<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Jamnagar News: જામજોધપુરમાં ધોધમાર વરસાદ, બે બાળકો તણાયાનો Video વાયરલ ]]></title><link>https://sandesh.com/weather/monsoon-2026/news/jamnagar/jamjodhpur-heavy-rain-flood-two-children-rescued-video</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/monsoon-2026/news/jamnagar/jamjodhpur-heavy-rain-flood-two-children-rescued-video</guid><pubDate>Fri, 03 Jul 2026 17:47:35 +05:30</pubDate><description><![CDATA[<p>જામનગર જિલ્લાના જામજોધપુરમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જામનગરના જામજોધપુર શહેરમાં ગાજવીજ સાથે પડેલા ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે. આ દરમિયાન જામજોધપુરના ખરાવાડ વિસ્તારમાંથી એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી હતી, જ્યાં પૂરના ધસમસતા પ્રવાહમાં બે માસૂમ બાળકો અચાનક તણાયા હતા. </p><p>બાળકોને તણાતા જોઈ આસપાસના લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા, પરંતુ સ્થાનિક યુવક કમલેશભાઈએ પોતાની જાનની પરવા કર્યા વિના પાણીના જોરદાર પ્રવાહમાં ઝંપલાવ્યું હતું અને ભારે જહેમત બાદ બંને બાળકોને હેમખેમ બહાર કાઢી નવું જીવનદાન આપ્યું હતું.</p><h2><b>જામજોધપુરની સડકો પર વહી નદીઓ, પૂરના પ્રવાહમાં છકડો રિક્ષા તણાઈ</b></h2><p>શહેર અને ગ્રામ્ય પંથકમાં ચોમાસાના પ્રારંભે જ મેઘતાંડવ જેવી સ્થિતિ સર્જાઈ છે. જામજોધપુરના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે અને રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે. પાણીનો વેગ એટલો તીવ્ર હતો કે, ખરાવાડ વિસ્તારમાં ઉભેલી એક છકડો રિક્ષા પણ આ ધસમસતા પ્રવાહમાં રમકડાની જેમ તણાઈ ગઈ હતી. પ્રથમ વરસાદે જ તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે.</p><p><b style="font-size: 2rem;"><br></b></p><p><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DaTPHC1gKNx/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DaTPHC1gKNx/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DaTPHC1gKNx/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DaTPHC1gKNx/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><b style="font-size: 2rem;"><br></b></p><p><b style="font-size: 2rem;"><br></b></p><p><b style="font-size: 2rem;">સીદસર ઉમિયા સાગર ડેમના 2 દરવાજા ખોલાયા, વેણુ નદી કિનારે એલર્ટ</b></p><p>ઉપરવાસમાં અને જામજોધપુર પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે જળાશયોમાં પાણીની તોતિંગ આવક થઈ રહી છે. પ્રખ્યાત યાત્રાધામ સીદસર ખાતે આવેલા ઉમિયા સાગર ડેમમાં પાણીનું સ્તર ભયજનક સપાટીએ પહોંચતા તંત્ર દ્વારા ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડાતા વેણુ નદી બે કાંઠે વહી રહી છે અને નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઉમિયા માતાજીના મંદિર પાસેથી પસાર થતી નદીમાં પૂરના અદ્ભુત અને ડરામણા દ્રશ્યો સામે આવ્યા છે. તંત્ર દ્વારા આસપાસના ગામના લોકોને વેણુ નદીના પટમાં ન જવા કડક સૂચના આપવામાં આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2072915396823306326"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>આકાશી આફત વચ્ચે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ</b></h2><p>એકતરફ શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે મુશ્કેલીઓ ઊભી થઈ છે, તો બીજી તરફ આ વરસાદ ગ્રામ્ય વિસ્તારો માટે આશીર્વાદ સમાન સાબિત થયો છે. જામજોધપુર પંથકમાં આ પ્રથમ વાવણી લાયક જોરદાર વરસાદ હોવાથી ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે. લાંબા સમયથી વરસાદની કાગડોળે રાહ જોતા ધરતીપુત્રો હવે વાવણીના કામમાં જોતરાઈ ગયા છે અને સમગ્ર પંથકમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.