<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Bihar: ભારે વરસાદનો કહેર, વીજળી પડતા 5 મહિલાઓ  સહિત 8 લોકોના મોત ]]></title><link>https://sandesh.com/india/news/bihar-lightning-strike-deaths-nawada-banka</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/bihar-lightning-strike-deaths-nawada-banka</guid><pubDate>Wed, 12 Aug 2026 08:48:02 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બિહારમાં ચોમાસાની ઋતુ વચ્ચે આકાશી વીજળી પડવાથી ભારે વિનાશ સર્જાયો છે. નવાદા અને બાંકા જિલ્લામાં બનેલી અલગ-અલગ દુર્ઘટનાઓમાં 5 મહિલાઓ સહિત કુલ 8 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાઓથી મૃતકોના પરિવારજનોમાં ભારે શોક અને અરેરાટી વ્યાપી ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>બિહારમાં આકાશી વીજળીનો કહેર</b></h2><p style="text-align: justify; ">પ્રથમ ઘટના નવાદા જિલ્લાના રાજૌલી બ્લોક હેઠળના દરિયાપુર ગામમાં બની હતી, જ્યાં ખેતરમાં ડાંગરની રોપણી કરી રહેલા ત્રણ મજૂરોના વીજળી પડવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. મૃતકોમાં મણિ માંઝી, રાજેન્દ્ર માંઝી અને ઇન્દ્રજીત માંઝીનો સમાવેશ થાય છે, જેઓ પરસ્પર સગા સંબંધીઓ હતા અને આજીવિકા માટે સીતામઢીથી અહીં આવ્યા હતા. અચાનક વાવાઝોડા અને ભારે ગાજવીજ સાથે ત્રાટકેલા આ કુદરતી આંચકાએ આખો પરિવાર વેરવિખેર કરી નાખ્યો છે. વહીવટીતંત્ર દ્વારા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ હેઠળ પીડિત પરિવારને સરકારી વળતર આપવાની ખાતરી આપવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>વીજળીને કારણે 8 લોકોના મોત</b></h3><p style="text-align: justify; ">બીજી તરફ, બાંકા જિલ્લામાં પણ વીજળી પડવાથી મોટી તબાહી મચી હતી. ચંદન અને બૌંસી બ્લોક વિસ્તારમાં વીજળી ત્રાટકતા ચાર મહિલાઓ સહિત પાંચ લોકોના મોત થયા હતા અને 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. ચંદન બ્લોકના બોંડા ગામમાં ખેતરમાં ડાંગર રોપતી વેળાએ કુસ્મી દેવી, રિંકુ દેવી અને રેણુ દેવી નામની ત્રણ મહિલાઓનાં મોત થયાં હતાં, જેઓ પણ એકબીજાની સગા થતી હતી. આ સિવાય બૌંસી બ્લોકમાં સુરેશ યાદવ અને સુફિયાના ખાતૂન નામના વ્યક્તિઓ પણ આ કુદરતી આફતનો ભોગ બન્યા હતા.</p><h4 style="text-align: justify; "><b>સ્થાનિક ધારાસભ્યએ સહાયની કરી જાહેરાત</b></h4><p style="text-align: justify; ">સ્થાનિક ધારાસભ્ય અને વહીવટી અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને દુઃખ વ્યક્ત કર્યું છે અને સરકાર તરફથી ઝડપથી આર્થિક સહાય પૂરી પાડવાની જાહેરાત કરી છે. વરસાદની આ ઋતુમાં ખુલ્લા ખેતરોમાં કામ કરતી વખતે બનતી આવી ઘટનાઓએ ફરી એકવાર ગ્રામીણ વિસ્તારોમાં સુરક્ષા અને જાગૃતિનો પ્રશ્ન ઊભો કર્યો છે.<br><br><b><a href="https://sandesh.com/world/news/donald-trump-plane-switch-security-threats" target="_blank">આ પણ વાંચોઃ Donald Trump: "મારા જીવને જોખમ હતું, એટલે જ વિમાન બદલવું પડ્યું": ટ્રમ્પનો મોટો ખુલાસો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/xNHGHYJy2rTm46CGR8qeyalNTQ7G1MToY2TvEWmL.webp'/></item><item><title><![CDATA[Somnathમાં આવતીકાલથી 30 દિવસીય શ્રાવણ શિવ મહોત્સવનો પ્રારંભ: પ્રથમ વખત યોજાશે 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞ ]]></title><link>https://sandesh.com/gujarat/news/bhakti/gir-somnath/somnath-shravan-shiv-mahotsav-starts-51-kundi-mahamrityunjay-yagna</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/bhakti/gir-somnath/somnath-shravan-shiv-mahotsav-starts-51-kundi-mahamrityunjay-yagna</guid><pubDate>Wed, 12 Aug 2026 