<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[નિલેશ કે. પટેલની 6ઠ્ઠી પુણ્યતિથિએ તેમના ઉદ્યોગસાહસિક જીવન અને વારસાને સ્મરણાંજલિ ]]></title><link>https://sandesh.com/business/news/nilesh-k-patels-entrepreneurial-life-and-legacy-remembered-on-his-6th-death-anniversary</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/nilesh-k-patels-entrepreneurial-life-and-legacy-remembered-on-his-6th-death-anniversary</guid><pubDate>Sun, 16 Aug 2026 08:00:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">N.K. Proteins Pvt. Ltd.ના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર તથા Tirupati Edible Oilsના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર સ્વ. નિલેશ કે. પટેલની આજે છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે.</p><p style="text-align: justify; ">23 માર્ચ 1965થી 16 ઓગસ્ટ 2020 સુધીની તેમની જીવનયાત્રા ઉદ્યોગસાહસિકતા, દૃઢ સંકલ્પ, નેતૃત્વ અને સંસ્થાના નિર્માણ માટેના સમર્પણની રહી હતી. ખાદ્ય તેલ ઉદ્યોગમાં 25 વર્ષથી વધુના અનુભવ દરમિયાન તેમણે વ્યવસાયના વિવિધ પાસાઓ સાથે નજીકથી કામ કર્યું અને એક મજબૂત તથા લાંબા ગાળાની સંસ્થાકીય પાયાની રચનામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.</p><h2 style="text-align: justify; "><b>વ્યવસાયથી આગળ, એક દૃષ્ટિકોણ</b></h2><p style="text-align: justify; ">નિલેશ પટેલ એવા બિઝનેસ લીડર તરીકે ઓળખાતા હતા, જેઓ માત્ર મોટા સપના જોવામાં નહીં પરંતુ તેને સાકાર કરવા માટે સતત કાર્ય કરવામાં માનતા હતા. તેમનો અભિગમ વ્યવહારુ અને પરિણામલક્ષી હતો.</p><p style="text-align: justify; ">ઓપરેશન્સ, બિઝનેસ મેનેજમેન્ટ, માર્કેટિંગ, બિઝનેસ ડેવલપમેન્ટ, આવક વૃદ્ધિ, ટીમ મેનેજમેન્ટ અને માર્કેટ વિસ્તરણ જેવા વ્યવસાયના વિવિધ ક્ષેત્રોમાં તેમનું સક્રિય યોગદાન રહ્યું હતું.</p><p style="text-align: justify; ">તેમની કાર્યશૈલીમાં એક ખાસ વાત હતી—“Can Do” વલણ. પડકારો સામે અટકી જવાને બદલે ઉકેલ શોધવા અને સતત આગળ વધવાની તેમની માનસિકતા સંસ્થાની કાર્યસંસ્કૃતિનો મહત્વપૂર્ણ હિસ્સો બની.</p><h3 style="text-align: justify; "><b>N.K. Proteins ની સફરમાં યોગદાન</b></h3><p style="text-align: justify; ">નિલેશ પટેલ અને તેમના ભાઈ નિમિષ પટેલએ સાથે મળીને N.K. Proteinsના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તેમની દૂરંદેશી વિચારસરણી અને વ્યવસાય પ્રત્યેના સમર્પણથી સંસ્થાએ ખાદ્ય તેલ ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી.</p><p style="text-align: justify; ">આ સફર સાથે Tirupati Edible Oils બ્રાન્ડનો વિકાસ પણ નજીકથી જોડાયેલો રહ્યો. ગુણવત્તા, ગ્રાહક વિશ્વાસ અને સતત સુધારાને કેન્દ્રમાં રાખીને બ્રાન્ડને વધુ મજબૂત બનાવવામાં નિલેશ પટેલનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું.</p><p style="text-align: justify; ">તેમના માટે બ્રાન્ડ માત્ર ઉત્પાદનનું નામ નહોતું; તે ગ્રાહકના વિશ્વાસ અને લાંબા ગાળાના સંબંધનું પ્રતિનિધિત્વ કરતું હતું.</p><h4 style="text-align: justify; "><b>ટીમ અને લોકોમાં વિશ્વાસ</b></h4><p style="text-align: justify; ">નિલેશ પટેલની નેતૃત્વશૈલીમાં ટીમને સાથે લઈને આગળ વધવાને વિશેષ મહત્વ હતું. સંસ્થાના વિવિધ સ્તરે કાર્યરત લોકોના વિચારો અને સૂચનો સાંભળવા તથા તેમને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવાની તેમની કાર્યશૈલી રહી હતી.</p><p style="text-align: justify; ">તેઓ માનતા હતા કે કોઈપણ સફળ સંસ્થાની સાચી તાકાત તેની ટીમ હોય છે. તેથી શિસ્ત, ટીમવર્ક, સતત શીખવાની ભાવના અને કાર્યક્ષમતાને તેઓ વિશેષ મહત્વ આપતા.</p><p style="text-align: justify; ">તેમના નેતૃત્વના મુખ્ય પાસાંમાં દૂરંદેશી વિચારસરણી, ટીમ બિલ્ડિંગ, ગ્રાહક કેન્દ્રિત અભિગમ, ગુણવત્તા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સતત નવીનતાનો સમાવેશ થતો હતો.</p><h4 style="text-align: justify; "><b>સિદ્ધિઓ અને ઉદ્યોગમાં માન્યતા</b></h4><p style="text-align: justify; ">નિલેશ પટેલના નેતૃત્વકાળ દરમિયાન N.K. Proteinsએ અનેક મહત્વપૂર્ણ સીમાચિહ્નો હાંસલ કર્યા.</p><p style="text-align: justify; ">કંપનીને 2011માં <b>Globoil Award – Emerging Company of the Year</b>થી સન્માનિત કરવામાં આવી હતી. આ સન્માન કંપનીની વૃદ્ધિ અને ખાદ્ય તેલ ક્ષેત્રમાં તેના વધતા પ્રભાવની નોંધપાત્ર માન્યતા હતી.</p><p style="text-align: justify; "><b>Tirupati Edible Oils</b>ને <b>Power Brands Rising Star</b> તરીકે પણ માન્યતા મળી હતી, જે બ્રાન્ડની બજારમાં વધતી ઓળખ અને ગ્રાહક સ્વીકારનું પ્રતિબિંબ હતું.</p><p style="text-align: justify; ">સંસ્થાએ ખાદ્ય તેલ ઉપરાંત Castor Oil અને Castor Oil Derivatives સહિતના ક્ષેત્રોમાં પણ પોતાની કામગીરીનો વિસ્તાર કર્યો અને આંતરરાષ્ટ્રીય બજારો સુધી પહોંચ સ્થાપિત કરી.</p><h5 style="text-align: justify; "><b>“Excel to Exceed” — સતત શ્રેષ્ઠતા તરફની દિશા</b></h5><p style="text-align: justify; ">નિલેશ પટેલ સાથે જોડાયેલું “Excel to Exceed” સૂત્ર તેમની કાર્યદૃષ્ટિને પ્રતિબિંબિત કરતું હતું.