<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Delhi H1N1 Case: H1N1ના વધતા કેસોએ વધાર્યુ ટેન્શન, 54 ટકા ઘરોમાં ફ્લૂના લક્ષણ ]]></title><link>https://sandesh.com/india/news/delhi-h1n1-case-rising-cases-of-h1n1-increase-tension-flu-symptoms-in-54-percent-households</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/delhi-h1n1-case-rising-cases-of-h1n1-increase-tension-flu-symptoms-in-54-percent-households</guid><pubDate>Mon, 24 Aug 2026 15:27:11 +05:30</pubDate><description><![CDATA[<p>રાષ્ટ્રીય રાજધાનીમાં H1N1 (સ્વાઇન ફ્લૂ)ના કેસોની વધતી સંખ્યા વચ્ચે દિલ્હી સરકારે એક આરોગ્ય એડવાઇઝરી જાહેર કરી છે.&nbsp; જનતાને સ્વચ્છતા જાળવવા, ભીડભાડવાળી જગ્યાઓ ટાળવા અને સમયસર તબીબી સલાહ લેવા વિનંતી કરી છે. આ દરમિયાન એક સર્વેમાં બહાર આવ્યું છે કે દિલ્હી-NCR માં આશરે 54% ઘરોમાં ઓછામાં ઓછો એક સભ્ય ફ્લૂ અથવા વાયરલ તાવ જેવા લક્ષણો અનુભવી રહ્યો છે.</p><h2><b>H1N1 નો કોઈ નવો પ્રકાર જોવા મળ્યો નથી- ICMR&nbsp;</b></h2><p>એક સર્વે અનુસાર દિલ્હી-NCR માં સર્વે કરાયેલા લગભગ 54% ઘરોમાં ઓછામાં ઓછો એક સભ્ય ફ્લૂ અથવા વાયરલ તાવના લક્ષણો દર્શાવી રહ્યો છે. આ તારણો એવા સમયે આવ્યા છે જ્યારે દિલ્હીમાં મોસમી ઈન્ફલ્યુએન્ઝા અને H1N1 ના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે, જોકે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) જણાવે છે કે દેશમાં H1N1 નો કોઈ નવો પ્રકાર જોવા મળ્યો નથી.</p><p><b style="font-size: 2rem;">ફ્લૂના લક્ષણો જોવા મળ્યા</b></p><p>સર્વેમાં દિલ્હી, ગુરુગ્રામ, નોઈડા, ફરીદાબાદ અને ગાઝિયાબાદમાં 32,643 લોકો પાસેથી પ્રતિભાવો એકત્રિત કરવામાં આવ્યા હતા. ઉત્તરદાતાઓમાં આશરે 69% પુરુષો અને 31% સ્ત્રીઓનો સમાવેશ થાય છે. સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે 23% ઘરોમાં, ચાર કે તેથી વધુ લોકો ફ્લૂ અથવા વાયરલ તાવ જેવા લક્ષણો અનુભવી રહ્યા હતા જ્યારે 16% ઘરોમાં બે થી ત્રણ સભ્યોમાં આવા લક્ષણો જોવા મળ્યા હતા. તેવી જ રીતે, 15% ઘરોમાં ઓછામાં ઓછા એક વ્યક્તિને આ લક્ષણો જોવા મળ્યા હતા. એકંદરે સર્વેક્ષણ કરાયેલા 39% ઘરોમાં બે કે તેથી વધુ લોકોમાં એક સાથે લક્ષણો જોવા મળ્યા હતા, જે દર્શાવે છે કે ચેપ ઘરોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.</p><p><b style="font-size: 1.75rem;">દિલ્હી-એનસીઆરમાં H1N1 ના કેસોમાં વધારો</b></p><p>રિપોર્ટમાં આપવામાં આવેલા ડેટા અનુસાર 20 ઓગસ્ટના રોજ દિલ્હીમાં ઈન્ફલ્યુએન્ઝાના 159 નવા કેસ નોંધાયા હતા, જેમાંથી 114 કેસ H1N1 સાથે જોડાયેલા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં&nbsp; રાજધાનીમાં ઈન્ફલ્યુએન્ઝા A ના 2,392 કેસ નોંધાયા છે. જેમાંથી 1,777 H1N1 ના કેસ છે. આ આંકડામાં H1 ના 37 કેસ, H3 ના 138 કેસ અને ઈન્ફલ્યુએન્ઝાના 440 અન્ય કેસોનો પણ સમાવેશ થાય છે. તેનાથી વિપરીત ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન H1N1 ના 229 કેસ નોંધાયા હતા જે લગભગ આઠ ગણો વધારો દર્શાવે છે.</p><p>જોકે સત્તાવાર આંકડા ફક્ત એવા વ્યક્તિઓનો જ ઉલ્લેખ કરે છે જેમણે હોસ્પિટલો અથવા પ્રયોગશાળાઓમાં પરીક્ષણ કરાવ્યું હતું; જે લોકોમાં લક્ષણો દેખાયા હતા પરંતુ ઘરે સ્વસ્થ થયા હતા તેમને આ ગણતરીમાં સામેલ કરી શકાતા નથી.</p><p><b style="font-size: 1.5rem;">કોઈ નવો H1N1 સ્ટ્રેન શોધાયો નથી</b></p><p>ICMR એ જણાવ્યું છે કે H1N1 નો કોઈ નવો સ્ટ્રેન શોધી કાઢવામાં આવ્યો નથી. કેસોમાં વધારા અંગે ચિંતાઓ વચ્ચે, ICMR એ રવિવારે સ્પષ્ટતા કરી કે દેશમાં ઈન્ફલ્યુએન્ઝા A (H1N1) નો કોઈ નવો સ્ટ્રેન મળ્યો નથી અને જનતાને શાંત રહેવા વિનંતી કરી. ICMRના એક વૈજ્ઞાનિકે સમજાવ્યું કે હાલમાં દેશમાં ફરતો H1N1 વાયરસ A/Missouri/11/2025 (H1N1) pdm09 જેવા સ્ટ્રેન જેવો દેખાય છે, જે 2025 થી ફેલાયેલો છે.