<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Gandhinagar: ગુજરાત પોલીસમાં 7 PI ની બદલી, 6 પીઆઈને ATSમાં અને વાય. જી. ગુર્જરની અમદાવાદ ગ્રામ્યમાં મુકાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-police-pi-transfer-6-pi-appointed-in-ats-y-g-gurjar-transferred-to-ahmedabad-rural</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-police-pi-transfer-6-pi-appointed-in-ats-y-g-gurjar-transferred-to-ahmedabad-rural</guid><pubDate>Mon, 14 Sep 2026 21:10:08 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાત પોલીસ તંત્રમાં વહીવટી સરળતા, આંતરિક સુરક્ષા અને તપાસ કામગીરીને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે ગાંધીનગર ખાતેથી 7 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ની બદલી અને નિમણૂકના સત્તાવાર આદેશો છૂટા કરવામાં આવ્યા છે.</p><h2><b>ગુજરાત પોલીસ તંત્રમાં વહીવટી બદલી&nbsp;</b></h2><p>આ બદલીમાં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) માં અનુભવી અધિકારીઓનો કાફલો મજબૂત કરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. રાજ્ય ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલ યાદી મુજબ, કુલ 6 પીઆઈને આતંકવાદ વિરોધી દળ (ATS) મા મુકવામાં આવ્યા છે.</p><p><img alt="WhatsApp Image 2026-09-14 at 20.53.19" src="https://epapercdn.sandesh.com/images/2026/09/14/11fyY8O0HCn44WJs6JXFQiQZdGBPdlQW3x0Xt9gG.webp" style="width: 50%;"><br></p><h3><b>6 પીઆઈને ATS મા મૂકવામાં આવ્યા</b></h3><p>બદલીના આદેશ અનુસાર, અત્યાર સુધી ATS માં ફરજ બજાવતા પીઆઈ વાય. જી. ગુર્જરની બદલી કરીને તેમને અમદાવાદ ગ્રામ્ય ખાતે મૂકવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ, રાજ્યના વિવિધ વિસ્તારોમાં ફરજ બજાવતા 6 પીઆઈ - એચ. પી. ઝાલા, ડી. બી. બારડ, ટી. એન. મોરડિયા, એચ. એમ. વ્યાસ, કે. વી. ડિંડોર અને વી. એલ. ગાગિયાને ATS મા મૂકવામાં આવ્યા છે.</p><h5><b>અનુભવી અધિકારીઓની ATS ખાતેની નિમણૂક</b></h5><p>રાજ્યમાં વધી રહેલા સાયબર ક્રાઇમ, આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય ગુનાહિત નેટવર્ક તેમજ સંવેદનશીલ કેસોની તપાસમાં આ અનુભવી અધિકારીઓની ATS ખાતેની નિમણૂક અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/mumbai-richest-bjp-mla-parag-shah-disguised-as-beggar-viral-video-jain-guru" target="_blank">આ પણ વાંચો: India: મહારાષ્ટ્રના સૌથી શ્રીમંત MLA પરાગ શાહ બન્યા 'ભિખારી'; રસ્તા પર ફરવા છતાં લોકો ઓળખી ન શક્યા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/B255rIaQnfWmPfXf5cDBkgF4MHhjaz9ToxZBOnxA.webp'/></item><item><title><![CDATA[Dahodમાં SRP ગ્રુપ પાવડી દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે ઈકો-ફ્રેન્ડલી શ્રીજીની ભવ્ય સ્થાપના ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dahod/dahod-ganeshotsav-srp-group-eco-friendly-shri-ganesh</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dahod/dahod-ganeshotsav-srp-group-eco-friendly-shri-ganesh</guid><pubDate>Mon, 14 Sep 2026 20:43:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દાહોદ સ્થિત એસઆરપી (SRP) ગ્રુપ પાવડી ખાતે ગણેશોત્સવની ખૂબ જ અનોખી અને ભવ્ય શૈલીમાં ઉજવણી કરવામાં આવી હતી. શ્રીજીની પ્રતિમાના આગમન પ્રસંગે એસઆરપીના જવાનો દ્વારા ભગવાન ગણેશને સલામી આપીને ગાર્ડ ઓફ ઓનર (Guard of Honour) આપવામાં આવ્યું હતું. એસઆરપીના જવાનોએ પૂરા માન-સન્માન અને આન, બાન તથા શાન સાથે વિઘ્નહર્તા દેવનું સ્વાગત કરીને ગણેશ સ્થાપના કરી હતી.