<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Dahod: એસપી ઓફિસ નજીકના નેત્રમ્ સીસીટીવી કંટ્રોલ સેન્ટરમાં પેનલ રૂમના બે AC બ્લાસ્ટ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dahod/sp-office-netram-cctv-control-center-fire-ac-blast</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dahod/sp-office-netram-cctv-control-center-fire-ac-blast</guid><pubDate>Sat, 19 Sep 2026 19:40:36 +05:30</pubDate><description><![CDATA[<p>દાહોદ શહેરની એસ.પી. ઓફિસ કમ્પાઉન્ડ નજીક આવેલા મહત્વપૂર્ણ 'નેત્રમ્' સીસીટીવી કંટ્રોલ સેન્ટરમાં આજે અચાનક આગ લાગવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. કંટ્રોલ સેન્ટરના ઇલેક્ટ્રિક પેનલ રૂમમાં રાખવામાં આવેલા બે એર કન્ડીશનર (AC) માં કોઈ અગમ્ય કારણોસર અચાનક બ્લાસ્ટ થયો હતો. ધડાકા સાથે આગના ગોટા નીકળતાં જ કંટ્રોલ સેન્ટરમાં ફરજમાં રહેલા પોલીસ અને ટેકનિકલ કર્મચારીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી.</p><h2><b>નેત્રમ્ સીસીટીવી કંટ્રોલ સેન્ટરમાં આગ</b></h2><p>આગ લાગતાં જ કંટ્રોલ રૂમમાં રહેલા તમામ કર્મચારીઓએ અદભુત સમયસૂચકતા દર્શાવી હતી અને વિલંબ કર્યા વગર તુરંત જ બિલ્ડિંગની બહાર દોડી ગયા હતા. કર્મચારીઓની આ ત્વરિત સતર્કતાના કારણે એક બહુ મોટી દુર્ઘટના ટળી હતી અને તમામ કર્મચારીઓ સહીસલામત બહાર નીકળી ગયા હતા.ઘટનાની જાણ થતાં જ દાહોદ ફાયર બ્રિગેડની ટીમ ત્વરિત ફાયર ફાઇટરો સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ કંટ્રોલ રૂમની આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં પેનલ રૂમમાં રહેલા બે એર કન્ડીશનર બળીને સંપૂર્ણ ખાખ થઈ ગયા હતા.</p><h3><b>લેક્ટ્રિક પેનલ રૂમમાં બે AC માં બ્લાસ્ટ</b></h3><p>ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (MGVCL) ની ટેકનિકલ ટીમ પણ તુરંત સ્થળ પર પહોંચી ગઈ હતી અને વીજ પુરવઠો ડિસ્કનેક્ટ કરી સમારકામની કામગીરી હાથ ધરી હતી. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. સદનસીબે આ સમગ્ર બનાવમાં કોઈ જાનહાનિ કે શારીરિક ઈજા ન થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/paldi-sub-post-office-sub-post-master-pallavi-upadhyay-trapped-by-acb" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: પાલડી સબ પોસ્ટ માસ્ટર પલ્લવી ઉપાધ્યાય 10 હજારની લાંચ લેતા એસીબીની ટ્રેપમાં ઝડપાયા</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/92ty2WlKiDjVlssfeid3dG0L0FATdWzSSiDq5esn.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: પાલડી સબ પોસ્ટ માસ્ટર પલ્લવી ઉપાધ્યાય 10 હજારની લાંચ લેતા એસીબીની ટ્રેપમાં ઝડપાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/paldi-sub-post-office-sub-post-master-pallavi-upadhyay-trapped-by-acb</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/paldi-sub-post-office-sub-post-master-pallavi-upadhyay-trapped-by-acb</guid><pubDate>Sat, 19 Sep 2026 19:16:38 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલી સબ પોસ્ટ ઓફિસમાં એન્ટિ કરપ્શન બ્યુરો (ACB) એ સફળ ટ્રેપ ગોઠવીને લાંચરુશવત લેતાં મહિલા અધિકારીને ઝડપી પાડતાં સરકારી આલમમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પાલડી સબ પોસ્ટ ઓફિસમાં સબ પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવતા પલ્લવી કિરણકુમાર ઉપાધ્યાય ફરિયાદી પાસે રૂ.&nbsp; 10,000 ની લાંચ લેતાં એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાઈ ગયા છે.</p><h2><b>પાલડી સબ પોસ્ટ ઓફિસમાં ACBની સફળ ટ્રેપ</b></h2><p>મળતી વિગતો અનુસાર, આરોપી પલ્લવી ઉપાધ્યાયે ફરિયાદીનો NDC પાર્સલ કચેરી ખાતે ઓર્ડર ન કરવા માટે રૂ. 30,000ની લાંચની માંગણી કરી હતી. જોકે, ફરિયાદી અને સબ પોસ્ટ માસ્ટર વચ્ચે થયેલી રકઝકના અંતે લાંચની રકમ રૂ. 10,000 આપવાનું નક્કી થયું હતું.ફરિયાદી લાંચની રકમ આપવા માગતા ન હોવાથી તેમણે આ મામલે તાત્કાલિક એન્ટિ કરપ્શન બ્યુરો (ACB) નો સંપર્ક કરી સમગ્ર ઘટસ્ફોટ કર્યો હતો. ફરિયાદીની અરજીના આધારે મહેસાણા એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જે. પટેલ અને તેમની ટીમે પાલડી સબ પોસ્ટ ઓફિસ ખાતે લાંચનું આયોજિત છટકું ગોઠવ્યું હતું.