<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Monsoon 2026 : ધોલેરાનું વણિતળાવ ગામ બન્યું ટાપુ, ભોગાવો નદીના રૌદ્ર રૂપ વચ્ચે 88 લોકોનું કરાયું રેસ્ક્યુ ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/monsoon-2026-dholeras-vanitlav-village-becomes-an-island-88-villagers-rescued-amid-the-raging-waters-of-the-bhogavo-river</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/monsoon-2026-dholeras-vanitlav-village-becomes-an-island-88-villagers-rescued-amid-the-raging-waters-of-the-bhogavo-river</guid><pubDate>Tue, 28 Jul 2026 08:46:03 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ધોલેરા તાલુકાના વણિતળાવ ગામમાં પૂરની સ્થિતિ સર્જાતા ભારે હાલાકી ઉભી થઈ છે. ભોગાવો નદીમાં આવેલા ભારે પૂરના પાણી ગામમાં ફરી વળતાં સમગ્ર વણિતળાવ ટાપુમાં ફેરવાઈ ગયું છે. ચારેબાજુ પાણી ફરી વળવાના કારણે ગામનો સંપર્ક અન્ય વિસ્તારોથી તદ્દન કપાઈ ગયો છે, જેના પગલે ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.</p><h2 style="text-align: justify; "><b>88 લોકોનું સલામત સ્થળાંતર</b></h2><p style="text-align: justify; ">સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને તંત્ર દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પૂરના પાણીમાં ફસાયેલા કુલ 88 લોકોને તંત્ર અને રેસ્ક્યુ ટીમ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આ તમામ લોકોને પીપળી ગામની પ્રાથમિક શાળામાં બનાવવામાં આવેલા આશ્રયસ્થાન ખાતે સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમના રહેવા અને જમવાની વ્યવસ્થા કરાઈ છે.</p><h3 style="text-align: justify; "><b>સહિતના અધિકારીઓની મુલાકાત</b></h3><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા (SP) સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. અધિકારીઓએ પૂરગ્રસ્ત ગામની રૂબરૂ મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને રાહત કામગીરીની જાતમાહિતી મેળવી હતી. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને જરૂરી તમામ સહાય પહોંચાડવાની ખાતરી આપવામાં આવી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/surat/zampa-bazar-dilapidated-house-wall-collapse-fire-brigade-rescues-three-youths" target="_blank">Surat: ઝાંપાબજારમાં જર્જરિત મકાનની દીવાલ અને શેડ તૂટી પડતાં 3 યુવકો કાટમાળમાં ફસાયા, ફાયર બ્રિગેડે હેમખેમ બહાર કાઢ્યા</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/jZpHKAk4rVPoY1p3L7Wp12pGyiSuttiV41DUtaaA.webp'/></item><item><title><![CDATA[Commonwealth Games 2026 : Ajaya Babuએ વેઇટલિફ્ટિંગમાં જીત્યો સિલ્વર મેડલ ]]></title><link>https://sandesh.com/sports/news/commonwealth-games-2026-ajaya-babu-wins-silver-medal-in-weightlifting</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/commonwealth-games-2026-ajaya-babu-wins-silver-medal-in-weightlifting</guid><pubDate>Tue, 28 Jul 2026 08:28:13 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગ્લાસગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં વેઇટલિફ્ટર અજય બાબુ ભારત માટે સિલ્વર મેડલ લાવ્યા છે. અજય બાબુએ પુરુષોની 79 કિગ્રા કેટેગરીમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. 22 વર્ષીય વેઇટલિફ્ટરે કુલ 330 કિગ્રા વજન ઉપાડ્યું, જેમાં સ્નેચ રાઉન્ડમાં 149 કિગ્રા અને ક્લીન એન્ડ જર્કમાં 181 કિગ્રા વજન ઉપાડ્યું. ગ્લાસગોમાં ભારતને સિલ્વર મેડલ અપાવનાર અજય બાબુને વેઇટલિફ્ટિંગ વારસામાં મળ્યું છે. સરળ શબ્દોમાં કહીએ તો, આ રમત તેમના લોહીમાં છે.</p><h5 style="text-align: justify; "><b>અજય બાબુએ વેઇટલિફ્ટિંગમાં કર્યો કમાલ&nbsp;</b></h5><p style="text-align: justify; ">અજય બાબુ વાલુરીનો જન્મ 22 નવેમ્બર 2004 ના રોજ આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લાના કોંડાવેલાગડા ગામમાં થયો હતો.આ એ જ ગામ છે જેણે 33 વેઇટલિફ્ટર્સ ઉત્પન્ન કર્યા છે, જેમાંથી 22 રાષ્ટ્રીય સ્તરે અને 13 આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની છાપ છોડી છે. આંધ્રપ્રદેશનો ઉત્તરીય પ્રદેશ, જ્યાં તે રહે છે, તે વેઇટલિફ્ટર્સની ખાણ તરીકે ઓળખાય છે.