<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Under-18 Asia Cup Hockeyની સેમિફાઇનલમાં ભારત-પાકિસ્તાન આમને-સામને, બંને ટીમો વચ્ચે ફાઇનલ માટે ખરાખરીની જંગ ]]></title><link>https://sandesh.com/sports/news/india-pakistan-face-off-in-semi-finals-of-under-18-asia-cup-hockey-a-fierce-battle-between-the-two-teams-for-the-final</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india-pakistan-face-off-in-semi-finals-of-under-18-asia-cup-hockey-a-fierce-battle-between-the-two-teams-for-the-final</guid><pubDate>Fri, 05 Jun 2026 13:13:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">Under-18 એશિયા કપ હોકી ટુર્નામેન્ટ હવે તેના સૌથી રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટની હાઈ-વોલ્ટેજ સેમિફાઇનલ મેચમાં પરંપરાગત હરીફ ભારત અને પાકિસ્તાન આજે શુક્રવારના રોજ આમને-સામને ટકરાશે. ફાઇનલમાં સ્થાન મેળવવા કટ્ટર હરીફો વચ્ચે જોરદાર અને રોમાંચક મુકાબલો જોવા મળે તેવી પૂરેપૂરી સંભાવના છે. પૂલ સ્ટેજની ચારમાંથી ત્રણ મેચોમાં શાનદાર જીત મેળવીને ભારતે અંતિમ ચારમાં પોતાનું સ્થાન પાકું કર્યું છે. જોકે, ટુર્નામેન્ટ દરમિયાન જાપાન સામે ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ભારતીય યુવા બ્રિગેડે તેમાંથી ઝડપથી બોધપાઠ લઈને શાનદાર વાપસી કરી બતાવી છે.</p><h2 style="text-align: justify; "><b>એશિયા કપમાં ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન</b></h2><p style="text-align: justify; ">ભારતીય પુરુષ ટીમે અત્યાર સુધી આ ટુર્નામેન્ટમાં અત્યંત પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે. એશિયા કપમાં પોતાની પ્રથમ મેચમાં ભારતીય બ્રિગેડે કઝાકિસ્તાનને ૧૩-૦થી સજ્જડ હાર આપી હતી. ત્યારપછીની મેચમાં જાપાન સામે ૨-૪થી પરાજય વેઠવો પડ્યો હતો. જોકે, આંચકામાંથી બહાર આવીને ભારતે મજબૂત રમત રમી અને કોરિયાને ૪-૧થી તેમજ ચાઇનીઝ તાઈપેઈને ૧૩-૧ના વિશાળ અંતરથી હરાવીને એકતરફી વિજય મેળવ્યો હતો. આ આખી ટુર્નામેન્ટમાં ભારતીય ફોરવર્ડ લાઈન અને ડિફેન્સ બંને મજબૂત દેખાયા છે.</p><h3 style="text-align: justify; "><b>ભારત-પાકિસ્તાનના મહામુકાબલો જોવો લોકો આતુર</b></h3><p style="text-align: justify; ">ભારતીય ખેલાડીઓએ વિરોધી ટીમો સામે કુલ ૩૨ ગોલ ફટકાર્યા છે, જેની સામે ભારતે માત્ર છ ગોલ જ ગુમાવ્યા છે. ટીમની સફળતામાં કેપ્ટન કેતન કુશવાહ ૭ ગોલ સાથે સૌથી આગળ રહ્યો છે, જ્યારે આશિષ તાની પૂર્તિએ પણ ૬ ગોલ કરીને ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું છે. જોકે, પાકિસ્તાન સામેની મેચ હંમેશા દબાણવાળી હોય છે, તેથી ભારતીય ખેલાડીઓ પર મેદાન પર શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું આંતરિક દબાણ ચોક્કસ રહેશે. બંને દેશોના હોકી ચાહકો પણ આ મહામુકાબલાને લઈને ભારે ઉત્સાહિત છે.</p><h4 style="text-align: justify; "><b>ભારતીય મહિલા ટીમ પણ સેમિફાઇનલમાં: ચીન સામે ટક્કર</b></h4><p style="text-align: justify; ">બીજી તરફ ભારતની અંડર-૧૮ મહિલા હોકી ટીમ પણ અજેય રહીને શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. મહિલા ટીમે પૂલ સ્ટેજની પોતાની ત્રણેય મેચો જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. ભારતીય યુવતીઓએ પ્રચંડ આક્રમણ કરીને કુલ ૩૦ ગોલ કર્યા છે અને માત્ર બે જ ગોલ ખાધા છે. હવે સેમિફાઇનલ મેચમાં ભારતીય મહિલા ટીમનો સામનો ચીન સામે થશે, જ્યાં તેઓ પોતાની જીતનો સિલસિલો બરકરાર રાખીને ફાઇનલમાં પહોંચવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો :&nbsp;</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/OzPyBxlP5duqO7lAprT7ikks3RhNDlY1sDcTGm2e.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : નરોડા GIDCમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ કેમિકલ કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની 7 ટીમો ઘટનાસ્થળે ]]></title><link>https://sandesh.com/gujarat/breakingnews/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-naroda-gidc-chemical-company-blast-massive-fire-workers-injured-updates</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/breakingnews/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-naroda-gidc-chemical-company-blast-massive-fire-workers-injured-updates</guid><pubDate>Fri, 05 Jun 2026 13:06:59 +05:30</pubDate><description><![CDATA[<div style="text-align: justify; ">અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા સૌથી મોટા ઔદ્યોગિક હબ નરોડા GIDCમાંથી એક અત્યંત ચિંતાજનક અને મોટી દુર્ઘટના સામે આવી છે. નરોડા જીઆઈડીસીમાં અર્બુદા કાંટા પાસે આવેલી એક જાણીતી કેમિકલ કંપનીમાં વહેલી સવારે જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ પ્રચંડ બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો અને આસપાસની ફેક્ટરીઓમાં કામ કરતા લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. બ્લાસ્ટ થયાની ગણતરીની મિનિટોમાં જ કેમિકલના જથ્થાને કારણે આખી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને આકાશમાં ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા જોવા મળ્યા હતા.