</p><h3><b>મહેસાણા ACBની ટીમે ગોઠવ્યું છટકું</b></h3><p>આયોજન મુજબ, ફરિયાદી જ્યારે સબ પોસ્ટ માસ્ટર પલ્લવી ઉપાધ્યાયને તેમના કાર્યાલયમાં રૂ. 10,000ની લાંચ આપવા ગયા અને તેમણે લાંચની રકમ સ્વીકારી કે તુરંત જ વોચમાં રહેલી એસીબીની ટીમે ત્રાટકીને તેમને રંગેહાથ પકડી પાડ્યા હતા. એસીબીએ સ્થળ પરથી લાંચના રૂ. 10,000રોકડા રિકવર કર્યા છે અને આરોપી સબ પોસ્ટ માસ્ટર સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કાયદેસરની ગુનાહિત કાર્યવાહી હાથ ધરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/cm-bhupendra-patel-visits-ahmedabad-central-jail-interacts-with-prisoners-on-sentence-remission" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: CM ભુપેન્દ્ર પટેલે સાબરમતી જેલની મુલાકાત લઈ કેદીઓ સાથે કર્યો સંવાદ</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/MnGisg6PTS3YWVflKfnNzJmtsFEOD48y5MpnN41f.webp'/></item><item><title><![CDATA[World's Billionaires List: 18 વર્ષ સુધી નંબર-1 અમીર રહ્યા બિલ ગેટ્સ, જાણો બિલ ગેટ્સની સંપત્તિ ]]></title><link>https://sandesh.com/business/news/world-richest-person-longest-time-bill-gates-record</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/world-richest-person-longest-time-bill-gates-record</guid><pubDate>Sat, 19 Sep 2026 19:14:39 +05:30</pubDate><description><![CDATA[<p>world richest person: ટેસ્લા અને સ્પેસએક્સ સહિત ઘણી કંપનીઓ ચલાવી રહેલા એલન મસ્ક દુનિયાના અમીરોની યાદીમાં પહેલા નંબર પર યથાવત છે. દૂર-દૂર સુધી કોઈ તેમની ટક્કરમાં નથી. ફોર્બ્સની રિયલ ટાઇમ બિલિયોનેર લિસ્ટ મુજબ મસ્કની નેટવર્થ 946.5 અબજ ડોલર છે. આ જ વર્ષે તેમને દુનિયાના પહેલા ટ્રિલિયોનેર બનવાની તક પણ મળી હતી. શું તમે જાણો છો કે દુનિયામાં સૌથી લાંબા સમય સુધી નંબર 1 અમીરની ખુરશી પર રહેવાનો રેકોર્ડ કોના નામે છે?</p><p><b>બિલ ગેટ્સના નામે રેકોર્ડ</b></p><p>1995માં બિલ ગેટ્સ પહેલીવાર ફોર્બ્સની વિશ્વના અબજોપતિઓની યાદીમાં નંબર-1 પર પહોંચ્યા હતા. જોકે, તેમના પહેલાં આ સ્થાન પર જાપાનના યોશિયાકી સુત્સુમીનું નામ હતું. તેઓ 1987થી 1990 સુધી વિશ્વના સૌથી અમીર વ્યક્તિ રહ્યા હતા. ત્યારબાદ 1991 અને 1992માં જાપાનના તાઇકિચિરો મોરી વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બન્યા હતા. 1993માં યોશિયાકી સુત્સુમી ફરી નંબર-1 પર આવ્યા અને 1994માં પણ આ સ્થાન જાળવી રાખ્યું. ત્યારબાદ 1995માં બિલ ગેટ્સે પ્રથમ વખત વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બનવાનું ગૌરવ મેળવ્યું હતું.</p><p><b>બિલ ગેટ્સનું વર્ચસ્વ</b></p><p>બિલ ગેટ્સ 1995થી 2007 સુધી દુનિયાના સૌથી મોટા અમીર રહ્યા. 2008માં વૉરેન બફેટે તેમને પાછળ છોડી દીધા, પરંતુ 2009માં ગેટ્સે ફરી વાપસી કરી. 2010માં મેક્સિકોના કાર્લોસ સ્લિમ એન્ડ ફેમિલીએ આ સીટ પર કબજો કર્યો અને 2013 સુધી રહ્યા. 2014માં બિલ ગેટ્સે ફરી વાપસી કરી અને 2017 સુધી આ સીટ પોતાની પાસે રાખી.</p><p><b>જેફ બેઝોસે ગેટ્સને પાછળ છોડ્યા</b></p><p>2018માં એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસે ગેટ્સને પાછળ છોડીને દુનિયાના સૌથી મોટા અમીરની ખુરશી પર કબજો કરી લીધો. તેઓ 2021 સુધી દુનિયાના નંબર 1 અમીર રહ્યા. 2022માં એલન મસ્કે તેમની ખુરશી છીનવી લીધી. પરંતુ ત્યાર પછીના વર્ષે એટલે કે 2023માં ફ્રેન્ચ બિઝનેસમેન બર્નાર્ડ આરનૉલ્ટ એન્ડ ફેમિલી આગળ નીકળી ગઈ. 2024માં પણ તેમણે પોતાની બાદશાહત જાળવી રાખી. છેલ્લા બે વર્ષથી મસ્ક આ ગાદી પર બિરાજમાન છે.</p><p><b>અત્યારે શું છે પોઝિશન?</b></p><p>18 વર્ષ સુધી દુનિયાના સૌથી મોટા અમીર રહેલા બિલ ગેટ્સની નેટવર્થ આજે 114.3 અબજ ડોલર છે અને તેઓ દુનિયાના અમીરોની યાદીમાં 18મા નંબર પર ખસી ગયા છે. બેઝોસ 373.1 અબજ ડોલર સાથે બીજા, વૉરેન બફે 144.6 અબજ ડોલર સાથે 10મા, આરનૉલ્ટ એન્ડ ફેમિલી 125.2 અબજ ડોલર સાથે 14મા અને કાર્લોસ સ્લિમ 119.1 અબજ ડોલર સાથે 15મા નંબર પર છે.