</p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/rain-reported-in-134-talukas-waghai-receives-12-99-inches" target="_blank"> Gujarat Rain : આજે સાંજે 4 વાગ્યા સુધીમાં 134 તાલુકામાં વરસાદ નોંધાયો, ડાંગના વઘઈમાં 12.99 ઈંચ ખાબક્યો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/03/GdPrxw3Afunei8pAXsdFrMp9TAZr8EOjWTsSstN1.webp'/></item><item><title><![CDATA[MEA on Indus Water Treaty: આતંકવાદ નાબૂદ ન થાય ત્યાં સુધી સિંધુ જળ સંધિ પુનઃસ્થાપિત થશે નહીં, MEAનો કડક જવાબ ]]></title><link>https://sandesh.com/india/news/mea-on-indus-water-treaty-indus-water-treaty-will-not-be-restored-until-terrorism-is-eliminated-meas-strong-reply</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/mea-on-indus-water-treaty-indus-water-treaty-will-not-be-restored-until-terrorism-is-eliminated-meas-strong-reply</guid><pubDate>Fri, 03 Jul 2026 17:41:03 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ભારતીય વિદેશ મંત્રાલયે સિંધુ જળ સંધિ અંગે પાકિસ્તાનને મજબૂત અને સ્પષ્ટ સંદેશ જારી કર્યો છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">પાડોશી દેશ પાકિસ્તાનને ચેતવણી&nbsp;</h2><p style="text-align: justify; ">પ્રવક્તા રણધીર જયસ્વાલે પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે, જ્યાં સુધી સરહદ પાર આતંકવાદ નાબૂદ ન થાય ત્યાં સુધી સિંધુ જળ સંધિની કોઈ વાતચીત કે પુનઃસ્થાપના થશે નહીં, કારણ કે આતંકવાદ અને ચર્ચાઓ સાથે રહી શકે નહીં. ચીનના કોરિડોર પ્રસ્તાવ અંગે, ભારતે સ્પષ્ટ કર્યું કે, તે દરેક વ્યૂહાત્મક વિકાસ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી પગલાં લેવામાં અચકાશે નહીં. ભારતે અફઘાન સરહદ પર પાકિસ્તાનના હવાઈ હુમલાની પણ ટીકા કરી હતી.</p><h3 style="text-align: justify; ">પાકિસ્તાન તરફથી ઉશ્કેરણીજનક નિવેદનો&nbsp;</h3><p style="text-align: justify; ">તાજેતરના દિવસોમાં, પાકિસ્તાની નેતાઓ અને સૈન્યએ સંધિ અંગે અનેક ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યા છે. જેનો ભારતે જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સિંધુ જળ સંધિ અથવા તેના સામાન્ય પુનઃસ્થાપન સંબંધિત વાટાઘાટો સરહદ પાર આતંકવાદ સંપૂર્ણપણે નાબૂદ ન થાય ત્યાં સુધી આગળ વધશે નહીં. ભારતે સ્પષ્ટ કર્યું કે આતંકવાદ અને ચર્ચાઓ સાથે રહી શકે નહીં, અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં.</p><h4 style="text-align: justify; ">ચીનના પ્રસ્તાવ પર કડક વલણ&nbsp;</h4><p style="text-align: justify; ">ભારતીય વિદેશ મંત્રાલયે BRI હેઠળ ચીન-મ્યાનમાર-બાંગ્લાદેશ કોરિડોર માટેના ચીનના પ્રસ્તાવ પર કડક વલણ અપનાવ્યું છે. તેની સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગમાં, વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે, ભારત આ ક્ષેત્રમાં તમામ વ્યૂહાત્મક અને રાજદ્વારી વિકાસ પર નજીકથી નજર રાખે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે આવા તમામ મુદ્દાઓ અને વિકાસ પર સતત નજર રાખીએ છીએ. જ્યારે પણ અને જ્યાં પણ અમને આપણા રાષ્ટ્રીય હિતો અને સુરક્ષાના રક્ષણ માટે પગલાં લેવાની જરૂર લાગે છે, ત્યારે અમે વિલંબ કર્યા વિના જરૂરી પગલાં લઈએ છીએ.</p><h5 style="text-align: justify; ">પાકિસ્તાનના હવાઈ હુમલાની નિંદા&nbsp;</h5><p style="text-align: justify; ">વિદેશ મંત્રાલયે અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાં પાકિસ્તાનના હવાઈ હુમલાની સખત નિંદા કરી છે. રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારત આ લશ્કરી હુમલાની સંપૂર્ણ નિંદા કરે છે, જેમાં મહિલાઓ અને બાળકો સહિત ઘણા નિર્દોષ નાગરિકો માર્યા ગયા છે. પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા, ભારતે સ્પષ્ટ કર્યું કે તે કાબુલની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને સંપૂર્ણ સમર્થન આપે છે. ભારતે પીડિત અફઘાન લોકોને માનવતાવાદી સહાય અને વિકાસ પ્રોજેક્ટ્સ પૂરા પાડવાની તેની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો છે. આ તીક્ષ્ણ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બે પડોશી દેશો વચ્ચે તણાવ ઉચ્ચ સ્તરે છે. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 28 નાગરિકો માર્યા ગયા છે અને 49 ઘાયલ થયા છે.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/lifestyle/news/health-fitness/headache-reasons-what-is-the-relationship-between-migraine-and-anemia-why-do-headaches-occur-frequently-know" target="_blank">માઇગ્રેન અને એનિમિયા વચ્ચે શુ છે સંબંધ, કેમ થાય છે વારંવાર દુઃખાવો?, જાણો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/03/VVqaC5sDQuKUAeLZPhZsKfntRf7OO1eVWWpU5ygP.