<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Surendranagar: મૂળી હોસ્પિટલ નવી બનાવવા મંજૂરી આપો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surendranagar/surendranagar-permission-to-build-a-new-mooli-hospital</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surendranagar/surendranagar-permission-to-build-a-new-mooli-hospital</guid><pubDate>Fri, 14 Aug 2026 01:58:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મુળી સામુહીક આરોગ્ય કેન્દ્રની ઈમારત લાંબા સમયથી જર્જરીત છે. નવી હોસ્પીટલ બનાવવા માટે જમીનનું દાન પણ 2 વર્ષ પહેલા મળ્યુ છે. તેમ છતાં હોસ્પીટલને મંજુરી ન મળતા મુળી તાલુકા પંચાયતના કારોબારી સમીતીના ચેરમેન આ અંગે રાજયના આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો છે.</p><p style="text-align: justify; ">મુળી હાઈવે 52 સામુહીક આરોગ્ય કેન્દ્ર આવેલુ છે. વર્ષ 1986માં શરૂ થયેલ આ હોસ્પીટલની બીલ્ડીંગ લાંબા સમયથી જર્જરીત થઈ છે. વર્ષ 2024માં મુળી કેળવણી મંડળ દ્વારા નવી હોસ્પીટલ બનાવવા માટે 12,864 ચો.મી. જગ્યા બીન અવેજ દસ્તાવેજથી ગુણવત્તાયુકત હોસ્પીટલ બનાવવા દાનમાં આપેલ છે. તેમ છતાં રાજયમાંથી આ અંગે મંજુરી મળતી નથી. ત્યારે મુળી તાલુકા પંચાયતના કારોબારી સમીતીના ચેરમેન સત્યવીજયસિંહ રાજેન્દ્રસિંહ પરમારે રાજયના આરોગ્ય અને પરીવાર કલ્યાણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયાને પત્ર લખ્યો છે. આ પત્રમાં જણાવાયા મુજબ હોસ્પીટલનું નવુ બીલ્ડીંગ બનાવવા માટે વર્ષ 2025-26માં નાણાપંચ અંતર્ગત દરખાસ્ત મંજુર થયેલ છે. હાલની હોસ્પીટલની બીલ્ડીંગ જર્જરીત અને કામગીરીના ભારણને લઈને અતી નાની છે. સમગ્ર તાલુકા મથકે 24*7 સેવા આપતી આ એકમાત્ર હોસ્પીટલ હોઈ 80 બેડ અને નવી મહેકમ પેટર્ન સાથે હોસ્પીટલ બીલ્ડીંગને મંજુરી આપવા જણાવાયુ છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/toHYPDnk0szrR121SHNZguiCRt03imgCRjbCTAMm.webp'/></item><item><title><![CDATA[Dholka: ધોળકાની નોબલ પ્રાથમિક શાળાના માર્ગ પર સ્થાનિક શખ્સ દ્વારા દાદાગીરીનો આક્ષેપ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dholka/dholka--1-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dholka/dholka--1-1</guid><pubDate>Fri, 14 Aug 2026 01:57:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ધોળકા નગરપાલિકા વિસ્તારમાં આવેલી નોબલ પ્રાથમિક શાળાના મુખ્ય રસ્તા પર એક ઈસમ દ્વારા કથિત રીતે દાદાગીરી કરી રસ્તો બંધ કરી દેવામાં આવતો હોવાના આક્ષેપ સાથે શાળાના સંચાલક ધર્મેશભાઈ કિશોરભાઈ પટેલે ધારાસભ્ય સહિત મામલતદાર, પોલીસ અને શિક્ષણ વિભાગના અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે. અરજીમાં જણાવ્યા મુજબ, શાળાના મુખ્ય રસ્તા પર રામચંદ્ર શંકરલાલ કાછીયાપટેલ (મરચાવાળા) નામના ઈસમ દ્વારા શાળામાં આવતા બાળકો, વાલીઓ તથા શિક્ષિકાઓ સાથે કથિત રીતે અસભ્ય વર્તન કરવામાં આવે છે અને રસ્તો રોકી લોકોને પરેશાન કરવામાં આવે છે. શાળા સંચાલકનો આક્ષેપ છે કે સંબંધિત ઈસમને સમજાવવા છતાં તેમની સાથે ઉદ્ધત વર્તન કરવામાં આવ્યું હતું. તેમજ રાજકીય સંબંધો હોવાનો ઉલ્લેખ કરી કોઈ કાર્યવાહીથી પોતાનું કંઈ બગાડી નહીં શકાય તેવી ધમકી આપવામાં આવી હોવાનો પણ અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. આ પરિસ્થિતિને કારણે શાળાના સંચાલકો, સ્ટાફ્ તેમજ આશરે 600 જેટલા વિદ્યાર્થીઓના શિક્ષણ અને શાળાના શૈક્ષણિક વાતાવરણ પર અસર થતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અરજદારે સમગ્ર મામલેતાત્કાલિક તપાસ કરી રસ્તો ખુલ્લો કરાવવા તેમજ જવાબદાર ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે. આ અંગે ધોળકા પોલીસ, મામલતદાર કચેરી, જિલ્લા શિક્ષણ અધિકારી, ધોળકા નગરપાલિકા તથા ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/SVBA2RXPMPeuJNUql2LJVJry27tZMi4sAEHoCceQ.