<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Gandhinagar: ડભોડામાં 250 વર્ષ જૂનું ઝાડ ભારે વરસાદમાં ધરાશાયી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/gandhinagar/gandhinagar-250-year-old-tree-collapses-in-heavy-rain-in-dabhoda</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/gandhinagar/gandhinagar-250-year-old-tree-collapses-in-heavy-rain-in-dabhoda</guid><pubDate>Mon, 27 Jul 2026 04:52:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગાંધીનગરના ડભોડામાં તાજેતરમાં ભારે વરસાદમાં એક 250 વર્ષ જુનુ આંબલીનુ તોતીંગ ઝાડ પડી ગયુ હતુ. આ ઝાડનો ઇતિહાસ અઢીસો વર્ષ પહેલા નો મનાય છે અને અંગ્રેજોના સમયે સાદરા સ્ટેટથી ડભોડાને જોડતા માર્ગ પર આ વૃક્ષને વવાયુ હોવાની માન્યતા છે. અગ્રેજાના કાળના આ ઝાડ પડી જવા થી વર્ષો જુની જીવંત ઇકોલોજીકલ વિરાસતનો તથખઆ ઓકિસજનના વિપુલ ભંડાર પુરો પાડતી સિસ્ટમનો અંત આવ્યો હોવાનુ ભાવપુર્વક ગ્રામજનોએ જણાવ્યુ હતુ.&nbsp;</p><p style="text-align: justify; ">ડભોડામાં આ ઝાડથી આખા એક વિસ્તારની ઓળખ થતી હતી. અંબાલાલ કાકાની આંબલી તરીકે ઝાડને ઓળખવામાં આવતુ હતુ અને ગામમાં કોઇ બહારથી આવનાર વ્યકતી જ્યારે આ વિસ્તારમાં જવુ હોય તો પણ આંબલી વિસ્તાર તરીકે પુછવામા આવતુ હતુ. રોડની નજીકમા પડી ગયેલા આ તોતીંગ ઝાડથી કોઇ જાનહાની કે નુકસાન ના થયુ હોવાની વિગતો છે. ઝાડને દુર કરવામાં આવ્યુ ત્યારે સ્થાનીક ગ્રામજનો પૈકી વર્ષો સુધી આ ઝાડની છત્રછાયામાં રહેનારા રહીશોએ તેની પુજા અને દીપ જલાવીને આખરી વિદાય આપી હતી તો કેટલાક ગ્રાજનોએ તેના કેટલાક લાકડાના ટુકડાને પણ યાદગીરીના સ્વરુપે સંગ્રહ્યા હતા. ઓકિસજનનો ભંડાર આપતા વૃક્ષના પડી જવાની ઘટના બાદ ખરેખર આખે આખા વિસ્તાર જેનાથી ઓળખાતો હતો એ ઓળખનુ પ્રતિક જ મટી ગયુ હોવાની સ્થિતી જોવા મળી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/27/Kp3UXvzXgEGtVQkRbUo8PKtHv07DFCVekcNADZS9.webp'/></item><item><title><![CDATA[Kheralu: થરાદ-ગાંધીનગર રૂટની બસ ખેરાલુમાં રસ્તાના ભુવામાં ફ્સાઈ, 32 મુસાફરોનો આબાદ બચાવ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/kheralu/kheralu-bus-on-tharad-gandhinagar-route-gets-stuck-in-mud-on-the-road-in-kheralu-32-passengers-rescued-safely</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/kheralu/kheralu-bus-on-tharad-gandhinagar-route-gets-stuck-in-mud-on-the-road-in-kheralu-32-passengers-rescued-safely</guid><pubDate>Mon, 27 Jul 2026 04:51:19 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ખેરાલુ શહેરમાં નગરપાલિકાની બેદરકારીના કારણે એક મોટો અકસ્માત ટળ્યો હતો. શીત કેન્દ્ર નજીક બસ સ્ટેન્ડથી હાઈવે પર ચડતી થરાદ-ગાંધીનગર રૂટની એસટી બસ (નં. GJ-18 - Z-1029) રસ્તા વચ્ચે પડેલા મોટા ખાડા (ભુવા)માં ફ્સાઈ જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં ગટર લાઈનનું કામ કરાયું હતું. જોકે, કામગીરી પૂર્ણ થયા બાદ રસ્તાનું યોગ્ય રીતે પુનઃસ્થાપન કરવામાં ન આવતાં મોટો ખાડો રહી ગયો હતો. બસ હાઈવે પર ચડતી વખતે આગળનું ટાયર ખાડામાં ઉતરી જતાં બસ ફ્સાઈ ગઈ હતી. સદનસીબે બસના ડ્રાઈવરની સમયસૂચકતા અને સતર્કતાના કારણે બસમાં સવાર 32 મુસાફરોને કોઈપણ પ્રકારની ઈજા પહોંચી ન હતી. બાદમાં ક્રેનની મદદથી બસને ખાડામાંથી બહાર કાઢી ફરી ગાંધીનગર જવા રવાના કરવામાં આવી હતી.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/27/STxyW39ns3GPqhpoiIq8xnGGD4Woj4XwICdqumv6.webp'/></item><item><title><![CDATA[Zalawad: આકાશી આફતથી 10 મુખ્ય માર્ગો ઠપ થયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/zalawad-10-major-roads-blocked-due-to-celestial-calamity</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/zalawad-10-major-roads-blocked-due-to-celestial-calamity</guid><pubDate>Mon, 27 Jul 2026 04:20:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સમગ્ર રાજયની સાથે સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. અને માત્ર બે દિવસમાં જ જિલ્લામાં સીઝનનો 25 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. ત્યારે સતત વરસાદને લીધે જિલ્લાના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જેમાં જિલ્લાના 10 રસ્તાઓ બંધ થઈ ગયા હતા.&nbsp; &nbsp;&nbsp;</p><p style="text-align: justify; ">સુરેન્દ્રનગર જિલ્લામા તા. 