<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ambajiમાં કાળાડિબાંગ વાદળો બાદ ધોધમાર વરસાદ, યાત્રાળુઓ અને ખેડૂતોમાં આનંદનો માહોલ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ambaji/ambaji-rainfall-after-weather-change-danta-hadad</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ambaji/ambaji-rainfall-after-weather-change-danta-hadad</guid><pubDate>Mon, 14 Sep 2026 17:17:31 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે બપોર બાદ હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાઈ આવ્યા બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદના જોરદાર આગમનને પગલે અંબાજી ધામના તમામ મુખ્ય માર્ગો અને ચાચર ચોક આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા, જેને પગલે પંથકમાં રમણીય માહોલ સર્જાયો હતો.</p><p style="text-align: justify; "><img alt="Rain with thunder in Ambaji Dham" src="https://epapercdn.sandesh.com/images/2026/09/14/3VL1DT42sPnGDlBob6ti47MSSJjfZs2iH2czYizw.webp"><br></p><h2 style="text-align: justify; "><b>દાંતા અને હડાદ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘમહેર</b></h2><p style="text-align: justify; ">અંબાજી શહેર ઉપરાંત આસપાસના દાંતા અને હડાદ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. છેલ્લા બે દિવસથી માત્ર અમીછાંટણા થઈ રહ્યા હતા, પરંતુ આજે મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કરતાં સમગ્ર પંથક ભીંજાયો હતો. લાંબા સમયથી અનુભવાઈ રહેલા અસહ્ય ગરમી અને ભારે ઉકળાટ બાદ પડેલા આ વરસાદથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે.</p><p style="text-align: justify; "><img alt="Rain with thunder in Ambaji Dham" src="https://epapercdn.sandesh.com/images/2026/09/14/TkyhM8rM7iHTYNxffx239C7EMUJBbmhE1TrN94Yz.webp"><br></p><h3 style="text-align: justify; "><b>યાત્રાળુઓ, સ્થાનિકો અને ખેડૂતોમાં ખુશીની લહેર</b></h3><p style="text-align: justify; ">મેઘરાજાની આ પધરામણીથી અંબાજી મા અંબાના દર્શનાર્થે આવેલા દૂર-દૂરના યાત્રાળુઓ તેમજ સ્થાનિક રહીશોએ આહલાદક વાતાવરણનો આનંદ માણ્યો હતો. બીજી તરફ, ચોમાસાની આ સમયસરની મહેરબાનીથી ખેતરોમાં ઉભા પાકને મોટું જીવનદાન મળ્યું છે. વરસાદી માહોલ જામતાં જ અંબાજી અને દાંતા પંથકના ખેડૂત આલમ અને ધરતીપુત્રોમાં ખુશી અને ઉત્સાહની લહેર દોડી ગઈ છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/CTxt0NOM2mdmMXm5NBQYN4lF61yLcusNh1G2Ntj9.webp'/></item><item><title><![CDATA[Vav-Tharad Rain Update: 45 દિવસના લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ, મગફળી અને બાજરીના પાકને મળ્યું જીવનદાન ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/vav-tharad/vav-tharad-rain-update-rah-deodar-monsoon-crop-relief</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/vav-tharad/vav-tharad-rain-update-rah-deodar-monsoon-crop-relief</guid><pubDate>Mon, 14 Sep 2026 17:16:42 +05:30</pubDate><description><![CDATA[<p>બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ અને આસપાસના સીમાવર્તી પંથકમાં આખરે વરસાદી વાદળો ઘેરાતાં મેઘરાજાએ મહેર કરી છે. થરાદ અને રાહ તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદનું આગમન થયું છે. અસહ્ય ગરમી અને બળબળતા ઉકળાટ બાદ એકાએક શરૂ થયેલા આ વરસાદથી સમગ્ર વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે.</p><h2><b>45 દિવસના લાંબા વિરામ બાદ દિયોદરમાં ધોધમાર વરસાદ</b></h2><p>દિયોદર તાલુકામાં છેલ્લા 45 દિવસથી વરસાદે સંપૂર્ણ ખેંચાણ સાર્વત્રિક વિરામ લીધો હતો, જેના કારણે સમગ્ર પંથકમાં ચિંતાનો માહોલ હતો, પરંતુ લાંબા ઇંતેજાર બાદ દિયોદર તાલુકા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કાળાડિબાંગ વાદળોની ગર્જના સાથે ધોધમાર વરસાદી બેટિંગ શરૂ થઈ છે. વજેગઢ, મલુપુર, નાગલા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર પાણી વરસી પડતાં માર્ગો પર પાણી વહેતાં થયાં છે.