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: વિરમગામના સેરેશ્વર મહાદેવ સહિતના શિવાલયોમાં શ્રાવણની ઉજવણી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</guid><pubDate>Fri, 14 Aug 2026 01:06:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વિરમગામ : વિરમગામ શહેર સહિત સમગ્ર પંથકમાં શિવાલયો ગુરુવારે વહેલી સવારથી ઘંટનાદ સાથે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠયા હતા. શહેરમાં આવેલા સેરેશ્વેર, કાશી વિશ્વનાથ, હર હર મહાદેવ, જાળનાથ, ભવનાથ, પંચમુખી, નાગનાથ, સિધ્ધનાથ, વિરેશ્વર મહાદેવ સહિત શિવાલયોમાં શિવજીની ભક્તજનો દ્વારા એક માસ માટે પુજા અર્ચના શરૂ કરવામાં આવી હતી. શહેરથી ચાર કિમી જેટલા દુર હાંસલપુર વિસ્તારમાં આવેલા પ્રાચીન સેરેશ્વર મહાદેવ શિવાલયની શ્રાદ્ધાનો અનેરો મહિમા ભક્તજનોમાં રહ્યો છે. તેમજ શ્રાવણના દરેક સોમવારે સાંજે અહીંયા મેળો જામે છે. મોટી સંખ્યામાં શ્રાદ્ધાળુઓ વહેલી સવારે તેમજ સાંજે મહાદેવજીના દર્શનાર્થે તથા પુજા અર્ચના માટે શહેરમાંથી 4 કિલોમીટરના અંતરે આવેલ શિવાલયે ચાલતા આવવા જવાની ટેક ધરાવે છે. પ્રાચીન સેરેશ્વર દાદાએ શ્રાદ્ધાળુઓને શ્રાવણ માસમાં સવારે પૂજા અર્ચના, આરતીનો લાભ લઈ દર્શનાર્થે જાવવા આવવા માટે 1 માસ માટે બસની સુવિધા શરૂ કરાઈ છે. ગોલવાડ દરવાજા ચોકમાંથી સવારે 5:15 કલાકે બસ ઉપડશે. જે શહીદ બાગ થઈ મુનસર દરવાજા પાસેથી પસાર થઈ હાંસલપુર પહોંચશે. તેમજ સવારની આરતી બાદ તુરંત ત્યાંથી પરત ફ્રશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/hb3ZuI342a27ZkYKp8Vj3pynrsvrna7tXXeSptRd.webp'/></item><item><title><![CDATA[Ahmedabadમાં બાળ ભિક્ષાવૃત્તિ સામે મહિલા સેલની મોટી કાર્યવાહી, 3 બાળકોનું રેસ્ક્યુ કરાયું ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/womens-cell-takes-major-action-against-child-begging-in-ahmedabad-3-children-rescued</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/womens-cell-takes-major-action-against-child-begging-in-ahmedabad-3-children-rescued</guid><pubDate>Thu, 13 Aug 2026 23:04:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાંથી બાળ ભિક્ષાવૃત્તિની બદીને નાબૂદ કરવાના સ્પષ્ટ લક્ષ્યાંક સાથે મહિલા સેલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. આ કાર્યવાહી દરમિયાન જાહેર રસ્તાઓ પર ભીખ માંગી રહેલા 3 નિર્દોષ બાળકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મુક્ત કરાવવામાં આવેલા બાળકોમાં 12 વર્ષની બાળકી, 7 વર્ષની બાળકી અને 2 વર્ષના માસૂમ બાળકનો સમાવેશ થાય છે. મહિલા સેલની આ સરાહનીય કામગીરીથી શહેરમાં સનસનાટી મચી ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>માનવ તસ્કરી અને ડ્રગ્સ પેડલિંગની આશંકા</b></h2><p style="text-align: justify; ">બાળકોને બળજબરીથી કે કોઈ ગેરકાયદેસર ગિરોહ દ્વારા ભીખ માંગવા મજબૂર કરાતા હતા કે કેમ તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત, આ ઘટના પાછળ માનવ તસ્કરી (હ્યુમન ટ્રાફિકિંગ) કે ડ્રગ્સ પેડલિંગ જેવી ગંભીર પ્રવૃત્તિઓ સંકળાયેલી છે કે નહીં તેની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. રેસ્ક્યુ કરાયેલા તમામ બાળકોની ચાઈલ્ડ વેલફેર કમિટી (CWC) ના માર્ગદર્શન હેઠળ જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે તેમજ તેમને તાત્કાલિક મેડિકલ સારવાર પણ પૂરી પાડવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>બાળકોના પુનર્વસન, શિક્ષણ અને આરોગ્ય માટે AMC સાથે કરાશે સંકલન</b></h2><p style="text-align: justify; ">મહિલા સેલ દ્વારા માત્ર બાળકોને મુક્ત કરાવીને કામગીરી પૂર્ણ કરવામાં નથી આવી, પરંતુ તેમના ઉજ્જવળ ભવિષ્ય અને પુનર્વસન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સાથે સતત સંકલન કરવામાં આવી રહ્યું છે. આ બાળકોને યોગ્ય પોષણ, આરોગ્ય વિષયક સુવિધાઓ અને પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટે તંત્ર દ્વારા ખાસ કામગીરી હાથ ધરવામાં આવશે, જેથી આ બાળકો ફરી ક્યારેય ભિક્ષાવૃત્તિના દલદલમાં ન ધકેલાય.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/surendranagar/sog-action-in-dhrangadhra-surendranagar-fake-mbbs-doctor-arrested-from-jesada-village" target="_blank">Surendranagarના ધ્રાંગધ્રામાં SOG ની કાર્યવાહી, જેસડા ગામેથી નકલી MBBS ડોક્ટર ઝડપાયો</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/gHkJRJ4Rqp8VjI4gVctiz9NRgTa6Fe23tjGytRcN.webp'/></item><item><title><![CDATA[Mumbai Local Train Murder Case : 11 પાનાની ચાર્જશીટ દાખલ, 68 સાક્ષીના લેવાયા નિવેદન ]]></title><link>https://sandesh.com/india/news/crime/mumbai-local-train-murder-case-charge-sheet-68-witness-statements</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/crime/mumbai-local-train-murder-case-charge-sheet-68-witness-statements</guid><pubDate>Thu, 13 Aug 2026 22:38:46 +05:30</pubDate><description><![CDATA[<p>મુંબઈની લોકલ ટ્રેનમાં 24 જૂને થયેલા 22 વર્ષીય મયંક લોહાર હત્યા કેસમાં બોરીવલી રેલવે પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે. પોલીસે કોર્ટમાં આશરે 1100 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે. તેમાં તપાસ દરમિયાન સામે આવેલા મહત્વપૂર્ણ તથ્યો, પુરાવા અને સાક્ષીઓના નિવેદનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.</p><h2><b>24 જૂને બની હતી ઘટના&nbsp;</b></h2><p>પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં કુલ 68 સાક્ષીઓના નિવેદનો સામેલ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ નિવેદનો ઘટનાની કડીઓને જોડવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. 24 જૂને મુંબઈની લોકલ ટ્રેનમાં ચાકૂબાજીની ઘટના દરમિયાન મયંક લોહાર પર હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયા બાદ તેનું મોત થયું હતું. ત્યારબાદ બોરીવલી રેલવે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.</p><h3><b>સુનાવણી ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં કરાવવાની માગ</b></h3><p>કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બોરીવલી રેલવે પોલીસે આ કેસની સુનાવણી ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં કરાવવાની માગ પણ કરી છે. પોલીસનું કહેવું છે કે ચાર્જશીટ દાખલ થઈ ચૂકી હોવાથી હવે કેસની સુનાવણી ઝડપથી આગળ વધારવામાં આવે. આ ઉપરાંત પોલીસે વરિષ્ઠ વકીલ અજય મિસારને વિશેષ સરકારી વકીલ તરીકે નિયુક્ત કરવાની ભલામણ પણ કરી છે. આના મારફતે કેસની કોર્ટમાં મજબૂત રીતે રજૂઆત કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.