<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Surat ડોક્ટર આપઘાત કેસમાં રેગિંગના પુરાવા મળતાં 4 સિનિયર રેસિડેન્ટ ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-doctor-suicide-case-4-senior-resident-doctors-suspended-for-6-months-after-evidence-of-ragging-found</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-doctor-suicide-case-4-senior-resident-doctors-suspended-for-6-months-after-evidence-of-ragging-found</guid><pubDate>Mon, 10 Aug 2026 10:01:28 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતની નવી સિવિલ હોસ્પિટલની બોયઝ હોસ્ટેલમાં રેસિડેન્ટ ડોક્ટરના રહસ્યમય આપઘાત કેસમાં એક મોટો અને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. પ્રાથમિક તપાસ અને સઘન પૂછપરછ દરમિયાન મૃતક ડોક્ટર સાથે રેગિંગ થયું હોવાના સ્પષ્ટ પુરાવા મળી આવ્યા છે. સિનિયર ડોક્ટરો દ્વારા આપવામાં આવતા સતત માનસિક ત્રાસના કારણે જ કંટાળીને આ આત્યંતિક પગલું ભરવામાં આવ્યું હોવાનો પર્દાફાશ થતાં હોસ્પિટલ પરિસરમાં ભારે ચકચાર મચી ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>4 સિનિયર રેસિડેન્ટ તબીબો સામે કડક પગલાં</b></h2><p style="text-align: justify; ">રેગિંગની ગંભીર બાબત સામે આવતાં જ હોસ્પિટલ અને કોલેજ તંત્ર દ્વારા ત્વરિત અને આકરાં પગલાં ભરવામાં આવ્યા છે. રેગિંગમાં સંડોવાયેલા ચાર સિનિયર રેસિડેન્ટ તબીબો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ ચારેય આરોપી તબીબોની ઓળખ થઈ છે: ડો. નિરાલી વસાવે, ડો. અનુજ મહેશ્વરી, ડો. હિના ભૂત, ડો. દીક્ષિતા સેસારિયન.</p><h3 style="text-align: justify; "><b>હોસ્પિટલ, હોસ્ટેલ અને ટીચિંગ એક્ટિવિટીમાંથી સસ્પેન્ડ કરાયા</b></h3><p style="text-align: justify; ">દોષિત ઠરેલા આ ચારેય સિનિયર રેસિડેન્ટ ડોક્ટરોને ૬ મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ શિસ્તભંગની કાર્યવાહી હેઠળ તેમને હોસ્પિટલની કામગીરી, હોસ્ટેલ નિવાસ તેમજ તમામ પ્રકારની ટીચિંગ એક્ટિવિટીમાંથી તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યા છે. બીજી તરફ, ખટોદરા પોલીસે આ મામલે રેગિંગ પ્રતિબંધક કાયદા હેઠળ ગુનો નોંધીને ચારેય ડોક્ટરો સામે કાયદાકીય શિકંજો કસવાની તજવીજ હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/cNSr4u20SwQZwjxBVQtnZurnJc8K87QHVZ6R6uZJ.webp'/></item><item><title><![CDATA[Tej Pratap Yadav: 'ભોજપુરી બાવલ' શોમાં તેજ પ્રતાપનો ધડાકો, RJD છોડવા અને તેજસ્વી સાથે વિવાદ અંગે કર્યા ચોંકાવનારા ખુલાસા ]]></title><link>https://sandesh.com/entertainment/news/tej-pratap-yadav-tej-prataps-outburst-on-the-show-bhojpuri-bawal-made-shocking-revelations-about-leaving-rjd-and-dispute-with-tejashwi</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/tej-pratap-yadav-tej-prataps-outburst-on-the-show-bhojpuri-bawal-made-shocking-revelations-about-leaving-rjd-and-dispute-with-tejashwi</guid><pubDate>Mon, 10 Aug 2026 10:01:03 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જિયો હોટસ્ટારનો લોકપ્રિય રિયાલિટી શો "ભોજપુરી બાવલ" હાલ ખૂબ ચર્ચામાં છે. પવન સિંહ, દિનેશ લાલ યાદવ 'નિરહુઆ', કાજલ રાઘવાની અને આમ્રપાલી દુબે જેવા કલાકારો વચ્ચેની ગરમાગરમ ચર્ચાઓ વચ્ચે તાજેતરના એપિસોડમાં બિહારના રાજકારણનો નવો વળાંક જોવા મળ્યો હતો. શોમાં ખાસ મહેમાન તરીકે પહોંચેલા તેજ પ્રતાપ યાદવે શુભંકર મિશ્રા સાથેની ખાસ વાતચીતમાં RJD છોડવા, પારિવારિક અણબનાવ અને નવી પાર્ટી બનાવવા અંગે નિખાલસપણે ખુલાસા કર્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>તેજ પ્રતાપ યાદવે શા માટે છોડી RJD</b></h2><p style="text-align: justify; ">જ્યારે તેજ પ્રતાપ યાદવને પૂછવામાં આવ્યું કે તેમણે પોતાની જૂની પાર્ટી અને પરિવાર છોડીને 'જનશક્તિ જનતા દળ' (JJD) કેમ બનાવી, ત્યારે તેમણે જણાવ્યું કે જેમ-જેમ તેમની પ્રગતિ થઈ રહી હતી, તેમ-તેમ લોકોમાં ઈર્ષ્યા વધવા લાગી હતી. તેમણે આરોપ લગાવ્યો કે RJD માં કેટલાક બહારના 'જયચંદો'નો પ્રભાવ વધી ગયો હતો અને તેમણે પાર્ટી પર સંપૂર્ણ કબજો કરી લીધો હતો. આ જ કારણે તેમને ચૂંટણીના ૨-૩ વર્ષ પહેલાંથી જ આડકતરી રીતે બાજુ પર ધકેલવાનો પ્રયાસ થઈ રહ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>ક્યારથી શરૂ થયો તેજ પ્રતાપને સાઈડમાં કરવાનો સિલસિલો?