<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Morbiના હળવદમાં વીજપોલ વળતર મુદ્દે આક્રમક: 40થી વધુ ગામોમાં 'ભાજપ પ્રવેશબંધી'ના બેનરો લાગ્યા! ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/morbi/farmers-aggressive-over-electricity-pole-compensation-issue-in-morbis-halwad-bjp-entry-ban-banners-put-up-in-more-than-40-villages</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/morbi/farmers-aggressive-over-electricity-pole-compensation-issue-in-morbis-halwad-bjp-entry-ban-banners-put-up-in-more-than-40-villages</guid><pubDate>Thu, 06 Aug 2026 09:35:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. ખેતરોમાંથી પસાર થતી હાઈટેન્શન વીજલાઈન અને વીજપોલના યોગ્ય વળતર મેળવવાની માંગ સાથે ખેડૂતો લાંબા સમયથી લડત ચલાવી રહ્યા છે. યોગ્ય ન્યાય ન મળતાં હળવદના જૂના દેવળીયા અને નવા દેવળીયા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો અને ગ્રામજનોએ ઢોલ વગાડીને બેનરો સાથે વિશાળ રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો. આક્રોશે ભરાયેલા ગ્રામજનોએ ગામના પાટીયે "2027ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો માટે પ્રવેશબંધી" ના બેનરો લગાવી દીધા છે.</p><h2 style="text-align: justify; "><b>જેતપર આંદોલનને રાજ્યભરના ખેડૂતોનું સમર્થન</b></h2><p style="text-align: justify; ">હળવદ પંથકના જેતપર ગામે શરૂ થયેલા આ ખેડૂત આંદોલનની જ્વાળા હવે સમગ્ર મોરબી જિલ્લા અને રાજ્યભરમાં પ્રસરી ગઈ છે. મોરબી જિલ્લાના 40થી વધુ ગામોમાં ભાજપ વિરોધી બેનરો લાગી ચૂક્યા છે અને રાજ્યભરના ખેડૂત સંગઠનો આ આંદોલનના સમર્થનમાં આવ્યા છે. ખેડૂતોનો આરોપ છે કે વીજ કંપનીઓ અને સરકાર કિંમતી જમીનોમાં મોટા પોલ ઊભા કરી દે છે પણ જમીન ધોવાણ તથા પાક નુકસાનીનું વાજબી વળતર આપતી નથી.</p><h3 style="text-align: justify; "><b>વીજપોલ વળતર મુદ્દે ખેડૂતોએ ઢોલ વગાડી રેલી યોજાઈ</b></h3><p style="text-align: justify; ">ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જ્યાં સુધી વીજપોલ વળતરનો મુદ્દો કાયમી ધોરણે ઉકેલવામાં નહીં આવે, ત્યાં સુધી 2027ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના કોઈપણ નેતા કે ઉમેદવારને ગામમાં પ્રચાર અર્થે પ્રવેશવા દેવામાં આવશે નહીં. ગામડે-ગામડે વિરોધના બેનરો અને ઢોલના ધમધમાટ સાથે યોજાતી રેલીઓએ શાસક પક્ષ અને સ્થાનિક વહીવટી તંત્રની ઊંઘ ઉડાડી દીધી છે. ખેડૂત એકતાના આ આક્રમક વલણથી સમગ્ર પંથકના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/06/F0Ud0LM81Psc7cUfn1XZGfQTqc6uLcb3NDG5I68Q.webp'/></item><item><title><![CDATA[UP: પ્રતાગઢમાં 100 વર્ષ જૂનું મકાન ધરાશાયી, એક જ પરિવારના 6 સભ્યોના મોત ]]></title><link>https://sandesh.com/india/news/up-pratapgarh-house-collapse-six-dead-rain</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/up-pratapgarh-house-collapse-six-dead-rain</guid><pubDate>Thu, 06 Aug 2026 09:28:50 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાંથી દુખદ ઘટના સામે આવી છે. અહીં કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના મહુલી ગામમાં ભારે વરસાદ વચ્ચે આશરે 100 વર્ષ જૂનું એક જર્જરિત મકાન અચાનક ધરાશાયી થઈ ગયું હતું. આ ભયાનક અકસ્માતમાં એક જ પરિવારના છ સભ્યોના મોત નીપજ્યા છે, જ્યારે એક સભ્ય ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>પરિવાર સૂતો હતો અને ઘટી દુર્ઘટના</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના ગુરુવારે વહેલી સવારે આશરે 2.00 વાગ્યાના સુમારે બની હતી. જે સમયે આ જૂનું મકાન તૂટી પડ્યું, તે વખતે પરિવારના તમામ સાત સભ્યો ગાઢ નિદ્રામાં હતા અને સુરક્ષાના ભાગરૂપે કે અન્ય કારણસર એક જ રૂમમાં સૂતા હતા. મકાન અચાનક તૂટી પડવાથી તેઓ ભારે કાટમાળ નીચે દબાઈ ગયા હતા. મકાન ધરાશાયી થવાનો જોરદાર ધડાકો સાંભળીને આસપાસના ગ્રામજનો તરત જ જાગી ગયા હતા અને ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનોએ તાત્કાલિક પોલીસ અને વહીવટી તંત્રને આ દુર્ઘટનાની જાણ કરી હતી.