<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[21 September Top News: રાષ્ટ્રપતિ મુર્મુનો 3 દિવસીય ગુજરાત પ્રવાસ, એકતા નગરમાં 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ ]]></title><link>https://sandesh.com/gujarat/news/india/21-september-top-newspresident-droupadi-murmu-gujarat-visit-national-film-awards-delhi-voter-list-sc</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/india/21-september-top-newspresident-droupadi-murmu-gujarat-visit-national-film-awards-delhi-voter-list-sc</guid><pubDate>Sun, 20 Sep 2026 22:00:00 +05:30</pubDate><description><![CDATA[<p>દિલ્હીની ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી 47.56 મિલિયન મતદારોના નામ દૂર કરવાના અને આશરે 33 લાખ લોકોને નોટિસ જારી કરવાના ચૂંટણી પંચના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. CJI ની બેન્ચ આવતીકાલે આ કેસની સુનાવણી કરશે.</p><h2><b>રાષ્ટ્રપતિ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે</b></h2><p>રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 21 સપ્ટેમ્બરથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે રવાના થયા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 22 સપ્ટેમ્બરે ગુજરાતના એકતા નગરમાં 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો રજૂ કરશે. દેશભરના ફિલ્મ નિર્માતાઓ, અભિનેતાઓ, ટેકનિશિયનો અને કલાકારો સમારોહમાં હાજરી આપશે. 2024માં ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓનું સન્માન કરવામાં આવશે.</p><h3><b>યુપી વિધાનસભા ચૂંટણી</b></h3><p>2027ની યુપી વિધાનસભા ચૂંટણી માટેની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન 21 સપ્ટેમ્બરે મેરઠ અને 22 સપ્ટેમ્બરે સહારનપુરની મુલાકાત લેશે. તેઓ સંગઠનાત્મક તૈયારીઓની સમીક્ષા કરવા માટે સાંસદો, ધારાસભ્યો અને પદાધિકારીઓ સાથે મુલાકાત કરશે.</p><h3><b>એકતા નગર ખાતે 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ</b></h3><p>એકતા નગર ખાતે 72મા નેશનલ ફિલ્મ એવોર્ડની તૈયારી ઓને આખરી ઓપ અપાય રહ્યો છે. આવતીકાલે બપોરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ એકતા નગર ખાતે આવી પહોંચશે ત્યારબાદ તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાત કરી શકે છે. ફિલ્મ જગતની અનેક હસ્તીઓ પણ આવતીકાલથી એકતા નગરના દ્વારે આવી પહોંચશે.&nbsp;&nbsp;</p><h5><b>રશિયન ક્રુડની ખરીદી કરતા દેશો પર 100 ટકા ટેરિફ</b></h5><p>રશિયન ક્રુડની ખરીદી કરતા દેશો પર 100 ટકા ટેરિફ લાદતા અમેરિકી પ્રતિનિધિ ગૃહના બિલને ટ્રમ્પની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે આ ટેરિફને કારણે સુરતના ડાયમંડ ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ ઉપર કયા પ્રકારની અસર પડશે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/nia-fake-currency-arrest-ahmedabad-girnar-rain-top10-news" target="_blank">આ પણ વાંચો: NIAએ નકલી નોટ કૌભાંડમાં વધુ 2ની કરી ધરપકડ, H-1B વિઝા ફી વધી અને ગિરનારમાં 40થી વધુ લોકો ફસાયા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/vZH1vXde5wCtJE1bYkueCNtGuWYjWkkk1P38uE9m.webp'/></item><item><title><![CDATA[Chhotaudepur: નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું, 5 સભ્યો ભાજપમાં જોડાતાં ચિત્ર સ્પષ્ટ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/chhota-udepur/nagarpalika-former-vice-president-zakir-dadi-five-members-join-bjp</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/chhota-udepur/nagarpalika-former-vice-president-zakir-dadi-five-members-join-bjp</guid><pubDate>Sun, 20 Sep 2026 21:53:57 +05:30</pubDate><description><![CDATA[<p>છોટાઉદેપુર નગરપાલિકાના નવા પ્રમુખની વરણી માટે આગામી 22 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાનાર છે, તે પૂર્વે જ ભારતીય જનતા પાર્ટીએ વિપક્ષમાં મોટું ગાબડું પાડીને મોટો રાજકીય ધડાકો કર્યો છે. નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ઝાકીર દડી સહિત કુલ 5 સભ્યોએ ભાજપનો ભગવો ધારણ કરી લેતાં પાલિકાનું રાજકીય ગણિત સંપૂર્ણપણે બદલાઈ ગયું છે.</p><h2><b>પ્રમુખની વરણી પહેલાં ભાજપનો મોટો ધડાકો</b></h2><p>ભાજપમાં જોડાયેલા સભ્યોમાં 'ગુજરાત સર્વ સમાજ પાર્ટી'ના 4 સભ્યો અને 'બહુજન સમાજ પાર્ટી' (BSP) ના 1 સભ્યનો સમાવેશ થાય છે. પ્રમુખની બિનહરીફ કે મજબૂત વરણી પહેલાં જ વિપક્ષી ખેમામાંથી 5 સભ્યો ભાજપમાં ભળી જતાં છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપનું સંખ્યાબળ હવે સૌથી મજબૂત અને સ્પષ્ટ બહુમતીથી પણ વધુ થઈ ગયું છે. છોટાઉદેપુર ખાતે યોજાયેલા એક ખાસ કાર્યક્રમ દરમિયાન આ તમામ સભ્યોને ભાજપના ટોચના નેતાઓની ઉપસ્થિતિમાં વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.