<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Romantic Song : 45 વર્ષથી UP-બિહારમાં ધૂમ મચાવી રહ્યું છે કિશોર કુમારનું આ ભોજપુરી ગીત! આજે પણ છે નંબર-1! ]]></title><link>https://sandesh.com/entertainment/news/kishore-kumar-sanwar-goriya-bhojpuri-song-45-years</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/kishore-kumar-sanwar-goriya-bhojpuri-song-45-years</guid><pubDate>Wed, 16 Sep 2026 16:11:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કિશોર કુમાર હિન્દી સિનેમાના એવા જાદુઈ ગાયક હતા, જે પોતાની ગાયકીથી દરેક અંદાજને વધુ સુંદર બનાવી દેતા હતા. તેમણે મહિલાના અવાજમાં પણ ઘણા યાદગાર ગીતો ગાયા છે. માત્ર હિન્દી જ નહીં, પરંતુ ભોજપુરી સિનેમામાં પણ તેમની ગાયકીનો જાદુ ચાલ્યો હતો. 45 વર્ષ પહેલા કિશોર કુમારે ઠેઠ ભોજપુરીમાં એક એવું ગીત ગાયું હતું, જે આજે પણ સાંભળતા જ મનને શાંતિ આપે છે. આ ગીત મસ્તીભર્યું હોવાની સાથે મધુર અને પ્રેમથી ભરેલું પણ છે.</p><h2 style="text-align: justify; "><b>કિશોર કુમારનું ભોજપુરી ગીત</b></h2><p style="text-align: justify; ">આ ગીત 1981માં આવેલી ફિલ્મ ધરતી મૈયાનું છે. ફિલ્મમાં કુલ 11 ગીતો હતા અને તમામ ગીતો સુપરહિટ થયા હતા. તેમાં એક ગીત કિશોર કુમારે પણ ગાયું હતું, જે મસ્તીભર્યું રોમેન્ટિક ગીત હતું. આ ગીતમાં પ્રેમી પોતાની પ્રેમિકાના વખાણ કરે છે અને પોતાના પ્રેમનો ઈઝહાર કરે છે.</p><h2 style="text-align: justify; "><b>મસ્તીભર્યા અંદાજમાં કિશોર કુમારે ગાયું હતું ગીત</b></h2><p style="text-align: justify; ">આ ગીત સાંવર ગોરિયા છે. આ ગીતના શબ્દો ખૂબ સુંદર છે, જેને લક્ષ્મણ શાહબાદીએ લખ્યા હતા. જ્યારે ગીતનું સંગીત ચિત્રગુપ્તે આપ્યું હતું, જેઓ તે સમયે ભોજપુરી ગીતો બનાવવા માટે જાણીતા હતા. કિશોર કુમારે પોતાના અવાજથી આ ગીતને યાદગાર બનાવી દીધું હતું. ઠેઠ ભોજપુરીમાં ગાયેલું તેમનું આ ગીત 80 અને 90ના દાયકામાં સૌથી વધુ પસંદ કરવામાં આવતા રોમેન્ટિક ગીતોમાં સામેલ થઈ ગયું હતું.<br><img alt="Kishore Kumar Bhojpuri Song (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/lrroBW8AXDUaUimcdXhBbc1fjkekyNiAXTYQ6GXs.webp"><br></p><h4 style="text-align: justify; "><b>45 વર્ષ બાદ પણ સાંભળવામાં આવે છે આ ગીત</b></h4><p style="text-align: justify; ">કિશોર કુમારના આ ગીતની ઘણી વખત રિમેક બનાવવામાં આવી, પરંતુ સંગીતપ્રેમીઓ પર તેની એવી અસર ન થઈ, જેવી કિશોર દાના અવાજમાં સાંભળવામાં આવેલા આ ગીતની થઈ હતી. તેમની ગાયકીની આગવી શૈલી હંમેશાની જેમ લોકોના દિલમાં વસી ગઈ. આ ગીતના શબ્દો, કિશોર દાનો અવાજ અને ચિત્રગુપ્તના સંગીતે તેને ક્લાસિક ગીતોની યાદીમાં સ્થાન અપાવ્યું. ફિલ્મની કાસ્ટની વાત કરીએ તો તેમાં જયશ્રી, બ્રજ કિશોર, હરિ શુક્લા અને પદ્મા ખન્નાએ મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/shah-rukh-khan-mannat-nameplate-maintenance-electricity-cost" target="_blank">આ પણ વાંચો-Bollywood King : શાહરૂખ ખાનના મન્નતની માત્ર નેમપ્લેટ જ 25 લાખની! મહિને આવે છે લાખોનું લાઈટ બિલ!</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/NEtVPYhxk3sIOYizLfeajTjOkE0BJqoaJJXNppJa.webp'/></item><item><title><![CDATA[Vadodaraના શિનોર પંથકમાં એક દિવસના વિરામ બાદ મેઘરાજાની પધરામણી, અવાખલ અને સાધલીમાં વરસાદ ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/vadodara/vadodara--rains-resume-in-shinor-after-brief-gap--seasonal-total-hits-33-85-inches</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/vadodara/vadodara--rains-resume-in-shinor-after-brief-gap--seasonal-total-hits-33-85-inches</guid><pubDate>Wed, 16 Sep 2026 16:10:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા જિલ્લાના શિનોર પંથકમાં માત્ર એક દિવસના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ મહેરબાની કરી છે. સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો અને વરસાદી માહોલ જામ્યો હતો. શિનોર તાલુકાના અવાખલ, સાધલી, સેગવા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે અને જોરદાર ઝાપટાં સાથે વરસાદની એન્ટ્રી થતાં સમગ્ર પંથકમાં વાતાવરણ આહલાદક અને ઠંડકભર્યું બની ગયું હતું.