<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabad News: વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે FIBA અંડર 18 એશિયા કપ યોજાશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/fiba-u18-asia-cup-to-be-held-at-veer-savarkar-sports-complex</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/fiba-u18-asia-cup-to-be-held-at-veer-savarkar-sports-complex</guid><pubDate>Wed, 12 Aug 2026 22:00:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રમતગમત ક્ષેત્રે અમદાવાદ શહેરના આંગણે વધુ એક આંતરરાષ્ટ્રીય સ્તરની ટૂર્નામેન્ટનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે.ભારતમાં લાંબા 22 વર્ષના વિરામ બાદ પ્રતિષ્ઠિત FIBA અંડર 18 એશિયા કપ યોજાવા જઈ રહ્યો છે.જેના તમામ મુકાબલાઓ અમદાવાદના અદ્યતન વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેલાશે.આ આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ સ્પર્ધાને લઈને રમતપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.આ ટૂર્નામેન્ટમાં એશિયા ખંડની શ્રેષ્ઠ 16 ટીમો ભાગ લઈ રહી છે જેમને 4 અલગ-અલગ ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ત્રીજી મેચ 18 ઓગસ્ટે કિર્ગિસ્તાન સામે ખેલાશે</b></h2><p style="text-align: justify; ">ટૂર્નામેન્ટની શરૂઆતની મેચમાં જ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ટીમ થાઈલેન્ડ સામે પોતાની તાકાત બતાવવા મેદાનમાં ઉતરશે.ભારતીય ચાહકોની નજર ખાસ કરીને યજમાન ટીમ ઈન્ડિયાના પ્રદર્શન પર રહેશે.ભારતને ગ્રુપ-Dમાં સ્થાન મળ્યું છે.ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 14 ઓગસ્ટે શક્તિશાળી જાપાન સામેની મેચથી કરશે.ત્યારબાદ ભારતનો બીજો મુકાબલો 16 ઓગસ્ટે કોરિયા સામે અને ત્રીજી મેચ 18 ઓગસ્ટે કિર્ગિસ્તાન સામે ખેલાશે.</p><h2 style="text-align: justify; "><b>ભારતીય ટીમ નોકઆઉટ સ્ટેજમાં પહોંચવા આતુર</b></h2><p style="text-align: justify; ">સ્થાનિક પ્રેક્ષકોની હાજરી અને હોમ ગ્રાઉન્ડનો લાભ મેળવીને ભારતીય ટીમ નોકઆઉટ સ્ટેજમાં પહોંચવા માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા આતુર છે.ટૂર્નામેન્ટના શિડ્યુલ મુજબ ગ્રુપ સ્ટેજની રોમાંચક મેચો પૂર્ણ થયા બાદ ક્વાર્ટર ફાઇનલનો તબક્કો 20 ઓગસ્ટથી શરૂ થશે.એશિયાના નવા બાસ્કેટબોલ ચેમ્પિયનનો નિર્ણય 23 ઓગસ્ટે રમાનારી ફાઇનલ મેચ દ્વારા થશે.અમદાવાદ જેવા સ્પોર્ટ્સ હબમાં આ પ્રકારની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન થવાથી સ્થાનિક અને દેશના ઉભરતા બાસ્કેટબોલ ખેલાડીઓને મોટું પ્રોત્સાહન મળશે.<br><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kheda/mgvcl-officials-missing-as-sonipura-residents-protest-power-issues" target="_blank">આ પણ વાંચોઃ Kheda News: MGVCL કચેરી પર લોકો હલ્લાબોલ કરવા આવતા હોવાની જાણ થતાં જ અધિકારીઓ ગાયબ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/RMA4EOK3qwGfbVMSnlsuSPUQWmnJqTgP23LljZwD.webp'/></item><item><title><![CDATA[13 August Top News: 13 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ ]]></title><link>https://sandesh.com/india/news/gujarat/13-august-top-news-history-updates-current-affairs</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/gujarat/13-august-top-news-history-updates-current-affairs</guid><pubDate>Wed, 12 Aug 2026 21:59:00 +05:30</pubDate><description><![CDATA[<p>13 ઓગસ્ટનો દિવસ દેશ અને વિદેશની સાથે સ્થાનિક સ્તરે પણ અત્યંત મહત્વપૂર્ણ ઘટનાઓથી ભરેલો છે. દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની ફુલ ડ્રેસ રિહર્સલને પગલે લાલ કિલ્લા આસપાસ ટ્રાફિક ડાયવર્ઝન રહેશે, તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની મહત્વની બેઠક યોજાશે. સંસદના માનસૂન સત્રના અંતિમ દિવસે હોબાળાના એંધાણ છે. કાનૂની ક્ષેત્રે કલકત્તા હાઇકોર્ટમાં લાઉડસ્પીકર વિવાદ અને રાઉઝ એવેન્યુ કોર્ટમાં નીટ-યુજી પેપર લીક પર ચાર્જશીટ મુદ્દે ચર્ચા થશે.</p><p>કર્ણાટકમાં કન્નડ સંગઠનોનું બંધ, વડોદરામાં 130થી વધુ જગ્યાઓ માટે એપ્રેન્ટિસ ભરતી મેળો અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાતા હવામાનમાં મોટો પલટો જોવા મળશે. આ સાથે જ પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, અંગદાન અને ડાબોડીઓ માટેના વિશેષ આંતરરાષ્ટ્રીય દિવસોની ઉજવણી પણ આ દિવસે થઈ રહી છે.</p><h2><b>દિલ્હીના લાલ કિલ્લા ખાતે સ્વતંત્રતા દિવસની ફુલ ડ્રેસ રિહર્સલ</b></h2><p>15મી ઓગસ્ટની તૈયારીના ભાગરૂપે 13 ઓગસ્ટના રોજ દિલ્હીના લાલ કિલ્લા ખાતે સ્વતંત્રતા દિવસની ફુલ ડ્રેસ રિહર્સલ યોજાશે. સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા સવારે 4થી 10 વાગ્યા સુધી લાલ કિલ્લાની આસપાસના રસ્તાઓ પર વાહનવ્યવહાર પ્રતિબંધિત રહેશે અને દિલ્હી ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.