</p><p style="text-align: justify; ">તેમનો વિશ્વાસ હતો કે સફળતા કોઈ અંતિમ મુકામ નથી, પરંતુ સતત સુધારાની પ્રક્રિયા છે. ઉત્પાદન હોય, લોકો હોય કે વ્યવસાયની પ્રક્રિયા—દરેક ક્ષેત્રમાં વધુ સારું કરવાની સતત કોશિશ જ સંસ્થાને લાંબા ગાળે આગળ લઈ જાય છે.</p><h4 style="text-align: justify; "><b>એક વ્યક્તિ નહીં, એક વારસો</b></h4><p style="text-align: justify; ">નિલેશ પટેલની વિદાયને છ વર્ષ પૂર્ણ થયા છે, પરંતુ તેમના વિચારો, કાર્યશૈલી અને સંસ્થાના નિર્માણમાં આપેલું યોગદાન આજે પણ તેમની સાથે જોડાયેલા લોકો માટે પ્રેરણારૂપ છે.</p><p style="text-align: justify; ">તેમણે ઊભી કરેલી સંસ્થાકીય પાયાની અસર માત્ર એક વ્યવસાય પૂરતી મર્યાદિત નથી રહી; તેમના વિચારો અને મૂલ્યો સાથે આગળ વધતી ટીમો અને નવી પેઢી માટે પણ તે માર્ગદર્શક બની રહ્યા છે.</p><h5 style="text-align: justify; "><b>તેમની છઠ્ઠી પુણ્યતિથિએ સ્વ. નિલેશ કે. પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ.</b></h5><p style="text-align: justify; "><b>તેમની સફર એક એવી વાર્તા છે, જેમાં વ્યવસાયિક સફળતા સાથે લોકોમાં વિશ્વાસ, સંસ્થા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને લાંબા ગાળાના વારસાનું નિર્માણ પણ એટલું જ મહત્વપૂર્ણ રહ્યું.</b></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/ZVWaKTCsim7OQRBEmO4BdkP8a9Gb8tHEGgKMsLCv.webp'/></item><item><title><![CDATA[Anandના ઉમરેઠ પંથકમાં મોડી રાત્રે મેઘમહેર: વાતાવરણમાં પ્રસરી આહલાદક ઠંડક ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/anand/cloudy-weather-late-at-night-in-umreth-parish-of-anand-pleasant-coolness-pervades-the-atmosphere</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/anand/cloudy-weather-late-at-night-in-umreth-parish-of-anand-pleasant-coolness-pervades-the-atmosphere</guid><pubDate>Sun, 16 Aug 2026 07:57:31 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હવામાનમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો છે. અસહ્ય ઉકળાટ અને બફારા બાદ મોડી રાત્રે આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને પવનના સપાટા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. મોડી રાત્રે શરુ થયેલા આ મેઘમહેરના કારણે ઉમરેઠ પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>બફારાથી મુક્તિ અને વાતાવરણમાં પ્રસરી ઠંડક</b></h2><p style="text-align: justify; ">છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાઈ રહેલી અસહ્ય ગરમી અને બફારા બાદ અચાનક વરસેલા આ ધોધમાર વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં એકદમ આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. રાત્રિના સમયે વાતાવરણમાં પલટો આવતાં અને ઠંડો પવન ફૂંકાતાં સ્થાનિક રહીશોને ભારે ઉકળાટમાંથી મોટી રાહત મળી હતી. સોડમભરી માટીની સુગંધ અને વરસાદી વાતાવરણના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.</p><h3 style="text-align: justify; "><b>ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં આનંદનો માહોલ</b></h3><p style="text-align: justify; ">મોડી રાત્રે વરસેલા આ ધોધમાર વરસાદથી સૌથી વધુ ખુશી જગતના તાત એવા ખેડૂતોમાં જોવા મળી રહી છે. ઉમરેઠ અને આસપાસના સીમ વિસ્તારોમાં વાવેતર કરેલા પાક માટે આ વરસાદ સંજીવની સમાન સાબિત થયો છે. ખેતીલાયક ઉત્તમ વરસાદ વરસવાના કારણે ઊભા પાકને મોટો ફાયદો થશે તેવી આશાએ ખેડૂતોના ચહેરા પર હરખની હેલી જોવા મળી રહી છે અને પંથકના ગ્રામીણ વિસ્તારોમાં આનંદનો માહોલ વ્યાપી ગયો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/G9aPqhOcexSg8kQm3CF6UCZcwSV7ZXT1DotluuSV.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : સર્જરી બાદ 21 વર્ષીય યુવરાજ નડીયાનું મોત, પરિવારનો ડોક્ટરની બેદરકારીનો આક્ષેપ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-news-21-year-old-yuvraj-nadia-dies-after-surgery-family-alleges-doctors-negligence</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-news-21-year-old-yuvraj-nadia-dies-after-surgery-family-alleges-doctors-negligence</guid><pubDate>Sat, 15 Aug 2026 23:08:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી એક ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે. 21 વર્ષીય યુવરાજ નડીયા નામના યુવકનું અકસ્માત થયા બાદ તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકના પગની સર્જરી કરવાની ફરજ પડી હતી. ઓપરેશન બાદ અચાનક યુવકની તબિયત લથડતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું, જેને પગલે હોસ્પિટલ પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>પરિવારજનોએ ડોક્ટરોની બેદરકારીના આક્ષેપ કર્યા</b></h2><p style="text-align: justify; ">21 વર્ષીય નવજુવાન યુવરાજના અચાનક થયેલા મોતને પગલે તેના પરિવારજનો અને સગા-સંબંધિઓમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો. પરિવારજનોએ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ પર ગંભીર બેદરકારી દાખવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે સર્જરી દરમિયાન કે સર્જરી બાદ યોગ્ય સંભાળ ન રાખવાના કારણે જ યુવરાજનું મોત થયું છે. પરિવારજનોએ જવાબદાર ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>સિવિલ સુપ્રિટેન્ડેન્ટે આપ્યા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ</b></h2><p style="text-align: justify; ">આ ગંભીર બનાવની જાણ થતાં જ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ત્વરિત હરકતમાં આવ્યા હતા. તેમણે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને તુરંત જ તપાસના આદેશો જારી કર્યા છે. સિવિલ સુપ્રિટેન્ડેન્ટના જણાવ્યા અનુસાર, કયા સંજોગોમાં અને કયા કારણોસર યુવકનું મોત નીપજ્યું છે તે અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. તપાસ સમિતિનો અહેવાલ આવ્યા બાદ આગળની યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/navsari/navsari-news-villagers-protest-against-the-team-that-arrived-to-conduct-a-survey-in-sarvani-village-a-large-number-of-people-gathered" target="_blank">Navsari News : સરવાણી ગામે સર્વે કરવા પહોંચેલી ટીમનો ગ્રામજનોએ કર્યો વિરોધ, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/15/8s83LcpilIRH3rNDfmh6uFNnwOX3krvmapcDik9q.webp'/></item><item><title><![CDATA[Navsari News : સરવાણી ગામે સર્વે કરવા પહોંચેલી ટીમનો ગ્રામજનોએ કર્યો વિરોધ, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/navsari/navsari-news-villagers-protest-against-the-team-that-arrived-to-conduct-a-survey-in-sarvani-village-a-large-number-of-people-gathered</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/navsari/navsari-news-villagers-protest-against-the-team-that-arrived-to-conduct-a-survey-in-sarvani-village-a-large-number-of-people-gathered</guid><pubDate>Sat, 15 Aug 2026 22:45:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નવસારી જિલ્લાના ચિખલી તાલુકામાં આવેલા સારવણી ગામે અચાનક પહોંચેલી એક ખાનગી એજન્સીની કામગીરી સામે સ્થાનિકોનો ભારે રોષ જોવા મળ્યો છે. ગ્રામપંચાયતની પૂર્વ પરવાનગી કે કોઈ સત્તાવાર જાણ કર્યા વગર જ એજન્સીના માણસો ગામમાં સર્વેની કામગીરી કરવા પહોંચ્યા હતા. આ અંગે જાણ થતાં જ સ્થાનિક રહીશો જાગૃત બન્યા હતા અને કલેક્ટિવ વિરોધ નોંધાવીને સર્વે કરવા આવેલા કર્મચારીઓને કામગીરી કરતા સ્થળ પર જ રોકી દીધા હતા.</p><h2 style="text-align: justify; "><b>મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટ્યા</b></h2><p style="text-align: justify; ">સર્વેની કામગીરી અટકાવવા માટે ટૂંક સમયમાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. ગ્રામજનોએ એકસૂરે એજન્સીના માણસો સમક્ષ સવાલ ઉઠાવ્યો હતો કે આ કયા પ્રોજેક્ટ માટે સર્વે કરવામાં આવી રહ્યો છે તેની ચોક્કસ અને સ્પષ્ટ માહિતી પ્રથમ આપવામાં આવે. ગામમાં કોઈપણ સરકારી કે ખાનગી પ્રોજેક્ટ માટે ગ્રામ પંચાયત અને સ્થાનિકોને વિશ્વાસમાં લીધા વિના સર્વે થઈ શકે નહીં તેવી સ્પષ્ટ ચિમકી પણ સ્થાનિકોએ આપી હતી.</p><h2 style="text-align: justify; "><b>અગાઉ પણ આસપાસના ગામોમાં થયો છે સર્વેનો વિરોધ</b></h2><p style="text-align: justify; ">ઉલ્લેખનીય છે કે, સરવાણી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂતકાળમાં પણ આવી જ રીતે જાણ કર્યા વિના થતા સર્વેનો ભારે વિરોધ નોંધાઈ ચૂક્યો છે. અગાઉના કડવા અનુભવોને ધ્યાને રાખીને સ્થાનિકો પોતાના જમીન-જંગલ અને ગામના હકો પ્રત્યે વધુ સતર્ક બન્યા છે. જ્યાં સુધી તંત્ર કે એજન્સી દ્વારા પ્રોજેક્ટ અંગે પૂરેપૂરી સુસ્પષ્ટતા કરવામાં ન આવે ત્યાં સુધી ગામમાં કોઈ પણ પ્રકારની સર્વે કામગીરી નહીં થવા દેવાનો ગ્રામજનોએ દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/bharuch/bharuch-news-theft-in-a-jewellery-shop-in-karnataka-solved-3-members-of-the-gang-of-thieves-arrested" target="_blank">Bharuch News : કર્ણાટકની જ્વેલર્સ શોપમાં ચોરીનો ભેદ ઉકેલાયો, ચોર ટોળકીના 3 સભ્યો ઝડપાયા</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/15/dw9E5S19qwREPMavGtnuWJIj2XeqiV5nDbhfsibw.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: બાવળા નજીક GRI કંપનીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 6 ટીમોએ આગ પર મેળવ્યો કાબૂ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/bavla-gr-infra-company-fire-incident-ahmedabad-fire-brigade</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/bavla-gr-infra-company-fire-incident-ahmedabad-fire-brigade</guid><pubDate>Sat, 15 Aug 2026 22:44:58 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ જિલ્લાના બાવળા નજીક આવેલી જાણીતી GR Infra કંપનીના પરિસરમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ સ્થાનિકો અને સુરક્ષા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ ત્વરિત ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી.</p><h2><b>અમદાવાદ, બાવળા અને ધોળકાથી 6 ફાયર ટેન્ડર સ્થળ પર</b></h2><p>આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદથી 3 અને સ્થાનિક (બાવળા તથા ધોળકા) વિસ્તારમાંથી 3 મળી કુલ 6 ફાયર ફાઈટરની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોના કાફલા દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.