<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Junagadhના ઉપરકોટ કિલ્લામાં દહેશત ફેલાવનાર દીપડો આખરે પાંજરે પુરાયો, પ્રવાસીઓ માટે કિલ્લો ખુલ્લો મુકાયો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/junagadh-uparkot-fort-leopard-captured-tourists-allowed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/junagadh-uparkot-fort-leopard-captured-tourists-allowed</guid><pubDate>Fri, 04 Sep 2026 17:03:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જૂનાગઢના ઐતિહાસિક અને પ્રખ્યાત ઉપરકોટ કિલ્લા પરિસરમાં છેલ્લા કેટલાક સમયથી ભયનો માહોલ સર્જનાર હિંસક દીપડો આખરે વહેલી સવારે પાંજરે પુરાઈ ગયો છે. દીપડાની હાજરીના કારણે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વનવિભાગ અને તંત્ર દ્વારા તાત્કાલિક પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. વહેલી સવારે દીપડો સફળતાપૂર્વક કેદ થઈ જતાં વનવિભાગ અને સ્થાનિક તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.</p><h2 style="text-align: justify; "><b>દહેશત દૂર થતાં જ સહેલાણીઓની ભીડ!&nbsp;</b></h2><p style="text-align: justify; ">દીપડો પાંજરે પુરાયા બાદ તંત્ર દ્વારા સિક્યોરિટી એલર્ટ દૂર કરવામાં આવ્યું હતું અને કિલ્લાને પ્રવાસીઓ માટે તાત્કાલિક ધોરણે ફરી ખોલી દેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ કિલ્લાના મુખ્ય દરવાજે સવારથી જ સહેલાણીઓની ભારે ભીડ જામી હતી. પ્રવાસીઓ માટે ભયમુક્ત અને સુરક્ષિત વાતાવરણ ઊભું થતાં લોકોએ રાહત અનુભવી હતી અને કિલ્લો જોવા માટે લાંબી લાઈનો જોવા મળી હતી.</p><h3 style="text-align: justify; "><b>રજાના દિવસે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પ્રવાસીઓને પ્રવેશ</b></h3><p style="text-align: justify; ">રજાનો દિવસ હોવાથી ઉપરકોટ કિલ્લા પર પ્રવાસીઓનો ભારે જમાવડો જોવા મળ્યો હતો, જેને પગલે તંત્ર દ્વારા સુરક્ષાના કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા હતા. વનવિભાગ અને પોલીસ ટીમે સમગ્ર પરિસરમાં સાવચેતીના ભાગરૂપે પેટ્રોલિંગ પણ જાળવી રાખ્યું હતું. ભયમુક્ત વાતાવરણ સર્જાતાં પ્રવાસીઓ પણ કોઈપણ ડર વગર ઐતિહાસિક કિલ્લાની મુલાકાતનો આનંદ માણતા નજરે પડ્યા હતા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/GyoVji9Iq2vrkkq1SdstLnRsi7XKR3TyP1DMjJ2q.webp'/></item><item><title><![CDATA[Old Song : 58 વર્ષ જૂનું જન્માષ્ટમીનું સૌથી વાયરલ ગીત, લતા મંગેશકરના અવાજમાં આજે પણ હિટ છે આ સદાબહાર ગીત! ]]></title><link>https://sandesh.com/entertainment/news/58-year-old-janmashtami-song-lata-mangeshkar</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/58-year-old-janmashtami-song-lata-mangeshkar</guid><pubDate>Fri, 04 Sep 2026 16:59:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કૃષ્ણ-રાધાની લીલા પર બોલીવુડ અનેક ગીતો બન્યા છે. તેમના પ્રેમને પડદા પર જે રીતે રજૂ કરવામાં આવ્યો છે, તેની કલ્પના કરતાં જ મનમાં પ્રેમની એક અલગ જ લાગણી જાગે છે. આજે અમે તમને 58 વર્ષ જૂના એવા જ એક ગીત વિશે જણાવીશું, જે જન્માષ્ટમી માટે એકદમ પરફેક્ટ છે.</p><h2 style="text-align: justify; "><b>પ્રેમની અતૂટ કહાની રજૂ કરવામાં આવી છે</b></h2><p style="text-align: justify; ">આ ગીત રાધા, કૃષ્ણ અને રુક્મિણીના પ્રેમ પર ફિલ્માવવામાં આવ્યું છે. અમે વાત કરી રહ્યા છીએ 1968માં આવેલી ફિલ્મ રાજા ઔર રંકના ગીત કન્હૈયા ઓ કન્હૈયાની. આ ગીત કૃષ્ણપ્રેમીઓના દિલમાં વસેલું છે. લગભગ 9 મિનિટ 58 સેકન્ડ લાંબું આ ગીત સત્યભામા, રુક્મિણી અને રાધાની લાગણીઓને એકસાથે રજૂ કરે છે.</p><h3 style="text-align: justify; "><b>કન્હૈયા ઓ કન્હૈયામાં રાધા-કૃષ્ણના પ્રેમની સુંદર ઝલક</b></h3><p style="text-align: justify; ">ગીતની લંબાઈ પ્રમાણે જોઈએ તો આ એક રીતે આખી ફિલ્મ જેવું લાગે છે. કન્હૈયા ઓ કન્હૈયા ગીતમાં રાધા અને કૃષ્ણ વચ્ચેના પવિત્ર પ્રેમ, તેમની તડપ અને દિલથી થતી પોકારની લાગણી ખૂબ જ સુંદર રીતે જોવા મળે છે. ગીતના શબ્દોમાં એવી લાગણી છે કે મન કહે છે હવે કૃષ્ણને ન બોલાવું, પરંતુ પ્રેમ અને આંખો તેમને દરેક ક્ષણે જોવા અને યાદ કરવાની જીદ કરે છે.