<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Gir Somnath : ગીરની કેસરનો વૈશ્વિક ડંકો, તાલાલા યાર્ડમાં 55 દિવસમાં રેકોર્ડબ્રેક વેચાણ ]]></title><link>https://sandesh.com/gujarat/news/talala/gir-somnath-talala-yard-kesar-mango-record-sale-200-crore</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/talala/gir-somnath-talala-yard-kesar-mango-record-sale-200-crore</guid><pubDate>Sat, 13 Jun 2026 08:05:24 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">તાલાલા માર્કેટિંગ યાર્ડમાં ચાલુ વર્ષે ગીરની વિશ્વપ્રસિદ્ધ કેસર કેરીની સિઝને ઈતિહાસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. માત્ર 55 દિવસના ટૂંકા ગાળામાં યાર્ડમાં અધધ.. 9.12 લાખ બોક્સ કેસર કેરીનું રેકોર્ડબ્રેક વેચાણ નોંધાયું છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે કેરીની આવક બમણાથી પણ વધુ થતાં ગીર પંથકના અર્થતંત્રમાં ભારે તેજી જોવા મળી રહી છે. આ સુવર્ણ સિઝનના કારણે ગીરના જગતના તાતને અંદાજે 200 કરોડની બમ્પર આવક થઈ છે, જેને પગલે ખેડૂત આલમમાં ખુશીનો માહોલ છવાયો છે.</p><h2 style="text-align: justify; "><b>&nbsp;કેસર કેરીની ગુણવત્તા અને મીઠાશમાં ધરખમ વધારો
</b></h2><p style="text-align: justify; ">ચાલુ વર્ષે ગીરમાં અનુકૂળ હવામાન અને યોગ્ય તાપમાનના કારણે કેસર કેરીની ગુણવત્તા અને મીઠાશમાં ધરખમ વધારો જોવા મળ્યો હતો. આ ઉત્તમ ક્વોલિટીના કારણે માત્ર સ્થાનિક બજારમાં જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ ગીરની કેસરની ભારે માંગ રહી છે. વિદેશી બજારોમાં ગીરની કેરીનો દબદબો એ વાત પરથી સાબિત થાય છે કે આ સિઝનમાં અંદાજે 150 ટન જેટલી કેસર કેરીની નિકાસ કરવામાં આવી છે. ગીરની આ મીઠી મધુરી કેરી અમેરિકા, કેનેડા, યુરોપ અને ગલ્ફના દેશો સુધી પહોંચી છે અને વિદેશીઓને પણ ઘેલી કરી છે.
</p><h3 style="text-align: justify; "><b>મોટા પાયે કેસર કેરીની જથ્થાબંધ ખરીદી
</b></h3><p style="text-align: justify; ">આ ઉપરાંત, સ્થાનિક સ્તરે કેનિંગ પ્લાન્ટો દ્વારા પણ ખૂબ જ મોટા પાયે કેસર કેરીની જથ્થાબંધ ખરીદી કરવામાં આવી હતી, જેથી ખેડૂતોને ક્યારેય ન મળ્યા હોય તેવા ઊંચા અને પોષણક્ષમ ભાવ મળ્યા છે. એક તરફ પાક સારો ઉતર્યો અને બીજી તરફ વૈશ્વિક બજારમાં પણ ભારે ડિમાન્ડ રહી, જેના કારણે ગીર સોમનાથના તાલાલા પંથકમાં આ વર્ષે આર્થિક રોનક બમણી થઈ ગઈ છે. ટૂંકમાં, વર્ષ ૨૦૨૬ની આ સિઝન તાલાલાના આંબાના બગીચાઓ અને ખેડૂતો માટે અત્યાર સુધીની સૌથી નફાકારક સાબિત થઈ છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-gujarat-latest-news-live-and-samachar-13-june-2026-politics-weather-updates-daily-breaking-news-nation" target="_blank"><b>Gujarat Latest News Live: હવામાન વિભાગની આગાહી, 16 જૂનથી સૌરાષ્ટ્રમાં વરસાદ શરૂ</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/4k5tUXvQPDXvx2JtYjzJq39fSoKhV6MJjUazUFSF.webp'/></item><item><title><![CDATA[Vav-Tharad: ભારતમાલા રોડ પર સ્વિફ્ટ કારમાંથી ઝડપાયું મેફેડ્રોન ડ્રગ્સ, ગાંધીધામના 3 નશાના સોદાગરો જેલભેગા ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/vav-tharad/tharad-police-seized-32-grams-mephedrone-md-drugs-from-swift-car-at-bharatmala-road-three-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/vav-tharad/tharad-police-seized-32-grams-mephedrone-md-drugs-from-swift-car-at-bharatmala-road-three-arrested</guid><pubDate>Sat, 13 Jun 2026 08:00:52 +05:30</pubDate><description><![CDATA[<p>વાવ-થરાદ વિસ્તારમાં નશાના સોદાગરોને નેસ્તનાબૂદ કરવા માટે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી સ્પેશિયલ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. રાજસ્થાન સરહદને જોડતા વાંતડાઉ ભારતમાલા રોડ પર થરાદ પોલીસની ટીમ જ્યારે કટોકટીના ધોરણે સઘન વાહન ચેકિંગ કરી રહી હતી, ત્યારે શંકાસ્પદ સ્પીડમાં આવી રહેલી એક સ્વિફ્ટ કારને અટકાવવામાં આવી હતી. કારમાં સવાર ત્રણ યુવકોની હિલચાલ શંકાસ્પદ જણાતા પોલીસે આખી કારની આકરી તલાશી લીધી હતી.</p><h2><b>મેફેડ્રોન ડ્રગ્સની નાની પડીકીઓ અને ડિજિટલ ઓપરેશન</b></h2><p>પોલીસના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્વિફ્ટ કારના આંતરિક હિસ્સામાંથી બારીકાઈથી સંતાડેલો 32.37 ગ્રામ એફડીએ પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારમાં કિંમત લાખો રૂપિયા થાય છે. પોલીસે કાયદાકીય પ્રોટોકોલ&nbsp; મુજબ એફએસએલ (FSL) ની ટીમને બોલાવી ડ્રગ્સનું વજન અને કેમિકલ ટેસ્ટિંગ કરાવ્યું હતું. આ ઓપરેશનમાં નશાના જથ્થા સાથે ગુનામાં વપરાયેલી મોંઘી કાર, આરોપીઓના એન્ક્રિપ્ટેડ મોબાઇલ ફોન અને ટ્રાન્ઝેક્શન માટે રાખેલી રોકડ રકમ સહિત કુલ 3,37,110 નો મુદ્દામાલ સ્થળ પર જ કબ્જે કરી સીલ કરવામાં આવ્યો છે.