<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabad : ગાર્ડન અને તળાવો ખાતે ફરવા જતા નાગરિકો ભગવાન ભરોસે, 311 માંથી માત્ર 122 બગીચામાં જ સીસીટીવી કેમેરા ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-gardens-lakes-without-cctv-amc-negligence</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-gardens-lakes-without-cctv-amc-negligence</guid><pubDate>Mon, 10 Aug 2026 12:22:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં નાગરિકોની સુરક્ષા અને સુખાકારીને લઈને એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. શહેરના અનેક બગીચાઓ અને તળાવો હજુ પણ સીસીટીવી કેમેરાની નજરથી તદ્દન વંચિત છે, જેના કારણે મહિલાઓ, બાળકો અને વડીલોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>સીસીટીવી કેમેરા વહેલી તકે લગાવવા માટે પત્ર લખાયો</b></h2><p style="text-align: justify; ">ખાસ વાત એ છે કે ખુદ AMCની રિક્રિએશન કમિટીના ચેરમેન જીતેન્દ્ર ખરચરીયા દ્વારા સીસીટીવી કેમેરા વહેલી તકે લગાવવા માટે પત્ર લખવામાં આવ્યો હોવા છતાં, મ્યુનિસિપલ તંત્ર દ્વારા આ મામલે અત્યંત મંથરગતિએ કામગીરી ચલાવવામાં આવી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>માત્ર 122  ગાર્ડનમાં જ કુલ 458 સીસીટીવી કેમેરા મુકાયા&nbsp;</b></h3><p style="text-align: justify; ">પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરમાં કુલ 311 ગાર્ડન આવેલા છે, પરંતુ તેમાંથી માત્ર 122  ગાર્ડનમાં જ કુલ 458 સીસીટીવી કેમેરા મુકાયા છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ કેમેરામાંથી હાલ કેટલા ચાલુ છે અને કેટલા બંધ હાલતમાં છે, તેની કોઈ પણ સ્પષ્ટ અધિકૃત માહિતી તંત્ર પાસે ઉપલબ્ધ નથી.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>101 ઓક્સિજન પાર્કમાં સીસીટીવીનો સંપૂર્ણ અભાવ&nbsp;</b></h4><p style="text-align: justify; ">આ ઉપરાંત, શહેરમાં નવા બનેલા 101 ઓક્સિજન પાર્કમાં સીસીટીવીનો સંપૂર્ણ અભાવ જોવા મળી રહ્યો છે, જ્યારે ૧૫૬ જેટલા તળાવો પર કેમેરા લગાવવાનું આયોજન માત્ર કાગળ પર જ સીમિત રહ્યું છે.</p><h4 style="text-align: justify; "><b>હજારો લોકો મુલાકાત લે છે</b></h4><p style="text-align: justify; ">દૈનિક ધોરણે હજારોની સંખ્યામાં નાગરિકો, મહિલાઓ અને બાળકો ફરવા માટે ગાર્ડન અને તળાવોની મુલાકાતે આવે છે. ગુનાખોરી ડામવા અને અસામાજિક તત્વો પર નજર રાખવા માટે સીસીટીવી કેમેરા અત્યંત અનિવાર્ય હોવા છતાં AMC તંત્રની આ ઘોર નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જવાબદાર તંત્ર દ્વારા જો આ બાબતે વહેલી તકે કડક પગલાં નહીં ભરાય, તો નાગરિકોની સુરક્ષા સામેનું જોખમ વધુ વધી શકે તેવી દહેશત છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp; &nbsp;:&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-indepth-gir-lions-population-reaches-891-success-story" target="_blank"><b>Sandesh Indepth : 12થી 891 સુધીની સફર: ગીરના સાવજે કેવી રીતે જીત્યો અસ્તિત્વનો મહાસંગ્રામ?</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/QnCVgJZYoPfewvAlIvSJnS0264n5zswsBIahGfUt.webp'/></item><item><title><![CDATA[Preity Zintaએ અમિતાભ બચ્ચનના બર્થડે વિશનો ન આપ્યો જવાબ! KBCના સેટ પર બિગ બીએ કરી ફરિયાદ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/preity-zinta-amitabh-bachchan-kbc-scolding</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/preity-zinta-amitabh-bachchan-kbc-scolding</guid><pubDate>Mon, 10 Aug 2026 12:20:28 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સદીના મહાનાયક એટલે કે અમિતાભ બચ્ચન પોતાના ફેન્સનું મનોરંજન મોટા પડદા ઉપરાંત નાના પડદા પર પણ કરતા રહે છે. હવે તેઓ ફરી પોતાના ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ દ્વારા નાના પડદા પર પરત ફરી રહ્યા છે. તેની નવી સીઝન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. અમિતાભ બચ્ચનના શો KBCની નવી સીઝનના પહેલા મહેમાન સની દેઓલ, પ્રીતિ ઝિન્ટા અને આમિર ખાન બનવાના છે.