<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Kutch :  કંડલા દરિયામાં જહાજ ડૂબવા લાગ્યું અને ક્રૂએ મારી છલાંગ! કોસ્ટ ગાર્ડે હાથ ધર્યું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન ]]></title><link>https://sandesh.com/gujarat/news/kutch/kutch-kandla-otb-coal-ship-accident-anchor-coast-guard-rescue</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/kutch/kutch-kandla-otb-coal-ship-accident-anchor-coast-guard-rescue</guid><pubDate>Fri, 11 Sep 2026 15:42:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કચ્છના કંડલા OTB વિસ્તારમાં કોલસો ભરેલા જહાજ સાથે ગંભીર અકસ્માત સર્જાયો છે. ઈન્ડોનેશિયાથી કોલસો લઈને આવેલું જહાજ એન્કર સાથે અથડાતાં જહાજમાં પાણી પ્રવેશવા લાગ્યું હતું. સ્થિતિ વણસતા જહાજ ધીમે ધીમે નીચે બેસવા લાગ્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>એન્કર સાથેની ટક્કર બાદ જહાજમાં પાણી ઘૂસ્યું</b></h2><p style="text-align: justify; ">પ્રાપ્ત માહિતી મુજબ ઈન્ડોનેશિયાથી કોલસો લઈને આવેલું જહાજ કંડલા OTB વિસ્તારમાં પહોંચ્યું હતું. આ દરમિયાન જહાજ એન્કર સાથે અથડાયું હતું. ટક્કર બાદ જહાજમાં પાણી પ્રવેશતાં પરિસ્થિતિ ગંભીર બની હતી અને જહાજ ધીમે ધીમે ડૂબવા લાગ્યું હતું.</p><p style="text-align: justify; "><img alt="Kandla OTB Ship Accident: Coal Vessel Hits Anchor, Crew Rescued" src="https://epapercdn.sandesh.com/images/2026/09/11/ByeQyXowSMhPAVr40xF443A07uY8MsyEsyBYDwdN.webp" style="width: 100%;"><br></p><h3 style="text-align: justify; "><b>જહાજ ડૂબવા લાગ્યું તો ક્રૂએ દરિયામાં ઝંપલાવ્યું</b></h3><p style="text-align: justify; ">જહાજમાં પાણીનું પ્રમાણ વધતાં ક્રૂ મેમ્બરોમાં અફરાતફરી મચી હતી. પોતાની સલામતી માટે ક્રૂ મેમ્બરોને દરિયામાં ઝંપલાવવાની ફરજ પડી હતી. ઘટનાની જાણ થતાં બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી.</p><h4 style="text-align: justify; "><b>કોસ્ટ ગાર્ડનું રેસ્ક્યૂ ઓપરેશન, તમામ ક્રૂ સુરક્ષિત</b></h4><p style="text-align: justify; ">પરિસ્થિતિની ગંભીરતાને જોતા કોસ્ટ ગાર્ડે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. દરિયામાં ઉતરેલા ક્રૂ મેમ્બરોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. અકસ્માત બાદ જહાજની સ્થિતિ અને પાણી પ્રવેશવાના કારણ અંગેની વધુ વિગતો મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે.</p><p style="text-align: justify; "><img alt="Kandla OTB Ship Accident: Coal Vessel Hits Anchor, Crew Rescued" src="https://epapercdn.sandesh.com/images/2026/09/11/bkJJsFAUwE2AxFGSN9hZI2QM2sR8RLwNm9ky0X4W.webp" style="width: 100%;"><br></p><h4 style="text-align: justify; "><b>કોલસાના જહાજની ઘટના પાછળનું કારણ શું?</b></h4><p style="text-align: justify; ">કંડલા OTB વિસ્તારમાં બનેલી આ ઘટનામાં એન્કર સાથે જહાજ કેવી રીતે અથડાયું અને ટક્કર બાદ કેટલા પ્રમાણમાં પાણી જહાજમાં ઘૂસ્યું તે અંગે તપાસ મહત્વની બની છે. હાલ સૌથી મોટી રાહત એ છે કે કોસ્ટ ગાર્ડની કામગીરીથી ક્રૂ મેમ્બરોને સુરક્ષિત બચાવી લેવાયા છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; <a href="https://sandesh.com/world/news/sports/malaysia-football-legend-abdul-alif-marriage-72-year-old-20-year-old-wife" target="_blank"><b>&nbsp;Malaysia : 72 વર્ષના ફૂટબોલ દિગ્ગજે 20 વર્ષની યુવતી સાથે કર્યા લગ્ન, તસવીરો વાયરલ થતાં પરિવારે કરી પુષ્ટિ</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/6ysc8LhUmd5sYCPtSnPbe5y1AsTOJDwdBTnVtEeJ.webp'/></item><item><title><![CDATA[Indiaમાં બિઝનેસ વધારશે પેપ્સિકો, નવા પ્લાન્ટ સાથે ₹5,700 કરોડનું રોકાણ ]]></title><link>https://sandesh.com/business/news/pepsico-india-5700-crore-investment-2030-top-10-market</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/pepsico-india-5700-crore-investment-2030-top-10-market</guid><pubDate>Fri, 11 Sep 2026 15:34:41 +05:30</pubDate><description><![CDATA[<p>India FMCG Market: ભારતનું FMCG માર્કેટ ઝડપથી બદલાઈ રહ્યું છે. ગ્લોબલ ફૂડ અને બેવરેજ કંપની પેપ્સિકોએ હવે ભારતને લઈને પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા છે. કંપનીના ઈન્ડિયા સાઉથ એશિયા CEO જાગૃત કોટેચાએ જણાવ્યું છે કે આવનારા કેટલાક વર્ષોમાં ભારત પેપ્સિકોના ટોપ-10 ગ્લોબલ માર્કેટમાં સામેલ થઈ જશે. આ માટે કંપનીએ પોતાની મેન્યુફેક્ચરિંગ ક્ષમતા વધારવા પર સંપૂર્ણ ધ્યાન આપ્યું છે.</p><p><b>હવે પ્રદેશ પ્રમાણે બદલાશે પ્રોડક્ટનો સ્વાદ</b></p><p>પેપ્સિકો હવે સમગ્ર દેશમાં એક જ પ્રકારના પ્રોડક્ટ વેચવા પર કામ કરી રહી નથી. કંપની ભારતની વિવિધતાને ધ્યાનમાં રાખીને અલગ-અલગ પ્રદેશના સ્વાદ પ્રમાણે પ્રોડક્ટ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. CEO જાગૃત કોટેચાએ જણાવ્યું કે કંપની ભારતને 7 અથવા 9 અલગ-અલગ વિસ્તારોમાં વહેંચીને ત્યાંના સ્વાદ પ્રમાણે કામ કરશે. કંપનીનો મુખ્ય વિચાર છે- ભારતમાં બને, ભારત માટે બને અને ભારતીયો દ્વારા બને. કંપનીનું મુખ્ય ફોકસ ઘરેલુ બજાર પર રહેશે. જોકે ભુટાન અને શ્રીલંકા જેવા પાડોશી દેશોમાં થોડો નિકાસ ચાલુ રહેશે.