</p><h2 style="text-align: justify; "><b>ગોદી રોડથી ભવ્ય શોભાયાત્રા અને ભક્તિમય માહોલ</b></h2><p style="text-align: justify; ">ભગવાન ગણેશની પ્રતિમાને દાહોદના ગોદી રોડ ખાતેથી અત્યંત ધામધૂમપૂર્વક અને વાજતે-ગાજતે લવાઈ હતી. આ પ્રસંગે ડીવાયએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, એસઆરપીના જવાનો તેમજ મોટી સંખ્યામાં કર્મચારીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. ભક્તિમય માહોલ વચ્ચે 'ગણપતિ બાપ્પા મોરિયા'ના ગગનભેદી જયઘોષથી સમગ્ર એસઆરપી કેમ્પસ અને આસપાસનો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>પર્યાવરણ જતન માટે ઈકો-ફ્રેન્ડલી પ્રતિમાની સ્થાપના</b></h3><p style="text-align: justify; ">પ્રકૃતિનું જતન થાય અને ગણેશોત્સવ દરમિયાન પર્યાવરણને કોઈ નુકસાન ન પહોંચે તેવો ઉમદા સંદેશ આપતાં એસઆરપી ગ્રુપ દ્વારા ખાસ ઈકો-ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. શોભાયાત્રા બાદ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા-અર્ચના કરી ગણેશોત્સવનો શુભારંભ કરાયો હતો. પોલીસ પરિવારના આ સુંદર અને પર્યાવરણપ્રેમી આયોજનની સ્થાનિકોમાં ભારે પ્રશંસા થઈ રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/CTH1SFXp4pC30KCI7Og3QCfjIJxME30V6wzOrhZE.webp'/></item><item><title><![CDATA[India: મહારાષ્ટ્રના સૌથી શ્રીમંત MLA પરાગ શાહ બન્યા 'ભિખારી'; રસ્તા પર ફરવા છતાં લોકો ઓળખી ન શક્યા ]]></title><link>https://sandesh.com/india/news/mumbai-richest-bjp-mla-parag-shah-disguised-as-beggar-viral-video-jain-guru</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/mumbai-richest-bjp-mla-parag-shah-disguised-as-beggar-viral-video-jain-guru</guid><pubDate>Mon, 14 Sep 2026 20:42:51 +05:30</pubDate><description><![CDATA[<p>મહારાષ્ટ્રના સૌથી ધનિક ધારાસભ્યોમાં સ્થાન ધરાવતા અને જાણીતા રિયલ એસ્ટેટ ડેવલપર તેમજ મુંબઈના ઘાટકોપર પૂર્વ બેઠકના ભાજપના ધારાસભ્ય પરાગ શાહનો એક આશ્ચર્યજનક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આશરે 3,300 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા ધારાસભ્ય મુંબઈની શેરીઓમાં સામાન્ય ભિખારીના વેશમાં ફરતા જોવા મળી રહ્યા છે.</p><h2><b>મુંબઈના અબજોપતિ MLA પરાગ શાહ</b></h2><p>મળતી વિગતો અનુસાર, પરાગ શાહે આ અનોખો પ્રયોગ પોતાના જૈન ગુરુ (ધાર્મિક નેતા) ની સલાહ પર કર્યો હતો. ગુરુએ તેમને અહંકાર ઓગાળવા, જીવનની કડવી વાસ્તવિકતાઓને નજીકથી સમજવા અને મનમાં નમ્રતાનો અનુભવ કરવા માટે પોતાનું પાત્ર બદલીને એક દિવસ ભિખારીના રૂપે શેરીઓમાં વિતાવવાની શિખામણ આપી હતી.</p><h3><b>અબજોપતિ MLA બન્યા ભિખારી!</b></h3><p>આખો દિવસ મુંબઈના રસ્તાઓ પર સાધારણ કપડાં અને વેશભૂષામાં ફરવા છતાં મોટાભાગના નાગરિકો દેશના આ અબજોપતિ નેતાને ઓળખી શક્યા નહોતા. પરાગ શાહે સામાન્ય ભિક્ષુકની જેમ સમય વિતાવીને લોકોનો વ્યવહાર અને તેમની પ્રતિક્રિયાઓને ખૂબ નજીકથી નિહાળી હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો સામે આવ્યા બાદ યુઝર્સ તેને આત્મનિરીક્ષણ અને સરળતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગણાવી રહ્યા છે.</p><h4><b>રસ્તા પર ફરવા છતાં લોકો ઓળખી ન શક્યા</b></h4><p>ઉલ્લેખનીય છે કે, પરાગ શાહે 2017માં BMC ચૂંટણીમાં કૌન્સિલર તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. ત્યારબાદ 2019 અને 2024ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ઘાટકોપર પૂર્વથી મોટા માર્જિનથી જીત મેળવી હતી. 2024ના સોગંદનામા મુજબ તેમની અને પત્નીની કુલ સંપત્તિ 3,383 કરોડ રૂપિયાથી વધુ છે, જે તેમને દેશના સૌથી ધનિક ધારાસભ્યોમાંના એક બનાવે છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/navsari/vansda-angadia-robbery-mastermind-rajaram-chaudhary-arrested-mount-abu-ashram" target="_blank">આ પણ વાંચો: Navsari: વાંસદામાં 12.50 લાખની આંગડિયા લૂંટ ચલાવી આશ્રમમાં મહંતનો શિષ્ય બન્યો, પોલીસથી બચવા સતત લોકેશન બદલ્યા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/09vGcfzaWhuQNr9uwpCzhofTTYnsRj6535K3hmcH.webp'/></item><item><title><![CDATA[Viramgam Rain Update: વિરમગામ અને નળકાંઠા પંથકમાં મેઘમહેર, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/viramgam-rain-update-nal-kantha-monsoon</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/viramgam-rain-update-nal-kantha-monsoon</guid><pubDate>Mon, 14 Sep 2026 20:27:29 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદી માહોલ છવાયેલો રહ્યો છે. આકાશમાં કાળાડિબાંગ વાદળોના ઘેરાવા વચ્ચે વિરમગામ શહેર અને તેની આસપાસના સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદ વરસી પડ્યો છે. અસહ્ય ઉકળાટ બાદ શરૂ થયેલા આ વરસાદના કારણે સમગ્ર વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે.</p><h2><b>વિરમગામ અને નળકાંઠામાં 1 ઇંચથી વધુ વરસાદ</b></h2><p>વિરમગામ શહેર ઉપરાંત નળકાંઠાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. ટૂંક જ સમયમાં પંથકમાં 1 ઈંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સાર્વત્રિક વરસેલા આ ધોધમાર વરસાદના કારણે ગ્રામીણ રસ્તાઓ અને ખેતરો પાણી-પાણી થઈ ગયાં છે.</p><h2><b>નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં</b></h2><p>વિરમગામ શહેરમાં ટૂંક સમયમાં ખાબકેલા ભારે વરસાદના કારણે વિરમગામ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. શહેરના ભરવાડી દરવાજા, નાના-મોટા પરકોટા, કસ્ટમ રોડ સહિતના મુખ્ય માર્ગો અને સોસાયટીઓમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો તેમજ સ્થાનિક રહીશોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.</p><p><img alt="Viramgam Rain Update: Heavy Rainfall in Ahmedabad Rural, Over 1 Inch Recorded" src="https://epapercdn.sandesh.com/images/2026/09/14/sF6516jDTe97izo2pEiDVGSSFhcnxEu3f5gGWe1w.webp"><br></p><h2><b>ખેતી પાકોને નવજીવન, ખેડૂતોમાં ખુશીની લહેર</b></h2><p>બીજી તરફ, આ વરસાદ અમદાવાદ ગ્રામ્યના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. સતત વરસાઈ રહેલા વરસાદી પાણીના કારણે સુકાવાની આરે પહોંચેલા ઊભા ખેતી પાકોને સંજીવની સમાન નવું જીવનદાન મળ્યું છે. જમીનમાં પૂરતો ભેજ મળતાં હવે પાકનો વિકાસ ઝડપી બનશે, જેને પગલે પંથકના જગતના તાતમાં ખુશીની લહેર દોડી ગઈ છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/viramgam-ahmedabad-district-lcb-team-arrests-3-habitual-criminals-from-vanswa-riots" target="_blank">Viramgam: વાંસવા દંગામાંથી અમદાવાદ જિલ્લા LCB ટીમે 3 રીઢા ગુનેગારને દબોચ્યા</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/ZhdPzztWRnMrc2EUEsIEFOThiXkHJhCmqOTfIs72.webp'/></item><item><title><![CDATA[Vadodaraના માંજલપુરમાં ફરિયાદ કરનાર પરિવાર પર અસામાજિક તત્વોનો હુમલો, વાહનોમાં કરી તોડફોડ! ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-manjalpur-assault-vandalism-after-police-complaint</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-manjalpur-assault-vandalism-after-police-complaint</guid><pubDate>Mon, 14 Sep 2026 20:14:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા શહેરના માંજલપુર અલવાનાકા વિસ્તારમાં અસામાજિક તત્વોનો ભારે આતંક સામે આવ્યો છે. ગત રોજ થયેલી મારામારી બાદ લૂખ્ખા તત્વો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ પોલીસ ફરિયાદની અદાવત રાખીને ઉશ્કેરાયેલા અસામાજિક તત્વોએ મોડી રાત્રે ફરિયાદ કરનાર પરિવારના ઘરમાં ઘૂસીને મહિલાઓ પર જાનલેવા હુમલો કર્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>ત્રણ વાહનો અને રિક્ષાના કાચ તોડી મચાવ્યો ઉત્પાદ</b></h2><p style="text-align: justify; ">હુમલાખોરોએ માત્ર પરિવારજનો પર હુમલો કરીને જ શાંત નહોતા રહ્યા, પરંતુ ઘરની બહાર પાર્ક કરેલા ત્રણ જેટલાં વાહનો અને ઓટો રિક્ષાના કાચ તોડીને ભારે તોડફોડ મચાવી હતી. અચાનક થયેલા આ હુમલા અને તોડફોડને કારણે સમગ્ર અલવાનાકા વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.