</p><h2 style="text-align: justify; "><b>બંટવારા 1947ના પ્રમોશન માટે KBCમાં પહોંચ્યા ત્રણેય સ્ટાર્સ</b></h2><p style="text-align: justify; ">સની દેઓલ, આમિર ખાન અને પ્રીતિ ઝિન્ટાની ફિલ્મ બંટવારા 1947 ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના પ્રમોશન માટે ત્રણેય કલાકારો અમિતાભ બચ્ચનના શો KBCની 18મી સીઝનના પહેલા એપિસોડમાં જોવા મળશે. આ એપિસોડ આજથી એટલે કે 10 ઓગસ્ટથી પ્રસારિત થવાનો છે. આ દરમિયાન બિગ બી પ્રીતિ ઝિન્ટા સામે એક મોટી ફરિયાદ કરતા જોવા મળશે અને મજાકિયા અંદાજમાં તેમને ઠપકો આપતા પણ નજર આવશે.</p><h3 style="text-align: justify; "><b>અમિતાભ બચ્ચને પ્રીતિ ઝિન્ટા સામે કરી ફરિયાદ</b></h3><p style="text-align: justify; ">સોની ટીવીએ KBC 18નો એક પ્રોમો વીડિયો શેર કર્યો છે. તેમાં અમિતાભ બચ્ચન અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા સામે ફરિયાદ કરતા જોવા મળી રહ્યા છે. બિગ બીએ વીડિયોમાં કહ્યું, અમને તમારી સામે એક મોટી ફરિયાદ છે. ફરિયાદ એ છે કે 31 જાન્યુઆરીએ અમે તમારા જન્મદિવસ પર તમને શુભેચ્છા પાઠવીએ છીએ, પરંતુ તમારો એક વખત પણ જવાબ આવ્યો નથી.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Db0Vhe-o2Mr/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Db0Vhe-o2Mr/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Db0Vhe-o2Mr/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Db0Vhe-o2Mr/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>અમિતાભ બચ્ચને કહ્યું- કોઈ વાત નહીં</b></h4><p style="text-align: justify; ">બિગ બીની વાત સાંભળીને પ્રીતિ કહે છે, અમિતજી, હું હંમેશા તમને જવાબ આપું છું, પરંતુ એક અઠવાડિયા પછી. ત્યારબાદ અમિતાભ બચ્ચને સ્ક્રીન પર વર્ષ 2012ની પોતાની એક પોસ્ટ બતાવી, જેમાં તેમણે અભિનેત્રીને જન્મદિવસની શુભેચ્છા આપતાં લખ્યું હતું, પ્રીતિ ઝિન્ટા, તમે જ્યાં પણ હો, કારણ કે તમે મારા મેસેજનો જવાબ ન આપવાનું નક્કી કરી લીધું છે... હા હા... જન્મદિવસની શુભેચ્છા... પ્રેમ અને ખુશીઓ. આ પછી અમિતાભ બચ્ચને કહ્યું, કોઈ વાત નહીં.</p><h5 style="text-align: justify; "><b>ક્યારે રિલીઝ થશે બંટવારા 1947?</b></h5><p style="text-align: justify; ">બંટવારા 1947 14 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું નિર્દેશન રાજકુમાર સંતોષીએ કર્યું છે, જ્યારે આમિર ખાન ફિલ્મ સાથે નિર્માતા તરીકે જોડાયેલા છે. ફિલ્મમાં સની દેઓલ અને પ્રીતિ ઝિન્ટા મુખ્ય ભૂમિકામાં છે. આ ભારતના ભાગલા પર આધારિત એક પિરિયડ ડ્રામા ફિલ્મ છે.</p><p style="text-align: justify; "><a href="http://rtainment/news/sara-tendulkar-banarasi-saree-diamond-necklace" target="_blank">આ પણ વાંચો-Celebrity Style : સારા તેંડુલકરે બનારસી સાડીમાં મચાવ્યો કહેર, ડાયમંડ નેકલેસે ખેંચ્યું સૌનું ધ્યાન!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/agEXaMamixr6JDL4ZNUe5MprjgC9H5lNgv1dPToV.webp'/></item><item><title><![CDATA[Gold Silver Price Today: તહેવાર પહેલા સોના ચાંદીના ભાવ વધ્યા, જાણો તમારા શહેરમાં 24 કેરેટ સોનાની કિંમત કેટલી ]]></title><link>https://sandesh.com/business/news/gold-silver-price-today-gold-and-silver-prices-increased-before-the-festival-know-the-price-of-24-karat-gold-in-your-city</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/gold-silver-price-today-gold-and-silver-prices-increased-before-the-festival-know-the-price-of-24-karat-gold-in-your-city</guid><pubDate>Mon, 10 Aug 2026 12:06:39 +05:30</pubDate><description><![CDATA[<p>સોમવાર 10 ઓગસ્ટ, 2026ના રોજ સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. તહેવારોની મોસમ પહેલા ખરીદીમાં વધારો અને વૈશ્વિક બજારોમાં મજબૂતાઈને કારણે સ્થાનિક બુલિયન બજારમાં તેજી ફરી આવી છે.</p><p> </p><h2><b>આજે સોનાનો ભાવ</b></h2><p>MCX પર સવારે 10.43 કલાકે  ઓક્ટોબર 2026 ડિલિવરી વાળુ સોનુ  320 રૂપિયા વધીને એટલે કે 0.21 ટકા વધીને 152140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરતા જોવા મળ્યું. જ્યારે કારોબાર દરમિયાન તેણે 152299 રૂપિયાનું હાઇ લેવલ સ્તર પર પહોંચ્યો હતો.