</p><h3><b>કચ્છ-ગાંધીધામ કનેક્શન અને આંતરરાજ્ય સપ્લાય ચેઇન</b></h3><p>પકડાયેલા ત્રણેય આરોપીઓ - મહંમદ સાજીદ, સાકીર અને ભરતભાઈ સોલંકી મૂળ કચ્છના ગાંધીધામ પંથકના હોવાનું સામે આવ્યું છે. ગાંધીધામના આ પેડલર્સ સરહદી માર્ગેથી ડ્રગ્સનો આ જથ્થો ક્યાંથી લાવ્યા હતા? અને બનાસકાંઠા કે સૌરાષ્ટ્ર-કચ્છના કયા સ્થાનિક ડીલરો અથવા કોલેજના યુવાનોને આ નશો સપ્લાય કરવાનો હતો, તે અંગે પોલીસે પૂછપરછ શરૂ કરી છે. ભારતમાલા રોડ જેવા વિશાળ હાઇવેનો ઉપયોગ નશાની હેરાફેરી માટે સિલ્ક રૂટ તરીકે કરાતો હોવાનો આ કિસ્સો સામે આવતા હવે હાઇવે પેટ્રોલિંગ વધુ કડક બનાવવામાં આવ્યું છે.</p><p><b><a href="https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/gujarat-weather-forecast-rain-alert-saurashtra-june-16-heatwave" target="_blank">આ પણ વાંચો: Weather Update: અસહ્ય ઉકળાટ વચ્ચે આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો 16 જૂનથી ક્યાં તૂટી પડશે વરસાદ?</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/M0uG5GhrYmOiWKfXqAL0MtlI48KJVACQjXnA9g3S.webp'/></item><item><title><![CDATA[Vadodara: નસવાડીના સાંકળ (ત) ગ્રામ પંચાયત ખાતે જનકલ્યાણ શિબિર યોજાઇ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-public-welfare-camp-held-at-sanka-t-gram-panchayat-naswadi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-public-welfare-camp-held-at-sanka-t-gram-panchayat-naswadi</guid><pubDate>Sat, 13 Jun 2026 06:00:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નસવાડી : નસવાડી તાલુકાના સાંકળ (ત) ગ્રામ પંચાયત ખાતે તાલુકા વહીવટી તંત્ર દ્વારા જનકલ્યાણ શિબિર યોજાઇ હતી. જેમાં બરોલી જિલ્લા પંચાયત હસ્તકના 37 ગામના નાગરિકોએ વિવિધ સરકારી યોજનાનો લાભ મેળવ્યો હતો. જેમાં વિધવા સહાય, વૃદ્ધ પેન્શન, દિવ્યાંગ સહાય યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન કાર્ડ) સહિતની વિવિધ કલ્યાણકારી યોજનાના લાભાર્થીઓને સ્થળ પર જ મંજૂરી હુકમો અને લાભોનું વિતરણ કરાયું હતું. સાથે જ નાગરિકોને વિવિધ યોજનાઓનો લાભ કેવી રીતે મેળવી શકાય તે અંગે માર્ગદર્શન પણ અપાયું હતું. શિબિરમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા મુલાકાત લઇને વિવિધ સ્ટોલ અને કામગીરીનું નિરીક્ષણ કરી કર્મચારીઓને નાગરિકોના પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા સૂચના આપી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/CnBtzCRedA2I6dx3icMDg0eqVTb0ESA9xE6J1WRq.webp'/></item><item><title><![CDATA[Vadodara: કરજણ પાલિકાને ફાળવાયેલ રૂા.39.50 લાખના જેસીબીનું લોકાર્પણ કરાયું ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-jcb-worth-rs-3950-lakhs-allocated-to-karjan-municipality-inaugurated</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-jcb-worth-rs-3950-lakhs-allocated-to-karjan-municipality-inaugurated</guid><pubDate>Sat, 13 Jun 2026 05:59:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કરજણ : ગુજરાત સરકારની યુડીપી 2025 અતર્ગત સ્વરછતા અભિયાન હેઠળ નવું જેસીબી મશીન અપાયું હતું. જેનું નગર પાલિકા બિલ્ડિંગ ખાતે શ્રીફ્ળ વધેરી લોકાર્પણ કરાયું હતું. ગુજરાત સરકારની યુડીપી યોજના 2025 અંતર્ગત નગરજનોની સુવિધા માટે સરકાર દ્વારા વિવિધ ગ્રાન્ટો ફળવાય છે. જેમાં નગરને સ્વચ્છ રાખવા આધુનિક રૂા.39.50 લાખનું જેસીબી મશીન ફાળવાયું હતું. જેનું શ્રીફ્ળ વધેરી કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા નગરપાલિકા બિલ્ડિંગ ખાતે લોકાર્પણ કરાયું હતું. જે પ્રસંગે કરજણ નગર પાલિકાના પ્રમુખ ઇલાબા અટાલિયા, ચીફ્ ઓફ્સિર મહેન્દ્ર સોલંકી સહિત પાલિકા સભ્યો અને કર્મચારી ઉપસ્થિત રહ્યાં હતા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/whbjAQInJKWw2IGNGYTPKFutuqyHOsfaFsVCm0Ir.webp'/></item><item><title><![CDATA[Vadodara: કરજણ તા. પંચાયતમાં કારોબારી સમિતિ હોદ્દેદારોને મેન્ડેટ અપાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-mandate-given-to-executive-committee-office-bearers-in-karjan-t-panchayat</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-mandate-given-to-executive-committee-office-bearers-in-karjan-t-panchayat</guid><pubDate>Sat, 13 Jun 2026 05:57:29 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">શુક્રવારે કરજણ તાલુકા પંચાયતની સામાન્ય સભા તાલુકા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેની શરૂઆતમાં જિલ્લા સંગઠનના હોદ્દેદારો તેમજ તાલુકા પ્રમુખની ઉપસ્થિતિમાં વિવિધ સમિતિના હોદ્દેદારો અને સભ્યોના મેન્ડેટ આપ્યા હતાં. મેન્ડેટ વડોદરા જિલ્લા ભાજપ મહામંત્રી જયદિપસિંહ ચૌહાણ લઈને આવી પહોંચ્યા હતાં.