<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Saputara Monsoon Festival 2026: ડાંગમાં પ્રકૃતિ અને આદિવાસી કલાના મહોત્સવનો પ્રારંભ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ahwa/saputara-monsoon-festival-2026-nature-and-tribal-art-festival-begins-in-dang</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ahwa/saputara-monsoon-festival-2026-nature-and-tribal-art-festival-begins-in-dang</guid><pubDate>Sat, 08 Aug 2026 17:56:46 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ખાતે આજથી રંગારંગ ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ-2026નો ભવ્ય પ્રારંભ થયો છે.રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ મહોત્સવનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 29 ઓગસ્ટ સુધી ચાલનારા આ મહોત્સવમાં પ્રકૃતિ,આદિવાસી સંસ્કૃતિ,લોકકલા,સાહસિક પ્રવૃત્તિઓ અને સ્થાનિક ડાંગી વ્યંજનો પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.</p><h5 style="text-align: justify; "><b>આદિવાસી સંસ્કૃતિ અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની થીમ</b></h5><p style="text-align: justify; ">ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સાપુતારાને માત્ર હિલ સ્ટેશન નહીં,પરંતુ ડાંગની સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિ અને પ્રકૃતિની જીવંત ઓળખ ગણાવી હતી.આ મહોત્સવ દરમિયાન ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ થીમ આધારિત વિશેષ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્રવાસીઓ માટે નેચર ટ્રેઇલ, ક્રાફ્ટ અને આદિવાસી કલા વર્કશોપ, રેઇન ડાન્સ તથા વિવિધ એડવેન્ચર એક્ટિવિટીઝનું સુંદર આયોજન કરાયું છે.</p><h5 style="text-align: justify; "><b>દેશભરના કલાકારોનું સાંસ્કૃતિક નજરાણું અને પ્રવાસીઓનો ઘોડાપૂર</b></h5><p style="text-align: justify; ">ઉદ્ઘાટન સમારોહમાં દેશના 13વિવિધ રાજ્યોના 110 જેટલા કલાકારોએ ભવ્ય સાંસ્કૃતિક નૃત્યો રજૂ કર્યા હતા, જ્યારે સ્થાનિક ડાંગી કલાકારોએ પણ પોતાના પરંપરાગત નૃત્યથી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. નોંધનીય છે કે,વર્ષ 2025માં આશરે 2.61લાખ પ્રવાસીઓએ આ મહોત્સવનો આનંદ માણ્યો હતો. ચાલુ વર્ષે ૨૦૨૬માં ચોમાસાની આહલાદક ઋતુ વચ્ચે આનાથી પણ વધુ સંખ્યામાં પ્રવાસીઓ સાપુતારાની મુલાકાતે પહોંચે તેવી શક્યતા તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/gujarat/news/crime/gandhinagar/gandhinagar-news-young-man-cheated-of-lakhs-in-a-craze-to-go-to-london-young-man-attempts-suicide-due-to-torture-by-visa-agent" target="_blank"> Gandhinagar News : લંડન જવાની ઘેલછામાં યુવક સાથે લાખોની ઠગાઈ, વિઝા એજન્ટના ત્રાસથી યુવકનો આપઘાતનો પ્રયાસ</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/bjLehojOeXmYQk6uoE7owaag4FLfmfiaYgmANyij.webp'/></item><item><title><![CDATA[Nadiadમાં ગટર મુદ્દે રજૂઆત કરવા ગયેલા અરજદાર સાથે ઉદ્ધતાઈભર્યા વર્તનના આક્ષેપ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/nadiad/allegations-of-rude-behavior-towards-a-petitioner-who-went-to-present-a-representation-on-the-sewerage-issue-in-nadiad</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/nadiad/allegations-of-rude-behavior-towards-a-petitioner-who-went-to-present-a-representation-on-the-sewerage-issue-in-nadiad</guid><pubDate>Sat, 08 Aug 2026 17:55:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નડિયાદ શહેરના ચંપા તલાવડી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગટર ઉભરાવાની ગંભીર સમસ્યા સામે આવી છે, જેના કારણે સ્થાનિક રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વિસ્તારમાં દૂષિત પાણી ફરી વળતાં આરોગ્ય સામે પણ જોખમ ઊભું થયું છે. આ સમસ્યાના કાયમી નિકાલ માટે અને વિસ્તારમાં નવો રોડ બનાવી આપવાની માંગ સાથે સ્થાનિક અરજદાર નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર કલ્પેશ રાવળ સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>ડેપ્યુટી મેયર સામે વર્તનને લઈને ગંભીર આક્ષેપ</b></h2><p style="text-align: justify; ">ગટર સાફ કરાવવા અને રોડ નિર્માણ અંગે રજૂઆત કરવા ગયેલા અરજદાર સાથે નડિયાદ મનપાના ડેપ્યુટી મેયર કલ્પેશ રાવળે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. અરજદારનો આરોપ છે કે પ્રજાના પ્રતિનિધિ તરીકે રજૂઆત સાંભળવાને બદલે તેમની સાથે અસભ્ય વ્યવહાર કરવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશો અને અરજદારોમાં મનપાના વહીવટી તંત્ર અને પદાધિકારીઓ સામે ભારે રોષ અને અસંતોષની લાગણી વ્યાપી ગઈ છે.</p><h3 style="text-align: justify; "><b>રહીશોની રોડ-ગટરની સુવિધા માટે માગ</b></h3><p style="text-align: justify; ">બીજી તરફ, ડેપ્યુટી મેયર કલ્પેશ રાવળે પોતાના પર લાગેલા ઉદ્ધતાઈભર્યા વર્તનના તમામ આક્ષેપોને તદ્દન પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે. તેમનું કહેવું છે કે રજૂઆત યોગ્ય રીતે સાંભળવામાં આવી છે અને સમસ્યાના ઉકેલ માટે યોગ્ય દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. બીજી તરફ ચંપા તલાવડી વિસ્તારના રહીશોએ માંગ કરી છે કે રાજકીય નિવેદનબાજી બાજુ પર મૂકીને મનપા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ગટર ઉભરાવાની સમસ્યા દૂર કરવામાં આવે અને નવો રસ્તો બનાવીને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/A7N1xMge89okzhNVAFRmK06bBaSBAAcfEfL9FOy7.webp'/></item><item><title><![CDATA[Surat BRTS સ્ટેન્ડ પર વિચિત્ર કિસ્સો, વીડિયો ઉતારી ધમકી આપનાર મહિલા હોમગાર્ડનો યુવકે મોબાઈલ તોડી નાખ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/strange-incident-at-surat-brts-stand-young-man-breaks-mobile-phone-of-female-home-guard-who-threatened-him-by-recording-video</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/strange-incident-at-surat-brts-stand-young-man-breaks-mobile-phone-of-female-home-guard-who-threatened-him-by-recording-video</guid><pubDate>Sat, 08 Aug 2026 17:49:29 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરના એક BRTS બસ સ્ટેન્ડ પરથી એક વિચિત્ર અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક યુવક તેની મહિલા મિત્ર સાથે બાઈક પર પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં ફરજ પર તૈનાત મહિલા હોમગાર્ડ સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. સામાન્ય વાતમાંથી શરૂ થયેલો વિવાદ એટલો વધી ગયો હતો કે બસ સ્ટેન્ડ પર લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા અને વાતાવરણ ગરમાયું હતું.</p><h2 style="text-align: justify; "><b>હોમગાર્ડ મહિલાએ વીડિયો બનાવી ધમકી આપી</b></h2><p style="text-align: justify; ">ઘટનાની વિગત મુજબ, BRTS બસ સ્ટેન્ડ પાસે યુવક અને તેની મિત્રને જોઈને ત્યાં હાજર મહિલા હોમગાર્ડે પોતાના મોબાઈલ કેમેરા વડે બંનેનો વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું. આટલું જ નહીં, વીડિયો શૂટ કરવાની સાથે મહિલા હોમગાર્ડે યુવકને ધમકીઓ આપવાનું પણ શરૂ કર્યું હતું. વગર વાંકે કે પરવાનગી વગર પોતાનો વીડિયો બનાવવામાં આવતો હોવાનું જોઈને યુવક ભારે ગુસ્સે થઈ ગયો હતો.</p><h2 style="text-align: justify; "><b>ઉશ્કેરાયેલા યુવકે આપ્યો વળતો જવાબ</b></h2><p style="text-align: justify; ">મહિલા હોમગાર્ડની આ વર્તણૂકથી ઉશ્કેરાયેલા યુવકે તેને સ્થળ પર જ સણસણતો વળતો જવાબ આપ્યો હતો. બંને વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી, જેના આવેશમાં આવીને યુવકે મહિલા હોમગાર્ડના હાથમાંથી મોબાઈલ આંચકી લીધો હતો અને જમીન પર પટકીને તોડી નાખ્યો હતો. આ સમગ્ર ઘટના બાદ સ્થળ પર દોડધામ મચી ગઈ હતી અને જાહેર રસ્તા પર બનેલા આ કિસ્સાનો બનાવ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabads-favorite-gymkhana-sealed-amc-takes-major-action" target="_blank">Ahmedabadનું મનપસંદ જીમખાના સીલ, AMCની મોટી કાર્યવાહી</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/yyWky8oWr2czzFUWR3Iy8Kj06YtqLYfP7ihFutcc.