<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Manoj Bajpayeeની 'Last Man In Tower'નું ટીઝર આઉટ, લોકોએ કહ્યું 'આને ભૂલથી ય થિયેટરમાં ન લાવતા!' ]]></title><link>https://sandesh.com/entertainment/news/manoj-bajpayee-last-man-in-tower-teaser-ott-release</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/manoj-bajpayee-last-man-in-tower-teaser-ott-release</guid><pubDate>Thu, 27 Aug 2026 18:58:23 +05:30</pubDate><description><![CDATA[<p>મનોજ બાજપેયીની આગામી ફિલ્મ 'લાસ્ટ મેન ઇન ટાવર'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ થોડા જ દિવસોમાં થિયેટરમાં રિલીઝ થવાની છે. બેન રેખીના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મને રાણા દગ્ગુબાતીની 'સ્પિરિટ મીડિયા'એ પ્રોડ્યુસ કરી છે. જો કે સોશિયલ મીડિયા પર આ ફિલ્મને અલગ અલગ પ્રતિભાવો મળી રહ્યા છે.&nbsp;</p><p>ટીઝરની શરૂઆતનું દ્રશ્ય મનોજ બાજપેયીથી શરૂ થાય છે જે એક નિવૃત્ત શિક્ષક છે. જે પોતાના સમુદાયના લોકોની વિરુદ્ધ જતા તેમને કોઇ પસંદ નથી કરી રહ્યું.&nbsp;</p><h2><b>મનોજ બાજપેયીનો ધ્રૂજતો અવાજ</b></h2><p>ટીઝરની શરૂઆતમાં ધ્રૂજારી સાથે મનોજ બાજપેયી કહેતા જોવા મળે છે કે કોઇ વ્યક્તિ તેના સમાજ કે તેની આસપાસના લોકો પૂરતો મર્યાદિત તો ન હોઇ શકે ને! ત્યારબાદ વધુ એક અવાજ સંભળાય છે, "સંબંધોને તો સન્માન મળી જ જાય છે, પરંતુ શું તે આ સન્માનને લાયક પણ છે?" ત્યારબાદ મનોજ બાજપેયીના પાત્ર વિશે કોઈ કહે છે, "મને તો નથી લાગતું કે તેણે જેને ભણાવેલો હોય તે ક્યારેય પાસ પણ થયો હોય." બીજી તરફ મહિલાઓ તેમની વચ્ચે વાત કરતી જોવા મળે છે. તેઓ કહે છે, "બહાર તો ગાંધીજી બનીને ફરે છે, પરંતુ ઘરમાં તો બિલકુલ સરમુખત્યાર છે." અંતમાં મનોજ બાજપેયી આ અવાજોથી ડરીને ભાગીને પોતાના ફ્લેટમાં પ્રવેશતા જોવા મળે છે. તેમના ફ્લેટ પર 'લાસ્ટ મેન ઇન ટાવર' લખેલું જોવા મળે છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/INOXMovies/status/2092888255461249124"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>'આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ ન કરો, OTT પર લાવો'</b></h2><p>ટીઝર જોયા બાદ લોકોએ કહ્યું કે આ ફિલ્મને સિનેમામાં રિલીઝ ન કરો, તેને OTT પર રિલીઝ કરો. અન્ય એક વ્યક્તિએ પણ OTT પર રિલીઝ કરવાની વાત કહી. એક અન્ય વ્યક્તિએ કહ્યું કે આશા છે કે આ ફિલ્મ 'ધ વાઇટ ટાઇગર' જેવી ગડબડ નહીં કરે.</p><h2><b>અરવિંદ અડિગાની આ જ નામની નવલકથા પરથી બની છે ફિલ્મ</b></h2><p>આ ફિલ્મ ભારતીય મૂળના લેખક અને બુકાર પ્રાઇઝ વિજેતા પત્રકાર અરવિંદ અડિગાની આ જ નામની નવલકથા પરથી બની છે. આ ફિલ્મ દ્વારા પહેલીવાર મનોજ બાજપેયી અને બોમન ઈરાની સાથે કામ કરતા જોવા મળશે.</p><h2><b>'લાસ્ટ મેન ઇન ટાવર' ક્યારે રિલીઝ થશે?</b></h2><p>ફિલ્મની સ્ક્રીનપ્લે સોની તારાપોરવાલાએ લખી છે અને જુહી ચતુર્વેદીએ હિન્દી ડાયલોગ લખ્યા છે. ફિલ્મમાં દિવ્યા દત્તા અને સુકાંત ગોયત પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 11 સપ્ટેમ્બર 2026ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/AhvFSK5h0VbmloV7cu9psM2LS2zX5qZBNJtxWts0.webp'/></item><item><title><![CDATA[Madhya Pradesh : જબલપુરને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની મોટી તૈયારી, સંરક્ષણ ક્ષેત્રના નવા પ્રોજેક્ટનો કરાયો શુભારંભ ]]></title><link>https://sandesh.com/india/news/madhya-pradesh-jabalpur-defence-manufacturing-hub-new-project</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/madhya-pradesh-jabalpur-defence-manufacturing-hub-new-project</guid><pubDate>Thu, 27 Aug 2026 18:52:01 +05:30</pubDate><description><![CDATA[<p>મધ્યપ્રદેશના જબલપુરમાં ભારતીય સેનાની ક્ષમતા વધારવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો પ્રારંભ થયો છે. રક્ષાબંધનના એક દિવસ પહેલા જબલપુરની વ્હીકલ ફેક્ટરી ખાતે ₹475 કરોડથી વધુના T-Series ટેન્ક ઓવરહોલ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. મુખ્યમંત્રી મોહન યાદવ અને કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે શિલાન્યાસ કરી શિલાપટ્ટનું અનાવરણ કર્યું હતું.