<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Rajkot : વ્યાજખોરોની દાદાગીરી: પોલીસ કોન્સ્ટેબલને જાનથી મારી નાખવાની ધમકી આપી ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/rajkot/rajkot-policeman-threatened-by-money-lenders-over-loan</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/rajkot/rajkot-policeman-threatened-by-money-lenders-over-loan</guid><pubDate>Mon, 17 Aug 2026 09:24:19 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ અને હિંમત એટલી વધી ગઈ છે કે હવે કાયદાના રક્ષક ગણાતા પોલીસકર્મીઓ પણ સુરક્ષિત રહ્યા નથી. રાજકોટમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ સિંધવને વ્યાજખોરો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. મૃતક મોટા ભાઈએ લીધેલા નાણાં ચૂકવી આપવા માટે વ્યાજખોરોએ આ પોલીસમેનને ધમકાવ્યા હોવાનું સામે આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>કોન્સ્ટેબલના મોટા ભાઈએ આપઘાત કર્યો હતો</b></h2><p style="text-align: justify; ">ઘટનાની વિગત મુજબ, અમદાવાદ ખાતે રહેતા કોન્સ્ટેબલના મોટા ભાઈ મહાવીરસિંહ સિંધવે ગત 9 જૂનના રોજ પોતાના ફ્લેટમાં આપઘાત કરી લીધો હતો. મૃતકના આકસ્મિક અવસાન બાદ પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. જોકે, મૃતક મહાવીરસિંહે વ્યાજે નાણાં લીધા હોવાની બાબતથી તેમનો સમગ્ર પરિવાર સાવ અજાણ હતો.</p><h3 style="text-align: justify; "><b>બેસણાના દિવસે જ વ્યાજખોરોએ આવીને ધમકી આપી&nbsp;</b></h3><p style="text-align: justify; ">દુઃખદ બાબત એ છે કે, અમદાવાદમાં મૃતકના બેસણાના દિવસે જ વ્યાજખોરો પોતાના ટોળા સાથે આવી પહોંચ્યા હતા અને નાણાંની ઉઘરાણી કરીને ધમકી આપી હતી.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>1.35 કરોડ વ્યાજે લીધા હોવાનો આરોપ&nbsp;</b></h4><p style="text-align: justify; ">વ્યાજખોરોએ દાવો કર્યો હતો કે મૃતક મહાવીરસિંહે તેમની પાસેથી Rs 1.35 કરોડ વ્યાજે લીધા હતા, અને હવે આ રકમ તેમના ભાઈ ક્રિપાલસિંહે ચૂકવવી પડશે. વ્યાજખોરોએ પોલીસમેન ક્રિપાલસિંહને જાનથી મારી નાખવાની ખુલ્લેઆમ ધમકી આપી હતી.</p><h4 style="text-align: justify; "><b>કોન્સ્ટેબલે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી</b>&nbsp;</h4><p style="text-align: justify; ">આ મામલે પીડિત પોલીસ કોન્સ્ટેબલે હિંમત દાખવીને સુરેન્દ્રનગરના રાજા રાતડિયા અને રમેશ વરૂ નામના વ્યાજખોરો વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવી છે. સમગ્ર બનાવ અંગે રાજકોટના પ્રદ્યુમન નગર પોલીસ મથકે ગુનો નોંધીને વ્યાજખોરો સામે કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp;&nbsp;<a href="https://sandesh.com/gujarat/news/patan/patan-radhanpur-folk-singer-kinjal-rabari-marriage-mukesh-rabari" target="_blank"><b> Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/17/L7FTuEZ3Veabwm2iJ2nAkdkqlenKeoAPz5IvwDxt.webp'/></item><item><title><![CDATA[Suratના ચોક બજારમાં ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા યુવકની સરેઆમ ધાતકી હત્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/a-young-man-with-a-criminal-background-was-brutally-murdered-in-surats-chowk-bazaar</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/a-young-man-with-a-criminal-background-was-brutally-murdered-in-surats-chowk-bazaar</guid><pubDate>Mon, 17 Aug 2026 08:47:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં આજે હત્યાનો એક સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. ચોક બજાર વિસ્તારમાં અજાણ્યા ઇસમો દ્વારા કલ્પેશ પારઘી નામના યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે તાબડતોબ હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા કલ્પેશ પારઘીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. આ લોહિયાળ ખેલ ખેલ્યા બાદ ગુનો આચરનાર હત્યારાઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. દિવસદહાડે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફડાતફડી અને ભયનો માહોલ સર્જાયો હતો.