<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Amitabh, સલમાન અને અક્ષયની રાહ પર અજય દેગગણ, લોકપ્રિય શોથી ટીવીમાં કરશે ડેબ્યુ ]]></title><link>https://sandesh.com/entertainment/news/ajay-devgns-first-tv-debut-with-the-popular-tv-show-crime-patrol</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/ajay-devgns-first-tv-debut-with-the-popular-tv-show-crime-patrol</guid><pubDate>Tue, 11 Aug 2026 10:08:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ટીવી ઇન્ડસ્ટ્રીને હવે લોકો સામાન્ય માનવાના બદલે એક મોટું માર્કેટ ગણવા લાગ્યા છે. કારણ કે અનેક એવા સુપરસ્ટાર છે જેમણે ટીવીથી શરૂઆત કરી હતી. એટલે જ અમિતાભ બચ્ચન જેવા કલાકારે ટીવીમાં કામ કરવાને ઓછું આંકયુ નથી. 'કોન બનેગા કરોડ પતિ' શો દ્વારા અમિતાભે સાબિત કર્યું કે સુપરસ્ટાર કે સ્ટારડમ કયારે તમારા કામમાં વિઘ્ન બનતું નથી. અમિતાભ બાદ સલમાન અને અક્ષય ખન્ના પણ તેમના રસ્તે ચાલી ટીવી પર રિયાલિટી શો કર્યા. હવે આ યાદીમાં એક નવું નામ ઉમેરાયું છે. અમિતાભ, સલમાન અને અક્ષય બાદ સુપરસ્ટાર અને એકશન હિરો અજય દેવગણ ટીવીમાં ડેબ્યુ કરશે.</p><h2 style="text-align: justify; "><b>ક્રાઈમ પેટ્રોલ નવી સ્ટાઈલમાં નવા કલાકાર સાથે</b></h2><p style="text-align: justify; ">સોની ટીવીનો લોકપ્રિય ક્રાઈમ શો "ક્રાઈમ પેટ્રોલ" લાંબા વિરામ બાદ "ક્રાઈમ પેટ્રોલ: ક્રાઈમ કા કરંટ" નામની નવી સીઝન સાથે પુનઃરાગમન કરી રહ્યો છે. આ નવી સીઝનમાં દર્શકોને એક મોટો ફેરફાર જોવા મળશે, જ્યાં લાંબા સમય સુધી શોના હોસ્ટ રહેલા અનુપ સોનીની જગ્યાએ બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગણ હોસ્ટિંગની જવાબદારી સંભાળશે.</p><h3 style="text-align: justify; "><b>અજય દેવગણ, ક્રાઈમ પેટ્રોલથી કરશે ટીવીમાં ડેબ્યુ</b></h3><p style="text-align: justify; ">મેકર્સ દ્વારા શોનો નવો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે, જેમાં અજય દેવગણ સમાજમાં વધતા ગુનાઓ વિશે વાત કરતા જોવા મળે છે. પ્રોમોમાં અજય દેવગણે જણાવ્યું, "બાળપણમાં આપણને અજાણ્યા લોકોથી સાવચેત રહેવાનું અને રાત્રે ઘરને તાળું મારવાનું શીખવવામાં આવે છે. પરંતુ આજની વાસ્તવિકતા એ છે કે મોટાભાગના ગુનાઓમાં ગુનેગાર કોઈ અજાણ્યો વ્યક્તિ નથી હોતો, પરંતુ આપણા પોતાનામાંથી જ એક હોય છે. </p><h3 style="text-align: justify; "><b>પ્રોમોમાં અજય દેવગણનો દમદાર અવાજ</b></h3><p style="text-align: justify; ">વધુમાં અજય આ પ્રોમોમાં કહેતો જોવા મળે છે કે બહારના નહી ઘરમાં જ ગુનેગાર છુપાયેલા હોય છે. આવા ગુનેગારોને આપણા ઘરનો રસ્તો ખબર હોય છે, તેમની પાસે ચાવીઓ હોય છે અને ઘણીવાર આપણા ડાઇનિંગ ટેબલ પર તેમની ખુરશી પણ હોય છે. એટલે કે, ઘણા કિસ્સાઓમાં આપણું પોતાનું લોહી જ આપણું ગુનેગાર હોય છે, જે ખૂબ જ આઘાતજનક છે. તેમણે ઉમેર્યું કે આ સીઝનમાં દેશને હચમચાવી મૂકનારા કિસ્સાઓ રજૂ કરવામાં આવશે. ગભરાવાને બદલે જાગૃત થવાની જરૂર છે અને આ જાગૃતિ અભિયાનમાં તેઓ દર્શકોની સાથે રહેશે.</p><h4 style="text-align: justify; "><b>ક્રાઈમ પેટ્રોલ, પ્રસારણની તારીખ અને સમય</b></h4><p style="text-align: justify; ">સાચી ઘટનાઓ પર આધારિત "ક્રાઈમ પેટ્રોલ: ક્રાઈમ કા કરંટ"નું પ્રસારણ 31 ઓગસ્ટ, 2026 થી સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન પર શરૂ થશે. દર્શકો તેને 'સોની લિવ' (SonyLIV) ઓટીટી પ્લેટફોર્મ પર પણ જોઈ શકશે. અહેવાલો મુજબ, શોના પ્રથમ 15 એપિસોડનું શૂટિંગ પણ પૂર્ણ થઈ ગયું છે. આ શો સાથે અજય દેવગણ નાના પડદા પર પોતાના હોસ્ટિંગ ડેબ્યૂ માટે તૈયાર છે.</p><h5 style="text-align: justify; "><b>અનુપ સોનીની મેળવેલી લોકપ્રિયતા</b></h5><p style="text-align: justify; ">નોંધનીય છે કે અનુપ સોનીએ વર્ષ 2010 થી 2018 સુધી સળંગ 'ક્રાઈમ પેટ્રોલ' હોસ્ટ કર્યું હતું અને તેમનો પ્રખ્યાત સંવાદ "સાવધાન રહો, સતર્ક રહો" દર્શકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય થયો હતો. હવે આટલા વર્ષો પછી અજય દેવગણ તેમની જગ્યાએ શો હોસ્ટ કરતા જોવા મળશે, જે તેમના ચાહકો માટે એક નવી સરપ્રાઈઝ સમાન છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/samay-raina-roasts-badshah-for-mentioning-yo-yo-honey-singhs-song-in-the-bonus-episode-of-indias-got-talent-2" target="_blank">આ પણ વાંચો : Samay Raina 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ 2'ના