<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Surat: કીમના પૂરગ્રસ્ત આશિયાના નગરમાં સરપંચ દ્વારા ફૂડ પેકેટોનું વિતરણ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-sarpanch-distributes-food-packets-in-flood-hit-aashiyana-town-of-keem-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-sarpanch-distributes-food-packets-in-flood-hit-aashiyana-town-of-keem-1</guid><pubDate>Thu, 06 Aug 2026 04:45:19 +05:30</pubDate><description><![CDATA[<p>કીમના અલગ અલગ વિસ્તારોમાં કીમ નદીના પૂરના પાણી ફરી વળ્યા હતા. કીમ પૂર્વ વિભાગમાં આવેલા આશિયાના નગરમાં કમર સુધીના પાણી ભરાઇ જતા ઘરવખરી સહિત તમામ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પાણીમાં પલળી ગઇ હતી. કીમના સરપંચ પ્રવીણ પટેલે પોતાની ટીમ સાથે આશિયાના નગરમાં ટ્રેક્ટરમાં ફરીને લોકોને ફૂડ પેકેટ અને પીવાનાં પાણીનું વિતરણ કર્યુ હતું તેમજ અસરગ્રસ્તોને ઝડપથી સરકારી સહાય મળે તે માટે તેમના ફોર્મ ભર્યા હતા. અસરગ્રસ્ત લોકોને એકાદ બે દિવસમાં કેશડોલ, સરકારી ઘરવખરીની સહાય મળી જાય તેવી આશા છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/06/vhVM8d7C68QQPDL6Z78sCP7UJ7QEEid5SQ7zBk3o.webp'/></item><item><title><![CDATA[Vyara: ઉચ્છલના માણેકપુરની સીમમાં ટ્રાવેલ્સની બસ પલટી ગઈ : મુસાફરોને ઈજા થઈ, ચાલક ફરાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vyara/vyara-travels-bus-overturns-on-the-outskirts-of-manekpur-uchchal-passengers-injured-driver-absconding-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vyara/vyara-travels-bus-overturns-on-the-outskirts-of-manekpur-uchchal-passengers-injured-driver-absconding-1</guid><pubDate>Thu, 06 Aug 2026 04:44:19 +05:30</pubDate><description><![CDATA[<p>ઉચ્છલના માણેકપુર ગામની સીમમાં આજરોજ વહેલી સવારે ટ્રાવેલ્સ બસના ચાલકે કાબુ ગુમાવતા ટ્રાવેલ્સ રોડની નીચે ઉતરી જઇને પલટી જતા મુસાફરોની ચિચયારીથી રોડ ગુંજી ઉઠયો હતો, સદ્નસીબે મુસાફરોનો વત્તી-ઓછી ઇજા સાથે ચમત્કારીક બચાવ થયો હતો.</p><p>નિઝર-ઉચ્છલ રોડ ઉપરથી પાસર થતી અશોક લેલેન્ડ કંપનીની શર્મા ટ્રાવેલ્સ બસ નં.એમ.પી.10.પીચ.6688 ના ચાલકે ગફલતભરી રીતે હંકારતા ઉચ્છલના માણેકપુર ગામની સીમમાં બસ રોડની નીચે ઉતરી ગયા બાદ પલટી ગઇ હતી. બસ અકસ્માતમાં અજયભાઇ છોટાનવલસિંહ ચૌહાણ(હાલ રહે.નાનપુરા સુરત મુળ રહે.ગુજ્જરખેડી, તા.પુનાશા, જિ.ખંડવા-મધ્યપ્રદેશ)ને ડાબા હાથના ખભા પાસે ફ્રેકચર તથા તેમના સબંધી રાહુલભાઇ નવલસિંહ ચૌહાણને જમણા હાથની કોણી પાસે ઇજા તથા અન્ય મુસાફરોને નાની-મોટી ઇજાઓ થઇ હતી. અકસ્માત કરી બસચાલક સ્થળ ઉપરથી ભાગી ગયો હતો, ઇજાગ્રસ્તે ઉચ્છલ પોલીસ મથકે બસચાલક સામે ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/06/CCTO1dgVhjYQrTRg7DuUr5byrywXwVOrLweP0Gxi.webp'/></item><item><title><![CDATA[Surat: વરસાદમાં ધોવાણ : માંગરોળના આંકડોદ ગામમાં ઉકાઇ જમણા કાંઠા મુખ્ય કેનાલમાં 50 ફૂટનું ગાબડું ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-erosion-in-rain-50-feet-gap-in-the-main-canal-on-the-right-bank-of-ukai-in-ankad-village-of-mangrol-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-erosion-in-rain-50-feet-gap-in-the-main-canal-on-the-right-bank-of-ukai-in-ankad-village-of-mangrol-1</guid><pubDate>Thu, 06 Aug 2026 04:43:29 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કીમ નદીમાં આવેલા ઘોડાપૂરે માંગરોળ તાલુકાનાં ગામડાંઓમાં વિનાશ વેર્યો હતો. 