<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Dahod News : શાળા કે મજૂરીનો અડ્ડો? ભણવાના સમયે વિદ્યાર્થીઓ પાસે ઉંચકાવ્યા સિમેન્ટના ભારે બ્લોક ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/dahod/dahod-news-school-or-labor-camp-heavy-cement-blocks-lifted-from-students-during-study-time</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/dahod/dahod-news-school-or-labor-camp-heavy-cement-blocks-lifted-from-students-during-study-time</guid><pubDate>Wed, 02 Sep 2026 15:12:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દાહોદની જાણીતી જી.પી. ધનકા શાળામાંથી શિક્ષણ જગતને શરમાવે તેવી એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં શાળાના માસુમ વિદ્યાર્થીઓ પાસે અભ્યાસના સમયે સિમેન્ટના ભારે બ્લોક ઉંચકાવવામાં આવી રહ્યા છે. શૈક્ષણિક સંકુલમાં બાળકો પાસે આ પ્રકારે મજૂરી કરાવતો વીડિયો સામે આવતાં જ સમગ્ર જિલ્લાની શિક્ષણ વ્યવસ્થા અને શાળા તંત્રની લાલિયાવાડી સામે અનેક ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.</p><h2 style="text-align: justify; "><b>બાળકોની સુરક્ષા સામે ચેડાં થતાં વાલીઓમાં ભારે આક્રોશ</b></h2><p style="text-align: justify; ">શાળામાં બાળકો પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે ભણવા આવતા હોય છે, પરંતુ તેમના હાથમાં પુસ્તકોના બદલે સિમેન્ટના ભારે બ્લોક પકડાવી દેવાતાં વાલીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. વિદ્યાર્થીઓની સુરક્ષા અને તેમના સ્વાસ્થ્ય સાથે સરેઆમ ચેડાં કરતી આ પ્રવૃત્તિ જોઈને સ્થાનિક પ્રજા અને વાલી મંડળોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પ્રશાસન અને શાળા તંત્રની ઘોર બેદરકારીને કારણે માસુમ બાળકો જોખમમાં મુકાયા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.</p><p style="text-align: justify; "><video controls="" src="https://epapercdn.sandesh.com/images/2026/09/02/FKENVJiNsbsPF320h8X39OqvwdpA3LuUjopH3OIW.mp4" width="640" height="360" class="note-video-clip"></video><br></p><h2 style="text-align: justify; "><b>જવાબદાર શિક્ષકો સામે કાયદાકીય કાર્યવાહી કરવા કડક માગ</b></h2><p style="text-align: justify; ">આ સમગ્ર મામલે હવે જિલ્લા શિક્ષણ તંત્ર તાત્કાલિક અસરથી વહેલી તકે કડક અને નિષ્પક્ષ તપાસ હાથ ધરે તેવી પ્રબળ માગ ઊઠી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વીડિયોની સત્યતા ચકાસીને માસુમ બાળકો પાસે મજૂરી કરાવનાર જવાબદાર શિક્ષકો તેમજ શાળા સંચાલકો સામે કાયદાકીય અને શિસ્તભંગની આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગ જોર પકડી રહી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/india/ahmedabad-nnews-cbi-court-takes-major-action-in-2017-bank-fraud-case-officer-who-caused-lakhs-of-loss-to-bank-sent-to-jail" target="_blank">Ahmedabad NNews : 2017ના બેંક ફ્રોડ કેસમાં CBI કોર્ટની મોટી કાર્યવાહી, બેંકને લાખોનું નુકસાન પહોંચાડનાર અધિકારી જેલહવાલે</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/iCL6wBeewLylIMGHtw1tz4OZMqgAtMTeCMALaLoy.webp'/></item><item><title><![CDATA[Commonwealth Q Sports Championship અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાશે, 45 દેશોના ખેલાડીઓ ભાગ લેશે ]]></title><link>https://sandesh.com/sports/news/commonwealth-q-sports-championship-to-be-held-at-veer-savarkar-sports-complex-in-ahmedabad-players-from-45-countries-will-participate</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/commonwealth-q-sports-championship-to-be-held-at-veer-savarkar-sports-complex-in-ahmedabad-players-from-45-countries-will-participate</guid><pubDate>Wed, 02 Sep 2026 15:08:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ આંતરરાષ્ટ્રીય રમતગમતના નકશા પર પોતાની ઓળખ વધુ મજબૂત કરવા માટે તૈયાર છે. અમદાવાદ શહેરમાં 7 થી 10 ઓક્ટોબર 2026 દરમિયાન કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ યોજાવાની છે.આ સ્પર્ધામાં કોમનવેલ્થના વિવિધ દેશોના અગ્રણી ક્યૂ સ્પોર્ટ્સ ખેલાડીઓ ભાગ લેશે.કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપની આ બીજી સીઝન અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાશે. આ સ્પર્ધામાં અંદાજે 45 દેશોના ખેલાડીઓ ભાગ લે તેવી આશા રાખવામાં આવી રહી છે. ખેલાડીઓ 5 અલગ-અલગ ક્યૂ સ્પોર્ટ્સ શાખામાં કુલ 10 મેડલ ઇવેન્ટ્સ માટે સ્પર્ધા કરશે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ ચેમ્પિયનશિપમાં સ્નૂકર, ઇંગ્લિશ બિલિયર્ડ્સ, બ્લેકબોલ, હેબોલ અને 10-બોલ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્પર્ધાનું આયોજન વર્લ્ડ કન્ફેડરેશન ઓફ બિલિયર્ડ્સ સ્પોર્ટ્સ અને બિલિયર્ડ્સ એન્ડ સ્નૂકર ફેડરેશન ઓફ ઇન્ડિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે. એપેક્સ સ્પોર્ટ્સ પ્રમોશન આ સમગ્ર આયોજનની જવાબદારી સંભાળશે.