<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Rajkot Janmashtami Lok Mela 2026: સૌરાષ્ટ્રના સૌથી મોટા જન્માષ્ટમી લોકમેળાની તૈયારીઓ શરૂ, જાણો તારીખ ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/janmashtami-lok-mela-2026-race-course-ground</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/janmashtami-lok-mela-2026-race-course-ground</guid><pubDate>Wed, 08 Jul 2026 17:01:02 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે, તેવા પરંપરાગત જન્માષ્ટમી લોકમેળાની વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રના આ સૌથી મોટા લોકમેળાને આકર્ષક, ભવ્ય અને સુરક્ષિત બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા અત્યારથી જ એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે, જેને પગલે મેળાના રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.</p><h2><b>મેળા માટે આકર્ષક લેઆઉટ અને ડિઝાઇન તૈયાર</b></h2><p>આ વર્ષના લોકમેળાને વધુ વ્યવસ્થિત બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા મેળાની ખાસ ડિઝાઇન અને લેઆઉટ તૈયાર કરી લેવામાં આવ્યા છે. કયા વિભાગમાં કઈ રાઇડ્સ રાખવામાં આવશે, ખાણી-પીણીના સ્ટોલ ક્યાં ગોઠવવામાં આવશે, અને કાયદો-વ્યવસ્થા તેમજ ટ્રાફિકનું નિયમન કેવી રીતે થશે, તે તમામ બાબતોને ઝીણવટપૂર્વક ધ્યાનમાં રાખીને નકશો આખરી કરવામાં આવ્યો છે. મુલાકાતીઓની સુવિધા જળવાય તે રીતે આખી ડિઝાઇન બનાવાઇ છે.</p><h2><b>20 જુલાઈની આસપાસ સ્ટોલ અને પ્લોટના ફોર્મનું વિતરણ</b></h2><p>મેળો યોજવા માટેની વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે મેળાના મેદાનમાં સ્ટોલ, પ્લોટ કે ચકડોળ મેળવવા ઈચ્છતા વેપારીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. આગામી 20 જુલાઈની આસપાસથી સ્ટોલ અને પ્લોટ ફાળવણી માટેના ફોર્મનું વિતરણ શરૂ કરી દેવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા નિયત પદ્ધતિથી પારદર્શક રીતે તમામ પ્લોટની ફાળવણી કરવામાં આવશે.</p><h2><b>આગામી 2 થી 6 સપ્ટેમ્બર વચ્ચે યોજાશે લોકમેળો</b></h2><p>આ વર્ષે જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે યોજાનારો આ ભવ્ય લોકમેળો આગામી 2 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 6 સપ્ટેમ્બર સુધી ચાલશે. પાંચ દિવસ સુધી ચાલનારા આ લોકજીવનના મહોત્સવમાં રાજકોટ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને અન્ય જિલ્લાઓમાંથી પણ લાખોની સંખ્યામાં માનવમેદની ઉમટી પડે તેવી શક્યતા સેવાઈ રહી છે.</p><h2><b>રાજકોટના ઐતિહાસિક રેસકોર્સ મેદાન ખાતે જામશે મેળો</b></h2><p>દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આ લોકમેળો રાજકોટના હૃદય સમાન ઐતિહાસિક રેસકોર્સ મેદાન ખાતે જ યોજાશે. વિશાળ જગ્યા ધરાવતા આ મેદાનમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સીસીટીવી કેમેરા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત, આરોગ્યની ટીમ અને ફાયર સેફ્ટીની પૂરતી સુવિધાઓ ઉભી કરવામાં આવશે, જેથી લોકો કોઈ પણ મુશ્કેલી વગર તહેવારની મોજ માણી શકે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/weather/monsoon-2026/news/gujarat/ahmedabad/gujarat-rain-update-heavy-rain-weather-forecast-red-alert" target="_blank">Gujarat Weather Update: 5 સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં સાર્વત્રિક અને અતિભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ?</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/08/B88OKWS37aonCZX5hOizw7XM3KveUssP5PnKYkp3.webp'/></item><item><title><![CDATA[Surat News: ભારે વરસાદથી શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ, સોસાયટીની દિવાલ તૂટતા 3 કાર તણાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/surat/heavy-rain-triggers-flood-like-situation-3-cars-swept-away</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/surat/heavy-rain-triggers-flood-like-situation-3-cars-swept-away</guid><pubDate>Wed, 08 Jul 2026 16:58:56 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતના કામરેજમાં આવેલી આત્મીય વિલા સોસાયટીમાં ગત રોજ ભારે વરસાદને કારણે સોસાયટીની દીવાલ ધરાશાયી થવાની ચોંકાવનારી ઘટના બની હતી.આ ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે.જેમાં દીવાલ તૂટતાની સાથે જ તેની બાજુમાં પાર્ક કરેલી ત્રણ કાર પાણીના વહેણમાં તણાઈ જતી સ્પષ્ટ જોઈ શકાય છે.આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે.બીજી તરફ સરથાણા વિસ્તારમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે.