<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Legend : જ્યારે કિશોર કુમારે ડિરેક્ટરના હાથ પર ભર્યું બચકું! ઘર બહાર લગાવ્યું Beware of Kishoreનું બોર્ડ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/kishore-kumar-director-be-aware-board-incident</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/kishore-kumar-director-be-aware-board-incident</guid><pubDate>Sat, 12 Sep 2026 11:53:25 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હિન્દી સિનેમામાં એકથી એક ચઢિયાતા સુપરસ્ટાર રહ્યા છે. કેટલાક સુપરસ્ટાર્સ અને તેમની સાથે જોડાયેલી વાતો પણ ઘણી ઈન્ટરેસ્ટિંગ છે. આવી વાતો અને કિસ્સાઓની આ શ્રેણીમાં આજે અમે તમને હિન્દી સિનેમાના એક એવા જીનિયસ સુપરસ્ટાર વિશે જણાવી રહ્યા છીએ, જેમણે પોતાના ઘરની બહાર Be Awareનું બોર્ડ લગાવ્યું હતું.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ઘરની બહાર લગાવ્યું હતું બોર્ડ</b></h2><p style="text-align: justify; ">અમે જેની વાત કરી રહ્યા છીએ, તેઓ બીજું કોઈ નહીં પરંતુ કિશોર કુમાર હતા. હિન્દી સિનેમાના સૌથી શ્રેષ્ઠ કલાકારોમાંના એક કિશોર કુમાર મલ્ટી ટેલેન્ટેડ હોવાની સાથે મજાકિયા સ્વભાવના પણ હતા. જ્યારે જુહૂમાં કિશોર કુમારનો બંગલો બની રહ્યો હતો, ત્યારે તેઓ થોડા સમય માટે એક ઘરમાં રહેતા હતા. એ દરમિયાન તેમણે પોતાના ઘરના દરવાજાની બહાર એક બોર્ડ લગાવ્યું હતું, જેના પર લખ્યું હતું Be Aware of Kishore Kumar એટલે કે કિશોર કુમારથી સાવધાન.</p><h3 style="text-align: justify; "><b>ડિરેક્ટર એચ. એસ. રવૈલ સાથે બની હતી આ ઘટના</b></h3><p style="text-align: justify; ">એક વખત પ્રોડ્યુસર-ડિરેક્ટર એચ. એસ. રવૈલ કિશોર કુમારના આ જ ઘરે ગયા હતા. તે સમયે એચ. એસ. રવૈલે કિશોર કુમાર પાસેથી લીધેલા પૈસા પરત આપવાના હતા, તેથી તેઓ તેમના ઘરે ગયા હતા. એચ. એસ. રવૈલે કિશોર કુમારના પૈસા પરત આપ્યા અને તેઓ ત્યાંથી જવા માટે ઊભા થયા. જતા પહેલા તેમણે કિશોર કુમાર સાથે હાથ મિલાવ્યો અને કિશોર કુમારે તેમના હાથ પર બચકું ભરી લીધું.<br><img alt="Kishore Kumar, Bollywood (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/12/1pYcPlsUKOwJ40y2xIPxvfrZdG4dVJ3CJW8xzNzt.webp"><br></p><h4 style="text-align: justify; "><b>એચ. એસ. રવૈલ રહી ગયા હતા હેરાન</b></h4><p style="text-align: justify; ">કોઈની સાથે અચાનક આવું કંઈ બને તો તેની કેવી પ્રતિક્રિયા હશે અને તે કેટલો હેરાન થઈ જશે, તેનો તમે અંદાજ લગાવી શકો છો. અચાનક થયેલી આ ઘટનાથી એચ. એસ. રવૈલ પણ ખૂબ હેરાન થઈ ગયા હતા. તેઓ એટલા ચોંકી ગયા હતા કે તેમના મોઢામાંથી એક શબ્દ પણ નીકળ્યો નહોતો.</p><h4 style="text-align: justify; "><b>કિશોર કુમારની મજાક કરવાની અલગ રીત</b></h4><p style="text-align: justify; ">ત્યારબાદ કિશોર કુમારે જ કહ્યું હતું કે, તમે ઘરમાં આવતા સમયે બહાર બોર્ડ પર શું લખ્યું હતું એ જોયું નહોતું? કિશોર કુમારથી સાવધાન. જોકે, કિશોર કુમારે આ રીતે મજાક કરી હોય એવી આ પહેલી ઘટના નહોતી.</p><h4 style="text-align: justify; "><b>સુપરહિટ કોમેડી ફિલ્મોમાં શાનદાર એક્ટિંગ કરી હતી કિશોર કુમારે</b></h4><p style="text-align: justify; ">કિશોર કુમારની વાત કરીએ તો તેમણે 1946માં ફિલ્મ શિકારીથી અભિનેતા તરીકે શરૂઆત કરી હતી અને 1948માં ફિલ્મ જિદ્દીમાં પોતાનું પહેલું ગીત ગાયું હતું. તેમણે ચાલતી કા નામ ગાડી 1958 અને પડોસન 1968 જેવી સુપરહિટ કોમેડી ફિલ્મોમાં શાનદાર એક્ટિંગ કરી હતી. આજે પણ કિશોર કુમારનું નામ લોકોની વાતોમાં જોવા મળે છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/40-year-old-doordarshan-serial-railway-station-title-song" target="_blank">આ પણ વાંચો-Retro TV : 40 વર્ષ પહેલાં આવેલી દૂરદર્શનની એ હિટ સિરિયલ જેના નામ પર છે રેલવે સ્ટેશન!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/12/xO14CNDIFdMFyDTWZarzz884oEeWXdrtpHYpSig9.webp'/></item><item><title><![CDATA[EPFO માં મોટા ફાયદા, કર્મચારી અને પગારદાર લોકોએ જરૂર જાણવા જોઈએ ]]></title><link>https://sandesh.com/business/news/employees-and-salaried-people-are-unaware-of-the-huge-benefits-of-epfo</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/employees-and-salaried-people-are-unaware-of-the-huge-benefits-of-epfo</guid><pubDate>Sat, 12 Sep 2026 11:52:27 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતમાં સરકારી અને અર્ધ સરકારી કર્મચારીઓ માટે એક ખાસ પેન્શન યોજના હોય છે. જેના દ્વારા તેઓ પોતાના અને પરિવારના આકસ્મિક ખર્ચને પહોંચી વળવામાં મદદરૂપ બને છે. જોબમાંથી નિવૃત્તિ બાદ પણ પગારદારને કેટલીક રકમ મળે છે. કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) એક આવી જ ફંડ માટેની મોટી સરકારી યોજના છે. સમયાંતરે તેમાં કેટલાક ફેરફાર થતા રહે છે. EPFO થી કર્મચારી અને પગારદારને આ લાભો મળતા હોય છે જેનાથી તેઓ અજાણ છે.