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/rajnathsingh/status/2092901121371361304"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>આર્મર્ડ ફેક્ટરીએ પોતાની કામગીરીથી દેશભરમાં વિશેષ ઓળખ બનાવી</b></h2><p>મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના રક્ષા ક્ષેત્રમાં મોટો બદલાવ આવી રહ્યો છે. જબલપુરની આર્મર્ડ ફેક્ટરીએ પોતાની કામગીરીથી દેશભરમાં વિશેષ ઓળખ બનાવી છે. નવી ટેક્નોલોજી અને આધુનિક પડકારોને ધ્યાનમાં રાખીને મધ્યપ્રદેશમાં વિવિધ રક્ષા ઉત્પાદનો તૈયાર થઈ રહ્યા છે.</p><p>રાજનાથ સિંહે જણાવ્યું કે યુદ્ધની ટેક્નોલોજી સતત બદલાઈ રહી છે અને સેનાને પણ સતત અપગ્રેડ કરવી જરૂરી છે. ડ્રોન, મિસાઈલ અને સાયબર ટેક્નોલોજીના વધતા ઉપયોગ છતાં ગ્રાઉન્ડ ઓપરેશનમાં ટેન્કનું મહત્વ યથાવત છે. આ પ્રોજેક્ટથી ટેન્કને આધુનિક બનાવવાની ક્ષમતા વધશે અને સ્થાનિક યુવાનો તથા નાના ઉદ્યોગોને રોજગારી અને વ્યવસાયની તકો મળશે.</p><h3><b>રક્ષા નિકાસ પણ લગભગ ₹1,000 કરોડથી વધીને ₹39 હજાર કરોડ થઈ</b></h3><p>રક્ષા મંત્રીએ જણાવ્યું કે 2014માં ભારતનું ઘરેલું રક્ષા ઉત્પાદન ₹46 હજાર કરોડ હતું, જે હવે વધીને ₹1.80 લાખ કરોડ થયું છે. રક્ષા નિકાસ પણ લગભગ ₹1,000 કરોડથી વધીને ₹39 હજાર કરોડ થઈ છે. 2030 સુધી રક્ષા નિકાસને ₹50 હજાર કરોડ સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે. તેમણે કહ્યું કે દેશે રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવું જરૂરી છે. નવી ટેક્નોલોજી સાથે જબલપુરને ભવિષ્યમાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સાબિત થશે.<br><br><b><a href="https://sandesh.com/india/news/maharashtra-cm-fadnavis-marathi-deadline-auto-taxi-drivers" target="_blank">આ પણ વાંચો : Maharashtra : CM ફડણવીસનો મોટો નિર્ણય, ઓટો-ટેક્સી ડ્રાઈવરોનું લાયસન્સ રદ કરવા મામલે લગાવી રોક</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/N1HzZo7DVAVF0veb8MPRCucl614X0pMj78w5hFrc.webp'/></item><item><title><![CDATA[PM જનધન યોજનાના 12 વર્ષ પૂર્ણ, દેશમાં 59 કરોડથી વધુ બેન્ક એકાઉન્ટ ખૂલ્યા ]]></title><link>https://sandesh.com/business/news/india/pm-jan-dhan-yojana-12-years-59-crore-bank-accounts</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/pm-jan-dhan-yojana-12-years-59-crore-bank-accounts</guid><pubDate>Thu, 27 Aug 2026 18:34:29 +05:30</pubDate><description><![CDATA[<p>દેશના દરેક નાગરિકને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના હેતુથી શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી જનધન યોજના (PM-JDY)એ 12 વર્ષ પૂર્ણ કર્યા છે. 19 ઓગસ્ટ 2026 સુધીના આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 59.09 કરોડ જનધન એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. આ યોજના દ્વારા બેન્કિંગ સુવિધાથી વંચિત લોકો હવે બચત ઉપરાંત વીમા, પેન્શન અને સરકારી યોજનાઓનો લાભ પણ લઈ રહ્યા છે. યોજનાની શરૂઆત બાદ તેની અસરનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 2015માં માત્ર એક સપ્તાહમાં 1.8 કરોડથી વધુ એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા અને તેનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું હતું.</p><h2><b>મહિલાઓની ભાગીદારી વધી</b></h2><p>59.09 કરોડ એકાઉન્ટમાંથી 32.92 કરોડ એકાઉન્ટ મહિલાઓના છે. જ્યારે 45.95 કરોડ એકાઉન્ટ ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાં તથા 13.14 કરોડ એકાઉન્ટ શહેરી વિસ્તારોમાં છે. એકાઉન્ટમાં જમા રકમમાં પણ મોટો વધારો થયો છે. માર્ચ 2015માં ₹15,670 કરોડની સામે હવે આ રકમ વધીને ₹3,16,514 કરોડ થઈ છે.</p><h3><b>જનધન એકાઉન્ટના ફાયદા</b></h3><p>જનધન એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ જાળવવાની ફરજ નથી. ખાતાધારકને RuPay ડેબિટ કાર્ડ મળે છે. ઓગસ્ટ 2018 બાદ ખોલાયેલા એકાઉન્ટ માટે ₹2 લાખ સુધીનું અકસ્માત વીમા કવર ઉપલબ્ધ છે. સંતોષકારક રીતે ખાતું ચલાવ્યા બાદ 6 મહિના પછી પરિવારના એક સભ્યને ₹10,000 સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા પણ મળી શકે છે. આ એકાઉન્ટ DBT ઉપરાંત જીવન જ્યોતિ વીમા, સુરક્ષા વીમા, અટલ પેન્શન યોજના અને મુદ્રા લોન જેવી યોજનાઓ સાથે પણ જોડાઈ શકે છે.</p><h4><b>એકાઉન્ટ કેવી રીતે ખોલવું?