<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Rajkot: આટકોટમાંથી 2 દેશી પિસ્તોલ અને કારતૂસ સાથે ગુનેગાર ઝડપાયો, MP નો સપ્લાયર્સ ફરાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/rajkot/sog-police-seized-two-country-made-pistols-and-cartridges-in-atkot-one-arrested-mp-supplier-absconding</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/rajkot/sog-police-seized-two-country-made-pistols-and-cartridges-in-atkot-one-arrested-mp-supplier-absconding</guid><pubDate>Mon, 13 Jul 2026 08:10:00 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા અને ગેરકાયદેસર હથિયારોની હેરફેર રોકવા માટે એસઓજીની ટીમ સતત પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન એસઓજી ગ્રામ્ય બ્રાન્ચને ચોક્કસ અને સચોટ બાતમી મળી હતી કે, આટકોટ પોલીસ મથકની હદમાં એક ઇસમ ગેરકાયદેસર હથિયારોના જથ્થા સાથે કોઈ મોટી વારદાતને અંજામ આપવા અથવા હથિયારની ડીલ કરવા માટે ઊભો છે. બાતમીના આધારે એસઓજીની ટીમે તુરંત જ આટકોટ વિસ્તારમાં દરોડો પાડીને શંકાસ્પદ હાલતમાં ફરતા મહેશ ઉર્ફે મહાવીર નામના શખ્સને કોર્ડન કરીને ઝડપી લીધો હતો.</p><h2><b>બે પિસ્તોલ અને કારતૂસ જપ્ત</b></h2><p>પોલીસે જ્યારે ઝડપાયેલા આરોપી મહેશ ઉર્ફે મહાવીરની અંગઝડતી અને તલાશી લીધી ત્યારે તેની પાસેથી ગેરકાયદેસર રાખેલી ૨ નંગ લોડેડ દેશી પિસ્તોલ અને જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે હથિયાર અને કારતૂસનો આ મુદ્દામાલ જપ્ત કરીને આરોપીની કડક પૂછપરછ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલો આરોપી મહેશ અગાઉ પણ અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે અને તે વિસ્તારમાં પોતાની ધાક જમાવવા અથવા કોઈ ગુનાને અંજામ આપવા આ હથિયારો લાવ્યો હતો.</p><h3><b>સપ્લાયર્સ ફરાર, પોલીસ કમિશનરની સૂચનાથી તપાસ તેજ</b></h3><p>આરોપીની વધુ પૂછપરછ દરમિયાન આ કેસમાં આંતરરાજ્ય હથિયાર તસ્કરીનું નેટવર્ક બહાર આવ્યું છે. મહેશ ઉર્ફે મહાવીરને આ હથિયારો સપ્લાય કરનાર મુખ્ય સૂત્રધાર મધ્યપ્રદેશ (MP) નો વતની છે, જેણે સ્થાનિક કનેક્શનની મદદથી આ પિસ્તોલ ગુજરાતમાં મોકલી હતી. જોકે, પોલીસ દરોડાની ગંધ આવી જતાં હથિયાર ડિલિવર કરનાર સ્થાનિક સાગરીત અને એમપીનો સપ્લાયર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. આટકોટ પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને ફરાર થયેલા બંને સપ્લાયર્સને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને મધ્યપ્રદેશ અને સ્થાનિક સ્તરે ચક્રો ગતિમાન કર્યા છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/vadodara/manjalpur-assembly-by-election-bjp-satish-patel-and-congress-bhikhabhai-rabari-to-file-nomination-today" target="_blank">આ પણ વાંચો: Vadodara: માંજલપુર પેટાચૂંટણીમાં આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના સતીષ પટેલ અને કોંગ્રેસના ભીખાભાઈ રબારી ફોર્મ ભરશે</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/13/lbmUwl4W8xVqpAAtKOIsudz8FUwA23Hx8yThdkgK.webp'/></item><item><title><![CDATA[Vadodara: માંજલપુર પેટાચૂંટણીમાં આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના સતીષ પટેલ અને કોંગ્રેસના ભીખાભાઈ રબારી ફોર્મ ભરશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/manjalpur-assembly-by-election-bjp-satish-patel-and-congress-bhikhabhai-rabari-to-file-nomination-today</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/manjalpur-assembly-by-election-bjp-satish-patel-and-congress-bhikhabhai-rabari-to-file-nomination-today</guid><pubDate>Mon, 13 Jul 2026 07:59:09 +05:30</pubDate><description><![CDATA[<p>વડોદરા શહેરની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનો સત્તાવાર ધમધમાટ શરૂ થઈ ગયો છે. પૂર્વ ધારાસભ્યના નિધન અથવા રાજીનામા બાદ ખાલી પડેલી આ મહત્વની બેઠક પર વિજયધ્વજ લહેરાવવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ કમર કસી લીધી છે. આજે ઉમેદવારી પત્રક ભરવાનો અંતિમ દિવસ હોવાથી માંજલપુર અને વડોદરાના રાજકારણમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.