<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Surat News: શહેરમાં ડેન્ગ્યુ અને ટાઈફોઈડે મચાવ્યો કહેર, 8 વર્ષીય બાળકી સહિત 3 દર્દીઓના મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/dengue-and-typhoid-outbreak-claims-3-lives</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/dengue-and-typhoid-outbreak-claims-3-lives</guid><pubDate>Tue, 01 Sep 2026 09:15:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી બદલાતી મોસમ અને પીવાના દૂષિત પાણીના પ્રશ્ને ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે.જેના કારણે શહેરમાં રોગચાળો બેકાબૂ બન્યો છે.શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ અસહ્ય કહેર મચાવ્યો છે.જેમાં માત્ર ટૂંકા સમયગાળામાં 8 વર્ષની એક માસૂમ વિદ્યાર્થીની સહિત કુલ ત્રણ લોકોનાં આકસ્મિક મોત નીપજતાં વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>સુરત શહેરમાં ડેન્ગ્યુ અને ટાઈફોઈડનો કહેર</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ,શહેરમાં ફેલાયેલી બિમારીઓની ઝપેટમાં આવવાથી જીવ ગુમાવનાર દર્દીઓમાં મુખ્યત્વે ડેન્ગ્યુ અને ટાઈફોઈડ જેવા ગંભીર રોગો સામે આવ્યા છે.હોસ્પિટલના સૂત્રો દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે મૃત્યુ પામેલા દરદીઓ પૈકી એક દર્દીનું ડેન્ગ્યુના ઉપદ્રવના કારણે જ્યારે અન્ય એક દર્દીનું ટાઈફોઈડની ગંભીર બિમારીના કારણે મૃત્યુ થયું છે.નાની વયે બાળકી સહિત ત્રણ વ્યક્તિઓનાં મોત થવાથી તેમના પરિવારજનોમાં શોકની કાળી ડિબાંગ છવાઈ ગઈ છે. શહેરમાં રોગચાળો વકરતાની સાથે જ નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલ ખાતે દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>મનપાનું આરોગ્ય તંત્ર એક્શન મોડમાં</b></h3><p style="text-align: justify; ">ઓપીડી વિભાગમાં ઝાડા-ઉલટી, તાવ, કમળો અને ટાઈફોઈડ-ડેન્ગ્યુના લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યામાં અણધારો વધારો થયો છે. બંને મોટી સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે.આરોગ્ય નિષ્ણાતોના અનુમાન મુજબ શહેરના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની લાઈનોમાં ગટરનું પાણી ભળી જવાથી અથવા શુદ્ધ પાણીનો પૂરતો પુરવઠો ન મળવાના કારણે આ પ્રકારે ભયાનક બિમારીઓ ફેલાઈ રહી છે.પ્રદૂષિત પાણી અને મચ્છરોના ઉપદ્રવના કારણે માંદગીના ખાટલા ખડકાયા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર સફાળું દોડતું થઈ ગયું છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ફોગિંગ અને દવા છંટકાવની કામગીરી</b></h2><p style="text-align: justify; ">મનપા દ્વારા રોગચાળાને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે પગલાં ભરવાની શરૂઆત કરવામાં આવી છે.પ્રભાવિત વિસ્તારોમાં ક્લોરિનેશનની કામગીરી,પીવાના પાણીના સેમ્પલ ચકાસણી તેમજ મચ્છરોના ઉપદ્રવને નાથવા માટે ધુમાડો અને દવા છાંટવાની કામગીરી સઘન બનાવવામાં આવી છે. લોકોને ઉકાળેલું પાણી પીવા અને સાવચેતી રાખવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-hc-rebukes-ias-bijal-shah-in-stamp-duty-case" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: સ્ટેમ્પ ડ્યુટી કેસમાં બેદરકારી સામે IAS બીજલ શાહની હાઈકોર્ટે ઝાટકણી કાઢી</a></p><p style="text-align: justify; "><br><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/4CuBXmBfZ6qNIlQAxhRqs5bHTesngYMUaIOAKNMk.webp'/></item><item><title><![CDATA[Suratમાં ગુનેગારો બેફામ! 48 વર્ષીય બિલ્ડર પર ઉપરાછાપરી ચપ્પુના ઘા મારી હત્યારાઓ ફરાર, સારવાર દરમિયાન નીપજ્યું મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/criminals-are-rampant-in-surat-48-year-old-builder-was-attacked-with-a-paddle-from-above-the-killers-are-absconding-he-died-during-treatment</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/criminals-are-rampant-in-surat-48-year-old-builder-was-attacked-with-a-paddle-from-above-the-killers-are-absconding-he-died-during-treatment</guid><pubDate>Tue, 