<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Vapi : દાનહમાં સ્માર્ટ સિટી બસ સેવાનો કથળેલો વહીવટ, લોકોને મુશ્કેલી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vapi/vapi-poor-management-of-smart-city-bus-service-in-danah-causing-trouble-to-people</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vapi/vapi-poor-management-of-smart-city-bus-service-in-danah-causing-trouble-to-people</guid><pubDate>Fri, 18 Sep 2026 03:00:53 +05:30</pubDate><description><![CDATA[<p>**દાદરા અને નગર હવેલીમાં નાગરિકોને આધુનિક અને સુવિધાજનક જાહેર પરિવહન પૂરું પાડવાના દાવા સાથે શરૂ કરવામાં આવેલી સિલવાસા 'સ્માર્ટ સિટી' બસ સેવા હાલ મેન્ટેનન્સના અભાવે કથળી રહી હોવાની માહિતી મળી છે. આ પરિસ્થિતિ વચ્ચે રોજબરોજ મુસાફરી કરતા નોકકરયાતો, શ્રમિકો અને ખાસ કરીને કોલેજ જતા વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે. **</p><p>**દાદરા નગર હવેલીમાં કુલ 25 સ્માર્ટ બસો ફાળવવામાં આવી છે, પરંતુ તેમાંથી માત્ર 18 બસો જ હાલ કાર્યરત છે. બાકીની બસો ટેકનિકલ ખામી અને મેન્ટનન્સના અભાવે ડેપોમાં ધૂળ ખાતી ઊભી છે. કહો કે ભંગારવાડે પહોંચી ગઈ હોય તેવી હાલત છે. ગેસ રિફિલિંગ અને નિયમિત સર્વિસિંગ ન થવાને કારણે બંધ કાચની આ બસો પ્રવાસીઓ માટે અસહ્ય ઉકળાટનું કારણ બની રહી છે. મેન્ટેનન્સ એજન્સીની ઘોર લાપરવાહીના કારણે બસોના જૂના અને ઘસાઈ ગયેલા ટાયરો વારંવાર પંક્ચર થઈ રહ્યા હોવાનું મુસાફરો જણાવી રહ્યાં છે. આ ઉપરાંત, અચાનક એન્જિનમાં ખામી સર્જાતા બસો રસ્તા વચ્ચે જ બંધ પડી જાય છે. **</p><p>**રોજિંદા મુસાફરો અને વિદ્યાર્થીઓને અધવચ્ચેથી જ અન્ય વૈકલ્પિક વાહનોનો સહારો લેવો પડે છે, જેના કારણે સમય અને નાણાં બંનેનું નુકસાન થાય છે. ઘણીવાર એક રૂટની બસ અચાનક રદ કરી દેવામાં આવે છે. મોંઘા ઓટો-રિક્ષાના ભાડાને કારણે સામાન્ય નાગરિકો બસ માટે કલાકો સુધી રાહ જોવા મજબૂર બને છે. **</p><p>**નાગરિકો અને પ્રવાસીઓ દ્વારા બંધ હાલતમાં પડેલી તમામ બસોનું ત્વરિત રિપેરિંગ કરાવીને તમામ 25 બસો પૂરી ક્ષમતા સાથે નિયમિત રૂટ પર શરૂ કરવામાં આવે, તેમજ મુસાફરોની સુવિધા, સ્વાસ્થ્ય અને સલામતીને પ્રાથમિકતા આપીને બસોની નિયમિત સફાઈ અને સર્વિસિંગ સુનિશ્ચિત કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. **</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/i6iQA74fjRkUOAw15wW1vSUj1FFDXizFB623Ix6w.webp'/></item><item><title><![CDATA[Surat : ઓલપાડ ગ્રૂપ કો. કોટન મંડળીની નવી ઓફિસનું લોકાર્પણ કરાયું ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-olpad-group-co-cotton-mandalis-new-office-inaugurated</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-olpad-group-co-cotton-mandalis-new-office-inaugurated</guid><pubDate>Fri, 18 Sep 2026 02:59:34 +05:30</pubDate><description><![CDATA[<p>સાંધીએર : દેશની આઝાદી પૂર્વે સ્થપાયેલી ઓલપાડ જીન કેમ્પસની ધી ઓલપાડ ગ્રૂપ કો.ઓ.કોટન સેલ સોસાયટીની રૂ.15 લાખના ખર્ચે નવનિર્મિત ઓફિસનું લોકાર્પણ ઓલપાડ ધારાસભ્ય મુકેશભાઈ પટેલના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે મંડળીના પ્રમુખ મનહરભાઈ કે. પટેલે જણાવ્યું હતું કે, આ મંડળીની સ્થાપના તા.17-09-1934માં કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે નવી ઓફિસનું લોકાર્પણ કરાયું છે. આ પ્રસંગે મંડળીની મહિલા ડિરેક્ટરો પૈકી દિવ્યાબેન અને ભાવનાબેન, ઈકફે કંપનીના ફ્લ્ડિ ઓફિસર દર્શન કોરાટ, ક્રિભકો કંપનીના જતિન હિરપરા, સુરત એપીએમસના ચેરમેન અંકુર પટેલ, તળાદ કોટનના પ્રમુખ અરવિંદ પટેલ, સોંદલાખારા દૂધ મંડળીના પ્રમુખ વસંત પટેલ, તુવેર ભોયસિંગ મંડળીના પ્રમુખ મનહર પટેલ, સાયણ સુગરના ડિરેક્ટર યોગેશ પટેલ, અન્ય સહકારી અગ્રણીઓ અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે સભાસદો અને અગ્રણીઓને માટીના દીવડાઓ ઘરે પ્રગટાવવા માટે ભેટમાં આપ્યા હતા.