<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Petrol Diesel Price Today: આજે બદલાયો છે પેટ્રોલ ડીઝલનો ભાવ ? જાણો 1 લિટરનો રેટ ]]></title><link>https://sandesh.com/business/news/petrol-diesel-price-today-has-the-price-of-petrol-and-diesel-changed-today-know-the-rate-of-1-liter</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/petrol-diesel-price-today-has-the-price-of-petrol-and-diesel-changed-today-know-the-rate-of-1-liter</guid><pubDate>Sat, 12 Sep 2026 09:48:43 +05:30</pubDate><description><![CDATA[<p>Petrol Diesel Price Today: દેશમાં લોકોને આજે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગે રાહત મળી છે. સરકારી તેલ કંપનીઓએ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી.&nbsp; આનો અર્થ એ છે કે 12 સપ્ટેમ્બર, 2026ના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ ગઈકાલ જેટલા જ યથાવત રહ્યા છે.</p><h2><b>ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા ?&nbsp;</b></h2><p>આજે ક્રૂડ ઓઈલના ભાવમાં થોડો ઘટાડો થયો છે અને તે લગભગ 3% ઘટીને $104.42 પ્રતિ બેરલ પર આવી ગયા છે; ગઈકાલે આ ભાવ થોડા સમય માટે $109 પ્રતિ બેરલ સુધી પહોંચ્યા હતા. ક્રૂડ ઓઈલના વધતા ભાવ વૈશ્વિક ચિંતાનો વિષય છે. જો ભાવમાં વધુ વધારો થશે, તો ઓઈલ કંપનીઓ પાસે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે. જોકે હાલમાં ભાવ સ્થિર હોવાથી થોડી રાહત છે. આજે દિલ્હીમાં પેટ્રોલ ₹102.12 પ્રતિ લિટર અને ડીઝલ ₹95.20 પ્રતિ લિટરના ભાવે ઉપલબ્ધ છે. પ્રીમિયમ XP95 નો ભાવ ₹109.24 છે, જ્યારે હાઈ-ઓક્ટેન XP100 નો ભાવ ₹167.35 છે.</p><h2><b>પેટ્રોલ ડીઝલના ભાવને લઇને રાહત&nbsp;</b></h2><p>જોકે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ખૂબ ઊંચા સ્તરે છે. પરિણામે આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર નજીકથી નજર રાખવામાં આવશે. તેમ છતાં, રાહતની વાત એ છે કે સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવ 25 મેથી યથાવત રહ્યા છે.</p><p><b style="font-size: 1.75rem;">શહેરનું નામ પેટ્રોલનો ભાવ ડીઝલનો ભાવ (12 સપ્ટેમ્બરે શું છે ભાવ)</b></p><p><br></p><table class="table table-bordered"><tbody><tr><td>શહેર&nbsp;</td><td>પેટ્રોલ / લિટર&nbsp;</td><td>ડીઝલ / લિટર</td></tr><tr><td>નવી દિલ્હી&nbsp;</td><td>102.12&nbsp;</td><td>95.20</td></tr><tr><td>કોલકાતા</td><td>&nbsp;113.51&nbsp;</td><td>99.82</td></tr><tr><td>મુંબઈ&nbsp;</td><td>111.21&nbsp;</td><td>97.83</td></tr><tr><td>ચેન્નાઈ&nbsp;</td><td>107.78&nbsp;</td><td>99.56</td></tr><tr><td>નોઈડા&nbsp;</td><td>102.1&nbsp;</td><td>95.56&nbsp;</td></tr></tbody></table><p><b style="font-size: 1.75rem;">શું ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે?</b></p><p>વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ જે ઝડપે વધી રહ્યા છે તે જોતાં, એવો સવાલ ઉઠી રહ્યો છે કે શું ભારતમાં પણ ઈંધણના ભાવ વધશે. સરકાર તરફથી આવા કોઈ સંકેત આપવામાં આવ્યા નથી. જોકે આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી, પરંતુ જો આ વલણ ચાલુ રહેશે. એટલે કે ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો થતો રહેશે. તો ભારતની સરકારી ઓઈલ કંપનીઓને ઈંધણના ભાવ વધારવાની ફરજ પડી શકે છે, કારણ કે તેઓ પહેલેથી જ પેટ્રોલ અને ડીઝલ પર નુકસાન વેઠી રહી છે.</p><h3><b>ગુજરાતના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ</b></h3><p>ગુજરાતમાં શહેર પ્રમાણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડો તફાવત જોવા મળી શકે છે. 12 સપ્ટેમ્બરના લેટેસ્ટ ભાવ નીચે મુજબ છે.&nbsp;</p><table class="table table-bordered"><tbody><tr><td><b>શહેર&nbsp;</b></td><td><b>પેટ્રોલ / લિટર&nbsp;</b></td><td><b>ડીઝલ / લિટર&nbsp;</b></td></tr><tr><td>અમદાવાદ&nbsp;</td><td>₹101.81&nbsp;</td><td>₹97.92</td></tr><tr><td>ગાંધીનગર&nbsp;</td><td>₹102.01&nbsp;</td><td>₹98.13</td></tr><tr><td>રાજકોટ&nbsp;</td><td>₹101.85&nbsp;</td><td>₹97.99&nbsp;</td></tr><tr><td>સુરત&nbsp;</td><td>₹102.15</td><td>&nbsp;₹98.27</td></tr><tr><td>વડોદરા&nbsp;</td><td>₹101.46&nbsp;</td><td>₹97.57</td></tr><tr><td>જૂનાગઢ&nbsp;</td><td>₹102.48&nbsp;</td><td>₹98.62</td></tr></tbody></table> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/wABET6R0o7pWcl9W3SMit6GNr8c0c8ozcETlWoEM.webp'/></item><item><title><![CDATA[Junagadh News : કેશોદની જાણીતી હોટલમાં ઓર્ડર કરેલા સિઝલરમાં એવું તે શું નીકળ્યું કે ગ્રાહકનો પિત્તો ગયો? ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/keshod/keshod--caterpillar-found-in-hotel-sizzler-sparks-ruckus--demands-raised-for-food-department-action</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/keshod/keshod--caterpillar-found-in-hotel-sizzler-sparks-ruckus--demands-raised-for-food-department-action</guid><pubDate>Sat, 12 Sep 2026 09:41:39 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જૂનાગઢના કેશોદમાં ગ્રાહકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ગંભીર ચેડાં થતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. કેશોદની જાણીતી દર્શન હોટલમાં જમવા ગયેલા ગ્રાહકે ઓર્ડર કરેલા ગરમાગરમ સિઝલરની ડિશમાંથી ઈયળ મળી આવી હતી. ખાવાની વાનગીમાંથી ઈયળ જોઈને ગ્રાહક ચોંકી ઉઠ્યા હતા અને તેમણે હોટલ સંચાલકો સામે વિરોધ નોંધાવીને ભારે હોબાળો મચાવ્યો હતો. ગ્રાહકના આરોગ્ય સાથે રમતો આ ખેલ સામે આવતાં જ સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>અસ્વચ્છ રસોડું અને હોટલ સંચાલકોની ઘોર બેદરકારી</b></h2><p style="text-align: justify; ">ઘટના બાદ હોટલના રસોડાની સ્થિતિ અંગે પણ ગંભીર સવાલો ઉભા થયા છે. કોઈપણ પ્રકારની સ્વચ્છતા જાળવ્યા વિના ધમધમતા રસોડામાં ખોરાક તૈયાર કરવામાં આવતો હોવાની પોલ ખુલ્લી પડી ગઈ છે. હોટલ સંચાલકોની આવી ઘોર બેદરકારીને કારણે નિર્દોષ ગ્રાહકોના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે. ગ્રાહકોએ આક્ષેપ કર્યો છે કે મોંઘા ભાવ વસૂલતી હોટલોમાં ખાણીપીણીની ગુણવત્તા અને ચોખ્ખાઈ બાબતે તદ્દન નિષ્કાળજી દાખવવામાં આવી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>ફૂડ વિભાગની નિદ્રાધીન કામગીરી સામે જનરોષ</b></h2><p style="text-align: justify; ">કેશોદમાં વારંવાર અખાદ્ય અને અસ્વચ્છ ખોરાક પીરસવાના બનાવો બનવા છતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કુંભકર્ણ નિંદ્રા સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક નાગરિકો અને ગ્રાહકોએ માગ કરી છે કે ફૂડ વિભાગ તાત્કાલિક ધોરણે નિદ્રામાંથી જાગીને આ હોટલ પર દરોડા પાડે. આ સાથે જ ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરનારા હોટલ સંચાલકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી સખત રજૂઆત કરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/junagadh/major-reshuffle-in-junagadh-police--9-pis-and-8-psis-transferred-by-district-sp" target="_blank">Junagadh પોલીસ તંત્રમાં મોટો ફેરફાર, જિલ્લા પોલીસ વડાએ 9 PI અને 8 PSI ની કરી આંતરિક બદલી</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/12/A0yVMe6LDmBE4KQIDl96E9tbYu8DWayqqAuTI3Ba.webp'/></item><item><title><![CDATA[Bhavnagar News: ઝેરી દારૂ પીવાથી વધુ એક મોતનો ખુલાસો, બે આરોપી સામે નોંધાયો હત્યાનો ગુનો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/fake-liquor-tragedy-another-death-murder-case-registered</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/fake-liquor-tragedy-another-death-murder-case-registered</guid><pubDate>Sat, 12 Sep 2026 09:30:13 +05:30</pubDate><description><![CDATA[<p>ભાવનગર શહેરમાં ઝેરી દારૂના લીધે વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અઠવાડિયા અગાઉ દારૂ પીધા બાદ રિક્ષાચાલક ભાવેશ વિસાણીનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું હતું. આ મામલે FSL અને વિસેરા રિપોર્ટ સામે આવતા સ્પષ્ટ થયું છે કે, ભાવેશનું મોત કેમિકલયુક્ત ઝેરી દારૂ પીવાના કારણે જ થયું હતું. રિપોર્ટના આધારે ઘોઘારોડ પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.</p><h2><b>જાણ હોવા છતાં પીવડાવ્યો ઝેરી દારૂ</b></h2><p>તપાસ દરમિયાન અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપી સંજય અને મુકેશ પટેલ નામના શખ્સો પાસે 'રોયલ સ્ટેગ' બ્રાન્ડની નકલી અને ઝેરી દારૂની બોટલ હતી. સંજયે પોતે પણ આ નકલી દારૂ પીધો હતો અને અગાઉ હોસ્પિટલમાં સારવાર પણ લીધી હતી. આ ઝેરી દારૂ પીવાથી 14 જેટલા લોકોના મોત થઈ ચૂક્યા છે, તે વાતની પૂરેપૂરી જાણ હોવા છતાં, આ બંને આરોપીઓએ ભાવેશભાઈને એક અઠવાડિયા પહેલાં તે જ જીવલેણ ઝેરી દારૂ પીવડાવ્યો હતો.