<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Global Food Crisis Warning : 2027માં વિશ્વ સામે મોટું ખાદ્ય સંકટ, જેપી મોર્ગને આપી મોટી ચેતવણી ]]></title><link>https://sandesh.com/business/news/world/global-food-crisis-warning-major-food-crisis-facing-the-world-in-2027-jp-morgan-gives-a-big-warning</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/world/global-food-crisis-warning-major-food-crisis-facing-the-world-in-2027-jp-morgan-gives-a-big-warning</guid><pubDate>Tue, 18 Aug 2026 10:01:47 +05:30</pubDate><description><![CDATA[<p>વિશ્વ સમક્ષ એક મોટું સંકટ આવીને ઊભું રહ્યું છે. આ ચેતવણી જેપી મોર્ગનદ્વારા આપવામાં આવી છે અને જણાવ્યું છે કે આવતા વર્ષે તેની મોટી અસર જોવા મળી શકે છે. જેપી મોર્ગને વૈશ્વિક ખાદ્ય સંકટ અંગે ચેતવણી જારી કરી છે. સૌથી વધુ પ્રભાવિત થનારા દેશોમાં ભારત, બ્રાઝિલ અને ઇન્ડોનેશિયાનો સમાવેશ થાય છે, જ્યાં ખાતરના પુરવઠામાં અવરોધ અને અલ નીનોની અસર સૌથી વધુ મહત્વપૂર્ણ બની જાય છે.</p><p><br></p><p>જેપી મોર્ગને પોતાના ચેતવણી અહેવાલમાં જણાવ્યું છે કે ભૂ-રાજકીય તણાવ ખાતરોની અછત અને આબોહવા પરિવર્તનના વધતા જોખમને કારણે 2027માં વિશ્વની ખાદ્ય પ્રણાલીએ એક નવા પુરવઠા સંકટનો સામનો કરવો પડી શકે છે. તેમાં ચેતવણી આપવામાં આવી છે કે કૃષિ ખર્ચમાં તીવ્ર વધારો અને સંભવિત રીતે નબળા પાક ઉત્પાદનને કારણે ગ્લોબલ ફૂડ ક્રાઇસિસ જોવા મળશે.</p><h5><b>વિશ્વમાં મોંઘવારીનો હાહાકાર મચશે</b></h5><p>ગ્લોબલ ફૂડ ક્રાઇસિસની ચેતવણી આપતા જેપી મોર્ગન તરફથી બીજી એક ચિંતાજનક બાબત જણાવવામાં આવી છે. તેમાં અંદાજ લગાવવામાં આવ્યો છે કે 2027ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં વૈશ્વિક મોંઘવારી વધીને લગભગ 5% સુધી પહોંચી શકે છે, જે 2026ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 2.8% હતી.મીડિયા રિપોર્ટ મુજબ,આ ચેતવણી વિશ્વમાં અચાનક અનાજની અછત સર્જાવા બાબતે નથી, પરંતુ તે એક મોટી સમસ્યા તરફ ઈશારો કરે છે. ખેડૂતોએ વધતા ખર્ચ અને મુખ્ય ખાદ્ય પદાર્થોના ઓછા પુરવઠાનો સામનો કરવો પડી શકે છે, બરાબર એવા સમયે જ્યારે હવામાનમાં ફેરફાર ઉત્પાદનને જોખમમાં મૂકી રહ્યો છે.</p><h5><b>ભારત, બ્રાઝિલ અને ઇન્ડોનેશિયા માટે એલર્ટ</b></h5><p>જેપી મોર્ગને ખાસ કરીને ભારત, બ્રાઝિલ અને ઇન્ડોનેશિયાને એવા દેશોમાં સામેલ કર્યા છે જ્યાં ખાતર પુરવઠામાં વિક્ષેપ અને અલ નીનોનું સંયોજન વિશેષરૂપે મહત્વનું બની શકે છે. વૈશ્વિક પાક પુરવઠામાં ઘટાડો થવા પર જે વ્યૂહાત્મક પડકારો ઊભા થઈ શકે છે, ભારત ભૂતકાળમાં તેનો સામનો કરી ચૂક્યું છે. જો આ ચેતવણી સાચી સાબિત થાય છે, તો ખોરાક મોંઘો થઈ શકે છે, ખાસ કરીને ઉભરતા અર્થતંત્રોમાં જ્યાં પરિવારો પોતાની આવકનો મોટો હિસ્સો ખોરાક પાછળ ખર્ચે છે.</p><p><img alt="global-food-crisis-warning-2" src="https://epapercdn.sandesh.com/images/2026/08/18/SW3x0a12ouhklFvFTV7SG3uuVFKRY4AB0W7xrkLb.webp"><br></p><h5><b>ખાતર કેમ છે આ સંકટનું કેન્દ્રબિંદુ?</b></h5><p>જેપી મોર્ગને આ ખાદ્ય સંકટ માટે સૌથી મોટા જવાબદાર પરિબળો તરીકે અલ નીનો અને ખાતરની અછતને ગણાવ્યા છે. વાસ્તવમાં, ખાતર બજાર અને ખાદ્ય બજાર વચ્ચે મોટો સંબંધ છે. અહેવાલ મુજબ, મધ્ય પૂર્વ વૈશ્વિક યુરિયા નિકાસમાં લગભગ 42% અને એમોનિયા નિકાસમાં 27% હિસ્સો ધરાવે છે, જેનાથી આ ક્ષેત્ર નાઇટ્રોજન આધારિત ખાતરોનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત બને છે. હોર્મુઝ સ્ટ્રેટ આસપાસ ચાલી રહેલા અવરોધોએ આ સપ્લાય ચેઇનને જોખમમાં મૂકી દીધી છે, જ્યારે કુદરતી ગેસના વધતા ભાવોએ તેમાં બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. યુરિયા જેવા નાઇટ્રોજન ખાતરને વાવણી સમયે અને પાકના પ્રારંભિક વિકાસ દરમિયાન નાખવું જરૂરી હોય છે. આ સમયગાળામાં તેનો ઉપયોગ ન કરવાથી ઉત્પાદન ઘટી શકે છે, ભલે પછીથી પુરવઠો ફરી શરૂ થઈ જાય.</p><p><br></p><h5><b>અલ નીનોથી બગડી શકે છે સ્થિતિ</b></h5><p>માત્ર ખાતરની અછત જ નહીં, પરંતુ ગ્લોબલ ફૂડ ક્રાઇસિસ માટે બીજું મોટું પરિબળ આબોહવા છે. જેપી મોર્ગનનું કહેવું છે કે સક્રિય થઈ રહેલું અલ નીનો મુખ્ય કૃષિ ક્ષેત્રોમાં વરસાદ અને તાપમાનની પેટર્નને બદલી શકે છે, જેનાથી દુષ્કાળ, પૂર અને અન્ય વિષમ હવામાન ઘટનાઓનું જોખમ વધી શકે છે. ઐતિહાસિક રીતે, અલ નીનોની ઘટનાઓ ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં ઉત્પાદનમાં સરેરાશ 3.5% ઘટાડા સાથે સંકળાયેલી રહી છે, જ્યારે સમશીતોષ્ણ વિસ્તારોમાં 2.4%નો વધારો જોવા મળ્યો છે. જેપી મોર્ગન અનુસાર, સુપર અલ નીનો પોતાની ચરમસીમા પર વૈશ્વિક ખાદ્ય મોંઘવારીને લગભગ 0.7 ટકા સુધી વધારી શકે છે અને ઊર્જાના વધતા ભાવો સાથે મળીને તેની અસર લગભગ 1.3 થી 1.5 ટકા સુધી પહોંચી શકે છે.