાવાદી સહાય માટે રાહત સામગ્રીનું પેકેજ તૈયાર કર્યું&nbsp;</b></h3><p>ભોટેકોશી વિસ્તારમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે, જ્યારે 33 સુરક્ષાકર્મીઓ લાપતા હોવાના અહેવાલ છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભારતે માનવતાવાદી સહાય માટે રાહત સામગ્રીનું પેકેજ તૈયાર રાખ્યું છે. નેપાળ સરકાર તરફથી ઔપચારિક રીતે મદદની માગ કરવામાં આવે અથવા જમીની પરિસ્થિતિને જોતા તેની જરૂરિયાત જણાય તો ભારત તરફથી રાહત સામગ્રી ઝડપથી મોકલવામાં આવશે. બંને દેશોના સંબંધિત અધિકારીઓ સતત સંપર્કમાં છે.</p><h4><b>વડાપ્રધાન મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું&nbsp;</b></h4><p>આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહ સાથે ફોન પર વાત કરી હતી. મોદીએ પૂરથી થયેલી જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે મુશ્કેલીના આ સમયમાં ભારતના લોકો નેપાળના ભાઈ-બહેનો સાથે મજબૂતીથી ઊભા છે. PM મોદીએ નેપાળને શક્ય તમામ માનવતાવાદી સહાય આપવાની ખાતરી આપી છે. તેમણે જણાવ્યું કે ભારત અને નેપાળની ટીમો બચાવ તથા રાહત કામગીરી માટે નજીકથી સંકલન કરી રહી છે. ભારત દ્વારા પૂરગ્રસ્ત લોકોને મદદ પહોંચાડવા માટે જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે.<br><br><a href="https://sandesh.com/world/news/world-news-terrible-floods-cause-devastation-on-nepal-china-border-22-dead-400-people-missing-including-105-indians" target="_blank"><b>આ પણ વાંચો : World News : નેપાળ-ચીન સરહદે ભયાનક પૂરે સર્જી તબાહી, 22ના મોત, 105 ભારતીયો સહિત 400 લોકો લાપતા</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/26/VBvUXu6II52vltwITh4wky0TieE7QnPqxAD3Ei8b.webp'/></item><item><title><![CDATA[Surat News: ભાજપ આગેવાનની પુત્રવધૂએ કરી આત્મહત્યા, પોસ્ટ મોર્ટમ દરમિયાન આંતરવસ્ત્રમાંથી સ્યુસાઈડ નોટ મળી ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/kadodara-bjp-leader-daughter-in-law-suicide-case</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/kadodara-bjp-leader-daughter-in-law-suicide-case</guid><pubDate>Wed, 26 Aug 2026 19:32:42 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત જિલ્લાના કડોદરા-બારડોલી રોડ પર આવેલી શ્રીનિવાસ ગ્રીનસિટી સોસાયટીમાં એક અત્યંત ચકચારી ઘટના સામે આવી છે. ભાજપના એક મહિલા આગેવાનના પુત્ર સૌરભકુમારની 24 વર્ષીય પત્ની નિધિકુમારીએ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈને અંતિમ પગલું ભરી લીધું હતું. લગ્નજીવનના માત્ર 2 જ વર્ષના ટૂંકા ગાળામાં પરિણિતાએ આત્મહત્યા કરી લેતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.</p><h2><b>પોસ્ટ મોર્ટમ વખતે આંતરવસ્ત્રમાંથી મળી સ્યુસાઈડ નોટ</b></h2><p>આ આત્મહત્યા કેસમાં એક ચોંકાવનારી વિગત સામે આવી છે. આત્મહત્યા કરતા પહેલાં નિધિકુમારીએ 2 પાનાની વિસ્તૃત સ્યુસાઈડ નોટ લખી હતી અને તેને પોતાના આંતરવસ્ત્રમાં છુપાવી દીધી હતી. મૃતદેહના પોસ્ટ મોર્ટમ દરમિયાન તબીબોને આંતરવસ્ત્રમાંથી આ ચિઠ્ઠી મળી આવી હતી. તબીબોએ તાત્કાલિક આ મહત્વપૂર્ણ પુરાવો કડોદરા પોલીસને સોંપ્યો હતો.