<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Indore Fire : ઇલેક્ટ્રિક વાહનોના શોરૂમમાં ભીષણ આગ, લાકડાની સીડીથી લોકોનું રેસ્ક્યૂ ]]></title><link>https://sandesh.com/india/news/indore-fire-massive-fire-breaks-out-in-electric-vehicle-showroom-people-rescued-using-wooden-ladders</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/indore-fire-massive-fire-breaks-out-in-electric-vehicle-showroom-people-rescued-using-wooden-ladders</guid><pubDate>Fri, 05 Jun 2026 12:27:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">શહેરના પૂર્વીય વિસ્તારમાં આવેલ આ શોરૂમમાં લાગેલી આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી ભયાનક હતી કે શોરૂમમાં રાખવામાં આવેલા અનેક ઇલેક્ટ્રિક વાહનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા.</p><h2 style="text-align: justify; ">આગની જ્વાળા ઝડપથી ફેલાતા શોરૂમની ઉપરની માળ પર રહેતા લોકો ફસાઈ ગયા હતા.</h2><p style="text-align: justify; ">
</p><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, આગ લાગ્યા બાદ શોરૂમમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. આગની જ્વાળા ઝડપથી ફેલાતા શોરૂમની ઉપરની માળ પર રહેતા લોકો ફસાઈ ગયા હતા. ધુમાડાના કારણે તેઓ નીચે ઉતરી શકતા ન હતા અને સ્થિતિ ગંભીર બની ગઈ હતી.</p><h3 style="text-align: justify; ">આસપાસના રહેવાસીઓએ બહાદુરી અને સમજદારી દાખવી</h3><p style="text-align: justify; ">
</p><p style="text-align: justify; ">આ દરમિયાન આસપાસના રહેવાસીઓએ બહાદુરી અને સમજદારી દાખવી હતી. પડોશમાં રહેતા લોકોએ લાકડાની સીડીની મદદથી બચાવ કામગીરી શરૂ કરી હતી. આગગ્રસ્ત ઇમારતની છતને બાજુમાં આવેલી બીજી ઇમારતની છત સાથે સીડી દ્વારા જોડવામાં આવી હતી. ત્યારબાદ ઉપર ફસાયેલા લોકોને એક પછી એક સુરક્ષિત રીતે બીજી ઇમારતની છત પર પહોંચાડવામાં આવ્યા હતા.</p><h4 style="text-align: justify; ">ફાયર બ્રિગેડની અનેક ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ</h4><p style="text-align: justify; ">
</p><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનો આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયાસ કરતા રહ્યા હતા. સ્થાનિક લોકોએ પણ પાણી અને અન્ય સાધનો દ્વારા આગ બુઝાવવાના પ્રયાસોમાં મદદ કરી હતી.
</p><p style="text-align: justify; ">પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જે રાહતની બાબત છે. જોકે, આગના કારણે શોરૂમને ભારે આર્થિક નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે. તમામ ઇલેક્ટ્રિક વાહનો અને શોરૂમમાં રહેલો અન્ય સામાન આગની લપેટમાં આવી ગયો હતો.
</p><p style="text-align: justify; ">આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે. શોર્ટ સર્કિટ અથવા અન્ય ટેકનિકલ ખામીના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
</p><p style="text-align: justify; ">આ ઘટનાએ એકવાર ફરીથી આગ સુરક્ષા વ્યવસ્થાના મહત્વ પર પ્રશ્નો ઉભા કર્યા છે. ખાસ કરીને એવી ઇમારતોમાં જ્યાં વ્યવસાયિક પ્રવૃત્તિઓ સાથે લોકો રહેતા પણ હોય, ત્યાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા હોવી અત્યંત જરૂરી હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/HYBHnHXLI2JihZYrAQmjXBiCS71RBR0lJioaqYvM.webp'/></item><item><title><![CDATA[Premanand Maharaj Video: પુરુષોત્તમ માસમાં પ્રેમાનંદ મહારાજનું એકાંત ધ્યાન, વીડિયો વાયરલ ]]></title><link>https://sandesh.com/india/news/premanand-maharaj-video-premanand-maharajs-solitary-meditation-in-purushottam-month-video-goes-viral</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/premanand-maharaj-video-premanand-maharajs-solitary-meditation-in-purushottam-month-video-goes-viral</guid><pubDate>Fri, 05 Jun 2026 12:24:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સોશિયલ મીડિયા પર હાલમાં સ્વામી પ્રેમાનંદ મહારાજનો એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મહારાજશ્રી પુરુષોત્તમ માસના શુભ અવસર પર યમુના નદીના પવિત્ર કિનારે એકાંતમાં વિશેષ ધ્યાન અને સાધના કરતા જોવા મળે છે. વીડિયોમાં તેમના શિષ્યો પણ તેમની સાથે ભજન-કીર્તન, મંત્રોચ્ચાર અને ધ્યાનમાં મગ્ન દેખાય છે. યમુના કિનારાનું આ અલૌકિક અને શાંત દ્રશ્ય ભક્તોને મંત્રમુગ્ધ કરી રહ્યું છે, જેના કારણે હજારો લોકો આ વીડિયોને સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર કરી રહ્યા છે.
</p><h2 style="text-align: justify; "><b>પ્રેમાનંદ મહારાજ સાધનમાં લીન, ભક્તો દર્શન કરવા આતુર</b></h2><p style="text-align: justify; ">બીજી તરફ, મોટી સંખ્યામાં ભક્તો મહારાજશ્રીના ઝડપી સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે જેથી તેઓ પોતાની નિયમિત પદયાત્રા ફરી શરૂ કરી શકે અને ભક્તોને તેમના દર્શનનો લાભ મળી શકે. ભક્તોનું કહેવું છે કે પ્રેમાનંદ મહારાજની પદયાત્રા માત્ર એક યાત્રા નથી પરંતુ લાખો લોકો માટે આધ્યાત્મિક ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. થોડા દિવસ પહેલા જ પ્રેમાનંદ મહારાજનો એંકાતવાસ પરનો વીડિયો વાયરલ થયો હતો.&nbsp; પ્રેમાનંદજી મહારાજનો આ નવો વિડિઓ 'ભજન માર્ગ' ની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો. આ વિડિઓનું શીર્ષક છે "આપણું મૌન, આપણું એકાંત, બધું તમારા માટે છે!" પોતાની બંધ ઝૂંપડીમાંથી સંદેશ આપતા મહારાજજીએ કહ્યું, "હું તમને મળું કે ન મળું, હું બોલું કે ન મળું... મારું આ મૌન અને એકાંત ફક્ત તમારા માટે છે. તમે ફક્ત ભગવાનનું નામ જપશો, અને ભગવાન તમારું ભરણપોષણ કરશે."</p><h3 style="text-align: justify; "><b>ભક્તોએ પ્રેમાનંદ મહારાજની સારા સ્વાસ્થ્યની કરી કામના</b></h3><p style="text-align: justify; ">ઉલ્લેખનીય છે કે હિન્દુ ધર્મમાં પુરુષોત્તમ મહિનાને જપ, તપ, ભક્તિ અને આત્મચિંતન માટે સર્વોત્તમ માનવામાં આવે છે. આ પરંપરાને અનુસરીને ઘણા સંતો આ દિવસોમાં જાહેર કાર્યક્રમોથી દૂર રહીને એકાંત સાધના કરે છે. સ્વામી પ્રેમાનંદ મહારાજ પણ હાલ આ જ રીતે યમુના કિનારે પોતાનો સમય વિતાવી રહ્યા છે. પ્રેમાનંદ જી મહારાજનો નવો વાયરલ વીડિયો જોયા બાદ ભક્તો વધુ ભાવુક થયા. પ્રેમાનંદ મહારાજ જ્યારથી એકાંતમાં ગયા ત્યારથી, દેશ અને દુનિયાભરના તેમના લાખો ભક્તો તેમના સ્વાસ્થ્ય અને દર્શન માટે ખૂબ જ ચિંતિત અને ચિંતિત છે.</p><h4 style="text-align: justify; "><b>વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ કર્યા દર્શન</b></h4><p style="text-align: justify; ">આ દરમિયાન વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે કે આઈપીએલ (IPL) પૂરી થયા બાદ સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને તેની પત્ની તથા અભિનેત્રી અનુષ્કા શર્મા વૃંદાવન પહોંચ્યા હતા. અહેવાલો અનુસાર, આ સેલિબ્રિટી કપલ ૨ જૂનની વહેલી સવારે લગભગ ૪ વાગ્યે આગ્રા એરપોર્ટથી સીધા વૃંદાવન સ્થિત યમુના કિનારે આવેલી મહારાજશ્રીની ઝૂંપડીએ પહોંચ્યું હતું.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/india/news/rajya-sabha-election-how-strong-is-the-position-of-bjp-and-nda-in-rajya-sabha-whose-share-is-heavier-in-which-state" target="_blank">આ પણ વાંચો : Rajyasbha Election: રાજ્યસભામાં ભાજપ અને NDAની સ્થિતિ કેટલી મજબૂત? કયા રાજ્યમાં કોનું પલડું ભારે?</a></p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/vnrm5RJmaF3IVaCQx00EaIxmCppvVTtNX1OjU0ih.webp'/></item><item><title><![CDATA[TV TRP Report : અનુપમા-તુલસીને મોટો ઝટકો, વસુધાએ ફરી મારી બાજી, જાણો તારક મહેતાની રેન્કિંગ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/tv-trp-report-week-21-vasudha-retains-top-spot-anupamaa-ratings-drop-top-10-shows</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/tv-trp-report-week-21-vasudha-retains-top-spot-anupamaa-ratings-drop-top-10-shows</guid><pubDate>Fri, 05 Jun 2026 11:53:29 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ટીવીના શોઝ ઓડિયન્સના દિલ પર કબજો જમાવીને બેઠા છે. દર અઠવાડિયે શોઝની TRP લિસ્ટ સામે આવે છે. વળી, 21મા અઠવાડિયાનો TRP રિપોર્ટ પણ સામે આવી ગયો છે. લિસ્ટમાં અનુપમા અને ક્યોંકી સાસ ભી કભી બહૂ થી 2 નીચે આવી ગયા છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>વસુધા
</b></h2><p style="text-align: justify; ">ઝી ટીવીનો શો વસુધા ટીવીની TRP લિસ્ટમાં પહેલા નંબરે છવાયેલો છે. આ શોમાં ગામની એક સાધારણ ચુલબુલી છોકરીની સ્ટોરી દર્શાવવામાં આવી છે. આ અઠવાડિયે આ શોનું રેટિંગ 1.9 છે.