01 Sep 2026 09:04:24 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરમાં ગુનાખોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક કરપીણ હત્યાની ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર 48 વર્ષીય બિલ્ડર ફૈઝલ ફટ્ટા પર અજાણ્યા હુમલાખોરોએ ચપ્પુ વડે જાનલેવા હુમલો કર્યો હતો. હુમલાખોરોએ વચલા રસ્તે બિલ્ડર પર ઉપરા છાપરી ચપ્પુના અસંખ્ય ઘા ઝીંકી દીધા હતા અને ઘટનાને અંજામ આપીને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ સરેઆમ હુમલાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભય અને સનસનાટીનો માહોલ ફેલાઈ ગયો હતો.</p><h2 style="text-align: justify; "><b>ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા</b></h2><p style="text-align: justify; ">હુમલા બાદ ગંભીર રીતે ઘવાયેલા અને લોહીલુહાણ હાલતમાં બિલ્ડર ફૈઝલ ફટ્ટાને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, શરીર પર ઊંડા ઘા વાગ્યા હોવાથી અને વધુ પડતું લોહી વહી જવાના કારણે હોસ્પિટલના ફરજ પરના તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. બિલ્ડરના મોતની ખબર મળતા જ તેમના પરિવારજનો અને સ્નેહીજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા, જેના કારણે હોસ્પિટલ પરિસરમાં ગમગીની છવાઈ ગઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન</b></h2><p style="text-align: justify; ">બ્રિજ પર હત્યાની આ ગંભીર ઘટનાની જાણ થતાં જ ચોક બજાર પોલીસ મથકનો કાફલો તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ગુનો નોંધીને પ્રાથમિક તપાસ હાથ ધરી છે અને આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવીને હત્યારાઓની ઓળખ કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. જૂની રંજિશ, અંગત અદાવત કે નાણાકીય લેવડદેવડના કારણે આ હત્યા થઈ છે કે કેમ તે તમામ દિશાઓમાં ચોક બજાર પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-news-board-lalghoom-against-negligent-teachers-heavy-fine-imposed-on-3334-teachers-who-indulged-in-sloppy-examination-of-class-10-and-12-papers" target="_blank">Ahmedabad News : 1 ભૂલ અને ભરવો પડશે 1,000 રૂપિયાનો દંડ, ધો. 10 અને 12ના પેપર તપાસમાં લોચા મારનારા શિક્ષકો સામે બોર્ડની લાલ આંખ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/pZIBBqHsRjKIyx6Q9ngT4ULII972Oxp63QULk30l.webp'/></item><item><title><![CDATA[Punjabi singer Badshah : ફકત 5 મહિનામાં ફેમસ સિંગરના લગ્ન તૂટયા, ફેન્સને કરી ભાવુક અપીલ ]]></title><link>https://sandesh.com/entertainment/news/only-five-month-badshah-and-his-wife-rikhi-get-divorce-bollywood-latest-news</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/only-five-month-badshah-and-his-wife-rikhi-get-divorce-bollywood-latest-news</guid><pubDate>Tue, 01 Sep 2026 08:35:44 +05:30</pubDate><description><![CDATA[<p>પંજાબી ગાયક અને લોકપ્રિય રેપર બાદશાહના બીજા લગ્નનો પણ અંત આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી બાદશાહ અને પંજાબી અભિનેત્રી ઈશા રિખી વચ્ચેના સંબંધોમાં અણબનાવની ચર્ચાઓ ચાલી રહી હતી, જેનો હવે અંત આવ્યો છે. બાદશાહે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ઈશા સાથેના પોતાના છૂટાછેડાની સત્તાવાર પુષ્ટિ કરી છે.</p><h2><b>બાદશાહની ફેન્સને ભાવુક અપીલ, "અમારી પ્રાઇવસીનો આદર કરો"</b></h2><p>બાદશાહ અને ઈશા રિખી બંનેએ પોતપોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક સંયુક્ત નિવેદન શેર કરીને અલગ થવાની જાહેરાત કરી હતી. બાદશાહે લખ્યું, "મેં અને ઈશા રિખીએ પરસ્પર સમજુતી અને આદર સાથે અલગ થવાનો અને પોતપોતાના રસ્તે આગળ વધવાનો નિર્ણય લીધો છે. અમે વિનંતી કરીએ છીએ કે આ મુશ્કેલ સમયમાં દરેક વ્યક્તિ અમારી પ્રાઇવસીનો આદર કરે.