<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Auto News: કારમાં CNG કિટ લગાવતાં પહેલાં જાણો આ 5 બાબતો, વોરંટીથી ઈન્શ્યોરન્સ સુધી પડશે અસર ]]></title><link>https://sandesh.com/business/automobile/news/aftermarket-cng-kit-car-warranty-insurance-rto-rules</link><guid isPermaLink="true">https://sandesh.com/business/automobile/news/aftermarket-cng-kit-car-warranty-insurance-rto-rules</guid><pubDate>Thu, 10 Sep 2026 19:18:58 +05:30</pubDate><description><![CDATA[<p>પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અને E20ને લઈને લોકોની ચિંતાઓ વચ્ચે કારને CNGમાં કન્વર્ટ કરાવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. બજારમાં ઘણી એવી કાર છે, જેમાં કંપની તરફથી CNGનો વિકલ્પ આપવામાં આવતો નથી. આવી સ્થિતિમાં લોકો ખર્ચ ઘટાડવા માટે આફ્ટરમાર્કેટ CNG કિટ લગાવી રહ્યા છે. જોકે, કારમાં CNG કિટ લગાવતા પહેલાં તેના કારણે ઈન્શ્યોરન્સ અને વોરંટી પર શું અસર થશે તે સમજવું જરૂરી છે.</p><p><b>આફ્ટરમાર્કેટ CNG કિટનો સૌથી મોટો ફાયદો</b></p><p>આફ્ટરમાર્કેટ CNG કિટનો સૌથી મોટો ફાયદો એ છે કે જે કારમાં કંપની તરફથી CNGનો વિકલ્પ નથી, તેને પણ CNGમાં બદલી શકાય છે. સામાન્ય રીતે આફ્ટરમાર્કેટ CNG કિટ લગાવવાનો ખર્ચ કંપનીની ફેક્ટરી-ફિટેડ CNG કારના પેટ્રોલ મોડલની સરખામણીએ મળતા વધારાના પ્રીમિયમ કરતાં 25થી 30 ટકા ઓછો હોઈ શકે છે. જૂની પેટ્રોલ કારમાં પણ માઈલેજનો ખર્ચ ઘટાડવા માટે લોકો CNG કન્વર્ઝન કરાવે છે.</p><p><b>દરેક કારને CNGમાં કન્વર્ટ કરી શકાતી નથી</b></p><p>ધારો કે કોઈ SUVનું CNG મોડલ કંપની વેચતી નથી, તો તેનો માલિક આફ્ટરમાર્કેટ કિટ લગાવી શકે છે. આ ઉપરાંત જૂની અથવા સેકન્ડ હેન્ડ પેટ્રોલ કારને પણ CNGમાં કન્વર્ટ કરીને રોજનો ઈંધણ ખર્ચ ઘટાડી શકાય છે. જોકે, દરેક કાર CNG કન્વર્ઝન માટે યોગ્ય હોતી નથી. સામાન્ય રીતે માત્ર પેટ્રોલ કારને જ CNGમાં કન્વર્ટ કરી શકાય છે.</p><p><b>CNG કિટ લગાવવાથી કંપનીની વોરંટી પર અસર</b></p><p>CNG કિટ લગાવતા પહેલાં કારની કંપની વોરંટી અંગે માહિતી મેળવવી સૌથી જરૂરી છે. કિટ સરકાર દ્વારા મંજૂર હોય અને અધિકૃત ઇન્સ્ટોલર પાસેથી લગાવવામાં આવી હોય તો પણ આફ્ટરમાર્કેટ CNG કિટના કારણે કંપનીની પાવરટ્રેન વોરંટી સમાપ્ત થઈ શકે છે. કેટલીક કંપનીઓ એન્જિન સિવાયના ભાગો પર વોરંટી ચાલુ રાખી શકે છે, પરંતુ તે કંપનીના નિયમો પર આધાર રાખે છે.</p><p><b>કેટલાક ઇન્સ્ટોલર અલગથી વોરંટી આપે છે</b></p><p>કેટલાક CNG કિટ ઇન્સ્ટોલર પોતાની તરફથી થર્ડ પાર્ટી વોરંટી પણ આપે છે. જોકે, તેના માટે અલગથી વધુ પૈસા ચૂકવવા પડી શકે છે. સામાન્ય રીતે આફ્ટરમાર્કેટ CNG કિટ પર 1થી 2 વર્ષની વોરંટી આપવામાં આવે છે. તેથી કિટ લગાવતા પહેલાં વોરંટીની શરતો સારી રીતે તપાસવી જરૂરી છે.</p><p><b>CNG ટાંકીથી ડિક્કીની જગ્યા ઘટી શકે છે</b></p><p>આફ્ટરમાર્કેટ CNG કિટની બીજી મોટી સમસ્યા કારની ડિક્કીની જગ્યા છે. ફેક્ટરી-ફિટેડ CNG કારમાં કંપનીઓ અંડરબોડી અથવા ડ્યુઅલ-ટેન્ક જેવા વિકલ્પ આપે છે, જેથી ડિક્કીમાં વધુ જગ્યા રહે. પરંતુ આફ્ટરમાર્કેટ કિટમાં સામાન્ય રીતે મોટી સિંગલ CNG ટાંકી લગાવવામાં આવે છે. તેના કારણે ડિક્કીની ઘણી જગ્યા રોકાઈ જાય છે.</p><p><b>આફ્ટરમાર્કેટ CNGની ઈન્શ્યોરન્સ પર પણ અસર</b></p><p>કારમાં બહારથી CNG કિટ લગાવ્યા બાદ તેના ઈન્શ્યોરન્સ પર પણ અસર થઈ શકે છે. CNG કિટ લગાવ્યા બાદ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ થોડું વધી શકે છે. આ ઉપરાંત તમારી ઈન્શ્યોરન્સ કંપનીને CNG કિટ વિશે જાણ કરીને પોલિસીમાં જરૂરી ફેરફાર કરાવવો પડે છે. CNG કિટ લગાવ્યા બાદ કારની કુલ ઈન્શ્યોર્ડ વેલ્યુ એટલે કે IDVમાં ફેરફાર થઈ શકે છે. બહારથી લગાવવામાં આવેલી CNG કિટની કિંમતને પણ કારની કુલ કિંમતમાં જોડવામાં આવે છે. ત્યારબાદ ઈન્શ્યોરન્સ કંપની પોલિસીમાં CNG કિટ અને તેની કિંમતની માહિતી અપડેટ કરે છે.</p><p><b>RTO અને ઈન્શ્યોરન્સ કંપનીને માહિતી આપવી જરૂરી</b></p><p>જો તમે કારમાં CNG કિટ લગાવી છે, તો તેની માહિતી ઈન્શ્યોરન્સ કંપનીને આપવી જરૂરી છે. સાથે જ RTOના RCમાં પણ CNGની માહિતી અપડેટ કરાવવી જોઈએ. જો આ પ્રક્રિયા કરવામાં ન આવે તો ભવિષ્યમાં ઈન્શ્યોરન્સ ક્લેમ કરવામાં મુશ્કેલી થઈ શકે છે.</p><p><b>માહિતી છુપાવવાથી ક્લેમ રિજેક્ટ થઈ શકે છે</b></p><p>જો CNG કિટ લગાવવાની માહિતી ઈન્શ્યોરન્સ કંપનીને આપવામાં આવી નથી અને RCમાં પણ CNGની માહિતી અપડેટ કરવામાં આવી નથી, તો ભવિષ્યમાં ક્લેમ નામંજૂર થવાનું જોખમ રહે છે. ખાસ કરીને અકસ્માત અથવા આગથી કારને નુકસાન થયું હોય ત્યારે આ બાબત મહત્વની બની શકે છે. તેથી CNG કિટ લગાવતા પહેલાં વોરંટી, ઈન્શ્યોરન્સ અને RTOની તમામ જરૂરી પ્રક્રિયા જાણી લેવી જોઈએ.