<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા, અમિત શાહે ચાર રાજ્યોના સીએમ સાથે બેઠક યોજી ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/cm-bhupendra-patel-meets-amit-shah-in-delhi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/cm-bhupendra-patel-meets-amit-shah-in-delhi</guid><pubDate>Tue, 07 Jul 2026 22:11:08 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હીની મહત્વની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સી.આર.પાટીલ સાથે વિસ્તૃત બેઠક કરી હતી.આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય નર્મદા ડેમ સાથે જોડાયેલા વર્ષો જૂના વિવાદોનો ઉકેલ લાવવાનો હોવાની વિગતો મળી છે.દિલ્હીમાં આયોજિત આ ઉચ્ચસ્તરીય બેઠકમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન,મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં વિસ્થાપિતોના પુનર્વસન અને જમીન વિવાદ સહિતના મહત્વના મુદ્દાઓ પર તમામ રાજ્યો વચ્ચે સહમતી સધાઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>નર્મદા વિભાગમાં મોટા પાયે બદલીનો ધમધમાટ</b></h2><p style="text-align: justify; ">રાજ્યના વહીવટી માળખાને વધુ કાર્યક્ષમ બનાવવા માટે નર્મદા વિભાગમાં મોટા પાયે બદલીઓનો ધમધમાટ જોવા મળ્યો છે.વહીવટી કામગીરીને વધુ ગતિશીલ અને અસરકારક બનાવવાના ઉદ્દેશ્યથી વિભાગ દ્વારા એકસાથે 353 અધિકારીઓ અને કર્મચારીઓની બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. આ મોટા ફેરફારમાં ખાસ કરીને નાયબ કાર્યપાલક ઇજનેર અને મદદનીશ ઇજનેર કક્ષાના અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>પસંદગીના સ્થળોએ નવી નિયુક્તિ</b></h2><p style="text-align: justify; ">આ બદલી પ્રક્રિયામાં પારદર્શિતા અને કર્મચારીઓની સુવિધાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.વિભાગના અનેક અધિકારીઓને તેમની સ્વવિનંતીને ધ્યાનમાં રાખીને પસંદગીના સ્થળોએ નવી નિયુક્તિ આપવામાં આવી છે. આટલી મોટી સંખ્યામાં થયેલી બદલીઓ અને વહીવટી ફેરફારોથી આગામી સમયમાં નર્મદા વિભાગની કામગીરીમાં નવો ઉત્સાહ અને કાર્યક્ષમતા જોવા મળે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/prantij/heavy-rain-floods-prantij-and-meghraj" target="_blank">આ પણ વાંચોઃ Sabarkantha Rain: પ્રાંતિજ અને મેઘરજમાં બારે મેગ ખાંગા, વરસાદી પાણી ભરાઈ જતાં વેપાર ધંધાને માઠી અસર પહોંચી</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/sOi4hgFgDoFC01ZZUyfgZoMGU6fvpSfWcM9d858c.webp'/></item><item><title><![CDATA[Delhi Riots Case : IB અધિકારી અંકિત શર્મા હત્યા કેસમાં કોર્ટ 13 જુલાઈએ આપશે ચુકાદો ]]></title><link>https://sandesh.com/india/news/delhi-riots-case-ankit-sharma-murder-verdict-july-13</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/delhi-riots-case-ankit-sharma-murder-verdict-july-13</guid><pubDate>Tue, 07 Jul 2026 21:55:21 +05:30</pubDate><description><![CDATA[<p>વર્ષ 2020ના દિલ્હી રમખાણ દરમિયાન થયેલા ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)ના અધિકારી અંકિત શર્માની હત્યા કેસમાં હવે 13 જુલાઈએ મહત્વપૂર્ણ ચુકાદો આવશે. દિલ્હીની કડકડડૂમા કોર્ટે આ કેસમાં પોતાનો નિર્ણય હાલ માટે મુલતવી રાખ્યો છે અને હવે 13 જુલાઈએ ચુકાદો સંભળાવવાની જાહેરાત કરી છે.</p><h2><b>તાહિર હુસૈન સહિતના આરોપીઓ સામે ટ્રાયલો ચાલુ</b></h2><p>આ કેસમાં આમ આદમી પાર્ટીના પૂર્વ MCD કાઉન્સિલર તાહિર હુસૈન સહિત કુલ 11 આરોપીઓ સામે ટ્રાયલ ચાલી રહ્યો છે. તમામ આરોપીઓ પર 2020ના દિલ્હી રમખાણ દરમિયાન અંકિત શર્માની હત્યામાં સંડોવણી હોવાનો આરોપ છે. આ કેસની સુનાવણી પૂર્ણ થયા બાદ કોર્ટે અગાઉ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો, પરંતુ હવે ચુકાદાની તારીખ આગળ વધારી દેવામાં આવી છે.