<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ambaji: પ્રસિદ્ધ યાત્રાધામમાં મેઘરાજાની પધરામણી, આસપાસના સીમ વિસ્તારોમાં વરસાદથી હવામાન બન્યું સોહામણું ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ambaji/banaskantha-rain-update-weather-change-relief-to-pilgrims-and-farmers</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ambaji/banaskantha-rain-update-weather-change-relief-to-pilgrims-and-farmers</guid><pubDate>Mon, 10 Aug 2026 17:11:06 +05:30</pubDate><description><![CDATA[<p>બનાસકાંઠા જિલ્લાના અંબાજી અને તેની આસપાસના પહાડી વિસ્તારોમાં હવામાનમાં અચાનક મોટો પલટો આવ્યો છે. બપોરના સમયે અંબાજીનું આકાશ ઘેરા કાળાડીબાંગ વાદળોથી આચ્છાદિત થઈ ગયું હતું અને જોતજોતામાં સમગ્ર પંથકમાં વરસાદી માહોલ સર્જાયો હતો.</p><h2><b>અંબાજીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં&nbsp;</b></h2><p>અંબાજી મંદિર ચાચર ચોક, બજાર વિસ્તાર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં માર્ગો ભીંજાઈ ગયા હતા. અંબાજી ખાતે રોજેરોજ હજારોની સંખ્યામાં માઈભક્તો દર્શનાર્થે આવતા હોય છે. છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતા અસહ્ય ઉકળાટ અને બફારાને કારણે યાત્રાળુઓ તેમજ વેપારીઓ તોબા પોકારી ઉઠ્યા હતા. જોકે, વરસાદી પધરામણી થતાં જ વાતાવરણમાં મનોહર ઠંડક પ્રસરી ગઈ હતી, જેથી મંદિરે પહોંચેલા દર્શાનાર્થીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.</p><h3><b>પાકોને આ વરસાદી ઝાપટાંથી મોટો ફાયદો</b></h3><p>આ વરસાદ માત્ર યાત્રાળુઓ માટે જ નહીં પરંતુ સ્થાનિક ખેડૂતો માટે પણ રાહતરૂપ સાબિત થયો છે. બનાસકાંઠાના આ પહાડી અને સીમ વિસ્તારમાં વાવવામાં આવેલા પાકોને આ વરસાદી ઝાપટાંથી મોટો ફાયદો થશે. ખેતીના પાકને સંજીવની મળતાં ખેડૂતોમાં સારા ઉત્પાદનની આશા જાગી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/valsad/nani-daman-sea-drowning-bihar-youth-akash-kumar-missing-rescue-underway" target="_blank">આ પણ વાંચો: Valsad: નાની દમણના દરિયામાં નહાવા પડેલા 4 યુવકોમાંથી 1 ડૂબ્યો, ફાયર અને પોલીસ દ્વારા શોધખોળ ચાલુ!</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/G9McFYS01B6yIL5gwAOQ1JcGFmJ6qIngmg0phsJq.webp'/></item><item><title><![CDATA[Brij Bhushan Sharan Singhની સપામાં જવાની અટકળો પર BJPનું નિવેદન, કહ્યું - 'તે તેમનો આંતરિક મામલો છે' ]]></title><link>https://sandesh.com/india/news/brij-bhushan-sharan-singh-sp-speculation--bjp-responds-to-statement</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/brij-bhushan-sharan-singh-sp-speculation--bjp-responds-to-statement</guid><pubDate>Mon, 10 Aug 2026 17:06:06 +05:30</pubDate><description><![CDATA[<p>Brij Bhushan Sharan Singh: ઉત્તર પ્રદેશના રાજકારણમાં વારંવાર આવતા ભૂતપૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ ફરી ચર્ચામાં આવ્યા છે. મહિલા કુસ્તીબાજો સાથે સંકળાયેલા જાતીય સતામણી કેસમાં આરોપોમાંથી મુક્ત થયા પછી, તેમણે એક નિવેદન આપ્યું હતું.  તેમણે આપેલા એક ચોક્કસ નિવેદનથી યુપીના રાજકારણમાં સમાજવાદી પાર્ટીમાં સંભવિત પગલા અંગે અટકળોને વેગ મળ્યો છે. હવે, ભાજપે ભૂતપૂર્વ સાંસદ અંગે પ્રતિક્રિયા આપી છે.</p><p>ભાજપના પ્રવક્તા રાકેશ ત્રિપાઠીએ ભૂતપૂર્વ સાંસદના નિવેદન અને તેમના સમાજવાદી પાર્ટીમાં જોડાવાની અટકળોનો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ પક્ષ છે અને તેના બધા કાર્યકરો નેતૃત્વના નિર્ણયો અને નીતિઓ પાછળ એકતાપૂર્વક ઉભા છે.</p><p><b>બ્રિજભૂષણ શરણ સિંહ એક સ્પષ્ટવક્તા નેતા છે: રાકેશ ત્રિપાઠી</b></p><p>ત્રિપાઠીએ કહ્યું કે બ્રિજભૂષણ શરણ સિંહ અગાઉ સમાજવાદી પાર્ટી તેમજ ભાજપ સાથે સંકળાયેલા હતા, અને હાલમાં ભાજપ સાથે છે. તેમણે ઉલ્લેખ કર્યો કે સિંહના બંને પુત્રો રાજકારણમાં સક્રિય છે - એક ભાજપ ધારાસભ્ય છે અને બીજો સાંસદ છે. ભાજપના પ્રવક્તાએ સિંહને એક સ્પષ્ટવક્તા નેતા તરીકે વર્ણવ્યા જે લોકશાહી રીતે પોતાના વિચારો વ્યક્ત કરે છે. તેમણે ઉમેર્યું કે સમાજવાદી પાર્ટી કોઈપણ મુદ્દા પર સિંહના નિવેદનો પર કેવી પ્રતિક્રિયા આપે છે તે તેમનો આંતરિક મામલો છે.