<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Bachchan Family : 14 વર્ષની આરાધ્યાના સાદગીભર્યા અંદાજે લૂંટી મહેફિલ, ફેન્સ બોલ્યા- આ છે ઐશ્વર્યાના સંસ્કાર ]]></title><link>https://sandesh.com/entertainment/news/aaradhya-bachchan-simple-look-bachchan-family-vacation</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/aaradhya-bachchan-simple-look-bachchan-family-vacation</guid><pubDate>Thu, 06 Aug 2026 10:54:35 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હાલમાં, જ મુંબઈ એરપોર્ટ પર બચ્ચન પરિવારની ઝલક જોવા મળી, જ્યાં અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય અને તેમની દીકરી આરાધ્યા એકસાથે બહાર આવતા જોવા મળ્યા. આ દરમિયાન 14 વર્ષની આરાધ્યા બચ્ચનના એક નાના હાવભાવએ સોશિયલ મીડિયા પર સૌનું ધ્યાન ખેંચ્યું. ભારે સુરક્ષા અને કેમેરાની ભીડ વચ્ચે બહાર નીકળતાં જ આરાધ્યાએ સ્મિત સાથે હાથ જોડીને પાપારાઝીનું અભિવાદન કર્યું. તેની આ સાદગીભરી સ્ટાઇલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને લોકો તેના સંસ્કારના દિલથી વખાણ કરી રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>ભારે સુરક્ષા વચ્ચે જોવા મળ્યો બચ્ચન પરિવાર</b></h2><p style="text-align: justify; ">એરપોર્ટ પરથી સામે આવેલા વીડિયોમાં જોવા મળ્યું કે પરિવારને બહાર લાવવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સૌથી પહેલાં અભિષેક બચ્ચન કારમાંથી બહાર આવ્યા. તેણે ત્યાં હાજર એરપોર્ટ અધિકારીઓ સાથે હાથ મિલાવીને અભિવાદન કર્યું અને પછી સુરક્ષા ઘેરા સાથે આગળ વધ્યા. તેની પાછળ ઐશ્વર્યા રાય અને આરાધ્યા મેચિંગ બ્લેક આઉટફિટમાં બહાર આવ્યા. પાપારાઝીએ ફોટા લેવાનું શરૂ કરતાં જ આરાધ્યાએ કોઈ સંકોચ વિના તરત હાથ જોડીને સૌનું અભિવાદન કર્યું અને આગળ વધી ગઈ.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dbn3rxVq1WD/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dbn3rxVq1WD/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dbn3rxVq1WD/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dbn3rxVq1WD/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h3 style="text-align: justify; "><b>કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2026ની યાદો</b></h3><p style="text-align: justify; ">આ પહેલી વખત નથી જ્યારે આરાધ્યાના વર્તને લોકોનું દિલ જીત્યું હોય. આ પહેલાં તે પોતાની માતા ઐશ્વર્યા રાય બચ્ચન સાથે ફ્રેન્ચ રિવેરામાં યોજાયેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2026માં પણ સામેલ થઈ હતી. તે સમયનો એક વીડિયો પણ ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો, જેમાં ઐશ્વર્યા પોતાના ફેન્સ સાથે દિલથી વાત કરતી જોવા મળી હતી અને આરાધ્યા પોતાની માતાના આ વર્તનને ખૂબ ધ્યાનથી નિહાળી રહી હતી. તે દરમિયાન એક ફેને ઐશ્વર્યાને ઓટોગ્રાફ અને ફોટાની વિનંતી કરી હતી. ઐશ્વર્યાએ તરત જ રોકાઈને ફેન સાથે વાત કરી અને પ્રેમથી સેલ્ફી પણ ખેંચાવી હતી. આરાધ્યા પોતાની માતાનો હાથ પકડીને બાજુમાં ઊભી રહી હતી અને ફેન્સ પ્રત્યેના આ પ્રેમાળ વર્તનને જોઈને સ્મિત કરતી હતી. સોશિયલ મીડિયા પર લોરિયલ પેરિસના ડિનરનો આ વીડિયો શેર થયા બાદ લોકોએ આરાધ્યાની સુંદરતા અને તેના શિષ્ટ વર્તનની ખૂબ પ્રશંસા કરી હતી.</p><h3 style="text-align: justify; "><b>કાન્સમાં સત્તાવાર હાજરી</b></h3><p style="text-align: justify; ">આ જ કાન્સ પ્રવાસ દરમિયાન આરાધ્યાએ લાઇટ્સ ઓન વુમેન્સ વર્થ એવોર્ડ્સની 6મી આવૃત્તિમાં પણ હાજરી આપી હતી. આ પ્રસંગે તે સુંદર લાલ ગાઉનમાં જોવા મળી હતી. કાન્સના મંચ પર તેની આ સત્તાવાર હાજરી માનવામાં આવી હતી, જોકે તેણે રેડ કાર્પેટ પર વોક કર્યો નહોતો. બાળપણથી જ માતા સાથે કાન્સ જતી આરાધ્યાનો આ નવો લુક પણ ખૂબ ચર્ચામાં રહ્યો હતો.