<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Patan News : વૌવા ગામમાં વીજળી પડતાં 35 ઘેટાંના ઘટના સ્થળે મોત, માલધારી પરિવાર પર આફત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/patan/35-sheep-killed-by-lightning-in-vauva-village</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/patan/35-sheep-killed-by-lightning-in-vauva-village</guid><pubDate>Tue, 15 Sep 2026 11:04:25 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પાટણ જિલ્લાના સાંતલપુર પંથકમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપે એક ગરીબ માલધારી પરિવાર પર મોટો આફતનો પહાડ તૂટી પડવા જેવી સ્થિતિ સર્જાઈ છે.  સાંતલપુર તાલુકાના વૌવા ગામમાં મોડી રાત્રે ગાજવીજ અને ભારે વરસાદની વચ્ચે અચાનક આકાશી વીજળી ત્રાટકવાની ઘટના સામે આવી છે.ગામના સીમાડે આવેલા ઘેટાંના વાડા પર આ વીજળી પડવાને કારણે વાડામાં પૂરી રાખવામાં આવેલા કુલ 35 ઘેટાંના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે.આ અચાનક બનેલી દુર્ઘટનાને કારણે પશુપાલક પરિવારો પર આર્થિક સંકટના વાદળો ઘેરાઈ ગયા છે.</p><h2 style="text-align: justify; "><b>રાત્રિના સમયે ગાજવીજ સાથે ત્રાટકી આકાશી વીજળી</b></h2><p style="text-align: justify; ">સાંતલપુર વિસ્તારમાં ગત મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે જોરદાર ગાજવીજ અને પવન સાથે વરસાદ શરૂ થયો હતો.આ દરમિયાન વૌવા ગામના માલધારીઓ દ્વારા તેમના ઘેટાંઓને સુરક્ષિત રાખવા માટે બનાવવામાં આવેલા વાડા પર અચાનક વીજળી ત્રાટકી હતી. વીજળી પડવાનો ધડાકો એટલો ભયાનક હતો કે આસપાસનો વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો હતો.વીજળીના પ્રચંડ આંચકા અને કરંટને કારણે વાડામાં રહેલા મૂંગા પશુઓને બચવાની કોઈ તક મળી ન હતી.</p><h2 style="text-align: justify; "><b>બે માલધારીઓના અસંખ્ય ઘેટાં હોમાયા</b></h2><p style="text-align: justify; ">આ આકાશી આફતમાં બે અલગ-અલગ માલધારી પરિવારોએ પોતાના મૂડીસમાન પશુધનને ગુમાવવું પડ્યું છે.ગ્રામજનોએ જણાવ્યું હતું કે,રબારી વેલાભાઈ સોમાભાઈના વાડામાં રહેલા 21 ઘેટાંના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા છે,જ્યારે રબારી વલ્લભભાઈ કાજળભાઈના 14 ઘેટાં પણ આ વીજળીની ઝપેટમાં આવીને મૃત્યુ પામ્યા છે.એક જ રાત્રે કુલ 35 ઘેટાં મોતને ભેટતા પશુપાલકોની હાલત કફોડી બની ગઈ છે.ઘેટાં જ આ પરિવારોની આજીવિકાનો મુખ્ય આશરો હોવાથી તેઓ બેહાલ થઈ ગયા છે.</p><h2 style="text-align: justify; "><b>તંત્ર દ્વારા પંચનામું અને સરકારી સહાયની ઉગ્ર માગ</b></h2><p><div style="text-align: justify;">ઘટનાની જાણ થતાં જ વૌવા ગામના સરપંચ અને તલાટી કમ મંત્રી દ્વારા ત્વરિતાગતિએ સાંતલપુર તાલુકા વિકાસ અધિકારીને ટેલિફોનિક તેમજ લેખિતમાં આ દુર્ઘટનાની સત્તાવાર જાણ કરવામાં આવી હતી.મામલાની ગંભીરતાને ધ્યાને લઈને વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને પશુપાલન વિભાગના ડોક્ટરોની વિશેષ ટીમને તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચીને મૃત પશુઓનું પેનલ પીએમ અને પંચનામું કરવા માટે સખત સૂચનાઓ આપવામાં આવી છે.ગરીબ માલધારી પરિવારોની આજીવિકાનો એકમાત્ર આધાર છીનવાઈ જવાથી ગ્રામજનોમાં ભારે શોક અને વેદના જોવા મળી રહી છે.&nbsp;</div><div style="text-align: justify;"><br></div><div style="text-align: justify;"><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/scientists-research-artificial-sun-to-unlock-clean-fusion-energy" target="_blank">આ પણ વાંચો: Gandhinagar News : ગુજરાતમાં વૈજ્ઞાનિકો સૂર્યનું રહસ્ય ઉકેલવા લાગ્યા, કૃત્રિમ સૂરજ બનાવવા માટે સંશોધન શરૂ</a></div><div style="text-align: justify;"><br></div></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/4IngZhJzsN0pIqFtQ3kjtYGPGHRh2nnqPJzrU98r.webp'/></item><item><title><![CDATA[Sunita Ahuja Reveals Film With Son: પુત્ર સાથે ફિલ્મમાં દેખાશે સુનીતા આહૂજા, ગણેશ ચતુર્થી પર કરી જાહેરાત ]]></title><link>https://sandesh.com/entertainment/news/sunita-ahuja-film-with-son-ganesh-chaturthi</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/sunita-ahuja-film-with-son-ganesh-chaturthi</guid><pubDate>Tue, 15 Sep 2026 11:01:24 +05:30</pubDate><description><![CDATA[<p>અભિનેતા ગોવિંદાની પત્ની સુનીતા આહૂજાએ ગણેશ ચતુર્થીના પાવન અવસરે ઘરમાં ગણપતિ બાપ્પાનું સ્થાપન કર્યું છે. આ વિશે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે આ પરંપરાની શરૂઆત ગોવિંદાની માતાએ કરી હતી, જેને તેઓ આગળ વધારી રહ્યાં છે. સાથે જ સુનીતાએ એ પણ જણાવ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં જ પોતાના પુત્ર સાથે એક ફિલ્મમાં જોવા મળશે.