<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Reality Show : ટીપોટ સોફા, ચેસ રમતો ઓક્ટોપસ, સપનું કે હકીકત? આવું છે બિગ બોસનું જાદુઈ ઘર! ]]></title><link>https://sandesh.com/entertainment/news/bigg-boss-20-house-inside-photos-design</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/bigg-boss-20-house-inside-photos-design</guid><pubDate>Fri, 04 Sep 2026 10:02:51 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નાના પડદાનો સૌથી મોટો રિયાલિટી શો બિગ બોસ 20 પોતાના 20મા વર્ષમાં એક નવા અને ચોંકાવનારા અવતારમાં પરત ફરી રહ્યો છે. કન્ટેસ્ટન્ટ્સના નામ અંગે અટકળો વચ્ચે હવે શોના સૌથી મહત્વના ભાગ એટલે કે બિગ બોસના ઘરની પહેલી ઝલક સામે આવી છે. આ વખતે મેકર્સે ઘરની દીવાલોને માત્ર લક્ઝરીથી સજાવી નથી, પરંતુ એક એવી જાદુઈ ફેન્ટસી દુનિયા બનાવી છે, જ્યાં જે દેખાય છે તે હકીકતમાં હોતું નથી. આ સીઝનની આખી થીમ ડ્યુઆલિટી એટલે કે બેવડાપણું અને કલ્પના તથા વાસ્તવિકતાના ટકરાવ પર આધારિત છે. ઘરમાં પ્રવેશતા જ એવું લાગે છે જાણે કોઈ સપનાની કે વિચિત્ર દુનિયામાં આવી ગયા હોઈએ. ડિઝાઇનમાં રોજિંદા જીવનમાં જોવા મળતી વસ્તુઓને પણ એકદમ અલગ અંદાજમાં રજૂ કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>ટીપોટથી ઓક્ટોપસ સુધી, ઘરની અનોખી ડિઝાઇન</b></h2><p style="text-align: justify; ">કિચનની જાણીતી ટીપોટ હવે એક વિશાળ સોફા પર ચા રેડતી જોવા મળે છે, જેને કન્ટેસ્ટન્ટ્સ માટે બેસવાની જગ્યા બનાવવામાં આવી છે. આ ઉપરાંત ઓક્ટોપસ પોતાના ટેન્ટેકલ્સમાં ચેસના મહોરા પકડીને ઊભો છે, જે બિગ બોસની રમતમાં ચાલતી દિમાગી ચાલો અને અનિશ્ચિતતાનું પ્રતીક છે. લાઉન્જમાં આકાશમાં ઉડતો હોટ-એર બલૂન હવે જમીન પર સુંદર અને આરામદાયક બેઠક બની ગયો છે. કિચનની પાસે એક વિચિત્ર નળમાંથી પાણીની જગ્યાએ સુંદર ફૂલો વહેતા જોવા મળે છે, જે ઘરના ગ્લેમરસ લુકને વધુ સુંદર બનાવે છે. ઘરની અલગ-અલગ દીવાલો પર મોટી આંખો બનાવવામાં આવી છે, જે દરેક ક્ષણે યાદ અપાવે છે કે બિગ બોસની નજરથી કોઈ બચી શકતું નથી.<br><img alt="Bigg Boss 20, Salman Khan (6)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/04/9tDO8IEaYO8FLjhwSp0zOPTrXUjXhlF6Ncu4LAv6.webp"><br></p><h3 style="text-align: justify; "><b>રૂમ નંબર 20નું રહસ્ય હજુ પણ અકબંધ</b></h3><p style="text-align: justify; ">આ વખતે ઘરમાં સૌથી વધુ ચર્ચા રૂમ નંબર 20ની થઈ રહી છે. મેકર્સે આ રૂમને સંપૂર્ણપણે ગુપ્ત રાખ્યો છે અને તેની અંદર શું હશે તે રહસ્ય 6 સપ્ટેમ્બરે પ્રીમિયરના દિવસે જ ખુલશે. એવી અટકળો છે કે આ રૂમમાંથી બહાર થનારા કન્ટેસ્ટન્ટ્સ માટે કોઈ ગુપ્ત જગ્યા હોઈ શકે છે અથવા તો રમતનો આખો વળાંક બદલી નાખતી કોઈ ખાસ પાવરનું કેન્દ્ર હોઈ શકે છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dc08yPeMTQZ/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dc08yPeMTQZ/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dc08yPeMTQZ/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dc08yPeMTQZ/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>વિચારસરણીને પડકારશે આ ડ્રીમસ્કેપ</b></h4><p style="text-align: justify; ">ઘરની આ અનોખી ડિઝાઇન વિશે જાણીતી આર્ટ ડાયરેક્ટર વર્ષા જૈને જણાવ્યું કે સીઝન 20ના ઘરને ડિઝાઇન કરવાનો હેતુ એવી દુનિયા બનાવવાનો હતો, જે સતત માણસની વિચારસરણીને પડકારે. તેઓ ડ્યુઆલિટીના વિચારને રજૂ કરવા માગતા હતા, જ્યાં જાણીતી વસ્તુઓ નજીકથી જોતા જ એકદમ અલગ રૂપમાં જોવા મળે. ટીપોટ સોફા બની જાય છે, ઓક્ટોપસ ચેસ રમે છે અને બલૂન બેઠક બની જાય છે. દીવાલો પર દેખાતી આંખો દર્શાવે છે કે અહીં કંઈપણ છુપાયેલું રહેતું નથી. આ ઘર એક ડ્રીમસ્કેપ જેવું છે, જ્યાં હકીકત અને કલ્પના એકસાથે જોવા મળે છે.<br><img alt="Bigg Boss 20, Salman Khan (7)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/04/hoEgAEeyqh9BVJFAaXCOuLOKMbZHxv4NR0c6yzfl.webp"><br></p><h4 style="text-align: justify; "><b>6 સપ્ટેમ્બરથી શરૂ થશે બિગ બોસ 20</b></h4><p style="text-align: justify; ">સલમાન ખાનની હોસ્ટિંગવાળો બિગ બોસ 20 6 સપ્ટેમ્બર 2026થી દર્શકો વચ્ચે આવી રહ્યો છે. દર્શકો આ શોને OTT પર JioHotstar પર રાત્રે 9:00 વાગ્યે અને ટીવી પર કલર્સ ચેનલ પર રાત્રે 10:30 વાગ્યે જોઈ શકશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/sonalika-joshi-new-york-empire-state-building-saree-look" target="_blank">આ પણ વાંચો-TMKOC : ન્યૂયોર્કમાં તારક મહેતાની માધવીનો ગ્લેમરસ લુક, સાડીમાં જોઈને ફેન્સ થયા ફિદા!