</p><h4 style="text-align: justify; "><b>અભિષેક અને ઐશ્વર્યાના આગામી પ્રોજેક્ટ્સ</b></h4><p style="text-align: justify; ">કામની વાત કરીએ તો અભિષેક બચ્ચન તાજેતરમાં ઐતિહાસિક ડ્રામા ફિલ્મ રાજા શિવાજીમાં જોવા મળ્યો હતો, જેમાં તેણે સંભાજી મહારાજની અસરદાર ભૂમિકા ભજવી હતી. તે પહેલાં તેઓ કાલીધર લાપતામાં જોવા મળ્યા હતા. હવે અભિષેક શાહરુખ ખાન સાથે બહુ ચર્ચિત ફિલ્મ કિંગમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. બીજી તરફ ઐશ્વર્યા રાય બચ્ચન છેલ્લે દિગ્દર્શક મણિરત્નમની ફિલ્મ પોન્નિયિન સેલ્વન 2માં જોવા મળી હતી. આ ફિલ્મ બાદ તેમણે હજુ સુધી પોતાના કોઈ નવા પ્રોજેક્ટની સત્તાવાર જાહેરાત કરી નથી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gallery/news/entertainment/rekha-sindoor-mystery-36-years-after-husbands-death" target="_blank">આ પણ વાંચો-વેટરન એક્ટ્રેસ રેખા આજે પણ કેમ લગાવે છે સિંદૂર? 36 વર્ષ જૂનું રહસ્ય હવે સામે આવ્યું!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/06/YOYFFNsJ3G3STAASkbMUtInMLkCnAT1qME8FvrLg.webp'/></item><item><title><![CDATA[MDR Charge Over Rs 2000 UPI: તો શું 2000ના UPI ટ્રાન્ઝેક્શન પર લાગશે ચાર્જ? RBIએ કરી સ્પષ્ટતા ]]></title><link>https://sandesh.com/business/news/mdr-charge-over-rs-2000-upi-so-will-there-be-a-charge-on-2000-upi-transactions-rbi-clarifies</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/mdr-charge-over-rs-2000-upi-so-will-there-be-a-charge-on-2000-upi-transactions-rbi-clarifies</guid><pubDate>Thu, 06 Aug 2026 10:41:43 +05:30</pubDate><description><![CDATA[<p>સંસદમાં રજૂ કરવામાં આવેલા પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ (સુધારા) બિલ, 2027 અંતર્ગત MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) લાગુ કરવાની ચર્ચાએ જોર પકડ્યું છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે 2000 રૂપિયાથી વધુના પેમેન્ટ પર આ ચાર્જ લાગુ થઈ શકે છે, જેના કારણે યુઝર્સ યુપીઆઈનો ઉપયોગ કરવાનું ટાળી શકે છે. જો કે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટ કર્યું છે કે આ અંગે હજુ કોઈ પણ ટિપ્પણી કરવી ઉતાવળ ગણાશે, કારણ કે પેમેન્ટ સિસ્ટમમાં સુધારા અંગે હજુ વિચારણા ચાલી રહી છે.</p><p><b style="font-size: 2rem;">MDR ચાર્જ વસૂલવા અંગે RBI ગર્વનર શું કહે છે?&nbsp;</b></p><p>આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાના જણાવ્યા અનુસાર, યુપીઆઈ લેણ-દેણ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) વસૂલવાના મુદ્દે હજુ કોઈ નિર્ણય લેવો વહેલો છે. પેમેન્ટ સિસ્ટમ્સ પર વિચાર-વિમર્શ હજુ ચાલુ છે, જેણે નાના પાયાના વ્યવહારોમાં રોકડની જરૂરિયાત ઘટાડવામાં મોટો ફાળો આપ્યો છે. તેમણે કહ્યું કે આરબીઆઈનું મુખ્ય લક્ષ્ય યુપીઆઈને વધુમાં વધુ લોકપ્રિય બનાવવાનું છે. સરકાર હજુ આ સુધારાની પ્રક્રિયામાં છે. બુધવારે એમપીસીની બેઠકના પરિણામો જાહેર કર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનો ખર્ચ આખરે કોઈને તો ભોગવવો જ પડે છે.</p><p><b style="font-size: 1.75rem;">સામાન્ય યુઝર્સ પર તેની કોઈ જ અસર નહીં પડે</b></p><p>નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં કરવેરા અને અન્ય કાયદા (સુધારા) બિલ રજૂ કર્યું છે, જે બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સ પર લાગેલા પ્રતિબંધોને હટાવવાનો પ્રસ્તાવ મૂકે છે. જો કે, આ નિયમ સામાન્ય ગ્રાહકો માટે નથી, પરંતુ સંપૂર્ણપણે વેપારીઓ અને વ્યવસાયિક બાબતો સાથે જોડાયેલો છે.</p><p>સોશિયલ મીડિયા પર ફેલાયેલી અવાખોટી અફવાઓથી વિપરીત, આનો સામાન્ય યુઝર્સ પર કોઈ પ્રભાવ નહીં પડે. દૂધ, શાકભાજી, કરિયાણું, રોજિંદી જરૂરી ચીજવસ્તુઓની ખરીદી કે ઓટો-રિક્ષા અને ટેક્સીના ભાડા માટે યુપીઆઈનો ઉપયોગ કરનારા સામાન્ય નાગરિકોએ કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો નહીં પડે.</p><p><b style="font-size: 1.75rem;">2000 રૂપિયાની લિમિટનો અર્થ શું છે?</b></p><p>રિપોર્ટ્સ અનુસાર, આ પ્રસ્તાવ ખાસ કરીને 2000 રૂપિયાથી વધુના વેપારી વ્યવહારો (મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન) અને મોટી વ્યાપારી સંસ્થાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. કન્ઝ્યુમર-ટુ-કન્ઝ્યુમર (C2C) એટલે કે વ્યક્તિગત વ્યવહારો આ નિયમમાંથી મુક્ત રહેશે.</p><p>જો તમે 2000 રૂપિયાથી વધુનું પેમેન્ટ પણ કરો છો, તો સામાન્ય યુઝર્સ તરીકે તમારે કોઈ ચાર્જ નહીં આપવો પડે. યુઝર્સ દરરોજની સામાન્ય રૂ. 