<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Monsoon 2026 : સુરત ફરી જળબંબાકાર, અનેક જગ્યાએ ઘૂંટણસમા પાણી ભરાયા, તંત્રની ફરી પોલ ખુલી, Video ]]></title><link>https://sandesh.com/weather/news/gujarat/surat/surat-heavy-rain-waterlogging-udhna-navsari-road-farmers-happy</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/news/gujarat/surat/surat-heavy-rain-waterlogging-udhna-navsari-road-farmers-happy</guid><pubDate>Tue, 21 Jul 2026 11:13:24 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા સતત મહેરબાન થઈ રહ્યા છે, ત્યારે સુરત શહેર અને જિલ્લામાં ફરી એકવાર વરસાદે માઝા મૂકી છે. વહેલી સવારથી જ શરૂ થયેલા અવિરત વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જનજીવન અને વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.</p><h2 style="text-align: justify; "><b>ઉધના-નવસારી રોડ તેમજ ભટાર રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા</b></h2><p style="text-align: justify; ">શહેરના મહત્વના ગણાતા ઉધના-નવસારી રોડ તેમજ ભટાર રોડ પર વરસાદી પાણી ફરી વળતાં રસ્તાઓ જળબંબાકાર બની ગયા છે. અનેક જગ્યાએ ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી વાહનચાલકો ભારે મુશ્કેલી વચ્ચે પસાર થવા મજબૂર બન્યા હતા. કેટલાક વાહનો પાણીમાં બંધ પડી જતાં લોકોને હાલાકી ભોગવવી પડી હતી.</p><h3 style="text-align: justify; "><b>ગ્રામ્ય તાલુકાઓમાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ&nbsp;</b></h3><p style="text-align: justify; ">બીજી તરફ, સુરત જિલ્લાના ઓલપાડ, માંગરોળ સહિતના ગ્રામ્ય તાલુકાઓમાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. ખેતરોમાં પાણી આવતાં અને લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. સતત થઈ રહેલી આ મેઘમહેરથી પાકને નવું જીવન મળતાં ધરતીપુત્રોમાં આનંદનો માહોલ છવાયો છે.</p><p style="text-align: justify; "><img alt="Severe Rain Hits Surat Again: Waterlogging on Udhna Road, Farmers Rejoice" src="https://epapercdn.sandesh.com/images/2026/07/21/GQ8ylHEFFIXmHkO9HxTTyvDqKoHhD5w9gB3QQx7q.webp"><br></p><h4 style="text-align: justify; "><b>સુરત શહેર અને જિલ્લામાં 'રેડ એલર્ટ' જાહેર&nbsp;</b></h4><p style="text-align: justify; ">સુરત શહેર અને સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી જ અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત શહેર અને જિલ્લામાં 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. સતત વરસી રહેલા વરસાદને કારણે અઠવાલાઇન્સ જેવા મુખ્ય વિસ્તારો સહિત શહેરના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અઠવાલાઇન્સ સ્થિત સાયબર પોલીસ સ્ટેશન બહાર પણ ગોઠણસમા પાણી ભરાઈ જતાં ભારે મુશ્કેલી સર્જાઈ છે.</p><p style="text-align: justify; "><img alt="Severe Rain Hits Surat Again: Waterlogging on Udhna Road, Farmers Rejoice" src="https://epapercdn.sandesh.com/images/2026/07/21/EEVFGvNE5CxjaVDW8yT3Ozvp0azOkSmrGTIIk4e0.webp"><br></p><h4 style="text-align: justify; "></h4><p style="text-align: justify; ">વરસાદના આ પ્રારંભિક તબક્કે જ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. પાલિકાના ડ્રેનેજ અને પાણીના નિકાલ અંગેના મોટા દાવાઓ પોકળ સાબિત થતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.&nbsp;</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbCwojJDepB/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbCwojJDepB/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a>&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp; &nbsp;:&nbsp; &nbsp; <a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-unjha-cumin-fennel-gi-tag-gujarat-agricultural-products-list-farmers-benefit" target="_blank"><b>Sandesh Digital Explainer : ઊંઝાના જીરા અને વરિયાળીને મળ્યો GI ટેગ, ગુજરાતના કેટલા ઉત્પાદનોને મળ્યો GI ટેગ? વાંચો રસપ્રદ માહિતી</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/ASlAzKVtoaJEcpzZ3OIiKVuxEeLbnQOYlwmYJSyQ.webp'/></item><item><title><![CDATA[Lionel Messi heartbreak :  ફાઇનલમાં હાર બાદ મેસ્સીએ મૌન તોડ્યું, કહી આ મોટી વાત ]]></title><link>https://sandesh.com/sports/news/lionel-messi-heartbreak-messi-broke-his-silence-after-losing-in-the-final-saying-this-big-thing</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/lionel-messi-heartbreak-messi-broke-his-silence-after-losing-in-the-final-saying-this-big-thing</guid><pubDate>Tue, 21 Jul 2026 11:01:01 +05:30</pubDate><description><![CDATA[<p>ફિફા વર્લ્ડ કપ ફાઇનલમાં આર્જેન્ટિનાની હાર બાદ આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસ્સીએ પહેલી વાર પોતાના દિલની વાત કહી છે.