</p><h2><b>સંસદના ચોમાસુ સત્રનો આખરી દિવસ અને સ્ટુડન્ટ પ્રોટેસ્ટ ચર્ચા</b></h2><p>સંસદના ચોમાસુ સત્રના આખરી કાર્ય દિવસે પણ ભારે હોબાળાના એંધાણ દેખાઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે લોકસભા સ્પીકરને પત્ર લખીને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન પર ગૃહમાં વિસ્તૃત ચર્ચા હાથ ધરવાની માગ કરી છે.</p><h2><b>વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની મહત્વની બેઠક</b></h2><p>વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 13 ઓગસ્ટે બપોરે 1 વાગ્યે કેન્દ્રીય મંત્રીમંડળની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં દેશના આર્થિક અને નીતિ વિષયક મહત્વના નિર્ણયો પર મહોર વાગવાની શક્યતા છે.</p><h2><b>કલકત્તા હાઇકોર્ટમાં ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર હટાવવા મુદ્દે સુનાવણી</b></h2><p>પશ્ચિમ બંગાળમાં મસ્જિદો અને અન્ય ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર હટાવવા માટે કલકત્તા હાઇકોર્ટમાં એક જનહિત અરજી (PIL) દાખલ કરવામાં આવી છે. આ સંવેદનશીલ કેસ પર 13 ઓગસ્ટે અદાલતમાં મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવશે.</p><h2><b>NEET-UG પેપર લીક મામલે કોર્ટમાં આરોપ નક્કી કરવા પર દલીલ</b></h2><p>નીટ-યુજી પેપર લીક કેસમાં રાઉઝ એવેન્યુ કોર્ટે સીબીઆઈની 20,000 પાનાની ચાર્જશીટ પર સંજ્ઞાન લીધું છે. સીબીઆઈએ 13 આરોપીઓ સામે ચાર્જશીટ રજૂ કરી છે, જેમાં 13 ઓગસ્ટે કોર્ટમાં આરોપ નક્કી કરવા પર દલીલો થશે.</p><h2><b>કર્ણાટકમાં વિવિધ કન્નડ સંગઠનો દ્વારા બંધનું એલાન</b></h2><p>વિવિધ સ્થાનિક અને કન્નડ સંગઠનો દ્વારા 13 ઓગસ્ટના રોજ 'કર્ણાટક બંધ'નું આહ્વાન કરવામાં આવ્યું છે. આ બંધને સમર્થન આપવા માટે વિવિધ વેપારી મંડળો અને સંગઠનો આગળ આવી રહ્યા છે.</p><h2><b>વડોદરામાં રોજગાર અને એપ્રેન્ટિસ માટે ભરતી મેળો</b></h2><p>વડોદરાના તરસાલી સ્થિત ITI કેમ્પસમાં 13 ઓગસ્ટે સવારે 10 વાગ્યાથી મદદનીશ નિયામક (રોજગાર) કચેરી દ્વારા ભરતી મેળો યોજાશે. સર્વિસ, મેન્યુફેક્ચરિંગ, સેલ્સ અને ઇન્સ્યોરન્સ ક્ષેત્રની 6 મોટી કંપનીઓ દ્વારા 130થી વધુ જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ લેવાશે.</p><h2><b>બંગાળની ખાડીમાં નવી સિસ્ટમથી વાતાવરણમાં પલટો</b></h2><p>હવામાન વિભાગ મુજબ, બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા 13 ઓગસ્ટની આસપાસ લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ અને બિહારમાં વરસાદનું જોર વધશે.</p><h2><b>વિશ્વ અંગદાન દિવસ</b></h2><p>જીવનરક્ષક અંગદાનના મહત્વ વિશે સામાન્ય જનતામાં પ્રોત્સાહન અને જાગૃતિ કેળવવાના હેતુથી દર વર્ષે 13 ઓગસ્ટે 'વિશ્વ અંગદાન દિવસ'ની ઉજવણી કરાય છે. આ દિવસે સરકારી આરોગ્ય સંસ્થાઓ અને હોસ્પિટલો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાય છે.</p><h2><b>ઇન્ટરનેશનલ વુલ્ફ ડે</b></h2><p>13 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય વરુ દિવસ ઉજવવામાં આવે છે. 1,00,000થી પણ વધુ વર્ષો જૂનો ઉત્ક્રાંતિ ઈતિહાસ ધરાવતા ભારતીય વરુના સંરક્ષણ અને વૈજ્ઞાનિક મહત્વ અંગે આ દિવસે વિશેષ માહિતી પ્રસારિત કરવામાં આવે છે.</p><h2><b>પવિત્ર શ્રાવણ માસનો ઉત્સાહભેર પ્રારંભ</b></h2><p>ગુજરાત અને પશ્ચિમ ભારતમાં 13 ઓગસ્ટથી શિવ આરાધનાના પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થાય છે, જે 11 સપ્ટેમ્બર 2026 સુધી ચાલશે. સમગ્ર મહિના દરમિયાન શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળશે.</p><h2><b>આંતરરાષ્ટ્રીય ડાબોડી દિવસની ઉજવણી</b></h2><p>ડાબા હાથે કામ કરતા લોકોની વિશેષતા અને તેમની દૈનિક જીવનની પડકારોને ધ્યાનમાં રાખીને દર વર્ષે 13 ઓગસ્ટે 'ઇન્ટરનેશનલ લેફ્ટ હેન્ડર્સ ડે' ઉજવવામાં આવે છે.</p><h2><b>સોમનાથ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજન અને યજ્ઞ</b></h2><p>શ્રાવણ માસના પ્રથમ દિવસથી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે વિશેષ શૃંગાર, પૂજા-અર્ચના અને 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞનો પ્રારંભ થશે.</p><h2><b>13 ઓગસ્ટની ઐતિહાસિક ઘટનાઓ</b></h2><ul><li>1521 - સ્પેનિશ આક્રમણખોર હર્નાન કોર્ટેસે મેક્સિકોના ટેનોચિટલાન પર કબજો કર્યો અને એઝટેક સમ્રાટ કુઆહટેમોકને કેદ કર્યો, જેનાથી એઝટેક સામ્રાજ્યનો અંત આવ્યો.</li><li>1784 - ભારતમાં વહીવટી સુધારાઓ હાથ ધરવા બ્રિટિશ સંસદમાં પિટ્સ ઈન્ડિયા બિલ રજૂ કરવામાં આવ્યું.</li><li>1792 - ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન ફ્રાન્સના રાજા લુઈ XVI ની સત્તાવાર ધરપકડ કરવામાં આવી.</li><li>1892 - અમેરિકન અખબાર "એફ્રો-અમેરિકન" બાલ્ટીમોરથી પ્રથમ વખત પ્રકાશિત થયું.</li><li>1902 - ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને એક વિકેટથી હરાવી ઓવલ ખાતે ઐતિહાસિક ક્રિકેટ વિજય નોંધાવ્યો.</li><li>1913 - ઈંગ્લેન્ડના હેરી બ્રેઅરલીએ શેફિલ્ડ ખાતે પ્રથમ વખત સ્ટેનલેસ સ્ટીલની શોધ કરી.</li><li>1918 - જર્મનીમાં પ્રખ્યાત ઓટોમોબાઈલ કંપની BMW ની પબ્લિક કંપની તરીકે સત્તાવાર સ્થાપના થઈ.</li><li>1947 - ભારતના ભાગલા વખતે દિલ્હીથી મુસ્લિમ મહિલાઓ પાકિસ્તાન જવા ટ્રેનોમાં સવાર થઈ અને ત્રિપુરાના મહારાણી કાંચનપ્રભા દેવીએ ભારત સંઘમાં જોડાવાના વિલય પત્ર પર હસ્તાક્ષર કર્યા.