</p><h3><b>વિપક્ષી ખેમામાંથી 5 સભ્યો ભાજપમાં ભળી ગયા</b></h3><p> </p><p>સાંસદ જશુભાઈ રાઠવા, સ્થાનિક ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા, ભાજપના પ્રભારી હિંમત પડસાળા તેમજ શહેર ભાજપ પ્રમુખ હિતાંશુ દરજીએ તમામ નગરસેવકોને ભાજપનો ખેસ અને ટોપી પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. આ રાજકીય ઘટનાક્રમ બાદ છોટાઉદેપુરના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. 22 સપ્ટેમ્બરના રોજ યોજાનારી પ્રમુખની ચૂંટણી માત્ર એક ઔપચારિકતા બની રહેશે અને ભાજપ પોતાના પ્રમુખને સરળતાથી ગાદી પર બેસાડશે તેવું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/india/21-september-top-newspresident-droupadi-murmu-gujarat-visit-national-film-awards-delhi-voter-list-sc" target="_blank">આ પણ વાંચો:&nbsp; 21 September Top News: રાષ્ટ્રપતિ મુર્મુનો 3 દિવસીય ગુજરાત પ્રવાસ, એકતા નગરમાં 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/G5D4nCv7KFJzcSz3TgURefyDvuPNKUujivsIZ2cw.webp'/></item><item><title><![CDATA[Surat News: ટેક્સટાઈલ માર્કેટમાં કારમાંથી રૂ.2.50 લાખની ચોરી કરનાર આરોપી ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-millennium-market-car-theft-2-50-lakh-accused-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-millennium-market-car-theft-2-50-lakh-accused-arrested</guid><pubDate>Sun, 20 Sep 2026 21:05:02 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરના કાપડ બજાર (ટેક્સટાઈલ માર્કેટ) વિસ્તારમાં કારમાંથી રોકડ રકમ ચોરી આચરનાર શાતિર ચોરને સલાબતપુરા પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. મિલેનિયમ માર્કેટના પાર્કિંગમાં પાર્ક કરેલી ફોર-વ્હીલ ગાડીમાંથી રૂ.2,50,000ની રોકડ રકમ સેરવી લેનાર પ્રિન્સ ઉર્ફે કાળુ પ્રવીણભાઈ મેંદપરા નામના આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે.</p><h2 style="text-align: justify; "><b>પાર્કિંગમાં ચોરીના લાઇવ CCTV સામે આવ્યા હતા</b></h2><p style="text-align: justify; ">ઘટનાની વિગત અનુસાર, સલાબતપુરા વિસ્તારમાં આવેલા મિલેનિયમ માર્કેટના પાર્કિંગમાં એક વેપારીએ પોતાની ફોર-વ્હીલ કાર પાર્ક કરી હતી. આ દરમિયાન આરોપી પ્રિન્સ ઉર્ફે કાળુએ તકનો લાભ ઉઠાવી ગાડીમાંથી રૂ.2.50 લાખ રોકડા ચોરી લીધા હતા. આ સમગ્ર ચોરીની ઘટના માર્કેટના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વેપારીની ફરિયાદના આધારે સલાબતપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ પોલીસે તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.</p><p style="text-align: justify; "><img alt="Car theft solved in Surat" src="https://epapercdn.sandesh.com/images/2026/09/20/MRoTcVIfxRBFHBa1CWCQ7WZ2qsh1FT46js0ibVsF.webp"><br></p><h3 style="text-align: justify; "><b>અન્ય માર્કેટમાં પણ કર્યો હતો પ્રયાસ</b></h3><p style="text-align: justify; ">સલાબતપુરા પોલીસની ટીમે ગુનાનો ભેદ ઉકેલવા માટે ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારના 100થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ઊંડાણપૂર્વક ચકાસ્યા હતા. સીસીટીવી ટ્રેકિંગ અને બાતમીદારોની મદદથી પોલીસે આરોપી પ્રિન્સ ઉર્ફે કાળુને દબોચી લીધો હતો. કડક પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે ચોરીના દિવસે જ આરોપીએ અન્ય એક ટેક્સટાઈલ માર્કેટના પાર્કિંગમાં પણ કારમાંથી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી ન હતી. હાલ સલાબતપુરા પોલીસે આરોપી પાસેથી મુદ્દામાલ કબ્જે કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/Gv6Sx4W1aXTtNxovTCIzWM8Bx5I8OPD87ZDnGNWt.webp'/></item><item><title><![CDATA[Gandhinagar: મનપા ચૂંટણી માટે ભાજપે નિમ્યા ૩ નિરીક્ષકો, આવતીકાલે સેન્સ પ્રક્રિયા બાદ બનશે ઉમેદવારોની પેનલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/bjp-appoints-three-observers-gandhinagar-corporation-election-sense-process</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/bjp-appoints-three-observers-gandhinagar-corporation-election-sense-process</guid><pubDate>Sun, 20 Sep 2026 21:00:50 +05:30</pubDate><description><![CDATA[<p>ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ પોતાની રાજકીય તૈયારીઓ તેજ કરી દીધી છે. મહાનગરપાલિકા માટે લાયક અને વિજેતા ઉમેદવારોની પસંદગી કરવા માટે પ્રદેશ ભાજપ દ્વારા ત્રણ અનુભવી નેતાઓને ચૂંટણી નિરીક્ષક તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપે પૂર્ણેશ મોદી, શબ્દ શરણ બ્રહ્મભટ્ટ અને દુષ્યંત પટેલની નિરીક્ષક તરીકે નિમણૂક કરી છે.