08:40:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પ્રથમ જ્યોતિર્લિંગ એવા વિખ્યાત યાત્રાધામ સોમનાથ ખાતે આવતીકાલે 13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી 30 દિવસીય પવિત્ર શ્રાવણ શિવ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. આ સમગ્ર માસ દરમિયાન સોમનાથ મંદિર પરિસર ‘હર હર ભોલે’ અને ‘જય સોમનાથ’ના ભક્તિમય નાદથી ગુંજી ઉઠશે. લાખો શ્રદ્ધાળુઓના આગમનને ધ્યાને રાખીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>પ્રથમ વખત સતત 30 દિવસ સુધી 51 કુંડી ભવ્ય મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન&nbsp;</b></h2><p style="text-align: justify; ">આ વર્ષે શ્રાવણ માસ દરમિયાન પ્રથમ વખત સતત 30 દિવસ સુધી 51 કુંડી ભવ્ય મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જે આ શિવ મહોત્સવનું મુખ્ય આકર્ષણ રહેશે.&nbsp;</p><p style="text-align: justify; "><img alt="Somnath Shravan Shiv Mahotsav Starts 51 Kundi Mahamrityunjay Yagna Organised" src="https://epapercdn.sandesh.com/images/2026/08/12/5ns9BjBIrloGvVYd7bZWEiFWVRc9DiDUxt28wn35.webp" style="width: 100%;"><br></p><h3 style="text-align: justify; "><b>વિશેષ અવસરો પર સોમનાથ મહાદેવની ભવ્ય પાલખીયાત્રા પણ યોજાશે</b></h3><p style="text-align: justify; ">આ ઉપરાંત, સમગ્ર માસ દરમિયાન સોમનાથ મહાદેવના દરરોજ મનોહર વિશિષ્ટ શૃંગાર કરવામાં આવશે, જેમાં શ્રાવણના દરેક સોમવારે ખાસ શૃંગાર દર્શન થશે. પવિત્ર ચાર સોમવાર ઉપરાંત પૂર્ણિમા, માસિક શિવરાત્રિ અને અમાસના વિશેષ અવસરો પર સોમનાથ મહાદેવની ભવ્ય પાલખીયાત્રા પણ યોજાશે.\</p><p style="text-align: justify; "><img alt="Somnath Shravan Shiv Mahotsav Starts 51 Kundi Mahamrityunjay Yagna Organised" src="https://epapercdn.sandesh.com/images/2026/08/12/17R4dbyfQrigkbdCNO5Enc2T4unBJwA4sgfgqDgM.webp" style="width: 100%;"><br></p><h4 style="text-align: justify; "><b>વૃદ્ધ શ્રદ્ધાળુઓ માટે પાર્કિંગથી મંદિર સુધી નિઃશુલ્ક ટોય ટ્રેન અને અન્ય વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ&nbsp;</b></h4><p style="text-align: justify; ">મંદિરે આવતા દિવ્યાંગો અને વૃદ્ધ શ્રદ્ધાળુઓ માટે પાર્કિંગથી મંદિર સુધી નિઃશુલ્ક ટોય ટ્રેન અને અન્ય વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. સંકીર્તન ભવનમાં ધ્વજા પૂજા, રુદ્રાભિષેક સહિતની વિવિધ વિધિઓ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દેશ-વિદેશના ભક્તો માટે ઘરે બેઠા ઓનલાઈન બિલ્વ પૂજા તથા અન્ય પૂજા-યજ્ઞ નોંધણીની સુવિધા પણ શરૂ કરાઈ છે.&nbsp;</p><p style="text-align: justify; "><img alt="Somnath Shravan Shiv Mahotsav Starts 51 Kundi Mahamrityunjay Yagna Organised" src="https://epapercdn.sandesh.com/images/2026/08/12/Lc1JhZamJa4ZQEzjEOaRFegDuilPFdE6pMQq4nB5.webp" style="width: 100%;"><br></p><h4 style="text-align: justify; "><b>કલા મહોત્સવમાં નામાંકિત કલાકારો કલા આરાધના કરશે</b></h4><p style="text-align: justify; ">આ સાથે દરેક સોમવારે ‘વંદે સોમનાથ’ કલા મહોત્સવમાં નામાંકિત કલાકારો કલા આરાધના કરશે. લાખો ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સુરક્ષા, ટ્રાફિક, પાર્કિંગ, ભોજન અને સ્વચ્છતાની સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી છે.