<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Godhra: વાહનોમાં અચાનક આગમાં 10 થી વધુ વાહનો ખાખ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/godhra/godhra-more-than-10-vehicles-gutted-in-sudden-fire-in-vehicles</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/godhra/godhra-more-than-10-vehicles-gutted-in-sudden-fire-in-vehicles</guid><pubDate>Thu, 10 Sep 2026 02:41:59 +05:30</pubDate><description><![CDATA[<p>Godhra: શહેરના સીમલા ગેરેજ વિસ્તારમાં આજે સવારે વાહનોમાં અચાનક આગ લાગતાં 10 થી વધુ વાહનો બળી ખાખ થઈ ગયા હતા.</p><p>ગોધરા શહેરના અમદાવાદ હાઈવે ઉપર આવેલો સીમલા ગેરેજ વિસ્તાર તમામ પ્રકારની ગાડીઓ રિપેરિંગ માટે જાણીતો વિસ્તાર છે. જ્યાં કબાડી અને રિપેરિંગ આવતી તમામ પ્રકારની ગાડીઓનો મોટો ખડકલો જોવા મળતો હોય છે. ત્યારે આ વિસ્તારમાં આજે પાર્ક કરવામાં આવેલા 10 થી વધુ વાહનોમાં એકાએક અચાનક આગ લાગવા પામી હતી. આગ કયા કારણોસર લાગી હતી તેની સતાવાર કોઈ જાણકારી પ્રાપ્ત થઈ ન હતી. વહેલી સવારે આગ લાગવાથી લોકોમાં આગ ઓલવવા માટે દોડધામ મચી ગઇ હતી. આગ લાગવાની ઘટના અંગેની જાણ ગોધરા નગર પાલિકાના ફાયર વિભાગને થતા ફાયર વિભાગના અધિકારીઓ તાબડતોબ ફાયર વોટર બ્રાઉઝર સાથે આગના સ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/10/BQgVdJMlRUONuGCCGyBtmMCJfWi4obmdXZPDvTcA.webp'/></item><item><title><![CDATA[Panchmahal: શહેરા પંથકમાં મહિલાઓએ પુરુષ વેશમાં સજ્જ થઈ ધાડ પાડવાની વિધિ કરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/panchmahal/panchmahal-in-shehra-panthak-women-dressed-up-as-men-and-performed-a-ritual-of-raiding</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/panchmahal/panchmahal-in-shehra-panthak-women-dressed-up-as-men-and-performed-a-ritual-of-raiding</guid><pubDate>Thu, 10 Sep 2026 02:40:58 +05:30</pubDate><description><![CDATA[<p>શહેરા સહિત સમગ્ર જિલ્લામાં ચાલુ ચોમાસે વરસાદ ખેંચાતાં મકાઈ, ડાંગર સહિતના ખેતી પાકોને લઈને ધરતીપુત્રો ભારે ચિંતિત બન્યા છે. કુદરતને પ્રસન્ન કરવા અને મેઘરાજાને મનાવવા માટે તાલુકાના સાજીવાવ અને મહેલાણ સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પૂર્વજોના સમયથી ચાલી આવતી ધાડ પાડવાની અનોખી લોકપરંપરા પુનઃ જીવંત થઈ ઉઠી હતી. જ્યારે વરસાદ ખેંચાય ત્યારે મહિલાઓ પુરુષોનો વેશ ધારણ કરીને પડોશી ગામમાંથી ગાયોનું ધણ વાળી લાવે તો ઇન્દ્રદેવ પ્રસન્ન થતા હોવાની લોકમાન્યતા છે.</p><p>શહેરા સહિત સમગ્ર જિલ્લામાં વરસાદ ખેંચાતા ઊભો પાક પાણી વિના સૂકાઈ જવાની અને ખેતી સંપૂર્ણ નિષ્ફ્ળ જવાની ભીતિ સેવાઈ રહી છે. આવી ગંભીર પરિસ્થિતિમાં વરસાદને રીઝવવા અને કુદરતને પ્રસન્ન કરવા માટે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષો જૂની અને અનોખી લોકપરંપરા પુનઃ જીવંત થઈ ઉઠી હતી.</p><p>તાલુકાના સાજીવાવ અને મહેલાણ સહિતના વિવિધ ગામોમાં ગ્રામજનોએ મેઘરાજાને મનાવવા માટે પૂર્વજોના સમયથી ચાલી આવતી પરંપરા ધાડ કાઢી હતી. મહિલાઓએ વિધિવત ઉપવાસ રાખીને પુરુષોના વસ્ત્ર્રો પરિધાન કર્યા હતા. હાથમાં લાકડીઓ, ડંડા, ધજા, શ્રીફ્ળ સાથે મહિલાઓ રસ્તા પર ઉતરી પડી હતી.</p><p>હોકારા-દેકારા અને ચીચિયારીઓ સાથે મહિલાઓ પગપાળા એક ગામથી બીજા ગામ ગયા હતા. સાજીવાવ ગામની મહિલાઓ મહેલાણ ગામે પહોંચીને ફ્ળિયા અને મહોલ્લામાં બાંધેલા પશુઓ તથા ગાયોના ધણને છોડાવીને પોતાના ગામ તરફ્ વાળી લાવવાની રસપ્રદ વિધિ કરી હતી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/10/CnK1EpTlY3ebuRqIWylIfMxU28UZCDGCaR4NVaFW.webp'/></item><item><title><![CDATA[Vadodara: પૂ.સ્વામીજીની 35મી પુણ્યતિથિ નિમિત્તે બે દિવસીય ભક્તિપર્વ મહોત્સવ ઉજવાશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-a-two-day-bhakti-parva-mahotsav-will-be-celebrated-on-the-occasion-of-the-35th-death-anniversary-of-p-swamiji</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-a-two-day-bhakti-parva-mahotsav-will-be-celebrated-on-the-occasion-of-the-35th-death-anniversary-of-p-swamiji</guid><pubDate>Thu, 10 Sep 2026 02:33:13 +05:30</pubDate><description><![CDATA[<p>સાવલીના ભીમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણી અમાસ અને પૂ.સ્વામીજીની 35મી પુણ્યતિથિ નિમિત્તે આવતીકાલથી બે દિવસ ભવ્ય ભક્તિ પર્વ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેની તડામાર તૈયારી ચાલી રહી છે.</p><p>નાથ સંપ્રદાયના નવ નાથ પૈકીના એક પ.