</p><p><b><a href="https://sandesh.com/world/news/business/elon-musk-net-worth-drop-spacex-share-crash-tesla-results-impact" target="_blank">આ પણ વાંચો: સ્પેસએક્સના શેર ક્રેશ અને ટેસ્લાના નબળા પરિણામોની મોટી અસર, મસ્કની સંપત્તિ થઈ ગઈ અડધી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/wYQnMT7gLxpnUgfGlFV4BuUx8IfGcfPz6RVXTunn.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: CM ભુપેન્દ્ર પટેલે સાબરમતી જેલની મુલાકાત લઈ કેદીઓ સાથે કર્યો સંવાદ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/cm-bhupendra-patel-visits-ahmedabad-central-jail-interacts-with-prisoners-on-sentence-remission</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/cm-bhupendra-patel-visits-ahmedabad-central-jail-interacts-with-prisoners-on-sentence-remission</guid><pubDate>Sat, 19 Sep 2026 19:04:36 +05:30</pubDate><description><![CDATA[<p>રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદ સેન્ટ્રલ જેલ (સાબરમતી જેલ) ની અચાનક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ જેલ પરિસરમાં કેદીઓના પુનર્વસન અને કૌશલ્ય વિકાસ માટે ચાલી રહેલા વિવિધ જેલ ઉદ્યોગોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેમણે જેલ ઉદ્યોગ સાથે જોડાયેલા અને વિવિધ કામગીરી કરતા બંદીવાન કેદીઓ સાથે સીધો, સંવેદનશીલ અને મનમોકળો સંવાદ સાધ્યો હતો.</p><h2><b>CM ની વાત બાદ કેદીએ ગાયું ભજન</b></h2><p>આ સંવાદ દરમિયાન જેલમાં લાંબા સમયથી બંધ અલગ-અલગ કેદીઓએ પોતાની સજા અને સજા માફી અંગે મુખ્યમંત્રી સમક્ષ આજીજી સાથે રજૂઆતો કરી હતી. 14 વર્ષની સજા કાપી ચૂકેલા એક કેદીએ માફીનામું આપવાની માંગ કરી હતી, જ્યારે 18 વર્ષથી સજા ભોગવતા અને જેલમાં કડિયાકામ કરતા કેદી નંબર 2 અને 22 વર્ષથી જેલમાં બંધ કેદી નંબર 3 એ પણ પોતાની સજા માફી પર સરકારે સહાનુભૂતિપૂર્વક વિચારવું જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી.</p><h3><b>અમે તમારી પીડા સમજી શકીએ છીએ – CM નું આશ્વાસન</b></h3><p>કેદીઓની રજૂઆત પર મુખ્યમંત્રીએ તાર્કિક અને આત્મીય પૂછપરછ કરતાં કહ્યું કે, "તમને ખ્યાલ છે કે તમને આ લાભ કેમ નથી મળતો?" જેના જવાબમાં કેદીએ પોતે સ્વીકાર્યું હતું કે ક્યારેક પેરોલ પર ઘરે ગયા હોય ત્યારે મેડિકલ કે અન્ય કારણોસર વધારે દિવસો રોકાઈ જવાના લીધે નિયમો મુજબ લાભ મળતો નથી. વાતચીત દરમિયાન કેદીઓએ પસ્તાવો વ્યક્ત કરતાં કહ્યું હતું કે, "અમારાથી આવેશમાં ખૂન થઈ ગયું હતું, પરિવાર બરબાદ થઈ ગયો અને જિંદગી ખરાબ થઈ ગઈ, બહાર કોઈએ પણ આવો ગુનો ન કરવો જોઈએ."</p><h4><b>વૈષ્ણવ જન તો સાંભળ્યું હોય તો ગુનો થાય જ નહીં</b></h4><p>આ સાંભળી મુખ્યમંત્રીએ માર્મિક ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, "જો 'વૈષ્ણવ જન તો' સાંભળ્યું હોય તો કોઈ દિવસ ગુનો થાય જ નહીં." CM ની આ વાતથી પ્રભાવિત થઈને એક કેદીએ જેલમાં જ ભાવવિભોર થઈને 'વૈષ્ણવ જન તો' ભજન ગાયું હતું. કેદીઓને સાંત્વના આપતાં ભુપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, "તમારી અંદર જે પીડા છે તે અમે જાણી શકીએ છીએ. ક્યારે કયા સંજોગોમાં ગુનો થઈ જાય તે આપણા હાથમાં નથી હોતું. ઘણીવાર એવું થાય કે પૈસાવાળો છૂટી જાય અને તમે અંદર રહી જાઓ. પરંતુ હવે અંદર આવ્યા છો તો સારી રીતે સજા કાપો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌને પોતાના પરિવારજન ગણે છે, એટલે તમે જેલમાં છો તેથી પરિવારથી અલગ છો તેવું ન વિચારતા. જેલમાં તમારું જીવન સરળ બને તેવા પ્રયાસો કરીશું, અહીં રહીને જે સેવા કાર્ય થાય તે કરજો."