50થી વધુ ગામડાંઓમાં કીમ નદીના પૂરના પાણી ફરી વળ્યા હતા. આ પૂરના પાણીના ધસમસતા પ્રવાહે માંગરોળ તાલુકાના આંકડોદ ગામની સીમમાંથી પસાર થતી ઉકાઇ જમણા કાંઠા મુખ્ય કેનાલનું ધોવાણ થતાં ગાબડું પડયું છે. વરસાદના પગલે તડકેશ્વરથી ઇલાવ સુધી 40થી વધુ ગામડાઓના ખેડૂતોને સિંચાઇનું પાણી પહોંચાડતી આ મુખ્ય કેનાલ ઓવર ટેપિંગ થઇ હતી અને પાણીનાં ભારે પ્રવાહથી 50 ફૂટ જેટલું ભંગાણ પડયું છે. જેના પગલે કેનાલનું પાણી છલકાઇને આજુબાજુનાં ખેતરોમાં ઘૂસી ગયું હતું. આજે માર્ગ અને મકાન વિભાગે કેનાલ સુધી પહોંચવા માટે પહેલા રસ્તાની મરામત કરાવી હતી. આજે સિંચાઇ વિભાગના મુખ્ય અધિકારી મેહુલ બોઘરા પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સિચાઇ વિભાગની ટીમે યુદ્ધના ધોરણે ભંગાણનું સમારકામ શરૂ કર્યુ હતું. આ કામગીરી બેથી ત્રણ દિવસમાં પૂરી કરી દેવાશે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/06/FU02fJTWCUk0FJNBV9evbC80hVbpB9DzyM0LxTMY.webp'/></item><item><title><![CDATA[Surat: ખોલવડનો ચોરી-લૂંટનો રીઢો ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-a-thief-and-robber-from-kholvad-was-caught-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-a-thief-and-robber-from-kholvad-was-caught-1</guid><pubDate>Thu, 06 Aug 2026 04:42:46 +05:30</pubDate><description><![CDATA[<p>કીમ, પલસાણા : એસઓજી પોલીસે કડોદરા સ્થિત અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે પરથી રાકેશ ઉર્ફે ગોરખો રાજેશ રાઠોડ (રહે.કામરેજના ખોલવડ ની આર.કે.કોલોની)ને ઝડપ પાડી કડોદરામાં નોંધાયેલા મોબાઇલ સ્નેચિંગના ચાર ગુનાનો ભેદ ઉકેલાયો છે. આ પૂર્વે પણ તેની સામે મહુવા, કામરેજ, કોસંબા અને કડોદરા પોલીસ સ્ટેશનમાં ચોરી, મોબાઇલ સ્નેચિંગ તેમજ લૂંટ જેવા ગંભીર પ્રકારના સાત જેટલા ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/06/2ky6Pm9413pqZQnK2hL8q36ZxghChGXAScOegiRp.webp'/></item><item><title><![CDATA[Bardoli: બારડોલી પાલિકાની સામાન્ય સભામાં પ્રમુખ, સભ્યો મોડા આવતા વિપક્ષે હોબાળો મચાવ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bardoli/bardoli-opposition-creates-ruckus-as-president-members-arrive-late-in-bardoli-municipality-general-meeting-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bardoli/bardoli-opposition-creates-ruckus-as-president-members-arrive-late-in-bardoli-municipality-general-meeting-1</guid><pubDate>Thu, 06 Aug 2026 04:40:51 +05:30</pubDate><description><![CDATA[<p>બારડોલી નગરપાલિકાની આજે બપોર બાદ બોલાવવામાં આવેલી સામાન્ય સભામાં ભારે હોબાળો મચ્યો હતો . 4:30 વાગ્યે નક્કી કરેલા સમય કરતાં પ્રમુખ સહિતના સભ્યો દસ મિનિટ મોડા આવતા વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. વિરોધ પક્ષે મોડા આવેલા સત્તાધીશો સામે ફેસબુક લાઈવ કરીને જાહેરમાં પોતાનો રોષ ઠાલવ્યો હતો. વિપક્ષના આકરા મિજાજ અને સતત વિરોધ વચ્ચે શાસકોએ એજન્ડા પર કોઈ પણ પ્રકારની ચર્ચા કર્યા વિના માત્ર પાંચ જ મિનિટમાં સભાને પૂર્ણ જાહેર કરી દેતા વિવાદ વધુ વકર્યો હતો.