&nbsp;</p><h2><b>આજે ચાંદીનો ભાવ&nbsp;</b></h2><p>સોનાની તુલનામાં ચાંદીમાં વધુ તીવ્ર ઉછાળો જોવા મળ્યો. સપ્ટેમ્બર 2026 ડિલિવરી માટે ચાંદી ₹1993&nbsp; (0.86%) વધીને ₹233459 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ, જેમાં ઇન્ટ્રાડે ભાવ ₹234185 ને સ્પર્શ્યા. આ અગાઉના સત્રની તુલનામાં નોંધપાત્ર વધારો માનવામાં આવે છે, જે સ્પષ્ટપણે બજારમાં ખરીદીના વલણનો સંકેત આપે છે.</p><p>ગુડરિટર્ન્સ અનુસાર, 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ આશરે ₹15,197 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ આશરે ₹13,930 છે. દરમિયાન, ચાંદી પ્રતિ કિલોગ્રામ આશરે ₹2.45 લાખના ભાવે વેચાઈ રહી છે.</p><p><b style="font-size: 1.5rem;">દેશના કેટલાક મોટા શહેરોમાં સોનાના ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)</b></p><table class="table table-bordered"><tbody><tr><td><b>શહેર&nbsp;</b></td><td><b>24 કેરેટ સોનાની કિંમત&nbsp;</b></td><td><b>22 કેરેટ સોનાની કિંમત</b></td></tr><tr><td>દિલ્હી</td><td>&nbsp;1,52,120</td><td>&nbsp;1,39,450</td></tr><tr><td>મુંબઈ&nbsp;<br></td><td>1,51,970&nbsp;</td><td>1,39,300</td></tr><tr><td>કોલકાતા&nbsp;</td><td>1,51,970&nbsp;</td><td>1,39,300</td></tr><tr><td>ચેન્નઈ&nbsp;</td><td>1,52,180</td><td>&nbsp;1,39,500</td></tr><tr><td>અમદાવાદ&nbsp;</td><td>1,52,020&nbsp;</td><td>1,39,350</td></tr><tr><td>રાજકોટ</td><td>&nbsp;1,52,020&nbsp;</td><td>1,39,350</td></tr></tbody></table><p><br></p><h4><b>સોનું અને ચાંદી ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું?</b></h4><p>જો તમે સોનું ખરીદી રહ્યા હોવ તો હંમેશા હોલમાર્ક તપાસો અને 6 અંકનો HUID કોડ જોઈને જ ખરીદી કરો. ચાંદી માટે પણ BIS હોલમાર્ક હોય છે અને તેમાં 925 સ્ટર્લિંગ સિલ્વરને સૌથી સારી ગુણવત્તાનું માનવામાં આવે છે. ઉપરાંત, ખરીદી પહેલાં સોના અને ચાંદીની શુદ્ધતાની તપાસ પણ જરૂર કરાવો.</p><p><br></p><p><b>Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/astrology/news/bhakti/shani-transit-shani-dev-will-have-a-great-move-luck-will-shine-for-4-zodiac-signs-from-august-20" target="_blank">આ પણ વાંચો: Shani Transit: શનિ દેવ ચાલશે ગજબની ચાલ, 20 ઑગષ્ટથી 4 રાશિનું ચમકશે નસીબ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/03/20/F02lq6dBM1k8IwndevjLSbR4WiUMenjSz0n6XmC8.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના ગુજરાત યુનિવર્સિટી રોડ પર 'ખાડારાજ': IIMથી યુનિવર્સિટી માર્ગ પર પડેલા ખાડાથી વાહનચાલકો ત્રસ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/pothole-raj-on-gujarat-university-road-in-ahmedabad-motorists-are-troubled-by-potholes-on-the-iim-university-road</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/pothole-raj-on-gujarat-university-road-in-ahmedabad-motorists-are-troubled-by-potholes-on-the-iim-university-road</guid><pubDate>Mon, 10 Aug 2026 12:04:50 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરના અત્યંત વ્યસ્ત અને શૈક્ષણિક ધામ ગણાતા ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં રસ્તાઓની બિસ્માર હાલતે વાહનચાલકોની કમર તોડી નાખી છે. IIM (ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ) થી ગુજરાત યુનિવર્સિટી તરફ જતા મુખ્ય માર્ગ પર ચોતરફ ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે. દરરોજ આ મહત્વના માર્ગ પરથી હજારો વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને સ્થાનિક નાગરિકો પસાર થાય છે, પરંતુ મનપા તંત્ર કે યુનિવર્સિટી સત્તાધીશોને આ રોડનું યોગ્ય સમારકામ કરવામાં કોઈ રસ ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.</p><h2 style="text-align: justify; "><b>ચોમાસામાં અકસ્માતનો મોટો ભય</b></h2><p style="text-align: justify; ">સ્થાનિક વાહનચાલકો અને વિદ્યાર્થીઓનો આક્રોશ છે કે છેલ્લા 2 વર્ષથી આ રસ્તાની સ્થિતિ આવી જ દયનીય બનેલી છે. ચોમાસા દરમિયાન પડેલા ખાડાઓમાં પાણી ભરાઈ જવાથી ખાડાની ઊંડાઈનો અંદાજ આવતો નથી, જેના કારણે ખાસ કરીને ટૂ-વ્હીલર ચાલકો સ્લિપ થઈને અકસ્માતનો ભોગ બની રહ્યા છે. રસ્તા પરથી સુરક્ષિત પસાર થવું હોય તો અત્યંત સાવચેતીપૂર્વક વાહન ચલાવવું પડે છે. કોઈપણ સમયે નાનો-મોટો ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.