<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[India News: બંગાળની ખાડીમાં પનામા બલ્ક કેરિયર જહાજ ડૂબ્યું, શોધખોળ માટે ICGએ મોકલ્યા 3 જહાજો ]]></title><link>https://sandesh.com/india/news/panama-bulk-carrier-mv-ocean-winner-sinks-in-bay-of-bengal</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/panama-bulk-carrier-mv-ocean-winner-sinks-in-bay-of-bengal</guid><pubDate>Sun, 23 Aug 2026 07:35:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઓડિશાના પારાદીપથી આયર્ન ઓર ભરીને સિંગાપોર તરફ જઈ રહેલું એક કાર્ગો જહાજ બંગાળની ખાડીમાં ડૂબી ગયું હતું.આ અકસ્માત પહેલાં જહાજ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો અને ત્યારબાદ તેના ડૂબવાના સમાચાર સામે આવ્યા હતા.બનાવની જાણ થતાં જ ભારતીય કોસ્ટ ગાર્ડ અને નૌકાદળ દ્વારા બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.પનામાનો ધ્વજ ધરાવતું એમવી ઓશન વિનર નામનું આ જહાજ પારાદીપ તટથી આશરે 240 નોટિકલ માઈલ દૂર સમુદ્રમાં ડૂબ્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>આ જહાજ પર કુલ 24 ક્રૂ મેમ્બર્સ સવાર હતા</b></h2><p style="text-align: justify; ">આ જહાજ પર કુલ 24 ક્રૂ મેમ્બર્સ સવાર હતા જેમાંથી મળતી માહિતી મુજબ બે લોકોને સુરક્ષિત બચાવી લેવાયા છે. જ્યારે બાકીના સભ્યોની શોધખોળ ચાલુ છે. જહાજે 20 ઓગસ્ટની રાત્રે આશરે 10.42 વાગ્યે પારાદીપથી પોતાની યાત્રા શરૂ કરી હતી અને તેમાં લગભગ 72100 મેટ્રિક ટન આયર્ન ઓર ભરેલું હતું.મુસાફરી દરમિયાન સંપર્ક તૂટી જતાં દરિયાઈ બચાવ એજન્સીઓને જાણ કરવામાં આવી હતી.જેના આધારે કોસ્ટ ગાર્ડે લાઇફ રાફ્ટમાંથી બે લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે.<br><br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2091238889101127870"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><h2 style="text-align: justify; "><b>સમુદ્રમાં વ્યાપક સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે&nbsp;</b></h2><p style="text-align: justify; ">આ દુર્ઘટના પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી કે જહાજ કોઈ તકનીકી ખામી, ખરાબ હવામાન કે પછી અન્ય કોઈ ઈમરજન્સીના કારણે ડૂબ્યું છે. હાલમાં ભારતીય કોસ્ટ ગાર્ડ અને નૌકાદળનું મુખ્ય લક્ષ્ય બાકીના ક્રૂ સભ્યોને શોધવાનું છે.આ માટે સમુદ્રમાં વ્યાપક સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને આસપાસના વિસ્તારમાંથી પસાર થતાં અન્ય જહાજોને પણ એલર્ટ કરી બચાવ કામગીરીમાં મદદરૂપ થવા સૂચના આપવામાં આવી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/groundwater-bill-2029-penalty-and-jail-for-illegal-water-extraction" target="_blank">આ પણ વાંચોઃ Gandhinagar News: ભૂગર્ભ જળ નિયંત્રણ માટે સરકાર કાયદો ઘડશે, આડેધડ દોહનમાં દંડ અને જેલની સજા</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/23/LbV0gD1Go0VQ7R99YS4TiV1KvahxFu7P7qTTc4P6.webp'/></item><item><title><![CDATA[Panchmahal: શહેરા પંથકમાં હર્ષોલ્લાસ સાથે દશામાના વ્રતની ઉજવણી સંપન્ન ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/panchmahal/panchmahal-dashama-vrat-celebrations-complete-with-joy-in-shehra-panthak</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/panchmahal/panchmahal-dashama-vrat-celebrations-complete-with-joy-in-shehra-panthak</guid><pubDate>Sun, 