&nbsp; &nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp;&nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-morbi-veerparda-mysterious-well-water-waves-scientific-reason-gsi" target="_blank"><b> Sandesh Digital Explainer: મોરબીનો રહસ્યમય કૂવો: અફવા નહીં, જાણો વૈજ્ઞાનિક હકીકત</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/7x3ypNcHkNaHoDEge0biHWtpLbm7I6dfxe1XL3X2.webp'/></item><item><title><![CDATA[Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભારે વરસાદ વચ્ચે ભુસ્ખલન, બે લોકોના મોત ]]></title><link>https://sandesh.com/india/news/mumbai-landslide-landslide-in-kurla-mumbai-amid-heavy-rains-two-people-killed</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/mumbai-landslide-landslide-in-kurla-mumbai-amid-heavy-rains-two-people-killed</guid><pubDate>Wed, 12 Aug 2026 08:34:50 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">શહેરના કુર્લા વિસ્તારના ચિરાગ નગરમાં ભુસ્ખલન થતાં ગૌસિયા ચોલી પાસે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. રાઠોડ મેડિકલ નજીક બનેલી આ ઘટનામાં અત્યાર સુધીમાં કાટમાળમાંથી બે લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે આશંકા છે કે હજુ પણ 4થી 5 લોકો કાટમાળ નીચે ફસાયેલા હોઈ શકે છે. ઘટનાની જાણ થતાં જ બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>ચિરાગ નગર વિસ્તારમાં ભુસ્ખલનની માહિતી મળી</b></h2><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2087355522567766388"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><a  target="_blank"></a>&nbsp;&nbsp;</p><h2 style="text-align: justify; "><b style="font-size: 14px;"><br></b></h2><p style="text-align: justify; ">BMCના જણાવ્યા અનુસાર, બુધવારે સવારે આશરે 3:48 વાગ્યે ચિરાગ નગર વિસ્તારમાં ભુસ્ખલનની માહિતી મળી હતી. ભારે વરસાદને કારણે ચોલી નજીકના પહાડી ભાગનો એક હિસ્સો ધસી પડ્યો હતો અને તેનો કાટમાળ આસપાસના મકાનો પર પડ્યો હતો. જેના કારણે કેટલાક લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>ફાયર બ્રિગેડ, મુંબઈ પોલીસ કામે લાગી</b></h3><p style="text-align: justify; ">માહિતી મળતાની સાથે જ BMC ફાયર બ્રિગેડ, મુંબઈ પોલીસ, વીજળી વિતરણ કંપની, 108 એમ્બ્યુલન્સ અને BMC વોર્ડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બચાવકર્મીઓ દ્વારા ભારે મશીનરી અને અન્ય સાધનોની મદદથી કાટમાળને હટાવવાની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી રહી છે. કાટમાળમાં ફસાયેલા લોકોને શોધવા માટે રેસ્ક્યૂ ઓપરેશન સતત ચાલુ છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવા માટે પણ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.</p><h4 style="text-align: justify; "><b>અત્યાર સુધી બે મૃતદેહ મળ્યા</b></h4><p style="text-align: justify; ">DCP ગણેશ શિંદેએ જણાવ્યું કે ભારે વરસાદને કારણે ઘાટકોપર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા અશોકનગર વિસ્તારમાં ભુસ્ખલનની ઘટના બની છે. અત્યાર સુધીમાં બે લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જોકે, હજુ પણ 4થી 5 લોકો મलबામાં ફસાયેલા હોવાની આશંકા છે. પોલીસ સહિત BMC, NDRF અને અન્ય સંબંધિત એજન્સીઓના અધિકારીઓ તથા કર્મચારીઓ ઘટનાસ્થળે તૈનાત છે.</p><p style="text-align: justify; ">અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘટના વહેલી સવારે લગભગ 3 વાગ્યાની આસપાસ બની હતી. વરસાદને કારણે પહાડી ભાગની માટી અને કાટમાળ નીચે સરકતાં ચોલી પાસે આવેલા ઘરોને તેની અસર થઈ હતી. બચાવ ટીમો કાટમાળને એક-એક કરીને હટાવી રહી છે જેથી અંદર કોઈ વ્યક્તિ ફસાઈ હોય તો તેને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય.</p><h4 style="text-align: justify; "><b>NDRF અને પ્રશાસનની લોકોને અપીલ</b></h4><p style="text-align: justify; ">મુંબઈમાં ચોમાસા દરમિયાન ભુસ્ખલન અને મકાન ધરાશાયી થવાનું જોખમ વધી જાય છે. આ પ્રકારના જોખમી વિસ્તારોમાં અગાઉથી NDRF અને સ્થાનિક પ્રશાસન દ્વારા નિરીક્ષણ કરવામાં આવે છે. લોકોને પણ જોખમી અને નબળા મકાનોમાં ન રહેવાની તથા ભારે વરસાદ દરમિયાન સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવે છે.</p><p style="text-align: justify; ">અધિકારીઓનું કહેવું છે કે કેટલાક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે બનેલા અથવા અત્યંત નબળા મકાનોમાં લોકો રહે છે. ભારે વરસાદ દરમિયાન આવા મકાનો તથા પહાડી ઢોળાવ પાસે રહેતા લોકો માટે જોખમ વધી જાય છે. કુર્લાની આ ઘટના બાદ ફરી એકવાર વરસાદી સિઝનમાં જોખમી વિસ્તારોમાં રહેતા લોકોની સુરક્ષાને લઈને ચિંતા વધી છે. હાલ બચાવ કામગીરી ચાલુ હોવાથી વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/Kiej3387XrtYb3IfDGVsb1Mhf4cVo6GeCQRrjAiv.webp'/></item><item><title><![CDATA[Ronaldo-Georgina marries : 41 વર્ષના ફુટબોલરે 5 બાળકોની હાજરીમાં કર્યા લગ્ન ]]></title><link>https://sandesh.com/sports/news/cristiano-ronaldo-marries-41-year-old-footballer-gets-married-in-the-presence-of-5-children</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/cristiano-ronaldo-marries-41-year-old-footballer-gets-married-in-the-presence-of-5-children</guid><pubDate>Wed, 12 Aug 2026 08:18:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વિશ્વના સૌથી પ્રખ્યાત ફૂટબોલરોમાંના એક ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના જીવનમાં વધુ એક ખાસ પ્રકરણ ઉમેરાયું છે. રોનાલ્ડો અને તેમના લાંબા સમયના જીવનસાથી, જ્યોર્જીના રોડ્રિગ્ઝે આખરે લગ્ન કરી લીધા છે. આ દંપતીએ સોશિયલ મીડિયા પર તેમના લગ્નના સમાચાર શેર કરીને ચાહકોને આશ્ચર્યચકિત કર્યા હતા. 11 ઓગસ્ટના રોજ, 41 વર્ષીય રોનાલ્ડો અને 32 વર્ષીય જ્યોર્જીનાએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં તેમના લગ્નની વીંટીઓ દેખાઈ હતી. તેમણે ફોટોને ટૂંકમાં પરંતુ અનોખી રીતે કેપ્શન આપ્યું હતું, "CG." જોકે, આ દંપતીએ લગ્ન સમારોહના અન્ય કોઈ ફોટા જાહેર કર્યા નથી.</p><h5 style="text-align: justify;"><b>રોનાલ્ડોએ બાળકોની હાજરીમાં કર્યા લગ્ન&nbsp;</b></h5><p style="text-align: justify;">લગ્ન પોર્ટુગલના લિસ્બન નજીક એક સુંદર દરિયાકાંઠાના રિસોર્ટ, કાસ્કેસમાં થયા હતા. રોનાલ્ડોના પબ્લિક રિલેશન્સ મેનેજર, બ્રુન્સવિક ગ્રુપે જણાવ્યું હતું કે સમારોહ ખાનગી રાખવામાં આવ્યો હતો. રોનાલ્ડો અને જ્યોર્જીનાના પાંચ બાળકો પણ હાજર હતા. આ લગ્ને છેલ્લા કેટલાક અઠવાડિયાથી તેમના સંબંધો વિશે ચાલી રહેલી અટકળોનો પણ અંત લાવ્યો. નોંધપાત્ર રીતે, જ્યોર્જિનાએ ઓગસ્ટ 2025 માં તેમની સગાઈની જાહેરાત કરી હતી, અને હવે, બરાબર એક વર્ષ પછી, તેઓ લગ્ન કરી રહ્યા છે. રોનાલ્ડો તાજેતરમાં 2026 ફિફા વર્લ્ડ કપમાં પોર્ટુગલ માટે રમતા જોવા મળ્યો હતો.</p><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/Db6URBZAWgg/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/Db6URBZAWgg/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a></p><p style="text-align: justify;"><br></p><h5 style="text-align: justify;"><b>આ રીતે તેમની પ્રેમકથા શરૂ થઈ</b></h5><p style="text-align: justify;">રોનાલ્ડો અને જ્યોર્જીના પહેલી વાર 2016 માં મેડ્રિડમાં મળ્યા હતા. તે સમયે, જ્યોર્જીના ગુચી સ્ટોરમાં કામ કરતી હતી. તેના થોડા સમય પછી, તેમના સંબંધો હેડલાઇન્સમાં આવવા લાગ્યા. જાન્યુઆરી 2017 માં ઝુરિચમાં આયોજિત બેસ્ટ ફિફા ફૂટબોલ એવોર્ડ સમારોહ દરમિયાન તેઓ પહેલી વાર જાહેરમાં સાથે જોવા મળ્યા હતા.