1 લાખ સુધીની યુપીઆઈ લિમિટનો ઉપયોગ કરી શકશે, જ્યારે હોસ્પિટલ, શિક્ષણ અને ટેક્સ જેવી ખાસ કેટેગરીમાં આ મર્યાદા વધુ હોય છે.</p><p><b style="font-size: 1.75rem;">શું હોય છે MDR ચાર્જ?</b></p><p>એમડીઆર (MDR) એ એવો ચાર્જ છે જે વેપારીઓએ ડિજિટલ ટ્રાન્ઝેક્શન સ્વીકારવા માટે બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સને ચૂકવવો પડે છે. આ સ્પષ્ટ કરે છે કે આ ચાર્જ માત્ર વેપારીઓ (મર્ચન્ટ્સ) પર લાગુ થશે, સામાન્ય યુઝર્સ પર નહીં. જાન્યુઆરી 2020માં આ વ્યવસ્થા લાગુ થવાની હતી, પરંતુ સરકાર દ્વારા ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે તેને મોકૂફ રાખવામાં આવી હતી.</p><p>આંકડાકીય દૃષ્ટિએ જોઈએ તો, કુલ યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાંથી અંદાજે 95% વ્યવહારો 2000 રૂપિયાથી ઓછા રકમની મર્યાદાના હોય છે. માત્ર 5% ટ્રાન્ઝેક્શન જ 2000 રૂપિયાથી વધુના મર્ચન્ટ પેમેન્ટ સાથે જોડાયેલા હોય છે, અને આ ચાર્જ ફક્ત આ મર્યાદિત વર્ગના વ્યવસાયિક લેણ-દેણ પર જ લાગુ થઈ શકે છે.</p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/06/F1PwCG7egNlbzWAQyZc2uqZcu0IaM6JxJEtLwz4a.webp'/></item><item><title><![CDATA[Rajkotમાં ડુપ્લીકેટ દારૂનું રેકેટ ઝડપાયું: PCBએ ભગવતીપરામાંથી ભેજાબાજની કરી ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/duplicate-liquor-racket-busted-in-rajkot-pcb-arrests-smuggler-from-bhagwatipara</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/duplicate-liquor-racket-busted-in-rajkot-pcb-arrests-smuggler-from-bhagwatipara</guid><pubDate>Thu, 06 Aug 2026 10:41:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ શહેરમાં દારૂડિયાઓને મોંઘી બ્રાન્ડના નામે બનાવટી દારૂ પધરાવવાનું એક મોટું કારસ્તાન સામે આવ્યું છે. રાજકોટ પીસીબી (PCB) ની ટીમે શહેરના ભગવતીપરા વિસ્તારમાં આવેલી વિનોબા ભાવે ટાઉનશિપમાંથી ડુપ્લીકેટ દારૂ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસે આ રેકેટ ચલાવનાર ભેજાબાજ આરોપી અનીશ હિંગોરાની ધરપકડ કરી છે. આ આરોપી ભંગારમાંથી મોંઘી બ્રાન્ડની ખાલી વિદેશી દારૂની બોટલો ખરીદતો હતો. ત્યારબાદ તેમાં સસ્તો દારૂ ભરી, નવું સીલ મારીને ઊંચા ભાવે વેચતો હતો.</p><h2 style="text-align: justify; "><b>આરોપીએ વીડિયોમાં કરી પોતાની મોડસ ઓપરેન્ડીની કબૂલાત</b></h2><p style="text-align: justify; ">આરોપી 'અનીશ હિંગોરા' કઈ રીતે ભંગારની બોટલોમાં સસ્તો દારૂ ભરીને ડુપ્લીકેટ બોટલો તૈયાર કરતો હતો તે અંગે કેમેરા અને પોલીસ સમક્ષ તેણે કબૂલાત કરી હતી. આરોપી સસ્તા દારૂની માત્રા મેળવીને તેને મોંઘી બ્રાન્ડ તરીકે પેક કરીને બજારમાં વધુ નફો કમાવવા માટે વેચતો હતો. દારૂના શોખીનોને બ્રાન્ડના નામે બનાવટી અને આરોગ્ય માટે જોખમી દારૂ પધરાવીને અનીશ હિંગોરા મોટો આર્થિક ફાયદો મેળવી રહ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>પીસીબી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી</b></h3><p style="text-align: justify; ">આ બનાવટી દારૂના રેકેટનો પર્દાફાશ થતાં જ પીસીબી પોલીસે સમગ્ર માલસામાન કબજે કરીને આરોપી વિરુદ્ધ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી આ ડુપ્લીકેટ દારૂ કોને-કોને વેચતો હતો, ભંગારમાંથી બોટલો આપનાર કોણ હતું અને આ કૌભાંડમાં અન્ય કોઈ સાગરીતો સામેલ છે કે કેમ, તે તમામ દિશાઓમાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/06/wCzJlAYSVu93qpUKyHnHCMFBRj7ni3YyFauMBeEa.webp'/></item><item><title><![CDATA[Jharkhand:  સરકાર અને વિદ્યાર્થીઓ વચ્ચે વાતચીત કે ટક્કર! વિદ્યાર્થી આંદોલન વચ્ચે આજે ઝારખંડમાં વિધાનસભાનું સત્ર શરૂ ]]></title><link>https://sandesh.com/india/news/jharkhand-student-protest--talks-likely-as-monsoon-session-begins</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/jharkhand-student-protest--talks-likely-as-monsoon-session-begins</guid><pubDate>Thu, 06 Aug 2026 10:36:44 +05:30</pubDate><description><![CDATA[<p>Jharkhand: ઝારખંડના રાંચીમાં વિદ્યાર્થી આંદોલન માટે આજે એક મહત્વપૂર્ણ દિવસ છે. એક તરફ વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે; બીજી તરફ, સરકાર અને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ વચ્ચે મુકાબલો અથવા વાતચીત થવાની સંભાવના છે. પ્રશ્ન ફક્ત એ નથી કે આજે શું થશે, પરંતુ શું આ આંદોલનનો માર્ગ બદલાશે. ઘણા દિવસોથી ચાલી રહેલ વિદ્યાર્થી વિરોધ આજે નિર્ણાયક વળાંક પર પહોંચી શકે છે.  