&nbsp;</p><p><b><a href="https://sandesh.com/business/news/automobile/e20-petrol-impact-ev-cng-car-demand" target="_blank">આ પણ વાંચો: E-20 Petrolની ફરિયાદોને પગલે EV-CNG ગાડીઓની ફુલ ડિમાન્ડ! 6 મહિના સુધી વેઇટિંગ વધ્યું!</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/10/VbPRmARffQWv5TiqyZJhH1Kuq3XgPwnV5JGsNdBG.webp'/></item><item><title><![CDATA[Kodinarના રાજપરામાં ખેડૂતના શેરડીના ખેતરમાં લાગી ભીષણ આગ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kodinar/gir-somnath-kodinar-rajpara-sugarcane-farm-fire-crop-damage</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kodinar/gir-somnath-kodinar-rajpara-sugarcane-farm-fire-crop-damage</guid><pubDate>Thu, 10 Sep 2026 19:14:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં આવેલા રાજપરા ગામે એક ખેડૂતના ખેતરમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજપરા ગામના ખેડૂત ભૂપતભાઈ હીરાભાઈ વાઢેળના શેરડીના ખેતરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર ખેતરમાં ધુમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>શેરડીનો સંપૂર્ણ પાક બળીને થયો રાખ&nbsp;</b></h2><p style="text-align: justify; ">આ ભયાનક આગની લપેટમાં આવી જવાથી ખેડૂતનો આશરે ત્રણથી ચાર વીઘામાં પથરાયેલો શેરડીનો સંપૂર્ણ પાક બળીને રાખ થઈ ગયો છે. લણણીના આરે આવેલા તૈયાર પાકને ભારે નુકસાન પહોંચતા પીડિત ખેડૂત ભૂપતભાઈ વાઢેળને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અચાનક બનેલી આ ઘટનાથી ખેડૂત પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>વીજ તારમાં સ્પાર્કના કારણે આગ લાગ્યાની આશંકા&nbsp;</b></h3><p style="text-align: justify;">ખેતરમાં આગ કયા કારણોસર લાગી તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે. જોકે, પ્રાથમિક દ્રષ્ટિએ ખેતર પરથી પસાર થતી વીજ લાઈનના તારમાં સ્પાર્ક (તણખા) થવાના કારણે આગ લાગી હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા આ મામલે યોગ્ય તપાસ કર્યા બાદ જ સ્પષ્ટ થશે કે આગ ખરેખર કઈ રીતે લાગી હતી.</p><p style="text-align: justify;"><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/10/QLXzTDyt5aK3GkGA3qWJ0Qxh0FyUkG0ztzcBYYQG.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : મંજૂરી વગર ઝાડ કાપવાનો ખેલ ભારે પડ્યો, ચિત્રા એડ એજન્સી સામે સરખેજ પોલીસમાં ફરિયાદ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-chitra-ad-agency-tree-cutting-amc-police-complaint</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-chitra-ad-agency-tree-cutting-amc-police-complaint</guid><pubDate>Thu, 10 Sep 2026 19:10:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદમાં ચિત્રા એડ એજન્સી સામે અમદાવાદ મહાનગરપાલિકાએ કાર્યવાહી શરૂ કરી છે. YMCAથી યોગા સર્કલ રોડ પર મંજૂરી વગર ઝાડ કાપવામાં આવ્યા  હોવાના મામલે મનપાએ એજન્સીને નોટિસ પાઠવી હતી. નોટિસનો જવાબ ન આપતાં હવે સરખેજ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>ઝાડ કાપવાની મંજૂરી કોણે આપી? મનપાની નોટિસ છતાં ખુલાસો નહીં</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, YMCAથી યોગા સર્કલ તરફ જતા રોડ પર ચિત્રા એડ એજન્સી દ્વારા મંજૂરી વગર ઝાડ કાપવામાં આવ્યા હતા. મામલો ધ્યાન પર આવતા મનપાએ એજન્સીને નોટિસ પાઠવી 3 દિવસમાં ખુલાસો રજૂ કરવા જણાવ્યું હતું. પરંતુ નિર્ધારિત સમયમર્યાદામાં એજન્સી દ્વારા કોઈ ખુલાસો ન કરવામાં આવતા મનપાએ હવે સરખેજ પોલીસને જાણ કરી છે.</p><p style="text-align: justify; "><img alt="Ahmedabad Chitra Ad Agency Tree Cutting Complaint" src="https://epapercdn.sandesh.com/images/2026/09/10/f6NpE5e5JszzGlYvHoe091PZzpsVN9rZSKZa2MgZ.webp" style="width: 100%;"><br></p><h3 style="text-align: justify; "><b>અગાઉ પણ ઝાડ કાપ્યા હતા, ત્યારે રૂ.10 લાખનો દંડ</b></h3><p style="text-align: justify; ">ચિત્રા એડ એજન્સી સામે આ પહેલી કાર્યવાહી નથી. અગાઉ પણ એજન્સી દ્વારા મંજૂરી વગર ઝાડ કાપવામાં આવ્યા હોવાનો મામલો સામે આવ્યો હતો. તે સમયે મનપાએ કાર્યવાહી કરીને એજન્સીને રૂ.10 લાખનો દંડ ફટકાર્યો હતો.