<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabad News : નિતિન નવીનની નવી ટીમની પ્રથમ બેઠક, ગુજરાતથી ડેપ્યુટી CM હર્ષ સંઘવી રહેશે ઉપસ્થિત ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-news-first-meeting-of-nitin-naveens-new-team-deputy-cm-harsh-sanghvi-from-gujarat-will-be-present</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-news-first-meeting-of-nitin-naveens-new-team-deputy-cm-harsh-sanghvi-from-gujarat-will-be-present</guid><pubDate>Fri, 21 Aug 2026 20:21:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><span style="color: rgb(0, 0, 0);">ભાજપના રાષ્ટ્રીય હોદ્દેદાર નીતિન નવીનની નવી ટીમની રચના બાદ આવતીકાલે પ્રથમ મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં ભાજપ સંગઠનના તમામ નવનિયુક્ત હોદ્દેદારો અને પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેશે. આ પ્રથમ બેઠક મુખ્યત્વે નવનિયુક્ત પદાધિકારીઓની પરસ્પર પરિચય બેઠક તરીકે યોજવામાં આવશે, જેમાં સંગઠનની આગામી કાર્યશૈલી અને દેશભરમાં સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત બનાવવા માટે પ્રાથમિક ચર્ચા-વિચારણા કરવામાં આવશે.</span></p><h2 style="text-align: justify; "><span style="color: rgb(0, 0, 0);"><b>નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રહેશે ઉપસ્થિત</b></span></h2><p style="text-align: justify; "><font color="#000000" style="">આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં દેશના દરેક રાજ્યના પ્રદેશ પ્રમુખો (અધ્યક્ષો) તેમજ સંગઠન મહામંત્રીઓ ખાસ હાજર રહેશે. આ ઉપરાંત, જે રાજ્યોમાં ભાજપની સરકાર છે તે તમામ રાજ્યોમાંથી સરકારના એક ખાસ પ્રતિનિધિને હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. ગુજરાત સરકાર તરફથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ ખાસ બેઠકમાં ઉપસ્થિત રહીને રાજ્ય સરકાર અને સંગઠન વચ્ચેના સમન્વય અંગે પ્રતિનિધિત્વ કરશે.</font></p><h2 style="text-align: justify; "><span style="color: rgb(0, 0, 0);"><b>પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી અંગે મંથન</b></span></h2><p style="text-align: justify; "><font color="#000000" style="">પરિચય બેઠક પૂર્ણ થયા બાદ દેશભરમાં યોજાનારા વિશેષ કાર્યક્રમો સંદર્ભે વિસ્તૃત ચર્ચા હાથ ધરવામાં આવશે. PM નરેન્દ્ર મોદીના આગામી જન્મદિવસ તેમજ તેમના જાહેર જીવનમાં સફળતાપૂર્વક 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે દેશભરમાં વ્યાપક સ્તરે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગને યાદગાર બનાવવા માટે દેશના તમામ રાજ્યો અને જિલ્લાઓમાં વિવિધ સામાજિક, સાંસ્કૃતિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કેવી રીતે કરવું તે અંગે આ બેઠકમાં વિસ્તૃત રોડમેપ તૈયાર કરવામાં આવશે.</font></p><p style="text-align: justify; "><font color="#000000" style=""><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/gandhinagar-news-65-km-of-gandhinagar-roads-damaged-in-monsoon-repair-work-worth-rs-66-lakh-approved" target="_blank">Gandhinagar News : ચોમાસામાં ગાંધીનગરના 6.5 કિમી રસ્તા બિસ્માર, રૂ.66 લાખના રિપેરિંગ કામને મંજૂરી</a></b></font></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/ZBcZrhHGgoxXkcnrdvBfbfpomNFIGOLlowIPzEWd.webp'/></item><item><title><![CDATA[Rajkot News: ફરાળી પેટીસના વેપારીઓને ત્યાં RMCની રેડ, 4 સાઇટ સીલ અને 50 કિલો વાસી ખોરાકનો નાશ ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/rmc-health-department-raid-farali-pettis-4-shops-sealed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/rmc-health-department-raid-farali-pettis-4-shops-sealed</guid><pubDate>Fri, 21 Aug 2026 20:00:17 +05:30</pubDate><description><![CDATA[<p>પવિત્ર શ્રાવણ મહિનામાં ઉપવાસ દરમિયાન ફરાળી વાનગીઓનો વપરાશ વધતો હોય છે. જેને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ફરાળી પેટીસ અને અન્ય ફરાળી વાનગીઓ વેચતા ધંધાર્થીઓને ત્યાં સઘન સરપ્રાઇઝ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ ખાસ કરીને સ્ટાર્ચ-ફરાળી તેમજ ફરાળી રો-મટિરિયલમાં થતી સંભવિત ભેળસેળ અટકાવવાના હેતુથી કરવામાં આવી હતી.