<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[રાધનપુરમાં લોન પર મોબાઈલ ખરીદી ઠગાઈનો પર્દાફાશ, વેપારીઓએ પોલીસ સમક્ષ રજૂઆત કરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/radhanpur/fraud-in-buying-mobile-phones-on-loan-exposed-in-radhanpur-traders-present-themselves-before-the-police</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/radhanpur/fraud-in-buying-mobile-phones-on-loan-exposed-in-radhanpur-traders-present-themselves-before-the-police</guid><pubDate>Wed, 02 Sep 2026 05:21:26 +05:30</pubDate><description><![CDATA[<p>રાધનપુર (સં.ન્યુ.સ)</p><p>રાધનપુરના મોબાઈલના વેપારીઓ પાસે થી લોન ઉપર મોબાઈલની ખરીદી કરી અન્ય શખ્સો દ્વારા છેતરપિંડી આચરતી હોવાથી ગત રોજ રાધનપુર ના વેપારીઓ દ્વારા રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે મોબાઈલના બિલો રજુ કરી મૌખિક ફરિયાદ કરી હતી.પોલીસે વેપારીઓની રજૂઆતના આધારે મોબાઇલ વેચાણના આધાર પુરાવા રજૂ કરવા વેપારીઓએ કહેવામાં આવ્યું હતું.</p><p>વેપારીઓના આક્ષેપ મુજબ કેટલાક શખ્સો મોબાઈલ શોરૂમમાંથી લોન ઉપર મોંઘા મોબાઈલ ખરીદતા હતા. શરૂઆતમાં અંદાજે રૂ. 5 હજાર જેટલું ડાઉન પેમેન્ટ ભરી રૂ. 50 હજાર સુધીના મોબાઈલ લઈ જતા હતા. ત્યારબાદ મોબાઈલના લોનના હપ્તા ભરવાના બદલે ગોઠવણપૂર્વક મોબાઈલનો લોક તોડાવી નાખતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. લોન ઉપર ખરીદવામાં આવેલા મોબાઈલના હપ્તા સમયસર ભરવામાં ન આવે તો કંપની દ્વારા મોબાઈલ લોક થઈ જતો હોય છે. આ ગેંગના માસ્ટરમાઈન્ડ દ્વારા ખોટા GST બિલ તૈયાર કરી તેમાં ખોટા GSTનંબરનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો પણ વેપારીઓએ આક્ષેપ કર્યો છે. આ ખોટા દસ્તાવેજોના આધારે મોબાઈલ કંપનીના શોરૂમમાં જઈ મોબાઈલનો લોક તોડાવી નાખવામાં આવતો હોવાની રજૂઆત કરવામાં આવી છે. વેપારીઓના જણાવ્યા મુજબ લોક તોડાવ્યા બાદ આ મોબાઈલ બજારભાવ કરતાં અંદાજે રૂ. 5 હજાર ઓછા ભાવે વેચી રોકડ રકમ મેળવી લેવામાં આવતી હતી. જ્યારે મોબાઈલ ખરીદનાર દ્વારા લોનના હપ્તા ભરવામાં ન આવતા વેપારીઓ અને ફાઇનાન્સ સાથે સંકળાયેલા લોકોના નાણાં ફ્સાઈ જતા હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે. આ સમગ્ર મામલે રાધનપુરના મોબાઈલ વેપારીઓએ વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરતી ગેંગ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/6sSu8SI3SQHqk6CPocdRl095Tu6Zk4Ntc2c9A5pO.webp'/></item><item><title><![CDATA[દાંતીવાડાના હરિયાવાડા ગામે શાળાને તાળાબંધી, શિક્ષણ વિભાગમાં દોડધામ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/banaskantha/school-locked-in-hariyawada-village-of-dantiwada-education-department-in-a-hurry</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/banaskantha/school-locked-in-hariyawada-village-of-dantiwada-education-department-in-a-hurry</guid><pubDate>Wed, 02 Sep 2026 05:19:50 +05:30</pubDate><description><![CDATA[<p>દાંતીવાડા । (સં.ન્યૂ.સ)</p><p>બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના હરિયાવાડા ગામની પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષકની બદલી મુદ્દે વિવાદ વકરતા ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી હતી.</p><p>પ્રાપ્ત માહિતી મુજબ, હરિયાવાડા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક આલોક મિશ્રા સામે શૈક્ષણિક કામગીરીમાં બેદરકારી રાખતા હોવાની ફરિયાદો લાંબા સમયથી ઉઠી રહી છે. જેને લઈ બાળકોના અભ્યાસ પર અસર પડતી હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે. ગત 15 ઓગસ્ટના રોજ મળેલી ગ્રામસભામાં પણ વાલીઓ અને ગ્રામજનોએ મુખ્ય શિક્ષક સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.