<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[PSUs Share Sale : 11 વર્ષમાં સરકારે સૌથી વધુ શેર વેચ્યા, OFS દ્વારા 25,491 કરોડ એકત્ર કરાયા ]]></title><link>https://sandesh.com/india/news/business/india-government-psu-share-sale-ofs-rs-25491-crore-highest-in-11-years</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/india-government-psu-share-sale-ofs-rs-25491-crore-highest-in-11-years</guid><pubDate>Thu, 25 Jun 2026 16:03:43 +05:30</pubDate><description><![CDATA[<p>કેન્દ્ર સરકારે વર્ષ 2026 દરમિયાન અત્યાર સુધીમાં ઓફર ફોર સેલ મારફતે 8 લિસ્ટેડ સરકારી કંપનીઓમાં પોતાની હિસ્સેદારી વેચીને ₹25,491 કરોડ એકત્ર કર્યા છે. વર્ષ 2015 બાદનો આ સૌથી મોટો આંકડો ગણાય છે. વધતા સરકારી ખર્ચ, કાચા તેલના ભાવમાં વધારો, સબસિડીનો વધતો બોજ અને રાજકોષીય લક્ષ્યો હાંસલ કરવા માટે સરકાર વિનિવેશની પ્રક્રિયા ઝડપથી આગળ ધપી રહી છે.</p><p>સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે કુલ ₹80,000 કરોડના વિનિવેશનું લક્ષ્ય નક્કી કર્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બજારની સ્થિતિને કારણે લક્ષ્યાંકો પૂર્ણ કરવામાં મુશ્કેલી પડી હતી, જેના કારણે આ વખતે વર્ષના પ્રારંભિક મહિનાઓમાં જ હિસ્સેદારી વેચાણ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.</p><h2><b>આ વર્ષે કઈ કંપનીઓમાં હિસ્સેદારી વેચાઈ?</b></h2><p>સરકારે આ વર્ષે Bharat Heavy Electricals Limited (BHEL), Indian Railway Finance Corporation (IRFC), Central Bank of India, Coal India Limited, NHPC Limited, NLC India Limited અને General Insurance Corporation of India જેવી જાહેર ક્ષેત્રની કંપનીઓમાં પોતાની હિસ્સેદારી ઘટાડી છે. ખાનગી કંપનીઓમાં ઈસ્ટ ઈન્ડિયા ડ્રમ્સ એન્ડ બેરલ્સ, ઈસ્ટર્ન સિલ્ક ઈન્ડસ્ટ્રીઝ, સ્વાન ડિફેન્સ એન્ડ હેવી ઇન્ડસ્ટ્રીઝ, HMA એગ્રો ઇન્ડસ્ટ્રીઝ અને સ્ટ્રિંગ મેટાવર્સના શેર પણ વેચવામાં આવ્યા છે.</p><h3><b>નિષ્ણાતો શું કહે છે?</b></h3><p>બજાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ OFS સામાન્ય રીતે બજાર ભાવ કરતાં 3%થી 10% ડિસ્કાઉન્ટ પર આવે છે. તેથી રોકાણકારો ઘણીવાર પોતાના હાલના શેર વેચીને OFSમાં સસ્તા શેર ખરીદવાનું પસંદ કરે છે, જેના કારણે OFS પહેલાં શેરના ભાવ પર દબાણ જોવા મળે છે. નિષ્ણાતોનું માનવું છે કે કેટલીક સરકારી કંપનીઓમાં સરકારની હિસ્સેદારી હજુ 75%થી વધુ છે, જ્યારે સેબીના નિયમો અનુસાર ઓછામાં ઓછા 25% પબ્લિક શેરહોલ્ડિંગ હોવું જરૂરી છે.&nbsp;<br><br><b><a href="https://sandesh.com/india/news/business/amazon-india-48-billion-dollar-investment-andy-jassy-announcement" target="_blank">આ પણ વાંચો : Amazon ભારતમાં કરશે 4.1 લાખ કરોડનું જંગી રોકાણ, CEO એન્ડી જેસીએ કરી જાહેરાત</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/FW7o2AfdcfNnUH46mDdfMUAQuLVenkdQuGJLwZkG.webp'/></item><item><title><![CDATA[PSUs Share Sale : 11 વર્ષમાં સરકારે સૌથી વધુ શેર વેચ્યા, OFS દ્વારા 25,491 કરોડ એકત્ર કરાયા ]]></title><link>https://sandesh.com/india/news/business/india-government-psu-share-sale-ofs-rs-25491-crore-highest-in-11-years</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/india-government-psu-share-sale-ofs-rs-25491-crore-highest-in-11-years</guid><pubDate>Thu, 25 Jun 2026 16:03:43 +05:30</pubDate><description><![CDATA[<p>કેન્દ્ર સરકારે વર્ષ 2026 દરમિયાન અત્યાર સુધીમાં ઓફર ફોર સેલ મારફતે 8 લિસ્ટેડ સરકારી કંપનીઓમાં પોતાની હિસ્સેદારી વેચીને ₹25,491 કરોડ એકત્ર કર્યા છે. વર્ષ 2015 બાદનો આ સૌથી મોટો આંકડો ગણાય છે. વધતા સરકારી ખર્ચ, કાચા તેલના ભાવમાં વધારો, સબસિડીનો વધતો બોજ અને રાજકોષીય લક્ષ્યો હાંસલ કરવા માટે સરકાર વિનિવેશની પ્રક્રિયા ઝડપથી આગળ ધપી રહી છે.</p><p>સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે કુલ ₹80,000 કરોડના વિનિવેશનું લક્ષ્ય નક્કી કર્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બજારની સ્થિતિને કારણે લક્ષ્યાંકો પૂર્ણ કરવામાં મુશ્કેલી પડી હતી, જેના કારણે આ વખતે વર્ષના પ્રારંભિક મહિનાઓમાં જ હિસ્સેદારી વેચાણ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.</p><h2><b>આ વર્ષે કઈ કંપનીઓમાં હિસ્સેદારી વેચાઈ?