આર્જેન્ટિનાની હાર બાદ તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી.પોસ્ટમાં,મેસ્સીએ સ્પેનિશ ટીમને અભિનંદન આપ્યા અને તેમની ટીમના એકંદર પ્રદર્શનની પ્રશંસા કરી.જોકે મેસ્સીએ નિવૃત્તિ અંગે કોઈ સંદેશ કે સંકેત આપ્યા નથી.</p><h3><b>"આ ઘા રૂઝાવવામાં સમય લાગશે" : લિયોનેલ મેસ્સી</b></h3><p>લાયોનેલ મેસ્સીએ લખ્યું કે હાલમાં પીડા ખૂબ જ છે. આ ઘા રૂઝવામાં સમય લાગશે, પરંતુ મેં સારી યાદોને, તે બધી મેચોને યાદ રાખવાનું નક્કી કર્યું છે જ્યાં અમે બધું આપ્યું અને તેને ફેરવી દીધું. આ ક્ષણો હંમેશા યાદ રહેશે. હું હંમેશા સમગ્ર રાષ્ટ્રના સમર્થનને યાદ રાખીશ, જેણે આ જૂથના કાર્ય અને પ્રયત્નો સાથે મળીને અમને ફરી એકવાર વિશ્વની શ્રેષ્ઠ ટીમોમાં પાછા લાવ્યા છે.</p><p><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DbBdI-3MFdh/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DbBdI-3MFdh/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a></p><p><br></p><h4><b>મેસ્સીએ સ્પેનને તેમની જીત પર અભિનંદન આપ્યા</b></h4><p>મેસ્સીએ આગળ લખ્યું કે આજે આપણે જે પ્રાપ્ત કર્યું તેની કદર કરવી મુશ્કેલ છે. પરંતુ આ જૂથ ખરેખર સતત બે વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચ્યું છે. દરેક અભિનંદન સંદેશ અને દરેક સંદેશ માટે મારા હૃદયના તળિયેથી આભાર. ફરી એકવાર, આપણે એક રાષ્ટ્ર તરીકે ભેગા થયા અને સાથે ઉભા રહ્યા, આર્જેન્ટિના હોવાનો અપાર ગર્વ અનુભવી રહ્યા છીએ. હું સ્પેનને પણ વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન આપવા માંગુ છું. મેસ્સીએ આ વર્લ્ડ કપમાં આઠ ગોલ કર્યા, જે સૌથી વધુ ગોલ કરનાર ખેલાડીઓની યાદીમાં બીજા સ્થાને રહ્યો.</p><h4><b>સ્પેને 16 વર્ષ પછી ફૂટબોલ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો</b></h4><p>સ્પેને 16 વર્ષની લાંબી રાહ જોયા બાદ ફરી એકવાર ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સના ન્યુ જર્સી સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં,સ્પેને ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાને 1-0 થી હરાવ્યું. મેચ દરમિયાન ખૂબ જ સ્પર્ધા થઈ, પરંતુ નિયમન સમયમાં કોઈ પણ ટીમ ગોલ કરી શકી નહીં. ત્યારબાદ મેચ વધારાના સમયમાં ગઈ, જ્યાં સ્પેનના ફેરન ટોરેસે શાનદાર ગોલ કરીને પોતાની ટીમને જીત અપાવી.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/ferran-torres-love-story-he-made-the-coachs-daughter-his-girlfriend-then-this-is-why-they-broke-up" target="_blank">Ferran Torres Love Story: કોચની દીકરીને બનાવી ગર્લફ્રેન્ડ, પછી આ કારણે થયું બ્રેકઅપ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/WhOFHhpAdpSOi7fOBWCDuKPdPrmG27o3sKZQWTk1.webp'/></item><item><title><![CDATA[Surat : બેંકના લોકર પણ અસુરક્ષિત, નાનપુરા કેનેરા બેંકમાંથી 45 લાખના અસલ સોનાના બદલે મુકાયા બોગસ બિસ્કિટ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/surat-canara-bank-locker-gold-biscuits-theft-fraud-investigation</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/surat-canara-bank-locker-gold-biscuits-theft-fraud-investigation</guid><pubDate>Tue, 21 Jul 2026 10:35:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરમાં હવે બેંકના લોકર પણ સુરક્ષિત ન રહ્યા હોવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલી કેનેરા બેંકના લોકરમાંથી અસલ સોનાના બિસ્કિટ ગાયબ થઈ ગયા છે અને તેની જગ્યાએ બોગસ સોનાના બિસ્કિટ મૂકી દેવામાં આવ્યા છે. અંદાજે 45 લાખ રૂપિયાની કિંમતના સોનાની અદલાબદલી કે ચોરી થતાં વેપારી વર્ગ અને ગ્રાહકોમાં ભારે સળવળાટ અને ફફડાટ વ્યાપી ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>100-100 ગ્રામના 4 હોલમાર્કવાળા સોનાના બિસ્કિટ હતા</b></h2><p style="text-align: justify; ">મળતી વિગતો અનુસાર, એક વેપારીએ નાનપુરા સ્થિત કેનેરા બેંકના પોતાના લોકરમાં 100-100 ગ્રામના 4 હોલમાર્કવાળા સોનાના બિસ્કિટ રાખ્યા હતા.