</p><h4 style="text-align: justify; "><b>આનંદ બક્ષીએ લખ્યું હતું ગીત</b></h4><p style="text-align: justify; ">આ ગીત મન્ના ડે અને લતા મંગેશકરે ગાયું છે. ગીતના શબ્દો આનંદ બક્ષીએ લખ્યા છે, જ્યારે મહાન સંગીતકાર જોડી લક્ષ્મીકાંત-પ્યારેલાલે તેનું સંગીત આપ્યું છે. ફિલ્મમાં સંજીવ કુમાર, કુમકુમ અને માસ્ટર મહેશ કોઠારે જેવા કલાકારો જોવા મળ્યા હતા. રાજા ઔર રંકની કહાની માર્ક ટ્વેઇનની ધ પ્રિન્સ એન્ડ ધ પોપર પર આધારિત તેલુગુ ફિલ્મ રાજુ પેડાની રિમેક હતી. કોટૈયા પ્રત્યાગાત્માએ તેનું દિગ્દર્શન કર્યું હતું. ઓ કન્હૈયા આ ફિલ્મનું સૌથી લાંબું ગીત હતું. જન્માષ્ટમીના અવસરે યુટ્યુબ, ઘરો અને મંદિરોમાં આ ગીત ખૂબ વગાડવામાં આવે છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/bollywood-film-31-ghazals-72-songs-90-year-old-movie" target="_blank">આ પણ વાંચો-Historic Movie : એક જ ફિલ્મમાં 31 ગઝલો અને 72 ગીતો! 90 વર્ષ પછી પણ કોઈ નથી તોડી શક્યું આ મહારેકોર્ડ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/1xejBSyux8cb1YYE4zLwO9SJOiTzZHKBaEwPPMpw.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : ગર્લફ્રેન્ડ અને મોજશોખ માટે જ્વેલરી શોરૂમમાંથી સોના-ડાયમંડના દાગીનાની ચોરી, સેલ્સ એક્ઝિક્યુટિવ ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-palladium-mall-jewellery-showroom-theft-sales-executive-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-palladium-mall-jewellery-showroom-theft-sales-executive-arrested</guid><pubDate>Fri, 04 Sep 2026 16:44:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના થલતેજ એસજી હાઇવે પર આવેલા પેલેડિયમ મોલમાં આવેલી ‘ઓરા ફાઇન જ્વેલરી’માં થયેલી ચોરીનો ભેદ વસ્ત્રાપુર પોલીસે ઉકેલી કાઢ્યો છે. શોરૂમમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતો દર્શન અશ્વિન સોની જ ચોરીનો આરોપી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે રૂ. 5,90,242ના સોના અને ડાયમંડના દાગીનાની ચોરીના આરોપસર તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.</p><h2 style="text-align: justify; "><b>‘બેગ ભૂલી ગયો છું’ કહી મેળવી ચાવી</b></h2><p style="text-align: justify; ">17 ઓગસ્ટના રોજ જ્વેલરી શોરૂમમાં ચોરીની ઘટના બની હતી. આરોપી છેલ્લા 10 મહિનાથી શોરૂમમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતો હતો. પોલીસે કરેલી તપાસ મુજબ, દર્શન સોનીએ પોતાના સાથી કર્મચારીને ‘બેગ ભૂલી ગયો છું’ તેવું બહાનું આપીને શોરૂમની ચાવી મેળવી હતી. ચાવી મળ્યા બાદ આરોપીએ રાત્રિના સમયે શોરૂમ ખોલી અંદરથી સોના અને ડાયમંડના દાગીનાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>ચોરી બાદ નોકરી છોડી મોજશોખમાં ફર્યો</b></h3><p style="text-align: justify; ">ચોરીની ઘટના બાદ આરોપી ફરી નોકરી પર ગયો નહોતો અને અલગ-અલગ સ્થળોએ ફરવા જઈ મોજશોખ કરતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ગર્લફ્રેન્ડ અને મોજશોખ પાછળ નાણાંની જરૂરિયાત હોવાથી ચોરીનો પ્લાન બનાવ્યો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>કેટલાક દાગીના માણેકચોકમાં આપ્યાની વિગતો</b></h3><p style="text-align: justify; ">તપાસ દરમિયાન આરોપીએ ચોરી કરેલા કેટલાક દાગીના માણેકચોકના એક વ્યક્તિને આપ્યા હોવાનું સામે આવ્યું છે. હવે પોલીસે આ દાગીના કોને, કયા હેતુથી અને કઈ રીતે આપવામાં આવ્યા તેની તપાસ શરૂ કરી છે. ચોરીનો મુદ્દામાલ રિકવર કરવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.