પૂ.ગેબીનાથ દાદાના પ્રતિરૂપ તથા સ્વામીજી સાવલીવાળા તરીકે વિશ્વવિખ્યાત સંત શિરોમણિ સ્વામીજીની શ્રાવણી અમાસે 35મી પુણ્યતિથિ નિમિત્તે શ્રી ભીમનાથ મહાદેવ મંદિર ખાતે વર્ષોની પરંપરા મુજબ બે દિવસીય ભક્તિ પર્વ મહોત્સવ યોજાશે. મહોત્સવને અનુલક્ષીને તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ભીમનાથ મહાદેવ મંદિર પરિસરને રોશનીથી કલાત્મક રીતે શણગારાયું છે. સ્વામીજીનું સમાધિ મંદિર, ગેબીનાથ દાદાનું સમાધિ મંદિર, શિવાલયનું ગર્ભગૃહ તથા સ્વામીજીની પાવન બેઠકને વિવિધ રંગબેરંગી પુષ્પોથી નયનરમ્ય રીતે સુશોભિત કરાઈ રહી છે. પ્રારંભ આવતીકાલે તા.10ના ગુરુવારે સવારે 8:30 કલાકે સ્વામીજી દ્વારા નિર્માણ પામેલા યંત્ર આધારિત શ્રી સાચી અંબા માતાજીના મંદિરે વિદ્વાન ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે નવચંડી યાગથી કરાશે. જેમાં સાંજે 5:00 કલાકે શ્રીફ્ળ હોમાશે. વર્ષોની પરંપરા મુજબ પરમ પૂજ્ય સ્વામીજીની પાવન પાદુકાની ભવ્ય શોભાયાત્રા બપોરે 2:00 કલાકે જમનોત્રી બંગલેથી ધામધૂમપૂર્વક પ્રસ્થાન કરશે. શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ સંધ્યા આરતી સમયે શ્રી ભીમનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચશે. તા.11ના શુક્રવારે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. સવારે 3:30 કલાકે પ્રહર પૂજા, સવારે 5:00 કલાકે પ્રાતઃ આરતી, 7:00 કલાકે શહનાઈ વાદન સાથે સંગીત પ્રચારિણી સભાના વિશાળ રંગમંચ ઉપર સવારે 7:00થી સાંજે 7:00 કલાક સુધી વડોદરાના પ્રસિદ્ધ કલાકારો દ્વારા ૐ નમઃ શિવાય મંત્રની અખંડ ધૂનનું ગાન કરાશે. સવારે 8:30 કલાકે ડાકોરથી પધારેલા અતિ વિદ્વાન ભૂદેવોના હસ્તે લઘુરુદ્ર યાગનો પ્રારંભ કરાશે, બપોરે 2:00 કલાકે શ્રીફ્ળ હોમાશે. શ્રી કેદારેશ્વર ભવન ખાતે પધારનાર તમામ ભક્તજનો માટે બપોરે 12:00 કલાકથી મહાપ્રસાદી યોજાશે. ભક્તિ પર્વ મહોત્સવના સમાપન સ્વરૂપે સાંજે 7:00 કલાકે સંધ્યા મહા આરતી યોજાશે. ત્યારબાદ રાત્રે 8:30 કલાકે પ્રસિદ્ધ ગાયક અશ્વિનભાઈ પાઠકના મધુર સ્વરે સુંદરકાંડના પાઠનું પારાયણ કરાશે. મંદિર પરિસરમાં મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડે તેવી શક્યતા છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/10/bZZ0gQbXsa49iGA6Hhr77nr9pVQtoxFcP0kcB9JF.webp'/></item><item><title><![CDATA[Vadodara: માનવીય સ્વભાવ અને આંતરિક વિરોધાભાસને ઉજાગર કરતાં નાટક ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-a-play-that-exposes-human-nature-and-inner-contradictions</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-a-play-that-exposes-human-nature-and-inner-contradictions</guid><pubDate>Thu, 10 Sep 2026 02:32:29 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય રંગમંચની વિવિધતા અને સમૃદ્ધ વારસાની ઉજવણી કરતો વડોદરા રાષ્ટ્રીય નાટય મહોત્સવની બીજી એડિશન શહેરમાં યોજાઈ હતી. પારુલ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ્ પર્ફોર્મિંગ આર્ટ્સ દ્વારા આયોજિત ચાર દિવસીય મહોત્સવમાં જાણીતા અભિનેતાઓ અને રંગકર્મીઓની પ્રસ્તુતિએ નાટયરસિકોને મંત્રમુગ્ધ કર્યા હતા.</p><p>મહોત્સવનું ઉદ્વઘાટન જાણીતા અભિનેતા અને રંગમંચ કલાકાર મકરંદ દેશપાંડેએ કર્યું હતું. તેમના લેખન અને દિગ્દર્શન હેઠળનું મનુષ્ય નાટક પણ રજૂ થયું હતું. માનવીય સ્વભાવ, ઓળખ અને આંતરિક વિરોધાભાસોને કેન્દ્રમાં રાખતા આ નાટકમાં ફ્ડકે નામના પાત્ર દ્વારા એક વ્યક્તિમાં રહેલા વિદૂષક, ફ્લિોસોફર અને સામાન્ય માણસના વિવિધ પાસાં રજૂ કરવામાં આવ્યા હતા.</p><p>મહોત્સવમાં પુરાને ચાવલ - પુરાની સોચ નહીં, પુરાના તજુર્બા નાટકમાં જાણીતા અભિનેતા કુમુદ મિશ્રા અને તેમની ટીમે હાસ્ય સાથે જીવનના અનુભવો અને સંબંધોની સમજણ રજૂ કરી હતી. જ્યારે વીર ગોકુલા દ્વારા ઇતિહાસ, શૌર્ય, સાહસ અને બલિદાનની ગાથા રંગમંચ પર જીવંત બની હતી. આ ઉપરાંત મારે ગયે ગુલ્ફમમાં જાણીતા રંગકર્મી રઘુબીર યાદવે માનવીય લાગણીઓ, સંબંધો અને જીવનની જટિલતાઓને અસરકારક અભિનયથી રજૂ કરી હતી. ચાર દિવસીય મહોત્સવમાં આત્મચિંતન, હાસ્ય, માનવીય સંબંધો, ઇતિહાસ અને સંઘર્ષ જેવા વિવિધ વિષયોને આવરી લેતા નાટકો રજૂ થયા હતા. મહોત્સવે વિદ્યાર્થીઓ અને નવા કલાકારોને વ્યાવસાયિક રંગમંચની દુનિયા તથા જીવંત પર્ફોર્મન્સની કળાને નજીકથી સમજવાની તક પણ પૂરી પાડી હતી. પારુલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. પારુલ પટેલે જણાવ્યું હતું કે, થિયેટર દર્શકોને એકસાથે લાવવાની સાથે તેમને હસાવે છે, વિચારવા પ્રેરે છે અને પોતાની લાગણીઓ તથા આસપાસની ઘટનાઓ અંગે આત્મચિંતન