<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Rajkot : રેલવે સ્ટેશનેથી 42.26 લાખનો શંકાસ્પદ પિત્તળનો જથ્થો ઝડપાયો, પાર્સલ વિભાગની કામગીરી સામે સવાલો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/rajkot/rajkot-railway-station-parcel-suspicious-brass-seized-coimbatore</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/rajkot/rajkot-railway-station-parcel-suspicious-brass-seized-coimbatore</guid><pubDate>Mon, 03 Aug 2026 09:51:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ રેલવે સ્ટેશનના પાર્સલ વિભાગમાંથી કરોડો રૂપિયાની કરચોરી કે અન્ય ગેરરીતિની આશંકા સાથે શંકાસ્પદ પિત્તળનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. તમિલનાડુના કોઇમ્બતુરથી ટ્રેન મારફતે મોકલવામાં આવેલો આશરે 7 હજાર કિલોગ્રામ પિત્તળનો જથ્થો પોલીસે જપ્ત કર્યો છે, જેની અંદાજિત કિંમત 42.26 લાખ આંકવામાં આવી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>ટ્રેન દ્વારા પિત્તળ પાર્સલ મારફતે રાજકોટ લાવવામાં આવ્યું</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, કોઇમ્બતુર-રાજકોટ એક્સપ્રેસ ટ્રેન દ્વારા આ વિપુલ પ્રમાણમાં પિત્તળ પાર્સલ મારફતે રાજકોટ લાવવામાં આવ્યું હતું. આટલી મોટી માત્રામાં પિત્તળનો જથ્થો આવ્યા બાદ તેના બિલો, જીએસટી દસ્તાવેજો અને મોકલનાર તથા મેળવનારની વિગતો અંગે શંકા ઉપજતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ સમગ્ર મામલે જીએસટી ચોરી, બેનામી વ્યવહાર કે અન્ય કોઈ ગેરરીતિ છે કે કેમ તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.</p><h3 style="text-align: justify; "><b>પાર્સલ વિભાગની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા</b></h3><p style="text-align: justify; ">આ ઘટના સામે આવ્યા બાદ રેલવે સ્ટેશનના પાર્સલ વિભાગની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. નોંધનીય છે કે અગાઉ પણ રાજકોટ રેલવે સ્ટેશનના પાર્સલ વિભાગમાંથી વિદેશી દારૂના પાર્સલ મળી આવવાની ઘટનાઓ બની ચૂકી છે. ત્યારે હવે ફરી એકવાર કરોડોની કિંમતનો શંકાસ્પદ જથ્થો મળી આવતાં પાર્સલ વિભાગના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓની સંડોવણી અંગે પણ ચર્ચાઓ જાગી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp;&nbsp;<a href="https://sandesh.com/gujarat/news/crime/gir-somnath/gir-somnath-police-extortion-scandal-two-psi-suspended-range-ig" target="_blank"><b>&nbsp; Gir Somnath પોલીસ બેડામાં ખળભળાટ, હોટલ જુગાર રેડમાં 5 લાખના તોડકાંડ મુદ્દે બે PSI સસ્પેન્ડ</b></a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/0JEz87suRFlQQ30jwt8rsvcyziNldwJOtv03QJGy.webp'/></item><item><title><![CDATA[Amreliના રાજુલામાં શિકારની શોધમાં 7 સિંહો ગામમાં ઘૂસ્યા: વાછરડીનું મારણ કરતો વિડીયો વાયરલ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/7-lions-enter-village-in-search-of-prey-in-rajula-amreli-video-of-killing-calf-goes-viral</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/7-lions-enter-village-in-search-of-prey-in-rajula-amreli-video-of-killing-calf-goes-viral</guid><pubDate>Mon, 03 Aug 2026 09:43:28 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલ ખારી ગામમાં મોડી રાત્રે ખોરાક અને શિકારની શોધમાં એક સાથે 7 સિંહો આવી ચડતા ગામમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સિંહોનું ટોળું ગામની શેરીઓમાં ખુલ્લેઆમ ફરતું જોવા મળતા જ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગામના મધ્યમાં આટલી મોટી સંખ્યામાં ડાલામથ્થા જંગલી પ્રાણીઓ ઘૂસી આવતાં જ સ્થાનિક રહીશોમાં મોટો ફફડાટ વ્યાપી ગયો છે. જંગલ વિસ્તારમાંથી અચાનક ગામ તરફ વળેલા આ સિંહોને કારણે લોકો રાતના સમયે ઘરોમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>ગાય પર હુમલો નિષ્ફળ જતાં વાછરડીનું મારણ કર્યું</b></h2><p style="text-align: justify; ">ગામની શેરીઓમાં પ્રવેશ્યા બાદ આ સાત સિંહોના ટોળાએ સૌથી પહેલાં રસ્તા પર ઉભેલી એક ગાયનો શિકાર કરવાની કોશિશ કરી હતી. જોકે, ગાય સતર્ક થઈ જતાં અને બચાવ કરતાં સિંહોનો ગાય પરનો શિકાર કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. ત્યારબાદ ભૂખ્યા સિંહોએ ખારી ગામમાં જ બાજુમાં રહેલી એક નાની વાછરડી પર હુમલો કરી તેનું મારણ કર્યું હતું. એકસાથે સાત-સાત સિંહોએ હુમલો કરીને વાછરડીને પોતાના શિકાર બનાવી લેતા ગામના પશુપાલકોમાં ભારે ચિંતા અને દહેશતનો મોજું ફરી વળ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ</b></h3><p style="text-align: justify; ">ખારી ગામની ગલીઓમાં સાત સિંહોની આ બધી જ હિલચાલ અને હુમલાની સમગ્ર ઘટના શેરીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ભારે ચર્ચા જાગી છે. સીસીટીવી ફુટેજમાં સિંહોનું ટોળું નિરાંતે ફરતું અને શિકાર કરતું સ્પષ્ટ જોઈ શકાય છે. ગામમાં વારંવાર સિંહોના આવા આંટાફેરા અને શિકારની ઘટનાઓને પગલે ગામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને વનવિભાગ દ્વારા તાત્કાલિક યોગ્ય પગલાં ભરીને સુરક્ષા પૂરી પાડવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/o4DW7KHJZPAvZoLmM9yQanA020GsW7XOpxbGR80i.webp'/></item><item><title><![CDATA[Stock Market Opening: ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ બજારમાં તેજીનો ધડાકો, સેન્સેક્સ 586 પોઈન્ટ અને નિફ્ટી 161 પોઈન્ટ વધીને ખુલ્યા ]]></title><link>https://sandesh.com/business/news/stockmarket/stock-market-opening-after-donald-trumps-statement-there-was-a-boom-in-the-market-sensex-opened-up-586-points-and-nifty-up-161-points</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stockmarket/stock-market-opening-after-donald-trumps-statement-there-was-a-boom-in-the-market-sensex-opened-up-586-points-and-nifty-up-161-points</guid><pubDate>Mon, 03 Aug 2026 09:35:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સોમવારના દિવસે બજારની સારી શરૂઆત થઈ. ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ ભારતના શેરબજારમાં મોટો ઉછાળો જોવા મળ્યો. બજારના આરંભે 9.30ના સમયે સેન્સેક્સ 586 પોઈન્ટ અને નિફ્ટી 161 પોઈન્ટ વધીને ખુલ્યા. આજે સેન્સેક્સ +522.36( 0.67%) પોઇન્ટના ઉછાળા સાથે&nbsp; 78,617.00ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. જયારે નિફ્ટી આ જ સમયે +162.75 (0.67%) પોઈન્ટના ઉછાળા સાથે&nbsp; 24,546.35ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. બજાર ખુલતાની સાથે જ બીએસઈના રોકાણકારોએ ૪ લાખ કરોડ રૂપિયાનો નફો કર્યો.</p><h2 style="text-align: justify; "><b>સપ્તાહના આરંભે બજારમાં તેજીનું વલણ</b></h2><p style="text-align: justify; ">ટ્રમ્પના તેહરાન સાથે વાતચીતના સમાચારથી શેરબજાર ગુલઝાર. ​​યુએસ-ઈરાન શાંતિ વાટાઘાટો વચ્ચે, ભારતીય શેરબજારના બેન્ચમાર્ક સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજીનું વલણ જોવા મળ્યું. ગત સપ્તાહ જુલાઈ મહિનાના અંતમાં શેરબજારમાં તેજી જોવા મળી હતી. બજારના આરંભે સારી શરૂઆત થઈ હતી. શુક્રવારે સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં તેજી સાથે ખૂલ્યા અને બંધ થયા હતા. જયારે આજે ૩ ઓગસ્ટના રોજ રાજકીય માહોલ ઓછો થવા અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થવાને કારણે, ભારતીય સૂચકાંકો પર મોટી અસર જોવા મળી. સેન્સેક્સ અને નિફ્ટી ૨૪૫૦૦ ના સ્તરથી ઉપર ટ્રેડિંગ સાથે ઊંચા ખુલ્યા.</p><h3 style="text-align: justify; "><b>બજારમાં આ શેર આજે ટ્રેન્ડમાં</b></h3><p style="text-align: justify; ">આજના ટ્રેડિંગમાં NSE પર એપોલો હોસ્પિટલ્સ એન્ટરપ્રાઇઝના શેર ₹9,049.00 ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યા. હાલનો ભાવ ₹8,957.00 છે. આજના ટ્રેડિંગમાં NSE પર બજાજ ફાઇનાન્સના શેર ₹1,176.40 ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યા. હાલનો ભાવ ₹1,141.20 છે.