<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[CWG 2026 Day 11 : ઝૂડો અને સાયકલિંગમાં ગોલ્ડ મેડલની આશા, જુઓ સંપૂર્ણ શેડ્યૂલ ]]></title><link>https://sandesh.com/sports/news/cwg-2026-day-11-gold-medal-hopes-in-wrestling-and-cycling-see-full-schedule</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/cwg-2026-day-11-gold-medal-hopes-in-wrestling-and-cycling-see-full-schedule</guid><pubDate>Sun, 02 Aug 2026 09:52:34 +05:30</pubDate><description><![CDATA[<p>2026 કોમનવેલ્થ ગેમ્સ આજે ભારતીય ખેલાડીઓ અંતિમ દિવસે મેડલ ફિનિશિંગ માટે પ્રયત્ન કરશે. ભારતની સૌથી મોટી આશા જુડો અને ટ્રેક સાયકલિંગ પર રહેશે, જ્યાં ઘણા ખેલાડીઓ પોતપોતાની શ્રેણીમાં ભાગ લેશે.જુડોમાં,ઇશ્રુપ નારંગ,અવતાર સિંહ અને યશ ઘંઘાસ પોતપોતાની પ્રારંભિક સ્પર્ધાઓમાં ભાગ લેશે,અને જો તેઓ ક્વોલિફાય થશે,તો તેઓ સાંજે મેડલ રાઉન્ડમાં પણ આગળ વધશે. ભારતીય સાયકલ સવારોને ટ્રેક સાયકલિંગમાં પોડિયમ ફિનિશિંગ મેળવવાની પણ તક મળશે.</p><h4><b>જુડોમાં ત્રણ ખેલાડીઓ પાસેથી મેડલની આશા&nbsp;</b></h4><p>મહિલાઓની 78 કિગ્રા શ્રેણીમાં ઇશ્રુપ નારંગ, પુરુષોની 100 કિગ્રા શ્રેણીમાં અવતાર સિંહ અને પુરુષોની +100 કિગ્રા શ્રેણીમાં યશ ઘંઘાસ ભારતના મેડલ માટે સ્પર્ધા કરશે. ભારત જુડોમાં પહેલાથી જ ચાર મેડલ જીતી ચૂક્યું છે. જો આ ત્રણ ખેલાડીઓ સફળ થાય છે, તો ભારતની કુલ મેડલ ટેલી 40 ને વટાવી શકે છે. ત્રણેય ખેલાડીઓની પ્રારંભિક સ્પર્ધા બપોરે યોજાશે. જો તેઓ જીતશે, તો તેઓ ક્વાર્ટર ફાઇનલ, સેમિફાઇનલ અને પછી મેડલ મુકાબલામાં આગળ વધશે. જુડો સેમિફાઇનલ ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.</p><h4><b>ભારતનો જુડો શેડ્યૂલ</b></h4><ul><li>ઈશરૂપ નારંગનો મુકાબલો મહિલા 78 કિગ્રા રાઉન્ડ ઓફ 16 માં સ્કોટલેન્ડની નિકોલ વુડ સામે થશે, જે બપોરે 2:30 વાગ્યે શરૂ થશે.</li><li>અવતાર સિંહનો મુકાબલો પુરુષોના 100 કિગ્રા રાઉન્ડ ઓફ 16 માં સાયપ્રસના એરિસ્ટોસ માઈકલ સામે થશે, જે બપોરે 2:30 વાગ્યે શરૂ થશે.</li><li>યશ ઘંગાસનો મુકાબલો પુરુષોના 100 કિગ્રા પ્લસ રાઉન્ડ ઓફ 16 માં વેલ્સના જોશુઆ વ્હાઇટહાઉસ સામે થશે, જે બપોરે 2:30 વાગ્યે શરૂ થશે.</li><li>જો આ ત્રણ ખેલાડીઓ તેમના શરૂઆતના મુકાબલા જીતશે, તો તેઓ સાંજે 7:30 વાગ્યે શરૂ થતા મેડલ રાઉન્ડમાં આગળ વધશે.</li></ul><h5><b>ટ્રેક સાયકલિંગ</b></h5><ul><li>હર્ષવીર સિંહ સેખોન (હીટ 1) અને દિનેશ કુમાર (હીટ 2) બપોરે 2:09 વાગ્યે શરૂ થનારા પુરુષોની 40 કિમી પોઈન્ટ રેસ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ભાગ લેશે.</li><li>રોનાલ્ડો સિંહ લૈતોંજમ બપોરે 3:51 વાગ્યે શરૂ થનારા પુરુષોની 1000 મીટર ટાઇમ ટ્રાયલ ફાઇનલમાં ભારતના પડકારનું નેતૃત્વ કરશે.</li><li>લિશા દાસ રાત્રે 8:40 વાગ્યે શરૂ થનારા મહિલાઓની C4-C5 1000 મીટર ટાઇમ ટ્રાયલ ફાઇનલમાં ભાગ લેશે.</li><li>પુરુષોની 40 કિમી પોઈન્ટ રેસની ફાઇનલ રાત્રે 9:09 વાગ્યે શરૂ થશે, જેમાં હર્ષવીર સિંહ સેખોન અને દિનેશ કુમાર ક્વોલિફાઇ થાય તો ભાગ લેશે.</li></ul><h5><b>&nbsp;અમદાવાદીઓ 2030ની કોમનવેલ્થમાં ભાગ લેવા માટે તૈયાર રહેજો</b></h5><p>કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદે તૈયારીઓ શરુ કરી દીધી છે. ગ્લાસ્ગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026ની ક્લોજિંગ સેરેમની દરમિયાન અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સનો ઝંડો અને બૈટન મળશે. જેના માટે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવી ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં પહોંચ્યા છે. ક્લોઝિંગ સેરેમની દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે કોમનવેલ્થ ગેમ્સનો ઝંડો અને મેજબાન બૈટન આફિશિયલ રીતે અમદાવાદના પ્રતિનિધિઓને સોંપવામાં આવશે.