<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Toxic Movie બાળકો માટે નથી, અભિનેતા યશની સ્પષ્ટતા છતાં ફિલ્મને કેવી રીતે મળ્યું 'A' સર્ટિફિકેટ, યુઝર્સના સવાલ ]]></title><link>https://sandesh.com/entertainment/news/toxic-movie-is-not-for-children-despite-actor-yashs-clarification-how-did-the-film-get-an-a-certificate-users-question</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/toxic-movie-is-not-for-children-despite-actor-yashs-clarification-how-did-the-film-get-an-a-certificate-users-question</guid><pubDate>Fri, 21 Aug 2026 14:33:32 +05:30</pubDate><description><![CDATA[<p>કન્નડ સુપરસ્ટાર યશની આગામી બહુચર્ચિત ફિલ્મ 'ટોક્સિક' (Toxic) ને સેન્સર બોર્ડ (CBFC) તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. સેન્સર બોર્ડે આ ફિલ્મને કોઈપણ કટ વગર 'A' (Adults Only) સર્ટિફિકેટ આપીને પાસ કરી છે. બદલાની પૃષ્ઠભૂમિ પર આધારિત આ ફિલ્મને અત્યાર સુધીની સૌથી બોલ્ડ અને હિંસક ભારતીય ફિલ્મોમાંથી એક ગણાવવામાં આવી રહી છે. જોકે, કોઈ કાપ વિના મંજૂરી મળતાં સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જાગી છે.</p><h2><b>ટોક્સિકને સેન્સર એ સર્ટિફિકેટ આપતા મચ્યો હંગામો</b></h2><p>સેન્સર બોર્ડના પ્રમાણપત્ર મુજબ, કન્નડ અને અંગ્રેજીમાં બનેલી આ ફિલ્મનો કુલ રનટાઇમ ૩ કલાક અને ૧૨ મિનિટનો છે. CBFC એ નિર્માતાઓને માત્ર બે શબ્દો અને સંવાદો મ્યૂટ કરવાનો અને અંગ્રેજી સબટાઈટલમાં જરૂરી ફેરફાર કરવાનો નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત નિયમ મુજબ દારૂ અને ધૂમ્રપાન વિરોધી ચેતવણીઓ ઉમેરવા સિવાય ફિલ્મમાં એક પણ દ્રશ્ય કાપવામાં આવ્યું નથી.</p><h3><b>સેન્સર બોર્ડના નિર્ણય પર યુઝર્સે ઉઠાવ્યા સવાલો</b></h3><p>તાજેતરમાં રિલીઝ થયેલી 'ધુરંધર' જેવી હિંસક ફિલ્મોમાં બોર્ડે અનેક કાપ મૂક્યા હતા, જ્યારે 'ટોક્સિક' ને વગર કાપે પાસ કરાઈ તેને લઈને રેડિટ યુઝર્સે વિરોધ દર્શાવ્યો છે. યુકે સેન્સર બોર્ડે પણ 'ટોક્સિક' માં ભારતીય સેન્સર બોર્ડ કરતા વધુ કાપ મૂક્યા છે. યુઝર્સે કટાક્ષ કરતા લખ્યું કે, હોલીવુડ ફિલ્મ 'સ્પાઇડર-મેન' કે 'સુપરમેન' ના કિસિંગ સીન સામે વિરોધ દર્શાવતું બોર્ડ હિંસા અને મહિલા પ્રત્યે વાંધાજનક દ્રશ્યો સામે મૌન સેવે છે.</p><p><b>"આ ફિલ્મ બાળકો માટે નથી" – યશની સ્પષ્ટતા</b></p><p>અભિનેતા યશે અગાઉથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે આ ફિલ્મની સામગ્રી માત્ર પુખ્ત વયના લોકો માટે જ છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે "બાળકોએ આ ફિલ્મ બિલકુલ ન જોવી જોઈએ અને ઘરે જ રહેવું જોઈએ. પુખ્ત વયના લોકો યોગ્ય અને અયોગ્ય વચ્ચેનો તફાવત સમજે છે. ફિલ્મની વાર્તા ખૂબ જ ઊંડી અને વાસ્તવિક છે."&nbsp;</p><p><b>સ્ટારકાસ્ટ અને રિલીઝ તારીખ</b></p><p>ગીતુ મોહનદાસ દ્વારા દિગ્દર્શિત આ એક્શન થ્રિલર ફિલ્મમાં યશ ઉપરાંત નયનતારા, કિયારા અડવાણી, હુમા કુરેશી, રુક્મિણી વસંત અને તારા સુતારિયા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. યશ પોતે આ ફિલ્મના સહ-લેખક અને નિર્માતા છે. આ ફિલ્મ ૨૬ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/kfSZauU9UqLqKfqU7oDsFQSbR9hw2K0lmITzdAMx.webp'/></item><item><title><![CDATA[Maharashtraમાં મરાઠી ન બોલનારા દોઢ લાખ ડ્રાઇવરોએ શીખી મરાઠી, 7 હજારથી વધુ ફેલ ]]></title><link>https://sandesh.com/india/news/maharashtra--marathi-mandatory-for-auto--taxi-drivers-1-268-notices</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/maharashtra--marathi-mandatory-for-auto--taxi-drivers-1-268-notices</guid><pubDate>Fri, 21 Aug 2026 14:28:19 +05:30</pubDate><description><![CDATA[<p>Maharashtra: મહારાષ્ટ્રમાં વાણિજ્યિક પેસેન્જર વાહનોના ડ્રાઇવરો માટે, મુસાફરો સાથે વધુ સારી વાતચીત સુનિશ્ચિત કરવા માટે વાતચીત મરાઠીનું જ્ઞાન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ નિયમ લાગુ કરવા માટે 20 ઓગસ્ટથી રાજ્યભરમાં એક નિરીક્ષણ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ તપાસ દરમિયાન વાતચીત મરાઠીનું પૂરતું જ્ઞાન ન ધરાવતા ડ્રાઇવરોને એક મહિનાની અંદર ભાષા શીખવા માટે નોટિસ જારી કરવામાં આવશે. નિર્ધારિત સમયગાળામાં મરાઠી શીખવામાં નિષ્ફળતાના પરિણામે ડ્રાઇવરનો બેજ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવશે.</p><p><br></p><p>જોકે, હવે મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે જણાવ્યું હતું કે ગુરુવારે રાજ્યવ્યાપી નિરીક્ષણ ઝુંબેશના પહેલા દિવસે મરાઠી ભાષાનું પૂરતું જ્ઞાન ન હોવા બદલ વાણિજ્યિક પેસેન્જર વાહનો (મુખ્યત્વે ઓટો-રિક્ષા અને ટેક્સી ડ્રાઇવરો) ના 1,268 ડ્રાઇવરોને નોટિસ જારી કરવામાં આવી હતી.</p><p><br></p><p>તેમણે ઉલ્લેખ કર્યો હતો કે રાજ્યભરના પ્રાદેશિક પરિવહન કચેરીઓ (RTO) દ્વારા આ નોટિસ જારી કરવામાં આવી હતી. ડ્રાઇવરોને રાજ્યની પ્રાથમિક ભાષામાં જરૂરી નિપુણતા પ્રાપ્ત કરવા માટે એક મહિનાનો સમય આપવામાં આવ્યો છે; આમ કરવામાં નિષ્ફળતાના પરિણામે તેમના બેજ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવશે.</p><p><br></p><p>સરનાઈકે નોંધ્યું હતું કે ગુરુવાર સાંજ સુધીમાં કુલ 8,217 ડ્રાઇવરોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં મુંબઈ મેટ્રોપોલિટન પ્રદેશના 3,995 ડ્રાઇવરોનો સમાવેશ થાય છે. આમાંથી, 604 ડ્રાઇવરોને મરાઠી ભાષાનું જરૂરી જ્ઞાન નહોતું. રાજ્યના બાકીના ભાગમાં, 4,222 ડ્રાઇવરોની તપાસ કરવામાં આવી હતી અને 664 ને નોટિસ જારી કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું હતું કે નિરીક્ષણ ઝુંબેશ 30 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે.</p><p><br></p><p>મરાઠીનું જરૂરી જ્ઞાન હોવું એ ફક્ત નિયમનકારી પાલનનો વિષય નથી; તે મુસાફરોની સુવિધા અને સલામતી સાથે પણ જોડાયેલું છે. મે મહિનામાં મરાઠી ભાષાનું મૂળભૂત જ્ઞાન ફરજિયાત હોવાની જાહેરાત કર્યા પછી રાજ્ય સરકારે એવા ડ્રાઇવરો માટે મરાઠી ભાષાનો અભ્યાસક્રમ શરૂ કર્યો જે આ ભાષા બોલી શકતા નથી. સરકારે તેમના માટે મરાઠી શીખવાની અંતિમ તારીખ 15 ઓગસ્ટ પણ નક્કી કરી હતી. ગુરુવારના નિરીક્ષણ અભિયાન દરમિયાન ડ્રાઇવરોએ 16 પ્રશ્નો ધરાવતી પરીક્ષા આપી હતી.<br><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/world/news/meta-ceo-mark-zuckerberg-and-priscilla-chan-bought-ireland-rsquo-s-historic-strancally-castle" target="_blank"><b>Mark Zuckerbergએ આયર્લેન્ડમાં ખરીદ્યુ 200 વર્ષ જૂનો ઐતિહાસિક મહેલ, જાણો કેટલી છે તેની કિંમત</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/aKGt1rZMAZ5k3cUBxaNshm5ugL3OxR8YkDsUfkRu.webp'/></item><item><title><![CDATA[Biharમાં બનાવો રીલ્સ અને કમાઓ રૂપિયા! સરકાર 1 લાખ વ્યૂઝ પર આપશે પૈસા, જાણો શું છે નિયમો  ]]></title><link>https://sandesh.com/india/news/bihar-government-social-media-influencer-policy</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/bihar-government-social-media-influencer-policy</guid><pubDate>Fri, 21 Aug 2026 14:12:35 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જો તમે બિહારમાં રહો છો અને યુટ્યુબ પર રીલ કે વીડિયો બનાવો છો, તો બિહાર સરકારે તમારા માટે સારી ઓફર રજૂ કરી છે. આ યોજના હેઠળ તમારા પસંદ કરેલા વીડિયોને 1 લાખ વ્યૂઝ મળે તો તમને 10,000 રૂપિયા સુધી મળી શકે છે. સમ્રાટ ચૌધરી સરકારની કેબિનેટે આ નિર્ણય લીધો છે.</p><h2 style="text-align: justify; "><b>10 લાખ વ્યૂઝ પર મળશે 1 લાખ રૂપિયા</b></h2><p style="text-align: justify; ">બિહારના સોશિયલ મીડિયા ક્રિએટર્સ માટે સારા સમાચાર માત્ર આટલા પૂરતા નથી. જો તેમના વીડિયોને 10 લાખથી વધુ વ્યૂઝ મળશે, તો તેમને સરકાર તરફથી વધુમાં વધુ 1 લાખ રૂપિયા સુધી મળશે. જોકે, દરેક વાયરલ વીડિયો માટે આ રકમ નહીં મળે. વીડિયો પર 1 લાખ કે 10 લાખથી વધુ વ્યૂઝ હોય તો પણ સરકાર દ્વારા નક્કી કરાયેલા નિયમોનું પાલન કરવું જરૂરી રહેશે. વ્યૂઝના આધારે મળતા પુરસ્કાર માટે પ્લેટફોર્મ અને કન્ટેન્ટ સંબંધિત સરકારી નિયમોનું પાલન કરવું પડશે. આ ઉપરાંત વ્યૂઝનું સત્તાવાર વેરિફિકેશન પણ કરવામાં આવશે.