<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabadના સીટીએમ કેનાલ પાસે ઇલેક્ટ્રિક સ્કૂટરમાં અચાનક લાગી ભીષણ આગ, ચાલકનો આબાદ બચાવ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/a-massive-fire-suddenly-broke-out-in-an-electric-scooter-near-ctm-canal-in-ahmedabad-the-driver-was-rescued-safely</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/a-massive-fire-suddenly-broke-out-in-an-electric-scooter-near-ctm-canal-in-ahmedabad-the-driver-was-rescued-safely</guid><pubDate>Tue, 28 Jul 2026 17:09:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરના વ્યસ્ત ગણાતા સીટીએમ કેનાલ પાસે એક અકસ્માતની ઘટના સામે આવી છે. માર્ગ પરથી પસાર થઈ રહેલા એક ઇલેક્ટ્રિક સ્કૂટરમાં અચાનક આગ લાગી હતી. વાહન ચાલક જ્યારે પોતાના ઇલેક્ટ્રિક સ્કૂટર પર જઈ રહ્યો હતો ત્યારે જ અચાનક વાહનમાંથી ધુમાડો નીકળવાનું શરૂ થયું હતું અને ક્ષણવારમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.</p><h2 style="text-align: justify; "><b>ચાલુ વાહનમાં ધુમાડાના ગોટા ઊડ્યા</b></h2><p style="text-align: justify; ">ચાલુ વાહનમાં અચાનક ધુમાડાના ગોટા ઊડતા જ વાહન ચાલકે સતર્કતા દાખવીને તુરંત જ સ્કૂટર સાઈડ પર ઊભું રાખી દીધું હતું અને નીચે ઉતરી ગયો હતો. જોતજોતામાં આખું સ્કૂટર આગની લપેટમાં આવી ગયું હતું અને બળીને ખાખ થઈ ગયું હતું. સદનસીબે વાહન ચાલકે સમયસૂચકતા વાપરીને સ્કૂટર પરથી ઉતરી જતાં મોટી દુર્ઘટના ટળી હતી અને આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.</p><h3 style="text-align: justify; "><b>સ્થાનિકોમાં અફરાતફરી અને ઈ-વાહનોની સુરક્ષા સામે પ્રશ્નો</b></h3><p style="text-align: justify; ">મુખ્ય માર્ગ પર ચાલુ સ્કૂટરમાં આગ લાગવાના કારણે અચાનક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને રસ્તેથી પસાર થતાં વાહનચાલકો થંભી ગયા હતા. ઉનાળા કે બેટરીની ટેકનિકલ ખામીના કારણે આગ લાગી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તાજેતરમાં ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાના બનાવો વધી રહ્યા હોવાથી આ ઘટના બાદ પણ ઈ-વાહનોની ગુણવત્તા અને બેટરી સુરક્ષાને લઈને સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/ztU5187Y8bMFVu976o9B0GC8fHbYymElzOQCl1Ue.webp'/></item><item><title><![CDATA[Jamnagar News: આયુર્વેદિક યુનિવર્સિટીમાં પેપર લીક મામલે ABVP અને NSUIએ વિરોધ નોંધાવ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/jamnagar/abvp-and-nsui-protest--demand-strict-action-against-those-responsible</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/jamnagar/abvp-and-nsui-protest--demand-strict-action-against-those-responsible</guid><pubDate>Tue, 28 Jul 2026 16:56:56 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સમગ્ર દેશમાં પેપર લીકના બનાવો સામે આવ્યાં છે. દિલ્હીના જંતર મંતર પર નીટ  પેપર લીક મામલે પ્રદર્શનો થયાં અને આખરે કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવું પડ્યું છે. ત્યારે આ પ્રદર્શન શાંત થતાં જ ગુજરાતમાં જામનગરમાં આયુર્વેદિક યુનિવર્સિટીમાં પેપર લીકનો મામલો સામે આવ્યો છે. આ મામલે તપાસ કરવા એક સમિતિની રચના કરવામાં આવી છે. આ પેપર લીકની ઘટનાને કારણે વિદ્યાર્થી સંગઠનોમાં પણ રોષ ફેલાયો છે. જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની પણ માગ કરવામાં આવી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ABVP અને NSUIએ વિરોધ નોંધાવ્યો</b></h2><p style="text-align: justify; ">જામનગરની ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી પણ વિવાદમાં આવી છે.BAMSના ત્રીજા વર્ષનું પેપર લીક થયાની આશંકાને લઈને વિદ્યાર્થી સંગઠનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.પેપર લીક જેવી ગંભીર ઘટનાથી હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થયા હોવાનો આક્ષેપ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.ભાજપ અને કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન ABVP અને NSUIએ આ બાબતે વિરોધ નોંધાવી તટસ્થ તપાસની માગ કરી છે. હાલ સમગ્ર મામલે વિદ્યાર્થી સંગઠનો  દોષિતોને કડક સજા કરવાની માગ પર અડગ છે.હવે યુનિવર્સિટી તંત્ર અને તપાસ સમિતિ આ સમગ્ર વિવાદમાં શું નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેલી છે.</p><h3 style="text-align: justify; "><b>પોલીસને વિધિવત જાણ કરી દેવામાં આવી</b></h3><p style="text-align: justify; ">જામનગર યુનિવર્સિટીમાં સામે આવેલા ચર્ચાસ્પદ પેપર લીક મામલે યુનિવર્સિટી દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે.આ સમગ્ર ઘટના અંગે તંત્ર અને યુનિવર્સિટી પ્રશાસન દ્વારા પોલીસને વિધિવત જાણ કરી દેવામાં આવી છે.જેના પગલે ગઠિત તપાસ કમિટીએ ઘટના સંબંધિત તમામ જરૂરી દસ્તાવેજો અને પુરાવાઓ મેળવી લીધા છે. હાલ ચાલી રહેલી પરીક્ષાઓ પૂર્ણ થતાં જ આ તપાસને વધુ વેગવંતી બનાવવામાં આવશે.આ અંગે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરે ખાતરી આપતાં જણાવ્યું છે કે યુનિવર્સિટી દ્વારા વહેલાસર તપાસ પૂર્ણ કરવામાં આવશે અને આ મામલે સંડોવાયેલા તમામ દોષિતો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/jamnagar/high-level-committee-formed-to-probe-alleged-paper-leak-at-gujarat-ayurved-university" target="_blank">આ પણ વાંચોઃ Jamnagar News: આયુર્વેદિક યુનિવર્સિટીમા પેપર લીક કેસની તપાસ માટે ઉચ્ચસ્તરીય કમિટીની રચના</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/ZX1NKbwXxNSbzPFPIzgLHdrJ7JWMFCaOiteqrDs5.webp'/></item><item><title><![CDATA[Income Tax Rule : 4 લાખથી ઓછી આવક ધરાવતા લોકો માટે પણ ITR ભરવું કેમ જરૂરી? જાણો આ 6 મહત્વપૂર્ણ નિયમો ]]></title><link>https://sandesh.com/business/news/income-tax-rule-why-is-it-necessary-to-file-itr-even-for-people-with-income-less-than-4-lakhs-know-these-6-important-rules</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/income-tax-rule-why-is-it-necessary-to-file-itr-even-for-people-with-income-less-than-4-lakhs-know-these-6-important-rules</guid><pubDate>Tue, 28 Jul 2026 16:47:31 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આકારણી વર્ષ 2026-27 માટે વ્યાજ કે લેટ ફી વગર આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ, 2026 છે. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 3 કરોડથી વધુ કરદાતાઓ પોતાનું ITR ફાઇલ કરી ચૂક્યા છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જો વાર્ષિક આવક નવી કર વ્યવસ્થા (New Tax Regime) હેઠળ ₹4 લાખ અથવા જૂની કર વ્યવસ્થા (Old Tax Regime) હેઠળ ₹2.5 લાખથી ઓછી હોય, તો ITR ફાઇલ કરવું જરૂરી નથી. પરંતુ, આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 139(1) મુજબ જો તમારી આવક આ મર્યાદાથી ઓછી હોય તો પણ કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં દંડ અથવા કાનૂની કાર્યવાહીથી બચવા માટે ITR ફાઇલ કરવું ફરજિયાત બને છે.</p><h2 style="text-align: justify; "><b>આ 6 સ્થિતિમાં ઓછી આવક હોવા છતાં ITR ફાઇલ કરવું પડશે</b></h2><p style="text-align: justify; "><b>૧. ₹1 લાખથી વધુનું વીજળી બિલ:&nbsp;</b>જો તમે નાણાકીય વર્ષ દરમિયાન તમારા ઘર કે વ્યાપારી એકમના વીજળી બિલ પેટે કુલ ₹1 લાખ કે તેથી વધુ રકમ ચૂકવી હોય, તો તમારી કુલ આવક શૂન્ય હોય તો પણ ITR ફાઇલ કરવું જરૂરી છે.</p><p style="text-align: justify; "><b>૨. ચાલુ ખાતામાં (Current Account) ₹50 લાખથી વધુ જમા:&nbsp;</b>જો તમારી પાસે કોઈ બિઝનેસ અથવા કરંટ એકાઉન્ટ છે અને તમે એક વર્ષમાં તેમાં ₹50 લાખ કે તેથી વધુ રકમ જમા કરાવી છે, તો તમે પણ આ નિયમના દાયરામાં આવો છો.</p><p style="text-align: justify; "><b>૩. ₹2 લાખથી વધુનો વિદેશ પ્રવાસ ખર્ચ:&nbsp;</b>જો તમે તમારી પોતાની અથવા અન્ય કોઈ વ્યક્તિની વિદેશ યાત્રા (Foreign Travel) પર નાણાકીય વર્ષમાં ₹2 લાખ કે તેથી વધુ રકમનો ખર્ચ કર્યો હોય, તો ટેક્સ રિટર્ન ફાઇલ કરવું ફરજિયાત છે.</p><p style="text-align: justify; "><b>૪. ₹25,000 કે તેથી વધુ TDS/TCS કપાત:&nbsp;</b>જો એક વર્ષ દરમિયાન તમારી બેંક એફડી (FD), બચત ખાતા અથવા અન્ય રોકાણો પર કુલ ₹25,000 કે તેથી વધુ (વરિષ્ઠ નાગરિકો માટે ₹50,000) TDS કે TCS કપાયો હોય, તો ITR ફાઇલ કરવું જરૂરી બને છે.