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/xLdZ1bN3JJJjkuxZ1h6qXJGpd54sghpBGGJfnLy2.webp'/></item><item><title><![CDATA[Surat : માંગરોળમાં જૈનો દ્વારા પર્યુષણ પર્વની ઉજવણી, વ્યારામાં શોભાયાત્રા નીકળી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-jains-celebrate-paryushan-festival-in-mangrol-procession-takes-out-in-vyara</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-jains-celebrate-paryushan-festival-in-mangrol-procession-takes-out-in-vyara</guid><pubDate>Fri, 18 Sep 2026 02:57:41 +05:30</pubDate><description><![CDATA[<p>માંગરોળ અને વ્યારામાં પર્યુષણ પર્વની ભવ્ય ઉજવણી કરાઈ હતી. માંગરોળ તાલુકા મથકે આવેલા જિનાલયમાં જૈન સંઘ દ્વારા પવિત્ર પર્યુષણ મહાપર્વ તેમજ સંવત્સરીની ખૂબ જ ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આકર્ષક રંગોળીઓ સાથે સમગ્ર જિનાલય પરીસરને સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું. પર્વના પાંચમા દિવસે દેરાસરમાં ભગવાન મહાવીર સ્વામીનો જન્મોત્સવ અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો. તપ અને ત્યાગના આ મહાપર્વ નિમિત્તે માંગરોળ સંઘના ત્રણ આરાધકોએ આઠ દિવસના કઠોર ઉપવાસ કરીને અઠ્ઠાઇ તપની આરાધના સંપન્ન કરી હતી, સંવત્સરીના દિવસે જિનાલય ખાતે ભાઇઓ અને બહેનોએ મોટી સંખ્યામાં એકત્ર થઇને સમૂહ પ્રતિક્રમણ કર્યુ હતું. આખા વર્ષ દરમિયાન જાણે-અજાણે મન, વચન કે કાયાથી થયેલી કોઇપણ ભૂલો કે અપરાધો માટે સૌએ પરસ્પર હૃદયપૂર્વક ક્ષમા માંગીને મિચ્છામિ દુક્કડમ પાઠવ્યા હતા. વ્યારા ખાતે જૈન સમાજ દ્વારા પર્યુષણ પર્વ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રા જૈનવાડીથી નીકળી કબૂતરખાના, મેઇન બજાર, જૂના બસસ્ટેન્ડ, બેંક રોડ અને બહુચરાજી મંદિર થઇ કોર્ટ વિસ્તારમાં આવેલા જિનાલય ખાતે પહોંચી હતી. જૈન સમાજના અગ્રણીઓ અને ભક્તોની મોટી ઉપસ્થિતિ વચ્ચે આ શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/LdHY9l4QbsweLxLstou0Yvszr6QNpjaENry9DKHh.webp'/></item><item><title><![CDATA[Surat : કોસંબા પાસે હાઈવે પર ટાયર ફાટતા 17 મજૂરો ભરેલો ટેમ્પો પલટી ગયો, એકનું મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-a-tempo-carrying-17-laborers-overturned-after-a-tire-burst-on-the-highway-near-kosamba-one-died</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-a-tempo-carrying-17-laborers-overturned-after-a-tire-burst-on-the-highway-near-kosamba-one-died</guid><pubDate>Fri, 18 Sep 2026 02:55:44 +05:30</pubDate><description><![CDATA[<p>કોસંબા નજીક ને.હા.નં-48 પર લાઇટિંગનો સામાન અને 17 જેટલા શ્રમિકોને લઇને જઇ રહેલા આઇશર ટેમ્પાનું ચાલુ વાહને પાછળનું ટાયર ફાટતા ટેમ્પો હાઇવેની વચોવચ પલ્ટી મારી ગયો હત. એક મજૂરનું ઘટના સ્થળે જ મોત થવાની ઘટનાનાં પગલે ચકચાર મચી ગઇ હતી.</p><p>કામરેજ ગાયપગલા રોડ પર આવેલા હિંદવા ડ્રીમ્સ પાસેથી લાઇટિંગનો સામાન ભરીને આઇશર ટેમ્પો ભરૂચની ઝાડેશ્વર ચોકડી તરફ જઇ રહ્યો હતો. ભરૂચ ખાતે લાઇટિંગનું ડેકોરેશન કરવાનું હોવાથી ટેમ્પામાં સામાન સાથે કુલ 17 જેટલા મજૂરો સવાર થઇને નિકળ્યા હતા. ત્યારે આઇશર ટેમ્પો કોસંબા નજીક ને.હા.નં-48 પરથી પસાર થઇ રહ્યો હતો. જે દરમ્યાન ટેમ્પાનું પાછળનું ટાયર આકસ્મિક રીતે ફાટતા ચાલકે ટેમ્પોનાં સ્ટિયરીંગ ઉપરનો કાબુ ગુમાવી દીધો હતો. જેનાં પગલે બેકાબુ બનેલો ટેમ્પો હાઇવેની વચોવચ પલ્ટી મારી ગયો હતો. ઉપરોક્ત અકસ્માતની ઘટનામાં ટેમ્પોમાં સવાર તમામ મજૂરો રસ્તા પર ફંગોળાઇ ગયા હતા. જેનાં પગલે હાઇવે પર ભારે ચીસાચીસ અને અફરાતફરીનો મચી ગઇ હતી. ગંભીર ઇજાઓ પહોંચવાનાં કારણે એક શ્રમિકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે અન્ય 6 મજૂરો લોહીલુહાણ હાલતમાં માર્ગ પર પટકાયા હતા. વાહનમાં સવાર બાકીનાં શ્રમીકોનો સદનસીબે આબાદ બચાવ થયો હતો અને તેઓ સુરક્ષીત હોવાનું જાણવા મળ્યુ હતુ. અકસ્માતની જાણ થતા જ આસપાસનાં સ્થાનિક લોકો તેમજ 108 એમ્બ્યુલન્સ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા તમામ 6 લોકોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ટેમ્પો હાઇવેનાં મુખ્ય માર્ગની વચોવચ પલ્ટી મારી જવાનાં કારણે હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી જઇ ટ્રાફિક જામ થઈ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા જ સુરત જીલ્લા ટ્રાફિક પોલીસ અને કોસંબા પોલીસનો