</b></h2><p>સરકારે આ વર્ષે Bharat Heavy Electricals Limited (BHEL), Indian Railway Finance Corporation (IRFC), Central Bank of India, Coal India Limited, NHPC Limited, NLC India Limited અને General Insurance Corporation of India જેવી જાહેર ક્ષેત્રની કંપનીઓમાં પોતાની હિસ્સેદારી ઘટાડી છે. ખાનગી કંપનીઓમાં ઈસ્ટ ઈન્ડિયા ડ્રમ્સ એન્ડ બેરલ્સ, ઈસ્ટર્ન સિલ્ક ઈન્ડસ્ટ્રીઝ, સ્વાન ડિફેન્સ એન્ડ હેવી ઇન્ડસ્ટ્રીઝ, HMA એગ્રો ઇન્ડસ્ટ્રીઝ અને સ્ટ્રિંગ મેટાવર્સના શેર પણ વેચવામાં આવ્યા છે.</p><h3><b>નિષ્ણાતો શું કહે છે?</b></h3><p>બજાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ OFS સામાન્ય રીતે બજાર ભાવ કરતાં 3%થી 10% ડિસ્કાઉન્ટ પર આવે છે. તેથી રોકાણકારો ઘણીવાર પોતાના હાલના શેર વેચીને OFSમાં સસ્તા શેર ખરીદવાનું પસંદ કરે છે, જેના કારણે OFS પહેલાં શેરના ભાવ પર દબાણ જોવા મળે છે. નિષ્ણાતોનું માનવું છે કે કેટલીક સરકારી કંપનીઓમાં સરકારની હિસ્સેદારી હજુ 75%થી વધુ છે, જ્યારે સેબીના નિયમો અનુસાર ઓછામાં ઓછા 25% પબ્લિક શેરહોલ્ડિંગ હોવું જરૂરી છે.&nbsp;<br><br><b><a href="https://sandesh.com/india/news/business/amazon-india-48-billion-dollar-investment-andy-jassy-announcement" target="_blank">આ પણ વાંચો : Amazon ભારતમાં કરશે 4.1 લાખ કરોડનું જંગી રોકાણ, CEO એન્ડી જેસીએ કરી જાહેરાત</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/FW7o2AfdcfNnUH46mDdfMUAQuLVenkdQuGJLwZkG.webp'/></item><item><title><![CDATA[Suratમાં ઘર કંકાશનો અત્યંત કરુણ અંજામ, રોજિંદા ત્રાસથી કંટાળીને પત્નીએ જ કરી પતિની ઘાતકી હત્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/a-very-tragic-incident-of-domestic-violence-in-surat-tired-of-daily-torture-the-wife-brutally-murdered-her-husband</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/a-very-tragic-incident-of-domestic-violence-in-surat-tired-of-daily-torture-the-wife-brutally-murdered-her-husband</guid><pubDate>Thu, 25 Jun 2026 15:43:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરના ઇચ્છાપોર વિસ્તારમાંથી કૌટુંબિક હિંસા અને હત્યાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક પત્નીએ જ પોતાના પતિને મોતને ઘાટ ઉતારી દીધો છે. લાંબા સમયથી ચાલી રહેલા ઘર કંકાશનો આખરે આ રીતે અત્યંત કરુણ અંજામ આવ્યો છે. મૃતક પતિ અવારનવાર ભારે માત્રામાં દારૂ પીને ઘરે આવતો હતો અને નાની-નાની વાતોમાં પોતાની પત્નીને ઢોર માર મારતો હતો. પતિના આ રોજિંદા ત્રાસ અને શારીરિક શોષણથી કંટાળીને આખરે પત્નીએ ગુસ્સામાં આવીને આ ઘાતકી પગલું ભરી લીધું હતું.</p><h2 style="text-align: justify; ">બોથડ પદાર્થના ઘા ઝીંકી પતિને મોતને ઘાટ ઉતાર્યો</h2><p style="text-align: justify; ">ઘટનાની રાત્રે પતિ દારૂના નશામાં ધૂત ઘરે આવ્યો હતો અને પત્ની સાથે મારપીટ શરૂ કરી હતી. આ દરમિયાન પત્નીનો સંયમ તૂટ્યો અને તેણે ઘરમાં રહેલા એક ભારે બોથડ પદાર્થના ઘા પતિના માથા તેમજ શરીરના અન્ય ભાગો પર ઝીંકી દીધા હતા. ગંભીર ઇજાઓ થવાને કારણે પતિ ઘટનાસ્થળે જ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ પત્નીએ કાયદાના સિકંજામાંથી બચવા માટે એક મોટો કારસો રચ્યો હતો. તેણે આ સમગ્ર હત્યાકાંડને એક સામાન્ય 'અકસ્માત' અથવા અકસ્માતે થયેલા મોતમાં ખપાવવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો હતો.</p><h3 style="text-align: justify; ">પીએમ રિપોર્ટમાં ભાંડો ફૂટ્યો, પત્ની જેલ ભેગી</h3><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં જ ઇચ્છાપોર પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી આપી ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી. પોલીસની સઘન પૂછપરછ અને હોસ્પિટલમાંથી આવેલા પીએમ રિપોર્ટમાં આખરે આ સમગ્ર રહસ્ય પરથી પડદો ઊંચકાયો હતો. ડૉક્ટરોના રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે આ અકસ્માત નહીં પરંતુ બોથડ પદાર્થ મારીને કરવામાં આવેલી નિર્મમ હત્યા છે. પીએમ રિપોર્ટમાં ભાંડો ફૂટતાં જ પોલીસે કડકાઈ દાખવી અને હત્યારી પત્નીએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/IGIRrXmWOcY3V9ZZnfFteQQWZTT69B63CFrDURKj.webp'/></item><item><title><![CDATA[Amazon ભારતમાં કરશે 4.1 લાખ કરોડનું જંગી રોકાણ, CEO એન્ડી જેસીએ કરી જાહેરાત ]]></title><link>https://sandesh.com/india/news/business/amazon-india-48-billion-dollar-investment-andy-jassy-announcement</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/amazon-india-48-billion-dollar-investment-andy-jassy-announcement</guid><pubDate>Thu, 25 Jun 2026 15:34:28 +05:30</pubDate><description><![CDATA[<p>અમેરિકાની ટેક કંપની Amazonએ ભારતમાં 2026થી 2030 દરમિયાન કુલ 48 અબજ ડોલર (લગભગ 4.1 લાખ કરોડ રૂપિયા)નું રોકાણ કરવાની જાહેરાત કરી છે. કંપનીના CEO એન્ડી જેસીએ નવી દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત દરમિયાન આ મહત્વપૂર્ણ યોજના અંગે ચર્ચા કરી.