</p><p>47 પેઢીઓની તપાસ અને 50 કિલો વાસી જથ્થાનો નાશ</p><p>આરોગ્ય વિભાગની ટીમોએ શહેરમાંથી કુલ 47 જેટલી પેઢીઓની આકસ્મિક તપાસ કરી હતી. આ કામગીરી દરમિયાન ભેળસેળ, અસ્વચ્છતા અને ગંદકી ધરાવતા એકમો સામે કડક પગલાં લેવાયા હતા. સ્થળ પરથી મળી આવેલો આશરે 50 કિલો જેટલો અખાદ્ય અને વાસી ખોરાકનો જથ્થો તુરંત જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, 05 પેઢીઓને સ્ટોરેજ, લાયસન્સ અને હાઇજેનિક કન્ડિશન જાળવવા બાબતે કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી.</p><p>FSS એક્ટ હેઠળ નમૂના લેવાયા</p><p>ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (FSS) એક્ટ હેઠળ આરોગ્ય શાખા દ્વારા શંકાસ્પદ જણાતી ફરાળી પેટીસ અને ફરાળી લોટના કુલ 04 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. આ નમૂનાઓને લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલી આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.</p><p>નિયમોનું ઉલ્લંઘન કરતી 4 જાણીતી પેઢીઓ સીલ કરાઈ</p><p>શ્રાવણ માસ દરમિયાન પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ સામે લાલ આંખ કરી આરોગ્ય વિભાગે 04 પેઢીઓને સ્થળ પર જ સીલ કરી દીધી છે.</p><ul><li>જય રામનાથ ચાઇનીઝ &amp; પંજાબી: માનવઆશ્રમ સામે, નાયરા પેટ્રોલપંપ પાસે</li><li>હરેકૃષ્ણ રેસ્ટોરન્ટ એન્ડ ફૂડ પાર્સલ: શિરોમણી કોમ્પલેક્ષ, કવિ નાનાલાલ માર્ગ</li><li>ૐ સાંઈ ચાઇનીઝ પાઉંભાજી રેસ્ટોરન્ટ: ભગતસિંહજી ગાર્ડન સામે, યુનિવર્સિટી રોડ</li><li>એન્જલ ચાઇનીઝ પંજાબી: ભગતસિંહજી ગાર્ડન સામે, યુનિવર્સિટી રોડ</li></ul><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/rajkot/bjp-mla-darshita-shah-video-on-number-plate-less-vehicle-sparks-controversy" target="_blank">Rajkot News: નંબર પ્લેટ વિનાના વાહનોને ઈંધણ નહીં જેવા નિયમ વચ્ચે ભાજપના ધારાસભ્યનો વીડિયો વાયરલ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/Y8NriTuc77jJUE5HkN8H8ycvP8AWqx9rrRbgSJax.webp'/></item><item><title><![CDATA[Anand News: બોરસદમાં નવનિર્મિત આરસીસી રોડ નીચે પડ્યો મસમોટો ભૂવો, પાલિકાનું જેટીંગ મશીન ખાબક્યું ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/anand/borsad-rcc-road-bhuvo-in-municipality</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/anand/borsad-rcc-road-bhuvo-in-municipality</guid><pubDate>Fri, 21 Aug 2026 19:55:59 +05:30</pubDate><description><![CDATA[<p>આણંદ જિલ્લાના બોરસદ શહેરમાંથી માર્ગ નિર્માણની નબળી ગુણવત્તા અને લોટ પાણી ને લાકડા જેવી કામગીરીનો વધુ એક નમૂનો સામે આવ્યો છે. જ્યાં તાજેતરમાં જ નવો બનાવેલા આરસીસી રોડની એકદમ બાજુમાં એક મસમોટો ભૂવો પડી ગયો હતો. જોતજોતામાં આ ભૂવાનો ઘેરાવો અને ઊંડાઈ નવા બનેલા આરસીસી માર્ગની નીચે સુધી ફેલાઈ ગઈ હતી. ભૂવો એટલો વિશાળ હતો કે તેમાં આખી ટ્રક ઘૂસી જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી.</p><h2><b>નગરપાલિકાનું જેટીંગ મશીન ભૂવામાં ખાબક્યું</b></h2><p>ઘટના સમયે ત્યાંથી પસાર થઈ રહેલું બોરસદ નગરપાલિકાનું જેટીંગ મશીન અચાનક ધસી પડેલી જમીનને કારણે ભૂવામાં ઉતરી ગયું હતું. મશીન ભૂવામાં ફસાતાં જ સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. આખરે ઘટના સ્થળે જેસીબી મશીન બોલાવીને ભારે જહમત બાદ જેટીંગ મશીનને બહાર કાઢવામાં આવ્યું હતું.</p><h2><b>કામગીરી માપણી સમયે જ ભ્રષ્ટાચારની પોલ ખુલી</b></h2><p>તમને જણાવી દઈએ કે, જ્યારે આ મસમોટો ભૂવો પડ્યો, બરાબર તે જ સમયે કોન્ટ્રાક્ટરના માણસો ત્યાં રોડની માપણી કરી રહ્યા હતા. માપણી દરમિયાન જ રોડ નીચેથી જમીન ખસી જતાં કોન્ટ્રાક્ટર અને તંત્ર દ્વારા કરવામાં આવેલા નબળા કામની પોલ ખૂલી ગઈ છે. સ્થાનિકોમાં હવે નવા બનેલા આરસીસી માર્ગના બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.