<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Auto News: રૂ.1.25 લાખમાં લોન્ચ થઈ નવી ઇલેક્ટ્રિક બાઇક! 4 કલાકમાં ફુલ ચાર્જ અને 260 KMની રેન્જ… ]]></title><link>https://sandesh.com/business/news/automobile/auto-news-new-electric-bike-launched-for-rs-1-25-lakh-full-charge-in-4-hours-and-260-km-range</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/auto-news-new-electric-bike-launched-for-rs-1-25-lakh-full-charge-in-4-hours-and-260-km-range</guid><pubDate>Tue, 28 Jul 2026 22:05:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદની ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક કંપની Avore Electric એ ભારતીય બજારમાં પોતાની પહેલી ઇલેક્ટ્રિક મોટરસાઇકલ 'EX' લોન્ચ કરી દીધી છે. Avore Electric કંપનીએ તેની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત રૂ.1.25 લાખ રાખી છે. જે લોકો લાંબી રેન્જ અને વધુ ફીચર્સવાળી ઇલેક્ટ્રિક બાઇક ખરીદવા માંગે છે, તેમના માટે આ એક ઉત્તમ વિકલ્પ બની શકે છે.</p><h2 style="text-align: justify; "><b>ત્રણ વેરિયન્ટ અને સસ્તી બુકિંગ સુવિધા</b></h2><p style="text-align: justify; ">કંપનીએ આ બાઇકને ત્રણ વેરિયન્ટ - EX 2S, EX 2 અને EX 1 માં રજૂ કરી છે. ગ્રાહકો માત્ર રૂ.799 આપીને તેનું બુકિંગ કરાવી શકે છે. કંપનીના જણાવ્યા અનુસાર, બુકિંગ કરાવ્યાના લગભગ બે મહિના પછી ગ્રાહકોને બાઇકની ડિલિવરી મળવાનું શરૂ થઈ જશે.</p><h3 style="text-align: justify; "><b>રેન્જ, સ્પીડ અને પેટન્ટ ટેકનોલોજી</b></h3><p style="text-align: justify; ">રેન્જ વિશે વાત કરીએ તો EX 2S વેરિયન્ટ સિંગલ ચાર્જ પર 260 કિલોમીટર સુધી ચાલવાનો દાવો કરે છે અને તેની ટોપ સ્પીડ 114 કિમી/કલાક છે. જ્યારે EX 2 વેરિયન્ટની રેન્જ 255 કિલોમીટર છે. સૌથી સસ્તું વેરિયન્ટ EX 1 એકવાર ચાર્જ કરવા પર 160 કિલોમીટર ચાલી શકે છે. Avore Electric એ છેલ્લા ત્રણ વર્ષમાં આ બાઇક તૈયાર કરી છે અને તેના માટે બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ, મોટર અને ઓપરેટિંગ સિસ્ટમ જેવી ટેકનોલોજી સંબંધિત 120 થી વધુ પેટન્ટ અરજીઓ પણ ફાઇલ કરી છે.</p><h4 style="text-align: justify; "><b>દમદાર પાવર અને આધુનિક ફીચર્સ</b></h4><p style="text-align: justify; ">બાઇકમાં રેર-અર્થ ફ્રી પરમાનેન્ટ મેગ્નેટ સિંક્રોનસ મોટર આપવામાં આવી છે, જે વેરિયન્ટ મુજબ 7.5 kW થી 10.5 kW સુધીનો પાવર આપે છે. તમામ વેરિયન્ટમાં 250 Nm નો પીક વ્હીલ ટોર્ક મળે છે. આ ઉપરાંત તેમાં મેન્યુઅલ અને ઓટોમેટિક રાઇડિંગ મોડ્સ, કંપનીની પોતાની ઓપરેટિંગ સિસ્ટમ, AI આધારિત રાઇડર અસિસ્ટન્ટ અને કનેક્ટેડ ટેકનોલોજી જેવા અદ્યતન ફીચર્સ સામેલ છે.</p><h5 style="text-align: justify; "><b>ઝડપી ચાર્જિંગ અને મજબૂત વારંટી</b></h5><p style="text-align: justify; ">આ બાઇકને ઘરના સામાન્ય ઇલેક્ટ્રિક સોકેટથી પણ ચાર્જ કરી શકાય છે. આ બાઈકની બેટરી 20% થી 80% સુધી માત્ર 2 કલાકમાં ચાર્જ થઈ જાય છે. તેમજ 100% ચાર્જ થવામાં લગભગ 4 કલાક લાગે છે. Avore Electric ના સ્થાપક પ્રિયંક રાખોલિયાના જણાવ્યા મુજબ, તેમનો ઉદ્દેશ્ય ભારતના દરેક વ્યક્તિ સુધી વિશ્વસ્તરીય ઇલેક્ટ્રિક વાહનો પહોંચાડવાનો છે.</p><h6 style="text-align: justify; "><b>સુરક્ષાના ધોરણો અને ગેરંટી</b></h6><p style="text-align: justify; ">સુરક્ષાની દ્રષ્ટિએ આ બાઇક AIS 156 અને AIS 038 ના ભારતીય સેફ્ટી સ્ટાન્ડર્ડ્સનું પાલન કરે છે. આ સાથે ગ્રાહકોના ભરોસા માટે કંપની બેટરી પર 5 વર્ષ અથવા 60,000 કિલોમીટર સુધીની ગેરંટી/વારંટી પણ આપી રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/automobile" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/UHn5e50B72fn91j7awyUk5rNKj9ZK4N4T2n6pduP.webp'/></item><item><title><![CDATA[NEET પેપર લીક કેસમાં CBIની મોટી કાર્યવાહી, 13 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ ]]></title><link>https://sandesh.com/india/news/neet-ug-paper-leak-case-cbi-files-charge-sheet-against-13-accused</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/neet-ug-paper-leak-case-cbi-files-charge-sheet-against-13-accused</guid><pubDate>Tue, 28 Jul 2026 21:47:11 +05:30</pubDate><description><![CDATA[<p>NEET UG પેપર લીક કેસમાં કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)એ મોટી કાર્યવાહી કરતાં 13 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. CBIએ આ ચાર્જશીટ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરી છે. હવે આ કેસની સુનાવણી પેપર લીક સંબંધિત મામલાઓ માટે રચાયેલી વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં હાથ ધરવામાં આવશે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2082134148551176690"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>તમામ આરોપીઓ ન્યાયિક કસ્ટડીમાં</b></h2><p>CBIની આર્થિક ગુના શાખા દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં કુલ 13 આરોપીઓના નામ સામેલ છે. હાલમાં તમામ આરોપીઓ ન્યાયિક કસ્ટડીમાં છે. આ કેસ ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023ની વિવિધ કલમો તેમજ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988 અને જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવા માટે બનાવાયેલા Public Examinations (Prevention of Unfair Means) Act, 2024 હેઠળ નોંધવામાં આવ્યો છે.