</p><p><img alt="બાદશાહ" src="https://epapercdn.sandesh.com/images/2026/09/01/d4GFu1I6Aet9ZUFqX1KcA45WZfWB55WKWGjYD3Iz.webp"><b style="font-size: 1.75rem;"><br></b></p><p><b style="font-size: 1.75rem;">અફવાઓ પર વિરામ અને ચાહકોને અપીલ</b></p><p>સોશિયલ મીડિયા પર કોઈ ખોટી અટકળો ન થાય તે માટે બંનેએ સ્પષ્ટતા કરી છે કે આ મુદ્દા પર આ તેમનું એકમાત્ર નિવેદન હશે. ચાહકો અને મીડિયાને વિનંતી કરતા તેમણે ઉમેર્યું કે તેમના સંબંધો અંગે વધુ કોઈ અફવાઓ કે અનુમાનો લગાવવામાં ન આવે.</p><h4><b>માત્ર 5 મહિના જ ટક્યા લગ્ન</b></h4><p>બાદશાહ અને ઈશાએ હંમેશા તેમના પ્રેમસંબંધને છૂપો રાખ્યો હતો અને ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. માર્ચ ૨૦૨૬માં ઈશાની માતા પૂનમ રિખીએ લગ્નના ફોટોઝ શેર કરતા આ વાત સામે આવી હતી. ત્યારબાદ જૂન ૨૦૨૬માં ઈશાએ પોતે લગ્નની પુષ્ટિ કરી હતી. લગભગ ૪ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ લગ્નગ્રંથિથી જોડાયેલું આ કપલ અફસોસજનક રીતે લગ્નના માસ ૫ મહિનામાં જ અલગ થઈ ગયું છે.</p><h4><b>બાદશાહની કોણ છે પહેલી પત્ની</b></h4><p>ઈશા સાથેના લગ્ન એ બાદશાહના બીજા લગ્ન હતા. આ પહેલા ગાયકે ૨૦૧૨માં જાસ્મીન મસીહ સાથે લગ્ન કર્યા હતા. જાન્યુઆરી ૨૦૧૭માં તેમની પુત્રી 'જેસ્સી ગ્રેસ'નો જન્મ થયો હતો, પરંતુ વર્ષ ૨૦૨૦માં તેઓ અલગ થઈ ગયા હતા. હાલ જાસ્મીન તેમની દીકરી સાથે લંડનમાં રહે છે. બાદશાહના બીજા લગ્ન કેમ તૂટ્યા તેનું કારણ હજી સામે આવ્યું નથી.</p><p><br></p><p><a href="https://sandesh.com/entertainment/news/hanuman-ansh-game-changer-5-reasons-success#google_vignette" target="_blank">આ પણ વાંચો : Hit Film : ન કોઈ સુપરસ્ટાર, ન મોટું બજેટ! જાણો તે 5 મોટા કારણો જેનાથી ગેમ ચેન્જર સાબિત થઈ ફિલ્મ હનુમાન અંશ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/HE8mcs91pD1yhNZkHM9RFWUIPagF9mEzh53C99bv.webp'/></item><item><title><![CDATA[Vadodara News: 8 સપ્ટેમ્બરે PM મોદી વડોદરા આવશે, મનપા અને વુડાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/pm-modi-to-visit-vadodara-on-september-8</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/pm-modi-to-visit-vadodara-on-september-8</guid><pubDate>Tue, 01 Sep 2026 08:28:19 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી વડોદરાની મુલાકાત દરમિયાન VMC અને વુડાના લગભગ 1 હજાર કરોડના વિકાસના કામોનું લોકાર્પણ ખાતમૂર્હત કરશે તેવું જાણવા મળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.8 સપ્ટેમ્બરે વડોદરા આવી રહ્યાં છે.ટૂંકા નોટીસ પીરિયડમાં આ કાર્યક્રમ નક્કી કરાયો છે.વડાપ્રધાન એરપોર્ટથી બાયરોડ એમ.એસ.યુનિવર્સિટી ખાતે આયોજિત કાર્યક્રમમાં જાય તેવી શક્યતાઓ છે.જેને લઈ પોલીસ અને વહિવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>રાજ્ય સરકાર હસ્તકના વિવિધ વિભાગોના વિકાસ કામો</b></h2><p style="text-align: justify; ">વડાપ્રધાન કેન્દ્ર અને રાજ્ય સરકાર હસ્તકના વિવિધ વિભાગોના વિકાસના કામોનું લોકાર્પણ ખાતમૂર્હત કરવાના હોવાથી VMC અને વુડાએ પણ પોતાના કોમાનું લીસ્ટ બનાવવાનું શરૂ કરી દીધું છે. જેમાં રૂપિયા 25 કરોડ ઉપરાંતના કામો જ યાદીમાં લેવાયા છે. વુડા અને મ્યુનિ.કોર્પોરેશનના મળી લગભગ રૂપિયા ૧ હજાર કરોડના કામોનું વડાપ્રધાન લોકાર્પણ -ખાતમૂર્હત કરે તેવું આયોજન કરાઈ રહ્યું છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>VMCની નવી કચેરીના ખાતમૂર્હત સહિતના કામો</b></h3><p style="text-align: justify; ">રૂપિયા 30.48 કરોડના ખર્ચે ગોલ્ડન ચોકડી, આજવા ચોકડી, વાઘોડિયા ચોકડી, કપુરાઈ ચોકડી, તરસાલી ચોકડી ખાતે RCC બોક્સ ડ્રેઈન અને મેન્યુઅલ પુશીંગ પદ્ધતિથઈ નવી વરસાદી ગટર નાંખવાનું કામ, ભાયલી ટીપી 3 અને 4 વિસ્તારમાં ઊંચી ટાંકી, ભૂગર્ભ સંપની રૂપિયા 32.61 કરોડની કામગીરી,આજવા સરોવર ખાતે 150 MLDના પોન્ટુનનું કામનું લોકાર્પણ તેમજ રૂપિયા 32.93 કરોડના ખર્ચે બનનાર VMCની નવી કચેરીના ખાતમૂર્હત સહિતના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>વડાપ્રધાન બુદ્ધિજીવીઓ અને જેન-ઝીને સંબોધશે</b></h2><p style="text-align: justify; ">વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આવી એમ.