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના લાલ દરવાજા GPOમાંથી ઝડપાયું કફ સિરપનું સપ્લાય નેટવર્ક, SOGએ કુલ રૂ.59.41 લાખનો જથ્થો કર્યો જપ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/cough-syrup-supply-network-busted-from-lal-darwaza-gpo-in-ahmedabad</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/cough-syrup-supply-network-busted-from-lal-darwaza-gpo-in-ahmedabad</guid><pubDate>Sat, 08 Aug 2026 17:43:43 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેર એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમે બાતમીના આધારે લાલ દરવાજા સ્થિત જીપીઓ (General Post Office) ખાતે દરોડો પાડીને નશાકારક કફ સિરપના ગેરકાયદેસર સપ્લાય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે રૂ.59.41 લાખની કિંમતની કુલ 5,050 કફ સિરપની બોટલો ધરાવતા 34 જેટલા શકમંદ પાર્સલ કબ્જે કર્યા છે. એસઓજીની આ ત્વરિત અને ચોક્કસ કાર્યવાહીના કારણે અમદાવાદથી ચાલી રહેલા નશાકારક દવાઓના નેટવર્કને મોટો ફટકો પડ્યો છે અને સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>મિઝોરમની બોગસ કંપનીના નામે ચાલતું હતું રેકેટ</b></h2><p style="text-align: justify; ">પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ નશાકારક કફ સિરપનો જથ્થો અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી બુક કરાવીને પૂર્વોત્તર રાજ્ય મિઝોરમ ખાતે મોકલવામાં આવી રહ્યો હતો. આ સમગ્ર કૌભાંડ મિઝોરમમાં એક બોગસ (ફેક) કંપનીના નામે ચલાવવામાં આવી રહ્યું હતું. કાયદાકીય એજન્સીઓની નજરથી બચવા માટે પોસ્ટલ પાર્સલ સર્વિસનો દુરુપયોગ કરી કફ સિરપનો મોટો જથ્થો અન્ય રાજ્યમાં સપ્લાય કરવાનું સુઆયોજિત ષડયંત્ર રચવામાં આવ્યું હતું, જેનો એસઓજીની ટીમે સમયસર પર્દાફાશ કર્યો છે.</p><h3 style="text-align: justify; "><b>પાર્સલ મોકલનાર અને મેળવનાર વિરુદ્ધ ગુનો નોંધાયો</b></h3><p style="text-align: justify; ">જીપીઓમાંથી નશાકારક કફ સિરપનો વિશાળ જથ્થો પકડાયા બાદ એસઓજી પોલીસે પાર્સલ મોકલનાર (સેન્ડર) અને મેળવનાર (રિસીવર) બંને વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ રેકેટમાં અમદાવાદ અને મિઝોરમના કયા મુખ્ય સૂત્રધારો સામેલ છે તથા અગાઉ આવા કેટલા પાર્સલ મોકલવામાં આવ્યા છે તે અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. સરખેજ ખાતેથી પાર્સલ બુક કરાવનાર સ્થાનિક નેટવર્ક સુધી પહોંચવા માટે પોલીસે સીસીટીવી ફૂટેજ અને કુરિયર દસ્તાવેજોના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/kWpHccU3nLw0fIW1Dt00itnoMHsaDmFPvSBXjnrn.webp'/></item><item><title><![CDATA[Bollywood : એક ડાયરેક્ટરે બનાવ્યો ઇમરાન હાશ્મીને સ્ટાર, બોક્સ ઓફિસ પર મચાવી દીધી હતી ધૂમ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/emraan-hashmi-lucky-director-5-films</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/emraan-hashmi-lucky-director-5-films</guid><pubDate>Sat, 08 Aug 2026 17:32:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડ એક્ટર ઈમરાન હાશ્મીએ છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાની કરિયરમાં મોટા બદલાવ કર્યા છે. આ દરમિયાન એક્ટરે વધુ કન્ટેન્ટ ઓરિએન્ટેડ ફિલ્મોમાં કામ કર્યું છે. જ્યારે કેટલીક ફિલ્મોમાં તેમણે પોતાના નેગેટિવ રોલથી લોકોને ચોંકાવ્યા પણ છે. હવે ઈમરાન હાશ્મીની આવારાપન 2 આવી રહી છે. આ ફિલ્મની ખાસ વાત એ છે કે તેમાં તેઓ ફરી એકવાર 2000ના દાયકાવાળા અંદાજમાં જોવા મળવાના છે. ફિલ્મનું ટ્રેલર જોયા બાદ લોકો પણ આવી જ વાતો કરતા જોવા મળી રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>મોહિત સૂરી અને ઈમરાન હાશ્મીએ સાથે કઈ ફિલ્મો કરી?</b></h2><p style="text-align: justify; ">મોહિત સૂરીએ 2000ના દાયકામાં ઈમરાન હાશ્મી સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ સફરની શરૂઆત વર્ષ 2005માં આવેલી ઝહેર ફિલ્મથી થઈ હતી. રિપોર્ટ્સ મુજબ આ ફિલ્મનું બજેટ 5 કરોડ રૂપિયા હતું અને ફિલ્મે 13 કરોડ રૂપિયાના કલેક્શન સાથે હિટનો દરજ્જો મેળવ્યો હતો. ત્યારબાદ આ જોડી કલયુગ ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મનું બજેટ 4 કરોડ રૂપિયા હતું અને તેની સરખામણીએ ફિલ્મે 10 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને હિટ રહી હતી.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dbr9TN0s561/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dbr9TN0s561/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dbr9TN0s561/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dbr9TN0s561/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><p style="text-align: justify; ">ત્યારબાદ આવારાપન ફિલ્મનો નંબર આવે છે. આ ફિલ્મ વર્ષ 2007માં આવી હતી. રિપોર્ટ્સ મુજબ 18 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મ માત્ર 12 કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકી હતી. ફિલ્મ ફ્લોપ રહી હતી, પરંતુ બાદમાં તેને કલ્ટ ક્લાસિકનો દરજ્જો મળ્યો હતો. ત્યારબાદ રાજ ફિલ્મ આવી હતી. તેનું બજેટ 18 કરોડ રૂપિયા હતું અને રિપોર્ટ્સ મુજબ ફિલ્મે 38 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મ સુપરહિટ રહી હતી.