</p><h2><b>ગાંધીનગર મહાનગરપાલિકા માટે ભાજપ એક્શન મોડમાં</b></h2><p>નિમણૂક કરાયેલા આ ત્રણેય નિરીક્ષકો આવતીકાલે સવારે 10:30 થી 12:00 વાગ્યા દરમિયાન ગાંધીનગરના રાયસન, સેક્ટર 16 અને સેક્ટર 28 ખાતે સ્થાનિક દાવેદારો અને કાર્યકરોની સેન્સ પ્રક્રિયા હાથ ધરશે. ચૂંટણી આયોજન મુજબ એક જ સ્થળ પરથી 3 થી 4 વોર્ડ માટે દાવેદારો સાંભળવામાં આવશે અને તેમની દાવેદારી નોંધવામાં આવશે.સવારે યોજાનારી સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સાંજના સમયે ભાજપની મહત્વની 'શહેર સંકલન બેઠક'નું આયોજન કરવામાં આવ્યું છે. આ સંકલન બેઠકમાં સ્થાનિક ધારાસભ્ય, જિલ્લા/શહેરના પ્રભારી મંત્રી, શહેર ભાજપ હોદ્દેદારો તેમજ પ્રદેશ કક્ષાના પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેશે.</p><h3><b>પ્રદેશ ભાજપ દ્વારા 3 ચૂંટણી નિરીક્ષકોની કરાઈ નિમણૂક</b></h3><p>સેન્સ દરમિયાન વિવિધ વોર્ડમાંથી કાર્યકરો અને નેતાઓ દ્વારા રજૂ કરવામાં આવેલા નામોની સંકલન બેઠકમાં બારીકાઈથી સમીક્ષા કરવામાં આવશે. તમામ નામોની વિચારણા કર્યા બાદ પ્રત્યેક બેઠક/વોર્ડ દીઠ 3 દાવેદારોની મજબૂત પેનલ તૈયાર કરવામાં આવશે. આ પેનલ ત્યારબાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને આખરી મંજૂરી અર્થે મોકલી આપવામાં આવશે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/nia-ahmedabad-arrests-two-more-in-17-crore-pnb-fake-currency-scam" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: NIA એ 17.29 કરોડના નકલી નોટ કૌભાંડમાં વધુ 2 આરોપીની કરી ધરપકડ, આંતરરાજ્ય કાવતરાની તપાસ તેજ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/Vbia5FfPCQ2vDshM8wyCvzP9eBhyviQXsCNOQRzn.webp'/></item><item><title><![CDATA[Suratમાં ટ્રાફિક સિગ્નલોને નિશાન બનાવતી બેટરી ચોર ગેંગનો પર્દાફાશ, બે આરોપીઓની ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-55-traffic-signals-155-battery-theft-case-crime-branch</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-55-traffic-signals-155-battery-theft-case-crime-branch</guid><pubDate>Sun, 20 Sep 2026 20:15:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરમાં જાહેર માર્ગો પર સિગ્નલ સિસ્ટમ ખોરવી નાખતી અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડતી શાતિર તસ્કર ગેંગનો સુરત ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છેટ્રાફિક જંક્શનો પર લગાવેલા ઇન્વર્ટર બોક્સમાંથી બેટરીઓની ચોરી આચરતા બે આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસે પકડાયેલા તસ્કરો પાસેથી ચોરીની 6 ઇન્વર્ટર બેટરી, 2 મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલી મોટરસાઈકલ મળીને કુલ રૂ.1,48,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>55 ટ્રાફિક સિગ્નલો પરથી 155 બેટરીઓ ચોરી કર્યાની કબૂલાત</b></h2><p style="text-align: justify; ">પોલીસની કડક પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. પકડાયેલા આરોપીઓએ શહેરના અલગ-અલગ 16 પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા 55 જેટલા ટ્રાફિક સિગ્નલ પોઈન્ટ્સને ટાર્ગેટ કર્યા હતા. તસ્કરોએ રાત્રિના અંધારાનો લાભ ઉઠાવીને અત્યાર સુધીમાં કુલ 155 જેટલી કિંમતી ઇન્વર્ટર બેટરીઓની ચોરી કરી હોવાનું કબૂલ્યું છે, જેના કારણે ચોમાસા અને વીજ કાપ દરમિયાન ટ્રાફિક સિગ્નલો બંધ થઈ જવાની સમસ્યાઓ સર્જાતી હતી.</p><h3 style="text-align: justify; "><b>પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી</b></h3><p style="text-align: justify; ">આરોપીઓ ટ્રાફિક સિગ્નલ બોક્સના લોક તોડીને ક્ષણવારમાં બેટરીઓ ગાયબ કરી મોટરસાઈકલ પર ફરાર થઈ જતા હતા. સુરત ક્રાઈમ બ્રાન્ચે આ હાઈ-પ્રોફાઈલ ચોરીનો ભેદ ઉકેલીને બંને આરોપીઓની વિધિવત ધરપકડ કરી છે અને તેમણે ચોરેલી બાકીની બેટરીઓ ક્યાં વેચી છે તે દિશામાં કડક પૂછપરછ હાથ ધરી છે. હાલ પોલીસે આરોપીઓને આગળની કાયદાકીય કાર્યવાહી માટે સ્થાનિક પોલીસ મથકે સોંપવાની તજવીજ હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/lPGqm8cFAY5nS9FHSULzeABOw46bNIylreIefcf6.webp'/></item><item><title><![CDATA[Suratમાં મોબાઈલ સ્નેચિંગ ગેંગનો પર્દાફાશ, 58 મોબાઈલ અને સ્પોર્ટ્સ બાઈક સાથે 3ની ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-mobile-snatching-case-58-phones-6-10-lakh-property-seized</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-mobile-snatching-case-58-phones-6-10-lakh-property-seized</guid><pubDate>Sun, 20 Sep 2026 20:04:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરમાં રાહદારીઓ તેમજ વાહનચાલકો પાસેથી મોબાઈલ સ્નેચિંગ (ઝૂંટવી લેવાની) ચોરીના બનાવો આચરતી શાતિર ગેંગનો સિંગણપોર ડભોલી પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે ચોક્કસ કામગીરી કરીને મોબાઈલ સ્નેચિંગ આચરતા ત્રણ સક્રિય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી અલગ-અલગ કંપનીના ચોરીના 58 જેટલા કિંમતી મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલી સ્પોર્ટ્સ બાઈક સમેત કુલ રૂ.6.