<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabad News: સ્કૂલમા હેલમેટ અને લાઈસન્સ વિનાના વાહનોને નો એન્ટ્રી, સગીર વિદ્યાર્થીઓને ડ્રાઈવિંગ પર પ્રતિબંધ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/schools-ban-entry-for-students-without-helmet-or-driving-licence</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/schools-ban-entry-for-students-without-helmet-or-driving-licence</guid><pubDate>Wed, 29 Jul 2026 15:43:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદમાં ટ્રાફિક સમસ્યાને ધ્યાને રાખીને અમદાવાદ શહેર શિક્ષણાધિકારીએ એક પરિપત્ર બહાર પાડ્યો છે. સ્કૂલમાં આવતા વિદ્યાર્થીઓ વાહનો લઈને આવે છે અને બેફામ પણે વાહન ચલાવતા હોવાના કિસ્સા અનેકવાર સામે આવી ચૂક્યા છે. જેના કારણે અકસ્માત અને ગંભીર ઈજાઓની ઘટનાઓ પણ બનતી હોય છે. જેથી શિક્ષણાધિકારીએ એક પરિપત્ર જાહેર કરીને શાળા સંચાલકો અને શાળાના આચાર્યને એક પરિપત્ર દ્વારા ટ્રાફિક નિયમન અંગે સૂચનાઓ આપી છે.&nbsp;</p><p style="text-align: justify; "><img alt="Ahmedabad deo" src="https://epapercdn.sandesh.com/images/2026/07/29/Ik0yS2XQFkA2Bpyh6A6ASPY5Wc6HSlCXx1vu17TP.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>7 દિવસમાં શાળાઓમાં ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમો યોજાશે</b></h2><p style="text-align: justify; ">અમદાવાદ શહેર (પૂર્વ) જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા માર્ગ સલામતી અને ટ્રાફિક જાગૃતિ અંગે એક અગત્યનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.તાજેતરમાં વિદ્યાર્થીઓ દ્વારા લાયસન્સ અને હેલમેટ વગર, ઓવરસ્પીડમાં વાહન ચલાવવા અને ટ્રાફિક નિયમોના ભંગના બનાવો ધ્યાન પર આવતા આ નિર્ણય લેવાયો છે.શાળા કક્ષાએ આગામી 7 દિવસમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજીને 18 વર્ષથી નાની વયના કે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ ન ધરાવતા વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારનું વાહન ચલાવવાની મંજૂરી ન આપવા માટે વાલીઓને લેખિત, વોટ્સએપ કે એસએમએસ દ્વારા સ્પષ્ટ જાણ કરવા કડક સૂચના આપવામાં આવી છે.</p><p style="text-align: justify; "><img alt="Ahmedabad deop" src="https://epapercdn.sandesh.com/images/2026/07/29/Zga7CMgtV20oj2gNGo14dBJ6fUlWdS8p9me8vhO9.webp" style="width: 100%;"><br></p><h3 style="text-align: justify; "><b>નિયમભંગ પર વાલીઓને તાત્કાલિક જાણ કરવા આદેશ</b></h3><p style="text-align: justify; ">આ પરિપત્રમાં મોટર વાહન અધિનિયમનો ઉલ્લેખ કરીને જણાવવામાં આવ્યું છે કે સગીર વયના બાળકો વાહન ચલાવશે તો તેના માલિક કે વાલી સામે દંડ અને કાર્યવાહી કરવામાં આવશે.શાળા પરિસરમાં પણ લાયસન્સ કે હેલમેટ વગર આવતા વિદ્યાર્થીઓના વાહનોને પ્રવેશ આપવામાં આવશે નહીં અને વાલીઓને બોલાવીને જરૂરી સમજ આપવામાં આવશે.આ ઉપરાંત RTO વિભાગ અને ટ્રાફિક પોલીસના સંકલનથી સમયાંતરે શાળાઓમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવશે.જો કોઈ વિદ્યાર્થી નિયમોનો ભંગ કરતો જણાશે તો તેની સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવશે.<br><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/patan/patan-radhanpur-dysp-office-asi-attacked-kutch-cop-bharat-ahir" target="_blank">આ પણ વાંચોઃ Patan : રાધનપુરમાં DySP કચેરીના ASI પર કચ્છના પોલીસ કોન્સ્ટેબલે કર્યો જીવલેણ હુમલો, ગળું દબાવી મારી નાખવાનો પ્રયાસ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/29/TEXElXmht1lzvcHZBRCOWNaJt521JUU7Rk2Yi0Mq.webp'/></item><item><title><![CDATA[Panchmahal News : પાવાગઢમાં ભક્તો માટે મહત્વના સમાચાર, 5 દિવસ રોપવે સેવા રહેશે સંપૂર્ણ બંધ ]]></title><link>https://sandesh.com/gujarat/news/panchmahal/panchmahal-news-important-news-for-devotees-in-pavagadh-ropeway-service-will-be-completely-closed-for-5-days</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/panchmahal/panchmahal-news-important-news-for-devotees-in-pavagadh-ropeway-service-will-be-completely-closed-for-5-days</guid><pubDate>Wed, 29 Jul 2026 15:30:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">યાત્રાધામ પાવાગઢ ખાતે માહાલક્ષ્મી માતાજીના દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે. પાવાગઢ ખાતે આગામી 3 ઓગસ્ટથી 7 ઓગસ્ટ સુધી રોપવે સેવા સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રોપવેનું સંચાલન કરતી ઉડનખટોલા કંપની દ્વારા વાર્ષિક અને ટેકનિકલ મેન્ટેનન્સ કામગીરીને પગલે આ સેવા પાંચ દિવસ માટે મોકૂફ રાખવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>સુચારુ કામગીરી અને સુરક્ષા અર્થે મેન્ટેનન્સ</b></h2><p style="text-align: justify; ">યાત્રિકોની સુરક્ષા અને રોપવેની ટેકનિકલ ક્ષમતા જળવાઈ રહે તે માટે સમયાંતરે મેન્ટેનન્સ કરવું અત્યંત જરૂરી હોય છે. પાંચ દિવસ દરમિયાન રોપવેના વાયર, કેબિન અને વિવિધ ટેકનિકલ પાર્ટ્સની ઝીણવટભરી ચકાસણી હાથ ધરવામાં આવશે. મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ 8 ઓગસ્ટથી રોપવે સેવા પૂર્વવત રીતે યાત્રિકો માટે શરૂ કરી દેવામાં આવશે.