</p><p style="text-align: justify; ">આ સામાન્ય સભામાં તાલુકા પંચાયતની કારોબારી સમિતિની રચના કરાઈ હતી. જેમાં ચેરમેન તરીકે ચિરાગ નવીન પટેલની નિમણૂક કરાઈ હતી. સમિતિના 8 સભ્યમાં અમિતાબેન વસંત પટેલ, હીરાબેન લાલજી વાળંદ, સ્નેહલબેન સંદીપ પ્રજાપતિ, ઈરફન અબ્દુલ દિવાન, ધર્મેન્દ્રસિંહ ઉદેસિંહ પરમાર, જ્યોત્સનાબેન અજીતસિંહ રાજ, ધરા હર્ષ વ્યાસ અને હેતલબેન મહેશ વસાવાની વરણી કરાઈ હતી. જ્યારે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે ઉમેશ રમેશ વસાવા અને સમિતિના ચાર સભ્યોમાં કેસુર ચતુર રાઠોડ, જયેશ વિનુ રોહિત, સંગીતાબેન જયદીપસિંહ વસાવા તેમજ હેતલબેન મહેશ વસાવાની વરણી કરાઇ છે. ચૂંટાયેલા ચેરમેન અને સભ્યોને શુભેચ્છા પાઠવી હતી. હોદ્દેદારોએ વિકાસને વેગ આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank" style="background-color: rgb(255, 255, 255);">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/RzzYUURvuF1q2gzdH0QQcYFLtWj9WAcRUcx7p8qo.webp'/></item><item><title><![CDATA[વાંચો 13 જૂનના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે ]]></title><link>https://sandesh.com/india/news/gujarat/ahmedabad/13-june-top-news-pm-modi-visit-india-afghanistan-odi-weather-alert-history</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/gujarat/ahmedabad/13-june-top-news-pm-modi-visit-india-afghanistan-odi-weather-alert-history</guid><pubDate>Fri, 12 Jun 2026 22:06:27 +05:30</pubDate><description><![CDATA[<p>આજે 13 જૂન 2026, શનિવારના રોજ દેશ અને દુનિયા સહિત ગુજરાતમાં અનેક મોટી ગતિવિધિઓ આકાર લઈ રહી છે. વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસથી લઈને રમતગમતના મહાકુંભ સુધીની તમામ મહત્વની ઘટનાઓ અને સમચાર વાંચો વિગતવાર..</p><h2><b>વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિદેશ પ્રવાસ શરૂ</b></h2><p>વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 જૂનથી 18 જૂન સુધીના વિદેશ પ્રવાસે રવાના થઈ રહ્યા છે. 13 જૂનના રોજ તેઓ ફ્રાન્સના નીસ જવા રવાના થશે. 14 જૂને તેઓ રાષ્ટ્રપતિ મેક્રોન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે અને 'ભારત ઇનોવેટ્સ 2026' નું સંયુક્ત ઉદ્ઘાટન કરશે. આ પ્રવાસ દરમિયાન તેઓ સ્લોવાકિયાની ઐતિહાસિક મુલાકાતે પણ જશે અને G7 શિખર સંમેલનમાં ભાગ લેશે. પ્રવાસ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેમની મુલાકાત થવાની સંભાવના છે.</p><h2><b>કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની પોરબંદર મુલાકાત</b></h2><p>કેન્દ્રીય ખેલમંત્રી મનસુખ માંડવિયા 13 જૂનના રોજ ગુજરાતના પોરબંદરની મુલાકાતે છે. સવારે 10:00 વાગ્યે તેઓ GMERS હોસ્પિટલ ખાતે 'ભારત યુવા કેન્દ્ર' નું અને 11 કલાકે સરદાર હોલ ખાતે 'દિશા' કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. બપોરે તેઓ સાંસ્કૃતિક પાર્કની સાઇટની મુલાકાત લેશે.</p><h2><b>રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ઉત્તરાખંડના પ્રવાસે</b></h2><p>રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના ઉત્તરાખંડ પ્રવાસનો 13 જૂનના રોજ અંતિમ દિવસ છે. 13 જૂને તેઓ દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમી (IMA) ની 158મી રેગ્યુલર કોર્સની દીક્ષાંત પરેડનું નિરીક્ષણ કરશે અને પાસિંગ આઉટ કેડેટ્સને સન્માનિત કરશે.</p><h2><b>યુપીમાં સીએમ યોગી આદિત્યનાથના કરોડોના લોકાર્પણ</b></h2><p>ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 13 જૂનના રોજ આઝમગઢ અને ગોરખપુરના પ્રવાસે છે. તેઓ આઝમગઢમાં રૂ. 925.30 કરોડ અને ગોરખપુરમાં રૂ. 1200 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરીને ઉત્તર પ્રદેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નવી ગતિ આપશે.</p><h2><b>રાજકોટમાં નવનિર્મિત 'સાંઢિયા બ્રિજ'નું લોકાર્પણ</b></h2><p>રાજકોટવાસીઓ જેની છેલ્લા ઘણા સમયથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, તે નવનિર્મિત 'સાંઢિયા પુલ' (બ્રિજ) આખરે 13 જૂનના રોજ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. આ ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ સવારે 10:00 વાગ્યે યોજાશે, જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહીને બ્રિજનું ઉદ્ઘાટન કરશે. આશરે રૂ. 