</li><li>1948 - ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર વિવાદના ઉકેલ માટે સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો.</li><li>1951 - ભારતમાં નિર્મિત પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ 'હિન્દુસ્તાન ટ્રેનર-2' (HT-2) એ પોતાની પ્રથમ સફળ ઉડાન ભરી.</li><li>1956 - ભારતીય લોકસભામાં નેશનલ હાઈવે બિલ પસાર કરવામાં આવ્યું.</li><li>1961 - પૂર્વ અને પશ્ચિમ બર્લિન વચ્ચે કાંટાળા તાર લગાવી 'બર્લિન દીવાલ'નું નિર્માણ શરૂ થયું.</li><li>1977 - અમેરિકાના સ્પેસ શટલની પ્રથમ ગ્લાઇડનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું.</li><li>1993 - વોશિંગ્ટનમાં ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે શાંતિ કરાર થયા, જ્યારે થાઈલેન્ડના નાખોન રત્ચાસિમામાં હોટલ ધરાશાયી થતાં 114 લોકોના મોત થયા.</li><li>1994 - જીનીવામાં યુએસ અને ઉત્તર કોરિયા વચ્ચે પરમાણુ નિઃશસ્ત્રીકરણ પર ઐતિહાસિક કરાર થયો.</li><li>1999 - બાંગ્લાદેશ સરકારે લેખિકા તસ્લીમા નસરીનના પુસ્તક 'અમર માયબેલા' પર પ્રતિબંધ મૂક્યો તથા સ્ટેફી ગ્રાફે ટેનિસમાંથી નિવૃત્તિ લીધી.</li><li>2000 - રોનાલ્ડ વેનેશિયન સુરીનામના નવા પ્રમુખ તરીકે નિયુક્ત થયા.</li><li>2002 - ઇન્ટરપોલે નેપાળના 8 માઓવાદી આતંકવાદીઓને શોધવા માટે 'રેડ કોર્નર' નોટિસ જારી કરી.</li><li>2004 - ગ્રીસના એથેન્સ ખાતે 28મી ઓલિમ્પિક રમતોત્સવનો ધામધૂમથી પ્રારંભ થયો.</li><li>2005 - શ્રીલંકાના વિદેશ પ્રધાન લક્ષ્મણ કાદીરગમરની હત્યા બાદ દેશમાં કટોકટી જાહેર કરાઈ.</li><li>2008 - ભારતે મલ્ટી-બેરલ રોકેટ લોન્ચર સિસ્ટમ 'પિનાકા'નું સફળ પરીક્ષણ કર્યું અને પૂર્વ ગવર્નર સી. રંગરાજન રાજ્યસભામાં નામાંકિત થયા.</li><li>2015 - ઈરાકના બગદાદમાં ટ્રક બોમ્બ વિસ્ફોટમાં 76 લોકોના મોત થયા.</li></ul><h2><b>13 ઓગસ્ટના રોજ જન્મેલી પ્રખ્યાત હસ્તીઓ</b></h2><ul><li>1638 - વીર દુર્ગાદાસ રાઠોડ: મારવાડને મુઘલ આધિપત્યથી મુક્ત કરાવનાર નિડર રાજપૂત યોદ્ધા.</li><li>1848 - રમેશ ચંદ્ર દત્ત: અંગ્રેજી અને બાંગ્લા ભાષાના પ્રસિદ્ધ લેખક અને શિક્ષણશાસ્ત્રી.</li><li>1863 - ગંગાપ્રસાદ વર્મા: ભારતના જાણીતા રાજકારણી.</li><li>1884 - આચાર્ય રામચંદ્ર શુક્લ: હિન્દી સાહિત્યના પ્રખર વિવેચક, નિબંધકાર અને ઈતિહાસકાર.</li><li>1887 - નરેન્દ્ર મોહન સેન: ભારતની આઝાદીની લડતના પ્રખ્યાત ક્રાંતિકારી.</li><li>1899 - અલફ્રેડ હિચકોક: 'કિંગ ઓફ સસ્પેન્સ' તરીકે ઓળખાતા સિનેમા જગતના મહાન બ્રિટિશ ફિલ્મ નિર્દેશક.</li><li>1918 - ફ્રેડરિક સેન્જર: રસાયણશાસ્ત્રમાં બે વાર નોબેલ પુરસ્કાર મેળવનાર બ્રિટિશ જીવરસાયણશાસ્ત્રી.</li><li>1926 - ફિડેલ કાસ્ટ્રો: ક્યુબાના પ્રખ્યાત ક્રાંતિકારી નેતા અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ.</li><li>1931 - ઇરફાન હબીબ: ભારતના જાણીતા પ્રાચીન અને મધ્યકાલીન ઈતિહાસકાર.</li><li>1933 - મધુર જાફરી: ભારતીય અભિનેત્રી, ફૂડ અને ટ્રાવેલ લેખક.</li><li>1933 - આનંદજી વીરજી શાહ: બોલિવૂડની સુપ્રસિદ્ધ સંગીતકાર જોડી 'કલ્યાણજી-આનંદજી' ફેમ સંગીતકાર.</li><li>1936 - વૈજયંતિ માલા: હિન્દી ફિલ્મોના દિલકશ અભિનેત્રી અને ભરતનાટ્યમ નૃત્યાંગના.</li><li>1943 - મનહર ઉધાસ: ગુજરાતના ચરખા ગામે જન્મેલા પ્રખ્યાત ગઝલકાર અને પાર્શ્વ ગાયક.</li><li>1952 - યોગિતા બાલી: હિન્દી સિનેમા જગતના જાણીતા અભિનેત્રી.</li><li>1963 - શ્રીદેવી: ભારતીય સિનેમાના પ્રથમ મહિલા સુપરસ્ટાર અભિનેત્રી.</li><li>1982 - સેબેસ્ટિયન સ્ટેન: માર્વેલ (MCU) ફિલ્મોમાં 'વિન્ટર સોલ્જર'ના પાત્રથી જાણીતા હોલિવૂડ અભિનેતા.</li><li>1984 - ઉષા નેગિસેટી: જાણીતા ભારતીય મહિલા બોક્સર.</li><li>2000 - સાત્વિકસાઈરાજ રેંકીરેડ્ડી: કોમનવેલ્થ ગેમ્સ 2022ના ગોલ્ડ મેડલિસ્ટ ભારતીય બેડમિન્ટન ખેલાડી.</li></ul><h2><b>13 ઓગસ્ટના રોજ પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ</b></h2><ul><li>1795 - અહિલ્યાબાઈ હોલકર: ઇન્દોર હોલ્કર રાજવંશના પ્રજાવત્સલ મહારાણી.</li><li>1910 - ફ્લોરેન્સ નાઇટીંગેલ: 'લેડી વિથ ધ લેમ્પ' તરીકે પ્રખ્યાત અને આધુનિક નર્સિંગ ચળવળના જન્મદાતા.</li><li>1936 - ભીકાજી કામા: વિદેશની ધરતી પર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવનાર પ્રખ્યાત મહિલા ક્રાંતિકારી.</li><li>2003 - ભાબેન્દ્ર નાથ સૈકિયા: જાણીતા નવલકથાકાર, વાર્તાકાર અને ફિલ્મ નિર્દેશક.</li><li>2018 - સોમનાથ ચેટર્જી: લોકસભાના ભૂતપૂર્વ સ્પીકર અને કમ્યુનિસ્ટ પાર્ટીના વરિષ્ઠ નેતા.