</p><h2 style="text-align: justify; "><b>EPFO ના 5 મુખ્ય લાભો જાણો</b></h2><p style="text-align: justify; "><b>EPF: નિવૃત્તિ માટેનું મોટા ભંડોળ :&nbsp;</b>કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) એ માત્ર પગારમાંથી થતી માસિક કપાત નથી, પરંતુ નિવૃત્તિ માટે એક મોટું ફંડ તૈયાર કરવાનું સાધન છે. કર્મચારી અને નોકરીદાતા (Employer) બંને દ્વારા દર મહિને થતું નિયમિત યોગદાન અને તેના પર મળતું ચક્રવૃદ્ધિ વ્યાજ લાંબા ગાળે એક મોટી રકમમાં રૂપાંતરિત થાય છે.</p><p style="text-align: justify; "><b>પીએફ પર મળતા કર (Tax) લાભો :&nbsp;</b>EPF નો સૌથી મોટો ફાયદો તેની કર-કાર્યક્ષમતા (Tax-Efficiency) છે. નિયમો અનુસાર, EPF માં કરવામાં આવતું યોગ્ય યોગદાન કરમુક્તિ માટે પાત્ર બને છે. આ ઉપરાંત, અમુક શરતોને આધીન પીાએફ ખાતામાં જમા થયેલી રકમ પર મળતું વ્યાજ પણ કરમુક્ત રહે છે, જેથી રોકાણકારોને વધુ વળતર મળે છે.</p><p style="text-align: justify; "><b>ભવિષ્ય માટે પેન્શનની સુવિધા (EPS) :&nbsp;</b>EPF ની સાથે કર્મચારીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે નોકરીદાતાના યોગદાનનો એક ભાગ 'કર્મચારી પેન્શન યોજના' (EPS) માં જમા થાય છે. આ યોજના હેઠળ, કર્મચારીની સેવાની મુદત અને લાગુ પડતા નિયમોના આધારે નિવૃત્તિ પછી નિયમિત પેન્શન મેળવવાનો પાયો નંખાય છે.</p><p style="text-align: justify; "><b>પરિવાર માટે નાણાકીય સુરક્ષા અને વીમો (EDLI) :&nbsp;</b>EPFO કર્મચારીની સાથે તેના પરિવારને પણ નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે. જો કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં કર્મચારીનું મૃત્યુ થાય, તો નોમિનીને જમા થયેલી PF રકમ મળે છે. આ ઉપરાંત, 'એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિંક્ડ ઈન્સ્યોરન્સ' (EDLI) યોજના હેઠળ પાત્ર પરિવારને વીમા કવરેજ અને પેન્શનના લાભો પણ પ્રાપ્ત થાય છે.</p><p style="text-align: justify; "><b>ઇમરજન્સીમાં ઉપાડ અને UAN વડે સરળ મેનેજમેન્ટ :&nbsp;</b>જરૂરિયાતના સમયે જેમ કે ઘર ખરીદવા, તબીબી સારવાર, લગ્ન કે શિક્ષણ માટે કર્મચારીઓ નિયમો અનુસાર PF માંથી આંશિક રકમ (Advance Withdrawal) ઉપાડી શકે છે. વધુમાં, યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) ને કારણે નોકરી બદલતી વખતે જૂના PF એકાઉન્ટને નવા નોકરીદાતા સાથે ટ્રાન્સફર કરવું અત્યંત સરળ બની જાય છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/business/news/ed-wont-close-money-laundering-case-against-vijay-mallya-despite-recovery" target="_blank">આ પણ વાંચો : Vijay Mallya: પૈસા પાછા મળી ગયા... છતાં પણ નહીં બચે વિજય માલ્યા, EDએ કેમ આવું કહ્યું?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/12/r6jVXT6arS5UPb1XMhZNKXkiUvQPXfaa3byIYuMR.webp'/></item><item><title><![CDATA[PM મોદીના વડનગર અને જિનપિંગના શહેરનું 1300 વર્ષ જૂનું કનેક્શન! ચીની રાષ્ટ્રપતિએ જણાવી હતી અજાણી વાત ]]></title><link>https://sandesh.com/india/news/pm-modi-vadnagar-and-xi-jinpings-xian-connection-xuanzang-link-explained</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/pm-modi-vadnagar-and-xi-jinpings-xian-connection-xuanzang-link-explained</guid><pubDate>Sat, 12 Sep 2026 11:51:36 +05:30</pubDate><description><![CDATA[<p>ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આજે બ્રિક્સ (BRICS) સમિટ અને વડાપ્રધાન મોદી સાથેની દ્વિપક્ષીય બેઠક માટે નવી દિલ્હીની મુલાકાતે આવી રહ્યા છે. સાત વર્ષમાં ભારતની તેમની આ પ્રથમ મુલાકાત છે. વડાપ્રધાન મોદીના કાર્યકાળ દરમિયાન 2014થી ભારતની તેમની આ ચોથી મુલાકાત છે. જોકે, બહુ ઓછા લોકો શી જિનપિંગ અને વડાપ્રધાન મોદીના જન્મસ્થળો વચ્ચેના એક અનોખા અને રસપ્રદ જોડાણ વિશે જાણતા હશે. ચીનના શાન્ક્સી પ્રાંતમાં આવેલા શી જિનપિંગના વતન 'શિયાન' (Xi'an) અને ગુજરાતમાં આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૈતૃક ગામ 'વડનગર' વચ્ચે સદીઓ જૂનો સંબંધ છે. આ જોડાણ 7મી સદીના ચીની બૌદ્ધ સાધુ અને પ્રવાસી 'શુઆનઝાંગ' (Xuanzang) સાથે જોડાયેલું છે.</p><p><br></p><h4><b>શિયાન અને વડનગર વચ્ચેનું જોડાણ</b></h4><p>શુઆનઝાંગે 7મી સદીમાં તાંગ રાજવંશ દરમિયાન ભારતની યાત્રા કરવા માટે પ્રાચીન ચીની શહેર 'ચાંગઆન' (આધુનિક શિયાન) થી પ્રયાણ કર્યું હતું. તેમણે ભારતમાં લગભગ 16 વર્ષ ગાળ્યા અને બૌદ્ધ ધર્મ તથા તત્વજ્ઞાનનો ઊંડો અભ્યાસ કર્યો. દુર્લભ હસ્તપ્રતો એકત્રિત કર્યા પછી તેઓ શિયાન પરત ફર્યા, જ્યાં તેમણે શહેરના પ્રખ્યાત પેગોડામાં બેસીને સંસ્કૃત હસ્તપ્રતોનો ચીની ભાષામાં અનુવાદ કર્યો. શિયાન એ રાષ્ટ્રપતિ શી જિનપિંગનું વતન છે.</p><p><br></p><h4><b>શુઆનઝાંગની ભારત યાત્રા</b></h4><p>ભારતની યાત્રા દરમિયાન, શુઆનઝાંગ ગુજરાતના વડનગર (પ્રાચીન નામ: આનંદપુર) માં રોકાયા હતા. તેમણે તેમના પ્રવાસ વૃત્તાંતોમાં વડનગરનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. તે સમયે વડનગર બૌદ્ધ ધર્મનું એક મુખ્ય કેન્દ્ર હતું, જ્યાં દસથી વધુ બૌદ્ધ મઠો અને એક હજારથી વધુ બૌદ્ધ સાધુઓ નિવાસ કરતા હતા. શુઆનઝાંગે ભારતમાં તેમનો મોટાભાગનો સમય વડનગરમાં જે વડાપ્રધાન મોદીનું વતન છે ત્યાં વિતાવ્યો હતો. ચીન પરત ફર્યા પછી તેમણે તેમનો મોટાભાગનો સમય શિયાનમાં જે શી જિનપિંગનું વતન છે ત્યાં વિતાવ્યો.