કરવા દોરી જાય છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/10/HwJAdWwPwWDBvQW7rRDSITPWcJsXbj7jCiKzzcDY.webp'/></item><item><title><![CDATA[Vadodara: નાના ભક્તો પોતાના હાથે બનાવેલા રથ પર બાપ્પાને લઈને નીકળ્યાં ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-young-devotees-set-out-on-a-chariot-made-by-themselves-carrying-bappa</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-young-devotees-set-out-on-a-chariot-made-by-themselves-carrying-bappa</guid><pubDate>Thu, 10 Sep 2026 02:31:02 +05:30</pubDate><description><![CDATA[<p>14 સપ્ટેમ્બરને સોમવારના રોજથી ગણેશોત્સવનો આરંભ થશે તે પૂર્વે ગણેશ મંડળો દ્વારા શ્રીજીની આગમન યાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં લાખોને ખર્ચ કરીને આતશાબાજી કરાઇ રહી છે. આવા સમયે શહેરમાં શ્રીજીના નાના ભક્તોએ પોતાના હાથે બનાવેલા રથ પર બાપ્પાની આગમનયાત્રા નીકાળી હતી. જેને જોઇને શહેરીજનો ભાવવિભોર થયા હતા.</p><p>જે વિશે માહિતી આપતા કહાર ધનુષે જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષથી અમે સુરસાગર ખાતે આવેલી મહારાણી શાંતા દેવી શાળા પાસે શ્રીજીની સ્થાપના કરીએ છીએ. આ વર્ષે કઇક યૂનિક કરવાનું વિચારતા અમારા બાળ યુવક મંડળના તમામે તમામ સભ્યોએ હાથે બનાવેલા રથ પર શ્રીજીની આગમન યાત્રા નિકાળવાનું નક્કી કર્યું અને જેને અનુસરતા દાંડિયાબજાર ખાતે આવેલા નીલકંઠેશ્વર મહાદેવથી સુરસાગર ખાતે આવેલી મહારાણી શાંતા દેવી શાળા સુધીની આગમન યાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં નાના સ્પિકરમાં ભજન વગાડી ગણપતિ બાપ્પા મોરયાના નારા લગાવ્યા હતા. યાત્રામાં બાળ ગણેશના કટઆઉટ અને ધર્મધજાએ આકર્ષણ જમાવ્યું હતું.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/10/h5KQ060dCPRsSO4y6DupYLscjIXGfErxtwdCEeO4.webp'/></item><item><title><![CDATA[Hanuman Ansh 2માં જોવા મળશે વિરાટ-અનુષ્કા? જાણો શું કહ્યું પ્રોડ્યુસરે ]]></title><link>https://sandesh.com/entertainment/news/hanuman-ansh-2-virat-kohli-anushka-sharma-special-role-nim-karoli-baba</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/hanuman-ansh-2-virat-kohli-anushka-sharma-special-role-nim-karoli-baba</guid><pubDate>Wed, 09 Sep 2026 22:41:25 +05:30</pubDate><description><![CDATA[<p>Hanuman Ansh: ₹2 કરોડના બજેટમાં બનેલી ‘હનુમાન અંશ’ ફિલ્મને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. ફિલ્મના કુલ ત્રણ ભાગ બનાવવામાં આવશે. પહેલા ભાગની સફળતા બાદ હવે દર્શકો ‘હનુમાન અંશ 2’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને લઈને ચર્ચા શરૂ થઈ છે. સવાલ એ છે કે શું બંને ફિલ્મના બીજા ભાગમાં વિશેષ ભૂમિકામાં જોવા મળશે?</p><p><b>શું વિરાટ-અનુષ્કા ફિલ્મમાં જોવા મળશે?</b></p><p>ફિલ્મની પ્રોડ્યુસર નમ્રતા સિંહે એક ઈન્ટરવ્યૂમાં ‘હનુમાન અંશ 2’ને લઈને કેટલીક માહિતી આપી છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની વિશેષ ભૂમિકા અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે કેટલાક મોટા લોકોનો સંપર્ક કરવામાં આવ્યો છે. જોકે, નમ્રતાએ વિરાટ-અનુષ્કા ફિલ્મમાં જોવા મળશે કે નહીં તે અંગે સ્પષ્ટ જવાબ આપ્યો નથી. તેથી બંને ફિલ્મમાં જોવા મળશે કે નહીં તે અંગે હજુ સસ્પેન્સ છે.</p><p><b>બાબા પ્રત્યે વિરાટ-અનુષ્કાની આસ્થા</b></p><p>વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને નીમ કરોલી બાબામાં ઊંડી આસ્થા છે. બંને ઘણી વખત ઉત્તરાખંડના કૈંચી ધામની મુલાકાત લઈ ચૂક્યા છે. વિરાટના ફોનના વોલપેપર પર પણ બાબાની તસવીર જોવા મળી છે. વિરાટ-અનુષ્કાની બાબા પ્રત્યેની આસ્થાને જોતા એવી ચર્ચા છે કે બંને ‘હનુમાન અંશ’ના કોઈ એક ભાગમાં જોવા મળી શકે છે. જોકે, બંનેએ હજુ સુધી ફિલ્મ અંગે કોઈ પોસ્ટ કે સત્તાવાર નિવેદન આપ્યું નથી. બીજી તરફ, ઘણા સેલેબ્સ ફિલ્મની પ્રશંસા કરી ચૂક્યા છે અને હવે ફેન્સ વિરાટ-અનુષ્કાના રિએક્શનની રાહ જોઈ રહ્યા છે.</p><p><b>પહેલા ભાગમાં ભારતીય ભક્તોની કહાની</b></p><p>ફિલ્મની પ્રોડ્યુસર નમ્રતા સિંહે જણાવ્યું કે ‘હનુમાન અંશ’ના પહેલા ભાગમાં નીમ કરોલી બાબાના ભારતીય ભક્તોની કહાની બતાવવામાં આવશે. ભારતમાં બાબાના હજારો ભક્તો છે અને તેમના જીવન પર બાબાની ઊંડી અસર રહી છે. ફિલ્મમાં આ ભક્તોના જીવન અને તેમની આસ્થાને ખાસ રીતે રજૂ કરવામાં આવશે.