</div><div style="text-align: justify; "><br></div><h2 style="text-align: justify; "><b>ફાયર વિભાગની 7 ટીમો ઘટનાસ્થળે</b></h2><h2 style="text-align: justify; "><b><br></b></h2><h2 style="text-align: justify; "><b>
</b></h2><div style="text-align: justify; ">&nbsp;બ્લાસ્ટની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ફાયર વિભાગની અલગ-અલગ સ્ટેશનથી 7 જેટલી ટીમો તાત્કાલિક અસરથી ફાયર ફાઈટરોના મોટા કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવી છે.</div><div style="text-align: justify; "><br></div><div>
</div><h3 style="text-align: justify; ">&nbsp;<b>આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ</b></h3><div style="text-align: justify; "><br></div><div>
</div><div style="text-align: justify; ">હાલમાં ફાયર ફાઈટરો દ્વારા કેમિકલના કારણે ફેલાયેલી આ ભયંકર આગ પર કાબૂ મેળવવા માટે ફોમ અને પાણીનો મારો ચલાવીને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક અંદાજ મુજબ કેમિકલ પ્રોસેસિંગ દરમિયાન પ્રેશર વધી જવાને કારણે આ બ્લાસ્ટ થયો હોવાની આશંકા છે. ઇજાગ્રસ્ત શ્રમિકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નરોડા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે.</div><div style="text-align: justify; "><br></div><div style="text-align: justify; ">આ પણ વાંચો---&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-live-news-and-samachar-05-june-2026-politics-weather-updates-daily-breaking-news-national-news-international-news#google_vignette" target="_blank"><b>Gujarat Latest News live : રાજકોટમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા મુદ્દે વિવાદ, પુરુષોત્તમ પીપળીયાએ પોલીસ પ્રોટેક્શન માંગ્યુ</b></a></div><div>
</div><div>
</div><div>
</div><div>
</div><div>
</div> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2025/07/03/7Hqf84Q757ZRxswXbqXC6f4SsLDXJ8GFqEk2wtWC.jpg'/></item><item><title><![CDATA[Putin Praise India: વિશ્વભરમાં વાગ્યો ભારતની હિંમતની ડંકો, પુતિન, ટ્રમ્પ અને ઈરાને કરી પ્રશંસા ]]></title><link>https://sandesh.com/india/news/-political-news/putin-praises-india-indias-courage-resonated-around-the-world-praised-by-putin-trump-and-iran</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/-political-news/putin-praises-india-indias-courage-resonated-around-the-world-praised-by-putin-trump-and-iran</guid><pubDate>Fri, 05 Jun 2026 13:02:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ઇરાને કહ્યુ છે કે, ભારત મુશ્કેલ સમયમાં ઈરાન સાથે ખભે ખભો મિલાવીને ઉભું રહ્યું છે.
</p><h2 style="text-align: justify; ">વૈશ્વિક સ્તરે મજબૂત ઓળખ 
</h2><p style="text-align: justify; ">ભારતનો પ્રભાવ સમગ્ર વિશ્વમાં ગુંજી રહ્યો છે. તો સાથે જ ભારતની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા ઘણા દેશોને અસર કરી રહી છે. તો આ તરફ, કેટલાક આપણી ઉદારતાના પ્રશંસક પણ બની રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિનના તાજેતરના નિવેદનો આ વાતને સમર્થન આપે છે. તો બીજી તરફ, ઈરાને પણ ભારતનો આભાર માન્યો છે. ઈરાને કહ્યું છે કે, કટોકટી દરમિયાન ભારત ઈરાન સાથે ઉભું રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, ત્રણેય દેશોના આ નિવેદનો થોડા કલાકોમાં એક પછી એક આવ્યા છે.
</p><h3 style="text-align: justify; ">ઈરાની રાજદૂતની પ્રતિક્રિયા 
</h3><p style="text-align: justify; ">ભારતીય નાગરિકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, સંકટના આ ગંભીર સમયમાં, જ્યારે આપણે આપણા મહાન નેતાઓના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા હતા. ત્યારે સમગ્ર દેશના લોકો આપણી સાથે ઉભા હતા. તેઓ આપણી સાથે ખભે ખભો મિલાવીને ઊંડી સંવેદના વ્યક્ત કરી રહ્યા હતા. ભારતના લોકો આગળ આવ્યા અને આપણા દુઃખમાં ભાગીદાર બન્યા હતા. આ માટે, અમે ભારતના લોકો પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.