</p><h3><b>તપાસ એજન્સીઓએ અનેક પુરાવા એકત્ર કર્યા&nbsp;</b></h3><p>અંકિત શર્માની હત્યા કેસ દિલ્હીના 2020ના સાંપ્રદાયિક રમખાણો સાથે જોડાયેલા સૌથી ચર્ચિત કેસોમાંનો એક છે. આ કેસમાં તપાસ એજન્સીઓએ અનેક પુરાવા અને સાક્ષીઓના આધારે આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. તાહિર હુસૈન સામે પણ ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે, જેને લઈને સમગ્ર દેશનું ધ્યાન આ કેસ પર કેન્દ્રિત છે.</p><h4><b>કોર્ટના નિર્ણય પર લોકોની નજર&nbsp;</b></h4><p>હવે 13 જુલાઈએ કોર્ટ શું નિર્ણય આપે છે તેના પર તમામની નજર રહેશે. ખાસ કરીને તાહિર હુસૈન સહિતના આરોપીઓ માટે આ ચુકાદો અત્યંત મહત્વનો સાબિત થઈ શકે છે. જો કોર્ટ આરોપોને યોગ્ય ગણશે તો આરોપીઓની મુશ્કેલીઓ વધી શકે છે, જ્યારે બચાવ પક્ષ પણ પોતાનો પક્ષ મજબૂતીથી રજૂ કરી રહ્યો છે. આથી આવનારો નિર્ણય દિલ્હી રમખાણો સાથે જોડાયેલા મહત્વના કેસોમાં એક મહત્વપૂર્ણ કાનૂની માઈલસ્ટોન બની શકે છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/tamilnadu-cm-vijay-tasmac-employees-salary-hike-25-percent" target="_blank">આ પણ વાંચો : Tamilnadu : CM વિજયનો મોટો નિર્ણય, દારૂની દુકાનમાં કામ કરતા કર્મચારીઓના વેતનમાં કર્યો અધધધ 25 ટકાનો વધારો</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/wqTd9x4JbSgaGof8WnQksXYAHaeQetfYAjoR9vL7.webp'/></item><item><title><![CDATA[Kheda-મહેમદાવાદ રોડ પર લોડિંગ રિક્ષા અને આઈસર વચ્ચેના અકસ્માતમાં એક જ પરિવારના 2ના મોત, 5 ગંભીર ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kheda/2-of-the-same-family-killed-5-seriously-injured-in-accident-between-loading-rickshaw-and-ice-cream-truck-on-kheda-mehmedabad-road</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kheda/2-of-the-same-family-killed-5-seriously-injured-in-accident-between-loading-rickshaw-and-ice-cream-truck-on-kheda-mehmedabad-road</guid><pubDate>Tue, 07 Jul 2026 21:47:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ખેડા-મહેમદાવાદ હાઈવે પર એક હૃદયદ્રાવક અને અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી વિગતો અનુસાર, એક જ પરિવારના સાત સભ્યો લોડિંગ રિક્ષામાં બેસીને ખુશી-ખુશી એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. આ દરમિયાન મહેમદાવાદથી ખેડા તરફ જઈ રહેલી એક લોડિંગ રિક્ષા અને ખેડાથી મહેમદાવાદ તરફ આવી રહેલી સીએનજી ગેસના સિલિન્ડરો ભરેલી એક આઈસર ગાડી વચ્ચે મકતુપુર નજીક હાઈવે પર ભયંકર ધડાકાભેર અથડામણ થઈ હતી.</p><h2 style="text-align: justify; ">મહિલા અને પુરુષનું ઘટનાસ્થળે જ મોત</h2><p style="text-align: justify; ">આ ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષાના કુરચે-કુરચા ઊડી ગયા હતા અને રિક્ષામાં સવાર એક અજાણી મહિલા તથા એક પુરુષનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું કરુણ મોત નીપજ્યું હતું. આ સિવાય પરિવારના અન્ય પાંચ સભ્યોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ લોહીલુહાણ હાલતમાં ચીસાચીસ કરી મૂકી હતી. અકસ્માતનો ભયાનક અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને રિક્ષામાંથી બહાર કાઢ્યા હતા.