<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Amazon-Flipkart પર હવે તમારો ઓર્ડર કેન્સલ કરવો સેલરને મોંઘો પડશે, લાગશે મસમોટો દંડ! ]]></title><link>https://sandesh.com/business/news/amazon-flipkart-seller-cancellation-fee-penalties</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/amazon-flipkart-seller-cancellation-fee-penalties</guid><pubDate>Tue, 25 Aug 2026 09:44:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">તહેવારોની સિઝન નજીક આવતાં જ દેશની અગ્રણી ઈ-કોમર્સ કંપનીઓ એમેઝોન અને ફ્લિપકાર્ટે તેમના પ્લેટફોર્મ પર વેચાણ કરતા સેલર્સ  માટે ફી અને દંડના માળખામાં મોટા ફેરફારો કર્યા છે. જો હવે કોઈ વેચનાર ગ્રાહકની સંમતિ વિના કે પોતાની ભૂલથી ઓર્ડર રદ કરશે અથવા ડિસ્પેચમાં વિલંબ કરશે, તો તેમને ભારે દંડ ચૂકવવો પડશે. આ નવા નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોને સમયસર ઓર્ડર પૂરા પાડવાનો અને સેલર્સને વધુ જવાબદાર બનાવવાનો છે.</p><h2 style="text-align: justify; "><b>સેલર્સની ચિંતામાં વધારો</b></h2><p style="text-align: justify; ">એમેઝોન ઇન્ડિયાએ ઈઝી શિપ અને સેલ્ફ શિપ સેવાઓનો ઉપયોગ કરતા વિક્રેતાઓ માટે કેન્સલેશન ફીની ગણતરી પદ્ધતિ બદલી નાખી છે. હવે આ ફી કેટેગરી આધારિત રેફરલ ચાર્જને બદલે ઓર્ડર મૂલ્યના ટકાવારી તરીકે નક્કી કરવામાં આવી છે, જે 17 ઓગસ્ટ, 2026 થી અમલમાં આવી ચૂકી છે. નવા નિયમ મુજબ, 10,000 ઓછા ઓર્ડર પર 10 ટકા (મહત્તમ 1000 રૂપિયા સુધી) ફી વસૂલવામાં આવશે. આ ઉપરાંત, 10,000  થી 50,000  રૂપિયા સુધીના ઓર્ડર પર 8 ટકા અને 50,000 રૂપિયા સુધીના ઓર્ડર પર 5 ટકા ફી લાદવામાં આવશે. આ તમામ શુલ્ક પર 18 % જીએસટી (GST) પણ લાગુ થશે. એટલું જ નહીં, એમેઝોને 7 સપ્ટેમ્બર, 2026 થી ક્લોઝિંગ ફીમાં પણ વધારો કર્યો છે.</p><h3 style="text-align: justify; "><b>પીક અપ લેટ હશે તો પણ થશે દંડ</b></h3><p style="text-align: justify; ">બીજી તરફ, ફ્લિપકાર્ટે ઓર્ડર પૂરા કરવામાં વિલંબ માટે ત્રણ-સ્તરીય દંડ પ્રણાલી રજૂ કરી છે, જે 23 ઓગસ્ટ, 2026 થી લાગુ થઈ છે. જો શિપમેન્ટ નિર્ધારિત તારીખે પિકઅપ માટે તૈયાર ન હોય તો 30 રૂપિયા, સેલર દ્વારા ઓર્ડર રદ કરવા પર 60 રૂપિયા અને વિલંબ પછી કેન્સલ થવા પર 90 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. અગાઉ ફ્લિપકાર્ટ સમયમર્યાદા ચૂકવા પર ખાતા અસ્થાયી રૂપે બ્લોક કરી દેતું હતું, જે હવે દૂર કરીને સીધા દંડ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. નવા વેચાણકર્તાઓને ત્રણ મહિનાની મુક્તિ આપવામાં આવી છે.</p><h4 style="text-align: justify; "><b>શોપિંગ કરનારાઓને હવે ચિંતા હળવી થશે</b></h4><p style="text-align: justify; ">આ કડક નિયમો સામે નાના અને મધ્યમ કદના વ્યવસાયો (MSME) તથા ફોરમ ફોર ઇન્ટરનેટ રિસેલર્સ, સેલર્સ એન્ડ ટ્રેડર્સ (FIRST INDIA) ના ટ્રસ્ટી વિનોદ કુમાર જેવા નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે દરેક વિલંબ કે કેન્સલેશન માટે માત્ર વેચનાર જવાબદાર હોતા નથી, કારણ કે લોજિસ્ટિક્સની સમસ્યાઓ અને પિકઅપ કર્મચારીઓની અનિયમિતતા પણ જવાબદાર હોઈ શકે છે. નાના વ્યવસાયો પર વધતો આર્થિક બોજ ઘટાડવા માટે કંપનીઓએ વધુ પારદર્શિતા અને રાહત આપવી જોઈએ.