</p><h3 style="text-align: justify; "><b>વિસ્તારમાં અસામાજિક તત્વોના ત્રાસથી સ્થાનિકોમાં રોષ</b></h3><p style="text-align: justify; ">માંજલપુર જેવા ધમધમતા વિસ્તારમાં જાહેરમાં ઘરમાં ઘૂસીને મહિલાઓને માર મારવાની અને તોડફોડ કરવાની ઘટનાથી સ્થાનિક રહીશોમાં પોલીસ તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ આ વિસ્તારમાં અસામાજિક તત્વોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા અને હુમલો કરનાર લૂખ્ખા તત્વો સામે આકરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/Z2kvnPxuKxgs23d95XTJXiywcgEntS9v0uzdBOZ7.webp'/></item><item><title><![CDATA[Gondal Rain Update: લાલપુલ અંડરબ્રિજમાં ફસાયેલી સ્કૂલ બસમાંથી વિદ્યાર્થીઓને રેસ્ક્યૂ કરાયા, Video ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/rajkot/gondal-rain-update-students-rescued-from-school-bus-stuck-in-lalpul-underbridge</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/rajkot/gondal-rain-update-students-rescued-from-school-bus-stuck-in-lalpul-underbridge</guid><pubDate>Mon, 14 Sep 2026 19:52:08 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં મેઘરાજાએ મહેરબાન થઈને તોફાની બેટિંગ કરી છે. ગોંડલ પંથકમાં ટૂંક જ સમયમાં સવા ત્રણ ઇંચ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અનરાધાર પડેલા વરસાદના કારણે ગોંડલ શહેરના તમામ મુખ્ય રાજમાર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવા પાણી ફરી વળ્યા હતા. રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાતાં જનજીવન અને વાહનવ્યવહાર ભારે પ્રભાવિત થયો હતો.</p><h2><b>લાલપુલ અંડરબ્રિજમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ ફસાઈ</b></h2><p>ગોંડલ શહેરના ઉમવાડા, લાલપુલ અને ખોડિયાર અંડરબ્રિજ નીચે ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે વાહનવ્યવહાર અટકી પડ્યો હતો. આ દરમિયાન લાલપુલ અંડરબ્રિજ નીચેથી પસાર થઈ રહેલી એક સ્કૂલ બસ પાણીના ભારે પ્રવાહ અને ઊંડાણમાં ફસાઈ ગઈ હતી. બસમાં માસૂમ વિદ્યાર્થીઓ સવાર હોવાના કારણે સ્થળ પર ક્ષણભર માટે ભારે અફરાતફરી અને ચિંતાનો માહોલ સર્જાયો હતો.  જોકે, ફાયર બ્રિગેડ દ્વારા તેમનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.</p><p><img alt="Gondal Rain Update: 3.25 Inches of Rain Causes Waterlogging, School Bus Rescued with JCB" src="https://epapercdn.sandesh.com/images/2026/09/14/3yw67R02VieG3JEalQnXMs2f1YnTpd19PUPWZz6y.webp"><br></p><h2><b>ફાયર બ્રિગેડ અને JCB ની મદદથી તમામ બાળકોનું સુરક્ષિત રેસ્ક્યૂ&nbsp;&nbsp;</b></h2><p>ઘટનાની જાણ થતાં જ ગોંડલ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ટીમે સમયસૂચકતા દાખવી JCB ની મદદથી અંડરબ્રિજમાં ઊંડા પાણીમાં ફસાયેલી સ્કૂલ બસને સફળતાપૂર્વક બહાર ખેંચી કાઢી હતી. બસમાં સવાર તમામ વિદ્યાર્થીઓને સહી-સલામત બહાર કાઢવામાં આવતાં વાલીઓ અને તંત્રએ મોટો રાહતનો શ્વાસ લીધો હતો.&nbsp;&nbsp;</p><p><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DdRVVo2iRGx/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DdRVVo2iRGx/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DdRVVo2iRGx/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DdRVVo2iRGx/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h2><b>મુરઝાતા પાકને મળ્યું નવું જીવનદાન, ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ&nbsp;&nbsp;</b></h2><p>શહેરી વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાયા બાદ બીજી તરફ આ વરસાદ ગોંડલ ગ્રામ્ય પંથકના ખેડૂતો માટે વરદાનરૂપ સાબિત થયો છે. છેલ્લા કેટલાક સમયથી વરસાદ ખેંચાતાં ખેતરોમાં પાક મુરઝાઈ રહ્યો હતો, પરંતુ આ સાર્વત્રિક વરસાદી મહેરના કારણે ઊભા પાકને સંજીવની સમાન નવું જીવનદાન મળ્યું છે, જેનાથી ગોંડલ પંથકના ખેડૂતો અને માલધારીઓમાં આનંદની લહેર છવાઈ ગઈ છે.