</p><h3 style="text-align: justify; "><b>દર્શનાર્થે આવતા માઈભક્તોએ પગપાળા જવું પડશે</b></h3><p style="text-align: justify; ">રોપવે સેવા 5 દિવસ માટે બંધ રહેવાની હોવાથી આ સમયગાળા દરમિયાન માતાજીના દર્શને આવતા તમામ શ્રદ્ધાળુઓએ પગપાળા જવું પડશે. મા ડુંગરવાળીના દર્શન કરવા માટે યાત્રિકોએ પગથિયાં ચઢીને મંદિર સુધી પહોંચવાનું રહેશે. જેથી આ દિવસો દરમિયાન પાવાગઢ આવવાનું આયોજન કરી રહેલા ભક્તોને રોપવે બંધ હોવાની નોંધ લઈને જ પોતાની યાત્રાનું આયોજન કરવા વિનંતી કરાઈ છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/monsoon-2026-thunderstorm-in-gujarat-heavy-rains-predicted-as-4-systems-activate" target="_blank">Monsoon 2026 : ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, 4 સિસ્ટમ સક્રિય થતાં અતિભારે વરસાદની આગાહી...</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/29/sCbkwM5zht8HJaEE642hxUzjpvGL0r2CWLO4BwS3.webp'/></item><item><title><![CDATA[Adani Ports Q1 Results : અદાણી પોર્ટ્સને 3 મહિનામાં થયો 3,620 કરોડનો નફો, છતાં શેરમાં 3%નો ઘટાડો નોંધાયો ]]></title><link>https://sandesh.com/business/news/adani-ports-q1-results-profit-rs-3620-crore-shares-fall-3-percent</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/adani-ports-q1-results-profit-rs-3620-crore-shares-fall-3-percent</guid><pubDate>Wed, 29 Jul 2026 15:29:54 +05:30</pubDate><description><![CDATA[<p>અદાણી ગ્રુપની કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ)એ બુધવારે નાણાકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક (Q1)ના પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ આ ત્રિમાસિક ગાળામાં ₹3,620 કરોડનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ નોંધાવ્યો છે, જે ગયા વર્ષના સમાન ગાળાના ₹3,315 કરોડની સરખામણીએ 9 ટકા વધુ છે. જોકે સારા પરિણામો છતાં શેરબજારમાં કંપનીના શેરમાં લગભગ 3 ટકાનો ઘટાડો જોવા મળ્યો અને BSE પર શેરનો ભાવ ₹1,720 સુધી આવી ગયો.</p><h2><b>EBITDA પણ 19 ટકા વધીને ₹6,540 કરોડ થયો</b></h2><p>કંપનીની ઓપરેશનલ આવક 18.5 ટકા વધીને ₹10,821 કરોડ પર પહોંચી છે, જ્યારે ગયા વર્ષે તે ₹9,126 કરોડ હતી. EBITDA પણ 19 ટકા વધીને ₹6,540 કરોડ થયો છે, જ્યારે EBITDA માર્જિન 60.4 ટકા રહ્યો, જે ગયા વર્ષના 60.2 ટકાથી થોડો વધુ છે. કંપનીના આંતરરાષ્ટ્રીય પોર્ટ બિઝનેસે સૌથી વધુ પ્રભાવશાળી દેખાવ કર્યો છે. આ વિભાગની આવક 80 ટકા વધીને ₹1,747 કરોડ થઈ છે અને EBITDAમાં 256 ટકાનો ઉછાળો આવી ₹730 કરોડ થયો છે.&nbsp;</p><h3><b>ઘરેલુ પોર્ટ્સનું EBITDA માર્જિન 74 ટકા રહ્યું</b></h3><p>ઓસ્ટ્રેલિયા અને કોલંબોના પોર્ટ્સના મજબૂત પ્રદર્શનને આ વૃદ્ધિનું મુખ્ય કારણ માનવામાં આવ્યું છે. ઉપરાંત, મરીન આવક 67 ટકા વધીને ₹901 કરોડ થઈ છે, જેમાં ઓફશોર વેસલ ફ્લીટના વિસ્તરણ અને યુરોપમાં સબસી ઓપરેશન્સનો મહત્વનો ફાળો રહ્યો છે. ઘરેલુ પોર્ટ બિઝનેસમાંથી આવકમાં પણ 12 ટકાનો વધારો નોંધાયો છે. વધુ કાર્ગો હેન્ડલિંગ, સુધારેલા પ્રોડક્ટ મિક્સ અને સારી રિયલાઇઝેશનના કારણે આ વૃદ્ધિ શક્ય બની છે. ઘરેલુ પોર્ટ્સનું EBITDA માર્જિન 74 ટકા રહ્યું, જે આ ક્ષેત્રમાં અગ્રણી માનવામાં આવે છે.</p><p>FY2027 માટે કંપનીએ ₹43,000 કરોડથી ₹45,000 કરોડની આવક અને ₹25,000 કરોડથી ₹26,000 કરોડના EBITDAનું માર્ગદર્શન આપ્યું છે. કંપનીએ નેટ ડેટ-ટુ-EBITDA રેશિયો 2.5 ગણાથી નીચે રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે, જ્યારે Q1ના અંતે આ રેશિયો 1.9 ગણો હતો. APSEZના CEO અશ્વિની ગુપ્તાએ જણાવ્યું કે ઘરેલુ ક્ષમતા વિસ્તરણ, આંતરરાષ્ટ્રીય બિઝનેસ અને લોજિસ્ટિક્સ નેટવર્કના વિસ્તરણના આધારે કંપની 2030 સુધી 1,000 MMT ક્ષમતા હાંસલ કરવા અને વૈશ્વિક સ્તરે મજબૂત પરિવહન પ્લેટફોર્મ તરીકે ઉભરી આવવા પ્રતિબદ્ધ છે.