</p><h4 style="text-align: justify; "><b>અગાઉ 13 જેટલા ગુના નોંધાયેલા</b></h4><p style="text-align: justify; ">આરોપી મૂળ પાટણનો અને હાલ અમદાવાદના વ્યાસવાડી વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. તે ધોરણ 12 સુધી અભ્યાસ કરેલો છે. પોલીસ તપાસમાં આરોપી સામે અગાઉ અલગ-અલગ પ્રકારના આશરે 13 જેટલા ગુના નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. વસ્ત્રાપુર પોલીસે આરોપીની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp; :&nbsp; &nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/supreme-court-gujarat-seized-vehicle-interim-release-prohibition-truck-case" target="_blank"><b>Supreme Courtનો મોટો નિર્ણય, દારૂ તસ્કરીમાં જપ્ત વાહન વર્ષો સુધી સડશે નહીં, 15 લાખની શરતે ટ્રક છોડવાનો આદેશ</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/COmwYNtvlQuxm02nI1o25fXVpgyyxyDp3hyHoeVT.webp'/></item><item><title><![CDATA[Una-તુલસીશ્યામ રોડ પર ગમખ્વાર અકસ્માત: કારે બાઈકને અડફેટે લેતાં બે યુવાનોના મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/una/una-tulsishyam-road-accident-two-youths-killed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/una/una-tulsishyam-road-accident-two-youths-killed</guid><pubDate>Fri, 04 Sep 2026 16:40:35 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગીર સોમનાથ જિલ્લાના ઉના-તુલસીશ્યામ રોડ પર તહેવારના માહોલ વચ્ચે એક અત્યંત કરૂણ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કંસારી ગામ નજીક પુરપાટ ઝડપે આવતી કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા આ ભીષણ અકસ્માતમાં બે આશાસ્પદ યુવાનોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે. તહેવારોના દિવસોમાં જ બનેલી આ કાળજું કંપાવી દેનારી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે સપોટો બોલાઈ ગયો છે.</p><h2 style="text-align: justify; "><b style="font-size: 2rem;">તહેવારના દિવસે જ ભડીયાદર ગામમાં છવાયો માતમ!</b></h2><p style="text-align: justify; ">ભડીયાદર ગામના રહેવાસી કુલદીપ (ઉંમર 17 વર્ષ) અને જીગર (ઉંમર 21 વર્ષ) નામના બંને યુવાનો તહેવાર નિમિત્તે પોતાના બાઈક પર સવાર થઈને ઉના તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન કંસારી ગામ નજીક સામેથી આવી રહેલી એક કારે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો વિકરાળ હતો કે બંને યુવાનોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમણે સ્થળ પર જ દમ તોડી દીધો હતો. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક પોતાની કાર ઘટનાસ્થળે જ મૂકીને નાસી છૂટ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>ગામમાં શોકનું મોજું, પોલીસે તપાસ હાથ ધરી</b></h3><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં જ ઉના પોલીસનો કાફલો ત્વરિત બનાવ સ્થળે દોડી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોને કબ્જે કરીને પીએમ અર્થે ઉનાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. તહેવારના સમયે જ ગામના બે બેનમૂન યુવાનોના અકાળે મોત થતાં ભડીયાદર ગામમાં અરેરાટી સાથે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે ઘટનાસ્થળેથી કાર કબ્જે કરીને ફરાર થઈ ગયેલા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/BIpQoOTzpn13fVgLHhxqHHeEofw4mG1e4mbLG4Zt.webp'/></item><item><title><![CDATA[Bhavnagar એસ.ટી. બસ સ્ટેન્ડમાં યુવતીની ઘાતકી હત્યા કરનાર લિસ્ટેડ ગુનેગારની ગણતરીના કલાકોમાં ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/bhavnagar-st-bus-stand-kajalben-baraiya-murder-accused-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/bhavnagar-st-bus-stand-kajalben-baraiya-murder-accused-arrested</guid><pubDate>Fri, 04 Sep 2026 16:15:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભાવનગર શહેરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડ પરિસરમાં ગઈકાલે એક ચોંકાવનારી અને હૃદયકંપાવનારી ઘટના સામે આવી હતી. એક શખ્સે નિર્દયતાપૂર્વક ઢોર માર મારીને કાજલબેન બારૈયા નામની યુવતીની નિર્મમ હત્યા કરી નાખી હતી. જાહેર સ્થળ પર બનેલી આ સનસનાટીભરી ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા હતા, જેના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને ગણતરીની કલાકોમાં જ ગિરફ્તાર કરી લીધો છે.