</p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/cwg-2026-medal-tally-australias-dominance-continues-india-leapfrogs-in-medal-tally" target="_blank"> CWG 2026 Medal Tally : ઓસ્ટ્રેલિયાનો દબદબો યથાવત, મેડલ ટેલીમાં ભારતે લગાવી છલાંગ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/02/n4Uc8SWWNULehDTQEhhBgTcRTB3TJFRgkghNRiM4.webp'/></item><item><title><![CDATA[Dhorajiમાં વહેલી સવારથી મેઘમહેર: ક્યારેક ધીમીધારે તો ધોધમાર વરસાદ, મુખ્ય માર્ગો પર વહ્યા પાણી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dhoraji/heavy-rain-since-early-morning-in-dhoraji-sometimes-light-to-heavy-rain-water-flowing-on-main-roads</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dhoraji/heavy-rain-since-early-morning-in-dhoraji-sometimes-light-to-heavy-rain-water-flowing-on-main-roads</guid><pubDate>Sun, 02 Aug 2026 09:49:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં આજે વહેલી સવારથી જ હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. આકાશમાં ઘેરાયેલા કાળાડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરી હતી. શહેરમાં સવારથી જ ક્યારેક ધીમીધારે તો ક્યારેક ધોધમાર વરસાદી ઝાપટાં પડવાનું શરૂ થયું હતું. લાંબા સમયના વિરામ બાદ શરૂ થયેલા આ વરસાદથી સમગ્ર ધોરાજી પંથકમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો અને ખેડૂતોમાં પણ નવી આશાનો સંચાર થયો હતો.</p><h2 style="text-align: justify; "><b>નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં હાલાકી</b></h2><p style="text-align: justify; ">ધોરાજીમાં સતત વરસેલા વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી નદીની જેમ વહેતા થઈ ગયા હતા. જોકે, સામાન્યથી મધ્યમ વરસાદમાં પણ શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી. રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે સવારના સમયે નોકરી-ધંધે નીકળેલા વાહનચાલકો તેમજ રાહદારીઓને સામાન્ય હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી સામે પણ સ્થાનિકોમાં હળવો રોષ જોવા મળ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>વાતાવરણમાં પ્રસરી આહલાદક ઠંડક</b></h3><p style="text-align: justify; ">છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને બફારાથી અકળાયેલા ધોરાજીવાસીઓ માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. વહેલી સવારથી પડી રહેલા વરસાદી ઝાપટાંના કારણે સમગ્ર શહેરના વાતાવરણમાં મનોરમ ઠંડક પ્રસરી ગઈ છે. ગરમીમાંથી મોટી રાહત મળતાં સ્થાનિક નાગરિકોએ હાસકારો અનુભવ્યો હતો. વરસાદી માહોલને પગલે રોડ-રસ્તાઓ પર વાતાવરણ અત્યંત આહલાદક બની ગયું હતું.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/02/0HUDmPxGirCb8NpesldltzZEIeC8WyGNHVy9QY4A.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: સરખેજથી નીકળતી કેનાલમાં એક સાથે 3 મોટા ગાબડા, આખો રોડ બન્યો જોખમી ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/3-major-breaches-in-sarkhej-canal</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/3-major-breaches-in-sarkhej-canal</guid><pubDate>Sun, 02 Aug 2026 09:48:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદમાં પડેલા ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં ઠેરઠેર નુકસાનની ઘટનાઓ સામે આવી છે. જેમાં સરખેજમાંથી નીકળતી કેનાલમાં એકસાથે 3 મોટાં ગાબડાં પડી જતાં પરિસ્થિતિ ગંભીર બની છે. વરસાદના ભારે પાણીના વહણને કારણે રસ્તાનો મોટો ભાગ ધોવાઈ ગયો છે અને કેનાલની રિટેઇનિંગ વોલને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. કેનાલનો આખો રોડ અત્યંત જોખમી બની જતાં વાહનચાલકો અને સ્થાનિક લોકો જીવના જોખમે ત્યાંથી પસાર થવા મજબૂર બન્યા છે, જેને પગલે વિસ્તારમાં ગંભીર અકસ્માત સર્જાવાનો ભય વધી ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>વાસણા બેરેજ ખાતે પાણીનુ લેવલ 123 ફુટ નોંધાયું</b></h2><p style="text-align: justify; ">શનિવારે અમદાવાદમાં વરસાદની તીવ્રતા ઘટી હોવા છતાં શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાંથી 50 સ્પોટ પર વરસાદી પાણી ભરાવાની ફરિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મળી હતી.આ ઉપરાંત વિવિધ વિસ્તારમાં વરસાદના કારણે 22 ભુવા પડયા હતા.શનિવારે પણ દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસ્યો હતો. વાસણા બેરેજ ખાતે પાણીનુ લેવલ 123 ફુટ નોંધાયું હતું.બેરેજના 28 ગેટ ખુલ્લા મુકાયા હતા જો કે ફરી વાર એએમસીની બેદરકારીના કારણે શુક્રવારે મોડી રાતે પડેલા વરસાદમાં બોપલ વિસ્તારની સોસાયટીઓમાં ઘૂંટણસમા વરસાદી પાણી ફરી વળતા રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા.</p><h3 style="text-align: justify; "><b>18 ભુવાના સમારકામની કામગીરી ચાલી રહી છે</b></h3><p style="text-align: justify; ">અમદાવાદ પૂર્વના શાહીબાગ, માધુપુરા, વસ્ત્રાલ અને નરોડા સહીતના અન્ય વિસ્તારોમા પણ હળવી ગતિથી વરસાદ વરસવાની શરુઆત થઈ હતી.