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.</p><h2 style="text-align: justify; "><b>બિના નંબર પ્લેટની સ્પોર્ટ્સ બાઈક પર ફરી આચરતા હતા સ્નેચિંગ</b></h2><p style="text-align: justify; ">પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપીઓ પોતાના કબ્જા હેઠળની સ્પોર્ટ્સ બાઈકની નંબર પ્લેટ કાઢી નાખીને શહેરના સિંગણપોર, ડભોલી તેમજ આસપાસના વિસ્તારોમાં રાત્રિ તથા વહેલી સવારે રેકી કરતા હતા. રસ્તા પરથી એકલ-દોકલ પસાર થતા રાહદારીઓના હાથમાંથી મોબાઈલ ફોન ઝડપથી આંચકીને નંબર પ્લેટ વગરની પૂરપાટ ઝડપે જતી સ્પોર્ટ્સ બાઈક પર ફરાર થઈ જતા હતા.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>મોબાઈલ શોપ ધરાવતા વોન્ટેડ રમેશ પ્રજાપતિને વેચતા હતા ચોરીનો માલ</b></h3><p style="text-align: justify; ">ઝડપાયેલા ત્રણેય સ્નેચરો ચોરી કે સ્નેચિંગ કરેલા આ કિંમતી મોબાઈલ ફોન નજીવી કિંમતે વેચી દેતા હતા. તેઓ આ મોબાઈલ ફોન મોબાઈલની દુકાન ધરાવતા રમેશ પ્રજાપતિ નામના શખ્સને આપતા હતા, જે હાલ પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. હાલ સિંગણપોર પોલીસે પકડાયેલા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી, રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા સાથે વોન્ટેડ આરોપી રમેશ પ્રજાપતિને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/N1c0R8cAf8YYouhU14uVQy5yda0LbBtYPyimL5ur.webp'/></item><item><title><![CDATA[India BRICS Export: ભારતનો મોટો ધમાકો, એપ્રિલ-ઓગસ્ટમાં નિકાસ 34% વધી, ચીન બન્યું સૌથી મોટું ખરીદદાર! ]]></title><link>https://sandesh.com/business/news/world/india-brics-export-indias-big-bang-exports-increased-by-34-in-april-august-china-became-the-largest-buyer</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/world/india-brics-export-indias-big-bang-exports-increased-by-34-in-april-august-china-became-the-largest-buyer</guid><pubDate>Sun, 20 Sep 2026 19:53:36 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">જાપાન, ઇટાલી અને દક્ષિણ કોરિયામાં નિકાસમાં પણ વધારો થયો છે. બ્રિક્સ દેશો સાથે ભારતની નિકાસ પહોંચ સતત વધી રહી છે.</p><h2 style="text-align: justify; ">સૌથી મજબૂત ગતિ</h2><p style="text-align: justify; ">ચાલુ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ પાંચ મહિના દરમિયાન, ચીન, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને રશિયામાં ભારતની નિકાસ 34 ટકા વધીને $19.9 બિલિયન થઈ. આ વૃદ્ધિ મુખ્યત્વે ચીનમાં મોકલવામાં આવતા માલમાં 39 ટકાના વધારાને કારણે થઈ હતી. આ ભારતના નિકાસ વિસ્તરણ માટે બ્રિક્સ જૂથના વધતા મહત્વને દર્શાવે છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે જેમ જેમ ભારત બ્રિક્સ જૂથ સાથે તેના જોડાણને ગાઢ બનાવી રહ્યું છે, તેમ તેમ તેના સ્થાપક સભ્યો - ચીન, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને રશિયા તરફથી સૌથી મજબૂત ગતિ આવી રહી છે.</p><h3 style="text-align: justify; ">બ્રિક્સ ભાગીદાર દેશો બન્યા</h3><p style="text-align: justify; ">મૂળ બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થતો હતો. બ્રિક્સનો 2024 માં વિસ્તાર કરવામાં આવ્યો હતો. જેમાં ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સંયુક્ત આરબ અમીરાત અને સાઉદી અરેબિયાનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં 2025 માં ઇન્ડોનેશિયા જોડાયું હતું. વધુમાં, બેલારુસ, બોલિવિયા, કઝાકિસ્તાન, ક્યુબા, મલેશિયા, નાઇજીરીયા, થાઇલેન્ડ, યુગાન્ડા, ઉઝબેકિસ્તાન અને વિયેતનામ ગયા વર્ષે બ્રિક્સ ભાગીદાર દેશો બન્યા છે.&nbsp;</p><h4 style="text-align: justify; ">સરકારે નિકાસ ડેટા જાહેર કર્યો</h4><p style="text-align: justify; ">વાણિજ્ય મંત્રાલયના ડેટા અનુસાર, આ ચાર મુખ્ય બ્રિક્સ અર્થતંત્રોમાં નિકાસ 34 ટકા વધીને એપ્રિલ-ઓગસ્ટ 2025-26 માં $14.9 બિલિયનથી એપ્રિલ-ઓગસ્ટ 2026-27 માં $19.9 બિલિયન થઈ ગઈ છે. ભારતની કુલ નિકાસમાં આ ચાર દેશોનો હિસ્સો ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં વધીને 9.2 ટકા થયો છે, જે 2025-26 ના સમાન સમયગાળામાં 8.1 ટકા હતો. મુખ્ય બ્રિક્સ દેશોમાં, ચીન સૌથી મોટો ફાળો આપનાર તરીકે ઉભરી આવ્યું છે. 