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANINewsUP/status/2085203842904526945"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h3 style="text-align: justify; "><b>આખા પરિવારના મોતથી ગામમાં માતમ</b></h3><p style="text-align: justify; ">માહિતી મળતા જ સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને આપત્તિ વ્યવસ્થાપન બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક રહેવાસીઓની મદદથી પોલીસે ભારે જહેમત બાદ કાટમાળ નીચે ફસાયેલા તમામ લોકોને બહાર કાઢ્યા અને તેમને હોસ્પિટલ પહોંચાડ્યા, જ્યાં ડૉક્ટરોએ 6 સભ્યોને મૃત જાહેર કર્યા. મૃત્યુ પામનારાઓમાં એક દંપતી, તેમનો યુવાન પુત્ર, પુત્રવધૂ અને બે માસૂમ બાળકોનો સમાવેશ થાય છે. આ અચાનક થયેલી દુર્ઘટનાથી સમગ્ર મહુલી ગામ અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.</p><h4 style="text-align: justify; "><b>ખૂબ જ જુનું અને જર્જરિત હતુ મકાન</b></h4><p style="text-align: justify; ">અહેવાલો અનુસાર, મહુલી ગામના રહેવાસી પ્રમોદ શ્રીવાસ્તવનું આ ઘર ખૂબ જ જૂનું અને જર્જરિત હાલતમાં હતું. સતત પડી રહેલા ભારે વરસાદને કારણે આ મકાનની દીવાલો અને છત નબળી પડી ગઈ હતી, જે આ દુર્ઘટનાનું મુખ્ય કારણ બન્યું. વહીવટી તંત્ર દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ચોમાસાની સિઝનમાં આવા જર્જરિત મકાનોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસવા માટે અપીલ કરવામાં આવી છે. આ હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/world/news/donald-trump-helicopter-passenger-plane-close-call" target="_blank">આ પણ વાંચોઃ Video: માંડ માંડ બચ્યા Donald Trump! હેલિકોપ્ટરની નજીક આવી ગયું પેસેન્જર વિમાન</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/06/ADOsMB2v7XG2dOk1IEIWLXZrLJNPtmwZpQfKUxMA.webp'/></item><item><title><![CDATA[Suratમાં કસ્ટમના સસ્તા સોનાની લાલચ આપી વરાછાના ઝવેરી સાથે રૂ.1.09 કરોડની ઠગાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/a-jeweler-from-varachha-was-cheated-of-rs-1-09-crore-by-promising-cheap-gold-from-customs-in-surat</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/a-jeweler-from-varachha-was-cheated-of-rs-1-09-crore-by-promising-cheap-gold-from-customs-in-surat</guid><pubDate>Thu, 06 Aug 2026 09:18:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતના વરાછા વિસ્તારમાં આવેલી અંબિકા જ્વેલર્સના વેપારી નિકુંજ લુંભાણી અને તેમના મિત્ર સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીની સનસનાટીભરી ઘટના સામે આવી છે. આરોપી પરેશ નામના શખ્સે વેપારીનો સંપર્ક કરીને કસ્ટમ વિભાગમાંથી છોડાવેલું સોનું બજારભાવ કરતા ચાર ટકા સસ્તા દરે અપાવવાની મોટી લાલચ આપી હતી. સસ્તા ભાવે સોનું મેળવવાની ઘેલછામાં વેપારી આરોપીની જાળમાં ફસાઈ ગયા હતા અને સોનાનો સોદો નક્કી કર્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>અમદાવાદ અને સાણંદમાં રૂ.1.09 કરોડ વસૂલી આરોપી ફરાર</b></h2><p style="text-align: justify; ">સોદા મુજબ આરોપી પરેશે વેપારીને સોનું આપવાના બહાને પ્રથમ અમદાવાદ બોલાવ્યા હતા. અમદાવાદ ખાતે જઈને વેપારી પાસેથી એડવાન્સ પેટે રૂ.15 લાખ પડાવી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ બાકીની રકમ મેળવવા માટે વેપારીને સાણંદ ટોલનાકા પાસે બોલાવવામાં આવ્યા હતા, જ્યાં વધુ રૂ.94 લાખ રોકડા મેળવી લેવાયા હતા. આમ, કુલ રૂ.1.09 કરોડની તોતિંગ રકમ મેળવી