</p><h3><b>કોના કોના નામ છે સામેલ?&nbsp;</b></h3><p>CBIએ જેમના સામે ચાર્જશીટ દાખલ કરી છે તેમાં યશ યાદવ, માંગીલાલ બિવાલ, દિનેશ બિવાલ, વિકાસ બિવાલ, શુભમ ખૈરનાર, ધનંજય લોખંડે, પ્રહલાદ કુલકર્ણી, તેજસ હર્ષદકુમાર, ડૉ. મનોજ શિરુરે, શિવરાજ રઘુનાથ મોટેગાંવકર, મનીષા વાઘમારે, મનીષા માંધારે અને મનીષા સંજય હવાલદારનો સમાવેશ થાય છે.</p><h4><b>એકત્ર કરેલા પુરાવા અને સાક્ષીઓના આધારે ચાર્જશીટ તૈયાર કરી</b></h4><p>CBIએ તપાસ દરમિયાન એકત્ર કરેલા પુરાવા અને સાક્ષીઓના આધારે આરોપીઓ સામે ચાર્જશીટ તૈયાર કરી છે. હવે વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટ આ ચાર્જશીટ પર વિચારણા કરશે અને કેસની આગળની કાનૂની કાર્યવાહી શરૂ થશે. દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા NEET UG પેપર લીક કેસમાં આ ચાર્જશીટને મહત્વપૂર્ણ કાનૂની પગલું માનવામાં આવી રહ્યું છે. હવે કોર્ટની કાર્યવાહી દરમિયાન કેસના અન્ય પાસાઓ અને જવાબદારો અંગે પણ વધુ માહિતી સામે આવવાની શક્યતા છે.&nbsp;</p><p><b><a href="https://sandesh.com/india/news/bhopal-farmers-protest-a-large-number-of-farmers-reached-bhopal-to-surround-cm-house-police-deployed-on-savarkar-setu" target="_blank">આ પણ વાંચો : Bhopal Farmers Protest: CM હાઉસ ઘેરવા મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા ભોપાલ, સાવરકર સેતુ પર પોલીસ તૈનાત કરાઇ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/LNi15F3OFClirLlJ9nFO3dSEt3Lt8E1FAAd9FxmY.webp'/></item><item><title><![CDATA[29 July Top News: 29 જુલાઈના રોજ બનનારી મહત્વની ઘટનાઓ ]]></title><link>https://sandesh.com/india/news/gujarat/29-july-top-news-important-events-to-happen-on-july-29</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/gujarat/29-july-top-news-important-events-to-happen-on-july-29</guid><pubDate>Tue, 28 Jul 2026 21:38:10 +05:30</pubDate><description><![CDATA[<p><div style="text-align: justify;"><b>દેશ અને દુનિયામાં 29 જુલાઈનો દિવસ અનેક મહત્વપૂર્ણ રાજકીય, સામાજિક અને રમતગમતની ઘટનાઓથી ભરેલો રહેશે. આવતીકાલે રાહુલ ગાંધી સંસદમા સંબોધન કરશે, સમગ્ર દેશમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી, 16 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી, મનસુખ માંડવિયાની આવતીકાલે બપોરે પ્રેસ કોન્ફરન્સ સહિતની ઘટનાઓ બનશે.</b></div><div style="text-align: justify;"><br></div><h2 style="text-align: justify;"><b>દેશના 16 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી</b></h2></p><p style="text-align: justify; ">ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા દેશના વાતાવરણને લઈને મોટી ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી-એનસીઆર (Delhi-NCR), ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત દેશના કુલ 16 રાજ્યોમાં તોફાની પવનો ફૂંકાવાની સાથે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. બદલાયેલા હવામાનના મિઝાજને પગલે અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સ્થાનિક લોકોને વહીવટી તંત્ર દ્વારા સાવચેત રહેવાની તેમજ બિનજરૂરી પ્રવાસ ટાળવાની સલાહ આપવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>રાહુલ ગાંધી અને ધવલ પટેલ વક્તવ્ય આપશે</b></h2><p style="text-align: justify; ">લોક પરીક્ષા વિધેયક પર સંસદમાં ચર્ચા દરમિયાન વિપક્ષ તરફથી રાહુલ ગાંધી પોતાનું વક્તવ્ય રજૂ કરશે, જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) તરફથી વલસાડના સાંસદ ધવલ પટેલ પક્ષનો પક્ષ રાખશે.</p><h2 style="text-align: justify; "><b>વલસાડના સાંસદ ધવલ પટેલ પીએમ મોદી અને અમિત શાહને મળશે</b></h2><p style="text-align: justify; ">વલસાડમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિ અને રાહત કામગીરી અંગે ચર્ચા કરવા માટે વલસાડના સાંસદ ધવલ પટેલ આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરશે.</p><h2 style="text-align: justify; "><b>ભોજશાળા વિવાદ: સતત બીજા સપ્તાહે પણ નમાઝ ન પઢાઈ</b></h2><p style="text-align: justify; ">મધ્ય પ્રદેશના ધાર સ્થિત વિવાદિત ભોજશાળા પરિસરમાં નમાઝ માટે યોગ્ય જગ્યા અંગે સંમતિ ન સધાતાં સતત બીજા અઠવાડિયે પણ નમાઝ પઢવામાં આવી નહોતી. હવે નમાઝ માટે અન્ય વૈકલ્પિક જગ્યા ફાળવવા મામલે બંને પક્ષો પોતપોતાની દલીલો રજૂ કરશે.