એસ.યુનિવર્સિટીમાં બુદ્ધિજીવીઓ અને જેન-ઝીને સંબાધવાના છે તે દિવસે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ છે.દર વર્ષે તા.8 સપ્ટેમ્બરે ઉજવાતા આ દિવસનો મુખ્ય હેતુ દુનિયામાં સાક્ષરતાનું મહત્વ સમજાવી નિરક્ષરતા દૂર કરવી, દરેક વ્યક્તિને વાંચવા-લખવા અને શિક્ષણની તક મળે તે અંગે જાગૃતિ ફેલાવવાનો છે.યુનેસ્કો દ્વારા સને 1967થી આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ઉજવવામાં આવે છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-hc-rebukes-ias-bijal-shah-in-stamp-duty-case" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: સ્ટેમ્પ ડ્યુટી કેસમાં બેદરકારી સામે IAS બીજલ શાહની હાઈકોર્ટે ઝાટકણી કાઢી</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/GPfGhqDR7XdwQMw33Ts6LwIB9wyh442va4bMWNlx.webp'/></item><item><title><![CDATA[છોટાઉદેપુર જનરલ હૉસ્પિટલમાં તબીબોની અનિયમિતતાથી પરેશાની ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/trouble-due-to-irregularity-of-doctors-at-chhota-udepur-general-hospital</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/trouble-due-to-irregularity-of-doctors-at-chhota-udepur-general-hospital</guid><pubDate>Tue, 01 Sep 2026 05:39:24 +05:30</pubDate><description><![CDATA[<p>છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની અનિયમિતતાથી દર્દીઓ બેહાલઃ દૂર-દૂરથી આવતા ગરીબ દર્દીઓને કલાકો સુધી હાલાકી, જવાબદાર કોણ? જ્યારે ડોક્ટર સમયે સર આવતા નથી તેવી ફરિયાદો પ્રજા કરી રહી છે.</p><p>અંતરિયાળ અને આદિવાસી વિસ્તાર ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાંથી એક ચિંતાજનક અને રોષ પેદા કરતા સમાચાર સામે આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી ગણાતી જનરલ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો સમયસર હાજર ન રહેતા હોવાના ગંભીર આક્ષેપો ઉઠયા છે. દૂર-દૂરના ગામડાઓમાંથી આશા સાથે ઈલાજ કરાવવા આવતા ગરીબ અને આદિવાસી દર્દીઓને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે.</p><p>તબીબોની ગેરહાજરીને કારણે સારવાર વિના જ પાછા ફરવાનો વારો આવે છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે, આરોગ્ય તંત્રની આ ઘોર બેદરકારી માટે આખરે જવાબદાર કોણ ? જિલ્લાની સૌથી મોટી જનરલ હોસ્પિટલમાં દરરોજ ગામે-ગામથી સેંકડો દર્દીઓ પોતાની બીમારીનો ઈલાજ કરાવવા આવે છે. પરંતુ અહીં આવ્યા પછી તેમને ઈલાજ પહેલાં તો માત્ર અને માત્ર રાહ જોવી પડે છે. જ્યારે ડોક્ટર વહેલા આવતા નથી. સ્થાનિક દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓનો આક્ષેપ છે કે, હોસ્પિટલમાં ડોક્ટરો નિયત સમયે કેબિનમાં હાજર રહેતા નથી. સવારથી લાઈનમાં ઊભેલા દર્દીઓને કલાકો સુધી તબીબોની વાટ જોવી પડે છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/dLRcvXVpWEu1uj8x4z9PosDc2aAFdDKJu1vXng8O.webp'/></item><item><title><![CDATA[બૈડી ફ્ળિયા, તેજાવાવ, ચાપરગોટા સહિતના વિસ્તારમાં દીપડાનો ડર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/panchmahal/fear-of-leopards-in-areas-including-badi-fliya-tejavav-chapargota</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/panchmahal/fear-of-leopards-in-areas-including-badi-fliya-tejavav-chapargota</guid><pubDate>Tue, 01 Sep 2026 05:36:56 +05:30</pubDate><description><![CDATA[<p>બોડેલી તાલુકાના ચાપરગોટા પંથકમાં પખવાડિયામાં ત્રણ દીપડા પાંજરે પૂરાતા ગ્રામજનોએ રાહત અનુભવી છે. જબુગામ નજીકના બૈડી ફ્ળિયા, તેજાવાવ, ચાપરગોટા સહિતના વિસ્તારમાં 4 દીપડા એકસાથે ફરતા હોવાના વીડિયો સામે આવ્યો હતો.