</p><h2><b>ગોવિંદાની માતાએ શરૂ કરી હતી પરંપરા</b></h2><p>"ગણેશ ચતુર્થીની ઉજવણી મારી સાસુએ શરૂ કરી હતી. ત્યારથી આ પરંપરા ચાલી રહી છે. એટલે મેં વિચાર્યું કે જ્યાં સુધી હું જીવિત છું, ત્યાં સુધી ગણપતિ બાપ્પાને ઘરે લાવતી રહીશ. હવે આ પરંપરા આગળ પણ ચાલુ રહેશે, કારણ કે ગણેશ ભગવાન આપણા પ્રથમ દેવ છે. તેમનાથી મોટું કોઈ નથી."</p><p>સુનીતા આહૂજાએ જણાવ્યું હતું કે છેલ્લા 1 વર્ષથી અત્યાર સુધી બાપ્પા તેમના પર ખૂબ મહેરબાન રહ્યા છે. તેમણે કહ્યું, "ગયા વર્ષે મેં યુટ્યુબ શરૂ કર્યું હતું અને આ વર્ષે મેં 2 શો કર્યા છે, જેમાં 'માં હૈ ના' અને 'લૉકડાઉન-2' સામેલ છે. સૌથી ખુશીની વાત એ છે કે મેં મારા પુત્ર સાથે એક ફિલ્મ કરી છે, જેના દિગ્દર્શક સાજિદ ખાન છે અને એકતા કપૂર નિર્માતા છે. બાપ્પાએ મને ઘણું નામ, સન્માન અને પ્રસિદ્ધિ આપી છે. એટલે આ પર્વ મારા માટે ખૂબ ખાસ છે. હું બાપ્પાને નાચતા-ગાતા જ ઘરે લઈને આવી છું."</p><h2><b>દીકરા સાથેની ફિલ્મમાં દેખાશે</b></h2><p>તેમણે જણાવ્યું કે તેઓ ગણપતિને દોઢ દિવસ માટે ઘરે રાખે છે. સુનીતા આહૂજાએ કહ્યું, "ગજાનન અમારા ઘરે દોઢ દિવસ માટે આવે છે. આ દરમિયાન અમે ઘરે અમારા તમામ નજીકના લોકો અને મિત્રોને બોલાવીએ છીએ. નાચ-ગાન થાય છે અને ભોજન પણ સાત્વિક બનાવવામાં આવે છે. અમારા બાપ્પાને મોદક અને તેમને પસંદ હોય તેવો ભોગ ધરાવવામાં આવે છે. હવે ગજાનન આવ્યા છે તો નાચતા-ગાતા રહેવું જોઈએ. ગણપતિ ભગવાન વિઘ્નહર્તા છે. હું ઈચ્છું છું કે તેઓ મારા જીવનના તમામ વિઘ્નો દૂર કરે અને મારા પરિવારમાં ખુશીઓ જળવાઈ રહે."</p><p>તેમણે આગળ મીડિયાને તેમના પુત્રની આવનારી ફિલ્મને જરૂર પ્રમોટ કરવા પણ કહ્યું. તેમણે કહ્યું, "જે રીતે તમે હંમેશા ગોવિંદા અને અમને પ્રેમ આપ્યો છે, એ જ રીતે હું ઈચ્છું છું કે મારા પુત્રને પણ તમારો પ્રેમ અને સાથ મળે."</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/VynwlpvPdFlyWEghkefd9mATYhzTPIWuSWRbLoTC.webp'/></item><item><title><![CDATA[Vande Bharat or Rajdhani Express: વંદે ભારત કે પછી રાજધાની એક્સપ્રેસ, કઇ ટ્રેનમાં સૌથી વધુ સુવિધાઓ મળશે? ]]></title><link>https://sandesh.com/business/news/travel/vande-bharat-vs-rajdhani-express-comparison</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/travel/vande-bharat-vs-rajdhani-express-comparison</guid><pubDate>Tue, 15 Sep 2026 10:44:36 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય રેલવેમાં રાજધાની એક્સપ્રેસ અને વંદે ભારત એક્સપ્રેસ બંને પ્રીમિયમ શ્રેણીની ટ્રેન છે, પરંતુ તેમના નેટવર્કની શરૂઆત અને હેતુમાં મોટો તફાવત છે. આ બંને ટ્રેન એકબીજાની સીધી હરીફ નથી, પરંતુ અલગ-અલગ જરૂરિયાતો અને મુસાફરીના અંતરને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.</p><p>દેશની પ્રથમ રાજધાની એક્સપ્રેસ 1969માં નવી દિલ્હીથી હાવડા વચ્ચે શરૂ થઈ હતી. તેનો મુખ્ય હેતુ દેશની રાજધાની દિલ્હીને અલગ-અલગ રાજ્યોની રાજધાનીઓ અને મોટા શહેરો સાથે ઝડપી અને આરામદાયક રાત્રિ મુસાફરી દ્વારા જોડવાનો હતો.</p><p>ભારતની પ્રથમ સેમી-હાઈ-સ્પીડ સ્વદેશી ટ્રેન ફેબ્રુઆરી 2019માં નવી દિલ્હીથી વારાણસી વચ્ચે શરૂ થઈ હતી. તેને મુખ્યત્વે શહેરો વચ્ચેની દિવસ દરમિયાનની મુસાફરી માટે બનાવવામાં આવી હતી.</p><h2><b>ઝડપ અને એક્સિલરેશન</b></h2><p>વંદે ભારત એક્સપ્રેસની ડિઝાઇન સ્પીડ 180 કિમી પ્રતિ કલાક છે અને યોગ્ય ટ્રેક પર તે 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. બીજી તરફ, મોટાભાગની રાજધાની ટ્રેનોની મહત્તમ ઝડપ 130 કિમી પ્રતિ કલાક સુધી રહે છે. પરંપરાગત એન્જિનથી ચાલતી રાજધાનીની સરખામણીએ વંદે ભારત સ્વયંસંચાલિત ટ્રેન છે. આ ટ્રેન માત્ર 52 સેકન્ડમાં 0થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે, જેના કારણે સ્ટેશન પર રોકાયા બાદ ફરી ઝડપ મેળવવામાં લાગતો સમય ઘણો ઓછો થઈ જાય છે.</p><h2><b>સીટિંગ ક્લાસ અને કોચની સુવિધાઓ</b></h2><p>સ્ટાન્ડર્ડ વંદે ભારત ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર શ્રેણીમાં આવે છે. તેમાં ઓટોમેટિક સ્લાઇડિંગ દરવાજા, GPS આધારિત પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ, આધુનિક સસ્પેન્શન અને 180 ડિગ્રી સુધી ફરી શકતી બેઠકો મળે છે.</p><p>રાજધાની એક્સપ્રેસમાં ફર્સ્ટ AC, સેકન્ડ AC અને થર્ડ ACમાં પરંપરાગત સૂવાની વ્યવસ્થા હોય છે. ઘણા રૂટ પર હવે નવા તેજસ-રાજધાની કોચ પણ લગાવવામાં આવ્યા છે, જેમાં ઓટોમેટિક દરવાજા અને બાયો-વેક્યૂમ ટોયલેટ જેવી સુવિધાઓ છે.</p><h2><b>વંદે ભારત સ્લીપર</b></h2><p>લાંબા અંતરની રાત્રિ મુસાફરી માટે હવે વંદે ભારતના સ્લીપર વર્ઝન પણ રજૂ કરવામાં આવી રહ્યા છે. તેમાં ગાદીવાળી બર્થ, અવાજ ઓછો કરવાની ટેક્નોલોજી, સેન્સર આધારિત લાઇટિંગ અને 1ACમાં ગરમ પાણી જેવી પ્રીમિયમ સુવિધાઓ આપવામાં આવી રહી છે.