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/narendramodi/status/2070067064069624186"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>ભારતમાં AI અને ક્લાઉડ ક્ષેત્રમાં મોટું રોકાણ</b></h2><p>વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ રોકાણનું સ્વાગત કર્યું અને જણાવ્યું કે આ પગલાથી ભારતના યુવાનો માટે રોજગાર તથા નવી તકો ઊભી થશે. તેમણે કહ્યું કે આ રોકાણ ભારત પ્રત્યે વૈશ્વિક રોકાણકારોના વધતા વિશ્વાસને દર્શાવે છે. કંપનીએ જણાવ્યું છે કે નવા રોકાણ સાથે 2026થી 2030 દરમિયાન ભારતમાં AI અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં તેનું કુલ રોકાણ 21 અબજ ડોલરથી વધુ થશે. આ રોકાણ વૈશ્વિક ટેક કંપનીઓ દ્વારા ભારતમાં AI અને ક્લાઉડ ક્ષેત્રમાં કરવામાં આવેલા સૌથી મોટા રોકાણોમાંનું એક ગણાશે.</p><h3><b>ઈ-કોમર્સ અને ક્વિક કોમર્સ સેવાઓ વધુ મજબૂત બનશે</b></h3><p>એમેઝોને વધુમાં જણાવ્યું કે 2010થી 2030 દરમિયાન ભારતમાં તેનું કુલ રોકાણ 88 અબજ ડોલરથી વધુ થઈ જશે. તેમાં ઈ-કોમર્સ, ક્વિક કોમર્સ, ડેટા સેન્ટર, AI, ક્લાઉડ સેવાઓ, લોજિસ્ટિક્સ અને અન્ય વ્યવસાયિક ક્ષેત્રોનો સમાવેશ થાય છે. કંપની આગામી વર્ષોમાં પોતાના ઓપરેશન અને ડિલિવરી નેટવર્કનું પણ વિસ્તરણ કરશે, જેના કારણે ઈ-કોમર્સ અને ક્વિક કોમર્સ સેવાઓ વધુ મજબૂત બનશે. AI ક્ષેત્રમાં વધતા વૈશ્વિક રોકાણોની વચ્ચે એમેઝોનનું આ પગલું ખાસ મહત્વનું માનવામાં આવે છે.</p><h4><b>દેશમાં નવી નોકરીઓનું સર્જન થશે</b></h4><p>નિષ્ણાતોના મતે આ રોકાણથી દેશમાં નવી નોકરીઓનું સર્જન થશે, સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને પ્રોત્સાહન મળશે અને ભારતીય કંપનીઓને AI આધારિત સેવાઓ વિકસાવવામાં મદદ મળશે. ભારતના ઝડપથી વધતા ડિજિટલ બજાર, કરોડો ઈન્ટરનેટ યુઝર્સ અને ટેક્નોલોજી અપનાવવાની ગતિને ધ્યાનમાં રાખીને એમેઝોન લાંબા ગાળાના વિકાસ પર દાવ લગાવી રહ્યું છે.<br><br><b><a href="https://sandesh.com/-political-news/news/india/modi-govt-near-two-third-majority-parliament" target="_blank">આ પણ વાંચો : લોકસભા-રાજ્યસભામાં મોદી સરકાર બે તૃતીયાંશ બહુમતી નજીક પહોંચી, સમજો સમીકરણ અને મહત્વ</a></b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/Icq66PphPnv8QXm2IXW1N5bgaIHwSfylhpNb5tKq.webp'/></item><item><title><![CDATA[Navsari News: સરકારી અનાજ કૌભાંડની આશંકા, કચરાના ઢગલામાંથી મળ્યા તુવેર દાળના ખાલી પાઉચ ]]></title><link>https://sandesh.com/gujarat/news/navsari/government-grain-packets-found-in-garbage-toor-dal-scam</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/navsari/government-grain-packets-found-in-garbage-toor-dal-scam</guid><pubDate>Thu, 25 Jun 2026 15:33:57 +05:30</pubDate><description><![CDATA[<p>નવસારી શહેરમાંથી ગરીબોના હકનું અનાજ સગેવગે થતું હોવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નવસારી શહેરના ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા કચરાના ઢગલામાંથી સરકારી અનાજના ઢગલાબંધ પાઉચ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં તરેહ-તરેહના તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા છે, અને રેશનિંગના અનાજ વિતરણની વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા થયા છે.</p><h2><b>તુવેરદાળના પેકેટ્સ રોડ પર મળતાં કૌભાંડની આશંકા</b></h2><p>મળી આવેલા આ જથ્થામાં ખાસ કરીને સરકારી યોજના હેઠળ અપાતી તુવેર દાળના ખાલી પાઉચ મોટા પ્રમાણમાં જોવા મળ્યા છે. સરકારના નિયમ મુજબ આ સીલબંધ પાઉચ સીધા જ રેશનકાર્ડ ધારક એટલે કે લાભાર્થી ગ્રાહકને આપવાના હોય છે, પરંતુ આ પાઉચ ખુલ્લા બજારમાં કચરામાંથી મળી આવતા એવી દ્રઢ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, કોઈ અનાજચોરે સરકારી અનાજને પાઉચમાંથી ખાલી કરીને ખુલ્લા બજારમાં ઊંચા ભાવે વેચી માર્યું છે.