</p><p><br></p><p><br></p><h4><b>વડાપ્રધાન મોદીનો પોડકાસ્ટ</b></h4><p>એક કાર્યક્રમમાં બોલતા વડાપ્રધાન મોદીએ યાદ કર્યું, "જ્યારે હું 2014માં પ્રથમ વખત વડાપ્રધાન બન્યો, ત્યારે મને વિશ્વના નેતાઓ તરફથી અભિનંદન મળી રહ્યા હતા. મને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો પણ ફોન આવ્યો હતો." શી જિનપિંગે ભારતની મુલાકાત લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ તેમણે એવું કહીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા કે તેઓ દિલ્હીને બદલે સૌપ્રથમ વડનગર ગુજરાતમાં વડાપ્રધાન મોદીનું ગામની મુલાકાત લેવા ઈચ્છે છે. જ્યારે વડાપ્રધાન મોદીએ તેનું કારણ પૂછ્યું, ત્યારે શી (Xi) એ કહ્યું કે તેમની વચ્ચે એક વિશેષ સંબંધ છે: ચીની બૌદ્ધ સાધુ ઝુઆનઝાંગ (Xuanzang) મોદીના ગામ વડનગરમાં સૌથી લાંબો સમય રોકાયા હતા અને ચીન પરત ફર્યા બાદ તેઓ શીના વતન 'શીઆન' (Xi'an) માં રહ્યા હતા.</p><p><br></p><h5><b>1. શી જિનપિંગની 2014ની અમદાવાદ મુલાકાત</b></h5><p>સપ્ટેમ્બર 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યાના થોડા મહિનાઓ બાદ, શી જિનપિંગે ભારતની મુલાકાત લીધી હતી. સામાન્ય પ્રોટોકોલ (શિષ્ટાચાર) ને બાજુ પર રાખીને તેમને દિલ્હીને બદલે ગુજરાતના અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભવ્ય આવકાર આપવામાં આવ્યો હતો. તેમણે વડનગરમાં આવેલા બૌદ્ધ વારસાના સ્થળોની પણ મુલાકાત લીધી હતી.</p><p><br></p><h5><b>2. મે 2015: મોદીની શીઆન મુલાકાત</b></h5><p>જેમ શી એ 2014માં મોદીના ગૃહ રાજ્ય ગુજરાતની મુલાકાત લીધી હતી. તેમ 2015માં મોદીની ચીન મુલાકાત દરમિયાન શી એ તેમને બેઇજિંગને બદલે પોતાના વતન 'શીઆન'માં આવકાર્યા હતા. વડાપ્રધાન મોદીએ શીઆનમાં ડાક્સિંગશાન મંદિર અને જાયન્ટ વાઇલ્ડ ગુઝ પેગોડા (જે ઝુઆનઝાંગ સાથે સંકળાયેલ છે) ની મુલાકાત લીધી હતી. ચીનના ઇતિહાસમાં રાજધાની બેઇજિંગની બહાર કોઈ વિદેશી નેતાનું સ્વાગત કરવામાં આવે તેવી આ એક દુર્લભ ઘટના હતી.</p><p><br></p><h5><b>3. ઓક્ટોબર 2016: બ્રિક્સ (BRICS) સમિટ (ગોવા)</b></h5><p>ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સહિત બ્રિક્સ જૂથના મુખ્ય નેતાઓએ ગોવાના બેનાઉલિમ ખાતે યોજાયેલી 8મી બ્રિક્સ સમિટમાં ભાગ લીધો હતો. તેમણે વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય બેઠક પણ યોજી હતી. આ તેમની સીધી વાતચીતનું સતત ત્રીજું વર્ષ હતું.</p><p><br></p><h5><b>4. ઓક્ટોબર 2019: મામલ્લાપુરમ, તમિલનાડુ</b></h5><p>ભારત અને ચીન વચ્ચે બીજી અનૌપચારિક સમિટ તમિલનાડુના મામલ્લાપુરમ (મહાબલીપુરમ) ખાતે યોજાઈ હતી. ચીનના વુહાન (2018) ખાતે યોજાયેલી સમિટના મોડેલને અનુસરીને, ચેન્નાઈ નજીકના દરિયાકાંઠાના શહેર મહાબલીપુરમ (મામલ્લાપુરમ) ને સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું હતું. બંને નેતાઓ પરંપરાગત વસ્ત્રોમાં જોવા મળ્યા હતા. મોદી અને જિનપિંગે પંચ રથ, અર્જુનનું તપ (Arjuna's Penance) અને શોર ટેમ્પલ (તટ મંદિર) ની મુલાકાત લીધી હતી. બંનેની તસવીરો વાયરલ થઈ હતી.</p><p><br></p><h5><b>5. સપ્ટેમ્બર 2026: નવી દિલ્હી બ્રિક્સ સમિટ</b></h5><p>ભારતના અધ્યક્ષપદ હેઠળ નવી દિલ્હીમાં યોજાયેલી 18મી બ્રિક્સ સમિટમાં ભાગીદારી થઈ. વર્ષ 2020માં પૂર્વ લદ્દાખની ગલવાન ખીણમાં લશ્કરી ગતિરોધ અને સરહદી વિવાદને કારણે બંને દેશો વચ્ચે સર્જાયેલા તણાવ બાદ જિનપિંગની ભારતની આ પ્રથમ મુલાકાત છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/india-china-direct-flights-resume-after-6-years-china-southern-guangzhou-delhi-from-sept-21" target="_blank"><b>Delhi થી ચીન જવું હવે સહેલું...!6 વર્ષ બાદ ફરી ગુઆંગઝૂ-દિલ્હીની ફ્લાઇટ સેવા શરૂ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/12/v98owMJD7all8SVyJ7FhPBZCn2p3bhc6aGXyz4Am.webp'/></item><item><title><![CDATA[Gandhinagar માટે ઐતિહાસિક દિવસ, એક જ દિવસમાં રૂ.1848 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ! ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gandhinagar-gets--1-848-cr-development-boost--30-new-pm-e-buses-flagged-off</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gandhinagar-gets--1-848-cr-development-boost--30-new-pm-e-buses-flagged-off</guid><pubDate>Sat, 12 Sep 2026 11:37:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગાંધીનગરના વિકાસના ઈતિહાસમાં આજનો દિવસ સુવર્ણ અક્ષરે અંકિત થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના 25 વર્ષના સેવાકાર્યોના વળતરરૂપે ગાંધીનગરમાં એક જ દિવસમાં રૂ.1848 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ કુલ વિકાસકાર્યોમાં ગાંધીનગર મહાનગરપાલિકાના રૂ.798.56 કરોડના કામોનો પણ સમાવેશ થાય છે, જેમાં રૂ.210.82 કરોડના 14 પૂર્ણ થયેલા કામોનું લોકાર્પણ અને રૂ.587.74 કરોડના 16 નવા કામોનું ખાતમુહૂર્ત કરાયું છે. વધુમાં, નાગરિકોની સુવિધા માટે રૂ.20 કરોડના