</p><p><b>ત્રીજા પાર્ટમાં દુનિયાભરના ભક્તોની આસ્થા</b></p><p>નમ્રતાના જણાવ્યા અનુસાર, ફિલ્મના ત્રીજા પાર્ટમાં બાબાને લઈને દુનિયાભરના ભક્તોમાં ફેલાયેલી આસ્થા પર ફોકસ કરવામાં આવશે. આ પાર્ટમાં બતાવવામાં આવશે કે કેવી રીતે બાબાની આધ્યાત્મિક ઊર્જા ભારતમાંથી નીકળીને દુનિયાના અન્ય ભાગો સુધી પહોંચી. તેમાં સ્ટીવ જોબ્સ, માર્ક ઝકરબર્ગ, ટ્વિટરના ફાઉન્ડર જેક ડોર્સી અને હોલિવૂડ એક્ટ્રેસ જુલિયા રોબર્ટ્સના નામનો ઉલ્લેખ થશે.</p><p><b>₹170 કરોડની કમાણી કરી ચૂકી છે ફિલ્મ</b></p><p>7 ઓગસ્ટે સિનેમાઘરોમાં આવેલી આ ફિલ્મ ₹170 કરોડની કમાણી કરી ચૂકી છે. ‘હનુમાન અંશ’ની સફળતાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને પણ ચોંકાવી દીધી છે.</p><p><b><a href="https://sandesh.com/entertainment/news/hanuman-ansh-global-release-170-crore-box-office" target="_blank">આ પણ વાંચો: 'હનુમાન અંશ' 11 સપ્ટેમ્બરે વિદેશમાં રિલીઝ થશે, KGFના મેકર્સ દુનિયાભરમાં પહોંચાડશે ફિલ્મ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/bvm3Vc0nk1JKnCSLhJJBoFSS7cuIv6xkKqhOj0uQ.webp'/></item><item><title><![CDATA[Delhi : ‘માના પગે પડી માફી માંગો...’ મિલકતના કેસમાં સુપ્રીમ કોર્ટની પુત્રને ભાવુક કરી દેતી સલાહ ]]></title><link>https://sandesh.com/india/news/supreme-court-mother-son-property-dispute-apology</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/supreme-court-mother-son-property-dispute-apology</guid><pubDate>Wed, 09 Sep 2026 21:35:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">માતા-પુત્ર વચ્ચેનો સંપત્તિ વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો ત્યારે મામલો માત્ર મિલકતના હક પૂરતો રહ્યો નહીં. સુનાવણી દરમિયાન  સુપ્રીમ કોર્ટે પુત્રને કાયદાકીય દલીલો કરતાં સંબંધોની કિંમત સમજાવતી ભાવનાત્મક સલાહ આપી હતી. કોર્ટે અંતે પુત્રની અરજી ફગાવી દીધી હતી, પરંતુ સુનાવણી દરમિયાન કરવામાં આવેલી ટિપ્પણીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>જે માતાએ ઉછેર્યો, તેની સામે જ સંપત્તિનો કેસ કેમ પહોંચ્યો?</b></h2><p style="text-align: justify; ">મળતી વિગતો મુજબ માતા અને તેમના પતિ મિલકતના એકમાત્ર માલિક હતા. તેમણે પ્રેમ અને સ્નેહના કારણે પુત્ર તથા પુત્રવધૂને ઘરના પહેલા માળે રહેવાની મંજૂરી આપી હતી અને તેમની પાસેથી ભાડું પણ લેવામાં આવતું ન હતું.</p><h3 style="text-align: justify; "><b>સમય જતાં સંબંધોમાં તણાવ વધ્યો</b></h3><p style="text-align: justify; ">પરંતુ સમય જતાં સંબંધોમાં તણાવ વધ્યો હોવાનો માતા-પિતાનો આક્ષેપ હતો. તેમણે પુત્ર અને પુત્રવધૂ દ્વારા પરેશાન કરવામાં આવતા હોવાનો તેમજ મિલકત પોતાના નામે કરવાની માંગ કરવામાં આવી હોવાનો દાવો કર્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>પ્રેમથી આપેલું ઘર ક્યારે બની ગયું કોર્ટની લડાઈનું કારણ?</b></h3><p style="text-align: justify; ">માતા-પિતાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે પુત્રે કથિત રીતે કેટલાક દસ્તાવેજોના આધારે મિલકત પર પોતાનો હક દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ માતા-પિતાએ જાહેર નોટિસ દ્વારા પુત્ર અને પુત્રવધૂ સાથેના સંબંધો સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. પુત્ર સામે FIR પણ નોંધાવવામાં આવી હતી અને તેમને આપવામાં આવેલી રહેવાની મંજૂરી રદ કરીને મિલકત ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી.</p><h4 style="text-align: justify; "><b>કોર્ટમાં માતા-પિતાનો હક માન્ય થયો</b></h4><p style="text-align: justify; ">ટ્રાયલ કોર્ટે માતા-પિતાને મિલકતના એકમાત્ર માલિક ગણાવી હતી અને પુત્ર-પુત્રવધૂને માત્ર રહેવાની પરવાનગી આપવામાં આવી હોવાનું માન્યું હતું. પરવાનગી રદ થયા બાદ મિલકત પર તેમનો કબજો કાયદેસર ન હોવાનું જણાવી પ્રથમ માળ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ નિર્ણયને દિલ્હી હાઈકોર્ટે પણ 17 એપ્રિલે યથાવત રાખ્યો હતો. ત્યારબાદ પુત્ર સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો.</p><h4 style="text-align: justify; "><b>સુપ્રીમ કોર્ટની એક સલાહે સૌનું ધ્યાન ખેંચ્યું</b></h4><p style="text-align: justify; ">જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ એનકે સિંહની બેન્ચે પુત્રની અરજીમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરીને તેને ફગાવી દીધી હતી. જોકે સુનાવણી દરમિયાન જસ્ટિસ શર્માએ પુત્રને પોતાની માતા પાસે જઈને માફી માંગવાની અને તેમના આશીર્વાદ લેવાની સલાહ આપી હતી.