<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabad News : બાપુનગર પોલીસ કસ્ટડીમાં આધેડનું મોત, પોક્સો કેસની પૂછપરછ દરમિયાન બગડી તબિયત ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-news-middle-aged-man-dies-in-bapunagar-police-custody-health-deteriorates-during-interrogation-in-pocso-case</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-news-middle-aged-man-dies-in-bapunagar-police-custody-health-deteriorates-during-interrogation-in-pocso-case</guid><pubDate>Fri, 07 Aug 2026 15:52:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં પૂછપરછ દરમિયાન એક આધેડનું મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં અને પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. મૃતક વ્યક્તિની ઓળખ અહેમદ અંસારી તરીકે થઈ છે, જેમને પોલીસે પોક્સો (POCSO) એક્ટ હેઠળ નોંધાયેલી એક ગંભીર ફરિયાદના અનુસંધાનમાં પૂછપરછ માટે અટકાયતમાં લીધા હતા. આ ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>પૂછપરછ દરમિયાન ખેંચ આવતા હોસ્પિટલ ખસેડાયા</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, ગુરુવારે સાંજે બાપુનગર પોલીસ સ્ટેશનમાં અહેમદ અંસારી સામે પોક્સો હેઠળ ગુનો નોંધાયો હતો, જે સંદર્ભે પોલીસ તેમની સઘન પૂછપરછ કરી રહી હતી. પૂછપરછની કાર્યવાહી ચાલુ હતી તે દરમિયાન અચાનક આધેડની તબિયત લથડી હતી અને તેમને ખેંચ (મૂર્છા) આવી ગઈ હતી. સ્થિતિ ગંભીર જણાતાં પોલીસે તુરંત જ તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>મેડિકલ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ સામે આવશે</b></h2><p style="text-align: justify; ">કસ્ટોડિયલ ડેથની આ ઘટના બાદ પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના મૂર્તદેહને પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે મોકલી આપવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પીએમ અને પેનલ મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું અને ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે. હાલ પૂરતું પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદાકીય તપાસ તેજ કરી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/surat/surat-news-claim-of-rs-1500-crore-scam-in-surat-brts-crores-of-payments-even-on-closed-buses" target="_blank">Surat News : સુરત BRTSમાં રૂ.1500 કરોડના કૌભાંડનો દાવો, બંધ બસો પર પણ કરોડોની ચૂકવણી!</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/CNAgMR077LcPN9ecMFHBLd0HSC7UuBg8PfJvIR3p.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: AMTS એટલે જાહેર પરિવહન કે પછી રસ્તા પરનો 'લાલ આતંક'? ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/amts-bus-accidents-traffic-rules-violation</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/amts-bus-accidents-traffic-rules-violation</guid><pubDate>Fri, 07 Aug 2026 15:51:17 +05:30</pubDate><description><![CDATA[<p>લાલ રંગની AMTS બસો દરરોજ લાખો અમદાવાદીઓને તેમના મુકામે પહોંચાડવાનું કામ કરે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ જ લાલ બસો શહેરીજનો માટે સુવિધાને બદલે ભયનું કારણ બની ગઈ છે. રસ્તાઓ પર બેફામ ડ્રાઇવિંગ, લાલ સિગ્નલ તોડવા, બસ સ્ટોપ છોડીને રોડની વચ્ચે જ બસ ઊભી રાખવી અને ટ્રાફિકના નિયમોની ખુલ્લેઆમ અવગણના કરવી એ હવે નિત્યક્રમ બની ગયું છે. મુસાફરોની સુરક્ષા સામે સવાલો ઊભા થતાં હવે એ પ્રશ્ન પૂછાઈ રહ્યો છે કે, AMTS ખરેખર જાહેર પરિવહન છે કે પછી રસ્તા પર દોડતો 'લાલ આતંક'?</p><h2><b>વર્ષ 2025-26ના અકસ્માતના આંકડા ચોંકાવનારા</b></h2><p>કાગળ પરના આંકડા જ AMTS બસોની ભયાનક સ્થિતિ દર્શાવવા માટે પૂરતા છે. વર્ષ 2025-26 દરમિયાન નોંધાયેલા અકસ્માતોની વિગતો નીચે મુજબ છે:</p><ul><li>કૂલ અકસ્માત: 78</li><li>મોટા અકસ્માત: 21</li><li>નાના અકસ્માત: 57</li><li>જીવલેણ અકસ્માત: 10</li><li>કૂલ ઈજાગ્રસ્ત: 64</li><li>સંપતી નુકસાનના કેસ: 43</li><li>વાહન નુકસાનના કેસ: 42</li><li>ઈજાગ્રસ્ત રાહદારીઓની સંખ્યા: 26</li></ul><p>આ આંકડા તો માત્ર સરકારી ચોપડે નોંધાયેલા છે, પરંતુ વાસ્તવિકતામાં રસ્તા પરની સ્થિતિ આનાથી પણ વધુ ભયજનક જોવા મળી રહી છે.