<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Gujarat Weather Update: રાજ્યમાં ચાર સિસ્ટમ સક્રિય હોવા છતાં ભારે વરસાદની શક્યતા નહિવત, હવામાન વિભાગની નીરાશાજનક આગાહી ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/gujarat-weather-update-light-rain-alert-temperature-update</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/gujarat-weather-update-light-rain-alert-temperature-update</guid><pubDate>Wed, 02 Sep 2026 14:16:52 +05:30</pubDate><description><![CDATA[<p>રાજ્યમાં હાલ એકસાથે ચાર સિસ્ટમ સક્રિય છે. જે સાંભળતા વરસાદની રાહ જોતા લોકો માટે સારા સમાચાર જણાઈ શકે છે, જોકે હવામાન વિભાગે આગાહી કરી છે તે જાણીને થોડી નિરાશ થઈ શકે છે. રાજ્યમાં વરસાદની ઘટ વચ્ચે હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતા નહિવત હોવાનું જણાવ્યું છે. હવામાન વિભાગે (Gujarat Weather Update) આગામી 7 દિવસ માટે રાજ્યમાં વરસાદ અંગેનું ખાસ બુલેટિન જાહેર કર્યું છે.&nbsp;</p><p>હાલમાં દક્ષિણ-પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે અને હવામાનમાં 4 વિવિધ વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે. આમ છતાં, રાજ્યમાં સાર્વત્રિક કે ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા નહિવત જોવા મળી રહી છે. મોટાભાગના વિસ્તારોમાં માત્ર હળવાથી મધ્યમ ઝાપટાં જ પડે તેવી સંભાવના છે. જે કારણે રાજ્યમાં ચોમાસુ નબળુ રહેવાની શક્યતા વધી રહી છે. આવામાં ખેડૂતો અને સામાન્ય જનતા માટે મુશ્કેલી વધી શકે છે.</p><h2><b>મહત્તમ તાપમાન 35 થી 36 ડિગ્રી રહેશે, વરસાદમાં 15 ટકાની ઘટ</b></h2><p>વરસાદનું પ્રમાણ ઓછું રહેવાના કારણે રાજ્યમાં બફારા અને ગરમીનું પ્રમાણ યથાવત રહી શકે છે. આગામી દિવસોમાં મહત્તમ તાપમાન 35 થી 36 ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાવાની શક્યતા છે. આ ઉપરાંત, વર્તમાન ચોમાસાની મોસમમાં રાજ્યમાં હજુ પણ સરેરાશ વરસાદમાં 15 ટકા જેટલી ઘટ જોવા મળી રહી છે, જે આગામી સામાન્ય વરસાદથી આંશિક રીતે ભરાય તેવી આશા છે.</p><p><img alt="Gujarat Weather Update: Light Rain Forecasted Across State" src="https://epapercdn.sandesh.com/images/2026/09/02/wBHWTLD9ib2kjlVy0PGSLdQD1ZT2rwPFb4VFCdJB.webp"><br></p><h2><b>ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટોછવાયો વરસાદ રહેશે</b></h2><p>હવામાન વિભાગ (Gujarat Weather Update)ની આગામી સપ્ટેમ્બર 3 થી સપ્ટેમ્બર 9, 2026 માટે કરેલી આગાહી અનુસાર, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓ જેવા કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં પણ આગામી સપ્તાહ દરમિયાન છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ઝાપટાં જોવા મળશે.</p><p><img alt="Gujarat Weather Update: Light Rain Forecasted Across State" src="https://epapercdn.sandesh.com/images/2026/09/02/54TU1a3puTLxw0nhjK51sJKwwN5xgOmjruZxf2mP.webp"><br></p><h2><b>દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ મધ્યમ વરસાદની સંભાવના</b></h2><p>દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં અન્ય વિસ્તારોની સરખામણીએ વરસાદનું પ્રમાણ થોડું સારું રહી શકે છે. છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે વડોદરા અને ભરૂચ જિલ્લામાં આગામી દિવસો દરમિયાન છૂટાછવાયા સ્થળો પર જ વરસાદી ઝાપટાં પડવાની હવામાન વિભાગે શક્યતા દર્શાવી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/janmashtami/gandhinagar/gandhinagar-capital-to-dwarka-janmashtami-special-train-2026" target="_blank">દ્વારકાધીશના દર્શને જતા શ્રદ્ધાળું માટે સારા સમાચાર, ગાંધીનગરથી દ્વારકા માટે દોડશે Janmashtami Special Train, જાણો ટાઈમટેબલ અને સ્ટોપેજ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/yUisKIh2CSMHimqp5MrAeBaPIbTzPvDqs6K9NXRV.webp'/></item><item><title><![CDATA[China Masters 2026 Badminton : કિદામ્બી શ્રીકાંતનો જલવો, પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં મેળવી એન્ટ્રી! ]]></title><link>https://sandesh.com/sports/news/china-masters-2026-kidambi-srikanth-wins-in-the-first-round-enters-the-pre-quarterfinals</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/china-masters-2026-kidambi-srikanth-wins-in-the-first-round-enters-the-pre-quarterfinals</guid><pubDate>Wed, 02 Sep 2026 14:00:03 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ચીનના શેનઝેનમાં રમાઈ રહેલી ચાઇના માસ્ટર્સ 2026 સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતીય ખેલાડીઓની શરૂઆત મિશ્ર રહી છે. અનુભવી ભારતીય શટલર કિદાંબી શ્રીકાંતે શાનદાર પ્રદર્શન કરીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. બીજી તરફ ભારતના સ્ટાર ખેલાડી લક્ષ્ય સેનને પ્રથમ રાઉન્ડમાં જ પરાજયનો સામનો કરવો પડ્યો છે.કિદાંબી શ્રીકાંતે રાઉન્ડ ઓફ 32માં ચાઇનીઝ તાઇપેઈના ખેલાડી ચી યુ જેનને સીધા 2 સેટમાં હરાવ્યો હતો. આ જીત સાથે તેણે ટુર્નામેન્ટના આગલા રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે.</p><h5 style="text-align: justify; "><b>કિદાંબી શ્રીકાંતનો શાનદાર વિજય</b></h5><p style="text-align: justify; ">ચાઇના માસ્ટર્સ સુપર 750માં કિદાંબી શ્રીકાંતનો સામનો રાઉન્ડ ઓફ 32માં ચી યુ જેન સામે થયો હતો.લગભગ 35 મિનિટ સુધી ચાલેલા આ મુકાબલામાં કિદાંબીએ શરૂઆતથી જ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું.પ્રથમ સેટમાં બંને ખેલાડીઓ વચ્ચે સારી સ્પર્ધા જોવા મળી હતી,પરંતુ કિદાંબીએ મહત્વની ક્ષણોમાં પોઈન્ટ મેળવીને સેટ 21-16થી જીતી લીધો હતો.બીજા સેટમાં પણ કિદાંબી શ્રીકાંતે પોતાની લય જાળવી રાખી હતી.ચી યુ જેને વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો,પરંતુ ભારતીય ખેલાડીએ સતત આક્રમક રમત સાથે તેના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા.કિદાંબીએ બીજો સેટ 21-15થી જીતીને સીધા સેટમાં મેચ પોતાના નામે કરી હતી.આ જીત સાથે કિદાંબી શ્રીકાંતે ચાઇના માસ્ટર્સના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. હવે આગામી રાઉન્ડમાં તેની સામે વધુ કઠિન પડકાર રહેશે.</p><h5 style="text-align: justify; "><b>17 વર્ષની તન્વી શર્માની પણ જીત</b></h5><p style="text-align: justify; ">કિદાંબી શ્રીકાંત ઉપરાંત ભારતની યુવા ખેલાડી તન્વી શર્માએ પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. માત્ર 17 વર્ષની તન્વીએ ડેનમાર્કની અમાઇલા સ્કલ્ઝ સામે રમાયેલી મેચમાં સીધા 2 સેટમાં જીત મેળવી હતી.તન્વીએ પ્રથમ સેટ 21-16થી પોતાના નામે કર્યો હતો. ત્યારબાદ બીજા સેટમાં પણ તેણે શાનદાર રમત બતાવીને 21-17થી જીત મેળવી હતી. આ રીતે તન્વીએ પણ ટુર્નામેન્ટના આગલા રાઉન્ડમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે.</p><h5 style="text-align: justify; "><b>મિક્સ્ડ ડબલ્સમાં ધ્રુવ-તનિષાની શાનદાર શરૂઆત</b></h5><p style="text-align: justify; ">ભારતની મિક્સ્ડ ડબલ્સ જોડી ધ્રુવ કપિલા અને તનિષા ક્રાસ્ટોએ પણ ટુર્નામેન્ટની શરૂઆત જીત સાથે કરી છે. ભારતીય જોડીએ થાઇલેન્ડની ટોન્નાકોર્ન સાએહેંગ અને ટોનિચા સાએહેંગની જોડીને સીધા 2 સેટમાં હરાવી હતી.ધ્રુવ અને તનિષાએ પ્રથમ સેટમાં શાનદાર રમત બતાવીને 21-8થી જીત મેળવી હતી. બીજા સેટમાં પણ ભારતીય જોડીએ કોઈ તક આપી નહોતી અને 21-9થી સેટ જીતીને મેચ પોતાના નામે કરી હતી.</p><h5 style="text-align: justify; "><b>લક્ષ્ય સેન પ્રથમ રાઉન્ડમાં બહાર</b></h5><p style="text-align: justify; ">બીજી તરફ ભારતીય સ્ટાર બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન માટે ચાઇના માસ્ટર્સ 2026ની શરૂઆત નિરાશાજનક રહી હતી. લક્ષ્ય પાસેથી આ ટુર્નામેન્ટમાં સારા પ્રદર્શનની અપેક્ષા હતી, પરંતુ પ્રથમ રાઉન્ડમાં જ તેની સફર સમાપ્ત થઈ ગઈ.લક્ષ્ય સેનનો સામનો કેનેડાના વિક્ટર લાઇ સામે થયો હતો. વિક્ટર લાઇ હાલમાં વિશ્વ રેન્કિંગમાં 9મા સ્થાને છે. મુકાબલાની શરૂઆતમાં જ લક્ષ્ય સેનને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.પ્રથમ સેટમાં લક્ષ્યને 14-21થી હાર મળી હતી. ત્યારબાદ બીજા સેટમાં પણ તે પોતાની લય મેળવી શક્યો નહોતો. લગભગ 38 મિનિટ સુધી ચાલેલા આ મુકાબલામાં બીજા સેટમાં વિક્ટર લાઇએ લક્ષ્યને 21-7થી હરાવીને મેચ પોતાના નામે કરી હતી.લક્ષ્ય સેનની સતત થયેલી ભૂલો તેના પર ભારે પડી હતી. હવે કિદાંબી શ્રીકાંત, તન્વી શર્મા અને ધ્રુવ આ કપિલા-તનિષા ક્રાસ્ટો પાસેથી ભારતીય ચાહકોને આગળના રાઉન્ડમાં પણ સારા પ્રદર્શનની આશા રહેશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/india-football-team-announced-26-players-selected" target="_blank"> India Footbal ટીમની જાહેરાત, 26 ખેલાડીઓની પસંદગી કરાઇ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/l1UtXnYRpsZQ3y18Rg84zY1zL4XQDssCnMNlSZha.webp'/></item><item><title><![CDATA[Virushka : અનુષ્કા-વિરાટ કેમ લંડન શિફ્ટ થયા? માધુરી દીક્ષિતના પતિએ કર્યો ખુલાસો! ]]></title><link>https://sandesh.com/entertainment/news/cricket/virat-kohli-anushka-london-shift-reason-sriram-nene</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/cricket/virat-kohli-anushka-london-shift-reason-sriram-nene</guid><pubDate>Wed, 02 Sep 2026 13:39:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા પોતાના ક્રિકેટર પતિ વિરાટ કોહલી અને બંને બાળકો સાથે લંડનમાં શિફ્ટ થઈ ચૂકી છે. આ કપલ હવે લાઈમલાઈટથી દૂર રહીને વિદેશમાં શાંતિભર્યું જીવન જીવી રહ્યું છે. આ દરમિયાન માધુરી દીક્ષિતના પતિ ડો. શ્રીરામ નેનેએ વર્ષ 2025માં અનુષ્કા સાથે થયેલી એક વાતચીતને યાદ કરતાં એક્ટ્રેસ પોતાના પતિ અને બાળકો સાથે લંડન શિફ્ટ થવા પાછળનું સાચું કારણ જણાવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>અનુષ્કા અને વિરાટ લંડન શા માટે શિફ્ટ થયા?</b></h2><p style="text-align: justify; ">યૂટ્યુબર રણવીર અલાહાબાદિયા સાથેની વાતચીત દરમિયાન ડો. શ્રીરામ નેનેએ વિરાટ કોહલી પ્રત્યેના પોતાના સન્માન વિશે વાત કરી અને ક્રિકેટર તથા અનુષ્કા શર્મા સાથે થયેલી મુલાકાતને યાદ કરી. શ્રીરામે કહ્યું, હું તેમનું ખૂબ સન્માન કરું છું. અમે તેમને ઘણી વખત મળી ચૂક્યા છીએ. તેઓ ખરેખર એક સારા વ્યક્તિ છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/C0vRNnBIcsc/?utm_source=ig_web_copy_link&amp;igsi=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/C0vRNnBIcsc/?utm_source=ig_web_copy_link&amp;igsi=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/C0vRNnBIcsc/?utm_source=ig_web_copy_link&amp;igsi=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/C0vRNnBIcsc/?utm_source=ig_web_copy_link&amp;igsi=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><p style="text-align: justify; ">ત્યાર બાદ તેમણે અનુષ્કા સાથે થયેલી વાતચીતને યાદ કરતાં કહ્યું કે એક દિવસ અમારી અનુષ્કા સાથે વાતચીત થઈ હતી અને તે ખૂબ જ ઈન્ટરેસ્ટિંગ હતી. તેઓ લંડન જવા વિશે વિચારી રહ્યા હતા, કારણ કે તેઓ અહીં પોતાની સફળતાનો આનંદ માણી શકતા નહોતા. અમે સમજી શકીએ છીએ કે તેમણે કઈ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે, કારણ કે તેઓ જે કંઈ પણ કરે છે તેના પર દરેકની નજર રહે છે. તેઓ લગભગ એકલા પડી જાય છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DVBL7mfDHHr/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DVBL7mfDHHr/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DVBL7mfDHHr/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DVBL7mfDHHr/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h3 style="text-align: justify; "><b>પોતાના બાળકોનો નોર્મલ ઉછેર કરવા માગે છે અનુષ્કા-વિરાટ</b></h3><p style="text-align: justify; ">ડો. શ્રીરામ નેનેએ જણાવ્યું કે સેલિબ્રિટી કપલ પર સતત રહેતી લોકોની નજરને કારણે રોજિંદા જીવનની સામાન્ય પળો મુશ્કેલ બની શકે છે. તેમણે કહ્યું, હું બધા સાથે સરળતાથી ભળી જાઉં છું, હું બિંદાસ છું. પરંતુ તેમ છતાં આ મુશ્કેલ બની જાય છે. હંમેશા કોઈને કોઈ સેલ્ફી લેવા માટે આવી જ જાય છે. એવું નથી કે આ ખરાબ છે, પરંતુ ક્યારેક તે દખલગીરી જેવું લાગવા લાગે છે. જેમ કે જ્યારે તમે ડિનર કે લંચ કરી રહ્યા હોવ અને ત્યારે પણ તમારે શાલીનતા જાળવી રાખવી પડે છે. મારી પત્ની માટે આ એક સમસ્યા બની જાય છે. પરંતુ અનુષ્કા અને વિરાટ ખૂબ સારા લોકો છે અને તેઓ બસ પોતાના બાળકોનો ઉછેર સામાન્ય રીતે કરવા માગે છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DPG-14viCQR/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DPG-14viCQR/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DPG-14viCQR/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DPG-14viCQR/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>અનુષ્કા શર્માનું વર્ક ફ્રન્ટ</b></h4><p style="text-align: justify; ">અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ ડિસેમ્બર 2017માં ઈટાલીમાં એક પ્રાઈવેટ સેરેમનીમાં લગ્ન કર્યા હતા. 2021માં તેમની દીકરી વામિકાનો અને 2024માં દીકરા અકાયનો જન્મ થયો હતો. ત્યાર બાદ તેઓ પોતાના બાળકો સાથે લંડન શિફ્ટ થઈ ગયા હતા. બીજી તરફ, અનુષ્કા 2018માં રિલીઝ થયેલી ફિલ્મ ઝીરો બાદથી ફિલ્મોથી દૂર છે. તેમણે ચકદા એક્સપ્રેસનું કામ પૂરું કરી લીધું હતું, પરંતુ આ ફિલ્મ હજુ સુધી રિલીઝ થઈ નથી. તેમણે 2022માં પોતાની પ્રોડક્શન કંપની ક્લીન સ્લેટ ફિલ્મ્ઝથી પણ અલગ થઈ ગયા હતા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/hanuman-ansh-tuesday-box-office-collection" target="_blank">આ પણ વાંચો-Hanuman Ansh પર વરસી બજરંગબલીની અસીમ કૃપા! મંગળવારે કમાણીમાં કર્યો જબરદસ્ત ધમાકો!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/9w2AUpEchQlglKK5knpqeW5bWqDcmpgRyhNvpMxd.webp'/></item><item><title><![CDATA[Faridabad School Suicide: વર્ગખંડમાં બિરયાની અંગેના વિવાદમાં તડકામાં 4 કલાક ઉભા રહેવાની સજા, વિદ્યાર્થિનીએ શાળાના ત્રીજા માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યુ ]]></title><link>https://sandesh.com/india/news/faridabad-school-suicide-punished-for-4-hours-standing-in-the-sun-in-a-dispute-over-biryani-in-the-classroom-student-ends-her-life-by-jumping-from-the-third-floor-of-the-school</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/faridabad-school-suicide-punished-for-4-hours-standing-in-the-sun-in-a-dispute-over-biryani-in-the-classroom-student-ends-her-life-by-jumping-from-the-third-floor-of-the-school</guid><pubDate>Wed, 02 Sep 2026 13:31:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">બી.કે.હોસ્પિટલના ડોક્ટરોએ તપાસ બાદ તેને મૃત જાહેર કરી હતી. મૃતકની ઓળખ ડબુઆની રહેવાસી જાન્વી તરીકે થઈ છે.