23 Aug 2026 02:55:15 +05:30</pubDate><description><![CDATA[<p>શહેરા : શહેરા સહિત સમગ્ર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં માઈભક્તો દ્વારા અંતિમ દિવસે રાત્રિ જાગરણ બાદ વહેલી સવારે નદી-તળાવોમાં વાજતે-ગાજતે માતાજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. શહેરા સહિત સમગ્ર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં માઈભક્તો દ્વારા દશામાનું વ્રત પૂર્ણ શ્રદ્ધા, ઉત્સાહ અને ભક્તિસભર વાતાવરણમાં ઉજવવામાં આવ્યું હતું. દસ દિવસ સુધી ચાલેલા આ શ્રદ્ધાપર્વમાં વ્રતધારીઓ માતાજીની આરાધનામાં લીન રહ્યા હતા અને અંતિમ દિવસે રાત્રિ જાગરણ બાદ વહેલી સવારે નદી-તળાવોમાં વાજતે-ગાજતે માતાજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. દસ દિવસ સુધી અખંડ જ્યોત સાથે સવાર-સાંજ માતાજીની મહાઆરતી, થાળ અને સત્યદેવની કથાનું પઠન કરાયું હતું. કાંકણપુર ગામના મહિલા મંડળ દ્વારા સૂર અને તાલના સુભગ સમન્વય સાથે માતાજીના પ્રાચીન-અર્વાચીન ગરબા તેમજ ભાવવાહી ભજનોની રમઝટ બોલાવી હતી. અંતિમ દિવસે ભજન-કીર્તનની સાથે માઈભક્તો મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા, જાગરણની વહેલી પરોઢે માતાજીની પ્રતિમાઓની વિસર્જન યાત્રા નીકળી હતી. ઢોલ-નગારા સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. મહીસાગર, પાનમ નદી તેમજ અન્ય નદીઓ અને તળાવોના કિનારે ભક્તોએ અશ્રુભીની આંખે પ્રતિમાઓનું પવિત્ર જળમાં વિસર્જન કર્યું હતું.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/23/geIHK7eKs8FybeMoeQmk9EEzMoQUO8CZahAQWsuU.webp'/></item><item><title><![CDATA[Mahisagar: જીવાદોરી સમાન કડાણા ડેમની સપાટી 402.8 ફૂટે પહોંચી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/mahisagar/mahisagar-the-level-of-the-lifeline-kadana-dam-reached-4028-feet</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/mahisagar/mahisagar-the-level-of-the-lifeline-kadana-dam-reached-4028-feet</guid><pubDate>Sun, 23 Aug 2026 02:54:22 +05:30</pubDate><description><![CDATA[<p>મહીસાગર જિલ્લાની જીવાદોરી ગણાતા અને ગુજરાતના ત્રીજા નંબરના સૌથી મોટા કડાણા ડેમમાં હાલ પાણીની આવક અને જાવક નોંધાઈ રહી છે. હાલના તબક્કે કડાણા ડેમની જળસપાટી 402.8 ફૂટે પહોંચી છે, જ્યારે તેની મહત્તમ સપાટી 419 ફૂટ છે. અડધું ચોમાસું પૂર્ણ થવા આવ્યું હોવા છતાં ડેમ તેની મહત્તમ સપાટીથી હજુ 17 ફૂટ ખાલી રહેતા ચિંતાના વાદળો ઘેરાયા છે. કડાણા ડેમની હાલની સપાટી 402.8 ફૂટ (મહત્તમ સપાટીઃ 419 ફૂટ) છે, હાલ ડેમમાં 25 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.સિંચાઈ માટે કડાણા ડાબા કાંઠા કેનાલમાંથી સિંચાઈ માટે 230 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાં આવેલ રાજસ્થાનના બજાજ સાગર ડેમ વિસ્તારમાં ઓછો વરસાદ થવાને કારણે કડાણા ડેમમાં પાણીની આવક પર અસર પડી છે. કડાણા ડેમ ગુજરાતના 9 જિલ્લાઓને સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે. આ ઉપરાંત, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લાના 156 જેટલા ગામોને પીવાનું શુદ્ધ પાણી પૂરૂં પાડવામાં આ ડેમ અગત્યનો ભાગ ભજવે છે. ચોમાસાની બાકીની સીઝનમાં ઉપરવાસમાં સારો વરસાદ થાય અને ડેમ તેની પૂર્ણ સપાટીએ ભરાય તેવી ખેડૂતો અને સ્થાનિક નાગરિકો આશા રાખી રહ્યા છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/23/2NNW6SJ2GNE5h2ZAPygSS9E6kfT6GOdY0wCYoOmj.