2026-27 નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં ચીનમાં ભારતીય નિકાસ 39 ટકા વધીને $9.6 બિલિયન થઈ છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/pakistan-saudi-defense-pact-pakistan-got-trapped-by-signing-a-defense-agreement-with-saudi-arabia-mecca-pact-became-a-bone-in-its-throat" target="_blank">સાઉદી સાથે સંરક્ષણ સમજૂતી કરી ફસાયું પાકિસ્તાન, 'મક્કા પેક્ટ' બન્યું ગળાનું હાડકું</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/AwMj7XegwnCuG2MatK0vrffZlDuOxgrTlnf0dNk6.webp'/></item><item><title><![CDATA[Rahul Gandhi પર ફડણવીસનો કટાક્ષ, કહ્યું- પાર્ટી છોડીને સ્ટેન્ડ-અપ કોમેડિયન બની જાઓ ]]></title><link>https://sandesh.com/india/news/political-news/fadnavis-takes-a-dig-at-rahul-gandhi-says-leave-the-party-and-become-a-stand-up-comedian</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/political-news/fadnavis-takes-a-dig-at-rahul-gandhi-says-leave-the-party-and-become-a-stand-up-comedian</guid><pubDate>Sun, 20 Sep 2026 19:17:47 +05:30</pubDate><description><![CDATA[<p>મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રવિવારે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે કોંગ્રેસ નેતા પાર્ટી છોડીને ‘સ્ટેન્ડ-અપ કોમેડિયન’ બની જાય. ઇન્દોરમાં યોજાયેલા ‘છાત્રોં કી ગૂંજ’ કાર્યક્રમમાં રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કથિત મિમિક્રીને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં ફડણવીસે આ ટિપ્પણી કરી હતી. </p><p><b>રાહુલ ગાંધીને લઈને ફડણવીસે શું કહ્યું?</b></p><p>ફડણવીસે કહ્યું કે રાહુલ ગાંધી જે રીતે મિમિક્રી કરી રહ્યા છે, તે જોતા તેમને પાર્ટી છોડીને ‘સ્ટેન્ડ-અપ કોમેડિયન’ બની જવું જોઈએ. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે રાહુલ ગાંધીના કારણે કોંગ્રેસ ‘બેરોજગાર’ થઈ ગઈ છે, તેથી જો તેઓ કોમેડિયન બનવાનો વિકલ્પ પસંદ કરે તો ઓછામાં ઓછું તેમને કામ તો મળી જશે.&nbsp;</p><p><b>UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જને લઈને પણ વાત</b></p><p>ફડણવીસે કહ્યું કે કેટલાક લોકો ચોક્કસ UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લગાવવાના મુદ્દે ખોટી માહિતી ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મુંબઈમાં પેટ્રોલ પંપ સંચાલકોએ કથિત રીતે કહ્યું છે કે જો સરકાર સુધારેલા ‘મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ’ (MDR)ને પાછો નહીં ખેંચે તો તેઓ 15 ઓક્ટોબરથી ₹2,000થી વધુના UPI પેમેન્ટ સ્વીકારવાનું બંધ કરી દેશે.&nbsp;</p><p><b>UPIથી વેપાર વધ્યો: ફડણવીસ</b></p><p>પેટ્રોલ પંપ સંચાલકોની આ માંગ અંગે ફડણવીસે કહ્યું કે આવું વલણ યોગ્ય નથી, કારણ કે UPIથી તેમના વેપારમાં વધારો થયો છે. તેમણે કહ્યું કે પેટ્રોલ પંપના ટ્રાન્ઝેક્શન હવે વધુ પારદર્શક બન્યા છે અને લોકો પણ મોટા પ્રમાણમાં UPIનો ઉપયોગ કરી રહ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે, આ માટે ખૂબ જ મામૂલી ચાર્જ લગાવવામાં આવ્યો છે.&nbsp;</p><p><b>MDRની ભલામણ અંગે કોંગ્રેસનો પણ ઉલ્લેખ</b></p><p>ફડણવીસે કહ્યું કે MDR લગાવવાની ભલામણ કરનારી સંસદીય સમિતિમાં પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમ અને કોંગ્રેસના અન્ય ત્રણ વરિષ્ઠ નેતાઓ સામેલ હતા. તેમણે કહ્યું કે સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ ચાર્જ દરેક ટ્રાન્ઝેક્શન પર લાગુ નહીં થાય, પરંતુ માત્ર નક્કી કરાયેલા ચોક્કસ ટ્રાન્ઝેક્શન પર લાગુ થશે.  ફડણવીસે કહ્યું કે વેપારને પ્રોત્સાહન આપવા અને ભ્રષ્ટાચાર ઘટાડવામાં UPI તથા ડિજિટલ ટ્રાન્ઝેક્શનની મહત્વની ભૂમિકા રહી છે. તેમણે કહ્યું કે ખર્ચની ભરપાઈ માટે મામૂલી ચાર્જ લગાવવો યોગ્ય છે અને પેટ્રોલ પંપ માલિકો તથા વેપારીઓએ તેનો વિરોધ ન કરવો જોઈએ.</p><p><b><a href="https://sandesh.com/india/news/pm-modi-mimicry-video-row-bjp-slams-congress-rahul-gandhi" target="_blank">આ પણ વાંચો: Rahul Gandhiના મિમિક્રી વીડિયો પર BJP લાલઘૂમ, વૃદ્ધ માતાની મજાક... !</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/36hlkNQ9am2TvT1LEXPKkgbhiUaWV769XxXRX2Nk.webp'/></item><item><title><![CDATA[Sachin Tendulkar Fan: સચિનનું મંદિર બનાવનાર ગુજરાતનો આ ચાહક કોણ?, તેંડુલકરે પણ લખી છે ચિઠ્ઠી ]]></title><link>https://sandesh.com/gujarat/news/sports/dahegam/sachin-tendulkar-temple-kadjodra-gujarat-superfan-arvindsinh-zala</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/sports/dahegam/sachin-tendulkar-temple-kadjodra-gujarat-superfan-arvindsinh-zala</guid><pubDate>Sun, 20 Sep 2026 18:48:51 +05:30</pubDate><description><![CDATA[<p>Sachin Tendulkar Fan: ક્રિકેટની દુનિયામાં અનેક ખેલાડીઓના કરોડો ચાહકો છે, પરંતુ કેટલાક ચાહકોની દીવાનગી અને લાગણી તેમને અન્ય લોકોથી અલગ બનાવે છે. આવા જ એક ચાહક છે ગાંધીનગર જિલ્લાના કડજોદરાના વતની અરવિંદસિંહ ઝાલા જેમની ભક્તિ માત્ર ક્રિકેટ સુધી સીમિત નથી. અરવિંદસિંહ ઝાલા સચિન તેંડુલકરને ભગવાન સમાન માને છે અને તેમના માટે મંદિર બનાવી સવાર-સાંજ પૂજા કરે છે. તેમના ઘર, દુકાન અને વાહનોમાં સચિન તેંડુલકરની તસવીરો જોવા મળે છે.