<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Gujarat હાઇકોર્ટનો આસારામને મોટો ઝટકો: જામીન થયા રદ, જેલવાસ રહેશે યથાવત! ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/asaram-gujarat-high-court-bail-rejected-medical-ground</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/asaram-gujarat-high-court-bail-rejected-medical-ground</guid><pubDate>Tue, 08 Sep 2026 12:45:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને ગુજરાત હાઇકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. હાઇકોર્ટે આસારામ દ્વારા કરવામાં આવેલી જામીન અરજીને સંપૂર્ણપણે ફગાવી દીધી છે. કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ ટિપ્પણી કરી હતી કે આ તબક્કે આરોપીને જામીન આપવા યોગ્ય જણાતા નથી, જેથી તેમને કોઈ રાહત આપવામાં આવી નથી.</p><h2 style="text-align: justify; "><b>20 દિવસના જામીન માટે કરી હતી અરજી&nbsp;</b></h2><p style="text-align: justify; ">આસારામ તરફથી મેડિકલ ગ્રાઉન્ડ (સ્વાસ્થ્યના કારણો) આગળ ધરીને 20 દિવસની હંગામી જામીન મંજૂર કરવા માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આસારામના વકીલ દ્વારા તેમની ઉંમર અને તબિયતની સારવાર અર્થે જામીન આપવા માટે રજૂઆતો કરવામાં આવી હતી, જેને કોર્ટે ગ્રાહ્ય રાખી ન હતી.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><img alt="Tough verdict of Gujarat High Court" src="https://epapercdn.sandesh.com/images/2026/09/08/MhKLIQ5Dy4IjyglrdMVmvBmz7AJQpamW0pNn6Nsg.webp"><br></p><p style="text-align: justify; "><br></p><h3 style="text-align: justify; "><b>દુષ્કર્મ કેસમાં કાપી રહ્યા છે આજીવન કેદની સજા&nbsp;</b></h3><p style="text-align: justify; ">ઉલ્લેખનીય છે કે આસારામ સામે સુરતની બે બહેનો દ્વારા નોંધાવવામાં આવેલા ગંભીર દુષ્કર્મના કેસમાં અદાલતે તેમને દોષિત ઠેરવીને આજીવન કેદની આકરી સજા ફટકારી છે. હાલ તેઓ આ સજા ભોગવી રહ્યા છે. હાઇકોર્ટે જામીન અરજી ફગાવી દેતાં આસારામને જેલમાં જ રહેવું પડશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/39dwTb6nOnPPto87l4k7XcCnFt2QK3UI5PTzrs3D.webp'/></item><item><title><![CDATA[Viral VIDEO : આ રાજસ્થાન છે સાહેબ!  બસની છત પર થારની સવારી જોઇને લોકો પણ રહી ગયા દંગ! ]]></title><link>https://sandesh.com/india/news/viral-video-thar-car-on-bus-roof-rajasthan</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/viral-video-thar-car-on-bus-roof-rajasthan</guid><pubDate>Tue, 08 Sep 2026 12:45:08 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજસ્થાનનો ઉલ્લેખ થાય એટલે આપોઆપ રણ, રેતી અને ગરમીની છબી આંખ સામે આવી જાય છે, પરંતુ અહીં ક્યારેક એવા અવિશ્વસનીય દ્રશ્યો જોવા મળે છે જે સૌને ચોંકાવી દે છે. હાલમાં સોશિયલ મીડિયા પર જયપુર-અજમેર રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-48) નો એક અત્યંત રમુજી અને અનોખો વિડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>બસની બાજુમાં નહીં છત પર થાર</b></h2><p style="text-align: justify; ">સામાન્ય રીતે આપણે રસ્તા પર કાર અને બસ દોડતી જોઈ હોય છે, પરંતુ આ વાયરલ વીડિયોમાં એક ચાલતી બસની છત પર મહિન્દ્રા થાર કાર સવારી કરતી નજરે પડે છે. આ અકલ્પનીય દ્રશ્યે હાઈવે પરથી પસાર થતા મુસાફરો અને સોશિયલ મીડિયા યુઝર્સનું ભરપૂર ધ્યાન ખેંચ્યું છે.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/Omrlp07/status/2096866867159921040"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h3 style="text-align: justify; "><b>લોકોની રમુજી પ્રતિક્રિયાઓ અને "રાજસ્થાની જુગાડ"</b></h3><p style="text-align: justify; ">આ વીડિયો સામે આવ્યા બાદ યુઝર્સે તેના પર મનોરંજક ટિપ્પણીઓનો વરસાદ કર્યો છે. લોકો તેને અનોખો "રાજસ્થાની જુગાડ" ગણાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "વાહ, મેં આ પ્રકારનો જુગાડ પહેલી વાર જોયો છે." તો વળી અન્ય એક યુઝરે મજાકિયા અંદાજમાં કહ્યું કે અહીં તો થારને પણ બસમાં સવારી મળી ગઈ છે!&nbsp;</p><h4 style="text-align: justify; "><b>મનોરંજન અને મજાકથી હટીને સવાલો પણ ઉઠ્યા</b></h4><p style="text-align: justify; ">કેટલાક લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે કે આખરે બસની છત પર ગાડી ચઢાવી કેવી રીતે હશે અને તેને ક્યાં લઈ જવામાં આવી રહી છે. જોકે, મનોરંજન અને મજાકથી હટાવીને લોકો આ પ્રકારે હાઈવે પર જોખમી રીતે વાહન વહન કરવા સામે સુરક્ષાને લઈને ગંભીર સવાલો પણ ઉઠાવી રહ્યા છે. હાલમાં આ વીડિયો તેના અનોખા દેખાવને કારણે ઇન્ટરનેટ પર ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે.<br><br><b><a href="https://sandesh.com/webstory/lifestyle/do-you-keep-dough-in-the-fridge-how-long-can-it-be-used" target="_blank">આ પણ વાંચોઃ&nbsp; લોટ બાંધીને ફ્રિજમાં રાખો છો? કેટલા સમય સુધી જ કરી શકાય ઉપયોગ...</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/xcKemxbxdjdsvxNPWDfC4TQsRYHUqDtYE2m7J3SK.webp'/></item><item><title><![CDATA[8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, વધી જશે સેલરી, પગાર પંચે કામગીરી કરી ઝડપી ]]></title><link>https://sandesh.com/business/news/8th-pay-commission-salary-hike-fitment-factor-update</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/8th-pay-commission-salary-hike-fitment-factor-update</guid><pubDate>Tue, 08 Sep 2026 12:14:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કેન્દ્ર સરકાર દ્વારા 3 નવેમ્બર, 2025 ના રોજ મહત્વપૂર્ણ 8મા પગાર પંચની રચના કરવામાં આવી હતી અને તેને અંતિમ અહેવાલ તૈયાર કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આ નિર્ધારિત સમયમર્યાદામાંથી હાલમાં 10 મહિના પૂરા થઈ ચૂક્યા છે. રિપોર્ટ એકદમ સચોટ અને વ્યાપક બને તે માટે કમિશનની ટીમ દેશભરના વિવિધ રાજ્યોમાં સક્રિયપણે પ્રવાસ કરી રહી છે. આ જ શૃંખલામાં, કમિશનની ટીમ 7-8 સપ્ટેમ્બરના રોજ ચેન્નાઈની મુલાકાતે છે, જ્યાં કર્મચારી સંગઠનો સાથે સીધી બેઠકો યોજાઈ રહી છે. કર્મચારીઓના પગાર અને ભથ્થાની દ્રષ્ટિએ આ બેઠકો અત્યંત નિર્ણાયક માનવામાં આવી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>ચેન્નાઈ બેઠકનો મુખ્ય એજન્ડા અને ચર્ચાઓ</b></h2><p style="text-align: justify; ">ચેન્નાઈમાં યોજાયેલી આ બેઠક દરમિયાન કર્મચારીઓની વિવિધ માંગણીઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી રહી છે. કમિશનનું સૌથી મોટું અને પ્રાથમિક ધ્યાન 'ફિટમેન્ટ ફેક્ટર' (Fitment Factor) પર છે, જેના આધારે કર્મચારીઓનો મૂળભૂત પગાર નક્કી થાય છે. આ ઉપરાંત વર્તમાન કર્મચારીઓ માટે પગાર સુધારણાનો રોડમેપ તૈયાર કરવો, નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં સુધારો કરવો અને મોંઘવારી ભથ્થા (DA) માં વધારા અંગેના વિકલ્પો પર પણ મંતવ્યો લેવામાં આવી રહ્યા છે. આર્થિક લાભો ઉપરાંત કર્મચારીઓની કાર્યકારી પરિસ્થિતિઓમાં સુધારો લાવવાના મુદ્દાઓ પણ આમાં સામેલ છે.</p><h3 style="text-align: justify; "><b>ફિટમેન્ટ ફેક્ટરનું વાસ્તવિક ચિત્ર</b></h3><p style="text-align: justify; ">સોશિયલ મીડિયા પર હાલમાં 2.15, 2.28 કે 2.57 જેવા ફિટમેન્ટ ફેક્ટર અંગે વિવિધ દાવાઓ અને અટકળો ચાલી રહી છે. જો કે, કર્મચારીઓએ એ સમજવું જરૂરી છે કે સરકારે હજુ સુધી કોઈપણ આંકડાને સત્તાવાર રીતે મંજૂરી આપી નથી. અગાઉ 7મા પગાર પંચ દ્વારા 2.57 અને છઠ્ઠા પગાર પંચ દ્વારા 1.86 ના ફિટમેન્ટ ફેક્ટરની ભલામણ કરવામાં આવી હતી. હાલમાં 8મા પગાર પંચ દ્વારા કયા નવા આંકડાની ભલામણ કરવામાં આવશે તે જોવું રસપ્રદ રહેશે, કારણ કે પંચ માત્ર ભલામણો કરે છે અને અંતિમ નિર્ણય સરકારની મંજૂરી બાદ જ લાગુ થાય છે.</p><h4 style="text-align: justify; "><b>કમિશનનું આગામી સમયપત્રક અને પ્રવાસો</b></h4><p style="text-align: justify; ">ચેન્નાઈ પહેલાં કમિશનની ટીમે દિલ્હી, લદ્દાખ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓડિશા જેવા રાજ્યોનો સફળ પ્રવાસ કરીને મુખ્ય હિસ્સેદારોની ચિંતા જાણી લીધી છે. કમિશને જાહેર કરેલા સમયપત્રક મુજબ, ચેન્નાઈ બાદ ટીમ ૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ પુડુચેરી જશે. ત્યારબાદ ૧૬ થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન ચંદીગઢ અને ૭-૮ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ બેંગલુરુમાં પણ મહત્વપૂર્ણ બેઠકો યોજાશે. આ તમામ પ્રયાસોનો હેતુ સમયસર સરકારને સર્વગ્રાહી અહેવાલ સુપરત કરવાનો છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/kanpur-millionaire-murder-daughter-in-law-arrested" target="_blank">આ પણ વાંચોઃ Kanpur Murder Mystery: 21 દિવસમાં જ 330 કોલ...