<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Maharashtra: નવરાત્રિમાં મુસ્લિમોને NO Entry, વિશ્વ હિન્દુ પરિષદે જાહેર કર્યું નિયમોનું લિસ્ટ ]]></title><link>https://sandesh.com/india/news/vhp-bans-muslims-entry-in-maharashtra-navratri-garba-dandiya-events-for-10-days-festival</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/vhp-bans-muslims-entry-in-maharashtra-navratri-garba-dandiya-events-for-10-days-festival</guid><pubDate>Sat, 05 Sep 2026 14:14:24 +05:30</pubDate><description><![CDATA[<p>Maharashtra: RSSના સંગઠન વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ મહારાષ્ટ્રમાં નવરાત્રી ગરબા-દાંડિયા કાર્યક્રમોમાં મુસ્લિમોની ભાગીદારી પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. આને લાગુ કરવા માટે કડક નિયમો લાગુ કરવામાં આવશે. આ ઉત્સવ દસ દિવસ સુધી ચાલે છે. જમણેરી સંગઠન VHP એ કાર્યક્રમના આયોજકો માટે એક યાદી જાહેર કરી છે. આ યાદીમાં શું કરવું અને શું ન કરવું તે અંગે જણાવવામાં આવ્યું છે. તાજેતરમાં, ન્યૂયોર્કમાં એક કાર્યક્રમમાં, RSS વડા મોહન ભાગવતે દરેકમાં રહેલ "સમાન સાર" વિશે વાત કરી હતી; બધા સમુદાયોનો ઉલ્લેખ કરતા, તેમણે ભાર મૂક્યો હતો કે દરેક માનવીની ગરિમાં હોય છે.</p><p><br></p><p>રાજ્યભરમાં નવરાત્રી કાર્યક્રમોમાં મુસ્લિમોની ભાગીદારી પર પ્રતિબંધ અંગે બોલતા VHP ના રાષ્ટ્રીય પ્રવક્તા અને સંયુક્ત સચિવ શ્રીરાજ નાયરે કહ્યું, "અમે નવરાત્રી ઉત્સવ દરમિયાન ગરબા-દાંડિયા નૃત્યોમાં મુસ્લિમોની ભાગીદારી પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે."</p><p><br></p><h4><b>'આ તહેવાર દેવીની પૂજા છે'</b></h4><p>VHP ની માર્ગદર્શિકા યાદીમાં ઉપસ્થિતોના આધાર કાર્ડ તપાસવા અને તેમના કપાળ પર તિલક લગાવીને તેમની હિન્દુ ઓળખ ચકાસવાનો આદેશ આપવામાં આવ્યો છે. નાયરે દલીલ કરી હતી કે, "નવરાત્રી ઉત્સવ ફક્ત સંગીત અને નૃત્ય વિશે નથી; તે દેવીની પૂજા વિશે છે. મૂર્તિપૂજાનો વિરોધ કરતા મુસ્લિમોએ આ ઉત્સવમાં શા માટે ભાગ લેવો જોઈએ?" જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે નવરાત્રી કાર્યક્રમોમાં મુસ્લિમોને રોકવાનો અર્થ એ નથી કે VHP કોઈપણ સમુદાયની વિરુદ્ધ છે.</p><p><br></p><p>તેમણે કહ્યું, "VHP જે ધાર્મિક પરિવર્તન અને ગૌહત્યાના વિરોધના તેના મુખ્ય એજન્ડા સાથે સમાધાન કરવાનો ઇનકાર કરે છે. તેમનું માનવું છે કે તહેવારો હિન્દુ સાંસ્કૃતિક વારસાનો અભિન્ન ભાગ છે અને આ વારસાને કમજોર થવા દઇ શકે નહીં. જોકે, તે જાળવી રાખે છે કે આ પ્રતિબંધો સાવચેતીના પગલાં છે અને તેનો હેતુ મુસ્લિમો અથવા અન્ય કોઈપણ સમુદાય વિરુદ્ધ થવાનો નથી."</p><p><br></p><p>એક અઠવાડિયા પહેલા, RSS વડાએ મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે એક સભાને સંબોધિત કરી હતી, જ્યાં તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, "જો કોઈ હિન્દુ એવું વિચારે છે કે ભારતમાં મુસ્લિમોનું અસ્તિત્વ ન હોવું જોઈએ, તો તે હિન્દુ નહીં રહે."<br><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/saharanpur-collectorate-mosque-demolished-4-bulldozers-owaisi-reacts-court-order" target="_blank"><b>Saharanpur Mosque: મસ્જિદ તોડવા પર ઓવૈસી આ શું બોલી ગયા? સહારનપુર મામલે યુપી સરકાર પર ભડક્યા!</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/cjXtIT2ARQKREDfbogszxHt70pmmkWoP5owhbNtO.webp'/></item><item><title><![CDATA[US Open 2026: ના વરસાદ, ના કોઈ ટેકનિકલ ખામી, સ્ટેડિયમમાં ગાંજાની ગંધ અને રોકાઈ રમત.. ]]></title><link>https://sandesh.com/sports/news/us-open-2026-aryna-sabalenka-stops-play-after-smelling-marijuana-during-match--complains-to-umpire</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/us-open-2026-aryna-sabalenka-stops-play-after-smelling-marijuana-during-match--complains-to-umpire</guid><pubDate>Sat, 05 Sep 2026 14:00:42 +05:30</pubDate><description><![CDATA[<p>યુએસ ઓપનમાં શુક્રવારે (4 સપ્ટેમ્બર) એક અત્યંત વિચિત્ર દ્રશ્ય જોવા મળ્યું હતું. લુઇસ આર્મસ્ટ્રોંગ સ્ટેડિયમમાં વિશ્વની નંબર-1 ટેનિસ ખેલાડી આર્યના સબાલેન્કાએ મેચ દરમિયાન રમત અટકાવીને ફરિયાદ કરવી પડી હતી. રમત રોકવાનું કારણ ના વરસાદ, ના કોઈ ઈજા કે ટેકનિકલ ખામી નહીં, પરંતુ સ્ટેન્ડમાંથી આવી રહેલી ગાંજાની (Marijuana) તીવ્ર ગંધ હતી. રમત રમતી વખતે સ્ટેડિયમમાંથી આવતા ગાંજાની ગંધ&nbsp; સબાલેન્કાને સહન ના થઈ અને એમ્પાયરને ફરીયાદ કરી.