</p><p><img alt="global-food-crisis-warning-1" src="https://epapercdn.sandesh.com/images/2026/08/18/S9ZW1uoQDQh0lRkz0CRbvXSzWsBGCHCaweaVaVqT.webp"><br></p><h5><b>ભારતમાં આ પાક થઈ શકે છે પ્રભાવિત</b></h5><p>નબળા કે અનિયમિત ચોમાસાને કારણે ડાંગર, કઠોળ, તેલીબિયાં, કપાસ, શેરડી અને વરસાદ પર નિર્ભર અન્ય પાકો પર અસર પડી શકે છે. તેના પરિણામો માત્ર ખેતરો સુધી સીમિત નહીં રહે, કારણ કે ઓછા ઉત્પાદનથી સ્થાનિક પુરવઠો ઘટી શકે છે, જથ્થાબંધ ભાવો વધી શકે છે અને અંતે છૂટક મોંઘવારીમાં વધારો થઈ શકે છે.જેપી મોર્ગને જણાવ્યું છે કે ભારત માટે ચિંતાનો વિષય માત્ર એ નથી કે દેશમાં પૂરતો ખોરાક હશે કે નહીં, પરંતુ મોટો પ્રશ્ન એ છે કે શું ખેડૂતો વૈશ્વિક ખાતર અને ઊર્જા બજારોમાં અસ્થિરતા હોવા છતાં પોસાય તેવા ખર્ચે ઉત્પાદન જાળવી રાખી શકશે. કેટલાક રાહતરૂપ પરિબળો તરફ પણ નિર્દેશ કરવામાં આવ્યો છે, જેમાં વૈશ્વિક અનાજનો પૂરતો જથ્થો અને એશિયામાં ચોખાનો પ્રમાણમાં સારો સંગ્રહ સામેલ છે.</p><p>આ પણ વાંચો <a href="https://sandesh.com/business/news/stock-market-opening--us-iran-tension-sensex-falls-309-points-nifty-opens-at-24222-points" target="_blank">- Stock Market Opening: સેન્સેક્સ 309 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 24,222 અંકે ખૂલ્યો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/2eFmHLi7IzdCp7BGbWzE3oHdGm4vcF0T5lyROacM.webp'/></item><item><title><![CDATA[Supreme Court On Live-in Relationship: શું પરિણીત સ્ત્રી અને પુરુષ લીવઇનમાં સાથે રહી શકે ? સુપ્રીમ કોર્ટની જાણો સ્પષ્ટતા ]]></title><link>https://sandesh.com/india/news/can-married-man-or-woman-together-live-in-a-live-in-relationship-what-the-supreme-court-says</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/can-married-man-or-woman-together-live-in-a-live-in-relationship-what-the-supreme-court-says</guid><pubDate>Tue, 18 Aug 2026 09:57:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતની સર્વોચ્ચ અદાલતે (સુપ્રીમ કોર્ટ) વિવિધ ચુકાદાઓમાં પુખ્ત વયના લોકોની વ્યક્તિગત સ્વતંત્રતા અને સંમતિથી સાથે રહેવાના (Live-in Relationship) અધિકારને માન્યતા આપી છે. જો કે, કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે દરેક લિવ-ઇન સંબંધને લગ્ન સમાન ગણી શકાય નહીં. લિવ-ઇન સંબંધો અંગે બે મુખ્ય પ્રશ્નો ઉદ્ભવે છે: 'શું સાથે રહેવું ગુનો છે?' અને 'શું આવા સંબંધને લગ્નનો કાનૂની દરજ્જો મળે છે?' સુપ્રીમ કોર્ટે બંને પ્રશ્નોના અલગ-અલગ જવાબો આપી કાનૂની સ્થિતિ સ્પષ્ટ કરી છે.</p><h2 style="text-align: justify; "><b>લિવઇન રિલેશનશિપ પર સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા</b></h2><p style="text-align: justify; "><b>૧. બે પુખ્ત વયના લોકોનું સાથે રહેવું ગુનો નથી</b></p><p style="text-align: justify; ">સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર, બે પુખ્ત વ્યક્તિઓ પોતાની મરજીથી સાથે રહે તે તેમની વ્યક્તિગત સ્વતંત્રતાનો ભાગ છે. માત્ર લગ્ન કર્યા વિના સાથે રહેવા બદલ તેમની સામે કોઈ ફોજદારી (Criminal) કેસ દાખલ કરી શકાતો નથી.</p><p style="text-align: justify; ">IPC કલમ ૪૯૭ રદ (વ્યભિચાર/Adultery): ૨૭ સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ 'જોસેફ શાઇન વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા' કેસમાં સુપ્રીમ કોર્ટની ૫ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે અસમાન અને પિતૃસત્તાક વિચારસરણી પર આધારિત IPC ની કલમ ૪૯૭ ને ગેરબંધારણીય જાહેર કરીને રદ કરી હતી.</p><p style="text-align: justify; ">મહિલાઓની સ્વતંત્રતા: આ નિર્ણય બાદ હવે કોઈ પરિણીત પુરુષ કે પરિણીત મહિલા બીજા પુખ્ત સાથે સંબંધ રાખે, તો તેની સામે વ્યભિચારનો ફોજદારી કેસ થઈ શકતો નથી.</p><p style="text-align: justify; "><b>૨. પરિણીત વ્યક્તિ સાથે લિવ-ઇન: શું તેને લગ્નનો દરજ્જો મળે?