</p><p>બારડોલી પાલિકાની આ સામાન્ય સભામાં સત્તાધારી ભાજપના પ્રમુખ અને સભ્યો તેમજ પાલિકા ચીફ્ ઓફ્સિરે વિરોધ પક્ષના સભ્યોએ પૂછેલા કોઈ પણ મુદ્દા પર ચર્ચા કર્યા વિના ઉતાવળમાં સભા સમેટી લેતા ગુસ્સે ભરાયેલા વિપક્ષના સભ્યોએ પાલિકા કચેરીમાં જ ધરણાં શરૂ કરી દીધા હતા. વિપક્ષે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે લોકશાહી પ્રક્રિયાને નેવે મૂકીને લેવાયેલા આ નિર્ણયનો તેઓ સખત વિરોધ કરે છે અને જ્યાં સુધી સામાન્ય સભા ફરીથી બોલાવવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ પોતાનું ધરણાં પ્રદર્શન ચાલુ જ રાખશે. આ તમામ ધમાલ અને વિરોધ વચ્ચે, પાલિકા પ્રમુખ નીલમ વ્યાસના અધ્યક્ષ સ્થાને મળેલા આ પાંચ મિનિટની સભામાં શહેરના વિકાસના કેટલાક મહત્વના પ્રોજેક્ટને શાસકો દ્વારા બહાલી આપી દેવામાં આવી હતી.</p><p>પાલિકાની આ સામાન્ય સભામાં સૌથી મોટો નિર્ણય એફોર્ડેબલ હાઉસિંગ અંગેનો હતો. તલાવડી, નૂરનગર, શેઠ ફ્ળિયા અને માતા ફ્ળિયા વિસ્તારમાં કાચા-પાકા મકાનોમાં રહેતા પરિવારો માટે વ્યવસ્થા કરવા અંગેનો ઠરાવ પસાર કરાયો હતો. આ પરિવારોને પાલિકાની માલિકીના SEWS(સોશિયલી એન્ડ ઇકોનોમિકલી વિકર સેક્શન) પ્લોટ પર શિફ્ટ કરવાનું આયોજન મંજૂર કરવામાં આવ્યું છે, જેની અંતિમ મંજૂરી માટે સરકારમાં દરખાસ્ત કરવામાં આવશે.</p><p>આ ઉપરાંત શહેરની માળખાગત સુવિધાઓના અન્ય એજન્ડા પણ કોઈપણ ચર્ચા વિના મંજૂર કરી દેવાયા હતા. ફાયર વિભાગમાં મહિલા સંવર્ગની બે ખાલી જગ્યાઓ માટે એકપણ અરજી ન આવતા તેની શૈક્ષણિક લાયકાત અને નિયમોમાં સુધારો કરવાનો નિર્ણય લેવાયો હતો. સાથે જ ટી.પી. સ્કીમ 4 (ફાઇનલ પ્લોટ 111 અને 112)માં નવા કૉમ્યુનિટી હૉલનું નિર્માણ, આચાર્ય તુલસી માર્ગ પર સોલર સ્ટ્રીટ લાઈટ સિસ્ટમ, જલારામ મંદિર પાસે વરસાદી અને ગંદા પાણીના નિકાલ માટે બોક્સ ડ્રેઈન તેમજ રેલવે સ્ટેશનથી સરદાર હોસ્પિટલ સુધીના નવા સી.સી. રોડ બનાવવાની કામગીરીને પણ બહાલી આપી દેવામાં આવી છે. શાસક પક્ષે કામો તો મંજૂર કરી દીધા, પરંતુ વિપક્ષના હોબાળાને કારણે તેમાંથી એકપણ કામ અંગે સભામાં સામાન્ય ચર્ચા થઈ શકી ન હતી.</p><p>વિપક્ષના સભ્યોએ ફરી સામાન્ય સભા બોલાવવાની માંગણી સાથે પાલિકાની કચેરીમાં જ અનશન પર બેસી ગયા હતા જેને લઈને મોટો વિવાદ ઊભો થયો છે બારડોલી પાલિકા માં કરોડોના કામો અંગે વિપક્ષના સભ્યોને જવાબ નહીં મળતા ભારે નારાજગી વ્યાપી ગઈ છે.સભ્યો અનશન પર બેસી જવાની વાતે આવનારા દિવસોમાં બારડોલી પાલિકા શાસકો સામે અનેક આક્ષેપો નું વણઝાર ઊભી થશે તેમ જણાઈ રહ્યું છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/06/nxmqsWSjnfhTF5ZrlZqg8wu4VQAPfhqxJ16Pll43.webp'/></item><item><title><![CDATA[Lock Upp 2ની વિનર બની શ્રેયા કાલરા, જાણો પ્રથમ રનર-અપ કોણ રહ્યું? ]]></title><link>https://sandesh.com/entertainment/news/lock-upp-2-winner-shreya-kalra-finale</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/lock-upp-2-winner-shreya-kalra-finale</guid><pubDate>Wed, 05 Aug 2026 23:22:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નેટફ્લિક્સના શો "લોક અપ 2" ને આ સીઝન માટે વિનર મળી ગઈ છે. શ્રેયા કાલરા વિનર બની છે. નેટફ્લિક્સે તેના OTT પ્લેટફોર્મ પર રાત્રે 8 વાગ્યે શોનો લેટેસ્ટ એપિસોડ રિલીઝ કર્યો. આ એપિસોડનું ટાઈટલ "રિડેમ્પશન ડે" છે. એપિસોડના અંતે શ્રેયા કાલરાને વિજેતા તરીકે જાહેર કરવામાં આવી હતી.