</p><p>તાલુકા વિસ્તારમા દીપડાની વધતી અવરજવરને પગલે વનવિભાગે અલગ-અલગ સ્થળે પાંજરા ગોઠવી કામગીરી શરૂ કરી હતી. જેમાં માત્ર 15 દિવસમાં ત્રણ દીપડા ઝડપાયા છે. જોકે, હજુ એક દીપડો આ વિસ્તારમાં હોવાની આશંકા હોવાથી વનવિભાગે તેની શોધખોળ શરૂ કરી વધુ એક પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરી છે. જંગલ નજીકના ગામોમાં જાગૃતિ શિબિરો યોજી ગ્રામજનોને દીપડો દેખાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા અપીલ કરાઇ છે. અગાઉ મોટા વાજપુર ગામે દીપડાના હુમલામાં બાળકીના મોતની ઘટના બની હતી.</p><p>પખવાડિયામાં ત્રણ દીપડા ઝડપાતા હાલ ચાપરગોટા સહિતના પંથકમાં રાહતનો માહોલ છે. પરંતુ બાકી રહેલા એક દીપડાને પાંજરે પૂરવા માટે વનવિભાગની કામગીરી યથાવત છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/DlN8nOd3up1EVey6t7iaM3ns3YIZENv2kzSxmkIn.webp'/></item><item><title><![CDATA[Anna Hazareની તબિયત બગડી, વાયરલ ઈન્ફેક્શન અને ડિહાઈડ્રેશન બાદ ICUમાં કરાયા દાખલ ]]></title><link>https://sandesh.com/india/news/anna-hazare-health-deteriorates-viral-infection-dehydration-icu-mumbai</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/anna-hazare-health-deteriorates-viral-infection-dehydration-icu-mumbai</guid><pubDate>Mon, 31 Aug 2026 23:43:01 +05:30</pubDate><description><![CDATA[<p>સામાજિક કાર્યકર અન્ના હજારેની તબિયત લથડતા તેમને મુંબઈની બોમ્બે હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. અગાઉ મહારાષ્ટ્રના રાલેગણ સિદ્ધિ નજીકની સ્થાનિક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. જોકે, તબિયતમાં વધુ ઘટાડો થતાં તેમને વધુ સારી સારવાર માટે મુંબઈ ખસેડવામાં આવ્યા હતા.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2094463797352358105"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>અન્ના હજારેને ગંભીર વાયરલ ઈન્ફેક્શન</b></h2><p>મળતી માહિતી મુજબ, 89 વર્ષીય અન્ના હજારે ગંભીર વાયરલ ઈન્ફેક્શન અને એક્યુટ ડિહાઈડ્રેશનથી પીડાઈ રહ્યા છે. બોમ્બે હોસ્પિટલમાં ડૉ. ગૌતમ ભણસાલીની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે. હાલ તબીબોની ટીમ તેમની તબિયત પર સતત નજર રાખી રહી છે. વિવિધ તપાસના રિપોર્ટના આધારે આગળની સારવાર અંગે નિર્ણય લેવામાં આવશે.</p><h3><b>NEET પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓને આપ્યો હતો ટેકો</b></h3><p>અન્ના હજારે તાજેતરમાં NEET પેપર લીકના મુદ્દે જંતર-મંતર ખાતે થયેલા વિરોધ પ્રદર્શનના સમર્થનમાં આવ્યા હતા. 20 જુલાઈએ વિદ્યાર્થીઓ દ્વારા સંસદ તરફ માર્ચ દરમિયાન થયેલી કથિત પોલીસ કાર્યવાહી અને હિંસાની તેમણે નિંદા કરી હતી. આ અંગે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી તેમની સમસ્યાઓનું સમાધાન કરવાની અપીલ કરી હતી.</p><h4><b>તબીબોની ટીમ સતત નજર રાખી રહી છે</b></h4><p>પત્રમાં અન્ના હજારે જણાવ્યું હતું કે લોકશાહીમાં હિંસા, જાહેર સંપત્તિને નુકસાન અને બિનજરૂરી બળપ્રયોગ માટે કોઈ સ્થાન નથી. તેમણે પેપર લીક, ભરતી પ્રક્રિયામાં વિલંબ અને બેરોજગારી જેવા યુવાનોના મુદ્દાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે એકતા દર્શાવવા અન્ના હજારે 23 જુલાઈએ બે કલાકનું મૌન પ્રદર્શન પણ કર્યું હતું. તેઓ આશરે દોઢ દાયકા પહેલાં ‘ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન’ આંદોલન અને ભ્રષ્ટાચાર વિરુદ્ધના ઉપવાસને કારણે રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યા હતા. હાલમાં તેમના સ્વાસ્થ્ય પર તબીબોની ટીમ સતત નજર રાખી રહી છે.<br><br><a href="https://sandesh.com/india/news/tb-mukt-bharat-jp-nadda-reviews-tb-elimination-efforts-pm-pragati" target="_blank" style=""><b>આ પણ વાંચો : TB Mukt Bharat : જે.