</p><p style="text-align: justify; "><img alt="Ahmedabad Chitra Ad Agency Tree Cutting Complaint" src="https://epapercdn.sandesh.com/images/2026/09/10/IRSsTuhjvoMbt79aCArM382YRV71Gui1xibEiG33.webp" style="width: 100%;"><br></p><h4 style="text-align: justify; "><b>એક પછી એક વિવાદ, હવે પોલીસ સુધી પહોંચ્યો મામલો</b></h4><p style="text-align: justify; ">અગાઉ ઝાડ કાપવાના મામલે દંડ અને હવે મંજૂરી વગર ઝાડ કાપવાના મામલે નોટિસ બાદ પોલીસમાં જાણવાજોગ ફરિયાદ થતાં ચિત્રા એડ એજન્સી સામે મનપાનું વલણ વધુ કડક બન્યું છે. હવે પોલીસ અને મનપાની આગળની કાર્યવાહી બાદ રોડ કાપવાની કામગીરી કયા હેતુથી અને કોની મંજૂરી વિના કરવામાં આવી હતી તે અંગે વધુ વિગતો સામે આવી શકે છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; : <a href="https://sandesh.com/gujarat/news/political-news/ahmedabad/statue-of-unity-gujarat-national-film-awards-ekta-nagar-uddhav-thackeray-political-row" target="_blank"><b>Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/10/TnxoAIFf5e5iq9WY9mp8yGO4BRjucnAoGjk87qUr.webp'/></item><item><title><![CDATA[Fact Check: 2026નો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ ગુજરાતમાં યોજાશે કે નહીં? થયો હવે મસમોટો ખુલાસો ]]></title><link>https://sandesh.com/india/news/72nd-national-film-awards-2026-in-gujarat-is-first-time-outside-delhi-is-misleading</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/72nd-national-film-awards-2026-in-gujarat-is-first-time-outside-delhi-is-misleading</guid><pubDate>Thu, 10 Sep 2026 18:34:04 +05:30</pubDate><description><![CDATA[<p>2026નો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દિલ્હીને બદલે ગુજરાતમાં યોજાશે. રાજધાનીની બહાર આ કાર્યક્રમ યોજાઈ રહ્યો હોય તેવી ઘટના 72 વર્ષમાં આ પહેલીવાર નથી બની; અગાઉ 1971માં ચેન્નાઈ ખાતે સમારોહ યોજીને આ પરંપરા તોડવામાં આવી હતી. 2026નો કાર્યક્રમ ગુજરાતના કેવડિયા ખાતે યોજાવાનું નક્કી કરવામાં આવ્યું છે, જોકે, હવે આ મામલે PIBના ફેક્ટ ચેકમાં આ દાવાને ભ્રામક ગણાવ્યો છે.&nbsp;</p><p><br></p><p>17મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ 1971માં ચેન્નાઈ ખાતે યોજાયો હતો. પરંતુ આ તમામ ખબરો હવે ભ્રામક સાબિત થઈ છે. નોંધનીય છે કે, માહિતી અને પ્રસારણ મંત્રાલયે દેશના અન્ય ભાગોમાં પણ આ સમારોહ યોજવાનો નિર્ણય લીધો છે. પરંતુ ગુજરાતમાં યોજાવવાની વાત અંગે PIB એ સ્પષ્ટતા કરી કે આ દાવો તથ્યોથી વિપરીત છે.</p><p><img alt="pib" src="https://epapercdn.sandesh.com/images/2026/09/10/WdwUuYRrVCA9g3Ff8rfoc9tRJDgl4UtaZc0SeeRh.webp"><br></p><h4><b>રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતાઓની યાદી</b></h4><p>મળતી માહિતી અનુસાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની 72મી આવૃત્તિ જેના વિજેતાઓની જાહેરાત જુલાઈમાં કરવામાં આવી હતી.  ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતાઓની યાદી પહેલેથી જ જાહેર કરવામાં આવી છે. 'આર્ટિકલ 370' (Article 370) ફિલ્મને શ્રેષ્ઠ ફીચર ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી છે, જ્યારે તેની મુખ્ય અભિનેત્રી યામી ગૌતમને શ્રેષ્ઠ અભિનેત્રીના પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી છે. મલયાલમ સુપરસ્ટાર મમ્મૂટી અને બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન અનુક્રમે 'બ્રહ્મયુગમ' (Bramayugam) અને 'ચંદુ ચેમ્પિયન' (Chandu Champion) માં તેમની ભૂમિકાઓ માટે સંયુક્ત રીતે શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મેળવશે.</p><p><br></p><p>આ સિવાય વિનાયક દામોદર સાવરકરના જીવન પર આધારિત ફિલ્મ 'સ્વતંત્ર્ય વીર સાવરકર' (Swatantrya Veer Savarkar) માટે અભિનેતા-ફિલ્મ નિર્માતા રણદીપ હુડ્ડાની શ્રેષ્ઠ ડેબ્યૂ ડિરેક્ટર (પ્રથમ વખત દિગ્દર્શન કરનાર શ્રેષ્ઠ દિગ્દર્શક) તરીકે પસંદગી કરવામાં આવી છે. તેલુગુ ફિલ્મ 'કલ્કી 2898 એડી' (Kalki 2898 AD) ને સંપૂર્ણ મનોરંજન પૂરું પાડતી શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મનો પુરસ્કાર મળશે. વધુમાં, અરુણ મથેશ્વરન દ્વારા નિર્દેશિત અને ધનુષ અભિનીત તમિલ ફિલ્મ 'કેપ્ટન મિલર' (Captain Miller) ને રાષ્ટ્રીય, સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી શ્રેષ્ઠ ફીચર ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી છે.</p><p><br>આ પણ વાંચો:<a href="https://sandesh.com/gallery/news/lifestyle/wheatgrass-juice-benefits--boost-immunity--digestion-and-weight-loss" target="_blank"><b> પેટને અંદરથી ઠંડુ રાખવામાં કરે છે મદદ, પીઓ આ એક રસ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/10/JFtPApqBbUMBQCboq1wO1UF5ToKoppncRk5kRev6.webp'/></item><item><title><![CDATA[Navsari : ‘અહીં ચોરીઓ બહુ થાય છે’ કહી આધેડને રોક્યો, નકલી પોલીસ બની રૂ.3.57 લાખના દાગીના પડાવ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/navsari/navsari-bilimora-fake-police-jewelry-fraud-3-57-lakh-accused-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/navsari/navsari-bilimora-fake-police-jewelry-fraud-3-57-lakh-accused-arrested</guid><pubDate>Thu, 10 Sep 2026 18:23:41 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં ધોળા દિવસે