74 કરોડના માતબર ખર્ચે તૈયાર થયેલા આ ફોરલેન બ્રિજના કારણે રાજકોટથી જામનગર તરફ આવતા-જતા લાખો વાહનચાલકોને વર્ષો જૂની ટ્રાફિકની જટિલ સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે.</p><h2><b>ભરૂચમાં કોંગ્રેસના હલ્લાબોલના એંધાણ</b></h2><p>13 જૂનના રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ લોકપ્રશ્નો અને જ્વલંત મુદ્દાઓને લઈને સરકાર સામે મોરચો માંડવામાં આવશે. કોંગ્રેસ દ્વારા પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ અને ખાદ્ય સામગ્રી સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓના સતત વધી રહેલા ભાવો તેમજ તાજેતરમાં ચર્ચાસ્પદ બનેલા NEET પરીક્ષાના પેપર લીક કાંડના વિરોધમાં ઉગ્ર 'હલ્લાબોલ' વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આ ઉપરાંત ખેડૂતોને સમયસર ખાતર ન મળવા અને ખાતરના વધતા ભાવોના મુદ્દે પણ કોંગ્રેસ રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવશે.</p><h2><b>'જન કલ્યાણ શિબિર'નું આયોજન</b></h2><p>બોટાદમાં વિકસિત ગુજરાતના લક્ષ્યને સિદ્ધ કરવાના હેતુ સાથે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે 13 જૂને એક વિશાળ 'જન કલ્યાણ શિબિર'નું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પ્રભારી મંત્રીના અધ્યક્ષ સ્થાને અને વહીવટી વિભાગ દ્વારા આયોજિત આ શિબિરમાં સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માર્ગદર્શન અપાશે.&nbsp;</p><h2><b>સત્કાર સમારોહનું આયોજન&nbsp;</b></h2><p>ગીર સોમનાથ જિલ્લામાં, તાજેતરમાં જ રાજ્યસભાના સાંસદ તરીકે બિનહરીફ ચૂંટાયેલા માનસિંગ પરમારના સન્માનમાં જિલ્લા ભાજપ દ્વારા એક ભવ્ય સત્કાર સમારોહનું આયોજન કરાયું છે. આ ઉપરાંત, પવિત્ર પુરષોત્તમ માસ નિમિત્તે સોમનાથ ખાતે તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા સમૂહ ૧૦૮ શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું પણ ભક્તિસભર આયોજન કરવામાં આવ્યું છે.</p><h2><b>વડનગરમાં વડાપ્રધાન મોદીના 12 વર્ષના શાસનની ઉજવણી</b></h2><p>વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગર ખાતે સફળ શાસનકાળના વર્ષો પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં ઉત્સવનો માહોલ છે. 13 જૂનના રોજ ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે ભવ્ય 'મહા આરતી' અને દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.</p><h2><b>દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પ્રી-મોન્સૂન એલર્ટ</b></h2><p>હવામાન વિભાગની આગાહી અનુસાર, 13 જૂનના રોજ સુરત, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને ભારે પવન સાથે પ્રી-મોન્સૂન વરસાદ થઈ શકે છે. માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના અપાઈ છે.</p><h2><b>ડુંગળીના ભાવમાં વધારો</b></h2><p>કેન્દ્ર સરકારે ખેડૂતોના હિતમાં બફર સ્ટોક હેઠળ ડુંગળીની ખરીદી કિંમત રૂ. 15.80 થી વધારીને રૂ. 16.50 પ્રતિ કિલો કરી છે, જે 13 જૂનના રોજથી અમલમાં આવશે.</p><h2><b>હવામાન ચેતવણી</b></h2><p>ઉત્તર ભારત સહિત દેશના 17 રાજ્યોમાં પશ્ચિમી વિક્ષોભ સક્રિય થતાં આગામી 12 કલાકમાં ભારે વાવાઝોડા અને વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.</p><h2><b>રાજકીય વિરોધ પ્રદર્શન</b></h2><p>NEET અને CBSE પરીક્ષાના મુદ્દે કેન્દ્ર સરકાર સામે યુવાઓ દ્વારા સંચાલિત 'કોકરોચ જનતા પાર્ટી' આજે પંજાબના અમૃતસરમાં વિરોધ પ્રદર્શન કરશે.</p><h2><b>રમતગમતની મહત્વની ઈવેન્ટ</b></h2><h2><b>ભારત વિ અફઘાનિસ્તાન: પ્રથમ વન-ડે</b></h2><p>ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 13 જૂનથી વન-ડે ક્રિકેટ સિરિઝનો પ્રારંભ થઈ રહ્યો છે. આ પ્રથમ મેચ હિમાચલ પ્રદેશના ધર્મશાલા સ્થિત HPCA સ્ટેડિયમમાં બપોરે 1:30 વાગ્યે રમાશે. ભારતીય ટીમની કપ્તાની યુવા ઓપનર શુભમન ગિલ સંભાળી રહ્યો છે.</p><h2><b>ઇન્ડિયન એથ્લેટિક્સ સિરીઝ-9 (લુધિયાણા)</b></h2><p>એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (AFI)ના કેલેન્ડર મુજબ 13 જૂનના રોજ પંજાબના લુધિયાણામાં નેશનલ લેવલની 'ઇન્ડિયન એથ્લેટિક્સ સિરીઝ-9' યોજાશે, જેમાં દેશના ટોચના એથ્લેટ્સ ભાગ લેશે.</p><h2><b>ગુજરાત સ્ટેટ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપ (સુરત)</b></h2><p>સુરતના કતારગામ કોમ્યુનિટી હોલ ખાતે 13 જૂનથી રાજ્ય સ્તરીય પાવરલિફ્ટિંગ, બેન્ચપ્રેસ અને ડેડલિફ્ટ ચેમ્પિયનશિપનો પ્રારંભ થઈ રહ્યો છે. 