</p><p><img alt="Ahmedabad News: AMTS Bus Accidents, Rules Violation &amp; AMTS Action Plan" src="https://epapercdn.sandesh.com/images/2026/08/07/h3O2Xzw9IucGEgFOASsXhB8EL9xg1Gbsg0mM4vPV.webp" style="width: 100%;"><br></p><h2><b>કેમેરા સામે કેદ થઈ ડ્રાઇવરોની ખુલ્લેઆમ બેદરકારી</b></h2><p>સંદેશ ન્યૂઝના કેમેરામાં AMTS ડ્રાઇવરોની ગંભીર બેદરકારીના દ્રશ્યો કેદ થયા છે. અનેક જગ્યાએ ડ્રાઇવરો લાલ સિગ્નલ તોડીને વાહનો હંકારી રહ્યા હતા. જ્યારે ડ્રાઇવરને પૂછવામાં આવ્યું કે, સિગ્નલ કેમ તોડ્યું, ત્યારે તેમનો જવાબ હતો, "થોડી 2 સેકન્ડ બાકી હતી એટલે નીકળી ગયો." પરંતુ જો એ જ થોડી સેકન્ડમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? આ સવાલનો કોઈ જવાબ ડ્રાઇવર પાસે ન હતો.</p><p>આ ઉપરાંત, ડ્રાઇવરો બસ સ્ટોપ સુધી જવાની તસ્દી લેતા નથી અને રોડની વચ્ચે જ બસ ઊભી રાખીને મુસાફરોને ચઢાવે-ઉતારે છે. આ બેદરકારીના કારણે પાછળ વાહનોની લાંબી કતારો લાગે છે, ટ્રાફિક જામ સર્જાય છે અને અકસ્માતનો સતત ખતરો બની રહે છે.</p><p><img alt="Ahmedabad News: AMTS Bus Accidents, Rules Violation &amp; AMTS Action Plan" src="https://epapercdn.sandesh.com/images/2026/08/07/Wuk2ga0y4SnAuR1GyN1fvDK2UmLhibPH8afxxdji.webp" style="width: 100%;"><br></p><h2><b>હવે AMTS તંત્ર આવ્યું એક્શન મોડમાં, AI કેમેરા અને ટ્રેનિંગનો દાવો</b></h2><p>વધતા અકસ્માતો અને ચોતરફથી ઉઠેલા સવાલો બાદ હવે AMTS તંત્ર હરકતમાં આવ્યું છે. તંત્ર દ્વારા ડ્રાઇવરો માટે વિશેષ તાલીમ કાર્યક્રમ શરૂ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. હવે ડ્રાઇવરોને માત્ર ડ્રાઇવિંગ નહીં, પરંતુ સાયકોલોજિકલ ટ્રેનિંગ પણ અપાશે, જેથી લાંબી ડ્યૂટી દરમિયાન તેઓ સતત જાગરૂક રહી શકે.</p><p>આ ઉપરાંત, પાયલોટ પ્રોજેક્ટ હેઠળ દરેક બસમાં 2 દ્રશ્યમાન AI કેમેરા (ડેશબોર્ડ કેમેરા) લગાવવાની યોજના છે.</p><ul><li>પહેલો કેમેરો: રસ્તા પરની તમામ ગતિવિધિઓ પર નજર રાખશે.</li><li>બીજો કેમેરો: બસની અંદર ડ્રાઇવરની તમામ હિલચાલ રેકોર્ડ કરશે.</li></ul><p>જો ડ્રાઇવર બસ ચલાવતી વખતે મોબાઇલ પર વાત કરશે, ઝોકાં ખાશે કે બેદરકારી દાખવશે, તો કંટ્રોલ રૂમથી તરત જ એલર્ટ જશે અને ડ્રાઇવરને તાત્કાલિક સૂચના આપીને વાહનને નિયંત્રિત કરવામાં આવશે.</p><p><img alt="Ahmedabad News: AMTS Bus Accidents, Rules Violation &amp; AMTS Action Plan" src="https://epapercdn.sandesh.com/images/2026/08/07/ixoGsIFhwHdW1bH8K0sQqsykx4WZNQwii1skY0ag.webp"><br></p><h2><b>ટ્રાફિક પોલીસ અને ઇ-ચલણને લઈને મોટો ખુલાસો</b></h2><p>આ સમગ્ર મુદ્દે ટ્રાફિક પોલીસનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, રોડ સેફ્ટી મીટિંગમાં AMCના સંલગ્ન અધિકારીઓને આ અંગે ટકોર કરવામાં આવે છે અને જરૂર જણાય ત્યારે ઇ-ચલણ પણ આપવામાં આવે છે. જોકે, AMTS બસોને કેટલા ઇ-ચલણ ફાળવવામાં આવ્યા તેનો કોઈ અલગ ડેટા પોલીસ પાસે ઉપલબ્ધ નથી. બીજી તરફ, પોલીસ કંટ્રોલ રૂમના અધિકારિક સૂત્રોના જણાવ્યા અનુસાર, સીસીટીવી કેમેરા દ્વારા AMTS બસોને હાલ કોઈ ઇ-ચલણ મોકલવામાં આવતા નથી.</p><p><img alt="Ahmedabad News: AMTS Bus Accidents, Rules Violation &amp; AMTS Action Plan" src="https://epapercdn.sandesh.com/images/2026/08/07/lV50mozqWOdBIcDGxVeG2rvhEhaTSOi8FRDDKOMX.webp"><br></p><h2><b>શું માત્ર દાવાઓથી બદલાશે સ્થિતિ?</b></h2><p>દર વર્ષે અકસ્માતો વધે છે, નિયમભંગના વીડિયો વાયરલ થાય છે અને તંત્ર સુધારાના દાવા કરે છે, પરંતુ અમદાવાદીઓનો એક જ સવાલ છે કે, લાલ રંગની AMTS બસ માત્ર કાગળ પર સુવિધા બનીને રહેશે કે ખરેખર સુરક્ષિત જાહેર પરિવહન બનશે? AMTS વિભાગ અને ટ્રાફિક પોલીસ દ્વારા જ્યાં સુધી નિયમ તોડનારા ડ્રાઇવરો સામે કડક શિક્ષાત્મક કે કાનૂની કાર્યવાહી કરવામાં નહીં આવે, ત્યાં સુધી રસ્તાઓ પરનો આ 'લાલ આતંક' થંભવો મુશ્કેલ છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/government-presents-arguments-on-chaitar-vasava-bail-plea" target="_blank">Ahmedabad News : ચૈતર વસાવાની જામીન અરજી પર સરકાર તરફથી કોર્ટમાં દલીલો રજૂ કરાઈ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/RAhcMmAdKbZK8yuPxHYSzkRYliowpmC5Xgz0x2kx.webp'/></item><item><title><![CDATA[Dabur India ને દિલ્હી HC તરફથી મોટી રાહત, "100% શુદ્ધ" દાવા સાથે પ્રોડક્ટ્સ વેચવાની મંજૂરી ]]></title><link>https://sandesh.com/india/news/dabur-india-delhi-hc-relief-100-percent-pure-claims</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/dabur-india-delhi-hc-relief-100-percent-pure-claims</guid><pubDate>Fri, 07 Aug 2026 15:43:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દેશની દિગ્ગજ એફએમસીજી કંપની ડાબર ઇન્ડિયા (Dabur India) ને દિલ્હી હાઇકોર્ટ તરફથી એક મોટી અને રાહતરૂપ જાહેરાત મળી છે. હાઇકોર્ટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) ના એ આદેશ પર અસ્થાયી રૂપે સ્ટે મૂકી દીધો છે, જેમાં ડાબરને "100% શુદ્ધ" અને "100% કુદરતી" જેવા દાવાઓ સાથે તેના ઉત્પાદનો વેચવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આ આદેશ હટવાથી હવે કંપનીને બજારમાં પોતાના ઉત્પાદનોના માર્કેટિંગમાં મોટી રાહત મળશે.</p><h2 style="text-align: justify; "><b>દિલ્હી હાઇકોર્ટનો મોટો નિર્ણય</b></h2><p style="text-align: justify; ">FSSAI દ્વારા અગાઉ ડાબરના મધ, ગાયનું ઘી, વિવિધ ખાદ્ય તેલો અને અન્ય કેટલાક ઉત્પાદનો પર "100% શુદ્ધ" હોવાના દાવા કરવા સામે રોક લગાવવામાં આવી હતી. આ નિયમનકારી આદેશ સામે ડાબર ઇન્ડિયાએ દિલ્હી હાઇકોર્ટમાં અપીલ કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ FSSAI ના પ્રતિબંધ પર અસ્થાયી સ્ટે આપવાનો નિર્ણય કર્યો છે, જેનાથી ડાબરને પોતાના ઉત્પાદનોના પ્રમોશનમાં મોટી કાયદાકીય જીત મળી છે.</p><h3 style="text-align: justify; "><b>વચગાળાના હુકમથી ડાબરને મોટી રાહત&nbsp;</b></h3><p style="text-align: justify; ">આ નિર્ણયથી ગ્રાહકો અને બજારમાં પણ સ્પષ્ટતા આવી છે કે કંપની પોતાની ગુણવત્તાના દાવાઓ સાથે વ્યવસાય ચાલુ રાખી શકશે. અગાઉ આ વિવાદને કારણે કંપનીની બ્રાન્ડ વેલ્યુ અને પ્રોડક્ટના લેબલિંગ પર સવાલો ઉભા થયા હતા, પરંતુ હાઇકોર્ટના આ વચગાળાના હુકમથી ડાબરને મોટી રાહત મળી છે. હવે આ કેસની આગામી સુનાવણી દરમિયાન કોર્ટ દ્વારા આ મામે અંતિમ નિર્ણય લેવામાં આવશે, પરંતુ હાલ પૂરતું ડાબર પોતાના "100% શુદ્ધ" દાવાઓ સાથે મધ અને અન્ય ખાદ્ય પદાર્થોનું વેચાણ કરી શકશે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/jharkhand-ranchi-student-protest-aisa-neha-bora-ink-attack" target="_blank">આ પણ વાંચોઃ Jharkhand : રાંચીમાં વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, AISA અધ્યક્ષ નેહા બોરા પર ફેંકાઇ શાહી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/Cy6qcxPwzSyqsY0HPun9M9K2lOx21AXgDTnDIQEP.webp'/></item><item><title><![CDATA[RBI Rule: EMIથી મોબાઇલ ફોન ખરીદ્યો છે ને તો હપ્તા ભરી દેજો, નહીં તો... RBIનો જાણો નવો નિયમ ]]></title><link>https://sandesh.com/india/news/rbi-rule-if-you-do-not-pay-the-installments-of-your-mobile-phone-the-phone-will-be-locked-rbis-new-rule</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/rbi-rule-if-you-do-not-pay-the-installments-of-your-mobile-phone-the-phone-will-be-locked-rbis-new-rule</guid><pubDate>Fri, 07 Aug 2026 15:28:02 +05:30</pubDate><description><![CDATA[<p>જો તમે લોન પર મોબાઇલ ફોન ખરીદ્યો હોય અને EMI ચૂકવવામાં નિષ્ફળ ગયા હો, તો કંપનીઓ તમારા ડિવાઇસને લોક કરી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ ધિરાણકર્તાઓને EMI દ્વારા ખરીદેલા મોબાઇલ ફોન, ટેબ્લેટ અને લેપટોપની કાર્યક્ષમતાને ધીમે ધીમે પ્રતિબંધિત કરવા માટે અધિકૃત કર્યા છે જો ઉધાર લેનાર લોન ચૂકવવામાં ડિફોલ્ટ થાય.</p><h2><b>EMI ચૂકવવામાં નિષ્ફળ ગયા તો..</b></h2><p>નવા નિયમો હેઠળ, લોન આપનાર ઉપકરણ પર નિયંત્રણો લાદી શકતા નથી સિવાય કે લોન ચુકવણીમાં ઓછામાં ઓછા 30 દિવસનો વિલંબ થાય અને ઉધાર લેનારને ઔપચારિક સૂચના મોકલવામાં ન આવે. જો ચુકવણીમાં 30 થી 60 દિવસનો વિલંબ થાય, તો લોન આપનાર ધીમે ધીમે નિયંત્રણો લાદી શકે છે, પરંતુ આ સમયગાળા દરમિયાન આઉટગોઇંગ કોલ્સ બ્લોક કરી શકાતા નથી. લોન કરાર હેઠળ સંપૂર્ણ પ્રતિબંધો ફક્ત ત્યારે જ લાગુ કરી શકાય છે જો લોન ચુકવણીમાં 60 દિવસથી વધુ વિલંબ થાય.