<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Surat News : JBM ને રૂ.21 કરોડ અને હંસા ટ્રાવેલ્સને રૂ.50 લાખનો દંડ! BRTS એજન્સીઓ સામે લાલ આંખ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-smc-cracks-down-on-brts-bus-operators--issues--21-cr-notice-to-jbm-agency</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-smc-cracks-down-on-brts-bus-operators--issues--21-cr-notice-to-jbm-agency</guid><pubDate>Fri, 11 Sep 2026 11:50:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરમાં જાહેર પરિવહન સેવા એવી BRTS બસોના સંચાલનમાં ચાલતી ગંભીર બેદરકારી સામે સુરત મહાનગરપાલિકા (SMC) એ આકરું વલણ અપનાવ્યું છે. બસ સમયસર ન ચાલવી, નિયત ટ્રીપો કરતાં ઓછી ટ્રીપ મારવી અને વારંવાર થતા બ્રેકડાઉનને કારણે મુસાફરોને ભારે આર્થિક અને સમયની હાલાકી ભોગવવી પડતી હતી. આ મામલે સતત ફરિયાદો મળતાં ડેપ્યુટી કમિશનર સ્મિત લોઢાએ તાત્કાલિક ધોરણે એક્શન મોડમાં આવીને બસ સંચાલક એજન્સીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.</p><h2 style="text-align: justify; "><b>JBM, હંસા ટ્રાવેલ્સ અને ઇવે ટ્રાન્સને કરોડોના દંડની નોટિસ</b></h2><p style="text-align: justify; ">મનપાના ડેપ્યુટી કમિશનર સ્મિત લોઢા દ્વારા નિયમોનો અનાદર કરનારી ત્રણ મુખ્ય ઓપરેટર એજન્સીઓને કારણ દર્શક (Show Cause) નોટિસ પાઠવવામાં આવી છે. જેમાં સૌથી મોટી કાર્યવાહી કરતા JBM એજન્સીને રૂ. 21 કરોડના દંડની નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત હંસા ટ્રાવેલ્સ એજન્સીને રૂ. 50 લાખ અને ઇવે ટ્રાન્સ એજન્સીને રૂ. 1.90 લાખના દંડની નોટિસ પાઠવી જવાબ તલબ કરવામાં આવ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>લોકોની હાલાકી દૂર કરવા તંત્ર કટિબદ્ધ, કડક ચેતવણી</b></h3><p style="text-align: justify; ">સુરત શહેરના લાખો નાગરિકો દૈનિક ધોરણે BRTS સેવાઓનો ઉપયોગ કરે છે. એજન્સીઓની ઘોર બેદરકારીના કારણે સવાર-સાંજ નોકરી-ધંધે જતા સામાન્ય મુસાફરો અટવાઈ પડતા હતા. મનપા તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે ભવિષ્યમાં પણ જો બસ સેવાઓના સંચાલનમાં આવી બેદરકારી કે ખામી જોવા મળશે તો આનાથી પણ વધુ કડક પગલાં લેવામાં આવશે, જેથી નાગરિકોને સુવ્યવસ્થિત અને સમયસર પરિવહન સેવા મળી રહે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/nationwide-bank-strike-for-5-day-work-week--75-000-employees-join-in-gujarat---15-000-cr-transactions-hit" target="_blank">Bank Strike : 5-ડે વર્કિંગ માટે બેન્ક કર્મચારીઓનો હલ્લાબોલ, ગુજરાતમાં રૂ.15,000 કરોડના વ્યવહારો થંભ્યા, ગ્રાહકો હેરાન</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/dn0B1yS8R79hqxtlLq0ZTrIHtkIV72cf1BWMQxix.webp'/></item><item><title><![CDATA[Bank Strike : 5-ડે વર્કિંગ માટે બેન્ક કર્મચારીઓનો હલ્લાબોલ, ગુજરાતમાં રૂ.15,000 કરોડના વ્યવહારો થંભ્યા, ગ્રાહકો હેરાન ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/nationwide-bank-strike-for-5-day-work-week--75-000-employees-join-in-gujarat---15-000-cr-transactions-hit</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/nationwide-bank-strike-for-5-day-work-week--75-000-employees-join-in-gujarat---15-000-cr-transactions-hit</guid><pubDate>Fri, 11 Sep 2026 11:39:28 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આજે દેશભરની સરકારી બેન્કોના કર્મચારીઓએ 5-ડે વીક (અઠવાડિયામાં 5 દિવસ કામ)ની મુખ્ય માંગ સાથે દેશવ્યાપી હડતાળ પાડી છે. પોતાની લાંબા સમયથી પડતર માંગણીઓને લઈને બેન્ક કર્મચારીઓએ સરકાર સામે વિરોધનો મોરચો માંડ્યો છે. આ હડતાળના કારણે દેશભરમાં બેન્કિંગ સેવાઓ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે, જેને કારણે સામાન્ય નાગરિકો, વેપારીઓ અને ઉદ્યોગકારોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>ગુજરાતમાં 75 હજાર કર્મચારીઓ જોડાયા</b></h2><p style="text-align: justify; ">આ દેશવ્યાપી વિરોધ પ્રદર્શનમાં ગુજરાતના આશરે 75 હજાર બેન્ક કર્મચારીઓ સક્રિયપણે જોડાયા છે. હડતાળના આહવાનને પગલે માત્ર ગુજરાતમાં જ આશરે રૂ. 15,000 કરોડના નાણાકીય વ્યવહારો અને ચેક ક્લિયરિંગની પ્રક્રિયા અટકી પડી છે. દેશભરમાં કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન અટવાઈ પડતાં દેશના આર્થિક ચક્ર પર પણ આ હડતાળની વિપરીત અસર જોવા મળી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>અમદાવાદ અને સુરતમાં કાળા કપડાં પહેરી ઉગ્ર વિરોધ પ્રદર્શન</b></h2><p style="text-align: justify; ">હડતાળના ભાગરૂપે અમદાવાદના લાલદરવાજા સ્થિત સેન્ટ્રલ બેન્ક પાસે મોટી સંખ્યામાં બેન્ક કર્મચારીઓ એકઠા થઈને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. આ ઉપરાંત સુરતના ઘોડદોડ રોડ ખાતે પણ બેન્કકર્મીઓએ કાળા કપડાં પહેરીને સરકાર વિરોધી આકરા સૂત્રોચ્ચાર કર્યા હતા. કર્મચારીઓએ સ્પષ્ટ ઈશારો આપ્યો છે કે જો 5 દિવસના સપ્તાહની તેમની વાજબી માંગ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે.</p><h2 style="text-align: justify; "><b>રાજકોટમાં રાષ્ટ્રીયકૃત બેંકોની હડતાળ</b></h2><p style="text-align: justify; ">દેશવ્યાપી હડતાળના પગલે રાજકોટમાં પણ રાષ્ટ્રીયકૃત બેંકોના અધિકારીઓ અને કર્મચારીઓએ પડતર માંગણીઓ મુદ્દે મોરચો માંડ્યો છે. શહેરના નાના મવા નજીક આવેલી પંજાબ નેશનલ બેંક (PNB) ખાતે મોટી સંખ્યામાં એકઠા થયેલા બેંકકર્મીઓએ હાથમાં પ્લે કાર્ડ્સ રાખીને અને આક્રમક સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ હડતાળ દરમિયાન કર્મચારીઓએ અઠવાડિયામાં 5 દિવસનું બેંકિંગ કામકાજ લાગુ કરવું, બેંકોમાં ક્લાર્ક અને સબ-સ્ટાફની પૂરતી ભરતી કરવી, ગ્રેચ્યુઇટી કાયદા હેઠળની મહત્તમ મર્યાદામાં વધારો કરવો તેમજ પેન્શન પર સમાન DA (મોંઘવારી ભથ્થું) લાગુ કરવા જેવી વિવિધ પડતર માંગણીઓ સત્વરે ઉકેલવા સરકાર અને બેંક મેનેજમેન્ટ સામે માંગ કરી હતી.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/rajkot/rajkot-family-suicide--police-book-money-lender-following-extortion-and-harassment" target="_blank">Rajkot ત્રિપલ સુસાઈડ કેસમાં મોટો વળાંક, વ્યાજખોર સંદીપ લખતરીયા સામે અંતે ગુનો દાખલ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/3PVBOLna1D9JbccKB3PBIS5Ebgd6sQmRSXapTiIt.webp'/></item><item><title><![CDATA[Classic Cinema : 45 વર્ષ જૂની ફિલ્મ અને 3 નેશનલ એવોર્ડ! લીડ એક્ટ્રેસે શાનદાર એક્ટિંગથી રચ્યો હતો ઈતિહાસ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/45-year-old-film-3-national-awards-actress-rekha</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/45-year-old-film-3-national-awards-actress-rekha</guid><pubDate>Fri, 11 Sep 2026 11:35:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હિન્દી સિનેમાની ફિલ્મો અને તેની સાથે જોડાયેલી વાતો ઘણી ઈન્ટરેસ્ટિંગ હોય છે. ક્યારેક ફિલ્મની કાસ્ટને લઈને પણ સવાલો ઊભા થાય છે. આવી જ વાતો અને કિસ્સાઓની શ્રેણીમાં આજે અમે તમને એવી ફિલ્મ વિશે જણાવી રહ્યા છીએ, જે આજથી 45 વર્ષ પહેલાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મની મુખ્ય અભિનેત્રીને લઈને પણ સવાલો ઊભા થયા હતા, પરંતુ ફિલ્મના દિગ્દર્શકને પોતાની પસંદગી પર પૂરો વિશ્વાસ હતો અને અભિનેત્રીએ પણ દિવસ-રાત મહેનત કરીને ઇતિહાસ રચ્યો હતો.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ફિલ્મ ઉમરાવ જાન</b></h2><p style="text-align: justify; ">અમે જે ફિલ્મની વાત કરી રહ્યા છીએ, તે બીજી કોઈ નહીં પરંતુ 1981માં રિલીઝ થયેલી બોલીવુડની સુપરહિટ ફિલ્મ ઉમરાવ જાન છે. હા, ઉમરાવ જાન એ એવી ફિલ્મ છે, જેના માટે રેખાએ દિવસ-રાત એક કરીને મહેનત કરી હતી. ફિલ્મ ઉમરાવ જાન રિલીઝ થઈ ત્યારે દર્શકોને તે ખૂબ પસંદ પડી હતી. આ ફિલ્મે એક-બે નહીં પરંતુ 3 રાષ્ટ્રીય પુરસ્કાર પણ જીત્યા હતા.</p><h3 style="text-align: justify; "><b>રેખાની પસંદગીને લઈને ઊભા થયા સવાલ</b></h3><p style="text-align: justify; ">ફિલ્મના દિગ્દર્શક મુઝફ્ફર અલી હતા. જ્યારે મુઝફ્ફર અલીએ આ ફિલ્મ માટે રેખાને પસંદ કરવાનું વિચાર્યું, ત્યારે તેમને ઘણી ટીકા સહન કરવી પડી હતી. રેખા વ્યાવસાયિક હિન્દી ફિલ્મોની અભિનેત્રી હતી અને દક્ષિણ ભારતમાંથી આવી હતી. તેમની હિન્દી પણ ખાસ સારી નહોતી. આ ફિલ્મમાં રેખાએ ઉર્દૂ પણ બોલવાની હતી. એવી ઉર્દૂ, જે સારી ભાષાકીય સમજ ધરાવતી વ્યક્તિ જ બોલી શકે.<br><img alt="Umrao Jaan, Bollywood (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/11/hmyOrHPfUibWpCpHzMcXPJRJezFbqIV7S2obQqpE.webp"><br></p><h3 style="text-align: justify; "><b>મુઝફ્ફર અલીને રેખા પર પૂરો વિશ્વાસ હતો</b></h3><p style="text-align: justify; ">રેખાની પસંદગીને લઈને અનેક સવાલો ઊભા થયા, પરંતુ દિગ્દર્શક મુઝફ્ફર અલીને પોતાની પસંદગી પર પૂરો વિશ્વાસ હતો. તેમણે ફિલ્મ માટે રેખાને સાઇન કરી અને રેખાએ પણ ફિલ્મ માટે ખૂબ મહેનત કરી. આ ફિલ્મ માટે રેખાએ ઉર્દૂ શીખવાનું શરૂ કર્યું અને પોતાની ભૂમિકા માટે દિવસ-રાત મહેનત કરી.</p><h4 style="text-align: justify; "><b>સુપરહિટ ફિલ્મ તરીકે ઓળખાય છે</b></h4><p style="text-align: justify; ">રેખાની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ ઉમરાવ જાન બોક્સ ઓફિસ પર સરેરાશ રહી હતી. જોકે, ઘણી મીડિયા રિપોર્ટ્સમાં તેના સાંસ્કૃતિક પ્રભાવને કારણે તેને સુપરહિટ અથવા બ્લોકબસ્ટર પણ કહેવામાં આવી છે, પરંતુ વ્યાવસાયિક રીતે ટિકિટ બારી પર ફિલ્મનું પ્રદર્શન સામાન્ય રહ્યું હતું.<br><img alt="Umrao Jaan, Bollywood (2)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/11/VnDoxYcYgDCrvoO8N04Wm3xMW8gM7Fbs0BFddKBo.webp"><br></p><h4 style="text-align: justify; "><b>ફિલ્મનાં ગીતો આજે પણ લોકપ્રિય છે</b></h4><p style="text-align: justify; ">આ હોવા છતાં ભારતીય સિનેમાના ઇતિહાસમાં આ ફિલ્મને ક્લાસિક ફિલ્મ માનવામાં આવે છે. તેનું કારણ ફિલ્મનાં ગીતો છે. દિલ ચીઝ ક્યા હૈ આપ મેરી જાન લીજિયે, ઇન આંખોં કી મસ્તી કે, યે ક્યા જગહ હૈ દોસ્તોં અને જુસ્તજૂ જિસકી થી જેવા સદાબહાર ગીતો આજે પણ લોકોના દિલમાં વસે છે. આ ફિલ્મ મિર્ઝા હાદી રુસવાના જાણીતા ઉર્દૂ ઉપન્યાસ ઉમરાવ જાન અદા પર આધારિત હતી, જે 1905માં પ્રકાશિત થયો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/kishore-kumar-song-45-years-cult-classic" target="_blank">આ પણ વાંચો-Retro Song : 80sના વાયરલ ટ્રેન્ડની જેમ ખૂબ ચાલ્યું હતું કિશોર કુમારનું આ ગીત! 45 વર્ષ પછી પણ છે કલ્ટ ક્લાસિક!