</p><h3 style="text-align: justify; "><b>મનપા દ્વારા માત્ર થીગડાં મારી કાગળ પર સંતોષ</b></h3><p style="text-align: justify; ">અમદાવાદ મહાનગરપાલિકાના રોડ વિઝન અને પ્રી-મોન્સૂન કામગીરીના પોકળ દાવાઓ વચ્ચે તંત્ર દ્વારા આ રોડ પર માત્ર થીગડાં (પેચવર્ક) મારીને સંતોષ માનવામાં આવે છે. ચોમાસું પૂરું થયા બાદ થોડોક ડામર નાખીને કામ પતાવી દેવાય છે, જે પ્રથમ વરસાદમાં જ ધોવાઈ જાય છે. આ કાયમી સમસ્યાનો કાયમી ઉકેલ લાવીને બિસ્માર રસ્તાનું નવેસરથી ગુણવત્તાયુક્ત નિર્માણ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ સ્થાનિકો અને વાહનચાલકો કરી રહ્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/q1CZRTaWhajK9nI6qGT2CCfq5Wc2AlrwkWHlJD6g.webp'/></item><item><title><![CDATA[Kheda SPના નામે બન્યું ફેક ફેસબુક એકાઉન્ટ: પોલીસકર્મીઓ અને લોકોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલાતાં ચકચાર ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kheda/fake-facebook-account-created-in-the-name-of-kheda-sp-friend-requests-sent-to-policemen-and-people-cause-a-stir</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kheda/fake-facebook-account-created-in-the-name-of-kheda-sp-friend-requests-sent-to-policemen-and-people-cause-a-stir</guid><pubDate>Mon, 10 Aug 2026 11:44:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ખેડા જિલ્લાના એસપી (સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ) વિજયભાઈ પટેલના નામે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર એક નકલી (ફેક) એકાઉન્ટ બનાવવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાયબર ગુના આચરતા તત્વો દ્વારા એસપીના સત્તાવાર નામ, હોદ્દા અને ફોટોગ્રાફ્સનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરીને આ આઈડી તૈયાર કરવામાં આવ્યું છે. આ ફેક એકાઉન્ટના સ્ક્રીનશોટ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ સ્થાનિક પોલીસ તંત્ર અને નાગરિકોમાં ભારે ચકચાર મચી ગઈ છે.&nbsp;</p><p style="text-align: justify; "><b>પોલીસ કર્મચારીઓ અને સામાન્ય લોકોને મોકલાઈ રિક્વેસ્ટ</b></p><p style="text-align: justify;">શાતિર સાયબર તત્વો દ્વારા આ ફેક ફેસબુક એકાઉન્ટ મારફતે જિલ્લાના વિવિધ પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ તેમજ સામાન્ય નાગરિકોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી રહી છે. સામાન્ય રીતે આવા બોગસ એકાઉન્ટ બનાવીને આગળ જતાં મેસેન્જર મારફતે પૈસાની માગણી કે અન્ય સાયબર ફ્રોડ આચરવાની આશંકા રહેલી હોય છે. પોલીસ તંત્રના વડાના જ નામે આવું આઈડી બનતાં સાયબર ક્રાઈમ સેલ તાત્કાલિક હરકતમાં આવ્યું છે અને એકાઉન્ટ બનાવનાર તત્વોને શોધી કાઢવા તપાસ તેજ કરી છે.&nbsp;</p><p style="text-align: justify; "><b>ફેક એકાઉન્ટથી સાવધાન રહેવા અપીલ</b></p><p style="text-align: justify; ">આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ ખેડા જિલ્લા પોલીસ અને એસપી દ્વારા નાગરિકોને ખાસ સાવધાન રહેવા માટે ઉગ્ર અપીલ કરવામાં આવી છે. એસપીના નામે આવેલી કોઈ પણ ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારવી નહીં તેમજ આવા કોઈ પણ શંકાસ્પદ એકાઉન્ટમાંથી પૈસા કે અન્ય મદદ અંગેના મેસેજ આવે તો તેનાથી સાવચેત રહેવા જણાવાયું છે. આવી કોઈ પણ પ્રવૃત્તિ જણાતાં તુરંત જ સાયબર હેલ્પલાઈન અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા નાગરિકોને વિનંતી કરવામાં આવી છે.