</p><h2><b>ખાવા-પીવાની સુવિધા</b></h2><p>વંદે ભારત એક્સપ્રેસમાં IRCTC દ્વારા આપવામાં આવતી કેટરિંગ સુવિધામાં નાસ્તો, બ્રેકફાસ્ટ, લંચ અથવા ડિનર સામેલ હોય છે. મુસાફરોને બુકિંગ વખતે જ ભોજન ન લેવાનો વિકલ્પ પણ મળે છે, જેના કારણે ટિકિટનું ભાડું ઓછું થઈ જાય છે.</p><p>રાજધાની એક્સપ્રેસમાં લાંબી મુસાફરી હોવાથી સવારની ચા, નાસ્તો, સૂપ, લંચ, સાંજના નાસ્તા અને ડિનરનું નક્કી શેડ્યૂલ હોય છે. ફર્સ્ટ ACના મુસાફરોને સૂપ અને ખાસ મેન્યૂનો વિકલ્પ પણ આપવામાં આવે છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/g0iSHaNwCBCCnluyF2sXAptHtvjMQQvBVPslya8l.webp'/></item><item><title><![CDATA[Gurugram Biker Girl Case : ટક્કર મારનાર આરોપીના દાવા પર બાઈકર ગર્લનો પ્રહાર, કેમ રસ્તા પર પીછો કરતો હતો ]]></title><link>https://sandesh.com/india/news/gurugram-biker-girl-accident-case-father-lodged-complaint-against-stalker-cardriver</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/gurugram-biker-girl-accident-case-father-lodged-complaint-against-stalker-cardriver</guid><pubDate>Tue, 15 Sep 2026 10:36:46 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુરુગ્રામમાં કાર અકસ્માતનો ભોગ બનેલી બાઇકર સિયા (શિવાની ચૌહાણ) એ સોમવારે રાત્રે પોતાનું પહેલું વિડીયો સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે. આજ તક પર આરોપીના ઇન્ટરવ્યુ બાદ સિયાએ આ જવાબી વિડીયો રજૂ કર્યો હતો. બીજી તરફ, સોમવારે સાંજે પીડિતાના પિતા રોશન ચૌહાણે વકીલ સાથે ગુરુગ્રામના સેક્ટર ૫૬ પોલીસ સ્ટેશન પહોંચીને લેખિત ફરિયાદ નોંધાવી હતી અને કેસમાં કડક કલમો ઉમેરવાની માગ કરી હતી.</p><p style="text-align: justify;"><b>સિયાએ આરોપીના દાવાઓ સામે ઉઠાવ્યા સીધા સવાલો</b></p><p style="text-align: justify;">પોતાના વિડીયો સ્ટેટમેન્ટમાં સિયાએ આરોપીના તમામ આરોપોનો સખત વળતો પ્રહાર કર્યો હતો. સિયાએ પ્રશ્ન ઉઠાવ્યો કે જો આરોપી દાવો કરતો હોય કે બાઇકર્સ તેને હેરાન કે મારપીટ કરી રહ્યા હતા, તો તે રસ્તા પર તેમનો પીછો કેમ કરી રહ્યો હતો? સિયાએ વધુમાં દાવો કર્યો હતો કે આરોપીએ જાણીજોઈને કારની લેન બદલીને બાઇકને ટક્કર મારી હતી, જે સંપૂર્ણપણે ઇરાદાપૂર્વક કરવામાં આવેલી હિંસક ઘટના હતી.</p><p style="text-align: justify;"><b>પીડિતાના પિતા પોલીસ સ્ટેશન પહોંચ્યા, ન્યાય માટે લડવાની આપી ખાતરી</b></p><p style="text-align: justify;">પીડિતાના પિતા રોશન ચૌહાણે જણાવ્યું કે પોલીસે આ કેસમાં સુઓમોટુ (સ્વતઃ સંજ્ઞાન લઈને) FIR નોંધી લીધી છે અને તેમને ફરિયાદની રસીદ પણ મળી ગઈ છે. તેમણે ઉમેર્યું કે વાયરલ વિડીયો જોતાં સ્પષ્ટ થાય છે કે આ માત્ર એક સામાન્ય અકસ્માત નથી, પરંતુ હિટ-એન્ડ-રન અને હત્યાનો પ્રયાસ હતો. સદનસીબે પુત્રીને ગંભીર ઈજા નથી થઈ, પરંતુ વિડીયોમાં તેને દૂર સુધી ઢસડાતી જોઈ શકાય છે.</p><p style="text-align: justify;"><b>ગભરાઈ ગયેલી દીકરી અને પિતાની મક્કમતા</b></p><p style="text-align: justify;">રોશન ચૌહાણે સ્પષ્ટતા કરી કે આ ભયાનક ઘટના બાદ તેમની પુત્રી ખૂબ જ ડરી ગઈ હતી, જેથી તેણે શરૂઆતમાં પરિવારને કશું જણાવ્યું નહોતું. જો તેણે પહેલાં જાણ કરી હોત તો પોલીસ કાર્યવાહી વહેલી થઈ શકી હોત. તેમણે ભારપૂર્વક કહ્યું કે તેમની દીકરી કંઈ ખોટું નહોતી કરી રહી અને સામાન્ય રીતે બાઇક ચલાવી રહી હતી. તેઓ પોતાની પુત્રીને ન્યાય અપાવવા માટે જરૂરી દરેક કાનૂની હદ સુધી જશે.</p><p style="text-align: justify;"><b>કલમો વધારવા વકીલની માગણી અને ગુરુગ્રામ પોલીસનું વલણ</b></p><p style="text-align: justify;">સિયાના વકીલે જણાવ્યું હતું કે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેસમાં હત્યાના પ્રયાસ (Attempt to Murder) ના આરોપો ઉમેરવા જોઈએ. તેમણે ગુરુગ્રામ પોલીસના સહકારની પ્રશંસા કરતાં જણાવ્યું કે પોલીસે પરિવારને ખાતરી આપી છે કે ટૂંક સમયમાં સિયાનું સત્તાવાર નિવેદન નોંધવામાં આવશે. પરિવારનો સ્પષ્ટ આરોપ છે કે આરોપીએ સિયાને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.</p><p style="text-align: justify;"><b>કોણ છે બાઇકર સિયા?