</p><h2 style="text-align: justify; ">પિતાએ શાળા પ્રશાસન પર લગાવ્યો આરોપ&nbsp;</h2><p style="text-align: justify; ">જાન્વીના પિતા પ્રમોદ કુમારે શાળાના શિક્ષક પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમનો દાવો છે કે વર્ગખંડમાં વિદ્યાર્થીઓ વચ્ચે બિરયાની ખાવા અંગે વિવાદ થયો હતો. આ વિવાદમાં તેમની પુત્રીનો કોઈ વાંક ન હોવા છતાં, તેને સજા આપવામાં આવી હતી. પિતાના જણાવ્યા મુજબ, શાળાની કેટલીક વિદ્યાર્થીનીઓએ તેમને આ અંગે જાણ કરી હતી. પ્રમોદ કુમારનો આરોપ છે કે શિક્ષકે જાન્વીને 4 કલાક સુધી તડકામાં ઉભી રાખી હતી. મૃતકના પિતાએ કહ્યુ હતુ કે, તેમની પુત્રી આ ઘટનાથી દુઃખી હતી. માનસિક તકલીફને કારણે જાન્વી ત્રીજા માળેથી કૂદી હતી.&nbsp;</p><p style="text-align: justify; "><span style="font-size: 1.75rem;">સજાના આરોપોને આચાર્યે ગણાવ્યા ખોટા&nbsp;</span></p><p style="text-align: justify; ">શાળાના આચાર્ય આર.કે. શર્માએ સજાના આરોપોને નકાર્યા છે. તેઓએ કહ્યુ હતુ કે, જાન્વીને કોઈ સજા કરાઇ નથી. પરિવાર દ્વારા આક્ષેપ કરાયેલી રીતે તેની સાથે વર્તન થયુ નથી. આચાર્યના જણાવ્યા મુજબ, જાન્વી બાથરૂમ જવાનું કહીને વર્ગખંડ છોડીને નીકળી હતી. ત્યારબાદ, તે શાળાના ત્રીજા માળે પહોંચી અને ત્યાંથી કૂદી હતી. શાળા મેનેજમેન્ટના જણાવ્યા મુજબ, ઘટના પાછળનું વાસ્તવિક કારણ હજુ સ્પષ્ટ થયું નથી.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2094840807752974350"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; "><span style="font-size: 1.5rem;">પોલીસે તપાસ શરૂ&nbsp;</span></p><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં જ ડબુઆ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમણે શાળા પરિસરનું નિરીક્ષણ કર્યું છે અને ઘટના સંબંધિત માહિતી એકઠી કરવાનું શરૂ કરી દીધું છે. પોલીસ શાળા મેનેજમેન્ટ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મૃતકના પરિવાર પાસેથી માહિતી એકઠી કરી રહી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે વિદ્યાર્થી ત્રીજા માળે કેવી રીતે પહોંચી અને ઘટના પહેલા તેની સાથે શું થયું. વિદ્યાર્થીને કથિત રીતે સજા આપવામાં આવી હોવાના આરોપોની પણ તપાસ કરવામાં આવી રહી છે.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/world/news/russia-ukraine-war-zelenskyy-warns-airlines-using-russian-airspace-putin-says-this-is-state-terrorism" target="_blank"> રશિયન એરસ્પેસ વાપરતી એરલાઇન્સને Zelenskyyની ચેતવણી, Putin કહ્યું, 'આ સ્ટેટ ટેરરિઝમ'</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/vXH4bD9q9zuXliekCqUhPXXr3f1CTyqzVFl0WaS2.webp'/></item><item><title><![CDATA[Bhuj કોર્ટમાં ધોળાદિવસે છરીબાજી! DySP-PIની હાજરીમાં યુવક પર છરીથી હુમલો, જુઓ પછી શું થયું... ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/bhuj/bhuj-knife-attack-in-broad-daylight-in-court-youth-attacked-with-knife-in-presence-of-dysp-pi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/bhuj/bhuj-knife-attack-in-broad-daylight-in-court-youth-attacked-with-knife-in-presence-of-dysp-pi</guid><pubDate>Wed, 02 Sep 2026 13:24:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કચ્છના ભુજ ખાતે આવેલી કોર્ટના પરિસરમાં જૂની અદાવતને લીધે એક યુવક પર છરી વડે જાનલેવા હુમલો કરવામાં આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. કોર્ટ જેવા અત્યંત સુરક્ષિત અને સંવેદનશીલ સ્થળે બનેલી આ લોહિયાળ ઘટનાને પગલે સમગ્ર પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. જૂની વૈમનસ્યનું વેર રાખીને હુમલાખોરે સરેઆમ છરીના ઘા મારીને યુવકને લોહીલુહાણ કરી નાખ્યો હતો, જેના કારણે કોર્ટ સંકુલમાં હાજર લોકોમાં ભય અને સનસનાટીનો માહોલ સર્જાયો હતો.</p><h2 style="text-align: justify; "><b>DySP અને PI ની હાજરી માં થઇ ઘટના</b></h2><p style="text-align: justify; ">આ ઘટનાની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જ્યારે આ હુમલો થયો ત્યારે કોર્ટ પરિસરમાં જ DySP અને PI સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પોલીસ કાફલો હાજર હતો. ઉચ્ચ અધિકારીઓની હાજરી વચ્ચે જ હુમલાખોરે હિંમત દાખવીને યુવક પર હુમલો કરી દીધો હતો. ઘટના બનતાં જ સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. જોકે, સ્થાનિક પોલીસે તાત્કાલિક ત્વરિત કાર્યવાહી હાથ ધરીને ગંભીર રીતે ઘવાયેલા યુવકને વધુ સારવાર અર્થે તુરંત જ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>હુમલાખોર શખ્સની સ્થળ પરથી અટકાયત</b></h2><p style="text-align: justify; ">કોર્ટ જેવા હાઇ-સિક્યોરિટી ઝોનમાં સરેઆમ હિંસક હુમલો થતાં જ લોકોના મોટા ટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. પોલીસે સમયસૂચકતા દાખવીને હુમલો કરનાર શખ્સને સ્થળ પરથી જ દબોચી લીધો હતો અને તેની અટકાયત કરીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. જોકે, કાયદાના ધામમાં અને પોલીસ અધિકારીઓની હાજરી વચ્ચે જ શસ્ત્ર સાથે પ્રવેશીને આ પ્રકારનો હુમલો આચરવામાં આવતાં કોર્ટ પરિસરની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/gujarat-news-profiteering-behind-lalchool-sauce-gujarat-is-in-a-state-of-uproar-over-the-fake-sauce-business" target="_blank">Gujarat News : લાલચોળ સોસ પાછળ નફાખોરીનો