</p><h2><b>15મી ઓગસ્ટની રજા હોવાથી જાનહાનિ ટળી</b></h2><p>આજે સ્વાતંત્ર્ય દિનની જાહેર રજા હોવાના કારણે કંપનીની અંદર કોઈ કામદારો કે કર્મચારીઓ હાજર ન હતા. ફેક્ટરી બંધ હોવાના કારણે એક મોટી જાનહાનિ અને દુર્ઘટના ટળી ગઈ છે, જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.</p><p><img alt="Ahmedabad News: Major Fire Breaks Out at G.R. Infra Company Near Bavla" src="https://epapercdn.sandesh.com/images/2026/08/15/TMxavJCgrKmYszKlWdmvO36fWSBhGCjsVIi37BiA.webp" style="width: 100%;"><br></p><h2><b>આગનું કારણ જાણવા તપાસ શરૂ</b></h2><p>આગ કયા કારણોસર લાગી જેમ કે શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણ તે અંગેની પ્રાથમિક વિગતો મેળવવા માટે ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ હોનારતમાં કંપનીમાં રહેલ માલ-સામાન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કેટલું નુકસાન થયું છે, તેનો સર્વે પણ કરવામાં આવી રહ્યો છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/india/news/gujarat/16-august-top-news-updates-historical-events" target="_blank">16 August Top News: 16 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/15/FPySQ42n2Wm5SxF7jhvN97ZYvM6Bqta0KT4lJrCP.webp'/></item><item><title><![CDATA[Ahmedabad Civil Hospital માં પગની સર્જરી બાદ યુવકનું મોત, સુપ્રિટેન્ડેન્ટે આપ્યા તપાસના આદેશ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/civil-hospital-youth-death-after-leg-surgery-investigation</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/civil-hospital-youth-death-after-leg-surgery-investigation</guid><pubDate>Sat, 15 Aug 2026 22:34:10 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદની અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલમાં દર્દીના મોતને લઈને ફરી એકવાર વિવાદ સર્જાયો છે. મળતી માહિતી મુજબ, 21 વર્ષીય યુવરાજ નડીયા નામના યુવકને અકસ્માત નડતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ યુવકને ઈમરજન્સી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેના પગમાં સર્જરી કરવાની ફરજ પડી હતી.</p><h2><b>સર્જરી બાદ યુવકે દમ તોડ્યો, પરિવારમાં અરેરાટી</b></h2><p>અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા પગનું ઓપરેશન કરવામાં આવ્યા બાદ ટૂંક જ સમયમાં 21 વર્ષીય યુવરાજ નડીયાનું કરૂણ મોત નીપજ્યું હતું. ભરજુવાનીમાં પુત્રનું મોત થતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું અને હોસ્પિટલ પરિસરમાં ભારે કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.</p><h2><b>તબીબોની ઘોર બેદરકારીના આક્ષેપ સાથે પરિવારનો રોષ</b></h2><p>યુવકના અચાનક થયેલા મોતને પગલે પરિવારજનો અને સગા-સંબંધીઓએ અમદાવાદ સિવિલ હોસ્પિટલના સંબંધિત ડોક્ટરો પર ઘોર બેદરકારીના ગંભીર આરોપો લગાવ્યા છે. પરિજનોનો દાવો છે કે, ઓપરેશન દરમિયાન અથવા તો ઓપરેશન બાદ તબીબોની લાપરવાહીના કારણે જ યુવકે જીવ ગુમાવ્યો છે.</p><p><img alt="Ahmedabad Civil Hospital: Youth Dies After Surgery at Ahmedabad Civil Hospital: Investigation Ordered" src="https://epapercdn.sandesh.com/images/2026/08/15/s3tEJtVr1yEhnEGCYL9n9bEqmNQvTCl4NznAV9nm.webp" style="width: 100%;"><br></p><h2><b>અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટે આપ્યા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ</b></h2><p>તબીબોની બેદરકારીના આક્ષેપો અને પરિવારજનોના ભારે હોબાળા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું છે. સિવિલ સુપ્રિટેન્ડેન્ટે આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને ત્વરિત તપાસના આદેશ આપ્યા છે. કયા સંજોગોમાં યુવકનું મોત નીપજ્યું, સર્જરી દરમિયાન કોઈ તબીબી ખામી રહી હતી કે, કેમ તે તમામ પાસાઓ પર તપાસ કમિટી દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/india/news/gujarat/16-august-top-news-updates-historical-events" target="_blank">16 August Top News: 16 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/15/f9Z99XjX5X5K54OJe8OFRvkH0Hw96adT7FKU0JZ5.webp'/></item><item><title><![CDATA[16 August Top News: 16 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ ]]></title><link>https://sandesh.com/india/news/gujarat/16-august-top-news-updates-historical-events</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/gujarat/16-august-top-news-updates-historical-events</guid><pubDate>Sat, 15 Aug 2026 21:25:45 +05:30</pubDate><description><![CDATA[<p>16 ઓગસ્ટ 2026ના રોજ દેશભરમાં રાજકીય, પ્રશાસનિક અને સામાજિક ક્ષેત્રે અનેક મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ અને નીતિગત નિર્ણયો અમલી બની રહ્યા છે. રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાનને જાહેર જનતા માટે ખુલ્લું મુકવાથી લઈને 12 રાજ્યોમાં ભારે વરસાદનું રેડ-ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત, ખેડૂતો અને એલપીજી ગ્રાહકો માટે મહત્વપૂર્ણ સમયસીમા પૂર્ણ થઈ રહી છે.