</p><h2><b>માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી</b></h2><p>ભારતીય જનતા પાર્ટી દ્વારા આ બેઠક પર સતીષ પટેલ (નિશાળિયા) ને ટિકિટ આપવામાં આવી છે. ભાજપ પોતાના આ ગઢને જાળવી રાખવા માટે કોઈ કસૂર છોડવા માંગતું નથી, જેના ભાગરૂપે આજે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ખાસ વડોદરા ખાતે ઉપસ્થિત રહેશે. જગદીશ વિશ્વકર્માની આગેવાનીમાં માંજલપુર ખાતે ભાજપના કેન્દ્રીય ચૂંટણી કાર્યાલયનો વિધિવત પ્રારંભ કરાવવામાં આવશે. ત્યારબાદ યોજાનારી ભવ્ય 'વિજય વિશ્વાસ યાત્રા' રેલીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાશે અને સતીષ પટેલ પોતાનું ઉમેદવારી પત્રક ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરશે.</p><h3><b>કોંગ્રેસે ભીખાભાઈ રબારી પર ખેલ્યો દાવ</b></h3><p>બીજી તરફ, કોંગ્રેસ પક્ષ પણ આ ચૂંટણીને પ્રતિષ્ઠાના જંગ તરીકે જોઈ રહ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારી પણ આજે કાર્યકરોના વિશાળ સમર્થન સાથે રેલી સ્વરૂપે નીકળીને પોતાનું ફોર્મ ભરશે. કોંગ્રેસ પક્ષ સ્થાનિક પ્રશ્નો અને એન્ટી-ઇન્કમ્બન્સી (સત્તાવિરોધી લહેર) ને મુદ્દો બનાવીને ભાજપને ટક્કર આપવા મેદાનમાં ઉતર્યો છે. ચૂંટણી પંચના જાહેરનામા અનુસાર, આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી દિવસોમાં ફોર્મની ચકાસણી હાથ ધરાશે. ચૂંટણી લડવા ન ઈચ્છતા અથવા વ્યૂહાત્મક રીતે ખસી જવા માંગતા ઉમેદવારો માટે આગામી ૧૬ તારીખ સુધીમાં પોતાના ફોર્મ પરત ખેંચી લેવાની અંતિમ તક રહેશે. ૧૬ તારીખે ચિત્ર સ્પષ્ટ થયા બાદ માંજલપુરના જંગનું અસલી ચિત્ર સામે આવશે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/serious-negligence-of-danta-government-hospital-in-banaskantha-patients-health-deteriorated-after-being-given-a-bottle-with-an-expiry-date" target="_blank">આ પણ વાંચો: Banaskanthaની દાંતા સરકારી હોસ્પિટલની ગંભીર બેદરકારી: એક્સપાયરી ડેટવાળી બોટલ ચઢાવાતા દર્દીની તબિયત લથડી</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/13/FYcPyw9QHdgBUQYewA260I0avlBGVdO4l3defBkB.webp'/></item><item><title><![CDATA[Vadodara: મેસરી નદીના નવા બ્રિજની ગુણવત્તા પુનઃ શંકાના દાયરામાં ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-the-quality-of-the-new-bridge-over-the-mesri-river-is-again-under-suspicion</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-the-quality-of-the-new-bridge-over-the-mesri-river-is-again-under-suspicion</guid><pubDate>Mon, 13 Jul 2026 07:54:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ડેસર તાલુકાના શીહોરા નજીક મેસરી નદી પર નિર્માણ પામેલા નવા બ્રિજની ગુણવત્તા સામે ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે. બ્રિજમાં તિરાડો પડવા, સાઇડ ભાગમાં મોટો ભૂવો પડવા અને અગાઉ RCC ઉખડી જતાં અનેક સ્થળોએ સળિયા બહાર દેખાવાની ઘટનાઓ બાદ પણ જવાબદારો સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કરાઇ નથી.</p><p style="text-align: justify; ">ધારાસભ્ય કેતન ઇનામદારે એક મહિના અગાઉ સમગ્ર મામલે વિજિલન્સ તપાસની માંગ સાથે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. જો કે રજૂઆતને એક મહિનો પૂર્ણ થવા છતાં સંબંધિત અધિકારી કે કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં લેવાયા નથી.