</p><p><b><a href="https://sandesh.com/business/news/lt-q1-results-profit-4123-crore-order-book-crosses-7-lakh-crore" target="_blank">આ પણ વાંચો : L&amp;T Q1 Results : ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને થયો 4,123 કરોડનો તગડો નફો, ઓર્ડર બુક 7 લાખ કરોડને પાર પહોંચી</a></b></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/29/G36QvYzDgwV0vLjj7u0owvsP4X7JdKZoNJbTWfCA.webp'/></item><item><title><![CDATA[Hollywood ફિલ્મ ધ ઓડિસીનું ભારતીય બોક્સ ઓફિસ પર તુફાન! દુનિયાભરમાં કરી 6000 કરોડની છપ્પરફાડ કમાણી! ]]></title><link>https://sandesh.com/entertainment/news/the-odyssey-box-office-6000-crore</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/the-odyssey-box-office-6000-crore</guid><pubDate>Wed, 29 Jul 2026 15:28:29 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ક્રિસ્ટોફર નોલનની ફિલ્મ ધ ઓડિસી દુનિયાભરના સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. ભારતીય દર્શકોમાં પણ આ ફિલ્મ લોકપ્રિય બની ગઈ છે. કમાણીના મામલે ફિલ્મનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. ફિલ્મે 10 દિવસની કમાણીથી સૌને ચોંકાવી દીધા છે. ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 10મા દિવસે ₹11.45 કરોડની કમાણી કરી છે.</p><h2 style="text-align: justify; "><b>ધ ઓડિસી એ ભારતીય બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી?</b></h2><p style="text-align: justify; ">ફિલ્મની કમાણીએ સ્પષ્ટ કરી દીધું છે કે ભારતીય દર્શકો હોલીવુડની ફિલ્મોને કેટલું પસંદ કરે છે. ક્રિસ્ટોફર નોલનની ફિલ્મ ધ ઓડિસી 17 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મે પહેલા દિવસે ₹17.40 કરોડની શાનદાર કમાણી કરી હતી. ફિલ્મને સપ્તાહાંતનો પણ ઘણો લાભ મળ્યો હતો. ફિલ્મે પહેલા અઠવાડિયામાં ₹90.30 કરોડની કમાણી કરી હતી. ફિલ્મની કમાણી હજુ પણ અટકવાનું નામ લઈ રહી નથી. બીજા શનિવારે એટલે કે 9મા દિવસે ફિલ્મે ₹11.05 કરોડની કમાણી કરી હતી, જ્યારે 10મા દિવસે એટલે કે રવિવારે ₹11.45 કરોડની કમાણી કરી હતી.</p><h3 style="text-align: justify; "><b>ધ ઓડિસીનું 11 દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન</b></h3><p style="text-align: justify; ">ધ ઓડિસી એ 10 દિવસમાં ભારતીય બોક્સ ઓફિસ પર ₹119.65 કરોડની કમાણી કરી હતી. આજે એટલે કે 27 જુલાઈએ ફિલ્મને રિલીઝ થયાને 11 દિવસ થઈ ગયા છે. ફિલ્મે 11મા દિવસે ₹2.64 કરોડની કમાણી કરી છે. આ સાથે ફિલ્મે 11 દિવસમાં ₹122.26 કરોડની કમાણી કરી લીધી છે. ભારતીય બોક્સ ઓફિસ પર ધ ઓડિસી એ અંગ્રેજી ભાષામાં ₹99.39 કરોડ, હિન્દી ભાષામાં ₹14.45 કરોડ, તમિલ ભાષામાં ₹3.10 કરોડ અને તેલુગુ ભાષામાં ₹5.35 કરોડની કમાણી કરી છે.</p><h4 style="text-align: justify; "><b>ધ ઓડિસી એ 10 દિવસમાં દુનિયાભરમાં કમાયા આટલા કરોડ</b></h4><p style="text-align: justify; ">ધ ઓડિસી એ 10 દિવસમાં દુનિયાભરમાં ₹6000 કરોડની શાનદાર કમાણી કરી છે. ફિલ્મને 4 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મ અંગ્રેજી, હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં ઉપલબ્ધ છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/top-7-highest-opening-day-box-office-films" target="_blank">આ પણ વાંચો-Indian Cinema : પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ટોપ 7 ફિલ્મો, આ મૂવી સામે ધુરંધર 2 અને બાહુબલી પણ ફેલ!</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/29/tnEJMSDQIM9MqeXsQ3hFvzVFz97GeOP1z6ScYYRW.webp'/></item><item><title><![CDATA[Dwarka માં બુટલેગરો બેફામ, કારમાં દારૂની બોટલ સાથે રીલ બનાવી પોલીસને આપી ખુલ્લી ચેલેન્જ... ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dwarka/bootleggers-are-rampant-in-dwarka-they-made-a-reel-with-liquor-bottles-in-the-car-and-openly-challenged-the-police</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dwarka/bootleggers-are-rampant-in-dwarka-they-made-a-reel-with-liquor-bottles-in-the-car-and-openly-challenged-the-police</guid><pubDate>Wed, 29 Jul 2026 15:20:51 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. કારમાં દારૂની બોટલો સાથે સોશિયલ મીડિયા પર રીલ બનાવીને વાયરલ કરવામાં આવી છે. રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે આ રીતે ખુલ્લેઆમ દારૂ દર્શાવીને ઇન્સ્ટાગ્રામ પર વીડિયો અપલોડ કરાતાં અસામાજિક તત્વોમાં પોલીસનો કોઈ ભય ન રહ્યો હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>ઇન્સ્ટાગ્રામ પર વીડિયો મૂકી પોલીસને ખુલ્લી ચેલેન્જ</b></h2><p style="text-align: justify; ">આ વાયરલ વીડિયોમાં બુટલેગરો ખુલ્લેઆમ ખાખીને પડકાર ફેંકતા નજરે પડી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર રીલ મૂકીને બુટલેગરોએ એક પ્રકારે ખાખી વર્ધીને ખુલ્લી ચેલેન્જ આપી છે. દારૂબંધીના દાવાઓ વચ્ચે બુટલેગરોના આટલા બુલંદ હોસલા જોઈને સ્થાનિકોમાં પણ ભારે આશ્ચર્ય ફેલાયું છે. બુટલેગરો બેફામ બનતાં જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થયો છે.