</p><h3 style="text-align: justify; "><b>તુમ સે તુમ તક
</b></h3><p style="text-align: justify; ">તુમ સે તુમ તક 21મા અઠવાડિયામાં બીજા નંબર પર પોતાની પકડ જાળવી રાખવામાં સફળ રહ્યો છે. આ સિરિયલને ફેન્સ પણ ખૂબ પસંદ કરી રહ્યા છે અને આ જ કારણ છે કે આની TRP ઉપર આવી ગઈ છે. આ અઠવાડિયે આનું રેટિંગ 1.8 છે.
</p><h3 style="text-align: justify; "><b>ગંગા માઈ કી બેટિયાં
</b></h3><p style="text-align: justify; ">ઝી ટીવીની ફેમસ સિરીઝ ગંગા માઈ કી બેટિયાં આ TRP લિસ્ટમાં ત્રીજા નંબર પર ટ્રેન્ડ કરી રહી છે. આ શોને પણ ઓડિયન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યો છે. આ સિરિયલનું આ અઠવાડિયાનું રેટિંગ 1.8 છે.
</p><h3 style="text-align: justify; "><b>ક્યોંકી સાસ ભી કભી બહૂ થી 2
</b></h3><p style="text-align: justify; ">સ્મૃતિ ઈરાનીનો ફેમસ શો ક્યોંકી સાસ ભી કભી બહૂ થી 2 પહેલા નંબર પરથી નીચે સરકી રહ્યો છે. આ અઠવાડિયે આ શો ચોથા નંબર પર પોતાનો કબજો જમાવીને બેઠો છે. આનું રેટિંગ 1.6 છે.
</p><h4 style="text-align: justify; "><b>અનુપમા
</b></h4><p style="text-align: justify; ">સ્ટાર પ્લસના ફેમસ શો અનુપમાની TRP રેટિંગ પણ નીચે ગબડી ગઈ છે. રૂપાલી ગાંગુલીની આ મશહૂર સિરિયલ 5મા નંબર પર પોતાની જગ્યા બનાવીને બેઠી છે. આ અઠવાડિયે આ સિરિયલની TRP રેટિંગ 1.5 છે.
</p><h4 style="text-align: justify; "><b>નાગિન 7
</b></h4><p style="text-align: justify; ">પ્રિયંકા ચાહર ચૌધરીનો નાગિન 7 TRP લિસ્ટમાં સામેલ છે. આ અઠવાડિયે આ શો છઠ્ઠા નંબર પર છવાયેલો છે. આ શોને સોશિયલ મીડિયા પર પણ ઓડિયન્સ ખૂબ પસંદ કરી રહી છે. આનું રેટિંગ 1.5 છે.
</p><h4 style="text-align: justify; "><b>લાફ્ટર શેફ્સ 3
</b></h4><p style="text-align: justify; ">લાફ્ટર શેફ્સ 3નું નામ પણ આ લિસ્ટમાં આવી ગયું છે. 21મા અઠવાડિયાની TRP&nbsp; લિસ્ટમાં આ શોની જગ્યા 7મા નંબર પર છે. ઘણા અઠવાડિયાથી આ શો આ લિસ્ટમાંથી ગાયબ હતો. આ અઠવાડિયે આ શોનું રેટિંગ 1.4 છે.
</p><h4 style="text-align: justify; "><b>તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા
</b></h4><p style="text-align: justify; ">સબ ટીવીની ફેમસ સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ અઠવાડિયે 8મા નંબર પર છવાયેલી છે. આ શો ઘણા વર્ષોથી ઓડિયન્સને હસાવતો આવી રહ્યો છે. વળી, આ અઠવાડિયે આ શોનું રેટિંગ 1.4 છે.
</p><h5 style="text-align: justify; "><b>યે રિશ્તા ક્યા કહેલાતા હૈ
</b></h5><p style="text-align: justify; ">સ્ટાર પ્લસના આ શોનું રેટિંગ પણ આ અઠવાડિયે નીચે ગયું છે. આ શો 21મા અઠવાડિયામાં 9મા નંબર પર પોતાની પકડ બનાવી રાખવામાં સફળ રહ્યો છે. રેટિંગની વાત કરીએ તો આ અઠવાડિયે આ શોને માત્ર 1.3 રેટિંગ મળ્યું છે.
</p><h5 style="text-align: justify; "><b>ક્યોંકી રિશ્તોં કે ભી રૂપ બદલતે હૈ
</b></h5><p style="text-align: justify; ">એકતા કપૂરના આ શોનું રેટિંગ પણ આ અઠવાડિયે ડાઉન થઈ ગયું છે. સ્ટાર પ્લસનો આ શો આ અઠવાડિયે 10મા નંબર પર છે. આ શોને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. આ અઠવાડિયે આ શોનું રેટિંગ 1.3 છે.