</p><h2 style="text-align: justify; "><b>મૃતક પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે&nbsp;</b></h2><p style="text-align: justify; ">પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક કલ્પેશ પારઘી પોતે પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો. તેની સામે અગાઉ પણ પોલીસ મથકમાં ગુના નોંધાયેલા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આથી, આ હત્યા કોઈ જૂની અદાવત, ગેંગવોર કે અંગત મનદુઃખના કારણે કરવામાં આવી હોવાની આશંકા સેવાઈ રહી છે. ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા યુવકની આ પ્રકારે દિનદહાડે હત્યા થતાં સ્થાનિક ગુનાખોરીના સમીકરણો અંગે પણ અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે.</p><h3 style="text-align: justify; "><b>પોલીસની દોડધામ અને તપાસનો ધમધમાટ&nbsp;</b></h3><p style="text-align: justify; ">હત્યાના બનાવની જાણ થતાં જ ચોક બજાર પોલીસ મથકનો કાફલો તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને કબ્જે કરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. ચોક બજાર પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર થયેલા હત્યારાઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. બનાવ સ્થળની આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસવાની સાથે બાતમીદારોને સક્રિય કરી પોલીસે હત્યારાઓનું સગડ મેળવવા વધુ તપાસ તેજ કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/17/cIK1qX1waKRMVHeOf1a8ZNKEBupbH5KDJWMjVJG9.webp'/></item><item><title><![CDATA[Somnath મંદિરમાં પવિત્ર શ્રાવણના પ્રથમ સોમવારે ઉમટ્યું શિવભક્તોનું મહેરામણ! ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gir-somnath/shiva-devotees-thronged-the-somnath-temple-on-the-first-monday-of-the-holy-month-of-shravan</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gir-somnath/shiva-devotees-thronged-the-somnath-temple-on-the-first-monday-of-the-holy-month-of-shravan</guid><pubDate>Mon, 17 Aug 2026 08:30:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા દેવાધિદેવ સોમનાથ મહાદેવના મંદિરે ભક્તિનો અનન્ય માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારે 4 વાગ્યાથી જ સોમનાથ મંદિરના દ્વાર ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા હતા. શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જ દેવાધિદેવના દર્શન કરી ધન્યતા અનુભવવા માટે દુર-દુરથી શિવભક્તોનું ઘોડાપૂર સોમનાથ ખાતે ઉમટી પડ્યું હતું. સમગ્ર સોમનાથ ધામ ‘હર હર મહાદેવ’ અને ‘જય સોમનાથ’ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ અત્યંત શિવમય અને પવિત્ર બની ગયું હતું.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><img alt="Long queues for darshan at Somnath temple" src="https://epapercdn.sandesh.com/images/2026/08/17/yuJTSx9Edd2mmKf4t4W43WMZaY1ZdWAsphHUfN1D.webp"><br></p><p style="text-align: justify; "><br></p><h2 style="text-align: justify; "><b>ભક્તો માટે સોમનાથ ટ્રસ્ટની સુંદર વ્યવસ્થા&nbsp;</b></h2><p style="text-align: justify; ">સોમનાથ મંદિરે શ્રાવણી સોમવાર નિમિત્તે ઉમટેલી શ્રદ્ધાળુઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને સોમનાથ ટ્રસ્ટ અને સ્થાનિક તંત્ર દ્વારા વ્યાપક તેમજ સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું. દર્શનાર્થીઓને સરળતાથી અને ઝડપથી દર્શન થઈ શકે તે માટે ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. ભક્તો માટે પીવાના પાણી, છાંયડા તથા ઈમરજન્સી મેડિકલ સેવાઓની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત મંદિરની સુરક્ષા વ્યવસ્થાને સઘન બનાવીને ભીડનું યોગ્ય નિયંત્રણ કરવામાં આવ્યું હતું, જેથી કોઈ પણ દર્શનાર્થીને અગવડતાનો સામનો ન કરવો પડે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><img alt="Long queues for darshan at Somnath temple" src="https://epapercdn.sandesh.com/images/2026/08/17/xGV0LeibDukcRM2c46ZA44eySi4VvJuSCZ9IRnGr.webp"><br></p><p style="text-align: justify; "><br></p><h3 style="text-align: justify; "><b>શાંતિપૂર્ણ માહોલમાં ભાવિકોએ કર્યા દર્શન&nbsp;</b></h3><p style="text-align: justify; ">તમામ વ્યવસ્થાઓના સુંદર સંકલનને કારણે ખૂબ જ શાંતિપૂર્ણ અને શ્રદ્ધાપૂર્વકના માહોલમાં શિવભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન તથા જળાભિષેકનો લાભ લીધો હતો. ભાવિકોએ લાઈનમાં શિસ્તબદ્ધ ઉભા રહીને મહાદેવના પૂજન-અર્ચન કર્યા હતા. સોમનાથ મહાદેવનું વિશેષ શૃંગાર દર્શન અને મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેનો લાભ લઈ તમામ શ્રદ્ધાળુઓએ કૃતાર્થતા અનુભવી હતી. આમ, શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ ધામ ખાતે ભક્તિ, શ્રદ્ધા અને સુવ્યવસ્થાનો અદ્ભુત ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/17/cUV9vHyOu98fkMw55Fk4BbobkDSdGfzJRmPmvysP.webp'/></item><item><title><![CDATA[Toxic માં કિયારા-તારા સાથેના ઇન્ટિમેટ સીન્સ પર પત્ની રાધિકાનું કેવું છે રિએકશન, યશે કર્યો ખુલાસો ]]></title><link>https://sandesh.com/entertainment/news/yash-reveals-wife-radhikas-reaction-to-kiara-and-taras-intimate-scenes-in-toxic</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/yash-reveals-wife-radhikas-reaction-to-kiara-and-taras-intimate-scenes-in-toxic</guid><pubDate>Mon, 17 Aug 2026 08:30:02 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુપરસ્ટાર યશ પોતાની આગામી બહુચર્ચિત ફિલ્મ 'ટોક્સિક'ને લઈને સતત ચર્ચામાં છે. આ ફિલ્મમાં યશ બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી અને તારા સુતારિયા સાથે કેટલાક ઘનિષ્ઠ (ઇન્ટિમેટ) અને બોલ્ડ સીન્સ આપતો જોવા મળશે. હાલમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન યશે ખુલાસો કર્યો હતો કે સ્ક્રીન પર આવા દ્રશ્યો જોઈને તેની પત્ની રાધિકા પંડિત કેવું અનુભવશે અને તેમની વચ્ચેનું બોન્ડિંગ કેવું છે.</p><p style="text-align: justify; "><b>પત્ની રાધિકા પંડિતની પ્રતિક્રિયા પર યશનું નિવેદન</b></p><p style="text-align: justify; ">'આપ કી અદાલત' શોમાં પોતાના ઓન-સ્ક્રીન ઇન્ટિમેટ સીન્સ વિશે વાત કરતા યશે સ્વીકાર્યું કે આવા દ્રશ્યો કરવા તેના માટે પણ સરળ નહોતા. તેણે કહ્યું, "હું પોતે મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને આ કામ કરી રહ્યો છું, કારણ કે વાર્તાની એવી માંગ હતી. સ્વાભાવિક છે કે મારી પત્ની મને સ્ક્રીન પર આવા દ્રશ્યોમાં જોઈને ખુશ નહીં થાય, પરંતુ તેનો અર્થ એ નથી કે તે મારાથી નારાજ કે ગુસ્સે થશે. તેને મારા પર પૂરો વિશ્વાસ છે." યશે વધુમાં ઉમેર્યું કે રાધિકા ખૂબ જ સમજુ છે અને તે અંગત સંબંધો તથા વ્યાવસાયિક જીવન (પ્રોફેશનલ લાઈફ) વચ્ચેનો તફાવત સારી રીતે સમજે છે. કેમેરા સામે કામ કરતી વખતે તે ફક્ત એક કલાકાર તરીકે પોતાની ભૂમિકા ભજવી રહ્યો છે તે વાત રાધિકા સારી રીતે જાણે છે.</p><h3 style="text-align: justify; "><b>ઓન-સ્ક્રીન ઇન્ટિમેટ સીન્સ વિશે યશના વિચારો</b></h3><p style="text-align: justify; ">કોઈપણ જીવનસાથી માટે પોતાના પાર્ટનરને સ્ક્રીન પર બોલ્ડ અવતારમાં જોવો અસ્વસ્થતાભર્યો હોઈ શકે છે તે વાતનો યશે મુક્તપણે સ્વીકાર કર્યો હતો. તેણે જણાવ્યું, "દરેક જીવનસાથી માટે આવા દ્રશ્યો જોવા અસ્વસ્થ કરનારા હોય છે અને હું આ બાબતે કોઈ ખોટા દાવા કરવા નથી માંગતો. પરંતુ ફિલ્મ નિર્માણ એક કળા છે અને ક્યારેક પ્લોટ કે વાર્તાની જરૂરિયાત મુજબ આવા સીન્સ કરવા પડે છે."</p><h4 style="text-align: justify; "><b>ફિલ્મ 'ટોક્સિક' વિશે</b></h4><p style="text-align: justify; ">ગીતુ મોહનદાસના દિગ્દર્શનમાં બની રહેલી ફિલ્મ 'ટોક્સિક'માં યશ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં કિયારા અડવાણી અને તારા સુતારિયા ઉપરાંત દક્ષિણની લેડી સુપરસ્ટાર નયનતારા અને હુમા કુરેશી પણ મહત્વના રોલમાં જોવા મળશે. આ મોસ્ટ અવેટેડ ફિલ્મ 26 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/national-award-winning-filmmaker-raja-sen-passes-away-at-71" target="_blank">આ પણ વાંચો : Raja Sen : રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મમેકર રાજા સેનનું નિધન, 71 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/17/9GbXuLgJtUjXpkeXKdBwjWvyckDba7s1I3XYqXS4.webp'/></item><item><title><![CDATA[Biharના લખીસરાયના અશોકધામમાં નાસભાગ, 7 મહિલા શ્રદ્ધાળુઓનાં મોત ]]></title><link>https://sandesh.com/india/news/devastation-at-ashok-dham-in-lakhisarai-bihar-7-female-devotees-die</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/devastation-at-ashok-dham-in-lakhisarai-bihar-7-female-devotees-die</guid><pubDate>Mon, 17 Aug 2026 08:09:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બિહારના લખીસરાયના પ્રસિદ્ધ અશોકધામ મંદિરમાં એક દુઃખદ અકસ્માત સર્જાયો.