&nbsp;</p><p style="text-align: justify; "><img alt="1" src="https://epapercdn.sandesh.com/images/2026/07/08/LzCy9mdiSMksLcPYNUIAqy2roZpC8dRpRkO1RdA6.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>શાંતિનિકેતન સોસાયટીમાં કમર સુધી પાણી ભરાઈ ગયા</b></h2><p style="text-align: justify; ">સરથાણાની શાંતિનિકેતન સોસાયટીમાં કમર સુધી પાણી ભરાઈ ગયા છે.જેના કારણે રહેવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે.સોસાયટીમાં પાણી ભરાતા લોકો માટે ભોજન અને પીવાના પાણી જેવી પાયાની સુવિધાઓ પણ દુર્લભ બની ગઈ છે.આ કપરી પરિસ્થિતિ વચ્ચે સ્થાનિકોમાં તંત્ર અને રાજકીય નેતાઓ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.રહીશોનો આક્ષેપ છે કે ચૂંટણી સમયે મત માંગવા આવતા નેતાઓ અત્યારે ગાયબ છે અને પૂરની આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં વહીવટી તંત્ર હજુ પણ નિષ્ક્રિય છે.સરથાણાના લોકો લાચાર બનીને આવી મુશ્કેલ સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે.જે તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા કરે છે.</p><p style="text-align: justify; "><img alt="3" src="https://epapercdn.sandesh.com/images/2026/07/08/nwDnrj2Lcw8sNZJ5JdZoSiVWA0UjEjvHi2prhOIE.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>ઉધના વિસ્તારમાં સ્થિતિ અત્યંત ગંભીર બની</b></h2><p style="text-align: justify; ">સુરતમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે ઉધના વિસ્તારમાં સ્થિતિ અત્યંત ગંભીર બની છે.ઉધનાની લાલિમા નગર જેવી સોસાયટીઓમાં વરસાદી પાણી ફરી વળતા આશરે 2 હજારથી વધુ ઘરો જળમગ્ન થઈ ગયા છે.વર્ષો બાદ ફરી એકવાર આવી વિકટ પરિસ્થિતિનું નિર્માણ થતાં સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ અને રોષ જોવા મળી રહ્યો છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.ફાયર વિભાગના જવાનોએ હોડી મારફતે સોસાયટીઓમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડીને રેસ્ક્યુ ઓપરેશન સફળ બનાવ્યું હતું.&nbsp;<br><br><a href="https://sandesh.com/weather/monsoon-2026/news/surat/bardoli-mindhola-river-flood-surat-talavdi-evacuation" target="_blank">આ પણ વાંચોઃ Surat News: બારડોલીમાં મીંઢોળા નદી ગાંડીતૂર, તલાવડી વિસ્તારના 50થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/08/amL5Wt4fbPbgDxN0ye1TrbvpdCpgVBDwIEePyQzC.webp'/></item><item><title><![CDATA[Mumbai Airport પર મોટી દુર્ઘટના ટળી, એક જ રનવે પર સામસામે આવી ગયા એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસના વિમાન ]]></title><link>https://sandesh.com/india/news/mumbai-airport-air-india-air-india-express-runway-incident</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/mumbai-airport-air-india-air-india-express-runway-incident</guid><pubDate>Wed, 08 Jul 2026 16:55:06 +05:30</pubDate><description><![CDATA[<p>મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ સ્થિત છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મંગળવારે રાત્રે મોટી વિમાન દુર્ઘટના થતા થતા ટળી હતી. માહિતી અનુસાર, એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસના બે વિમાનો એક જ રનવે પર સામસામે આવી જતાં ચિંતાજનક સ્થિતિ સર્જાઈ હતી. જોકે, એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ની સમયસરની કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.</p><h2><b>લેન્ડિંગ બાદ વિમાન હજુ રનવે પરથી સંપૂર્ણપણે હટ્યું નહોતું</b></h2><p>પ્રાપ્ત માહિતી મુજબ, મંગળવારે રાત્રે લગભગ 10 વાગ્યે એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ AIX1547 મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. લેન્ડિંગ બાદ વિમાન હજુ રનવે પરથી સંપૂર્ણપણે હટ્યું નહોતું. તે દરમિયાન દિલ્હી જવા તૈયાર એર ઈન્ડિયાની ફ્લાઇટ AI816ને એ જ રનવે પરથી ટેકઓફ માટે મંજૂરી મળવાની પ્રક્રિયા ચાલી રહી હતી. બંને વિમાનો એક જ રનવે પર હોવાની સ્થિતિ સર્જાતા તરત જ ATCએ હસ્તક્ષેપ કર્યો.</p><h3><b>એર ઈન્ડિયાના પાયલોટે ટેકઓફની પ્રક્રિયા અટકાવી દીધી</b></h3><p>ATCના તાત્કાલિક નિર્દેશ બાદ એર ઈન્ડિયાના પાયલોટે ટેકઓફની પ્રક્રિયા અટકાવી દીધી અને વિમાનને પાછું 'બે'માં લઈ જવામાં આવ્યું. આ ઝડપી નિર્ણયને કારણે સંભવિત મોટી દુર્ઘટના ટળી ગઈ અને તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા. આ સમગ્ર ઘટનાને લઈને એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે 7 જુલાઈએ મુંબઈથી દિલ્હી જતી ફ્લાઇટ AI816ના ક્રૂએ ATCના નિર્દેશનું પાલન કરીને ટેકઓફ રોકી દીધો હતો. જોકે, ઘટનાની વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી.</p><p>બીજી તરફ એર ઈન્ડિયાએ મુંબઈ અને દિલ્હી વચ્ચે મુસાફરી કરતા યાત્રીઓ માટે એડવાઈઝરી પણ જાહેર કરી છે. કંપનીએ જણાવ્યું છે કે ખરાબ હવામાનને કારણે ફ્લાઇટ ઓપરેશન પર અસર પડી શકે છે. તેથી મુસાફરોએ એરપોર્ટ જવા પહેલાં પોતાની ફ્લાઇટનું સ્ટેટસ ઓનલાઈન તપાસી લેવું જોઈએ, જેથી અનાવશ્યક મુશ્કેલીઓથી બચી શકાય.<br><br><b><a href="https://sandesh.com/india/news/kerala-wayanad-disaster-amit-shah-assures-central-support" target="_blank">આ પણ વાંચો : Keralam : વાયનાડ દુર્ઘટના બાદ અમિત શાહે કેરળના મુખ્યમંત્રી સાથે કરી વાતચીત, કેન્દ્ર સરકાર તરફથી સંપૂર્ણ સહાયની આપી ખાતરી</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/08/VUYcUjGLIDbMm2uJ9bYs7ScDofyalaB9KJuNNJEJ.webp'/></item><item><title><![CDATA[TRP અને OTTમાં જેઠાલાલનો જાદુ! 'તારક મહેતા...'એ મોટા શોને આપી ટક્કર, જાણો આ અઠવાડિયાના ટોપ 10માં કોણ ]]></title><link>https://sandesh.com/entertainment/news/jethalals-magic-in-trp-and-ott-taarak-mehta-gave-a-tough-fight-to-big-shows-know-who-is-in-this-weeks-top-10</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/jethalals-magic-in-trp-and-ott-taarak-mehta-gave-a-tough-fight-to-big-shows-know-who-is-in-this-weeks-top-10</guid><pubDate>Wed, 08 Jul 2026 16:51:43 +05:30</pubDate><description><![CDATA[<p>ઓરમેક્સ મીડિયાની નવી OTT વ્યૂઅરશિપ યાદી સામે આવી છે. 'ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ 2026' સૌથી વધુ જોવાયેલું કન્ટેન્ટ બન્યું છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'એ લાખો વ્યૂઝ સાથે ટોપ 5માં સ્થાન મેળવ્યું છે. જાણો કયા શો અને વેબ સિરીઝે આ અઠવાડિયે દર્શકોના દિલ જીત્યા.</p><h2><b>OTT પર સૌથી વધુ કોણે રાજ કર્યું?</b></h2><p>ઓરમેક્સ મીડિયા દ્વારા જાહેર કરાયેલી આ અઠવાડિયાની OTT વ્યૂઅરશિપ યાદી અનુસાર 'ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ 2026' ક્રિકેટ શ્રેણીએ સૌથી વધુ 13.2 મિલિયન વ્યૂઝ મેળવીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ મેચો દર્શકો જિયો હોટસ્ટાર પર જોઈ રહ્યા છે. ક્રિકેટનો જબરદસ્ત ક્રેઝ ફરી એકવાર સ્પષ્ટ જોવા મળ્યો છે.</p><h3><b>સમય રૈનાનો શો બીજા નંબરે</b></h3><p>કોમેડિયન સમય રૈનાનો લોકપ્રિય શો 'ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ 2' આ યાદીમાં બીજા સ્થાને રહ્યો છે. આ શોને 9.7 મિલિયન વ્યૂઝ મળ્યા છે. દર્શકો આ શોને YouTube તેમજ Netflix પર જોઈ શકે છે અને તેની લોકપ્રિયતા સતત વધી રહી છે.</p><h4><b>ફીફા વર્લ્ડ કપ અને જેઠાલાલનો કમાલ</b></h4><p>'ફીફા વર્લ્ડ કપ 2026'ને 8.5 મિલિયન વ્યૂઝ સાથે ત્રીજું સ્થાન મળ્યું છે. તેની સાથે છેલ્લા 18 વર્ષથી દર્શકોનું મનોરંજન કરતો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફરી ચર્ચામાં આવ્યો છે. આ શોને 4.7 મિલિયન વ્યૂઝ મળ્યા છે અને તે સમગ્ર ભારતમાં ચોથા ક્રમે ટ્રેન્ડ કરી રહ્યો છે. દર્શકો તેને YouTube અને SonyLIV પર માણી રહ્યા છે.</p><h4><b>રાજકુમાર હિરાણીની વેબ સિરીઝને પણ મળ્યો પ્રેમ</b></h4><p>રાજકુમાર હિરાણીની સાયબર-ક્રાઈમ કોમેડી-થ્રિલર વેબ સિરીઝ 'પ્રીતમ એન્ડ પેડ્રો'ને 4.5 મિલિયન વ્યૂઝ મળ્યા છે, જેના કારણે તે પાંચમા સ્થાને પહોંચી છે. આ સિરીઝ જિયો હોટસ્ટાર પર ઉપલબ્ધ છે અને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મેળવી રહી છે.</p><p><b>'લાફ્ટર શેફ્સ 3' અને 'ઠુકરા કે મેરા પ્યાર 2'ની ધૂમ</b></p><p>રસોઈ અને કોમેડીથી ભરપૂર 'લાફ્ટર શેફ્સ: અનલિમિટેડ એન્ટરટેઈનમેન્ટ' સીઝન 3એ 4.1 મિલિયન વ્યૂઝ સાથે યાદીમાં મજબૂત સ્થાન મેળવ્યું છે. બીજી તરફ, સંચિતા બસુ અને ધવલ ઠાકુર અભિનીત 'ઠુકરા કે મેરા પ્યાર સીઝન 2'ને 3.5 મિલિયન વ્યૂઝ મળ્યા છે અને તે પણ ટોપ ટ્રેન્ડિંગ શોમાં સામેલ છે.</p><p><b>ટોપ 10માં સામેલ અન્ય લોકપ્રિય શો</b></p><p>'અબ હોગા હિસાબ' વેબ સિરીઝ 3.3 મિલિયન વ્યૂઝ સાથે આઠમા સ્થાને છે અને તે Amazon MX Player પર ઉપલબ્ધ છે. અમોલ પરાશરની 'ગ્રામ ચિકિત્સાલય 2'ને 3.0 મિલિયન વ્યૂઝ મળ્યા છે અને તે નવમા ક્રમે છે. જ્યારે રૂપાલી ગાંગુલીનો લોકપ્રિય ટીવી શો 'અનુપમા' 2.9 મિલિયન વ્યૂઝ સાથે ટોપ 10માં દસમું સ્થાન મેળવીને ફરી પોતાની લોકપ્રિયતા સાબિત કરી રહ્યો છે.