</p><h2 style="text-align: justify; "><b>ધરતીપુત્રોમાં ખુશીની લહેર, પાકને મળ્યું નવજીવન</b></h2><p style="text-align: justify; ">શિનોર પંથકમાં પડેલા આ વરસાદથી સૌથી વધુ ખુશી ખેડૂત આલમમાં જોવા મળી રહી છે. વિરામ બાદ ખેતીલાયક વરસાદ વરસતાં મોલ-પાકને મોટું નવજીવન મળ્યું છે. લાંબા અંતરાલ અને બફારા વચ્ચે પડેલા આ વરસાદથી ખેતીમાં મોટી રાહત મળવાની આશા જાગી છે. ખેડૂતોના મતે આ સમયસરનો વરસાદ પાક માટે સંજીવની સમાન સાબિત થશે, જેનાથી ઉત્પાદન સારું મળવાની સંભાવના વધી ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>સિઝનનો કુલ વરસાદ 33.85 ઇંચે પહોંચ્યો</b></h2><p style="text-align: justify; ">વહીવટી તંત્રના સત્તાવાર આંકડા અનુસાર શિનોર પંથકમાં સિઝનનો અત્યાર સુધીનો કુલ વરસાદ 33.85 ઇંચ નોંધાયો છે. સારા વરસાદના કારણે સ્થાનિક જળસ્ત્રોતોમાં પણ પાણીની આવક વધી છે. વડોદરા જિલ્લાના આ પંથકમાં મેઘરાજાની મહેરબાની ચાલુ રહેતાં ગ્રામજનો અને ખેડૂતો બંનેમાં ઉત્સાહનો માહોલ વ્યાપી ગયો છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/bharuch/bharuch--4-year-old-girl-dies-after-falling-into-open-gutter-in-valia--action-demanded" target="_blank">Bharuchના વાલીયામાં દર્દનાક દુર્ઘટના, મોદલીયા ગામમાં ખુલ્લી ગટરની કુંડીમાં પડી જતાં 4 વર્ષીય બાળકીનું મોત</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/Z8jHdniU2LN5IgyZdsCGOJ6CN2iYFYRnOAQSiPHO.webp'/></item><item><title><![CDATA[Gir Somnath: આલીદ્રાની સોમનાથ એકેડમીની માન્યતા રદ; ધો. 9 થી 12 ના વિદ્યાર્થીઓ અન્ય શાળામાં શિફ્ટ કરાશે ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gir-somnath/sutrapada-alidra-somnath-academy-school-recognition-cancelled</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gir-somnath/sutrapada-alidra-somnath-academy-school-recognition-cancelled</guid><pubDate>Wed, 16 Sep 2026 16:05:29 +05:30</pubDate><description><![CDATA[<p>ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના આલીદ્રા ગામે આવેલી સોમનાથ એકેડમી સ્કૂલ સામે શિક્ષણ બોર્ડ દ્વારા મોટી અને કડક કાર્યવાહી કરવામાં આવી છે. બોર્ડની તપાસ બાદ આલીદ્રાની સોમનાથ એકેડમી સ્કૂલની માન્યતા રદ કરવાનો સત્તાવાર હુકમ કરવામાં આવ્યો છે.</p><h2><b>ગીર સોમનાથમાં શિક્ષણ બોર્ડની મોટી કાર્યવાહી</b></h2><p>આ કેસમાં ગત 11 સપ્ટેમ્બરના રોજ બોર્ડની વિશેષ કમિટી સમક્ષ ઓનલાઇન હિયરિંગ (સુનાવણી) યોજાઈ હતી. જેમાં બોર્ડની કમિટીએ બંને પક્ષોને સાંભળ્યા બાદ શાળાની માન્યતા રદ કરવાનો નિર્ણય લીધો હતો. બોર્ડના આ આદેશ બાદ સ્થાનિક શિક્ષણ કચેરી દ્વારા શાળા સંચાલકોને હુકમની બજવણી કરી દેવામાં આવી છે.સોમનાથ એકેડમી સ્કૂલમાં ધોરણ ૯થી ૧૨ સુધીના વર્ગો ચાલતા હતા. માન્યતા રદ થવાને કારણે શાળા બંધ થવાના આરે પહોંચી છે, જેનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.</p><h3><b>આલીદ્રાની ‘સોમનાથ એકેડમી સ્કૂલ’ની માન્યતા કરાઈ રદ</b></h3><p>જોકે, શિક્ષણ વિભાગ અને સ્થાનિક કચેરી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોઈ પણ બાળકનું શિક્ષણ કાર્ય અટકશે નહીં. શાળા બંધ થવાની સ્થિતિમાં તમામ વિદ્યાર્થીઓને નજીકની અન્ય સરકારી કે ગ્રાન્ટેડ શાળાઓમાં સરળતાથી પ્રવેશ મળી રહે તે માટે સ્થાનિક કચેરી દ્વારા જરૂરી સૂચનાઓ અને આદેશો જારી કરવામાં આવ્યા છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/shardaben-hospital-dilapidated-building-beds-reduced-services-stopped" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: શારદાબેન હોસ્પિટલની જૂની બિલ્ડિંગ જર્જરિત; હોસ્પિટલ અન્ય બિલ્ડિંગમાં શિફ્ટ કરાશે</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/k2PGxvGFQoaypu8s50O3RldO559IUhjM6Noq4e9H.webp'/></item><item><title><![CDATA[Ambaji Bhadarvi Poonam Mela 2026: ભાદરવી પૂનમ મહામેળાને લઈને અંબાજી તંત્ર સજ્જ, ભક્તોને ખાસ અપીલ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/ambaji-bhadarvi-poonam-maha-mela-preparations-guidelines</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/ambaji-bhadarvi-poonam-maha-mela-preparations-guidelines</guid><pubDate>Wed, 16 Sep 2026 16:00:17 +05:30</pubDate><description><![CDATA[<p>પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી 20 થી 26 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમના ભવ્ય મહામેળાનું આયોજન કરવામાં આવ્યું છે. લાખો માઈભક્તોની અતૂટ આસ્થા સાથે જોડાયેલા આ મહામેળાને સફળ અને સુરક્ષિત રીતે સંપન્ન કરવા માટે વહીવટી અને પોલીસ તંત્ર પૂરજોશમાં તૈયારીઓમાં લાગી ગયું છે. આ અંગે આજે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં મેળાની વ્યવસ્થા, સુરક્ષા અને યાત્રાળુઓની સુવિધાઓ અંગે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.