</p><p><b>2030 સુધી ₹5,700 કરોડનું રોકાણ</b></p><p>પેપ્સિકો ઈન્ડિયા દેશમાં વધતા વપરાશનો લાભ લેવા માંગે છે. આ માટે કંપનીએ 2030 સુધીમાં લગભગ ₹5,700 કરોડના રોકાણનો રોડમેપ તૈયાર કર્યો છે. આ જ કડીમાં ગુરુવારે આસામના નલબારીમાં પેપ્સિકોએ પોતાનો પાંચમો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કર્યો છે. આ પ્લાન્ટ પાછળ ₹778 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. કંપનીનો વિસ્તાર માત્ર ઉત્તર કે પૂર્વ ભારત સુધી મર્યાદિત નથી. આ પહેલાં મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં પણ નવો કન્સન્ટ્રેટ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો. હવે દક્ષિણ ભારતમાં પકડ મજબૂત કરવા માટે તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં પણ નવો પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યો છે.</p><p><b>નવા પ્લાન્ટથી ખેડૂતોને પણ ફાયદો</b></p><p>આસામનો નવો પ્લાન્ટ રોજગારની દ્રષ્ટિએ પણ મહત્વનો સાબિત થઈ શકે છે. 44.2 એકરમાં ફેલાયેલા આ પ્લાન્ટથી લગભગ 700 લોકોને સીધી નોકરી મળશે. આ સાથે સ્થાનિક MSME સેક્ટરને પણ મોટો ફાયદો થશે. સૌથી મોટો ફાયદો સ્થાનિક ખેડૂતોને થવાનો છે. પેપ્સિકોને ચિપ્સ બનાવવા માટે ખાસ પ્રકારના બટાકાની જરૂર પડે છે. આ કારણે આવનારા વર્ષોમાં 5,000થી વધુ ખેડૂતોને સીધો લાભ મળી શકે છે. સાથે જ 60,000 ટન કોલ્ડ સ્ટોરેજની નવી માંગ ઊભી થશે, જેનાથી સ્થાનિક કૃષિ વ્યવસ્થા પણ મજબૂત બનશે.</p><p><b>ભારત હાલ ટોપ-13 માર્કેટમાં</b></p><p>હાલમાં ભારત પેપ્સિકોના ટોપ-13 માર્કેટ્સ છે. ભારતમાં પેકેજ્ડ ફૂડની પ્રતિ વ્યક્તિ ખપત હજુ પણ દુનિયાના ઘણા દેશોની સરખામણીમાં ઓછી છે. પેપ્સિકો આ અંતરને મોટા બિઝનેસની તક તરીકે જોઈ રહી છે. વર્ષ 2025માં પેપ્સિકો ઈન્ડિયાનું ટર્નઓવર ₹9,789 કરોડ રહ્યું હતું. જ્યારે કંપનીના બોટલિંગ પાર્ટનર વરુણ બેવરેજીસની આવક ₹15,070.7 કરોડ રહી હતી. આ આંકડાઓ દર્શાવે છે કે ભારતમાં કંપનીનો બિઝનેસ બેઝ મજબૂત થઈ ગયો છે. હવે ₹5,700 કરોડના નવા રોકાણ સાથે કંપની ટોપ-10 માર્કેટ બનવાના પોતાના લક્ષ્યને ઝડપથી હાંસલ કરવાની તૈયારી કરી રહી છે.</p><p><b><a href="https://sandesh.com/business/news/world/indra-nooyi-india-remarks-pepsico-ceo-work-culture-controversy" target="_blank">આ પણ વાંચો: અમેરિકી કંપની પેપ્સિકોની પૂર્વ CEOએ ભારત વિરૂદ્ધ ઝેર ઓક્યું, જાણો શું કહ્યું?</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/8jRtVHt100MNk1Jw5FbctDY5rYtzAEB3DYmcs46S.webp'/></item><item><title><![CDATA[Talaq-e-Hasan: પતિએ 3 મહિનામાં ત્રણ વખત કહ્યું - તલાક, કોર્ટે કહ્યું કે 'ભારતમાં આ પદ્ધતિ પર કોઈ કાયદાકીય રોક નથી' ]]></title><link>https://sandesh.com/india/news/gauhati-hc-says-talaq-e-hasan-not-banned--registration-under-new-assam-law</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/gauhati-hc-says-talaq-e-hasan-not-banned--registration-under-new-assam-law</guid><pubDate>Fri, 11 Sep 2026 15:33:51 +05:30</pubDate><description><![CDATA[<p>Talaq-e-Hasan: શું ત્રણ અલગ-અલગ કારણે 'તલાક' ઉચ્ચારીને લગ્નનો અંત લાવી શકાય? આ મુદ્દાને લગતો એક કેસ ગુવાહાટી હાઈકોર્ટ સમક્ષ આવ્યો હતો, જેમાં એક વ્યક્તિએ દાવો કર્યો હતો કે તેણે મુસ્લિમ પર્સનલ લો (મુસ્લિમ અંગત કાયદા) હેઠળ 'તલાક-એ-હસન' આપ્યું છે અને તેની નોંધણીની માંગ કરી હતી. સુનાવણી બાદ કોર્ટે અવલોકન કર્યું હતું કે ભારતમાં 'તલાક-એ-હસન' પર પ્રતિબંધ નથી. જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે હવે પછી આવા કેસોની નોંધણી જૂના કાયદાને બદલે આસામના નવા કાયદા હેઠળ કરવામાં આવશે. અરજદારે જસ્ટિસ અરુણ દેવ ચૌધરીની બેન્ચને જણાવ્યું હતું કે તેમણે 2016માં લગ્ન કર્યા હતા, પરંતુ થોડા વર્ષો પછી દંપતી વચ્ચે મતભેદો વધવા લાગ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર, તેમની પત્ની 2018માં તેમનું ઘર છોડીને ચાલી ગઈ હતી અને ત્યારબાદ પણ તેમના સંબંધોમાં તણાવ યથાવત રહ્યો હતો.</p><p><br></p><h4><b>સમાધાનના પ્રયાસો નિષ્ફળ રહ્યા</b></h4><p>અરજદારે જણાવ્યું હતું કે સમાધાન અને સુલેહ દ્વારા સંબંધ બચાવવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ આ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. આખરે, તેમણે મુસ્લિમ પર્સનલ લો હેઠળ 'તલાક-એ-હસન'ની પ્રક્રિયા આગળ વધારવાનો નિર્ણય કર્યો. તેમણે કોર્ટને જાણ કરી કે તેમણે ત્રણ અલગ-અલગ તારીખોએ 22 માર્ચ, 26 એપ્રિલ અને 27 મેના રોજ તલાકનું ઉચ્ચારણ કર્યું હતું. ત્યારબાદ તેમણે તલાકની નોંધણી માટે સંબંધિત સત્તાધિકારી સમક્ષ અરજી કરી હતી, પરંતુ મામલો આગળ વધ્યો ન હતો, જેના કારણે આ વિવાદ કોર્ટ સુધી પહોંચ્યો હતો.</p><p><br></p><h4><b>કોર્ટ સમક્ષ મુખ્ય વિવાદ શું હતો?</b></h4><p>પ્રથમ દૃષ્ટિએ એવું લાગી શકે છે કે આ કેસ તલાકની કાયદેસરતા પર આધારિત છે; જોકે, કોર્ટ સમક્ષ એક મહત્વપૂર્ણ પ્રશ્ન એ હતો કે નોંધણીની પ્રક્રિયા કયા કાયદા હેઠળ હાથ ધરવામાં આવશે. અરજદારે દલીલ કરી હતી કે ભારતમાં 'તલાક-એ-હસન' સામે કોઈ કાનૂની પ્રતિબંધ નથી અને તેમણે ધાર્મિક કાયદા હેઠળ જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરી છે, તેથી તેઓ તલાકની નોંધણી કરાવવા માટે હકદાર છે. તેની સામે રાજ્ય સરકારે દલીલ કરી હતી કે જે કાયદા હેઠળ અગાઉ આવા કેસોની નોંધણી થતી હતી તે કાયદો હવે અમલમાં નથી. આસામમાં લાગુ પડતો ૧૯૩૫નો જૂનો કાયદો રદ કરવામાં આવ્યો છે; પરિણામે, તે કાયદા હેઠળ નિયુક્ત કરાયેલા સત્તાધિકારી પાસે હવે કોઈપણ તલાકની નોંધણી કરવાની સત્તા નથી.