</p><h3 style="text-align: justify; "><b>દરેક વીડિયો માટે પૈસા નહીં મળે</b></h3><p style="text-align: justify; ">તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ સરકાર સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટર્સને ચૂકવણી કરશે. માત્ર વીડિયો બનાવીને આ યોજનાનો લાભ લઈ શકાશે નહીં. આ માટે તમારે બિહાર સરકારના માહિતી અને જનસંપર્ક વિભાગ દ્વારા લિસ્ટેડ થવું પડશે. તેના માટે તમારા સોશિયલ મીડિયા ચેનલની તમામ વિગતો આપવી પડશે. જો તમે પાત્રતાના નિયમો પૂરા કરશો, તો સરકાર તમારા સોશિયલ હેન્ડલ અથવા ચેનલને એમ્પેનલ કરશે. સંબંધિત વિભાગની મંજૂરી વગર બનાવવામાં આવેલા વીડિયો માટે સરકાર પૈસા નહીં આપે.</p><h3 style="text-align: justify; "><b>કન્ટેન્ટથી કમાણી કરવા માટે આ નિયમો પણ જરૂરી</b></h3><ol><li style="text-align: justify;">સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટરનું બિહારના માહિતી અને જનસંપર્ક વિભાગ દ્વારા એમ્પેનલ થવું જરૂરી છે.</li><li style="text-align: justify;">બિહાર સરકાર સમયાંતરે કન્ટેન્ટ ક્રિએટર્સના પેજ, હેન્ડલ અને ચેનલના ફોલોઅર્સની પણ તપાસ કરશે.</li><li style="text-align: justify;">આ યોજનાનો હેતુ સરકારની જનકલ્યાણ યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવાનો છે.</li><li style="text-align: justify;">માહિતી અને જનસંપર્ક વિભાગ ટૂંક સમયમાં નોટિફિકેશન જાહેર કરશે.</li><li style="text-align: justify;">આ નોટિફિકેશનમાં અરજી કરવાની પ્રક્રિયા અને કન્ટેન્ટ સંબંધિત સંપૂર્ણ માહિતી આપવામાં આવશે.</li></ol><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/govinda-second-marriage-komal-rani" target="_blank">આ પણ વાંચો-Bollywood Gossip : 62 વર્ષની ઉંમરે ગોવિંદાના બીજા લગ્નનો પ્લાન? જાણો કઈ એક્ટ્રેસ સાથે જોડાયું નામ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/H0uH0wfl1c42rroHF4i5BXDuzVJwxY7D5L6qLpoc.webp'/></item><item><title><![CDATA[Surat :  ડાયમંડ મટીરિયલના કરોડોની લેતીદેતીમાં ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/surat-diamond-material-rs-1-11-crore-dues-suicide-attempt</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/surat-diamond-material-rs-1-11-crore-dues-suicide-attempt</guid><pubDate>Fri, 21 Aug 2026 14:03:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ડાયમંડનગરી સુરતમાં કરોડો રૂપિયાના વ્યવહારોના બાકી લેણાંને પગલે એક વ્યક્તિએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. સુરતના પુણા ગામ વિસ્તારની આ ઘટનામાં કરોડો રૂપિયાની લેતીદેતી મામલે એક વ્યક્તિએ ઝેરી દવા પીને જીવન ટુંકાવવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ છે. વિક્રમનગર વિસ્તારમાં રહેતા રામપૂજન નામના વ્યક્તિએ ઝેરી દવા પી લેતા તેમને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાની હાલ પોલીસ તપાસ કરી રહી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>શું છે આક્ષેપ?</b></h2><p style="text-align: justify; ">મળતી પ્રાથમિક માહિતી મુજબ આપઘાત કરનાર રામપૂજનને ડાયમંડ મટીરિયલના વ્યવહારોમાં અંદાજે  ₹1.11 કરોડ રૂપિયાના લેણાં નીકળે છે. પ્રવીણ ઠુંમ્મર અને મિતુલ બુધેલીયા નામના વ્યક્તિઓ પાસેથી રામપૂજનને કરોડો રૂપિયા લેવાના હતા જેને લઇને કોઇ વિવાદ ઉભો થતાં રામપૂજને આ પગલું ભર્યું હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. જો કે આપઘાતના પ્રયાસનું સાચું કારણ યોગ્ય પોલીસ તપાસ બાદ જ સામે આવશે.</p><h3 style="text-align: justify; "><b>છેલ્લા 3 દિવસથી સારવાર હેઠળ</b></h3><p style="text-align: justify; ">મહત્વનું છે કે ઝેરી દવા પીધા બાદ રામપૂજનની હાલત ગંભીર બનતા તેમને છેલ્લા ત્રણ દિવસથી ખાનગી હોસ્પિટલના ICUમાં સારવાર આપવામાં આવી રહી છે. હાલ તેમની માનસિક સ્થિતિ પણ અસ્વસ્થ હોવાનું જણાવાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતાં પુણા પોલીસ પણ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને રામપૂજનનું નિવેદન લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/crime/surat/bhavnagar-hooch-tragedy-surat-youth-brain-dead" target="_blank"><b> &nbsp;Bhavnagarમાં પીધો ઝેરી દારૂ, સુરત પહોંચ્યા બાદ યુવક બ્રેઇન ડેડ જાહેર</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/lny36edadWGZxVsdXI6ah4LmpEpiqJSQA7tZ8JQf.webp'/></item><item><title><![CDATA[Unjhaમાં FISS અને વાધવાની ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે SME ઉદ્યોગકારો સાથે રાઉન્ડ ટેબલ ચર્ચા યોજાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/unjha/unjha-fiss-wadhwani-foundation-sme-roundtable</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/unjha/unjha-fiss-wadhwani-foundation-sme-roundtable</guid><pubDate>Fri, 21 Aug 2026 14:00:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મસાલા ઉદ્યોગના મહત્વના કેન્દ્ર ગણાતા ઊંઝા ખાતે આવેલી FISS ઓફિસ ખાતે 14 ઓગસ્ટના રોજ એક મહત્વપૂર્ણ રાઉન્ડ ટેબલ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. નેશનલ એન્ટરપ્રેન્યોરશિપ નેટવર્ક (NEN), વાધવાની ફાઉન્ડેશન અને ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસિસ સ્ટેકહોલ્ડર્સ (FISS) ના સંયુક્ત પ્રયાસોથી યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રાદેશિક SME (સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ) ઉદ્યોગકારો સાથે સીધો સંવાદ સાધવામાં આવ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>SME બિઝનેસના ઝડપી વિકાસ પર ભાર</b></h2><p style="text-align: justify;">આ બેઠકમાં વાધવાની ફાઉન્ડેશન તરફથી અંકિત માછર, અંકિત મકવાણા અને ધારા ઠાકોરે હાજરી આપી હતી, જ્યારે FISS ના પ્રતિનિધિઓ સહિત એશિયન સ્પાઇસિસમાંથી કાર્તિકભાઈ અને મણિલાલ જમનાદાસ એન્ડ સન્સમાંથી તેજસભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ રાઉન્ડ ટેબલ ચર્ચા દરમિયાન નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને વધુ ઝડપથી કેવી રીતે આગળ વધારી શકાય તે અંગે ઊંડાણપૂર્વક વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. </p><h3 style="text-align: justify; "><b>ઉદ્યોગકારો સાથે રાઉન્ડ ટેબલ મંથન</b></h3><p style="text-align: justify;">ખાસ કરીને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે નવા માર્કેટમાં પ્રવેશવાના માર્ગો, ઉદ્યોગના વિકાસ માટે યોગ્ય કસ્ટમાઇઝ્ડ વ્યૂહરચનાઓ ઘડવા અને બિઝનેસને મોટા પાયે સ્કેલ-અપ કરતી વખતે આવતા વ્યવહારુ પડકારોને સફળતાપૂર્વક કેવી રીતે પાર કરવા તે અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અને અનુભવો શેર કરવામાં આવ્યા હતા.</p><h4 style="text-align: justify; "><b>ઉદ્યોગકારો અને સંગઠનો વચ્ચે સફળ આયોજન</b></h4><p style="text-align: justify;">SME ઉદ્યોગકારો સાથે સીધી અને ખુલ્લી ચર્ચા દ્વારા તેમના બિઝનેસના ભવિષ્યના ગ્રોથ પ્લાન, રહેલી નવી તકો અને નડી રહેલી સમસ્યાઓને સમજવા માટેનો આ એક ઉત્કૃષ્ટ મંચ સાબિત થયો હતો. ઉદ્યોગોના સાતત્યપૂર્ણ વિકાસ માટે યોગ્ય રીતે માર્ગદર્શન અને સહયોગ પૂરો પાડી શકાય તે દિશામાં આ બેઠક અત્યંત ફળદાયી રહી હતી. કાર્યક્રમના અંતે આ સફળ અને ઉપયોગી ચર્ચા માટે FISS ટીમ તેમજ હાજર રહેલા તમામ SME સભ્યો અને ઉદ્યોગકારોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.</p><p style="text-align: justify;"><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/3r36mIAqEgWxFcGRncQ2gyx8Dz3duWM3lAmIfBks.webp'/></item><item><title><![CDATA[Ahmedabadમાં નારોલ પોલીસે ડ્રગ્સ, ગાંજો અને નશાકારક ગોળીઓ સાથે એક આરોપીની ધકરકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-narol-police-arrest-drug-peddler</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-narol-police-arrest-drug-peddler</guid><pubDate>Fri, 21 Aug 2026 13:15:19 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરને નશા મુક્ત બનાવવા માટે હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ અંતર્ગત નારોલ પોલીસ સ્ટેશનની એનડીપીએસ (NDPS) સ્ક્વોડે મોટી સફળતા મેળવી છે. પોલીસે મળેલી ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને નશીલા પદાર્થોના કાળા કારોબાર સાથે સંકળાયેલા એક આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી નાશીરખાન ઉર્ફે સંજય ઉર્ફે માનસીક પઠાણના કબજા હેઠળના મકાનમાંથી પોલીસે ઘાતક એમડી ડ્રગ્સ, ગાંજો તેમજ મોટા પ્રમાણમાં નશાકારક ગોળીઓનો જથ્થો પકડી પાડ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>31 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ અને 128 ગ્રામ ગાંજો જપ્ત</b></h2><p style="text-align: justify; ">પોલીસે આરોપીના મકાનમાં હાથ ધરેલી સઘન તલાશી દરમિયાન રૂ.96,000ની અંદાજિત કિંમતનું 31 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ઉપરાંત, રૂ.6,400ની કિંમતનો 128 ગ્રામ ગાંજો પણ જપ્ત કરવામાં આવ્યો છે. મકાનમાંથી ડ્રગ્સ અને ગાંજા ઉપરાંત તબીબી પ્રિસ્ક્રિપ્શન વગર ગેરકાયદેસર રીતે વેચાતી Alprazolam 0.5 MGની 300 નશાકારક ગોળીઓ તથા Pregalab 300 ની 350 ટેબલેટનો જથ્થો પણ પોલીસે કબજે કર્યો છે.