</b></h3><p style="text-align: justify; ">પોતાની સાથે થયેલા અન્યાય વિશે વાત કરતા તેમણે કહ્યું કે, ગાંધી મેદાનમાં જ્યારે તેમણે આક્રમક ભાષણ આપ્યું અને જનતાએ તેમને સ્વીકાર્યા, ત્યારથી જ પાર્ટીના કેટલાક લોકોને તે ન ગમ્યું. ત્યારપછી તેમના સમર્થકોને ટિકિટ ન આપવી, મંચ પર સ્થાન ન આપવું અને પોસ્ટર-બેનરોમાંથી તેમનો ફોટો હટાવી દેવા જેવી બાબતોથી સ્પષ્ટ થઈ ગયું હતું કે તેમને બાજુ પર કરવામાં આવી રહ્યા છે. જોરદાર ભાષણ બાદ લોકપ્રિયતા વધી હતી. જેથી ઘણા લોકોનો પેટમાં તેલ રેડાયું અને પાર્ટીમાં મને સાઈડલાઈન કરવાની શરૂઆત થઈ.</p><h4 style="text-align: justify; "><b>ભાઈ તેજસ્વી યાદવ સાથેના અંતરનું અસલી કારણ</b></h4><p style="text-align: justify; ">તેજસ્વી યાદવ સાથેના સંબંધોમાં પડેલી તિરાડ અંગે વાત કરતા તેમણે ઉમેર્યું કે, જ્યારે બે ભાઈઓ વચ્ચે પ્રેમ હોય ત્યારે કોઈ ત્રીજો વ્યક્તિ તેનો ગેરફાયદો ઉઠાવવા વચ્ચે આવી જાય છે. તેમણે દાવો કર્યો કે તે સમયે તેજસ્વી આ વાત સમજી શક્યા નહીં અને આજે પણ એ ત્રીજો વ્યક્તિ જ પાર્ટી પર પ્રભુત્વ ધરાવે છે. જો તેઓ પોતે ત્યાં હોત તો આજે પાર્ટીની આવી પરિસ્થિતિ ન થઈ હોત.</p><h4 style="text-align: justify; "><b>શું ભવિષ્યમાં RJD માં વાપસી શક્ય છે?</b></h4><p style="text-align: justify; ">પરિવાર સાથે ફરી જોડાવાની શક્યતાઓ અંગે તેજ પ્રતાપ યાદવે સ્પષ્ટ કર્યું કે પરિવારના સભ્યો સાથે અંગત સ્તરે વાતચીત ચાલુ છે અને અંગત જીવનનું પોતાનું અલગ સ્થાન છે. પરંતુ રાજકીય કે વ્યાવસાયિક સ્તરે હવે ફરીથી એક થવું કે RJD માં જોડાવું શક્ય નથી, પછી ભલે ગમે તેટલું મોટું પદ આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે, લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ પારિવારિક અને રાજકીય તિરાડ બાદ પોતાની નવી પાર્ટી 'જનશક્તિ જનતા દળ' (JJD) ની સ્થાપના કરી હતી.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/sara-tendulkar-banarasi-saree-diamond-necklace" target="_blank">આ પણ વાંચો : Celebrity Style : સારા તેંડુલકરે બનારસી સાડીમાં મચાવ્યો કહેર, ડાયમંડ નેકલેસે ખેંચ્યું સૌનું ધ્યાન!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/hQ8rt4RrU0bvwmNXyq06kQ5venflGPSEN68biNPL.webp'/></item><item><title><![CDATA[Stock Market Opening: સેન્સેક્સ ઘટાડા સાથે 78,395 અંકે ખૂલ્યો જ્યારે નિફ્ટી 24,557 અંકે ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-opening-sensex-opens-lower-at-78395-points-while-nifty-opens-lower-at-24557-points</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-opening-sensex-opens-lower-at-78395-points-while-nifty-opens-lower-at-24557-points</guid><pubDate>Mon, 10 Aug 2026 09:38:56 +05:30</pubDate><description><![CDATA[<p>સોમવારે શરૂઆતના કારોબારમાં ભારતીય શેરબજારોમાં સામાન્ય વધારો જોવા મળ્યો. હોર્મુઝ સ્ટ્રેટના ઉદઘાટન અંગે અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત કરાર અંગે અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારોએ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું.</p><h2><b>લાલ નિશાનમાં ખૂલ્યુ શેરબજાર&nbsp;</b></h2><p>સવારે 9:18 વાગ્યે, નિફ્ટી50 0.10 ટકા અથવા 25 પોઈન્ટ વધીને 24,595.65 પર ટ્રેડ કરી રહ્યો હતો. દરમિયાન, સેન્સેક્સ 111.14 પોઈન્ટ (0.14 ટકા) વધીને 78,610.31 પર પહોંચ્યો. જ્યારે સવારે 9.