</p><p style="text-align: justify; "><b>૫. બચત ખાતામાં (Savings Account) ₹50 લાખથી વધુની થાપણ:&nbsp;</b>જો નાણાકીય વર્ષ દરમિયાન તમારા એક અથવા વધુ બચત ખાતાઓમાં કુલ મળીને ₹50 લાખ કે તેથી વધુ રકમ જમા થઈ હોય, તો તમારે ITR ફાઇલ કરવું પડશે.</p><p style="text-align: justify; "><b>૬. વિદેશી સંપત્તિ કે વિદેશથી આવક:&nbsp;</b>જો ભારત બહાર દેશની સીમાથી બહાર તમારા નામે કોઈ મિલકત/બેંક ખાતું હોય અથવા તમને વિદેશમાંથી કોઈ પણ પ્રકારની આવક પ્રાપ્ત થતી હોય, તો તમારે સમયસર ITR ફાઇલ કરવું અનિવાર્ય છે.</p><p style="text-align: justify; ">જો તમે આમાંથી કોઈપણ શ્રેણીમાં આવતા હોવ, તો અંતિમ તારીખ (31 જુલાઈ, 2026) પહેલાં પોતાનું ITR ચોક્કસથી ફાઇલ કરી દો.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/business/news/stock-market-closing-market-closed-in-the-red-sensex-closed-at-76765-points" target="_blank">આ પણ વાંચો : Stock Market Closing: લાલ નિશાનમાં માર્કેટ બંધ, સેન્સેક્સ 76,765 અંકે બંધ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/WV6Wi1PQ5TkWOLyp6YX4JezxVFntgbSpy2hmzutv.webp'/></item><item><title><![CDATA[Jamnagar News:પેપર લીક મામલે તપાસ કમિટી દ્વારા જરૂરી દસ્તાવેજ મેળવાયા,ઝડપથી તપાસ પૂર્ણ કરાશે:વાઈસ ચાન્સેલર ]]></title><link>https://sandesh.com/gujarat/news/jamnagar/inquiry-committee-collects-key-documents-probe-to-be-completed-soon-in-paper-leak-case</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/jamnagar/inquiry-committee-collects-key-documents-probe-to-be-completed-soon-in-paper-leak-case</guid><pubDate>Tue, 28 Jul 2026 16:40:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર ખાતે BAMS ત્રીજા વર્ષની પરીક્ષા દરમિયાન શલ્યતંત્ર 1 વિષયનું પ્રશ્નપત્ર લીક થયું હોવાના આક્ષેપો સામે આવતાં જ ભારે દોડધામ મચી ગઈ છે.ગત 20 જુલાઈના રોજ સવારે આ પરીક્ષા યોજાઈ હતી.પરીક્ષા પૂર્ણ થયા બાદ સોશિયલ મીડિયામાં પ્રશ્નપત્રને અદ્દલ મળતું આવતું મટિરિયલ વાયરલ થતાં પેપર લીક થયું હોવાની પ્રબળ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.જેને પગલે યુનિવર્સિટી વહીવટીતંત્રે તાત્કાલિક ધોરણે તપાસના આદેશ આપ્યા છે. આ માટે એક તપાસ સમિતિની પણ રચના કરવામાં આવી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>તમામ દોષિતો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરાશે</b></h2><p style="text-align: justify; ">જામનગર યુનિવર્સિટીમાં સામે આવેલા ચર્ચાસ્પદ પેપર લીક મામલે યુનિવર્સિટી દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે.આ સમગ્ર ઘટના અંગે તંત્ર અને યુનિવર્સિટી પ્રશાસન દ્વારા પોલીસને વિધિવત જાણ કરી દેવામાં આવી છે.જેના પગલે ગઠિત તપાસ કમિટીએ ઘટના સંબંધિત તમામ જરૂરી દસ્તાવેજો અને પુરાવાઓ મેળવી લીધા છે. હાલ ચાલી રહેલી પરીક્ષાઓ પૂર્ણ થતાં જ આ તપાસને વધુ વેગવંતી બનાવવામાં આવશે.આ અંગે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરે ખાતરી આપતાં જણાવ્યું છે કે યુનિવર્સિટી દ્વારા વહેલાસર તપાસ પૂર્ણ કરવામાં આવશે અને આ મામલે સંડોવાયેલા તમામ દોષિતો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.</p><h3 style="text-align: justify; "><b>એસોસિએટ પ્રોફેસર કક્ષાના અધિકારીનો સમાવેશ</b></h3><p style="text-align: justify; ">યુનિવર્સિટી દ્વારા ઉચ્ચસ્તરીય ત્રણ સભ્યોની ઇન્ક્વાયરી કમિટીની રચના કરવામાં આવી છે.આ તપાસ સમિતિમાં પ્રિન્સિપાલ કક્ષાના બે અધિકારીઓ અને એક એસોસિએટ પ્રોફેસર કક્ષાના અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે.જેઓ સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ કરશે.યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિએ આ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ હાથ ધરવામાં આવશે. જો તપાસ દરમિયાન કોઈ વિદ્યાર્થી,શિક્ષક, કર્મચારી કે અન્ય કોઈ વ્યક્તિ દોષિત સાબિત થશે, તો તેમની સામે યુનિવર્સિટીના નિયમો અનુસાર કડક શિસ્તભંગના પગલાં લેવાશે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/crime/surat/patang-hotel-owner-umang-thakkar-arrested-in-1-56-crore-land-fraud-case" target="_blank">આ પણ વાંચોઃ Surat News: જમીનનો પ્લોટ આપવાના નામે કરોડોની ઠગાઈ આચરી, પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કરની ધરપકડ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/rRsq6DG5aGJ4HOshHsKxoVlUGm4tsA2LVHGBMTpD.webp'/></item><item><title><![CDATA[Surat News: જમીનનો પ્લોટ આપવાના નામે કરોડોની ઠગાઈ આચરી, પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કરની ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/patang-hotel-owner-umang-thakkar-arrested-in-1-56-crore-land-fraud-case</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/patang-hotel-owner-umang-thakkar-arrested-in-1-56-crore-land-fraud-case</guid><pubDate>Tue, 28 Jul 2026 16:13:24 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં પ્લોટ વેચાણના નામે કરોડો રૂપિયાની ઠગાઈ આચરવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ છેતરપિંડીના મામલે સુરત ગ્રામ્ય પોલીસે અમદાવાદના જાણીતા બિલ્ડર અને પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કરની ધરપકડ કરી છે.અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા આરોપી ઉમંગ ઠક્કરે કામરેજ નજીક ખોલવડ ગામમાં નિર્વાણા નામના પ્રોજેક્ટની જાહેરાત કરી ગ્રાહકોને ખુલ્લા પ્લોટ વેચવાની લાલચ આપી હતી અને તેમની સાથે રૂ.1.56 કરોડની મસમોટી ઠગાઈ આચરી હતી.</p><h2 style="text-align: justify; "><b>15થી 16 જેટલા ભોળા ગ્રાહકો ફસાઈ ગયા&nbsp;</b></h2><p style="text-align: justify; ">પોલીસના જણાવ્યા પ્રમાણે, ઉમંગ ઠક્કરે જે જમીન પર નિર્વાણા પ્રોજેક્ટ બતાવીને પ્લોટ વેચવામાં આવી રહ્યા હતા તે જમીન બિલ્ડરે વર્ષ 2018માં જ અન્ય વ્યક્તિને વેચી દીધી હતી.જમીનના ટાઈટલ ક્લિયર ન હોવા છતાં અને પોતાની પાસે કોઈ માલિકી હક્ક ન હોવા છતાં આરોપીએ ગ્રાહકોને અંધારામાં રાખીને ખુલ્લા પ્લોટોનું બુકિંગ ચાલુ રાખ્યું હતું.આ જાળમાં આશરે 15થી 16 જેટલા ભોળા ગ્રાહકો ફસાઈ ગયા હતા.જેમની પાસેથી પ્લોટ બુકિંગના નામે આરોપીએ કુલ રૂ. 1.56 કરોડની રકમ ઉઘરાવી લીધી હતી.</p><h3 style="text-align: justify; "><b>ગ્રાહકોને ન તો પ્લોટનો કબજો મળ્યો કે ન તો તેમના પૈસા</b></h3><p style="text-align: justify; ">લાંબો સમય વિતી ગયા છતાં ગ્રાહકોને ન તો પ્લોટનો કબજો મળ્યો કે ન તો તેમના રોકેલા નાણાં પરત મળ્યા હતા.આખરે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં એક પીડિત મહિલાએ હિંમત દર્શાવી કામરેજ પોલીસ સ્ટેશનમાં બિલ્ડર સામે લેખિત ફરિયાદ નોંધાવી હતી.મહિલાની ફરિયાદના આધારે કામરેજ પોલીસે ગુનો નોંધી અમદાવાદથી ઉમંગ ઠક્કરની અટકાયત કરી છે.પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આ કૌભાંડમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં વધુ તપાસ તેજ કરી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/dengue-cases-rise-fivefold-during-monsoon" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: શહેરમાં ચોમાસાની સિઝનમાં રોગચાળો વકર્યો, ડેન્ગ્યૂના કેસોમાં 5 ગણો વધારો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/FiD7gf4PmG5TaQaxQBNfV1RoIJtjjZSrX2XuJtz0.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: ચોમાસાની ઋતુમાં રોગચાળો વકરવાની ભીતિ, સાદા મેલેરિયાના 24 અને ડેન્ગ્યુના 38 કેસ નોંધાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/rise-in-dengue-and-malaria-cases-during-monsoon</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/rise-in-dengue-and-malaria-cases-during-monsoon</guid><pubDate>Tue, 28 Jul 2026 15:45:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં ચોમાસાની સિઝનની શરૂ થતાંની સાથે જ રોગચાળો વકરવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે.વરસાદી હવામાન અને ઠેર-ઠેર ભરાતા પાણીના કારણે પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગોના કેસોમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે.રોગચાળાના વધતા વ્યાપને ધ્યાનમાં રાખીને આરોગ્ય તંત્ર દોડતું થયું છે અને નાગરિકોને પણ ખાસ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે. જુલાઈ મહિનામાં મચ્છર અને પાણીજન્ય રોગચાળાના કેસ વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ડેન્ગ્યુના જુલાઈ માસમાં 38 કેસ નોંધાયા</b></h2><p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં ચોમાસાની ઋતુ દરમિયાન રોગચાળાની સ્થિતિ વકરી રહી છે.અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર,ચાલુ જુલાઈ મહિનામાં સાદા મેલેરિયાના 24 કેસ નોંધાયા છે.જેથી ચાલુ વર્ષે કુલ કેસનો આંકડો 149 પર પહોંચ્યો છે.આ ઉપરાંત ઝેરી મેલેરિયાના 2 નવા કેસ સાથે વર્ષ દરમિયાન કુલ 16 કેસ સામે આવ્યા છે.જ્યારે ડેન્ગ્યુના જુલાઈ માસમાં 38 કેસ નોંધાયા છે.ચાલુ વર્ષે ડેન્ગ્યુના કુલ દર્દીઓની સંખ્યા 197 થઈ છે.</p><h2 style="text-align: justify; "><b>પાણીજન્ય રોગચાળાએ પણ ચિંતા વધારી</b></h2><p style="text-align: justify; ">મચ્છરજન્ય રોગોની સાથે શહેરમાં દૂષિત પાણીના કારણે ફેલાતા પાણીજન્ય રોગચાળાએ પણ ચિંતા વધારી છે.જુલાઈ મહિનામાં ઝાડા-ઊલટીના 345 કેસ નોંધાયા છે. જ્યારે ચાલુ વર્ષે આ આંકડો 3,479 સુધી પહોંચી ગયો છે.કમળાના 65 કેસ અને ટાઈફોઈડના 235 કેસ નોંધાયા છે.જેની સાથે ચાલુ વર્ષે ટાઈફોઈડના કુલ 1169 કેસ નોંધાઈ ચૂક્યા છે. પાણીજન્ય રોગચાળો અટકાવવા તંત્ર દ્વારા દૂષિત પાણીનું ચેકિંગ સઘન બનાવવામાં આવ્યું છે.જે અંતર્ગત રોજના આશરે 400 સેમ્પલ લેવામાં આવી રહ્યા છે.અત્યાર સુધી લેવાયેલા કુલ 6,741 સેમ્પલમાંથી જુલાઈ માસમાં 40 સેમ્પલ ફેલ સાબિત થયા છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ફોગિંગ તથા દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે</b></h2><p style="text-align: justify; ">રોગચાળાના આંકડા સામે આવ્યા બાદ AMC આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ નિવારક પગલાં લેવામાં આવી રહ્યા છે.મચ્છરજન્ય ઉપદ્રવ અટકાવવા માટે શહેરના જુદા જુદા વિસ્તારોમાં સઘન ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે.જેમાં ક્યાંય પણ પાણી ભરાયેલું ન રહે તે માટે વિશેષ તપાસ કરાઈ રહી છે.AMCના મુખ્ય આરોગ્ય અધિકારી ડો.ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે કન્સ્ટ્રક્શન સાઈટ્સ પર મચ્છરના સંવર્ધન અટકાવવા કડક સૂચનાઓ આપવામાં આવી છે અને સ્લમ વિસ્તારોમાં પણ ખાસ કાળજી રાખીને ફોગિંગ તથા દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/dengue-cases-rise-fivefold-during-monsoon" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: શહેરમાં ચોમાસાની સિઝનમાં રોગચાળો વકર્યો, ડેન્ગ્યૂના કેસોમાં 5 ગણો વધારો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/OKfK4pweA4UvDawGNkyOHwPlUWTvKSNAk9HLXPWD.webp'/></item><item><title><![CDATA[Ahmedabad Plane Crash Case : સુપ્રીમ કોર્ટનો કડક નિર્દેશ, AAIB સીલબંધ કવરમાં તપાસ રિપોર્ટ સોંપે ]]></title><link>https://sandesh.com/gujarat/news/india/ahmedabad-plane-crash-case-supreme-court-orders-aaib-sealed-report</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/india/ahmedabad-plane-crash-case-supreme-court-orders-aaib-sealed-report</guid><pubDate>Tue, 28 Jul 2026 15:45:20 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદમાં થયેલી એર ઈન્ડિયાની વિમાન દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ સુનાવણી દરમિયાન એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ને તપાસ સંબંધિત મહત્વના નિર્દેશો આપ્યા છે. કોર્ટે AAIBને દુર્ઘટનાની તપાસનો સંપૂર્ણ રિપોર્ટ સીલબંધ કવરમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે, જેથી તપાસની ગોપનીયતા અને પારદર્શિતા જળવાઈ રહે.</p><h2><b>સિમ્યુલેટર ટેસ્ટ કરાવવાની માગ&nbsp;</b></h2><p>સુનાવણી દરમિયાન AAIBએ કોર્ટને જાણકારી આપી હતી કે વિમાન દુર્ઘટનાની તપાસ અંતિમ તબક્કામાં છે અને સપ્ટેમ્બર મહિનાની અંદર સંપૂર્ણ તપાસ રિપોર્ટ તૈયાર થઈ જશે. ત્યારબાદ તે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ કેસમાં અરજદાર તરીકે મૃત પાયલટના પિતાએ અરજી દાખલ કરી છે. તેમની તરફથી વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણે દુર્ઘટનાના સાચા કારણો જાણવા માટે સંબંધિત વિમાન અને પરિસ્થિતિઓનું સિમ્યુલેટર ટેસ્ટ કરાવવાની માગ કરી હતી.