ખેલ? ગુજરાતમાં નકલી સોસના કારોબારથી ખળભળાટ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/mR6riO7DOmCYlUyNgXWaAdx1UKkGYZmzYI6ORSPG.webp'/></item><item><title><![CDATA[Vadodara News: હીરો બનીને બાળકોનો જીવ બચાવ્યો, પણ પોતે ઝેર સામે હારી ગયા, શિનોરના યુવાન વાઇલ્ડલાઇફ રેસ્ક્યુઅરનું સર્પદંશથી મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/shinor-wildlife-rescuer-anil-machhi-dies-of-cobra-bite</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/shinor-wildlife-rescuer-anil-machhi-dies-of-cobra-bite</guid><pubDate>Wed, 02 Sep 2026 13:18:16 +05:30</pubDate><description><![CDATA[<p>વડોદરા જિલ્લાના શિનોર પંથકમાં એક અતિ હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રસ્તા પર અચાનક આવી ચડેલા ઝેરી કોબ્રા સાપથી આસપાસ રમી રહેલા નાના બાળકોને સુરક્ષિત કરવા જતાં જાણીતા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુઅર 38 વર્ષીય અનિલ માછીનું સાપના ડંખથી મોત નીપજ્યું છે. અનિલભાઈ મૂળ વ્યવસાયે ડ્રાઇવિંગ કરતા હતા, પરંતુ વન્યજીવો પ્રત્યેના પ્રેમને કારણે તેઓ વર્ષોથી સાપ અને અન્ય સરીસૃપોનું રેસ્ક્યુ કરવાનું સરાહનીય કામ પણ કરતા હતા.</p><h2><b>કોબ્રાને પકડતી વખતે આંગળી પર માર્યો ડંખ</b></h2><p>ઘટનાની વિગત અનુસાર, રસ્તા પર કોબ્રા સાપ દેખાતાં જ નજીકમાં રમી રહેલા બાળકોના જીવ પર જોખમ ઊભું થયું હતું. આ જોઈને અનિલભાઈએ તુરંત જ સાપને રેસ્ક્યુ કરવાનું શરૂ કર્યું હતું. જોકે, કોબ્રાને પકડવાની પ્રક્રિયા દરમિયાન અચાનક સાપે તેમની આંગળી પર જોરદાર ડંખ મારી લીધો હતો. સાપ કરડતા જ તેમની તબિયત લથડવા લાગી હતી.</p><h2><b>સારવાર દરમિયાન હોસ્પિટલમાં દમ તોડ્યો</b></h2><p>ઘટના બનતા જ આસપાસના મિત્રો તુરંત અનિલભાઈને બાઇક પર બેસાડીને પ્રાથમિક સારવાર માટે મોટા ફોફળિયા હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. ત્યાં તેમની ગંભીર સ્થિતિને જોતાં તબીબોએ વધુ સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની SSG હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, ઝેર શરીર અને લોહીમાં પ્રસરી જતાં એસએસજી હોસ્પિટલના ડોક્ટરોએ ટૂંકી સારવાર બાદ અનિલ માછીને મૃત જાહેર કર્યા હતા.</p><p><img alt="Vadodara News: Wildlife Rescuer Anil Machhi Dies of Cobra Bite in shinor" src="https://epapercdn.sandesh.com/images/2026/09/02/MD0bdKcbmqNyFgh0uKCkiHHSyQBoA26WyZ2YEgVa.webp" style="width: 100%;"><br></p><h2><b>રેસ્ક્યુ ક્ષેત્રે મેળવ્યા હતા અનેક પ્રમાણપત્રો</b></h2><p>અનિલ માછી માત્ર એક સામાન્ય નાગરિક ન હતા, પરંતુ વન્યજીવોના રક્ષણ માટે સમર્પિત એક અનુભવી રેસ્ક્યુઅર હતા. તેમણે પોતાના જીવન દરમિયાન સેંકડો સાપ અને વન્યજીવોને સુરક્ષિત રીતે પકડીને જંગલમાં મુક્ત કર્યા હતા, જેના માટે તેમને વન વિભાગ અને વિવિધ સંસ્થાઓ તરફથી અનેક પ્રમાણપત્રો પણ મળ્યા હતા. અનેક લોકોના જીવ બચાવનાર વ્યક્તિનું આ રીતે અકાળે અવસાન થતાં તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે.</p><h2><b>1 વર્ષમાં બીજા રેસ્ક્યુવરના મોતથી પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું</b></h2><p>શિનોર પંથક માટે આ આઘાત નવો નથી. આશરે 1 વર્ષ અગાઉ જ શિનોરમાં અન્ય એક જાણીતા રેસ્ક્યુવર અશોક પટેલનું પણ કોબ્રા સાપના ડંખથી જ મોત થયું હતું. માત્ર 12 મહિનાના ટૂંક સમયગાળામાં વિસ્તારના 2-2 અનુભવી અને સક્રિય રેસ્ક્યુઅર ગુમાવતાં સમગ્ર શિનોર પંથકમાં અરેરાટી સાથે ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે. ઘટના અંગે પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી કાયદેસરની તપાસ હાથ ધરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/gujarat/news/crime/vadodara/vadodara-news-rs-10-lakh-e-cigarette-racket-busted-two-main-ringleaders-in-the-clutches-of-sog" target="_blank"> Vadodara News : ઈ-સિગરેટના રૂ.10 લાખના રેકેટનો પર્દાફાશ, બે મુખ્ય સૂત્રધાર SOGના સકંજામાં</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/S8AwDN3N3b8dWDrQUUOuckqeZ8hz6hqzM5UamENX.webp'/></item><item><title><![CDATA[Noida બસ ગેંગરેપ બાદ દિલ્હી સરકારની લાલઆંખ, પડદા અને રંગીન કાચ રાખ્યા તો ખેર નથી! ]]></title><link>https://sandesh.com/india/news/delhi-govt-strict-bus-rules-after-gangrape--curtains--tinted-glass-banned</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/delhi-govt-strict-bus-rules-after-gangrape--curtains--tinted-glass-banned</guid><pubDate>Wed, 02 Sep 2026 13:18:14 +05:30</pubDate><description><![CDATA[<p>Noida Delhi Case: દિલ્હી સરકારે રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હીમાં સેવાઓ ચલાવતા તમામ બસ ઓપરેટરો માટે કડક નિર્દેશો જારી કર્યા છે. પરિવહન વિભાગ દ્વારા જારી કરાયેલા નિર્દેશો હેઠળ, મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે નિર્ધારિત સલામતી ધોરણો અને સંચાલન નિયમોનું કડક પાલન ફરજિયાત છે. રાજધાનીમાં કાર્યરત અન્ય રાજ્યોના બસ ઓપરેટરો સહિત બધા બસ ઓપરેટરોએ આ નિર્દેશોનું પાલન કરવું જરૂરી છે, જે મુસાફરોની સલામતી અને સુરક્ષાને પ્રાથમિકતા આપે છે. મહિલાઓ અને બાળકોની સલામતી પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે અને નિયમોનું કોઈપણ ઉલ્લંઘન કાનૂની કાર્યવાહીને પાત્ર બનશે.