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/6LpmxoPfSl11Yh9ekQuv3nj3OkVysrKjbJVKLsbn.webp'/></item><item><title><![CDATA[Gujarat Monsoon Assembly Session: સરકાર રજૂ કરશે 8 મહત્વપૂર્ણ બીલ, જુઓ સંપૂર્ણ યાદી ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-assembly-monsoon-session-8-bills-to-be-introduced</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-assembly-monsoon-session-8-bills-to-be-introduced</guid><pubDate>Fri, 04 Sep 2026 09:27:50 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાત વિધાનસભાનું આગામી ચોમાસુ સત્ર આગામી 9 સપ્ટેમ્બરથી વિધિવત રીતે શરૂ થઈ રહ્યું છે. આ સત્ર કુલ 3 દિવસ સુધી ચાલશે. વિધાનસભાના આ ટૂંકા પરંતુ અત્યંત મહત્વપૂર્ણ ચોમાસુ સત્ર દરમિયાન રાજ્ય સરકાર વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક સુધારા લાવવા અને નવા નિયમોના અમલીકરણ માટે વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.</p><h2><b>ઉદ્યોગ, મહેસૂલ અને શિક્ષણમાં મોટા બદલાવની તૈયારી</b></h2><p>આ 3 દિવસીય ચોમાસુ સત્ર દરમિયાન રાજ્ય સરકાર અલગ-અલગ વિભાગોના કુલ 8 સુધારા બીલ ગૃહના ટેબલ પર મૂકશે. જેમાં રાજ્યમાં રોકાણ અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે 'ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ વિધેયક' મુખ્ય આકર્ષણ રહેશે. આ ઉપરાંત, મહેસૂલ વિભાગ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ તથા જમીન મહેસૂલમાં સમયાનુકૂળ સુધારા લાવતા બીલ રજૂ કરી કાયદાકીય રૂપ આપવામાં આવશે.</p><h2><b>વિધાનસભા સત્રમાં રજૂ થનારા 8 મહત્વપૂર્ણ બીલની યાદી</b></h2><p>ચોમાસુ સત્રમાં રજૂ થનારા તમામ 8 બિલનો મુખ્ય હેતુ રાજ્યના વિકાસને વેગ આપવાનો અને પ્રજાલક્ષી નીતિઓને વધુ સરળ બનાવવાનો છે. સરકાર દ્વારા રજૂ કરવામાં આવનાર બીલની વિગતવાર યાદી...</p><ol><li>ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ બીલ: ઉદ્યોગો સ્થાપવા અને સંચાલન માટેની પ્રક્રિયા વધુ સરળ બનાવવી.</li><li>જમીન ટુકડા અને એકત્રીકરણ સુધારા બીલ: મહેસૂલ વિભાગ દ્વારા જમીન સંબંધિત કાયદાઓમાં રાહત આપવી.</li><li>ગુજરાત પશુધન આહાર બીલ: પશુઓને ગુણવત્તાયુક્ત અને શુદ્ધ આહાર મળી રહે તે માટે કડક નિયમો.</li><li>માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા બીલ: શિક્ષણ પ્રણાલીમાં આધુનિક અને શૈક્ષણિક સુધારા લાવવા.</li><li>જમીન મહેસૂલ સુધારા બીલ: જમીન મહેસૂલ પદ્ધતિ અને રેકોર્ડ્સમાં સુધારા કરવા.</li><li>ગુજરાત ભાડા બીલ: મકાન અને દુકાન ભાડા સંબંધિત કાયદાઓમાં સ્પષ્ટતા અને સુધારા.</li><li>ગુજરાત કૃષિ યુનિવર્સિટી સુધારા બીલ: કૃષિ ક્ષેત્રે શિક્ષણ અને સંશોધનને વધુ પ્રોત્સાહન આપવું.</li><li>ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી બીલ: પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે યુનિવર્સિટી સંબંધિત જોગવાઈઓ.</li></ol><h2><b>ખેડૂતો અને પશુપાલકોના હિતમાં લેવાશે મહત્વના નિર્ણયો</b></h2><p>રાજ્ય સરકાર આ વખતે કૃષિ અને પશુપાલન ક્ષેત્ર પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. પશુઓને ભેળસેળમુક્ત શુદ્ધ આહાર મળી રહે તે માટે લાવવામાં આવી રહેલું 'ગુજરાત પશુધન આહાર બીલ' પશુપાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. તેની સાથે જ રાજ્યમાં રસાયણમુક્ત ખેતીને પ્રોત્સાહન આપવા માટે 'ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી બીલ' પણ પસાર કરવામાં આવશે, જેનાથી લાખો ખેડૂતોને નવીનતમ ટેકનોલોજી અને તાલીમ મેળવવામાં મદદ મળશે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/janmashtami/news/janmashtami-2026-celebration-sandesh-digital-kanuda-photo" target="_blank">Janmashtami 2026: સંદેશ ડિજિટલને સાથે જન્માષ્ટમી ઉજવણી, જુઓ તમારા કાનુડાનો ફોટો...</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/xFRgPsIaxvNO4eW7ZfpdgZxcQVUgkmPKNf3MBbRd.webp'/></item><item><title><![CDATA[Surat News: રિલાયન્સના મુકેશ અંબાણીની ઓળખ આપી ભેજાબાજે 38 લાખ પડાવ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/fraudster-poses-as-mukesh-ambani-cheats-elderly-farmer</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/fraudster-poses-as-mukesh-ambani-cheats-elderly-farmer</guid><pubDate>Fri, 04 Sep 2026 09:26:36 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતના વેસુમાં 77 વર્ષીય ખેડૂતને રિલાયન્સ કંપની અને મુકેશ અંબાણીના નામે કોલ કરી ભેજાબાજે ફેક ડોક્યુમેન્ટ્સ અને વીડિયો કોલિંગના માધ્યમથી રૂ.20 કરોડના વળતરની લાલચ આપી તબક્કાવાર રૂા.37.85 લાખ ખંખેરી લીધા હતા. વૃદ્ધે આ બાબતે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.</p><h2 style="text-align: justify; "><b>20 કરોડનું વળતર મળશે તેવી લાલચ આપી&nbsp;</b></h2><p style="text-align: justify; ">મળતી વિગતો મુજબ વેસુ ગામના કુંભાર ફળિયામાં માતૃકૃપા રોહાઉસ ખાતે રહેતા અને ખેતીકામ કરતા મોહનભાઈ બાલુભાઈ પટેલના ફેસબુક મેસેન્જર પર ગત એપ્રિલ-2026માં રિલાયન્સ કંપનીના ફંડમાં ઈન્વેસ્ટમેન્ટ કરવા અંગેના મેસેજ આવ્યા હતા.