<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[FIFA World Cupમાં સ્પેનની ઐતિહાસિક જીત વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પની રમૂજીનો વીડિયો વાયરલ ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/spains-historic-world-cup-win-fifa-world-cup-donald-trumps-funny-video-viral</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/spains-historic-world-cup-win-fifa-world-cup-donald-trumps-funny-video-viral</guid><pubDate>Mon, 20 Jul 2026 08:54:41 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ન્યુ યોર્કના ન્યુ જર્સી સ્ટેડિયમમાં રમાયેલી રોમાંચક ફાઇનલ મેચમાં આર્જેન્ટિનાને ૧-૦ થી હરાવીને સ્પેને બીજી વખત ફૂટબોલ વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. જોકે, આ ઐતિહાસિક જીત બાદ ટ્રોફી પ્રેઝન્ટેશન સેરેમની (ઈનામ વિતરણ સમારોહ) દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની એક હરકત ભારે હેડલાઇન્સમાં ચમકી છે, જેને લીધે સ્પેનિશ ટીમની વિજયી ઉજવણીમાં થોડી ખલેલ પહોંચી હતી. વિજય બાદ, ડોનાલ્ડ ટ્રમ્પ ખેલાડીઓને ટ્રોફી એનાયત કરવા માટે ફિફા (FIFA) પ્રમુખ ગિયાની ઇન્ફન્ટિનો સાથે મેદાન પર પહોંચ્યા હતા. પરંતુ ટ્રોફી સોંપ્યા પછી પણ તેઓ સ્ટેજ પર જ ઊભા રહી જતાં સોશિયલ મીડિયા પર નવી ચર્ચા છેડાઈ છે.</p><h2 style="text-align: justify; "><b>ફિફા વર્લ્ડકપમાં સ્ટેડિયમમાં ટ્રમ્પનો હુરિયો બોલાવાયો</b></h2><p style="text-align: justify; ">ફિફાના પ્રમુખ ગિયાની ઇન્ફેન્ટિનોએ અગાઉથી જ જાહેરાત કરી હતી કે ડોનાલ્ડ ટ્રમ્પ વિજેતા ટીમના કેપ્ટન રોડ્રીને વર્લ્ડ કપ ટ્રોફી એનાયત કરશે. જેવા ટ્રમ્પ અને ઇન્ફેન્ટિનો મેદાનમાં પ્રવેશ્યા, સ્ટેડિયમમાં હાજર હજારો દર્શકોએ વિરોધ દર્શાવતા ટ્રમ્પ સામે બૂમાબૂમ (Hooting) કરવાનું શરૂ કરી દીધું હતું. જોકે, બંને મહાનુભાવોએ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને મેડલ આપવાની પ્રક્રિયા શરૂ કરતા જ વાતાવરણ શાંત પડી ગયું હતું. આ પછી, ટ્રમ્પે સ્પેનના કેપ્ટન રોડ્રીના હાથમાં ચમકતી વર્લ્ડ કપ ટ્રોફી સોંપી હતી.</p><h3 style="text-align: justify; "><b>ઉજવણી વચ્ચે વિલન બન્યા ટ્રમ્પ? અધિકારીઓએ સ્ટેજ છોડવાનો સંકેત આપવો પડ્યો</b></h3><p style="text-align: justify; ">મુખ્ય વિવાદ ટ્રોફી સોંપ્યા પછી શરૂ થયો હતો. ટ્રોફી મેળવ્યા બાદ કેપ્ટન રોડ્રી પોતાના સાથી ખેલાડીઓ સાથે ટ્રોફી હવામાં ઉછાળીને જશ્ન મનાવવાની તૈયારી કરી રહ્યો હતો, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ ત્યાંથી ખસવાને બદલે ખેલાડીઓની બિલકુલ વચ્ચે જ ઉભા રહી ગયા. સ્પેનિશ ટીમ પોતાની જીતની ક્ષણોને કેમેરામાં કેદ કરવા માંગતી હતી પરંતુ ટ્રમ્પ સ્ટેજ પર અડીંગો જમાવીને ઉભા રહ્યા હતા. આખરે પરિસ્થિતિ વણસતી જોઈને ત્યાં હાજર સત્તાવાર અધિકારીઓએ ટ્રમ્પને સ્ટેજ છોડી દેવા માટે ઈશારો કરવો પડ્યો હતો. સંકેત મળ્યા બાદ તેઓ પાછળ હટ્યા, અને ત્યારબાદ સ્પેનિશ ખેલાડીઓએ મન ભરીને પોતાની જીતની ઉજવણી કરી. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેના પર યુઝર્સ રમુજી કમેન્ટ્સ કરી રહ્યા છે તો કેટલાક લોકો કહી રહ્યા છે કે ટ્રમ્પે પ્રોટોકોલનો ભંગ કર્યો છે.</p><h4 style="text-align: justify; "><b>ક્લબ વર્લ્ડ કપમાં પણ કરી હતી આવી જ ભૂલ</b></h4><p style="text-align: justify; ">આ પહેલીવાર નથી જ્યારે ટ્રમ્પે આવું કર્યું હોય. આ જ વર્ષે યોજાયેલી ફિફા ક્લબ વર્લ્ડ કપ ફાઇનલ દરમિયાન પણ કંઈક આવો જ નજારો જોવા મળ્યો હતો. તે સમયે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ચેલ્સીની ટીમને ટ્રોફી આપી, ત્યારે પણ તેઓ લાંબો સમય ખેલાડીઓ સાથે સ્ટેજ પર જ ઉભા રહ્યા હતા. જોકે, આ વખતે સત્તાવાર વર્લ્ડ કપમાં ખેલાડીઓ ટ્રોફી હવામાં લહેરાવે તે પહેલા જ અધિકારીઓએ તેમને સ્ટેજ પરથી રવાના કરી દીધા હતા.</p><h4 style="text-align: justify; "><b>ફિફા વર્લ્ડકપમાં સ્પેનની ઐતિહાસિક જીત</b></h4><p style="text-align: justify; ">જો મેચની વાત કરીએ તો, ફાઇનલ મુકાબલો અત્યંત રસાકસીભર્યો રહ્યો હતો. ફૂલ ટાઈમ સુધી બંને ટીમો ગોલ કરી શકી નહોતી. ત્યારબાદ એક્સ્ટ્રા ટાઈમની ૧૦૬મી મિનિટમાં ફેરન ટોરેસે શાનદાર ગોલ કરીને આર્જેન્ટિનાના સપના પર પાણી ફેરવી દીધું અને સ્પેનને ૧-૦ થી જીત અપાવીને ઇતિહાસ રચી દીધો.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-these-players-created-a-stir-on-the-internet-gained-crores-of-followers-overnight" target="_blank">આ પણ વાંચો : FIFA World Cup 2026: ઇન્ટરનેટ પર આ ખેલાડીઓએ મચાવી ધૂમ, રાતોરાત વધ્યા કરોડો ફોલોઅર્સ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/20/zA3I1EzcV9jTAPpTxm6FFgngijeGjZLOeHKHeVjX.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: ગેરકાયદે ચાલતી ફટાકડા ફેક્ટરીઓ સામે કાર્યવાહી, મોટી હોનારત ટાળવા ફાયર વિભાગે દારૂગોળાના જથ્થા પર પાણી ફેરવ્યું ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/gyaspur-illegal-firework-factory-seized-material-destroyed-with-water-at-midnight</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/gyaspur-illegal-firework-factory-seized-material-destroyed-with-water-at-midnight</guid><pubDate>Mon, 20 Jul 2026 08:16:15 +05:30</pubDate><description><![CDATA[<p>રામોલમાં થયેલા ભયાનક બ્લાસ્ટે તંત્રની આંખો ઉઘાડી દીધી છે. આ દુર્ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો વચ્ચે સમગ્ર અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે ચાલતા ફટાકડાના એકમો પર સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ ચેકિંગ ડ્રાઇવ દરમિયાન ગઈકાલે ગ્યાસપુર વિસ્તારમાં એક મોટી ફટાકડા બનાવવાની ફેક્ટરી ધમધમતી મળી આવી હતી. જ્યારે વહીવટી અધિકારીઓએ લાયસન્સ અને ફાયર એનઓસી (NOC) ની માંગણી કરી, ત્યારે સંચાલકો પાસે એક પણ માન્ય કાગળ ઉપલબ્ધ નહોતો. 