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/iQXYNY6nyvBh3xzF3ABxDMGWkPhpDpIo5mn6sFrh.webp'/></item><item><title><![CDATA[BRICS Summit 2026: મહેમાનોને પીરસવામાં આવશે ભારતીય ભોજન! દિલ્હીની લક્ઝુરિયસ હોટલોમાં ખાસ તૈયારીઓ ]]></title><link>https://sandesh.com/india/news/brics-summit-2026-in-delhi--prepare-special-indian-menus-and-luxury-hospitality-for-global-leaders</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/brics-summit-2026-in-delhi--prepare-special-indian-menus-and-luxury-hospitality-for-global-leaders</guid><pubDate>Fri, 11 Sep 2026 11:28:50 +05:30</pubDate><description><![CDATA[<p>BRICS Summit 2026: રાજધાની દિલ્હી ૧૮મી બ્રિક્સ (BRICS) સમિટ માટે સંપૂર્ણપણે સજ્જ છે. 12 અને 13 સપ્ટેમ્બરે યોજાનારી આ સમિટમાં વિશ્વભરના અનેક દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. આ વર્ષે બ્રિક્સનું અધ્યક્ષપદ ભારત પાસે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં બ્રાઝિલ, રશિયા, ચીન, દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, ઈરાન અને યુએઈ (UAE) સહિતના અનેક દેશોના નેતાઓનું યજમાનપદ સંભાળશે.</p><p><br></p><p>સમિટનું મુખ્ય આયોજન 'ભારત મંડપમ' ખાતે થવાનું છે, પરંતુ તેની સૌથી રસપ્રદ તૈયારીઓ દિલ્હીની લક્ઝરી હોટલોમાં પડદા પાછળ ચાલી રહી છે, જ્યાં પ્રતિનિધિઓ રોકાવાના છે. ખાસ પ્રકારના આતિથ્યથી લઈને આંતરરાષ્ટ્રીય મહેમાનો માટે તૈયાર કરાયેલા મેનૂ સુધી, શહેરની અગ્રણી હોટલો મુલાકાતીઓને ભારતનો સ્વાદ ચખાડવા અને તેમની વિવિધ ખાદ્ય પસંદગીઓને સંતોષવા માટે કોઈ કસર છોડી રહી નથી.</p><h4>તાજમહાલ હોટલમાં 'ટ્રેડિશન ટુ ટેબલ' (પરંપરાથી ભોજન સુધી)નો સ્વાદ</h4><p>મળતી માહિતી અનુસાર દિલ્હીની પ્રખ્યાત તાજમહાલ હોટલ 'ટ્રેડિશન ટુ ટેબલ' થીમ સાથે બ્રિક્સ પ્રતિનિધિઓનું સ્વાગત કરશે. આ શ્રેણીમાં તાજના શેફ દ્વારા તૈયાર કરાયેલી વાનગીઓનો સમાવેશ થાય છે, જે તેમના શરૂઆતના રસોઈ-ગુરુઓ અને તેમની પોતાની માતાઓથી પ્રેરિત છે. તે ભારતીય આતિથ્યની ભાવના અને આપણી ભોજન-પરંપરાઓના સારને રજૂ કરે છે. આ સંગ્રહમાં એવી વાનગીઓનો સમાવેશ થાય છે જેની સાથે શેફનું વ્યક્તિગત જોડાણ છે, કારણ કે તેઓ આ વાનગીઓ ખાતા-ખાતા જ મોટા થયા છે.<br><br>આ કુકિંગ કોન્સેપ્ટ ભારતના છ પ્રદેશોની પરંપરાગત નમકીન વાનગીઓનો સમાવેશ કર્યો છે, જેમાં કાશ્મીરના મસાલેદાર અખરોટ, જૂની દિલ્હીના મેંદામાંથી બનેલા કાજુ, મહારાષ્ટ્રની 'ભાખરવડી', રાજસ્થાનની નાની 'કચોરી', બંગાળની 'કુચો નિમકી' અને તમિલનાડુના 'મુરુક્કુ'નો સમાવેશ થાય છે. આ સંગ્રહ તે વિશિષ્ટ સામગ્રી ટેક્સચર અને બનાવવાની પદ્ધતિઓને ઉજાગર કરે છે જે ભારતની વિવિધ પ્રાદેશિક વાનગીઓની ઓળખ છે.</p><p>તાજ મહેલ નવી દિલ્હીના એરિયા ડિરેક્ટર (ઓપરેશન્સ) અને જનરલ મેનેજર ડૉ. અનમોલ આહલુવાલિયાએ જણાવ્યું હતું કે, "છેલ્લા લગભગ પાંચ દાયકાઓથી, તાજ મહેલ, નવી દિલ્હીને વિશ્વભરના રાષ્ટ્રાધ્યક્ષો, રાજદ્વારીઓ અને પ્રતિષ્ઠિત નેતાઓનું સ્વાગત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ભારતની ખાદ્ય-સંસ્કૃતિની વિવિધતા અને સમૃદ્ધિને પ્રતિબિંબિત કરતી આ યાદગાર ભેટ, 'તાજ'ના અનુભવની વિશેષતા સમાન હૂંફ, સંભાળ અને આત્મીયતાની ભાવનાને વ્યક્ત કરે છે."<br><br><h4><b>'ધ લીલા પેલેસ' ખાતે કમળની થીમ આધારિત એક વિશેષ પ્રસ્તુતિ</b></h4></p><p>દિલ્હી સ્થિત 'ધ લીલા પેલેસ' BRICS સમિટ 2026ના પ્રતિનિધિઓ માટે ભોજનનો એક અનોખો અનુભવ તૈયાર કરી રહ્યું છે. આ અનુભવ આધુનિક દ્રષ્ટિકોણથી દેશના વારસાને રજૂ કરે છે. આ પ્રસ્તુતિના કેન્દ્રમાં ખાસ હાથથી તૈયાર કરાયેલું કમળનું ફૂલ છે. જેની પસંદગી ભારતના રાષ્ટ્રીય ફૂલ સાથે જોડાયેલા વિવિધ અર્થોને કારણે કરવામાં આવી છે. તે BRICS ઈન્ડિયા 2026ની ઓળખના પ્રતીક તરીકે કાર્ય કરે છે અને 'ધ લીલા'ની પોતાની સફર સાથે પણ વિશેષ જોડાણ ધરાવે છે. ગુલાબ, કેસર અને એલચીમાંથી તૈયાર કરાયેલું અને ભારતના દેશી ફળો સાથે પીરસવામાં આવતું આ કમળનું સર્જન પ્રતીકવાદ અને કલાત્મકતાના એવા અનોખા સંગમનું પ્રતિનિધિત્વ કરે છે જે ભારતના મૂળ તત્વને પ્રતિબિંબિત કરે છે.</p><p><br></p><p>'ધ લીલા પેલેસ'ના એક્ઝિક્યુટિવ શેફ કરણ ઠાકુરે જણાવ્યું હતું કે, "પેલેસની ક્યુલિનરી ટીમ (ભોજન તૈયાર કરતી ટીમ) એવી ખાસ વાનગીઓ તૈયાર કરે છે જેને અમારા મહેમાનો ખૂબ પસંદ કરે છે અને મુલાકાતે આવેલા પ્રતિનિધિઓએ પણ તેની પ્રશંસા કરી છે. આ ઉપરાંત, અમે 'ઓજસ્ય બાય ધ લીલા' (Aujasya by The Leela) તરફથી બાજરીની કૂકીઝ, હાથથી બનાવેલા ગ્રનોલા બાર અને વેલનેસ ઇન્ફ્યુઝન (સ્વાસ્થ્યવર્ધક પીણાં) પણ પીરસીએ છીએ, જે ભારતીય સામગ્રીના ગુણો અને આધુનિક પોષણ પદ્ધતિઓનો સમન્વય સાધે છે."