</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gallery/news/entertainment/aamir-khan-5-bollywood-celebrities-who-married-more-than-twice" target="_blank">આ પણ વાંચો-આમિર ખાન જ નહીં, બોલીવુડના આ 5 દિગ્ગજોએ પણ કર્યા છે 2થી વધુ લગ્ન!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/pbOh19g4NA9LPNOTbt1OXaCTTBxz6h9aFRXie7zI.webp'/></item><item><title><![CDATA[Surat : હિન્દુ બની યુવતીને પ્રેમજાળમાં ફસાવી, હોટલોમાં દુષ્કર્મ આચરી 3.50 લાખ પડાવનાર સોમિલ ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-vesu-police-arrest-somil-makwana-fake-identity-rape-atrocity-case</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-vesu-police-arrest-somil-makwana-fake-identity-rape-atrocity-case</guid><pubDate>Fri, 05 Jun 2026 11:40:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરના વેસુ વિસ્તારમાંથી સોશિયલ મીડિયાના માધ્યમથી ઓળખ છુપાવીને યુવતીને પ્રેમજાળમાં ફસાવવા અને દુષ્કર્મ  ગુજારવાનો એક સનસનાટીપૂર્ણ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હિન્દુ યુવક તરીકેની ખોટી ઓળખ આપી સુરતની એક માસૂમ યુવતી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરનાર મૂળ મુસ્લિમ આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં રાજકોટથી દબોચી લીધો છે. પકડાયેલા આરોપીની ઓળખ સોમિલ સલમીન મકવાણા તરીકે થઈ છે.</p><h2 style="text-align: justify; "><b>યુવકે પોતાની ધાર્મિક ઓળખ છુપાવી
</b></h2><p style="text-align: justify; ">પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, આરોપી સોમિલ પરિણીત હોવા છતાં તેણે સોશિયલ મીડિયા પર પોતાની અસલી ધાર્મિક ઓળખ છુપાવી હતી. પોતાનું હિન્દુ નામ જણાવી તેણે સુરતની યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ આ નરાધમ પીડિત યુવતીને સુરત અને યાત્રાધામ દ્વારકાની અલગ-અલગ હોટલોમાં લઈ ગયો હતો, જ્યાં તેણે યુવતીની મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું.
</p><h3 style="text-align: justify; "><b>યુવતી પાસેથી પૈસા પણ પડાવ્યા 
</b></h3><p style="text-align: justify; ">&nbsp;એટલું જ નહીં પણ યુવકે લગ્નના બહાના હેઠળ અને અલગ-અલગ મુશ્કેલીઓ દર્શાવીને આરોપીએ પીડિતા પાસેથી ટુકડે-ટુકડે આશરે 3.50  લાખની રકમ પણ પડાવી લીધી હતી.
</p><h4 style="text-align: justify; "><b>યુવતીએ પોલીસમાં ફરિયાદ કરી
</b></h4><p style="text-align: justify; ">જ્યારે યુવતીને આરોપીની અસલી ઓળખ અને તેના પરિણીત હોવાની ખબર પડી, ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પીડિતાએ આ મામલે તાત્કાલિક સુરતના વેસુ પોલીસ સ્ટેશનમાં ન્યાય માટે ગુહાર લગાવી હતી. વેસુ પોલીસે ઘટનાની ગંભીરતાને સમજીને તુરંત ગુનો દાખલ કર્યો હતો અને ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીનું લોકેશન ટ્રેસ કરીને તેને રાજકોટથી ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસે આરોપી સોમિલ મકવાણા સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી જેલભેગો કર્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો-----&nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-live-news-and-samachar-05-june-2026-politics-weather-updates-daily-breaking-news-national-news-international-news#google_vignette" target="_blank"><b> Gujarat Latest News live : RBI એ મોટી જાહેરાત કરી, રેપો રેટ 5.25% પર યથાવત રહ્યો</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/dQCiEtZffzLBHWaEmKVGNCxpl3IDOZKT45oqcz4l.webp'/></item><item><title><![CDATA[Bhavnagar : સિવિલમાં વેન્ટિલેટર કાઢી લેતા યુવકના મોતના આક્ષેપથી ખળભળાટ: 2 જુનિયર ડૉક્ટરો સામે તપાસ મુકાઇ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bhavnagar/bhavnagar-civil-hospital-icu-ventilator-youth-death-allegation-doctors-suspended</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bhavnagar/bhavnagar-civil-hospital-icu-ventilator-youth-death-allegation-doctors-suspended</guid><pubDate>Fri, 05 Jun 2026 10:13:39 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભાવનગર શહેરની સરકારી સિવિલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાંથી તબીબી જગતને હચમચાવી દેનારી એક ગંભીર ઘટના સામે આવી છે. હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં સારવાર હેઠળ રહેલા એક નિર્દોષ યુવકનું વેન્ટિલેટર કથિત રીતે કાઢી લેવાના કારણે મોત નીપજ્યું હોવાના ગંભીર આક્ષેપો પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે. હોસ્પિટલ તંત્રની આ ઘોર બેદરકારીના આક્ષેપો બાદ સમગ્ર રાજ્યના આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે અને તંત્ર દ્વારા આ મામલે કડક તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>2 જુનિયર રેસિડેન્ટ ડૉક્ટરોની ગંભીર બેદરકારી
</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, મૃતક યુવકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ડ્યુટી પર હાજર 2 જુનિયર રેસિડેન્ટ ડૉક્ટરોની ગંભીર બેદરકારીના કારણે જ તેમના વહાલસોયા યુવકે જીવ ગુમાવ્યો છે. 