9 લોકોના મોત થયા હોવા છતાં આ ફેક્ટરી બેરોકટોક ચાલુ રાખવામાં આવી હતી.</p><h2><b>ગેરકાયદેસર ફેક્ટરીઓ સામે કાર્યવાહી</b></h2><p>આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈને ઉચ્ચ સત્તાધીશોના આદેશ બાદ મોડી રાત્રે ગ્યાસપુરની આ ફેક્ટરી પર એક મોટું મિડનાઇટ ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યું હતું. ફેક્ટરીમાં ફટાકડાનો તૈયાર જથ્થો અને તેને બનાવવા માટે વપરાતો ઘાતક દારૂગોળો (ગન પાવડર) અને અન્ય રો-મટીરિયલ મોટા પ્રમાણમાં હાજર હતું.</p><h3><b>વિસ્ફોટક સામગ્રી પર પાણી નાખીને નકામી કરી</b></h3><p>પાણી નાખીને બારૂદનો કરાયો નાશ: વિસ્ફોટક જથ્થો હોવાના કારણે તેને જપ્ત કરીને અન્ય જગ્યાએ લઈ જવામાં મોટું જોખમ હોવાથી, તંત્રએ સ્થળ પર જ તેનો નિકાલ કરવાનો નિર્ણય કર્યો હતો. મોડી રાત્રે ફાયર બ્રિગેડની ગાડીઓ બોલાવીને ફેક્ટરીના તમામ સામાન અને ફટાકડાના જથ્થા પર સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. વિસ્ફોટક સામગ્રી સંપૂર્ણપણે પાણીમાં ઓગળીને નકામી ન થઈ ગઈ ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી હતી. મોડી રાત્રે લેવાયેલા આ કડક કાનૂની પગલાંથી ગેરકાયદેસર કારોબારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે ફેક્ટરીના માલિકો વિરુદ્ધ લાયસન્સ ભંગ અને માનવ જિંદગી જોખમમાં મૂકવા બદલ કડક કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/varachha-bridge-fatal-road-accident-bike-hits-truck-one-dead-one-injured" target="_blank">આ પણ વાંચો: Surat: વરાછા ફ્લાયઓવર બ્રિજ પર ટ્રક પાછળ બાઈક ઘૂસી જતાં અકસ્માત, એક યુવકનું ઘટનાસ્થળે જ મોત</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/20/aH1GmbHwZOsPPxcKeoetk4uoKR4Hm7yucrORigSg.webp'/></item><item><title><![CDATA[Surat: વરાછા ફ્લાયઓવર બ્રિજ પર ટ્રક પાછળ બાઈક ઘૂસી જતાં અકસ્માત, એક યુવકનું ઘટનાસ્થળે જ મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/varachha-bridge-fatal-road-accident-bike-hits-truck-one-dead-one-injured</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/varachha-bridge-fatal-road-accident-bike-hits-truck-one-dead-one-injured</guid><pubDate>Mon, 20 Jul 2026 08:03:38 +05:30</pubDate><description><![CDATA[<p>સુરતના વરાછા વિસ્તારમાં આજે સવારે એક હૃદય કંપાવી દેનારો રોડ અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી મુજબ, વરાછા ફ્લાયઓવર બ્રિજ પરથી એક મોટરસાયકલ પસાર થઈ રહી હતી. આ દરમિયાન બ્રિજ પર આગળ જઈ રહેલી એક ભારે માલવાહક ટ્રકની પાછળ બાઈકના ચાલકે કાબૂ ગુમાવતા બાઈક સીધી ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે મોટરસાયકલનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને બાઈક ચાલક યુવક રોડ પર પટકાતા તેને માથા તેમજ શરીરના ભાગે જીવલેણ ઈજાઓ થઈ હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ તડફડીને મોત નીપજ્યું હતું.</p><h2><b>વરાછા ફ્લાયઓવર બ્રિજ પર અકસ્માત&nbsp;</b></h2><p>આ અકસ્માતમાં બાઈકની પાછળ બેસેલી અન્ય એક વ્યક્તિ પણ રોડ પર ફંગોળાતા તેને શરીરે ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે બ્રિજ પરથી પસાર થતા અન્ય વાહનચાલકો તાત્કાલિક બ્રેક મારીને ઉભા રહી ગયા હતા અને બ્રિજ પર કાળ ચીસો વચચે લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ તુરંત 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ અને પોલીસને આ અંગે જાણ કરી હતી.</p><h3><b>પોલીસ એક્શન અને તપાસનો ધમધમાટ</b></h3><p>ઘટનાની ગંભીરતાને જોઈને વરાછા પોલીસ મથકનો કાફલો તાત્કાલિક બ્રિજ પર દોડી ગયો હતો. ઈજાગ્રસ્ત વ્યક્તિને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે, જ્યાં તેની સ્થિતિ નાજુક હોવાનું કહેવાય છે. પોલીસે મૃતક યુવકના ખિસ્સામાંથી મળેલા દસ્તાવેજોના આધારે તેના પરિવારજનોને જાણ કરવા તજવીજ હાથ ધરી છે. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને ક્રેનની મદદથી હટાવીને બ્રિજ પરનો ટ્રાફિક હળવો કરાવ્યો હતો. વરાછા પોલીસે આ મામલે ગુનો નોંધીને ટ્રક ચાલકની પૂછપરછ અને બ્રિજ પર સ્પીડ લિમિટના ભંગ અંગે વધુ તપાસ હાથ ધરી છે.</p><p><b><a href="https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-gujarat-rain-forecast-heavy-rainfall-cyclonic-system-navsari-surat" target="_blank">આ પણ વાંચો: Monsoon 2026 : મેઘરાજાની સેકન્ડ ઇનિંગ્સ, સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ થતાં દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/20/p2uZWaAF9hQl2ZQJJogVNTRetmBuOd8OAGTY6uE7.webp'/></item><item><title><![CDATA[Monsoon 2026 : મેઘરાજાની સેકન્ડ ઇનિંગ્સ, સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ થતાં દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ ]]></title><link>https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-gujarat-rain-forecast-heavy-rainfall-cyclonic-system-navsari-surat</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-gujarat-rain-forecast-heavy-rainfall-cyclonic-system-navsari-surat</guid><pubDate>Mon, 20 Jul 2026 07:34:50 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજ્યમાં અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં જ આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં તેની વ્યાપક અસર જોવા મળશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી કલાકોમાં સુરત, ડાંગ, તાપી અને નવસારીમા ભારે વરસાદ ખાબકી શકે છે.