</p><h2><b>પોલીસે દાખલ કર્યો હત્યાનો ગુનો</b></h2><p>પોલીસે આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને સંજય અને મુકેશ પટેલ સામે ગુનાહિત માનવવધ નહીં પણ સીધો હત્યાનો ગુનો (IPC/BNS હેઠળ) નોંધ્યો છે. જાણકા હોવા છતાં કોઈને ઝેર સમાન દારૂ આપવો એ ગંભીર અપરાધ બનતો હોવાથી ઘોઘારોડ પોલીસે કડક વલણ અપનાવ્યું છે.</p><p><img alt="Bhavnagar News: Another Death, Murder Case Filed In Bhavnagar lattha kand" src="https://epapercdn.sandesh.com/images/2026/09/12/VzxTkoXlYgDHe6HTQ6hwErGRtohHu7EHoqXlBc2g.webp" style="width: 100%;"><br></p><h2><b>આરોપીઓની શોધખોળ તેજ</b></h2><p>બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમ બનાવી તપાસના ચક્ર ગતિમાન કર્યા છે. આ લઠ્ઠાકાંડમાં નકલી બોટલો ક્યાંથી આવી અને આ રેકેટમાં અન્ય કોણ-કોણ સામેલ છે, તે દિશામાં પણ ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2098587821082824851"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><br><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/bhavnagar-somnath-highway-accident-ningala-fatal-collision" target="_blank">Bhavnagar-સોમનાથ હાઇવે પર કન્ટેનર અને બાઇક વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/12/Kupt0cIoB3m7Ts5Yq1b7DNZiAWnJxRqHLpKJeW1R.webp'/></item><item><title><![CDATA[Suratમાં કપલ સ્વેપિંગના નામે મહિલા પર શારીરિક-માનસિક અત્યાચાર! વિરોધ કરવા બદલ માર મારનાર પતિ સહિત 5 સામે ફરિયાદ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/surat--woman-assaulted-after-refusing-couple-swapping--5-booked-by-katargam-police</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/surat--woman-assaulted-after-refusing-couple-swapping--5-booked-by-katargam-police</guid><pubDate>Sat, 12 Sep 2026 08:48:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરમાં સંબંધોને શર્મસાર કરતી અને વિકૃત માનસિકતા દર્શાવતી વધુ એક ઘટના સામે આવી છે. કતારગામ વિસ્તારની પરિણીતાને તેના પતિ અને પરિવારના અન્ય સભ્યો દ્વારા ગેરકાયદેસર અને અનૈતિક કપલ સ્વેપિંગ (Couple Swapping) માટે સતત દબાણ કરવામાં આવતું હોવાનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>ઈનકાર કરતાં પરિણીતાને ઢોર માર માર્યો</b></h2><p style="text-align: justify; ">કેસની વિગતો મુજબ, ઉત્રાણ ખાતે રહેતા પરિણીતાના પતિ અને તેની દેરાણી દ્વારા પરિણીતા પર અનૈતિક સંબંધો બાંધવા અને કપલ સ્વેપિંગ કરવા માટે ભારે માનસિક તથા શારીરિક દબાણ કરવામાં આવતું હતું. પરિણીતાએ આ માગણીનો સ્પષ્ટ ઈનકાર કરી દેતાં, ઉશ્કેરાયેલા પતિ અને સાસરિયાઓએ તેને ઢોર માર મારીને ભારે માનસિક-શારીરિક ત્રાસ આપ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>કતારગામ પોલીસે 5 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી</b></h3><p style="text-align: justify; ">સાસરિયાઓના સતામણી અને અમાનુષી અત્યાચારથી કંટાળીને આખરે ભોગ બનનાર પરિણીતાએ કતારગામ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પરિણીતાની ફરિયાદના આધારે કતારગામ પોલીસે પતિ અને દેરાણી સહિત કુલ પાંચ લોકો વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની સઘન તપાસ હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/gir-somnath/talala-talati-mantri-bribe-case-acb-trap-gir-somnath" target="_blank">Gir Somnath News: તાલાલામાં ACBનો સપાટો, 8 હજારની લાંચ લેતા તલાટી મંત્રી સહિત 3 ઝડપાયા</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/12/GtylZP4Pi91IzVBvZygh4tzkOlIxICenmBVxeg3x.webp'/></item><item><title><![CDATA[96 ટકા નફો, બજેટ કરતાં ચારગણી કમાણી,  હનુમાન અંશ'નો ચમત્કાર, 4,000 કરોડની રામાયણને પડકાર ]]></title><link>https://sandesh.com/entertainment/news/hanuman-ansh-film-bumper-collection-at-the-box-office-now-challenge-4-000-crore--ramayana--movie</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/hanuman-ansh-film-bumper-collection-at-the-box-office-now-challenge-4-000-crore--ramayana--movie</guid><pubDate>Sat, 12 Sep 2026 08:34:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કોઈ મોટા સ્ટાર્સ, હજારો કરોડનું બજેટ કે ગ્લોબલ પ્રમોશન વગર બનેલી ફિલ્મ 'હનુમાન અંશ' એ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચ્યો છે. નીમ કરોલી બાબાના જીવનથી પ્રેરિત અને માત્ર ₹૨ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે માઉથ-પબ્લિસિટીના જોરે ધીમી શરૂઆત બાદ અદ્ભુત વેગ પકડ્યો હતો. માત્ર ૩૫ દિવસમાં ₹૧૯૩ કરોડથી વધુની કમાણી કરીને આ ફિલ્મે પોતાના બજેટ કરતાં લગભગ ૯૬ ગણો નફો મેળવ્યો છે. ચોથા અને પાંચમા અઠવાડિયામાં પણ રૂ. ૬૧ કરોડ જેવી મજબૂત કમાણી કરીને તેણે સાબિત કર્યું છે કે કન્ટેન્ટ જ ખરી તાકાત છે.