ત્યારબાદ તા.26 એપ્રિલના રોજ તેમના વોટ્સએપ પર એક અજાણ્યા આંતરરાષ્ટ્રીય કહો કે નાઈજિરિયાના નંબર પરથી કોલ આવ્યો હતો.કોલ કરનારે પોતાની ઓળખ મુકેશ અંબાણી તરીકે આપી વિશ્વાસ કેળવ્યો હતો.ભેજાબાજે રિલાયન્સ કંપનીના સ્પેશિયલ ફંડમાં રોકાણ કરવાથી 20 કરોડનું વળતર મળશે તેવી લાલચ આપી હતી.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>બેંક ખાતાઓ મોકલી પૈસા મંગાવવાનું શરૂ કર્યું</b></h3><p style="text-align: justify; ">વૃદ્ધને સંપૂર્ણ વિશ્વાસમાં લેવા માટે ઠગ ટોળકીએ Reliance Industries તથા State Bank of India (SBI) ના લોગો, બનાવટી રસીદો તથા લેટર્સ વોટ્સએપ પર મોકલ્યા હતા.આ સિવાય વોટ્સએપ વીડિયો કોલ કરી વૃદ્ધનો ચહેરો વેરીફાય કરવાના નામે સ્ક્રીનશોટ પણ લીધો હતો અને સ્કીમ પૂર્ણ થતાં રૂ.20 કરોડ મળવાનું વચન આપ્યું હતું.નાણાં ઉપાડવાની વાત આવતા જ સાયબર ઠગોએ ક્લિયરન્સ ફી,પ્રોસેસિંગ ફી, ટેક્સ, ફંડ રિલીઝ ચાર્જ અને એકાઉન્ટ વેરિફિકેશનના નામે જુદા જુદા બેંક ખાતાઓ મોકલી પૈસા મંગાવવાનું શરૂ કર્યું હતું.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>વૃદ્ધને છેતરપિંડીનો અહેસાસ થયો હતો</b></h2><p style="text-align: justify; ">વૃદ્ધે તા.02 મે 2026થી 08 જુલાઈ 2026 દરમિયાન બેંક ઓફ બરોડા અને બેંક ઓફ ઈન્ડિયાના પોતાના એકાઉન્ટમાંથી કુલ 41 ટ્રાન્ઝેકશન મારફતે રૂ.37.85 લાખની રકમ ઠગો દ્વારા બતાવેલા બેંક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરી દીધી હતી.લાખો રૂપિયા આપ્યા છતાં 20 કરોડ ન મળતા અને વધુ નાણાંની માંગણી ચાલુ રહેતા વૃદ્ધને છેતરપિંડીનો અહેસાસ થયો હતો.જે અંગે સાયબર સેલમાં ફરિયાદ નોંધાઇ હતી.પી.આઈ. એન.આર.પટેલે ટેકનિકલ સર્વેલન્સના આધારે આગળની તપાસ હાથ ધરી છે.<br><br><a href="https://sandesh.com/janmashtami/news/maru-saher-maru-gaam/dwarka/dwarka-jagat-mandir-janmashtami-celebration-devotees-rush" target="_blank">આ પણ વાંચોઃ Janmashtami 2026: દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી, વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/B7KxZvA7BVFUlBngABOaIiVaa8K4bh85Rbf7S6Je.webp'/></item><item><title><![CDATA[Heavy Rain: ઉત્તર પ્રદેશમાં જળપ્રલય! ગંગા-યમુના નદીઓ ભયજનક સપાટીએ, 8 લોકોનાં મોત ]]></title><link>https://sandesh.com/india/news/monsoon-2026/heavy-rain-flood-in-uttar-pradesh-ganga-yamuna-rivers-at-danger-level-8-people-dead</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/monsoon-2026/heavy-rain-flood-in-uttar-pradesh-ganga-yamuna-rivers-at-danger-level-8-people-dead</guid><pubDate>Fri, 04 Sep 2026 09:26:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગંગા, યમુના, મંદાકિની, ટોન્સ, બેલન, સરયૂ, ઘાઘરા અને શારદા સહિતની અનેક મુખ્ય નદીઓ જોખમના નિશાનની આસપાસ અથવા તેનાથી ઉપર વહી રહી છે. પૂરનાં પાણીના કારણે સેંકડો ગામોનો સંપર્ક તૂટી ગયો છે. સાથે જ હજારો એકર વિસ્તારમાં ફેલાયેલા પાક પાણીમાં ગરકાવ થઈ ગયા છે.</p><p style="text-align: justify; ">છેલ્લા 24 કલાક દરમિયાન ચિત્રકૂટ, ઇટાવા, બાંદા, સીતાપુર, બારાબંકી અને સંભલ જિલ્લામાં દીવાલ ધરાશાયી થવી, વીજળી પડવી અને વૃક્ષો પડવા જેવી અલગ-અલગ ઘટનાઓમાં 8 લોકોનાં મોત થયા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.</p><h2 style="text-align: justify; "><b>ચિત્રકૂટમાં સૌથી વધુ તબાહી</b></h2><p style="text-align: justify; ">ચિત્રકૂટ જિલ્લામાં ભારે વરસાદ અને મંદાકિની નદીના વધેલા જળસ્તરે ભારે વિનાશ સર્જ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 565 કાચા અને પાકા મકાનો ધરાશાયી થયા હોવાનું સામે આવ્યું છે.&nbsp;</p><p style="text-align: justify; ">મંદાકિની નદીમાં આવેલા પૂરના કારણે પ્રસિદ્ધ રામઘાટ સહિત 16 ગામો પાણીમાં ડૂબેલા છે. નદીનું જળસ્તર છેલ્લા 48 કલાકથી લગભગ 129 મીટર પર સ્થિર છે, જે 126.500 મીટરના જોખમના નિશાન કરતાં ઘણું વધારે છે. વહીવટી તંત્ર દ્વારા રામઘાટ વિસ્તારમાંથી અનેક પરિવારોને બચાવીને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.</p><p style="text-align: justify; ">આ ઉપરાંત ઇટાવામાં વીજળી પડવાથી ધોરણ 12માં ભણતા 18 વર્ષીય વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બાંદામાં ભારે પવન અને વરસાદ દરમિયાન રસ્તા પર મોટું વૃક્ષ ધરાશાયી થતાં બાઇક સવારનું મોત થયું હતું, જ્યારે તેના બે પિતરાઈ ભાઈઓ ઘાયલ થયા હતા. સીતાપુરમાં કાચી દીવાલ ધરાશાયી થતાં એક મહિલાનું કાટમાળ નીચે દટાઈ જવાથી મોત થયું હતું. બારાબંકીમાં દીવાલ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત થયું, જ્યારે સંભલમાં વીજળી પડવાથી એક મકાન ધરાશાયી થયું હતું, જેમાં પાંચ લોકો ઘાયલ થયા છે.