</p><h3 style="text-align: justify; "><b>છેલ્લી ફિલ્મ બની બ્લોકબસ્ટર</b></h3><p style="text-align: justify; ">ત્યારબાદ બંનેએ સાથે મળીને ક્રૂક ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ રહી હતી. જ્યારે મર્ડર 2ની વાત કરીએ તો આ બંનેની સાથે આવેલી છેલ્લી ફિલ્મ હતી. રિપોર્ટ્સ મુજબ 13 કરોડ રૂપિયાના બજેટ સામે આ ફિલ્મ 65 કરોડ રૂપિયાથી વધુ કમાવવામાં સફળ રહી હતી અને બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. ત્યારબાદ બંનેએ સાથે કોઈ ફિલ્મ બનાવી નથી. હવે ઈમરાન હાશ્મી આવારાપન 2 લઈને આવી રહ્યા છે. આ ફિલ્મ 14 ઓગસ્ટ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/pradeep-rawat-prayer-meet-son-vikram-emotional" target="_blank">આ પણ વાંચો-Pradeep Rawatની પ્રેયર મીટમાં પુત્ર વિક્રમ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો, પિતાને યાદ કરીને હાથ-પગ ધ્રૂજવા લાગ્યા</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/n41UCduQoBdRApGtRDgIGRg7WTzhUglPDZUtRfx4.webp'/></item><item><title><![CDATA[Jammu-Sri Nagarમાં મોટો અકસ્માત, કેલા મોડ ટનલમાં SSBના 3 વાહન ટકરાયા, 3 જવાન ઘાયલ ]]></title><link>https://sandesh.com/india/news/jammu-srinagar-highway-kela-mor-tunnel-ssb-vehicles-accident</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/jammu-srinagar-highway-kela-mor-tunnel-ssb-vehicles-accident</guid><pubDate>Sat, 08 Aug 2026 17:16:20 +05:30</pubDate><description><![CDATA[<p>જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં શનિવારે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે. કેલા મોડ ટનલની અંદર સશસ્ત્ર સીમા બળ (SSB)ના કાફલાના ત્રણ વાહનો એકબીજા સાથે અથડાયા. આ અકસ્માતમાં SSBના ઓછામાં ઓછા ત્રણ જવાન ઘાયલ થયા છે. તમામ ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.</p><p>મળતી માહિતી મુજબ, SSBનો કાફલો શ્રીનગરથી જમ્મુ તરફ જઈ રહ્યો હતો. કાફલો રામબનના કેલા મોડ ખાતે આવેલી ટનલમાં પહોંચ્યો ત્યારે આગળ ચાલી રહેલા એક વાહને અચાનક બ્રેક લગાવી હતી. પાછળ આવી રહેલા બે વાહનોના ચાલકોને અચાનક ઊભી થયેલી પરિસ્થિતિમાં વાહન સંભાળવા માટે પૂરતો સમય મળ્યો નહોતો. પરિણામે બંને વાહનો આગળના વાહન સાથે અથડાયા હતા.</p><h2><b>વરસાદ અને ઓછી વિઝિબિલિટી બની કારણ</b></h2><p>અકસમાત સમયે વિસ્તારમાં વરસાદ પડી રહ્યો હતો, જેના કારણે રસ્તો લપસણો બન્યો હતો. ટનલની અંદર ઓછી દૃશ્યતા પણ અકસ્માતનું એક સંભવિત કારણ માનવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં અચાનક બ્રેક લાગતાં પાછળથી આવતા વાહનોને નિયંત્રિત કરવામાં મુશ્કેલી પડી હતી. ટક્કર બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘાયલ જવાનોને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જોકે, ઘાયલ જવાનોની ચોક્કસ સ્થિતિ અને ઈજાઓ અંગે હજુ વિગતવાર માહિતી સામે આવી નથી.</p><h3><b>સમગ્ર મામલે તપાસ કરાઈ શરૂ</b></h3><p>અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં અચાનક બ્રેક, વરસાદ અને રસ્તા પરની લપસણને અકસ્માતના સંભવિત કારણો માનવામાં આવી રહ્યા છે. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ સંપૂર્ણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે જમ્મુ અને શ્રીનગર વચ્ચેનો મહત્વપૂર્ણ માર્ગ છે. રામબનનો પહાડી વિસ્તાર હોવાથી વરસાદ, ઓછી દૃશ્યતા અને લપસણા રસ્તાને કારણે વાહનચાલકો માટે જોખમ વધી જાય છે. હાલ અધિકારીઓ અકસ્માત સાથે જોડાયેલા તમામ પાસાઓની તપાસ કરી રહ્યા છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/delhi-vande-mataram-150-years-iaf-band-performance-august-9" target="_blank">આ પણ વાંચો : Delhi : 'વંદે માતરમ'ના 150 વર્ષ નિમિત્તે 9 ઓગસ્ટે વિશેષ કાર્યક્રમ, 40 સંગીતકારો દેશભક્તિના ગીતોથી જગાવશે રાષ્ટ્રભાવના</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/aupDQUtWCoTLxuYP6pYlhOPQqge1kHk0fmZ1zeHx.webp'/></item><item><title><![CDATA[JPSC પરીક્ષામાં કથિત ગેરરીતિનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, 