</p><h4 style="text-align: justify; "><b>એશિયન બજારોની સ્થિતિ</b></h4><p style="text-align: justify; ">સોમવારે એશિયન બજારો નીચા સ્તરે ખુલ્યા, જેમાં મુખ્ય સૂચકાંકો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. જાપાનનો નિક્કી 225 1.43 ટકા ઘટ્યો, જ્યારે વ્યાપક ટોપિક્સ 1.45 ટકા ઘટ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી ખુલતા સમયે 4.57 ટકા ઘટ્યો, અને સ્મોલ-કેપ કોસ્ડેક 1.67 ટકા ઘટ્યો. દરમિયાન, ઓસ્ટ્રેલિયાનો બેન્ચમાર્ક S&amp;P/ASX 200 શરૂઆતના વેપારમાં 0.36 ટકા ઘટ્યો.&nbsp; ગિફ્ટ નિફ્ટી 24,580 ના સ્તરની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો, જેમાં નિફ્ટી ફ્યુચર્સના પાછલા બંધ ભાવ કરતાં લગભગ 200 પોઈન્ટનો પ્રીમિયમ હતો, જે ભારતીય શેરબજાર સૂચકાંકો માટે મોટા પાયે તેજીનો સંકેત આપે છે.</p><h4 style="text-align: justify; "><b>ટ્રમ્પના વલણની બજાર પર અસર</b></h4><p style="text-align: justify; ">ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે સાઉદી અરેબિયા સહિત પશ્ચિમ એશિયાના મુખ્ય મિત્ર દેશોએ અમેરિકાને આ વિવાદનો રાજદ્વારી અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે અપીલ કરી હતી. સાથી રાષ્ટ્રોની આ વિનંતીને ધ્યાનમાં રાખીને જ અમેરિકાએ લશ્કરી કાર્યવાહી કરવાની પોતાની યોજના મુલતવી રાખી છે. જોકે, ટ્રમ્પે એ બાબત પર પણ ભાર મૂક્યો હતો કે આ સૈન્ય કાર્યવાહી રદ કરવાનો નિર્ણય ચોક્કસ શરતો સાથે લેવાયો છે. તેમણે જણાવ્યું કે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ એવા 'હોર્મુઝ સ્ટ્રેટ' (Strait of Hormuz) ને ફરીથી મુક્તપણે ખોલવા માટે ઝડપથી સમજૂતી થાય તે જરૂરી છે.</p><p style="text-align: justify;"><br></p><p style="text-align: justify;"><a href="https://sandesh.com/business/news/stock-market-opening-stock-market-starts-flat-sensex-opens-at-77929-points" target="_blank">આ પણ વાંચો : Stock Market Opening: શેરબજારની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ 77,929 અંકે ખૂલ્યો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/fVw8THngJdI1VzC5eK4MSzJ0dl315qpEOEURIlKC.webp'/></item><item><title><![CDATA[Bihar:  સહરસામાં પેસેન્જર ટ્રેનમાં ભીષણ આગ,સદનસીબે કોઈ જાનહાનિ નહીં ]]></title><link>https://sandesh.com/india/news/bihar-train-fire-saharsa-simri-bakhtiyarpur-passenger-train</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/bihar-train-fire-saharsa-simri-bakhtiyarpur-passenger-train</guid><pubDate>Mon, 03 Aug 2026 09:34:24 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બિહારના સહરસા જિલ્લાના સિમરી બખ્તિયારપુર રેલ્વે સ્ટેશન પર એક મોટી દુર્ઘટના ટળી છે. અહીં વહેલી સવારે એક પેસેન્જર ટ્રેનમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આ ઘટનાને કારણે સ્ટેશન અને મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>પેસેન્જર ટ્રેનમાં લાગી ભીષણ આગ</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી પ્રમાણે બિહારના સહરસા જિલ્લાના સિમરી બખ્તિયારપુર રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ભીષણ આગ લાગવાની ઘટના બનવા પામી હતી.આગ લાગવાની આ ઘટના સમસ્તીપુર-સહરસા પેસેન્જર ટ્રેન (નંબર 63344) માં બની હતી. સવારે અંદાજે 3.40 વાગ્યાના અરસામાં ટ્રેનના એન્જિન અને તેની સાથે જોડાયેલા કોચને આગે લપેટમાં લીધા હતા. ટ્રેનમાં મુસાફરો સવાર હોવાથી ક્ષણભરમાં અફરાતફરી મચી ગઈ હતી. માહિતી મળતાની સાથે જ રેલવે તંત્ર અને ફાયર વિભાગ સક્રિય બન્યા હતા. સહરસા ફાયર સ્ટેશનથી ફોમ ટેન્ડર અને પાણીના ટેન્ડર તાત્કાલિક ઘટનાસ્થળે મોકલી આપવામાં આવ્યા હતા. સમયસર બચાવ કામગીરી હાથ ધરીને મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2084098719390319084"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h3 style="text-align: justify; "><b>કોઇ જાનહાનિ નહીં</b></h3><p style="text-align: justify; ">સહાયક ફાયર ઓફિસર નિરંજન કુમારે જણાવ્યું કે, ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો છે. સદનસીબે આ ભીષણ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને તમામ મુસાફરો સુરક્ષિત છે. જો કે, આગની આ ઘટનામાં ટ્રેનનો એક કોચ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયો છે. ટ્રેનમાં અચાનક આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. રેલવે અધિકારીઓ દ્વારા આ મામલે હાલમાં ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવી છે.