લીધા બાદ આરોપી પરેશ "હમણાં સોનું લઈને આવું છું" તેમ કહીને ત્યાંથી નાસી છૂટ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતાં તપાસ શરૂ</b></h3><p style="text-align: justify; ">રકમ લીધા બાદ લાંબો સમય વીતવા છતાં આરોપી સોનું લઈને પાછો ન આવતાં અને તેનો સંપર્ક પણ ન થઈ શકતાં, વેપારી નિકુંજ લુંભાણીને પોતાની સાથે કરોડોની ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થયો હતો. આ મામલે ભોગ બનનાર વેપારીએ તુરંત સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં આરોપી પરેશ વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. વરાછા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી, સીસીટીવી ફુટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/06/5tmkhH3dA9YAx5MNLrvfLJUjprh7L47jwZQctSDZ.webp'/></item><item><title><![CDATA[Entertainment : જિયા શંકરે યુએસ બિઝનેસમેન કરણ ધનક સાથે કરી સગાઈ, શેરી કરી રોમેન્ટિક તસવીરો ]]></title><link>https://sandesh.com/entertainment/news/entertainment-jia-shankar-gets-engaged-to-us-businessman-karan-dhanak-shares-romantic-pictures</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/entertainment-jia-shankar-gets-engaged-to-us-businessman-karan-dhanak-shares-romantic-pictures</guid><pubDate>Thu, 06 Aug 2026 09:04:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">'બિગ બોસ ઓટીટી 2' થી લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી જિયા શંકરે પોતાના ફેન્સને મોટી સરપ્રાઈઝ આપી. જિયા શંકરના અફેર અને સગાઈને લઈને અફવાઓ અને અટકળોનું બજાર ગરમ હતું. હવે આ તમામ અફવાનો અંત લાવતા અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની સગાઈની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.&nbsp; ફેમસ અભિનેત્રી જિયાએ યુએસ આધારિત બિઝનેસમેન કરણ ધનક સાથે 5 ઓગસ્ટ, 2026ના રોજ કુદરતી વાતાવરણમાં સગાઈ કરી. જિયા શંકરે સોશિયલ મીડિયા પર પોતાના સગાઈના ડ્રીમી ફોટા શેર કરતાં સોશિયલ મીડિયામાં અભિનેત્રી પર શુભેચ્છાનો વરસાદ થવા લાગ્યો.</p><p style="text-align: justify; "><b>જીયા શંકર, કુદરતી સૌંદર્ય વચ્ચે જીવનનો નવો અધ્યાય</b></p><p style="text-align: justify; ">જિયા અને કરણનો સગાઈ સમારોહ લીલીછમ હરિયાળી અને મનમોહક લોકેશન વચ્ચે ખૂબ જ ખાનગી રીતે યોજાયો હતો. અત્યાર સુધી પોતાના પાર્ટનરનો ચહેરો છુપાવીને રાખનાર જિયાએ પહેલીવાર કરણનો ચહેરો દુનિયા સામે જાહેર કર્યો છે અને પોસ્ટમાં તેના સોશિયલ મીડિયા એકાઉન્ટને ટેગ પણ કર્યું છે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DbqI9rWkUQq/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DbqI9rWkUQq/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a></p><p style="text-align: justify; "><b>ભાવુક નોટ લખીને મંગેતર પર વહાવ્યો પ્રેમ</b></p><p style="text-align: justify; ">ઇન્સ્ટાગ્રામ પર રોમેન્ટિક તસવીરો સાથે જિયાએ તેના મંગેતર કરણ માટે એક ખૂબ જ દિલચસ્પ અને ભાવનાત્મક સુંદર નોટ લખી છે. અભિનેત્રીએ લખ્યું: "એ વાત બિલકુલ સાચી છે કે પ્રેમ ત્યારે જ મળે છે જ્યારે તમે તેની સૌથી ઓછી અપેક્ષા રાખતા હોવ. હજારો માઈલ દૂર હોવા છતાં તારી સાથેની દરેક વાતચીતમાં મને ઘર જેવો અહેસાસ થતો હતો. આ સફર આસાન નહોતી, પણ અમે દરરોજ એકબીજાનો સાથ પસંદ કર્યો. તું જ મારો શ્રેષ્ઠ મિત્ર છે અને તારી સાથેનું જીવન મારી ફેવરિટ રોમ-કોમ ફિલ્મ જેવું લાગે છે. મારી બાકીની જિંદગી તારી સાથે વિતાવવા માટે હું ખૂબ જ ઉત્સુક છું."