<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Malaysia : 72 વર્ષના ફૂટબોલ દિગ્ગજે 20 વર્ષની યુવતી સાથે કર્યા લગ્ન, તસવીરો વાયરલ થતાં પરિવારે કરી પુષ્ટિ ]]></title><link>https://sandesh.com/world/news/sports/malaysia-football-legend-abdul-alif-marriage-72-year-old-20-year-old-wife</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/sports/malaysia-football-legend-abdul-alif-marriage-72-year-old-20-year-old-wife</guid><pubDate>Mon, 07 Sep 2026 23:00:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મલેશિયન ફૂટબોલના દિગ્ગજ અને પૂર્વ હરિમાઉ મલાયા સ્ટાર દાતુક અબ્દુલ અલિફે 72 વર્ષની ઉંમરે પોતાના જીવનનો નવો અધ્યાય શરૂ કર્યો છે. સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો વાયરલ થયા બાદ તેમના પરિવારે લગ્નની સત્તાવાર પુષ્ટિ કરી છે. અહેવાલ મુજબ 27 ઓગસ્ટે યોજાયેલા ખાનગી સમારંભમાં અબ્દુલ અલિફે પોતાની જીવનસંગિની સાથે નિકાહ કર્યા હતા. તેમની પત્નીની ઉંમર 20 વર્ષ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>લગ્નની ખબર કોણે કરી કન્ફર્મ?</b></h2><p style="text-align: justify; ">અબ્દુલ અલિફના નાના ભાઈ અને પૂર્વ ખેલાડી તથા કોચ દાતુક યુનુસ અલિફે લગ્નની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે 27 ઓગસ્ટે બંનેના લગ્ન થયા હતા અને બંને પરિવારોની સંમતિ તથા આશીર્વાદ સાથે આ સંબંધ બંધાયો છે. પરિવાર દ્વારા નવદંપતીના સુખી દાંપત્ય જીવન માટે શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>ફોન નહીં ઉઠાવતા ભાઈએ શું કહ્યું?</b></h3><p style="text-align: justify; ">લગ્ન બાદ અબ્દુલ અલિફ મીડિયા સંપર્કમાં ન આવતા તેમના ભાઈ યુનુસ અલિફે જણાવ્યું હતું કે તેઓ સંભવતઃ હનીમૂન પર હોવાથી ફોનનો જવાબ આપી શકતા નથી.જોકે પરિવારે સ્પષ્ટ કર્યું છે કે બંનેના નિકાહ થઈ ચૂક્યા છે અને પરિવાર તરફથી બંનેને શુભકામનાઓ આપવામાં આવી છે.</p><h4 style="text-align: justify; "><b>મલેશિયન ફૂટબોલના દિગ્ગજ રહ્યા છે અબ્દુલ અલિફ</b></h4><p style="text-align: justify; ">અબ્દુલ અલિફ મલેશિયન ફૂટબોલ ઇતિહાસના જાણીતાં ખેલાડીઓમાં સામેલ રહ્યા છે. 1970ના અંતિમ વર્ષો અને 1980ના શરૂઆતના સમયમાં મલેશિયન ફૂટબોલના સફળ સમયગાળામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.તેઓ તે મલેશિયન ટીમના સભ્ય હતા જેણે ક્વોલિફાઇંગ મેચમાં દક્ષિણ કોરિયાને 2-1થી હરાવી 1980ના મોસ્કો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું.</p><h4 style="text-align: justify; "><b>ઓલિમ્પિક રમવાનું સપનું કેમ અધૂરું રહ્યું?</b></h4><p style="text-align: justify; ">મલેશિયાએ સોવિયેત સંઘના અફઘાનિસ્તાન પરના આક્રમણના વિરોધમાં 1980ના મોસ્કો ઓલિમ્પિકનો બહિષ્કાર કર્યો હતો. જેના કારણે અબ્દુલ અલિફ સહિત અનેક ખેલાડીઓનું ઓલિમ્પિકમાં રમવાનું સપનું અધૂરું રહી ગયું હતું. લાંબા સમય સુધી વ્યાવસાયિક ફૂટબોલ અને મીડિયા લાઇમલાઇટથી દૂર રહ્યા બાદ આ દિગ્ગજ ખેલાડી હવે પોતાના અંગત જીવનના નવા નિર્ણયને કારણે ફરી ચર્ચામાં આવ્યા છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">&nbsp; આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-gujarat-drowning-deaths-1999-river-lake-check-dam-water-safety" target="_blank"><b>Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/oQuxxQEBdhQdWmZFxk2LOPbwDJRpf6zDEmwi2pJ3.webp'/></item><item><title><![CDATA[Jammu : ધોળા દિવસે પહાડ પાર કરી ઉમર અબ્દુલ્લાના સત્તાવાર નિવાસમાં યુવક ઘૂસ્યો, સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલ ]]></title><link>https://sandesh.com/india/news/jammu-omar-abdullah-official-residence-security-breach-youth-enters</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/jammu-omar-abdullah-official-residence-security-breach-youth-enters</guid><pubDate>Mon, 07 Sep 2026 22:27:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાના જમ્મુ સ્થિત સત્તાવાર નિવાસમાં 21 વર્ષીય યુવક કથિત રીતે ઘૂસી જતાં સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ઘટના દિવસે બની હતી, જોકે ઘટનાના સમયે મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા જમ્મુમાં હાજર નહોતા.