</p><h5 style="text-align: justify; "><b>ભારતમાં પ્રથમ વખત યોજાશે ચેમ્પિયનશિપ</b></h5><p style="text-align: justify; ">કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપની પ્રથમ સીઝન વર્ષ 2025માં મોરેશિયસમાં યોજાઈ હતી. હવે બીજી સીઝનનું આયોજન ભારતમાં પ્રથમ વખત થઈ રહ્યું છે. આ સ્પર્ધાને કોમનવેલ્થ સ્પોર્ટ દ્વારા પણ સમર્થન મળ્યું છે. આ વખતે સ્પર્ધાના કાર્યક્રમમાં એક મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રથમ સીઝનમાં 4 શાખાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જ્યારે અમદાવાદમાં યોજાનારી ચેમ્પિયનશિપમાં ઇંગ્લિશ બિલિયર્ડ્સનો ઉમેરો કરવામાં આવ્યો છે. તમામ 5 શાખામાં પુરુષો અને મહિલાઓ માટે અલગ મેડલ ઇવેન્ટ્સ યોજાશે. દરેક શાખામાં પુરુષો અને મહિલાઓના 16-16 ખેલાડીઓ ભાગ લેશે. જોકે ઇંગ્લિશ બિલિયર્ડ્સમાં બંને વર્ગમાં 8-8 ખેલાડીઓને તક આપવામાં આવશે.</p><h5 style="text-align: justify; "><b>2030 કોમનવેલ્થ ગેમ્સ પહેલાં મોટું આયોજન</b></h5><p style="text-align: justify; ">અમદાવાદમાં આ આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપનું આયોજન એવા સમયે થઈ રહ્યું છે, જ્યારે શહેર 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે પણ તૈયારી કરી રહ્યું છે. તેથી આ સ્પર્ધાને શહેરના રમતગમત ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. વર્લ્ડ પૂલ એસોસિએશનના પ્રમુખ ઈશૌન સિંહે જણાવ્યું કે, અમદાવાદ આંતરરાષ્ટ્રીય રમતગમતના નકશા પર ઝડપથી મહત્વનું સ્થાન બનાવી રહ્યું છે. તેમના મતે ભારતમાં ક્યૂ સ્પોર્ટ્સનો સમૃદ્ધ ઇતિહાસ છે, અને દેશ ભવિષ્યમાં વિશ્વના અગ્રણી ક્યૂ સ્પોર્ટ્સ રાષ્ટ્રોમાં સ્થાન મેળવી શકે છે.</p><h5 style="text-align: justify; "><b>ભારતીય ખેલાડીઓને ઘરઆંગણે મોટી તક</b></h5><p style="text-align: justify; ">બિલિયર્ડ્સ એન્ડ સ્નૂકર ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ એસ. બાલાસુબ્રમણિયમે કહ્યું કે, અમદાવાદમાં આ ચેમ્પિયનશિપનું આયોજન ભારતીય ક્યૂ સ્પોર્ટ્સ માટે ગૌરવની વાત છે. 45 દેશોના ખેલાડીઓની હાજરીથી ભારતીય ખેલાડીઓને ઘરઆંગણે ઉચ્ચ સ્તરની સ્પર્ધાનો અનુભવ મળશે. આ ચેમ્પિયનશિપથી ભારતમાં ક્યૂ સ્પોર્ટ્સને વધુ લોકપ્રિયતા મળવાની સાથે ખેલાડીઓ, રમતગમતના સાધનો બનાવતી કંપનીઓ,આયોજકો અને અન્ય ક્ષેત્રોને પણ નવી તકો મળી શકે છે. ખાસ કરીને હેબોલ અને અન્ય પૂલ શાખાઓમાં ભારતમાં વધી રહેલા રસને આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાથી વધુ વેગ મળવાની આશા છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/china-masters-2026-kidambi-srikanth-wins-in-the-first-round-enters-the-pre-quarterfinals" target="_blank"> China Masters 2026 Badminton : કિદામ્બી શ્રીકાંતનો જલવો, પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં મેળવી એન્ટ્રી!</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/3HUPkVY0qs6E1baoKVkT1q1B5Ynm6uHl68vNWsq6.webp'/></item><item><title><![CDATA[RBI Rules: ખાતામાંથી અચાનક પૈસા કપાયા તો ગભરાશો નહીં, આ રીતે મેળવો પરત ]]></title><link>https://sandesh.com/business/news/rbi-rules-dont-panic-if-money-is-suddenly-deducted-from-your-account-get-it-back-this-way</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/rbi-rules-dont-panic-if-money-is-suddenly-deducted-from-your-account-get-it-back-this-way</guid><pubDate>Wed, 02 Sep 2026 15:08:19 +05:30</pubDate><description><![CDATA[<p>bank account money deducted: આજકાલ ઘણા લોકોની ફરિયાદ હોય છે કે તેમના બેંક ખાતામાંથી અચાનક પૈસા કપાઈ જાય છે. ઘણી વખત બેંક દ્વારા વિવિધ ચાર્જના નામે રકમ કાપવામાં આવે છે. આવી સ્થિતિમાં લોકો તરત કસ્ટમર કેરને ફોન કરે છે, પરંતુ માત્ર ફોન કરવો પૂરતો નથી. પૈસા પરત મેળવવા માટે યોગ્ય રીતે ફરિયાદ નોંધાવવી ખૂબ જરૂરી છે. RBIએ ગ્રાહકોને આ પ્રકારના નુકસાનથી બચાવવા માટે નિયમો બનાવ્યા છે. જો તમારા ખાતામાંથી પણ ખોટી રીતે રકમ કપાઈ હોય, તો સમયસર કેટલાક પગલાં લઈને તમે પોતાનું નુકસાન અટકાવી શકો છો.</p><h2><b>ખાતામાં અજાણ્યો ટ્રાન્ઝેક્શન થાય તો તરત જાણ કરો</b></h2><p>જો તમારા ખાતામાંથી એવો ટ્રાન્ઝેક્શન થયો હોય જે તમે કર્યો જ નથી, તો વિલંબ કર્યા વગર બેંકને જાણ કરો. RBIના નિયમો મુજબ, બેંક તરફથી ટ્રાન્ઝેક્શનનું એલર્ટ મળ્યા બાદ 3 વર્કિંગ ડેની અંદર ફરિયાદ કરવામાં આવે તો ઘણા કિસ્સામાં ગ્રાહકની જવાબદારી રહેતી નથી. તેથી બેંક સ્ટેટમેન્ટ આવવાની રાહ ન જુઓ. કસ્ટમર કેરને જાણ કરવાની સાથે ફરિયાદ લેખિતમાં પણ નોંધાવો. મોબાઇલ એપ, ઈ-મેલ અથવા બેંકની શાખા મારફતે ફરિયાદ કરી શકાય છે. RBIના લાગુ નિયમો હેઠળ બેંકને ફરિયાદ મળ્યા બાદ 10 વર્કિંગ ડેની અંદર વિવાદિત રકમનું પ્રોવિઝનલ ક્રેડિટ આપવાનું હોય છે.