</p><h4 style="text-align: justify; "><b>મોટો સામાજિક સંદેશ પણ આપ્યો</b></h4><p style="text-align: justify; ">કોર્ટે કાયદાકીય વિવાદનો અંત તો લાવ્યો, પરંતુ સાથે એક મોટો સામાજિક સંદેશ પણ આપ્યો—મિલકતનો વિવાદ કોર્ટમાં જીતી શકાય, પરંતુ માતા સાથે તૂટેલો સંબંધ પાછો મેળવવો એટલો સરળ નથી.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp;<a href="https://sandesh.com/gujarat/news/political-news/ahmedabad/statue-of-unity-gujarat-national-film-awards-ekta-nagar-uddhav-thackeray-political-row" target="_blank"><b> Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/2iVzAfrhbzsbKPTUEPBXukAcR4MYfSqYlzWmlbC1.webp'/></item><item><title><![CDATA[10 September Top News: બ્રિક્સ સંમેલન, વેરાવળમાં વીજકાપથી લઈને સુપ્રીમ કોર્ટની મહત્વની સુનાવણીઓ સુધીના તમામ અપડેટ્સ ]]></title><link>https://sandesh.com/india/news/gujarat/ahmedabad/10-september-top-news-today-history-events</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/gujarat/ahmedabad/10-september-top-news-today-history-events</guid><pubDate>Wed, 09 Sep 2026 21:29:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">10 સપ્ટેમ્બરનો દિવસ રાજકીય, સામાજિક અને સ્થાનિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. 10 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના સત્ય નિકેતન કાંડ મામલે સુપ્રીમ કોર્ટમાં અગત્યની સુનાવણી થશે, જ્યારે ખેડૂત નેતાઓ 'સીડ એક્ટ' મુદ્દે કૃષિ મંત્રીને મળશે. આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રિક્સ સંમેલનની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે અને મુંબઈમાં નાણાકીય બેઠકનું સમાપન થશે. </p><p style="text-align: justify; ">10 September Top News:&nbsp; ગુજરાતમાં વેરાવળના અનેક વિસ્તારોમાં 11 કેવી અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરીને પગલે 5 કલાકનો વીજકાપ રહેશે, જ્યારે છોટાઉદેપુરના નસવાડી APMC ચૂંટણીની મતગણતરી પણ 10 સપ્ટેમ્બરના રોજ જ હાથ ધરાશે. આ ઉપરાંત 10 સપ્ટેમ્બરના રોજ વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ અને ઇન્ટરનેશનલ મેક-અપ ડે પણ ઉજવાઈ રહ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>દિલ્હી સત્ય નિકેતન દુર્ઘટના, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી</b></h2><p style="text-align: justify; ">દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં થયેલા ભયાનક અકસ્માત મામલે 10 સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટ દિલ્હી હાઈકોર્ટમાં ચાલી રહેલી આ કેસની કાર્યવાહી પોતાની પાસે ટ્રાન્સફર કરવા પર વિચાર કરી શકે છે. આ સાથે દિલ્હીના PG અને હોસ્ટેલની સુરક્ષા તેમજ ઓડિટ અંગે દેશવ્યાપી માર્ગદર્શિકા જાહેર કરવાની શક્યતા છે.</p><h2 style="text-align: justify; "><b>ખેડૂતો અને કૃષિમંત્રી વચ્ચે 'સીડ એક્ટ' અંગે બેઠક</b></h2><p style="text-align: justify; ">દેશભરના ખેડૂત નેતાઓ 10 સપ્ટેમ્બરના રોજ સાંજે 4 વાગ્યે કૃષિ મંત્રાલય ખાતે કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સાથે મુલાકાત કરશે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય બીજ માફિયાઓ પર લગામ કસવા માટે કડક 'સીડ એક્ટ' લાવવા અંગે ચર્ચા કરવાનો છે.</p><h2 style="text-align: justify; "><b>બ્રિક્સ સંમેલન 2026: સંયુક્ત નિવેદન પર અંતિમ મહોર</b></h2><p style="text-align: justify; ">આગામી 11 સપ્ટેમ્બરથી દિલ્હીમાં વિશ્વના નેતાઓનું આગમન શરૂ થશે તે પહેલાં, 10 સપ્ટેમ્બરના રોજ બ્રિક્સ (BRICS) દેશોનું સંયુક્ત નિવેદન તૈયાર કરી લેવામાં આવશે. ડેલિગેટ્સ અને વાટાઘાટકારો દિવસ-રાત જોયા વિના અંતિમ ડ્રાફ્ટ પર સહમતિ સાધવા પ્રયાસ કરી રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>ભાજપની ઉત્તરાખંડમાં 2027 ચૂંટણીની તૈયારીઓ</b></h2><p style="text-align: justify; ">ભાજપના નેતા નીતિન નવીનનો ઉત્તરાખંડ પ્રવાસ 10 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થશે. તેઓ હલ્દ્વાનીમાં પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત મહત્વની બેઠક કરશે અને પ્રદેશ કોર કમિટી સાથે 2027ની વિધાનસભા ચૂંટણીની રણનીતિ ઘડશે.</p><h2 style="text-align: justify; "><b>IRCTC કૌભાંડ: લાલુ પ્રસાદ સામે આરોપો નક્કી થઈ શકે છે</b></h2><p style="text-align: justify; ">બહુચર્ચિત IRCTC કૌભાંડ કેસમાં કોર્ટ 10 સપ્ટેમ્બરના રોજ પોતાનો નિર્ણય સંભળાવી શકે છે. આ મામલામાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ સહિત અન્ય દિગ્ગજો આરોપી છે. કોર્ટ 10 સપ્ટેમ્બરના રોજ તેમના પર આરોપો નક્કી કરે તેવી પ્રબળ સંભાવના છે.