</p><h2 style="text-align: justify; "><b>તપાસમાં આતંકી કનેક્શન મળ્યું નહીં</b></h2><p style="text-align: justify; ">પ્રારંભિક તપાસમાં યુવક કોઈ આતંકી સંગઠન સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું નથી. પોલીસને હાલ એવી કોઈ માહિતી પણ મળી નથી કે યુવક મુખ્યમંત્રીને નુકસાન પહોંચાડવાના ઇરાદે નિવાસમાં ઘૂસ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>યુવક નશાની લત ધરાવતો હતો</b></h3><p style="text-align: justify; ">અધિકારીઓના જણાવ્યા મુજબ યુવક નશાની લત ધરાવતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પૂછપરછ બાદ તેની સામે ઘૂસણખોરી  સંબંધિત કાર્યવાહી કરવામાં આવી હતી અને બાદમાં તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>ઘટના સમયે ઉમર અબ્દુલ્લા દિલ્હીમાં હતા</b></h3><p style="text-align: justify; ">ઘટના સમયે મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા દિલ્હીમાં હતા. તેમણે ત્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. બેઠકમાં જમ્મુ-કાશ્મીરનો રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા, ચૂંટાયેલી સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નર વચ્ચે કામકાજ સંબંધિત નિયમો તથા આરક્ષણ વ્યવસ્થાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.</p><h4 style="text-align: justify; "><b>નશાની હાલતમાં પોલીસને મળ્યો હતો યુવક</b></h4><p style="text-align: justify; ">અધિકારીઓના જણાવ્યા મુજબ યુવક રિયાસીનો રહેવાસી છે અને 3 ઓગસ્ટના રોજ એક મિત્ર સાથે જમ્મુ આવ્યો હતો. તે જ સાંજે પોલીસ ટીમને તે કથિત રીતે નશાની હાલતમાં ફરતો મળી આવ્યો હતો. પોલીસ તેને પોલીસ ચોકી લઈ ગઈ હતી અને NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. બાદમાં તેના પરિવારને આ અંગે જાણ કરવામાં આવી હતી.</p><h4 style="text-align: justify; "><b>પોલીસ ચોકીથી નીકળી પહાડી મારફતે પહોંચ્યો નિવાસ સુધી</b></h4><p style="text-align: justify; ">યુવકના માતા-પિતા 4 ઓગસ્ટના રોજ પોલીસ ચોકી પહોંચ્યા હતા. યુવકના પિતા સ્થાનિક વ્યક્તિને જામીનદાર તરીકે લાવવા માટે બહાર ગયા ત્યારે યુવક ત્યાંથી નીકળી ગયો હતો. ત્યારબાદ તે પોલીસ ચોકી નજીકના નાના પહાડી વિસ્તાર પર ચઢ્યો હતો અને ત્યાંથી મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસની પાછળની દિવાલ પાર કરીને પરિસરમાં ઘૂસી ગયો હોવાનું સામે આવ્યું છે.</p><h4 style="text-align: justify; "><b>SSG જવાનોએ યુવકને ઝડપી લીધો</b></h4><p style="text-align: justify; ">યુવકની ગતિવિધિ મુખ્યમંત્રીની સુરક્ષા માટે તૈનાત સ્પેશિયલ સિક્યોરિટી ગ્રુપના જવાનોના ધ્યાનમાં આવતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો. બાદમાં વધુ પૂછપરછ માટે યુવકને પોલીસને સોંપવામાં આવ્યો હતો.</p><h4 style="text-align: justify; "><b>આતંકી કનેક્શન નહીં છતાં સુરક્ષા પર સવાલ</b></h4><p style="text-align: justify; ">તપાસમાં યુવકનો કોઈ આતંકી સંગઠન સાથે સંબંધ હોવાનું સામે આવ્યું નથી અને મુખ્યમંત્રીને નિશાન બનાવવાની કોઈ સાજિશના પુરાવા પણ મળ્યા નથી. તેમ છતાં મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસની પાછળની દિવાલ પાર કરીને યુવક અંદર પહોંચી જવાની ઘટનાને ગંભીર સુરક્ષા ચૂક તરીકે જોવામાં આવી રહી છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે યુવક જો સુરક્ષા વ્યવસ્થા ભેદીને નિવાસ સુધી પહોંચી શકે છે તો મુખ્યમંત્રીના નિવાસની સુરક્ષા વ્યવસ્થામાં ક્યાં ખામી રહી ગઈ?