</p><h3 style="text-align: justify; "><b>વાયરલ વીડિયો બાદ તપાસની માંગ, પોલીસ સામે સવાલો</b></h3><p style="text-align: justify; ">વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સ્થાનિક લોકો અને જાગૃત નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો દ્વારા આ વીડિયો બનાવનાર અને વાયરલ કરનાર અસામાજિક તત્વો સામે તાત્કાલિક ધોરણે કડક તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસની કામગીરી અને પેટ્રોલિંગ સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/panchmahal/panchmahal-news-important-news-for-devotees-in-pavagadh-ropeway-service-will-be-completely-closed-for-5-days" target="_blank">Panchmahal News : પાવાગઢમાં ભક્તો માટે મહત્વના સમાચાર, 5 દિવસ રોપવે સેવા રહેશે સંપૂર્ણ બંધ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/29/bNUVivvKTiLvDT1eNHA327CUS2vo5xXAVmIgusnN.webp'/></item><item><title><![CDATA[CJP વિરોધને પાકિસ્તાનના Gen-Zએ કર્યો સપોર્ટ, હવે ભારત સરકારે કર્યો ખુલાસો ]]></title><link>https://sandesh.com/india/news/meas-randhir-jaiswal-rejects-pakistan-gen-z-support-for-cjp-jantar-mantar-protests</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/meas-randhir-jaiswal-rejects-pakistan-gen-z-support-for-cjp-jantar-mantar-protests</guid><pubDate>Wed, 29 Jul 2026 15:15:47 +05:30</pubDate><description><![CDATA[<p>CJP: જંતર-મંતર પર વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનને સમર્થન આપતા પાકિસ્તાનના કેટલાક જનરલ Gen Z ગ્રુપના અહેવાલો પર ભારતે કડક પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલય (MEA) એ જણાવ્યું હતું કે આવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે પાકિસ્તાને તેના રાજ્ય-પ્રાયોજિત સરહદ આતંકવાદને સમાપ્ત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે એક મીડિયા બ્રીફિંગ દરમિયાન કહ્યું, "આપણે બધા જાણીએ છીએ કે પાકિસ્તાન દાયકાઓથી ભારત વિરુદ્ધ સરહદ પાર આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે."</p><p>રણધીર જયસ્વાલે વધુમાં જણાવ્યું હતું કે ભારતના લોકો માગ કરી રહ્યા છે કે પાકિસ્તાન તેના રાજ્ય સમર્થિત સરહદ પાર આતંકવાદને બંધ કરે. અમને આશા છે કે તેમના સાથીઓ પણ ધ્યાન આપશે. આ માંગણી કરનારાઓમાં Gen Zના સભ્યોનો સમાવેશ થાય છે, જેમને તાજેતરમાં દિલ્હી અને દેશના અન્ય શહેરોમાં વિરોધ પ્રદર્શન દરમિયાન ભારતીય વિરોધીઓ માટે કેટલાક પાકિસ્તાની યુવાનો દ્વારા દર્શાવવામાં આવેલા સમર્થન વિશે પૂછપરછ કરવામાં આવી હતી.</p><h4><b>પાકિસ્તાનના વિદેશ મંત્રાલયનું નિવેદન</b></h4><p>પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ભારતમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો પર ટિપ્પણી કરવાનો પણ ઇનકાર કર્યો હતો. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તાહિર અંદ્રાબીએ જણાવ્યું હતું કે આ ભારતનો આંતરિક મામલો છે અને તેઓ આવા મુદ્દાઓ પર ટિપ્પણી કરતા નથી. આમ છતાં પાકિસ્તાનમાં ઘણા યુવાનોએ સોશિયલ મીડિયા દ્વારા કોકરોચ જનતા પાર્ટી (CJP) ના વિરોધ પ્રદર્શનને ટેકો આપ્યો. ઘણા લોકોએ એકતાના સંદેશા શેર કર્યા અને ભારત અને પાકિસ્તાન વચ્ચેના સહિયારા ઇતિહાસનો પણ ઉલ્લેખ કર્યો.</p><h4><b>સિંધુ ખીણ સંસ્કૃતિ વિશે શું કહેવામાં આવ્યું?</b></h4><p>મીડિયા બ્રીફિંગ દરમિયાન, સિંધુ ખીણ સંસ્કૃતિના સહિયારા વારસાના પાકિસ્તાનના તાજેતરના દાવાઓ અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા. આના જવાબમાં, રણધીર જયસ્વાલે કહ્યું કે આતંકવાદ અને લઘુમતી અધિકારો અંગે પાકિસ્તાનનો રેકોર્ડ આવા દાવાઓને નબળી પાડે છે. તેમણે કહ્યું, "હું સ્પષ્ટ કરવા માંગુ છું કે જે દેશ દાયકાઓથી સરહદ પાર આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યો છે અને ધાર્મિક કટ્ટરતા અને હિંસાને સમર્થન આપે છે તે કોઈપણ બહુલવાદી સાંસ્કૃતિક વારસા પર દાવો કરી શકતો નથી. લઘુમતીઓ અને તેમના સાંસ્કૃતિક અધિકારોના રક્ષણમાં તેનો નબળો રેકોર્ડ આવા દાવાઓને ફક્ત બનાવટી બનાવે છે."</p><h4><b>પાકિસ્તાની મંત્રીનું નિવેદન</b></h4><p>તાજેતરમાં, પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રી અતાઉલ્લાહ તરારે, સિંધુ ખીણ સંસ્કૃતિને પાકિસ્તાનની રાષ્ટ્રીય ઓળખનો ભાગ ગણાવી હતી. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ગયા વર્ષે એપ્રિલમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરી હતી. જેમાં 26 નાગરિકો માર્યા ગયા હતા. ભારતે સતત કહ્યું છે કે પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત સરહદ પારના આતંકવાદે સિંધુ જળ સંધિની ભાવનાને નબળી પાડી છે અને આ મુદ્દાને આતંકવાદથી અલગ કરીને જોઈ શકાય નહીં.