</p><h3 style="text-align: justify; "><b>રૂ.1.17 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કરાયો</b></h3><p style="text-align: justify; ">નારોલ પોલીસે સ્થળ પરથી નશીલા પદાર્થો, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા 4,17,520.80ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી સામે નારોલ પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ એક્ટ (NDPS) હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ નશાકારક પદાર્થોનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને શહેરમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/ZrDXiXaI6GP7Sl7HDOl0T208RH2iEA4G3NNmpDpi.webp'/></item><item><title><![CDATA[India Vs Bangladesh સિરીઝ પર આવ્યું મોટું અપડેટ, BCB પ્રમુખે આપી નવી માહિતી ]]></title><link>https://sandesh.com/cricket/news/sports/big-update-on-india-vs-bangladesh-series-bcb-president-gives-new-information</link><guid isPermaLink="true">https://sandesh.com/cricket/news/sports/big-update-on-india-vs-bangladesh-series-bcb-president-gives-new-information</guid><pubDate>Fri, 21 Aug 2026 13:07:48 +05:30</pubDate><description><![CDATA[<p>Indian ટીમે ગયા વર્ષે ઓગસ્ટમાં બાંગ્લાદેશના પ્રવાસે જવાનું હતું, પરંતુ રાજકીય તણાવના કારણે આ સિરીઝ સ્થગિત કરવામાં આવી હતી. લાંબો સમય બાદ પણ આ સિરીઝ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. જેને લઈને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના પ્રમુખ તમીમ ઇકબાલે આ મામલે નવું નિવેદન આપ્યું છે.</p><h2><b>BCCIએ અફઘાનિસ્તાન સામે ત્રણ T20 મેચની સિરીઝની કરી જાહેરાત&nbsp;</b></h2><p>માનવામાં આવી રહ્યું હતું કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની વ્હાઇટ બોલ સિરીઝ સપ્ટેમ્બર મહિનામાં રમાઈ શકે છે, પરંતુ BCCIએ તાજેતરમાં અફઘાનિસ્તાન સામે ત્રણ T20 મેચની સિરીઝની જાહેરાત કરી છે. આ સિરીઝ સપ્ટેમ્બરમાં રમાશે. ટીમ ઈન્ડિયાના શેડ્યૂલ પર નજર કરીએ તો ઓગસ્ટથી ડિસેમ્બર 2026 સુધી ભારતીય ટીમે અનેક મેચ રમવાની છે. બાંગ્લાદેશ પ્રવાસ પર ભારતીય ટીમે 3 વનડે અને 3 T20 મેચ રમવાની હતી, પરંતુ આ પ્રવાસને ઓગસ્ટ 2025થી સપ્ટેમ્બર 2026 સુધી સ્થગિત કરવામાં આવ્યો હતો. એક તરફ BCCIએ આ પ્રવાસ અંગે હજુ સુધી કંઈ સ્પષ્ટ કર્યું નથી, ત્યારે BCB પ્રમુખ તમીમ ઇકબાલનું કહેવું છે કે સિરીઝને લઈને બંને બોર્ડ વચ્ચે વાતચીત ચાલી રહી છે.</p><h3><b>ભારત-બાંગ્લાદેશ સિરીઝ પર નવું અપડેટ</b></h3><p>ઢાકામાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં BCB પ્રમુખ તમીમ ઇકબાલે કહ્યું,"સિરીઝને લઈને બંને દેશોના બોર્ડ વચ્ચે વાતચીત ચાલી રહી છે. તારીખોમાં ફેરફાર શક્ય છે" ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની સિરીઝને લઈને અનિશ્ચિતતા એટલા માટે પણ વધી ગઈ છે, કારણ કે BCBએ તાજેતરમાં ગેમ ડેવલપમેન્ટ ટ્રોફીની જાહેરાત કરી હતી. આ સ્પર્ધાનું આયોજન 28 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી થવાનું છે. આ તારીખો ભારત-બાંગ્લાદેશ સિરીઝના સંભવિત શેડ્યૂલ સાથે ટકરાઈ શકે છે. તેથી આંતરરાષ્ટ્રીય સિરીઝ અંગે હજુ પણ સવાલો યથાવત છે.</p><h4><b>સિરીઝ નક્કી થશે તો ટૂર્નામેન્ટનું સ્થળ બદલાશે</b></h4><p>તમીમ ઇકબાલે સ્પષ્ટ કર્યું કે આ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ મીરપુરમાં રમાવાની છે, પરંતુ જો ભારત સાથેની સિરીઝ પર મહોર લાગી જાય તો આ સ્પર્ધાને મીરપુરથી બસુંધરા શિફ્ટ કરવામાં આવશે. BCCIએ અત્યાર સુધી આ પ્રવાસ માટે ન તો સંમતિ આપી છે કે ન તો ઇનકાર કર્યો છે. તેથી BCB આશાવાદી બનીને સિરીઝને લઈને પ્રયાસો કરી રહ્યું છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ હાલમાં ફેરફારના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. બોર્ડે બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL)ને સસ્પેન્ડ કરવાનો કઠિન નિર્ણય પણ લીધો છે, કારણ કે છેલ્લા બે વર્ષથી BPLના કારણે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને નુકસાન થઈ રહ્યું હતું. હવે લીગના માળખાને મૂળભૂત રીતે વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવશે.</p><p><b><a href="https://sandesh.com/d\" target="_blank">વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ&nbsp;</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/VXfPHjm1k9aSYp5PeOtKpiu6ktudPoKA4QBnyHPU.webp'/></item><item><title><![CDATA[Bhavnagarમાં પીધો ઝેરી દારૂ, સુરત પહોંચ્યા બાદ યુવક બ્રેઇન ડેડ જાહેર ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/bhavnagar-hooch-tragedy-surat-youth-brain-dead</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/bhavnagar-hooch-tragedy-surat-youth-brain-dead</guid><pubDate>Fri, 21 Aug 2026 12:59:26 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતને હચમચાવી મૂકનારા ભાવનગરના નકલી લઠ્ઠાકાંડની ગંભીર અસર હવે સુરત સુધી પહોંચી છે. ભાવનગરમાં ઝેરી દારૂ પીધા બાદ સુરત આવેલા મૂળ ભાવનગરના યુવક સંજયસિંહ ડોડીયાની તબિયત અત્યંત નાજુક બનતાં તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>સંજયસિંહ ડોડીયાએ ભાવનગરમાં નકલી દારૂ પીધો</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ સંજયસિંહ ડોડીયાએ ભાવનગરમાં નકલી દારૂ પીધો હતો. ત્યારબાદ તેઓ સુરત પહોંચ્યા હતા., જ્યાં તેમની તબિયત લથડી હતી. ઝેરી દારૂની ગંભીર અસરને કારણે તેમનું મગજ ડેમેજ થયું હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 3 દિવસથી યુવક હોસ્પિટલમાં વેન્ટિલેટર પર સારવાર હેઠળ હતો.</p><h3 style="text-align: justify; "><b>યુવક ICUમાં દાખલ હતો</b></h3><p style="text-align: justify; ">તબિયત વધુ ગંભીર બનતાં તેને સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. છેલ્લા 3 દિવસથી યુવક ICUમાં જીવન અને મરણ વચ્ચે ઝઝૂમી રહ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>હવે તેને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યો&nbsp;</b></h3><p style="text-align: justify; ">સારવાર દરમિયાન તેમની સ્થિતિ સતત નાજુક રહેતાં હવે તેને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ ભાવનગરના લઠ્ઠાકાંડની ગંભીરતા વધુ સ્પષ્ટ કરી છે. ઝેરી દારૂ પીધા બાદ તેની અસર માત્ર ઘટનાસ્થળ પૂરતી સીમિત રહી નથી, પરંતુ અન્ય શહેરોમાં સારવાર લઈ રહેલા અસરગ્રસ્તોની સ્થિતિ પણ ચિંતાજનક બની રહી છે.</p><h4 style="text-align: justify; "><b>અત્યાર સુધી 9 લોકોના મોત થયા&nbsp;</b></h4><p style="text-align: justify; ">ભાવનગરના નકલી લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 9 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ, સુરતમાં સારવાર લઈ રહેલા મૂળ ભાવનગરના યુવકને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવતા આ દુર્ઘટનાની માનવીય કરુણતા વધુ ઘેરી બની છે.</p><h4 style="text-align: justify; "><b>અન્ય લોકોની સ્થિતિ અને તેમની સારવારને લઈને પણ ચિંતા&nbsp;</b></h4><p style="text-align: justify; ">હવે ઝેરી દારૂ પીધેલા અન્ય લોકોની સ્થિતિ અને તેમની સારવારને લઈને પણ ચિંતા વધી રહી છે. આ સમગ્ર કેસમાં નકલી દારૂના ઉત્પાદન, સપ્લાય અને વેચાણના નેટવર્કની તપાસ સાથે અસરગ્રસ્તોની સારવાર પર પણ તંત્રની નજર કેન્દ્રિત છે.&nbsp; &nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp;&nbsp;<a href="https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/bhavnagar-hooch-tragedy-61-affected-critical-patients-smc-investigation" target="_blank"><b> Live Bhavnagar લઠ્ઠાકાંડ : મૃતકના શરીરમાં 200 એમએલથી વધુ મિથેનોલ મળ્યું</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/lLzqdroQvqvGBQb2YlDXZKdADtoVhjZ7Tbmm2hKJ.webp'/></item><item><title><![CDATA[Anand : 22ના મોત બાદ એક વર્ષમાં નવો ગંભીરા બ્રિજ તૈયાર,ઓગસ્ટના અંત સુધી લોકાર્પણની શક્યતા ]]></title><link>https://sandesh.com/gujarat/news/anand/new-gambhira-bridge-ready-after-22-deaths-tragedy</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/anand/new-gambhira-bridge-ready-after-22-deaths-tragedy</guid><pubDate>Fri, 21 Aug 2026 11:47:36 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">22 લોકોના જીવ લેનારી ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે નવો બ્રિજ તૈયાર થઈ ગયો છે. દુર્ઘટના બાદ વહીવટી તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા હતા અને સરકાર પણ ભારે ટીકાનો સામનો કરી રહી હતી. જોકે ઘટનાના માત્ર 1 વર્ષમાં જ નવા ગંભીરા બ્રિજનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે અને ઓગસ્ટના અંત સુધીમાં તેના લોકાર્પણની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>અંદાજે રૂ.212 કરોડના ખર્ચે  નવો બ્રિજ&nbsp;</b></h2><p style="text-align: justify; ">નવા ગંભીરા બ્રિજનું નિર્માણ અંદાજે રૂ.212 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. બ્રિજની કુલ લંબાઈ 868.75 મીટર છે અને તેમાં કુલ 23 સ્પાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક સ્પાનની લંબાઈ 37.75 મીટર રાખવામાં આવી છે.</p><p style="text-align: justify; "><img alt="New Gambhira Bridge Ready Within One Year After Tragedy That Claimed 22 Lives" src="https://epapercdn.sandesh.com/images/2026/08/21/TdOyVMedU42nQnHuQpS2Qpe4ASPot2WN3HqWd1k5.webp" style="width: 100%;"><br></p><h3 style="text-align: justify; "><b>હેવી લોડિંગ સ્ટેટિક ટેસ્ટિંગ પણ પૂર્ણ</b></h3><p style="text-align: justify; ">બ્રિજ શરૂ કરતા પહેલા તેની મજબૂતાઈ અને ક્ષમતાની ચકાસણી માટે હેવી લોડિંગ સ્ટેટિક ટેસ્ટિંગ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ ટેસ્ટિંગ બાદ હવે બ્રિજને વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવાની તૈયારીઓ તેજ થઈ રહી છે.</p><p style="text-align: justify; "><img alt="New Gambhira Bridge Ready Within One Year After Tragedy That Claimed 22 Lives" src="https://epapercdn.sandesh.com/images/2026/08/21/cfzrOQ33xQCJYR1hfljpuYdppmAHJAhrcYNCQGFE.webp"><br></p><h4 style="text-align: justify; "><b>10 મીટર પહોળો કેરેજ-વે તૈયાર કરવામાં આવ્યો</b></h4><p style="text-align: justify; ">નવા બ્રિજમાં વાહન વ્યવહારને વધુ સુગમ બનાવવા માટે 10 મીટર પહોળો કેરેજ-વે તૈયાર કરવામાં આવ્યો છે. સાથે જ પદયાત્રીઓની સુરક્ષા અને અવરજવર માટે 1.5 મીટર પહોળો ફૂટપાથ પણ બનાવવામાં આવ્યો છે.</p><h4 style="text-align: justify; "><b>બ્રિજ દુર્ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે આક્રોશ જગાવ્યો હતો</b></h4><p style="text-align: justify; ">ગંભીરા બ્રિજ દુર્ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે આક્રોશ જગાવ્યો હતો. 22 લોકોના મોત બાદ બ્રિજની જાળવણી, નિરીક્ષણ અને જવાબદાર તંત્રની કામગીરીને લઈને ગંભીર સવાલો ઊભા થયા હતા. હવે નવા બ્રિજનું નિર્માણ પૂર્ણ થતાં લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.</p><p style="text-align: justify; "><img alt="New Gambhira Bridge Ready Within One Year After Tragedy That Claimed 22 Lives" src="https://epapercdn.sandesh.com/images/2026/08/21/vGjtPLw6gUzx89bnNVXQOykTWIPaHtiQ6dw2IQAt.webp" style="width: 100%;"><br></p><h5 style="text-align: justify; "><b>ઓગસ્ટના અંત સુધીમાં નવા ગંભીરા બ્રિજનું લોકાર્પણ થઈ શકે</b></h5><p style="text-align: justify; ">જો તમામ પ્રક્રિયા સમયસર પૂર્ણ થશે તો ઓગસ્ટના અંત સુધીમાં નવા ગંભીરા બ્રિજનું લોકાર્પણ થઈ શકે છે. એક દુર્ઘટના બાદ ઊભા થયેલા પ્રશ્નો વચ્ચે માત્ર 1 વર્ષમાં નવો બ્રિજ તૈયાર થવો હવે વહીવટી તંત્ર માટે મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે જોવામાં આવી રહ્યો છે..