&nbsp;</p><p><br></p><h4><b>નવા કાયદા હેઠળ તપાસ</b></h4><p>ન્યાયાધીશ ચૌધરીએ તેમના આદેશમાં જણાવ્યું હતું કે અરજદાર દ્વારા અપનાવવામાં આવેલી 'તલાક-એ-હસન' પદ્ધતિ પર ભારતમાં પ્રતિબંધ નથી અને હાલમાં તેને માન્ય ગણવામાં આવે છે. જોકે, કોર્ટે બારપેટાના તત્કાલીન સત્તાધિકારીને છૂટાછેડાના દસ્તાવેજની નોંધણી કરવાનો નિર્દેશ આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે 1935નો કાયદો રદ કરવામાં આવ્યો છે અને તે હેઠળ બનાવવામાં આવેલી કચેરી હવે અસ્તિત્વમાં નથી.</p><p><br></p><p>વધુમાં, તેમની ઓળખની ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ, રજિસ્ટ્રાર નક્કી કરશે કે 2024ના અધિનિયમની કલમ 12 હેઠળ છૂટાછેડાની નોંધણી થવી જોઈએ કે નહીં. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે જો રજિસ્ટ્રાર નોંધણી કરવાનો ઇનકાર કરે, તો અરજદારને 2024ના અધિનિયમની કલમ 17 હેઠળ અપીલ કરવાનો અધિકાર રહેશે.</p><p><br></p><h4><b>પત્ની છૂટાછેડાને પડકારવા માટે સ્વતંત્ર</b></h4><p>આ કેસનું એક રસપ્રદ પાસું એ છે કે પત્ની કોર્ટમાં હાજર રહી ન હતી. રેકોર્ડ મુજબ, તેમને નોટિસ મોકલવામાં આવી હતી, પરંતુ તેઓ સુનાવણીમાં હાજર રહ્યા ન હતા. તેમ છતાં, હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે તેમની ગેરહાજરીનો અર્થ એ નથી કે તેમના અધિકારો સમાપ્ત થઈ ગયા છે. કોર્ટે જણાવ્યું હતું કે જો પત્ની ઈચ્છે, તો તે સક્ષમ ન્યાયિક અથવા કાનૂની મંચ સમક્ષ 'તલાક-એ-હસન'ને પડકારી શકે છે.</p><p><br></p><h4><b>'તલાક-એ-હસન' શું છે?</b></h4><p>'તલાક-એ-હસન'ને મુસ્લિમ પર્સનલ લો (વ્યક્તિગત કાયદા) હેઠળ છૂટાછેડાની પરંપરાગત પદ્ધતિ માનવામાં આવે છે. આ પ્રક્રિયામાં પતિ એકસાથે 'ત્રણ તલાક' (ટ્રિપલ તલાક) ઉચ્ચારતો નથી; તેના બદલે, તે ચોક્કસ સમયના અંતરાલ પર ત્રણ વખત 'તલાક' શબ્દનો ઉચ્ચાર કરે છે. આ અંતરાલોનો હેતુ પતિ અને પત્નીને તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવાની અને સમાધાનનો પ્રયાસ કરવાની તક પૂરી પાડવાનો છે. તેથી જ તેને 'તલાક-એ-બિદ્દત' — અથવા ત્વરિત ત્રણ તલાકથી અલગ માનવામાં આવે છે, જેને સુપ્રીમ કોર્ટે ૨૦૧૭માં ગેરબંધારણીય જાહેર કર્યું હતું. જ્યાં ત્વરિત ત્રણ તલાકમાં એક જ વારમાં લગ્ન તોડવાનો પ્રયાસ કરવામાં આવતો હતો, ત્યાં 'તલાક-એ-હસન'નું સ્વરૂપ અલગ છે.</p><p><br></p><h4><b>આસામનો નવો કાયદો શા માટે મહત્વપૂર્ણ છે?&nbsp;</b></h4><p>વર્ષ 2024માં, આસામ સરકારે 'આસામ મુસ્લિમ લગ્ન અને છૂટાછેડાની ફરજિયાત નોંધણી અધિનિયમ' (Assam Compulsory Registration of Muslim Marriages and Divorces Act) અમલમાં મૂક્યો. આ કાયદાએ સંસ્થાનવાદી યુગના 1935ના અધિનિયમનું સ્થાન લીધું છે. સરકારે જણાવ્યું હતું કે નવો કાયદો મુસ્લિમ લગ્ન અને છૂટાછેડાની નોંધણી પ્રક્રિયાને વધુ પારદર્શક અને વ્યવસ્થિત બનાવશે, તેમજ સગીરોનાં લગ્ન જેવી બાબતો પર વધુ સારી દેખરેખ રાખવામાં પણ મદદરૂપ થશે. ગુવાહાટી હાઈકોર્ટનો તાજેતરનો ચુકાદો આ નવા કાનૂની માળખા હેઠળ નોંધણી માટેનો માર્ગ મોકળો કરે છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/manoj-jarange-fast-day-14-cjp-founder-abhijeet-deepke-meets-maratha-leader" target="_blank"><b>Maharashtra: ખતમ કરો ભૂખ હડતાળ... અભિજીત દીપકેએ મનોજ જરાંગેને કેમ કરી આવી અપીલ?</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/N8fF9Z5DrIWurr6cvkeMsIPUSQWWvzRrm293qPY5.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : ખેડૂતોના હકનું યુરિયા ફેક્ટરીઓમાં ઠલવાતું હતું? વટવામાં 857 બોરીનો જથ્થો ઝડપાયો, એક આરોપીની ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-vatva-neem-coated-urea-scam-farmers-fertilizer-seized</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-vatva-neem-coated-urea-scam-farmers-fertilizer-seized</guid><pubDate>Fri, 11 Sep 2026 15:27:13 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના વટવા વિસ્તારમાં ખેડૂતોને મળવાપાત્ર નીમ કોટેડ યુરિયાનો ગેરકાયદે સંગ્રહ અને ઔદ્યોગિક એકમોમાં હેરફેર કરવાના કથિત કૌભાંડનો પર્દાફાશ થયો છે. વટવા GIDC પોલીસે શ્રદ્ધા એસ્ટેટમાં દરોડો પાડી 857 બોરી યુરિયા કબજે કર્યું છે. આ જથ્થાની કિંમત રૂ.2.29 લાખ હોવાનું સામે આવ્યું છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 4 આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>25 ઓગસ્ટની રેડમાં સામે આવ્યો મોટો જથ્થો</b></h2><p style="text-align: justify; ">25 ઓગસ્ટે વટવા GIDC પોલીસે શ્રદ્ધા એસ્ટેટમાં બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. ખેતી નિયામકની હાજરીમાં કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન ગેરકાયદે રીતે સંગ્રહ કરાયેલો નીમ કોટેડ યુરિયાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ત્યારબાદ FSL રિપોર્ટ મળ્યા બાદ પોલીસે કુલ 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>મણીધર પ્લાસ્ટોના ગોડાઉનમાં શું ચાલતું હતું?