નકલી પોલીસ બનીને આધેડને રોકી લાખોની છેતરપિંડી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. બીલીમોરા-અમલસાડ રોડ પર સ્મશાનભૂમિ સામે બનેલી ઘટનામાં ગઠિયાઓએ આધેડ પાસેથી રૂ.3.57 લાખની કિંમતના સોનાના દાગીના પડાવી લીધા હતા. જોકે, ઘટનાના ગણતરીના કલાકોમાં પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>રસ્તા વચ્ચે રોક્યા અને પોલીસ હોવાનો રોફ જમાવ્યો</b></h2><p style="text-align: justify; ">ફરિયાદી રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપીએ તેમને રોક્યા હતા. પોતે પોલીસ હોવાનો ભાસ કરાવી “અહીં ચોરીઓ ખૂબ થાય છે” તેમ કહી તેમને ડરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ લાયસન્સ પણ માંગવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ફરિયાદીને વિશ્વાસમાં લઈને ગઠિયાઓએ તેમના સોનાના દાગીના કાગળમાં મૂકાવ્યા હતા.</p><h3 style="text-align: justify; "><b>કાગળમાં દાગીના મૂકાવ્યા અને પછી થઈ એવી ચાલાકી</b></h3><p style="text-align: justify; ">ફરિયાદીના આશરે રૂ.3.57 લાખના સોનાના દાગીના કાગળમાં મુકાવ્યા બાદ ગઠિયાઓએ ચાલાકીથી દાગીના કાઢી તેમાં કાંકરા મૂકી દીધા હતા. ત્યારબાદ કાગળ ફરિયાદીને પરત કરી આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.</p><h4 style="text-align: justify; "><b>દાગીનાની જગ્યાએ કાંકરા નીકળ્યા</b></h4><p style="text-align: justify; ">થોડીવાર બાદ ફરિયાદીએ કાગળ ખોલીને જોયું તો અંદર સોનાના દાગીનાની જગ્યાએ કાંકરા નીકળ્યા હતા. ત્યારે જ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું તેમના ધ્યાનમાં આવ્યું હતું.</p><h4 style="text-align: justify; "><b>રૂ.3.57 લાખની છેતરપિંડીનો ગુનો, પોલીસ એક્શનમાં</b></h4><p style="text-align: justify; ">ઘટના અંગે બીલીમોરા પોલીસ સ્ટેશનમાં રૂ.3.57 લાખની છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ફરિયાદ મળતાં પોલીસે તપાસ શરૂ કરી હતી.</p><h4 style="text-align: justify; "><b>ગણતરીના કલાકોમાં એક આરોપી ઝડપાયો</b></h4><p style="text-align: justify; ">પોલીસે ટેકનિકલ અને અન્ય તપાસના આધારે ગણતરીના કલાકોમાં એક આરોપીને ઝડપી પાડ્યો છે. હવે પોલીસે આ સમગ્ર ટોળકીમાં અન્ય કોણ-કોણ સામેલ છે અને અગાઉ આવી જ રીતે કેટલી ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. ધોળા દિવસે રસ્તા વચ્ચે નકલી પોલીસ બનીને આ રીતે દાગીના પડાવવાની ઘટનાએ બીલીમોરા શહેરમાં પણ ચકચાર જગાવી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/political-news/ahmedabad/statue-of-unity-gujarat-national-film-awards-ekta-nagar-uddhav-thackeray-political-row" target="_blank"><b>Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/10/074R4w2JHRA8nvS3tofMngGgjE0vM4UIDqBKHq4z.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : એકા ક્લબના રૂ.20 કરોડના ટેક્સથી લઈને રોડ કોન્ટ્રાક્ટર સુધી, મનપાની સ્ટેન્ડિંગ કમિટીના 5 મોટા નિર્ણયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-amc-standing-committee-eka-club-tax-road-contractors-decisions</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-amc-standing-committee-eka-club-tax-road-contractors-decisions</guid><pubDate>Thu, 10 Sep 2026 18:04:41 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એકા ક્લબના બાકી ટેક્સથી લઈને રોડની કામગીરી, ફટાકડા વેચાણ, AMTSના ભાડા અને રોડ પર ઉભા રહેતા શાકભાજીના ફેરિયાઓને લઈને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. ખાસ કરીને રૂ.20 કરોડના ટેક્સ વિવાદમાં મનપાની લીગલ ટીમની બેદરકારી સામે સવાલો ઉઠ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>એકા ક્લબના રૂ.20 કરોડના ટેક્સ મામલે મનપા ભીંસમાં</b></h2><p style="text-align: justify; ">એકા ક્લબને શૈક્ષણિકના બદલે કોમર્શિયલ ટેક્સ ભરવા અંગે મનપાએ વર્ષ 2019માં નોટિસ આપી હતી. જોકે, કોર્ટની કાર્યવાહી દરમિયાન મનપા જરૂરી દસ્તાવેજો રજૂ કરી શક્યું નહોતું. કોર્ટ દ્વારા નોટિસની નકલ માંગવામાં આવી હતી, પરંતુ મનપા તે પણ રજૂ કરી શક્યું ન હતું. આ સ્થિતિને કારણે કોર્ટ દ્વારા કાર્યવાહી પર સ્ટે આપવામાં આવ્યો હતો. હવે મનપાએ તમામ જરૂરી દસ્તાવેજી પુરાવા એકત્ર કર્યા છે અને આગામી મુદતમાં કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ મામલે લીગલ ટીમના અધિકારીઓની બેદરકારીને કારણે મનપાને નુકસાન થયું હોવાના સવાલો ઉઠ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>ફટાકડા વેચનારને દિવાળી પહેલાં મોટી રાહત</b></h3><p style="text-align: justify; ">દિવાળી દરમિયાન ખુલ્લા પ્લોટમાં ફટાકડા વેચનારા વેપારીઓ માટે પણ મહત્વનો નિર્ણય લેવાયો છે. ખુલ્લા પ્લોટમાં ફટાકડા વેચાણ માટે BU પરમિશનની જરૂરિયાત નહીં રહે, પરંતુ ફાયર NOC ફરજિયાત રહેશે. આ અંગે ફાયર વિભાગ અને મ્યુનિસિપલ કમિશનરને જાણ કરવામાં આવી છે.