બોનસ એપિસોડમાં યો યો હની સિંહના ગીતનો ઉલ્લેખ કરી બાદશાહને કર્યો રોસ્ટ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/DPE5D19rdJ86TB4HaKTPlgqBro5attU4BMd0VBka.webp'/></item><item><title><![CDATA[Gautam Adani: 'સત્યની જીત થઇ' અમેરિકાથી અદાણી ગ્રુપ માટે આવ્યા ગૂ઼ડ ન્યૂઝ, જાણો શું છે મામલો ]]></title><link>https://sandesh.com/business/news/gautam-adani-good-news-came-from-america-for-adani-group-gautam-adani-tweeted-this</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/gautam-adani-good-news-came-from-america-for-adani-group-gautam-adani-tweeted-this</guid><pubDate>Tue, 11 Aug 2026 10:05:57 +05:30</pubDate><description><![CDATA[<p>અબજોપતિ ગૌતમ અદાણીને અમેરિકા તરફથી ફોજદારી આરોપો અંગે નોંધપાત્ર રાહત મળી છે. અમેરિકાના એક ન્યાયાધીશે અદાણી અને તેમની કંપનીના અધિકારીઓ સામે દાખલ કરાયેલા આરોપોને ફગાવી દીધા છે. ત્યારે આવો જાણીએ શું હતો સમગ્ર મામલો.</p><h2><b>અદાણી ગ્રુપે અમેરિકામાં મેળવી કાનૂની જીત&nbsp;</b></h2><p>અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમના ટોચના અધિકારીઓએ અમેરિકામાં મોટી કાનૂની જીત મેળવી છે. ફોજદારી કેસને સંપૂર્ણપણે ફગાવી દેવાના યુએસ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરતા ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે ન્યાયિક પ્રણાલી અને 'કાયદાના શાસન'માં તેમનો વિશ્વાસ હંમેશા અટલ રહ્યો છે. આ નિર્ણય બાદ, અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણકારોનો વિશ્વાસ ફરી એકવાર મજબૂત થયો છે. આ ચુકાદાને પગલે અદાણી ગ્રુપની કંપનીઓના શેરના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી શકે છે.</p><h3><b>અદાણીએ સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ&nbsp;</b></h3><p>X પર પોસ્ટ કરાયેલા એક નિવેદનમાં, અદાણીએ કહ્યું, "હું ન્યાયિક પ્રક્રિયા માટે નમ્રતા અને ઊંડા આદર સાથે યુએસ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરું છું." તેમણે ઉમેર્યું કે આ પડકારજનક સમયગાળા દરમિયાન, સત્ય, ન્યાયીતા અને કાયદાના શાસનમાં તેમનો વિશ્વાસ અડગ રહ્યો. તેમણે તેમના જૂથ, કાનૂની પ્રણાલી અને "ન્યાય માટે ભારતની ક્ષમતા" માં વિશ્વાસ જાળવી રાખનારાઓનો પણ આભાર માન્યો. યુએસ ડિસ્ટ્રિક્ટ જજ નિકોલસ ગેરોફિસે અદાણી સામેના ફોજદારી આરોપોને ફગાવી દીધા બાદ આ નિવેદન આવ્યું છે, જેમાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા છેતરપિંડી અને લાંચના કેસમાં આગળ ન વધવાના નિર્ણય લેવામાં આવ્યો હતો.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/gautam_adani/status/2086908913493115248"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h4><b>શું હતો સમગ્ર મામલો ?&nbsp;</b></h4><p>ગૌતમ અદાણી અને અદાણી ગ્રીન એનર્જીના વરિષ્ઠ અધિકારીઓ પર યુએસમાં સૌર ઉર્જા કરાર મેળવવા અને અમેરિકન રોકાણકારોને ગેરમાર્ગે દોરવા સંબંધિત આરોપોનો સામનો કરવો પડ્યો હતો. શરૂઆતથી જ, અદાણી ગ્રુપે આ આરોપોની સખત નિંદા કરી હતી, તેમને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવ્યા હતા. ગ્રુપે સતત કહ્યું છે કે તેણે તમામ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક નાણાકીય અને કાનૂની ધોરણોનું સંપૂર્ણ પાલન કર્યું છે.</p><h5><b>આ નિર્ણયના મુખ્ય પરિણામો</b></h5><p>અદાણી ગ્રુપ માટે આ નિર્ણય ફક્ત કાનૂની રાહત જ નહીં પરંતુ વૈશ્વિક વ્યાપાર સ્ટેજ પર તેની નિર્દોષતા સાબિત કરવામાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે. કડક નિયમનકારી અને ન્યાયિક માળખા દ્વારા વર્ગીકૃત થયેલ અમેરિકા જેવા દેશમાં કેસની નિષ્પક્ષ બરતરફી એક મજબૂત સંદેશ મોકલે છે કે કોર્પોરેટ ગવર્નન્સ અંગે જૂથના ધોરણો અપવાદરૂપે મજબૂત છે. આ ચુકાદો જૂથના આગામી આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ અને ભંડોળ યોજનાઓને નોંધપાત્ર ગતિ પ્રદાન કરશે તેવી પણ અપેક્ષા છે.