</p><p><img alt="Anand News: Massive bhuvo in Under Newly Built RCC Road, Municipality Machine Trapped in Borsad" src="https://epapercdn.sandesh.com/images/2026/08/21/DxnLq7Mf0umgyKQ97JVHXs9YfwdkBZaLAlJ1y8ud.webp"><br></p><h2><b>વાહનચાલકોમાં અકસ્માતનો ભારે ભય</b></h2><p>મુખ્ય માર્ગ પર જ આટલો મોટો ભૂવો પડી જતાં ત્યાંથી પસાર થતાં રાહદારીઓ અને વાહનચાલકોના જીવ તાળવે ચોંટ્યા છે. ખાસ કરીને રાત્રિના સમયે અહીં કોઈ મોટો અકસ્માત સર્જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. સ્થાનિક લોકોએ તુરંત જ આ ભૂવાનું પૂરાણ કરી જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/anand/new-gambhira-bridge-ready-after-22-deaths-tragedy" target="_blank">Anand : 22ના મોત બાદ એક વર્ષમાં નવો ગંભીરા બ્રિજ તૈયાર,ઓગસ્ટના અંત સુધી લોકાર્પણની શક્યતા</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/rXeBkzz0ELHME5uvWzFrnFhXMqInqJH8DQBC5CwQ.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: ગુજરાતમાં લઠ્ઠાકાંડ અને કથળેલી દારૂબંધી સામે કોંગ્રેસનો રાજ્યવ્યાપી મોરચો, અમદાવાદથી લઈને થરાદ સુધી વિરોધનો વંટોળ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-congress-statewide-protest-hooch-tragedy-liquor-prohibition-failure-arrests</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-congress-statewide-protest-hooch-tragedy-liquor-prohibition-failure-arrests</guid><pubDate>Fri, 21 Aug 2026 19:50:41 +05:30</pubDate><description><![CDATA[<p>રાજ્યમાં વધી રહેલા નશીલા પદાર્થોના વેચાણ, દારૂબંધીની કથિત નિષ્ફળતા અને ભ્રષ્ટાચારના વિરોધમાં આજે કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં એકસાથે આક્રમક વિરોધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. અમદાવાદના સરદાર બાગ પાસે દારૂબંધીના ધજાગરા ઉડતા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરો એકઠા થયા હતા. જોકે, પોલીસ પરમિશન ન હોવાનું કહી પોલીસે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ તથા કોર્પોરેટર નીરવ બક્ષી સહિત અનેક કાર્યકરોની અટકાયત કરી હતી.</p><h2><b>લઠ્ઠાકાંડની ઘટનાઓનો વિરોધમાં અટકાયત</b></h2><p>બીજી તરફ, સુત્રાપાડામાં પણ ભાવનગર અને સુત્રાપાડા વિસ્તારમાં લઠ્ઠાકાંડની ઘટનાઓનો વિરોધ કરી રહેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત 50થી વધુ કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ભાવનગરમાં ઝેરી લઠ્ઠો પીવાથી લોકોના મોત થયા છે અને 39થી વધુ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેની પાછળ પોલીસની હપ્તાખોરી જવાબદાર છે.</p><h3><b>પોલીસ ડ્રોન ઉડાડીને દારૂના અડ્ડા અને બુટલેગરોને શોધે</b></h3><p>સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે ‘જનાક્રોશ ધરણાં’નું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અનોખો કટાક્ષ કર્યો હતો કે, "જે રીતે પોલીસ ડ્રોન કેમેરા ઉડાડીને અસામાજિક તત્વોને પકડે છે, તે જ રીતે હવે ડ્રોન ઉડાડીને દારૂના અડ્ડા અને બુટલેગરોને શોધી તેમની સામે કાર્યવાહી કરે."</p><h4><b>દ્વારકા અને થરાદમાં વિરોધના દ્રશ્યો</b></h4><p>દેવભૂમિ દ્વારકામાં કોંગ્રેસ આગેવાનોએ કલેક્ટરને આવેદન આપતા પહેલાં લઠ્ઠાકાંડમાં જીવ ગુમાવનારા નિર્દોષ ગરીબ મૃતકો માટે 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથે જ ગૃહ વિભાગ પર પ્રહારો કરતા કહ્યું કે, "રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર છે અને બુટલેગરો બેફામ બન્યા છે."થરાદ કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાં પ્રદર્શન બાદ કાર્યકરોએ થરાદ ત્રણ રસ્તા પર પહોંચી ચક્કાજામ કર્યો હતો, જેના કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો સાથે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસે સ્થળ પર પહોંચી રસ્તો ખુલ્લો કરાવી વિરોધ પ્રદર્શન કરતા નેતાઓની અકટાયત કરી હતી.