</p><h2><b>પતિના અનૈતિક સંબંધો અને માનસિક ત્રાસનો ઉલ્લેખ</b></h2><p>મૃતકે લખેલી સ્યુસાઈડ નોટમાં પતિના અન્ય મહિલા સાથેના અનૈતિક સંબંધો હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. 'પતિ, પત્ની ઓર વો' ના ચક્કરમાં પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધોને કારણે ઘરમાં વારંવાર તીવ્ર માનસિક ત્રાસ અને કંકાશ થતો હતો. આ સતત થતા ત્રાસથી કંટાળીને જ તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.</p><p><img alt="Surat News: BJP Leader's Daughter-in-Law Commits Suicide Over Husband's Affair" src="https://epapercdn.sandesh.com/images/2026/08/26/jzJ52WOGq9q4ay2hnF6fJTzG3bGVRPxWCYxAXQIk.webp" style="width: 100%;"><br></p><h2><b>પિયર પક્ષની ફરિયાદના આધારે પોલીસ કાર્યવાહી</b></h2><p>આ સમગ્ર મામલે મૃતક નિધિકુમારીના પિયર પક્ષે કડોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે સ્યુસાઈડ નોટ કબજે કરીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. પતિના અફેર અને માનસિક ત્રાસ અંગેના પુરાવા આધારે પોલીસ આગળની કડક કાર્યવાહી હાથ ધરશે. પતિ પત્ની ઔર વો ના કિસ્સામાં વધુ એકનો ભોગ લેવાતા સમાજમાં ચિંતા સાથે ચર્ચા જગાવી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/surat/723-kg-adulterated-mawa-and-fake-sweets-seized-worth-rs-1-42-lakh" target="_blank">Surat News: શહેર પોલીસે દોઢ લાખની કિંમતનો 723 કિલો અખાદ્ય માવો અને નકલી મીઠાઈનો જથ્થો ઝડપ્યો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/26/n4emb1N2kdO4yZgJfaNyptGcx9BvmZJ8AnmND0vV.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: સ્વાઈન ફ્લૂ વધતાં IMAની એડવાઇઝરી, ગભરાવાની જરૂર નથી ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/swine-flu-cases-ima-advisory-h1n1-guidelines</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/swine-flu-cases-ima-advisory-h1n1-guidelines</guid><pubDate>Wed, 26 Aug 2026 19:28:20 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેર સહિત દેશના દિલ્હી જેવા અનેક મોટા મહાનગરોમાં સ્વાઈન ફ્લૂ (H1N1)ના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં ફેરફાર અને મોસમી ફ્લૂના કારણે સંક્રમણ વધી રહ્યું હોવાથી ઇન્ડિયન મેડિકલ એસોસિએશને નાગરિકોની જાગૃતિ અને સ્વાસ્થ્ય સુરક્ષા માટે એક વિશેષ એડવાઇઝરી બહાર પાડી છે.</p><h2><b>ICMR નું સર્વેલન્સ: કોઈ નવું જિનેટિક મ્યુટેશન નહીં</b></h2><p>ICMR (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ) ના સર્વેલન્સ રિપોર્ટ મુજબ હાલમાં ફેલાઈ રહેલો આ વાયરસ મોસમી H1N1 જ છે. IMA એ સ્પષ્ટતા કરી છે કે, તપાસ દરમિયાન વાયરસમાં કોઈ નવું જિનેટિક મ્યુટેશન જોવા મળ્યું નથી. મોટાભાગના કેસ અત્યંત હળવા અને સ્વયં-મર્યાદિત (સેલ્ફ-લિમિટિંગ) પ્રકારના છે, જેથી નાગરિકોએ ખોટો ડર કે ગભરાટ રાખવાની બિલકુલ જરૂર નથી.</p><h2><b>H1N1 ના મુખ્ય લક્ષણો અંગે જાણકારી</b></h2><p>IMA અનુસાર H1N1 સ્વાઈન ફ્લૂથી પીડિત દર્દીઓમાં મુખ્યત્વે તાવ આવવો, ઠંડી લાગવી, સતત ઉધરસ આવવી, ગળામાં દુખાવો થવો, શરીરમાં તીવ્ર દુખાવો અને ભારે થાક અનુભવવો જેવા સામાન્ય લક્ષણો જોવા મળે છે. યોગ્ય આરામ અને સમયસરના પ્રાથમિક ઉપચારથી દર્દીઓ ઝડપથી સાજા થઈ જાય છે.