</p><h2 style="text-align: justify; "><b>₹૪,૦૦૦ કરોડનું આયોજન: 'રામાયણ' સામે મોટો દાવ</b></h2><p style="text-align: justify;">બીજી તરફ, નિતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ' છે, જેમાં રણબીર કપૂર (ભગવાન રામ), સાઈ પલ્લવી (સીતા) અને યશ (રાવણ) જેવા દિગ્ગજ કલાકારો છે. બે ભાગમાં રિલીઝ થનાર આ પ્રોજેક્ટનું કુલ ખર્ચ ₹૪,૦૦૦ કરોડ અંદાજવામાં આવ્યું છે, જેમાં નિર્માણ, વિશ્વસ્તરીય VFX અને વૈશ્વિક/હોલીવુડ પ્રમોશનનો સમાવેશ થાય છે. નવેમ્બર 2026 માં રિલીઝ થવા જઈ રહેલી આ ફિલ્મ બોક્સ ઓફિસની કમાણી કરતાં વધુ દર્શકોની ભારે અપેક્ષાઓના બોજ હેઠળ છે.</p><h3 style="text-align: justify; "><b>મોટા બજેટની ફિલ્મમાં અપેક્ષાઓનો પર્વત અને દર્શકોના પ્રશ્નો</b></h3><p style="text-align: justify;">જ્યારે કોઈ ફિલ્મ ₹૪,૦૦૦ કરોડ જેવા જંગી ખર્ચે બનતી હોય, ત્યારે દર્શકો માત્ર 'સારા' સિનેમાથી સંતોષાતા નથી, પણ પડદા પર તે ભવ્યતા દેખાય તેની માંગ કરે છે. સોશિયલ મીડિયા પર ફિલ્મના ટીઝર, ટ્રેલર અને પાત્રોના લુક (ખાસ કરીને રણબીર અને યશ) અંગે મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. VFX અને સ્કેલ અંગે ઉઠેલા પ્રશ્નોએ રિલીઝ પહેલા જ ફિલ્મ માટે એક મોટો પડકાર ઉભો કર્યો છે.</p><h4 style="text-align: justify; "><b>સિનેમાનો ખરો મંત્ર: વાર્તા કે બજેટ?</b></h4><p style="text-align: justify; ">'હનુમાન અંશ' ની અભૂતપૂર્વ સફળતાએ સાબિત કર્યું છે કે દર્શકો માત્ર મોંઘા લોકેશન્સ કે VFX નથી ખરીદતા, પરંતુ તેઓ સાચી લાગણી અને મજબૂત વાર્તા ખરીદે છે. જો કે 'રામાયણ' અને 'હનુમાન અંશ' ની સરખામણી સીધી રીતે ન થઈ શકે, પરંતુ વૈચારિક રીતે આ બંને ફિલ્મો ઉદ્યોગને નવો વળાંક આપે છે. એક તરફ હજારો કરોડનો ભવ્ય સ્કેલ છે, તો બીજી તરફ માત્ર ભાવના, ભક્તિ અને દર્શકોનો વિશ્વાસ છે. આખરે, સિનેમામાં બજેટ પડદાને મોટો બનાવી શકે છે, પરંતુ ફિલ્મને સફળ તો વાર્તા અને દર્શકોનો પ્રેમ જ બનાવે છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/paresh-rawal-gujarat-national-film-awards-statement" target="_blank">આ પણ વાંચો : National Film Awards : એવોર્ડ શો ગુજરાતમાં યોજાવા પર વિવાદ! પરેશ રાવલે આપ્યો સણસણતો જવાબ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/12/toVRM53zu8LriLnrUKw8TwTdJJ1taOUEGGTZyF7Q.webp'/></item><item><title><![CDATA[Gir Somnath News: તાલાલામાં ACBનો સપાટો, 8 હજારની લાંચ લેતા તલાટી મંત્રી સહિત 3 ઝડપાયા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/gir-somnath/talala-talati-mantri-bribe-case-acb-trap-gir-somnath</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/gir-somnath/talala-talati-mantri-bribe-case-acb-trap-gir-somnath</guid><pubDate>Sat, 12 Sep 2026 08:02:04 +05:30</pubDate><description><![CDATA[<p>ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં લાંચરૂશવત વિરોધી શાખા એટલે કે ACBએ મોટી કાર્યવાહી કરીને સરકારી બાબુઓની પોલ ખોલી નાખી છે. ગલિયાવાડ ગામના ઇન્ચાર્જ તલાટી મંત્રી, તેમના દલાલ અને મદદનીશને રૂ. 8,000ની લાંચ સ્વીકારતા ACBની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ સરપ્રાઈઝ ટ્રેપના કારણે તાલાલા તાલુકાના મહેસૂલી અને સરકારી કર્મચારીઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે.</p><h2><b>બાંધકામ પરવાનગી અને વેરા પહોંચ માટે મંગાઈ હતી લાંચ</b></h2><p>સમગ્ર ઘટનાની વિગત મુજબ, ફરિયાદીએ પોતાના બાંધકામની પરવાનગી મેળવવા, નમૂના નંબર 2 મેળવવા તેમજ વેરા પહોંચ કઢાવવા માટે અરજી કરી હતી. આ કામગીરી કરી આપવાના અવેજ પેટે ગલિયાવાડના ઇન્ચાર્જ તલાટી ધવલ ચાવડાએ ફરિયાદી પાસે શરૂઆતમાં રૂ. 30,000ની મોટા રકમની લાંચની માગણી કરી હતી. જોકે, ફરિયાદી અને આરોપીઓ વચ્ચે રકઝક થતાં આખરે રૂ. 8,000માં કામ પતાવવાનું નક્કી થયું હતું.</p><h2><b>તાલાલાના ન્યૂ સહયોગ એન્ટરપ્રાઇઝ ખાતે ગોઠવાઈ ટ્રેપ</b></h2><p>તલાટી ધવલ ચાવડાના કહેવાથી દલાલ દિલીપ હરદાસભાઈએ ફરિયાદી સાથે લાંચની રકમ અંગે વાતચીત કરી હતી. ત્યારબાદ લાંચની રકમ સ્વીકારવા માટે તાલાલા ખાતે આવેલા 'ન્યૂ સહયોગ એન્ટરપ્રાઇઝ' ખાતે સ્થળ નક્કી કરવામાં આવ્યું હતું. ફરિયાદી લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે જૂનાગઢ ACBનો સંપર્ક કરી સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી.</p><p><img alt="Gir Somnath News: Talati Mantri and 2 Others Caught Red-Handed by ACB in Talala Bribe Case" src="https://epapercdn.sandesh.com/images/2026/09/12/bs3xNlRgqD2bLOLzRUrKKXpr6W4X3PVVgZe9xVtc.webp"><br></p><h2><b>ACB PI એ.ડી. વાળા અને ટીમની સફળ ટ્રેપ</b></h2><p>ફરિયાદના આધારે ACBના PI એ. ડી. વાળા અને તેમની ટીમે ન્યૂ સહયોગ એન્ટરપ્રાઇઝ ખાતે લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ ટ્રેપ દરમિયાન તલાટીના મદદનીશ કપિલ રમેશભાઈ રામે રૂ. 8,000ની લાંચની રકમ સ્વીકારતા જ ACBની ટીમે તેને ઝડપી લીધો હતો. ACBએ આ કેસમાં ઇન્ચાર્જ તલાટી ધવલ ચાવડા, દલાલ દિલીપ હરદાસભાઈ અને મદદનીશ કપિલ રામ એમ ત્રણેય આરોપીઓની અટકાયત કરી કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/gir-somnath/gir-somnath-the-glory-of-offering-water-to-the-moksha-peepal-planted-by-god-to-grant-salvation-to-ones-ancestors" target="_blank">Gir somnath : ભગવાને વાવેલા 'મોક્ષ પીપળે' જળ અર્પણ કરી પિતૃઓને મોક્ષ અપાવવાનો મહિમા</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/12/2u9qwaNMQTNcOH9v4WFNBwr2Fsqm46oOQXlWbhcQ.webp'/></item><item><title><![CDATA[Surat: દેદવાસણથી સાતેમ જતા રોડ પરથી ખેર ભરેલો ટેમ્પો ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-tempo-full-of-kher-caught-on-the-road-from-dedvasan-to-satem</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-tempo-full-of-kher-caught-on-the-road-from-dedvasan-to-satem</guid><pubDate>Sat, 12 Sep 2026 04:04:21 +05:30</pubDate><description><![CDATA[<p>મહુવા તાલુકાનાં દેદવાસણથી સાતેમ જતા રોડ પરથી ખેરના લાકડા ભરેલ ટેમ્પો મહુવા વન વિભાગની ટીમે ઝડપી પાડયો હતો.</p><p>સુરત ડીએફઓને બાતમી મળી હતી કે મહુવા તાલુકાનાં દેદવાસણથી સાતેમ જતા રોડ પરથી ગેરકીયદેસર રીતે ખેર ભરી એક ટેમ્પો પસાર થઈ રહ્યો છે. જેથી તેમણે દેદવાસણ ગામની સીમમાં મહુવા આરએફઓ નેહા ચોધરીએ પોતાના સ્ટાફ સાથે વોચ ગોઠવ્યા હતા. તે દરમ્યાન ટાટા કંપનીનો 407 ટેમ્પો (નં.જીજે.21. ટી.7732 આવતા તેને અટકાવી તપાસ કરતા ટેમ્પામાં ખેરના લાકડા હતા તેની પરમીટ ચાલક પાસે ન હતી. જેથી ટેમ્પામાં ભરેલા 67 નંગ ખેરના લાકડા જેની કિ.રૂ.50000 તથા ટેમ્પાની કિ.રૂ.2,50,000 મળી કુલ્લે રૂ. 3 લાખનો મુદામાલ વનવિભાગે ઝડપી પાડી ચાલકની અટક કરી ટેમ્પો તથા પકડાયેલ માલને માંડવી ખાતે જમા કરાવી દીધા હતા. વધુ તપાસ મહુવા આરએફઓ નેહા ચોધરીએ હાથ ધરી છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/12/GEPzEGZVYpa08Equdxer9pqlzGsXSAo6ohG6Iol7.webp'/></item><item><title><![CDATA[Bengaluru : સુપ્રીમ કોર્ટનો ‘ફેક ઓર્ડર’ બતાવી જેલમાંથી નીકળી ગયો આજીવન સજાનો કેદી, 12 લાખનો ખેલ ]]></title><link>https://sandesh.com/crime/news/india/bengaluru-fake-supreme-court-order-life-convict-jail-release-scam</link><guid isPermaLink="true">https://sandesh.com/crime/news/india/bengaluru-fake-supreme-court-order-life-convict-jail-release-scam</guid><pubDate>Fri, 11 Sep 2026 23:38:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બેંગલુરુમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં આજીવન કેદની સજા ભોગવી રહેલો કેદી કથિત રીતે સુપ્રીમ કોર્ટના નકલી આદેશના આધારે જેલમાંથી બહાર નીકળી ગયો હતો. આશ્ચર્યની વાત એ છે કે તેની રિલીઝ બાદ લગભગ 8 વર્ષ સુધી આ કથિત ગોટાળો સામે આવ્યો નહોતો. હવે પોલીસે કેદી શંકર એ. અરાધ્યા અને જેલ કર્મચારી શ્રીકાંત એસ.ની ધરપકડ કરી છે.</p><h2 style="text-align: justify; "><b>2001ના અપહરણ કેસમાં મળી હતી આજીવન કેદ</b></h2><p style="text-align: justify; ">પોલીસના જણાવ્યા મુજબ શંકર એ. અરાધ્યા 2001માં ચિકપેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખંડણી માટેના અપહરણ કેસમાં સજા ભોગવી રહ્યો હતો. ફાસ્ટ ટ્રેક કોર્ટ-Iએ 12 જુલાઈ 2004ના રોજ તેને આજીવન કેદ અને રૂ.10,000ના દંડની સજા ફટકારી હતી. તેણે હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી, પરંતુ તેની સજા યથાવત રહી હતી.</p><h3 style="text-align: justify; "><b>પત્નીની મુલાકાત બાદ શરૂ થયો કથિત ‘રિલીઝ પ્લાન’</b></h3><p style="text-align: justify; ">અરાધ્યાને અગાઉ અનેક વખત પેરોલ મળ્યો હતો. આ દરમિયાન તેની પત્નીની મુલાકાત જેલ કર્મચારી શ્રીકાંત સાથે થઈ હતી. તે સમયે શ્રીકાંત બેંગલુરુ સેન્ટ્રલ જેલના કન્વિક્ટ સેક્શનમાં સેકન્ડ ડિવિઝન આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતો હતો. આ વિભાગમાં કેદીઓની સજા, પ્રવેશ, રિલીઝ અને પેરોલ સંબંધિત દસ્તાવેજોનો રેકોર્ડ રાખવામાં આવે છે.