</p><p>લક્ષણોમાં તાવ, ઉધરસ, ગળામાં દુખાવો, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, શરદી અને થાકનો સમાવેશ થાય છે. ICMR એ મોસમી ઈન્ફલ્યુએન્ઝાને "મોટાભાગે સ્વ-મર્યાદિત બીમારી" તરીકે વર્ણવ્યું છે, જેમાંથી મોટાભાગના લોકો યોગ્ય કાળજી અને આરામથી સ્વસ્થ થાય છે. જો કે નાના બાળકો, વૃદ્ધો અને પહેલાથી જ કોઈ તબીબી સ્થિતિ ધરાવતા વ્યક્તિઓને ગંભીર ગૂંચવણોનું જોખમ વધારે હોય છે.</p><p>&nbsp;</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/vqCt7OrePPSL3n6hhYNwC1bGTcJhYdI6GguUFM05.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: શહેરમાં ગુનાહિત ઇતિહાસ ધરાવનારા આરોપીઓ સામે કડક કાર્યવાહીનો તખ્તો તૈયાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/police-action-against-criminals-pasa-crackdown-on-repeat-offenders</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/police-action-against-criminals-pasa-crackdown-on-repeat-offenders</guid><pubDate>Mon, 24 Aug 2026 15:26:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.શહેરમાં શાંતિનો ભંગ કરતા અને સતત ગુનાહિત પ્રવૃત્તિઓમાં લિપ્ત રહેતા અસામાજિક તત્વો સામે હવે પોલીસ તંત્ર દ્વારા  એક્શન લેવાની તૈયારીઓ કરવામાં આવી છે. શહેરના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં સક્રિય અને ભૂતકાળમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા રીઢા ગુનેગારોનું એક વિસ્તૃત લિસ્ટ પોલીસ કમિશનરની સૂચનાથી તૈયાર કરવામાં આવ્યું છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ગુનેગારો સામે પાસા હેઠળ ધરપકડની તૈયારીઓ</b></h2><p style="text-align: justify; ">આ લિસ્ટના આધારે ટૂંક સમયમાં જ મોટા પાયે ગુનેગારો સામે પાસા હેઠળ ધરપકડ કરી તેઓને પાંજરે પૂરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર,આ વખતે પોલીસનું મુખ્ય નિશાન સામાન્ય જનતાને હેરાન-પરેશાન કરતા વિવિધ પ્રકારના આરોપીઓ છે.કડક કાર્યવાહીના દાયરામાં ગુનાઓમાં સામેલ તત્વોને આવરી લેવાશે. ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે નાણાં ધીરીને સામાન્ય અને ગરીબ નાગરિકોને માનસિક તથા શારીરિક ત્રાસ આપતા વ્યાજ માફિયાઓ, હત્યા, હત્યાનો પ્રયાસ, ગંભીર મારપીટ, ગુંડાધામી અને વિસ્તારમાં ભયનું વાતાવરણ ઊભું કરતા તત્વો, મહિલાઓ અને યુવતીઓની છેડતી, રોમિયોગિરી કે મહિલા સતામણીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ, અડ્ડા ચલાવતા, મિલકત પચાવી પાડવાનો પ્રયાસ કરતા અને વિસ્તારમાં દાદાગીરી કરતા સ્થાનિક અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવશે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>પોલીસ કમિશ્નરે પોલીસ અધિકારીઓને આપ્યો આદેશ</b></h3><p style="text-align: justify; ">પોલીસ કમિશનરે આ અંગે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે અમદાવાદ શહેરમાં કાયદાનું શાસન સર્વોપરી છે અને નાગરિકોની શાંતિ હણનારા કોઈપણ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં.જે આરોપીઓ સામે ભૂતકાળમાં એકથી વધુ ગુનાઓ નોંધાયેલા છે તેવા તમામ ઈસમો સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી સંબંધિત જેલોમાં ધકેલવાની કાર્યવાહી ઝડપી બનાવી દેવામાં આવી છે.શહેરના તમામ પોલીસ અધિકારીઓને પોતપોતાના વિસ્તારના લિસ્ટેડ ગુનેગારો પર સતત નજર રાખવા અને રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ વધારવાના આદેશ અપાયા છે.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/valsad/liquor-is-like-god-in-gujarat-everywhere-but-invisible-to-police-says-tushar-chaudhary" target="_blank">આ પણ વાંચોઃ Valsad News: ગુજરાતમાં દારુ ભગવાન જેવો થઈ ગયો છે, જે બધે હાજર છે પણ પોલીસને દેખાતો નથી : તુષાર ચૌધરી</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/KIUrvI602nqHstsxO8lh4qJHQISTeostzJ3tjXYv.webp'/></item><item><title><![CDATA[Surat: નાનપુરા ફિશ માર્કેટના નામકરણ મામલે વિવાદ; ઠરાવ વિના જ લગાવી દેવાયું 'નરેન્દ્ર મોદી ફિશ માર્કેટ'નું બોર્ડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/nanpura-fish-market-narendra-modi-board-controversy-smc-action</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/nanpura-fish-market-narendra-modi-board-controversy-smc-action</guid><pubDate>Mon, 