પી. નડ્ડાએ ટીબી નાબૂદી અભિયાનની પ્રગતિની કરી સમીક્ષા</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/31/fqN4OTxiVOwU9xJH8OQpxtcMkBOmt3tSKwtrB4F6.webp'/></item><item><title><![CDATA[Rajasthan : અલવરમાં 9 વર્ષનો બાળક બોરવેલમાં પડ્યો, 50 ફૂટ નીચે ફસાયો ]]></title><link>https://sandesh.com/india/news/rajasthan-alwar-9-year-old-boy-falls-into-borewell-rescue-operation</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/rajasthan-alwar-9-year-old-boy-falls-into-borewell-rescue-operation</guid><pubDate>Mon, 31 Aug 2026 22:42:00 +05:30</pubDate><description><![CDATA[<p>રાજસ્થાનના અલવર જિલ્લામાં સોમવારે સાંજે એક ગંભીર દુર્ઘટના બની. રામગઢ વિધાનસભા ક્ષેત્રના બુટોલી ગામમાં 9 વર્ષનું બાળક પતંગ લૂંટતી વખતે ખુલ્લા બોરવેલમાં પડી ગયું હતું. બોરવેલની કુલ ઊંડાઈ આશરે 400 ફૂટ હોવાનું જણાવાઈ રહ્યું છે, જ્યારે બાળક હાલમાં લગભગ 50થી 55 ફૂટની ઊંડાઈએ ફસાયેલું છે.</p><h2><b>ઘટના બાદ ગ્રામજનો તાત્કાલિક સ્થળે પહોંચ્યા</b></h2><p>મળતી માહિતી મુજબ, બુટોલી ગામનો ભાનુ સોમવારે સાંજે કપાયેલી પતંગ લૂંટવા ખેતર તરફ દોડી રહ્યો હતો. આ દરમિયાન તેનો પગ જૂના અને લાંબા સમયથી બંધ પડેલા બોરવેલ પર મૂકવામાં આવેલા પથ્થર પર પડ્યો હતો. પથ્થર પહેલેથી જ ખસી ગયો હતો અને બાળકનો પગ પડતાં તે વધુ ખસી જતા ભાનુ સીધો બોરવેલમાં પડી ગયો હતો. ઘટના બાદ ગ્રામજનો તાત્કાલિક સ્થળે પહોંચ્યા હતા. રાહતની વાત એ છે કે બોરવેલની અંદરથી બાળકનો અવાજ સંભળાઈ રહ્યો છે અને પ્રાથમિક માહિતી મુજબ તે સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.</p><h3><b>બે JCBથી ખોદકામ શરૂ</b></h3><p>માહિતી મળતાં પોલીસ અને વહીવટી તંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. બાળકને સુરક્ષિત બહાર કાઢવા માટે બોરવેલની આસપાસથી ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે. બે JCB મશીનની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. જરૂરી રેસ્ક્યૂ સાધનો પણ ઘટનાસ્થળે પહોંચાડવામાં આવી રહ્યા છે. રામગઢના ધારાસભ્ય સુખવંત સિંહ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને અધિકારીઓ પાસેથી રેસ્ક્યૂ કામગીરીની માહિતી મેળવી હતી. SDM મનીષા રેશમ, DSP નરેન્દ્ર કુમાર સહિત પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. SDRF અને NDRFની ટીમોને પણ રવાના કરવામાં આવી છે.</p><p><a href="https://sandesh.com/india/news/tb-mukt-bharat-jp-nadda-reviews-tb-elimination-efforts-pm-pragati" target="_blank"><b>આ પણ વાંચો : TB Mukt Bharat : જે.પી. નડ્ડાએ ટીબી નાબૂદી અભિયાનની પ્રગતિની કરી સમીક્ષા</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/31/u7T8WhRX6yKJihGBW8Oy9Nlq3rd9dNLpNoJ0QMFK.webp'/></item><item><title><![CDATA[Lionel Messiએ 39 વર્ષની ઉંમરે સંન્યાસની કરી જાહેરાત, ઈન્ટરનેશનલ ફૂટબોલને કહ્યું અલવિદા ]]></title><link>https://sandesh.com/sports/news/lionel-messi-international-retirement-argentina</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/lionel-messi-international-retirement-argentina</guid><pubDate>Mon, 31 Aug 2026 21:17:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફૂટબોલની દુનિયામાં એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે. આર્જેન્ટિનાના દિગ્ગજ સ્ટાર લિયોનેલ મેસીએ ઈન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. આર્જેન્ટિનાની જર્સીમાં 2 દાયકાથી વધુ સમય સુધી મેદાન પર જાદુ ચલાવનાર મેસ્સી હવે નેશનલ ટીમ માટે રમતા જોવા મળશે નહીં.&nbsp;</p><p style="text-align: justify; ">લિયોનેલ મેસ્સીની કેપ્ટનશીપમાં આર્જેન્ટિનાએ 2022નો ફિફા વર્લ્ડકપ જીત્યો હતો. 