</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/food-department-cid-raid-duplicate-jeera-adulterated-fennel-seized" target="_blank">આ પણ વાંચો: Mehsana: ઊંઝામાં ડુપ્લીકેટ જીરું અને કેમિકલ કલરવાળી વરિયાળી ઝડપાઈ, ગણેશ ક્લીનિંગ ગોડાઉનમાં ચાલતું ડુપ્લીકેટ કૌભાંડ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/poDUyfpUF1md39hE07wvTr2zXdgeIfEDCOLCGpiK.webp'/></item><item><title><![CDATA[Mehsana: ઊંઝામાં ડુપ્લીકેટ જીરું અને કેમિકલ કલરવાળી વરિયાળી ઝડપાઈ, ગણેશ ક્લીનિંગ ગોડાઉનમાં ચાલતું ડુપ્લીકેટ કૌભાંડ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/food-department-cid-raid-duplicate-jeera-adulterated-fennel-seized</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/food-department-cid-raid-duplicate-jeera-adulterated-fennel-seized</guid><pubDate>Sat, 19 Sep 2026 18:38:53 +05:30</pubDate><description><![CDATA[<p>ઊંઝા ખાતે લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતાં ભેળસેળિયાઓ સામે ફૂડ વિભાગ અને સી.આઈ.ડી. (CID) પોલીસે લાલ આંખ કરી છે. જિલ્લા ફૂડ અધિકારી વિ.જે.ચૌધરી તથા સી.આઈ.ડી. પોલીસની સંયુક્ત ટીમે ચોક્કસ બાતમીના આધારે ઊંઝા-પાલનપુર રોડ પર આવેલા મક્તુપુર ખાતેના 'ગણેશ ક્લીનિંગ ગોડાઉન' માં અચાનક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી મોટું કૌભાંડ પકડી પાડ્યું છે.</p><h2><b>ઊંઝામાં ફૂડ વિભાગ અને CID નો દરોડો</b></h2><p>તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે પટેલ મહેશભાઈ મણિલાલ નામના વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતા આ ગોડાઉનમાં બનાવટી/ડુપ્લીકેટ જીરું બનાવવામાં આવી રહ્યું હતું. એટલું જ નહીં, સામાન્ય વરિયાળીને આકર્ષક અને લીલીછમ દર્શાવવા માટે તેમાં સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા ગ્રીન કેમિકલ કલરનો વપરાશ કરવામાં આવતો હતો.</p><h3><b>ડુપ્લીકેટ જીરું અને કલરવાળી વરિયાળીનું કૌભાંડ પકડાયું</b></h3><p>ફૂડ વિભાગ અને CID ની ટીમે ગોડાઉનમાં સઘન તપાસ કરીને 13 કિલો લુઝ વરિયાળી, 17 કિલો ગ્રીન કલર અને 4,998 કિલો જેટલો કલરયુક્ત વરિયાળીનો મોટો જથ્થો મળી કુલ ₹2,49,164/- ની કિંમતનો 5,028 કિલો જથ્થો સ્થળ પર જ સીઝ કરી લીધો છે.ફૂડ સિક્યોરિટી ઓફિસર દ્વારા તમામ શંકાસ્પદ સામગ્રી તેમજ કલરના નમૂનાઓ (સેમ્પલ) લઈને તેને પૃથક્કરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરાઈ છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ ગોડાઉન માલિક સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/vadodara/vmc-general-board-ruckus-congress-protest-mayor-table-diya" target="_blank">આ પણ વાંચો: Vadodara: VMC ની સામાન્ય સભામાં ધમાસાણ; કોંગ્રેસે મેયર સામે દિવા પ્રગટાવ્યા, મામલો મારામારી સુધી પહોંચ્યો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/mutS4kPKa4Rvv8PuAQ5drkLTtT90tm1tMTlrdu1Y.webp'/></item><item><title><![CDATA[Devendra Fadnavis : Hanuman Ansh ના કલાકારો સાથે મહારાષ્ટ્ર CMની મુલાકાત, ફિલ્મની કરી ભરપૂર પ્રશંસા ]]></title><link>https://sandesh.com/entertainment/news/india/hanuman-ansh-crosses-300-crore-box-office</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/india/hanuman-ansh-crosses-300-crore-box-office</guid><pubDate>Sat, 19 Sep 2026 18:37:36 +05:30</pubDate><description><![CDATA[<p>બોલિવૂડમાં હાલમાં 'હનુમાન અંશ' ફિલ્મની ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. બોક્સ ઓફિસ પર પણ ફિલ્મનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. લોકો આ ફિલ્મને ખૂબ પસંદ કરી રહ્યા છે. ફિલ્મ જ્યારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ત્યારે તેને ખાસ પ્રતિસાદ મળ્યો ન હતો, પરંતુ 2 અઠવાડિયા બાદ 3જા અઠવાડિયાથી ફિલ્મે જે ઝડપ પકડી, ત્યાર બાદ તેની કમાણી અટકવાનું નામ લઈ રહી નથી. દરેક વ્યક્તિ ફિલ્મના વખાણ કરી રહી છે. હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ ફિલ્મના વખાણ કરતા જોવા મળ્યા છે અને તેમણે ફિલ્મના દિગ્દર્શક સાથે મુલાકાત કરી હતી.</p><h2><b>દેવેન્દ્ર ફડણવીસે કરી ફિલ્મના કલાકારો સાથે મુલાકાત</b></h2><p>'હનુમાન અંશ'ની સફળતા વચ્ચે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોતાના નિવાસસ્થાન વર્ષા ખાતે ફિલ્મની ટીમ સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ પોતાના સત્તાવાર X પેજ પર આ મુલાકાતનો વીડિયો શેર કર્યો છે. વીડિયો શેર કરતી વખતે તેમણે લખ્યું, 'વર્ષા ખાતે હનુમાન અંશની ટીમ સાથે મુલાકાત ખૂબ જ સારી રહી. ગઈ સાંજે ગણપતિ બાપ્પાના આશીર્વાદ લીધા. વિશાલ ચતુર્વેદી અને તેમની ટીમને શાનદાર કામ માટે ખૂબ ખૂબ અભિનંદન.'