કરોડપતિ ઉદ્યોગપતિની હત્યા પુત્રવધૂએ ચાલાકીથી કરી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/GSc3JtU49ru7bcYyFfH86sifTvO8e05k3wqJhc6E.webp'/></item><item><title><![CDATA[Lalo and Hanuman Ansh એ બોક્સ ઓફિસ પર રચ્યો ઇતિહાસ, વધુ એક Mythology ફિલ્મની જાહેરાત ]]></title><link>https://sandesh.com/entertainment/news/mythological-films-are-currently-gaining-popularity-lalo-and-hanuman-ansh-superhit</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/mythological-films-are-currently-gaining-popularity-lalo-and-hanuman-ansh-superhit</guid><pubDate>Tue, 08 Sep 2026 12:13:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલિવૂડ તરફથી કોઈ જ મોટું સમર્થન ન મળ્યું હોવા છતાં અને શરૂઆતમાં માત્ર ૨૫ શો સાથે રિલીઝ થયેલી ફિલ્મ 'હનુમાન અંશ' આજે બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડી રહી છે. નીમ કરોલી બાબાના પવિત્ર જીવન પર આધારિત અને માત્ર રૂ. ૨ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે અત્યાર સુધીમાં આશરે ૧૫૦ કરોડ રૂપિયાથી વધુની જબરદસ્ત કમાણી કરીને સમગ્ર સિનેમા જગતને ચોંકાવી દીધું છે. આ અગાઉ 'લાલો' ફિલ્મે જંગી કમાણી કરી હતી. આ બંને ફિલ્મોની સફળતા બતાવે છે કે અત્યારે પૌરાણિક ફિલ્મો વધુ લોકપ્રિયતા મેળવી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>ઓછા બજેટની ફિલ્મોનો ઐતિહાસિક રેકોર્ડ</b></h2><p style="text-align: justify;">ભૂતકાળમાં ૫૧ વર્ષ પહેલાં 'જય સંતોષી મા' ફિલ્મે આવી જ સફળતા મેળવી હતી. તેવો જ ઈતિહાસ ૨૦૨૫માં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ 'લાલો-કૃષ્ણ સદા સહાયતે' એ દોહરાવ્યો છે. કોઈ જાણીતી સ્ટાર કાસ્ટ કે મોટા પ્રમોશન વિના, માત્ર ૫૦ લાખ રૂપિયામાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં ૧૨૨.૨૫ કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું છે. આ ફિલ્મ વિશ્વભરમાં ૧૦૦ કરોડનો આંકડો પાર કરનારી પ્રથમ ગુજરાતી ફિલ્મ બની ગઈ છે અને રિલીઝના આઠમા અઠવાડિયામાં કમાણીના મામલે વિકી કૌશલની 'ચાવા' ને પણ પાછળ છોડી દીધી હતી.</p><h3 style="text-align: justify; "><b>સિનેમાઘરોમાં આધ્યાત્મિક અને પૌરાણિક ફિલ્મોનો વધતો ક્રેઝ</b></h3><p style="text-align: justify; ">તાજેતરમાં જ 'મહાવતાર નરસિંહ' ની ભવ્ય સફળતા અને હવે 'હનુમાન અંશ' ની કમાણી સાબિત કરે છે કે દર્શકોમાં ભક્તિમય અને પૌરાણિક ફિલ્મો પ્રત્યે ભારે ઉત્સાહ છે. આ જ સફળતાના પગલે હવે શિરડીના સાંઈ બાબા પર ફિલ્મ બની રહી છે, જેમાં સંજય મિશ્રા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે અને તેમનો ફર્સ્ટ લુક પણ આઉટ થઈ ચૂક્યો છે.</p><h4 style="text-align: justify; "><b>'હરે કા સહારા બાબા ખાટુ શ્યામ હમારા' ફિલ્મની અધિકૃત જાહેરાત</b></h4><p style="text-align: justify; ">ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યા અનુસાર, લાખો ભક્તોની આસ્થાના પ્રતીક એવા ખાટુ શ્યામ જી પર નવી ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. 'અબન્ડેન્ટિયા એન્ટરટેઈનમેન્ટ' અને 'સિલેક્ટ મીડિયા' ના બેનર હેઠળ 'હરે કા સહારા બાબા ખાતુ શ્યામ હમારા' શીર્ષક હેઠળ આ ફીચર ફિલ્મ નિર્માણ પામશે. વિક્રમ મલ્હોત્રા અને રજનીશ ખાનુજા દ્વારા નિર્મિત આ ફિલ્મ ૨૦૨૭ માં રિલીઝ થશે, જે ખાટુ શ્યામ જીના જીવન અને ચમત્કારોની ગાથા મોટા પડદા પર રજૂ કરશે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/music-composer-a-r--rahman-will-pay-special-tribute-to-the-late-asha-bhosle-on-her-birth-anniversary" target="_blank">આ પણ વાંચો : A.R. Rahman સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેને આપશે અનોખી શ્રદ્ધાંજલિ, સંગીતકારનું સપનું થશે પુર્ણ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/2J5zpwF9T0mCUsT7Zit3J1IN8Ai6OKHbt1YPBFYZ.webp'/></item><item><title><![CDATA[West Bengal 2026: માંસ માછલી પર વિવાદ કેમ? અમે તો ખાવાના... ધીરેન્દ્ર શાસ્ત્રીની અપીલ પર બીજેપીનો જવાબ ]]></title><link>https://sandesh.com/india/news/west-bengal-2026-why-the-controversy-over-meat-and-fish-we-are-the-ones-who-eat-it-bjps-response-to-dhirendra-shastris-appeal</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/west-bengal-2026-why-the-controversy-over-meat-and-fish-we-are-the-ones-who-eat-it-bjps-response-to-dhirendra-shastris-appeal</guid><pubDate>Tue, 08 Sep 2026 12:13:03 +05:30</pubDate><description><![CDATA[<p>થોડા દિવસો બાદ આસો નવરાત્રિનો પ્રારંભ થવાનો છે. ત્યારે બાબા બાગેશ્વરના એક નિવેદન બાદ વિવાદ થયો છે. બાબા બાગેશ્વરે નિવેદન આપ્યું હતું કે હિંદુઓએ નવરાત્રિ દરમિયાન માંસાહારનું સેવન ન કરવું. ત્યારે આ મામલે ભાજપના પશ્ચિમ બંગાળ એકમના પ્રમુખ સમિક ભટ્ટાચાર્યએ ધીરેન્દ્ર શાસ્ત્રીને કેટલીક સલાહ આપી છે.