</p><h5 style="text-align: justify; "><b>&nbsp;તેમના સંબંધ ચર્ચામાં રહ્યો&nbsp;</b></h5><p style="text-align: justify; ">આ પછી, તેમનો સંબંધ ધીમે ધીમે વિશ્વના સૌથી ચર્ચિત સેલિબ્રિટી સંબંધોમાંના એકમાં ફેરવાઈ ગયો. જ્યોર્જીનાની નેટફ્લિક્સ શ્રેણી, આઈ એમ જ્યોર્જીના માં પણ તેમની પ્રેમકથા અને પારિવારિક જીવનની ઝલક દર્શાવવામાં આવી હતી. આ જ શ્રેણીમાં રોનાલ્ડોએ જ્યોર્જીના સાથેના પોતાના સંબંધો વિશે વાત કરતા કહ્યું કે શરૂઆતમાં તેમને ખ્યાલ નહોતો કે તે આટલું ગાઢ બનશે. સમય જતાં, તેમને સમજાયું કે જ્યોર્જીના તેમના જીવનમાં એક ખાસ વ્યક્તિ છે. રોનાલ્ડો અને જ્યોર્જીનાને બે પુત્રીઓ, અલાના અને બેલા છે. જ્યોર્જીના રોનાલ્ડોના મોટા પુત્ર, ક્રિસ્ટિયાનો જુનિયર અને જોડિયા, ઈવા મારિયા અને માટેઓનો પણ ઉછેર કરે છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/babita-phogat-welcomes-baby-girl" target="_blank">Babita Phogatએ પુત્રીને આપ્યો જન્મ, શેર કરી પહેલી તસવીર</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/5qKu5ZeFGpbMhgcWzMWcsdDUQmmGRVJ6AYE7zv06.webp'/></item><item><title><![CDATA[Vadodara: મોડલ ફયર ભરતીનાં પાંચ જવાનને નિમણૂક પત્ર એનાયત ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-appointment-letters-awarded-to-five-soldiers-of-model-fire-recruitment</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-appointment-letters-awarded-to-five-soldiers-of-model-fire-recruitment</guid><pubDate>Wed, 12 Aug 2026 06:53:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કરજણ :કરજણ નગરપાલિકાના વડોદરા જિલ્લાના મોડલ ફયર સ્ટેશનના મહેકમની ભરતી પ્રક્રિયા પુર્ણ થતા નવા પસંદગી પામેલ કુલ 5 ઉમેદવારોને કરજણ-શિનોરના ધારાસભ્ય અક્ષય પટેલ અને કરજણ નગરપાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન, ટાઉન પ્લાનિંગ ચેરમેન, શાસકપક્ષના નેતા, દંડક તેમજ સભ્યોના હસ્તે નિમણૂંક પત્ર આપી તેઓને ફરજ પર હાજર કરવાની પ્રક્રિયા કરાયા હતા. ધારાસભ્યે નવી ફરજ બદલ તમામ નવી નિમણૂંક મેળવનાર ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/UKXmmncjgGt0wTe1UsJJeT41ZvYkNCPJbUTpb2y8.webp'/></item><item><title><![CDATA[Vadodara: બૉડેલીમાં ટીબી દર્દીઓને આહાર કિટનું વિતરણ કરાયું ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-food-kits-distributed-to-tb-patients-in-bodeli</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-food-kits-distributed-to-tb-patients-in-bodeli</guid><pubDate>Wed, 12 Aug 2026 06:53:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોડેલી : બોડેલી તાલુકા આરોગ્ય કચેરી તેમજ બોડેલી દીપક ફઉન્ડેશન, વડોદરાના સહયોગથી જિલ્લા ક્ષય કેન્દ્ર, છોટાઉદેપુર દ્વારા ટીબી રોગની સારવાર લઈ રહેલા દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટ વિતરણ તથા પેશન્ટ પ્રોવાઇડર IEC કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા ક્ષય અધિકારી ડો. ભરતસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ તથા તાલુકા હેલ્થ ઓફ્સિર ડૉ. વિકાસ રંજનની અધ્યક્ષતામાં બોડેલી તાલુકાના ટીબીના 25 દર્દીને પૌષ્ટિક આહાર કિટનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમમાં ટીબી રોગ અંગે દર્દીઓને વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/kzUQ7LTTHnLCYMZPVKMTtiFnctEoFhg8b6s10IBE.webp'/></item><item><title><![CDATA[Vadodara: રાજુપુરા કૈલાશ આશ્રામશાળાના બાળકોને શૈક્ષણિક કિટ વિતરણ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-educational-kits-distributed-to-children-of-rajupura-kailash-ashramshala</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-educational-kits-distributed-to-children-of-rajupura-kailash-ashramshala</guid><pubDate>Wed, 