23 અને 24મી જુલાઈએ પડેલા ભારે વરસાદને લઈને ખાસ કરીને ગ્રામ્ય પંથકોમાં રસ્તાઓને નુકશાન થયુ હતુ. જેમાં દસાડા, લખતર, વઢવાણ, ધ્રાંગધ્રા, થાન, લીંબડી સહિતના તાલુકાઓમાંથી પસાર થતા પંચાયત હસ્તકના તથા માર્ગ મકાન સ્ટેટ હસ્તકના હાઈવે અને ગ્રામ્ય પંથકોને જોડતા રસ્તાઓ પર પાણી ફરી વળતા રસ્તાઓ બંધ થયા હતા. જેમાં જિલ્લાના 10 રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ કરી દેવાયો હતો. જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગરના દુધરેજથી માલવણ, પાટડી થઈ બહુચરાજી જતો હાઈવે પર બંધ થતા હજારો વાહનચાલકો અટવાયા હતા. ત્યારે જિલ્લા કલેકટર જી.એચ.સોલંકીની સુચનાથી માર્ગ મકાન વિભાગ દ્વારા મેગા ડ્રાઈવનું આયોજન કરાયુ હતુ. જેમાં નાયબ કાર્યપાલક ઈજનેર્સ, સેકશન ઓફીસર્સના નિરીક્ષણ હેઠળ 850 કિમીથી વધુ લંબાઈના રસ્તાઓનું નિરીક્ષણ કરાયુ હતુ. અને ક્ષતીગ્રસ્ત માર્ગોની યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં 5 ઈમરજન્સી ટીમ, 20 જેસીબી, 40 ટ્રેકટર-ટ્રોલી અને 100થી વધુ શ્રામીકો જોડાયા હતા. આ કામગીરીમાં પાણી નીકાલના માર્ગો સાફ કરીને રસ્તા પરથી પાણીનો નીકાલ સુનિશ્ચિત કરાયો હતો. જયારે રસ્તાઓ પરથી પાણી ઓસરતા ક્ષતીગ્રસ્ત રસ્તાઓનું પેચવર્ક કરીને મરમ્મત કરાઈ હતી. તા. 23-24મી જુલાઈના વરસાદથી જિલ્લામાંથી પસાર થતા 10 રસ્તાઓ પર સંપૂર્ણ વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. જેમ રવીવાર બપોર સુધીમાં 7 માર્ગ પર વાહન વ્યવહાર પુનઃ સ્થાપીત કરાયો છે. જયારે 3 રસ્તાઓ પર ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ કરવાની કામગીરી ચાલી રહી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/27/ZJ2c3ZooGg49AqcDQIC5LpFSYzg5FfOohLT68uOt.webp'/></item><item><title><![CDATA[Surat: પાલમાં બી.કોમ.ની વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-bcom-student-commits-suicide-by-hanging-herself-in-pal</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-bcom-student-commits-suicide-by-hanging-herself-in-pal</guid><pubDate>Mon, 27 Jul 2026 02:39:01 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત : શનિવારે સાંજના સમયે પાલ વિસ્તારમાં બી.કોમ.ની વિદ્યાર્થિનીએ ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. લાંબા સમયથી એક યુવક તેણીને પરેશાન કરી રહ્યો હતો. આ યુવકના ત્રાસથી કંટાળી જઈ પુત્રીએ અંતિમ પગલું ભરી લીધું હોવાનો આક્ષેપ પરિવારના સભ્યોએ કર્યો હતો.</p><p>ઝારખંડના વતની રામલખન યાદવ પરિવાર સાથે પાલ બાગબાન સર્કલ પાસે સુમન મુદ્રા એસએમસી આવાસમાં રહે છે. ઓટો રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા રામલખનને સંતાનમાં ત્રણ પુત્રી અને બે પુત્ર છે. દરમિયાન શનિવારે સાંજે રામલખનની કાજલકુમારી (ઉં.વ.20) નામની પુત્રીએ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી. એસ. ડી. જૈન કોલેજમાં બી.કોમ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી કાજલકુમારીના અણધાર્યા પગલાથી પરિવારજનો ઘેરા શોકમાં ડૂબી ગયા છે. મૃતક કાજલકુમારીના કાકા મહાવીર યાદવે આક્ષેપ કરતા કહ્યું હતું કે, કાજલકુમારીને એક યુવક ઘણા સમયથી પરેશાન કરી રહ્યો હતો. મોબાઈલ ફોન પર મેસેજ કરી પરેશાન કરતા આ યુવકના ત્રાસથી કંટાળી જઈ તેણીએ અંતિમ પગલું ભરી લીધું હતું. એક પરિચિત યુવકે કાજલકુમારીને પરેશાન કરનારા યુવક સાથેની ચેટિંગના સ્ક્રિનશોટ પણ તેમને આપ્યા છે. આ મામલે પાલ પોલીસે જણાવ્યું હતું કે, હજી સુધી પરિવારે આ પ્રકારની કોઈ માહિતી અમને આપી નથી. પરિવારના સભ્યોનો જવાબ લેવાનો બાકી છે. જોકે, મૃતક કાજલકુમારીનો મોબાઈલ ફોન કબજે કરી તપાસ શરૂ કરવામાં આવી છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/27/p3oQvcytAWm3b7CYh9c6jBjgtE2AGFnWrr07IoJ4.webp'/></item><item><title><![CDATA[Surat: મોટા વરાછામાં 100 ફૂટ ઊંચો તિરંગો લહેરાયો, સરદાર પ્રતિમાનું અનાવરણ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-100-feet-tall-tricolor-waved-in-big-rain-sardar-statue-unveiled</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-100-feet-tall-tricolor-waved-in-big-rain-sardar-statue-unveiled</guid><pubDate>Mon, 27 Jul 2026 02:38:20 +05:30</pubDate><description><![CDATA[<p>સુરતના મોટા વરાછા સ્થિત રામચોક ખાતે કારગિલ વિજય દિન નિમિત્તે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. સુદામા ચોક નજીક રામચોક ખાતે 100 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ સ્થાપિત કરી દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, 100 ફૂટ ઊંચા તિરંગાની સ્થાપના માત્ર ધ્વજારોહણ નથી, પરંતુ દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા, શૌર્ય અને ભારત પ્રત્યેની અવિચળ શ્રદ્ધાનું જીવંત પ્રતીક છે. આ પહેલ આવનારી પેઢીઓને પણ રાષ્ટ્રભક્તિની પ્રેરણા આપતી રહેશે.