</p><h4 style="text-align: justify; "><b>5 રોડ અધૂરા છોડ્યા, હવે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા સૂચના</b></h4><p style="text-align: justify; ">શ્રીજી ઇન્ફ્રાને મનપાએ અલગ-અલગ સ્થળે 5 રોડના કામ સોંપ્યા હતા. પરંતુ કામ અધૂરું છોડવામાં આવ્યું હોવાના આક્ષેપો છે. અગાઉ નોટિસ આપવામાં આવી હોવા છતાં જવાબ ન મળતા હવે કંપનીને બ્લેકલિસ્ટ કરવા સૂચના આપવામાં આવી છે.</p><h4 style="text-align: justify; "><b>લગ્ન માટે AMTS ભાડે લેવાનું હવે સસ્તું બનશે?</b></h4><p style="text-align: justify; ">લગ્ન સહિતના પ્રસંગો માટે AMTS બસ ભાડે લેવા માટે હાલ આવવા-જવા માટે રૂ.8,000 સુધીનો ખર્ચ થતો હોવાના કારણે લોકોને પૂરતો લાભ મળતો ન હતો. હવે ગરીબ અને મધ્યમવર્ગના લોકો પણ તેનો લાભ લઈ શકે તે માટે ભાડામાં ઘટાડો કરવાની તૈયારી છે. નવી પોલિસી બનાવી નવા ભાડા નક્કી કરવામાં આવશે.</p><h4 style="text-align: justify; "><b>રોડ પરના શાકભાજીના ફેરિયાઓ માટે પણ મોટો નિર્ણય</b></h4><p style="text-align: justify; ">શાક માર્કેટ બનાવવામાં આવ્યા બાદ થડા ફાળવવામાં આવ્યા હોવા છતાં કેટલાક ફેરિયાઓ રોડ પર જ ઊભા રહેતા હોવાના મુદ્દે મનપાએ કડક નિર્ણય લીધો છે. હવે થડા ધરાવતા શાકભાજી વેચનારને ફરજિયાત શાક માર્કેટમાં ખસેડવામાં આવશે અને રોડ પરના ગેરકાયદે ફેરિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. એક તરફ ટેક્સ વસૂલાતમાં થયેલી બેદરકારી સામે મનપા દસ્તાવેજો સાથે કોર્ટમાં જવાની તૈયારી કરી રહી છે, તો બીજી તરફ શહેરના રોડ, ટ્રાફિક અને વેપાર વ્યવસ્થાને લઈને પણ કડક વલણ અપનાવવામાં આવ્યું છે.&nbsp; &nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/political-news/ahmedabad/statue-of-unity-gujarat-national-film-awards-ekta-nagar-uddhav-thackeray-political-row" target="_blank"><b>Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/10/O8QHSpUcbwhGwK7v2nqIO3Monh0sZtoXsKNUV9Z3.webp'/></item><item><title><![CDATA[તંત્રની ઢીલી નીતિ પર પ્રહાર, બમ્પર ભરતી, હવે બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/read-important-news-from-03-pm-to-06-pm-10-september-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/read-important-news-from-03-pm-to-06-pm-10-september-2026</guid><pubDate>Thu, 10 Sep 2026 17:59:00 +05:30</pubDate><description><![CDATA[<p>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર&nbsp; &nbsp;</p><ol><li><a href="https://sandesh.com/gujarat/news/bhavnagar/bhavnagar-sunflower-oil-adulteration-complaint-health-department-probe" target="_blank">Bhavnagar : સનફ્લાવર તેલના કારણે પરિવારના 2 સભ્યોની તબિયત લથડી? ભેળસેળની ફરિયાદ બાદ ખુલ્લા તેલના પેકિંગનો ખેલ સામે આવ્યો</a></li><li><a href="https://sandesh.com/india/news/gst-registration-biometric-verification-mandatory-delhi-high-court" target="_blank">GST રજિસ્ટ્રેશન માટે હવે બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત, દિલ્હી હાઈકોર્ટનો મોટો આદેશ</a></li><li><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/vande-mataram-row-tushar-chaudhary-statement-imran-khedawala" target="_blank">Vande Mataram controversy: વંદે માતરમ્ વિવાદ વચ્ચે તુષાર ચૌધરીનું નિવેદન, કોંગ્રેસના સ્ટેન્ડ વિશે કહી મોટી વાત</a></li><li><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/botad-mla-umesh-makwana-assembly-speech-cattle-feed-bill" target="_blank">Gujarat વિધાનસભામાં તંત્રની ઢીલી નીતિ પર પ્રહાર: 'ધારાસભ્યની આ સ્થિતિ, તો જનતાનું શું?' ઉમેશ મકવાણા</a></li><li><a href="https://sandesh.com/india/news/business/brics-summit-2026-will-a-new-common-currency-be-created-among-brics-countries-big-decision-on-energy-and-supply-chain-possible" target="_blank">BRICS Summit 2026: શું બ્રિક્સ દેશો વચ્ચે નવું સામાન્ય ચલણ બનાવાશે?, ઊર્જા અને સપ્લાય ચેઈન પર મોટો નિર્ણય શક્ય</a></li><li><a href="https://sandesh.com/tech/news/festive-season-2026-smartphone-sector-39600-temporary-jobs" target="_blank">Smartphone સેક્ટરમાં બમ્પર ભરતી, 39,600 નોકરીઓની શક્યતા</a></li><li><a href="https://sandesh.com/gujarat/news/crime/botad/botad-one-crore-extortion-case-sit-investigation-demand" target="_blank">Botad : 1 કરોડના કથિત ‘તોડકાંડ’ની તપાસ સ્થાનિક અધિકારીને સોંપાઇ, હવે તપાસ જ શંકાના ઘેરામાં, SITની માંગથી ખળભળાટ</a></li><li><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/assembly-gujarat-animal-feed-poultry-feed-mineral-mixture-bill" target="_blank">Gujarat Assembly: પશુ આહારમાં ભેળસેળ કરનારા સામે થશે કડક કાર્યવાહી, જાણો નવા બિલમાં શું છે જોગવાઈ?