</p><p><b>ભૂતપૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે શું કહ્યું?</b></p><p>ભૂતપૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે જણાવ્યું હતું કે મહિલા કુસ્તીબાજો સાથે સંકળાયેલા કેસમાં સમાજવાદી પાર્ટી (SP), બહુજન સમાજ પાર્ટી (BSP) અને બિહારનો રાષ્ટ્રીય જનતા દળ (RJD) એ પક્ષોમાંનો એક હતો જેણે તેમની વિરુદ્ધ કોઈ વલણ અપનાવ્યું ન હતું. ઉત્તર પ્રદેશના વર્તમાન રાજકીય વાતાવરણને ધ્યાનમાં રાખીને આ નિવેદન મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સિંહના નિવેદન બાદ સમાજવાદી પાર્ટીની પ્રતિક્રિયાએ રાજકીય અટકળોને વધુ વેગ આપ્યો છે.+</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gallery/news/monsoon-health-mistakes--4-mistakes-to-avoid-in-rainy-season" target="_blank"><b>વરસાદમાં ભૂલથી પણ ન કરો આ ભૂલ, નહીંતર ખરાબ થઈ શકે છે તમારી તબિયત</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/oAmZgOWpLPL8vkii0x8AVAGa99BS5GBsDQXjgZrP.webp'/></item><item><title><![CDATA[Panchmahal Rain Update: શહેરામાં સતત વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેડૂતોમાં આનંદનો માહોલ ]]></title><link>https://sandesh.com/weather/monsoon-2026/news/maru-saher-maru-gaam/panchmahal/shehra-rain-weather-update-farmers-happy</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/monsoon-2026/news/maru-saher-maru-gaam/panchmahal/shehra-rain-weather-update-farmers-happy</guid><pubDate>Mon, 10 Aug 2026 17:06:01 +05:30</pubDate><description><![CDATA[<p>પંચમહાલ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. શહેરા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા એક કલાકથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે. લાંબા વિરામ બાદ મેઘરાજાએ મહેરબાન થઈને પધરામણી કરતાં જ સમગ્ર શહેરા પંથકમાં ચોમાસાનો જીવંત માહોલ સર્જાયો છે અને માર્ગો પર પાણી વહેતા થયા છે.</p><h2><b>ઉકળાટ અને બફારા બાદ લોકોને મળી મોટી રાહત</b></h2><p>છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી, ઉકળાટ અને બફારાથી ત્રસ્ત બની ગયેલા સ્થાનિક રહીશો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. શહેરા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડવાના કારણે વાતાવરણમાં એકાએક ગુલાબી ઠંડક પ્રસરી ગઈ છે. ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં આવેલા આ આહલાદક પલટાથી સ્થાનિક લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે.</p><p><img alt="Panchmahal News: Continuous Rain in Shehra Brings Relief From Heat, Farmers Happy" src="https://epapercdn.sandesh.com/images/2026/08/10/QQQ1i9gkzEFY0CdhPcXGHV9kLBd08VpI27rEfQxK.webp" style="width: 100%;"><br></p><h2><b>ખેતીલાયક વરસાદથી ખેડૂત આલમમાં ખુશીની લહેર</b></h2><p>વરસાદી માહોલ જામતાં જ સૌથી વધુ ખુશીનો માહોલ પંથકના ખેડૂત આલમમાં જોવા મળી રહ્યો છે. ચોમાસુ પાકને આ સમયે પાણીની ભારે જરૂરિયાત હતી, ત્યારે જ મેઘરાજાની પધરામણી થતાં પાકને નવું જીવનદાન મળ્યું છે. સમયસર વરસેલા આ વરસાદને કારણે વાવણી કરેલા પાકને મોટો ફાયદો થશે, જેથી ખેડૂતોના ચહેરા પર ખુશીની ચમક જોવા મળી રહી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/explainer/news/gujarat/ragging-laws-punishment-statistics-gujarat-explainer" target="_blank">Explainer: રેગિંગનો રાક્ષસ - વ્યાખ્યા, કોર્ટ, કાયદો, સજા અને તમારા અધિકારો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/k24gh0cfVjfYONVogNWa2zZm1YBf2yO6svNZbGAF.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: રાજ્ય સરકારે ચૈતર વસાવાની જામીન અરજીનો વિરોધ કર્યો, ગુનાનું લિસ્ટ કોર્ટને સોંપાયું ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/government-opposes-chaitar-vasava-bail-plea-in-gujarat-high-court</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/government-opposes-chaitar-vasava-bail-plea-in-gujarat-high-court</guid><pubDate>Mon, 10 Aug 2026 17:03:27 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 આરોપીઓને નર્મદાની કોર્ટે સાત વર્ષની કેદની સજા ફટકારી છે. આ દરમિયાન ધારાસભ્ય પદ બચાવવા માટે જામીન મેળવવા ચૈતર વસાવાએ હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમણે નર્મદા કોર્ટના ચુકાદા પર સ્ટે માગતી અરજી પણ કરી છે. આ સંદર્ભે ગુજરાત હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં સરકાર પક્ષ તરફથી દલીલો રજૂ કરવામાં આવી હતી. આજે થયેલી સુનાવણીમાં પણ સરકારે જામીનનો વિરોધ કર્યો હતો.&nbsp;&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ડેડીયાપાડા વનકર્મી હુમલાનો કેસને લઈ જામીન અરજી</b></h2><p style="text-align: justify; ">ડેડીયાપાડામાં વનકર્મી પર થયેલા હુમલાના બહુચર્ચિત કેસમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી અંગે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.આ સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે ચૈતર વસાવાની જામીન અરજીનો સખત વિરોધ કર્યો હતો અને તેમને કોઈપણ સંજોગોમાં જામીન ન આપવા માટે કોર્ટ સમક્ષ ધારદાર રજૂઆતો કરી હતી.સરકાર પક્ષે કોર્ટમાં દલીલ કરતા જણાવ્યું હતું કે ધારાસભ્ય ચૈતર વસાવા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેમની સામે હજુ પણ 12 જેટલી વિવિધ ફરિયાદો પેન્ડિંગ છે.આ બાબતને ધ્યાનમાં રાખીને સરકારે ચૈતર વસાવા સામે નોંધાયેલા ગુનાઓનું સંપૂર્ણ લિસ્ટ હાઇકોર્ટ સમક્ષ રજૂ કર્યું હતું અને તેમની જામીન અરજી ફગાવી દેવાની માગ કરી હતી.</p><h3 style="text-align: justify; "><b>ધારાસભ્ય સામે અત્યંત ગંભીર આરોપો</b></h3><p style="text-align: justify; ">ગત સુનાવણી દરમિયાન સરકાર પક્ષ તરફથી ઉપસ્થિત રહેલા સરકારી વકીલ મિતેષ અમીને ધારાસભ્ય સામે અત્યંત ગંભીર આરોપો મૂકતાં ધારદાર દલીલો રજૂ કરી હતી.તેમણે કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે,ચૈતર વસાવા અને તેમના સાથીદારોએ પોતાની ફરજ પર રહેલા વનકર્મીઓ પર હુમલો કર્યો હતો અને હવામાં ફાયરિંગ કરીને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધારાસભ્ય સામે પોલીસ દ્વારા તમામ કાયદેસરની કાર્યવાહી સંપૂર્ણપણે કાયદાના દાયરામાં રહીને કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>&nbsp;60 હજાર રૂપિયાની માતબર રકમની માંગણી કરી</b></h2><p style="text-align: justify; ">સરકાર પક્ષે કોર્ટમાં વધુ વિગતો આપતાં ખુલાસો કર્યો હતો કે, સમગ્ર ઘટનાક્રમ ચૈતર વસાવાના ઇશારે જ આકાર પામ્યો હતો.ઘટના સમયે ચૈતર વસાવાના પર્સનલ આસિસ્ટન્ટે વનકર્મીને ફોન કરીને ધમકી આપી હતી અને 60 હજાર રૂપિયાની માતબર રકમની માંગણી કરી હતી.આ પૈસા પાક નુકસાનીના વળતરના નામે માંગવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ વાસ્તવમાં તે સ્પષ્ટપણે ખંડણી જ હતી. પીડિત વનકર્મીએ પોતાની બેંકમાંથી રૂપિયા ઉપાડીને આ ખંડણીની રકમ ચૂકવી હોવાના ચોંકાવનારા પુરાવા પણ સરકાર દ્વારા અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.<br><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/patan/leaders-demand-disciplinary-action-against-former-district-president-babuji-thakor" target="_blank">આ પણ વાંચોઃ Patan News : પૂર્વ જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર સામે વિરોધ, સ્થાનિક નેતાઓની શિસ્તભંગના પગલાંની લેવાની માગ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/Gys7nmARrIT0jzNf3FVwwqumPfUEPx8LxFpl5svF.webp'/></item><item><title><![CDATA[Spider Manના તોફાન સામે આ તમિલ ફિલ્મે મચાવી તબાહી, કરી રેકોર્ડબ્રેક કમાણી! ]]></title><link>https://sandesh.com/entertainment/news/dc-tamil-movie-box-office-83-percent-budget-recovery</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/dc-tamil-movie-box-office-83-percent-budget-recovery</guid><pubDate>Mon, 10 Aug 2026 16:56:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">લોકેશ કનાગરાજે DC દ્વારા એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું છે. આ તમિલ એક્શન ડ્રામાને રિલીઝના પહેલા દિવસથી જ દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. એટલું જ નહીં, સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડેની સામે પણ આ ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી છે.