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/ram-rahim-parole-21-days-sirsa-ashram" target="_blank">આ પણ વાંચોઃ Ram Rahim Parole: દુષ્કર્મના આરોપી રામ રહીમને ફરી મળ્યા 21 દિવસના પેરોલ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/25/OZMkfbCYAgxAHEc2Qs7ktQQc4VViFiS6SvWMrcsx.webp'/></item><item><title><![CDATA[Gandhari Movie Controversey: તાપસી પન્નુની ફિલ્મ 'ગાંધારી'ની વાર્તા ચોરી કરાઈ હોવાનો રાઈટરનો આરોપ ]]></title><link>https://sandesh.com/entertainment/news/gandhari-movie-controversy-writer-alleges-that-the-story-of-taapsee-pannus-film-gandhari-was-plagiarized</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/gandhari-movie-controversy-writer-alleges-that-the-story-of-taapsee-pannus-film-gandhari-was-plagiarized</guid><pubDate>Tue, 25 Aug 2026 09:37:12 +05:30</pubDate><description><![CDATA[<p>બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુની આગામી ફિલ્મ "ગાંધારી" રિલીઝ થાય તે પહેલાં જ કોપીરાઈટ વિવાદમાં ફસાઈ ગઈ છે. લેખક કલ્યાણ બંદીનો દાવો છે કે આ ફિલ્મની વાર્તા તેમણે વર્ષ ૨૦૧૯માં લખેલી સ્ક્રિપ્ટ જેવી જ છે. જોકે, ફિલ્મના લેખિકા અને નિર્માતા કનિકા ઢિલ્લોનના પ્રોડક્શન હાઉસે આ આરોપોને સખત શબ્દોમાં ફગાવી દેતાં વાર્તાને સંપૂર્ણપણે મૌલિક ગણાવી છે.</p><p><b>તાપસીની ફિલ્મ ગાંધારીની વાર્તા ચોરીનો આરોપ</b></p><p>ફિલ્મ "ગાંધારી" માં તાપસી પન્નુ એક એવી માતાની ભૂમિકા ભજવી રહી છે જે પોતાની અપહૃત પુત્રીને શોધવા માટે તમામ સીમાઓ પાર કરી દે છે. બીજી તરફ, લેખક કલ્યાણ બંદીનો દાવો છે કે તેમણે ૨૦૧૯માં "ગાંધારી" નામે જ એક વાર્તા રજીસ્ટર કરાવી હતી, જેમાં બાળ તસ્કરીના રેકેટમાં ફસાયેલી પુત્રીને બચાવવા માટે માતાના સંઘર્ષ અને તેનામાં આવતા પરિવર્તનને દર્શાવવામાં આવ્યું હતું.</p><p><b>'નેટફ્લિક્સના અધિકારીઓને સંભળાવી હતી વાર્તા'</b></p><p>સેન્ટ્રલ જીએસટી વિભાગમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા કલ્યાણ બાંદીએ ખુલાસો કર્યો હતો કે ૨૦૧૯માં તેમણે નેટફ્લિક્સના વર્તમાન વાઇસ પ્રેસિડેન્ટ મોનિકા શેરગિલને આ વાર્તાનો ૮ પાનાનો ડ્રાફ્ટ અને સારાંશ શેર કર્યો હતો. તે સમયે આ પ્રોજેક્ટ રિજેક્ટ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેમણે સ્ક્રિપ્ટ રાઇટર્સ યુનિયનમાં પોતાની વાર્તા નોંધાવી લીધી હતી.</p><p><b>લીગલ નોટિસ અને પ્રોડક્શન હાઉસનો જવાબ</b></p><p>વર્ષ ૨૦૨૫માં જ્યારે નેટફ્લિક્સ દ્વારા "ગાંધારી" ની જાહેરાત કરવામાં આવી, ત્યારે વાર્તાની સમાનતા જોઈને લેખકે સપ્ટેમ્બર ૨૦૨૫માં મેકર્સને લીગલ નોટિસ મોકલીને ક્રેડિટ અને નાણાકીય વળતરની માંગ કરી હતી. પરંતુ કનિકા ઢિલ્લોનના પ્રોડક્શન હાઉસે આ તમામ દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા છે.</p><p><br></p><p><a href="https://sandesh.com/entertainment/news/yash-toxic-ticket-price-3600-advance-booking#google_vignette" target="_blank">આ પણ વાંચો : Rocking Star Yashની ટોક્સિકનો જબરદસ્ત ક્રેઝ! ટિકિટના ભાવ પહોંચ્યા 3600 સુધી, ફેન્સમાં જોરદાર ઉત્સાહ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/25/hpI44PKhLg8c8ok1Zmdz39pceTUako2ZPgJHrKxw.webp'/></item><item><title><![CDATA[Ram Rahim Parole:  દુષ્કર્મના આરોપી રામ રહીમને ફરી મળ્યા 21 દિવસના પેરોલ ]]></title><link>https://sandesh.com/india/news/ram-rahim-parole-21-days-sirsa-ashram</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ram-rahim-parole-21-days-sirsa-ashram</guid><pubDate>Tue, 25 Aug 2026 09:20:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હરિયાણા સરકારે દુષ્કર્મના આરોપી રામ રહીમને ફરી એક વખત પેરોલ આપ્યા છે, રક્ષાબંધનને લઇને તેને ફરી એકવાર 21 દિવસની પેરોલ મળી છે. આ પેરોલ મંજૂર થયા બાદ રામ રહીમ સવારે 6.5 વાગ્યે રોહતકની સુનારિયા જેલમાંથી પોતાના કાફલા સાથે સિરસા સ્થિત ડેરા સચ્ચા સૌદા આશ્રમ તરફ જવા માટે રવાના થયા હતા. નોંધનીય છે કે આ સતત ત્રીજી વખત છે જ્યારે તેમને સિરસા આશ્રમની મુલાકાત લેવાની પરવાનગી આપવામાં આવી છે&nbsp;</p><h2 style="text-align: justify; "><b>બર્નાવાની જગ્યાએ સિરસા આશ્રમમાં</b></h2><p style="text-align: justify; ">અગાઉની પેરોલ કે ફર્લો દરમિયાન તેમને ઉત્તર પ્રદેશના બાગપત સ્થિત બર્નાવા આશ્રમમાં મોકલવામાં આવતા હતા, પરંતુ આ વખતે તેઓ સીધા સિરસાના મુખ્ય આશ્રમમાં જઈ રહ્યા છે. આ સાથે જ રેકોર્ડ મુજબ રામ રહીમ અત્યાર સુધીમાં કુલ 17 વખત જેલમાંથી મુક્ત થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુરમીત રામ રહીમને વર્ષ 2017માં બે સાધ્વીઓ પર બળાત્કાર કરવા અને ડેરાના ભૂતપૂર્વ મેનેજર રણજીત સિંહની હત્યાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને પત્રકાર રામ ચંદ્ર છત્રપતિની હત્યા કેસમાં પણ દોષિત ઠેરવવામાં આવ્યા છે</p><h3 style="text-align: justify; "><b>દુષ્કર્મનો આરોપી રામ રહીમને 20 વર્ષની સજા</b></h3><p style="text-align: justify; ">આ ગંભીર અપરાધો માટે તેમને 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી અને તેઓ છેલ્લા 10 વર્ષથી જેલમાં સજા ભોગવી રહ્યા છે. જો કે, આ સમયગાળા દરમિયાન પણ તેમને વારંવાર કામચલાઉ મુક્તિ મળતી રહી છે અને આ ૧૦ વર્ષમાં તેઓ ૧૬ વખત જેલ બહાર આવી ચૂક્યા છે. તાજેતરમાં જ મે મહિનામાં પણ તેમને ૩૦ દિવસ માટે પેરોલ આપવામાં આવ્યા હતા.</p><h4 style="text-align: justify; "><b>અવારનવાર મળી રહ્યા છે પેરોલ</b></h4><p style="text-align: justify; ">સામાન્ય રીતે જેલની સજા ભોગવી રહેલા કેદીઓને ફક્ત ચોક્કસ અને મર્યાદિત સંજોગોમાં જ પેરોલ આપવામાં આવતી હોય છે. પરંતુ રામ રહીમને વારંવાર મળતી આ કામચલાઉ મુક્તિ અને પેરોલને લઈને અવારનવાર રાજકીય અને જાહેર સ્તરે ગંભીર પ્રશ્નો ઉભા થતા આવ્યા છે. આ પ્રક્રિયાએ હાઇ-પ્રોફાઇલ કેદીઓ માટેની પેરોલ નીતિ સામે પણ અનેક સવાલો ખડા કર્યા છે.</p><h5 style="text-align: justify; "><b>2017માં બળાત્કાર કેસમાં દોષિત ઠેરાયા</b></h5><p style="text-align: justify; ">ડેરા સચ્ચા સૌદાના અનુયાયીઓ હરિયાણા અને પંજાબ ઉપરાંત દેશના અન્ય ઘણા રાજ્યોમાં પણ મોટી સંખ્યામાં ફેલાયેલા છે. ઓગસ્ટ 2017 માં જ્યારે રામ રહીમને બળાત્કારના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા, ત્યારે હરિયાણા અને પંજાબના કેટલાક વિસ્તારોમાં વ્યાપક પ્રમાણમાં હિંસા ફાટી નીકળી હતી, જેના કારણે સુરક્ષાની દ્રષ્ટિએ આ મામલો અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/world/news/strait-of-hormuz-iran-toll-plan-dollar-challenge" target="_blank">આ પણ વાંચોઃ Hormuz માંથી પસાર થતા જહાજો પસાર કરવા આપવો પડશે ટોલ! ઇરાનનો ડોલરને પડકાર</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/25/lMVQfbjm4iMRwJi9MVGVpjmP4avkxf3i8Lrb1Pzg.webp'/></item><item><title><![CDATA[Surat ક્રાઈમ બ્રાન્ચે 27 વર્ષથી ફરાર અને રૂ.90 હજારની ખંડણી વસૂલનાર આરોપીની કરી ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/crime-branch-arrests-absconding-accused-from-madhya-pradesh-for-27-years</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/crime-branch-arrests-absconding-accused-from-madhya-pradesh-for-27-years</guid><pubDate>Tue, 25 Aug 2026 09:20:50 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત ક્રાઈમ બ્રાન્ચે વર્ષો જૂના અને અણઉકેલાયેલા ગુનાઓમાં મોટી સફળતા મેળવી છે. અપહરણ, ખંડણી અને આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનાઓમાં છેલ્લા 27 વર્ષથી ફરાર રહેલા આરોપી રામગોપાલ ઉર્ફે ગોપાલ ભરત રાઠોડને પોલીસે ઝડપી પાડ્યો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચોક્કસ બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે મધ્યપ્રદેશના મુરૈના ખાતે સઘન દરોડો પાડી આ રીઢા ગુનેગારની ધરપકડ કરી છે.