વિદ્યાર્થીઓને વાટાઘાટોના ટેબલ પર લાવવાના સરકારના પ્રયાસો વધુ તીવ્ર બનવાની સંભાવના છે. મુખ્યમંત્રીએ પહેલાથી જ વાતચીત કરવાની તૈયારી દર્શાવી દીધી છે, અને હવે બધાની નજર તેના પર છે કે શું ઔપચારિક પહેલ કરવામાં આવશે.</p><p><b>આજે નક્કી થઈ શકે છે આંદોલનનો દિશા</b></p><p>વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે પણ આજનો દિવસ એક મહત્વપૂર્ણ દિવસ છે. વિદ્યાર્થી નેતાઓની બેઠક દરમિયાન આંદોલન માટે આગામી રણનીતિ નક્કી થઈ શકે છે. ધરણા વિરોધ પહેલાની જેમ ચાલુ રહેશે. આજે નિર્ણય આવી શકે છે કે આંદોલનને વધુ તીવ્ર બનાવવું કે સરકાર સાથે વાતચીત માટે પ્રતિનિધિમંડળ મોકલવું. દેવેન્દ્ર નાથ મહતો જે આંદોલનનો ચહેરો બની ગયા છે અને અન્ય વિદ્યાર્થી નેતાઓના નિવેદનો પણ ઘટનાઓની દિશા નક્કી કરી શકે છે. જો સંવાદનો માર્ગ ખુલે છે, તો આંદોલનની રણનીતિ બદલાઈ શકે છે; તેનાથી વિપરીત જો ગતિરોધ ચાલુ રહે છે, તો સંઘર્ષ લંબાઈ શકે છે.</p><p><b>વિદ્યાર્થીઓના અવાજો ગૃહની અંદર ગુંજશે</b></p><p>આ દરમિયાન, ઝારખંડ વિધાનસભાનું ચોમાસુ સત્ર પણ આજથી શરૂ થઈ રહ્યું છે. પરિણામે, વિદ્યાર્થી આંદોલન ગૃહની અંદર પડઘા પડવાની શક્યતા ખૂબ જ છે. વિપક્ષ JPSC, JSSC, ભરતી પરીક્ષાઓ, કથિત અનિયમિતતાઓ અને વિદ્યાર્થીઓના વિરોધ જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરવાની તૈયારી કરી રહ્યું છે.  જ્યારે સરકાર પણ તેના નિર્ણયો અને વલણનો બચાવ કરે તેવી શક્યતા છે. એટલે આજના દિવસના સૌથી મહત્વપૂર્ણ તસવીરો બે સ્થળોએ જોવા મળશે. આ બન્ને જગ્યા વિધાનસભાની અંદર અને વિરોધ સ્થળ પર છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/world/news/uk-kashmiri-community-protests-pakistan-army-atrocities-pok" target="_blank"><b>PoK માં થઇ રહેલી હિંસાના વિરોધમાં બ્રિટનમાં પ્રદર્શન, રસ્તા પર ઉતર્યા લોકો</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/06/gxcHpH2T52GzHKDcqZdavgY7oI6R0nQQIBwGKChe.webp'/></item><item><title><![CDATA[Suratમાં રૂ.4.53 કરોડની કાપડ છેતરપિંડીનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો: ઇકો સેલે 7 દિવસના રિમાન્ડ મેળવ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/mastermind-of-rs-4-53-crore-textile-fraud-arrested-in-surat-eco-cell-gets-7-day-remand</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/mastermind-of-rs-4-53-crore-textile-fraud-arrested-in-surat-eco-cell-gets-7-day-remand</guid><pubDate>Thu, 06 Aug 2026 10:20:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ સાથે રૂ.4.53 કરોડની મસમોટી છેતરપિંડી આચરવાના કેસમાં સુરત ઇકો સેલ (Eco Cell) પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આ કરોડોના કાપડ કૌભાંડના મુખ્ય સૂત્રધાર રોહિત ઉર્ફે પંકજ ચંદનમલજી તેલપૂરિયાને ઝડપી પાડ્યો છે. આરોપીએ ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને મોટી-મોટી લોભામણી વાતો કરી અને શરૂઆતમાં કાપડ ખરીદી સમયસર પેમેન્ટ ચૂકવીને વેપારીઓનો સંપૂર્ણ વિશ્વાસ સંપાદિત કરી લીધો હતો. વિશ્વાસ જામી ગયા બાદ તેણે કરોડો રૂપિયાનો કાપડનો મોટો જથ્થો ઉધાર ખરીદ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>કાપડ બારોબાર વેચી, દુકાનો બંધ કરી ફરાર થઈ ગયો</b></h2><p style="text-align: justify; ">વેપારીઓ પાસેથી રૂ.4.53 કરોડનો માલ મેળવી લીધા બાદ આરોપી રોહિત ઉર્ફે પંકજે તે કાપડનો જથ્થો બારોબાર અન્ય લોકોને વેચી માર્યો હતો. ત્યારબાદ પોતાની દુકાનો અને મોબાઈલ ફોન બંધ કરીને તે રાતોરાત ફરાર થઈ ગયો હતો. વેપારીઓએ સંપર્ક કરવાનો પ્રયાસ કરવા છતાં કોઈ પતો ન લાગતાં અને નાણાં ન મળતાં આખરે ઇકો સેલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે સઘન તપાસ કરી મુખ્ય સૂત્રધારની અટકાયત કરી છે.