</p><p>વધુમાં, રાષ્ટ્રધ્વજારોહણ બાદ નાયબ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ત્યારબાદ કારગિલ યુદ્ધ સહિત દેશ માટે શહીદ થયેલા વીર જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા, ધારાસભ્ય મુકેશ પટેલ સહિતના અગ્રણીઓ અને સુદામા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/27/7QDcd5gmDhzbaKpX1PondbMoIlvy9ESeVIxHRFJb.webp'/></item><item><title><![CDATA[Delhi-Lucknow હાઈવે પર મોટો અકસ્માત, 3 લોકોના મોત, 12 લોકો ઘાયલ ]]></title><link>https://sandesh.com/india/news/delhi-lucknow-highway-accident-hapur-three-died-12-injured</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/delhi-lucknow-highway-accident-hapur-three-died-12-injured</guid><pubDate>Sun, 26 Jul 2026 23:49:06 +05:30</pubDate><description><![CDATA[<p>ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લાના ગઢમુક્તેશ્વર વિસ્તારમાં દિલ્હી-લખનઉ હાઈવે પર રવિવારે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. સ્કોર્પિયો અને અર્ટિગા કાર વચ્ચે થયેલી સામસામેની જોરદાર ટક્કરમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે બંને વાહનોમાં સવાર આશરે એક ડઝન લોકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ હાઈવે પર ભારે અફરાતફરી મચી ગઈ અને વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે.</p><h2><b>પશુના કારણે અકસ્માત સર્જાયો&nbsp;</b></h2><p>પ્રાથમિક માહિતી અનુસાર, સ્કોર્પિયોમાં સવાર લોકો દિલ્હીથી બિજનૌર જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક એક રખડતું પશુ વાહનની સામે આવી ગયું હતું. પશુને બચાવવાનો પ્રયાસ કરતાં ડ્રાઈવરે વાહન પરથી કાબૂ ગુમાવ્યો અને સામેની દિશાથી આવી રહેલી અર્ટિગા કાર સાથે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને વાહનોનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો.</p><h3><b>પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ તરત જ સ્થળ પર પહોંચી&nbsp;</b></h3><p>ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો, પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ તરત જ સ્થળ પર પહોંચી હતી. પોલીસ અને સ્થાનિકોની મદદથી ઘાયલોને વાહનોમાંથી બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કેટલાક ઘાયલોની સ્થિતિ ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ઘટનાની માહિતી મળતા જ વિસ્તારના પોલીસ અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી, ક્ષતિગ્રસ્ત વાહનોને હટાવી હાઈવે પર ટ્રાફિક ફરી શરૂ કરાવ્યો. અકસ્માતને કારણે લાંબા સમય સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.</p><p>પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને તેમના પરિવારજનોનો સંપર્ક કરવાની કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ રખડતા પશુને બચાવવાનો પ્રયાસ હોવાનું સામે આવ્યું છે, જોકે સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ ચાલુ છે. આ અકસ્માતે હાઈવે પર રખડતા પશુઓની સમસ્યા અને માર્ગ સુરક્ષા અંગે ફરી ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/abhijeet-dipke-cjp-next-strategy-movement-ended-but-fight-continues" target="_blank">આ પણ વાંચો : 'આંદોલન ખત્મ પણ લડત નહીં', અભિજિત દિપકેએ જણાવી CJPની આગામી રણનીતિ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/26/MJhaxbzdQQz18cz0QQbzndYXCw8tsChsOsTiTkKN.webp'/></item><item><title><![CDATA[Auto News: પ્રીમિયમ ઈન્ટિરિયર અને પાનોરેમિક સનરૂફ સાથે ભારતીય બજારમાં વાપસી કરશે આ દમદાર SUV ]]></title><link>https://sandesh.com/business/news/automobile/auto-news-this-powerful-suv-will-return-to-the-indian-market-with-a-premium-interior-and-panoramic-sunroof</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/auto-news-this-powerful-suv-will-return-to-the-indian-market-with-a-premium-interior-and-panoramic-sunroof</guid><pubDate>Sun, 