</p><h3><b>ફોન લોન પર લીધો અને ચૂકવણી ન કરી તો,,&nbsp;</b></h3><p>આ અંતિમ નિયમો અગાઉના પ્રસ્તાવની તુલનામાં નોંધપાત્ર રાહત આપે છે, જેમાં 90 દિવસ સુધી ચુકવણી ન કરવામાં આવે તો ઉપકરણને અક્ષમ કરવાની અધિકૃતતા હતી. જો કે, RBI એ ઉધાર લેનારાઓને સુરક્ષિત રાખવા માટે નિયમો સ્થાપિત કર્યા છે. ધિરાણકર્તાઓ ઇનકમિંગ કોલ્સ, SMS અથવા ઇમરજન્સી SOS કાર્યોને અવરોધિત કરી શકતા નથી, અને આ પ્રતિબંધો ઉધાર લેનારાઓને કામ અથવા રોજગાર સંબંધિત પ્રવૃત્તિઓ માટે તેમના ઉપકરણોનો ઉપયોગ કરવાથી અટકાવશે નહીં.</p><h4><b>ડિવાઇસમાં સેવ હિસ્ટ્રીને એક્સેસ ન કરી શકે&nbsp;</b></h4><p>આવી ટેક્નોલોજીનો ઉપયોગ કરતા ધિરાણકર્તાઓ (લેન્ડર્સ) અને થર્ડ-પાર્ટી સર્વિસ પ્રોવાઈડર્સે મૂળ ઉપકરણ ઉત્પાદક (OEM) અથવા ઓપરેટિંગ સિસ્ટમ પ્લેટફોર્મ પાસેથી સર્ટિફિકેશન મેળવવું ફરજિયાત રહેશે, જ્યાં આ સુવિધા ઉપલબ્ધ હોય. તેમને ડિવાઇસમાં સેવ થયેલી વ્યક્તિગત માહિતી જેવી કે કોન્ટેક્ટ્સ, એસએમએસ (SMS), કોલ લોગ, ફોટો અને લોકેશન હિસ્ટ્રી એક્સેસ કરવાની પણ સખત મનાઈ ફરમાવવામાં આવી છે.</p><h4><b>જો ચૂકવણી થઇ જાય તો પ્રતિબંધો હટાવી લેવા પડશે&nbsp;</b></h4><p>આરબીઆઈના નવા નિયમો મુજબ, બાકી રકમની ચૂકવણી કર્યા બાદ એક કલાકની અંદર ડિવાઇસ પરથી તમામ પ્રતિબંધો હટાવી લેવા પડશે. જો લોન લેનાર પર કોઈ ભૂલ કે ખોટી રીતે પ્રતિબંધો મૂકવામાં આવે અથવા લેન્ડરની લાપરવાહીના કારણે ફોન કે ડિવાઇસ ફરીથી શરૂ કરવામાં વિલંબ થાય, તો લેન્ડરે પ્રત્યેક કલાકના હિસાબે ૨૫૦ રૂપિયાનું વળતર ચૂકવવું પડશે. જો કે, આ વળતરની મહત્તમ મર્યાદા આપવામાં આવેલી લોનની રકમ કરતાં વધુ હોઈ શકે નહીં.</p><p><br></p><p><a href="https://sandesh.com/astrology/news/bhakti/shani-transit-shani-dev-will-have-a-great-move-luck-will-shine-for-4-zodiac-signs-from-august-20" target="_blank">આ પણ વાંચો: Shani Transit: શનિ દેવ ચાલશે ગજબની ચાલ, 20 ઑગષ્ટથી 4 રાશિનું ચમકશે નસીબ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/WinwtYKYcSaHIye5pbXkiB3a5hwozmaNnGXxUoJQ.webp'/></item><item><title><![CDATA[Alia Bhatt : દીપિકા-રશ્મિકા રહી ગયા પાછળ, આલિયા ભટ્ટે મેળવી ટોપ 10માં ખાસ જગ્યા! ]]></title><link>https://sandesh.com/entertainment/news/alia-bhatt-beats-deepika-rashmika-top-10-ranking</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/alia-bhatt-beats-deepika-rashmika-top-10-ranking</guid><pubDate>Fri, 07 Aug 2026 15:17:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ હિન્દી સિનેમાની લોકપ્રિય એક્ટ્રેસમાં સામેલ છે. આલિયાનો મોટો ફેનબેઝ છે અને તેને લોકોનો ઘણો પ્રેમ મળે છે. હવે તેની વધતી લોકપ્રિયતા તાજેતરની સેલિબ્રિટી બ્રાન્ડ રેન્કિંગમાં પણ જોવા મળી રહી છે અને તે ભારતની સૌથી વધુ બ્રાન્ડ વેલ્યુ ધરાવતી મહિલા સેલિબ્રિટી બની ગઈ છે. ચાલો જાણીએ કે સમગ્ર મામલો શું છે.</p><h2 style="text-align: justify; "><b>દીપિકા અને રશ્મિકાને પાછળ છોડી</b></h2><p style="text-align: justify; ">સ્ક્રીન પર પોતાની શાનદાર પરફોર્મન્સથી લોકોના દિલ જીતનારી આલિયાએ દીપિકા પાદુકોણ અને રશ્મિકા મંદાનાને પણ પાછળ છોડી દીધી છે. દીપિકા પાદુકોણ અને રશ્મિકા મંદાનાને પાછળ છોડીને હવે આલિયા ભારતની સૌથી વધુ બ્રાન્ડ વેલ્યુ ધરાવતી મહિલા સેલિબ્રિટી બની ગઈ છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DYj4TQ7CXAM/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DYj4TQ7CXAM/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DYj4TQ7CXAM/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DYj4TQ7CXAM/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h3 style="text-align: justify; "><b>6ઠ્ઠા સ્થાને આલિયા ભટ્ટ</b></h3><p style="text-align: justify; ">ક્રૉલની સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યુએશન રિપોર્ટ 2025 અનુસાર, આલિયાએ દીપિકા પાદુકોણ અને રશ્મિકા મંદાના જેવી સ્ટાર્સને પાછળ છોડીને દેશની સૌથી વધુ બ્રાન્ડ વેલ્યુ ધરાવતી મહિલા સેલિબ્રિટીનો દરજ્જો મેળવ્યો છે. આલિયાની રેન્કિંગની વાત કરીએ તો શાહરુખ ખાને ઓવરઓલ રેન્કિંગમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે આલિયા $93.9 મિલિયન એટલે કે લગભગ 892 કરોડ રૂપિયાની બ્રાન્ડ વેલ્યુ સાથે 6ઠ્ઠા સ્થાને છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DWWtCf3DJC8/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DWWtCf3DJC8/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DWWtCf3DJC8/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DWWtCf3DJC8/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>દીપિકા કયા સ્થાને છે?