</p><p><br></p><p><br><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/weather-today-rain-alert-in-18-states-red-alert-for-odisha-up-flood" target="_blank"><b>Weather Update: ક્યાંક રેડ તો ક્યાંક યલો એલર્ટ... ભારે પવન સાથે મુશળધાર વરસાદની આગાહી</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/E65wU5MLEOXrkoSzCw03UpyVYhjTYkkNfJyakXEZ.webp'/></item><item><title><![CDATA[Khade Hanuman Ujjain: ટસથી મસ ના થયા 'ખડે હનુમાન', બુલડોઝર અને જેસીબી પણ ના હલાવી શકી પ્રતિમા, સામે આવ્યું કારણ ]]></title><link>https://sandesh.com/india/news/why-could-bulldozers-and-jcbs-move-the-khade-hanuman-statue-ujjain</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/why-could-bulldozers-and-jcbs-move-the-khade-hanuman-statue-ujjain</guid><pubDate>Fri, 11 Sep 2026 10:52:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મહાકાલની નગરી ઉજ્જૈનમાં સ્થિત ‘ઉભા હનુમાન’ મંદિર હાલ સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સિંહસ્થ ૨૦૨૮ની તૈયારીઓના ભાગરૂપે કંથાલથી છત્રી ચોક સુધીના માર્ગના પહોળાકરણ માટે વહીવટીતંત્રે આ મંદિરને ટાંકી ચોક નજીક નવા સ્થળે ખસેડવાની યોજના બનાવી છે. જોકે, પ્રતિમા ખસેડવાના પ્રયાસો વચ્ચે સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો અને ભક્તોની વધતી ભીડને કારણે મામલો ગરમાયો છે.</p><h2 style="text-align: justify; "><b>ખડે હનુમાનની પ્રતિમા કેમ ના હલી, આ છે કારણ</b></h2><p style="text-align: justify; ">મંદિર સ્થાનાંતરણ સામે સ્થાનિકો અને ભક્તોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. દિશા બદલાવાનો વિરોધના કારણે ખડે હનુમાનજીની પ્રતિમાં પોતાની જગ્યા પરથી ટસથી મસ ના થઈ. એવું કહેવાય છે કે હાલના મંદિરમાં હનુમાનજીની પ્રતિમા દક્ષિણમુખી છે, જ્યારે નવા મંદિરમાં તેમનું મુખ ઉત્તર તરફ રહેશે. ભક્તોનું માનવું છે કે દેવતાની દિશા બદલવાથી તેમની કૃપા અને શ્રદ્ધા પર અસર પડે છે.&nbsp; 12 દિવસ બાદ જેસીબી અને બુલડોઝરના દબાણ કરવા છતાં ખડે હનુમાનજીને હલાવી ના શકવાને સ્થાનિકો ચમત્કાર માને છે. શ્રદ્ધાળુઓ કહે છે કે તેઓ આ મંદિરને અત્યંત ચમત્કારી માને છે, જ્યાં મનોકામનાઓ પૂર્ણ થાય છે અને વિવિધ સમસ્યાઓમાંથી રાહત મળે છે.</p><h3 style="text-align: justify; "><b>ખડે હનુમાન પ્રતિમા વહીવટીતંત્ર અને પૂજારીનું વલણ</b></h3><p style="text-align: justify; ">મંદિરના પૂજારી મહેશ બૈરાગીના જણાવ્યા મુજબ, જો વહીવટીતંત્રે ધાર્મિક પરંપરાઓ અને સર્વસંમતિનું પાલન કર્યું હોત તો વિવાદ ઉભો ન થયો હોત. સોશિયલ મીડિયા પર રીલ્સ વાયરલ થયા બાદ મહાકાલના દર્શને આવતા શ્રદ્ધાળુઓ પણ હવે મોટી સંખ્યામાં ઉભા હનુમાનના દર્શને પહોંચી રહ્યા છે. પૂજારીનું કહેવું છે કે&nbsp; ભક્તોનો તર્ક છે કે અત્યાર સુધીમાં વિકાસ માટે ૬૦થી વધુ મંદિરો ખસેડાયા છે, પરંતુ આ પ્રતિષ્ઠિત સ્થાનને તેના મૂળ સ્થાને રાખીને પણ માર્ગ પહોળો કરી શકાય છે.</p><h4 style="text-align: justify; "><b>ખડે હનુમાન પ્રતિમાનું IIT સ્કેનિંગ</b></h4><p style="text-align: justify; ">પરિસ્થિતિને થાળે પાડવા માટે વહીવટીતંત્ર હવે IIT દ્વારા મંદિર અને પ્રતિમાનું સ્કેનિંગ કરાવવાની તૈયારી કરી રહ્યું છે, જેથી પ્રતિમાને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના સ્થાનાંતરિત કરવાની શક્યતા ચકાસી શકાય. વહીવટીતંત્રે સ્પષ્ટતા કરી છે કે પ્રતિમા હટાવવા માટે કોઈ બળ કે મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી અને સોશિયલ મીડિયા પર ચાલતી ભ્રામક વાતોથી દૂર રહેવા અપીલ કરી છે. ઉજ્જૈનમાં હનુમાન મંદિરના સ્થળાંતરનો મુદ્દો હવે રાજકીય વળાંક લઈ રહ્યો છે. નિષ્ણાતો હનુમાન મૂર્તિ કેમ અચલ રહી છે તેનું રહસ્ય ઉકેલવા માટે રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન, મંદિરને બચાવવા માટે એક આંદોલન ઉભરી આવ્યું છે. આ દરમિયાન, મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ વર્તમાન મુખ્યમંત્રી મોહન યાદવને પત્ર લખીને મંદિર ન ખસેડવા વિનંતી કરી છે.</p><p style="text-align: justify; "><b>લંગૂર દેખાતા શ્રદ્ધાળુઓ આશ્ચર્યચકિત</b></p><p style="text-align: justify; ">સતી દરવાજા પાસે આવેલું પ્રખ્યાત ‘ખાડે હનુમાન મંદિર’ અત્યારે ભારે ચર્ચામાં છે. મંદિર તોડી પાડવાની આશંકા દર્શાવતા વીડિયો વાયરલ થતા હંગામો મચ્યો છે. દરમિયાન, મંદિર સંકુલ અને તેની આસપાસ અચાનક મોટી સંખ્યામાં લંગુર (વાંદરાઓ) આવી પહોંચતાં શ્રદ્ધાળુઓમાં ભારે આશ્ચર્ય અને ચર્ચા જાગી છે. દર્શનાર્થે આવતા લોકો આ ઘટનાને શ્રદ્ધા સાથે જોડી રહ્યા છે. જોકે, મંદિર નજીક અચાનક લંગુરોની હાજરી અંગે વહીવટીતંત્ર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/india/hanuman-ansh-neem-karoli-baba-up-government" target="_blank">આ પણ વાંચો : Hanuman Anshનો બોક્સ ઓફિસ પર જલવો! હવે UP સરકારે નીમ કરોલી બાબાને લઈને કરી આ મોટી જાહેરાત</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/wtMIQDeH6Y7FT7I9958qNgoEwFuihgilyy4CCvtZ.webp'/></item><item><title><![CDATA[Suratમાં હાઈપ્રોફાઈલ ઠગાઈ! MP ના પુત્ર સાથે રૂ.76.44 લાખની દગાખોરી કરનાર મેવાવાલા દંપતી સામે ફરિયાદ દાખલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/surat--mp-govind-dholakias-son-duped-of--76-44-lakh--stamp-vendor-couple-booked</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/surat--mp-govind-dholakias-son-duped-of--76-44-lakh--stamp-vendor-couple-booked</guid><pubDate>Fri, 11 Sep 2026 10:15:43 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતમાં રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના પુત્ર શ્રેયાંશ ધોળકિયા સાથે રૂ. 