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: બાવળા કાલુપુરબેંક ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-blood-donation-camp-held-at-bavla-kalupur-bank</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-blood-donation-camp-held-at-bavla-kalupur-bank</guid><pubDate>Sun, 23 Aug 2026 02:05:24 +05:30</pubDate><description><![CDATA[<p>બાવળા : અમદાવાદ જિલ્લાના બાવળા શહેરમાં આવેલા આર.એ પટેલ માર્કેટ ખાતેની કાલુપુર કોમર્શિયલ બેંક ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ જિલ્લા શાખાના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો ગ્રામજનો તેમજ બેંકના ખાતેદારોને સેવાકીય પ્રવૃતિ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા સવારે નવ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધીમાં કુલ 181 રક્ત દાતાઓએ રક્તઆપ્યું હતું જેમાંથી 15 રક્તદાતાઓ રિજેક્ટ થયા હતા અને 166 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/23/2Ft8h8p3etEULLNDrCwr29gZwitjHx3Ek6NO62uB.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને વેચાણ કેન્દ્રની સુવિધા પ્રાપ્ત થશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-farmers-practicing-natural-farming-in-the-district-will-get-the-facility-of-sales-center</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-farmers-practicing-natural-farming-in-the-district-will-get-the-facility-of-sales-center</guid><pubDate>Sun, 23 Aug 2026 02:01:17 +05:30</pubDate><description><![CDATA[<p>વિરમગામઃ અમદાવાદ જિલ્લા પંચાયત ભવન માંજ પ્રાકૃતિક ખેતી વેચાણ કેન્દ્રની શરૂઆત ટુંક સમયમાં શરૂ કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કામગીરી હાથ ધરાઈ છે.રાજ્યમાં</p><p>પ્રાકૃતિક ખેતી કરવા માટે સરકાર દ્વારા ખેડુતોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.પરંતુ પ્રાકૃતિક ખેતી કરનાર ખેડુતની મુખ્ય સમસ્યા યોગ્ય વેચાણ બજાર વ્યવસ્થા માટેની રહે છે.તેમજ ગ્રાહકને પણ શુદ્ધ પ્રાકૃતિક માલ મળે તે પણ ખુબ જ જરૂરી છે.ત્યારે જિલ્લા પંચાયત દ્વારા પહેલ કરવામાં આવનાર છે.જે સંદર્ભમાં જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતા</p><p>માં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની જિલ્લા સંકલન સમિતિની બેઠક પણ યોજાઈ છે. જેમા જિલ્લા ખેતીવાડી અધિકારી , આત્માના ડાયરેક્ટર, જિલ્લા ખેડૂત સંકલન સમિતીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.બેઠક માં ખરીદ વેચાણ વ્યવસ્થાથી માંડી અન્ય પાસાની ચર્ચા વિચારણા કરાઈ હતી.જિલ્લાના પ્રાકૃતિક ખેડુતોને સુવિધા મળી રહે તે માટે આગામી ટૂંક સમયમાં જીલ્લા</p><p>પંચાયત ભવન માંજ વ્યવસ્થા શરૂ કરવામાં આવશેનુ જાણવા મળ્યુ છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/23/XFqVr3AREAp9HVVIojgDz83jRobURTTdksinqNqI.webp'/></item><item><title><![CDATA[Odishaના દરિયાકિનારા પાસે કાર્ગો જહાજ ડુબ્યું, 20 ચીની સહિત 24 ક્રૂ હતા સવાર ]]></title><link>https://sandesh.com/india/news/odisha-coast-cargo-ship-sinks-24-crew-20-chinese-search-rescue</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/odisha-coast-cargo-ship-sinks-24-crew-20-chinese-search-rescue</guid><pubDate>Sat, 22 Aug 2026 23:47:22 +05:30</pubDate><description><![CDATA[<p>22 ઓગસ્ટ 2026ના રોજ MV Ocean Winner નામના વેપારી જહાજ સાથે સંપર્ક તૂટ્યા બાદ દરિયામાં મોટા પાયે સર્ચ એન્ડ રેસ્ક્યૂ (SAR) ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જહાજમાં કુલ 24 ક્રૂ સભ્યો સવાર હતા, જેમાં 20 ચીનના, 3 મ્યાનમારના અને એક બાંગ્લાદેશી નાગરિકનો સમાવેશ થાય છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2091211345501000095"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>જહાજ 310 નોટિકલ માઈલ દૂર</b></h2><p>મળતી માહિતી મુજબ, 22 ઓગસ્ટે સવારે 11:48 વાગ્યે મરીન રેસ્ક્યૂ કોઓર્ડિનેશન સેન્ટર (MRCC), શ્રી વિજય પુરમને જહાજ સાથે સંપર્ક તૂટ્યાની માહિતી મળી હતી. Victory Star Group Co. Ltd. તરફથી જહાજની શોધ અને બચાવ માટે મદદની વિનંતી કરવામાં આવી હતી. MV Ocean Winnerની છેલ્લી જાણીતી સ્થિતિ 317 East Island Lightથી આશરે 310 નોટિકલ માઈલ દૂર હોવાનું જણાવાયું છે.</p><h3><b>તાત્કાલિક સર્ચ એન્ડ રેસ્ક્યૂ નેટવર્ક સક્રિય કર્યું</b></h3><p>માહિતી મળ્યા બાદ MRCC (SVP)એ તાત્કાલિક સર્ચ એન્ડ રેસ્ક્યૂ નેટવર્કને સક્રિય કર્યું હતું. MT AISOPOSને જહાજ અને સંભવિત લાઈફરાફ્ટની શોધ કરવા માટે ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. ઓપરેશન દરમિયાન MT AISOPOSએ રાત્રે આશરે 8 વાગ્યે બે અલગ-અલગ લાઈફરાફ્ટમાંથી બે બચી ગયેલા લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કર્યા હતા. બચાવ કામગીરીને વધુ મજબૂત બનાવવા માટે ભારતીય કોસ્ટ ગાર્ડે ICGS Varad અને ICGS Anmolને SAR ઓપરેશનમાં તૈનાત કર્યા છે. ઉપરાંત, ઓપરેશનમાં વધુ સહાય માટે ICGS Vijitને પણ શ્રી વિજય પુરમથી રવાના કરવામાં આવ્યું છે.</p><p>હાલમાં અન્ય ક્રૂ સભ્યોની શોધખોળ માટે સર્ચ ઓપરેશન ચાલુ છે. ભારતીય કોસ્ટ ગાર્ડ અને અન્ય સંબંધિત એજન્સીઓ દ્વારા દરિયામાં સંભવિત લાઈફરાફ્ટ તથા જહાજના અવશેષોની શોધ કરવામાં આવી રહી છે. અધિકારીઓ સમગ્ર ઓપરેશન પર સતત નજર રાખી રહ્યા છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/india-news-el-ninos-fury-all-heat-records-will-be-broken-in-2026-27-indias-monsoon-is-also-at-risk" target="_blank">આ પણ વાંચો : India News : અલ-નીનોનો મહાપ્રકોપ? 2026-27માં તૂટશે ગરમીના તમામ રેકોર્ડ, ભારતના ચોમાસા પર પણ ખતરો</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/22/VGsZ2Xwz1DqwnIJNwy8C8zhjoDRrO0b8CZ8XylA2.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: એરફોર્સ-નેવીમાં નોકરી અને ક્રિકેટ સિલેક્શનના નામે ઠગાઈ કરનાર પૂર્વ પ્રોફેસર ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/gujarat-college-fake-job-selection-scam-professor-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/gujarat-college-fake-job-selection-scam-professor-arrested</guid><pubDate>Sat, 22 Aug 2026 23:26:51 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદની જાણીતી ગુજરાત કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે નોકરી અને રમતગમતમાં સિલેક્શન અપાવવાના નામે છેતરપિંડી આચરવામાં આવી હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે. એરફોર્સ, નેવીમાં સરકારી નોકરી અને ક્રિકેટમાં સ્ટેટ લેવલ સિલેક્શન અપાવવાની લાલચ આપીને નિર્દોષ વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા પડાવનાર ગુજરાત કોલેજના સ્પોર્ટ્સ વિભાગના કોન્ટ્રાક્ટ બેઝ્ડ પૂર્વ પ્રોફેસર પ્રગ્નેશ હનુભાઈ બારહટની એલિસબ્રિજ પોલીસે ધરપકડ કરી લીધી છે. થોડા સમય પહેલા આ માને લઈને NSUIએ કોલેજ ખાતે ઉગ્ર વિરોધ પણ નોંધાવ્યો હતો.