&nbsp;</p><h3><b>આ કેસમાં વધુ મહત્વપૂર્ણ ખુલાસા થવાની શક્યતા</b></h3><p>જોકે, કેન્દ્ર સરકાર તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે જરૂરી સિમ્યુલેટર ટેસ્ટ પહેલાથી જ પૂર્ણ કરવામાં આવ્યા છે અને તે તપાસ પ્રક્રિયાનો ભાગ છે. સુનાવણી દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશે પાયલટ ફેડરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલી રિપોર્ટને પણ તપાસ સમિતિ સમક્ષ રજૂ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જેથી તમામ સંભવિત પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ પૂર્ણ થઈ શકે.</p><p>સુપ્રીમ કોર્ટે સમગ્ર મામલાની આગામી સુનાવણી ઓક્ટોબરના અંતિમ સપ્તાહમાં હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. હવે સપ્ટેમ્બર સુધીમાં AAIBની અંતિમ તપાસ રિપોર્ટ રજૂ થયા બાદ આ કેસમાં વધુ મહત્વપૂર્ણ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/political-controversy-over-kangana-ranauts-gen-z-and-gutter-generation-comments-opposition-furious" target="_blank">આ પણ વાંચો : Kangana Ranautના 'Gen Z' અને 'ગટર જનરેશન'ની ટીપ્પણી પર રાજકીય વિવાદ, વિપક્ષ ગુસ્સે ભરાયો</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/kcINxKFUJkvj7B3G3TSwKAeTQG0OXNI5BgtqWy5T.webp'/></item><item><title><![CDATA[Delhi Rains: દિલ્હીમાં મેઘો ધોધમાર, ઘણા વિસ્તારોમાં ભરાયા પાણી, જુઓ Video ]]></title><link>https://sandesh.com/india/news/delhi-rains-heavy-downpour-in-delhi-waterlogging-in-many-areas-watch-video</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/delhi-rains-heavy-downpour-in-delhi-waterlogging-in-many-areas-watch-video</guid><pubDate>Tue, 28 Jul 2026 13:38:41 +05:30</pubDate><description><![CDATA[<p><p>મંગળવારે દિલ્હીમાં વરસાદી માહોલ જામ્યો છે.&nbsp; મેઘરાજા ધોધમાર વરસી જતા શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા ઘણા સમયથી દિલ્હીમાં વરસાદની રાહ જોવાઇ રહી હતી.અન્ય શહેરોની તુલનામાં દિલ્હીમાં વરસાદ આ વખતે મોડો જોવા મળી રહ્યો હતો. ત્યારે આજે વરસાદી માહોલ જામ્યો છે. દિલ્હી અક્ષરધામ, આઇટીઓ એરિયા, મંડી હાઉસ સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે.&nbsp;<br></p><h2><b>દિલ્હીમાં મેઘો ધોધમાર&nbsp;</b></h2>હવામાન વિભાગે આગામી કેટલાક કલાકો માટે શહેર માટે 'રેડ એલર્ટ' આપ્યું છે.&nbsp; સવારથી જ કાળા વાદળો છવાયેલા છે અને શહેરના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આકાશ વાદળછાયું રહેશે, આગામી કલાકોમાં મધ્યમ વરસાદ અને ભારે પવન સાથે વાવાઝોડાની સંભાવના છે.</p><p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2082015733144523078"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p><b style="font-size: 2rem;">હવામાન વિભાગનું એલર્ટ&nbsp;</b></p><p>ભારત હવામાન વિભાગ (IMD) એ ઘણા વિસ્તારો માટે ચેતવણી આપી છે. મંગળવારે બપોર દરમિયાન મોટાભાગના સ્થળોએ વરસાદની ચેતવણી અમલમાં છે. વધુમાં, IMD સૂચવે છે કે રાત્રે પણ ઘણી જગ્યાએ વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PTI_News/status/2082007375800877493"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p>નોઇડામાં પણ વરસાદ ચાલુ છે. નોંધનીય છે કે, 29 જુલાઈએ પણ દિલ્હી-NCRના ઘણા ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.</p><p>28 જુલાઈએ સમગ્ર ઉત્તર પ્રદેશમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય રહેવાની ધારણા છે. IMD અનુસાર, રાજ્યના પશ્ચિમ અને પૂર્વ બંને ભાગોમાં લગભગ તમામ વિસ્તારોમાં વાવાઝોડા અને વરસાદની ઉચ્ચ સંભાવના છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PTI_News/status/2082007970775486515"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h3><b>ક્યાં ક્યાં પડશે વરસાદ ?&nbsp;</b></h3><p>28 જુલાઈથી 29&nbsp; જુલાઈ દરમિયાન સોનભદ્ર, સહારનપુર, મુઝફ્ફરનગર, બિજનૌર, મુરાદાબાદ, રામપુર અને બરેલી જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ જિલ્લાઓની આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2082010530592735383"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><br></p><p>દરમિયાન, ઉત્તરાખંડના ઘણા ભાગોમાં મંગળવારે ભારે વરસાદ પડ્યો છે. રુદ્રપ્રયાગ જિલ્લામાં, અલકનંદા નદીનું પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે અને તે ભયજનક સપાટીની નજીક પહોંચી ગયું છે. નદી માટે ભયજનક સ્તર ૬૨૭ મીટર છે, જ્યારે વર્તમાન જળસ્તર 626 મીટર સુધી પહોંચી ગયું છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2082009696383504834"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><br></p></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/8KghkfycOGcDpIUp5I1LSHznB0eA6TOxuwxhzK6k.webp'/></item><item><title><![CDATA[Hindi Song Interesting Story: ના કજરે કી ધાર..