ખર્ચે 'કોટેશ્વર અંડરપાસ' બનાવવાની પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>જાહેર પરિવહન ક્ષેત્રે મોટો ઉછાળો, 30 નવી PM ઈ-બસો શરૂ</b></h2><p style="text-align: justify; ">શહેરના પરિવહનને વધુ આધુનિક, ઝડપી અને પ્રદૂષણમુક્ત બનાવવા માટે પીએમ ઈ-બસ સેવાના બીજા તબક્કાનો પ્રારંભ કરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 30 નવી પીએમ ઈ-બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું, જેનાથી શહેરમાં ઈ-બસોની સંખ્યા વધીને 70 થઈ ગઈ છે. આ ઉપરાંત, સેક્ટર 26 માં નવું અર્બન હેલ્થ સેન્ટર, સેક્ટર 20, ઝુંડાલ અને અમિયાપુરમાં બગીચાઓ, રાયસણમાં સ્વર્ણિમ સાંસ્કૃતિક કેન્દ્રના ઓડિટોરિયમનું નવીનીકરણ તેમજ વિવિધ વિસ્તારોમાં સીસી રોડ, સ્ટોર્મ વોટર લાઈન અને પીવાના પાણીની ઓવરહેડ ટાંકીઓનું નિર્માણ હાથ ધરવામાં આવશે.</p><h2 style="text-align: justify; "><b>'સચિવાલય શહેર' થી ગિફ્ટ સિટી સુધીની સફર અને સુશાસન</b></h2><p style="text-align: justify; ">એક સમયે માત્ર 'સચિવાલય શહેર' તરીકે ઓળખાતું ગાંધીનગર આજે યુનિવર્સિટીઓ, ગિફ્ટ સિટી અને એક્ઝિબિશન ગ્રાઉન્ડ્સથી વૈશ્વિક સ્તરે ચમકી રહ્યું છે. એક સમયે સૂર્યાસ્ત પછી જ્યાં અંધકાર અને શાંતિ છવાઈ જતી હતી, તે ગાંધીનગરમાં આજે વેપારીઓ મોડી રાત સુધી સુરક્ષિત રીતે વેપાર કરી શકે છે અને આખી રાત ગરબા રમવાની મુક્ત છૂટ મળી છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ કર્યું હતું કે, રાજ્ય સરકાર બોલવામાં નહીં પરંતુ કામ કરવામાં વિશ્વાસ રાખે છે અને ભ્રષ્ટ તથા લાંચિયા અધિકારીઓ સામે કડક વલણ અપનાવીને તેમની સેવાઓ સીધી સમાપ્ત કરવામાં આવી રહી છે.</p><p style="text-align: justify; "><b>અ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-govt-earns-thousands-of-crores-from-petrol-and-diesel-tax-revenue-in-fy-2025-26" target="_blank">પ્રજા ઇંધણના ભાવવધારાથી પરેશાન, પણ સરકારની કમાણીની બલ્લે-બલ્લે! પેટ્રોલ-ડીઝલના ટેક્સથી તિજોરીમાં કરોડોની આવક</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/12/FeG9gDV2aY9YCQUMC1olAJwFRKAO5Kv8VzPOii03.webp'/></item><item><title><![CDATA[Brics Summit 2026: ચીનમાં શી જિનપિંગ પછી કોની ચાલે છે? BRICSમાં સાથે આવ્યો આ પાવરફુલ નેતા! ]]></title><link>https://sandesh.com/india/news/brics-summit-2026-who-is-in-charge-in-china-after-xi-jinping-this-powerful-leader-came-together-in-brics</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/brics-summit-2026-who-is-in-charge-in-china-after-xi-jinping-this-powerful-leader-came-together-in-brics</guid><pubDate>Sat, 12 Sep 2026 11:31:07 +05:30</pubDate><description><![CDATA[<p>ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત આવી રહ્યા છે. તેઓ 12-13 સપ્ટેમ્બર દરમિયાન નવી દિલ્હીમાં યોજાનારી 18મી બ્રિક્સ (BRICS) સમિટમાં ભાગ લેશે. શીની સાથે 67 સભ્યોનું ચીની પ્રતિનિધિમંડળ આવ્યું છે, જેમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યી અને કોમ્યુનિસ્ટ પાર્ટીના અત્યંત પ્રભાવશાળી નેતા કાઈ ચીનો સમાવેશ થાય છે.</p><p><br></p><p>70 વર્ષીય કાઈ ચીને શી જિનપિંગના 'રાઈટ-હેન્ડ મેન' (સૌથી વિશ્વાસુ સહયોગી) માનવામાં આવે છે. તેઓ ચીનની સાત સભ્યોની પોલિટબ્યુરો સ્ટેન્ડિંગ કમિટીમાં પાંચમા ક્રમે આવે છે . આ સમિતિ દેશના સૌથી મહત્વપૂર્ણ રાજકીય નિર્ણયો લેવા માટે જવાબદાર છે.</p><h3><b>કાઇ ચીની કોણ છે ?&nbsp;</b></h3><p>કાઈ ચી કોમ્યુનિસ્ટ પાર્ટીના સચિવાલયના પણ ઉચ્ચ ક્રમના સભ્ય છે. આ ઉપરાંત તેઓ CPC સેન્ટ્રલ કમિટીની જનરલ ઓફિસના ડાયરેક્ટર તરીકે સેવા આપે છે. આ પાર્ટીની સૌથી મહત્વપૂર્ણ વહીવટી અને સંકલન કચેરીઓમાંની એક છે, જે ટોચના નેતાઓના કાર્યક્રમો, આવશ્યક દસ્તાવેજો અને મુખ્ય આંતરિક સંદેશાવ્યવહાર જેવા કાર્યોનું સંચાલન કરે છે. આ પદ કાઈ ચીને શી જિનપિંગ સુધી સીધી પહોંચ પ્રદાન કરે છે, તેથી જ તેમને શીના 'રાઈટ-હેન્ડ મેન' તરીકે ઓળખવામાં આવે છે.</p><p>25મી SCO સમિટ 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર, 2025 દરમિયાન ચીનના તિયાનજિન શહેરમાં યોજાઈ હતી. કાઈએ 31 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.</p><p><b style="font-size: 1.75rem;">શીના વાસ્તવિક ચીફ ઓફ સ્ટાફ</b></p><p>સમાચાર એજન્સી રોઇટર્સે કાઈ ચીનું વર્ણન શી જિનપિંગના 'વાસ્તવિક' (de facto) ચીફ ઓફ સ્ટાફ તરીકે કર્યું છે. તેઓ શીની સૌથી નજીકના નેતાઓમાંથી એક છે અને વારંવાર તેમની સાથે વિદેશ પ્રવાસો અને મુખ્ય રાજદ્વારી કાર્યક્રમોમાં જોડાય છે. કાઈ ચી અને શી જિનપિંગ વચ્ચે લાંબા સમયથી રાજકીય સંબંધ છે; તેમની કારકિર્દી ફુજિયન અને ઝેજિયાંગ પ્રાંતોમાં એકસાથે રહી હતી.</p><p>જોકે કાઈ ચીનો વર્તમાન પ્રભાવ માત્ર શી સાથેની તેમની જૂની મિત્રતાને કારણે જ નહીં, પરંતુ કોમ્યુનિસ્ટ પાર્ટીમાં તેઓ સંભાળતા ઉચ્ચ હોદ્દાઓને કારણે પણ છે. જૂન 2026માં, કાઈ ચીની નિમણૂક CPC સેન્ટ્રલ પાર્ટી સ્કૂલ અને નેશનલ એકેડેમી ઓફ ગવર્નન્સના વડા તરીકે કરવામાં આવી હતી, જેનાથી ચીની પાર્ટી અને સરકારી માળખામાં તેમની જવાબદારીઓ અને પ્રભાવમાં વધુ વધારો થયો.