<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Indian Navy : હોર્મુઝ નહી ખતરનાક રૂટ બાબ-અલ-મંદેબ જળમાર્ગથી ભારત આવ્યુ ક્રૂડ ઓયલ ભરેલુ ટેન્કર ]]></title><link>https://sandesh.com/india/news/indian-navy-indian-navy-safely-escorts-crude-oil-tanker-through-the-dangerous-bab-el-mandeb-waterway</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/indian-navy-indian-navy-safely-escorts-crude-oil-tanker-through-the-dangerous-bab-el-mandeb-waterway</guid><pubDate>Sun, 23 Aug 2026 09:18:46 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય નૌસેનાના યુદ્ધજહાજે કાચા તેલના ટેન્કર MT સનમાર હેરાલ્ડને હાઈ-રિસ્ક ગણાતા બાબ-અલ-મંદેબ જળમાર્ગમાંથી સુરક્ષિત રીતે પસાર કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ભારતીય નૌસેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે માહિતી આપી હતી. નૌસેનાના જણાવ્યા અનુસાર, 20 ઓગસ્ટે મિશન પર તૈનાત નૌસેનાની એક યુનિટે આ તેલ ટેન્કરની સુરક્ષિત અવરજવર પર નજર રાખી હતી.</p><h2 style="text-align: justify; "><b>ભારત માટે કેમ મહત્વપૂર્ણ છે બાબ-અલ-મંદેબ?</b></h2><p style="text-align: justify; ">બાબ-અલ-મંદેબ જળમાર્ગ લાલ સમુદ્ર, હિંદ મહાસાગર અને સુએઝ કેનાલને જોડતો અત્યંત મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે. વૈશ્વિક વેપાર માટે પણ તેનું વ્યૂહાત્મક મહત્વ છે. ભારત માટે આ માર્ગનું મહત્વ ખાસ કરીને ઊર્જા પુરવઠાને કારણે વધી જાય છે. પશ્ચિમ એશિયામાંથી ભારત તરફ આવતું કાચું તેલ અને અન્ય જરૂરી સામાન આ દરિયાઈ માર્ગથી પસાર થાય છે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/IN_WNC/status/2091025496117322136"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; ">જો આ વિસ્તારમાં તણાવ વધે અથવા જહાજોની અવરજવરમાં કોઈ મોટી અડચણ ઊભી થાય તો તેની સીધી અસર ભારતની ઊર્જા સુરક્ષા પર પડી શકે છે. દરિયાઈ માર્ગમાં વિક્ષેપ સર્જાય તો શિપિંગ ખર્ચમાં વધારો થઈ શકે છે અને તેની અસર આંતરરાષ્ટ્રીય તેમજ ભારતીય બજારમાં પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવ પર પણ પડી શકે છે.</p><h3 style="text-align: justify; "><b>20 ઓગસ્ટે નૌસેનાએ રાખી નજર</b></h3><p style="text-align: justify; ">20 ઓગસ્ટે મિશન પર તૈનાત ભારતીય નૌસેનાની એક યુનિટે MT સનમાર હેરાલ્ડની બાબ-અલ-મંદેબમાંથી સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવા માટે સતત દેખરેખ રાખી હતી. આ વિસ્તારને જોખમી માનવામાં આવે છે, કારણ કે અહીં જહાજો સામે હુમલાનો ખતરો રહે છે. ખાસ કરીને યમનના હૂતી જૂથ સાથે જોડાયેલા હુમલાઓને કારણે લાલ સમુદ્ર અને તેની આસપાસના દરિયાઈ માર્ગોમાં વેપારી જહાજોની સુરક્ષા એક મોટો પડકાર બની છે.</p><h4 style="text-align: justify; "><b>હોર્મુઝ બાદ વૈકલ્પિક માર્ગનું મહત્વ</b></h4><p style="text-align: justify; ">પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે હોર્મુઝ જળમાર્ગમાં જહાજોની અવરજવર પર અસર થવાની ચિંતા વધી છે. આવી સ્થિતિમાં ભારત એક જ દરિયાઈ માર્ગ પર સંપૂર્ણપણે નિર્ભર રહેવા માંગતું નથી. તેથી બાબ-અલ-મંદેબ ભારત માટે એક મહત્વપૂર્ણ વૈકલ્પિક માર્ગ બની શકે છે.</p><p style="text-align: justify; ">ભારતની ઊર્જા જરૂરિયાતો માટે કાચા તેલનો સતત અને સુરક્ષિત પુરવઠો અત્યંત જરૂરી છે. જો બાબ-અલ-મંદેબ માર્ગ પરથી તેલની સપ્લાય સુરક્ષિત રીતે ચાલુ રહે છે, તો ભારતને ઊર્જા પુરવઠા માટે વધુ એક વિકલ્પ મળી શકે છે.</p><p style="text-align: justify; ">આ જ કારણસર આ વિસ્તારમાં ભારતીય નૌસેનાની સતત હાજરી, દેખરેખ અને સુરક્ષા કામગીરી વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્વપૂર્ણ બની જાય છે. તે માત્ર ભારતીય જહાજોની સુરક્ષા માટે નહીં, પરંતુ દેશની ઊર્જા સુરક્ષા અને વૈશ્વિક વેપાર માર્ગોની સ્થિરતા માટે પણ મહત્વપૂર્ણ છે.