</p><h2 style="text-align: justify; "><b>ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ&nbsp;</b></h2><p style="text-align: justify; ">આ સિવાય વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ તોફાની વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ મેઘરાજા જોરદાર બેટિંગ કરશે, જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ગીર સોમનાથ, દ્વારકા અને બોટાદમાં પણ ગાજવીજ સાથે સારા વરસાદની પૂરેપૂરી શક્યતા છે.</p><h3 style="text-align: justify; "><b>છેલ્લા 24 કલાકમાં રાજ્યના 111 તાલુકાઓમાં વરસાદ</b></h3><p style="text-align: justify; ">આ સિસ્ટમ સક્રિય થતાં જ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 111 તાલુકાઓમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘો મહેરબાન થયો છે, જેમાં નવસારીના જલાલપોરમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે નવસારી શહેરમાં 5 ઈંચ, વલસાડના પારડીમાં 4 ઈંચ અને સુરતના પલસાણામાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે.</p><h4 style="text-align: justify; "><b>અન્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ&nbsp;</b></h4><p style="text-align: justify; ">આ સિવાય સુરતના મહુવા અને નવસારીના ચીખલીમાં 2.5 ઈંચ, સુરત શહેરમાં 2 ઈંચ, બારડોલીમાં 1.5 ઈંચ અને અંબિકામાં 1 ઈંચ વરસાદ પડ્યો છે. સવારે 6 વાગ્યાથી પડેલા વરસાદમાં 102 તાલુકાઓ જળમગ્ન થઈ ગયા હતા અને અન્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ ચાલુ છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp;&nbsp;<a href="https://sandesh.com/explainer/news/india/ahmedabad/sandesh-digital-explainer-india-first-private-rocket-vikram-1-skyroot-aerospace-launched#google_vignette" target="_blank"><b> Sandesh Digital Explainer : અવકાશમાં નવા ભારતની ગર્જના, 'વિક્રમ-1'એ લખ્યો નવો ઇતિહાસ, બધું જ વાંચી લો એક જ ક્લિકમાં..</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/20/G0zb1cd7Jy3SKS543reUUWhwS0bvaaodR6SE4fVF.webp'/></item><item><title><![CDATA[Sayla: તાલુકાના રાતડકી ગામે અગાઉના મનદુઃખને લઈ ત્રણનો યુવાન પર હુમલો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/sayla/sayla-three-men-attack-a-young-man-over-past-grievances-in-ratdaki-village-of-the-taluka</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/sayla/sayla-three-men-attack-a-young-man-over-past-grievances-in-ratdaki-village-of-the-taluka</guid><pubDate>Mon, 20 Jul 2026 05:49:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સાયલાના રાતડકી ગામના કુલદીપભાઇ જેઠાભાઇ હણ નામના યુવાનની વાડીમાં ત્રણેક મહિના પહેલા બાજુની વાડીવાળા વાઘા ભુરાભાઇ લળતુકાના માલઢોર ઘુસી જતા બહાર કાઢવાના મુદ્દે મનદુઃખ સર્જાયું હતું. આ બાબતે સાંજના સમયે પોતાની ફેરવ્હીલ લઈ ધાંધલપુરથી રાતડકી જતા કુલદીપભાઇ સાથે ડમ્પર લઇ આવેલા રાતડકીના ગોપાલ પોલાભાઇ તથા વિજય ઉર્ફે કાળુ નથુભાઈએ બોલાચાલી કરી કહેલ કે તું મારી સામે આ રસ્તે નીકળતો નહીં નહીંતર ટાંટિયા ભાંગી નાખીશની ધમકી આપી જતા રહ્યા હતા. આ માથાકૂટ થયા બાદ ફરિયાદી ઘરે આવી પોતાનું ટ્રેક્ટર લઈ વાડીએ મજૂર લેવા જવા સમયે રસ્તા પર ડમ્પર આડુ ઊભું રાખીને ઊભેલા ગોપાલ તથા વિજય ઉર્ફે કાળુએ પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો હતો. મારામારીની ઘટના વખતે બે સાથે ત્યાં બાઈક લઇ આવી ચડેલા વાઘા ભુરાભાઇ લળતુકા દ્વારા પણ હુમલો કરતા યુવાને રાડારાડી કરી દેકારો કરતા ત્યાંથી નીકળેલા સ્થાનિક કુટુંબોએ ત્રણે લોકોના માર મારતા અટકાવી યુવાનને હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. આ મામલે કુલદીપભાઇ જેઠાભાઇ હણ દ્વારા ત્રણેય સામે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવતા ધજાળા પોલીસે ગુનો નોંધ્યો છે.&nbsp;</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/20/CFrFmflF4isNA7ZMTjy9FEcJNYZUA9v8cU3l0RGL.webp'/></item><item><title><![CDATA[Surendranagar: ચૂડા ગામમાં એક જ પરિવારના સભ્યો વાડીના રસ્તે ચાલવા બાબતે બાખડયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surendranagar/surendranagar-in-chuda-village-members-of-the-same-family-quarreled-over-walking-on-the-farm-path</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surendranagar/surendranagar-in-chuda-village-members-of-the-same-family-quarreled-over-walking-on-the-farm-path</guid><pubDate>Mon, 20 Jul 2026 05:47:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ચૂડામાં રહેતા એક જ પરિવારના સભ્યો વચ્ચે વાડીના રસ્તે ચાલવા બાબતે મારામારીનો સામ-સામે બનાવ બન્યો છે. જેમાં બન્ને પક્ષે 3 મહિલાઓ સહિત 6 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.</p><p style="text-align: justify; ">ચૂડાની ચત્રભુજ શેરીમાં મુમતાઝબેન હુસેનભાઈ જરગેલા રહે છે. તેમના પતિ હુસેનભાઈ ઈસબભાઈ, તેમના ભાઈઓ સીકંદરભાઈ ઈસબભાઈ અને ચાંદભાઈ ઈસબભાઈ નામે જેપરના રસ્તે સંયુકત માલીકીની ખેતીની જમીન આવેલી છે. આ જમીનના ભાગ પડતા મુમતાઝબેનને વાડીના રસ્તે ચાલવાનો પ્રશ્ન ઉભો થયો હતો. જે બાબતે ચુડા મામલતદારમાં અરજી કરાતા મામલતદારે તા. 