24 Aug 2026 15:26:08 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત શહેરના નાનપુરા-લક્કડકોટ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા નિર્માણ પામેલી નવી માછીવાડ ફિશ માર્કેટના નામકરણને લઈને નવો વિવાદ ઊભો થયો છે. મનપાની કોઈપણ નીતિ-રીતિ કે કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યા વિના જ આ નવી ફિશ માર્કેટના મુખ્ય પ્રવેશદ્વાર પર 'નરેન્દ્ર મોદી ફિશ માર્કેટ' લખેલું મોટું બોર્ડ લગાવી દેવામાં આવ્યું હતું.</p><h2><b>માછીવાડ ફિશ માર્કેટના નામકરણ મામલે ભારે વિવાદ</b></h2><p>નિયમ મુજબ સુરત મહાનગરપાલિકાની કોઈપણ જાહેર મિલકત, બ્રિજ, રોડ કે માર્કેટનું નામકરણ કરવા માટે મનપાની સાંસ્કૃતિક સમિતિ અને સામાન્ય સભા (બોર્ડ)માં ઠરાવ પસાર કરવો પડે છે. પરંતુ આ કેસમાં શાસક પક્ષ કે પાલિકા તંત્રની જાણ બહાર જ બારોબાર નામકરણ કરી દેવામાં આવતાં વિપક્ષ અને સામાન્ય નાગરિકોમાં ભારે આશ્ચર્ય ફેલાયું હતું.તપાસમાં સામે આવ્યું છે કે આ બોર્ડ સ્થાનિક વેપારી મંડળ 'ધ સુરત ફિશ મર્ચન્ટ એસોસિએશન' દ્વારા લગાવવામાં આવ્યું હતું. શાકાહારી જીવનશૈલી ધરાવતા અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામનો ઉપયોગ ફિશ માર્કેટ જેવા નોન-વેજ વેચાણના સ્થળ માટે કરવામાં આવતાં ભાજપના જ સ્થાનિક કાર્યકરો અને આગેવાનોમાં પણ ભારે અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી.</p><h3><b>વિવાદ વકરતાં SMC ની ટીમ ગેરકાયદે બોર્ડ હટાવવા પહોંચી</b></h3><p>વિવાદ વધતાં જ સુરત મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોનની ટીમ ગેરકાયદેસર રીતે મુકાયેલું બોર્ડ દૂર કરવા માટે તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.મનપાની ટીમને કાર્યવાહી કરતી જોઈને વેપારીઓએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને જાતે જ આ વિવાદાસ્પદ બોર્ડ ઉતારી લેવાની લેખિત/મોખિક ખાતરી આપી હતી. શાસકોની જાણ બહાર મનપાની જાહેર મિલકત પર આટલું મોટું બોર્ડ કોની પરવાનગી કે શ્રમથી લાગી ગયું તે અંગે હવે પાલિકા તંત્રમાં આંતરિક તપાસ શરૂ થાય તેવી શક્યતા છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/rakshabandhan/ahmedabad/amc-announces-free-amts-bus-travel-on-raksha-bandhan-2026" target="_blank">આ પણ વાંચો:Ahmedabad News: રક્ષાબંધન પર AMCની મોટી ભેટ, મહિલાઓ અને બાળકો માટે ફ્રી મુસાફરીની જાહેરાત</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/XBg6lYLPtKNhplxhhozJSBazeM8iwDAK7Eyd5cKs.webp'/></item><item><title><![CDATA[Gurugram: 1600 કિમી દૂરથી ડોક્ટરે કરી રોબોટિક સર્જરી, ભારતીય તબીબી ક્ષેત્રે રચાયો નવો ઇતિહાસ ]]></title><link>https://sandesh.com/india/news/tech/india-first-robotic-telesurgery-1600-km-away-gurugram-hyderabad</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/tech/india-first-robotic-telesurgery-1600-km-away-gurugram-hyderabad</guid><pubDate>Mon, 24 Aug 2026 15:21:48 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતે તબીબી વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં એક અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે, જેણે આખી દુનિયાને ચોંકાવી દીધી છે. કલ્પના કરો કે હરિયાણાના ગુરુગ્રામમાં બેઠેલા એક ડૉક્ટર, 1600 કિલોમીટર દૂર હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ દર્દીનું સફળતાપૂર્વક ઓપરેશન કરી રહ્યા છે.&nbsp;</p><p style="text-align: justify; ">1600 કિલોમીટર દૂરથી ઓપરેશન કરવાની આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાર્તા નથી, પરંતુ વાસ્તવિકતા છે. સફદરજંગ હોસ્પિટલ અને VMMC (દિલ્હી) ના યુરોલોજી વિભાગના વડા પ્રોફેસર અનૂપ કુમારે દેશની પ્રથમ રોબોટિક યુરોલોજિકલ ટેલિસર્જરી સફળતાપૂર્વક પાર પાડીને ભારતીય તબીબી ઇતિહાસમાં એક નવો સીમાચિહ્ન સ્થાપિત કર્યો છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જે.