</p><h2><b>ગરીબોના હક પર ત્રાપ અને નિયમોનું સરેઆમ ઉલ્લંઘન</b></h2><p>નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને સરકારી અનાજનો જથ્થો બારોબાર સગેવગે કરવામાં આવ્યો હોવાના આ બોલતા પુરાવા છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આવતું અનાજ કાળાબજારીયાઓ નાગરિકો સુધી પહોંચવા જ નથી દેતા તે આ ઘટના પરથી સાબિત થાય છે. કચરામાં ફેંકાયેલા આ પાઉચ જ કૌભાંડની ચાડી ખાઈ રહ્યા છે.</p><h2><b>પુરાવા સામે આવ્યા બાદ હવે તંત્ર સામે સવાલ?</b></h2><p>સરકારી અનાજ ચોરી અને ગેરકાયદે વેચાણની આ આશંકા વચ્ચે હવે સ્થાનિક વહીવટી તંત્ર અને પુરવઠા વિભાગ પર સવાલો ઉભા થયા છે. હવે જોવું એ રહ્યું કે, આ મામલે તંત્ર કેટલી ગંભીરતા દાખવે છે? રેશનિંગ માફિયાઓ દ્વારા આચરવામાં આવેલા આ કારસાના પાકા પુરાવા રસ્તા પરથી મળી ગયા હોવા છતાં જવાબદારો સામે ક્યારે અને કેવા પગલાં લેવાય છે, તે તો આવનારો સમય જ જણાવશે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/navsari/acbs-successful-trap-in-navsari-two-people-including-the-president-of-the-district-talati-mandal-were-caught-red-handed-while-taking-bribes-for-land-works" target="_blank">Navsariમાં ACBની સફળ ટ્રેપ: જમીનની કામગીરી માટે લાંચ લેતા જિલ્લા તલાટી મંડળના પ્રમુખ સહિત બે રંગેહાથ ઝડપાયા</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/dUfdUmH9PyFTPkfVrK7D39jlVb04tlf3tfkd0tPo.webp'/></item><item><title><![CDATA[Kheda News: મહી નદી પર 1700 કરોડના ખર્ચે બદલપુર કારેલી બેરેજ કમ બ્રિજ ]]></title><link>https://sandesh.com/gujarat/news/kheda/1700-crore-badalpur-kareli-barrage-cum-bridge-approved-on-mahi-river</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/kheda/1700-crore-badalpur-kareli-barrage-cum-bridge-approved-on-mahi-river</guid><pubDate>Thu, 25 Jun 2026 15:30:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાત સરકાર દ્વારા રાજ્યના દરિયાકાંઠાના અને નદી કિનારાના વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે વધુ એક ઐતિહાસિક અને પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. આણંદ જિલ્લામાં મહી નદી ઉપર ધુવારણ પાસે બદલપુર કારેલી બેરેજ કમ બ્રિજના નિર્માણ માટે રાજ્ય સરકારે તાજેતરમાં જ અંદાજિત રૂ.1700 કરોડની માતબર રકમની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માત્ર બે ભૌગોલિક વિસ્તારોને જોડનારો સેતુ નહીં પરંતુ મધ્ય અને દક્ષિણ ગુજરાતના કૃષિ,પીવાના પાણી અને પરિવહન ક્ષેત્રે ક્રાંતિ લાવનારો સાબિત થશે. સરકાર દ્વારા આ યોજના માટે સર્વેની કામગીરી ખૂબ જ ઝડપથી હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>અંદાજિત 70 જેટલા દરવાજા મૂકાવામાં આવશે</b></h2><p style="text-align: justify; ">સરકાર દ્વારા લેવાયેલો આ દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નિર્ણય મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના સામાજિક-આર્થિક સમીકરણોને બદલી નાખશે.પાણી,પરિવહન અને પ્રગતિનો આ ત્રિવેણી સંગમ ચરોત્તરથી ભરૂચ સુધીના વિસ્તારની સમૃદ્ધિનું નવુ સરનામું બની રહેશે.આ આધુનિક બેરેજ કમ બ્રિજનું નિર્માણ સ્થાપત્ય કલા અને આધુનિક સિવિલ એન્જિનિયરિંગનો એક ઉત્કૃષ્ટ નમૂનો બની રહેશે. આણંદ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર રજત ચૌધરીના જણાવ્યા પ્રમાણે આ પ્રોજેક્ટ અંતર્ગત અંદાજે 4.5 કિલોમીટરની પહોળાઈ ધરાવતાં મહી નદીના પટમાં વચ્ચે બે કિલોમીટરની લંબાઈનું બ્રીજનું સ્ટ્રક્ચર બનાવવામાં આવશે.જેમાં નદીના વહેણને નિયંત્રિત કરવા અને ચોમાસા દરમિયાન વહી જતા મીઠા પાણીનો મહત્તમ સંગ્રહ કરી શકાય તે માટે અંદાજિત 70 જેટલા દરવાજા મૂકાવામાં આવશે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>પીવાના પાણીની કડાણા ડેમ ઉપરની આત્મનિર્ભરતા ઘટશે</b></h3><p style="text-align: justify; ">જ્યારે બાકીના વિસ્તારમાં પ્રોટેક્શન બંધ બનાવવામાં આવશે.આ પ્રોજેક્ટમાં પૂર નિયંત્રણ ટેકનોલોજી અને મજબૂત ક્રોસ-વે સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે, જેથી ભારે વરસાદ કે પૂરની સ્થિતિમાં પણ વાહનવ્યવહાર અને પાણીનો સંગ્રહ સુરક્ષિત રહી શકે.આ યોજનાની સૌથી મોટી વિશેષતા તેની વિશાળ જળ સંગ્રહ શક્તિ છે. બેરેજનું નિર્માણ થવાથી અંદાજે 183 મિલિયન ઘન મીટર જેટલા મીઠા પાણીનો સંગ્રહ કરી શકાશે.દર વર્ષે મહી નદીનું લાખો લીટર મીઠું પાણી દરિયામાં વહી જતું હતું, તેને આ બેરેજ દ્વારા રોકી શકાશે.