</b></p><p style="text-align: justify; ">ગુરુગ્રામમાં બાઇક રાઇડિંગનો આ વાયરલ વિડીયો rebelwheels_sia_ નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો હતો. આ પ્રોફાઇલ દિલ્હીના કાલકાજીની રહેવાસી શિવાની ચૌહાણની હોવાનું સામે આવ્યું છે. શિવાની આમ આદમી પાર્ટી (AAP) સાથે સંકળાયેલી છે અને તેણે ૨૦૨૨ માં કાલકાજી વોર્ડમાંથી મ્યુનિસિપલ ચૂંટણી પણ લડી હતી. તેના પિતા રોશન ચૌહાણે આ વિગતોની પુષ્ટિ કરી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/india/news/crime/guwahati-wife-murder-accused-dies-police-vehicle-jump#google_vignette" target="_blank">આ પણ વાંચો : Guwahati : સનસનીખેજ બનાવ, પત્નીની હત્યા કરી માથું ફ્રિજમાં છુપાવનાર આરોપીનું પોલીસ વાહનમાંથી કૂદતાં મોત</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/gKV10FKhenbWGrhKVDo3KSBumFB1j7qnBvK0Uwyt.webp'/></item><item><title><![CDATA[Delhi Airport પર ઇમિગ્રેશન કર્યા વિના 3 વિદેશી મુસાફરો ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં પહોંચ્યા, Air Indiaને શો કોઝ નોટિસ ]]></title><link>https://sandesh.com/india/news/3-foreign-passengers-arrived-on-an-international-flight-without-going-through-immigration-at-delhi-airport-show-cause-notice-issued-to-air-india</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/3-foreign-passengers-arrived-on-an-international-flight-without-going-through-immigration-at-delhi-airport-show-cause-notice-issued-to-air-india</guid><pubDate>Tue, 15 Sep 2026 10:28:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આ ઘટનાએ એરપોર્ટની સુરક્ષા અને ઇમિગ્રેશન વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે. મામલો ત્રણ ઇટાલિયન મુસાફરો સાથે જોડાયેલો છે, જેઓ દિલ્હી પહોંચ્યા બાદ જરૂરી ઇમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના જ પોતાની આગળની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સુધી પહોંચી ગયા હતા. આ મામલે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એર ઇન્ડિયા પાસેથી જવાબ માંગ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>ઘટના 4 સપ્ટેમ્બરની</b></h2><p style="text-align: justify; ">આ ઘટના 4 સપ્ટેમ્બરની હોવાનું જાણવા મળે છે. ત્રણ ઇટાલિયન મુસાફરો એર ઇન્ડિયાની ફ્લાઇટ દ્વારા અમૃતસરથી દિલ્હી પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે દિલ્હીથી મ્યુનિક જતી લુફ્થાન્સાની ફ્લાઇટ પકડવાની હતી. નિયમ મુજબ દિલ્હી પહોંચ્યા બાદ આ મુસાફરોએ અરાઇવલ ઇમિગ્રેશન વિસ્તારમાં જઈને જરૂરી ઇમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની હતી.</p><p style="text-align: justify; ">પરંતુ રિપોર્ટ મુજબ આવું થયું નહોતું. મુસાફરોને અરાઇવલ ઇમિગ્રેશન વિસ્તારમાં લઈ જવાને બદલે આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ ત્યાંથી લુફ્થાન્સાની મ્યુનિક જતી ફ્લાઇટમાં સવાર થઈ ગયા હતા. આ સમગ્ર પ્રક્રિયાને લઈને હવે તપાસ શરૂ કરવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>એર ઇન્ડિયાને કારણદર્શક નોટિસ</b></h3><p style="text-align: justify; ">નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ ઘટનાને ગંભીરતાથી લેતા એર ઇન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી તેવોલ્ડે ગેબ્રેમારિયમને કારણદર્શક નોટિસ ફટકારી છે. એરલાઇન પાસેથી કુલ 9 મુદ્દાઓ પર લેખિત જવાબ માંગવામાં આવ્યો છે. જવાબ આપવા માટે 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે અને એર ઇન્ડિયાએ 19 સપ્ટેમ્બર સુધીમાં સ્પષ્ટતા કરવાની રહેશે કે તેની સામે કાર્યવાહી કેમ ન કરવામાં આવે.</p><p style="text-align: justify; ">નોટિસમાં મુસાફરોને સંભાળનારા અને તેમને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં સામેલ એર ઇન્ડિયા તથા SATSના કર્મચારીઓની ભૂમિકા અંગે પણ સવાલો કરવામાં આવ્યા છે. ખાસ કરીને ત્રણેય મુસાફરોને આંતરરાષ્ટ્રીયથી આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર રૂટ પરથી કેમ લઈ જવામાં આવ્યા તે તપાસનો મહત્વપૂર્ણ મુદ્દો છે.</p><p style="text-align: justify; ">મંત્રાલયે અમૃતસરમાં જ લુફ્થાન્સાની દિલ્હી-મ્યુનિક ફ્લાઇટનો આગળનો બોર્ડિંગ પાસ જારી કરવામાં આવ્યો હતો તે અંગે પણ સવાલ ઉઠાવ્યો છે. નોટિસ મુજબ હબ-એન્ડ-સ્પોક વ્યવસ્થામાં સ્પોક એરપોર્ટ પરથી આ પ્રકારનો બોર્ડિંગ પાસ જારી કરવાની મંજૂરી હોતી નથી.</p><h4 style="text-align: justify; "><b>શું છે હબ-એન્ડ-સ્પોક સિસ્ટમ?</b></h4><p style="text-align: justify; ">હબ-એન્ડ-સ્પોક મોડેલમાં મુસાફરોને ચોક્કસ વ્યવસ્થા હેઠળ સ્પોક એરપોર્ટ પર જ ઇમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની સુવિધા મળી શકે છે. ત્યારબાદ હબ એરપોર્ટ પહોંચ્યા પછી તેઓ જરૂરી સુરક્ષા તપાસ પૂર્ણ કરીને પોતાની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પકડી શકે છે.</p><p style="text-align: justify; ">પરંતુ આ મામલે અમૃતસર-દિલ્હી અને દિલ્હી-મ્યુનિક ફ્લાઇટ્સ આ વ્યવસ્થા હેઠળ આવતી નહોતી. તેથી મુસાફરો માટે દિલ્હીમાં અરાઇવલ ઇમિગ્રેશનની નિર્ધારિત પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી હતી.