</p><p><img alt="Ahmedabad News: Swine Flu Surge, IMA Issues Crucial Health Advisory" src="https://epapercdn.sandesh.com/images/2026/08/26/HZXlMpV6YlMuhuhvDzyoAap4WJBS5n1S6ee4Gv0A.webp" style="width: 100%;"><br></p><h2><b>ડોક્ટરની સલાહ વિના એન્ટિબાયોટિક્સ ન લેવા અપીલ</b></h2><p>તબીબોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે વાયરલ ઈન્ફેક્શન સામે એન્ટિબાયોટિક દવાઓ બિલકુલ અસરકારક હોતી નથી. IMA એ લોકોને અપીલ કરી છે કે ડોક્ટરના યોગ્ય પરામર્શ વિના Azithromycin કે Amoxicillin-Clavulanate જેવી એન્ટિબાયોટિક્સ દવાઓ સ્વેચ્છાએ ન લેવી. એન્ટિબાયોટિક્સનો બિનજરૂરી ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય સંબંધી જોખમ વધી શકે છે.</p><p><img alt="Ahmedabad News: Swine Flu Surge, IMA Issues Crucial Health Advisory" src="https://epapercdn.sandesh.com/images/2026/08/26/xuS9SJUDsmwxcIKqnGQN7yovaLT9mQq4lVL9mKuS.webp" style="width: 100%;"><br></p><h2><b>આ ગંભીર લક્ષણો દેખાય તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચો</b></h2><p>એડવાઇઝરીમાં વધુમાં જણાવાયું છે કે જો દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, છાતીમાં તીવ્ર દુખાવો થાય, લોહીવાળી ઉધરસ આવે કે સતત ઉલટી થતી હોય, તો તેને બિલકુલ હળવાશથી ન લેવું જોઈએ. આવા ગંભીર લક્ષણો જણાતાં જ દર્દીને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવા સલાહ આપવામાં આવી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/lifestyle/news/why-you-should-never-take-antibiotics-without-a-doctors-advice-during-h1n1-illness" target="_blank">Swine Flu News: દેશમાં સ્વાઇન ફ્લૂના કેસ વધ્યા! H1N1 બીમારીમાં કયારે પણ ડૉક્ટરની સલાહ વિના એન્ટિબાયોટિક્સ કેમ ન લેવી</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/26/5G8L3M9dd6OAvlC2cMhlBfpnAYHv2VoqsBrM8qGa.webp'/></item><item><title><![CDATA[Rajasthan : શાળામાં જંક ફૂડ પર પ્રતિબંધ, આસપાસમાં વેચાણ પર પણ હાઈકોર્ટે લગાવી રોક ]]></title><link>https://sandesh.com/india/news/rajasthan-high-court-junk-food-ban-schools-50-metre</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/rajasthan-high-court-junk-food-ban-schools-50-metre</guid><pubDate>Wed, 26 Aug 2026 19:15:09 +05:30</pubDate><description><![CDATA[<p>રાજસ્થાન હાઈકોર્ટે બાળકોના સ્વાસ્થ્ય, શિક્ષણ અને ભવિષ્ય સાથે જોડાયેલા મુદ્દાઓ પર સ્વપ્રેરિત સંજ્ઞાન લેતાં મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા છે. જસ્ટિસ અનૂપ કુમાર ધંડની બેન્ચે Gen Z, Gen Alpha અને Gen Betaના કલ્યાણને લઈને સ્કૂલોમાં જંક ફૂડનું વેચાણ, વધતો સ્ક્રીન ટાઈમ, પેપર લીક અને ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણની નબળી માળખાકીય સુવિધાઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે.&nbsp;</p><h2><b>ખાદ્ય પદાર્થોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો</b></h2><p>કોર્ટે સ્કૂલ કેન્ટીન તેમજ સ્કૂલ ગેટથી 50 મીટરના વિસ્તારમાં હાઈ ફેટ, હાઈ શુગર અને હાઈ સોલ્ટ (HFSS) ધરાવતા ખાદ્ય પદાર્થોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમાં કાર્બોનેટેડ ડ્રિંક્સ, ચિપ્સ, ટ્રાન્સ-ફેટવાળા બેકરી ઉત્પાદનો સહિત અન્ય જંક ફૂડનો સમાવેશ થાય છે. નિયમોના પાલન માટે જિલ્લા મેજિસ્ટ્રેટ અને બ્લોક શિક્ષણ અધિકારીઓને દર મહિને તપાસ કરવા સૂચના આપવામાં આવી છે.&nbsp;</p><h3><b>કોર્ટે વધતા સ્ક્રીન ટાઈમ અંગે પણ ચિંતા વ્યક્ત કરી</b></h3><p>તમામ સ્કૂલોમાં ચાર સપ્તાહમાં ‘સ્કૂલ ફૂડ સેફ્ટી એન્ડ ન્યુટ્રિશન કમિટી’ બનાવવાની રહેશે. આ ઉપરાંત આઠ સપ્તાહમાં કેન્ટીનમાં મળતા ખોરાકની કેલરી, સામગ્રી અને પોષક મૂલ્ય દર્શાવતું મેન્યૂ બોર્ડ લગાવવાનું રહેશે. મિડ-ડે મીલમાં પણ સંતુલિત આહારના ધોરણોનું પાલન કરવાનું રહેશે.  કોર્ટે વધતા સ્ક્રીન ટાઈમ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. AI અને ટેક્નોલોજીના ઉપયોગને જરૂરી ગણાવતા કોર્ટે સ્પષ્ટ કર્યું કે ટેક્નોલોજી બાળકોની મૂળભૂત શીખવાની ક્ષમતાનો વિકલ્પ ન બનવી જોઈએ. હસ્તલેખન, પુસ્તકો વાંચવા, નોંધ લખવા અને લેખિત પરીક્ષા જેવી પ્રવૃત્તિઓ જાળવી રાખવા પર ભાર મૂકાયો છે.</p><p>ગ્રામ્ય સરકારી સ્કૂલોમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા, સ્માર્ટ ક્લાસ, કમ્પ્યુટર, ઈન્ટરનેટ, આરોગ્ય તપાસ, શૌચાલય, પીવાનું પાણી અને રમતગમતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પણ નિર્દેશ આપવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટરોને આ સ્કૂલોનું સરપ્રાઈઝ ઈન્સ્પેક્શન કરી આઠ સપ્તાહમાં રિપોર્ટ રજૂ કરવા કહેવામાં આવ્યું છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/auto-overturned-after-cat-crosses-road-in-telangana-10-female-laborers-injured-3-in-critical-condition" target="_blank">આ પણ વાંચો : Telanganaમાં બિલાડી રસ્તામાં આવતા રિક્ષા પલટી, 10 મહિલા મજૂરો ઘાયલ, 3ની હાલત ગંભીર</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/26/gqrxofq9nrnnSG7hFmU1HlDJ5EqbWpet4ynucfh5.webp'/></item><item><title><![CDATA[Surat News: શહેર પોલીસે દોઢ લાખની કિંમતનો 723 કિલો અખાદ્ય માવો અને નકલી મીઠાઈનો જથ્થો ઝડપ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/723-kg-adulterated-mawa-and-fake-sweets-seized-worth-rs-1-42-lakh</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/723-kg-adulterated-mawa-and-fake-sweets-seized-worth-rs-1-42-lakh</guid><pubDate>Wed, 26 Aug 2026 18:50:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને ગુજરાતમાં એનાલોગ પનીરના વેચાણ અને ઉત્પાદન પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.ગુજરાતમાં નાના મોટા શહેરોમાં વેચાઈ રહેલા નકલી, પનીર, ઘી, ચીઝ અને તેલ જેવા ખાદ્ય પદાર્થો સામે ફૂડ વિભાગની કાર્યવાહી યથાવત છે. તેવામાં આગામી સમયમાં આવી રહેલા તહેવારો પહેલા જ તંત્ર દ્વારા માવાના વેચાણ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.રાજ્યમાં છેલ્લાં કેટલાક વર્ષમાં પકડાયેલા માવામાંથી મિલ્ક પાવડરની સાથે પામ ઓઈલ, વેજિટેબલ ઓઈલ અને કલરની પણ હાજરી મળી છે તેમ છતાં રાજ્યમાં આજે પણ ભેળસેળયુક્ત માવાની મીઠાઈનો બેરોકટોક વેપલો થઈ રહ્યો છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>સુરતમાં અખાદ્ય માવો અને નકલી મીઠાઈ ઝડપાઈ</b></h2><p style="text-align: justify; ">તહેવારોની મોસમ નજીક આવતાં જ સુરતમાં નકલી અને અખાધ્ય ખાદ્યપદાર્થોનું વેચાણ કરતા તત્વો સક્રિય થઈ ગયા છે.