</li></ul><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/explainer/news/world/sandesh-digital-explainer-why-is-public-outrage-against-social-media-flaring-up-in-america-a-warning-bell-for-india-too" target="_blank">Sandesh Digital Explainer: અમેરિકામાં સોશિયલ મીડિયા સામે કેમ ભડકી રહ્યો છે જનઆક્રોશ? ભારત માટે પણ ખતરાની ઘંટી</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/Ae0hmb53Gxg6lcNjR8bS6xaRaAdCK5sHH4advCbB.webp'/></item><item><title><![CDATA[Mumbaiમાં વરસાદનો કહેર, કુર્લામાં લેન્ડસ્લાઈડની દુર્ઘટનામાં મોતનો આંકડો વધીને 7 પર પહોંચ્યો, 7 લોકો ઘાયલ ]]></title><link>https://sandesh.com/india/news/mumbai-heavy-rain-kurla-landslide-7-dead-7-injured</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/mumbai-heavy-rain-kurla-landslide-7-dead-7-injured</guid><pubDate>Wed, 12 Aug 2026 21:39:59 +05:30</pubDate><description><![CDATA[<p>મુંબઈમાં સતત પડી રહેલા ભારે વરસાદ વચ્ચે બુધવારે વહેલી સવારે કુર્લા પશ્ચિમના ચિરાગ નગર વિસ્તારમાં મોટો અકસ્માત સર્જાયો હતો. ભૂસ્ખલન થતાં પહાડીનો એક ભાગ ધસી પડ્યો અને તેનો કાટમાળ આસપાસ આવેલા મકાનો પર પડ્યો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 7 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 7 લોકો ઘાયલ થયા છે.</p><h2><b>વરસાદને કારણે અચાનક ભૂસ્ખલન થયું&nbsp;</b></h2><p>મળતી માહિતી મુજબ, ઘટના બુધવારે વહેલી સવારે લગભગ 3 વાગ્યાથી 3:48 વાગ્યાની વચ્ચે બની હતી. ચિરાગ નગરના ગૌશિયા ચાલ અને અશોકનગર વિસ્તારમાં સતત વરસાદને કારણે અચાનક ભૂસ્ખલન થયું હતું. રાતનો સમય હોવાથી લોકો ઊંઘમાં હતા અને તેમને બચવાની તક પણ મળી નહોતી. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન કાટમાળમાંથી અત્યાર સુધીમાં 7 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. પોલીસ અને પ્રશાસનની ટીમો હજુ પણ કાટમાળ હટાવી રહી છે અને કોઈ અન્ય વ્યક્તિ ફસાઈ હોય તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને શોધખોળ ચાલુ છે.</p><h3><b>તમામ ઘાયલોની હાલત હાલમાં સ્થિર</b></h3><p>દુર્ઘટનામાં ઘાયલ થયેલા 7 લોકોને કુર્લાની ભાભા હોસ્પિટલ અને રાજાવાડી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર તમામ ઘાયલોની હાલત હાલમાં સ્થિર છે. ઘટનાની જાણ થતાં જ મુંબઈ ફાયર બ્રિગેડ, પોલીસ, બીએમસી, એનડીઆરએફ, 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક વોર્ડ સ્ટાફની ટીમો સ્થળ પર પહોંચી હતી. તમામ એજન્સીઓ સંયુક્ત રીતે બચાવ કામગીરી ચલાવી રહી છે.&nbsp;</p><p>મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સતત ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ પાણી ભરાવા અને ભૂસ્ખલનનું જોખમ વધ્યું છે. કુર્લાની આ ઘટનાએ ફરી એકવાર વરસાદ દરમિયાન જોખમી ઢાળ અને નબળા વિસ્તારોમાં રહેતા લોકોની સુરક્ષાને લઈને ચિંતા વધારી છે.</p><p><a href="https://sandesh.com/india/news/karnataka-cabinet-expansion-dk-shivakumar-ministers-portfolios-changes" target="_blank"><b>આ પણ વાંચો : Karnataka Cabinet Expansion: DK શિવકુમારે મંત્રીઓને સોંપ્યા વિભાગો, મુનિયપ્પા અને રામલિંગા રેડ્ડીના ખાતામાં ફેરફાર</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/hnYrx9llJxTfmoeDL9vM0UuibSM43VGlyMcGeDQu.webp'/></item><item><title><![CDATA[Dhoraji: સવારે કાકા-કાકીનો આપઘાત, સાંજે સ્મશાનમાં દોણી લઈને ગયેલા ભત્રીજાનું હાર્ટ એટેકથી મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dhoraji/tragic-incident-uncle-aunt-suicide-nephew-dies-of-heart-attack-at-crematorium</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dhoraji/tragic-incident-uncle-aunt-suicide-nephew-dies-of-heart-attack-at-crematorium</guid><pubDate>Wed, 12 Aug 2026 21:37:50 +05:30</pubDate><description><![CDATA[<p>ધોરાજી શહેરના જમનાવડ રોડ વિસ્તારમાં રહેતા રાવરાણી પરિવારમાં આજે સવારના સમયે જ એક ભારે કરુણાંતિકા સર્જાઈ હતી. ઘરમાં રહેતા જિતુભાઈ રાવરાણી અને તેમના ધર્મપત્ની મધુભાઈ જિતુભાઈ રાવરાણી નામના દંપતીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ગંભીર હાલતમાં દંપતીને સારવાર મળે તે પહેલાં જ બંનેના મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.</p><h2><b>ધોરાજીમાં રાવરાણી પરિવાર પર તૂટી પડ્યો દુઃખનો પહાડ</b></h2><p>એકસાથે પતિ-પત્નીના આત્મહત્યાના બનાવથી રાવરાણી પરિવાર અને સગાં-સંબંધિઓ પર આઘાતનો વજ્રાઘાત થયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને સ્થાનિકો પરિવારની વહારે દોડી આવ્યા હતા. કાકા જિતુભાઈ અને કાકી મધુભાઈના અચાનક નિધન બાદ સાંજના સમયે તેમની અંતિમયાત્રા (સ્મશાનયાત્રા) કાઢવામાં આવી હતી. આ અંતિમયાત્રામાં મૃતક દંપતીનો ભત્રીજો દીપકભાઈ કિરીટભાઈ રાવરાણી (ઉંમર વર્ષ 41) વિધિ મુજબ કાકા-કાકીની અગ્નિદાહ માટેની દોણી હાથમાં લઈને સ્મશાનગૃહ સુધી પહોંચ્યો હતો.