<br></p><h2><b>અનિરુદ્ધના મ્યુઝિકે વધારી ફિલ્મની રોનક, વીકએન્ડમાં કમાણીમાં જોરદાર ઉછાળો</b></h2><p></p><p style="text-align: justify; ">અરુણ મથેશ્વરનની આ થ્રિલર ફિલ્મમાં અનિરુદ્ધ રવિચંદરનું મ્યુઝિક તેની સૌથી મોટી ખાસિયતોમાંથી એક રહ્યું છે. સારી ઓપનિંગ બાદ પહેલા વીકએન્ડમાં ફિલ્મ જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો સિનેમાઘરોમાં પહોંચ્યા હતા. તેની સાથે જ ફિલ્મની કમાણીમાં પણ જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>DCની ઓપનિંગ વીકએન્ડની કમાણી કેટલી રહી?</b></h3><ul><li style="text-align: justify;">તમિલ ફિલ્મ 'DC'એ બોક્સ ઓફિસ પર 4.4 કરોડ રૂપિયાની કમાણી સાથે શરૂઆત કરી હતી.</li><li style="text-align: justify;">બીજા દિવસે ફિલ્મની કમાણીમાં લગભગ 60%નો વધારો થયો અને પહેલા શનિવારે ફિલ્મે 7 કરોડ રૂપિયા કમાવ્યા.</li><li style="text-align: justify;">ત્રીજા દિવસે એટલે કે રવિવારે લોકેશ કનાગરાજ સ્ટારર આ ફિલ્મે સેકનિલ્કના આંકડા પ્રમાણે કુલ 4,639 સ્ક્રીન્સ પર 9.55 કરોડ રૂપિયાની કમાણી કરી.</li><li style="text-align: justify;">રવિવારે ફિલ્મના શોની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો હતો. શુક્રવારે ફિલ્મ 3,504 સ્ક્રીન્સ પર દર્શાવવામાં આવી હતી.</li><li style="text-align: justify;">ત્રીજા દિવસે એટલે કે રવિવારે ફિલ્મે તમિલ વર્ઝનમાંથી 6.6 કરોડ રૂપિયા, તેલુગુ વર્ઝનમાંથી 2.3 કરોડ રૂપિયા અને હિન્દી વર્ઝનમાંથી 0.65 કરોડ રૂપિયાની કમાણી કરી.</li><li style="text-align: justify;">આ સાથે ભારતમાં ફિલ્મની 3 દિવસની કુલ નેટ કમાણી 20.95 કરોડ રૂપિયા થઈ ગઈ છે.</li></ul><h4 style="text-align: justify; "><b>DCની વર્લ્ડવાઇડ કમાણી કેટલી રહી?</b></h4><p style="text-align: justify; ">વિદેશમાં ફિલ્મે ત્રીજા દિવસે 2.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જેના કારણે તેની અત્યાર સુધીની કુલ વિદેશી કમાણી 7.75 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ સાથે ફિલ્મની દુનિયાભરની કુલ કમાણી 32.47 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.</p><h4 style="text-align: justify; "><b>2026ની કોલીવુડની 6ઠ્ઠી સૌથી મોટી ઓપનિંગ વીકએન્ડ ફિલ્મ બની DC</b></h4><p style="text-align: justify; ">20.95 કરોડ રૂપિયાની નેટ કમાણી સાથે અરુણ મથેશ્વરનના દિગ્દર્શનમાં બનેલી 'DC'એ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ ફિલ્મ 2026માં કોલીવુડની છઠ્ઠી સૌથી મોટી ઓપનિંગ વીકએન્ડ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.</p><h4 style="text-align: justify; "><b>2026માં કોલીવુડ ફિલ્મોનું ટોપ 10 ઓપનિંગ વીકએન્ડ કલેક્શન</b></h4><p style="text-align: justify; ">•'જાના નાયકન- 124.35 કરોડ રૂપિયા, 4 દિવસ</p><p style="text-align: justify; ">• કરુપ્પુ - 68 કરોડ રૂપિયા</p><p style="text-align: justify; ">• કારા - 23.35 કરોડ રૂપિયા, 4 દિવસ</p><p style="text-align: justify; ">• પરાશક્તિ - 22.6 કરોડ રૂપિયા, 2 દિવસ</p><p style="text-align: justify; ">• લવ ઇન્શ્યોરન્સ કંપની - 22.5 કરોડ રૂપિયા</p><p style="text-align: justify; ">• DC - 20.95 કરોડ રૂપિયા</p><p style="text-align: justify; ">• યુથ - 17.8 કરોડ રૂપિયા, 4 દિવસ</p><p style="text-align: justify; ">• થલાઇવર થમ્બી થલૈમૈયિલ - 14.85 કરોડ રૂપિયા, 4 દિવસ</p><p style="text-align: justify; ">• ગટ્ટા કુશ્તી 2 - 13.85 કરોડ રૂપિયા</p><p style="text-align: justify; ">• વિથ લવ - 7.3 કરોડ રૂપિયા</p><h3 style="text-align: justify; "><b>DCએ પોતાના બજેટનો કેટલો હિસ્સો વસૂલ કર્યો?