</p><h3 style="text-align: justify; "><b>બંને ડોક્ટરોને કામથી અળગા કરી દેવાયા
</b></h3><p style="text-align: justify; ">આ ઘટનાની ગંભીરતા અને લોકોના રોષને જોતા હોસ્પિટલ પ્રશાસન તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. બંને આરોપી જુનિયર રેસિડેન્ટ ડૉક્ટરોને હોસ્પિટલની તમામ તબીબી કામગીરીથી તાત્કાલિક ધોરણે અળગા કરી દેવામાં આવ્યા છે અને સત્તાવાર રીતે મેમો આપી તેમની સામે આકરી વહીવટી કાર્યવાહી શરૂ કરાઈ છે.
</p><h4 style="text-align: justify; "><b>&nbsp;3 સિનિયર ડૉક્ટરોની તપાસ સમિતી રચાઇ 
</b></h4><p style="text-align: justify; ">આ સમગ્ર હૃદયદ્રાવક ઘટનાની તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ દ્વારા 3 સિનિયર ડૉક્ટરોની એક હાઈ-લેવલ તપાસ સમિતિ ની રચના કરવામાં આવી છે. આ ખાસ કમિટી દ્વારા ઘટના સમયે આઈસીયુ વોર્ડમાં હાજર તમામ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, સુરક્ષા ગાર્ડ અને બંને જુનિયર ડૉક્ટરોના કડક નિવેદનો નોંધવામાં આવશે. વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, તપાસ સમિતિનો અહેવાલ આવ્યા બાદ જો ડૉક્ટરો દોષિત સાબિત થશે તો વધુ કાર્યવાહી થઇ શકે છે.&nbsp;઼</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો-----&nbsp; &nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-live-news-and-samachar-05-june-2026-politics-weather-updates-daily-breaking-news-national-news-international-news" target="_blank"><b>Gujarat Latest News live : આણંદના ચિખોદરા ગામે ફટાકડા ગોડાઉનમાં આગ, ફટાકડાના જથ્થા કારણે આગ વધુ ભયજનક</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/4lbzQ6KuhfyqOMFdAJN7RXmYxe7yATCtmjLXjK97.webp'/></item><item><title><![CDATA[RBI: લોન ધારકો માટે રાહતના સમાચાર, રેપો રેટ 5.25% યથાવત રાખ્યો ]]></title><link>https://sandesh.com/business/news/rbi-relief-news-for-loan-holders-repo-rate-kept-unchanged-at-525</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/rbi-relief-news-for-loan-holders-repo-rate-kept-unchanged-at-525</guid><pubDate>Fri, 05 Jun 2026 10:12:16 +05:30</pubDate><description><![CDATA[<p></p><div style="text-align: justify;">ભારતીય રિઝર્વ બેંક (RBI) ની નાણાકીય નીતિ સમિતિ (MPC) ની ત્રણ દિવસીય બેઠક બાદ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટ કર્યું છે કે વર્તમાન આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને રેપો રેટ 5.25% પર યથાવત રાખવામાં આવ્યો છે. આ નિર્ણયથી લાખો લોનધારકોને મોટી રાહત મળી છે, કારણ કે હાલના તબક્કે તેમના લોનનો EMI વધશે નહીં અને વ્યાજ દરો સ્થિર રહેશે.<br><br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2062755270502359327"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></div><p></p><h2 style="text-align: justify; "><b>નિર્ણય પાછળનું કારણ</b></h2><p style="text-align: justify; ">ગવર્નર મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, જ્યારે સમગ્ર વિશ્વની કેન્દ્રીય બેંકો વ્યાજ દરોમાં વધારો કરી રહી છે, ત્યારે ભારતીય અર્થતંત્રમાં સ્થિરતા જાળવી રાખવી જરૂરી છે. વૈશ્વિક સ્તરે સપ્લાય ચેઇનમાં વિક્ષેપ અને ભૌગોલિક-રાજકીય તણાવને કારણે બજારમાં અસ્થિરતા છે, તેમ છતાં ભારતનું અર્થતંત્ર મજબૂત પ્રદર્શન કરી રહ્યું છે. ફેબ્રુઆરી 2025 થી RBI દ્વારા દરોમાં કુલ 125 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો, જે બાદ હવે સ્થિતિને સ્થિર રાખવાનો વ્યૂહાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>ફુગાવો અને પડકારો</b></h3><p style="text-align: justify; ">છેલ્લા કેટલાક સમયમાં ફુગાવાના દરમાં ફેરફાર જોવા મળ્યો છે. એપ્રિલ 2026 માં છૂટક ફુગાવાનો દર 3.48% રહ્યો હતો, જે RBI ના મધ્યમ ગાળાના 4% ના લક્ષ્યાંકથી નીચે છે. જોકે, RBI સામે ક્રૂડ ઓઈલના વધતા ભાવ, રૂપિયાનું ઘટતું મૂલ્ય અને ફુગાવાના વધતા જોખમો જેવા પડકારો હજુ પણ યથાવત છે.</p><p style="text-align: justify; ">નિષ્ણાતો માને છે કે RBI નો આ નિર્ણય દેશના આર્થિક વિકાસને ગતિ આપવા અને ગ્રાહકોના વિશ્વાસને જાળવી રાખવા માટેનું સંતુલિત પગલું છે. હાલમાં જ્યારે વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતા છે, ત્યારે વ્યાજ દરો સ્થિર રાખવા એ એક સુદ્રઢ આર્થિક વ્યૂહરચના છે. આ નિર્ણય સામાન્ય માણસ માટે રાહતરૂપ છે, જેમને હવે વધારાના બોજ વગર પોતાના આર્થિક આયોજનને આગળ વધારવાની તક મળશે.