26 Jul 2026 23:33:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મહિન્દ્રા સ્કોર્પિયો-એન (Mahindra Scorpio-N) ભારતીય SUV માર્કેટમાં તેના દમદાર દેખાવ માટે જાણીતી છે. આકર્ષક ડિઝાઇન, મજબૂત બોડી અને ઉત્તમ ઓફ-રોડિંગ ક્ષમતાના કારણે આ SUV ગ્રાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે. હવે કંપની આ કારને વધુ સુધારીને રજૂ કરવાની તૈયારી કરી રહી છે. અહેવાલો મુજબ, મહિન્દ્રા ટૂંક સમયમાં સ્કોર્પિયો-એનનું ફેસલિફ્ટ મોડેલ (Facelift Model) લોન્ચ કરી શકે છે, જેમાં ડિઝાઇનથી લઈને ફીચર્સ સુધી ઘણા મોટા ફેરફારો જોવા મળશે.</p><h2 style="text-align: justify; "><b>નવી ડિઝાઇન અને વધુ પ્રીમિયમ લુક</b></h2><p style="text-align: justify; ">નવી સ્કોર્પિયો-એન ફેસલિફ્ટના એક્સટીરિયરમાં કેટલાક મહત્વના ફેરફારો થવાની ધારણા છે. જેમાં નવી ફ્રન્ટ ગ્રીલ, અપડેટ કરેલી LED હેડલેમ્પ્સ, નવી ડિઝાઇનના DRLs અને નવું બમ્પર મળી શકે છે. આ ઉપરાંત નવા એલોય વ્હીલ્સ અને પાછળના ભાગે અપડેટ થયેલી ટેલલાઇટ ડિઝાઇન પણ જોવા મળી શકે છે. કંપનીનું મુખ્ય ધ્યાન SUVના મૂળ મસ્ક્યુલર અને દમદાર લુકને જાળવી રાખીને તેને વધુ આધુનિક અને પ્રીમિયમ બનાવવા પર રહેશે.</p><h3 style="text-align: justify; "><b>કેબિનમાં મળશે નવા અને આધુનિક ફીચર્સ</b></h3><p style="text-align: justify; ">નવી સ્કોર્પિયો-એનનું ઈન્ટિરિયર પહેલા કરતાં વધુ એડવાન્સ અને આરામદાયક હશે. તેમાં મોટી ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, વાયરલેસ એન્ડ્રોઈડ ઓટો (Android Auto) અને એપલ કારપ્લે (Apple CarPlay) જેવા ફીચર્સ મળવાની આશા છે. આ સિવાય SUVમાં વાયરલેસ ચાર્જિંગ, 360-ડિગ્રી કેમેરા, પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ અને પાનોરેમિક સનરૂફ જેવા ફીચર્સ પણ ઉમેરાઈ શકે છે. કેબિનમાં વધુ સારી ક્વોલિટીનું મટિરિયલ અને નવા ડેશબોર્ડની ડિઝાઇન તેને વધુ લક્ઝુરિયસ ફીલ આપશે.</p><h4 style="text-align: justify; "><b>સુરક્ષામાં પણ મોટો અપડેટ</b></h4><p style="text-align: justify; ">સેફ્ટીના મામલે પણ નવી સ્કોર્પિયો-એનને વધુ મજબૂત બનાવવામાં આવશે. તેમાં લેવલ-2 ADAS (Advanced Driver Assistance Systems) ટેકનોલોજી મળવાની શક્યતા છે. જેમાં એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ, લેન કીપ આસિસ્ટ, ઓટોમેટિક ઈમરજન્સી બ્રેકિંગ અને ફોરવર્ડ કોલિઝન વોર્નિંગ જેવા ફીચર્સ સામેલ હોઈ શકે છે. આ સિવાય 6 એરબેગ્સ, ESC, હિલ હોલ્ડ કંટ્રોલ, હિલ ડિસેન્ટ કંટ્રોલ, TPMS અને 360-ડિગ્રી કેમેરા જેવા સુરક્ષા ફીચર્સ પણ મળશે.</p><h5 style="text-align: justify; "><b>એન્જિન અને કિંમત</b></h5><p style="text-align: justify; ">એન્જિનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી. નવી સ્કોર્પિયો-એનમાં હાલનું જ 2.0-લીટર ટર્બો પેટ્રોલ અને 2.2-લીટર ડીઝલ એન્જિન ચાલુ રહી શકે છે. આ બંને એન્જિન સાથે મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સના વિકલ્પો મળશે. અમુક વેરિઅન્ટ્સમાં 4X4 (ફોર-બાય-ફોર) સિસ્ટમ પણ ઉપલબ્ધ રહેશે.</p><h6 style="text-align: justify; "><b>કંપની દ્વારા લોન્ચિંગ અને કિંમત અંગે સત્તાવાર માહિતી</b></h6><p style="text-align: justify; ">અનુમાન છે કે આ ફેસલિફ્ટ મોડેલની કિંમત વર્તમાન SUV કરતાં થોડી વધુ હોઈ શકે છે. તેની શરૂઆતી કિંમત લગભગ રૂ.13.8 લાખ અને ટોપ મોડેલની કિંમત લગભગ રૂ.25 લાખ સુધી જઈ શકે છે. જોકે, કંપની દ્વારા આ કારના લોન્ચિંગ અને કિંમત અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી શેર કરવામાં આવી નથી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/automobile" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/26/eEHO8BAfWDBKAmnMxIavqDUM213D2sQIXKQhvXIH.webp'/></item><item><title><![CDATA[CWG 2026: ભારતના ખાતામાં 3 મેડલ, મીરાબાઈ ચાનૂએ અપાવ્યો પ્રથમ ગોલ્ડ ]]></title><link>https://sandesh.com/sports/news/india-medal-tally-cwg-2026-mirabai-chanu-gold</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india-medal-tally-cwg-2026-mirabai-chanu-gold</guid><pubDate>Sun, 26 Jul 2026 23:02:39 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગ્લાસગોમાં યોજાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતે મેડલ જીતવાની શરૂઆત