<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[NEET Paper Leak:  જામીન મળ્યા બાદ તિહાર જેલ બહાર હાઈ-વોલ્ટેજ ડ્રામા, મીડિયાથી બચીને ભાગ્યા સ્વતંત્ર ભારદ્વાજ! ]]></title><link>https://sandesh.com/india/news/neet-paper-leak-swatantra-bhardwaj-released-tihar-jail-bail</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/neet-paper-leak-swatantra-bhardwaj-released-tihar-jail-bail</guid><pubDate>Fri, 18 Sep 2026 09:17:13 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કોકરોચ જનતા પાર્ટીના નેતા સ્વતંત્ર ભારદ્વાજને ત્રણ અઠવાડિયાના જામીન મળ્યા બાદ ગઈકાલે મોડી રાત્રે દિલ્હીની તિહાર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. જેલમાંથી બહાર આવતાની સાથે જ ભારે હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. સુરક્ષા કર્મચારીઓ અને સમર્થકો તેમને તાત્કાલિક એક કારમાં બેસાડીને ઝડપથી રવાના થઈ ગયા હતા, જેના કારણે તેઓ મીડિયા સમક્ષ આવી શક્યા ન હતા અને મીડિયાથી ભાગતા નજરે પડ્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>જામીનની કડક શરતો અને મીડિયા પ્રતિબંધ</b></h2><p style="text-align: justify; ">પટિયાલા હાઉસ કોર્ટના એડિશનલ સેશન્સ જજ સૌરભ પ્રતાપ સિંહ લાલરે ૧૫ સપ્ટેમ્બરના રોજ સ્વતંત્ર ભારદ્વાજને ₹૫૦,૦૦૦ ના વ્યક્તિગત બોન્ડ પર ૩ અઠવાડિયાના જામીન મંજૂર કર્યા હતા. આ જામીન આપતી વખતે કોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટના સ્પષ્ટ આદેશ મુજબ, ભારદ્વાજ કેસ સાથે સંકળાયેલા કોઈપણ સાક્ષી કે પીડિતનો સંપર્ક કરી શકશે નહીં. આ ઉપરાંત, કોર્ટે તેમને સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા કે ઇલેક્ટ્રોનિક મીડિયા પર આ વિવાદ સંબંધિત કોઈપણ પ્રકારનું નિવેદન આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. આ જ કાનૂની ગૂંચવણો અને કોર્ટની કડક શરતોના કારણે જેલમાંથી બહાર આવતાની સાથે જ તેમને મીડિયાના કેમેરાથી દૂર રાખવામાં આવ્યા હતા.</p><h3 style="text-align: justify; "><b>તિહાર જેલના ગેટ નંબર 3 બહાર હાઈ-વોલ્ટેજ ડ્રામા</b></h3><p style="text-align: justify; ">સ્વતંત્ર ભારદ્વાજને તિહાર જેલના ગેટ નંબર ૩ માંથી સુરક્ષાકર્મીઓ અને સમર્થકોના ચુસ્ત ઘેરા વચ્ચે બહાર લાવવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં મીડિયાકર્મીઓ તેમનું નિવેદન લેવા માટે હાજર હતા, પરંતુ સુરક્ષા અને કાનૂની મર્યાદાઓને કારણે તેમને મીડિયા સાથે વાત કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, તેઓ બહાર આવતા જ તેમને તાત્કાલિક સફેદ કારમાં બેસાડી દેવામાં આવ્યા હતા અને કાફલો ત્યાંથી રવાના થઈ ગયો હતો.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PTI_News/status/2100761654917276066"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h4 style="text-align: justify; "><b>શું છે સમગ્ર કેસ?</b></h4><p style="text-align: justify; ">દિલ્હીના જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા NEET પેપર લીક વિરુદ્ધ એક વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન દરમિયાન કેટલાક દલિત કાર્યકરો પર કથિત રીતે હુમલો કરવાનો અને જાતિવાદી ટિપ્પણી કરવાનો ગંભીર આરોપ લાગ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ દિલ્હી પોલીસે સ્વતંત્ર ભારદ્વાજ અને તેમના સહયોગીઓ વિરુદ્ધ SC/ST એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાંથી તેમની ધરપકડ કરીને તિહાર જેલમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાંથી હાલ તેમને મર્યાદિત સમય માટે જામીન મળ્યા છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/imd-weather-alert-heavy-rain-18-states-monsoon-update" target="_blank">આ પણ વાંચોઃ Weather Updates: દિલ્હી યુપી સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, લોકોને સાવચેત રહેવાની સલાહ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/L5NUtKefjhLQ6p2fNkWsEwDS9KRu7YhIMWDeHqIW.webp'/></item><item><title><![CDATA[Air Indiaના પાઇલટ સહિત 