<br><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/dimple-yadavs-reaction-video-viral-ram-mandir-donation-row--sp-protests-in-parliament-" target="_blank"><b>Video: આતો કેવો વિરોધ? રામ મંદિર મુદ્દે Dimple Yadavએ જગજાહેર માગ્યું દાન!</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/29/wLu1NAaYAYKUJteBMf2hHQxlYkli3F6Z74ESzK7O.webp'/></item><item><title><![CDATA[વાંચો બપોરે 12થી 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/today-top-breaking-news-bulletin-gujarat-india-read-important-news-from-12-pm-to-03-pm-29-july-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/today-top-breaking-news-bulletin-gujarat-india-read-important-news-from-12-pm-to-03-pm-29-july-2026</guid><pubDate>Wed, 29 Jul 2026 15:00:00 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર&nbsp; &nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/monsoon-2026-thunderstorm-in-gujarat-heavy-rains-predicted-as-4-systems-activate" target="_blank">1. Monsoon 2026 : ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, 4 સિસ્ટમ સક્રિય થતાં અતિભારે વરસાદની આગાહી...</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/entertainment/news/top-7-highest-opening-day-box-office-films" target="_blank">2. Indian Cinema : પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ટોપ 7 ફિલ્મો, આ મૂવી સામે ધુરંધર 2 અને બાહુબલી પણ ફેલ!</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/supreme-court-clean-chit-manmohan-singh-coal-scam-cbi-closure-report" target="_blank">3. India : કોલસા કૌભાંડ કેસમાં સ્વર્ગીય PM મનમોહન સિંહને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે આપી ક્લીન ચિટ</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-narol-fake-police-extortion-merchant-crime" target="_blank">4. Ahmedabad : નારોલમાં નકલી પોલીસ બની વેપારીને આંતર્યો, જેલમાં પૂરવાની ધમકી આપી 1.60 લાખ ઓનલાઈન પડાવ્યા</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/chhota-udepur/tiger-movement-chhotaudepur-dahod-forest-gujarat" target="_blank">5. Chhotaudepur: વાઘની મુવમેન્ટથી વન વિભાગ સતર્ક, 17 મહિનાથી 120 કિમી સુધી વાઘનો કાયમી વસવાટ</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/patan/patan-radhanpur-dysp-office-asi-attacked-kutch-cop-bharat-ahir" target="_blank">6. Patan : રાધનપુરમાં DySP કચેરીના ASI પર કચ્છના પોલીસ કોન્સ્ટેબલે કર્યો જીવલેણ હુમલો, ગળું દબાવી મારી નાખવાનો પ્રયાસ</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/world/news/strait-of-hormuz-india-adopted-an-aggressive-stance-in-the-un-regarding-the-hormuz-crisis-attacks-on-ships-and-safety-of-sailors-know-what-it-said" target="_blank">7. Strait of Hormuz: હોર્મુઝ સંકટ, જહાજો પર હુમલા અને નાવિકોની સુરક્ષા અંગે UNમાં ભારતે અપનાવ્યુ આક્રમક વલણ, જાણો શુ કહ્યુ?</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/sports/news/cwg-2026-boxing-the-final-will-be-played-between-india-and-pakistan-in-boxing-see-the-entire-equation" target="_blank">8. CWG 2026 Boxing : બોક્સિંગમા ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે ફાઇનલ,જુઓ આખું સમીકરણ</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/world/news/crime/usa/another-indians-name-in-the-fbi-most-wanted-list-know-who-is-international-drug-smuggler-amritpal-singh" target="_blank">9. FBI Most Wanted Listમાં વધુ એક ભારતીયનું નામ, જાણો કોણ છે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલર Amritpal Singh?</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/neet-ug-2026-paper-leak--cbi-files-20-000-page-chargesheet-against-13-accused" target="_blank">10. NEET-UG 2026: 13 આરોપી, 92 ઠેકાણાં પર દરોડા... NEET પેપર લીક મામલે CBIએ કર્યો આખા નેટવર્કનો પર્દાફાશ!