કરી દીધી છે. અત્યાર સુધી ભારતના ખાતામાં કુલ 3 મેડલ આવ્યા છે, જેમાં એક ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝનો સમાવેશ થાય છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ સ્ટાર વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ અપાવ્યો</b></h2><p style="text-align: justify; ">ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ સ્ટાર વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ અપાવ્યો છે. મહિલા 48 કિલોગ્રામ કેટેગરીમાં મીરાબાઈએ કુલ 190 કિલોગ્રામ વજન ઉઠાવી ગોલ્ડ જીત્યો હતો. આ સાથે તેણે સતત ત્રીજી કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાનો ઐતિહાસિક રેકોર્ડ પણ બનાવ્યો છે.</p><p style="text-align: justify; ">વેઈટલિફ્ટિંગમાં જ ઋષિકાંતા સિંહ ચનામબમે પુરુષોની 60 કિલોગ્રામ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ જીત્યો હતો. તેના પ્રદર્શનથી ભારતના મેડલ ખાતામાં મહત્વપૂર્ણ વધારો થયો છે. ભારતનો ત્રીજો મેડલ પેરા પાવરલિફ્ટિંગમાં ઝાંડુ કુમારે જીત્યો હતો. પુરુષોની હેવીવેઈટ કેટેગરીમાં તેને બ્રોન્ઝ મેડલ મેળવી દેશનું ગૌરવ વધાર્યું.</p><h3 style="text-align: justify; "><b>હાલમાં ભારતના મેડલ ટેલીમાં કુલ 3 મેડલ</b></h3><p style="text-align: justify; ">આગામી દિવસોમાં એથ્લેટિક્સ, બોક્સિંગ અને વેઈટલિફ્ટિંગ જેવી રમતોમાં ભારતને વધુ મેડલની આશા છે. ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા જેવેલિન થ્રોમાં ભારત માટે મુખ્ય આશા છે, જ્યારે બોક્સિંગમાં લવલીના બોર્ગોહૈન અને જાસ્મિન લેમ્બોરિયા જેવા ખેલાડીઓ પાસેથી પણ મેડલની અપેક્ષા રાખવામાં આવી રહી છે.</p><p style="text-align: justify; ">ભારતીય ખેલાડીઓના અત્યાર સુધીના પ્રદર્શનથી સ્પષ્ટ છે કે કોમનવેલ્થ ગેમ્સ 2026માં દેશ વધુ મેડલ જીતવા માટે મજબૂત દાવેદાર બની રહ્યો છે. આગામી સ્પર્ધાઓમાં ભારતના મેડલ ટેલીમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/ishan-kishan-run-out-abhishek-sharma-stump-mic-video" target="_blank">Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?&nbsp;</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/26/ZbbkVMQD3ueBOa5MPu6QZ6LppT8GAaAO6tdj1ADE.webp'/></item><item><title><![CDATA[27 July Top News: 27 જુલાઈના રોજ બનનારી મહત્વની ઘટનાઓ ]]></title><link>https://sandesh.com/india/news/gujarat/27-july-top-news-national-international-events-today-history</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/gujarat/27-july-top-news-national-international-events-today-history</guid><pubDate>Sun, 26 Jul 2026 22:12:15 +05:30</pubDate><description><![CDATA[<p>દેશ અને દુનિયામાં 27 જુલાઈનો દિવસ અનેક મહત્વપૂર્ણ રાજકીય, સામાજિક અને રમતગમતની ઘટનાઓથી ભરેલો રહેશે. એક તરફ કેન્દ્ર સરકાર પેપર લીક સામે કડક કાયદો લાવવાની તૈયારીમાં છે, તો બીજી તરફ સંસદના ચોમાસુ સત્રમાં હોબાળાના એંધાણ વચ્ચે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જનો મુદ્દો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. આ ઉપરાંત અયોધ્યા રામ મંદિર ગબન કેસમાં SIT રિપોર્ટ, કોમનવેલ્થ ગેમ્સ 2026 માં ભારતનું શેડ્યૂલ, જયા-પાર્વતી વ્રતનો પ્રારંભ અને શનિદેવનું વક્રી થવું જેવી મહત્વની ઘટનાઓ આજના દિવસે કેન્દ્રસ્થાને રહેશે.</p><h2><b>પેપર લીક અંગે કેન્દ્ર સરકાર લાવી રહી છે કડક કાયદો</b></h2><p>પેપર લીક અને પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ અટકાવવા માટે કેન્દ્ર સરકાર લોકસભામાં નવો સુધારા વિધેયક રજૂ કરવા જઈ રહી છે. આ નવા પ્રસ્તાવિત કાયદા હેઠળ દેશના દરેક રાજ્યમાં ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવામાં આવશે, જ્યાં દરરોજ કેસની સુનાવણી થશે અને મહત્તમ 3 મહિનાની અંદર ટ્રાયલ પૂરી કરવાની જોગવાઈ રાખવામાં આવી છે.</p><h2><b>ચોમાસુ સત્રમાં હોબાળાના એંધાણ</b></h2><p>સંસદના ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવાની શક્યતા છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના મુદ્દે વિપક્ષ આક્રમક મૂડમાં છે. વિપક્ષ 7 જુલાઈના રોજ વડાપ્રધાન પાસે માફીની માંગણી કરી શકે છે.</p><h2><b>વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી</b></h2><p>દિલ્હીમાં સંસદ માર્ચ દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જનો વિવાદ હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે. આ ગંભીર મુદ્દાને લઈને સુપ્રીમ કોર્ટમાં 27 જુલાઈના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.