</p><p><b>સ્ટેન્ડમાંથી આવતી તીવ્ર ગંધથી સબાલેન્કા પરેશાન</b></p><p>લુઇસ આર્મસ્ટ્રોંગ સ્ટેડિયમમાં કમિલા રાખીમોવા સામે ત્રીજા રાઉન્ડની મેચ દરમિયાન આ ઘટના બની હતી. મેચની ત્રીજી ગેમમાં જ્યારે સબાલેન્કા 30-0 ના સ્કોર પર સર્વ કરી રહી હતી, ત્યારે કોર્ટના દક્ષિણ છેડેથી તેને ગાંજાની ગંધ આવી હતી. તેણે તુરંત ચેર અમ્પાયર તરફ ફરીને સ્ટેન્ડ તરફ ઈશારો કર્યો અને કહ્યું, "કોઈ ગાંજો પી રહ્યું છે. શું તમે તેના વિશે કંઈક કરશો? કારણ કે આ ગંધ ખૂબ જ તીવ્ર છે અને તેને અવગણવી મુશ્કેલ છે."</p><p><b>અમ્પાયરે સ્ટાફને સ્ટેન્ડમાં મોકલ્યો</b></p><p>સબાલેન્કાની ફરિયાદ બાદ અમ્પાયરે તુરંત સ્ટેડિયમ સ્ટાફને મદદ માટે બોલાવ્યા હતા. યુએસ ઓપન સ્ટાફે સ્ટેન્ડમાં જઈને ગંધ ક્યાંથી આવી રહી છે તેની તપાસ હાથ ધરી હતી. આ ઘટનાના કારણે મેચ થોડા સમય માટે રોકવી પડી હતી, પરંતુ પરિસ્થિતિ થાળે પડતાં રમત ફરી શરૂ કરવામાં આવી હતી.</p><p><b>એડ્રિયન મન્નારિનોએ પણ કરી હતી ફરિયાદ</b></p><p>માત્ર સબાલેન્કા જ નહીં, પરંતુ ટેનિસ ખેલાડી એડ્રિયન મન્નારિનોએ પણ આ ટુર્નામેન્ટ દરમિયાન સ્ટેન્ડમાંથી આવતી ગાંજાની ગંધ સામે નારાજગી વ્યક્ત કરી હતી. વિવાદ છતાં સબાલેન્કા ચોથા રાઉન્ડમાં પહોંચી. આ સમગ્ર નાટક અને વિક્ષેપ છતાં સબાલેન્કાના પ્રદર્શન પર કોઈ ખાસ અસર પડી નહોતી. બેલારુસિયન ખેલાડી સબાલેન્કાએ આક્રમક રમત રમીને કમિલા રાખીમોવાને પરાજય આપ્યો હતો અને ચોથા રાઉન્ડમાં પોતાની જગ્યા પાકી કરી હતી. આ જીત સાથે જ યુએસ ઓપન ટાઈટલ ડિફેન્ડ કરવાનું તેનું અભિયાન સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/gZhkIswJ669o8sjvLLfJIyZZkbUSwRO2rkOO1Zay.webp'/></item><item><title><![CDATA[Saharanpur Mosque: મસ્જિદ તોડવા પર ઓવૈસી આ શું બોલી ગયા? સહારનપુર મામલે યુપી સરકાર પર ભડક્યા! ]]></title><link>https://sandesh.com/india/news/saharanpur-collectorate-mosque-demolished-4-bulldozers-owaisi-reacts-court-order</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/saharanpur-collectorate-mosque-demolished-4-bulldozers-owaisi-reacts-court-order</guid><pubDate>Sat, 05 Sep 2026 13:58:11 +05:30</pubDate><description><![CDATA[<p>Saharanpur Mosque: વહીવટીતંત્રે સહારનપુર કલેક્ટરેટ સંકુલમાં આવેલી ગેરકાયદેસર જાહેર કરાયેલી મસ્જિદને શનિવારે સવારે 4 વાગ્યે ચાર બુલડોઝરનો ઉપયોગ કરીને સંપૂર્ણપણે તોડી પાડી. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ મસ્જિદને તોડી પાડવાને લઈને આકરી પ્રતિક્રિયા આપી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે લખ્યું, "કેટલાક લોકો મસ્જિદ જોઈને પણ પરેશાન થાય છે. પરંતુ તે તેમની સમસ્યા છે, અમારી નહીં. જો તમે ઈચ્છો તો દૂર જુઓ, પરંતુ તમે ફક્ત તમારા ગુસ્સાને બહાર કાઢવા માટે અમારી મસ્જિદ પર બુલડોઝર ચલાવી શકતા નથી."</p><p><br></p><h3><b>મસ્જિદ પર બુલડોઝર કાર્યવાહી&nbsp;</b></h3><p>આ કાયદાકીય કાર્યવાહી સહારનપુર સિટી મેજિસ્ટ્રેટની અદાલત દ્વારા વિવાદિત જમીનને સરકારી મિલકત જાહેર કરવાના ચુકાદા અને ત્યારબાદ જિલ્લા અદાલત દ્વારા મસ્જિદ સમિતિની પ્રથમ અપીલને ફગાવી દેવાના નિર્ણય બાદ કરવામાં આવી હતી. કામગીરી દરમિયાન સ્થળ પર ભારે પોલીસ દળ અને રેપિડ એક્શન ફોર્સ તૈનાત કરવામાં આવી હતી. જો કે, આ પગલાથી રાજકીય તોફાન ઉભું થયું છે; SP અને કોંગ્રેસને પગલે, AIMIM એ હવે UP સરકાર સામે આક્રમણ શરૂ કર્યું છે. BSP સુપ્રીમો માયાવતીએ પણ આવા મામલાઓમાં સરકારને સલાહ આપી છે.</p><p><br></p><h3><b>ટીમ સવારે 4 વાગ્યે પહોંચી; ચાર બુલડોઝર સાથે કાર્યવાહી</b></h3><p>શનિવારે સવારે 4 વાગ્યે ભારે પોલીસ દળ સાથે એક વહીવટી ટીમ સહારનપુર કલેક્ટર કચેરી સંકુલમાં પહોંચી. તોડી પાડવાની પ્રક્રિયા સવારે 6 વાગ્યે શરૂ થઈ, જેમાં ચાર બુલડોઝરનો ઉપયોગ કરીને દિવાલો તોડી પાડવામાં આવી. બુલડોઝર દ્વારા કાટમાળ સાફ કરવામાં આવ્યો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના વાહનો પર લોડ કરવામાં આવ્યો. કલેક્ટર કચેરીના બધા મુખ્ય દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા, અને બાહ્ય અવરજવર સંપૂર્ણપણે પ્રતિબંધિત હતી.</p><p><br></p><h4><b>કાયદાકીય વિવાદ અને કોર્ટનો આદેશ</b></h4><p>આ વિવાદ છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહ્યો હતો. 