</p><h2 style="text-align: justify; "><b>જેલમાંથી જામીન પર છોડાવનાર યુવતીની જ હત્યા</b></h2><p style="text-align: justify; ">પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે ઝડપાયેલ આરોપી ફૈઝાન ઉર્ફે ખાટકી લાખાણી પોલીસ ચોપડે લિસ્ટેડ ગુનેગાર છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે મૃતક કાજલબેન બારૈયાએ જ માત્ર આઠ દિવસ પહેલાં ફૈઝાનને જેલમાંથી જામીન પર મુક્ત કરાવ્યો હતો. જે વ્યક્તિએ તેને જેલમાંથી બહાર લાવવામાં મદદ કરી હતી, તેની જ આરોપીએ કોઈ અગમ્ય કારણોસર ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખતાં પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.</p><h3 style="text-align: justify; "><b>મૃતકની માતાની ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધ્યો</b></h3><p style="text-align: justify; ">આ કાળજું કંપાવી દેનારી ઘટના બાદ મૃતકની માતાએ તાત્કાલિક નીલમબાગ પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. તેમણે ફૈઝાન લાખાણી નામના નરાધમ વિરુદ્ધ દીકરીની હત્યાનો સત્તાવાર ગુનો દાખલ કરાવ્યો હતો. ફરિયાદના આધારે નીલમબાગ પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને હત્યા પાછળનું સાચું કારણ જાણવા માટે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/lUlp3ztPhxZaLeSUVABihIX8A2GGu6agWu0MO6Fc.webp'/></item><item><title><![CDATA[America માં ડીઝલના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, જોરદાર નફો કમાવી રહી છે કંપનીઓ ]]></title><link>https://sandesh.com/world/news/business/us-diesel-prices-record-high-war-inflation</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/business/us-diesel-prices-record-high-war-inflation</guid><pubDate>Fri, 04 Sep 2026 15:43:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમેરિકામાં હાલમાં ડીઝલના ભાવ અત્યંત ઊંચા સ્તરે પહોંચી ગયા છે, જ્યારે બીજી તરફ ઇંધણનો સ્ટોક અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે નોંધાયો છે, જેના કારણે બજારમાં કંપનીઓ મોટો નફો કમાઈ રહી છે. ઈરાન અને યુક્રેનમાં ચાલી રહેલા સૈન્ય સંઘર્ષો અને યુદ્ધોને કારણે વૈશ્વિક સ્તરે સપ્લાય ચેઈનમાં મોટો વિક્ષેપ સર્જાયો છે, જેના પરિણામે ડીઝલના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. આ પરિસ્થિતિને કારણે અમેરિકામાં ઇંધણના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે અને ઓગસ્ટ મહિનામાં ડીઝલનો સ્ટોક તળિયે જતો રહ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>યુદ્ધ અને સપ્લાયમાં વિક્ષેપને કારણે ઇંધણની અછત</b></h2><p style="text-align: justify; ">મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ, ઇંધણ કિંમત ટ્રેકિંગ સેવા ગેસબડીના આંકડાઓ દર્શાવે છે કે યુએસમાં ડીઝલનો રાષ્ટ્રીય સરેરાશ ભાવ વધીને પ્રતિ ગેલન ૫.૮૨૦ ડૉલર પર પહોંચી ગયો છે. અગાઉ આટલો ઊંચો રેકોર્ડ ૧૭ જૂન, ૨૦૨૨ ના રોજ નોંધાયો હતો, જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધની શરૂઆતમાં ભાવ ૫.૮૧૯ ડૉલર પ્રતિ ગેલન સુધી ગયા હતા. ઉલ્લેખનીય છે કે એક ગેલન એટલે કે આશરે ૩.૭૮૫ લિટર થાય છે, જે ગણતરી મુજબ હાલમાં એક લિટર ડીઝલની કિંમત લગભગ ૧.૫૩ ડૉલર જેટલી થાય છે.</p><h3 style="text-align: justify; "><b>વર્તમાન વર્ષ ડીઝલ માટે બની શકે છે સૌથી મોંઘું</b></h3><p style="text-align: justify; ">છેલ્લા કેટલાક સમયથી ડીઝલના સરેરાશ ભાવ પ્રતિ ગેલન પાંચ ડૉલરથી ઉપર જ રહેલા છે. બજારના નિષ્ણાતો અને ઉદ્યોગ નિરીક્ષકો એવી આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે વર્તમાન વર્ષ અમેરિકાના ઇતિહાસમાં ડીઝલ માટે સૌથી મોંઘું સાબિત થઈ શકે છે. આગામી સમયમાં મોસમી માંગને કારણે ભાવમાં વધુ વધારો થવાની પૂરી શક્યતા છે, કારણ કે લણણી અને વાવણીની તૈયારીઓ ટાણે ડીઝલનો વપરાશ અને માંગ વધુ વધતી હોય છે. આ ઉપરાંત, શિયાળાની ઋતુ નજીક આવતા હીટિંગ ઓઈલની માંગ પણ વધશે.