</p><p><br></p><p><a href="https://sandesh.com/entertainment/news/sourav-ganguly-biopic-trolling-has-started-on-social-media-over-rajkummar-raos-look-in-sourav-gangulys-biopic-dada" target="_blank">આ પણ વાંચો : Sourav Ganguly Biopic: સૌરવ ગાંગુલીની બાયોપિક 'દાદા'માં રાજકુમાર રાવના લુક પર સોશિયલ મીડિયામાં શરૂ થયું ટ્રોલિંગ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/08/SyPjS67oJujAOvRCRZcaTkWmH4l9AvvBu0AgK79j.webp'/></item><item><title><![CDATA[West Bengal Politics: EDએ TMC સાથે સંકળાયેલા 3 બેંક ખાતા ફ્રિઝ કર્યા, 440 કરોડ હતા જમા ]]></title><link>https://sandesh.com/india/news/west-bengal-politics-ed-freezes-3-bank-accounts-associated-with-tmc-rs-440-crores-were-deposited</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/west-bengal-politics-ed-freezes-3-bank-accounts-associated-with-tmc-rs-440-crores-were-deposited</guid><pubDate>Wed, 08 Jul 2026 16:50:02 +05:30</pubDate><description><![CDATA[<p>પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ ટીએમસીની મુશ્કેલીઓ દિવસ જાય તેમ વધી રહી છે. પહેલા સાથી નેતાઓ ધારાસભ્યો સાથ છોડીને જતા રહ્યા અને હવે ટીએમસી સાથે જોડાયેલા 3 બેંક ખાતા ઇડી દ્વારા ફ્રિઝ કરવામાં આવ્યા છે.</p><h2><b>TMC સાથે જોડાયેલ બેંકના ખાતા ફ્રિઝ</b></h2><p>તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમો મમતા બેનર્જીને મોટો ઝટકો લાગ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ TMC સાથે જોડાયેલા ત્રણ બેંક ખાતાઓ ફ્રીઝ કર્યા છે, જેમાં આશરે ₹440 કરોડ હોવાનું કહેવાય છે. ED એ TMC સાથે જોડાયેલા ત્રણ ખાતા ફ્રીઝ કર્યા છે જેમાં આશરે ₹440 કરોડ હોવાનું કહેવાય છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ આ કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે. એજન્સીએ પાર્ટીના ખાતાઓ દ્વારા કથિત શંકાસ્પદ વ્યવહારો અને ચાર્ટર્ડ એરક્રાફ્ટ ખર્ચની તપાસ કરવા માટે કોલકાતામાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2074380707309490211"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><br></p><h3><b>શું કહે છે અધિકારીઓ&nbsp; ?</b></h3><p>ED એ એમ્બ્રેર એરક્રાફ્ટ અને અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ખરીદવા માટે TMC બેંક ખાતાઓમાં કથિત હેરાફેરી કરવાના સંદર્ભમાં ગઈકાલે કોલકાતામાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. અધિકારીઓનું કહેવું છે કે કોલકાતામાં આશરે પાંચ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં કેરવેલ ગ્રુપ ઓફ કંપનીઝનો સમાવેશ થાય છે. તે "કેરવેલ એવિએશન" નામથી ખાનગી જેટ ભાડે આપે છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ians_india/status/2074800129631248447"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><br></p><p>અધિકારીઓના જણાવ્યા અનુસાર એજન્સીની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે એપ્રિલ 2023 થી જૂન 2026 વચ્ચે, TMCના બેંક ખાતાઓમાંથી "કેરવેલ એવિએશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ" અને તેની સંલગ્ન એકમોના ખાતાઓમાં આશરે ₹160 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ, 2023 થી 2026 વચ્ચે, કંપનીએ ₹82.96 કરોડની બીજી નોંધપાત્ર રકમ એક નવી કંપનીના ખાતામાં ટ્રાન્સફર કરી.</p><h4><b>તપાસમાં શું આવ્યુ સામે ?&nbsp;</b></h4><p>તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ નોંધપાત્ર રકમમાંથી ₹112 કરોડનો ઉપયોગ "એમ્બ્રેર લેગસી 600" કોર્પોરેટ એરક્રાફ્ટ અને "અગસ્તા વેસ્ટલેન્ડ 109SP" હેલિકોપ્ટર ખરીદવા માટે કરવામાં આવ્યો હતો. વધુમાં, વિદેશી સ્ત્રોતોમાંથી મળેલા ભંડોળનો ઉપયોગ હેલિકોપ્ટર ખરીદવા માટે પણ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર રકમનો સ્ત્રોત સીધો TMCના બેંક ખાતાઓમાંથી હતો. બંને વિમાનો ત્યારબાદ TMCને ભાડે આપવામાં આવ્યા હતા.</p><h4><b>ED શું કહે છે?</b></h4><p>એજન્સીના જણાવ્યા અનુસાર વિમાનના ઉપયોગના નામે નોંધપાત્ર રકમનો વ્યવહાર કરવામાં આવ્યો હતો, જે ખૂબ જ શંકાસ્પદ છે. ટીએમસીમાં મતભેદ બાદ, બળવાખોર ધારાસભ્યોએ પાર્ટી ફંડમાં જમા કરાયેલા નાણાંના સ્ત્રોતની તપાસની માંગ કરી. આ પછી, કોલકાતા પોલીસે ટીએમસીના ત્રણ બેંક ખાતાઓમાંથી નાણાકીય વ્યવહારો અને ઉપાડ સ્થગિત કરી દીધા. મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળના જૂથે કોલકાતા હાઇકોર્ટમાં અપીલ કરી.