</p><h2 style="text-align: justify;"><b>શ્રેયા કાલરા બની વિનર</b></h2><p style="text-align: justify;">"લોક અપ 2" ના આ એપિસોડમાં 35મો નંબર છે, જેનું ટાઈટસ "રિડેમ્પશન ડે" છે. આ 1 કલાક 20 મિનિટ અને 1 સેકન્ડના એપિસોડમાં ઘણા ટ્વિસ્ટ અને ટર્ન છે, જેના પરિણામે શ્રેયા કાલરા શોની વિજેતા બની છે. શ્રેયા કાલરાએ રિયાલિટી શોની ટ્રોફી ઘરે લઈ લીધી છે.</p><h3 style="text-align: justify;"><b>શિવાંગી જોશી રનર-અપ રહી</b></h3><p style="text-align: justify;">શ્રેયા કાલરાએ ફરાહ ખાન અને રિતેશ દેશમુખના રિયાલિટી શો "લોકઅપ 2" માટે ટ્રોફી જીતી છે. તેણે 1 કરોડ રૂપિયાની ઈનામી રકમ પણ જીતી હતી. શિવાંગી જોશી પ્રથમ રનર-અપ હતી, એટલે કે શ્રેયા પ્રથમ સ્થાને રહી અને શિવાંગી બીજા સ્થાને રહી. આ નેટફ્લિક્સ શોએ ઘણો વિવાદ ઉભો કર્યો.</p><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DbqhLhOHTvP/?hl=en" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DbqhLhOHTvP/?hl=en" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a><br></p><h4 style="text-align: justify;"><b>શિવાંગી જોશી અને શ્રેયા કાલરા વચ્ચે ઝઘડો</b></h4><p style="text-align: justify;">તમને જણાવી દઈએ કે શ્રેયા કાલરાએ શિવાંગી જોશીને હરાવી હતી. શો દરમિયાન તેમના સંબંધોની વાત કરીએ તો શરૂઆતમાં તેઓ મિત્રો હતા, પરંતુ જેમ જેમ શો આગળ વધતો ગયો તેમ તેમ શિવાંગી જોશી અને શ્રેયા કાલરા વચ્ચે ઝઘડો થયો, અને શોના અંત સુધી તેમના સંબંધો તણાવપૂર્ણ રહ્યા.</p><h5 style="text-align: justify;"><b>ટોપ 3 માં કોણ કોણ છે?</b></h5><p style="text-align: justify;">આ દરમિયાન શોના ટોચના 5 સ્પર્ધકોની વાત કરીએ તો, શિવાંગી જોશી, રામ કપૂર, શ્રેયા કાલરા, શિલ્પા શિંદે અને યોગેશ રાવત ટોપ 5માં રહ્યા. આ પછી એક પછી એક સ્પર્ધકો બહાર થઈ ગયા અને ફક્ત શ્રેયા કાલરા, શિવાંગી જોશી અને યોગેશ રાવત જ ટોપ 3માં પહોંચ્યા.</p><h5 style="text-align: justify;"><b>આ શો 27 જૂને શરૂ થયો</b></h5><p style="text-align: justify;">"લોકઅપ 2" 27 જૂનના રોજ નેટફ્લિક્સ પર પ્રીમિયર થયું હતું. આ શોમાં સુફી મોતીવાલા, રામ કપૂર, શિલ્પા શિંદે (વાઈલ્ડ કાર્ડ), આકાંક્ષા ચમોલા, વરુણ યાદવ, શિવાંગી જોશી, શ્રેયા કાલરા, માધુરી જૈન, પામેલા, ધીરજ ધૂપર, આકાંક્ષા ચૌધરી, યોગેશ રાવત, હર્ષદ ચોપરા, શ્રેષ્ઠા ઐયર, રિયાઝ અલી અને સુનીતા આહુજા જેવા સેલેબ્સ જોવા મળ્યા હતા.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/entertainment/brett-lee-breaks-silence-preity-zinta-dating-rumours" target="_blank">આ પણ વાંચો: Brett Lee પ્રીતિ ઝિન્ટાના પ્રેમમાં...! 