</p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/23/H1cw8hHIJMRY5VPJXtwtFj1YAlKfmbcFLE9WPWLw.webp'/></item><item><title><![CDATA[Morbiના હળવદમાં ગેરકાયદે રેતી ખનન પર ફ્લાઈંગ સ્કવોર્ડનો દરોડો, કરોડોનો મુદ્દામાલ જપ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/morbi/halvad-illegal-sand-mining-flying-squad-raid</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/morbi/halvad-illegal-sand-mining-flying-squad-raid</guid><pubDate>Sun, 23 Aug 2026 08:59:46 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મોરબી જિલ્લાના હળવદ પંથકમાં ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન સામે ખાણ ખનિજ વિભાગે લાલ આંખ કરી છે. રાજકોટ ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમે મોડી રાત્રે ગુપ્ત બાતમીના આધારે હળવદ તાલુકાના ચાડધરા ગામ નજીકથી પસાર થતી બ્રાહ્મણી નદીના પટમાં અચાનક દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન નદીમાંથી ગેરકાયદેસર રીતે ખનિજ ચોરી કરી રેતીનું ઉત્ખનન કરી રહેલા માફિયાઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>બે હિટાચી, બે ડમ્પર અને એક લોડર મશીન કબ્જે કરાયા&nbsp;</b></h2><p style="text-align: justify; ">રાજકોટ ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમે સ્થળ પરથી ગેરકાયદે ખનન અને વહન પ્રવૃત્તિમાં રોકાયેલા કુલ પાંચ હેવી વાહનોને ઝડપી પાડ્યા હતા. જેમાં ૨ ડમ્પર, ૨ હિટાચી અને ૧ લોડર મશીનનો સમાવેશ થાય છે. ખાણ ખનિજ વિભાગે લાખો રૂપિયાની કિંમતના આ વાહનો અને મશીનરીને ઘટનાસ્થળેથી જપ્ત કરી કાયદેસરની જપ્તીની કાર્યવાહી હાથ ધરી હતી.</p><h3 style="text-align: justify; "><b>જપ્ત કરાયેલા તમામ વાહનો હળવદ પોલીસ હવાલે</b></h3><p style="text-align: justify; ">દરોડાની કામગીરી પૂર્ણ કર્યા બાદ ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમે જપ્ત કરાયેલા તમામ પાંચેય વાહનોને આગળની કાનૂની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશન હવાલે કર્યા છે. ખાણ ખનિજ વિભાગ દ્વારા દંડકીય આકારણી હાથ ધરવામાં આવી છે. મોડી રાત્રે પાડવામાં આવેલા આ ત્રાટક દરોડાને પગલે હળવદ પંથકના ભૂમાફિયાઓ અને ગેરકાયદેસર રેતી ખનન કરતા તત્વોમાં ભારે ફાળચ વ્યાપી ગઈ છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/23/qBxeqNArVlBNklCsd9rtpTZIblQIoQm87lL2WcuN.webp'/></item><item><title><![CDATA[Suratના સચિન GIDCમાં 22 વાર પકડાયેલી મહિલા બુટલેગર મછીબેન ફરી ઝડપાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/sachin-gidc-female-bootlegger-machhiben-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/sachin-gidc-female-bootlegger-machhiben-arrested</guid><pubDate>Sun, 23 Aug 2026 08:40:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતના સચિન GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદે વિદેશી દારૂના વેપાર સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સચિન GIDC પોલીસની ટીમે ચોક્કસ માહિતીના આધારે સફળ દરોડો પાડીને મહિલા બુટલેગર મછીબેન ખલાસીને રંગેહાથ ઝડપી પાડી છે. પોલીસે સ્થળ પરથી રૂ. 26,000 ની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો કબ્જે કરી તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે.</p><h2 style="text-align: justify; "><b>એક જ પોલીસ સ્ટેશનમાં 22 વખત પકડાઈ મહિલા</b></h2><p style="text-align: justify; ">પોલીસ તપાસમાં આ મહિલા આરોપી અંગે અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. મછીબેન ખલાસી નામની આ મહિલા વર્ષ 2015 થી લઈને અત્યાર સુધીમાં માત્ર સચિન GIDC પોલીસ સ્ટેશનમાં જ દારૂના ગુનાઓમાં ૨૨ વખત ઝડપાઈ ચૂકી છે. અગાઉ અનેકવાર જેલના સળિયા પાછળ ધકેલાઈ હોવા છતાં આ મહિલા બુટલેગરે દારૂનો ગેરકાયદે વેપાર બંધ કર્યો નથી અને સતત ગુનાહિત પ્રવૃત્તિ આચરતી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>પોલીસે હાથ ધરી આગળની કડક કાર્યવાહી&nbsp;</b></h3><p style="text-align: justify; ">વારંવાર પકડાવા છતાં મહિલા આરોપીમાં પોલીસ કે કાયદાનો કોઈ ડર ન હોય તેમ તે ફરી એકવાર દારૂનો ધંધો કરતા પકડાઈ છે. હાલ સચિન GIDC પોલીસે આરોપી મહિલા સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વારંવાર ગુના આચરવાની ટેવ ધરાવતી આ મહિલા સામે વધુ કડક કાનૂની પગલાં ભરવા પોલીસે તજવીજ શરૂ કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/23/k6nF6vD5XUFVWh8JdyWyRJepVpPGnspUP17XWHnE.webp'/></item><item><title><![CDATA[VIDEO:  મેસ્સીએ લાઈવ મેચ દરમિયાન વિરોધી ટીમના એક ખેલાડીને માર્યો થપ્પડ, MLSએ ફટકાર્યો દંડ ]]></title><link>https://sandesh.com/sports/news/video-lionel-messi-slapped-an-opposing-player-during-a-live-match-mls-fined-him</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/video-lionel-messi-slapped-an-opposing-player-during-a-live-match-mls-fined-him</guid><pubDate>Sun, 23 Aug 2026 08:39:10 +05:30</pubDate><description><![CDATA[<p>છેલ્લા કેટલાક દિવસો આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસ્સી માટે ઉદાસી અને પીડાથી ભરેલા રહ્યા છે. આર્જેન્ટિનાને વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચાડવા છતાં, તે સતત બીજી વખત ટાઇટલ જીતવામાં નિષ્ફળ ગયો. આ નિષ્ફળતાનું દુઃખ હજુ ઓછું થયું ન હતું કે તેના પિતાનું અવસાન થયું, જેના કારણે મેસ્સીને મોટો ફટકો પડ્યો. તે આમાંથી સ્વસ્થ થયો અને ફૂટબોલ મેદાનમાં પાછો ફર્યો, પરંતુ મેચ દરમિયાન તે એક વિવાદમાં ફસાઈ ગયો. મેજર લીગ સોકર (MLS) મેચ દરમિયાન મેસીએ એક વિરોધી ખેલાડીના ગળા પર થપ્પડ મારી દીધી, જેના માટે તેને દંડ ફટકારવામાં આવ્યો.</p><h4><b>લિયોનેલ મેસ્સી ફરી હેડલાઇન્સમાં</b></h4><p>અમેરિકન ફૂટબોલ લીગ MLS માં ઇન્ટર મિયામી ફૂટબોલ ક્લબ માટે રમતા લિયોનેલ મેસ્સીએ 19 ઓગસ્ટ, બુધવારે રાત્રે ફિલાડેલ્ફિયા યુનિયન સામે મેદાનમાં ઉતર્યા હતા. મેસ્સીએ ગોલ કરીને મેચની સારી શરૂઆત કરી હતી. તેના પિતાના મૃત્યુ પછી આ તેનો પહેલો ગોલ હતો. જોકે, આ ગોલ જ હેડલાઇન્સમાં આવ્યો અને ચાહકો તરફથી તેને અભિવાદન અને સહાનુભૂતિ મળી.</p><h5><b>મેસ્સીએ ખેલાડીને થપ્પડ માર્યો&nbsp;</b></h5><p>પરંતુ આ બધા વચ્ચે, મેસ્સી ખોટા કારણોસર પણ હેડલાઇન્સમાં આવ્યો હતો. તે જ મેચના બીજા ભાગમાં મેસ્સીનો ફિલાડેલ્ફિયાના ખેલાડી ક્વિન સુલિવાન સાથે ઝઘડો થયો, અને મેસ્સીએ સુલિવાનના ગળા પર થપ્પડ મારતાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ. મેસ્સીની હરકતથી ગુસ્સે થઈને ફિલાડેલ્ફિયાનો ખેલાડી પણ મેસ્સી પાસે ગયો. પરંતુ પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં રેફરીએ બંનેને અલગ કરી દીધા અને રમત ચાલુ રહી.</p><p><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/usmntonly/status/2090461793214927330?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></p><p><br></p><h5><b>મેસ્સીને દંડ ફટકારવામાં આવ્યો</b></h5><p>આ મામલે હવે મેસ્સી સામે કાર્યવાહી કરવામાં આવી છે. MLS એ તેને આક્રમક વર્તન માટે દોષિત ઠેરવ્યો અને દંડ ફટકાર્યો. જોકે, મેસ્સીએ ચૂકવવા પડશે તે દંડની ચોક્કસ રકમ જાહેર કરવામાં આવી નથી. મેચ વિશે વાત કરીએ તો, મિયામી અને ફિલાડેલ્ફિયા વચ્ચેની મેચ 2-2 થી ડ્રો રહી હતી. મેસ્સીએ 26મી મિનિટમાં ગોલ કર્યો હતો.