હાલમાં આ વિસ્તારના લોકોના પીવાના પાણીનો મુખ્ય આધાર કડાણા ડેમ આધારીત છે. પરંતુ આ બેરેજનું નિર્માણ થવાની લોકોની પીવાના પાણીની કડાણા ડેમ ઉપરની આત્મનિર્ભરતા ઘટશે, અને આ સંગ્રહિત પાણી આસપાસના વિસ્તારો માટે આશીર્વાદરૂપ બનશે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>મહી નદીના શુદ્ધ અને મીઠા જળનો લાભ મળશે</b></h2><p style="text-align: justify; ">હાલમાં આ વિસ્તારમાં દરિયાનું પાણી સીંધરોટ વીયર સુધી એટલે કે, અંદાજિત 50 કિ.મી. સુધી અંદર આવી જાય છે.લાંબા સમયથી દરિયાઈ ભરતીના કારણે આ જમીનોમાં સેલેનીટી એક મોટી સમસ્યા રહી છે.આ બદલપુર બેરેજના નિર્માણથી મીઠા પાણીનો મોટો સંગ્રહ થવાના કારણે જમીનની ખારાશનો પ્રશ્ન કાયમી ધોરણે હલ થઈ જશે. તેના પરિણામે આશરે 16000 હેક્ટર જેટલો વિશાળ વિસ્તાર સીધો લાભિત થશે.મીઠા પાણીના પ્રભાવથી ભૂગર્ભ જળની ગુણવત્તામાં પણ તબક્કાવાર મોટો સુધારો આવશે.ખારાશ ઘટતાં ખેડૂતો વર્ષમાં બહુવિધ પાક લઈ શકશે,જેનાથી સ્થાનિક કૃષિ ક્ષેત્રે એક નવી હરિયાળી ક્રાંતિ આવશે અને જમીનની ફળદ્રુપતા પુનઃ જીવંત થશે.આ યોજના સાકાર થવાથી આણંદ જિલ્લાના 42 ગામો, વડોદરા જિલ્લાના 30 ગામો અને ભરૂચ જિલ્લાના 8 ગામો મળી અંદાજે 80 જેટલા ગામોના 15લાખથી વધુ લોકોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડી શકાશે.સરહદી ગામોને હવે મહી નદીના શુદ્ધ અને મીઠા જળનો લાભ મળશે.&nbsp;</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/news/-political-news/rajkot/rajkot-rmc-general-board-clash-congress-women-corporators-marshals-water-issue" target="_blank">આ પણ વાંચોઃ Rajkot મનપાના જનરલ બોર્ડમાં ભારે હોબાળો, કોંગ્રેસના મહિલા કોર્પોરેટરો અને માર્શલ વચ્ચે ઉગ્ર ઝપાઝપી</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/1S1JlbtNLTQ6LEVaHGudzn5ZwdyyidsKXHTntaeF.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : APK ફાઇલ અને SBI Yono ફ્રોડથી દેશભરમાં સાયબર ક્રાઇમ આચરતી જામતારા ગેંગ ઝડપાઇ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-cyber-crime-jamtara-gang-arrested-apk-file-sbi-yono-fraud</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-cyber-crime-jamtara-gang-arrested-apk-file-sbi-yono-fraud</guid><pubDate>Thu, 25 Jun 2026 15:26:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દેશભરમાં સોશિયલ મીડિયા અને લિંક્સ મોકલીને લોકોના બેંક ખાતા ખાલી કરતી કુખ્યાત 'જામતારા ગેંગ'ના સુનિયોજિત નેટવર્કનો અમદાવાદ સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. સાયબર પોલીસે આંતરરાજ્ય કૌભાંડ ચલાવતી આ ટોળકીના મુખ્ય સૂત્રધાર અને એપીકે ફાઇલ ડેવલોપર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ત્રણ આરોપી ઝડપાયા</b></h2><p style="text-align: justify; ">પકડાયેલા શખ્સોમાં મુખ્ય મોડ્યુલર પૂર્નાનંદ ઉર્ફે મુકેશ તિવારી,  વિકાસ દાસ અને સીતારામ મંડળનો સમાવેશ થાય છે. આ ગેંગ વિરુદ્ધ સમગ્ર દેશમાં અસંખ્ય ગુનાઓ બહાર આવે તેવી પ્રબળ શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.</p><h3 style="text-align: justify; "><b>&nbsp;નકલી એપ્લિકેશન બનાવી હતી</b></h3><p style="text-align: justify; ">આ સમગ્ર કૌભાંડનો ખુલાસો ત્યારે થયો જ્યારે અમદાવાદના એક નાગરિકને સાબરમતી ગેસ લિમિટેડના નામે નકલી APK ફાઇલ મોકલીને રૂ. 6.70 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું કે પૂર્નાનંદ ગુનાહિત સોફ્ટવેર અને ટેલિગ્રામ બોટ બનાવતો હતો, જેને વિકાસ દાસ દર મહિને આશરે 400 જેટલા સાયબર ગુનેગારોને 12 હજાર રૂપિયાના ભાડા પર વેચતો હતો. જ્યારે ત્રીજો આરોપી સીતારામ મંડળ બોગસ ડેબિટ-ક્રેડિટ કાર્ડ અને ડોમેન પૂરા પાડીને ફ્રોડના નાણાં સગેવગે કરવામાં મદદ કરતો હતો. આ ગેંગે 18 જેટલી ખાનગી બેંકો, આરટીઓ , ઈ-ચલણ, ગેસ બિલ અને બેંક કેવાયસી  ના નામે નકલી એપ્લિકેશન બનાવી રાખી હતી.</p><h4 style="text-align: justify; "><b>ટોળકી દર મહિને રૂ. 40 થી 50 લાખની કમાણી કરતી</b></h4><p style="text-align: justify; ">પોલીસ પૂછપરછમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, આ સ્કેમર્સ લોકોના ખાતામાંથી રૂપિયા ઉપાડવા માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની 'SBI Yono Cash' સર્વિસનો દુરુપયોગ કરતા હતા. જેના કારણે તેઓ કાર્ડ વિના, માત્ર એક ઓટીપી ની મદદથી દેશના કોઈપણ ખૂણેથી એટીએમમાંથી રોકડા રૂપિયા વિડ્રો કરી લેતા હતા. આ ટોળકી દર મહિને રૂ. 