&nbsp;</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/news/rajkot/district-heavy-rain-popatpara-nala-closed-dhoraji-gondal-monsoon" target="_blank">Rajkot: પોપટપરા નાળું અને રેલનગર અંડરબ્રિજ બંધ, લાંબા વિરામ બાદ મેઘમહેર થતા ખેડૂતોમાં ખુશીની લહેર</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/IGTSoOhApNnLnT4BvhWDSqtpcYxWp7YT2iQvCcJw.webp'/></item><item><title><![CDATA[Mujhe Neend Na Aaye Song: 'મુઝે નીંદ ના આયે, ચેન ના આયે..' શબ્દો સાંભળતા જ ભડક્યા હતા ઇન્દ્રકુમાર, ગીત થયું હતું રિજેક્ટ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/aamir-madhuri-mujhe-neend-na-aaye-cult-song</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/aamir-madhuri-mujhe-neend-na-aaye-cult-song</guid><pubDate>Mon, 14 Sep 2026 19:51:03 +05:30</pubDate><description><![CDATA[<p>1990ના દાયકામાં આમિર ખાન અને માધુરી દીક્ષિતની એક એવી ફિલ્મના કલ્ટ ગીત વિશે ચર્ચા થઇ રહી છે, જે આજે પણ પ્રેમીઓના દિલ પર રાજ કરે છે. આ ગીતને પહેલાં દિગ્દર્શકે નકારી કાઢ્યું હતું, પરંતુ પછી તે કલ્ટ બની ગયું.</p><p>1990ના દાયકામાં માત્ર ફિલ્મો જ નહીં, ઘણી ફ્લોપ અને હિટ ફિલ્મોનાં ગીતો પણ કલ્ટ ક્લાસિક બન્યાં હતાં, જે આજે પણ વર્ષો બાદ લોકોના દિલમાં વસેલા છે. ખાસ કરીને રોમેન્ટિક ગીતો આજે પણ પ્રેમીઓનાં મનપસંદ ગીતો છે. આજે આમિર ખાન અને માધુરી દીક્ષિતના એવા જ એક રોમેન્ટિક ગીત વિશે વાત કરી રહ્યા છીએ, જે 36 વર્ષ પહેલાં રિલીઝ થયું હતું અને પછી કલ્ટ બન્યું હતું. જોકે, દિગ્દર્શક આ ગીતને પોતાની ફિલ્મમાં લેવા માંગતા ન હતા, કારણ કે તેમને લાગતું હતું કે ગીતની શરૂઆતની લાઇન ઘણી જૂની છે. ચાલો, આ કિસ્સો જાણીએ...</p><p>આમિર ખાન અને માધુરી દીક્ષિતનું જે રોમેન્ટિક ગીત છે, તે 1990માં આવેલી ફિલ્મ ‘દિલ’નું છે. ગીતની શરૂઆત ‘મુઝે નીંદ ના આયે, ચેન ના આયે...’થી થાય છે. ગીતકાર સમીર અંજાને આ ગીત વિશો ઘણી વાતો શેર કરી હતી.&nbsp;</p><h2><b>‘દિલ’નું કલ્ટ ગીત કેવી રીતે તૈયાર થયું?</b></h2><p>સમીરે જણાવ્યું, ‘ઈન્દ્ર કુમાર એક ફિલ્મ બનાવી રહ્યા હતા, જેનું નામ ‘દિલ’ હતું. તેના મ્યુઝિક ડિરેક્ટર નદીમ-શ્રવણ હતા. આમિર ખાને તેમને મહબૂબ સ્ટુડિયોમાં બોલાવ્યા હતા. ત્યાં તેઓ કોઈ શૂટિંગ કરી રહ્યા હતા. ઈન્દ્ર કુમાર ત્યાં પહોંચ્યા ત્યારે તેમણે કહ્યું કે હું નદીમને ઓળખતો નથી. મારી ફિલ્મનું સંગીત એ જ આપશે, જેણે ‘કયામત સે કયામત તક’નું સંગીત આપ્યું હતું. સંગીત આનંદ-મિલિંદનું હશે. જો તમારે ફિલ્મ બનાવવી હોય તો આનંદ-મિલિંદને લો. હવે અભિનેતાએ આ વાત કહી દીધી હોવાથી તેમણે આ વાત માનવી પડી.’</p><p>સમીર અંજાને જણાવ્યું, ‘સંગીત આપવાની વાત નક્કી થઈ ગઈ. ત્યારબાદ ગીતકાર કોને રાખવા તે નક્કી કરવાનું હતું. ઈન્દ્ર કુમારે બક્ષી સાહેબનું નામ સૂચવ્યું. ત્યારે આનંદે કહ્યું કે કોઈને પણ રાખી લો. આ સમીરજી છે અને મેં તેમની સાથે ઘણું કામ કર્યું છે. તમે ઘરે આવો, અમે તમને કેટલાક ગીતો સંભળાવીએ. તેઓ એ જ સમયે આવ્યા અને તેમણે પહેલું જ ગીત સંભળાવ્યું, ‘ખંભે જૈસી ખડી હૈ, લગતા હૈ જૈસે છડી હૈ.’ તેમને આ ગીત ગમ્યું. તેમણે કહ્યું કે ગીત સારું છે, પરંતુ પછી કરીશું. અત્યારે એક રોમેન્ટિક ગીત કરવાનું છે, તેના પર કામ કરો.’</p><h2><b>આ રીતે કલ્ટ બન્યું ‘મુઝે નીંદ ના આયે...’</b></h2><p>‘મુઝે નીંદ ના આયે’ ગીત વિશે સમીર અંજાને કહ્યું, ‘પછી અમને રોમેન્ટિક ગીત માટેની સ્થિતિ આપવામાં આવી અને અમે ગીત લખ્યું, ‘મુઝે નીંદ ના આયે, ચેન ના આયે...’ અમે આ ગીત ખૂબ જ ઉત્સાહથી ઈન્દ્ર કુમારને સંભળાવ્યું. પરંતુ તેઓ અટકી ગયા. તેમણે કહ્યું કે ‘મુઝે નીંદ ના આયે’ આ લાઇન હું 500 ગીતોમાં સાંભળી ચૂક્યો છું. તેને બદલી નાખો. મેં કહ્યું કે તમારી વાત સાચી છે, પરંતુ તેને બદલીશું કેવી રીતે, કારણ કે ગીતની શરૂઆત જ આ લાઇન સાથે જોડાયેલી છે. મેં ઘણી કોશિશ કરી, પરંતુ તેનાથી સારી લાઇન મળી નહીં. વાત એટલી વધી ગઈ કે ઝઘડો પણ થયો. મેં કહ્યું કે જો સમજાતું નથી તો ગીત રેકોર્ડ કરી લઈએ. જો નહીં ચાલે તો તેને કાઢી નાખીશું. આ રીતે ગીત રેકોર્ડ થયું અને ફિલ્મ રિલીઝ થયા પછી તે કલ્ટ બની ગયું.’</p><h2><b>1990ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં ‘દિલ’ સામેલ હતી</b></h2><p>આમિર ખાનની ફિલ્મ ‘દિલ’ 1990માં રિલીઝ થઈ હતી અને તે વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં સામેલ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર નંબર 1 સ્થાન મેળવ્યું હતું.