</p><p><br></p><p><a href="https://sandesh.com/astrology/news/bhakti/budh-gochar-2026-bank-balance-of-3-zodiac-signs-will-increase-mercury-will-change-its-course" target="_blank">આ પણ વાંચો:  Budh Gochar 2026: 3 રાશિનું બેંક બેલેન્સ વધશે ! બુધ બદલશે ચાલ&nbsp;</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/08/oRXE5xaeK4iffJDvj4PC23FVOxx1cv33H1f5lLHs.webp'/></item><item><title><![CDATA[Valsad News: કલેક્ટરના આદેશ છતાં શાળાઓ ચાલુ રાખવાના વિવાદ, DDOએ આપ્યો કડક આદેશ ]]></title><link>https://sandesh.com/weather/monsoon-2026/news/valsad/school-open-controversy-ddo-action-disaster-act</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/monsoon-2026/news/valsad/school-open-controversy-ddo-action-disaster-act</guid><pubDate>Wed, 08 Jul 2026 16:47:22 +05:30</pubDate><description><![CDATA[<p>વલસાડ જિલ્લામાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તમામ શાળા-કોલેજો બંધ રાખવાનો કડક આદેશ આપવામાં આવ્યો હતો. આમ છતાં, વલસાડ તાલુકામાં આ આદેશનો સરેઆમ ભંગ કરીને મોટાભાગની પ્રાથમિક શાળાઓ ચાલુ રાખવામાં આવી હતી. આ ગંભીર લાપરવાહી સામે આવ્યા બાદ હવે સમગ્ર મામલો ગરમાયો છે, અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓએ આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લીધી છે.</p><h2><b>શાળાના આચાર્યોએ શિક્ષણ અધિકારી સામે આંગળી ચીંધી</b></h2><p>રેડ એલર્ટ વચ્ચે બાળકોના જીવ જોખમમાં મૂકીને શાળાઓ શા માટે ચાલુ રાખવામાં આવી, તે અંગે જ્યારે શાળાના આચાર્યોની પૃચ્છા કરવામાં આવી ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો. શાળાઓના આચાર્યોએ સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે, તેમને તાલુકા શિક્ષણ અધિકારી તરફથી જ શાળાઓ રાબેતા મુજબ ચાલુ રાખવાના આદેશો મળ્યા હતા. શિક્ષણ અધિકારીના આ કથિત આદેશના કારણે જ આચાર્યોએ શાળાઓ ખુલ્લી રાખીને વિદ્યાર્થીઓને બોલાવ્યા હોવાની વિગતો બહાર આવી છે.</p><h2><b>વલસાડ DDO અતિરાગ ચપલોત આવ્યા એક્શન મોડમાં</b></h2><p>કલેક્ટરના જાહેરનામા અને આપત્તિ વ્યવસ્થાપનના નિયમોના ભંગના આ અહેવાલો વલસાડ જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત સુધી પહોંચતા જ તેઓ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયા છે. DDO અતિરાગ ચપલોતે આ સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લીધી છે. તેમણે કલેક્ટરના આદેશનો ઉલાળિયો કરવા પાછળ જવાબદાર કોણ છે, તેની સચોટ માહિતી મેળવવા માટે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસના આદેશો જાહેર કરી દીધા છે.</p><h2><b>દોષિતો સામે ડિઝાસ્ટર એક્ટ હેઠળ લેવાશે કડક પગલાં</b></h2><p>DDO અતિરાગ ચપલોતે મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, આ મામલે પ્રાથમિક તપાસ કર્યા બાદ જે પણ સરકારી અધિકારી કે કર્મચારી દોષિત સાબિત થશે, તેમની સામે કોઈ પણ પ્રકારની નરમ નીતિ રાખવામાં આવશે નહીં. કટોકટીના સમયે બેદરકારી દાખવનાર અને નિયમો તોડનાર જવાબદારો સામે ખાતાકીય પગલાં ભરવાની સાથે-સાથે 'ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ' હેઠળ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/weather/monsoon-2026/news/gujarat/ahmedabad/gujarat-rain-update-heavy-rain-weather-forecast-red-alert" target="_blank">Gujarat Weather Update: 5 સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં સાર્વત્રિક અને અતિભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ?</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/08/mZciv2bsoJJIipUlLcbDP0AEQiP6L3R3dRzrxcgo.webp'/></item><item><title><![CDATA[Surat News: પ્રી-મોન્સૂન કામગીરીના ધજાગરા, ભટાર ચાર રસ્તા પર પડ્યો મસમોટો ભુવો ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/bhatar-char-rasta-sinkhole-smc-pre-monsoon-exposed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/bhatar-char-rasta-sinkhole-smc-pre-monsoon-exposed</guid><pubDate>Wed, 08 Jul 2026 16:42:14 +05:30</pubDate><description><![CDATA[<p>ડાયમંડ સિટી સુરતમાં ચોમાસાની શરૂઆત થતાંની સાથે જ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી કરોડો રૂપિયાની પ્રી-મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા છે. તંત્ર દ્વારા ચોમાસા પહેલા હજારો દાવાઓ કરવામાં આવ્યા હતા, પરંતુ સામાન્ય વરસાદ પડતાં જ શહેરના રોડ-રસ્તાઓની વાસ્તવિકતા સામે આવી ગઈ છે અને સત્તાધીશોની કામગીરી પર મોટા સવાલો ઉભા થયા છે.</p><h2><b>ભટાર ચાર રસ્તા પર મુખ્ય માર્ગ વચ્ચે પડ્યો મસમોટો ભુવો</b></h2><p>સુરતના અત્યંત વ્યસ્ત અને ધમધમતા ગણાતા ભટાર ચાર રસ્તા પાસેના મુખ્ય માર્ગ પર અચાનક રોડ બેસી જવાની ઘટના સામે આવી છે. વરસાદી માહોલ વચ્ચે આ મુખ્ય માર્ગની વચોવચ એક મસમોટો ભુવો પડી ગયો છે. ધોધમાર વરસાદ વરસી ગયા બાદ રસ્તો અચાનક બેસી જતાં આ વિસ્તારમાંથી પસાર થતાં લોકો આશ્ચર્ય અને ભયમાં મુકાયા છે.