</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/29/IVqzUiQtCbNYcYoglS323E20qswAhdR73KekUnXW.webp'/></item><item><title><![CDATA[India : 'બાબરી મસ્જિદ પર ટિપ્પણી કરવી રાષ્ટ્રવિરોધી નથી': બોમ્બે હાઈકોર્ટે SDPI સભ્યોનો તડીપાર આદેશ રદ કર્યો! ]]></title><link>https://sandesh.com/india/news/bombay-high-court-sdpi-babri-masjid-verdict</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/bombay-high-court-sdpi-babri-masjid-verdict</guid><pubDate>Wed, 29 Jul 2026 14:50:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોમ્બે હાઈકોર્ટે 28 જુલાઈએ મુંબઈ પોલીસ દ્વારા સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઑફ ઈન્ડિયા (SDPI)ના બે હોદ્દેદારો સામે જાહેર કરાયેલા હદપારીના આદેશોને રદ કરી દીધા. કોર્ટે કહ્યું કે અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડવામાં ન આવવી જોઈએ તેવો મત વ્યક્ત કરવો રાષ્ટ્રવિરોધી ગણી શકાય નહીં. સુનાવણી દરમિયાન કોર્ટે એ પણ સવાલ કર્યો કે શું અરજદારોને તેમના ધર્મના કારણે નિશાન બનાવવામાં આવી રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>ન્યાયમૂર્તિ માધવ જામદારની મહત્વપૂર્ણ ટિપ્પણી</b></h2><p style="text-align: justify; ">બાર એન્ડ બેન્ચના અહેવાલ મુજબ, ન્યાયમૂર્તિ માધવ જામદારે ટિપ્પણી કરી, તેમના મતે બાબરી મસ્જિદ તોડી પાડવી જોઈએ નહીં. આ તેમની માન્યતા છે. આ રાષ્ટ્રવિરોધી કેવી રીતે હોઈ શકે? આ રાષ્ટ્રવિરોધી ન હોઈ શકે! આ તેમની માન્યતા છે. દરેક વ્યક્તિને પોતાનો મત રાખવાનો અધિકાર છે. કોર્ટે આગળ પૂછ્યું, માત્ર તેઓ એક ધર્મ સાથે જોડાયેલા છે એટલા માટે શું તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે?</p><p style="text-align: justify; ">બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે વિરોધ પ્રદર્શનોના આધારે નોંધાયેલી FIRના આધારે બંને વ્યક્તિઓ સામે જારી કરાયેલા હદપારીના આદેશો કાયદાકીય રીતે ટકી શકે તેમ જણાતા નથી, ખાસ કરીને જ્યારે અન્ય રાજકીય પક્ષોએ પણ આ જ વિરોધ પ્રદર્શનોમાં ભાગ લીધો હતો. કોર્ટે મૌખિક રીતે ટિપ્પણી કરી કે આ કાર્યવાહી પસંદગીપૂર્વકની જણાય છે અને બંને અરજદારો મુસ્લિમ સમુદાય સાથે સંબંધિત હોવાના કારણે તેમના ધર્મથી પ્રભાવિત હોવાનું લાગે છે.</p><h3 style="text-align: justify; "><b>ન્યાયાધીશે પૂછ્યું- શું માત્ર એક ધર્મ સાથે જોડાયેલા હોવાના કારણે કાર્યવાહી થઈ?</b></h3><p style="text-align: justify; ">ન્યાયાધીશે કહ્યું, FIR તમામ રાજકીય પક્ષો સામે છે, પરંતુ માત્ર આ અરજદારોને જ નિશાન બનાવવામાં આવ્યા છે. પસંદગીપૂર્વક કાર્યવાહી કરી શકાય નહીં. શું તમે કોંગ્રેસ પાર્ટીના રાજકીય કાર્યકરો અથવા શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) જૂથ સામે કાર્યવાહી કરી છે? શું માત્ર તેઓ એક ધર્મ સાથે જોડાયેલા છે એટલા માટે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે? કોર્ટે એમ પણ કહ્યું કે અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડવી જોઈએ નહીં તેવો મત વ્યક્ત કરવો રાષ્ટ્રવિરોધી નથી અને કોઈ નાગરિકને આ મુદ્દે આવો મત રાખવાનો અધિકાર છે. માત્ર તેઓ એક ધર્મ સાથે સંબંધ ધરાવે છે એટલા માટે તેમની સામે કાર્યવાહી કરી શકાય નહીં.</p><h3 style="text-align: justify; "><b>3 ડિસેમ્બર, 2025ના હદપારી આદેશને પડકાર</b></h3><p style="text-align: justify; ">અરજદારો ફિરોઝ અબ્દુલ વહાબ ખાન અને મોહમ્મદ રફીક ગુલામ રસૂલ અન્સારીએ 3 ડિસેમ્બર, 2025ના હદપારીના આદેશોને પડકાર્યા હતા. આ આદેશ હેઠળ તેમને 1 વર્ષ માટે મુંબઈમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ આદેશો વકફ કાયદાના વિરોધ પ્રદર્શન, ચેમ્બુર-ગોવંડીમાં સિમેન્ટના ગોડાઉનમાંથી થતા વાયુ પ્રદૂષણ અને બાબરી મસ્જિદ વિવાદ સાથે સંબંધિત 2024 અને 2025માં નોંધાયેલી 3 FIR પર આધારિત હતા.</p><h3 style="text-align: justify; "><b>અરજદારોના વકીલે શું દલીલ કરી?</b></h3><p style="text-align: justify; ">અરજદારો તરફથી હાજર રહેલા વકીલ ઇબ્રાહિમ હરબતે દલીલ કરી કે કથિત કૃત્યોમાંથી કોઈ પણ મહારાષ્ટ્ર પોલીસ કાયદાની કલમ 56 હેઠળ આવતું નથી. આ કલમ એવા સંજોગોમાં હદપારીની મંજૂરી આપે છે, જ્યારે પૂરતા પુરાવા હોય કે ગુનાહિત પ્રવૃત્તિઓથી વ્યક્તિઓ અથવા સંપત્તિને જોખમ ઊભું થવાની શક્યતા છે. સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ જામદારે કહ્યું કે FIRમાં માત્ર સૂત્રોચ્ચારનો ઉલ્લેખ છે અને તેમાં વ્યક્તિઓ અથવા જાહેર સંપત્તિને કોઈપણ પ્રકારનું નુકસાન થયું હોવાનું દર્શાવવામાં આવ્યું નથી. ન્યાયાધીશે બાબરી મસ્જિદ મુદ્દા સાથે જોડાયેલા એક વિરોધ પ્રદર્શન અંગે પણ સવાલ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે મસ્જિદ તોડી પાડવી જોઈએ નહીં એવો મત વ્યક્ત કરવો રાષ્ટ્રવિરોધી ગણી શકાય નહીં.</p><h4 style="text-align: justify; "><b>“આ રાષ્ટ્રવિરોધી કેવી રીતે હોઈ શકે?”