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>અસલી બિસ્કિટના સ્થાને નકલી બિસ્કિટ મુકી દેવાયા&nbsp;</b></h3><p style="text-align: justify; ">જોકે, તપાસ દરમિયાન સામે આવ્યું કે અસલ સોનાના બિસ્કિટના સ્થાને માત્ર 3 ટકા કે 65 ગ્રામ જેટલું સાવ ઓછું સોનું ધરાવતા બોગસ બિસ્કિટ મૂકી દેવામાં આવ્યા હતા.</p><h4 style="text-align: justify; "><b>અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ</b></h4><p style="text-align: justify; ">પોતાના કિંમતી સોનાના બિસ્કિટ સાથે ચેડાં થયા હોવાનું માલૂમ પડતાં જ વેપારીએ તાત્કાલિક અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને બેંકના કર્મચારીઓ, લોકર વિભાગના સીસીટીવી ફુટેજ તેમજ અન્ય શંકાસ્પદ બાબતોને ધ્યાનમાં રાખીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. બેંક લોકરની અંદરથી થયેલી આ હાઈપ્રોફાઈલ ચોરી કે છેતરપિંડીમાં બેંકના જ કોઈ ભેજાબાજનો હાથ છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ તેજ કરી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-unjha-cumin-fennel-gi-tag-gujarat-agricultural-products-list-farmers-benefit" target="_blank"><b> Sandesh Digital Explainer : ઊંઝાના જીરા અને વરિયાળીને મળ્યો GI ટેગ, ગુજરાતના કેટલા ઉત્પાદનોને મળ્યો GI ટેગ? વાંચો રસપ્રદ માહિતી</b></a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/uGVJJyoRbdQ6ofHj1erzZ7h81EG1XqDx99xBzJRR.webp'/></item><item><title><![CDATA[Karnataka High Court પૈતૃક મિલકત પર મોટો ચુકાદો, દાદા કે પિતા પાસેથી મળેલી દરેક મિલકત પર બાળકોનો જન્મસિદ્ધ અધિકાર નથી ]]></title><link>https://sandesh.com/india/news/karnataka-high-court-big-verdict-on-ancestral-property-children-do-not-have-birthright-over-every-property-inherited-from-grandfather-or-father</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/karnataka-high-court-big-verdict-on-ancestral-property-children-do-not-have-birthright-over-every-property-inherited-from-grandfather-or-father</guid><pubDate>Tue, 21 Jul 2026 10:33:43 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મિલકતના વિભાજન અને વારસાહકને લઈને કર્ણાટક હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પિતા કે દાદા પાસેથી વારસામાં મળેલી દરેક મિલકત આપમેળે પૈતૃક (Ancestral) બની જતી નથી. તેથી, આવી મિલકત પર બાળકોને જન્મથી જ વારસાહક મળતો નથી. હાઈકોર્ટના જણાવ્યા અનુસાર, મિતાક્ષર હિન્દુ કાયદા હેઠળ મિલકતની કાનૂની સ્થિતિ તે મૂળ કઈ રીતે પ્રાપ્ત કરવામાં આવી હતી તેના આધારે નક્કી થાય છે, માત્ર પેઢી દર પેઢી ટ્રાન્સફર થવાથી કોઈ મિલકત પૈતૃક બનતી નથી.</p><h2 style="text-align: justify;"><b>કર્ણાટક હાઈકોર્ટનો પૈતૃક સંપત્તિ પર મોટો ચુકાદો</b></h2><p style="text-align: justify;">એક પુત્રીએ તેના પિતાને તેના દાદા પાસેથી મળેલી મિલકતમાં પોતાના જન્મસિદ્ધ અધિકારના આધારે હિસ્સો માંગ્યો હતો. જોકે, હાઈકોર્ટની સમીક્ષામાં સામે આવ્યું કે આ મિલકત મૂળ દાદાની પોતાની કમાણીથી ખરીદેલી (સ્વ-ઉપાર્જિત) હતી. કૌટુંબિક સમાધાન પછી પણ તે પિતાની અલગ કે વ્યક્તિગત મિલકત જ રહી. પરિણામે, કોર્ટે ચુકાદો આપ્યો કે પુત્રી પોતાના જન્મસિદ્ધ અધિકારના જોરે આ મિલકતના વિભાજનનો દાવો કરી શકે નહીં.</p><h3 style="text-align: justify;"><b>સ્વ-અર્જિત મિલકત પર માલિકનો સંપૂર્ણ અધિકાર</b></h3><p style="text-align: justify;">હાઈકોર્ટે સ્પષ્ટતા કરી છે કે જો કોઈ વ્યક્તિ પોતાની કમાણીથી મિલકત ખરીદે છે અને ત્યારબાદ તે તેના પુત્રને આપે છે, તો તે પૈતૃક મિલકત ગણાશે નહીં. આવી સ્વ-અર્જિત મિલકતમાં પૌત્ર-પૌત્રીઓ કે બાળકોનો કોઈ જન્મસિદ્ધ અધિકાર રહેતો નથી. મિલકતનો મૂળ માલિક તેને પોતાની ઈચ્છા મુજબ વેચી શકે છે, ભેટ (Gift) આપી શકે છે અથવા વસિયતનામા (Will) દ્વારા કોઈપણ વ્યક્તિને આપી શકે છે. માલિકના આ નિર્ણયને બાળકો કોર્ટમાં પડકારી શકતા નથી.</p><h4 style="text-align: justify;"><b>નિર્ણય કેમ અત્યંત મહત્વપૂર્ણ છે?</b></h4><p style="text-align: justify;">આ ચુકાદો હિન્દુ ઉત્તરાધિકાર કાયદામાં ચાલતી ઘણી ગેરસમજો દૂર કરે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વડીલો પાસેથી મળેલી તમામ મિલકત પૈતૃક હોય છે, પરંતુ મિતાક્ષર કાયદા મુજબ જન્મસિદ્ધ અધિકાર માત્ર સહ-અધિકૃત કે પૂર્વજોની મૂળ પૈતૃક મિલકતમાં જ મળે છે. કાનૂની નિષ્ણાતોના મતે આ નિર્ણયથી વારસાઈ વિવાદો, સંપત્તિનું પ્લાનિંગ અને ફેમિલી સેટલમેન્ટના કેસોમાં મોટી સ્પષ્ટતા આવશે.