&nbsp; શ્રાવણના સોમવારે ભગવાન શિવનો જલાભિષેક કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. આ દરમિયાન શ્રદ્ધાળુઓની વચ્ચે વીજળીનો તાર તૂટી પડતાં અચાનક નાસભાગ મચી ગઈ. આ દુર્ઘટનામાં સાત મહિલા શ્રદ્ધાળુઓનાં કરૂણ મોત થયા છે, જ્યારે એક ડઝનથી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2089183516156428646"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; ">મંદિર પરિસરમાં ભારે ભીડ વચ્ચે અચાનક વીજળીનો તાર પડી જતાં લોકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વીજળીનો તાર પડતાં જ શ્રદ્ધાળુઓ ગભરાઈને સલામત સ્થળ તરફ દોડવા લાગ્યા હતા. જેના કારણે અચાનક નાસભાગ મચી ગઈ હતી.</p><h3 style="text-align: justify; "><b>&nbsp;ભગવાન શિવના જલાભિષેક માટે લાઇનમાં ઊભા હતા</b></h3><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2089181833229684962"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><b></b></p><p style="text-align: justify; ">ઘટના સમયે અનેક શ્રદ્ધાળુઓ ભગવાન શિવના જલાભિષેક માટે લાઇનમાં ઊભા હતા. અચાનક બનેલી આ ઘટનાથી લોકોને શું થયું તે સમજાય તે પહેલાં જ ભીડમાં નાસભાગ શરૂ થઈ ગઈ હતી. એકબીજાને બચાવવા માટે લોકો દોડવા લાગ્યા હતા. આ દરમિયાન અનેક શ્રદ્ધાળુઓ નીચે પડી ગયા હતા અને તેમની ઉપરથી અન્ય લોકો પસાર થતાં સ્થિતિ વધુ ગંભીર બની હતી. ખાસ કરીને કેટલીક મહિલાઓ ભીડમાં ફસાઈ ગઈ હતી અને દબાઈ જવાથી તેમના મોત થયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ દુર્ઘટનામાં કુલ સાત શ્રદ્ધાળુઓનાં મોત થયાં છે, જ્યારે એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.</p><h4 style="text-align: justify; "><b>દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્રની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ</b></h4><p style="text-align: justify; ">દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્રની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સાથે જ મેડિકલ ટીમોને પણ સ્થળ પર મોકલવામાં આવી હતી. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે લખીસરાય સદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં કેટલાક ઘાયલોની સ્થિતિ ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તબીબોની ટીમ ઘાયલોની સારવારમાં લાગી ગઈ છે. બીજી તરફ પોલીસ અને રાહત-બચાવ ટીમો દ્વારા મંદિર પરિસરમાં બચાવ કામગીરી ઝડપી બનાવવામાં આવી હતી.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2089188293791608853"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; ">ઘટના બાદ મંદિર પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી હતી. વહીવટી અધિકારીઓએ ભીડને નિયંત્રિત કરીને સ્થિતિને સામાન્ય બનાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. શ્રદ્ધાળુઓને શાંતિ જાળવવા અને વ્યવસ્થામાં સહકાર આપવા માટે અપીલ કરવામાં આવી હતી. ઘટનાને પગલે મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.</p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/17/7fVuwSVvtJotRtCH55q0xHxV51KQ1HGbf72NEtgN.webp'/></item><item><title><![CDATA[Weather Update: બિહારથી લઇને યુપી સુધી 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, ઓડિશામાં પૂરની પરિસ્થિતિ ]]></title><link>https://sandesh.com/india/news/weather-update-heavy-rain-15-states-imd-alert</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/weather-update-heavy-rain-15-states-imd-alert</guid><pubDate>Mon, 17 Aug 2026 08:02:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બંગાળની ખાડીમાં સર્જાયેલા નવા ડિપ્રેશન અને ચક્રવાતી પરિભ્રમણને કારણે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિત દેશભરના ૧૫ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ચોમાસુ હાલ ઉત્તર-પશ્ચિમ ભારતમાં અત્યંત સક્રિય બન્યું છે, જેના કારણે સપ્તાહ દરમિયાન વિવિધ વિસ્તારોમાં સારો વરસાદ પડવાની પૂરી શક્યતા છે.</p><h2 style="text-align: justify; "><b>આ રાજ્યોમાં રહેશે વરસાદનો પ્રકોપ</b></h2><p style="text-align: justify; ">હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી અને દક્ષિણપશ્ચિમ રાજસ્થાન પર બનેલી ચક્રવાતી સિસ્ટમને લીધે ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આસામ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. આ સમયગાળા દરમિયાન અનેક સ્થળોએ ભારે પવન ફૂંકાવાની સાથે વાવાઝોડા જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે.</p><h3 style="text-align: justify; "><b>પર્વતીય રાજ્યો અને મધ્ય ભારતમાં 'ઓરેન્જ એલર્ટ'</b></h3><p style="text-align: justify; ">હવામાન વિભાગે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરતા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને અતિભારે વરસાદનું જોખમ રહેલું છે, જેને લઈને તંત્રને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે. દિલ્હી-એનસીઆર (NCR) વિસ્તારમાં પણ હવામાનમાં પલટો આવવાની અપેક્ષા છે.</p><h4 style="text-align: justify; "><b>ઓડિશામાં પૂર જેવી સ્થિતિ અને સરકારી રજાઓ રદ</b></h4><p style="text-align: justify; ">સતત બે દિવસથી વરસી રહેલા મૂશળધાર વરસાદને કારણે ઓડિશાના અનેક જિલ્લાઓમાં પૂર જેવી ભયાનક સ્થિતિ સર્જાઈ છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા તમામ સત્તાવાર રજાઓ રદ કરવામાં આવી છે અને રજા પર રહેલા અધિકારીઓ અને કર્મચારીઓને તાત્કાલિક ફરજ પર હાજર થવાના આદેશ અપાયા છે.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/AHindinews/status/2089097531389313294"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h5 style="text-align: justify; "><b>પૂર પ્રભાવિત રાજયોમાં શાળા કોલેજો બંધ</b></h5><p style="text-align: justify; ">હવામાન વિભાગે બાલાસોર, ભદ્રક, જાજપુર, મયુરભંજ અને કેઓંઝર જિલ્લામાં વિશેષ ચેતવણી જારી કરી છે.સુરક્ષાના ભાગરૂપે અત્યાર સુધીમાં ૨.૩૭ લાખથી વધુ લોકોને સુરક્ષિત રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે.પૂર પ્રભાવિત વિસ્તારોમાં શૈક્ષણિક સંસ્થાઓ (શાળાઓ અને કોલેજો) બંધ રાખવામાં આવી છે અને રાહત-બચાવ ટીમો તૈનાત છે.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/Indiametdept/status/2088916936247869755"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h6 style="text-align: justify; "><b>પશ્ચિમ બંગાળમાં તંત્ર સજ્જ</b></h6><p style="text-align: justify; ">ઓડિશાના પડોશી રાજ્ય પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. બાંકુરા, ઝારગ્રામ, હાવડા, કોલકાતા, દુર્ગાપુર, પશ્ચિમ મેદિનીપુર, માલદા, કાલિમપોંગ, જલપાઇગુડી અને પૂર્વ બર્ધમાન જિલ્લાઓમાં વરસાદને લઈને નાગરિકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. કોલકાતા શહેરમાં પણ સતત વરસાદી માહોલ જામ્યો છે. ગામી દિવસોમાં આ અઠવાડિયે ચોમાસાની આ મજબૂત સિસ્ટમ દેશના મોટાભાગના વિસ્તારોમાં સક્રિય રહેશે, જેથી વહીવટી તંત્ર દ્વારા તમામ જરૂરી આગોતરા પગલાં લેવામાં આવી રહ્યા છે.<br></p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/jharkhand-protest-jpsc-jssc-students-government-meeting-august-17" target="_blank">આ પણ વાંચોઃ Jharkhand Protest : વિદ્યાર્થીઓ સાથે 17 ઓગસ્ટે બેઠક કરશે સરકાર, રાંચીમાં વિદ્યાર્થીઓનું આંદોલન યથાવત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/17/GATir44v72gQdwzPSBwvCacX7bRDnlNjYvHPMyNV.webp'/></item><item><title><![CDATA[Dahej GIDCમાં વહેલી સવારે ભયંકર આગ: ધુમાડાના ગોટેગોટા છવાયા ]]></title><link>https://sandesh.com/gujarat/breakingnews/bharuch/dahej-gidc-company-fire-accident-bharuch-news</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/breakingnews/bharuch/dahej-gidc-company-fire-accident-bharuch-news</guid><pubDate>Mon, 17 Aug 2026 07:55:44 +05:30</pubDate><description><![CDATA[<div style="text-align: justify; ">ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા દહેજ GIDCમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દહેજ GIDCમાં આવેલી એક અગ્રણી કંપનીમાં વહેલી સવારે અચાનક ભયંકર આગ લાગવાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઉત્પાદન પ્રોસેસ દરમિયાન એકાએક ફાટી નીકળેલી આ આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.</div><div style="text-align: justify;"><br></div><h2 style="text-align: justify;"><b>દહેજ સ્થિત 'વિઝન પ્રોડક્ટ્સ' કંપનીમાં આગ</b></h2><div style="text-align: justify;"><br></div><div style="text-align: justify;">&nbsp;દહેજ સ્થિત 'વિઝન પ્રોડક્ટ્સ' કંપનીમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી ગઈ છે. કંપનીના વેરહાઉસમાં કોઈ કારણોસર આગ લાગ્યા બાદ જોતજોતામાં તેણે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી ભયાનક છે કે તેની ઊંચી અગનજ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી નજરે પડી રહ્યા છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે.</div><div style="text-align: justify;"><br></div><h2 style="text-align: justify;"><b>કાળા ડીબંગ ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી  જોવા મળ્યા&nbsp;</b></h2><div style="text-align: justify;"><br></div><div style="text-align: justify;">આગ એટલી વિકરાળ હતી કે કંપની પરિસરમાંથી કાળા ડીબંગ ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા. ઘટના અંગે સ્થાનિકો અને કંપનીના સુરક્ષાકર્મીઓ દ્વારા તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દહેજ અને આસપાસના વિસ્તારોમાંથી ફાયર ફાઈટરોનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.</div><div style="text-align: justify;"><br></div><h3 style="text-align: justify;"><b>ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે</b></h3><div style="text-align: justify;"><br></div><div style="text-align: justify; ">આગની જાણ થતાં જ ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓ, સ્થાનિક પોલીસ તેમજ વહીવટી તંત્રની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરો દ્વારા હાલ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના ભગીરથ પ્રયાસો સતત ચાલુ રાખવામાં આવ્યા છે. પોલીસ કાફલાએ સુરક્ષાના ભાગરૂપે કંપનીની આસપાસનો વિસ્તાર સીલ કરી દીધો છે.</div><h4><div style="text-align: justify;"><b><br></b></div><b><div style="text-align: justify;"><b style="font-size: 1.5rem;">યુદ્ધના ધોરણે કામગીરી શરૂ</b></div></b></h4><div style="text-align: justify;"><br></div><div style="text-align: justify;">ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળ તરફ રવાના કરી દેવામાં આવી છે. ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. વેરહાઉસમાં કયો માલસામાન રાખેલો હતો અને આગ લાગવાનું ચોક્કસ કારણ શું છે તે અંગે વધુ વિગતો મેળવાઈ રહી છે.&nbsp; &nbsp;</div><div style="text-align: justify;"><br></div><div style="text-align: justify;">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/patan/patan-radhanpur-folk-singer-kinjal-rabari-marriage-mukesh-rabari" target="_blank"><b>Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન</b></a></div><div style="text-align: justify;"><br></div> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/17/oYdeV39tOQPCFfkPBTe3norEvQJ6ihdpdm1rUXYp.webp'/></item><item><title><![CDATA[Monsoon 2026 : ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી ]]></title><link>https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-gujarat-weather-forecast-4-rain-systems-active-widespread-rainfall</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-gujarat-weather-forecast-4-rain-systems-active-widespread-rainfall</guid><pubDate>Mon, 17 Aug 2026 07:37:51 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં આજે પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે.. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં એકસાથે 4 જેટલી વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે. આ સિસ્ટમોના પ્રભાવ હેઠળ આગામી 24 થી 48 કલાક દરમિયાન સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેશે અને સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે.</p><h2 style="text-align: justify; "><b>માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક સૂચના</b></h2><p style="text-align: justify; ">હવામાન વિભાગ દ્વારા આપેલા એલર્ટ બાદ તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે. દરિયામાં ભારે પવન અને ઊંચા મોજા ઉછળવાની વિષમ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરક્ષાના ભાગરૂપે આ પગલું ભરવામાં આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>ઉત્તર ગુજરાતમાં વરસાદ રહેશે</b></h2><p style="text-align: justify; ">વિસ્તારવાર આગાહી પર નજર કરીએ તો, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં વરસાદી માહોલ રહેશે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ&nbsp;</b></h3><p