19 એપ્રિલની પરીક્ષા રદ કરવાની માગ ]]></title><link>https://sandesh.com/india/news/jpsc-exam-irregularity-supreme-court-pil-april-19-exam-cancellation</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/jpsc-exam-irregularity-supreme-court-pil-april-19-exam-cancellation</guid><pubDate>Sat, 08 Aug 2026 16:52:57 +05:30</pubDate><description><![CDATA[<p>રાંચીમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન વચ્ચે ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન (JPSC)ની સંયુક્ત સિવિલ સર્વિસ પ્રિલિમિનરી પરીક્ષા-2025માં કથિત ગેરરીતિનો મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. સામાજિક કાર્યકર્તા અને રાજકીય નેતા હરિશરણ દેવગન દ્વારા સુપ્રીમ કોર્ટમાં જનહિત અરજી (PIL) દાખલ કરવામાં આવી છે. અરજીમાં 19 એપ્રિલ, 2026ના રોજ યોજાયેલી JPSC પ્રિલિમિનરી પરીક્ષા રદ કરીને કોર્ટની મંજૂરી હેઠળના સુરક્ષા ઉપાયો સાથે નવી પરીક્ષા યોજવાની માગ કરવામાં આવી છે.</p><h2><b>પરીક્ષાની પારદર્શિતાની તપાસ માટે સ્વતંત્ર સમિતિ રચવાની માગ</b></h2><p>અરજીમાં પરીક્ષામાં થયેલી કથિત અનિયમિતતાઓની સ્વતંત્ર, નિષ્પક્ષ અને સમયબદ્ધ તપાસ માટે CBIને નિર્દેશ આપવાની પણ માગ કરવામાં આવી છે. સાથે જ પરીક્ષાની નિષ્પક્ષતા અને પારદર્શિતાની તપાસ માટે સ્વતંત્ર સમિતિ રચવાની માગ છે. આ સમિતિની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ અથવા ઝારખંડ બહારની હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ કે ન્યાયાધીશ કરે તેવી માગ છે.</p><h3><b>પરિણામ બાદ ઊભા થયા સવાલ</b></h3><p>અરજીમાં જણાવાયું છે કે 2 જુલાઈ, 2026ના રોજ JPSC પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ વિવાદ ઊભો થયો હતો. એક સફળ ઉમેદવારની OMR ઉત્તરપત્રિકાની કાર્બન કૉપી સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પરીક્ષાની પ્રક્રિયા અંગે સવાલો ઉઠ્યા. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે ઉમેદવારે પ્રથમ પેપરમાં 100માંથી માત્ર 48 પ્રશ્નોના જવાબ આપ્યા હોવા છતાં તેને સફળ જાહેર કરવામાં આવ્યો હતો.</p><p>JPSCના એક સત્તાવાર નોટિસનો હવાલો આપતાં અરજીમાં CID તપાસ ચાલુ હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સફળ ઉમેદવારોને 30 જુલાઈથી 5 ઓગસ્ટ દરમિયાન પેપર-I અને પેપર-IIની OMR કાર્બન કૉપી જમા કરાવવા જણાવાયું હતું.</p><h4><b>રાંચીમાં વિદ્યાર્થીઓનું આંદોલન</b></h4><p>પરીક્ષા વિવાદને લઈને રાંચીમાં વિદ્યાર્થીઓનું આંદોલન હજુ પણ ચાલુ છે. વિદ્યાર્થીઓ 19 એપ્રિલની પરીક્ષા રદ કરીને ફરી પરીક્ષા યોજવાની માગ કરી રહ્યા છે. તેમની માગ છે કે નવી પરીક્ષા કોર્ટની દેખરેખ હેઠળ સુરક્ષિત વ્યવસ્થા સાથે યોજાય. અરજીમાં OMR સ્કેનિંગ, કોડિંગ, મૂલ્યાંકન અને પરિણામ તૈયાર કરવાની સમગ્ર પ્રક્રિયાના સ્વતંત્ર ઓડિટની પણ માગ કરવામાં આવી છે.</p><p><a href="https://sandesh.com/india/news/siddhivinayak-temple-donation-scam-fadnavis-five-year-audit-raj-thackeray" target="_blank"><b>આ પણ વાંચો : Siddhivinayak Temple Donation Scam : CM ફડણવીસે મંદિરના 5 વર્ષના રેકોર્ડની તપાસના આપ્યા આદેશ, રાજ ઠાકરેએ લગાવ્યા હતા આરોપ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/321D0UVAgaPbZ4mrakSw76TrnrD9AlaNCci0I0cO.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : અમદાવાદ મનપાના CFO અમિત ડોંગરે ટર્મિનેટ, રૂ.36 હજારની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-news-ahmedabad-municipal-corporation-cfo-amit-dongre-terminated-caught-by-acb-while-taking-a-bribe-of-rs-36-thousand</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-news-ahmedabad-municipal-corporation-cfo-amit-dongre-terminated-caught-by-acb-while-taking-a-bribe-of-rs-36-thousand</guid><pubDate>Sat, 08 Aug 2026 16:35:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ચીફ ફાયર ઓફિસર (CFO) અમિત ડોંગરે સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ની કાર્યવાહી બાદ મનપા તંત્રે તેમને સેવામાંથી ટર્મિનેટ કરી દીધા છે. નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) આપવાના બદલામાં રૂ. 36,000ની લાંચ માંગવા અંગે ACBને ફરિયાદ મળી હતી. આ ફરિયાદના આધારે ગોઠવાયેલા છટકામાં CFO અમિત ડોંગરે અને તેમના વચેટીયા/સાગરીત ભાવસિંહ ઝાલા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સ નીતિ દાખવી અમદાવાદ મનપાએ આ કડક નિર્ણય લીધો છે.