</p><h4 style="text-align: justify; ">પુતિને કેમ કરી પ્રશંસા ?
</h4><p style="text-align: justify; ">આ પહેલા, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ ભારતની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, અમેરિકા ભારત પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ ભારતે આવા તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે. કેટલીક વૈશ્વિક સમાચાર એજન્સીઓના વડાઓ સાથેની વાતચીતમાં, પુતિને ભારતના આર્થિક વિકાસ અને દેશની સ્વતંત્ર વિદેશ નીતિની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, રશિયા ભારત સાથે તેના આર્થિક સંબંધો વધારવા માટે પ્રતિબદ્ધ છે. 
</p><h5 style="text-align: justify; ">આંતરરાષ્ટ્રીય સ્તરે સતત દબાણ 
</h5><p style="text-align: justify; ">પુતિને વધુમાં જણાવ્યું કે, પશ્ચિમી દેશો ભારત પર રશિયા સાથેના સંબંધો મર્યાદિત કરવા માટે સતત દબાણ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, યુએસએ રશિયા સાથેના સહયોગ અંગે ભારત પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ બધા સમજી ગયા છે કે, પીએમ મોદી પર દબાણ આંતરરાષ્ટ્રીય સંબંધો અને દ્વિપક્ષીય સંબંધો માટે હાનિકારક છે. પુતિને વધુમાં કહ્યું કે, આ દબાણ ક્યાંથી આવી રહ્યું છે તેનાથી કોઈ ફરક પડતો નથી. અમને કોઈ નકારાત્મક પરિણામો દેખાતા નથી. અમે ભારત સાથે અમારા સંબંધોને મજબૂત બનાવી રહ્યા છીએ. 
</p><h5 style="text-align: justify; ">ટ્રમ્પ સોદા માટે ઉત્સુક
</h5><p style="text-align: justify; ">ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, પીએમ મોદી તેમના સારા મિત્ર છે અને તેમને વિશ્વાસ છે કે, અમેરિકા અને ભારત વચ્ચે વેપાર કરાર થશે. ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે, અમે એક કરાર પર પહોંચીશું કારણ કે મને પીએમ મોદી ખૂબ ગમે છે. તેઓ મારા સારા મિત્ર છે. અમારા સંબંધો ખૂબ સારા છે, અને અમે એક કરાર પર પહોંચવા જઈ રહ્યા છીએ. આ અઠવાડિયાની શરૂઆતમાં એક યુએસ પ્રતિનિધિમંડળે ભારતની મુલાકાત લીધી હતી અને બંને દેશો વચ્ચે વચગાળાના દ્વિપક્ષીય કરાર પર ચાર દિવસની વાતચીત પૂર્ણ થઈ હતી.
</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/whispers-of-a-coup-in-iran-supreme-leader-mojtaba-khamenei-claims-america-israel-are-creating-a-big-conspiracy" target="_blank">Iranમાં સત્તાપલટાનો ફફડાટ!, સુપ્રીમ લીડર Mojtaba Khameneiનો દાવો, 'અમેરિકા-ઇઝરાયલ રચી રહ્યા છે મોટું ષડયંત્ર'</a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/ciMdiagTYKowRATpoWf0iLig85EPx5w25FnWsfFh.webp'/></item><item><title><![CDATA[Bollywood Celebrity : કિરણ રાવ કે રીના દત્તા... આમિર ખાનની કઈ એક્સ-વાઇફ છે સૌથી વધુ અમીર? ]]></title><link>https://sandesh.com/entertainment/news/kiran-rao-vs-reena-dutta-who-is-the-wealthiest-ex-wife-of-aamir-khan-net-worth</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/kiran-rao-vs-reena-dutta-who-is-the-wealthiest-ex-wife-of-aamir-khan-net-worth</guid><pubDate>Fri, 05 Jun 2026 12:58:13 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડ એક્ટર આમિર ખાન આ દિવસોમાં પોતાની પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં છે. આમિર ખાને કન્ફર્મ કર્યું છે કે તેઓ પોતાની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે ત્રીજા લગ્ન કરવાના છે. આ સમાચાર આવ્યા પછી જ્યાં કેટલાક લોકો હેરાન છે, તો ફેન્સ ખુશી મનાવી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે આમિરની બંને એક્સ-વાઇફ કિરણ અને રીનામાં કોણ સૌથી વધુ અમીર છે?&nbsp;</p><h2 style="text-align: justify; "><b>રીના દત્તાની નેટવર્થ
</b></h2><p style="text-align: justify; ">આમિર ખાને પહેલા લગ્ન રીના દત્તા સાથે કર્યા હતા. વર્ષ 1986માં બંનેએ સિક્રેટ લગ્ન કર્યા હતા, પરંતુ વર્ષ 2002માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. જો રીનાની નેટવર્થની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રીના દત્તા પાસે અંદાજિત નેટવર્થ આશરે 17 કરોડ રૂપિયા છે.