</b></h4><p style="text-align: justify; ">આલિયાએ માત્ર દીપિકા અને રશ્મિકાને જ પાછળ નથી છોડ્યા, પરંતુ તેની રેન્કિંગ તેને ઘણા મોટા પુરુષ એક્ટર્સથી પણ આગળ રાખે છે. ખાસ વાત એ છે કે તેમાં તેના પતિ રણબીર કપૂર પણ સામેલ છે, જે 80 મિલિયન એટલે કે લગભગ 761 કરોડ રૂપિયાની બ્રાન્ડ વેલ્યુ સાથે 10મા સ્થાને છે. જોકે, દીપિકાની વાત કરીએ તો આલિયા પછી તેનું નામ આવે છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DR4svu7DASM/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DR4svu7DASM/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DR4svu7DASM/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DR4svu7DASM/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h5 style="text-align: justify; "><b>આલિયાનું વર્કફ્રન્ટ</b></h5><p style="text-align: justify; ">ટોપ 10માં સામેલ થનારી બીજી મહિલા સેલિબ્રિટી દીપિકા પાદુકોણ છે. તે 89.2 મિલિયન એટલે કે લગભગ 849.35 કરોડ રૂપિયાની બ્રાન્ડ વેલ્યુ સાથે 7મા સ્થાને છે. આલિયા ભટ્ટના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે હવે સંજય લીલા ભણસાલીની ફિલ્મ લવ એન્ડ વોરમાં જોવા મળશે. આ ફિલ્મની દરેક વ્યક્તિ આતુરતાથી રાહ જોઈ રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/spider-man-brand-new-day-box-office-400-crore-8-days" target="_blank">આ પણ વાંચો-Massive Hit : 400 કરોડ પાર! સ્પાઈડર મેનની સુનામીમાં ઉડી બોલીવુડની ફિલ્મો, 10 મોટી મુવીઝના રેકોર્ડ્સ ચકનાચૂર!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/J67fmldlOJM0XPPqcRJoLuvHcKa9SKHfBeXrgx2F.webp'/></item><item><title><![CDATA[Food Processing નિકાસમાં ભારત બની શકે છે વિશ્વ અગ્રણી, 10 લાખ કરોડની તક ]]></title><link>https://sandesh.com/india/news/business/food-processing-export-india-global-leader-opportunity</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/food-processing-export-india-global-leader-opportunity</guid><pubDate>Fri, 07 Aug 2026 15:15:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારત પાસે વૈશ્વિક બજારમાં પોતાના સ્વાદ અને કૃષિ ક્ષમતાનો ડંકો વગાડવાની એક સોનેરી તક છે. ઇન્ડિયા પોલિસી ફોરમમાં રજૂ કરાયેલા નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER) ના અહેવાલ મુજબ, ભારતનું ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્ર આશરે 110 બિલિયન ડૉલર એટલે કે 10 લાખ કરોડ રૂપિયાથી વધુની વૈશ્વિક નિકાસ તકના ઉંબરે ઊભું છે. જો કે, દેશ કૃષિ ઉત્પાદનમાં ટોચ પર હોવા છતાં, વૈશ્વિક પ્રોસેસ્ડ ફૂડ નિકાસમાં તેનો હિસ્સો હજુ 2 ટકા કરતા પણ ઓછો છે, જે આ ક્ષેત્રની વણઉપયોગી ક્ષમતાને દર્શાવે છે.</p><h2 style="text-align: justify; "><b>ભારત માટે વિશ્વ અગ્રણી બનવાની તક</b></h2><p style="text-align: justify; ">જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી સૌમિત્ર ચેટર્જી દ્વારા તૈયાર કરાયેલા આ પેપરમાં જણાવવામાં આવ્યું છે કે ભારત વિશ્વની ખેતીલાયક જમીનનો આશરે 14 ટકા હિસ્સો ધરાવે છે અને ઘઉં તથા કઠોળ જેવા ઉત્પાદનોમાં સૌથી મોટો ઉત્પાદક છે. છતાં, પ્રોસેસ્ડ પ્રોડક્ટ્સની નિકાસમાં આપણો હિસ્સો નહિવત જેવો છે. ઉદાહરણ તરીકે, ભારત વિશ્વના 14 ટકા ઘઉં પેદા કરે છે, પરંતુ પ્રોસેસ્ડ ઘઉંના ઉત્પાદનોની નિકાસમાં આપણો હિસ્સો માત્ર 2.5 ટકા જ છે. આ અંતરનું મુખ્ય કારણ કાચા માલની નિકાસ પૂરતી મર્યાદિત રહેવું અને મજબૂત ફૂડ પ્રોસેસિંગ શૃંખલાનો અભાવ છે.</p><h3 style="text-align: justify; "><b>નાના પાયે કામ કરતા લોકો માટે લાભદાયક</b></h3><p style="text-align: justify; ">આ અભ્યાસમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પ્રોસેસ્ડ ફૂડનું વૈશ્વિક બજાર ખૂબ જ વિશાળ છે, જે વસ્ત્ર બજાર કરતાં પણ મોટું છે. જો ભારત આ ક્ષેત્રમાં યોગ્ય પગલાં ભરે તો તે માત્ર ખેડૂતોની આવક બમણી કરી શકતું નથી, પરંતુ દેશમાં ઔપચારિક ફેક્ટરી નોકરીઓનું સર્જન કરીને બેરોજગારી સામે પણ મોટો વિજય મેળવી શકે છે. આજના સમયમાં ઔપચારિક ખાદ્ય-પ્રક્રિયા કારખાનાઓમાં કામદારો સારી એવી કમાણી કરી રહ્યા છે, જે નાના પાયે ખેતી કરતા પરિવારોના શ્રમ સામે ખૂબ જ આકર્ષક સાબિત થાય છે.