બોપલ અને સિંધુભવન રોડ ઉપર બે અલગ અલગ બાંધકામ સાઈટની દિવાલ ધરાશાયી થઈ હોવા વહેતા થયેલા સમાચાર અંગે ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરનો સંપર્ક કરતા તેમના કહેવા મુજબ,23  જુલાઈની ઘટના છે.જે તે સમયે તંત્ર તરફથી રજા ચિઠ્ઠી સ્થગિત કરવામા આવેલી છે.કોર્પોરેશનના દાવા મુજબ શહેરના વિવિધ વિસ્તારમાંથી વરસાદી પાણી ભરાવાની મળેલી 50 પૈકી 47 ફરિયાદનો નિકાલ કરાયો હતો.જયારે 18 ભુવાના સમારકામની કામગીરી ચાલી રહી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/narmada/bjp-mp-mansukh-vasava-clashes-with-police" target="_blank">આ પણ વાંચોઃ Narmada News : ખેડૂતોના સમર્થનમાં પહોંચેલા BJP MP મનસુખ વસાવાને પોલીસ અને વન કર્મીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/02/DgcuUTIp6Vk8YNwvBNDHIiBc5EoOuIijM1GRTK9a.webp'/></item><item><title><![CDATA[Suratના ભાઠેનામાં ખાડીપૂરનો પ્રકોપ: ઘૂંટણસમા પાણીમાંથી સ્મશાનયાત્રા કાઢવા મજબૂર બન્યા લોકો ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/flooding-rages-in-surats-bhathena-people-forced-to-carry-out-cremation-processions-through-knee-deep-water</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/flooding-rages-in-surats-bhathena-people-forced-to-carry-out-cremation-processions-through-knee-deep-water</guid><pubDate>Sun, 02 Aug 2026 09:29:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરના ભાઠેના વિસ્તારમાં ખાડીપૂરના પાણી ફરી વળતાં અત્યંત કરુણ અને શરમજનક દ્રશ્યો સામે આવ્યા છે. વિસ્તારમાં પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે એક મૃતકની સ્મશાનયાત્રા ઘૂંટણસમા ભરાયેલા પૂરના પાણી વચ્ચેથી કાઢવાની નોબત આવી હતી. અંતિમ યાત્રામાં જોડાયેલા લોકો પાણીમાં ચાલીને નિકળવા મજબૂર બન્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ લોકોમાં સુરત મહાનગરપાલિકા અને તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>મહિનામાં 3જી વખત ખાડીપૂર, સ્થાનિક રહીશો ત્રાહિમામ</b></h2><p style="text-align: justify; ">ભાઠેના અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા 30 દિવસમાં જ ત્રીજી વખત ખાડીપૂર જેવી વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. થોડા વરસાદમાં પણ ખાડી ઓવરફ્લો થઈ જતાં પાણી સીધા મુખ્ય રસ્તાઓ અને સોસાયટીઓમાં ઘૂસી જાય છે. વારંવાર રોડ પર પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને તેમનું જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.</p><h3 style="text-align: justify; "><b>મનપાની પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ સામે ગંભીર સવાલો</b></h3><p style="text-align: justify; ">એક તરફ સુરત મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પહેલાં ખાડી સફાઈ અને પ્રી-મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાના ખર્ચના મોટા-મોટા દાવાઓ કરવામાં આવે છે, તો બીજી તરફ દર વખતે ખાડીપૂરથી સર્જાતી આ સ્થિતિ તંત્રની કામગીરીની પોલ ખોલી રહી છે. સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે વહીવટી તંત્ર દ્વારા માત્ર કાગળ પર કામગીરી દર્શાવવાને બદલે ખાડીપૂરની સમસ્યાનો કાયમી અને નક્કર ઉકેલ લાવવામાં આવે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/02/DMOrOafrTj6KQDSAEaYPUVzU2nO8swbZoYRx7vp6.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: ઈન્દોરથી લેવાયેલો 11 લાખની કિંમતના ભેળસેળિયા ઘીનો જથ્થો સીઝ કરાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/adulterated-ghee-worth-over-rs-11-lakh-seized-by-amc</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/adulterated-ghee-worth-over-rs-11-lakh-seized-by-amc</guid><pubDate>Sun, 02 Aug 2026 08:55:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા શહેરના કાલુપુર ઘી બજાર ખાતે આવેલ જનક વિરેન્દ્ર મોદીને ત્યાંથી 20  જુલાઈના રોજ અગ્નિ બ્રાન્ડના નામે ગાય કા શુધ્ધ દેશી ઘીનું સેમ્પલ લીધુ હતુ.જે સબસ્ટાન્ડર્ડ જાહેર થયુ હતુ. 1 ઓગસ્ટે ફૂડ વિભાગે રામનગર, સાબરમતી ખાતે આવેલા ડિસ્ટ્રીબ્યુટર ઋષભ ઘી ભંડાર ખાતે તપાસ હાથ ધરીને શંકાસ્પદ ઘીનો રૂપિયા 11 લાખથી વધુ કીંમતનો જથ્થો સીઝ કરાયો હતો.