</b></h3><p style="text-align: justify; ">25 કરોડ રૂપિયાના નાના બજેટમાં બનેલી 'DC'એ માત્ર 3 દિવસમાં જ ઘરેલુ નેટ થિયેટ્રિકલ કમાણીમાંથી પોતાની પ્રોડક્શન કોસ્ટનો 83%થી વધુ હિસ્સો વસૂલ કરી લીધો છે. 25 કરોડ રૂપિયાનું રોકાણ પાર કરીને બોક્સ ઓફિસ પર સફળ ફિલ્મ બનવા માટે હવે તેને ઘરેલુ નેટ કમાણીમાં 5 કરોડ રૂપિયાથી પણ ઓછી કમાણી કરવાની જરૂર છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/66-year-old-madhubala-lata-mangeshkar-classic-song" target="_blank">આ પણ વાંચો-Classic Song : 66 વર્ષ જૂનું એ કલ્ટ સોંગ, જેમાં મધુબાલા સામે આ અભિનેત્રી લૂંટી ગઈ લાઈમલાઈટ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/H7610vTh7EiZeJBnpC314aa7Cbcdn6RpsPFqhceV.webp'/></item><item><title><![CDATA[Abhishek Banerjeeને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વિદેશ જવાની મળી મંજૂરી ]]></title><link>https://sandesh.com/india/news/abhishek-banerjee-supreme-court-permission-travel-abroad-eye-treatment</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/abhishek-banerjee-supreme-court-permission-travel-abroad-eye-treatment</guid><pubDate>Mon, 10 Aug 2026 16:53:45 +05:30</pubDate><description><![CDATA[<p>સુપ્રીમ કોર્ટે સોમવારે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ અભિષેક બેનર્જીને મોટી રાહત આપી છે. કોર્ટે તેમને આંખની સારવાર માટે ત્રણ અઠવાડિયા માટે વિદેશ જવાની મંજૂરી આપી છે. જોકે, આ મંજૂરી કેટલીક શરતો સાથે આપવામાં આવી છે.</p><h2><b>ડિપ્લોમેટિક પાસપોર્ટ પર જ વિદેશ પ્રવાસ કરી શકશે</b></h2><p>મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, જસ્ટિસ જૉયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનની બેન્ચે કલકત્તા હાઈકોર્ટના 5 ઓગસ્ટના આદેશ સામે બેનર્જીની અપીલ સ્વીકારી હતી. હાઈકોર્ટે અગાઉ આંખની સારવાર માટે વિદેશ જવાની તેમની અરજી ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે અભિષેક બેનર્જી માત્ર તેમના ડિપ્લોમેટિક પાસપોર્ટ પર જ વિદેશ પ્રવાસ કરી શકશે. આ ઉપરાંત તેમણે પોતાનો સંપૂર્ણ પ્રવાસ કાર્યક્રમ અને વિદેશમાં જ્યાં રોકાવાના હોય તે સ્થળનું સરનામું તપાસ એજન્સીને આપવું પડશે. કોર્ટે રાજ્ય સરકારને તેમની મુસાફરી સંબંધિત માહિતી જાહેર ન કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.&nbsp;</p><h3><b>બેનર્જી સામે 16 કેસ પેન્ડિંગ</b></h3><p>સુનાવણી દરમિયાન પશ્ચિમ બંગાળ સરકાર તરફથી હાજર એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ વિદેશ પ્રવાસનો વિરોધ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે બેનર્જી સામે 16 કેસ પેન્ડિંગ છે અને વિદેશ ગયા બાદ તેઓ પરત નહીં આવે તેવી આશંકા છે. જોકે, સુપ્રીમ કોર્ટે આ દલીલ સ્વીકારી નહોતી. જસ્ટિસ જૉયમાલ્ય બાગચીએ કહ્યું કે દરેક વ્યક્તિને વિદેશ જઈને પોતાની પસંદગી મુજબ સારવાર કરાવવાનો અધિકાર છે.&nbsp;</p><h4><b>3 અઠવાડિયા માટે વિદેશ જઈ શકશે</b></h4><p>બેનર્જીના વકીલે જણાવ્યું હતું કે તેમની પાસે હાલમાં માત્ર ડિપ્લોમેટિક પાસપોર્ટ છે, જે ઓપરેશન સિંદૂર આઉટરીચ માટે જાહેર કરવામાં આવ્યો હતો. અભિષેક બેનર્જીએ કલકત્તા હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. હવે સુપ્રીમ કોર્ટની મંજૂરી બાદ તેઓ આંખની સારવાર માટે ત્રણ અઠવાડિયા વિદેશ જઈ શકશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/rajasthan-roadways-bus-crash-pratapgarh-brake-failure" target="_blank">આ પણ વાંચો : Rajasthan : બ્રેક ફેલ થતાં રાજસ્થાન રોડવેઝની બસ બેકાબૂ, 20થી 25 મુસાફર હતા સવાર</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/8F75Mh4a5qBSbORaFzEUSwWW4a9jTXPePYidxdXO.webp'/></item><item><title><![CDATA[Veg Thali Cost Increase: ટામેટા અને ડુંગળી બટેકાએ બગાડ્યુ ગૃહિણીઓનું બજેટ, જાણો શાકાહારી થાળી કેટલી થઇ મોંઘી ]]></title><link>https://sandesh.com/business/news/veg-thali-cost-increase-tomato-onion-potato-ruined-the-budget-of-housewives-know-how-much-the-vegetarian-thali-has-become-expensive</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/veg-thali-cost-increase-tomato-onion-potato-ruined-the-budget-of-housewives-know-how-much-the-vegetarian-thali-has-become-expensive</guid><pubDate>Mon, 10 Aug 2026 16:41:44 +05:30</pubDate><description><![CDATA[<p>જુલાઈમાં ફરી એકવાર ગૃહિણીઓના બજેટ પર અસર પડી છે.