</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો :&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-gujarat-drowning-deaths-1999-river-lake-check-dam-water-safety" target="_blank"><b>Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?</b></a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/735WNqqqoviiEiSRCBAOftiqTnJRW1W32jFPwPgs.webp'/></item><item><title><![CDATA[Vadodaraના સુરસાગર તળાવ ખાતે ભવ્ય કાર્યક્રમ: PM મોદીના આગમન પૂર્વે શહેર ભક્તિમય બન્યું ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-sursagar-lake-pm-modi-welcome-event</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-sursagar-lake-pm-modi-welcome-event</guid><pubDate>Mon, 07 Sep 2026 22:21:17 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે સમગ્ર શહેરમાં ભારે ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે. પીએમ મોદીના સ્વાગતની તૈયારીઓના ભાગરૂપે વડોદરાના ઐતિહાસિક સુરસાગર તળાવ ખાતે એક અત્યંત ભવ્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વિશેષ ઉપસ્થિત રહીને સુરસાગર તળાવ મધ્યે બિરાજમાન શિવજીની પ્રતિમાની મહાઆરતી કરી હતી અને રાજ્યની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી.</p><h2 style="text-align: justify; "><b>કૈલાશ ખૈરના ભક્તિમય સૂર અને સફાઈ કર્મચારીઓનું સન્માન&nbsp;</b></h2><p style="text-align: justify; ">આ ભવ્ય સાંજે દેશના જાણીતા અને લોકપ્રિય ગાયક કૈલાશ ખૈરે પોતાના સુમધુર કંઠે શિવભક્તિના ગીતો અને સંગીતના સૂર રેલાવ્યા હતા. કૈલાશ ખૈરના સંગીતમય કાર્યક્રમથી સમગ્ર સુરસાગર પરિસર શિવભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું. આ કાર્યક્રમની ખાસિયત એ રહી કે તેમાં શહેરને સ્વચ્છ રાખતા મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ પણ જોડાયા હતા, જેમના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું.</p><h3 style="text-align: justify; "><b>પીએમ મોદીના આગમનને લઈને શહેરીજનોમાં ભારે ઉત્સાહ&nbsp;</b></h3><p style="text-align: justify; ">મહાઆરતી, રોશનીની ઝગમગાટ અને સંગીતના સૂરથી સુરસાગર તળાવ અત્યંત નયનરમ્ય અને ભક્તિમય બની ગયું હતું. વડાપ્રધાનના આગમનને પગલે વડોદરાવાસીઓમાં એક અનોખો આનંદ અને અતિશય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર વડોદરા શહેર અત્યારે પીએમ મોદીના સ્વાગત માટે આતુરતાથી રાહ જોઈ રહ્યું છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/JPwGMmzfGiPuYY2LzmJQz4TnTu1MkoQiGD27xwm6.webp'/></item><item><title><![CDATA[Junagadh: વણઝારી પ્રાથમિક શાળામાં ગેરકાયદે ઉર્ષની રસોઈ મામલે DEO દોડ્યા, આચાર્ય સામે સસ્પેન્શન સહિતની કાર્યવાહીની તૈયારી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/vanzari-primary-school-controversy-deo-action-against-principal</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/vanzari-primary-school-controversy-deo-action-against-principal</guid><pubDate>Mon, 07 Sep 2026 22:18:56 +05:30</pubDate><description><![CDATA[<p>જૂનાગઢ શહેરના વણઝારી વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં સરકારી નિયમો અને મર્યાદાના લીરેલીરા ઉડાડતો બનાવ સામે આવ્યો છે. શાળાના સંકુલમાં શિક્ષણ વિભાગ કે ઉચ્ચ અધિકારીઓની કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી વગર જ ગેરકાયદેસર રીતે ઉર્ષના પ્રસંગ માટે મોટા પાયે રસોઈ બનાવવાનું કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું હતું.