</p><p>સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં 'હનુમાન અંશ'ની ટીમ જોવા મળી રહી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફિલ્મના વખાણ કરતા જોવા મળી રહ્યા છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/Dev_Fadnavis/status/2101207816782672150"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>300 કરોડને પાર પહોંચી 'હનુમાન અંશ'</b></h2><p>ફિલ્મ 'હનુમાન અંશ' બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. સેકનિલ્કના અહેવાલ મુજબ, ફિલ્મે પહેલા દિવસે 10 લાખ રૂપિયાની કમાણી કરી હતી અને પહેલા 2 અઠવાડિયામાં 1.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. જોકે, 3જા અઠવાડિયાથી ફિલ્મની કમાણી વધવા લાગી હતી.</p><p>'હનુમાન અંશ'ને બોક્સ ઓફિસ પર 43 દિવસ થઈ ગયા છે. સેકનિલ્કના અહેવાલ મુજબ, ફિલ્મનું ઇન્ડિયા નેટ કલેક્શન 43 દિવસમાં 248.38 કરોડ રૂપિયા થઈ ગયું છે. જ્યારે ફિલ્મે વિશ્વભરમાં 300 કરોડનો આંકડો પાર કરીને 316.30 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મે ઓવરસીઝમાં 23 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મની કમાણી હજુ પણ ચાલુ છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/5Bejgf7PWNSjE82SCRxbBPcLDVXSX7lokmFZLGgp.webp'/></item><item><title><![CDATA[Devendra Fadnavis : Hanuman Ansh ના કલાકારો સાથે મહારાષ્ટ્ર CMની મુલાકાત, ફિલ્મની કરી ભરપૂર પ્રશંસા ]]></title><link>https://sandesh.com/entertainment/news/india/hanuman-ansh-crosses-300-crore-box-office</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/india/hanuman-ansh-crosses-300-crore-box-office</guid><pubDate>Sat, 19 Sep 2026 18:37:36 +05:30</pubDate><description><![CDATA[<p>બોલિવૂડમાં હાલમાં 'હનુમાન અંશ' ફિલ્મની ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. બોક્સ ઓફિસ પર પણ ફિલ્મનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. લોકો આ ફિલ્મને ખૂબ પસંદ કરી રહ્યા છે. ફિલ્મ જ્યારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ત્યારે તેને ખાસ પ્રતિસાદ મળ્યો ન હતો, પરંતુ 2 અઠવાડિયા બાદ 3જા અઠવાડિયાથી ફિલ્મે જે ઝડપ પકડી, ત્યાર બાદ તેની કમાણી અટકવાનું નામ લઈ રહી નથી. દરેક વ્યક્તિ ફિલ્મના વખાણ કરી રહી છે. હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ ફિલ્મના વખાણ કરતા જોવા મળ્યા છે અને તેમણે ફિલ્મના દિગ્દર્શક સાથે મુલાકાત કરી હતી.</p><h2><b>દેવેન્દ્ર ફડણવીસે કરી ફિલ્મના કલાકારો સાથે મુલાકાત</b></h2><p>'હનુમાન અંશ'ની સફળતા વચ્ચે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોતાના નિવાસસ્થાન વર્ષા ખાતે ફિલ્મની ટીમ સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ પોતાના સત્તાવાર X પેજ પર આ મુલાકાતનો વીડિયો શેર કર્યો છે. વીડિયો શેર કરતી વખતે તેમણે લખ્યું, 'વર્ષા ખાતે હનુમાન અંશની ટીમ સાથે મુલાકાત ખૂબ જ સારી રહી. ગઈ સાંજે ગણપતિ બાપ્પાના આશીર્વાદ લીધા. વિશાલ ચતુર્વેદી અને તેમની ટીમને શાનદાર કામ માટે ખૂબ ખૂબ અભિનંદન.'</p><p>સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં 'હનુમાન અંશ'ની ટીમ જોવા મળી રહી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફિલ્મના વખાણ કરતા જોવા મળી રહ્યા છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/Dev_Fadnavis/status/2101207816782672150"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>300 કરોડને પાર પહોંચી 'હનુમાન અંશ'</b></h2><p>ફિલ્મ 'હનુમાન અંશ' બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. સેકનિલ્કના અહેવાલ મુજબ, ફિલ્મે પહેલા દિવસે 10 લાખ રૂપિયાની કમાણી કરી હતી અને પહેલા 2 અઠવાડિયામાં 1.