</b></p><p style="text-align: justify; ">કોઈ વ્યક્તિ પહેલાથી પરિણીત હોય અને અન્ય વ્યક્તિ સાથે લિવ-ઇનમાં રહે, તો કાનૂની સ્થિતિ બદલાય છે. 'ઇન્દ્રા શર્મા વિરુદ્ધ વી.કે.વી. શર્મા' કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો:</p><p style="text-align: justify; ">જો કોઈ મહિલાને પહેલાથી ખબર હોય કે પુરુષ પરિણીત છે અને તેનું પ્રથમ લગ્ન અસ્તિત્વમાં છે, તો આ સંબંધને "લગ્નના સ્વરૂપનો" સંબંધ ગણવામાં કાનૂની અડચણો આવે છે.</p><p style="text-align: justify; ">લગ્ન સમકક્ષ ગણવાના માપદંડો: સંબંધનો સમયગાળો, વહેંચાયેલું ઘર, નાણાકીય સહયોગ, સામાજિક છબી (જાહેરમાં પતિ-પત્ની તરીકેની ઓળખ) અને જીવનસાથીની વૈવાહિક સ્થિતિનું જ્ઞાન જેવા પરિબળોને આધારે જ નક્કી થાય છે કે સંબંધ 'લગ્ન સમાન' છે કે નહીં.</p><p style="text-align: justify; "><b>૩. કાનૂની અને વૈવાહિક પરિણામો (Civil &amp; Marital Consequences)</b></p><p style="text-align: justify; ">વ્યભિચાર હવે ફોજદારી ગુનો નથી, એટલે કે તે માટે જેલની સજા થઈ શકતી નથી, પરંતુ તેના વૈવાહિક પરિણામો રદ થયા નથી.</p><p style="text-align: justify; ">છૂટાછેડાનો આધાર: હિન્દુ મેરેજ એક્ટ અને અન્ય વૈવાહિક કાયદા હેઠળ વ્યભિચાર અથવા લગ્નબાહ્ય સંબંધ હજુ પણ છૂટાછેડા (Divorce) માટેનો મજબૂત કાનૂની આધાર બની શકે છે.</p><p style="text-align: justify; ">ઘરેલુ હિંસા કાયદા હેઠળ રક્ષણ: ઘરેલુ હિંસાથી મહિલાઓનું રક્ષણ કાયદો "લગ્નના સ્વભાવ જેવા સંબંધો" ને માન્યતા આપે છે. પરંતુ પરિણીત વ્યક્તિ સાથે રહેતી મહિલાને આ રક્ષણ મળશે કે નહીં, તે કેસના તથ્યો, રહેણીકહેણી અને સમયગાળા પર આધાર રાખે છે.</p><p style="text-align: justify; ">સુપ્રીમ કોર્ટે નાગરિકોની અંગત સ્વતંત્રતાને ચોક્કસપણે મહત્વ આપ્યું છે, પરંતુ સાથે સાથે લગ્ન સંસ્થાની મર્યાદાઓ અને તેનાથી ઉદ્ભવતા સિવિલ પરિણામો પ્રત્યે પણ ગંભીરતા દાખવી છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/42Hh5HC1MUwYcE9cNOAGLSP9CKwMq94UY0HcbbnP.webp'/></item><item><title><![CDATA[Surat : સુમુલ ડેરીમાં ચૂંટણી બાદ હવે સત્તાનો વકરતો વિવાદ : પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીનો મામલો દિલ્હી પહોંચ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-sumul-dairy-president-election-controversy-bjp-factions-delhi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-sumul-dairy-president-election-controversy-bjp-factions-delhi</guid><pubDate>Tue, 18 Aug 2026 09:53:29 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત અને તાપી જિલ્લાના અઢી લાખથી વધુ પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન સુમુલ ડેરીમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. પહેલા ચૂંટણી યોજવા બાબતે વિવાદ થયો હતો, અને હવે પ્રમુખ તથા ઉપપ્રમુખની પસંદગી માટેનો સમય સતત લંબાવવામાં આવી રહ્યો છે. સુમુલ ડેરીમાં સત્તા કબજે કરવા માટે ભાજપના બે જૂથો વચ્ચે ચાલી રહેલી આંતરિક ખેંચતાણ હવે ચરમસીમાએ પહોંચી ગઈ છે અને આ મામલો છેક દિલ્હી દરબાર સુધી પહોંચ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>કરોડોના વિરાટ વહીવટ અને વ્યવસાયનો વહીવટ</b></h2><p style="text-align: justify; ">લગભગ Rs 8,000 થી Rs 8,500 કરોડના વિરાટ વહીવટ અને વ્યવસાય સાથે સંકળાયેલી સુમુલ ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખ નક્કી કરવા માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક બોલાવવામાં આવી હતી. જોકે, છેલ્લી ઘડીએ આ બેઠક મુલતવી રાખવામાં આવતાં સહકારી ક્ષેત્રમાં ભારે ચર્ચા અને રાજકીય ગરમાવો સર્જાયો છે.</p><h3 style="text-align: justify; "><b>બે જૂથો વચ્ચે સત્તાની ખેંચતાણ</b></h3><p style="text-align: justify; ">સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપના બે જૂથો વચ્ચે સત્તાની ખેંચતાણના કારણે સર્વસંમતિ સાધી શકાઈ નથી. હવે બંને જૂથો વચ્ચે સંપૂર્ણ સર્વસહમતિ સાધ્યા બાદ જ બોર્ડ મિટિંગની નવી તારીખ જાહેર કરવામાં આવશે. સહકારી ક્ષેત્રના આ મોટો વિવાદ હવે સમગ્ર રાજ્ય અને દિલ્હી મોવડીમંડળની સમક્ષ પહોંચ્યો છે. મોવડીમંડળ હવે મામલો ઉકેલશે ત્યારે પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણીની તારખી જાહેર થઇ શકે તેમ લાગી રહ્યું છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp;<a