રક્ષાબંધનના પવિત્ર પર્વ પહેલાં જ સુરતમાં અખાધ્ય માવો અને તેમાંથી તૈયાર કરાયેલી મીઠાઈઓનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.સુરતના સરથાણા વિસ્તારમાં ઝોન-1 LCB, સરથાણા પોલીસ અને ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમે સંયુક્ત દરોડો પાડી આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.પોલીસ અને ખાદ્ય વિભાગની ટીમે સરથાણા સ્થિત  મહાકાલ કેટરર્સ &amp; સ્વીટ નામના શેડમાં છાપો માર્યો હતો.દરોડા દરમિયાન સ્થળ પરથી આશરે 723 કિલોગ્રામ જેટલો અખાધ્ય માવો તેમજ વિવિધ પ્રકારની નકલી મીઠાઈઓનો જથ્થો મળી આવ્યો હતો.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>મુદ્દામાલની કુલ કિંમત રૂ.1,42,500 અંકાય છે</b></h3><p style="text-align: justify; ">આ જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂ.1,42,500 અંકાય છે.લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા આ તમામ જથ્થાને કબ્જે કરી તેનો નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.આ મામલે પોલીસે મૂળ જૂનાગઢના દાત્રાણા ગામના વતની અને હાલ સુરતના લસકાણા ખાતે રહેતા ભાવેશભાઈ છગનભાઈ વઘાસીયા નામના શખ્સની ધરપકડ કરી છે.સુરત પોલીસના DCP આલોક કુમારે જણાવ્યા અનુસાર,આ મામલે પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. તહેવારોમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરનારા વેપારીઓ સામે તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.<br><br><a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-gujarat-fake-mawa-business-surges-ahead-of-festivals" target="_blank">આ પણ વાંચોઃ Sandesh Digital Explainer: તહેવારો ટાણે ગુજરાતમાં અસલી સાથે નકલી માવાનો કરોડોનો વેપલો, સરકાર ક્યારે એક્શનમાં આવશે?</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/26/7JgKWjDxoRv6NghTqUAmruTmaz5pU9udc8wu6gjn.webp'/></item><item><title><![CDATA[GK Energyને ₹454.5 કરોડનો મોટો ઓર્ડર, 1 લાખ ઘરોની છત પર લગાવશે સોલર પેનલ ]]></title><link>https://sandesh.com/business/news/gk-energy-gets-a-huge-order-of-4545-crore-will-install-solar-panels-on-the-roofs-of-1-lakh-houses</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/gk-energy-gets-a-huge-order-of-4545-crore-will-install-solar-panels-on-the-roofs-of-1-lakh-houses</guid><pubDate>Wed, 26 Aug 2026 18:40:51 +05:30</pubDate><description><![CDATA[<p>Renewable Energy સેક્ટરમાં હાલમાં ધમાકેદાર તેજી જોવા મળી રહી છે. પુણેની રિન્યુએબલ એનર્જી કંપની GK Energyના હાથમાં મોટો જેકપોટ લાગ્યો છે. રાજ્ય સરકારની વીજ વિતરણ કંપનીએ GK Energyને ₹454.5 કરોડનો મોટો ઓર્ડર આપ્યો છે. આ મોટા પ્રોજેક્ટ હેઠળ કંપનીને સમગ્ર રાજ્યમાં 1 લાખ ઘરોની છત પર સોલર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાની મહત્વપૂર્ણ જવાબદારી મળી છે. આ સમાચાર સામે