</p><p style="text-align: justify; "><b>અભિષેક મલ્હાન સાથે જોડાયું હતું નામ</b></p><p style="text-align: justify; ">નોંધનીય છે કે, 'બિગ બોસ' દરમિયાન અને ત્યારબાદ પણ જિયા શંકરનું નામ યુટ્યુબર અભિષેક મલ્હાન (ફુકરા ઇન્સાન) સાથે સતત જોડાઈ રહ્યું હતું. તાજેતરમાં જ બંનેની સગાઈની અફવાઓ પણ ઝડપથી વાયરલ થઈ હતી, જેને અભિષેકે પાયાવિહોણી ગણાવીને ફગાવી દીધી હતી. હવે કરણ ધનક સાથે સગાઈ કરીને જિયાએ તમામ અટકળો પર વિરામ મૂકી દીધો છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/06/8lRD3C97sMcm4C0ASx81WFFMbS8CtpSiK4utjQ0p.webp'/></item><item><title><![CDATA[Junagadhના શેરિયાખાણ ગામે નજીવી બાબતે થયેલી માથાકૂટમાં એક વ્યક્તિનું શંકાસ્પદ મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/a-person-died-suspiciously-in-a-fight-over-a-trivial-matter-in-sheriyakhan-village-of-junagadh</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/a-person-died-suspiciously-in-a-fight-over-a-trivial-matter-in-sheriyakhan-village-of-junagadh</guid><pubDate>Thu, 06 Aug 2026 09:00:24 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જૂનાગઢ જિલ્લાના શેરિયાખાણ ગામમાં એક તુચ્છ બાબતે શરૂ થયેલો વિવાદ અંતે લોહિયાળ હિંસામાં પરિણમ્યો છે. ગામમાં માત્ર કચરો હટાવવા જેવી સામાન્ય બાબતને લઈને બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેણે જોતજોતામાં મારપીટનું ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ઘટના બાદ ગામમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કચરાના નિકાલ બાબતે બોલાચાલી એટલી હદે વધી ગઈ કે આમને-સામને આવેલા લોકોએ એકબીજા પર હુમલો કરી દીધો હતો, જેમાં એક આધેડ વયના વ્યક્તિનું શંકાસ્પદ સંજોગોમાં કરુણ મોત નીપજ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>લાખા સિંધવ પર હુમલાનો આક્ષેપ</b></h2><p style="text-align: justify; ">આ હિંસક ઝઘડા દરમિયાન સુકાભાઈ ભરડા નામના વ્યક્તિનું મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ભારે સન્નાટો વ્યાપી ગયો છે. ઘટના અંગે પરિજનો અને સ્થાનિકો દ્વારા લાખા સિંધવ નામના શખ્સ પર ગંભીર હુમલો કરવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. આક્ષેપ મુજબ, જૂથ અથડામણ દરમિયાન થયેલી આડેધડ મારપીટના કારણે સુકાભાઈ ગંભીર રીતે ઘવાયા હતા અને ત્યારબાદ તેમનું મોત નીપજ્યું હતું. જોકે, આ મોત સામાન્ય ઈજાઓથી થયું છે કે પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે, તે અંગે હાલ ગામમાં વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે અને મોતના ચોક્કસ કારણ અંગે રહસ્ય ઘેરાયું છે.</p><h3 style="text-align: justify; "><b>જામનગર ખાતે પેનલ પોસ્ટમોર્ટમની કાર્યવાહી</b></h3><p style="text-align: justify; ">ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મૃતકના દેહને તાત્કાલિક અસરથી વધુ વિગતવાર તપાસ અર્થે જામનગર ખાતે ખસેડવામાં આવ્યો છે. સુકાભાઈ ભરડાના મોત પાછળનું સાચું કારણ જાણી શકાય તે માટે જામનગર હોસ્પિટલ ખાતે તબીબોની વિશેષ પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ (પેનલ પીએમ) હાથ ધરવામાં આવશે. પોલીસ અને પરિવારજનોનું માનવું છે કે પેનલ પોસ્ટમોર્ટમનો સત્તાવાર રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ અને હુમલાની તીવ્રતા સ્પષ્ટ થઈ શકશે. આ રિપોર્ટ કાનૂની કાર્યવાહી અને આરોપીઓ સામેનો ગુનો વધુ મજબૂત કરવા માટે નિર્ણાયક સાબિત થશે.</p><h4 style="text-align: justify; "><b>પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી</b></h4><p style="text-align: justify; ">બનાવની જાણ થતાં જ જૂનાગઢ પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને ત્યારબાદ હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને કાયદેસરની પ્રાથમિક કાર્યવાહી શરૂ કરી દીધી છે. સંભવિત આરોપીઓ પર નજર રાખવામાં આવી રહી છે અને ગામમાં ફરી શાંતિ સ્થાપાય તે માટે બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, કચરો હટાવવા જેવી બાબતે થયેલી આ માથાકૂટમાં