8 ક્રૂ મેમ્બરને 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા, 35 મિનિટ મોડા પહોંચતા કાર્યવાહી ]]></title><link>https://sandesh.com/india/news/8-crew-members-including-air-india-pilot-suspended-for-3-months-action-taken-for-arriving-35-minutes-late</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/8-crew-members-including-air-india-pilot-suspended-for-3-months-action-taken-for-arriving-35-minutes-late</guid><pubDate>Fri, 18 Sep 2026 08:55:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આ નિયમોમાં ક્રૂ મેમ્બરના પોસ્ટ-ફ્લાઇટ બ્રેથ એનાલાઇઝર ટેસ્ટનો પણ સમાવેશ થાય છે. હવે એ જ નિયમનું સમયસર પાલન ન કરવા બદલ Air India એક્સપ્રેસના 8 ક્રૂ મેમ્બરને ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરવામાં આવેલા કર્મચારીઓમાં ચાર પાઇલટ અને ચાર કેબિન ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે. આ સમગ્ર મામલો 2 ઓગસ્ટ 2026નો હોવાનું સામે આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>બે કલાકની અંદર પોસ્ટ-ફ્લાઇટ અલ્કોહોલ ટેસ્ટ કરાવવો જરૂરી</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, Air India એક્સપ્રેસની ફ્લાઇટ AX-192 દુબઈથી ઉડાન ભરીને સવારે 9:50 વાગ્યે અમૃતસરના શ્રી ગુરુ રામદાસ જી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી હતી. ડીજીસીએના નિયમો અનુસાર, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું સંચાલન કરનારા ભારતીય એરલાઇનના ક્રૂ મેમ્બરે ભારતમાં લેન્ડિંગ કર્યા બાદ બે કલાકની અંદર પોસ્ટ-ફ્લાઇટ અલ્કોહોલ ટેસ્ટ કરાવવો જરૂરી હોય છે.</p><p style="text-align: justify; ">પરંતુ આ ફ્લાઇટ સાથે જોડાયેલા આઠેય ક્રૂ મેમ્બર નિર્ધારિત સમયમર્યાદામાં ટેસ્ટ માટે પહોંચી શક્યા નહોતા. તેઓ ફ્લાઇટ લેન્ડ થયાના બે કલાક અને 35 મિનિટ બાદ બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ માટે પહોંચ્યા હતા. એટલે કે નિર્ધારિત બે કલાકની સમયમર્યાદા કરતાં 35 મિનિટનો વિલંબ થયો હતો.</p><p style="text-align: justify; ">ખાસ વાત એ છે કે, જ્યારે તમામ આઠ ક્રૂ મેમ્બરનો ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે તેમની તમામ રિપોર્ટ નેગેટિવ આવી હતી. એટલે કે ટેસ્ટમાં કોઈ પણ ક્રૂ મેમ્બર દ્વારા દારૂનું સેવન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું નહોતું. તેમ છતાં, નિર્ધારિત સમયમર્યાદાનું પાલન ન કરવા બદલ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી.</p><h2 style="text-align: justify; "><b>એક ક્રૂ મેમ્બરની તબિયત બગડી હતી</b></h2><p style="text-align: justify; ">સૂત્રોના જણાવ્યા અનુસાર, ફ્લાઇટ અમૃતસર એરપોર્ટ પર ઉતર્યા બાદ એક ક્રૂ મેમ્બરની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી. આ પરિસ્થિતિને કારણે ક્રૂ મેમ્બર્સે પોસ્ટ-અરાઇવલની જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરી અને ત્યારબાદ પોતાના નિર્ધારિત હોટેલ તરફ ગયા હતા.</p><p style="text-align: justify; ">બાદમાં તમામ ક્રૂ મેમ્બર બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ કરાવવા માટે ફરી એરપોર્ટ પર પરત ફર્યા હતા. જોકે, ત્યાં સુધીમાં ફ્લાઇટના લેન્ડિંગને બે કલાક અને 35 મિનિટનો સમય વીતી ગયો હતો. પરિણામે ડીજીસીએ દ્વારા નક્કી કરવામાં આવેલી બે કલાકની સમયમર્યાદાનું પાલન થઈ શક્યું નહોતું.</p><h2 style="text-align: justify; "><b>Air India એક્સપ્રેસે ડીજીસીએને જાણ કરી</b></h2><p style="text-align: justify; ">આ ઘટનાની જાણ Air India&nbsp; એક્સપ્રેસ દ્વારા ડીજીસીએને કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, નિયમો હેઠળ એરલાઇને આઠેય ક્રૂ મેમ્બરને તાત્કાલિક ડ્યૂટી પરથી હટાવી દીધા હતા અને ત્રણ મહિના માટે સસ્પેન્ડ કર્યા હતા.</p><p style="text-align: justify; ">આ કાર્યવાહીનો સામનો કરનારા કર્મચારીઓમાં ચાર પાઇલટ અને ચાર કેબિન ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે. હાલ આ આઠેય કર્મચારીઓની ઓળખ અથવા તેમની સાથે જોડાયેલી અન્ય વિગતો જાહેર કરવામાં આવી નથી.