</p><h3 style="text-align: justify;"><b>શું બાળકોનો મિલકત પરનો અધિકાર છીનવાઈ જશે?</b></h3><p style="text-align: justify; ">હાઈકોર્ટના આ ચુકાદાનો અર્થ એવો બિલકુલ નથી કે બાળકો પિતાની મિલકત પરનો અધિકાર સંપૂર્ણપણે ગુમાવી દેશે. જો પિતા કોઈપણ વસિયતનામું (Will) બનાવ્યા વગર મૃત્યુ પામે છે, તો કાયદાકીય વારસદાર તરીકે બાળકોને તે મિલકતમાં નિયમ મુજબ હિસ્સો મળશે. પરંતુ જો પિતા પોતાની સ્વ-ઉપાર્જિત મિલકત જીવતેજીવ કોઈ અન્ય વ્યક્તિના નામે કરી દે કે વસિયતનામું લખી દે, તો બાળકો બળજબરીથી તેનો દાવો કરી શકશે નહીં.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/india/news/cjp-protest-cockroach-janata-partys-protest-at-jantar-mantar-continues-in-delhi-large-number-of-police-personnel-deployed" target="_blank">આ પણ વાંચો : CJP Protest: દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીનો જંતર-મંતર પર વિરોધ યથાવત, મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/7p2I9Tu48yKMAfBouQTqpO3ZQTL7KFeJ67NI7K19.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: રાજ્યમાં 63 શંકાસ્પદ કેસમાંથી 12 દર્દીઓ પોઝિટિવ, અત્યાર સુધીમાં 9 માસુમ બાળકોના મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-chandipura-virus-update-63-suspected-12-positive-cases-9-deaths-recorded</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-chandipura-virus-update-63-suspected-12-positive-cases-9-deaths-recorded</guid><pubDate>Tue, 21 Jul 2026 10:29:12 +05:30</pubDate><description><![CDATA[<p>દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદી વાતાવરણ વચ્ચે ભેજવાળા હવામાનના કારણે રેટિયા માખી દ્વારા ફેલાતા ચાંદીપુરા વાયરસના કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે. રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, સમગ્ર રાજ્યમાંથી ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા કુલ 63 શંકાસ્પદ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા. પૂનાની વાયરોલોજી લેબોરેટરી અને રાજ્યની તપાસ ટીમો દ્વારા હાથ ધરાયેલા સેમ્પલ ટેસ્ટિંગમાં અત્યાર સુધીમાં 12 દર્દીઓમાં ચાંદીપુરા વાયરસની સત્તાવાર પુષ્ટિ (પોઝિટિવ) થઈ છે.</p><h2><b>રાજ્યમાંથી ચાંદીપુરા વાયરસના 63 શંકાસ્પદ દર્દીઓ&nbsp;</b></h2><p>સૌથી દુઃખદ બાબત એ છે કે આ વાયરસ મુખ્યત્વે 15 વર્ષથી ઓછી વયના બાળકો પર ઝડપથી આક્રમણ કરતો હોવાથી, અત્યાર સુધીમાં સારવાર દરમિયાન 9 બાળ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. જિલ્લાવાર સ્થિતિ પર નજર કરીએ તો પંચમહાલ અને ખેડા જિલ્લામાં વાયરસનો ઉપદ્રવ વધુ જોવા મળ્યો છે, જ્યાં બબ્બે પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. આ ઉપરાંત અમદાવાદ શહેર-જિલ્લા સહિત અન્ય 5 જિલ્લાઓમાં પણ એક-એક પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા છે.</p><h3><b>આરોગ્ય વિભાગની ત્વરિત કામગીરી અને લક્ષણો</b></h3><p>ચાંદીપુરા વાયરસના વધતા સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લા પંચાયત અને મનપાના આરોગ્ય તંત્રને કડક સૂચનાઓ આપવામાં આવી છે. અસરગ્રસ્ત અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય કાર્યકરો દ્વારા ઘરે-ઘરે જઈને સર્વેલન્સ કામગીરી શરૂ કરવામાં આવી છે. માટીના કાચા મકાનો, તિરાડો અને ઢોરના કોઢારોમાં રેતી માખીના ઉપદ્રવને અટકાવવા માટે મેલાથિયોન પાવડરનું ડસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.</p><h4><b>મેલાથિયોન પાવડરનું ડસ્ટિંગ</b></h4><p>તબીબોના જણાવ્યા મુજબ, ચાંદીપુરા વાયરસમાં બાળકમાં અચાનક તીવ્ર તાવ આવવો, સતત ઉલટી થવી, બાળક સુસ્ત થઈ જવું, ભાન ભૂલવું કે શરીર ખેંચાવું (આંચકી આવવી) જેવા ગંભીર લક્ષણો જોવા મળે છે. જો બાળકમાં આમાંનું કોઈ પણ લક્ષણ દેખાય તો સ્થાનિક આશા વર્કર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) કે ત્વરિત ધોરણે નજીકની સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવા વાલીઓને અપીલ કરવામાં આવી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/vadodara/chandipura-virus-cases-7-suspected-children-ssg-gotri-hospital" target="_blank">આ પણ વાંચો: Vadodara: મધ્ય ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના લીધે SSG માં 5 બાળકો પૈકી 3 ગંભીર, ગોત્રી હોસ્પિટલમાં 2 દર્દીઓની સ્થિતિ સ્થિર</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/YLYjeq8KMryyhQGMtP4oXwyjhEOMvbyw4jxPCmVk.webp'/></item><item><title><![CDATA[India