તે વિસ્તારના ગામડાઓ, જેમ કે ગોડાલમ, કોંડાવેલાગડા અને અમાદલાવલસાએ અસંખ્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વેઇટલિફ્ટર્સ ઉત્પન્ન કર્યા છે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/mansukhmandviya/status/2081920072839508035?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>અજય બાબુએ બ્રોન્ઝ મેડલ&nbsp; જીત્યો&nbsp;</b></h4><p style="text-align: justify; ">અજય બાબુ વાલુરીનો પરિવાર પહેલેથી જ વેઇટલિફ્ટિંગમાં ડૂબેલો છે. તેમના પિતા, વાલુરી શ્રીનિવાસ રાવ, પોતે એક આંતરરાષ્ટ્રીય વેઇટલિફ્ટર છે. 2015 માં, તેમને તેમના પિતા દ્વારા વેઇટલિફ્ટિંગના પ્રથમ પાઠ શીખવવામાં આવ્યા હતા. વાલુરી શ્રીનિવાસ રાવે 2010 કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 2026 કોમનવેલ્થ ગેમ્સમાં, અજય બાબુ વાલુરીએ તેમના પિતાના બ્રોન્ઝ મેડલને સિલ્વરમાં રૂપાંતરિત કર્યો છે.</p><h5 style="text-align: justify; "><b>2023માં તેમને સફળતા મળી હતી</b></h5><p style="text-align: justify; ">અજય બાબુની કારકિર્દીની વાત કરીએ તો,2023માં ખેલો ઇન્ડિયા ગેમ્સમાં તેમને સફળતા મળી,જ્યાં તેમણે રાષ્ટ્રીય રેકોર્ડ સાથે તેમના વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો.તેમના પ્રદર્શનથી તેમને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું,અને પછી તેમણે આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સમાં ભાગ લેવાનું શરૂ કર્યું.2024 માં, તેમણે કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપના જુનિયર અને સિનિયર સ્તરે ગોલ્ડ મેડલ જીતીને પોતાની મોટી સફળતા મેળવી. તે જ વર્ષે, તેમણે એશિયન યુથ અને જુનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યા.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો <a href="https://sandesh.com/sports/news/commonwealth-games-2026-sharmila-dhankhar-creates-history-wins-gold-medal-in-pair-shot-put" target="_blank">- Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ મેડલ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/QQFkEsp6swPBglvkD8bYJzmLDHmv9CjoiAnhanFU.webp'/></item><item><title><![CDATA[Rajkot : વ્યાજખોરોના ત્રાસથી એક જ પરિવારના ત્રણ લોકોનો સામૂહિક આપઘાત: લોહાણા સમાજમાં ભારે રોષ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/rajkot/rajkot-mass-suicide-khakhar-family-lohana-community-protest</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/rajkot/rajkot-mass-suicide-khakhar-family-lohana-community-protest</guid><pubDate>Tue, 28 Jul 2026 07:58:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ શહેરમાં વ્યાજખોરોના આતંકથી કંટાળીને એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.</p><p style="text-align: justify; "><br></p><h2 style="text-align: justify; "><b>નાના પુત્ર નિશિતે અનેક લોકો પાસેથી પૈસા ઉધાર લીધા હતા</b></h2><p style="text-align: justify; ">તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે આ પરિવાર ભારે આર્થિક સંકટમાં ફસાયેલો હતો. મૃતક પિતા દિલીપભાઈ ખખ્ખર PWDમાં નિવૃત્ત ક્લાર્ક હતા. આ પરિવારના મોટા દીકરાનું 2018માં અવસાન થયું હતું. ત્યારબાદ તેમના નાના પુત્ર નિશિતે અનેક લોકો પાસેથી પૈસા ઉધાર લીધા હતા, જેના કારણે પરિવાર પર મોટું દેણું થઈ ગયું હતું. હાલમાં પોલીસ દ્વારા આ ઉધાર પૈસાની લેવડ-દેવડ અંગેની વિગતો મેળવીને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આ દુઃખદ ઘટનાને પગલે સમગ્ર રઘુવંશી સમાજ દ્વારા પરિવારને ન્યાય મળે તેવી માંગણી કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>વ્યાજખોરોના સતત ત્રાસથી અંતિમ પગલું ભર્યું</b></h2><p style="text-align: justify; ">આ ગોઝારી ઘટનામાં પત્ની સ્મિતાબેન ખખર, પતિ દિલીપભાઈ ખખર અને પુત્ર નિશ્ચિત ખખરનું મોત નીપજ્યું છે. વ્યાજખોરોના સતત માનસિક ત્રાસ અને આતંકના લીધે પરિવારે આ આકરું પગલું ભર્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.  એક જ પરિવારના ત્રણ-ત્રણ લોકોના અકાળે અવસાનથી લોહાણા સમાજમાં ઘેરા શોકની સાથે ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે.</p><h3 style="text-align: justify; "><b>લોહાણા સમાજ હોસ્પિટલમાં ઉમટી પડ્યો&nbsp;</b></h3><p style="text-align: justify; ">&nbsp;ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોહાણા સમાજના અગ્રણીઓ અને સભ્યો સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા થઈ ગયા હતા. સમાજના લોકોએ આ મામલે વ્યાજખોરો સામે દાખલારૂપ અને સખતમાં સખત કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી છે.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવા માગ</b></h4><p style="text-align: justify; ">સ્થાનિક પોલીસની કામગીરી પર અસંતોષ વ્યક્ત કરતા સમાજના અગ્રણીઓએ માગ કરી છે કે આ સમગ્ર મામલાની તટસ્થ તપાસ સ્થાનિક પોલીસને બદલે ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવે. આ સાથે જ લોહાણા સમાજે એ પણ ચીમકી આપી છે કે જો વ્યાજખોરો સામે તાત્કાલિક યોગ્ય અને કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં રસ્તા પર ઉતરીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp; :&nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-indepth-gujarat-heavy-rain-reason-el-nino-fail-negative-pdo-impact" target="_blank"><b> &nbsp;Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?</b></a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/Q5i8A9sTPZWqlcX0AslC2Xn9lknCkNEKsLFDqncc.webp'/></item><item><title><![CDATA[Vav-Tharad: સામાન્ય વરસાદમાં આખું ડેડાવા ગામ જળમગ્ન, શાળા, આંગણવાડી અને પંચાયત પાણીમાં ગરકાવ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/vav-tharad/vav-dedava-village-submerged-rainwater-school-panchayat-flooded</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/vav-tharad/vav-dedava-village-submerged-rainwater-school-panchayat-flooded</guid><pubDate>Tue, 28 Jul 2026 07:54:22 +05:30</pubDate><description><![CDATA[<p>વાવ તાલુકામાં આવેલા ડેડાવા ગામના નાગરિકો માટે ચોમાસાની ઋતુ ખુશીને બદલે ભારે આફત લઈને આવે છે. તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે કોઈ કાયમી આયોજન ન કરાતાં, વાવ પંથકમાં કે ઉપરવાસમાં સામાન્ય વરસાદ પડે તો પણ આખું ડેડાવા ગામ જળમગ્ન થઈ જાય છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન હોવાથી ચોમાસાના ચારેય મહિના ગામલોકોને પાણીની વચ્ચે જ રહેવું પડે છે.</p><h2><b>શિક્ષણ અને વહીવટી સેવાઓ ઠપ્પ</b></h2><p>ડેડાવા ગામની પ્રાથમિક શાળા, આંગણવાડી અને ગ્રામ પંચાયત કચેરી જેવા મહત્વના સાર્વજનિક સ્થળો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. શાળાના કમ્પાઉન્ડ અને વર્ગખંડો સુધી પાણી ભરાઈ જતાં ભૂલકાંઓના અભ્યાસ પર વિપરીત અસર પડી છે.ગામના જાહેર રસ્તાઓ, શેરીઓ અને મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ રહ્યા છે. સતત ભરાયેલા પાણીના કારણે પાણીમાંથી દુર્ગંધ મારવાનું શરૂ થયું છે, જેને કારણે ડેડાવા ગામમાં મચ્છરજન્ય ડેંગ્યુ, મલેરિયા તેમજ રોગચાળો વકરે તેવી ગંભીર ભીતિ ઉત્પન્ન થઈ છે.</p><h3><b>શેરીઓ અને મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી</b></h3><p>સ્થાનિકોનો આક્ષેપ છે કે વર્ષ 2015, 2017, 2025 અને ચાલુ વર્ષે 2026માં પણ ગામની સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી. વારંવાર રજૂઆતો કરવા છતાં વહીવટી તંત્ર કુંભકર્ણની નિદ્રામાં સોયેલું છે. તંત્રના પાપે દર વર્ષે ચાર મહિના જળબંબાકારમાં વિતાવવા મજબૂર બનેલા ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે જેસીબી મૂકીને પાણીનો નિકાલ કરવાની અને કાયમી કાંસ બનાવવાની ઉગ્ર માગ કરી છે.</p><p><b><a href="https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-gujarat-rain-forecast-155-taluka-monsoon-update" target="_blank">આ પણ વાંચો: Monsoon 2026 : કોરાધાકોર રહેલા કચ્છ અને દ્વારકા સહિતના જિલ્લામાં વરસાદના નવા રાઉન્ડમાં મેઘવર્ષા થશે ? વાંચો અપડેટ</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/PdsLTMnlH1cYkzTJqRRGDKg8WGjlYkA8CTnEC5QS.webp'/></item><item><title><![CDATA[Monsoon 2026 : કોરાધાકોર રહેલા કચ્છ અને દ્વારકા સહિતના જિલ્લામાં વરસાદના નવા રાઉન્ડમાં મેઘવર્ષા થશે ? વાંચો અપડેટ ]]></title><link>https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-gujarat-rain-forecast-155-taluka-monsoon-update</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-gujarat-rain-forecast-155-taluka-monsoon-update</guid><pubDate>Tue, 