&nbsp; 2 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં 17 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે વિદેશમાં 5 કરોડ રૂપિયા અને ભારતમાં 7 કરોડ રૂપિયાની નેટ કમાણી કરી હતી. આ ફિલ્મ બાદ આમિર ખાન અને માધુરી દીક્ષિત સુપરસ્ટાર બની ગયા હતા.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/GU7RQOGzE5mVimVUwy5npiHpwT5c8TTCteBjfkPJ.webp'/></item><item><title><![CDATA[Highest Salary City in India: ભારતમાં સૌથી વધુ પગાર કયા શહેરમાં મળે છે? મુંબઇ, દિલ્હી નહીં આ શહેર ટોપ પર! ]]></title><link>https://sandesh.com/business/news/highest-salary-city-india-dehradun-average-earnings</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/highest-salary-city-india-dehradun-average-earnings</guid><pubDate>Mon, 14 Sep 2026 19:23:12 +05:30</pubDate><description><![CDATA[<p>એક સામાન્ય વ્યક્તિ સવારે કામ પર જાય છે અને આખો દિવસ મહેનત કરીને સાંજે ઘરે પરત ફરે છે. મહિનો પૂરો થયા બાદ જ્યારે હાથમાં પગાર આવે અને પગાર સારો હોય, ત્યારે દરેક વ્યક્તિ પોતાની સાથે પરિવારની જરૂરિયાતો પણ ખુશીથી પૂરી કરે છે. પરંતુ જો મહેનતની સરખામણીએ પગાર ઘણો ઓછો હોય, તો તેમાં ઘર ચલાવવું મુશ્કેલ બની જાય છે.</p><p>આ દરમિયાન દેશમાં અલગ-અલગ જિલ્લાઓમાં કર્મચારીઓની કમાણી અંગે સરકારી આંકડા સામે આવ્યા છે, જેમાં દેહરાદૂનનું નામ સૌથી ઉપર છે. અહીં કર્મચારીઓની સરેરાશ વાર્ષિક કમાણી 4 લાખથી વધુ નોંધાઈ છે.</p><h2><b>કેટલો છે પગાર?</b></h2><p>અહીં બિન-કોર્પોરેટ વ્યવસાયોમાં કામ કરતા કર્મચારીઓના સરેરાશ વાર્ષિક પગારના આંકડા સામે આવ્યા છે, જેને જાણીને ઘણા લોકોને આશ્ચર્ય થઈ શકે છે. અહીં કામદારોની સરેરાશ કમાણી 4.6 લાખ રૂપિયા છે. પગારના મામલે દેહરાદૂન નંબર 1 પર છે, પરંતુ આ સિવાય પણ ઘણા જિલ્લા એવા છે, જ્યાં વાર્ષિક કમાણી 2.5 લાખથી 3.5 લાખ રૂપિયા વચ્ચે રહી છે.</p><p>દેહરાદૂન સિવાય કયા જિલ્લા સામેલ છે?</p><p>બીજા નંબરે દક્ષિણ કન્નડ, કર્ણાટક છે.</p><p>ત્રીજા નંબરે અજમેર, રાજસ્થાન છે.</p><p>ત્યારબાદ ચોથા નંબરે ઈન્દોર, મધ્ય પ્રદેશ છે.</p><p>પાંચમા નંબરે કન્નુર, કેરળ છે.</p><p>આ જિલ્લાઓમાં કર્મચારીઓની સરેરાશ વાર્ષિક કમાણી લગભગ 2.5 લાખથી 3.5 લાખ રૂપિયા વચ્ચે રહી છે.</p><h2><b>નોકરી શોધનારાઓ માટે આ આંકડા મહત્વના</b></h2><p>મોંઘવારીના સમયમાં નોકરી કરવી ખૂબ જરૂરી છે, કારણ કે દરેક વ્યક્તિ પોતાનો વ્યવસાય કરી શકે નહીં. જો તમે પણ નોકરીની શોધમાં બીજા શહેરમાં જવાનું વિચારી રહ્યા છો, તો આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે દેહરાદૂનમાં કર્મચારીઓની સરેરાશ કમાણી સૌથી વધુ છે. એટલે કે અહીં બિન-કોર્પોરેટ વ્યવસાયોમાં કામ કરતા લોકોનો પગાર સારો છે.</p><p>માત્ર પગારમાં જ નહીં, કામના મામલે પણ આગળ</p><p>દેહરાદૂનમાં કર્મચારીઓની સરેરાશ કમાણી વધુ છે એ તો સ્પષ્ટ છે, પરંતુ તેની સાથે કામ દરમિયાન વધુ સેવાઓ અને કામ તૈયાર કરવામાં પણ દેહરાદૂન આગળ છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/RGpCkunii0TFaKbPBSLyOrwDlfSzEjyfoSOXBpmM.webp'/></item><item><title><![CDATA[Rahul ના માંસાહારીના નિવેદન પર આ દેશના પૂર્વ રાષ્ટ્રપતિનો કટાક્ષભર્યો જવાબ ]]></title><link>https://sandesh.com/india/news/iceland-ex-president-olafur-grimsson-recalls-serving-veg-food-to-apj-abdul-kalam-in-2005</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/iceland-ex-president-olafur-grimsson-recalls-serving-veg-food-to-apj-abdul-kalam-in-2005</guid><pubDate>Mon, 14 Sep 2026 18:56:08 +05:30</pubDate><description><![CDATA[<p>દિલ્હીમાં યોજાયેલી BRICS સમિટના ગાલા ડિનરમાં સંપૂર્ણપણે શાકાહારી મેનૂને લઈને ચાલી રહેલા રાજકીય વિવાદ વચ્ચે આઈસલેન્ડના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઓલાફુર રાગ્નાર ગ્રિમસને 20 વર્ષ જૂનો એક મહત્વપૂર્ણ કિસ્સો શેર કર્યો છે. ગ્રિમસને યાદ કર્યું કે 2005માં આઈસલેન્ડની તેમની સત્તાવાર મુલાકાત દરમિયાન તત્કાલીન રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામને સંપૂર્ણપણે શાકાહારી ભોજન પીરસવામાં આવ્યું હતું.