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં ખૂલ્યા. સેન્સેક્સ 72.77 પોઇન્ટના ઘટાડા સાથે 78,426.40 અંકે ખૂલ્યો. જ્યારે નિફ્ટી −13.30 પોઇન્ટના ઘટાડા સાથે 24,557.35 અંકે ખૂલ્યો.</p><h3><b>ટાઈટન, ટેક મહિન્દ્રા અને ICICI બેંકમાં વધારો</b></h3><p>શરૂઆતના કારોબાર દરમિયાન નિફ્ટી50 પર ટાઇટન કંપની, ટેક મહિન્દ્રા અને ICICI બેંક ટોચના ગેઇનર્સમાં હતા. વ્યાપક બજારમાં, નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સમાં 0.21 ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સ 0.13 ટકા નીચો ટ્રેડ કરી રહ્યો હતો.</p><h4><b>આ ક્ષેત્રોમાં ખરીદી જોવા મળી</b></h4><p>ક્ષેત્રવાર, નિફ્ટી પ્રાઇવેટ બેંક, નિફ્ટી ઓટો અને નિફ્ટી IT એ સારું પ્રદર્શન કર્યું, જ્યારે નિફ્ટી PSU બેંક ઇન્ડેક્સ દબાણનો સામનો કરી રહ્યો હતો.</p><h4><b>એશિયન બજારોમાં વધારો</b></h4><p>સોમવારે શરૂઆતના કારોબારમાં એશિયન બજારોમાં વધારો જોવા મળ્યો. જાપાનનો નિક્કી 225 આશરે 1.46 ટકા અને દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.65 ટકા વધ્યો હતો. ગયા અઠવાડિયે યુએસ શેરબજારોમાં તેજીથી એશિયન બજારોને પણ ટેકો મળ્યો હતો. ગયા અઠવાડિયે, ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.28 ટકા, S&amp;P 500 0.62 ટકા અને નાસ્ડેક કમ્પોઝિટ 1.30 ટકા વધ્યો હતો.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2024/12/16/nssx0nFMCWEFJi9091P88E6iSf9biI9lascMugJJ.jpg'/></item><item><title><![CDATA[Narmadaના સાગબારામાં જંગલ જમીન મુદ્દે આદિવાસી ખેડૂતોના ધરણાંનો ત્રીજો દિવસ: પશુઓ સાથે વિરોધ યથાવત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/narmada/third-day-of-tribal-farmers-protest-over-forest-land-issue-in-narmadas-sagbara</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/narmada/third-day-of-tribal-farmers-protest-over-forest-land-issue-in-narmadas-sagbara</guid><pubDate>Mon, 10 Aug 2026 09:38:28 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નર્મદા જિલ્લાના સાગબારા વિસ્તારમાં જંગલ જમીનના અધિકારોને લઈને શરૂ થયેલું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. સાગબારાના 12 જેટલા ગામોના આદિવાસી ખેડૂતોના ધરણાંનો આજે ત્રીજો દિવસ છે. પોતાના હક અને ન્યાય માટે આદિવાસીઓ આખી રાત પોતાના પરિવાર અને મુગ્ગા પશુઓ સાથે ધરણાં સ્થળ પર જ રોકાયા હતા. ભીષણ ગરમી અને ચોમાસાના વાતાવરણ વચ્ચે પશુઓને પીવાનું પાણી પણ ન મળતાં તેમની હાલત કફોડી બની છે. ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જ્યાં સુધી જમીનનો યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન જારી રહેશે.</p><h2 style="text-align: justify; "><b>સાંસદે ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત</b></h2><p style="text-align: justify; ">બીજી તરફ, આ સળગતા પ્રશ્નનો ઉકેલ લાવવા માટે ભરૂચના સાંસદ મનસુખ વસાવા ગઈકાલે રાત્રે ગાંધીનગર પહોંચ્યા હતા. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ખાસ મુલાકાત કરીને સાગબારાના 12 ગામોના ખેડૂતો છેલ્લા 25 વર્ષથી કરી રહેલા જમીનના ખેડાણ અંગે વિગતવાર રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ આ મામલે રાજ્યના વન મંત્રી અને ફોરેસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપી છે. નોંધનીય છે કે આ વિસ્તારના ખેડૂતોના હક માટે ઉમરપાડા વનસમિતિ અને પંચાયતના દાખલાઓ મહત્વના પુરવાર થાય તેમ છે.