</p><p style="text-align: justify; ">સ્થાનિકોનો આક્ષેપ છે કે, બ્રિજમાં રહેલી ખામીઓને કાયમી રીતે દૂર કરવાને બદલે માત્ર લીપાપોથી કરીને ઢાંકવાનો પ્રયાસ કરાયો હતો. નજીવા વરસાદમાં મેસરી નદીના બ્રિજ ની પાસે મસમોટો ભૂવો પડયો છે. જો તેને વહેલી તકે પુરવામાં નહીં આવે તો મોટા અકસ્માતને આમંત્રણ છે તેવું સ્થાનિકો રોષપૂર્વક જણાવી રહ્યાં છે. બીજી તરફ્ પ્રથમપુરા નજીક કરડ નદી પરના બ્રિજની મરામતની કામગીરી શરૂ થઈ ગઈ છે. પરંતુ મેસરી નદીના બ્રિજ ઉપરના અને સાઈડમાં પડેલા ભૂવાનું સમારકામ કે તપાસ અંગે હજુ સુધી કોઈ કામગીરી હાથ ધરાઈ નથી. આશરે રૂા. 9 કરોડના ખર્ચે બનેલો પરથમપુરા બ્રિજ તેમજ રૂા. 24 કરોડના પ્રોજેક્ટ હેઠળ નિર્માણ પામેલા બંને બ્રિજોની ગુણવત્તા સામે ફરી પ્રશ્નચિહન ઊભું થયું છે. સમગ્ર મામલે સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળે છે. લોકો કસૂરવારો સામે કડક કાર્યવાહી, સ્વતંત્ર વિજિલન્સ તપાસ અને બ્રિજની ગુણવત્તાની નિષ્પક્ષ તપાસની માંગ કરે છે. આ બ્રિજ ઉપરથી દિવસ દરમિયાન સંખ્યાબંધ ભારદારી વાહનો પસાર થાય છે. કોઈ મોટું અકસ્માત થાય તે પહેલા સમારકામ કરાવાય તે ખૂબ જ જરૂરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/13/2rnB6IIVZ6gqSZxOQgV0R0DEs3GkUli3IkU7p6cu.webp'/></item><item><title><![CDATA[Lunavada: હવેલી બારીયા સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/lunavada/lunavada-haveli-baria-community-honors-bright-stars</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/lunavada/lunavada-haveli-baria-community-honors-bright-stars</guid><pubDate>Mon, 13 Jul 2026 07:53:12 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">લુણાવાડા : હવેલી બારીયા સમાજ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર સમાજના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા માટે એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે મહીસાગર જિલ્લાના પોલીસ અધિક્ષક (SP) સફીન હસન ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સફ્ળતા મેળવનાર તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમને સફ્ળ બનાવવા માટે ? કાળુભાઈ માલિવાડ (પૂર્વ ધારાસભ્ય), જુવાનસિંહ ચૌહાણ ડિરેક્ટર, પંચમહાલ ડેરી ? (મહીસાગર જિલ્લા પ્રમુખ, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ? ચેરમેન, બાંધકામ સમિતિ? સી. એન. બારીયા ?તેમજ હવેલી મંડળના પ્રમુખ અને અન્ય ટ્રસ્ટીગણનો સમાવેશ થાય છે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/13/mnVmtbNBhuS25JY4TyrgVyROzNfEcoj8JTxXL4kP.webp'/></item><item><title><![CDATA[Mahisagar: તાલુકાના 31 સખી મંડળોને રૂા. 87.70 લાખના ધિરાણની ભેટ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/mahisagar/mahisagar-31-sakhi-mandals-of-the-taluka-were-given-a-loan-of-rs-8770-lakhs</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/mahisagar/mahisagar-31-sakhi-mandals-of-the-taluka-were-given-a-loan-of-rs-8770-lakhs</guid><pubDate>Mon, 13 Jul 2026 07:52:31 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મલેકપુર : ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લી. ગાંધીનગર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મહીસાગર પુરસ્કૃત રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન (NRLM) યોજના અંતર્ગત સંતરામપુર તાલુકા પંચાયત ખાતે કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.