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/botad/bhanbhan-road-aksharwadi-house-collapses-during-construction-four-saved" target="_blank">આ પણ વાંચો: Botad: ભાંભણ રોડ પર આવેલી અક્ષરવાડી-2 માં જૂનું મકાન ધડાકાભેર ધરાશાયી, ઉપરના માળે બાંધકામ ચાલતું હતું ત્યારે સર્જાયો બનાવ</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/UhlV7j9abkenpfTpoGXHkVawHuPGXaIZAzlsU3dp.webp'/></item><item><title><![CDATA[Banaskantha News: ફૂડ વિભાગે ખાણીપીણીના 15 એકમો પર કરી રેડ, 2 હોટેલના લાઇસન્સ સસ્પેન્ડ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/food-department-raid-food-licence-suspended-two-hotels</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/food-department-raid-food-licence-suspended-two-hotels</guid><pubDate>Fri, 21 Aug 2026 19:48:24 +05:30</pubDate><description><![CDATA[<p>બનાસકાંઠા જિલ્લામાં પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લાલ આંખ કરી છે. ફૂડ વિભાગની ટીમે જિલ્લાના હાઇવે પર આવેલી હોટેલો, રેસ્ટોરન્ટ્સ અને ખાણીપીણીની લારીઓ પર અચાનક દરોડા કરીને સઘન સરપ્રાઇઝ ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. જે કારણે વેપારીઓને અખાદ્ય જથ્થો સગેવગે કરવાની તક પણ મળી ન હતી.</p><h2><b>15 એકમોમાં ચેકિંગ, અખાદ્ય જથ્થાનો નાશ</b></h2><p>ફૂડ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી આ ઝુંબેશ દરમિયાન કુલ 15 જેટલા ખાણીપીણીના એકમો પર તપાસ કરવામાં આવી હતી. તપાસ વેળાએ આરોગ્ય માટે હાનિકારક એવા 15 કિલો અખાદ્ય ખોરાક અને 10 લીટર વધારે વપરાયેલું તેલ મળી આવતાં તેને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.</p><p><img alt="Banaskantha News: Food Dept Raid: Food Licenses of 2 Hotels Suspended in Vadgam &amp; Chhapi" src="https://epapercdn.sandesh.com/images/2026/08/21/R2dsmlDI3GDEVzsDOpu29ERF4rq5r0h3IQhIyNyP.webp"><br></p><h2><b>વડગામ અને છાપીમાં બે હોટેલના લાઇસન્સ સસ્પેન્ડ</b></h2><p>તપાસ દરમિયાન ગંભીર બેદરકારી અને નિયમોનું ઉલ્લંઘન માલૂમ પડતાં ફૂડ વિભાગે કડક સજાત્મક પગલાં લીધા છે. વડગામ અને છાપી વિસ્તારમાં આવેલી 2 જાણીતી હોટેલોના ફૂડ લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.</p><p><img alt="Banaskantha News: Food Dept Raid: Food Licenses of 2 Hotels Suspended in Vadgam &amp; Chhapi" src="https://epapercdn.sandesh.com/images/2026/08/21/Ey9pNCJEW7CutelBjV0tFnGpFruyqPG9y5ZrNrN4.webp"><br></p><h2><b>આરોગ્ય વિભાગની કડક કાર્યવાહીથી ખળભળાટ</b></h2><p>ખાણીપીણીના ધંધાર્થીઓ દ્વારા અસ્વચ્છતા અને નિકૃષ્ટ ગુણવત્તાવાળા ખોરાકનું વેચાણ અટકાવવા માટે ફૂડ વિભાગે આ આકરી કાર્યવાહી કરીને ખાણીપીણી સાથે જોડાયેલા વેપારીઓમાં ધાક બેસાડી છે. તંત્રની આ સરપ્રાઇઝ કામગીરીને પગલે જિલ્લાના અન્ય હોટેલ માલિકો અને લારી સંચાલકોમાં ભારે ફાળ પડી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/himatnagar/sabarkantha-child-trafficking-case-eeco-driver-bipin-thakor-found-to-be-bootlegger" target="_blank">Sabarkantha: બાળ તસ્કરી કેસમાં ઈકો ચાલક બિપિન ઠાકોર બુટલેગર નીકળ્યો, 7 આરોપીના રિમાન્ડ મંજૂર</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/LVPLwVyEWRwTATidovItcxa068srTxsIDIIu2I0n.webp'/></item><item><title><![CDATA[Mobile મેન્યુફેક્ચરિંગ સ્કીમ-2 લોન્ચ, મોબાઇલ ઉત્પાદન બમણું થશે ]]></title><link>https://sandesh.com/business/news/mobile-manufacturing-scheme-2-launched-production-will-double</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/mobile-manufacturing-scheme-2-launched-production-will-double</guid><pubDate>Fri, 21 Aug 2026 18:57:04 +05:30</pubDate><description><![CDATA[<p>Union Minister of Electronics and IT અશ્વિની વૈષ્ણવે શુક્રવારે મોબાઇલ ફોન મેન્યુફેક્ચરિંગ સ્કીમ-2ને સત્તાવાર રીતે લોન્ચ કરી. સરકારનો ઉદ્દેશ આ યોજના દ્વારા દેશમાં મોબાઇલ ફોનનું ઉત્પાદન વધારવાનો અને તેને બમણું કરવાનો છે. </p><h2><b>મોબાઇલ ફોન મેન્યુફેક્ચરિંગ સ્કીમ-2 લોન્ચ</b></h2><p>આ સ્કીમ લોન્ચ કરતી વખતે અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સરકાર ભારતીય કંપનીઓને મોબાઇલ મેન્યુફેક્ચરિંગના અલગ-અલગ સ્તરે જરૂરી સહયોગ આપશે. તેનો હેતુ દેશમાં મોબાઇલ ફોનની સાથે તેના પાર્ટ્સ અને કમ્પોનન્ટ્સનું મજબૂત ઇકોસિસ્ટમ તૈયાર કરવાનો છે. મોબાઇલ ફોનની કિંમતોમાં વધારા અંગે પણ અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, હાલમાં મેમરી ચિપના ભાવ વધી રહ્યા છે, જેના કારણે મોબાઇલ ફોનની કિંમતો પર પણ અસર પડી રહી છે. સરકાર દેશમાં મેમરી ચિપનું ઉત્પાદન વધારવા પર ધ્યાન આપી રહી છે. આ માટે દેશમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ સ્થાપિત કરવા પર પણ કામ કરવામાં આવશે. તેનાથી આવનારા સમયમાં ભારતની આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળી શકે છે.</p><h4><b>એક મોબાઇલમાં લગભગ 1,000 પાર્ટ્સ</b></h4><p>અશ્વિની વૈષ્ણવે કહ્યું કે એક મોબાઇલ ફોનમાં લગભગ 1,000 અલગ-અલગ પાર્ટ્સ હોય છે. ભારતમાં આ પાર્ટ્સનું ઇકોસિસ્ટમ ઝડપથી વિકસ્યું છે અને તેમાં મોટી સંખ્યામાં MSME કંપનીઓ સામેલ છે. પહેલાં ભારતમાં મોબાઇલ મેન્યુફેક્ચરિંગનું ધ્યાન મુખ્યત્વે પ્રોડક્શન પર હતું. હવે સરકાર ભારતમાં ડિઝાઇન અને ભારતમાં જ ઉત્પાદનને પણ પ્રોત્સાહન આપવા માંગે છે.</p><p><b><a href="https://sandesh.com/d\" target="_blank">વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ&nbsp;</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/Wk0IjsnBTkrdOz5AHAk27zrrvyZGqoGDZKUmGDYT.webp'/></item><item><title><![CDATA[Hockey World Cup 2026: સેમિફાઇનલમાં પહોંચવા માટે ભારતે કરવો પડશે આ 'ચમત્કાર', જાણો શું છે સમીકરણ ]]></title><link>https://sandesh.com/sports/news/hockey-world-cup-2026-india-will-have-to-do-this-miracle-to-reach-the-semi-finals-know-what-the-equation-is</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/hockey-world-cup-2026-india-will-have-to-do-this-miracle-to-reach-the-semi-finals-know-what-the-equation-is</guid><pubDate>Fri, 21 Aug 2026 17:58:05 +05:30</pubDate><description><![CDATA[<p>ટીમ ઈન્ડિયા પાકિસ્તાનને હરાવીને બીજા રાઉન્ડમાં પહોંચી ગઈ છે,પરંતુ સેમિફાઈનલમાં પહોંચવાનો રસ્તો અત્યંત મુશ્કેલ છે.બીજા રાઉન્ડમાં ટીમ ઈન્ડિયાનો સામનો વર્તમાન ઓલિમ્પિક ચેમ્પિયન નેધરલેન્ડ્સ સામે થશે.આ મેચ શનિવારે એમ્સ્ટલવીનમાં રમાશે.આ મેચમાં એક ભૂલ ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપમાંથી લગભગ બહાર કરી શકે છે.ભારતની સૌથી મોટી ચિંતા એ છે કે ટીમ મજબૂત શરૂઆત પછી નિયંત્રણ ગુમાવે છે.પાકિસ્તાન સામે 3-0 અને 4-1ની લીડ બનાવવા છતાં,ટીમ ઈન્ડિયાએ તેમના વિરોધીઓને વાપસી કરવાની મંજૂરી આપી અને અંતે 5-3થી જીત મેળવી.પહેલા હાફમાં ઈંગ્લેન્ડ સામે 2-1ની લીડ લેવા છતાં,ટીમ ઈન્ડિયા મેચ 2-4થી હારી ગઈ.</p><h5><b>નેધરલેન્ડ્સ અજેય છે</b></h5><p>નેધરલેન્ડ્સ વર્તમાન વર્લ્ડ કપમાં અજેય છે. તેઓએ તેમની ત્રણેય ગ્રુપ મેચ જીતી હતી. ડચ ટીમે પહેલા ન્યુઝીલેન્ડને 5-1, પછી આર્જેન્ટિનાને 3-1 અને અંતે જાપાનને 4-1થી હરાવ્યું. તે સ્પષ્ટ છે કે ટીમ ઈન્ડિયાએ આ ટીમને હરાવવા માટે ચમત્કારિક પ્રદર્શન કરવું પડશે. જો આ ટીમને તક આપવામાં આવે તો હાર નિશ્ચિત છે.</p><h5><b>આ મેદાન નેધરલેન્ડ્સ માટે ખાસ છે</b></h5><p>આ મેદાન નેધરલેન્ડ્સ માટે ખાસ છે, જે પૂલ A માં ટોચ પર હતું. ટીમે 1973 માં ભારતને આ જ મેદાન પર હરાવીને પોતાનો પહેલો વર્લ્ડ કપ જીત્યો હતો, અને 1990 અને 1998 માં ટ્રોફી પણ જીતી હતી. જોકે, ટીમ ઈન્ડિયાએ નેધરલેન્ડ્સને એક મોટો ફટકો આપ્યો છે. જૂનમાં રોટરડેમમાં રમાયેલી FIH પ્રો લીગની અંતિમ મેચમાં ભારતે નેધરલેન્ડ્સને 3-2 થી હરાવ્યું હતું. તે જીતમાં જુગરાજ સિંહ, અભિષેક અને રાજિન્દર સિંહે ગોલ કર્યા હતા, જે ત્રણેય ભારતીય વર્લ્ડ કપ ટીમનો ભાગ છે.</p><h5><b>ફોર્મમાં ભારતીય ખેલાડીઓ</b></h5><p>અભિષેક આ વર્લ્ડ કપમાં પણ ફોર્મમાં છે. તેણે પાકિસ્તાન સામે બે શાનદાર ગોલ કર્યા હતા. કેપ્ટન હરમનપ્રીત સિંહ ઉત્તમ ફોર્મમાં છે, અત્યાર સુધી પાંચ ગોલ સાથે ટુર્નામેન્ટનું નેતૃત્વ કરી રહ્યો છે. જોકે, ભારતીય કેપ્ટન જાણે છે કે જો ટીમ નેધરલેન્ડ્સને આગળ વધારવા અને રોકવા માંગતી હોય, તો તેણે તેના ડિફેન્સને મજબૂત બનાવવાની અને સુધારો કરવાની જરૂર પડશે. પાકિસ્તાન સામેની જીત બાદ, હરમનપ્રીતે સ્વીકાર્યું કે ટીમે તે મેચમાં મૂર્ખ ભૂલ કરી હતી. નેધરલેન્ડ્સ સામે, ભારતે તમામ મોરચે સારું પ્રદર્શન કરવાની જરૂર પડશે, કારણ કે ડચ ટીમને તક આપવાથી હાર નિશ્ચિત છે.