</p><h2 style="text-align: justify; "><b>ઘરેથી લાખોની રોકડ અને લોકર ફ્રીઝ</b></h2><p style="text-align: justify; ">ACBના નાયબ નિયામકના જણાવ્યા અનુસાર, લાંચ કેસમાં પકડાયા બાદ હાથ ધરવામાં આવેલી સર્ચ કામગીરી દરમિયાન અમિત ડોંગરેના ઘરેથી લાખો રૂપિયાની શંકાસ્પદ રોકડ રકમ મળી આવી છે. આ ઉપરાંત તેમના બેંક લોકરો પણ ફ્રીઝ કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં જ આટલી મોટી અપ્રમાણસર મિલકત સામે આવતા ACB હવે તેમની તમામ સંપત્તિ અને ભૂતકાળના વહીવટોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>લાંચિયા CFO અને સાગરીત કોર્ટમાં રજૂ</b></h2><p style="text-align: justify; ">ACBની ટીમે ગેરકાયદેસર કમાણી અને લાંચ કેસના મૂળ સુધી પહોંચવા માટે ટર્મિનેટ કરાયેલા ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને તેમના સાગરીત ભાવસિંહ ઝાલા બંને આરોપીઓને અદાલતમાં રજૂ કર્યા છે. ACB અધિકારીઓ દ્વારા સમગ્ર નેટવર્ક, લાંચના નાણાંની વહેંચણી અને અન્ય સંડોવાયેલા અધિકારીઓ કે કર્મચારીઓની પૂછપરછ કરવા માટે કોર્ટ સમક્ષ બંને આરોપીઓના 7 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-news-big-success-in-writer-kajal-ojha-vaidyas-snatching-case-lcb-zone-6-team-nabs-two-accused" target="_blank">Ahmedabad News : લેખક કાજલ ઓઝા વૈદ્યના સ્નેચિંગ કેસમાં મોટી સફળતા, LCB ઝોન 6ની ટીમે બે આરોપીઓને ઝડપ્યા</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/9qWVlo5dQSqsWX5MbauzSudfjvM0AY04D0jBEJbo.webp'/></item><item><title><![CDATA[UPI Payment Charges: શું UPI પેમેન્ટ પર લાગશે ચાર્જ?  PCIએ આપ્યા તમામ સવાલના જવાબ ]]></title><link>https://sandesh.com/business/news/upi-payment-charges-will-there-be-charges-on-upi-payments-pci-answers-all-the-questions</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/upi-payment-charges-will-there-be-charges-on-upi-payments-pci-answers-all-the-questions</guid><pubDate>Sat, 08 Aug 2026 15:05:20 +05:30</pubDate><description><![CDATA[<p>આજકાલ એક ચાના કપના ખર્ચથી લઈને મોટા બિલ અને ઓનલાઈન ખરીદી સુધી મોટાભાગના લોકો ચુકવણી માટે UPI પસંદ કરે છે. પરિણામે, UPI પર સંભવિત શુલ્ક અંગેના સમાચાર અથવા ચર્ચાઓએ લોકોના મનમાં અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. શું હવે UPI દ્વારા ચુકવણી કરવા માટે ચાર્જ લાગશે ? </p><h2><b>UPI ચાર્જિસને લઇને મૂંઝવણ શું છે ?&nbsp;</b></h2><p>શું દુકાનો અથવા કરિયાણાની દુકાનોમાં UPI નો ઉપયોગ કરવા માટે વધારાનો શુલ્ક લાગશે? જો મોટા વ્યવસાયો પાસેથી ચાર્જ વસૂલવામાં આવે છે, તો શું તે સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર અસર કરશે?UPI શુલ્ક અંગે ચાલી રહેલી આ ચર્ચા વચ્ચે, પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI) એ લોકોના પ્રશ્નોના જવાબ આપ્યા છે. દરેકના મનમા ઉઠતા સવાલના જવાબો જાણીએ.&nbsp;</p><p><br></p><p><br></p><h2>સવાલ-1</h2><h2><b style="font-size: 2rem;">&nbsp;શું ગ્રાહકોએ UPI નો ઉપયોગ કરવા માટે ચૂકવણી કરવી પડશે?</b></h2><p>ના. પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અનુસાર, UPI 2016 માં શરૂ કરવામાં આવ્યું હતું અને ત્યારથી ગ્રાહકો માટે મફત છે.  સામાન્ય લોકો કોઈપણ ટ્રાન્ઝેક્શન ચાર્જ વિના UPI દ્વારા તાત્કાલિક ડિજિટલ ચુકવણી કરી શકશે. બીજા શબ્દોમાં કહીએ તો, જો તમે કોઈને પૈસા મોકલી રહ્યા છો અથવા UPI દ્વારા ચુકવણી કરી રહ્યા છો, તો તમારી પાસેથી તેના માટે અલગથી કોઈ શુલ્ક લેવામાં આવશે નહીં.</p><p><span style="font-size: 2rem;">સવાલ-2</span></p><p><b style="font-size: 2rem;">શું નાના દુકાનદારો અને કરિયાણાની દુકાનો પાસેથી UPI ચુકવણી સ્વીકારવા માટે શુલ્ક લેવામાં આવશે?</b></p><p><br></p><p>ના. PCI એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે નાના દુકાનદારો, કરિયાણાની દુકાનો અને નાના વ્યવસાયો પાસેથી UPI ચુકવણી સ્વીકારવા માટે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) વસૂલવામાં આવતો નથી. UPI ને દેશના નાનામાં નાના વ્યવસાયો માટે પણ ડિજિટલ ચુકવણી સરળ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. PCI અનુસાર, ચુકવણી સ્વીકારવા સાથે સંકળાયેલા ખર્ચમાંથી નાના વ્યવસાયોને બચાવવા એ ડિજિટલ ચુકવણી સિસ્ટમના સમાવેશી વિકાસનો એક મહત્વપૂર્ણ ભાગ છે.