</p><h2 style="text-align: justify; "><b>વર્ષ 1996નો અપહરણ અને ખંડણીનો બનાવ&nbsp;</b></h2><p style="text-align: justify; ">આ ઘટનાની વિગત મુજબ, વર્ષ 1996માં આરોપી રામગોપાલ રાઠોડે જમીન સંબંધિત જૂની અદાવત રાખીને ફરિયાદીનું અપહરણ કર્યું હતું. અપહરણ કર્યા બાદ તેણે ફરિયાદીને ચપ્પુની અણીએ ધાકધમકી આપીને ભયનો માહોલ ઊભો કર્યો હતો અને રૂ.90,000ની જંગી ખંડણી વસૂલ કરી લીધી હતી. આ સનસનાટીભરી ઘટના બાદ આરોપી પોલીસથી બચવા માટે રાજ્ય બહાર નાસી છૂટ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>સુરત ક્રાઈમ બ્રાન્ચની સફળ કામગીરી&nbsp;</b></h3><p style="text-align: justify; ">બનાવ અંગે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપી છેલ્લા 27 વર્ષથી પોતાની ઓળખ છુપાવીને અલગ-અલગ સ્થળોએ આશ્રય લઈ રહ્યો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચે સતત પીછો ચાલુ રાખી અંતે મધ્યપ્રદેશથી તેને કાયદાના શિકંજામાં લીધો છે, જેનાથી વર્ષો જૂના ગંભીર ગુનાનો ઉકેલ આવ્યો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/25/ozsUAGJ1Izya4igtCfrEIaYdXYC6MaZKZlq86Iqf.webp'/></item><item><title><![CDATA[Surat : કાર પર ધરાશાયી થયું મહાકાય વૃક્ષ, 55 વર્ષની મહિલા સહિત 2 બાળકી ફસાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-huge-tree-falls-on-car-three-rescued-dumbhal</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-huge-tree-falls-on-car-three-rescued-dumbhal</guid><pubDate>Tue, 25 Aug 2026 08:44:48 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતના ડુંબાલ મોડર્ન ટાઉનની સામે એક મહાકાય વૃક્ષ અચાનક ફોર વ્હીલર કાર પર ધરાશાયી થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. વૃક્ષ કાર પર પડતાં અંદર સવાર 3 લોકો ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>રેસ્ક્યૂ ઓપરેશન શરુ કરાયું</b></h2><p style="text-align: justify; ">જોકે, વૃક્ષનું વજન અને કારને થયેલા નુકસાનને કારણે સ્થાનિકો ફસાયેલા લોકોને બહાર કાઢવામાં સફળ રહ્યા નહોતા. અંતે સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. માહિતી મળતાં જ ડુંબાલ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.</p><p style="text-align: justify; "><img alt="Surat Tree Fall: Three Rescued After Huge Tree Crashes on Car Near Dumbhal Modern Town" src="https://epapercdn.sandesh.com/images/2026/08/25/gqWSU4ybsenpu8qTaJ2dUozwHMNB47hUtHZbYtup.webp" style="width: 100%;"><br></p><h3 style="text-align: justify; "><b>3 લોકોને સુરક્ષિત રીતે બહાર કઢાયા</b></h3><p style="text-align: justify; ">ફાયર વિભાગના જવાનોએ જરૂરી સાધનોની મદદથી કારમાં ફસાયેલા 3 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. કારમાં 55 વર્ષની છાયાબેન ઉપરાંત 10 અને 5 વર્ષની 2 બાળકી સવાર હતી. આ ઘટનામાં છાયાબેનને માથાના ભાગે ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.</p><h4 style="text-align: justify; "><b>મહાકાય વૃક્ષનું કટિંગ કરીને તેને રસ્તા પરથી દૂર કર્યું</b></h4><p style="text-align: justify; ">ફાયર વિભાગ દ્વારા ત્રણેયને બહાર કાઢ્યા બાદ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાના કારણે માર્ગ પર અવરજવર પણ પ્રભાવિત થઈ હતી. રેસ્ક્યૂ કામગીરી પૂર્ણ થયા બાદ ફાયરના જવાનોએ મહાકાય વૃક્ષનું કટિંગ કરીને તેને રસ્તા પરથી દૂર કર્યું હતું અને માર્ગને ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મુક્યો હતો.</p><p style="text-align: justify; "><img alt="Surat Tree Fall: Three Rescued After Huge Tree Crashes on Car Near Dumbhal Modern Town" src="https://epapercdn.sandesh.com/images/2026/08/25/32MZXJOLT1sOWghTXXotwR8Wv54WBdrtghLsmgg4.webp" style="width: 100%;"><br></p><h4 style="text-align: justify; "><b>સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી</b></h4><p style="text-align: justify; ">અચાનક વૃક્ષ ધરાશાયી થતાં કારમાં સવાર મહિલા અને 2 બાળકી ફસાઈ જતાં સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી. જોકે, ફાયર વિભાગની સમયસરની કામગીરીને કારણે ત્રણેયને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; &nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-gujarat-monsoon-el-nino-impact-rainfall-deficit-september-forecast#google_vignette" target="_blank"><b>Monsoon 2026 : અલ નીનોનો પ્રભાવ વધ્યો, ગુજરાતમાં ચોમાસું નબળું પડવાની આશંકા</b></a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/25/HYHQKG54SfExcnznGJuU3Oc75NdMvo52SPLSCsiX.webp'/></item><item><title><![CDATA[Suratમાં ફૂડ વિભાગનો સપાટો: 7 દિવસમાં 1,749 હોટલમાં દરોડા; 6,000 કિલો વાસી ખોરાકનો કરાયો નાશ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-food-crackdown--1-749-hotels-raided-in-7-days--6-000-kg-stale-food-destroyed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-food-crackdown--1-749-hotels-raided-in-7-days--6-000-kg-stale-food-destroyed</guid><pubDate>Tue, 25 Aug 2026 08:42:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે ફૂડ સેફ્ટી વિભાગે લાલ આંખ કરી છે. સતત સાતમા દિવસે પણ શહેરની વિવિધ હોટલો અને રેસ્ટોરન્ટોમાં સરપ્રાઇઝ ચેકિંગ કામગીરી યથાવત્ રહી હતી. સાતમા દિવસે ફૂડ સેફ્ટી ટીમે 237 હોટલ અને રેસ્ટોરન્ટોમાં દરોડા પાડી તપાસ હાથ ધરી હતી, જેમાં 203.29 કીલો અખાદ્ય અને વાસી ખોરાક ઝડપાતાં તેનો ત્વરિત નાશ કરવામાં આવ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>સ્થળ પર જ દંડ અને નોટિસનો ફટકારો</b></h2><p style="text-align: justify; ">તપાસ દરમિયાન આરોગ્યના નિયમોનું ઉલ્લંઘન કરતી અને અ સ્વચ્છતા ધરાવતી 105 હોટલ તેમજ રેસ્ટોરન્ટોને કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત, બેદરકારી દાખવનારા સંચાલકો સામે સ્થળ પર જ કડક કાર્યવાહી કરીને રૂ.5,16,700નો રોકડ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ફૂડ વિભાની આ સઘન કામગીરીથી અખાદ્ય સામગ્રી વેચતા વેપારીઓમાં ભારે ફાળ પડી છે.