</p><h3 style="text-align: justify; "><b>રાહત અને બચાવ કામગીરી તેજ</b></h3><p style="text-align: justify; ">ઉત્તર પ્રદેશના પૂરગ્રસ્ત જિલ્લાઓમાં વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે. NDRF, SDRF અને સ્થાનિક પ્રશાસનની ટીમો બોટ દ્વારા અસરગ્રસ્ત ગામોમાં પહોંચી રહી છે. બચાવ ટીમો દ્વારા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની સાથે રાહત સામગ્રી, સૂકો રાશન અને જરૂરી દવાઓ પણ પહોંચાડવામાં આવી રહી છે.</p><p style="text-align: justify; ">પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે. નદીના જળસ્તર અને વરસાદની સ્થિતિ પર દેખરેખ રાખીને જરૂરિયાત મુજબ વધુ બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો: <a href="https://sandesh.com/weather/news/monsoon-2026/weather-update-rainy-conditions-across-the-country-imd-warns-of-heavy-rain-from-up-mp-to-delhi-ncr" target="_blank">Weather Update: દેશભરમાં વરસાદી માહોલ! UP-MPથી દિલ્હી-NCR સુધી IMDનું ભારે વરસાદનું એલર્ટ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/Hfy3ksMRf0Fr4oZiOKLejDnutITrABFgBQ8UwSQm.webp'/></item><item><title><![CDATA[Petrol Diesel Price Today: તહેવારોમાં શું છે પેટ્રોલ ડીઝલના ભાવ? જાણો દિલ્હીથી લઈને ગુજરાત સુધીના લેટેસ્ટ રેટ ]]></title><link>https://sandesh.com/business/news/petrol-diesel-price-today-fuel-rates-city-wise</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/petrol-diesel-price-today-fuel-rates-city-wise</guid><pubDate>Fri, 04 Sep 2026 09:21:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કાચા તેલના ભાવમાં ઘટાડો છતાં આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ $96 થી ઉપર જોવા મળ્યો છે. આ દરમિયાન, સરકારી માલિકીની તેલ માર્કેટિંગ કંપનીઓ HPCL, IOCL અને ભારત પેટ્રોલિયમે પણ 4 સપ્ટેમ્બર માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે.</p><h2 style="text-align: justify; "><b>પેટ્રોલ અને ડીઝલના તાજેતર ભાવ&nbsp;</b></h2><p style="text-align: justify; ">પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થતો નાનો કે મોટો ફેરફાર સીધો જ સામાન્ય માનવીના ખિસ્સાને અસર કરે છે. પેટ્રોલના વધતા-ઘટતા ભાવો બાઇક અને કાર ચલાવવાનો ખર્ચ નક્કી કરે છે, જ્યારે ડીઝલના ભાવમાં થતી અસ્થિરતા પરિવહન ખર્ચથી લઈને રોજિંદા ઉપયોગની તમામ ચીજવસ્તુઓની કિંમતો પર સીધી અસર પહોંચાડે છે. આ જ કારણ છે કે ઇંધણના ભાવમાં થતા ફેરફારો હંમેશા ચર્ચાનું કેન્દ્ર રહે છે. ચાલો જાણીએ કે આજે પેટ્રોલ અને ડીઝલના તાજેતરા દૈનિક ભાવ શું છે અને તેમાં શું બદલાવ આવ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>આજે દેશના મોટા શહેરોમાં પેટ્રોલ ડીઝલનો ભાવ&nbsp;</b></h3><p style="text-align: justify; ">દિલ્હીમાં, ઇથેનોલ-મુક્ત પેટ્રોલની કિંમત ₹167.35 પ્રતિ લિટર છે.</p><p style="text-align: justify; ">દિલ્હીમાં E5 પેટ્રોલની કિંમત ₹109.24 અને E20 પેટ્રોલની કિંમત ₹102.12 પ્રતિ લિટર છે</p><p style="text-align: justify; ">મુંબઈ: પેટ્રોલ ₹111.21 અને ડીઝલ ₹97.83  પ્રતિ લિટર.</p><p style="text-align: justify; ">જયપુરમાં, પેટ્રોલની કિંમત ₹112.66 અને ડીઝલની કિંમત ₹97.78 પ્રતિ લિટર છે.</p><p style="text-align: justify; ">પટનામાં પેટ્રોલનો ભાવ ₹113.37 અને ડીઝલનો ભાવ ₹99.36 પ્રતિ લિટર છે.</p><p style="text-align: justify; ">લખનૌમાં પેટ્રોલનો ભાવ ₹101.86 અને ડીઝલનો ભાવ ₹95.36 પ્રતિ લિટર છે.</p><p style="text-align: justify; ">ભોપાલમાં પેટ્રોલનો ભાવ ₹114.45 અને ડીઝલનો ભાવ ₹99.55 પ્રતિ લિટર છે.</p><h4 style="text-align: justify; "><b>ગુજરાતના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ&nbsp;</b></h4><p style="text-align: justify; ">ગુજરાતમાં શહેર પ્રમાણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડો તફાવત જોવા મળી શકે છે. 4 સપ્ટેમ્બરના લેટેસ્ટ ભાવ નીચે મુજબ છે:</p><table class="table table-bordered"><tbody><tr><td>શહેર&nbsp;</td><td>&nbsp;પેટ્રોલ /લિટર</td><td>ડીઝલ/લિટર&nbsp;&nbsp;</td></tr><tr><td>અમદાવાદ</td><td>₹101.81</td><td>₹97.92&nbsp;</td></tr><tr><td>ગાંધીનગર&nbsp; &nbsp;</td><td>₹101.83</td><td>₹97.92</td></tr><tr><td>રાજકોટ</td><td>₹103.08</td><td>₹99.20</td></tr><tr><td>સુરત&nbsp;&nbsp;</td><td>₹101.85</td><td>₹97.99</td></tr><tr><td>વડોદરા&nbsp;</td><td>₹101.46&nbsp;</td><td>₹97.57</td></tr><tr><td>જૂનાગઢ&nbsp;&nbsp;</td><td>₹102.48</td><td>₹98.62</td></tr></tbody></table><h5 style="text-align: justify; "><b>તમારા શહેરના ભાવ કેવી રીતે તપાસશો?