16 જુલાઈના રોજ સિટી મેજિસ્ટ્રેટ કુલદીપ સિંહે મસ્જિદને ગેરકાયદેસર જાહેર કરી, વિવાદિત જમીન સરકારની હોવાનું ચુકાદો આપ્યો અને ₹6.41 કરોડથી વધુનો દંડ ફટકાર્યો. 2 સપ્ટેમ્બરના રોજ, જિલ્લા ન્યાયાધીશ સતેન્દ્ર કુમારની કોર્ટે પૂરતા પુરાવાના અભાવે મસ્જિદ સમિતિની અપીલ ફગાવી દીધી.&nbsp;</p><p><br></p><h4><b>સાંસદ ઇકરા હસન નજરકેદ હેઠળ</b></h4><p>કલેક્ટર કચેરી મસ્જિદ તોડી પાડવાના સમાચાર મળતાં, સપા સાંસદ ઇકરા હસન કૈરાનાથી સહારનપુર જવા રવાના થયા. ભારે પોલીસ દળ તેમના નિવાસસ્થાને પહોંચ્યું અને તેમને બહાર જતા અટકાવ્યા. પોલીસે તેમની અપીલમાં જન્માષ્ટમી અને મોડી રાતનો ઉલ્લેખ કર્યો, જ્યારે સાંસદે આ પગલાને ચૂંટાયેલા પ્રતિનિધિના અધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યું. આ સમય દરમિયાન પોલીસ અને સાંસદ વચ્ચે ઉગ્ર દલીલ થઈ.</p><p><br></p><h4><b>ઓવૈસીની તીવ્ર ટીકા અને બંધારણીય પ્રશ્નો</b></h4><p>AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ સોશિયલ મીડિયા પર આ કાર્યવાહીનો સખત વિરોધ કર્યો. તેમણે જણાવ્યું હતું કે મસ્જિદ સમિતિએ 1911ના દસ્તાવેજો રજૂ કર્યા હતા જે દર્શાવે છે કે આ માળખું એક સદીથી વધુ જૂનું હતું અને 'વક્ફ બાય યુઝર' સિદ્ધાંત હેઠળ સુરક્ષિત હતું. તેમણે રાજ્યના આ પગલાને મુસ્લિમોની ધાર્મિક સ્વતંત્રતા પર સીધો હુમલો ગણાવ્યો, અને જણાવ્યું હતું કે મસ્જિદ પહેલા બનાવવામાં આવી હતી અને કલેક્ટર કચેરી પછીથી સ્થાપિત થઈ હતી.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/qCktEiEW8JVXGuf5DJo7bWJAyPDLVIg3rcWAZutJ.webp'/></item><item><title><![CDATA[Mirzapurમાં રવિ કિશને લૂંટી મહેફિલ! કાલીન ભૈયા અને ગુડ્ડુ પંડિત બધા પર ભારે પડ્યા બબુઆ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/ravi-kishan-mirzapur-babua-kaleen-bhaiya-guddu</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/ravi-kishan-mirzapur-babua-kaleen-bhaiya-guddu</guid><pubDate>Sat, 05 Sep 2026 13:53:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><b>'મારું નામ બબ્બન યાદવ છે, પરંતુ લોકો પ્રેમથી અને સન્માનથી મને બબુઆ કહે છે...'&nbsp;</b>ફિલ્મમાં રવિ કિશનની આ જ એન્ટ્રી લાઇન તેમના પાત્રની દમદાર ઝલક આપી દે છે. મિર્ઝાપુર: ધ મૂવીમાં બબ્બન યાદવ ઉર્ફે બબુઆના પાત્રમાં ભોજપુરી સુપરસ્ટાર રવિ કિશને એવો દબદબો બનાવ્યો છે કે કાલીન ભૈયા અને ગુડ્ડુ પંડિત જેવા પહેલાથી જ લોકપ્રિય પાત્રોની વચ્ચે પણ તેમની હાજરી અલગ જ જોવા મળે છે.</p><h2 style="text-align: justify; "><b>પડદા પર રવિ કિશનનો દમદાર અંદાજ</b></h2><p style="text-align: justify; ">પડદા પર તેમનો અંદાજ, કોન્ફિડન્સ અને ડાયલોગ ડિલિવરી જોવા જેવી છે. એવું કહેવું ખોટું નહીં હોય કે રવિ કિશનનો સમય હાલમાં એટલો સારો ચાલી રહ્યો છે કે તેઓ આજકાલ જે પણ રોલમાં જોવા મળે છે, ચર્ચા તેમના નામની જ થાય છે. બબ્બન યાદવ માત્ર એક ગેંગસ્ટર નથી. તેના પાત્રમાં એક અલગ જ પ્રકારની ઊંડાઈ જોવા મળે છે. તે મહિલાઓનું સન્માન કરે છે, પ્રેમને લઈને ખૂબ જ ઈમોશનલ છે અને તેના પોતાના કેટલાક નિયમો છે. આ જ વાત તેને 'મિર્ઝાપુર'ના બીજા ગેંગસ્ટર્સથી અલગ બનાવે છે. રવિ કિશને આ પાત્રને જે કોન્ફિડન્સ સાથે ભજવ્યું છે, તે પડદા પર સ્પષ્ટ જોવા મળે છે. તેમની બોડી લેંગ્વેજથી લઈને ડાયલોગ ડિલિવરી સુધી, બબ્બન યાદવના પાત્રમાં એક અલગ જ દબદબો જોવા મળે છે.</p><h2 style="text-align: justify; "><b>રવિ કિશનની એક્ટિંગે પાત્રમાં ભરી દીધો જીવ</b></h2><p style="text-align: justify; ">ખાસ કરીને તેમના ફાઇટિંગ સીન જબરદસ્ત છે અને જ્યારે પણ તેઓ સ્ક્રીન પર આવે છે, ત્યારે સીન આપોઆપ તેમના નામે થઈ જાય છે. ઈન્ટરેસ્ટિંગ વાત એ છે કે ફિલ્મની વાર્તાને નવી દિશા આપવામાં પણ બબ્બન યાદવનું પાત્ર ખૂબ જ મહત્વનું છે. એટલે કે રવિ કિશનને ફિલ્મમાં માત્ર એક નવા ચહેરા તરીકે લેવામાં આવ્યા નથી, પરંતુ સ્ટોરીના કેન્દ્રમાં તેમની મહત્વની ભૂમિકા છે.