મુકેશનું અધૂરું ગીત પંકજ ઉધાસના અવાજમાં કેવી રીતે બન્યું સદાબહાર ]]></title><link>https://sandesh.com/entertainment/news/hindi-song-interesting-story-na-kajre-ki-dharhow-mukeshs-unfinished-song-became-evergreen-in-the-voice-of-pankaj-udhas</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/hindi-song-interesting-story-na-kajre-ki-dharhow-mukeshs-unfinished-song-became-evergreen-in-the-voice-of-pankaj-udhas</guid><pubDate>Tue, 28 Jul 2026 12:10:24 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગઝલ સમ્રાટ પંકજ ઉધાસે પોતાના મધુર અવાજથી ભારતીય સંગીત જગતમાં અનેક ગીતોને અમર બનાવ્યા છે. તેમનું ગાયેલું એક એવું ગીત છે જેને આજે પણ કોઈ અન્ય ગાયકના અવાજમાં કલ્પવું મુશ્કેલ લાગે છે, તે છે – 'ના કજરે કી ધાર'. પરંતુ શું તમે જાણો છો કે આ ગીત પંકજ ઉધાસે ગાયાના લગભગ ત્રણ દાયકા પહેલા જ રેકોર્ડ થઈ ચૂક્યું હતું? જો આ ગીત 1960ના દાયકામાં મુકેશજીના અવાજમાં રિલીઝ થયું હોત, તો સંગીતનો ઇતિહાસ કંઈક અલગ જ હોત. આજે જાણીએ સુપરહિટ સોન્ગ&nbsp; 'ના કજરે કી ધાર'...નો રસપ્રદ ઇતિહાસ. મુકેશજીનું ગીત કેવી રીતે પંકજ ઉધાસ પાસે આવ્યું અને બ્લોક બસ્ટર બન્યું.</p><h2 style="text-align: justify; "><b>1960માં રચાઈ હતી મૂળ ધૂન: મુકેશે આપ્યો હતો અવાજ</b></h2><p style="text-align: justify; ">છેલ્લા ૩૦ વર્ષથી લોકોના દિલ પર રાજ કરી રહેલું આ સદાબહાર ગીત ખરેખર ૧૯૬૦ના દાયકામાં તૈયાર કરવામાં આવ્યું હતું. જાણીતી સંગીતકાર જોડી કલ્યાણજી-આનંદજીએ આ ધૂન બનાવી હતી અને તેને મહાન ગાયક મુકેશના અવાજમાં રેકોર્ડ કરવામાં આવ્યું હતું. પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. જે ફિલ્મ માટે આ ગીત રેકોર્ડ કરાયું હતું તે ફિલ્મ ક્યારેય પૂરી જ ન થઈ અને ગીત પણ કબાટના કોઈ ખૂણામાં બંધ થઈને રહી ગયું.</p><h3 style="text-align: justify; "><b>'મોહરા' ફિલ્મ દ્વારા પંકજ ઉધાસ સુધી પહોંચ્યું ગીત</b></h3><p style="text-align: justify; ">આ જૂની ધૂન દાયકાઓ સુધી અપ્રકાશિત રહી. ત્યારબાદ 90ના દાયકામાં સંગીતકાર વિજુ શાહે (કલ્યાણજીના પુત્ર) આ અદ્ભુત ધૂનને પુનર્જીવિત કરવાનો નિર્ણય લીધો. વિજુ શાહે ડિરેક્ટર રાજીવ રાયની બ્લોકબસ્ટર ફિલ્મ 'મોહરા' (1994) માટે આ ધૂનનો ઉપયોગ કર્યો. આ ગીત માટે સંગીત કલ્યાણજીના પ્રિય પંકજ ઉધાસ અને સાધના સરગમની પસંદગી કરવામાં આવી. સુનીલ શેટ્ટી અને પૂનમ ઝાવર પર ફિલ્માવવામાં આવેલું આ ગીત રિલીઝ થતાં જ ચાર્ટબસ્ટર સાબિત થયું. આજે પણ વરસાદની સિઝન અને જયારે રોમેન્ટીક ગીતની વાત થાય ત્યારે લોકો જરૂર આ સોન્ગ પોતાના પ્લેલિસ્ટમાં સામેલ કરે છે.</p><h4 style="text-align: justify; "><b>'મોહરા' ફિલ્મના અન્ય સદાબહાર ગીતો</b></h4><p style="text-align: justify; ">1994માં આવેલી 'મોહરા' ફિલ્મના તમામ ગીતોએ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવી હતી. 'ના કજરે કી ધાર' ઉપરાંત આ ફિલ્મના "તુ ચીઝ બડી હૈ મસ્ત મસ્ત" અને "ટિપ ટિપ બરસા પાની" જેવા ગીતો આજે પણ હિન્દી સિનેમાના સૌથી લોકપ્રિય ગીતોમાં ગણાય છે. દાયકાઓ પહેલા અધૂરું રહી ગયેલું એક ગીત કેવી રીતે ભાગ્યવશાત પંકજ ઉધાસ સુધી પહોંચ્યું અને સંગીત જગતનું રત્ન બની ગયું, તેની આ કહાની ખરેખર અદ્ભુત છે!