</p><h2 style="text-align: justify; "><b>રાજનાથ સિંહનો શ્રીલંકા પ્રવાસ સંપન્ન</b></h2><p style="text-align: justify; ">ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની ત્રણ દિવસીય શ્રીલંકા મુલાકાતનો 10 સપ્ટેમ્બરના રોજ અંતિમ દિવસ છે. આ પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ, સુરક્ષા અને દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા પર ચર્ચા થઈ, જે ભારત-શ્રીલંકા ભાગીદારીને નવી મજબૂતી આપશે.</p><h2 style="text-align: justify; "><b>મુંબઈમાં બ્રિક્સ નાણામંત્રીઓની બેઠકનું સમાપન</b></h2><p style="text-align: justify; ">મુંબઈમાં યોજાઈ રહેલી BRICS દેશોના નાણામંત્રીઓ અને કેન્દ્રીય બેંકના ગવર્નરોની બેઠકનો 10 સપ્ટેમ્બરના રોજ છેલ્લો દિવસ છે. આ બેઠકમાં ન્યૂ ડેવલપમેન્ટ બેંકની ભૂમિકા, સ્થાનિક ચલણમાં વેપાર અને આર્થિક સહયોગ જેવા ગંભીર મુદ્દાઓ પર અંતિમ ચર્ચા થશે.</p><h2 style="text-align: justify; "><b>દિલ્હીમાં વિજ્ઞાન અને ટેકનોલોજી સંમેલન-2026</b></h2><p style="text-align: justify; ">નવી દિલ્હીમાં 10 સપ્ટેમ્બરના રોજ 'ઉભરતા વિજ્ઞાન, પ્રોદ્યોગિકી અને નવાચાર સંમેલન-2026' નું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ આ કાર્યક્રમમાં મુખ્ય સંબોધન કરશે, જેમાં DSIR અને CSIR ના ટોચના વૈજ્ઞાનિક અધિકારીઓ ઉપસ્થિત રહેશે.</p><h2 style="text-align: justify; "><b>CEC જ્ઞાનેશ કુમાર ગુજરાતની બે દિવસીય મુલાકાતે</b></h2><p style="text-align: justify; ">ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર 10 અને 11 સપ્ટેમ્બરે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવશે. તેઓ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે તેમજ BLO અને ELC સભ્યો સાથે સંવાદ કરશે.</p><h2 style="text-align: justify; "><b>વેરાવળમાં 10 સપ્ટેમ્બરના રોજ 5 કલાકનો વીજકાપ</b></h2><p style="text-align: justify; ">વેરાવળ શહેરમાં 11 કેવી અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરીને લીધે 10 સપ્ટેમ્બરના રોજ સવારે 9 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી વીજ પુરવઠો ખોરવાયેલો રહેશે. PGVCL ની કામગીરીને કારણે 60 ફૂટ રોડ, વિવેકાનંદ સોસાયટી, જાગૃતિ સોસાયટી, ગોકુલ ધામ સોસાયટી સહિતના અનેક વિસ્તારોમાં વીજળી બંધ રહેશે.</p><h2 style="text-align: justify; "><b>નસવાડી APMC ચૂંટણી: 10 સપ્ટેમ્બરના રોજ પરિણામ</b></h2><p style="text-align: justify; ">છોટાઉદેપુર જિલ્લાની નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં 533 માંથી 516 ખેડૂતોએ રેકોર્ડબ્રેક મતદાન કર્યું હતું. 10 સપ્ટેમ્બરે મતગણતરી હાથ ધરાશે અને 20 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે.</p><h2 style="text-align: justify; "><b>વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ</b></h2><p style="text-align: justify; ">દર વર્ષે 10 સપ્ટેમ્બરને 'વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. 2003 થી શરૂ થયેલ આ અભિયાન IASP, WHO અને WFMH ના સંયુક્ત ઉપક્રમે ચલાવાય છે, જેનો ઉદ્દેશ્ય લોકોમાં જાગૃતિ લાવી આત્મહત્યાના બનાવો ઘટાડવાનો છે.</p><h2 style="text-align: justify; "><b>ઇન્ટરનેશનલ મેક-અપ ડે</b></h2><p style="text-align: justify; ">ફેશન અને કોસ્મેટિક્સ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો 'ઇન્ટરનેશનલ મેક-અપ ડે' 10 સપ્ટેમ્બરના રોજ દુનિયાભરમાં ઉજવવામાં આવી રહ્યો છે, જે સુંદરતા અને કોસ્મેટિક આર્ટિસ્ટના કસબને બિરદાવવાનો દિવસ છે.</p><p style="text-align: justify; ">10 September Top News</p><h2 style="text-align: justify; "><b>અબ્દુલ હમીદ શહીદ દિવસ</b></h2><ul><li style="text-align: justify; ">1965 - અબ્દુલ હમીદ: 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં અસલ ઉત્તરની લડાઈમાં અદમ્ય સાહસ બતાવી શહીદ થનારા ભારતીય સૈનિકની પૂણ્યતિથિ.</li><li style="text-align: justify;">10 સપ્ટેમ્બરની ઐતિહાસિક ઘટનાઓ&nbsp;</li><li style="text-align: justify;">1846 - સિલાઈ મશીનની પેટન્ટ: અમેરિકન શોધક એલિયાસ હોવને તેમના લોકસ્ટીચ ડિઝાઇનવાળા સિલાઈ મશીન માટે યુનાઇટેડ સ્ટેટ્સમાં સત્તાવાર પેટન્ટ મળી.</li><li style="text-align: justify;">1935 - દૂન સ્કૂલની સ્થાપના: ભારતની પ્રખ્યાત અને પ્રતિષ્ઠિત દૂન સ્કૂલની સ્થાપના કરવામાં આવી.</li><li style="text-align: justify;">1936 - મોટરસાઈકલ ચેમ્પિયનશિપ: લંડનના વેમ્બલી સ્ટેડિયમ ખાતે ફર્સ્ટ વર્લ્ડ ઈન્ડિવિઝ્યુઅલ મોટરસાઈકલ સ્પીડવે ચેમ્પિયનશિપ યોજાઈ.