</b></h3><p style="text-align: justify; ">પોલીસ તપાસમાં સામે આવ્યું કે શ્રદ્ધા એસ્ટેટમાં ‘મણીધર પ્લાસ્ટો’ના નામે ગોડાઉન ભાડે લેવામાં આવ્યું હતું. આ ગોડાઉનમાં આરોપી રાયમલ ભરવાડ દ્વારા મોકલવામાં આવેલો નીમ કોટેડ યુરિયાનો જથ્થો રાખવામાં આવ્યો હતો. પોલીસે 857 બોરી કબજે કરી હોવાનું જણાવ્યું છે.</p><h4 style="text-align: justify; "><b>એક આરોપી ઝડપાયો, 4 હજુ ફરાર</b></h4><p style="text-align: justify; ">આ કેસમાં અર્જુન સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે રાયમલ ભરવાડ, હિમાંશુ પટેલ, અંકિત પટેલ અને વિપુલ પટેલ ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ અને કાર્યવાહી તેજ કરી છે.</p><h4 style="text-align: justify; "><b>ખેડૂતોને બાયોમેટ્રિકથી મળતું ખાતર ફેક્ટરી સુધી કેવી રીતે પહોંચ્યું?</b></h4><p style="text-align: justify; ">નીમ કોટેડ યુરિયા સામાન્ય રીતે સરકાર માન્ય એગ્રો સેન્ટર અથવા સરકારી મંડળી મારફતે ખેડૂતોને આપવામાં આવે છે. ખાતર મેળવવા માટે ખેડૂતોનું આધાર કાર્ડ અને બાયોમેટ્રિક પ્રક્રિયા પણ થાય છે. તેમ છતાં ખેડૂતો માટેના ખાતરનો જથ્થો ઔદ્યોગિક એકમો સુધી પહોંચતો હોવાના આક્ષેપોએ ગંભીર સવાલો ઉભા કર્યા છે.</p><h4 style="text-align: justify; "><b>કૌભાંડ પાછળ હજુ કેટલા નામ બહાર આવશે?</b></h4><p style="text-align: justify; ">પોલીસની તપાસ હવે માત્ર 857 બોરીના જથ્થા સુધી સીમિત નથી. આ જથ્થો ક્યાંથી આવ્યો, કોના કહેવાથી મંગાવવામાં આવ્યો અને તેને કયા ઔદ્યોગિક એકમોમાં પહોંચાડવાનો હતો તે સૌથી મોટો સવાલ છે. ફરાર આરોપીઓ ઝડપાયા બાદ ખેડૂતોના હકના યુરિયાની કથિત ગેરકાયદે હેરફેરનું આખું નેટવર્ક બહાર આવે છે કે કેમ તે જોવું મહત્વનું રહેશે.&nbsp; &nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">&nbsp;આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; &nbsp;<a href="https://sandesh.com/world/news/sports/malaysia-football-legend-abdul-alif-marriage-72-year-old-20-year-old-wife#google_vignette" target="_blank"><b> Malaysia : 72 વર્ષના ફૂટબોલ દિગ્ગજે 20 વર્ષની યુવતી સાથે કર્યા લગ્ન, તસવીરો વાયરલ થતાં પરિવારે કરી પુષ્ટિ</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/OAWos7yvFgiRgZ6Ce7ULlcrmjgkPvXwMs4qZPiez.webp'/></item><item><title><![CDATA[Surat: કોસાડ આવાસમાં મેગા ડિમોલિશન, સરકારી જમીન પરના દબાણો પર ચાલ્યું જેસીબી ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/kosad-awas-mega-demolition-smc-police-bulldozer-action-amroli</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/kosad-awas-mega-demolition-smc-police-bulldozer-action-amroli</guid><pubDate>Fri, 11 Sep 2026 15:24:02 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાત સરકાર દ્વારા અસામાજિક તત્વો અને ગેરકાયદે બાંધકામો સામે શરૂ કરવામાં આવેલી આકરી ઝુંબેશના ભાગરૂપે સુરત શહેરમાં પણ 'દાદાનું બુલડોઝર' ફરી વળ્યું છે. સુરતના અમરોલી પોલીસ સ્ટેશન સીમા હેઠળ આવેલા કોસાડ આવાસ H-૨ વિસ્તારમાં SMC (સુરત મહાનગરપાલિકા) અને પોલીસ વિભાગ દ્વારા મોટા પાયે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.</p><h2><b>સુરતમાં અસામાજિક તત્વો સામે 'દાદાનું બુલડોઝર' ચાલ્યું</b></h2><p>કોસાડ આવાસની બહાર આવેલા સરકારી પ્લોટ અને રોડ-રસ્તાઓ પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર કબ્જો કરીને દબાણો ખડકી દેવામાં આવ્યા હતા. આ અંગે અવારનવાર ફરિયાદો મળતાં તંત્ર દ્વારા જેસીબી અને બુલડોઝરની મદદથી તમામ ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડીને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હતા. આ સમગ્ર મેગા ઓપરેશન નાયબ પોલીસ કમિશનર (DCP) લખધીરસિંહ ઝાલાની સીધી હાજરી અને સુપરવિઝનમાં પાર પાડવામાં આવ્યું હતું. જે વિસ્તારમાં ડિમોલિશન હાથ ધરાયું હતું ત્યાં અગાઉ અસામાજિક તત્વો અને ભૂમાફિયાઓનો ભારે ત્રાસ હોવાના અહેવાલો હતા. જેથી ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત અને અભેદ્ય પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.</p><h3><b>કોસાડ આવાસ H-2 માં ડિમોલિશન</b></h3><p>વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે સુરત શહેરમાં શાંતિ અને કાયદાનું શાસન જાળવવા માટે આવા ભૂમાફિયાઓ અને ગેરકાયદે દબાણકારો સામે લાલ આંખ ચાલુ જ રહેશે. કાયદાનું ઉલ્લંઘન કરનાર કોઈપણ તત્વ કે અસામાજિક ઈસમને ભવિષ્યમાં પણ બક્ષવામાં આવશે નહીં.</p><p><a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad---8-63-lakh-pmay-housing-scam-exposed-via-rti--case-booked-against-pankaj-prajapati" target="_blank">&nbsp;</a><b><a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad---8-63-lakh-pmay-housing-scam-exposed-via-rti--case-booked-against-pankaj-prajapati" target="_blank">આ પણ વાંચો: Ahmedabadમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે મોટું કૌભાંડ, 65 ગરીબો પાસેથી રૂ.8.63 લાખ પડાવાયા</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/r1A8q9AYVUR9gHxPMncozFjbP4wibG6nC9x9BECO.webp'/></item><item><title><![CDATA[Jennifer Winget : શું 41 વર્ષની ઉંમરે માતા બનશે જેનિફર વિંગેટ? પ્રેગ્નન્સીની ચર્ચાઓ પર એક્ટ્રેસે કર્યો ખુલાસો! ]]></title><link>https://sandesh.com/entertainment/news/jennifer-winget-motherhood-pregnancy-rumours-41</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/jennifer-winget-motherhood-pregnancy-rumours-41</guid><pubDate>Fri, 11 Sep 2026 15:22:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ટીવીની લોકપ્રિય અભિનેત્રી જેનિફર વિંગેટ હાલમાં પોતાની આગામી સિરિઝ શક: ટ્રસ્ટ નો વનને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં એક ભવ્ય કાર્યક્રમમાં સિરિઝનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જેનિફરને તેની અંગત જિંદગી વિશે પણ અનેક સવાલો પૂછવામાં આવ્યા હતા. તેણે પણ પોતાના બીજા લગ્ન, માતૃત્વ અને પ્રેગ્નેન્સી અંગે ચાલી રહેલી અફવાઓ વિશે ખુલ્લેઆમ વાત કરી હતી.