</p><h3 style="text-align: justify; "><b>વહીવટી ઉકેલ ન આવતાં આંદોલનકારીઓમાં અસંતોષ</b></h3><p style="text-align: justify; ">મુખ્યમંત્રી અને સાંસદ વચ્ચેની ઉચ્ચ સ્તરીય મુલાકાત બાદ પણ સ્થળ પર કોઈ સત્તાવાર નિવારણ કે ખાતરી ન મળતાં ખેડૂતોમાં અસંતોષ યથાવત છે. જંગલ ખાતાની કથિત નીતિઓ સામે આદિવાસી સમાજ પોતાના અસ્તિત્વ અને જમીનના હક માટે અડગ રહ્યો છે. જ્યાં સુધી કાગળ પર નક્કર નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી પશુઓ સાથે આ જ રીતે વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાનો આદિવાસી ખેડૂતોએ મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/ZgQKHuB2n5lUVakwqwNVzXSveZLCNDwKIkkx3S6Z.webp'/></item><item><title><![CDATA[Ranchi Students Protest : ઝારખંડમાં વિધાનસભા માર્ચ પહેલા પ્રશાસન એલર્ટ, કલમ 163 લાગુ ]]></title><link>https://sandesh.com/india/news/ranchi-students-protest-administration-alert-before-assembly-march-in-jharkhand-section-163-applied</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ranchi-students-protest-administration-alert-before-assembly-march-in-jharkhand-section-163-applied</guid><pubDate>Mon, 10 Aug 2026 09:23:29 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રાંચીના જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમમાં ધરણા પર બેઠા છે. સરકાર સાથે ત્રણ તબક્કાની વાતચીત નિષ્ફળ ગયા બાદ હવે વિદ્યાર્થીઓએ ઝારખંડ વિધાનસભાનો ઘેરાવ કરવાનો નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓનો વિધાનસભા માર્ચ સવારે 10 વાગ્યે શરૂ થવાનો છે. આ માર્ચને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસને સુરક્ષાની કડક વ્યવસ્થા કરી છે. વિધાનસભાની આસપાસ અનેક સ્તરની સુરક્ષા ગોઠવવામાં આવી છે અને કાંટાળા તાર લગાવીને બેરિકેડિંગ કરવામાં આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>પ્રશાસન પણ એલર્ટ મોડમાં</b></h2><p style="text-align: justify; ">વિદ્યાર્થીઓએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તેમની તમામ માગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે. રવિવારની સવારથી જ ઝારખંડના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રાંચી પહોંચવા લાગ્યા હતા. જૂની વિધાનસભા પરિસર અને મોરહાબાદી મેદાન નજીક ઉમેદવારોની ભીડ એટલી વધી ગઈ હતી કે ત્યાં બનાવવામાં આવેલો પંડાલ પણ નાનો પડી ગયો હતો. વિદ્યાર્થીઓની વધતી સંખ્યાને કારણે પ્રશાસન પણ એલર્ટ મોડમાં છે.</p><h3 style="text-align: justify; "><b>રાંચી જિલ્લા પ્રશાસનની વિદ્યાર્થીઓને અપીલ</b></h3><p style="text-align: justify; ">વિદ્યાર્થીઓના વિધાનસભા માર્ચને ધ્યાનમાં રાખીને રાંચી જિલ્લા પ્રશાસને આંદોલનકારીઓને શાંતિ જાળવવાની અપીલ કરી છે. પ્રશાસને વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારના ઉગ્ર પ્રદર્શનથી દૂર રહેવા જણાવ્યું છે. સાથે જ વિધાનસભા માર્ચ દરમિયાન હિંસા અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ થનારાઓ સામે કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.</p><p style="text-align: justify; ">રવિવારે મધરાતથી જમશેદપુરમાં પણ નિષેધાજ્ઞા એટલે કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 હેઠળ પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. બીજી તરફ આંદોલનકારી વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે કે ઝારખંડના વિવિધ વિસ્તારોમાંથી રાજધાની રાંચી આવી રહેલા સેંકડો વિદ્યાર્થીઓને પોલીસ બળજબરીથી રોકી રહી છે.</p><h4 style="text-align: justify; "><b>ત્રીજા તબક્કાની વાતચીતમાં પણ ઉકેલ નહીં</b></h4><p style="text-align: justify; ">આ પહેલા રવિવારે વિદ્યાર્થીઓ અને સરકારના પ્રતિનિધિઓ વચ્ચે ત્રીજા તબક્કાની બેઠક યોજાઈ હતી. આ બેઠક પાંચ કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. સરકાર દ્વારા વિદ્યાર્થીઓની કેટલીક મહત્વપૂર્ણ માગણીઓ સ્વીકારવાની તૈયારી દર્શાવવામાં આવી હતી અને આંદોલન સમાપ્ત કરાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી.</p><p style="text-align: justify; ">સરકાર 14મી JPSC પરીક્ષા રદ કરવા અને સમગ્ર મામલાની તપાસ કરાવવા માટે તૈયાર હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓની અન્ય કેટલીક માગણીઓ પર પણ સરકાર તરફથી સહમતિ દર્શાવવામાં આવી હતી. જોકે CBI તપાસ સહિતના કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સહમતિ બની શકી નહોતી. જેના કારણે વાતચીત કોઈ અંતિમ નિર્ણય સુધી પહોંચી શકી નથી.</p><h5 style="text-align: justify; "><b>પોલીસ પ્રશાસન એલર્ટ</b></h5><p style="text-align: justify; ">વિદ્યાર્થીઓના પ્રસ્તાવિત વિધાનસભા માર્ચને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસનને સંપૂર્ણપણે એલર્ટ કરવામાં આવ્યું છે. એડીજી હેડક્વાર્ટર મનોજ કૌશિકે જણાવ્યું કે માર્ચ દરમિયાન કોઈ પ્રકારની અશાંતિની શક્યતાને ધ્યાનમાં રાખીને જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.</p><p style="text-align: justify; ">તેમણે વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે માર્ચમાં જોડાવાની અપીલ કરી છે. એડીજીએ કહ્યું કે છેલ્લા બે અઠવાડિયાથી વધુ સમયથી ચાલી રહેલા આંદોલનમાં વિદ્યાર્થીઓએ અત્યાર સુધી શિસ્ત જાળવી છે. તેમણે વિદ્યાર્થીઓને અપીલ કરી કે તેઓ અસામાજિક તત્વો અને ઉપદ્રવ કરનારા લોકોને માર્ચમાં સામેલ થતા રોકે. હવે વિદ્યાર્થીઓનો વિધાનસભા માર્ચ અને સરકારની આગામી કાર્યવાહી પર સૌની નજર રહેશે.</p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/TgBvzgNOA9joULxHWOM9Ufsem0SRC3CpJEnsBHd9.webp'/></item><item><title><![CDATA[Rajkotના અણિયારા ગામેથી પ્રતિબંધિત એનાલોગ પનીર અને ચીઝના 550 કિલો અખાદ્ય જથ્થાનો SOG દ્વારા કરાયો નાશ ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/sog-destroys-550-kg-of-inedible-banned-analogue-paneer-and-cheese-from-aniyara-village-in-rajkot</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/sog-destroys-550-kg-of-inedible-banned-analogue-paneer-and-cheese-from-aniyara-village-in-rajkot</guid><pubDate>Mon, 10 Aug 2026 08:49:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ શહેરમાં પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતા નકલી અને અખાદ્ય ખાદ્યપદાર્થોના વેપારીઓ સામે રાજકોટ એસઓજી (Special Operations Group) પોલીસે લાલ આંખ કરી છે. એસઓજીની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે કુવાડવા નજીક આવેલા અણિયારા ગામે ધમધમતી 'ગોવાલિયા ફૂડ' નામની પેઢી પર અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન આ સ્થળેથી આરોગ્ય માટે અત્યંત હાનિકારક એવું પ્રતિબંધિત એનાલોગ પનીર અને ચીઝ બનાવવાનું અને વેચવાનું કારસ્તાન ઝડપી પાડવામાં આવ્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>400 કિલો ચીઝ અને 150 કિલો પનીર સહિતનો જથ્થો જપ્ત</b></h2><p style="text-align: justify; ">પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમે સંયુક્ત રીતે હાથ ધરેલી તપાસમાં ગોવાલિયા ફૂડ પેઢીમાંથી 400 કિલોગ્રામ પ્રતિબંધિત એનાલોગ ચીઝ અને 150 કિલોગ્રામ એનાલોગ પનીર મળી આવ્યું હતું. આ રીતે કુલ 550 કિલોગ્રામ જેટલો મોટા પ્રમાણમાં અખાદ્ય જથ્થો સ્થળ પરથી સીઝ કરવામાં આવ્યો હતો. માનવ શરીર માટે નુકસાનકારક આ કેમિકલયુક્ત અને બનાવટી જથ્થાના નમૂના પૃથક્કરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપીને તમામ 550 કિલો અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>ભેળસેળિયા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો</b></h3><p style="text-align: justify; ">પ્રતિબંધિત એનાલોગ પનીર અને ચીઝ ઓછી કિંમતે બનાવીને બજારમાં હોટલો, ડેરીઓમાં પધરાવવામાં આવતું હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. રાજકોટ એસઓજીના આ મોટા સપાટા બાદ નકલી અને ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોનો કાળો કારોબાર કરતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે આ મામલે કાયદેસરની ગુનાહિત કાર્યવાહી હાથ ધરીને આ ભેળસેળનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તે દિશામાં વધુ તપાસ તેજ કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/h4a3DLkB5fqRpZkcS2k2g3FROXNZJD66EHZf4Uwb.webp'/></item><item><title><![CDATA[Vadodara: ચર્ચિત તમન્ના સૈયદ અને તેના પતિની ધરપકડ: વ્યાજખોરી અને ધમકીનો આરોપ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/vadodara/vadodara-tamanna-sayyed-arrested-case</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/vadodara/vadodara-tamanna-sayyed-arrested-case</guid><pubDate>Mon, 10 Aug 2026 08:29:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર અને પોલીસ તંત્ર સામે આક્ષેપબાજી કરીને ચર્ચામાં રહેલી તમન્ના સૈયદ આખરે પોલીસ પકડમાં આવી છે. વડોદરા પોલીસે તમન્ના સૈયદ અને તેના પતિ સોહેલ સૈયદની વ્યાજખોરી અને મારી નાખવાની ધમકી આપવાના ગંભીર ગુનામાં ધરપકડ કરી છે. આ કાર્યવાહી બાદ સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે.</p><h2 style="text-align: justify; "><b>આરીફ નામના એક વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી&nbsp;</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, આ મામલે આરીફ નામના એક વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીના જણાવ્યા અનુસાર, તમન્ના સૈયદ અને તેનો પતિ સોહેલ તેમની પાસેથી વ્યાજખોરી કરતા હતા અને સતત મારી નાખવાની ધમકીઓ આપીને માનસિક ત્રાસ આપતા હતા. એટલું જ નહીં, તમન્ના સૈયદ પર ગંભીર આરોપ છે કે તે ફરિયાદીને ડ્રગ્સ વેચતો હોવાનો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી બ્લેકમેલિંગ કરતી હતી.</p><h3 style="text-align: justify; "><b>પોલીસ વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉઠાવતી હતી</b></h3><p style="text-align: justify; ">નોંધનીય છે કે તમન્ના સૈયદ શહેરમાં દારૂ અને ડ્રગ્સના વેચાણ અંગે પોલીસ વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉઠાવતી હતી અને વીડિયો વાયરલ કરી પોલીસ પર આક્ષેપો કરતી હતી. હવે જ્યારે તે પોતે જ કાયદાના સકંજામાં આવી છે ત્યારે લોકોમાં અનેક ચર્ચાઓ જાગી છે. જે.પી. રોડ પોલીસે આ સમગ્ર મામલે કાર્યવાહી કરીને બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. હાલ આ સંવેદનશીલ કેસની વધુ તપાસ જે.પી. રોડ પોલીસે ક્રાઈમ બ્રાન્ચને સોંપી છે, જેથી આ કેસની ઊંડાણપૂર્વક તપાસ થઈ શકે અને સત્ય બહાર આવી શકે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/india/ahmedabad/sandesh-digital-explainer-12-august-2026-total-solar-eclipse-perseid-meteor-shower-facts-rumors" target="_blank"><b>Sandesh Digital Explainer : 12 ઓગસ્ટે આકાશમાં શું થશે? સોશિયલ મીડિયામાં ચાલતી વાતો ખરેખર સાચી છે ? જાણો રસપ્રદ વાતો</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/wkREISxSVD1lZQrzNavkKi9fD3HiyUrGKE39vgF1.webp'/></item><item><title><![CDATA[Surendranagar: મુંજપર ગામના વાડામાંથી ઘાસચારા નીચે છુપાવેલો દારૂ-બિયર પકડાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surendranagar/surendranagar-liquor-and-beer-hidden-under-fodder-were-seized-from-the-fence-of-munjpar-village-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surendranagar/surendranagar-liquor-and-beer-hidden-under-fodder-were-seized-from-the-fence-of-munjpar-village-1</guid><pubDate>Mon, 10 Aug 2026 06:00:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ તાલુકાના મુંજપર ગામે આવેલ વાડામાં દારૂ હોવાની બાતમી મળતા જોરાવરનગર પોલીસે રેડ કરી હતી. જેમાં ઘાસચારા નીચે છુપાવેલ દેશી-વિદેશી દારૂ, બીયર સહિત રૂપીયા 69,250ની કિંમતનો મુદ્દામાલ કબજે કરાયો છે. બીજી તરફ સુરેન્દ્રનગર અને ચોટીલા ગ્રામ્યમાં પણ દારૂના દરોડામાં ર પકડાયા છે.