</p><h3 style="text-align: justify; ">હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની સારવાર શરૂ કરાઈ</h3><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં જ ખેડા ટાઉન પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે હાઈવે પર જામ થયેલો ટ્રાફિક હળવો કરાવીને તમામ પાંચેય ગંભીર ઈજાગ્રસ્તોને ત્વરિત સારવાર અર્થે ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. બીજી તરફ, પોલીસે બંને મૃતકોના શવને કાયદેસરના પોસ્ટમોર્ટમ માટે સિવિલ મોકલી આપીને અકસ્માતનો ભયાનક ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ગોઝારી ઘટનાને પગલે ભોગ બનનાર પરિવારમાં ભારે કુરંદ અને શોકનું મોજું ફરી વળ્યું છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/4T2h8lhAKJ5VK4fc7biL4Hb97ar3MySFCYT8enaW.webp'/></item><item><title><![CDATA[India: આજકાલ છોકરા છોકરીઓ ભાગે પછી છોકરીઓ ગર્ભવતી થાય, હું પ્રેમની વિરોધી નથી: UPના રાજ્યપાલ આનંદીબેન ]]></title><link>https://sandesh.com/india/news/anandiben-patel-on-love-marriage-become-self-reliant-before-marriage</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/anandiben-patel-on-love-marriage-become-self-reliant-before-marriage</guid><pubDate>Tue, 07 Jul 2026 21:22:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે એકેટીયુ (AKTU) દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી.સિદ્ધિખેડા બાલિકા ગૃહની ચર્ચા કરતા તેમણે કહ્યું કે, આજકાલ છોકરા છોકરીઓ પહેલા ભાગી જાય છે.ત્યારબાદ છોકરીઓ અભ્યાસ દરમિયાન જ પ્રેગ્નન્ટ થઈ જાય છે અને આવા બાળકો પછી સરકારના ભરોસે થઈ જાય છે.તેમને કોઈ સ્વીકારતું નથી અને તેઓ બાલગૃહમાં મોકલી દેવામાં આવે છે.તેમણે કહ્યું કે આ આજના યુવાનોનું પરાક્રમ છે પણ આવું  ન કરો.</p><h2 style="text-align: justify; "><b>આત્મનિર્ભર થવા સુધી લગ્ન ન કરો</b></h2><p style="text-align: justify; ">તેમણે આગળ કહ્યું, મારો દીકરો પણ બેંગ્લોર ભણવા ગયો હતો.મેં તેને કહ્યું હતું કે જો કોઈ છોકરી પસંદ હોય તો જણાવજે હું લગ્ન કરાવી દઈશ.જોકે તેણે એવું કર્યું નહીં.તમને કોઈ પસંદ આવે તો પહેલા આત્મનિર્ભર બનો પછી તેની સાથે લગ્ન કરો.હું લવ મેરેજની વિરોધી નથી.પરંતુ આત્મનિર્ભર થવા સુધી લગ્ન ન કરો અને કંઈ ખોટું ન કરો. તેમણે આંગણવાડી, સ્કૂલ-કોલેજો અને યુનિવર્સિટીઓમાં થઈ રહેલા નિર્માણ કાર્યની ડિઝાઇન અને ઉપયોગિતા પર પણ મોટા સવાલો ઉઠાવ્યા હતા.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>યુનિવર્સિટીમાં નિર્માણ કાર્યોને જોઈને નિરાશા થાય છે</b></h3><p style="text-align: justify; ">તેમણે કહ્યું,અહીં થતા નિર્માણ કાર્યોને જોઈને નિરાશા થાય છે.લાઇટ ચાલુ કરવાનું બોર્ડ રૂમની વચ્ચે લગાવેલું હોય છે.આંગણવાડીમાં પીવાના પાણીના નળ એટલા ઊંચા છે કે બાળકો ત્યાં પહોંચી શકતા નથી.ટોઇલેટ પણ એટલા ઊંચા છે કે બાળકો ઉપયોગ કરી શકતા નથી. નિર્માણ કરનારાઓની ડિગ્રી નકલી તો નથી ને? તેમણે કડક સૂચના આપી કે નિર્માણમાં ગુણવત્તાની સાથે ઉપયોગિતાનું પણ ધ્યાન રાખો.રાજ્યપાલે જણાવ્યું કે આજે મેડલ મેળવનારાઓમાં એકેટીયુના 16, સરકારી કોલેજના 17 અને ખાનગી કોલેજના 49 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/prantij/heavy-rain-floods-prantij-and-meghraj" target="_blank">આ પણ વાંચોઃ Sabarkantha Rain: પ્રાંતિજ અને મેઘરજમાં બારે મેગ ખાંગા, વરસાદી પાણી ભરાઈ જતાં વેપાર ધંધાને માઠી અસર પહોંચી</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/4iobyY3OmSkVizJOtH3FIOt6lQe1EVswZkbfn1YC.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: રિવરફ્રન્ટ પર એકસાથે ત્રણ મૃતદેહો મળી આવતા પોલીસ દોડતી થઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/three-bodies-found-at-sabarmati-riverfront</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/three-bodies-found-at-sabarmati-riverfront</guid><pubDate>Tue, 07 Jul 2026 21:04:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર એકસાથે ત્રણ મૃતદેહો મળી આવતા શહેરમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. રિવરફ્રન્ટના દધીચિ બ્રિજ, અટલ બ્રિજ અને સરદાર બ્રિજ પાસેથી આ મૃતદેહો મળી આવ્યા હતા. આ ત્રણેય ઘટનાઓ સંદર્ભે પોલીસે હાલ અકસ્માત મોત (AD) નો ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. એક જ દિવસમાં ત્રણ મૃતદેહો મળવાથી સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉભા થયા છે.