<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Banaskantha News: અમીરગઢના કિડોતર ગામમાં ઘરના નળિયા હટાવી રૂ.9.87 લાખની મત્તાની ચોરી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/banaskantha-amirgadh-kidotar-house-theft-9-87-lakh</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/banaskantha-amirgadh-kidotar-house-theft-9-87-lakh</guid><pubDate>Sat, 05 Sep 2026 19:12:35 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં તસ્કરોએ પોલીસને પડકાર ફેંકતી ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. અમીરગઢના કિડોતર ગામમાં આવેલા એક બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો રૂ.9.87 લાખની મત્તા ચોરીને ફરાર થઈ ગયા છે. શાતિર ચોરોએ મકાનના નળિયા હટાવીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ચોરી આચરી હતી. ઘટનાની જાણ થતાં જ સમગ્ર અમીરગઢ પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિતની મત્તા ગાયબ</b></h2><p style="text-align: justify; ">તસ્કરોએ મકાનમાં મુકેલી રોકડ રકમ તેમજ કિંમતી સોના-ચાંદીના ઘરેણાં સહિત કુલ રૂ. 9.87 લાખના મુદ્દામાલ પર હાથફેરો કર્યો હતો. સવારે મકાનમાલિકને ચોરી થઈ હોવાની જાણ થતાં તેમણે તુરંત અમીરગઢ પોલીસને જાણ કરી હતી. મોટો મુદ્દામાલ ચોરી થયો હોવાની માહિતી મળતાં જ જિલ્લા પોલીસનો ક્વાફલો અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.</p><h3 style="text-align: justify; "><b>તસ્કરોના સુરાગ મેળવવા તપાસ તેજ</b></h3><p style="text-align: justify; ">બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસે ગુનાનો ભેદ ઉકેલવા માટે અલગ-અલગ તપાસ ટુકડીઓ (ટીમો)ની રચના કરી છે. તસ્કરોનું સગડ મેળવવા માટે ઘટનાસ્થળે ડોગ સ્કવોડ અને એફએસએલ (FSL) ની ટીમોને બોલાવવામાં આવી હતી. પોલીસે કિડોતર ગામ અને આસપાસના માર્ગો પરના સીસીટીવી ફૂટેજ ચકાસવાની સાથે તસ્કરોને ઝડપી પાડવા માટે ચોતરફ તપાસ ચક્ર ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/qIZL22cwy707TRJ51lMcfdUHbefDWy6CUXHRGqKv.webp'/></item><item><title><![CDATA[Vadodaraના ગોત્રીમાં મુંબઈના ગોવિંદાઓ દ્વારા ભવ્ય મટકી ફોડ કાર્યક્રમ, જોવા ઉમટ્યું માનવમેહરામણ! ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-gotri-matki-phod-mumbai-govindas</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-gotri-matki-phod-mumbai-govindas</guid><pubDate>Sat, 05 Sep 2026 18:51:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભવ્ય અને રોમાંચક મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કૃષ્ણ જન્મોત્સવના ઉલ્લાસ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં ગોવિંદા મંડળીઓની સાહસિક રમત નિહાળવા માટે સમગ્ર વડોદરા શહેરમાંથી મોટી સંખ્યામાં માનવમેહરામણ ઉમટી પડ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>મુંબઈથી આવેલા ગોવિંદાઓએ 40 ફૂટ ઊંચી મટકી ફોડી</b></h2><p style="text-align: justify; ">આ વર્ષના મટકી ફોડ કાર્યક્રમમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર મુંબઈથી ખાસ આમંત્રિત કરવામાં આવેલી ગોવિંદા ટીમ રહી હતી. મુંબઈના ગોવિંદાઓએ ભારે ઉત્સાહ અને જોશ સાથે એકથી એક ચડિયાતા માનવ પિરામિડ રચીને 40 ફૂટની ભવ્ય ઊંચાઈ પર બાંધવામાં આવેલી મટકી સફળતાપૂર્વક ફોડી હતી. મટકી ફૂટતાં જ સમગ્ર ગોત્રી વિસ્તાર 'જય કન્હૈયા લાલ કી' અને 'ગોવિંદા આલા રે'ના નારાઓથી ગુંજી ઊઠ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>તલવાર