style="text-align: justify; ">જ્યારે  ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં પણ વાદળો ગરજશે. ખાસ કરીને અમદાવાદમાં દિવસ દરમિયાન વરસાદી ઝાપટાં પડવાની પૂર્ણ શક્યતા છે</p><h4 style="text-align: justify; "><b>દક્ષિણ ગુજરાતમાં પણ વરસશે વરસાદ</b></h4><p style="text-align: justify; ">દક્ષિણ ગુજરાતમાં નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં  પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; <a href="https://sandesh.com/gujarat/news/patan/patan-radhanpur-folk-singer-kinjal-rabari-marriage-mukesh-rabari" target="_blank"><b>&nbsp;Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/17/1mPj70EnQiWRtq3RibjxtlAyKs6yifHm7NkO3CxZ.webp'/></item><item><title><![CDATA[Hockey World Cupમાં ભારતીય વિમેન્સ ટીમની મજબૂત શરૂઆત, ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા ચીનને 2-2થી ડ્રો પર રોક્યું ]]></title><link>https://sandesh.com/sports/news/india-women-vs-china-hockey-world-cup-draw</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india-women-vs-china-hockey-world-cup-draw</guid><pubDate>Sun, 16 Aug 2026 22:19:07 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હોકી વર્લ્ડકપમાં પહેલી જ મેચમાં ભારતીય મહિલા ટીમે દર્શાવ્યું કે આ વખતે તેમનું ધ્યાન ફક્ત ભાગ લેવા પર નહીં, પરંતુ મોટી ટીમોને પડકારવા પર છે. કેપ્ટન સલીમા ટેટેના નેતૃત્વમાં ભારતીય ટીમે 16 ઓગસ્ટના રોજ એમ્સ્ટલવીનના વેગનર હોકી સ્ટેડિયમ ખાતે ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા ચીનને 2-2 થી ડ્રો કરીને ટુર્નામેન્ટમાં મજબૂત શરૂઆત કરી.&nbsp;</p><p style="text-align: justify;">ભારત માટે નવનીત અને દીપિકાએ ગોલ કર્યા. ભારતીય ટીમે 2 વાર લીડ લીધી, પરંતુ ચીને દરેક વખતે સ્કોર બરાબર કરવા માટે વળતો પ્રહાર કર્યો. અંતિમ ક્વાર્ટરમાં બંને ટીમોએ નિર્ણાયક ગોલ કરવાનો બેસ્ટ પ્રયાસ કર્યો, પરંતુ કોઈ પણ સફળ થયું નહીં, અને મેચ ડ્રોમાં સમાપ્ત થઈ. અગાઉ ભારતીય પુરુષ ટીમે વેલ્સને હરાવીને તેમના ટુર્નામેન્ટ અભિયાનની શરૂઆત જીત સાથે કરી હતી.</p><h2 style="text-align: justify;"><b>નવનીતે શરૂઆતની લીડ લીધી</b></h2><p style="text-align: justify;">ભારતે મેચની શરૂઆત આક્રમક રીતે કરી. પાંચમી મિનિટમાં લાલરેમસિયામીએ ભારત માટે પેનલ્ટી કોર્નર મેળવ્યો. નવનીતે શોટ લીધો, પરંતુ ચીનના ડિફેન્સે તેને રોકી દીધો. પરંતુ 3 મિનિટ પછી ભારતે પોતાનો ગોલ નોંધાવ્યો. આઠમી મિનિટમાં, નવનીતે નેહાના શાનદાર પાસ પર ગોલ કરીને ભારતને 1-0ની લીડ અપાવી. ભારતની લીડ લાંબો સમય ટકી ન શકી. શિલ્પી દહિયાને સર્કલની અંદર ફાઉલ કરવામાં આવી, જેના કારણે ચીનને પેનલ્ટી સ્ટ્રોક મળ્યો. ઝાંગ યિંગે તકનો લાભ લઈને સ્કોર 1-1 કર્યો.</p><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/TheHockeyIndia/status/2088970225396158718"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3 style="text-align: justify;"><b>ભારતીય ટીમે હાફ ટાઈમ સુધી લીડ મેળવી લીધી</b></h3><p style="text-align: justify;">બીજા ક્વાર્ટરમાં ભારતે ફરીથી દબાણ બનાવવાનું શરૂ કર્યું. 21મી મિનિટે ભારતે પેનલ્ટી કોર્નર મેળવ્યો, પરંતુ તેને કન્વર્ટ કરવામાં નિષ્ફળ ગઈ. 4 મિનિટ પછી દીપિકાએ જમણી બાજુથી એક શાનદાર મૂવ કર્યો, જેનાથી ભારતને બીજો પેનલ્ટી કોર્નર મળ્યો. આ વખતે દીપિકાએ કોઈ ભૂલ કરી નહીં, ડ્રેગ-ફ્લિકથી બોલને નેટમાં મોકલ્યો. પરંતુ બોલ ચીની ડિફેન્ડરને વાગ્યો હતો અને નેટમાં ગયો હતો, તેથી વીડિયો એમ્પાયરે તેને ચેક કર્યો. ગોલ માન્ય જાહેર કરવામાં આવ્યો, અને ભારત 2-1થી આગળ રહ્યું. હાફટાઈમ સુધી સ્કોર યથાવત રહ્યો.</p><h4 style="text-align: justify;"><b>ત્રીજા ક્વાર્ટરમાં ચીને જોરદાર વાપસી કરી</b></h4><p style="text-align: justify;">બીજા હાફમાં ચીને પોતાની ગતિ વધારી. ત્રીજા ક્વાર્ટરમાં ભારતીય ડિફેન્સ પર સતત દબાણ રહ્યું. ચીનના પ્રયાસો આખરે 39મી મિનિટે બરાબરી કરી, જ્યારે મા નિંગે પેનલ્ટી કોર્નરને ગોલ કરીને સ્કોર 2-2ની બરાબરી પર લાવી દીધો. ત્યારબાદ ચીને ઘણા એટેક શરૂ કર્યા, પરંતુ ભારતીય ડિફેન્સે સંયમ જાળવી રાખ્યો અને ત્રીજા ક્વાર્ટરના બાકીના સમય માટે બીજો ગોલ અટકાવ્યો.