</p><h2 style="text-align: justify; "><b>રમતગમત અને શ્રમ મંત્રી મનસુખ માંડવિયાની આવતીકાલે બપોરે પ્રેસ કોન્ફરન્સ</b></h2><p style="text-align: justify; ">કેન્દ્રીય રમતગમત અને શ્રમ મંત્રી મનસુખ માંડવિયા આવતીકાલે બપોરે 12:00 વાગ્યે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરશે, જેમાં મંત્રાલય સંબંધિત મહત્વના નિર્ણયોની જાહેરાત થઈ શકે છે.</p><h2 style="text-align: justify; "><b>ડાંગનો યુવાન કરશે હિમાલય સર</b></h2><p style="text-align: justify; ">ડાંગ જિલ્લાના યુવા ભોવાનભાઈ રાઠોડ ડ હિમાચલ પ્રદેશમાં આવેલ માઉન્ટ યુનમ શિખર સર કરવાના અભિયાનનો સંકલ્પ લીધો છે.અભિયાન પહેલાં 29 જુલાઈએ આહવા જિલ્લા સેવા સદનમાં ફ્લેગ-ઓફ કાર્યક્રમ યોજાશે,જેમાં જિલ્લાના આગેવાનો અને અધિકારીઓને આમંત્રણ પાઠવાયું છે.આ અભિયાનનો હેતુ માત્ર શિખર સર કરવાનો જ નહીં, પરંતુ ડાંગના યુવાનોમાં સાહસ,આત્મવિશ્વાસ અને દેશપ્રેમની ભાવના જગાવવાનો પણ છે.</p><h2 style="text-align: justify; "><b>શામળાજીમાં ઉજવાશે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ</b></h2><p style="text-align: justify; ">યાત્રાધામ શામળાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટી પડશે ભગવાન શામળિયાને પણ અનોખા શણગાર કરવામાં આવશે જેને કોઈ ગુરુ નથી એને ભગવાન કૃષ્ણ જગત ના ગુરુછે એવા ભાવ સાથે ભગવાન ના દર્શન કરી ભક્તો ધન્ય બનશે</p><h2 style="text-align: justify; "><b>ડાકોરમાં ભવ્ય રીતે ઉજવાશે ગુરુ પૂર્ણિમા</b></h2><p style="text-align: justify; ">આવતીકાલે યાત્રાધામ ડાકોરમાં ભવ્ય રીતે ઉજવાશે ગુરુ પૂર્ણિમા ઉત્સવ ડાકોરના ઠાકોર સાથે વિવિધ ગુરુગાદીએ ભક્તો શિષ્યો નમાવસે મસ્તક</p><h2 style="text-align: justify; "><b>રાજકોટમાં આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક</b></h2><p style="text-align: justify; ">રાજકોટમાં આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે મહત્વની દરખાસ્તો અંગે લેવાઈ શકે છે નિર્ણય&nbsp;</p><h2 style="text-align: justify; "><b>આવતીકાલે ગુરૂપૂર્ણિમાના દિવસે ગુરૂપૂજન</b></h2><p style="text-align: justify; ">આવતીકાલે ગુરૂપૂર્ણિમાના દિવસે ગુરૂપૂજન રાજકોટમાં વિવિધ ગુરુ આશ્રમો આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન બની રહેશે&nbsp;</p><h2 style="text-align: justify; "><b>29 જુલાઈની વિશ્વ અને ભારતની ઐતિહાસિક ઘટનાઓ&nbsp;</b></h2><p style="text-align: justify; ">ઇન્ટરનેશનલ ટાઇગર ડે (આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ): વાઘના સંરક્ષણ અને તેમની ઘટતી જતી સંખ્યા પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 29 જુલાઈના રોજ વિશ્વભરમાં 'આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ' ઉજવવામાં આવે છે. આ દિવસની શરૂઆત વર્ષ 2010માં રશિયાના સેન્ટ પીટર્સબર્ગ ખાતે યોજાયેલા સમિટથી થઈ હતી.</p><p style="text-align: justify; ">1981 - પ્રિન્સ ચાર્લ્સ અને લેડી ડાયનાના લગ્ન</p><p style="text-align: justify; ">બ્રિટનના શાહી પરિવારમાં પ્રિન્સ ચાર્લ્સ (હાલના કિંગ ચાર્લ્સ III) અને લેડી ડાયના સ્પેન્સરના લગ્ન લંડનના સેન્ટ પોલ કેથેડ્રલ ખાતે થયા હતા. આ લગ્નને "શતકની રોયલ વેડિંગ" તરીકે ઓળખવામાં આવે છે, જેને વિશ્વભરમાં કરોડો લોકોએ ટીવી પર જીવંત જોયા હતા.</p><p style="text-align: justify; ">1958 - નાસા (NASA)ની સ્થાપના</p><p style="text-align: justify; ">અમેરિકી પ્રમુખ ડ્વાઇટ ડી. આઇઝનહોવરે રાષ્ટ્રીય એરોનોટિક્સ અને સ્પેસ એક્ટ પર હસ્તાક્ષર કર્યા, જેના દ્વારા અમેરિકાની અવકાશ એજન્સી NASA (National Aeronautics and Space Administration) ની સત્તાવાર સ્થાપના થઈ.</p><p style="text-align: justify; ">2020 - ફ્રાન્સથી ભારતમાં 'રાફેલ' ફાઇટર જેટનું આગમન</p><p style="text-align: justify; ">ભારતીય વાયુસેનાના ઈતિહાસમાં 29 જુલાઈ 2020નો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસે ફ્રાન્સથી ખરીદેલા પ્રથમ 5 'રાફેલ' ફાઇટર વિમાનો અંબાલા એરબેઝ ખાતે સફળતાપૂર્વક પહોંચ્યા હતા, જેનાથી ભારતની સૈન્ય તાકાતમાં ભારે વધારો થયો હતો.</p><p style="text-align: justify; ">1904 - જે.આર.ડી. ટાટાનો જન્મ</p><p style="text-align: justify; ">ભારતીય ઉદ્યોગ જગતના પિતામહ અને ટાટા ગ્રુપને વૈશ્વિક ઓળખ અપાવનાર જે.આર.ડી. ટાટા (જહાંગીર રતનજી દાદાભોય ટાટા) નો જન્મ 29 જુલાઈ 1904 ના રોજ પેરિસમાં થયો હતો. તેઓ ભારતના પ્રથમ લાઇસન્સ પ્રાપ્ત પાઇલટ પણ હતા.</p><p style="text-align: justify; ">1908 - ઈસ્ટ ઈન્ડિયા રેલવેનું નિર્માણ</p><p style="text-align: justify; ">ભારતમાં કોલકાતા (તત્કાલીન કલકત્તા) અને આસપાસના વિસ્તારોમાં ટ્રાન્સપોર્ટ સુધારવા માટે 29 જુલાઈ 1908ના રોજ ઈસ્ટ ઈન્ડિયા રેલવેની સ્થાપના માટેના નિર્ણયો લેવાયા હતા.</p><h2 style="text-align: justify; "><b>પ્રખ્યાત પુણ્યતિથિ</b></h2><p style="text-align: justify; ">1891 - ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર: ભારતના મહાન સમાજ સુધારક, શિક્ષણશાસ્ત્રી અને વિધવા પુનઃવિવાહ આંદોલનના પ્રણેતાનું અવસાન થયું.