</p><p><br></p><p><a href="https://sandesh.com/astrology/news/bhakti/shani-transit-shani-dev-will-have-a-great-move-luck-will-shine-for-4-zodiac-signs-from-august-20" target="_blank">આ પણ વાંચો: Shani Transit: શનિ દેવ ચાલશે ગજબની ચાલ, 20 ઑગષ્ટથી 4 રાશિનું ચમકશે નસીબ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/gqFAOIj0TlLeR7ZN9MlY0xxL2BkLIdGADLEJrNEJ.webp'/></item><item><title><![CDATA[Rajkot : જંગલેશ્વર ડિમોલેશન બિલ વિવાદ: 10 કિમીની આવન-જાવન માટે લાખો રૂપિયાનું આંધણ, તપાસ સમિતિ પણ દિશાહીન ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-jangleshwar-demolition-bill-scam-travel-expense-investigation</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-jangleshwar-demolition-bill-scam-travel-expense-investigation</guid><pubDate>Tue, 11 Aug 2026 09:52:56 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટના ચર્ચાસ્પદ બનેલા જંગલેશ્વર ડિમોલેશન બિલ વિવાદમાં રોજ નવા ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. ડિમોલેશનની કામગીરીના નામે કરવામાં આવેલા કરોડો રૂપિયાના ખર્ચ અને બિલોમાં વ્યાપક અનિયમિતતાઓ સામે આવ્યા બાદ હવે તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. આ સમગ્ર મામલાની તપાસ માટે રચવામાં આવેલી તપાસ સમિતિને આજે 40 દિવસ પૂર્ણ થઈ ગયા છે, પરંતુ પરિણામ હજુ સુધી શૂન્ય જ છે.</p><h2 style="text-align: justify; "><b>કમિટીના અધ્યક્ષો પૂરી રીતે ગોટે ચડ્યા</b></h2><p style="text-align: justify; ">મળતી વિગતો મુજબ, તપાસ સમિતિની રચના થઈ ત્યારથી જ કમિટીના અધ્યક્ષો પૂરી રીતે ગોટે ચડ્યા છે. અત્યાર સુધીમાં બે-બે અધ્યક્ષો બદલવામાં આવ્યા હોવા છતાં હાલની સ્થિતિ એવી છે કે આ તપાસ સમિતિના કોઈ જ નિયમિત અધ્યક્ષ નથી, જેના કારણે સમગ્ર તપાસ પ્રક્રિયા શંકાના ઘેરામાં આવી ગઈ છે. અધિકારીઓએ ડિમોલેશનની કામગીરી તો સારી કરી, પરંતુ તેના બિલો બનાવવામાં પોતાની બુદ્ધિનું સંપૂર્ણ દેવાળું ફૂંકી દીધું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>આવન-જાવન માટે પ્રશાસન દ્વારા રૂપિયા 6,69,768 નું આંધણ</b></h3><p style="text-align: justify; ">જંગલેશ્વર ડિમોલેશન બિલ મામલે સામે આવેલી તાજેતરની વિગતો અત્યંત ચોંકાવનારી છે. ડિમોલેશનની કાર્યવાહી માટે માત્ર અધિકારીઓ અને કર્મચારીઓને પોતાની ઓફિસથી જંગલેશ્વર સુધી પહોંચાડવા માટે પણ લાખો રૂપિયાના મસમોટા બિલો બનાવી દેવામાં આવ્યા છે. માત્ર 10 કિલોમીટરની ટૂંકી આવન-જાવન માટે પ્રશાસન દ્વારા રૂપિયા 6,69,768 નું આંધણ કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. સામાન્ય અંતર માટે થયેલા આ ખર્ચાએ લોકોમાં અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>હેલ્મેટની ખરીદીનું બિલ ચર્ચાનો વિષય બન્યું&nbsp;</b></h4><p style="text-align: justify; ">રાજકોટ મહાનગરપાલિકાના જંગલેશ્વર ડિમોલેશન મામલે વધુ એક બિલ વિવાદમાં આવ્યું છે. ડિમોલેશન કામગીરી દરમિયાન થયેલી ખરીદી અને ખર્ચને લઈને નવા સવાલો ઊભા થયા છે. આ વખતે હેલ્મેટની ખરીદીનું બિલ ચર્ચાનો વિષય બન્યું છે. માહિતી મુજબ મનપાએ ડિમોલેશન કામગીરી માટે 1,900 હેલ્મેટ ખરીદ્યા હતા, જેના બદલામાં ₹4.71 લાખની ચૂકવણી કરવામાં આવી હતી. એટલે કે પ્રતિ હેલ્મેટ અંદાજે ₹248નો ખર્ચ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે ખર્ચની પારદર્શિતા અને બિલોની યોગ્યતા અંગે સવાલો ઊભા થતાં ફરી એકવાર મનપાની કામગીરી વિવાદમાં આવી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp; :&nbsp; &nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/crime/surat/surat-medical-student-suicide-harsh-pandya-ragging-report" target="_blank"><b>Surat : 'તમે અમારા સ્લેવ છો...' આ શબ્દોએ એક યુવાન ડોક્ટરનું જીવન છીનવી લીધું, હર્ષની કહાની તમને હચમચાવી દેશે</b></a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/fM0yx8w3Qa2OSOCiR6TEZr8DpeO8HMnEka7769nt.webp'/></item><item><title><![CDATA[Gandhinagarના દહેગામમાં 2 કલાકમાં દોઢ ઇંચ પાણી ખાબકતાં વેપારી સંકુલો અને મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gandhinagar/one-and-a-half-inches-of-water-fell-in-2-hours-in-dahegam--causing-major-roads-to-be-submerged</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gandhinagar/one-and-a-half-inches-of-water-fell-in-2-hours-in-dahegam--causing-major-roads-to-be-submerged</guid><pubDate>Tue, 11 Aug 2026 09:50:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ ધોધમાર વરસાદ ખાબક્યો છે. માત્ર 2 કલાકના ટૂંકા સમયગાળામાં જ દોઢ ઇંચ જેટલો મુશળધાર વરસાદ નોંધાતાં સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ટૂંકા સમયમાં પડેલા ભારે વરસાદના કારણે મનપા અને સ્થાનિક તંત્રના પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ પાણીમાં ધોવાઈ ગયા હોય તેમ માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.