</p><h3><b>શી જિનપિંગ અને કાઈ ચી: ત્રણ દાયકા લાંબો સંબંધ. </b></h3><p>અહેવાલ મુજબ, કાઈ ચી અને શી જિનપિંગ વચ્ચેનો રાજકીય સંબંધ લગભગ ત્રણ દાયકા જૂનો છે. વર્ષ 1996માં, જ્યારે શી (Xi) ફુજિયન પ્રાંતમાં પાર્ટીના ડેપ્યુટી સેક્રેટરી બન્યા, ત્યારે કાઈ ચી (Cai Qi) ની નિમણૂક તેમની સહાયતા માટે કરવામાં આવી હતી. ત્યારબાદ, કાઈ ચી બેઇજિંગના મેયર સહિતના અનેક મહત્વપૂર્ણ હોદ્દાઓ પર રહ્યા. 2017માં, શી જિનપિંગના નિર્દેશોનું પાલન કરતા, તેમણે બેઇજિંગમાં સ્થળાંતરિત કામદારો (migrant workers) વિરુદ્ધ એક કઠોર અભિયાનનું નેતૃત્વ કર્યું, જેના પરિણામે મોટી સંખ્યામાં લોકોને શહેરમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.</p><p><br></p><p>'થિંકચાઇના' (ThinkChina) અનુસાર, તેઓ 2022માં CPC સચિવાલયના પ્રથમ સચિવ અને 2023માં જનરલ ઓફિસના ડાયરેક્ટર બન્યા. પ્રોટોકોલની દ્રષ્ટિએ કાઈને સત્તાવાર રીતે "નંબર ટુ" (બીજા ક્રમના નેતા) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા નથી.&nbsp; તે સ્થાન પ્રીમિયર લી કિયાંગ (Li Qiang) પાસે છે. કાઈ ચીનો પ્રભાવ મુખ્યત્વે શી જિનપિંગ સાથેની તેમની નિકટતા અને એકસાથે અનેક મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળવાને કારણે છે.</p><h3><b><br>કાઈ ચીની ભારત મુલાકાત શા માટે મહત્વપૂર્ણ છે?</b></h3><p>2020ના સરહદી વિવાદ બાદ ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં તણાવ રહ્યો છે. જોકે બંને દેશોએ તાજેતરમાં તણાવ ઘટાડવાનો અને સંબંધો સુધારવાનો પ્રયાસ કર્યો છે, તેમ છતાં સરહદ, વેપાર, રોકાણ અને અન્ય મુદ્દાઓ પર મતભેદો યથાવત છે. આ પૃષ્ઠભૂમિમાં શી જિનપિંગની સાથે કાઈ ચીની ભારત મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.</p><p>BRICS સમિટ બંને દેશોના નેતાઓ માટે સીધી વાતચીત કરવાની તક પૂરી પાડશે. શી જિનપિંગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય બેઠક થવાની પણ અપેક્ષા છે. રોઇટર્સના જણાવ્યા અનુસાર, શીની મુલાકાત ભારત-ચીન સંબંધો સુધારવાના ચાલુ રાજદ્વારી સંવાદો અને પ્રયાસોને આગળ વધારવાની તક બની શકે છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/12/rBp1J48W1eob94WpfnJuXiqTVIIft30R6A9GtY6Q.webp'/></item><item><title><![CDATA[પ્રજા ઇંધણના ભાવવધારાથી પરેશાન, પણ સરકારની કમાણીની બલ્લે-બલ્લે! પેટ્રોલ-ડીઝલના ટેક્સથી તિજોરીમાં કરોડોની આવક ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-govt-earns-thousands-of-crores-from-petrol-and-diesel-tax-revenue-in-fy-2025-26</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-govt-earns-thousands-of-crores-from-petrol-and-diesel-tax-revenue-in-fy-2025-26</guid><pubDate>Sat, 12 Sep 2026 11:27:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વર્ષ 2025-26 માં રાજ્ય સરકારને પેટ્રોલ અને ડીઝલ પરના વિવિધ વેરાઓ (ટેક્સ) મારફતે કરોડો રૂપિયાની માતબર આવક થઈ હોવાના સત્તાવાર આંકડા સામે આવ્યા છે. વાહનવ્યવહાર અને ઔદ્યોગિક વપરાશ વધવાની સાથે ઈંધણના વેચાણ પર લેવાતા વેટ (VAT), સેસ (Cess) અને સીએસટી (CST) પેટે સરકારની તિજોરીમાં અબજો રૂપિયા જમા થયા છે, જેમાં સૌથી વધુ કમાણી ડીઝલ પરના કરમાંથી થઈ છે.</p><h2 style="text-align: justify; "><b>ડીઝલ વેટ અને સેસ પેટે સરકારને થઈ સૌથી વધુ કમાણી</b></h2><p style="text-align: justify; ">જાહેર કરાયેલા આંકડા મુજબ, ડીઝલના વેટ પેટે રાજ્ય સરકારને સૌથી વધુ રૂ. 9,675 કરોડની આવક થઈ છે, જ્યારે ડીઝલ પર લેવાતી સેસ પેટે રૂ. 3,099 કરોડ અને CST પેટે રૂ. 2,427 કરોડ પ્રાપ્ત થયા છે. બીજી તરફ, પેટ્રોલના વેટ પેટે સરકારને રૂ. 4,423 કરોડ, સેસ પેટે રૂ. 1,328 કરોડ તથા CST પેટે રૂ. 1,040 કરોડની માતબર કમાણી થઈ છે. આમ, ઈંધણ પરના વેરા સરકારની મહેસૂલી આવકનો મુખ્ય આધાર સ્ત્રોત બની રહ્યા છે.</p><p style="text-align: justify; "><img alt="Gujarat Govt Earns Thousands of Crores from Petrol &amp; Diesel Tax Revenue in FY 2025-26" src="https://epapercdn.sandesh.com/images/2026/09/12/dPNxGn5iC4s1FG3s1QRzeCa80xtebC0AUxq4Dwtl.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>ઔદ્યોગિક અને વાહનવ્યવહારના વપરાશથી આવકમાં મોટો ઉછાળો</b></h2><p style="text-align: justify; ">રાજ્યમાં સતત વધી રહેલા વાહનવ્યવહાર તેમજ ઔદ્યોગિક પ્રવૃત્તિઓને કારણે ડીઝલ અને પેટ્રોલના વપરાશમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2025-26 દરમિયાન તમામ પ્રકારના ટેક્સ મળીને કરોડો રૂપિયાની આવક નોંધાતાં રાજ્યના નાણાકીય સરવૈયાને મોટો ટેકો મળ્યો છે. નાગરિકો દ્વારા ચૂકવાતા ઈંધણના ભાવમાં આ વેરાઓનો મોટો હિસ્સો સમાવિષ્ટ હોય છે, જેનાથી રાજ્ય સરકારની તિજોરી સતત છલકાતી રહે છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/surat/surat--police-constable-duped-of--1-lakh-via-fake-wedding-card-apk--complaint-filed" target="_blank">Surat News : ફોન પર આવેલું વેડિંગ કાર્ડ ખોલતાં જ અચાનક શું થયું? પોલીસ કોન્સ્ટેબલ સાથે કઈ રીતે થઈ મોટી ઠગાઈ?