</b></h5><p style="text-align: justify; ">તમે તમારી અનુકૂળતા મુજબ નીચેના નંબર પર SMS કરીને તમારા શહેરના તાજા ભાવ જાણી શકો છો:</p><p style="text-align: justify; ">IOCL: 'RSP &lt;સ્પેસ&gt; &lt;સેન્ટર કોડ&gt;' લખીને 92249 92249 પર SMS કરો.</p><p style="text-align: justify; ">HPCL: 'HPPRICE &lt;સ્પેસ&gt; &lt;સેન્ટર કોડ&gt;' લખીને 92222 01122 પર SMS કરો.</p><p style="text-align: justify; ">BPCL: 'RSP &lt;સ્પેસ&gt; &lt;સેન્ટર કોડ&gt;' લખીને 92231 12222 પર SMS કરો.&nbsp;</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/isro-eos-05-launch-gslv-f17-satellite" target="_blank">આ પણ વાંચોઃ ISRO EOS-05 Launch: દુશ્મનોની હવે ખેર નહીં! ISROએ અંતરિક્ષમાં મોકલ્યો' નોટી બોય'</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/03/15/xHpqv17vKQ7xTa7sYUxl4tfYx4FTEy9u6ciTmUlB.webp'/></item><item><title><![CDATA[Ahmedabad વાસીઓ ધ્યાન આપે! AMCની ઓનલાઇન સેવાઓ 10 કલાક માટે રહેશે સંપૂર્ણ બંધ, જાણો ક્યારથી ક્યાં સુધી ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-online-services-down-for-10-hours-technical-upgradation</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-online-services-down-for-10-hours-technical-upgradation</guid><pubDate>Fri, 04 Sep 2026 09:16:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નાગરિકોની ઓનલાઇન સુવિધામાં વધારો કરવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. આ પ્રયાસોના ભાગરૂપે વેબસાઈટ અને સિસ્ટમને વધુ ઝડપી તેમજ સુદ્રઢ બનાવવા માટે ટેકનિકલ અપગ્રેડેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. જેના કારણે આગામી સમયમાં AMCની તમામ ઓનલાઇન સેવાઓ અને પોર્ટલ હંગામી ધોરણે બંધ રાખવાનો નિર્ણય તંત્ર મારફતે લેવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>કાલે રાત્રે 9 વાગ્યાથી સિસ્ટમ થશે બંધ</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી અનુસાર, 5 સપ્ટેમ્બરના રોજ રાત્રે 9 વાગ્યાથી કોર્પોરેશનનું મુખ્ય સર્વર અને ઓનલાઇન સિસ્ટમ મેન્ટેનન્સમાં જશે. આ સમયગાળા દરમિયાન નાગરિકો પ્રોપર્ટી ટેક્સ ભરવા, વ્યવસાય વેરો ભરવા, જન્મ-મરણના પ્રમાણપત્રોની અરજી કરવા કે અન્ય કોઈ પણ પ્રકારની ઓનલાઇન સેવાઓનો લાભ મેળવી શકશે નહીં. આ કામગીરી ખાસ કરીને રાત્રિના સમયે રાખવામાં આવી છે, જેથી સામાન્ય લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે.</p><h2 style="text-align: justify; "><b>6 સપ્ટેમ્બર સવારે 7 વાગ્યા સુધી કામગીરી ચાલશે</b></h2><p style="text-align: justify; ">આ ટેકનિકલ અપગ્રેડેશનની કામગીરી 6 સપ્ટેમ્બરના રોજ સવારે 7 વાગ્યા સુધી અવિરતપણે ચાલશે. શનિવારે રાત્રિના 9 વાગ્યાથી લઈને રવિવારે સવારના 7 વાગ્યા સુધી એમ કુલ 10 કલાક સુધી સિસ્ટમ સંપૂર્ણપણે ડાઉન રહેશે. 6 તારીખે સવારે 7 વાગ્યા બાદ તમામ ઓનલાઇન સેવાઓ રાબેતા મુજબ કાર્યરત થઈ જશે, ત્યારબાદ નાગરિકો ફરીથી ઘરે બેઠા જ ડિજિટલ સુવિધાઓનો ઉપયોગ કરી શકશે.</p><h2 style="text-align: justify; "><b>નાગરિકોને અગાઉથી અગત્યના કામ પતાવી લેવા અપીલ</b></h2><p style="text-align: justify; ">સળંગ 10 કલાક સુધી ઓનલાઇન સેવાઓ ખોરવાઈ જવાના કારણે લોકોને બિનજરૂરી હાલાકી ન ભોગવવી પડે તે માટે કોર્પોરેશન દ્વારા અગાઉથી જ જાણ કરવામાં આવી છે. તંત્રએ અમદાવાદના નાગરિકોને અપીલ કરી છે કે, તેઓ પોતાના અગત્યના ઓનલાઇન કામકાજ આ સમયમર્યાદા પહેલાં અથવા તો સિસ્ટમ ફરીથી શરૂ થયા બાદ પૂરા કરી લે, જેથી કોઈ અગવડતાનો સામનો ન કરવો પડે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો: <a href="https://sandesh.com/janmashtami/news/janmashtami-2026-celebration-sandesh-digital-kanuda-photo" target="_blank">Janmashtami 2026: સંદેશ ડિજિટલને સાથે જન્માષ્ટમી ઉજવણી, જુઓ તમારા કાનુડાનો ફોટો...</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/NmWO4LiA0MUkBgjUtoghDZ8DgBxi4Cq9KbVAjAzS.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: શું તમે પણ પીવો છો આ દૂષિત પાણી? AMCની તપાસમાં 37 પાણીના સેમ્પલ અનફિટ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-health-department-water-checking-37-samples-unfit</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-health-department-water-checking-37-samples-unfit</guid><pubDate>Fri, 04 Sep 2026 09:04:57 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરમાં મિશ્ર ઋતુ અને રોગચાળાની ભીતિ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. અમદાવાદ શહેરીજનોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે તંત્ર મારફતે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીના સેમ્પલ લેવાની ઝુંબેશ સઘન બનાવવામાં આવી છે. આરોગ્ય વિભાગની ટીમો ઘરે-ઘરે અને સોસાયટીઓમાં જઈને પીવાના પાણીની ગુણવત્તા ચકાસવા માટે કડક ચેકિંગ હાથ ધરી રહી છે.