પી. નડ્ડાએ પણ આ ઐતિહાસિક સિદ્ધિ બદલ તબીબી ટીમની પ્રશંસા કરી છે.</p><h2 style="text-align: justify; "><b>ગુરુગ્રામ બેસીને ડો અનુપ કુમારે કરી સફળ સર્જરી</b></h2><p style="text-align: justify; ">આ જટિલ ઓપરેશનની શરૂઆત હૈદરાબાદની પ્રીતિ કિડની અને યુરોલોજી હોસ્પિટલથી થઈ હતી, જ્યાં 32 વર્ષીય મહિલા દર્દી મૂત્રમાર્ગની ગંભીર અને જટિલ સમસ્યાથી પીડાઈ રહી હતી. આ સ્થિતિ માટે 'રોબોટિક મોડિફાઇડ લીચ ગ્રેગોઇર યુરેટેરિક રિઇમ્પ્લાન્ટેશન' નામની અત્યંત જટિલ સર્જરીની આવશ્યકતા હતી. ગુરુગ્રામમાં બેસીને ડૉ. અનૂપ કુમારે અદ્યતન સર્જિકલ રોબોટિક સિસ્ટમનું નિયંત્રણ સંભાળ્યું હતું. હાઇ-સ્પીડ ઇન્ટરનેટ અને અત્યંત આધુનિક નેટવર્કની મદદથી, રોબોટિક આર્મ્સે હૈદરાબાદમાં રહેલા દર્દીની આ સર્જરી કોઈપણ પ્રકારના વિલંબ કે વિક્ષેપ વિના ખૂબ જ ચોકસાઈપૂર્વક પૂરી કરી હતી. આ કામગીરીમાં હૈદરાબાદના ડૉ. ચંદ્રમોહન વાડ્ડી અને તેમની ટીમ દ્વારા સ્થળ પર સંપૂર્ણ સહાય પૂરી પાડવામાં આવી હતી.<br><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ani_digital/status/2090473852908568641"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></p><h3 style="text-align: justify; "><b>આટલા લાંબા અતંરે ટેલિસર્જરી કરવાનો પ્રથમ બનાવ</b></h3><p style="text-align: justify; ">સરકારી સંસ્થાના કોઈ સર્જન દ્વારા આટલા લાંબા અંતરે ટેલિસર્જરી કરવાનો આ પ્રથમ બનાવ છે. ડૉ. અનૂપ કુમારે આ સફળતાનો શ્રેય વરિષ્ઠ ડૉક્ટરો અને હોસ્પિટલ વહીવટને આપ્યો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ ટેકનોલોજી ભવિષ્યમાં દેશના કોઈપણ દૂરના ખૂણામાં બેઠેલા દર્દીઓને શ્રેષ્ઠ અને ઉચ્ચ સ્તરીય સારવાર પૂરી પાડવામાં ક્રાંતિકારી સાબિત થશે. હવે દર્દીઓને માત્ર સુપર-સ્પેશિયાલિટી સારવાર માટે મોટા શહેરોમાં લાંબી મુસાફરી કરવાની કે ભારે ખર્ચ કરવાની જરૂર નહીં પડે. આ ટેકનોલોજીથી સમય અને નાણાં બંનેની બચત થશે અને કટોકટીના સમયે દર્દીઓનો કિંમતી જીવ બચાવી શકાશે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/haryana-kurukshetra-man-murdered-wife-cuts-stomach-intestines-out" target="_blank">આ પણ વાંચોઃ Haryana : પત્નીએ પતિને મારવા ક્રૂરતાની હદ કરી પાર, આંતરડા બહાર કાઢી પરબિડીયામાં ભર્યા</a></b></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/v7aqKotFt0jcYLUeIRv4rh1vAVwFgM3IbgSdz70T.webp'/></item><item><title><![CDATA[Bajaj Pulsar 125 અને Pulsar 150ના નવા મોડલ લોન્ચ, જાણો કિંમત અને નવા ફીચર્સ ]]></title><link>https://sandesh.com/business/automobile/news/new-models-of-bajaj-pulsar-125-and-pulsar-150-launched-know-price-and-new-features</link><guid isPermaLink="true">https://sandesh.com/business/automobile/news/new-models-of-bajaj-pulsar-125-and-pulsar-150-launched-know-price-and-new-features</guid><pubDate>Mon, 24 Aug 2026 15:13:16 +05:30</pubDate><description><![CDATA[<p>Bajaj Autoએ ભારતીય બજારમાં પોતાની લોકપ્રિય Pulsar 125 અને Pulsar 150ના નવા મોડલ લોન્ચ કરી દીધા છે. નવી Pulsar 125ની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત ₹92,990 છે, જ્યારે Pulsar 150ની કિંમત ₹1.15 લાખથી શરૂ થાય છે. બંને બાઇક્સમાં ડિઝાઇનની સાથે અનેક નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે.  નવી Pulsar 125 અને Pulsar 150માં અગાઉની સરખામણીએ વધુ પહોળી ફ્યુઅલ ટાંકી આપવામાં આવી છે. તેનાથી બંને બાઇક્સનો લુક વધુ મસ્ક્યુલર અને મજબૂત દેખાય છે.</p><h2><b>નવી Bajaj Pulsar 125માં શું ખાસ?</b></h2><p>નવી Pulsar 125માં 124.38ccનું સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ DTS-i એન્જિન મળે છે. આ એન્જિન 12.1 PSની પાવર આપે છે, જે જૂના મોડલની 11.8 PS પાવર કરતાં વધુ છે. બાઇકમાં હવે 5-ઇંચ TFT ડિસ્પ્લે, ગૂગલ મેપ નેવિગેશન, ઓલ-LED લાઇટ્સ, હેઝર્ડ લાઇટ્સ અને USB Type-C ચાર્જિંગ પોર્ટ જેવા ફીચર્સ મળે છે. તેમાં અનેક રાઇડ મોડ, ક્લિપ-ઓન હેન્ડલબાર અને ગેસ-ચાર્જ્ડ મોનોશોક પણ આપવામાં આવ્યો છે. તેનું સૌથી ખાસ ફીચર Crawl Tech છે. તેની મદદથી બાઇક થ્રોટલ આપ્યા વગર ખૂબ જ ઓછી સ્પીડ પર આગળ વધી શકે છે. Pulsar 125 ચાર રંગોમાં ઉપલબ્ધ છે.