</p><p style="text-align: justify; ">હવે મંત્રાલય સમગ્ર ઘટનામાં એરલાઇનના નોડલ અધિકારી, કર્મચારીઓ અને સુપરવાઇઝરી વ્યવસ્થાની ભૂમિકા અંગે જવાબ માંગી રહ્યું છે. એર ઇન્ડિયાએ હાલ આ મામલે કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો: <a href="https://sandesh.com/world/news/nepal-flood-electricity-crisis-due-to-floods-in-nepal-india-comes-to-the-rescue-will-provide-electricity-for-18-hours-a-day" target="_blank">Nepal Flood: નેપાળમાં પૂરથી વીજળી સંકટ, ભારત બન્યું મદદગાર રોજ 18 કલાક સુધી વીજળી આપશે</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/guzcrwzDlsR0kwGxuYjQX5qvrX8YozKULntgYX7Z.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: રોંગ સાઈડમાં આવી રહેલી ટ્રક ચાલકે બાઈક સવાર બે યુવકોને અડફેટે લીધા, એકનું મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/wrong-side-truck-hits-two-bikers-near-anjali-bridge-one-killed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/wrong-side-truck-hits-two-bikers-near-anjali-bridge-one-killed</guid><pubDate>Tue, 15 Sep 2026 09:58:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં બેફામ વાહનચાલકોની બેદરકારી અને ટ્રાફિક નિયમનના સરેઆમ ભંગને કારણે નિર્દોષ નાગરિકોના ભોગ લેવાવવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી.શહેરના વ્યસ્ત ગણાતા એવા અંજલી બ્રિજ પાસે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.જેમાં રોંગ સાઈડમાં આવી રહેલી એક અનિયંત્રિત ટ્રકે બાઈક પર જઈ રહેલા બે યુવકોને અડફેટે લીધા હતા.આ અકસ્માતમાં એક યુવકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.જ્યારે અન્ય એક યુવક ગંભીર હાલતમાં હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>મહાલક્ષ્મી પાંચ રસ્તા પાસે બ્રિજની છેડે સર્જાઈ દુર્ઘટના</b></h2><p style="text-align: justify; ">પ્રાપ્ત વિગતો અનુસાર આ ગંભીર અકસ્માત અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી પાંચ રસ્તા પાસે અંજલી બ્રિજના છેડા પર સર્જાયો હતો.બાઈક સવાર બે યુવકો પોતાના નિયમિત રસ્તે જઈ રહ્યા હતા તે દરમિયાન સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રક અચાનક રોંગ સાઈડમાં ધસી આવી હતી.ટ્રક ચાલકની આ બેદરકારી અને ઓવરસ્પીડના કારણે બાઈક ચાલક કઈ સમજે તે પહેલા જ ટ્રકે જોરદાર ટક્કર મારી દીધી હતી.ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક પર સવાર બંને યુવકો ફંગોળાઈને રોડ પર પટકાયા હતા.</p><h2 style="text-align: justify; "><b>એક યુવકનું ઘટનાસ્થળે જ મોત બીજો ગંભીર ઇજાગ્રસ્ત</b></h2><p style="text-align: justify; ">આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાના કારણે બાઈક સવાર એક યુવકનું ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જ્યારે તેની સાથે રહેલો અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો.અકસ્માતની ઘટના જાણીને આસપાસના લોકો ત્વરિત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.લોકોએ તાત્કાલિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ દ્વારા ખસેડવામાં આવ્યો છે.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ટ્રાફિક પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે.પોલીસે અકસ્માતે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા ટ્રક ચાલકને ઝડપી પાડવાની કવાયત તેજ કરી છે.&nbsp;<br><br><h2><b>ઈસ્કોન બ્રિજ પર બે અકસ્માત</b></h2></p><p style="text-align: justify; ">ઉલ્લેખનીય છે કે, શહેરમાં બેફામ પણે વાહન હંકારનારા લોકો અકસ્માત સર્જી રહ્યાં છે. આજે સવારે ઈસ્કોન બ્રિજ પર એક જ સ્થળે બે અકસ્માત સર્જાયા હતાં. કર્ણાવતી ક્લબ પાસે ચાલી રહેલા કામને કારણે એક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ ડાયવર્ઝન બોર્ડ સાથે એક બેફામ સ્પીડે આવી રહેલા કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. જ્યારે એક ટ્રક ચાલકે બ્રિજ પાસે ગોઠવેલા બેરિકેટ તોડ્યા હતાં. આ અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી નથી. પરંતુ બેફામ ચાલકો દ્વારા થતા આ અકસ્માતોમાં નિર્દોષ લોકોના મોત થઈ રહ્યાં છે.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/2-accidents-at-same-spot-on-iskcon-bridge" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News:આજે ઈસ્કોન બ્રિજ એક જ જગ્યાએ 2 અકસ્માત સર્જાયા, ડાયવર્ઝન બન્યું જીવલેણ</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/EHTv3MbuApS7GEqdWDOVW9ilPz1p7qZL46SH6S0P.