&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp;&nbsp;<a href="https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/bhavnagar-hooch-tragedy-61-affected-critical-patients-smc-investigation" target="_blank"><b>Live Bhavnagar લઠ્ઠાકાંડ : મૃતકના શરીરમાં 200 એમએલથી વધુ મિથેનોલ મળ્યું</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/XtkvgZHuy2MNjrAlmBMVnEFKXvbCK8NOONJGnf3E.webp'/></item><item><title><![CDATA[Dollar ના વર્ચસ્વને રૂપિયાનો પડકાર, ઇન્ટરનેશનલ બિઝનેસમાં ભારતીય ચલણમાં ચુકવણી સ્વીકારાશે ]]></title><link>https://sandesh.com/business/news/world/rupee-settlement-international-trade-challenge-dollar</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/world/rupee-settlement-international-trade-challenge-dollar</guid><pubDate>Fri, 21 Aug 2026 11:42:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આંતરરાષ્ટ્રીય વેપારમાં ભારતીય રૂપિયાના ઉપયોગને વધુ વ્યાપક બનાવવા માટે સરકારે એક મોટો નિયમનકારી અવરોધ દૂર કર્યો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલી સૂચના અનુસાર, વિદેશી વેપાર નીતિ 2023 માં તાત્કાલિક અસરથી મહત્વપૂર્ણ સંશોધન કરવામાં આવ્યા છે. આ નવા નિયમ હેઠળ, નિકાસકારો હવે દેશની વિદેશી વેપાર નીતિ હેઠળ મળતા પ્રોત્સાહનો અને લાભો જાળવી રાખીને, ભારતીય ચલણમાં ચુકવણી સ્વીકારી શકે છે. આ પગલું પરંપરાગત મુક્તપણે રૂપાંતરિત ચલણો પર આધારિત હાલની સિસ્ટમની બહારની એક વધારાની સુરક્ષિત ચુકવણી પદ્ધતિ પૂરી પાડે છે.</p><h2 style="text-align: justify; "><b>નવા નિયમોની મુખ્ય વિશેષતાઓ</b></h2><p style="text-align: justify; ">નવા વિદેશી વેપાર નીતિ નિયમો હેઠળ, એશિયન ક્લિયરિંગ યુનિયન (ACU) પ્રાદેશિક ચુકવણી પ્રણાલીની બહારના દેશોમાં નિકાસકારો હવે ભારતીય રૂપિયામાં કરાર અને ઇન્વોઇસ સેટલ કરી શકે છે. નેપાળ અને ભૂટાન સિવાય કોઈપણ દેશમાં કરવામાં આવતી નિકાસ, જે માન્ય બેંકિંગ ચેનલો દ્વારા રૂપિયામાં ચૂકવવામાં આવે છે, તે તમામ FTP લાભો માટે પાત્ર રહેશે. ઈરાનના કિસ્સામાં, સૂચના રૂપિયામાં વેપાર માટે હાલના રક્ષણાત્મક પગલાં જાળવી રાખે છે અને ભારતની આંતરરાષ્ટ્રીય પરમાણુ અપ્રસાર પ્રતિબદ્ધતાઓ સંબંધિત સંવેદનશીલ માલ અને તકનીકો પર લાગુ પડે છે.</p><h3 style="text-align: justify; "><b>નિકાસકારો માટે ભારતીય ચલણની નવી છૂટ</b></h3><p style="text-align: justify; ">આ ફેરફાર જુલાઈ 2022 માં શરૂ થયેલી નિયમનકારી પ્રક્રિયાને પૂર્ણ કરે છે, જ્યારે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ સ્પેશિયલ રૂપી વોસ્ટ્રો એકાઉન્ટ્સ (SRVA) દ્વારા રૂપિયામાં આંતરરાષ્ટ્રીય વેપારના સેટલમેન્ટની સિસ્ટમ રજૂ કરી હતી. અગાઉ, FTP નિયમોમાં સ્પષ્ટતાના અભાવે નિકાસકારોમાં અનિશ્ચિતતા હતી કે આવી રસીદો પ્રોત્સાહનો માટે પાત્ર બનશે કે નહીં. DGFT ના આ નવા સુધારાથી આ તમામ અસમંજસતા દૂર થઈ ગઈ છે.</p><h4 style="text-align: justify; "><b>વૈશ્વિક આર્થિક પરિપ્રેક્ષ્ય અને ફાયદા</b></h4><p style="text-align: justify; ">આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે વૈશ્વિક સ્તરે ચલણના વર્ચસ્વને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. ભારત સ્પષ્ટ કરી ચૂક્યું છે કે રૂપિયાનું આંતરરાષ્ટ્રીયકરણ વૈશ્વિક વેપારમાં સ્થાનિક ચલણનો ઉપયોગ વધારવા માટે છે, ન કે હાલની વિદેશી ચલણ પ્રણાલીને સંપૂર્ણપણે બદલવા માટે. ડોલર-આધારિત આંતરરાષ્ટ્રીય પ્રણાલી ઘણીવાર દેશોને પશ્ચિમી પ્રતિબંધો સામે સંવેદનશીલ બનાવે છે, જેમાંથી બચવા માટે સ્થાનિક ચલણમાં વેપાર ફાયદાકારક સાબિત થાય છે.</p><h5 style="text-align: justify; "><b>વેપારીઓને મળશે નવો વિકલ્પ</b></h5><p style="text-align: justify; ">આ ફેરફાર ખાસ કરીને એવા દેશો માટે અત્યંત ઉપયોગી છે જે યુએસ ડોલરની અછતનો સામનો કરી રહ્યા છે અથવા સ્થાપિત આંતરરાષ્ટ્રીય ચુકવણી પ્રણાલીઓનો ઉપયોગ કરવામાં મુશ્કેલી અનુભવે છે. રૂપિયામાં સેટલમેન્ટ કરવાથી ચલણ રૂપાંતરનો ખર્ચ ઘટે છે અને વેપારીઓને નવો વિકલ્પ મળે છે. નિષ્ણાતોના મતે, આ વ્યવસ્થાથી ભવિષ્યમાં ભારતની મોટી વિદેશી વિનિમય અનામત જાળવવાની જરૂરિયાત પણ ઓછી થઈ શકે છે અને ચાલુ ખાતાની ખાધ નિયંત્રણમાં મદદ મળી શકે છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/gallery/news/-do-animals-experience-love-and-sadness-emotions" target="_blank">આ પણ વાંચોઃ પ્રાણીઓ વચ્ચે કેવી રીતે પ્રેમ થાય છે? તેઓ પણ દુખી થાય છે ખરી?</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/jiJq1EJw3SYEi3LZv42T1J2oJwEzG8H1sBXbEdCx.webp'/></item></channel></rss>