</p><h3><b>નવી Bajaj Pulsar 150માં શું બદલાયું?</b></h3><p>Pulsar 150માં 149.5ccનું ઓઇલ-કૂલ્ડ, ટ્વિન-સ્પાર્ક, ફ્યુઅલ-ઇન્જેક્ટેડ એન્જિન છે. આ એન્જિન 14 PSની પાવર આપે છે. બાઇકમાં 5-ઇંચ TFT સ્ક્રીન, ગૂગલ મેપ, LED લાઇટિંગ, USB Type-C પોર્ટ, હેઝર્ડ લાઇટ્સ અને ગેસ-ચાર્જ્ડ મોનો શોક જેવા ફીચર્સ મળે છે. TFT સ્ક્રીન પર RC, ઇન્શ્યોરન્સ જેવા જરૂરી ડોક્યુમેન્ટ્સ સેવ કરી શકાય છે. આ ઉપરાંત લાઇવ કોલ અને મેસેજ એલર્ટ, મ્યુઝિક કંટ્રોલ અને Crawl Tech પણ મળે છે. બાઇકમાં ક્લિપ-ઓન હેન્ડલબાર, બેલી પેન અને અનેક રાઇડ મોડ પણ આપવામાં આવ્યા છે. Pulsar 150ને પાંચ રંગોમાં ખરીદી શકાય છે.</p><p><b><a href="https://sandesh.com/" target="_blank">વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ</a></b></p><p><b><br></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/HmqhxrdJDAQOvWU1KNh0ylhr5gkMw8twvxfZhkLR.webp'/></item><item><title><![CDATA[Rejected Song : 3-4 ડિરેક્ટર્સે રિજેક્ટ કરેલું ગીત YouTube પર છવાયું, મળ્યા 78 મિલિયન વ્યૂઝ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/koyila-song-vijay-bulganin-78-million-views</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/koyila-song-vijay-bulganin-78-million-views</guid><pubDate>Mon, 24 Aug 2026 15:10:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વિજય બુલ્ગાનિન તેલુગુ સિનેમાનો જાણીતો મ્યુઝિક કમ્પોઝર અને સિંગર છે. તેને 2023માં આવેલી બ્લોકબસ્ટર તેલુગુ ફિલ્મ બેબીમાં શાનદાર સંગીત આપવા બદલ ફિલ્મફેર અવોર્ડ મળ્યો હતો. જોકે, તે પહેલા પણ તે અનેક લોકપ્રિય ઇન્ડિપેન્ડન્ટ ગીતો દ્વારા પોતાની ઓળખ બનાવી ચૂક્યો હતો. આમાંથી એક ગીત કોઇલા હતું, જે ખૂબ લોકપ્રિય થયું હતું. લોકોને આ ગીત ખૂબ પસંદ આવ્યું અને તે મોટું હિટ બન્યું.</p><h2 style="text-align: justify; "><b>કોઇલા ગીતે યુટ્યુબ પર મચાવી ધૂમ</b></h2><p style="text-align: justify; ">તેલુગુ ગીત કોઇલાને અત્યાર સુધીમાં યુટ્યુબ પર 7.8 કરોડથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ ગીત 23 મે 2025ના રોજ રિલીઝ થયું હતું. તેમાં અલેખ્યા હરિકા અને વિનય શન્મુખ જોવા મળ્યા હતા. બંનેની શાનદાર કેમિસ્ટ્રી અને પરફોર્મન્સે દર્શકોનું દિલ જીતી લીધું હતું. સોશિયલ મીડિયા પર પણ આ ગીત ખૂબ વાયરલ થયું હતું.</p><h3 style="text-align: justify; "><b>ફિલ્મમેકર્સે ગીતને નકારી કાઢ્યું હતું</b></h3><p style="text-align: justify; ">ઈન્ટરેસ્ટિંગ વાત એ છે કે વિજયે જણાવ્યું હતું કે શરૂઆતમાં આ ગીત 3-4 ફિલ્મમેકર્સને તેની ફિલ્મોમાં ઉપયોગ કરવા માટે આપવામાં આવ્યું હતું, પરંતુ કોઈએ તેને પસંદ કર્યું નહોતું. ત્યારબાદ વિજય અને તેની ટીમે આ ગીતને ઇન્ડિપેન્ડન્ટ રીતે રિલીઝ કરવાનો નિર્ણય લીધો. ફિલ્મમેકર્સના ઇનકાર છતાં કોઇલાને દર્શકોનો જબરદસ્ત પ્રેમ મળ્યો અને તે મોટું ઇન્ડિપેન્ડન્ટ હિટ બની ગયું.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbnJwsEvV2N/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbnJwsEvV2N/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbnJwsEvV2N/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbnJwsEvV2N/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h3 style="text-align: justify; "><b>વિજય બુલ્ગાનિન વિશે</b></h3><p style="text-align: justify; ">વિજય બુલ્ગાનિનનો જન્મ આંધ્ર પ્રદેશના વેદુરુપકામાં એક તેલુગુ પરિવારમાં થયો હતો. મ્યુઝિક અને સિનેમામાં કરિયર બનાવવા માટે તે 2014ની આસપાસ હૈદરાબાદ આવ્યો હતો. તેણે 2015માં આવેલી ફિલ્મ વારિધિથી મ્યુઝિશિયન તરીકે પોતાની ફિલ્મી સફર શરૂ કરી હતી. તેણે સપ્તગિરી એક્સપ્રેસ 2016, રેન્ડુ રેલ્લુ આરુ 2017 અને વજ્ર કવચધરા ગોવિંદા 2019 જેવી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. 