<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Sohail Khan Weight Loss : 12 કિલો વજન ઘટાડવા પર સોહેલ ખાને તોડ્યું મૌન! કર્યો મોટો ખુલાસો ]]></title><link>https://sandesh.com/entertainment/news/salman-khan-brother-sohail-khan-12-kg-weight-loss-reason</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/salman-khan-brother-sohail-khan-12-kg-weight-loss-reason</guid><pubDate>Sun, 16 Aug 2026 14:48:03 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">એક્ટર-પ્રોડ્યુસર સોહેલ ખાનનું વજન ઘણું ઘટી ગયું છે, જે રિયાલિટી શો ધ અલાયન્સની રેપ-અપ પાર્ટીમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું અને તેના કારણે ફેન્સ ચિંતિત થઈ ગયા હતા. કેટલાક લોકોને લાગ્યું કે તેને કોઈ સ્વાસ્થ્યની સમસ્યા થઈ છે. જ્યારે કેટલાક લોકોએ વિચાર્યું કે શું તેણે ઓઝેમ્પિક જેવી વજન ઘટાડવાની દવા લીધી છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં સોહેલે આ અફવાઓને ખોટી ગણાવી અને પોતાના બદલાયેલા લુક પાછળનું કારણ જણાવ્યું. શોની શરૂઆતમાં જ બીમાર પડ્યા હોવા છતાં એક્ટર 5 અઠવાડિયા સુધી શોનો ભાગ રહ્યા. તેમણે શોમાં ટકી રહેવા માટે અન્ય કન્ટેસ્ટન્ટ્સ તરફથી મળેલા પ્રેમ અને કાળજીને તેનો શ્રેય આપ્યો.</p><h2 style="text-align: justify; "><b>સોહેલ ખાને જણાવ્યું કે તેનું વજન કેવી રીતે ઘટ્યું</b></h2><p style="text-align: justify; ">સોહેલે કહ્યું, શરૂઆતના થોડા દિવસોમાં મને થોડી ગભરામણ અને ક્લોસ્ટ્રોફોબિયા અનુભવાતી હતી, કારણ કે હું પહેલીવાર કોઈ રિયાલિટી શોનો ભાગ બન્યો હતો. ઘરમાં પ્રવેશતા પહેલાં જ સ્થિતિ વધુ મુશ્કેલ બની ગઈ હતી, જ્યારે પહેલા જ અઠવાડિયામાં મને પેટમાં ઈન્ફેક્શન થઈ ગયું. પહેલા અઠવાડિયામાં પેટની તકલીફ એટલે કે સ્ટમક બગને કારણે મારી મુશ્કેલી પણ વધી ગઈ હતી. હું તમને જણાવવા માગું છું કે કન્ટેસ્ટન્ટ્સે માત્ર મારા સ્વાસ્થ્યની જ નહીં, પરંતુ દરેક સમયે મારા માટે ઘણો પ્રેમ અને કાળજી પણ બતાવી. એ જ કારણે હું 5 અઠવાડિયા સુધી ત્યાં રહ્યો, જ્યારે હું પહેલા અઠવાડિયાથી જ બીમાર હતો.</p><h3 style="text-align: justify; "><b>સોહેલ ખાને ઓઝેમ્પિક લેવાનો ઇનકાર કર્યો</b></h3><p style="text-align: justify; ">બીમારીને કારણે સોહેલે પોતાના ડાયટને લઈને વધારે સાવધ રહેવું પડ્યું. એક્ટરે જણાવ્યું કે તેઓ રિયાલિટી શોમાં પોતાની સફર દરમિયાન સ્વાસ્થ્યને કારણે કોઈ અડચણ આવવા દેવા માગતા નહોતા અને તમામ પડકારોમાં ભાગ લેતા રહેવા માગતા હતા. તેનો અર્થ એ હતો કે તેણે પોતાના ડાયટ પર નિયંત્રણ રાખવું પડ્યું અને સાથે જ સ્પર્ધા માટે એક્ટિવ પણ રહેવું પડ્યું.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dbm7H8glGXN/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dbm7H8glGXN/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dbm7H8glGXN/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dbm7H8glGXN/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><p style="text-align: justify; ">સોહેલે શો દરમિયાન બનેલી મિત્રતા વિશે પણ ખુશીથી વાત કરી. તેણે કહ્યું કે તેઓ ત્યાં મળેલા નવા પરિવાર અને મિત્રો સાથે અંતિમ દિવસ સુધી રહેવા માગતા હતા અને આશા વ્યક્ત કરી કે આ સંબંધો હવે જીવનભર જળવાઈ રહેશે. વજન ઘટાડવાની દવાને લઈને ચાલી રહેલી ચર્ચા અંગે સોહેલે સ્પષ્ટ કહ્યું કે તેના બદલાયેલા લુકમાં ઓઝેમ્પિકની કોઈ ભૂમિકા નથી. તેણે કહ્યું, તો ન ઓઝેમ્પિક, ન ફેટ બર્નર, હું માત્ર નેચરલ વસ્તુઓ લઈ રહ્યો છું અને બધાનો ઘણો પ્રેમ અને સ્નેહ મેળવી રહ્યો છું.</p><h4 style="text-align: justify; "><b>સલમાન ખાને જણાવ્યું હતું કે સોહેલનું વજન 12 કિલો કેમ ઘટ્યું</b></h4><p style="text-align: justify; ">સોહેલના વજનની ચર્ચા ધ અલાયન્સ દરમિયાન પણ થઈ હતી, જ્યારે તેમના ભાઈ સલમાન ખાન તેને સપોર્ટ કરવા માટે શોમાં આવ્યા હતા. શોમાં આવ્યા ત્યારે સલમાને જણાવ્યું હતું કે સોહેલે પહેલેથી જ 12 કિલો વજન ઘટાડી લીધું હતું. તાજેતરમાં ધ અલાયન્સ પાર્ટીની તસવીરો અને વીડિયો ઓનલાઈન આવ્યા બાદ સોહેલના સ્વાસ્થ્યને લઈને ચર્ચા વધુ તેજ બની હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/shah-rukh-khan-ajay-devgn-tiger-fda-notice-elaichi-ad" target="_blank">આ પણ વાંચો-Shah Rukh Khan, અજય દેવગન અને ટાઈગર શ્રોફની વધી મુશ્કેલીઓ! ગુટખા એડને લઈને FDAની નોટિસ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/HCNztvBgxnAY8fYn8tOJDCVQizQQKGLSk5J473rC.