<br><br><b><a href="https://sandesh.com/india/news/world/nepals-foreign-minister-visits-india-starts-a-new-chapter-in-diplomatic-relations-between-the-two-countries" target="_blank">આ પણ વાંચોઃ Nepalના વિદેશ મંત્રીની ભારત મુલાકાત, બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોનો નવો અધ્યાય શરૂ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/hctVTIpiz2wbkcxmin1oIwt2t5FRaS9fcEJnAHDN.webp'/></item><item><title><![CDATA[Anand : ચિખોદરામાં ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ, ફાયર સેફ્ટી મુદ્દે ઉઠ્યા સવાલો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/anand/anand-chikhodra-bholenath-firecracker-godown-massive-fire-accident-updates</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/anand/anand-chikhodra-bholenath-firecracker-godown-massive-fire-accident-updates</guid><pubDate>Fri, 05 Jun 2026 09:49:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતના આણંદ જિલ્લામાંથી વહેલી સવારે એક મોટી  દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. આણંદ નજીક આવેલા ચિખોદરા ગામે આવેલા 'ભોલેનાથ ફટાકડા ગોડાઉન' માં અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી. વહેલી સવારે જ્યારે લોકો નિદ્રાધીન હતા, ત્યારે અચાનક ફટાકડાના ગંજાવર જથ્થામાં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ ભભૂકી ઉઠતા સમગ્ર પંથકમાં ભારે નાસભાગ અને અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ધડાકાના અવાજ એટલા તીવ્ર હતા કે આસપાસના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>ફાયર બ્રિગેડનો કાફલો પહોંચ્યો
</b></h2><p style="text-align: justify; ">ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક રહીશોએ તુરંત ફાયર વિભાગને જાણ કરી હતી. આણંદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક અસરથી ફાયર ફાઈટરોના મોટા કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. ગોડાઉનમાં ફટાકડાનો મોટો જથ્થો હોવાને કારણે આગે મિનિટોમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના લીધે ફાયર જવાનોને શરૂઆતમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
</p><h3 style="text-align: justify; "><b>ફાયર સેફ્ટી મુદ્દે સવાલો
</b></h3><p style="text-align: justify; ">આ ભયાનક અકસ્માતને પગલે સ્થાનિક સ્તરે તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. રહેણાંક વિસ્તારની નજીક આવેલા આ ભોલેનાથ ફટાકડા ગોડાઉનમાં ફાયર સેફ્ટી  ના નિયમોનું પાલન થયું હતું કે નહીં, તેમજ તંત્ર દ્વારા એનઓસી આપવામાં આવી હતી કે નહીં તે મુદ્દે અનેક ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આણંદ જિલ્લામાં આવા અનેક ફટાકડાના ગોડાઉન અને દુકાનો કાયદેસરની ફાયર સેફ્ટીના અભાવ વચ્ચે ધમધમી રહ્યા છે, જે ગમે ત્યારે મોટી જાનહાનિ નોતરી શકે છે. હાલમાં પોલીસ અને વહીવટી ટીમ પણ તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-live-news-and-samachar-05-june-2026-politics-weather-updates-daily-breaking-news-national-news-international-news" target="_blank"><b>Gujarat Latest News live : જૂનાગઢમાં ગીર જંગલમાં આઇસોલેશનમાં રહેલા 7 સિંહોને મુક્ત કરાયા</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/2JOPX1Z22QSDLfQYKnTWQPyeRG3OGLHz9e40AaMT.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : મધ્યરાત્રિએ મોટી દુર્ઘટના, ગરનાળાની કામગીરી દરમિયાન વોલ્વો કાર કેનાલમાં ખાબકી, 2 મુસાફરો ઇજાગ્રસ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-dandi-pul-chandrabhaga-bridge-volvo-car-accident-canal-updates</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-dandi-pul-chandrabhaga-bridge-volvo-car-accident-canal-updates</guid><pubDate>Fri, 05 Jun 2026 09:36:13 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં મોડી રાત્રે વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદના&nbsp; આવેલા પ્રખ્યાત દાંડી પુલ નજીક એક મોંઘીદાટ વોલ્વો કાર અચાનક કેનાલમાં ખાબકતા ભારે અફડાતફડી મચી ગઈ હતી. ચંદ્રભાગા બ્રિજ નીચેથી પસાર થતી કેનાલ પાસે સર્જાયેલી આ દુર્ઘટનામાં કારની અંદર સવાર બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.</p><h2 style="text-align: justify; "><b>ગરનાળું પૂરવાની  કામગિરી
</b></h2><p style="text-align: justify; ">સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ચંદ્રભાગા બ્રિજ પાસે તંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયથી ગરનાળું પૂરવાની અને કેનાલને સરખી કરવાની કામગીરી ચાલી રહી છે. મધ્યરાત્રિના સમયે આ કામકાજ ચાલુ હતું તે દરમિયાન જ આ લક્ઝુરિયસ કાર અચાનક સીધી કેનાલની અંદર ખાબકી ગઈ હતી. 