</li><li style="text-align: justify;">1966 - પંજાબનું વિભાજન: પંજાબ રાજ્યને ભાષાકીય ધોરણે પંજાબ અને હરિયાણા નામના બે અલગ રાજ્યોમાં વહેંચવામાં આવ્યું.</li><li style="text-align: justify;">1967 - જિબ્રાલ્ટર જનમત: જિબ્રાલ્ટરના લોકોએ સ્પેનનો ભાગ બનવાને બદલે બ્રિટિશ નિર્ભરતા જાળવી રાખવા માટે મતદાન કર્યું.</li><li style="text-align: justify;">1976 - વિમાન હાઇજેક: દિલ્હીથી જયપુર જઈ રહેલા ઇન્ડિયન એરલાઇન્સના બોઇંગ 737 વિમાનને હાઇજેક કરી લાહોર લઈ જવામાં આવ્યું, બાદમાં તમામ મુસાફરોને સુરક્ષિત છોડાવાયા.</li><li style="text-align: justify;">2002 - સ્વિટ્ઝર્લેન્ડ UNનું સભ્ય: વર્ષો સુધી તટસ્થ રહેનારો દેશ સ્વિટ્ઝર્લેન્ડ સત્તાવાર રીતે સંયુક્ત રાષ્ટ્ર (UN) નો 191મો પૂર્ણ સભ્ય દેશ બન્યો.</li><li style="text-align: justify;">2008 - લાર્જ હેડ્રોન કોલાઈડર: જિનીવા ખાતે CERN સંસ્થા દ્વારા બ્રહ્માંડની ઉત્પત્તિના રહસ્યો શોધવા વિશ્વની સૌથી મોટી પાર્ટિકલ એક્સિલરેટર મશીન પ્રાયોગિક ધોરણે શરૂ કરાઈ.</li></ul><h2 style="text-align: justify; "><b>10 સપ્ટેમ્બરના દિવસે જન્મેલી પ્રખ્યાત હસ્તીઓ</b></h2><ul><li style="text-align: justify; ">1872 - જામ રણજી: ભારતના નવાનગર રજવાડાના મહારાજા જામ સાહેબ અને વિશ્વવિખ્યાત ટેસ્ટ ક્રિકેટ ખેલાડીનો જન્મ.</li><li style="text-align: justify;">1887 - પંડિત ગોવિંદ વલ્લભ પંત: પ્રખ્યાત સ્વતંત્રતા સેનાની, ઉત્તર પ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી અને ભારતના પૂર્વ ગૃહમંત્રીનો જન્મ (ભારત રત્ન વિજેતા).</li><li style="text-align: justify;">1915 - સ્વામી સચ્ચિદાનંદ: ગુજરાતના જાણીતા સાહિત્યકાર, વિચારક, સમાજ સુધારક અને રાષ્ટ્રીય સંતનો જન્મ મહેસાણા જિલ્લાના મુજપુર ગામે થયો.</li></ul><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-sg-highway-bridge-delay-commuters-deadline-extension" target="_blank">Ahmedabad : ઇસ્કોન એલિવેટેડ કોરિડોરનો કરોડોનો બ્રિજ હજું પણ અધૂરો, જનતા પરેશાન, લાપરવાહીની રમાતી રમત</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/l1pb6w3n9XhxYjd56QPE6mAccurwdYScQ2XiXTot.webp'/></item><item><title><![CDATA[Jio IPO: નવેમ્બરમાં આવી શકે Jio Platformsનો IPO, વિદેશી રોકાણકારો પર કંપનીની નજર ]]></title><link>https://sandesh.com/business/news/jio-platforms-ipo-november-2026-foreign-investors-reliance-fundraising</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/jio-platforms-ipo-november-2026-foreign-investors-reliance-fundraising</guid><pubDate>Wed, 09 Sep 2026 20:19:04 +05:30</pubDate><description><![CDATA[<p>Reliance ઇન્ડસ્ટ્રીઝની ડિજિટલ અને ટેલિકોમ કંપની જિઓ પ્લેટફોર્મ્સના પ્રસ્તાવિત IPOને લઈને તૈયારીઓ હવે વધુ ઝડપી બની રહી છે. કંપની IPO પહેલાં દેશ-વિદેશના મોટા રોકાણકારો સુધી પહોંચવાની તૈયારીમાં હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટ અનુસાર, અમેરિકા, સિંગાપોર, હોંગકોંગ, લંડન અને મિડલ ઈસ્ટમાં સંભવિત રોકાણકારો સાથે બેઠકો યોજાઈ શકે છે.</p><p><b>SEBIની મંજૂરી બાદ આગળનું પગલું</b></p><p>જિઓ પ્લેટફોર્મ્સે 19 જૂન 2026ના રોજ IPO માટે SEBI સમક્ષ ડ્રાફ્ટ દસ્તાવેજો રજૂ કર્યા હતા. ત્યારબાદ 28 ઓગસ્ટે કંપનીને IPO માટે મંજૂરી મળી હતી. પ્રસ્તાવિત ઈશ્યૂ હેઠળ 27 કરોડ સુધીના નવા શેર જારી કરવાની યોજના છે, જે કંપનીની કુલ ઈક્વિટીમાં લગભગ 2.9 ટકાના ડાયલ્યુશન જેટલું થશે.</p><p><b>નવેમ્બરમાં IPO આવવાની શક્યતા</b></p><p>હાલ કંપનીના IPOની ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી. જોકે, રિપોર્ટ મુજબ જો તમામ પ્રક્રિયા યોજના પ્રમાણે આગળ વધશે તો જિઓ પ્લેટફોર્મ્સનો IPO નવેમ્બર 2026માં બજારમાં આવી શકે છે.</p><p><b>વિદેશી રોકાણકારો સાથે બેઠકો</b></p><p>IPO પહેલાં જિઓ પ્લેટફોર્મ્સની ટીમ વૈશ્વિક રોકાણકારો સાથે સીધી ચર્ચા કરી શકે છે. અમેરિકા સહિત સિંગાપોર, હોંગકોંગ, લંડન અને મિડલ ઈસ્ટમાં યોજાનારી બેઠકો દરમિયાન કંપનીનો બિઝનેસ મોડલ, અત્યાર સુધીની વૃદ્ધિ અને ભવિષ્યની સંભાવનાઓ અંગે પ્રેઝન્ટેશન આપવામાં આવી શકે છે.</p><p><b>IPOનું વેલ્યુએશન હજુ નક્કી નથી</b></p><p>જિઓ પ્લેટફોર્મ્સના IPOની અંતિમ વિગતો હજુ સામે આવી નથી. રિપોર્ટ અનુસાર, કંપની અને તેના સલાહકારો વચ્ચે ઈશ્યૂના કદ, કંપનીના વેલ્યુએશન અને IPOના સમયને લઈને ચર્ચા ચાલી રહી છે. એટલે અંતિમ ઓફર સાઈઝ અને વેલ્યુએશનમાં ફેરફાર થવાની શક્યતા પણ છે.