</p><p><img alt="Vav-Tharad Rain Update: Heavy Rainfall After 45 Days Brings Relief to Farmers" src="https://epapercdn.sandesh.com/images/2026/09/14/60W1VInlbxzqHj7KYZvpKnyBGImidir7da0G1xil.webp"><br></p><h2><b>રાહ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર&nbsp;&nbsp;</b></h2><p>થરાદ અને રાહ પંથકના ગ્રામીણ વિસ્તારોમાં પણ મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી છે. રાહ તાલુકાના મેઘપુરા, રાહ, ચાંગડા સહિતના અનેક ગામોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. લાંબા સમય પછી વરસેલા આ વરસાદને કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકોએ અસહ્ય ગરમીમાંથી રાહત અનુભવી છે.</p><p><img alt="Vav-Tharad Rain Update: Heavy Rainfall After 45 Days Brings Relief to Farmers" src="https://epapercdn.sandesh.com/images/2026/09/14/FrS40sew5OKz2qVBlGMkUT1uPHDtfjxzUFEN11fL.webp"><br></p><h2><b>સુકાતા મગફળી-બાજરીના પાકને જીવનદાન</b></h2><p>છેલ્લા દોઢ મહિનાથી વરસાદ ગાયબ રહેતાં વાવેતર કરેલાં મગફળી અને બાજરી સહિતના મુખ્ય પાકો સુકાવાની આરે પહોંચી ગયા હતા, પરંતુ આ વરસાદ વરસતાં જ સુકાતા પાકોને અમૃત સમાન સંજીવની મળી છે. જમીનમાં પૂરતો ભેજ મળતાં ખેતીના પાકો પાંગરી ઉઠશે, જેનાથી ખેડૂતો અને પશુપાલકોમાં ભારે રાહત અને આનંદની લહેર દોડી ગઈ છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vav-tharad/vav-tharad-insects-came-out-of-a-parcel-of-pakodas-in-tharad" target="_blank">Vav-tharad: થરાદમાં પકોડીના પાર્સલમાંથી જીવાત નીકળી</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/g2b8Yg3GKv5rL8C3MKjpdrpOXb0W3b4GFLCjHlmq.webp'/></item><item><title><![CDATA[Vadodara Heavy Rain : મધ્ય ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, કરજણમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યાં ]]></title><link>https://sandesh.com/weather/news/gujarat/vadodara/vadodara-karjan-heavy-rain-2-5-inches-waterlogging-homes-flooded</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/news/gujarat/vadodara/vadodara-karjan-heavy-rain-2-5-inches-waterlogging-homes-flooded</guid><pubDate>Mon, 14 Sep 2026 16:46:51 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ખેડાના મહેમદાવાદ, વડોદરા શહેર, કરજણ અને ડેસર તાલુકામાં ભારે વરસાદ વરસતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. કરજણમાં વરસાદી પાણી ઘરો અને દુકાનોમાં ઘૂસી જતાં સ્થાનિકોને મોટું નુકસાન થયું છે.</p><h2 style="text-align: justify; "><b>કરજણમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યાં</b></h2><p style="text-align: justify; ">કરજણમાં ધોધમાર વરસાદને પગલે જાહેર માર્ગો જળબંબાકાર બન્યા હતા. સહજાનંદ સોસાયટીના 15થી વધુ ઘરોમાં પાણી ઘૂસી જતાં રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. વાલાવાવ ચોકડીની દુકાનોમાં પણ પાણી ઘૂસી જતાં વેપારીઓને નુકસાન થયું છે.</p><h3 style="text-align: justify; "><b>કરજણમાં 4 કલાકમાં 75 મી.મી. વરસાદ</b></h3><p style="text-align: justify; ">કરજણ નગરમાં સવારે 6થી 10 વાગ્યા દરમિયાન 75 મી.મી. વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને પગલે નગરના જાહેર માર્ગો પાણીમાં ગરકાવ બન્યા હતા. ગીતાંજલિ રોડ, મિયાગામ ચોકડી રોડ, સોનાનગર રોડ અને રણછોડ પાર્ક સોસાયટી રોડ પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને સ્થાનિકોને મુશ્કેલી પડી હતી.</p><p style="text-align: justify; "><img alt="Vadodara Rain: 2.5 Inches in 2 Hours, Karjan Homes Flooded" src="https://epapercdn.sandesh.com/images/2026/09/14/Ftdxp92GIx0WltmrorRNgZh2qt09r5zIVKGEaIo8.webp" style="width: 100%;"><br></p><h3 style="text-align: justify; "><b>પાણીના નિકાલની વ્યવસ્થા સામે સવાલો&nbsp;</b></h3><p style="text-align: justify; ">વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે. સ્થાનિકોમાં પાલિકાની કામગીરી પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. સામાન્ય વરસાદમાં જ જો રહેણાંક વિસ્તારો અને દુકાનોમાં પાણી ઘૂસી જાય, તો ભારે વરસાદ દરમિયાન સ્થિતિ કેટલી વિકટ બની શકે તે અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે.</p><h4 style="text-align: justify; "><b>વડોદરાના અકોટા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા</b></h4><p style="text-align: justify; ">વડોદરા શહેરના અકોટા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું હતું. વાહનચાલકો અને સ્થાનિક રહેવાસીઓને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ડેસર તાલુકામાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો.</p><h4 style="text-align: justify; "><b>પાણી ભરાવાની સમસ્યા યથાવત&nbsp;</b></h4><p style="text-align: justify; ">વડોદરાના અટલાદરા વિસ્તારમાં ભારે વરસાદને પગલે પાણી ભરાઈ ગયાં હતાં. અટલાદરા-બિલ-વડસર રોડ પર પણ વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. અલકાપુરી પોલીસ ચોકી પાસે પાણી ભરાતાં અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ હતી, જ્યારે દિનેશ મિલ ગરનાળું પાણીમાં ગરકાવ બન્યું હતું. ભારે વરસાદને પગલે પાણીના નિકાલ માટે પાલિકાના મશીનો પણ અસરકારક સાબિત ન થતાં તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. સામાન્ય સમયની તૈયારીઓ છતાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતાં નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.</p><h4 style="text-align: justify; "><b>ખેડૂતોને વરસાદથી મોટી રાહત</b></h4><p style="text-align: justify; ">બીજી તરફ, એક મહિનાના લાંબા વિરામ બાદ પડેલા વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. સુકાઈ રહેલા ડાંગર અને શાકભાજીના પાકને વરસાદથી નવું જીવન મળ્યું છે. વરસાદ ખેતી માટે રાહતરૂપ બન્યો છે, જોકે શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાએ તંત્રની તૈયારીઓ પર સવાલો ઊભા કર્યા છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp;<a href="https://sandesh.com/gujarat/news/crime/surat/surat-utran-wife-swapping-pressure-katargam-police-case" target="_blank"><b> &nbsp;Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/JvNBxmiiSYPwO5Ael8M3El243WMC5F82nQp60BgE.webp'/></item><item><title><![CDATA[Bhavnagar જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ: વલ્લભીપુર, પાલીતાણા અને તળાજામાં ધોધમાર વરસાદ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/bhavnagar-rain-after-break-vallabhipur-palitana-talaja</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/bhavnagar-rain-after-break-vallabhipur-palitana-talaja</guid><pubDate>Mon, 14 Sep 2026 16:31:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભાવનગર જિલ્લાના વલ્લભીપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. વલ્લભીપુરની મુખ્ય બજાર, સ્ટેશન રોડ, રેફરલ હોસ્પિટલ અને વલ્લભી ચોક સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી પાણી વહી નીકળ્યા હતા. આ ઉપરાંત પાટણા, નવાગામ, લોલિયાણા અને ચમારડી તેમજ પાલીતાણાના જકાતનાકા, તળેટી વિસ્તાર અને શેત્રુંજી ડેમ, ઘેટી, હસ્તગીરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.</p><p style="text-align: justify; "><img alt="Rain for the second consecutive day in Bhavnagar" src="https://epapercdn.sandesh.com/images/2026/09/14/yP23VyHXCKROI0VTJGiTHCrhziVnocAMIZMAJc5J.webp"><br></p><h2 style="text-align: justify; "><b>તળાજા અને મહુવામાં મુસળધાર વરસાદથી રસ્તાઓ જળબંબાકાર</b></h2><p style="text-align: justify; ">તળાજા તાલુકામાં ગઈકાલે 60 મીમી વરસાદ બાદ સતત બીજા દિવસે પણ મેઘરાજાએ ધામા નાખ્યા હતા. તળાજાની મુખ્ય બજારમાં ધોધમાર વરસાદના કારણે નદીઓની જેમ પાણી વહેતા થયા હતા. બીજી તરફ મહુવા શહેર અને તેના ગ્રામ્ય વિસ્તારો જેવા કે હરિપરા, ભાણવડ અને નેસવડમાં સવારથી ઝરમર બાદ બપોરે મુસળધાર વરસાદ તૂટી પડ્યો હતો. સિહોરના વરલ, થાળા અને બેકડી ગામોમાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા.</p><p style="text-align: justify; "><img alt="Rain for the second consecutive day in Bhavnagar" src="https://epapercdn.sandesh.com/images/2026/09/14/LZqOwtYSzmJIEVFgbJkHFp0dqQZCKemTnA7E2JhL.webp"><br></p><h3 style="text-align: justify; "><b>ભાવનગરમાં જનજીવન પ્રભાવિત, ખેડૂતો અને પશુપાલકોમાં હરખ</b></h3><p style="text-align: justify; ">ભાવનગર શહેરમાં સતત બીજા દિવસે ભીડભંજન, જશોનાથ, રૂપમ અને કાળાનાળા જેવા વિસ્તારોમાં ધીમીધારે વરસાદ ચાલુ રહેતાં વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે, જોકે રોજિંદી અવરજવર કરતી જનતાને થોડી હાલાકી ભોગવવી પડી છે. સમગ્ર જિલ્લામાં સમયસર પડેલા આ વરસાદને કાચું સોનું ગણાવતાં ખેડૂતો અને પશુપાલકોમાં ભારે આનંદ છવાયો છે. કપાસ તથા મગફળીના પાકને જીવતદાન મળવાની સાથે ઘાસચારાની ચિંતા દૂર થતાં 16 આની વર્ષ થવાની આશા બંધાઈ છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/tsS0v5V5AXmwmNpwXvQOvjoZwUqUaGW9zAI4RtCC.webp'/></item><item><title><![CDATA[Rajkot: પોપટપરા નાળું અને રેલનગર અંડરબ્રિજ બંધ, લાંબા વિરામ બાદ મેઘમહેર થતા ખેડૂતોમાં ખુશીની લહેર ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/district-heavy-rain-popatpara-nala-closed-dhoraji-gondal-monsoon</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/district-heavy-rain-popatpara-nala-closed-dhoraji-gondal-monsoon</guid><pubDate>Mon, 14 Sep 2026 16:27:54 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ શહેરમાં લાંબા વિરામ બાદ હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજાએ ધમાકેદાર પુનઃએન્ટ્રી કરી છે. વહેલી સવારથી જ આકાશમાં કાળાડીબાંગ વાદળો છવાયા બાદ બપોરના સમયે શહેરના સામાકાંઠા, કાલાવડ રોડ, રેસકોર્સ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.</p><h2><b>મેઘરાજાએ ધમાકેદાર પુનઃએન્ટ્રી કરી</b></h2><p>મુસળધાર વરસાદના કારણે શહેરના મુખ્ય રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ખાસ કરીને પોપટપરા નાળામાં અને રેલનગર અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતાં રેલનગર તથા માધાપર ચોકડી તરફનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. સુરક્ષાના ભાગરૂપે પોપટપરા નાળું વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યું છે. વરસાદના પગલે લોકોને અસહ્ય ગરમી અને બફારામાંથી રાહત મળી છે.</p><p><img alt="rajkot" src="https://epapercdn.sandesh.com/images/2026/09/14/K5PWQRKF8Cm5GY2nO91UCkbaFACzW0qFQ66mi58A.webp" style="width: 50%;"><br></p><h3><b>લોકોને ગરમી અને બફારામાંથી રાહત મળી</b></h3><p>રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ધોરાજી તાલુકાના નાની પરબડી ગામમાં દોઢ કલાકમાં જ અંદાજે 2 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતાં ગામના મુખ્ય રસ્તાઓ જળબંબાકાર બની ગયા હતા. આ સિવાય ફરેણી, તોરણીયા અને ધોરાજી શહેરમાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ જળવાઈ રહ્યો હતો.</p><p><img alt="dhoraji" src="https://epapercdn.sandesh.com/images/2026/09/14/PKb4GlD7aEsm5sfkJJDNqrU7qYSbcYArUEx7LfOy.webp" style="width: 50%;"><br></p><h4><b>ખેડૂતોમાં ભારે હરખની હેલી</b></h4><p>બીજી તરફ જામકંડોરણા અને ગોંડલ પંથકમાં પણ સવારથી પલટાયેલા વાતાવરણ બાદ બપોરે ધોધમાર વરસાદ વરસ્યો હતો. લાંબા સમયના વિરામ બાદ થયેલા આ વરસાદથી સુકાઈ રહેલા મોલ અને ઊભા પાકને નવું જીવતદાન મળતાં સમગ્ર જિલ્લાના 'જગતનો તાત' એટલે કે ખેડૂતોમાં ભારે હરખની હેલી અને આનંદની લાગણી પ્રસરી ગઈ છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/porbandar/porbandar-port-signal-number-3-heavy-rain-red-alert-gujarat" target="_blank">આ પણ વાંચો: Porbandar: દરિયામાં ભારે કરંટ વચ્ચે બંદર પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ; 12 જિલ્લામાં રેડ એલર્ટ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/MqCunWy0l77tt8PnkiUcpAdlP7PCg5kZ3S4fKDTs.webp'/></item><item><title><![CDATA[પાકિસ્તાનની ટીમ ભારત આવશે! એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં જામશે ભારત-પાક જંગ ]]></title><link>https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</guid><pubDate>Mon, 14 Sep 2026 15:47:21 +05:30</pubDate><description><![CDATA[<p>આવતા મહિને પાકિસ્તાનની હોકી ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે. 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન પંજાબમાં યોજાનારી AHF મેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026માં પાકિસ્તાન સહિત કુલ છ ટીમો ભાગ લેશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પાકિસ્તાનની ભાગીદારી અંગેની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, મલ્ટી-નેશનલ ઇવેન્ટ્સ અંગે કેન્દ્ર સરકારની નીતિ હેઠળ બંને દેશોની ટીમો આમને-સામને રમશે.