</p><h3 style="text-align: justify; "><b>&nbsp;સાઈન બોર્ડ મૂકવામાં આવ્યા ન હતા
</b></h3><p style="text-align: justify; ">આસપાસના લોકોનો આક્ષેપ છે કે, રાત્રિના સમયે આ સ્થળે કોઈ પૂરતી બેરિકેડિંગ કે ચેતવણી આપતા સાઈન બોર્ડ મૂકવામાં આવ્યા ન હતા, જેના કારણે કાર ચાલક અંધારામાં રસ્તો સમજી શક્યો ન હતો અને આ અકસ્માત સર્જાયો હતો. કાર ચાલક આ વિસ્તારથી અજાણ્યો હોવાથી પણ આ ગફલત થઈ હોવાની પ્રબળ શક્યતા જોવાઈ રહી છે.
</p><h4 style="text-align: justify; "><b>&nbsp;પૂરતી સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવે તેવી માગ
</b></h4><p style="text-align: justify; ">અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક રહીશો અને વાહનચાલકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. કારમાં સવાર બંને ઇજાગ્રસ્ત વ્યક્તિઓને સમયસર બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ક્રેન સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી અને કેનાલમાંથી કાર બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી. રાત્રિના સમયે ચાલતા આવા વિકાસકાર્યોના સ્થળો પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવે તેવી માગ સ્થાનિકો કરી રહ્યા છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો---&nbsp; <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-live-news-and-samachar-05-june-2026-politics-weather-updates-daily-breaking-news-national-news-international-news" target="_blank"><b>&nbsp; Gujarat Latest News live : જૂનાગઢમાં ગીર જંગલમાં આઇસોલેશનમાં રહેલા 7 સિંહોને મુક્ત કરાયા</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/66cFCLVyybs0444veIbSGYnT4fu9vWtn4AFAI8og.webp'/></item><item><title><![CDATA[Team India New T-20iના કેપ્ટનના નામની થશે જાહેરાત, સૂર્યાને કોણ કરશે રિપ્લેસ? ]]></title><link>https://sandesh.com/sports/news/cricket/team-india-new-t-20i-captains-name-to-be-announced-who-will-replace-surya</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/cricket/team-india-new-t-20i-captains-name-to-be-announced-who-will-replace-surya</guid><pubDate>Fri, 05 Jun 2026 09:29:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આ દરમિયાન નવા ટી20 કેપ્ટનના નામની પણ જાહેરાત થવાની સંભાવના છે. આ સિરીઝ, વર્ષના પ્રારંભમાં સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ભારતે ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઇન્ડિયાનું પ્રથમ ટી20 આંતરરાષ્ટ્રીય અસાઇનમેન્ટ હશે.</p><h2 style="text-align: justify; ">સૂર્યકુમાર યાદવના વ્યક્તિગત પ્રદર્શન પર પણ નજર રાખવામાં આવી રહી છે</h2><p style="text-align: justify; ">
</p><p style="text-align: justify; ">વૈશ્વિક ખિતાબ જીત્યા હોવા છતાં, સૂર્યકુમાર યાદવના વ્યક્તિગત પ્રદર્શન પર પણ નજર રાખવામાં આવી રહી છે. આ સિનિયર બેટ્સમેને ટૂર્નામેન્ટ દરમિયાન 9 ઇનિંગ્સમાં 242 રન બનાવ્યા હતા, પરંતુ ત્યારબાદ તેમણે આઈપીએલ 2026માં નિરાશાજનક સીઝન પસાર કરી હતી, જેમાં સતત સારું પ્રદર્શન ન કરી શકવાની સમસ્યા જોવા મળી હતી.</p><h3 style="text-align: justify; ">બે આઈપીએલ સીઝનમાં શ્રેયસ અય્યરનું બેટિંગ પ્રદર્શન ખૂબ જ પ્રભાવશાળી રહ્યું&nbsp;</h3><p style="text-align: justify; ">
</p><p style="text-align: justify; ">બીજી તરફ, શ્રેયસ અય્યર 2023ના અંતથી ટીમ કોમ્બિનેશન અને મધ્યક્રમની સ્પર્ધાને કારણે ભારતની ટી20 યોજનાઓમાંથી બહાર રહ્યા છે. જોકે, આ વર્ષની શરૂઆતમાં તેમને રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓ કોઈપણ મેચમાં રમ્યા નહોતા.
</p><p style="text-align: justify; ">શ્રેયસ અય્યરે ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં પોતાના શાનદાર પ્રદર્શન અને સફળ નેતૃત્વ દ્વારા પોતાની દાવેદારી મજબૂત બનાવી છે. તેમણે 2024માં કોલકાતા નાઇટ રાઇડર્સને આઈપીએલ ખિતાબ અપાવ્યો હતો. ઉપરાંત તેમણે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સને પણ ફાઇનલ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. છેલ્લા બે આઈપીએલ સીઝનમાં તેમનું બેટિંગ પ્રદર્શન પણ ખૂબ જ પ્રભાવશાળી રહ્યું છે.