</p><h4 style="text-align: justify; "><b>મોસમી માંગ અને મોંઘવારીની અર્થતંત્ર પર અસર</b></h4><p style="text-align: justify; ">ડીઝલના આ વધતા ભાવ માત્ર પરિવહન જ નહીં, પરંતુ સમગ્ર ઉત્પાદન અને કૃષિ ખર્ચમાં મોટો વધારો કરશે, જેની સીધી અસર આખરે ખાદ્ય પદાર્થો અને રોજિંદી ચીજવસ્તુઓની કિંમતો પર પડવાની સંભાવના છે. ઈરાન સાથેના સંઘર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં ડીઝલના ભાવમાં આશરે ૫૫ ટકાનો જંગી વધારો થઈ ચૂક્યો છે, જે વૈશ્વિક સ્તરે ઊંડું ચિંતાજનક છે. નિષ્ણાતોના મતે ગલ્ફ ક્ષેત્રમાંથી થતી ઇંધણની આપલે પ્રભાવિત થવાથી અમેરિકામાં ડીઝલ રિફાઇનિંગ માર્જિન પણ રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે.<br><br><b><a href="https://sandesh.com/lifestyle/news/skin-tips-diy-cucumber-face-mist-glowing-skin" target="_blank">આ પણ વાંચોઃ&nbsp; Skin Tips: ચહેરાની ખોવાયેલી ચમક પાછી મળશે માત્ર કાકડીથી, જાણો કેવી રીતે ઘરે બનશે ફેસ મિસ્ટ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/wWrNOxJkqOs056SoPvOF2HUl1B1Bxvalzq831Bur.webp'/></item><item><title><![CDATA[SIR: "મિત્ર, તું એકલો નથી...", ડ્રાફ્ટ મતદાર યાદીમાં નથી રાઘવ ચઢ્ઢાનું નામ, ચિદમ્બરમે કર્યો કટાક્ષ ]]></title><link>https://sandesh.com/india/news/p-chidambaram-raghav-chadha-voter-list-shifted-punjab-sir-draft-row</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/p-chidambaram-raghav-chadha-voter-list-shifted-punjab-sir-draft-row</guid><pubDate>Fri, 04 Sep 2026 15:40:01 +05:30</pubDate><description><![CDATA[<p>SIR: કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના સાંસદ રાઘવ ચઢ્ઢા પર કટાક્ષ કર્યો. પંજાબના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ડ્રાફ્ટ મતદાર યાદીમાં ચઢ્ઢાનું નામ 'શિફ્ટ' તરીકે ચિહ્નિત થયા પછી ચિદમ્બરમે તેમને "ભારતમાં મતદાન ન કરનાર નાગરિક" તરીકે ઓળખાવ્યા.</p><p><br></p><p>સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે કહ્યું, "ગઈકાલે, મેં મારા મિત્ર શ્રી રાઘવ ચઢ્ઢાને ભારતના મતદાન ન કરનાર નાગરિક બનવા બદલ અભિનંદન આપ્યા! તેઓ એકલા નથી. ભારતના ચૂંટણી પંચ દ્વારા ભારતની પુખ્ત વસ્તીના સંપૂર્ણ 10 ટકા લોકોને મતદાન ન કરનાર નાગરિક જાહેર કરવામાં આવ્યા છે."</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PChidambaram_IN/status/2095683782477328526"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><br></p><h3><b>રાઘવ ચઢ્ઢાએ રાજકીય બદલો લેવાનો આરોપ લગાવ્યો</b></h3><p>રાઘવ ચઢ્ઢાએ પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP) સરકાર પર રાજકીય બદલો લેવાનો આરોપ લગાવ્યો છે. ચઢ્ઢાએ જણાવ્યું હતું કે તેઓ પંજાબથી રાજ્યસભાના વર્તમાન સાંસદ છે અને તેમનું મતદાર ID મોહાલીમાં નોંધાયેલું છે. આમ છતાં, ડ્રાફ્ટ મતદાર યાદીમાં તેમના નામ સામે 'શિફ્ટ' શબ્દ ચિહ્નિત કરવામાં આવ્યો છે.</p><p><br></p><p>રાઘવ ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પર કહ્યું, "સદભાગ્યે, આ ફક્ત ડ્રાફ્ટ મતદાર યાદીઓ છે, અંતિમ નહીં. હાલમાં ચાલી રહેલી 'દાવાઓ અને વાંધા' પ્રક્રિયા દરમિયાન નામો સુધારવામાં આવે છે. અંતિમ મતદાર યાદી ઓક્ટોબર 2026 માં પ્રકાશિત થશે. આ રાજકીય બદલો લેવાનો કેસ લાગે છે." ચઢ્ઢાએ આરોપ લગાવ્યો કે પંજાબ સરકારની પોલીસ અને વહીવટી તંત્રે ભાજપમાં જોડાયેલા આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ ધારાસભ્યોને પણ નિશાન બનાવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે "ભ્રષ્ટ" પક્ષ છોડ્યા ત્યારથી આમ આદમી પાર્ટીનું નેતૃત્વ ગુસ્સાથી ભડકી રહ્યું છે. તેમણે કહ્યું, "તેણે પંજાબ પોલીસ અને પંજાબ સરકારના વહીવટી તંત્રને અમારા જેવા લોકો સામે મુક્ત કરી દીધું છે જેમણે ચૂપ રહેવાનો ઇનકાર કર્યો હતો."