</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/12/lfgO43UC449F2mtQCL0uFlNUf9Vbki4jE59rZx6h.webp'/></item><item><title><![CDATA[Bhavnagar lattha kand: ઝેરી દારૂ પીવાથી વધુ એક મોતનો ખુલાસો, બે આરોપી સામે નોંધાયો હત્યાનો ગુનો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/fake-liquor-tragedy-another-death-murder-case-registered</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/fake-liquor-tragedy-another-death-murder-case-registered</guid><pubDate>Sat, 12 Sep 2026 10:22:23 +05:30</pubDate><description><![CDATA[<p>ભાવનગર શહેરમાં ઝેરી દારૂના લીધે વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અઠવાડિયા અગાઉ દારૂ પીધા બાદ રિક્ષાચાલક ભાવેશ વિસાણીનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું હતું. આ મામલે FSL અને વિસેરા રિપોર્ટ સામે આવતા સ્પષ્ટ થયું છે કે, ભાવેશનું મોત કેમિકલયુક્ત ઝેરી દારૂ પીવાના કારણે જ થયું હતું. રિપોર્ટના આધારે ઘોઘારોડ પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.</p><h2><b>જાણ હોવા છતાં પીવડાવ્યો ઝેરી દારૂ</b></h2><p>તપાસ દરમિયાન અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપી સંજય અને મુકેશ પટેલ નામના શખ્સો પાસે 'રોયલ સ્ટેગ' બ્રાન્ડની નકલી અને ઝેરી દારૂની બોટલ હતી. સંજયે પોતે પણ આ નકલી દારૂ પીધો હતો અને અગાઉ હોસ્પિટલમાં સારવાર પણ લીધી હતી. આ ઝેરી દારૂ પીવાથી 14 જેટલા લોકોના મોત થઈ ચૂક્યા છે, તે વાતની પૂરેપૂરી જાણ હોવા છતાં, આ બંને આરોપીઓએ ભાવેશભાઈને એક અઠવાડિયા પહેલાં તે જ જીવલેણ ઝેરી દારૂ પીવડાવ્યો હતો.</p><h2><b>પોલીસે દાખલ કર્યો હત્યાનો ગુનો</b></h2><p>પોલીસે આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને સંજય અને મુકેશ પટેલ સામે ગુનાહિત માનવવધ નહીં પણ સીધો હત્યાનો ગુનો (IPC/BNS હેઠળ) નોંધ્યો છે. જાણકા હોવા છતાં કોઈને ઝેર સમાન દારૂ આપવો એ ગંભીર અપરાધ બનતો હોવાથી ઘોઘારોડ પોલીસે કડક વલણ અપનાવ્યું છે.</p><p><img alt="Bhavnagar News: Another Death, Murder Case Filed In Bhavnagar lattha kand" src="https://epapercdn.sandesh.com/images/2026/09/12/VzxTkoXlYgDHe6HTQ6hwErGRtohHu7EHoqXlBc2g.webp" style="width: 100%;"><br></p><h2><b>આરોપીઓની શોધખોળ તેજ</b></h2><p>બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમ બનાવી તપાસના ચક્ર ગતિમાન કર્યા છે. આ લઠ્ઠાકાંડમાં નકલી બોટલો ક્યાંથી આવી અને આ રેકેટમાં અન્ય કોણ-કોણ સામેલ છે, તે દિશામાં પણ ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2098587821082824851"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><br><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/bhavnagar-somnath-highway-accident-ningala-fatal-collision" target="_blank">Bhavnagar-સોમનાથ હાઇવે પર કન્ટેનર અને બાઇક વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/12/Kupt0cIoB3m7Ts5Yq1b7DNZiAWnJxRqHLpKJeW1R.webp'/></item><item><title><![CDATA[Rajkot Water Crisis: ભર ચોમાસે તરસ્યું રહેશે રાજકોટ? ડેમોમાં માત્ર 1 મહિનાનું પાણી બચ્યું ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/water-crisis-sauni-yojana-narmada-water-demand</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/water-crisis-sauni-yojana-narmada-water-demand</guid><pubDate>Sat, 12 Sep 2026 10:21:30 +05:30</pubDate><description><![CDATA[<p>ચાલુ વર્ષે ચોમાસાના નબળા વરસાદ અને વરસાદની લાંબી ખેંચના કારણે રાજકોટ શહેર પર પીવાના પાણીનું ગંભીર સંકટ તોળાઈ રહ્યું છે. રાજકોટ શહેરમાં અત્યાર સુધી પૂરતો વરસાદ ન થવાને કારણે જળાશયોમાં પાણીની આવક નહિવત રહી છે. હાલની સ્થિતિએ શહેરની તરસ છિપાવતા મુખ્ય ડેમોમાં માત્ર 1 મહિનો ચાલે તેટલો જ પીવાના પાણીનો જથ્થો શિલક બચ્યો છે, જેને પગલે આવનારા દિવસોમાં પાણી કાપ કે મોટી કટોકટી સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.</p><h2><b>દૈનિક 47 કરોડ લિટર પાણીની જંગી માગ</b></h2><p>રાજકોટ શહેરનો વ્યાપ અને વસ્તી સતત વધી રહ્યા છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ખૂણે-ખૂણા સુધી પાણી પહોંચાડવા માટે રોજનું 47 કરોડ લીટર પીવાનું પાણી વિતરીત કરવામાં આવે છે. વરસાદ ન થવાના કારણે સ્થાનિક સ્રોતો તળિયાઝાટક થઈ રહ્યા છે. જો આગામી દિવસોમાં નવા પાણીની આવક નહીં થાય તો દૈનિક 47 કરોડ લીટર પાણીનો પુરવઠો જાળવી રાખવો સ્થાનિક તંત્ર માટે ભારે પડકારજનક બની રહેશે.</p><h2><b>સૌની યોજના દ્વારા નર્મદા નીર ઠાલવવા રજૂઆત</b></h2><p>રાજકોટ શહેરને જળ સંકટમાંથી ઉગારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર સમક્ષ તાકીદની રજૂઆત કરવામાં આવી છે. મેયર ડો. નેહલ શુકલ દ્વારા પાણી પુરવઠા વિભાગને પત્ર લખીને સૌની (SAUNI) યોજનાના માધ્યમથી રાજકોટના મુખ્ય ડેમોમાં નર્મદાનું પાણી ઠાલવવાની માગ કરવામાં આવી છે, જેથી શહેરીજનોને પીવાના પાણીની કોઈ હાલાકી ભોગવવી ન પડે.