</a></li><li><a href="https://sandesh.com/gujarat/news/crime/rajkot/rajkot-vinchhiya-moneylending-rape-allegation-accused-arrested" target="_blank">Rajkot : વિંછીયામાં ચોંકાવનારો બનાવ, પતિ ઘરે ન હતો અને અચાનક આવી ચઢ્યો વ્યાજખોર, મહિલાની ફરિયાદથી ખળભળાટ</a></li><li><a href="https://sandesh.com/india/news/salboni-land-scam-abhishek-banerjees-pa-sumit-roy-arrested-cid-in-action" target="_blank">Salboni Land Scam: અભિષેક બેનર્જીના PA સુમિત રૉયની ધરપકડ, CID એક્શનમાં</a></li></ol> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/05/30/ci0PwfUyHcao4H4ziwpdhMLnO6QMfKyI3jwCPvfh.webp'/></item><item><title><![CDATA[Kala Hiran Film Controversy: 'કાલા હિરન'ની રિલીઝ અટકશે? મેકર્સે કહ્યું સલમાનના જીવન પર નથી ]]></title><link>https://sandesh.com/entertainment/news/kala-hiran-film-controversy-salman-khan</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/kala-hiran-film-controversy-salman-khan</guid><pubDate>Thu, 10 Sep 2026 17:53:49 +05:30</pubDate><description><![CDATA[<p>'કાલા હિરન' (Kala Hiran Film) ફિલ્મ રિલીઝ પહેલાં જ વિવાદમાં સપડાઈ છે. આરોપ છે કે આ ફિલ્મ સલમાન ખાન (Salman Khan)ના કાળા હરણ (Kala Hiran Case) કેસથી પ્રેરિત છે. આ કારણે ફિલ્મની રિલીઝ (Kala Hiran Movie) પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે. આ મામલે દિલ્હી હાઈકોર્ટ (Delhi Highcourt) માં કેસ ચાલી રહ્યો છે.&nbsp;</p><h2><b>કોર્ટમાં મેકર્સે શું કહ્યું?</b></h2><p>ગુરુવારે દિલ્હી હાઈકોર્ટમાં ફિલ્મના મેકર્સે કહ્યું કે 'કાલા હિરન' હજુ રિલીઝ માટે તૈયાર નથી, કારણ કે તેને સેન્સર બોર્ડ (Censor Board) તરફથી સર્ટિફિકેશન મળ્યું નથી. જસ્ટિસ જ્યોતિ સિંહ સમક્ષ આ વાત કહેવામાં આવી હતી. તેઓ બોલિવૂડ અભિનેતા સલમાન ખાન (Salman Khan)ની એ અરજી પર સુનાવણી કરી રહ્યાં હતાં, જેમાં ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે.</p><h2><b>કોર્ટે શું કહ્યું?</b></h2><p>કોર્ટે ફિલ્મના નિર્દેશકને સલમાન ખાનની અરજી પર 2 અઠવાડિયામાં જવાબ દાખલ કરવા કહ્યું છે. આ કેસની આગામી સુનાવણી 30 સપ્ટેમ્બરે થશે. ફિલ્મની રિલીઝ તારીખ અંગે પણ જવાબ માંગ્યો. કોર્ટે નિર્માતા અમિત જાનીના વકીલને 14 સપ્ટેમ્બરે ફિલ્મની સૂચિત રિલીઝ તારીખ અંગે માહિતી આપવા કહ્યું છે. કોર્ટે ત્યાં સુધી ફિલ્મ રિલીઝ નહીં કરવાની વાત પણ કહી છે.</p><h2><b>સલમાનના વકીલે શું દલીલ કરી?</b></h2><p>સલમાન ખાનના વકીલે કહ્યું કે મેકર્સ પોતે કહી રહ્યા છે કે ફિલ્મ સપ્ટેમ્બરમાં રિલીઝ થવાની છે. જો ફિલ્મ રિલીઝ થશે તો તેનાથી સલમાન ખાનને મોટું નુકસાન થઈ શકે છે. </p><h2><b>ફિલ્મને હજુ સર્ટિફિકેટ મળ્યું નથી</b></h2><p>નિર્માતાના વકીલે કહ્યું કે ફિલ્મ હાલ રિલીઝની સ્થિતિમાં નથી અને તેને હજુ સર્ટિફિકેશન માટે સેન્સર બોર્ડ પાસે મોકલવાની બાકી છે. ફિલ્મનું ટ્રેલર પણ હજુ રિલીઝ કરવામાં આવ્યું નથી. સલમાન ખાનની આ અરજી તેમના પર્સનાલિટી રાઇટ્સની સુરક્ષા સાથે જોડાયેલી છે.</p><h2><b>કોર્ટે અગાઉ શું આદેશ આપ્યો હતો?</b></h2><p>આ પહેલાં જુલાઈમાં સલમાન ખાનની વાંધાની અરજી બાદ હાઈકોર્ટે ફિલ્મના ટીઝર અને તેની સાથે જોડાયેલી અન્ય પોસ્ટને ઓનલાઈન પ્લેટફોર્મ પરથી હટાવવાનો વચગાળાનો આદેશ આપ્યો હતો. </p><h2><b>મેકર્સે કહ્યું, સલમાનની બાયોપિક નથી ફિલ્મ</b></h2><p>મેકર્સે સ્પષ્ટ કર્યું છે કે આ ફિલ્મ સલમાન ખાનની બાયોપિક નથી. તેમનું કહેવું છે કે બ્લેકબક વિવાદ સાથે જોડાયેલી જાહેર ઘટનાઓને હટાવવા માટે પોતાના પર્સનાલિટી રાઇટ્સનો ઉપયોગ કરી શકે નહીં.</p><h2><b>સલમાનના વકીલે જવાબ આપ્યો</b></h2><p>સલમાન ખાનના વકીલે કહ્યું કે આ ઘટના પર જાહેરમાં ચર્ચા થાય તેનો વાંધો નથી, પરંતુ આ ફિલ્મ દ્વારા તેમની છબી ખરડાઇ શકે છે. સલમાનની ઓળખ સાથે જોડાયેલી વસ્તુઓ, જેમ કે તેઓ કાંડા પર જે બ્રેસલેટ પહેરે છે તે અને કાનની બુટ્ટી એ વસ્તુઓ તેમની ઓળખ સમાન છે, જેનો પરવાનગી વગર વ્યાવસાયિક ઉપયોગ ન કરી શકાય.</p><p>આ પહેલાં અભિનેતાએ કહ્યું હતું કે 29 મેના રોજ જાહેર કરવામાં આવેલા ફિલ્મના પોસ્ટરમાં તેમની તરફ સ્પષ્ટ સંકેત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફિલ્મનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું. અરજીમાં કહેવામાં આવ્યું છે કે રાજસ્થાનની એક કોર્ટે સલમાન ખાનને આર્મ્સ એક્ટ હેઠળના ગુનામાંથી નિર્દોષ જાહેર કર્યા હતા. તેમ છતાં પોસ્ટરમાં મુખ્ય પાત્રના હાથમાં બંદૂક બતાવવામાં આવી છે, જેને માનહાનિકારક ગણાવવામાં આવ્યું છે.