</p><h2><b>ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જાલંધરમાં રમાશે</b></h2><p>એશિયન મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન થશે. આ ટૂર્નામેન્ટમાં યજમાન ભારત અને પાકિસ્તાન ઉપરાંત ચીન, જાપાન, મલેશિયા અને કોરિયાની પણ ભાગ લેશે. લીગ સ્ટેજના મુકાબલા જાલંધરમાં યોજાશે, જ્યારે સેમિફાઇનલ અને ફાઇનલ મેચ મોહાલીના હોકી સ્ટેડિયમમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 1 નવેમ્બરે જાલંધરમાં રમાશે. કોઈ ટીમ છેલ્લી ઘડીએ ખસી જાય તો તે સ્થિતિ માટે ઓમાન અને બાંગ્લાદેશને રિઝર્વ ટીમન તરીકે રાખવામી આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PTI_News/status/2099416960278868155"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમવામાં કોઈ મુશ્કેલી નથી</b></h2><p>પાકિસ્તાનની ભાગીદારી અને જરૂરી મંજૂરીઓ અંગે પંજાબના મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં બંને દેશો વચ્ચે રમવામાં કોઈ મુશ્કેલી નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝનું આયોજન અલગ બાબત છે, કારણ કે કેન્દ્ર સરકારની વર્તમાન નીતિ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય રમત-ગમતના આયોજનની મંજૂરી આપતી નથી. પરંતુ મલ્ટી-નેશનલ ટૂર્નામેન્ટમાં બંને દેશોના ખેલાડીઓને એકબીજા સામે રમવાની પરવાનગી છે, જેથી પાકિસ્તાની ટીમ ભારત આવી શકશે.</p><h2><b>ભારત વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે</b></h2><p>ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. ભારતે 2023માં ચેન્નાઈ અને 2024માં ચીનના હુલુનબુઈરમાં યોજાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ગત વર્ષે આ સ્પર્ધા યોજાઈ શકી નહોતી. હવે પંજાબ પ્રથમ વખત આ ટૂર્નામેન્ટની મેજબાની કરવા જઈ રહ્યું છે.</p><h2><b>અગાઉ પાકિસ્તાની ટીમે ના કહી હતી&nbsp;</b></h2><p>પાકિસ્તાનની આ વખતની ભાગીદારી એટલા માટે પણ ખાસ છે, કારણ કે ગત વર્ષે તેણે તમિલનાડુમાં આયોજિત જૂનિયર હોકી વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તે સમયે બંને દેશો વચ્ચેના તણાવને તેનું કારણ ગણાવવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે અને પાકિસ્તાની ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે પૂરી રીતે તૈયાર છે.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/V6jwdiIr9RTCvR6EyBaGsP2qfZvYLq2JfkL7pytm.webp'/></item><item><title><![CDATA[Ganesh Chaturthi Celebrations: માયાનગરીમાં બાપ્પાનો ક્રેઝ, જાણો કયા સેલેબના ઘરે થયું ગણેશજીનું ભવ્ય આગમન ]]></title><link>https://sandesh.com/entertainment/news/which-celebrities-welcomed-ganpati-bappa-home-this-year</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/which-celebrities-welcomed-ganpati-bappa-home-this-year</guid><pubDate>Mon, 14 Sep 2026 15:28:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે માયાનગરી મુંબઈમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બોલિવૂડ સેલેબ્સના ઘરે ગણપતિ બાપ્પાનું ખૂબ જ ધામધૂમ, પ્રેમ અને શ્રદ્ધા સાથે સ્વાગત કરવામાં આવ્યું છે. શિલ્પા શેટ્ટી, ગોવિંદાના પત્ની સુનિતા આહુજા અને હંસિકા મોટવાણી જેવા જાણીતા ચહેરાઓએ પોતાના ઘરે ભગવાન ગણેશની સ્થાપના કરીને ચાહકોનું દિલ જીતી લીધું છે.</p><p style="text-align: justify; "><b>શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ ભક્તિભાવ સાથે કર્યું બાપ્પાનું આગમન</b></p><p style="text-align: justify; ">અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ગણેશોત્સવની ઉજવણી હંમેશાં ખાસ હોય છે. આ વર્ષે પણ શિલ્પાએ તેના પતિ રાજ કુન્દ્રા સાથે મળીને પૂર્ણ ભક્તિભાવ અને ઉત્સાહથી બાપ્પાની મૂર્તિનું સ્વાગત કર્યું. સોશિયલ મીડિયા પર સામે આવેલા ફોટા અને વીડિયોમાં શિલ્પાનો બાપ્પા પ્રત્યેનો પ્રેમ અને આનંદ સ્પષ્ટપણે જોઈ શકાય છે. શિલ્પા માટે આ તહેવાર માત્ર એક ઉજવણી નથી, પરંતુ સમગ્ર પરિવાર સાથે જોડાવાનો એક ખાસ પ્રસંગ છે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DdOGuoVOMxW/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DdOGuoVOMxW/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a></p><p style="text-align: justify; "><b>ઢોલના તાલે ઝૂમી ઊઠ્યા સુનિતા આહુજા</b></p><p style="text-align: justify; ">ગોવિંદાના પત્ની સુનિતા આહુજા પણ ગણપતિ બાપ્પાના સ્વાગત માટે ખૂબ ઉત્સુક જોવા મળ્યા હતા. ઘરે બાપ્પાનું પદાર્પણ થતાં જ સુનિતા આહુજા રસ્તા પર ઢોલના તાલે મન મૂકીને નાચતા નજરે પડ્યા હતા. પરંપરાગત અંદાજમાં ભગવાન ગણેશનું સ્વાગત કરતી વખતે તેમના ચહેરા પરની ખુશી અને ભાવુકતા જોઈને ચાહકો પણ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DdOymtDt0Ln/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DdOymtDt0Ln/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a></p><p style="text-align: justify; "><b>હંસિકા મોટવાણીના ઘરે ઉત્સવનો માહોલ</b></p><p style="text-align: justify; ">અભિનેત્રી હંસિકા મોટવાણીએ પણ ગણેશ ચતુર્થીના શુભ અવસરે પોતાના ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરી હતી. બાપ્પાના આગમનથી હંસિકાના ઘરનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. હંસિકાની શ્રદ્ધા અને ઉત્સાહે ચાહકોનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું. એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ધર્મથી પર થઈને દરેક તહેવાર ધામધૂમથી ઉજવવાની પરંપરા રહી છે, અને બોલિવૂડના આ ગણેશોત્સવે ફરી એકવાર સર્વધર્મ સમભાવ અને એકતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/the-song-chhathi-maiya-from-tamannaah-bhatias-film-the-one-is-superhit" target="_blank">આ પણ વાંચો : Sidharth Malhotra અને તમન્ના ભાટિયાની ફિલ્મ 'ધ વન'નું 'છઠી મૈયા' ગીત સુપરહિટ 3 જ દિવસમાં મળ્યા 27 મિલિયનથી વધુ વ્યૂઝ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/78hat1cfedTDrLTQ0MnSqeM4frP0VAR3Bd92iKbE.webp'/></item><item><title><![CDATA[ઓ બાપરે... દિશા સાલિયાન કેસમાં મોટી ઉલટફેર, FIRમાં દિગ્ગજ નેતાઓ સહિત અભિનેતાઓના નામ પણ સામેલ ]]></title><link>https://sandesh.com/india/news/entertainment/disha-salian-cbi-fir-names-uddhav-thackeray-aaditya-thackeray-after-bombay-high-court-order</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/entertainment/disha-salian-cbi-fir-names-uddhav-thackeray-aaditya-thackeray-after-bombay-high-court-order</guid><pubDate>Mon, 14 Sep 2026 15:21:37 +05:30</pubDate><description><![CDATA[<p>સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયનના મૃત્યુ અંગે FIR નોંધી છે. બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ CBIએ આ પગલું ભર્યું છે. નોંધપાત્ર વાત એ છે કે, આ FIRમાં ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે સહિત અનેક દિગ્ગજ હસ્તીઓના નામ સામેલ છે. કેન્દ્રીય એજન્સી હવે આ કેસની નવી તપાસ હાથ ધરશે, જે લગભગ છ વર્ષ જૂનો છે.</p><p><br></p><p>2 સપ્ટેમ્બરના રોજ, જસ્ટિસ સારંગ કોટવાલ અને જસ્ટિસ રણજીતસિંહ રાજા ભોંસલેની બનેલી બોમ્બે હાઈકોર્ટની બેન્ચે દિશા સાલિયનના મૃત્યુની તપાસ CBIને સોંપવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે CBIને આ મામલાની તપાસ માટે એક અનુભવી વરિષ્ઠ અધિકારીની નિમણૂક કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો. દિશા સાલિયનનું મૃત્યુ એક બિલ્ડિંગની અગાશી પરથી પડી જવાથી શંકાસ્પદ સંજોગોમાં થયું હતું.</p><p><br></p><h4><b>8 જૂન, 2020ના રોજ દિશા સાલિયનનું મૃત્યુ</b></h4><p>સુશાંત સિંહ રાજપૂતના ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયનનું 8 જૂન, 2020ના રોજ મુંબઈના મલાડ વિસ્તારમાં આવેલી એક રહેણાંક ઈમારતના 12મા માળેથી પડી જવાથી મૃત્યુ થયું હતું. તેના માત્ર એક અઠવાડિયા પછી, 14 જૂન, 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂત તેમના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા, જેના કારણે બંને મૃત્યુ વચ્ચે સંભવિત જોડાણ હોવાની અટકળો શરૂ થઈ હતી.</p><p><br></p><p>સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ થયેલા હોબાળા વચ્ચે, મહારાષ્ટ્ર સરકારે આ મામલે CBI તપાસનો આદેશ આપ્યો હતો. બાદમાં એજન્સીએ 'ક્લોઝર રિપોર્ટ' (કેસ બંધ કરવાનો અહેવાલ) દાખલ કર્યો હતો અને મૃત્યુને આત્મહત્યા ગણાવી હતી. મુંબઈ પોલીસે દિશા સાલિયનના કેસમાં તેને આકસ્મિક મૃત્યુ ગણાવીને 'એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ' (ADR) નોંધ્યો હતો. આ અભિગમ પર સવાલ ઉઠાવતા હાઈકોર્ટે તપાસ CBIને સોંપવાનો નિર્દેશ આપ્યો હતો.