40 થી 50 લાખની કમાણી કરતી હતી અને દર અઠવાડિયે પાંચ લાખથી વધુના ટ્રાન્જેક્શન થતા હતા. હાલ સાયબર ક્રાઇમ આ ગેંગના દેશવ્યાપી કનેક્શન અને અન્ય ભોગ બનનારાઓની વિગતો મેળવવા વધુ તપાસ ચલાવી રહી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો-----&nbsp; &nbsp;<a href="https://sandesh.com/world/news/venezuela-earthquake-destruction-viral-videos-caracas-emergency" target="_blank"> Venezuela Earthquake : ભયાનક ભૂકંપના 5 Video, આંખના પલકારામાં ગગનચુંબી ઇમારતો જમીનદોસ્ત, ચારેય તરફ માત્ર ચીસાચીસ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/YWd9Dr2zHlJTCQVuxJvdBYHhYhW0AHRpG5t6EMrW.webp'/></item><item><title><![CDATA[Alka Yagnik Health Update: પદ્મ ભૂષણ એવોર્ડ લેવા પહોંચેલા ગાયિકા અલ્કા યાજ્ઞિકના સ્વાસ્થ્યને જોતા પ્રશંસકો થયા ચિંતિત ]]></title><link>https://sandesh.com/entertainment/news/india/alka-yagnik-health-update-fans-are-worried-about-the-health-of-singer-alka-yagnik-who-arrived-to-receive-the-padma-bhushan-award</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/india/alka-yagnik-health-update-fans-are-worried-about-the-health-of-singer-alka-yagnik-who-arrived-to-receive-the-padma-bhushan-award</guid><pubDate>Thu, 25 Jun 2026 15:22:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">નવી દિલ્હીમાં પદ્મ ભૂષણ સમારોહ દરમિયાન અલ્કા યાજ્ઞિક વ્હીલચેરમાં બેસેલા જોવા મળ્યા હતા.&nbsp;</p><h2 style="text-align: justify; ">અચાનક શ્રવણશક્તિ પર અસર</h2><p style="text-align: justify; ">સોશિયલ મીડિયા પર ચાહકોએ અલ્કા યાજ્ઞિકને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવવાનું શરૂ કર્યું છે. ઘણા યુઝર્સએ તેમના માટે પ્રાર્થના કરી અને આશા વ્યક્ત કરી કે તે ટૂંક સમયમાં સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જશે અને સંગીતની દુનિયામાં પાછા ફરશે. વર્ષ 2024માં, અલ્કા યાજ્ઞિકે તેમના સ્વાસ્થ્ય વિશે મોટો ખુલાસો કર્યો હતો. તેણીએ ખુલાસો કર્યો કે, તેઓ સેન્સરીન્યુરલ હિયરિંગ લોસથી પીડાઈ રહી છે. ગાયિકાના મતે, વાયરલ ચેપ પછી અચાનક તેની શ્રવણશક્તિ પર અસર પડી હતી.</p><h3 style="text-align: justify; ">બીમારીના કારણે કારકિર્દી પર અસર&nbsp;</h3><p style="text-align: justify; ">તેણીએ ખુલાસો કર્યો કે ફ્લાઇટમાંથી ઉતર્યા પછી, તેણીને સમજાયું કે તેણી યોગ્ય રીતે સાંભળી શકતી નથી. ડોક્ટરોએ પાછળથી તેને એક દુર્લભ ન્યુરોલોજીકલ શ્રવણશક્તિ ગુમાવવાનું નિદાન કર્યું હતુ. આ બીમારીએ તેણીની કારકિર્દી પર પણ અસર કરી છે. જોકે ઘણા સંગીતકારો હજુ પણ તેની સાથે કામ કરવા માંગે છે.  પરંતુ સ્વાસ્થ્યની ચિંતાઓને કારણે તેઓ ગાયિકી ક્ષેત્રે પાછા ફરી શક્યા નથી. તેણીનો છેલ્લો રેકોર્ડ કરેલો અવાજ એ.આર.રહેમાન દ્વારા રચિત ફિલ્મ અમર સિંહ ચમકીલાનું ગીત નરમ કલાજા હતું.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2069388202910384191"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; "><span style="font-size: 1.5rem;">પદ્મ ભૂષણ માટે ચાહકોનો આભાર</span></p><p style="text-align: justify; ">પદ્મ ભૂષણ પ્રાપ્ત કર્યા પછી, અલકા યાજ્ઞિકે ઇન્સ્ટાગ્રામ પર એક ભાવનાત્મક નોંધ શેર કરી. તેણીએ લખ્યું કે તેણી છેલ્લા બે વર્ષથી સ્વાસ્થ્ય પડકારોનો સામનો કરી રહી છે, પરંતુ આ સન્માનથી તેણીને નવી ઉર્જા અને હિંમત મળી છે. તેણીના ચાહકો, શ્રોતાઓ અને શુભેચ્છકોનો આભાર વ્યક્ત કરતાં, તેણીએ કહ્યું કે આ સન્માન ફક્ત તેણીનું જ નહીં, પરંતુ તે બધા લોકોનું છે જેમણે વર્ષોથી તેણીના ગીતોને પ્રેમ કર્યો છે અને મુશ્કેલ સમયમાં તેણીને ટેકો આપ્યો છે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DZ8RVnQxnR-/?utm_source=ig_embed&amp;ig_rid=Apdka4O7d982Ocj1wbrokpy" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DZ8RVnQxnR-/?utm_source=ig_embed&amp;ig_rid=Apdka4O7d982Ocj1wbrokpy" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a></p><p style="text-align: justify; "><span style="font-size: 1.25rem;">20 હજારથી વધુ ગીતો રેકોર્ડ કર્યા&nbsp;</span></p><p style="text-align: justify; ">અલકા યાજ્ઞિકનો જન્મ 20 માર્ચ, 1966 ના રોજ કોલકાતામાં થયો હતો. તેમણે છ વર્ષની ઉંમરે ઓલ ઈન્ડિયા રેડિયો માટે ગાવાનું શરૂ કર્યું હતું. ચાર દાયકા લાંબી કારકિર્દીમાં, અલકા યાજ્ઞિકે 20 હજારથી વધુ ગીતો રેકોર્ડ કર્યા છે અને 25થી વધુ ભાષાઓમાં