</p><p><br></p><h2>સવાલ-3&nbsp;</h2><h2><b>તો પછી UPI ચાર્જ વિશે ચર્ચા શા માટે થઈ રહી છે?</b></h2><p><br></p><p>હકીકત એ છે કે, UPI હવે ફક્ત એક નવું ચુકવણી પ્લેટફોર્મ નથી. તે વિશ્વની સૌથી મોટી રીઅલ-ટાઇમ ચુકવણી સિસ્ટમ બની ગઈ છે, જે દર મહિને અબજો સુરક્ષિત વ્યવહારોને સુવિધા આપે છે. આટલી મોટી ડિજિટલ ચુકવણી સિસ્ટમ ચલાવવા માટે ટેકનોલોજી, સાયબર સુરક્ષા, છેતરપિંડી નિવારણ અને અન્ય માળખાગત સુવિધાઓ પર સતત ખર્ચ કરવો પડે છે. પરિણામે, લાંબા ગાળે સિસ્ટમના અવિરત સંચાલનને કેવી રીતે ટકાવી રાખવું અને સંકળાયેલ ખર્ચનું સંચાલન કેવી રીતે કરવું તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, PCI એ સ્પષ્ટતા કરી છે કે આ બોજ સામાન્ય ગ્રાહકો કે નાના દુકાનદારો પર નાખવામાં આવશે નહીં.</p><h2>સવાલ 4</h2><p><b style="font-size: 2rem;">UPI ના નિર્માણ અને સંચાલનમાં કોણ રોકાણ કરે છે?</b></p><p>PCI અનુસાર, બેંકો, ચુકવણી કંપનીઓ, ફિનટેક કંપનીઓ, NPCI અને RBI એ છેલ્લા દાયકામાં UPI વિકસાવવા અને તેની સુરક્ષા અને કાર્યક્ષમતાને સતત વધારવા માટે સામૂહિક રીતે રોકાણ કર્યું છે. આ રોકાણોમાં ટેકનોલોજી, સાયબર સુરક્ષા, છેતરપિંડી નિવારણ પદ્ધતિઓ, નવીનતા અને ગ્રાહક સપોર્ટનો સમાવેશ થાય છે. UPI 24/7 ઉપલબ્ધ સુરક્ષિત, વિશ્વસનીય અને વપરાશકર્તા-મૈત્રીપૂર્ણ ચુકવણી સિસ્ટમ રહે તે સુનિશ્ચિત કરવા માટે આવા રોકાણો ચાલુ છે.</p><p><br></p><h3>&nbsp;સવાલ 5</h3><h3><b>જો UPI ચુકવણીઓ મફત હોય, તો ખર્ચ કોણ ભોગવે છે?</b></h3><p>UPI ચલાવવામાં ફક્ત ચુકવણી કરવાની સુવિધા પૂરી પાડવા કરતાં વધુ  છે. તેમાં ટેકનોલોજી, સાયબર સુરક્ષા, છેતરપિંડી નિવારણ, પાલન, ગ્રાહક સપોર્ટ અને સતત તકનીકી અપગ્રેડમાં રોકાણ શામેલ છે. PCI અનુસાર, આ ખર્ચ હાલમાં નેટવર્ક ભાગીદારો - જેમ કે બેંકો અને ચુકવણી સેવા પ્રદાતાઓ દ્વારા ઉઠાવવામાં આવે છે. ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે ગ્રાહકો UPI નો ઉપયોગ કરવા માટે વધારાની ફી ચૂકવ્યા વિના સુરક્ષિત અને સીમલેસ ડિજિટલ ચુકવણી અનુભવનો આનંદ માણે.</p><p><br></p><h3>&nbsp;સવાલ 6</h3><p><b style="font-size: 1.75rem;">જો મોટા વેપારીઓ પાસેથી શુલ્ક લેવામાં આવે છે, તો શું ગ્રાહકોએ પણ ચૂકવણી કરવી પડશે?</b></p><p>ના. PCI એ સ્પષ્ટતા કરી છે કે મોટા વ્યવસાયો પર વેપારી સેવા ચાર્જ વસૂલવાનો અર્થ એ નથી કે ગ્રાહકો પાસેથી UPI નો ઉપયોગ કરવા બદલ શુલ્ક લેવામાં આવશે. જ્યાં પણ વેપારી સેવા ચાર્જ લાગુ પડે છે, તે વેપારી અને ચુકવણી સેવા પ્રદાતા વચ્ચેના વાણિજ્યિક કરારો દ્વારા સંચાલિત થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, ચુકવણી સ્વીકારવા માટે મોટા વ્યવસાય પર શુલ્ક વસૂલવું એ UPI નો ઉપયોગ કરવા માટે ગ્રાહક પર શુલ્ક વસૂલવાથી અલગ છે. PCI એ નોંધ્યું છે કે વૈશ્વિક સ્તરે ડિજિટલ ચુકવણી ઇકોસિસ્ટમમાં વેપારી સેવા ચાર્જ પ્રમાણભૂત છે. જ્યારે ગ્રાહકો સરળતાથી ડિજિટલ ચુકવણીનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે.</p><p><br></p><h3>&nbsp;સવાલ 7&nbsp;</h3><h3><b>UPI ને સુરક્ષિત અને મજબૂત રાખવું શા માટે જરૂરી છે?</b></h3><p><br></p><p>PCI અનુસાર, UPI ભારતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો એક આધારસ્તંભ બની ગયું છે, જેમાં લાખો લોકો દરરોજ તેનો ઉપયોગ કરે છે. જેમ જેમ UPI વ્યવહારો વધતા જાય છે, તેમ તેમ 24/7 અવિરત સર્વર કામગીરી, ડેટા સુરક્ષા, સાયબર છેતરપિંડીની તાત્કાલિક રોકથામ અને શ્રેષ્ઠ ગ્રાહક સપોર્ટ સુનિશ્ચિત કરવા માટે નેટવર્કમાં સતત રોકાણની જરૂરિયાત વધતી જશે. ભવિષ્યમાં ગ્રાહકો અને વ્યવસાયો બંને માટે UPI ને સંપૂર્ણપણે સુરક્ષિત, વિશ્વસનીય અને વપરાશકર્તા મૈત્રીપૂર્ણ રાખવા માટે આ જરૂરી છે.</p><p><br></p><h4>&nbsp;સવાલ 8</h4><p><b style="font-size: 1.5rem;">નવા સરકારી બિલ પછી UPI ચાર્જની ચર્ચા શા માટે તીવ્ર બની છે?</b></p><p>કરવેરા અને અન્ય કાયદા સુધારા બિલ, 2026 લોકસભામાં પસાર થયા પછી UPI ચાર્જ અંગે ચર્ચાઓએ વેગ પકડ્યો. નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલ, બિલ કોઈપણ ચર્ચા વિના ધ્વનિ મત દ્વારા પસાર કરવામાં આવ્યું. આ નવા બિલમાં ચુકવણી પ્રણાલીઓ અને આવકવેરા નિયમોને સંચાલિત કરતા હાલના કાયદાઓમાં જરૂરી સુધારાઓનો સમાવેશ થાય છે.