<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Suratની રાંદેર પોલીસે મોબાઈલ સ્નેચિંગ કરતી કુખ્યાત ગેંગના 2 સાગરીતોની કરી ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surats-rander-police-arrest-2-members-of-a-notorious-gang-involved-in-mobile-snatching</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surats-rander-police-arrest-2-members-of-a-notorious-gang-involved-in-mobile-snatching</guid><pubDate>Mon, 27 Jul 2026 19:55:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરમાં રાહદારીઓને નિશાન બનાવી મોબાઈલ સ્નેચિંગ અને ચોરીના ગુના આચરતી કુખ્યાત ગેંગ સામે રાંદેર પોલીસે મોટી સફળતા મેળવી છે. રાંદેર પોલીસની ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને આ ગેંગના બે મુખ્ય સાગરીતો મુસ્તુફા ઉર્ફે ટીલીડો મહેમૂદ સૈયદ અને અયાન ઉર્ફે અલ્લાહ રખા ગાંચીને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીના 5મોબાઈલ ફોન અને હેરાફેરીમાં વપરાયેલી મોટરસાયકલ મળી કુલ રૂ. 1,35,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.</p><h2 style="text-align: justify; "><b>રાહદારીઓને નિશાન બનાવી ફરાર થઈ જતા</b></h2><p style="text-align: justify; ">આ તમામ આરોપીઓની મોડસ ઓપરેન્ડી અંગે પોલીસે જણાવ્યું કે આ શખ્સો રસ્તા પર એકલદોકલ ચાલતા રાહદારીઓની પાછળ બાઈક લઈને આવતા હતા. ત્યારબાદ તક મળતાં જ સ્પીડમાં મોબાઈલ આંચકીને ક્ષણવારમાં વાહન પર ફરાર થઈ જતા હતા. આ રીતે આરોપીઓએ અનેક નિર્દોષ નાગરિકોને પોતાના શિકાર બનાવ્યા હતા, જેમના વિરુદ્ધ વિવિધ પોલીસ મથકોમાં ફરિયાદો પણ નોંધાઈ હતી.</p><h3 style="text-align: justify; "><b>આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ નોંધાયેલા છે ગુના&nbsp;</b></h3><p style="text-align: justify; ">પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા બંને આરોપીઓ રીઢા ગુનેગાર છે. આરોપી મુસ્તુફા ઉર્ફે ટીલીડો વિરુદ્ધ ભૂતકાળમાં 12થી વધુ ગંભીર ગુના અને 3 પાસા (PASA)ની કાર્યવાહી નોંધાઈ ચૂકી છે. જ્યારે તેના સાગરીત અયાન ઉર્ફે અલ્લાહ રખા વિરુદ્ધ પણ અગાઉ 2 ગુના નોંધાયેલા છે. રાંદેર પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી, વધુ તપાસ હાથ ધરી છે જેથી અન્ય કેટલા સ્નેચિંગના બનાવો ઉકેલાય છે તે સામે આવી શકે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/27/wjclS38RQPrVyuCTzF9NKndc5ZCMzS76JO2R2koo.webp'/></item><item><title><![CDATA[Income Tax વિભાગે ટેક્સપેયર્સને મોકલ્યું એલર્ટ, જાણો કારણ ]]></title><link>https://sandesh.com/business/news/income-tax-department-alert-taxpayers-itr-filing-deadline-july-31-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/income-tax-department-alert-taxpayers-itr-filing-deadline-july-31-2026</guid><pubDate>Mon, 27 Jul 2026 19:14:40 +05:30</pubDate><description><![CDATA[<p>એસેસમેન્ટ વર્ષ 2026-27 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરવાની છેલ્લી તારીખ હવે નજીક આવી રહી છે. ઈન્કમ ટેક્સ વિભાગે ટેક્સપેયર્સને અપીલ કરી છે કે તેઓ 31 જુલાઈ 2026ની સમયમર્યાદાની રાહ જોયા વિના વહેલી તકે પોતાનું રિટર્ન ફાઈલ કરી દે. વિભાગના તાજેતરના આંકડા મુજબ અત્યાર સુધીમાં 4 કરોડથી વધુ ટેક્સપેયર્સે સફળતાપૂર્વક ITR ફાઈલ કરી દીધા છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/IncomeTaxIndia/status/2081619690112327876"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>પેનલ્ટીથી આ રીતે બચી શકશો</b></h2><p>ઈન્કમ ટેક્સ વિભાગે જણાવ્યું છે કે છેલ્લી તારીખ નજીક આવતા ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ટ્રાફિક વધી શકે છે, જેના કારણે સર્વર ધીમું થવા જેવી ટેક્નિકલ સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તેથી સમયસર રિટર્ન ભરવાથી ટેક્સપેયર્સ બિનજરૂરી મુશ્કેલી અને તણાવથી બચી શકે છે. નોકરી કરતા લોકો, નાના વેપારીઓ સહિત ઘણા કરદાતાઓ માટે ITR-1 અને ITR-2 ફોર્મ ભરવું જરૂરી છે. વિભાગે જણાવ્યું કે સમયસર રિટર્ન ફાઈલ કરવાથી પેનલ્ટીથી બચી શકાય છે અને જો કોઈ ટેક્સપેયર્સનો TDS કપાયો હોય તો રિફંડની પ્રક્રિયા પણ ઝડપથી થઈ શકે છે.