</p><h4 style="text-align: justify; "><b>રૂ.12 લાખની માંગ, રૂ.6 લાખ આપ્યાનો આરોપ</b></h4><p style="text-align: justify; ">પોલીસનો આરોપ છે કે અરાધ્યાની પત્નીએ પતિને જેલમાંથી બહાર કાઢવા શ્રીકાંતનો સંપર્ક કર્યો હતો. શ્રીકાંતે કથિત રીતે રૂ.12 લાખની માંગ કરી હતી અને રિલીઝ કરાવવાની ખાતરી આપી હતી. પરિવાર દ્વારા રૂ.6 લાખ એકત્ર કરી તેને આપ્યાનો પોલીસનો દાવો છે.</p><h4 style="text-align: justify; "><b>ફેક સુપ્રીમ કોર્ટ ઓર્ડરથી જેલ તંત્ર પણ થયું ગેરમાર્ગે?</b></h4><p style="text-align: justify; ">તપાસમાં પોલીસને શંકા છે કે શ્રીકાંતે અરાધ્યાના કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશની નકલી નકલ તૈયાર કરી હતી. કથિત આદેશમાં સુપ્રીમ કોર્ટે અરાધ્યાને જેલમાંથી મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.</p><h4 style="text-align: justify; "><b>13 નવેમ્બર 2018એ જેલમાંથી થઈ ગયો ‘રિલીઝ’</b></h4><p style="text-align: justify; ">પોલીસ ફરિયાદ મુજબ નવેમ્બર 2018માં જેલ અધિકારીઓને કેટલાક દસ્તાવેજો મળ્યા હતા, જેમાં 2 નવેમ્બર 2018ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા રિલીઝનો આદેશ આપવામાં આવ્યો હોવાનું દર્શાવાયું હતું. આ દસ્તાવેજોના આધારે 13 નવેમ્બર 2018ના રોજ અરાધ્યાને બેંગલુરુ સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરી દેવામાં આવ્યો હતો.</p><h4 style="text-align: justify; "><b>8 વર્ષ પછી ફેક ઓર્ડરનો પર્દાફાશ</b></h4><p style="text-align: justify; ">આ સમગ્ર મામલો આ વર્ષે મે મહિનામાં સામે આવ્યો, જ્યારે બેંગલુરુ સેન્ટ્રલ જેલના ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડન્ટે ફરિયાદ નોંધાવી. તપાસ દરમિયાન અરાધ્યાની રિલીઝ માટે રજૂ કરાયેલ સુપ્રીમ કોર્ટનો આદેશ કથિત રીતે નકલી હોવાનું સામે આવ્યું. ત્યારબાદ પરપ્પના અગ્રહારા પોલીસે જાલસાજી, છેતરપિંડી સહિતની કલમો હેઠળ કેસ નોંધ્યો. તપાસ આગળ વધતાં જેલ કર્મચારી શ્રીકાંતની કથિત ભૂમિકા પણ સામે આવી અને બંનેની ધરપકડ કરવામાં આવી.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-gandhinagar-gujarat-rent-bill-2026-tenants-landlords-rent-act-explainer" target="_blank"><b>Sandesh Digital Explainer : મકાન માલિક હવે 3 મહિનાનું ભાડુ એડવાન્સ લઇ શકશે, જાણો, તમારા મનમાં છે તે બધા સવાલોના જવાબ</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/rMed3xRzqJtqQBrPMDNGugxuqTC6bbFtAS3W5rau.webp'/></item><item><title><![CDATA[12 September Top News: નવી દિલ્હીમાં BRICS સમિટનો પ્રારંભ, પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચે યોજાશે મહત્ત્વની બેઠક ]]></title><link>https://sandesh.com/gujarat/news/india/brics-summit-2026-pm-modi-xi-jinping-meeting-delhi-security-gujarat-news-updates</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/india/brics-summit-2026-pm-modi-xi-jinping-meeting-delhi-security-gujarat-news-updates</guid><pubDate>Fri, 11 Sep 2026 23:22:11 +05:30</pubDate><description><![CDATA[<p>બ્રિક્સ સમિટ આવતીકાલે સત્તાવાર રીતે શરૂ થશે. આ સમિટ ભારતની અધ્યક્ષતામાં બે દિવસ માટે યોજાશે.લગભગ 2:00 વાગ્યે ​​ભારત મંડપમ ખાતે બ્રિક્સ સભ્ય રાજ્ય નેતાઓનું આગમન અને સત્તાવાર ફોટો સેશન.</p><h2><b>બ્રિક્સ સભ્ય રાજ્ય નેતાઓનું બંધ બારણે સત્ર</b></h2><p>બ્રિક્સ સભ્ય રાજ્ય નેતાઓનું બંધ બારણે સત્ર.નેતાઓ "ઇન્ડિયા ઇનોવેટ્સ" પ્રદર્શનની મુલાકાત લેશે.સત્તાવાર પરિવાર/જૂથ ફોટોગ્રાફ (ભારત મંડપમના લૉન પર).ત્યારબાદ તરત જ સંયુક્ત વૃક્ષારોપણ સમારોહ (આશરે 5:10 વાગ્યે).વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આયોજિત ગાલા ડિનર.</p><h3><b>પીએમ મોદી સાથે વધારાની દ્વિપક્ષીય બેઠકો!</b></h3><p>સવારે 10:00 વાગ્યે - ઇથોપિયાના વડા પ્રધાન અબી અહેમદ અલી</p><p>સવારે 10:30 વાગ્યે - મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમ</p><p>સવારે 11:00 વાગ્યે - અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ</p><p>સવારે 11:30 વાગ્યે - વિયેતનામના વડા પ્રધાન</p><p>સાંજે 5:45 વાગ્યે:વડા પ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત પણ સુનિશ્ચિત થયેલ છે.</p><h4><b>ગુજરાત કોંગ્રેસના પ્રભારી ગુજરાત મુલાકાત</b></h4><p>ગુજરાત કોંગ્રેસના પ્રભારી રણદીપ સુરજેવાલાની ગુજરાત મુલાકાત. પ્રભારી બન્યા પછી આ તેમની પહેલી મુલાકાત છે. તેઓ કાર્યભાર સંભાળશે. રાજ્યના અધિકારીઓ, ધારાસભ્યો સાથે બેઠકો અને જિલ્લા પ્રમુખો સાથે વ્યક્તિગત બેઠકો.