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/bwf-world-championships-trisha-jolly-and-gayatri-gopichand-create-history-defeat-chinese-pair-to-secure-medal" target="_blank">BWF world championships: ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદે રચ્યો ઇતિહાસ, ચીની જોડીને હરાવીને મેડલ નિશ્ચિત કર્યો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/DLWwHYskGJYKUAEsxE6HcpomaK38rnCDgii2tsoB.webp'/></item><item><title><![CDATA[Toxic Craze : ટોક્સિકની એડવાન્સ બુકિંગમાં તબાહી, 30 હજાર ટિકિટ વેચાઈ! તૂટશે બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/toxic-advance-booking-6-hours-yash</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/toxic-advance-booking-6-hours-yash</guid><pubDate>Fri, 21 Aug 2026 17:51:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">યશની ફિલ્મ ટોક્સિક 26 ઓગસ્ટે રિલીઝ થવાની છે. તેમના ચાહકો આ ફિલ્મને લઈને ખૂબ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ ફિલ્મની ચર્ચા ચાલી રહી છે. 21 ઓગસ્ટ, શુક્રવારની સવારે 8 વાગ્યે ફિલ્મની એડવાન્સ બુકિંગ શરૂ થઈ હતી. બુકિંગ શરૂ થતાં જ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર શરૂઆત કરી છે. શરૂઆતના આ આંકડા જોઈને માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મ જબરદસ્ત કમાણી કરી શકે છે.</p><h2 style="text-align: justify; "><b>ટોક્સિકની 6 કલાકમાં 30 હજાર ટિકિટ બુક</b></h2><p style="text-align: justify; ">બોલીવુડ હંગામાના એક અહેવાલ અનુસાર, બુકિંગ શરૂ થયાના માત્ર 6 કલાકમાં જ ટોક્સિકની ટોપ 3 નેશનલ ચેઇન્સ PVR, INOX અને Cinepolisમાં 30 હજાર ટિકિટ બુક થઈ ગઈ હતી. આ આંકડાને જોતા એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે પહેલા દિવસે ટોક્સિક માત્ર હિન્દી ભાષામાં જ 45-50 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી શકે છે.</p><h3 style="text-align: justify; "><b>નોન-નેશનલ ચેઇન્સની ટિકિટો પણ 80 હજારને પાર</b></h3><p style="text-align: justify; ">નોન-નેશનલ ચેઇન્સના આંકડા પણ સામેલ કરવામાં આવે તો બુક થયેલી ટિકિટોની સંખ્યા 80 હજારને પાર પહોંચી ગઈ છે. સેકનિલ્કના આંકડા મુજબ, બપોરે 3 વાગ્યા સુધી ટોક્સિકની દેશભરમાં 84,315 ટિકિટ બુક થઈ ચૂકી હતી. તેનાથી ફિલ્મે 4.1 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી. જ્યારે બ્લોક સીટની કમાણી પણ જોડવામાં આવે તો આ આંકડો 9.19 કરોડ રૂપિયા થઈ જાય છે. ફિલ્મની રિલીઝને હજુ 4 દિવસ બાકી છે. આ 4 દિવસમાં એડવાન્સ બુકિંગ દ્વારા ફિલ્મ વધુ જોરદાર બિઝનેસ કરી શકે છે.</p><h4 style="text-align: justify; "><b>આ ભાષાઓમાં રિલીઝ થશે ટોક્સિક</b></h4><p style="text-align: justify; ">ટોક્સિકનું દિગ્દર્શન ગીતુ મોહનદાસે કર્યું છે. આ ફિલ્મમાં યશ સાથે હુમા કુરેશી, નયનતારા, તારા સુતારિયા, રુક્મિણી વસંત અને કિયારા અડવાણી જોવા મળશે. આ ફિલ્મ કન્નડ, તમિલ, તેલુગુ, મલયાલમ, હિન્દી અને અંગ્રેજી ભાષામાં રિલીઝ થવાની છે. હવે જ્યારે માત્ર હિન્દી ભાષામાં જ પહેલા દિવસે 45-50 કરોડ રૂપિયાની કમાણીનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે, ત્યારે તમામ ભાષાઓને મળાવીને ફિલ્મ મોટો રેકોર્ડ બનાવી શકે છે. યશના ફેન્સ આ ફિલ્મને લઈને એટલા માટે પણ ઉત્સાહિત છે, કારણ કે તેઓ 4 વર્ષ બાદ મોટા પડદા પર જોવા મળશે. 2022માં આવેલી KGF 2 બાદ તેમની કોઈ ફિલ્મ રિલીઝ થઈ નથી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/kareena-kapoor-pregnancy-baby-bump-rumours" target="_blank">આ પણ વાંચો-Bebo : શું ફરી પ્રેગ્નેન્ટ છે કરીના કપૂર? વીડિયોમાં બેબી બમ્પ દેખાતાં ફેન્સે પૂછ્યું- ત્રીજું બાળક આવવાનું છે?