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>પેક ટીનમાંથી સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલાયા</b></h2><p style="text-align: justify; ">આ ઉપરાંત અગ્નિ બ્રાન્ડના 15 કીલોના અને પ્યોર કાઉ દેશી ઘી 15 કીલોના પેક ટીનમાંથી સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલી અપાયા છે. સીઝ કરાયેલ ઘીનુ ઉત્પાદન મધ્યપ્રદેશના ઈંદોરમાં થતુ હોવાની વિગત તપાસમાં ખુલતા ઈંદોરના ડેઝિગ્નેટેડ ઓફિસરને ઈ-મેઈલ મારફતે જાણ કરવા ઉપરાંત ફૂડ વિભાગ, ગાધીનગરને પણ જાણ કરવામાં આવી છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>લેવામા આવેલ ઘીનુ સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર થયું</b></h3><p style="text-align: justify; ">મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ ઓફિસર ડોકટર તેજસ શાહે કહ્યું, શુધ્ધ ઘીના નામે ઘીમા વનસ્પતિ ઘી સહિત અન્ય ચીજોની મિલાવટ કરાઈ કે કેમ તે અંગે તપાસ કરાશે. કાલુપુર ઘી બજારના વેપારીને ત્યાંથી લેવામા આવેલ ઘીનુ સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર કરાયા પછી રામનગર, સાબરમતી ખાતે ઋષભ ઘી ભંડાર કે જેના માલિક અશોકકુમાર ફતેહલાલ બાગરેચા છે તેમને ત્યાં તપાસ કરી જથ્થો સીઝ કરાયો છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/surat/escaped-lifer-for-2008-murder-caught-in-surat-he-was-driving-a-panipuri-lorry-in-disguise-in-nagpur" target="_blank">આ પણ વાંચોઃ Surat News : શહેરમાં ભારે વરસાદથી ભેદવાડી ખાડી ઓવરફ્લો થઈ, 161 લોકોનું સ્થળાંતર કરાયુ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/02/crWEXToF8kRQgezSqL6dx2Bfg4A98GQ8PdfhrcTH.webp'/></item><item><title><![CDATA[Keralam Heavy Rainfall: કેરલમમાં મુશળધાર વરસાદથી સ્થિતિ ગંભીર, 6નાં મોત, 6 લાપતા ]]></title><link>https://sandesh.com/weather/news/india/keralam-heavy-rainfall-situation-critical-due-to-heavy-rain-in-keralam-6-dead-6-missing</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/news/india/keralam-heavy-rainfall-situation-critical-due-to-heavy-rain-in-keralam-6-dead-6-missing</guid><pubDate>Sun, 02 Aug 2026 08:45:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારે વરસાદના પગલે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, નદીઓ અને નાળાઓમાં પાણીનો પ્રવાહ વધ્યો છે અને અનેક વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને રાહત તથા બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવવામાં આવી રહી છે.</p><h2 style="text-align: justify; ">પરિસ્થિતિની સમીક્ષા કરી&nbsp;</h2><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2083746601588363553"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify;">મુખ્યમંત્રી વી.ડી. સતીશન રાજ્યના રાજસ્વ મંત્રી અને અન્ય મંત્રીઓ સાથે સતત સંપર્કમાં રહી સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. વિવિધ જિલ્લાઓમાં મંત્રીઓ સ્થાનિક વહીવટી તંત્ર સાથે મળીને રાહત અને બચાવ કામગીરીનું સંકલન કરી રહ્યા છે. મુખ્યમંત્રી કાર્યાલયના જણાવ્યા મુજબ, સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોના ધારાસભ્યો અને અન્ય જનપ્રતિનિધિઓ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે જેથી સ્થળ પરની વાસ્તવિક સ્થિતિની માહિતી મેળવી શકાય અને જરૂરિયાત મુજબ તાત્કાલિક પગલાં લઈ શકાય.</p><h3 style="text-align: justify; ">6 લોકોનાં મોત થયા</h3><p style="text-align: justify; ">સાંજે 6 વાગ્યા સુધી ઉપલબ્ધ સત્તાવાર માહિતી મુજબ રાજ્યમાં ભારે વરસાદ સંબંધિત ઘટનાઓમાં 6 લોકોનાં મોત થયા છે, જ્યારે 6 લોકો હજુ પણ લાપતા છે. લાપતા લોકોની શોધ માટે સ્થાનિક લોકો, જનપ્રતિનિધિઓ, પોલીસ, ફાયર એન્ડ રેસ્ક્યૂ, એનડીઆરએફ અને અન્ય બચાવ એજન્સીઓ સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.</p><h4 style="text-align: justify; ">65 રાહત કેમ્પો શરૂ કરવામાં આવ્યા&nbsp;</h4><p style="text-align: justify; ">રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં 65 રાહત કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે, જ્યાં 1,465 લોકોને સુરક્ષિત આશ્રય આપવામાં આવ્યો છે. પરિસ્થિતિ વધુ ગંભીર બને તો વધુ લોકોને સલામત સ્થળે ખસેડી શકાય તે માટે વધારાની વ્યવસ્થાઓ પણ તૈયાર રાખવામાં આવી છે. ભારે વરસાદના કારણે 17 મકાનો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયા છે, જ્યારે 127 મકાનોને આંશિક નુકસાન થયું છે.