</p><h4 style="text-align: justify; "><b>ભારત સિવાય આ દેશોનો આજે પણ દબદબો</b></h4><p style="text-align: justify; ">ચીન, વિયેતનામ અને બ્રાઝિલ જેવા દેશોએ પોતાના કાચા માલને પ્રોસેસ કરીને વૈશ્વિક બજારમાં મોટો દબદબો બનાવ્યો છે. ભારતે પણ હવે માત્ર કૃષિ ઉત્પાદન વધારવાને બદલે ફાર્મ-ટુ-નિકાસ મૂલ્ય શૃંખલા (Farm-to-Export Value Chain) મજબૂત કરવી પડશે. આ માટે ખેડૂતોને પ્રોસેસર્સ સાથે જોડવા, લોજિસ્ટિક્સ સુધારવા, સસ્તી વીજળી પૂરી પાડવી, ગુણવત્તાના સખત ધોરણો અપનાવવા અને અસ્થિર વેપાર નીતિઓમાં સુધારો કરવો અનિવાર્ય છે. જો આ દિશામાં યોગ્ય આયોજન કરવામાં આવે, તો ભારત આગામી સમયમાં વિશ્વનું અગ્રણી 'ફૂડ હબ' બની શકે છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/indian-railways-ac-coach-rac-passengers-bedroll-kit" target="_blank">આ પણ વાંચોઃ Indian Railwayનો મોટો નિર્ણય, હવે AC કોચમાં RAC મુસાફરોને મળશે સંપૂર્ણ બેડરોલ કીટ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/SISP94ehUN6TfU2T4uE432yGvTfFBbLXEVJGSxCj.webp'/></item><item><title><![CDATA[Hockey World Cup : 28 વર્ષ બાદ તૂટયો સિલસિલો....હોકી વર્લ્ડ કપ 2026 પહેલા ભારતને મોટો ઝટકો ]]></title><link>https://sandesh.com/sports/news/hockey-world-cup-the-streak-is-broken-after-28-years-a-big-blow-to-india-before-the-hockey-world-cup-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/hockey-world-cup-the-streak-is-broken-after-28-years-a-big-blow-to-india-before-the-hockey-world-cup-2026</guid><pubDate>Fri, 07 Aug 2026 15:14:35 +05:30</pubDate><description><![CDATA[<p>15 ઓગસ્ટથી નેધરલેન્ડ અને બેલ્જિયમ દ્વારા સંયુક્ત રીતે યોજાનારા FIH મેન્સ હોકી વર્લ્ડ કપમાંથી નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. 28 વર્ષની રાહ જોયા પછી,આ પહેલી વાર બનશે જ્યારે કોઈ ભારતીય અમ્પાયર કે ટેકનિકલ અધિકારી વર્લ્ડ કપમાં મેચનું સંચાલન કરશે નહીં. 1998માં યુટ્રેક્ટમાં રમાયેલા વર્લ્ડ કપ પછી આ પહેલી વાર બનશે કે કોઈ ભારતીય ચહેરાને સત્તાવાર પેનલમાં સામેલ કરવામાં આવશે નહીં.આ પેનલમાં યુરોપિયન દેશોના અમ્પાયરોનું ભારે પ્રભુત્વ છે.</p><h5><b>ભારતે ફક્ત ચાર વર્લ્ડ કપ અમ્પાયરો બનાવ્યા&nbsp;</b></h5><p>ભારતીય હોકીના ઇતિહાસમાં, આધુનિક યુગ દરમિયાન ફક્ત ચાર પુરુષ અમ્પાયરો જ વર્લ્ડ કપમાં સ્થાન મેળવી શક્યા છે. તેમાં અમરજીત સિંહ બાવા, તરલોક સિંહ ભુલ્લર, સતવિંદર શર્મા અને આરવી રઘુ પ્રસાદનો સમાવેશ થાય છે. આરવી રઘુ પ્રસાદે ૨૦૧૦, 2014,2018&nbsp;અને 2023માં આ પદ પર સેવા આપી છે. ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનારા આરવી રઘુ પ્રસાદ 200આંતરરાષ્ટ્રીય મેચમાં અમ્પાયરિંગ કરનાર પ્રથમ એશિયન અમ્પાયર પણ છે. ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન (FIH) ની અમ્પાયરિંગ કમિટી ફક્ત એવા અધિકારીઓની પસંદગી કરે છે જેમણે ઓલિમ્પિક્સ, પ્રો લીગ અને પાછલા વર્લ્ડ કપમાં સતત સારું પ્રદર્શન કર્યું હોય.</p><h5><b>આંતરરાષ્ટ્રીય એક્સપોઝર અને તકોનો અભાવ</b></h5><p>વર્લ્ડ કપમાં ફરજ બજાવનારા ચાર અમ્પાયરોએ આગામી વર્લ્ડ કપમાં ભારતીય અમ્પાયરોની ગેરહાજરી અંગે ચિંતા વ્યક્ત કરી. અનુભવી અમ્પાયર સતવિંદર શર્માએ આને નિરાશાજનક ગણાવ્યું, પીટીઆઈને જણાવ્યું કે જ્યારે ભારતીય પુરુષ ટીમ 2008 બેઇજિંગ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થવામાં નિષ્ફળ ગઈ ત્યારે તેઓ ભારતનું પ્રતિનિધિત્વ કરનારા એકમાત્ર અધિકારી હતા. તેમણે કહ્યું કે જ્યાં સુધી ઘરેલુ અમ્પાયરોને આંતરરાષ્ટ્રીય સ્તરે જવાબદારી નિભાવવાની તક નહીં મળે, ત્યાં સુધી તેઓ આધુનિક હોકીની માંગણીઓને સમજી શકશે નહીં. રમતની ઝીણવટ સમજવામાં મદદ કરવા માટે અમ્પાયરોને રાષ્ટ્રીય કોચિંગ કેમ્પમાં પણ સામેલ કરવા જોઈએ.</p><h5><b>હોકી ઇન્ડિયામાં કેટલા અમ્પાયરો છે?</b></h5><p>હોકી ઇન્ડિયાની યાદી મુજબ, ભારતમાં 100 થી વધુ પુરુષ અને 70 થી વધુ મહિલા અમ્પાયરો છે, પરંતુ FIH ના એલિટ પેનલમાં ફક્ત છ ભારતીય પુરુષ અને ચાર મહિલા અમ્પાયરોનો સમાવેશ થાય છે. રઘુ પ્રસાદની નિવૃત્તિ પછી આ સંખ્યામાં વધુ ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં, જો ભારતે આગામી વર્લ્ડ કપ અથવા ઓલિમ્પિકમાં પોતાની હાજરી નોંધાવવી હોય, તો એક નક્કર રોડમેપ બનાવવો પડશે.