</p><h2><b>માઈભક્તો માટે તંત્રની ખાસ અપીલ</b></h2><p>મેળા દરમિયાન લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી પહોંચતા હોય છે. વિશાળ જનમેદની અને મંદિર પરિસરમાં ભીડ નિયંત્રણને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા પદયાત્રીઓ અને સંઘોને ખાસ અપીલ કરવામાં આવી છે. માઈભક્તોને મંદિર પરિસરમાં વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 5 મીટર થી નાની લંબાઈની ધજા સાથે જ અંબાજી આવવા અનુરોધ કરાયો છે. આ ઉપરાંત, પદયાત્રીઓના માર્ગો પર આવતા વિવિધ સેવા કેમ્પોમાં પણ શ્રદ્ધાળુઓ માટે પૂરતી સુવિધાઓ અને સુરક્ષા ઉપલબ્ધ કરાવાશે.</p><p><img alt="Ambaji Bhadarvi Poonam Mela 2026: Administration and Police Ready for Mega Event" src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/Cfde7fkjfEquyKIcMO9IWMWjok5Nnt22LJiju1Zl.webp"><br></p><h2><b>ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને હાઇ-ટેક સર્વેલન્સ</b></h2><p>મેળામાં સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે. જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું કે, સમગ્ર મેળો ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ યોજાશે. મહિલા યાત્રિકોની સુરક્ષા માટે વિશેષ SHE Teams સતત કાર્યરત રહેશે. અંબાજી ધામ અને સમગ્ર મેળાના વિસ્તારને સીસીટીવી (CCTV) નેટવર્કથી સજ્જ કરી 24 કલાક ઝીણવટભર્યું સર્વેલન્સ રાખવામાં આવશે.</p><p><img alt="Ambaji Bhadarvi Poonam Mela 2026: Administration and Police Ready for Mega Event" src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/6EeREolKbCilrT1S7Isu0kaC7F52wMg7uVaw029O.webp"><br></p><p>જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ વધુમાં જણાવ્યું હતું કે, અસામાજિક તત્વો અને ખિસ્સાકાતરુઓ પર બાજ નજર રાખવા માટે એન્ટી-પીકપોકેટિંગ સ્ક્વોડ, QRT, SOG અને LCB ની ટીમો પણ તૈનાત કરવામાં આવશે. માઈભક્તોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે અને તેઓ સુરક્ષિત રીતે મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી શકે તે માટે તંત્ર દ્વારા વ્યાપક અને સઘન આયોજન કરવામાં આવ્યું છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/palanpur/palanpur-bhadarvi-poonam-maha-mela-at-ambaji-more-than-200-service-camps-will-be-held-on-the-roads-1" target="_blank">Palanpur : અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો, માર્ગો પર 200થી વધુ સેવા કેમ્પ ધમધમશે</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/8nU1tzpBzWUMbHgxbDyUw0Kg3iSpWHWJPJ2K0SgC.webp'/></item><item><title><![CDATA[Rapido Ride Booking: CCPAએ લગાવ્યો ₹10 લાખનો દંડ, જાણો શું છે મામલો ]]></title><link>https://sandesh.com/business/news/rapido-ride-booking-ccpa-10-lakh-fine-dark-pattern</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/rapido-ride-booking-ccpa-10-lakh-fine-dark-pattern</guid><pubDate>Wed, 16 Sep 2026 15:59:21 +05:30</pubDate><description><![CDATA[<p>Rapido ride booking: રાઇડ બુક કરનારા યુઝર્સને વધુ ભાડું ચૂકવવા માટે પ્રેરિત કરવાના મામલે Rapido સામે કાર્યવાહી કરવામાં આવી છે. કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા પ્રાધિકરણ (CCPA)એ Rapidoની ઓપરેટર કંપની Roppen Transportation Services પર 10 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. CCPAને Rapido એપમાં કેટલીક ડિઝાઇન અને મેસેજ વાંધાજનક હતા. તેના કારણે યુઝર્સ વધુ ભાડું પસંદ કરે તેવી શક્યતા હોવાનું જણાવાયું છે.