&nbsp;</p><h2><b>પશ્ચિમ બંગાળમાં નોનવેજ પર બબાલ&nbsp;</b></h2><p>બંગાળમાં દુર્ગા પૂજા દરમિયાન માંસાહારી ખોરાક ખાવા અંગે બાબા બાગેશ્વરની ટિપ્પણી બાદ વિવાદ ઉભો થયો છે. આ વિવાદથી પોતાને દૂર રાખતા, ભાજપે ધીરેન્દ્ર શાસ્ત્રીને કેટલીક સલાહ આપી. ભાજપના નેતા સમિક ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ શું ખાવું અથવા પહેરવું તે નક્કી કરી શકતું નથી. આ નિવેદન બાબા બાગેશ્વરની દુર્ગા પૂજા દરમિયાન માછલી કે માંસ ન રાંધવા કે ખાવાની અપીલને અનુસરે છે.</p><p><b style="font-size: 1.75rem;">ભાજપે શું આપી પ્રતિક્રિયા ?&nbsp;</b></p><p>ભાજપના પશ્ચિમ બંગાળ એકમના પ્રમુખ સમિક ભટ્ટાચાર્યએ ધીરેન્દ્ર શાસ્ત્રીની અપીલને ફગાવી દીધી હતી, અને ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈ પણ મુલાકાતી ધાર્મિક નેતા રાજ્યના લોકોએ શું ખાવું અથવા પહેરવું તે નક્કી કરી શકતો નથી. ધીરેન્દ્ર શાસ્ત્રીએ તહેવારો દરમિયાન માંસાહારી ખોરાક ખાનારાઓને દંભી ગણાવ્યા હતા અને તેમને આ આદત છોડી દેવા વિનંતી કરી હતી.</p><p>આ નિવેદનનો જવાબ આપતા ભાજપના નેતાએ ટિપ્પણી કરી હતી કે બંગાળી આહારની આદતો અને પરંપરાઓને બહારના વ્યક્તિના કહેવાથી બદલી શકાતી નથી. તેમણે કહ્યું, "આપણે આપણી રીતે જીવીએ. બંગાળીઓ જે ખાય છે તે જ ખાતા રહેશે. શું બંગાળીઓ માછલી અને માંસ ન ખાઈ શકે? સ્વામી વિવેકાનંદે આ વિશે વાત કરી હતી; તેમનાથી મહાન કોણ છે?"</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2097160407140254107"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3><b>માંસાહાર સાંસ્કૃતિક પરંપરાનો ભાગ- બીજેપી પ્રમુખ&nbsp;</b></h3><p>બંગાળ ભાજપ પ્રમુખે નોંધ્યું કે અષ્ટમી પર પુરી અને નવમી પર બકરાનું માંસ ખાવું એ લાંબા સમયથી બંગાળની સાંસ્કૃતિક પરંપરાનો ભાગ રહ્યો છે. લોકોને આ છોડી દેવાનું કહેવાનો કોઈ પ્રશ્ન જ નથી. પશ્ચિમ બંગાળના લોકોને કોઈ કહી શકતું નથી કે તેઓએ શું ખાવું જોઈએ.</p><p>એ નોંધનીય છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીની ટિપ્પણીએ પશ્ચિમ બંગાળમાં ચર્ચા જગાવી છે. અહીં, ખાવાની આદતો, ધર્મ અને સાંસ્કૃતિક રિવાજો ઐતિહાસિક રીતે એવી રીતે સહઅસ્તિત્વ ધરાવે છે જે હંમેશા કડક શાકાહારી ધાર્મિક માળખા સાથે સુસંગત નથી.</p><h3><b>માંસાહારથી દૂર રહેવા કરી હતી અપીલ&nbsp;</b></h3><p>બાબા બાગેશ્વરની પશ્ચિમ બંગાળની મુલાકાતના થોડા દિવસો પછી આ વિવાદ ઉભો થયો હતો, જે દરમિયાન તેમણે દુર્ગા પૂજા દરમિયાન બંગાળીઓને માંસાહારી ખોરાકથી દૂર રહેવાની અપીલ કરી હતી. તેમણે તહેવાર દરમિયાન આવા ખોરાકનું સેવન કરનારાઓને 'વિધર્મી' ગણાવ્યા હતા.&nbsp;</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2097160407165382701"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h4><b>બંગાળીઓ પર તમારા વિચારો લાદશો નહીં</b></h4><p>જોકે, ભાજપનું રાજ્ય નેતૃત્વ બંગાળીઓની પરંપરાગત આહાર આદતોને નિર્ધારિત કરવાના પ્રયાસ તરીકે ગણી શકાય તેવી કોઈપણ વસ્તુથી પોતાને દૂર રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે. સમિકે જણાવ્યું હતું કે જ્યારે તેઓ શાસ્ત્રીને ધાર્મિક વ્યક્તિ તરીકે માન આપે છે, ત્યારે તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમના વ્યક્તિગત વિચારો બંગાળી સમાજ પર લાદી શકાય નહીં.</p><p>તેમણે ટિપ્પણી કરી હતી કે કોઈ સંત કે ચિકિત્સકને લોકોને શાકાહારી આહાર અપનાવવાની સલાહ આપવાનો અધિકાર હોઈ શકે છે. પરંતુ કોઈ પણ બહારનો વ્યક્તિ બંગાળમાં રહીને લોકોએ શું ખાવું કે પહેરવું તે નક્કી કરી શકતો નથી. શાસ્ત્રીની ટિપ્પણીઓ તેમના પોતાના વ્યક્તિગત વિચારોનું પ્રતિનિધિત્વ કરે છે. તેમના વલણને સમર્થન આપવા માટે ભાજપના નેતાએ સ્વામી વિવેકાનંદ અને બંગાળની ધાર્મિક પરંપરાઓનો ઉલ્લેખ કર્યો ખાસ કરીને રાજ્યના ઘણા મંદિરોમાં દેવી કાલીને બકરીઓનું બલિદાન આપવાની રિવાજ તરફ ધ્યાન દોર્યું.