2023માં આવેલી રોમેન્ટિક-ડ્રામા ફિલ્મ બેબીએ તેની કરિયરને સંપૂર્ણપણે બદલી નાખી. આ ફિલ્મના ઓ રેન્ડુ પ્રેમા મેઘાલીલા જેવા ગીતો ખૂબ સફળ રહ્યા અને દર્શકોમાં લોકપ્રિય બન્યા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/ranu-mondal-life-today-where-is-she-now" target="_blank">આ પણ વાંચો-Ranu Mondal : રાતોરાત મળ્યું સ્ટારડમ, હવે લાઈમલાઈટથી દૂર ક્યાં અને કેવા હાલમાં જીવી રહી છે રાનૂ મંડલ?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/t1bZhnTzya5CZQy3TQLr4RLorbFchOHHYaElaP7Q.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : જાહેરમાં ચેઈન તોડી બાઈક પર ફરાર થયેલો આરોપી ઝડપાયો, 2.08 લાખનો મુદ્દામાલ રિકવર ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-krishnanagar-chain-snatching-jignesh-dhashi-arrested-gold-chain-recovered</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-krishnanagar-chain-snatching-jignesh-dhashi-arrested-gold-chain-recovered</guid><pubDate>Mon, 24 Aug 2026 14:41:19 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં ચેઈન સ્નેચિંગની ઘટનાએ ચકચાર મચાવી હતી. પ્રભાકર ચાર રસ્તા પાસે ચાલતા જતા એક વ્યક્તિના ગળામાંથી સોનાની ચેઈન તોડીને મોટરસાયકલ પર આવેલો શખ્સ ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ કૃષ્ણનગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>જુગનુ ઉર્ફે જિગ્નેશ ધાશીની ધરપકડ&nbsp;</b></h2><p style="text-align: justify; ">પોલીસ તપાસ દરમિયાન જુગનુ ઉર્ફે જિગ્નેશ ધાશીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી ચેઈન સ્નેચિંગમાં લૂંટાયેલી સોનાની ચેઈન સહિતનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. પોલીસે કબજે કરેલી સોનાની ચેઈનનું વજન 9.360 ગ્રામ હોવાનું સામે આવ્યું છે, જેની કિંમત અંદાજે રૂપિયા 1.38 લાખ છે.</p><h3 style="text-align: justify; "><b>2.08 લાખનો મુદ્દામાલ રિકવર કરાયો</b></h3><p style="text-align: justify; ">ચેઈન સ્નેચિંગની ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી યમાહા FZ મોટરસાયકલ પણ પોલીસે કબજે કરી છે. સોનાની ચેઈન અને મોટરસાયકલ સહિત કુલ રૂપિયા 2.08 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જાહેરમાં ચેઈન તોડીને ફરાર થયેલા આરોપીને ઝડપવામાં કૃષ્ણનગર પોલીસને સફળતા મળી છે.</p><h4 style="text-align: justify; "><b>અગાઉ પણ વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયેલા</b></h4><p style="text-align: justify; ">પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા જુગનુ ઉર્ફે જિગ્નેશ ધાશી સામે અગાઉ પણ વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે અને અગાઉની અન્ય ચેઈન સ્નેચિંગ અથવા ગુનાહિત ઘટનાઓમાં તેની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો :&nbsp;&nbsp;<a href="https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-gujarat-monsoon-el-nino-impact-rainfall-deficit-september-forecast" target="_blank"><b>&nbsp;Monsoon 2026 : અલ નીનોનો પ્રભાવ વધ્યો, ગુજરાતમાં ચોમાસું નબળું પડવાની આશંકા</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/tCcNWFNyG0f2Jy5FLtiKB54uUp1vkVbMwmJVbUR9.webp'/></item><item><title><![CDATA[Kheda News: વડતાલ પોલીસે 7 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો, બે સામે ગુનો નોંધાયો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/kheda/vadtal-police-seized-foreign-liquor-two-accused-absconding</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/kheda/vadtal-police-seized-foreign-liquor-two-accused-absconding</guid><pubDate>Mon, 24 Aug 2026 14:11:18 +05:30</pubDate><description><![CDATA[<p>ખેડા જિલ્લામાં દારૂબંધીના કડક અમલવારીના ભાગરૂપે વડતાલ પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને ગેરકાયદે રાખવામાં આવેલો રૂ. 