</p><p><b>વધુ પૈસા આપશો તો રાઇડ મળવાની શક્યતા વધુ</b></p><p>CCPAની તપાસ દરમિયાન Rapido એપ પર એવા મેસેજ જોવા મળ્યા હતા, જેમાં યુઝરને જણાવવામાં આવતું હતું કે વધુ કિંમત ઓફર કરવાથી રાઇડ મળવાની શક્યતા વધી શકે છે. એક મેસેજમાં “Higher the price, higher the chance of getting a ride” લખવામાં આવ્યું હતું. બીજા મેસેજમાં જણાવાયું હતું કે કેપ્ટન 60 રૂપિયામાં રાઇડ સ્વીકારી રહ્યા નથી અને યુઝર તેમાં 10, 20 કે 30 રૂપિયા વધુ ઉમેરી શકે છે.</p><p><b>CCPAએ તેને ડાર્ક પેટર્ન કેમ ગણ્યું?</b></p><p>CCPAને Rapido એપમાં બે પ્રકારના ડાર્ક પેટર્ન જોવા મળ્યા હતા. તેમાં Confirm Shaming અને Interface Interferenceનો સમાવેશ થાય છે. Confirm Shamingમાં યુઝર પર એવી રીતે દબાણ બનાવવામાં આવે છે કે તે કોઈ વિકલ્પ પસંદ કરવામાં સંકોચ અનુભવે અથવા તેને ખોટું કરી રહ્યો હોય તેવું લાગે. જ્યારે Interface Interferenceમાં એપનું ઈન્ટરફેસ એવી રીતે બનાવવામાં આવે છે કે યુઝર કોઈ ખાસ વિકલ્પ તરફ વધુ આકર્ષાય.</p><p><b>‘Set your price’ ફીચર પર પણ સવાલ</b></p><p>CCPAએ Rapidoના ‘Set your price’ ફીચર પર પણ સવાલ ઉઠાવ્યા હતા. યુઝર વધુ પૈસા પસંદ કરે ત્યારે એપમાં લીલા રંગથી વધુ રાઇડ મળવાની શક્યતા બતાવવામાં આવતી હતી. જ્યારે ઓછી કિંમત પસંદ કરવાથી લાલ કે નારંગી રંગ દેખાતો હતો. CCPAનું કહેવું હતું કે આવી રીતે રંગોનો ઉપયોગ કરીને યુઝરના નિર્ણય પર અસર પડી શકે છે.</p><p><b>બુકિંગ પહેલાં લેવાતી રકમને ‘ટિપ’ કહેવા સામે વાંધો</b></p><p>CCPAએ રાઇડ બુક કરતા પહેલાં લેવામાં આવતી વધારાની રકમને ટિપ તરીકે દર્શાવવા સામે પણ વાંધો વ્યક્ત કર્યો હતો. નિયમનકારી સંસ્થા અનુસાર, રાઇડ બુક કરતી વખતે દેખાતું ભાડું અંતર, સમય, ટ્રાફિક, ટોલ અને ડ્રાઇવરને મળતી રકમ જેવા વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને નક્કી થાય છે.  CCPAએ Motor Vehicle Aggregator Guidelines, 2025નો પણ ઉલ્લેખ કર્યો હતો. આ માર્ગદર્શિકા અનુસાર ટિપ આપવાનો વિકલ્પ રાઇડ પૂર્ણ થયા બાદ મળવો જોઈએ, બુકિંગ સમયે નહીં.</p><p><b>Uber અને Ola પણ તપાસ હેઠળ</b></p><p>આ કાર્યવાહી માત્ર Rapido પૂરતી મર્યાદિત નથી. CCPAએ અગાઉ Uber, Ola, Rapido અને Namma Yatriને ડાર્ક પેટર્ન સંબંધિત નિયમોનું પાલન કરવા અને સેલ્ફ-ડિક્લેરેશન જમા કરાવવા કહ્યું હતું. Uber અને Ola સાથે જોડાયેલા મામલાની તપાસ હજુ ચાલી રહી છે.</p><p><b>ગ્રાહકો ક્યાં ફરિયાદ કરી શકે?</b></p><p>CCPA અનુસાર, જો કોઈ ગ્રાહકને ખોટી જાહેરાત, અનુચિત વેપારી વ્યવહાર અથવા ડાર્ક પેટર્ન સંબંધિત ફરિયાદ હોય તો તે રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન 1915 પર ફરિયાદ કરી શકે છે.</p><p><b><a href="https://sandesh.com/business/news/uber-and-rapido-licenses-suspended-for-6-months-in-chandigarh#google_vignette" target="_blank">આ પણ વાંચો: ભારતના આ રાજ્યમાં ઉબેર અને રેપિડો એપ પર પ્રતિબંધ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/ghriY8DAGXe3rvSDuUBi37oEwTcHZtxUUy0kaBhe.webp'/></item><item><title><![CDATA[Ahmedabad SVP હોસ્પિટલમાં ગંદકીના ગંભીર દ્રશ્યો સામે આવતાં તંત્ર લાલઘૂમ, સફાઈ એજન્સીને નોટિસ ફટકારી ખુલાસો મંગાયો! ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad--notice-to-sanitation-agency-over-filth-at-svp-hospital--qr-system-launched</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad--notice-to-sanitation-agency-over-filth-at-svp-hospital--qr-system-launched</guid><pubDate>Wed, 16 Sep 2026 15:52:41 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદની પ્રખ્યાત SVP (સરદાર વલ્લભભાઈ પટેલ) હોસ્પિટલમાં સફાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. હોસ્પિટલના ચેરમેન અને કમિટીના સભ્યો દ્વારા કરવામાં આવેલા સરપ્રાઈઝ રાઉન્ડ અને નિરીક્ષણ દરમિયાન હોસ્પિટલ પરિસરમાં ઠેર-ઠેર ગંદકી જોવા મળી હતી. હોસ્પિટલમાં સફાઈની કથળેલી સ્થિતિને પગલે તંત્ર દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે અને સફાઈ કોન્ટ્રાક્ટ ધરાવતી એજન્સીને કારણદર્શક નોટિસ ફટકારીને કડક કાર્યવાહી માટે ખુલાસો માંગવાનો નિર્ણય લેવાયો છે.