US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલમાં એવું તો શું છે? ખેડૂતોએ નારાજ થઇને બોલાવી મહાપંચાયત ]]></title><link>https://sandesh.com/india/news/india-us-trade-deal-what-is-there-in-the-trade-deal-between-india-and-america-farmers-are-angry-and-call-a-mahapanchayat</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/india-us-trade-deal-what-is-there-in-the-trade-deal-between-india-and-america-farmers-are-angry-and-call-a-mahapanchayat</guid><pubDate>Tue, 21 Jul 2026 10:29:00 +05:30</pubDate><description><![CDATA[<p>ભારત-અમેરિકા વેપાર કરારનો વિરોધ કરવા માટે ખેડૂતોએ દિલ્હીના કિસાન ઘાટ ખાતે મહાપંચાયત બોલાવી છે. તેમને ડર છે કે આ કરારથી ભારતીય બજારમાં સસ્તા અમેરિકન કૃષિ ઉત્પાદનોનો ધસારો થશે, જેનાથી તેમની આવકમાં ઘટાડો થશે. તેઓ ટેરિફમાં ભારે ઘટાડાનો વિરોધ કરી રહ્યા છે. જ્યારે સરકાર દાવો કરે છે કે સુરક્ષાના પગલાં લેવામાં આવ્યા છે, ત્યારે ખેડૂતો આને કૃષિ હિતોનો દગો માને છે.</p><h2><b>શંભુ બોર્ડર કરાઇ છે સીલ&nbsp;</b></h2><p>દિલ્હીના કિસાન ઘાટ ખાતે મહાપંચાયત ની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલા, દિલ્હી, જલંધર અને જમ્મુને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગોને સંપૂર્ણપણે સીલ કરવામાં આવ્યા હતા. શંભુ સરહદ પર ખેડૂતોને દિલ્હી તરફ કૂચ કરતા અટકાવવામાં આવ્યા હતા, જ્યાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિત વિવિધ રાજ્યોના ખેડૂતો અને સામાજિક સંગઠનોએ ભારત-અમેરિકા વેપાર કરારનો વિરોધ કરવા માટે આ મહાપંચાયત બોલાવી છે. ખેડૂત નેતાઓએ વિવિધ સ્થળોએથી દિલ્હી તરફ કૂચ કરી રહેલા ખેડૂતોને અટકાવવાની નિંદા કરી છે.</p><h3><b>ખેડૂતો કરી રહ્યા છે ટ્રેડ ડીલનો વિરોધ&nbsp;</b></h3><p>નોંધનીય છે કે ખેડૂતો લાંબા સમયથી ભારત-અમેરિકા વેપાર કરાર અને મુક્ત વેપાર કરાર (FTA) નો વિરોધ કરી રહ્યા છે. ખાસ કરીને, તેઓ ભારત અને અમેરિકા વચ્ચે થયેલા વચગાળાના કરારનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોનો દાવો છે કે આ કરારો ભારતીય કૃષિ અને ખેડૂત સમુદાય પર પ્રતિકૂળ અસર કરશે. તેનાથી વિપરીત, સરકારનો દાવો છે કે સંવેદનશીલ કૃષિ પેદાશોને સોદામાંથી બાકાત રાખવામાં આવી છે, જેથી ખેડૂતોને કોઈ નુકસાન ન થાય. જોકે, ખેડૂત સંગઠનોનો દાવો છે કે સરકારે ખેડૂત સમુદાયના હિત સાથે ચેડા કર્યા છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/AHindinews/status/2079400733825445936"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p><b style="font-size: 1.75rem;">આ સોદા વિશે ખેડૂતોને શું ડર છે?</b></p><p>ખેડૂતોને ડર છે કે અમેરિકામાંથી ભારે સબસિડીવાળા, ઓછી કિંમતના ઉત્પાદનો ભારતીય બજારમાં છલકાઈ જશે. આનાથી સ્થાનિક ભાવ ઘટશે અને ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોની આવકમાં ઘટાડો થશે. બીજી બાજુ, સરકારનો દાવો છે કે આ સોદામાં સુરક્ષા પગલાંનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેથી ચિંતાનું કોઈ કારણ નથી. ગયા મહિને, કિસાન મજૂર મોરચાએ વેપાર કરાર સામે મોટા પાયે વિરોધ પ્રદર્શનો કર્યા હતા, જે દરમિયાન પીએમ મોદી અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પૂતળા બાળવામાં આવ્યા હતા.</p><p><br></p><h4><b>નાના ખેડૂતો અને ડેરી ક્ષેત્ર પર અસર</b></h4><p>ખેડૂત સંગઠનોનો આરોપ છે કે ખેડૂતો અથવા અન્ય હિસ્સેદારો સાથે કોઈ પણ પ્રકારની સલાહ-સૂચન કર્યા વિના, કરાર ગુપ્ત રીતે વાટાઘાટો કરવામાં આવી રહી છે. અખિલ ભારતીય કિસાન સભા (AIKS) ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. અશોક ધવલેએ ભારત-અમેરિકા વેપાર કરારની આકરી ટીકા કરી છે. તેમણે ધ્યાન દોર્યું કે આ કરાર હેઠળ યુએસ કૃષિ અને ડેરી ઉત્પાદનો પરના ટેરિફમાં ઘટાડો કરવામાં આવ્યો છે.</p><p>આ ઉત્પાદનો પરના ટેરિફ, જે અગાઉ 35% થી 150% સુધીના હતા, તેને ઘટાડીને શૂન્ય કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં નોંધ્યું કે, આયાત ટેરિફ ઉપરાંત, યુએસ આયાત પર લાગુ થતા અન્ય કર પણ સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યા છે. ધવલેએ ભાર મૂક્યો કે ભારતીય ખેડૂતો નાની જમીન ધરાવે છે અને યુએસ અને EU માં ખેડૂતોને આપવામાં આવતી ઉચ્ચ સબસિડીની તુલનામાં તેમને નોંધપાત્ર રીતે ઓછો સરકારી ટેકો મળે છે.