</p><h3><b>વધુ ચાર્જ કપાયો હોય તો પુરાવા સાચવો</b></h3><p>દરેક ખોટી કપાત ફ્રોડ હોય એવું જરૂરી નથી. ક્યારેક બેંક નક્કી કરેલા ચાર્જ કરતાં વધુ રકમ પણ કાપી શકે છે. આવી સ્થિતિમાં બેંક પાસેથી ચાર્જ કયા નિયમ હેઠળ લેવામાં આવ્યો છે અને તેનો સંપૂર્ણ હિસાબ શું છે તેની માહિતી માગો. બેંક સ્ટેટમેન્ટ, ચાર્જ સંબંધિત નિયમો અને અન્ય દસ્તાવેજો સાચવી રાખો. બેંક સાથે થયેલી વાતચીત અને ફરિયાદની વિગતોનો રેકોર્ડ પણ રાખવો જરૂરી છે. આ પુરાવા આગળની ફરિયાદમાં તમારા પક્ષને મજબૂત બનાવશે.</p><h4><b>બેંક ઉકેલ ન આપે તો RBI લોકપાલનો વિકલ્પ</b></h4><p>RBI લોકપાલ પાસે ફરિયાદ કરતા પહેલાં સંબંધિત બેંકમાં ફરિયાદ કરવી જરૂરી છે. 1 જુલાઈ 2026થી લાગુ RBI-ઇન્ટિગ્રેટેડ ઓંબડ્સમેન સ્કીમ 2026 હેઠળ ગ્રાહકોને મફતમાં ફરિયાદનું નિરાકરણ મેળવવાની સુવિધા મળે છે. જો બેંકમાં ફરિયાદ કર્યા બાદ 30 દિવસમાં જવાબ ન મળે અથવા યોગ્ય ઉકેલ ન મળે, તો RBIના કમ્પ્લેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (CMS) પોર્ટલ પર ફરિયાદ કરી શકાય છે. આ પ્રક્રિયા માટે કોઈ ફી લેવામાં આવતી નથી. જરૂર પડે તો RBIની હેલ્પલાઇન 14448 પર પણ મદદ મેળવી શકાય છે.</p><h5><b>બેંક ખાતા પર નિયમિત નજર રાખો</b></h5><p>ફરિયાદ નોંધાવ્યા બાદ પણ ખાતા પર નજર રાખવી જરૂરી છે. અન્ય કોઈ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન કે ખોટી કપાત થઈ રહી છે કે નહીં તે નિયમિત રીતે તપાસો. જો બેંકે પ્રોવિઝનલ ક્રેડિટ આપ્યું હોય, તો અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી સંબંધિત તમામ પુરાવા સાચવી રાખો. ભવિષ્યમાં આવી ઘટનાઓથી બચવા માટે ટ્રાન્ઝેક્શન એલર્ટ ચાલુ રાખો અને સમયાંતરે બેંક સ્ટેટમેન્ટ તપાસવાની આદત બનાવો. ખાતામાં થતી કોઈપણ શંકાસ્પદ કે ખોટી કપાતને અવગણશો નહીં.</p><p><b><a href="https://sandesh.com/business/news/bank-holiday-get-your-bank-accounts-settled-bank-holidays-will-be-in-effect-next-week" target="_blank">આ પણ વાંચો: બેંકના કામ પતાવી લેજો, આવતા અઠવાડિયે બેંકોમાં રજાઓનો માહોલ!</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/0pl0kkVvzCcAcLLpi99UaJpvdEbY7M0iG41iYTJK.webp'/></item><item><title><![CDATA[Tamil Nadu: 52 મંદિરોમાં મોબાઇલ પર પ્રતિબંધ! તમિલનાડુ સરકારનો મોટો નિર્ણય, ફોન જમા કરાવવા માટે પણ લાગશે ફી ]]></title><link>https://sandesh.com/india/news/tamil-nadu-bans-smartphones-in-52-temples-from-sept-1-and-rs-5-fee</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/tamil-nadu-bans-smartphones-in-52-temples-from-sept-1-and-rs-5-fee</guid><pubDate>Wed, 02 Sep 2026 14:55:25 +05:30</pubDate><description><![CDATA[<p>Tamil Nadu સરકાર અનેક મહત્વપૂર્ણ અને વિશિષ્ટ નિર્ણયો લઈ રહી છે. વહીવટીતંત્રે રાજ્યભરના 52 મુખ્ય મંદિરોમાં સ્માર્ટફોન લઈ જવા અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ નવા નિયમો મંગળવાર, 1 સપ્ટેમ્બરથી અમલમાં આવ્યા છે. નવા આદેશ હેઠળ, સ્માર્ટફોન સાથે આવતા ભક્તોએ તેમને નિયુક્ત કાઉન્ટર પર જમા કરાવવાના રહેશે. આ સેવા માટે પ્રતિ ફોન ₹5 ફી વસૂલવામાં આવે છે, જ્યારે કેમેરા વગરના મોબાઇલ ફોનને અંદર જવાની મંજૂરી છે. હિન્દુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ (HR&amp;CE) મંત્રી શ્રી રમેશે આ પ્રતિબંધની જાહેરાત કરી હતી અને તે મદ્રાસ હાઇકોર્ટના અગાઉના નિર્દેશો સાથે સુસંગત છે. સરકારનો આ નિર્ણય ભક્તો ખાસ કરીને યુવાનો દ્વારા મંદિર પરિસરમાં ફોટા પાડવા, સોશિયલ મીડિયા રીલ્સ બનાવવા અને વીડિયો રેકોર્ડ કરવા, હાલના માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન કરતી ક્રિયાઓ અંગેની ચિંતાઓને અનુસરે છે.</p><p><br></p><h3><b>ઉદ્દેશ: શાંતિપૂર્ણ પૂજાને સક્ષમ બનાવવી</b></h3><p>એક નિવેદનમાં રમેશે સ્પષ્ટતા કરી કે કેમેરા વગરના મોબાઇલ ફોનને મંદિરોમાં મંજૂરી આપવામાં આવશે. પ્રતિબંધનો ઉદ્દેશ્ય મંદિરોમાં અનધિકૃત ફોટોગ્રાફી અને વીડિયો રેકોર્ડિંગને રોકવાનો અને ખાતરી કરવાનો છે કે ભક્તો શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂજા કરી શકે. નવી સિસ્ટમ હેઠળ સ્માર્ટફોન ધરાવતા ભક્તોએ તેમને મંદિરના પ્રવેશદ્વાર પર સ્થિત ખાસ કાઉન્ટર પર જમા કરાવવા પડશે. તેમનો ફોન જમા કરાવ્યા પછી તેમને એક ટોકન મળશે, જે ઉપકરણને ફરીથી મેળવવા માટે પરત કરવું પડશે.</p><p><br></p><h4><b>પાર્કિંગ વિસ્તારોમાં બહુભાષી માહિતી બોર્ડ</b></h4><p>આ સિસ્ટમ મંગળવારે સવારે 6:00 વાગ્યાથી કાંચીપુરમના પ્રખ્યાત દેવરાજસ્વામી-અતિ વરદર મંદિરમાં લાગુ કરવામાં આવી હતી. ફોન ડિપોઝિટનું સંચાલન કરવા માટે બે કમ્પ્યુટર ઓપરેટર અને બે વધારાના સ્ટાફ સભ્યોને તૈનાત કરવામાં આવ્યા છે. જ્યારે ફોન ડિપોઝિટ કરવામાં આવે છે, ત્યારે ભક્તનો ફોટોગ્રાફ, ફોન મોડેલ અને મોબાઇલ નંબર રેકોર્ડ કરવામાં આવે છે અને બદલામાં એક સ્લિપ આપવામાં આવે છે. પુનઃપ્રાપ્તિ પછી આ વિગતોની ચકાસણી કર્યા પછી ફોન પરત કરવામાં આવે છે.