</b></h4><p>કોઈપણ ભારતીય નાગરિક બેન્ક શાખા અથવા બેન્ક મિત્ર પાસે જઈને જનધન એકાઉન્ટ ખોલાવી શકે છે. ઓળખ અને સરનામાના પુરાવા, ફોટો તથા જરૂરી ફોર્મ રજૂ કર્યા બાદ દસ્તાવેજોની ચકાસણી કરીને એકાઉન્ટ શરૂ કરવામાં આવે છે. જનધન એકાઉન્ટમાં જમા રકમ પર સામાન્ય બચત ખાતાની જેમ વ્યાજ પણ મળે છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/political-news/pm-modi-putin-meeting-bilateral-meeting-to-be-held-between-pm-modi-and-putin-at-sco-summit-mea-confirms" target="_blank">આ પણ વાંચો : PM Modi Putin Meeting: SCO સમિટમાં પીએમ મોદી અને પુતિન વચ્ચે યોજાશે દ્વિપક્ષીય મુલાકાત, MEAએ કરી પુષ્ટિ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/TXp5gIP3ShSLwGYjqylS8HLQiOUgEHWA2TvTIh9h.webp'/></item><item><title><![CDATA[PM જનધન યોજનાના 12 વર્ષ પૂર્ણ, દેશમાં 59 કરોડથી વધુ બેન્ક એકાઉન્ટ ખૂલ્યા ]]></title><link>https://sandesh.com/business/news/india/pm-jan-dhan-yojana-12-years-59-crore-bank-accounts</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/pm-jan-dhan-yojana-12-years-59-crore-bank-accounts</guid><pubDate>Thu, 27 Aug 2026 18:34:29 +05:30</pubDate><description><![CDATA[<p>દેશના દરેક નાગરિકને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના હેતુથી શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી જનધન યોજના (PM-JDY)એ 12 વર્ષ પૂર્ણ કર્યા છે. 19 ઓગસ્ટ 2026 સુધીના આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 59.09 કરોડ જનધન એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. આ યોજના દ્વારા બેન્કિંગ સુવિધાથી વંચિત લોકો હવે બચત ઉપરાંત વીમા, પેન્શન અને સરકારી યોજનાઓનો લાભ પણ લઈ રહ્યા છે. યોજનાની શરૂઆત બાદ તેની અસરનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 2015માં માત્ર એક સપ્તાહમાં 1.8 કરોડથી વધુ એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા અને તેનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું હતું.</p><h2><b>મહિલાઓની ભાગીદારી વધી</b></h2><p>59.09 કરોડ એકાઉન્ટમાંથી 32.92 કરોડ એકાઉન્ટ મહિલાઓના છે. જ્યારે 45.95 કરોડ એકાઉન્ટ ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાં તથા 13.14 કરોડ એકાઉન્ટ શહેરી વિસ્તારોમાં છે. એકાઉન્ટમાં જમા રકમમાં પણ મોટો વધારો થયો છે. માર્ચ 2015માં ₹15,670 કરોડની સામે હવે આ રકમ વધીને ₹3,16,514 કરોડ થઈ છે.</p><h3><b>જનધન એકાઉન્ટના ફાયદા</b></h3><p>જનધન એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ જાળવવાની ફરજ નથી. ખાતાધારકને RuPay ડેબિટ કાર્ડ મળે છે. ઓગસ્ટ 2018 બાદ ખોલાયેલા એકાઉન્ટ માટે ₹2 લાખ સુધીનું અકસ્માત વીમા કવર ઉપલબ્ધ છે. સંતોષકારક રીતે ખાતું ચલાવ્યા બાદ 6 મહિના પછી પરિવારના એક સભ્યને ₹10,000 સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા પણ મળી શકે છે. આ એકાઉન્ટ DBT ઉપરાંત જીવન જ્યોતિ વીમા, સુરક્ષા વીમા, અટલ પેન્શન યોજના અને મુદ્રા લોન જેવી યોજનાઓ સાથે પણ જોડાઈ શકે છે.</p><h4><b>એકાઉન્ટ કેવી રીતે ખોલવું?</b></h4><p>કોઈપણ ભારતીય નાગરિક બેન્ક શાખા અથવા બેન્ક મિત્ર પાસે જઈને જનધન એકાઉન્ટ ખોલાવી શકે છે. ઓળખ અને સરનામાના પુરાવા, ફોટો તથા જરૂરી ફોર્મ રજૂ કર્યા બાદ દસ્તાવેજોની ચકાસણી કરીને એકાઉન્ટ શરૂ કરવામાં આવે છે. જનધન એકાઉન્ટમાં જમા રકમ પર સામાન્ય બચત ખાતાની જેમ વ્યાજ પણ મળે છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/political-news/pm-modi-putin-meeting-bilateral-meeting-to-be-held-between-pm-modi-and-putin-at-sco-summit-mea-confirms" target="_blank">આ પણ વાંચો : PM Modi Putin Meeting: SCO સમિટમાં પીએમ મોદી અને પુતિન વચ્ચે યોજાશે દ્વિપક્ષીય મુલાકાત, MEAએ કરી પુષ્ટિ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/TXp5gIP3ShSLwGYjqylS8HLQiOUgEHWA2TvTIh9h.webp'/></item><item><title><![CDATA[Bhavnagar News: બોરતળાવમાં જાતિ વિરુદ્ધ ટિપ્પણી કરનાર 6 આરોપી ઝડપાયા, સમાધાનના બહાને યુવકનું અપહરણ કરી માર્યો હતો ઢોર માર ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/bortalav-youth-abduction-assault-case-six-accused-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/bortalav-youth-abduction-assault-case-six-accused-arrested</guid><pubDate>Thu, 27 Aug 2026 18:24:41 +05:30</pubDate><description><![CDATA[<p>ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં એક યુવક સાથે જૂની અદાવતમાં ગંભીર ગુનાહિત ઘટના સામે આવી છે. આરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે યુવકને જૂના વિવાદમાં સમાધાનની વાતો કરવાના બહાને તેના ઘરની બહાર રોડ પર બોલાવ્યો હતો. યુવક સ્થળ પર પહોંચતા જ આરોપીઓએ તેની સાથે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો શરૂ કરી દીધો હતો. ત્યારબાદ તેને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડીને અપહરણ કરી કોઈ અજાણ્યા સ્થળે લઈ ગયા હતા.