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News : ગુજરાતમાં વૈજ્ઞાનિકો સૂર્યનું રહસ્ય ઉકેલવા લાગ્યા, કૃત્રિમ સૂરજ બનાવવા માટે સંશોધન શરૂ ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/scientists-research-artificial-sun-to-unlock-clean-fusion-energy</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/scientists-research-artificial-sun-to-unlock-clean-fusion-energy</guid><pubDate>Tue, 15 Sep 2026 08:21:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આકાશમાં ચમકતો સૂરજ તો રોજ સૌને દેખાય છે પરંતુ હવે ગુજરાતની ધરતી પર પણ વૈજ્ઞાનિકો સૂરજનું રહસ્ય ઉકેલવામાં લાગી ગયા છે.સૂર્યની અંદર જે પ્રક્રિયાથી અઢળક ઊર્જા પેદા થાય છે તેવી જ પ્રક્રિયાને ગાંધીનગરની પ્રયોગશાળામાં કાબૂમાં લેવાની કવાયત ચાલી રહી છે.પ્લાઝમામાં સૂર્ય જેવી અતિ ગરમ સ્થિતિમાં પહોંચાડવા માટે વૈજ્ઞાનિકોએ હવે વધુ શક્તિશાળી પ્રણાલી કાર્યરત કરી છે.આ પ્રયોગ સફળ રહ્યો તો ભવિષ્યમાં પેટ્રોલ-ડીઝલ કે કોલસા વગર સ્વચ્છ ઊર્જાના નવા યુગની શરૂઆત થઈ શકે છે.</p><h2 style="text-align: justify; "><b>એક મહત્ત્વની કડી હવે ગુજરાતમાં લખાઈ જઈ રહી છે</b></h2><p style="text-align: justify; ">દુનિયા જેને કૃત્રિમ સૂર્ય કહી રહી છે તેના સંશોધનની એક મહત્ત્વની કડી હવે ગુજરાતમાં લખાઈ જઈ રહી છે.ગાંધીનગરમાં આવેલી પ્લાઝમા સંશોધન સંસ્થામાં સૂર્ય જેવી ઊર્જા પેદા કરવાની પ્રક્રિયા અંગે સંશોધન ચાલી રહ્યું હોવાનો અહેવાલ સામે આવ્યો છે.આ સંસ્થામાં એસએસટી-૧ નામના ખાસ યંત્ર દ્વારા સૂર્યમાં થતી પ્રક્રિયા જેવી સ્થિતિ ઊભી કરીને તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.સૂર્યની અંદર હાઈડ્રોજનના નાના પરમાણુઓ એકબીજા સાથે જોડાય છે.આ પ્રક્રિયામાં ખૂબ મોટી માત્રામાં ઊર્જા પેદા થાય છે.તેને પરમાણુ સંલયન કહેવામાં આવે છે.</p><h3 style="text-align: justify; "><b>આ પ્રયોગનો હેતુ ખરેખર સૂરજ બનાવવાનો નથી</b></h3><p style="text-align: justify; ">વૈજ્ઞાનિકો આ જ પ્રક્રિયાને ધરતી પર નિયંત્રિત રીતે કરવાની રીત શોધી રહ્યા છે.જેમાં ગાંધીનગરની પ્લાઝમા સંશોધન સંસ્થામાં ખાસ યંત્રમાં વાયુને ખૂબ ઊંચા તાપમાને ગરમ કરીને પ્લાઝમા બનાવવામાં આવે છે.પ્લાઝમાને સરળ ભાષામાં ખૂબ જ ગરમ વાયુ કહી શકાય. ત્યારબાદ તેને શક્તિશાળી ચુંબકીય ક્ષેત્રની મદદથી નિયંત્રિત રાખવામાં આવે છે.આ પ્રયોગનો હેતુ ખરેખર સૂરજ બનાવવાનો નથી,સૂર્યની અંદર ઊર્જા પેદા કરતી પ્રક્રિયાને ધરતી પર કેવી રીતે નિયંત્રિત કરી શકાય તેનો અભ્યાસ કરવાનો છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>સામાન્ય ભાષામાં કૃત્રિમ સૂરજ તરીકે ઓળખવામાં આવે છે</b></h2><p style="text-align: justify; ">તેથી આવા સંશોધનને સામાન્ય ભાષામાં કૃત્રિમ સૂરજ તરીકે ઓળખવામાં આવે છે.એસએસટી-1 સાથે 82.6 ગીગાહર્ટ્ઝની અને 400 કિલોવોટ ક્ષમતાની પ્રણાલીના ઉપયોગ કરાયો હોવાનો દાવો છે.આ પ્રણાલી પ્લાઝમાને વધુ ગરમ કરવામાં મદદરૂપ થાય છે.જો વૈજ્ઞાનિકો પરમાણુ સંલયનની પ્રક્રિયાને લાંબા સમય સુધી અને સુરક્ષિત રીતે નિયંત્રિત કરી શકશે તો ભવિષ્યમાં તેમાંથી વીજળી મેળવવાની શક્યતા છે.આથી કોલસા જેવા ઈંધણ પરની નિર્ભરતા ઘટાડવામાં અને સ્વચ્છ ઊર્જા મેળવવામાં મદદ મળી શકે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/if-ev-buses-stop-in-one-foot-water-why-buy-them-mla-questions-amc" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: એક ફૂટ પાણીમાં AMCની ઈલેક્ટ્રીક બસો દોડતી નથી તો ખરીદવાની ક્યાં જરૂર છે: ધારાસભ્યનો સવાલ</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/niTplkTtXCn790a7D8JuzAmWs1rve94Z5uqxoNVY.webp'/></item><item><title><![CDATA[Gujarat Weather News: રાજ્યમાં આજે પણ આ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો ક્યારે મેઘરાજા વિરામ લેશે? ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/heavy-rain-forecast-today-know-when-monsoon-will-ease</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/heavy-rain-forecast-today-know-when-monsoon-will-ease</guid><pubDate>Tue, 15 Sep 2026 07:47:08 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતભરમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે.જેના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 259 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.ધોધમાર વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે અને નદી-નાળા છલકાઈ ગયા છે. ત્યારે હવામાન વિભાગે આગામી સમયમાં વરસાદનું જોર ઘટવાની સંભાવના પણ વ્યક્ત કરી છે. આ ઉપરાંત આજે પણ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ અપાયું છે.