</p><h2 style="text-align: justify; "><b>કનૈયા તેના મિત્રનો જન્મદિવસ ઉજવીને ઘરે જતો હતો</b></h2><p style="text-align: justify; ">મૃતકો પૈકી એકની ઓળખ મણિનગર વિસ્તારના 17 વર્ષીય યુવાન કનૈયા પ્રજાપતિ તરીકે થઈ છે, જેનો મૃતદેહ પાલડી વિસ્તાર પાસેથી મળી આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, કનૈયા તેના મિત્રનો જન્મદિવસ ઉજવીને ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારબાદ તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. તે દોઢ દિવસથી ઘરે પરત ન ફરતા પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી અને ખોખરા પોલીસ સ્ટેશનમાં ગેરહાજર હોવા અંગેની અરજી પણ નોંધાવી હતી.</p><h2 style="text-align: justify; "><b>સાબરમતી વેસ્ટ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ શરૂ</b></h2><p style="text-align: justify; ">આ સમગ્ર મામલે સાબરમતી વેસ્ટ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને અન્ય બે મૃતકોની ઓળખ કરવા તથા આ આખી ઘટના પાછળનું ચોક્કસ કારણ શું છે, તે જાણવા માટે તજવીજ હાથ ધરી છે. યુવાનના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે, ત્યારે પોલીસ હવે સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ પુરાવાઓ દ્વારા સત્ય સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/prantij/heavy-rain-floods-prantij-and-meghraj" target="_blank">આ પણ વાંચોઃ Sabarkantha Rain: પ્રાંતિજ અને મેઘરજમાં બારે મેગ ખાંગા, વરસાદી પાણી ભરાઈ જતાં વેપાર ધંધાને માઠી અસર પહોંચી</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/Gbu5AIHBEfZ38dHPJEdnNb26UIExVFufyek1HPXh.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના GMDC ગ્રાઉન્ડની પાછળ ચાલુ કારે બહાર લટકીને સિગારેટ પીતા સગીરનો વીડિયો થયો વાયરલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/video-of-a-minor-hanging-out-of-a-moving-car-behind-gmdc-ground-in-ahmedabad-and-smoking-a-cigarette-goes-viral</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/video-of-a-minor-hanging-out-of-a-moving-car-behind-gmdc-ground-in-ahmedabad-and-smoking-a-cigarette-goes-viral</guid><pubDate>Tue, 07 Jul 2026 20:34:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરના રસ્તાઓ પર વધુ એક વખત નબીરાઓ અને સ્ટંટબાજોનો આતંક સામે આવતા ચકચાર મચી ગઈ છે. શહેરના પ્રખ્યાત જીએમડીસી (GMDC) ગ્રાઉન્ડની પાછળના રોડ પર એક કારચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે ગાડી હંકારીને ત્યાંથી પસાર થતા નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. આ કારચાલકે હદ વટાવીને ચાલુ ગાડીએ દરવાજો ખુલ્લો રાખી બહાર લટકીને સિગારેટના દમ માર્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.</p><h2 style="text-align: justify; "><b>ટ્રાફિક પોલીસે ચાલક વિરુદ્ધ તપાસ તેજ કરી</b></h2><p style="text-align: justify; ">સોશિયલ મીડિયા પર આ જોખમી સ્ટંટનો વીડિયો વ્યાપકપણે વાયરલ થતાં જ અમદાવાદની એ ડિવિઝન ટ્રાફિક પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. પોલીસે વીડિયોના આધારે તપાસ કરીને કાર ચલાવનાર સગીર વયના ચાલકની ઓળખ કરી લીધી છે. સગીર ચાલક પાસે કોઈ કાયદેસરનું લાયસન્સ ન હોવા છતાં જાહેરમાં આવા સ્ટંટ કરવા બદલ પોલીસે તેની સામે ટ્રાફિકના નિયમોના ભંગ અને જાહેર જનતાનો જીવ જોખમમાં મૂકવા અંગે ગુનો દાખલ કર્યો છે.