</p><h2><b>જાતિ વિરુદ્ધ ટિપ્પણી કરી ઢોર માર માર્યો અને મોબાઈલ ઝૂંટવ્યો</b></h2><p>અપહરણ કરી ગયા બાદ તમામ શખ્સોએ યુવક સાથે નિર્દયતાથી કૂટમાર કરી હતી અને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ દરમિયાન આરોપીઓ દ્વારા યુવક વિરુદ્ધ જાતિ વિષયક અપમાનજનક ટિપ્પણીઓ પણ કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ સપાટી પર આવ્યો છે. એટલું જ નહીં, યુવક કોઈને સંપર્ક કે મદદ માટે ફોન ન કરી શકે તે હેતુથી આરોપીઓએ તેનો મોબાઈલ ફોન પણ બળજબરીથી ઝૂંટવી લીધો હતો.</p><h2><b>યશ ભુરાણી અને હાર્દિક ઉર્ફે આપા સહિત 6 આરોપીઓની ઓળખ</b></h2><p>યુવક પર હુમલો કરનાર અને અપહરણમાં સામેલ તમામ 6 આરોપીઓની ઓળખ થઈ ચૂકી છે. જેમાં યશ ભુરાણી, હાર્દિક ઉર્ફે આપા, ભાર્ગવ ઉર્ફે ભગો, રોહિત મકવાણા, હિમેષ અને જયેશ નામના શખ્સોનો સમાવેશ થાય છે. આ તમામ શખ્સોએ ભેગા મળીને યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું.</p><p><img alt="Bhavnagar News: 6 Arrested in Bortalav Youth Kidnapping and Assault Case" src="https://epapercdn.sandesh.com/images/2026/08/27/tz91u4lzj087WCowIgwDkyleeMlyJmCYoe4VGnvI.webp" style="width: 100%;"><br></p><h2><b>બોરતળાવ પોલીસની ત્વરિત કાર્યવાહી, તમામ 6 આરોપીઓ જેલભેગા</b></h2><p>ઈજાગ્રસ્ત યુવકે સમગ્ર આપવીતી અંગે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવતા પોલીસે ગંભીર ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. બોરતળાવ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ત્વરિત દરોડા પાડીને ગુનામાં સંડોવાયેલા તમામ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ સામે કાનૂની કાર્યવાહી હાથ ધરીને આગળની ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/lioness-dies-electric-shock-bordi-village-mahuva" target="_blank">Bhavnagarમાં વન વિભાગની બેદરકારી સામે ઉઠ્યા સવાલો: બોરડી ગામમાં ગેરકાયદેસર ઇલેક્ટ્રિક શોકથી સિંહણનું મોત</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/2AQrwFW3KrfnuyaKUCPjqCve0GawiVz4U0YdaIu9.webp'/></item><item><title><![CDATA[Surat News: કડોદરામાં ભાજપ મહિલા આગેવાનની પુત્રવધૂના આત્મહત્યા કેસમાં કાર્યવાહી, 'પતિ-પત્ની ઓર વો'ના ચક્કરમાં પોલીસે પતિ અને પ્રેમિકાની કરી ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/kadodara-bjp-leader-daughter-in-law-suicide-husband-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/kadodara-bjp-leader-daughter-in-law-suicide-husband-arrested</guid><pubDate>Thu, 27 Aug 2026 17:36:05 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત જિલ્લાના કડોદરા-બારડોલી રોડ વિસ્તારમાં આવેલી શ્રીનિવાસ ગ્રીનસિટી સોસાયટીમાં એક અત્યંત ચકચારી ઘટના સામે આવી છે. જ્યાં રહેતા સ્થાનિક ભાજપના મહિલા આગેવાનના પુત્રની 24 વર્ષીય પત્ની નિધિકુમારીએ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. લગ્નજીવનના માત્ર 2 જ વર્ષના ટૂંકાગાળામાં પરિણિતાએ અંતિમ પગલું ભરી લેતા કડોદરા પોલીસે તપાસ હાથ ધરી હતી.</p><h2><b>પોસ્ટ મોર્ટમ દરમિયાન આંતરવસ્ત્રમાંથી મળી 2 પાનાની સ્યુસાઈડ નોટ</b></h2><p>આત્મહત્યાની આ ઘટનામાં સૌથી ચોંકાવનારો મોડ ત્યારે આવ્યો જ્યારે મૃતદેહના પેનલ પોસ્ટ મોર્ટમ દરમિયાન તબીબોને પરિણિતાના આંતરવસ્ત્રમાંથી છુપાવેલી 2 પાનાની વિસ્તૃત સ્યુસાઈડ નોટ મળી આવી હતી. તબીબોએ ત્વરિત આ ચિઠ્ઠી કડોદરા પોલીસને સોંપી હતી. સ્યુસાઈડ નોટમાં નિધિકુમારીએ પોતાના પતિના અન્ય મહિલા સાથેના અનૈતિક સંબંધો અને તેના કારણે સતત અપાતા માનસિક ત્રાસનો ગંભીર ઉલ્લેખ કર્યો હતો.</p><h2><b>'પતિ-પત્ની ઓર વો' ના ચક્કરમાં સંસાર હોમાયો</b></h2><p>પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલા તારણ મુજબ, નિધિકુમારીના લગ્ન 2 વર્ષ પૂર્વે સૌરભકુમાર સાથે થયા હતા. જોકે, સૌરભસિંગના ઈશિકા બેનરજી નામની મહિલા સાથે પ્રેમસંબંધો ચાલી રહ્યા હતા. પતિના આ અફેર અંગે જાણ થતાં જ બંને પતિ-પત્ની વચ્ચે અવારનવાર ભારે કંકાશ અને ઝઘડા થતા હતા. પતિના અન્ય મહિલા સાથેના સંબંધો અને માનસિક ત્રાસથી કંટાળીને આખરે નિધિકુમારીએ જિંદગી ટૂંકાવી લીધી હતી.