</p><p style="text-align: justify; ">આ સમગ્ર ઘટનામાં નોંધપાત્ર બાબત એ છે કે બ્રેથ એનાલાઇઝર ટેસ્ટના પરિણામો તમામ ક્રૂ મેમ્બર માટે નેગેટિવ આવ્યા હતા. તેમ છતાં, પોસ્ટ-ફ્લાઇટ ટેસ્ટ માટે નક્કી કરવામાં આવેલી સમયમર્યાદાનું પાલન ન થવાને કારણે નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/FFV4fgy61vFRPMJgOfyQa68FB4n0vHAsczX5fA4H.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: ગાંધીગ્રામનું ટર્મિનલ બદલાયું હવે સાબરમતીથી પ્રયાગરાજ ટ્રેન દોડશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/prayagraj-special-train-shifted-to-sabarmati-terminal</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/prayagraj-special-train-shifted-to-sabarmati-terminal</guid><pubDate>Fri, 18 Sep 2026 08:41:52 +05:30</pubDate><description><![CDATA[<p>તહેવારો દરમિયાન મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ગુજરાતમાંથી ઉત્તર ભારતના વિવિધ શહેરો તરફ જતી 18  સ્પેશિયલ ટ્રેનોની સેવા લંબાવવામાં આવી છે.કેટલીક ટ્રેનોની ટ્રીપ નવેમ્બર સુધી વધારવામાં આવી છે.જ્યારે કેટલીક ટ્રેનોની વધારાની ટ્રીપ પણ શરૂ કરવામાં આવશે.ગાંધીગ્રામ ખાતે પ્લેટફોર્મની મર્યાદાને કારણે 04112 ગાંધીગ્રામ-પ્રયાગરાજ સ્પેશિયલ હવે 04180 સાબરમતી-પ્રયાગરાજ સ્પેશિયલ તરીકે દોડશે.નવી સેવા 4 ઓક્ટોબરથી 29 નવેમ્બર સુધી રહેશે.</p><h2><b>ગાંધીગ્રામનું ટર્મિનલ બદલાયું</b></h2><p>04111 પ્રયાગરાજ-ગાંધીગ્રામ હવે 04179 પ્રયાગરાજ-સાબરમતી તરીકે 3 ઓક્ટોબરથી 28નવેમ્બર સુધી દોડશે.04179 પ્રયાગરાજથી સાંજે 4 વાગ્યે ઉપડી બીજા દિવસે બપોરે 3.40 વાગ્યે સાબરમતી પહોંચશે.જ્યારે 04180 સાબરમતીથી સાંજે 5.45 વાગ્યે ઉપડશે.ફતેહપુરથી મહેસાણા વચ્ચેના સમય અને સ્ટોપેજમાં ફેરફાર નહીં થાય.પ્લેટફોર્મની મર્યાદાને કારણે 01906 આસારવા-કાનપુર સેન્ટ્રલ સ્પેશિયલના ટુંડલા,ફિરોઝાબાદ અને ઈટાવા સ્ટેશનના સમયમાં ફેરફાર કરાયો છે.આ ફેરફાર 6 ઓક્ટોબરથી અમલમાં આવશે.ગુજરાત સાથે જોડાયેલી આ વિસ્તૃત સ્પેશિયલ ટ્રેનોનું બુકિંગ 19 સપ્ટેમ્બર 2026થી તમામ પીઆરએસ કાઉન્ટર તથા આઈઆરસીટીસી (IRCTC) વેબસાઈટ પર શરૂ થશે.</p><h2><b>આ પ્રમાણે સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે</b></h2><p>ઉધના-આગ્રા કેન્ટ સ્પેશિયલ (09078) 25 નવેમ્બર 2026 સુધી અને પરત આગ્રા કેન્ટ-ઉધના (09077) 24 નવેમ્બર સુધી દોડશે</p><p>ઉધના-પ્રયાગરાજ સ્પેશિયલ (04106) 30 નવેમ્બર સુધી અને પરત પ્રયાગરાજ-ઉધના (04105) 29 નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે</p><p>ઉધના-સુબેદારગંજ સ્પેશિયલ (04146)ની વધારાની ટ્રીપ 20 ઓક્ટોબરથી 27 નવેમ્બર સુધી દર મંગળવાર અને શુક્રવારે દોડશે</p><p>સુબેદારગંજ-ઉધના (04145) 19 ઓક્ટોબરથી 26 નવેમ્બર સુધી દર સોમવાર અને ગુરૂવારે દોડશે</p><p>વલસાડ-સુબેદારગંજ સ્પેશિયલ (04120) 29 નવેમ્બર સુધી અને પરત 04119 28 નવેમ્બર સુધી દોડશે</p><p>બીજી વલસાડ-સુબેદારગંજ સ્પેશિયલ (04178) ૨૫ નવેમ્બર સુધી અને પરત 04177 24 નવેમ્બર સુધી દોડશે</p><p>આસારવા-આગ્રા કેન્ટ સ્પેશિયલ (09097) 24 નવેમ્બર સુધી અને પરત 09098 23 નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે</p><p>જ્યારે આસારવા-કાનપુર સેન્ટ્રલ સ્પેશિયલ (01906) 1 ડિસેમ્બર સુધી અને પરત 01905 30 નવેમ્બર સુધી દોડશે</p><p>વેરાવળ-પ્રયાગરાજ સ્પેશિયલ (04174) 27 નવેમ્બર સુધી અને પરત પ્રયાગરાજ-વેરાવળ (04173) 26 નવેમ્બર સુધી દોડશે</p><p><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-live-news-politics-weather-breaking-updates-18-september-2026" target="_blank">આ પણ વાંચોઃ Gujarat Latest News Live: ગુજરાતમાં આજે વીજળીના કડાકા સાથે ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયુ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/23TSGOYXYPnccAXMGrA7WOGsXB7gieiQvPN8cLTu.webp'/></item><item><title><![CDATA[Sabarkantha News: મોડી રાત્રે ખેડબ્રહ્મા અને ઈડરમાં બે ઈંચથી વધુ વરસાદ ખાબક્યો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/himatnagar/khedbrahma-and-idar-receive-over-2-inches-of-rain-overnight</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/himatnagar/khedbrahma-and-idar-receive-over-2-inches-of-rain-overnight</guid><pubDate>Fri, 18 Sep 2026 08:22:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સાબરકાંઠા જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ આખરે મધ્યરાત્રિ પછી મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવતા સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.