રાસ અને મલખમના સાહસિક કરતબે લોકોના દિલ જીત્યા</b></h3><p style="text-align: justify; ">મટકી ફોડ સ્પર્ધાની સાથે-સાથે આયોજકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક અને સાહસિક ખેલનું પણ વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલાકારો દ્વારા તલવાર રાસની રમઝટ બોલાવવામાં આવી હતી તથા મલખમના અદભુત અને જોખમી કરતબ રજૂ કરવામાં આવ્યા હતા. આ મનમોહક અને સાહસિક પ્રદર્શને ઉપસ્થિત તમામ સહેલાણીઓ તથા નાગરિકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/8Xjz2WQer4cVEZt7bLR2JpLlliS8hSyUQmtOeiXO.webp'/></item><item><title><![CDATA[Maharashtra : સરકારી ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિ રોકવા ઉચ્ચસ્તરીય સમિતિની રચના, પેપર લીકથી લઈને નકલ સુધી પર રહેશે નજર ]]></title><link>https://sandesh.com/india/news/maharashtra-government-recruitment-exams-high-level-panel-paper-leak-cheating</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/maharashtra-government-recruitment-exams-high-level-panel-paper-leak-cheating</guid><pubDate>Sat, 05 Sep 2026 18:46:39 +05:30</pubDate><description><![CDATA[<p>મહારાષ્ટ્રમાં સરકારી ભરતી પરીક્ષાઓને વધુ પારદર્શક, સુરક્ષિત અને વિશ્વસનીય બનાવવા માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. ભરતી પરીક્ષાઓની સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ માત્ર પ્રશ્નપત્ર તૈયાર કરવાની પ્રક્રિયાની જ તપાસ નહીં કરે, પરંતુ પરીક્ષા સાથે જોડાયેલા દરેક તબક્કાનું મૂલ્યાંકન કરશે.</p><p>સમિતિ દ્વારા પ્રશ્નપત્રની ગુપ્તતા, પરીક્ષા કેન્દ્રોની સુરક્ષા, ટેક્નિકલ સુવિધાઓ, નકલ અને અન્ય ગેરરીતિઓ રોકવા માટેના ઉપાયો સહિત વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવશે. સરકારનો મુખ્ય હેતુ ભરતી પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓને ઘટાડવાનો અને ઉમેદવારો માટે એવી પરીક્ષા વ્યવસ્થા ઊભી કરવાનો છે, જેના પર તેઓ વિશ્વાસ રાખી શકે.</p><h2><b>સમગ્ર પરીક્ષા પ્રક્રિયાની થશે સમીક્ષા</b></h2><p>નવી રચાયેલી સમિતિ પ્રશ્નપત્ર તૈયાર કરવાથી લઈને પરીક્ષા પૂર્ણ થવા સુધીની સમગ્ર પ્રક્રિયાનું વિસ્તૃત મૂલ્યાંકન કરશે. પરીક્ષા દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે જરૂરી ફેરફારો અંગે પણ ભલામણ કરવામાં આવશે. સાથે જ પરીક્ષામાં ટેક્નોલોજીના વધુ અસરકારક ઉપયોગની શક્યતાઓ પણ તપાસવામાં આવશે. નકલ, ગેરકાયદેસર સાધનો અને અન્ય અનુચિત રીતોને રોકવા માટે કયા પગલાં વધુ અસરકારક સાબિત થઈ શકે તે અંગે પણ સમિતિ સરકારને સૂચનો આપશે.</p><h3><b>પારદર્શક નિરાકરણ માટે જરૂરી સુધારા સૂચવવામાં આવશે</b></h3><p>સમિતિ ઉમેદવારોને પરીક્ષા દરમિયાન થતી મુશ્કેલીઓ અને તેમની ફરિયાદોના નિવારણની હાલની વ્યવસ્થાની પણ સમીક્ષા કરશે. ફરિયાદોના ઝડપી અને પારદર્શક નિરાકરણ માટે જરૂરી સુધારા સૂચવવામાં આવશે. સામાન્ય વહીવટ વિભાગના અપર મુખ્ય સચિવને સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સમિતિમાં પોલીસ મહાનિર્દેશક સદાનંદ દાતે, ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી વિભાગના સચિવ વીરેન્દ્ર સિંહ, નાશિક વિભાગીય કમિશનર પ્રવીણ ગેડામ, પૂર્વ UPSC સભ્ય એર માર્શલ અજિત શંકરરાવ ભોસલે અને IIT મુંબઈના પ્રોફેસર શ્યામપ્રસાદ કરગુટે સહિત કુલ 7 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારનો ઉદ્દેશ ભરતી પરીક્ષાઓને ગેરરીતિમુક્ત, સુરક્ષિત, પારદર્શક અને ઉમેદવારલક્ષી બનાવવાનો છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/rajasthan-dholpur-road-accident-4-died-3-children" target="_blank">આ પણ વાંચો : Rajasthan : ધોલપુરમાં મોટો માર્ગ અકસ્માત, 3 બાળકો સહિત 4 લોકોના મોત</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/QtVXYDLrMJWSEUXLK2azCYIkOJWcJH64SS7phJGm.webp'/></item><item><title><![CDATA[Surat: તાપી બ્રિજ પરથી નદીમાં કૂદી આત્મહત્યા કરવા જતા સગીરને ટ્રાફિક પોલીસે બચાવ્યો, કારણ જાણીને ચોંકી જશો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/surat-kamrej-tapi-bridge-traffic-police-saves-minor-suicide-attempt</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/surat-kamrej-tapi-bridge-traffic-police-saves-minor-suicide-attempt</guid><pubDate>Sat, 05 Sep 2026 18:38:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત ગ્રામ્ય ટ્રાફિક પોલીસની એક અત્યંત પ્રશંસનીય અને સરાહનીય કામગીરી સામે આવી છે. સુરત જિલ્લાના કામરેજ સ્થિત તાપી નદીના બ્રિજ પરથી આત્મહત્યા કરવા જઈ રહેલા એક સગીરને પોલીસે સમયસર પહોંચીને નવજીવન આપ્યું છે. સમયસૂચકતા દાખવીને સગીરનો જીવ બચાવી લેતાં સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક પોલીસની કામગીરીની ભારે પ્રશંસા થઈ રહી છે.</p><h2 style="text-align: justify; "><b>ઘરકંકાસના કારણે મનદુઃખ થતાં આવેશમાં આવી ગયો&nbsp;</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, ઘરકંકાસના કારણે મનદુઃખ થતાં આવેશમાં આવી ગયેલા એક સગીરે કામરેજના તાપી નદીના બ્રિજ પરથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>વુમન લોકરક્ષક પિંકલ તખતસિંહની નજર પડી</b></h3><p style="text-align: justify; ">આ દરમિયાન બ્રિજ પરથી પસાર થઈ રહેલા સુરત ગ્રામ્ય ટ્રાફિક પોલીસના વુમન લોકરક્ષક પિંકલ તખતસિંહની નજર કૂદવાનો પ્રયત્ન કરી રહેલા સગીર પર પડી હતી. તેમણે સહેજ પણ વાર કર્યા વિના તાત્કાલિક દોડી જઈને સગીરને પકડી લીધો હતો અને બ્રિજ પરથી નીચે કૂદતા અટકાવ્યો હતો.</p><h4 style="text-align: justify; "><b>પોલીસે સગીરનું કાઉન્સેલિંગ કર્યું</b></h4><p style="text-align: justify; ">આત્મહત્યાનો પ્રયાસ કરનાર સગીરની પ્રાથમિક પૂછપરછમાં પરિવારમાં થયેલા ઘરકંકાસના કારણે આ પગલું ભરવા જઈ રહ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સગીરનું કાઉન્સેલિંગ કરી તેને સાંત્વના આપી હતી. ત્યારબાદ આગળની જરૂરી કાર્યવાહી અને વાલી-વારસોને સોંપવા માટે સગીરને કામરેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો :&nbsp; <b><a href="https://sandesh.com/gujarat/news/crime/surat/surat-girl-death-restaurant-food-fsl-report-no-poison-mystery" target="_blank">&nbsp; &nbsp;Surat : રેસ્ટોરન્ટનું ભોજન ખાધા બાદ 4 વર્ષની બાળકીનું મોત, તપાસનો રિપોર્ટ આવતા કેસમાં આવ્યો ચોંકાવનારો વળાંક</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/T5ogFBqN2LTnJxWhBtjbHlPZFOmmiBPSlQLeqzdH.webp'/></item><item><title><![CDATA[Rajkotના મવડી મેઈન રોડ પર સિટી બસ અને બાઈક વચ્ચે અકસ્માત, લોકોએ બસ પર પથ્થરમારો કરી કાચ તોડ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-mavdi-main-road-city-bus-bike-accident</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-mavdi-main-road-city-bus-bike-accident</guid><pubDate>Sat, 05 Sep 2026 18:31:25 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ શહેરમાં માર્ગ અકસ્માતોની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે મવડી મેઈન રોડ પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. મવડી મેઈન રોડ પર પુરપાટ ઝડપે આવતી સિટી બસ અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાના લાઈવ વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં અકસ્માત બાદ સ્થળ પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયેલો નજરે પડે છે.