16 વર્ષ પછી ક્રિકેટરે તોડ્યું મૌન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/dGYNTH8CSeQH8tcSpEbdyDXXY5WEMDVgr87xwYkx.webp'/></item><item><title><![CDATA[2 વર્ષમાં 50 OTT પ્લેટફોર્મ ભારતમાં બ્લોક, અશ્લીલતા અને IT એક્ટનું ઉલ્લંઘન કરવા મામલે કરાઈ કાર્યવાહી ]]></title><link>https://sandesh.com/india/news/50-ott-platforms-blocked-in-india-it-act-violations-obscene-content-action</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/50-ott-platforms-blocked-in-india-it-act-violations-obscene-content-action</guid><pubDate>Wed, 05 Aug 2026 22:39:53 +05:30</pubDate><description><![CDATA[<p>ડિજિટલ મીડિયા અને OTT પ્લેટફોર્મ પર વધતા વાંધાજનક કન્ટેન્ટને લઈને કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. લોકસભામાં સરકારે ડિજિટલ પ્લેટફોર્મ્સને નિયંત્રિત કરવા માટે લેવામાં આવેલા પગલાં અંગે માહિતી આપી હતી. માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગને જણાવ્યું કે IT નિયમો, 2021 હેઠળ ડિજિટલ સ્પેસને સુરક્ષિત અને જવાબદાર બનાવવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.</p><h2><b>અશ્લીલ અને વાંધાજનક કન્ટેન્ટ પ્રસારિત કરવાનો આરોપ</b></h2><p>સરકારે છેલ્લા બે વર્ષમાં 50 OTT પ્લેટફોર્મ્સને ભારતમાં જાહેર ઍક્સેસ માટે બ્લોક કર્યા છે. આ પ્લેટફોર્મ્સ પર અશ્લીલ અને વાંધાજનક કન્ટેન્ટ પ્રસારિત કરવાનો આરોપ હતો. સરકારના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી IT એક્ટ, ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 294 અને મહિલાઓના અશ્લીલ પ્રતિનિધિત્વ (નિષેધ) અધિનિયમ, 1986 હેઠળ કરવામાં આવી છે.</p><h3><b>ત્રણ સ્તરીય ફરિયાદ નિવારણ વ્યવસ્થા પણ લાગુ</b></h3><p>સરકારે ડિજિટલ કન્ટેન્ટ અંગે ફરિયાદો માટે ત્રણ સ્તરીય ફરિયાદ નિવારણ વ્યવસ્થા પણ લાગુ કરી છે. પ્રથમ તબક્કામાં ફરિયાદ સીધી કન્ટેન્ટ પબ્લિશર પાસે પહોંચશે. જો ત્યાં ઉકેલ ન મળે તો બીજા તબક્કામાં પબ્લિશર્સની સ્વ-નિયમનકારી સંસ્થા મામલો જોશે. ત્યારબાદ પણ ઉકેલ ન આવે તો કેન્દ્ર સરકારની દેખરેખ વ્યવસ્થા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ફેક ન્યૂઝ રોકવા માટે સરકારે ફેક્ટ ચેક યુનિટ (FCU)ની રચના કરી છે. આ યુનિટ સરકારી યોજનાઓ અને નિર્ણયો સંબંધિત માહિતીની ચકાસણી કરીને સાચી માહિતી લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે.</p><h4><b>આ નિયમોનો હેતુ અભિવ્યક્તિની સ્વતંત્રતા પર રોક લગાવવાનો નથી</b></h4><p>સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ નિયમોનો હેતુ અભિવ્યક્તિની સ્વતંત્રતા પર રોક લગાવવાનો નથી, પરંતુ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર જવાબદારી સુનિશ્ચિત કરવાનો છે. IT નિયમો, 2021 હેઠળ ડિજિટલ ન્યૂઝ અને OTT પબ્લિશર્સ માટે આચાર સંહિતા પણ બનાવવામાં આવી છે, જેથી કાયદાની મર્યાદામાં રહીને સ્વતંત્ર અભિવ્યક્તિને પ્રોત્સાહન મળી શકે.</p><p><b><a href="https://sandesh.com/india/news/monsoon-2026/indian-monsoon-el-nino-may-last-till-february-2027-jitendra-singh-warns-in-lok-sabha" target="_blank">આ પણ વાંચો : Indian Monsoon: ફેબ્રુઆરી 2027 સુધી રહી શકે છે El Nino, Jitendra Singhએ લોકસભામાં આપી ચેતવણી</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/swkF01CUi7udqutjV6iVw6UuUNGNv49pv1rS3hzx.webp'/></item><item><title><![CDATA[Kanpur-Lucknow એક્સપ્રેસવેની ખરાબ હાલત બાદ NHAIનું મોટું પગલું, સમારકામ સુધી ટોલ વસૂલાત બંધ ]]></title><link>https://sandesh.com/india/news/kanpur-lucknow-expressway-toll-suspended-until-road-repairs-nhai</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/kanpur-lucknow-expressway-toll-suspended-until-road-repairs-nhai</guid><pubDate>Wed, 