</p><h3 style="text-align: justify; "><b>કિરણ રાવની નેટવર્થ
</b></h3><p style="text-align: justify; ">જો કિરણ રાવની વાત કરીએ તો કિરણ રાવ, આમિર ખાનની બીજી એક્સ-વાઇફ છે. રિપોર્ટ્સ અનુસાર, કિરણ રાવની કુલ સંપત્તિ આશરે 320 થી 340 કરોડ રૂપિયા છે. કિરણ રાવે પોતાના કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મો બનાવી છે. જેમ કે ધોબી ઘાટ અને લાપતા લેડીઝ થી તેણે ખૂબ નામ કમાયું છે.
</p><h4 style="text-align: justify; "><b>કિરણ રાવ પાસે છે વધારે સંપતિ</b></h4><p style="text-align: justify; ">સાથે જ જો આમિર ખાનની બંને એક્સ-વાઇફની વાત કરીએ તો બંને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની લાઈનમાં છે. રીના જ્યાં ફિલ્મ પ્રોડ્યુસર છે, કિરણ પ્રોડ્યુસર હોવાની સાથે સ્ક્રીનરાઈટર અને ડિરેક્ટર પણ છે. રીના અને કિરણની નેટવર્થ જોવામાં આવે તો કિરણ વધારે અમીર છે. ભલે બંને આમિર ખાનથી છૂટાછેડા લઈ ચૂકી છે, પરંતુ બધાને અવારનવાર સાથે જોવામાં આવે છે.
</p><h5 style="text-align: justify; "><b>ત્રીજા લગ્ન કરવાના છે આમિર ખાન
</b></h5><p style="text-align: justify; ">આ સિવાય હવે આમિર ખાન 5 જુલાઈએ ગૌરી સ્પ્રેટ સાથે લગ્ન કરવાના છે, જેને લઈને ફેન્સ એક્સાઈટેડ નજર આવી રહ્યા છે. માહિતીનું માનીએ તો, આમિર હાલમાં યુએસ (US) માં છે અને પાછા આવ્યા પછી તેઓ પોતાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરશે. આની જાણકારી પોતે આમિર ખાને આપી છે. જોવાનું એ રહેશે કે આ લગ્નમાં કોણ કોણ સામેલ થાય છે અથવા તો આ એક પ્રાઈવેટ લગ્ન હશે.
</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/peddi-box-office-collection-ram-charan-movie" target="_blank">આ પણ વાંચો-Ram Charanની પેડ્ડી એ બોક્સ ઓફિસ પર મચાવ્યો હાહાકાર, પહેલા જ દિવસે ફટકારી હાફ સેન્ચુરી!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/Ys7PIgIOFV5G71XigerSCDCGktRxJyfA0SQNAcHb.webp'/></item><item><title><![CDATA[Indore Fire : ઇલેક્ટ્રિક વાહનોના શોરૂમમાં ભીષણ આગ, લાકડાની સીડીથી લોકોનું રેસ્ક્યૂ ]]></title><link>https://sandesh.com/india/news/indore-fire-massive-fire-breaks-out-in-electric-vehicle-showroom-people-rescued-using-wooden-ladders</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/indore-fire-massive-fire-breaks-out-in-electric-vehicle-showroom-people-rescued-using-wooden-ladders</guid><pubDate>Fri, 05 Jun 2026 12:27:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">શહેરના પૂર્વીય વિસ્તારમાં આવેલ આ શોરૂમમાં લાગેલી આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી ભયાનક હતી કે શોરૂમમાં રાખવામાં આવેલા અનેક ઇલેક્ટ્રિક વાહનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા.</p><h2 style="text-align: justify; ">આગની જ્વાળા ઝડપથી ફેલાતા શોરૂમની ઉપરની માળ પર રહેતા લોકો ફસાઈ ગયા હતા.</h2><p style="text-align: justify; ">
</p><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, આગ લાગ્યા બાદ શોરૂમમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. આગની જ્વાળા ઝડપથી ફેલાતા શોરૂમની ઉપરની માળ પર રહેતા લોકો ફસાઈ ગયા હતા. ધુમાડાના કારણે તેઓ નીચે ઉતરી શકતા ન હતા અને સ્થિતિ ગંભીર બની ગઈ હતી.</p><h3 style="text-align: justify; ">આસપાસના રહેવાસીઓએ બહાદુરી અને સમજદારી દાખવી</h3><p style="text-align: justify; ">
</p><p style="text-align: justify; ">આ દરમિયાન આસપાસના રહેવાસીઓએ બહાદુરી અને સમજદારી દાખવી હતી. પડોશમાં રહેતા લોકોએ લાકડાની સીડીની મદદથી બચાવ કામગીરી શરૂ કરી હતી. આગગ્રસ્ત ઇમારતની છતને બાજુમાં આવેલી બીજી ઇમારતની છત સાથે સીડી દ્વારા જોડવામાં આવી હતી. ત્યારબાદ ઉપર ફસાયેલા લોકોને એક પછી એક સુરક્ષિત રીતે બીજી ઇમારતની છત પર પહોંચાડવામાં આવ્યા હતા.</p><h4 style="text-align: justify; ">ફાયર બ્રિગેડની અનેક ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ</h4><p style="text-align: justify; ">
</p><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનો આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયાસ કરતા રહ્યા હતા. સ્થાનિક લોકોએ પણ પાણી અને અન્ય સાધનો દ્વારા આગ બુઝાવવાના પ્રયાસોમાં મદદ કરી હતી.