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/U40HlMQclc0GyUPsH4USiiAd1q02JPtS2DXLB6KW.webp'/></item><item><title><![CDATA[Pakistan Economy Crisis 2026: પાકિસ્તાને ડિજિટલ પેમેન્ટ શરૂ કર્યું પણ અર્થતંત્રમાં કેશનો ફુગાવો રેકોર્ડ સ્તરે ]]></title><link>https://sandesh.com/business/news/world/pakistan-economy-crisis-2026-pakistan-launched-digital-payments-but-cash-inflation-in-the-economy-is-at-record-levels-1</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/world/pakistan-economy-crisis-2026-pakistan-launched-digital-payments-but-cash-inflation-in-the-economy-is-at-record-levels-1</guid><pubDate>Sun, 16 Aug 2026 20:11:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ડિજિટલ ચૂકવણીમાં વધારો થયો છે. પરંતુ રોકડનો ઉપયોગ પણ ઝડપથી વધ્યો છે. આ કટોકટીનું કારણ છે.</p><h2 style="text-align: justify; ">કેશલેસ અર્થતંત્ર પ્રાપ્ત કરવાનું શરૂ</h2><p style="text-align: justify; ">ભારતના ઉદાહરણને અનુસરીને, પાકિસ્તાને પણ કેશલેસ અર્થતંત્ર પ્રાપ્ત કરવાનું શરૂ કર્યું. થોડા મહિનામાં, મોબાઇલ બેંકિંગ, ડિજિટલ વોલેટ અને ઓનલાઈન ચુકવણીનો ઉપયોગ ઝડપથી વધ્યો. સરકારે પણ લોકોને રોકડને બદલે ડિજિટલ ચુકવણી કરવા માટે પ્રોત્સાહિત કરવાનું શરૂ કર્યું. પરંતુ અચાનક, પ્રવાહ ઉલટું થઈ ગયું. પહેલ અર્થતંત્રને કેશલેસ બનાવવાની હતી, પરંતુ તેના બદલે, અર્થતંત્રમાં બમણી રોકડ વહેવા લાગી.</p><h3 style="text-align: justify; ">ડિજિટલ ચૂકવણીમાં વધારો</h3><p style="text-align: justify; ">નાણાકીય વર્ષ 2025-26માં, પાકિસ્તાનમાં ચલણ 11.94 ટ્રિલિયન પાકિસ્તાની રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું. જ્યારે નાણાકીય વર્ષ 2020માં, તે 6.14 ટ્રિલિયન રૂપિયા હતું. આનો અર્થ એ થયો કે લગભગ છ વર્ષમાં રોકડ રકમમાં 94% નો વધારો થયો. આનો અર્થ એ થયો કે ડિજિટલ ચૂકવણીમાં વધારો થયો, પરંતુ રોકડની જરૂરિયાત અદૃશ્ય થઈ નહીં. વાસ્તવિક સમસ્યા એ છે કે પાકિસ્તાનમાં, ડિજિટલ રીતે પ્રાપ્ત થયેલા પૈસા ઘણીવાર ડિજિટલ રીતે ખર્ચાતા નથી. ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિ પોતાના બેંક ખાતા અથવા મોબાઇલ વોલેટમાં પૈસા મેળવે છે, તેને ATM અથવા બેંક ખાતામાંથી ઉપાડે છે, અને પછી તેને દુકાનમાં રોકડમાં ખર્ચ કરે છે.&nbsp;</p><h4 style="text-align: justify; ">ડિજિટલ વ્યવહારોમાં વધારો&nbsp;</h4><p style="text-align: justify; ">અહીં એક મહત્વપૂર્ણ તફાવત સમજવો જોઈએ. ડિજિટલ વ્યવહારોમાં વધારો હંમેશા એટલો અર્થ નથી કે દેશ રોકડ રહિત બની રહ્યો છે. પાકિસ્તાનમાં, ડિજિટલ સિસ્ટમે પૈસા એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવાની રીત બદલી નાખી છે, પરંતુ તેનાથી લોકો તેને ખર્ચવાની રીતમાં નોંધપાત્ર ફેરફાર થયો નથી. નાના દુકાનદારો, અનૌપચારિક વ્યવસાયો અને રોકડ આધારિત વ્યવહારો હજુ પણ અર્થતંત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો કે, ચિત્ર સંપૂર્ણપણે અંધકારમય નથી. પાકિસ્તાનમાં, કુલ નાણાં પુરવઠામાં રોકડનો હિસ્સો નાણાકીય વર્ષ 2020 માં 30.1% થી ઘટીને નાણાકીય વર્ષ 2026 માં 25.7% થયો છે.&nbsp;</p><h5 style="text-align: justify; ">રોકડની વાસ્તવિક ખરીદ શક્તિ&nbsp;</h5><p style="text-align: justify; ">ફુગાવાની અસરને બાદ કરતાં, આ સમયગાળા દરમિયાન રોકડની વાસ્તવિક ખરીદ શક્તિમાં આશરે 12.5%નો ઘટાડો થયો છે. જોકે, નાણાકીય વર્ષ 2024 પછી, આ વલણ ઉલટું થયું હોય તેવું લાગે છે, અને વાસ્તવિક રોકડ હોલ્ડિંગ વધવા લાગ્યું છે. આનો અર્થ એ છે કે પાકિસ્તાન ડિજિટલ ચુકવણી તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ રોકડ પાછળ છોડી શકતું નથી. ભારતમાં, UPI જેવી સિસ્ટમોએ ડિજિટલ ચુકવણીઓને બેંક-ટુ-બેંક ટ્રાન્સફર સુધી મર્યાદિત કરી નથી, પરંતુ ચા વિક્રેતાઓ, કરિયાણાની દુકાનો અને નાના દુકાનદારો સુધી સીધી ડિજિટલ ચુકવણીઓ પણ લાવી છે. પાકિસ્તાનનો હવે પડકાર એ સુનિશ્ચિત કરવાનો છે કે ડિજિટલ નાણાં ફક્ત ખાતાઓમાં જ ફરતા ન હોય, પરંતુ અંતિમ ચુકવણી પણ ડિજિટલ હોય. ત્યારે જ અર્થતંત્ર ખરેખર રોકડથી દૂર જશે.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ&nbsp; <a href="https://sandesh.com/world/news/tech/ai-model-predict-depression-china-created-an-ai-model-that-will-predict-depression-4-years-in-advance" target="_blank">ચીને બનાવ્યું એવું AI મોડેલ જે 4 વર્ષ પહેલા ડિપ્રેશનની કરશે ભવિષ્યવાણી</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/Wi0MnRpsHMdkiA2KHYrUr9RJvROWeU81w103RsGD.webp'/></item></channel></rss>