મોડી રાતથી શરૂ થયેલા આ ધોધમાર વરસાદને કારણે લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોના મુર્જાતા પાકોને નવજીવન મળ્યું છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોએ ભારે રાહત અનુભવી છે. ખેડબ્રહ્મા પંથકમાં બે ઇંચથી વધુ પાણી વરસ્યું છે.આ ઉપરાંત વડાલી, તલોદ અને ઈડર તાલુકાઓમાં પણ બે ઇંચ જેટલો સારો વરસાદ ખાબક્યો છે.જ્યારે વિજયનગર અને પોશીના તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ વરસાદના પગલે જિલ્લાના અનેક તળાવોમાં પાણીની નવી આવક થવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.</p><p style="text-align: justify; "><img alt="સાબર વરસાદ" src="https://epapercdn.sandesh.com/images/2026/09/18/b2u8strND038flS48BtQeaWqSrXsiDKvxlsudMMV.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>સાર્વત્રિક વરસાદથી ખેડૂતોના ચહેરા પર ખુશી</b></h2><p style="text-align: justify; ">વર્તમાન સમયમાં જિલ્લામાં મગફળી,કપાસ અને સોયાબીન જેવા મહત્વના ખરીફ પાકો માટે પાણીની તાતી જરૂરિયાત હતી.સમયાંતરે વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. આ મધ્યરાત્રિના સાર્વત્રિક વરસાદથી ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે,કારણ કે આ પાણી પાક માટે અત્યંત ગુણકારી સાબિત થશે. જોકે, કૃષિ નિષ્ણાતોના મતે હજુ પણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદની આવશ્યકતા છે,કેમ કે હજુ પણ ઘણી નદીઓ,તળાવો અને ચેકડેમોમાં પાણીની અછત વર્તાઈ રહી છે. એક તરફ વરસાદે ખેડૂતોને રાહત આપી છે તો બીજી તરફ વહીવટી તંત્ર અને નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલ્લી પડી ગઈ છે.&nbsp;</p><p style="text-align: justify; "><img alt="સાબરકાંઠા વરસાદ" src="https://epapercdn.sandesh.com/images/2026/09/18/z7fMJW7zd9qWVGcWPxBdlepdCQWmxNpxlAPBOho1.webp" style="width: 100%;"><br></p><h3 style="text-align: justify; "><b>ઈડર કોલેજ પાસે આવેલી હોસ્પિટલના આગળના ભાગમાં પાણી ભરાયા</b></h3><p style="text-align: justify; ">ઈડર પંથકમાં થોડા સમયના ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. ઈડરથી શાંતિપુરા, હસનપુરા, શેરપુર, લાલોડા તેમજ સિવિલ હોસ્પિટલ તરફ જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ઈડર કોલેજ પાસે આવેલી હોસ્પિટલના આગળના ભાગમાં પણ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા હતા.આ સ્થિતિના કારણે એમ્બ્યુલન્સ, સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ, વાહનચાલકો અને સામાન્ય રાહદારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. થોડા જ વરસાદમાં રસ્તાઓ બેટમાં ફેરવાઈ જતા સ્થાનિક ડ્રેનેજ અને ગટર વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ ઉપરાંત, ઈડર તરફથી આવતી ડેભોલ નદી તેમજ આસપાસના પહાડો પરથી વહેતા પાણીના પ્રવાહોમાં નવા નીર આવ્યા છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી.</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/ahmedabad-news-heavy-rain-with-thunderstorms-hits" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: શહેરના આ વિસ્તારોમાં વહેલી સવારથી કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/Kp2SfFx93qHLJeCxN0vSaRHMwAaRZYlpKF6wEF1E.webp'/></item><item><title><![CDATA[Salanpur: શ્રી કષ્ટભંજન દેવ મંદિરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે દિવ્ય શણગાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/botad/salanpur-shri-kashtabhanjan-dev-temple-decorated-with-divine-decorations-on-the-birthday-of-prime-minister-narendra-modi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/botad/salanpur-shri-kashtabhanjan-dev-temple-decorated-with-divine-decorations-on-the-birthday-of-prime-minister-narendra-modi</guid><pubDate>Fri, 18 Sep 2026 04:02:21 +05:30</pubDate><description><![CDATA[<p>સાળંગપુર : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે દાદાને ગુલાબી અને સફેદ રંગના કમળ ફૂલની ડિઝાઇન વાળા આકર્ષક વાઘા અને ભવ્ય શણગાર ધરાવાયો હતો. દાદાના ગર્ભગૃહમાં અયોધ્યાનું શ્રી રામ મંદિર, સોમનાથ મંદિર, પાવાગઢ મંદિર, કેદારનાથ મંદિર તેમજ કાશી વિશ્વનાથ મંદિરના પ્રતિકો સાથે રાષ્ટ્રની પ્રગતિ અને સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી સાથે સુશોભન કરવામાં આવ્યું હતું. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. મહત્વનું છે કે આજના આ શુભદિન નિમિત્તે સેવા, સંકલ્પ અને સમર્પણના ભાવ સાથે ભવ્ય આશીર્વાદનો દીવડો અને શ્રમદાન કાર્યક્રમનું સમયઃ સાંજે 5:00 કલાકે આયોજન સાળંગપુર ખાતે કરવામાં આવ્યું હતું. 11,111 દીવડાઓ પ્રગટાવીને ભવ્ય સમૂહ સંધ્યા આરતી કરવામાં આવી હતી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/IBcWRpNhETiKX3WcmrVe2FFsIZt7HAPCGoyxLIMb.webp'/></item><item><title><![CDATA[Surat : ઓલપાડ ગ્રૂપ કો. કોટન મંડળીની નવી ઓફિસનું લોકાર્પણ કરાયું ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-olpad-group-co-cotton-mandalis-new-office-inaugurated</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-olpad-group-co-cotton-mandalis-new-office-inaugurated</guid><pubDate>Fri, 18 Sep 2026 02:59:34 +05:30</pubDate><description><![CDATA[<p>સાંધીએર : દેશની આઝાદી પૂર્વે સ્થપાયેલી ઓલપાડ જીન કેમ્પસની ધી ઓલપાડ ગ્રૂપ કો.ઓ.કોટન સેલ સોસાયટીની રૂ.15 લાખના ખર્ચે નવનિર્મિત ઓફિસનું લોકાર્પણ ઓલપાડ ધારાસભ્ય મુકેશભાઈ પટેલના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે મંડળીના પ્રમુખ મનહરભાઈ કે. પટેલે જણાવ્યું હતું કે, આ મંડળીની સ્થાપના તા.17-09-1934માં કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે નવી ઓફિસનું લોકાર્પણ કરાયું છે. આ પ્રસંગે મંડળીની મહિલા ડિરેક્ટરો પૈકી દિવ્યાબેન અને ભાવનાબેન, ઈકફે કંપનીના ફ્લ્ડિ ઓફિસર દર્શન કોરાટ, ક્રિભકો કંપનીના જતિન હિરપરા, સુરત એપીએમસના ચેરમેન અંકુર પટેલ, તળાદ કોટનના પ્રમુખ અરવિંદ પટેલ, સોંદલાખારા દૂધ મંડળીના પ્રમુખ વસંત પટેલ, તુવેર ભોયસિંગ મંડળીના પ્રમુખ મનહર પટેલ, સાયણ સુગરના ડિરેક્ટર યોગેશ પટેલ, અન્ય સહકારી અગ્રણીઓ અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે સભાસદો અને અગ્રણીઓને માટીના દીવડાઓ ઘરે પ્રગટાવવા માટે ભેટમાં આપ્યા હતા.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/xLdZ1bN3JJJjkuxZ1h6qXJGpd54sghpBGGJfnLy2.webp'/></item><item><title><![CDATA[Surat : માંગરોળમાં જૈનો દ્વારા પર્યુષણ પર્વની ઉજવણી, વ્યારામાં શોભાયાત્રા નીકળી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-jains-celebrate-paryushan-festival-in-mangrol-procession-takes-out-in-vyara</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-jains-celebrate-paryushan-festival-in-mangrol-procession-takes-out-in-vyara</guid><pubDate>Fri, 18 Sep 2026 02:57:41 +05:30</pubDate><description><![CDATA[<p>માંગરોળ અને વ્યારામાં પર્યુષણ પર્વની ભવ્ય ઉજવણી કરાઈ હતી. માંગરોળ તાલુકા મથકે આવેલા જિનાલયમાં જૈન સંઘ દ્વારા પવિત્ર પર્યુષણ મહાપર્વ તેમજ સંવત્સરીની ખૂબ જ ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આકર્ષક રંગોળીઓ સાથે સમગ્ર જિનાલય પરીસરને સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું. પર્વના પાંચમા દિવસે દેરાસરમાં ભગવાન મહાવીર સ્વામીનો જન્મોત્સવ અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો. તપ અને ત્યાગના આ મહાપર્વ નિમિત્તે માંગરોળ સંઘના ત્રણ આરાધકોએ આઠ દિવસના કઠોર ઉપવાસ કરીને અઠ્ઠાઇ તપની આરાધના સંપન્ન કરી હતી, સંવત્સરીના દિવસે જિનાલય ખાતે ભાઇઓ અને બહેનોએ મોટી સંખ્યામાં એકત્ર થઇને સમૂહ પ્રતિક્રમણ કર્યુ હતું. આખા વર્ષ દરમિયાન જાણે-અજાણે મન, વચન કે કાયાથી થયેલી કોઇપણ ભૂલો કે અપરાધો માટે સૌએ પરસ્પર હૃદયપૂર્વક ક્ષમા માંગીને મિચ્છામિ દુક્કડમ પાઠવ્યા હતા. વ્યારા ખાતે જૈન સમાજ દ્વારા પર્યુષણ પર્વ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રા જૈનવાડીથી નીકળી કબૂતરખાના, મેઇન બજાર, જૂના બસસ્ટેન્ડ, બેંક રોડ અને બહુચરાજી મંદિર થઇ કોર્ટ વિસ્તારમાં આવેલા જિનાલય ખાતે પહોંચી હતી. જૈન સમાજના અગ્રણીઓ અને ભક્તોની મોટી ઉપસ્થિતિ વચ્ચે આ શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/LdHY9l4QbsweLxLstou0Yvszr6QNpjaENry9DKHh.webp'/></item><item><title><![CDATA[India Russia Oil Trade: અમેરિકાના નવા રશિયા પ્રતિબંધ બિલથી ભડક્યું ક્રેમલિન, યુક્રેન શાંતિ વાર્તા પર ખતરો ]]></title><link>https://sandesh.com/world/news/business/india-russia-oil-trade-kremlin-angered-by-americas-new-russia-sanctions-bill-threat-to-ukraine-peace-talks</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/business/india-russia-oil-trade-kremlin-angered-by-americas-new-russia-sanctions-bill-threat-to-ukraine-peace-talks</guid><pubDate>Thu, 17 Sep 2026 20:24:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ક્રેમલિનએ તેને અમૈત્રીપૂર્ણ પગલું ગણાવ્યું અને યુક્રેન શાંતિ વાટાઘાટો પર અસર થવાની ચેતવણી આપી હતી.&nbsp;</p><h2 style="text-align: justify; ">અમૈત્રીપૂર્ણ પગલું&nbsp;</h2><p style="text-align: justify; ">ક્રેમલિને યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના રશિયા પર મોટા પ્રતિબંધો લાદવાના બિલને એક અમૈત્રીપૂર્ણ પગલું ગણાવ્યું અને ચેતવણી આપી કે વધુ યુએસ પ્રતિબંધો યુક્રેનમાં શાંતિ કરાર સુધી પહોંચવાના પ્રયાસોને જટિલ બનાવી શકે છે. આ નિવેદનો ગૃહ દ્વારા લિન્ડસે ઓ. ગ્રેહામ દ્વારા 262-159 મતોથી રશિયા અને ઈરાન પર પ્રતિબંધ લગાવતા કાયદા 2026ને પસાર કર્યાના એક દિવસ પછી આવ્યા હતા.&nbsp;</p><h3 style="text-align: justify; ">શાંતિ કરાર પર શુ અસર ?&nbsp;</h3><p style="text-align: justify; ">પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે પત્રકારોને જણાવ્યું હતું કે રશિયા કાયદાકીય પ્રક્રિયા પર નજર રાખી રહ્યું છે, અમે ચોક્કસપણે આ દસ્તાવેજની પ્રગતિ પર નજર રાખી રહ્યા છીએ. આ બિનમૈત્રીપૂર્ણ કાર્યવાહીની શ્રેણીમાં આવે છે, અને યુએસ દ્વારા વધુ પ્રતિબંધો નિઃશંકપણે યુક્રેનમાં શાંતિ કરાર સુધી પહોંચવાના પ્રયાસોને જટિલ બનાવશે. આ પગલું હવે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે જશે અને વહીવટને રશિયા પર પ્રતિબંધો અને રશિયન તેલ અથવા કુદરતી ગેસના ટોચના પાંચ ખરીદદારો પર 100 ટકા સુધીના ટેરિફ લાદવાનો અધિકાર આપશે.&nbsp;</p><h4 style="text-align: justify; ">યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાના અમેરિકાના પ્રયાસોને ફટકો</h4><p style="text-align: justify; ">યુક્રેનમાં સાડા ચાર વર્ષના યુદ્ધને સમાપ્ત કરવાના અમેરિકાના મધ્યસ્થી પ્રયાસો મહિનાઓથી અટકી ગયા હતા, પરંતુ ટ્રમ્પે આ પ્રક્રિયા ફરી શરૂ કરવાના પ્રયાસમાં આ મહિનાની શરૂઆતમાં મોસ્કો અને કિવમાં બે રાજદૂતો મોકલ્યા હતા. આ કાયદાને યુએસ હાઉસમાં ડેમોક્રેટિક પાર્ટી તરફથી દ્વિપક્ષીય સમર્થન અને ટીકા બંને મળી છે. સમર્થકોએ કહ્યું કે ટેરિફ જોગવાઈનો હેતુ દેશોને રશિયન ઊર્જા ખરીદવાથી રોકવાનો હતો, જ્યારે ટીકાકારોએ ચેતવણી આપી હતી કે આ પગલું યુએસ સાથીઓને પણ અસર કરી શકે છે અને અમેરિકન ગ્રાહકો માટે કિંમતો વધારી શકે છે.