</p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/cricket/news/ipl-2027-mumbai-indians-kkr-or-csk-know-which-team-hardik-pandya-will-join" target="_blank"> IPL 2027 : મુંબઈ ઈન્ડિયન્સ, KKR કે CSK, જાણો હાર્દિક પંડ્યા કઈ ટીમમાં જોડાશે</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/bcNk6wtRaSsKa7OJvm0xR5zJwrEwBqoLeU1hpQo9.webp'/></item><item><title><![CDATA[Aravalliના ધનસુરા-માલપુર હાઇવે પર ઇકો અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/aravalli/a-horrific-accident-between-an-eco-and-a-truck-on-the-dhansura-malpur-highway-in-aravalli-2-people-seriously-injured</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/aravalli/a-horrific-accident-between-an-eco-and-a-truck-on-the-dhansura-malpur-highway-in-aravalli-2-people-seriously-injured</guid><pubDate>Fri, 07 Aug 2026 15:04:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અરવલ્લી જિલ્લાના ધનસુરા-માલપુર હાઇવે પર આવેલા ધામણીયા સ્ટેન્ડ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. અહીં પૂરપાટ ઝડપે આવી રહેલી ઇકો કાર અને ટ્રક વચ્ચે પ્રચંડ ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ઇકો કારમાં સવાર બે વ્યક્તિઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ એમ્બ્યુલન્સ વાન ત્વરિત સ્થળ પર પહોંચી ગઈ હતી અને બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક વધુ સારવાર અર્થે વાત્રક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>ઇકો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માત</b></h2><p style="text-align: justify; ">અકસ્માતનો ભયાનક અવાજ સાંભળીને આસપાસના સ્થાનિકો અને વાહનચાલકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જેના કારણે ધામણીયા સ્ટેન્ડ નજીક લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા બંને ઈજાગ્રસ્તો નાના ગુજેરી ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતને પગલે હાઇવે પર થોડા સમય માટે વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો. </p><h3 style="text-align: justify; "><b>અકસ્માતમાં બે વ્યક્તિઓને પહોંચી ગંભીર ઇજાઓ&nbsp;</b></h3><p style="text-align: justify; ">બનાવની જાણ થતાં જ ધનસુરા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને રોડ સાઇડ પર ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ મામલે ધનસુરા પોલીસે અકસ્માતે ઈજા અંગેનો ગુનો નોંધીને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા આગળની કાનૂની તપાસ શરુ કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/A1DFEjnAe6IZUUGhKTDXJ90bBLb9WVoxaBaEiURI.webp'/></item><item><title><![CDATA[વાંચો બપોરે 12થી 03 વાગ્યા સુધીના મહત્વના સમાચાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-12-pm-to-03-pm-7-august-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-12-pm-to-03-pm-7-august-2026</guid><pubDate>Fri, 07 Aug 2026 14:58:24 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર<br><br><a href="https://sandesh.com/india/news/jharkhand-ranchi-student-protest-aisa-neha-bora-ink-attack" target="_blank">1. Jharkhand : રાંચીમાં વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, AISA અધ્યક્ષ નેહા બોરા પર ફેંકાઇ શાહી</a></b></p><p><a href="https://sandesh.com/entertainment/news/ramayana-trailer-100-crore-views-record-ranbir-kapoor" target="_blank"><b>2. Trailer Record : રામાયણના ટ્રેલરે તોડ્યા તમામ રેકોર્ડ, 100 કરોડથી વધુ વ્યૂઝ સાથે રચ્યો ઇતિહાસ!</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/government-presents-arguments-on-chaitar-vasava-bail-plea" target="_blank"><b>3. Ahmedabad News : ચૈતર વસાવાની જામીન અરજી પર સરકાર તરફથી કોર્ટમાં દલીલો રજૂ કરાઈ</b></a></p><p><a href="https://sandesh.com/world/news/political-news/pakistan-crisis-conflict-between-president-and-pm-judges-will-be-appointed-without-asif-ali-zardaris-signature" target="_blank"><b>4. Pakistan Crisis: રાષ્ટ્રપતિ અને PM વચ્ચે સંઘર્ષ, Asif Ali Zardariની સહી વિના ન્યાયાધીશોની થશે નિમણૂક</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-high-court-transfers-district--civil-and-senior-civil-judge" target="_blank"><b>5. Gujarat