13 જૂનના રોજ બપોરે 3:00 થી સાજના 7:00 વાગ્યા સુધી ખેલાડીઓનું ઓફિશિયલ વેઇટ ચેકિંગ (વજન માપણી) કરવામાં આવશે.</p><h2><b>ફિફા વર્લ્ડ કપ 2026 (FIFA World Cup)</b></h2><p>અમેરિકા, કેનેડા અને મેક્સિકોની ધરતી પર ફૂટબોલના મહાકુંભ ફિફા વર્લ્ડ કપ 2026 ની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે અને 13 જૂનના રોજ આખો દિવસ આંતરરાષ્ટ્રીય મેચોથી ધમધમશે.</p><h2><b>ડિજિટલ યોગ વર્કશોપ</b></h2><p>21 જૂનના રોજ ઉજવાનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ભાગરૂપે 13 જૂનના રોજ આયુષ મંત્રી દિલ્હીમાં સવારે 11:00 કલાકે સમગ્ર કાર્યક્રમનો રોડમેપ જાહેર કરશે.</p><h2><b>13 જૂનની ઐતિહાસિક ઘટનાઓ</b></h2><ul><li><b>તોલોલિંગ પર વિજય (1999):</b> કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરોને હરાવીને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ "તોલોલિંગ ચોટી" પર ફરીથી તિરંગો લહેરાવ્યો હતો.</li><li><b>ઉધમ સિંહની શહીદી (1940): </b>જલિયાવાલા બાગ હત્યાકાંડનો બદલો લેનાર ભારતના મહાન ક્રાંતિકારી ઉધમ સિંહને 13 જૂનના રોજ લંડનની પેન્ટનવિલે જેલમાં ફાંસી આપવામાં આવી હતી.</li><li><b>ઉપહાર સિનેમા દુર્ઘટના (1997):</b> દિલ્હીના ઉપહાર સિનેમામાં ફિલ્મ 'બોર્ડર' ના સ્ક્રિનિંગ વખતે લાગેલી ભીષણ આગમાં 59 લોકોના મોત થયા હતા.</li><li><b>પાયોનિયર-10 (1983): </b>અમેરિકન સ્પેસ પ્રોબ પાયોનિયર-10 સૌરમંડળની બહાર (નેપ્ચ્યુનની કક્ષા પાર) જનારું વિશ્વનું પ્રથમ માનવસર્જિત સ્પેસક્રાફ્ટ બન્યું હતું.</li></ul><h2><b>13 જૂનના રોજ જન્મેલી હસ્તીઓ</b></h2><ul><li><b>પીયૂષ ગોયલ (1964):</b> ભારત સરકારના કેબિનેટ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતાનો 13 જૂનના રોજ જન્મદિવસ છે. તેઓ હાલમાં સ્વિટ્ઝર્લેન્ડના પ્રવાસે છે.</li><li><b>દિશા પાટની (1992): </b>બોલિવૂડની લોકપ્રિય અને ફિટનેસ આઇકોન અભિનેત્રીનો 13 જૂનના રોજ જન્મદિવસ છે.</li><li><b>દુલીપસિંહજી (1905):</b> ભારતના દિગ્ગજ ક્રિકેટર જેમની યાદમાં ભારતની પ્રતિષ્ઠિત "દુલીપ ટ્રોફી" રમાય છે.</li><li><b>ગણેશ દામોદર સાવરકર (1879):</b> વીર સાવરકરના મોટા ભાઈ અને 'અભિનવ ભારત સોસાયટી' ના સ્થાપક મહાન ક્રાંતિકારીનો 13 જૂનના રોજ જન્મદિવસ છે.</li><li><b>મોહનલાલ ચુનીલાલ ધામી (1905):</b> જાણીતા ગુજરાતી નવલકથાકાર અને કવિનો 13 જૂનના રોજ જન્મદિવસ છે.</li></ul><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/read-10-important-news-stories-of-the-day-on-june-12th-in-one-click" target="_blank">12 જૂનના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/HiiI5w70c3RpPs5dioq6Mfq7RB3RZFN0I5BsSKhR.webp'/></item><item><title><![CDATA[India Gold: જો વિદેશી બેંકો સ્વદેશી સોનું પરત નહીં કરે તો ભારત ક્યાં કરી શકે છે ફરિયાદ?, જાણો ]]></title><link>https://sandesh.com/knowledge/news/india/india-gold-if-foreign-banks-do-not-return-indigenous-gold-where-can-india-complain-know</link><guid isPermaLink="true">https://sandesh.com/knowledge/news/india/india-gold-if-foreign-banks-do-not-return-indigenous-gold-where-can-india-complain-know</guid><pubDate>Fri, 12 Jun 2026 21:07:41 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ઘણા દેશો સુરક્ષા, પ્રવાહિતા અને આંતરરાષ્ટ્રીય નાણાકીય કામગીરી માટે તેમના સોનાના ભંડારનો એક ભાગ વિદેશી કેન્દ્રીય બેંકો પાસે રાખે છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">ભારતનું સોનું વિદેશમાં કેમ છે?</h2><p style="text-align: justify; ">કેન્દ્રીય બેંકો ઘણીવાર વૈશ્વિક નાણાકીય વ્યવહારોને સરળ બનાવવા અને સુરક્ષિત સંગ્રહ સુનિશ્ચિત કરવા માટે વિશ્વસનીય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસે સોનું રાખે છે. ભારતે સાર્વભૌમ કરારો હેઠળ તેના અનામતનો એક ભાગ વિદેશી સંસ્થાઓ પાસે રાખ્યો છે, જે માલિકી અને કસ્ટડીના અધિકારોને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરે છે.</p><h3 style="text-align: justify; ">ભારત ક્યાં ફરિયાદ કરી શકે છે?</h3><p style="text-align: justify; ">જો કોઈ વિદેશી કેન્દ્રીય બેંક અથવા નાણાકીય સંસ્થા ભારતનું સોનું પરત કરવાનો ઇનકાર કરે છે, તો દેશ પાસે ઘણા કાનૂની અને રાજદ્વારી વિકલ્પો છે.</p><p style="text-align: justify; "><b>1. આંતરરાષ્ટ્રીય સમાધાન માટે બેંકઃ- </b>સ્વિટ્ઝર્લૅન્ડમાં મુખ્ય મથક ધરાવતી બેંક, કેન્દ્રીય બેંકો વચ્ચે સહકાર માટે એક મહત્વપૂર્ણ મંચ તરીકે સેવા આપે છે. ભારત તેના સંલગ્ન માળખા દ્વારા વિવાદ નિરાકરણનો લાભ લઈ શકે છે.