28 Jul 2026 07:35:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજ્યમાં વધુ એક વરસાદી રાઉન્ડ શરૂ થશે. જુલાઈ અંતમાં અને ઓગસ્ટ આરંભમાં રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહેશે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>હાલમાં રાજ્યમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય&nbsp;</b></h2><p style="text-align: justify; ">હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં રાજ્યમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેના કારણે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે,&nbsp;</p><h3 style="text-align: justify; "><b>મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ</b></h3><p style="text-align: justify; ">જ્યારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ રહેશે. દરિયાકિનારે 40થી 50 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે, જેને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>24 કલાકમાં રાજ્યના 155 તાલુકામાં મેઘવર્ષા</b></h3><p style="text-align: justify; ">છેલ્લા 24 કલાકમાં રાજ્યના 155 તાલુકામાં મેઘવર્ષા થઈ છે. છોટાઉદેપુરના જેતપુર પાવીમાં સૌથી વધુ 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય દાહોદના લિમખેડા અને ફતેપુરામાં 2 ઈંચ, મહીસાગરના સંતરામપુરામાં 2 ઈંચ, ધંધુકામાં સરેરાશ 2 ઈંચ, ખેડાના ઠાસરા અને મહેમદાવાદમાં 2 ઈંચ તથા બનાસકાંઠાના અમીરગઢમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે.</p><h4 style="text-align: justify; "><b>અન્ય 130 તાલુકામાં પણ નોંધપાત્ર વરસાદ&nbsp;</b></h4><p style="text-align: justify; ">તેમજ અમદાવાદના દસ્ક્રોઈ અને ધોળકામાં 1.5 ઈંચ, બનાસકાંઠાના પાલનપુરમાં 1.5 ઈંચ, મહીસાગરના કડાણામાં 1.5 ઈંચ, ખેડાના કઠલાલમાં 1.5 ઈંચ, પંચમહાલના કલોલમાં 1.5 ઈંચ અને વલસાડના નાનાપૌંડામાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના અન્ય 130 તાલુકામાં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp;&nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-indepth-gujarat-heavy-rain-reason-el-nino-fail-negative-pdo-impact" target="_blank"><b>Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/FBKTEwdmUt5KcaJlvM56a4ihEhuiY7642H46LWd1.webp'/></item><item><title><![CDATA[Dholka: ધોળકાના કલિકુંડ વિસ્તારમાં અનોખી સેવા પાણી વચ્ચે ડ્રોનથી પહોંચાડાયા ફૂડ પેકેટ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dholka/dholka-a-unique-service-in-the-kalikund-area-of-dholka-food-packets-were-delivered-by-drone-amidst-water</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dholka/dholka-a-unique-service-in-the-kalikund-area-of-dholka-food-packets-were-delivered-by-drone-amidst-water</guid><pubDate>Tue, 28 Jul 2026 06:29:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ધોળકા (સં.ન્યૂ.સ) : ધોળકા શહેરના કલિકુંડ વિસ્તારમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં સામાન્ય અવરજવર લગભગ બંધ જેવી સ્થિતિ સર્જાઈ છે. આવી વિકટ પરિસ્થિતિમાં માનવતાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. રૂક્ષ્મણી ફ્લેટમાં રહેતા લોકો તેમજ અસરગ્રસ્ત પરિવારો સુધી જરૂરી ખોરાક પહોંચાડવા માટે સેવાભાવી લોકોએ આધુનિક ટેક્નોલોજીનો સહારો લીધો હતો. પાણી ભરાયેલા રસ્તાઓને કારણે જમીન માર્ગે પહોંચવું મુશ્કેલ બનતાં ડ્રોન મારફ્તે ફૂડ પેકેટ પહોંચાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ડ્રોન દ્વારા ફૂડ પેકેટ પહોંચાડવામાં આવતા લોકો સુધી સમયસર મદદ પહોંચી શકી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; ">&nbsp;</p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/YTnqhrHO2QFF9Ds1ofRQlMrFJdUg5kI6R6mZMwdf.webp'/></item><item><title><![CDATA[Auto માર્કેટમાં ધમાકો કરવા તૈયાર છે આ નવી લક્ઝરી ટ્રક, 4x4 પાવર સાથે નવી જનરેશન કારનું કાઉન્ટડાઉન શરૂ! ]]></title><link>https://sandesh.com/business/news/automobile/this-new-luxury-truck-is-ready-to-take-the-auto-market-by-storm-the-countdown-for-the-new-generation-car-with-4x4-power-has-begun</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/this-new-luxury-truck-is-ready-to-take-the-auto-market-by-storm-the-countdown-for-the-new-generation-car-with-4x4-power-has-begun</guid><pubDate>Mon, 27 Jul 2026 23:20:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ટોયોટા પોતાની લોકપ્રિય પીકઅપ ટ્રક Hilux ની નવી જનરેશન ભારતીય બજારમાં લોન્ચ કરવા માટે પૂરી રીતે તૈયાર છે. અગાઉનું 8મી જનરેશન મોડેલ માર્ચ 2022માં લોન્ચ કરવામાં આવ્યું હતું, અને હવે 9મી જનરેશનની આ નવી હિલક્સ બિલકુલ નવી ડિઝાઈન, આધુનિક ફીચર્સ અને વધુ પ્રીમિયમ કેબિન સાથે માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહી છે. ગ્રાહકો લાંબા સમયથી આ પાવરફુલ વાહનની રાહ જોઈ રહ્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>નવી Toyota Hilux ની અંદાજિત કિંમત</b></h2><p style="text-align: justify; ">નવી જનરેશન હિલક્સની કિંમતમાં જૂના મોડેલની સરખામણીએ નોંધપાત્ર વધારો થવાની ધારણા છે. અગાઉના 8મી જનરેશન મોડેલની એક્સ-શોરૂમ કિંમત રૂ.28.52 લાખથી રૂ.36 લાખ વચ્ચે હતી. જોકે વિવિધ મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ નવા અને અપગ્રેડેડ 2026 મોડેલની એક્સ-શોરૂમ કિંમત રૂ.30 લાખથી રૂ.40 લાખની વચ્ચે રહેવાની શક્યતા છે.</p><h3 style="text-align: justify; "><b>એન્જિન, પાવર અને હાઇબ્રિડ ટેકનોલોજી</b></h3><p style="text-align: justify; ">2026 ટોયોટા હિલક્સ કંપનીના ભરોસાપાત્ર IMV પ્લેટફોર્મ પર જ આધારિત છે. આ વાહનમાં શક્તિશાળી 2.8-લીટર ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 204 હોર્સપાવર અને 420 Nm નો ટોર્ક જનરેટ કરે છે. જો તમે 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ પસંદ કરો છો, તો તેનો ટોર્ક વધીને 500 Nm થઈ જાય છે. વાહનમાં 4x4 AWD સિસ્ટમ અને લો-રેન્જ ટ્રાન્સફર કેસ સ્ટાન્ડર્ડ તરીકે મળવાની અપેક્ષા છે. આ સિવાય, આ વખતે ડીઝલ એન્જિન સાથે નવું 48V માઇલ્ડ-હાઇબ્રિડ સિસ્ટમ પણ મળી શકે છે.</p><h4 style="text-align: justify; "><b>પ્રીમિયમ અને લેટેસ્ટ ઈન્ટિરિયર</b></h4><p style="text-align: justify; ">ભારતમાં આવનારી નવી હિલક્સનું ઈન્ટિરિયર આંતરરાષ્ટ્રીય મોડેલ જેવું જ પ્રીમિયમ હશે. આ વાહનમાં ફિઝિકલ બટનો સાથેનું 3-સ્પોક સ્ટીઅરિંગ વ્હીલ, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે ધરાવતી 12.3-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને 12.3-ઇંચનું ફુલ્લી ડિજિટલ TFT ડ્રાઇવર ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. હાર્ડ પ્લાસ્ટિકના બદલે આ વખતે નવી હિલક્સમાં લેટેસ્ટ લેન્ડ ક્રૂઝર પ્રાડો (Land Cruiser Prado) થી પ્રેરિત પ્રીમિયમ કેબિન લેઆઉટ જોવા મળશે.</p><h5 style="text-align: justify; "><b>કમ્ફર્ટ અને એડવાન્સ્ડ સેફ્ટી ફીચર્સ</b></h5><p style="text-align: justify; ">ડબલ-કેબ હિલક્સમાં પાવર અને વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, ઓટો હોલ્ડ સાથે ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક (EPB), એમ્બિયન્ટ લાઇટિંગ, ડ્યુઅલ-ઝોન ક્લાઇમેટ કન્ટ્રોલ અને કૂલ્ડ ગ્લોવબોક્સ જેવી સુવિધાઓ સામેલ છે. સેફ્ટીની વાત કરીએ તો, નવી હિલક્સમાં રડાર અને કેમેરા આધારિત એડવાન્સ્ડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS) આપવામાં આવી છે, જેમાં ઓટોનોમસ ઇમરજન્સી બ્રેકિંગ, એડેપ્ટિવ ક્રૂઝ કન્ટ્રોલ અને લેન આસિસ્ટ જેવા મહત્વપૂર્ણ ફીચર્સ ઉપલબ્ધ છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/automobile" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/27/ELk2CRgqqcYDi86U8lDpPKsFFVygfSogRBtYSnw4.webp'/></item><item><title><![CDATA[Bihar સરકારનો મોટો નિર્ણય, પ્રદર્શનકારીઓ પર દાખલ થયેલી FIR પરત ખેંચાશે ]]></title><link>https://sandesh.com/india/news/bihar-government-withdraws-firs-against-student-protesters-relief</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/bihar-government-withdraws-firs-against-student-protesters-relief</guid><pubDate>Mon, 27 Jul 2026 22:45:13 +05:30</pubDate><description><![CDATA[<p>બિહાર સરકારે વિદ્યાર્થી આંદોલન અને તાજેતરના વિરોધ પ્રદર્શનોને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના ગૃહ વિભાગે ધરપકડ કરાયેલા પ્રદર્શનકારીઓને મુક્ત કરવા તેમજ તેમની સામે નોંધાયેલી FIR, ફરિયાદો અને નોટિસ પાછી ખેંચવાની પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપ્યો છે. સરકારના આ નિર્ણયથી વિરોધ પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને મોટી રાહત મળી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2081773396900331901"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>બદલો લેવા જેવી કાર્યવાહી કરવામાં આવશે નહીં</b></h2><p>ગૃહ વિભાગના વિશેષ સચિવ દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર, 26 જુલાઈ 2026ના સાંજે 6 વાગ્યા સુધી થયેલા આંદોલન સાથે જોડાયેલા કોઈપણ વ્યક્તિ સામે નવી દંડાત્મક અથવા બદલો લેવા જેવી કાર્યવાહી કરવામાં આવશે નહીં. સંબંધિત જિલ્લાઓમાં હવે કેસ પરત ખેંચવા અને પ્રદર્શનકારીઓની મુક્તિ માટે વહીવટી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. સરકારે જણાવ્યું છે કે પરીક્ષા પદ્ધતિમાં પારદર્શિતા લાવવા અને વિદ્યાર્થીઓના હિતોની સુરક્ષા માટે કડક કાર્યવાહી કરતાં સંવાદ અને સમાધાનનો માર્ગ વધુ યોગ્ય છે.&nbsp;</p><h3><b>રાજકીય દબાણ વચ્ચે બિહાર સરકારે આ નિર્ણય લીધો</b></h3><p>આ કારણે સરકારે વિદ્યાર્થીઓ સામેના કેસોમાં રાહત આપવાનો નિર્ણય લીધો છે. જોકે સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ રાહત માત્ર 26 જુલાઈ 2026ના સાંજે 6 વાગ્યા સુધીની ઘટનાઓ માટે જ લાગુ પડશે. તે પછી જો કોઈ કાયદો અને વ્યવસ્થાને અસર કરતી ઘટના બનશે તો જરૂર મુજબ કાર્યવાહી કરવામાં આવશે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે તાજેતરના વિદ્યાર્થી આંદોલનો અને તેના કારણે સર્જાયેલા રાજકીય દબાણ વચ્ચે બિહાર સરકારે આ નિર્ણય લીધો છે.&nbsp;</p><p>કેન્દ્ર સરકારના કેટલાક તાજેતરના પગલાં અને શિક્ષણ સંબંધિત મુદ્દાઓ પર વધેલા વિરોધ બાદ રાજ્ય સરકારે વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી ટાળીને વાતચીત દ્વારા ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો છે. સરકારના આ નિર્ણયથી રાજ્યમાં તંગદિલી ઓછી થવાની અને વિદ્યાર્થીઓ તથા પ્રશાસન વચ્ચે વિશ્વાસ વધવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/up-69000-assistant-teacher-recruitment-supreme-court-affidavit-teachers-jobs-safe" target="_blank">આ પણ વાંચો : 69,000 સહાયક શિક્ષક ભરતી કેસમાં યોગી સરકારનું સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું, કહ્યું 'હાલના શિક્ષકોની નોકરી રહેશે સુરક્ષિત'</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/27/RngvshpubqD5vH1AglVmx8Ol09Q1I8HmGxfHSCeY.webp'/></item><item><title><![CDATA[28 July Top News: 28 જુલાઈના રોજ બનનારી મહત્વની ઘટનાઓ ]]></title><link>https://sandesh.com/india/news/gujarat/28-july-top-news-important-events-to-happen-on-july-28</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/gujarat/28-july-top-news-important-events-to-happen-on-july-28</guid><pubDate>Mon, 27 Jul 2026 21:17:19 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><b>દેશ અને દુનિયામાં 28 જુલાઈનો દિવસ અનેક મહત્વપૂર્ણ રાજકીય, સામાજિક અને રમતગમતની ઘટનાઓથી ભરેલો રહેશે. આવતીકાલે ગુજરાત સરકારની કેબિનેટની બેઠક, NDA સાંસદોની મંગલ મિલન બેઠક, અમદાવાદ વિમાન દુર્ઘટના પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, વિદ્યાર્થીઓ પર બળપ્રયોગના મામલે સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી સહિતની ઘટનાઓ બનશે.&nbsp;</b></p><h2 style="text-align: justify; "><b>આવતીકાલે ગુજરાત સરકારની કેબિનેટની બેઠક</b></h2><p style="text-align: justify; ">મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આવતી કાલે સવારે 9.30  વાગ્યે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં રાજ્યની પ્રવર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે જેમાં સૌથી મહત્વનું એ છે કે ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં નુકસાનીના અંદાજ પર ફોકસ કરી અને નુકસાનીના સરવે તથા સહાય માટે મંજુરીનો નિર્ણય કરી શકે છે.