href="https://sandesh.com/gujarat/news/patan/patan-radhanpur-folk-singer-kinjal-rabari-marriage-mukesh-rabari" target="_blank"><b> &nbsp;Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન</b></a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/iaNNn35NJdnfWRtR0miggLGGEF7qcuiksSJntDyq.webp'/></item><item><title><![CDATA[Morbiમાં વીજપોલ વળતરની લડાઈને મળતું જનસમર્થન: 100થી વધુ ગામોમાં ભાજપના ઉમેદવારો માટે પ્રવેશબંધીના બેનરો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/morbi/public-support-for-electricity-pole-compensation-fight-in-morbi-banners-banning-entry-for-bjp-candidates-in-over-100-villages</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/morbi/public-support-for-electricity-pole-compensation-fight-in-morbi-banners-banning-entry-for-bjp-candidates-in-over-100-villages</guid><pubDate>Tue, 18 Aug 2026 09:51:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મોરબીના જેતપર ગામથી ખેડૂતો દ્વારા શરૂ કરવામાં આવેલી વીજપોલ વળતરની લડાઈ હવે આક્રમક સ્વરૂપ ધારણ કરી રહી છે. ખાનગી વીજ કંપનીઓ દ્વારા ખેતરોમાં નાખવામાં આવતા વીજપોલ અને ટાવરો સામે ખેડૂતોને યોગ્ય અને વ્યાજબી વળતર મળે તે માટે ચાલી રહેલા આ આંદોલનને ગ્રામીણ વિસ્તારોમાંથી અભૂતપૂર્વ જનસમર્થન સાંપડી રહ્યું છે. ખેડૂતોનો આરોપ છે કે તેમની કિંમતી જમીનોમાં પાવરલાઇન અને વીજપોલ ઉભા કરી દેવામાં આવે છે, પરંતુ તેના બદલામાં જે વળતર ચૂકવવામાં આવે છે તે તદ્દન પૂરતું હોતું નથી.</p><h2 style="text-align: justify; "><b>દિગ્ગજ નેતાઓના હોમટાઉનમાં જ વિરોધના સૂર&nbsp;</b></h2><p style="text-align: justify; ">ખેડૂતોના આ આંદોલનનો અનોખો વિરોધ હવે મોરબી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. 100થી વધુ ગામોમાં સ્થાનિકો અને ખેડૂતો દ્વારા ભાજપના ઉમેદવારો માટે પ્રવેશબંધી ફરમાવતા બેનરો મારી દેવામાં આવ્યા છે. સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના પોતાના ગામ જેતપર, પૂર્વ રાજ્યમંત્રી અને ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિ કવાડિયાના ગામ ઘનશ્યામગઢ અને પૂર્વ સાંસદ મોહન કુંડારિયાના ગામ નીચી માંડલમાં પણ આવા પ્રવેશબંધીના બેનરો લાગી ચૂક્યા છે.</p><h3 style="text-align: justify; "><b>ગામોમાં લાગેલા બેનરોથી રાજકારણ ગરમાયું</b></h3><p style="text-align: justify; ">ખેડૂતો દ્વારા ગામોના પાદરે લગાવાયેલા બેનરોમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે આગામી 2027ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના કોઈપણ ઉમેદવારે પ્રચાર અર્થે ગામમાં પ્રવેશ કરવો નહીં. ગ્રામજનો અને ખેડૂત સંગઠનોનું કહેવું છે કે જ્યાં સુધી ખેડૂતોને વીજપોલનું યોગ્ય અને ન્યાયી વળતર નહીં મળે ત્યાં સુધી તેમનો આ વિરોધ ચાલુ જ રહેશે. જનપ્રતિનિધિઓ દ્વારા ખેડૂતોના પ્રશ્ને યોગ્ય રજૂઆત કે ઉકેલ ન લાવવામાં આવતાં સ્થાનિક પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેના કારણે મોરબી પંથકનું રાજકારણ ભારે ગરમાયું છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/8Pe909AUwyA22uTBBxYnfivGA5lp5jtdTo6k4aq8.webp'/></item><item><title><![CDATA[Ram Mandir Donation case: શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટને યુપી સરકારે સોંપી SITની ફાઇનલ રિપોર્ટ ]]></title><link>https://sandesh.com/india/news/ram-mandir-donation-case-up-government-hands-over-final-report-of-sit-to-shri-ram-janmabhoomi-trust</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ram-mandir-donation-case-up-government-hands-over-final-report-of-sit-to-shri-ram-janmabhoomi-trust</guid><pubDate>Tue, 18 Aug 2026 09:36:35 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરના ચઢાવામાં કથિત ચોરી સાથે જોડાયેલા મામલામાં ઉત્તર પ્રદેશ સરકારે પ્રથમ વિશેષ તપાસ ટીમ (SIT)નો અંતિમ રિપોર્ટ શ્રીરામ જન્મભૂમિ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને સોંપી દીધો છે.&nbsp;</p><p style="text-align: justify; ">આ એ જ તપાસ રિપોર્ટ છે, જે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર નવી SITની રચના થાય તે પહેલાં તૈયાર કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે સોમવારે આ અંગે માહિતી આપી હતી. પ્રથમ SITએ પોતાના પ્રારંભિક રિપોર્ટમાં જે મુદ્દાઓ અને ભલામણોનો ઉલ્લેખ કર્યો હતો, તેના આધારે જ આ કેસમાં FIR સહિત આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.