</p><p><br></p><h4><b>આઈસલેન્ડ તરફથી કલામ અંગેની પ્રતિક્રિયા</b></h4><p>ગ્રિમસને તેમના સત્તાવાર 'X' (ટ્વિટર) એકાઉન્ટ પર લખ્યું, "જ્યારે મેં ભારતના રાષ્ટ્રપતિ માટે રાજકીય ભોજન સમારંભ (સ્ટેટ બેન્ક્વેટ)નું આયોજન કર્યું હતું - જે કોઈ નોર્ડિક દેશની આવી પ્રથમ મુલાકાત હતી. ત્યારે મેં સંપૂર્ણપણે શાકાહારી મેનૂ પીરસ્યું હતું. તે 20 વર્ષ પહેલાંની વાત છે, અને તે પણ આઈસલેન્ડમાં, જ્યાં શાકાહારી હોવું સરળ નથી!"</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ORGrimsson/status/2099072109934747657"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p>1996 થી 2016 સુધી આઈસલેન્ડના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપનાર ગ્રિમસને કલામની આઈસલેન્ડ અને વ્યાપક નોર્ડિક ક્ષેત્રની પ્રથમ મુલાકાત દરમિયાન તેમનું યજમાનપદ સંભાળ્યું હતું. તેમની આ પોસ્ટ BRICS સ્ટેટ ડિનરમાં માત્ર શાકાહારી ભોજન પીરસવા બદલ કરવામાં આવેલી મજાકભરી ટિપ્પણીઓના જવાબમાં આવી હતી.</p><p><br></p><h4><b>ગાલા ડિનરમાં શું પીરસવામાં આવ્યું હતું?</b></h4><p>વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ભારત મંડપમ ખાતે BRICS નેતાઓ માટે રાત્રિભોજનનું આયોજન કર્યું હતું. મેનૂમાં ભારતીય વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં વિવિધ પરંપરાગત અને આધુનિક શાકાહારી વાનગીઓ હતી. પીરસવામાં આવેલી વાનગીઓમાં ખાંડવી, પનીર લબાબદાર, ગુચ્છી મર્મિક, બાજરા પુલાવ, મશરૂમ ગલોટી અને જલેબીનો સમાવેશ થતો હતો.</p><p><br></p><h4><b>કોંગ્રેસનો આરોપ</b></h4><p>BRICS સમિટમાં સંપૂર્ણપણે શાકાહારી રાત્રિભોજનના એક દિવસ બાદ, રવિવારે કોંગ્રેસ પાર્ટીએ નિવેદન આપ્યું હતું કે ભાજપ હવે વિશ્વભરમાંથી આવતા મહેમાનો પર તેની "અત્યંત સમસ્યારૂપ" આહાર પસંદગીઓ લાદી રહ્યું છે. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે 80% ભારતીયો માંસાહારી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ X, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં રાહુલ ગાંધીએ લખ્યું, "માહિતી માટે - 80% ભારતીયો માંસાહારી છે. ભારતીય માંસાહારી ભોજન સ્વાદિષ્ટ હોય છે, અને મારી બહેનના છોલે-ભટુરે પણ." તેમણે ડાઇનિંગ ટેબલ પર મૂકવામાં આવેલા છોલે-ભટુરેની તસવીર પણ પોસ્ટ કરી હતી. જોકે રાહુલ ગાંધીએ BRICS ડિનરનો સીધો ઉલ્લેખ કર્યો ન હતો, પરંતુ કોંગ્રેસ પક્ષના મીડિયા અને પ્રચાર વિભાગના વડા પવન ખેડાએ ડિનર મેનૂનો સ્ક્રીનશોટ શેર કર્યો અને ભાજપ પર નિશાન સાધ્યું. ખેડાએ 'X' પર કહ્યું, "સાથી ભારતીયો પર પોતાની ખાનપાનની પસંદગીઓ થોપવાની ભાજપની આદત પહેલેથી જ અત્યંત સમસ્યારૂપ છે. હવે, તેઓએ વિશ્વભરમાંથી આવતા મહેમાનો પર પણ પોતાની પસંદગીઓ થોપીને આ બાબતને એક ડગલું આગળ વધારી છે."</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/RahulGandhi/status/2099050899360641454"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b style="font-size: 1.5rem;">'શું સરકારને ભારતની વિવિધતા પર શરમ આવે છે?'</b></p><p>તેમણે ટિપ્પણી કરી કે ભારત વિવિધતા અને ભોજનની વિવિધતાથી સમૃદ્ધ દેશ છે, જ્યાં અસંખ્ય ઉત્તમ માંસાહારી વાનગીઓ ઉપલબ્ધ છે જેને વિશ્વભરના લોકો પસંદ કરે છે અને માણે છે. ખેડાએ સવાલ ઉઠાવ્યો કે મોદી સરકારે ભારતીય સંસ્કૃતિના આ પાસાને છુપાવવાનો નિર્ણય કેમ લીધો. કોંગ્રેસ નેતાએ પૂછ્યું, "શું તેમને તે વિવિધતા પર જ શરમ આવે છે જે ભારતને ભારત બનાવે છે?"</p><p><br></p><p><b>'વિશ્વભરના નેતાઓએ ભારતીય ભોજનનો આનંદ માણ્યો; કોંગ્રેસ રાજકારણ રમી રહી છે'</b></p><p>જોકે, ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કોંગ્રેસની ટીકા પર આકરા પ્રહારો કર્યા. રિજિજુએ કહ્યું, "મને વિશ્વાસ નથી આવતો કે કોંગ્રેસ પક્ષ BRICS દેશોના નેતાઓને પીરસવામાં આવેલા ભોજનના મેનૂ પર પણ રાજકારણ રમી રહ્યો છે. અમારા મહેમાનોએ ભારતીય શાકાહારી વાનગીઓનો આનંદ માણ્યો, જે સ્વાદ અને પોષણથી ભરપૂર છે અને જેમા અલગ-અલગ ક્ષેત્રીય પરંપરા સામેલ છે.