</p><h3><b>શું કહ્યું નાણાપ્રધાન નિર્મલા સીતારમણે?</b></h3><p>કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ રિટર્ન ફાઈલિંગની વધતી સંખ્યાની પ્રશંસા કરી છે અને ઈન્કમ ટેક્સ વિભાગને રિફંડ પ્રક્રિયા વધુ ઝડપી બનાવવા સૂચના આપી છે. તેમણે જણાવ્યું કે ટેક્સ સિસ્ટમનો હેતુ માત્ર આવક એકત્રિત કરવાનો નથી, પરંતુ ટેક્સપેયર્સને સરળ, પારદર્શક અને નાગરિક કેન્દ્રિત સેવાઓ આપવાનો પણ છે. આ વર્ષે ઈન્કમ ટેક્સ વિભાગે ઈ-ફાઈલિંગ પોર્ટલની ક્ષમતામાં વધારો કર્યો છે. જેના કારણે પોર્ટલ એક દિવસમાં એક કરોડથી વધુ ટેક્સપેયર્સનો ટ્રાફિક સંભાળી શકે છે.&nbsp;</p><h4><b>ટેક્સપેયર્સની ફરિયાદોના ઉકેલમાં પણ સુધારો નોંધાયો</b></h4><p>21 જુલાઈ સુધી 3.2 કરોડથી વધુ રિટર્ન ફાઈલ થઈ ચૂક્યા હતા, જેમાંથી મોટા ભાગના રિટર્નનું વેરિફિકેશન અને પ્રોસેસિંગ પણ પૂર્ણ થઈ ગયું છે. ટેક્સપેયર્સની ફરિયાદોના ઉકેલમાં પણ સુધારો નોંધાયો છે. વિભાગના જણાવ્યા અનુસાર CPGRAMS અને ઈ-નિવારણ પ્લેટફોર્મ પર મળતી મોટાભાગની ફરિયાદોનું ઝડપી નિરાકરણ કરવામાં આવી રહ્યું છે. હવે ટેક્સપેયર્સને સમયસર અને સરળ ટેક્સ સેવાઓ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.</p><p><b><a href="https://sandesh.com/business/news/hudco-q1-results-net-profit-up-35-percent-interim-dividend-fy2026-27" target="_blank">આ પણ વાંચો : HUDCOના Q1 પરિણામો રહ્યા શાનદાર, નેટ પ્રોફિટમાં 35%નો આવ્યો ઉછાળો</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/27/dk7IhfklhWtQxyj6gnx9EP8WF5MMNlCNqc47Fc23.webp'/></item><item><title><![CDATA[Morbi News: બસ સ્ટેન્ડમાં મોડાસા-મોરબી ST બસમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/morbi/bus-stand-passenger-found-dead-in-st-bus</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/morbi/bus-stand-passenger-found-dead-in-st-bus</guid><pubDate>Mon, 27 Jul 2026 19:05:40 +05:30</pubDate><description><![CDATA[<p>મોરબી બસ સ્ટેન્ડ ખાતે એક ચકચારી ઘટના સામે આવી છે. મોડાસાથી મોરબી પહોંચેલી એક એસટી બસમાંથી એક યુવક રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવતા બસ સ્ટેન્ડ પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો.</p><h2><b>મુસાફરો ઉતરી ગયા બાદ પણ યુવક ન જાગ્યો</b></h2><p>ઘટનાની મળતી માહિતી અનુસાર, મોડાસાથી ઉપડીને મોરબી પહોંચેલી એસટી બસ બસ સ્ટેન્ડ પર આવીને ઊભી રહી હતી. બસમાં સવાર તમામ મુસાફરો એક પછી એક નીચે ઉતરી ગયા હતા, પરંતુ એક યુવાન પોતાની સીટ પરથી ઊભો થયો ન હતો. એસટી બસના કંડક્ટરે તેને ઉતારવા માટે જગાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવકમાં કોઈ હલચલ ન જણાતાં કંડક્ટરને શંકા ગઈ હતી. તપાસ કરતા આ યુવક મૃત હાલતમાં હોવાનું સામે આવ્યું હતું.</p><h2><b>અમદાવાદથી બેઠો હતો મૃતક પેસેન્જર</b></h2><p>પ્રાથમિક વિગતો મુજબ, આ મૃતક પેસેન્જર અમદાવાદથી બસમાં બેઠો હોવાની માહિતી મળી રહી છે. મુસાફરી દરમિયાન જ કોઈ અગમ્ય કારણોસર તેનું મોત નીપજ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. યુવકનું મોત હાર્ટ એટેકથી થયું છે કે અન્ય કોઈ કારણસર, તે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.</p><h2><b>પોલીસ ઘટના સ્થળે પહોંચી</b></h2><p>ઘટના અંગે તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ મૃતક યુવકની ઓળખ છતી કરવા અને તેના પરિજનોનો સંપર્ક કરવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/weather/news/gujarat/morbi-ghodadhroi-dam-gates-open--10-villages-on-alert-amid-heavy-rain" target="_blank">Heavy Rain In Morbi: ઘોડાધ્રોઈ ડેમના દરવાજા ખોલાયા, મોરબી-માળિયાના કુલ 10 ગામો કરાયા એલર્ટ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/27/w00zc2EJeSpE162SmC0KG4J5bY8K6sWB5UsOHkbF.webp'/></item><item><title><![CDATA[Surendranagar News: લખતરના સરઘળા ડેમની ફીડર કેનાલ સફાઈ અને પાક નુકસાનીના વળતર માટે ખેડૂતોએ આપ્યું મામલતદારને આવેદન ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/surendranagar/lakhtar-farmers-memorandum-mamlatdar-sarghala-dam</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/surendranagar/lakhtar-farmers-memorandum-mamlatdar-sarghala-dam</guid><pubDate>Mon, 27 Jul 2026 18:53:42 +05:30</pubDate><description><![CDATA[<p>સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં આવેલ ઐતિહાસિક સરઘળા ડેમની ફીડર કેનાલની યોગ્ય જાળવણી ન થવાના કારણે સ્થાનિક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કેનાલમાં ઉગી નીકળેલા ઝાડી-ઝાંખરાના કારણે ચોમાસાનું પાણી ખેતરોમાં ફરી વળતાં પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. આ મુદ્દે આક્રોશે ભરાયેલા લખતરના ખેડૂતોએ એકઠા થઈ મામલતદારને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહીની માગ કરી છે.</p><h2><b>રાજાશાહી વખતની ફીડર કેનાલ સાફ-સફાઈના અભાવે બિનઉપયોગી</b></h2><p>લખતરમાં વર્ષો જૂનો સરઘળા ડેમ આવેલો છે, જેમાંથી રાજાશાહીના સમયથી સિંચાઈ માટેની ફીડર કેનાલો બનાવવામાં આવેલી છે. સ્થાનિક ખેડૂતો આ કેનાલના પાણીથી સિંચાઈ કરીને પોતાના પાક ઉગાડતા આવ્યા છે. જોકે, તંત્રની બેદરકારીના કારણે લાંબા સમયથી ફીડર કેનાલની સફાઈ કરવામાં આવી નથી, જેના કારણે કેનાલમાં મોટા પ્રમાણમાં ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા છે, અને પાણીનો નિકાલ રૂંધાઈ રહ્યો છે.</p><h2><b>ચોમાસા પહેલા પ્રિ-મોન્સૂન કામગીરી કરવાની ખેડૂતોની માગ</b></h2><p>ખેડૂતો દ્વારા પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં સ્પષ્ટ માગ કરવામાં આવી છે કે, દર વર્ષે ચોમાસું શરૂ થાય તે પહેલાં પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત સરઘળા ડેમની ફીડર કેનાલોની યોગ્ય સાફ-સફાઈ કરવામાં આવે. જંગલી વનસ્પતિ અને ઝાડી-ઝાંખરા દૂર કરી પાણીનો સરળતાથી નિકાલ થાય તેવી કાયમી વ્યવસ્થા કરવામાં આવે જેથી પાણીનો ભરાવો ન થાય.</p><h2><b>પાણી ખેતરોમાં ઘૂસી જતાં પાક નુકસાન</b></h2><p>કેનાલમાં સફાઈ ન હોવાના કારણે ચોમાસાનું પાણી ઓવરફ્લો થઈને લખતરના ખેડૂતોના ખેતરોમાં ઘૂસી ગયું હતું. જેના લીધે વાવેતર કરેલો પાક તબાહ થઈ ગયો છે. ખેડૂતોએ માગ કરી છે કે, જે જે ખેડૂતોના ખેતરોમાં ફીડર કેનાલના પાણી ઘૂસ્યા છે, તે તમામ ખેતરોનો તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને નુકસાનીનો અંદાજ લગાવી ખેડૂતોને યોગ્ય સહાય તેમજ વળતર ચૂકવવામાં આવે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surendranagar/surendranagar-villagers-hold-a-huge-rally-in-the-pouring-rain-to-protest-against-the-construction-of-a-medical-waste-plant-in-soldi-dhrangadhra-taluka" target="_blank">Surendranagar: ધ્રાંગધ્રા તાલુકાના સોલડીમાં મેડીકલ વેસ્ટ પ્લાન્ટ નાંખવાના વિરોધમાં ગ્રામજનોની વરસતા વરસાદમાં વિશાળ રેલી</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/27/jWYEhZQx2yoDZs83NaQ5LXGAXRFU7cDKhfTyjVab.webp'/></item><item><title><![CDATA[Tamil Nadu Karur Stampede Update: કરૂર નાસભાગના પીડિતોને સરકારી નોકરી આપવાનો આદેશ રદ ]]></title><link>https://sandesh.com/india/news/-political-news/tamil-nadu-karur-stampede-update-order-to-provide-government-jobs-to-karur-stampede-victims-revoked</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/-political-news/tamil-nadu-karur-stampede-update-order-to-provide-government-jobs-to-karur-stampede-victims-revoked</guid><pubDate>Mon, 27 Jul 2026 18:52:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ મહિનાની શરૂઆતમાં, મુખ્યમંત્રી વિજયે કરુરની મુલાકાત લીધી હતી અને અનેક સરકારી અને પક્ષના કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.