કાફ્લો બનાવનાં સ્થળે દોડી ગયો હતો. પોલીસે ક્રેઇન બોલાવીને ટેમ્પોને સાઇડમાં હટાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો તેમજ આ મામલે ગુનો નોંધ્યો છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/bx0Tj43cTUBODhcz2B4WHdrsuYY9r3cetcEJUJA1.webp'/></item><item><title><![CDATA[Vyara : તાપી જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓમાં તપાસ : ખાદ્ય પદાર્થોના નમૂના લેવાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vyara/vyara-investigation-in-educational-institutions-in-tapi-district-food-samples-taken</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vyara/vyara-investigation-in-educational-institutions-in-tapi-district-food-samples-taken</guid><pubDate>Fri, 18 Sep 2026 02:52:42 +05:30</pubDate><description><![CDATA[<p>વ્યારા, બુહારી : તાપી જિલ્લાની આશ્રમશાળાઓ, સરકારી શાળાઓ તેમજ આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા, શુદ્ધતા અને રસોડાની સ્વચ્છતા ચકાસવાના હેતુસર ફૂડ સેફટી વિભાગ દ્વારા બે દિવસીય આકસ્મિક તપાસની કામગીરી કરાઈ હતી. તે દરમિયાન વ્યારા, વાલોડ અને ઉકાઇ પંથકની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાંથી કુલ 19 જેટલા ખાદ્ય પદાર્થોના નમૂના એકત્ર કર્યા હતા. વ્યારાના બોરખડી સ્થિત જવાહર નવોદય વિદ્યાલય, વાલોડની સ્નેહકુંજ કુમાર છાત્રાલય તેમજ વ્યારાની દક્ષિણાપથ વિવિધ મા. અને ઉ.મા.છાત્રાલયો વગેરેમાં તપાસ થઇ હતી. ઉકાઇ અને આસપાસના વિસ્તારની આમલીપાડા, દુમદા, દુમદા ટાંકલી પ્રા.શા. તથા આંગણવાડી કેન્દ્રમાંથી પણ ફૂડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. રસોડા અને ભોજનકક્ષની સાફસફાઇનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જ્યાં કચાશ જોવા મળી ત્યાં સંચાલકોને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. સંસ્થાઓને ઇમ્પ્રૂવમેન્ટ નોટિસ પણ આપવામાં આવી હોવાનું તાપી ખોરાક અને ઔષધ નિયમનના ડેગિગ્નેટેડ ઓફિસર એ.એમ.વાલુએ જણાવ્યું હતું. આ ઉપરાંત વાલોડ તાલુકાના બુહારીમાં ત્રણ રસ્તા વિસ્તારમાં તાપી જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ લારી-ગલ્લાઓ અને ચાઇનીઝની દુકાનોમાં આકસ્મિક તપાસ કરી ખાદ્ય તેલ, સોસ, મસાલા તેમજ વેચાતા ફરસાણોના શંકાસ્પદ સેમ્પલો લીધા હતા. આ તમામ સેમ્પલોને પૃથક્કરણ (લેબોરેટરી ટેસ્ટ) અર્થે સરકારી લેબમાં મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/gxfNxRhu6eIsH2QKB0kKu2NfiKh6kHgjTQEKRh3Q.webp'/></item><item><title><![CDATA[PM મોદીના 76મા જન્મદિવસે દેશભરમાં ‘આશીર્વાદનો દીવો’ પ્રગટાવાયો ]]></title><link>https://sandesh.com/india/news/aashirwad-no-diwo-lit-across-the-country-on-pm-modis-76th-birthday</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/aashirwad-no-diwo-lit-across-the-country-on-pm-modis-76th-birthday</guid><pubDate>Thu, 17 Sep 2026 21:04:48 +05:30</pubDate><description><![CDATA[<p>PM નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસના અવસરે ભારતીય જનતા પાર્ટી (BJP)એ દેશવ્યાપી ‘આશીર્વાદનો દીવો’ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ દેશના અલગ-અલગ વિસ્તારોમાં પ્રધાનમંત્રી મોદીના સારા સ્વાસ્થ્ય, લાંબા આયુષ્ય અને જાહેર જીવનમાં 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે દીવા પ્રગટાવવામાં આવ્યા. </p><p><b>PM મોદીના જન્મદિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જગન્નાથ મંદિરમાં કરી આરતી</b></p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/AmitShah/status/2100614237429317920"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><b></b></p><p><b>અમિત શાહે પ્રગટાવ્યો ‘આશીર્વાદનો દીવો’</b></p><p>અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે તેમના નિવાસસ્થાને ‘આશીર્વાદનો દીવો’ અભિયાન હેઠળ દીવો પ્રગટાવ્યો હતો.