</p><p><br></p><p><a href="https://sandesh.com/india/news/maithili-thakur-i-dont-think-it-makes-sense-to-base-the-surname-on-maithili-thakur-breaks-silence-on-reservation" target="_blank">આ પણ વાંચો:  Maithili Thakur: મની નથી લાગતું કે સરનેમને આધારે... અનામતને લઇને મૈથિલી ઠાકુરે તોડ્યુ મૌન</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/PIOAfSbKJwIrRhBvlXUyegWmV5PaVZNUwnTFmAOI.webp'/></item><item><title><![CDATA[પેટ્રોલ ડિઝલથી લઈને સોના ચાંદીના ભાવ જાણો રેલવે ટિકિટ બુકિંગ સહિત આજે શું થયા ફેરફાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-08-am-to-12-pm-8-september-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-08-am-to-12-pm-8-september-2026</guid><pubDate>Tue, 08 Sep 2026 12:01:18 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર</b></p><p><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/nora-fatehi-faces-3-crore-defamation-suit-in-gujarat-court" target="_blank"><b>1. Gandhinagar News : બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી સામે ગાંધીનગરની કોર્ટમાં 3 કરોડનો માનહાનિનો દાવો</b></a></p><p><a href="https://sandesh.com/india/news/kanpur-millionaire-murder-daughter-in-law-arrested" target="_blank"><b>2. Kanpur Murder Mystery: 21 દિવસમાં જ 330 કોલ...કરોડપતિ ઉદ્યોગપતિની હત્યા પુત્રવધૂએ ચાલાકીથી કરી</b></a></p><p><a href="https://sandesh.com/business/news/gold-silver-price-today-gold-price-rise-or-fall-know-what-is-the-change-in-silver" target="_blank"><b>3. Gold Silver Price Today: સોનાના ભાવમાં તેજી કે ઘટાડો? જાણો ચાંદીમાં શું છે ફેરફાર</b></a></p><p><a href="https://sandesh.com/cricket/news/bcci-rohit-yadav-out-australia-u19-series-aryan-savasani-tanmay-baloda" target="_blank"><b>4. BCCIનો મોટો નિર્ણય, ઓસ્ટ્રેલિયા સામેની U19 સિરીઝમાં આ બે યુવા ખેલાડીઓની એન્ટ્રી</b></a></p><p><a href="https://sandesh.com/cricket/news/duleep-trophy-final-ishan-kishan-statement-270-runs-comeback-secret" target="_blank"><b>5.Duleep Trophy Final : ઐતિહાસિક ઈનિંગ્સ બાદ ઈશાન કિશને ખોલ્યું કમબેકનું રહસ્ય</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/patan/kinjal-rabari-kidnapping-case-takes-new-turn" target="_blank"><b>6. Patan News: લોક ગાયિકા કિંજલ રબારીના અપહરણ કેસમાં મોટો વળાંક, જાણો તેના પતિ મુકેશ રબારીએ ફરિયાદમાં શું કહ્યું?</b></a></p><p><a href="https://sandesh.com/world/news/crude-oil-supply-india-no-longer-has-to-worry-about-crude-oil-amid-the-war-a-new-option-has-been-found" target="_blank"><b>7. Crude Oil Supply: યુદ્ધના માહોલ વચ્ચે હવે ભારતને ક્રૂડ ઓઇલની ચિંતા નહી, શોધી કાઢ્યો નવો વિકલ્પ</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/diwali-train-ticket-booking-begins-know-the-latest-railway-update" target="_blank"><b>8. Gujarat News: દિવાળીની રજાઓમાં ફરવા જવાનો પ્લાન છે? રેલવે ટિકિટ બુકિંગમાં આવી મોટી અપડેટ</b></a></p><p><a href="https://sandesh.com/business/news/petrol-diesel-price-today-will-petrol-and-diesel-prices-increase-or-decrease-know-the-latest-rate-of-1-liter" target="_blank"><b>9. Petrol Diesel Price Today: પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કે ઘટાડો? જાણો 1 લિટરનો લેટેસ્ટ રેટ</b></a></p><p><a href="https://sandesh.com/business/news/stock-market-opening-the-stock-market-started-weakly-on-tuesday-sensex-opened-at-75747-points" target="_blank"><b>10. Stock Market Opening: શેરબજારની મંગળવારે નબળી શરૂઆત, સેન્સેક્સ 75,747 અંકે ખૂલ્યો</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/05/30/mDmSiSJWp4EJffsL4XdCg0WZVmFETlBX3EYK5ohQ.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News : બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી સામે ગાંધીનગરની કોર્ટમાં 3 કરોડનો માનહાનિનો દાવો ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/nora-fatehi-faces-3-crore-defamation-suit-in-gujarat-court</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/nora-fatehi-faces-3-crore-defamation-suit-in-gujarat-court</guid><pubDate>Tue, 08 Sep 2026 12:01:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલિવૂડની જાણીતી અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી ફરી એકવાર કાનૂની વિવાદમાં ફસાઈ છે.ગત વર્ષે ડિસેમ્બરમાં મુંબઈથી જયપુરની મુસાફરી દરમિયાન ચાર્ટર્ડ વિમાન અંગે સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરવી તેને ભારે પડી છે. એવિએશન કંપની ડ્યૂન્સ એવિએશન દ્વારા ગાંધીનગરની કોર્ટમાં નોરા વિરુદ્ધ રૂપિયા 3 કરોડનો સિવિલ માનહાનિનો દાવો દાખલ કરવામાં આવ્યો છે.