</p><h2 style="text-align: justify; ">TVK સરકારના નિર્ણયને કરાયો રદ</h2><p style="text-align: justify; ">કરુર ભાગદોડમાં માર્યા ગયેલા લોકોના પરિવારોને સરકારી નોકરી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. મદ્રાસ હાઈકોર્ટે કરુર ભાગદોડમાં માર્યા ગયેલા લોકોના પરિવારોને સરકારી નોકરી આપવાના વિજયની TVK સરકારના નિર્ણયને રદ કર્યો હતો. કરુર ભાગદોડ ગયા વર્ષે 27 સપ્ટેમ્બરના રોજ તમિલગા વેત્રી કઝગમના વડા અને અભિનેતા વિજય દ્વારા એક રેલી દરમિયાન થઈ હતી, જેમાં 41 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.</p><h3 style="text-align: justify; ">ન્યાયાધીશોના કડક પ્રશ્નો</h3><p style="text-align: justify; ">આ અરજીની સુનાવણી દરમિયાન, ન્યાયાધીશોએ કડક પ્રશ્નો ઉઠાવ્યા હતા. સરકારનો દાવો કે તે સામાન્ય રોજગાર આપી રહી છે તે અસ્વીકાર્ય છે. સામાન્ય રોજગાર એ છે જે વ્યક્તિના પરિવારને ટેકો આપી શકે. જો સરકાર કરુર ભાગદોડમાં માર્યા ગયેલા લોકોના પરિવારોને રોજગાર આપી રહી છે, તો શું તે સરકારી બસ અકસ્માતોમાં માર્યા ગયેલા લોકોના પરિવારોને પણ રોજગાર આપી શકે છે? તેવી જ રીતે, શિવકાશીમાં માર્ગ અકસ્માતો વારંવાર થાય છે. જો આપણે તેમને સરકારી રોજગાર આપવાનું કહીએ તો શું કરવું જોઈએ?</p><h4 style="text-align: justify; ">અધિકારીઓ વચ્ચે સંકલનનો સમાવેશ</h4><p style="text-align: justify; ">ઓક્ટોબર 2025માં, સુપ્રીમ કોર્ટે સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસની જરૂરિયાત પર ભાર મૂકતા, રાજ્ય સ્તરીય વિશેષ તપાસ ટીમમાંથી તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનને ટ્રાન્સફર કરી હતી. તપાસ રેલીના ઘણા પાસાઓની તપાસ કરી રહી છે. જેમાં ભીડ વ્યવસ્થાપન વ્યવસ્થા, વિજયના આગમનનો સમય અને પાર્ટી આયોજકો અને સ્થાનિક અધિકારીઓ વચ્ચે સંકલનનો સમાવેશ થાય છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/middle-east-crisis-mojtaba-khamenei-declares-full-support-for-lebanese-organization-hezbollah" target="_blank">મુજતબા ખામેનીએ લેબનીઝ સંગઠન હિઝબુલ્લાહને જાહેર કર્યું સંપૂર્ણ સમર્થન</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/27/8KbcTHI9HywPoxyGhCBqTcgy9yMRYITpwrH6k9zg.webp'/></item><item><title><![CDATA[National News : રાજકીય પાર્ટી બદલવાના કાયદા પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, કેન્દ્ર સરકારને મોકલી નોટિસ ]]></title><link>https://sandesh.com/india/news/supreme-court-notice-centre-anti-defection-law-10th-schedule-petition</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/supreme-court-notice-centre-anti-defection-law-10th-schedule-petition</guid><pubDate>Mon, 27 Jul 2026 18:51:37 +05:30</pubDate><description><![CDATA[<p>દેશમાં રાજકીય પાર્ટી બદલવા વિરોધી કાયદા (Anti-Defection Law)ને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સુપ્રીમ કોર્ટે બંધારણની 10મી અનુસૂચિની વર્તમાન વ્યાખ્યાને પડકારતી જનહિત અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ મોકલી છે. આ મામલે સુનાવણી ન્યાયમૂર્તિ પી. એસ. નરસિમ્હા અને ન્યાયમૂર્તિ આલોક અરાધેની બેન્ચ સમક્ષ થઈ હતી.</p><h2><b>કપિલ સિબ્બલે અરજી દાખલ કરી હતી&nbsp;</b></h2><p>આ અરજી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે દાખલ કરી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું કે દેશના દળ બદલ કાયદામાં ખરેખર કેટલીક ગંભીર અને મોટી સમસ્યાઓ રહેલી છે. કોર્ટે કહ્યું કે આ કાયદો સંસદ દ્વારા બનાવવામાં આવ્યો હોવાથી આવા સંવેદનશીલ મુદ્દાઓ પર ચર્ચા આદર્શ રીતે સંસદના મંચ પર થવી જોઈએ. કપિલ સિબ્બલે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે વર્તમાન દળ બદલ કાયદામાં રહેલી ખામીઓના કારણે જનતાના મત અને ચૂંટણી પરિણામોને સરળતાથી અસર થઈ શકે છે.&nbsp;</p><h3><b>નિયમોની સમીક્ષાની માગ કરવામાં આવી</b></h3><p>તેમણે જણાવ્યું કે ઘણી વખત રાજકીય પક્ષો આ કાયદાની જોગવાઈઓનો ઉપયોગ કરીને સત્તાનું સમીકરણ બદલી શકે છે. જેના કારણે લઘુમતીમાં રહેલી પાર્ટી અચાનક બહુમતીમાં આવી શકે છે અને બહુમતી ધરાવતી પાર્ટી સત્તા ગુમાવી શકે છે. અરજીમાં ખાસ કરીને રાજકીય પક્ષોના વિલય (મર્જર) સંબંધિત નિયમોની સમીક્ષાની માગ કરવામાં આવી છે. સિબ્બલે દલીલ કરી હતી કે કેટલીકવાર જૂથો અન્ય રાજકીય પક્ષ સાથે વિલયનો આધાર લઈને દળ બદલ વિરોધી કાયદાની કાર્યવાહીથી બચી જાય છે.