</p><p>ત્યારબાદ ઘટના સ્થળે પહોંચેલાTPO દ્વારા મુખ્ય શિક્ષકની અન્ય શાળામાં બદલી કરવાની ખાતરી આપવામાં આવી હતી. શિક્ષણ વિભાગ દ્વારા તેમને અન્ય સ્થળે ટેમ્પરરી કામગીરી સોંપવાનો ઓર્ડર પણ કરાયો હતો, પરંતુ મુખ્ય શિક્ષકે આ ઓર્ડર સ્વીકાર્યો ન હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે. આજે સવારે આલોક મિશ્રા ફરી હરિયાવાડા શાળા પર ફરજ પર આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. મોટી સંખ્યામાં ગ્રામજનો શાળા પર એકત્ર થઈ ગયા હતા અને શાળાના મુખ્ય દ્વારને તાળું મારી દીધું હતું. ગ્રામજનોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે જ્યાં સુધી મુખ્ય શિક્ષકની કાયમી બદલી કરવામાં નહીં આવે ત્યાં સુધી શાળાનું તાળું ખોલવામાં આવશે નહીં.</p><p>તાળાબંધીને પગલે ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ શાળાની બહાર બસ સ્ટેન્ડ પર બેસી રહેવા મજબૂર બન્યા હતા અને બાદમાં તેઓ ઘરે પરત ર્ફ્યા હતા. ગ્રામજનોએ આગામી દિવસોમાં બાળકોને શાળાએ નહીં મોકલવાની ચીમકી ઉચ્ચારી છે. તો બાળકોના અભ્યાસ ન બગડે તે માટે ગામના શિક્ષિત યુવાનો દ્વારા સ્વૈચ્છિક રીતે ભણાવવાની તૈયારી દર્શાવવામાં આવી છે. આ ઘટનાને લઈ શિક્ષણ વિભાગમાં પણ દોડધામ મચી છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/fuVdzdeyIKDP5q0UINOdTkgr9vWOxKZGHi0Nqcvp.webp'/></item><item><title><![CDATA[દેત્રોજમાં જીવાપુરા પાટીયા પાસે કચરાના ઢગ ખડકાતાં રાહદારીઓ પરેશાન ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/pedestrians-are-disturbed-by-the-pile-of-garbage-near-jiwapura-patiya-in-detroj</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/pedestrians-are-disturbed-by-the-pile-of-garbage-near-jiwapura-patiya-in-detroj</guid><pubDate>Wed, 02 Sep 2026 05:13:19 +05:30</pubDate><description><![CDATA[<p>માંડલ : અમદાવાદ જિલ્લાના દેત્રોજ નગરમાં જીવાપુરા ગામના પાટીયા પાસે ઠેરઠેર કચરાના ઢગ ખડકાઈ જતાં આસપાસના વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે. રસ્તાની બાજુમાં લાંબા સમયથી એકત્રિત થતો લીલો અને સુકો કચરો વરસાદી પાણીમાં મીક્ષ થઈ જતાં કોહવાઈ ગયેલ હોવાને લીધે અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે જેના કારણે આ માર્ગ પરથી પસાર થતાં રાહદારી અને વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ જીવાપુરા પાટીયા વિસ્તારેથી મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય છે પરંતુ રસ્તાની બાજુમાં પડેલ કચરાના ઢગલાઓના કારણે પસાર થયું મુશ્કેલ બન્યું છે. ખાસ કરીને વરસાદ બાદ કચરો સડી જવાના કારણે દુર્ગંધ વધુ તીવ્ર બની છે. ગંદકીના કારણે મચ્છર અને અન્ય જીવજંતુઓનો ઉપદ્રવ વધવાની સાથે રોગચાળો પણ ફેલાવાની ભીતી સેંવાઈ રહી છે. નગરની સ્વચ્છતા જાળવવાની જવાબદારી ધરાવતાં તંત્ર દ્વારા સમયસર કચરો ઉપાડવામાં આવે અને નિયમિત સફાઈ કરવામાં આવે તેવી સ્થાનિકો અને રાહદારીઓ માંગ કરી રહ્યાં છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/Uzst0plZlVF8fzDcdDmZn2Lxua0eTMQZHtsJOV28.webp'/></item><item><title><![CDATA[વરમોર સીમમાં 700 વર્ષ પૌરાણિક કોટેશ્વર મહાદેવનો મહિમા અપરંપાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/the-glory-of-the-700-year-old-koteshwar-mahadev-in-varmor-is-unparalleled</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/the-glory-of-the-700-year-old-koteshwar-mahadev-in-varmor-is-unparalleled</guid><pubDate>Wed, 02 Sep 2026 05:01:29 +05:30</pubDate><description><![CDATA[<p>માંડલ (સં.ન્યૂ.સ)</p><p>સૌરાષ્ટ્રમાં સોમનાથ તેમ માંડલ તાલુકાના વરમોર ખાતે આવેલ કોટેશ્વર દાદા આ મંદિરનો ઈતિહાસ તાલુકામાં અતિપૌરાણિક છે કોટેશ્વર દાદાનું મંદિર વરમોર ગામથી એક કિલોમીટર દુર ઉંચી ટેકરી પર આવેલું છે. એમ કહેવાય છે કે આ કોટેશ્વર દાદાના દર્શન યુગોયુગથી થઈ રહ્યાં છે. જેથી યુગાન્ધર કોટેશ્વર દાદા તરીકે પણ વિસ્તારમાં પ્રચલિત છે. 