</p><p style="text-align: justify; ">પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જે રાહતની બાબત છે. જોકે, આગના કારણે શોરૂમને ભારે આર્થિક નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે. તમામ ઇલેક્ટ્રિક વાહનો અને શોરૂમમાં રહેલો અન્ય સામાન આગની લપેટમાં આવી ગયો હતો.
</p><p style="text-align: justify; ">આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે. શોર્ટ સર્કિટ અથવા અન્ય ટેકનિકલ ખામીના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
</p><p style="text-align: justify; ">આ ઘટનાએ એકવાર ફરીથી આગ સુરક્ષા વ્યવસ્થાના મહત્વ પર પ્રશ્નો ઉભા કર્યા છે. ખાસ કરીને એવી ઇમારતોમાં જ્યાં વ્યવસાયિક પ્રવૃત્તિઓ સાથે લોકો રહેતા પણ હોય, ત્યાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા હોવી અત્યંત જરૂરી હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/HYBHnHXLI2JihZYrAQmjXBiCS71RBR0lJioaqYvM.webp'/></item><item><title><![CDATA[Surat : હિન્દુ બની યુવતીને પ્રેમજાળમાં ફસાવી, હોટલોમાં દુષ્કર્મ આચરી 3.50 લાખ પડાવનાર સોમિલ ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-vesu-police-arrest-somil-makwana-fake-identity-rape-atrocity-case</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-vesu-police-arrest-somil-makwana-fake-identity-rape-atrocity-case</guid><pubDate>Fri, 05 Jun 2026 11:40:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરના વેસુ વિસ્તારમાંથી સોશિયલ મીડિયાના માધ્યમથી ઓળખ છુપાવીને યુવતીને પ્રેમજાળમાં ફસાવવા અને દુષ્કર્મ  ગુજારવાનો એક સનસનાટીપૂર્ણ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હિન્દુ યુવક તરીકેની ખોટી ઓળખ આપી સુરતની એક માસૂમ યુવતી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરનાર મૂળ મુસ્લિમ આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં રાજકોટથી દબોચી લીધો છે. પકડાયેલા આરોપીની ઓળખ સોમિલ સલમીન મકવાણા તરીકે થઈ છે.</p><h2 style="text-align: justify; "><b>યુવકે પોતાની ધાર્મિક ઓળખ છુપાવી
</b></h2><p style="text-align: justify; ">પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, આરોપી સોમિલ પરિણીત હોવા છતાં તેણે સોશિયલ મીડિયા પર પોતાની અસલી ધાર્મિક ઓળખ છુપાવી હતી. પોતાનું હિન્દુ નામ જણાવી તેણે સુરતની યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ આ નરાધમ પીડિત યુવતીને સુરત અને યાત્રાધામ દ્વારકાની અલગ-અલગ હોટલોમાં લઈ ગયો હતો, જ્યાં તેણે યુવતીની મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું.
</p><h3 style="text-align: justify; "><b>યુવતી પાસેથી પૈસા પણ પડાવ્યા 
</b></h3><p style="text-align: justify; ">&nbsp;એટલું જ નહીં પણ યુવકે લગ્નના બહાના હેઠળ અને અલગ-અલગ મુશ્કેલીઓ દર્શાવીને આરોપીએ પીડિતા પાસેથી ટુકડે-ટુકડે આશરે 3.50  લાખની રકમ પણ પડાવી લીધી હતી.
</p><h4 style="text-align: justify; "><b>યુવતીએ પોલીસમાં ફરિયાદ કરી
</b></h4><p style="text-align: justify; ">જ્યારે યુવતીને આરોપીની અસલી ઓળખ અને તેના પરિણીત હોવાની ખબર પડી, ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પીડિતાએ આ મામલે તાત્કાલિક સુરતના વેસુ પોલીસ સ્ટેશનમાં ન્યાય માટે ગુહાર લગાવી હતી. વેસુ પોલીસે ઘટનાની ગંભીરતાને સમજીને તુરંત ગુનો દાખલ કર્યો હતો અને ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીનું લોકેશન ટ્રેસ કરીને તેને રાજકોટથી ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસે આરોપી સોમિલ મકવાણા સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી જેલભેગો કર્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો-----&nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-live-news-and-samachar-05-june-2026-politics-weather-updates-daily-breaking-news-national-news-international-news#google_vignette" target="_blank"><b> Gujarat Latest News live : RBI એ મોટી જાહેરાત કરી, રેપો રેટ 5.25% પર યથાવત રહ્યો</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/dQCiEtZffzLBHWaEmKVGNCxpl3IDOZKT45oqcz4l.webp'/></item><item><title><![CDATA[Reality Check : વડોદરાના મંગળ બજાર અને રાજકોટની સોની બજારમાં ફાયર સેફ્ટીનો ઘોર અભાવ, હજારો જીવ જોખમમાં ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/reality-check-vadodara-mangal-bazar-rajkot-soni-bazar-fire-safety-reality-check-danger-updates</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/reality-check-vadodara-mangal-bazar-rajkot-soni-bazar-fire-safety-reality-check-danger-updates</guid><pubDate>Fri, 05 Jun 2026 11:24:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દિલ્હીમાં તાજેતરમાં સર્જાયેલા ભયાનક અગ્નિકાંડ બાદ સમગ્ર ગુજરાતના વેપારી મથકોમાં ફાયર સેફ્ટીની પોલ ખુલી રહી છે. સંદેશ ન્યૂઝ દ્વારા કરાયેલા ગ્રાઉન્ડ રિયાલિટી ચેકમાં વડોદરા અને રાજકોટના સૌથી વ્યસ્ત બજારોમાં ગંભીર લાપરવાહી સામે આવી છે. રાજકોટની સોની બજારની સાંકડી શેરીઓમાં ગેરકાયદે કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને ગત સપ્તાહે બનેલી સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બાદ મહાનગરપાલિકાએ બિલ્ડિંગ સીલ કરવાની ફરજ પડી છે. ત્યારે બીજી તરફ, મધ્ય ગુજરાતના સૌથી મોટા ખરીદી કેન્દ્ર ગણાતા વડોદરાના ઐતિહાસિક 'મંગળ બજાર' માં પણ સ્થિતિ અત્યંત વિસ્ફોટક હોવાનું સામે આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>વડોદરાના મંગળ બજારમાં ફાયર સેફ્ટીની કોઈ વ્યવસ્થા જ નથી
</b></h2><p style="text-align: justify; ">'મધ્ય ગુજરાતના ગરીબોના મોલ' તરીકે ઓળખાતા વડોદરાના મંગળ બજારમાં રોજિંદા 50 હજારથી વધુ ગ્રાહકો આસપાસના તાલુકાઓમાંથી ખરીદી માટે આવે છે. જો કે, આ ધમધમતા બજારની સાંકડી ગલીઓમાં મોટા મોટા શોરૂમ અને દુકાનોનો એટલો ભરાવો છે કે ત્યાં ફાયર સેફ્ટીની કોઈ વ્યવસ્થા જ નથી. બજારમાં ફાયર સેફ્ટીના નામે ખુલ્લેઆમ મજાક થઈ રહી છે. સ્થાનિકો અને નિષ્ણાતોના મતે, જો અહીં ક્યારેય આકસ્મિક આગ લાગે, તો ફાયર બ્રિગેડના વાહનો ઘટનાસ્થળે પહોંચી શકે તેમ જ નથી.
</p><h3 style="text-align: justify; "><b>સાંકડી ગલીઓથી સ્થિતી ગંભીર બની શકે
</b></h3><p style="text-align: justify; ">પરિસ્થિતિ એટલી નાજુક છે કે તંત્રની ગાડીઓ પહોંચે તે પહેલાં જ મોટી હોનારત સર્જાઈ શકે છે. જો આવી ગીચ જગ્યાએ આગની સ્થિતિમાં નાસભાગ મચે, તો ગૂંગળામણ અને નાસભાગના કારણે અનેક લોકો પોતાના જીવ ગુમાવી શકે છે. 
</p><h4 style="text-align: justify; "><b>ગત સપ્તાહે જ આગનો બનાવ બન્યો હતો
</b></h4><p style="text-align: justify; ">રાજકોટમાં સોની બજારની સાંકડી શેરીમાં એક વ્યક્તિ ન ચાલી શકે તેવી જગ્યામાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ  ખડકી ગયા છે. કોમ્પલેક્ષમાં આગ થી બચવાની કોઈ જ વ્યવસ્થા જોવા મળી ન હતી. શોર્ટ સર્કિટ કે આગ લાગવા ની ઘટના ઘટે તો મોટી જાનહાનિ કે દુર્ઘટના ની ભીતી છે. ઉલ્લેખનિય છે કે ગત સપ્તાહે સોની બજારમાં ગેરકાયદ બિલ્ડિંગમાં આગ લાગી હતી જેમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. તપાસ બાદ ગેરકાયદે બિલ્ડિંગ હોવાનું સામે આવ્યું હતું</p><h5 style="text-align: justify; "><b>કોર્પોરેશન દ્વારા બિલ્ડીંગ સીલ કરાયું હતું
</b></h5><p style="text-align: justify; ">રાજકોટમાં તંત્રએ સીલિંગની કડક કાર્યવાહી શરૂ કરી છે, ત્યારે વડોદરા મંગળ બજારના વેપારીઓ અને હજારો ગ્રાહકોની સુરક્ષાને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી તપાસ કરવામાં આવે અને કડક પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-live-news-and-samachar-05-june-2026-politics-weather-updates-daily-breaking-news-national-news-international-news#google_vignette" target="_blank"><b> Gujarat Latest News live : RBI એ મોટી જાહેરાત કરી, રેપો રેટ 5.25% પર યથાવત રહ્યો</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/WLk9gXxZXEaZmIURf21n1Kcx3f2FVn1oDQLctO9G.webp'/></item><item><title><![CDATA[RBI: લોન ધારકો માટે રાહતના સમાચાર, રેપો રેટ 5.25% યથાવત રાખ્યો ]]></title><link>https://sandesh.com/business/news/rbi-relief-news-for-loan-holders-repo-rate-kept-unchanged-at-525</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/rbi-relief-news-for-loan-holders-repo-rate-kept-unchanged-at-525</guid><pubDate>Fri, 05 Jun 2026 10:12:16 +05:30</pubDate><description><![CDATA[<p></p><div style="text-align: justify;">ભારતીય રિઝર્વ બેંક (RBI) ની નાણાકીય નીતિ સમિતિ (MPC) ની ત્રણ દિવસીય બેઠક બાદ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટ કર્યું છે કે વર્તમાન આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને રેપો રેટ 5.25% પર યથાવત રાખવામાં આવ્યો છે. આ નિર્ણયથી લાખો લોનધારકોને મોટી રાહત મળી છે, કારણ કે હાલના તબક્કે તેમના લોનનો EMI વધશે નહીં અને વ્યાજ દરો સ્થિર રહેશે.