</p><h3 style="text-align: justify; "><b>કાર માલિક સામે પણ કાયદાકીય સકંજો કસાયો</b></h3><p style="text-align: justify; ">ટ્રાફિક પોલીસે આ મામલે માત્ર સગીર ચાલક જ નહીં, પરંતુ તેને આ વૈભવી ગાડી આપનાર કાર રેન્ટલ કંપનીના માલિક વિરુદ્ધ પણ કડક સકંજો કસીને ગુનો નોંધી લીધો છે. લાયસન્સ વગરના સગીરને જોખમી ડ્રાઇવિંગ માટે વાહન આપવા બદલ કાર માલિક સામે પણ કાયદાકીય કાર્યવાહી શરૂ કરાતા અન્ય વાહન માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ટ્રાફિક પોલીસ આગામી દિવસોમાં આવા નબીરાઓ સામે ડ્રાઇવ યોજીને વધુ કડક પગલાં ભરે તેવી લોકમાગ ઉઠી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/Pi2l4Nt9qaYpzgrOIwg3nPIivrZQmX1LjVUcPeMO.webp'/></item><item><title><![CDATA[Gujarat Dam level: ભારે વરસાદથી જળાશયો છલકાયા, 11 ડેમ હાઈ એલર્ટ પર, વાંચો લીસ્ટ ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/11-dams-on-high-alert-as-heavy-rain-boosts-reservoir-water-levels</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/11-dams-on-high-alert-as-heavy-rain-boosts-reservoir-water-levels</guid><pubDate>Tue, 07 Jul 2026 19:22:50 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે જ જળાશયોમાં પાણીની આવક વધતા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.હાલની સ્થિતિએ રાજ્યના 11 ડેમ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.જ્યારે 3 ડેમ માટે એલર્ટ અને અન્ય 11 ડેમ માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે.જળાશયોની વિગતવાર સ્થિતિ જોતા રાજ્યના 5 ડેમમાં પાણીનો જથ્થો 100 ટકાથી પણ વધી ગયો છે.જ્યારે 17 ડેમમાં 70 ટકા કરતા વધુ પાણીનો સંગ્રહ થયો છે.રાજ્યના કુલ 206 ડેમોમાં હાલ 2,25,126 MCFT પાણી જમા છે જે કુલ સંગ્રહ ક્ષમતાના 40.35 ટકા જેટલું છે.</p><p style="text-align: justify; "><img alt="ડેમ" src="https://epapercdn.sandesh.com/images/2026/07/07/rLNGnayhHzo96NQ3zQXeGBqDuC8B52GBMs4agUwT.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>સિંચાઈ વિભાગ દ્વારા સતત મોનિટરિંગ</b></h2><p style="text-align: justify; ">રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પણ પાણીની આવક સતત જળવાયેલી છે. હાલમાં આ ડેમની જળ સપાટી 454.98 ફૂટ પર પહોંચી છે. ડેમમાં કુલ 2,17,168 mcft પાણીનો સંગ્રહ થયો છે, જે તેની કુલ ક્ષમતાના 65.01 ટકા જેટલો છે. ડેમમાં પાણીની આવક 10,645.5 ક્યુસેક છે, જેની સામે 618.5 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જળસ્તરમાં થતા આ વધારાને પગલે સિંચાઈ વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>સાવચેત રહેવા માટે સ્થાનિકોને અપીલ</b></h2><p style="text-align: justify; ">વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે. ખાસ કરીને હાઈ એલર્ટ પર રહેલા ડેમોના ઉપરવાસમાં થઈ રહેલા વરસાદને કારણે પાણીની આવકમાં થતા વધારાને જોતા સુરક્ષાના તમામ માપદંડો ચકાસવામાં આવી રહ્યા છે. તંત્ર દ્વારા નદીના પટમાં ન જવા માટે અને સાવચેત રહેવા માટે સ્થાનિકોને અપીલ કરવામાં આવી છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય સ્થિતિને ટાળી શકાય.