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના ખાડિયામાં સોની વેપારી સામે રૂ.13.29 લાખની ઠગાઈની ફરિયાદ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/complaint-filed-against-gold-dealer-in-ahmedabads-khadiya-for-cheating-him-of-rs-13-29-lakh</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/complaint-filed-against-gold-dealer-in-ahmedabads-khadiya-for-cheating-him-of-rs-13-29-lakh</guid><pubDate>Sun, 16 Aug 2026 14:41:29 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરના પ્રખ્યાત સોના-ચાંદીના બજાર માણેકચોક અને ખાડિયા વિસ્તારમાં વેપારી સાથે લાખો રૂપિયાની ઠગાઈની સનસનાટીભરી ઘટના સામે આવી છે. માણેકચોકમાં સોનાની બંગડીઓનો વેપાર કરતા પરેશ સોની નામના વેપારી પાસેથી રૂ.13.29 લાખની કિંમતની સોનાની બંગડીઓ ખરીદીને તેની સામે નાણાં ન ચૂકવીને વિશ્વાસઘાત અને ઠગાઈ આચરવામાં આવી છે. આ અંગે ભોગ બનનાર વેપારીએ ખાડિયા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે.</p><h2 style="text-align: justify; "><b>ઘનશ્યામ સોની અને યશ સોની સામે ગુનો</b></h2><p style="text-align: justify; ">ભોગ બનનાર વેપારી પરેશ સોનીની ફરિયાદના આધારે ખાડિયા પોલીસે હરી જ્વેલર્સના માલિક ઘનશ્યામ સોની અને તેમના પુત્ર યશ સોની સામે ઠગાઈ અને વિશ્વાસઘાતનો વિધિવત ગુનો દાખલ કર્યો છે. આરોપી પિતા-પુત્રએ વેપારી પાસેથી કિંમતી સોનાની બંગડીઓનો જથ્થો મેળવી લીધા બાદ નિયત સમયમર્યાદામાં નાણાં ચૂકવ્યા ન હતા અને બાદમાં પૈસા આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો, જેથી આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી</b></h3><p style="text-align: justify; ">સોના-ચાંદીના વેપારીઓમાં ભારે ખળભળાટ મચાવનારા આ બનાવો અંગે ખાડિયા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે આ મામલે વેપારી વચ્ચે થયેલા આર્થિક વ્યવહારો અને બિલિંગના પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે. આરોપી પિતા-પુત્ર ઘનશ્યામ સોની અને યશ સોનીની અટકાયત કરીને તેમની પૂછપરછ કરવા માટે ખાડિયા પોલીસ સ્ટેશનની ટીમ વધુ કાર્યવાહી કરી રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/J2lxvLugiMJaiGle0FjVgHJGnitfO6lPmNlZEoxo.webp'/></item><item><title><![CDATA[Navsariના બીલીમોરામાં તરખાટ મચાવનાર રીઢા ઘરફોડ ચોર આરીફ સૈયદની કરી ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/navsari/arif-syed-a-habitual-burglar-who-caused-havoc-in-bilimora-navsari-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/navsari/arif-syed-a-habitual-burglar-who-caused-havoc-in-bilimora-navsari-arrested</guid><pubDate>Sun, 16 Aug 2026 13:25:45 +05:30</pubDate><description><![CDATA[<p>નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી બંધ ઘરોને નિશાન બનાવીને ચોરીની ઘટનાઓને અંજામ આપનાર રીઢા ચોરને ઝડપી પાડવામાં નવસારી Local Crime Branch (LCB) ને મોટી સફળતા મળી છે. પકડાયેલા રીઢા ઘરફોડ ચોરે બીલીમોરા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં એકપછી એક ચાર ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હતો. ચોરે બંધ મકાનોના તાળા તોડીને અંદરથી કિંમતી સોના-ચાંદીના દાગીના તેમજ મોટી રકમની રોકડની ચોરી કરી તરખાટ મચાવ્યો હતો, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો હતો.</p><h2><b>LCBની ટીમે બાતમીના આધારે આરોપીને દબોચ્યો</b></h2><p>બીલીમોરામાં સતત થતી ચોરીઓને પગલે નવસારી LCB દ્વારા એક ખાસ ટીમનું ગઠન કરીને તસ્કરોને ઝડપી પાડવા માટે સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન LCB ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે પોલીસે દરોડો પાડીને રીઢા ઘરફોડ ચોર આરીફ સૈયદની સફળતાપૂર્વક ધરપકડ કરી લીધી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ ચોર સૌપ્રથમ બાઇકની ચોરી કરતો હતો અને ત્યારબાદ તે જ બાઇક પર શહેરી વિસ્તારોમાં ફરીને બંધ ઘરોની રેકી કરીને ચોરીને અંજામ આપતો હતો.