&nbsp;</p><p style="text-align: justify;"><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/cOXzbPMZk8wt0mpjQzEJnrlknW8CTH7CTY6kRkFK.webp'/></item><item><title><![CDATA[Bharuchના જંબુસરમાં ખાતર માટે રાતથી જ લાગી લાઈનો, પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/queues-formed-for-fertilizer-in-jambusar-bharuch-since-night-police-arrangements-made-to-control-the-situation</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/queues-formed-for-fertilizer-in-jambusar-bharuch-since-night-police-arrangements-made-to-control-the-situation</guid><pubDate>Mon, 10 Aug 2026 10:57:25 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભરૂચ જિલ્લાના જંબુસરમાં ખાતરની અછતને કારણે ખેડૂતોની સ્થિતિ અત્યંત કફોડી બની છે. સરકાર દ્વારા પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ હોવાના પોકળ દાવાઓ વચ્ચે જંબુસર વિતરણ કેન્દ્ર પર ખાતર મેળવવા માટે ખેડૂતોની ભારે અફરાતફરી અને ઘસારો જોવા મળ્યો હતો. ખાતર મેળવવા માટે ખેડૂતો આગલી રાતથી જ કેન્દ્ર પર પહોંચી ગયા હતા.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ખાતર માટે ખેડૂતોની રાતભર મુશ્કેલી</b></h2><p style="text-align: justify; ">સવારે નંબર જળવાઈ રહે તે હેતુંથી ખેડૂતોએ લાઈનમાં પોતાના ચપ્પલ મૂકીને નંબર લગાવવો પડ્યો હતો. જંબુસર ખાતર વિતરણ કેન્દ્ર ખાતે માગ સામે પુરવઠો તદ્દન ઓછો હોવાથી સ્થિતિ વણસી હતી. કેન્દ્ર પર માત્ર 2000 ગુણ ખાતરનો સ્ટોક ઉપલબ્ધ હતો, જેની સામે અંદાજે 900 જેટલા ખેડૂતો ખાતર લેવા માટે ઉમટી પડ્યા હતા. તેવામાં ઓછો સ્ટોક હોવાની જાણ થતાં જ ખેડૂતોમાં ભારે અસંતોષ સાથે રોષ વ્યાપી ગયો હતો. જેના કારણે કેન્દ્ર પર હોબાળા જેવી સ્થિતિ સર્જાઈ હતી.</p><h3 style="text-align: justify; "><b>શાંતિ જાળવવા વિનંતી અને પોલીસ બંદોબસ્ત ખડકાયો</b></h3><p style="text-align: justify; ">સ્થિતિ વધુ ન બગડે અને અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાતર વિતરણ કેન્દ્ર પર તાત્કાલિક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વિતરણ અધિકારીઓ દ્વારા ખેડૂતોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી હતી અને સરકાર દ્વારા જંબુસર તાલુકા માટે વધુ ખાતરનો જથ્થો તાત્કાલિક ધોરણે ફાળવવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી હતી. બીજી તરફ ખેડૂતોએ પણ વાવેતરની સીઝનમાં ખાતરની અછત ન સર્જાય તે માટે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી વહેલી તકે પૂરતો જથ્થો પૂરો પાડવાની માંગ કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/A5Hrh7cOprqweW7a0mRJjMKQ0Q4osvDKa86B0Sfx.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : રોડ તો ઠીક, હવે ગોતા બ્રિજ પર પણ જોખમી ગાબડાં: ખુલ્લા સળિયાથી વાહનચાલકોમાં ભારે રોષ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-gota-bridge-damaged-potholes-news</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-gota-bridge-damaged-potholes-news</guid><pubDate>Mon, 10 Aug 2026 10:49:08 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં માર્ગોની ખરાબ હાલત બાદ હવે ફ્લાયઓવર બ્રિજની સુરક્ષા સામે પણ ગંભીર સવાલો ઉભા થયા છે. શહેરના વ્યસ્ત વિસ્તાર ગણાતા ગોતા બ્રિજ પર મોટા ગાબડાં પડી ગયા છે અને બ્રિજની વચ્ચેથી લોખંડના સળિયા બહાર આવી ગયા છે. આ જોખમી સ્થિતિના કારણે હજારો વાહનચાલકો રોજીંદા અવરજવર દરમિયાન ભારે મુશ્કેલી અને અકસ્માતના ભયનો સામનો કરી રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>ગોતા બ્રિજ પર પડેલા મોટા ખાડાઓ&nbsp;</b></h2><p style="text-align: justify; ">ગોતા બ્રિજ પર પડેલા મોટા ખાડાઓ અને ખુલ્લા સળિયાઓને કારણે વાહનોના ટાયર ફાટવાનો અને ગંભીર અકસ્માત થવાનો સતત ખતરો તોળાઈ રહ્યો છે. ખાસ કરીને રાત્રીના સમયે દૃશ્યતા ઓછી હોવાથી દ્વિચકી વાહનચાલકો અને કાર સવારો આ ખાડાઓમાં ફસાઈને ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે. બ્રિજની શરૂઆત અને છેડાના ભાગે પણ ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયેલું છે, છતાં સત્તાધીશો અને જવાબદાર તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યાં નથી.