</p><h5 style="text-align: justify; ">પ્રતિબંધો લાદવાના અમેરિકાના પગલાથી તણાવ વધશે</h5><p style="text-align: justify; ">લોકશાહી વિરોધ આ કાયદા દ્વારા ટ્રમ્પને મળતી શક્તિ અંગે ચિંતિત હતો. પ્રતિનિધિ ડોન બેયરે કહ્યું કે જો ટ્રમ્પે યુએસ સાથીઓ સામે નવી સત્તાનો ઉપયોગ કર્યો, તો સમર્થકો આ પગલાનો અફસોસ કરી શકે છે. દરમિયાન, બિલ લખવામાં મદદ કરનાર ડેમોક્રેટિક સેનેટર રિચાર્ડ બ્લુમેન્થલે કહ્યું કે તેમને આશા છે કે પ્રતિબંધો રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને વાટાઘાટો કરવા દબાણ કરશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/lifestyle/news/health-fitness/cancer-physiotherapy-physiotherapy-is-like-sanjeevani-for-cancer-patients-this-is-how-you-will-get-relief-from-fatigue-pain-and-weakness" target="_blank">કેન્સરના દર્દીઓ માટે સંજીવની સમાન ફિઝિયોથેરાપી, થાક, દુખાવો અને નબળાઈથી આ રીતે મળશે મુક્તિ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/NswpkJAtDnYCIkNJJQaC37NU9latxdV3Cf3GEBIe.webp'/></item><item><title><![CDATA[દિશા સાલિયન મામલે સવાલ પૂછતા રિયાએ ચાલતી પકડી! જીમ બહાર જોવા મળી અભિનેત્રી ]]></title><link>https://sandesh.com/entertainment/news/rhea-chakraborty-walked-away-when-asked-about-the-disha-salian-case-</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/rhea-chakraborty-walked-away-when-asked-about-the-disha-salian-case-</guid><pubDate>Thu, 17 Sep 2026 19:09:28 +05:30</pubDate><description><![CDATA[<p>બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયનના મૃત્યુના કેસે ફરી એકવાર વેગ પકડ્યો છે, કારણ કે CBI આ મામલામાં ફરી સક્રિય થઈ છે. બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ CBIએ દિશા સાલિયન કેસ અંગે FIR નોંધી છે. આ મામલામાં સંડોવાયેલા લોકોની યાદીમાં બોલિવૂડની હસ્તીઓથી લઈને રાજકીય વર્તુળો સુધીના લોકોનો સમાવેશ થાય છે, જેમાં રિયા ચક્રવર્તીનું નામ પણ સામેલ છે. આ દરમિયાન દિશા કેસ વિશે પૂછવામાં આવતા રિયાએ મૌન જાળવી રાખ્યું છે.</p><p><br></p><p>તાજેતરમાં રિયા ચક્રવર્તી મુંબઈમાં એક જિમની બહાર જોવા મળી હતી. જ્યારે મીડિયાએ તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે વાતચીત ટાળતી જણાઈ હતી. એક વીડિયોમાં એક રિપોર્ટર તેની પાછળ દોડીને દિશા સાલિયન કેસ વિશે પ્રશ્નો પૂછતા જોવા મળે છે; જોકે, તેણે આ બાબતે કોઈ પણ ટિપ્પણી કર્યા વિના પોતાની કારમાં બેસીને ત્યાંથી નીકળી જવાનું પસંદ કર્યું. તે સ્પષ્ટ છે કે અભિનેત્રીએ આ મુદ્દે મૌન રહેવાનું નક્કી કર્યું છે.</p><p><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DdYGrJyJQ-u/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DdYGrJyJQ-u/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a></p><p><b style="font-size: 1.5rem;"><br></b></p><p><b style="font-size: 1.5rem;">રિયા અને અન્ય લોકો વિરુદ્ધ CBI દ્વારા FIR નોંધાઈ</b></p><p>બોમ્બે હાઈકોર્ટના આદેશના પાલનમાં, CBIએ દિશા સાલિયન કેસમાં રિયા ચક્રવર્તી, ડીનો મોરિયા, સૂરજ પંચોલી, આદિત્ય ઠાકરે, રોહન રોય, આદિત્ય ઠાકરેના અંગરક્ષકો, શોવિક ચક્રવર્તી, સચિન વાઝે, DCP વિશાલ ઠાકુર, ઉદ્ધવ ઠાકરે, પરમબીર સિંહ, અનિલ દેશમુખ અને અન્ય સહિત અનેક વ્યક્તિઓ વિરુદ્ધ FIR નોંધી છે.</p><p><b style="font-size: 1.5rem;">ગેંગ-રેપ અને હત્યાના આરોપો: દિશા સાલિયનના વકીલ</b></p><p>દિશા સાલિયનના વકીલ નીલેશ ઓઝાએ જણાવ્યું હતું કે આદિત્ય ઠાકરે અને અન્ય લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે, જેમાં ગેંગ-રેપ અને હત્યાના આરોપો મૂકવામાં આવ્યા છે. વકીલનો દાવો છે કે તેમની પાસે સચિન વાઝે દ્વારા કરવામાં આવેલી 'એક્સ્ટ્રા-જ્યુડિશિયલ કબૂલાત' (ન્યાયાલયની બહાર કરેલી કબૂલાત) ઉપલબ્ધ છે. તેઓ વધુમાં દાવો કરે છે કે NCB પાસે પુરાવા હોવા છતાં, NCB અધિકારી સંજય સિંહ છેલ્લા છ વર્ષથી આ વ્યક્તિઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં નિષ્ફળ રહ્યા છે.</p><p><br></p><p>ઉલ્લેખનીય છે કે બોમ્બે હાઈકોર્ટે CBIને દિશા સાલિયન કેસની નવી તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે તપાસની દેખરેખ માટે CBIના એક વરિષ્ઠ અધિકારીની નિમણૂક કરવામાં આવે.