</p><p style="text-align: justify; ">1996 - અરુણા આસફ અલી: ભારતીય સ્વતંત્રતા સંગ્રામના અગ્રણી મહિલા ક્રાંતિકારી.</p><p style="text-align: justify; ">2009 - મહારાણી ગાયત્રી દેવી: જયપુરના પૂર્વ મહારાણી અને પ્રખ્યાત રાજકીય વ્યક્તિત્વ.</p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/eSAiw25yBY6AiZdyYRRLJnvTCKUV0s8YeKaMzRyY.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: મનપા અને નગરપાલિકાઓના આંતરિક રસ્તાઓ ડામરને બદલે સિમેન્ટ કોંક્રીટથી બનશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/replace-asphalt-roads-with-cement-concrete-roads-across-municipal-areas</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/replace-asphalt-roads-with-cement-concrete-roads-across-municipal-areas</guid><pubDate>Tue, 28 Jul 2026 21:04:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના માર્ગોના મજબૂતીકરણ માટે એક દીર્ઘકાલીન નિર્ણય લેવામાં આવ્યો છે.આ નિર્ણયની વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે,રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના આંતરિક રસ્તાઓને ડામરને બદલે સિમેન્ટ કોંક્રીટ (CC)થી બનાવવામાં આવશે.</p><h2 style="text-align: justify; "><b>ગામતળમાં CC રોડનું કામ હાલમાં પણ ચાલી રહ્યું છે</b></h2><p style="text-align: justify; ">રાજ્યમાં ભારે વરસાદ અને પાણીના ભરાવાને કારણે ડામરના રસ્તાઓ વારંવાર તૂટી જવાની સમસ્યા સર્જાય છે જેનાથી નાગરિકોને મુશ્કેલી પડે છે.આ મુશ્કેલીના કાયમી નિવારણ અને નાગરિકોની સુવિધા માટે રાજ્ય સરકારે આ નિર્ણાયક પગલું ભર્યું છે.માત્ર શહેરો જ નહીં પરંતુ ગામતળના વિસ્તારો જ્યાં પાણીનો ભરાવો વધુ થતો હોય તેવા ડામરના રસ્તાઓને પણ ક્રમશઃ CC રોડમાં ફેરવવામાં આવશે.સુવિધાપથ યોજના અંતર્ગત ગામતળમાં CC રોડનું કામ હાલમાં પણ ચાલી રહ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>CC રોડનો બાંધકામ ખર્ચ 30 થી 40 ટકા વધુ હોય છે</b></h2><p style="text-align: justify; ">આ ઉપરાંત ભારે અને અતિ ભારે વાહનવ્યવહાર ધરાવતા ઔદ્યોગિક વિસ્તારોમાં જરૂરિયાત મુજબ CC રોડની કામગીરીનો વ્યાપ વધુ વિસ્તારવામાં આવશે. સામાન્ય રીતે ડામર રોડની સરખામણીએ CC રોડનો બાંધકામ ખર્ચ 30 થી 40 ટકા વધુ હોય છે. તેમ છતાં પ્રજાને લાંબા ગાળાનો ગુણવત્તાયુક્ત અને ટકાઉ લાભ આપવા આ નિર્ણય કર્યો છે.રાજ્ય સરકારના આ નિર્ણયથી ગુજરાતના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓનું માળખું વધુ સુદ્રઢ બનશે અને નાગરિકોને લાંબા ગાળાની સુવિધા પ્રાપ્ત થશે.</p><h2 style="text-align: justify; "><b>સિમેન્ટ કોંક્રીટ (CC) રોડના ફાયદાઓ</b></h2><p style="text-align: justify; ">CC રોડ અત્યંત મજબૂત હોવાથી તેનું આયુષ્ય વધુ હોય છે અને ઘસારો ઓછો થાય છે.</p><p style="text-align: justify; ">ભારે વાહનો, ઓવરલોડ વાહનો તથા મલ્ટી-એક્સલ વાહનોની સતત અવરજવર માટે શ્રેષ્ઠ.</p><p style="text-align: justify; ">રિપેરિંગ/મેન્ટેનન્સની જરૂરિયાત ખૂબ ઓછી રહે છે, જેથી લાંબા ગાળે સરકારી તિજોરી પર મરામતનો ખર્ચ ઘટે છે.</p><p style="text-align: justify; ">રસ્તા પર ખાડા પડવા કે સપાટી તૂટી જવાની સમસ્યા કાયમી ધોરણે દૂર થાય છે.</p><p style="text-align: justify; ">ભારે વરસાદવાળા વિસ્તારોમાં અને પાણી ભરાતું હોય તેવી જગ્યાઓએ પણ CC રોડ ઉત્કૃષ્ટ પરિણામ આપે છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/bhavnagar/municipal-aadhaar-operator-vijay-dabhi-caught-taking-bribe" target="_blank">આ પણ વાંચોઃ Bhavnagar News: ACBએ છટકું ગોઠવીને મનપાના આધારકાર્ડ ઓપરેટર વિજય ડાભીને લાંચ લેતા ઝડપ્યો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/RsarDykpBpWn57h6V24gYuTOXCk0rWZWDswCL6EZ.webp'/></item><item><title><![CDATA[Bhavnagar News: ACBએ છટકું ગોઠવીને મનપાના આધારકાર્ડ ઓપરેટર વિજય ડાભીને લાંચ લેતા ઝડપ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/bhavnagar/municipal-aadhaar-operator-vijay-dabhi-caught-taking-bribe</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/bhavnagar/municipal-aadhaar-operator-vijay-dabhi-caught-taking-bribe</guid><pubDate>Tue, 28 Jul 2026 20:14:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભાવનગર મહાનગરપાલિકાની પશ્ચિમ ઝોનલ કચેરી ખાતે એન્ટી કરપ્શન બ્યુરો એ મોટી કાર્યવાહી કરીને ભ્રષ્ટાચારના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.આધારકાર્ડમાં સુધારા વધારા કરાવવાના કામ માટે નાગરિકો પાસેથી ગેરકાયદેસર રીતે લાંચ લેવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી.આ મામલે એસીબીની ટીમે આયોજનબદ્ધ રીતે છટકું ગોઠવીને લાંચ લેતા આરોપીને ઘટનાસ્થળેથી જ ઝડપી પાડ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>આધારકાર્ડમાં સુધારા માટે લાંચ માંગવામાં આવી</b></h2><p style="text-align: justify; ">તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે, ખાનગી ઓનલાઇન સર્વિસ સેન્ટર ચલાવતો આરોપી અશ્વિન બાંભણિયા ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓ સાથે મળીને લાંચનું આખું નેટવર્ક ચલાવતો હતો.