</p><p><a href="https://youtu.be/Wcjegb6kcAE?si=ptwfu_UMPlyqCtpV" target="_blank">https://youtu.be/Wcjegb6kcAE?si=ptwfu_UMPlyqCtpV</a></p><p><b>1991થી સચિન તેંડુલકર પ્રત્યે ચાહના</b></p><p>અરવિંદસિંહ ઝાલા જણાવે છે કે તેઓ વર્ષ 1991થી સચિન તેંડુલકરના ચાહક છે. વર્ષ 2001થી તેમણે સચિન તેંડુલકરને ભગવાન તરીકે માનવાનું શરૂ કર્યું. આજે પણ તેમના ઘર અને દુકાનમાં સચિન તેંડુલકરની તસવીરો લગાવેલી છે. તેઓ દરરોજ સચિન તેંડુલકરની પૂજા-અર્ચના કરે છે. તેમના પરિવારના સભ્યો પણ તેમની આ શ્રદ્ધાને સહકાર આપે છે. અરવિંદસિંહ માટે સચિન તેંડુલકર માત્ર ક્રિકેટર નહીં, પરંતુ ભગવાન સમાન છે.</p><p><b>16 વર્ષની ઉંમરે સચિન તેંડુલકરે દિલમાં જગ્યા બનાવી</b></p><p>અરવિંદસિંહ ઝાલા કહે છે કે જ્યારે તેઓ 16 વર્ષના હતા ત્યારે તેમના ગામમાં ટીવી નહોતું. તેથી તેઓ શહેરમાં રહેતા સગા-સંબંધીઓના ઘરે ક્રિકેટ મેચ જોવા જતા હતા. તે સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચે પેશાવરમાં રમાયેલી મેચ દરમિયાન સચિન તેંડુલકરની બેટિંગે તેમના દિલમાં ખાસ જગ્યા બનાવી હતી. ત્યારથી સચિન તેંડુલકર પ્રત્યે તેમની ચાહના સતત વધતી ગઈ અને તેઓ સચિન તેંડુલકરના મોટા ચાહક બની ગયા.</p><p><img alt="Sachin tendulkar " src="https://epapercdn.sandesh.com/images/2026/09/20/K6kd565m5zsGIGvjXShDAuulv9l5mdmn5h9IeEfD.webp"><br></p><p><b>ઘર અને દુકાનમાં સચિન તેંડુલકરનું મંદિર</b></p><p>અરવિંદસિંહ ઝાલાના જણાવ્યા પ્રમાણે, તેમના ઘર અને દુકાન બંને જગ્યાએ સચિન તેંડુલકરનું મંદિર છે. તેઓ સવાર અને સાંજે અગરબત્તી અને દીવો કરીને સચિન તેંડુલકરની ભગવાનની જેમ પૂજા કરે છે. તેઓ કહે છે કે કોઈપણ તહેવાર હોય ત્યારે પણ સચિન તેંડુલકરના નામે સેવાકીય કાર્યો કરવાની તેમની પરંપરા છે. સચિન તેંડુલકરની પ્રેરણાથી જ તેઓ જીવનમાં આગળ આવ્યા હોવાનું પણ તેઓ માને છે.</p><p><img alt="Sachin tendulkar " src="https://epapercdn.sandesh.com/images/2026/09/20/MtTgopyJ5zgNqFJ7Mmq25qMUAn2u7znFpoqm8nx7.webp"><br></p><p><b>લોકો મજાક કરતા તો શ્રદ્ધા વધુ વધી</b></p><p>સચિન તેંડુલકરની પૂજા શરૂ કરી ત્યારે કેટલાક લોકો અને સગા-સંબંધીઓ તેમની મજાક ઉડાવતા હતા. લોકો કહેતા કે સચિન તેંડુલકર ભગવાન નથી, તેઓ તો ક્રિકેટર છે. અરવિંદસિંહ ઝાલા કહે છે કે તેઓ લોકોને જવાબ આપતા કે મનુષ્યમાં પણ દેવત્વ હોઈ શકે છે. જેમ લોકો પથ્થરની મૂર્તિની પૂજા કરે છે, તેમ તેમના માટે સચિન તેંડુલકર મનુષ્યરૂપે ભગવાન સમાન છે. તેમના જણાવ્યા પ્રમાણે, લોકોની ટીકાથી તેમની શ્રદ્ધા ઓછી થવાને બદલે સચિન તેંડુલકર પ્રત્યેનું માન-સન્માન વધુ વધ્યું.</p><p><b>દુકાનમાં પણ સચિન તેંડુલકરની પૂજા/અગરબતી&nbsp;</b></p><p>અરવિંદસિંહ ઝાલા પોતાની દુકાનમાં પણ સચિન તેંડુલકરની પૂજા કરે છે. અહીં આવતા કેટલાક લોકો તેમની મજાક કરતા હોવાનું તેઓ જણાવે છે. જોકે સચિન તેંડુલકર વિશે સારું બોલનારા ગ્રાહકો પ્રત્યે તેઓ ખાસ લાગણી ધરાવે છે. અરવિંદસિંહ જણાવે છે કે તેઓ આવા લોકોને ઘણી વખત મફતમાં નાસ્તો પણ કરાવે છે. તેમના પરિવારના તમામ સભ્યો પણ સચિન તેંડુલકરને ભગવાન તરીકે માનવાની આ પરંપરામાં તેમને સહકાર આપે છે.</p><p><img alt="Sachin tendulkar " src="https://epapercdn.sandesh.com/images/2026/09/20/qP9VcY2XcXlPDgQD1Gn5rBROzIXTwA1YHZghlFHA.webp"><br></p><p><b>ઘરના દરેક રૂમમાં સચિન તેંડુલકરની તસવીરો</b></p><p>અરવિંદસિંહ ઝાલાના ઘરના દરેક રૂમ અને ઓસરીમાં સચિન તેંડુલકરની તસવીરો લગાવવામાં આવી છે. સચિન તેંડુલકરે સદી ફટકારી હોય અથવા વર્લ્ડ કપ જીત્યો હોય તેવી અનેક યાદગાર તસવીરો તેમણે સાચવી રાખી છે. તેમની પાસે સચિન તેંડુલકરની તસવીરોના આલ્બમ, ડાયરી અને તસવીરવાળી ઘડિયાળો પણ છે. તેમના ટુ-વ્હીલર અને કારમાં પણ સચિન તેંડુલકરની તસવીરો છે. નાસ્તાની દુકાનની અંદર અને બહાર પણ સચિન તેંડુલકરના ફોટા અને પોસ્ટરો લગાવેલા છે.</p><p><img alt="Sachin tendulkar " src="https://epapercdn.sandesh.com/images/2026/09/20/ZmXtugGvFupNS680P58nb61aBcJtAreQDhfeC5s3.webp"><br></p><p><b>અખબારી કટિંગથી લઈને સચિન તેંડુલકરના નામવાળું ટી-શર્ટ</b></p><p>અરવિંદસિંહ ઝાલાએ સચિન તેંડુલકરની મેચોના અખબારમાં આવેલા કટિંગ પણ સાચવીને ફાઇલ બનાવી છે. મેચ જોવા ગયા ત્યારે ખરીદેલું સચિન તેંડુલકરના નામવાળું ટી-શર્ટ પણ તેમણે આજે સુધી સાચવી રાખ્યું છે. સચિન તેંડુલકરની તસવીરોનો અલગ આલ્બમ પણ તેમણે તૈયાર કર્યો છે. તેમના માટે આ તમામ વસ્તુઓ માત્ર સંગ્રહ નથી, પરંતુ સચિન તેંડુલકર સાથે જોડાયેલી લાગણીઓ અને યાદો છે.