</p><p style="text-align: justify; ">આ કાર્યક્રમ તાલુકા પંચાયત કચેરીના મીટિંગ હોલ ખાતે તાલુકા પ્રમુખ રજનીતાબેન એન. તાવિયાડના અધ્યક્ષ સ્થાને અને મદદનીશ તાલુકા વિકાસ અધિકારીની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારની મહિલાઓને આર્થિક રીતે સધ્ધર બનાવી તેમને સ્વરોજગારીની તકો પૂરી પાડવાનો રહ્યો હતો.</p><p style="text-align: justify; ">આ કેશ ક્રેડિટ કેમ્પમાં તાલુકાના કુલ 31 સ્વ-સહાય જૂથોને અંદાજિત 87.70 લાખ રૂપિયાની રકમની કેશ ક્રેડિટ લોન મંજૂર કરવામાં આવી હતી. આ ઉપરાંત, સખી મંડળોને વધુ પ્રોત્સાહન પૂરું પાડવાના ભાગરૂપે 10 લાખ રૂપિયાની રકમનો સેન્શન લેટર પણ મહેમાનોના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે તાલુકાનો તમામ એન.આર.એલ.એમ. સ્ટાફ્ હાજર રહી કામગીરીને સફ્ળ બનાવી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/13/pkbJXo4LLY2MgZG9xaEtPvHhRHEOc8ixTVMrkZaa.webp'/></item><item><title><![CDATA[Jammu Kashmir : કઠુઆમાં પાકિસ્તાની ઘૂસણખોરનો પ્રયાસ નિષ્ફળ, BSFએ કર્યું ફાયરિંગ ]]></title><link>https://sandesh.com/india/news/jammu-kashmir-kathua-pakistani-infiltration-attempt-foiled-bsf-firing</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/jammu-kashmir-kathua-pakistani-infiltration-attempt-foiled-bsf-firing</guid><pubDate>Sun, 12 Jul 2026 23:31:59 +05:30</pubDate><description><![CDATA[<p>જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ (IB) પર પાકિસ્તાની ઘૂસણખોરીનો એક પ્રયાસ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. રવિવારે બનેલી આ ઘટનામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરનાર પાકિસ્તાની નાગરિક BSFની ચેતવણી બાદ પણ આગળ વધતો રહ્યો હતો, જેના કારણે જવાનોએ કાર્યવાહી કરી હતી.</p><h2><b>ઘૂસણખોરને રોકવા માટે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું&nbsp;</b></h2><p>મળતી માહિતી મુજબ કઠુઆના બોબિયા વિસ્તારમાં એક પાકિસ્તાની ઘૂસણખોર આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતીય વિસ્તારમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સરહદ પર તૈનાત BSF જવાનોએ તેને અનેક વખત રોકવાની ચેતવણી આપી હતી, પરંતુ તેણે ચેતવણીની અવગણના કરીને ફેન્સિંગ તરફ આગળ વધવાનું ચાલુ રાખ્યું હતું.</p><p>પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને BSF જવાનોએ ઘૂસણખોરને રોકવા માટે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ થતાં જ ઘૂસણખોર પાછો પાકિસ્તાન તરફ ભાગી ગયો હતો. ઘટના બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હાલ કોઈ જાનહાનિના અહેવાલ નથી.</p><h3><b>શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન પણ જોવા મળ્યું&nbsp;</b></h3><p>આ ઘટના બાદ આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે અને દેખરેખ વધારી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે લગભગ બે અઠવાડિયા પહેલા પણ ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) પાર કરીને આવેલા એક પાકિસ્તાની ઘૂસણખોરને પકડ્યો હતો. તેની ઓળખ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ના રહેવાસી 31 વર્ષીય રઈસ ખાન તરીકે થઈ હતી.</p><p>જમ્મુના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક એક શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન પણ જોવા મળ્યું હતું. નંદપુર ગામ નજીક ડ્રોન દેખાયા બાદ BSF, સેના અને પોલીસે સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. સુરક્ષા એજન્સીઓને આશંકા હતી કે ડ્રોન દ્વારા હથિયારો અથવા નશીલા પદાર્થો પહોંચાડવાનો પ્રયાસ થયો હોઈ શકે છે, જોકે તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. સુરક્ષા દળો હાલ સરહદી વિસ્તારોમાં સતત સતર્કતા જાળવી