</p><p><br></p><h4><b>AAP આરોપોને ફગાવી દે છે</b></h4><p>રાઘવ ચઢ્ઢાના આરોપોના જવાબમાં, પંજાબ સરકાર અને આમ આદમી પાર્ટીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે SIR પ્રક્રિયા ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવે છે અને રાજ્ય સરકાર તેમાં કોઈ ભૂમિકા ભજવતી નથી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે ચઢ્ઢા દિલ્હીમાં રહે છે, અને જો તેઓ પંજાબમાં રહેતા નથી, તો તેમની મતદાર નોંધણી જાળવવાની અથવા ટ્રાન્સફર કરવાની જવાબદારી તેમની છે. પાર્ટીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે ચઢ્ઢા દિલ્હીના રાજિન્દર નગર વિધાનસભા મતવિસ્તાર માટે તેમની મતદાર નોંધણી જૂની તારીખે કરાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.</p><p><br></p><p>પંજાબમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ને લગતો વિવાદ વધતો જ રહ્યો છે. ભાજપના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા પછી પટિયાલાના કોંગ્રેસના સાંસદ ધર્મવીર ગાંધીએ હવે દાવો કર્યો છે કે SIR હેઠળ બહાર પાડવામાં આવેલી ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી તેમનું અને તેમના પરિવારના સભ્યોનું નામ ગાયબ હતું. જો કે, અધિકારીઓએ આ માટે ટેકનિકલ ખામીને જવાબદાર ગણાવી હતી અને ધર્મવીર ગાંધીનું નામ પાછળથી યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું.</p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/ram-mandir-ceo-air-marshal-jitendra-mishra-retired-ayodhya-trust-first-meeting" target="_blank"><b>Ram Mandir: સમજી રહ્યો છું... અયોધ્યા રામ મંદિરના CEOએ જણાવી આગળની રણનીતિ</b></a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/Df3siBBCZQzVyH6CJrJtqzo5NnRol61YS3tYb21v.webp'/></item><item><title><![CDATA[Sofia Qureshi controversy: વિજય શાહ સામે કેસ ચલાવવાની મંજૂરી કેમ નથી? જાણો 3 કાયાદાકીય પેચ ]]></title><link>https://sandesh.com/india/news/sofia-qureshi-controversy-why-is-there-no-permission-to-prosecute-vijay-shah-know-3-legal-patches</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/sofia-qureshi-controversy-why-is-there-no-permission-to-prosecute-vijay-shah-know-3-legal-patches</guid><pubDate>Fri, 04 Sep 2026 15:38:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મે 2025માં આ મામલો સામે આવ્યા બાદ મધ્ય પ્રદેશ હાઈકોર્ટે સ્વતઃ સંજ્ઞાન લઈને પોલીસને FIR નોંધવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો અને તપાસ માટે ત્રણ સભ્યોની વિશેષ તપાસ ટીમ એટલે કે SITની રચના કરવામાં આવી હતી. હવે SITએ તપાસ પૂર્ણ કરીને અભિયોજનની મંજૂરી માગી હતી, પરંતુ મધ્ય પ્રદેશ સરકારે આ મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. આ નિર્ણય બાદ સવાલ ઊભો થયો છે કે સરકાર પાસે આ માટે કયા કાનૂની આધાર છે?</p><h2 style="text-align: justify; "><b>વિવાદિત નિવેદનથી શરૂ થયો સમગ્ર મામલો</b></h2><p style="text-align: justify; ">મે 2025માં ઓપરેશન સિંદૂર દરમિયાન મહૂમાં યોજાયેલા એક કાર્યક્રમમાં વિજય શાહે એવું નિવેદન આપ્યું હતું, જેમાં ‘આતંકવાદીઓની બહેન’ જેવા શબ્દોનો ઉપયોગ થયો હતો. આ નિવેદનને ઓપરેશન સિંદૂરની મીડિયા બ્રીફિંગમાં સામેલ રહેલી કર્નલ સોફિયા કુરેશી સાથે જોડવામાં આવ્યું હતું. નિવેદન સામે ભારે વિરોધ થયો અને મામલો કાનૂની કાર્યવાહી સુધી પહોંચ્યો.</p><p style="text-align: justify; ">મધ્ય પ્રદેશ હાઈકોર્ટે આ મામલે સ્વતઃ સંજ્ઞાન લઈને પોલીસને FIR નોંધવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 152, 196 અને 197 હેઠળ કેસ નોંધવામાં આવ્યો. આગળ જઈને સુપ્રીમ કોર્ટે તપાસ માટે ત્રણ સભ્યોની SITની રચના કરાવી હતી.</p><h3 style="text-align: justify; "><b>BNSની કલમ 196 કેમ મહત્વની?</b></h3><p style="text-align: justify; ">આ કેસમાં સૌથી મહત્વની જોગવાઈ BNSની કલમ 196(1)(a) છે. આ કલમ એવા કૃત્યો સાથે સંબંધિત છે, જે ધર્મ, જાતિ, જન્મસ્થળ, નિવાસ, ભાષા, સમુદાય અથવા અન્ય આધાર પર અલગ-અલગ જૂથો વચ્ચે દુશ્મની, નફરત અથવા વૈમનસ્યની લાગણી ઊભી કરે અથવા તેને પ્રોત્સાહન આપે.