</p><h2><b>એક જ માસમાં 37 પાણીના સેમ્પલ અનફિટ જાહેર</b></h2><p>આરોગ્ય વિભાગની આ કામગીરી દરમિયાન ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. છેલ્લા માત્ર એક જ મહિનાના સમયગાળામાં લેવાયેલા પાણીના નમૂનાઓમાંથી 37 જેટલા સેમ્પલ લેબોરેટરી ટેસ્ટિંગમાં 'અનફિટ' એટલે કે પીવા માટે અયોગ્ય જાહેર થયા છે. આટલી મોટી સંખ્યામાં પાણીના સેમ્પલ ફેલ થતાં કોર્પોરેશનની કામગીરી સામે અને શહેરમાં અપાતા પીવાના પાણીની શુદ્ધતા સામે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે.</p><h2><b>પૂર્વ ઝોનમાં સૌથી ખરાબ સ્થિતિ, 11 સેમ્પલ ફેલ</b></h2><p>પાણીના સેમ્પલના રિપોર્ટ મુજબ, સૌથી વધુ ખરાબ સ્થિતિ અમદાવાદ શહેરના પૂર્વ ઝોનમાં જોવા મળી છે. પૂર્વ ઝોનના વિવિધ વિસ્તારોમાંથી લેવામાં આવેલા પાણીના નમૂનાઓમાંથી સૌથી વધુ 11 સેમ્પલ ફેલ ગયા છે. આ વિસ્તારોમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતું હોવાની કે અન્ય પ્રદૂષકોની હાજરી હોવાની શક્યતાઓ પ્રબળ બની છે, જેના કારણે સ્થાનિક રહીશોના સ્વાસ્થ્ય પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે.</p><p><img alt="Ahmedabad News: AMC Water Checking, 37 Drinking Water Samples Found Unfit" src="https://epapercdn.sandesh.com/images/2026/09/04/Tc44vCwJvm9GdlhIRCvxy0yx2IBPEe1Ccvn6zTaI.webp" style="width: 100%;"><br></p><h2><b>દક્ષિણ અને મધ્ય ઝોનમાં પણ પાણીમાંથી અશુદ્ધિ મળી</b></h2><p>માત્ર પૂર્વ ઝોન જ નહીં, પરંતુ અમદાવાદ શહેરના દક્ષિણ અને મધ્ય ઝોનમાં પણ પીવાના પાણીની ગુણવત્તા કથળી હોવાનું સામે આવ્યું છે. આ બંને ઝોનના અનેક વિસ્તારોમાંથી લેવાયેલા સેમ્પલોમાં પણ ભારે અશુદ્ધિઓ અને જીવાણુઓ જોવા મળ્યા છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા ભલે 'સ્માર્ટ સિટી' ના દાવાઓ થતા હોય, પરંતુ મધ્ય ઝોન જેવા મુખ્ય વિસ્તારોમાં પણ શુદ્ધ પીવાનું પાણી ન મળવું તે એક અત્યંત ચિંતાજનક બાબત છે.</p><h2><b>પીવાનું પાણી અયોગ્ય જણાતા રોગચાળાની ચિંતા વધી</b></h2><p>અમદાવાદ શહેરમાં 37 જગ્યાએ પીવાનું પાણી પીવાલાયક ન હોવાનું સાબિત થતાં લોકોમાં રોગચાળો ફેલાવવાનો ડર વ્યાપી ગયો છે. અશુદ્ધ પાણીના સેવનથી ઝાડા-ઉલ્ટી, ટાઇફોઇડ, અને કમળા જેવા જળજન્ય રોગો માથું ઊંચકી શકે છે. આરોગ્ય નિષ્ણાતો દ્વારા નાગરિકોને હાલ પૂરતું પાણી ઉકાળીને પીવાની અને પાણીના સ્ત્રોતોને સ્વચ્છ રાખવાની ખાસ અપીલ કરવામાં આવી છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/janmashtami/news/janmashtami-2026-celebration-sandesh-digital-kanuda-photo" target="_blank">Janmashtami 2026: સંદેશ ડિજિટલને સાથે જન્માષ્ટમી ઉજવણી, જુઓ તમારા કાનુડાનો ફોટો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/qAbBOTwNOJj0UmF637HVp9dBCk9GVvvpFHuymzZk.webp'/></item><item><title><![CDATA[ISRO EOS-05 Launch: દુશ્મનોની હવે ખેર નહીં! ISROએ અંતરિક્ષમાં મોકલ્યો 'નોટી બોય' ]]></title><link>https://sandesh.com/india/news/isro-eos-05-launch-gslv-f17-satellite</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/isro-eos-05-launch-gslv-f17-satellite</guid><pubDate>Fri, 04 Sep 2026 08:30:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) દ્વારા શ્રીહરિકોટાના સતીશ ધવન અવકાશ કેન્દ્ર ખાતેથી GSLV-F17 રોકેટનો ઉપયોગ કરીને EOS-05 પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે. આ ભારતનો પ્રથમ જીઓસિંક્રોનસ ઇમેજિંગ ઉપગ્રહ છે, જે કૃષિ, આપત્તિ વ્યવસ્થાપન, હવામાન દેખરેખ અને રાષ્ટ્રીય સુરક્ષામાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.&nbsp;&nbsp;</p><h2 style="text-align: justify; "><b>અવકાશમાં ભારતની મોટી છલાંગ</b></h2><p style="text-align: justify; ">આ લોન્ચ સાથે જ ભારત હવે પાકિસ્તાન અને ચીનની સરહદો પર થતી કોઈપણ હિલચાલ પર અત્યંત નજીકથી નજર રાખી શકશે. EOS-05 ઉપગ્રહ 36,000 કિમીની ઊંચાઈથી દર 5 મિનિટે છબીઓ મોકલશે, જે હવામાન સંબંધી આગાહીઓ, આપત્તિ વ્યવસ્થાપન અને વ્યૂહાત્મક વિચારણાઓ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. 4 સપ્ટેમ્બર, 2026 ના રોજ સવારે ૨:૫૫ વાગ્યે જ્યારે દેશનો મોટાભાગનો હિસ્સો સૂઈ રહ્યો હતો, ત્યારે અંદાજે 16,500  વૈજ્ઞાનિકો, ઇજનેરો અને ટેકનિકલ કર્મચારીઓની મહેનત રંગ લાવી હતી. લોન્ચ થયાના લગભગ 18 મિનિટ પછી, આ ઉપગ્રહને તેના નિયુક્ત સબ-જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યો હતો.