</p><h3><b>સ્મશાનગૃહમાં જ કરુણ અંત</b></h3><p>સ્વજનોને ગુમાવવાના ભારે આઘાત અને શોક વચ્ચે સ્મશાનગૃહમાં અંતિમ વિધિ ચાલી રહી હતી તે જ સમયે ભત્રીજા દીપકભાઈ રાવરાણીને છાતીમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો અને તેઓ સ્મશાનગૃહમાં જ ઢળી પડ્યા હતા. ઉપસ્થિત લોકો કંઈ સમજે કે તબીબી સારવાર મળે તે પહેલાં જ તેમને સીવિયર હાર્ટ એટેક આવી જતાં તેમનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેડું ઊડી ગયું હતું. સવારે કાકા-કાકી અને સાંજે ભત્રીજાના મોતથી ધોરાજીમાં રાવરાણી પરિવાર પર કાળનો એવો પંજો વાગ્યો છે કે આખી આસપાસની જનતાના કાળજાં કંપી ગયાં છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/vadodara/tarsali-danteshwar-vuda-awas-mehul-darbar-murdered-on-birthday" target="_blank">આ પણ વાંચો: Vadodara: તરસાલીમાં જન્મદિવસ જ બન્યો કાળ, સમાધાનના બહાને બોલાવી યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/dSDmfkto41MhlnT0YwRe28rPJhuGTuHzgc0xgZjU.webp'/></item><item><title><![CDATA[Arshad Nadeemનો મોટો નિર્ણય, લોઝન ડાયમંડ લીગમાંથી નામ પરત ખેંચ્યું ]]></title><link>https://sandesh.com/sports/news/arshad-nadeem-withdraws-lausanne-diamond-league</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/arshad-nadeem-withdraws-lausanne-diamond-league</guid><pubDate>Wed, 12 Aug 2026 21:12:57 +05:30</pubDate><description><![CDATA[<p>પાકિસ્તાનના ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા જેવલિન થ્રોઅર અરશદ નદીમે 21 ઓગસ્ટે યોજાનારી લોઝન ડાયમંડ લીગમાંથી પોતાનું નામ પરત ખેંચી લીધું છે. આ નિર્ણય સાથે જ ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા અને અરશદ નદીમ વચ્ચેનો સંભવિત મુકાબલો પણ હવે જોવા નહીં મળે.</p><h2><b>કેમ લીધો આ નિર્ણય?</b></h2><p>અરશદ નદીમ હાલમાં લાહોરમાં ટ્રેનિંગ કરી રહ્યો છે. તેમના લાંબા સમયથી જોડાયેલા કોચ સલમાન બટના જણાવ્યા અનુસાર, અરશદ નદીમ ટૂંક સમયમાં દક્ષિણ આફ્રિકાના પોચેફસ્ટ્રૂમ જશે. ત્યાં તેઓ પોતાના કોચ ટર્સિયસ લિબેનબર્ગ અને સ્થાનિક કોચની દેખરેખ હેઠળ કેટલાક અઠવાડિયા સુધી વિશેષ તાલીમ લેશે.</p><p>અરશદ નદીમે લોઝન ડાયમંડ લીગમાં નહીં રમવાનો નિર્ણય આગામી મોટી સ્પર્ધાઓની તૈયારીને ધ્યાનમાં રાખીને લીધો છે. તેમનું મુખ્ય ધ્યાન આ વર્ષે યોજાનારી વર્લ્ડ એથ્લેટિક્સ અલ્ટિમેટ ચેમ્પિયનશિપ અને એશિયન ગેમ્સ પર છે. દક્ષિણ આફ્રિકામાં યોજાનાર ટ્રેનિંગ કેમ્પ દ્વારા તેઓ પોતાની ટેકનિક અને ફિટનેસમાં સુધારો કરવાનો પ્રયાસ કરશે.</p><h3><b>ત્રણ પ્રયાસ બાદ ટોપ-8માં સ્થાન મેળવી શક્યો ન હતો</b></h3><p>ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં અરશદ નદીમનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું. તે ફાઈનલ માટે ક્વોલિફાય તો થયો હતો, પરંતુ ફાઈનલમાં શરૂઆતના ત્રણ પ્રયાસ બાદ ટોપ-8માં સ્થાન મેળવી શક્યો ન હતો. આ ખરાબ પ્રદર્શન બાદ તેમને ટીકા પણ સહન કરવી પડી હતી. બીજી તરફ નીરજ ચોપરાએ કોમનવેલ્થ ગેમ્સમાં 85.83 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.</p><p>અરશદ નદીમ આગામી મોટી સ્પર્ધાઓ માટે પોતાની તૈયારીઓ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. દક્ષિણ આફ્રિકાની ટ્રેનિંગ બાદ તેમની આગામી સ્પર્ધાઓમાં પ્રદર્શન પર સૌની નજર રહેશે.</p><p><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/ElA1g5XsvneNmoqliSYSRbf4uPLNT5b0qfqtzPVi.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: અપ્રમાણસર મિલકતના કેસમાં સસ્પેન્ડેડ GAS અધિકારી કેતકી વ્યાસની ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/suspended-gas-officer-ketki-vyas-arrested-by-crime-branch</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/suspended-gas-officer-ketki-vyas-arrested-by-crime-branch</guid><pubDate>Wed, 12 Aug 2026 20:56:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">લાંચ અને ભ્રષ્ટાચારના ચર્ચિત કેસમાં આરોપી અને સસ્પેન્ડેડ જીએએસ અધિકારી તથા પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસ સામે કાયદાનો સકંજો વધુ મજબૂત બન્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા એક ખાસ ઓપરેશન દરમિયાન શેલા વિસ્તારમાંથીકેતકી વ્યાસની ધરપકડ કરવામાં આવી છે.આ હાઇપ્રોફાઇલ ધરપકડ બાદ રાજ્યના સરકારી અને વહીવટી વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>સસ્પેન્ડેડ GAS અધિકારી કેતકી વ્યાસની ધરપકડ</b></h2><p style="text-align: justify; ">પ્રાપ્ત વિગતો અનુસાર સસ્પેન્ડેડ અધિકારી કેતકી વ્યાસ સામે લાંચ લેવા અને હોદ્દાનો દુરુપયોગ કરીને ભ્રષ્ટાચાર આચરવાના ગંભીર આરોપો હેઠળ ગુનો નોંધાયેલો હતો. લાંબા સમયથી ચાલી રહેલી તપાસ વચ્ચે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે તેઓ શેલા વિસ્તારમાં ઉપસ્થિત છે.આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ત્વરિત કાર્યવાહી કરીને તેમની અટકાયત કરી હતી.પ્રાથમિક કાયદેસરની કાગળજી કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કેતકી વ્યાસની કસ્ટડી અને આગળની તપાસ  એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ને સોંપી દીધી છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>પ્રાથમિક કાર્યવાહી બાદ કેતકી વ્યાસને ACBને સોંપી&nbsp;</b></h3><p style="text-align: justify; ">એસીબી દ્વારા કસ્ટડી મેળવ્યા બાદ હવે ભ્રષ્ટાચાર અને લાંચ રૂશ્વત કેસના મૂળ સુધી પહોંચવા માટે તેમની ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરવામાં આવી છે.એસીબીના સૂત્રોના જણાવ્યા અનુસાર કેસની વધુ અને તટસ્થ તપાસ માટે, બેનામી મિલકતો તેમજ આ કૌભાંડમાં સામેલ અન્ય સંડોવાયેલા નામોની વિગતો બહાર લાવવા માટે આરોપી અધિકારી કેતકી વ્યાસને ટૂંક સમયમાં જ સંબંધિત કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.