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/ZkbtOwwOVkgcF31wCnN4n8TmdzThL4pzrXtr3ak2.webp'/></item><item><title><![CDATA[Devendra mahatoની હેમંત સરકારને મોટા આંદોલનની ચીમકી, કહ્યું- 'વિદ્યાર્થીઓને ન્યાય નથી મળી રહ્યો...' ]]></title><link>https://sandesh.com/india/news/jharkhand-recruitment-row--student-leader-warns-protest-from--24-aug-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/jharkhand-recruitment-row--student-leader-warns-protest-from--24-aug-2026</guid><pubDate>Fri, 21 Aug 2026 17:48:13 +05:30</pubDate><description><![CDATA[<p>Jharkhand: ઝારખંડની રાજધાની રાંચીમાં વિદ્યાર્થી નેતા દેવેન્દ્ર નાથ મહતોએ ફરી એકવાર સરકારને આંદોલનની ચેતવણી આપી છે. પ્રેસ ક્લબ ખાતે આયોજિત એક પત્રકાર પરિષદમાં, તેમણે આરોપ લગાવ્યો કે સરકાર વિદ્યાર્થીઓના કેસને હાઇકોર્ટ સમક્ષ અસરકારક રીતે રજૂ કરવામાં નિષ્ફળ ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે સરકારે વિવિધ ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિઓ અંગે CID તપાસ રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો નથી, જેના કારણે વિદ્યાર્થીઓને ન્યાય મળ્યો નથી.</p><p>દેવેન્દ્ર નાથ મહતોએ નારાજગી વ્યક્ત કરી અને 11મી અને 13મી JPSC પરીક્ષાઓ અને SO અને CDPO પોસ્ટ્સ માટેની ભરતી પ્રક્રિયાઓ સહિત અનેક મુદ્દાઓ પર પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે યુવાનોના ભવિષ્ય સાથે રમત ચલાવી લેવામાં આવશે નહીં અને ભરતી પ્રક્રિયાઓમાં પારદર્શિતા માટે વિદ્યાર્થી આંદોલનને વધુ તીવ્ર બનાવવામાં આવશે.</p><p>તેમણે જાહેરાત કરી કે 24 ઓગસ્ટથી રાજ્યના તમામ 24 જિલ્લા મુખ્યાલયોમાં 'ભરતી સુધારણા યાત્રા' (અભિયાન) શરૂ કરવામાં આવશે. તેમણે ચેતવણી આપી હતી કે જો સરકાર આ પછી પણ વિદ્યાર્થીઓની માંગણીઓનું નિરાકરણ કરવામાં નિષ્ફળ જશે, તો 15 સપ્ટેમ્બર પછી મુખ્યમંત્રી નિવાસસ્થાનનો ઘેરાવ કરવામાં આવશે. મહતોએ વધુમાં ચેતવણી આપી હતી કે જો માંગણીઓ પૂર્ણ નહીં થાય, તો સમગ્ર ઝારખંડમાં મોટા વિરોધ પ્રદર્શનો જેમ કે રાજ્યવ્યાપી માર્ગ રોકો અને આર્થિક નાકાબંધી શરૂ કરવામાં આવશે.</p><p><br></p><p>નોંધનીય છે કે JPSC-CGL પરીક્ષા અંગે મોટા પાયે ગેરરીતિઓના આરોપો સામે આવ્યા હતા, જેના પર વિદ્યાર્થીઓ લાંબા સમયથી વિરોધ કરી રહ્યા હતા. 24 દિવસના આંદોલન બાદ, મુખ્યમંત્રી સોરેને JPSC અને CGL પરીક્ષાઓ રદ કરવાની જાહેરાત કરી હતી. વધુમાં 2014 થી આઉટસોર્સ્ડ એજન્સી TDPL દ્વારા લેવામાં આવતી તમામ પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો; જોકે, હાઇકોર્ટે સરકારના નિર્ણય પર સ્ટે આપ્યો હતો.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/weather-update--heavy-rain-alert-in-delhi--up--bihar-for-22-august-2026" target="_blank"><b>Weather Update: ઉત્તરપ્રદેશથી લઈ MPમાં ભારે વરસાદ, બિહાર-હિમાચલ-ઉત્તરાખંડમાં યલો એલર્ટ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/KM2YLSxpVTCbOpVnzR5vQ3iy5pxURfx6LpMzY8l5.webp'/></item><item><title><![CDATA[Weather Update: ઉત્તરપ્રદેશથી લઈ MPમાં ભારે વરસાદ, બિહાર-હિમાચલ-ઉત્તરાખંડમાં યલો એલર્ટ ]]></title><link>https://sandesh.com/india/news/weather-update--heavy-rain-alert-in-delhi--up--bihar-for-22-august-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/weather-update--heavy-rain-alert-in-delhi--up--bihar-for-22-august-2026</guid><pubDate>Fri, 21 Aug 2026 17:13:18 +05:30</pubDate><description><![CDATA[<p>Weather Update: દિલ્હી-એનસીઆર સહિત દેશભરમાં હવામાનની સ્થિતિમાં ફેરફાર થયો છે. એક્ટિવ ચોમાસાને કારણે અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઉત્તર ભારતના રાજ્યોમાં નદીઓ છલકાઈ રહી છે, જેના કારણે પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે આવતીકાલે, 22 ઓગસ્ટના રોજ વરસાદની આગાહી જારી કરી છે. હવામાન વિભાગ અનુસાર દેશભરના 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવતીકાલે વરસાદની આગાહી છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત આમાંથી નવ રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.