</p><h2><b>સરકારી શાળાના પરિસરમાં ઉર્ષની રસોઈ બનતા રોષ</b></h2><p>શાળા જેવા પવિત્ર અને સરકારી સંકુલમાં આ પ્રકારે બિનઅધિકૃત પ્રવૃત્તિ થઈ રહી હોવાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક નાગરિકો અને રહેવાસીઓ ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા અને ભારે વિરોધ દર્શાવ્યો હતો. સ્થાનિકોના ભારે આક્રોશને કારણે સમગ્ર વિસ્તારમાં તંગદિલી અને વિવાદનો માહોલ સર્જાયો હતો.ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને જૂનાગઢના જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) પોતાની ટીમ સાથે તાબડતોબ વણઝારી પ્રાથમિક શાળા ખાતે દોડી આવ્યા હતા. તેમણે પરિસ્થિતિની સમીક્ષા કરી તુરંત જ શાળા પરિસરમાં ચાલી રહેલી રસોઈ બંધ કરાવીને આખું સંકુલ ખાલી કરાવ્યું હતું.</p><h3><b>આચાર્ય સામે સસ્પેન્શન સહિતની કાર્યવાહીની તૈયારી</b></h3><p>પ્રાથમિક તપાસમાં શાળાના આચાર્યની ગંભીર બેદરકારી અને મંજૂરી વગર સરકારી મિલકતનો ઉપયોગ કરવા દેવાની સંડોવણી સામે આવી છે. DEO એ સ્થળ પર પહોંચી ગેરકાયદેસર રીતે રસોઈ બનાવતા લોકોને બહાર તારવી શાળા પરિસર ખાલી કરાવ્યું. કોઈ પણ પરવાનગી વગર શાળાનો ઉપયોગ કરવા દેવા બદલ આચાર્ય સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જવાબદાર આચાર્ય સામે કડક શિક્ષાત્મક અને શિસ્તભંગના કાયદાકીય પગલાં ભરવાની નિર્દેશ આપ્યા છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gir-somnath/somnath-mahadev-last-shravan-somwar-over-one-lakh-devotees-darshan" target="_blank">આ પણ વાંચો: Gir Somnath: અંતિમ શ્રાવણી સોમવારે 1.30 લાખથી વધુ શિવભક્તોએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ નવાવ્યું</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/sjZCHtM2fCJPqiMw0WuCF7ouZdASZr8QckR1Zak4.webp'/></item><item><title><![CDATA[Chennai : એન્જિનમાં ટેક્નિકલ ખામી બાદ Malaysia Airlines ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, 186 મુસાફરો સુરક્ષિત ]]></title><link>https://sandesh.com/india/news/chennai-malaysia-airlines-mh156-emergency-landing-engine-issue-186-passengers</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/chennai-malaysia-airlines-mh156-emergency-landing-engine-issue-186-passengers</guid><pubDate>Mon, 07 Sep 2026 22:14:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify;">કુઆલાલંપુરથી જેદ્દા જઈ રહેલી Malaysia Airlinesની ફ્લાઇટ MH 156માં એન્જિન સંબંધિત ટેક્નિકલ ખામી સર્જાતા સોમવારે ફ્લાઇટને ચેન્નાઈ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચેન્નાઈ એરપોર્ટ પર ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી.</p><h2 style="text-align: justify;"><b>એન્જિન નંબર 2માં સામે આવી ખામી</b></h2><p style="text-align: justify;">અધિકારીઓના જણાવ્યા મુજબ ફ્લાઇટના એન્જિન નંબર 2 સાથે સંબંધિત ટેક્નિકલ સમસ્યા સામે આવી હતી. ફ્લાઇટમાં કુલ 186 લોકો સવાર હતા. ટેક્નિકલ ખામી સામે આવ્યા બાદ સાવચેતીના ભાગરૂપે ફ્લાઇટને ચેન્નાઈ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.</p><h3 style="text-align: justify;"><b>ઇમરજન્સી વચ્ચે ફ્લાઇટનું સુરક્ષિત લેન્ડિંગ</b></h3><p style="text-align: justify;">ફ્લાઇટ ચેન્નાઈ એરપોર્ટ પર પહોંચે તે પહેલા એરપોર્ટ પર જરૂરી ઇમરજન્સી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ફાયર અને અન્ય સુરક્ષા ટીમોને પણ એલર્ટ કરવામાં આવી હતી. બાદમાં ફ્લાઇટનું ચેન્નાઈ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને તમામ 186 મુસાફરો સુરક્ષિત હોવાનું જણાવવામાં આવ્યું છે.</p><h3 style="text-align: justify;"><b>લેન્ડિંગ બાદ ટો વાહનથી પાર્કિંગ સુધી પહોંચાડાયું વિમાન</b></h3><p style="text-align: justify;">સુરક્ષિત લેન્ડિંગ બાદ વિમાનને ટો વાહનની મદદથી પાર્કિંગ વિસ્તારમાં લઈ જવામાં આવ્યું હતું. એરલાઇન અને ટેક્નિકલ ટીમ દ્વારા એન્જિનમાં સર્જાયેલી ખામીની તપાસ શરૂ કરવામાં આવી છે.