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2084100253100503271"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/world/news/pakistan-suicide-attack-swat-khyber-pakhtunkhwa-blast" target="_blank">આ પણ વાંચોઃ Pakistan :  આત્મઘાતી હુમલામાં મૃત્યુઆંક વધ્યો, 14ના મોત, 12થી વધુ ઘાયલ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/N3LdmpwvhLOp2dUyBxOSLS9hoCaxBsZTMmrEQHEo.webp'/></item><item><title><![CDATA[Kheda : ઠાસરાના નેસ ગામે મોડી રાત્રે મકાનની દીવાલ ધરાશાયી થતાં સાસુ-પુત્રવધૂનું કરૂણ મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kheda/kheda-thasra-nes-village-house-wall-collapse-two-dead</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kheda/kheda-thasra-nes-village-house-wall-collapse-two-dead</guid><pubDate>Mon, 03 Aug 2026 09:32:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના નેસ ગામે મોડી રાત્રે એક હૃદયદ્રાવક ઘટના બની છે. નેસ ગામના વાળંદ ફળિયામાં આવેલું એક મકાન અચાનક ધરાશાયી થતાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. કાટમાળ નીચે દબાવાથી પરિવારના બે સભ્યોના નીપજ્યા છે, જ્યારે પરિવારના અન્ય ત્રણ સભ્યોનો આબાદ બચાવ થયો છે. આ ઘટનાને પગલે સમગ્ર ગ્રામજનોમાં ભારે અરેરાટી અને શોકની કાલિમા છવાઈ ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>મકાનની દીવાલ ધરાશાયી&nbsp;</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, ગઈકાલે મોડી રાત્રે જ્યારે પરિવારના સભ્યો ઘરની અંદર સૂતા હતા ત્યારે અચાનક મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી. મકાનમાં કુલ પાંચ લોકો હાજર હતા.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>સાસુ અને પૂત્રવધૂનું મોત</b></h3><p style="text-align: justify; ">દીવાલનો ભારેખમ કાટમાળ પર પડતાં સાસુ પૂનમબેન વાળંદ અને પુત્રવધૂ સોહમબેન વાળંદનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે પરિવારના સભ્ય પ્રવીણભાઈ તેમજ બે માસુમ બાળકીઓ - 13 વર્ષની નિશા અને 8 વર્ષની આરોહીનો આબાદ બચાવ થયો હતો.</p><h4 style="text-align: justify; "><b>બંને બાળકોને સારવાર માટે ખસેડાયા</b></h4><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને ભારે જહમત ઉઠાવીને કાટમાળ ખસેડી પાંચેય લોકોને બહાર કાઢ્યા હતા. ઇજાગ્રસ્ત 13 વર્ષની નિશા અને 8 વર્ષની આરોહીને ત્વરિત સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. મોડી રાત્રે બનેલી આ કરૂણ દુર્ઘટનાથી સમગ્ર નેસ ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને તંત્ર દ્વારા ઘટના સંદર્ભે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/crime/gir-somnath/gir-somnath-police-extortion-scandal-two-psi-suspended-range-ig" target="_blank"><b>Gir Somnath પોલીસ બેડામાં ખળભળાટ, હોટલ જુગાર રેડમાં 5 લાખના તોડકાંડ મુદ્દે બે PSI સસ્પેન્ડ</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/uNHIK2FTQWFkcpg7SVowjosrWZVNwaZJCwXtSFZH.webp'/></item><item><title><![CDATA[Suratમાં 3 દિવસ બાદ ખાડીપૂરના પાણી ઓસર્યા: SMC દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી શરૂ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/flood-waters-recede-in-surat-after-3-days-smc-starts-cleaning-operations-on-war-footing</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/flood-waters-recede-in-surat-after-3-days-smc-starts-cleaning-operations-on-war-footing</guid><pubDate>Mon, 03 Aug 2026 09:31:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરના લિંબાયત મીઠીખાડી વિસ્તારમાં સળંગ ત્રણ દિવસ સુધી ભારે મુશ્કેલી સર્જાયા બાદ આખરે ખાડીપૂરના પાણી ઓસરવાનું શરૂ થયું છે. પાણી ઉતરવાની સાથે જ સમગ્ર વિસ્તારમાં ભારે ગંદકી, દુર્ગંધ અને ચારેય તરફ કાદવ-કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. પૂરના કારણે સ્થાનિક રહીશોના ઘરો અને જાહેર રસ્તાઓ પર કીચડ જમા થઈ જતાં રોગચાળો ફાટી નીકળવાનો ભય ઊભો થયો છે. પાણી ઓસરતાં જ સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ ગંદકીના નિકાલની મોટી સમસ્યા સામે આવી ઊભી છે.