</p><h3 style="text-align: justify; "><b>પોલીસે 7 દિવસના રિમાન્ડ મેળવી તપાસ તેજ કરી</b></h3><p style="text-align: justify; ">આટલી મોટી રકમની છેતરપિંડીમાં આરોપી સાથે અન્ય કયા-કયા સાગરીતો સામેલ છે અને બારોબાર વેચેલો કરોડનો માલ કોણે ખરીદ્યો હતો તે અંગેના મહત્વના તાર મેળવવા પોલીસે કવાત હાથ ધરી છે. ઇકો સેલ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને તેના 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. રિમાન્ડ દરમિયાન મુદ્દામાલ રિકવર કરવા તેમજ આંતરરાજ્ય ઠગાઈ રેકેટમાં સામેલ અન્ય નામો પરથી પરદો ઊંચકવા માટે પોલીસે પૂછપરછનો દોર શરૂ કર્યો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/06/aEDST2IxggoyWk3MbFAEn03hTmMaHYTX0gXGiq5Z.webp'/></item><item><title><![CDATA[Ahmedabadમાં બાળ સુપોષણ અભિયાન રંગ લાવ્યું: કુપોષિત બાળકોની સંખ્યામાં સીધો 50%નો ઘટાડો ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/child-nutrition-campaign-pays-off-in-ahmedabad-number-of-malnourished-children-reduced-by-50</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/child-nutrition-campaign-pays-off-in-ahmedabad-number-of-malnourished-children-reduced-by-50</guid><pubDate>Thu, 06 Aug 2026 10:00:26 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં બાળકોના પોષણ સ્તરને સુધારવા હાથ ધરાયેલા ભગીરથ પ્રયાસોના અત્યંત સકારાત્મક પરિણામો સામે આવ્યા છે. મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગના સતત મોનિટરિંગને કારણે શહેરમાં કુપોષિત બાળકોની સંખ્યામાં સીધો 50 ટકાનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. પ્રાપ્ત આંકડાઓ અનુસાર વર્ષ 2025માં અમદાવાદ શહેરમાં કુલ 8,807 બાળકો કુપોષિત શ્રેણીમાં નોંધાયા હતા, જેની સરખામણીએ હાલ આ સંખ્યા ઘટીને 4,281 થઈ ગઈ છે. તંત્રની આ સિદ્ધિ બાળ આરોગ્ય ક્ષેત્રે સરાહનીય ગણવામાં આવી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>સામાન્ય અને અતિ કુપોષિત બાળકોનું આંકડાકીય ચિત્ર</b></h2><p style="text-align: justify; ">શહેરમાં નોંધાયેલા કુલ 4,281 બાળકોના આંકડાકીય વિશ્લેષણ તરફ નજર કરીએ તો તેમાંથી 3,637 બાળકો સામાન્ય કુપોષિત શ્રેણીમાં આવે છે. જ્યારે અત્યંત ગંભીર સ્થિતિ ધરાવતા અતિ કુપોષિત બાળકોની સંખ્યા 644 નોંધાઈ છે. આંગણવાડી કેન્દ્રો અને હેલ્થ વર્કર્સ દ્વારા આવા બાળકોની ખાસ ઓળખ કરીને તેમને સુપોષણ કીટ, પૌષ્ટિક આહાર અને તબીબી સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. ખાસ કરીને અતિ કુપોષિત બાળકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને તેમના વજન અને પોષણ સ્તરમાં સુધારો લાવવાના સઘન પ્રયાસો હાથ ધરાયા છે.</p><h3 style="text-align: justify; "><b>સુપોષિત અમદાવાદ તરફ આગળ વધતું તંત્ર</b></h3><p style="text-align: justify; ">અમદાવાદમાં સગર્ભા માતાઓ અને નવજાત શિશુઓ સુધી પૌષ્ટિક આહાર પહોંચાડવાની યોજનાઓ રંગ લાવી રહી છે. આંગણવાડીઓ મારફતે પૌષ્ટિક કીટ વિતરણ તેમજ સમયાંતરે બાળ આરોગ્ય ચકાસણી કેમ્પ યોજવાથી કુપોષણનું પ્રમાણ અડધોઅડધ ઘટાડવામાં સફળતા મળી છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પણ બાકી રહેલા 644 અતિ કુપોષિત બાળકો સહિત તમામ બાળકોને સામાન્ય પોષણ સ્તરે લાવવા માટે ટાર્ગેટેડ અભિયાન ચાલુ રાખવામાં આવશે, જેથી અમદાવાદને સંપૂર્ણપણે કુપોષણ મુક્ત બનાવી શકાય.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/06/q1HDh82n5lh2s80HniHgMADVQGyx493r7cpzMLdY.webp'/></item><item><title><![CDATA[Morbiના હળવદમાં વીજપોલ વળતર મુદ્દે આક્રમક: 40થી વધુ ગામોમાં 'ભાજપ પ્રવેશબંધી'ના બેનરો લાગ્યા! ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/morbi/farmers-aggressive-over-electricity-pole-compensation-issue-in-morbis-halwad-bjp-entry-ban-banners-put-up-in-more-than-40-villages</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/morbi/farmers-aggressive-over-electricity-pole-compensation-issue-in-morbis-halwad-bjp-entry-ban-banners-put-up-in-more-than-40-villages</guid><pubDate>Thu, 06 Aug 2026 09:43:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. ખેતરોમાંથી પસાર થતી હાઈટેન્શન વીજલાઈન અને વીજપોલના યોગ્ય વળતર મેળવવાની માંગ સાથે ખેડૂતો લાંબા સમયથી લડત ચલાવી રહ્યા છે. યોગ્ય ન્યાય ન મળતાં હળવદના જૂના દેવળીયા અને નવા દેવળીયા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો અને ગ્રામજનોએ ઢોલ વગાડીને બેનરો સાથે વિશાળ રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો. આક્રોશે ભરાયેલા ગ્રામજનોએ ગામના પાટીયે "2027ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો માટે પ્રવેશબંધી" ના બેનરો લગાવી દીધા છે.</p><h2 style="text-align: justify; "><b>જેતપર આંદોલનને રાજ્યભરના ખેડૂતોનું સમર્થન</b></h2><p style="text-align: justify; ">હળવદ પંથકના જેતપર ગામે શરૂ થયેલા આ ખેડૂત આંદોલનની જ્વાળા હવે સમગ્ર મોરબી જિલ્લા અને રાજ્યભરમાં પ્રસરી ગઈ છે. મોરબી જિલ્લાના 40થી વધુ ગામોમાં ભાજપ વિરોધી બેનરો લાગી ચૂક્યા છે અને રાજ્યભરના ખેડૂત સંગઠનો આ આંદોલનના સમર્થનમાં આવ્યા છે. ખેડૂતોનો આરોપ છે કે વીજ કંપનીઓ અને સરકાર કિંમતી જમીનોમાં મોટા પોલ ઊભા કરી દે છે પણ જમીન ધોવાણ તથા પાક નુકસાનીનું વાજબી વળતર આપતી નથી.</p><h3 style="text-align: justify; "><b>વીજપોલ વળતર મુદ્દે ખેડૂતોએ ઢોલ વગાડી રેલી યોજાઈ</b></h3><p style="text-align: justify; ">ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જ્યાં સુધી વીજપોલ વળતરનો મુદ્દો કાયમી ધોરણે ઉકેલવામાં નહીં આવે, ત્યાં સુધી 2027ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના કોઈપણ નેતા કે ઉમેદવારને ગામમાં પ્રચાર અર્થે પ્રવેશવા દેવામાં આવશે નહીં. ગામડે-ગામડે વિરોધના બેનરો અને ઢોલના ધમધમાટ સાથે યોજાતી રેલીઓએ શાસક પક્ષ અને સ્થાનિક વહીવટી તંત્રની ઊંઘ ઉડાડી દીધી છે. ખેડૂત એકતાના આ આક્રમક વલણથી સમગ્ર પંથકના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/06/F0Ud0LM81Psc7cUfn1XZGfQTqc6uLcb3NDG5I68Q.webp'/></item><item><title><![CDATA[UP: પ્રતાગઢમાં 100 વર્ષ જૂનું મકાન ધરાશાયી, એક જ પરિવારના 6 સભ્યોના મોત ]]></title><link>https://sandesh.com/india/news/up-pratapgarh-house-collapse-six-dead-rain</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/up-pratapgarh-house-collapse-six-dead-rain</guid><pubDate>Thu, 06 Aug 2026 09:28:50 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાંથી દુખદ ઘટના સામે આવી છે. અહીં કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના મહુલી ગામમાં ભારે વરસાદ વચ્ચે આશરે 100 વર્ષ જૂનું એક જર્જરિત મકાન અચાનક ધરાશાયી થઈ ગયું હતું. આ ભયાનક અકસ્માતમાં એક જ પરિવારના છ સભ્યોના મોત નીપજ્યા છે, જ્યારે એક સભ્ય ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>પરિવાર સૂતો હતો અને ઘટી દુર્ઘટના</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના ગુરુવારે વહેલી સવારે આશરે 2.00 વાગ્યાના સુમારે બની હતી. જે સમયે આ જૂનું મકાન તૂટી પડ્યું, તે વખતે પરિવારના તમામ સાત સભ્યો ગાઢ નિદ્રામાં હતા અને સુરક્ષાના ભાગરૂપે કે અન્ય કારણસર એક જ રૂમમાં સૂતા હતા. મકાન અચાનક તૂટી પડવાથી તેઓ ભારે કાટમાળ નીચે દબાઈ ગયા હતા. મકાન ધરાશાયી થવાનો જોરદાર ધડાકો સાંભળીને આસપાસના ગ્રામજનો તરત જ જાગી ગયા હતા અને ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનોએ તાત્કાલિક પોલીસ અને વહીવટી તંત્રને આ દુર્ઘટનાની જાણ કરી હતી.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANINewsUP/status/2085203842904526945"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h3 style="text-align: justify; "><b>આખા પરિવારના મોતથી ગામમાં માતમ</b></h3><p style="text-align: justify; ">માહિતી મળતા જ સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને આપત્તિ વ્યવસ્થાપન બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક રહેવાસીઓની મદદથી પોલીસે ભારે જહેમત બાદ કાટમાળ નીચે ફસાયેલા તમામ લોકોને બહાર કાઢ્યા અને તેમને હોસ્પિટલ પહોંચાડ્યા, જ્યાં ડૉક્ટરોએ 6 સભ્યોને મૃત જાહેર કર્યા. મૃત્યુ પામનારાઓમાં એક દંપતી, તેમનો યુવાન પુત્ર, પુત્રવધૂ અને બે માસૂમ બાળકોનો સમાવેશ થાય છે. આ અચાનક થયેલી દુર્ઘટનાથી સમગ્ર મહુલી ગામ અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.