</p><p><img alt="Surat News: BJP Leader's Daughter-in-Law Commits Suicide in Kadodara, Husband and Mistress Arrested" src="https://epapercdn.sandesh.com/images/2026/08/27/Saz3o54Gnvo6klxloT0A7ehop4ZRMly87VWhw0rW.webp" style="width: 100%;"><br></p><h2><b>કડોદરા પોલીસે ગણતરીના કલાકોમાં પતિ અને પ્રેમિકાને જેલભેગા કર્યા</b></h2><p>સ્યુસાઈડ નોટમાં થયેલા ખુલાસા અને મળેલા પુરાવાઓના આધારે કડોદરા પોલીસે ત્વરિત અને કડક કાર્યવાહી કરી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ પરિણિતાને આત્મહત્યા માટે મજબૂર કરનાર પતિ સૌરભસિંગ તેમજ તેની પ્રેમિકા ઈશિકા બેનરજીની વિધિવત ધરપકડ કરી લીધી છે. પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/crime/surat/kadodara-bjp-leader-daughter-in-law-suicide-case" target="_blank">Surat News: ભાજપ આગેવાનની પુત્રવધૂએ કરી આત્મહત્યા, પોસ્ટ મોર્ટમ દરમિયાન આંતરવસ્ત્રમાંથી સ્યુસાઈડ નોટ મળી</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/RPuF3PdfopELiTg8sTdiJqHVN71OIhhLcBJ5S9ns.webp'/></item><item><title><![CDATA[Vadodara News: સાવલીના રાણીપુરામાં રૂ. 4 કરોડનું મનરેગા કૌભાંડ! મીડિયા રિપોર્ટ બાદ TDOએ તપાસના આદેશ આપ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/vadodara/savli-ranipura-mnrega-scam-tdo-inquiry-bogus-job-card</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/vadodara/savli-ranipura-mnrega-scam-tdo-inquiry-bogus-job-card</guid><pubDate>Thu, 27 Aug 2026 17:20:24 +05:30</pubDate><description><![CDATA[<p>વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલા રાણીપુરા ગામે મનરેગા (MNREGA) યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો ગ્રામજનોએ કર્યો છે. મીડિયા અહેવાલોમાં આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યા બાદ સાવલી તાલુકા વિકાસ અધિકારીએ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. TDOએ આ સમગ્ર ગેરરીતિની તટસ્થ તપાસ કરાવવાની અને દોષિતો સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.</p><h2><b>300 થી વધુ બોગસ જોબ કાર્ડ બનાવી નાણાં ઉપાડી લેવાયા</b></h2><p>ગ્રામજનોના આક્ષેપ મુજબ, ગામના 300 થી વધુ લોકોની જાણ બહાર તેમના નામે નાણાં ઉપાડી લેવામાં આવ્યા છે. કૌભાંડીઓએ અનોખી મોડસ ઓપરેન્ડી અપનાવી હતી; જેમાં જોબ કાર્ડમાં ગામના સાચા શ્રમિકોના નામ રાખવામાં આવ્યા હતા, પરંતુ ફોટોગ્રાફ્સ અન્ય અજાણ્યા વ્યક્તિઓના લગાવી દેવાયા હતા. શ્રમિકોએ કોઈ કામ કર્યું ન હોવા છતાં તેમના ખાતામાંથી કાગળ પર મજૂરી દર્શાવીને રકમ ઉપાડી લેવામાં આવી હતી.</p><p><img alt="Vadodara News: Savli Ranipura MNREGA Scam: Rs 4 Crore Fraud Alleged, TDO Orders Inquiry Over Bogus Job Cards" src="https://epapercdn.sandesh.com/images/2026/08/27/lQld5eSUUvLQTHj1hS1rBNerz4FLI9DkIrEV9cqH.webp"><br></p><h2><b>વર્ષ 2018 થી 2026 દરમિયાન આચરાયું મોટું કૌભાંડ</b></h2><p>રાણીપુરા ગામમાં આ ગેરરીતિ કોઈ એકાદ વર્ષની નથી, પરંતુ વર્ષ 2018 થી 2026 ના લાંબા સમયગાળા દરમિયાન સતત આચરેલું કૌભાંડ હોવાનું સામે આવ્યું છે. આ 8 વર્ષના ગાળામાં આશરે રૂ. 3 થી 4 કરોડની જંગી રકમની ઉચાપત થઈ હોવાની પ્રબળ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.</p><h2><b>મજૂરોના બદલે મશીનથી તળાવનું ખોદકામ અને માટી વેચાણનો આક્ષેપ</b></h2><p>નિયમ મુજબ મનરેગા યોજના હેઠળ ગામના ગરીબ શ્રમિકોને રોજગારી આપવાની હોય છે, પરંતુ રાણીપુરામાં શ્રમિકોના બદલે મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગામના તળાવનું આશરે 60 ફૂટ જેટલું ઊંડું ખોદકામ જેસીબી અને હિટાચી જેવા ભારે મશીનોથી કરાવવામાં આવ્યું હતું અને કાગળ પર મજૂરોના નામે માતબર રકમ ઉપાડી લેવાઈ હતી. એટલું જ નહીં, તળાવ ખોદકામ દરમિયાન નીકળેલી કિંમતી માટી પણ ગેરકાયદેસર રીતે વેચી દેવામાં આવી હોવાના ગંભીર આરોપો લાગ્યા છે.