</p><h2 style="text-align: justify; "><b>SMC દ્વારા યુદ્ધના ધોરણે સાફ-સફાઈ અભિયાન</b></h2><p style="text-align: justify; ">સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને સુરત મહાનગરપાલિકા (SMC)ની ટીમ તુરંત હરકતમાં આવી ગઈ છે અને સમગ્ર વિસ્તારમાં સઘન સાફ-સફાઈ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ ગંદકી દૂર કરવા માટે મનપા દ્વારા 137 જેટલા સાફ-સફાઈ કર્મચારીઓની ફોજ મેદાનમાં ઉતારવામાં આવી છે. SMCના કર્મચારીઓ દ્વારા કાદવ અને ગંદકી ઉપાડીને વિસ્તારને ફરી સામાન્ય બનાવવા માટે ભારે જહમત ઉઠાવાઈ રહી છે. વિસ્તારમાં વહેલી તકે રોગચાળો અટકાવી શકાય તે માટે પાલિકાની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>ભારે મશીનરી અને ટેકનોલોજીનો ઉપયોગ</b></h3><p style="text-align: justify; ">સફાઈ અભિયાનને વધુ ઝડપી બનાવવા માટે મનપા દ્વારા અત્યાધુનિક સાધનો અને વાહનોનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. જેમાં 3 JCB મશીન, 2 મીની રોબોટ, 5 ટ્રક અને 5 ટ્રેક્ટર સફાઈ કામગીરીમાં જોડવામાં આવ્યા છે. નાના અને સાંકડા રસ્તાઓમાંથી કીચડ સાફ કરવા માટે મીની રોબોટનો ખાસ ઉપયોગ થઈ રહ્યો છે. SMC દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે સાંજ સુધીમાં સમગ્ર વિસ્તારની સંપૂર્ણપણે સાફ-સફાઈ પૂરી કરી દેવામાં આવશે, જેથી લોકોને મોટી રાહત મળશે અને રોગચાળાનો ખતરો ટાળી શકાશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/AIoRmeJE2ZJPK6BKUHEXYfptiBGv3EPulQ2JR6Kw.webp'/></item><item><title><![CDATA[PM મોદી પર અપમાનજનક ટિપ્પણી કરનાર કિશોરી સામે ગુનો નહીં નોંધાય ]]></title><link>https://sandesh.com/india/news/no-crime-will-be-registered-against-the-teenager-who-made-derogatory-comments-on-pm-modi</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/no-crime-will-be-registered-against-the-teenager-who-made-derogatory-comments-on-pm-modi</guid><pubDate>Mon, 03 Aug 2026 08:38:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, સંબંધિત કિશોરી સામે કોઈપણ પ્રકારનો ફોજદારી ગુનો નોંધવામાં આવશે નહીં. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં આ ઘટનાને લઈને ભારે ચર્ચા ચાલી રહી હતી, ત્યારે પોલીસે કાનૂની પાસાઓની સમીક્ષા બાદ આ સ્પષ્ટતા કરી છે.</p><h2 style="text-align: justify; "><b>સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો</b></h2><p style="text-align: justify; ">માહિતી મુજબ, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક કિશોરી PM નરેન્દ્ર મોદી વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરતી જોવા મળી હતી. વીડિયો સામે આવ્યા બાદ અનેક લોકોએ તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. આ ઘટનાએ સોશિયલ મીડિયા પર પણ વ્યાપક ચર્ચા જગાવી હતી અને મામલો રાજકીય રંગ ધારણ કરતો જોવા મળ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>&nbsp;દિલ્હી પોલીસે સંબંધિત વીડિયો અને સમગ્ર ઘટનાક્રમની કાનૂની રીતે સમીક્ષા કરી&nbsp;</b></h3><p style="text-align: justify; ">તપાસ દરમિયાન દિલ્હી પોલીસે સંબંધિત વીડિયો અને સમગ્ર ઘટનાક્રમની કાનૂની રીતે સમીક્ષા કરી હતી. તપાસમાં સામે આવ્યું કે વીડિયોમાં દેખાતી વ્યક્તિ સગીર વયની છે. ભારતીય કાયદા મુજબ સગીરો સાથે જોડાયેલા મામલાઓમાં વિશેષ જોગવાઈઓ લાગુ પડે છે અને તેમની સામે કાર્યવાહી કરતી વખતે બાળ અધિકારો તેમજ કિશોર ન્યાય સંબંધિત કાયદાઓનું પાલન કરવું જરૂરી બને છે. આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને પોલીસે તેની સામે કોઈ ફોજદારી કેસ નોંધવાનો નિર્ણય લીધો નથી.