</p><h2 style="text-align: justify; "><b>ટ્રસ્ટની વિનંતી પર રચાઈ હતી પ્રથમ SIT</b></h2><p style="text-align: justify; ">ચઢાવાની કથિત ચોરીનો મામલો ચર્ચામાં આવ્યા બાદ રામ મંદિર ટ્રસ્ટની વિનંતી પર ઉત્તર પ્રદેશની યોગી સરકારે 13 જૂને લખનૌના મંડલાયુક્ત વિજય વિશ્વાસ પંતની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની SITની રચના કરી હતી. આ SITમાં લખનૌ રેન્જના IG કિરણ એસ અને વિશેષ સચિવ નીલ રતન કુમારને સભ્ય બનાવવામાં આવ્યા હતા. 15 દિવસની સમયમર્યાદા બાદ SITએ 23 જૂને અપર મુખ્ય સચિવ ગૃહ સંજય પ્રસાદને પોતાનો પ્રારંભિક અહેવાલ સોંપ્યો હતો. ત્યારબાદ ટીમે તપાસ પૂર્ણ કરવા માટે વધુ સાત દિવસનો સમય માંગ્યો હતો, જેને યોગી સરકારે મંજૂરી આપી હતી.</p><h3 style="text-align: justify; "><b>ટ્રસ્ટે કયા લોકો સામે કરી હતી ફરિયાદ?</b></h3><p style="text-align: justify; ">પ્રથમ SITની પ્રારંભિક તપાસનો રિપોર્ટ સામે આવ્યા બાદ આ મામલો વધુ ચર્ચામાં આવ્યો હતો. SITની તપાસ દરમિયાન 25 જૂને શ્રીરામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. ટ્રસ્ટના સભ્ય કૃષ્ણમોહનની લેખિત ફરિયાદના આધારે અવિનાશ શુક્લા, અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા, મનીષ કુમાર યાદવ, કરુણેશ પાંડે, રમાશંકર મિશ્રા, સુભાષ શ્રીવાસ્તવ અને રામ શંકર યાદવ ઉર્ફે ટિન્નુને નામજદ આરોપી બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત કેટલાક અજાણ્યા લોકોને પણ FIRમાં આરોપી બનાવવામાં આવ્યા હતા.</p><h4 style="text-align: justify; "><b>સુપ્રીમ કોર્ટના આદેશ પર નવી SITની રચના</b></h4><p style="text-align: justify; ">આ તમામ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો ઉપરાંત ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 13(1)(a) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે આ દરમિયાન મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. અરજી પર સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે નવી SITની રચના કરવાનો આદેશ આપ્યો હતો.</p><p style="text-align: justify; ">ત્યારબાદ રાજ્ય સરકારે લખનૌ રેન્જના IG કિરણ એસ, DIG સોમન વર્મા, અયોધ્યાના SSP ગૌરવ ગ્રોવર, એક ફોરેન્સિક ઓડિટર અને એક ASPને સામેલ કરીને નવી તપાસ ટીમની રચના કરી હતી. નવી SIT હવે સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર સમગ્ર મામલાની વધુ તપાસ કરી રહી છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/N29SGUDe6rBM39lJ2etXEpIO9yKIjh19MwU35qFC.webp'/></item><item><title><![CDATA[Surat : ડોક્ટર હર્ષ પંડ્યા આપઘાત કેસ: ગુનો નોંધાતા જ 4 રેસિડેન્ટ ડોક્ટરો ભૂગર્ભમાં ઉતર્યા, પોલીસ ગમે ત્યારે કરી શકે છે ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/surat-dr-harsh-pandya-suicide-case-4-resident-doctors-absconding-ragging-case</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/surat-dr-harsh-pandya-suicide-case-4-resident-doctors-absconding-ragging-case</guid><pubDate>Tue, 18 Aug 2026 09:36:26 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતના ચકચારી ડોક્ટર હર્ષ પંડ્યા આપઘાત કેસમાં કાયદાકીય ગાળિયો મજબૂત બનતાં જ ચારેય આરોપી સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ચારેય ડોક્ટર ભૂગર્ભમાં ઉતરી ગયા</b></h2><p style="text-align: justify; ">મૃતક ડોક્ટરના પિતાની ફરિયાદના આધારે પોલીસે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધતાં જ ડોક્ટર નિરાલી વસાવે, ડોક્ટર હિના ભૂત, ડોક્ટર અનુજ મહેશ્વરી અને ડોક્ટર દિક્ષિતા ઘેવરીયા અટકાયતના ડરથી ફરાર થઈ ગયા છે.</p><h3 style="text-align: justify; "><b>ડોક્ટર અનુજ અને ડોક્ટર દીક્ષીતાએ પોતાનો કોઈ વાંક ન હોવાનો દાવો કર્યો&nbsp;</b></h3><p style="text-align: justify; ">આશ્ચર્યની વાત એ છે કે, અગાઉ પ્રાથમિક નિવેદન આપતી વખતે ડોક્ટર અનુજ અને ડોક્ટર દીક્ષીતાએ પોતાનો કોઈ વાંક ન હોવાનો દાવો કર્યો હતો. પરંતુ પોલીસ ફરિયાદ દાખલ થતાં જ તેઓ ગાયબ થઈ ગયા છે.