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/isro/status/2095624179949461607"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h3 style="text-align: justify; "><b>આંચકાઓ બાદ ISRO માટે આત્મવિશ્વાસ વધારતી ક્ષણ</b></h3><p style="text-align: justify; ">શુક્રવારનું આ મિશન માત્ર બીજું લોન્ચ નહોતું, પરંતુ તાજેતરના સમયમાં મળેલી નિષ્ફળતાઓ બાદ ISRO માટે આત્મવિશ્વાસ પુનઃ પ્રાપ્ત કરવાની મોટી ક્ષણ હતી. સવારે ૩:૧૪ વાગ્યે મિશનની સફળતાની જાહેરાત થતાં જ મિશન કંટ્રોલમાં હાજર તમામ વૈજ્ઞાનિકો અને ઇજનેરોના ચહેરા પર સંતોષ અને આનંદ છવાઈ ગયો હતો. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આ સિદ્ધિને ભારતના અવકાશ કાર્યક્રમ માટે એક મોટી છલાંગ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે EOS-05 એક અત્યાધુનિક ઉપગ્રહ છે જે દૃશ્યમાન, ઇન્ફ્રારેડ અને હાઇપર-સ્પેક્ટ્રલ બેન્ડમાં અદ્યતન ઇમેજિંગ ક્ષમતાઓ પ્રદાન કરશે.</p><p style="text-align: justify; "><img alt="isro EOS-05 લોન્ચ " src="https://epapercdn.sandesh.com/images/2026/09/04/urqJxtrQA2TUAveUt2pL1ZY85JGcX07xGuVVjWLj.webp"><br></p><h4 style="text-align: justify; "><b>"નોટી બોય" ગણાતા GSLVની ઐતિહાસિક સફર</b></h4><p style="text-align: justify; ">અગાઉ PSLV રોકેટને શ્રેણીબદ્ધ નિષ્ફળતાઓનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે GSLV Mk-II પર મોટી જવાબદારી આવી હતી. ISROમાં પ્રેમથી "તોફાની છોકરો" તરીકે ઓળખાતા આ રોકેટે તેની અગાઉની ૧૯ ફ્લાઇટ્સમાં છ નિષ્ફળતાઓનો સામનો કર્યો હોવા છતાં, તે ભારતની ટેકનોલોજીકલ સ્વનિર્ભરતાનું સૌથી મજબૂત પ્રતીક બની ગયું છે. ૧૯૯૦ના દકાથી શરૂ થયેલી ક્રાયોજેનિક એન્જિન ટેકનોલોજીની આ સફરમાં વિદેશી પ્રતિબંધો છતાં ISROએ સ્વદેશી તકનીક વિકસાવીને ઇતિહાસ રચ્યો છે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/DrJitendraSingh/status/2095629223339966473"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h5 style="text-align: justify; "><b>36,000 કિલોમીટરની ઊંચાઈથી સતત દેખરેખ</b></h5><p style="text-align: justify; ">EOS-05 એ ૨૦૨૧ના નિષ્ફળ ગયેલા GISAT-1 મિશનનો અનુગામી છે, જેણે હવે ભારતના "આંખમાં આકાશ" ના અધૂરા સ્વપ્નને સાકાર કર્યું છે. આશરે ૨,૩૬૭ કિલોગ્રામ વજન ધરાવતો આ ઉપગ્રહ GSLV દ્વારા ભ્રમણકક્ષામાં મૂકવામાં આવેલો અત્યાર સુધીનો સૌથી ભારે ઉપગ્રહ છે. તે માત્ર "સ્નેપશોટ" નહીં પરંતુ સતત ગતિશીલ મૂવી જેવી માહિતી પ્રદાન કરશે. દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષામાં નોંધપાત્ર યોગદાન આપનાર આ ઉપગ્રહને યુ.આર. રાવ સેટેલાઇટ સેન્ટરના ડિરેક્ટર ડી.કે. સિંહે "આકાશમાં બીજી આંખ" તરીકે ઓળખાવ્યો છે. આ મિશનની સફળતા બાદ ISRO હવે વર્ષના અંત સુધીમાં તેના મહત્વાકાંક્ષી 'ગગનયાન' મિશન હેઠળ પ્રથમ માનવરહિત ફ્લાઇટ લોન્ચ કરવા માટે તૈયારી કરી રહ્યું છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/world/news/pm-modi-russia-ukraine-war-peace-initiative" target="_blank">આ પણ વાંચોઃ Ukraine Russia War: PM મોદીની પહેલ રંગ લાવી, યુક્રેન રશિયા યુદ્ધ સમાપ્તના આરે</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/utTH54FX5P8TzG3Ze7mGKWLXZB8e1xSeXJfiwwnR.webp'/></item><item><title><![CDATA[Janmashtami 2026: દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી, વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું ]]></title><link>https://sandesh.com/janmashtami/news/maru-saher-maru-gaam/dwarka/dwarka-jagat-mandir-janmashtami-celebration-devotees-rush</link><guid isPermaLink="true">https://sandesh.com/janmashtami/news/maru-saher-maru-gaam/dwarka/dwarka-jagat-mandir-janmashtami-celebration-devotees-rush</guid><pubDate>Fri, 04 Sep 2026 08:03:16 +05:30</pubDate><description><![CDATA[<p>આજે સમગ્ર દેશમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ એવી સુવર્ણ નગરી દ્વારકામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમીના આ પાવન પર્વ નિમિત્તે સમગ્ર દ્વારકા નગરી અને જગત મંદિરને આકર્ષક રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. રંગબેરંગી લાઈટોથી ઝળહળતી દ્વારકા નગરી કોઈ નવોઢા જેવી ભાસી રહી છે, અને સમગ્ર વાતાવરણ સંપૂર્ણપણે કૃષ્ણમય બની ગયું છે.</p><h2><b>મંગળા આરતીથી જ ભક્તોનું ઘોડાપૂર</b></h2><p>ભગવાન દ્વારકાધીશના દર્શનનું જન્માષ્ટમીના દિવસે વિશેષ મહત્વ હોય છે. આથી, વહેલી સવારે ખુલતા મંદિરે મંગળા આરતીના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. સવારના 6:00 વાગ્યાથી જ મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓનો જબરદસ્ત ધસારો જોવા મળ્યો હતો. પોતાના વ્હાલા કાનુડાના એક ઝલક પામવા માટે લાખોની સંખ્યામાં ભાવિકો દેશ-વિદેશથી અહી પહોંચ્યા છે.