રહ્યા છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/ram-mandir-donation-row-supreme-court-hearing-cbi-probe-plea" target="_blank">આ પણ વાંચો : Ram Mandir Donation Row : CBI તપાસની કરાઈ માગ, 13 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/12/nWXREDiW0Cy0Hi7cha2jMOJA0V8DastD9nNlFmt2.webp'/></item><item><title><![CDATA[Qatarના પૂર્વ અમીર શેખ હમદ બિન ખલીફા અલ થાનીનું નિધન, ભારતમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક રહેશે ]]></title><link>https://sandesh.com/world/news/india/qatar-former-emir-sheikh-hamad-bin-khalifa-al-thani-death-national-mourning-india</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/india/qatar-former-emir-sheikh-hamad-bin-khalifa-al-thani-death-national-mourning-india</guid><pubDate>Sun, 12 Jul 2026 22:35:45 +05:30</pubDate><description><![CDATA[<p>કતારના પૂર્વ અમીર શેખ હમદ બિન ખલીફા અલ થાનીના નિધન પર ભારત સરકારે સોમવારે સમગ્ર દેશમાં એક દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ, રાષ્ટ્રીય શોક દરમિયાન દેશભરના તમામ સરકારી ભવનો પર જ્યાં નિયમિત રીતે તિરંગો ફરકાવવામાં આવે છે, ત્યાં રાષ્ટ્રીય ધ્વજ અડધો ઝુકેલો રહેશે. આ ઉપરાંત સમગ્ર દિવસ દરમિયાન કોઈપણ સત્તાવાર સરકારી મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં.</p><h2><b>કતાર એક મોટા ઊર્જા નિકાસકાર દેશ તરીકે ઉભર્યું</b></h2><p>શેખ હમદ બિન ખલીફા અલ થાનીનું રવિવારે 74 વર્ષની વયે નિધન થયું હતું. કતાર સરકારે તેમના નિધનની જાણકારી આપી હતી, પરંતુ મૃત્યુનું કારણ જાહેર કર્યું નથી. શેખ હમદને કતારના આર્થિક પરિવર્તન અને વૈશ્વિક સ્તરે દેશની ઓળખ મજબૂત બનાવવાનો શ્રેય આપવામાં આવે છે. તેમના નેતૃત્વમાં કતાર એક મોટા ઊર્જા નિકાસકાર દેશ તરીકે ઉભર્યું અને આંતરરાષ્ટ્રીય રાજદ્વારી ક્ષેત્રમાં પણ તેની ભૂમિકા વધી.</p><h3><b>PM મોદીએ શોક વ્યક્ત કર્યો&nbsp;</b></h3><p>વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શેખ હમદના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. તેમણે તેમને એક દૂરંદેશી નેતા ગણાવતા કહ્યું કે તેમના નેતૃત્વમાં કતારે વિકાસ અને સમૃદ્ધિની નવી ઊંચાઈઓ હાંસલ કરી હતી. PM મોદીએ જણાવ્યું કે શેખ હમદ ભારતના સાચા મિત્ર હતા અને બંને દેશોના સંબંધોને મજબૂત બનાવવામાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. ભારત સરકાર તરફથી સંસદીય કાર્ય અને લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજિજુ ટૂંક સમયમાં કતાર જશે અને ભારત સરકાર તરફથી કતારના નેતૃત્વ તથા શાહી પરિવાર સમક્ષ શોક સંવેદના વ્યક્ત કરશે.</p><h4><b>વર્ષ 1995થી 2013 સુધી કતારના અમીર રહ્યા</b></h4><p>ઉલ્લેખનીય છે કે શેખ હમદ બિન ખલીફા અલ થાની વર્ષ 1995થી 2013 સુધી કતારના અમીર રહ્યા હતા. વર્ષ 2013માં તેમણે સ્વેચ્છાએ સત્તા પોતાના પુત્ર અને વર્તમાન અમીર શેખ તમીમ બિન હમદ અલ થાનીને સોંપી હતી. તેમના શાસનકાળ દરમિયાન કતારે આર્થિક વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈશ્વિક કૂટનીતિ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી હતી.