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>સતત માનસિક ત્રાસ આપતા&nbsp;</b></h4><p style="text-align: justify; ">હર્ષ પંડ્યાના પિતા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર, આ ચારેય સિનિયર ડોક્ટરો જૂનિયર ડોક્ટર હર્ષ પંડ્યાને સતત માનસિક ત્રાસ આપતા હતા, જાહેરમાં તેમનું અપમાન કરતા હતા અને જાતિગત ટિપ્પણીઓ પણ કરતા હતા. આ ઉપરાંત તેમની પાસે ક્ષમતા કરતા વધુ કામનું ભારણ કરાવીને રેગિંગ તેમજ શોષણ કરવામાં આવતું હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે.</p><h5 style="text-align: justify; "><b>પોલીસે ધરપકડ કરવાની તજવીજ શરુ કરી</b></h5><p style="text-align: justify; ">હાલમાં પોલીસ ચારેય આરોપી ડોક્ટરોના ઘરે દરોડા પાડીને તેમની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી રહી છે અને ગમે ત્યારે તેમની અટકાયત થાય તેવી પૂરી શક્યતાઓ છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">&nbsp; આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/patan/patan-radhanpur-folk-singer-kinjal-rabari-marriage-mukesh-rabari" target="_blank"><b>Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન</b></a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/sgxFzLzMKljQefcx4zVbEWaAYYHnZp8fax8fdhI3.webp'/></item><item><title><![CDATA[Anandના તારાપુરમાં ગરનાળા પર પ્રોટેક્શન દીવાલના અભાવે સર્જાયો અકસ્માત: બાઈક કાંસમાં ખાબકતાં આધેડનું મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/anand/anand-news--middle-aged-man-dies-in-accident-near-garnala-in-khakhsar-village-of-tarapur</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/anand/anand-news--middle-aged-man-dies-in-accident-near-garnala-in-khakhsar-village-of-tarapur</guid><pubDate>Tue, 18 Aug 2026 09:34:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં આવેલા ખાખસર ગામ નજીક રસ્તાની અણઘડ કામગીરી અને તંત્રની બેદરકારીને કારણે વધુ એક પરિવાર ઉજડી ગયો છે. રોહિણીથી ખાખસર તરફ જતા માર્ગ પર આવેલા કાંસ પર ગરનાળાની બંને બાજુ પ્રોટેક્શન દીવાલ ન હોવાથી આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. તારાપુર તાલુકાના જાફરાબાદ ગામના 42 વર્ષીય વિનુભાઈ શંકરભાઈ હરિજન ગતરોજ ખંભાતના મીતલી ગામે પોતાની સાસરીમાં ગયા હતા. જ્યાંથી રાત્રિના સમયે તેઓ બાઈક લઈને એકલા જ પોતાના ઘરે જાફરાબાદ પરત ફરી રહ્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>આધેડનો કાંસમાંથી મૃતદેહ મળ્યો</b></h2><p style="text-align: justify; ">રાત્રિના સમયે માર્ગ પર અંધારું હોવા ઉપરાંત ગરનાળા પર કોઈ સુરક્ષા દીવાલ ન હોવાના કારણે વિનુભાઈની બાઈક અચાનક અનિયંત્રિત થઈ કાંસમાં ખાબકી હતી. મોડી રાત સુધી વિનુભાઈ ઘરે ન પહોંચતા ચિંતિત બનેલા પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. શોધાશોધ દરમિયાન રોહિણી-ખાખસર રોડ પર કાંસ પાસે ભટકાયેલી હાલતમાં તેમની બાઈક મળી આવી હતી. ઘટનાની ગંભીરતા જોઈ સ્થાનિકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ત્યારબાદ વહેલી સવારે ઊંડા કાંસના પાણીમાંથી વિનુભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>તંત્રની બેદરકારી સામે રોષ </b></h3><p style="text-align: justify; ">બાઈક કાંસમાં ખાબકવાની ઘટનામાં વિનુભાઈનું કરુણ મોત નીપજતાં જ ઘટનાસ્થળે પહોંચેલા પરિવારજનોમાં ભારે આક્રંદ ફાટી નીકળ્યો હતો. અચાનક ઘરના કમાઉ સભ્યનું મોત થતાં જાફરાબાદ ગામમાં પણ અરેરાટી સાથે શોકની કાલિમા છવાઈ ગઈ છે. સ્થાનિક લોકોમાં તંત્રની આ ઘોર ઉપેક્ષા સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે કાંસ પર પ્રોટેક્શન દીવાલ બનાવવા માટે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી, જેના કારણે આજે એક નિર્દોષ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/zzPFGigOts2VWnQ7AXAtKojGNihZAAeFeWHQC36x.webp'/></item><item><title><![CDATA[Batwara 1947 Movie જોઈ ભાવુક થઈ હેમા માલિની, સની દેઓલ અને શબાના આઝમીના વખાણ કર્યા, આપ્યો ખાસ મેસેજ ]]></title><link>https://sandesh.com/entertainment/news/hema-malini-got-emotional-after-watching-batwara-1947-movie-praised-sunny-deol-and-shabana-azmi</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/hema-malini-got-emotional-after-watching-batwara-1947-movie-praised-sunny-deol-and-shabana-azmi</guid><pubDate>Tue, 18 Aug 2026 09:26:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">૧૪ ઓગસ્ટના રોજ થિયેટરોમાં રિલીઝ થયેલી આમિર ખાન પ્રોડક્શન્સની ફિલ્મ "પાર્ટીશન ૧૯૪૭" ને દર્શકો અને વિવેચકો તરફથી અદ્ભુત પ્રતિસાદ મળી રહ્યો છે. ભારત-પાકિસ્તાન ભાગલાની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર આધારિત આ ફિલ્મ માત્ર ભૂતકાળની પીડા જ નહીં, પરંતુ મુશ્કેલ સમયમાં માનવતા, ભાઈચારો અને પરસ્પર પ્રેમનો શક્તિશાળી સંદેશ આપે છે. તાજેતરમાં બોલિવૂડની પીઢ અભિનેત્રી હેમા માલિનીએ આ ફિલ્મ જોયા બાદ સોશિયલ મીડિયા પર તેના દિલથી વખાણ કર્યા છે.