</p><h5 style="text-align: justify; ">17 મકાનો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયા</h5><p style="text-align: justify; ">જ્યાં દિવસ દરમિયાન ભારે વરસાદ પડ્યો હતો ત્યાં સાંજ સુધી વરસાદનું પ્રમાણ ઘટતાં સ્થાનિક લોકોને થોડો રાહતનો શ્વાસ મળ્યો હતો. જોકે, વહીવટી તંત્ર હજુ પણ સંપૂર્ણ સતર્ક છે. બચાવ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે જરૂરિયાત મુજબ અન્ય જિલ્લાઓમાંથી વધારાની બોટો મંગાવવામાં આવી છે જેથી પાણી ભરાયેલા વિસ્તારોમાં ફસાયેલા લોકોને ઝડપથી બહાર કાઢી શકાય.</p><h5 style="text-align: justify; ">35 કલાકમાં 340 મિમી વરસાદ નોંધાયો</h5><p style="text-align: justify; ">હવામાન વિભાગના આંકડા મુજબ, કોઝિકોડ જિલ્લાના અનાક્કમ્પોયિલ વિસ્તારમાં છેલ્લા 35 કલાકમાં 340 મિમી વરસાદ નોંધાયો છે, જ્યારે વાયનાડ જિલ્લાના મેપ્પાડીમાં 177 મિમી વરસાદ નોંધાયો છે. સતત વરસાદને કારણે ભૂસ્ખલન અને પૂરનું જોખમ પણ વધ્યું છે.</p><h5 style="text-align: justify; ">&nbsp;પહાડી વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની સૂચના</h5><p style="text-align: justify; ">રાજ્ય સરકાર વિવિધ બંધોમાં પાણીની આવક પર સતત નજર રાખી રહી છે. ખાસ કરીને પહાડી વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા, અનાવશ્યક મુસાફરી ટાળવા અને જિલ્લા વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ આપાતકાલીન સ્થિતિનો સામનો કરવા માટે તમામ વિભાગોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે અને રાહત તથા બચાવ કામગીરીમાં કોઈ કસર છોડવામાં આવશે નહીં. નાગરિકોને અફવાઓથી દૂર રહી માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/02/YGabs2M63mXJn9CHcXK0MCTzcikxt5JSeBRueEpU.webp'/></item><item><title><![CDATA[Gujarat News : દમણના સાંસદ ઉમેશ પટેલ અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશ પટેલને બે વર્ષની કેદની સજા ]]></title><link>https://sandesh.com/gujarat/news/valsad/daman-mp-umesh-patel-and-suresh-patel-sentenced-to-2-years-in-jail</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/valsad/daman-mp-umesh-patel-and-suresh-patel-sentenced-to-2-years-in-jail</guid><pubDate>Sun, 02 Aug 2026 08:30:29 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વર્ષ 2011માં દમણના મોટી દમણ સ્થિત સ્પોર્ટ્સ ક્લબ ખાતે યોજાયેલી એક્સાઈઝ સબ-ઈન્સ્પેક્ટરની શારીરિક પરીક્ષા દરમિયાન સર્જાયેલા હોબાળા અને પોલીસની ફરજમાં અવરોધના કેસમાં દમણની કોર્ટે સાંસદ ઉમેશ પટેલ અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશ ઉર્ફે સુખા જગુ પટેલને દોષિત ઠેરવી બંનેને બે વર્ષની સાદી કેદ તથા રૂ. 5 હજારના દંડની સજા ફટકારી હતી. સાથે જ દંડની રકમ નહીં ભરાય તો ત્રણ મહિનાની વધારાની સાદી કેદ ભોગવવાનો આદેશ આપ્યો હતો.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>પોલીસ કર્મચારીઓ સાથે તેમની ઉગ્ર બોલાચાલી થઈ હતી</b></h2><p style="text-align: justify; ">તા. 12 માર્ચ, 2011ના રોજ મોટી દમણના સ્પોર્ટ્સ ક્લબના ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે એક્સાઈઝ સબ-ઈન્સ્પેક્ટરની શારીરિક પરીક્ષા યોજાઈ રહી હતી. તે સમયે એડિશનલ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ જગમોહનદાસ સિંહ સમગ્ર પોલીસ બંદોબસ્ત અને પરીક્ષાની કાર્યવાહીનું નિરીક્ષણ કરી રહ્યા હતા. ફરિયાદ અનુસાર સવારે આશરે 11.30 વાગ્યે તે સમયના યૂથ એક્શન ફોર્સના આગેવાન ઉમેશ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશ પટેલ અને તેમની સાથે આવેલા અન્ય બે વ્યક્તિઓ પરીક્ષા સ્થળે પહોંચ્યા હતા. જે બાદ મુખ્ય દરવાજા પાસે પોલીસ કર્મચારીઓ સાથે તેમની ઉગ્ર બોલાચાલી થઈ હતી. પોલીસ દ્વારા સરકારના નિયમો મુજબ જ પરીક્ષાની કાર્યવાહી ચાલી રહી હોવાનું સમજાવવામાં આવ્યું હોવા છતાં તેઓએ સૂચનાઓનું પાલન કર્યા વગર બળજબરીથી અંદર પ્રવેશ કર્યો હતો.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>ધક્કા મારી તેમની ફરજમાં અવરોધ ઊભો કર્યો</b></h3><p style="text-align: justify; ">તેઓએ પોલીસ કર્મચારીઓને ધક્કા મારી તેમની ફરજમાં અવરોધ ઊભો કર્યો હતો. ત્યારબાદ તેઓ પરીક્ષા ચાલી રહી હતી તે સ્થળે પહોંચીને કમિટી સમક્ષ હોબાળો કર્યો હતો તેમજ ઉમેદવાર વિપુલ સોલંકીની ભલામણ કરવાનો પ્રયાસ કર્યો હતો. ઉપરાંત કમિટીના સભ્યો સાથે અપશબ્દો બોલી સમગ્ર પરીક્ષાની પ્રક્રિયામાં ખલેલ પહોંચાડી હતી. આ બનાવ અંગે એડિશનલ એસ.પી.ની ફરિયાદના આધારે દમણ પોલીસે ઉમેશ પટેલ, સુરેશ પટેલ અને અન્ય બે વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો હતો. આ કેસની કાર્યવાહી કોર્ટમાં ચાલી હતી. જેમાં બંને જણાને દોષિત ઠેરવ્યા હતા. વર્ષ 2011ની ઘટનાના અંદાજે 15 વર્ષ બાદ આવેલા આ ચુકાદાને કારણે દમણના રાજકીય અને કાનૂની વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/surat/bhedwad-khadi-overflows-after-heavy-rain" target="_blank">આ પણ વાંચોઃ Surat News : શહેરમાં ભારે વરસાદથી ભેદવાડી ખાડી ઓવરફ્લો થઈ, 161 લોકોનું સ્થળાંતર કરાયુ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/02/Pv21Lo3iP9G1Dqm1c29BEIRSLvNLXgth1Cy2MBj9.webp'/></item><item><title><![CDATA[Delhi Earthquake : દિલ્હીમાં વહેલી સવારે ભૂકંપના આંચકા, 2.9ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો ]]></title><link>https://sandesh.com/india/news/delhi-earthquake-earthquake-tremors-felt-in-delhi-early-in-the-morning-29-magnitude-earthquake-recorded</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/delhi-earthquake-earthquake-tremors-felt-in-delhi-early-in-the-morning-29-magnitude-earthquake-recorded</guid><pubDate>Sun, 02 Aug 2026 08:23:03 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સવારે લગભગ 4:14 વાગ્યે આવેલા આ ભૂકંપને કારણે કેટલાક વિસ્તારોમાં લોકોની ઊંઘ ઉડી ગઈ હતી, જ્યારે ઘણા લોકોને આંચકાનો અનુભવ પણ થયો નહોતો. ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ મોટી જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાના સમાચાર મળ્યા નથી.</p><h2 style="text-align: justify; ">દિલ્હીના ઉત્તર જિલ્લામાં રિક્ટર સ્કેલ પર 2.9ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો</h2><p style="text-align: justify; ">નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) મુજબ, રવિવારે સવારે 4:14:01 વાગ્યે (IST) દિલ્હીના ઉત્તર જિલ્લામાં રિક્ટર સ્કેલ પર 2.9ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્ર 28.721° ઉત્તર અક્ષાંશ અને 76.957° પૂર્વ રેખાંશ પર હતું. ભૂકંપની ગહરાઈ માત્ર 8 કિલોમીટર હતી, જેના કારણે તેની અસર આસપાસના વિસ્તારોમાં હળવા આંચકાના રૂપમાં અનુભવાઈ હતી.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2083689885261799464"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; "><span style="font-size: 1.75rem;">2.9ની તીવ્રતાનો ભૂકંપ સામાન્ય રીતે હળવી શ્રેણીમાં ગણાય</span></p><p style="text-align: justify; ">ભૂકંપની ગહરાઈ ઓછી હોવાથી તેની કંપન સપાટી સુધી ઝડપથી પહોંચે છે. જોકે, 2.9ની તીવ્રતાનો ભૂકંપ સામાન્ય રીતે હળવી શ્રેણીમાં ગણાય છે અને આવા ભૂકંપોથી મોટા પાયે નુકસાન થવાની શક્યતા ખૂબ ઓછી રહે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ પ્રકારના ભૂકંપ દરમિયાન લોકો થોડા સેકન્ડ માટે કંપન અનુભવી શકે છે, પરંતુ ઇમારતો અથવા માળખાને ગંભીર નુકસાન થતું નથી.</p><h4 style="text-align: justify; ">ભૂકંપ આવ્યો ત્યારે મોટાભાગના લોકો ઊંઘમાં હતા</h4><p style="text-align: justify; ">જે સમયે ભૂકંપ આવ્યો ત્યારે મોટાભાગના લોકો ઊંઘમાં હતા. કેટલાક લોકોએ પંખા, બારીઓ અથવા પલંગમાં હળવું કંપન અનુભવ્યું હોવાનું જણાવ્યું, જ્યારે ઘણા લોકોને ભૂકંપ આવ્યો હોવાની જાણ સોશિયલ મીડિયા અથવા સમાચાર માધ્યમો દ્વારા થઈ. ઓછી તીવ્રતા અને ટૂંકા સમયગાળાના કારણે મોટાભાગના લોકો માટે આ ઘટના સામાન્ય રહી.</p><h5 style="text-align: justify; ">સંબંધિત એજન્સીઓએ સ્થિતિ પર નજર રાખી હતી</h5><p style="text-align: justify; ">ભૂકંપ બાદ પ્રશાસન અને સંબંધિત એજન્સીઓએ સ્થિતિ પર નજર રાખી હતી. અત્યાર સુધીમાં દિલ્હી અથવા આસપાસના વિસ્તારોમાંથી કોઈ જાનહાનિ, ઇમારતોને નુકસાન અથવા અન્ય મોટી ઘટનાના અહેવાલ સામે આવ્યા નથી. અધિકારીઓએ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવાની અપીલ કરી છે.</p><p style="text-align: justify; ">ભૂકંપ પૃથ્વીની અંદર ટેક્ટોનિક પ્લેટોની હિલચાલને કારણે આવે છે. વૈજ્ઞાનિકો મુજબ, ભૂકંપ પૃથ્વીની સપાટીથી લઈને લગભગ 700 કિલોમીટર સુધીની ગહરાઈએ આવી શકે છે. યુએસ જિયોલોજિકલ સર્વે (USGS) ભૂકંપની ગહરાઈને ત્રણ ભાગમાં વહેંચે છે – ઉથલો (Shallow), મધ્યમ (Medium) અને ઊંડો (Deep). 