</p><p style="text-align: justify; ">SITએ તપાસ દરમિયાન આ જોગવાઈને ધ્યાનમાં રાખીને કાર્યવાહી આગળ વધારી હતી. તપાસ પૂર્ણ થયા બાદ હવે આરોપી સામે અભિયોજન ચલાવવા માટે જરૂરી મંજૂરીનો મુદ્દો સામે આવ્યો.</p><h4 style="text-align: justify; "><b>BNSSની કલમ 217માં છે મુખ્ય કાનૂની પેચ</b></h4><p style="text-align: justify; ">આ કેસમાં માત્ર BNSની કલમ જ નહીં, પરંતુ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 217 પણ મહત્વપૂર્ણ બની જાય છે. આ જોગવાઈ હેઠળ BNSની કલમ 196 હેઠળના કેટલાક ગુનાઓમાં કોર્ટ દ્વારા સંજ્ઞાન લેવામાં આવે તે પહેલાં કેન્દ્ર અથવા રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી જરૂરી હોય છે.</p><p style="text-align: justify; ">અર્થાત્, SIT તપાસ પૂર્ણ કરી શકે છે, પુરાવા એકત્ર કરી શકે છે અને અભિયોજન માટે ભલામણ કરી શકે છે, પરંતુ કોર્ટમાં કેસ આગળ વધારવા માટે જરૂરી સરકારી મંજૂરી એક અલગ કાનૂની પ્રક્રિયા છે.</p><h4 style="text-align: justify; "><b>સરકારે મંજૂરી કેમ નકારી?</b></h4><p style="text-align: justify; ">રાજ્ય સરકારનો કાનૂની તર્ક એ છે કે સંબંધિત જોગવાઈ હેઠળ કોર્ટ દ્વારા સંજ્ઞાન લેવા માટે સરકારની પૂર્વ મંજૂરી જરૂરી છે. સરકારને જો એવું લાગે કે કાયદાની જરૂરી શરતો પૂર્ણ થતી નથી અથવા ઉપલબ્ધ સામગ્રીના આધારે આ કલમ હેઠળ અભિયોજન આગળ વધારવા યોગ્ય આધાર નથી, તો તે મંજૂરી ન આપવાનો નિર્ણય લઈ શકે છે.</p><p style="text-align: justify; ">આથી SITની તપાસ પૂર્ણ થઈ હોવા છતાં કેસ આપમેળે ટ્રાયલ સુધી પહોંચી જાય એવું નથી. હવે સરકારના મંજૂરી ન આપવાના નિર્ણયને લઈને કાનૂની ચર્ચા વધુ મહત્વપૂર્ણ બની છે. મામલો આગળ કઈ દિશામાં જશે અને અદાલતો આ કાનૂની પેચને કેવી રીતે જુએ છે, તેના પર સૌની નજર રહેશે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/iB4rNl7tJPVEc8k7pbzOdd8ogw2DLKsmxkMenjuc.webp'/></item><item><title><![CDATA[Vadodara: ગુજસીટોક સહિત 75 ગુનાનો આરોપી કુખ્યાત હિસ્ટ્રીશીટર હુસેન સુન્ની ઝડપાયો, રૂ. 1.50 લાખનું MD ડ્રગ્સ જપ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/crime-branch-arrests-history-sheeter-hussein-sunni-md-drugs-seized</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/crime-branch-arrests-history-sheeter-hussein-sunni-md-drugs-seized</guid><pubDate>Fri, 04 Sep 2026 15:34:50 +05:30</pubDate><description><![CDATA[<p>વડોદરા શહેરમાં ગુનાખોરી આચરતા માથાભારે તત્વો સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે લાલ આંખ કરી છે. શહેરના અત્યંત કુખ્યાત અને જામીન પર છૂટ્યા બાદ સતત ગુનાહિત પ્રવૃત્તિઓમાં લિપ્ત રહેતા હિસ્ટ્રીશીટર હુસેન સુન્નીને ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. હુસેન સુન્ની નાર્કોટિક્સ (NDPS) ના કેસમાં લાંબા સમયથી નાસતો-ફરતો હતો.</p><h2><b>ગુજસીટોક સહિત 75 ગુનાનો આરોપી કુખ્યાત હિસ્ટ્રીશીટર ઝડપાયો</b></h2><p>ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક્કસ માહિતીના આધારે દરોડો પાડી હુસેન સુન્ની અને તેના સાથી મનોજ ત્રિવેદીની ધરપકડ કરી હતી. તલાશી દરમિયાન તેમની પાસેથી રૂ. 1,50,000થી વધુ કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે ડ્રગ્સ અને અન્ય મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.ઝડપાયેલા હુસેન સુન્નીનો ગુનાહિત ઇતિહાસ અત્યંત ભયાનક છે. તેના પર વડોદરા શહેર અને આસપાસના વિસ્તારમાં ગુજસીટોક (GCTOC), શરીર સંબંધી ગુના, લૂંટ, ધાકધમકી, ખંડણી અને અસામાજિક પ્રવૃત્તિઓ સહિત કુલ 75 થી વધુ ગુનાઓ નોંધાયેલા છે.