</p><h3><b>સોનાની લગડી, રોકડ અને ચોરીની બાઇક સહિતનો મુદ્દામાલ જપ્ત</b></h3><p>પોલીસે આરોપી આરીફ સૈયદ પાસેથી સોનાની લગડી, મોબાઈલ ફોન, રોકડ રકમ તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી બાઇક સહિત કુલ ૧૦ લાખથી વધુની કિંમતનો ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી ચોર પાસે ચોરાયેલી બાઇક પણ પોલીસે જપ્ત કરી છે. નવસારી LCB એ આરીફ સૈયદની અટકાયત કરી બીલીમોરા શહેરના ચાર ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે અને આ ચોર અન્ય કઈ-કઈ ઘરફોડ ચોરીની ઘટનાઓમાં સંકળાયેલો છે તે જાણવા કાયદેસરની કડક કાર્યવાહી અને આગળની પૂછપરછ હાથ ધરી છે.</p><p><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/Itt1EgyFMl8NgzISa9YvYiG01L1EnletGLGIt5Pn.webp'/></item><item><title><![CDATA[Mumbai: નેવી પરિવારની સામૂહિક આત્મહત્યા, બે માસૂમ બાળકો સહિત 4ના મોત ]]></title><link>https://sandesh.com/india/news/mumbai-navy-family-mass-suicide-navy-nagar</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/mumbai-navy-family-mass-suicide-navy-nagar</guid><pubDate>Sun, 16 Aug 2026 13:08:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મુંબઈના અત્યંત સુરક્ષિત અને નેવી દ્વારા સંચાલિત નેવી નગર વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક નૌકાદળના કર્મચારી સહિત એક જ પરિવારના ચાર સભ્યોના શંકાસ્પદ સંજોગોમાં મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે અને લોકોમાં ગમગીની છવાઈ ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>મૃતકોમાં નૌકાદળનો કર્મચારી, તેની પત્ની અને બે બાળકો</b></h2><p style="text-align: justify; ">મૃતકોમાં નૌકાદળનો એક કર્મચારી (નાવિક), તેની પત્ની અને તેમના બે માસૂમ બાળકોનો સમાવેશ થાય છે. આ ઘટનાનું સૌથી દુઃખદ પાસું એ છે કે મૃતક બાળકોમાં એક માત્ર બે મહિનાનું નાનું બાળક અને બીજું ત્રણ વર્ષનું બાળક હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ એક સામૂહિક આત્મહત્યા અથવા કૌટુંબિક આપત્તિ હોઈ શકે છે.</p><h3 style="text-align: justify; "><b>નાવિકે ફાંસી લગાવી, પત્ની-બાળકોને ઝેર આપ્યાની શંકા</b></h3><p style="text-align: justify; ">પ્રારંભિક તપાસમાં મળેલા પુરાવાઓ સૂચવે છે કે નૌકાદળના કર્મચારીએ પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી, જ્યારે તેની પત્ની અને બંને માસૂમ બાળકોના મૃત્યુ ઝેર આપવાના કારણે થયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે ચારેય મૃતદેહોનો કબજો મેળવીને તેમને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે.</p><h4 style="text-align: justify; "><b>પોલીસ તપાસ ચાલુ</b></h4><p style="text-align: justify; ">પોલીસનું કહેવું છે કે મૃત્યુનું ચોક્કસ અને વાસ્તવિક કારણ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ જ સંપૂર્ણપણે સ્પષ્ટ થશે. આટલા ઉચ્ચ સુરક્ષાવાળા કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આ પ્રકારની ઘટના બનવાથી અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. પોલીસ હાલમાં એ વાતની પણ ગંભીરતાથી તપાસ કરી રહી છે કે આ પરિવારના કરુણ અંત પાછળ કઈ પારિવારિક, આર્થિક કે માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ જવાબદાર હતી. આ મામલે પોલીસની વધુ તપાસ ચાલુ છે અને આગામી સમયમાં મહત્વપૂર્ણ ખુલાસાઓ થવાની સંભાવના છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/world/news/donald-trump-2028-third-term-debate" target="_blank">આ પણ વાંચોઃ શું ટ્રમ્પ 2028માં ફરી લડશે ચૂંટણી? ‘TRUMP 2028’ ટોપીએ જગાવી નવી અટકળો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/ILyD3mpChwQsjuQJqQhJMMMLIBH5mG4eNFq6gxBK.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: વાઈબ્રન્ટ સમિટને લઈ વિદેશ રવાના થયેલા IASનો ચાર્જ અન્ય અધિકારીઓને સોંપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/ias-officers-leave-for-abroad-additional-charges-assigned</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/ias-officers-leave-for-abroad-additional-charges-assigned</guid><pubDate>Sun, 16 Aug 2026 13:05:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આગામી 10થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનાર 'વાયબ્રન્ટ ગુજરાત 2027 સમિટ માટે રોકાણકારોને આકર્ષવા અને નિમંત્રણ પાઠવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ 24 ઓગસ્ટ સુધીના અમેરિકા અને કેનેડાના વિદેશ પ્રવાસે રવાના થયું છે.