13-7-26ના રોજ હુકમ કરી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. તા. 14-7ના રોજ સવારે મુમતાઝબેન સહિતનાઓ વાડીએથી ઘર તરફ આવતા હતા. ત્યારે મુમતાઝબેન ચાંદભાઈ જરગેલા અને ચાંદ ઈસબભાઈ જરગેલાએ એક સંપ કરી અપશબ્દો કહી મુમતાઝબેન હુસેનભાઈ ઉપર દાતરડા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. જયારે સામાપક્ષે મુમતાઝબેન ચાંદભાઈ જરગેલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયા મુજબ મામલતદારનો હુકમ તેમને માન્ય હતો. પરંતુ આ રસ્તેથી ચાલતા જતા સામેવાળાએ વાડીનો ઢંક બંધ ન કરતા પશુઓ આવે તેમ હોઈ આ બાબતે કહેતા બોલાચાલી થઈ હતી. અને સકલીન સીકંદરભાઈ જરગેલા, મુમતાઝ સીકંદરભાઈ જરગેલા, મુમતાઝ હુસેનભાઈ જરગેલા અને હુસેન ઈસબભાઈ જરગેલાએ ઢીકાપાટુનો માર મારી અપશબ્દો કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવની સામ-સામે ચુડા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી એન.જે.કાસેલા ચલાવી રહ્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/20/WNI5tGl8VSz9uGrlfgHJqsDx5YbZm2JKeMOfxZlT.webp'/></item><item><title><![CDATA[Sonam Wangchuk 20 જુલાઈએ કરી શકે છે પારણા, પત્ની ગીતાંજલિએ અનશન તોડવા માટે મૂકી આ મોટી શરત ]]></title><link>https://sandesh.com/india/news/delhi-sonam-wangchuk-hunger-strike-wife-condition-to-end-fast</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/delhi-sonam-wangchuk-hunger-strike-wife-condition-to-end-fast</guid><pubDate>Sun, 19 Jul 2026 23:53:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દિલ્હીથી લદ્દાખી સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકની ભૂખ હડતાળને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. સફદરજંગ હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુક 20 જુલાઈના રોજ પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરી શકે છે, પરંતુ તે માટે તેમની પત્નીએ એક મુખ્ય શરત મૂકી છે. </p><p style="text-align: justify; ">જંતર-મંતર ખાતેથી નિવેદન આપતા સોનમ વાંગચુકના પત્ની ગીતાંજલિ આંગમોએ જણાવ્યું છે કે, જો સંસદ સભ્યો સફદરજંગ હોસ્પિટલ આવીને વાંગચુક સાથે મુલાકાત કરે અને ચાલુ સંસદીય સત્રમાં તેમના મુદ્દાઓ ઉઠાવવાની ખાતરી આપે, તો જ તેઓ અનશનના પારણાં કરશે.</p><h2 style="text-align: justify; "><b>'શિક્ષણ જવાબદારી' મુદ્દે સંસદમાં જવાબદારી નક્કી કરવા માંગ</b></h2><p style="text-align: justify; ">સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલિએ વિગતો આપતા સ્પષ્ટ કર્યું હતું કે, ચાલુ સંસદ સત્રનો મુખ્ય મુદ્દો શિક્ષણ ક્ષેત્રે જવાબદારી અને વ્યાપક સુધારા લાવવાનો રહેશે. તેમની સ્પષ્ટ માગ છે કે, સાંસદો ગૃહમાં આ ગંભીર વિષય પર અવાજ ઉઠાવે અને આ અંગે કડક જવાબદારી નક્કી થાય. </p><p style="text-align: justify; ">ગીતાંજલિએ ચેતવણીભર્યા સૂરમાં જણાવ્યું છે કે, "જો સંસદના માધ્યમથી આ મુદ્દે યોગ્ય જવાબદારી સુનિશ્ચિત કરવામાં નહીં આવે, તો સોનમ વાંગચુક પોતાની ભૂખ હડતાળ ચાલુ રાખશે."</p><h3 style="text-align: justify; "><b>હોસ્પિટલમાં બે દિવસ વિતાવવા છતાં ભૂખ હડતાળ યથાવત</b></h3><p style="text-align: justify; ">આંદોલન અને નાદુરસ્ત તબિયતના કારણે સોનમ વાંગચુકને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના બેડ પર બે દિવસ વિતાવ્યા હોવા છતાં તેમણે હજુ સુધી પોતાનું અનશન તોડ્યું નથી અને તેઓ માત્ર પાણી પર રહીને લડત ચલાવી રહ્યા છે.</p><p style="text-align: justify; ">ઉલ્લેખનીય છે કે, સોનમ વાંગચુક લાંબા સમયથી લદ્દાખમાં શિક્ષણ સુધારા, વિશેષ દરજ્જો અને પર્યાવરણ સંરક્ષણ જેવા ગંભીર મુદ્દાઓ પર સતત સંઘર્ષ કરી રહ્યા છે, અને તેમના આ આમરણ અનશને હવે રાષ્ટ્રીય સ્તરે વ્યાપક જનસમર્થન અને મીડિયાનું ધ્યાન આકર્ષિત કર્યું છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/india" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/19/BkmfkvK7fMqIE2ijH4wHDYF0vbiSWEjVAKr4X8dB.webp'/></item><item><title><![CDATA[વાંચો 20 જુલાઈના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે ]]></title><link>https://sandesh.com/india/news/gujarat/july-20-top-news-national-updates-history-current-affairs</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/gujarat/july-20-top-news-national-updates-history-current-affairs</guid><pubDate>Sun, 19 Jul 2026 21:59:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">20 જુલાઈનો દિવસ ભારત અને વિશ્વના રાજકીય તેમજ ઐતિહાસિક ફલક પર અત્યંત મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યો છે. એક તરફ દેશની સર્વોચ્ચ લોકશાહીનું મંદિર ગણાતી સંસદમાં ચોમાસુ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે, જે આગામી દિવસોમાં દેશની નીતિઓ અને કાયદાઓની દિશા નક્કી કરશે. તો બીજી તરફ, ન્યાયતંત્રની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં દેશના સંવેદનશીલ મુદ્દાઓ પર સુનાવણી થવાની છે.</p><h2 style="text-align: justify; "><b>સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ</b></h2><p style="text-align: justify; ">20 જુલાઈના રોજથી દેશની સંસદનું ચોમાસુ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે, જે 13 ઓગસ્ટ સુધી ચાલશે. આ સત્ર કુલ 25 દિવસનું રહેશે, જેમાં 4 અઠવાડિયા દરમિયાન 19 બેઠકો યોજાશે. વિપક્ષ દ્વારા નીટ (NEET) પેપર લીક અને રામમંદિરમાં ચોરી જેવા મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસો થતાં સત્રમાં હોબાળો રહે તેવી શક્યતા છે, જ્યારે સરકાર આ દરમિયાન 7 મહત્વના ખરડા પસાર કરાવવા મથશે.