<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabad News: મની લોન્ડરિંગ કેસમાં મુખ્ય આરોપી કે.કે શ્રીવાસ્તવની ધરપકડ, 4 દિવસ EDની કસ્ટડીમાં રહેશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ed-arrests-kk-srivastava-in-money-laundering-case</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ed-arrests-kk-srivastava-in-money-laundering-case</guid><pubDate>Mon, 03 Aug 2026 17:00:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)દ્વારા અમદાવાદના રાયપુરમાં કરોડો રૂપિયાની ઠગાઈ અને મની લોન્ડરિંગના કૌભાંડમાં મોટી કાર્યવાહી કરીને કૃષ્ણ કુમાર શ્રીવાસ્તવ ઉર્ફે કે.કે.શ્રીવાસ્તવની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આ ધરપકડ હાથ ધરવામાં આવી છે.ધરપકડ બાદ આરોપીને વિશેષ PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે સમગ્ર બાબતોને ધ્યાને લઈ આરોપીના 7 ઓગસ્ટ સુધીના ED કસ્ટડી મંજૂર કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>મની લોન્ડરિંગ કેસમાં EDની કાર્યવાહી</b></h2><p style="text-align: justify; ">આરોપી કે.કે. શ્રીવાસ્તવ સામે અગાઉ ઠગાઈ, બનાવટી દસ્તાવેજો તૈયાર કરવા અને ગુનાહિત વિશ્વાસઘાત આચરવા સંબંધિત ગંભીર ગુનાઓ હેઠળ ફરિયાદો નોંધાયેલી હતી. તેણે રાયપુર સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં આશરે 500 કરોડના સબ-કોન્ટ્રાક્ટ અપાવવાની મોટી લાલચ આપીને કોન્ટ્રાક્ટરો અને રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.</p><h3 style="text-align: justify; "><b>કાળા નાણાના નેટવર્કનો પર્દાફાશ</b></h3><p style="text-align: justify; ">આ વિશાળ કૌભાંડમાં મની લોન્ડરિંગના નાણાં ક્યાં અને કેવી રીતે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે તે અંગે ED દ્વારા હાલ ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે. રિમાન્ડ દરમિયાન આરોપીની કડક પૂછપરછ કરીને છેતરપિંડી સાથે જોડાયેલા અન્ય તત્વો અને કાળા નાણાના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે તપાસ અધિકારીઓ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી રહ્યા છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/vastral-sports-complex-swimming-pool-video-viral" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સ્વિમિંગ પુલનો વીડિયો વાયરલ, લાઇબ્રેરીના વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/VMSe3TLZsRn3ZMVhcIAoXzeq9niEfy7tOVS9DOIf.webp'/></item><item><title><![CDATA[CIDના દયાએ બતાવી TMKOCની ઓફ-સ્ક્રીન ડાર્ક રિયાલિટી? વીડિયો થયો વાયરલ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/cids-daya-reveals-tmkocs-off-screen-dark-reality-video-goes-viral</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/cids-daya-reveals-tmkocs-off-screen-dark-reality-video-goes-viral</guid><pubDate>Mon, 03 Aug 2026 16:45:39 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ભારતના સૌથી લાંબા સમયથી ચાલી રહેલા શોમાંનો એક છે. આ શોને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. તેની કોમેડીથી ભરપૂર સ્ટોરીલાઇન લોકોને ખૂબ પસંદ આવે છે. જોકે, સમયાંતરે આ શો વિવાદોમાં પણ રહ્યો છે. શોના ઘણા કલાકારોએ શો છોડી દીધો હતો અને બાદમાં મેકર્સ પર અનેક આરોપો પણ લગાવ્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>દયાનંદ શેટ્ટીએ વીડિયોમાં શું કહ્યું?