કોની કોની સંડોવણી હતી તેમજ હુમલો કરનાર મુખ્ય આરોપીઓ કોણ છે તે તમામ દિશાઓમાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/06/SQxVJsELNT1tMuXv2dMN6K36SC1pvoi4mrRbjtj6.webp'/></item><item><title><![CDATA[Weather Update : દિલ્હીથી ઉત્તરાખંડ સુધી ભારે વરસાદનું એલર્ટ, 17 રાજ્યોમાં મુશ્કેલીઓ વધી ]]></title><link>https://sandesh.com/india/news/monsoon-heavy-rain-alert-delhi-uttarakhand-17-states</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/monsoon-heavy-rain-alert-delhi-uttarakhand-17-states</guid><pubDate>Thu, 06 Aug 2026 08:23:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સમગ્ર દેશમાં ચોમાસું સંપૂર્ણ પણે સક્રિય થઇ ગયુ છે. દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે દેશના 17 રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની ચેતવણી જાહેર કરી છે.તો કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 50 થી 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>દિલ્હી એનસીઆર અને ઉત્તર ભારતમાં વરસાદી માહોલ</b></h2><p style="text-align: justify; ">દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ યથાવત છે. નોઈડા, ગુરુગ્રામ, ગાઝિયાબાદ અને ફરીદાબાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 8 ઓગસ્ટ સુધી આકાશ વાદળછાયું રહેશે અને સમયાંતરે હળવો થી મધ્યમ વરસાદ ચાલુ રહેશે.</p><h3 style="text-align: justify; "><b>વિવિધ રાજ્યોમાં એલર્ટ અને સ્થિતિ</b></h3><p style="text-align: justify; ">ઉત્તરાખંડ: સતત વરસાદને કારણે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ વહીવટીતંત્રને હાઇ એલર્ટ પર રાખ્યું છે. દેહરાદૂન, ચમોલી અને બાગેશ્વર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સલામતીના ભાગરૂપે ચમોલી અને બાગેશ્વરમાં ધોરણ 12 સુધીની શાળાઓ બંધ રાખવામાં આવી છે.</p><h4 style="text-align: justify; "><b>જમ્મુ અને કાશ્મીરમાં વાદળ ફાટવાની ઘટના</b></h4><p style="text-align: justify; ">ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાઓને કારણે ઉરી અને કુલગામમાં અચાનક પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પૂરના પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જતા લોકોમાં ભયનો માહોલ છે.લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. આ સિવાય કોઇ કામ વગર ઘરની બહાર ન નીકળવા અને સલામત સ્થળે ખસી જવાની પણ ચેતવણી આપવામાં આવી છે.</p><h5 style="text-align: justify; "><b>યુપીના પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી</b></h5><p style="text-align: justify; ">યુપીના પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ અને પશ્ચિમ યુપીના 20 જિલ્લાઓમાં યલો એલર્ટ છે. બિહારમાં પણ 6 થી 8 ઓગસ્ટ દરમિયાન પટણા સહિત અનેક સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાંથી આવતા ભેજવાળા પવનો આ પરિસ્થિતિ માટે જવાબદાર છે.કોંકણ અને ગોવામાં ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન છે. આ ઉપરાંત કેરળ, આસામ, ગુજરાત (નવસારી) સહિતના વિસ્તારોમાં પણ પૂર અને વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને નદીઓ, નાળાઓ અને નીચાણવાળા પૂરગ્રસ્ત વિસ્તારોથી દૂર રહેવા તથા બિનજરૂરી મુસાફરી ટાળવા ખાસ અપીલ કરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/cjp-national-student-network-education-reforms-exam-transparency-focus" target="_blank">આ પણ વાંચોઃ CJP વિદ્યાર્થીઓના મુદ્દાઓ માટે રાષ્ટ્રીય નેટવર્ક બનાવશે, શિક્ષણ સુધારણા અને પારદર્શિતા પર રહેશે ફોકસ</a></b></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/06/S6vkPqqQBrDB7YxQD5RFW8Y2HA4SqwyFEfXPPxKz.webp'/></item><item><title><![CDATA[India