</p><h2 style="text-align: justify; "><b>ઉશ્કેરાયેલા લોકોએ બસ પર કર્યો પથ્થરમારો</b></h2><p style="text-align: justify; ">આ અકસ્માતમાં બાઈક ચાલકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને સિટી બસના ડ્રાઈવરની અવિચારી રીતે વાહન ચલાવવાની ટેવ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. ગુસ્સે ભરાયેલા સ્થાનિક લોકોએ બસ પર પથ્થરમારો કરવાનું શરૂ કરી દીધું હતું અને ડ્રાઈવર સાઈડનો બસનો કાચ તોડી ફોડીને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>માલવિયાનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી</b></h3><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં જ માલવિયાનગર પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવીને ઉશ્કેરાયેલા લોકોને શાંત પાડ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો. ઈજાગ્રસ્ત બાઈક ચાલકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધીને બસ ચાલક સામે કાયદેસરની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/dhNGtNLETW7KpwILMiZdum3tWsDHaYny1AvNzjUP.webp'/></item><item><title><![CDATA[Rajasthan : ધોલપુરમાં મોટો માર્ગ અકસ્માત, 3 બાળકો સહિત 4 લોકોના મોત ]]></title><link>https://sandesh.com/india/news/rajasthan-dholpur-road-accident-4-died-3-children</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/rajasthan-dholpur-road-accident-4-died-3-children</guid><pubDate>Sat, 05 Sep 2026 18:30:33 +05:30</pubDate><description><![CDATA[<p>રાજસ્થાનના ધોલપુર જિલ્લામાં શનિવારે એક દર્દનાક માર્ગ અકસ્માતમાં ત્રણ બાળકો સહિત ચાર લોકોના મોત થયાની માહિતી સામે આવી છે. મનિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ફૂલપુર ગામ નજીક મુસાફરોથી ભરેલી ઈકો કાર અનિયંત્રિત થઈને તળાવમાં ખાબકી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કાર સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગઈ હતી. ઘટનામાં પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જણાવાયું છે.</p><h2><b>સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા&nbsp;</b></h2><p>મળતી માહિતી મુજબ, ઈકો કારમાં અનેક મુસાફરો સવાર હતા. ફૂલપુર ગામ નજીક પહોંચતાં કાર તળાવ પાસેની પાણીથી ભરાયેલી રસ્તા પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન કાર ચાલકને રસ્તો અને તળાવની વાસ્તવિક હદનો અંદાજ ન આવતા વાહન સીધું ઊંડા પાણીમાં ખાબક્યું હતું. સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તરત જ બચાવ કામગીરી શરૂ કરી હતી. પોલીસ અને પ્રશાસનને જાણ થતાં ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક પણ સ્થળ પર પહોંચી રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.</p><h3><b>કેવી રીતે સર્જાયો અકસ્માત?</b></h3><p>પ્રાથમિક માહિતી અનુસાર, તળાવની આસપાસ થયેલા અતિક્રમણને કારણે પાણી રોડ સુધી ફેલાઈ ગયું હતું. રસ્તાનો મોટો ભાગ પાણીમાં ડૂબેલો હોવાથી વાહનચાલકને આગળ રસ્તો છે કે ઊંડું પાણી તે જાણી શકાયું નહોતું. આ પરિસ્થિતિને અકસ્માતનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.