2026માં ટીમે મેસ્સીની કેપ્ટનશીપમાં ફાઈનલ પણ રમી હતી, પરંતુ સ્પેન સામે હારી ગઈ હતી, જેના કારણે તે સતત બીજી વખત ટાઈટલ મેળવવાથી ચૂકી ગઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>લિયોનેલ મેસ્સીની ઈમોશનલ પોસ્ટ</b></h2><p style="text-align: justify; ">પોતાના ઈમોશનલ વિદાય મેસેજમાં લિયોનેલ મેસ્સીએ સમજાવ્યું કે આ નિર્ણય તેમના માટે ખૂબ જ મુશ્કેલ હતો. તેને લખ્યું કે તેને પોતાના દેશ માટે બધું જ આપી દીધું છે અને હવે તેને લાગ્યું કે તેની પાસે આપવા માટે કંઈ વધ્યું નથી. મેસ્સીના મતે આ નિર્ણય ખૂબ જ ઈમોશનલ હતો, પરંતુ તેને લાગ્યું કે હવે યોગ્ય સમય છે.&nbsp;</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DctWzhYxElg/" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DctWzhYxElg/" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a><br></p><p style="text-align: justify; ">મેસ્સીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે "ફાઈનલ પછી, કાળજીપૂર્વક વિચાર કર્યા પછી, તેને રાષ્ટ્રીય ટીમમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. આ એક એવો નિર્ણય હતો જેણે તેને ખૂબ દુઃખ આપ્યું હતું, પરંતુ તેને ખ્યાલ છે કે આ યોગ્ય સમય છે. તેને હંમેશા પોતાનું સર્વસ્વ આપ્યું છે, ફક્ત તાજેતરના વર્ષોમાં જ નહીં જ્યારે આપણે બધું જીતીએ છીએ, પરંતુ તે પહેલાં પણ. તેને હંમેશા આ જર્સી માટે સખત મહેનત કરી છે અને પોતાનું સર્વસ્વ આપ્યું છે, જેથી તમને આનંદ મળે અને ફૂટબોલ દ્વારા તમને આર્જેન્ટિનાના રહેવાસી હોવાનો ગર્વ થાય."</p><h3><b>લિયોનેલ મેસ્સીની આર્જેન્ટિના સાથેની સફર ઉતાર-ચઢાવથી ભરપૂર</b></h3><div>લિયોનેલ મેસ્સીની આર્જેન્ટિના સાથેની સફર ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે અને ઐતિહાસિક રહી છે. પોતાના કરિયર દરમિયાન તેને પોતાના દેશને ઘણી યાદગાર જીત અપાવી અને વિશ્વ ફૂટબોલમાં આર્જેન્ટિનાની પ્રતિષ્ઠા વધારી.&nbsp;</div><div>એક સમય એવો હતો જ્યારે મોટી ટુર્નામેન્ટમાં સતત હાર બાદ મેસ્સીની ઈન્ટરનેશનલ કરિયર પર પ્રશ્નાર્થ ઊભો થયો હતો. પરંતુ તેને પાછા ફરીને પોતાની ટીમને એવી ઊંચાઈઓ પર પહોંચાડી જેની લાખો આર્જેન્ટિનાના ફેન્સ રાહ જોઈ રહ્યા હતા.</div><h4><b>2022માં સપનું પૂર્ણ થયું</b></h4><div>મેસ્સીના ઈન્ટરનેશનલ કરિયરની સૌથી યાદગાર ક્ષણ 2022માં આવી, જ્યારે તેને કતારમાં આર્જેન્ટિનાને વર્લ્ડકપ ટાઈટલ અપાવ્યું. 1986 પછી આ આર્જેન્ટિનાનું પહેલું વર્લ્ડ કપ ટાઈટલ હતું. મેસ્સીએ તે ટુર્નામેન્ટમાં 7 ગોલ કર્યા અને ટીમની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી.</div><div><br></div><div>વધુમાં મેસ્સીની કેપ્ટનશીપ હેઠળ આર્જેન્ટિનાએ 2021 અને 2024માં સતત 2 વાર કોપા અમેરિકા જીત્યું. તેને 2026ના વર્લ્ડકપની ફાઈનલમાં પણ ટીમનું નેતૃત્વ કર્યું હતું, પરંતુ ફાઈનલમાં સ્પેન સામે હાર્યા બાદ આર્જેન્ટિના ખાલી હાથે પરત ફર્યું. આ મેસ્સીનો છઠ્ઠો વર્લ્ડકપ હતો. તે પુરુષોના વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી વધુ વખત રમનારા ખેલાડીઓમાંથી એક છે. તેને પોતાના કરિયરમાં 3 વર્લ્ડકપ ફાઈનલ રમી હતી. 2014 માં આર્જેન્ટિના જર્મની સામે હારી ગઈ. 2022માં ટીમ ચેમ્પિયન બની અને 2026માં તેને રનર-અપ રહીને સંતોષ માનવો પડ્યો. મેસ્સીએ તેના છેલ્લા વર્લ્ડકપમાં 8 ગોલ કર્યા અને 4 ગોલમાં આસિસ્ટ કર્યા.</div><h4><b>પિતાના અવસાન પછી તેના કરિયર પર ઉભા થયા સવાલો</b></h4><div>આ મહિનાની શરૂઆતમાં મેસ્સીએ તેમના પિતા જોર્જ મેસ્સીના મૃત્યુ પછી, તેના લાંબા ગાળાના રમત કરિયર અંગે શંકા વ્યક્ત કરી હતી, જેમનું 8 ઓગસ્ટના રોજ 68 વર્ષની વયે અવસાન થયું હતું. ઈન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃત્તિ લેવા છતાં મેસ્સી ક્લબ સ્તરે રમવાનું ચાલુ રાખશે. તે હાલમાં અમેરિકન મેજર લીગ સોકર ક્લબ ઈન્ટર મિયામીનો ભાગ છે. તેમનો વર્તમાન કરાર 2028 MLS સીઝન સુધી ચાલશે.