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2100619748434481642"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b>દિલ્હી સહિત અનેક સ્થળોએ પ્રગટાવાયા દીવા</b></p><p>વારાણસીથી લઈને આસામ સુધી અનેક સ્થળોએ ‘આશીર્વાદનો દીવો’ પ્રગટાવવામાં આવ્યો. આ જ કડીમાં દિલ્હીમાં પણ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સાંજે 7 વાગ્યે કર્તવ્ય પથ, સેવા તીર્થ અને નવી સંસદની આસપાસ 1.25 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા.</p><p><b>CM રેખા ગુપ્તાએ પણ પ્રગટાવ્યો ‘આશીર્વાદનો દીવો’</b></p><p>વિજય ચોક ખાતે મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પણ ‘આશીર્વાદનો દીવો’ પ્રગટાવ્યો. આ કાર્યક્રમ દ્વારા પ્રધાનમંત્રી મોદી માટે શુભેચ્છા અને આશીર્વાદ વ્યક્ત કરવામાં આવ્યા.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2100576464190271637"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b>શુભેન્દુ અધિકારીએ પ્રગટાવ્યા એક લાખ દીવા</b></p><p>કોલકાતાના બાજા કદમતલા ઘાટ પર પણ ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં શુભેન્દુ અધિકારી સામેલ થયા અને એક લાખ માટીના દીવા પ્રગટાવવામાં આવ્યા. ઘાટ પર મોટી સંખ્યામાં દીવા પ્રગટાવીને પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2100579340715274356"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b>ઉત્તરાખંડ CM ધામીએ પણ કરી આરતી</b></p><p>ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસરે દેહરાદૂનના કાલસીમાં આરતી કરી.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2100578725373129037"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b>લખનઉમાં પણ પ્રગટાવ્યો ‘આશીર્વાદનો દીવો’</b></p><p>પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસરે લખનઉના રાષ્ટ્ર પ્રેરણા સ્થળે ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉપમુખ્યમંત્રી બ્રજેશ પાઠક અને કેશવ પ્રસાદ મૌર્ય કાર્યક્રમમાં સામેલ થયા. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસરે ‘આશીર્વાદનો દીવો’ પ્રગટાવવામાં આવ્યો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2100581389381091424"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b>CM યોગી આદિત્યનાથે શું કહ્યું?</b></p><p>CM યોગી આદિત્યનાથે કહ્યું, “અમે સૌ લખનઉમાં રાષ્ટ્ર પ્રેરણા સ્થળે એકઠા થયા છીએ. આ ખરેખર એક મહત્વપૂર્ણ દિવસ છે. આ દુનિયાના સૌથી લોકપ્રિય નેતા, PM નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. 25 ડિસેમ્બર 2025ના રોજ રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. PM નરેન્દ્ર મોદીના આ અવસરે, અમે તમામ જનપ્રતિનિધિઓ સાથે મળીને વિકસિત ભારત, વિકસિત ઉત્તર પ્રદેશ, આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર ઉત્તર પ્રદેશના સંકલ્પમાં સામેલ થવા માટે અહીં છીએ.”</p><p><b>રાજનાથ સિંહે પણ પ્રગટાવ્યો દીવો</b></p><p>રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરીને કહ્યું, “આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસરે મેં દીવો પ્રગટાવીને ભગવાનને તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી. તેમના નેતૃત્વમાં ભારતને આગળ વધારવાનો સંકલ્પ વધુ મજબૂત બને—આ જ મારી દિલની ઈચ્છા છે. હું આપ સૌને પણ PM મોદીના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે દુઆનો દીવો પ્રગટાવવા અપીલ કરું છું.”</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2100587238346355127"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b>ગંગા ઘાટ પર ખાસ આરતીનું આયોજન</b></p><p>પ્રધાનમંત્રી અને વારાણસીના સાંસદ નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ પર ખેલાડીઓએ ડૉ. સંપૂર્ણાનંદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સિગરામાં દીવો પ્રગટાવીને તેમનું સન્માન કર્યું. આ પ્રસંગે મેયર અશોક કુમાર તિવારી અને RSO નવીન કુમાર સિંહ હાજર રહ્યા.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2100591633754636483"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b>ત્રિપુરામાં પણ ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ</b></p><p>ત્રિપુરાના CM માણિક સાહાએ ત્રિપુરા સુંદરી મંદિરમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમમાં ભાગ લીધો.