</p><p style="text-align: justify; "><b>2. સંબંધિત દેશની કોર્ટઃ- </b>આરબીઆઈ સીધા તે દેશની કોર્ટનો સંપર્ક કરી શકે છે જ્યાં સોનું રાખવામાં આવ્યું છે. સાર્વભૌમ મિલકત અને કસ્ટડી કરારો સંબંધિત વિવાદો સંબંધિત અધિકારક્ષેત્રની વાણિજ્યિક અદાલતમાં સાંભળી શકાય છે.</p><p style="text-align: justify; "><b>3. આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતઃ- </b>જો વિવાદ દેશો વચ્ચે મોટા સંઘર્ષમાં ફેરવાઈ જાય, તો ભારત આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત સમક્ષ આ મામલો ઉઠાવી શકે છે.</p><h4 style="text-align: justify; ">સોનું પરત કરવાનો ઇનકાર કરવાના પરિણામો&nbsp;</h4><p style="text-align: justify; ">સોનાના ભંડાર પરત ન કરવાથી દ્વિપક્ષીય વિવાદ કરતાં વધુ ગંભીર પરિણામો આવી શકે છે. આવા પગલાથી વૈશ્વિક નાણાકીય વ્યવસ્થામાં વિશ્વાસ ઓછો થશે અને વિદેશમાં સંપત્તિ ધરાવતા દેશોમાં ચિંતાઓ વધશે. સંબંધિત બેંક અને દેશની વિશ્વસનીયતાને ભારે નુકસાન થઈ શકે છે. વિશ્વાસ એ આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થાનો પાયો છે. વધુમાં, સાર્વભૌમ સંપત્તિ રોકી રાખવાથી તે સંસ્થામાં વૈશ્વિક વિશ્વાસ નોંધપાત્ર રીતે ઓછો થઈ શકે છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ&nbsp; <a href="https://sandesh.com/world/news/trump-on-oman-ship-attack-as-india-summons-us-ambassador-donald-trump-makes-statement-accuses-iran" target="_blank">ભારતે અમેરિકી રાજદૂતને તલબ કરતા જ ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપતા ઇરાન પર લગાવ્યા આરોપ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/ojWKBDpuIUiYH6ccCHg1grveALi86knBl3iJLGMp.webp'/></item><item><title><![CDATA[SpaceX નો IPO 4400 કર્મચારીઓને બનાવશે કરોડપતિ, આ રીતે તૂટશે રેકોર્ડ ]]></title><link>https://sandesh.com/business/news/spacexs-ipo-will-make-4400-employees-millionaires-this-is-how-the-record-will-be-broken</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/spacexs-ipo-will-make-4400-employees-millionaires-this-is-how-the-record-will-be-broken</guid><pubDate>Fri, 12 Jun 2026 19:40:38 +05:30</pubDate><description><![CDATA[<p>દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલાન મસ્કે કંપની સ્પેસએક્સ તેનો આઈપીઓ લોન્ચ કરી રહી છે.આ વિશ્વનો સૌથી મોટો આઈપીઓ હશે અને હજારો લોકોનું નસીબ બદલી શકે છે.મીડિયા રિપોર્ટ અનુસાર લોન્ચ થતાં જ 4,400 વર્તમાન અને ભૂતપૂર્વ સ્પેસએક્સ કર્મચારીઓ રાતોરાત કરોડપતિ બની જશે.આની સાથે જ મસ્ક દુનિયાના પ્રથમ ટ્રિલેનિયર બની ગયા છે.</p><h4><b>$1.77 ટ્રિલિયનનું મૂલ્યાંકન</b></h4><p>SpaceXનો IPO $135 પ્રતિ શેરના ભાવે આવી રહ્યો છે.આ ભાવે,કંપનીનું કુલ મૂલ્યાંકન $1.77 ટ્રિલિયન સુધી પહોંચશે. નોંધનીય છે કે ગયા વર્ષે કંપનીનું મૂલ્ય $800 બિલિયન હતું.જોકે, ફેબ્રુઆરીમાં મસ્કની AI કંપની xAI સાથે મર્જ થયા પછી, તેનું મૂલ્યાંકન ખૂબ જ ઝડપથી વધ્યું. કંપની આ IPO દ્વારા $75 બિલિયન એકત્ર કરવાનું લક્ષ્ય રાખે છે. આ ઇતિહાસમાં સૌથી મોટું શેરબજાર ડેબ્યૂ હોઈ શકે છે.</p><h4><b>શું કર્મચારીઓ પર પૈસાનો વરસાદ થશે?</b></h4><p>IPO દ્વારા ફક્ત માલિકો અથવા ટોચના અધિકારીઓને જ ફાયદો થાય તે સામાન્ય છે. જોકે, SpaceXની વાર્તા અલગ છે. કંપનીએ તેના કર્મચારીઓને પગાર કરતાં વધુ ઇક્વિટી આપી છે. Hill.comના CEO એન્ડ્રુ બેન્સનના મતે,IPO માં 400 થી વધુ લોકો માટે $100 મિલિયનની સંપત્તિ હોવી ખૂબ જ દુર્લભ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કંપનીના કર્મચારી ટ્રેવર હેયસ 2011 માં જોડાયા હતા જ્યારે SpaceX એક નાની કંપની હતી. કંપની તરફથી તેમને વળતર તરીકે 100,000 થી વધુ શેર મળ્યા. IPO પછી આ શેર હવે ઓછામાં ઓછા $13.5 મિલિયનના મૂલ્યના થવાની ધારણા છે.</p><p><a href="https://x.com/ani_digital/status/2065440755548827760?s=20" target="_blank">https://x.com/ani_digital/status/2065440755548827760?s=20</a></p><p><br></p><h5><b>મસ્ક SpaceX ના હિસ્સાના આશરે 42% ભાગીદારી&nbsp; ધરાવે છે</b></h5><p>આ IPO ફક્ત કર્મચારીઓને જ નહીં પરંતુ એલોન મસ્કને પણ એવી સ્થિતિમાં પહોંચાડી શકે છે જે કોઈ અન્ય ઉદ્યોગપતિએ ક્યારેય પ્રાપ્ત કર્યું નથી. મસ્ક SpaceX ના હિસ્સાના આશરે 42% હિસ્સો ધરાવે છે. આનો અર્થ એ થયો કે $1.77 ટ્રિલિયનના મૂલ્યાંકન પર, મસ્કના શેર $740 બિલિયનના મૂલ્યના થશે. ટેસ્લા અને X જેવી અન્ય કંપનીઓના મૂલ્યાંકનને ઉમેરીને, મસ્ક વિશ્વના પ્રથમ ટ્રિલિયનેર બની શકે છે.