<br><br><h5><b>ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર પૂર્ણ&nbsp;</b></h5></p><p>ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસું સત્ર પૂર્ણ થયું છે, જેમાં 18 કલાક 32 મિનિટની કામગીરી દરમિયાન 7 સરકારી વિધેયકો પસાર કરાયા અને જલ જીવન મિશનનો CAG રિપોર્ટ રજૂ કરાયો.</p><h2><b>દિલ્હીની સુરક્ષા વ્યવસ્થા કડક</b></h2><p>ભારત મંડપમ ખાતે બ્રિક્સ સમિટને કારણે દિલ્હીની સુરક્ષા વ્યવસ્થા કડક છે. સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. 15,000 થી વધુ સુરક્ષા કર્મચારીઓ તૈનાત છે. સ્થળ પર 7,000 સુરક્ષા કર્મચારીઓ તૈનાત છે. એનએસજી કમાન્ડો અને એઆઈ કેમેરા ચોકી પર રહેશે. સુરક્ષા ક્ષેત્રમાં કોઈને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં.</p><h5><b>બ્રિક્સ સમિટને કારણે ટ્રાફિક એડવાઇઝરી જારી</b></h5><p>બ્રિક્સ સમિટને કારણે એરપોર્ટથી ભારત મંડપમ સુધી ટ્રાફિક એડવાઇઝરી જારી કરવામાં આવી છે. 4,800 ટ્રાફિક પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. 22 રૂટ પર ડાયવર્ઝન લાગુ કરવામાં આવશે. 35 રસ્તાઓ પર ટ્રાફિક બંધ રહેશે. નવી દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં જાહેર અવરજવર પર પ્રતિબંધ રહેશે.બ્રિક્સ સમિટને કારણે, રાજ્યના મુખ્યમંત્રીઓ કાલે તેમના કાફલા સાથે ભારત મંડપમ સુધી મુસાફરી કરી શકશે નહીં. ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે, તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ એક જ બસમાં સ્થળ પર જશે. કેન્દ્રીય મંત્રીઓ માટે એક શેર કરેલી બસની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.<br><br><h5><b>ઓસ્ટ્રેલિયાના ચીફ ઓફ ડિફેન્સ ફોર્સ સાથે બેઠક</b></h5></p><p>ભારતીય નૌસેના પ્રમુખ એડમિરલ કૃષ્ણા સ્વામીનાથને કેનબેરામાં ઓસ્ટ્રેલિયાના એડમિરલ માર્ક હેમન્ડ સાથે મુલાકાત કરી ભારત-ઓસ્ટ્રેલિયા દ્વિપક્ષીય દરિયાઈ સુરક્ષા ભાગીદારી અંગે ચર્ચા કરી છે.</p><h4><b>દિલ્હીમાં આહલાદક હવામાન રહેશે</b></h4><p>બ્રિક્સ સમિટ દરમિયાન દિલ્હીમાં આહલાદક હવામાન રહેશે. 12-13 સપ્ટેમ્બરે વાદળછાયું આકાશ રહેશે. સવાર અને બપોર દરમિયાન ઘણા વિસ્તારોમાં વીજળી અને ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. સાંજે પણ આવા જ વરસાદની શક્યતા છે. 13 સપ્ટેમ્બરે પણ આવી જ હવામાન સ્થિતિ રહેશે. સવારથી બપોર સુધી ઘણી વખત હળવો વરસાદ થવાની સંભાવના છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-police-ganesh-utsav-security-dgp-gyanendra-singh-malik-review-meeting" target="_blank">આ પણ વાંચો: Gandhinagar: ગણેશોત્સવને લઈને સમગ્ર રાજ્યમાં કડક સુરક્ષા બંદોબસ્ત, સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ ફોર્સ તૈનાત</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/g6r1EMDQ0tdfZg10ofBgDt5uw1j09nsjRH7qRjjo.webp'/></item><item><title><![CDATA[Delhi High Court : વિનેશ ફોગાટને મોટો ઝટકો, વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલમાંથી બહાર ]]></title><link>https://sandesh.com/sports/news/vinesh-phogat-world-championship-trials-delhi-high-court</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/vinesh-phogat-world-championship-trials-delhi-high-court</guid><pubDate>Fri, 11 Sep 2026 09:21:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને આંતરરાષ્ટ્રીય કુસ્તીમાં વાપસીના પ્રયાસ વચ્ચે મોટો ઝટકો લાગ્યો છે.દિલ્હી હાઈકોર્ટે 2026 સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપની પસંદગી માટે યોજાનારી ટ્રાયલમાં વિનેશને ભાગ લેવાની વચગાળાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે.આ નિર્ણય બાદ વિનેશ માટે 14 સપ્ટેમ્બરે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં યોજાનારી પસંદગી ટ્રાયલમાં ઉતરવાનો રસ્તો બંધ થઈ ગયો છે.જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ ગુરુવારે મોડી રાત્રે વિનેશ ફોગાટની વચગાળાની રાહતની માગ કરતી અરજી ફગાવી દીધી હતી.</p><h4 style="text-align: justify; "><b>દિલ્હી હાઈકોર્ટે શું કહ્યું</b></h4><p style="text-align: justify; ">અદાલતે કહ્યું કે ભારતીય કુસ્તી મહાસંઘ દ્વારા નક્કી કરવામાં આવેલી પાત્રતાની શરતો કોઈ એક ખેલાડી માટે અલગ રીતે લાગુ કરી શકાય નહીં.અદાલતે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું કે 7 સપ્ટેમ્બર 2026ના પરિપત્રમાં નક્કી કરાયેલા માપદંડ તમામ ખેલાડીઓ માટે સમાન છે.