</p><p><b>રાજસ્થાનમાં ‘આશીર્વાદનો દીવો’</b></p><p>જયપુરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ‘આશીર્વાદનો દીવો’ અભિયાન હેઠળ રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ મુખ્યમંત્રી નિવાસસ્થાને દીવા પ્રગટાવ્યા હતા.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2100622768207462643"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><a  target="_blank"></a></p><p><b>નિઝામુદ્દીન દરગાહમાં પ્રગટાવાયો ‘આશીર્વાદનો દીવો’</b></p><p>દિલ્હીની હઝરત નિઝામુદ્દીન દરગાહ ખાતે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ અને BJP માઇનોરિટી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ કુનવર બાસિત અલીએ અન્ય લોકો સાથે મળીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ‘આશીર્વાદનો દીવો’ અભિયાન હેઠળ દીવા પ્રગટાવ્યા હતા.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2100623502097416602"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b><a href="https://sandesh.com/india/news/pm-modi-76th-birthday-semicon-india-2026-video-wishes" target="_blank">આ પણ વાંચો: PM Modi Birthday: ‘તમને પણ જન્મદિવસની શુભેચ્છા’, PM મોદીએ શેર કર્યો ખાસ વીડિયો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/5GElwu0aNjeIIm2MIIjo50C4YHvjsyNbFe5JFFlt.webp'/></item><item><title><![CDATA[PM Modi Birthday: ‘તમને પણ જન્મદિવસની શુભેચ્છા’, PM મોદીએ શેર કર્યો ખાસ વીડિયો ]]></title><link>https://sandesh.com/india/news/pm-modi-76th-birthday-semicon-india-2026-video-wishes</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/pm-modi-76th-birthday-semicon-india-2026-video-wishes</guid><pubDate>Thu, 17 Sep 2026 20:24:35 +05:30</pubDate><description><![CDATA[<p>PM નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ પર દેશ-દુનિયાના લોકો તરફથી તેમને શુભેચ્છાઓ મળી રહી છે. આ દરમિયાન PM મોદીએ ગુરુવારે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર SEMICON India 2026 સમિટનો એક વીડિયો શેર કર્યો. વીડિયોમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગ સંમેલનના ઉદ્ઘાટન સત્ર દરમિયાન પ્રતિનિધિઓએ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. PM મોદીએ ખાસ અંદાજમાં સ્મિત સાથે હાથ જોડીને સૌનું અભિવાદન સ્વીકાર્યું અને શુભેચ્છાઓ માટે આભાર માન્યો.</p><p><b>PM મોદીએ જન્મદિવસે શેર કર્યો ખાસ વીડિયો</b></p><p>પ્રધાનમંત્રી મોદીએ પોતાના જન્મદિવસના અવસરે વીડિયો શેર કરીને લખ્યું, 'જન્મદિવસ અને તમને પણ જન્મદિવસની શુભેચ્છાઓ'. આ વીડિયો નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટરમાં SEMICON Indiaની પાંચમી આવૃત્તિના ઉદ્ઘાટન સત્રનો છે. PM મોદી જેવા જ મંચ પર પહોંચ્યા, ત્યાં હાજર પ્રતિનિધિઓએ તાળીઓ સાથે તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. આ દરમિયાન ત્યાં હાજર એક મહિલાએ PM મોદીને જણાવ્યું કે આજે તેમનો પણ જન્મદિવસ છે. PM મોદીએ તરત જ તેમને પણ જન્મદિવસની શુભેચ્છા પાઠવી.</p><p><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DdYpRBWzgcV/?utm_source=ig_embed&amp;ig_rid=ARxXgLlZgHzhi24BweWmVn" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DdYpRBWzgcV/?utm_source=ig_embed&amp;ig_rid=ARxXgLlZgHzhi24BweWmVn" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>-" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DdYpRBWzgcV/?utm_source=ig_embed&amp;ig_rid=ARxXgLlZgHzhi24BweWmVn" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DdYpRBWzgcV/?utm_source=ig_embed&amp;ig_rid=ARxXgLlZgHzhi24BweWmVn" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>-</a></p><p><b>ભારતને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગનું કેન્દ્ર બનાવવાનો ભાર</b></p><p>જન્મદિવસની આ ખાસ ઝલક પહેલાં PM મોદીએ SEMICON India 2026માં ભારતના સેમિકન્ડક્ટર મિશન અંગે સંબોધન કર્યું. તેમણે કહ્યું કે દુનિયા નવા અને વિશ્વસનીય મેન્યુફેક્ચરિંગ ડેસ્ટિનેશનની શોધમાં છે અને ભારત આ જરૂરિયાતને પૂરી કરવા માટે સતત તૈયારી કરી રહ્યું છે. PM મોદીએ કહ્યું, 'ભારત સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે પસંદગીનું ડેસ્ટિનેશન બનવા માટે દરેક જરૂરી પગલાં લઈ રહ્યું છે.' તેમણે આગળ કહ્યું કે ભારતમાં તૈયાર થતી ચિપ્સ હવે દેશ અને દુનિયાના ગ્રાહકો સુધી પહોંચવા લાગી છે.