</p><h4><b>મુસાફરોની સુરક્ષાને લઈને ગંભીર સવાલો</b></h4><p>મુંબઈની લોકલ ટ્રેનમાં બનેલી આ ચાકૂબાજીની ઘટનાએ મુસાફરોની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉભા કર્યા હતા. હવે ચાર્જશીટ દાખલ થયા બાદ કેસની કાનૂની કાર્યવાહી આગળ વધવાનો માર્ગ ખુલ્યો છે. પોલીસે તપાસ દરમિયાન એકત્ર કરેલા પુરાવા અને 68 સાક્ષીઓના નિવેદનોના આધારે ચાર્જશીટ તૈયાર કરી છે. હવે કોર્ટમાં સુનાવણી દરમિયાન આ પુરાવા અને સાક્ષીઓના નિવેદનો મહત્વપૂર્ણ બની શકે છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/crime/kolkata-nrs-hospital-woman-nurse-found-dead-toilet" target="_blank">આ પણ વાંચો : Kolkataમાં ફરી આરજી કર જેવો કાંડ, NRS હોસ્પિટલના ટોયલેટમાંથી મહિલા નર્સનો મૃતદેહ મળ્યો!</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/BflZQIEK5QAT0eAA3xFtEDukjQop1qnmxlqa8QU9.webp'/></item><item><title><![CDATA[Gujarat Dam level News: રાજ્યના 26 ડેમ 100 ટકા ભરાયા, નર્મદા ડેમમાં 86.12 ટકા પાણીનો સંગ્રહ ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/26-dams-full-narmada-dam-reaches-86--water-storage</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/26-dams-full-narmada-dam-reaches-86--water-storage</guid><pubDate>Thu, 13 Aug 2026 22:38:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નર્મદા જળસંપત્તિ અને કલ્પસર વિભાગના 13 ઓગસ્ટ 2026ના દૈનિક અહેવાલ અનુસાર,ગુજરાતના જળાશયોમાં પાણીનો એકંદર સંગ્રહ નોંધપાત્ર અને સંતોષજનક સ્તરે પહોંચ્યો છે.રાજ્યના કુલ 207 યોજનાકીય જળાશયોની ડિઝાઇન ક્ષમતા 25,257.56 એમ.સી.એમ. (MCM) સામે હાલ 18,351.72 MCM પાણીનો કુલ સંગ્રહ ઉપલબ્ધ છે,જે કુલ ક્ષમતાના 72.66% ભરાવ દર્શાવે છે.સમગ્ર રાજ્યમાં કુલ 26 ડેમ સંપૂર્ણપણે (100%) ભરાઈ ગયા છે, જ્યારે સરદાર સરોવર નર્મદા ડેમ એકમાત્ર સૌથી મોટો જળસ્ત્રોત બનીને તેની કુલ ક્ષમતાના 86.12% સંગ્રહ ધરાવે છે.</p><h2 style="text-align: justify; "><b>કચ્છમાં 20 માંથી માત્ર 1 ડેમ સંપૂર્ણ ભરાયો</b></h2><p style="text-align: justify; ">પ્રાદેશિક દ્રષ્ટિએ વિશ્લેષણ કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના જળાશયોમાં સૌથી વધુ પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે, જ્યાં 13 જળાશયોમાં 75.49% પાણીનો ભરાવ છે અને 9 ડેમ પૂર્ણ ભરાઈ ચૂક્યા છે. મધ્ય ગુજરાતના 17 ડેમોમાં 60.67% જળસંગ્રહ છે, જેમાં 1 ડેમ 100% ભરાયેલો છે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં કુલ 53.30% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે અને 15 ડેમ સંપૂર્ણ ભરાયા છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 42.65% સંગ્રહ નોંધાયો છે, જેમાં હજુ સુધી એકપણ ડેમ સંપૂર્ણ ભરાયો નથી. સૌથી ઓછી સ્થિતિ કચ્છમાં 20 માંથી માત્ર 1 ડેમ સંપૂર્ણ ભરાયો છે અને કુલ સંગ્રહ ક્ષમતાના 25.21% જ સંગ્રહ થયો છે.</p><h2 style="text-align: justify; "><b>સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લો 97.07% પાણીના સંગ્રહ સાથે આગળ</b></h2><p style="text-align: justify; ">જિલ્લાવાર પરિસ્થિતિનું મૂલ્યાંકન કરતાં દક્ષિણ ગુજરાતના ભરૂચ અને નવસારી જિલ્લાઓ 100% જળસંગ્રહ સાથે શીર્ષ સ્થાને છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લો 97.07% ની ઊંચી સંગ્રહ ક્ષમતા સાથે આગળ છે, ત્યારબાદ સુરેન્દ્રનગર (83.34%) અને અમરેલી (72.93%) જિલ્લા આવે છે. આનાથી વિપરીત, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થિતિ ચિંતાજનક છે, જ્યાં માત્ર 1.08% જળસંગ્રહ ઉપલબ્ધ છે. ઉપરાંત જામનગરમાં 11.73%, જૂનાગઢમાં 24.39% અને બનાસકાંઠામાં 21.14% જેવો નોંધપાત્ર રીતે ઓછો જળસંગ્રહ જોવા મળી રહ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>સરદાર સરોવર ડેમમાં હાલ 