News: હાઈકોર્ટે ડિસ્ટ્રિક્ટ, સિવિલ અને સિનિયર સિવિલ જજની બદલીના આદેશ કર્યા, જુઓ લિસ્ટ</b></a></p><p><a href="https://sandesh.com/world/news/crime/bangkok-school-shooting-brutal-murder-of-8-including-grandparents-teachers-and-children-police-investigation-launched" target="_blank"><b>6. Bangkok School Shooting: દાદા-દાદી, શિક્ષકો અને બાળકો સહિત 8ની નિર્મમ હત્યા!, પોલીસ તપાસ શરુ</b></a></p><p><a href="https://sandesh.com/india/news/parliament-monsoon-session-2026-amit-shah-will-answer-kiren-rijijus-reply-to-the-opposition" target="_blank"><b>7. Parliament Monsoon Session 2026: અમિત શાહ જવાબ આપશેને તો... કિરેન રિજિજુનો વિપક્ષનો વળતો જવાબ</b></a></p><p><a href="https://sandesh.com/world/news/meta-fined--567-dollar-million-in-us-over-teen-safety--faces-trouble-in-india" target="_blank"><b>8. Metaની મુશ્કેલીમાં વધારો! ભારતમાં માગી માફી... હવે અમેરિકામાં ચૂકવવા પડશે 54 અબજ રૂપિયા</b></a></p><p><a href="https://sandesh.com/tech/news/whatsapp-security-risk-ai-agents-cyber-threats" target="_blank"><b>9.WhatsApp પર AI એજન્ટોનું જોખમ, સાયબર સુરક્ષા સંશોધકોએ આપી ચેતવણી</b></a></p><p><a href="https://sandesh.com/cricket/news/ipl-2027-mumbai-indians-kkr-or-csk-know-which-team-hardik-pandya-will-join" target="_blank"><b>10. IPL 2027 : મુંબઈ ઈન્ડિયન્સ, KKR કે CSK, જાણો હાર્દિક પંડ્યા કઈ ટીમમાં જોડાશે</b></a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/29/wLbfyTnyUxIYEFJiJxV9BkITi0sHaa4rS7kNibmF.webp'/></item><item><title><![CDATA[Gandhidhamના વેપારીના અપહરણ અને રૂ.5.55 કરોડની ખંડણી કેસમાં પંજાબથી મુખ્ય આરોપી સહિત વધુ 5ની ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gandhidham/5-more-accused-arrested-in-gandhidham-businessmans-kidnapping-and-rs--5-55-crore-extortion-case</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gandhidham/5-more-accused-arrested-in-gandhidham-businessmans-kidnapping-and-rs--5-55-crore-extortion-case</guid><pubDate>Fri, 07 Aug 2026 14:13:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કચ્છના ગાંધીધામના જાણીતા વેપારીનું અપહરણ કરી રૂ.5.55 કરોડની અધધ ખંડણી વસૂલવાના ચર્ચિત પ્રકરણમાં પોલીસને મોટી સફળતા સાંપડી છે. ગુજરાત એટીએસ (ATS) અને પંજાબ એસટીએફ (STF) ના સંયુક્ત સર્ચ ઓપરેશન દ્વારા પંજાબથી મુખ્ય સૂત્રધારની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત, અમદાવાદ અને જામનગરથી પણ અન્ય સહ-આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ હાઇ-પ્રોફાઇલ કેસમાં અગાઉ 10 આરોપીઓ પકડાઈ ચૂક્યા છે.</p><h2 style="text-align: justify; "><b>પોલીસે રૂ.4.30 કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત</b></h2><p style="text-align: justify; ">જ્યારે હવે વધુ 5 આરોપીઓ જાવેદ અભુ સાયચા, સોહિલ જુસબ બુચડ, રિઝવાન હુશેન કિચા, મુનાવર બુચડ અને નાગજી દેસાઈની ધરપકડ કરાતાં કુલ ધરપકડનો આંકડો 15 પર પહોંચ્યો છે. પોલીસ તપાસ દરમિયાન પકડાયેલા આરોપીઓ પાસેથી મોટી માત્રામાં મુદામાલ રિકવર કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ, યુએસડીટી (USDT) ક્રિપ્ટોકરન્સી, કિંમતી મોબાઈલ ફોન અને થાર કાર સહિત કુલ રૂ.4.30 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ખંડણીની રકમ ડિજિટલ ક્રિપ્ટો વૉલેટ અને રોકડ મારફતે ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>પકડાયેલા તમામ આરોપીઓ રીઢા ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનો પર્દાફાશ</b></h3><p style="text-align: justify; ">પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા તમામ આરોપીઓ અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે અને રીઢો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. વેપારીનું અપહરણ કરીને આટલી મોટી રકમ પડાવવા પાછળનું આખું નેટવર્ક કેવી રીતે કામ કરતું હતું તે દિશામાં ગુજરાત એટીએસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/ZKLGhSYl4E3lO7DOF2KMRLoh4CuzJ93mCCPrUANE.webp'/></item></channel></rss>