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના CTM ચાર રસ્તા પાસે AMC દબાણ વિભાગની દાદાગીરી: કર્મચારીઓ અને વેપારીઓ વચ્ચે ઉગ્ર ઝપાઝપી ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-pressure-departments-bullying-near-ctm-intersection-in-ahmedabad-fierce-scuffle-between-employees-and-traders</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-pressure-departments-bullying-near-ctm-intersection-in-ahmedabad-fierce-scuffle-between-employees-and-traders</guid><pubDate>Fri, 03 Jul 2026 17:33:39 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દબાણ હટાવ વિભાગના કર્મચારીઓની કથિત દાદાગીરી અને પક્ષપાત સામે આવતા ભારે હોબાળો મચી ગયો હતો. CTM એક્સપ્રેસ હાઈવે પાસે દબાણ શાખાની ટીમ જ્યારે કાર્યવાહી કરવા પહોંચી, ત્યારે વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓ અને સ્થાનિકોનો ગંભીર આક્ષેપ છે કે આ વિસ્તારમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શાકભાજીના વિક્રેતાઓ રસ્તા પર ગેરકાયદેસર રીતે મોટું દબાણ કરે છે. જોકે, તંત્ર આ શાકભાજીના મોટા ગઠબંધન સામે કોઈ કડક પગલાં લેવાના બદલે માત્ર નાના વેપારીઓને જ નિશાન બનાવીને પક્ષપાતભરી કામગીરી કરી રહ્યું છે.</p><h2 style="text-align: justify; ">વિરોધ કરતા કર્મચારીઓ ઉશ્કેરાયા</h2><p style="text-align: justify; ">તંત્રની આ અન્યાયી નીતિનો વેપારીઓએ વિરોધ કરવાનું શરૂ કર્યું, ત્યારે મામલો વધુ બિચક્યો હતો. દબાણ શાખાના કર્મચારીઓએ શાંતિથી વાત સાંભળવાના બદલે ઉદ્ધત વર્તન કર્યું હતું અને જોતજોતામાં વેપારીઓ સાથે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી પર ઉતરી આવ્યા હતા. સરા જાહેર કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા વેપારી સાથે કરવામાં આવેલી આ ઝપાઝપીના દ્રશ્યો જોઈને આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા અને તંત્રની દાદાગીરી સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાને પગલે હાઈવે નજીકના વ્યસ્ત માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી.</p><h3 style="text-align: justify; ">મામલો ખોખરા પોલીસ સ્ટેશન પહોંચ્યો</h3><p style="text-align: justify; ">ઘટનાની ગંભીરતાને જોતા ખોખરા પોલીસની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો. આ હિંસક ઘર્ષણ બાદ સમગ્ર મામલો હવે ખોખરા પોલીસ સ્ટેશને પહોંચ્યો છે, જ્યાં બંને પક્ષો દ્વારા પોતાની રજૂઆતો કરવામાં આવી છે. સ્થાનિક વેપારીઓએ દબાણ વિભાગના કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. ખોખરા પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ અને ઘટનાના વીડિયોના આધારે તપાસ હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/03/1htF1ePbtDdxuhsa1KfYsXYo30TB97AvhhpX6YzO.webp'/></item><item><title><![CDATA[Gujarat Rain :  આજે સાંજે 4 વાગ્યા સુધીમાં 134 તાલુકામાં વરસાદ નોંધાયો, ડાંગના વઘઈમાં 12.99 ઈંચ ખાબક્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/rain-reported-in-134-talukas-waghai-receives-12-99-inches</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/rain-reported-in-134-talukas-waghai-receives-12-99-inches</guid><pubDate>Fri, 03 Jul 2026 17:12:24 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે.  જેના પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં આજે બપોરે 4 વાગ્યા સુધીમાં કુલ 134 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. આ વરસાદી આંકડાઓ પર નજર કરીએ તો, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદ જોવા મળ્યો છે. ડાંગના વઘઈમાં સૌથી વધુ 12.99 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સુરતના અંબિકામાં 11.14 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત તાપીના ડોલવણમાં 9.96 ઈંચ, નવસારીના વાંસદામાં 9.17 ઈંચ અને ડાંગના સુબિરમાં 9.13 ઈંચ વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું છે.</p><h2 style="text-align: justify; "><b>રાજ્યના 2 તાલુકાઓમાં 10 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો</b></h2><p style="text-align: justify; ">વરસાદની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રાજ્યના 2 તાલુકાઓમાં 10 ઈંચ કરતા વધુ, 5 તાલુકાઓમાં 9 ઈંચ કરતા વધુ, 8 તાલુકાઓમાં 8 ઈંચ કરતા વધુ અને 13 તાલુકાઓમાં 7 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત નવસારીના ચિખલીમાં 8.86 ઈંચ, તાપીના વાલોડમાં 8.46 ઈંચ, જૂનાગઢના માળિયા હાટીનામાં 8.31 ઈંચ, વલસાડમાં 7.72 ઈંચ, જૂનાગઢના માંગરોળમાં 7.6 ઈંચ, નવસારીના ગણદેવીમાં 7.4 ઈંચ અને ગીરસોમનાથના વેરાવળમાં 7.2 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે.</p><h3 style="text-align: justify; "><b>રાજ્યના આ વિસ્તારોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ</b></h3><p style="text-align: justify; ">હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આણંદ, દાદરા નગર હવેલી, દમણ, ડાંગ, દીવ, ગીર સોમનાથ, જૂનાગઢ, ખેડા, નવસારી, સૂરત, તાપી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.  જ્યારે અમદાવાદ, અમરેલી, અરાવલ્લી, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ગાંધીનગર, મહેસાણા, મહીસાગર, નર્મદા, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા,સુરેન્દ્રનગર અને વડોદરામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. હવામાન વિભાગે આગામી બેથી ત્રણ કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/acb-catches-bhadra-court-assistant-clerk-accepting-bribe" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: ફરિયાદીની તરફેણમાં ચુકાદો અપાવવા 10 હજારની લાંચ માગી, ACBએ ભદ્ર કોર્ટના આસિસ્ટન્ટ ક્લાર્કને ઝડપ્યો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/03/o6emLTQY8sTswwwTOeUp5L7uHf9aGKt3DsZle8SU.webp'/></item><item><title><![CDATA[Energy Drinks: સ્કૂલની 500મીટર આસપાસ નહી વેચાય 'Sting', આ રાજ્યનો મહત્વનો નિર્ણય ]]></title><link>https://sandesh.com/india/news/energy-drinks-sting-will-not-be-sold-within-500-meters-of-schools-this-is-an-important-decision-of-the-state</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/energy-drinks-sting-will-not-be-sold-within-500-meters-of-schools-this-is-an-important-decision-of-the-state</guid><pubDate>Fri, 03 Jul 2026 17:06:38 +05:30</pubDate><description><![CDATA[<p>મહારાષ્ટ્ર સરકારે બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે શાળાઓના 500 મીટરની અંદર "સ્ટિંગ" એનર્જી ડ્રિંકના વેચાણ પર પ્રતિબંધ જાહેર કર્યો છે. ખાદ્ય મંત્રી નરહરિ ઝિરવાલે વિધાનસભામાં આ જાહેરાત કરતા કહ્યું કે ટૂંક સમયમાં વિગતવાર માર્ગદર્શિકા જારી કરવામાં આવશે અને નિયમોનો કડક અમલ કરવામાં આવશે.</p><h2><b>એનર્જી ડ્રિંકનો વધી રહ્યો છે વપરાશ&nbsp;</b></h2><p>સરકાર જણાવે છે કે બાળકો અને યુવાનોમાં એનર્જી ડ્રિંકનો વપરાશ ઝડપથી વધી રહ્યો છે, જેની તેમના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પડી શકે છે. આ જ કારણ છે કે શાળાઓ નજીક સ્ટિંગના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાલન સુનિશ્ચિત કરવા માટે દેખરેખ પણ વધારવામાં આવશે.</p><h3><b>FSSAI એ ફટકારી નોટિસ&nbsp;</b></h3><p>આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે દેશની ટોચની ખાદ્ય નિયમનકારી સંસ્થા, FSSAI એ પણ એનર્જી ડ્રિંક કંપનીઓ પર કડક કાર્યવાહી શરૂ કરી છે. 1 જુલાઈના રોજ, FSSAI એ રેડ બુલ, પેપ્સિકોની એડ્રેનાલિન રશ, રિલાયન્સની કેમ્પા એનર્જી ગોલ્ડ બૂસ્ટ, સ્ટિંગ, હેલ એનર્જી અને કોકા-કોલા સમર્થિત મોન્સ્ટર એનર્જી સહિત છ મુખ્ય બ્રાન્ડ્સને નોટિસ ફટકારી હતી. આ કંપનીઓ પર તેમના ઉત્પાદનોનું ગેરમાર્ગે દોરનારું બ્રાન્ડિંગ કરવાનો અને ગ્રાહકોને ગેરમાર્ગે દોરનારા દાવા કરવાનો આરોપ છે.</p><h4><b>એનર્જી ડ્રિંક્સના દાવા પર વાંધો</b>&nbsp;</h4><p>FSSAIનું કહેવુ છે કે ભારતમાં હાલમાં એનર્જી ડ્રિંકની કોઇ સત્તાવાર ખાદ્યશ્રેણી નક્કી કરવામાં આવી નથી. તેમ છતાં કંપનીઓ તે શ્રેણી હેઠળ વેચી રહી છે. શરીર અને માઇન્ડને ઊર્જા આપનારી, ફોકસ વધારે, નબળાઇ દૂર કરે અને એનર્જી લેવલ વધારે તેવા દાવાઓ પર પણ વાંધો વ્યક્ત કર્યો છે. આ મુજબ ખાદ્ય ઉત્પાદનો માટે આ પ્રકારના સાયન્ટિફિક દાવા કાયદાને અનુરૂપ નથી.&nbsp;</p><h4><b>નિષ્ણાંતો એનર્જી ડ્રિંક્સ ગણાવે છે જોખમી&nbsp;</b></h4><p>સ્વાસ્થ્ય નિષ્ણાંતો પર લાંબા સમયથી એનર્જી ડ્રિંક્સને લઇને ચિંતા વ્યક્ત કરે છે. તેઓ કહે છે કે તેમાં રહેલુ કેફીન અને ખાંડની વધારે માત્રા શરીરને વાસ્તવિક ઉર્જા આપતી નથી. પરંતુ તે થોડા સમય માટે થાકને દબાવી દે છે. તેનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી બાળકો અને યુવાનોમાં હૃદયની સમસ્યા, ઉંઘ  ન આવવી તથા બેચેની અને અન્ય સ્વાસ્થ્ય સંબંધી જોખમ ઉભા કરી શકે છે.