</p><h2><b>પહેલાં પણ સલમાને કોર્ટનો સંપર્ક કર્યો હતો</b></h2><p>સલમાન ખાને અગાઉ પણ પોતાના નામ, તસવીરો, વ્યક્તિત્વ અને દેખાવનો પરવાનગી વગર ઉપયોગ રોકવા તથા પોતાના પર્સનાલિટી રાઇટ્સની સુરક્ષા માટે અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ઈ-કોમર્સ વેબસાઇટ્સ સામે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. હાઈકોર્ટે 11 ડિસેમ્બર 2025ના રોજ તેમના પક્ષમાં વચગાળાનો આદેશ આપ્યો હતો.</p><h2><b>'કાલા હિરન' ફિલ્મ વિશે જાણો</b></h2><p>ફિલ્મ 'કાલા હિરન'નું દિગ્દર્શન ભરત એસ. શ્રીનેતે કર્યું છે. અમિત જાની તેના લેખક અને નિર્માતા છે. ફિલ્મમાં નિકુંજ અગ્રવાલ, ઋષભ અરોરા અને રાજેશ દહિયા જેવા કલાકારો જોવા મળશે. મીડિયા અહેવાલો મુજબ ફિલ્મ 14 સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી, પરંતુ તેની સત્તાવાર રિલીઝ તારીખની જાહેરાત હજુ કરવામાં આવી નથી.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/10/ZLUdbrKclO49EdLT0pBtsibjI4QsTtqmR2vaqPng.webp'/></item><item><title><![CDATA[Hanuman Anshનો બોક્સ ઓફિસ પર જલવો! હવે UP સરકારે નીમ કરોલી બાબાને લઈને કરી આ મોટી જાહેરાત ]]></title><link>https://sandesh.com/entertainment/news/india/hanuman-ansh-neem-karoli-baba-up-government</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/india/hanuman-ansh-neem-karoli-baba-up-government</guid><pubDate>Thu, 10 Sep 2026 17:39:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફિલ્મ હનુમાન અંશ રિલીઝ થયા બાદ નીમ કરોલી બાબા વિશે લોકોની ઉત્સુકતા અનેકગણી વધી છે. ફિલ્મમાં તેમના જીવન અને આધ્યાત્મિક સફર સાથે જોડાયેલી વાતો રજૂ કરવામાં આવી છે. ફિલ્મને મળેલા સારા પ્રતિસાદ વચ્ચે તેમના આશ્રમોમાં પણ શ્રદ્ધાળુઓની સંખ્યા વધી રહી છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશ પર્યટન વિભાગે બાબા સાથે જોડાયેલા મહત્વના સ્થળોને એકસાથે જોડીને આધ્યાત્મિક પર્યટન સર્કિટ બનાવવાની પહેલ કરી છે.</p><h2 style="text-align: justify; "><b>બાબા સાથે જોડાયેલા સ્થળોનો થશે વિકાસ</b></h2><p style="text-align: justify; ">નીમ કરોલી બાબાના જીવન અને વારસા સાથે જોડાયેલા સ્થળોને જોડીને આ નવી સર્કિટ તૈયાર કરવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશ રાજ્ય પર્યટન વિકાસ નિગમે શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે બાબા નીમ કરોલીના 5 ખાસ ટૂર પેકેજ પણ શરૂ કર્યા છે. આ પેકેજમાં 5 દિવસ, 3 દિવસ અને 2 દિવસની યાત્રાનો સમાવેશ થાય છે. આ યાત્રાઓ દિલ્હી અને લખનઉથી શરૂ કરવામાં આવશે.</p><h2 style="text-align: justify; "><b>અકબરપુરમાં વિકસાવવામાં આવી રહી છે જન્મભૂમિ</b></h2><p style="text-align: justify; ">ફિરોઝાબાદના અકબરપુરને નીમ કરોલી બાબાની જન્મભૂમિ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. પહેલા તબક્કામાં પર્યટન સુવિધાઓ માટે 8.65 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. બીજા તબક્કાની 2.22 કરોડ રૂપિયાની યોજનાનું 60 ટકાથી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે અને તેને ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. અહીં 55.44 લાખ રૂપિયાની ગ્રામ્ય પર્યટન યોજના પણ શરૂ કરવામાં આવશે. ફર્રુખાબાદના નીમ કરોલી આશ્રમના વિકાસ માટે 1.51 કરોડ રૂપિયાની યોજના પૂર્ણ થઈ ચૂકી છે. ફિરોઝાબાદ અને ફર્રુખાબાદમાં પર્યટન સુવિધાઓ અને માળખાકીય વિકાસ માટે કુલ લગભગ 12.93 કરોડ રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>પ્રવાસીઓ માટે આધુનિક સુવિધાઓ</b></h3><p style="text-align: justify; ">અકબરપુરમાં બહુહેતુક સભાખંડ, સાંસ્કૃતિક વિભાગ અને બાબાના જીવન તથા આધ્યાત્મિક સફર પર આધારિત પ્રદર્શન હોલ બનાવવામાં આવી રહ્યા છે. સાથે જ ભોજનગૃહ, 50 લોકોની ક્ષમતાવાળી કૅફેટેરિયા, રસોડું, શૌચાલય અને લગભગ 60 લોકો માટે રહેવાની સુવિધા ઊભી કરવામાં આવી રહી છે. ફર્રુખાબાદના આશ્રમમાં પણ રહેવા માટેની ઇમારત, મુખ્ય દરવાજો અને જાહેર ઉપયોગની સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે.</p><h4 style="text-align: justify; "><b>આ સ્થળો સર્કિટમાં થશે સામેલ</b></h4><p style="text-align: justify; ">નીમ કરોલી બાબા સર્કિટમાં વૃંદાવનનું સમાધિ મંદિર, ફિરોઝાબાદનું અકબરપુર ગામ, ફર્રુખાબાદનું નીમ કરોલી બાબા આશ્રમ ધામ મંદિર અને લખનઉનું હનુમાન સેતુ મંદિર સામેલ કરવામાં આવ્યા છે. માન્યતા મુજબ ફર્રુખાબાદના આશ્રમમાં બાબાએ ભૂગર્ભ ગુફામાં લગભગ 12 વર્ષ સાધના કરી હતી. હવે તેમની જન્મભૂમિથી લઈને સમાધિ સ્થળ સુધીની આધ્યાત્મિક સફરને એક જ પર્યટન માર્ગ સાથે જોડવામાં આવી રહી છે.