</p><p>તેમણે જણાવ્યું હતું કે બજારમાં શૂન્ય-ટેરિફ યુએસ માલનો પ્રવાહ સ્થાનિક ખેડૂતોના વિસ્થાપન તરફ દોરી જશે અને ભારતની સ્થાનિક ખાદ્ય ઉત્પાદન ક્ષમતાને નબળી પાડશે. તેમણે આ કરારને ભારતીય કૃષિ હિતોનો વિશ્વાસઘાત ગણાવ્યો. નાના અને સીમાંત ખેડૂતોની આજીવિકાનું રક્ષણ કરવાને બદલે, સરકારની નીતિ યુએસ કૃષિ વ્યવસાયોના હિતોને પ્રાથમિકતા આપીને ભારતીય ખેડૂતોના હિતોને જોખમમાં મૂકી રહી છે.</p><p><br></p><p><a href="https://sandesh.com/astrology/news/bhakti/surya-guru-yuti-2026-mahalakshmi-rajyoga-has-been-formed-the-luck-of-4-zodiac-signs-will-shine-due-to-the-union-of-sun-and-guru" target="_blank">આ પણ વાંચો: Surya Guru Yuti 2026: બન્યો મહાલક્ષ્મી રાજયોગ ! સૂર્ય ગુરુની યુતિથી 4 રાશિની કિસ્મત ચમકશે</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/8AP9De7WVlpDTsncupFfXTSYnlwUazhbblldhtcM.webp'/></item><item><title><![CDATA[Thalapathy Vijay ની છેલ્લી ફિલ્મ "જન નાયકન" 23 જુલાઈએ રિલીઝ થશે, ટિકિટના ભાવ આસમાને ]]></title><link>https://sandesh.com/entertainment/news/thalapathy-vijays-last-film-jana-nayakkan-will-release-on-july-23-ticket-prices-skyrocket</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/thalapathy-vijays-last-film-jana-nayakkan-will-release-on-july-23-ticket-prices-skyrocket</guid><pubDate>Tue, 21 Jul 2026 10:07:45 +05:30</pubDate><description><![CDATA[<p>દક્ષિણ ભારતીય સિનેમાના સુપરસ્ટાર થલાપતિ વિજયની મોસ્ટ અવેટેડ ફિલ્મ "જન નાયકન" આખરે ૨૩ જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. વિવાદોને કારણે સાત મહિના મોડી પડેલી આ ફિલ્મ મૂળ જાન્યુઆરીમાં રિલીઝ થવાની હતી. થલાપતિ વિજયની આ છેલ્લી ફિલ્મ હોવાથી ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં બોબી દેઓલ, પૂજા હેગડે અને પ્રકાશ રાજ જેવા દિગ્ગજ કલાકારો પણ મુખ્ય ભૂમિકામાં છે.</p><h2><b>&nbsp;"જન નાયકન" ફિલ્મની ટિકિટના ભાવ આસમાને</b></h2><p>ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થતાં જ ટિકિટો ઝડપથી વેચાઈ રહી છે. વિજયનો ફેન બેઝ માત્ર તમિલનાડુ પૂરતો સીમિત ન રહેતાં કર્ણાટક, તેલંગાણા અને કેરળમાં પણ વ્યાપક છે. બેંગલુરુમાં PVR સિનેમાના રિક્લાઇનર શો માટે ટિકિટના ભાવ ₹૨,૬૦૦ સુધી પહોંચી ગયા છે, છતાં ઘણા પ્રીમિયમ શો હાઉસફુલ થઈ ગયા છે. જયારે તમિલનાડુમાં રાજ્ય સરકાર દ્વારા ટિકિટના દર પર કેપિંગ હોવાને કારણે શરૂઆતના દિવસની ટિકિટ ₹૧૮૩ થી ₹૧૯૦ ની વચ્ચે મળી રહી છે. જોકે કેટલાક સ્થળે બ્લેકમાં ₹૩,૦૦૦ સુધી ટિકિટ વેચાતી હોવાના અહેવાલ છે. કોચીમાં મહત્તમ કિંમત ₹૭૦૦, હૈદરાબાદમાં ₹૭૦૮, દિલ્હીમાં ₹૯૦૦ અને મુંબઈમાં ₹૧,૦૨૦ નોંધાઈ છે.</p><h4><b>થલાપતિના ચાહકો ફિલ્મ જોવા આતુર</b></h4><p>ફિલ્મના પ્રોડક્શન હાઉસના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, ટિકિટના ભાવ મનસ્વી રીતે નક્કી કરવામાં આવ્યા નથી પરંતુ તે બજારની માંગને પ્રતિબિંબિત કરે છે. વિચિત્ર માંગ અને ચાહકોના ભારે ઉત્સાહને જોતાં નિર્માતાઓ, વિતરકો અને થિયેટર માલિકોએ સંયુક્ત રીતે ભાવ નક્કી કર્યા છે. વિજયની અંતિમ ફિલ્મને મોટા પડદા પર નિહાળવા માટે ચાહકો કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર દેખાઈ રહ્યા છે. એડવાન્સ બુકિંગમાં ફિલ્મની&nbsp;ટિકિટના ભાવ 2600એ પહોંચતા જે બતાવે છે કે ચાહકોમાં થલાપતિ વિજયને જોવા કેટલો ક્રેઝ છે.&nbsp;</p><p><br></p><p><a href="https://sandesh.com/entertainment/news/toxic-new-song-yash-tara-sutaria-romantic-track-release-date" target="_blank">આ પણ વાંચો : Toxic New Song : યશ અને તારા સુતરિયાની રોમેન્ટિક કેમેસ્ટ્રી મળશે જોવા, ક્યારે રિલીઝ થશે નવું ગીત?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/jGMHbdx5qurCrtP0tZoyAypzniuj5ConELinO0ds.webp'/></item><item><title><![CDATA[Patan: રાધનપુરમાં 36 લાખની ઉચાપતનો આરોપી લોકઅપમાં જલસાથી વાપરે છે મોબાઈલ ફોન, સીસીટીવી વાયરલ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/patan/radhanpur-police-station-lockup-cctv-viral-accused-jaha-rabari-uses-mobile-in-custody</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/patan/radhanpur-police-station-lockup-cctv-viral-accused-jaha-rabari-uses-mobile-in-custody</guid><pubDate>Tue, 21 Jul 2026 09:56:37 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાત પોલીસ પ્રજાની સુરક્ષા અને ગુનેગારોમાં કાયદાનો ડર ઊભો કરવાનો દાવો કરે છે, પરંતુ પાટણ જિલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશનથી સામે આવેલા દ્રશ્યોએ પોલીસ તંત્રની શિસ્ત પર મોટા પ્રશ્નાર્થચિહ્નો ઊભા કર્યા છે. રાધનપુર તાલુકાના અગિચણા ગામની સેવા સહકારી મંડળીમાં રૂ. 