&nbsp;</p><h4><b>નિયમોમાં સુધારાની શક્યતા ઊભી થઈ છે</b></h4><p>આ કારણે કાયદાના મૂળ હેતુ પર અસર પડે છે. સુપ્રીમ કોર્ટે તમામ દલીલોને ગંભીરતાથી સાંભળ્યા બાદ કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો છે. હવે કેન્દ્ર સરકાર આ મામલે શું વલણ અપનાવે છે તેના પર નજર રહેશે. આ અરજી દ્વારા દેશની રાજકીય વ્યવસ્થા અને ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા મહત્વપૂર્ણ નિયમોમાં સુધારાની શક્યતા ઊભી થઈ છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/nri-deaths-abroad-large-number-of-indians-die-in-saudi-arabia-uae-and-america-meas-shocking-figures-come-to-light" target="_blank">આ પણ વાંચો : NRI Deaths Abroad: સાઉદી અરેબિયા, UAE અને અમેરિકામાં મોટી સંખ્યામાં ભારતીયોના મોત, MEAના ચોંકાવનારા આંકડા આવ્યા સામે</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/27/cRzw2SgJySRts1hHQGaovhxMcqs03g25iPaUE9Bl.webp'/></item><item><title><![CDATA[CWG 2026: કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન, કોણ મેડલની રેસમાં વધ્યું આગળ? ]]></title><link>https://sandesh.com/sports/news/india-commonwealth-games-sachin-siwach-finals</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india-commonwealth-games-sachin-siwach-finals</guid><pubDate>Mon, 27 Jul 2026 18:42:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન સતત ચાલુ છે. ભારતીય ખેલાડીઓએ વિવિધ રમતોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને દેશના મેડલ ટેલીમાં વધારો કર્યો છે. હાલ ભારતના ખાતામાં કુલ 4 મેડલ આવી ચૂક્યા છે અને અનેક ખેલાડીઓ હજુ મેડલની રેસમાં આગળ વધી રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>વેઈટલિફ્ટિંગમાં ભારતને વધુ એક સફળતા મળી&nbsp;</b></h2><p style="text-align: justify; ">વેઈટલિફ્ટિંગમાં ભારતને વધુ એક સફળતા મળી છે. રાજા મુથુપાંડીયે શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. તેમની આ સિદ્ધિથી ભારતીય વેઈટલિફ્ટિંગ ટીમને મોટી મજબૂતી મળી છે. તેમને ભારે દબાણ વચ્ચે સ્થિરતા જાળવીને ઉત્તમ પ્રદર્શન કર્યું હતું.</p><h3 style="text-align: justify; "><b>સચિન સિવાચ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યો</b></h3><p style="text-align: justify; ">બોક્સિંગમાં પણ ભારત માટે સારા સમાચાર આવ્યા છે. બોક્સર સચિન સિવાચે પોતાની મેચમાં શાનદાર પ્રદર્શન કરીને ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. તેમની જીતથી ભારતીય બોક્સિંગ ફેન્સમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.</p><p style="text-align: justify; ">ભારતીય બોક્સર સચિન સિવાચે ઈંગ્લેન્ડના વિલિયમ હેવિટને હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો. સચિને પુરુષોના 60 કિગ્રા રાઉન્ડ ઓફ 16 બાઉટમાં 4-1થી જીત મેળવી. સચિને શરૂઆતથી જ હેવિટ પર પ્રભુત્વ મેળવ્યું અને અંતે જીત મેળવી.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>શ્રીશંકર ફાઈનલમાં પહોંચ્યો</b></h4><p style="text-align: justify; ">એથ્લેટિક્સમાં લાંબી કૂદ (લોંગ જમ્પ) સ્પર્ધામાં મુરલી શ્રીશંકરે પણ પોતાની પ્રતિભા સાબિત કરી છે. તેમણે ક્વોલિફિકેશન રાઉન્ડ સફળતાપૂર્વક પાર કરીને આગળના તબક્કામાં સ્થાન મેળવ્યું છે. શ્રીશંકર પાસેથી હવે ફાઈનલમાં પણ સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવી રહી છે.</p><h4 style="text-align: justify; "><b>લોકેશ સત્યનાથન ફાઈનલમાં પહોંચ્યો</b></h4><p style="text-align: justify; ">ભારતના લોકેશ સત્યનાથન પુરુષોની લાંબી કૂદની ફાઈનલમાં પહોંચી ગયા છે. લોકેશ ક્વોલિફિકેશનમાં ગ્રુપ Bમાં હતો અને 7.77 મીટરના શ્રેષ્ઠ પ્રયાસ સાથે મેડલ રાઉન્ડ માટે ક્વોલિફાય થયો હતો. લોકેશ તેના ગ્રુપમાં ચોથા સ્થાને અને એકંદરે સાતમા સ્થાને રહીને ફાઇનલમાં પહોંચ્યો હતો. લોકેશ સિવાય મુરલી શ્રીશંકર પણ 8.01 મીટરના થ્રો સાથે ફાઈનલમાં પહોંચ્યો હતો.