એસીબી કોર્ટ પાસે તેમના રિમાન્ડ મેળવવાની મજબૂત પ્રક્રિયા હાથ ધરશે,જેથી પૂછપરછ દરમિયાન અનેક મોટા ખુલાસાઓ થવાની સંભાવના સેવાઈ રહી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/amit-shah-launches-gramin-gyan-setu-app-to-digitally-connect-village-libraries" target="_blank">આ પણ વાંચોઃ Gandhinagar News: મારા સંસદીય વિસ્તારના ગામોની લાયબ્રેરીને ડિજિટલી જોડવામાં આવી છે : ગૃહમંત્રી અમિત શાહ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/jK6whQaL5L22JsmPhCHE8EafxqKy69i7sTHi9gjN.webp'/></item><item><title><![CDATA[World Organ Donor Day 2026: ઓર્ગન ડોનેશન ક્ષેત્રે ગુજરાતનો દેશભરમાં ડંકો, 3 સરકારી હોસ્પિટલોને મળ્યા રાષ્ટ્રીય એવોર્ડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/world-organ-donor-day-2026-govt-hospitals-win-3-national-organ-donation-awards</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/world-organ-donor-day-2026-govt-hospitals-win-3-national-organ-donation-awards</guid><pubDate>Wed, 12 Aug 2026 20:42:42 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતે અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટેશન ક્ષેત્રે સમગ્ર દેશમાં એક અનોખી મિશાલ કાયમ કરીને ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. 3 ઓગસ્ટ, 2026ના રોજ ‘નેશનલ ઓર્ગન ડોનેશન ડે’ નિમિત્તે નવી દિલ્હી ખાતે યોજાયેલા ‘16મા ઇન્ડિયન નેશનલ ઓર્ગન ડોનેશન ડે’ સમારોહમાં ગુજરાતને ત્રણ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે.</p><h2><b>ગુજરાતની આ 3 સરકારી હોસ્પિટલોને મળ્યા રાષ્ટ્રીય પુરસ્કાર</b></h2><p>અંગદાન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્યની અલગ-અલગ ત્રણ સરકારી હોસ્પિટલોને રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ્સ એનાયત કરાયા છે.</p><ul><li><b>IKDRC અમદાવાદ: </b>અંગ પ્રત્યારોપણ ક્ષેત્રે અગ્રેસર રહેવા બદલ "Excellence in Leading Government Hospital in Organ Transplantation" નો એવોર્ડ પ્રાપ્ત થયો.</li><li><b>અમદાવાદ સિવિલ હોસ્પિટલ: </b>મૃત દાતાઓમાંથી સફળતાપૂર્વક અંગોના રીટ્રીવલ (ઓર્ગન કલેક્શન) માટે "Best Non-Transplant Organ Retrieval Centre (NTORC)" નો એવોર્ડ મળ્યો.</li><li><b>નવી સિવિલ હોસ્પિટલ, સુરત: </b>બ્રેઇન સ્ટેમ ડેથની સમયસર ઓળખ, સ્વજનોનું સંવેદનશીલ કાઉન્સેલિંગ અને વૈજ્ઞાનિક પ્રક્રિયા માટે "Best Brain Stem Death Team" નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.</li></ul><p><img alt="World Organ Donor Day 2026: Gujarat Govt Hospitals Win 3 National Organ Donation Awards 2026" src="https://epapercdn.sandesh.com/images/2026/08/12/hpi0wR6zC8sZ9nn0KtVcT7leXkDNHYmgnxIDYDH7.webp"><br></p><h2><b>કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી અને મંત્રીમંડળે પાઠવ્યા અભિનંદન</b></h2><p>ગુજરાતના આરોગ્ય વિભાગને પ્રાપ્ત થયેલી આ અભૂતપૂર્વ ગૌરવસિદ્ધિના એવોર્ડ્સ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં સન્માનપૂર્વક પ્રસ્તુત કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સમગ્ર કેબિનેટ મંત્રીમંડળે ગુજરાતના આરોગ્ય વિભાગની આ સરાહનીય કામગીરીને બિરદાવીને હોસ્પિટલના તમામ તબીબો, સ્ટાફ અને સંબંધિત ટીમોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.</p><p><img alt="World Organ Donor Day 2026: Gujarat Govt Hospitals Win 3 National Organ Donation Awards 2026" src="https://epapercdn.sandesh.com/images/2026/08/12/PnrziV07sko5MTpi7ahTVEONl5vRk1OHQkxOVohn.webp"><br></p><h2><b>વિશ્વ અંગદાન દિવસ 2026</b></h2><p>વિશ્વ અંગદાન દિવસ દર વર્ષે 13 ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ લોકોમાં અંગદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો અને મૃત્યુ પછી અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન આપવા માટે પ્રેરિત કરવાનો છે.</p><h2><b>અંગદાનનું મહત્વ</b></h2><ul><li>એક વ્યક્તિનું અંગદાન અનેક લોકોના જીવન બચાવી શકે છે.</li><li>કિડની, લીવર, હૃદય, ફેફસાં અને આંખો જેવા મહત્વપૂર્ણ અંગોનું પ્રત્યારોપણ કરી શકાય છે.</li><li>બ્રેઈનડેડ દર્દીના અંગો પરિવારની સંમતિથી દાનમાં આપી શકાય છે.</li></ul><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/explainer/news/world/sandesh-digital-explainer-why-is-public-outrage-against-social-media-flaring-up-in-america-a-warning-bell-for-india-too" target="_blank">Sandesh Digital Explainer: અમેરિકામાં સોશિયલ મીડિયા સામે કેમ ભડકી રહ્યો છે જનઆક્રોશ? ભારત માટે પણ ખતરાની ઘંટી</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/KGwTVjWImq2Rus7yNL9h4I6cn9hkNV6KjTxGMZU7.webp'/></item><item><title><![CDATA[Reels Effect On Gen-Z: રીલ્સના ચક્કરમાં કેવી રીતે બરબાદ થઈ રહ્યો છે યુવાનોનો કિંમતી સમય?, જાણો ]]></title><link>https://sandesh.com/entertainment/news/india/reels-effect-on-gen-z-how-is-the-precious-time-of-the-youth-being-wasted-in-the-hustle-and-bustle-of-reels-find-out</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/india/reels-effect-on-gen-z-how-is-the-precious-time-of-the-youth-being-wasted-in-the-hustle-and-bustle-of-reels-find-out</guid><pubDate>Wed, 12 Aug 2026 20:25:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">પરંતુ હવે, મોટાભાગના Gen-Z સ્માર્ટફોન પર એક નજર નાખો અને તમને કલા, શિક્ષણ, મહેનત અથવા બુદ્ધિનો કોઈ પત્તો નહીં મળે.