</b></h2><p style="text-align: justify; ">હવે આ શો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. CID ફેમ અભિનેતા દયાનંદ શેટ્ટીએ એક લોકપ્રિય સિટકોમ વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે શો ભલે કોમેડી હોય, પરંતુ સેટ પર કોઈ કોઈ સાથે વાત પણ કરતું નથી. બધા ખૂબ ગંભીર રહે છે અને પોતાના વેનમાં જ રહે છે. દયાનંદ શેટ્ટીએ શોનું નામ લીધું નહોતું, પરંતુ સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ આ વાતને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથે જોડી રહ્યા છે.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/byomkesbakshy/status/2083138047244181839"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p style="text-align: justify; ">દયાનંદ શેટ્ટીએ વીડિયોમાં કહ્યું, એક શો છે, જેનું નામ હું નહીં લઉં, પરંતુ તે ખૂબ લોકપ્રિય કોમેડી શો છે. આપણે વિચારીએ કે કોમેડી શોના કલાકારોનો સેન્સ ઓફ હ્યુમર પણ જબરદસ્ત હશે. તેઓ હંમેશા મસ્તી કરતા હશે. અમે તેમની સાથે કામ કર્યું હતું. અમારું કોલેબરેશન હતું. જેમ જ કોમેડી સીન પૂરો થયો કે બધા ગંભીર થઈ ગયા. કોઈ કોઈ તરફ જોતું પણ નહોતું, કોઈ વાત પણ કરતું નહોતું. બધા પોતાના રૂમમાં ચાલ્યા જતા હતા. જ્યારે સ્ક્રીન પર તેઓ કોમેડી કરતા હતા. અમને લાગતું હતું કે તેઓ ખૂબ ફની હશે, પરંતુ એવું નહોતું.</p><h3 style="text-align: justify; "><b>તારક મહેતા અને CIDનો કોલેબ ક્યારે થયો હતો?</b></h3><p style="text-align: justify; ">દયાનંદ શેટ્ટીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એક યુઝરે લખ્યું, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ડાર્ક રિયાલિટી. સારું પેમેન્ટ મળતું હોવા છતાં ઘણા સિનિયર કલાકારો શો કેમ છોડે છે, તેનું કારણ હવે સમજાય છે. જુલાઈ 2014માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અને CIDનું કોલેબરેશન થયું હતું. તે સમયે CIDની ટીમ ગોકુલધામ સોસાયટીમાં એક કેસ ઉકેલવા આવી હતી. આ એપિસોડ્સને દર્શકોએ ખૂબ પસંદ કર્યા હતા.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbXnqK4BFYN/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbXnqK4BFYN/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbXnqK4BFYN/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbXnqK4BFYN/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને 18 વર્ષ પૂરા</b></h4><p style="text-align: justify; ">તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની વાત કરીએ તો શોએ 18 વર્ષ પૂર્ણ કર્યા છે. 28 જુલાઈ 2026ના રોજ શોએ 18 વર્ષનો સફર પૂર્ણ કર્યો હતો. વર્ષોથી દર્શકો આ શોને સતત પ્રેમ આપી રહ્યા છે. શોની સ્ટોરીથી લઈને કલાકારો સુધી દરેકને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. તાજેતરમાં શોમાં બતાવવામાં આવ્યું હતું કે ગોકુલધામ સોસાયટીનું રિનોવેશન થયું છે અને હવે આખી સોસાયટી નવા અંદાજમાં જોવા મળે છે. આ ઉપરાંત શોમાં સ્પાઇડર-મેનની પણ એન્ટ્રી બતાવવામાં આવી હતી, જ્યાં 'સ્પાઇડર મેન: બ્રાન્ડ ન્યૂ ડે' ફિલ્મનું પ્રમોશન કરવામાં આવ્યું હતું.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/ramayana-makers-warning-ramleela-mahasangh-pre-release-screening" target="_blank">આ પણ વાંચો-Film Controversy : રામાયણ રિલીઝ પહેલા બતાવો, નહીં તો વિરોધ કરીશું, રામલીલા મહાસંઘની મેકર્સને ચેતવણી!