</p><p><img alt="Vadodara News: Savli Ranipura MNREGA Scam: Rs 4 Crore Fraud Alleged, TDO Orders Inquiry Over Bogus Job Cards" src="https://epapercdn.sandesh.com/images/2026/08/27/isWMpV3OVDbarKBk5qxII7No6Dx92Lqdot62W43C.webp" style="width: 100%;"><br></p><h2><b>અધિકારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા, TDO નો રિપોર્ટ તૈયાર કરાશે</b></h2><p>કૌભાંડનો ભાંડો ફૂટતાં જ મનરેગા યોજનાના તાલુકા કક્ષાના એસઓ સહિતના જવાબદાર કર્મચારીઓ અને અધિકારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. સાવલી TDO એ જણાવ્યા મુજબ, હાલ આ મામલે મસ્ટર રોલ, જોબ કાર્ડ અને પેમેન્ટ રેકોર્ડ સહિત તમામ દસ્તાવેજોની બારીકાઈથી તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ આ અંગેનો વિગતવાર અહેવાલ જિલ્લા કક્ષાએ રજૂ કરવામાં આવશે અને તપાસમાં જે કોઈ કર્મચારી કે વચેટિયા દોષિત જણાશે તેમની સામે કાયદેસરની તજવીજ હાથ ધરાશે.</p><p><img alt="Vadodara News: Savli Ranipura MNREGA Scam: Rs 4 Crore Fraud Alleged, TDO Orders Inquiry Over Bogus Job Cards" src="https://epapercdn.sandesh.com/images/2026/08/27/Fxsp8xXkVxXuGoT98a3Gx4bdb1qGuFlapXzP2YpR.webp" style="width: 100%;"><br></p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/gujarat/news/world/vadodara/vaodara-news-nri-couple-from-vadodara-who-went-on-a-trip-to-nepal-goes-missing-family-seeks-government-help" target="_blank"> Vaodara News : નેપાળ પ્રવાસે ગયેલું વડોદરાનું NRI દંપતી ગુમ, પરિવારે સરકાર પાસે મદદની ગુહાર લગાવી</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/BgJLKaUSKjFSZ9TJPCAMcJfTVxpvNZQFLlrxSz03.webp'/></item><item><title><![CDATA[Dahodના ગરબાડામાં પોલીસનું હાઈટેક પેટ્રોલિંગ, ચોરી અટકાવવા ડ્રોન કેમેરાથી થશે હવાઈ સર્વેલન્સ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/dahod/police-to-conduct-high-tech-patrols-in-dahods-garbada-aerial-surveillance-using-drone-cameras-to-prevent-theft</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/dahod/police-to-conduct-high-tech-patrols-in-dahods-garbada-aerial-surveillance-using-drone-cameras-to-prevent-theft</guid><pubDate>Thu, 27 Aug 2026 17:16:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દાહોદ જિલ્લાના ગરબાડા પંથકમાં ગુનાખોરી અને ચોરીની ઘટનાઓ પર અંકુશ મેળવવા માટે ગરબાડા પોલીસ દ્વારા હાઈટેક પેટ્રોલિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા આધુનિક ડ્રોન કેમેરાની મદદથી ગરબાડા નગર તેમજ આસપાસના જુદા જુદા વિસ્તારોમાં હવાઈ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. આ નવીનતમ ટેકનોલોજીના ઉપયોગથી વિસ્તારમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ આચરતા તસ્કરો અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અંતરિયાળ વિસ્તારોમાં સર્વેલન્સ</b></h2><p style="text-align: justify; ">આ સમગ્ર કામગીરી DySP એમ.કે. સ્વામી અને PI રાદડિયાના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને ગરબાડા પંથકના અંતરિયાળ અને સંવેદનશીલ વિસ્તારોમાં, જ્યાં સામાન્ય ગાડીઓ કે પદયાત્રા દ્વારા પેટ્રોલિંગ કરવું પડકારજનક બનતું હોય છે, ત્યાં ડ્રોન કેમેરાની મદદથી આકાશમાંથી ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે. પોલીસ ટીમ દ્વારા સ્થળ પરથી ડ્રોન ઉડાડીને સમગ્ર પંથકની સુરક્ષા વ્યવસ્થાની આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી.</p><h2 style="text-align: justify; "><b>હવેથી રાત્રિના સમયે પણ ડ્રોન કેમેરાથી સતત મોનિટરિંગ કરાશે</b></h2><p style="text-align: justify; ">ગરબાડા પોલીસ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી દિવસોમાં પણ આ હાઈટેક સર્વેલન્સ કામગીરી ચાલુ રાખવામાં આવશે. હવેથી ખાસ કરીને રાત્રિના સમયે ગરબાડાના તમામ મુખ્ય તેમજ અંતરિયાળ વિસ્તારોમાં ડ્રોન કેમેરાથી સતત નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવશે, જેથી રાત્રિ દરમિયાન થતી ચોરી અને ઘરફોડ જેવી ઘટનાઓને સદંતર રોકી શકાય. પોલીસના આ પ્રશંસનીય પગલાથી સ્થાનિક નાગરિકોમાં સુરક્ષા અને શાંતિની ભાવના વધુ મજબૂત બની છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/world/ahmedabad/ahmedabad-news-bhavin-rawal-from-ahmedabad-who-went-on-kailash-yatra-missing-in-nepal-contact-lost-after-flash-flood-on-wednesday" target="_blank">Ahmedabad News : કૈલાશ યાત્રાએ ગયેલા અમદાવાદના ભાવિન રાવલ નેપાળમાં