</p><h3><b>વડોદરામાં ડ્રગ્સ અને ગુનેગારો સામે પોલીસની કાર્યવાહી</b></h3><p>હુસેન સુન્નીની અસામાજિક પ્રવૃત્તિઓને લીધે પોલીસે અગાઉ 8 વખત તેના પર પાસા (PASA) પાડી જુદી જુદી જેલોમાં મોકલી આપ્યો હતો. સંગઠિત ગુનાખોરી અટકાવવા માટે તેની સામે ગુજસીટોકનો ગુનો પણ દાખલ કરવામાં આવેલો છે.NDPS ના ગુનામાં વોન્ટેડ હોવા છતાં તે ફરીથી એમડી ડ્રગ્સના નેટવર્કમાં સક્રિય થતાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે તેને જેલ ભેગો કરી કાયદાનું ભાન કરાવ્યું છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/political-news/sonia-gandhi-autobiography-sonia-gandhis-autobiography-belonging-a-journey-of-love-to-be-released-on-november-10" target="_blank">આ પણ વાંચો: પેંગ્વિન દ્વારા ઇનકાર કર્યા બાદ, Sonia Gandhiની આત્મકથા હવે HarperCollins India કરશે પ્રકાશિત</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/JLOFPGA9xifplxhcO51EEyLykJ90sA35lO9wpEoT.webp'/></item><item><title><![CDATA[Asian Games 2026: નીરજ ચોપરાના રિપ્લેસમેન્ટની જાહેરાત, આ સ્ટારને મળ્યું સ્થાન ]]></title><link>https://sandesh.com/sports/news/neeraj-chopra-out-yashvir-singh-asian-games</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/neeraj-chopra-out-yashvir-singh-asian-games</guid><pubDate>Thu, 03 Sep 2026 18:11:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">એશિયન ગેમ્સ 19 સપ્ટેમ્બરથી જાપાનમાં શરૂ થવાની છે. ભારતીય ટીમને તાજેતરમાં મોટો ઝટકો લાગ્યો છે. ઈજાને કારણે બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા અને સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરા 2026 સીઝનની બાકીની બધી સ્પર્ધાઓમાંથી બહાર થઈ ગયો છે. તેને સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરી. ફેન્સને આશા હતી કે તે ગોલ્ડ જીતશે.&nbsp;</p><p style="text-align: justify;">પરંતુ એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ ત્યારબાદ એક નિવેદનમાં જાહેરાત કરી હતી કે તેઓ ટૂંક સમયમાં નીરજના રિપ્લેસમેન્ટની જાહેરાત કરશે. હવે તે ખેલાડીનું નામ જાહેર કરવામાં આવ્યું છે.</p><h2 style="text-align: justify;"><b>નીરજ ચોપરાનું સ્થાન કોણ લેશે?</b></h2><p style="text-align: justify;">ઈજા છતાં નીરજ ચોપરાએ તાજેતરની કેટલીક સ્પર્ધાઓમાં સારું પ્રદર્શન કર્યું. તેને કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો. નીરજના સાથી અને પ્રખ્યાત ભાલા ફેંકનાર યશવીર સિંહે કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. હવે તેને તેનું ઈનામ મળી ગયું છે. યશવીર એશિયન ગેમ્સમાં નીરજનું સ્થાન લેશે. યશવીરને એક મોટી તક મળી છે. તે એશિયન ગેમ્સમાં અજાયબીઓ કરી શકે છે.</p><p style="text-align: justify;">એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બહાદુર સિંહ સાગુએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "અમે એશિયન ગેમ્સ માટે નીરજ ચોપરાની જગ્યાએ યશવીર સિંહને સામેલ કર્યો છે. તેને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યો હતો. નીરજ હાલમાં ઘાયલ છે. તેની ઈજાને કારણે આ ફેરફાર કરવામાં આવ્યો છે. યશવીરના આવવામાં કોઈ સમસ્યા નહોતી."</p><h3 style="text-align: justify;"><b>યશવીર સિંહની સિઝન શાનદાર રહી&nbsp;</b></h3><p style="text-align: justify;">યશવીર સિંહે કોમનવેલ્થ ગેમ્સ  2026માં બ્રોન્ઝ મેડલ જીતીને બધાનું દિલ જીતી લીધું હતું. આ પછી તેની ખૂબ ચર્ચા થઈ હતી. તેને ત્યાં પણ પોતાનું બેસ્ટ પ્રદર્શન કર્યું. યશવીરે 85.41 મીટરનો થ્રો ફેંક્યો. કાશીનાથ નાયક (2010) અને નીરજ (2018, 2026) પછી તે કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનાર ત્રીજો ભારતીય છે.</p><p style="text-align: justify;">2026નું વર્ષ તેમના માટે શાનદાર રહ્યું છે. તેને 8 ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો, જેમાંથી 6માં 80 મીટરથી વધુ થ્રો ફેંક્યા હતા. હવે, બધાની નજર યશવીર પર રહેશે. નીરજના સ્થાને સામેલ થવાથી તેના પર પણ દબાણ આવશે. તે 2026 કોમનવેલ્થ ગેમ્સમાં પોતાના પ્રદર્શનનું કમબેક કરવા અને ભારત માટે મેડલ લાવવા માગશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/bcci-meeting-rohit-sharma-odi-future" target="_blank">Rohit Sharmaના ક્રિકેટ કરિયર અને 2027ના ODI વર્લ્ડકપને લઈને ચર્ચા, BCCI મોટો નિર્ણય લેવા માટે તૈયાર</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/pnZfVXFfDbiVeUTCGLZBXQLYtouFoYzTiWb82QVE.webp'/></item></channel></rss>