</p><h2><b>અમૃત ઉદ્યાનનું ઉદ્ઘાટન</b></h2><p>રાષ્ટ્રપતિ ભવન સ્થિત અમૃત ઉદ્યાનનો ગ્રીષ્મકાલીન વાર્ષિકોત્સવ 16 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર 2026 સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. મુલાકાતીઓ સોમવાર સિવાય દરરોજ સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી મુલાકાત લઈ શકશે.</p><h2><b>ઉપરાષ્ટ્રપતિનો તમિલનાડુ પ્રવાસ</b></h2><p>ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન 16-17 ઓગસ્ટ દરમિયાન તમિલનાડુના બે દિવસીય પ્રવાસે રહેશે. આ દરમિયાન તેઓ ચેન્નઈ, તંજોર સહિત વિવિધ સ્થળોએ શૈક્ષણિક અને સાહિત્યિક કાર્યક્રમોમાં હાજરી આપશે.</p><h2><b>અમિત શાહનો રાજસ્થાન પ્રવાસ</b></h2><p>કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નિમ્બાહેડા અને અલવરમાં રૂ. 6262 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ 16 ઓગસ્ટના રોજ કરશે. આ સિવાય તેઓ અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનું અનાવરણ પણ કરશે.</p><h2><b>UGC-NET 2026 આન્સર કી</b></h2><p>રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (NTA) દ્વારા UGC-NET 2026ની કામચલાઉ (Provisional) આન્સર કી 16 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવશે, જેનાથી ઉમેદવારો પોતાના ગુણનું આકલન કરી શકશે.</p><h2><b>હિમાચલ પ્રદેશમાં 'આપણા સુખી પરિવાર' યોજના</b></h2><p>મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂ નાદોનમાં 16 ઓગસ્ટના રોજ અતિ ગરીબ પરિવારો સાથે સીધો સંવાદ કરશે, જેના આધારે રાજ્યમાં 'મુખ્યમંત્રી આપણું સુખી પરિવાર યોજના'નો રોડમેપ તૈયાર કરાશે.</p><h2><b>મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 16 ઓગસ્ટે અમેરિકા જવા રવાના થશે</b></h2><p>ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 17થી 24 ઓગસ્ટ સુધી અમેરિકા અને કેનેડાના પ્રવાસે જશે. 25 વર્ષ પછી કોઈ વર્તમાન સીએમનો આ પ્રથમ યુએસ પ્રવાસ છે, જે વાઇબ્રન્ટ ગુજરાત 2027 માટે યોજાઈ રહ્યો છે. તેઓ 16 ઓગસ્ટના રોજ વહેલી સવારે અમેરિકા જવા માટે રવાના થશે.</p><h2><b>પશ્ચિમ બંગાળમાં 'આયુષ્માન દિવસ'</b></h2><p>પશ્ચિમ બંગાળ સરકારે 16 ઓગસ્ટના રોજ યોજાતા 'ખેલા હોબે દિવસ'ને રદ્દ કરીને તેની જગ્યાએ સમગ્ર રાજ્યમાં 'આયુષ્માન દિવસ' ઉજવવાની જાહેરાત કરી છે.</p><h2><b>દિલ્હીમાં 'સહેલી પિંક સ્માર્ટ કાર્ડ'</b></h2><p>દિલ્હી DTC બસોમાં મહિલાઓ માટેની મફત યાત્રા માટે 16 ઓગસ્ટથી 'સહેલી પિંક સ્માર્ટ કાર્ડ' ફરજિયાત બનાવવામાં આવ્યું છે, જેનાથી પેપર ટિકિટની વ્યવસ્થા બંધ થશે.</p><h2><b>SADની 'પંજાબ બચાવો' રેલી</b></h2><p>શિરોમણી અકાલી દળ (SAD) દ્વારા ફિરોઝપુરના ગુરુહર સહાયથી 'પંજાબ બચાવો' ઝુંબેશના બીજા તબક્કાની શરૂઆત 16 ઓગસ્ટથી કરવામાં આવશે.</p><h2><b>પીએમ ફસલ વીમા યોજનાની મુદત લંબાઈ</b></h2><p>ખરીફ 2026 પાક વીમા યોજના હેઠળ રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ લંબાવીને 16 ઓગસ્ટ કરવામાં આવી છે, જેનાથી લાખો ખેડૂતોને પાક નુકસાની સામે રક્ષણ મળશે.</p><h2><b>પટનામાં પપ્પુ યાદવની ભૂખ હડતાળ</b></h2><p>બિહારમાં કાયદો-વ્યવસ્થા અને વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને સાંસદ પપ્પુ યાદવ 16 ઓગસ્ટના રોજ પટનામાં એક દિવસીય ભૂખ હડતાળ કરશે.</p><h2><b>12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ</b></h2><p>હવામાન વિભાગે 16 ઓગસ્ટના રોજ દિલ્હી, યુપી, બિહાર અને રાજસ્થાન સહિત 12 રાજ્યોમાં 80 કિમી/કલાકની ઝડપે પવન અને ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.</p><h2><b>પશ્ચિમ બંગાળમાં આયુષ્માન ભારત યોજના</b></h2><p>16 ઓગસ્ટ 2026થી પશ્ચિમ બંગાળમાં 'આયુષ્માન ભારત PM-JAY' યોજના સત્તાવાર રીતે લાગુ થશે, જેનાથી રાજ્યના 1.5 કરોડ પરિવારોને આરોગ્ય કવચ મળશે.</p><h2><b>ફોરેન એસેટ્સ ડિસ્કલોઝર સ્કીમ</b></h2><p>આવકવેરા વિભાગ દ્વારા ના નાના કરદાતાઓ માટે વિદેશી સંપત્તિ જાહેર કરવાની વિશેષ યોજના 16 ઓગસ્ટથી ખુલ્લી મૂકવામાં આવી રહી છે.</p><h2><b>લાલપુરમાં વીજ પુરવઠો બંધ રહેશે</b></h2><p>PGVCL દ્વારા કેબલ બદલવાની કામગીરીના કારણે જામનગરના લાલપુર શહેરમાં 16 ઓગસ્ટે સવારે 8:30 થી 11:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.</p><h2><b>LPG ગ્રાહકો માટે e-KYC ની મુદત</b></h2><p>ગેસ સિલિન્ડર પર સબસિડી ચાલુ રાખવા માટે તમામ LPG અને ઉજ્જવલા યોજનાના ગ્રાહકોએ 16 ઓગસ્ટ સુધીમાં e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત છે.</p><h2><b>ઉત્તરાખંડમાં ભારે વરસાદની સાવચેતી</b></h2><p>હવામાન વિભાગ (IMD) દ્વારા ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં 16 ઓગસ્ટે અતિભારે વરસાદ અને ભૂસ્ખલનની ચેતવણી આપવામાં આવી છે.</p><h2><b>1946નો ડાયરેક્ટ એક્શન ડે</b></h2><p>16 ઓગસ્ટ 1946ના રોજ મુસ્લિમ લીગ દ્વારા અલગ પાકિસ્તાનની માંગ સાથે 'ડાયરેક્ટ એક્શન ડે'નું આહ્વાન કરાયું હતું, જેના કારણે કલકત્તામાં ભયાનક કોમી રમખાણો થયા હતા.</p><h2><b>લાલ કિલ્લા પર પ્રથમ ધ્વજવંદન (1946)</b></h2><p>દેશ 15 ઓગસ્ટે આઝાદ થયો હતો, પરંતુ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર પંડિત જવાહરલાલ નેહરુ દ્વારા પ્રથમ વખત તિરંગો 16 ઓગસ્ટ 1947ના રોજ સવારે 8:30 વાગ્યે ફરકાવવામાં આવ્યો હતો.</p><h2><b>16 ઓગસ્ટની ઐતિહાસિક ઘટનાઓ</b></h2><ul><li>1691 - વર્જિનિયાના યોર્કટાઉન શહેરની સ્થાપના થઈ.</li><li>1777 - બેનિંગ્ટનના યુદ્ધમાં અમેરિકાએ બ્રિટિશ સેનાને પરાજય આપ્યો.