<br><br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2062755270502359327"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></div><p></p><h2 style="text-align: justify; "><b>નિર્ણય પાછળનું કારણ</b></h2><p style="text-align: justify; ">ગવર્નર મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, જ્યારે સમગ્ર વિશ્વની કેન્દ્રીય બેંકો વ્યાજ દરોમાં વધારો કરી રહી છે, ત્યારે ભારતીય અર્થતંત્રમાં સ્થિરતા જાળવી રાખવી જરૂરી છે. વૈશ્વિક સ્તરે સપ્લાય ચેઇનમાં વિક્ષેપ અને ભૌગોલિક-રાજકીય તણાવને કારણે બજારમાં અસ્થિરતા છે, તેમ છતાં ભારતનું અર્થતંત્ર મજબૂત પ્રદર્શન કરી રહ્યું છે. ફેબ્રુઆરી 2025 થી RBI દ્વારા દરોમાં કુલ 125 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો, જે બાદ હવે સ્થિતિને સ્થિર રાખવાનો વ્યૂહાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>ફુગાવો અને પડકારો</b></h3><p style="text-align: justify; ">છેલ્લા કેટલાક સમયમાં ફુગાવાના દરમાં ફેરફાર જોવા મળ્યો છે. એપ્રિલ 2026 માં છૂટક ફુગાવાનો દર 3.48% રહ્યો હતો, જે RBI ના મધ્યમ ગાળાના 4% ના લક્ષ્યાંકથી નીચે છે. જોકે, RBI સામે ક્રૂડ ઓઈલના વધતા ભાવ, રૂપિયાનું ઘટતું મૂલ્ય અને ફુગાવાના વધતા જોખમો જેવા પડકારો હજુ પણ યથાવત છે.</p><p style="text-align: justify; ">નિષ્ણાતો માને છે કે RBI નો આ નિર્ણય દેશના આર્થિક વિકાસને ગતિ આપવા અને ગ્રાહકોના વિશ્વાસને જાળવી રાખવા માટેનું સંતુલિત પગલું છે. હાલમાં જ્યારે વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતા છે, ત્યારે વ્યાજ દરો સ્થિર રાખવા એ એક સુદ્રઢ આર્થિક વ્યૂહરચના છે. આ નિર્ણય સામાન્ય માણસ માટે રાહતરૂપ છે, જેમને હવે વધારાના બોજ વગર પોતાના આર્થિક આયોજનને આગળ વધારવાની તક મળશે.<br><br><b><a href="https://sandesh.com/india/news/world/nepals-foreign-minister-visits-india-starts-a-new-chapter-in-diplomatic-relations-between-the-two-countries" target="_blank">આ પણ વાંચોઃ Nepalના વિદેશ મંત્રીની ભારત મુલાકાત, બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોનો નવો અધ્યાય શરૂ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/hctVTIpiz2wbkcxmin1oIwt2t5FRaS9fcEJnAHDN.webp'/></item><item><title><![CDATA[Anand : ચિખોદરામાં ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ, ફાયર સેફ્ટી મુદ્દે ઉઠ્યા સવાલો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/anand/anand-chikhodra-bholenath-firecracker-godown-massive-fire-accident-updates</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/anand/anand-chikhodra-bholenath-firecracker-godown-massive-fire-accident-updates</guid><pubDate>Fri, 05 Jun 2026 09:49:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતના આણંદ જિલ્લામાંથી વહેલી સવારે એક મોટી  દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. આણંદ નજીક આવેલા ચિખોદરા ગામે આવેલા 'ભોલેનાથ ફટાકડા ગોડાઉન' માં અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી. વહેલી સવારે જ્યારે લોકો નિદ્રાધીન હતા, ત્યારે અચાનક ફટાકડાના ગંજાવર જથ્થામાં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ ભભૂકી ઉઠતા સમગ્ર પંથકમાં ભારે નાસભાગ અને અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ધડાકાના અવાજ એટલા તીવ્ર હતા કે આસપાસના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>ફાયર બ્રિગેડનો કાફલો પહોંચ્યો
</b></h2><p style="text-align: justify; ">ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક રહીશોએ તુરંત ફાયર વિભાગને જાણ કરી હતી. આણંદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક અસરથી ફાયર ફાઈટરોના મોટા કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. ગોડાઉનમાં ફટાકડાનો મોટો જથ્થો હોવાને કારણે આગે મિનિટોમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના લીધે ફાયર જવાનોને શરૂઆતમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