</p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/india-vs-netherlands-fih-hockey-world-cup-2026" target="_blank"> Hockey World Cup 2026માં ભારત નેધરલેન્ડ સામે હાર્યું, સેમીફાઈનલમાં પહોંચવાનો રસ્તો મુશ્કેલ બન્યો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/23/W4BZT0VVm0DvPSUTdSwDzBl9JkGM4DBjc3WFnMwg.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: શહેરમાં ઉભરાતી ગટર અને પ્રદૂષિત પાણીની લોકોએ 3 મહિનામાં 1.47 લાખ ફરિયાદ કરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/complaints-over-drainage-and-water-issues-in-3-months</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/complaints-over-drainage-and-water-issues-in-3-months</guid><pubDate>Sun, 23 Aug 2026 08:38:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોને રોડ,ગટર અને પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવે છે.પરંતુ સ્માર્ટીસટી કે મેગાસિટીના રૂપાળા છોગાં ધારણ કરવાની ગુલબાંગ વચ્ચે શહેરમાં માત્ર ત્રણ માસના સમયમાં લોકોએ પ્રાથમિક સુવિધાને લઈ કુલ 247129 ફરિયાદ કરી છે.લોકો અલગ અલગ વોર્ડમાં ઉભરાતી ગટરો, ગટરના પાણી બેક મારવા તથા પાણી અને ગટરની લાઈનમાં લીકેજના કારણે પ્રદૂષિત પાણી આવવા જેવી વારંવારની સમસ્યાથી બાજ આવી ગયા છે.</p><h2 style="text-align: justify; "><b>પ્રાથમિક સુવિધા અંગે ફરિયાદ નોંધાવી</b></h2><p style="text-align: justify; ">નોંધાવવામાં આવેલી કુલ 2.47 લાખ ફરિયાદો પૈકી 147659 ફરિયાદ તો માત્ર એન્જિનિયરિંગ વિભાગ માટે જ કરવામાં આવી હતી.નોંધપાત્ર બાબત એ છે કે શહેરના પોશ ગણાતા પશ્ચિમ,ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમના વોર્ડ વિસ્તારમાં રહેતા લોકો તરફથી કુલ મળીને 96702 ફરિયાદ કોર્પોરેશનમાં કરવામાં આવી હતી. કુલ 3089 ફરિયાદમાં એક વખત કામ થયા પછી ફરીથી ખોલવાની તંત્રને ફરજ પડી હતી.1 જૂન 2026થી 5 ઓગસ્ટ 2026 સુધીના સમયમાં શહેરના 48 વોર્ડમાં રહેતા લોકો તરફથી સી.સી.આર.એસ.મોબાઈલ એપ્લિકેશન દ્વારા રોડ,ડ્રેનેજ ઉપરાંત પાણી,સ્ટ્રીટ લાઈટ,સોલિડ વેસ્ટ,ગાર્ડન,હેલ્થ અને એન્જિનિયરીંગ વિભાગ દ્વારા આપવામાં આવતી પ્રાથમિક સુવિધા અંગે ફરિયાદ નોંધાવી હતી.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>પ્રી-મોન્સૂન અને મેન્ટેનન્સ કામગીરીની પોલ&nbsp;</b></h3><p style="text-align: justify; ">શહેરના 48 વોર્ડ પૈકી 20 વોર્ડમાં રહેતા નાગરિકો તરફથી સૌથી વધુ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.સમગ્ર શહેરમાં રોડ-રસ્તા અને સ્ટ્રીટ લાઈટો બંધ રહેવાની સમસ્યાથી લોકો ભારે ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે પણ નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ મેળવવા માટે કોર્પોરેશનના ચક્કર કાપવા પડી રહ્યા છે, જે તંત્રની પ્રી-મોન્સૂન અને મેન્ટેનન્સ કામગીરીની પોલ ખોલે છે.<br><br><a href="https://sandesh.com/india/news/panama-bulk-carrier-mv-ocean-winner-sinks-in-bay-of-bengal" target="_blank">આ પણ વાંચોઃ India News: બંગાળની ખાડીમાં પનામા બલ્ક કેરિયર જહાજ ડૂબ્યું, શોધખોળ માટે ICGએ મોકલ્યા 3 જહાજો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/23/mVoNYzePrf2YLnyiYqkasBsti8NiiD8Jol9Gzw1n.webp'/></item><item><title><![CDATA[Mumbai : ભુલેશ્વર વિસ્તારમાં દુર્ઘટના, ગણેશજીની પ્રતિમા પડતા 2ના મોત ]]></title><link>https://sandesh.com/india/breakingnews/mumbai-accident-in-bhuleshwar-area-2-killed-after-ganesha-statue-falls</link><guid isPermaLink="true">https://sandesh.com/india/breakingnews/mumbai-accident-in-bhuleshwar-area-2-killed-after-ganesha-statue-falls</guid><pubDate>Sun, 23 Aug 2026 07:59:13 +05:30</pubDate><description><![CDATA[મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈમાં ગણેશોત્સવના પાવન પર્વ પૂર્વે એક ગંભીર અને હૃદયદ્રાવક દુર્ઘટના ઘટી છે. મુંબઈના દક્ષિણ વિસ્તારમાં આવેલ ભૂલેશ્વર ખાતે 'ભૂલેશ્વરચા રાજા'ના આગમન સમારોહ અને ભવ્ય શોભાયાત્રા દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. આગમન યાત્રામાં હજારો ભક્તો હતા તે સમયે 22 ફૂટ ઉંચી પ્રતિમા પડતા 2 લોકોના મોત નીપજ્યા છે અને 5 લોકો ઘાયલ થયા છે.