05 Aug 2026 21:39:17 +05:30</pubDate><description><![CDATA[<p>કાનપુર-લખનૌ એક્સપ્રેસવેની ખરાબ હાલત સામે આવ્યા બાદ ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI)એ કડક કાર્યવાહી હાથ ધરી છે. માર્ગનું સંપૂર્ણ સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ વસૂલાત સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરમિયાન મુસાફરો પાસેથી કોઈ ટોલ લેવામાં આવશે નહીં. ટોલથી થનારા આવકના નુકસાનની ભરપાઈ સંબંધિત નિર્માણ કંપની પાસેથી વસૂલવામાં આવશે.</p><h2><b>NHAIએ સમગ્ર મામલાને ગંભીરતાથી લીધો</b></h2><p>માર્ગની ખરાબ ગુણવત્તાનો મુદ્દો પ્રકાશમાં આવ્યા બાદ NHAIએ સમગ્ર મામલાને ગંભીરતાથી લીધો છે. જવાબદાર કંપની, ઈજનેરો અને સંબંધિત અધિકારીઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાથે જ માર્ગની ટેકનિકલ તપાસ પણ શરૂ કરવામાં આવી છે, જેથી રસ્તો આટલા ઓછા સમયમાં કેમ ખરાબ થયો તેની તપાસ થઈ શકે. NHAIએ માર્ગના ખરાબ થયેલા ભાગનું તાત્કાલિક સમારકામ કરવાની સૂચના આપી છે. તપાસ દરમિયાન જો બેદરકારી અથવા ગુણવત્તામાં ખામી સાબિત થશે તો સંબંધિત લોકો સામે વધુ કડક પગલાં લેવામાં આવશે.</p><h3><b>કંપનીને નોટિસ ફટકારવામાં આવી&nbsp;</b></h3><p>પ્રાથમિક તપાસ બાદ માર્ગ નિર્માણ કરનાર PNC ઈન્ફ્રાટેક લિમિટેડને 'નોન-પરફોર્મર' જાહેર કરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. આ નિર્ણય અમલમાં આવ્યા બાદ કંપની ભવિષ્યમાં NHAIના નવા ટેન્ડરમાં ભાગ લઈ શકશે નહીં. ઉપરાંત કંપનીની પરફોર્મન્સ સિક્યોરિટીમાંથી 2 ટકા દંડ વસૂલવાની અને જવાબદાર અધિકારીઓ પર ત્રણ વર્ષનો પ્રતિબંધ મૂકવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.</p><h4><b>નબળી ગુણવત્તાનું કામ સહન કરવામાં આવશે નહીં</b></h4><p>NHAIએ કંપનીની રોડ ક્વોલિટી રેટિંગ એટલે કે 'પેવમેન્ટ કન્ડિશન ઇન્ડેક્સ' ઘટાડવાનો પણ નિર્ણય કર્યો છે. જેના કારણે ભવિષ્યમાં કંપનીને નવા પ્રોજેક્ટ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. NHAIએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જાહેર નાણાંથી બનતા માર્ગોના નિર્માણમાં કોઈપણ પ્રકારની બેદરકારી કે નબળી ગુણવત્તાનું કામ સહન કરવામાં આવશે નહીં.</p><p><b><a href="https://sandesh.com/india/news/monsoon-2026/indian-monsoon-el-nino-may-last-till-february-2027-jitendra-singh-warns-in-lok-sabha" target="_blank">આ પણ વાંચો : Indian Monsoon: ફેબ્રુઆરી 2027 સુધી રહી શકે છે El Nino, Jitendra Singhએ લોકસભામાં આપી ચેતવણી</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/Su8X7OklpPIV74QOhDdG2deS9JTguGj0phJhMECM.webp'/></item><item><title><![CDATA[Air Indiaની કમાન સંભાળશે ટિવોલ્ડે ગેબ્રેમેરિયમ, કંપનીએ CEO અને MD તરીકે નિયુક્ત કર્યા ]]></title><link>https://sandesh.com/india/news/business/air-india-appoints-tewolde-gebremariam-as-ceo-and-md</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/air-india-appoints-tewolde-gebremariam-as-ceo-and-md</guid><pubDate>Wed, 05 Aug 2026 18:49:15 +05:30</pubDate><description><![CDATA[<p>ટાટા ગ્રુપની માલિકીની એર ઈન્ડિયાએ બુધવારે પૂર્વ ઈથોપિયન એરલાઈન્સના પ્રમુખ ટિવોલ્ડે ગેબ્રેમેરિયમને કંપનીના નવા મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) અને મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકે નિયુક્ત કર્યા છે. એરલાઈન્સ એવા સમયે નવા નેતૃત્વ હેઠળ જઈ રહી છે, જ્યારે કંપની સતત નાણાકીય નુકસાન, નિયમનકારી પડકારો અને ઓપરેશનલ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે.</p><h2><b>એર ઈન્ડિયાની કમાન હવે ટિવોલ્ડે ગેબ્રેમેરિયમના હાથમાં</b></h2><p>ટિવોલ્ડે ગેબ્રેમેરિયમ એર ઈન્ડિયાના પૂર્વ CEO કેમ્પબેલ વિલ્સનની જગ્યા લેશે. વિલ્સન, જે અગાઉ સિંગાપોર એરલાઈન્સ સાથે જોડાયેલા હતા, તેમને વર્ષ 2022માં એર ઈન્ડિયાના પુનર્ગઠન અને સુધારણા માટે જવાબદારી સોંપવામાં આવી હતી. એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે કેમ્પબેલ વિલ્સને 2024માં કંપનીના ચેરમેન એન. ચંદ્રશેખરને આ વર્ષે પદ છોડવાની પોતાની યોજના અંગે જાણ કરી હતી.</p><h3><b>પૂર્વ ઈથોપિયન એરલાઈન્સના હતા ચીફ</b></h3><p>ટિવોલ્ડે ગેબ્રેમેરિયમને વૈશ્વિક ઉડ્ડયન ક્ષેત્રનો લાંબો અનુભવ છે. ઈથોપિયન એરલાઈન્સના CEO તરીકે તેમણે કંપનીના વિસ્તરણ અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેની ઓળખ મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે એર ઈન્ડિયાની કામગીરી સુધારવા અને તેને વધુ સ્પર્ધાત્મક બનાવવા માટે તેમના અનુભવનો ઉપયોગ કરવામાં આવશે.</p><h4><b>એર ઈન્ડિયાની સ્થિતિ મજબૂત કરવાની મોટી જવાબદારી&nbsp;</b></h4><p>એર ઈન્ડિયા હાલ અનેક પડકારોનો સામનો કરી રહી છે. ગયા વર્ષે થયેલા વિમાન અકસ્માત બાદ કંપની પર નિયમનકારી દેખરેખ વધી છે. આ અકસ્માતમાં 260 લોકોના મોત થયા હતા, જેના કારણે સુરક્ષા અને કામગીરી અંગે અનેક સવાલો ઊભા થયા હતા. આ ઉપરાંત મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે ફ્લાઈટ ઓપરેશન પર અસર પડી છે. વધેલા ખર્ચ અને પાકિસ્તાનના એરસ્પેસ પ્રતિબંધ જેવા પરિબળોએ પણ એર ઈન્ડિયાની મુશ્કેલીઓ વધારી છે. હવે નવા CEO ટિવોલ્ડે ગેબ્રેમેરિયમ સામે કંપનીને નફાકારક બનાવવા, મુસાફરોનો વિશ્વાસ વધારવા અને વૈશ્વિક સ્તરે એર ઈન્ડિયાની સ્થિતિ મજબૂત કરવાની મોટી જવાબદારી રહેશે.</p><p><a href="https://sandesh.com/knowledge/news/business/uae-trade-hub-1-port-150-countries-11-thousand-companies-why-is-jebel-ali-port-so-important" target="_blank" style=""><b>આ પણ વાંચો : UAE Trade Hub: 1 પોર્ટ, 150 દેશો, 11 હજાર કંપનીઓ, કેમ આટલું મહત્વનું છે Jebel Ali Port?</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/chfhU9bmnbHWiyHUyM0siP57VFdX3aqwohYKVW2d.webp'/></item><item><title><![CDATA[India અને પાકિસ્તાનની થશે ટક્કર, વર્લ્ડકપ માટે ટીમની કરવામાં આવી જાહેરાત ]]></title><link>https://sandesh.com/sports/news/pakistan-hockey-world-cup-2026-squad</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pakistan-hockey-world-cup-2026-squad</guid><pubDate>Wed, 05 Aug 2026 18:45:48 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પાકિસ્તાન હોકી ફેડરેશને 5 ઓગસ્ટના રોજ FIH મેન્સ હોકી વર્લ્ડકપ 2026 માટે 20 સભ્યોની ટીમ અને મેનેજમેન્ટની જાહેરાત કરી હતી. આ ટુર્નામેન્ટ 15 થી 30 ઓગસ્ટ દરમિયાન એમ્સ્ટલવીન, નેધરલેન્ડ અને બેલ્જિયમમાં રમાશે.