</p><h2 style="text-align: justify; ">નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી</h2><p style="text-align: justify; ">ધોધમાર વરસાદના પગલે દહેગામ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો તેમજ મુખ્ય વેપારી મથકોમાં પાણી ભરાઈ જવાથી સ્થાનિક રહીશો અને વેપારીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. શહેરના જાણીતા વૈભવ કોમ્પ્લેક્સ તેમજ એમ.જી. અમીન કોમ્પ્લેક્સ જેવા વાણિજ્યિક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા હતા. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે વેપાર-રોજગાર પર પણ તેની સીધી અસર જોવા મળી હતી.</p><h3 style="text-align: justify; "><b>મોડાસા રોડ, પૂર્ણિમા ઢાળ અને નેહરુ ચોકડી પાણીમાં ગરકાવ</b></h3><p style="text-align: justify; ">વરસાદી પાણીના બેફામ પ્રવાહના કારણે દહેગામના મુખ્ય માર્ગો તળાવમાં ફેરવાઈ ગયા હતા. શહેરના મુખ્ય મોડાસા રોડ, પૂર્ણિમા ઢાળ અને નેહરુ ચોકડી જેવા અત્યંત ધમધમતા વિસ્તારો સંપુર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. રસ્તાઓ પર દોઢથી બે ફૂટ જેટલા પાણી ભરાઈ જતાં વાહનચાલકોના વાહનો બંધ પડી ગયા હતા, જેના કારણે ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. સ્થાનિક લોકો દ્વારા વહેલી તકે વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/UstNI1jqYKI75gPIjmr8ttCOf1prBgn4z1F3FZN7.webp'/></item><item><title><![CDATA[Kanwar Yatra 2026: હરિદ્વારમાં કાંવડનો તૂટ્યો રેકોર્ડ, 4.43 કરોડ કાંવડિયાઓએ ગંગાજળ લીધુ ]]></title><link>https://sandesh.com/india/news/kanwar-yatra-2026-kanwar-record-broken-in-haridwar-443-crore-kanwariyas-took-ganga-water</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/kanwar-yatra-2026-kanwar-record-broken-in-haridwar-443-crore-kanwariyas-took-ganga-water</guid><pubDate>Tue, 11 Aug 2026 09:48:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">શ્રાવણ શિવરાત્રિના પાવન અવસર પર દેશભરના શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. હરિદ્વારના દક્ષેશ્વર મહાદેવ મંદિરમાં પણ વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી લાઇનો લાગી છે. ભક્તો બમ-બમ ભોલે અને હર-હર મહાદેવના જયઘોષ સાથે ભગવાન શિવનો જળાભિષેક કરી રહ્યા છે. શિવરાત્રિના દિવસે ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા</b></h2><p style="text-align: justify; ">પોલીસના જણાવ્યા અનુસાર, આ વર્ષે હરિદ્વારમાં કાવડ યાત્રા દરમિયાન રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. સોમવાર સાંજ સુધીમાં આશરે 4.43 કરોડ કાવડિયા હરિદ્વારથી ગંગાજળ લઈને પોતાના ઘરે પરત ફરી ચૂક્યા હતા. માત્ર સોમવારે જ લગભગ 63.60 લાખ શ્રદ્ધાળુઓ હરિદ્વાર પહોંચ્યા હતા. આટલી મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા હરિદ્વારમાં સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા માટે તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>દક્ષેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની લાંબી લાઇન</b></h3><p style="text-align: justify; ">હરિદ્વારના અન્ય શિવ મંદિરોની જેમ દક્ષેશ્વર મહાદેવ મંદિરમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. માન્યતા અનુસાર, આ મંદિર ભગવાન શિવના સસરા દક્ષ પ્રજાપતિ સાથે જોડાયેલું છે અને તેથી તેનું ધાર્મિક મહત્વ વિશેષ છે. શિવરાત્રિના અવસરે અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન અને જળાભિષેક માટે પહોંચ્યા છે.</p><p style="text-align: justify; ">સવારથી જ મંદિર પરિસર બહાર ભક્તો હાથમાં ગંગાજળ લઈને ભગવાન શિવને અર્પણ કરવા માટે આતુર જોવા મળી રહ્યા છે. કાવડિયાઓ પણ પોતાની કાવડમાં લાવેલું પવિત્ર ગંગાજળ ભગવાન શિવને અર્પણ કરી રહ્યા છે.</p><h4 style="text-align: justify; "><b>ભારે ભીડને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા</b></h4><p style="text-align: justify; ">શ્રદ્ધાળુઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને હરિદ્વાર પ્રશાસન દ્વારા સુરક્ષાના મજબૂત આયોજન કરવામાં આવ્યા છે. કાવડ માર્ગો અને મુખ્ય મંદિરોની આસપાસ મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તેમજ પેરામિલિટરી ફોર્સના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. મહિલા શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે મહિલા પોલીસકર્મીઓની પણ ખાસ ડ્યુટી લગાવવામાં આવી છે.