</p><h2 style="text-align: justify; "><b>કચ્છ અને સૌરાષ્ટ્રમાં મેઘ તાંડવ</b></h2><p style="text-align: justify; ">છેલ્લા 24 કલાકના આંકડાઓ પર નજર કરીએ તો કચ્છ પંથકમાં મેઘરાજાએ સૌથી વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.કચ્છના અંજાર તાલુકામાં સૌથી વધુ 7.24 ઇંચ વરસાદ ખાબક્યો છે.આ ઉપરાંત ગાંધીધામમાં 4.61 ઇંચ અને ભચાઉમાં 4.41 ઇંચ વરસાદ નોંધાયો છે.સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાએ હેત વરસાવ્યું છે જેમાં ભાવનગરના વલ્લભીપુરમાં 6.1 ઇંચ, જામનગર શહેરમાં 5.59 ઇંચ અને રાજકોટના કોટડા સાંગાણીમાં 5.2 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. આણંદના બોરસદમાં 5.51 ઇંચ, મહેસાણાના કડીમાં 4.29 ઇંચ, વડોદરાના કરજણમાં 4.29 ઇંચ, સુરત શહેરમાં 4.17 ઇંચ, અમદાવાદના ધોળકામાં 4.13 ઇંચ, ખેડાના નડિયાદમાં 4.06 ઇંચ અને અમદાવાદ શહેરમાં 3.43 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>કચ્છ સૌરાષ્ટ્રમાં હજુ પણ વરસાદનું એલર્ટ</b></h3><p style="text-align: justify; ">હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ યથાવત રહેશે.આજે ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય અમદાવાદમાં હળવા વરસાદની આગાહી છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં સામાન્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શરુઆત થશે.જોકે,છેલ્લા 24 કલાકમાં પડેલા અતિભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા છે અને જળાશયોમાં નવા નીર આવવાથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/if-ev-buses-stop-in-one-foot-water-why-buy-them-mla-questions-amc" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: એક ફૂટ પાણીમાં AMCની ઈલેક્ટ્રીક બસો દોડતી નથી તો ખરીદવાની ક્યાં જરૂર છે: ધારાસભ્યનો સવાલ</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/ZGmTSGUzRdk3bNrD9VmO1ovDso93EFNHn9TfV9Fv.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: એક ફૂટ પાણીમાં AMCની ઈલેક્ટ્રીક બસો દોડતી નથી તો ખરીદવાની ક્યાં જરૂર છે: ધારાસભ્યનો સવાલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/if-ev-buses-stop-in-one-foot-water-why-buy-them-mla-questions-amc</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/if-ev-buses-stop-in-one-foot-water-why-buy-them-mla-questions-amc</guid><pubDate>Tue, 15 Sep 2026 07:32:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">છેલ્લા બે દિવસથી રાજ્યમાં ભારે વરસાદ ખાબક્યો છે. ગઈકાલે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘ મહેર થઈ હતી. બીજી તરફ સ્માર્ટ સિટી કહેવાતા અમદાવાદમાં શાસકો અને અધિકારીઓની મોટી બેદરકારી સામે આવી હતી. જુલાઈમાં થયેલા વરસાદથી બોધ પાઠ નહીં લેતા ગઈકાલના વરસાદમાં પણ શહેર પાણીમાં ડૂબ્યું હતું. સવારથી જ વરસાદ શરૂ થતાં સ્કૂલ બસો પણ વરસાદી પાણીમાં ફસાઈ હતી. આ ઉપરાંત એએમટીએસની બસો પણ રસ્તા પર ભરાઈ ગયેલા પાણીમાં બંધ પડી ગઈ હતી. બસના ડ્રાઈવરોએ બંધ પડેલી બસ પાણીમાં જ ઉભી કરી દેતા મુસાફરો રોષે ભરાયા હતાં.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>પેસેન્જરોને રઝળતા મૂકવાનો વિવાદ વકર્યો</b></h2><p style="text-align: justify; ">અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસો એક ફૂટ પાણીમાં બંધ કરીને મૂકી દઈ પેસેન્જરોને રઝળતા મૂકવાનો વિવાદ વકર્યો છે.વાસણામાં અંદાજે ચાર બસો પાણીમાં બંધ કરીને મૂકી દેવા સામે એલિસબ્રિજના સત્તાપક્ષના ધારાસભ્ય અને પૂર્વ મેયરે પ્રશ્ન ઉઠાવતાં મ્યુનિ.તંત્ર ફસાઈ ગયું હતું.ધારાસભ્યએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, એક ફૂટ પાણીમાં ઇલેક્ટ્રિક બસ ચાલી શકતી નથી તો ખરીદવાની ક્યાં જરૂર છે ? જેના જવાબમાં AMTS વિભાગ ગોળ ગોળ જવાબ આપી છટકી ગયું હતું.બીજી તરફ સ્કૂલ બસની બે ઘટના બની હતી, જેમાં શેલામાં બસ પાણીમાં ફસાતાં બાળકોનું રેસ્કયુ કરાયું હતું, જ્યારે મકરબામાં બસ ખાડામાં ઊતરી ગઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>વાસણામાં ઇલેક્ટ્રિક AMTSની બસો બંધ કરીને મૂકી દેવાઇ</b></h2><p style="text-align: justify; ">બસો ઓપરેટરોના લાભાર્થે ચાલતી હોય તેવા વિપક્ષ દ્વારા આક્ષેપ પણ કરાયા છે.વાસણામાં ઇલેક્ટ્રિક AMTSની બસો બંધ કરીને મૂકી દેવાઇ હતી. શરૂઆતમાં લાગ્યું કે, ઇલેક્ટ્રિક બસમાં ટેકનિકલ સમસ્યા લાગે છે.પરંતુ એલિસબ્રિજના ધારાસભ્ય અને પૂર્વ મેયરે તપાસ કરતાં બસ ચાલકે કહ્યું કે, પાણી ભરાઈ ગયાં છે એટલે ઉપરથી ઇલેક્ટ્રિક બસ બંધ રાખીને ઊભી રાખવાનો આદેશ છે.