<br><img alt="Ravi Kishan in Mirzapur limelight (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/05/T1ooUl4m8mYqzW8cQcxLUFjMveLcdiTn4fGPcQJg.webp"><br></p><h4 style="text-align: justify; "><b>કાલીન ભૈયા અને ગુડ્ડુ વચ્ચે રવિ કિશને બનાવી પોતાની જગ્યા</b></h4><p style="text-align: justify; ">પંકજ ત્રિપાઠીનું કાલીન ભૈયાનું પાત્ર મિર્ઝાપુરની ઓળખ બની ગયું છે. આ પાત્રોની વચ્ચે પોતાની જગ્યા બનાવવી કોઈપણ નવા પાત્ર માટે મોટો પડકાર હતો. પરંતુ રવિ કિશન આ પડકારમાં સંપૂર્ણ રીતે સફળ જોવા મળે છે. બબ્બન યાદવના પાત્રમાં તેમનો અંદાજ, તેવર અને એક્ટિંગ ફિલ્મની મોટી ખાસિયત બનીને સામે આવે છે. લાંબા સમય બાદ રવિ કિશનને એ સ્તરની ચર્ચા મળતી જોવા મળી રહી છે, જેના તેઓ હકદાર છે. ટ્રેલર રિલીઝ થયા બાદ પણ રવિ કિશનની ચર્ચા થઈ હતી, પરંતુ ફિલ્મ જોયા બાદ તો તેમનો ભૌકાલ વધુ મજબૂત થઈ ગયો છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dc4AN9Xgopw/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dc4AN9Xgopw/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dc4AN9Xgopw/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dc4AN9Xgopw/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>ટ્રેલર બાદ હવે ફિલ્મમાં પણ રવિ કિશનનો ભૌકાલ</b></h4><p style="text-align: justify; ">છેલ્લા કેટલાક સમયથી પોતાના ઇન્ટરવ્યૂ અને મીમ્સને લઈને પણ રવિ કિશન સતત ચર્ચામાં રહ્યા છે, પરંતુ મિર્ઝાપુર: ધ મૂવીમાં તેમણે સાબિત કરી દીધું છે કે જ્યારે વાત એક્ટિંગની આવે છે, ત્યારે બબુઆ ખરેખર ભારે પડી શકે છે. તેમાં કોઈ બે મત નથી કે તેમણે ઓડિયન્સને દીવાના કરી દીધા છે. આ ફિલ્મનું ડિરેક્શન ગુરમીત સિંહે કર્યું છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/netflix-number-1-crime-thriller-1-hour-56-minutes" target="_blank">આ પણ વાંચો-Netflix પર આવતા જ આ ફિલ્મે મચાવ્યો તાંડવ! નંબર 1 પર ટ્રેન્ડ થઈ રહી છે ક્રાઈમ થ્રિલર</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/91U3N1QWNxTqPV1tNFYXkwQeVtgOVaOoqzSFL7CZ.webp'/></item><item><title><![CDATA[Botad News : સાળંગપુરધામમાં દાદાનો ભવ્ય મહાઅન્નકૂટ, 1008 મીઠાઈ-વાનગીઓથી શણગારાયો દરબાર, Video ]]></title><link>https://sandesh.com/gujarat/news/botad/salangpur--grand-maha-annakut-offered-to-lord-hanumanji-on-last-saturday-of-shravan</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/botad/salangpur--grand-maha-annakut-offered-to-lord-hanumanji-on-last-saturday-of-shravan</guid><pubDate>Sat, 05 Sep 2026 13:26:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોટાદ જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રાવણ માસના પવિત્ર અને અલ્ટિમેટ શનિવારે ભક્તિમય વાતાવરણમાં દાદાને 1008 વિવિધ મીઠાઈ અને વાનગીઓનો ભવ્ય મહાઅન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. શ્રાવણ માસ દરમિયાન સાળંગપુરધામમાં આયોજિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોની શ્રેણીમાં આ શનિવારે ખાસ ઉત્સવનું આયોજન કરાયું હતું. દાદાના આ અલૌકિક અને દિવ્ય મહાઅન્નકૂટ દર્શન તેમજ મહાપ્રસાદનો લાભ લેવા માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં હરિભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>મયૂરાકાર સિલ્વર ડાયમંડ મુકુટ અને 'રામ નામ' અંકિત દિવ્ય વાઘાથી દાદાનો સિંહાસન શણગાર</b></h2><p style="text-align: justify; ">શ્રાવણના આ ખાસ દિવસે દાદા કષ્ટભંજનદેવનો અત્યંત આકર્ષક અને અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. હનુમાનજી દાદાને મયૂરાકાર સિલ્વર ડાયમંડ મુકુટ અને સોનાના મણકાવાળા મનમોહક દાગીના ધરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત 'રામ નામ' અંકિત પીળા, વાદળી અને લાલ કિનારીવાળા દિવ્ય વાઘાથી દાદાને સજાવવામાં આવ્યા હતા. મંદિરના ગર્ભગૃહ અને મૂળ સિંહાસનને મનોહર સફેદ ફૂલોથી શણગારાયું હતું, જ્યારે ફૂલો અને હરિયાળીથી બનાવેલા બે ભવ્ય મોરની પ્રતિકૃતિઓએ દાદાના દરબારની શોભામાં ચાર ચાંદ લગાવી દીધા હતા.</p><p style="text-align: justify; "><video controls="" src="https://epapercdn.sandesh.com/images/2026/09/05/VqEahGiwgyNANkpqBWc7bStT2MRyJx2aayJAODtR.mp4" width="640" height="360" class="note-video-clip"></video><br></p><p style="text-align: justify; "><b style="font-size: 2rem;">ઇટાલિયન વાનગીઓથી લઈને દેશી મિષ્ટાન સુધીની 1008 વાનગીઓનો મહાઅન્નકૂટ</b></p><p style="text-align: justify; ">દાદાના દરબારમાં ધરાવવામાં આવેલા આ મહાઅન્નકૂટમાં 1008 પ્રકારની વિવિધ સામગ્રીઓનો સમાવેશ થતો હતો. જેમાં ખાસ કરીને દેશી મીઠાઈઓ, વિવિધ પ્રકારના તળેલા અને શેકેલા ફરસાણ, બેકરી આઈટમ્સ, દેશી શાકભાજીઓ તેમજ અદ્યતન ઇટાલિયન વાનગીઓ ખૂબ જ કલાત્મક રીતે ગોઠવવામાં આવી હતી. દાદાના દરબારમાં આકાર પામેલા આ દિવ્ય અન્નકૂટના દર્શન કરીને તમામ ભક્તો ભાવવિભોર બન્યા હતા અને સમગ્ર સાળંગપુર ધામ "જય બજરંગબલી" અને "દાદા કષ્ટભંજનદેવ" ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/bhavnagar--viral-video-shows-armed-youth-at-janmashtami-fair--security-questioned" target="_blank">Bhavnagarના લોકમેળામાં સુરક્ષાના ધજાગરા, હજારોની મેદની વચ્ચે ધારદાર હથિયારો સાથે લુખ્ખાઓ બેફામ...