&nbsp;<h2><b>22 ફૂટ ઉંચી ગણેશ પ્રતિમા પડી</b></h2><div>પ્રાપ્ત માહિતી અનુસાર, શોભાયાત્રામાં લાવવામાં આવી રહેલી આશરે ૨૨ ફૂટ ઊંચી ભવ્ય ગણેશ પ્રતિમા અચાનક અસંતુલિત થઈને નીચે પડી ગઈ હતી. આ અકસ્માતનું મુખ્ય કારણ પ્રતિમાને ટેકો આપતા સ્ટ્રક્ચરનો બોલ્ટ ફેલ થવાનું (ખામીયુક્ત કે તૂટી જવાનું) હોવાનું સામે આવ્યું છે. મૂર્તિ અચાનક તૂટીને નીચે પટકાતા નાસભાગ મચી ગઈ હતી અને શોભાયાત્રામાં જોડાયેલા કેટલાક લોકો તેની નીચે દબાઈ ગયા હતા. આ અણધારી આફતથી થોડીવાર માટે હડકંપ મચી ગયો હતો.</div><h3><b>દુર્ઘટના થતા અફરા તફરી મચી</b></h3><div>ઘટનાની જાણ થતાં જ મુંબઈ પોલીસ, ટ્રાફિક પોલીસ, મુંબઈ ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ સેવા અને મહાનગરપાલિકા (BMC) નો વોર્ડ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. રાહત અને બચાવ કામગીરી હાથ ધરીને તાત્કાલિક તમામ ઘાયલોને નજીકની સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ગંભીર ઇજાઓને કારણે બે વ્યક્તિઓને બચાવી શકાઈ ન હતી અને હોસ્પિટલ પહોંચાડતા જ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/AHindinews/status/2091268900872958082"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></div><h4><b>દુર્ઘટનામાં 2 લોકોના મોત</b></h4><div>આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર બંને વ્યક્તિઓની ઓળખ સંકેત નેવશે (ઉં.વ. ૩૩) અને બ્રિજેશ હેમંત જોશી (ઉં.વ. ૩૦) તરીકે થઈ છે. આ ઉપરાંત, આ અકસ્માતમાં પાંચ અન્ય લોકો ઘાયલ થયા છે, જેમાં બે માસૂમ બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘાયલોમાં વૈભવ ઘેનંદ (૩૮), પવન ચૌરસિયા (૨૫), લાવણ્ય ગણેર (૫), દિવ્યા ગણેર (૭) અને કુણાલ કાશીદ (૨૬) સામેલ છે. હાલ તમામ ઘાયલોની તબિયત સ્થિર હોવાનું નાગરિક અધિકારીઓએ જણાવ્યું છે.</div><div><br></div><div><b><a href="https://sandesh.com/india/news/panama-bulk-carrier-mv-ocean-winner-sinks-in-bay-of-bengal" target="_blank">આ પણ વાંચોઃ India News: બંગાળની ખાડીમાં પનામા બલ્ક કેરિયર જહાજ ડૂબ્યું, શોધખોળ માટે ICGએ મોકલ્યા 3 જહાજો</a></b></div> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/23/ZBoMju0RJPpPG2eJIdrQ8iGKkyMrnolpR44TMICt.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: ભૂગર્ભ જળ નિયંત્રણ માટે સરકાર કાયદો ઘડશે, આડેધડ દોહનમાં દંડ અને જેલની સજા ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/groundwater-bill-2029-penalty-and-jail-for-illegal-water-extraction</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/groundwater-bill-2029-penalty-and-jail-for-illegal-water-extraction</guid><pubDate>Sun, 23 Aug 2026 07:21:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સપ્ટેમ્બરમાં મળનારા વિધાનસભાના ચોમાસુ સત્રમાં સરકાર ગુજરાત ભૂગર્ભજળ વિધેયક 2029 રજૂ કરી શકે છે.આ નવા કાયદાથી સરકાર રાજ્યમાં આડેધડ થતા ભૂગર્ભજળના દોહન ઉપર નિયંત્રણ અને નિયમન કરવા માટે અલાયદી ઓથોરિટી રચવાનો અધિકાર મેળવશે, જે આડેધડ ભૂગર્ભજળ દોહનકર્તાઓ સામે કાર્યવાહી કરી શકશે.જેમાં 10 લાખ સુધીના દંડ અને કેદની સજા જેવી જોગવાઈઓ નિયત કરવાની વિચારણા છે.ગુજરાતમાં વર્ષ 2012 સુધી અધિકાંશ તાલુકાઓ ડાર્કઝોન હેઠળ હતા.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ભૂગર્ભજળના વપરાશ ઉપર દેખરેખ&nbsp;</b></h2><p style="text-align: justify; ">ડાર્કઝોન એ ભૂગર્ભજળનું સૌથી વધુ દોહન ધરાવતા તાલુકા માટે વપરાતો શબ્દ છે.