700 વર્ષ પહેલાં અહીં ભગવાન ભોળાનાથ સાક્ષાત પ્રગટ થયેલાં છે આ ગામ પહેલાં વીસાવડી ગામ તરીકે ઓળખાતું હતું અને અહીં વીસાવડી માતાજીનું પણ મંદિર આવેલ છે. ધીરે ધીરે લોકબોલીમાં પરિવર્તન આવતાં પહેલાનું વીસાવડી ગામે આજે વરમોર તરીકે જાણીતું છે. આ મંદિરની બાજુમાં એક પાતાળ કુવો આવેલો છે જેને પખાણાંનો કુવો કહેવાય છે લોકમાન્યતા પ્રમાણે એમ કહેવાય છે કે, આ કુવો ભગવાન ભોળાનાથ પ્રગટ થયાં ત્યારથી આવેલો છે. આ કુવાએ ઘણાં વર્ષો પહેલાં દુષ્કાળની પરિસ્થિતિમાં આજુબાજુના દસ ગામોને મીઠું પાણી પુરું પાડેલું હતું કુવા અંગે પંથકના ગ્રામજનો કહી રહ્યાં છે કે ક્યારેય પાણી ખૂટયું નથી અને આજે પણ સ્વચ્છ અને મીઠાં નીર લોકો પીવે છે.</p><p>આ ઉપરાંત આ કોટેશ્વર દાદાના મંદિરમાં એક ચમત્કારિક પત્થર હતો જે નગારા જેવો રણકતો હતો પણ સમય જતાં તે પત્થર ક્યાં ગયો એ વાતને કોઈ જાણતું નથી આજે માંડલ તાલુકાની ભવ્યતા ધરાવતું એવું આ યશ,કિર્તી અને શોભા આપતું કોટેશ્વર દાદાનું કિર્તીમાન મંદિર ખેતરમાં એક ટેકરી ઉપર ઉભું છે. અહીં જે શીવલીંગ આવેલું છે તે પણ તેજોમય અને સોમનાથ જેવી અનુભુતિ કરાવે છે. અહીં વરમોર તેમજ તાલુકાના અનેક ગામોના, પંથકના લોકોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં બારેય માસની શીવરાત્રી તેમજ મહાશિવરાત્રીની રાત્રે 12 વાગ્યે મહાઆરતી થાય છે તદ્દઉપરાંત શ્રાવણ માસમાં આ મંદિરનું વાતાવરણ અને રોનક કઈંક અદ્દભુત અને દુર્લભ હોય છે. શ્રાવણ માસમાં ચાર પ્રહોરની આરતી,સવાલક્ષ બિલીપત્ર ગ્રામજનો દ્વારા ભગવાનને અર્પણ કરાય છે તથા શ્રાવણીયા સોમવારે બપોરથી ભક્તો આ મંદિરને શણગારે છે, મંદિરમાં રંગોળીઓ, દાદાને ભવ્ય શૃંગાર કરાય છે અને સાંજે પાંચ કલાકે અહીં મહાઆરતીના દર્શન થાય છે આ આરતીમાં શંખ,ઘંટ,નગારા જાણે રાજાઓના સમયમાં ભગવાનની આરતી થતી તેવી વિધિવત આરતી થાય છે એમાં આખું ગામ ઉપસ્થિત રહેતુ હોય છે આ આરતીના અને કોટેશ્વર દાદાના દર્શન કરવાથી જાણે સોમનાથ દર્શન કર્યા હોય તેવી અનુભુતિ થાય છે શ્રાવણ માસની અમાસના દિવસે ભાતીગળ લોકમેળો ભરાય છે જેને પખાણાનો મેળો તરીકે ઓળખાય છે. મેળામાં પણ અનેક પ્રકારના નાના મોટાં ચગડોળ,રાઈડ્સમાં મનોરંજન માણવા અને દાદાના દર્શનાર્થે માનવમહેરામણ ઉમટે છે. ત્યારે શ્રાવણ માસના તૃતિય સોમવારે મંદિર અને પરિસરના ફુલોથી સજાવવામાં આવ્યું હતું, તેમજ સાંજે 5 કલાકે મહાઆરતીમાં મોટી સંખ્યામાં વિસ્તારના ભાવિકો ઉમટી પડયાં હતાં.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/iXYutYLjo2QntBpU2OZemYPWuf0NGtEPuJkd5WbO.webp'/></item><item><title><![CDATA[વિરમગામના ભોજવામાં 200 વર્ષ જૂની પારંપારિક દોડ સ્પર્ધા યોજાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/200-year-old-traditional-running-competition-held-in-bhojwa-viramgam</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/200-year-old-traditional-running-competition-held-in-bhojwa-viramgam</guid><pubDate>Wed, 02 Sep 2026 04:57:27 +05:30</pubDate><description><![CDATA[<p><b>વિરમગામ નગરપાલિકા હદ વિસ્તારમાં છેલ્લા દસ વર્ષથી સમાવેશ કરેલા અને શહેર સમીપ આવેલા ભોજવા વિસ્તારમાં 200 વર્ષ જૂની પારંપારિક બળેવ દોડ સ્પર્ધાનું રક્ષાબંધનના પર્વેયોજી ગામની સંસ્કૃતિ જાળવવામાં આવી હતી. ભોજવા ગામમાં પટેલ, દરબાર, મુસ્લિમ, દલિત, રબારી, ઠાકોર, પ્રજાપતિ સહિતના સમાજ વસે છે. જેમાં મોટાભાગના લોકો વર્ષોથી ખેતી ધરાવતા હોઈ મહેનતું પ્રજા છે. રક્ષાબંધનનું પર્વ ચોમાસામાં આવતું હોય આ દિવસે ગામમાં બળેવની દોડ વરસોથી વડવાઓ દ્વારા યોજવામાં આવતી. જેમાં ગ્રામ પંચાયત ચોકમાં સ્વૈચ્છિક રીતે ચાર યુવાનો ભાગ લઈ શકે અને તેમના વચ્ચે બસ્સો મીટર અંતરની દોડ સ્પર્ધા યોજાય. વિજેતા બને તેને ખેતી માટે હાથ બનાવટનું પ્રતીક હળ સાથે સુખડીનો પ્રસાદ તેમજ રોકડ આપવામાં આવે. જે બસ્સો વર્ષ પહેલા વડવાઓએ શરૂ કરેલી પરંપરા મુજબ ગત શુક્રવારે રક્ષાબંધન પર્વ નિમિત્તે ગ્રામ્યજનોની મેદની વચ્ચે હરીફાઈ યોજવામાં આવી હતી. જેમાં કુલ ચાર યુવાનોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ નંબર વિજય જીલુભાઈ ભોજવિયા આવ્યા હતા. ગ્રામ્ય લોકોએ તેને વધાવી લીધો હતો અને પરંપરા મુજબ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.