</p><h2><b>રામ મંદિર ચઢાવા ગબન કેસ, SIT સુપ્રીમ કોર્ટમાં રજૂ કરશે સ્ટેટસ રિપોર્ટ</b></h2><p>અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ચઢાવાની ચોરી અને નાણાકીય ગબન મામલે ઉત્તર પ્રદેશ સરકારે IG કિરણના નેતૃત્વમાં SITનું પુનર્ગઠન કર્યું છે. આ નવી ટીમ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર પોતાનો સ્ટેટસ રિપોર્ટ 27 જુલાઈના રોજ અદાલતમાં રજૂ કરશે.</p><h2><b>મિસાઈલ મેન' ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામની પુણ્યતિથિ</b></h2><p>ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામની પુણ્યતિથિ નિમિત્તે 27 જુલાઈના રોજ સમગ્ર દેશ તેમને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યો છે. દેશના વિજ્ઞાન અને સંરક્ષણ ક્ષેત્રે તેમનું યોગદાન અવિસ્મરણીય છે.</p><h2><b>જયા-પાર્વતી વ્રતનો પ્રારંભ અને દિવસનું પંચાંગ</b></h2><p>27 જુલાઈથી પવિત્ર જયા-પાર્વતી વ્રતની શરૂઆત થઈ રહી છે. આ દિવસે આષાઢ શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ સાંજે 4:15 વાગ્યા સુધી રહેશે, ત્યારબાદ ચતુર્દશી તિથિ શરૂ થશે. દિવસ દરમિયાન વૈધૃતિ યોગ અને મૂળા નક્ષત્ર બાદ પૂર્વાષાઢા નક્ષત્ર રહેશે. સોમવારનો દિવસ હોવાથી ભગવાન શિવની પૂજા-અર્ચના કરવી વિશેષ ફળદાયી માનવામાં આવે છે.</p><h2><b>શનિદેવ વક્રી: 27 જુલાઈથી શનિ ચાલશે ઉલટી ચાલ</b></h2><p>જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ન્યાયના દેવતા શનિ 27 જુલાઈ 2026 થી વક્રી (ઉલટી ચાલ) થઈ રહ્યા છે. શનિની આ ચાલ બદલાવાથી તમામ રાશીઓ પર તેની શુભ અને અશુભ અસરો જોવા મળશે.</p><h2><b>દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું રેડ/ઓરેન્જ એલર્ટ</b></h2><p>હવામાન વિભાગ (IMD) એ દેશના ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડું અને વીજળી પડવાની ચેતવણી જાહેર કરી છે. આગામી 24 કલાકમાં 70 થી 80 km/h ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તેમજ પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની સંભાવના દર્શાવાઈ છે.</p><h2><b>ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી</b></h2><p>હવામાન વિભાગ મુજબ ગુજરાતમાં 27 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત (સુરત સહિત), મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે.</p><h2><b>કોમનવેલ્થ ગેમ્સ 2026: ભારતનું 27 જુલાઈનું શેડ્યૂલ</b></h2><p>કોમનવેલ્થ ગેમ્સ 2026 માં ભારતીય ખેલાડીઓ વિવિધ રમતોમાં પોતાનો દમખમ બતાવશે</p><ul><li>2:40 PM: એથ્લેટિક્સ - ગુરઇન્દરવીર સિંહ (પુરુષ 100m હીટ્સ)</li><li>3:00 PM: એથ્લેટિક્સ - મુરલી શ્રીશંકર અને લોકેશ સત્યનાથન (પુરુષ લોંગ જમ્પ ક્વોલિફાઇંગ)</li><li>3:00 PM: સ્વિમિંગ - સાજન પ્રકાશ (પુરુષ 200m બટરફ્લાય હીટ્સ)</li><li>3:55 PM: એથ્લેટિક્સ - તેજસ શિરસે (પુરુષ 110m હર્ડલ્સ હીટ્સ)</li><li>4:45 PM: બોક્સિંગ - સચિન સિવાચ વિ. વિલિયમ હેવિટ (ઇંગ્લેન્ડ) (60kg રાઉન્ડ ઓફ 16)</li><li>5:30 PM: વેઇટલિફ્ટિંગ - જ્ઞાનેશ્વરી યાદવ (મહિલા 53kg ફાઇનલ - મેડલ ઇવેન્ટ)</li><li>6:00 PM: બોક્સિંગ - અંકુશ વિ. ઝલાન જાન (80kg રાઉન્ડ ઓફ 16)</li><li>6:15 PM: જીમનાસ્ટિક્સ - પ્રતષ્ઠા સામંત (મહિલા વોલ્ટ ફાઇનલ - મેડલ ઇવેન્ટ)</li><li>7:30 PM: વ્હીલચેર 3x3 બાસ્કેટબોલ - ભારત વિ. નાઇજીરિયા</li><li>8:00 PM: વેઇટલિફ્ટિંગ - બિંદ્યારાની દેવી (મહિલા 58kg ફાઇનલ - મેડલ ઇવેન્ટ)</li><li>10:05 PM: બોલ્સ - પુતુલ સોનોવાલ (પુરુષ સિંગલ્સ)</li><li>10:30 PM: બોક્સિંગ - સાક્ષી ચૌધરી (મહિલા 51kg રાઉન્ડ ઓફ 16)</li><li>11:35 PM: પેરા એથ્લેટિક્સ - શર્મિલા ઢાંકર અને શિલ્પા કે શાયલા (મહિલા શોટ પુટ F57 ફાઇનલ)</li><li>11:40 PM: એથ્લેટિક્સ - સર્વેશ કુશારે, તેજસવિન શંકર, જે આદર્શ રામ (પુરુષ હાઇ જમ્પ ફાઇનલ)</li><li>12:30 AM: વેઇટલિફ્ટિંગ - વી અજય બાબુ (પુરુષ 79kg ફાઇનલ)</li><li>1:00 AM: બોક્સિંગ - સુમિત કુંડુ (પુરુષ 70kg રાઉન્ડ ઓફ 16)</li><li>1:44 AM: સ્વિમિંગ - સાજન પ્રકાશ (પુરુષ 200m બટરફ્લાય ફાઇનલ - ક્વોલિફાય થયા બાદ)</li><li>1:57 AM: પેરા એથ્લેટિક્સ - રાકેશભાઈ ભટ્ટ અને શ્રેયાંશ ત્રિવેદી (પુરુષ 100m T38 ફાઇનલ)</li><li>2:15 AM: એથ્લેટિક્સ - તેજસ શિરસે (પુરુષ 110m હર્ડલ્સ ફાઇનલ - ક્વોલિફાય થયા બાદ)</li></ul><h2><b>સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) સ્થાપના દિવસ</b></h2><p>27 જુલાઈ 1939 ના રોજ મધ્યપ્રદેશના નીમચ ખાતે 'ક્રાઉન રિપ્રેઝન્ટેટિવ પોલીસ' તરીકે CRPF ની સ્થાપના કરવામાં આવી હતી. દર વર્ષે 27 જુલાઈએ દેશની સુરક્ષામાં અહમ યોગદાન આપનાર આ દળનો સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે.</p><h2><b>27 જુલાઈની ઐતિહાસિક ઘટનાઓ</b></h2><ul><li>1862 - ચીનના કેન્ટનમાં ચક્રવાતી વાવાઝોડાને કારણે 40,000 થી વધુ લોકોના મોત થયા.</li><li>1897 - ભારતીય સ્વતંત્રતા સેનાની બાલ ગંગાધર તિલકની પહેલીવાર ધરપકડ કરવામાં આવી.</li><li>1921 - ટોરોન્ટો યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ઇન્સ્યુલિનની શોધની જાહેરાત કરી.</li><li>1935 - ચીનમાં આવેલા ભયાનક પૂરના કારણે 2,00,000 લોકો મૃત્યુ પામ્યા.</li><li>1976 - ચીનના તાંગશાનમાં ભૂકંપથી 2,40,000 લોકોના મોત થયા.</li><li>1994 - ભારતના જસપાલ રાણાએ વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપ જીતી.</li><li>2002 - યુક્રેનમાં વિમાન દુર્ઘટનામાં 70 લોકોના મોત થયા.</li><li>2003 - અમેરિકાએ ઉત્તર કોરિયાની કંપની પર નવા પ્રતિબંધો લાદ્યા.</li><li>2006 - રશિયન પ્રક્ષેપણ યાન નેપર દુર્ઘટનાગ્રસ્ત થઈને જમીન પર પડ્યું.</li><li>2007 - ઓસ્ટ્રેલિયામાં 40,000 વર્ષ જૂના ગર્ભાશયના જડબાના અવશેષો મળ્યા.</li><li>2008 - નેપાળમાં સુભાષ નેમવાંગે નવા ચૂંટાયેલા બંધારણ સભાના પ્રમુખ તરીકે શપથ લીધા.</li></ul><h2><b>27 જુલાઈના રોજ જન્મેલી હસ્તીઓ</b></h2><ul><li>1913 - કલ્પના દત્ત - ભારતના મહિલા સ્વતંત્રતા સેનાની.</li><li>1940 - ભારતી મુખર્જી - ભારતીય મૂળના પ્રખ્યાત અમેરિકન લેખિકા.</li><li>1960 - ઉદ્ધવ ઠાકરે - મહારાષ્ટ્રના 19મા મુખ્યમંત્રી અને રાજકારણી.</li><li>1963 - કે. એસ. ચિત્રા - ભારતના સુપ્રસિદ્ધ ગાયિકા.</li><li>1967 - આસિફ બસરા - ભારતીય સિનેમા અને ટીવી અભિનેતા.</li><li>1983 - સીમા પુનિયા - ભારતીય મહિલા ડિસ્કસ થ્રોઅર એથ્લેટ.</li></ul><h2><b>27 જુલાઈના રોજ પુણ્યતિથિ</b></h2><ul><li>1891 - રાજેન્દ્રલાલ મિત્ર - ભારત વિદ્યા સંબંધિત વિષયોના જાણીતા વિદ્વાન.</li><li>1933 - કલ્યાણ સિંહ કાલવી - નવમી લોકસભાના સભ્ય.</li><li>1944 - પીતામ્બર દત્ત બર્થવાલ - હિન્દી સાહિત્યના વિદ્વાન અને લેખક.</li><li>1970 - પત્તમ થાનુ પિલ્લઈ - કેરળના અગ્રણી નેતા.</li><li>1987 - સલીમ અલી - ભારતના પ્રખ્યાત પક્ષીશાસ્ત્રી અને પ્રકૃતિશાસ્ત્રી.</li><li>1992 - અમજદ ખાન - પ્રખ્યાત બોલિવૂડ અભિનેતા.</li><li>2002 - કૃષ્ણકાંત - ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ.</li><li>2006 - શિવદિન રામ જોશી - પ્રખ્યાત હિન્દી કવિ.</li><li>2015 - ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ - ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક.</li><li>2016 - લચ્છુ મહારાજ - ભારતના પ્રખ્યાત તબલા વાદક.</li><li>2017 - એન. ધરમ સિંહ - કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી.</li></ul><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/india/top-10-news-headlines-july-26-important-news-updates" target="_blank">26 જુલાઈના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/26/ihTnsehFgkaX0caIr3NBrU7K89irCf4piMTZSaUw.webp'/></item><item><title><![CDATA[Celebrity Couple : મોરિશિયસમાં સમુદ્રની અંદર  કરણ કુન્દ્રાએ તેજસ્વીને કર્યું પ્રપોઝ, વીડિયો જોઈ ફેન્સ થયા ફિદા! ]]></title><link>https://sandesh.com/entertainment/news/karan-kundrra-tejasswi-underwater-proposal</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/karan-kundrra-tejasswi-underwater-proposal</guid><pubDate>Sun, 26 Jul 2026 17:41:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ટીવીના ફેવરિટ કપલ કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશે એકવાર ફરી પોતાના રોમેન્ટિક પલથી લોકોનું દિલ જીતી લીધું છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મોરિશિયસમાં પોતાની હાલની રજાઓ દરમિયાન, બંનેએ એક એવી યાદગાર પળ બનાવી જે કોઈ લવ સ્ટોરી જેવી લાગે છે, અને ફેન્સ તેમની કેમિસ્ટ્રીની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. કરણે હાલમાં જ પોતાની આ શાનદાર ટ્રિપનો એક ટ્રાવેલ વ્લોગ અપલોડ કર્યો, જેમાં કપલના એડવેન્ચર્સની ઝલક જોવા મળી. વીડિયોમાં ઘણી મજેદાર પળો હતી, પરંતુ સમુદ્રની અંદરની એક દિલ જીતી લેનારી પળ તરત જ બધાનું ધ્યાન ખેંચનારી બની ગઈ.