ગુમ, બુધવારે ફ્લેશ ફ્લડ બાદ સંપર્ક તૂટ્યો</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/SdRQoug6ALoE9CBU0xUXVcMpUOXu8CZmohyHFj6A.webp'/></item><item><title><![CDATA[Gujarat Super League Season 3: 1 સપ્ટેમ્બરથી થશે ધમાકેદાર પ્રારંભ, અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે ટ્રોફી-જર્સી અનાવરણ સાથે નવી ડિજિટલ એપ લોન્ચ ]]></title><link>https://sandesh.com/sports/news/gujarat/ahmedabad/gujarat-super-league-season-3-schedule-transstadia-ahmedabad-gsfa-app-launch</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/gujarat/ahmedabad/gujarat-super-league-season-3-schedule-transstadia-ahmedabad-gsfa-app-launch</guid><pubDate>Thu, 27 Aug 2026 17:08:43 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતમાં ફૂટબોલની રમતે પકડાવેલા મજબૂત વાતાવરણ વચ્ચે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશને ગુજરાત સુપર લીગની ત્રીજી સીઝનની જાહેરાત કરી છે. GSL સીઝન-3 નો પ્રારંભ 1 સપ્ટેમ્બર, 2026 ના રોજ સાંજે 4:00 વાગ્યે અમદાવાદના વિશ્વકક્ષાના સ્ટેડિયમ ટ્રાન્સસ્ટેડિયા એરેના ખાતે થશે. આ લીગ રાજ્યમાં ઉચ્ચ સ્તરની ફૂટબોલ પ્રતિભાઓ તૈયાર કરવામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે.</p><h2><b>GSL-3 ની જર્સી અને ટ્રોફીનું ભવ્ય અનાવરણ</b></h2><p>અગ્રણી હોદ્દેદારો અને ટીમ માલિકોની વિશેષ ઉપસ્થિતિમાં GSFA ના ઉપપ્રમુખ પ્રદિપસિંહ વાઘેલા દ્વારા GSL સીઝન-3 ની સત્તાવાર ટ્રોફી અને ટીમ જર્સીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ જર્સી ગુજરાતના ફૂટબોલ ક્ષેત્રની આધુનિક ઊર્જાનું પ્રતિબિંબ પાડે છે, જ્યારે ટ્રોફી આ આખી સીઝન દરમિયાન સર્વોચ્ચ એવોર્ડ માટે ટીમો વચ્ચે ખેલાનાર રોમાંચક જંગનું પ્રતીક બનશે.</p><h2><b>U-20 ખેલાડીઓને મળશ જર્મનીમાં રમવાની મોટી તક</b></h2><p>આ વખતની સીઝનની સૌથી મોટી વિશેષતા યુવા ખેલાડીઓ માટેનું આંતરરાષ્ટ્રીય એક્સપોઝર છે. GSL-3 માંથી શાનદાર પ્રદર્શન કરનાર બે U-20 ફૂટબોલરોની પસંદગી જર્મનીમાં ટાયર-3 અને ટાયર-4 ડોમેસ્ટિક ટુર્નામેન્ટ્સના ટ્રાયલ માટે કરવામાં આવશે. જર્મન સાયકોલોજીસ્ટ પ્રોફેસર જેન માયર અને બોસ ટેકનોલોજી દ્વારા સ્પોર્ટ્સ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ખેલાડીઓની બારીકાઈથી પસંદગી કરવામાં આવશે.</p><p><img alt="Gujarat Super League Season 3 To Begin From Sept 1 at TransStadia Ahmedabad, GSFA Launches App" src="https://epapercdn.sandesh.com/images/2026/08/27/mYRThsdOn1CgdPjaTuzNRHqZvSGmvsSZoUzvPkAY.webp"><br></p><h2><b>ઇજાગ્રસ્ત યુવા ખેલાડી રાહુલ ભાટીયાને મદદની જાહેરાત</b></h2><p>GSFA દ્વારા માત્ર રમત જ નહીં, પરંતુ ખેલાડીઓની સુવિધા અને કલ્યાણ પર પણ પૂરો ભાર મૂકવામાં આવ્યો છે. કાર્યક્રમ દરમિયાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા રાજ્યના યુવા ફૂટબોલર રાહુલ ભાટીયાને રૂ. 2,00,000 ની એક્સ-ગ્રેશિયા રકમ ચૂકવવાની વિશેષ જાહેરાત પણ કરવામાં આવી હતી.</p><h2><b>જીએસએફએ પ્રમુખ પરિમલ નથવાણીનું નિવેદન</b></h2><p>લીગ અંગે વાત કરતાં GSFA ના પ્રમુખ પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, GSLની ત્રીજી સીઝન એ માત્ર એક રમત સ્પર્ધા નથી, પરંતુ ગુજરાતમાં ફૂટબોલના સર્વાંગી વિકાસ માટેની અમારી દ્રષ્ટિનો અગત્યનો ભાગ છે. અમારો મુખ્ય હેતુ રાજ્યના યુવાનોને એક ઉચ્ચ કક્ષાનું પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે, જેથી ગુજરાતમાં ફૂટબોલ લોકોની પહેલી પસંદગીની રમત બની શકે.</p><p><img alt="Gujarat Super League Season 3 To Begin From Sept 1 at TransStadia Ahmedabad, GSFA Launches App" src="https://epapercdn.sandesh.com/images/2026/08/27/SBrNO0oV6iNaXOUq1rCpkn9q7oOHLeld8K7pLy69.webp"><br></p><h2><b>ચાહકો માટે વન-સ્ટોપ 'જીએસએફએ ડિજિટલ એપ' લોન્ચ</b></h2><p>ફૂટબોલ ચાહકોને ટુર્નામેન્ટ સાથે સીધા જોડવા માટે એક વિશેષ સમર્પિત ડિજિટલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે. GSFA ના માનદ સચિવ મુલરાજસિંહ ચૂડાસમાએ પ્રેઝન્ટેશન દ્વારા એપની મુખ્ય વિશેષતાઓ સમજાવી હતી. આ વન-સ્ટોપ એપ મારફતે ચાહકો ઘરબેઠા મેચ ફિક્સ્ચર્સ, લાઇવ પરિણામો, શેડ્યૂલ, ટીમોની વિગત, પોઈન્ટ્સ ટેબલ અને ખેલાડીઓની પ્રોફાઈલ સરળતાથી જોઈ શકશે.