આ પ્રતિનિધિમંડળમાં મુખ્યમંત્રીની સાથે રાજ્યના મુખ્ય સચિવ એમ.કે.દાસ, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ સંજીવ કુમાર,અગ્ર સચિવ આલોક પાંડે,ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા તેમજ ટી.નટરાજન જેવા ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા છે. હવે તેમનો ચાર્જ અન્ય અધિકારીઓને સોંપવામાં આવ્યો છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>5 જેટલા ઉચ્ચ IAS અધિકારીઓનો વધારાનો ચાર્જ સોંપાયો</b></h2><p style="text-align: justify; ">ગુજરાતમાં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આયોજનના ભાગરૂપે રાજ્યના સિનિયર IAS અધિકારીઓ વિદેશ પ્રવાસે જઈ રહ્યા હોવાથી વહીવટી તંત્રમાં મોટા પાયે વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.આ વિદેશ પ્રવાસ દરમિયાન રાજ્યના મહત્વના વિભાગોની કામગીરી અટકાય વગર સુચારુ રીતે ચાલે તે માટે સામાન્ય વહીવટી વિભાગ દ્વારા સત્તાવાર આદેશ જારી કરીને કુલ 5 જેટલા ઉચ્ચ IAS અધિકારીઓનો વધારાનો ચાર્જ અન્ય સક્ષમ અધિકારીઓને સોંપવામાં આવ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવનો ચાર્જ અંજુ શર્માને સોંપાયો</b></h3><p style="text-align: justify; ">આ નવેસરથી કરાયેલી વ્યવસ્થા મુજબ,ટી.નટરાજન વિદેશ પ્રવાસે જતાં તેમના નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવનો ચાર્જ અંજુ શર્માને સોંપાયો છે. જ્યારે મમતા વર્માના ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવનો ચાર્જ રાજીવ ટોપનોને અને ગૃહ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમારનો ચાર્જ અરુણ કુમાર સોલંકીને સુપ્રત કરાયો છે. આ ઉપરાંત, પી.સ્વરૂપના ઉદ્યોગ કમિશનરનો ચાર્જ પ્રવિણા ડી.કે.ને વિક્રાંત પાંડેના સચિવનો ચાર્જ અજય કુમારને તેમજ રેસિડેન્ટ કમિશનરનો ચાર્જ સંધ્યા ભુલ્લરને સોંપવામાં આવ્યો છે.</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/news/surat/major-action-in-dr-harsh-pandya-suicide-case-in-surat-arrests-in-progress-after-fathers-complaint" target="_blank">આ પણ વાંચોઃ Suratમાં ડો. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટી કાર્યવાહી: પિતાની ફરિયાદ બાદ ધરપકડના ચક્રો ગતિમાન</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/S7zEkCPcP2YfVGFLlJnASlz0W3dwRtxGzIBG26xH.webp'/></item><item><title><![CDATA[vande mataram પર ઘમાસાણ: બંકિમ ચંદ્રના વંશજે સોનિયા ગાંધી પાસે કરી માફીની માગ ]]></title><link>https://sandesh.com/india/news/bjp-mla-sumitra-chatterjee-writes-to-sonia-gandhi-over-vande-mataram-row-at-congress-hq</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/bjp-mla-sumitra-chatterjee-writes-to-sonia-gandhi-over-vande-mataram-row-at-congress-hq</guid><pubDate>Sun, 16 Aug 2026 13:04:32 +05:30</pubDate><description><![CDATA[<p>vande mataram: ભાજપના ધારાસભ્ય અને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના સીધા વંશજ સુમિત્રો ચેટર્જીએ સોનિયા ગાંધીને પત્ર લખીને સ્વતંત્રતા દિવસે કોંગ્રેસ મુખ્યાલયમાં 'વંદે માતરમ'ના સંપૂર્ણ ગાન સાથે જોડાયેલી ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સોનિયા ગાંધીને ભારતના નાગરિકો ખાસ કરીને પશ્ચિમ બંગાળના લોકો પાસેથી બિનશરતી માફી માંગવા વિનંતી કરી. તેમના પત્રમાં ચેટર્જીએ 'વંદે માતરમ'ના ઐતિહાસિક મહત્વ અને સ્વતંત્રતા ચળવળમાં તેની ભૂમિકા પર ઉલ્લેખ કરતા અરવિંદો, ખુદીરામ બોઝ, બિપિન ચંદ્ર પાલ, સરલા દેવી ચૌધરાણી, બાલ ગંગાધર તિલક અને રવિન્દ્રનાથ ટાગોર જેવા વ્યક્તિઓ સાથે સંકળાયેલા અનેક ઐતિહાસિક પ્રસંગોનો ઉલ્લેખ કર્યો.