&nbsp;<br><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/extremely-heavy-rain-in-saurashtra-kutch-22-states-heavy-rain-warning-14-15-september-2026" target="_blank"><b>Weather Update: ક્યાકં વાવાઝોડું તો ક્યાંક વીજળી... 70-80 કિમીની ઝડપે ફૂંકાશે પવન, ભારે વરસાદને લઈને આપ્યું એલર્ટ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/tNEqRxyQjSuax4nApjEv1kvUakfOJ6mA9fzYPWxk.webp'/></item><item><title><![CDATA[પાકિસ્તાનની ટીમ ભારત આવશે! એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં જામશે ભારત-પાક જંગ ]]></title><link>https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</guid><pubDate>Mon, 14 Sep 2026 15:47:21 +05:30</pubDate><description><![CDATA[<p>આવતા મહિને પાકિસ્તાનની હોકી ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે. 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન પંજાબમાં યોજાનારી AHF મેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026માં પાકિસ્તાન સહિત કુલ છ ટીમો ભાગ લેશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પાકિસ્તાનની ભાગીદારી અંગેની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, મલ્ટી-નેશનલ ઇવેન્ટ્સ અંગે કેન્દ્ર સરકારની નીતિ હેઠળ બંને દેશોની ટીમો આમને-સામને રમશે.</p><h2><b>ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જાલંધરમાં રમાશે</b></h2><p>એશિયન મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન થશે. આ ટૂર્નામેન્ટમાં યજમાન ભારત અને પાકિસ્તાન ઉપરાંત ચીન, જાપાન, મલેશિયા અને કોરિયાની પણ ભાગ લેશે. લીગ સ્ટેજના મુકાબલા જાલંધરમાં યોજાશે, જ્યારે સેમિફાઇનલ અને ફાઇનલ મેચ મોહાલીના હોકી સ્ટેડિયમમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 1 નવેમ્બરે જાલંધરમાં રમાશે. કોઈ ટીમ છેલ્લી ઘડીએ ખસી જાય તો તે સ્થિતિ માટે ઓમાન અને બાંગ્લાદેશને રિઝર્વ ટીમન તરીકે રાખવામી આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PTI_News/status/2099416960278868155"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમવામાં કોઈ મુશ્કેલી નથી</b></h2><p>પાકિસ્તાનની ભાગીદારી અને જરૂરી મંજૂરીઓ અંગે પંજાબના મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં બંને દેશો વચ્ચે રમવામાં કોઈ મુશ્કેલી નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝનું આયોજન અલગ બાબત છે, કારણ કે કેન્દ્ર સરકારની વર્તમાન નીતિ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય રમત-ગમતના આયોજનની મંજૂરી આપતી નથી. પરંતુ મલ્ટી-નેશનલ ટૂર્નામેન્ટમાં બંને દેશોના ખેલાડીઓને એકબીજા સામે રમવાની પરવાનગી છે, જેથી પાકિસ્તાની ટીમ ભારત આવી શકશે.</p><h2><b>ભારત વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે</b></h2><p>ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. ભારતે 2023માં ચેન્નાઈ અને 2024માં ચીનના હુલુનબુઈરમાં યોજાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ગત વર્ષે આ સ્પર્ધા યોજાઈ શકી નહોતી. હવે પંજાબ પ્રથમ વખત આ ટૂર્નામેન્ટની મેજબાની કરવા જઈ રહ્યું છે.</p><h2><b>અગાઉ પાકિસ્તાની ટીમે ના કહી હતી&nbsp;</b></h2><p>પાકિસ્તાનની આ વખતની ભાગીદારી એટલા માટે પણ ખાસ છે, કારણ કે ગત વર્ષે તેણે તમિલનાડુમાં આયોજિત જૂનિયર હોકી વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તે સમયે બંને દેશો વચ્ચેના તણાવને તેનું કારણ ગણાવવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે અને પાકિસ્તાની ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે પૂરી રીતે તૈયાર છે.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/V6jwdiIr9RTCvR6EyBaGsP2qfZvYLq2JfkL7pytm.webp'/></item></channel></rss>