</p><p>આ નવા કાયદા હેઠળ, સરકારને પસંદગીની ડિજિટલ ચુકવણી પદ્ધતિઓ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) વસૂલવાની સત્તા છે. એકવાર અમલમાં આવ્યા પછી ₹2,000 થી વધુના વ્યવસાય-સંબંધિત UPI વ્યવહારો પર 0.25% થી 0.4% સુધીના શુલ્ક લાગી શકે છે. જો કે, આ વ્યક્તિ-થી-વ્યક્તિ (P2P) UPI વ્યવહારોને અસર કરશે નહીં, જે સંપૂર્ણપણે મફત રહેશે. જેમ હાલમાં છે.  વધુમાં નાના વેપારીઓ અને સ્થાનિક દુકાનદારોને આ વધારાના ખર્ચથી બચાવવા માટે જોગવાઈઓ કરવામાં આવી છે.</p><p><br></p><h4>&nbsp;સવાલ 9</h4><h4><b>શું UPI ચુકવણીઓ સામાન્ય લોકો માટે મફત રહેશે?</b></h4><p>આનો અર્થ એ છે કે UPI દ્વારા ચુકવણી કરતા સામાન્ય ગ્રાહકોએ હાલમાં કોઈ શુલ્ક ચૂકવવા પડશે નહીં. નાના દુકાનદારો અને કરિયાણા સ્ટોર્સ પણ UPI ચુકવણી સ્વીકારવા માટે MDR ચૂકવતા નથી. જો ભવિષ્યમાં મોટા વેપારીઓ પર વેપારી સેવા ચાર્જ લાદવામાં આવે છે, તો તે વેપારી અને ચુકવણી સેવા પ્રદાતા વચ્ચેનો વાણિજ્યિક મામલો હશે. PCI એ સ્પષ્ટતા કરી છે કે આનો અર્થ એ નથી કે UPI નો ઉપયોગ કરવા બદલ સામાન્ય લોકો પાસેથી શુલ્ક લેવામાં આવશે.</p><p><br></p><p>ટૂંકમાં, સામાન્ય વપરાશકર્તાઓએ આ તબક્કે UPI શુલ્ક વિશે ચિંતા કરવાની જરૂર નથી.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/qpNq8FHsvqFzCm0pvAqe9Z9qGBWRxH4ALKpQaJ8A.webp'/></item><item><title><![CDATA[Sports News : ફૂટબોલ મેચ દરમિયાન ખેલાડી પર પડી વીજળી, Videoમાં કેદ થઈ ઘટના ]]></title><link>https://sandesh.com/sports/news/sports-news-lightning-strikes-player-during-football-match-incident-captured-on-video</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/sports-news-lightning-strikes-player-during-football-match-incident-captured-on-video</guid><pubDate>Fri, 07 Aug 2026 16:01:27 +05:30</pubDate><description><![CDATA[<p>થાઈલેન્ડમાં એક દુ:ખદ અને આઘાતજનક ઘટના બની છે,જ્યાં ફૂટબોલ મેચ દરમિયાન મેદાન પર વીજળી પડી હતી.આ ભયાનક દુર્ઘટનામાં 24 વર્ષીય ફૂટબોલર સફવાન અવેનું દુઃખદ મૃત્યુ થયું હતું,જ્યારે 12 અન્ય ખેલાડીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા.વરસાદ અને તોફાની વાતાવરણ વચ્ચે મેચ રમાઈ રહી હતી, જ્યારે ખેલાડીઓ ધોધમાર વરસાદ છતાં મેદાન પર જ રહ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.</p><h4><b>ભયાનક દ્રશ્ય કેમેરામાં કેદ</b></h4><p>સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં, જોઈ શકાય છે કે ખેલાડીઓ જ્યાં દોડી રહ્યા હતા તે વિસ્તારની નજીક, અચાનક વીજળી એક તેજસ્વી ફ્લેશ સાથે જમીન પર પડી. વીજળી પડતાં ધુમાડાના ગોટેગોટા અને આગની જ્વાળાઓ ઉંચી થતી જોવા મળી હતી. વીજળી પડતાં ફૂટબોલર સફવાન અવે મેદાન પર પડી ગયો. ત્યાં હાજર ચાહકો અને સાથી ખેલાડીઓ તાત્કાલિક મેદાનમાં દોડી ગયા અને તેને જીવિત કરવાનો પ્રયાસ કર્યો.</p><h5><b>સ્થાનિક પોલીસે શું કહ્યું</b></h5><p>ત્યારબાદ સફવાનને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. પરંતુ તેને બચાવી શકાયો નહીં. સ્થાનિક પોલીસે બાદમાં સત્તાવાર રીતે સફવાનના મૃત્યુની પુષ્ટિ કરી. પોલીસે એ પણ જાહેર કર્યું કે વીજળી પડવાથી 12 અન્ય લોકો પણ ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોમાં 22 વર્ષીય મલેશિયન ફૂટબોલર અલિફ અઝાન ઝુલ્કિફલીનો પણ સમાવેશ થાય છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/praylaughlift/status/2085332343762337981?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><br></p><h5><b>સમગ્ર રમતગમત જગતમાં શોકની લહેર&nbsp;</b></h5><p>24 વર્ષીય સફવાન અવેએ તાજેતરમાં થાઈ લીગ 3 સધર્ન રિજનમાં રમતા ફૂટબોલ ક્લબ એફસી યાલા સાથે કરાર કર્યો હતો. તેમના યુવા ખેલાડીના અવસાનથી આઘાત પામેલા ક્લબે સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરીને લખ્યું, "ચોક્કસ, આપણે અલ્લાહના છીએ, અને આપણે તેની પાસે પાછા ફરવું જોઈએ." આ દુ:ખદ ઘટનાએ સમગ્ર રમતગમત જગતમાં શોકની લહેર ફેલાવી દીધી છે.</p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/cricket/news/ind-vs-sl-warm-up-match-kl-rahul-did-something-like-this-in-kuldeep-yadavs-over-video-goes-viral" target="_blank"> IND Vs SL Warm-Up Match : કુલદીપ યાદવની ઓવરમાં કેએલ રાહુલે કર્યું કંઈક એવું, વીડિયો થયો વાયરલ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/ENpFTthkyKp0r7kOAPIIfaXsl0yjFZjGKEx3dOCI.webp'/></item></channel></rss>