&nbsp;</p><p style="text-align: justify;">આ મોટી ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થયા પછી પાકિસ્તાન ટીમ હવે વિશ્વના આ સૌથી મોટા હોકી પ્લેટફોર્મ પર સ્પર્ધા કરવા માટે તૈયાર છે. હોકી વર્લ્ડકપ માટે પાકિસ્તાનની ટીમમાં અનુભવી ઈન્ટરનેશનલ ખેલાડીઓ અને યુવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. ભારત અને પાકિસ્તાન 19 ઓગસ્ટના રોજ આ વર્લ્ડકપમાં એકબીજાનો સામનો કરશે.</p><h2 style="text-align: justify;"><b>અમ્માદ બટ્ટને કેપ્ટનશીપ પરથી હટાવવામાં આવ્યો</b></h2><p style="text-align: justify;">હોકી વર્લ્ડકપ માટે પાકિસ્તાન ટીમની જાહેરાત અનુભવી મિડફિલ્ડર અમ્માદ બટ્ટને કેપ્ટન પદેથી હટાવ્યાના લગભગ એક અઠવાડિયા પછી કરવામાં આવી છે. તે છેલ્લા 14 વર્ષથી ટીમની નેતૃત્વ કરી રહ્યો હતો. 29 જુલાઈના રોજ જાહેર કરાયેલા એક નિવેદનમાં PHFએ જણાવ્યું હતું કે તેની વ્યાવસાયિક વિકાસ સમિતિની સલાહ પર તેને અબુ બકરને પાકિસ્તાન રાષ્ટ્રીય હોકી ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે.</p><p style="text-align: justify;">તે સમયે PHFએ અમ્માદ બટ્ટના રાષ્ટ્રીય ટીમ પ્રત્યેના યોગદાન અને સમર્પણની પ્રશંસા કરી હતી. ફેડરેશને એમ પણ કહ્યું હતું કે તે એક સિનિયર ખેલાડી તરીકે પાકિસ્તાન ટીમનો ભાગ રહેશે. ફેડરેશને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અબુ બકરની કેપ્ટનશીપ હેઠળ ટીમ, સિનિયર ખેલાડીઓ અને યુવા સભ્યોના અનુભવ સાથે એક મજબૂત અને સ્પર્ધાત્મક ટીમમાં વિકાસ કરશે.</p><h3 style="text-align: justify;"><b>હોકી વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમ અને સપોર્ટ સ્ટાફ</b></h3><h4 style="text-align: justify;"><b>હોકી વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની 20 સભ્યોની ટીમ</b></h4><p style="text-align: justify;">વકાર, મુહમ્મદ અબ્દુલ્લા, મુહમ્મદ સુફિયાન ખાન, મોઈન શકીલ, અબ્દુલ વહિદ અશરફ રાણા, અબ્દુલ હનાન શાહિદ, ઝકારિયા હયાત, અરશદ લિયાકત, આદિલ લતીફ, અહેમદ નદીમ, ગઝનફર અલી, ઈમાદ શકીલ બટ્ટ, મોહમ્મદ હમદુદ્દીન અંજુમ, રહેમાન અબ્દુલ, અફરાઝ, ઉમર મુસ્તફા, અબુ બકર મહમૂદ, અલી રઝા, અબ્દુલ મટન અને મુહમ્મદ ઈમાદનો સમાવેશ થાય છે.</p><p style="text-align: justify;">ગોલકીપર : વકાર અને અલી રાજા</p><p style="text-align: justify;">ટીમ મેનેજમેન્ટમાં ટીમ મેનેજર મુહમ્મદ ઓવૈસ કરની, હેડ કોચ બોબ જોહાન વેલ્ધોફ (નેધરલેન્ડ), આસિસ્ટન્ટ કોચ ક્રિસ્ટોફર જોન બોવેન (ગ્રેટ બ્રિટન), આસિસ્ટન્ટ કોચ અદનાન ઝાકીર અને વીડિયો ટેકનિશિયન અશરફ સુલતાન સામેલ છે.</p><h5 style="text-align: justify;"><b>પાકિસ્તાન 15 ઓગસ્ટે પોતાની પહેલી મેચ રમશે</b></h5><p style="text-align: justify;">આ હોકી વર્લ્ડકપમાં પાકિસ્તાન ટીમ 15 ઓગસ્ટે એમ્સ્ટલવીનમાં ઈંગ્લેન્ડ સામે પોતાની પહેલી મેચ રમશે. ટીમની બીજી મેચ 17 ઓગસ્ટે વેલ્સ સામે થશે. પાકિસ્તાન 19 ઓગસ્ટે ભારત સામે ટકરાશે. આ વર્લ્ડકપ માટે, ભારત અને પાકિસ્તાનને પૂલ Dમાં એકસાથે રાખવામાં આવ્યા છે. આ બે ટીમો ઉપરાંત ટીમમાં ઈંગ્લેન્ડ અને વેલ્સનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં એશિયન લિજેન્ડ્સ લીગમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક મેચ રમાઈ હતી.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/BSGFdjBYRdYyrIr1nai9fAg4ZuA06DUq1m8Sv97p.webp'/></item></channel></rss>