</p><p><b>મોહાલી અને સુરતમાં કોમર્શિયલ પ્રોડક્શન શરૂ</b></p><p>પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારતનો સેમિકન્ડક્ટર કાર્યક્રમ હવે નીતિઓ બનાવવા અને પ્રોજેક્ટ પ્લાનિંગથી આગળ વધીને પાયલટ પ્રોડક્શન અને કોમર્શિયલ મેન્યુફેક્ચરિંગ સુધી પહોંચી ગયો છે. તેમણે કહ્યું કે મોહાલી અને સુરતમાં નવા પ્લાન્ટ્સમાં કોમર્શિયલ પ્રોડક્શન શરૂ થઈ ગયું છે. PM મોદીએ સેમિકન્ડક્ટર વેલ્યુ ચેઇનના તમામ ભાગોને વિકસાવવા પર ભાર મૂક્યો.</p><p><b><a href="https://sandesh.com/india/news/political-news/delhi-cm-rekha-gupta-organ-donation-pm-modi-birthday" target="_blank">આ પણ વાંચો: PM મોદીના જન્મદિવસે આ CMએ પોતાના શરીરના 14 અંગોનું દાન કરવાની કરી મોટી જાહેરાત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/KmOKDxmvNql3MoMis4jrtK2ytxq75SRybNfubJ0H.webp'/></item><item><title><![CDATA[India Russia Oil Trade: અમેરિકાના નવા રશિયા પ્રતિબંધ બિલથી ભડક્યું ક્રેમલિન, યુક્રેન શાંતિ વાર્તા પર ખતરો ]]></title><link>https://sandesh.com/world/news/business/india-russia-oil-trade-kremlin-angered-by-americas-new-russia-sanctions-bill-threat-to-ukraine-peace-talks</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/business/india-russia-oil-trade-kremlin-angered-by-americas-new-russia-sanctions-bill-threat-to-ukraine-peace-talks</guid><pubDate>Thu, 17 Sep 2026 20:24:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ક્રેમલિનએ તેને અમૈત્રીપૂર્ણ પગલું ગણાવ્યું અને યુક્રેન શાંતિ વાટાઘાટો પર અસર થવાની ચેતવણી આપી હતી.&nbsp;</p><h2 style="text-align: justify; ">અમૈત્રીપૂર્ણ પગલું&nbsp;</h2><p style="text-align: justify; ">ક્રેમલિને યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના રશિયા પર મોટા પ્રતિબંધો લાદવાના બિલને એક અમૈત્રીપૂર્ણ પગલું ગણાવ્યું અને ચેતવણી આપી કે વધુ યુએસ પ્રતિબંધો યુક્રેનમાં શાંતિ કરાર સુધી પહોંચવાના પ્રયાસોને જટિલ બનાવી શકે છે. આ નિવેદનો ગૃહ દ્વારા લિન્ડસે ઓ. ગ્રેહામ દ્વારા 262-159 મતોથી રશિયા અને ઈરાન પર પ્રતિબંધ લગાવતા કાયદા 2026ને પસાર કર્યાના એક દિવસ પછી આવ્યા હતા.&nbsp;</p><h3 style="text-align: justify; ">શાંતિ કરાર પર શુ અસર ?&nbsp;</h3><p style="text-align: justify; ">પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે પત્રકારોને જણાવ્યું હતું કે રશિયા કાયદાકીય પ્રક્રિયા પર નજર રાખી રહ્યું છે, અમે ચોક્કસપણે આ દસ્તાવેજની પ્રગતિ પર નજર રાખી રહ્યા છીએ. આ બિનમૈત્રીપૂર્ણ કાર્યવાહીની શ્રેણીમાં આવે છે, અને યુએસ દ્વારા વધુ પ્રતિબંધો નિઃશંકપણે યુક્રેનમાં શાંતિ કરાર સુધી પહોંચવાના પ્રયાસોને જટિલ બનાવશે. આ પગલું હવે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે જશે અને વહીવટને રશિયા પર પ્રતિબંધો અને રશિયન તેલ અથવા કુદરતી ગેસના ટોચના પાંચ ખરીદદારો પર 100 ટકા સુધીના ટેરિફ લાદવાનો અધિકાર આપશે.&nbsp;</p><h4 style="text-align: justify; ">યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાના અમેરિકાના પ્રયાસોને ફટકો</h4><p style="text-align: justify; ">યુક્રેનમાં સાડા ચાર વર્ષના યુદ્ધને સમાપ્ત કરવાના અમેરિકાના મધ્યસ્થી પ્રયાસો મહિનાઓથી અટકી ગયા હતા, પરંતુ ટ્રમ્પે આ પ્રક્રિયા ફરી શરૂ કરવાના પ્રયાસમાં આ મહિનાની શરૂઆતમાં મોસ્કો અને કિવમાં બે રાજદૂતો મોકલ્યા હતા. આ કાયદાને યુએસ હાઉસમાં ડેમોક્રેટિક પાર્ટી તરફથી દ્વિપક્ષીય સમર્થન અને ટીકા બંને મળી છે. સમર્થકોએ કહ્યું કે ટેરિફ જોગવાઈનો હેતુ દેશોને રશિયન ઊર્જા ખરીદવાથી રોકવાનો હતો, જ્યારે ટીકાકારોએ ચેતવણી આપી હતી કે આ પગલું યુએસ સાથીઓને પણ અસર કરી શકે છે અને અમેરિકન ગ્રાહકો માટે કિંમતો વધારી શકે છે.</p><h5 style="text-align: justify; ">પ્રતિબંધો લાદવાના અમેરિકાના પગલાથી તણાવ વધશે</h5><p style="text-align: justify; ">લોકશાહી વિરોધ આ કાયદા દ્વારા ટ્રમ્પને મળતી શક્તિ અંગે ચિંતિત હતો. પ્રતિનિધિ ડોન બેયરે કહ્યું કે જો ટ્રમ્પે યુએસ સાથીઓ સામે નવી સત્તાનો ઉપયોગ કર્યો, તો સમર્થકો આ પગલાનો અફસોસ કરી શકે છે. દરમિયાન, બિલ લખવામાં મદદ કરનાર ડેમોક્રેટિક સેનેટર રિચાર્ડ બ્લુમેન્થલે કહ્યું કે તેમને આશા છે કે પ્રતિબંધો રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને વાટાઘાટો કરવા દબાણ કરશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/lifestyle/news/health-fitness/cancer-physiotherapy-physiotherapy-is-like-sanjeevani-for-cancer-patients-this-is-how-you-will-get-relief-from-fatigue-pain-and-weakness" target="_blank">કેન્સરના દર્દીઓ માટે સંજીવની સમાન ફિઝિયોથેરાપી, થાક, દુખાવો અને નબળાઈથી આ રીતે મળશે મુક્તિ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/NswpkJAtDnYCIkNJJQaC37NU9latxdV3Cf3GEBIe.webp'/></item><item><title><![CDATA[દિશા સાલિયન મામલે સવાલ પૂછતા રિયાએ ચાલતી પકડી! જીમ બહાર જોવા મળી અભિનેત્રી ]]></title><link>https://sandesh.com/entertainment/news/rhea-chakraborty-walked-away-when-asked-about-the-disha-salian-case-</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/rhea-chakraborty-walked-away-when-asked-about-the-disha-salian-case-</guid><pubDate>Thu, 17 Sep 2026 19:09:28 +05:30</pubDate><description><![CDATA[<p>બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયનના મૃત્યુના કેસે ફરી એકવાર વેગ પકડ્યો છે, કારણ કે CBI આ મામલામાં ફરી સક્રિય થઈ છે. બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ CBIએ દિશા સાલિયન કેસ અંગે FIR નોંધી છે. આ મામલામાં સંડોવાયેલા લોકોની યાદીમાં બોલિવૂડની હસ્તીઓથી લઈને રાજકીય વર્તુળો સુધીના લોકોનો સમાવેશ થાય છે, જેમાં રિયા ચક્રવર્તીનું નામ પણ સામેલ છે. આ દરમિયાન દિશા કેસ વિશે પૂછવામાં આવતા રિયાએ મૌન જાળવી રાખ્યું છે.</p><p><br></p><p>તાજેતરમાં રિયા ચક્રવર્તી મુંબઈમાં એક જિમની બહાર જોવા મળી હતી. જ્યારે મીડિયાએ તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે વાતચીત ટાળતી જણાઈ હતી. એક વીડિયોમાં એક રિપોર્ટર તેની પાછળ દોડીને દિશા સાલિયન કેસ વિશે પ્રશ્નો પૂછતા જોવા મળે છે; જોકે, તેણે આ બાબતે કોઈ પણ ટિપ્પણી કર્યા વિના પોતાની કારમાં બેસીને ત્યાંથી નીકળી જવાનું પસંદ કર્યું. તે સ્પષ્ટ છે કે અભિનેત્રીએ આ મુદ્દે મૌન રહેવાનું નક્કી કર્યું છે.</p><p><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DdYGrJyJQ-u/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DdYGrJyJQ-u/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a></p><p><b style="font-size: 1.5rem;"><br></b></p><p><b style="font-size: 1.5rem;">રિયા અને અન્ય લોકો વિરુદ્ધ CBI દ્વારા FIR નોંધાઈ</b></p><p>બોમ્બે હાઈકોર્ટના આદેશના પાલનમાં, CBIએ દિશા સાલિયન કેસમાં રિયા ચક્રવર્તી, ડીનો મોરિયા, સૂરજ પંચોલી, આદિત્ય ઠાકરે, રોહન રોય, આદિત્ય ઠાકરેના અંગરક્ષકો, શોવિક ચક્રવર્તી, સચિન વાઝે, DCP વિશાલ ઠાકુર, ઉદ્ધવ ઠાકરે, પરમબીર સિંહ, અનિલ દેશમુખ અને અન્ય સહિત અનેક વ્યક્તિઓ વિરુદ્ધ FIR નોંધી છે.</p><p><b style="font-size: 1.5rem;">ગેંગ-રેપ અને હત્યાના આરોપો: દિશા સાલિયનના વકીલ</b></p><p>દિશા સાલિયનના વકીલ નીલેશ ઓઝાએ જણાવ્યું હતું કે આદિત્ય ઠાકરે અને અન્ય લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે, જેમાં ગેંગ-રેપ અને હત્યાના આરોપો મૂકવામાં આવ્યા છે. વકીલનો દાવો છે કે તેમની પાસે સચિન વાઝે દ્વારા કરવામાં આવેલી 'એક્સ્ટ્રા-જ્યુડિશિયલ કબૂલાત' (ન્યાયાલયની બહાર કરેલી કબૂલાત) ઉપલબ્ધ છે. તેઓ વધુમાં દાવો કરે છે કે NCB પાસે પુરાવા હોવા છતાં, NCB અધિકારી સંજય સિંહ છેલ્લા છ વર્ષથી આ વ્યક્તિઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં નિષ્ફળ રહ્યા છે.</p><p><br></p><p>ઉલ્લેખનીય છે કે બોમ્બે હાઈકોર્ટે CBIને દિશા સાલિયન કેસની નવી તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે તપાસની દેખરેખ માટે CBIના એક વરિષ્ઠ અધિકારીની નિમણૂક કરવામાં આવે.