</b></p><p><b><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/NPb1dchXNQEoz48H5qUHmBOQwPCFxsObK2qC35ka.webp'/></item><item><title><![CDATA[Maharashtra : FDAની મોટી કાર્યવાહી, મુંબઈની 2 હોટલ અને અકોલામાં Blinkit સેન્ટરનું લાઈસન્સ સસ્પેન્ડ કરાયું ]]></title><link>https://sandesh.com/india/news/maharashtra-fda-suspends-mumbai-hotels-blinkit-akola-license</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/maharashtra-fda-suspends-mumbai-hotels-blinkit-akola-license</guid><pubDate>Tue, 01 Sep 2026 22:29:12 +05:30</pubDate><description><![CDATA[<p>મહારાષ્ટ્રમાં ખાદ્ય અને પીણાની વસ્તુઓની સુરક્ષાને લઈને FDA (Food and Drug Administration)એ કડક કાર્યવાહી કરી છે. વિભાગે મુંબઈની બે હોટલ અને અકોલામાં Blinkitના એક સેન્ટરનું લાઈસન્સ સસ્પેન્ડ કર્યું છે. તપાસ દરમિયાન સ્વચ્છતા, ખાદ્ય સામગ્રીના સંગ્રહ, કર્મચારીઓની હાઈજીન અને અન્ય ખાદ્ય સુરક્ષા નિયમોમાં ગંભીર બેદરકારી સામે આવી હતી. આ ઉપરાંત સાંગલીમાં યોગ્ય રીતે સંગ્રહ ન કરાયેલું 165 લીટર દૂધ જપ્ત કરીને સ્થળ પર જ નષ્ટ કરવામાં આવ્યું હતું.</p><h2><b>અકોલામાં Blinkit સેન્ટરની સ્થિતિ ખરાબ</b></h2><p>અકોલામાં Blink Commerce Private Limited (Blinkit)ના સ્ટોર પર તપાસ દરમિયાન અનેક ખામીઓ મળી આવી હતી. તપાસ ટીમને ફ્રીઝરના પ્લાસ્ટિક પડદા ફાટેલી હાલતમાં જોવા મળ્યા હતા. ખાદ્ય અને પીણાની વસ્તુઓને નોન-ફૂડ સામગ્રી સાથે એક જ રેકમાં રાખવામાં આવી હતી. કેટલીક ખાદ્ય વસ્તુઓ તો સીધી જ જમીન પર ધૂળ અને કચરા વચ્ચે પડેલી મળી હતી. વિભાગે અગાઉ 12 ઓગસ્ટે સુધારા માટે ચેતવણી આપી હતી. જોકે, ત્યારબાદ પણ સ્થિતિમાં સુધારો ન થતાં 31 ઓગસ્ટે સેન્ટરનું લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું.</p><h3><b>મુંબઈની બે હોટલ સામે કાર્યવાહી</b></h3><p>મુંબઈના મલાડ વેસ્ટ વિસ્તારમાં આવેલી 'દિલ્હી સ્વીટ એન્ડ ભેલપુરી હાઉસ'માં તપાસ દરમિયાન ફ્રીઝરમાં ખાદ્ય સામગ્રી સાથે કાચા ઈંડા રાખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું. ઉપરાંત રસોઈ માટે દૂષિત પાણીનો ઉપયોગ થતો હોવાની માહિતી પણ મળી હતી. રસોડાની દિવાલો પર ભેજ અને ગંદકી જોવા મળી હતી.</p><p>કુર્લા વેસ્ટની 'ગુલઝાર મોહમ્મદી હોટલ'માં પણ સ્વચ્છતાની સ્થિતિ સંતોષકારક ન હતી. હાઇજીન તપાસમાં હોટલને 100માંથી માત્ર 24 માર્ક્સ મળ્યા હતા. રસોડાની દિવાલો પર તેલનું જાડું પડ જમેલું હતું અને નાળીઓ પણ ગંદી હતી. કર્મચારીઓએ ગ્લવ્સ અને હેડગિયર પહેર્યા નહોતા. આ ખામીઓના પગલે બંને હોટલના લાઈસન્સ તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા.</p><h4><b>સાંગલીમાં 165 લીટર દૂધ નષ્ટ</b></h4><p>સાંગલીના મિરજમાં આવેલા 'મયક્કા મિલ્ક કલેક્શન સેન્ટર'માં પણ ગંભીર બેદરકારી સામે આવી હતી. અહીં 120 લીટર ગાયનું અને 43 લીટર ભેંસનું દૂધ કોઈ કૂલિંગ વ્યવસ્થા વિના ચાર કલાકથી વધુ સમય સુધી સામાન્ય રૂમમાં રાખવામાં આવ્યું હતું. દૂધનો રેકોર્ડ પણ રજિસ્ટરમાં નોંધાયેલો નહોતો. ઉપરાંત અગાઉ સીલ કરાયેલી ક્રીમ કાઢવાની મશીનની સરકારી સીલ તૂટેલી મળી હતી. લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે તેવા આ 165 લીટર દૂધને FDAની ટીમે સ્થળ પર જ નષ્ટ કરાવ્યું. FDAએ સ્પષ્ટ કર્યું છે કે ખાદ્ય સુરક્ષા સંબંધિત નિયમોનું પાલન કરવું તમામ ફૂડ બિઝનેસ માટે ફરજિયાત છે. તપાસમાં ગંભીર ખામીઓ મળતા ત્રણ સ્થળોના લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/air-vice-marshal-shakti-sharma-first-non-medical-woman-two-star-rank" target="_blank">આ પણ વાંચો : Air Vice Marshal Shakti Sharmaએ રચ્યો નવો ઈતિહાસ, ટુ-સ્ટાર રેન્ક મેળવનારી પ્રથમ નોન-મેડિકલ મહિલા અધિકારી