</p><p><b><a href="https://sandesh.com/world/news/russia-drone-attack-ukraine-chornomorsk-port-cargo-ship-trawler" target="_blank">આ પણ વાંચો : Ukraineના ચોર્નોમોર્સ્ક પોર્ટ પર રશિયાએ કર્યો ડ્રોન એટેક, કાર્ગો જહાજ અને ટ્રોલર બન્યા નિશાન</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/12/zJgvgWKjS0IbTwIFxSqBCncj0408dYnI1rbG20Tg.webp'/></item><item><title><![CDATA[Bollywood Celebrity : 69ની ઉંમરે પણ ડિમ્પલ કાપડિયાનો જલવો, ધ ઓડિસી પ્રીમિયરમાં એથનિક લુકે જીતી લીધી મહેફિલ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/dimple-kapadia-stuns-in-ethnic-look-at-the-odyssey-premiere-akshay-kumar-mother-in-law</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/dimple-kapadia-stuns-in-ethnic-look-at-the-odyssey-premiere-akshay-kumar-mother-in-law</guid><pubDate>Sun, 12 Jul 2026 17:39:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ડિમ્પલ કપાડિયા પોતાના સ્ટાઇલ અને ફેશન સેન્સ માટે હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ મુંબઈમાં ક્રિસ્ટોફર નોલનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ધ ઓડિસીના પ્રીમિયરમાં પહોંચી હતી.&nbsp; 69 વર્ષની ઉંમરે ડિમ્પલ કપાડિયાનો સ્ટાઇલિશ લુક જોવા મળ્યો. હેન્ડક્રાફ્ટેડ આઉટફિટમાં પોતાની શાનદાર હાજરીથી સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું.</p><h2 style="text-align: justify; "><b>69 ની ઉંમરે ડિમ્પલ કપાડિયાનો જલવો</b></h2><p style="text-align: justify; ">ડિમ્પલ કપાડિયા લાંબા સમયથી પોતાના શાનદાર ફેશન સેન્સ માટે જાણીતી છે. ભલે તેમનો કેઝ્યુઅલ લુક હોય કે રેડ કાર્પેટ અપીયરેન્સ, દર વખતે તેમનો અંદાજ લોકોનું ધ્યાન ખેંચી લે છે. ધ ઓડિસીના પ્રીમિયરમાં પણ તેમણે ઓલ-બ્લેક લુક પસંદ કર્યો, જેમાં લાંબો કોટ, વેસ્ટકોટ અને સરોંગ સ્કર્ટ સામેલ હતા. તેમનો આ સ્ટાઇલિશ લુક પ્રશંસકોને ખુબ પસંદ આવ્યો. આ આઉટફિટ ડિઝાઇનર અબુ જાની અને સંદીપ ખોસલાએ ડિઝાઇન કર્યો છે.<br><img alt="Dimple Kapadia ethnic look (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/07/12/cUQS0HRMhSJwtReeghPRdTYFAFJlHaPK8WlcOI7W.webp"><br></p><p style="text-align: justify; ">ડિઝાઇનર અબુ જાની અને સંદીપ ખોસલાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ડિમ્પલ કપાડિયાના આ લુકની તસવીરો શેર કરી છે. ડિઝાઇનર્સે જણાવ્યું કે ડિમ્પલે બ્લેક ગોડાર્ટ કોટ પહેર્યો હતો, જેના પર હાથથી એમ્બ્રોઇડરી કરેલી બાંધણી ડિઝાઇન બનાવવામાં આવી હતી. આ કોટમાં પાવર શોલ્ડરની સાથે કલરફુલ રેશમ ભરતકામનું ઝીણું કામ કરવામાં આવ્યું હતું.</p><h3 style="text-align: justify; "><b>જ્વેલરીએ ખેંચ્યું ધ્યાન</b></h3><p style="text-align: justify; ">ડિમ્પલે આ કોટને બ્લેક સરોંગ સ્કર્ટ સાથે પેર કર્યો હતો. તેમણે અબુ જાની અને સંદીપ ખોસલાની હેન્ડક્રાફ્ટેડ જ્વેલરીથી પોતાના લુકને કમ્પ્લીટ કર્યો. તેમના ગળામાં જોવા મળેલો મોટો 'તલિસમાતી' આઈ પેન્ડન્ટ નેકલેસ રૂબી અને હીરાથી તૈયાર કરવામાં આવ્યો હતો, જેને ભગવાન શિવની ત્રીજી આંખનું પ્રતીક પણ બતાવવામાં આવ્યું છે. આ સિવાય તેમણે ઇયરરિંગ્સ અને ગોલ્ડન બંગડીઓ પહેરી હતી, જેણે તેમના પૂરા લુકમાં ચાર ચાંદ લગાવી દીધા.<br><img alt="Dimple Kapadia ethnic look (2)" src="https://epapercdn.sandesh.com/images/2026/07/12/4ExyFbZpCriRUkhg8Fa0JGpmJ6L0tOmRxKDo6sEI.webp"><br></p><p style="text-align: justify; ">હેરસ્ટાઇલની વાત કરીએ તો, ડિમ્પલ કપાડિયાએ પોતાના સાઇડ-પાર્ટેડ બ્લોઆઉટ લુકને પસંદ કર્યો હતો, જે તેમના ચહેરા પર બેહદ સુંદર લાગી રહ્યો હતો. મેકઅપમાં ડાર્ક આઇબ્રો, કાજલથી સજેલી આંખો, પિંક લિપસ્ટિક, હળવું બ્લશ અને મસ્કારા લગાવેલી પાંપણોએ તેમના આખા લુકને વધુ ગ્લેમરસ બનાવી દીધો હતો. ધ ઓડિસીના પ્રીમિયરમાં ડિમ્પલ કપાડિયા સાથે તેમની દોહિત્રી નાઓમિકા સરન પણ આવી હતી. આ સિવાય, સૌમ્યા ટંડન, અરમાન મલિક, બોમન ઈરાની સહિત કેટલાય સેલેબ્સો સામેલ થયા હતા. આ ફિલ્મને હોલીવુડ ડિરેક્ટર ક્રિસ્ટોફર નોલન ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મ 17 જુલાઈએ રિલીઝ થશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/inside-evergreen-actress-rekha-luxury-home-basera-mumbai-interior-photos-viral" target="_blank">આ પણ વાંચો-Rekha: શાહી મહેલ જેવું છે રેખાનું આલીશાન ઘર, મુંબઈના પોશ વિસ્તારમાં આવેલા બંગલાની કિંમત જાણી દંગ રહી જશો!