</p><p><b>સચિન તેંડુલકરને રૂબરૂ મળ્યા નથી, બે પત્ર મળ્યા</b></p><p>અરવિંદસિંહ ઝાલા હજુ સુધી સચિન તેંડુલકરને રૂબરૂ મળ્યા નથી. જોકે તેમના જણાવ્યા પ્રમાણે સચિન તેંડુલકરે તેમને વર્ષ 2019 અને 2022માં બે પત્ર લખ્યા હતા. આ પત્રોમાં સચિન તેંડુલકરે તેમને શુભકામનાઓ પાઠવી હતી. અરવિંદસિંહના જણાવ્યા પ્રમાણે, સચિન તેંડુલકરે નિવૃત્તિ બાદ અન્ય કામોમાં વ્યસ્ત હોવાના કારણે હાલમાં મળી શકાય તેમ ન હોવાનું જણાવ્યું હતું અને સમય મળશે ત્યારે ચોક્કસ મળવાની વાત કરી હતી.</p><p><img alt="WhatsApp Image 2026-09-20 at 6.14.12 PM" src="https://epapercdn.sandesh.com/images/2026/09/20/V05M2sniEy875S7G5pt7WAcILfW4a9eVc6ee4qgH.webp"><br></p><p><b>સચિન તેંડુલકરના બંગલા પર 3-4 વખત ગયા</b></p><p>સચિન તેંડુલકરને મળવાની ઈચ્છા સાથે અરવિંદસિંહ ઝાલા ત્રણથી ચાર વખત મુંબઈમાં તેમના બંગલા પર ગયા છે. તેમણે સિક્યુરિટીને લેખિતમાં રજૂઆત કરીને સચિન તેંડુલકરને મળવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. અરવિંદસિંહ કહે છે કે સચિન તેંડુલકર ઘરે હાજર ન હોય તો પણ તેઓ નિરાશ થતા નથી. તેમના માટે સચિન તેંડુલકરનું ઘર પણ મંદિર સમાન છે. તેથી તેઓ ત્યાં દર્શન કરીને પરત આવે છે.</p><p><b>સચિન તેંડુલકરના જન્મદિવસે સેવાકીય કાર્યો</b></p><p>સચિન તેંડુલકરના જન્મદિવસની ઉજવણી પણ અરવિંદસિંહ ઝાલા અલગ રીતે કરે છે. તેઓ જન્મદિવસે સેવાકીય કાર્યો કરે છે. ગામના યુવા ક્રિકેટરોની ટીમને બેટનું વિતરણ કરીને પણ સચિન તેંડુલકરનો જન્મદિવસ ઉજવે છે. અરવિંદસિંહના જણાવ્યા પ્રમાણે, સચિન તેંડુલકરના 50મા જન્મદિવસની ઉજવણી દરમિયાન ગામની 350 વિધવા મહિલાઓને સચિન તેંડુલકરની તસવીરવાળી ઘડિયાળ અને સાડી આપવામાં આવી હતી. જન્મદિવસની ઉજવણીમાં તેમના ધારાસભ્ય પણ ઉપસ્થિત રહેતા હોવાનું તેઓ જણાવે છે.</p><p><img alt="WhatsApp Image 2026-09-20 at 6.15.51 PM (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/20/qfcG6hAozsOfkXfZJZVL7glXlLRv5ls7tq7aMU1m.webp"><br></p><p><b>સચિન તેંડુલકરને લખેલા પત્રમાં શું કહ્યું?</b></p><p>અરવિંદસિંહ ઝાલાએ સચિન તેંડુલકરને લખેલા પત્રમાં પોતાની અને પરિવારની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું હતું કે તેઓ અને તેમનો પરિવાર સચિન તેંડુલકરને ભગવાન તરીકે માને છે અને તેમના પ્રત્યક્ષ દર્શન કરવા માંગે છે. અરવિંદસિંહ કહે છે કે સચિન તેંડુલકર તેમને માત્ર 2થી 5 મિનિટનો સમય આપે અને તેમની સાથે મુલાકાત કરે તો પણ તે તેમના જીવનનું મોટું અહોભાગ્ય હશે.</p><p><b>'જય ભારત, જય સચિન' સાથે 34 હજારથી વધુ રન લખ્યા</b></p><p>અરવિંદસિંહ ઝાલા સચિન તેંડુલકરની ક્રિકેટ કારકિર્દી સાથે જોડાયેલી એક અનોખી વસ્તુ પણ કરે છે. તેમના જણાવ્યા પ્રમાણે, સચિન તેંડુલકરે ટેસ્ટ અને વન-ડે ક્રિકેટમાં બનાવેલા 34 હજારથી વધુ રનને 'જય ભારત, જય સચિન' સાથે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં લખ્યા છે. તેઓ આજે પણ આ લખાણ પોતાની મંત્ર બુકમાં લખે છે.</p><p><img alt="Sachin tendulkar " src="https://epapercdn.sandesh.com/images/2026/09/20/1OAHH6olDmsk35jZKwPeDzInpSBUN1DaiegViAGE.webp"><br></p><p><b>2011નો વર્લ્ડ કપ આજે પણ યાદ છે</b></p><p>2011નો વર્લ્ડ કપ અરવિંદસિંહ ઝાલા માટે સચિન તેંડુલકર સાથે જોડાયેલી સૌથી લાગણીસભર યાદોમાંથી એક છે. ભારતે વર્લ્ડ કપ જીત્યો ત્યારે તેમની આંખોમાં હરખના આંસુ આવી ગયા હતા. તેમણે તે સમયે સચિન તેંડુલકર સાથે જોડાયેલા લગભગ 3 હજાર પોસ્ટર પણ છપાવ્યા હતા. સચિન તેંડુલકરે 2013માં નિવૃત્તિ લીધી ત્યારે શંકરસિંહ વાઘેલાના હસ્તે નિવૃત્તિ કાર્યક્રમ યોજાયો હોવાનું પણ તેઓ જણાવે છે.</p><p><b>સચિન તેંડુલકરની 200મી સદી સાથે જોડાયેલો સિલ્વર કૉઇન</b></p><p>અરવિંદસિંહ ઝાલા જણાવે છે કે સચિન તેંડુલકર જે ક્રિસોટલ ઓઇલની જાહેરાતમાં જોવા મળ્યા હતા, ત્યાંના માલિકે તેમને સચિન તેંડુલકરની 200મી સદી સાથે જોડાયેલો સિલ્વર કૉઇન ભેટમાં આપ્યો હતો. આ સિક્કો તેમના માટે ખાસ છે. તેઓ દરરોજ તેના દર્શન કરીને પોતાના કામે જતા હોવાનું જણાવે છે.</p><p><img alt="Sachin tendulkar " src="https://epapercdn.sandesh.com/images/2026/09/20/aDBQ6Jpft6QN6lyLA3AFdKhNOdnTOcjpvWSp9Uey.webp"><br></p><p><b>સચિન તેંડુલકરની પ્રેરણાથી લોકોને મદદ કરવાનો સંકલ્પ</b></p><p>અરવિંદસિંહ ઝાલા માને છે કે સચિન તેંડુલકરની પ્રેરણાથી તેઓ જીવનમાં આગળ આવ્યા છે. સચિન તેંડુલકરને ભગવાન તરીકે માનતા હોવાથી કોઈ ખોટું કામ ન કરવું અને લોકોને મદદરૂપ થવું તેવો તેમનો સંકલ્પ છે. ગામમાં કોઈ યુવાન ક્રિકેટર બનવા માગતો હોય તો તેને પણ મદદ કરવાની તેઓ વાત કરે છે.</p><p><b>ભવિષ્યમાં સચિન તેંડુલકરનું મ્યુઝિયમ બનાવવાનું સપનું</b></p><p>અરવિંદસિંહ ઝાલાનું ભવિષ્યનું એક મોટું સપનું પોતાના ઘરમાં સચિન તેંડુલકર માટે અલગ મ્યુઝિયમ બનાવવાનું છે. મકાનના રિનોવેશન દરમિયાન એક અલગ જગ્યા બનાવી તેમાં સચિન તેંડુલકર સાથે જોડાયેલી તસવીરો, પોસ્ટર, અખબારી કટિંગ અને અન્ય વસ્તુઓ સાચવવાની તેમની ઈચ્છા છે. તેઓ ઈચ્છે છે કે આ મ્યુઝિયમના માધ્યમથી લોકો સચિન તેંડુલકરની ક્રિકેટ કારકિર્દી અને તેમના જીવન વિશે જાણી શકે.