&nbsp;<br><a href="https://sandesh.com/astrology/news/bhakti/budh-gochar-2026-bank-balance-of-3-zodiac-signs-will-increase-mercury-will-change-its-course" target="_blank">આ પણ વાંચો-Budh Gochar 2026: 3 રાશિનું બેંક બેલેન્સ વધશે ! બુધ બદલશે ચાલ&nbsp;</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/03/L7cTk7JS7OyLM5amM8sGPPnJZDyzEe9uE6cIVfS5.webp'/></item><item><title><![CDATA[Business: જૂના કપડાંના બદલામાં ચમકતા વાસણો, ભારતનો આ બિઝનેસ બન્યો કરોડોની ગ્લોબલ ઇન્ડસ્ટ્રી ]]></title><link>https://sandesh.com/business/news/business-shiny-utensils-in-exchange-for-old-clothes-this-indigenous-business-from-india-has-now-become-a-global-industry-worth-crores</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/business-shiny-utensils-in-exchange-for-old-clothes-this-indigenous-business-from-india-has-now-become-a-global-industry-worth-crores</guid><pubDate>Fri, 03 Jul 2026 17:01:41 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય ઘરોમાં વર્ષોથી એક અનોખી પરંપરા ચાલી આવે છે, જેમાં મહિલાઓ ઘરના જૂના, ફાટેલા કે નકામા કપડાં એકઠા કરે છે અને શેરીમાં આવતા ફેરિયાઓને આપીને તેના બદલામાં સ્ટીલ કે પ્લાસ્ટિકના નવા ચમકતા વાસણો લે છે. સામાન્ય લાગતી આ દેશી પદ્ધતિ વાસ્તવમાં વેસ્ટ મેનેજમેન્ટ અને રિસાયકલિંગનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તાજેતરના અહેવાલો અનુસાર, ભારતનો આ પરંપરાગત સેકન્ડ હેન્ડ કપડાંનો વ્યવસાય હવે માત્ર શેરીઓ પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ તે કરોડો રૂપિયાના વૈશ્વિક બિઝનેસ મોડલમાં ફેરવાઈ ચૂક્યો છે.</p><h2 style="text-align: justify; "><b>કેવી રીતે કામ કરે છે આ નેટવર્ક?</b></h2><p style="text-align: justify; ">આ બિઝનેસનું નેટવર્ક અત્યંત વ્યવસ્થિત રીતે કામ કરે છે. ફેરિયાઓ ઘરોમાંથી કપડાં એકત્ર કરીને તેને મોટા વેપારીઓને વેચે છે. આ વેપારીઓ કપડાંની ગુણવત્તાના આધારે તેનું વર્ગીકરણ (Sorting) કરે છે. જે કપડાં પહેરવા લાયક અને સારી સ્થિતિમાં હોય છે, તેને સરખા કરીને, ધોઈને અને ઈસ્ત્રી કરીને ભારતના ગ્રામીણ વિસ્તારો અને ગરીબ પરિવારો સુધી ખૂબ જ સસ્તા ભાવે પહોંચાડવામાં આવે છે. આ પ્રક્રિયાથી મધ્યમ અને નીચલા વર્ગના લોકોને સસ્તા કપડાં મળી રહે છે અને કચરાનું પ્રમાણ પણ ઘટે છે.</p><h3 style="text-align: justify; "><b>પાણીપત બન્યું 'ગ્લોબલ રિસાયકલિંગ હબ'</b></h3><p style="text-align: justify; ">તમને જાણીને નવાઈ લાગશે કે જે કપડાં સાવ ફાટેલા અને પહેરવા લાયક નથી હોતા, તેને હરિયાણાના પાણીપત (Panipat) જેવા મોટા ટેક્સટાઈલ હબમાં મોકલવામાં આવે છે. પાણીપતને જૂના કપડાંના રિસાયકલિંગ માટેનું વૈશ્વિક કેન્દ્ર માનવામાં આવે છે. અહીં આ નકામા કપડાં અને ચિથરાંને મશીનો દ્વારા તોડીને ફરીથી તેમાંથી સસ્તું અને મજબૂત યાર્ન (દોરો) તૈયાર કરવામાં આવે છે. આ રિસાયકલ કરેલા દોરામાંથી સસ્તી ચાદરો, ધાબળા (Blankets), કાર્પેટ અને પગલૂછણિયાં બનાવવામાં આવે છે, જેની માંગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ આફ્રિકા અને યુરોપના દેશોમાં પણ ખૂબ વધારે છે.</p><h4 style="text-align: justify; "><b>પર્યાવરણ અને અર્થતંત્ર માટે ડબલ ફાયદો</b></h4><p style="text-align: justify; ">આ બિઝનેસ મોડલ પર્યાવરણના સંરક્ષણમાં બહુ મોટો ફાળો આપે છે. ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રી દુનિયામાં સૌથી વધુ પ્રદૂષણ ફેલાવતા સેક્ટર્સમાંની એક છે. જ્યારે જૂના કપડાં રિસાયકલ થાય છે, ત્યારે કપાસ અને પાણીનો વપરાશ ઘટે છે અને કાપડ લેન્ડફિલ (કચરાના ઢગલા)માં જતું અટકે છે. આ ઉદ્યોગ લાખો અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો, ફેરિયાઓ અને મહિલાઓને રોજગારી પૂરી પાડે છે. ભારતીયોની આ 'બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ' ની માનસિકતા આજે વૈશ્વિક સ્તરે સસ્ટેનેબલ ફેશન (Sustainable Fashion) નું આદર્શ ઉદાહરણ બની ગઈ છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/world/news/will-it-be-easier-to-shoot-down-a-drone-with-an-ak-rifle-russia-has-developed-a-new-bullet-that-splits-into-3-parts" target="_blank">આ પણ વાંચો:AK રાઇફલથી ડ્રોન તોડી પાડવું બનશે સરળ? રશિયાએ બનાવી 3 ભાગમાં વહેંચાઈ જતી નવી ગોળી</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/03/HNUnvcUAYurXw4DMqvUAyYR68L5ki7CnlEbWU3fz.webp'/></item><item><title><![CDATA[Ahmedabadમાં ANTFની મોટી સફળતા: 408 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે આરોપીઓની કરી ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/antfs-big-success-in-ahmedabad-two-accused-arrested-with-408-grams-of-mephedrone-drugs</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/antfs-big-success-in-ahmedabad-two-accused-arrested-with-408-grams-of-mephedrone-drugs</guid><pubDate>Fri, 