36.25 લાખની મસમોટી રકમની હેરાફેરી અને ઉચાપત કરવાના ગંભીર ગુનામાં પકડાયેલા મંડળીના મંત્રી જહાભાઈ રબારીને રાધનપુર પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવ્યો હતો. ગુનેગારને જેલમાં ધકેલી કાયદાકીય સકંજો કસવાને બદલે રાધનપુર પોલીસે તેને લોકઅપમાં જ VIP સુવિધાઓ પૂરી પાડી હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે.</p><h2><b>જેલમાં VIP સુવિધાઓ પૂરી પાડી&nbsp;</b></h2><p>મળતી માહિતી મુજબ, રાધનપુર પોલીસ સ્ટેશનના લોકઅપના સીસીટીવી ફૂટેજ મેળવવા માટે કરવામાં આવેલી RTI અરજીમાં મોટો ધડાકો થયો છે. વાયરલ થયેલી સીસીટીવી ક્લિપમાં આરોપી જહા રબારી લોકઅપની અંદર કોઈ પણ પ્રકારના ખૌફ વગર બિન્દાસ્તપણે મોબાઈલ ફોન પર વાત કરતો અને મેસેજ ટાઇપ કરતો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે.</p><h3><b>તત્કાલીન PI સામે ગંભીર આક્ષેપ</b></h3><p>RTI માંથી બહાર આવેલા સીસીટીવી અને વિગતો અનુસાર, રાધનપુર પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઈ આર.કે. પટેલ દ્વારા આરોપીને લોકઅપમાં પૂરેપૂરી છૂટછાટ આપીને સાચવવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો છે. સામાન્ય નાગરિક કે નાના ગુનેગાર સામે કડક વલણ અપનાવતી પોલીસ હાઇપ્રોફાઇલ અને લાખોના કૌભાંડી આરોપીઓ સામે આટલી મહેરબાન કેમ બની તે મુદ્દો અત્યારે સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.</p><p>આ ઘટના સીસીટીવી ફૂટેજ સાથે સામે આવતા જ સ્થાનિકો અને અરજદારો દ્વારા અનેક તીખા સવાલો પૂછવામાં આવી રહ્યા છે.</p><p>1. લોકઅપ સુધી આરોપી પાસે સ્માર્ટફોન અને સિમકાર્ડ કોણે પહોંચાડ્યા?</p><p>2. શું લોકઅપ પહરા પર તૈનાત પોલીસ કર્મચારીઓ અને તત્કાલીન PI ની સંમતિ વગર આ શક્ય બની શકે?</p><p>3. ૩૬.૨૫ લાખની ઉચાપતના કેસમાં આરોપી લોકઅપમાંથી ફોન દ્વારા પુરાવા નાશ કરવા કે સાક્ષીઓને ધમકાવવા કાવતરું રચતો હતો કે કેમ?</p><h4><b>પાટણ પોલીસની છબી ખરડાઈ</b></h4><p>હાલ તો આ સીસીટીવી સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ પાટણ પોલીસની છબી ખરડાઈ છે. સ્થાનિક નાગરિકો અને જાગૃત નાગરિકો માંગ કરી રહ્યા છે કે આ મામલે પાટણ જિલ્લા પોલીસ વડા (SP) અને રેન્જ IG દ્વારા તાત્કાલિક ધોરણે તટસ્થ તપાસ કમિટી નીમવામાં આવે અને આરોપીને VIP ટ્રીટમેન્ટ આપનારા તત્કાલીન PI આર.કે. પટેલ સહિત જવાબદાર કન્સટેબલ અને લોકઅપ સંભાળતા પોલીસકર્મીઓ સામે કડક ખાતાકીય પગલાં ભરવામાં આવે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/surat/surat-rain-waterlogging-udhna-road-navsari-kaveri-river-overflows-dahod-limdi-rain" target="_blank">આ પણ વાંચો: Surat: ઉધનામાં પાણી ભરાતાં ટ્રાફિકજામ, નવસારીમાં કાવેરી નદી ઓવરફ્લો અને દાહોદમાં મેઘમહેર</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/vCaBjh47dc3zbOq8H44NfWp9mPH7PoHp5aWMHgYS.webp'/></item><item><title><![CDATA[Stock Market Opening: શેરબજારમાં સુસ્તી, સેન્સેક્સ ફલેટ, નિફ્ટી 24,246 અંકે ખૂલ્યો ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-opening-slowdown-in-the-stock-market-sensex-flat-nifty-opens-at-24246-points</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-opening-slowdown-in-the-stock-market-sensex-flat-nifty-opens-at-24246-points</guid><pubDate>Tue, 21 Jul 2026 09:34:09 +05:30</pubDate><description><![CDATA[<p>અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવની અસર વૈશ્વિક બજારોમાં દેખાઈ રહી છે. મંગળવારે પણ ભારતીય શેરબજાર માટે નબળા ખુલવાના સંકેતો મળી રહ્યા છે. GIFT નિફ્ટી 24,148 ના સ્તરની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો, જે લગભગ 110 પોઈન્ટ ઘટીને ખુલી શકે છે, જે દર્શાવે છે કે સ્થાનિક બજારો દબાણ હેઠળ ખુલી શકે છે.</p><h2><b>શેરબજારની ફ્લેટ શરૂઆત&nbsp;</b></h2><p>ત્યારે સવારે 9.30 કલાકે શેરબજારની નબળી શરૂઆત થઇ.સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાનમાં પણ ફ્લેટ ખૂલ્યા. સવારે 9.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ +4.45 પોઇન્ટના વધારા સાથે 77,712.97 અંકે ખૂલ્યો જ્યારે નિફ્ટી +1.55 પોઇન્ટના વધારા સાથે&nbsp; 24,240.05 અંકે ખૂલ્યો.</p><p><br></p><p>શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન, HDFC બેંક, મારુતિ સુઝુકી ઇન્ડિયા અને આઇશર મોટર્સ નિફ્ટી 50 પર સૌથી વધુ ઘટાડાવાળા શેરોમાં સામેલ હતા. આ દરમિયાન, વ્યાપક બજારમાં ખરીદીનો ટ્રેન્ડ જોવા મળ્યો. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ અને નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સ અનુક્રમે 0.17 ટકા અને 0.34 ટકાના વધારા સાથે ટ્રેડિંગ કરી રહ્યા હતા. ક્ષેત્રીય સૂચકાંકોમાં, નિફ્ટી સિમેન્ટ ટોચનો દેખાવ કરનાર હતો, જે લગભગ 1 ટકા વધ્યો હતો. બીજી તરફ, નિફ્ટી ફાર્મા અને નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સ દબાણ હેઠળ ટ્રેડિંગ કરતા જોવા મળ્યા.</p><p><br></p><h3><b>વૈશ્વિક બજારમાં શું છે સ્થિતિ ?&nbsp;</b></h3><p>એશિયન બજારોમાં મિશ્ર વેપાર જોવા મળ્યો. દક્ષિણ કોરિયાના કોસ્પી અને જાપાનના નિક્કી 225 અનુક્રમે 2.8 ટકા અને 2.02 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યા હતા, જ્યારે રોકાણકારો પશ્ચિમ એશિયામાં વિકાસ પર નજર રાખી રહ્યા હતા.</p><p>યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તેહરાને ત્રણ યુએસ સૈનિકોના મૃત્યુ માટે જવાબ આપવો પડશે. આ નિવેદનથી બજારની ચિંતાઓમાં વધારો થયો કે યુએસ અને ઈરાન વચ્ચે તણાવ વધુ વધી શકે છે.</p><p>સોમવારે યુએસ શેરબજાર પણ દબાણ હેઠળ રહ્યા. ડાઉ જોન્સ, S&amp;P 500 અને નાસ્ડેક કમ્પોઝિટ અનુક્રમે 0.59 ટકા, 0.19 ટકા અને 0.05 ટકાના ઘટાડા સાથે બંધ થયા.</p><p>કોમોડિટી બજારમાં, બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં શરૂઆતના વધારા પછી થોડી નરમાઈ જોવા મળી; બ્રેન્ટ ક્રૂડ જુલાઈ ફ્યુચર્સ પ્રતિ બેરલ $88.44 ની આસપાસ ટ્રેડ કરી રહ્યા હતા. દરમિયાન, સલામત-હેવન સંપત્તિઓની માંગમાં વધારો થવાને કારણે સોના અને ચાંદીના ભાવમાં થોડો વધારો નોંધાયો. સોનાના ફ્યુચર્સ આશરે 0.33 ટકા વધ્યા હતા, અને ચાંદીના ફ્યુચર્સ 0.15 ટકા વધ્યા હતા.</p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2025/02/05/g4hzOhHuT2btxgYU8iQjBawDeORuLBfQb35pqEgZ.jpg'/></item><item><title><![CDATA[નવસારી અને વલસાડમાં 7.72 ઇંચ સુધી વરસાદ, સૌરાષ્ટ્રના 47 તાલુકામાં ઝાપટાં ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/navsari/up-to-772-inches-of-rain-in-navsari-and-valsad-gusty-winds-in-47-talukas-of-saurashtra</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/navsari/up-to-772-inches-of-rain-in-navsari-and-valsad-gusty-winds-in-47-talukas-of-saurashtra</guid><pubDate>Tue, 21 Jul 2026 01:51:00 +05:30</pubDate><description><![CDATA[<p>દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય થયો છે. સોમવારે સૌથી વધુ વરસાદ નવસારીના જલાલપોરમાં 7.72 ઇંચ ખાબક્યો હતો, જ્યારે વલસાડના પારડીમાં 5.16 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને 15 જેટલા રસ્તાઓ વાહનોની અવરજવર માટે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યા છે, જેને પગલે કેટલાક ગામોનો મુખ્ય મથક સાથેનો સંપર્ક તૂટી ગયો છે.</p><p>આંકડાકીય વિગતો મુજબ, સોમવારે નવસારીમાં 6.04 ઇંચ, ગણદેવીમાં 6.0 ઇંચ, ખેરગામમાં 4.56 ઇંચ, ચીખલીમાં 1.4 ઇંચ, વલસાડમાં 4.36 ઇંચ, ઉમરગામમાં 2.88 ઇંચ, વાપીમાં 2.60 ઇંચ, ધરમપુરમાં 2.48 ઇંચ, નાનાપોંઢામાં 2.08 ઇંચ, કપરાડામાં 1.36 ઇંચ અને સુરતના મહુવામાં 4.0 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પલસાણામાં 3.36 ઇંચ, ઉમરપાડામાં 2.36 ઇંચ, બારડોલીમાં 2.20 ઇંચ, સુરત શહેરમાં 0.76 ઇંચ અને કામરેજમાં 0.68 ઇંચ વરસાદ પડયો છે. પૂર્ણા નદીની સપાટી 10 ફૂટ, અંબિકાની 12.26 ફૂટ અને જૂજ ડેમની સપાટી 154.70 ફૂટે પહોંચી ગઈ છે. વરસાદના કારણે સુરતનું મહત્તમ તાપમાન 30.3 ડિગ્રી અને લઘુત્તમ 26 ડિગ્રી રહ્યું હતું.બીજી તરફ્, સૌરાષ્ટ્રના 47 તાલુકાઓમાં પણ મેઘરાજાએ હાજરી પુરાવી છે. જૂનાગઢના ગિરનાર ઉપર સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ પડયો છે. ગીર સોમનાથના ડોળાસામાં 1 ઇંચ (26 મીમી) તેમજ બગસરા, કુંકાવાવ-વડિયા, અમરેલી અને વિસાવદરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે માણાવદર, વંથલી, મેંદરડા, કેશોદ અને માળિયામાં અડધો ઇંચ વરસાદ પડયો છે. રાજકોટ શહેરમાં 2 મીમી અને ગ્રામ્ય વિસ્તારો જેવા કે કોટડાસાંગાણી, જસદણ તથા ધોરાજીમાં 4 થી 5 મીમી વરસાદ નોંધાયો છે. આ સિવાય મોરબીના માળિયામિયાણા, પોરબંદર અને રાણાવાવમાં 4 મીમી તથા દ્વારકાના ભાણવડમાં 1 મીમી વરસાદ પડયો છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/20/Lm7nTQl7bMjVPMaGFbeuGtETjURQo4vqCZji2c1A.webp'/></item></channel></rss>