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. જોકે, 3જા અઠવાડિયાથી ફિલ્મની કમાણી વધવા લાગી હતી.</p><p>'હનુમાન અંશ'ને બોક્સ ઓફિસ પર 43 દિવસ થઈ ગયા છે. સેકનિલ્કના અહેવાલ મુજબ, ફિલ્મનું ઇન્ડિયા નેટ કલેક્શન 43 દિવસમાં 248.38 કરોડ રૂપિયા થઈ ગયું છે. જ્યારે ફિલ્મે વિશ્વભરમાં 300 કરોડનો આંકડો પાર કરીને 316.30 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મે ઓવરસીઝમાં 23 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મની કમાણી હજુ પણ ચાલુ છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/5Bejgf7PWNSjE82SCRxbBPcLDVXSX7lokmFZLGgp.webp'/></item><item><title><![CDATA[West Bengal Politics: મમતાના સમર્થન બાદ કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ, મિલન પ્રધાનને 14 દિવસની જેલ ]]></title><link>https://sandesh.com/india/news/political-news/west-bengal-politics-congress-candidate-arrested-after-mamatas-support-milan-pradhan-gets-14-days-in-jail</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/political-news/west-bengal-politics-congress-candidate-arrested-after-mamatas-support-milan-pradhan-gets-14-days-in-jail</guid><pubDate>Sat, 19 Sep 2026 18:30:50 +05:30</pubDate><description><![CDATA[<p>West Bengal politics: હલ્દિયા સબ-ડિસ્ટ્રિક્ટ કોર્ટે નંદીગ્રામ વિધાનસભા પેટાચૂંટણી પહેલા ધરપકડ કરાયેલા કોંગ્રેસ ઉમેદવાર મિલન પ્રધાનને 14 દિવસની જેલ કસ્ટડીનો આદેશ આપ્યો છે. શુક્રવારે પોલીસે મિલન પ્રધાનની હત્યા અને હત્યાના પ્રયાસ સહિત ચાર જૂના કેસોમાં ધરપકડ કરી હતી. આ ધરપકડ બાદ બંગાળની રાજનીતિ ગરમાઈ ગઈ હતી. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે મમતા બેનર્જીએ સમર્થન આપ્યા બાદ આ ધરપકડ કરવામાં આવી છે અને આ સંપૂર્ણ રીતે રાજકીય બદલો લેવાનો મામલો છે.</p><p><b>કોર્ટમાં મિલન પ્રધાને શું કહ્યું?</b></p><p>શનિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવતા સમયે ધરપકડ કરાયેલા કોંગ્રેસ ઉમેદવાર મિલન પ્રધાને દાવો કર્યો કે TMC ડરી ગઈ છે. પાર્ટીના ઉમેદવારની ધરપકડના વિરોધમાં શનિવારે હલ્દિયા સબ-ડિસ્ટ્રિક્ટ કોર્ટ પરિસરમાં કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકોએ પણ વિરોધ પ્રદર્શન કર્યું.</p><p><b>શું હવે ચૂંટણી લડી શકશે મિલન પ્રધાન?</b></p><p>કોંગ્રેસ ઉમેદવારને જામીન મળ્યા નથી તો શું તેમને ચૂંટણી લડવામાં મુશ્કેલી પડશે? નિયમો મુજબ, જો તેમને બે વર્ષથી ઓછી સજા થાય છે તો ચૂંટણી પંચને આ મામલે કોઈ અડચણ નહીં આવે. આ ધરપકડથી સ્ક્રૂટિનીમાં કોઈ અડચણ આવશે નહીં. જો તેઓ જેલમાં પણ હોય તો કોંગ્રેસના અન્ય નેતાઓ જેલની બહાર કોંગ્રેસ ઉમેદવાર માટે પ્રચાર કરી શકશે.</p><p><b>જેલમાંથી રેકોર્ડ કરેલું ભાષણ પણ પ્રસારિત થઈ શકશે</b></p><p>ચૂંટણી પ્રચાર માટે ઉમેદવારનું જેલની અંદરથી રેકોર્ડ કરાયેલું ભાષણ પણ જનસભામાં માઇક્રોફોન પર પ્રસારિત કરી શકાશે. આ પહેલા પણ ઘણા નેતાઓ જેલમાંથી ચૂંટણી લડી ચૂક્યા છે. તેમાં અધિર રંજન ચૌધરીથી લઈને મદન મિત્રા જેવા નેતાઓના નામ સામેલ છે.</p><p><b>કોંગ્રેસે ભાજપ સરકાર પર કર્યો હુમલો</b></p><p>પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શુભંકર સરકારે આરોપ લગાવ્યો, “એક પેટાચૂંટણીમાં રાજ્યમાં સત્તા બદલાવાની નથી. આટલા મોટા જનસમર્થન સાથે સત્તામાં આવ્યા બાદ પણ આ બધું કરવાની કોઈ જરૂર નહોતી. મિલન પ્રધાન ભાગી રહ્યા નહોતા. પોલીસ તેમને બોલાવીને વાત કરી શકતી હતી. લોકો બધું જોઈ રહ્યા છે.”</p><p><b>કોંગ્રેસે ધરપકડને ગેરકાયદેસર ગણાવી</b></p><p>કોંગ્રેસના પ્રવક્તા અને વકીલ અજિતેશ પાંડેએ કહ્યું, “અમે જામીન માટે અરજી કરી હતી. અમે સવાલ ઉઠાવ્યો હતો કે નામાંકનના તરત બાદ તેમને ઘણા જૂના અરેસ્ટ વોરંટના આધારે શા માટે ધરપકડ કરવામાં આવી, પરંતુ કોર્ટે 14 દિવસની જેલ કસ્ટડીનો આદેશ આપ્યો. અમે કહ્યું કે આ ધરપકડ ગેરકાયદેસર છે.” તેમણે કહ્યું કે આ નિર્ણય સામે કોંગ્રેસ કોર્ટમાં અપીલ કરશે.