આધારકાર્ડમાં જરૂરી સુધારા-વધારા કરવાના કામ માટે અરજદારો પાસેથી રૂ.2000થી લઈને રૂ.3000 સુધીની લાંચ વસૂલવામાં આવતી હતી.આ કેસમાં પણ ફરિયાદી પાસેથી આધારકાર્ડમાં સુધારા માટે રૂ.3000ની લાંચ માંગવામાં આવી હતી.</p><h3 style="text-align: justify; "><b>અશ્વિન બાંભણીયા સ્થળ પરથી ફરાર</b></h3><p style="text-align: justify; ">એસીબીએ ગોઠવેલા છટકામાં ફરિયાદી પાસેથી રૂ.3,000ની લાંચ સ્વીકારતા જ આધારકાર્ડ ઓપરેટર વિજય ડાભીને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. જોકે, આ સમગ્ર નેટવર્કમાં સામેલ અન્ય એક શખ્સ અશ્વિન બાંભણીયા સ્થળ પરથી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. પોલીસે ઝડપાયેલા આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર આરોપીને પકડવા માટે તપાસ તેજ કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/congress-questions-3000-crore-world-bank-loan-for-drainage" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News : વર્લ્ડ બેંક પાસેથી ડ્રેનેજ લાઇન માટે 3 હજાર કરોડની લોન લીધી પણ પરિણામ શૂન્ય : કોંગ્રેસ</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/m6uR81scaZAJMflIM3YN2iPMQG26rVzLXbxL8b5z.webp'/></item><item><title><![CDATA[Rajkot News: શહેરમાં રિક્ષા ચાલકે ટક્કર મારતા એક્ટિવા સવાર પોલીસ કર્મીનું મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/police-constable-dies-after-auto-rickshaw-hits-his-activa</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/police-constable-dies-after-auto-rickshaw-hits-his-activa</guid><pubDate>Tue, 28 Jul 2026 19:57:35 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટમાં હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં એક પોલીસ કર્મીનું મોત થયું હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. શહેરના મવડી પોલીસ હેડક્વાર્ટર નજીક સર્જાયેલા ગંભીર અકસ્માતના બનાવમાં ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીનું સારવાર દરમિયાન દર્દનાક મોત નીપજતાં પોલીસ બેડામાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. આ મામલો હિટ એન્ડ રનનો હોવાનું સામે આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>એક્ટિવા ચાલક પોલીસ કર્મીનું મોત</b></h2><p style="text-align: justify; ">મળતી વિગતો મુજબ રાજકોટ ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા 24 વર્ષીય યુવાન પોલીસ કર્મચારી કેયુર રામાણી પોતાના એક્ટિવા મોપેડ પર સવાર થઈને મવડી હેડક્વાર્ટર ખાતે ટ્રેનિંગ માટે જઈ રહ્યા હતા.તે દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલા એક રિક્ષા ચાલકે તેમના એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી અને અકસ્માત સર્જીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.</p><h3 style="text-align: justify; "><b>રિક્ષા ચાલક ફરાર થઈ જતાં પોલીસે ચક્રો ગતિમાન કર્યા</b></h3><p style="text-align: justify; ">આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા કેયુર રામાણીને તુરંત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું.બનાવ અંગે પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધી ફરાર રિક્ષા ચાલકને ઝડપી પાડવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી આગળની તપાસ હાથ ધરી છે. શહેરમાં બેફામ ગતિએ વાહનો હંકારતા લોકો સામે પોલીસે લાલ આંખ કરી છે.&nbsp;&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/congress-questions-3000-crore-world-bank-loan-for-drainage" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News : વર્લ્ડ બેંક પાસેથી ડ્રેનેજ લાઇન માટે 3 હજાર કરોડની લોન લીધી પણ પરિણામ શૂન્ય : કોંગ્રેસ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/7UPGHB8txXpP7LXnj0PHXnstOzUw2u6fQIaCnpe3.webp'/></item><item><title><![CDATA[Tharadના આઇકોન રોડ પર ભરાયેલા પાણીના નિકાલ માટે આખરે નગરપાલિકા જાગી, 2 ઇલેક્ટ્રિક પંપ મૂકી કામગીરી શરૂ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/tharad/the-municipality-finally-woke-up-to-remove-the-water-accumulated-on-tharads-icon-road-installed-2-electric-pumps-and-started-the-work</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/tharad/the-municipality-finally-woke-up-to-remove-the-water-accumulated-on-tharads-icon-road-installed-2-electric-pumps-and-started-the-work</guid><pubDate>Tue, 28 Jul 2026 19:30:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરમાં આવેલા અતિ મહત્વના આઇકોન રોડ પર છેલ્લા ત્રણ દિવસથી પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી. પાણી ભરાવાના કારણે સ્થાનિક રહીશો તેમજ અહીંથી પસાર થતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. ત્રણ-ત્રણ દિવસ સુધી રસ્તા પર પાણી તળાવની જેમ ભરાયેલા રહેતાં લોકોમાં નગરપાલિકાની કામગીરી સામે ભારે રોષ જોવા મળ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>મુખ્ય રોડ હોવા છતાં ઘોર બેદરકારી</b></h2><p style="text-align: justify; ">નોંધનીય છે કે, આઇકોન રોડ એ થરાદ શહેરનો અત્યંત મહત્વપૂર્ણ માર્ગ છે. આ રોડ થરાદ મામલતદાર કચેરી, એસડીએમ (SDM) કચેરી, થરાદ પોલીસ મથક તેમજ ડીવાયએસપી/એસપી કચેરી સહિતના અનેક મહત્વના સરકારી મથકોને જોડે છે. દરરોજ સેંકડો નાગરિકો અને અધિકારીઓ આ રસ્તા પરથી અવરજવર કરતા હોવા છતાં, તંત્ર દ્વારા દાખવવામાં આવેલી બેદરકારી સામે સ્થાનિકોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>2 પંપ મૂકી પંપિંગ કામગીરી શરૂ</b></h3><p style="text-align: justify; ">સ્થાનિકો અને વાહનચાલકોની વધતી જતી મુશ્કેલીઓ અને વિરોધ બાદ આખરે થરાદ નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. નગરપાલિકા દ્વારા આઇકોન રોડ પર બે ઇલેક્ટ્રિક પંપ મૂકીને પાણી બહાર કાઢવાની (પંપિંગની) કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા પાણીનો ઝડપથી નિકાલ કરી માર્ગને પૂર્વવત અને વાહનવ્યવહાર માટે સુગમ બનાવવાના પ્રયાસો હાથ ધરાયા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/BLoGj1Yy3xX8r9XUojmmF3Izd8oizUlmJekwzOUH.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : વર્લ્ડ બેંક પાસેથી ડ્રેનેજ લાઇન માટે 3 હજાર કરોડની લોન લીધી પણ પરિણામ શૂન્ય : કોંગ્રેસ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/congress-questions-3000-crore-world-bank-loan-for-drainage</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/congress-questions-3000-crore-world-bank-loan-for-drainage</guid><pubDate>Tue, 28 Jul 2026 18:39:35 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડ બેઠકનો પ્રારંભ થતાં જ વિપક્ષ દ્વારા શાસક પક્ષ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.સભાખંડમાં ભારત માતા અને જય સંવિધાનના નારા સાથે વિપક્ષે વિરોધ દર્શાવ્યો હતો.શહેરમાં પડેલા વરસાદ બાદ સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ અંગે કોંગ્રેસના કાઉન્સિલર શહેઝાદ ખાન પઠાણે નિવેદન આપતાં જણાવ્યું હતું કે,શહેરમાં ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર લાઈનની ક્ષમતા માત્ર 2 ઇંચ વરસાદ ઝીલવાની છે.આવી સ્થિતિમાં જ્યારે 20 ઇંચ જેટલો વરસાદ ખાબકે ત્યારે આખું શહેર સમુદ્ર બનવાનું જ હતું અને તેના કારણે જ 5 દિવસ સુધી પૂરના પાણી ઓસર્યા નહોતા.</p><h2 style="text-align: justify; "><b>કોંગ્રેસ કાઉન્સિલરે મેયર માટે શાયરી ઉચ્ચારી</b></h2><p style="text-align: justify; ">શાસક પક્ષની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવતાં તેમણે ઉમેર્યું હતું કે,કોર્પોરેશનનું રૂ.18 હજાર કરોડનું મસમોટું બજેટ હોવા છતાં તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી સંપૂર્ણપણે ફ્લોપ સાબિત થઈ છે.કોંગ્રેસ કાઉન્સિલરે મેયર હિતેશ બારોટ માટે શાયરી લલકારી હતી કે, હિતેશભાઇ તુમ બારીશ કી તરહ પ્યાર કરો મેં અમદાવાદ કી તરહ ડૂબ ન જાઉં તો કહેના.તેમણે આક્ષેપ કર્યો હતો કે બજેટના કરોડો રૂપિયા વપરાઈ ગયા હોવા છતાં શહેરીજનોને પૂરના પાણીમાં ડૂબવાનો વારો આવ્યો છે. કોંગ્રેસે જણાવ્યું હતું કે,એક ઝોનમાં 20 ઇંચ વરસાદ પડે તો પણ પાણી નથી ભરાતા અને 1950માં કોઈ પણ ડિગ્રી વગરના મજૂરો દ્વારા નાખવામાં આવેલી લાઇન આજે પણ અકબંધ છે.</p><h3 style="text-align: justify; "><b>આની જવાબદારી કોણ લેશે અને કોણ રાજીનામું આપશે?</b></h3><p style="text-align: justify; ">જ્યારે આજે આઈએએસની ડિગ્રીઓ અને મોટા એન્જિનિયરો હોવા છતાં નવી લાઇન નાખતાની સાથે જ ત્યાં પાણી ભરાય છે જે અત્યંત શરમજનક બાબત છે.કેન્દ્રીય ગૃહમંત્રીએ તળાવો ઇન્ટરલિંકિંગ કરવાની સૂચના આપી હતી અને વર્લ્ડ બેંક પાસેથી શહેરની સ્ટ્રોમ વોટર અને ડ્રેનેજ લાઇન માટે રૂ. 3000 કરોડની લોન લીધાને 3 વર્ષ થવા આવ્યા છતાં પરિણામ શૂન્ય છે.વિપક્ષે આકરો કટાક્ષ કરતા કહ્યું કે, જેમ પેપર લીકમાં શિક્ષણ મંત્રી રાજીનામું આપે છે, તેમ અહીં તો આખું શહેર પાણીમાં 'લીક' થઈ ગયું છે, તો આની જવાબદારી કોણ લેશે અને કોણ રાજીનામું આપશે?પૂરથી પ્રભાવિત વેપારીઓ અને દુકાનદારોને નુકસાનીનું વળતર તથા રાહત આપવા અને તેમની પાસેથી મિલકત વેરો ના વસૂલવાની વિપક્ષ દ્વારા જોરદાર માંગ કરવામાં આવી હતી.</p><h2 style="text-align: justify; "><b>હાટકેશ્વર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પાણી ભરાયા નથી</b></h2><p style="text-align: justify; ">વિપક્ષ દ્વારા કરાયેલા આકરા આરોપોનો જવાબ આપતાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે,હવે પહેલાંની સરખામણીએ એક સામટો ધોધમાર વરસાદ પડવાની પેટર્ન જોવા મળી રહી છે.જે વૈશ્વિક હવામાન પરિવર્તનનું પરિણામ છે.