12 Aug 2026 06:52:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ડેસર : ડેસર તાલુકાના રાજુપુરા ગામે આવેલ કૈલાશ આશ્રમશાળામાં અભ્યાસ કરતા બાળકોને ડેસર તાલુકા સર્વ સમાજ સેનાના સહયોગથી નોટબુક, પેન અને પેન્સિલ સહિતની શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરાયું હતું. બાળકોને અભ્યાસમાં પ્રોત્સાહન મળે અને શૈક્ષણિક જરૂરિયાતો પૂરી કરવામાં સહાયરૂપ બને તે હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં સર્વ સમાજ સેનાના પ્રમુખ જશપાલ પરમાર, ઉપપ્રમુખ વિજય સોલંકી, મહામંત્રી પૃથ્વીસિંહ, કાર્યકારી પ્રમુખ પપ્પુ રાજ તેમજ દાતા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આગેવાનોએ બાળકોને શિક્ષણપ્રત્યે વધુ જાગૃત બની મહેનત કરવા પ્રોત્સાહિત કર્યા હતા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/ZZzTUgWGwoEYaN9wkKIx3uIMsb8qXtHJXfUmCpdp.webp'/></item><item><title><![CDATA[Panchmahal: ગોયાવાંટ શ્રોષ્ઠ પ્રા.શાળામાં બાળ મેળો, લાઇફ સ્કિલ મેળો યોજાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/panchmahal/panchmahal-childrens-fair-life-skill-fair-held-at-goyavant-shrosth-primary-school</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/panchmahal/panchmahal-childrens-fair-life-skill-fair-held-at-goyavant-shrosth-primary-school</guid><pubDate>Wed, 12 Aug 2026 06:51:26 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નસવાડી તાલુકાની ગોયાવાંટ શ્રોષ્ઠ પ્રાથમિક ગ્રૂપ શાળા ખાતે વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા, સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા તેમજ રોજિંદા જીવનમાં ઉપયોગી વ્યવહારુ કૌશલ્યોનો વિકાસ થાય તે હેતુથી બાળમેળો અને લાઈફ્ સ્કીલ મેળાનું ભવ્ય આયોજન કરાયું હતું. જેમાં ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની પ્રતિભા અને આવડતનું સુંદર પ્રદર્શન કર્યું હતું.</p><p style="text-align: justify; ">બાળમેળા અંતર્ગત ધો.1થી 5ના વિદ્યાર્થીઓ માટે વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિ કરી હતી. ભૂલકાઓએ કાગળકામ, ચિત્રકામ, ઓરિગામિ, માટીના રમકડાં તેમજ વિવિધ નકામી વસ્તુઓમાંથી ઉપયોગી અને આકર્ષક ચીજવસ્તુઓ બનાવી સૌનું ધ્યાન ખેંચ્યું હતું.</p><p style="text-align: justify; ">વેસ્ટમાંથી બેસ્ટ પ્રવૃત્તિમાં બાળકોએ ઘરમાં કે આસપાસ નકામી ગણાતી વસ્તુઓનો સર્જનાત્મક ઉપયોગ કરી સુંદર સુશોભનની વસ્તુઓ તૈયાર કરી હતી. રંગબેરંગી ચિત્રો, કાગળની વિવિધ કલાકૃતિઓ અને માટીની બનાવટોએ મેળામાં આકર્ષણ જમાવ્યું હતું. બાળકોની કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતાની ઝલક આ પ્રવૃત્તિમાં જોવા મળી હતી.</p><p style="text-align: justify; ">ધો.6થી 8ના વિદ્યાર્થીઓ માટે લાઈફ્ સ્કીલ મેળા અંતર્ગત રોજિંદા જીવનમાં ઉપયોગી એવા વિવિધ કૌશલ્યોની પ્રાયોગિક તાલીમ અપાઇ હતી. માત્ર પુસ્તકિયું જ્ઞાન નહીં, પરંતુ જીવનમાં ઉપયોગી થાય તેવું વ્યવહારુ શિક્ષણ વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ દ્વારા અપાયું હતું. ગૃહ વ્યવસ્થા અંતર્ગત વિદ્યાર્થીઓને બટન ટાંકવા, કપડાંની વ્યવસ્થિત ઘડી કરવી તથા સોયમાં દોરો પરોવવા જેવી ઉપયોગી બાબતો શીખવી હતી. આરોગ્ય અને સ્વચ્છતા વિભાગમાં પ્રાથમિક સારવાર એટલે કે, ર્ફ્સ્ટ એઇડની માહિતી તથા સ્વસ્થ જીવન માટે હાથ ધોવાની યોગ્ય રીતનું પ્રદર્શન કરાયું હતું. નાણાકીય વ્યવહાર અંતર્ગત બેંકના સ્લિપ ફેર્મ કેવી રીતે ભરવા, બજારમાં ખરીદી કરતી વખતે વસ્તુઓની કિંમતની ગણતરી કેવી રીતે કરવી અને નાણાંનો વ્યવસ્થિત ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે વિદ્યાર્થીઓને પ્રાયોગિક સમજ અપાઇ હતી. ઉપરાંત ફયરલેસ કુકિંગ સહિત વિદ્યાર્થીઓની કલાકૃતિ અને પ્રાયોગિક રજૂઆતો સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/k1IxS4Jb8zCkG7pqAuzmmbQCnBekQ1P5VSlwFMu0.webp'/></item><item><title><![CDATA[Electric Scooter ખરીદનારાઓ માટે ખુશખબર! PM E-Drive સબસિડી 2028 સુધી લંબાવાઈ ]]></title><link>https://sandesh.com/india/news/business/pm-e-drive-subsidy-electric-scooters-extended-2028</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/pm-e-drive-subsidy-electric-scooters-extended-2028</guid><pubDate>Tue, 11 Aug 2026 22:37:38 +05:30</pubDate><description><![CDATA[<p>ઈલેક્ટ્રિક વાહન ખરીદનારા લોકો માટે કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. સરકારે PM E-Drive સ્કીમ હેઠળ ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સ માટે મળતી સબસિડીની સમયમર્યાદા 31 માર્ચ 2028 સુધી લંબાવી છે. આ સાથે ટૂ-વ્હીલર સેગમેન્ટ માટે ફાળવવામાં આવેલી સબસિડીની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે.</p><h2><b>એક વાહન પર ₹5,000 સુધી સબસિડી</b></h2><p>મિનિસ્ટ્રી ઓફ હેવી ઈન્ડસ્ટ્રીઝ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સ માટેનું ફંડ અગાઉના ₹1,772 કરોડથી વધારીને ₹2,767 કરોડ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્કીમનો લાભ લઈ શકનારા ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સની સંખ્યા પણ વધારવામાં આવી છે. નવી વ્યવસ્થા હેઠળ 1 એપ્રિલ 2025થી 31 માર્ચ 2028 વચ્ચે રજિસ્ટર થયેલા પાત્ર ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સને બેટરી ક્ષમતા પ્રમાણે ₹2,500 પ્રતિ kWhના દરે સબસિડી મળશે. જોકે, એક વાહન પર મહત્તમ સબસિડી ₹5,000 સુધી મર્યાદિત રહેશે.</p><h3><b>1 એપ્રિલ 2025થી સબસિડીનો દર ઘટાડવામાં આવ્યો</b></h3><p>PM E-Driveનો લાભ એવા ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સને મળશે, જેમની એક્સ-શોરૂમ કિંમત ₹1.5 લાખ સુધી છે. સબસિડી વાહનની એક્સ-શોરૂમ કિંમતના 15 ટકા અથવા ₹5,000, બેમાંથી જે રકમ ઓછી હશે તેના આધારે મળશે. નાણાકીય વર્ષ 2024-25માં ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સ માટે પ્રતિ વાહન મહત્તમ ₹10,000ની સબસિડી હતી. ત્યારબાદ 1 એપ્રિલ 2025થી સબસિડીનો દર ઘટાડવામાં આવ્યો હતો. PM E-Drive સ્કીમની શરૂઆત ઓક્ટોબર 2024માં કરવામાં આવી હતી અને શરૂઆતમાં તેને 31 માર્ચ 2026 સુધી ચલાવવાની યોજના હતી. હવે ટૂ-વ્હીલર માટે આ લાભ વધુ બે વર્ષ સુધી ચાલુ રહેશે.</p><p>જોકે, પાત્ર વાહનો માટે ક્લેમ સબમિટ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2027 રહેશે. 31 માર્ચ 2028 બાદ કોઈ ચુકવણી કરવામાં આવશે નહીં. સરકાર દ્વારા સમગ્ર PM E-Drive સ્કીમ માટે ₹11,900 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. જો ફંડ અથવા વાહનોની નિર્ધારિત સંખ્યા સમય પહેલાં પૂર્ણ થઈ જશે તો ત્યારબાદ સબસિડીનો લાભ નહીં મળે.</p><p><b><a href="https://sandesh.com/india/news/india-news-insulting-vande-mataram-will-now-become-a-crime-law-comes-into-effect-after-presidents-approval" target="_blank">આ પણ વાંચો : India News : ‘વંદે માતરમ‌’નું અપમાન હવે બનશે ગુનો, રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કાયદો થશે લાગુ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/qDaYviUB5e47d99z1mYVBZurXN9p2mn1k7gvRZKe.webp'/></item><item><title><![CDATA[Suniel Shetty Birthday: 90ના દાયકાના એક્શન સ્ટાર 'અન્ના'નો જન્મદિવસ, પુત્ર અહાન અને જેકી શ્રોફે પાઠવી ખાસ શુભેચ્છા ]]></title><link>https://sandesh.com/entertainment/news/suniel-shetty-birthday-90s-action-star-anna-celebrates-his-birthday-son-ahan-and-jackie-shroff-send-special-wishes</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/suniel-shetty-birthday-90s-action-star-anna-celebrates-his-birthday-son-ahan-and-jackie-shroff-send-special-wishes</guid><pubDate>Tue, 11 Aug 2026 14:52:31 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડના લોકપ્રિય અભિનેતા સુનીલ શેટ્ટી આજે ૧૧ ઓગસ્ટના રોજ તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ પ્રસંગે સોશિયલ મીડિયા પર ચાહકો, બોલીવુડ સેલિબ્રિટીઝ અને તેમના નજીકના મિત્રો તરફથી શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. અભિનેતાના પુત્ર અહાન શેટ્ટીએ પિતા સાથેની એક સુંદર તસવીર શેર કરીને લખ્યું, "હેપ્પી બર્થડે, પપ્પા." બીજી તરફ, તેમના ખાસ મિત્ર અને દિગ્ગજ અભિનેતા જેકી શ્રોફે પણ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફોટો શેર કરતા લખ્યું, "ધ રીઅલ ભીડુ... હેપ્પી બર્થડે."</p><h2 style="text-align: justify; "><b>અન્નાની જેકી શ્રોફ સાથેની ખાસ કેમિસ્ટ્રી</b></h2><p style="text-align: justify; ">જેકી શ્રોફ અને સુનીલ શેટ્ટી વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા છે. બંને કલાકારોએ 'બોર્ડર' (૧૯૯૭), 'બાઝ: અ બર્ડ ઇન ડેન્જર', 'હલચલ' અને 'અપના સપના મની મની' જેવી અનેક યાદગાર ફિલ્મોમાં સાથે કામ કરીને પ્રેક્ષકોનું મનોરંજન કર્યું છે. તાજેતરમાં આવેલી બોર્ડર 2 ફિલ્મમાં સુનીલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટીએ કામ કર્યું. અગાઉની ફિલ્મમાં એરફોર્સ પાયલટ તરીકેનો રોલ હતો તે બોર્ડર-2માં અહાને કર્યો હતો. અન્ના અને જેકીશ્રોફના સંબંધો હંમેશા સારા રહ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>સુનીલ શેટ્ટીની ૩ દાયકા લાંબી કારકિર્દી અને ૧૦૦થી વધુ ફિલ્મો</b></h3><p style="text-align: justify;">સુનીલ શેટ્ટીએ પોતાની ત્રણ દાયકાથી વધુ લાંબી ફિલ્મી સફરમાં ૧૦૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે વર્ષ ૧૯૯૨માં રિલીઝ થયેલી એક્શન ફિલ્મ 'બલવાન'થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ 'મોહરા', 'દિલવાલે', 'ગોપી કિશન' અને 'સપૂત' જેવી સુપરહિત ફિલ્મો આપીને તેઓ ૯૦ના દાયકાના સૌથી સફળ અને વ્યસ્ત એક્શન સ્ટાર તરીકે સ્થાપિત થયા હતા.</p><h4 style="text-align: justify; "><b>'હેરાફેરી' અને 'ધડકન'થી બદલાયેલી ઈમેજ</b></h4><p style="text-align: justify; ">વર્ષ ૨૦૦૦માં આવેલી કોમેડી ક્લાસિક ફિલ્મ 'હેરા ફેરી'માં 'શ્યામ'નું પાત્ર ભજવીને સુનીલ શેટ્ટીએ પોતાની એક્શન હીરોની છબી બદલી નાખી હતી. આ ઉપરાંત, 'ધડકન' (૨૦૦૦) અને 'મૈં હૂં ના' (૨૦૦૪) જેવી ફિલ્મોમાં નકારાત્મક ભૂમિકા ભજવીને તેમણે પોતાની એક્ટિંગની વિવિધતા સાબિત કરી. 'ધડકન' ફિલ્મમાં તેમના શાનદાર અભિનય માટે તેમને બેસ્ટ વિલનનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. અભિનય ઉપરાંત, તેમણે પોતાના પ્રોડક્શન હાઉસ 'પોપકોર્ન એન્ટરટેઈનમેન્ટ' હેઠળ 'ખેલ', 'રક્ત' અને 'ભાગમ ભાગ' જેવી સફળ ફિલ્મોનું નિર્માણ પણ કર્યું છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/controversy-over-portrayal-of-women-in-partition-1947-it-is-unfair-to-reach-final-conclusions-without-understanding-preity-zintas-blunt-response" target="_blank">આ પણ વાંચો : Partition 1947માં મહિલાઓના ચિત્રણ વિવાદ પર ટિકાકારો અને વિરોધ કરનારાઓને પ્રિતી ઝિન્ટાનો રોકડો જવાબ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/GKjEqdrVAMv4uzXKAO7cv0SAwkB7pFXCZIyzGQbJ.webp'/></item></channel></rss>