</p><p>અકસ્માત બાદ પ્રશાસને તળાવ વિસ્તારના અતિક્રમણને લઈને ગંભીરતા દાખવી છે. કલેક્ટરે સંબંધિત અધિકારીઓને અતિક્રમણો ઓળખી દૂર કરવા અને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી છે. સાથે જ સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરી ભવિષ્યમાં આવા અકસ્માતો અટકાવવા જરૂરી પગલાં લેવા પણ નિર્દેશ આપ્યો છે. હાલ પોલીસે અકસ્માતની સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/navneet-rana-gen-z-bjp-support-hanuman-chalisa-controversy-uddhav-thackeray-owaisi" target="_blank">આ પણ વાંચો : Navneet Rana: અમારા તહેવારથી તકલીફ છે તો પાકિસ્તાન જતા રહો... લાઉડસ્પીકર વિવાદ પર નવનીત રાણાનો પલટવાર</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/ucivxmRbkSECFqRVWz4XsZOy5EUUJCCW1B9kr5Vo.webp'/></item><item><title><![CDATA[રિક્ષાચાલકથી લઈને ઘરકામ કરનાર સુધી, આ સરકારી યોજનામાં મળે છે ₹3,000 પેન્શન ]]></title><link>https://sandesh.com/business/news/pm-sym-pradhan-mantri-shram-yogi-maandhan-yojana-3000-pension-55-monthly-contribution</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/pm-sym-pradhan-mantri-shram-yogi-maandhan-yojana-3000-pension-55-monthly-contribution</guid><pubDate>Sat, 05 Sep 2026 17:48:57 +05:30</pubDate><description><![CDATA[<p>PM Modi Scheme: સરકારની ઘણી એવી યોજનાઓ છે, જે ખાસ કરીને દેશના અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આજે અમે તમને આવી જ એક યોજના વિશે જણાવી રહ્યા છીએ, જેમાં માત્ર ₹55ના માસિક રોકાણથી 60 વર્ષની ઉંમર બાદ દર મહિને ₹3,000ની ગેરંટીડ પેન્શન મળવાની જોગવાઈ છે. આ યોજનાનું નામ છે, પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના (PM-SYM).મોદી સરકાર દ્વારા આ યોજના ફેબ્રુઆરી 2019માં શરૂ કરવામાં આવી હતી.</p><h2><b>કોના માટે છે આ યોજના?</b></h2><p>અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો જેમ કે લારી-ગલ્લાવાળા, રિક્ષાચાલકો, મજૂરો, ઘરકામ કરતા લોકો, કૃષિ મજૂરો સહિતના લોકો આ યોજનામાં જોડાઈ શકે છે. જોકે, આ માટે તેમની ઉંમર 18થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને તેમની માસિક કુલ આવક ₹15,000 કે તેનાથી ઓછી હોવી જોઈએ. આ ઉપરાંત અરજદાર ઇન્કમ ટેક્સપેયર ન હોવો જોઈએ અને પહેલેથી EPFO, ESIC અથવા NPS જેવી અન્ય સરકારી સામાજિક સુરક્ષા યોજનાનો સભ્ય પણ ન હોવો જોઈએ.</p><h3><b>સરકાર પણ આપે છે 50% યોગદાન</b></h3><p>આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં 50% યોગદાન સરકાર તરફથી આપવામાં આવે છે. એટલે કે આ એક ‘મેચિંગ કોન્ટ્રિબ્યુશન’ એટલે કે 1:1 યોગદાનવાળી યોજના છે. સરળ ભાષામાં સમજીએ તો તમારા બેંક ખાતામાંથી જેટલી રકમ કપાશે, એટલી જ રકમ ભારત સરકાર પણ તમારા પેન્શન ખાતામાં જમા કરશે. ઉદાહરણ તરીકે, જો તમે ₹55 આપો છો તો સરકાર પણ ₹55 આપશે. આ રીતે દર મહિને કુલ ₹110 જમા થશે. ઉંમર વધવાની સાથે તમારું યોગદાન પણ વધતું જાય છે અને સરકારનું યોગદાન પણ તે પ્રમાણે રહે છે.</p><h4><b>કેવી રીતે કરી શકાય અરજી?</b></h4><p>આ યોજનામાં જોડાવા માટે તમે તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જઈ શકો છો અથવા સત્તાવાર Shram Yogi Maandhan Portal દ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકો છો. આ માટે મુખ્યત્વે આધાર કાર્ડ અને સેવિંગ બેંક એકાઉન્ટ અથવા જનધન ખાતું જરૂરી છે, જેમાંથી દર મહિને રકમ ઓટો-ડેબિટ થઈ શકે. જુલાઈ 2026 સુધી આ યોજના હેઠળ રજિસ્ટર્ડ લાભાર્થીઓની સંખ્યા 54 લાખને પાર થઈ ગઈ છે. દેશભરમાં આ યોજના માટે લગભગ 4 લાખ સેન્ટર્સનું નેટવર્ક પણ ઉપલબ્ધ છે.