</p><h4 style="text-align: justify; "><b>ખૂબ જ જુનું અને જર્જરિત હતુ મકાન</b></h4><p style="text-align: justify; ">અહેવાલો અનુસાર, મહુલી ગામના રહેવાસી પ્રમોદ શ્રીવાસ્તવનું આ ઘર ખૂબ જ જૂનું અને જર્જરિત હાલતમાં હતું. સતત પડી રહેલા ભારે વરસાદને કારણે આ મકાનની દીવાલો અને છત નબળી પડી ગઈ હતી, જે આ દુર્ઘટનાનું મુખ્ય કારણ બન્યું. વહીવટી તંત્ર દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ચોમાસાની સિઝનમાં આવા જર્જરિત મકાનોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસવા માટે અપીલ કરવામાં આવી છે. આ હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/world/news/donald-trump-helicopter-passenger-plane-close-call" target="_blank">આ પણ વાંચોઃ Video: માંડ માંડ બચ્યા Donald Trump! હેલિકોપ્ટરની નજીક આવી ગયું પેસેન્જર વિમાન</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/06/ADOsMB2v7XG2dOk1IEIWLXZrLJNPtmwZpQfKUxMA.webp'/></item><item><title><![CDATA[Mehsana News: શહેરમાં ગટર કનેક્શન વિનાના 17 હજાર મિલકત ધારકોને વેરો ઝિંકાયો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/17000-properties-charged-sewer-tax-without-sewer-connections</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/17000-properties-charged-sewer-tax-without-sewer-connections</guid><pubDate>Thu, 06 Aug 2026 09:16:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મહેસાણા મહાનગરપાલિકા દ્વારા કરદાતાઓ પર ગટર લાઈનની સુવિધા આપ્યા વગર જ ગટર વેરો ઝીંકી દેવામાં આવતાં સ્થાનિક રહીશોમાં ભારે અસંતોષ અને રોષની લાગણી વ્યાપી ગઈ છે. શહેરના આશરે 17 હજાર જેટલા એવા મિલકતધારકો કે જેમના ઘરમાં ગટરનું કનેક્શન જ નથી, તેમને પણ પાલિકા દ્વારા રૂ. 2200 સુધીના ગટર વેરાના બિલો ફટકારી દેવામાં આવ્યા છે. આ સ્થિતિ વચ્ચે જે ઘરોમાં કનેક્શન જ નથી, ત્યાંથી વપરાશના પાણીનો નિકાલ ક્યાં થઈ રહ્યો છે તે અંગે પણ વહીવટી તંત્ર સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.</p><h2 style="text-align: justify; "><b>100થી વધુ મિલકતધારકોએ અરજીઓ કરી</b></h2><p style="text-align: justify; ">તંત્રની આ ગંભીર બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કરતા અત્યાર સુધીમાં 100થી વધુ મિલકતધારકોએ બિલમાંથી આ ગેરવાજબી વેરો દૂર કરવા માટે મહાનગરપાલિકાની કચેરીએ સત્તાવાર અરજીઓ કરી છે. ખાસ કરીને જે નાગરિકોએ પોતાના મિલકત વેરા ફોર્મમાં શોષકૂવાની સ્પષ્ટતા કરી ન હતી, તેમને તંત્ર દ્વારા સીધા જ ગટરના બિલો આપી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોના વિરોધ બાદ પાલિકા તંત્રે બાંહેધરી આપી છે કે અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કર્યા બાદ જેમના ઘરે ગટર કનેક્શન નથી તેમના બિલમાં જરૂરી સુધારા કરી આપવામાં આવશે.</p><h2 style="text-align: justify; "><b>લોકો મોટી સંખ્યામાં એડવાન્સ વેરો ભરી રહ્યા છે</b></h2><p style="text-align: justify; ">બીજી તરફ, મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલી 10 ટકા રિબેટ (વળતર) યોજનાનો લાભ મેળવવા માટે મહેસાણાના પ્રજાજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વેરામાં રાહત મેળવવાની છેલ્લી તકો ઝડપવા માટે લોકો મોટી સંખ્યામાં એડવાન્સ વેરો ભરી રહ્યા છે. મળતી માહિતી મુજબ, માત્ર 2 જ દિવસના ટૂંકા ગાળામાં 1983 જેટલા જાગૃત મિલકતધારકોએ પોતાનો એડવાન્સ વેરો જમા કરાવી દીધો છે, જેના થકી મનપાની તિજોરીમાં કુલ ₹49.31 લાખ રૂપિયાનો એડવાન્સ વેરો જમા થઈ ચૂક્યો છે. નાગરિકોની માગણી છે કે તંત્ર વહેલી તકે સ્થળ તપાસ પૂર્ણ કરી ગેરવાજબી ગટર વેરો રદ કરે જેથી તેઓ રિબેટ યોજનાનો પૂરો લાભ લઈ શકે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/light-to-moderate-rain-forecast-ahmedabad-may-get-thunderstorms" target="_blank">આ પણ વાંચોઃ Gujarat Weather News: રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, અમદાવાદમાં ગાજવીજ સાથે મેઘમહેર થઈ શકે</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/06/o9qV8kKw2s3DlLKJxQn8aqVH9lwddWNpxeWbFTdR.webp'/></item><item><title><![CDATA[India અને પાકિસ્તાનની થશે ટક્કર, વર્લ્ડકપ માટે ટીમની કરવામાં આવી જાહેરાત ]]></title><link>https://sandesh.com/sports/news/pakistan-hockey-world-cup-2026-squad</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pakistan-hockey-world-cup-2026-squad</guid><pubDate>Wed, 05 Aug 2026 18:45:48 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પાકિસ્તાન હોકી ફેડરેશને 5 ઓગસ્ટના રોજ FIH મેન્સ હોકી વર્લ્ડકપ 2026 માટે 20 સભ્યોની ટીમ અને મેનેજમેન્ટની જાહેરાત કરી હતી. આ ટુર્નામેન્ટ 15 થી 30 ઓગસ્ટ દરમિયાન એમ્સ્ટલવીન, નેધરલેન્ડ અને બેલ્જિયમમાં રમાશે.&nbsp;</p><p style="text-align: justify;">આ મોટી ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થયા પછી પાકિસ્તાન ટીમ હવે વિશ્વના આ સૌથી મોટા હોકી પ્લેટફોર્મ પર સ્પર્ધા કરવા માટે તૈયાર છે. હોકી વર્લ્ડકપ માટે પાકિસ્તાનની ટીમમાં અનુભવી ઈન્ટરનેશનલ ખેલાડીઓ અને યુવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. ભારત અને પાકિસ્તાન 19 ઓગસ્ટના રોજ આ વર્લ્ડકપમાં એકબીજાનો સામનો કરશે.</p><h2 style="text-align: justify;"><b>અમ્માદ બટ્ટને કેપ્ટનશીપ પરથી હટાવવામાં આવ્યો</b></h2><p style="text-align: justify;">હોકી વર્લ્ડકપ માટે પાકિસ્તાન ટીમની જાહેરાત અનુભવી મિડફિલ્ડર અમ્માદ બટ્ટને કેપ્ટન પદેથી હટાવ્યાના લગભગ એક અઠવાડિયા પછી કરવામાં આવી છે. તે છેલ્લા 14 વર્ષથી ટીમની નેતૃત્વ કરી રહ્યો હતો. 29 જુલાઈના રોજ જાહેર કરાયેલા એક નિવેદનમાં PHFએ જણાવ્યું હતું કે તેની વ્યાવસાયિક વિકાસ સમિતિની સલાહ પર તેને અબુ બકરને પાકિસ્તાન રાષ્ટ્રીય હોકી ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે.</p><p style="text-align: justify;">તે સમયે PHFએ અમ્માદ બટ્ટના રાષ્ટ્રીય ટીમ પ્રત્યેના યોગદાન અને સમર્પણની પ્રશંસા કરી હતી. ફેડરેશને એમ પણ કહ્યું હતું કે તે એક સિનિયર ખેલાડી તરીકે પાકિસ્તાન ટીમનો ભાગ રહેશે. ફેડરેશને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અબુ બકરની કેપ્ટનશીપ હેઠળ ટીમ, સિનિયર ખેલાડીઓ અને યુવા સભ્યોના અનુભવ સાથે એક મજબૂત અને સ્પર્ધાત્મક ટીમમાં વિકાસ કરશે.</p><h3 style="text-align: justify;"><b>હોકી વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમ અને સપોર્ટ સ્ટાફ</b></h3><h4 style="text-align: justify;"><b>હોકી વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની 20 સભ્યોની ટીમ</b></h4><p style="text-align: justify;">વકાર, મુહમ્મદ અબ્દુલ્લા, મુહમ્મદ સુફિયાન ખાન, મોઈન શકીલ, અબ્દુલ વહિદ અશરફ રાણા, અબ્દુલ હનાન શાહિદ, ઝકારિયા હયાત, અરશદ લિયાકત, આદિલ લતીફ, અહેમદ નદીમ, ગઝનફર અલી, ઈમાદ શકીલ બટ્ટ, મોહમ્મદ હમદુદ્દીન અંજુમ, રહેમાન અબ્દુલ, અફરાઝ, ઉમર મુસ્તફા, અબુ બકર મહમૂદ, અલી રઝા, અબ્દુલ મટન અને મુહમ્મદ ઈમાદનો સમાવેશ થાય છે.</p><p style="text-align: justify;">ગોલકીપર : વકાર અને અલી રાજા</p><p style="text-align: justify;">ટીમ મેનેજમેન્ટમાં ટીમ મેનેજર મુહમ્મદ ઓવૈસ કરની, હેડ કોચ બોબ જોહાન વેલ્ધોફ (નેધરલેન્ડ), આસિસ્ટન્ટ કોચ ક્રિસ્ટોફર જોન બોવેન (ગ્રેટ બ્રિટન), આસિસ્ટન્ટ કોચ અદનાન ઝાકીર અને વીડિયો ટેકનિશિયન અશરફ સુલતાન સામેલ છે.</p><h5 style="text-align: justify;"><b>પાકિસ્તાન 15 ઓગસ્ટે પોતાની પહેલી મેચ રમશે</b></h5><p style="text-align: justify;">આ હોકી વર્લ્ડકપમાં પાકિસ્તાન ટીમ 15 ઓગસ્ટે એમ્સ્ટલવીનમાં ઈંગ્લેન્ડ સામે પોતાની પહેલી મેચ રમશે. ટીમની બીજી મેચ 17 ઓગસ્ટે વેલ્સ સામે થશે. પાકિસ્તાન 19 ઓગસ્ટે ભારત સામે ટકરાશે. આ વર્લ્ડકપ માટે, ભારત અને પાકિસ્તાનને પૂલ Dમાં એકસાથે રાખવામાં આવ્યા છે. આ બે ટીમો ઉપરાંત ટીમમાં ઈંગ્લેન્ડ અને વેલ્સનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં એશિયન લિજેન્ડ્સ લીગમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક મેચ રમાઈ હતી.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/BSGFdjBYRdYyrIr1nai9fAg4ZuA06DUq1m8Sv97p.webp'/></item></channel></rss>