</p><p style="text-align: justify; ">સુરક્ષા ઉપરાંત ભક્તોની સુવિધા માટે મેડિકલ કેમ્પ, પીવાના પાણી, ભોજન અને આરામની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તંત્ર દ્વારા ભીડને નિયંત્રિત કરવા અને શ્રદ્ધાળુઓને સરળતાથી મંદિર સુધી પહોંચાડવા માટે વિવિધ સ્થળોએ વ્યવસ્થા કરવામાં આવી છે.</p><h4 style="text-align: justify; "><b>કાવડ યાત્રાને કારણે ટ્રાફિકમાં ફેરફાર</b></h4><p style="text-align: justify; ">લગભગ 15 દિવસથી ચાલી રહેલી કાવડ યાત્રા દરમિયાન દેશના વિવિધ ભાગોમાંથી શ્રદ્ધાળુઓ હરિદ્વાર પહોંચ્યા હતા. ગંગાજળ ભર્યા બાદ કાવડિયા પોતાના શહેરો અને ગામો તરફ પરત ફરી રહ્યા છે. તેમની અવરજવર સરળ રહે અને સામાન્ય વાહનવ્યવસ્થા પણ જળવાઈ રહે તે માટે અનેક માર્ગો પર ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવ્યું છે. કેટલાક વિસ્તારોમાં જરૂરી પ્રતિબંધો પણ લાગુ કરવામાં આવ્યા છે.</p><p style="text-align: justify; ">શિવરાત્રિના અવસરે મોટી સંખ્યામાં ભક્તો મંદિરોમાં પહોંચી રહ્યા છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પૂરતો પોલીસ બંદોબસ્ત અને પેરામિલિટરી ફોર્સ તૈનાત કરવામાં આવી છે.</p><h5 style="text-align: justify; "><b>30 જુલાઈથી શરૂ થઈ હતી કાવડ યાત્રા</b></h5><p style="text-align: justify; ">દેશભરમાં 30 જુલાઈથી કાવડ યાત્રાની શરૂઆત થઈ હતી અને શ્રાવણ શિવરાત્રિના દિવસે યાત્રાનું સમાપન થઈ રહ્યું છે. યાત્રાના અંતિમ દિવસે દેશભરના શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. હરિદ્વારમાં ગંગાજળ લઈને આવેલા કાવડિયાઓ દ્વારા ભગવાન શિવનો જળાભિષેક કરવામાં આવી રહ્યો છે. સમગ્ર વાતાવરણ હર-હર મહાદેવ અને બમ-બમ ભોલેના જયઘોષથી ગુંજી ઉઠ્યું છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો: <a href="https://sandesh.com/astrology/news/bhakti/shravan-shivratri-4-rajyoga-will-be-formed-on-shravan-shivratri-shiva-will-be-kind-to-this-zodiac-sign" target="_blank">Shravan Shivratri : શ્રાવણ શિવરાત્રિ પર બનશે 4 રાજયોગ, શિવજીની આ રાશિ પર રહેશે મહેરબાન</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/fqmiIsN0pYqif8ShZd2qyIciZ7GEn36fZB6xSc4V.webp'/></item><item><title><![CDATA[Ahmedabadમાં હળવા ઝરમર વરસાદમાં જ પડ્યો ભુવો: S.G.હાઇવે પર સોલા ઓવરબ્રિજ પાસે ભુવો પડતાં વાહનચાલકોમાં ભય ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/light-drizzle-in-ahmedabad-fog-falls-near-sola-overbridge-on-sg-highway-causing-panic-among-motorists</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/light-drizzle-in-ahmedabad-fog-falls-near-sola-overbridge-on-sg-highway-causing-panic-among-motorists</guid><pubDate>Tue, 11 Aug 2026 09:34:31 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં તંત્રના મોન્સૂન પ્લાનિંગ અને રોડ-રસ્તાની ગુણવત્તાના દાવાઓની પોલ ફરી એકવાર ખુલ્લી પડી ગઈ છે. શહેરમાં માત્ર હળવા કે ઝરમર વરસાદી ઝાપટાં જ પડ્યા છે, ત્યાં જ અમદાવાદના અત્યંત ધમધમતા અને મુખ્ય માર્ગ ગણાતા એસ.જી. હાઇવે પર સોલા ઓવરબ્રિજ પાસે અચાનક મોટો ભુવો પડી ગયો છે. ધમધમતા હાઇવે પર બ્રિજ નજીક જ ભુવો પડતાં જ રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો.</p><h2 style="text-align: justify; "><b>તંત્રએ બેરિકેડ લગાવી રસ્તો કર્યો સુરક્ષિત, મોટી દુર્ઘટના ટળી</b></h2><p style="text-align: justify; ">એસ.જી. હાઇવે જેવા સીધા અને સ્પીડી રોડ પર અચાનક પડેલા આ ભુવાના કારણે કોઈ વાહનચાલક અકસ્માતનો ભોગ ન બને તે માટે ઘટનાની જાણ થતાં જ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રોડ નિર્માણ તંત્ર હરકતમાં આવ્યું હતું. અધિકારીઓ દ્વારા તાત્કાલિક ભુવા વાળા સ્થળે કલરફુલ બેરિકેડ્સ અને સાઇનબોર્ડ મૂકીને રસ્તાના ચોક્કસ ભાગને ડાઇવર્ટ કરી સુરક્ષિત કરવામાં આવ્યો હતો. સમયસર બેરિકેડિંગ કરી દેવાતાં સદનસીબે કોઈ મોટી દુર્ઘટના બનતાં અટકી ગઈ હતી.