બન્યા</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/LlraV5nx4SZxIroPLZIGky0Vyp8bq2j7g28eGs52.webp'/></item><item><title><![CDATA[Air Vice Marshal Shakti Sharmaએ રચ્યો નવો ઈતિહાસ, ટુ-સ્ટાર રેન્ક મેળવનારી પ્રથમ નોન-મેડિકલ મહિલા અધિકારી બન્યા ]]></title><link>https://sandesh.com/india/news/air-vice-marshal-shakti-sharma-first-non-medical-woman-two-star-rank</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/air-vice-marshal-shakti-sharma-first-non-medical-woman-two-star-rank</guid><pubDate>Tue, 01 Sep 2026 21:28:19 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય વાયુસેનાની એર વાઈસ માર્શલ શક્તિ શર્માએ ભારતીય સશસ્ત્ર દળોમાં નવો ઈતિહાસ રચ્યો છે. તેઓ ટુ-સ્ટાર રેન્ક મેળવનારી પ્રથમ નોન-મેડિકલ મહિલા અધિકારી બન્યા છે. 1 સપ્ટેમ્બર, 2026થી તેમણે એર હેડક્વાર્ટરમાં Assistant Chief of Air Staff (Education) તરીકેની જવાબદારી સંભાળી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/IAF_MCC/status/2094772291242746302"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>1 સપ્ટેમ્બરે મહત્વપૂર્ણ પદનો કાર્યભાર સંભાળ્યો</b></h2><p>રક્ષા મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, શક્તિ શર્માએ 1 સપ્ટેમ્બરના રોજ આ મહત્વપૂર્ણ પદનો કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ 18 જૂન, 1994ના રોજ ભારતીય વાયુસેનાની એજ્યુકેશન બ્રાન્ચમાં જોડાયા હતા. ત્યારથી અત્યાર સુધીના ત્રણ દાયકાથી વધુ લાંબા સૈન્ય કારકિર્દીમાં તેમણે અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે.</p><h3><b>32 વર્ષનું ગૌરવપૂર્ણ સૈન્ય કરિયર</b></h3><p>શક્તિ શર્માનો સૈન્ય પ્રવાસ લગભગ 32 વર્ષનો રહ્યો છે. આ સમયગાળા દરમિયાન તેમણે ફીલ્ડ સ્ટેશન, કમાન્ડ હેડક્વાર્ટર, ટ્રેનિંગ સેન્ટર અને એર હેડક્વાર્ટર સહિત વિવિધ મહત્વપૂર્ણ સ્થળોએ જવાબદારીઓ સંભાળી છે. તેમણે શૈક્ષણિક ક્ષેત્ર ઉપરાંત વ્યૂહાત્મક સંરક્ષણ સહયોગને પ્રોત્સાહન આપવા માટે પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમના પ્રયાસોથી IIT કાનપુર અને પુણે યુનિવર્સિટીમાં ભારતીય વાયુસેનાની 'Chair of Excellence'ની સ્થાપના કરવામાં આવી હતી.</p><h4><b>ત્રણેય સેનામાં પ્રથમ મહિલા અધિકારી તરીકે પણ સેવા આપી</b></h4><p>શક્તિ શર્માએ અગાઉ કપુરથલા ખાતે પ્રિન્સિપલ તરીકે સેવા આપતી વખતે ત્રણેય સેનાઓમાં આ પ્રકારની જવાબદારી સંભાળનાર પ્રથમ મહિલા અધિકારી તરીકે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની નવી નિમણૂક અને પ્રમોશનને ભારતીય સશસ્ત્ર દળોમાં મહિલાઓની વધતી ભૂમિકા માટે મહત્વપૂર્ણ સીમાચિહ્ન તરીકે જોવામાં આવી રહ્યું છે. ટુ-સ્ટાર રેન્ક સુધી પહોંચનાર પ્રથમ નોન-મેડિકલ મહિલા અધિકારી તરીકેની તેમની સિદ્ધિ મહિલા અધિકારીઓ માટે નવા માર્ગ ખોલનારી માનવામાં આવી રહી છે.</p><h5><b>મહિલાઓ માટે પ્રેરણારૂપ સિદ્ધિ</b></h5><p>શક્તિ શર્માની સફળતા માત્ર તેમની વ્યક્તિગત ઉપલબ્ધિ નથી, પરંતુ સશસ્ત્ર દળોમાં મહિલાઓની વધતી ભાગીદારીનું પણ પ્રતિબિંબ છે. ત્રણ દાયકાથી વધુની તેમની સેવા, વિવિધ સંસ્થાકીય જવાબદારીઓ અને શિક્ષણ તથા સંરક્ષણ સહયોગ ક્ષેત્રે કરેલા યોગદાનને ધ્યાનમાં રાખીને તેમની નવી જવાબદારીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તેમની આ સિદ્ધિ એવી મહિલાઓ માટે પ્રેરણારૂપ બની શકે છે, જેઓ સૈન્ય ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું સપનું જુએ છે. શક્તિ શર્માની સફર બતાવે છે કે સતત મહેનત, સમર્પણ અને નેતૃત્વની ક્ષમતાના આધારે મહિલાઓ સશસ્ત્ર દળોમાં ઉચ્ચતમ સ્તરની જવાબદારીઓ સુધી પહોંચી શકે છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/uttarakhand-mussoorie-dehradun-road-landslide-traffic-halted" target="_blank">આ પણ વાંચો : Uttarakhand : મસૂરી-દેહરાદૂન રોડ પર લેન્ડસ્લાઈડની ઘટના, વાહનોની અવરજવર કરાઈ બંધ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/GnPJRdThsFkUPPhKqKUuR8BZJqn4bkGm03fC9D5c.webp'/></item><item><title><![CDATA[Business News : રેલવે કંપનીને મળ્યો 1100 કરોડ રૂપિયાનો આંતરરાષ્ટ્રીય ઓર્ડર, શેરમાં આવ્યો 7 ટકાનો ઉછાળો ]]></title><link>https://sandesh.com/business/news/texmaco-rail-1100-crore-international-order-share-rises-7-percent</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/texmaco-rail-1100-crore-international-order-share-rises-7-percent</guid><pubDate>Tue, 01 Sep 2026 19:01:52 +05:30</pubDate><description><![CDATA[<p>રેલવે સેક્ટરની કંપની Texmaco Rail and Engineeringના શેરમાં મંગળવાર, 1 સપ્ટેમ્બરના રોજ જોરદાર તેજી જોવા મળી હતી. કંપનીના શેરમાં ઈન્ટ્રાડે દરમિયાન લગભગ 7%નો ઉછાળો આવ્યો હતો. આ તેજી પાછળ કંપનીને મળેલો આશરે ₹1,100 કરોડનો આંતરરાષ્ટ્રીય ઓર્ડર મુખ્ય કારણ માનવામાં આવી રહ્યો છે.</p><h2><b>શું છે ઓર્ડર?</b></h2><p>કંપનીએ સ્ટોક એક્સચેન્જને કરેલી ફાઈલિંગમાં જણાવ્યું કે Tsiko Africa Logistics અને Barberry Holdings તરફથી તેને Letter of Award મળ્યો છે. આ ઓર્ડર હેઠળ Texmaco Railને Wabtec ES43ACi ડીઝલ-ઈલેક્ટ્રિક લોકોમોટિવની ડિઝાઈનિંગ, મેન્યુફેક્ચરિંગ, સપ્લાય અને કમિશનિંગનું કામ કરવાનું રહેશે. આ લોકોમોટિવની ક્ષમતા 4,500 HP હશે. કંપનીએ આ પ્રોજેક્ટને ફાઈનલ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર થયા બાદ 20થી 24 મહિનાની અંદર પૂર્ણ કરવાનો રહેશે. આંતરરાષ્ટ્રીય સ્તરે મળેલો આ ઓર્ડર કંપનીના રેલવે મેન્યુફેક્ચરિંગ બિઝનેસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.</p><h2><b>જર્મન કંપની સાથે પણ કરાર</b></h2><p>Texmaco Railએ ગયા અઠવાડિયે જ જર્મનીની Bochumer Verein Verkehrstechnik GmbH (BVV) સાથે પણ એક મહત્વપૂર્ણ કરાર કર્યો હતો. બંને કંપનીઓ ભારતમાં રેલવે માટેના વ્હીલસેટ, વ્હીલ, એક્સલ અને અન્ય રેલવે કમ્પોનન્ટ્સના ઉત્પાદન માટે સંયુક્ત સાહસ એટલે કે Joint Ventureની સંભાવનાઓ તપાસી રહી છે. આ ભાગીદારીથી ભારતમાં રેલવે કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ ક્ષમતા વધારવાની સાથે કંપનીને લાંબા ગાળે નવા બિઝનેસની તકો મળી શકે છે.</p><h4><b>પ્રથમ ત્રિમાસિક ગાળામાં નફો 67% વધ્યો</b></h4><p>કંપનીના જૂન ક્વાર્ટરના પરિણામો પણ મિશ્ર રહ્યા હતા. કંપનીનો નેટ પ્રોફિટ 66.8% વધીને ₹50 કરોડ થયો હતો. ગયા વર્ષે સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીનો નફો ₹30 કરોડ હતો. જોકે, આ સમયગાળા દરમિયાન કંપનીની આવકમાં ઘટાડો નોંધાયો હતો. રેવન્યુ 16.9% ઘટીને ₹757 કરોડ રહ્યું હતું, જે ગયા વર્ષે ₹911 કરોડ હતું. કંપનીનું EBITDA પણ 19.6% ઘટીને ₹57 કરોડ થયું હતું, જ્યારે ગયા વર્ષે તે ₹71 કરોડ હતું. જોકે, EBITDA માર્જિન 8% પર સ્થિર રહ્યું હતું.</p><h4><b>શેરનું કેવું રહ્યું પ્રદર્શન?</b></h4><p>મંગળવારે Texmaco Railનો શેર 7.3% વધીને ઈન્ટ્રાડે ₹116.90 સુધી પહોંચ્યો હતો. જોકે, બાદમાં તેજી થોડી ઓછી થઈ અને શેર 4.27%ના વધારા સાથે ₹113.60 પર બંધ થયો હતો. તેમ છતાં, 2026માં અત્યાર સુધી કંપનીના શેરમાં આશરે 18%નો ઘટાડો નોંધાયો છે.<br><br><a href="https://sandesh.com/business/news/car-insurance-claim-rejected-due-to-defect-in-driving-license-now-insurance-company-ordered-to-pay-45-lakh" target="_blank"><b>આ પણ વાંચો : Car Insurance: ડ્રાઇવિંગ લાઇસન્સમાં ખામી કહી ક્લેમ નકાર્યો, હવે વીમા કંપનીને ₹4.5 લાખ ચૂકવવાનો આદેશ</b></a></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/SUsBgVv8onQ4DOh9bnWFq54aHLdEQV3yQMJic03y.webp'/></item><item><title><![CDATA[Samay Raina વિવાદ, કાનૂની મુશ્કેલીઓ, ટ્રોલ થયેલા 'સમય'ને આખરે મળ્યું સન્માન ]]></title><link>https://sandesh.com/entertainment/news/samay-raina-controversy-legal-troubles-trolled-samay-finally-gets-respect</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/samay-raina-controversy-legal-troubles-trolled-samay-finally-gets-respect</guid><pubDate>Tue, 