</p><h3 style="text-align: justify; "><b>સાત દિવસની ઝુંબેશનો કુલ હિસાબ</b></h3><p style="text-align: justify; ">છેલ્લા સાત દિવસની સમગ્ર ઝુંબેશના આંકડાઓ પર નજર કરીએ તો, ફૂડ સેફ્ટી વિભાગે કુલ 1749 હોટલ, રેસ્ટોરન્ટ અને ઢાબાઓમાં તપાસ પૂર્ણ કરી છે. આ સમયગાળા દરમિયાન નિયમભંગ બદલ 910 એકમોને નોટિસ આપવામાં આવી છે, જ્યારે 6044.19 કીલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો છે. તંત્રે આ સાત દિવસમાં કુલ રૂ.33,82,800નો જંગી દંડ વસૂલી કડક સંદેશ આપ્યો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/25/cWE8PW0a4R8FdjGGZOPVRv1m9VkHY9LORKbfnKkF.webp'/></item><item><title><![CDATA[Sanand: વિરમગામ હાઈવે પર એક કરોડથી વધુ કિંમતનો દારૂ ભરેલા ટ્રક સાથે એકની ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/sanand/sanand-one-arrested-with-a-truck-loaded-with-liquor-worth-over-one-crore-on-viramgam-highway</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/sanand/sanand-one-arrested-with-a-truck-loaded-with-liquor-worth-over-one-crore-on-viramgam-highway</guid><pubDate>Tue, 25 Aug 2026 03:19:30 +05:30</pubDate><description><![CDATA[<p>ભાવનગર લઠ્ઠાકાંડ સર્જાયા બાદ ગૃહ વિભાગની તાકીદે પોલીસ તંત્ર હરકતમાં આવી ગયુ છે. સાણંદ વિરમગામ હાઈવે માર્ગ પર વીરપુર પાટિયા પાસેથી સાણંદ જી આઈ ડી સી પોલીસે બારસો ખોખામાં 32,392 બોટલ ભરેલા કુલ 1,11,03,388 કિંમતના દારૂ ભરેલા એક ટ્રક(કન્ટેનર)ને ઝડપી લીધો હતો. તેમજ તેના ચાલક કરતારામ હમીરારામ મેઘવાલ, રહે.પુરાવા, તા.ધોરીમના,જિ.બાડમેર, રાજસ્થાનના વ્યક્તિની ધરપકડ કરી છે. આ બનાવમાં દારૂના જથ્થા સાથે ત્રણ મોબાઈલ, તેરસો રૂપિયા રોકડ,ટ્રક સહિત કુલ 1,36,19,688 કિંમતનો મુદામાલ કબજે કરવામાં આવી દારૂના વેપલામાં સંડોવાયેલા જથ્થો મોકલનાર સુરેન્દ્ર યાદવ, રહે. અજમેર, રાજસ્થાન,કન્ટેનર માલિક મેહરારામ માનારામ, રહે. ધોલા ડેર, બારમેર અને ગુજરાતમાં ખરીદનાર અથવા જથ્થો મેળવનાર દેવેન્દ્ર ઉર્ફે દેંડુ ભરતભાઇ બોરીચા,નાગરાજભાઇ વલકુભાઇ ખાચર,દેવાયતભાઇ નાગભાઇ ખરતાણી ત્રણેય રહે. સુદામડા,જિ. સુરેન્દ્રનગર વ્યક્તિઓની ઓળખ તથા ધરપકડ માટે પી આઈ એ.એમ. દેસાઈ, સાણંદ જી આઈ ડી સી પોલીસ ટીમે કાર્યવાહી તપાસ હાથ ધરવામાં આવ્યાની માહિતી પોલીસ દ્વારા જાણવા મળી છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/25/0Z03sQqy1GSvwvAnUu4x4ffPyMBulVOdIhQumg0d.webp'/></item><item><title><![CDATA[Dhandhuka: ધોલેરામાં 77મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dhandhuka/dhandhuka-grand-district-level-celebration-of-the-77th-van-mahotsav-in-dholera</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dhandhuka/dhandhuka-grand-district-level-celebration-of-the-77th-van-mahotsav-in-dholera</guid><pubDate>Tue, 25 Aug 2026 03:18:30 +05:30</pubDate><description><![CDATA[<p>ધોલેરા ખાતે 77મા ક્કવન મહોત્સવક્રની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ક્કવનકવચક્રમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ વનરક્ષકનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સંબોધતા રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, વિકાસની સાથે ગ્રીન કવર એટલે કે હરિયાળી વધારવી પણ અત્યંત જરૂરી છે. વૃક્ષારોપણને માત્ર એક કાર્યક્રમ પૂરતું સીમિત ન રાખી તેને જનમિશન બનાવવાની જરૂર છે. દરેક નાગરિકે વૃક્ષારોપણની સાથે રોપાના ઉછેર અને જતનની જવાબદારી પણ સ્વીકારવી જોઈએ. મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ક્કએક પેડ મા કે નામક્ર અભિયાનનો ઉલ્લેખ કરી વધુમાં વધુ લોકોને વૃક્ષારોપણ સાથે જોડાવા અપીલ કરી હતી. આવનારી પેઢીને શુદ્ધ અને સ્વસ્થ વાતાવરણ મળી રહે તે માટે સૌએ પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપવું જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે નાયબ વન સંરક્ષક ડૉ. મીનલ જાની (IFS)એ મંત્રી સહિત તમામ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વન મહોત્સવ એ વન વિભાગ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન કરવામાં આવતી કામગીરીનો નિચોડ છે. તેમણે જણાવ્યું કે, ધોલેરા અને ભાલ જેવા કઠિન ભૌગોલિક પ્રદેશમાં સામાજિક વનીકરણ વિભાગના સતત પ્રયાસોથી 50,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. વિશેષ ક્કડ્રમ પદ્ધતિક્રથી કરવામાં આવેલા વાવેતરની નોંધ દેશસ્તરે પણ લેવામાં આવી છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/25/IncRiJ0voEd5DIrWBS4V1XjxzJF08hdIhYJsJge3.webp'/></item><item><title><![CDATA[Nagalandથી બિહાર હથિયારોની તસ્કરીનું કાવતરું, NIAએ વધુ એક આરોપીની કરી ધરપકડ ]]></title><link>https://sandesh.com/india/news/nia-arrests-karamullah-ak47-arms-smuggling-nagaland-bihar</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/nia-arrests-karamullah-ak47-arms-smuggling-nagaland-bihar</guid><pubDate>Mon, 24 Aug 2026 23:46:28 +05:30</pubDate><description><![CDATA[<p>નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ બિહાર STF સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરી AK-47 રાઈફલ અને જીવંત કારતૂસની જપ્તી સાથે જોડાયેલા કેસમાં વધુ એક ફરાર આરોપીની ધરપકડ કરી છે. NIA દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, આરોપીનું નામ કરમુલ્લાહ છે અને તે લાંબા સમયથી તપાસ એજન્સીની પકડથી દૂર હતો.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2091933127715524857"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>આધુનિક હથિયારોની ગેરકાયદેસર હેરાફેરીનું કાવતરું ઘડ્યું</b></h2><p>તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, કરમુલ્લાહે અન્ય સહઆરોપીઓ સાથે મળીને નાગાલેન્ડથી બિહારમાં પ્રતિબંધિત બોરના આધુનિક હથિયારોની ગેરકાયદેસર હેરાફેરીનું કાવતરું ઘડ્યું હતું. આ હથિયારોનો ઉપયોગ જાહેર શાંતિ અને સુરક્ષાને ખોરવવા તેમજ રાષ્ટ્રીય સુરક્ષા સામે ખતરો ઊભો કરવાના હેતુથી થવાનો આરોપ છે.</p><h3><b>NIA અને બિહાર STFએ આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું&nbsp;</b></h3><p>આ કેસમાં અગાઉની તપાસ દરમિયાન AK-47 રાઈફલ અને જીવંત દારૂગોળો મળી આવ્યા હતા. ત્યારબાદ NIAએ હથિયારોની સપ્લાય ચેઈન અને તેમાં સંડોવાયેલા લોકોની ઓળખ કરવા માટે તપાસ આગળ ધપાવી હતી. તપાસ દરમિયાન કરમુલ્લાહનું નામ પણ સામે આવ્યું હતું. જોકે, તે તપાસથી બચવા માટે ફરાર હતો. NIA અને બિહાર STFએ સંયુક્ત રીતે માહિતી એકત્રિત કરીને આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું અને ત્યારબાદ તેને ઝડપી પાડ્યો હતો. તેની ધરપકડ બાદ હવે એજન્સી તેની પૂછપરછ કરીને હથિયારોની તસ્કરીના સમગ્ર નેટવર્ક અંગે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરશે.</p><p>તપાસ એજન્સીઓ ખાસ કરીને નાગાલેન્ડથી બિહાર સુધી હથિયારો પહોંચાડવામાં કયા લોકો અને નેટવર્કની ભૂમિકા હતી, તેમજ અન્ય સહઆરોપીઓ સાથે કરમુલ્લાહના કથિત સંબંધો અંગે તપાસ કરી રહી છે. NIAએ સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલા આવા કેસોમાં ફરાર આરોપીઓને કાયદાની પહોંચમાં લાવવા માટે કાર્યવાહી સતત ચાલુ રહેશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/world/xi-jinping-india-visit-after-seven-years-brics-summit" target="_blank">આ પણ વાંચો : Chinaના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 