આવતા જ શેરબજારમાં કંપનીના શેરની જોરદાર ખરીદી શરૂ થઈ ગઈ. </p><h2><b>1 લાખ ઘરોની છત પર લગાવશે સોલર પેનલ</b></h2><p>આ સરકારી ઓર્ડર મુજબ કંપનીએ દરેક ઘર પર 1 કિલોવોટ ક્ષમતાની રૂફટોપ સોલર સિસ્ટમ લગાવવાની છે. તેનો સીધો અર્થ એ છે કે સમગ્ર પ્રોજેક્ટની કુલ ક્ષમતા 100 મેગાવોટ (MW) હશે. સરકાર તરફથી કંપનીને પ્રતિ કિલોવોટ ₹45,450 ચૂકવવામાં આવશે. આ રકમમાં GST પણ સામેલ છે. ખાસ વાત એ છે કે કંપનીનું કામ માત્ર પેનલ લગાવીને છોડી દેવાનું નથી. </p><h3><b>5 વર્ષ સુધી મેન્ટેનન્સની જવાબદારી</b></h3><p>પ્રોજેક્ટની ડિઝાઇનિંગથી લઈને એન્જિનિયરિંગ, જરૂરી સામાનની સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને સિસ્ટમ ચાલુ કરવાની સંપૂર્ણ જવાબદારી GK Energyની જ રહેશે. આ ઉપરાંત કંપનીએ આગામી 5 વર્ષ સુધી આ તમામ 1 લાખ સોલર સિસ્ટમનું ઓપરેશન અને મેન્ટેનન્સ પણ કરવાનું રહેશે. દરેક ઘરનું કામ સંબંધિત વર્ક ઓર્ડર મળ્યાના માત્ર 60 દિવસની અંદર પૂર્ણ કરવાનું રહેશે. </p><h4><b>નફા વચ્ચે માર્જિને વધારી ચિંતા</b></h4><p>GK Energyના નાણાકીય પરિણામો પર નજર કરીએ તો પ્રથમ ક્વાર્ટરમાં કંપનીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. જૂન ક્વાર્ટરમાં કંપનીનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ 54% વધીને ₹57 કરોડ થયો છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં આ નફો માત્ર ₹37 કરોડ હતો. રેવન્યુના મોરચે પણ કંપનીએ 55.4%ની જોરદાર ગ્રોથ નોંધાવીને ₹505 કરોડનો આંકડો પાર કર્યો છે.&nbsp;</p><h5><b>નફામાં તેજી વચ્ચે માર્જિન ઘટ્યું</b></h5><p> આ આંકડાઓ વચ્ચે એક નાની ચિંતા પણ છે. કંપનીનો EBITDA 44% વધીને ₹82.4 કરોડ થયો છે, પરંતુ EBITDA માર્જિન 17.6%થી ઘટીને 16.3% થઈ ગયો છે. માર્જિનમાં થયેલો આ ઘટાડો દર્શાવે છે કે વેચાણની સાથે કંપનીના ખર્ચમાં પણ ઝડપથી વધારો થયો છે. પ્રોફિટ બિફોર ટેક્સ પણ ₹50.5 કરોડથી વધીને ₹80.3 કરોડ થયો છે. </p><h6><b>શેરમાં આજે 6.83%ની શાનદાર તેજી</b></h6><p>કંપની મુખ્યત્વે સોલર પ્રોજેક્ટ્સનું EPC (એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ, કન્સ્ટ્રક્શન) કામ કરે છે. આ ઉપરાંત સોલર સેલ અને અન્ય પ્રોડક્ટ્સનું ટ્રેડિંગ પણ તેના બિઝનેસનો મહત્વપૂર્ણ હિસ્સો છે. પ્રથમ ક્વાર્ટરમાં EPC બિઝનેસમાંથી જ કંપનીને સૌથી વધુ રેવન્યુ મળ્યું છે. મોટા સરકારી ઓર્ડર સાથે શાનદાર પરિણામોની સીધી અસર શેરબજારમાં જોવા મળી. બુધવારે GK Energyના શેરમાં જોરદાર તેજી જોવા મળી. છેલ્લા છ મહિનામાં આ શેરે તેના રોકાણકારોને આશરે 18.62% રિટર્ન આપ્યું છે. જોકે, છેલ્લા એક વર્ષનો ટ્રેક રેકોર્ડ જોવામાં આવે તો સ્ટોક 19.63% તૂટ્યો પણ છે. હાલમાં કંપનીનું માર્કેટ કેપ આશરે ₹2.73 હજાર કરોડ છે.</p><p><b><a href="https://sandesh.com/" target="_blank">વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/26/x5OND1l696pWMBHVuRbQIesnd4076XB1V0Xgg8Ed.webp'/></item><item><title><![CDATA[Akanksha Chamolaની બાઇસેક્સ્યુઅલિટી જાણીને સાસુ-સસરાનો કેવું હતું રિએક્શન? એક્ટ્રેસે કર્યો ખુલાસો ]]></title><link>https://sandesh.com/entertainment/news/akanksha-chamola-bisexuality-gaurav-khanna-parents-reaction</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/akanksha-chamola-bisexuality-gaurav-khanna-parents-reaction</guid><pubDate>Wed, 