</p><p><b>મમતા સમર્થન બાદ ધરપકડ પર સવાલ</b></p><p>મમતા બેનર્જીએ કોંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરતાં જ મિલન પ્રધાનની શુક્રવારે સાંજે 19 વર્ષ જૂના એક કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમને 2007ના એક મર્ડર કેસમાં પણ સાંજે લગભગ 6 વાગ્યે ચાંદીપુરની એક હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનાથી માત્ર રાજ્યમાં જ નહીં પરંતુ રાષ્ટ્રીય રાજનીતિમાં પણ હલચલ મચી ગઈ છે.</p><p><b>કોંગ્રેસ અને મમતાએ લગાવ્યો ‘બદલાની રાજનીતિ’નો આરોપ</b></p><p>કોંગ્રેસની ઓલ-ઈન્ડિયા લીડરશિપ અને મમતા બેનર્જીએ પણ આ કેસને ‘બદલાની રાજનીતિ’ અને ‘લોકશાહીની હત્યા’ ગણાવી છે. પોલીસે પહેલાથી જ કહ્યું છે કે મિલન 2007થી ‘ફરાર’ છે. ચાર્જશીટમાં પણ તેમને ફરાર બતાવવામાં આવ્યા છે. તેમના વિરુદ્ધ અગાઉ પણ ઘણી વખત અરેસ્ટ વોરંટ જાહેર થઈ ચૂક્યા છે, પરંતુ તેઓ ધરપકડથી બચતા રહ્યા હતા.</p><p><b>પોલીસે ધરપકડ પાછળ રાજકીય કારણ હોવાનો ઇનકાર કર્યો</b></p><p>પોલીસે કહ્યું કે તેમણે આ રિપોર્ટ સમયસર સંબંધિત કોર્ટમાં જમા કરાવી દીધી હતી. પોલીસે કહ્યું કે નંદીગ્રામમાં પેટાચૂંટણી પહેલા જૂના કેસોના આરોપીઓને પકડવા માટે ચૂંટણી પંચના નિયમો અનુસાર શરૂ કરવામાં આવેલા ઓપરેશન હેઠળ મિલન પ્રધાનની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ ધરપકડ પાછળ કોઈ રાજકીય કારણ નથી. તેના બદલે, મિલન પ્રધાનની ચૂંટણી પંચના નિયમો અનુસાર કાયદેસર રીતે ધરપકડ કરવામાં આવી છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/west-bengal-another-setback-for-didi-before-the-by-election-now-the-candidate-from-rejinagar-has-withdrawn-his-name" target="_blank">આ પણ વાંચો:&nbsp; પેટાચૂંટણી પહેલા દીદીને વધુ એક ઝટકો.. હવે રેજીનગરમાંથી ઉમેદવારે નામ પાછુ ખેંચ્યુ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/P6PPyTqwRNedWlsFvPuHOGjt1KK3ZcVMKWiyUOpH.webp'/></item><item><title><![CDATA[Brydon Carse Case: બ્રાયડન કાર્સ વિરુદ્ધ પોલીસ તપાસ બંધ, જાણો શું છે સમગ્ર મામલો ]]></title><link>https://sandesh.com/sports/news/brydon-carse-case-police-investigation-against-brydon-carse-closed-know-what-the-whole-matter-is</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/brydon-carse-case-police-investigation-against-brydon-carse-closed-know-what-the-whole-matter-is</guid><pubDate>Sat, 19 Sep 2026 17:17:04 +05:30</pubDate><description><![CDATA[<p>Brydon Carse: ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર બ્રાયડન કાર્સને મોટી રાહત મળી છે. ડર્બીશરમાં કથિત મારપીટ અને નશામાં ઉપદ્રવ કરવાના આરોપમાં ચર્ચામાં આવેલા બ્રાયડન કાર્સને સ્થાનિક પોલીસે ક્લીન ચિટ આપી છે. ડર્બીશર પોલીસે પુષ્ટિ કરી છે કે કાર્સ વિરુદ્ધ ચાલી રહેલી તપાસ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે અને તેમના પર કોઈ ફોજદારી આરોપ નક્કી કરવામાં આવ્યા નથી. પોલીસના નિવેદન મુજબ, 23 ઓગસ્ટની સવારે ડર્બી સિટી સેન્ટરમાં આવેલા નાઈટક્લબની બહાર કથિત હુમલાની ફરિયાદની તપાસ કરવામાં આવી હતી. જોકે, પીડિત પક્ષે ઔપચારિક ફરિયાદ નોંધાવવાનો નિર્ણય ન લીધો, જેના કારણે મામલે આગળ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.</p><p><b>હાથકડીવાળો વીડિયો થયો હતો વાયરલ</b></p><p>આ ઘટના કાઉન્ટી ચેમ્પિયનશિપમાં ડર્બીશર સામે ડરહામની જીત બાદ ઉજવણી દરમિયાન બની હતી. કાર્સને મોડી રાત્રે નાઈટક્લબની બહાર પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવા અને હાથકડી લગાવવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો. પોલીસે તેમને નશામાં હોવા અને શાંતિ ભંગ કરવાની શંકામાં પકડ્યા હતા, પરંતુ જરૂરી માહિતી નોંધ્યા બાદ તેમને તરત જ છોડી દેવામાં આવ્યા હતા.</p><p><b>ECBએ ટીમમાંથી કર્યા હતા બહાર</b></p><p>આ ઘટના સામે આવ્યા બાદ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે કડક વલણ અપનાવ્યું હતું. કાર્સને પાકિસ્તાન સામેની છેલ્લી બે ટેસ્ટ મેચની ટીમમાંથી તરત જ બહાર કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, હાલમાં શ્રીલંકા સામે ચાલી રહેલી વ્હાઈટ-બોલની ઘરઆંગણે રમાઈ રહેલી સિરીઝમાં પણ તેમને પસંદગી માટે નજરઅંદાજ કરવામાં આવ્યા હતા.