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>સાજન પ્રકાશ પણ ફાઈનલમાં પહોંચ્યો</b></h4><p style="text-align: justify; ">સ્વિમિંગમાં ભારતના સાજન પ્રકાશે પણ મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. તેમણે બટરફ્લાય સ્વિમિંગ ઈવેન્ટમાં ફાઈનલમાં પ્રવેશ કરીને દેશનું નામ રોશન કર્યું છે. આ સાથે સ્વિમિંગ ક્ષેત્રે ભારતની આશાઓ વધુ મજબૂત બની છે. સ્વિમર સાજન પ્રકાશ પુરુષોની 200 મીટર બટરફ્લાયની ફાઈનલમાં પહોંચી ગયો છે. તેની મેડલ ઈવેન્ટ પણ આજે છે, એટલે કે ફાઈનલ આજે છે. તે 28 જુલાઈના રોજ સવારે 1:44 વાગ્યે IST પર ફાઈનલમાં ભાગ લેશે.</p><h4 style="text-align: justify; "><b>તેજસ શિરસે ફાઈનલમાં પહોંચ્યો</b></h4><p style="text-align: justify; ">તેજસ શિરસે 110 મીટર હર્ડલ્સના ફાઇનલ માટે ક્વોલિફાય થયો છે. તેણે પોતાની હીટમાં 13.76 સેકન્ડનો સમય કાઢ્યો અને ત્રીજા સ્થાને રહ્યો. બે હીટમાંથી 8 ખેલાડીઓ ફાઇનલમાં પહોંચ્યા. આમ તેજસ શિરસેએ ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. ફાઈનલ આજે યોજાવાની છે, અને તેજસ મેડલ મેળવવાનું લક્ષ્ય રાખશે. ભારતમાં ફાઇનલ 28 જુલાઈના રોજ સવારે 2:15 વાગ્યે શરૂ થશે.</p><h4 style="text-align: justify; "><b>સ્વતિક પાટિલ ફાઈનલમાં પહોંચ્યો</b></h4><p style="text-align: justify; ">ભારતના સ્વાતિક પાટીલ પુરુષોની 100 મીટર બ્રેસ્ટસ્ટ્રોક SB9 પેરા-સ્વિમિંગ કેટેગરીની ફાઈનલમાં પહોંચી ગયા છે. સ્વાતિક હીટ 2 માં 1:15.85 મિનિટના સમય સાથે ચોથા સ્થાને રહ્યો અને એકંદરે છઠ્ઠા સ્થાને રહ્યો. સ્વાતિકની ફાઈનલ મેચ આજે રાત્રે 12:02 વાગ્યે રમાશે. સ્વાતિક પાસે મેડલ જીતવાની સુવર્ણ તક છે.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>બોક્સર અંકુશ ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યો</b></h4><p style="text-align: justify; ">ભારતીય બોક્સર અંકુશે પુરુષોની 80 કિગ્રા કેટેગરીની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. તેણે રાઉન્ડ ઓફ 16 માં સર્વસંમતિથી થયેલા નિર્ણયમાં જાલાન જાનને 5-0 થી હરાવ્યો.&nbsp;</p><p style="text-align: justify; ">ભારતીય ખેલાડીઓના સતત સારા પ્રદર્શનથી કોમનવેલ્થ ગેમ્સમાં દેશની મેડલ સંભાવનાઓ વધી છે. વેઈટલિફ્ટિંગ, બોક્સિંગ, એથ્લેટિક્સ અને સ્વિમિંગ જેવી રમતોમાં ખેલાડીઓના ઉત્કૃષ્ટ દેખાવથી રમતપ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં ભારતના ખેલાડીઓ વધુ મેડલ જીતે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/ishan-kishan-run-out-abhishek-sharma-stump-mic-video" target="_blank">Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/27/MPjbu475uXxFg0IsWSWi7DSfVpvO4eHyXXI1ERHB.webp'/></item><item><title><![CDATA[Gujrati Cinema : ઠંડી રહી લાયક નાલાયક, હવે સકારાત્મક માઉથ પબ્લિસિટીથી વધી રહ્યો ક્રેઝ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/layak-nalayak-gujarati-movie-positive-mouth-publicity-trend</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/layak-nalayak-gujarati-movie-positive-mouth-publicity-trend</guid><pubDate>Mon, 27 Jul 2026 18:05:29 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">તાજેતરમાં સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ લાયક નાલાયકને શરૂઆતમાં બોક્સ ઓફિસ પર અપેક્ષા મુજબનો પ્રતિસાદ મળ્યો નથી. વરસાદી માહોલ અને મર્યાદિત દર્શક ઉપસ્થિતિને કારણે ફિલ્મના શરૂઆતના કલેક્શન પર અસર જોવા મળી હતી. શરૂઆતના દિવસોમાં ફિલ્મને દર્શકોની સંખ્યા ઓછી મળતાં કમાણી પણ ધીમી રહી હતી.</p><h2 style="text-align: justify; "><b>દર્શકોને પસંદ આવી ફિલ્મની સ્ટોરી</b></h2><p style="text-align: justify; ">જોકે, ફિલ્મ જોયા બાદ દર્શકો તરફથી મળતા પોઝિટિવ રિવ્યૂને કારણે હવે લાયક નાલાયક અંગેની ચર્ચા સતત વધી રહી છે. ફિલ્મની ઈમોશનલ સ્ટોરી, મજબૂત કેરેક્ટર અને ભાવનાત્મક રજૂઆત દર્શકોને સ્પર્શી રહી છે. સોશિયલ મીડિયા પર પણ અનેક દર્શકોએ ફિલ્મની પ્રશંસા કરી છે.