</p><h4 style="text-align: justify; "><b>5 ખાસ ટૂર પેકેજ શરૂ</b></h4><p style="text-align: justify; ">મહાસમાધિ દિવસ નિમિત્તે શરૂ કરાયેલા 5 ટૂર પેકેજનો હેતુ દેશ-વિદેશથી આવતા શ્રદ્ધાળુઓ માટે બાબા સાથે જોડાયેલા સ્થળોની યાત્રા સરળ બનાવવાનો છે. પર્યટકો ટૂર પેકેજની માહિતી માટે +91 91490 99890 પર સંપર્ક કરી શકે છે અથવા UPSTDCની વેબસાઇટ પરથી માહિતી મેળવી શકે છે. પર્યટન વિભાગના જણાવ્યા અનુસાર આ સર્કિટ ઉત્તર પ્રદેશના આધ્યાત્મિક પર્યટનને નવી દિશા આપશે અને બાબાની આધ્યાત્મિક, સાંસ્કૃતિક તથા સ્થાનિક વારસાને દેશ-વિદેશના લોકો સુધી પહોંચાડવામાં મદદ કરશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/kishore-kumar-song-45-years-cult-classic" target="_blank">આ પણ વાંચો-Retro Song : 80sના વાયરલ ટ્રેન્ડની જેમ ખૂબ ચાલ્યું હતું કિશોર કુમારનું આ ગીત! 45 વર્ષ પછી પણ છે કલ્ટ ક્લાસિક!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/10/rxo9XUVUhbtAZdDhHRwAaf6lywjWFZ6Jcpw4n0vK.webp'/></item><item><title><![CDATA[Hockey Asia Cup: ભારતની દીકરીઓ સામે પાકિસ્તાન ઘૂંટણિયે, 19-0ના જંગી સ્કોર સાથે સેમિફાઇનલમાં એન્ટ્રી ]]></title><link>https://sandesh.com/sports/news/hockey-asia-cup-pakistan-kneels-against-indias-daughters-enters-semi-finals-with-a-huge-score-of-19-0</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/hockey-asia-cup-pakistan-kneels-against-indias-daughters-enters-semi-finals-with-a-huge-score-of-19-0</guid><pubDate>Thu, 10 Sep 2026 17:26:39 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય મહિલા ખેલાડીઓએ ક્રિકેટના મેદાન બાદ હવે હોકીના મેદાનમાં પણ પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી છે. મોંગોલિયા ખાતે રમાઈ રહેલા વિમેન્સ જુનિયર એશિયા કપમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 19-0 જંગી સ્કોરથી પરાજય આપ્યો હતો. 10 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા આ મહત્વપૂર્ણ ક્વાર્ટર ફાઇનલ મેચમાં ઈન્ડિયાએ આક્રમણથી લઈને ડિફેન્સ સુધીની દરેક બાબતમાં શાનદાર પ્રદર્શન કરીને પાકિસ્તાનને મેદાનમાં ચારેય ખાને ચિત્ત કરી દીધું હતું.</p><h2><b>પાકિસ્તાની ડિફેન્સ ધ્વસ્ત&nbsp;</b></h2><p>ભારતીય ટીમે મેચની શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવતાં પ્રથમ ક્વાર્ટરમાં જ પાંચ ગોલ કરી દીધા હતા, જ્યારે બીજા ક્વાર્ટરમાં પણ આ જ લય જાળવી રાખીને વધુ પાંચ ગોલ કર્યા હતા. આ ધમાકેદાર આક્રમણના જોરે ભારતે હાફ ટાઇમ સુધીમાં જ 10-0ની વિશાળ સરસાઈ મેળવી લીધી હતી. ટીમ ઈન્ડિયાનો આ એકતરફી દબદબો બીજા હાફમાં પણ યથાવત જોવા મળ્યો હતો, જ્યાં ત્રીજા ક્વાર્ટરમાં 3 ગોલ અને ચોથા અને નિર્ણાયક ક્વાર્ટરમાં વધુ 6 ગોલ કરીને પાકિસ્તાની ડિફેન્સને સંપૂર્ણપણે ધ્વસ્ત કરી નાખ્યું હતું. આમ, સમગ્ર મેચ દરમિયાન પોતાનું વર્ચસ્વ જાળવી રાખીને ભારતીય ટીમે પાકિસ્તાનને 19-0ના જંગી સ્કોરથી પરાજય આપ્યો હતો, જે મહિલા જુનિયર એશિયા કપના ઇતિહાસની સૌથી મોટી અને યાદગાર જીતમાં સામેલ થઈ ગઈ છે.</p><h2><b>પૂજા મલિકે ગોલ ની હેટ્રીક લગાવી&nbsp;</b></h2><p>આ ઐતિહાસિક મેચમાં ભારતે  કરેલા 19 ગોલમાંથી 11 ફિલ્ડ ગોલ હતા, જે દર્શાવે છે કે સમગ્ર મેચ દરમિયાન બોલ પર ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ નિયંત્રણ રહ્યું હતું. આ ઉપરાંત ટીમને 7 ગોલ પેનલ્ટી કોર્નર અને મેચની 13મી મિનિટે પેનલ્ટી શૂટઆઉટ મળ્યું હતું જેને પણ ભારતીય ખેલાડીએ સચોટ રીતે ગોલમાં ફેરવી નાખ્યો હતો.સૌથી રસપ્રદ બાબત એ રહી કે ભારતીય ટીમના કુલ 13 અલગ-અલગ ખેલાડીઓએ સ્કોરબોર્ડ પર પોતાનું નામ નોંધાવ્યું હતું. આ આક્રમણમાં પૂજા મલિક મોખરે રહી હતી, જેણે 27મી, 49મી તેમજ 51મી મિનિટે શાનદાર ગોલ ફટકારીને હેટ્રિક પૂરી કરી હતી. પૂજા સિવાય રોશની, સનિકા માને, મધુ સિદાર અને સુપ્રિયાએ પણ ઉત્કૃષ્ટ લય દર્શાવતા 2-2 ગોલ ટીમ માટે નોંધાવ્યા હતા.</p><h2><b>ભારત સામે પાકિસ્તાની ટીમ લાચાર&nbsp;</b></h2><p>પાકિસ્તાની ટીમ સમગ્ર મેચ દરમિયાન એટલી હદે લાચાર સાબિત થઈ હતી કે તે પોતાનું ખાતું પણ ખોલાવી શકી નહોતી. એક પણ ગોલ નોંધાવવો તો દૂરની વાત, સમગ્ર મેચમાં તેઓ એકમાત્ર પેનલ્ટી કોર્નર કે પેનલ્ટી સ્ટ્રોક મેળવવા પણ સફળ રહ્યા ન હતા.</p><h2><b>જીતની હેટ્રીક માટે ભારતીય ટીમ તૈયાર&nbsp;</b></h2><p>વિમેન્સ જુનિયર એશિયા કપના સેમિફાઇનલ તબક્કામાં હવે ભારતીય ટીમનો મુકાબલો મલેશિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે રમાનારી ચોથી ક્વાર્ટર ફાઇનલ મેચના વિજેતા સામે થશે. આ ટૂર્નામેન્ટનો ગોલ્ડ મેડલ (ફાઇનલ) મુકાબલો 13 સપ્ટેમ્બરના રોજ યોજાશે. ભારતીય મહિલા ટીમ આ સ્પર્ધામાં સતત બે વખત ચેમ્પિયન બની ચૂકી છે, જેથી હવે 2026નું ટાઇટલ પણ પોતાના નામે કરીને ટાઇટલ જીતવાની ઐતિહાસિક હેટ્રિક પૂરી કરવાના દ્રઢ ઇરાદા સાથે ટીમ ઈન્ડિયા આગળ વધશે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/10/8eeQqaMrvJiGSuxRk1UfrLVIgSkTx3ztZcm7tMPY.webp'/></item></channel></rss>