</p><h3 style="text-align: justify; "><b>ઘોર બેદરકારી સામે ભારે રોષ&nbsp;</b></h3><p style="text-align: justify; ">સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોમાં તંત્રની આ ઘોર બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રજાના ટેક્સના પૈસાથી બનતા વિકાસના આ માર્ગો પર મોતનું જોખમ તોળાઈ રહ્યું હોવા છતાં વહીવટી તંત્ર ક્યારે જાગશે તે મોટો પ્રશ્ન બન્યો છે. જનતાની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ગોતા બ્રિજનું સમારકામ કરવામાં આવે, જેથી કોઈ મોટી દુર્ઘટના સર્જાતા અટકી શકે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો :&nbsp;&nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-indepth-gir-lions-population-reaches-891-success-story" target="_blank"><b>Sandesh Indepth : 12થી 891 સુધીની સફર: ગીરના સાવજે કેવી રીતે જીત્યો અસ્તિત્વનો મહાસંગ્રામ?</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/jkWtnYhloCgPFL8BMC96nARXiAHyM6HM0Snl5lx3.webp'/></item><item><title><![CDATA[Kashi Vishwanath Temple: વારણસીમાં ગંગા નદી બે કાંઠે, ઘાટના પગથિય સુધી પાણી પહોંચ્યા, ગંગા દ્વાર બંધ, જુઓ Video ]]></title><link>https://sandesh.com/india/news/kashi-vishwanath-temple-water-reached-the-foot-of-the-ghat-on-both-banks-of-the-ganga-river-in-varanasi-ganga-gate-closed-watch-video</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/kashi-vishwanath-temple-water-reached-the-foot-of-the-ghat-on-both-banks-of-the-ganga-river-in-varanasi-ganga-gate-closed-watch-video</guid><pubDate>Mon, 10 Aug 2026 10:08:43 +05:30</pubDate><description><![CDATA[<p>પર્વતીય વિસ્તારોમાં સતત પડી રહેલા મુશળધાર વરસાદની અસર હવે મેદાની વિસ્તારોમાં નદીના પાણીના સ્તરમાં વધારો થવાથી સ્પષ્ટપણે જોવા મળી રહી છે. પવિત્ર શહેર કાશીમાં, ગંગાનું પાણીનું સ્તર ઝડપથી વધીને 64 મીટરની નજીક પહોંચી ગયું છે. પાણીનું સ્તર ચેતવણી ચિહ્ન (70.26 મીટર) અને ભય ચિહ્ન (71.26 મીટર) થી ઘણું નીચે હોવા છતાં, વારાણસી વહીવટીતંત્રે પવિત્ર શ્રાવણ મહિનામાં શ્રદ્ધાળુઓના ભારે ધસારાને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા પગલાં અમલમાં મૂક્યા છે.</p><h2><b>વારાણસીના 84 ઘાટ અને નદીનું જળસ્તર વચ્ચે ઓછુ અંતર&nbsp;</b></h2><p>ગંગાના વધતા જળ સ્તરને કારણે, વારાણસીના પ્રખ્યાત 84 ઘાટ (નદીના કિનારાના પગથિયાં) વચ્ચેનો આંતર-જોડાણ સંપૂર્ણપણે ઘટી ગયો છે.&nbsp; સાવચેતીના પગલા તરીકે, વહીવટીતંત્રે શ્રાવણના બીજા સોમવાર પહેલા તમામ પ્રકારની નાની અને મોટી હોડીઓના સંચાલન પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો છે.</p><p>ઘાટ ના પગથિયાં પાણીમાં ડૂબી ગયા હોવાથી, શ્રી કાશી વિશ્વનાથ ધામનો 'ગંગા દ્વાર' (ગંગા દ્વાર) બંધ કરી દેવામાં આવ્યો છે, અને લલિતા ઘાટ દ્વારા પ્રવેશ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે, આ બધું ભક્તોની સલામતીના હિતમાં છે.</p><h3><b>વિશ્વ વિખ્યાત ગંગા આરતી પર પડી અસર&nbsp;</b></h3><p>પાણીના સ્તરમાં વધારાને કારણે દશાશ્વમેધ ઘાટ પર યોજાતી વિશ્વ વિખ્યાત દૈનિક ગંગા આરતી પર પણ અસર પડી છે. આરતીનું મૂળ સ્થળ લગભગ 4 મીટર પાણીમાં ડૂબી ગયું છે. ગંગા સેવા નિધિના પ્રમુખ સુશાંત મિશ્રાએ જણાવ્યું હતું કે શનિવારથી ગંગાના જળસ્તરમાં નવેસરથી વધારો નોંધવામાં આવ્યો છે. આને ધ્યાનમાં રાખીને આરતી સ્થળને 15 ફૂટ ઉંચુ (વધુ પાછળ) ખસેડવામાં આવ્યું છે જેથી ધાર્મિક વિધિ અવિરત ચાલુ રહે અને ભક્તો સુરક્ષિત અંતરેથી તેનો સાક્ષી બની શકે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANINewsUP/status/2086641583865438605"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p><b style="font-size: 1.5rem;">રાહત શિબિરો એલર્ટ પર</b></p><p>પરિસ્થિતિની ગંભીરતાને ઓળખીને, વારાણસીના જિલ્લા મેજિસ્ટ્રેટ સત્યેન્દ્ર કુમારે, NDRF ટીમ સાથે, ગંગા અને વરુણા નદીઓના કિનારાઓનું બોટ દ્વારા નિરીક્ષણ કર્યું. જિલ્લા મેજિસ્ટ્રેટે સંબંધિત અધિકારીઓને કડક નિર્દેશો આપ્યા છે. ગંગા અને વરુણા નદીઓના પાણીના સ્તર પર ચોવીસ કલાક નજર રાખવી જોઈએ, અને સંભવિત પૂરગ્રસ્ત વિસ્તારોમાં અગાઉથી ઓળખાયેલા રાહત શિબિરો, પ્રવેશ માર્ગો અને આવશ્યક સંસાધનોને ઉચ્ચ ચેતવણી પર રાખવા જોઈએ. દરિયાકાંઠાના વિસ્તારોના રહેવાસીઓને જાગૃત કરવા જોઈએ જેથી કોઈપણ કટોકટીની સ્થિતિમાં, તેમને વિલંબ કર્યા વિના સલામત સ્થળોએ ખસેડી શકાય.