134.47 મીટરની જળસપાટી</b></h2><p style="text-align: justify; ">મુખ્ય યોજનાઓ અને નદીઓના વહેણ પર નજર કરીએ તો, નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમમાં હાલ 134.47 મીટરની જળસપાટીએ 8,146.70 MCM પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જેમાં 95,583 ક્યુસેકની સરેરાશ આવક સામે 4,124 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. અન્ય મુખ્ય ડેમો પૈકી ભાવનગરનો શેત્રુંજી ડેમ 100% ભરાઈને 'હાઈ એલર્ટ' પર છે, તાપીનો ઉકાઈ ડેમ 76.19% ભરાઈને 'વોર્નિંગ' હેઠળ છે જ્યાં 37,584 ક્યુસેક આવક નોંધાઈ છે, અને મોરબીનો મચ્છુ-2 ડેમ 92.26% સાથે 'હાઈ એલર્ટ' પર મુકાયો છે. પાછલા વર્ષોની સરખામણીએ 31મી મેની સ્થિતિ બાદ રાજ્યના જળસંગ્રહમાં 1.74 લાખ MCMથી વધુનો નોંધપાત્ર વધારો થયો છે, જે રાજ્યની આગામી પીવાના અને સિંચાઈના પાણીની જરૂરિયાતો માટે અત્યંત સાનુકૂળ સંકેત આપે છે.<br><br><a href="https://sandesh.com/india/news/chamoli-tunnel-collapse-20-workers-trapped-after-thdc-project-tunnel-collapses-in-chamoli-uttarakhand-13-rescued-safely" target="_blank">આ પણ વાંચોઃ વાંચો 20 જુલાઈના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/kyZoZwC1bNAh4tt3f8q83R4hwqtrT3hFvECEh0wy.webp'/></item><item><title><![CDATA[Kolkataમાં ફરી આરજી કર જેવો કાંડ, NRS હોસ્પિટલના ટોયલેટમાંથી મહિલા નર્સનો મૃતદેહ મળ્યો! ]]></title><link>https://sandesh.com/india/news/crime/kolkata-nrs-hospital-woman-nurse-found-dead-toilet</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/crime/kolkata-nrs-hospital-woman-nurse-found-dead-toilet</guid><pubDate>Thu, 13 Aug 2026 21:42:40 +05:30</pubDate><description><![CDATA[<p>કોલકાતાની નીલરતન સરકારી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (NRS)માં બુધવારની રાત્રે એક મહિલા નર્સનો મૃતદેહ હોસ્પિટલના ટોયલેટમાંથી મળી આવતા હડકંપ મચી ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, ટોયલેટનો દરવાજો લાંબા સમયથી અંદરથી બંધ હતો અને વારંવાર અવાજ આપવા છતાં અંદરથી કોઈ જવાબ મળ્યો ન હતો. ત્યારબાદ હોસ્પિટલના કર્મચારીઓએ પોલીસને જાણ કરી હતી.</p><h2><b>પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો&nbsp;</b></h2><p>માહિતી મળતાં જ પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે ટોયલેટની બહારથી નર્સને અવાજ આપી જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ પ્રતિક્રિયા ન મળતા આખરે દરવાજો તોડી નાખવામાં આવ્યો હતો. અંદર મહિલા નર્સનો મૃતદેહ પડેલો મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હાલ નર્સના મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. એન્ટાલી પોલીસ સ્ટેશનની ટીમ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.</p><h3><b>પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી&nbsp;</b></h3><p>પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મહિલા નર્સની બુધવારે નાઈટ શિફ્ટ હતી અને તે રાત્રે આશરે 8 વાગ્યે ડ્યૂટી પર પહોંચી હતી. તેની સાથે કામ કરતા કર્મચારીઓના જણાવ્યા મુજબ, રાત્રે 9થી 10 વાગ્યાની વચ્ચે તે હોસ્પિટલના ટોયલેટમાં ગઈ હતી. લાંબા સમય સુધી તે પરત ન ફરતાં સહકર્મચારીઓને ચિંતા થઈ હતી. તેમણે ટોયલેટની બહારથી અનેક વખત અવાજ લગાવ્યો, પરંતુ અંદરથી કોઈ જવાબ મળ્યો નહોતો. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. હવે પોલીસ નર્સનું મોત કયા સંજોગોમાં થયું અને ટોયલેટની અંદર શું બન્યું હતું તે અંગે તપાસ કરી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ વધુ સ્પષ્ટ થવાની શક્યતા છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/chamoli-tunnel-collapse-20-workers-trapped-after-thdc-project-tunnel-collapses-in-chamoli-uttarakhand-13-rescued-safely" target="_blank">આ પણ વાંચો : Chamoli Tunnel Collapse: ઉત્તરાખંડના ચમોલીમાં THDC પ્રોજેક્ટની ટનલ ધસતાં 20 શ્રમિક ફસાયા, 13ને સુરક્ષિત બહાર કઢાયા</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/issFW7Xc59urIRHHGSlqrO1dRKQFNMdmP3r5neIL.webp'/></item><item><title><![CDATA[Cab ઝડપથી મેળવવા માટે ટિપ આપવાની જરૂર નહીં, સરકારનો એગ્રીગેટર્સને મોટો આદેશ ]]></title><link>https://sandesh.com/india/news/business/cab-aggregators-pre-ride-tip-ban-government-order</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/cab-aggregators-pre-ride-tip-ban-government-order</guid><pubDate>Thu, 13 Aug 2026 19:30:40 +05:30</pubDate><description><![CDATA[<p>કેબથી મુસાફરી કરતા લોકો માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવે Uber, Ola સહિતના કેબ એગ્રીગેટર્સ મુસાફરોને સફર શરૂ થાય તે પહેલાં ટિપ આપવા માટે કહી શકશે નહીં. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે તમામ મોટર વ્હીકલ એગ્રીગેટર્સને પોતાના મોબાઈલ એપ અને ડિજિટલ પ્લેટફોર્મ પરથી પ્રી-રાઈડ ટિપનો વિકલ્પ દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે.</p><h2><b>મુસાફરો પર વધારાની ટિપ આપવાનું દબાણ ઘટશે</b></h2><p>સરકારના ધ્યાનમાં આવ્યું હતું કે કેટલાક કેબ એપ્સ પર બુકિંગ દરમિયાન ‘Advance Tip’, ‘Choose an Add-on’ અને ‘Improve your chances of quicker ride confirmation’ જેવા વિકલ્પો દર્શાવવામાં આવતા હતા. આ પ્રકારના મેસેજથી મુસાફરોને એવું લાગી શકે છે કે અગાઉથી ટિપ આપવાથી કેબ ઝડપથી કન્ફર્મ થશે અથવા ડ્રાઈવર રાઈડ વહેલી સ્વીકારશે.</p><p>નવી સૂચના મુજબ, કેબ બુક કરતા પહેલાં એવી કોઈ ટિપ, મેસેજ કે પેમેન્ટ સુવિધા દર્શાવી શકાશે નહીં, જેનાથી વધારાના પૈસા ચૂકવવાથી વધુ સારી અથવા ઝડપી સેવા મળતી હોવાનો સંકેત મળે. તેમાં રાઈડ સ્વીકારવાનો સમય, બુકિંગ કન્ફર્મેશન, ડ્રાઈવર ફાળવણી અને રાહ જોવાના સમય જેવી બાબતોનો સમાવેશ થાય છે.</p><h3><b>રાઈડ પૂર્ણ થયા બાદ ટિપ આપી શકાશે</b></h3><p>જોકે, સરકારે ટિપ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો નથી. મુસાફરો રાઈડ પૂર્ણ થયા બાદ પોતાની ઈચ્છાથી ડ્રાઈવરને ટિપ આપી શકશે. ખાસ વાત એ છે કે ટિપની સંપૂર્ણ રકમ ડ્રાઈવરને જ આપવાની રહેશે અને કેબ એગ્રીગેટર તેમાં કોઈ હિસ્સો કાપી શકશે નહીં.</p><p>આ મામલે અગાઉ સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) દ્વારા પણ કેબ પ્લેટફોર્મને પ્રી-રાઈડ ટિપની વ્યવસ્થા બંધ કરવા સૂચના આપવામાં આવી હતી. હવે મંત્રાલયે તમામ એગ્રીગેટર્સને Motor Vehicle Aggregator Guidelines 2025 મુજબ એપમાં જરૂરી ફેરફાર કરવા કહ્યું છે. આ નિર્ણયથી કેબ બુકિંગ દરમિયાન મુસાફરો પર વધારાની ટિપ આપવાનું દબાણ ઘટશે.</p><p><b><a href="https://sandesh.com/knowledge/news/india/air-india-pilot-dope-test-what-is-a-dope-test-for-pilots-know-what-information-comes-out-of-it" target="_blank">આ પણ વાંચો : Air India Pilot Dope Test: શુ હોય છે પાયલટોનો ડોપ ટેસ્ટ, જાણો તેનાથી કઇ માહિતી આવે છે સામે?