</p><h2><b>વોલીબોલ પ્રેક્ટિસ દરમિયાન ફસાવ્યા વિદ્યાર્થીઓને</b></h2><p>આ સમગ્ર કૌભાંડનો ભોગ બનેલા ફરિયાદી પ્રતિક મિશ્રા વોલીબોલની પ્રેક્ટિસ માટે કોલેજના ગ્રાઉન્ડમાં જતા હતા, જ્યાં તેમની મુલાકાત આરોપી પ્રગ્નેશ બારહટ સાથે થઈ હતી. આરોપીએ પહેલા એરફોર્સમાં નોકરી અપાવવાના બહાને 15 હજાર રૂપિયા પડાવ્યા હતા અને ત્યારબાદ ક્રિકેટમાં સ્ટેટ લેવલ સિલેક્શનની લાલચ આપી ફરિયાદી તથા તેના મિત્ર પાસેથી કુલ 99 હજાર રૂપિયા ખંખેરી લીધા હતા. જોકે, રકમ લીધા બાદ સિલેક્શન તો દૂર રહ્યું પરંતુ આરોપીનો ફોન પણ સ્વિચ ઓફ આવવા લાગ્યો હતો, જેથી છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું હતું.</p><p><img alt="Ahmedabad News: Former Gujarat College Professor Arrested for Job Scam" src="https://epapercdn.sandesh.com/images/2026/08/22/PVHvjrIs1R7psQ2nm0zDiNX70SUs4l0BaTKvo59p.webp" style="width: 100%;"><br></p><h2><b>અગાઉ પણ નોંધાયા છે છેતરપિંડીના ગુનાઓ</b></h2><p>પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, પ્રગ્નેશ બારહટે માત્ર એક જ વિદ્યાર્થી નહીં, પરંતુ અન્ય વિદ્યાર્થીઓ પાસેથી પણ એરફોર્સ અને નેવીમાં નોકરીના નામે કુલ 1 લાખ 29 હજાર રૂપિયા પડાવ્યા હતા. એટલું જ નહીં, આરોપી સામે અગાઉ ગાંધીનગર, રાજકોટ અને કચ્છના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પણ આવી જ રીતે નોકરી અને ક્રિકેટ સિલેક્શનની લાલચ આપીને લાખો રૂપિયા પડાવ્યાની ફરિયાદો નોંધાયેલી છે. અગાઉના કેસોમાં તેણે આશરે 4 લાખ 48 હજાર રૂપિયા મેળવ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, અને અન્ય ભોગ બનનારાઓની પણ શોધખોળ શરૂ કરી છે.</p><p><img alt="Ahmedabad News: Former Gujarat College Professor Arrested for Job Scam" src="https://epapercdn.sandesh.com/images/2026/08/22/ouCZbclFtLAkRUp11zoJu20kVEpWjxlB1ONcOGZY.webp" style="width: 100%;"><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/india/news/gujarat/23-august-top-news-national-space-day-history-updates" target="_blank">23 August Top News: 23 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/22/mAlNE06bSvQPRGLTGau0PnrGUGwkITg7LANg5fXh.webp'/></item><item><title><![CDATA[Hockey World Cup 2026માં ભારત નેધરલેન્ડ સામે હાર્યું, સેમીફાઈનલમાં પહોંચવાનો રસ્તો મુશ્કેલ બન્યો ]]></title><link>https://sandesh.com/sports/news/india-vs-netherlands-fih-hockey-world-cup-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india-vs-netherlands-fih-hockey-world-cup-2026</guid><pubDate>Sat, 22 Aug 2026 22:01:19 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">FIH હોકી વર્લ્ડકપ 2026માં ભારતને નેધરલેન્ડ્સ સામે હારનો સામનો કરવો પડ્યો છે. યજમાન નેધરલેન્ડ્સે ભારતીય હોકી ટીમને 3-1થી હરાવીને સેમીફાઈનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું છે. આ મેચમાં નેધરલેન્ડ્સ ટીમે મેચ પર સંપૂર્ણ પ્રભુત્વ જમાવ્યું હતું અને ભારત માટે એકમાત્ર ગોલ કેપ્ટન હરમનપ્રીત સિંહે કર્યો હતો.