</p><h3 style="text-align: justify; "><b>સોશિયલ મીડિયા પર થઈ રહી છે પ્રશંસા</b></h3><p style="text-align: justify; ">સોશિયલ મીડિયા પર ફિલ્મને લઈને દર્શકોની પ્રતિક્રિયાઓમાં તેને માત્ર મનોરંજન પૂરતી ફિલ્મ નહીં, પરંતુ પરિવાર સાથે જોઈ શકાય તેવી અર્થસભર રજૂઆત ગણાવવામાં આવી રહી છે. પોઝિટિવ માઉથ પબ્લિસિટી ફિલ્મ માટે મહત્વની સાબિત થઈ શકે છે અને આગામી દિવસોમાં વધુ દર્શકોને સિનેમાઘરો સુધી લાવી શકે છે.</p><h3 style="text-align: justify; "><b>પ્રથમ સપ્તાહથી ફિલ્મની સફળતા નક્કી કરવી યોગ્ય નથી</b></h3><p style="text-align: justify; ">ગુજરાતી સિનેમાના ફેન્સનું માનવું છે કે ગુણવત્તાસભર ફિલ્મોને માત્ર પ્રથમ સપ્તાહના બોક્સ ઓફિસ કલેક્શનના આધારે માપવી યોગ્ય નથી. ખાસ કરીને વરસાદ જેવા પરિબળોને કારણે શરૂઆત ધીમી રહી હોય ત્યારે ફિલ્મને લાંબો સમય મળવો જરૂરી છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbSpjYdsHYv/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbSpjYdsHYv/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbSpjYdsHYv/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbSpjYdsHYv/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>આગામી દિવસોમાં કલેક્શન વધવાની આશા</b></h4><p style="text-align: justify; ">ટ્રેડ વર્તુળોમાં પણ ચર્ચા છે કે શરૂઆત ધીમી રહી હોવા છતાં ફિલ્મને મળી રહેલી પ્રશંસા તેના લાંબા ગાળાના પ્રદર્શન માટે સકારાત્મક સંકેત છે. જો દર્શકોનો સાથ સતત મળતો રહેશે તો ફિલ્મના કલેક્શનમાં આગામી દિવસોમાં વધારો થઈ શકે છે.</p><h5 style="text-align: justify; "><b>ગુજરાતી સિનેમા માટે પણ સકારાત્મક સંકેત</b></h5><p style="text-align: justify; ">ફિલ્મપ્રેમીઓનું કહેવું છે કે જો સારી અને અલગ વિષયવાળી ફિલ્મોને દર્શકોનો સતત સાથ મળે તો ગુજરાતી સિનેમામાં વધુ ગુણવત્તાસભર ફિલ્મો બનાવવાનું પ્રોત્સાહન મળશે. લાયક નાલાયક હાલમાં રાજ્યભરના વિવિધ સિનેમાઘરોમાં પ્રદર્શિત થઈ રહી છે અને વધતા સકારાત્મક પ્રતિસાદને જોતા આગામી દિવસોમાં દર્શકોની સંખ્યામાં વધારો થવાની આશા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/chennai-love-story-kiran-abbavaram-third-highest-grossing" target="_blank">આ પણ વાંચો-Chennai Love Story એ તોડ્યો રેકોર્ડ, બની કિરણ અબ્બાવરમની ત્રીજી હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/27/TxcetQODHQELerIisnxXUoGwwGDMrIDPC9SBPbiu.webp'/></item><item><title><![CDATA[વાંચો બપોરે 03થી સાંજે 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-03-pm-to-06-pm-27-july-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-03-pm-to-06-pm-27-july-2026</guid><pubDate>Mon, 27 Jul 2026 18:00:00 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર<br><br><a href="https://sandesh.com/india/news/sonam-wangchuk-on-dharmendra-pradhan-resignation-beginning-of-reform" target="_blank">1.'આશા છે કે સુધારો થશે, નહીંતર રાજીનામાનો કોઈ મતલબ નથી', સોનમ વાંગચૂકનું મોટું નિવેદન</a></b></p><p><a href="https://sandesh.com/india/news/lok-sabha-deadlock-ends--paper-leak-bill-debate-on-july-28--2026" target="_blank"><b>2. Anti Paper Leak Bill 2026: વિપક્ષ ચર્ચા માટે થયું રાજી, એન્ટી પેપર લીક બિલ પર આવતીકાલે થશે ચર્ચા</b></a></p><p><a href="https://sandesh.com/india/news/jharkhand-18-maoists-surrender-60-lakh-reward-naxal-rehabilitation-policy" target="_blank"><b>3. Jharkhand : 60 લાખના ઈનામી માઓવાદીઓ કરશે આત્મસમર્પણ, 18 નક્સલીઓ છોડશે હથિયાર</b></a></p><p><a href="https://sandesh.com/cricket/news/wasim-jaffer-ind-vs-sl-test-series-2-0-prediction" target="_blank"><b>4. 'ટીમ ઈન્ડિયા શ્રીલંકામાં આવું ન કરે તો...' ટેસ્ટ સિરીઝને લઈને વસીમ જાફરે કરી ભવિષ્યવાણી</b></a></p><p><a href="https://sandesh.com/world/news/ttp-vs-imp-the-foothold-of-the-imp-terrorist-organization-in-pakistan-know-how-different-and-dangerous-it-is-from-ttp" target="_blank"><b>5. TTP vs IMP: પાકિસ્તાનમાં IMP આતંકી સંગઠનનો પગપેસારો, જાણો TTP કરતાં કેટલું અલગ અને ખતરનાક?