</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/9XoiOylNMMRydI3cVL0NqmdiS0DhhthVKse1qONu.webp'/></item><item><title><![CDATA[Junagadh News: ચોરવાડમાં SMCનો દરોડો, 42 જુગારીઓ ઝડપાયા, 3.72 લાખની રોકડ કબ્જે ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/junagadh/chorwad-smc-gambling-raid-42-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/junagadh/chorwad-smc-gambling-raid-42-arrested</guid><pubDate>Sat, 05 Sep 2026 13:00:30 +05:30</pubDate><description><![CDATA[<p>જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પાડેલા દરોડાથી સ્થાનિક પોલીસ બેડા સહિત અસામાજિક તત્વોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ચોરવાડમાં મોટા પાયે ચાલી રહેલા ધસમસતા જુગારધામ પર SMCની ટીમે ચોક્કસ બાતમીના આધારે સરપ્રાઈઝ રેડ પાડી હતી. આ દરોડા દરમિયાન પોલીસે જુગાર રમતા 42 જેટલા અસામાજિક જુગારીઓની સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી હતી.</p><h2><b>3.72 લાખની રોકડ અને વાહનો સહિતનો જથ્થો જપ્ત</b></h2><p>આ દરોડા દરમિયાન પોલીસે જુગારના અડ્ડા પરથી સ્થળ પર રમાઈ રહેલી રૂ. 3.72 લાખની રોકડ રકમ કબ્જે કરી છે. આ ઉપરાંત, જુગારીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલા 11 બાઈક, કાર તેમજ અન્ય સાધન-સામગ્રી સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. SMCની આ અચાનક કાર્યવાહીથી જુગારધામ પર ભાગદોડનો માહોલ સર્જાયો હતો.</p><p><img alt="Junagadh News: Chorwad SMC Raid: Massive Gambling Den Busted, 42 Arrested" src="https://epapercdn.sandesh.com/images/2026/09/05/ZWnAPcTteCTM7z3YPSoVepnyIYpA9Xu3bpVO4wna.webp"><br></p><h2><b>ત્રણ રીઢા ભાગીદારો અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા</b></h2><p>આટલી મોટી સફળતા વચ્ચે પણ જુગારધામ ચલાવતા મુખ્ય ત્રણ રીઢા ભાગીદારો દરોડા દરમિયાન પોલીસને થાપ આપીને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. SMC પોલીસે આ ભાગી છૂટેલા ત્રણેય મુખ્ય સૂત્રધારો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવા માટે શોધખોળની તજવીજ હાથ ધરી છે.</p><p><img alt="Junagadh News: Chorwad SMC Raid: Massive Gambling Den Busted, 42 Arrested" src="https://epapercdn.sandesh.com/images/2026/09/05/7Y1LjAS6u4GthZmi0FSjOd5lIPNEDzxwuzvYx4kX.webp"><br></p><h2><b>સ્થાનિક પોલીસની નિષ્ફળતા અને કામગીરી સામે ગંભીર સવાલો</b></h2><p>સ્થાનિક ચોરવાડ પોલીસના નાક નીચે આટલું મોટું જુગારધામ ધમધમી રહ્યું હોવા છતાં સ્થાનિક પોલીસ અજાણ રહી અને ગાંધીનગર SMCની ટીમે આવીને દરોડો પાડવો પડ્યો, તેને લઈને સ્થાનિક પોલીસની કામગીરી સામે ગંભીર પ્રશ્નાર્થો ઊભા થયા છે. આ દરોડા બાદ સ્થાનિક પોલીસ તંત્રની ઘોર નિષ્ફળતા છતી થતાં વહીવટી સ્તરે પણ ચર્ચાનો વિષય બન્યો છે.</p><p><img alt="Junagadh News: Chorwad SMC Raid: Massive Gambling Den Busted, 42 Arrested" src="https://epapercdn.sandesh.com/images/2026/09/05/JEsyndKyfy4xOv0wkNmA4TmEHOvgXlnXmNQTBDOS.webp"><br></p><p><br></p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2096156828866625906"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p><br></p><p>આ પણ વાંચો:<a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/junagadh-uparkot-fort-leopard-captured-tourists-allowed" target="_blank"> Junagadhના ઉપરકોટ કિલ્લામાં દહેશત ફેલાવનાર દીપડો આખરે પાંજરે પુરાયો, પ્રવાસીઓ માટે કિલ્લો ખુલ્લો મુકાયો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/RKl5dUjOZjsPxFDJpARQaT7uh6fiwAIVSckplJxB.webp'/></item><item><title><![CDATA[Bhavnagarના લોકમેળામાં સુરક્ષાના ધજાગરા, હજારોની મેદની વચ્ચે ધારદાર હથિયારો સાથે લુખ્ખાઓ બેફામ... ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/bhavnagar--viral-video-shows-armed-youth-at-janmashtami-fair--security-questioned</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/bhavnagar--viral-video-shows-armed-youth-at-janmashtami-fair--security-questioned</guid><pubDate>Sat, 05 Sep 2026 12:58:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભાવનગરના જન્માષ્ટમી લોકમેળામાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉભા કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હજારો લોકોની ભીડ વચ્ચે ધારદાર હથિયારો સાથે અસામાજિક તત્વોનું ટોળું જોવા મળતું હોવાનો દાવો વીડિયોમાં કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, સુનામી રાઈડમાં છરી વડે નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. મેળામાં મોટી સંખ્યામાં પરિવારો અને બાળકોની હાજરી વચ્ચે આવા દૃશ્યો સામે આવતા મુલાકાતીઓની સુરક્ષાને લઈને ચિંતા વધી છે.</p><h2 style="text-align: justify; "><b>સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ</b></h2><p style="text-align: justify; ">મેળામાં પોલીસનો મોટો બંદોબસ્ત હોવા છતાં લુખ્ખા તત્વો ધારદાર હથિયારો સાથે અંદર પહોંચ્યા કેવી રીતે તે સૌથી મોટો સવાલ છે. નેતાઓના ડાયરા અને મુખ્ય કાર્યક્રમોની આસપાસ જ પોલીસ બંદોબસ્ત પૂરતો સીમિત રહ્યો હોવાના આક્ષેપો વચ્ચે મેળાના અન્ય સ્થળોએ સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કેટલી અસરકારક હતી તેના પર પણ સવાલો ઉઠી રહ્યા છે. જો વાયરલ વીડિયોમાં દેખાતા દૃશ્યો સાચા હોય તો હજારો મુલાકાતીઓની વચ્ચે આવી બેફામ હરકતો સામે પોલીસ અને તંત્રની સતર્કતા સામે ગંભીર પ્રશ્નો ઊભા થાય છે.</p><h2 style="text-align: justify; "><b>જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ</b></h2><p style="text-align: justify; ">હવે સૌથી મહત્વનો સવાલ એ છે કે, વાયરલ થયેલા વીડિયોની પોલીસ દ્વારા ગંભીરતાથી તપાસ કરવામાં આવશે કે કેમ? મેળામાં હથિયારો સાથે ફરતા શખ્સો અંગે યોગ્ય તપાસ કરી તેમની ઓળખ અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. હજારો મુલાકાતીઓની સુરક્ષા માટે જવાબદાર તંત્રની વ્યવસ્થા અંગે પણ તપાસ થવી જરૂરી બની છે. ખાસ કરીને મેળા જેવા ભીડભાડવાળા સ્થળે સુરક્ષામાં કોઈ ચૂક રહી હોય તો જવાબદારી નક્કી કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/mehsana/mehsana--viral-video-shows-open-liquor-sale-in-kheralu--questions-raised-over-police-inaction" target="_blank">Mehsana News : લઠ્ઠાકાંડનો ખૌફ પણ ઓસરી ગયો? ખેરાલુમાં બુટલેગરો બેફામ, ખુલ્લેઆમ દારૂની આપ-લેના Videoથી ખળભળાટ</a></b></p><p style="text-align: justify; "><b><br></b></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/7Ve4bAp1kDcADqGErJNN0uwwUQP1mlrSoC0HmXHn.webp'/></item><item><title><![CDATA[Vadodaraની સરકારી કચેરી કુબેર ભવનના રિનોવેશન દરમિયાન ભીંત ધરાશાયી, ડ્રિલિંગ કરતો મજૂર કાટમાળ નીચે દબાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-kuber-bhavan-wall-collapse-renovation-worker-injured</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-kuber-bhavan-wall-collapse-renovation-worker-injured</guid><pubDate>Sat, 05 Sep 2026 12:47:36 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા શહેરની મધ્યમાં આવેલી મહત્વપૂર્ણ સરકારી કચેરી કુબેર ભવન ખાતે એક દુર્ઘટના સામે આવી છે. કુબેર ભવન બિલ્ડિંગમાં હાલમાં તંત્ર દ્વારા રિનોવેશન અને સમારકામની કામગીરી ચાલી રહી છે. આ રિનોવેશનની કામગીરી દરમિયાન અચાનક મોટો અકસ્માત સર્જાતાં કચેરી પરિસરમાં ઉપસ્થિત લોકો અને કર્મચારીઓમાં ભારે દોડધામ તથા અફરાતફરી મચી ગઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>ડ્રિલિંગ કરતી વખતે અચાનક ભીંત પટકાઈ</b></h2><p style="text-align: justify; ">રિનોવેશનની કામગીરી દરમિયાન એક મજૂર દીવાલ પર ડ્રિલિંગ મશીનથી કામ કરી રહ્યો હતો. તે જ સમયે મશીનના વાઇબ્રેશન અને જર્જરિત હાલતના કારણે અચાનક આખી ભીંત ધરાશાયી થઈ ગઈ હતી. ડ્રિલિંગ કરી રહેલો મજૂર કાઈ સમજે તે પહેલાં જ ભીંતના કાટમાળ નીચે દબાઈ ગયો હતો, જેના કારણે તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><img alt="Accident in Vadodara government office" src="https://epapercdn.sandesh.com/images/2026/09/05/wGQizHoo1XnE9lS8Oyco470q6rDcO9BoPCzlx1ot.webp"><br></p><p