01 Sep 2026 14:39:17 +05:30</pubDate><description><![CDATA[<p>સમયનો સૌથી મોટો ગુણ એ છે કે તે ક્યારેય એક સરખો રહેતો નથી. તાજેતરમાં સુધી વિવાદોની વચ્ચે ઘેરાયેલા સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈના માટે પરિસ્થિતિઓ ખૂબ જ મુશ્કેલ બની ગઈ હતી. તેમનો અત્યંત લોકપ્રિય શો "ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ" સોશિયલ મીડિયાના ટ્રોલિંગથી લઈને પોલીસ સ્ટેશન અને કોર્ટની કાનૂની લડાઈ સુધી પહોંચી ગયો હતો. શો દરમિયાન રણવીર અલ્હાબાદિયાની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ થયેલા વિરોધને કારણે રૈના સામે અનેક ફરિયાદો નોંધાઈ હતી અને પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે તેમણે પોતાનો શો હટાવવો પડ્યો હતો.</p><h2><b>સમય રૈના, મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માની પ્રશંસા</b></h2><p>વિવાદો અને કાનૂની મુશ્કેલીઓ વચ્ચે પણ સમય રૈનાએ હાર ન માની. તેમણે શાંત રહીને પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પુનરાગમન કરતી વખતે તેમણે આસામમાં આવેલા વિનાશક પૂર દરમિયાન મુખ્યમંત્રી રાહત ભંડોળમાં ₹10 લાખનું યોગદાન આપ્યું. રસપ્રદ વાત એ હતી કે, અગાઉ જે આસામ પોલીસે રૈના સામે એફઆઈઆર (FIR) નોંધીને પુણે સ્થિત તેમના ઘરે નોટિસ મોકલી હતી, તે જ રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ સોશિયલ મીડિયા પર જાહેરમાં રૈનાની આ ઉદારતા અને મદદરૂપ વર્તનની ખુલ્લેઆમ પ્રશંસા કરી.</p><p><img alt="samay raina" src="https://epapercdn.sandesh.com/images/2026/09/01/RkVmmKuyWaUfEVZ8UJgsu7TePT5QUpzWbrMgRr7Y.webp"><br></p><h4><b>દેવેન્દ્ર ફડણવીસે સાથે સ્ટેજ શેર કરી મેળવ્યું સન્માન</b></h4><p>રૈનાની આ સફરનો સૌથી યાદગાર વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા સ્ટેજ પર સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમ દરમિયાન સમય રૈનાએ પોતાની ખાસ અને બિંદાસ શૈલી જાળવી રાખી હતી. મુખ્યમંત્રીની હાજરીમાં જ તેમણે પોલીસ તપાસ પર ચપટી લેતા કહ્યું, "પહેલી વાર કોઈ સાયબર સેલ અધિકારી કોઈ હાસ્ય કલાકારના ઘરે ગયો છે..." રૈનાના આ રમુજી કટાક્ષથી આખો હોલ હાસ્યથી ગૂંજી ઊઠ્યો હતો. જે કાનૂની વિવાદો એક સમયે તેમની કારકિર્દી માટે જોખમરૂપ બન્યા હતા, તેને જ તેમણે પોતાની કોમેડીનો ભાગ બનાવી દીધો.</p><h4><b>"હું હજી પણ અહીં છું" - સમય રૈનાનો સણસણતો જવાબ</b></h4><p>પોતાની આગવી શૈલી કે ઓળખ બદલ્યા વિના સમય રૈનાએ સ્ટેજ પર પરત ફરીને ભાવુક થઈને કહ્યું, "હું હજી પણ અહીં છું." ગઈકાલે જે કલાકારની કારકિર્દીના ભવિષ્ય પર પ્રશ્નો ઉઠાવવામાં આવતા હતા, આજે તે જ સમય રૈના સન્માન સાથે હેડલાઇન્સમાં છે. વિવાદના તોફાનનો સામનો કરીને સમયનું ચક્ર પોતાના પક્ષમાં ફેરવનાર રૈનાની આ વાર્તા સાબિત કરે છે કે મુશ્કેલ સમય કાયમી નથી હોતો, બસ સમયની રાહ જોવી પડે છે.</p><p><br></p><p><a href="https://sandesh.com/entertainment/news/555th-film71-year-old-actor-anupam-khers-insta-post-increases-fans-curiosity" target="_blank">આ પણ વાંચો : My Landmark 555th ફિલ્મ..71 વર્ષના અભિનેતા અનુપમ ખેરની ઇન્સ્ટા પોસ્ટે વધારી ફેન્સની ઉત્સુકતા</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/yh0dEOP2W1jAuzlYX1sJYXoPTRxgNCvmZwiQLOn2.webp'/></item><item><title><![CDATA[India Footbal ટીમની જાહેરાત, 26 ખેલાડીઓની પસંદગી કરાઇ ]]></title><link>https://sandesh.com/sports/news/india-football-team-announced-26-players-selected</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india-football-team-announced-26-players-selected</guid><pubDate>Tue, 01 Sep 2026 09:31:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય ફૂટબોલ ટીમ માટે આગામી આંતરરાષ્ટ્રીય વિન્ડો ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાની છે. મુખ્ય કોચ ખાલિદ જમીલે 26 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. ભારતીય ટીમ આગામી દિવસોમાં પનામા, બ્રાઝિલ અને ઉરુગ્વે જેવી મજબૂત ટીમો સામે 3 આંતરરાષ્ટ્રીય મૈત્રી મેચ રમશે. ખાસ કરીને બ્રાઝિલ અને ઉરુગ્વે સામેની મેચ ભારતીય ખેલાડીઓ માટે પોતાની ક્ષમતા સાબિત કરવાની મોટી તક બની રહેશે.