70 કિલોમીટર સુધીના ભૂકંપને સામાન્ય રીતે ઉથલા ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે, અને તે વધુ સ્પષ્ટ રીતે અનુભવાય છે કારણ કે તેનું કેન્દ્ર સપાટીથી નજીક હોય છે.</p><p style="text-align: justify; ">ભૂકંપ જેવી કુદરતી આપત્તિ દરમિયાન ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. જો આંચકો અનુભવાય તો મજબૂત ટેબલ નીચે આશરો લેવો, લિફ્ટનો ઉપયોગ ટાળવો અને ખુલ્લી જગ્યાએ જવાની તક મળે તો શાંતિથી બહાર નીકળવું જોઈએ. સત્તાવાર એજન્સીઓની સૂચનાઓનું પાલન કરવાથી જોખમને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. દિલ્હીમાં આ વખતે નોંધાયેલો ભૂકંપ હળવો રહ્યો હોવા છતાં આવી ઘટનાઓ કુદરતી આપત્તિઓ પ્રત્યે સજાગ રહેવાની યાદ અપાવે છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/02/M9BMu4mRTPs6nQEqYN1xMwMaylpdYHOe8A4fyutp.webp'/></item><item><title><![CDATA[Elon Musk Networth: સ્પેસએક્સના શેર ક્રેશ અને ટેસ્લાના નબળા પરિણામોની મોટી અસર, મસ્કની સંપત્તિ થઈ ગઈ અડધી ]]></title><link>https://sandesh.com/world/news/business/elon-musk-net-worth-drop-spacex-share-crash-tesla-results-impact</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/business/elon-musk-net-worth-drop-spacex-share-crash-tesla-results-impact</guid><pubDate>Sat, 01 Aug 2026 19:49:29 +05:30</pubDate><description><![CDATA[<p>વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કની સંપત્તિમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. થોડા સમય માટે દુનિયાના પ્રથમ ટ્રિલિયન ડોલરથી વધુ સંપત્તિ ધરાવતા વ્યક્તિ બનેલા મસ્કની નેટવર્થમાં આશરે 600 અબજ ડોલરનો ઘટાડો થયો છે. હાલ તેમની કુલ સંપત્તિ લગભગ 684 અબજ ડોલર રહી છે.</p><p>મસ્કની સંપત્તિમાં આવેલા આ મોટા ઘટાડાનું મુખ્ય કારણ તેમની કંપની SpaceXના શેરમાં થયેલો ભારે ઘટાડો માનવામાં આવી રહ્યો છે. કંપનીના શેર પોતાના સર્વોચ્ચ સ્તરથી લગભગ 46 ટકા ઘટીને 108.37 ડોલર પ્રતિ શેર સુધી પહોંચી ગયા છે. 16 જૂને SpaceXના શેર 202 ડોલર પ્રતિ શેરના રેકોર્ડ સ્તરે પહોંચ્યા હતા, ત્યારે મસ્કની કુલ સંપત્તિ લગભગ 1.33 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી હતી.</p><h3><b>IPO દ્વારા મોટી રકમ એકત્ર કરી&nbsp;</b></h3><p>SpaceXએ તેના IPO દ્વારા ઈતિહાસમાં સૌથી મોટી રકમ તરીકે 75 અબજ ડોલર એકત્ર કર્યા હતા. લિસ્ટિંગ બાદ કંપનીના શેરમાં શરૂઆતના દિવસોમાં જોરદાર તેજી જોવા મળી હતી, પરંતુ ત્યારબાદ તેમાં મોટો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત ઈલેક્ટ્રિક વાહન કંપની Teslaના નબળા ત્રિમાસિક પરિણામો પણ મસ્કની સંપત્તિ ઘટવાનું એક મોટું કારણ બન્યા છે. 22 જુલાઈએ જાહેર થયેલા પરિણામો બાદ Teslaના શેરમાં 17 ટકાનો ઘટાડો થયો હતો. કંપની બે વર્ષથી વધુ સમય પછી પહેલીવાર નફાના અંદાજને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી હતી અને નેગેટિવ ફ્રી કેશ ફ્લો નોંધાવ્યો હતો.</p><h3><b>શેરના ભાવ પર વધુ અસર થવાની આશંકા</b></h3><p>જો ભારતીય અબજોપતિઓ સાથે સરખામણી કરવામાં આવે તો મસ્કની સંપત્તિમાં થયેલું નુકસાન ભારતના ટોચના બે ઉદ્યોગપતિઓની કુલ સંપત્તિ કરતાં પણ ઘણું વધારે છે. ભારતના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સંપત્તિ લગભગ 112 અબજ ડોલર અને મુકેશ અંબાણીની સંપત્તિ આશરે 87 અબજ ડોલર છે. આગામી સમયમાં SpaceXના શેર પર વધુ દબાણ આવી શકે છે, કારણ કે મોટી સંખ્યામાં શેરના લોક-ઇન સમયગાળાની સમાપ્તિ બાદ બજારમાં ઉપલબ્ધ થવાની શક્યતા છે. આથી શેરના ભાવ પર વધુ અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.</p><p><a href="https://sandesh.com/business/news/epfo-new-rules-2026--pf-withdrawal-in-1-2-days" target="_blank"><b>આ પણ વાંચો :EPFO: PF ખાતામાંથી પૈસા ઉપાડવા થયા સરળ, હવે માત્ર 2 દિવસમાં ખાતમાં આવી જશે પૈસા</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/01/BlqBwht5yQ3RMZ1ENgLl18cofL6uxpBoOQI3WuXV.webp'/></item><item><title><![CDATA[Ramayanaની સ્ટારકાસ્ટ પર મેકર્સે પાણીની જેમ વાપર્યા કરોડો રૂપિયા! આ એક્ટરે વસૂલી તગડી ફી! ]]></title><link>https://sandesh.com/entertainment/news/ramayana-movie-star-cast-fees-highest-paid-actor</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/ramayana-movie-star-cast-fees-highest-paid-actor</guid><pubDate>Sat, 01 Aug 2026 18:10:19 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફેમસ ડિરેક્ટર નિતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું છે. હવે ફિલ્મની સ્ટારકાસ્ટને મળેલી ફીને લઈને પણ ભારે ચર્ચા ચાલી રહી છે. જાણો કે આ ફિલ્મ માટે કયા કલાકારને કેટલી ફી મળી હોવાનું કહેવાય છે અને સૌથી વધુ ખર્ચ કોના પર થયો છે.