<br><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/entertainment/disha-salian-father-satish-salian-defamation-notice-aaditya-thackeray-matoshree-500-crore" target="_blank"><b>Disha Salian કેસમાં નવો વળાંક! પિતા સતીશ જશે માતોશ્રી, આદિત્ય ઠાકરેને આપશે 500 કરોડની નોટિસ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/5VyHEUsxM2q4mZ97LWnkMFF7ReDjGB4LKtjt3jYq.webp'/></item><item><title><![CDATA[Asian Games 2026: જાપાનમાં ભારતીય ખેલાડીઓની હાલાકી, ખાવા-પીવા માટે પણ ભટકવું પડ્યું! ]]></title><link>https://sandesh.com/sports/news/asian-games-2026-indian-players-in-japan-face-hardship-had-to-wander-even-for-food-and-drink</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/asian-games-2026-indian-players-in-japan-face-hardship-had-to-wander-even-for-food-and-drink</guid><pubDate>Thu, 17 Sep 2026 18:26:28 +05:30</pubDate><description><![CDATA[<p>હાલમાં ભારતીય ખેલાડીઓ એશિયન ટીમ 2026 રમવા માટે જાપાન પહોંચી છે. જ્યાં ખેલાડીઓને રહેવા, ખાવા-પીવા સહિતની અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોવાનું સામે આવ્યું છે. માત્ર ભારત જ નહીં, પરંતુ અન્ય દેશોના ખેલાડીઓ પણ પોતાના રૂમની ફાળવણી માટે કલાકો સુધી રાહ જોતા જોવા મળ્યા હતા.</p><h2><b>પાણી અને ભીજન માટે ભારે અવ્યવસ્થા&nbsp;</b></h2><p>મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય શૂટિંગ ટીમ સવારે લગભગ 9 વાગ્યે જાપાની શહેર આઈચી-નાગોયા પહોંચી હતી. જો કે, ખેલાડીઓને રહેવા માટેની વ્યવસ્થા મળતા રાત્રિના લગભગ 2 વાગી ગયા હતા. આ દરમિયાન ખેલાડીઓએ વેરિફિકેશન સેન્ટર પર લાંબો સમય રાહ જોવી પડી હતી. ખાસ વાત એ હતી કે આ સમગ્ર સમયગાળા દરમિયાન તેમને પીવા માટે પાણી કે ખાવા માટે ભોજન પણ ઉપલબ્ધ થયું નહોતું. સમસ્યા અહીં પૂરી થઈ નહોતી. એક હોટેલમાં રૂમની સંખ્યા ઓછી પડતાં ભારતીય શૂટિંગ ટીમના સભ્યોને બે અલગ-અલગ હોટેલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેના કારણે ટીમના ખેલાડીઓ એકબીજાથી અલગ થઈ ગયા હતા. બીજી તરફ, સોશિયલ મીડિયા પર સામે આવેલા કેટલાક વીડિયોમાં વિવિધ દેશોના ખેલાડીઓ લાંબા સમય સુધી રાહ જોતા તેમજ જમીન પર આરામ કરતા જોવા મળ્યા છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/TheKhelIndia/status/2100434449104343192"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>અલગ-અલગ હોટેલોમાં વિભાજન</b></h2><p>એશિયન ગેમ્સના ઇતિહાસમાં આ પહેલીવાર છે કે, જ્યારે ખેલાડીઓ માટે અલગથી ડેડિકેટેડ ગેમ્સ વિલેજ તૈયાર કરવામાં આવ્યું નથી. ખર્ચ ઘટાડવાના હેતુથી એશિયન ગેમ્સની ઓર્ગેનાઇઝિંગ કમિટીએ આ પ્રકારની વ્યવસ્થા પસંદ કરી હોવાનું જણાવવામાં આવ્યું છે. ગેમ્સ વિલેજ ન હોવાને કારણે ખેલાડીઓ માટે હોટેલ્સ ઉપરાંત ક્રૂઝ શિપ અને શિપિંગ કન્ટેનર જેવી અસ્થાયી લાકડાની કોટેજમાં પણ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/arunpudur/status/2100556168016109725"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>શૂટિંગમાં ભારતનો શાનદાર ઇતિહાસ</b></h2><p>શૂટિંગ ભારત માટે એશિયન ગેમ્સમાં મેડલ જીતવાની દૃષ્ટિએ મહત્વપૂર્ણ રમત રહી છે. અત્યાર સુધી એશિયન ગેમ્સના ઇતિહાસમાં ભારતીય શૂટર્સે દેશને કુલ 80 મેડલ અપાવ્યા છે. વર્ષ 2023માં હાંગઝોઉ ખાતે યોજાયેલી એશિયન ગેમ્સમાં પણ ભારતીય શૂટિંગ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું, અને કુલ 22 મેડલ જીત્યા હતા.</p><h2><b>ભારતની મજબૂત ટીમ</b></h2><p>આ વખતે જાપાનમાં ભારત તરફથી 30 સભ્યોની મજબૂત શૂટિંગ ટીમ ભાગ લઈ રહી છે. આ ટીમમાં પેરિસ ઓલિમ્પિકની સ્ટાર શૂટર મનુ ભાકર સહિત અનેક અનુભવી અને જાણીતા ખેલાડીઓનો સમાવેશ થાય છે. શરૂઆતમાં સામે આવેલી આ મુશ્કેલીઓ પાછળ છોડીને ભારતીય ખેલાડીઓ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરે અને દેશ માટે મેડલ જીતે તેવી આશા છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/JpnXkNSZZRE9tsbeRjnLi9E8fqaAptsHGVSYvDKv.webp'/></item></channel></rss>