</p><h2 style="text-align: justify; "><b>ફરિયાદ નિવારણ માટે હવે સ્કેન કરો QR કોડ</b></h2><p style="text-align: justify; ">દર્દીઓ અને તેમના સગાં-સંબંધિઓને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ પ્રશાસન દ્વારા એક નવો ડિજિટલ અભિગમ અપનાવવામાં આવ્યો છે. હોસ્પિટલમાં સફાઈ કે અન્ય આરોગ્ય સંબંધિત સેવાઓ અંગેની ફરિયાદો માટે ખાસ QR કોડ મુકવામાં આવ્યા છે. હોસ્પિટલમાં આવનાર કોઈપણ નાગરિક હવે પોતાના મોબાઈલથી આ QR કોડ સ્કેન કરીને સફાઈ કે સુવિધાઓ અંગે સીધી રીતે પોતાની ફરિયાદ નોંધાવી શકશે.</p><h2 style="text-align: justify; "><b>ફોટો પુરાવા વિના ફરિયાદનો આખરી નિકાલ નહીં થાય</b></h2><p style="text-align: justify; ">નવી વ્યવસ્થાને વધુ પારદર્શક અને પરિણામલક્ષી બનાવવા માટે હોસ્પિટલ તંત્ર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે. જે મુજબ, નોંધાયેલી ફરિયાદના સ્થળ પર સફાઈ કે સુધારાત્મક કામગીરી પૂર્ણ થઈ ગઈ છે તે અંગેના ફોટોગ્રાફ્સ અપલોડ ન થાય ત્યાં સુધી સિસ્ટમમાં તે ફરિયાદનો આખરી નિકાલ (Resolved) ગણવામાં આવશે નહીં. આ આકરા નિયમથી સફાઈ એજન્સીઓ પર કડક મોનિટરિંગ રાખી શકાશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/bharuch/bharuch--4-year-old-girl-dies-after-falling-into-open-gutter-in-valia--action-demanded" target="_blank">Bharuchના વાલીયામાં દર્દનાક દુર્ઘટના, મોદલીયા ગામમાં ખુલ્લી ગટરની કુંડીમાં પડી જતાં 4 વર્ષીય બાળકીનું મોત</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/ND99RZRAbuYzNhVLRbEwXclKqnuoyskLTMvEjIMl.webp'/></item><item><title><![CDATA[શહઝાદ ભટ્ટી નેટવર્ક પર સરકાર એક્શન મોડમાં... UAPA હેઠળ આતંકી સંગઠન જાહેર ]]></title><link>https://sandesh.com/india/news/isi-gangster-shahzad-bhatti-network-declared-terrorist-entity-under-uapa</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/isi-gangster-shahzad-bhatti-network-declared-terrorist-entity-under-uapa</guid><pubDate>Wed, 16 Sep 2026 15:48:15 +05:30</pubDate><description><![CDATA[<p>ISI (ઇન્ટર-સર્વિસીસ ઇન્ટેલિજન્સ) સમર્થિત પાકિસ્તાની ગેંગસ્ટર શહઝાદ ભટ્ટી અને તેના નેટવર્ક સાથે સંકળાયેલા યુવાનોને UAPA હેઠળ 'આતંકવાદી સંગઠન' (terrorist entity) તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયે તેના સત્તાવાર X (ટ્વિટર) એકાઉન્ટ પર આ માહિતી આપી હતી. શહઝાદ ભટ્ટી એક પાકિસ્તાની ગેંગસ્ટર છે જે હાલમાં દુબઈમાં રહે છે; તે આતંકવાદી પ્રવૃત્તિઓમાં સતત વધુ સંડોવાયેલો જોવા મળ્યો છે.</p><p><br></p><p>તેમાં વધુમાં જણાવાયું છે કે, "આ જૂથ હથિયારો, વિસ્ફોટકો અને નશીલા પદાર્થોની સરહદ-પારની દાણચોરીમાં સામેલ છે અને યુવાનો તથા નાના ગુનેગારોને આતંકવાદ તરફ ઉશ્કેરે છે. ભારતની લોકશાહી વ્યવસ્થા અને સાંપ્રદાયિક સૌહાર્દને નિશાન બનાવતા, આ સિન્ડિકેટ દ્વારા નફરત ફેલાવવાના ઉદ્દેશ્યથી ડિજિટલ સામગ્રી પણ પ્રકાશિત કરવામાં આવી હતી."</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/HMOIndia/status/2100156552179294501"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><br></p><h4><b>શહઝાદ ભટ્ટીના નેટવર્ક વિરુદ્ધ કાર્યવાહી; 200થી વધુની ધરપકડ</b></h4><p>અગાઉ ઓગસ્ટ મહિનામાં, સુરક્ષા એજન્સીઓએ શહઝાદ ભટ્ટીના નેતૃત્વ હેઠળના ISI-સમર્થિત આતંકવાદી નેટવર્ક વિરુદ્ધ એક મોટું અભિયાન હાથ ધર્યું હતું. 14 રાજ્યોમાં હાથ ધરવામાં આવેલા આ અભિયાન દરમિયાન શહઝાદ ભટ્ટીના નેટવર્ક સાથે સંકળાયેલા 200થી વધુ શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ કાર્યવાહી અંગે વિગતો આપી હતી.</p><p><br></p><p>સતત અપડેટ ચાલુ છે...</p><p>આ પણ વાંચો:<a href="https://sandesh.com/india/news/entertainment/disha-salian-case-mystery-woman-at-shatabdi-hospital" target="_blank"><b> દિશા સાલિયાનને હોસ્પિટલ લઈ જનારી છોકરી કોણ હતી? CBI તપાસમાં ઉઠ્યા અનેક સવાલ!</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/R2ZHBZq2mVRfpZmKeQ9x4pfe25UlIhsbeq4Uz33U.