</p><h2 style="text-align: justify; "><b>કરણ અને તેજસ્વીનો પાણીમાં રોમાન્સ</b></h2><p style="text-align: justify; ">સ્કૂબા ડાઇવિંગ દરમિયાન, કરણ અને તેજસ્વીએ પાણીની નીચેની અદભુત દુનિયાને જોઈ અને પછી એક સુંદર પળ શેર કરી. બંનેએ પહેલા પોતાના હાથોથી દિલનો આકાર બનાવ્યો અને વગર કઈ કહ્યે જ એકબીજા માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. આ પછી જે થયું, તેણે બધાને ચોંકાવી દીધા. મજેદાર અને સાથે જ ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં, કરણ પાણીની અંદર એક ઘૂંટણે બેઠો અને તેજસ્વી સમક્ષ લગ્ન કરવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરતા પ્રપોઝ કર્યું. ભલે તેઓ પાણીની નીચે બોલી નહોતા શકતા, પરંતુ તેમના હાવભાવ અને ઇશારાઓથી તેમની ભાવનાઓ સાફ ઝળકતી હતી.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/C5ayinhMbLQ/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/C5ayinhMbLQ/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/C5ayinhMbLQ/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/C5ayinhMbLQ/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h3 style="text-align: justify; "><b>કરણે પાણીની અંદર કર્યું પ્રપોઝ</b></h3><p style="text-align: justify; ">કરણે વગર અવાજે આઇ લવ યૂ કહ્યું, અને તેજસ્વીએ ખિલખિલાતી મુસ્કાન સાથે જવાબ આપ્યો, જેથી પાણીની અંદર કરવામાં આવેલું આ પ્રપોઝલ તેમની રજાઓની સૌથી યાદગાર પળોમાંથી એક બની ગયું. આ પળે તરત જ ફેન્સનું દિલ જીતી લીધું અને તેમણે સોશિયલ મીડિયા પર આ જોડીની જબરદસ્ત પ્રશંસા કરી.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DYri49hAgKB/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DYri49hAgKB/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DYri49hAgKB/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DYri49hAgKB/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h3 style="text-align: justify; "><b>મોરિશિયસમાં એકબીજામાં ખોવાયેલા બંને</b></h3><p style="text-align: justify; ">આ વ્લોગમાં આ જોડી મોરિશિયસમાં પોતાની રજાઓનો ભરપૂર આનંદ લેતી દેખાઈ રહી છે - તેઓ સમુદ્રી દુનિયાને જોવાથી લઈને સાથે શાંતિ ભરેલા અને બેફિકર પળો વિતાવવા સુધી, દરેક ચીજને એન્જોય કરી રહ્યા છે. ફેન્સએ પાણીની અંદર કરવામાં આવેલા પ્રપોઝલને કોઈ ફેરીટેલ જેવું જણાવ્યું, અને સાથે જ બંને વચ્ચેના લગાવ અને પ્રેમની પણ ખૂબ પ્રશંસા કરી. આ વીડિયો તમે You Tube પર તેમની ચેનલ પર જોઈ શકો છો.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DY34fIqK-IO/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DY34fIqK-IO/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DY34fIqK-IO/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DY34fIqK-IO/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h3 style="text-align: justify; "><b>બિગ બોસ 15થી શરૂ થઈ લવ સ્ટોરી</b></h3><p style="text-align: justify; ">કરણ અને તેજસ્વીની લવ સ્ટોરી બિગ બોસ 15 ના ઘરથી શરૂ થઈ હતી, જ્યાં રિયાલિટી શો દરમિયાન તેમને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો. ત્યારથી, તેઓ એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીના સૌથી પસંદગીના કપલ્સમાંથી એક બનેલા છે અને ફેન્સ તેમના સંબંધના દરેક પડાવ પર નજર રાખે છે.</p><h4 style="text-align: justify; "><b>દેશી બ્લિંગ પર લગ્ન માટે કર્યું હતું પ્રપોઝ</b></h4><p style="text-align: justify; ">આ વર્ષની શરૂઆતમાં, કરણે રિયાલિટી શો 'દેશી બ્લિંગ' માં તેજસ્વીને ડાયમંડ રિંગ અને પ્રેમ વ્યક્ત કરીને અધિકૃત રીતે પ્રપોઝ કરીને પોતાના સંબંધને એક પગલું અને આગળ વધાર્યો, જે તેમના સાથેના સફરનો વધુ એક મહત્વપૂર્ણ પડાવ હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/karisma-kapoor-attitude-claim-govinda-pairing-breakup" target="_blank">આ પણ વાંચો-Karisma Kapoor અંગે કો-એક્ટ્રેસે કર્યો ખુલાસો, કહ્યું- 'એટીટ્યુડ બહુ વધારે હતો...', ગોવિંદા સાથે જોડી તૂટવા પર કહી મોટી વાત!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/26/4927nerZs2iJf8hi5IjY8nOzcPF64viw8m0TsA3s.webp'/></item></channel></rss>