</p><h4 style="text-align: justify;"><b>મુસાફરો માટે કરાઈ રોકાવાની વ્યવસ્થા</b></h4><p style="text-align: justify;">ફ્લાઇટના મુસાફરોને એરપોર્ટ પર રોકાવા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. ફ્લાઇટને આગળ જવા માટે ક્યારે મંજૂરી આપવામાં આવશે તે અંગે ટેક્નિકલ તપાસ પૂર્ણ થયા બાદ નિર્ણય લેવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા મુજબ ઇમરજન્સી લેન્ડિંગ બાદ પણ ચેન્નાઈ એરપોર્ટ પર અન્ય ફ્લાઇટ ઓપરેશન સામાન્ય રીતે ચાલુ રહ્યા હતા.</p><p style="text-align: justify;"><br></p><p>આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; &nbsp; <a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-gujarat-drowning-deaths-1999-river-lake-check-dam-water-safety" target="_blank"><b>Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/vS1NKdQhVHycLutGKUwLFLpumGV7FxubLlBoRfVO.webp'/></item><item><title><![CDATA[Gandhinagar : 9 વિધેયક સાથે 9 સપ્ટેમ્બરથી વિધાનસભાનું ચોમાસુ સત્ર, અછત મુદ્દે મંત્રી જીતુ વાઘાણી બોલવાનું ટાળ્યું ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gandhinagar-gujarat-assembly-monsoon-session-9-bills-jitu-vaghani-drought-issue</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gandhinagar-gujarat-assembly-monsoon-session-9-bills-jitu-vaghani-drought-issue</guid><pubDate>Mon, 07 Sep 2026 22:01:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આગામી 9, 10 અને 11 સપ્ટેમ્બર એમ 3 દિવસ માટે યોજાવાનું છે. સત્રની તૈયારીઓને લઈને વિધાનસભા અધ્યક્ષની આગેવાનીમાં મહત્વની બેઠક યોજાઈ હતી. બેઠકમાં સરકારના મંત્રીઓ અને કોંગ્રેસના નેતાઓ પણ હાજર રહ્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>3 દિવસના સત્રમાં ગૃહમાં આવશે 9 વિધેયક</b></h2><p style="text-align: justify; ">આગામી ચોમાસુ સત્ર દરમિયાન કુલ 9 વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવશે. સરકાર દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને વિધેયકો રજૂ કરવામાં આવશે અને ગૃહમાં તેના પર ચર્ચા કરવામાં આવશે. ચોમાસુ સત્રને લઈને રાજકીય અને વહીવટી સ્તરે તૈયારીઓ તેજ કરવામાં આવી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>અવસાન પામેલા સભ્યોને અપાશે શ્રદ્ધાંજલિ</b></h3><p style="text-align: justify; ">વિધાનસભાના અગાઉના તેમજ ચાલુ ટર્મ દરમિયાન અવસાન પામેલા સભ્યોને ગૃહમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. સત્રની શરૂઆત દરમિયાન ગૃહ દ્વારા દિવંગત સભ્યોને શોકાંજલિ આપવામાં આવશે.</p><h4 style="text-align: justify; "><b>કોંગ્રેસના આરોપો પર શું કહ્યું?</b></h4><p style="text-align: justify; ">કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા વિવિધ આરોપો અંગે પૂછવામાં આવતા મંત્રી જીતુ વાઘાણીએ ભાજપ સરકારને જનતાની સ્વીકૃતિ હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે લોકશાહીમાં જનતાએ ભાજપને તક આપી છે અને જનતાએ પોતાનો જવાબ ચૂંટણી દ્વારા આપ્યો છે. તેમણે એમ પણ જણાવ્યું કે સરકાર ક્યાંય ચર્ચામાંથી ભાગતી નથી.</p><h4 style="text-align: justify; "><b>કિસાન સંઘની બેઠક પર મૌન કેમ?</b></h4><p style="text-align: justify; ">વિધાનસભા સત્રની બેઠક દરમિયાન કિસાન સંઘ સાથેની બેઠક અને રાજ્યમાં અછતગ્રસ્ત વિસ્તાર જાહેર કરવાના મુદ્દે પૂછાયેલા સવાલો પર કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કોઈ જવાબ આપવાનું ટાળ્યું હતું. કિસાન સંઘ દ્વારા અછતગ્રસ્ત વિસ્તારો જાહેર કરવાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે આ મુદ્દે મંત્રીના મૌને અનેક સવાલો ઉભા કર્યા છે.</p><h5 style="text-align: justify; "><b>સત્રમાં અછતનો મુદ્દો ગુંજશે?