</p><p style="text-align: justify; ">જોરાવરનગર પોલીસ મથકના જયરાજસિંહ ઝાલા સહિતનાઓને વિસ્તારમાં પેટ્રોલિંગ દરમીયાન વઢવાણ તાલુકાના મુંજપર ગામે રહેતો રામદેવસિંહ વિક્રમસિંહ પરમાર તેના રહેણાક મકાનથી આગળ આવેલ કાચા રસ્તા પર તેના કબજા ભોગવટાના વાડામાં વિદેશી દારૂ રાખી વેચતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. જયારે વાડામાં ઘાસચારા નીચેથી દારૂના 75 ચપલા, બીયરના 145 ટીન, 20 લીટર દેશી દારૂ, બાઈક સહિત રૂપીયા 69,250નો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ અંગે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધી આરોપી રામદેવસિંહ પરમારને ઝડપી લેવા વધુ તપાસ જોરાવરનગર પોલીસ ચલાવી રહી છે.</p><p style="text-align: justify; ">જયારે સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકના અજયવીરસિંહ સહિતનાઓને સોનાપુરી રોડ પર રહેતો અનીકેત નરેન્દ્રભાઈ વાઘેલા સોનાપુરી રોડ પર ખુલ્લા પ્લોટમાં વિદેશી દારૂ સંતાડી વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં અનીકેત વાઘેલા વિદેશી દારૂના 6 ચપલા અને મોબાઈલ સહિત રૂપીયા 6200ની મત્તા સાથે પકડાયો છે. આ દારૂ તેને રતનપરનો મનોજ વાઘેલા આપી ગયો હોવાનું ખુલતા બન્ને સામે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી મનોજને ઝડપી લેવા વધુ તપાસ એએસઆઈ વી.પી.રાઠોડ ચલાવી રહ્યા છે.</p><p style="text-align: justify; ">બીજી તરફ ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામે રહેતો મહેશગીરી બાબુગીરી ગોસ્વામી દારૂની 58 બોટલો કિંમત રૂપીયા 21,750 સાથે આણંદપુર પોલીસના હાથે પકડાયો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/sfw2sYHYNESDVLNVpJFhSRBjWXxcOXxsDlLCUGiU.webp'/></item><item><title><![CDATA[Global South ભાગીદારને ભારતની મદદ, બોલિવિયા માટે જરૂરી અને જીવનરક્ષક દવાઓની મોટી ખેપ રવાના ]]></title><link>https://sandesh.com/india/news/world/india-sends-8-mt-life-saving-medicines-to-bolivia-global-south</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/world/india-sends-8-mt-life-saving-medicines-to-bolivia-global-south</guid><pubDate>Sun, 09 Aug 2026 23:42:10 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતે ગ્લોબલ સાઉથના ભાગીદાર દેશ બોલિવિયાની જાહેર આરોગ્ય વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે 8 મેટ્રિક ટન (MT) જીવનરક્ષક અને આવશ્યક દવાઓની ખેપ મોકલી છે. આ સહાય ભારત અને બોલિવિયા વચ્ચેના સહકાર તથા પરસ્પર એકતાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/MEAIndia/status/2086499367847178542"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>કોરોના મહામારીમાં પણ ભારતે મદદ પૂરી પાડી હતી&nbsp;</b></h2><p>ભારત તરફથી મોકલવામાં આવેલી આ દવાઓનો ઉપયોગ બોલિવિયાની જાહેર આરોગ્ય વ્યવસ્થામાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે કરવામાં આવશે. આ સહાયનો મુખ્ય ઉદ્દેશ દેશની હેલ્થકેર ક્ષમતાને મજબૂત બનાવવાનો અને જરૂરી દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં મદદ કરવાનો છે. ભારત લાંબા સમયથી ગ્લોબલ સાઉથના દેશો સાથે આરોગ્ય, વિકાસ, ટેક્નોલોજી અને માનવતાવાદી સહાય સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા પર ભાર મૂકી રહ્યું છે. કોવિડ-19 મહામારી દરમિયાન પણ ભારતે અનેક દેશોને દવાઓ અને અન્ય જરૂરી તબીબી સામગ્રી પૂરી પાડી હતી.</p><h3><b>ભારત સહકાર અને સંયુક્ત પ્રગતિ માટે હંમેશા તૈયાર</b></h3><p>બોલિવિયા માટે મોકલવામાં આવેલી 8 MT દવાઓની આ ખેપ પણ ભારતની ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. ભારતનું માનવું છે કે વિકાસ અને પ્રગતિનો લાભ માત્ર એક દેશ પૂરતો મર્યાદિત ન રહે, પરંતુ સહકાર અને એકતાના માધ્યમથી અન્ય દેશો સુધી પણ પહોંચે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે ગ્લોબલ સાઉથના ભાગીદાર દેશો સાથે સહકાર અને સંયુક્ત પ્રગતિ માટે હંમેશા તૈયાર છે. દવાઓની આ સહાયથી બોલિવિયાની જાહેર આરોગ્ય સેવાઓને જરૂરી સપોર્ટ મળવાની સાથે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં પણ વધુ મજબૂતી આવવાની અપેક્ષા છે.