</p><p><b>બ્રાયડન કાર્સને શું સજા ભોગવવી પડશે?</b></p><p>પોલીસ તરફથી રાહત મળ્યા બાદ પણ કાર્સની મુશ્કેલીઓ ઓછી થઈ નથી, કારણ કે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ હવે આ મામલે તપાસ કરી શકે છે. આ સમર સીઝનમાં બેન સ્ટોક્સ અને ગસ એટકિન્સન સાથે જોડાયેલી આવી જ ઘટનાઓ બાદથી ECB વધુ કડક બન્યું છે. જોકે, આ વિવાદ બાદ કાર્સ કાઉન્ટીમાં ડરહામ માટે એક મેચ રમી ચૂક્યા છે. પરંતુ ઈંગ્લેન્ડની નેશનલ ટીમમાં તેમની વાપસી બોર્ડના તપાસ રિપોર્ટ અને ત્યારબાદ લેવામાં આવનારા નિર્ણય પર જ નિર્ભર રહેશે.</p><p><b><a href="https://sandesh.com/cricket/news/video-of-brydon-cars-being-handcuffed-by-police-goes-viral-ecb-launches-investigation" target="_blank">આ પણ વાંચો: Brydon Carseનો પોલીસની હથકડીવાળો વીડિયો વાયરલ, ECBએ શરૂ કરી તપાસ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/MJ9tEHD3CnjAXPopIf7yjMG2pMSptCm6N1MSGkBd.webp'/></item><item><title><![CDATA[Surat: નવરાત્રીમાં ગરબા પાર્ટનર ભાડે આપવાના વાયરલ મેસેજથી સળગ્યો વિવાદ, ધાર્મિક સંસ્કૃતિ સામે કાવતરાનો આક્ષેપ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/navratri-rent-garba-partner-viral-message-controversy-cyber-cell-investigation</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/navratri-rent-garba-partner-viral-message-controversy-cyber-cell-investigation</guid><pubDate>Sat, 19 Sep 2026 16:39:16 +05:30</pubDate><description><![CDATA[<p>મા અંબાની આરાધનાના મહાપર્વ નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે સુરતમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા કેટલાક વિવાદાસ્પદ મેસેજીસને કારણે ધાર્મિક અને સામાજિક વર્તુળોમાં ભારે સળવળાટ અને રોષ જોવા મળી રહ્યો છે. પહેલાં સુરતમાં 'કપલ સ્વેપિંગ'ની ઘટના સામે આવી હતી અને હવે સોશિયલ મીડિયામાં ગરબા પાર્ટનર ભાડે મળશે અંગેના મેસેજીસ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.</p><h2><b>નવરાત્રી પર્વ પહેલાં 'ભાડે ગરબા પાર્ટનર'ના વાયરલ મેસેજ</b></h2><p>સ્થાનિક સામાજિક આગેવાનો અને ધાર્મિક સંગઠનોના જણાવ્યા અનુસાર, આ મેસેજીસ ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને શ્રદ્ધા પર સીધો પ્રહાર છે. આજની યુવા પેઢી જ્યારે ધર્મ, સંસ્કૃતિ અને વિજ્ઞાન તરફ સકારાત્મક રીતે આગળ વધી રહી છે, ત્યારે કેટલાક અસામાજિક તત્વો અને વિકૃત મનોવૃત્તિ ધરાવતા લોકો યુવાધનને ગેરમાર્ગે દોરવા માટે આવા અનૈતિક પ્રચારો કરી રહ્યા છે.</p><p><img alt="WhatsApp Image 2026-09-19 at 16.11.28" src="https://epapercdn.sandesh.com/images/2026/09/19/RqUF9PAtEXbOhADPt8DVf014Db2KqZHEZJ5Cc9gC.webp" style="width: 373.659px; height: 605.109px;"><br></p><h3><b>પવિત્ર ગરબા મહોત્સવને કલંકિત કરવાનો પ્રયાસ</b></h3><p>વાયરલ મેસેજીસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરતના જાગૃત નાગરિકો દ્વારા સાયબર ડિપાર્ટમેન્ટને તાત્કાલિક ધોરણે આ મેસેજીસ&nbsp; ફેલાવનાર તત્વોને શોધીને તેમના વિરુદ્ધ દાખલારૂપ કાયદાકીય કાર્યવાહી કરવા અપીલ કરાઈ છે. આ સાથે સોશિયલ મીડિયા તેમજ ઓટીટી (OTT) પ્લેટફોર્મ્સ પર ચાલી રહેલા અનૈતિક પ્રચારો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.વધુમાં, નવરાત્રીના પવિત્ર પર્વ દરમિયાન ગરબા ગ્રાઉન્ડ્સ અને આસપાસના વિસ્તારોમાં લવ જેહાદ, ડ્રગ્સ અને દારૂના દૂષણને રોકવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે, જેથી યુવાનો સુરક્ષિત વાતાવરણમાં નવરાત્રીની ઉજવણી કરી શકે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/vadodara/gsfc-urea-plant-gas-leak-another-employee-keyur-parmar-dies" target="_blank">આ પણ વાંચો: Vadodara: GSFC યુરિયા પ્લાન્ટ ગેસ ગળતર મામલે વધુ એક કર્મચારીનું મોત; મૃત્યુઆંક 2 થયો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/WVG0Ok83k9YF304LSiKztbTCFIDyZOWzaiGERr9U.webp'/></item></channel></rss>