</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/xHK3QC9MQVbe6Ef0DMI7SUS3FtP5us0zhg710CHW.webp'/></item><item><title><![CDATA[Bollywood : રિલીઝ પહેલાં જ રચ્યો ઈતિહાસ! આવારાપન 2એ એડવાન્સ બુકિંગમાં તોડ્યો ભાગ-1ની કુલ કમાણીનો રેકોર્ડ ]]></title><link>https://sandesh.com/entertainment/news/awarapan-2-advance-booking-part-1-record</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/awarapan-2-advance-booking-part-1-record</guid><pubDate>Thu, 13 Aug 2026 18:09:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઇમરાન હાશમીની 2007માં આવેલી ફિલ્મ આવારાપનને આજે ભલે ક્લાસિક ફિલ્મ માનવામાં આવે છે, પરંતુ રિલીઝ સમયે તે બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી. તે સમયે ફિલ્મે પોતાના સમગ્ર સમયગાળામાં માત્ર 7.7 કરોડની કમાણી કરી હતી. જોકે સમય જતાં કેબલ, ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા આ ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો અને તે એક કલ્ટ ફિલ્મ બની ગઈ. વર્ષો પછી તેની લોકપ્રિયતાનો સીધો ફાયદો હવે તેની સિક્વલને મળી રહ્યો છે, જે આ વીકએન્ડે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.</p><h2 style="text-align: justify; "><b>એડવાન્સ બુકિંગમાં બનાવ્યો નવો રેકોર્ડ</b></h2><p style="text-align: justify; ">આવારાપન 2ની એડવાન્સ બુકિંગ રિલીઝના માત્ર 48 કલાક પહેલાં શરૂ કરવામાં આવી હતી, પરંતુ દર્શકોના જબરદસ્ત ઉત્સાહને કારણે તેને શાનદાર શરૂઆત મળી. રિલીઝના બરાબર એક દિવસ પહેલાં સુધી ફિલ્મની પહેલા દિવસની 1.3 લાખથી વધુ ટિકિટ વેચાઈ ચૂકી હતી. એડવાન્સ બુકિંગ દ્વારા જ ફિલ્મ પહેલા દિવસ માટે લગભગ 4 કરોડનું ગ્રોસ કલેક્શન કરી ચૂકી છે. જો સમગ્ર ઓપનિંગ વીકએન્ડના એડવાન્સ બુકિંગના આંકડા જોવામાં આવે તો આ આંકડો 9 કરોડ ગ્રોસથી પણ વધારે થઈ ગયો છે. આ રીતે ફિલ્મ રિલીઝ પહેલાં જ તેના પહેલા ભાગની કુલ કમાણીથી આગળ નીકળી ગઈ છે.</p><h3 style="text-align: justify; "><b>બોક્સ ઓફિસ કલેક્શનનો નવો રેકોર્ડ</b></h3><p style="text-align: justify; ">2007માં રિલીઝ થયેલી આવારાપન એ પહેલા દિવસે 79 લાખની કમાણી કરી હતી અને પહેલા વીકએન્ડમાં માત્ર 2.88 કરોડનું કલેક્શન કર્યું હતું. તેની સામે આવારાપન 2 ઇમરાન હાશમીની કારકિર્દીની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ મેળવનારી ફિલ્મ બનવાની દિશામાં આગળ વધી રહી છે. બોક્સ ઓફિસ નિષ્ણાતોના અનુમાન મુજબ આ ફિલ્મ પહેલા જ દિવસે 15 થી 20 કરોડ વચ્ચેનું શાનદાર નેટ કલેક્શન કરી શકે છે. આ ઉપરાંત દુનિયાભરના સિનેમાઘરોમાં પહેલા વીકએન્ડ દરમિયાન જ ફિલ્મ 100 કરોડનો આંકડો પાર કરી શકે છે, જે તેના પહેલા ભાગની કુલ કમાણી કરતાં અનેક ગણી વધારે છે.</p><h4 style="text-align: justify; "><b>બોક્સ ઓફિસ પર ટક્કર અને સ્ટારકાસ્ટ</b></h4><p style="text-align: justify; ">આ શુક્રવારે બોક્સ ઓફિસ પર આવારાપન 2ની સીધી ટક્કર સની દેઓલની ફિલ્મ બંટવારા 1947 સાથે થઈ રહી છે. જોકે હાલના ટ્રેન્ડ અને એડવાન્સ બુકિંગના આંકડા જોતા ટ્રેડ વિશ્લેષકોનું માનવું છે કે આ મુકાબલામાં આવારાપન 2 ઘણી આગળ નીકળી શકે છે. નિતિન કક્કડના દિગ્દર્શન અને વિશેષ ભટ્ટના નિર્માણમાં બનેલી આ ફિલ્મમાં ઇમરાન હાશમી ફરી એકવાર પોતાના લોકપ્રિય પાત્ર શિવમ પંડિત તરીકે પરત ફરી રહ્યા છે. ફિલ્મમાં તેમની સાથે શબાના આઝમી, દિશા પટણી અને સુવિંદર વિક્કી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ મોસ્ટ અવેટેડ ફિલ્મ 14 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/munawar-faruqui-the-traitors-2-exit-crying-video" target="_blank">આ પણ વાંચો-The Traitors 2માંથી બહાર થયો મુનાવર ફારુકી! રડતાં રડતાં બાકી કન્ટેસ્ટેન્ટ સંભળાવી ખરીખોટી!