26 Aug 2026 17:40:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અભિનેત્રી અને લોક અપ સીઝન 2ની કન્ટેસ્ટન્ટ આકાંક્ષા ચમોલા આ શો દરમિયાન ખૂબ ચર્ચામાં રહી હતી. અભિનેત્રીએ આ દરમિયાન 2 મોટા ખુલાસા કરીને ઘણી ચર્ચા મેળવી હતી. તેણે ગૌરવ ખન્ના સાથેના છૂટાછેડા અને પોતે બાયસેક્સ્યુઅલ હોવાનો ખુલાસો કર્યો હતો. ત્યારબાદ તેણે એમ પણ કહ્યું હતું કે તે પોતાનું 3જું રહસ્ય પણ જણાવશે. જોકે, તે પહેલા જ તે શોમાંથી બહાર થઈ ગઈ હતી. ફેન્સને આશા હતી કે તેનું 3જું રહસ્ય પ્રેગ્નેન્સી સાથે જોડાયેલું હોઈ શકે છે. હવે એક ઈન્ટરવ્યૂમાં અભિનેત્રીને આ અંગે સવાલ કરવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>પ્રેગ્નેન્સીની અફવાઓ પર આકાંક્ષા ચમોલાએ શું કહ્યું?</b></h2><p style="text-align: justify; ">તાજેતરમાં આકાંક્ષા ચમોલાએ સમાચાર એજન્સી IANSને એક ઈન્ટરવ્યૂ આપ્યો હતો. આ દરમિયાન અભિનેત્રીને તેમની પ્રેગ્નેન્સીની અફવાઓ વિશે પણ સવાલ કરવામાં આવ્યો હતો. જોકે, અભિનેત્રીએ આ અંગે સ્પષ્ટ કંઈ કહ્યું નહોતું. તેમણે કહ્યું, ના, ના, ના. સવાલ બદલી દો. મને 3જા રહસ્ય માટે પૈસા મળશે. આ અંગે જો કોઈ કંઈ કહે છે, તો હું 3જું રહસ્ય જાહેર કરી દઈશ. નહીં તો હું તેને જાહેર નહીં કરું. સોશિયલ મીડિયા પર તાજેતરમાં આકાંક્ષાની પ્રેગ્નેન્સીની અફવાઓને લઈને ઘણી ચર્ચા થઈ હતી.<br><img alt="Akanksha Chamola Bisexuality, Gaurav Khanna (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/26/Y0XzZyvzFTRrFZycp9Vpp8jseORL2235WeHqTM8O.webp"><br></p><h3 style="text-align: justify; "><b>આકાંક્ષા બાયસેક્સ્યુઅલ હોવાના ખુલાસા પર ગૌરવના માતા-પિતાએ પ્રતિક્રિયા આપી હતી?</b></h3><p style="text-align: justify; ">વાતચીત દરમિયાન આકાંક્ષાએ એ પણ જણાવ્યું કે જ્યારે તેણે શોમાં પોતાના છૂટાછેડા અને પોતે બાયસેક્સ્યુઅલ હોવાનો ખુલાસો કર્યો હતો, ત્યારે તેના માતા-પિતા અને સાસરિયા એટલે કે ગૌરવ ખન્નાના માતા-પિતાએ કોઈ પ્રતિક્રિયા આપી હતી કે નહીં. અભિનેત્રીએ જણાવ્યું કે આ બાબતો પર તેમના સાસરિયા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નહોતી. અભિનેત્રીએ કહ્યું, આ અંગે મારા સાસરિયા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નહોતી. કારણ કે અમે એકબીજા સાથે વાતચીત કરતા નથી અને અમારા માતા-પિતા તો અમારા પોતાના હોય છે. મારા માતા-પિતા શું કહે? કયા માતા-પિતા પોતાના બાળકોને કંઈ કહેશે?</p><h4 style="text-align: justify; "><b>2016માં ગૌરવ અને આકાંક્ષાના લગ્ન થયા હતા</b></h4><p style="text-align: justify; ">આકાંક્ષા ચમોલાએ વર્ષ 2016માં ગૌરવ ખન્ના સાથે લગ્ન કર્યા હતા. જોકે, તેમનો સંબંધ એક દાયકો પણ ટકી શક્યો નહીં. બંને 1 વર્ષથી અલગ રહે છે. લોક અપ સીઝન 2માં આકાંક્ષાએ પોતે આ વાતનો ખુલાસો કર્યો હતો. આ ઉપરાંત અભિનેત્રીએ પોતાની બાયસેક્સ્યુઅલ ઓળખ વિશે પણ જણાવ્યું હતું. આ ખુલાસા બાદ ઘણી ચર્ચા થઈ હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/cid-show-closed-reason-dayanand-shetty-lata-mangeshkar" target="_blank">આ પણ વાંચો-TV Show : કેમ અચાનક બંધ થયો હતો CID? દયાએ વર્ષો બાદ ખોલ્યું રહસ્ય, કહ્યું- લતા મંગેશકરે શો બચાવવા લડી હતી લડાઈ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/26/CdRobEOEOGbObOcoe8MpeYaxXHaQlcvtkd2gBvcj.