</li><li>1787 - તુર્કીએ રશિયા સામે યુદ્ધની ઘોષણા કરી.</li><li>1896 - કેનેડાની ક્લોન્ડાઇક નદીમાંથી સોનું મળી આવતા ઐતિહાસિક 'ગોલ્ડ રશ' શરૂ થયો.</li><li>1906 - ચિલીમાં 8.6 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ આવ્યો.</li><li>1924 - નેધરલેન્ડ અને તુર્કી વચ્ચે શાંતિ કરાર પર હસ્તાક્ષર થયા.</li><li>1943 - બલ્ગેરિયાના જાર બોરિસ તૃતીયે એડોલ્ફ હિટલર સાથે મુલાકાત કરી.</li><li>1946 - મુસ્લિમ લીગના ડાયરેક્ટ એક્શન ડેના કારણે કલકત્તામાં ભયાનક રમખાણો ફાટી નીકળ્યા.</li><li>1947 - દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ લાલ કિલ્લા પરથી પ્રથમ વખત તિરંગો ફરકાવ્યો.</li><li>1962 - પોંડિચેરી (પુડુચેરી) સત્તાવાર રીતે ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો.</li><li>1979 - મચ્છુ ડેમ અસરોના પાયમાલી બાદ મોરબી શહેરમાં રાહત કાર્યો શરૂ થયા.</li><li>1990 - ચીને લોપ નોર ખાતે પ્રથમ પરમાણુ પરીક્ષણ કર્યું.</li><li>1997 - સુપ્રસિદ્ધ કવાલી ગાયક નુસરત ફતેહ અલી ખાનનું અવસાન થયું.</li><li>2000 - રશિયાની પરમાણુ સબમરીન બારન્ટ્સ સમુદ્રમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ.</li><li>2003 - લિબિયાએ લોકરબી બોમ્બ ધડાકાની જવાબદારી સ્વીકારી.</li><li>2004 - ઓસ્ટ્રેલિયા અને અમેરિકાએ ઓલિમ્પિક નોકાયાનમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.</li><li>2006 - સંયુક્ત રાષ્ટ્રએ હૈતીમાં પોતાના મિશનનો સમયગાળો લંબાવ્યો.</li><li>2008 - જમ્મુમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા અને UN શાંતિ પુરસ્કાર ભારતીય અધિકારીઓને મળ્યો.</li><li>2012 - ઇક્વાડોરે વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાંજેને રાજકીય આશ્રય આપ્યો.</li></ul><h2><b>16 ઓગસ્ટના રોજ મહાન હસ્તીઓની જન્મજયંતિ</b></h2><ul><li>1904 - સુભદ્રા કુમારી ચૌહાણ - સ્વતંત્રતા સેનાની અને પ્રખ્યાત કવિયત્રી.</li><li>1918 - ટી. ગણપતિ - બીજી લોકસભાના સભ્ય.</li><li>1920 - કોટલા વિજય ભાસ્કર રેડ્ડી - આંધ્ર પ્રદેશના 9મા મુખ્યમંત્રી.</li><li>1928 - રજની કોઠારી - જાણીતા શિક્ષણશાસ્ત્રી અને રાજકીય વિશ્લેષક.</li><li>1951 - ડેવિડ ધવન - બોલિવૂડના જાણીતા નિર્દેશક.</li><li>1954 - જેમ્સ કેમેરોન - 'ટાઇટેનિક' અને 'અવતાર' ફેમ હોલીવુડ ડિરેક્ટર.</li><li>1958 - મેડોના - વિશ્વપ્રસિદ્ધ 'ક્વીન ઓફ પોપ' ગાયિકા.</li><li>1968 - અરવિંદ કેજરીવાલ - આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ CM.</li><li>1970 - સૈફ અલી ખાન - બોલિવૂડ અભિનેતા.</li><li>1970 - મનીષા કોઈરાલા - જાણીતી બોલિવૂડ અભિનેત્રી.</li><li>2001 - લક્ષ્ય સેન - ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડી.</li></ul><h2><b>16 ઓગસ્ટના રોજ મહાન હસ્તીઓની પુણ્યતિથિ</b></h2><ul><li>1977 - એલ્વિસ પ્રેસ્લી - પ્રખ્યાત અમેરિકન ગાયક ('કિંગ ઓફ રોક એન્ડ રોલ').</li><li>1991 - સી. અચ્યુત મેનન - કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી.</li><li>1997 - નુસરત ફતેહ અલી ખાન - મહાન સૂફી અને કવાલી ગાયક.</li><li>2001 - અન્ના મણિ - ભારતીય ભૌતિક અને હવામાનશાસ્ત્રી.</li><li>2004 - રામચંદ્ર વીરપ્પા - સ્વાતંત્ર્ય સેનાની અને 7 વખત લોકસભાના સાંસદ.</li><li>2016 - ગુરદયાલ સિંહ - જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા પંજાબી લેખક.</li><li>2018 - અટલ બિહારી વાજપેયી - ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન.</li><li>2018 - આરેથા ફ્રેન્કલિન - અમેરિકાના સુપ્રસિદ્ધ ગાયિકા ('ક્વીન ઓફ સોલ').</li><li>2020 - ચેતન ચૌહાણ - ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને રાજકારણી.</li></ul><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/10-important-news-stories-of-the-day-on-august-15" target="_blank">15 ઓગસ્ટના દિવસભરના 10 મહત્વના સમાચાર</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/15/x6gUXUNfQlmJgaud7Okq7uTGMguZbITXSvU2iSgW.webp'/></item><item><title><![CDATA[India: યોગી સરકારનો મોટો નિર્ણય, યુપીમાં એનાલોગ પનીર અને ભેળસેળિયા દૂધ ઉત્પાદનો પર સંપૂર્ણ પ્રતિબંધ ]]></title><link>https://sandesh.com/india/news/yogi-govt-bans-analog-paneer-ghee-cream-in-uttar-pradesh-strict-action-on-adulteration</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/yogi-govt-bans-analog-paneer-ghee-cream-in-uttar-pradesh-strict-action-on-adulteration</guid><pubDate>Sat, 15 Aug 2026 20:00:45 +05:30</pubDate><description><![CDATA[<p>ઉત્તર પ્રદેશમાં ભેળસેળિયા દૂધ અને દૂધની નકલી બનાવટો સામે યોગી આદિત્યનાથ સરકારે અત્યાર સુધીનું સૌથી કડક વલણ અપનાવ્યું છે. રાજ્યમાં એનાલોગ પનીર, ક્રીમ, ઘી, છેના અને માવા જેવા ઉત્પાદનો પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ખાદ્ય સુરક્ષા અને ધોરણો અધિનિયમ, ૨૦૦૬ નો હવાલો આપતાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે દૂધ અને ડેરી પ્રોડક્ટ્સને તેમના મૂળ અને કુદરતી સ્વરૂપમાં જ ગ્રાહકો સુધી પહોંચાડવા ફરજિયાત છે.