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: શારદાબેન હોસ્પિટલની જૂની બિલ્ડિંગ જર્જરિત; હોસ્પિટલ અન્ય બિલ્ડિંગમાં શિફ્ટ કરાશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/shardaben-hospital-dilapidated-building-beds-reduced-services-stopped</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/shardaben-hospital-dilapidated-building-beds-reduced-services-stopped</guid><pubDate>Wed, 16 Sep 2026 15:34:52 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત અને પૂર્વ અમદાવાદની જીવાદોરી સમાન શારદાબેન હોસ્પિટલની જૂની બિલ્ડિંગ અત્યંત જર્જરિત થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. દર્દીઓ અને મેડિકલ સ્ટાફની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જૂની બિલ્ડિંગ બંધ કરી તમામ વિભાગોને હોસ્પિટલ કેમ્પસની અન્ય બિલ્ડિંગમાં ખસેડવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.</p><h2><b>શારદાબેન હોસ્પિટલની જૂની બિલ્ડિંગ અત્યંત જર્જરિત</b></h2><p>આ શિફ્ટિંગના કારણે હોસ્પિટલની કામગીરી અને સુવિધાઓ પર મોટી અસર પડી છે. અગાઉ 500 બેડની ક્ષમતા ધરાવતી આ હોસ્પિટલમાં હવે માત્ર 307 બેડ જ ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત અગાઉ કાર્યરત 12 ઓપરેશન થિયેટર (OT) પૈકી હવે માત્ર 7 ઓપરેશન થિયેટર જ ચાલુ રાખવામાં આવશે, જેના કારણે પ્લાન્ડ સર્જરી કરાવતા દર્દીઓને રાહ જોવી પડી શકે છે.</p><h3><b>હવે માત્ર 307 બેડ જ ઉપલબ્ધ રહેશે</b></h3><p>બિલ્ડિંગ શિફ્ટિંગ અને જર્જરિત હાલતના કારણે હોસ્પિટલમાં હાલ પૂરતી બ્લડ બેંક, સીટી સ્કેન અને એક્સ-રે (X-Ray) મશીનની સેવાઓ પણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જેના કારણે ઈમરજન્સીમાં આવતા દર્દીઓને અન્ય સરકારી કે મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે રિફર કરવાની ફરજ પડી શકે છે.</p><h4><b>હવે માત્ર 7 OT કાર્યરત રહેશે</b></h4><p>બીજી તરફ, હોસ્પિટલ કેમ્પસમાં આવેલી બોયઝ હોસ્ટેલની બિલ્ડિંગ પણ અત્યંત જર્જરિત હોવાનું સામે આવ્યું છે. જોકે, જ્યાં સુધી તંત્ર દ્વારા અન્ય વૈકલ્પિક બિલ્ડિંગની વ્યવસ્થા ન કરવામાં આવે ત્યાં સુધી હોસ્ટેલના વિદ્યાર્થીઓએ આ જ ઇમારતમાં રહેવું પડશે. હોસ્પિટલમાં સુવિધાઓ ઘટતાં પૂર્વ અમદાવાદના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે મુશ્કેલીઓ વધી શકે છે.<br><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/danilimda-khodiyarnagar-car-accident-hits-divider" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: ખોડિયારનગર પાસે બેકાબૂ કાર રોડના ડિવાઇડર પર ચડી ગઈ! સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/5gJh8EthKXc2oa6qHpLLWDo8Vh8PLpuwOZxvfeZk.webp'/></item><item><title><![CDATA[દિશા સાલિયાનને હોસ્પિટલ લઈ જનારી છોકરી કોણ હતી? CBI તપાસમાં ઉઠ્યા અનેક સવાલ! ]]></title><link>https://sandesh.com/india/news/entertainment/disha-salian-case-mystery-woman-at-shatabdi-hospital</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/entertainment/disha-salian-case-mystery-woman-at-shatabdi-hospital</guid><pubDate>Wed, 16 Sep 2026 15:24:32 +05:30</pubDate><description><![CDATA[<p>દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયનના મૃત્યુની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા FIR નોંધાયા બાદ ફરી શરૂ થઈ છે. દિશાના મૃત્યુ અંગે હવે નવી માહિતી સામે આવી છે, જેનાથી તે રાત્રે બનેલી ઘટનાઓ વિશે નવા પ્રશ્નો ઊભા થયા છે. સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે દિશાને શતાબ્દી હોસ્પિટલ લઈ જનારા લોકોમાં યુવતી કોણ હતી?</p><p><br></p><p>દિશાનું મૃત્યુ 8-9 જૂન, 2020ની રાત્રે મુંબઈના મલાડ વિસ્તારમાં થયું હતું. તેને ગંભીર હાલતમાં શતાબ્દી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ ત્યાં પહોંચતા જ તેને મૃત જાહેર કરવામાં આવી હતી. હવે, તપાસમાં સામેલ એક પોલીસ અધિકારીના નિવેદનથી એવી શક્યતા ઊભી થઈ છે કે તેને હોસ્પિટલ લાવનારા જૂથમાં એક યુવતી પણ હાજર હતી.</p><p><br></p><h4><b>નિવેદનમાં બે યુવકો અને એક યુવતીનો ઉલ્લેખ</b></h4><p>એવો દાવો કરવામાં આવે છે કે શતાબ્દી હોસ્પિટલમાં ફરજ પર રહેલા પોલીસ કોન્સ્ટેબલ સંતોષ કાચીરાત ગુનગુનેનું નિવેદન 15 જૂન, 2020ના રોજ નોંધવામાં આવ્યું હતું. આ નિવેદનમાં કથિત રીતે એક ડૉક્ટર પાસેથી મળેલી માહિતીનો ઉલ્લેખ છે, જેમાં જણાવાયું છે કે બે યુવકો અને એક યુવતી દિશાને હોસ્પિટલ લાવ્યા હતા. નિવેદનમાં તે યુવકોમાંથી એકની ઓળખ હિમાંશુ શિખરે તરીકે પણ કરવામાં આવી છે.