7 વર્ષ બાદ ભારત આવી શકે, BRICS સમિટમાં લેશે ભાગ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/bn3RvPOaJhPmJTNDX16ctxMijksEmpCZu5IvV1U6.webp'/></item><item><title><![CDATA[Team India વર્લ્ડકપમાંથી થઈ ગઈ બહાર, આર્જેન્ટિનાએ મેચ 5-3 ના માર્જિનથી જીતી ]]></title><link>https://sandesh.com/sports/news/india-out-2026-hockey-world-cup-argentina</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india-out-2026-hockey-world-cup-argentina</guid><pubDate>Mon, 24 Aug 2026 21:35:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">2026ના પુરુષ હોકી વર્લ્ડકપમાં ભારતીય હોકી ટીમની સફરનો અંત આવી ગયો છે. બીજા રાઉન્ડના મહત્વપૂર્ણ મેચમાં આર્જેન્ટિનાએ ભારતને 5-3 થી હરાવ્યું. આ હારથી ભારતીય ટીમ વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ છે, જેનાથી ફરી એકવાર વિશ્વ ચેમ્પિયન બનવાનું તેમનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું છે. આ પહેલા ટીમ ઈન્ડિયાને નેધરલેન્ડ્સ સામે પણ હારનો સામનો કરવો પડ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>આર્જેન્ટિના સામેની મેચમાં ભારતની શરૂઆત ખરાબ રહી&nbsp;</b></h2><p style="text-align: justify; ">ભારત માટે મેચની શરૂઆત ખરાબ રહી. રમત શરૂ થયાના 40 સેકન્ડમાં જ આર્જેન્ટિનાના ટોસ્કાનીએ ફિલ્ડ ગોલ કરીને ભારત પર દબાણ બનાવ્યું. થોડી જ વારમાં 7મી મિનિટે, નિકોલસ ડેલા ટોરીએ પેનલ્ટી કોર્નરને ગોલ કરીને આર્જેન્ટિનાને 2-0ની લીડ અપાવી.</p><p style="text-align: justify; ">સુખજીત સિંહે 10મી મિનિટે શાનદાર ફિલ્ડ ગોલ કરીને ભારત માટે વાપસીનો દરવાજો ખોલ્યો, પરંતુ ટીમ ગતિ જાળવી રાખવામાં અસમર્થ રહી. સમગ્ર મેચ દરમિયાન ભારતીય ટીમનો ડિફેન્સ ખરાબ જોવા મળ્યો હતો. બીજા અને ત્રીજા ક્વાર્ટરમાં ભારતીય ખેલાડીઓએ કબજો જાળવી રાખ્યો પરંતુ કોઈ પણ ગોલમાં રૂપાંતરિત કરવામાં નિષ્ફળ રહ્યા.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/TheHockeyIndia/status/2091897544658043073"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3 style="text-align: justify; "><b>ભારતને 4 પેનલ્ટી કોર્નર મળ્યા</b></h3><p style="text-align: justify; ">પરંતુ 34મી મિનિટે ભારતને સતત 4 પેનલ્ટી કોર્નર મળ્યા, અને કેપ્ટન હરમનપ્રીત સિંહ પાસે ગોલ કરવાની સુવર્ણ તક હતી. આર્જેન્ટિનાના મજબૂત ડિફેન્સ અને જુગરાજની ગેરહાજરીએ ભારતીય ટીમને કોઈપણ તકનો લાભ ઉઠાવવાથી રોકી. આર્જેન્ટિનાના ખેલાડી ડોમેન મેચના ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં પ્રભુત્વ ધરાવતો હતો, જ્યારે ભારતીય ગોલકીપર મોહિતે કેટલાક શાનદાર બચાવ કર્યા. યશદીપના ફાઉલથી આર્જેન્ટિનાને પેનલ્ટી સ્ટ્રોક મળ્યો, જેને ડોમેન સરળતાથી કન્વર્ટ કરી શક્યો. ભારતે અંતિમ ક્વાર્ટરમાં 2 ગોલ કર્યા, પરંતુ તે ખૂબ મોડું થયું હતું, અને તેઓ આખરે મેચ 5-3થી હારી ગયા.</p><h4 style="text-align: justify; "><b>ટીમ ઈન્ડિયા નેધરલેન્ડ્સ સામે 3-1થી હારી ગઈ</b></h4><p style="text-align: justify; ">આ હોકી વર્લ્ડકપનો બીજો રાઉન્ડ ભારતીય ટીમ માટે નિરાશાજનક રહ્યો. ટીમને નેધરલેન્ડ્સ સામે 3-1થી હારનો સામનો કરવો પડ્યો. વધુમાં ભારત પ્રથમ રાઉન્ડમાં ઈંગ્લેન્ડ સામે હારી ગયું, જેના કારણે તેમને પ્લેઓફ માટે કોઈ પોઈન્ટ મળ્યા નહીં. પરિણામે, બીજા રાઉન્ડમાં એક પણ પોઈન્ટ મેળવવામાં નિષ્ફળ જતાં ભારતીય ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/nsG2MC907d63vELFo1bIBVbS5CztflSAwMjiy4XY.webp'/></item></channel></rss>