</p><h3 style="text-align: justify; "><b>રસ્તાના કામોની ગુણવત્તા અને ભ્રષ્ટાચાર સામે ઉઠ્યા ગંભીર સવાલો</b></h3><p style="text-align: justify; ">સામાન્ય ઝરમર વરસાદમાં જ આટલા મહત્વના નેશનલ હાઇવે જેવા માર્ગ પર ભુવો પડી જતાં મનપા અને માર્ગ-મકાન વિભાગની કામગીરી સામે સ્થાનિક નાગરિકો તેમજ વાહનચાલકો ભારે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. ચોમાસાની શરૂઆતમાં જ જો ઝરમર વરસાદમાં રસ્તાઓ બેસી જતા હોય, તો ધોધમાર વરસાદમાં સ્થિતિ કેટલી વિકટ બનશે તેને લઈને લોકોમાં ચિંતા વ્યાપી છે. કાગળ પર ગુણવત્તાના દાવા કરતા તંત્ર દ્વારા આ રોડ કન્સ્ટ્રક્શનમાં વપરાયેલી સામગ્રી અને નબળા કામ સામે કડક તપાસ કરી કાયમી ધોરણે રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/VHfBuNQrJtAkZaeByamLoObNJanOt3kxtbaIDXsk.webp'/></item><item><title><![CDATA[Suratના પુણામાં બસ અને રિક્ષા વચ્ચે ભયાનક અકસ્માત: કેબિનમાં ફસાયેલા ચાલકને ફાયર વિભાગની ટીમે બહાર કાઢ્યો! ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/horrific-accident-between-bus-and-rickshaw-in-pune-surat-firefighters-pull-out-driver-trapped-in-cabin</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/horrific-accident-between-bus-and-rickshaw-in-pune-surat-firefighters-pull-out-driver-trapped-in-cabin</guid><pubDate>Tue, 11 Aug 2026 09:27:56 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત શહેરના પુણાથી સારોલી જતા રોડ પર વહેલી સવારે એક અત્યંત ગંભીર અને ભયાનક રસ્તા અકસ્માત સર્જાયો છે. રોડ પરથી પસાર થઈ રહેલી બસ અને રિક્ષા વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે રિક્ષાનો સંપૂર્ણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો. બનાવના પગલે આસપાસના રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.</p><h2><b>ડ્રાઇવિંગ કેબિન દબાઈ જતાં ચાલક ફસાયો</b></h2><p>આ ભીષણ અકસ્માતમાં રિક્ષાની ડ્રાઇવિંગ કેબિન સંપૂર્ણપણે ડેમેજ થઈ ગઈ હતી અને સીટનો ભાગ અંદરની તરફ દબાઈ ગયો હતો. જેના કારણે રિક્ષાચાલક રાજદેવ કેબિનની અંદર લોહીલુહાણ હાલતમાં ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ડુંભાલ ફાયર સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ ખાસ હાઇડ્રોલિક ટૂલ્સ અને કટરની મદદથી દબાઈ ગયેલી કેબિનને પહોળી કરીને ભારે જહેમત બાદ રિક્ષાચાલકને સુરક્ષિત બહાર કાઢ્યો હતો.</p><h3><b>પુણા પોલીસે વધુ તપાસ હાથ ધરી</b></h3><p>ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરાયા બાદ ગંભીર રીતે ઘવાયેલા રિક્ષાચાલક રાજદેવને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટના અંગે જાણ થતાં જ પુણા પોલીસ મથકનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે બસ અને રિક્ષાને રોડ પરથી હટાવી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો તેમજ અકસ્માત કયા કારણોસર સર્જાયો તે અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.</p><p><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/0F9Hjaobq7UphIBJQt9RCDmJez0skjPbA0hHudbp.webp'/></item><item><title><![CDATA[Jharkhand Bandh: વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં બંધનું એલાન, સમગ્ર રાજ્યમાં કડક સુરક્ષા વ્યવસ્થા ]]></title><link>https://sandesh.com/india/news/jharkhand-bandh-bandh-announced-to-protest-lathicharge-on-students-tight-security-arrangements-across-the-state</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/jharkhand-bandh-bandh-announced-to-protest-lathicharge-on-students-tight-security-arrangements-across-the-state</guid><pubDate>Tue, 11 Aug 2026 09:23:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા લાઠીચાર્જ અને ટિયર ગેસના ઉપયોગના વિરોધમાં BJP દ્વારા બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે. બંધને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં લોકડાઉન જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા વચ્ચે પોલીસ અને વહીવટી તંત્ર હાઈ એલર્ટ પર છે. બંધ દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સમગ્ર ઝારખંડમાં આશરે 3,000 પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. સંવેદનશીલ વિસ્તારો પર કંટ્રોલ રૂમ દ્વારા સતત નજર રાખવામાં આવશે. પોલીસ અધિકારીઓને પોતાના વિસ્તારોમાં પેટ્રોલિંગ અને માર્ચ પાસ્ટ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. કોઈપણ પ્રકારની અશાંતિ અથવા હિંસક ઘટનાનો સામનો કરવા માટે પોલીસ સંપૂર્ણ રીતે તૈયાર છે.