76.44 લાખનો મોટો વિશ્વાસઘાત અને છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. પલસાણા વિસ્તારમાં આવેલી જમીનના દસ્તાવેજ બનાવવા માટે જરૂરી ઈ-સ્ટેમ્પ (E-Stamp) ખરીદવાના બહાને ગવર્નમેન્ટ સ્ટેમ્પ વેન્ડર મેવાવાલા દંપતીએ આ રકમ મેળવી લીધી હતી. જોકે, નાણાં મેળવી લીધા બાદ ઈ-સ્ટેમ્પ ન આપીને તેમની સાથે મોટો વિશ્વાસઘાત આચરવામાં આવ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>રકમ અંગત વપરાશમાં વાપરી નાખી, ચેક પણ બાઉન્સ થયો</b></h2><p style="text-align: justify; ">તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે આરોપી સ્ટેમ્પ વેન્ડર રામકૃષ્ણ મેવાવાલા અને તેમની પત્ની સલોની મેવાવાલાએ ઈ-સ્ટેમ્પ માટે મળેલી રૂ. 76.44 લાખની માતબર રકમ પોતાના અંગત વપરાશમાં વાપરી નાખી હતી. આ બાબતે બચાવ કરવા માટે અને રકમ પરત આપવાના નામે આરોપી દંપતીએ રૂ. 76.44 લાખનો ચેક આપ્યો હતો. પરંતુ જ્યારે આ ચેક બેંકમાં જમા કરાવવામાં આવ્યો ત્યારે તે પણ બાઉન્સ થયો હતો, જેથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની સ્પષ્ટતા થઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>સુરત DCB પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ, તપાસ હાથ ધરાઈ</b></h2><p style="text-align: justify; ">આ સમગ્ર મામલે પીડિત શ્રેયાંશ ધોળકિયા દ્વારા સુરત ડીસીબી (DCB) પોલીસ સ્ટેશન ખાતે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે શ્રેયાંશ ધોળકિયાની ફરિયાદના આધારે સરકારી સ્ટેમ્પ વેન્ડર રામકૃષ્ણ મેવાવાલા અને તેમની પત્ની સલોની મેવાવાલા વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/surat/surat-lcb-seizes--49-12-lakh-illicit-foreign-liquor-near-kamrej--driver-arrested" target="_blank">Surat ગ્રામ્ય LCB નો મોટો સપાટો, નેશનલ એક્સપ્રેસ-વે પરથી રૂ.49.12 લાખનો વિદેશી દારૂ ઝડપાયો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/Hin5N2nlOf02VCqygMFQZYFETev2pTPuxQpdegXt.webp'/></item><item><title><![CDATA[Petrol Diesel Price Today: પેટ્રોલ ડીઝલના ભાવમાં થઇ શકે છે વધારો, ક્રૂડ ઓઇલ 100 ડોલરને પાર, જાણો આજનો રેટ ]]></title><link>https://sandesh.com/business/news/petrol-diesel-price-today-petrol-diesel-prices-may-increase-crude-oil-crosses-100-know-todays-rate</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/petrol-diesel-price-today-petrol-diesel-prices-may-increase-crude-oil-crosses-100-know-todays-rate</guid><pubDate>Fri, 11 Sep 2026 10:09:16 +05:30</pubDate><description><![CDATA[<p>મધ્ય પૂર્વમાં વકરતા સંઘર્ષની અસર ફરી એકવાર ક્રૂડ ઓઈલના ભાવમાં જોવા મળી રહી છે; બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ $108ની સપાટીને વટાવી ગયો છે. ભારતમાં હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગે થોડી રાહત હોવા છતાં, ભાવ વધારાની આશંકાઓ વધી રહી છે. </p><h2><b style="font-size: 2rem;">ક્રૂડ ઓઇલનો આજે શું છે ભાવ ?&nbsp;</b></h2><p>11 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી એકવાર નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. મધ્ય પૂર્વના મહત્વપૂર્ણ વેપારી માર્ગો ખાસ કરીને દરિયાઈ જહાજ વ્યવહાર પર વધતા જતા હુમલાઓ અને પુરવઠામાં સંભવિત વિક્ષેપને કારણે વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ $108ની સપાટીને વટાવી ગયો છે. રોઇટર્સના અહેવાલ મુજબ, લગભગ ચાર મહિનામાં પ્રથમ વખત, વૈશ્વિક સ્તરના બંને મુખ્ય બેન્ચમાર્ક $100ની સપાટીથી ઉપર રહીને સપ્તાહ પૂર્ણ કરવાની સ્થિતિમાં છે.</p><h3><b>તો શું પેટ્રોલના ભાવ વધશે ?&nbsp;</b></h3><p>અગાઉ મે મહિનામાં ભાવમાં ઝડપી વધારો થયો હતો, જેમાં પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં પ્રતિ લિટર ₹7.50નો વધારો કરવામાં આવ્યો હતો. સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓHPCL, IOCL અને ભારત પેટ્રોલિયમ દ્વારા હાલમાં રાહત આપવામાં આવી છે. 11 સપ્ટેમ્બરના ભાવ મુજબ, દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ₹102.12 અને ડીઝલનો ભાવ પ્રતિ લિટર ₹95.20 છે.&nbsp;&nbsp;</p><h3><b>શહેરનું નામ પેટ્રોલનો ભાવ ડીઝલનો ભાવ (11 સપ્ટેમ્બરે શું છે ભાવ)</b></h3><p><br></p><table class="table table-bordered"><tbody><tr><td>શહેર</td><td>&nbsp;પેટ્રોલ / લિટર&nbsp;</td><td>ડીઝલ / લિટર</td></tr><tr><td>નવી દિલ્હી&nbsp;</td><td>102.12&nbsp;</td><td>95.20</td></tr><tr><td>કોલકાતા&nbsp;</td><td>113.51&nbsp;</td><td>99.82</td></tr><tr><td>મુંબઈ&nbsp;</td><td>111.21&nbsp;</td><td>97.83</td></tr><tr><td>ચેન્નાઈ</td><td>&nbsp;107.78&nbsp;</td><td>99.56</td></tr><tr><td>નોઈડા</td><td>&nbsp;102.1</td><td>&nbsp;95.56&nbsp;</td></tr></tbody></table><p><br></p><p><b style="font-size: 1.75rem;">મધ્ય પૂર્વના તણાવની અસર</b></p><ul><li>અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે તેલના ભાવમાં તીવ્ર ઉછાળો સપ્લાય કટોકટીને કારણે છે.</li><li>તેહરાને તાજેતરમાં વોશિંગ્ટનને ચેતવણી આપી હતી કે જો ઈરાની પ્રદેશ પર હુમલા ચાલુ રહેશે તો તે તેની કાર્યવાહી વધુ તીવ્ર બનાવશે.</li><li>ઈરાન સતત અમેરિકા દ્વારા લાદવામાં આવેલા નાકાબંધીનો વિરોધ કરી રહ્યું છે.</li><li>આ દરમિયાન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે નવેમ્બરમાં સંઘર્ષનો અંત આવશે, જેનાથી તેલના વધતા ભાવમાંથી રાહત મળશે.</li><li>ઈરાન સમર્થિત હુતી બળવાખોરો દ્વારા સાઉદી અરેબિયા પર હુમલાઓને કારણે તણાવ વધુ વધી રહ્યો છે.