</p><h2 style="text-align: justify; "><b>જેનિફર વિંગેટે કર્યા બીજા લગ્ન</b></h2><p style="text-align: justify; ">જેનિફર વિંગેટે 16 જુલાઈ 2026ના રોજ 41 વર્ષની ઉંમરે બીજા લગ્ન કર્યા હતા. તેણે પોતાના વિદેશી બોયફ્રેન્ડ અને બિઝનેસમેન વિલિયમ ઇસ્માએલ સાથે યુનાઇટેડ કિંગડમમાં અંગત સમારંભમાં લગ્ન કર્યા હતા. આ પહેલાં તેણે 2012માં પોતાના કો-સ્ટાર અને અભિનેતા કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા. જોકે, બંનેના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહોતા અને 2014માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા.</p><p style="text-align: justify; "><img alt="Jennifer Winget (21)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/11/5ZvST25DdJ5Dle0lTUJFbQWiAIiw6yMGQ7kmGNLc.webp"><br></p><p style="text-align: justify; "><b style="font-size: 1.75rem;">મેં માત્ર લગ્ન કર્યા છે, બાકી બધું પહેલાં જેવું જ છે-જેનિફર વિંગેટ</b><br></p><p style="text-align: justify; ">શક: ટ્રસ્ટ નો વનના ટ્રેલર લોન્ચ દરમિયાન જ્યારે જેનિફરને પૂછવામાં આવ્યું કે લગ્ન બાદ તેમની જિંદગીમાં કોઈ બદલાવ આવ્યો છે કે નહીં, ત્યારે અભિનેત્રીએ કહ્યું, લગ્ન બાદ વધારે કંઈ બદલાયું નથી. મેં માત્ર લગ્ન કર્યા છે, બાકી બધું પહેલાં જેવું જ છે. મને જિંદગીમાં સંતુલન જાળવીને આગળ વધવું ગમે છે. મારા કરિયર પર કોઈ અસર પડી નથી. હું જે લોકો સાથે કામ કરીશ, તેમની સાથે સારો તાલમેલ રહે તે મારા માટે મહત્વનું છે. પછી એ લોકો ટેલિવિઝન સાથે જોડાયેલા હોય, ડિજિટલ ક્ષેત્રના હોય કે કોઈ બીજા ક્ષેત્રના. મારા માટે કામ કરવાની જગ્યા અને ત્યાંનું વાતાવરણ સારું હોવું ખૂબ જરૂરી છે. હું ઘણીવાર એવા જ લોકો સાથે ફરી કામ કરું છું, જેમની સાથે પહેલાં કામ કરી ચૂકી છું.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DdJBx3IGp42/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DdJBx3IGp42/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DdJBx3IGp42/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DdJBx3IGp42/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h2 style="text-align: justify; "><b>શક: ટ્રસ્ટ નો વન ક્યારે અને ક્યાં રિલીઝ થશે?</b></h2><p style="text-align: justify; ">જેનિફર વિંગેટની વેબ સિરિઝ શક: ટ્રસ્ટ નો વન 24 સપ્ટેમ્બર 2026ના રોજ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. તેમાં બોલીવુડ અભિનેત્રી પરિણીતિ ચોપરા પણ મુખ્ય ભૂમિકામાં છે. તાહિર રાજ ભસીન, સોની રાઝદાન, અનુપ સોની, હરલીન સેઠી, ધ્રુવ ચૌધરી અને સુમીત વ્યાસ પણ આ સિરિઝનો ભાગ છે. આ સિરિઝનું દિગ્દર્શન રેન્સિલ ડી સિલ્વાએ કર્યું છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/40-year-old-doordarshan-serial-railway-station-title-song" target="_blank">આ પણ વાંચો-Retro TV : 40 વર્ષ પહેલાં આવેલી દૂરદર્શનની એ હિટ સિરિયલ જેના નામ પર છે રેલવે સ્ટેશન!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/Uz5qkL0tOFJzVOmynp1o9LZborfREzgySslniFPE.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના જમાલપુરમાં AMC નું મોટું ડિમોલેશન, પરવાનગી વિના ચાલતું ગેરકાયદે બાંધકામ કરાયું જમીનદોસ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad--amc-demolishes-illegal-building-in-jamalpur-after-seal-violation</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad--amc-demolishes-illegal-building-in-jamalpur-after-seal-violation</guid><pubDate>Fri, 11 Sep 2026 15:16:13 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના એસ્ટેટ અને ટીડીઓ વિભાગ દ્વારા ગેરકાયદે બાંધકામો સામે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. કોઈપણ પ્રકારની રજા-ચિઠ્ઠી કે મંજૂરી વગર ઉભા કરી દેવાયેલા બિલ્ડિંગ પર મનપાના બુલડોઝર ફરી વળ્યા હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી આ સ્થળે ગેરકાયદેસર રીતે બાંધકામ ધમધમી રહ્યું હતું, જેને લઈને મનપામાં પણ ફરિયાદો ઉઠી હતી.