</p><p><br></p><p>આનાથી સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય છે: તે યુવતી આખરે કોણ હતી? વધુમાં, પોલીસ રેકોર્ડમાં વિરોધાભાસી વિગતો કેમ નોંધવામાં આવી હતી? દિશાના મંગેતર રોહન રાય અને કેસ સાથે સંકળાયેલા અન્ય લોકોના નિવેદનોમાં હિમાંશુ શિખરે અને ઇન્દ્રનીલ વૈદ્યનો ઉલ્લેખ છે કે તેઓ જ તેને હોસ્પિટલ લઈ ગયા હતા. બોમ્બે હાઈકોર્ટના તાજેતરના આદેશમાં પણ રોહન રાયના પૂરક નિવેદનનો સંદર્ભ આપવામાં આવ્યો છે, જેમાં જણાવાયું છે કે હિમાંશુ અને ઇન્દ્રનીલ દિશાને હોસ્પિટલ લઈ ગયા હતા. બીજી તરફ, પોલીસ અધિકારીના કથિત નિવેદનમાં બે યુવકો અને એક યુવતીની હાજરીનો દાવો કરવામાં આવ્યો છે. આમ, તપાસ માટે મુખ્ય પ્રશ્ન એ છે કે: શું તેને હોસ્પિટલ લઈ જનારી ત્રીજી વ્યક્તિ એક યુવતી હતી? જો એમ હોય, તો તે કોણ હતી?</p><p><br></p><p>શું તે યુવતીની ઓળખ થઈ? જો તે રાત્રે દિશાને હોસ્પિટલ લઈ જનારા લોકોમાં કોઈ યુવતી સામેલ હતી, તો તપાસમાં તેની ઓળખ સ્પષ્ટ થવી જરૂરી છે: તેનું નામ શું હતું? તે દિશા સાથે કેવી રીતે આવી હતી? શું તે ઘટનાસ્થળેથી સીધી હોસ્પિટલ ગઈ હતી, કે પછી રસ્તામાં તે તેમની સાથે જોડાઈ હતી? શું પોલીસે તેનું નિવેદન નોંધ્યું હતું? શું તેના મોબાઈલ નંબર અથવા લોકેશનના રેકોર્ડ્સ તપાસવામાં આવ્યા હતા? શું હોસ્પિટલના CCTV ફૂટેજ દ્વારા તેની ઓળખ કરવામાં આવી હતી?</p><p><br></p><h4><b>હોસ્પિટલના CCTV ફૂટેજ મહત્વપૂર્ણ</b></h4><p>આ સમગ્ર મામલામાં હોસ્પિટલના CCTV ફૂટેજ નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. જો હોસ્પિટલના પ્રવેશદ્વાર, પાર્કિંગ વિસ્તાર અથવા ઈમરજન્સી વોર્ડના ફૂટેજ ઉપલબ્ધ હોય, તો તેનાથી સ્પષ્ટ થઈ શકે છે કે દિશાને હોસ્પિટલ કોણ લાવ્યું હતું. ફૂટેજમાં એ પણ જોઈ શકાય છે કે કયું વાહન આવ્યું હતું, તેમાંથી કોણ બહાર આવ્યું અને દિશાને અંદર કોણ લઈ ગયું. શું તેમની સાથે કોઈ મહિલા પણ હતી? આનાથી એ પ્રશ્ન ઊભો થાય છે શું પોલીસે તે સમયના CCTV ફૂટેજ સુરક્ષિત રાખ્યા હતા? જો હા, તો તપાસના રેકોર્ડમાં તે ક્યાં છે? અને જો ફૂટેજ ઉપલબ્ધ નહોતા, તો તેનું કારણ શું હતું? આ પ્રશ્નોના જવાબ માત્ર તપાસ કરતી એજન્સી પાસે રહેલા રેકોર્ડ અને દસ્તાવેજોમાં જ મળી શકે છે.</p><p><br></p><h4><b>રાધિકા નેહલાની અંગેના દાવા</b></h4><p>સોશિયલ મીડિયા અને અમુક લોકો વચ્ચે હવે એવા દાવા થઈ રહ્યા છે કે શતાબ્દી હોસ્પિટલમાં દિશા સાથે હાજર રહેલી યુવતી કદાચ રાધિકા નેહલાની હોઈ શકે છે. એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે રાધિકા એ જ મહિલા છે જેનું નામ સુશાંત સિંહ રાજપૂત કેસ સંબંધિત વીડિયો અને ચર્ચાઓમાં સામે આવ્યું હતું. જોકે, આ દાવાની કોઈ સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.</p><p><br></p><p>વર્ષ 2020માં સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ અમુક વીડિયો વાયરલ થતાં સોશિયલ મીડિયા પરની ચર્ચાઓમાં રાધિકા નેહલાનીનું નામ અગાઉ પણ સામે આવ્યું હતું. કેટલાક અહેવાલોમાં તેને સુશાંત સાથે સંકળાયેલી PR પ્રોફેશનલ અથવા સહાયક તરીકે ઓળખાવવામાં આવી હતી. તેથી, માત્ર શારીરિક સામ્યતા અથવા સોશિયલ મીડિયાના દાવાઓના આધારે એવું તારણ કાઢી ન શકાય કે શતાબ્દી હોસ્પિટલમાં જોવા મળેલી મહિલા ખરેખર એ જ વ્યક્તિ હતી.</p><p><br></p><h4><b>શું સુશાંત કેસ સાથે કોઈ જોડાણ હતું?</b></h4><p>દિશા સાલિયન અને સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ એકબીજાના થોડા જ દિવસોના અંતરે થયાં હતાં. આ કારણોસર, 2020માં બંને કેસ અંગે વિવિધ અટકળો અને દાવાઓ સામે આવ્યા હતા. જોકે, મુંબઈ પોલીસે તે સમયે બંને કેસ વચ્ચે કોઈ પણ પ્રકારના જોડાણનો ઇનકાર કર્યો હતો.</p><p><br></p><p>હવે, CBI તપાસ દરમિયાન, એ સ્વતંત્ર રીતે ચકાસી શકાય છે કે શતાબ્દી હોસ્પિટલમાં હાજર રહેલી મહિલા કોણ હતી અને શું સુશાંત કેસ સાથે તેનું કોઈ વાસ્તવિક જોડાણ હતું કે નહીં. પરમ બીર અને પોલીસ સાથેના સંબંધોના દાવા</p><p>કેટલાક લોકો દ્વારા રાધિકાના સંબંધો તત્કાલીન મુંબઈ પોલીસ કમિશનર પરમ બીર સિંહ અને પોલીસ અધિકારી અભિષેક ત્રિમુખે સાથે હોવાના દાવા પણ કરવામાં આવ્યા છે. જોકે, આ દાવાઓને સ્થાપિત તથ્યો તરીકે ગણી શકાય નહીં. તેની પુષ્ટિ કરવા માટે નક્કર દસ્તાવેજો, કોલ રેકોર્ડ્સ, લોકેશન ડેટા, સીસીટીવી ફૂટેજ અથવા અન્ય તપાસ-સંબંધિત સામગ્રીની જરૂર પડશે. તેથી, આ તબક્કે સૌથી મહત્વનું કાર્ય કોઈ વ્યક્તિ પર આરોપ મૂકવાનું નથી, પરંતુ સૌપ્રથમ તે મહિલાની ઓળખ કરવી અને ત્યારબાદ ઉપલબ્ધ પુરાવાઓના આધારે તેના સંપર્કોની તપાસ કરવી તે છે.