</p><p><br></p><p>સ્માર્ટફોન પર પ્રતિબંધ વિશે ભક્તોને માહિતી આપવા માટે પાર્કિંગ વિસ્તારો અને મંદિરની આસપાસના અન્ય અગ્રણી સ્થળોએ બહુવિધ ભાષાઓમાં માહિતી બોર્ડ લગાવવામાં આવ્યા છે. HR&amp;CE વિભાગ જણાવે છે કે આ નિર્દેશો 2 ડિસેમ્બર, 2022 ના રોજ મદ્રાસ હાઇકોર્ટની મદુરાઇ બેન્ચ દ્વારા પસાર કરાયેલા આદેશ અનુસાર જારી કરવામાં આવ્યા છે. અગાઉના પરિપત્રોમાં મંદિરોને ભક્તોને મોબાઇલ ફોન અંદર લઈ જવાથી રોકવા અને તેમની સુરક્ષિત કસ્ટડી માટે વ્યવસ્થા કરવા માટે પણ સૂચના આપવામાં આવી હતી.</p><p><br></p><h4><b>સરકાર HCના આદેશને અનુસરીને પગલાં અમલમાં મૂકે છે</b></h4><p>તિરુચેન્દુરમાં અરુલમિગુ સુબ્રમણ્યમ સ્વામી મંદિરની અંદર સ્માર્ટફોનના ઉપયોગ પર પ્રતિબંધની માંગ કરતી સીતારામન દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજી (PIL) ની સુનાવણી બાદ હાઇકોર્ટે આ આદેશ જારી કર્યો હતો. HR&amp;CE ના પરિપત્રમાં નોંધવામાં આવ્યું છે કે કેટલાક ભક્તો ફોટા લેવા, વિડિઓ રેકોર્ડ કરવા, સેલ્ફી લેવા અને સોશિયલ મીડિયા માટે ટૂંકા વીડિયો અથવા રીલ્સ બનાવવા માટે મંદિર પરિસરમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે.</p><p><br></p><p>પરિપત્રમાં જણાવાયું છે કે આવી પ્રવૃત્તિઓ મંદિરોના શાંત અને આધ્યાત્મિક વાતાવરણને ખલેલ પહોંચાડે છે અને અન્ય ભક્તોને અસુવિધા પહોંચાડે છે. મંદિર વહીવટીતંત્રને મંદિરના પ્રવેશદ્વારો પર અને પરિસરની બહાર સ્પષ્ટ સાઇનબોર્ડ પ્રદર્શિત કરવાની સૂચના આપવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે મોબાઇલ ફોનનો ઉપયોગ પ્રતિબંધિત છે. આ પ્રતિબંધ અંગેની જાહેરાત જાહેર સંબોધન પ્રણાલીઓ દ્વારા પણ કરવી જોઈએ. વધુમાં, વિભાગે મંદિર પરિસરમાં દેવતાઓની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી તેમજ ધાર્મિક વિધિઓના રેકોર્ડિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. એક અહેવાલ મુજબ, VIP, સેલિબ્રિટી અથવા ફિલ્મ હસ્તીઓ સાથે સંકળાયેલ ફોટોગ્રાફી અથવા વિડીયોગ્રાફી પર પણ પ્રતિબંધ મૂકવાની સૂચનાઓ જારી કરવામાં આવી છે.</p><p><br></p><h4><b>મંદિર સ્ટાફ અને ભક્તો નવા નિયમો અંગે ચિંતિત</b></h4><p>મંદિર સ્ટાફ અને ભક્તો અનુસાર એક અખબારએ અહેવાલ આપ્યો કે સ્માર્ટફોનની સુરક્ષાની જવાબદારી અંગે ચિંતા છે. મંદિરના એક કર્મચારીએ ટિપ્પણી કરી કે મોટી સંખ્યામાં સ્માર્ટફોનનું સંચાલન કરવાથી સ્ટાફ માટે નોંધપાત્ર જવાબદારી અને તણાવ આવશે. કર્મચારીએ નોંધ્યું કે ફૂટવેરથી વિપરીત જે ખોટા સ્થાને મૂકવામાં આવે તો પણ, ઘણીવાર પુનઃપ્રાપ્ત કરી શકાય છે. મોબાઇલ ફોન મૂલ્યવાન વ્યક્તિગત ગેજેટ્સ છે અને કોઈપણ ગેરરીતિ ગંભીર મુશ્કેલી તરફ દોરી શકે છે.</p><p><br></p><h5><b>મોબાઇલ ફોન ડિપોઝિટ ફી અંગે અસંતોષ</b></h5><p>તે જ રીતે, એક ભક્તે નિરાશા વ્યક્ત કરી, કહ્યું કે ફોન જમા કરાવવા માટે દરરોજ ₹5 ચૂકવવાથી સ્થાનિક રહેવાસીઓ માટે નોંધપાત્ર બોજ પડશે. તેમણે સૂચવ્યું કે, તેના બદલે, ભક્તોને ફક્ત તેમના ફોન બંધ કરવા અને તેમને તેમની બેગમાં રાખવા માટે કહી શકાય અને વધુમાં જણાવ્યું કે મોબાઇલ ફોનનો ઉપયોગ હવે ફક્ત કૉલ કરવા ઉપરાંત વિવિધ હેતુઓ માટે થાય છે.</p><p><br></p><p>ફી અંગેના વિવાદને સંબોધતા, વિભાગે સ્પષ્ટતા કરી કે ₹5 ચાર્જ નફા માટે નથી. રમેશે સમજાવ્યું કે ભંડોળનો ઉપયોગ ફોન ડિપોઝિટ સિસ્ટમના સંચાલન ખર્ચને આવરી લેવા માટે કરવામાં આવશે, જેમાં 52 મંદિરોમાં સ્ટાફની તૈનાતી અને સુરક્ષા લોકર અને અન્ય માળખાગત સુવિધાઓ સંબંધિત ખર્ચનો સમાવેશ થાય છે.</p><p><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/andhra-pradesh--7-year-old-dies-and-also-52-fall-people-ill-after-taking-anti-malaria-pills" target="_blank"><b>OMG! Andhra Pradeshમાં મેલેરિયાની દવા લેતા જ 50થી વધુ લોકોની લથડી તબિયત, 7 વર્ષની બાળકીનું મોત</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/FE6d69RXujvimlnMGgEMzl9r4rJJHVjvOiOXDchV.webp'/></item><item><title><![CDATA[Ahmedabad NNews : 2017ના બેંક ફ્રોડ કેસમાં CBI કોર્ટની મોટી કાર્યવાહી, બેંકને લાખોનું નુકસાન પહોંચાડનાર અધિકારી જેલહવાલે ]]></title><link>https://sandesh.com/gujarat/news/india/ahmedabad-nnews-cbi-court-takes-major-action-in-2017-bank-fraud-case-officer-who-caused-lakhs-of-loss-to-bank-sent-to-jail</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/india/ahmedabad-nnews-cbi-court-takes-major-action-in-2017-bank-fraud-case-officer-who-caused-lakhs-of-loss-to-bank-sent-to-jail</guid><pubDate>Wed, 02 Sep 2026 14:50:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જયપુર સ્થિત CBI (CBI) સ્પેશિયલ કોર્ટે બેન્ક છેતરપિંડીના એક ગંભીર કેસમાં ચુકાદો આપતાં ઓરિએન્ટલ બેન્કના અધિકારી મુરારીલાલ મીણાને દોષિત ઠેરવ્યા છે. અદાલતે કૌભાંડી અધિકારીને 7 વર્ષની આકરી કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે આરોપી અધિકારી પર રૂ. 