</div><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/31/5vhvXAndeS2YSXjUPOu2WgffErw6XQfqAddL8B8C.webp'/></item><item><title><![CDATA[NHAI FASTag Rules and Refund: કાર વેચી દીધા બાદ તાત્કાલિક FASTag ડિએક્ટિવેટ કરો, જાણો પ્રોસેસ ]]></title><link>https://sandesh.com/business/news/sold-car-deactivate-fastag</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/sold-car-deactivate-fastag</guid><pubDate>Mon, 31 Aug 2026 19:20:19 +05:30</pubDate><description><![CDATA[<p>સોશિયલ મીડિયાના યુગમાં પોતાની જૂની કાર વેચવી ખૂબ સરળ બની ગઈ છે. ઓનલાઈન પ્લેટફોર્મના કારણે આ કામ ઘણું સરળ બન્યું છે અને ઘર બેઠા પણ કાર સારા ભાવે વેચી શકાય છે. પરંતુ આજના વ્યસ્ત સમયમાં લોકો કાર વેચતી વખતે કેટલીક ભૂલો કરી બેસે છે, જેના કારણે બાદમાં તેમને મોટું નુકસાન થઈ શકે છે. ઘણા લોકો કાર વેચતી વખતે ચાવી, RC અને ઈન્શ્યોરન્સના દસ્તાવેજો તો નવા માલિકને સોંપી દે છે, પરંતુ વિન્ડસ્ક્રીન પર લાગેલું FASTag હટાવવાનું અથવા તેને ડિએક્ટિવેટ કરવાનું ભૂલી જાય છે. જો તમે પણ તમારી કાર વેચી દીધી છે અને FASTag એમ જ ચાલુ રાખ્યું છે, તો આ બેદરકારી તમને મોંઘી પડી શકે છે.</p><p>મહત્વની વાત એ છે FASTag સીધું તમારા બેંક એકાઉન્ટ, Paytm વૉલેટ અથવા ક્રેડિટ કાર્ડ સાથે લિંક હોય છે. જ્યાં સુધી તે ટેગ એક્ટિવ રહેશે અને તમારી કાર પર લાગેલું રહેશે, ત્યાં સુધી તે કાર પરથી થતો દરેક ટોલ ટેક્સ તમારા જ એકાઉન્ટમાંથી કપાતો રહેશે. એટલે જૂની કારનું FASTag બંધ કરાવી શકો છો.</p><h2><b>કેમ થઈ શકે છે મોટું નુકસાન?</b></h2><p>જો તમે કાર વેચ્યા બાદ FASTag ડિએક્ટિવેટ નથી કર્યું તો નવો માલિક કોઈ રોકટોક વગર તમારા બેલેન્સનો ઉપયોગ કરી લેશે. ઘણી વખત લોકોના ફોન પર ટોલ કપાવાનો મેસેજ આવે ત્યાં સુધી તેમને ખબર પણ પડતી નથી કે તેમણે વેચેલી કાર કોઈ દૂરના હાઈવે પર ચાલી રહી છે અને પૈસા તેમના એકાઉન્ટમાંથી કપાઈ રહ્યા છે.</p><p>આ ઉપરાંત જો નવો માલિક કોઈ ટ્રાફિક નિયમ તોડે અથવા ટોલ પ્લાઝા પર કોઈ ગેરરીતિ કરે તો FASTag તમારા નામ અને બેંકની વિગતો સાથે જોડાયેલો હોવાથી શરૂઆતની તપાસ દરમિયાન તમારું નામ પણ સામે આવી શકે છે અને તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.</p><h2><b>નવા માલિકને પણ થશે મુશ્કેલી</b></h2><p>એક કારના ચેસિસ નંબર અને રજિસ્ટ્રેશન નંબર પર એક સમયે માત્ર 1 જ એક્ટિવ FASTag હોઈ શકે છે. જો તમે તમારું જૂનું FASTag ડિએક્ટિવેટ અથવા બંધ નહીં કરો ત્યાં સુધી કારનો નવો માલિક તેના નામે નવું FASTag મેળવી શકશે નહીં. આ કારણે તમારી જૂની કારના નવા માલિકને ટોલ પ્લાઝા પર મુશ્કેલી થઈ શકે છે અને તે તમને વારંવાર સંપર્ક કરી શકે છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના નિયમો અનુસાર પણ કાર ટ્રાન્સફર થયા બાદ જૂનું FASTag બંધ કરવું જરૂરી છે.</p><h2><b>તાત્કાલિક ડિએક્ટિવેટ કરો</b></h2><p>જો તમે તમારું FASTag કાયમ માટે ડિએક્ટિવેટ કરાવવા માંગતા હો તો NHAIની અધિકૃત હેલ્પલાઈન 1033 પર ફોન કરીને ફરિયાદ નોંધાવી શકો છો અને ટેગને તરત બ્લોક કરવાની વિનંતી કરી શકો છો. આ ઉપરાંત તમે જે બેંક અથવા વૉલેટ કંપની પાસેથી FASTag મેળવ્યું હતું, જેમ કે ICICI, HDFC, SBI, Paytm અથવા Airtel Payments Bank, તેના કસ્ટમર કેર નંબર પર ફોન કરીને અથવા તેમની મોબાઈલ એપમાં જઈને મેનેજ FASTag વિભાગમાંથી એકાઉન્ટ બંધ કરવાનો વિકલ્પ પસંદ કરી શકો છો. ત્યારબાદ તમારું FASTag એકાઉન્ટ કાયમ માટે બંધ થઈ જશે.</p><h2><b>વિન્ડસ્ક્રીન પરથી પણ ટેગ હટાવો</b></h2><p>કસ્ટમર કેર દ્વારા એકાઉન્ટ બંધ કરાવ્યા બાદ કારની આગળની વિન્ડસ્ક્રીન પર લાગેલું FASTag સ્ટિકર પણ કાઢી નાખો અને તેને નષ્ટ કરી દો. અધૂરું અથવા જૂનું FASTag ક્યારેય કાર પર લાગેલું ન છોડો.જો તમે બેંક અથવા વૉલેટમાં સિક્યોરિટી ડિપોઝિટ તરીકે કોઈ રકમ જમા કરાવી હતી તો FASTag એકાઉન્ટ બંધ થયા બાદ તે રકમ થોડા દિવસોમાં તમારા મૂળ બેંક એકાઉન્ટમાં પરત કરવામાં આવે છે. કાર વેચવાની પ્રક્રિયા ત્યારે જ સંપૂર્ણ માનવામાં આવે છે જ્યારે તેની સાથે જોડાયેલા તમામ ડિજિટલ એકાઉન્ટ સંપૂર્ણપણે અલગ કરી દેવામાં આવે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/31/4OkQnFcFi9uENymCEV317ClBy3x4wAWzPkm7lmTO.webp'/></item></channel></rss>