</b></h5><p style="text-align: justify; ">આગામી 3 દિવસીય ચોમાસુ સત્રમાં કુલ 9 વિધેયક રજૂ થવાના છે. બીજી તરફ રાજ્યમાં અછતની સ્થિતિ અને ખેડૂતોની મુશ્કેલીઓનો મુદ્દો પણ ચર્ચામાં રહે તેવી શક્યતા છે. હવે સૌની નજર વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન સરકાર અછતગ્રસ્ત વિસ્તાર અને ખેડૂતોના પ્રશ્નો અંગે શું જવાબ આપે છે તેના પર રહેશે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; ">&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચો :&nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-gujarat-drowning-deaths-1999-river-lake-check-dam-water-safety" target="_blank"><b> Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/U0H0XX7rjK3H8vtUWUomY8pThktXzFf4LpO5mBlW.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના સરખેજમાં 'મુનબીન કાફે'માં ચાલતા ગેરકાયદે હુક્કાબાર પર પોલીસનો દરોડો ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-sarkhej-munbeen-cafe-hookah-bar-raid</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-sarkhej-munbeen-cafe-hookah-bar-raid</guid><pubDate>Mon, 07 Sep 2026 21:57:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરના સરખેજ પોલીસ સ્ટેશનની ટીમે ગુપ્ત બાતમીના આધારે સરખેજ વિસ્તારમાં આવેલા 'મુનબીન કાફે' પર અચાનક રેડ પાડી હતી. પોલીસે દરોડા દરમિયાન કાફેમાં ગેરકાયદેસર રીતે ચાલતા હુક્કાબારનો પર્દાફાશ કર્યો છે. કાફેની આડમાં યુવાનોને હુક્કો પીરસવામાં આવતો હોવાનું સામે આવતાં પોલીસે તાત્કાલિક સ્થળ પરથી હુક્કા તેમજ વિવિધ ફ્લેવર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>સંચાલકો વિરુદ્ધ કાયદાકીય ગુનો દાખલ&nbsp;</b></h2><p style="text-align: justify; ">પોલીસની આ કાર્યવાહી દરમિયાન હુક્કાબાર ચલાવવા અને ગેરકાયદે પ્રવૃત્તિ કરવા બદલ મુખ્ય આરોપી હર્ષ ત્રિપાઠી અને જૈનમ દોશી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. કાફેમાંથી મળી આવેલા હુક્કા, હાનિકારક ફ્લેવર્સ અને અન્ય સહાયક સામગ્રીને પોલીસે જપ્ત કરીને આગળની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે.</p><h3 style="text-align: justify; "><b>સરખેજ પોલીસ દ્વારા વધુ તપાસ તેજ&nbsp;</b></h3><p style="text-align: justify; ">સરખેજ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ હુક્કાબાર કેટલા સમયથી ચાલી રહ્યો હતો, તેમાં કયા કયા લોકો આવતા હતા અને ફ્લેવરનો જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો તે અંગે આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. શહેરમાં ગેરકાયદે ચાલતા આવા કેફે અને હુક્કાબાર સામે પોલીસે ઝુંબેશ વધુ કડક બનાવી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/M4rWPxzPA6wMFY1txUyD5cjdHs3HH7VIX8GMcxJt.webp'/></item><item><title><![CDATA[Vadodaraના બાજવામાં રખડતા ઢોરનો આતંક: માતા અને માસૂમ બાળક પર હુમલો ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-bajwa-stray-cattle-mother-child-attack</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-bajwa-stray-cattle-mother-child-attack</guid><pubDate>Mon, 07 Sep 2026 21:44:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા શહેરના બાજવા વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં રસ્તા પરથી પસાર થઈ રહેલી એક માતા અને તેના માસૂમ બાળક પર રખડતા ઢોરે અચાનક ભયાનક હુમલો કરી દીધો હતો. અચાનક થયેલા આ હુમલાને કારણે માતા અને બાળક બંને રસ્તા પર પછડાયા હતા, જેમાં બંનેને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાની માહિતી મળી રહી છે. આ ઘટના બની ત્યારે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઢોરને ભગાડીને માતા-બાળકનો બચાવ કર્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ&nbsp;</b></h2><p style="text-align: justify; ">આ સમગ્ર હૃદયકંપાવનારી ઘટનાના દ્રશ્યો નજીકના સીસીટીવી (CCTV) અથવા સ્થાનિક લોકોના કેમેરામાં કેદ થઈ ગયા હતા, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ વડોદરાવાસીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અવારનવાર બનતી આવી ઘટનાઓને કારણે રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓ અને વાહનચાલકોની સુરક્ષા સામે મોટા પ્રશ્નાર્થચિહ્નો ઊભા થયા છે.