&nbsp;</p><h2 style="text-align: justify; ">રીલની દુનિયામાં ખોવાયેલો Gen-Z</h2><p style="text-align: justify; ">આજની દુનિયામાં, જો તમે લાખો ફોલોઅર્સ ઇચ્છતા હોવ, તો તમારે ડિગ્રી, રીતભાત કે ઊંડી સમજણની જરૂર નથી. ઘણા સર્જકો છે જે સામગ્રીના નામે, તેમની રીલ્સ પર કંઈપણ પીરસતા હોય છે, અને તેને લાખો વ્યૂઝ મળી રહ્યા છે. ઉદાહરણ તરીકે, "ડેની પંડિત" ના વાયરલ વિડીયોને લો, જ્યાં તે લાંબા વિગ અને છોકરીઓના કપડાં પહેરીને વાહિયાત રીતે નૃત્ય કરે છે, અને આ રીલ, કોઈપણ છંદ કે પ્રતિભા વિના, 84.2 મિલિયન વ્યૂઝ ધરાવે છે.&nbsp;</p><h3 style="text-align: justify; ">કેવી થાય છે માનસિક અસર ?&nbsp;</h3><p style="text-align: justify; ">બીજી બાજુ, એક રેન્ડમ રીલ જ્યાં એક મહિલા તેના રૂમમાં સાડી પહેરીને ડાન્સ કરે છે તેને સરળતાથી 14.8 મિલિયન વ્યૂઝ મળે છે. આ ફક્ત થોડા ઉદાહરણો છે કે કેવી રીતે રીલ્સ યુવાનોનો સમય બગાડી રહી છે. ઇન્સ્ટા રીલ્સની દુનિયામાં, લાખો આવી રીલ્સ છે, જેના પર યુવાનો પોતાનો કિંમતી સમય બગાડી રહ્યા છે તે જાણ્યા વિના પણ. માનસિક દ્રષ્ટિકોણથી, આ કોઈ સંયોગ નથી, પરંતુ ધીમું ઝેર છે. રીલ્સ અને શોર્ટ્સના ફોર્મેટ તમારા મગજમાં તરત જ ડોપામાઇન મુક્ત કરવા માટે રચાયેલ છે.&nbsp;</p><h4 style="text-align: justify; ">ચર્ચાનો નવો વિષય&nbsp;</h4><p style="text-align: justify; ">દરેક સ્ક્રોલ સાથે, યુવાનોને એક નવો આંચકો અથવા ચર્ચાનો નવો વિષય મળે છે. આ તેમના ધ્યાનના સમયગાળા પર સીધી અસર કરી રહ્યું છે. આ જ કારણ છે કે આજે મોટાભાગના યુવાનો 2 મિનિટનો ગંભીર વિડિઓ અથવા પુસ્તકનું એક પૃષ્ઠ શાંતિથી વાંચી શકતા નથી. તેમને દર 10 સેકન્ડે કંઈક ઉત્તેજક જોઈએ છે. પરિણામ શું છે? શિક્ષણનું મહત્વ ઘટી રહ્યું છે, ડિગ્રીઓ ફક્ત કાગળના ટુકડા બની રહી છે, અને સર્જનાત્મકતાના નામે, બીજા લોકોના ગીતો સાથે લિપ-સિંકિંગ એક કૌશલ્ય માનવામાં આવે છે.</p><h5 style="text-align: justify; ">આજની પેઢી માટે સૌથી ખતરનાક</h5><p style="text-align: justify; ">આજની પેઢી માટે સૌથી ખતરનાક ઉદાહરણ એ છે કે "વિવાદ એ સફળતાની ચાવી છે." સાચા અને ખોટા વચ્ચેનો ભેદ અદૃશ્ય થઈ ગયો છે. કેટલાક રસ્તા પર પસાર થતા લોકોને હેરાન કરીને રીલ્સ બનાવી રહ્યા છે, જ્યારે કેટલાક તેમનો દુરુપયોગ કરી રહ્યા છે. જ્યાં સુધી મામલો પોલીસ સ્ટેશન સુધી ન પહોંચે અથવા વિવાદ તરફ ન જાય ત્યાં સુધી સામગ્રીને પૂર્ણ માનવામાં આવતી નથી. જનરલ-ઝેડ આંધળાપણે આ જુસ્સાને અનુસરી રહ્યા છે. તેઓ માને છે કે એકવાર રીલ્સ વાયરલ થઈ જાય, પછી જીવન સેટ થઈ જાય છે.&nbsp;</p><h6 style="text-align: justify; ">મનોરંજનના નામે અશ્લીલતા&nbsp;</h6><p style="text-align: justify; ">મનોરંજન ખોટું નથી, પરંતુ જ્યારે મનોરંજનના નામે અશ્લીલતાને "આઇકન" માનવામાં આવે છે, અને નવી પેઢી તેમના શિક્ષણને છોડી દે છે અને રસ્તા પરની રીલ્સને તેમના કારકિર્દીનો માર્ગ બનાવવાનું વિચારે છે, ત્યારે ભયની ઘંટડીઓ વાગી જાય છે. જનરલ-ઝેડને સમજવું જોઈએ કે 15-સેકન્ડની રીલ્સ ક્યારેય તમારા વાસ્તવિક જીવનનું સત્ય હોઈ શકે નહીં. જો આપણે સમયસર તમારા ફોન ડેટા બંધ નહીં કરીએ અને તમારા મગજનો ડેટા ચાલુ નહીં કરીએ, તો આવતીકાલ રીલ્સની દુનિયામાં ડૂબી જશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/business/news/india/online-vs-offline-shopping-why-do-companies-sell-different-products-online-and-offline-know-what-is-the-reason" target="_blank">ઓનલાઇન અને ઓફલાઇન કેમ અલગ પ્રોડક્ટ વેચે છે કંપનીઓ, જાણો શુ છે કારણ?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/BDWcBPwWEdeVAB3elqDkqbWBLDjhzEiFJfCL7cBo.webp'/></item><item><title><![CDATA[Vadodara: તરસાલીમાં જન્મદિવસ જ બન્યો કાળ, સમાધાનના બહાને બોલાવી યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/tarsali-danteshwar-vuda-awas-mehul-darbar-murdered-on-birthday</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/tarsali-danteshwar-vuda-awas-mehul-darbar-murdered-on-birthday</guid><pubDate>Wed, 12 Aug 2026 20:13:44 +05:30</pubDate><description><![CDATA[<p>વડોદરાના દંતેશ્વર સ્થિત વુડાના આવાસ વિસ્તારમાં લોહીયાળ ડ્રામા સર્જાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, દંતેશ્વર વુડા આવાસમાં રહેતા મેહુલ દરબાર નામના યુવકને વિસ્તારમાં જ રહેતા વિજય, પદમ અને તેના અન્ય સાથીદારો સાથે 3 દિવસ પૂર્વે કોઈ સામાન્ય બાબતે તકરાર અને બોલાચાલી થઈ હતી.