</p><p></p><h2><b>અચાનક ભુવો પડતાં વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા</b></h2><p>ભટાર ચાર રસ્તા પરથી રોજના હજારો વાહનો પસાર થાય છે, તેવામાં અચાનક પડેલા આ ભુવાના કારણે વાહનચાલકો માટે મોટું જોખમ ઊભું થયું છે. ખાસ કરીને રાત્રિના સમયે કે ચાલુ વરસાદમાં જો કોઈ વાહનચાલકનું ધ્યાન ન જાય, તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. માર્ગ બેસી જવાથી સર્જાયેલી આ જોખમી સ્થિતિને કારણે સ્થાનિકોએ અકસ્માત નિવારવા માટે હાલ ભુવાની આસપાસ આડશ ઉભી કરવાની ફરજ પડી છે.</p><p><img alt="Surat News Surat Bhatar Road Sinkhole SMC Pre-Monsoon Work Exposed After Rain (3)" src="https://epapercdn.sandesh.com/images/2026/07/08/wl7yd9VBBBdkMvyb1mYyq1u6dgKYhKB8KrhfWpT6.webp" style="width: 100%;"><br></p><h2><b>સુરતીઓના ટેક્સના કરોડો રૂપિયા પાણીમાં ગયા, જનતામાં ભારે રોષ</b></h2><p>હજુ તો ચોમાસાની જમાવટ બરાબર થઈ પણ નથી, ત્યાં સામાન્ય વરસાદમાં જ રસ્તાની આવી દુર્દશા થતાં સુરતના નાગરિકોમાં મનપાના વહીવટ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, પ્રી-મોન્સૂન કામગીરીના નામે સુરતીઓના ટેક્સના જે કરોડો રૂપિયા વાપરવામાં આવ્યા, તેનું આયોજન ક્યાં ગયું? આ નબળી ગુણવત્તાના કામના કારણે જનતાના પૈસાનો સરેઆમ વેડફાટ થયો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.</p><p><img alt="Surat News Surat Bhatar Road Sinkhole SMC Pre-Monsoon Work Exposed After Rain (2)" src="https://epapercdn.sandesh.com/images/2026/07/08/LAnFoYNFoz3xN9ft9rifQxZ9Mp334bgmR8tgOaP9.webp"><br></p><h2><b>કોન્ટ્રાક્ટરો અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાંની માગ</b></h2><p>આ ઘટના બાદ સ્થાનિક રહીશો અને વાહનચાલકો દ્વારા સુરત મનપા તંત્ર સમક્ષ ભુવાનું તાત્કાલિક રીપેરિંગ કામ કરવાની માગ કરવામાં આવી છે. આ સાથે જ, હલકી ગુણવત્તાનું કામ કરનાર કોન્ટ્રાક્ટર અને મોનિટરિંગમાં બેદરકારી રાખનાર જવાબદાર એન્જિનિયરો તેમજ અધિકારીઓ સામે તપાસ કરીને કડક દંડાત્મક પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉગ્ર બની છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/weather/monsoon-2026/news/gujarat/ahmedabad/gujarat-rain-update-heavy-rain-weather-forecast-red-alert" target="_blank">Gujarat Weather Update: 5 સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં સાર્વત્રિક અને અતિભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ?</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/08/mkI3Cbfnd2D3cx5AssubUrj018i3iZ2FHrJO5Xr3.webp'/></item><item><title><![CDATA[Valsad News: શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી, ‘રેડ એલર્ટ’ વચ્ચે પ્રાથમિક શાળાઓ શરૂ રખાતા વાલીઓમાં ભારે રોષ ]]></title><link>https://sandesh.com/weather/monsoon-2026/news/valsad/education-department-negligence-schools-open</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/monsoon-2026/news/valsad/education-department-negligence-schools-open</guid><pubDate>Wed, 08 Jul 2026 15:51:45 +05:30</pubDate><description><![CDATA[<p>દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યા છે અને સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આવી ગંભીર અને કટોકટીપૂર્ણ સ્થિતિમાં પણ વલસાડ જિલ્લાના શિક્ષણ વિભાગની એક ચોંકાવનારી અને મોટી બેદરકારી સામે આવી છે, જેને કારણે હજારો માસૂમ બાળકોના જીવ જોખમમાં મુકાયા છે.</p><h2><b>જિલ્લા કલેક્ટરના રજાના આદેશનો સરેઆમ ઉલાળિયો કરાયો</b></h2><p>વલસાડમાં પૂર જેવી પરિસ્થિતિ અને સતત વરસી રહેલા મુસળધાર વરસાદને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરે વિદ્યાર્થીઓની સુરક્ષા કાજે એક દિવસ અગાઉ જ મોટો નિર્ણય લીધો હતો. કલેક્ટરે સમગ્ર જિલ્લાની તમામ શાળા-કોલેજો અને આંગણવાડીઓમાં સત્તાવાર શૈક્ષણિક રજા જાહેર કરી હતી. જોકે, કલેક્ટરના આ સંવેદનશીલ અને કડક આદેશનો વલસાડ તાલુકામાં સરેઆમ ભંગ થતો જોવા મળ્યો છે.</p><h2><b>પ્રાથમિક શિક્ષણ અધિકારીની વિવાદાસ્પદ સૂચનાથી નિયમ ભંગ</b></h2><p>કલેક્ટરના સ્પષ્ટ આદેશ હોવા છતાં વલસાડ તાલુકાની મોટાભાગની પ્રાથમિક શાળાઓ બુધવારે રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવી હતી. આ પાછળનું મુખ્ય કારણ પ્રાથમિક શિક્ષણ અધિકારીની ઘોર બેદરકારી અને વિવાદાસ્પદ સૂચના હોવાનું સામે આવ્યું છે. શિક્ષણ અધિકારી દ્વારા જ તમામ પ્રાથમિક શાળાઓ ચાલુ રાખવાના આદેશ આપી દેવાયા હતા, જેના કારણે સમગ્ર વહીવટી તંત્રના સંકલન પર મોટા સવાલો ઉભા થયા છે.