પોતાનો અવાજ આપ્યો છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/world/news/venezuela-earthquake-2026-first-the-president-was-arrested-now-the-earth-is-shaking-a-mountain-of-crisis-looms-over-venezuela" target="_blank"> પહેલા રાષ્ટ્રપતિની કરાઇ ધરપકડ, હવે ધરતી ધ્રુજી, વેનેઝુએલા પર સંકટનો પહાડ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/51SiRWUr6dJJQVNISWGhUXE0r1JdJhcFbnBcQgcS.webp'/></item><item><title><![CDATA[વાંચો બપોરે 12થી 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/read-important-news-from-12-pm-to-03-pm-25-june-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/read-important-news-from-12-pm-to-03-pm-25-june-2026</guid><pubDate>Thu, 25 Jun 2026 14:53:45 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/world/news/venezuela-earthquake-it-was-as-if-a-monster-had-emerged-from-the-abyss-an-earthquake-witness-recounted-the-terrifying-ordeal-in-a-trembling-voice" target="_blank">1. Venezuela Earthquake: જાણે પાતાળમાંથી રાક્ષસ ત્રાડ્યો...ભૂકંપના સાક્ષીએ ધ્રૂજતા અવાજે કહી કંપાવી દેનારી આપવીતી</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/-political-news/rajkot/rajkot-rmc-general-board-clash-congress-women-corporators-marshals-water-issue" target="_blank">2. Rajkot મનપાના જનરલ બોર્ડમાં ભારે હોબાળો, કોંગ્રેસના મહિલા કોર્પોરેટરો અને માર્શલ વચ્ચે ઉગ્ર ઝપાઝપી</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/entertainment/news/india/mirzapur-the-movie-teaser-review-teaser-of-mirzapur-the-movie-released-triple-bang-of-pankaj-tripathi-ali-fazal-and-jeetendra-kumar" target="_blank">3. Mirzapur The Movie Teaser Review: 'મિર્ઝાપુર ધ મૂવી'નું ટીઝર રિલીઝ, પંકજ ત્રિપાઠી, અલી ફઝલ અને જિતેન્દ્ર કુમારનો ત્રિપલ ધમાકો</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/up-bjp-announces-new-team-rajnath-singhs-son-becomes-vice-president" target="_blank">4, UP: BJPની નવી ટીમની જાહેરાત, રાજનાથ સિંહના પુત્ર બન્યા ઉપાધ્યક્ષ</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/business/news/gold-silver-rate-today-gold-and-silver-slipped-from-all-time-high-know-the-price-of-gold-and-silver-on-june-25" target="_blank">5. Gold Silver Rate Today: ઓલ ટાઇમ હાઇથી સોના ચાંદી સરક્યા, 25 જૂને જાણો સોના ચાંદીનો કેટલો છે ભાવ</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/world/news/venezuela-earthquake-2026-first-the-president-was-arrested-now-the-earth-is-shaking-a-mountain-of-crisis-looms-over-venezuela" target="_blank">6. Venezuela Earthquake 2026: પહેલા રાષ્ટ્રપતિની કરાઇ ધરપકડ, હવે ધરતી ધ્રુજી, વેનેઝુએલા પર સંકટનો પહાડ</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/crime/surat/mota-varachha-celebrity-live-show-fraud-mumbai-director-aninda-seal-arrested" target="_blank">7. Surat: સેલિબ્રિટીઝના લાઈવ શોના બહાને 1.43 કરોડ પડાવનાર મુંબઈનો અનિંદા સીલ અંધેરીથી ઝડપાયો</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/gandhinagar-gujarat-govt-job-bharti-rules-change-gad-gpsc-class-1-2-exam-updates" target="_blank">8. Gandhinagar : સરકારી ભરતીના નિયમોમાં ધરખમ ફેરફારના એંધાણ, અનુભવની જોગવાઈ નાબૂદ થવાના સંકેત</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/emergency-1975-emergency-to-be-taught-in-class-9-ncert-includes-it-in-the-curriculum" target="_blank">9. Emergency: ધોરણ 9માં ભણાવાશે 1975ની ઇમરજન્સી વિશે, NCERTએ અભ્યાસક્રમમાં કર્યો સમાવેશ</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/epfo-portal-will-be-closed-for-the-next-3-days-services-including-money-withdrawal-will-be-suspended" target="_blank">10, EPFO પોર્ટલ આગામી 3 દિવસ બંધ રહેશે, પૈસા ઉપાડવા સહિતની સેવાઓ અટકી જશે!</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/uljeYq9nNzoe1YWN8ItqLJezAaVDKS5VHSyVshsj.