</p><h2 style="text-align: justify; "><b>નોટિસ અને સીલ છતાં ચાલુ રાખ્યું બાંધકામ</b></h2><p style="text-align: justify; ">મનપાના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ગેરકાયદે બાંધકામ સંદર્ભે અગાઉ મનપા દ્વારા કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિસ આપ્યા બાદ પણ બાંધકામ બંધ ન થતાં AMC ની ટીમે આ બિલ્ડિંગને સીલ કરી દીધું હતું. જોકે, બિલ્ડર કે નિર્માણકર્તાએ મનપાના સીલની પણ કોઈ પરવા કર્યા વગર સીલ મારેલી બિલ્ડિંગમાં જઈને છૂપી રીતે બાંધકામ ચાલુ જ રાખ્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>કાયદાનો અનાદર કરનારા સામે આકરી કાર્યવાહી</b></h2><p style="text-align: justify; ">સીલનો અનાદર કરીને ફરીથી બાંધકામ ચાલુ રાખવામાં આવ્યું હોવાની જાણ થતાં જ AMC ની ટીમ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને ડિમોલેશનની કામગીરી શરૂ કરી દીધી હતી. મનપાએ કડક વલણ અપનાવીને આખું ગેરકાયદે માળખું તોડી પાડ્યું હતું. AMC ની આ સપાટાબંધ કાર્યવાહીથી શહેરમાં પરવાના વગર ગેરકાયદે બાંધકામ કરનારા તત્વો અને બિલ્ડરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad---8-63-lakh-pmay-housing-scam-exposed-via-rti--case-booked-against-pankaj-prajapati" target="_blank">Ahmedabadમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે મોટું કૌભાંડ, 65 ગરીબો પાસેથી રૂ.8.63 લાખ પડાવાયા</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/Ng2L8q2PsbYL5aXV9wclAuRZaIoHbrlRgfW00JDA.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: ગુજરાત જળ જીવન મિશનમાં CAGનો મોટો ધડાકો, જાણો કઈ રીતે કોન્ટ્રાક્ટરોને કરોડોની લ્હાણી કરાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/jal-jeevan-mission-cag-flags-rs-72-crore-excess-payments</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/jal-jeevan-mission-cag-flags-rs-72-crore-excess-payments</guid><pubDate>Fri, 11 Sep 2026 14:51:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં જળ જીવન મિશન યોજનાના અમલીકરણને લઈને કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલનો અત્યંત ગંભીર ઓડિટ રિપોર્ટ સામે આવ્યો છે.કેગના આ રિપોર્ટમાં વર્ષ 2019થી 2024 દરમિયાન સરકારી નાણાકીય વ્યવસ્થાપન, યોજનાકીય દેખરેખ અને કામગીરીમાં ગંભીર ખામીઓ અને બેદરકારીઓ ઉજાગર થઈ છે.જેના કારણે સરકારી તિજોરીને મોટો ફટકો પડ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>કોન્ટ્રાક્ટરોને કરોડો રૂપિયાની લ્હાણી કરાઈ</b></h2><p style="text-align: justify; ">કેગના રિપોર્ટ અનુસાર, ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ અને ગુજરાત વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડ (GWSSB) દ્વારા કોન્ટ્રાક્ટરોને નિયમો વિરુદ્ધ જઈને ભારે નાણાકીય લાભ કરાવી આપવામાં આવ્યા છે.અયોગ્ય હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (WPI) અને જીએસટી (GST) દર લાગુ કરવાના કારણે કોન્ટ્રાક્ટરોને કુલ 72.97 કરોડ રૂપિયાની વધુ ચૂકવણી કરવામાં આવી છે.જેમાં માત્ર ખોટા WPIના ઉપયોગથી 54.32 કરોડ રૂપિયા અને અયોગ્ય GST દરના કારણે 18.65 કરોડ રૂપિયાની વધારાની રકમ ચૂકવાઈ છે.આ ઉપરાંત, MS પાઇપના ભાવમાં ફેરફારના કારણે 38.92 કરોડ રૂપિયા અને DI પાઇપ માટે અયોગ્ય બેઝ WPI ઇન્ડેક્સના ઉપયોગથી 14.07 કરોડ રૂપિયાની વધારાની ચૂકવણી થઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.</p><h3 style="text-align: justify; "><b>નાણાકીય વ્યવસ્થાપન અને દેખરેખનો અભાવ</b></h3><p style="text-align: justify; ">ઓડિટ અહેવાલ મુજબ વર્ષ 2019થી 2024 દરમિયાન યોજના માટે 19,471.61 કરોડ રૂપિયાનું ભંડોળ પ્રાપ્ત થયું હતું અને 19,128.18 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.જો કે,રાજ્યનો હિસ્સો ફાળવવામાં વિલંબ થવાને કારણે આ મહત્વપૂર્ણ યોજના 3,179.31 કરોડ રૂપિયાના ભંડોળથી વંચિત રહી હતી.આ ઉપરાંત, WASMOને 3306 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ એડવાન્સ આપવામાં આવી હતી.જ્યારે નિયમો વિરુદ્ધ સ્ટાફ ક્વાર્ટર્સ અને ઓફિસ બિલ્ડિંગ પાછળ 28.79  કરોડ રૂપિયાનો અસ્વીકાર્ય ખર્ચ કરાયો હતો.</p><h2 style="text-align: justify; "><b>કામગીરીમાં વિલંબ અને પાણી વિતરણની ખામીઓ</b></h2><p style="text-align: justify; ">યોજનાની દેખરેખ માટે જવાબદાર સ્ટેટ વોટર એન્ડ સેનિટેશન મિશન (SWSM)ની એપેક્સ કમિટી અને એક્ઝિક્યુટિવ કમિટીની વર્ષ 2020થી 2024 દરમિયાન એક પણ બેઠક યોજાઈ ન હતી.જિલ્લા સ્તરે પણ જરૂરી બેઠકોના લક્ષ્યાંક સામે માત્ર નહિવત બેઠકો જ મળી હતી.નમૂના તપાસ કરાયેલા જિલ્લાઓમાં માત્ર 44.26 ટકા ગામોએ જ વિલેજ એક્શન પ્લાન તૈયાર કર્યા હતા અને બેઝલાઇન સર્વેના રેકોર્ડ ઉપલબ્ધ ન હોવાને કારણે કેગ દ્વારા તેની ચકાસણી થઈ શકી ન હતી.યોજનાના અમલીકરણમાં પણ ભારે વિલંબ જોવા મળ્યો છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>5 યોજનાઓ 8 થી 25 મહિના મોડેથી પૂર્ણ થઈ</b></h2><p style="text-align: justify; ">GWILની 11 જૂથ પાઇપલાઇન યોજનાઓમાંથી 5 યોજનાઓ 8 થી 25 મહિના મોડેથી પૂર્ણ થઈ હતી. ઉમરેઠ,ભરૂચ અને પાટણમાં કામગીરી પૂર્ણ થયા છતાં સંપથી ESR સુધીનું જોડાણ ન થવાને કારણે પાણી પુરવઠા યોજનાઓ કાર્યરત થઈ શકી ન હતી.ચકાસણી કરાયેલા ચાર જિલ્લાઓમાં નવેમ્બર 2024 સુધી હજારો ઘરોને કાર્યરત ઘરેલુ નળ જોડાણ મળ્યા ન હતા તેમજ 55 લીટર પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસના ધોરણ અંગે પણ ગંભીર ખામીઓ મળી આવી હતી.રાજ્યની પ્રયોગશાળાઓમાં ટેકનિકલ જગ્યાઓ ખાલી હોવા અને નિયમિત પાણી પરીક્ષણ ન થવાને કારણે પાણીની ગુણવત્તા સામે પણ સવાલો ઉઠ્યા છે.ચોમાસા પહેલાં અને પછી કરાયેલા પરીક્ષણોમાં અંદાજે 24થી 26 ટકા પાણીના નમૂના અયોગ્ય પૂરવાર થયા હતા.