</p><p><img alt="Sachin tendulkar " src="https://epapercdn.sandesh.com/images/2026/09/20/NaTtDQBhJ6QQDwmXEaLkSzU2OpGeRplCv57K5rKL.webp"><br></p><p><b>સચિન તેંડુલકર જ મારા ભગવાન છે</b></p><p>અરવિંદસિંહ ઝાલા કહે છે કે સચિન તેંડુલકર પ્રત્યેની તેમની શ્રદ્ધા જીવનભર રહેશે. તેઓ સચિન તેંડુલકરની પૂજા કરતા રહેશે અને તેમની પ્રેરણાથી લોકોની મદદ કરતા રહેવાનો સંકલ્પ ધરાવે છે. તેમના શબ્દોમાં, "સચિન તેંડુલકર જ મારા ભગવાન છે. Sachin Is My God. અમે કાયમ માટે સચિન તેંડુલકરની પૂજા કરતા રહીશું."</p><p><b><a href="https://sandesh.com/cricket/news/despite-being-away-from-the-field-sachin-tendulkars-magic-remains-intact-in-the-market-brand-value-crosses-rs-1200-crore" target="_blank">આ પણ વાંચો: મેદાનથી દૂર છતાં માર્કેટમાં સચિન તેંડુલકરનો જાદુ અકબંધ, 1200 કરોડને પાર પહોંચી બ્રાન્ડ વેલ્યુ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/rh9apfGLsGO8yzf8j6QHGxvmJjI3RiamAzhbU4T7.webp'/></item><item><title><![CDATA[Shah Rukh Khanની કિંગમાં થઈ હનુમાન અંશ એક્ટરની એન્ટ્રી, ક્યારેક દૂરદર્શનની સીરિયલ્સમાં કરતો હતો કામ ]]></title><link>https://sandesh.com/entertainment/news/shah-rukh-khan-king-hanuman-ansh-actor</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/shah-rukh-khan-king-hanuman-ansh-actor</guid><pubDate>Sun, 20 Sep 2026 17:15:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુપરસ્ટાર શાહરૂખ ખાનની આગામી ફિલ્મ કિંગમાં તમને હનુમાન અંશનો એક એક્ટર પણ જોવા મળશે. અત્યારે થિયેટરોમાં ફિલ્મ હનુમાન અંશ દર્શકોનું ભરપૂર મનોરંજન કરી રહી છે. નીમ કરોલી બાબાની બાયોપિક આ ફિલ્મની સ્ટોરી અને કાસ્ટની કમાલની એક્ટિંગના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે. હવે સમાચાર આવી રહ્યા છે કે હનુમાન અંશના એક એક્ટરને શાહરૂખ ખાનની આગામી ફિલ્મ કિંગ મળી ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>હનુમાન અંશના કલાકારની કિંગમાં એન્ટ્રી</b></h2><p style="text-align: justify; ">જાણો કે હનુમાન અંશનો તે કયો કલાકાર છે જે આવનારા સમયમાં શાહરૂખની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ કિંગમાં પોતાના દમદાર અભિનયની છાપ છોડતો જોવા મળશે. લાંબા સમયથી શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ કિંગની ચર્ચા ચાલી રહી છે. પઠાન અને વોર જેવી સફળ ફિલ્મો બનાવનાર ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદના ડિરેક્શનમાં બનેલી કિંગની કાસ્ટને લઈને હવે લેટેસ્ટ અપડેટ સામે આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>ચંદન આનંદે પોતે કરી પુષ્ટિ</b></h2><p style="text-align: justify; ">હનુમાન અંશ ફિલ્મમાં ડોક્ટર રામ નંદન ભોસલેનું પાત્ર ભજવનાર એક્ટર ચંદન કે. આનંદે હાલમાં જ દૈનિક જાગરણ સાથેની વાતચીતમાં આ વાતની પુષ્ટિ કરી છે કે તે કિંગ ફિલ્મનો હિસ્સો બની ગયો છે. ચંદને જણાવ્યું કે હનુમાન અંશ ફિલ્મ પછી મને ઘણા મોટા પ્રોજેક્ટ મળ્યા છે, જેમાં સુપરસ્ટાર શાહરૂખ ખાનની ચર્ચિત ફિલ્મ કિંગનું નામ પણ સામેલ છે. આ ફિલ્મમાં તમે મને એક મહત્વના પાત્રમાં જોશો.<br><img alt="Shah Rukh Khan King movie cast (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/20/SKhkzVq1VBtZvKOVwp5nKzf7SRCoxQfJ0PX9Ppyv.webp"><br></p><h4 style="text-align: justify; "><b>મોટા સુપરસ્ટાર્સ સાથે ચમકી કિસ્મત</b></h4><p style="text-align: justify; ">ચંદન કે. આનંદના આ નિવેદન પછી સ્પષ્ટ થઈ ગયું છે કે હનુમાન અંશની સફળતાથી તેનું નસીબ ચમકી ગયું છે અને એક્ટર તરીકે આવનારા સમયમાં તે શાહરૂખ જેવા મોટા સુપરસ્ટાર્સ સાથે કામ કરતો જોવા મળશે. આ પહેલાં ચંદન સુપરસ્ટાર રિતિક રોશન અને અનિલ કપૂર સાથે ફાઈટર ફિલ્મમાં સ્ક્રીન શેર કરી ચૂક્યો છે. આટલું જ નહીં, એક્ટર તરીકે ચંદન આનંદે 1 દાયકા સુધી દુરદર્શન ટીવી ચેનલના જબ જબ બહાર આયે અને ધર્મક્ષેત્ર જેવા ઘણા ટીવી સિરિયલ્સમાં કામ કર્યું છે.</p><h5 style="text-align: justify; "><b>કિંગ ફિલ્મની સ્ટાર કાસ્ટ અને રિલીઝ</b></h5><p style="text-align: justify; ">શાહરૂખ ખાનની આગામી ફિલ્મ કિંગની કાસ્ટની વાત કરીએ તો ચંદન આનંદ સિવાય આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, સુહાના ખાન, રાઘવ જુયાલ, અનિલ કપૂર, જેકી શ્રોફ, જયદીપ અહલાવત અને સૌરભ શુક્લા જેવા કલાકારો મહત્વના રોલમાં જોવા મળશે. કિંગ ફિલ્મ 24 ડિસેમ્બર 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/toxic-highest-grossing-south-film-2026" target="_blank">આ પણ વાંચો-KGF Star Yash : ફ્લોપ થવા છતાં ટોક્સિકનો રેકોર્ડ, બની 2026ની હાઇએસ્ટ ગ્રોસિંગ સાઉથ ફિલ્મ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/RPolsmEeQmA6SFidx99e4npdBKrhXpxg9OezV8yT.webp'/></item></channel></rss>