વર્ષ 2012માં કૃષિ વિષયક સિંચાઈ (બોરવેલ) માટે ચોક્કસ શરતોને આધીન વીજ જોડાણ આપવામાં આવ્યા જેના કારણે ડાર્કઝોન શબ્દ હટાવી લેવાયો છે.હવે પાણીનો ઉપાડ કુદરતી રિચાર્જ કરતાં વધારે હોય તેવા ક્ષેત્રો ઓવર એકસપ્લોઈટેડ તરીકે ઓળખવામાં આવે છે.એક રીતે ડાર્કઝોનના આ નવા સ્વરૂપે નવો કાયદો ઘડવાનું ગુજરાત સરકારમાં વિચારણા હેઠળ છે. હાલમાં ભૂગર્ભજળ માટે ત્રણ અલગ સ્તરેથી નિયમન નિયંત્રણ અને મંજૂરી સંલગ્ન વ્યવસ્થા છે જે બદલાયેલા સમયમાં અપૂરતી હોવાથી ભૂગર્ભજળના વપરાશ ઉપર દેખરેખ રાખવા સરકાર ગુજરાત સ્ટેટ ગ્રાઉન્ડ વોટર રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી રચવાનો કાયદો ઘડી રહી છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>ગેરકાયદેસર પાણી ઉલેચવા બદલ દંડ અને કેદની સજા</b></h3><p style="text-align: justify; ">આ ઓથોરિટી ભૂગર્ભજળના સંતુલિત અને ટકાઉ વપરાશની નીતિઓના અમલકર્તા તરીકે જવાબદારી સંભાળશે.હજી વિધેયકના મુસદ્દાને આખરી ઓપ અપાય નથી, પરંતુ પાણીના સ્ત્રોતને સૂકાતા અટકાવી શકાય તે માટે સરકાર પર્યાવરણની દ્રષ્ટિએ સંવેદનશીલ ક્ષેત્રોને ગ્રાઉન્ડવોટર પ્રોટેક્શન ઝોન તરીકે જાહેર કરશે.જ્યાં ભૂગર્ભજળ પ્રદૂષિત કરવા બદલ 1 લાખ સુધી અને ગેરકાયદેસર પાણી ઉલેચવા બદલ રૂ.10 લાખ સુધીનો દંડ અને કેદની સજાની જોગવાઈઓ સૂચવાઈ છે.જોકે હજી સુધી તેને આખરી કરવામાં આવી નથી.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>વપરાશકારોને વોટર ચાર્જમાથી મુક્તિ અપાશે</b></h2><p style="text-align: justify; ">વરસાદી પાણી સંચયની સિસ્ટમ ન લગાવનાર સામે દંડ અને જેલની જોગવાઈ રાખવાનો વિચાર હોવાનું જણાવતાં ટોચના અધિકારીએ કહ્યું કે,ઔધોગિક હેતુ, વ્યાપારી ઉદ્દેશ્ય અને ઘરેલું વપરાશ માટે મંજૂરી અનિવાર્ય રહેશે.જોકે,ખેતી વિષયક વપરાશકારોને વોટર ચાર્જમાથી મુક્તિ આપવામાં આવશે.કાયદાના અમલ માટે ગ્રામ્ય સ્તરથી લઈને રાજ્યકક્ષાએ અલગ-અલગ સમિતિઓ બનાવીને ભુગર્ભજળ સંસાધનોનું નિરીક્ષણ કરાશે.પાણી બચાવવા ગ્રામ પંચાયત,તાલુકા-જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા સ્તરે વોટર સિક્યોરિટી પ્લાન તૈયાર થશે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/mahisagar/mahisagar-the-level-of-the-lifeline-kadana-dam-reached-4028-feet" target="_blank">આ પણ વાંચોઃ Mahisagar: જીવાદોરી સમાન કડાણા ડેમની સપાટી 402.8 ફૂટે પહોંચી</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/23/cwols3gvnSyAISZQYvFkh6nSAvBv5tMfHcqllGp3.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: બાવળા કાલુપુરબેંક ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-blood-donation-camp-held-at-bavla-kalupur-bank</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-blood-donation-camp-held-at-bavla-kalupur-bank</guid><pubDate>Sun, 23 Aug 2026 02:05:24 +05:30</pubDate><description><![CDATA[<p>બાવળા : અમદાવાદ જિલ્લાના બાવળા શહેરમાં આવેલા આર.એ પટેલ માર્કેટ ખાતેની કાલુપુર કોમર્શિયલ બેંક ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ જિલ્લા શાખાના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો ગ્રામજનો તેમજ બેંકના ખાતેદારોને સેવાકીય પ્રવૃતિ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા સવારે નવ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધીમાં કુલ 181 રક્ત દાતાઓએ રક્તઆપ્યું હતું જેમાંથી 15 રક્તદાતાઓ રિજેક્ટ થયા હતા અને 166 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/23/2Ft8h8p3etEULLNDrCwr29gZwitjHx3Ek6NO62uB.webp'/></item><item><title><![CDATA[Fixed Deposit: બેન્કમાં FD કરાવનારાઓ માટે મોટી ખબર! RBIએ બદલી દીધા બેન્ક ડિપોઝિટના નિયમ ]]></title><link>https://sandesh.com/business/news/rbi-new-fd-rules-from-oct-1--same-interest-rate-for-all-customers</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/rbi-new-fd-rules-from-oct-1--same-interest-rate-for-all-customers</guid><pubDate>Sat, 22 Aug 2026 18:36:31 +05:30</pubDate><description><![CDATA[<p>Fixed Deposit: જો તમે તમારી બચત ફિક્સ્ડ ડિપોઝિટ (FD) માં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ બેંક ડિપોઝિટ વ્યાજ દરોને નિયંત્રિત કરતા નિયમોમાં નોંધપાત્ર ફેરફારો રજૂ કર્યા છે. RBI નો આ નવો નિર્દેશ 1 ઓક્ટોબર, 2026 થી દેશભરની બધી બેંકોમાં અમલમાં આવશે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય બેંક FD વ્યાજ દરોમાં સંપૂર્ણ પારદર્શિતા સુનિશ્ચિત કરવાનો અને બધા ગ્રાહકોને સમાન તકો અને લાભો પૂરા પાડવાનો છે.</p><p>RBI દ્વારા જારી કરાયેલી નવી એડવાઇઝરી મુજબ બેંકોને હવે એક જ બેંકની વિવિધ શાખાઓમાં વ્યાજ દરો અંગે ગ્રાહકો વચ્ચે ભેદભાવ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જો બે ગ્રાહકો એક જ દિવસે સમાન રકમ અને મુદત માટે FD ખોલે છે, અને સમાન શરતો હેઠળ બેંક તેમને અલગ-અલગ વ્યાજ દરો ઓફર કરી શકશે નહીં. બીજા શબ્દોમાં કહીએ તો ફક્ત શહેર અથવા બેંક શાખાના આધારે અલગ અલગ દરો મેળવવાની શક્યતા સંપૂર્ણપણે દૂર થઈ જશે. જેનાથી સામાન્ય ગ્રાહકોને સમાન અને વાજબી વ્યાજ દરો મળે છે.</p><p><br></p><h4><b>વેબસાઇટ પર સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવશે</b></h4><p>નવા નિયમો અનુસાર, બેંકોએ હવે તેમની સત્તાવાર વેબસાઇટ પર લાગુ પડતા તમામ FD વ્યાજ દરો અંગે વ્યાપક માહિતી અગાઉથી ઉપલબ્ધ કરાવવી જરૂરી છે. આનાથી ગ્રાહકોને બેંક શાખાઓમાં જવાની જરૂરિયાત ઓછી થશે. લોકો તેમના ઘરના આરામથી વિવિધ મુદત અને થાપણ રકમ માટે આપવામાં આવતા વ્યાજ દરો સરળતાથી ચકાસી શકશે, જેનાથી વિવિધ બેંકોમાં FD દરોની તુલના કરવાનું ખૂબ સરળ બનશે.</p><p><br></p><h4><b>છૂટક રોકાણકારો દ્વારા રાખવામાં આવેલી હાલની FD પર શું અસર પડશે?</b></h4><p>RBI એ સ્પષ્ટતા કરી છે કે ₹3 કરોડથી ઓછી રકમની FD ધરાવતા છૂટક રોકાણકારોએ આ ફેરફારો વિશે ચિંતા કરવાની જરૂર નથી. નવા નિયમોના અમલીકરણનો અર્થ એ નથી કે 1 ઓક્ટોબરથી તમારા FD વ્યાજ દરો આપમેળે વધશે અથવા ઘટશે. તમારી હાલની FD ના વ્યાજ દરોમાં કોઈ મધ્ય-ગાળાના ફેરફારો થશે નહીં. RBI અનુસાર, ₹3 કરોડ કે તેથી વધુ રકમની એક જ થાપણને 'બલ્ક ડિપોઝિટ' તરીકે વર્ગીકૃત કરવામાં આવશે, જેના માટે અલગ નિયમો લાગુ થશે.</p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/world/news/china-bans-foreign-climbers-from-tibet-peaks-including-everest-north-side" target="_blank"><b>China: પહાડો પર આતશબાજીથી ભડક્યું ચીન, વિદેશી પર્વતારોહકો માટે બંધ કર્યું માઉન્ટ એવરેસ્ટ અને તિબ્બતના રસ્તા</b></a></p><p><br></p><p><br></p><p><br></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/22/MGXMZ9Q7WZWZqm91gfVVWqBNURoKf4sJ5au6CmPr.webp'/></item><item><title><![CDATA[Emraan Hashmiની આ 5 બ્લોકબસ્ટર ફિલ્મોએ સિનેમાઘરોમાં મચાવ્યો હતો તરખાટ, કરી હતી રેકોર્ડતોડ કમાણી! ]]></title><link>https://sandesh.com/entertainment/news/emraan-hashmi-top-5-hits-awarapan-2</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/emraan-hashmi-top-5-hits-awarapan-2</guid><pubDate>Sat, 22 Aug 2026 17:50:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડના લોકપ્રિય અભિનેતા ઈમરાન હાશ્મી હાલમાં ફિલ્મ આવારાપન 2ને લઈને ચર્ચામાં છે. 14 ઓગસ્ટે રિલીઝ થયેલી તેમની આ ફિલ્મ પહેલા દિવસથી જ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. રિલીઝના 9 દિવસ બાદ પણ ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને સિનેમાઘરોમાં તેના શોની માંગ યથાવત છે.