</p><h2><b>તરસાલીમાં બર્થડેના દિવસે જ યુવકની હત્યા</b></h2><p>આ તકરારનું મનદુઃખ રાખીને આરોપીઓએ મનમાં અદાવત રાખી હતી. દરમિયાન આજે મેહુલ દરબારનો જન્મદિવસ હોવાથી ઘર અને મિત્રવર્તુળમાં આનંદનો માહોલ હતો. તેવામાં આરોપીઓએ મેહુલને અગાઉની તકરારનું સુખદ 'સમાધાન' કરી લેવાના બહાને વુડાના આવાસ પાસે બોલાવ્યો હતો.મેહુલ સમાધાન માટે પહોંચતા જ પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે વિજય, પદમ અને તેની સાથેના યુવકોએ અચાનક ઉશ્કેરાઈને મેહુલ પર તીક્ષ્ણ ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. યુવકને શરીરે ચપ્પુના પાંસળા વિંધાઈ જાય તેવા ઘા ઝીંકી દેતાં તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. બનાવ બાદ તમામ હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.</p><h3><b>સમાધાનના બહાને બોલાવી ચપ્પુ માર્યું</b></h3><p>ગંભીર રીતે ઘવાયેલા મેહુલ દરબારને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં વડોદરાની એસએસજી (SSG) હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેની સ્થિતિ વધુ નાજુક બનતાં આખરે તેનું મોત નીપજ્યું હતું. જે દિવસે પરિવાર અને મિત્રો તેના જન્મદિવસની ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યા હતા, એ જ દિવસે મેહુલનું મોત થતાં પરિવારજનોના ક્રંદનથી એસએસજી હોસ્પિટલ કમ્પાઉન્ડ ગુંજી ઉઠ્યું હતું. પોલીસે ઘટના અંગે ગુનો નોંધી આરોપીઓને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.</p><p><b><a href="https://sandesh.com/business/news/mp-cm-mohan-yadav-meets-arvind-limited-kulin-lalbhai-in-ahmedabad-1200-crore-investment-pm-mitra-park" target="_blank">આ પણ વાંચો: Business News: ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનશે, એમપીના સીએમએ આપ્યું રોકાણનું આમંત્રણ</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/HkJZanclNsaeYywnf8REZ7MNfT8XoDUba42chzxl.webp'/></item><item><title><![CDATA[Online vs Offline Shopping: ઓનલાઇન અને ઓફલાઇન કેમ અલગ પ્રોડક્ટ વેચે છે કંપનીઓ, જાણો શુ છે કારણ? ]]></title><link>https://sandesh.com/business/news/india/online-vs-offline-shopping-why-do-companies-sell-different-products-online-and-offline-know-what-is-the-reason</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/online-vs-offline-shopping-why-do-companies-sell-different-products-online-and-offline-know-what-is-the-reason</guid><pubDate>Wed, 12 Aug 2026 20:10:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સ કંપનીઓ હવે ઓનલાઈન અને ઓફલાઈન ગ્રાહકો માટે અલગ અલગ મોડેલ અને ફીચર્સ ઓફર કરી રહી છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">ઓનલાઈન અને ઓફલાઈન વચ્ચે તફાવત</h2><p style="text-align: justify; ">દેશની સૌથી મોટી ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓમાંની એક, LG, ઓનલાઈન ખરીદીની તુલનામાં સ્ટોરમાં ખરીદેલા કેટલાક ટીવી પર એક થી બે વર્ષની વધારાની વોરંટી આપે છે. કંપની વેચાણ ચેનલના આધારે કેટલાક ઉપકરણો પર સુવિધાઓ પણ તૈયાર કરે છે. તેવી જ રીતે, Haier ઓનલાઈન અને ઓફલાઈન બજારો માટે અલગ અલગ વ્યૂહરચના અપનાવી રહી છે. ઓનલાઈન ગ્રાહકોને વોટર ડિસ્પેન્સર સાથે પ્રીમિયમ રેફ્રિજરેટર મળે છે, જ્યારે સ્ટોરમાં વેચાતા કેટલાક મોડેલો કાચના દરવાજા અથવા મિરર ફિનિશ સાથે આવે છે.&nbsp;</p><h3 style="text-align: justify; ">કંપનીઓ કેમ કરે છે આવું ?</h3><p style="text-align: justify; ">કંપનીઓ અનુસાર, ઈ-કોમર્સ ગ્રાહકો સુધી પહોંચવાનો ઝડપી માર્ગ છે, પરંતુ કંપની પાસે 35,000 થી વધુ સ્ટોર્સનું મોટું ડીલર નેટવર્ક પણ છે. તેથી, બંને ચેનલો વિવિધ સુવિધાઓ અને વોરંટી કવરેજ ધરાવતા મોડેલો સાથે સહઅસ્તિત્વ ધરાવે છે. અલગ મોડેલો રાખવાથી ઓનલાઈન અને ઓફલાઈન ચેનલો વચ્ચેના સંઘર્ષો ઘટાડવામાં મદદ મળે છે. જો કે, આ માટે કંપનીઓને વધારાના સંશોધન અને વિકાસ ખર્ચનો પણ ભોગવવો પડે છે. આ પરિવર્તન એવા સમયે આવ્યું છે જ્યારે ઓનલાઈન ખરીદી સતત વધી રહી છે.&nbsp;</p><h4 style="text-align: justify; ">ગ્રાહકો પર આની શું અસર પડશે?</h4><p style="text-align: justify; ">આ પરિવર્તન ગ્રાહકો પર સીધી અસર કરી શકે છે. ફક્ત કિંમતના આધારે ઓનલાઈન અને ઓફલાઈન મોડેલની સરખામણી કરવી હવે પૂરતી રહેશે નહીં. ખરીદી કરતા પહેલા, મોડેલ નંબર, સુવિધાઓ, વોરંટી, ક્ષમતા અને ઉર્જા રેટિંગ તપાસવું મહત્વપૂર્ણ છે. કેટલીકવાર, થોડી વધારે કિંમત ધરાવતું ઓફલાઈન મોડેલ વધારાની વોરંટી અથવા વધુ સારી સુવિધાઓ આપી શકે છે. દરમિયાન, ઓનલાઈન મોડેલ ઓછી કિંમતે તમને જોઈતી સુવિધાઓ પ્રદાન કરી શકે છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/imran-khans-death-in-jail-claim-did-asim-munir-take-revenge-on-his-old-self-know-what-is-the-truth" target="_blank">Imran Khanના જેલમાં મોતનો દાવો? શું Asim Munirએ પોતાનો જૂનો બદલો લીધો, જાણો શુ છે હકીકત?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/SrZx5msagdbDLwZq6qk8PKZbZmqXGRkiAsC1vp2K.webp'/></item></channel></rss>