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/xtmYEBpgQaFavCvHpmLH220UG3bUcjBApPnz5ciO.webp'/></item><item><title><![CDATA[Lionel Messiની પિતાના અવસાન બાદ પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'મને ખબર નથી કે હવે...' ]]></title><link>https://sandesh.com/sports/news/lionel-messi-father-jorge-messi-death-emotional-post</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/lionel-messi-father-jorge-messi-death-emotional-post</guid><pubDate>Wed, 12 Aug 2026 23:40:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">લિયોનેલ મેસ્સીના પિતા જોર્જ મેસ્સીનું 8 ઓગસ્ટના રોજ 68 વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન થયું હતું. આ પછી લિયોનેલ મેસ્સીએ 12 ઓગસ્ટના રોજ તેમના પિતાના અવસાન પર પહેલીવાર મૌન તોડ્યું જેમાં તેને સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી જેમાં તેમણે ભવિષ્યમાં ફૂટબોલ રમવા અંગે શંકા વ્યક્ત કરી હતી.</p><p style="text-align: justify;">લિયોનેલ મેસ્સીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર તેમના પિતા જોર્જ સાથેનો એક ફોટો પોસ્ટ કર્યો અને એક નોટ પણ શેર કરી જેમાં તેને લખ્યું કે તેઓ આ મોટી ખોટ સ્વીકારી શકતા નથી અને તેને સમજાતું નથી કે તે તેના પિતા વિના જીવનમાં કેવી રીતે આગળ વધશે કારણ કે તેઓ મારા બેસ્ટ મિત્ર, માર્ગદર્શક અને એજન્ટ પણ હતા.</p><h2 style="text-align: justify;"><b>મને ખબર નથી કે આગળ કેવી રીતે આગળ વધવું</b></h2><p style="text-align: justify;">પિતાના અવસાન પછી લિયોનેલ મેસ્સીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી એક પોસ્ટમાં લખ્યું છે કે "મને ખબર નથી કે હું તમારા વિના શું કરીશ. મને ખબર નથી કે આગળ કેવી રીતે વધવું. હું ફક્ત ફૂટબોલ રમી રહ્યો હતો, પરંતુ હવે મારી પાસે ઘણા સવાલો છે કે શું હું ચાલુ રાખી શકીશ." મેસ્સીએ સમજાવ્યું કે તેના પિતાએ તેને દરેક બાબતમાં સપોર્ટ આપ્યો અને હંમેશા તેના નિર્ણયોમાં વિશ્વાસ રાખ્યો. "બધા માટે આભાર. હું તમને પ્રેમ કરું છું, પપ્પા."</p><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/Db8MYnQjYsC/?img_index=1" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/Db8MYnQjYsC/?img_index=1" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a><br></p><h3 style="text-align: justify;"><b>વર્લ્ડકપ શરૂ થવાના થોડા દિવસ પહેલા તે બીમાર પડ્યા&nbsp;</b></h3><p style="text-align: justify;">પોતાની પોસ્ટમાં લિયોનેલ મેસ્સીએ સમજાવ્યું કે વર્લ્ડકપ 2026 શરૂ થવાના થોડા દિવસો પહેલા તેના પિતાની તબિયત અચાનક બગડી ગઈ હતી, જેના કારણે જોર્જ પહેલી વાર કોઈ ટુર્નામેન્ટમાં હાજરી આપી શક્યા ન હતા. "હું દરેક મેચ પછી મારા પિતાના મેસેજની રાહ જોતો હતો. મને તમારી ખૂબ જ યાદ આવશે, પણ તમે હંમેશા સાથે રહેશો. ખાસ કરીને મારા બાળકોને ઉછેરવામાં, કારણ કે હું તેમને એ જ રીતે શીખવીશ અને ઉછેરીશ જે રીતે તમે મને ઉછેર્યો છે."</p><h4 style="text-align: justify;"><b>મેસ્સીને રોનાલ્ડોનો સપોર્ટ મળ્યો</b></h4><p style="text-align: justify;">મેસ્સીના પિતાના અવસાન પછી જ્યારે તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી, ત્યારે તેને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો સપોર્ટ મળ્યો, જેમાં રોનાલ્ડોએ તેની પોસ્ટ પર કોમેન્ટ કરી અને લખ્યું છે કે લીઓ, આ મુશ્કેલ સમયમાં તને અને તારા પરિવારને મારું મોટું હગ, તમને ઘણી શક્તિ મળે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/TGH56UwXwOH6bh1EQIGogFs2CidMiip8syDerxly.webp'/></item></channel></rss>