</p><h3 style="text-align: justify; "><b>પાલિકા તંત્રની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં ભારે રોષ&nbsp;</b></h3><p style="text-align: justify; ">રખડતા ઢોરના સતત વધતા જતાં ત્રાસ અને આતંકને કારણે ફરી એકવાર વડોદરા મહાનગરપાલિકા તંત્રની નબળી કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. પાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરીના દાવાઓ વચ્ચે પણ શહેરમાં આવી ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. સ્થાનિક રહીશો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે તંત્ર માત્ર કાગળ પર કામગીરી બતાવવાને બદલે રખડતા ઢોરના મુક્ત પરિભ્રમણ સામે કડક આયોજન કરી કાયદેસરના આકરાં પગલાં ભરે, જેથી નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મૂકાતા અટકે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/otkLrZKHcGM5asLQmmOMneUCrzRpaYLhOUy8oJYK.webp'/></item><item><title><![CDATA[Auto News: તહેવારો પહેલાં જ ખુલી ગયો ઑફર્સનો પિટારો; આ નવી કારની ખરીદી પર મળશે મહા ડિસ્કાઉન્ટ! ]]></title><link>https://sandesh.com/business/news/automobile/maruti-suzuki-september-2026-car-discount-offers</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/maruti-suzuki-september-2026-car-discount-offers</guid><pubDate>Mon, 07 Sep 2026 18:24:13 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય પેસેન્જર વ્હીકલ માર્કેટમાં તહેવારોની સિઝનની શરૂઆત સાથે જ જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક સરસ સમાચાર છે. મારુતિ સુઝુકી (Maruti Suzuki) એ સપ્ટેમ્બર 2026 માટે પોતાના આકર્ષક ડિસ્કાઉન્ટ ઑફર્સ જાહેર કરી દીધા છે. આ ઑફર્સ હેઠળ 'એરેના' (Arena) નેટવર્કના વિવિધ મોડલ્સ પર ગ્રાહકોને મોટો ફાયદો મળી રહ્યો છે. તમે કન્ઝ્યુમર ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ અને લોયલ્ટી અથવા અપગ્રેડ બેનિફિટ્સ દ્વારા મારુતિની કાર ખૂબ જ ઓછી કિંમતમાં ખરીદી શકો છો.</p><h2 style="text-align: justify; "><b>Victoris પર મળી રહ્યું છે સૌથી મોટું ડિસ્કાઉન્ટ</b></h2><p style="text-align: justify; ">સપ્ટેમ્બર મહિનાનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ મારુતિ સુઝુકી Victoris પર આપવામાં આવી રહ્યું છે. આ કારના પેટ્રોલ અને CNG બંને વર્ઝન પર ગ્રાહકોને મહત્તમ રૂ.85,000 સુધીના ફાયદા મળી રહ્યા છે. જ્યારે તેના Strong Hybrid વેરિઅન્ટ પર કંપની સૌથી મોટો એટલે કે રૂ.1.35 લાખ સુધીનો ધમાકેદાર ફાયદો આપી રહી છે, જે આ કારને અત્યંત આકર્ષક બનાવે છે.</p><h3 style="text-align: justify; "><b>Strong Hybrid માટેની ખાસ ઑફર્સ અને શરતો</b></h3><p style="text-align: justify; ">Victoris Strong Hybrid ના ઑફર માળખામાં રૂ.20,000 નું સીધું કન્ઝ્યુમર બેનિફિટ સામેલ છે. આ ઉપરાંત એક્સચેન્જ, લોયલ્ટી કે અપગ્રેડ અને સ્ક્રેપેજ સંબંધિત એડિશનલ ઈન્સેન્ટિવ્સ પણ ગ્રાહકોને આપવામાં આવી રહ્યા છે. જોકે, ગ્રાહક કઈ યોજનાઓ માટે પાત્ર છે તેના આધારે ડિસ્કાઉન્ટની આખરી રકમ નક્કી થશે. તહેવારોમાં જૂની કાર એક્સચેન્જ અથવા અપગ્રેડ કરવા ઈચ્છતા લોકો માટે આ ઑફર્સ હાઇબ્રિડ કારને એક અત્યંત સસ્તો અને સારો વિકલ્પ બનાવી દે છે.