</p><p><b><a href="https://sandesh.com/business/news/pm-kisan-yojana--why-your-rs-2000-installment-stopped--check-3-reasons" target="_blank">આ પણ વાંચો: ખેડૂતોને લઈને મોટા સમાચાર, આ કારણથી રોકાઇ શકે છે હપ્તો!</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/K4Yfw2IDr2lK8vnYtZNANKRf503zJa7o1gaHHz1c.webp'/></item><item><title><![CDATA[Panchmahal: મામલતદાર કચેરીમાં ACB નું સક્સેસફુલ ઓપરેશન: 25 હજારની લાંચ લેતા ક્લાર્ક રંગેહાથ ઝડપાયો! ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/panchmahal/panchmahal-jambughoda-mamlatdar-office-clerk-caught-taking-25000-bribe-acb-trap</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/panchmahal/panchmahal-jambughoda-mamlatdar-office-clerk-caught-taking-25000-bribe-acb-trap</guid><pubDate>Sat, 05 Sep 2026 17:45:29 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાની મામલતદાર કચેરી ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ હોય તેવી ઘટના સામે આવી છે. જમીનના રેકોર્ડમાં નામ દાખલ કરવા જેવી કાયદેસરની કામગીરી માટે પણ સરકારી બાબુઓ દ્વારા બેફામ લાંચ માંગવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. ત્યારે જાંબુઘોડા મામલતદાર કચેરીના એક ક્લાર્કને એન્ટી કરપ્શન બ્યુરો ની ટીમે લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડી કડક કાર્યવાહી કરી છે.</p><h2 style="text-align: justify; "><b>જમીનમાં નામ દાખલ કરવા અરજી કરી</b></h2><p style="text-align: justify; ">મળતી વિગતો અનુસાર, એક જાગૃત નાગરિકે પોતાની જમીનમાં નામ દાખલ કરવા અને નોંધ પાડવાની કામગીરી માટે જાંબુઘોડા મામલતદાર કચેરીનો સંપર્ક કર્યો હતો.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>ક્લાર્ક સુરપાલસિંહ ભુરસિંહ ઝાલાએ રૂપિયા 25,000 ની માગ કરી</b></h3><p style="text-align: justify; ">આ કાર્યવાહી કરી આપવા માટે કચેરીની ATV શાખામાં ફરજ બજાવતા ક્લાર્ક સુરપાલસિંહ ભુરસિંહ ઝાલાએ રૂપિયા 25,000 ની લાંચની માંગણી કરી હતી. જોકે, અરજદાર આ લાંચની રકમ ચૂકવવા માંગતા ન હોવાથી તેમણે તાત્કાલિક લાંચ રૂશ્વત વિરોધી વિભાગનો સંપર્ક સાધ્યો હતો.</p><h4 style="text-align: justify; "><b>મામલતદાર કચેરી જાંબુઘોડા ખાતે લાંચનું છટકું ગોઠવાયું</b></h4><p style="text-align: justify; ">અરજદારની ફરિયાદને આધારે મહીસાગર ACB ની ટીમે મામલતદાર કચેરી જાંબુઘોડા ખાતે લાંચનું છટકું ગોઠવ્યું હતું. પોતાની જાળમાં ફસાતો લાંચિયો ક્લાર્ક સુરપાલસિંહ ઝાલા અરજદાર પાસેથી રૂપિયા 25,000 ની રોકડ રકમ સ્વીકારવા ગયો હતો. લાંચ સ્વીકારતાની સાથે જ પહેલેથી જ ગોઠવાયેલા ACB ના અધિકારીઓએ ત્રાટકીને આરોપી ક્લાર્કને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.</p><h4 style="text-align: justify; "><b>ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ&nbsp;</b></h4><p style="text-align: justify; ">ACB ની ટીમે સ્થળ પરથી લાંચ પેટે લેવાયેલા રૂપિયા 25,000 પણ રિકવર કર્યા છે. સરકારી કચેરીમાં જ ACB ની સફળ ટ્રેપ થતાં અન્ય ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં લાંચિયા ક્લાર્ક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; ">&nbsp; &nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp;<a href="http://Nepal Flood : ફ્લેશ ફ્લડ પર નેપાળને