</li></ul><h3><b>શું ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે?</b></h3><p>વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ જે ઝડપે વધી રહ્યા છે તે જોતાં, એવો સવાલ ઉઠી રહ્યો છે કે શું ભારતમાં પણ ઈંધણના ભાવ વધશે. સરકાર તરફથી આવા કોઈ સંકેત આપવામાં આવ્યા નથી. જોકે આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી, પરંતુ જો આ વલણ ચાલુ રહેશે. એટલે કે ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો થતો રહેશે. તો ભારતની સરકારી ઓઈલ કંપનીઓને ઈંધણના ભાવ વધારવાની ફરજ પડી શકે છે, કારણ કે તેઓ પહેલેથી જ પેટ્રોલ અને ડીઝલ પર નુકસાન વેઠી રહી છે.</p><p><br></p><h3><b>ગુજરાતના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ</b></h3><p>ગુજરાતમાં શહેર પ્રમાણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડો તફાવત જોવા મળી શકે છે. 11 સપ્ટેમ્બરના લેટેસ્ટ ભાવ નીચે મુજબ છે:</p><table class="table table-bordered"><tbody><tr><td><b>શહેર&nbsp;</b></td><td><b>પેટ્રોલ / લિટર</b></td><td><b>&nbsp;ડીઝલ / લિટર&nbsp;</b><br></td></tr><tr><td>અમદાવાદ&nbsp;</td><td>₹101.81&nbsp;</td><td>₹97.92</td></tr><tr><td>ગાંધીનગર&nbsp;</td><td>₹102.01&nbsp;</td><td>₹98.13</td></tr><tr><td>રાજકોટ&nbsp;</td><td>₹101.85&nbsp;</td><td>₹97.99&nbsp;</td></tr><tr><td>સુરત&nbsp;</td><td>₹102.15&nbsp;</td><td>₹98.27</td></tr><tr><td>વડોદરા&nbsp;</td><td>₹101.46</td><td>&nbsp;₹97.57</td></tr><tr><td>જૂનાગઢ&nbsp;</td><td>₹102.48</td><td>&nbsp;₹98.62</td></tr></tbody></table><p><a href="https://sandesh.com/india/news/18th-brics-summit-in-new-delhi-live-prime-minister-narendra-modi-vladimir-putin-xi-jinping-matamela-cyril-ramaphosa-iran-presidente-masoud-pezeshkian-all-national-news-in-gujarati-on-sandesh-digital" target="_blank">આ પણ વાંચો:&nbsp; BRICS Summit Delhi Live: આજે PM Modi અને પુતિનની મહામુલાકાત, દિલ્હી પહોંચ્યા પુતિન</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/05/xdfkzVt1PdUa2rXLdkVgSCGnj1iicrEt8OHKgxuO.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: ઈમરાન ખેડાવાલા સામે વિશેષાધિકાર ભંગની કાર્યવાહી નક્કી, શું ધારાસભ્ય પદેથી બરતરફીનો નિર્ણય થશે? ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/imran-khedawala-faces-privilege-breach-action-in-gujarat-assembly</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/imran-khedawala-faces-privilege-breach-action-in-gujarat-assembly</guid><pubDate>Fri, 11 Sep 2026 10:01:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાત વિધાનસભામાં વંદે માતરમ ગાન વેળાએ નીચે બેસી જનારા કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સામે વિશેષાધિકાર ભંગ સબબ કાર્યવાહી થશે.ગુરૂવારે શૂન્યકાળમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ચોમાસુ સત્રારંભે જમાલપુર-ખાડિયાના ધારાસભ્યે કરેલી હરકતને ગંભીર ગણાવીને વિશેષાધિકાર ભંગની કાર્યવાહીનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેને અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સ્વીકાર્યો છે.જેના આધારે શુક્રવારે ખેડાવાલા સામે એક્શન લેવાનો નિર્ણય થઈ શકે તેમ છે.બીજી તરફ કોંગ્રેસે પોતાના પક્ષના ધારાસભ્યની હરકતથી કિનારો કર્યો છે!</p><h2 style="text-align: justify; "><b>શાસક પક્ષે રજૂ કરેલા વિશેષાધિકાર ભંગ પ્રસ્તાવનો સ્વીકાર</b></h2><p style="text-align: justify; ">વંદે માતરમ એ રાષ્ટ્રગીત છે.રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ કાયદા હેઠળ તેનું અવમાન કરનાર સામે ત્રણ વર્ષની કેદની સજા કે દંડ અથવા તો બંને થઈ શકે છે. ભારત સરકારે 30 જુલાઈએ કાયદામાં આ જોગવાઈ કર્યા બાદ દેશના ઈતિહાસમાં પહેલીવાર વિધાનસભામાં ચૂંટાયેલા જનપ્રતિનિધિએ રાષ્ટ્રગીતનું સન્માન જાળવ્યું નથી!જેના કારણે દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.આથી વિધાનસભામાં શાસક પક્ષે રજૂ કરેલા વિશેષાધિકાર ભંગ પ્રસ્તાવ પર પોણા કલાકની ચર્ચા બાદ અધ્યક્ષે તેનો સ્વીકાર કર્યો છે.હવે અધ્યક્ષ નક્કી ઈમરાન ખેડાવાલા સામે ધારાસભ્યપદેથી બરતરફીનો નિર્ણય થાય છે કે પછી લેખિતમાં માફી અથવા તો સમગ્ર મામલો વિશેષાધિકાર ભંગ સમિતિને સોંપી હાલ પૂરતું તેના પર પડદો પાડી દેવાય છે તે જોવું રહ્યું.</p><h3 style="text-align: justify; "><b>વંદે માતરમ્ ગાન વેળાએ ઊભા થઈને બેસી ગયા</b></h3><p style="text-align: justify; ">બુધવારે સત્રારંભે વંદે માતરમ્ ગાન વેળાએ ઊભા થઈને બેસી ગયેલા MLA ઈમરાન ખેડાવાલા ગુરૂવારે વિધાનસભામાં ડોકાયા નહોતા.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોઇન્ટ ઓફ ઓર્ડરથી વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ રજૂ કરતાં કહ્યું કે,અહીં લોકશાહીના મંદિરમાં જ અપમાન થાય તો નવી પેઢીને શું સંદેશ જશે ?કોંગ્રેસના ધારાસભ્યે જાણી જોઈને આ કૃત્ય કર્યું છે.કોંગ્રેસે આ પહેલેથી જ નક્કી કર્યું હતું.ખેડાવાલા તો માત્ર મહોરું છે હમણાં 15 મી ઓગસ્ટે દિલ્હીમાં સોનિયા ગાંધીએ વંદે માતરમનું અપમાન કરાયું હતું.