</p><h2><b>સૌની યોજના હેઠળ 4000 MCFT પાણીનો જથ્થો મંગાયો</b></h2><p>રાજકોટના મેયરે માહિતી આપતાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં ચાલુ વર્ષે નબળા ચોમાસાના કારણે ઓછો વરસાદ નોંધાતાં જળ સંકટ ઉભું ન થાય તે માટે તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટના સ્થાનિક જળાશયોમાં ઉપલબ્ધ પાણીના જથ્થા અને આગામી જરૂરિયાતોનું ચોક્કસ આકલન કર્યા બાદ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર પાસે 'સૌની યોજના' મારફત પાણીનો જથ્થો માંગવામાં આવ્યો છે. શહેર માટે અંદાજિત 4000 MCFT પાણીના જથ્થાની માંગણી કરવામાં આવી છે. ભૂતકાળમાં પણ જરૂરિયાત મુજબ સૌની યોજના દ્વારા ડેમો ભરવામાં આવ્યા છે, ત્યારે આ વર્ષે પણ રાજકોટવાસીઓને પીવાનું પૂરતું પાણી મળી રહેશે તેવી ખાતરી સરકાર તરફથી વ્યક્ત કરવામાં આવી છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/news/crime/rajkot/rajkot-family-suicide--police-book-money-lender-following-extortion-and-harassment" target="_blank">Rajkot ત્રિપલ સુસાઈડ કેસમાં મોટો વળાંક, વ્યાજખોર સંદીપ લખતરીયા સામે અંતે ગુનો દાખલ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/12/0Qg1yE7Ht5jvTAR11fD6RYuImrEOPA6Qyr8KtVxm.webp'/></item><item><title><![CDATA[Surat News : ફોન પર આવેલું વેડિંગ કાર્ડ ખોલતાં જ અચાનક શું થયું? પોલીસ કોન્સ્ટેબલ સાથે કઈ રીતે થઈ મોટી ઠગાઈ? ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/surat--police-constable-duped-of--1-lakh-via-fake-wedding-card-apk--complaint-filed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/surat--police-constable-duped-of--1-lakh-via-fake-wedding-card-apk--complaint-filed</guid><pubDate>Sat, 12 Sep 2026 09:58:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરમાં સાયબર ક્રાઇમના કિસ્સાઓ દિન-પ્રતિદિન ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આશ્ચર્યજનક વાત એ છે કે હવે સાયબર માફિયાઓથી પોલીસ કર્મચારીઓ પણ સુરક્ષિત રહ્યા નથી. સુરતમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલ જ સાયબર ઠગોની જાળમાં ફસાઈને ઠગાઈનો ભોગ બન્યા છે. પોલીસકર્મી જ સાયબર ફ્રોડમાં ફસાવવાને કારણે સુરત પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે.</p><h2 style="text-align: justify; "><b>વેડિંગ કાર્ડની APK ફાઇલ ડાઉનલોડ કરતાં રૂ.1 લાખ ગાયબ</b></h2><p style="text-align: justify; ">આ ઘટના અંગે મળતી વિગતો અનુસાર, પોલીસ કોન્સ્ટેબલના મોબાઈલ પર લગ્નની પત્રિકા (વેડિંગ કાર્ડ) નામે એક ફાઇલ અથવા લિંક મોકલવામાં આવી હતી. આ ફાઇલ વાસ્તવમાં એક જોખમી APK (Android Package) ફાઇલ હતી. જેવી કોન્સ્ટેબલે લગ્નનું કાર્ડ સમજીને તે ફાઇલ ડાઉનલોડ કરી, કે તરત જ તેમનો ફોન હેક થઈ ગયો હતો અને હેકર્સે તેમના બેંક ખાતામાંથી તબક્કાવાર રૂપિયા 1 લાખની રકમ ગાયબ કરી દીધી હતી.</p><h2 style="text-align: justify; "><b>સચિન પોલીસ મથકે ફરિયાદ અને સાયબર સેલની તપાસ</b></h2><p style="text-align: justify; ">પોતાના બેંક એકાઉન્ટમાંથી અચાનક નાણાં કપાઈ જતાં જ કોન્સ્ટેબલને પોતાની સાથે સાયબર ફ્રોડ થયાનો અહેસાસ થયો હતો. સમગ્ર મામલે ભોગ બનનાર પોલીસ કોન્સ્ટેબલે સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને સાયબર સેલની મદદથી બેંક ટ્રાન્ઝેક્શન અને શંકાસ્પદ ફાઇલ મોકલનાર નંબરના આધારે આરોપીઓનું સુરાગ મેળવવાની કામગીરી શરૂ કરી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/keshod/keshod--caterpillar-found-in-hotel-sizzler-sparks-ruckus--demands-raised-for-food-department-action" target="_blank">Junagadh News : કેશોદની જાણીતી હોટલમાં ઓર્ડર કરેલા સિઝલરમાં એવું તે શું નીકળ્યું કે ગ્રાહકનો પિત્તો ગયો?</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/12/N7DSepMuzTxcLcS2TaBDIiVLU0Dq3n8R5s4HVqAP.webp'/></item><item><title><![CDATA[Delhi High Court : વિનેશ ફોગાટને મોટો ઝટકો, વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલમાંથી બહાર ]]></title><link>https://sandesh.com/sports/news/vinesh-phogat-world-championship-trials-delhi-high-court</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/vinesh-phogat-world-championship-trials-delhi-high-court</guid><pubDate>Fri, 11 Sep 2026 09:21:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને આંતરરાષ્ટ્રીય કુસ્તીમાં વાપસીના પ્રયાસ વચ્ચે મોટો ઝટકો લાગ્યો છે.દિલ્હી હાઈકોર્ટે 2026 સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપની પસંદગી માટે યોજાનારી ટ્રાયલમાં વિનેશને ભાગ લેવાની વચગાળાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે.આ નિર્ણય બાદ વિનેશ માટે 14 સપ્ટેમ્બરે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં યોજાનારી પસંદગી ટ્રાયલમાં ઉતરવાનો રસ્તો બંધ થઈ ગયો છે.જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ ગુરુવારે મોડી રાત્રે વિનેશ ફોગાટની વચગાળાની રાહતની માગ કરતી અરજી ફગાવી દીધી હતી.