આ કેસની આગામી સુનાવણી આગામી 25 સપ્ટેમ્બરે ગાંધીનગરની કોર્ટમાં હાથ ધરવામાં આવશે.</p><p></p><h2 style="text-align: justify;"><b>વિવાદની શરૂઆત ક્યાંથી થઈ?</b></h2><div style="text-align: justify;">નોરા ફતેહીએ ગત ડિસેમ્બરમાં સેસના સાઈટેશન સીજે૨ ચાર્ટર્ડ એરક્રાફ્ટમાં મુસાફરી કરતી વખતે એક વીડિયો રેકોર્ડ કર્યો હતો.આ વીડિયોમાં તેણે વિમાનના કદને લઈને કટાક્ષ કર્યો હતો અને તેને મિનિએચર, ટોય તેમજ લેગો એરપ્લેન તરીકે ઓળખાવ્યું હતું.આ વીડિયો તેણે પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર અપલોડ કર્યો હતો. કંપનીના જણાવ્યા અનુસાર નોરાના આ પ્રકારના બેજવાબદાર અને પાયા વિહોણા નિવેદનોથી લોકોમાં એરક્રાફ્ટની સુરક્ષા અને યોગ્યતા અંગે ગેરસમજ ફેલાઈ હતી. એવિએશન કંપનીએ કોર્ટમાં રજૂઆત કરી છે કે અભિનેત્રીની સોશિયલ મીડિયા પર ભારે લોકપ્રિયતા અને મોટા પ્રમાણમાં ફોલોઅર્સ હોવાના કારણે તેમના દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓની વ્યાપક નકારાત્મક અસર પડી છે.&nbsp;</div><p></p><p></p><h3 style="text-align: justify;"><b>બુકિંગમાં અંદાજે 15થી 20 ટકાનો મોટો ઘટાડો નોંધાયો</b></h3><div style="text-align: justify;">ડ્યૂન્સ એવિએશનના દાવા મુજબ આ વિવાદિત પોસ્ટના કારણે તેમની ચાર્ટર્ડ ફ્લાઇટ્સના બુકિંગમાં અંદાજે 15થી 20 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે.ફ્લાઇટ કેન્સલેશનના પ્રમાણમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.કંપનીએ આ નિવેદનોને ટેકનિકલ જાણકારી વગરના અને બેજવાબદાર ગણાવ્યા છે.કંપનીએ સ્પષ્ટતા કરી છે કે નોરા દ્વારા જે એરક્રાફ્ટ પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા તે સંપૂર્ણપણે સુરક્ષિત અને માન્ય ધોરણો અનુસારનું છે.આ વિમાન ડીજીસીએ દ્વારા પ્રમાણિત છે. કોઈપણ પ્રકારની પૂર્વ ચકાસણી કે તથ્યોની તપાસ વગર કરવામાં આવેલી આ ટિપ્પણીઓના કારણે કંપનીની બ્રાન્ડ વેલ્યુ, ગુડવિલ અને વ્યાપારી પ્રતિષ્ઠાને ભારે ઠેસ પહોંચી છે.આ માનહાનિના દાવામાં ડ્યૂન્સ એવિએશને કોર્ટ પાસે માંગ કરી છે કે નોરા ફતેહી પાસેથી આર્થિક નુકસાન બદલ રૂપિયા 3 કરોડનું વળતર અપાવવામાં આવે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પરથી વિમાન સંબંધિત તમામ વિવાદિત વીડિયો અને પોસ્ટ તત્કાલ હટાવવાના આદેશ આપવામાં આવે અને જાહેરમાં માફી માંગવામાં આવે.</div><div style="text-align: justify;"><br><a href="https://sandesh.com/gujarat/news/patan/kinjal-rabari-kidnapping-case-takes-new-turn" target="_blank">આ પણ વાંચોઃ Patan News: લોક ગાયિકા કિંજલ રબારીના અપહરણ કેસમાં મોટો વળાંક, જાણો તેના પતિ મુકેશ રબારીએ ફરિયાદમાં શું કહ્યું?</a></div><div style="text-align: justify;"><br></div><div style="text-align: justify;"><br></div><p></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/uvfmzeQ0QB1EsAgy5EOhwZtbVcQAzCMO6Dh6RX5K.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : અડધું ગુજરાત કોરુંધાકોર, 11 જિલ્લામાં વરસાદ ન થતાં રુ.55 હજાર કરોડના પાકને નુકસાન ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-monsoon-deficit--congress-demands-relief-for--55-000-cr-crop-loss--calls-protest</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-monsoon-deficit--congress-demands-relief-for--55-000-cr-crop-loss--calls-protest</guid><pubDate>Tue, 08 Sep 2026 12:00:28 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન અડધું ગુજરાત વરસાદ વિહોણું રહેતાં ખેતી ક્ષેત્રે અત્યંત વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. રાજ્યના 11 જિલ્લાઓ અને 108 જેટલા તાલુકાઓમાં પૂરતો વરસાદ થયો નથી, જેના કારણે ઉભા કૃષિ પાકો સુકાઈ રહ્યા છે અને પ્રાથમિક અંદાજ મુજબ ખેડૂતોને રુ.45 થી 55 હજાર કરોડનું જંગી નુકસાન થયું છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા ખેડૂતોની ગુહાર સરકાર સુધી પહોંચાડવા માટે વિધાનસભામાં નિયમ 11૬ હેઠળની નોટિસ પાઠવવામાં આવી છે તેમજ મુખ્યમંત્રીને પત્ર લખીને તાત્કાલિક પગલાં ભરવા રજૂઆત કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>વ્યાજ માફી, મફત ઘાસચારો અને મનરેગાના રાહત કામો શરૂ કરવા માગણી</b></h2><p style="text-align: justify; ">કોંગ્રેસ પક્ષ દ્વારા મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં માંગણી કરવામાં આવી છે કે તંત્ર દ્વારા વિલંબ કર્યા વગર અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક પાક નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવે અને ખેડૂતોને સરકારી સહાય ચૂકવવામાં આવે. આ ઉપરાંત, દેવામાં ડૂબેલા ખેડૂતોના કૃષિ ધિરાણ પર વ્યાજ માફી આપવા, પશુઓ માટે વિનામૂલ્યે ઘાસચારાની વ્યવસ્થા કરવા તેમજ પીવાના અને સિંચાઈના પાણી માટે ટેન્કરો શરૂ કરવાની અપીલ કરાઈ છે. ગ્રામીણ વિસ્તારમાં રોજગારીની આફત ન સર્જાય તે માટે મનરેગા યોજના હેઠળ ત્વરિત રાહતના કામો શરૂ કરવા માટે પણ ભારપૂર્વક માગણી મૂકવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>આવતીકાલે ગાંધીનગરમાં કોંગ્રેસની 'આક્રોશ સભા', ખેડૂતો પણ હાજર રહેશે</b></h2><p style="text-align: justify; ">વરસાદની ખેંચ અને સરકારની નિષ્ક્રિયતા સામે અન્નદાતાઓના હિતમાં વિરોધ નોંધાવવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા આવતીકાલે રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે ભવ્ય 'આક્રોશ સભા'નું આયોજન કરવામાં આવ્યું છે. આ આક્રોશ સભામાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો પણ હાજર રહીને પોતાનો આક્રોશ વ્યક્ત કરશે. વિપક્ષી હલચલ અને ઉગ્ર આંદોલનની ચીમકી બાદ હવે વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના આર્થિક પેકેજ અને રાહત કામગીરી અંગે શું નિર્ણય લેવાય છે તેના પર સૌની નજર ટકેલી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad--unlicensed-dumper-driver-kills-11-year-old-in-thaltej--owner-booked" target="_blank">Ahmedabadના થલતેજમાં 11 વર્ષની માસૂમને કચડનાર ડમ્પર ચાલક પાસે લાયસન્સ જ નહોતું! આ જ કિલર ડંપરે એપ્રિલમાં ગોતા બ્રિજ પર લીધા હતા 2 જીવ</a></b></p><p style="text-align: justify; "><b><br></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/pNdKDDzbdUPSYlZ0oevh78OyiYdNeyMh9zIFG3Hu.webp'/></item><item><title><![CDATA[Patan News: લોક ગાયિકા કિંજલ રબારીના અપહરણ કેસમાં મોટો વળાંક, જાણો તેના પતિ મુકેશ રબારીએ ફરિયાદમાં શું કહ્યું? ]]></title><link>https://sandesh.com/gujarat/news/patan/kinjal-rabari-kidnapping-case-takes-new-turn</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/patan/kinjal-rabari-kidnapping-case-takes-new-turn</guid><pubDate>Tue, 08 Sep 2026 10:48:07 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા સીબીડી મોલ નજીકથી જાણીતી લોકગાયિકા કિંજલ રબારીનું અપહરણ થયું હોવાની ઘટના ગતરોજ બની હતી. બપોરના સમયે બ્લેક કલરની ગાડીમાં આવેલા કેટલાક અજાણ્યા શખ્સો ગાયિકા કિંજલ રબારીને ગાડીમાં બેસાડી અપહરણ કરી ગયા હોવાનો મેસેજ વહેતો થયો હતો.આ કેસમાં હવે કિંજલ રબારીના વકીલ હીનાબેન ઠક્કરે પ્રતિક્રિયા આપતાં અપહરણના દાવાઓને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. વકીલના જણાવ્યા અનુસાર, કિંજલનું કોઈ અપહરણ થયું નથી પરંતુ તેણે પોતે જ અશોક ચૌધરીને ફોન કરીને બોલાવ્યો હતો અને સ્વેચ્છાએ કારનો દરવાજો ખોલીને તેની સાથે ગઈ હતી.&nbsp;</p><p style="text-align: justify; "><img alt="કિંજલ રબારીના લગ્નનો મુદ્દો" src="https://epapercdn.sandesh.com/images/2026/09/08/A8TGqaRH2Ys0AVY2Zc3Mt5EAICR7965OdHDHYJ7I.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>મુકેશ રબારી સાથે મૈત્રી કરાર થયો હોવાનો ઉલ્લેખ</b></h2><p style="text-align: justify; ">આ કેસમાં વધુ એક વળાંક સામે આવ્યો છે.લોકગાયિકા કિંજલ રબારીના અગાઉ 2 મે 2024ના રોજ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ઘુસર ગામે અશોક ચૌધરી સાથે તેની સહમતિથી પ્રેમ લગ્ન થયા હતા અને હાલ તે અશોક ચૌધરી સાથે ફરાર હોવા છતાં તેમજ રાધનપુર ફેમિલી કોર્ટમાં પ્રેમ લગ્નના છૂટાછેડા બાબતે કેસ ચાલુ હોવા છતાં પરિવારજનોએ ગત 12 ઓગસ્ટના રોજ ગોતરકા ગામના નરસિંહ ઉર્ફે મુકેશ રબારી સાથે તેમના લગ્ન કરાવી દીધા હોવાના ફોટા સામે આવ્યા છે,જો કે આ મામલે મુકેશે પોલીસ ફરિયાદમાં નરસિંહ ઉર્ફે મુકેશ રબારી સાથે મૈત્રી કરાર થયો હોવાનો ઉલ્લેખ કર્યો છે.</p><p style="text-align: justify; "><img alt="કિંજલ રબારીના લગ્ન" src="https://epapercdn.sandesh.com/images/2026/09/08/fJkvvVqmmeHZJ7bvGBNbSy5IoWp7k1JBu9TStmKd.webp" style="width: 100%;"><br></p><h3 style="text-align: justify; "><b>કિંજલના ગામમાં પોલીસ પર હુમલો</b></h3><p style="text-align: justify; ">કિંજલ રબારીના વતન રાધનપુર તાલુકાના સિનાડ ગામે શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસનો મોટો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે કડક મોરચો સંભાળ્યો છે.