</p><h2 style="text-align: justify; "><b>જયપાલ સિંહ સ્ટેડિયમ પર ખાસ નજર</b></h2><p style="text-align: justify; ">બંધ દરમિયાન રાંચીના જયપાલ સિંહ સ્ટેડિયમમાં એકત્ર થનારી ભીડ પર પોલીસની ખાસ નજર રહેશે. અહીં મોટી સંખ્યામાં લોકો એકત્ર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે અને સ્થિતિ બગડવાની શક્યતા પણ છે. અગાઉના દિવસની જેમ કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે સ્ટેડિયમથી લઈને વિધાનસભા ભવન સુધી ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.</p><p style="text-align: justify; ">રાંચી શહેરના મુખ્ય ચોક-ચોરાહા, સંવેદનશીલ વિસ્તારો અને વિરોધ પ્રદર્શનના સ્થળો પર પોલીસ અધિકારીઓ જાતે હાજર રહીને પરિસ્થિતિ પર નજર રાખશે. પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ મેદાનમાં ઉતરીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. આ ઉપરાંત ડ્રોન દ્વારા પણ વિવિધ વિસ્તારો પર નજર રાખવામાં આવશે.</p><h3 style="text-align: justify; "><b>શાંતિ ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી</b></h3><p style="text-align: justify; ">બંધ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી રાંચીના SSP રાકેશ રંજનને સોંપવામાં આવી છે. તેમણે પોલીસ અધિકારીઓને ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ખોરવાય નહીં તે સુનિશ્ચિત કરવા માટે સૂચના આપી છે. સાથે જ કોઈપણ સ્થળે મોટી સંખ્યામાં ભીડ એકત્ર ન થાય તેનું ધ્યાન રાખવા જણાવાયું છે.</p><p style="text-align: justify; ">પોલીસે રાજકીય પક્ષો, પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે શાંતિ ભંગ કરવાનો અથવા કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરવામાં આવશે તો કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ અને દેખરેખ રાખવામાં આવશે.</p><h4 style="text-align: justify; "><b>વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ</b></h4><p style="text-align: justify; ">આ સમગ્ર ઘટનાની શરૂઆત ઝારખંડ લોક સેવા આયોગ (JPSC) અને ઝારખંડ સ્ટાફ સિલેક્શન કમિશન (JSSC)ની પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓના વિરોધથી થઈ હતી. વિદ્યાર્થીઓએ પોતાની માંગણીઓને લઈને વિધાનસભાનો ઘેરાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ હતી.</p><p style="text-align: justify; ">પ્રદર્શનકારીઓએ પોલીસના બેરિકેડ તોડીને આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો. અહેવાલ મુજબ વિદ્યાર્થીઓએ છ બેરિકેડ પાર કર્યા બાદ સાતમા બેરિકેડને પણ તોડવાનો પ્રયાસ કર્યો હતો. તેમને રોકવા માટે પોલીસે પહેલા વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. જોકે, પ્રદર્શનકારીઓ પાછળ ન હટતાં અને બેરિકેડ તોડવાનો પ્રયાસ ચાલુ રાખતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.</p><p style="text-align: justify; ">હવે આ કાર્યવાહીના વિરોધમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે. બંધ દરમિયાન રાજ્યમાં કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા દરેક સંવેદનશીલ સ્થળ પર વધારાની સુરક્ષા ગોઠવવામાં આવી છે અને સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/u8pqgqyu9ubPZUMhR71lFvbTJTZ1alNXzD0Y6IzS.webp'/></item><item><title><![CDATA[Chhotaudepur: છોટાઉદેપુરમાં જી સફળ યોજનાના ફિલ્ડ કોચને હેરાનગતિ અંગે રજૂઆત ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-representation-regarding-harassment-of-field-coach-of-g-successful-scheme-in-chhotaudepur</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-representation-regarding-harassment-of-field-coach-of-g-successful-scheme-in-chhotaudepur</guid><pubDate>Tue, 11 Aug 2026 06:29:31 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જી સફ્ળ યોજના મળવા બાબત અને વિકાસના કામો યોગ્ય રીતે ન થતા હોય તેમજ ફ્લ્ડિ કોચને હેરાનગતિ બાબતે કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદન</p><p style="text-align: justify; ">છોટાઉદેપુર જિલ્લામાં જી સફ્લ યોજના તેમજ વિકાસના કામો અને ફ્લ્ડિને હેરાનગતિ બાબતે કંટાળેલા કર્મચારીઓએ આજરોજ છોટાઉદેપુર જિલ્લા સેવાસદન કચેરી ખાતે જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જી સફ્ળ યોજના 8 માર્ચ 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવસારી ખાતેથી ચાલુ કરાઇ હતી. જેમાં કવાંટ તાલુકામાં દરેક ગામોને અંત્યોદય પરિવારને લાભ આપવા માટે યોજના ચાલુ કરાઇ હોય જેમાં 50 જેવા ફ્લ્ડિ કોચની સાથે ગામના સર્વેની કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં દરેક ગામના અંતેદય લાભાર્થીના સર્વે બે વર્ષ કર્યા બાદ એકવાર સર્વે કર્યું હતું. જેમાં લાભાર્થીને લાભ આપવા જણાવાયું હતું. પણ હાલ યોજનાને સ્થગિત કે બંધ કરાઇ છે. ફ્લ્ડિ કોચ ખૂબ જ હાલાકી વેઠી રહ્યાં છે. તેમજ લાભાર્થીને કોચના ઘરે જઈને અથવા તો રસ્તામાં પૂછે છે કે, યોજનાનો લાભ ક્યારે મળશે ? જે અંગેની રજૂઆત તા.17-7-26ના રોજ તાલુકા કક્ષાએ પણ કરી હતી. પરંતુ એ બાબતે કોઈ જવાબ મળ્યો નથી. જ્યારે લાભાર્થીઓના સવાલોથી અમો કંટાળી ગયા છે. જેની સાથે છેલ્લા મેં 2026 અને જુન મહિનાનું માનવ વેતન આજસુધી અમોને આપવામાં આવ્યું નથી. જેની પણ રજૂઆત કરાઇ હતી. જ્યારે આવનારા 15 દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું તેમ આવેદનમાં ચીમકી ઉચ્ચારી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/AJOaWw2oaVGCeNNx86R1XI89I9K0jYU2GLVCTzKx.webp'/></item><item><title><![CDATA[PM મોદી સામે બોક્સર નરેન્દ્રએ સંભળાવ્યો પાકિસ્તાની બોક્સરનો કિસ્સો, વાત સાંભળીને હસી પડ્યા વડાપ્રધાન ]]></title><link>https://sandesh.com/sports/news/pm-modi-boxer-narender-pakistani-opponent-funny-story</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pm-modi-boxer-narender-pakistani-opponent-funny-story</guid><pubDate>Mon, 10 Aug 2026 20:09:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગ્લાસગો ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતે કુલ 39 મેડલ સાથે મેડલ ટેબલમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. ગેમ્સ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પોતાના નિવાસસ્થાને ભારતીય મેડલ વિજેતા ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ખેલાડીઓએ PM મોદી સાથે ખુલ્લા દિલે વાતચીત કરી હતી અને પોતાના અનુભવો પણ શેર કર્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>નરેન્દ્રએ સિલ્વર મેડલ જીત્યો</b></h2><p style="text-align: justify; ">આ મુલાકાત દરમિયાન ભારતીય હેવીવેઈટ બોક્સર નરેન્દ્ર બેરવાલે PM મોદીને એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો હતો. નરેન્દ્રે કોમનવેલ્થ ગેમ્સમાં 90+ કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેમને જણાવ્યું કે વર્ષ 2015માં મિલિટરી ગેમ્સ દરમિયાન તેમની પ્રથમ બાઉટ પાકિસ્તાની બોક્સર સામે હતી. તેમને મિલિટરી તરફથી ફોન કરીને પાકિસ્તાન સામે ન હારવાની વાત કહેવામાં આવી હતી.</p><h3 style="text-align: justify; "><b>મને નરેન્દ્ર નામથી નફરત થઈ ગઈ છે</b></h3><p style="text-align: justify; ">નરેન્દ્રે જણાવ્યું કે તેમણે પ્રથમ બાઉટ 4-1થી અને બીજી બાઉટ 3-2થી જીતી હતી. આ દરમિયાન બંને બોક્સરના માથા પણ અથડાયા હતા અને બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2086683661504843813"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p style="text-align: justify; "> </p><p style="text-align: justify; ">નરેન્દ્રે આગળ જણાવ્યું કે તેમના કોચનું નામ પણ નરેન્દ્ર રાણા હતું અને તે સમયે ભારતના વડાપ્રધાનનું નામ પણ નરેન્દ્ર હતું. આ સંયોગને લઈને પાકિસ્તાની બોક્સરે તેમને કહ્યું હતું કે, “તમારું નામ નરેન્દ્ર છે, તમારા કોચનું નામ પણ નરેન્દ્ર છે અને તમારા PMનું નામ પણ નરેન્દ્ર છે. હવે મને નરેન્દ્ર નામથી નફરત થઈ ગઈ છે.” આ વાત સાંભળીને PM મોદી હસતા જોવા મળ્યા હતા.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>ભારતે બોક્સિંગમાં 10 મેડલ જીત્યા&nbsp;</b></h4><p style="text-align: justify; ">કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય બોક્સિંગ ટીમનું પ્રદર્શન પણ નોંધપાત્ર રહ્યું હતું. ભારતે બોક્સિંગમાં 10 મેડલ જીત્યા હતા, જ્યારે નરેન્દ્ર બેરવાલે 90+ કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. ફાઇનલમાં તેમને ઇંગ્લેન્ડના ડામાર થોમસ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/oMWNn5CGUFi7LAuIfgHkI21UFhgy68SNnoD190zK.webp'/></item></channel></rss>