</p><h2><b>યોગી સરકારનો મોટો નિર્ણય</b></h2><p>સરકાર દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં લેવાયેલા સેમ્પલના નિરીક્ષણ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા હતા, જેમાં ડેરી પ્રોડક્ટ્સમાં વનસ્પતિ ફેટ, સોયા પ્રોડક્ટ્સ તેમજ પ્રોસેસ્ડ પાઉડર ઉમેરીને નકલી પનીર અને ઘી બનાવવામાં આવતું હોવાનું પકડાયું હતું. તપાસ અધિકારીઓએ રિપોર્ટ સબમિટ કર્યો હતો કે રાજ્યના કેટલાક ઉત્પાદકો દૂધમાં ટેલ્કમ પાઉડર, ડિટરજન્ટ, ટાઇટેનિયમ ડાયોક્સાઇડ, પ્રવાહી ગ્લુકોઝ, હાઇડ્રોજન પેરોક્સાઇડ અને ન્યુટ્રલાઇઝર જેવા ઘાતક રસાયણોનો ઉપયોગ કરી રહ્યા છે. આ પ્રકારના રસાયણો માનવ શરીર અને ખાસ કરીને નાગરિકોના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો ઊભો કરે છે.</p><h3><b>ઉત્તર પ્રદેશમાં એનાલોગ પનીર, ક્રીમ અને ઘી બેન</b></h3><p>જો કોઈ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ભેળસેળિયા ઉત્પાદનો પકડાશે તો આખી ફેક્ટરી જપ્ત કરી તેનું રજિસ્ટ્રેશન અને ફૂડ લાયસન્સ રદ કરાશે. ઉત્તર પ્રદેશ બહારથી આવતી બ્રાન્ડ્સમાં પણ જો ચકાસણી દરમિયાન ભેળસેળ કે કેમિકલ્સ મળશે, તો તે બ્રાન્ડના તમામ ઉત્પાદનોના વેચાણ પર સમગ્ર યુપીમાં બેન મૂકી દેવાશે. ખાદ્ય સુરક્ષા કાયદાની ધારા 34 હેઠળ તાત્કાલિક બેન ઓર્ડર ઇશ્યૂ કરી જવાબદારો સામે ફોજદારી ગુનો (FIR) દાખલ કરાશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/jharkhand-latehar-horrific-accident-auto-container-collision-7-dead" target="_blank">આ પણ વાંચો: India: ઝારખંડના લાતેહારમાં ભયાનક માર્ગ અકસ્માત, ઓટો અને કન્ટેનરની સામસામે ટક્કરમાં 7 લોકોના કરુણ મોત</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/15/SlNp9ocE8vqjyj1m0nSuhSOvhJ1uU3XgnGndCPW3.webp'/></item><item><title><![CDATA[Hockey World Cup 2026: કેપ્ટન હરમનપ્રીતના 2 ગોલ, ભારતે વેલ્સને 3-1 થી ચટાડી ધૂળ ]]></title><link>https://sandesh.com/sports/news/hockey-world-cup-2026-india-beat-wales-3-1-in-pool-d-opener</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/hockey-world-cup-2026-india-beat-wales-3-1-in-pool-d-opener</guid><pubDate>Sat, 15 Aug 2026 19:12:30 +05:30</pubDate><description><![CDATA[<p>લ્જિયમ અને નેધરલેન્ડ્સની સંયુક્ત મેજબાની હેઠળ શરૂ થયેલા હોકી વર્લ્ડ કપ 2026 માં ભારતીય પુરુષ હોકી ટીમે અપેક્ષા મુજબનો આક્રમક પ્રારંભ કર્યો છે. 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના પાવન અવસરે પૂલ-ડી ના પ્રથમ મુકાબલામાં ભારતે શરુઆતથી જ વેલ્સ પર દબાણ બનાવી રાખ્યું હતું.</p><h2><b>પૂલ-ડી ની પ્રથમ મેચમાં વેલ્સને 3-1 થી હરાવ્યું</b></h2><p>મેચની 8મી મિનિટે ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો હતો, જેને યુવા ડિફેન્ડર સંજયે શાનદાર ડ્રેગ-ફ્લિક વડે ગોલ બોક્સના ખૂણામાં ધકેલીને ભારતને 1-0 ની બઢત અપાવી હતી. ત્યારબાદ 11મી મિનિટે કેપ્ટન હરમનપ્રીત સિંહે વધુ એક પેનલ્ટી કોર્નરને કન્વર્ટ કરીને ટીમની લીડ 2-0 કરી દીધી હતી. બીજા ક્વાર્ટરમાં વેલ્સે મજબૂત ડિફેન્સ બતાવી ભારતીય એટેકર્સ સૂરજ કરકેરા અને મોહિતના પ્રયાસો નિષ્ફળ બનાવ્યા હતા, જેથી હાફ ટાઇમ સુધી સ્કોર 2-0 રહ્યો હતો.</p><h3><b>કેપ્ટન હરમનપ્રીત સિંહના 2 શાનદાર ગોલ</b></h3><p>બીજા હાફમાં પણ ભારતીય ટીમે મિડફિલ્ડ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. ત્રીજા ક્વાર્ટરમાં ભારતીય ટીમે ઉત્કૃષ્ટ ફિલ્ડ પ્લેનું પ્રદર્શન કર્યું હતું, જેમાં કેપ્ટન હરમનપ્રીતે મેચનો પોતાનો બીજો અને ભારતનો ત્રીજો ગોલ કરીને સ્કોર 3-0 કરી દીધો હતો.ચની 56મી મિનિટે વેલ્સે કાઉન્ટર એટેક કરીને એક શાનદાર ફિલ્ડ ગોલ ફટકારી સ્કોર 3-1 કર્યો હતો. છેલ્લી મિનિટોમાં વેલ્સે વધુ ગોલ કરવાના પ્રયાસો કર્યા પરંતુ ભારતીય ડિફેન્સ લાઇન અને ગોલકીપરે તેમના તમામ હુમલા નિષ્ફળ બનાવી 3-1 થી જીત સુનિશ્ચિત કરી લીધી હતી.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/lunavada/bakshipanch-hostel-6-students-hospitalised-due-to-food-poisoning" target="_blank">આ પણ વાંચો: Lunavada: બક્ષીપંચ કુમાર છાત્રાલયના 6 બાળકોને ફૂડ પોઇઝનિંગ; 108 મારફતે હોસ્પિટલમાં દાખલ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/15/8tDyjJR9VJvQQprJj5ZHzlMCNDluA2zLuRaN0lpd.webp'/></item><item><title><![CDATA[Bollywood Actress : મેલબોર્નની ધરતી પર રાની મુખર્જીનો ડંકો, ડોક્ટરેટની ડિગ્રી મળતા જ છલકાયા એક્ટ્રેસના આંસુ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/rani-mukerji-melbourne-honorary-doctorate</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/rani-mukerji-melbourne-honorary-doctorate</guid><pubDate>Sat, 15 Aug 2026 17:38:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડએક્ટ્રેસ રાની મુખર્જીએ પોતાની કારકિર્દીમાં વધુ એક ગૌરવભર્યું પાનું ઉમેર્યું છે. મેલબોર્નના ફેડરેશન સ્ક્વેર ખાતે યોજાયેલા ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન 2026ના ખાસ સમારોહ દરમિયાન ઓસ્ટ્રેલિયાની જાણીતી લા ટ્રોબ યુનિવર્સિટીએ તેમને ડોક્ટરેટ ઓફ લેટર્સની માનદ પદવીથી સન્માનિત કરી. આ ગૌરવપૂર્ણ ક્ષણે રાની ખૂબ જ ભાવુક જોવા મળી હતી અને તેમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. ભારતીય સિનેમામાં લગભગ 3 દાયકાના તેમના મહત્વપૂર્ણ યોગદાન ઉપરાંત મહિલાઓ, બાળકો અને વંચિત વર્ગોના અધિકારો માટે તેમના સતત પ્રયાસોને માન્યતા આપવા બદલ આ સન્માન આપવામાં આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>શાહરુખ ખાન બાદ આ સન્માન મેળવનારી બીજી ભારતીય</b></h2><p style="text-align: justify; ">આ સર્વોચ્ચ પદવી મેળવ્યા બાદ રાની મુખર્જી દેશની બીજી એવી ફિલ્મ હસ્તી બની છે, જેને લા ટ્રોબ યુનિવર્સિટીએ આ સન્માન આપ્યું છે. તેમના પહેલાં વર્ષ 2019માં બોલિવૂડના 'કિંગ ખાન' એટલે કે શાહરુખ ખાનને સિનેમા અને સામાજિક કાર્યોમાં તેમના યોગદાન માટે આ માનદ પદવી આપવામાં આવી હતી. ત્યારબાદ યુનિવર્સિટીએ તેમના નામે પીએચડી સ્કોલરશિપ પણ શરૂ કરી હતી. રાનીએ આ સિદ્ધિને પોતાના જીવનની સૌથી વિનમ્ર અને ગર્વથી ભરેલી ક્ષણોમાંથી એક ગણાવી છે.