</p><h2><b>ધોધમાર વરસાદમાં બાળકોને શાળાએ બોલાવાતા વાલીઓમાં ભારે રોષ</b></h2><p>એક તરફ વલસાડના રસ્તાઓ, કોઝવે અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ છે, ત્યારે રેડ એલર્ટની સ્થિતિમાં પણ માસૂમ વિદ્યાર્થીઓને શાળાએ બોલાવીને અભ્યાસ ચાલુ રાખવામાં આવ્યો હતો. પોતાના બાળકોને જીવના જોખમે શાળાએ મોકલવા પડતાં વાલીઓમાં શિક્ષણ વિભાગની આ જોહુકમી સામે ભારે રોષ અને અરેરાટી વ્યાપી ગઈ છે. વાલીઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે, જો કોઈ અઘટિત ઘટના ઘટી હોત, તો તેની જવાબદારી કોની હોત?</p><h2><b>નિષ્ફળ રહ્યું શિક્ષણ તંત્ર</b></h2><p>આશ્ચર્યની વાત તો એ છે કે, વલસાડ જિલ્લામાં અગાઉ પણ આવી અંધાધૂંધી અને અકસ્માત જેવી સ્થિતિઓ સર્જાઈ ચૂકી છે. તેમ છતાં, અગાઉની ઘટનાઓમાંથી કોઈ પાઠ ભણવાના બદલે શિક્ષણ વિભાગ આળસ અને બેદરકારીમાં જ રાચી રહ્યું હોય તેમ સાબિત થયું છે. કલેક્ટરના આદેશને હવામાં ઉડાવી બાળકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે ખીલવાડ કરનારા આ જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ હવે ઉગ્ર બની છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/weather/monsoon-2026/news/gujarat/ahmedabad/gujarat-rain-update-heavy-rain-weather-forecast-red-alert" target="_blank">Gujarat Weather Update: 5 સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં સાર્વત્રિક અને અતિભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ?</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/08/iuPtE25upQOQz9nXH7bkpOurJZQ9C1iRMzYfWeJ9.webp'/></item><item><title><![CDATA[Stock Market Closing: ટ્રમ્પનું એક નિવેદન અને શેર માર્કેટ ક્રેશ, સેન્સેક્સમાં 1774 પોઇન્ટનો કડાકો ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-today-a-statement-by-trump-and-a-stock-market-crash-a-drop-of-163968-points</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-today-a-statement-by-trump-and-a-stock-market-crash-a-drop-of-163968-points</guid><pubDate>Wed, 08 Jul 2026 15:40:57 +05:30</pubDate><description><![CDATA[<p>અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના કરારનો અંત લાવવાની જાહેરાત કરી છે.&nbsp; પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું, "ઈરાન સાથે હવે કોઈ વાટાઘાટો થશે નહીં. અમે બધું જ ખતમ કરી દીધું છે. કુવૈત અને બહેરીનમાં અમેરિકન બેઝ પર ઈરાનના હુમલા પછી ટ્રમ્પે આ જાહેરાત કરી હતી. ત્યારે ટ્રમ્પના આ નિવેદન બાદ શેરબજારમાં મોટો કડાકો બોલાયો.&nbsp;</p><p><b style="font-size: 2rem;">ઇરાન ખોટુ, દગો આપ્યો- ટ્રમ્પ&nbsp;</b></p><p>રાષ્ટ્રપતિ ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે ઈરાને તેમની સાથે ખોટું બોલ્યું હતું. તેથી, તેહરાન સાથે વધુ વાટાઘાટો હવે શક્ય નથી. અમે તેહરાનને પરમાણુ નિઃશસ્ત્રીકરણ કરીશું. આ માટેની યોજના ટૂંક સમયમાં અમલમાં મૂકવામાં આવશે.</p><h3><b>શેરબજારમાં સૌથી મોટો કડાકો&nbsp;</b></h3><p>ટ્રમ્પના આ નિવેદનથી શેરબજારમાં જબરદસ્ત ઘટાડો આવ્યો છે. ભારતીય શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને ઉંધા માટે પટકાયા છે. સેન્સેક્સ 1648 પોઇન્ટના એટલે કે 2 ટકાના ઘટાડા સાથે 76,533.14 અઁકે પહોંચી ગયો છે. જ્યારે નિફ્ટી 496 પોઇન્ટના ઘટાડા સાથે 2.03 ટકાના ઘટાડા સાથે 23,902.70 અંકે ટ્રેડ કરી રહ્યો છે.&nbsp; જો કે 2.43 કલાકે તો સેન્સેક્સ 1774 પોઇન્ટ ઘટી ગયો હતો.&nbsp;<br>બુધવારે બપોરે 3.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને ઘટાડા સાથે બંધ થયા. સેન્સેક્સ 1,677.12&nbsp;ોપોઇન્ટના ઘટાડા સાથે&nbsp; 76,503 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 516.65 પોઇન્ટના ઘટાડા સાથે23,882.05 અંકે બંધ થયો.&nbsp;</p><p><b style="font-size: 1.75rem;">રોકાણકારોના 9 લાખ કરોડ ડૂબ્યા&nbsp;</b></p>બજારમાં આ ઘટાડાને કારણે રોકાણકારોની સંપત્તિમાં આશરે રૂ. 9 લાખ કરોડનું ધોવાણ થયું, જેના કારણે BSE પર લિસ્ટેડ બધી કંપનીઓનું કુલ બજાર મૂડીકરણ રૂ. 471 લાખ કરોડ થયું.<p></p><h3><b>શેરબજારમાં મોટો ઘટાડો કેમ ?&nbsp;</b></h3><p>યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાન સાથેનો કરાર ખતમ થઈ ગયો છે અને ઈરાની નેતાઓને બીમાર લોકો તરીકે વર્ણવ્યા હતા. આ નિવેદન ગલ્ફ ક્ષેત્રમાં હુમલાઓના નવા રાઉન્ડ પછી આવ્યું હતું, જેનાથી બંને દેશો વચ્ચે તણાવ ફરી વધ્યો હતો. </p><p>એક દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે ઈરાને કેટલાક શિપમેન્ટને નિશાન બનાવ્યા છે. આ પછી બુધવારે, અમેરિકાએ પણ ઈરાન પર બોમ્બમારો શરૂ કર્યો અને ઈરાની ક્રૂડ ઓઈલના વેચાણ પર ફરીથી પ્રતિબંધો લાદ્યા. તણાવમાં વધારો થવાથી મધ્ય પૂર્વમાં સ્થિરતાનો ભય અને વૈશ્વિક તેલ પુરવઠામાં નવા વિક્ષેપો ઉભા થયા છે.