</p><h4 style="text-align: justify; "><b>&nbsp;ઉત્તર પ્રદેશની નોઇડા પોલીસે ઝીરો એફઆઈઆર નોંધાવી હતી.</b></h4><p style="text-align: justify; ">ઉલ્લેખનીય છે કે આ મામલામાં અગાઉ ઉત્તર પ્રદેશની નોઇડા પોલીસે ઝીરો એફઆઈઆર નોંધાવી હતી. ફરિયાદમાં કિશોરીને 25 વર્ષની મહિલા તરીકે દર્શાવવામાં આવી હતી. જોકે બાદમાં સોશિયલ મીડિયા પર સામે આવેલા એક અન્ય વીડિયોમાં તેણે પોતે માત્ર 15 વર્ષની હોવાનું જણાવ્યું હતું. તેણે દાવો કર્યો હતો કે વિરોધ પ્રદર્શન દરમિયાન અન્ય લોકોના પ્રભાવ અને બહકાવામાં આવીને તેણે આ પ્રકારની ટિપ્પણીઓ કરી હતી.</p><p style="text-align: justify; ">માફી માંગતા વીડિયોમાં કિશોરીએ પોતાની ટિપ્પણીઓ બદલ ખેદ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે તેનો કોઈને દુઃખ પહોંચાડવાનો ઈરાદો નહોતો. તેણે લોકોને પોતાની ભૂલ માટે માફ કરવાની અપીલ પણ કરી હતી. આ વીડિયો સામે આવ્યા બાદ મામલાએ નવો વળાંક લીધો હતો અને તેની ઉંમરને લઈને પણ સ્પષ્ટતા થઈ હતી.</p><p style="text-align: justify; ">દિલ્હી પોલીસના આ નિર્ણય બાદ સ્પષ્ટ થયું છે કે સગીર હોવાને કારણે તેના વિરુદ્ધ કોઈ ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે નહીં. જોકે, પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની કાનૂની પ્રક્રિયા અને અન્ય જરૂરી પાસાઓ અંગે જરૂરી કાર્યવાહી ચાલુ રહેશે. આ મામલો સોશિયલ મીડિયા પર જવાબદારીપૂર્વક વર્તન, જાહેર જીવન સાથે જોડાયેલા લોકો અંગે ભાષાનો ઉપયોગ અને સગીરોની કાનૂની સુરક્ષા જેવા મુદ્દાઓને લઈને પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/ePG5zAxvCUaTpIKvtHzuIwNTvAoh9SMYJ45O1d9O.webp'/></item><item><title><![CDATA[Monsoon 2026 : ગુજરાતમાં 5 વરસાદી સિસ્ટમ સક્રિય: કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આશંકા ]]></title><link>https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-gujarat-rain-forecast-5-active-monsoon-systems-heavy-rainfall-kutch-saurashtra</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-gujarat-rain-forecast-5-active-monsoon-systems-heavy-rainfall-kutch-saurashtra</guid><pubDate>Mon, 03 Aug 2026 07:34:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક વરસાદની મોટા સમાચાર આપનારી આગાહી કરવામાં આવી છે. હાલ ગુજરાત પર એક સાથે 5 જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળશે. વાતાવરણમાં સર્જાયેલા આ ભેજ અને સિસ્ટમના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિતના તમામ વિસ્તારોમાં મેઘરાજા ધમાકેદાર ઇનિંગ રમી રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ&nbsp;</b></h2><p style="text-align: justify; ">હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ જિલ્લાઓમાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ જામશે.</p><h3 style="text-align: justify; "><b>ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ</b></h3><p style="text-align: justify; ">ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના છે. અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ હળવાથી સામાન્ય વરસાદી ઝાપટાં જોવા મળશે</p><h4 style="text-align: justify; "><b>દરિયામાં કરંટ જોવા મળી શકે&nbsp;</b></h4><p style="text-align: justify; ">દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધુ રહેવાની શક્યતા હોવાથી દરિયામાં કરંટ જોવા મળી શકે છે. આથી સુરક્ષાના ભાગરૂપે હવામાન તંત્રે માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપી છે. તંત્ર દ્વારા તમામ જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ રહેવા અને નીચાણવાળા વિસ્તારો પર સતત નજર રાખવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.