</p><p><br></p><h4><b>'નિર્લજ્જતાપૂર્વક ઐતિહાસિક ભૂલનું પુનરાવર્તન'</b></h4><p>ચેટરજીએ લખ્યું કે જ્યારે રાષ્ટ્ર સ્વતંત્રતાની 80મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું હતું અને 'સમગ્ર દેશ માતૃભૂમિની પૂજામાં ડૂબી ગયો હતો,' ત્યારે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિ (AICC) મુખ્યાલયમાં બનેલી ઘટનાઓ 'માત્ર દુર્ભાગ્યપૂર્ણ જ નહીં પરંતુ ઐતિહાસિક ભૂલનું નિર્લજ્જ પુનરાવર્તન' હતી. તેમણે જણાવ્યું હતું કે સોનિયા ગાંધી દ્વારા 'વંદે માતરમ'નું સંપૂર્ણ સંસ્કરણ ગાઈ રહ્યા હતા ત્યારે સોનિયા ગાંધીએ સ્પષ્ટ બેચેની, નારાજગી અને તેને રોકવાની વારંવાર કોશિશોને તેમણે ખૂબ દુખી કર્યા છે.&nbsp;</p><p><br></p><h4><b>'તમારી અસહિષ્ણુતા શહીદોના બલિદાનનું અપમાન'</b></h4><p>ચેટરજીએ લખ્યું, "એક સામાન્ય ભારતીય નાગરિક, દેશભક્ત અને સૌથી ઉપર, ઋષિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના પરિવારના સીધા વંશજ તરીકે, હું આજે આ પત્ર ખાલીપણાની ભાવના અને દુ:ખ સાથે લખી રહ્યો છું." 'વંદે માતરમ'ના ઐતિહાસિક મહત્વનો ઉલ્લેખ કરતા ચેટરજીએ અરવિંદોનો ઉલ્લેખ કરતા નોંધ્યું હતું કે, "અરવિંદોએ 'વંદે માતરમ'ને માત્ર એક મંત્ર તરીકે જ નહીં પરંતુ 'દેશભક્તિના ધર્મ' તરીકે વર્ણવ્યું હતું." ચેટરજીએ ઉમેર્યું હતું કે આ મંત્રે ખુદીરામ બોઝ સહિત અસંખ્ય નિર્ભય ક્રાંતિકારીઓને ફાંસીનો સામનો કરવા અને સ્મિત સાથે મૃત્યુને સ્વીકારવા પ્રેરણા આપી હતી. આજે સ્વતંત્ર ભારતની ધરતી પર 'વંદે માતરમ' મંત્રના સંપૂર્ણ જાપ પ્રત્યે તમારી અસહિષ્ણુતા લાખો શહીદો દ્વારા આપવામાં આવેલા બલિદાનનું ઘોર અપમાન લાગે છે.</p><h4><b>સ્વતંત્રતા સંગ્રામમાં ગીતની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો</b></h4><p>પત્રમાં ભાજપના ધારાસભ્યએ સ્વતંત્રતા સંગ્રામમાં 'વંદે માતરમ' ની ભૂમિકા પર પણ ભાર મૂક્યો. રાષ્ટ્રવાદી નેતા બિપિન ચંદ્ર પાલનું ઉદાહરણ આપતાં તેમણે જણાવ્યું કે બંગાળના ભાગલા પછી આ ગીત દરેક ક્રાંતિકારીના હોઠ પર હતું. 'સ્વદેશી', 'બહિષ્કાર' અને 'વંદે માતરમ' સ્વતંત્રતાની લડાઈના જીવંત પ્રતીકો બની ગયા હતા.</p><h4><b>1905ના કોંગ્રેસ અધિવેશનથી 1938 સુધીના ઘટનાઓનું વર્ણન</b></h4><p>ચેટરજીએ 1905ના કોંગ્રેસના બનારસ અધિવેશનમાં સરલા દેવી ચૌધરાની દ્વારા ગીતના સંપૂર્ણ ગાયનનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે 1909માં બાલ ગંગાધર તિલકના રાજદ્રોહના કેસ દરમિયાન તેમના માટે 'વંદે માતરમ' ગાનારા સમર્થકોનો તેમજ 1938માં ઉસ્માનિયા યુનિવર્સિટીમાં રાષ્ટ્રવાદી વિદ્યાર્થી ચળવળનો ઉલ્લેખ કર્યો.</p><h4><b>ટાગોરને યાદ કર્યા અને 'વંદે માતરમ'ના 'જાદુઈ શબ્દો'</b></h4><p>ચેટરજીએ કલકત્તામાં 1896ના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનનો પણ ઉલ્લેખ કર્યો, જ્યાં રવીન્દ્રનાથ ટાગોરે 'વંદે માતરમ' ગાયું હતું. તેમણે ગીતના 'જાદુઈ શબ્દો' અંગે ટાગોરના શબ્દોનો પુનરાવર્તિત કર્યો, જેમાં અવરોધો તોડવા અને લોકોના હૃદયને સ્પર્શવાની તેમની શક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો.</p><p><br></p><p>આ પણ વાંચો:<a href="https://sandesh.com/india/news/varanasi-airport--gun-accidentally-fires-during-security-check--2-staff-injured" target="_blank"><b> Varansi એરપોર્ટ પર ફાયરિંગ, 2 લોકો ઇજાગ્રસ્ત; મુસાફરની બંદુકથી થયો ગોળીબાર!</b></a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/efAsbMbXOUeaPNo2PLXVXl3qEo4zGJUSOyvclB02.webp'/></item><item><title><![CDATA[વાંચો સવારે 08થી બપોરે 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-08-am-to-12-pm-16-august-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-08-am-to-12-pm-16-august-2026</guid><pubDate>Sun, 16 Aug 2026 11:59:42 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર</b></p><p><a href="https://sandesh.com/business/news/india/gold-price-today-weekly-hike-delhi" target="_blank"><b>1. Gold Price Today : એક જ અઠવાડિયામાં મોંઘું થયું સોનું, વૈશ્વિક ભાવમાં પણ ઉછાળો!</b></a></p><p><a href="https://sandesh.com/cricket/news/mehidy-hasan-created-history-in-his-first-test-becoming-the-first-bangladesh-player-to-do-so" target="_blank"><b>2. Mehidy Hasan એ પ્રથમ ટેસ્ટમાં રચ્યો ઇતિહાસ, આવું કરનાર પ્રથમ બાંગ્લાદેશ ખેલાડી બન્યો</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/vadodara/tragic-death-of-siblings-due-to-electrocution-in-vadodaras-padra-tragedy-unfolds-while-going-to-temple" target="_blank"><b>3. Vadodaraના પાદરામાં કરંટ લાગતાં સગા ભાઈ-બહેનનું કરુણ મોત: મંદિરે જતાં સર્જાયી કરૂણાંતિકા!