&nbsp;</p><p><br></p><h4><b>દિલ્હી-એનસીઆર માટે આવતીકાલે વરસાદની ચેતવણી</b></h4><p>દિલ્હી-એનસીઆરમાં ચોમાસું એક્ટિવ છે. આકાશમાં વાદળો છવાયેલા રહેતા હવામાન બદલાતું દેખાય છે. જ્યારે ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહે છે, ત્યારે સ્થાનિક આગાહીમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 ઓગસ્ટ સુધી હળવો થી મધ્યમ વરસાદ અને ઝરમર વરસાદ થવાની સંભાવના છે. ત્યારબાદ, 25 અને 26 ઓગસ્ટના રોજ, આકાશમાં થોડી રાહત સાથે આંશિક વાદળછાયું રહેવાની ધારણા છે. આવતીકાલે વરસાદની ગતિવિધિઓ વધુ તીવ્ર બની શકે છે; મહત્તમ તાપમાન 33°C અને લઘુત્તમ 25°C રહેવાની ધારણા છે. આકાશ વાદળછાયું રહેશે, અને મધ્યમ વરસાદની શક્યતા છે.</p><p><br></p><h4><b>યુપીના અનેક જિલ્લાઓમાં વરસાદ; કેટલાક વિસ્તારોમાં પૂરની ચેતવણી</b></h4><p>હવામાન વિભાગે આવતીકાલે ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં વરસાદની ચેતવણી પણ જારી કરી છે. પૂર્વી ઉત્તર પ્રદેશમાં નોંધપાત્ર અને વ્યાપક વરસાદની આગાહી છે, કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. આ પેટર્ન 24 ઓગસ્ટ સુધી ચાલુ રહેવાની શક્યતા છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં ખૂબ જ ભારે વરસાદ (12-20 સેમી) નોંધવામાં આવ્યો છે, અને 22 ઓગસ્ટે વરસાદી સ્થિતિ ચાલુ રહેવાની ધારણા છે. પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ અને મુખ્ય બેરેજમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવાને કારણે ઉત્તર પ્રદેશની અનેક નદીઓમાં પાણીનું સ્તર વધ્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સૂચનાને પગલે, આપત્તિ વ્યવસ્થાપન વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર અને પૂર નિયંત્રણ વિભાગના અધિકારીઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.</p><p><br></p><h4><b>બિહારમાં ઓરેન્જ અને યલો એલર્ટ</b></h4><p>બિહારમાં વરસાદ ચાલુ છે. હવામાન વિભાગે આવતીકાલે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ માટે નારંગી અને પીળી ચેતવણી જારી કરી છે. પૂર્વ ચંપારણ, પશ્ચિમ ચંપારણ, અરરિયા અને કિશનગંજમાં ભારે વરસાદની સંભાવના છે. 22 ઓગસ્ટે ઉત્તર બિહારના મોટાભાગના ભાગોમાં પીળો ચેતવણી આપવામાં આવી છે, જ્યારે દક્ષિણ બિહારના કેટલાક ભાગોમાં નારંગી ચેતવણી આપવામાં આવી છે. પ્રતિકૂળ હવામાન ચેતવણીઓનો સામનો કરી રહેલા જિલ્લાઓમાં ગોપાલગંજ, સિવાન, રોહતાસ, કૈમુર અને બક્સરનો સમાવેશ થાય છે. ઉત્તર-પૂર્વ અને મધ્ય બિહારના કેટલાક ભાગોમાં વરસાદ અને વાવાઝોડા ચાલુ રહેવાની સંભાવના છે.</p><p><br></p><h4><b>હિમાચલ પ્રદેશમાં વરસાદ માટે યલો એલર્ટ</b></h4><p>હવામાન વિભાગે આવતીકાલે હિમાચલ પ્રદેશના ચાર જિલ્લાઓમાં વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. IMD એ આગાહી કરી છે કે હિમાચલમાં 27 ઓગસ્ટ સુધી વરસાદ ચાલુ રહેશે. બિલાસપુર, ચંબા, કાંગડા અને મંડી જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે હિમાચલમાં ઘણા રસ્તાઓ બંધ છે. શુક્રવાર સવાર સુધીમાં, રાજ્યભરના 128 રસ્તાઓ પર વાહનવ્યવહાર સ્થગિત કરવામાં આવ્યો હતો. વધુમાં, 18 ટ્રાન્સફોર્મર અને 52 પીવાના પાણી પુરવઠા યોજનાઓ પ્રભાવિત થઈ હતી. મંડીમાં સૌથી વધુ સંખ્યામાં રસ્તાઓ બંધ થયા (52), ત્યારબાદ કુલ્લુ (43), ચંબા (9), કાંગડા અને સિરમૌર (પ્રત્યેક 6), શિમલા અને ઉના (પ્રત્યેક 5), અને લાહૌલ-સ્પીતિ (2) નો સમાવેશ થાય છે.</p><p><br></p><h4><b>અન્ય રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણીઓ</b></h4><p>ભારે વરસાદઃ પૂર્વ મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, ઓડિશા અને બિહાર.</p><p><br></p><p>હળવોથી મધ્યમ વરસાદઃ જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કર્ણાટકા, ત્રિપુરા, લદ્દાખ, લદ્દાખ.<br><br>આ પણ વાંચો:<a href="https://sandesh.com/india/news/vande-mataram-row--rajnath-singh-slams-congress--questions-patriotism" target="_blank"><b> Vandemataramનો વિરોધ કરવાનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ... કોંગ્રસ પર ભડક્યા રાજનાથ સિંહ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/uUbf5Ubzb3tw8FgQpVeWmAD4EOcwFwMQ33ZeBKUK.webp'/></item></channel></rss>