</p><h2 style="text-align: justify; "><b>વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મીડિયા સંબોધન</b></h2><p style="text-align: justify; ">ચોમાસુ સત્રના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 જુલાઈના રોજ સવારે 10.15 કલાકે સંસદના હંસ દ્વાર પર મીડિયાને સંબોધિત કરી શકે છે. સત્રના પ્રથમ દિવસે વડાપ્રધાન દ્વારા પરંપરાગત રીતે કરવામાં આવતું આ સંબોધન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જેમાં તેઓ વિપક્ષ અને દેશ સમક્ષ સત્રને શાંતિપૂર્ણ રીતે ચલાવવા માટે અપીલ કરી શકે છે.</p><h2 style="text-align: justify; "><b>રામમંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી</b></h2><p style="text-align: justify; ">અયોધ્યા રામમંદિર દાન ચોરીના ચકચારી કેસમાં 20 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરાશે, જેમાં એસઆઈટી (SIT) પોતાનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરશે. અગાઉની સુનાવણીમાં દેશની સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર, યુપી સરકાર અને ટ્રસ્ટને નોટિસ પાઠવી હતી તેમજ ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>વંદે માતરમના અપમાન બદલ જેલની સજાનું બિલ</b></h2><p style="text-align: justify; ">રાષ્ટ્રીય ગૌરવ અને પ્રતીકોના સન્માન માટે કેન્દ્ર સરકાર મોટું પગલું ભરવા જઈ રહી છે. દેશના ગૃહમંત્રી અમિત શાહ 20 જુલાઈના રોજ રાજ્યસભામાં એક નવું બિલ રજૂ કરશે, જેમાં રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ'નું અપમાન કરનાર વ્યક્તિને 3 વર્ષની જેલની સજા ફટકારવાની જોગવાઈ રાખવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>સંતોષજનક મંજૂરી વિના સોનમ વાંગચુકનો સંસદ માર્ચ</b></h2><p style="text-align: justify; ">સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના આહ્વાન પર 20 જુલાઈના રોજ સવારે 10 વાગ્યે જંતર-મંતરથી સંસદ માર્ચ શરૂ કરવામાં આવશે, જેમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ કરવામાં આવશે. જોકે, પોલીસે આ માર્ચને મંજૂરી આપી નથી અને સુરક્ષાના ભાગરૂપે સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગુ કરીને ભારે પોલીસ ફોર્સ તૈનાત કરી દેવાઈ છે.</p><h2 style="text-align: justify; "><b>ભૂખ હડતાલ મામલે સુપ્રીમ કોર્ટમાં તાકીદની સુનાવણી</b></h2><p style="text-align: justify; ">સોનમ વાંગચુકની ભૂખ હડતાલના મામલે હાઈકોર્ટમાંથી રાહત ન મળતા આખરે તેમની પત્નીએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. આ ગંભીર મામલે 20 જુલાઈના રોજ જ તાકીદની સુનાવણી હાથ ધરવા માટે સર્વોચ્ચ અદાલતમાં રજૂઆત કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>જમ્મુ-કાશ્મીરના દરજ્જા માટે નેશનલ કોન્ફરન્સનું પ્રદર્શન</b></h2><p style="text-align: justify; ">જમ્મુ-કાશ્મીરને ફરીથી પૂર્ણ રાજ્યનો દરજ્જો બહાલ કરવાની માગ સાથે 20 જુલાઈના રોજ નેશનલ કોન્ફરન્સ દ્વારા જંતર-મંતર ખાતે વિશાળ પ્રદર્શન યોજાશે. આ વિરોધ પ્રદર્શનમાં કાશ્મીરના સીએમ અને ફારુખ અબ્દુલ્લા સહિત વિપક્ષી ગઠબંધનના અનેક અગ્રણી નેતાઓ ભાગ લેવાના છે.</p><h2 style="text-align: justify; "><b>રામોલ અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસનો AMC કચેરી પર વિરોધ</b></h2><p style="text-align: justify; ">અમદાવાદના રામોલ વિસ્તારમાં બનેલી ફટાકડા ફેક્ટરીની ભયાનક આગની દુર્ઘટના બાદ રાજકારણ ગરમાયું છે. આ અકસ્માતમાં જાન ગુમાવનારા 9 મૃતકોના પરિવારોને યોગ્ય ન્યાય અને આર્થિક વળતર મળે તે મુદ્દાને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા 20 જુલાઈના રોજ બપોરે 12 વાગ્યે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.</p><h2 style="text-align: justify; "><b>AMC પર્ચેઝ કમિટીની મહત્વની બેઠક</b></h2><p style="text-align: justify; ">અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વહીવટી કામગીરીના ભાગરૂપે 20 જુલાઈના રોજ બપોરે 3 વાગ્યે એક મહત્વની પર્ચેઝ કમિટીની બેઠક મળવા જઈ રહી છે. આ બેઠકમાં કોર્પોરેશન માટે જરૂરી અલગ-અલગ ખરીદીઓ અને વિવિધ વિકાસલક્ષી બાબતોના પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.</p><h2 style="text-align: justify; "><b>ATS પકડેલા 5 આતંકીઓને કોર્ટમાં રજૂ કરશે</b></h2><p style="text-align: justify; ">ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા પકડાયેલા 5 ખતરનાક આતંકીઓના રિમાન્ડ પૂર્ણ થઈ રહ્યા છે. જેને પગલે 20 જુલાઈના રોજ બપોરે 3 વાગ્યા પછી આ તમામ આતંકીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. દેશવિરોધી કાવતરાના મૂળ સુધી પહોંચવા માટે એટીએસ કોર્ટ પાસે વધુ દિવસોના રિમાન્ડની માંગણી કરશે.</p><h2 style="text-align: justify; "><b>ચૈત્ર વસાવાના પત્નીની જામીન અરજી પર હાઈકોર્ટનો ચુકાદો</b></h2><p style="text-align: justify; ">આમ આદમી પાર્ટી (AAP)ના નેતા ચૈત્ર વસાવાના પત્ની શકુંતલા વસાવાએ જેલમાંથી મુક્ત થવા માટે ગુજરાત હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી છે. આ જામીન અરજી પર લાંબી કાનૂની દલીલો બાદ, માનનીય હાઈકોર્ટ 20 જુલાઈના રોજ પોતાનો મહત્વનો આખરી ચુકાદો જાહેર કરશે.</p><h2 style="text-align: justify; "><b>રાજકોટ મનપાનું જનરલ બોર્ડ હંગામેદાર બનવાના એંધાણ</b></h2><p style="text-align: justify; ">રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ 20 જુલાઈના રોજ મળવા જઈ રહ્યું છે, જે સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. આ બોર્ડમાં કોંગ્રેસ દ્વારા ડિમોલેશન ખર્ચ અને રેટ કોન્ટ્રાક્ટ અંગે તીખા સવાલો પૂછવામાં આવશે, તો સામે પક્ષે ભાજપના નગરસેવકો પણ આક્રમક રહેશે, જેથી આ બેઠક ભારે હંગામેદાર બનશે અને તેનું લાઈવ પ્રસારણ પણ થઈ શકે છે.