News: ઘરેલુ ગેસ સિલિન્ડર 18 રૂપિયા સુધી મોંઘો થઈ શકે, LPG પર નવો સ્ટ્રેટેજિક ફ્યૂલ રિઝર્વ ચાર્જ વસૂલાશે ]]></title><link>https://sandesh.com/india/news/business/india-news-domestic-gas-cylinder-may-become-expensive-by-up-to-rs-18-new-strategic-fuel-reserve-charge-will-be-levied-on-lpg</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/india-news-domestic-gas-cylinder-may-become-expensive-by-up-to-rs-18-new-strategic-fuel-reserve-charge-will-be-levied-on-lpg</guid><pubDate>Thu, 06 Aug 2026 08:20:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારત સરકાર દેશમાં એક મોટો વ્યૂહાત્મક ઈપણ ભંડાર બનાવવાની તૈયારી કરી રહી છે. આ માટે સરકાર ગેસનો ઉપયોગ કરતા લોકો પાસેથી વધારાનો ચાર્જ વસૂલવા પર વિચાર કરી રહી છે. આ યોજના પર અંદાજે 42 અબજ ડોલર લગભગ 4 લાખ કરોડ રૂપિયા ખર્ચ થવાનો અંદાજ છે. આ બાબતની જાણકારી ધરાવતા સુત્રોએ જણાવ્યું હતું. કે સરકાર પહેલીવાર કાચા તેલ ઉપરાંત એલએનજીઅને એલપીજીનો પણ વ્યૂહાત્મક ભંડાર બનાવવાની યોજના પર કામ કરી રહી છે. તેનો હેતુ યુદ્ધ અથવા કોઈ મોટી આંતરરાષ્ટ્રીય કટોકટી દરમિયાન ઈંધણનો પુરવઠો ખોરવાય ત્યારે દેશની જરૂરિયાત પૂરી કરવાનો છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ઈંધણની કિંમતો પહેલાથી જ લોકોની ચિંતા વધારી રહી છે</b></h2><p style="text-align: justify; ">સરકાર LPG એટલે કે ધરેલુ રાંધણ ગેસ પર 1.29 રૂપિયા પ્રતિ કિલોનો ચાર્જ લગાવવા પર વિચાર કરી રહી છે. વર્તમાન વપરાશના આધારે તેનાથી સરકારને દર વર્ષે આશરે 490 મિલિયન ડોલર એટલે કે લગભગ 4775 કરોડ રૂપિયા મળી શકે છે. આ ચાર્જની અસર ઘરેલુ ગેસ સિલિન્ડર પર પણ પડશે. એક સામાન્ય ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં આશરે 18 રૂપિયાનો વધારો થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, પ્રસ્તાવિત ચાર્જથી ઘરો અને અન્ય ગ્રાહકોના ગેસ બિલમાં લગભગ 2 ટકા સુધીનો વધારો થઈ શકે છે. એવા સમયે જ્યારે ઈંધણની કિંમતો પહેલાથી જ લોકોની ચિંતા વધારી રહી છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>તેના પર હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી</b></h3><p style="text-align: justify; ">સરકારનું આ પગલું રાજકીય રીતે સંવેદનશીલ બની શકે છે. કુદરતી ગેસ પર સરકાર 1.43 રૂપિયા પ્રતિ સ્ટાન્ડર્ડ કયુબિક મીટરનો ચાર્જ લગાવાની દરખાસ્ત ચકાસી રહી છે. વર્તમાન વપરાશના આધારે તેનાથી દર વર્ષે લગભગ 1 અબજ ડોલર એટલે કે આશરે 9500 કરોડ રૂપિયા એકઠા કરી શકાય છે. બંને ચાર્જથી સરકારને કુલ મળીને વાર્ષિક આશરે 1.5 અબજ ડોલર મળી શકે છે. આ રકમનો ઉપયોગ મુખ્યત્વે LPG અને LNGના સ્ટોરેજ ઇન્ફાસ્ટ્રક્ચરને તૈયાર કરવામાં આવશે. જોકે, આ ચાર્જ કેવી રીતે વસૂલવામાં આવશે. તેના પર હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી.<br><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/light-rain-likely-high-humidity-to-cause-sultry-weather" target="_blank">આ પણ વાંચોઃ Gujarat Weather News: રાજ્યમાં હળવા વરસાદની શક્યતાઓ, ભેજનું પ્રમાણ વધવાથી ઉકળાટ અનુભવાશે</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/06/sjmrFeoYCbYfT9zc0xVzGR2UX8PIyUh0m28tm437.webp'/></item><item><title><![CDATA[Gujarat Weather News: રાજ્યમાં હળવા વરસાદની શક્યતાઓ, ભેજનું પ્રમાણ વધવાથી ઉકળાટ અનુભવાશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/light-rain-likely-high-humidity-to-cause-sultry-weather</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/light-rain-likely-high-humidity-to-cause-sultry-weather</guid><pubDate>Thu, 06 Aug 2026 07:44:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં જુલાઈના અંતિમ સપ્તાહમાં અતિભારે વરસાદને કારણે સમગ્ર રાજ્યમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. વરસાદને કારણે મોટું નુકસાન પણ સામે આવ્યું હતું. પરંતુ થોડા દિવસોથી વરસાદે જાણે વિરામ લીધો હોય તેમ રાજ્યમાં મેઘમહેર થવાની બંધ થઈ ગઈ છે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે અલનીનોની સ્થિતિને કારણે હાલમાં વરસાદ બંધ રહ્યો છે.