</p><h4><b>સામાન્ય રોકાણકારો માટે એક શાનદાર તક</b></h4><p>SpaceXના IPOની વિશિષ્ટ વિશેષતા એ છે કે 30% સુધીના શેર છૂટક રોકાણકારો માટે અનામત છે. વધુમાં,ફક્ત $2,000 ના એકાઉન્ટ બેલેન્સ ધરાવતા નાના રોકાણકારો પણ ફિડેલિટી દ્વારા આ વિશાળ IPO માં હિસ્સો બનાવી શકે છે.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/world/news/business/how-much-did-iran-earn-from-the-strait-of-hormuz-if-this-route-reopens-how-will-it-collect-toll-tax-know" target="_blank">ઇરાને Hormuz Straitમાંથી કેટલી કરી કમાણી, આ માર્ગ ફરી ખુલશે તો તે કેવી રીતે વસૂલશે ટોલ ટેક્સ?, જાણો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/q09QWqtJcchS0YFJWLtOsdHvBAdaY3ZNRz8uUrtq.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026 : 96 વર્ષ બાદ વર્લ્ડ કપમાં આ ટીમ સાથે ટકરાશે USA, જાણો કેમ ખાસ? ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-usa-will-face-this-team-in-the-world-cup-after-96-years-know-why-it-is-special</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-usa-will-face-this-team-in-the-world-cup-after-96-years-know-why-it-is-special</guid><pubDate>Fri, 12 Jun 2026 18:36:23 +05:30</pubDate><description><![CDATA[<p>ફિફા વર્લ્ડ કપ 2026 ની શરૂઆત શાનદાર રીતે થઈ છે. શાનદાર ઉદ્ઘાટન સમારોહ અને રોમાંચક પ્રથમ દિવસની મેચો પછી, વિશ્વભરના ફૂટબોલ ચાહકો હવે ટુર્નામેન્ટના બીજા દિવસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. બે સહ-યજમાન દેશો, કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સ, જ્યારે કેનેડા બોસ્નિયા અને હર્ઝેગોવિનાનો સામનો કરશે, ત્યારે યુએસએ દિવસની બીજી મોટી મેચમાં દક્ષિણ અમેરિકન ખંડની મજબૂત ટીમ પેરાગ્વેનો સામનો કરશે.</p><h3><b>96 વર્ષ પછી વર્લ્ડ કપમાં રમશે&nbsp;</b></h3><p>યુએસએ અને પેરાગ્વે વચ્ચેની આ મેચ માત્ર એક મેચ નથી, પરંતુ ફૂટબોલ ઇતિહાસમાં એક વળાંક છે, કારણ કે 96 વર્ષની લાંબી રાહ જોયા પછી બંને ટીમો વર્લ્ડ કપ સ્ટેજ પર એકબીજાનો સામનો કરશે. આ ઐતિહાસિક મેચ લોસ એન્જલસ સ્ટેડિયમમાં રમાશે. વર્લ્ડ કપના ઇતિહાસ પર નજર કરીએ તો, બંને ટીમો છેલ્લી વખત 1930 માં પ્રથમ વર્લ્ડ કપમાં મળી હતી. તે મેચ ફિફા ઇતિહાસમાં ખૂબ જ ખાસ માનવામાં આવે છે. 1930ની તે મેચમાં અમેરિકાએ પેરાગ્વેને 3-૦થી હરાવ્યું. તે જ મેચમાં, અમેરિકાના બર્ટ પેટેનાઉડે વર્લ્ડ કપ ફૂટબોલમાં હેટ્રિક ફટકારનાર પ્રથમ ખેલાડી બનીને ઇતિહાસ રચ્યો. લોસ એન્જલસમાં યોજાનારી આ બ્લોકબસ્ટર મેચ&nbsp; 6:૦૦ વાગ્યે શરૂ થશે. ભારતીય ચાહકો 13 જૂને સવારે 6:30 વાગ્યે શરૂ થતી મેચનો આનંદ માણી શકશે. આ ઐતિહાસિક મુકાબલો 9 વર્ષ પછી થઈ રહ્યો છે.</p><h5><b>હેડ-ટુ-હેડ રેકોર્ડમાં યુએસએ આગળ</b></h5><p>જો આપણે બંને દેશો વચ્ચે રમાયેલી કુલ આંતરરાષ્ટ્રીય મેચોની સંખ્યાને ધ્યાનમાં લઈએ, તો યુએસ ટીમ પેરાગ્વે પર ટોચ પર છે. બંને ટીમો વચ્ચે કુલ 9 મેચ રમાઈ છે, જેમાંથી યુએસએ 5જીતી છે. પેરાગ્વેએ 2 જીતી છે. વધુમાં 2 મેચ ડ્રો રહી છે. આંકડા યુનાઇટેડ સ્ટેટ્સની તરફેણમાં હોવા છતાં, પેરાગ્વેને હળવાશથી લઈ શકાય નહીં. પેરાગ્વે, જેણે તેમના વર્લ્ડ કપ ક્વોલિફિકેશન દરમિયાન ક્વોલિફાયરમાં આર્જેન્ટિના અને બ્રાઝિલ જેવી વિશ્વની કેટલીક સૌથી શક્તિશાળી ટીમોને હરાવી હતી, તેણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ યજમાન રાષ્ટ્રને કઠિન લડાઈ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-ticket-prices-skyrocket-thousands-of-seats-remain-empty-in-the-opening-match" target="_blank">Fifa World Cup 2026: ટિકિટના ભાવ આસમાને, ઓપનિંગ મેચમાં હજારો સીટ રહી ખાલી</a></p><p><br></p><p><br></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/oF95bvmYYBQpn25ms5FiVTNsXY68FuN2zS43v3l7.webp'/></item><item><title><![CDATA[Bollywood Friendship : એક ફિલ્મ અને સલમાન ખાન... તૂટી ગઈ હતી રાની-ઐશ્વર્યાની વર્ષો જૂની દોસ્તી! ]]></title><link>https://sandesh.com/entertainment/news/shah-rukh-khan-movie-chalte-chalet-ruined-rany-mukerji-aishwarya-rai-friendship</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/shah-rukh-khan-movie-chalte-chalet-ruined-rany-mukerji-aishwarya-rai-friendship</guid><pubDate>Fri, 12 Jun 2026 17:42:48 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડના બેસ્ટ ફ્રેન્ડ્સની વાત આવે છે, ત્યારે રાની મુખર્જી અને ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ આવવું સ્વાભાવિક છે, પરંતુ વર્ષ 2003 પછીથી આ બંનેના સંબંધો બદલાઈ ગયા હતા અને તેનું કારણ એક ફિલ્મ હતી. 