&nbsp; કારણ કે શાકભાજીના ભાવોમાં વધારો થયો છે. તેમાં પણ ખાસ કરીને&nbsp; &nbsp;બટાકા, ડુંગળી અને ટામેટાં જેવા મુખ્ય શાકભાજીના ભાવમાં વધારાને કારણે શાકાહારી થાળીની કિંમતમાં વધારો થયો છે.</p><h2><b>શાકાહારી થાળીની કિંમત વધી&nbsp;</b></h2><p> </p><p>રેટિંગ એજન્સી CRISIL ના તાજેતરના 'રોટી રાઇસ રેટ' રિપોર્ટ અનુસાર, રિપોર્ટ મુજબ મહિને દર મહિનાના આધાર પર જ્યાં શાકાહારી થાળીની કિંમત વધી છે ત્યારે ચિકનની કિંમતમાં ઘટાડો થતા માંસાહારી થાળી થોડી સસ્તી થઇ છે.&nbsp; CRISIL ના ડેટા દર્શાવે છે કે ઘરે રાંધેલી શાકાહારી થાળી ની સરેરાશ કિંમત 4 ટકા વધી છે. જે&nbsp; જૂનમાં ₹27.1 થી જુલાઈમાં ₹28.1 થઈ ગઈ છે. આ સૂચકાંક દેશના ચાર પ્રદેશો (ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ) માં કાચા માલના ભાવોના આધારે સરેરાશ ખર્ચની ગણતરી કરે છે. </p><p>તેનાથી વિપરીત, માંસાહારી થાળીની કિંમત 2 ટકા ઘટીને&nbsp; જૂનમાં ₹54.8 થી જુલાઈમાં ₹53.5 થઈ ગઈ છે. આમ&nbsp; થવાનું કારણ જે બ્રોયલર ચિકનના ભાવમાં ઘટાડો થવાને કારણે છે.</p><h3><b>ગત વર્ષની સરખામણીએ શાકાહારી થાળી સસ્તી</b>&nbsp;</h3><p>ગયા મહિનાની સરખામણીમાં શાકાહારી થાળી મોંઘી થઈ હોવા છતાં, ગયા વર્ષની જુલાઈની સરખામણીમાં સામાન્ય જનતા માટે નોંધપાત્ર રાહત છે. આ વર્ષે શાકાહારી થાળી*ગત વર્ષના જુલાઈની સરખામણીમાં 14 ટકા સસ્તી હતી અને માંસાહારી થાળી લગભગ 13 ટકા સસ્તી હતી. આ સૂચવે છે કે ગયા વર્ષે જોવા મળેલા ઊંચા દરોની સરખામણીમાં ખાદ્યપદાર્થોના ભાવ હાલમાં સારી રીતે નિયંત્રિત છે.</p><h4><b>ટામેટાના ભાવ વધતા શાકાહારી થાળી મોંઘી&nbsp;</b></h4><p>શાકાહારી થાળીની કિંમતમાં વધારો થવાનું મુખ્ય કારણ ટામેટાના ભાવમાં વધારો હતો. જુલાઈમાં જથ્થાબંધ બજારોમાં ટામેટાના આગમનમાં 27 ટકાનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો, જેના કારણે ભાવમાં અચાનક 31 ટકાનો ઉછાળો આવ્યો હતો. આ વધારો ચોમાસાની ઋતુ દરમિયાન દર વર્ષે થતી વારંવાર થતી પુરવઠાની તંગીને દર્શાવે છે. વધુમાં, બટાકાના ભાવમાં 2 ટકાનો વધારો અને ડુંગળીના ભાવમાં 5 ટકાનો વધારો થવાથી સરેરાશ ઘરોના માસિક બજેટ પર વધુ ભાર પડ્યો.</p><p>જુલાઈમાં તાજેતરના વધારા છતાં, મુખ્ય શાકભાજીના ભાવ ગયા વર્ષની સરખામણીમાં સારી રીતે નિયંત્રિત રહ્યા છે. ઉદાહરણ તરીકે, ટામેટાના ભાવ વાર્ષિક ધોરણે 36 ટકા ઓછા રહ્યા છે. ગયા વર્ષે જુલાઈમાં ટામેટાના ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ. 66 સુધી પહોંચી ગયા હતા, પરંતુ આ વર્ષે તે પ્રતિ કિલોગ્રામ રૂ. 42 ની આસપાસ રહ્યા છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/QlzKGzhGTCkLYUww4QRmGYISG5gfkIdHgiqZcNta.webp'/></item><item><title><![CDATA[Rajkot: બેવડી ઋતુને કારણે રોગચાળામાં ઉછાળો, ડેન્ગ્યુના 2 નવા કેસ, વાયરલ તાવના 954 થી વધુ દર્દીઓ નોંધાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/health-update-dengue-and-viral-fever-cases-rise-rmc-notices-issued</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/health-update-dengue-and-viral-fever-cases-rise-rmc-notices-issued</guid><pubDate>Mon, 10 Aug 2026 15:44:12 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાઈ રહેલા મિશ્ર હવામાન અને તાપમાનના ઉતાર-ચઢાવના કારણે ઋતુજન્ય બીમારીઓએ માથું ઊંચક્યું છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના તાજેતરના આંકડા દર્શાવે છે કે શહેરમાં વાયરલ ઈન્ફેક્શન અને મચ્છરજન્ય રોગચાળો ઝડપથી ફેલાઈ રહ્યો છે.