style="text-align: justify; "><br></p><h3 style="text-align: justify;"><b>ઈજાગ્રસ્ત મજૂરને સયાજી હોસ્પિટલ ખસેડાયો</b></h3><p style="text-align: justify;">ઘટના બનતાં જ આસપાસના લોકો અને કચેરીના કર્મચારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને કાટમાળ હટાવી મજૂરને બહાર કાઢ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા મજૂરને તાત્કાલિક ધોરણે વધુ સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG) ખાતે ખસેડવામાં આવ્યો છે. સરકારી કચેરીમાં ચાલતી રિનોવેશન કામગીરી દરમિયાન સુરક્ષાના સાધનો અને સાવચેતીના અભાવ અંગે પણ હવે સવાલો ઉઠી રહ્યા છે.</p><p style="text-align: justify;"><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/1YsSVD96VaUcTUhtDOFLCrYPGydCrzdvvJvEvJ4n.webp'/></item><item><title><![CDATA[Bhavnagarમાં દારૂના સેવનથી વધુ એક શંકાસ્પદ મોત, આનંદનગરમાં 48 વર્ષીય ભાવેશ વિસાણીના મોતથી અરેરાટી! ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/another-suspicious-death-due-to-alcohol-consumption-in-bhavnagar-the-death-of-48-year-old-bhavesh-visani-in-anandnagar-is-a-shocker</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/another-suspicious-death-due-to-alcohol-consumption-in-bhavnagar-the-death-of-48-year-old-bhavesh-visani-in-anandnagar-is-a-shocker</guid><pubDate>Sat, 05 Sep 2026 12:14:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાંથી દારૂના સેવનના કારણે એક વ્યક્તિનું શંકાસ્પદ મોત થયું હોવાની અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. આનંદનગરમાં રહેતા 48 વર્ષીય ભાવેશભાઈ વિસાણી નામના વ્યક્તિનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજતાં પરિવારજનો અને સ્થાનિકોમાં ઘેરા શોકની કાલિમા સાથે ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. જાહેરમાં દારૂબંધી હોવા છતાં આ પ્રકારે બનેલી ઘટનાથી સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>મૃતદેહ ફોરેન્સિક PM માટે ખસેડાયો</b></h2><p style="text-align: justify; ">મૃતકના પરિવારજનોનું સ્પષ્ટ કહેવું છે કે ભાવેશભાઈએ દારૂનું સેવન કર્યું હતું અને ત્યાર બાદ તેમની તબિયત અચાનક લથડતાં આ મોત નીપજ્યું છે. લઠ્ઠાકાંડ કે ઝેરી દારૂના સેવનની આશંકાઓ સેવાઈ રહી હોવાથી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મૃતદેહનો કબજો મેળવી તેને વિધિવત રીતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (FSL PM) માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>LCB PSI સહિતના અધિકારીઓ સિવિલ હોસ્પિટલ દોડી ગયા, તપાસ તેજ</b></h2><p style="text-align: justify; ">શંકાસ્પદ મોત અંગેની જાણ થતાં જ LCB ના PSI સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ કાફલો તાબડતોબ ભાવનગર સિવિલ હોસ્પિટલ પહોંચી ગયો હતો. પોલીસે પરિજનોની પૂછપરછ હાથ ધરીને જરૂરી કાયદાકીય કાગળો તૈયાર કર્યા છે. ભાવેશભાઈના મોતનું ચોક્કસ કારણ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે તેમ પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે, છતાં આ ઘટનાથી શહેરમાં ગેરકાયદેસર દારૂના વેચાણ સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભો થયો છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad--27-teachers-honored-with-best-teacher-awards-on-teachers-day" target="_blank">Ahmedabadમાં શિક્ષક દિને શ્રેષ્ઠ ગુરુજનોનું બહુમાન, મેયર હિતેશ બારોટના હસ્તે 27 ઉત્કૃષ્ટ શિક્ષકોને કરાયા સન્માનિત</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/hlnEZz0vNdD7ctiEebaqFLko8HNZxlLMqM5jBEL2.webp'/></item><item><title><![CDATA[Gold Silver Price Today: આજે કેટલુ મોંઘુ થયુ સોનું ? ચાંદીના શું છે ભાવ ? જાણો 10 ગ્રામનો રેટ ]]></title><link>https://sandesh.com/business/news/gold-silver-price-today-how-expensive-is-gold-today-what-is-the-price-of-silver-know-the-rate-of-10-grams</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/gold-silver-price-today-how-expensive-is-gold-today-what-is-the-price-of-silver-know-the-rate-of-10-grams</guid><pubDate>Sat, 05 Sep 2026 11:26:18 +05:30</pubDate><description><![CDATA[<p>બે દિવસની તેજી બાદ, શુક્રવારે વાયદા બજારમાં સોનાના ભાવ ₹431 ઘટીને ₹1.55 લાખ પ્રતિ 10 ગ્રામ પર સ્થિર થયા. યુએસ નોન-ફાર્મ પેરોલ ડેટા જાહેર થાય તે પહેલાં રોકાણકારોએ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું હોવાથી આ ઘટાડો થયો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર, ઓક્ટોબર ડિલિવરી માટે સોનાનો વાયદો ₹431 (0.28%) ઘટીને ₹1,55,344 પ્રતિ 10 ગ્રામ થયો.