</p><h3 style="text-align: justify; "><b>બાળપણના સપનાથી સિનેમાની સફર સુધી</b></h3><p style="text-align: justify; ">સમારોહ દરમિયાન પોતાની જીવન સફરને યાદ કરતાં એક્ટ્રેસે કહ્યું કે બાળપણમાં દરેક બાળકની જેમ તેમનું પણ સપનું હતું કે તેઓ પોતાના માતા-પિતા અને દેશનું નામ રોશન કરે. તે સમયે તેમને આ સપનું કેવી રીતે પૂરું કરવું તેની ખબર નહોતી, પરંતુ તેમને એટલો વિશ્વાસ હતો કે જો તેઓ કોઈ કામ પૂરી નિષ્ઠાથી કરશે તો તેમના માતા-પિતાને ગર્વ થશે. આગળ જતાં સિનેમા તેમના આ સપનાને પૂરું કરવાનું મુખ્ય માધ્યમ બન્યું. તેમણે જણાવ્યું કે તેઓ શરૂઆતથી જ જોખમ લેતી એક્ટ્રેસ રહી છે અને હંમેશાં એવી વાર્તાઓ પસંદ કરી છે, જેણે પહેલાં તેમના દિલને સ્પર્શ કર્યો હોય અને સમાજને પ્રેરણા આપી હોય.</p><h3 style="text-align: justify; "><b>સંસ્કૃતિ અને સામાજિક જવાબદારીનું માધ્યમ</b></h3><p style="text-align: justify; ">રાની મુખર્જી માને છે કે એક્ટિંગ માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી, પરંતુ કલાકારોની પોતાની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરવાની એક શાંત જવાબદારી પણ હોય છે. તેમનું માનવું છે કે ફિલ્મોમાં લોકોનું મન બદલતા પહેલાં તેમના દિલને બદલવાની તાકાત હોય છે. જો તેમની એક્ટિંગે દુનિયાભરમાં કોઈ એક વ્યક્તિને પણ ભારત અને અહીંની મહિલાઓના સંઘર્ષને વધુ સારી રીતે સમજવામાં મદદ કરી હોય, તો તેઓ માને છે કે તેમની કલાકાર તરીકેની જવાબદારી પૂરી થઈ છે.</p><h4 style="text-align: justify; "><b>સામાજિક બદલાવ પર આધારિત દમદાર એક્ટિંગ</b></h4><p style="text-align: justify; ">લા ટ્રોબ યુનિવર્સિટીના કુલાધિપતિ જ્હોન બ્રમ્બી એઓએ રાનીના યોગદાનની પ્રશંસા કરતાં કહ્યું કે તેમની ફિલ્મોએ માત્ર મનોરંજન જ નથી કર્યું, પરંતુ સામાજિક ન્યાય, સમાનતા અને દરેકને સાથે લઈને ચાલવા જેવા મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા પણ શરૂ કરી છે. રાનીએ 'બ્લેક', 'નો વન કિલ્ડ જેસિકા', 'હિચકી', 'મર્દાની' સિરીઝ અને 'મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વે' જેવી ફિલ્મો દ્વારા દિવ્યાંગતા, મહિલા સશક્તિકરણ અને માનવ અધિકારો સાથે જોડાયેલા ગંભીર મુદ્દાઓને મોટા પડદા પર ખૂબ જ ઈમાનદારીથી રજૂ કર્યા છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DcAsBaGzInE/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DcAsBaGzInE/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DcAsBaGzInE/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DcAsBaGzInE/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>દેશ અને દર્શકોને સમર્પિત કર્યું સન્માન</b></h4><p style="text-align: justify; ">આ માનદ પદવી સ્વીકારતી વખતે રાની મુખર્જીએ આ સન્માન સમગ્ર ભારત અને દુનિયાભરમાં ફેલાયેલા પોતાના દર્શકોને સમર્પિત કર્યું. તેમણે કહ્યું કે તેઓ આ ડોક્ટરેટ માત્ર રાની તરીકે નહીં, પરંતુ એક ગર્વિત ભારતીય તરીકે સ્વીકારી રહી છે, જેની સંસ્કૃતિને આજે વિદેશની ધરતી પર સન્માન મળી રહ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી કે સિનેમા આ જ રીતે 2 દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા અને સાંસ્કૃતિક અંતર ઘટાડવાનું કામ કરતું રહેશે.</p><h5 style="text-align: justify; "><b>'મર્દાની 3' સાથે મોટા પડદા પર વાપસી</b></h5><p style="text-align: justify; ">કામની વાત કરીએ તો રાની મુખર્જી હાલમાં 'મર્દાની 3'માં જોવા મળી હતી. આ ફિલ્મનું ડાયરેક્શન અભિરાજ મીનાવાલાએ કર્યું છે અને આદિત્ય ચોપડાએ તેનું નિર્માણ કર્યું છે. ફિલ્મમાં તે ફરી એકવાર બહાદુર IPS અધિકારી શિવાની શિવાજી રોયની પોતાની જાણીતી ભૂમિકામાં જોવા મળી છે. ફિલ્મમાં તેમની સાથે જાનકી બોડિવાલા અને મલ્લિકા પ્રસાદે પણ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. આ વખતે વાર્તા 3 મહિનામાં ગુમ થયેલી 93 યુવતીઓની તપાસની આસપાસ ફરે છે, જેમાં શિવાની એક ખતરનાક અને સંગઠિત માનવ તસ્કરીના નેટવર્કનો પર્દાફાશ કરે છે. ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો અને ક્રિટિક્સે પણ તેની પ્રશંસા કરી હતી. આ ફિલ્મ તમે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર જોઈ શકો છો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/trisha-krishnan-attends-vijays-flag-hoisting-ceremony" target="_blank">આ પણ વાંચો-CM Vijayના ફ્લેગ હોસ્ટિંગ સેરેમનીમાં સજી-ધજીને પહોંચી ત્રિશા કૃષ્ણન! યુઝર્સે પૂછ્યું- પત્ની સંગીતા ક્યાં?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/15/A9DbOOrI16CH1Q39LotCyLNTr1OWEv0yCIsO3vzM.webp'/></item></channel></rss>