7 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો મોટો જથ્થો કબ્જે કર્યો છે. પોલીસની આ ત્વરિત કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.</p><h2><b>1522 બોટલો સહિત 7.02 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે</b></h2><p>પોલીસ દરોડા દરમિયાન રોયલ સ્ટેગ બ્રાન્ડની 266 બોટલો સહિત કુલ 1522 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી કુલ 702096 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.</p><h2><b>મુખ્ય બે આરોપીઓ પોલીસ પકડથી દૂર, તપાસ તેજ</b></h2><p>આ સમગ્ર મામલે દારૂનો જથ્થો મંગાવનાર ધર્મેન્દ્ર ઉર્ફે ચકામામા મગનભાઈ પરમાર (રહે. ધોળીકુઈ, વડતાલ) અને દારૂનો પુરવઠો પૂરો પાડનાર કમલેશ હસમુખભાઈ પરમાર (રહે. ઉત્તરસંડા) નામના બંને આરોપીઓ હાલ પોલીસ પકડથી ફરાર થઈ ગયા છે. વડતાલ પોલીસે બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ માટે ચક્ર ગતિમાન કર્યા છે.</p><p><br></p><p>આ પણ વાંચો - A<a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/chandkheda-police-register-fraud-case-against-virag-patel-battery-scam" target="_blank">hmedabad: ચાંદખેડામાં 226 ઇન્વર્ટર બેટરી ખરીદી 22.93 લાખની છેતરપિંડી, ગોડાઉન બંધ કરી આરોપી થયો ફરાર</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/MCKY3moz0HWCPYnceWAhYyGrU9QNAqWJs0tCXVQA.webp'/></item><item><title><![CDATA[Bharuch News: ACBના હાથે ઝડપાયા ડ્રગ્સ વિભાગના બે લાંચિયા અધિકારી, ફાર્માસિસ્ટ એસોસિએશને કરી ઉજવણી ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/bharuch/narmada-acb-trap-drug-officials-arrested-for-bribe</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/bharuch/narmada-acb-trap-drug-officials-arrested-for-bribe</guid><pubDate>Mon, 24 Aug 2026 14:03:18 +05:30</pubDate><description><![CDATA[<p>ભરૂચ ખાતે એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે હાથ ધરેલી સફળ ટ્રેપમાં ડ્રગ્સ વિભાગના બે લાંચિયા અધિકારીઓ રંગેહાથે ઝડપાઈ જતાં વેપારીઓ અને ફાર્માસિસ્ટોમાં આનંદની લહેર ફરી વળી છે. આ સફળ કાર્યવાહી બાદ 'ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન' એ કચેરી પરિસરમાં ફટાકડા ફોડીને અને કેક કાપી એકબીજાને ખવડાવીને અનોખી રીતે ઉજવણી કરી હતી. આ સાથે લાંચિયા અધિકારી ઝડપાવાના કારણે પારદર્શિતા વધવાની આશા વ્યક્ત કરી છે.</p><h2><b>મેડિકલ સ્ટોરના નવા પરવાના માટે માંગી 40 હજારની લાંચ</b></h2><p>સમગ્ર બનાવની વિગત અનુસાર, મેડિકલ સ્ટોર અને દવાની નવી પેઢી શરૂ કરવા માટેના પરવાના એટલે કે લાયસન્સને મંજૂરી આપવાના બદલામાં અરજદાર પાસે લાંચની માંગણી કરવામાં આવી હતી. ડ્રગ્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર અને ડ્રગ ઈન્સ્પેક્ટરે આ કામગીરી પૂર્ણ કરવા માટે 40 હજાર રૂપિયાની લાંચ માંગી હતી, જેનાથી કંટાળીને અરજદારે એસીબીનો સંપર્ક કર્યો હતો.</p><p><img alt="Bharuch News: Gujarat Pharmacist Association Celebrates After ACB Arrests Corrupt Drug Dept Officials" src="https://epapercdn.sandesh.com/images/2026/08/24/7zlSZR5tVPfHSanX4ys85AZEjsygz8t9VoN62KdE.webp"><br></p><h2><b>નર્મદા એસીબીનું સચોટ છટકું અને અધિકારીઓની ધરપકડ</b></h2><p>અરજદારની બાતમી અને ફરિયાદના આધારે નર્મદા એસીબીની ટીમે સચોટ આયોજન કરી કચેરી ખાતે જ છટકું ગોઠવ્યું હતું. અરજદાર પાસેથી 40 હજાર રૂપિયાની લાંચ સ્વીકારતા જ આસિસ્ટન્ટ કમિશનર અને ડ્રગ ઈન્સ્પેક્ટર બંનેને એસીબીની ટીમે કચેરીમાંથી જ રંગેહાથ ઝડપી પાડ્યા હતા.</p><p><img alt="Bharuch News: Gujarat Pharmacist Association Celebrates After ACB Arrests Corrupt Drug Dept Officials" src="https://epapercdn.sandesh.com/images/2026/08/24/EPheWImW4mE9C7iLeZVJKYsPr3s8Bsk5pyhP5VwJ.webp"><br></p><h2><b>ભ્રષ્ટાચાર સામે એસોસિએશનનો આકરો સંદેશ</b></h2><p>સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર અને અધિકારીઓની ત્રાસદાયક નીતિઓ સામે લાંબા સમયથી પીડાતા ફાર્માસિસ્ટો માટે આ ટ્રેપ રાહતરૂપ સાબિત થઈ છે. ફાર્માસિસ્ટ એસોસિએશને સ્પષ્ટ કર્યું હતું કે, પ્રામાણિકપણે વ્યવસાય કરતા લોકો પાસે લાંચ માંગતા આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે એસીબીની આ કાર્યવાહી આવકારદાયક છે અને તેનાથી અન્ય લાંચિયા તત્વોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.