</p><p><br></p><h4><b>FIR ન નોંધવા બદલ મુંબઈ પોલીસની ઝાટકણી</b></h4><p>કોર્ટે તપાસમાં બેદરકારી બદલ મુંબઈ પોલીસની ઝાટકણી પણ કાઢી હતી. કોર્ટે FIR નોંધ્યા વિના છ વર્ષ સુધી આ કેસને માત્ર આકસ્મિક મૃત્યુ તરીકે ગણવા બદલ પોલીસની ટીકા કરી હતી અને તપાસમાં "સ્પષ્ટ વિસંગતતાઓ" હોવાનું ધ્યાન દોર્યું હતું. દિશા સાલિયન કેસમાં FIR નોંધાયા બાદ, CBI હવે ઘટનાક્રમની સંપૂર્ણ તપાસ ફરીથી કરશે. સાલિયનના પિતાએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ મૂક્યો હતો કે તેમની પુત્રી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને તેની હત્યા કરવામાં આવી હતી; તેમણે આ મામલે CBI તપાસની માંગણી કરી હતી. તેમણે શિવસેના (UBT)ના નેતા આદિત્ય ઠાકરે વિરુદ્ધ FIR નોંધવાની પણ માંગ કરી હતી.</p><p><br></p><h4><b>CBIની FIRમાં કયા વ્યક્તિઓના નામનો ઉલ્લેખ છે?</b></h4><p>CBI દ્વારા દાખલ કરવામાં આવેલી FIRમાં સામેલ નામો આ મુજબ છે: શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે, તેમના પુત્ર આદિત્ય ઠાકરે, રોહન રાય, ડીનો મોરિયા, સૂરજ પંચોલી, આદિત્ય ઠાકરેના અંગત સુરક્ષાકર્મી (બોડીગાર્ડ), રિયા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, સચિન વાઝે, પરમબીર સિંહ, ડીસીપી વિશાલ ઠાકુર, અનિલ દેશમુખ, એપીઆઈ અશોક દેવધે અને પીઆઈ જગદેવ કલાપડ વગેરે.</p><p><br></p><p>આ ઉપરાંત, આ યાદીમાં માલવણી પોલીસ સ્ટેશનના સંબંધિત અધિકારીઓ, પોસ્ટમોર્ટમમાં વિલંબ માટે જવાબદાર ડોક્ટરો અને સ્ટાફ, રીજન્ટ ગેલેક્સી બિલ્ડિંગના સુરક્ષા રક્ષક અને SITના વરિષ્ઠ સભ્યો (જેમાં સામેલ તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે)નો પણ સમાવેશ થાય છે. આ તમામ લોકો પર કેસને દબાવવાનો પ્રયાસ કરવાનો અને સત્તાવાર રેકોર્ડ્સ સાથે છેડછાડ કરવાનો આરોપ છે.<br><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/world/news/pakistan-announces-rs-70-lakh-bounty-on-masood-azhar-in-fia-red-book-before-fatf-meet" target="_blank"><b>લો બોલો... નફ્ફટ પાકિસ્તાનનો નવો પેંતરો! મસૂદ અઝહર પર હવે રાખ્યું 70 લાખનું ઈનામ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/tR1QTdDgvahPPhSl6uQpVhKEocI5SbC44sfvE1Ne.webp'/></item><item><title><![CDATA[August માં જથ્થાબંધ ફુગાવો વધીને 9.92 % પર પહોંચ્યો, શું પેટ્રોલ અને ગેસના ભાવ વધશે? ]]></title><link>https://sandesh.com/business/news/india-wpi-inflation-august-fuel-food-prices</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india-wpi-inflation-august-fuel-food-prices</guid><pubDate>Mon, 14 Sep 2026 14:32:08 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઓગસ્ટ 2026 માં જથ્થાબંધ ફુગાવો વધીને 9.92 % થયો છે, જે જુલાઈમાં 9.78 % હતો. આનો અર્થ એ થયો કે સતત ચોથા મહિને જથ્થાબંધ ફુગાવાનો દર 10 % ની આસપાસ રહ્યો છે. 14  સપ્ટેમ્બરના રોજ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ઓગસ્ટ 2026  માટે જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) ડેટા જાહેર કર્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>WPI શું છે અને ૯.૯૨% નો અર્થ શું છે?</b></h2><p style="text-align: justify; ">WPI એટલે જથ્થાબંધ ભાવ સૂચકાંક, જે જથ્થાબંધ બજારમાં માલ વેચાતા ભાવની ગણતરી કરે છે. તેમાં સેવાઓ જેવી કે શાળાની ફી, ડૉક્ટરની ફી કે ભાડું સામેલ હોતું નથી. ઓગસ્ટમાં WPI ફુગાવો ૯.૯૨% હોવાનો અર્થ એ નથી કે બજારમાં દરેક વસ્તુ ૧૦% મોંઘી થઈ ગઈ છે, પરંતુ તેનો સીધો અર્થ એ છે કે ઓગસ્ટ ૨૦૨૬માં WPI માં સમાવિષ્ટ વસ્તુઓના ભાવ ઓગસ્ટ ૨૦૨૫ની સરખામણીમાં સરેરાશ ૯.૯૨% વધ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>ફુગાવો આટલો બધો કેમ વધ્યો?</b></h3><p style="text-align: justify; ">આ ફુગાવામાં વીજળી અને પેટ્રોલ સૌથી મોટી ભૂમિકા ભજવે છે. ઓગસ્ટમાં આ શ્રેણીમાં ફુગાવો ૨૨.૯૩% હતો, જ્યારે પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવ ગયા વર્ષની સરખામણીમાં ૩૮.૪૮% વધ્યા હતા. ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસમાં ૩૪.૪૧% નો વધારો થયો છે. આ ઉપરાંત, ખાદ્ય અને પીણાનો ફુગાવો પણ જુલાઈના ૬.૬૫% થી વધીને ઓગસ્ટમાં ૭.૦૫% પર પહોંચ્યો છે.