અધ્યક્ષે ગૃહના વીડિયો ફૂટેજ, ખેડાવાલાની હરકત અને ગૃહની બહાર કરેલા નિવેદનોને આધારે કઠોરમાં કઠોર તેમજ ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરે તેવો દાખલો બેસાડતો નિર્ણય કરવો જોઈએ તેવી અમે માંગણી કરીએ છીએ.</p><h2 style="text-align: justify; "><b>કોંગ્રેસે ખેડાવાલાના કૃત્યથી અંતર જાળવ્યું</b></h2><p style="text-align: justify; ">કોંગ્રેસે ખેડાવાલાના કૃત્યથી અંતર જાળવ્યું છે.કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારે કહ્યું કે, ઈમરાનભાઈની ભૂલને સમગ્ર કોંગ્રેસ પક્ષનો નિર્ણય ન ગણી શકાય.દેશનું સન્માન કરવું એ અમારા ડીએનએમાં છે.આ ભૂલને રાજકીય મુદ્દો ન બનાવવો જોઈએ. પરમાર પહેલાં અધ્યક્ષ સમક્ષ પ્રદેશ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પણ અંતિમ નિર્ણય લેતાં પહેલાં ખેડાવાલાનો પક્ષ સાંભળવા વિનંતી કરી છે.સાથે જ માર્ચમાં બજેટ સત્ર દરમિયાન વંદે માતરમનું સન્માન કરનાર ખેડાવાલાથી ચાલુ ચોમાસું સત્રમાં ભૂલ થઈ હોવાથી તેમને માત્ર ઠપકો આપીને માફ કરવા રજૂઆત કરવામાં આવી હતી.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/manek-chowk-redevelopment-rs-41-crore-makeover-to-begin-saturday" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: માણેક ચોકનો 41 કરોડના ખર્ચે કાયાકલ્પ થશે, શનિવારથી રિસ્ટોરેશન શરૂ કરાશે</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/8xES8ePN4EyGhFA8x0u2lERuK6NaXSjKb33GCXh2.webp'/></item><item><title><![CDATA[Delhi High Court : વિનેશ ફોગાટને મોટો ઝટકો, વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલમાંથી બહાર ]]></title><link>https://sandesh.com/sports/news/vinesh-phogat-world-championship-trials-delhi-high-court</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/vinesh-phogat-world-championship-trials-delhi-high-court</guid><pubDate>Fri, 11 Sep 2026 09:21:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને આંતરરાષ્ટ્રીય કુસ્તીમાં વાપસીના પ્રયાસ વચ્ચે મોટો ઝટકો લાગ્યો છે.દિલ્હી હાઈકોર્ટે 2026 સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપની પસંદગી માટે યોજાનારી ટ્રાયલમાં વિનેશને ભાગ લેવાની વચગાળાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે.આ નિર્ણય બાદ વિનેશ માટે 14 સપ્ટેમ્બરે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં યોજાનારી પસંદગી ટ્રાયલમાં ઉતરવાનો રસ્તો બંધ થઈ ગયો છે.જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ ગુરુવારે મોડી રાત્રે વિનેશ ફોગાટની વચગાળાની રાહતની માગ કરતી અરજી ફગાવી દીધી હતી.</p><h4 style="text-align: justify; "><b>દિલ્હી હાઈકોર્ટે શું કહ્યું</b></h4><p style="text-align: justify; ">અદાલતે કહ્યું કે ભારતીય કુસ્તી મહાસંઘ દ્વારા નક્કી કરવામાં આવેલી પાત્રતાની શરતો કોઈ એક ખેલાડી માટે અલગ રીતે લાગુ કરી શકાય નહીં.અદાલતે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું કે 7 સપ્ટેમ્બર 2026ના પરિપત્રમાં નક્કી કરાયેલા માપદંડ તમામ ખેલાડીઓ માટે સમાન છે.જો કોઈ કુસ્તીબાજે નક્કી કરાયેલી સ્પર્ધામાં ભાગ લીધો નથી,તો તે વર્તમાન નિયમો હેઠળ ટ્રાયલ માટે પાત્ર ગણાતો નથી.</p><h5 style="text-align: justify; "><b>વિનેશ ફોગાટે અદાલતનો દરવાજો કેમ ખખડાવ્યો?</b></h5><p style="text-align: justify; ">વિનેશ ફોગાટે ભારતીય કુસ્તી મહાસંઘના નવા પસંદગી નિયમોને પડકાર્યા હતા.7 સપ્ટેમ્બરે જાહેર કરાયેલા પરિપત્રમાં 2026 સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ માટેના ટ્રાયલમાં ભાગ લેવા માટે છ ઓલિમ્પિક વજન વર્ગો માટે પાત્રતાના નિયમો નક્કી કરવામાં આવ્યા છે.આ નિયમો હેઠળ કેટલીક નિર્ધારિત સ્પર્ધાઓના ચંદ્રક વિજેતા, રાષ્ટ્રીય તાલીમ શિબિરમાં સામેલ કુસ્તીબાજો અને 2026 અંડર-20 વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પસંદ થયેલા ખેલાડીઓ પાત્ર બને છે.વિનેશનું કહેવું હતું કે માતૃત્વના કારણે તે કેટલીક મહત્વની પસંદગી સ્પર્ધાઓમાં ભાગ લઈ શકી નહોતી.તેથી હાલના નિયમો તેમના માટે વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ સુધી પહોંચવાનો માર્ગ બંધ કરે છે.વિનેશે સીધી રીતે વર્લ્ડ ચેમ્પિયનશિપની ટીમમાં પસંદગીની માગ કરી નહોતી. તેમની માગ માત્ર એટલી હતી કે તેમને ટ્રાયલમાં ભાગ લેવાની તક આપવામાં આવે અને ત્યારબાદ તેમના પ્રદર્શનના આધારે ટીમમાં પસંદગી કરવામાં આવે.</p><h4 style="text-align: justify; "><b>એશિયન ગેમ્સના ટ્રાયલનો પણ આપ્યો હતો હવાલો</b></h4><p style="text-align: justify; ">વિનેશે પોતાની દલીલમાં 30 મેના એશિયન ગેમ્સના પસંદગી ટ્રાયલનો પણ ઉલ્લેખ કર્યો હતો.તેમણે 53 કિલોગ્રામ વજન વર્ગમાં ભાગ લીધો હતો અને ક્વાર્ટર ફાઇનલ જીતીને સેમિફાઇનલ સુધી પહોંચ્યા હતા.વિનેશે અદાલતને જણાવ્યું હતું કે માતા બન્યા બાદ તેમણે ફરી તાલીમ શરૂ કરી છે અને સ્પર્ધાત્મક કુસ્તીમાં વાપસી માટે પ્રયાસ કરી રહ્યા છે. તેઓ જુલાઈ 2025માં માતા બન્યા હતા.</p><h4 style="text-align: justify; "><b>માતૃત્વ નીતિ અંગે મોટી લડાઈ હજુ ચાલુ</b></h4><p style="text-align: justify; ">દિલ્હી હાઈકોર્ટે હાલ વિનેશની અરજીમાં ઉઠાવવામાં આવેલા મોટા કાયદાકીય પ્રશ્નો અંગે અંતિમ નિર્ણય આપ્યો નથી.અદાલતે એ પણ નોંધ્યું કે ગર્ભાવસ્થા, બાળકના જન્મ અને ત્યારબાદની શારીરિક પુનઃપ્રાપ્તિ જેવી પરિસ્થિતિઓને મહિલા ખેલાડીઓ માટેની પસંદગી નીતિની કાયદેસરતા અંગે વિચાર કરતી વખતે ધ્યાનમાં લેવાની જરૂર પડી શકે છે.