</p><p><b style="font-size: 2rem;">સોનાના ભાવ કેમ ઘટ્યા?</b></p><p>વેપારીઓના મતે તાજેતરની તેજી પછી નફા-બુકિંગને કારણે ભાવમાં ઘટાડો થયો હતો. વધુમાં યુએસ નોન-ફાર્મ પેરોલ ડેટા પહેલાં રોકાણકારો સાવધ રહ્યા હતા, જે યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજ દર વલણ અંગે નવા સંકેતો આપી શકે છે.</p><p>એ નોંધવું યોગ્ય છે કે આ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ લેબર દ્વારા બહાર પાડવામાં આવેલ એક મહત્વપૂર્ણ આર્થિક ડેટા પોઇન્ટ છે તે પાછલા મહિનામાં અર્થતંત્રમાં ઉમેરાયેલી નવી નોકરીઓની કુલ સંખ્યાને પ્રતિબિંબિત કરે છે, જેમાં કૃષિ ક્ષેત્ર, ખાનગી ઘરગથ્થુ કર્મચારીઓ અને બિન-લાભકારી સંસ્થાઓ (NGO) ના સ્ટાફનો સમાવેશ થતો નથી.</p><p>આ દરમિયાન વૈશ્વિક મોરચે, ન્યૂ યોર્કમાં ડિસેમ્બર ડિલિવરી માટે COMEX ગોલ્ડ ફ્યુચર્સ $4,528.54 પ્રતિ ઔંસ પર થોડો નીચો ટ્રેડ થયો. બ્રોકરેજ પ્લેટફોર્મ લેમનના રિસર્ચ હેડ ગૌરવ ગર્ગે જણાવ્યું હતું કે, "બજાર યુએસ નોન-ફાર્મ પેરોલ ડેટા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જે ડોલર, બોન્ડ યીલ્ડ અને કિંમતી ધાતુઓની ભવિષ્યની દિશા નક્કી કરી શકે છે."</p><p><b style="font-size: 1.75rem;">ચાંદીનો ભાવ</b></p><p>નફા-બુકિંગ અને વૈશ્વિક બજારોમાં સાવચેતીભર્યા વલણ વચ્ચે, શુક્રવારે ફ્યુચર્સ ટ્રેડિંગમાં ચાંદીના ભાવ ₹749 ઘટીને ₹2,41,600 પ્રતિ કિલોગ્રામ થયા. આનાથી પાછલા બે દિવસમાં ચાંદીના ભાવમાં વધારો અટકી ગયો.</p><p>મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર, ડિસેમ્બર ડિલિવરી માટે ચાંદીના વાયદા ₹749 (0.31%) ઘટીને ₹2,41,600 પ્રતિ કિલોગ્રામ પર સ્થિર થયા. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે તાજેતરની તેજીને પગલે રોકાણકારો દ્વારા નફા-બુકિંગને કારણે ચાંદીના ભાવ દબાણ હેઠળ આવ્યા હતા.</p><h3><b>આજે સોના અને ચાંદીના છૂટક ભાવ</b></h3><p>આજે, 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,56,670 છે, જે ગઈકાલની સરખામણીમાં ₹10 નો વધારો દર્શાવે છે. તેવી જ રીતે, 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,43,610 છે, જે પાછલા દિવસની સરખામણીમાં ₹10 નો વધારો દર્શાવે છે.</p><p>આ દરમિયાન, ચાંદીનો ભાવ આજે ₹1 ઘટીને ₹2,499 પ્રતિ 10 ગ્રામ થયો છે. પરિણામે, 100 ગ્રામ ચાંદીનો ભાવ આજે ₹24,990 છે, જે ગઈકાલની સરખામણીમાં ₹25,000 હતો. તેવી જ રીતે, 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ આજે ₹2,49,900 છે, જે ગઈકાલની સરખામણીમાં ₹100 નો ઘટાડો દર્શાવે છે.</p><h4><b>દેશના કેટલાક મોટા શહેરોમાં સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)&nbsp;</b></h4><p><br></p><table class="table table-bordered"><tbody><tr><td>શહેર</td><td>&nbsp;24 કેરેટ સોનાની કિંમત</td><td>&nbsp;22 કેરેટ સોનાની કિંમત&nbsp; &nbsp;</td></tr><tr><td>દિલ્હી&nbsp;</td><td>1,54,950&nbsp;</td><td>1,42,050</td></tr><tr><td>મુંબઈ&nbsp;</td><td>1,54,800&nbsp;</td><td>1,41,900&nbsp;</td></tr><tr><td>કોલકાતા&nbsp;</td><td>1,54,800&nbsp;</td><td>1,41,900</td></tr><tr><td>ચેન્નઈ&nbsp;</td><td>1,56,670&nbsp;</td><td>1,43,610</td></tr><tr><td>અમદાવાદ</td><td>&nbsp;1,54,850&nbsp;</td><td>1,41,950</td></tr><tr><td>સુરત&nbsp;</td><td>1,54,850&nbsp;</td><td>1,41,950</td></tr></tbody></table><p><br></p><h4><b>સોનું અને ચાંદી ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું?</b></h4><p><br></p><p>જો તમે સોનું ખરીદી રહ્યા હોવ તો હંમેશા હોલમાર્ક તપાસો અને 6 અંકનો HUID કોડ જોઈને જ ખરીદી કરો. ચાંદી માટે પણ BIS હોલમાર્ક હોય છે અને તેમાં 925 સ્ટર્લિંગ સિલ્વરને સૌથી સારી ગુણવત્તાનું માનવામાં આવે છે. ઉપરાંત, ખરીદી પહેલાં સોના અને ચાંદીની શુદ્ધતાની તપાસ પણ જરૂર કરાવો.</p><p><br></p><p><br></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/hORscNKtAPWdbX7GawiAYlMydDafpilgWXvP1DJj.webp'/></item></channel></rss>