- ન્યાયાધીશ</b></h4><p style="text-align: justify; ">ન્યાયાધીશે ટિપ્પણી કરી, તેમના મતે બાબરી મસ્જિદ તોડી પાડવી જોઈએ નહીં. આ તેમની માન્યતા છે. આ રાષ્ટ્રવિરોધી કેવી રીતે હોઈ શકે? આ રાષ્ટ્રવિરોધી ન હોઈ શકે. આ તેમની માન્યતા છે. દરેક વ્યક્તિને પોતાનો મત રાખવાનો અધિકાર છે. તેમના મતે બાબરી મસ્જિદ તોડી પાડવી જોઈએ નહીં, આ તેમની માન્યતા છે. તેને રાષ્ટ્રવિરોધી કેવી રીતે ગણી શકાય? તેને રાષ્ટ્રવિરોધી ગણી જ શકાય નહીં.</p><h4 style="text-align: justify; "><b>PFI સાથેના સંબંધોના આરોપ પર પણ કોર્ટની ટિપ્પણી</b></h4><p style="text-align: justify; ">મુખ્ય સરકારી વકીલ શિશિર હિરાયે આરોપીઓના પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયા (PFI) સાથે કથિત સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો, જેને આરોપીઓએ નકારી કાઢ્યા હતા. જોકે, કોર્ટે કહ્યું કે આવા આરોપો કારણદર્શક નોટિસનો ભાગ નહોતા અને તેમના આધારે નિર્ણય લઈ શકાય નહીં. હિરાયે આગળ દલીલ કરી કે વિરોધ પ્રદર્શન દરમિયાન અરજદારોનું વર્તન સામાજિક અસામંજસ્યને પ્રોત્સાહન આપી શકે છે અને શાંતિ ભંગનું કારણ બની શકે છે. જોકે, કોર્ટે કહ્યું કે માત્ર કાલ્પનિક આશંકાઓના આધારે મૂળભૂત અધિકારોને મર્યાદિત કરી શકાય નહીં. કોર્ટે પૂછ્યું કે મૂળભૂત અધિકારોના મામલે શબ્દોનો ખોટો અર્થ કાઢવાની જરૂર શું છે? મૂળભૂત અધિકારો નાગરિકોને મળેલા છે. તેમને આ રીતે કેવી રીતે અસર થઈ શકે?</p><h5 style="text-align: justify; "><b>હદપારી અસાધારણ કાર્યવાહી છે</b></h5><p style="text-align: justify; ">કોર્ટે ફરીથી સ્પષ્ટ કર્યું કે હદપારી એક અસાધારણ કાર્યવાહી છે, જે મુક્ત અવરજવરના મૂળભૂત અધિકારને મર્યાદિત કરે છે. તેથી આવી કાર્યવાહી કરતી વખતે કાયદાકીય જોગવાઈઓનું કડક પાલન થવું જરૂરી છે. કોર્ટે એ સ્થાપિત કાનૂની સ્થિતિને પણ ધ્યાનમાં લીધી કે જે ગુનાઓની તપાસ હજુ ચાલી રહી છે, તે માત્ર તેના આધારે આવી કાર્યવાહીનો આધાર બની શકતા નથી.</p><h5 style="text-align: justify; "><b>હાઈકોર્ટે હદપારીના આદેશો રદ કર્યા</b></h5><p style="text-align: justify; ">કોર્ટે આ જ આધાર પર SDPIના અન્ય સભ્યોને રાહત આપતા પોતાના અગાઉના આદેશનો પણ ઉલ્લેખ કર્યો. ન્યાયમૂર્તિ જામદારે બંને હદપારીના આદેશોને રદ કરી દીધા. SDPIના એક હોદ્દેદાર સામે નોંધાયેલી ફરિયાદમાં દલીલ કરવામાં આવી હતી કે આવી કાર્યવાહીથી તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થયું છે અને માત્ર સરકારી નિર્ણયોનો વિરોધ કરવા બદલ આવી કાર્યવાહી કરી શકાય નહીં. કોર્ટે નિષ્કર્ષ આપ્યો કે આ કેસમાં હદપારીના આદેશો પણ કાયદાકીય રીતે ટકી શકે તેમ નહોતા અને તેથી તેમને રદ કરી દીધા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/india/news/supreme-court-clean-chit-manmohan-singh-coal-scam-cbi-closure-report" target="_blank">આ પણ વાંચો-India : કોલસા કૌભાંડ કેસમાં સ્વર્ગીય PM મનમોહન સિંહને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે આપી ક્લીન ચિટ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/29/QuiuIyNI8qbmDS3s8oRHwgxJD8qsIYat4RfTnUzl.webp'/></item><item><title><![CDATA[Monsoon 2026 : ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, 4 સિસ્ટમ સક્રિય થતાં અતિભારે વરસાદની આગાહી... ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/monsoon-2026-thunderstorm-in-gujarat-heavy-rains-predicted-as-4-systems-activate</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/monsoon-2026-thunderstorm-in-gujarat-heavy-rains-predicted-as-4-systems-activate</guid><pubDate>Wed, 29 Jul 2026 14:18:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 4 દિવસ સુધી અતિભારે વરસાદની ચોંકાવનારી આગાહી કરવામાં આવી છે. 30 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં મેઘમહેર અને પૂરની સ્થિતિ સર્જાવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ તારાજી પાછળનું મુખ્ય કારણ એકસાથે 4 જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થવાનું જણાવવામાં આવ્યું છે. આજે પણ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસશે, જ્યારે 31 જુલાઈએ&nbsp; અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ માટે 'રેડ એલર્ટ' પણ જાહેર કરી દેવામાં આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>અનેક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર</b></h2><p style="text-align: justify; ">હવામાન વિભાગે 30 જુલાઇ માટે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં એલર્ટ આપ્યું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ગાંધીનગર, અમદાવાદ અને ભરૂચ જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતા દર્શાવતું 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે. જ્યારે રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પંચમહાલ, મહિસાગર, વડોદરા, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ભરાવદાર વરસાદની આગાહી સાથે 'યલો એલર્ટ' અપાયું છે.