</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/cricket/news/virat-kohli-anushka-sharma-buy-mumbai-luxury-apartment" target="_blank">આ પણ વાંચો : Virat Kohli અને અનુષ્કા શર્મા ફરી ભારતમાં થશે શિફ્ટ? મુંબઈમાં ખરીદ્યું કરોડોનું આલીશાન એપાર્ટમેન્ટ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/SFbWcVtvL8J3QIDHB2JjiBt64RiKAb8Kdz63uhUd.webp'/></item><item><title><![CDATA[CWG 2026 Day 6 : પ્રીતિ પવારથી લઈને હરજિંદર કૌર સુધી, આજે ભારતીય એથ્લીટો પર રહેશે મેડલની આશા ]]></title><link>https://sandesh.com/sports/news/cwg-2026-day-6-from-preeti-pawar-to-harjinder-kaur-indian-athletes-will-be-in-the-hunt-for-medals-today</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/cwg-2026-day-6-from-preeti-pawar-to-harjinder-kaur-indian-athletes-will-be-in-the-hunt-for-medals-today</guid><pubDate>Tue, 28 Jul 2026 10:47:04 +05:30</pubDate><description><![CDATA[<p>સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026નો છઠ્ઠો દિવસે ભારત માટે સ્પર્ધાઓથી ભરેલો દિવસ બનવાનો છે. ભારતીય ખેલાડીઓ એથ્લેટિક્સ, બોક્સિંગ, વેઇટલિફ્ટિંગ, સ્વિમિંગ અને લોન બાઉલમાં ભાગ લેશે. બોક્સિંગ અને વેઇટલિફ્ટિંગ એવા ક્ષેત્રો છે જ્યાં ભારત અનેક મેડલ જીતી શકે છે.</p><h4><b>પાંચ બોક્સિંગ ખેલાડીઓ પાસે મેડલની આશા&nbsp;</b></h4><p>ભારતીય બોક્સિંગ ટુકડી માટે મંગળવાર મહત્વપૂર્ણ રહેશે. મહિલા વર્ગમાં, પ્રીતિ પવાર, પ્રિયા ઘંઘાસ અને પરવીન હુડા પોતપોતાના ક્વાર્ટર ફાઇનલ મુકાબલા રમશે. પુરુષોના વર્ગમાં, જદુમણી સિંહ અને કપિલ પોખરિયા પણ રિંગમાં ઉતરશે. આ બધા મુકાબલા જીતવાથી સંબંધિત ખેલાડીઓ ઓછામાં ઓછા બ્રોન્ઝ મેડલની ખાતરી કરશે.</p><h5><b>વેઇટલિફ્ટિંગમાં વધુ બે મેડલની અપેક્ષા&nbsp;</b></h5><p>ભારતીય વેઇટલિફ્ટિંગ ટીમે અત્યાર સુધી અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે, અને છઠ્ઠા દિવસે પણ મેડલની આશા ઊંચી છે. નિરુપમા દેવી સેરામ મહિલાઓની 63 કિગ્રા શ્રેણીમાં અને હરજિંદર કૌર 69 કિગ્રા શ્રેણીમાં ફાઇનલમાં રમશે. ભારત બંને ખેલાડીઓના પ્રદર્શન પર નજીકથી નજર રાખશે.</p><h4><b>28 જુલાઈ માટે મેડલ ઇવેન્ટ્સ અને સમય</b></h4><ul><li>4:30 PM - પુરુષોની 400 મીટર દોડનો પ્રથમ રાઉન્ડ: રાજેશ રમેશ (હીટ 3), વિશાલ ટીકે (હીટ6)</li><li>11:35 PM - મહિલાઓની હાઈ જમ્પ ફાઇનલ (મેડલ ઇવેન્ટ): પૂજા</li><li>12:55 AM (29 જુલાઈ) - પુરુષોની 10000૦ મીટર દોડ (મેડલ ઇવેન્ટ): ગુલવીર સિંહ</li></ul><h4><b>બોક્સિંગ</b></h4><ul><li>10:30 PM - મહિલાઓની 54 કિગ્રા ક્વાર્ટરફાઇનલ: પ્રીતિ પવાર વિરુદ્ધ નિકોલ ક્લાઈડ (ઉત્તરી આયર્લેન્ડ)</li><li>11:00 PM - મહિલાઓની 60 કિગ્રા ક્વાર્ટરફાઇનલ: પ્રિયા ઘંઘાસ વિરુદ્ધ નિયામ મિશેલ (સ્કોટલેન્ડ)</li><li>11:30 PM - મહિલાઓની 65 કિગ્રા ક્વાર્ટરફાઇનલ: પરવીન હુડા વિરુદ્ધ સચ્ચા હિકી (ઇંગ્લેન્ડ)</li><li>12:15 AM - પુરુષોની 55 કિગ્રા ક્વાર્ટરફાઇનલ: જદુમણિ સિંહ માંડેંગબામ વિ. મ્વેન્ગો મ્વેલે (ઝામ્બિયા)</li><li>1:30 AM - પુરુષોની 90 કિગ્રા 800 કિગ્રા ક્વાર્ટર ફાઇનલ: કપિલ પોખરિયા વિરુદ્ધ રોબર્ટ મેકનલ્ટી (સ્કોટલેન્ડ)</li></ul><h5><b>સ્વિમિંગ અને પેરા સ્વિમિંગ</b></h5><p>3:26 PM થી - પુરુષોની 50 મીટર બટરફ્લાય હીટ્સ: સાજન પ્રકાશ (હીટ 9)</p><p>4:41 PM થી - પુરુષોની 100 મીટર બેકસ્ટ્રોક હીટ્સ: શ્રીહરિ નટરાજ (હીટ 4)</p><p>4:57 PM થી - પુરુષોની 50 મીટર ફ્રીસ્ટાઇલ S13 હીટ્સ: આર.વી.વી.બી.કે. બુડિગીના (હીટ 1), અલી ઇમામ (હીટ 2)</p><p>11:57 PM - પુરુષોની 50 મીટર ફ્રીસ્ટાઇલ S13 ફાઇનલ (મેડલ ઇવેન્ટ) - બુડિગીના અને અલી ઇમામ&nbsp;</p><p>12:50 AM - પુરુષોની 50 મીટર બટરફ્લાય સેમિફાઇનલ - સાજન પ્રકાશ&nbsp;</p><p>1:33 AM - પુરુષોની 100 મીટર બેકસ્ટ્રોક સેમિફાઇનલ - શ્રીહરિ નટરાજ&nbsp;</p><h4><b>વેઇટલિફ્ટિંગ</b></h4><ul><li>6:30 PM - મહિલાઓની 63 કિગ્રા ફાઇનલ (મેડલ ઇવેન્ટ): નિરુપમા દેવી સેરામ</li><li>1:07 AM - મહિલાઓની 69 કિગ્રા ફાઇનલ (મેડલ ઇવેન્ટ): હરજિંદર કૌર</li></ul><h5><b>બોલ અને પેરાબોલ</b></h5><ul><li>10:20 PM - પુરુષોની જોડી વિભાગીય રમત: નવનીત સિંહ અને દિનેશ કુમાર વિરુદ્ધ કૂક આઇલેન્ડ</li><li>1:10 AM - મહિલા સિંગલ્સ વિભાગીય રમત: નયનમોની સૈકિયા વિરુદ્ધ એમી વિલિયમ્સ (વેલ્સ)</li></ul><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/cwg-2026-medal-tally-table-india-takes-medal-tally-to-double-digits-australias-dominance-continues" target="_blank">CWG 2026 Medal Tally Table : ભારતે મેડલનો આંકડો બે અંકમાં પહોંચ્યો, ઓસ્ટ્રેલિયાનો દબદબો યથાવત</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/kxXOaJsSK454O18WICVGnHAT7AKkWXbKjlI0HUYP.webp'/></item></channel></rss>