</p><p><a href="https://sandesh.com/astrology/news/bhakti/shani-transit-shani-dev-will-have-a-great-move-luck-will-shine-for-4-zodiac-signs-from-august-20" target="_blank">આ પણ વાંચો: Shani Transit: શનિ દેવ ચાલશે ગજબની ચાલ, 20 ઑગષ્ટથી 4 રાશિનું ચમકશે નસીબ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/iXxdUSaNsZoWu6R4hvOI3hIJAAluJgjg9H0abtsE.webp'/></item><item><title><![CDATA[Ranchi Students Protest : ઝારખંડમાં વિધાનસભા માર્ચ પહેલા પ્રશાસન એલર્ટ, કલમ 163 લાગુ ]]></title><link>https://sandesh.com/india/news/ranchi-students-protest-administration-alert-before-assembly-march-in-jharkhand-section-163-applied</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ranchi-students-protest-administration-alert-before-assembly-march-in-jharkhand-section-163-applied</guid><pubDate>Mon, 10 Aug 2026 09:23:29 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રાંચીના જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમમાં ધરણા પર બેઠા છે. સરકાર સાથે ત્રણ તબક્કાની વાતચીત નિષ્ફળ ગયા બાદ હવે વિદ્યાર્થીઓએ ઝારખંડ વિધાનસભાનો ઘેરાવ કરવાનો નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓનો વિધાનસભા માર્ચ સવારે 10 વાગ્યે શરૂ થવાનો છે. આ માર્ચને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસને સુરક્ષાની કડક વ્યવસ્થા કરી છે. વિધાનસભાની આસપાસ અનેક સ્તરની સુરક્ષા ગોઠવવામાં આવી છે અને કાંટાળા તાર લગાવીને બેરિકેડિંગ કરવામાં આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>પ્રશાસન પણ એલર્ટ મોડમાં</b></h2><p style="text-align: justify; ">વિદ્યાર્થીઓએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તેમની તમામ માગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે. રવિવારની સવારથી જ ઝારખંડના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રાંચી પહોંચવા લાગ્યા હતા. જૂની વિધાનસભા પરિસર અને મોરહાબાદી મેદાન નજીક ઉમેદવારોની ભીડ એટલી વધી ગઈ હતી કે ત્યાં બનાવવામાં આવેલો પંડાલ પણ નાનો પડી ગયો હતો. વિદ્યાર્થીઓની વધતી સંખ્યાને કારણે પ્રશાસન પણ એલર્ટ મોડમાં છે.</p><h3 style="text-align: justify; "><b>રાંચી જિલ્લા પ્રશાસનની વિદ્યાર્થીઓને અપીલ</b></h3><p style="text-align: justify; ">વિદ્યાર્થીઓના વિધાનસભા માર્ચને ધ્યાનમાં રાખીને રાંચી જિલ્લા પ્રશાસને આંદોલનકારીઓને શાંતિ જાળવવાની અપીલ કરી છે. પ્રશાસને વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારના ઉગ્ર પ્રદર્શનથી દૂર રહેવા જણાવ્યું છે. સાથે જ વિધાનસભા માર્ચ દરમિયાન હિંસા અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ થનારાઓ સામે કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.</p><p style="text-align: justify; ">રવિવારે મધરાતથી જમશેદપુરમાં પણ નિષેધાજ્ઞા એટલે કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 હેઠળ પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. બીજી તરફ આંદોલનકારી વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે કે ઝારખંડના વિવિધ વિસ્તારોમાંથી રાજધાની રાંચી આવી રહેલા સેંકડો વિદ્યાર્થીઓને પોલીસ બળજબરીથી રોકી રહી છે.</p><h4 style="text-align: justify; "><b>ત્રીજા તબક્કાની વાતચીતમાં પણ ઉકેલ નહીં</b></h4><p style="text-align: justify; ">આ પહેલા રવિવારે વિદ્યાર્થીઓ અને સરકારના પ્રતિનિધિઓ વચ્ચે ત્રીજા તબક્કાની બેઠક યોજાઈ હતી. આ બેઠક પાંચ કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. સરકાર દ્વારા વિદ્યાર્થીઓની કેટલીક મહત્વપૂર્ણ માગણીઓ સ્વીકારવાની તૈયારી દર્શાવવામાં આવી હતી અને આંદોલન સમાપ્ત કરાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી.</p><p style="text-align: justify; ">સરકાર 14મી JPSC પરીક્ષા રદ કરવા અને સમગ્ર મામલાની તપાસ કરાવવા માટે તૈયાર હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓની અન્ય કેટલીક માગણીઓ પર પણ સરકાર તરફથી સહમતિ દર્શાવવામાં આવી હતી. જોકે CBI તપાસ સહિતના કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સહમતિ બની શકી નહોતી. જેના કારણે વાતચીત કોઈ અંતિમ નિર્ણય સુધી પહોંચી શકી નથી.