&nbsp; &nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp;&nbsp;<a href="https://sandesh.com/gujarat/news/crime/gir-somnath/gir-somnath-police-extortion-scandal-two-psi-suspended-range-ig" target="_blank"><b>Gir Somnath પોલીસ બેડામાં ખળભળાટ, હોટલ જુગાર રેડમાં 5 લાખના તોડકાંડ મુદ્દે બે PSI સસ્પેન્ડ</b></a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/yEevsDZOx5Xzvry9oV8ffqjISjfI6udePs5fLiq8.webp'/></item><item><title><![CDATA[CWG 2026 Medal Tally: ભારતનું અભિયાન સમાપ્ત, મેડલ ટેલીમાં ભારત ક્યાં નંબર પર? ]]></title><link>https://sandesh.com/sports/news/india-commonwealth-games-2026-medal-tally-fourth-place</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india-commonwealth-games-2026-medal-tally-fourth-place</guid><pubDate>Sun, 02 Aug 2026 23:52:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની બધી સ્પર્ધાઓ પૂર્ણ થઈ ગઈ છે. આ વખતે ભારતે કુલ 39 મેડલ જીત્યા છે, જેમાં 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. છેલ્લા દિવસે એટલે કે 2 જુલાઈએ ભારતીય ખેલાડીઓને કોઈ મેડલ મળ્યો ન હતો.&nbsp;</p><p style="text-align: justify; ">રમતોના છેલ્લા દિવસે ભારતીય ખેલાડીઓએ સાયકલિંગ અને જુડોમાં ભાગ લીધો હતો, પરંતુ તેઓ જીતી શક્યા ન હતા. ભારતે આ કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ ટેલીમાં ચોથા નંબરે રહીને પોતાનું અભિયાન સમાપ્ત કર્યું.&nbsp;</p><p style="text-align: justify; ">સ્કોટલેન્ડ 39 મેડલ સાથે પાંચમા સ્થાને છે. ભારત અને સ્કોટલેન્ડ બંનેએ 13-13 ગોલ્ડ જીત્યા છે, પરંતુ ભારત પાસે 17 સિલ્વર મેડલ છે જ્યારે સ્કોટલેન્ડ પાસે ફક્ત 9 છે. વધુ સિલ્વર મેડલ હોવાને કારણે ભારત ચોથા સ્થાને છે.</p><h2 style="text-align: justify; "><b>ઓસ્ટ્રેલિયા મેડલ ટેલીમાં ટોપ પર</b></h2><p style="text-align: justify; ">ઓસ્ટ્રેલિયા 70 ગોલ્ડ, 45 સિલ્વર અને 56 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 171 મેડલ સાથે મેડલ ટેલીમાં ટોપ પર છે. ઈંગ્લેન્ડ (29 ગોલ્ડ) 110 મેડલ સાથે બીજા નંબરે છે. કેનેડા 19 ગોલ્ડ અને કુલ 62 મેડલ સાથે મેડલ ટેલીમાં ત્રીજા નંબરે છે. સ્કોટલેન્ડ 39 મેડલ સાથે પાંચમા નંબરે છે. ભારત અને સ્કોટલેન્ડે 13-13 ગોલ્ડ મેડલ જીત્યા છે, પરંતુ ભારત પાસે 17 સિલ્વર મેડલ છે, જ્યારે સ્કોટલેન્ડ પાસે ફક્ત 9 છે. વધુ સિલ્વર મેડલ હોવાને કારણે ભારત ચોથા નંબરે છે.</p><h3 style="text-align: justify; "><b>ભાલા ફેંકમાં નીરજ ચોપરા અને યશવીર સિંહે શાનદાર પ્રદર્શન કર્યું</b></h3><p style="text-align: justify; ">આ કોમનવેલ્થ ગેમ્સમાં નીરજ ચોપરા અને યશવીર સિંહે પુરુષોના ભાલા ફેંકમાં શાનદાર પ્રદર્શન કર્યું અને 2 મેડલ જીત્યા. નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીત્યો. યશવીર સિંહે બ્રોન્ઝ મેડલ જીત્યો.&nbsp;</p><p style="text-align: justify; "><img alt="CWG 2026 Medal Tally" src="https://epapercdn.sandesh.com/images/2026/08/02/RJjExBL1R7Se3CdELaezvL2skbNq6spGuFdboMDQ.webp"><br></p><p style="text-align: justify; ">ખાસ વાત એ છે કે આ વખતે ભારતે કુસ્તી, બેડમિન્ટન અને હોકી જેવી તેની મુખ્ય રમતો વિના પણ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. બોક્સિંગમાં ભારતના રેકોર્ડ 7 ગોલ્ડ મેડલ, પહેલી વાર જુડોમાં 2 ગોલ્ડ મેડલ અને એથ્લેટિક્સમાં ઘણી ઐતિહાસિક સફળતાઓએ ભારતની આ સફરને યાદગાર બનાવી દીધી.</p><h4 style="text-align: justify; "><b>ભારતે બોક્સિંગમાં મોટી સફળતા મેળવી</b></h4><p style="text-align: justify; ">ભારતની સૌથી મોટી સફળતા બોક્સિંગમાં આવી, જ્યાં ખેલાડીઓએ કુલ 10 મેડલ જીત્યા. જુડોમાં અસ્મિતા ડે અને હર્ષ સિંહ ભારત માટે ગોલ્ડ જીતનાર પ્રથમ ખેલાડી બન્યા. યામિની મૌર્યએ સિલ્વર અને ઉન્નતિ શર્માએ બ્રોન્ઝ મેડલ જીત્યો, જેનાથી ભારતે જુડોમાં રેકોર્ડ 4 મેડલ જીત્યા. એથ્લેટિક્સમાં ગુલવીર સિંહે 5000 મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો. તે એક જ કોમનવેલ્થ ગેમ્સમાં 2 એથ્લેટિક્સ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો. અગાઉ તેને 10,000 મીટરમાં પણ સિલ્વર મેડલ જીત્યો હતો. આ સિવાય પ્રવીણ ચિત્રાવલે ટ્રિપલ જમ્પમાં સિલ્વર અને સેલ્વા પ્રભુએ ટ્રિપલ જમ્પમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/ind-vs-sl-test-series-warm-up-match-updated-schedule" target="_blank">Team Indiaનું શ્રીલંકા પ્રવાસ માટે બદલાયું શેડ્યૂલ, આ મેચ ફક્ત 3 દિવસની રહેશે</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/02/PnEr2MgQYaUWnKMo6L6elH0ntkSMdF2MLBb00oii.webp'/></item><item><title><![CDATA[The Paradiseમાંથી રાઘવ જુયાલનો ફર્સ્ટ લુક આઉટ, વિક્રમ મલિક બનીને મચાવશે તબાહી! ]]></title><link>https://sandesh.com/entertainment/news/the-paradise-raghav-juyal-first-look-vikram-malik</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/the-paradise-raghav-juyal-first-look-vikram-malik</guid><pubDate>Sun, 02 Aug 2026 17:35:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify;">શ્રીકાંત ઓડેલાની દ પેરાડાઇઝ સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંથી એક છે. ફિલ્મ સાથે જોડાયેલી દરેક નવી અપડેટ પછી ફેન્સમાં ઉત્સાહ સતત વધી રહ્યો છે. હવે નાનીની ફિલ્મ 'દ પેરાડાઇઝ'માંથી રાઘવ જુયાલનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ પહેલાં કદાચ જ લોકોએ તેને આટલા પાવરફુલ અવતારમાં જોયા હશે. 'દસરા'ની બ્લોકબસ્ટર સફળતા બાદ નાની અને ડિરેક્ટર શ્રીકાંત ઓડેલાની આ જોડી ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.</p><h2 style="text-align: justify;"><b>'દ પેરાડાઇઝ'માંથી રાઘવ જુયાલનો ફર્સ્ટ લુક વાયરલ</b></h2><p style="text-align: justify;">'દ પેરાડાઇઝ'માંથી રાઘવ જુયાલનો ફર્સ્ટ લુક સામે આવતા જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે અને ફિલ્મને લઈને લોકોમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેકર્સે 19 જૂન 2026ના રોજ એક વીડિયો શેર કર્યો હતો, જેમાં વિક્રમ મલિકનો ધમાકેદાર લુક જોવા મળ્યો હતો. સાથે જ દાવો કરવામાં આવ્યો હતો કે રાઘવ જુયાલનો આ અત્યાર સુધીનો સૌથી અલગ અવતાર હશે. તેઓ પાવરફુલ, ગુસ્સાથી ભરેલા અને પ્રભાવશાળી વિક્રમ મલિક તરીકે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા તૈયાર છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DZxH-6BI7fo/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DZxH-6BI7fo/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DZxH-6BI7fo/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DZxH-6BI7fo/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h3 style="text-align: justify;"><b>વિક્રમ મલિક બનશે ફિલ્મનું સૌથી પાવરફુલ પાત્ર</b></h3><p style="text-align: justify;">'દ પેરાડાઇઝ'ના મેકર્સે વિક્રમ મલિકના પાત્રમાં રાઘવ જુયાલનો લુક જાહેર કરીને ફેન્સનું મોટું સરપ્રાઇઝ આપ્યું છે. આ અવતારમાં રાઘવ ખૂબ જ પાવરફુલ અને ગ્રાન્ડ અંદાજમાં જોવા મળે છે. વીડિયોમાં તેની એન્ટ્રી તોફાન જેવી લાગે છે. તેની સ્ટાઇલ, એનર્જી અને જબરદસ્ત સ્ક્રીન પ્રેઝન્સે લોકોને પ્રભાવિત કર્યા છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક આ સીનને વધુ અસરકારક બનાવે છે. જ્યારે તેઓ નાની સાથે સ્ક્રીન શેર કરે છે ત્યારે તેની એન્ટ્રી વધુ જોરદાર લાગે છે.</p><h4 style="text-align: justify;"><b>'દ પેરાડાઇઝ' ક્યારે થશે રિલીઝ?</b></h4><p style="text-align: justify;">'SLV સિનેમાઝ' દ્વારા બનાવવામાં આવેલી 'દ પેરાડાઇઝ' 21 ઓગસ્ટ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મ હિન્દી, તેલુગુ, તમિલ, અંગ્રેજી, સ્પેનિશ, બંગાળી, કન્નડ અને મલયાલમ સહિત કુલ 8 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે.</p><p style="text-align: justify;"><a href="https://sandesh.com/entertainment/news/sooraj-pancholis-emotional-statement-on-jiah-khan-case-said-14-years-of-my-life-were-taken-away" target="_blank">આ પણ વાંચો-Jiah Khan કેસ પર સૂરજ પંચોલીનું નિવેદન, કહ્યું- 'મારી જિંદગીના 14 વર્ષ છીનવાઈ...'</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/02/PILV1zoS2RaXRgiJCj8O3YRrTTkjp23bwxBAiO8a.webp'/></item></channel></rss>