</p><h2><b>'જય દ્વારકાધીશ'ના નાદથી ગુંજ્યું જગત મંદિર</b></h2><p>દ્વારકાધીશના દર્શને ઉમટેલા શ્રદ્ધાળુઓમાં જબરદસ્ત ભક્તિભાવ અને ઊર્જા જોવા મળી રહી છે. હજારો ભક્તોના મુખેથી નીકળતા 'જય દ્વારકાધીશ', 'હાથી ઘોડા પાલખી, જય કન્હૈયા લાલ કી' અને 'નંદ ઘેર આનંદ ભયો'ના ગગનભેદી નાદથી સમગ્ર દ્વારકા નગરી ગુંજી ઉઠી છે. ભક્તો ભગવાનની ભક્તિમાં લીન થઈને નાચતા-ગાતા નજરે પડી રહ્યા છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2095692545397539211"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>દર્શન માટે લાંબી કતારો અને સુદ્રઢ વ્યવસ્થા</b></h2><p>વહેલી સવારથી જ દર્શન માટે ભક્તોની 2 થી 3 કિલોમીટર લાંબી કતારો જોવા મળી રહી છે. દર્શનાર્થીઓની આટલી મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ભક્તોને દર્શન કરવામાં કોઈ જ અગવડતા ન પડે તે માટે બેરિકેડિંગ અને પીવાના પાણી સહિતની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/janmashtami/news/janmashtami-2026-celebration-sandesh-digital-kanuda-photo" target="_blank">Janmashtami 2026: સંદેશ ડિજિટલને સાથે જન્માષ્ટમી ઉજવણી, જુઓ તમારા કાનુડાનો ફોટો...</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/6EXquFy3ajGg7FItoyAQV7MBxVibaalv5yJshlHL.webp'/></item><item><title><![CDATA[Asian Games 2026: નીરજ ચોપરાના રિપ્લેસમેન્ટની જાહેરાત, આ સ્ટારને મળ્યું સ્થાન ]]></title><link>https://sandesh.com/sports/news/neeraj-chopra-out-yashvir-singh-asian-games</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/neeraj-chopra-out-yashvir-singh-asian-games</guid><pubDate>Thu, 03 Sep 2026 18:11:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">એશિયન ગેમ્સ 19 સપ્ટેમ્બરથી જાપાનમાં શરૂ થવાની છે. ભારતીય ટીમને તાજેતરમાં મોટો ઝટકો લાગ્યો છે. ઈજાને કારણે બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા અને સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરા 2026 સીઝનની બાકીની બધી સ્પર્ધાઓમાંથી બહાર થઈ ગયો છે. તેને સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરી. ફેન્સને આશા હતી કે તે ગોલ્ડ જીતશે.&nbsp;</p><p style="text-align: justify;">પરંતુ એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ ત્યારબાદ એક નિવેદનમાં જાહેરાત કરી હતી કે તેઓ ટૂંક સમયમાં નીરજના રિપ્લેસમેન્ટની જાહેરાત કરશે. હવે તે ખેલાડીનું નામ જાહેર કરવામાં આવ્યું છે.</p><h2 style="text-align: justify;"><b>નીરજ ચોપરાનું સ્થાન કોણ લેશે?</b></h2><p style="text-align: justify;">ઈજા છતાં નીરજ ચોપરાએ તાજેતરની કેટલીક સ્પર્ધાઓમાં સારું પ્રદર્શન કર્યું. તેને કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો. નીરજના સાથી અને પ્રખ્યાત ભાલા ફેંકનાર યશવીર સિંહે કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. હવે તેને તેનું ઈનામ મળી ગયું છે. યશવીર એશિયન ગેમ્સમાં નીરજનું સ્થાન લેશે. યશવીરને એક મોટી તક મળી છે. તે એશિયન ગેમ્સમાં અજાયબીઓ કરી શકે છે.</p><p style="text-align: justify;">એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બહાદુર સિંહ સાગુએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "અમે એશિયન ગેમ્સ માટે નીરજ ચોપરાની જગ્યાએ યશવીર સિંહને સામેલ કર્યો છે. તેને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યો હતો. નીરજ હાલમાં ઘાયલ છે. તેની ઈજાને કારણે આ ફેરફાર કરવામાં આવ્યો છે. યશવીરના આવવામાં કોઈ સમસ્યા નહોતી."</p><h3 style="text-align: justify;"><b>યશવીર સિંહની સિઝન શાનદાર રહી&nbsp;</b></h3><p style="text-align: justify;">યશવીર સિંહે કોમનવેલ્થ ગેમ્સ  2026માં બ્રોન્ઝ મેડલ જીતીને બધાનું દિલ જીતી લીધું હતું. આ પછી તેની ખૂબ ચર્ચા થઈ હતી. તેને ત્યાં પણ પોતાનું બેસ્ટ પ્રદર્શન કર્યું. યશવીરે 85.41 મીટરનો થ્રો ફેંક્યો. કાશીનાથ નાયક (2010) અને નીરજ (2018, 2026) પછી તે કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનાર ત્રીજો ભારતીય છે.</p><p style="text-align: justify;">2026નું વર્ષ તેમના માટે શાનદાર રહ્યું છે. તેને 8 ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો, જેમાંથી 6માં 80 મીટરથી વધુ થ્રો ફેંક્યા હતા. હવે, બધાની નજર યશવીર પર રહેશે. નીરજના સ્થાને સામેલ થવાથી તેના પર પણ દબાણ આવશે. તે 2026 કોમનવેલ્થ ગેમ્સમાં પોતાના પ્રદર્શનનું કમબેક કરવા અને ભારત માટે મેડલ લાવવા માગશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/bcci-meeting-rohit-sharma-odi-future" target="_blank">Rohit Sharmaના ક્રિકેટ કરિયર અને 2027ના ODI વર્લ્ડકપને લઈને ચર્ચા, BCCI મોટો નિર્ણય લેવા માટે તૈયાર</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/pnZfVXFfDbiVeUTCGLZBXQLYtouFoYzTiWb82QVE.webp'/></item></channel></rss>