</p><h5 style="text-align: justify; "><b>ભારતીય ટીમ અભિયાનની શરૂઆત 26 સપ્ટેમ્બરે કરશે</b></h5><p style="text-align: justify; ">ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 26 સપ્ટેમ્બરે કરશે. બેંગલુરુના શ્રી કાંતિરવા સ્ટેડિયમમાં ભારતનો મુકાબલો પનામા સામે થશે. ત્યારબાદ ભારતીય ટીમ કોલકાતા જશે, જ્યાં 3 ઓક્ટોબરે 5 વખતની વિશ્વ ચેમ્પિયન બ્રાઝિલ અને 6 ઓક્ટોબરે 2 વખતની વિશ્વ ચેમ્પિયન ઉરુગ્વે સામે મેદાનમાં ઉતરશે.આ ત્રણેય ટીમો આ વર્ષે યોજાયેલા FIFA વિશ્વ કપમાં ભાગ લઈ ચૂકી છે. આવી સ્થિતિમાં ભારતીય ખેલાડીઓ માટે વિશ્વસ્તરીય ટીમો સામે રમવાનો અનુભવ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. મુખ્ય કોચ ખાલિદ જમીલ પણ આ મેચો દ્વારા ટીમની તાકાત અને નબળાઈઓ સમજવાનો પ્રયાસ કરશે.</p><h5 style="text-align: justify; "><b>14 સપ્ટેમ્બરથી રાષ્ટ્રીય શિબિર</b></h5><p style="text-align: justify; ">ભારતીય રાષ્ટ્રીય ટીમની શિબિર 14 સપ્ટેમ્બરથી બેંગલુરુમાં શરૂ થશે. પનામા સામેની મેચ બાદ ભારતીય ટીમ 28 સપ્ટેમ્બરે કોલકાતા માટે રવાના થશે. ત્યારબાદ માત્ર થોડા દિવસના અંતરે ભારત બ્રાઝિલ અને ઉરુગ્વે જેવી મજબૂત ટીમો સામે મેચ રમશે.આ ત્રણેય મુકાબલા ભારતીય ટીમ માટે એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે આગામી સમયમાં ટીમને અનેક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ નિભાવવાની છે. ખાસ કરીને બ્રાઝિલ અને ઉરુગ્વે સામે રમવાથી ભારતીય ખેલાડીઓને મોટા મંચ પર પોતાની રમતનું મૂલ્યાંકન કરવાની તક મળશે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/IndianFootball/status/2094461120929034687?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; "><br></p><h5 style="text-align: justify; "><b>ભારતની 26 સભ્યોની ટીમ</b></h5><p style="text-align: justify; ">ગોલકીપર:એલ્બિનો ગોમ્સ, ગુરપ્રીત સિંહ સંધુ, પ્રભસુખન સિંહ ગિલ અને સોમ કુમાર.</p><p style="text-align: justify; ">ડિફેન્ડર:અભિષેક સિંહ ટેકચામ, આકાશ મિશ્રા, અનવર અલી, બિજોય વર્ગીઝ, હમિંગથનમાવિયા રાલ્ટે, જય ગુપ્તા, પ્રમવીર અને રિકી મીતેઈ હાઓબામ.</p><p style="text-align: justify; ">મિડફિલ્ડર:અનિરુદ્ધ થાપા, આશિક કુરુનિયન, ફારુખ ચૌધરી, લાલેંગમાવિયા રાલ્ટે, મેકાર્ટન નિક્સન, મોહમ્મદ સનાન, રિકી શાબોંગ અને સહલ અબ્દુલ સમદ.</p><p style="text-align: justify; ">ફોરવર્ડ:એડમન્ડ લાલરિન્દિકા, ઇરફાન યાડવાડ, મનવીર સિંહ, રહીમ અલી, રેયાન વિલિયમ્સ અને વિક્રમ પ્રતાપ સિંહ.</p><h5 style="text-align: justify; "><b>ભારતનો સંપૂર્ણ કાર્યક્રમ</b></h5><p style="text-align: justify; ">26 સપ્ટેમ્બર:ભારત વિરુદ્ધ પનામા — શ્રી કાંતિરવા સ્ટેડિયમ,બેંગલુરુ</p><p style="text-align: justify; ">3 ઓક્ટોબર:ભારત વિરુદ્ધ બ્રાઝિલ — વિવેકાનંદ યુવા ભારતી ક્રીડાંગણ, કોલકાતા</p><p style="text-align: justify; ">6 ઓક્ટોબર:ભારત વિરુદ્ધ ઉરુગ્વે — વિવેકાનંદ યુવા ભારતી ક્રીડાંગણ, કોલકાતા</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/cricket/news/australia-a-squad-announced-for-the-india-a-series-two-players-of-indian-origin-included-in-the" target="_blank">Australia-A squad : ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયા A ટીમ જાહેર,ભારતીય મૂળના 2 ખેલાડીઓને મળ્યું સ્થાન</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/SPbBPwGbv7y83nxfQ8iZc8DhAECHb1obcZUy0Nan.webp'/></item></channel></rss>