</p><h4 style="text-align: justify; "><b>દિલ્હી હાઈકોર્ટે શું કહ્યું</b></h4><p style="text-align: justify; ">અદાલતે કહ્યું કે ભારતીય કુસ્તી મહાસંઘ દ્વારા નક્કી કરવામાં આવેલી પાત્રતાની શરતો કોઈ એક ખેલાડી માટે અલગ રીતે લાગુ કરી શકાય નહીં.અદાલતે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું કે 7 સપ્ટેમ્બર 2026ના પરિપત્રમાં નક્કી કરાયેલા માપદંડ તમામ ખેલાડીઓ માટે સમાન છે.જો કોઈ કુસ્તીબાજે નક્કી કરાયેલી સ્પર્ધામાં ભાગ લીધો નથી,તો તે વર્તમાન નિયમો હેઠળ ટ્રાયલ માટે પાત્ર ગણાતો નથી.</p><h5 style="text-align: justify; "><b>વિનેશ ફોગાટે અદાલતનો દરવાજો કેમ ખખડાવ્યો?</b></h5><p style="text-align: justify; ">વિનેશ ફોગાટે ભારતીય કુસ્તી મહાસંઘના નવા પસંદગી નિયમોને પડકાર્યા હતા.7 સપ્ટેમ્બરે જાહેર કરાયેલા પરિપત્રમાં 2026 સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ માટેના ટ્રાયલમાં ભાગ લેવા માટે છ ઓલિમ્પિક વજન વર્ગો માટે પાત્રતાના નિયમો નક્કી કરવામાં આવ્યા છે.આ નિયમો હેઠળ કેટલીક નિર્ધારિત સ્પર્ધાઓના ચંદ્રક વિજેતા, રાષ્ટ્રીય તાલીમ શિબિરમાં સામેલ કુસ્તીબાજો અને 2026 અંડર-20 વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પસંદ થયેલા ખેલાડીઓ પાત્ર બને છે.વિનેશનું કહેવું હતું કે માતૃત્વના કારણે તે કેટલીક મહત્વની પસંદગી સ્પર્ધાઓમાં ભાગ લઈ શકી નહોતી.તેથી હાલના નિયમો તેમના માટે વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ સુધી પહોંચવાનો માર્ગ બંધ કરે છે.વિનેશે સીધી રીતે વર્લ્ડ ચેમ્પિયનશિપની ટીમમાં પસંદગીની માગ કરી નહોતી. તેમની માગ માત્ર એટલી હતી કે તેમને ટ્રાયલમાં ભાગ લેવાની તક આપવામાં આવે અને ત્યારબાદ તેમના પ્રદર્શનના આધારે ટીમમાં પસંદગી કરવામાં આવે.</p><h4 style="text-align: justify; "><b>એશિયન ગેમ્સના ટ્રાયલનો પણ આપ્યો હતો હવાલો</b></h4><p style="text-align: justify; ">વિનેશે પોતાની દલીલમાં 30 મેના એશિયન ગેમ્સના પસંદગી ટ્રાયલનો પણ ઉલ્લેખ કર્યો હતો.તેમણે 53 કિલોગ્રામ વજન વર્ગમાં ભાગ લીધો હતો અને ક્વાર્ટર ફાઇનલ જીતીને સેમિફાઇનલ સુધી પહોંચ્યા હતા.વિનેશે અદાલતને જણાવ્યું હતું કે માતા બન્યા બાદ તેમણે ફરી તાલીમ શરૂ કરી છે અને સ્પર્ધાત્મક કુસ્તીમાં વાપસી માટે પ્રયાસ કરી રહ્યા છે. તેઓ જુલાઈ 2025માં માતા બન્યા હતા.</p><h4 style="text-align: justify; "><b>માતૃત્વ નીતિ અંગે મોટી લડાઈ હજુ ચાલુ</b></h4><p style="text-align: justify; ">દિલ્હી હાઈકોર્ટે હાલ વિનેશની અરજીમાં ઉઠાવવામાં આવેલા મોટા કાયદાકીય પ્રશ્નો અંગે અંતિમ નિર્ણય આપ્યો નથી.અદાલતે એ પણ નોંધ્યું કે ગર્ભાવસ્થા, બાળકના જન્મ અને ત્યારબાદની શારીરિક પુનઃપ્રાપ્તિ જેવી પરિસ્થિતિઓને મહિલા ખેલાડીઓ માટેની પસંદગી નીતિની કાયદેસરતા અંગે વિચાર કરતી વખતે ધ્યાનમાં લેવાની જરૂર પડી શકે છે.જોકે, આ કારણોસર વિનેશને તાત્કાલિક વચગાળાની છૂટ આપી શકાય નહીં. અદાલતની એક મહત્વની ચિંતા એ પણ હતી કે માત્ર વિનેશને નિયમોમાં છૂટ આપવામાં આવે તો આવી જ સ્થિતિમાં રહેલા અન્ય ખેલાડીઓ સાથે સમાનતાનો પ્રશ્ન ઊભો થઈ શકે છે.વિનેશની કાનૂની લડાઈ માત્ર વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ પૂરતી મર્યાદિત નથી. તેઓ માતૃત્વ બાદ મહિલા ખેલાડીઓ માટે પારદર્શક અને વ્યવસ્થિત પસંદગી વ્યવસ્થા બનાવવાની માગ પણ કરી રહ્યા છે.</p><p style="text-align: justify; "><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/NalinisKitchen/status/2098245458540027916?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>WFIની શિસ્તભંગની કાર્યવાહી પણ પડકારાઈ</b></h4><p style="text-align: justify; ">વિનેશે ભારતીય કુસ્તી મહાસંઘ દ્વારા શરૂ કરવામાં આવેલી શિસ્તભંગની કાર્યવાહી સામે પણ અદાલતનો સંપર્ક કર્યો છે. તેમણે મે અને જૂનમાં આપવામાં આવેલી 2 કારણદર્શક નોટિસ રદ કરવાની માગ કરી છે.બીજી તરફ,કુસ્તી મહાસંઘનું કહેવું છે કે વિનેશને શિસ્ત સમિતિ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક આપવામાં આવી હતી.</p><h5 style="text-align: justify; "><b>ક્યારે યોજાશે વર્લ્ડ ચેમ્પિયનશિપ?</b></h5><p style="text-align: justify; ">2026 સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં 24 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન યોજાવાની છે. દિલ્હી હાઈકોર્ટના હાલના નિર્ણય બાદ વિનેશ ફોગાટ 14 સપ્ટેમ્બરે યોજાનારી ભારતીય પસંદગી ટ્રાયલમાં ભાગ લઈ શકશે નહીં.જોકે, માતૃત્વ બાદ મહિલા ખેલાડીઓને રમતગમતમાં વાપસી માટે કઈ રીતે તક મળવી જોઈએ અને પસંદગી પ્રક્રિયામાં તેમના માટે કેવી વ્યવસ્થા હોવી જોઈએ, તે અંગે વિનેશની મોટી કાનૂની લડાઈ હજુ ચાલુ છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો <a href="https://sandesh.com/cricket/news/shree-charani-breaks-radha-yadav-record-50-t20i-wickets" target="_blank">- Shree Charaniએ નોંધાવી ઐતિહાસિક સિદ્ધિ, રાધા યાદવનો મોટો રેકોર્ડ તોડી રચ્યો ઇતિહાસ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/kFL2T3ixL0obDmcYy4934aTdupVad2PjvKVjk8Ms.webp'/></item></channel></rss>