&nbsp;</p><p style="text-align: justify; ">આ હાર સાથે ભારતીય ટીમ માટે સેમીફાઈનલમાં પહોંચવાનો માર્ગ ખૂબ જ મુશ્કેલ બની ગયો છે. આ મેચમાં ભારતીય ટીમને કુલ 7 પેનલ્ટી કોર્નર મળ્યા હતા, પરંતુ ટીમ ફક્ત એકને ગોલમાં રૂપાંતરિત કરી શકી હતી.</p><h2 style="text-align: justify; "><b>ભારતે પહેલા હાફમાં શાનદાર રમત બતાવી</b></h2><p style="text-align: justify; ">ભારતીય ટીમે મેચના પહેલા 2 ક્વાર્ટરમાં શાનદાર પ્રદર્શન કર્યું. ભારતીય ડિફેન્ડર્સે નેધરલેન્ડ્સના અવિરત હુમલાઓને રોકી રાખ્યા, તેમને ગોલ કરવાની કોઈ તક ન આપી. પ્રથમ હાફ ગોલ ન થયો, બંને ટીમો 0-0 થી બરાબરી પર હતી. પરંતુ ત્રીજા ક્વાર્ટરમાં વારાફરતી ગોલ થયો. 41મી મિનિટે ડાયકો ટેલ્જેનકેમ્પે ફિલ્ડ ગોલ કરીને નેધરલેન્ડ્સને 1-0 ની લીડ અપાવી. ત્રીજા ક્વાર્ટરના અંત સુધીમાં ભારત ગોલ રહિત રહ્યું અને 0-1 થી પાછળ રહ્યું.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/TheHockeyIndia/status/2091190475319615651"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3 style="text-align: justify; "><b>ચોથા ક્વાર્ટરમાં નેધરલેન્ડ્સે મચાવી ધૂમ</b></h3><p style="text-align: justify; ">ભારતીય ટીમે ચોથા ક્વાર્ટરમાં વાપસી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ નેધરલેન્ડ્સે સતત દબાણ જાળવી રાખ્યું. 51મી મિનિટે હોડેમેકર્સે નેધરલેન્ડ્સ માટે ગોલ કરીને સ્કોર 2-0 કર્યો. એક મિનિટ પછી ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નરને કન્વર્ટ કરીને ભારતની આશાઓ વધારી. 52મી મિનિટે આ ગોલથી સ્કોર 1-2 થયો, જેનાથી ભારતને વાપસી કરવાની તક મળી.</p><p style="text-align: justify; ">પરંતુ નેધરલેન્ડ્સે ભારતીય ટીમને વાપસી માટે વધુ સમય આપ્યો ન હતો. 55મી મિનિટે થિજ્સ વાન ડેમે ફિલ્ડ ગોલ કરીને પોતાની ટીમની લીડ 3-1 સુધી લંબાવી. ત્યારબાદ ભારતીય ટીમે ઘણા પ્રયાસો કર્યા, પરંતુ ડચ ટીમના મજબૂત ડિફેન્સને ભેદવામાં નિષ્ફળ રહી.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/22/KIEjYLQyvH9mXXlWjbkr2gQ0EbbsHECxbKD3wcYe.webp'/></item><item><title><![CDATA[Fixed Deposit: બેન્કમાં FD કરાવનારાઓ માટે મોટી ખબર! RBIએ બદલી દીધા બેન્ક ડિપોઝિટના નિયમ ]]></title><link>https://sandesh.com/business/news/rbi-new-fd-rules-from-oct-1--same-interest-rate-for-all-customers</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/rbi-new-fd-rules-from-oct-1--same-interest-rate-for-all-customers</guid><pubDate>Sat, 22 Aug 2026 18:36:31 +05:30</pubDate><description><![CDATA[<p>Fixed Deposit: જો તમે તમારી બચત ફિક્સ્ડ ડિપોઝિટ (FD) માં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ બેંક ડિપોઝિટ વ્યાજ દરોને નિયંત્રિત કરતા નિયમોમાં નોંધપાત્ર ફેરફારો રજૂ કર્યા છે. RBI નો આ નવો નિર્દેશ 1 ઓક્ટોબર, 2026 થી દેશભરની બધી બેંકોમાં અમલમાં આવશે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય બેંક FD વ્યાજ દરોમાં સંપૂર્ણ પારદર્શિતા સુનિશ્ચિત કરવાનો અને બધા ગ્રાહકોને સમાન તકો અને લાભો પૂરા પાડવાનો છે.