<br><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/prantij/heavy-rain-floods-prantij-and-meghraj" target="_blank">આ પણ વાંચોઃ Sabarkantha Rain: પ્રાંતિજ અને મેઘરજમાં બારે મેગ ખાંગા, વરસાદી પાણી ભરાઈ જતાં વેપાર ધંધાને માઠી અસર પહોંચી</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/qEsZuNaAGowIBjMq1ZLlDZ6sZOwtn4yMVYb3MXCE.webp'/></item><item><title><![CDATA[Kusumgar IPO : 8 જુલાઈથી ખુલશે કુસુમગરનો 650 કરોડનો IPO, ગ્રે-માર્કેટમાં શેરને મળ્યો જોરદાર પ્રતિસાદ ]]></title><link>https://sandesh.com/business/news/kusumgar-ipo-650-crore-opens-july-8-grey-market-response</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/kusumgar-ipo-650-crore-opens-july-8-grey-market-response</guid><pubDate>Tue, 07 Jul 2026 18:53:39 +05:30</pubDate><description><![CDATA[<p>શેરબજારમાં રોકાણ કરીને નફો કમાવાની તક શોધી રહેલા રોકાણકારો માટે કુસુમગર કંપનીનો IPO ટૂંક સમયમાં ખુલવા જઈ રહ્યો છે. ઈજનેર્ડ ફેબ્રિક બનાવતી આ અગ્રણી કંપનીનો ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) 8 જુલાઈથી સબ્સક્રિપ્શન માટે ખુલશે અને રોકાણકારો 10 જુલાઈ સુધી તેમાં અરજી કરી શકશે.</p><h2><b>કેટલું રોકાણ કરવું પડશે?</b></h2><p>કંપનીના IPOમાં શેરનું પ્રાઈસ બેન્ડ ₹398થી ₹419 પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યું છે. એક લોટમાં 35 શેર સામેલ છે, એટલે કે રિટેલ રોકાણકારને એક લોટ માટે ઓછામાં ઓછું ₹14,665નું રોકાણ કરવું પડશે. IPOમાં સફળ રોકાણકારોના ડીમેટ ખાતામાં 14 જુલાઈએ શેર જમા થશે, જ્યારે કંપનીના શેર 15 જુલાઈએ BSE અને NSE પર લિસ્ટ થવાની સંભાવના છે.</p><h3><b>ગ્રે માર્કેટમાં શેર પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે&nbsp;</b></h3><p>કુસુમગરનો આ ₹650 કરોડનો IPO સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (OFS) છે. એટલે કે કંપની નવા ભંડોળ એકત્ર કરી રહી નથી, પરંતુ હાલના પ્રમોટર્સ પોતાની ભાગીદારીના શેર વેચી રહ્યા છે. IPOથી મળનારી રકમ સીધી શેર વેચનારા પ્રમોટર્સને મળશે. ગ્રે માર્કેટમાં કંપનીના શેરને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 7 જુલાઈ સુધી શેર લગભગ ₹166ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. જો આ સ્થિતિ લિસ્ટિંગ સુધી યથાવત રહે તો શેર અંદાજે 39 ટકાના પ્રીમિયમ સાથે બજારમાં પ્રવેશી શકે છે. આ મુજબ એક લોટ પર રોકાણકારોને આશરે ₹5,810 સુધીનો નફો મળી શકે છે. જોકે ગ્રે માર્કેટ પ્રીમિયમ માત્ર એક અંદાજ છે અને તેમાં બજારની સ્થિતિ પ્રમાણે ફેરફાર થઈ શકે છે.</p><h4><b>શું કરે છે કંપની?</b></h4><p>કુસુમગર ઉચ્ચ ગુણવત્તાવાળા ઈજનેર્ડ ફેબ્રિકનું ઉત્પાદન કરે છે. કંપનીના ઉત્પાદનો એરોસ્પેસ, ડિફેન્સ, ઓટોમોબાઈલ, ઈન્ડસ્ટ્રિયલ, આઉટડોર અને લાઈફસ્ટાઈલ જેવા વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગમાં લેવાય છે. કંપનીનો મજબૂત ગ્રાહક આધાર તેને બજારમાં મહત્વપૂર્ણ સ્થાન અપાવે છે.</p><p><b><a href="https://sandesh.com/business/news/india/defense-production-india-record-rs-1-78-lakh-crore-fy2025-26" target="_blank">આ પણ વાંચો : Defense Production : રક્ષા ક્ષેત્રે આત્મનિર્ભર ભારતને વેગ, ઉત્પાદન રૂપિયા 1.78 લાખ કરોડને પાર</a></b></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/2TeIh5xQAAIGZ9TMnqIOFMahuhAaV2nC68oSzXWb.webp'/></item><item><title><![CDATA[Pop singer ટેલર સ્વિફ્ટ ના શાહી લગ્ન, મહેમોનોને આપી કરોડોની ભેટ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/pop-singer-taylor-swifts-royal-wedding-gifts-worth-crores-given-to-guests</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/pop-singer-taylor-swifts-royal-wedding-gifts-worth-crores-given-to-guests</guid><pubDate>Tue, 07 Jul 2026 18:18:12 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વિશ્વપ્રસિદ્ધ પોપ ગાયિકા ટેલર સ્વિફ્ટ અને જાણીતા ફૂટબોલર ટ્રેવિસ કેલ્સના લગ્ન હાલ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યા છે. આ દંપતીની સંયુક્ત સંપત્તિ ૨ બિલિયન ડોલરથી વધુ છે, ત્યારે તેમના લગ્ન કોઈ સામાન્ય સમારોહ ન રહેતા એક ઐતિહાસિક અને અત્યંત ભવ્ય ઘટના બની ગયા હતા. 