</p><p style="text-align: justify; "><b>નફરત કરતાં માનવતા વધુ મહત્વપૂર્ણ: હેમા માલિની</b></p><p style="text-align: justify; ">ફિલ્મ જોયા પછી હેમા માલિનીએ પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, આ ફિલ્મનો સંદેશ આજના સમયમાં દેશ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે, "માનવતા, પરસ્પર આદર અને કોમી એકતા એ નફરત અને વિભાજન કરતાં ઘણી વધારે મહત્વની છે." તેમણે એવી આશા પણ વ્યક્ત કરી કે આ ફિલ્મનો સુંદર મેસેજ લોકોને પોતાની માનસિકતા બદલવા તથા નફરતના બદલે પ્રેમ અને દયાનો માર્ગ પસંદ કરવા પ્રેરણા આપશે.</p><p style="text-align: justify;"><b>સની દેઓલ અને રાજકુમાર સંતોષીનું ૩૦ વર્ષ પછી કમબેક</b></p><p style="text-align: justify;">આ ફિલ્મ એટલા માટે પણ ખાસ છે કારણ કે તેના દ્વારા સુપરસ્ટાર સની દેઓલ અને દિગ્દર્શક રાજકુમાર સંતોષી લગભગ ત્રણ દાયકા (૩૦ વર્ષ) પછી ફરી એક સાથે આવ્યા છે. હેમા માલિનીએ રાજકુમાર સંતોષીના શાનદાર નિર્દેશનની સાથે સની દેઓલ, શબાના આઝમી, કરણ દેઓલ અને પ્રીતિ ઝિન્ટાના અભિનયની પણ મુક્તકંઠે પ્રશંસા કરી હતી. આ સિવાય તેમણે આમિર ખાનને આવી અર્થપૂર્ણ ફિલ્મ બનાવવા બદલ ખાસ અભિનંદન પાઠવ્યા હતા.</p><p style="text-align: justify;"><b>તારાથી ભરેલી સ્ટારકાસ્ટ અને એ. આર. રહેમાનનું સંગીત</b></p><p style="text-align: justify;">૧૪ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મમાં સની દેઓલ, શબાના આઝમી, પ્રીતિ ઝિન્ટા અને કરણ દેઓલ ઉપરાંત અલી ફઝલ અને અભિમન્યુ સિંહ પણ મહત્વના રોલમાં છે. ફિલ્મનું સંગીત ઓસ્કાર વિજેતા એ. આર. રહેમાને આપ્યું છે, જ્યારે તેના સુંદર ગીતો જાવેદ અખ્તરે લખ્યા છે. ઇતિહાસના દર્દનાક પ્રકરણ વચ્ચે માનવતાનો દીવો પ્રગટાવતી આ વાર્તા દરેક દર્શકના દિલને સ્પર્શી રહી છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/HwQ7TaV4fdDfCIAg7NHWZJnHuxk3OdeweGYqw3wq.webp'/></item><item><title><![CDATA[Ahmedabadમાં વેજલપુરથી મકરબા જતો માર્ગ બંધ થતાં વાહનચાલકો અને સ્થાનિકો મુશ્કેલીમાં ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/motorists-and-locals-in-trouble-as-road-from-vejalpur-to-makarba-in-ahmedabad-closed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/motorists-and-locals-in-trouble-as-road-from-vejalpur-to-makarba-in-ahmedabad-closed</guid><pubDate>Tue, 18 Aug 2026 08:32:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં વિકાસકામો અને બ્રિજ નિર્માણને કારણે વાહનવ્યવહાર પર મોટી અસર પડી રહી છે. તાજેતરમાં જ તંત્ર દ્વારા વેજલપુર ક્રોસિંગ તરફનો મહત્વનો રોડ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. વેજલપુરથી મકરબા તરફ જતો આ મુખ્ય માર્ગ બંધ થવાને કારણે આ વિસ્તારમાંથી પસાર થતાં હજારો વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. પીક અવર્સ દરમિયાન અન્ય વૈકલ્પિક રસ્તાઓ પર ટ્રાફિકનું ભારે ભારણ વધી ગયું છે, જેના કારણે વાહનચાલકોને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવામાં કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાઈ રહેવું પડે છે.</p><h2 style="text-align: justify; "><b>રોજિંદી અવરજવર ખોરવાતા સ્થાનિકોમાં રોષ</b></h2><p style="text-align: justify; ">વેજલપુર-મકરબા રોડ બંધ થવાના કારણે આસપાસની સોસાયટીઓમાં રહેતા સ્થાનિક રહીશોની રોજિંદી અવરજવર ખૂબ જ ખોરવાઈ ગઈ છે. નોકરીયાતો, શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓ અને વેપારીઓને દરરોજ લાંબા ચક્રાવા કાપીને જવું પડે છે. અચાનક રોડ બંધ કરી દેવાતા સ્થાનિક લોકોને રોજબરોજના કામકાજ માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. વિસ્તારમાં નાના-મોટા અકસ્માતો અને વાહનોના લાંબા કાફલા દ્રશ્યમાન થઈ રહ્યા છે, જેનાથી સ્થાનિક રહીશોનું જીવવું દુષ્કર બન્યું છે.