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : 2030 Commonwealth Games માટે એક્શનમાં સરકાર, અમિત શાહની અધ્યક્ષતામાં કાલે બેઠક ]]></title><link>https://sandesh.com/gujarat/news/sports/ahmedabad/ahmedabad-news-government-in-action-for-2030-commonwealth-games-meeting-chaired-by-amit-shah-tomorrow</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/sports/ahmedabad/ahmedabad-news-government-in-action-for-2030-commonwealth-games-meeting-chaired-by-amit-shah-tomorrow</guid><pubDate>Wed, 26 Aug 2026 17:16:51 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતને વૈશ્વિક રમતગમતનું હબ બનાવવાના વિઝન સાથે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 અને ભવિષ્યમાં યોજાનારા ઓલિમ્પિક્સના આયોજન માટેના રોડમેપ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય સ્તરની 'વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ'ના સફળ આયોજન માટેની માળખાકીય સુવિધાઓ અને રાજ્યની સજ્જતા અંગે પણ વિગતવાર માહિતી મેળવી સમીક્ષા કરવામાં આવી હતી.</p><h2><b>કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં કાલે હાઇ-લેવલ મીટિંગ</b></h2><p>આ તમામ તૈયારીઓને વધુ ગતિ આપવા માટે આવતીકાલે અમદાવાદ એનરેક્સી સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાશે. આ બેઠકમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓ અને રમતગમત વિભાગના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ખેલાડીઓની સુવિધાઓ, સુરક્ષા વ્યવસ્થા અને લોજિસ્ટિક્સ પ્લાનિંગ અંગે અમિત શાહ દ્વારા વિસ્તૃત સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે, જે ભારતની દાવેદારીને વૈશ્વિક મંચ પર વધુ મજબૂત બનાવશે.</p><h2><b>ઓલિમ્પિક્સ અને CWG મેજબાની માટે ગુજરાતનો માસ્ટરપ્લાન</b></h2><p>ભારતમાં વિશ્વસ્તરીય રમતગમતના આયોજન માટે અમદાવાદ અને ગાંધીનગરને મુખ્ય સેન્ટર તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. સરદાર પટેલ સ્પોર્ટ્સ એનક્લેવ સહિતની અત્યાધુનિક પાયાની સુવિધાઓ આ વૈશ્વિક સ્પર્ધાઓ માટે સજ્જ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રીની આ સમીક્ષા બેઠકથી મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના આયોજન માટેની કામગીરીને નવી ઊર્જા મળશે. આ તૈયારીઓ ભારતની ઓલિમ્પિક્સ અને કોમનવેલ્થ ગેમ્સ જેવી મોટી સ્પર્ધાઓની મેજબાની કરવાની વ્યાપક ક્ષમતા દર્શાવે છે.</p><p><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/rajkot/accident-near-raiya-telephone-exchange-in-rajkot-a-young-man-crossing-the-brts-road-was-hit-by-a-city-bus" target="_blank">Rajkotમાં રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે અકસ્માત, BRTS રોડ ક્રોસ કરતા યુવકને સિટી બસે અડફેટે લીધો</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/26/H68NkMlE5om42tvOiKCQXzvukLqLhFLn28OZxRzu.webp'/></item></channel></rss>