</p><p style="text-align: justify; ">આ સતત બીજું વર્ષ હશે જ્યારે ટીમ ઇન્ડિયાના પસંદગીકારો તાજેતરની સફળતા છતાં કેપ્ટનશિપમાં મોટો ફેરફાર કરી શકે છે. ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ વનડે ક્રિકેટમાં પણ આવો જ નિર્ણય લેવામાં આવ્યો હતો, જ્યારે શુભમન ગિલે 50 ઓવરના ફોર્મેટમાં રોહિત શર્માના સ્થાને કેપ્ટન તરીકે જવાબદારી સંભાળી હતી.
</p><p style="text-align: justify; ">સૂર્યકુમાર યાદવને હટાવીને શ્રેયસ અય્યરને કેપ્ટન બનાવવાનો નિર્ણય લેવામાં આવે તો તે દર્શાવશે કે ભારતીય ક્રિકેટ ટીમના પસંદગીકારો લાંબા ગાળાની યોજના પર કામ કરી રહ્યા છે. હવે જોવાનું રહેશે કે અય્યર 'મેન ઇન બ્લૂ'ના નેતૃત્વની ભૂમિકામાં કેટલા સફળ સાબિત થાય છે.</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/4zi34ogw409mTomoZepQyaOrG24wbbcgQPULesHR.webp'/></item><item><title><![CDATA[Junagadh : ગીરના જંગલમાંથી આવ્યા આનંદના સમાચાર, આઇસોલેશનમાં સારવાર લઈ રહેલા 7 વનરાજ થયા મુક્ત ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/junagadh/junagadh-gir-forest-seven-lions-released-from-isolation-babariya-range-updates</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/junagadh/junagadh-gir-forest-seven-lions-released-from-isolation-babariya-range-updates</guid><pubDate>Fri, 05 Jun 2026 08:43:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">એશિયાટિક સિંહોના એકમાત્ર ઘર ગણાતા ગીરના જંગલમાંથી વન્યજીવ પ્રેમીઓ માટે અત્યંત આનંદના સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢના ગીર જંગલની બાબરીયા રેન્જમાંથી અગાઉ પકડાયેલા અને એનિમલ કેર સેન્ટરમાં આઇસોલેશન હેઠળ રાખવામાં આવેલા 7 સિંહોને વન વિભાગ દ્વારા ફરીથી જંગલમાં મુક્ત કરી દેવામાં આવ્યા છે. વન વિભાગના તબીબોની દેખરેખ હેઠળ આ તમામ સિંહોની સફળ સારવાર પૂર્ણ થતાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>બીમારીના કારણે સિંહોને સારવાર માટે લવાયા હતા
</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, ગીર પૂર્વ અથવા પશ્ચિમની બાબરીયા રેન્જ વિસ્તારમાંથી થોડા સમય પહેલા આ સિંહોને  બીમારી ના ભાગરૂપે વન વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરીને પકડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને ખાસ આઇસોલેશન વોર્ડમાં રાખીને સઘન સારવાર આપવામાં આવી રહી હતી. 
</p><h3 style="text-align: justify; "><b>&nbsp;બાબરીયા રેન્જમાં છોડી મુકાયા 
</b></h3><p style="text-align: justify; ">હવે જ્યારે આ સાતેય સિંહો સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા છે અને જંગલના વાતાવરણમાં શિકાર કરવા તેમજ રહેવા માટે સક્ષમ જણાતા, વન વિભાગે તેમને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને ફરીથી એ જ બાબરીયા રેન્જના મુક્ત વાતાવરણમાં છોડી દીધા છે. પોતાના કુદરતી આવાસમાં પરત ફરતા જ સિંહોની દહાડથી ગીરનું જંગલ ફરી ગુંજી ઉઠ્યું છે.
</p><h4 style="text-align: justify; "><b>હજું પણ 3 સિંહ ઓબ્ઝર્વેશનમાં 
</b></h4><p style="text-align: justify; ">બીજી તરફ, વન વિભાગના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, હજુ પણ 3 સિંહોને વન વિભાગના એનિમલ કેર સેન્ટર ખાતે ઓબ્ઝર્વેશન  હેઠળ રાખવામાં આવ્યા છે. આ ત્રણેય સિંહોના સ્વાસ્થ્ય પર પણ નિષ્ણાત તબીબોની ટીમ સતત નજર રાખી રહી છે. આગામી દિવસોમાં તેમનો રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ અને તેઓ સંપૂર્ણ ફિટ જણાશે એટલે તેમને પણ ગીરના મુક્ત જંગલમાં છોડી મૂકવામાં આવશે. વન વિભાગની આ ત્વરિત અને સફળ કામગીરીની વન્યજીવ પ્રેમીઓ દ્વારા ભારે પ્રશંસા થઈ રહી છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-live-news-and-samachar-05-june-2026-politics-weather-updates-daily-breaking-news-national-news-international-news" target="_blank"><b>&nbsp;Gujarat Latest News live : ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/d3oRwsfY5ZnXX3saVfuuvu9Oawy37HiD0eE9gzT5.webp'/></item></channel></rss>