</p><h2><b>ઋતુજન્ય બીમારીઓએ માથું ઊંચક્યું</b></h2><p>મનપાના રિપોર્ટ મુજબ, શહેરમાં ડેન્ગ્યુના 2 નવા કેસ સામે આવ્યા છે. આ સિવાય સામાન્ય અને વાયરલ તાવના 954 દર્દીઓ, શરદી-ઉધરસના 957 દર્દીઓ અને પાણીજન્ય ઝાડા-ઊલટીના 450 થી વધુ કેસ નોંધાયા છે, જેને પગલે સરકારી અને ખાનગી હોસ્પિટલોની ઓપીડીમાં દર્દીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે.રોગચાળાના વધતા કેસોને પગલે આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં મચ્છરનાશક અને રોગચાળા નિયંત્રણ કામગીરી સઘન બનાવવામાં આવી છે. આરોગ્ય ટીમો દ્વારા ઘરોઘર અને વ્યાપારી સંકુલોમાં પોરાનાશક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.</p><h3><b>આરોગ્ય વિભાગનું તારણ&nbsp;</b></h3><p>તંત્રની તપાસ દરમિયાન જ્યાં પોરા મચ્છરની ઉત્પત્તિ મળી આવી હતી તેવા ૩૯૨ ઘરો અને ૧૫૯ કોમર્શિયલ સ્થળોને સત્તાવાર નોટિસ પાઠવવામાં આવી છે. આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે મિશ્ર હવામાનને કારણે વાયરલ અને પોરાજન્ય રોગોમાં વધારો થયો છે. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે શહેરમાં ઘરોઘર ફોગિંગ, દવા છંટકાવ અને મચ્છરનાશક કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. તદુપરાંત નાગરિકોને ઘર આસપાસ પાણી ભરાઈ ન રહેવા દેવા અને ઉકાળેલું પાણી પીવા અપીલ કરવામાં આવી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/bhavnagar/rain-update-kalanala-rupani-circle-ghogha-circle-weather-change" target="_blank">આ પણ વાંચો: Bhavnagar: લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી, બપોરે અચાનક વાતાવરણ બદલાતા વિવિધ વિસ્તારોમાં વરસાદ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/lq11LFMz2VC2agY1WlLnWnZxTQCIfChUARSKsQ3g.webp'/></item><item><title><![CDATA[Vadodara News: ભીમપુરા પાસે નર્મદા કેનાલમાં ડૂબી જવાથી ગોત્રી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરનું મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/gotri-hospital-doctor-drowns-in-narmada-canal-bhimpura</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/gotri-hospital-doctor-drowns-in-narmada-canal-bhimpura</guid><pubDate>Mon, 10 Aug 2026 15:28:13 +05:30</pubDate><description><![CDATA[<p>સંસ્કારી નગરી વડોદરામાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વડોદરા નજીક આવેલા ભીમપુરા પાસે પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જવાથી એક યુવાન અને તેજસ્વી રેસિડેન્ટ ડોક્ટરનું મોત નિપજ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક ડોક્ટર પોતાના 2 મિત્રો સાથે સાંજના સમયે ભીમપુરા પાસે કેનાલ કિનારે ગયા હતા. આ દરમિયાન અકસ્માતે પગ લપસી જતાં અથવા અન્ય કોઈ કારણોસર તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.</p><h2><b>ગોત્રી હોસ્પિટલના ડર્મેટોલોજી વિભાગમાં હતા ફાઈનલ યરમાં</b></h2><p>મૃતક ડોક્ટરની ઓળખ ડો. ડોડીયા દર્શન બાબુભાઈ તરીકે થઈ છે. ડો. દર્શન ડોડીયા વડોદરાની જાણીતી ગોત્રી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ડર્મેટોલોજી (ચામડીના રોગો) વિભાગમાં ફાઈનલ યરમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ તબીબી ક્ષેત્રે ખૂબ જ હોનહાર અને આશાસ્પદ તબીબ હતા. પોતાના અભ્યાસના અંતિમ તબક્કામાં પહોંચેલા યુવાન ડોક્ટરના અચાનક આવી રીતે નિધનથી ગોત્રી હોસ્પિટલના સ્ટાફ અને સહકર્મચારીઓમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.</p><h2><b>સ્થાનિકો અને પોલીસની મદદે મૃતદેહ બહાર કઢાયો</b></h2><p>ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સ્થાનિક તરવૈયાઓ અને પોલીસ ટીમ દ્વારા કેનાલમાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ભારે જહમત બાદ ડો. દર્શન ડોડીયાનો મૃતદેહ કેનાલના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટના અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને મૃતદેહને આગળની તપાસ અને પોસ્ટ મોર્ટમ અર્થે ગોત્રી હોસ્પિટલમાં ખસેડ્યો છે.