જોકે, આ કારણોસર વિનેશને તાત્કાલિક વચગાળાની છૂટ આપી શકાય નહીં. અદાલતની એક મહત્વની ચિંતા એ પણ હતી કે માત્ર વિનેશને નિયમોમાં છૂટ આપવામાં આવે તો આવી જ સ્થિતિમાં રહેલા અન્ય ખેલાડીઓ સાથે સમાનતાનો પ્રશ્ન ઊભો થઈ શકે છે.વિનેશની કાનૂની લડાઈ માત્ર વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ પૂરતી મર્યાદિત નથી. તેઓ માતૃત્વ બાદ મહિલા ખેલાડીઓ માટે પારદર્શક અને વ્યવસ્થિત પસંદગી વ્યવસ્થા બનાવવાની માગ પણ કરી રહ્યા છે.</p><p style="text-align: justify; "><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/NalinisKitchen/status/2098245458540027916?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>WFIની શિસ્તભંગની કાર્યવાહી પણ પડકારાઈ</b></h4><p style="text-align: justify; ">વિનેશે ભારતીય કુસ્તી મહાસંઘ દ્વારા શરૂ કરવામાં આવેલી શિસ્તભંગની કાર્યવાહી સામે પણ અદાલતનો સંપર્ક કર્યો છે. તેમણે મે અને જૂનમાં આપવામાં આવેલી 2 કારણદર્શક નોટિસ રદ કરવાની માગ કરી છે.બીજી તરફ,કુસ્તી મહાસંઘનું કહેવું છે કે વિનેશને શિસ્ત સમિતિ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક આપવામાં આવી હતી.</p><h5 style="text-align: justify; "><b>ક્યારે યોજાશે વર્લ્ડ ચેમ્પિયનશિપ?</b></h5><p style="text-align: justify; ">2026 સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં 24 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન યોજાવાની છે. દિલ્હી હાઈકોર્ટના હાલના નિર્ણય બાદ વિનેશ ફોગાટ 14 સપ્ટેમ્બરે યોજાનારી ભારતીય પસંદગી ટ્રાયલમાં ભાગ લઈ શકશે નહીં.જોકે, માતૃત્વ બાદ મહિલા ખેલાડીઓને રમતગમતમાં વાપસી માટે કઈ રીતે તક મળવી જોઈએ અને પસંદગી પ્રક્રિયામાં તેમના માટે કેવી વ્યવસ્થા હોવી જોઈએ, તે અંગે વિનેશની મોટી કાનૂની લડાઈ હજુ ચાલુ છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો <a href="https://sandesh.com/cricket/news/shree-charani-breaks-radha-yadav-record-50-t20i-wickets" target="_blank">- Shree Charaniએ નોંધાવી ઐતિહાસિક સિદ્ધિ, રાધા યાદવનો મોટો રેકોર્ડ તોડી રચ્યો ઇતિહાસ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/kFL2T3ixL0obDmcYy4934aTdupVad2PjvKVjk8Ms.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: આજે વિધાનસભામાં ત્રણ સરકારી વિધેયક રજૂ થશે, દુષ્કાળની સ્થિતિનો મુદ્દો ચર્ચાશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-assembly-to-introduce-3-government-bills-today</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-assembly-to-introduce-3-government-bills-today</guid><pubDate>Fri, 11 Sep 2026 08:06:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાત વિધાનસભા સત્રનો આજે અંતિમ અને મહત્વપૂર્ણ દિવસ છે.સવારે 10 વાગ્યે ગૃહની કાર્યવાહી શરૂ થશે.દિવસની શરૂઆત પ્રથમ એક કલાકના પ્રશ્નોત્તરી કાળથી થશે.આજના આખરી સત્ર દરમિયાન રાજ્યમાં ઉદ્ભવેલી દુષ્કાળની ગંભીર સ્થિતિનો મુદ્દો વિશેષરૂપે ચર્ચાના કેન્દ્રમાં રહેશે.વિધાનસભાના નિયમ 116 અંતર્ગત તાકીદની અને અગત્યની બાબત તરીકે આ મુદ્દો ઉઠાવવામાં આવશે અને કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરી આ અંગે ગૃહનું ધ્યાન દોરશે.</p><h2 style="text-align: justify; "><b>બોર્ડ અને નિગમોના વાર્ષિક અહેવાલો ટેબલ પર મુકાશે</b></h2><p style="text-align: justify; ">રાજ્યના જે વિસ્તારોમાં વરસાદની અછત વર્તાઈ રહી છે ત્યાં દુષ્કાળ જાહેર કરવા તેમજ આ વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધી લેવાયેલા રાહત પગલાં અને પશુપાલકો તથા ખેડૂતો માટે કરવામાં આવેલા વિવિધ કાર્યોની સત્તાવાર માહિતી સરકાર દ્વારા ગૃહમાં રજૂ કરવામાં આવશે.સત્રના અંતિમ ચરણમાં રાજ્યના અલગ-અલગ બોર્ડ અને નિગમોના વાર્ષિક અહેવાલો પણ ગૃહમાં ટેબલ કરવામાં આવશે, તેમજ આગામી દિવસોની સંસદીય પ્રક્રિયા માટે છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે.</p><h2 style="text-align: justify; "><b>ત્રણ મહત્વપૂર્ણ સરકારી વિધેયકો રજૂ કરવામાં આવશે</b></h2><p style="text-align: justify; ">આ ઉપરાંત,આજના દિવસની સરકારી કામગીરી અંતર્ગત ગૃહમાં ત્રણ મહત્વપૂર્ણ સરકારી વિધેયકો રજૂ કરવામાં આવશે. જેમાં વેપાર અને ઉદ્યોગ સાહસિકતાને વધુ સુગમ બનાવવા માટે ગુજરાત ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ વિધેયક,ભાડા કરાર અને મકાનમાલિક-ભાડૂતના નિયમોમાં સુધારા માટે ગુજરાત ભાડા વિધેયક અને ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા તથા તેના એકત્રીકરણ માટેનું સુધારા વિધેયક સામેલ છે. GST કાયદામાં સુધારા માટેનું વિધેયક અને ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) વિધેયક સહિતની કામગીરી ગઈકાલના સત્ર દરમિયાન થઈ હતી.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/gift-city-liquor-sales-surge-14-times-in-one-year-gujarat-earns-rs-87-lakh" target="_blank">આ પણ વાંચોઃ Gandhinagar News: ગિફ્ટ સિટીમાં એક વર્ષમાં વિદેશી દારૂના વેચાણમાં 14 ગણો વધારો, બે વર્ષમાં 87 લાખની આવક</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/rjx4Gl3jd5aB1wuxSHY9JEi4IYcjAyzyVelslOi7.webp'/></item></channel></rss>