<br><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/entertainment/disha-salian-father-satish-salian-defamation-notice-aaditya-thackeray-matoshree-500-crore" target="_blank"><b>Disha Salian કેસમાં નવો વળાંક! પિતા સતીશ જશે માતોશ્રી, આદિત્ય ઠાકરેને આપશે 500 કરોડની નોટિસ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/5VyHEUsxM2q4mZ97LWnkMFF7ReDjGB4LKtjt3jYq.webp'/></item><item><title><![CDATA[Asian Games 2026: જાપાનમાં ભારતીય ખેલાડીઓની હાલાકી, ખાવા-પીવા માટે પણ ભટકવું પડ્યું! ]]></title><link>https://sandesh.com/sports/news/asian-games-2026-indian-players-in-japan-face-hardship-had-to-wander-even-for-food-and-drink</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/asian-games-2026-indian-players-in-japan-face-hardship-had-to-wander-even-for-food-and-drink</guid><pubDate>Thu, 17 Sep 2026 18:26:28 +05:30</pubDate><description><![CDATA[<p>હાલમાં ભારતીય ખેલાડીઓ એશિયન ટીમ 2026 રમવા માટે જાપાન પહોંચી છે. જ્યાં ખેલાડીઓને રહેવા, ખાવા-પીવા સહિતની અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોવાનું સામે આવ્યું છે. માત્ર ભારત જ નહીં, પરંતુ અન્ય દેશોના ખેલાડીઓ પણ પોતાના રૂમની ફાળવણી માટે કલાકો સુધી રાહ જોતા જોવા મળ્યા હતા.</p><h2><b>પાણી અને ભીજન માટે ભારે અવ્યવસ્થા&nbsp;</b></h2><p>મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય શૂટિંગ ટીમ સવારે લગભગ 9 વાગ્યે જાપાની શહેર આઈચી-નાગોયા પહોંચી હતી. જો કે, ખેલાડીઓને રહેવા માટેની વ્યવસ્થા મળતા રાત્રિના લગભગ 2 વાગી ગયા હતા. આ દરમિયાન ખેલાડીઓએ વેરિફિકેશન સેન્ટર પર લાંબો સમય રાહ જોવી પડી હતી. ખાસ વાત એ હતી કે આ સમગ્ર સમયગાળા દરમિયાન તેમને પીવા માટે પાણી કે ખાવા માટે ભોજન પણ ઉપલબ્ધ થયું નહોતું. સમસ્યા અહીં પૂરી થઈ નહોતી. એક હોટેલમાં રૂમની સંખ્યા ઓછી પડતાં ભારતીય શૂટિંગ ટીમના સભ્યોને બે અલગ-અલગ હોટેલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેના કારણે ટીમના ખેલાડીઓ એકબીજાથી અલગ થઈ ગયા હતા. બીજી તરફ, સોશિયલ મીડિયા પર સામે આવેલા કેટલાક વીડિયોમાં વિવિધ દેશોના ખેલાડીઓ લાંબા સમય સુધી રાહ જોતા તેમજ જમીન પર આરામ કરતા જોવા મળ્યા છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/TheKhelIndia/status/2100434449104343192"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>અલગ-અલગ હોટેલોમાં વિભાજન</b></h2><p>એશિયન ગેમ્સના ઇતિહાસમાં આ પહેલીવાર છે કે, જ્યારે ખેલાડીઓ માટે અલગથી ડેડિકેટેડ ગેમ્સ વિલેજ તૈયાર કરવામાં આવ્યું નથી. ખર્ચ ઘટાડવાના હેતુથી એશિયન ગેમ્સની ઓર્ગેનાઇઝિંગ કમિટીએ આ પ્રકારની વ્યવસ્થા પસંદ કરી હોવાનું જણાવવામાં આવ્યું છે. ગેમ્સ વિલેજ ન હોવાને કારણે ખેલાડીઓ માટે હોટેલ્સ ઉપરાંત ક્રૂઝ શિપ અને શિપિંગ કન્ટેનર જેવી અસ્થાયી લાકડાની કોટેજમાં પણ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/arunpudur/status/2100556168016109725"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>શૂટિંગમાં ભારતનો શાનદાર ઇતિહાસ</b></h2><p>શૂટિંગ ભારત માટે એશિયન ગેમ્સમાં મેડલ જીતવાની દૃષ્ટિએ મહત્વપૂર્ણ રમત રહી છે. અત્યાર સુધી એશિયન ગેમ્સના ઇતિહાસમાં ભારતીય શૂટર્સે દેશને કુલ 80 મેડલ અપાવ્યા છે. વર્ષ 2023માં હાંગઝોઉ ખાતે યોજાયેલી એશિયન ગેમ્સમાં પણ ભારતીય શૂટિંગ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું, અને કુલ 22 મેડલ જીત્યા હતા.</p><h2><b>ભારતની મજબૂત ટીમ</b></h2><p>આ વખતે જાપાનમાં ભારત તરફથી 30 સભ્યોની મજબૂત શૂટિંગ ટીમ ભાગ લઈ રહી છે. આ ટીમમાં પેરિસ ઓલિમ્પિકની સ્ટાર શૂટર મનુ ભાકર સહિત અનેક અનુભવી અને જાણીતા ખેલાડીઓનો સમાવેશ થાય છે. શરૂઆતમાં સામે આવેલી આ મુશ્કેલીઓ પાછળ છોડીને ભારતીય ખેલાડીઓ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરે અને દેશ માટે મેડલ જીતે તેવી આશા છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/JpnXkNSZZRE9tsbeRjnLi9E8fqaAptsHGVSYvDKv.webp'/></item></channel></rss>