</p><h5 style="text-align: justify; "><b>પોલીસ પ્રશાસન એલર્ટ</b></h5><p style="text-align: justify; ">વિદ્યાર્થીઓના પ્રસ્તાવિત વિધાનસભા માર્ચને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસનને સંપૂર્ણપણે એલર્ટ કરવામાં આવ્યું છે. એડીજી હેડક્વાર્ટર મનોજ કૌશિકે જણાવ્યું કે માર્ચ દરમિયાન કોઈ પ્રકારની અશાંતિની શક્યતાને ધ્યાનમાં રાખીને જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.</p><p style="text-align: justify; ">તેમણે વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે માર્ચમાં જોડાવાની અપીલ કરી છે. એડીજીએ કહ્યું કે છેલ્લા બે અઠવાડિયાથી વધુ સમયથી ચાલી રહેલા આંદોલનમાં વિદ્યાર્થીઓએ અત્યાર સુધી શિસ્ત જાળવી છે. તેમણે વિદ્યાર્થીઓને અપીલ કરી કે તેઓ અસામાજિક તત્વો અને ઉપદ્રવ કરનારા લોકોને માર્ચમાં સામેલ થતા રોકે. હવે વિદ્યાર્થીઓનો વિધાનસભા માર્ચ અને સરકારની આગામી કાર્યવાહી પર સૌની નજર રહેશે.</p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/TgBvzgNOA9joULxHWOM9Ufsem0SRC3CpJEnsBHd9.webp'/></item><item><title><![CDATA[Commonwealth Gamesના મેડલ વિજેતાઓને મળ્યા પીએમ મોદી, ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો VIDEO ]]></title><link>https://sandesh.com/sports/news/india/pm-modi-meets-india-commonwealth-games-medal-winners</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india/pm-modi-meets-india-commonwealth-games-medal-winners</guid><pubDate>Sun, 09 Aug 2026 19:37:43 +05:30</pubDate><description><![CDATA[<p>સ્કોટલેન્ડના ગ્લાસગોમાં 2026માં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં કુલ 39 મેડલ જીત્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નિવાસસ્થાને તમામ મેડલ વિજેતાઓને મળ્યા હતા, તેમને તેમના મેડલ જીતવા બદલ અભિનંદન આપ્યા હતા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક રીલ શેર કરી હતી, જેમાં લખ્યું હતું, "જો ખેલેગા વો ખિલેગા."</p><h2><b>દેશને હંમેશા પ્રોત્સાહિત કરો</b></h2><p>કોમનવેલ્થ ગેમ્સ 2026માં મેડલ જીતનારા ખેલાડીઓને મળ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર શેર કરેલી રીલમાં તેમને કહ્યું હતું કે "જો ખેલેગા વો ખિલેગા." હંમેશા દેશને પ્રોત્સાહિત કરો. આ પછી પીએમ મોદીએ ભારત માતા કી જયનો નારા લગાવ્યો, જે તેમની સાથે હાજર તમામ ખેલાડીઓએ વારંવાર બોલ્યો.&nbsp;</p><p>આ રીલમાં કોમનવેલ્થ ગેમ્સ 2026માં ગોલ્ડ મેડલ જીતનાર મહિલા બોક્સિંગ ખેલાડી સાક્ષી ચૌધરીએ વીડિયો હોસ્ટ કર્યો અને આ મુલાકાત માટે પીએમ મોદીનો આભાર માન્યો. વીડિયોમાં સાક્ષી ચૌધરીએ કહ્યું કે નમસ્તે મિત્રો, આજે પીએમ સાહેબે કોમનવેલ્થ ગેમ્સના મેડલ વિજેતાઓને બોલાવ્યા છે અને અમે બધા ખૂબ ગર્વ અનુભવી રહ્યા છીએ.</p><p><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reels/Db0hIieTgy8/" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reels/Db0hIieTgy8/" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a><br></p><h3><b>આ વખતે બોક્સિંગમાં 10 મેડલ જીત્યા</b></h3><p>કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતે બોક્સિંગના વિવિધ વજન કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું જેમાં તે 7 ગોલ્ડ અને 3 સિલ્વર સહિત કુલ 10 મેડલ જીતવામાં સફળ રહ્યું હતું. ભારતે એથ્લેટિક્સમાં કુલ 10 મેડલ મેળવ્યા હતા જેમાં ગુલવીર સિંહે 2 અલગ અલગ ઈવેન્ટમાં મેડલ જીત્યા હતા. વેઈટલિફ્ટિંગમાં 8 મેડલ, પેરા એથ્લેટિક્સમાં 6, જુડોમાં 4 અને પેરા પાવરલિફ્ટિંગમાં 1 મેડલ જીત્યો હતો. પહેલીવાર કોમનવેલ્થ ગેમ્સમાં ભારત જુડો ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યું હતું. હવે બધાની નજર જાપાનમાં યોજાવનારી આગામી એશિયન ગેમ્સ પર છે જ્યાં ભારતીય ખેલાડીઓ પાસેથી શાનદાર પ્રદર્શનની અપેક્ષા છે.</p><p><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/0fyqm4BfEeu88Gm4DZle9uesUw8R5L6FcuQSOLfe.webp'/></item></channel></rss>