</b></a></p><p><a href="https://sandesh.com/india/news/ajit-doval--pm-modi-ordered-hunt-for-terrorists-after-pahalgam" target="_blank"><b>4. Ajit Doval: જમીન-આકાશ કે નર્ક.... આતંકીઓને છોડીશું નહીં, પહલગામ હુમલા બાદ PM મોદીએ આપ્યા હતા આદેશ</b></a></p><p><a href="https://sandesh.com/cricket/news/aus-vs-ban-1st-test-bangladeshs-historic-victory-defeating-australia-by-9-wickets" target="_blank"><b>5. AUS vs BAN 1st Test: બાંગ્લાદેશની ઐતિહાસિક જીત, ઓસ્ટ્રેલિયાને 9 વિકેટે હરાવ્યું</b></a></p><p><a href="https://sandesh.com/entertainment/news/shah-rukh-khan-ajay-devgn-tiger-fda-notice-elaichi-ad" target="_blank"><b>6. Shah Rukh Khan, અજય દેવગન અને ટાઈગર શ્રોફની વધી મુશ્કેલીઓ! ગુટખા એડને લઈને FDAની નોટિસ</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/surat/major-action-in-dr-harsh-pandya-suicide-case-in-surat-arrests-in-progress-after-fathers-complaint" target="_blank"><b>7. Suratમાં ડો. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટી કાર્યવાહી: પિતાની ફરિયાદ બાદ ધરપકડના ચક્રો ગતિમાન</b></a></p><p><a href="https://sandesh.com/entertainment/news/govinda-sunita-ahuja-wife-comment-reaction" target="_blank"><b>8. Govinda Sunita : થોડું હદમાં રહો…, પત્ની સુનીતા આહુજાની વાતો પર ગોવિંદાએ તોડ્યું મૌન! આપી આકરી ચેતવણી</b></a></p><p><a href="https://sandesh.com/india/news/jharkhand-jobs-exam-controversy-students-protest" target="_blank"><b>9. Ranchi: CM આવાસનો ઘેરાવ કરશે વિદ્યાર્થીઓ, મુખ્યમંત્રીના રાજીનામાની માંગ</b></a></p><p><a href="https://sandesh.com/world/news/zimbabwe-boat-accident-lake-kariba-deaths" target="_blank"><b>10. Zimbabwean boat accident: બોટ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધ્યો, 18 બાળકો સહિત 72ના મોત</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/05/30/mDmSiSJWp4EJffsL4XdCg0WZVmFETlBX3EYK5ohQ.webp'/></item><item><title><![CDATA[E20 Petrolથી માઇલેજ ઓછી? સરકારે જણાવ્યું અસલી કારણ, આ વસ્તુથી વધી શકે છે ખર્ચો ]]></title><link>https://sandesh.com/business/news/e20-petrol-mileage-drop--govt-says-its-not-the-only-reason</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/e20-petrol-mileage-drop--govt-says-its-not-the-only-reason</guid><pubDate>Sun, 16 Aug 2026 11:57:22 +05:30</pubDate><description><![CDATA[<p>E20 Petrol: E20 પેટ્રોલ અંગે વાહનચાલકોમાં ચિંતા વચ્ચે કેન્દ્ર સરકારે માઇલેજ અંગે સ્પષ્ટતા જારી કરી છે. સરકાર જણાવે છે કે વાહનના માઇલેજમાં ઘટાડા માટે E20 પેટ્રોલ ફક્ત જવાબદાર નથી. ઇંધણની અર્થવ્યવસ્થા ડ્રાઇવિંગ શૈલી, ટ્રાફિકની સ્થિતિ, વાહન જાળવણી, ટાયર પ્રેશર અને એર કન્ડીશનર (AC) ઉપયોગ સહિત અન્ય ઘણા પરિબળો પર પણ આધાર રાખે છે.</p><p>પેટ્રોલમાં 20% ઇથેનોલ ભેળવવા અંગે વાહનચાલકોમાં ચર્ચા ચાલી રહી છે. ઘણા લોકો દાવો કરે છે કે E20 પેટ્રોલનો ઉપયોગ કર્યા પછી તેમના વાહનનું માઇલેજ ઘટ્યું છે. તેના જવાબમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું છે કે પ્રાપ્ત માઇલેજ ફક્ત ઇંધણની ગુણવત્તા અથવા મિશ્રણ પર આધારિત નથી.</p><h4><b>સરકારે માઇલેજ વિશે શું કહ્યું?</b></h4><p>પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય અનુસાર, વાહનનું માઇલેજ ઘણા પરિબળોની સંયુક્ત અસર દ્વારા નક્કી થાય છે. મંત્રાલયે ખાસ કરીને ડ્રાઇવિંગ ટેવો, ટ્રાફિક, વાહનની સ્થિતિ, ટાયર પ્રેશર અને AC ના ઉપયોગને મુખ્ય પરિબળો તરીકે પ્રકાશિત કર્યા. બીજા શબ્દોમાં કહીએ તો, જો વાહન સતત ટ્રાફિકમાં ચલાવવામાં આવે, જો ડ્રાઇવર વારંવાર ગતિ વધારે અને જોરથી બ્રેક લગાવે, અથવા જો ટાયરનું દબાણ ઓછું હોય તો માઇલેજ પ્રભાવિત થઈ શકે છે.</p><h4><b>E20 સાથે માઇલેજ કેટલી ઘટી શકે છે?