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2024/12/17/B4q394upj6smNdoRks6y63Wi5EJBlhDna45kBXlZ.jpg'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026 : ક્વાર્ટર ફાઇનલ મેચ પહેલા ટિકિટના ભાવમાં મોટો ઘટાડો,જાણો શું છે અસલી કારણ ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-big-drop-in-ticket-prices-before-the-quarter-final-match-know-what-is-the-real-reason</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-big-drop-in-ticket-prices-before-the-quarter-final-match-know-what-is-the-real-reason</guid><pubDate>Wed, 08 Jul 2026 13:37:27 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">2026 ફૂટબોલ વર્લ્ડ કપ હવે તેના સૌથી રોમાંચક તબક્કામાં પહોંચી ગયો છે.આ અઠવાડિયે ક્વાર્ટર ફાઇનલ શરૂ થવાની તૈયારીમાં છે,પરંતુ તે પહેલાં ફૂટબોલ ચાહકો માટે એક મોટા સમાચાર છે.ટુર્નામેન્ટની સૌથી મોટી નોકઆઉટ મેચોમાંની એકની ટિકિટ હવે પહેલા કરતા ઘણી સસ્તી થઈ ગઈ છે.મીડિયા રિપોર્ટ અનુસાર સ્પેન અને બેલ્જિયમ વચ્ચે શુક્રવારે રમાનારી ક્વાર્ટર ફાઇનલ મેચની સૌથી સસ્તી ટિકિટમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.અગાઉ,આ મેચની ટિકિટ લગભગ $2,950 સુધી પહોંચી ગઈ હતી,પરંતુ હવે તેમની શરૂઆતની કિંમત લગભગ $1,200 થઈ ગઈ છે.આ લગભગ 60 ટકાનો ઘટાડો થયો છે.</p><h4 style="text-align: justify; "><b>આ કારણે ટિકિટના ભાવમાં ઘટાડો થયો.</b></h4><p style="text-align: justify; ">આ ઘટાડાનું સૌથી મોટું કારણ યુનાઇટેડ સ્ટેટ્સનું ટુર્નામેન્ટમાંથી બહાર થવું માનવામાં આવે છે. તે FIFA વર્લ્ડ કપ 2026નો સહ-યજમાન દેશ છે. યુનાઇટેડ સ્ટેટ્સ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં બેલ્જિયમ દ્વારા 4-1થી જીત સાથે બહાર થઈ ગયું હતું. જો યુનાઇટેડ સ્ટેટ્સ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું હોત, તો ઘરઆંગણાના ચાહકોની માંગને કારણે ટિકિટના ભાવ વધુ વધી શક્યા હોત.</p><h4 style="text-align: justify; "><b>ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની અસર</b></h4><p style="text-align: justify; ">ટિકિટના ભાવમાં ઘટાડો થવાનું બીજું એક મોટું કારણ પોર્ટુગલનું બહાર થવું છે.સ્પેને પોર્ટુગલને 1-0થી હરાવ્યું અને તેમને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધા.આ હારથી દિગ્ગજ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ફિફા વર્લ્ડ કપ કારકિર્દીનો અંત આવ્યો. રોનાલ્ડોને વિશ્વના સૌથી લોકપ્રિય ખેલાડીઓમાંના એક માનવામાં આવે છે, તેથી તેમના બહાર નીકળવાથી ટિકિટની માંગ પર નોંધપાત્ર અસર પડી છે.મેચ પછી,નિરાશ રોનાલ્ડોએ પુષ્ટિ આપી કે આ તેમનો છેલ્લો વર્લ્ડ કપ દેખાવ હતો.</p><h5 style="text-align: justify; "><b>આ મેચની ટિકિટ સૌથી સસ્તી છે.</b></h5><p style="text-align: justify; ">ઘણા નિષ્ણાતો માનતા હતા કે જો યુનાઇટેડ સ્ટેટ્સ અને પોર્ટુગલ ક્વાર્ટર ફાઇનલમાં આમને-સામને થાય છે, તો તે ટુર્નામેન્ટનો સૌથી ચર્ચિત મેચ બની શકે છે. એક તરફ યજમાન રાષ્ટ્ર અને બીજી તરફ રોનાલ્ડો જેવા સુપરસ્ટારની હાજરી ટિકિટના ભાવને રેકોર્ડ સ્તરે પહોંચાડી શકે છે.દરમિયાન ફ્રાન્સ અને મોરોક્કો વચ્ચેની મેચ હાલમાં અન્ય ક્વાર્ટર ફાઇનલમાં સૌથી સસ્તી માનવામાં આવે છે.મીડિયા રિપોર્ટ અનુસાર, આ મેચની ટિકિટ લગભગ $989 માં ઉપલબ્ધ છે.</p><h5 style="text-align: justify; "><b>આ ટીમ વચ્ચે ટક્કર</b></h5><p style="text-align: justify; ">ક્વાર્ટર ફાઇનલ શુક્રવારે ફ્રાન્સ વિરુદ્ધ મોરોક્કો સાથે શરૂ થશે.ત્યારબાદ સ્પેન અને બેલ્જિયમ રમશે.રવિવારે નોર્વે અને ઇંગ્લેન્ડ રમશે.ત્યારબાદ ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના સ્વિટ્ઝર્લૅન્ડનો સામનો કરશે.ચારેય ક્વાર્ટર ફાઇનલ મેચ અલગ-અલગ સ્ટેડિયમમાં રમાશે.આ મેચોના વિજેતાઓ આગામી સપ્તાહના સેમિફાઇનલમાં જશે. આખી દુનિયા હવે આ રોમાંચક મેચો જોઈ રહી છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-8-teams-decided-for-the-quarter-finals-know-the-complete-schedule" target="_blank"> FIFA World Cup 2026 : ક્વાર્ટર ફાઇનલ માટે 8 ટીમ નક્કી,જાણો સંપૂર્ણ શેડ્યુલ</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/08/UuJQWZeo3OPrvfSXe2WnU8bK86TxHiX8xTfWjidr.webp'/></item></channel></rss>