પૂર્વ મેયરે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, એક કે બે ફૂટ પાણીમાં ઇલેક્ટ્રિક બસો બંધ થઈ જતી હોય તો ખરીદવાની ક્યાં જરૂર છે ? અન્ય એક કિસ્સામાં શેલામાં સ્કૂલ બસ પાણીમાં ભરાઈ જતાં અન્ય બસ લાવીને બાળકોને હેમખેમ શિફ્ટ કરાયાં હતાં. જ્યારે મકરબામાં બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. ફાયર ટીમ પહોંચે તે પહેલાં જ બાળકોને બચાવી લેવાયાં હતાં.</p><h2 style="text-align: justify; "><b>AMTS-BRTSની 1350 બસોમાંથી 380થી વધુ EV બસો&nbsp;</b></h2><p style="text-align: justify; ">મ્યુનિ.ટ્રાન્સપોર્ટ અને જનમાર્ગ વિભાગ દ્વારા વરસાદી પાણી ભરાય એટલે ઇલેક્ટ્રિક બસો બંધ કરીને મૂકી દઈ કોન્ટ્રાક્ટરોને લાભ કરી અપાતો હોવાનું પુરવાર થયું છે.હાલ અંદાજે AMTSની 1000માંથી 136 ઇલેક્ટ્રિક બસ અને BRTSની 350માંથી 250 ઇલેક્ટ્રિક બસો છે.આમ અંદાજે 1350 બસોમાંથી 380થી વધુ ઇલેક્ટ્રિક બસો છે.વિભાગના સૂત્રોએ કહ્યું કે,બસ પાણીના લીધે બંધ કરાતી નથી પણ કોર્પોરેશનના ખરાબ રસ્તાના લીધે બસોને નુકસાન થાય નહીં એટલે બંધ રખાય છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/tapi/tapi-relief-for-villagers-as-leopards-return-to-cages-in-dadaria-valod" target="_blank">આ પણ વાંચોઃ Tapi: વાલોડના દાદરીયામાં ફરી દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોને રાહત</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/roC8UDTRAKL2KCxwh8ZVVV4Z30Ms4fJ1I1x18mPL.webp'/></item><item><title><![CDATA[પાકિસ્તાનની ટીમ ભારત આવશે! એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં જામશે ભારત-પાક જંગ ]]></title><link>https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</guid><pubDate>Mon, 14 Sep 2026 15:47:21 +05:30</pubDate><description><![CDATA[<p>આવતા મહિને પાકિસ્તાનની હોકી ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે. 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન પંજાબમાં યોજાનારી AHF મેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026માં પાકિસ્તાન સહિત કુલ છ ટીમો ભાગ લેશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પાકિસ્તાનની ભાગીદારી અંગેની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, મલ્ટી-નેશનલ ઇવેન્ટ્સ અંગે કેન્દ્ર સરકારની નીતિ હેઠળ બંને દેશોની ટીમો આમને-સામને રમશે.</p><h2><b>ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જાલંધરમાં રમાશે</b></h2><p>એશિયન મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન થશે. આ ટૂર્નામેન્ટમાં યજમાન ભારત અને પાકિસ્તાન ઉપરાંત ચીન, જાપાન, મલેશિયા અને કોરિયાની પણ ભાગ લેશે. લીગ સ્ટેજના મુકાબલા જાલંધરમાં યોજાશે, જ્યારે સેમિફાઇનલ અને ફાઇનલ મેચ મોહાલીના હોકી સ્ટેડિયમમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 1 નવેમ્બરે જાલંધરમાં રમાશે. કોઈ ટીમ છેલ્લી ઘડીએ ખસી જાય તો તે સ્થિતિ માટે ઓમાન અને બાંગ્લાદેશને રિઝર્વ ટીમન તરીકે રાખવામી આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PTI_News/status/2099416960278868155"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમવામાં કોઈ મુશ્કેલી નથી</b></h2><p>પાકિસ્તાનની ભાગીદારી અને જરૂરી મંજૂરીઓ અંગે પંજાબના મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં બંને દેશો વચ્ચે રમવામાં કોઈ મુશ્કેલી નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝનું આયોજન અલગ બાબત છે, કારણ કે કેન્દ્ર સરકારની વર્તમાન નીતિ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય રમત-ગમતના આયોજનની મંજૂરી આપતી નથી. પરંતુ મલ્ટી-નેશનલ ટૂર્નામેન્ટમાં બંને દેશોના ખેલાડીઓને એકબીજા સામે રમવાની પરવાનગી છે, જેથી પાકિસ્તાની ટીમ ભારત આવી શકશે.</p><h2><b>ભારત વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે</b></h2><p>ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. ભારતે 2023માં ચેન્નાઈ અને 2024માં ચીનના હુલુનબુઈરમાં યોજાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ગત વર્ષે આ સ્પર્ધા યોજાઈ શકી નહોતી. હવે પંજાબ પ્રથમ વખત આ ટૂર્નામેન્ટની મેજબાની કરવા જઈ રહ્યું છે.</p><h2><b>અગાઉ પાકિસ્તાની ટીમે ના કહી હતી&nbsp;</b></h2><p>પાકિસ્તાનની આ વખતની ભાગીદારી એટલા માટે પણ ખાસ છે, કારણ કે ગત વર્ષે તેણે તમિલનાડુમાં આયોજિત જૂનિયર હોકી વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તે સમયે બંને દેશો વચ્ચેના તણાવને તેનું કારણ ગણાવવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે અને પાકિસ્તાની ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે પૂરી રીતે તૈયાર છે.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/V6jwdiIr9RTCvR6EyBaGsP2qfZvYLq2JfkL7pytm.webp'/></item></channel></rss>