ભારતનો જવાબ, વિકસિત દેશોએ જ વિકાસશીલ દેશોની મદદ કરવી જોઈએ" target="_blank"><b> Nepal Flood : ફ્લેશ ફ્લડ પર નેપાળને ભારતનો જવાબ, વિકસિત દેશોએ જ વિકાસશીલ દેશોની મદદ કરવી જોઈએ</b></a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/utMLuIh8KrQGBflN6an9vPus8xXboM2kqeh3Pq4a.webp'/></item><item><title><![CDATA[OMG : 29મા દિવસે હનુમાન અંશ બની બોલીવુડની સૌથી મોટી ફિલ્મ! ધુરંધર 2 અને પુષ્પા 2ના તોડ્યા રેકોર્ડ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/hanuman-ansh-day-29-bollywood-box-office-records</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/hanuman-ansh-day-29-bollywood-box-office-records</guid><pubDate>Sat, 05 Sep 2026 17:40:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આધ્યાત્મિક ગુરુ નીમ કરૌલી બાબાના જીવન પર બનેલી ફિલ્મ હનુમાન અંશ 2026ની સૌથી મોટી સ્લીપર હિટ ફિલ્મોમાંની એક બની ગઈ છે. જોકે, આ ફિલ્મને શરૂઆતના 2 અઠવાડિયામાં કમાણી માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ત્રીજા અઠવાડિયામાં જાણે કોઈ ચમત્કાર થયો અને ત્યારથી અત્યાર સુધી આ ફિલ્મ ઘણી મોટી ફિલ્મોની વચ્ચે પણ જોરદાર કમાણી કરી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>હનુમાન અંશની 29મા દિવસની કમાણી કેટલી રહી?</b></h2><p style="text-align: justify; ">હનુમાન અંશને સિનેમાઘરોમાં રિલીઝ થયાને 1 મહિનો પૂરો થઈ ગયો છે. પરંતુ આ ફિલ્મ માટે દર્શકોનો પ્રેમ દરેક પસાર થતા દિવસ સાથે વધી રહ્યો છે. પરિણામે નવી ફિલ્મોની ભીડ વચ્ચે પણ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. લગભગ 2 કરોડના બજેટમાં બનેલી હનુમાન અંશએ 29મા દિવસ સુધીમાં પોતાના બજેટ કરતાં લગભગ 50 ગણું કલેક્શન કરી લીધું છે.</p><ul><li style="text-align: justify;">સેકનિલ્કના શરૂઆતના આંકડા પ્રમાણે આ ફિલ્મે રિલીઝના 29મા દિવસે એટલે કે 5મા શુક્રવારે 10 કરોડ રૂપિયાની કમાણી કરી છે.</li><li style="text-align: justify;">આ સાથે હનુમાન અંશનું ભારતમાં 29 દિવસનું કુલ નેટ કલેક્શન હવે 82.88 કરોડ રૂપિયા થઈ ગયું છે.</li><li style="text-align: justify;">જ્યારે ફિલ્મની ગ્રોસ કમાણી 97.7 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.</li></ul><h3 style="text-align: justify; "><b>હનુમાન અંશ બની 29મા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ</b></h3><p style="text-align: justify; ">હનુમાન અંશએ 29મા દિવસે કમાણીના મામલે કમાલ કરી દીધી છે. કોઈ મોટા સ્ટાર વગર અને સામાન્ય બજેટમાં બનેલી આ ફિલ્મ 29મા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. ઈન્ટરેસ્ટિંગ વાત એ છે કે તેણે ધુરંધરથી લઈને ધુરંધર 2, છાવા અને પુષ્પા જેવી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે.<br><img alt="Hanuman Ansh, Entertainment (2)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/05/jQ6WQ3jfbvb3ZbRpe6CxJ7szPs2g75eZUU3J0Brx.webp"><br></p><h4 style="text-align: justify; "><b>આ છે 29મા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ટોપ 5 ફિલ્મો</b></h4><ul><li style="text-align: justify;">હનુમાન અંશ – 10 કરોડ</li><li style="text-align: justify;">ધુરંધર – 8.75 કરોડ</li><li style="text-align: justify;">છાવા – 6.50 કરોડ</li><li style="text-align: justify;">પુષ્પા 2 – 3.75 કરોડ</li><li style="text-align: justify;">ધુરંધર 2 – 3.25 કરોડ</li></ul><h4 style="text-align: justify; "><b>હનુમાન અંશ હવે દુનિયાભરમાં થશે રિલીઝ</b></h4><p style="text-align: justify; ">ગુરુવારે ફિલ્મના નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટર શેર કરીને જાહેરાત કરી હતી કે હનુમાન અંશ 11 સપ્ટેમ્બર, 2026ના રોજ દુનિયાભરમાં રિલીઝ થશે. તેનાથી ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનમાં વધુ મોટો વધારો થઈ શકે છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/58-year-old-janmashtami-song-lata-mangeshkar" target="_blank">આ પણ વાંચો-Old Song : 58 વર્ષ જૂનું જન્માષ્ટમીનું સૌથી વાયરલ ગીત, લતા મંગેશકરના અવાજમાં આજે પણ હિટ છે આ સદાબહાર ગીત!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/mrOZgUaenL0dwKHPnY4CajapReIvpzjYKAbyVUyU.webp'/></item><item><title><![CDATA[US Open 2026: ના વરસાદ, ના કોઈ ટેકનિકલ ખામી, સ્ટેડિયમમાં ગાંજાની ગંધ અને રોકાઈ રમત.. ]]></title><link>https://sandesh.com/sports/news/us-open-2026-aryna-sabalenka-stops-play-after-smelling-marijuana-during-match--complains-to-umpire</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/us-open-2026-aryna-sabalenka-stops-play-after-smelling-marijuana-during-match--complains-to-umpire</guid><pubDate>Sat, 05 Sep 2026 14:00:42 +05:30</pubDate><description><![CDATA[<p>યુએસ ઓપનમાં શુક્રવારે (4 સપ્ટેમ્બર) એક અત્યંત વિચિત્ર દ્રશ્ય જોવા મળ્યું હતું. લુઇસ આર્મસ્ટ્રોંગ સ્ટેડિયમમાં વિશ્વની નંબર-1 ટેનિસ ખેલાડી આર્યના સબાલેન્કાએ મેચ દરમિયાન રમત અટકાવીને ફરિયાદ કરવી પડી હતી. રમત રોકવાનું કારણ ના વરસાદ, ના કોઈ ઈજા કે ટેકનિકલ ખામી નહીં, પરંતુ સ્ટેન્ડમાંથી આવી રહેલી ગાંજાની (Marijuana) તીવ્ર ગંધ હતી. રમત રમતી વખતે સ્ટેડિયમમાંથી આવતા ગાંજાની ગંધ&nbsp; સબાલેન્કાને સહન ના થઈ અને એમ્પાયરને ફરીયાદ કરી.</p><p><b>સ્ટેન્ડમાંથી આવતી તીવ્ર ગંધથી સબાલેન્કા પરેશાન</b></p><p>લુઇસ આર્મસ્ટ્રોંગ સ્ટેડિયમમાં કમિલા રાખીમોવા સામે ત્રીજા રાઉન્ડની મેચ દરમિયાન આ ઘટના બની હતી. મેચની ત્રીજી ગેમમાં જ્યારે સબાલેન્કા 30-0 ના સ્કોર પર સર્વ કરી રહી હતી, ત્યારે કોર્ટના દક્ષિણ છેડેથી તેને ગાંજાની ગંધ આવી હતી. તેણે તુરંત ચેર અમ્પાયર તરફ ફરીને સ્ટેન્ડ તરફ ઈશારો કર્યો અને કહ્યું, "કોઈ ગાંજો પી રહ્યું છે. શું તમે તેના વિશે કંઈક કરશો? કારણ કે આ ગંધ ખૂબ જ તીવ્ર છે અને તેને અવગણવી મુશ્કેલ છે."</p><p><b>અમ્પાયરે સ્ટાફને સ્ટેન્ડમાં મોકલ્યો</b></p><p>સબાલેન્કાની ફરિયાદ બાદ અમ્પાયરે તુરંત સ્ટેડિયમ સ્ટાફને મદદ માટે બોલાવ્યા હતા. યુએસ ઓપન સ્ટાફે સ્ટેન્ડમાં જઈને ગંધ ક્યાંથી આવી રહી છે તેની તપાસ હાથ ધરી હતી. આ ઘટનાના કારણે મેચ થોડા સમય માટે રોકવી પડી હતી, પરંતુ પરિસ્થિતિ થાળે પડતાં રમત ફરી શરૂ કરવામાં આવી હતી.</p><p><b>એડ્રિયન મન્નારિનોએ પણ કરી હતી ફરિયાદ</b></p><p>માત્ર સબાલેન્કા જ નહીં, પરંતુ ટેનિસ ખેલાડી એડ્રિયન મન્નારિનોએ પણ આ ટુર્નામેન્ટ દરમિયાન સ્ટેન્ડમાંથી આવતી ગાંજાની ગંધ સામે નારાજગી વ્યક્ત કરી હતી. વિવાદ છતાં સબાલેન્કા ચોથા રાઉન્ડમાં પહોંચી. આ સમગ્ર નાટક અને વિક્ષેપ છતાં સબાલેન્કાના પ્રદર્શન પર કોઈ ખાસ અસર પડી નહોતી. બેલારુસિયન ખેલાડી સબાલેન્કાએ આક્રમક રમત રમીને કમિલા રાખીમોવાને પરાજય આપ્યો હતો અને ચોથા રાઉન્ડમાં પોતાની જગ્યા પાકી કરી હતી. આ જીત સાથે જ યુએસ ઓપન ટાઈટલ ડિફેન્ડ કરવાનું તેનું અભિયાન સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/gZhkIswJ669o8sjvLLfJIyZZkbUSwRO2rkOO1Zay.webp'/></item></channel></rss>