બંદોબસ્ત દરમિયાન સિનાડ ગામે આવેલા લાખણેશ્વર મહાદેવ મંદિરે 50 કરતા વધુ લોકોનું ટોળું ત્યાં દર્શન કરવા પહોંચ્યું હતું. જે દરમિયાન ઉશ્કેરાયેલા આ ટોળાએ રાધનપુરના પીએસઆઈ (PSI) એચ.વી. ચૌધરી પર હુમલો કરી દીધો હતો. આ હિંસક ઝપાઝપીમાં પીએસઆઈ ચૌધરીને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી, જેના પગલે ગામમાં તણાવ વધુ વધી ગયો હતો.</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/news/surat/advocate-general-kamal-trivedi-withdraws-from-nasirnagar-demolition-case" target="_blank">આ પણ વાંચોઃ Surat News: નાસિરનગર ડિમોલિશન કેસમાં મનપાને ઝટકો, એડવોકેટ જનરલ કેસમાંથી જ ખસી ગયા</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/vF2CyREzenOBNNWTBLDBr3YR4VjvqZLwO3kSxFwb.webp'/></item><item><title><![CDATA[Malaysia : 72 વર્ષના ફૂટબોલ દિગ્ગજે 20 વર્ષની યુવતી સાથે કર્યા લગ્ન, તસવીરો વાયરલ થતાં પરિવારે કરી પુષ્ટિ ]]></title><link>https://sandesh.com/world/news/sports/malaysia-football-legend-abdul-alif-marriage-72-year-old-20-year-old-wife</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/sports/malaysia-football-legend-abdul-alif-marriage-72-year-old-20-year-old-wife</guid><pubDate>Mon, 07 Sep 2026 23:00:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મલેશિયન ફૂટબોલના દિગ્ગજ અને પૂર્વ હરિમાઉ મલાયા સ્ટાર દાતુક અબ્દુલ અલિફે 72 વર્ષની ઉંમરે પોતાના જીવનનો નવો અધ્યાય શરૂ કર્યો છે. સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો વાયરલ થયા બાદ તેમના પરિવારે લગ્નની સત્તાવાર પુષ્ટિ કરી છે. અહેવાલ મુજબ 27 ઓગસ્ટે યોજાયેલા ખાનગી સમારંભમાં અબ્દુલ અલિફે પોતાની જીવનસંગિની સાથે નિકાહ કર્યા હતા. તેમની પત્નીની ઉંમર 20 વર્ષ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>લગ્નની ખબર કોણે કરી કન્ફર્મ?</b></h2><p style="text-align: justify; ">અબ્દુલ અલિફના નાના ભાઈ અને પૂર્વ ખેલાડી તથા કોચ દાતુક યુનુસ અલિફે લગ્નની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે 27 ઓગસ્ટે બંનેના લગ્ન થયા હતા અને બંને પરિવારોની સંમતિ તથા આશીર્વાદ સાથે આ સંબંધ બંધાયો છે. પરિવાર દ્વારા નવદંપતીના સુખી દાંપત્ય જીવન માટે શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>ફોન નહીં ઉઠાવતા ભાઈએ શું કહ્યું?</b></h3><p style="text-align: justify; ">લગ્ન બાદ અબ્દુલ અલિફ મીડિયા સંપર્કમાં ન આવતા તેમના ભાઈ યુનુસ અલિફે જણાવ્યું હતું કે તેઓ સંભવતઃ હનીમૂન પર હોવાથી ફોનનો જવાબ આપી શકતા નથી.જોકે પરિવારે સ્પષ્ટ કર્યું છે કે બંનેના નિકાહ થઈ ચૂક્યા છે અને પરિવાર તરફથી બંનેને શુભકામનાઓ આપવામાં આવી છે.</p><h4 style="text-align: justify; "><b>મલેશિયન ફૂટબોલના દિગ્ગજ રહ્યા છે અબ્દુલ અલિફ</b></h4><p style="text-align: justify; ">અબ્દુલ અલિફ મલેશિયન ફૂટબોલ ઇતિહાસના જાણીતાં ખેલાડીઓમાં સામેલ રહ્યા છે. 1970ના અંતિમ વર્ષો અને 1980ના શરૂઆતના સમયમાં મલેશિયન ફૂટબોલના સફળ સમયગાળામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.તેઓ તે મલેશિયન ટીમના સભ્ય હતા જેણે ક્વોલિફાઇંગ મેચમાં દક્ષિણ કોરિયાને 2-1થી હરાવી 1980ના મોસ્કો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું.</p><h4 style="text-align: justify; "><b>ઓલિમ્પિક રમવાનું સપનું કેમ અધૂરું રહ્યું?</b></h4><p style="text-align: justify; ">મલેશિયાએ સોવિયેત સંઘના અફઘાનિસ્તાન પરના આક્રમણના વિરોધમાં 1980ના મોસ્કો ઓલિમ્પિકનો બહિષ્કાર કર્યો હતો. જેના કારણે અબ્દુલ અલિફ સહિત અનેક ખેલાડીઓનું ઓલિમ્પિકમાં રમવાનું સપનું અધૂરું રહી ગયું હતું. લાંબા સમય સુધી વ્યાવસાયિક ફૂટબોલ અને મીડિયા લાઇમલાઇટથી દૂર રહ્યા બાદ આ દિગ્ગજ ખેલાડી હવે પોતાના અંગત જીવનના નવા નિર્ણયને કારણે ફરી ચર્ચામાં આવ્યા છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">&nbsp; આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-gujarat-drowning-deaths-1999-river-lake-check-dam-water-safety" target="_blank"><b>Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/oQuxxQEBdhQdWmZFxk2LOPbwDJRpf6zDEmwi2pJ3.webp'/></item></channel></rss>