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/12/Pcu97AnGng0QfBCbrxavyzDZzfvkY6fpnr7ZuOpy.webp'/></item><item><title><![CDATA[EPFO : PF ટ્રસ્ટ ચલાવનાર કંપનીઓ માટે ખુશખબરી,   બાકી રકમ અને દંડમાં મળશે મોટી રાહત ]]></title><link>https://sandesh.com/business/news/epfo-good-news-for-companies-running-pf-trusts-big-relief-in-dues-and-penalties</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/epfo-good-news-for-companies-running-pf-trusts-big-relief-in-dues-and-penalties</guid><pubDate>Sun, 12 Jul 2026 16:25:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા પીએફ ટ્રસ્ટ ચલાવતી કંપનીઓ માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતદાયક નિર્ણય લેવામાં આવ્યો છે. રવિવારે જાહેર કરવામાં આવેલી 'એમ્નેસ્ટી સ્કીમ ૨૦૨૬' હેઠળ, જે સંસ્થાઓ મુક્તિ પ્રાપ્ત પીએફ ટ્રસ્ટનું સંચાલન કરે છે, તેમને પોતાની કાનૂની સ્થિતિને નિયમિત કરવાની એક વિશેષ તક આપવામાં આવી છે. આ યોજના 29 જૂન, 2026થી અમલમાં આવી છે અને આગામી થોડા મહિનાઓ સુધી તે ઉપલબ્ધ રહેશે.</p><h2 style="text-align: justify; "><b>યોજનાનો ઉદ્દેશ્ય અને લાભાર્થીઓ:</b></h2><p style="text-align: justify; ">ઘણી એવી સંસ્થાઓ છે જે આવકવેરા કાયદા, 1961 હેઠળ માન્યતા પ્રાપ્ત પીએફ ટ્રસ્ટ તો ચલાવે છે, પરંતુ તેમની પાસે સરકાર દ્વારા જારી કરાયેલ ઔપચારિક 'મુક્તિ સૂચના'નો અભાવ છે. આવી સંસ્થાઓ માટે આ યોજના એક આશીર્વાદ સમાન છે. આ ઉપરાંત, જે કંપનીઓ સામાજિક સુરક્ષા સંહિતા, ૨૦૨૦ હેઠળ મુક્તિ પ્રાપ્ત સંસ્થા તરીકે કામ કરવાનું ચાલુ રાખવા માંગે છે, તેઓ પણ આ સ્કીમ હેઠળ અરજી કરી શકે છે.</p><h3 style="text-align: justify; "><b>શું મળશે રાહત?</b></h3><p style="text-align: justify; ">આ એમ્નેસ્ટી યોજના હેઠળ જે સંસ્થાઓ પોતાની કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરશે, તેમને નીચે મુજબના ફાયદા થશે:</p><p style="text-align: justify; ">દંડ અને વ્યાજમાં માફી: જો કંપનીએ કર્મચારીઓના ખાતામાં કાયદાકીય દર મુજબ અથવા તેનાથી વધુ વ્યાજ અને યોગદાન જમા કરાવ્યું હોય, તો બાકી રહેલા મૂલ્યાંકન, નુકસાની અને વ્યાજ સંબંધિત કાર્યવાહી પાછી ખેંચી લેવામાં આવશે.</p><p style="text-align: justify; ">અન્ય નિયમોમાં છૂટછાટ: નિયમિત થતી સંસ્થાઓને લઘુત્તમ કર્મચારી સંખ્યા અને ટ્રસ્ટ કોર્પસની કઠોર શરતોમાંથી મુક્તિ આપવામાં આવશે.</p><h4 style="text-align: justify; "><b>મહત્વપૂર્ણ પ્રક્રિયા:</b></h4><p style="text-align: justify; ">EPFO ના નિયમ અનુસાર, હવે માત્ર તે જ ભવિષ્ય નિધિઓને આવકવેરા અધિનિયમ, ૨૦૨૫ હેઠળ માન્યતા મળશે, જેમને કર્મચારી ભવિષ્ય નિધિ અને વિવિધ જોગવાઈઓ અધિનિયમ, ૧૯૫૨ ની કલમ ૧૭ હેઠળ મુક્તિ આપવામાં આવી છે. આ યોજના સામાજિક સુરક્ષા સંહિતા હેઠળ પૂર્વવર્તી મુક્તિ મેળવવાની પણ સુવિધા આપે છે.</p><p style="text-align: justify; ">આ એક 'વન-ટાઇમ' તક છે, જેનો હેતુ કોર્પોરેટ સેક્ટરના પીએફ સંચાલનમાં પારદર્શિતા લાવવાનો અને સંસ્થાઓને કાનૂની ગૂંચવણોમાંથી મુક્ત કરવાનો છે. જે સંસ્થાઓ લાંબા સમયથી પીએફ નિયમોના પાલન અંગે અનિશ્ચિતતામાં હતી, તેમના માટે આ સુધારો લાંબાગાળાનું પ્રોત્સાહન સાબિત થશે. યોગ્ય સમય મર્યાદામાં અરજી કરીને સંસ્થાઓ દંડની કાયમી મુક્તિ મેળવી શકે છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/world/news/us-lindsey-graham-a-close-ally-of-donald-trump-dies-at-71" target="_blank">આ પણ વાંચોઃ US: ડોનાલ્ડ ટ્રમ્પની નજીકી નેતા લિન્ડસે ગ્રેહામનું 71 વર્ષની વયે નિધન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/12/NhoA29bSiplRg0IPnkPOhjlimN5BH3KqAriUENV9.webp'/></item><item><title><![CDATA[Fifa World Cup 2026: સેમીફાઈનલનું શેડ્યુલ જાહેર, જાણો કોણ કોની સાથે ટકરાશે? ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-semi-final-schedule-announced-know-who-will-face-whom</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-semi-final-schedule-announced-know-who-will-face-whom</guid><pubDate>Sun, 12 Jul 2026 15:34:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફિફા વર્લ્ડ કપ 2026 ક્વાર્ટર-ફાઇનલ તબક્કાની છેલ્લી બે મેચ 12 જુલાઈના રોજ રમાઈ હતી, જેમાં ઇંગ્લેન્ડે નોર્વે સામે 2-1થી વિજય મેળવીને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. ત્યારબાદ ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના અને સ્વિટ્ઝર્લેન્ડ વચ્ચેની અંતિમ ક્વાર્ટર ફાઇનલમાં પ્રભુત્વ જમાવ્યું હતું, જેમાં 3-1થી જીત મેળવીને સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું હતું. આ સાથે, ફિફા વર્લ્ડ કપ 2026 સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરનારી ચાર ટીમો નિશ્ચિત થઈ ગઈ છે. પ્રથમ સેમિફાઇનલ 15 જુલાઈએ ફ્રાન્સ અને સ્પેન વચ્ચે રમાશે, જ્યારે બીજી સેમિફાઇનલ 16 જુલાઈએ આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે.</p><h4 style="text-align: justify;"><b>અત્યાર સુધી ફ્રાન્સ સામે સ્પેનનો હાથ ઉપર&nbsp;</b></h4><p style="text-align: justify; ">પ્રથમ સેમિફાઇનલ મેચ 15 જુલાઈએ ભારતીય માનક સમય (IST) ના રોજ 12:30 વાગ્યે સ્પેન અને ફ્રાન્સ વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેના હેડ-ટુ-હેડ રેકોર્ડને ધ્યાનમાં લેતા, સ્પેનનો હાથ ઉપર છે. સ્પેન અને ફ્રાન્સ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 38 મેચ રમાઈ છે, જેમાં સ્પેને 18 જીતી છે, જ્યારે ફ્રાન્સે માત્ર 13 જીતી છે.અને સાત મેચ ડ્રો રહી છે. બંને ટીમો 2016માં ફિફા વર્લ્ડ કપમાં રાઉન્ડ ઓફ 16માં એક વાર મળી હતી. ફ્રાન્સે આ મેચ 3-1 થી જીતી હતી.</p><h4 style="text-align: justify; "><b>આર્જેન્ટિના ઇંગ્લેન્ડ સામે ટકરાશે&nbsp;</b></h4><p style="text-align: justify; ">ઇંગ્લેન્ડનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાનો છે. ગત ચેમ્પિયન આર્જેન્ટિના ક્વાર્ટર ફાઇનલમાં પોતાના પ્રભાવશાળી પ્રદર્શન સાથે સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે, જ્યાં તેમનો મુકાબલો ઇંગ્લેન્ડ સાથે થશે. બંને ટીમો વચ્ચેનો આ મુકાબલો 16 જુલાઈના રોજ ભારતીય સમય મુજબ રાત્રે 12.30 વાગ્યે એટલાન્ટા સ્ટેડિયમ ખાતે રમાશે. ઇંગ્લેન્ડે 1966નો વર્લ્ડ કપ ફાઈનલમાં પશ્ચિમ જર્મનીને 4-2 થી હરાવીને જીત મેળવી હતી. ત્યારથી, તેઓ ફક્ત ત્રીજી વખત સેમિફાઇનલમાં પહોંચ્યા છે.1990માં, તેઓ સેમિફાઇનલમાં જર્મની સામે 1-1 થી હારી ગયા હતા, જ્યારે 2018માં તેઓ સેમિફાઇનલમાં ક્રોએશિયા સામે 2-1 થી હારી ગયા હતા. આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી વર્લ્ડ કપ મેચો પર નજર કરીએ તો, બંને ટીમો પાંચ મેચ રમી છે, જેમાં ઇંગ્લેન્ડ ત્રણ અને આર્જેન્ટિનાએ બે મેચ જીતી છે.</p><p style="text-align: justify;">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/after-the-fifa-world-cup-2026-final-the-grass-on-the-field-will-be-sold-for-this-much-know-why" target="_blank">FIFA World Cup 2026 ફાઇનલ મેચ બાદ આટલા કરોડમાં વેચાશે મેદાનનું ઘાસ, જાણો કેમ?</a></p><p style="text-align: justify;"><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/12/PiVCYIkgRh6Cgi2NREDZiWlYXYnO07o9SWLwUkRf.webp'/></item></channel></rss>