</p><p>RBI દ્વારા જારી કરાયેલી નવી એડવાઇઝરી મુજબ બેંકોને હવે એક જ બેંકની વિવિધ શાખાઓમાં વ્યાજ દરો અંગે ગ્રાહકો વચ્ચે ભેદભાવ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જો બે ગ્રાહકો એક જ દિવસે સમાન રકમ અને મુદત માટે FD ખોલે છે, અને સમાન શરતો હેઠળ બેંક તેમને અલગ-અલગ વ્યાજ દરો ઓફર કરી શકશે નહીં. બીજા શબ્દોમાં કહીએ તો ફક્ત શહેર અથવા બેંક શાખાના આધારે અલગ અલગ દરો મેળવવાની શક્યતા સંપૂર્ણપણે દૂર થઈ જશે. જેનાથી સામાન્ય ગ્રાહકોને સમાન અને વાજબી વ્યાજ દરો મળે છે.</p><p><br></p><h4><b>વેબસાઇટ પર સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવશે</b></h4><p>નવા નિયમો અનુસાર, બેંકોએ હવે તેમની સત્તાવાર વેબસાઇટ પર લાગુ પડતા તમામ FD વ્યાજ દરો અંગે વ્યાપક માહિતી અગાઉથી ઉપલબ્ધ કરાવવી જરૂરી છે. આનાથી ગ્રાહકોને બેંક શાખાઓમાં જવાની જરૂરિયાત ઓછી થશે. લોકો તેમના ઘરના આરામથી વિવિધ મુદત અને થાપણ રકમ માટે આપવામાં આવતા વ્યાજ દરો સરળતાથી ચકાસી શકશે, જેનાથી વિવિધ બેંકોમાં FD દરોની તુલના કરવાનું ખૂબ સરળ બનશે.</p><p><br></p><h4><b>છૂટક રોકાણકારો દ્વારા રાખવામાં આવેલી હાલની FD પર શું અસર પડશે?</b></h4><p>RBI એ સ્પષ્ટતા કરી છે કે ₹3 કરોડથી ઓછી રકમની FD ધરાવતા છૂટક રોકાણકારોએ આ ફેરફારો વિશે ચિંતા કરવાની જરૂર નથી. નવા નિયમોના અમલીકરણનો અર્થ એ નથી કે 1 ઓક્ટોબરથી તમારા FD વ્યાજ દરો આપમેળે વધશે અથવા ઘટશે. તમારી હાલની FD ના વ્યાજ દરોમાં કોઈ મધ્ય-ગાળાના ફેરફારો થશે નહીં. RBI અનુસાર, ₹3 કરોડ કે તેથી વધુ રકમની એક જ થાપણને 'બલ્ક ડિપોઝિટ' તરીકે વર્ગીકૃત કરવામાં આવશે, જેના માટે અલગ નિયમો લાગુ થશે.</p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/world/news/china-bans-foreign-climbers-from-tibet-peaks-including-everest-north-side" target="_blank"><b>China: પહાડો પર આતશબાજીથી ભડક્યું ચીન, વિદેશી પર્વતારોહકો માટે બંધ કર્યું માઉન્ટ એવરેસ્ટ અને તિબ્બતના રસ્તા</b></a></p><p><br></p><p><br></p><p><br></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/22/MGXMZ9Q7WZWZqm91gfVVWqBNURoKf4sJ5au6CmPr.webp'/></item><item><title><![CDATA[Emraan Hashmiની આ 5 બ્લોકબસ્ટર ફિલ્મોએ સિનેમાઘરોમાં મચાવ્યો હતો તરખાટ, કરી હતી રેકોર્ડતોડ કમાણી! ]]></title><link>https://sandesh.com/entertainment/news/emraan-hashmi-top-5-hits-awarapan-2</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/emraan-hashmi-top-5-hits-awarapan-2</guid><pubDate>Sat, 22 Aug 2026 17:50:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડના લોકપ્રિય અભિનેતા ઈમરાન હાશ્મી હાલમાં ફિલ્મ આવારાપન 2ને લઈને ચર્ચામાં છે. 14 ઓગસ્ટે રિલીઝ થયેલી તેમની આ ફિલ્મ પહેલા દિવસથી જ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. રિલીઝના 9 દિવસ બાદ પણ ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને સિનેમાઘરોમાં તેના શોની માંગ યથાવત છે.</p><h2 style="text-align: justify; "><b>ધ ડર્ટી પિક્ચર</b></h2><p style="text-align: justify; ">ધ ડર્ટી પિક્ચર વર્ષ 2011માં રિલીઝ થયેલી જીવનકથા આધારિત ડ્રામા ફિલ્મ છે, જેનું દિગ્દર્શન મિલન લુથરિયાએ કર્યું હતું. એકતા કપૂર અને શોભા કપૂરે તેનું નિર્માણ કર્યું હતું. ફિલ્મમાં વિદ્યા બાલન, ઈમરાન હાશ્મી, નસીરુદ્દીન શાહ અને તુષાર કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. 