</p><h2 style="text-align: justify; "><b>ધ ડર્ટી પિક્ચર</b></h2><p style="text-align: justify; ">ધ ડર્ટી પિક્ચર વર્ષ 2011માં રિલીઝ થયેલી જીવનકથા આધારિત ડ્રામા ફિલ્મ છે, જેનું દિગ્દર્શન મિલન લુથરિયાએ કર્યું હતું. એકતા કપૂર અને શોભા કપૂરે તેનું નિર્માણ કર્યું હતું. ફિલ્મમાં વિદ્યા બાલન, ઈમરાન હાશ્મી, નસીરુદ્દીન શાહ અને તુષાર કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. 'ધ ડર્ટી પિક્ચર'ને દર્શકો અને સમીક્ષકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. સેકનિલ્કના અહેવાલ મુજબ, ધ ડર્ટી પિક્ચરએ દુનિયાભરમાં 116.55 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ જિયો હોટસ્ટાર પર ઉપલબ્ધ છે.</p><h3 style="text-align: justify; "><b>મર્ડર 2</b></h3><p style="text-align: justify; ">વર્ષ 2011માં રિલીઝ થયેલી મર્ડર 2 મનોવૈજ્ઞાનિક ક્રાઇમ થ્રિલર ફિલ્મ છે, જેનું દિગ્દર્શન મોહિત સૂરીએ કર્યું હતું. ફિલ્મમાં ઈમરાન હાશ્મી, જેકલીન ફર્નાન્ડિઝ અને પ્રશાંત નારાયણન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મમાં ઈમરાન હાશ્મીએ અર્જુન ભગવતનું પાત્ર ભજવ્યું હતું, જે ભૂતપૂર્વ પોલીસ અધિકારી છે. બોક્સ ઓફિસ પર પણ ફિલ્મે સારો દેખાવ કર્યો હતો. સેકનિલ્કના આંકડા મુજબ, 'મર્ડર 2'એ દુનિયાભરમાં આશરે 67.59 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ તમે એમેઝોન પ્રાઇમ વીડિયો પર જોઈ શકો છો.</p><h4 style="text-align: justify; "><b>જન્નત</b></h4><p style="text-align: justify; ">જન્નત 16 મે 2008ના રોજ રિલીઝ થયેલી હિન્દી રોમેન્ટિક ક્રાઇમ ડ્રામા ફિલ્મ છે. તેનું દિગ્દર્શન કુણાલ દેશમુખે કર્યું હતું અને મુકેશ ભટ્ટે તેનું નિર્માણ કર્યું હતું. ફિલ્મમાં ઈમરાન હાશ્મી અને સોનલ ચૌહાણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મમાં ઈમરાને અર્જુન દીક્ષિત અને સોનલે ઝોયાનું પાત્ર ભજવ્યું હતું. સેકનિલ્કના અહેવાલ મુજબ, જન્નતએ દુનિયાભરમાં 40.39 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ નેટફ્લિક્સ અને પ્રાઇમ વીડિયો પર ઉપલબ્ધ છે.</p><h3 style="text-align: justify; "><b>રાજ 3: ધ થર્ડ ડાયમેન્શન</b></h3><p style="text-align: justify; ">રાજ 3: ધ થર્ડ ડાયમેન્શન વર્ષ 2012માં રિલીઝ થયેલી હિન્દી સુપરનેચરલ હોરર-થ્રિલર ફિલ્મ છે, જેનું દિગ્દર્શન વિક્રમ ભટ્ટે કર્યું હતું. મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટ ફિલ્મના નિર્માતા હતા. ફિલ્મમાં બિપાશા બાસુ, ઈમરાન હાશ્મી અને ઈશા ગુપ્તા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. સેકનિલ્કના અહેવાલ મુજબ, રાજ 3: ધ થર્ડ ડાયમેન્શનએ દુનિયાભરમાં 35.60 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ નેટફ્લિક્સ અને પ્રાઇમ વીડિયો પર ઉપલબ્ધ છે.</p><h4 style="text-align: justify; "><b>ગેંગસ્ટર: એ લવ સ્ટોરી</b></h4><p style="text-align: justify; ">ગેંગસ્ટર: એ લવ સ્ટોરી 28 એપ્રિલ 2006ના રોજ રિલીઝ થયેલી રોમેન્ટિક થ્રિલર ફિલ્મ છે, જેનું દિગ્દર્શન અનુરાગ બસુએ કર્યું હતું. ફિલ્મમાં ઈમરાન હાશ્મી, શાઇની આહુજા અને કંગના રનૌત મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ કંગના રનૌતની પ્રથમ ફિલ્મ હતી. આ ફિલ્મથી ઈમરાન હાશ્મીને પણ એક અલગ ઓળખ મળી હતી. સેકનિલ્કના અહેવાલ મુજબ, ફિલ્મે બોક્સ ઓફિસ પર આશરે 16.85 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ તમે પ્રાઇમ વીડિયો પર જોઈ શકો છો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/sunny-deol-mistake-shah-rukh-khan-career" target="_blank">આ પણ વાંચો-King Khan : સની દેઓલની એ એક ભૂલ, જેણે શાહરૂખ ખાનનું આખું કરિયર બદલી નાખ્યું!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/22/n3nYQRANTku1eCS8K3Ng9HT5ydiPKhztR8oXfEVC.webp'/></item></channel></rss>