03 Jul 2026 16:57:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદમાં નશાના કારોબાર સામે લાલઆંખ કરીને ANTF (એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ) ની ટીમે એક મોટી સફળતા મેળવી છે. ANTFની ટીમે ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવીને મેફેડ્રોન (MD) ડ્રગ્સના મોટા જથ્થા સાથે બે શખ્સોને રંગેહાથ ઝડપી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 408 ગ્રામ અને 770 મિલિગ્રામ MD ડ્રગ્સ જપ્ત કર્યું છે, જેની બજાર કિંમત અંદાજિત રૂ.12,26,331 થાય છે. એફએસએલ (FSL) ની પ્રાથમિક તપાસમાં પણ જપ્ત કરાયેલો કેમિકલ પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ જ હોવાનું સ્પષ્ટપણે સામે આવ્યું છે.</p><h2 style="text-align: justify; ">રાજસ્થાનના આરોપીઓ કારમાં લાવ્યા હતા જથ્થો</h2><p style="text-align: justify; ">પકડાયેલા આરોપીઓની ઓળખ જીતેન્દ્ર શર્મા અને રોહિત આચાર્ય તરીકે થઈ છે, જેઓ મૂળ રાજસ્થાનના રહેવાસી છે. આ બંને આરોપીઓ રાજસ્થાનથી એક એર્ટિગા કાર મારફતે ડ્રગ્સનો આ જથ્થો ઘુસાડવા માટે અમદાવાદ આવ્યા હતા. પોલીસે ડ્રગ્સના જથ્થા ઉપરાંત ગુનામાં વપરાયેલી એર્ટિગા કાર અને બે મોબાઈલ ફોન સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ બંને પેડલરો મોટા કમિશનની લાલચે ગુજરાતમાં ડ્રગ્સ સપ્લાય કરવાની હેરફેરના આ ગેરકાયદેસર નેટવર્કમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા હતા.</p><h3 style="text-align: justify; ">અમદાવાદના 'રમેશ' નામના શખ્સની શોધખોળ શરૂ</h3><p style="text-align: justify; ">પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ ડ્રગ્સ રેકેટનું સ્થાનિક કનેક્શન પણ સામે આવ્યું છે. પકડાયેલા આરોપીઓએ કબૂલાત કરી છે કે આ ડ્રગ્સનો જથ્થો અમદાવાદના જ રમેશ નામના વ્યક્તિને ડિલિવરી કરવાનો હતો. આ ખુલાસા બાદ પોલીસે બંને આરોપીઓ વિરૂદ્ધ એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં ANTFની ટીમ આ રેકેટના મુખ્ય સૂત્રધાર એવા ફરાર આરોપી રમેશની શોધખોળ કરી રહી છે અને ડ્રગ્સના આ આખા આંતરરાજ્ય નેટવર્કના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ ચલાવી રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/03/SpmmKOV2IhmXBUHRzQ79SPSJC17RFT8lZ8vFBaCI.webp'/></item><item><title><![CDATA[Sabarkantha News: ગાલોડીયા બ્રહ્માણી ધાબા નજીક બે બાઈક વચ્ચે અકસ્માત, એકનું મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/khed-brahma/sabarkantha-road-accident-two-bikes-collision</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/khed-brahma/sabarkantha-road-accident-two-bikes-collision</guid><pubDate>Fri, 03 Jul 2026 16:56:27 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા-વિજયનગર હાઇવે રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. હાઇવે પર આવેલા ગાલોડીયા બ્રહ્માણી ધાબા નજીક પૂરપાટ ઝડપે આવી રહેલા બે મોટરસાયકલ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે, ધડાકાનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>ગુજરાત અને રાજસ્થાન પાસિંગના બાઇક વચ્ચે થઈ જોરદાર ટક્કર</b></h2><p style="text-align: justify; ">મળતી વિગતો અનુસાર, અકસ્માતનો ભોગ બનેલા બંને બાઇકમાંથી એક બાઇક ગુજરાત પાસિંગનું અને બીજું બાઇક પડોશી રાજ્ય રાજસ્થાન પાસિંગનું હતું. હાઇવે પરથી પસાર થતી વખતે બંને બાઇક ચાલકોએ સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બંને બાઇક સામસામે ધડાકાભેર અથડાયા હતા. આ ભયાનક ટક્કરમાં બંને બાઇકના ફુરચેફુરચા ઊડી ગયા હતા અને રોડ પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા.</p><h2 style="text-align: justify; "><b>એકનું ઘટના સ્થળે જ મોત</b></h2><p style="text-align: justify; ">આ ગમખ્વાર અકસ્માતમાં એક બાઇક સવારને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક બાઇક સવાર પણ આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. સ્થાનિક લોકોની મદદથી ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>ખેડબ્રહ્મા પોલીસે ઘટના સ્થળે પહોંચી</b></h2><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં જ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક અકસ્માત સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ સાથે જ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી, મૃતક અને ઇજાગ્રસ્ત વ્યક્તિ કોણ છે, તેની ઓળખ મેળવવા સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ શરૂ કરી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/himatnagar/sabarkantha-primary-schools-ramdhun-prayers-for-rain" target="_blank">Sabarkantha News: ખેડૂતોના પાકના રક્ષણ અને મેઘરાજાને મનાવવા બાળકો-શિક્ષકોની અનોખી પ્રાર્થના</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/03/evz9I7s9PSin8ul4EiE9vgykHNplQwBBoiiT9wuH.webp'/></item><item><title><![CDATA[Mumbaiમાં ધોધમાર વરસાદમાં અમિતાભ બચ્ચન અને અજય દેવગનના લકઝુરિયસ બંગલામાં ભરાયા પાણી, જુઓ દ્રશ્યો ]]></title><link>https://sandesh.com/entertainment/news/india/mumbai/amitabh-bachchan-and-ajay-devgns-luxurious-bungalow-flooded-in-heavy-rains-in-mumbai-questions-raised-on-bmcs-performance</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/india/mumbai/amitabh-bachchan-and-ajay-devgns-luxurious-bungalow-flooded-in-heavy-rains-in-mumbai-questions-raised-on-bmcs-performance</guid><pubDate>Fri, 03 Jul 2026 16:40:36 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મુંબઈમાં પડેલા વિનાશક વરસાદે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત કરવાની સાથે-સાથે બોલીવુડ સ્ટાર્સની મુશ્કેલીઓ પણ વધારી દીધી છે. હાલમાં સોશિયલ મીડિયા પર મુંબઈના વરસાદના અનેક વીડિયો અને તસવીરો વાયરલ થઈ રહ્યા છે, જેમાં રસ્તાઓ દરિયામાં ફેરવાયેલા જોઈ શકાય છે. આ આફતમાંથી બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને સિંઘમ અજય દેવગનના વૈભવી બંગલા પણ બચી શક્યા નથી. બંને સ્ટાર્સના ઘરની બહાર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયાના દ્રશ્યો સામે આવ્યા છે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DaQERuQMfDn/?utm_source=ig_embed&amp;ig_rid=AYjErkZHu83-EWdgtK7kIex" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DaQERuQMfDn/?utm_source=ig_embed&amp;ig_rid=AYjErkZHu83-EWdgtK7kIex" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a></p><h3 style="text-align: justify; "><b>અમિતાભ બચ્ચનના ‘જનક’ અને અજય દેવગનના ‘શિવશક્તિ’ બહાર ભરાયા પાણી</b></h3><p style="text-align: justify; ">એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે બિગ બીના જુહુ સ્થિત આલીશાન બંગલા "જનક" ની બહારનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે કરોડો રૂપિયાની કિંમત ધરાવતો આ વૈભવી બંગલો વરસાદી પાણીથી ઘેરાઈ ગયો છે અને બહાર મૂકેલા ફૂલોના કુંડા પણ અડધાથી વધુ પાણીમાં ડૂબી ગયા છે. વીડિયો રેકોર્ડ કરનાર વ્યક્તિએ જણાવ્યું કે, "તમે જાતે જોઈ શકો છો કે મુંબઈના ભારે વરસાદની અસર એટલી ગંભીર છે કે કરોડો રૂપિયાની સેલિબ્રિટી પ્રોપર્ટીઝ પણ પાણી-પાણી થઈ ગઈ છે." અમિતાભ બચ્ચનના બંગલા ઉપરાંત, અભિનેતા અજય દેવગનના ઘર 'શિવશક્તિ' ની બહાર પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. ભારે વરસાદને કારણે રસ્તા પરથી વહેતું પાણી તેમના ઘરના પ્રવેશદ્વાર સુધી પહોંચી ગયું હતું.<br></p><div style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DaPnrg4uJsh/" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DaPnrg4uJsh/" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a></div><div style="text-align: justify;"><b style="font-size: 1.75rem;">ગંભીર સ્થિતિને પગલે રવિવારનું ‘દર્શન’ મુલતવી રહેવાની શક્યતા</b></div><p style="text-align: justify; ">નોંધનીય છે કે અમિતાભ બચ્ચનના જુહુ સ્થિત બંગલાની બહાર પાણી ભરાવાની આ પહેલી ઘટના નથી. પરંતુ આ વખતે વરસાદી આફત એવા સમયે આવી છે જ્યારે બિગ બીના રવિવારના પરંપરાગત 'દર્શન' કાર્યક્રમને ગણતરીના દિવસો જ બાકી છે. જો મુંબઈમાં આગામી દિવસોમાં પણ આ જ રીતે અવિરત વરસાદ ચાલુ રહેશે, તો સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમિતાભ બચ્ચન તેમનો આ રવિવારનો ફેન્સ મીટિંગ પ્રોગ્રામ મુલતવી રાખે તેવી પૂરેપૂરી શક્યતા છે.</p><h4 style="text-align: justify; "><b>BMCની કામગીરી પર ઉઠ્યા સવાલો, યુઝર્સે ગુસ્સો ઠાલવ્યો</b></h4><p style="text-align: justify; ">આ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ નેટીઝન્સે એશિયાના સૌથી ધનિક મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો મુંબઈના સૌથી પોશ વિસ્તારમાં રહેતા અને સૌથી વધુ ટેક્સ ચૂકવતા સેલિબ્રિટીઝના ઘરની આ હાલત હોય, તો સામાન્ય લોકોની શું દશા થતી હશે! એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું કે, "દેશના સૌથી મોટા કરદાતાઓમાંના એક એવા અમિતાભ બચ્ચનના ઘર નજીક આવી સ્થિતિ સર્જાય, તે મુંબઈની ડ્રેનેજ સિસ્ટમ પર ગંભીર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરે છે."