</p><h3 style="text-align: justify; "><b>તંત્રની ધીમી નીતિ સામે જનતામાં ભારે નારાજગી</b></h3><p style="text-align: justify; ">આ રોડ બંધ થવાનું મુખ્ય કારણ વિસ્તારમાં ચાલી રહેલી બ્રિજની કામગીરી છે. પરંતુ સ્થાનિકોનો આરોપ છે કે તંત્ર અને કોન્ટ્રાક્ટર દ્વારા ખૂબ જ ધીમી ગતિએ કામ કરવામાં આવી રહ્યું છે. તંત્રની આ ધીમી અને અણઘડ કામગીરીનો ભોગ નિર્દોષ પ્રજા બની રહી છે. સમયસર કામ પૂરું ન થતાં અને યોગ્ય ડાયવર્ઝનનું આયોજન ન હોવાથી લોકોમાં તંત્ર સામે ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહીશોએ માંગ કરી છે કે બ્રિજનું કામ ઝડપથી પૂરું કરવામાં આવે જેથી રાહત મળી શકે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/RXqz4csT9GWDYNbfJ5FD0g0BnZ8RE7jCCqMhzMKU.webp'/></item><item><title><![CDATA[World Championships 2026: આયુષ શેટ્ટીએ વિશ્વના નંબર 1 ખેલાડીને હરાવી ઐતિહાસિક જીત મેળવી ]]></title><link>https://sandesh.com/sports/news/world-championships-2026-aayush-shetty-scores-historic-win-by-defeating-world-number-1</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/world-championships-2026-aayush-shetty-scores-historic-win-by-defeating-world-number-1</guid><pubDate>Tue, 18 Aug 2026 08:05:36 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઉભરતા ભારતીય બેડમિન્ટન સ્ટાર આયુષ શેટ્ટીએ BWF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ટુર્નામેન્ટનો સૌથી મોટો અપસેટ સર્જીને ઇતિહાસ રચ્યો. 21 વર્ષીય ભારતીય શટલરે રોમાંચક અને રોમાંચક મેચમાં વિશ્વના નંબર 1 ચીનના શી યુ ચીને 21-14, 13-21, 21-19 થી હરાવીને પુરુષોની સિંગલ્સના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો.શરૂઆતથી જ, આયુષ શેટ્ટીએ તેના સચોટ કોર્ટ કવરેજથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા, ચીની સ્ટારને બેકફૂટ પર ધકેલી દીધો.</p><h5 style="text-align: justify; "><b>આયુષ શેટ્ટીની ઐતિહાસિક જીત</b></h5><p style="text-align: justify; ">આયુષ શેટ્ટીએ ઉત્તમ સ્મેશ અને નેટ પ્લે સાથે 11-5ની લીડ બનાવી,ચીની ખેલાડીને અનફોર્સ્ડ એરર્સમાં પહેલી ગેમ 21-14 થી જીતી લીધી. પછી, બીજી ગેમમાં, અનુભવી શી યુ ચીએ લાંબી રેલીઓ સાથે વાપસી કરી, મેચને અંતિમ ગેમમાં લઈ જવામાં મદદ કરી. ત્રીજી ગેમમાં, આયુષે સંયમ બતાવ્યો અને 15-5 ની લીડ મેળવી. ત્યારબાદ ચીની ખેલાડીએ મજબૂત વળતો હુમલો કર્યો,ખાધને 20-19 પર બંધ કરી. જોકે, આયુષે અંતિમ ક્ષણોમાં શાનદાર રમત બતાવી, મેચ પોઈન્ટ જીતીને પોતાની કારકિર્દીની સૌથી મોટી જીત નોંધાવી.</p><h5 style="text-align: justify; "><b>આયુષ શેટ્ટીએ કર્યો કમાલ&nbsp;</b></h5><p style="text-align: justify; ">આ મોટી જીત અંગે,આયુષ શેટ્ટીએ કહ્યુંમને ખૂબ જ સારું લાગી રહ્યું છે.આ ખરેખર ખાસ જીત છે.હું આજે જે રીતે રમ્યો તેનાથી હું ખુશ છું.મને ખબર હતી કે આ એક મુશ્કેલ મેચ હશે અને મારે સખત મહેનત કરવી પડશે.હું તેના માટે માનસિક અને શારીરિક રીતે તૈયાર હતો.યુએસ ઓપન 300 ચેમ્પિયન શેટ્ટીએ વધુમાં ઉમેર્યું, "ઘરે વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતવી એ ચોક્કસપણે એક સ્વપ્ન છે જે તમે નાના થયા છો.હું આજે ખૂબ જ સારું અનુભવી રહી છું, પરંતુ હાલ માટે,હું આગામી રાઉન્ડ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું."</p><h5 style="text-align: justify; "><b>પીવી સિંધુનો એકતરફી વિજય</b></h5><p style="text-align: justify; ">બીજી તરફ, મહિલા સિંગલ્સમાં નવમા ક્રમાંકિત પીવી સિંધુએ આયર્લેન્ડની સોફિયા નોબલને માત્ર 29 મિનિટમાં 21-7, 21-11 થી હરાવીને બીજા રાઉન્ડમાં આગળ વધ્યો. સિંધુના નામે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પહેલાથી જ પાંચ મેડલ છે, જેમાં એક ગોલ્ડ, બે સિલ્વર અને બે બ્રોન્ઝનો સમાવેશ થાય છે. જો તે આ ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચે છે, તો તે વર્લ્ડ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં છ મેડલ જીતનારી પ્રથમ ખેલાડી બનીને ઇતિહાસ રચશે. સિંધુનો સામનો બીજા રાઉન્ડમાં કેનેડાની વેન યુ ઝાંગ સામે થશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/cricket/news/virat-kohli-no-18-jersey-story" target="_blank">Virat Kohli કેમ પહેરે છે 18 નંબરની જર્સી? 'કિંગ'એ જાતે જણાવ્યું ખાસ કારણ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/muBvpONuGMGPLZk0jvPcgMnayzV6sZMI6hniI8kh.webp'/></item></channel></rss>