4.30 લાખનો આર્થિક દંડ પણ ફટકાર્યો છે. બેન્કના નાણાંકીય હિતો સાથે ચેડાં કરનાર અને સત્તાનો દુરુપયોગ કરનાર અધિકારી સામે CBI કોર્ટના આ આકરા ફેંસલાથી બેન્કિંગ ક્ષેત્રમાં ગેરરીતિ આચરનારા તત્વોમાં ભારે સન્નાટો વ્યાપી ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>સત્તાનો દુરુપયોગ કરવો પડ્યો ભારે</b></h2><p style="text-align: justify; ">CBIની તપાસમાં બહાર આવ્યા મુજબ, આરોપી મુરારીલાલ મીણાએ ઓરિએન્ટલ બેન્કમાં પોતાની સત્તાનો દુરુપયોગ કરીને ગંભીર નાણાકીય ગેરરીતિ આચરી હતી. તેમણે બેન્કના નિયમોનો સરેઆમ ભંગ કરીને કુલ 25 જેટલા લોન ખાતાઓમાં ગીરો (મોર્ટગેજ) મુકેલી સિક્યોરિટીઝને ગેરકાયદેસર રીતે મુક્ત (રીલીઝ) કરી દીધી હતી. અધિકારીની આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અને મિલીભગતને કારણે ઓરિએન્ટલ બેન્કને કુલ રૂ. 83.69 લાખનું મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>વર્ષ 2017માં નોંધાઈ હતી ફરિયાદ</b></h2><p style="text-align: justify; ">આ સમગ્ર કૌભાંડ સામે આવ્યા બાદ 20 ડિસેમ્બર 2017ના રોજ CBI (CBI) દ્વારા આરોપી મુરારીલાલ મીણા વિરુદ્ધ સત્તાવાર રીતે કેસ નોંધીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન CBI દ્વારા એકત્ર કરાયેલા મજબૂત દસ્તાવેજી પુરાવાઓ અને કાનૂની દલીલોના આધારે કોર્ટે આરોપીને બેન્ક ફ્રોડના કેસમાં કસૂરવાર ઠેરવ્યો હતો. લાંબી શ્રમસાધ્ય કાનૂની પ્રક્રિયા બાદ આખરે CBI કોર્ટે આરોપી અધિકારીને 7 વર્ષની જેલ અને દંડની સજા સંભળાવીને દાખલો બેસાડ્યો છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/gir-somnath/gir-somnath-news-question-over-womens-privacy-at-triveni-sangam-ghat-changing-room-closed-anger-among-pilgrims" target="_blank">Gir Somnath News : ત્રિવેણી સંગમ ઘાટ પર મહિલાઓની ગોપનીયતા સામે સવાલ! ચેન્જિંગ રૂમ બંધ, યાત્રિકોમાં રોષ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/UbLBbxFozHkUuGznrE6pHFdlcnsGoAF0p5jqAUOw.webp'/></item><item><title><![CDATA[Big Hit : ગજબ! 54 કરોડની તોફાની કમાણી સાથે બ્લોકબસ્ટર સાબિત થઈ હનુમાન અંશ, મેકર્સે કરી મોટી જાહેરાત! ]]></title><link>https://sandesh.com/entertainment/news/hanuman-ansh-2907-percent-profit-sequel-announcement</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/hanuman-ansh-2907-percent-profit-sequel-announcement</guid><pubDate>Wed, 02 Sep 2026 14:31:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નીમ કરોલી બાબાના જીવન અને તેમની શીખ પર આધારિત ફિલ્મ હનુમાન અંશ ભારતીય બોક્સ ઓફિસ પર પોતાના શાનદાર પ્રદર્શનથી સતત સૌને ચોંકાવી રહી છે. ચોથા અઠવાડિયા સુધી પહોંચતા મોટાભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પરથી વિદાય લેવાની તૈયારી શરૂ કરી દે છે. પરંતુ આ હિન્દી ડિવોશનલ ડ્રામાએ તો કમાલ કરી બતાવ્યો છે. ફિલ્મ દરરોજ જોરદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મ બ્લોકબસ્ટર બની ચૂકી છે અને મેકર્સે હવે તેના સીક્વલની પણ જાહેરાત કરી દીધી છે.</p><h2 style="text-align: justify; "><b>હનુમાન અંશ એ 26 દિવસમાં કેટલી કમાણી કરી?</b></h2><p style="text-align: justify; ">બોલીવુડની ડિવોશનલ ડ્રામા હનુમાન અંશ એ પોતાની રિલીઝના 26મા દિવસે એટલે કે ચોથા મંગળવારે જોરદાર કમાણી કરી અને 8.5 કરોડ રૂપિયાની કમાણી કરી. આ સાથે ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 54.13 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કરી લીધું છે, જ્યારે તેની ગ્રોસ કમાણી 63.87 કરોડ રૂપિયા થઈ ગઈ છે.</p><h3 style="text-align: justify; "><b>હનુમાન અંશના સીક્વલની જાહેરાત</b></h3><p style="text-align: justify; ">હનુમાન અંશ પહેલેથી જ બ્લોકબસ્ટર બની ચૂકી છે. ફિલ્મના ક્લાઈમેક્સમાં સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો હતો કે ફિલ્મની કહાની હજુ પૂરી થઈ નથી. ફિલ્મના અંતમાં દેખાડવામાં આવેલી સ્લેટમાં જણાવવામાં આવ્યું છે કે નીમ કરોલી બાબાની યાત્રા અને તેમના જીવનની કહાની આગળ પણ ચાલુ રહેશે. દર્શકોમાં સીક્વલને લઈને ઘણી એક્સાઈટમેન્ટ છે.<br><img alt="Hanuman Ansh Box Office (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/02/4DpMbGgJTZwsUc2LNH9xhs2kZLle3dPELHyhb856.webp"><br></p><p style="text-align: justify; ">વચન મુજબ ફિલ્મના લેખક અને ડિરેક્ટર વિશાલ ચતુર્વેદીએ તેના સીક્વલ પર કામ પણ શરૂ કરી દીધું છે. આગ્રાના એક મલ્ટીપ્લેક્સમાં દર્શકો સાથે મુલાકાત દરમિયાન હનુમાન અંશના વિશાલ ચતુર્વેદીએ પોતે આ વાત જણાવી હતી કે ફિલ્મના બીજા ભાગ પર કામ શરૂ થઈ ગયું છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે એ પણ જણાવ્યું કે અપકમિંગ ફિલ્મમાં નીમ કરોલી બાબાના જીવનના એવા મહત્વના અધ્યાયોને બતાવવામાં આવશે, જે તેમના જન્મસ્થળ ફિરોઝાબાદ સાથે જોડાયેલા છે. ત્યારબાદ કહાની આગ્રા, મથુરા અને અન્ય સ્થળોએ તેમના જીવન અને આધ્યાત્મિક યાત્રાને ડિટેલમાં રજૂ કરશે.</p><h3 style="text-align: justify; "><b>હનુમાન અંશ કેટલી કમાણી કરીને પ્રોફિટમાં પહોંચી?