</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/taarak-mehta-fame-shailesh-lodha-daughter-wedding-viral-video-dancing-singing-performance" target="_blank">આ પણ વાંચો : Taarak Mehta ફેમ શૈલેષ લોઢાએ પોતાની દીકરીના લગ્નમાં કર્યો જોરદાર ડાન્સ, સિંગિંગથી પણ જમાવી મહેફિલ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/03/ZJkywMtjuzE5aY619nPbRbgznJwl7x0bDceFIrQq.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026 બાદ સંન્યાસ લેશે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો? બહેન કટિયા એવિરોએ કર્યો ઘટસ્ફોટ ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/cristiano-ronaldo-to-retire-after-fifa-world-cup-2026-sister-katia-aveiro-reveals</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/cristiano-ronaldo-to-retire-after-fifa-world-cup-2026-sister-katia-aveiro-reveals</guid><pubDate>Fri, 03 Jul 2026 15:47:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify;">ફૂટબોલ ઇતિહાસના મહાન ખેલાડીઓમાંના એક ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના આંતરરાષ્ટ્રીય કારકિર્દી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે.રોનાલ્ડોની બહેન કાતિયા એવેરોએ સંકેત આપ્યો છે કે ચાલુ FIFA વર્લ્ડ કપ 2026 તેના ભાઈની પોર્ટુગીઝ રાષ્ટ્રીય ટીમ સાથેની છેલ્લી ટુર્નામેન્ટ હશે,અને તે પછી તે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેશે.મેગા-ઇવેન્ટમાં પોર્ટુગલના શાનદાર પ્રદર્શન વચ્ચે આવેલા આ સમાચારે રમતગમતની દુનિયામાં હલચલ મચાવી દીધી છે,અને તેને રોનાલ્ડોનો "છેલ્લો ડાન્સ" માનવામાં આવી રહ્યો છે.</p><h4 style="text-align: justify;"><b>રોનાલ્ડોની બહેને મોટો ખુલાસો કર્યો છે</b></h4><p style="text-align: justify;">ચાહકોને પહેલાથી જ અપેક્ષા હતી કે 41 વર્ષીય અલ-નાસર સ્ટાર આ વર્લ્ડ કપ પછી નિવૃત્તિ લેશે.જોકે તેની બહેન કાતિયાએ મીડિયા સાથે વાત કરતી વખતે આ સમાચારની પુષ્ટિ કરી હતી.જ્યાં સુધી આ સફર ચાલે છે ત્યાં સુધી તેનો આનંદ માણો.તે ખૂબ જ ટૂંક સમયમાં સમાપ્ત થઈ રહી છે,તેણીએ કહ્યું.ખૂબ જ વિશ્વસનીય સ્ત્રોત પાસેથી મને મળેલી માહિતી અનુસાર...આ રોનાલ્ડોનો 'છેલ્લો ડાન્સ' છે.</p><h4 style="text-align: justify;"><b>2030 વર્લ્ડ કપમાં જોવા મળશે</b></h4><p style="text-align: justify;">તાજેતરમાં, પોર્ટુગલના મુખ્ય કોચ રોબર્ટો માર્ટિનેઝે એક પ્રેસ કોન્ફરન્સમાં એક મોટું નિવેદન આપ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે રોનાલ્ડોની ફિટનેસને જોતાં, તે 2030 વર્લ્ડ કપમાં રમી શકે છે. જોકે, પોર્ટુગીઝ ફૂટબોલ ફેડરેશનના વડા પેડ્રો પ્રોએન્કા કોચના નિવેદન સાથે અસંમત હતા. પ્રોએન્કા માનતા હતા કે 2030 વર્લ્ડ કપમાં રોનાલ્ડોની ભાગીદારી એક મોટું આશ્ચર્ય અને અત્યંત અશક્ય હશે. હવે, રોનાલ્ડોની બહેનના આ તાજેતરના ખુલાસાએ તે આશાઓને સંપૂર્ણપણે ઠગારી ઠેરવી દીધી છે.</p><h4 style="text-align: justify;"><b>તેના કરિયારનો છઠ્ઠો વર્લ્ડ કપ</b></h4><p style="text-align: justify;">આ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો છઠ્ઠો ફિફા વર્લ્ડ કપ છે. 2006 માં પોતાનો પહેલો વર્લ્ડ કપ રમનાર રોનાલ્ડોએ દરેક આવૃત્તિમાં પોતાની છાપ છોડી છે. રોનાલ્ડો પુરુષોના આંતરરાષ્ટ્રીય ફૂટબોલના ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર અને સૌથી વધુ કેપ્ડ ખેલાડી છે. આ વખતે પણ, તેણે પોતાની ટીમને વર્લ્ડ કપ રાઉન્ડ ઓફ 16 માં લઈ ગઈ છે. તેણે તાજેતરમાં રાઉન્ડ ઓફ 32 માં ક્રોએશિયા સામે શાનદાર પેનલ્ટી સાથે વર્લ્ડ કપ નોકઆઉટ ઇતિહાસમાં પોતાનો પહેલો ગોલ કરીને લાંબી રાહનો અંત લાવ્યો.</p><p style="text-align: justify;">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/these-13-teams-will-be-in-the-finals-of-the-round-of-16-of-the-fifa-world-cup-2026-a-tough-battle-for-third-place-among-6-teams" target="_blank">FIFA World Cup 2026માં રાઉન્ડ 16માં આ 13 ટીમ ફાઈનલ, ત્રીજા સ્થાન માટે 6 ટીમ વચ્ચે ટક્કર</a></p><p style="text-align: justify;"><br></p><p style="text-align: justify;"><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/03/qJjtPYkdDNnjWAPJO2Vk0lcJgqFM98rFdC2vE7RM.webp'/></item></channel></rss>