</p><h2 style="text-align: justify; "><b>નાસિર નગર કથિત ડિમોલિશન કેસમાં હાઈકોર્ટમાં સુનાવણી</b></h2><p style="text-align: justify; ">સુરતના નાસિર નગરના કથિત ડિમોલિશન મામલે 20 જુલાઈના રોજ ગુજરાત હાઈકોર્ટમાં એક અત્યંત મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાશે. અગાઉ કોર્ટે મનપાને અસરગ્રસ્ત લોકોને રહેવા માટે વૈકલ્પિક જગ્યા ફાળવવાનો હુકમ કર્યો હતો, જેથી આ સુનાવણીમાં મનપા કોર્ટ સમક્ષ શું વલણ અપનાવે છે તેના પર સૌની નજર રહેશે.</p><h2 style="text-align: justify; "><b>માંજલપુર પેટાચૂંટણી અંતર્ગત હર્ષ સંઘવીની બેઠકો</b></h2><p style="text-align: justify; ">વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં છે. ભાજપના ઉમેદવાર સતીશ પટેલના સમર્થનમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી 20 જુલાઈના રોજ સાંજે 5.30 કલાકે VCCIના હોદ્દેદારો સાથે બેઠક કરશે અને ત્યારબાદ સાંજે 6 વાગ્યે ગણેશ મંડળો સાથે સંવાદ યોજી પત્રકાર પરિષદને સંબોધશે.</p><h2 style="text-align: justify; "><b>શિક્ષણના વ્યાપારીકરણ વિરુદ્ધ પાલનપુરમાં વિદ્યાર્થીઓનું આંદોલન</b></h2><p style="text-align: justify; ">દિલ્હીના જંતર-મંતર ખાતે 'શિક્ષણ એ સેવા છે, વેપાર નથી' એવા સૂત્ર સાથે ચાલી રહેલા દેશવ્યાપી આંદોલનના પડઘા હવે બનાસકાંઠામાં પણ પડ્યા છે. આ આંદોલનના સમર્થનમાં 20 જુલાઈના રોજ પાલનપુરની જી. ડી. મોદી કોલેજ આગળ પાલનપુર સહિત આસપાસના સેંકડો વિદ્યાર્થીઓ એકત્રિત થઈને વિરોધ પ્રદર્શન કરશે.</p><h2 style="text-align: justify; "><b>વેલાળા ગામે સદીઓ જૂની પરંપરાનો મેળો</b></h2><p style="text-align: justify; ">સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના વેલાળા ગામે આવેલા પવિત્ર શ્રી ચાંદ્રેલીયા દાદાના મંદિરે 20 જુલાઈ, 2026ના રોજ પરંપરાગત ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે હિન્દુ પંચાંગ અનુસાર અધિકમાસ (પુરુષોત્તમ માસ) દરમિયાન તમામ મેળાઓ અને તહેવારો 1 મહિનો મોડા યોજાતા હોય છે, પરંતુ વેલાળાનું આ મંદિર પોતાની એક સદીઓ જૂની અને અનોખી પરંપરાનું પાલન કરે છે. જેના કારણે અધિકમાસ હોવા છતાં આ મેળો પોતાની નિર્ધારિત તારીખે જ યોજાશે અને શ્રદ્ધાળુઓ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવશે.</p><h2 style="text-align: justify; "><b>બૌદ્ધિક વિકાસને પ્રોત્સાહન આપતો આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ</b></h2><p style="text-align: justify; ">દર વર્ષે 20 જુલાઈના દિવસને વિશ્વભરમાં 'આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. ચેસ એ દુનિયાની સૌથી પ્રાચીન રમત છે, જેનો ઉદ્ભવ ભારતમાં થયો હતો અને મહાભારતમાં પણ 'શતરંજ' તરીકે તેનો ઉલ્લેખ જોવા મળે છે. વર્ષ 1966થી ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન (FIDE)ની પહેલથી આ દિવસની ઉજવણી શરૂ કરાઈ હતી, જે અંતર્ગત વિશ્વભરમાં વિવિધ ચેસ ટુર્નામેન્ટ યોજાય છે અને આ રમત માનવ મગજના બૌદ્ધિક વિકાસ માટે અત્યંત ગુણકારી માનવામાં આવે છે.</p><h2 style="text-align: justify; "><b>20 જુલાઈની ઐતિહાસિક ઘટનાઓ</b></h2><ul><li style="text-align: justify;">1296 - અલાઉદ્દીન ખિલજી - તેણે પોતાને દિલ્હીનો નવો સુલતાન જાહેર કર્યો.</li><li style="text-align: justify;">1761 - માધવ રાવ પ્રથમ - તેઓ મરાઠા સામ્રાજ્યના પેશ્વા બન્યા.</li><li style="text-align: justify;">1810 - કોલંબિયા - સ્પેનના શાસનમાંથી સત્તાવાર રીતે સ્વતંત્રતા જાહેર કરી.</li><li style="text-align: justify;">1905 - ભારતીય સચિવ - બંગાળના પ્રથમ ઐતિહાસિક ભાગલાના પ્રસ્તાવને મંજૂરી આપી.</li><li style="text-align: justify;">1923 - પંચો વિલા - મેક્સિકન ક્રાંતિના પ્રખ્યાત નેતાની હત્યા કરવામાં આવી.</li><li style="text-align: justify;">1924 - સોવેત્સ્કી સ્પોર્ટ - સોવિયત યુનિયનના પ્રથમ સ્પોર્ટ્સ અખબારની સ્થાપના થઈ.</li><li style="text-align: justify;">1960 - શ્રીમાવો ભંડારનાયકે - સિલોન (શ્રીલંકા)ના પ્રમુખ તરીકે ચૂંટાઈને વિશ્વના પ્રથમ મહિલા વડાપ્રધાન/રાષ્ટ્રપતિ બન્યા.</li><li style="text-align: justify;">1969 - નીલ આર્મસ્ટ્રોંગ - અમેરિકી અવકાશયાત્રી જેમણે ચંદ્રની ધરતી પર માનવજાતનું પ્રથમ પગલું મૂક્યું.</li><li style="text-align: justify;">1989 - આંગ સાન સૂ કી - બર્માની સેના સમર્થિત સરકારે આ વિપક્ષી લોકપ્રિય નેતાને તેમના જ ઘરમાં નજરકેદ કર્યા.</li><li style="text-align: justify;">1997 - ભારત-બાંગ્લાદેશ - પવિત્ર તિસ્તા નદીના પાણીના ન્યાયી ભાગલા અંગે બંને દેશો વચ્ચે ઐતિહાસિક કરાર થયા.</li><li style="text-align: justify;">1999 - યુ.આર. રાવ - ભારતના આ વૈજ્ઞાનિક 'UNISPACE-3' સ્પેસ કોન્ફરન્સના પ્રમુખ તરીકે ચૂંટાયા અને સ્પેનમાં પ્રથમ બૌદ્ધ સ્તૂપનું ઉદ્ઘાટન થયું.</li><li style="text-align: justify;">2002 - ઉત્તર અને દક્ષિણ કોરિયા - બંને પાડોશી દેશો વચ્ચે લાંબા સમય બાદ પ્રથમ વખત હવાઈ સેવા શરૂ થઇ.</li><li style="text-align: justify;">2007 - ઈફ્તિખાર ચૌધરી - પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે મુશર્રફ સરકાર દ્વારા બરતરફ કરાયેલા મુખ્ય ન્યાયાધીશને પદ પર પુનઃસ્થાપિત કર્યા.</li><li style="text-align: justify;">2008 - ડૉ. જયંત પાટિલ - યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ કોન્ડાલિઝા રાઈસે આ ભારતીય અમેરિકનની ભારત પ્રત્યાર્પણ પ્રક્રિયાને મંજૂરી આપી.