પરંતુ ઓગસ્ટના અંતમાં ફરીવાર વરસાદનો રાઉન્ડ આવશે. બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા સતત વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના</b></h2><p style="text-align: justify; ">હવામાન વિભાગની નવીનતમ આગાહી મુજબ રાજ્યમાં મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવા છતાં, હાલ મુસળધાર કે ભારે વરસાદની શક્યતા નહિવત છે અને મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક સામાન્ય વરસાદી માહોલ રહેશે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને ડાંગ સહિત મધ્ય, ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જ્યારે અમદાવાદમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. પવનની ગતિ 30 થી 50 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે, તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહેવાને કારણે લોકોને બફારા અને ઉકળાટનો સામનો કરવો પડી શકે છે.</p><h3 style="text-align: justify; "><b>રાજ્યમાં ચોમાસાની પ્રગતિ પર બ્રેક વાગી</b></h3><p style="text-align: justify; ">રાજ્યમાં ચોમાસાની પ્રગતિ પર બ્રેક વાગતાં ખેડૂતોમાટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ,ચોમાસા પર અલનીનોનું ગ્રહણ લાગવાના કારણે હાલ વરસાદી સિસ્ટમમાં યોગ્ય પ્રેશર સક્રિય થઈ રહ્યું નથી.જેને પગલે હવે ભારે વરસાદ માટે રાહ જોવી પડશે.હવામાન નિષ્ણાતોના મતે ઓગસ્ટ મહિનાના અંતમાં વરસાદનો નવું રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા છે.જ્યારે સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદ થાય તેવી સંભાવનાઓ ખૂબ જ નહિવત જણાઈ રહી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/agriculture/gandhinagar/verify-all-urea-fertilizer-dealers-strict-action-for-irregularities" target="_blank">આ પણ વાંચોઃ Gandhinagar News: યુરિયા ખાતર વેચતા તમામ ડીલરોની ચકાસણી થશે,ગેરરીતિ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/yZvuPTdEot0kFABglgbI4QKxVquqHkJilW7QptD9.webp'/></item><item><title><![CDATA[Vadodara: માર્ગો વચ્ચે અડિંગો જમાવી બેસતા પશુઓથી અકસ્માતના બનાવો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</guid><pubDate>Thu, 06 Aug 2026 05:49:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વાઘોડિયા નગરમાં છેલ્લા ઘણા સમયથી રખડતી ગાયોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે, જે અંગે સત્તાધિશોનું વારંવાર ધ્યાન દોરવા છતાં પણ કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા અધિકારીઓને લોકોની ફરિયાદો સંભળાતી નથી. જ્યારે પશુપાલકો મનમાની કરી ઢોરોને રખડતા મૂકી દે છે, જેના કારણે નાના મોટા અકસ્માતો થતાં રહે છે. વાઘોડિયા નગરના મુખ્ય ચાર રસ્તા જય અંબે પાસે તેમજ રેલવે સ્ટેશન પાસે પણ સતત વાહન વ્યવહારથી ધમધમે છે. આ સ્થળો ઉપર રસ્તાની વચ્ચે ગાયોનું ટોળુ અડીંગો જમાવીને બેસી જાય છે, તેના કારણે અનેક અકસ્માતો થઈ ચૂક્યા છે. જેથી વાઘોડિયા નગરમાં કાયદાનો અમલ કરાવી રખડતાં પશુઓને પકડી પાંજરે પૂરવા નગરજનોની માગ કરાઈ રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/06/pfj6BJSRrVh4UuLM44nCOYfKjSWJAQjooWUwiWmr.webp'/></item><item><title><![CDATA[India અને પાકિસ્તાનની થશે ટક્કર, વર્લ્ડકપ માટે ટીમની કરવામાં આવી જાહેરાત ]]></title><link>https://sandesh.com/sports/news/pakistan-hockey-world-cup-2026-squad</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pakistan-hockey-world-cup-2026-squad</guid><pubDate>Wed, 05 Aug 2026 18:45:48 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પાકિસ્તાન હોકી ફેડરેશને 5 ઓગસ્ટના રોજ FIH મેન્સ હોકી વર્લ્ડકપ 2026 માટે 20 સભ્યોની ટીમ અને મેનેજમેન્ટની જાહેરાત કરી હતી. આ ટુર્નામેન્ટ 15 થી 30 ઓગસ્ટ દરમિયાન એમ્સ્ટલવીન, નેધરલેન્ડ અને બેલ્જિયમમાં રમાશે.