</p><h4 style="text-align: justify; "><b>તમારા ખિસ્સા પર શું અસર પડશે?</b></h4><p style="text-align: justify; ">WPI તમારા ખિસ્સા પર સીધી અસર કરતું નથી, પરંતુ જથ્થાબંધ ભાવ વધવાથી કંપનીઓનો કાચા માલનો ખર્ચ વધે છે, જે સમય જતાં ઉત્પાદનોના છૂટક ભાવમાં વધારો કરે છે. જો કે, કેટલીક શ્રેણીઓમાં રાહત પણ મળી છે, જેમ કે પ્રાથમિક ચીજોનો ફુગાવો ૮.૫૨% થી ઘટીને ૭.૭૬% થયો છે. માર્ચ ૨૦૨૬માં ૩.૯૮% રહેલો ફુગાવો બેઝ ઇફેક્ટ અને અન્ય પરિબળોને કારણે વધીને લગભગ ૧૦% સુધી પહોંચ્યો છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/world/news/ladakh-tso-kar-lake-revival-glacial-water-project" target="_blank">આ પણ વાંચોઃ Ladakh : વર્ષો જૂના તળાવને બચાવવા અનોખી પહેલ, ગંદા ગ્લેશિયરના પાણીનો થશે આ રીતે ઉપયોગ&nbsp;</a></b></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/9zlaKAJBizmFSPVS9sfWwFFEXjsu1SOrS4uMjyBK.webp'/></item><item><title><![CDATA[Ladakh : વર્ષો જૂના તળાવને બચાવવા અનોખી પહેલ, ગંદા ગ્લેશિયરના પાણીનો થશે આ રીતે ઉપયોગ ]]></title><link>https://sandesh.com/india/news/ladakh-tso-kar-lake-revival-glacial-water-project</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ladakh-tso-kar-lake-revival-glacial-water-project</guid><pubDate>Mon, 14 Sep 2026 13:59:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">લદ્દાખના ભવ્ય અને મૃત્યુ પામતા તળાવને બચાવવા માટે એક અનોખી ઇકોલોજીકલ પહેલ ચાલી રહી છે. લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ હવે આ તળાવને પુનર્જીવિત કરવા માટે બીજી મોટી ઝુંબેશ શરૂ કરી છે. લેહ નજીક સૂકી જમીનને સિંચાઈ માટે સ્ટોક ગ્લેશિયરમાંથી 90 મિલિયન લિટર પાણી ઇગુ-ફે અને ચુચોટ ગામોની નહેરોમાં સફળતાપૂર્વક વાળ્યા પછી, લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ હવે બીજો એક મોટો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પહેલ ચાંગથાંગ જિલ્લામાં રૂપશો ખારનાક ગ્લેશિયર પ્રવાહમાંથી પાણીને આશરે 15,000 ફૂટની ઊંચાઈ પર સ્થિત ત્સો કાર તળાવ તરફ વાળશે, જેથી આ મૃત્યુ પામતા તળાવને પુનર્જીવિત અને સુધારી શકાય.</p><h2 style="text-align: justify; "><b>સુકાઇ ગયેલા તળાવને બચાવવા અનોખો પ્રયાસ&nbsp;</b></h2><p style="text-align: justify; ">આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય રૂપ્સો ખારનાક પ્રવાહમાંથી દરરોજ સરેરાશ 132 ક્યુસેક અથવા 320 મિલિયન લિટર નકામા ગ્લેશિયર પાણીને ત્સો કાર તળાવ તરફ વાળવાનો છે. છેલ્લા દાયકામાં આ તળાવનું કદ આશરે 70% જેટલું સંકોચાઈ ગયું છે. રસપ્રદ વાત એ છે કે આ બધુ જ ગ્લેશિયરનું પાણી હવે સિંધુ નદીમાં વહે છે અને વેડફાઈ રહ્યું છે. ત્સો કાર લદ્દાખના સૌથી પ્રખ્યાત ગ્લેશિયર તળાવોમાંનું એક છે. એક સમયે આશરે 11,000 એકરમાં ફેલાયેલું આ તળાવ સંકોચાઈને માત્ર 3,200 એકર થઈ ગયું છે. પરિણામે, સ્થળાંતર કરનારા પક્ષીઓ અને પ્રખ્યાત બ્લેક-નેક્ડ ક્રેન માટે એક સમયે સમૃદ્ધ રહેઠાણ રહેતું આ તળાવ ઝડપથી અદૃશ્ય થઈ રહ્યું છે, જે ખૂબ ઓછા મુલાકાતીઓને આકર્ષે છે.</p><h3 style="text-align: justify; "><b>ગંદુ પાણી તળાવ તરફ વાળવામાં આવશે</b></h3><p style="text-align: justify; ">આ સ્થિતિમાં, ગ્લેશિયરમાંથી વહેતું ગંદુ પાણી આ તળાવ તરફ વાળવામાં આવશે, જેનાથી આશા જાગી છે કે ત્સો કાર તળાવ એક વર્ષમાં તેનું ભૂતપૂર્વ ગૌરવ પાછું મેળવશે. આ અનોખા જળ વ્યવસ્થાપન પહેલનો વિચાર એલજી સક્સેનાને ૧૦ ઓગસ્ટના રોજ ત્સો કાર તળાવની તેમની પહેલી મુલાકાત દરમિયાન આવ્યો હતો. આ વિશાળ પ્રોજેક્ટ અંતર્ગત તળાવથી આશરે ૧૧ કિલોમીટર દૂર અને ૧૮,૦૦૦ ફૂટની ઊંચાઈ પર સ્થિત પ્રવાહમાંથી ન વપરાયેલ ગ્લેશિયર પાણીનો પ્રવાહ કાઢવામાં આવશે. આ પ્રોજેક્ટ ગ્લેશિયરથી તળાવ સુધીના પ્રવાહ માર્ગ સાથે કુદરતી ડિપ્રેશન અને આરસીસી પાઈપોથી બનેલા ચેક ડેમનો ઉપયોગ કરશે, જેથી પાણીનું સ્તર સફળતાપૂર્વક વધારી શકાય.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad-google-weather-rain-forecast-updates" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad Google Weather: આગામી 3 કલાકનો ખેલ, જાણો કેટલા વાગ્યા સુધી છે વરસાદ?</a></b></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/U3FUTJMrBG5vexrFmW5CpMC6X0QFU1z5jeji933u.webp'/></item></channel></rss>