</p><h2 style="text-align: justify; "><b>ભગવાન રામના પાત્રમાં રણબીર કપૂર</b></h2><p style="text-align: justify; "><img alt="Nitesh Tiwari Ramayana Star Cast Fees (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/01/BVxvxYlBQt4RM7zJ5tT9XCcLC6iZRafEB1IUxHL6.webp"><b><br></b></p><p style="text-align: justify; ">અહેવાલો મુજબ, ફિલ્મ 'રામાયણ' માટે સૌથી વધુ ફી રણબીર કપૂરે લીધી છે. તેમણે કુલ 150 કરોડ રૂપિયા લીધા હોવાનું કહેવાય છે, જેમાં દરેક ભાગ માટે 75 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે.<br><img alt="Nitesh Tiwari Ramayana Star Cast Fees (2)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/01/svFZhcD6kXIFy8VSYo5MxaDZ0BqokhR1Lrs8tJb5.webp"><br></p><h2 style="text-align: justify; "><b>રાવણના પાત્રમાં યશ</b></h2><p style="text-align: justify; ">ફિલ્મમાં રાવણની ભૂમિકા ભજવનાર યશને અંદાજે 100 કરોડ રૂપિયા મળ્યા હોવાનું કહેવાય છે. એટલે કે દરેક ભાગ માટે લગભગ 50 કરોડ રૂપિયા. સાથે એવી પણ ચર્ચા છે કે ફિલ્મના સહ-નિર્માતા તરીકે તેમને નફામાં પણ ભાગ મળશે.<br><img alt="Nitesh Tiwari Ramayana Star Cast Fees (3)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/01/Ln0gerNYj5Qc4SoI8JGKxNyXpLgybfU5oFLU3I9A.webp"><br></p><h2 style="text-align: justify; "><b>સીતાના પાત્રમાં સાઈ પલ્લવી</b></h2><p style="text-align: justify; ">અહેવાલો મુજબ, સાઈ પલ્લવીએ સીતાના પાત્ર માટે કુલ 12 કરોડ રૂપિયા ફી લીધી છે. એટલે કે દરેક ભાગ માટે 6 કરોડ રૂપિયા.<br></p><h2 style="text-align: justify; "><b>હનુમાનના પાત્રમાં સની દેઓલ</b></h2><p style="text-align: justify; ">અહેવાલો મુજબ, સની દેઓલ ભગવાન હનુમાનનું પાત્ર ભજવવા માટે 40 કરોડ રૂપિયા ફી લઈ રહ્યા છે.<br><img alt="Nitesh Tiwari Ramayana Star Cast Fees (4)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/01/VVtRrNnp2l6LxfH3ivrGWdIs8WX4eeTiyH3I1Bv9.webp"><br></p><h2 style="text-align: justify; "><b>લક્ષ્મણના પાત્રમાં રવિ દુબે</b></h2><p style="text-align: justify; ">ટેલિવિઝન અભિનેતા રવિ દુબેને લક્ષ્મણના પાત્ર માટે 2 કરોડથી 4 કરોડ રૂપિયા વચ્ચે ફી મળી હોવાનું કહેવાય છે.<br><img alt="Nitesh Tiwari Ramayana Star Cast Fees (5)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/01/KtPSxk7JdIYoMoiRnSfZGa4SEjS7HqlDmHVgtBEs.webp"><br></p><h2 style="text-align: justify; "><b>અરુણ ગોવિલ</b></h2><p style="text-align: justify; ">ટીવી સિરિયલ 'રામાયણ'માં ભગવાન રામનું પાત્ર ભજવી ચૂકેલા અરુણ ગોવિલ ફિલ્મ 'રામાયણ'માં રાજા દશરથની ભૂમિકામાં જોવા મળશે. અહેવાલો મુજબ, તેમને આ પાત્ર માટે 2.5 કરોડ રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે.<br><img alt="Nitesh Tiwari Ramayana Star Cast Fees (6)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/01/oK4ighp9GyCDK522DJrkS2qCdRSVBz2xzbGQR6wd.webp"><br></p><h2 style="text-align: justify; "><b>કૈકેયીના પાત્રમાં લારા દત્તા</b></h2><p style="text-align: justify; ">અહેવાલો મુજબ, ફિલ્મમાં કૈકેયીની ભૂમિકા માટે લારા દત્તાને 3 કરોડ રૂપિયા ફી આપવામાં આવી રહી છે.<br><img alt="Nitesh Tiwari Ramayana Star Cast Fees (7)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/01/baOoAe1tORbaXQ7SCxU8oUuk9KDGNAi2gXlX8OT1.webp"><br></p><h2 style="text-align: justify; "><b>શૂર્પણખાના પાત્રમાં રકુલ પ્રીત સિંહ</b></h2><p style="text-align: justify; ">અહેવાલો મુજબ, શૂર્પણખાનું પાત્ર ભજવનારી રકુલ પ્રીત સિંહે 1 કરોડથી 2 કરોડ રૂપિયા વચ્ચે ફી લીધી હોવાનું કહેવાય છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/dayaben-return-tmkoc-jethalal-reacts-9-years" target="_blank">આ પણ વાંચો-TMKOCમાં 9 વર્ષ પછી દયાબેનની ગ્રાન્ડ એન્ટ્રી? જેઠાલાલે તોડ્યું મૌન, રડી પડ્યા પોપટલાલ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/01/0VkBU39buRnNOysFj5WIwNqjKNthewkzO6rTq5Gr.webp'/></item></channel></rss>