</b></a></p><p><a href="https://sandesh.com/cricket/news/yashasvi-jaiswal-mrunal-thakur-dating-rumors" target="_blank"><b>6. Yashasvi Jaiswalને ડેટ કરી રહી છે મૃણાલ ઠાકુર? કાફેની બહારનો વાયરલ થયો VIDEO</b></a></p><p><a href="https://sandesh.com/india/news/dharmendra-pradhan-i-am-a-street-fighternot-an-ac-room-activist-dharmendra-pradhans-first-reaction-after-resignation" target="_blank"><b>7. Dharmendra Pradhan: હું સ્ટ્રીટ ફાઇટર છું..AC રૂમ એક્ટિવિસ્ટ નહી.. રાજીનામા બાદ ધર્મેન્દ્ર પ્રધાનની પહેલી પ્રતિક્રિયા</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/approves-2999-crore-industrial-projects-to-boost-growth" target="_blank"><b>8. Gandhinagar News: રાજ્ય સરકારે 2999 કરોડથી વધુના ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને આપી લીલી ઝંડી</b></a></p><p><a href="https://sandesh.com/india/news/it-industry-news-violation-of-rules-in-employee-time-tracking-france-imposes-a-fine-of-2-crores-on-it-company-infosys" target="_blank"><b>9. IT Industry News: કર્મચારીઓના ટાઇમ ટ્રેકિંગમાં નિયમોનો ભંગ, ફ્રાન્સે IT કંપની Infosys પર લગાવ્યો 2 કરોડનો દંડ</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/weather-update-heavy-rain-threat-eases-moderate-rain-forecast" target="_blank"><b>10.&nbsp; Gujarat Weather: રાજ્યમાં હાલ અતિભારે વરસાદનું સંકટ ટળ્યું, સમાન્યથી મધ્યમ વરસાદની આગાહી</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/05/30/ci0PwfUyHcao4H4ziwpdhMLnO6QMfKyI3jwCPvfh.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: સરકારી યોજનાના આવાસ ભાડે આપનાર સામે ફરિયાદ થશે, મકાનનો દસ્તાવેજ રદ કરી  દેવાશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/renting-govt-homes-may-lead-to-cancellation</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/renting-govt-homes-may-lead-to-cancellation</guid><pubDate>Mon, 27 Jul 2026 17:40:59 +05:30</pubDate><description><![CDATA[<p>સરકાર દ્વારા લોકો માટે બનાવવામાં આવેલા આવાસને ભાડે આપવા અંગે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જે લોકો આવાસ ધરાવતા હોય છે તે લોકો મકાન ભાડે આપી દેતા હોય છે. સરકાર સામે આ બાબત અવારનવાર ધ્યાને આવતી હોવાથી હવે આવાસના મકાનો ભાડે આપનાર સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં યોજનાના મકાનોને લઈને સાત વર્ષ સુધી ભાડે નહીં આપવાના નિયમનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો છે.&nbsp;&nbsp;</p><h2><b>મકાનને 90 દિવસ માટે સીલ કરી દેવામાં આવશે</b></h2><p>અમદાવાદમાં સરકારી યોજના હેઠળ ફાળવવામાં આવેલા આવાસના મકાનો ભાડે આપનારા મકાનમાલિકો સામે હવે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. નિયમ મુજબ આવાસ ફાળવ્યા બાદ 7 વર્ષ સુધી તેને ભાડે આપી શકાતું નથી.પરંતુ જો આ નિર્ણયનું ઉલ્લંઘન કરીને મકાન ભાડે આપવામાં આવશે તો પ્રથમવાર નિયમભંગ કરનાર મકાનમાલિકને ઓછોમાં ઓછો રૂ.50 હજારનો દંડ ફટકારવામાં આવશે અને સાથે જ તે મકાનને 90 દિવસ માટે સીલ કરી દેવામાં આવશે.</p><h3><b>મકાનના દસ્તાવેજ પણ રદ કરી દેવામાં આવશે</b></h3><p>જો મકાનમાલિક બીજી વખત પણ મકાન ભાડે આપતા ઝડપાશે,તો તેની સામે દંડની રકમ બમણી કરીને રૂ.1 લાખ કરવામાં આવશે અને ફરીથી 90 દિવસ માટે મકાન સીલ કરવામાં આવશે.આમ છતાં પણ જો ત્રીજી વાર આ જ ભૂલ કરવામાં આવશે તો મકાનમાલિક સામે સીધી પોલીસ ફરિયાદ દાખલ કરાશે અને તેના મકાનના દસ્તાવેજ પણ રદ કરી દેવામાં આવશે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/jamnagar-bams-paper-leak-sparks-bjp-congress-political-clash" target="_blank">આ પણ વાંચોઃ Jamnagar Paper leak: ભાજપે કહ્યું સરકારે કડક કાયદો બનાવ્યો છે, કાયદાના નામે ભ્રમ ફેલાવાનું બંધ કરો : કોંગ્રેસ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/27/Xyd6r0t19DgCBkZFFscjYOFtc7trLXUoc9YkmaWx.webp'/></item></channel></rss>