</p><h3 style="text-align: justify; "><b>આવતીકાલે AMC બોર્ડ બેઠક યોજશે</b></h3><p style="text-align: justify; ">આવતીકાલે અમદાવાદ મહાનગર પાલિકામાં એએમસી બોર્ડની બેઠક યોજાશે. શહેરમાં વરસાદની સ્થિતિ પર કોંગ્રેસ આક્રમક રહેવાની શક્યતાઓ છે. વિપક્ષના નેતા વિના બીજું બોર્ડ મળશે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>જૂનાગઢમાં પેટા ચૂંટણી યોજાશે</b></h2><p style="text-align: justify; ">જુનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નં.3 ની એક બેઠક માટે આવતીકાલે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી પેટા ચૂંટણી યોજાશે. 12 વર્ષ પછી યોજાઈ રહેલી આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાશે. 13,919 મતદારો માટે 18 બૂથ પર મતદાન થશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 150થી વધુ સ્ટાફ અને EVM તૈનાત છે.</p><h3 style="text-align: justify; "><b>NDA સાંસદોની મંગલ મિલન બેઠક</b></h3><p style="text-align: justify; ">આવતીકાલે સંસદ ભવનમાં સવારે 9:30 વાગ્યે એનડીએ (NDA) સાંસદોની 'મંગલ મિલન' બેઠક યોજાશે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંસદોને સંબોધિત કરશે અને માર્ગદર્શન પૂરું પાડશે.</p><h2 style="text-align: justify; "><b>સંસદમાં ગતિરોધ સમાપ્ત થવાના એંધાણ</b></h2><p style="text-align: justify; ">આવતીકાલે સંસદમાં ચાલી રહેલો ગતિરોધ પૂર્ણ થાય તેવી શક્યતા છે.તમામ પક્ષો 28 જુલાઈના રોજ એન્ટી-પેપર લીક બિલ (Anti-Paper Leak Bill) પર ચર્ચા કરવા માટે સહમત થઈ શકે છે.</p><h2 style="text-align: justify; "><b>અમદાવાદ વિમાન દુર્ઘટના પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી</b></h2><p style="text-align: justify; ">અમદાવાદ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના મામલે આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. આ અંગે AAIB (એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો) એ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને માહિતી આપી હતી કે તપાસનો અંતિમ રિપોર્ટ આવવામાં હજુ 6 અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે.</p><h2 style="text-align: justify; "><b>વિદ્યાર્થીઓ પર બળપ્રયોગના મામલે સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી</b></h2><p style="text-align: justify; ">વિદ્યાર્થીઓ પર થયેલા બળપ્રયોગના મામલામાં આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) ની ખંડપીઠ આ સંવેદનશીલ કેસની સુનાવણી કરશે.</p><h2 style="text-align: justify; "><b>ઝારખંડમાં નક્સલવાદી વિરોધી અભિયાનને મોટી સફળતા</b></h2><p style="text-align: justify; ">ઝારખંડમાં ચલાવવામાં આવી રહેલા નક્સલવાદી વિરોધી અભિયાનને મોટી સફળતા મળવા જઈ રહી છે. 28 જુલાઈના રોજ રૂ. 60 લાખનું ઈનામ ધરાવતા 16 કુખ્યાત નક્સલવાદીઓ સામૂહિક રીતે આત્મસમર્પણ કરશે. જેમાં રૂ. 15 લાખનું ઈનામ ધરાવતો રીજનલ કમાન્ડર સંતોષ ઉર્ફે ગાંધી સહિતના અનેક ટોચના કમાન્ડરો સામેલ છે.</p><h2 style="text-align: justify; "><b>28 જુલાઈની ઐતિહાસિક ઘટનાઓ</b></h2><p style="text-align: justify; ">1979: ચૌધરી ચરણ સિંહ ભારતના ૫મા પ્રધાનમંત્રી બન્યા</p><p style="text-align: justify; ">2012: હરિયાણાના પંચકુલામાં ભારતના પ્રથમ 'ઓલ-વિમેન પાસપોર્ટ સેવા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી.</p><p style="text-align: justify; ">2000: ભારતે વિયેતનામને 'મોસ્ટ ફેવર્ડ નેશન' (MFN) નો દરજ્જો આપ્યો.</p><p style="text-align: justify; ">1914: પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત: ઓસ્ટ્રિયા-હંગેરીએ સર્બિયા સામે યુદ્ધની ઘોષણા કરી, જેની સાથે જ પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ.</p><p style="text-align: justify; ">1945: બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાનું 'B-25' બોમ્બર વિમાન ન્યુયોર્ક શહેરની પ્રખ્યાત 'એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ' સાથે અથડાયું.</p><p style="text-align: justify; ">1976: ચીનના તાંગશાનમાં આવેલા ૭.૬ ની તીવ્રતાના ભયાનક ભૂકંપમાં આશરે ૨,૪૨,૦૦૦ થી વધુ લોકોના મોત થયા હતા.</p><h2 style="text-align: justify; "><b>મહત્વના જન્મ દિવસ</b></h2><p style="text-align: justify; ">1926: નારાયણ દત્ત તિવારી (એન. ડી. તિવારી) –ભારતીય રાજકારણી (ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી).</p><p style="text-align: justify; ">1902: કાર્લ પોપર (Karl Popper) – પ્રખ્યાત ઓસ્ટ્રિયન-બ્રિટિશ તત્ત્વજ્ઞાની અને પ્રોફેસર.</p><h2 style="text-align: justify; "><b>મહત્વના નિધન</b></h2><p style="text-align: justify; ">1972: ચારુ મજુમદાર – ભારતના નક્સલવાદી આંદોલનના નેતા અને વિચારક.</p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/27/MF7t84ljZZ4goH0nhHhB1jSCZdC0q9S16ERXiwUB.webp'/></item><item><title><![CDATA[Gujrati Cinema : ઠંડી રહી લાયક નાલાયક, હવે સકારાત્મક માઉથ પબ્લિસિટીથી વધી રહ્યો ક્રેઝ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/layak-nalayak-gujarati-movie-positive-mouth-publicity-trend</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/layak-nalayak-gujarati-movie-positive-mouth-publicity-trend</guid><pubDate>Mon, 27 Jul 2026 18:05:29 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">તાજેતરમાં સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ લાયક નાલાયકને શરૂઆતમાં બોક્સ ઓફિસ પર અપેક્ષા મુજબનો પ્રતિસાદ મળ્યો નથી. વરસાદી માહોલ અને મર્યાદિત દર્શક ઉપસ્થિતિને કારણે ફિલ્મના શરૂઆતના કલેક્શન પર અસર જોવા મળી હતી. શરૂઆતના દિવસોમાં ફિલ્મને દર્શકોની સંખ્યા ઓછી મળતાં કમાણી પણ ધીમી રહી હતી.</p><h2 style="text-align: justify; "><b>દર્શકોને પસંદ આવી ફિલ્મની સ્ટોરી</b></h2><p style="text-align: justify; ">જોકે, ફિલ્મ જોયા બાદ દર્શકો તરફથી મળતા પોઝિટિવ રિવ્યૂને કારણે હવે લાયક નાલાયક અંગેની ચર્ચા સતત વધી રહી છે. ફિલ્મની ઈમોશનલ સ્ટોરી, મજબૂત કેરેક્ટર અને ભાવનાત્મક રજૂઆત દર્શકોને સ્પર્શી રહી છે. સોશિયલ મીડિયા પર પણ અનેક દર્શકોએ ફિલ્મની પ્રશંસા કરી છે.</p><h3 style="text-align: justify; "><b>સોશિયલ મીડિયા પર થઈ રહી છે પ્રશંસા</b></h3><p style="text-align: justify; ">સોશિયલ મીડિયા પર ફિલ્મને લઈને દર્શકોની પ્રતિક્રિયાઓમાં તેને માત્ર મનોરંજન પૂરતી ફિલ્મ નહીં, પરંતુ પરિવાર સાથે જોઈ શકાય તેવી અર્થસભર રજૂઆત ગણાવવામાં આવી રહી છે. પોઝિટિવ માઉથ પબ્લિસિટી ફિલ્મ માટે મહત્વની સાબિત થઈ શકે છે અને આગામી દિવસોમાં વધુ દર્શકોને સિનેમાઘરો સુધી લાવી શકે છે.</p><h3 style="text-align: justify; "><b>પ્રથમ સપ્તાહથી ફિલ્મની સફળતા નક્કી કરવી યોગ્ય નથી</b></h3><p style="text-align: justify; ">ગુજરાતી સિનેમાના ફેન્સનું માનવું છે કે ગુણવત્તાસભર ફિલ્મોને માત્ર પ્રથમ સપ્તાહના બોક્સ ઓફિસ કલેક્શનના આધારે માપવી યોગ્ય નથી. ખાસ કરીને વરસાદ જેવા પરિબળોને કારણે શરૂઆત ધીમી રહી હોય ત્યારે ફિલ્મને લાંબો સમય મળવો જરૂરી છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbSpjYdsHYv/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbSpjYdsHYv/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbSpjYdsHYv/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbSpjYdsHYv/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>આગામી દિવસોમાં કલેક્શન વધવાની આશા</b></h4><p style="text-align: justify; ">ટ્રેડ વર્તુળોમાં પણ ચર્ચા છે કે શરૂઆત ધીમી રહી હોવા છતાં ફિલ્મને મળી રહેલી પ્રશંસા તેના લાંબા ગાળાના પ્રદર્શન માટે સકારાત્મક સંકેત છે. જો દર્શકોનો સાથ સતત મળતો રહેશે તો ફિલ્મના કલેક્શનમાં આગામી દિવસોમાં વધારો થઈ શકે છે.</p><h5 style="text-align: justify; "><b>ગુજરાતી સિનેમા માટે પણ સકારાત્મક સંકેત</b></h5><p style="text-align: justify; ">ફિલ્મપ્રેમીઓનું કહેવું છે કે જો સારી અને અલગ વિષયવાળી ફિલ્મોને દર્શકોનો સતત સાથ મળે તો ગુજરાતી સિનેમામાં વધુ ગુણવત્તાસભર ફિલ્મો બનાવવાનું પ્રોત્સાહન મળશે. લાયક નાલાયક હાલમાં રાજ્યભરના વિવિધ સિનેમાઘરોમાં પ્રદર્શિત થઈ રહી છે અને વધતા સકારાત્મક પ્રતિસાદને જોતા આગામી દિવસોમાં દર્શકોની સંખ્યામાં વધારો થવાની આશા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/chennai-love-story-kiran-abbavaram-third-highest-grossing" target="_blank">આ પણ વાંચો-Chennai Love Story એ તોડ્યો રેકોર્ડ, બની કિરણ અબ્બાવરમની ત્રીજી હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/27/TxcetQODHQELerIisnxXUoGwwGDMrIDPC9SBPbiu.webp'/></item></channel></rss>