</p><p><br></p><h4><b>હવે CBI સમક્ષ અનેક પ્રશ્નો</b></h4><p>બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ દિશા સાલિયન કેસની તપાસ CBIને સોંપવામાં આવી છે. CBIએ આ મામલે 14 સપ્ટેમ્બર, 2026ના રોજ FIR નોંધી હતી. પરિણામે, શતાબ્દી હોસ્પિટલને લગતો આ મુદ્દો પણ તપાસના દાયરામાં આવી શકે છે.</p><p>આ પણ વાંચો;<a href="https://sandesh.com/india/news/indian-railways-launches-no-red-yellow-spot-cleanliness-drive-from-17-september-2026" target="_blank"><b> Indian Railway: રેલવે સ્ટેશનો પર પાન-મસાલાની પિચકારી મારનારા ચેતી જજો! હવે ફટકારાશે દંડ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/N7jRXmQovY4q00lxmt61dYL6Uid8SR4JNttDNwiN.webp'/></item><item><title><![CDATA[પાકિસ્તાનની ટીમ ભારત આવશે! એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં જામશે ભારત-પાક જંગ ]]></title><link>https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</guid><pubDate>Mon, 14 Sep 2026 15:47:21 +05:30</pubDate><description><![CDATA[<p>આવતા મહિને પાકિસ્તાનની હોકી ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે. 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન પંજાબમાં યોજાનારી AHF મેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026માં પાકિસ્તાન સહિત કુલ છ ટીમો ભાગ લેશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પાકિસ્તાનની ભાગીદારી અંગેની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, મલ્ટી-નેશનલ ઇવેન્ટ્સ અંગે કેન્દ્ર સરકારની નીતિ હેઠળ બંને દેશોની ટીમો આમને-સામને રમશે.</p><h2><b>ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જાલંધરમાં રમાશે</b></h2><p>એશિયન મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન થશે. આ ટૂર્નામેન્ટમાં યજમાન ભારત અને પાકિસ્તાન ઉપરાંત ચીન, જાપાન, મલેશિયા અને કોરિયાની પણ ભાગ લેશે. લીગ સ્ટેજના મુકાબલા જાલંધરમાં યોજાશે, જ્યારે સેમિફાઇનલ અને ફાઇનલ મેચ મોહાલીના હોકી સ્ટેડિયમમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 1 નવેમ્બરે જાલંધરમાં રમાશે. કોઈ ટીમ છેલ્લી ઘડીએ ખસી જાય તો તે સ્થિતિ માટે ઓમાન અને બાંગ્લાદેશને રિઝર્વ ટીમન તરીકે રાખવામી આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PTI_News/status/2099416960278868155"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમવામાં કોઈ મુશ્કેલી નથી</b></h2><p>પાકિસ્તાનની ભાગીદારી અને જરૂરી મંજૂરીઓ અંગે પંજાબના મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં બંને દેશો વચ્ચે રમવામાં કોઈ મુશ્કેલી નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝનું આયોજન અલગ બાબત છે, કારણ કે કેન્દ્ર સરકારની વર્તમાન નીતિ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય રમત-ગમતના આયોજનની મંજૂરી આપતી નથી. પરંતુ મલ્ટી-નેશનલ ટૂર્નામેન્ટમાં બંને દેશોના ખેલાડીઓને એકબીજા સામે રમવાની પરવાનગી છે, જેથી પાકિસ્તાની ટીમ ભારત આવી શકશે.</p><h2><b>ભારત વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે</b></h2><p>ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. ભારતે 2023માં ચેન્નાઈ અને 2024માં ચીનના હુલુનબુઈરમાં યોજાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ગત વર્ષે આ સ્પર્ધા યોજાઈ શકી નહોતી. હવે પંજાબ પ્રથમ વખત આ ટૂર્નામેન્ટની મેજબાની કરવા જઈ રહ્યું છે.</p><h2><b>અગાઉ પાકિસ્તાની ટીમે ના કહી હતી&nbsp;</b></h2><p>પાકિસ્તાનની આ વખતની ભાગીદારી એટલા માટે પણ ખાસ છે, કારણ કે ગત વર્ષે તેણે તમિલનાડુમાં આયોજિત જૂનિયર હોકી વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તે સમયે બંને દેશો વચ્ચેના તણાવને તેનું કારણ ગણાવવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે અને પાકિસ્તાની ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે પૂરી રીતે તૈયાર છે.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/V6jwdiIr9RTCvR6EyBaGsP2qfZvYLq2JfkL7pytm.webp'/></item></channel></rss>