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026: બ્રાઝિલનું શાનદાર પ્રદર્શન, સ્કોટલેન્ડને 3-0 થી હરાવી ગ્રુપ Cમાં ટોચ પર પહોંચ્યું ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-brazils-brilliant-performance-defeating-scotland-3-0-to-top-group-c</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-brazils-brilliant-performance-defeating-scotland-3-0-to-top-group-c</guid><pubDate>Thu, 25 Jun 2026 13:34:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફિફા વર્લ્ડ કપ 2026 માં બ્રાઝિલની ફૂટબોલ ટીમે પોતાનું દબદબો જાળવી રાખતા સ્કોટલેન્ડને 3-0 થી કારમી હાર આપી છે. મિયામી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં જીત મેળવીને બ્રાઝિલ ગ્રુપ C માં ટોચનું સ્થાન મેળવી ગૌરવભેર નોકઆઉટ રાઉન્ડમાં આગળ વધી ગયું છે. આ મેચમાં તમામ ચાહકોની નજર લાંબા સમય બાદ વાપસી કરી રહેલા સ્ટાર પ્લેયર નેમાર પર હતી, પરંતુ મેદાન પર અસલી હીરો વિનિસિયસ જુનિયર સાબિત થયો, જેણે બે ગોલ કરીને સ્કોટિશ ટીમની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું.</p><h3 style="text-align: justify; "><b>એલિયન્સની આગાહી વચ્ચે મેદાન પર થયો બ્રાઝિલનો 'ચમત્કાર'</b></h3><p style="text-align: justify; ">મેચ શરૂ થતા પહેલા મિયામીમાં એક વિચિત્ર જ્યોતિષીય આગાહી ખૂબ ચર્ચામાં હતી, જેમાં દાવો કરાયો હતો કે મેચ દરમિયાન સ્ટેડિયમમાં એલિયન્સ આવી શકે છે! જોકે, 64,478 ફૂટબોલ પ્રેમીઓથી ખિચોખિચ ભરેલા સ્ટેડિયમમાં એલિયન્સ તો ન આવ્યા, પણ મુખ્ય કોચ કાર્લો એન્સેલોટીની બ્રાઝિલિયન ટીમે મેદાન પર પોતાની રમતનો એવો અસાધારણ ચમત્કાર સર્જ્યો કે આખું સ્ટેડિયમ ઝૂમી ઉઠ્યું.</p><h2 style="text-align: justify; "><b>સ્કોટલેન્ડ વિ. બ્રાઝિલ મેચ, વિનિસિયસ જુનિયરનો દબદબો</b></h2><p style="text-align: justify; ">સ્કોટલેન્ડના કોચ સ્ટીવ ક્લાર્કે મેચ પહેલા જ બ્રાઝિલના શરૂઆતના આક્રમણ (એટેકિંગ ગેમ) અંગે ચિંતા વ્યક્ત કરી હતી, જે માત્ર 10 મિનિટમાં જ સાચી સાબિત થઈ. ફર્સ્ટ હાફના અંતિમ સમયમાં બ્રુનો ગુઇમારેસના એક શાનદાર ક્રોસ પાસ પર વિનિસિયસ જુનિયરે અદભુત હેડર મારીને બ્રાઝિલની લીડ 2-0 કરી દીધી. જોકે આ પહેલા વિનિસિયસનો વધુ એક ગોલ VAR (વીડિયો આસિસ્ટન્ટ રેફરી) રિવ્યૂમાં રિજેક્ટ થયો હતો, છતાં સ્કોટલેન્ડ પહેલા હાફમાં ટાર્ગેટ પર એક પણ શોટ મારી શક્યું નહોતું. સેકન્ડ હાફમાં મેથ્યુસ કુન્હાનો ત્રીજો ગોલ અને નેમારનું ઈમોશનલ કમબેક કર્યું. બીજા હાફમાં પણ બ્રાઝિલે રમત પર પોતાનું સંપૂર્ણ નિયંત્રણ જાળવી રાખ્યું હતું. ફરી એકવાર ગુઇમારાઇસે શાનદાર ચાલ રચીને બોલ મેથ્યુસ કુન્હા તરફ પાસ કર્યો. વોલ્વરહેમ્પ્ટન વાન્ડરર્સના આ સ્ટ્રાઇકરે કોઈ ભૂલ કર્યા વિના તકનો લાભ ઉઠાવ્યો અને ટીમ માટે ત્રીજો ગોલ (ટુર્નામેન્ટનો તેનો ત્રીજો ગોલ) ફટકારી સ્કોર 3-0 કરી દીધો.</p><h3 style="text-align: justify; "><b>સ્ટેડિયમમાં નેમારના નામની ગુંજ</b></h3><p style="text-align: justify; ">મેચની સૌથી ભાવનાત્મક અને યાદગાર ક્ષણ ત્યારે આવી જ્યારે સબસ્ટિટ્યુશન બોર્ડ પર નેમારનો જર્સી નંબર ફ્લેશ થયો. ઓક્ટોબર 2023 માં લાગેલી ગંભીર ઈજા બાદ પહેલીવાર વર્લ્ડ કપના સ્ટેજ પર વાપસી કરી રહેલા બ્રાઝિલના આ લેજન્ડરી ગોલસ્કોરરને આખા સ્ટેડિયમે ઊભા થઈને (Standing Ovation) માન આપ્યું હતું. 34 વર્ષીય નેમારે મેદાન પર આવતાની સાથે જ પોતાની જૂની લય બતાવી અને ટૂંકા સમયમાં કેટલાક શાનદાર શૉટ્સ રમ્યા, જે કોચ કાર્લો એન્સેલોટી માટે નોકઆઉટ રાઉન્ડ પહેલા મોટી રાહત સમાન છે.</p><h4 style="text-align: justify; "><b>ફિફા વર્લ્ડકપમાં ગ્રુપ C નું ફાઇનલ સમીકરણ</b></h4><p style="text-align: justify; ">બ્રાઝિલની ટીમ આ જીત સાથે કુલ 7 પોઈન્ટ મેળવીને ગ્રુપ C માં પ્રથમ સ્થાને રહી છે. જ્યારે એટલાન્ટામાં રમાયેલી અન્ય એક મેચમાં મોરોક્કોએ હૈતીને 4-2 થી હરાવીને ગ્રુપમાં બીજું સ્થાન મેળવ્યું છે અને રાઉન્ડ ઓફ 32 માં ક્વોલિફાય કર્યું છે. આ હાર સાથે સ્કોટલેન્ડની સફર ગ્રુપ સ્ટેજમાં જ સમાપ્ત થઈ ગઈ છે. આ મેચે સાબિત કરી દીધું છે કે બ્રાઝિલ હવે માત્ર નેમાર પર નિર્ભર નથી, પરંતુ વિનિસિયસ જુનિયર (જર્સી નંબર 7) ના રૂપમાં ટીમને એક નવો નેતા અને નવો ધબકારો મળી ગયો છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/big-upset-in-fifa-world-cup-switzerland-tops-group-b-canada-in-knockouts-for-the-first-time" target="_blank">આ પણ વાંચો : FIFA World Cupમાં મોટો ઉલટફેર: સ્વિટ્ઝર્લેન્ડ ગ્રુપ B માં ટોપ પર રહ્યું, કેનેડા પહેલીવાર નોકઆઉટમાં!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/bhukty5x2gdPTti1pt8dY0Z1uT73t8hghOh2qosB.webp'/></item></channel></rss>