</li><li style="text-align: justify;">2017 - રામનાથ કોવિંદ - તેઓ દેશના સર્વોચ્ચ પદ પર ભારતના 14મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.</li></ul><h2 style="text-align: justify;"><b>20 જુલાઈના રોજ જન્મેલી પ્રખ્યાત વ્યક્તિઓ</b></h2><p style="text-align: justify;">1811 - લોર્ડ એલ્ગિન પ્રથમ - લોર્ડ કેનિંગ પછી ભારતના વાઇસરોય તરીકે પદભાર સંભાળ્યો.</p><ul><li style="text-align: justify;">1820 - ગણેશ વાસુદેવ જોશી - ભારતના જાણીતા સામાજિક અને જાહેર કાર્યકર્તા.</li><li style="text-align: justify;">1920 - ગુલામ મોહમ્મદ શાહ - જમ્મુ અને કાશ્મીર રાજ્યના ભૂતપૂર્વ 8મા મુખ્યમંત્રી.</li><li style="text-align: justify;">1921 - સમતા પ્રસાદ - ભારતના પ્રખ્યાત શાસ્ત્રીય સંગીતકાર અને દિગ્ગજ તબલા વાદક.</li><li style="text-align: justify;">1929 - રાજેન્દ્ર કુમાર - હિન્દી સિનેમાના પ્રખ્યાત અને સદાબહાર અભિનેતા.</li><li style="text-align: justify;">1939 - બી. ડી. મિશ્રા - ભારતીય સેનાના નિવૃત્ત બ્રિગેડિયર અને અરુણાચલ પ્રદેશના પૂર્વ રાજ્યપાલ.</li><li style="text-align: justify;">1950 - નસીરુદ્દીન શાહ - ભારતીય સિનેમાના અત્યંત પ્રખ્યાત અને પ્રતિભાશાળી કલાકાર.</li><li style="text-align: justify;">1969 - કાલિખો પુલ - ઉત્તર-પૂર્વ રાજ્ય અરુણાચલ પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી.</li><li style="text-align: justify;">1989 - અરુણાચલ પ્રદેશ/અરુણિમા સિન્હા - વિશ્વના સૌથી ઊંચા માઉન્ટ એવરેસ્ટ શિખરને સર કરનાર પ્રથમ ભારતીય વિકલાંગ મહિલા એથ્લેટ.</li></ul><h2 style="text-align: justify; "><b>20 જુલાઈના રોજ પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ</b></h2><ul><li style="text-align: justify;">1914 - બાલકૃષ્ણ ભટ્ટ - આધુનિક હિન્દી સાહિત્યના અગ્રણી અને પ્રતિષ્ઠિત લેખક.</li><li style="text-align: justify;">1920 - શારદા દેવી - આધ્યાત્મિક ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસના ધર્મપત્ની અને જીવન સાથી.</li><li style="text-align: justify;">1922 - ચંદ્રનાથ શર્મા - આસામ રાજ્યના પ્રથમ બિન-સહકારી આંદોલનકારી અને આસામમાં કોંગ્રેસના સ્થાપક નેતા.</li><li style="text-align: justify;">1965 - બટુકેશ્વર દત્ત - ભારતના મહાન અને પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની તેમજ ક્રાંતિકારી.</li><li style="text-align: justify;">1966 - અન્ના ચાંડી - સ્વતંત્ર ભારત દેશના પ્રથમ મહિલા ન્યાયાધીશ (જજ).</li><li style="text-align: justify;">1972 - ગીતા દત્ત - હિન્દી ફિલ્મોના પ્રખ્યાત સુરીલા પ્લેબેક સિંગર અને અભિનેત્રી.</li><li style="text-align: justify;">1978 - દક્ષિણાણી વેલાયુધન - ભારતીય બંધારણના ઘડતરમાં મહત્વનું યોગદાન આપનાર એકમાત્ર દલિત મહિલા સભ્ય.</li><li style="text-align: justify;">1982 - મીરા બેન - બ્રિટિશ લશ્કરી અધિકારીની પુત્રી, જેમણે મહાત્મા ગાંધીથી પ્રભાવિત થઈ ખાદીનો પ્રચાર કર્યો.</li><li style="text-align: justify;">2016 - હાશિમ અંસારી - સદીઓ જૂના અયોધ્યા-બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસના મુખ્ય વકીલ.</li><li style="text-align: justify;">2019 - શીલા દીક્ષિત - કેરળના ભૂતપૂર્વ રાજ્યપાલ અને દિલ્હી રાજ્યના ભૂતપૂર્વ દીર્ઘકાલીન મુખ્યમંત્રી.</li></ul><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/top-10-important-news-headlines-july-19-latest-news-updates" target="_blank">19 જુલાઈના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/19/nEvNXuuXkq49oTPbch3i1EmGg39vMoJA29aVIpWV.webp'/></item><item><title><![CDATA[Arun Govil: રામાનંદ સાગરની રામાયણમાં રિજેક્ટ થઈ ગયા હતા અરુણ ગોવિલ, પછી આ રીતે મળ્યો શ્રીરામનો રોલ ]]></title><link>https://sandesh.com/entertainment/news/arun-govil-was-rejected-for-ram-role--then-got-it-in-ramayan</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/arun-govil-was-rejected-for-ram-role--then-got-it-in-ramayan</guid><pubDate>Sun, 19 Jul 2026 18:29:27 +05:30</pubDate><description><![CDATA[<p>અરુણ ગોવિલે ફરી એકવાર ચર્ચામાં છે. તેમણે શ્રીરામના રોલને લઈને એક ખુલાસો કર્યો છે. શનિવારે રાત્રે ફિલ્મ "રામાયણ: ભાગ 1" માટે એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ટ્રેલર બતાવવામાં આવ્યું હતું. અરુણ ગોવિલ પણ હાજર હતા. તેઓ ફિલ્મમાં મહારાજ દશરથની ભૂમિકા ભજવશે. તેમણે આ કાર્યક્રમમાં પોતાના પાત્ર વિશે વાત કરી અને રામાનંદ સાગરની રામાયણમાં ભજવેલા શ્રી રામના રોલ પર પણ પ્રતિક્રિયા આપી છે.</p><p>તમને જણાવી દઇએ કે અરુણ ગોવિલ રામાનંદ સાગરની રામાયણમાં શ્રી રામની ભૂમિકા માટે જાણીતા છે. આ ભૂમિકાએ તેમને ખૂબ જ ખ્યાતિ અપાવી. હવે, તેઓ નિતેશ તિવારીની રામાયણમાં દશરથની ભૂમિકા ભજવશે.
</p><h2><b>અરુણ ગોવિલે "રામ" શબ્દ વિશે શું કહ્યું?
</b></h2><p>આ કાર્યક્રમમાં અરુણ ગોવિલે કહ્યું, "હું ફિલ્મમાં શ્રી રામના પિતા મહારાજ દશરથની ભૂમિકા ભજવું છું. હું જ્યારે જ્યારે સેટ પર હતો, જ્યારે પણ કોઈ સીન થતો હતો ત્યારે રામ મારી સામે હોય કે ન હોય, પરંતુ હું હંમેશા મારી સામે જ હોત." અરુણે કહ્યું, "રામ એક નાનો શબ્દ હોઈ શકે છે, પરંતુ તેમણે આપણા જીવનને ગૂંથ્યું છે." જીવનના કોઈપણ તબક્કામાંથી આપણે પસાર થઈ રહ્યા હોઈએ, ગમે તે લાગણી વ્યક્ત કરી રહ્યા હોઈએ, આ શબ્દ પોતાનો માર્ગ શોધી કાઢે છે. આપણે કહીએ છીએ હે રામ, અરે રામ, રામ રામ, અને રામ દુહાઈ પણ. બધું રામથી ભરેલું છે.
</p><h3><b>રામાનંદ સાગરની રામાયણમાં રામની ભૂમિકા તેમને કેવી રીતે મળી?