</p><p>આ પહેલ ભારતની માનવતાવાદી સહાય અને વૈશ્વિક સ્તરે જવાબદાર ભાગીદાર તરીકેની ભૂમિકાને વધુ ઉજાગર કરે છે. આવનારા સમયમાં પણ ભારત અને બોલિવિયા વચ્ચે આરોગ્ય તથા અન્ય વિકાસલક્ષી ક્ષેત્રોમાં સહકાર વધવાની શક્યતા છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/iaf-60-modernisation-projects-defence-technology-india" target="_blank">આ પણ વાંચો : IAFની તાકાતમાં થશે વધારો, 60 આધુનિકીકરણ પ્રોજેક્ટ્સ પર ચાલી રહ્યું છે કામ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/vQyU7iJTeE1s9pUniU9iY2yt3rg2zZZZTCo2TcEu.webp'/></item><item><title><![CDATA[Commonwealth Gamesના મેડલ વિજેતાઓને મળ્યા પીએમ મોદી, ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો VIDEO ]]></title><link>https://sandesh.com/sports/news/india/pm-modi-meets-india-commonwealth-games-medal-winners</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india/pm-modi-meets-india-commonwealth-games-medal-winners</guid><pubDate>Sun, 09 Aug 2026 19:37:43 +05:30</pubDate><description><![CDATA[<p>સ્કોટલેન્ડના ગ્લાસગોમાં 2026માં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં કુલ 39 મેડલ જીત્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નિવાસસ્થાને તમામ મેડલ વિજેતાઓને મળ્યા હતા, તેમને તેમના મેડલ જીતવા બદલ અભિનંદન આપ્યા હતા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક રીલ શેર કરી હતી, જેમાં લખ્યું હતું, "જો ખેલેગા વો ખિલેગા."</p><h2><b>દેશને હંમેશા પ્રોત્સાહિત કરો</b></h2><p>કોમનવેલ્થ ગેમ્સ 2026માં મેડલ જીતનારા ખેલાડીઓને મળ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર શેર કરેલી રીલમાં તેમને કહ્યું હતું કે "જો ખેલેગા વો ખિલેગા." હંમેશા દેશને પ્રોત્સાહિત કરો. આ પછી પીએમ મોદીએ ભારત માતા કી જયનો નારા લગાવ્યો, જે તેમની સાથે હાજર તમામ ખેલાડીઓએ વારંવાર બોલ્યો.&nbsp;</p><p>આ રીલમાં કોમનવેલ્થ ગેમ્સ 2026માં ગોલ્ડ મેડલ જીતનાર મહિલા બોક્સિંગ ખેલાડી સાક્ષી ચૌધરીએ વીડિયો હોસ્ટ કર્યો અને આ મુલાકાત માટે પીએમ મોદીનો આભાર માન્યો. વીડિયોમાં સાક્ષી ચૌધરીએ કહ્યું કે નમસ્તે મિત્રો, આજે પીએમ સાહેબે કોમનવેલ્થ ગેમ્સના મેડલ વિજેતાઓને બોલાવ્યા છે અને અમે બધા ખૂબ ગર્વ અનુભવી રહ્યા છીએ.</p><p><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reels/Db0hIieTgy8/" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reels/Db0hIieTgy8/" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a><br></p><h3><b>આ વખતે બોક્સિંગમાં 10 મેડલ જીત્યા</b></h3><p>કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતે બોક્સિંગના વિવિધ વજન કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું જેમાં તે 7 ગોલ્ડ અને 3 સિલ્વર સહિત કુલ 10 મેડલ જીતવામાં સફળ રહ્યું હતું. ભારતે એથ્લેટિક્સમાં કુલ 10 મેડલ મેળવ્યા હતા જેમાં ગુલવીર સિંહે 2 અલગ અલગ ઈવેન્ટમાં મેડલ જીત્યા હતા. વેઈટલિફ્ટિંગમાં 8 મેડલ, પેરા એથ્લેટિક્સમાં 6, જુડોમાં 4 અને પેરા પાવરલિફ્ટિંગમાં 1 મેડલ જીત્યો હતો. પહેલીવાર કોમનવેલ્થ ગેમ્સમાં ભારત જુડો ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યું હતું. હવે બધાની નજર જાપાનમાં યોજાવનારી આગામી એશિયન ગેમ્સ પર છે જ્યાં ભારતીય ખેલાડીઓ પાસેથી શાનદાર પ્રદર્શનની અપેક્ષા છે.</p><p><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/0fyqm4BfEeu88Gm4DZle9uesUw8R5L6FcuQSOLfe.webp'/></item></channel></rss>