</p><h3 style="text-align: justify; "><b>ફાયર સેફ્ટી મુદ્દે સવાલો
</b></h3><p style="text-align: justify; ">આ ભયાનક અકસ્માતને પગલે સ્થાનિક સ્તરે તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. રહેણાંક વિસ્તારની નજીક આવેલા આ ભોલેનાથ ફટાકડા ગોડાઉનમાં ફાયર સેફ્ટી  ના નિયમોનું પાલન થયું હતું કે નહીં, તેમજ તંત્ર દ્વારા એનઓસી આપવામાં આવી હતી કે નહીં તે મુદ્દે અનેક ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આણંદ જિલ્લામાં આવા અનેક ફટાકડાના ગોડાઉન અને દુકાનો કાયદેસરની ફાયર સેફ્ટીના અભાવ વચ્ચે ધમધમી રહ્યા છે, જે ગમે ત્યારે મોટી જાનહાનિ નોતરી શકે છે. હાલમાં પોલીસ અને વહીવટી ટીમ પણ તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-live-news-and-samachar-05-june-2026-politics-weather-updates-daily-breaking-news-national-news-international-news" target="_blank"><b>Gujarat Latest News live : જૂનાગઢમાં ગીર જંગલમાં આઇસોલેશનમાં રહેલા 7 સિંહોને મુક્ત કરાયા</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/2JOPX1Z22QSDLfQYKnTWQPyeRG3OGLHz9e40AaMT.webp'/></item><item><title><![CDATA[Junagadh : ગીરના જંગલમાંથી આવ્યા આનંદના સમાચાર, આઇસોલેશનમાં સારવાર લઈ રહેલા 7 વનરાજ થયા મુક્ત ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/junagadh/junagadh-gir-forest-seven-lions-released-from-isolation-babariya-range-updates</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/junagadh/junagadh-gir-forest-seven-lions-released-from-isolation-babariya-range-updates</guid><pubDate>Fri, 05 Jun 2026 08:43:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">એશિયાટિક સિંહોના એકમાત્ર ઘર ગણાતા ગીરના જંગલમાંથી વન્યજીવ પ્રેમીઓ માટે અત્યંત આનંદના સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢના ગીર જંગલની બાબરીયા રેન્જમાંથી અગાઉ પકડાયેલા અને એનિમલ કેર સેન્ટરમાં આઇસોલેશન હેઠળ રાખવામાં આવેલા 7 સિંહોને વન વિભાગ દ્વારા ફરીથી જંગલમાં મુક્ત કરી દેવામાં આવ્યા છે. વન વિભાગના તબીબોની દેખરેખ હેઠળ આ તમામ સિંહોની સફળ સારવાર પૂર્ણ થતાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>બીમારીના કારણે સિંહોને સારવાર માટે લવાયા હતા
</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, ગીર પૂર્વ અથવા પશ્ચિમની બાબરીયા રેન્જ વિસ્તારમાંથી થોડા સમય પહેલા આ સિંહોને  બીમારી ના ભાગરૂપે વન વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરીને પકડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને ખાસ આઇસોલેશન વોર્ડમાં રાખીને સઘન સારવાર આપવામાં આવી રહી હતી. 
</p><h3 style="text-align: justify; "><b>&nbsp;બાબરીયા રેન્જમાં છોડી મુકાયા 
</b></h3><p style="text-align: justify; ">હવે જ્યારે આ સાતેય સિંહો સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા છે અને જંગલના વાતાવરણમાં શિકાર કરવા તેમજ રહેવા માટે સક્ષમ જણાતા, વન વિભાગે તેમને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને ફરીથી એ જ બાબરીયા રેન્જના મુક્ત વાતાવરણમાં છોડી દીધા છે. પોતાના કુદરતી આવાસમાં પરત ફરતા જ સિંહોની દહાડથી ગીરનું જંગલ ફરી ગુંજી ઉઠ્યું છે.
</p><h4 style="text-align: justify; "><b>હજું પણ 3 સિંહ ઓબ્ઝર્વેશનમાં 
</b></h4><p style="text-align: justify; ">બીજી તરફ, વન વિભાગના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, હજુ પણ 3 સિંહોને વન વિભાગના એનિમલ કેર સેન્ટર ખાતે ઓબ્ઝર્વેશન  હેઠળ રાખવામાં આવ્યા છે. આ ત્રણેય સિંહોના સ્વાસ્થ્ય પર પણ નિષ્ણાત તબીબોની ટીમ સતત નજર રાખી રહી છે. આગામી દિવસોમાં તેમનો રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ અને તેઓ સંપૂર્ણ ફિટ જણાશે એટલે તેમને પણ ગીરના મુક્ત જંગલમાં છોડી મૂકવામાં આવશે. વન વિભાગની આ ત્વરિત અને સફળ કામગીરીની વન્યજીવ પ્રેમીઓ દ્વારા ભારે પ્રશંસા થઈ રહી છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-live-news-and-samachar-05-june-2026-politics-weather-updates-daily-breaking-news-national-news-international-news" target="_blank"><b>&nbsp;Gujarat Latest News live : ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/d3oRwsfY5ZnXX3saVfuuvu9Oawy37HiD0eE9gzT5.webp'/></item></channel></rss>