</p><h2 style="text-align: justify; "><b>ફિલ્મ ચલતે ચલતે
</b></h2><p style="text-align: justify; ">ફિલ્મ ચલતે ચલતે એ બંને હસીનાઓના દોસ્તીના સંબંધોને બદલી નાખ્યા હતા. ફિલ્મ સાથે જોડાયેલા એક નિર્ણયો બંનેને અલગ કરી દીધા. આજે વર્ષો પછી પણ આ વિવાદ ખતમ થયો નથી.
</p><h2 style="text-align: justify; "><b>ઐશ્વર્યા રાય લીડ રોલમાં હતી
</b></h2><p style="text-align: justify; ">આ ફિલ્મમાં શાહરૂખ ખાન લીડ રોલમાં હતો. પહેલા ફિલ્મમાં ઐશ્વર્યા રાય લીડ રોલ ભજવવાની હતી અને શૂટિંગ પણ શરૂ થઈ ચૂક્યું હતું, પરંતુ પછી કંઈક એવું થયું કે ઐશ્વર્યાએ ફિલ્મમાંથી બહાર થવું પડ્યું અને તેમની જગ્યાએ રાનીને સાઇન કરવામાં આવી હતી.
</p><h3 style="text-align: justify; "><b>ઐશ્વર્યા અને સલમાન ખાન
</b></h3><p style="text-align: justify; ">ફિલ્મ ચલતે ચલતે શાહરૂખ ખાનની પ્રોડક્શન કંપની ડ્રીમ્ઝ અનલિમિટેડની મહત્વની ફિલ્મોમાંથી એક માનવામાં આવે છે અને આ એ સમય હતો, જ્યારે ઐશ્વર્યા અને સલમાન ખાનના સંબંધોને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો હતો.
</p><h4 style="text-align: justify; "><b>ઐશ્વર્યાને ફિલ્મમાંથી હટાવી
</b></h4><p style="text-align: justify; ">બોલીવુડના પ્રખ્યાત કિસ્સાઓ અનુસાર, સલમાન કેટલીય વાર ફિલ્મના સેટ પર પહોંચી જતો હતો, જેનાથી શૂટિંગ પ્રભાવિત થતું હતું. સતત વધતા વિવાદ અને પ્રોડક્શન પર પડી રહેલી અસરને જોતા મેકર્સે ઐશ્વર્યાને ફિલ્મમાંથી હટાવી દીધી અને તેમની જગ્યાએ બીજી એક્ટ્રેસને સાઇન કરી લીધી, જે રાની હતી.
</p><h4 style="text-align: justify; "><b>રાનીનો સંપર્ક કર્યો
</b></h4><p style="text-align: justify; ">ફિલ્મ માટે રાનીનો સંપર્ક કરવામાં આવ્યો, પરંતુ તેણે આના માટે ના પાડી દીધી હતી. આ પછી એવું કહેવાય છે કે આ રોલ કાજોલ અને અમીષા પાસે પણ ગયો હતો, પરંતુ કોઈએ આના માટે હા પાડી નહીં અને આખરે રાનીએ ફિલ્મ સાઇન કરી લીધી.
</p><h5 style="text-align: justify; "><b>ઐશ્વર્યાએ નારાજગી વ્યક્ત કરી
</b></h5><p style="text-align: justify; ">રાનીએ ભલે ફિલ્મ સાઇન કરી લીધી હતી, પરંતુ ઐશ્વર્યા આ વાતથી ખૂબ જ નારાજ હતી કે તેની ખાસ મિત્રે તે જ ફિલ્મ સ્વીકારી લીધી, જેમાંથી તેને હટાવવામાં આવી હતી. આ પછી બંને અભિનેત્રીઓના સંબંધોમાં ખટાશ આવવા લાગી અને બંને પહેલાની જેમ ક્યારેય નજીક ન આવી શક્યા.
</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/pardesi-pardesi-jana-nahi-30-year-old-bollywood-sad-song" target="_blank">આ પણ વાંચો-Breakup Song : સમય બદલાયો, યુગ બદલાયો...પણ આજેય તૂટેલા દિલની દવા છે આ 30 વર્ષ જૂનું ગીત!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/CVzj0rOkwJTxyYIdtR4Mngqmg5XaEwl2Lm9XGPSB.webp'/></item></channel></rss>