'ધ ડર્ટી પિક્ચર'ને દર્શકો અને સમીક્ષકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. સેકનિલ્કના અહેવાલ મુજબ, ધ ડર્ટી પિક્ચરએ દુનિયાભરમાં 116.55 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ જિયો હોટસ્ટાર પર ઉપલબ્ધ છે.</p><h3 style="text-align: justify; "><b>મર્ડર 2</b></h3><p style="text-align: justify; ">વર્ષ 2011માં રિલીઝ થયેલી મર્ડર 2 મનોવૈજ્ઞાનિક ક્રાઇમ થ્રિલર ફિલ્મ છે, જેનું દિગ્દર્શન મોહિત સૂરીએ કર્યું હતું. ફિલ્મમાં ઈમરાન હાશ્મી, જેકલીન ફર્નાન્ડિઝ અને પ્રશાંત નારાયણન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મમાં ઈમરાન હાશ્મીએ અર્જુન ભગવતનું પાત્ર ભજવ્યું હતું, જે ભૂતપૂર્વ પોલીસ અધિકારી છે. બોક્સ ઓફિસ પર પણ ફિલ્મે સારો દેખાવ કર્યો હતો. સેકનિલ્કના આંકડા મુજબ, 'મર્ડર 2'એ દુનિયાભરમાં આશરે 67.59 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ તમે એમેઝોન પ્રાઇમ વીડિયો પર જોઈ શકો છો.</p><h4 style="text-align: justify; "><b>જન્નત</b></h4><p style="text-align: justify; ">જન્નત 16 મે 2008ના રોજ રિલીઝ થયેલી હિન્દી રોમેન્ટિક ક્રાઇમ ડ્રામા ફિલ્મ છે. તેનું દિગ્દર્શન કુણાલ દેશમુખે કર્યું હતું અને મુકેશ ભટ્ટે તેનું નિર્માણ કર્યું હતું. ફિલ્મમાં ઈમરાન હાશ્મી અને સોનલ ચૌહાણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મમાં ઈમરાને અર્જુન દીક્ષિત અને સોનલે ઝોયાનું પાત્ર ભજવ્યું હતું. સેકનિલ્કના અહેવાલ મુજબ, જન્નતએ દુનિયાભરમાં 40.39 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ નેટફ્લિક્સ અને પ્રાઇમ વીડિયો પર ઉપલબ્ધ છે.</p><h3 style="text-align: justify; "><b>રાજ 3: ધ થર્ડ ડાયમેન્શન</b></h3><p style="text-align: justify; ">રાજ 3: ધ થર્ડ ડાયમેન્શન વર્ષ 2012માં રિલીઝ થયેલી હિન્દી સુપરનેચરલ હોરર-થ્રિલર ફિલ્મ છે, જેનું દિગ્દર્શન વિક્રમ ભટ્ટે કર્યું હતું. મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટ ફિલ્મના નિર્માતા હતા. ફિલ્મમાં બિપાશા બાસુ, ઈમરાન હાશ્મી અને ઈશા ગુપ્તા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. સેકનિલ્કના અહેવાલ મુજબ, રાજ 3: ધ થર્ડ ડાયમેન્શનએ દુનિયાભરમાં 35.60 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ નેટફ્લિક્સ અને પ્રાઇમ વીડિયો પર ઉપલબ્ધ છે.</p><h4 style="text-align: justify; "><b>ગેંગસ્ટર: એ લવ સ્ટોરી</b></h4><p style="text-align: justify; ">ગેંગસ્ટર: એ લવ સ્ટોરી 28 એપ્રિલ 2006ના રોજ રિલીઝ થયેલી રોમેન્ટિક થ્રિલર ફિલ્મ છે, જેનું દિગ્દર્શન અનુરાગ બસુએ કર્યું હતું. ફિલ્મમાં ઈમરાન હાશ્મી, શાઇની આહુજા અને કંગના રનૌત મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ કંગના રનૌતની પ્રથમ ફિલ્મ હતી. આ ફિલ્મથી ઈમરાન હાશ્મીને પણ એક અલગ ઓળખ મળી હતી. સેકનિલ્કના અહેવાલ મુજબ, ફિલ્મે બોક્સ ઓફિસ પર આશરે 16.85 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ તમે પ્રાઇમ વીડિયો પર જોઈ શકો છો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/sunny-deol-mistake-shah-rukh-khan-career" target="_blank">આ પણ વાંચો-King Khan : સની દેઓલની એ એક ભૂલ, જેણે શાહરૂખ ખાનનું આખું કરિયર બદલી નાખ્યું!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/22/n3nYQRANTku1eCS8K3Ng9HT5ydiPKhztR8oXfEVC.webp'/></item></channel></rss>