માત્ર અમદાવાદ જ નહીં પરંતુ બેઇજિંગ, દુબઈ અને યુએસએ જેવા વૈશ્વિક શહેરોમાં પણ ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિ વિડીયોમાં જોઈ શકાય છે.જેની સરખામણી 18 જુલાઈ 2026ના રોજ ન્યૂયોર્કમાં સર્જાયેલી પરિસ્થિતિ અને અમદાવાદ સાથે કરી શકાય છે. અત્યાર સુધીનો આ ચોથા નંબરનો સૌથી વધુ વરસાદ હોવાથી રોડ બંધ થયા હતા અને પાણી ભરાયાં હતાં. પરંતુ તંત્રની યોગ્ય કામગીરીના કારણે જ આ વખતે વંધન ટ્રાયંગલ અને હાટકેશ્વર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પાણી ભરાયા નથી.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/patan/chief-officer-hiral-thakar-booked-for-allegedly-breaking-mobile-phone-complainant" target="_blank">આ પણ વાંચોઃ Patan News: સત્તાના નશામાં અરજદારનો મોબાઈલ તોડનાર ચીફ ઓફિસર હિરલ ઠાકર સામે ફરિયાદ નોંધાઈ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/22G4B5SvydTDZqOC2ThcCVEw7zd32UydFm46ODfe.webp'/></item><item><title><![CDATA[Dev Anandના પુત્ર Suneil Anandનું લંડનમાં નિધન, હાર્ટ એટેક આવ્યા બાદ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ ]]></title><link>https://sandesh.com/entertainment/news/india/dev-anands-son-suneil-anand-passes-away-in-london-breathed-his-last-in-hospital-after-suffering-a-heart-attack</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/india/dev-anands-son-suneil-anand-passes-away-in-london-breathed-his-last-in-hospital-after-suffering-a-heart-attack</guid><pubDate>Tue, 28 Jul 2026 17:38:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">વર્ષ 2011માં દેવ આનંદનું અવસાન થયું હતું. સુનીલે 70 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે.&nbsp;&nbsp;</p><h2 style="text-align: justify; ">લંડનમાં સારવાર દરમિયાન મોત&nbsp;</h2><p style="text-align: justify; ">દેવ આનંદના પુત્ર સુનીલ આનંદનું અવસાન થયું છે. તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને લંડનની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.  સુનીલ આનંદની ઉંમર 70 વર્ષ હતી. તેમના સમયના સ્વર્ગસ્થ, પ્રખ્યાત અભિનેતા દેવ આનંદના પુત્ર સુનીલ આનંદનું અવસાન થયું છે. તેમણે લગભગ 70 વર્ષની વયે લંડનમાં અંતિમ શ્વાસ લીધા. સુનીલની બહેન દેવીના આનંદની પુત્રી ગિની નારંગે એક નિવેદન બહાર પાડીને તેમના સુનીલના મૃત્યુની પુષ્ટિ કરી હતી.&nbsp;</p><h3 style="text-align: justify; ">મૃત્યુના સમાચારની પુષ્ટિ કરાઇ&nbsp;</h3><p style="text-align: justify; ">સુનીલની ભત્રીજી ગિની નારંગે નિવેદન બહાર પાડીને તેમના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમે ખૂબ જ દુઃખ સાથે સુનીલ આનંદના અવસાનના સમાચાર શેર કરીએ છીએ. પ્રેમ, પ્રાર્થના અને સમર્થનના વરસાદથી અમને ખૂબ જ સાંત્વના મળે છે, જેના માટે અમે ખૂબ જ આભારી છીએ. અમે વિનંતી કરીએ છીએ કે આ મુશ્કેલ સમયમાં અમને થોડી ગોપનીયતા આપવામાં આવે.</p><h4 style="text-align: justify; ">સુનીલ આનંદની ફિલ્મ કારકિર્દી&nbsp;&nbsp;</h4><p style="text-align: justify; ">સામાન્ય રીતે, ઘણા મોટા સ્ટાર્સ તેમના બાળકોને ફિલ્મોમાં ભવ્યતાથી લોન્ચ કરે છે, હીરો અથવા હિરોઇન તરીકે. જોકે, દેવ આનંદે આવું કર્યું નહીં. તેમણે તેમના પુત્રને બોલિવૂડમાં લોન્ચ કર્યો હતો, પરંતુ સહાયક અભિનેતા તરીકે. દેવ આનંદને 1984 માં "આનંદ ઔર આનંદ" નામની ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. દેવ આનંદે મુખ્ય ભૂમિકા ભજવી હતી, અને રાખી અને સ્મિતા પાટિલ પણ આ ફિલ્મનો ભાગ હતા. સુનિલે ફિલ્મમાં સહાયક ભૂમિકા ભજવી હતી, પરંતુ ફિલ્મ ફ્લોપ રહી હતી. ત્યારબાદ સુનિલે મુખ્ય ભૂમિકાઓમાં અભિનય કર્યો. તેમણે "કાર થીફ" માં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેમાં તેઓ વિજયતા પંડિત સાથે દેખાયા હતા. ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ રહી. સુનિલના કાકા દ્વારા દિગ્દર્શિત "મૈં તેરે લિયે" પણ થિયેટરોમાં સારી કમાણી કરવામાં નિષ્ફળ ગઈ. બાદમાં તેમણે કેટલીક ફિલ્મો બનાવી, પરંતુ તેમની કારકિર્દી સારી રીતે સુધરી શકી નહીં.</p><h5 style="text-align: justify; ">તેમનું પુનરાગમન પણ ફ્લોપ રહ્યું</h5><p style="text-align: justify; ">ઘણા વર્ષો પછી, તેઓ 2001 માં "માસ્ટર" સાથે મોટા પડદા પર પાછા ફર્યા, જે એક માર્શલ આર્ટ ફિલ્મ હતી જેનું દિગ્દર્શન તેમણે પણ કર્યું હતું. જોકે, તે પણ સારી કમાણી કરવામાં નિષ્ફળ ગઈ. ત્યારબાદ તેમણે કોઈ ફિલ્મમાં અભિનય કર્યો નહીં. એવું કહેવાય છે કે 2011 માં દેવ આનંદના મૃત્યુ સુધી, તેમણે તેમની હોમ પ્રોડક્શન કંપની, નવકેતન ફિલ્મ્સમાં સહાયક દિગ્દર્શક તરીકે તેમની સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું. તેમના પિતાના મૃત્યુ પછી, તેમણે પ્રોડક્શન હાઉસ સંભાળ્યું, પરંતુ વધુ સફળતા પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયા. સુનિલની માતા, દેવ આનંદની પત્ની અને તેમના સમયની પ્રખ્યાત અભિનેત્રી, કલ્પના કાર્તિક, તેમની એકમાત્ર પુત્રી સાથે ઉટીમાં રહે છે. તેણી ૯૪ વર્ષની છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/world/news/business/usa/elon-musk-prediction-2036-the-world-will-witness-a-period-of-reverse-inflation-what-is-the-meaning-of-elon-musks-prediction" target="_blank"> દુનિયા રિવર્સ ફુગાવાના સમયગાળાની બનશે સાક્ષી, એલોન મસ્કની આગાહીનો શુ છે અર્થ?