</p><p><img alt="Vadodara News: Gotri Hospital Resident Doctor Drowns in Narmada Canal Near Bhimpura" src="https://epapercdn.sandesh.com/images/2026/08/10/EwH1xxyf4MGqDuTvI0TLh9WHC325KnLhm4OgGJNp.webp" style="width: 100%;"><br></p><h2><b>તબીબી આલમ અને પરિવારમાં શોકનો માહોલ</b></h2><p>ઘટનાના દુઃખદ સમાચાર પરિવારજનોને મળતાં જ તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા અને તુરંત જ ગોત્રી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં પરિવારજનોના કરૂણ રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. માતૃપ્રેમ અને ઉજ્જવળ ભવિષ્યનું સપનું સેવતા યુવાન પુત્રને ગુમાવતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ ઘટનાથી વડોદરાના સમગ્ર તબીબી આલમમાં ભારે અરેરાટી સાથે શોકની લહેર ફરી વળી છે.</p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/explainer/news/gujarat/ragging-laws-punishment-statistics-gujarat-explainer" target="_blank"> Explainer: રેગિંગનો રાક્ષસ - વ્યાખ્યા, કોર્ટ, કાયદો, સજા અને તમારા અધિકારો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/ar8a6L7I19YfmIMIMisCclp2Ns7xdpIMJIWJUCj0.webp'/></item><item><title><![CDATA[Commonwealth Gamesના મેડલ વિજેતાઓને મળ્યા પીએમ મોદી, ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો VIDEO ]]></title><link>https://sandesh.com/sports/news/india/pm-modi-meets-india-commonwealth-games-medal-winners</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india/pm-modi-meets-india-commonwealth-games-medal-winners</guid><pubDate>Sun, 09 Aug 2026 19:37:43 +05:30</pubDate><description><![CDATA[<p>સ્કોટલેન્ડના ગ્લાસગોમાં 2026માં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં કુલ 39 મેડલ જીત્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નિવાસસ્થાને તમામ મેડલ વિજેતાઓને મળ્યા હતા, તેમને તેમના મેડલ જીતવા બદલ અભિનંદન આપ્યા હતા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક રીલ શેર કરી હતી, જેમાં લખ્યું હતું, "જો ખેલેગા વો ખિલેગા."</p><h2><b>દેશને હંમેશા પ્રોત્સાહિત કરો</b></h2><p>કોમનવેલ્થ ગેમ્સ 2026માં મેડલ જીતનારા ખેલાડીઓને મળ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર શેર કરેલી રીલમાં તેમને કહ્યું હતું કે "જો ખેલેગા વો ખિલેગા." હંમેશા દેશને પ્રોત્સાહિત કરો. આ પછી પીએમ મોદીએ ભારત માતા કી જયનો નારા લગાવ્યો, જે તેમની સાથે હાજર તમામ ખેલાડીઓએ વારંવાર બોલ્યો.&nbsp;</p><p>આ રીલમાં કોમનવેલ્થ ગેમ્સ 2026માં ગોલ્ડ મેડલ જીતનાર મહિલા બોક્સિંગ ખેલાડી સાક્ષી ચૌધરીએ વીડિયો હોસ્ટ કર્યો અને આ મુલાકાત માટે પીએમ મોદીનો આભાર માન્યો. વીડિયોમાં સાક્ષી ચૌધરીએ કહ્યું કે નમસ્તે મિત્રો, આજે પીએમ સાહેબે કોમનવેલ્થ ગેમ્સના મેડલ વિજેતાઓને બોલાવ્યા છે અને અમે બધા ખૂબ ગર્વ અનુભવી રહ્યા છીએ.</p><p><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reels/Db0hIieTgy8/" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reels/Db0hIieTgy8/" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a><br></p><h3><b>આ વખતે બોક્સિંગમાં 10 મેડલ જીત્યા</b></h3><p>કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતે બોક્સિંગના વિવિધ વજન કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું જેમાં તે 7 ગોલ્ડ અને 3 સિલ્વર સહિત કુલ 10 મેડલ જીતવામાં સફળ રહ્યું હતું. ભારતે એથ્લેટિક્સમાં કુલ 10 મેડલ મેળવ્યા હતા જેમાં ગુલવીર સિંહે 2 અલગ અલગ ઈવેન્ટમાં મેડલ જીત્યા હતા. વેઈટલિફ્ટિંગમાં 8 મેડલ, પેરા એથ્લેટિક્સમાં 6, જુડોમાં 4 અને પેરા પાવરલિફ્ટિંગમાં 1 મેડલ જીત્યો હતો. પહેલીવાર કોમનવેલ્થ ગેમ્સમાં ભારત જુડો ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યું હતું. હવે બધાની નજર જાપાનમાં યોજાવનારી આગામી એશિયન ગેમ્સ પર છે જ્યાં ભારતીય ખેલાડીઓ પાસેથી શાનદાર પ્રદર્શનની અપેક્ષા છે.</p><p><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/0fyqm4BfEeu88Gm4DZle9uesUw8R5L6FcuQSOLfe.webp'/></item></channel></rss>