&nbsp;</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bharuch/bharuch-food-distribution-operations-stalled-due-to-portal-glitch-in-the-district" target="_blank">Bharuch: જિલ્લામાં પોર્ટલની ખામીથી અનાજ વિતરણની કામગીરી ઠપ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/2rhYnJXMatCKlSYlwJHXuM6tiC75LWf2BGBN4RNu.webp'/></item><item><title><![CDATA[Indiaની દિવ્યાંગ ક્રિકેટ ટીમને મળ્યા અમિત શાહ, લોર્ડ્સની ઐતિહાસિક જીતની કરી પ્રશંસા ]]></title><link>https://sandesh.com/sports/news/india/amit-shah-meets-indias-disabled-cricket-team-praises-historic-win-at-lords</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india/amit-shah-meets-indias-disabled-cricket-team-praises-historic-win-at-lords</guid><pubDate>Mon, 24 Aug 2026 11:08:58 +05:30</pubDate><description><![CDATA[<p>Indiaની દિવ્યાંગ ક્રિકેટ ટીમ તાજેતરમાં ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટી20 સિરીઝ રમીને પરત ફરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમામ ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત કરી અને તેમના જુસ્સા તથા દૃઢશક્તિની પ્રશંસા કરી. ભારતીય ખેલાડીઓનો એક વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં તેમણે સૌરવ ગાંગુલીની સ્ટાઇલમાં લોર્ડ્સની બાલ્કની પર શર્ટ ઉતારીને લહેરાવ્યું હતું.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/AmitShah/status/2091540039704699368"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b style="font-size: 2rem;">અમિત શાહે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે મુલાકાત કરી</b></p><p> આ યાદગાર જીત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. અમિત શાહે સોશિયલ મીડિયા દ્વારા કહ્યું- નવી દિલ્હીમાં ભારતની દિવ્યાંગ ક્રિકેટ ટીમને મળીને ખુશી થઈ. ભારતની આ ટીમ ઇંગ્લેન્ડ પ્રવાસથી પરત ફરી છે, જ્યાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મેન્સ મિક્સ્ડ ડિસેબિલિટી ટી20 સિરીઝ રમાઈ હતી. દેશનું સન્માન વધારવા માટે તેમનો પ્રયાસ અને તેમનો દૃઢ સંકલ્પ ભારતના યુવાનોને પ્રેરણા આપે છે. ભવિષ્યના પ્રયાસો માટે તેમને શુભકામનાઓ.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/LucknowIPL/status/2090409941769261489"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b style="font-size: 1.75rem;">ભારત માટે હિલાલ અહમદ વાણીએ 4 વિકેટ ઝડપી&nbsp;</b></p><p>ટીમ ઈન્ડિયા ભલે સિરીઝ હારી ગઈ, પરંતુ સિરીઝનો અંત તેણે યાદગાર અંદાજમાં કર્યો. અંતિમ ટી20 મુકાબલામાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારિત 20 ઓવરમાં સ્કોરબોર્ડ પર 206 રન નોંધાવ્યા હતા. સૌથી વધુ પ્રભાવિત માજિદ મેકગ્રેની 331.58ના સ્ટ્રાઇક રેટથી રમાયેલી ઇનિંગ્સે કર્યા હતા. તેમણે માત્ર 19 બોલમાં 68 રન ફટકાર્યા હતા, જેમાં 3 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ હતા. ઇંગ્લેન્ડની આખી ટીમ માત્ર 88 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતે 118 રનથી મેચ જીતી લીધી હતી. ભારત માટે હિલાલ અહમદ વાણીએ 4 વિકેટ ઝડપી હતી, જ્યારે જયેશ પરમારે માત્ર 2 ઓવર બોલિંગ કરીને 3 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. આ ધમાકેદાર જીત બાદ ભારતીય ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે પણ લોર્ડ્સની બાલ્કની પર શર્ટ લહેરાવ્યો હતો.</p><p><b><a href="https://sandesh.com/" target="_blank">વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/qYWhXb0m9OoaytEVlC2JMmyKpLlTHffb0heAKSvt.webp'/></item></channel></rss>