3 જુલાઈના રોજ ન્યૂ યોર્કના પ્રતિષ્ઠિત મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે યોજાયેલા આ લગ્નમાં આશરે 475  કરોડ રૂપિયા (50 મિલિયન ડોલર) જેટલો જંગી ખર્ચ કરવામાં આવ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>&nbsp;1000  જેટલા દિગ્ગજ મહેમાનોએ આપી હતી હાજરી</b></h2><p style="text-align: justify; ">આ લગ્નમાં વિશ્વભરમાંથી આશરે 1000  જેટલા દિગ્ગજ મહેમાનો અને સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. જેમાં સ્ટીવન સ્પીલબર્ગ, રેપર જે-ઝેડ, ગીગી હદીદ, સેલેના ગોમેઝ અને એડ શીરન જેવા પ્રખ્યાત નામ સામેલ હતા. આ ભવ્યતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે લગ્નના આયોજન માટે મેડિસન સ્ક્વેર ગાર્ડન આસપાસના રસ્તાઓ ત્રણ દિવસ સુધી બંધ રાખવામાં આવ્યા હતા, જેનો એક દિવસનો ખર્ચ જ 66,000 ડોલર જેટલો હતો.</p><h3 style="text-align: justify; "><b>કરોડોની મોંધી ગિફ્ટ્સ આપવામાં આવી</b></h3><p style="text-align: justify; ">આ લગ્નની સૌથી વધુ ચર્ચા તેમના દ્વારા આપવામાં આવેલી ભેટોની થઈ રહી છે. લગ્ન સમારોહમાં મહેમાનો માટે ખાસ લોટરી ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાગ્યશાળી વિજેતા મહેમાનોને જે ઇનામો આપવામાં આવ્યા હતા તે ચોંકાવનારા છે. તેમાં કરોડોની કિંમતની લક્ઝરી કાર્ટિયર ઘડિયાળો, મોંઘી ડિઝાઇનર હેન્ડબેગ્સ અને સૌથી આકર્ષક ભેટ તરીકે 1970 ની વિન્ટેજ 'શેવરોલે શેવેલ' કારનો સમાવેશ થાય છે, જેમાં ખાસ "જસ્ટ એન્ડ ટી એમઆરડી" (Just &amp; TMRD) લખેલી લાયસન્સ પ્લેટ લગાવવામાં આવી હતી. જોકે, આ ભવ્ય ભેટો કયા નસીબદાર મહેમાનોને મળી તે રહસ્ય હજુ અકબંધ છે.</p><h4 style="text-align: justify; "><b>સોશિયલ મીડિયા પર ગિફ્ટ્સની ચર્ચાઓ&nbsp;</b></h4><p style="text-align: justify; ">સામાન્ય વર્ગ માટે લગ્નનું બજેટ હંમેશા એક પડકાર હોય છે, પરંતુ સ્વિફ્ટ અને કેલ્સના આ શાહી લગ્ને લક્ઝરી અને ભવ્યતાની નવી વ્યાખ્યા સ્થાપિત કરી છે. આ લગ્ન માત્ર તેમના જીવનની નવી શરૂઆત જ નહીં, પરંતુ એક વૈશ્વિક મનોરંજન ઘટના બની ગઈ છે. સોશિયલ મીડિયા પર ચાહકો આ લગ્નની તસવીરો અને ભેટોની ચર્ચા કરી રહ્યા છે, જે આગામી ઘણા સમય સુધી ચર્ચામાં રહેશે. ટેલર સ્વિફ્ટની આ શૈલીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તે જ્યારે કંઈ પણ કરે છે, ત્યારે તે હંમેશા ભવ્ય અને યાદગાર જ હોય છે.<br><br><b><a href="https://sandesh.com/lifestyle/news/world/video-a-place-in-the-world-where-a-stream-of-blood-flows-you-will-be-shocked-to-know-the-reason" target="_blank">આ પણ વાંચોઃ VIDEO: દુનિયાની એક એવી જગ્યા જ્યાં વહે છે લોહીનું ઝરણું, કારણ જાણીને ચોંકી ઉઠશો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/hanW9B4sIF6ZT02YH4nBRLTYU6D1yibyHXQfRvCQ.webp'/></item><item><title><![CDATA[Kylian Mbappeને કોણે આપી લીગલ એક્શનની ધમકી, જાણો શું છે આખો વિવાદ ]]></title><link>https://sandesh.com/sports/news/who-threatened-kylian-mbappe-with-legal-action-know-what-the-whole-controversy-is-about</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/who-threatened-kylian-mbappe-with-legal-action-know-what-the-whole-controversy-is-about</guid><pubDate>Tue, 07 Jul 2026 12:41:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફૂટબોલ વર્લ્ડ કપની રોમાંચક મેચો બાદ હવે મેદાનની બહાર પણ એક મોટો વિવાદ છેડાયો છે.ફ્રાન્સના સ્ટાર ફૂટબોલર અને કેપ્ટન કાઈલિયન એમ્બાપ્પે (Kylian Mbappe) અને પરાગ્વેના મહિલા સીનેટર સેલેસ્ટે અમરિલા (Celeste Amarilla) સામસામે આવી ગયા છે. આ વિવાદ એટલો વધી ગયો છે કે પરાગ્વેના સીનેટરે એમ્બાપ્પે સામે કાનૂની પગલાં લેવાની અને જેન્ડર વાયોલન્સનો કેસ કરવાની ધમકી આપી દીધી છે.</p><h3 style="text-align: justify; "><b>વિવાદની શરૂઆત કેવી રીતે થઈ?</b></h3><p style="text-align: justify; ">આ સમગ્ર વિવાદની શરૂઆત વર્લ્ડ કપના રાઉન્ડ ઓફ 16ની મેચમાં ફ્રાન્સની પરાગ્વે સામેની જીત બાદ થઈ હતી. મેચ પછી પરાગ્વેના સીનેટર સેલેસ્ટે અમરિલાએ એમ્બાપ્પે પર આકરા પ્રહારો કરતા તેને કોલોનાઇઝ્ડ કેમરૂનિયન અને ફ્રેન્ચ હોવાનો ડોળ કરનારો,ઘમંડી,નવો અમીર અને કદરૂપો કહ્યો હતો.અમરિલાએ એવો પણ દાવો કર્યો હતો કે આખી મેચ દરમિયાન એમ્બાપ્પે અને તેની ટીમ ડરેલી હતી.</p><h4 style="text-align: justify; "><b>એમ્બાપ્પેનો પલટવાર</b></h4><p style="text-align: justify; ">સીનેટરની આ નસ્લવાદી (Racist) ટિપ્પણી પર એમ્બાપ્પેએ આકરા શબ્દોમાં વળતો પ્રહાર કર્યો હતો.એમ્બાપ્પેએ અમરિલાને ઘૃણાસ્પદ મહિલા ગણાવીને કહ્યું કે તમે આ પદ માટે લાયક નથી.તમે પરાગ્વેનું પ્રતિનિધિત્વ નથી કરતા,કારણ કે તે દેશે આખા ટૂર્નામેન્ટમાં જુસ્સા અને સન્માન સાથે રમત બતાવી છે. તમારા ખુલ્લેઆમ નસ્લવાદને કારણે દુનિયા પરાગ્વેના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન ભૂલી ગઈ છે અને તમારા જેવી અયોગ્ય મહિલાની છબી સામે આવી છે.હું દુનિયામાં નફરત ફેલાવવાની આઝાદી કોઈને નહીં આપું.</p><p style="text-align: justify; "><a href="https://x.com/CelesteSenadora/status/2074328338580025478?s=20" target="_blank">https://x.com/CelesteSenadora/status/2074328338580025478?s=20</a></p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>સીનેટર અમરિલાનો બચાવ અને એમ્બાપ્પે સામે નારાજગી</b></h4><p style="text-align: justify; ">એમ્બાપ્પેના જવાબ પછી, સીનેટર અમરિલાએ સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શેર કરીને પોતાનો બચાવ કર્યો હતો.તેમણે સ્પષ્ટતા કરી કે તેમને ફ્રાન્સ દેશ સામે કોઈ વાંધો નથી,પરંતુ સમસ્યા માત્ર એમ્બાપ્પેના ઘમંડ સામે છે.અમરિલાએ લખ્યું,સમસ્યા તમારી અને મારી વચ્ચે છે.મેં ફ્રાન્સ સામે ક્યારેય કંઈ નથી કહ્યું.હું તો નાનપણથી ફ્રેન્ચ સ્કૂલમાં ભણી છું,ફ્રેન્ચ બોલું છું અને ફ્રાન્સમાં રજાઓ ગાળવી મને ગમે છે.તેમણે એમ્બાપ્પે પર આરોપ લગાવ્યો કે મેચ પહેલા એમ્બાપ્પેએ પરાગ્વેની ટીમની મજાક ઉડાવી હતી,જેના કારણે ગુસ્સામાં આવીને તેમણે એ પોસ્ટ લખી હતી,જોકે બાદમાં તેમણે એ પોસ્ટ ડીલીટ પણ કરી દીધી હતી.</p><h4 style="text-align: justify; "><b>લૈંગિક હિંસાનો આરોપ અને કાનૂની ધમકી</b></h4><p style="text-align: justify; ">અમરિલાએ હવે એમ્બાપ્પે પાસે સાર્વજનિક માફીની માંગ કરી છે.તેમણે કહ્યું કે,તમે મને ઓળખતા નથી,તો તમે મને ઘટિયા કે નાકાબિલ કેવી રીતે કહી શકો? હું પરાગ્વેના હજારો લોકોના વોટથી ચૂંટાયેલી સીનેટર છું. આ સીધેસીધી લૈંગિક હિંસા અને રાજકીય હિંસા છે. તમે એક મહિલા હોવાના કારણે મારી નફરત કરી રહ્યા છો.સીનેટર અમરિલાએ અંતમાં ચીમકી આપતા લખ્યું છે કે,એમ્બાપ્પે પોતાનું નિવેદન પાછું ખેંચે અને માફી માંગે,નહીંતર તેઓ આ લૈંગિક હિંસા બદલ ફ્રેન્ચ કેપ્ટન સામે કાનૂની કાર્યવાહી કરશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-spain-scores-last-minute-goal-to-beat-portugal-1-0" target="_blank">FIFA World Cup 2026 : સ્પેને છેલ્લી ઘડીએ ગોલ કરીને પોર્ટુગલને 1-0 થી હરાવ્યું</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/NCPUH7Mzda99BfUaXviZRkXFXe4pAvn7k39ep8KW.webp'/></item></channel></rss>