</p><p><b>રિલાયન્સ પણ ₹12,500 કરોડ ઊભા કરશે</b></p><p>બીજી તરફ, જિઓના IPOની તૈયારીઓ વચ્ચે તેની પેરન્ટ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પણ ફંડ એકત્ર કરવાની દિશામાં આગળ વધી રહી છે. રિપોર્ટ અનુસાર, રિલાયન્સ સ્થાનિક કરન્સી બોન્ડ દ્વારા આગામી સપ્તાહની શરૂઆતમાં ₹12,500 કરોડ સુધીની રકમ મેળવવાની યોજના બનાવી રહી છે.</p><p><b>બોન્ડ ઈશ્યૂની બેઝ સાઈઝ ₹10,000 કરોડ</b></p><p>રિપોર્ટ પ્રમાણે રિલાયન્સના પ્રસ્તાવિત બોન્ડ ઈશ્યૂની મૂળ સાઈઝ ₹10,000 કરોડ રહેશે. આ ઉપરાંત કંપની પાસે ગ્રીનશૂ ઓપ્શન હેઠળ વધુ ₹2,500 કરોડ એકત્ર કરવાની સંભાવના રહેશે. આ રીતે કુલ ફંડ રેઝિંગ ₹12,500 કરોડ સુધી પહોંચી શકે છે.</p><p><b><a href="https://sandesh.com/business/news/nse-ipo-will-nses-ipo-create-history-know-every-detail-from-price-band-to-listing" target="_blank">આ પણ વાંચો:&nbsp; NSEનો IPO રચશે ઇતિહાસ? જાણો પ્રાઇઝ બેન્ડથી લઇને લિસ્ટિંગ સુધીની દરેક ડિટેલ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/rkIKR0o0X3LcLWkjlrmgiFUBPUNKH1hNWcyV6gjr.webp'/></item><item><title><![CDATA[Malaysia : 72 વર્ષના ફૂટબોલ દિગ્ગજે 20 વર્ષની યુવતી સાથે કર્યા લગ્ન, તસવીરો વાયરલ થતાં પરિવારે કરી પુષ્ટિ ]]></title><link>https://sandesh.com/world/news/sports/malaysia-football-legend-abdul-alif-marriage-72-year-old-20-year-old-wife</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/sports/malaysia-football-legend-abdul-alif-marriage-72-year-old-20-year-old-wife</guid><pubDate>Mon, 07 Sep 2026 23:00:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મલેશિયન ફૂટબોલના દિગ્ગજ અને પૂર્વ હરિમાઉ મલાયા સ્ટાર દાતુક અબ્દુલ અલિફે 72 વર્ષની ઉંમરે પોતાના જીવનનો નવો અધ્યાય શરૂ કર્યો છે. સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો વાયરલ થયા બાદ તેમના પરિવારે લગ્નની સત્તાવાર પુષ્ટિ કરી છે. અહેવાલ મુજબ 27 ઓગસ્ટે યોજાયેલા ખાનગી સમારંભમાં અબ્દુલ અલિફે પોતાની જીવનસંગિની સાથે નિકાહ કર્યા હતા. તેમની પત્નીની ઉંમર 20 વર્ષ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>લગ્નની ખબર કોણે કરી કન્ફર્મ?</b></h2><p style="text-align: justify; ">અબ્દુલ અલિફના નાના ભાઈ અને પૂર્વ ખેલાડી તથા કોચ દાતુક યુનુસ અલિફે લગ્નની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે 27 ઓગસ્ટે બંનેના લગ્ન થયા હતા અને બંને પરિવારોની સંમતિ તથા આશીર્વાદ સાથે આ સંબંધ બંધાયો છે. પરિવાર દ્વારા નવદંપતીના સુખી દાંપત્ય જીવન માટે શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>ફોન નહીં ઉઠાવતા ભાઈએ શું કહ્યું?</b></h3><p style="text-align: justify; ">લગ્ન બાદ અબ્દુલ અલિફ મીડિયા સંપર્કમાં ન આવતા તેમના ભાઈ યુનુસ અલિફે જણાવ્યું હતું કે તેઓ સંભવતઃ હનીમૂન પર હોવાથી ફોનનો જવાબ આપી શકતા નથી.જોકે પરિવારે સ્પષ્ટ કર્યું છે કે બંનેના નિકાહ થઈ ચૂક્યા છે અને પરિવાર તરફથી બંનેને શુભકામનાઓ આપવામાં આવી છે.</p><h4 style="text-align: justify; "><b>મલેશિયન ફૂટબોલના દિગ્ગજ રહ્યા છે અબ્દુલ અલિફ</b></h4><p style="text-align: justify; ">અબ્દુલ અલિફ મલેશિયન ફૂટબોલ ઇતિહાસના જાણીતાં ખેલાડીઓમાં સામેલ રહ્યા છે. 1970ના અંતિમ વર્ષો અને 1980ના શરૂઆતના સમયમાં મલેશિયન ફૂટબોલના સફળ સમયગાળામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.તેઓ તે મલેશિયન ટીમના સભ્ય હતા જેણે ક્વોલિફાઇંગ મેચમાં દક્ષિણ કોરિયાને 2-1થી હરાવી 1980ના મોસ્કો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું.</p><h4 style="text-align: justify; "><b>ઓલિમ્પિક રમવાનું સપનું કેમ અધૂરું રહ્યું?</b></h4><p style="text-align: justify; ">મલેશિયાએ સોવિયેત સંઘના અફઘાનિસ્તાન પરના આક્રમણના વિરોધમાં 1980ના મોસ્કો ઓલિમ્પિકનો બહિષ્કાર કર્યો હતો. જેના કારણે અબ્દુલ અલિફ સહિત અનેક ખેલાડીઓનું ઓલિમ્પિકમાં રમવાનું સપનું અધૂરું રહી ગયું હતું. લાંબા સમય સુધી વ્યાવસાયિક ફૂટબોલ અને મીડિયા લાઇમલાઇટથી દૂર રહ્યા બાદ આ દિગ્ગજ ખેલાડી હવે પોતાના અંગત જીવનના નવા નિર્ણયને કારણે ફરી ચર્ચામાં આવ્યા છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">&nbsp; આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-gujarat-drowning-deaths-1999-river-lake-check-dam-water-safety" target="_blank"><b>Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/oQuxxQEBdhQdWmZFxk2LOPbwDJRpf6zDEmwi2pJ3.webp'/></item></channel></rss>