</b></h3><p style="text-align: justify; ">અહેવાલો અનુસાર, હનુમાન અંશ 1.8 કરોડ રૂપિયાના બજેટમાં બની હતી અને અત્યાર સુધીમાં 54.13 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કરી ચૂકી છે. આ રીતે 26 દિવસમાં ફિલ્મે 52.33 કરોડ રૂપિયાનું શાનદાર રિટર્ન મેળવ્યું છે, જે 2907.22% રિટર્ન બરાબર છે.</p><h4 style="text-align: justify; "><b>હનુમાન અંશની સ્ટાર કાસ્ટ</b></h4><p style="text-align: justify; ">હનુમાન અંશની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો ફિલ્મમાં શોભિનવ સત્ય, ચંદન આનંદ, પૂર્ણિમા તિવારી અને વિહાન શેડગેએ મહત્વની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ 7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/cricket/virat-kohli-anushka-london-shift-reason-sriram-nene" target="_blank">આ પણ વાંચો-Virushka : અનુષ્કા-વિરાટ કેમ લંડન શિફ્ટ થયા? માધુરી દીક્ષિતના પતિએ કર્યો ખુલાસો!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/jiUmaGB6mLwCsZ3hGL0tOZ49wMcNrhG17wKyApC6.webp'/></item><item><title><![CDATA[Gir Somnath News : ત્રિવેણી સંગમ ઘાટ પર મહિલાઓની ગોપનીયતા સામે સવાલ! ચેન્જિંગ રૂમ બંધ, યાત્રિકોમાં રોષ ]]></title><link>https://sandesh.com/gujarat/news/gir-somnath/gir-somnath-news-question-over-womens-privacy-at-triveni-sangam-ghat-changing-room-closed-anger-among-pilgrims</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gir-somnath/gir-somnath-news-question-over-womens-privacy-at-triveni-sangam-ghat-changing-room-closed-anger-among-pilgrims</guid><pubDate>Wed, 02 Sep 2026 14:19:39 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગીર સોમનાથ સ્થિત પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટ પર દર્શનાર્થે અને પવિત્ર સ્નાન અર્થે આવતી મહિલા શ્રદ્ધાળુઓની ગોપનીયતા તેમજ સુવિધાઓને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. દેશ-વિદેશમાંથી લાખો ભક્તો ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન માટે પહોંચે છે, પરંતુ સ્નાન કર્યા બાદ મહિલાઓ માટે કપડાં બદલવા યોગ્ય કે સુરક્ષિત ચેન્જિંગ રૂમ ઉપલબ્ધ ન હોવાનો ગંભીર આક્ષેપ યાત્રિકો દ્વારા કરવામાં આવ્યો છે. આ પવિત્ર સ્થળે મહિલાઓની પ્રાઈવસી જળવાય તે માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે શ્રદ્ધાળુઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>મહિલાઓ ખુલ્લામાં કપડાં બદલવા મજબૂર</b></h2><p style="text-align: justify; ">ઘાટ પર ઉભી કરવામાં આવેલી સુવિધાઓની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. ત્રિવેણી સંગમ ઘાટ પર બનાવેલા કાયમી ચેન્જિંગ રૂમ મોટાભાગે તાળાં મારેલી બંધ હાલતમાં જોવા મળે છે, જ્યારે મહિલાઓની સુવિધા માટે મૂકવામાં આવેલા પ્લાસ્ટિકના ચેન્જિંગ બોક્સ પણ તૂટીને ખંડેર હાલતમાં ફેરવાઈ ગયા છે. આ પરિસ્થિતિના કારણે પવિત્ર સ્નાન કર્યા બાદ મહિલા શ્રદ્ધાળુઓને આડશ શોધવા માટે દોડધામ કરવી પડે છે અથવા તો નાછૂટકે ખુલ્લામાં જ કપડાં બદલવાની નોબત આવે છે.</p><h2 style="text-align: justify; "><b>સોમનાથ ટ્રસ્ટની કામગીરી સામે રોષ</b></h2><p style="text-align: justify; ">આ સમગ્ર મામલે પવિત્ર યાત્રાધામ સોમનાથ ટ્રસ્ટની વ્યવસ્થા અને લાલિયાવાડી સામે યાત્રિકોમાં తీవ్ర આક્રોશ વ્યાપી ગયો છે. દૂર-દૂરથી આવતી મહિલા શ્રદ્ધાળુઓની ગોપનીયતા અને સન્માનની જવાબદારી આખરે કોની? તેવા તીખા પ્રશ્નો ભક્તો પૂછી રહ્યા છે. સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓ માગ કરી રહ્યા છે કે તંત્ર અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ ગંભીર બાબતની તુરંત નોંધ લેવામાં આવે અને ત્રિવેણી સંગમ ઘાટ પર મહિલાઓ માટે સુરક્ષિત તેમજ સ્વચ્છ ચેન્જિંગ રૂમની સુવિધા સત્વરે પુનઃ શરૂ કરવામાં આવે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/bhuj/bhuj-knife-attack-in-broad-daylight-in-court-youth-attacked-with-knife-in-presence-of-dysp-pi" target="_blank">Bhuj કોર્ટમાં ધોળાદિવસે છરીબાજી! DySP-PIની હાજરીમાં યુવક પર છરીથી હુમલો, જુઓ પછી શું થયું...</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/EioPEnJZJI7YBae5Fxpmz5C6ftINZyHgFUmMTuLC.webp'/></item><item><title><![CDATA[Bhuj કોર્ટમાં ધોળાદિવસે છરીબાજી! DySP-PIની હાજરીમાં યુવક પર છરીથી હુમલો, જુઓ પછી શું થયું... ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/bhuj/bhuj-knife-attack-in-broad-daylight-in-court-youth-attacked-with-knife-in-presence-of-dysp-pi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/bhuj/bhuj-knife-attack-in-broad-daylight-in-court-youth-attacked-with-knife-in-presence-of-dysp-pi</guid><pubDate>Wed, 02 Sep 2026 13:24:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કચ્છના ભુજ ખાતે આવેલી કોર્ટના પરિસરમાં જૂની અદાવતને લીધે એક યુવક પર છરી વડે જાનલેવા હુમલો કરવામાં આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. કોર્ટ જેવા અત્યંત સુરક્ષિત અને સંવેદનશીલ સ્થળે બનેલી આ લોહિયાળ ઘટનાને પગલે સમગ્ર પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. જૂની વૈમનસ્યનું વેર રાખીને હુમલાખોરે સરેઆમ છરીના ઘા મારીને યુવકને લોહીલુહાણ કરી નાખ્યો હતો, જેના કારણે કોર્ટ સંકુલમાં હાજર લોકોમાં ભય અને સનસનાટીનો માહોલ સર્જાયો હતો.