</b></h3><p>અભિનેતા અરુણે એ પણ ખુલાસો કર્યો કે રામાનંદ સાગરની રામાયણમાં રામની ભૂમિકા તેમને કેવી રીતે મળી. અરુણે જણાવ્યું કે તેમણે રામાયણ માટે રામાનંદ સાગરનો સંપર્ક કર્યો. તેમણે કહ્યું, "મેં બે વાર વિચાર્યા વિના તેમનો સંપર્ક કર્યો અને કહ્યું કે હું શ્રી રામની ભૂમિકા ભજવવા માંગુ છું. તેમણે મારું ઓડિશન લીધું અને તેમણે મને રિજેક્ટ કર્યો. પછી મેં તેમને કહ્યું કે જો તેમને લાગતું નથી કે હું રામની ભૂમિકા માટે યોગ્ય છું, તો મને જવા દો કારણ કે હું બીજી કોઈ ભૂમિકા નહીં કરું. થોડા મહિના પછી, તેમણે મને ફોન કરીને કહ્યું, 'અમને તમારા જેવો રામ મળ્યો નથી.'"
</p><h4><b>રણબીર કપૂરે તેમની ખૂબ પ્રશંસા કરી
</b></h4><p>રણબીરે પણ કાર્યક્રમમાં અરુણ ગોવિલની પ્રશંસા કરી. રણબીરે કહ્યું, "સાહેબ, તમે વર્ષોથી આ જવાબદારી ખૂબ જ સુંદર અને સત્યતાથી નિભાવી છે. મારા જેવા અભિનેતા સાથેની તમારી આ સફર, ફક્ત મને જ નહીં પરંતુ રામાનંદ સાગરની રામાયણ જોનાર દરેક વ્યક્તિને આત્મવિશ્વાસ અને પ્રેરણા આપી છે. જેમ તમે ભગવાન શ્રી રામને તમારામાં લાવ્યા છો, જો હું આટલું પણ કરી શકું, તો મારી મહેનત રંગ લાવશે. સાહેબ, બાળપણથી જ હું ભગવાન શ્રી રામના આશીર્વાદ, તેમના ઉપદેશો અને તમારા ચહેરાને મારા હૃદયમાં રાખીને મોટો થયો છું. આઈ લવ યૂ."
</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/entertainment/news/lock-up-2--aakanksha-chamola-saved--opens-up-about-divorce" target="_blank"><b>'લોકો મને એવી નજરથી જોતા...', લોકઅપ 2માં આકાંક્ષાનું છલકાયું દર્દ</b></a></p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/19/FIhbcdXUeDVLFJSo7s7rgf2M3NvgkxIOPKxeDuKb.webp'/></item><item><title><![CDATA[Gold Price Today : રવિવારે સોનાના ભાવમાં વધારો! જાણો ચાંદીનો તાજો ભાવ ]]></title><link>https://sandesh.com/business/news/india/gold-silver-price-today-city-wise-delhi-mumbai</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/gold-silver-price-today-city-wise-delhi-mumbai</guid><pubDate>Sun, 19 Jul 2026 11:38:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જો તમે આજે સોનું કે ચાંદી ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો પહેલા તાજા રેટ ચોક્કસ જાણી લો. 19 જુલાઈ 2026 ના રોજ સર્રાફા બજારમાં સોનાની કિંમતોમાં ગઈકાલની સરખામણીએ સામાન્ય વધારો નોંધાયો છે, જ્યારે ચાંદીના દામ લગભગ સ્થિર બનેલા છે. એવામાં રોકાણ કે જ્વેલરી ખરીદતા પહેલા પોતાના શહેરના લેટેસ્ટ રેટ અને કિંમતોમાં થયેલા ફેરફારની માહિતી મેળવવી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>આજે શું છે સોનાનો ભાવ?</b></h2><ul><li style="text-align: justify;">24 કેરેટ સોનું- અંદાજે 1,43,440 રૂપિયા પ્રતિ 10 ગ્રામ</li><li style="text-align: justify;">22 કેરેટ સોનું- અંદાજે 1,31,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ</li><li style="text-align: justify;">18 કેરેટ સોનું- અંદાજે 1,07,620 રૂપિયા પ્રતિ 10 ગ્રામ</li></ul><h2 style="text-align: justify;"><b>મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)</b></h2><table class="table table-bordered" style="text-align: justify;"><tbody><tr><td><b>શહેર</b></td><td><b>24 કેરેટ સોનાની કિંમત</b></td><td><b>22 કેરેટ સોનાની કિંમત</b></td></tr><tr><td>દિલ્હી</td><td>1,43,440<br></td><td>1,31,450<br></td></tr><tr><td>મુંબઈ</td><td>1,43,290</td><td>1,31,350</td></tr><tr><td>કોલકાતા</td><td>1,43,290</td><td>1,31,350</td></tr><tr><td>ચેન્નઈ</td><td>1,43,290</td><td>1,31,350</td></tr><tr><td>અમદાવાદ</td><td>1,43,340<br></td><td>1,31,400<br></td></tr><tr><td>રાજકોટ</td><td>1,43,340</td><td>1,31,400</td></tr></tbody></table><h2 style="text-align: justify; "><b>આજે ચાંદી કેટલામાં મળી રહી છે?</b></h2><p style="text-align: justify; ">આજે 999 પ્યોરિટીવાળી ચાંદીનો ભાવ લગભગ 1,68,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામની આસપાસ બનેલો છે. જો કે, અલગ-અલગ શહેરો અને સ્થાનિક ટેક્સના કારણે આમાં થોડો તફાવત જોવા મળી શકે છે.</p><h3 style="text-align: justify; "><b>ગઈકાલની સરખામણીએ આજે શું બદલાયું?</b></h3><p style="text-align: justify; ">આજે 19 જુલાઈએ જાહેર થયેલા રેટ અનુસાર સોનાની કિંમતમાં મામૂલી વધારો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનું અંદાજે 200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘું થઈને લગભગ 1,43,440 રૂપિયા પર પહોંચી ગયું, જ્યારે 22 કેરેટ સોનું પણ અંદાજે 200 રૂપિયા વધીને 1,31,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે. વળી, ચાંદીની કિંમતમાં આજે કોઈ મોટો ફેરફાર થયો નથી અને તે લગભગ 1,68,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામની આસપાસ સ્થિર બનેલી છે. સર્રાફા બજારના નિષ્ણાતોનું કહેવું છે કે વૈશ્વિક બજારમાં સોનાની માગ અને ડૉલરમાં ઉતાર-ચઢાવના કારણે કિંમતોમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે.</p><h4 style="text-align: justify; "><b>સોનું ખરીદતી વખતે રાખો આ બાબતોનું ધ્યાન</b></h4><p style="text-align: justify; ">સોનું હંમેશા BIS હોલમાર્કવાળું જ ખરીદો અને ખરીદી પછી પાકું બિલ ચોક્કસ લો. હંમેશા 22 કેરેટ અને 24 કેરેટના રેટની સરખામણી કરો. મેકિંગ ચાર્જ અને GST ની માહિતી પહેલાથી જ મેળવી લો અને રોકાણ માટે ગોલ્ડ ETF કે ડિજિટલ ગોલ્ડ જેવા ઓપ્શન વિશે પણ જાણી લો.</p><h6 style="text-align: justify; "><b>Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.</b></h6><p style="text-align: justify; "><a href="https://sandesh.com/sports/fifa-world-cup/news/france-vs-england-saka-hat-trick-mbappe-10-goals-world-cup-2026" target="_blank">FIFA World Cup : 10 ગોલની થ્રિલર! ફ્રાન્સ સામે 6-4થી જીત્યું ઇંગ્લેન્ડ, સાકાની શાનદાર હેટ્રિકઆ પણ વાંચો-</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/19/X99LM9wzs3Z6Ac1B4aU9krfYfFAP8s064R8wD5Np.webp'/></item></channel></rss>