જો કોઈ કુસ્તીબાજે નક્કી કરાયેલી સ્પર્ધામાં ભાગ લીધો નથી,તો તે વર્તમાન નિયમો હેઠળ ટ્રાયલ માટે પાત્ર ગણાતો નથી.</p><h5 style="text-align: justify; "><b>વિનેશ ફોગાટે અદાલતનો દરવાજો કેમ ખખડાવ્યો?</b></h5><p style="text-align: justify; ">વિનેશ ફોગાટે ભારતીય કુસ્તી મહાસંઘના નવા પસંદગી નિયમોને પડકાર્યા હતા.7 સપ્ટેમ્બરે જાહેર કરાયેલા પરિપત્રમાં 2026 સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ માટેના ટ્રાયલમાં ભાગ લેવા માટે છ ઓલિમ્પિક વજન વર્ગો માટે પાત્રતાના નિયમો નક્કી કરવામાં આવ્યા છે.આ નિયમો હેઠળ કેટલીક નિર્ધારિત સ્પર્ધાઓના ચંદ્રક વિજેતા, રાષ્ટ્રીય તાલીમ શિબિરમાં સામેલ કુસ્તીબાજો અને 2026 અંડર-20 વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પસંદ થયેલા ખેલાડીઓ પાત્ર બને છે.વિનેશનું કહેવું હતું કે માતૃત્વના કારણે તે કેટલીક મહત્વની પસંદગી સ્પર્ધાઓમાં ભાગ લઈ શકી નહોતી.તેથી હાલના નિયમો તેમના માટે વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ સુધી પહોંચવાનો માર્ગ બંધ કરે છે.વિનેશે સીધી રીતે વર્લ્ડ ચેમ્પિયનશિપની ટીમમાં પસંદગીની માગ કરી નહોતી. તેમની માગ માત્ર એટલી હતી કે તેમને ટ્રાયલમાં ભાગ લેવાની તક આપવામાં આવે અને ત્યારબાદ તેમના પ્રદર્શનના આધારે ટીમમાં પસંદગી કરવામાં આવે.</p><h4 style="text-align: justify; "><b>એશિયન ગેમ્સના ટ્રાયલનો પણ આપ્યો હતો હવાલો</b></h4><p style="text-align: justify; ">વિનેશે પોતાની દલીલમાં 30 મેના એશિયન ગેમ્સના પસંદગી ટ્રાયલનો પણ ઉલ્લેખ કર્યો હતો.તેમણે 53 કિલોગ્રામ વજન વર્ગમાં ભાગ લીધો હતો અને ક્વાર્ટર ફાઇનલ જીતીને સેમિફાઇનલ સુધી પહોંચ્યા હતા.વિનેશે અદાલતને જણાવ્યું હતું કે માતા બન્યા બાદ તેમણે ફરી તાલીમ શરૂ કરી છે અને સ્પર્ધાત્મક કુસ્તીમાં વાપસી માટે પ્રયાસ કરી રહ્યા છે. તેઓ જુલાઈ 2025માં માતા બન્યા હતા.</p><h4 style="text-align: justify; "><b>માતૃત્વ નીતિ અંગે મોટી લડાઈ હજુ ચાલુ</b></h4><p style="text-align: justify; ">દિલ્હી હાઈકોર્ટે હાલ વિનેશની અરજીમાં ઉઠાવવામાં આવેલા મોટા કાયદાકીય પ્રશ્નો અંગે અંતિમ નિર્ણય આપ્યો નથી.અદાલતે એ પણ નોંધ્યું કે ગર્ભાવસ્થા, બાળકના જન્મ અને ત્યારબાદની શારીરિક પુનઃપ્રાપ્તિ જેવી પરિસ્થિતિઓને મહિલા ખેલાડીઓ માટેની પસંદગી નીતિની કાયદેસરતા અંગે વિચાર કરતી વખતે ધ્યાનમાં લેવાની જરૂર પડી શકે છે.જોકે, આ કારણોસર વિનેશને તાત્કાલિક વચગાળાની છૂટ આપી શકાય નહીં. અદાલતની એક મહત્વની ચિંતા એ પણ હતી કે માત્ર વિનેશને નિયમોમાં છૂટ આપવામાં આવે તો આવી જ સ્થિતિમાં રહેલા અન્ય ખેલાડીઓ સાથે સમાનતાનો પ્રશ્ન ઊભો થઈ શકે છે.વિનેશની કાનૂની લડાઈ માત્ર વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ પૂરતી મર્યાદિત નથી. તેઓ માતૃત્વ બાદ મહિલા ખેલાડીઓ માટે પારદર્શક અને વ્યવસ્થિત પસંદગી વ્યવસ્થા બનાવવાની માગ પણ કરી રહ્યા છે.</p><p style="text-align: justify; "><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/NalinisKitchen/status/2098245458540027916?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>WFIની શિસ્તભંગની કાર્યવાહી પણ પડકારાઈ</b></h4><p style="text-align: justify; ">વિનેશે ભારતીય કુસ્તી મહાસંઘ દ્વારા શરૂ કરવામાં આવેલી શિસ્તભંગની કાર્યવાહી સામે પણ અદાલતનો સંપર્ક કર્યો છે. તેમણે મે અને જૂનમાં આપવામાં આવેલી 2 કારણદર્શક નોટિસ રદ કરવાની માગ કરી છે.બીજી તરફ,કુસ્તી મહાસંઘનું કહેવું છે કે વિનેશને શિસ્ત સમિતિ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક આપવામાં આવી હતી.</p><h5 style="text-align: justify; "><b>ક્યારે યોજાશે વર્લ્ડ ચેમ્પિયનશિપ?</b></h5><p style="text-align: justify; ">2026 સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં 24 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન યોજાવાની છે. દિલ્હી હાઈકોર્ટના હાલના નિર્ણય બાદ વિનેશ ફોગાટ 14 સપ્ટેમ્બરે યોજાનારી ભારતીય પસંદગી ટ્રાયલમાં ભાગ લઈ શકશે નહીં.જોકે, માતૃત્વ બાદ મહિલા ખેલાડીઓને રમતગમતમાં વાપસી માટે કઈ રીતે તક મળવી જોઈએ અને પસંદગી પ્રક્રિયામાં તેમના માટે કેવી વ્યવસ્થા હોવી જોઈએ, તે અંગે વિનેશની મોટી કાનૂની લડાઈ હજુ ચાલુ છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો <a href="https://sandesh.com/cricket/news/shree-charani-breaks-radha-yadav-record-50-t20i-wickets" target="_blank">- Shree Charaniએ નોંધાવી ઐતિહાસિક સિદ્ધિ, રાધા યાદવનો મોટો રેકોર્ડ તોડી રચ્યો ઇતિહાસ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/kFL2T3ixL0obDmcYy4934aTdupVad2PjvKVjk8Ms.webp'/></item></channel></rss>