</p><p><br></p><p>દિલ્હીના પરિવહન મંત્રી, ડૉ. પંકજ કુમાર સિંહે જણાવ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાના સક્ષમ નેતૃત્વ હેઠળ, સરકાર જાહેર પરિવહન પ્રણાલીમાં મુસાફરોની સલામતીને મજબૂત બનાવવા અને જમીન પર આવશ્યક સલામતી નિયમોના અસરકારક અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. પરિવહન મંત્રીના નિર્દેશો અનુસાર, પરિવહન વિભાગે તમામ બસ ઓપરેટરોને સૂચના આપી છે કે બસોમાં સ્થાપિત વાહન સ્થાન ટ્રેકિંગ ઉપકરણો (VLTDs) અને પેનિક બટનો હંમેશા કાર્યરત રહે. પેનિક બટનો મુસાફરો માટે સરળતાથી સુલભ હોવા જોઈએ અને યોગ્ય કાર્યકારી સ્થિતિમાં રાખવા જોઈએ.</p><p><br></p><p><b>દિલ્હી સરકાર દ્વારા જારી કરાયેલા કડક નિર્દેશો</b></p><p>બધી બસો માટે કાર્યાત્મક અગ્નિશામક ઉપકરણો અને પ્રાથમિક સારવાર કીટ સજ્જ હોવી ફરજિયાત છે. બસ સંચાલકોને એ પણ સૂચના આપવામાં આવી છે કે રાત્રિ દરમિયાન અથવા સેવામાં ન હોય ત્યારે બસો ફક્ત અધિકૃત, સલામત અને સારી રીતે પ્રકાશિત વિસ્તારોમાં જ પાર્ક કરવામાં આવે. કોર્ટ દ્વારા આદેશિત નિયમો અને માર્ગદર્શિકા અનુસાર, બસની બારીઓ પર પડદા અથવા અનધિકૃત ફિલ્મ પ્રતિબંધિત છે. વિન્ડશિલ્ડ, પાછળની બારીઓ અને બાજુની બારીઓ માટે નિર્ધારિત પારદર્શિતા ધોરણોનું કડક પાલન ફરજિયાત છે.</p><p><br></p><p>આ નિર્દેશો ડ્રાઇવરો અને બસ સ્ટાફની જવાબદારીઓને પણ સ્પષ્ટ રીતે દર્શાવે છે. ડ્રાઇવરો અને અન્ય સ્ટાફ સભ્યોએ મુસાફરો સાથે સૌજન્ય અને આદર સાથે વર્તવું જરૂરી છે. દારૂ અથવા અન્ય કોઈપણ નશાકારક પદાર્થના પ્રભાવ હેઠળ વાહન ચલાવવા પર સખત પ્રતિબંધ છે. ડ્રાઇવરો પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ, યુનિફોર્મ પહેરવો જોઈએ અને જ્યાં જરૂર હોય ત્યાં PSV બેજ રાખવો જોઈએ. તેવી જ રીતે, કંડક્ટર પાસે માન્ય કંડક્ટરનું લાઇસન્સ હોવું જોઈએ, યુનિફોર્મ પહેરવો જોઈએ અને PSV બેજ રાખવો જોઈએ. બસ સંચાલકોને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ બધા ડ્રાઇવરો, કંડક્ટર, એટેન્ડન્ટ અને અન્ય સ્ટાફ સભ્યોને નોકરી પર રાખતા પહેલા નિયમો અનુસાર યોગ્ય ચકાસણી કરે.</p><p><br></p><p>જરૂર પડે ત્યાં બસોમાં એક અધિકૃત એટેન્ડન્ટ હોવો જોઈએ. બસ ચાલુ હોય ત્યારે બધા દરવાજા સુરક્ષિત રીતે બંધ રાખવા જોઈએ. બસ સ્ટાફને ચઢતી અને ઉતરતી વખતે અપંગ મુસાફરોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.</p><p><br></p><p>મહિલા મુસાફરોની સલામતી અંગે પણ ખાસ સૂચનાઓ જારી કરવામાં આવી છે. બસ સંચાલકોને ડ્રાઇવરો, કંડક્ટરો અને અન્ય સ્ટાફને મહિલા મુસાફરો પ્રત્યેની કોઈપણ પ્રકારની છેડતી અને તેના ગંભીર પરિણામો અંગે જાગૃત કરવા સૂચના આપવામાં આવી છે. અશ્લીલ વર્તન, અસભ્યતા, છેડતી, અભદ્ર ટિપ્પણીઓ કરવી અથવા કોઈ મહિલા સામે અન્ય કોઈ ગુનાની ઘટનામાં બસ સ્ટાફે તાત્કાલિક પોલીસને જાણ કરવી જોઈએ અને બસને નજીકના પોલીસ સ્ટેશન, પોલીસ ચોકી અથવા પીસીઆર વાન લઈ જવી જોઈએ.</p><p><br></p><p><b>દરેક બસ માટે ફરજિયાત માન્ય ફિટનેસ પ્રમાણપત્ર</b></p><p>દરેક બસ પાસે માન્ય ફિટનેસ પ્રમાણપત્ર હોવું જોઈએ અને તે સારી તકનીકી સ્થિતિમાં હોવું જોઈએ. બધા બસ સંચાલકોએ લાગુ ઉત્સર્જન ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવું જોઈએ અને માન્ય 'પોલ્યુશન અંડર કંટ્રોલ' (PUC) પ્રમાણપત્રો રાખવા જોઈએ. સંચાલકોને ટ્રાફિક નિયમો અને નિયુક્ત બસ લેનનું કડક પાલન કરવાની પણ સૂચના આપવામાં આવી છે. મુસાફરોએ ફક્ત નિયુક્ત બસ સ્ટોપ અથવા અધિકૃત સ્થળોએ જ ચઢવા અને ઉતરવા જોઈએ. અસુરક્ષિત અથવા અનધિકૃત સ્થળોએ ખાસ કરીને રસ્તાની વચ્ચે અથવા અસુરક્ષિત જગ્યા પર બસ રોકવા પર સખત પ્રતિબંધ છે.</p><p><br></p><p>પરિવહન મંત્રી ડૉ. પંકજ કુમાર સિંહે જણાવ્યું હતું કે સલામતીના પગલાં ફક્ત કાગળ પર નહીં, પરંતુ વાસ્તવિકતામાં સંપૂર્ણપણે અમલમાં મૂકવા જોઈએ. બસ સંચાલકોએ ખાતરી કરવી જોઈએ કે બધી જરૂરી સિસ્ટમો, સાધનો અને પ્રક્રિયાઓ યોગ્ય રીતે કાર્યરત છે. નિયમોના કોઈપણ ઉલ્લંઘન સામે સરકાર કાયદા અનુસાર કડક કાર્યવાહી કરશે.<br><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/crime/delhi-kashmiri-gate-bus-gangrape-case--forensic-evidence-found" target="_blank"><b>Delhi બસ ગેંગરેપમાં મોટો ખુલાસો... વિદ્યાર્થીની ગુસ્સામાં ઘરેથી નકળી! પોલીસને આરોપીઓને લઈ મળ્યો પુરાવા</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/eYTiUnO8N00cg46QwiAXIMbaQtY3abTcLeh3j0VX.webp'/></item><item><title><![CDATA[Mehsanaમાં SMCનો મોટો ધડાકો, સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર 5 સ્થળે દરોડા, 13 આરોપીઓ દબોચાયા... ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/mehsana/big-smc-blast-in-mehsana-raids-at-5-places-on-brothels-running-under-the-guise-of-spas-13-accused-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/mehsana/big-smc-blast-in-mehsana-raids-at-5-places-on-brothels-running-under-the-guise-of-spas-13-accused-arrested</guid><pubDate>Wed, 02 Sep 2026 12:15:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં સ્પા અને ગેસ્ટ હાઉસની આડમાં ધમધમતા દેહવ્યાપારના કાળા કારોબાર પર સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) એ લાલઆંખ કરી છે. એસએમસીની ટીમે બાતમીના આધારે એકસાથે 5 જેટલા સ્પા અને ગેસ્ટ હાઉસ પર દરોડા પાડીને દેહવ્યાપારના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે કુટણખાનું ચલાવતા અને સંકળાયેલા કુલ 13 જેટલા આરોપીઓની સ્થળ પરથી ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.</p><h2 style="text-align: justify; "><b>5 સ્થળોએ એકસાથે દરોડા</b></h2><p style="text-align: justify; ">SMC ના PI B.H. રાઠોડ અને તેમની ટીમની 5 અલગ-અલગ ટુકડીઓએ ગુપ્ત રીતે આ ઓપરેશન પાર પાડ્યું હતું. દરોડા દરમિયાન 'ધ લક્ઝ્યુરી બ્યુટી એન્ડ સ્પા'માંથી સિદ્ધપુરના અજય રમેશભાઈ પ્રજાપતિ અને મહેસાણાના યશ રાવલ સહિત બેની અટકાયત કરાઈ હતી. આ ઉપરાંત 'ધ ગોલ્ડન સ્પા'માંથી 3, 'હોટલ મધુવન ગેસ્ટ હાઉસ'માંથી 4, 'ધ મૂન લાઈટ સ્પા'માંથી 3 અને 'એપ્પલ વન સ્પા'માંથી 1 આરોપી મળીને કુલ 13 શખ્સોને પોલીસે દબોચી લીધા હતા.</p><h2 style="text-align: justify; "><b>સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા સામે સવાલો</b></h2><p style="text-align: justify; ">એક જ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આટલા મોટા પાયે સ્પા અને ગેસ્ટ હાઉસની આડમાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી હોવા છતાં સ્થાનિક પોલીસ અજાણ રહેતા તેમની કામગીરી અને નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિક પોલીસની ઢીલી નીતિ વચ્ચે એસએમસીના દરોડાથી ગુનેગારોમાં ભારે ફાળ પડી છે. SMC દ્વારા આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે અને આગામી દિવસોમાં આ કૌભાંડમાં અન્ય મોટા માથાના નામ બહાર આવે તેવી શક્યતા છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-news-the-craze-to-go-to-canada-has-become-overwhelming-a-young-mans-money-of-rs-2857-lakhs-was-stolen-in-the-name-of-fake-interviews-and-permits" target="_blank">Ahmedabad News : કેનેડા જવાની ઘેલછા પડી ભારે, ફેક ઈન્ટરવ્યુ અને પરમિટના નામે યુવકની રૂ.28.57 લાખની મત્તા સફાચટ!</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/a6g0AJJFG4ZcRRPRyJP6T5ISwrxWNXa98yLOUGlV.webp'/></item><item><title><![CDATA[Sabarkantha News:ઈડરમાં ડિમોલિશન દરમિયાન મકાનની છત ધરાશાયી, શ્રમિક પરિવારના બે યુવાનો ઈજાગ્રસ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/idar/two-injured-as-roof-collapses-during-demolition-in-idar</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/idar/two-injured-as-roof-collapses-during-demolition-in-idar</guid><pubDate>Wed, 02 Sep 2026 11:38:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં મહારાણા પ્રતાપ સર્કલ નજીક તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી ડિમોલેશન ઝુંબેશ દરમિયાન મોટી બેદરકારી સામે આવી છે. છેલ્લા બે દિવસથી ચાલતી દબાણ હટાવો ઝુંબેશ દરમિયાન મકાનની છત ધરાશાયી થતાં બે યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી છે.આ ઘટનાને પગલે શ્રમિક પરિવારોમાં તંત્ર સામે ભારે રોષ અને આક્રોશ વ્યાપી ગયો છે. શ્રમિક પરિવારના ઈજાગ્રસ્ત મોભી યુવાનો હોસ્પિટલમાં ખસેડાતા પરિવારો ભાંગી પડ્યા હતાં.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ત્રીજી નોટિસ આપ્યા વિના જ કાર્યવાહીનો આક્ષેપ</b></h2><p style="text-align: justify; ">મહારાણા પ્રતાપ સર્કલ આસપાસના વિસ્તારમાં છેલ્લા 40 કરતાં પણ વધુ વર્ષોથી છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતા શ્રમિક પરિવારો વસવાટ કરી રહ્યા હતા. સ્થાનિક રહીશોના આક્ષેપ મુજબ તંત્ર દ્વારા માત્ર બે જ નોટિસો આપવામાં આવી હતી અને નિયમ મુજબ ત્રીજી નોટિસ આપ્યા વિના જ અચાનક દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.પરિવારોને પોતાનો સામાન ખસેડવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો ન હતો જેના કારણે દાયકાઓથી રહેતા શ્રમિક પરિવારો ક્ષણભરમાં ઘરવિહોણા બની ગયા છે.</p><h3 style="text-align: justify; "><b>ડિમોલેશન દરમિયાન મોટી દુર્ઘટના</b></h3><p style="text-align: justify; ">ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બે દિવસથી ચાલી રહેલા ડિમોલેશન દરમિયાન તંત્રની ઘોર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા હતા.કામગીરી દરમિયાન એકાએક મકાનની છત ધરાશાયી થઈ હતી જેની નીચે દબાઈ જવાથી બે યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.ઘટના બનતા જ અફરાતફરી મચી ગઈ હતી.ઈજાગ્રસ્ત બંને યુવાનોને તાત્કાલિક અસરથી ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.બંને યુવાનોની સ્થિતિ વધુ નાજુક જણાતા તેમને વધુ તબીબી સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે.અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનોના સમાચાર મળતાં જ પરિવારજનો હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.હોસ્પિટલ પરિસરમાં પરિવારજનોના હૈયાફાટ રુદનથી ગમગીની છવાઈ ગઈ હતી.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/is-your-red-tomato-sauce-real-fake-sauce-market-worth-200-crore" target="_blank">આ પણ વાંચોઃ Sandesh Indepth : તમે નાની હોટેલો અને ખાણીપીણી બજારમાં જે લાલ ચોળ દેખાતો ટોમેટો સોસ ખાઓ છો તે અસલી છે?</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/8TBvjwAzia431szYVUEH8bbprzkpWR6OmjTokn17.webp'/></item><item><title><![CDATA[Gold Silver Price: સોનાના ભાવ ઘટ્યા તો ચાંદી થઇ મોંઘી, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત ]]></title><link>https://sandesh.com/business/news/gold-silver-price-if-gold-prices-fall-silver-becomes-expensive-know-the-latest-price-of-10-grams-of-gold</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/gold-silver-price-if-gold-prices-fall-silver-becomes-expensive-know-the-latest-price-of-10-grams-of-gold</guid><pubDate>Wed, 02 Sep 2026 10:51:47 +05:30</pubDate><description><![CDATA[<p>એક તરફ અમેરિકાએ&nbsp; દાવો કર્યો હતો કે અમેરિકા હવે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટ પર લગભગ સંપૂર્ણ નિયંત્રણ ધરાવે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ઈરાની અર્થવ્યવસ્થા ક્રેશ તરફ આગળ વધી રહી છે. તો બીજી તરફ ક્રૂડ ઓઇલના ભાવ 100 ડોલરની નજીક પહોંચ્યો છે. પરિણામે ભારતીય&nbsp; શેરબજાર આજે ક્રેશ થઇ છે. ત્યારે સોના ચાંદીના ભાવ પર પણ તેની અસર જોવા મળી રહી છે. આવો જાણીએ શું છે 2 સપ્ટેમ્બરે સોના ચાંદીનો ભાવ.&nbsp;&nbsp;</p><h2><b>આજે શું છે સોનાનો ભાવ ?&nbsp;</b></h2><p>આજે સોનાના ભાવમાં ₹208નો ઘટાડો થયો છે, જેના કારણે ટ્રેડિંગ ભાવ પ્રતિ 10 ગ્રામ ₹62,507 થયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર, સોનાનો ભાવ ₹208 (0.13%) ઘટીને પ્રતિ 10 ગ્રામ ₹1,54,252 થયો છે, જેમાં 2,452 લોટનું ટ્રેડિંગ વોલ્યુમ છે. બજાર વિશ્લેષકોએ સોનાના વાયદામાં ઘટાડા માટે નબળી સ્પોટ માંગને જવાબદાર ગણાવી છે. વૈશ્વિક સ્તરે, સોનાના ભાવ 0.12% ઘટીને $4,432.26 પ્રતિ ઔંસ થયા છે. ગઈકાલે, 1 સપ્ટેમ્બર (મંગળવાર) ના રોજ, સોનાના ભાવ ₹2,045 ઘટીને ₹1,54,236 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યા છે.</p><p><img alt="gold" src="https://epapercdn.sandesh.com/images/2024/12/28/xAwpX0lqtAw4BPAWDLSRqtZ0qJWhzKBpb1gS6QNH.jpg"><br></p><p><b style="font-size: 2rem;">આજે ચાંદીનો ભાવ શું છે?</b></p><p>આજે ચાંદીના ભાવ 0.19% વધીને ₹2,40,577 પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યા છે. MCX પર, ભાવ ₹27 (0.19%) વધીને ₹2,40,577 પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યા છે, જેમાં 2,655 લોટનું ટ્રેડિંગ થયું છે. વૈશ્વિક સ્તરે, ચાંદીના ભાવ 0.17% ઘટીને $66.46 પ્રતિ ઔંસ થયા છે. આજે ચાંદી મોંઘી હોવા છતાં, ગઈકાલે તે સસ્તી થઈ હતી. ગઈકાલે, ચાંદીના ભાવ ₹1,955 ઘટ્યા હતા. 1 સપ્ટેમ્બરના રોજ, ચાંદી ₹2,40,489 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી.&nbsp;</p><p><b style="font-size: 1.75rem;">દેશના કેટલાક મોટા શહેરોમાં સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)&nbsp;</b></p><table class="table table-bordered"><tbody><tr><td>શહેર&nbsp;</td><td>24 કેરેટ સોનાની કિંમત&nbsp;</td><td>22 કેરેટ સોનાની કિંમત&nbsp;&nbsp;</td></tr><tr><td>દિલ્હી</td><td>&nbsp;1,52,170&nbsp;</td><td>1,39,500</td></tr><tr><td>મુંબઈ&nbsp;</td><td>1,52,020<br></td><td>&nbsp;1,39,350&nbsp;</td></tr><tr><td>કોલકાતા&nbsp;</td><td>1,52,020&nbsp;</td><td>1,39,350</td></tr><tr><td>ચેન્નઈ</td><td>&nbsp;1,52,020</td><td>&nbsp;1,39,350</td></tr><tr><td>અમદાવાદ&nbsp;</td><td>1,52,070</td><td>&nbsp;1,39,400</td></tr><tr><td>સુરત&nbsp;</td><td>1,52,070</td><td>&nbsp;1,39,400</td></tr></tbody></table><p><img alt="silver" src="https://epapercdn.sandesh.com/images/2024/05/18/fQIs5hVAtFQdUVFPu3he0hbXu5dN1xLn5rJtaTYs.jpg"><img alt="silver" src="https://epapercdn.sandesh.com/images/2024/04/29/Psd5rCNL3x9r0Cafkh24iRA0PDAGoYbuC6pSW7uE.jpg"><br></p><p><b style="font-size: 1.75rem;">સોનું અને ચાંદી ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું?</b></p><p>જો તમે સોનું ખરીદી રહ્યા હોવ તો હંમેશા હોલમાર્ક તપાસો અને 6 અંકનો HUID કોડ જોઈને જ ખરીદી કરો. ચાંદી માટે પણ BIS હોલમાર્ક હોય છે અને તેમાં 925 સ્ટર્લિંગ સિલ્વરને સૌથી સારી ગુણવત્તાનું માનવામાં આવે છે. ઉપરાંત, ખરીદી પહેલાં સોના અને ચાંદીની શુદ્ધતાની તપાસ પણ જરૂર કરાવો.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2025/12/25/m3mzARjdLTiU9c27Bp11SvbFlE9atVpCgRk0jwOC.webp'/></item></channel></rss>