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/8DhIInBgoJILZAjl4KlWJwz7Js9dOHF8ym32Y4WQ.webp'/></item><item><title><![CDATA[CWG 2026 Day 6 : પ્રીતિ પવારથી લઈને હરજિંદર કૌર સુધી, આજે ભારતીય એથ્લીટો પર રહેશે મેડલની આશા ]]></title><link>https://sandesh.com/sports/news/cwg-2026-day-6-from-preeti-pawar-to-harjinder-kaur-indian-athletes-will-be-in-the-hunt-for-medals-today</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/cwg-2026-day-6-from-preeti-pawar-to-harjinder-kaur-indian-athletes-will-be-in-the-hunt-for-medals-today</guid><pubDate>Tue, 28 Jul 2026 10:47:04 +05:30</pubDate><description><![CDATA[<p>સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026નો છઠ્ઠો દિવસે ભારત માટે સ્પર્ધાઓથી ભરેલો દિવસ બનવાનો છે. ભારતીય ખેલાડીઓ એથ્લેટિક્સ, બોક્સિંગ, વેઇટલિફ્ટિંગ, સ્વિમિંગ અને લોન બાઉલમાં ભાગ લેશે. બોક્સિંગ અને વેઇટલિફ્ટિંગ એવા ક્ષેત્રો છે જ્યાં ભારત અનેક મેડલ જીતી શકે છે.</p><h4><b>પાંચ બોક્સિંગ ખેલાડીઓ પાસે મેડલની આશા&nbsp;</b></h4><p>ભારતીય બોક્સિંગ ટુકડી માટે મંગળવાર મહત્વપૂર્ણ રહેશે. મહિલા વર્ગમાં, પ્રીતિ પવાર, પ્રિયા ઘંઘાસ અને પરવીન હુડા પોતપોતાના ક્વાર્ટર ફાઇનલ મુકાબલા રમશે. પુરુષોના વર્ગમાં, જદુમણી સિંહ અને કપિલ પોખરિયા પણ રિંગમાં ઉતરશે. આ બધા મુકાબલા જીતવાથી સંબંધિત ખેલાડીઓ ઓછામાં ઓછા બ્રોન્ઝ મેડલની ખાતરી કરશે.</p><h5><b>વેઇટલિફ્ટિંગમાં વધુ બે મેડલની અપેક્ષા&nbsp;</b></h5><p>ભારતીય વેઇટલિફ્ટિંગ ટીમે અત્યાર સુધી અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે, અને છઠ્ઠા દિવસે પણ મેડલની આશા ઊંચી છે. નિરુપમા દેવી સેરામ મહિલાઓની 63 કિગ્રા શ્રેણીમાં અને હરજિંદર કૌર 69 કિગ્રા શ્રેણીમાં ફાઇનલમાં રમશે. ભારત બંને ખેલાડીઓના પ્રદર્શન પર નજીકથી નજર રાખશે.</p><h4><b>28 જુલાઈ માટે મેડલ ઇવેન્ટ્સ અને સમય</b></h4><ul><li>4:30 PM - પુરુષોની 400 મીટર દોડનો પ્રથમ રાઉન્ડ: રાજેશ રમેશ (હીટ 3), વિશાલ ટીકે (હીટ6)</li><li>11:35 PM - મહિલાઓની હાઈ જમ્પ ફાઇનલ (મેડલ ઇવેન્ટ): પૂજા</li><li>12:55 AM (29 જુલાઈ) - પુરુષોની 10000૦ મીટર દોડ (મેડલ ઇવેન્ટ): ગુલવીર સિંહ</li></ul><h4><b>બોક્સિંગ</b></h4><ul><li>10:30 PM - મહિલાઓની 54 કિગ્રા ક્વાર્ટરફાઇનલ: પ્રીતિ પવાર વિરુદ્ધ નિકોલ ક્લાઈડ (ઉત્તરી આયર્લેન્ડ)</li><li>11:00 PM - મહિલાઓની 60 કિગ્રા ક્વાર્ટરફાઇનલ: પ્રિયા ઘંઘાસ વિરુદ્ધ નિયામ મિશેલ (સ્કોટલેન્ડ)</li><li>11:30 PM - મહિલાઓની 65 કિગ્રા ક્વાર્ટરફાઇનલ: પરવીન હુડા વિરુદ્ધ સચ્ચા હિકી (ઇંગ્લેન્ડ)</li><li>12:15 AM - પુરુષોની 55 કિગ્રા ક્વાર્ટરફાઇનલ: જદુમણિ સિંહ માંડેંગબામ વિ. મ્વેન્ગો મ્વેલે (ઝામ્બિયા)</li><li>1:30 AM - પુરુષોની 90 કિગ્રા 800 કિગ્રા ક્વાર્ટર ફાઇનલ: કપિલ પોખરિયા વિરુદ્ધ રોબર્ટ મેકનલ્ટી (સ્કોટલેન્ડ)</li></ul><h5><b>સ્વિમિંગ અને પેરા સ્વિમિંગ</b></h5><p>3:26 PM થી - પુરુષોની 50 મીટર બટરફ્લાય હીટ્સ: સાજન પ્રકાશ (હીટ 9)</p><p>4:41 PM થી - પુરુષોની 100 મીટર બેકસ્ટ્રોક હીટ્સ: શ્રીહરિ નટરાજ (હીટ 4)</p><p>4:57 PM થી - પુરુષોની 50 મીટર ફ્રીસ્ટાઇલ S13 હીટ્સ: આર.વી.વી.બી.કે. બુડિગીના (હીટ 1), અલી ઇમામ (હીટ 2)</p><p>11:57 PM - પુરુષોની 50 મીટર ફ્રીસ્ટાઇલ S13 ફાઇનલ (મેડલ ઇવેન્ટ) - બુડિગીના અને અલી ઇમામ&nbsp;</p><p>12:50 AM - પુરુષોની 50 મીટર બટરફ્લાય સેમિફાઇનલ - સાજન પ્રકાશ&nbsp;</p><p>1:33 AM - પુરુષોની 100 મીટર બેકસ્ટ્રોક સેમિફાઇનલ - શ્રીહરિ નટરાજ&nbsp;</p><h4><b>વેઇટલિફ્ટિંગ</b></h4><ul><li>6:30 PM - મહિલાઓની 63 કિગ્રા ફાઇનલ (મેડલ ઇવેન્ટ): નિરુપમા દેવી સેરામ</li><li>1:07 AM - મહિલાઓની 69 કિગ્રા ફાઇનલ (મેડલ ઇવેન્ટ): હરજિંદર કૌર</li></ul><h5><b>બોલ અને પેરાબોલ</b></h5><ul><li>10:20 PM - પુરુષોની જોડી વિભાગીય રમત: નવનીત સિંહ અને દિનેશ કુમાર વિરુદ્ધ કૂક આઇલેન્ડ</li><li>1:10 AM - મહિલા સિંગલ્સ વિભાગીય રમત: નયનમોની સૈકિયા વિરુદ્ધ એમી વિલિયમ્સ (વેલ્સ)</li></ul><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/cwg-2026-medal-tally-table-india-takes-medal-tally-to-double-digits-australias-dominance-continues" target="_blank">CWG 2026 Medal Tally Table : ભારતે મેડલનો આંકડો બે અંકમાં પહોંચ્યો, ઓસ્ટ્રેલિયાનો દબદબો યથાવત</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/kxXOaJsSK454O18WICVGnHAT7AKkWXbKjlI0HUYP.webp'/></item></channel></rss>