બીજી તરફ ગ્રામ પંચાયતોમાં પાણી વેરાની નબળી વસૂલાતના કારણે બાકી રકમ 70.05 ટકા વધીને 236.55 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.&nbsp;</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/news/explainer/ahmedabad/rainfall-explainer-which-talukas-are-still-rain-deficient" target="_blank">આ પણ વાંચોઃ Sandesh Digital Explainer : દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા મહેરબાન, જાણો રાજ્યના કયા તાલુકા હજી કોરા ધાકોર છે?</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/99NRrkkFeqJsnJOAFyZJPQAjq4yDd4RYMOlTEFn9.webp'/></item><item><title><![CDATA[BRICS Summit 2026:  બ્રિક્સને લઇને અમેરિકા બોખલાયું, યુએસ ડોલરના વિકલ્પની શોધ પર સમગ્ર વિશ્વની નજર ]]></title><link>https://sandesh.com/india/news/brics-summit-2026-us-dollar-alternative-concerns</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/brics-summit-2026-us-dollar-alternative-concerns</guid><pubDate>Fri, 11 Sep 2026 14:38:24 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતની રાજધાની નવી દિલ્હીમાં યોજાનારી ૧૮મી બ્રિક્સ સમિટ ૨૦૨૬ માત્ર વૈશ્વિક અર્થતંત્ર અને વેપાર પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે અમેરિકા અને પશ્ચિમી દેશો માટે પણ ચિંતા અને ચર્ચાનો મોટો વિષય બની રહી છે. વિશ્વભરના ઘણા દેશો દ્વારા યુએસ ડોલરના વિકલ્પની શોધ કરવામાં આવી રહી છે, જેને લઈને અમેરિકી અખબારો અને મીડિયામાં ભારે હલચલ જોવા મળી રહી છે. પ્રતિષ્ઠિત અખબાર 'ન્યૂ યોર્ક ટાઈમ્સ'ના અહેવાલમાં આ સમિટ પાછળના ભૂ-રાજકીય તણાવ અને પડકારો પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>ન્યૂ યોર્ક ટાઈમ્સનો દાવો અને પશ્ચિમી સંસ્થાઓ પર અસર</b></h2><p style="text-align: justify; ">અમેરિકી અખબાર 'ન્યૂ યોર્ક ટાઈમ્સ'ના જણાવ્યા અનુસાર, શનિવારથી નવી દિલ્હીમાં શરૂ થઈ રહેલી આ સમિટમાં ચીન, રશિયા, બ્રાઝિલ અને ભારત જેવા મોટા દેશો ભાગ લઈ રહ્યા છે. આ તમામ દેશો વૈશ્વિક સ્તરે યુએસ ડોલર અને પશ્ચિમી સંસ્થાઓ પરની નિર્ભરતા ઘટાડવાના પ્રયાસો કરી રહ્યા છે. જો કે, અખબારે કટાક્ષ કર્યો છે કે બ્રિક્સ દેશો એક વૈશ્વિક મંચ પર એક થવાનો દાવો ભલે કરતા હોય, પરંતુ વર્તમાન યુદ્ધ અને ભૌગોલિક તણાવ જેવી પરિસ્થિતિઓ તેમને આંતરિક રીતે વિભાજિત કરી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>ઈરાન અને યુએઈ વચ્ચેનો તણાવ તથા ઊર્જા પુરવઠો</b></h3><p style="text-align: justify; ">આ સમિટમાં યુએઈ (UAE) જેવા દેશો પણ સામેલ છે જે અમેરિકાના પરંપરાગત સુરક્ષા ભાગીદાર છે, પરંતુ તાજેતરમાં બ્રિક્સના જ અન્ય એક સભ્ય દેશ ઈરાન દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો છે. ઈરાન એ સાબિત કરવા માંગે છે કે પશ્ચિમી પ્રતિબંધો તેને વૈશ્વિક સ્તરે અલગ પાડી શક્યા નથી. તેમ છતાં, અમેરિકા સાથેના યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટ (માર્ગ) ગંભીર રીતે પ્રભાવિત થયો છે, જે તેલ અને અન્ય માલસામાન માટે અત્યંત મહત્વપૂર્ણ છે. અન્ય બ્રિક્સ સભ્ય દેશો સ્થિર ઉર્જા પુરવઠો અને નીચા ભાવ ઈચ્છતા હોવાથી આ તણાવ ચિંતાનો વિષય છે.</p><h4 style="text-align: justify; "><b>પીએમ મોદીની નાજુક સંતુલન કવાયત</b></h4><p style="text-align: justify; ">આ વૈશ્વિક મહાસંમેલનના યજમાન દેશ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે આ સમિટ ભૂ-રાજકીય સંતુલન જાળવવાની એક અત્યંત નાજુક કવાયત સમાન છે. ભારત લાંબા સમયથી ચીનને પોતાનો મુખ્ય હરીફ માને છે અને તે બ્રિક્સનો એકમાત્ર એવો સ્થાપક સભ્ય દેશ છે જે વૈશ્વિક બાબતોમાં બેઇજિંગના વધતા પ્રભાવને ઘટાડવા માંગે છે.</p><p style="text-align: justify; ">આમ, વર્તમાન વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે બ્રિક્સ સમિટ માત્ર આર્થિક સહયોગનું પ્લેટફોર્મ નથી, પરંતુ તે વિશ્વ વ્યવસ્થાને બદલવાની મહત્ત્વાકાંક્ષા અને પશ્ચિમી દેશોની ચિંતાઓ વચ્ચેનું એક મોટું રાજદ્વારી રણક્ષેત્ર બની ગયું છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/brics-summit-2026-india-trade-plan-tariff-threats" target="_blank">આ પણ વાંચોઃ BRICS Summit 2026:  ડોનાલ્ડ ટ્ર્મ્પની ધમકીઓ હવે થશે સાઇડલાઇન, ભારતે બનાવી લીધો પોતાનો સુપર ડુપર ટ્રેડ પ્લાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/gjLoWXHnem5EegvPj9POzPlAXTIKQI31GG5HytCJ.webp'/></item><item><title><![CDATA[Delhi High Court : વિનેશ ફોગાટને મોટો ઝટકો, વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલમાંથી બહાર ]]></title><link>https://sandesh.com/sports/news/vinesh-phogat-world-championship-trials-delhi-high-court</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/vinesh-phogat-world-championship-trials-delhi-high-court</guid><pubDate>Fri, 11 Sep 2026 09:21:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને આંતરરાષ્ટ્રીય કુસ્તીમાં વાપસીના પ્રયાસ વચ્ચે મોટો ઝટકો લાગ્યો છે.દિલ્હી હાઈકોર્ટે 2026 સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપની પસંદગી માટે યોજાનારી ટ્રાયલમાં વિનેશને ભાગ લેવાની વચગાળાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે.આ નિર્ણય બાદ વિનેશ માટે 14 સપ્ટેમ્બરે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં યોજાનારી પસંદગી ટ્રાયલમાં ઉતરવાનો રસ્તો બંધ થઈ ગયો છે.જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ ગુરુવારે મોડી રાત્રે વિનેશ ફોગાટની વચગાળાની રાહતની માગ કરતી અરજી ફગાવી દીધી હતી.</p><h4 style="text-align: justify; "><b>દિલ્હી હાઈકોર્ટે શું કહ્યું</b></h4><p style="text-align: justify; ">અદાલતે કહ્યું કે ભારતીય કુસ્તી મહાસંઘ દ્વારા નક્કી કરવામાં આવેલી પાત્રતાની શરતો કોઈ એક ખેલાડી માટે અલગ રીતે લાગુ કરી શકાય નહીં.અદાલતે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું કે 7 સપ્ટેમ્બર 2026ના પરિપત્રમાં નક્કી કરાયેલા માપદંડ તમામ ખેલાડીઓ માટે સમાન છે.જો કોઈ કુસ્તીબાજે નક્કી કરાયેલી સ્પર્ધામાં ભાગ લીધો નથી,તો તે વર્તમાન નિયમો હેઠળ ટ્રાયલ માટે પાત્ર ગણાતો નથી.</p><h5 style="text-align: justify; "><b>વિનેશ ફોગાટે અદાલતનો દરવાજો કેમ ખખડાવ્યો?</b></h5><p style="text-align: justify; ">વિનેશ ફોગાટે ભારતીય કુસ્તી મહાસંઘના નવા પસંદગી નિયમોને પડકાર્યા હતા.7 સપ્ટેમ્બરે જાહેર કરાયેલા પરિપત્રમાં 2026 સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ માટેના ટ્રાયલમાં ભાગ લેવા માટે છ ઓલિમ્પિક વજન વર્ગો માટે પાત્રતાના નિયમો નક્કી કરવામાં આવ્યા છે.આ નિયમો હેઠળ કેટલીક નિર્ધારિત સ્પર્ધાઓના ચંદ્રક વિજેતા, રાષ્ટ્રીય તાલીમ શિબિરમાં સામેલ કુસ્તીબાજો અને 2026 અંડર-20 વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પસંદ થયેલા ખેલાડીઓ પાત્ર બને છે.વિનેશનું કહેવું હતું કે માતૃત્વના કારણે તે કેટલીક મહત્વની પસંદગી સ્પર્ધાઓમાં ભાગ લઈ શકી નહોતી.તેથી હાલના નિયમો તેમના માટે વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ સુધી પહોંચવાનો માર્ગ બંધ કરે છે.વિનેશે સીધી રીતે વર્લ્ડ ચેમ્પિયનશિપની ટીમમાં પસંદગીની માગ કરી નહોતી. તેમની માગ માત્ર એટલી હતી કે તેમને ટ્રાયલમાં ભાગ લેવાની તક આપવામાં આવે અને ત્યારબાદ તેમના પ્રદર્શનના આધારે ટીમમાં પસંદગી કરવામાં આવે.</p><h4 style="text-align: justify; "><b>એશિયન ગેમ્સના ટ્રાયલનો પણ આપ્યો હતો હવાલો</b></h4><p style="text-align: justify; ">વિનેશે પોતાની દલીલમાં 30 મેના એશિયન ગેમ્સના પસંદગી ટ્રાયલનો પણ ઉલ્લેખ કર્યો હતો.તેમણે 53 કિલોગ્રામ વજન વર્ગમાં ભાગ લીધો હતો અને ક્વાર્ટર ફાઇનલ જીતીને સેમિફાઇનલ સુધી પહોંચ્યા હતા.વિનેશે અદાલતને જણાવ્યું હતું કે માતા બન્યા બાદ તેમણે ફરી તાલીમ શરૂ કરી છે અને સ્પર્ધાત્મક કુસ્તીમાં વાપસી માટે પ્રયાસ કરી રહ્યા છે. તેઓ જુલાઈ 2025માં માતા બન્યા હતા.</p><h4 style="text-align: justify; "><b>માતૃત્વ નીતિ અંગે મોટી લડાઈ હજુ ચાલુ</b></h4><p style="text-align: justify; ">દિલ્હી હાઈકોર્ટે હાલ વિનેશની અરજીમાં ઉઠાવવામાં આવેલા મોટા કાયદાકીય પ્રશ્નો અંગે અંતિમ નિર્ણય આપ્યો નથી.અદાલતે એ પણ નોંધ્યું કે ગર્ભાવસ્થા, બાળકના જન્મ અને ત્યારબાદની શારીરિક પુનઃપ્રાપ્તિ જેવી પરિસ્થિતિઓને મહિલા ખેલાડીઓ માટેની પસંદગી નીતિની કાયદેસરતા અંગે વિચાર કરતી વખતે ધ્યાનમાં લેવાની જરૂર પડી શકે છે.જોકે, આ કારણોસર વિનેશને તાત્કાલિક વચગાળાની છૂટ આપી શકાય નહીં. અદાલતની એક મહત્વની ચિંતા એ પણ હતી કે માત્ર વિનેશને નિયમોમાં છૂટ આપવામાં આવે તો આવી જ સ્થિતિમાં રહેલા અન્ય ખેલાડીઓ સાથે સમાનતાનો પ્રશ્ન ઊભો થઈ શકે છે.વિનેશની કાનૂની લડાઈ માત્ર વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ પૂરતી મર્યાદિત નથી. તેઓ માતૃત્વ બાદ મહિલા ખેલાડીઓ માટે પારદર્શક અને વ્યવસ્થિત પસંદગી વ્યવસ્થા બનાવવાની માગ પણ કરી રહ્યા છે.</p><p style="text-align: justify; "><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/NalinisKitchen/status/2098245458540027916?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>WFIની શિસ્તભંગની કાર્યવાહી પણ પડકારાઈ</b></h4><p style="text-align: justify; ">વિનેશે ભારતીય કુસ્તી મહાસંઘ દ્વારા શરૂ કરવામાં આવેલી શિસ્તભંગની કાર્યવાહી સામે પણ અદાલતનો સંપર્ક કર્યો છે. તેમણે મે અને જૂનમાં આપવામાં આવેલી 2 કારણદર્શક નોટિસ રદ કરવાની માગ કરી છે.બીજી તરફ,કુસ્તી મહાસંઘનું કહેવું છે કે વિનેશને શિસ્ત સમિતિ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક આપવામાં આવી હતી.</p><h5 style="text-align: justify; "><b>ક્યારે યોજાશે વર્લ્ડ ચેમ્પિયનશિપ?</b></h5><p style="text-align: justify; ">2026 સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં 24 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન યોજાવાની છે. દિલ્હી હાઈકોર્ટના હાલના નિર્ણય બાદ વિનેશ ફોગાટ 14 સપ્ટેમ્બરે યોજાનારી ભારતીય પસંદગી ટ્રાયલમાં ભાગ લઈ શકશે નહીં.જોકે, માતૃત્વ બાદ મહિલા ખેલાડીઓને રમતગમતમાં વાપસી માટે કઈ રીતે તક મળવી જોઈએ અને પસંદગી પ્રક્રિયામાં તેમના માટે કેવી વ્યવસ્થા હોવી જોઈએ, તે અંગે વિનેશની મોટી કાનૂની લડાઈ હજુ ચાલુ છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો <a href="https://sandesh.com/cricket/news/shree-charani-breaks-radha-yadav-record-50-t20i-wickets" target="_blank">- Shree Charaniએ નોંધાવી ઐતિહાસિક સિદ્ધિ, રાધા યાદવનો મોટો રેકોર્ડ તોડી રચ્યો ઇતિહાસ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/kFL2T3ixL0obDmcYy4934aTdupVad2PjvKVjk8Ms.webp'/></item></channel></rss>