</p><h2 style="text-align: justify; "><b>DySP અને PI ની હાજરી માં થઇ ઘટના</b></h2><p style="text-align: justify; ">આ ઘટનાની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જ્યારે આ હુમલો થયો ત્યારે કોર્ટ પરિસરમાં જ DySP અને PI સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પોલીસ કાફલો હાજર હતો. ઉચ્ચ અધિકારીઓની હાજરી વચ્ચે જ હુમલાખોરે હિંમત દાખવીને યુવક પર હુમલો કરી દીધો હતો. ઘટના બનતાં જ સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. જોકે, સ્થાનિક પોલીસે તાત્કાલિક ત્વરિત કાર્યવાહી હાથ ધરીને ગંભીર રીતે ઘવાયેલા યુવકને વધુ સારવાર અર્થે તુરંત જ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>હુમલાખોર શખ્સની સ્થળ પરથી અટકાયત</b></h2><p style="text-align: justify; ">કોર્ટ જેવા હાઇ-સિક્યોરિટી ઝોનમાં સરેઆમ હિંસક હુમલો થતાં જ લોકોના મોટા ટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. પોલીસે સમયસૂચકતા દાખવીને હુમલો કરનાર શખ્સને સ્થળ પરથી જ દબોચી લીધો હતો અને તેની અટકાયત કરીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. જોકે, કાયદાના ધામમાં અને પોલીસ અધિકારીઓની હાજરી વચ્ચે જ શસ્ત્ર સાથે પ્રવેશીને આ પ્રકારનો હુમલો આચરવામાં આવતાં કોર્ટ પરિસરની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/gujarat-news-profiteering-behind-lalchool-sauce-gujarat-is-in-a-state-of-uproar-over-the-fake-sauce-business" target="_blank">Gujarat News : લાલચોળ સોસ પાછળ નફાખોરીનો ખેલ? ગુજરાતમાં નકલી સોસના કારોબારથી ખળભળાટ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/mR6riO7DOmCYlUyNgXWaAdx1UKkGYZmzYI6ORSPG.webp'/></item><item><title><![CDATA[Vadodara News: હીરો બનીને બાળકોનો જીવ બચાવ્યો, પણ પોતે ઝેર સામે હારી ગયા, શિનોરના યુવાન વાઇલ્ડલાઇફ રેસ્ક્યુઅરનું સર્પદંશથી મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/shinor-wildlife-rescuer-anil-machhi-dies-of-cobra-bite</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/shinor-wildlife-rescuer-anil-machhi-dies-of-cobra-bite</guid><pubDate>Wed, 02 Sep 2026 13:18:16 +05:30</pubDate><description><![CDATA[<p>વડોદરા જિલ્લાના શિનોર પંથકમાં એક અતિ હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રસ્તા પર અચાનક આવી ચડેલા ઝેરી કોબ્રા સાપથી આસપાસ રમી રહેલા નાના બાળકોને સુરક્ષિત કરવા જતાં જાણીતા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુઅર 38 વર્ષીય અનિલ માછીનું સાપના ડંખથી મોત નીપજ્યું છે. અનિલભાઈ મૂળ વ્યવસાયે ડ્રાઇવિંગ કરતા હતા, પરંતુ વન્યજીવો પ્રત્યેના પ્રેમને કારણે તેઓ વર્ષોથી સાપ અને અન્ય સરીસૃપોનું રેસ્ક્યુ કરવાનું સરાહનીય કામ પણ કરતા હતા.</p><h2><b>કોબ્રાને પકડતી વખતે આંગળી પર માર્યો ડંખ</b></h2><p>ઘટનાની વિગત અનુસાર, રસ્તા પર કોબ્રા સાપ દેખાતાં જ નજીકમાં રમી રહેલા બાળકોના જીવ પર જોખમ ઊભું થયું હતું. આ જોઈને અનિલભાઈએ તુરંત જ સાપને રેસ્ક્યુ કરવાનું શરૂ કર્યું હતું. જોકે, કોબ્રાને પકડવાની પ્રક્રિયા દરમિયાન અચાનક સાપે તેમની આંગળી પર જોરદાર ડંખ મારી લીધો હતો. સાપ કરડતા જ તેમની તબિયત લથડવા લાગી હતી.</p><h2><b>સારવાર દરમિયાન હોસ્પિટલમાં દમ તોડ્યો</b></h2><p>ઘટના બનતા જ આસપાસના મિત્રો તુરંત અનિલભાઈને બાઇક પર બેસાડીને પ્રાથમિક સારવાર માટે મોટા ફોફળિયા હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. ત્યાં તેમની ગંભીર સ્થિતિને જોતાં તબીબોએ વધુ સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની SSG હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, ઝેર શરીર અને લોહીમાં પ્રસરી જતાં એસએસજી હોસ્પિટલના ડોક્ટરોએ ટૂંકી સારવાર બાદ અનિલ માછીને મૃત જાહેર કર્યા હતા.</p><p><img alt="Vadodara News: Wildlife Rescuer Anil Machhi Dies of Cobra Bite in shinor" src="https://epapercdn.sandesh.com/images/2026/09/02/MD0bdKcbmqNyFgh0uKCkiHHSyQBoA26WyZ2YEgVa.webp" style="width: 100%;"><br></p><h2><b>રેસ્ક્યુ ક્ષેત્રે મેળવ્યા હતા અનેક પ્રમાણપત્રો</b></h2><p>અનિલ માછી માત્ર એક સામાન્ય નાગરિક ન હતા, પરંતુ વન્યજીવોના રક્ષણ માટે સમર્પિત એક અનુભવી રેસ્ક્યુઅર હતા. તેમણે પોતાના જીવન દરમિયાન સેંકડો સાપ અને વન્યજીવોને સુરક્ષિત રીતે પકડીને જંગલમાં મુક્ત કર્યા હતા, જેના માટે તેમને વન વિભાગ અને વિવિધ સંસ્થાઓ તરફથી અનેક પ્રમાણપત્રો પણ મળ્યા હતા. અનેક લોકોના જીવ બચાવનાર વ્યક્તિનું આ રીતે અકાળે અવસાન થતાં તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે.</p><h2><b>1 વર્ષમાં બીજા રેસ્ક્યુવરના મોતથી પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું</b></h2><p>શિનોર પંથક માટે આ આઘાત નવો નથી. આશરે 1 વર્ષ અગાઉ જ શિનોરમાં અન્ય એક જાણીતા રેસ્ક્યુવર અશોક પટેલનું પણ કોબ્રા સાપના ડંખથી જ મોત થયું હતું. માત્ર 12 મહિનાના ટૂંક સમયગાળામાં વિસ્તારના 2-2 અનુભવી અને સક્રિય રેસ્ક્યુઅર ગુમાવતાં સમગ્ર શિનોર પંથકમાં અરેરાટી સાથે ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે. ઘટના અંગે પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી કાયદેસરની તપાસ હાથ ધરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/gujarat/news/crime/vadodara/vadodara-news-rs-10-lakh-e-cigarette-racket-busted-two-main-ringleaders-in-the-clutches-of-sog" target="_blank"> Vadodara News : ઈ-સિગરેટના રૂ.10 લાખના રેકેટનો પર્દાફાશ, બે મુખ્ય સૂત્રધાર SOGના સકંજામાં</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/S8AwDN3N3b8dWDrQUUOuckqeZ8hz6hqzM5UamENX.webp'/></item><item><title><![CDATA[Rajkot News: લોકમેળામાં ફૂડ સ્ટોલ પર મનપાની ટીમનું ચેકિંગ, સડેલા બટેટાનો નાશ કર્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/rmc-team-seizes-and-destroys-rotten-potatoes-at-food-stall-in-lok-mela</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/rmc-team-seizes-and-destroys-rotten-potatoes-at-food-stall-in-lok-mela</guid><pubDate>Wed, 02 Sep 2026 12:56:41 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટમાં વિરાસતથી વિકાસ લોકમેળાના પ્રથમ દિવસે જ જનઆરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની ટીમે ખાદ્ય પદાર્થોના સ્ટોલ્સ પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. ટીમે મેળામાં વેચાતી ફરાળી ચિપ્સ, ભૂંગળા બટેટા, ઢોકળા,ખીચું સહિતની વિવિધ ખાદ્યચીજોની કડક તપાસ કરી હતી.આ સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન ભૂંગળા બટેટાના એક સ્ટોલ પરથી મોટી માત્રામાં સડેલા બટેટા મળી આવ્યા હતા જેનો આરોગ્યની ટીમે તાત્કાલિક ધોરણે જપ્ત કરી નાશ કર્યો હતો. આરોગ્ય વિભાગની ટીમે સ્ટીમ ઢોકળા બનાવવા માટે વપરાતું તેલ, ચટણી તેમજ વિવિધ મસાલાઓની પણ ગુણવત્તા ચકાસી હતી.તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે લોકમેળામાં કોઈપણ ખાદ્ય સ્ટોલ પરથી ખોરાક આરોગતા પહેલા તેની હાઈજેનિક કન્ડિશન ખાસ તપાસી લેવી.&nbsp;</p><p><img alt="રાજકોટ મેળો" src="https://epapercdn.sandesh.com/images/2026/09/02/8x3LFylBBIg94tnD9QNbCeaSebF8WdIw4fsRS4wo.webp" style="width: 100%;"><br></p><h2><b>લોક મેળામાં 34 રાઇડ્સને મંજૂરી નહીં</b></h2><p>જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસે લોકોની સલામતી માટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે.મેળામાં આવતા લોકોની સુરક્ષા સાથે કોઈપણ જાતનું સમાધાન ન કરવાનો સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે.તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે જરૂરી મંજૂરી કે લાયસન્સ વિના એક પણ મોટી કે નાની યાંત્રિક રાઇડ શરૂ કરવા દેવામાં આવશે નહીં.13 સભ્યોની કમિટીનો નિર્ણય મેળામાં રાઇડ્સ શરૂ કરવા માટે 34 રાઇડ્સના 11 સંચાલકોએ મંજૂરી માટે અરજી કરી છે.</p><p><img alt="રાજકોટનો લોકમેળો" src="https://epapercdn.sandesh.com/images/2026/09/02/Un1OwjaCQCr1bTCE0OrMgDeKkDWcuhtnvhXox7B0.webp" style="width: 100%;"><br></p><h3><b>કમિટી સંપૂર્ણ નિરીક્ષણ કર્યા બાદ પોઝિટિવ અભિપ્રાય આપશે</b></h3><p>મોટી રાઇડ્સની સુરક્ષા ચકાસણી માટે રચાયેલી 13 સભ્યોની કમિટી દ્વારા ગ્રાઉન્ડ પર એસઓપી મુજબ મશીનરી,બેઠક વ્યવસ્થા અને મજબૂતીની ટેકનિકલ તપાસ કરવામાં આવી રહી છે.આ 13 સભ્યોની કમિટી સંપૂર્ણ નિરીક્ષણ કર્યા બાદ પોઝિટિવ અભિપ્રાય આપશે.ત્યારબાદ જ લાયસન્સ આપવાની આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.રાઇડ્સ શરૂ થવાની શક્યતા સુરક્ષા અને ફિટનેસ ચકાસણીની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.વહીવટી તંત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર, તમામ સુરક્ષા નિયમોનું પાલન થયા બાદ રાઇડ્સની લાયસન્સ પ્રક્રિયા પૂર્ણ થવાની શક્યતા છે.લાયસન્સ મળ્યા બાદ જ મુલાકાતીઓ માટે ચકડોળ અને અન્ય મોટી રાઇડ્સ ખુલ્લી મૂકાશે જેથી મેળો બીજા દિવસથી ખીલશે તેવી આશા સેવાઈ રહી છે.&nbsp;&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/crime/mehsana/big-smc-blast-in-mehsana-raids-at-5-places-on-brothels-running-under-the-guise-of-spas-13-accused-arrested" target="_blank">આ પણ વાંચોઃ Mehsanaમાં SMCનો મોટો ધડાકો, સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર 5 સ્થળે દરોડા, 13 આરોપીઓ દબોચાયા...</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/hMVMzR2OxabwqzubZJr62UwM63v9WnLiKr1RfPTv.webp'/></item></channel></rss>