<img crossorigin="anonymous" alt="" draggable="true" class="x6s0dn4 x78zum5 x5yr21d xl56j7k x6ikm8r x10wlt62 x1n2onr6 xh8yej3 xhtitgo xnpuxes" tabindex="0" src="blob:https://web.whatsapp.com/955a1c6c-cadf-4508-a7bd-ea26cb90cf8d" style="text-align: left; visibility: visible;"></p><p style="text-align: justify; "><img alt="21af3e87-f622-449b-9235-b8fd2d00c153" src="https://epapercdn.sandesh.com/images/2026/07/29/jaKPLHENYI8UOR1KVtTl7lA842c7I8gppPYqVOUg.webp"><br></p><h3 style="text-align: justify; "><b>માછીમારોને દરિયો ન ખેડવા સૂચના</b></h3><p style="text-align: justify; ">વરસાદી સિસ્ટમ ભારે હોવાના કારણે રાજ્યમાં વાવાઝોડા જેવા માહોલ સાથે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતા પણ વર્તાવવામાં આવી છે. દરિયામાં કરંટ વધવાની અને ઊંચા મોજા ઉછળવાની સંભાવનાને પગલે તંત્ર દ્વારા માછીમારોને આગામી ચાર દિવસ સુધી દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકાર અને આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા પણ તમામ જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ મોડ પર રહેવા આદેશ આપી દેવાયા છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/jamnagar/jamnagar-news-gujarat-ayurveda-university-paper-leak-case-nsui-plans-statewide-protest" target="_blank">Jamnagar News : ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી પેપર લીક મામલો, NSUI દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનનું આયોજન...</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/29/YPfRhXtz3M79vWdzYQ7lx8C6Y26U7jqBRQhERn6h.webp'/></item><item><title><![CDATA[CWG 2026 Boxing : બોક્સિંગમા ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે ફાઇનલ,જુઓ આખું સમીકરણ ]]></title><link>https://sandesh.com/sports/news/cwg-2026-boxing-the-final-will-be-played-between-india-and-pakistan-in-boxing-see-the-entire-equation</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/cwg-2026-boxing-the-final-will-be-played-between-india-and-pakistan-in-boxing-see-the-entire-equation</guid><pubDate>Wed, 29 Jul 2026 13:39:53 +05:30</pubDate><description><![CDATA[<p>કોમનવેલ્થ ગેમ્સ 2026ના બોક્સિંગ રિંગમાં ભારત-પાકિસ્તાન ફાઇનલ.સમીકરણો બનવા લાગ્યા છે,અને જો બધું બરાબર રહ્યું,તો ફાઇનલ 1 ઓગસ્ટના રોજ ગ્લાસગોમાં યોજાશે.તાજેતરમાં ભારતીય બોક્સર જદુમણી સિંહે રાઉન્ડ ઓફ 16 મેચમાં પાકિસ્તાની બોક્સર સુમામા રહેમાનને એક શક્તિશાળી મુક્કાથી હરાવ્યો હતો.આ વખતે ઉત્તેજના ચાર ગણી થઈ શકે છે કારણ કે મુકાબલો ફાઇનલમાં થશે, જેમાં ગોલ્ડ મેડલ દાવ પર છે.મહિલાઓના 60 કિગ્રા વજન વર્ગમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ માટેના સમીકરણો રચાતા દેખાય છે.</p><h3><b>ભારત અને પાકિસ્તાન બોક્સરો સેમિ-ફાઇનલમાં એન્ટ્રી&nbsp;</b></h3><p>28 જુલાઈના રોજ, ભારતીય અને પાકિસ્તાની બોક્સરોએ મહિલાઓના 60 કિગ્રા વજન વર્ગમાં પોતપોતાના મુકાબલા જીતીને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. પાકિસ્તાની બોક્સર ફાતિમા ઝહરાએ ક્વાર્ટર ફાઇનલમાં ન્યુઝીલેન્ડની જોર્ડન વિલ્સનને 5-0થી હરાવી. દરમિયાન, ભારતની પ્રિયા ઘંઘાસે સ્કોટલેન્ડની ઘરેલુ પ્રિય નિયામ મિશેલને 4-1થી હરાવી.</p><h5><b>સેમિફાઇનલ 31 જુલાઈના રોજ યોજાશે</b></h5><p>બોક્સિંગમાં મહિલાઓની 60 કિલો વજન શ્રેણીમાં સેમિફાઇનલ 31 જુલાઈના રોજ યોજાશે. સેમિફાઇનલમાં પાકિસ્તાની બોક્સર ફાતિમાનો મુકાબલો કેનેડિયન બોક્સર મેરી અલ અહમદી સાથે થશે. ભારતની પ્રિયા ઘંઘાસનો મુકાબલો ઇંગ્લેન્ડની લ્યુસી કિંગ્સ સાથે થશે.</p><h4><b>ભારત અને પાકિસ્તાન ફાઇનલમાં આમને-સામને થશે</b></h4><p>જો ભારતની પ્રિયા ઘંઘાસ અને પાકિસ્તાનની ફાતિમા ઝહરા 31 જુલાઈના રોજ પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરીને સેમિફાઇનલ જીતી જાય છે, તો આ બે કટ્ટર હરીફ ફાઇનલમાં પહોંચશે, જ્યાં તેઓ 1 ઓગસ્ટના રોજ અત્યાર સુધીની સૌથી રોમાંચક બોક્સિંગ મેચમાં ટકરાઈ શકે છે.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/commonwealth-games-2026-indias-fastest-runner-out-of-the-semifinals-know-the-reason" target="_blank">Commonwealth Games 2026: ભારતનો સૌથી ઝડપી દોડવીર સેમિફાઈનલમાંથી બહાર! જાણો કારણ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/29/dP1mSZ4FtUS8iMNvE5fyMbosAiQA04EhnJ62wteR.webp'/></item></channel></rss>