</b></h4><p>સરકારે અગાઉ સ્વીકાર્યું છે કે E20 પેટ્રોલનો ઉપયોગ કરવાથી કેટલાક વાહનોમાં ઇંધણની બચતમાં આશરે 3-5% ઘટાડો થઈ શકે છે. જોકે, સરકારનું માનવું છે કે વાસ્તવિક માઇલેજમાં ફેરફાર ફક્ત E20 ની અસરને આભારી છે તે ખોટું છે. E20 પેટ્રોલમાં 20% ઇથેનોલ અને 80% પેટ્રોલ હોય છે. ઇથેનોલમાં પેટ્રોલ કરતાં ઓછી ઉર્જા સામગ્રી હોવાથી સમાન અંતર કાપવા માટે વધુ ઇંધણની જરૂર પડી શકે છે.</p><h4><b>આ 5 પરિબળો તમારા પેટ્રોલ ખર્ચમાં વધારો કરી શકે છે:</b></h4><p>1. ખરાબ ડ્રાઇવિંગ ટેવો</p><p>વારંવાર ઝડપી એક્સીલેટર, અચાનક બ્રેકિંગ અને હાઇ-સ્પીડ ડ્રાઇવિંગ એન્જિનને વધુ ઇંધણનો વપરાશ કરી શકે છે. સરળ અને સ્થિર ડ્રાઇવિંગ સામાન્ય રીતે વધુ સારી ઇંધણ કાર્યક્ષમતામાં ફાળો આપે છે.</p><p>2. શહેરી ટ્રાફિક</p><p>ભારે ટ્રાફિકમાં, વાહનો વારંવાર બંધ થાય છે અને શરૂ થાય છે. લાંબા સમય સુધી એન્જિન નિષ્ક્રિય રહેવાથી અને વારંવાર એક્સીલેટર આપવાથી ઇંધણનો વપરાશ વધી શકે છે.</p><p>3. ટાયરનું ઓછું દબાણ</p><p>ટાયર પ્રેશર યોગ્ય ન હોવા પર રસ્તાની સાથે રોલિંગ રેજિસ્ટેંસ વધી શકે છે. આનાથી એન્જિન પર વધુ ભાર પડે છે અને તેના પરિણામે બળતણનો વપરાશ વધી શકે છે.</p><p>૪. વધુ પડતો એસીનો ઉપયોગ</p><p>ગરમીના હવામાનમાં સતત એસી ચલાવવાથી એન્જિન પર વધારાનો ભાર પડે છે. માઇલેજ પર આ અસર ખાસ કરીને શહેરની પરિસ્થિતિઓમાં ઓછી ગતિ અને ભારે ટ્રાફિકને કારણે જોવા મળે છે.</p><p>૫. વાહનની નબળી જાળવણી</p><p>એર ફિલ્ટર, સ્પાર્ક પ્લગ અથવા એન્જિન તેલ જેવા આવશ્યક ઘટકોને સમયસર સેવા આપવામાં નિષ્ફળતા વાહનની બળતણ કાર્યક્ષમતા પર પ્રતિકૂળ અસર કરી શકે છે.</p><h4><b>E20 અંગે સરકારનો મુખ્ય દાવો</b></h4><p>E20 મિશ્રણ પહેલનો બચાવ કરતા, સરકારે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવમાં વધારા દરમિયાન આ કાર્યક્રમથી સ્થાનિક પેટ્રોલના ભાવ પર દબાણ ઓછું કરવામાં મદદ મળી હતી. પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, જ્યારે ભારતીય ક્રૂડ બાસ્કેટની કિંમત આશરે $135 પ્રતિ બેરલ સુધી પહોંચી હતી, ત્યારે ફક્ત પરંપરાગત પેટ્રોલ પર નિર્ભરતા દિલ્હીમાં ભાવને પ્રતિ લિટર ₹125 સુધી ધકેલી શકી હોત. મંત્રાલયે જણાવ્યું હતું કે ગ્રાહકોએ ખરેખર તે સમયે પ્રતિ લિટર લગભગ ₹94.77 ચૂકવ્યા હતા અને ઇથેનોલ મિશ્રણથી આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારાનો પ્રભાવ ઓછો કરવામાં મદદ મળી હતી.<br><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/ajit-doval--pm-modi-ordered-hunt-for-terrorists-after-pahalgam" target="_blank">Ajit Doval: જમીન-આકાશ કે નર્ક.... આતંકીઓને છોડીશું નહીં, પહલગામ હુમલા બાદ PM મોદીએ આપ્યા હતા આદેશ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/aDS07rFBjPCSVqHG8ebUPpaj5z4kfgcqUbWV0db1.webp'/></item><item><title><![CDATA[Vadodaraના પાદરામાં કરંટ લાગતાં સગા ભાઈ-બહેનનું કરુણ મોત: મંદિરે જતાં સર્જાઈ કરૂણાંતિકા! ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/tragic-death-of-siblings-due-to-electrocution-in-vadodaras-padra-tragedy-unfolds-while-going-to-temple</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/tragic-death-of-siblings-due-to-electrocution-in-vadodaras-padra-tragedy-unfolds-while-going-to-temple</guid><pubDate>Sun, 16 Aug 2026 11:19:56 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલા મુજપુર ગામના રેલાઈપુરા વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે. આજે વહેલી સવારે લગભગ 5:30 વાગ્યાના સુમારે પોતાના ઘરની પાછળ જ આવેલા પ્રસિદ્ધ રાજપીપળા મંદિરે દર્શન કરવા માટે નીકળેલા સગા ભાઈ-બહેનનું વીજળીનો કરંટ લાગવાના કારણે કરુણ મોત નીપજ્યું છે. વહેલી સવારે બનેલી આ ઘટનાથી મુજપુર ગામ સહિત સમગ્ર પાદરા પંથકમાં ભારે અરેરાટી અને શોકની કાલિમા છવાઈ ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>ભાઈને બચાવવા જતાં બહેન પણ વીજળીની ઝપેટમાં આવી</b></h2><p style="text-align: justify; ">25 વર્ષીય જયદીપ અને તેની 22 વર્ષીય બહેન મિત્તલ વહેલી સવારે દર્શનાર્થે જઈ રહ્યા હતા. તે સમયે અચાનક 25 વર્ષીય જયદીપને વીજળીનો જોરદાર કરંટ લાગ્યો હતો. ભાઈને તરફડતો જોઈને 22 વર્ષીય મિત્તલ પોતાના ભાઈને બચાવવા માટે આગળ ધપી હતી, પરંતુ તે પણ વીજળીના લાઈવ વાયર કે કરંટની ઝપેટમાં આવી ગઈ હતી. કરંટ એટલો તીવ્ર હતો કે ભાઈ-બહેન બંનેનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું.</p><h3 style="text-align: justify; "><b>પાદરા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી</b></h3><p style="text-align: justify; ">આ બનાવ અંગેની જાણ થતાં જ ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પાદરા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને બંને ભાઈ-બહેનના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. વહેલી સવારે મંદિરે દર્શન કરવા ગયેલા બે યુવાન સંતાનોના એકસાથે મોત થતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. પાદરા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/XRI50iOgK4cvEY5n8xYkwb0HOEks1uYryQ3xIQ7h.webp'/></item><item><title><![CDATA[FIH World Cup 2026 : માતાના પગલે પુત્ર! 28 વર્ષ પછી એ જ ગ્રાઉન્ડ પર હોકી વર્લ્ડ કપમાં રમ્યો દીકરો ]]></title><link>https://sandesh.com/sports/news/fih-world-cup-2026-son-follows-in-mothers-footsteps-son-plays-in-hockey-world-cup-on-same-ground-after-28-years</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fih-world-cup-2026-son-follows-in-mothers-footsteps-son-plays-in-hockey-world-cup-on-same-ground-after-28-years</guid><pubDate>Sun, 16 Aug 2026 10:03:26 +05:30</pubDate><description><![CDATA[<p>હોકી વર્લ્ડ કપ 2026 શરૂ થઈ ગયો છે.ભારતે આ વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત વેલ્સ સામે પોતાની પહેલી મેચ રમીને કરી હતી.15 ઓગસ્ટની સાંજે વેલ્સ સામેની હોકી વર્લ્ડ કપ મેચ પ્રીતમ સિવાચ માટે માત્ર એક મેચ જ નહોતી.આ મેચ તેમના પુત્ર યશદીપના વર્લ્ડ કપ ડેબ્યૂ કર્યું હતું.એક માતા તરીકે,તે તેમના માટે ગર્વની ક્ષણ હતી.આ ગર્વ એ હકીકતથી વધુ વધ્યો કે તે તેમના પુત્રને તેમના પછી હોકી વર્લ્ડ કપમાં ભારત માટે રમતા જોઈ રહી હતી.</p><h5><b>1998માં માતા 2026માં પુત્ર</b></h5><p>પ્રીતમ સિવાચે નેધરલેન્ડ્સમાં 1998ના મહિલા હોકી વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું.હવે 28 વર્ષ પછી તે જ દેશમાં 2026ના પુરુષ હોકી વર્લ્ડ કપમાં તેમના પુત્ર યશદીપ સિવાચે ટુર્નામેન્ટની ભારતની પહેલી મેચ રમી હતી.નોંધપાત્ર વાત એ છે કે પ્રીતમ સિવાચે નેધરલેન્ડ્સમાં હોકી વર્લ્ડ કપ રમ્યો ત્યારે યશદીપનો જન્મ પણ થયો ન હતો.25 વર્ષીય ડિફેન્ડર યશદીપે 2022 માં ભારત માટે સિનિયર ડેબ્યૂ કર્યું હતું.</p><h5><b>પ્રીતમ સિવાચે તેમના પુત્રની સિદ્ધિ વિશે શું કહ્યું?</b></h5><p>પોતાના પુત્રની સિદ્ધિ પર પ્રતિબિંબ પાડતા,પ્રીતમ સિવાચે કહ્યું,આ મારા માટે એક મોટી ક્ષણ છે.મારો પુત્ર વર્લ્ડ કપમાં મારા જેવા જ સ્થળે રમ્યો હતો.તેણીએ શેર કર્યું કે તે નેધરલેન્ડમાં હતી અને તાજેતરમાં જ ત્યાંથી પાછી આવી છે.તે ટીવી પર મેચ જોઈ રહી છે.પ્રીતમએ કહ્યું કે તેણીએ આજે ​​સવારે તેના પુત્રને ફોન કર્યો અને તેને કહ્યું કે તેને તેની માતાનું અધૂરું સ્વપ્ન પૂર્ણ કરવું પડશે.પ્રીતમ સિવાચે કહ્યું કે તેણીને વિશ્વાસ છે કે ટીમ મેડલ સાથે પરત ફરશે.ટીમ ખૂબ જ મજબૂત દેખાય છે અને તેમનું મનોબળ ઊંચું છે.મોટી ટીમો સામે નિયમિત રમવાથી તેમને સારી તૈયારી કરવામાં પણ મદદ મળી છે.</p><h5><b>માતા અને પુત્રની રમવાની શૈલીઓ અલગ અલગ હોય છે</b></h5><p>પોતાના પુત્ર અને તેની પોતાની રમવાની શૈલીઓ વિશે,પ્રીતમ સિવાચે કહ્યું કે તેનો પુત્ર ઝડપથી શીખનાર છે.તે દબાણમાં પણ શાંત રહે છે.હું વધુ આક્રમક ખેલાડી હતો,તેણીએ કહ્યું.તેણીએ કહ્યું કે આ પાછળનું કારણ એ સ્થિતિ હોઈ શકે છે જેમાં અમે બંને રમીએ છીએ.તે ડિફેન્ડર છે.જ્યારે હું સ્ટ્રાઈકર હતો.</p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/cricket/news/rishabh-pants-historic-record-surpassing-adam-gilchrist-to-become-number-1-in-test-cricket" target="_blank"> Rishabh Pant નો ઐતિહાસિક રેકોર્ડ, એડમ ગિલક્રિસ્ટને પાછળ છોડી ટેસ્ટ ક્રિકેટમાં બન્યો નંબર-1</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/P3DXaGssQ6U3XKqDOsKzmdc3t6GpoIdoav8YxsBw.webp'/></item></channel></rss>