&nbsp;</p><p style="text-align: justify;">આ મોટી ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થયા પછી પાકિસ્તાન ટીમ હવે વિશ્વના આ સૌથી મોટા હોકી પ્લેટફોર્મ પર સ્પર્ધા કરવા માટે તૈયાર છે. હોકી વર્લ્ડકપ માટે પાકિસ્તાનની ટીમમાં અનુભવી ઈન્ટરનેશનલ ખેલાડીઓ અને યુવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. ભારત અને પાકિસ્તાન 19 ઓગસ્ટના રોજ આ વર્લ્ડકપમાં એકબીજાનો સામનો કરશે.</p><h2 style="text-align: justify;"><b>અમ્માદ બટ્ટને કેપ્ટનશીપ પરથી હટાવવામાં આવ્યો</b></h2><p style="text-align: justify;">હોકી વર્લ્ડકપ માટે પાકિસ્તાન ટીમની જાહેરાત અનુભવી મિડફિલ્ડર અમ્માદ બટ્ટને કેપ્ટન પદેથી હટાવ્યાના લગભગ એક અઠવાડિયા પછી કરવામાં આવી છે. તે છેલ્લા 14 વર્ષથી ટીમની નેતૃત્વ કરી રહ્યો હતો. 29 જુલાઈના રોજ જાહેર કરાયેલા એક નિવેદનમાં PHFએ જણાવ્યું હતું કે તેની વ્યાવસાયિક વિકાસ સમિતિની સલાહ પર તેને અબુ બકરને પાકિસ્તાન રાષ્ટ્રીય હોકી ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે.</p><p style="text-align: justify;">તે સમયે PHFએ અમ્માદ બટ્ટના રાષ્ટ્રીય ટીમ પ્રત્યેના યોગદાન અને સમર્પણની પ્રશંસા કરી હતી. ફેડરેશને એમ પણ કહ્યું હતું કે તે એક સિનિયર ખેલાડી તરીકે પાકિસ્તાન ટીમનો ભાગ રહેશે. ફેડરેશને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અબુ બકરની કેપ્ટનશીપ હેઠળ ટીમ, સિનિયર ખેલાડીઓ અને યુવા સભ્યોના અનુભવ સાથે એક મજબૂત અને સ્પર્ધાત્મક ટીમમાં વિકાસ કરશે.</p><h3 style="text-align: justify;"><b>હોકી વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમ અને સપોર્ટ સ્ટાફ</b></h3><h4 style="text-align: justify;"><b>હોકી વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની 20 સભ્યોની ટીમ</b></h4><p style="text-align: justify;">વકાર, મુહમ્મદ અબ્દુલ્લા, મુહમ્મદ સુફિયાન ખાન, મોઈન શકીલ, અબ્દુલ વહિદ અશરફ રાણા, અબ્દુલ હનાન શાહિદ, ઝકારિયા હયાત, અરશદ લિયાકત, આદિલ લતીફ, અહેમદ નદીમ, ગઝનફર અલી, ઈમાદ શકીલ બટ્ટ, મોહમ્મદ હમદુદ્દીન અંજુમ, રહેમાન અબ્દુલ, અફરાઝ, ઉમર મુસ્તફા, અબુ બકર મહમૂદ, અલી રઝા, અબ્દુલ મટન અને મુહમ્મદ ઈમાદનો સમાવેશ થાય છે.</p><p style="text-align: justify;">ગોલકીપર : વકાર અને અલી રાજા</p><p style="text-align: justify;">ટીમ મેનેજમેન્ટમાં ટીમ મેનેજર મુહમ્મદ ઓવૈસ કરની, હેડ કોચ બોબ જોહાન વેલ્ધોફ (નેધરલેન્ડ), આસિસ્ટન્ટ કોચ ક્રિસ્ટોફર જોન બોવેન (ગ્રેટ બ્રિટન), આસિસ્ટન્ટ કોચ અદનાન ઝાકીર અને વીડિયો ટેકનિશિયન અશરફ સુલતાન સામેલ છે.</p><h5 style="text-align: justify;"><b>પાકિસ્તાન 15 ઓગસ્ટે પોતાની પહેલી મેચ રમશે</b></h5><p style="text-align: justify;">આ હોકી વર્લ્ડકપમાં પાકિસ્તાન ટીમ 15 ઓગસ્ટે એમ્સ્ટલવીનમાં ઈંગ્લેન્ડ સામે પોતાની પહેલી મેચ રમશે. ટીમની બીજી મેચ 17 ઓગસ્ટે વેલ્સ સામે થશે. પાકિસ્તાન 19 ઓગસ્ટે ભારત સામે ટકરાશે. આ વર્લ્ડકપ માટે, ભારત અને પાકિસ્તાનને પૂલ Dમાં એકસાથે રાખવામાં આવ્યા છે. આ બે ટીમો ઉપરાંત ટીમમાં ઈંગ્લેન્ડ અને વેલ્સનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં એશિયન લિજેન્ડ્સ લીગમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક મેચ રમાઈ હતી.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/BSGFdjBYRdYyrIr1nai9fAg4ZuA06DUq1m8Sv97p.webp'/></item></channel></rss>