</p><p><img alt="Gujarat Super League Season 3 To Begin From Sept 1 at TransStadia Ahmedabad, GSFA Launches App" src="https://epapercdn.sandesh.com/images/2026/08/27/FcXj2DbleZ7RFC3kgwv6f0oCEzmf0v5MfaQ7OuOz.webp"><br></p><h2><b>તમામ મેચોનું શેડ્યૂલ ઓનલાઈન ઉપલબ્ધ</b></h2><p>સમારોહ દરમિયાન GSL સીઝન-3 ના સંપૂર્ણ ફિક્સ્ચર્સ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. તમામ તારીખો, સમય અને ટીમોના મુકાબલાની માહિતી નવી લોન્ચ થયેલી એપ્લિકેશન અને GSFA ના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ઉપલબ્ધ રહેશે. આ ભવ્ય આયોજનમાં સહભાગી થઈ રાજ્યમાં ફૂટબોલનો ઉત્સાહ વધારવા તમામ રમતપ્રેમીઓને હાકલ કરવામાં આવી છે.</p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/gujarat/news/vadodara/fake-doctor-arrested-for-performing-hemorrhoid-surgeries-without-anesthesia" target="_blank"> Vadodara News: ધોરણ 10 ફેલ બોગસ ડોક્ટર ગરમ ચીપીયાથી દર્દીને બેભાન કર્યા વિના હરસ મસાના ઓપરેશન કરતો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/68mJxpU52aqMVN04T7Z4tD4Mb7lQhwAZysqg6G6O.webp'/></item><item><title><![CDATA[Dahod News : લીમખેડામાં તંત્રની લાલ આંખ! હોટલ-નાસ્તાની દુકાનોમાં સઘન ચેકિંગ, મિલાવટખોરોમાં ફફડાટ ]]></title><link>https://sandesh.com/gujarat/news/dahod/dahod-news-red-eye-of-the-administration-in-limkheda-intensive-checking-in-hotels-and-breakfast-shops-crackdown-on-adulterators</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/dahod/dahod-news-red-eye-of-the-administration-in-limkheda-intensive-checking-in-hotels-and-breakfast-shops-crackdown-on-adulterators</guid><pubDate>Thu, 27 Aug 2026 16:17:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં લોકોના આરોગ્ય સાથે થતાં ચેડાં રોકવા માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મામલતદાર અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે સંયુક્ત રીતે લીમખેડા નગર તેમજ દુધીયા અને બાંડીબાર જેવા ગ્રામ્ય વિસ્તારોમાં આકસ્મિક તપાસ ઝુંબેશ ચલાવી હતી. આ દરોડા દરમિયાન સ્થાનિક હોટેલો, નાસ્તાની દુકાનો અને ડેરીઓ પર સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેને પગલે ખુલ્લેઆમ નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.</p><h2 style="text-align: justify; "><b>હાનિકારક સેવનો સ્થળ પર નાશ અને મિલાવટી પેંડાના સેમ્પલ લેવાયા</b></h2><p style="text-align: justify; ">તપાસ દરમિયાન અધિકારીઓએ શંકાસ્પદ ખાદ્ય પદાર્થો અને અલગ-અલગ મીઠાઈઓના સેમ્પલ એકત્ર કરી લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપ્યા હતા. આ કામગીરી દરમિયાન આરોગ્ય માટે અત્યંત હાનિકારક કેમિકલ યુક્ત કલરવાળી સેવ મળી આવતાં તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, મિલાવટી પેંડાનું વેચાણ કરતા વેપારીઓ સામે કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. તંત્રની તપાસની જાણ થતાં જ અનિયમિતતાઓ આચરતા અનેક શંકાસ્પદ વેપારીઓ પોતાની દુકાનો બંધ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.</p><h2 style="text-align: justify; "><b>અયોગ્ય તેલ વાપરતા વેપારીઓને નોટિસ અને કડક ચેતવણી</b></h2><p style="text-align: justify; ">તંત્રની ટીમ દ્વારા નાસ્તો બનાવવા માટે બળેલા અને આરોગ્ય માટે અયોગ્ય તેલનો ઉપયોગ કરતા વેપારીઓને સ્થળ પર જ નોટિસ ફટકારવામાં આવી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને મામલતદાર તંત્ર દ્વારા સ્પષ્ટ શબ્દોમાં કડક ચેતવણી આપવામાં આવી છે કે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે રમઝટ કરતા અથવા ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ આચરતા કોઈપણ વેપારીને બક્ષવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં પણ આ પ્રકારની આકસ્મિક તપાસ ચાલુ રહેશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/world/vadodara/vaodara-news-nri-couple-from-vadodara-who-went-on-a-trip-to-nepal-goes-missing-family-seeks-government-help#google_vignette" target="_blank">Vaodara News : નેપાળ પ્રવાસે ગયેલું વડોદરાનું NRI દંપતી ગુમ, પરિવારે સરકાર પાસે મદદની ગુહાર લગાવી</a></b></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/MZiGt4ggMd2Y2pkHWrAARgKmUI1o1SrfpQQLXIcD.webp'/></item></channel></rss>