</p><h4 style="text-align: justify; "><b>WagonR પર પણ થઈ રહી છે શાનદાર બચત</b></h4><p style="text-align: justify; ">મારુતિ સુઝુકીની સૌથી વધુ વેચાતી કારોમાંથી એક એવી લોકપ્રિય WagonR પર પણ આ મહિને ભારે ડિસ્કાઉન્ટ ઓફર થઈ રહ્યું છે. WagonR ના પેટ્રોલ વેરિઅન્ટ પર ગ્રાહકોને રૂ.57,500 સુધીનો કુલ ફાયદો મળી રહ્યો છે, જેમાં પાત્ર વેરિઅન્ટ્સ પર રૂ.30,000 સુધીની કન્ઝ્યુમર ઑફર અને એક્સચેન્જ બોનસનો સમાવેશ થાય છે. બીજી તરફ, જો તમે WagonR CNG ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તેના પર પણ મહત્તમ રૂ.47,500 સુધીના વિવિધ લાભ આપવામાં આવી રહ્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/automobile" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/CLh1Sjb8ImfYHEvgOxEhnPJLpr0eXvLKVWlZDyoM.webp'/></item><item><title><![CDATA['Hanuman Ansh' એ બ્રહ્મચારીઓને પણ પહોંચાડી દીધા થિયેટર , જુઓ વાયરલ VIDEO ]]></title><link>https://sandesh.com/entertainment/news/hanuman-ansh-viral-video-gurukul-brahmacharis</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/hanuman-ansh-viral-video-gurukul-brahmacharis</guid><pubDate>Mon, 07 Sep 2026 13:54:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જ્યારે કોઈ ફિલ્મ પાસેથી શરૂઆતમાં બહુ ઓછી અપેક્ષાઓ હોય, પરંતુ તેની રિલીઝ પછી તેનું પ્રદર્શન અપેક્ષાઓ કરતા અનેકગણું વધી જાય, ત્યારે તે ફિલ્મ ખાસ બની જાય છે. નીમ કરોલી બાબાના જીવન અને તેમની પવિત્ર ઉપદેશો પર આધારિત ભક્તિમય ફિલ્મ 'હનુમાન અંશ' સાથે પણ હાલમાં કઈંક આવું જ જોવા મળી રહ્યું છે. દર્શકો તરફથી આ ફિલ્મને અભૂતપૂર્વ પ્રેમ અને સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થયો છે જેણે સૌનું વિશેષ ધ્યાન ખેંચ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>પરંપરાગત પોશાકમાં પહોંચ્યા બ્રહ્મચારીઓ</b></h2><p style="text-align: justify; ">આ વાયરલ વીડિયોમાં&nbsp; થિયેટરની અંદર અને બહાર ગુરુકુલના કેટલાક બ્રહ્મચારીઓ પરંપરાગત પોશાકમાં નજરે પડી રહ્યા છે. ગુરુકુળના આ યુવા વિદ્યાર્થીઓ એકસાથે થિયેટરમાં પહોંચ્યા હતા અને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક 'હનુમાન અંશ' ફિલ્મનું સ્ક્રીનિંગ નિહાળ્યું હતું. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ આ બ્રહ્મચારીઓની ઉપસ્થિતિએ સિનેમાઘરમાં ઉપસ્થિત અન્ય દર્શકોનું પણ ધ્યાન આકર્ષિત કર્યું હતું. ફિલ્મનો મુખ્ય વિષય મહાન આધ્યાત્મિક ગુરુ નીમ કરોલી બાબાની જીવનકથા હોવાને કારણે ગુરુકુલના વિદ્યાર્થીઓનું આ રીતે ફિલ્મ જોવા પહોંચવું એ એક અનોખો અને પ્રેરણાદાયી સંયોગ બન્યો છે.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/choga_don/status/2096529724243931474"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h3 style="text-align: justify; "><b>હનુમાન અંશે કરી કરોડોની કમાણી</b></h3><p style="text-align: justify; ">વિશાલ ચતુર્વેદી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં શોભિનવ સત્ય મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે, જ્યારે તેમની સાથે વિહાન શેડગે, ચંદન કે. આનંદ, પૂર્ણિમા તિવારી અને ગુલશન પાંડે જેવા કલાકારો પણ મહત્વના રોલમાં છે. ફિલ્મની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ ફિલ્મને રાજ્યમાં કરમુક્ત (Tax-Free) જાહેર કરી છે. સિનેમાઘરોમાં દર્શકોની ભીડ જામી રહી છે અને ગુરુકુલના વિદ્યાર્થીઓનો આ વીડિયો ઇન્ટરનેટ પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/delhi-building-collapse-manual-rescue-body-found" target="_blank">આ પણ વાંચોઃ Delhi Building Collapse: કાટમાળ માંથી વધુ એક મૃતદેહ મળ્યો, હવે JCBથી નહીં મેન્યુઅલી કાટમાળ હટાવાશે</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/XR1zL2uAIINEHpv6AkalgIT8kOxwlwtjySF4eB2V.webp'/></item></channel></rss>