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/7vxnm3df0nusqGWTbsYWJPne8fffsP3sDgsewjcO.webp'/></item><item><title><![CDATA[Bharuch: બે દિવસના વિરામ બાદ તેજ પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/heavy-rain-returns-waterlogging-kasak-shravan-chokdi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/heavy-rain-returns-waterlogging-kasak-shravan-chokdi</guid><pubDate>Mon, 03 Aug 2026 16:41:36 +05:30</pubDate><description><![CDATA[<p>ઔદ્યોગિક અને દરિયાકાંઠાના જિલ્લા એવા ભરૂચમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હતો, જેના કારણે વાતાવરણમાં અસહ્ય ઉકળાટ અને બફારો વધી ગયો હતો. જોકે, આજે અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો અને કાળાડીબાંગ વાદળોના ગડગડાટ વચ્ચે તેજ પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.</p><h2><b>ભરૂચમાં વિરામ બાદ વરસાદ</b></h2><p>અચાનક શરુ થયેલા વરસાદને કારણે સમગ્ર શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી હતી. ધોધમાર વરસેલા વરસાદના કારણે શહેરના મુખ્ય એવા કસક વિસ્તાર, શ્રવણ ચોકડી, સ્ટેશન રોડ, પાંચબત્તી અને અન્ય નીચાણવાળા વિસ્તારોના રસ્તાઓ પર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે.</p><h3><b>વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ&nbsp;</b></h3><p>શ્રવણ ચોકડી અને કસક ગરનાળા પાસે દર વખતની જેમ પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પાણીના નિકાલ માટે સ્થાનિક તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.વરસાદ માહોલ હજુ પણ યથાવત રહેતાં નગરપાલિકા પ્રશાસનને સજ્જ રહેવા અને પાણીના ત્વરિત નિકાલ માટે ડ્રેનેજ પમ્પ શરૂ કરવા સૂચનાઓ આપી દેવામાં આવી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/una/gir-somnath-una-main-bazar-food-safety-raid-ghee-grocery-samples-seized" target="_blank">આ પણ વાંચો: Una: ઉનાની મેન બજારમાં ફૂડ વિભાગની કાર્યવાહી, ઘી-કરિયાણાના 5 શંકાસ્પદ સેમ્પલ લેવાયા</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/YtuiOCtKcNdP5LasItbzXE2ntvMwyVCTBfAjjXSN.webp'/></item><item><title><![CDATA[Bhavnagar News: પાટીદાર ખેડૂત પર હુમલો કરી મારી નાંખવાની ધમકી, પોતાની જમીન છોડી દેવા કહેવાયુ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/patidar-farmer-attacked-over-land-dispute</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/patidar-farmer-attacked-over-land-dispute</guid><pubDate>Mon, 03 Aug 2026 16:39:02 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના બાંભણીયા ગામે ખેતીની જમીન બાબતે ચાલી રહેલા વિવાદમાં એક પાટીદાર સમાજના ખેડૂત પર જીવલેણ હુમલો કરી તેને મારી નાખવાની ધમકી આપવામાં આવતા ચકચાર મચી ગઈ છે.બે દિવસ પહેલાં બનેલી આ ઘટનામાં ખેડૂત પર તીક્ષ્ણ હથિયારો અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો જેના કારણે પીડિત ખેડૂતને ગંભીર ઈજાઓ પહોંચી હતી.</p><h2 style="text-align: justify; "><b>ખેડૂતને ઢોર માર મારીને ધાકધમકી આપી</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ હુમલાખોરોએ ખેડૂતને ઢોર માર મારીને ધાકધમકી આપી હતી અને પોતાની જમીન છોડીને ત્યાંથી તાત્કાલિક નીકળી જવા માટે દબાણ કર્યું હતું.આ રીતે જમીન પચાવી પાડવાના આશયથી કરવામાં આવેલા અચાનક હુમલા અને જાનથી મારી નાખવાની ધમકીના કારણે ખેડૂત અને તેમના પરિવારમાં  ભયનો માહોલ સર્જાયો છે.</p><h3 style="text-align: justify; "><b>ન્યાય અપાવવા માટે સરદાર પટેલ ગ્રુપ મેદાનમાં</b></h3><p style="text-align: justify; ">આ ઘટનાના વિરોધમાં અને પીડિત ખેડૂતને ન્યાય અપાવવા માટે સરદાર પટેલ ગ્રુપ મેદાનમાં આવ્યું છે.SPGના હોદ્દેદારો અને પાટીદાર સમાજના અગ્રણીઓએ ભાવનગર એસ.પી.કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.તેમણે આ હુમલામાં સંડોવાયેલા તમામ અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવા અને ખેડૂતને યોગ્ય રક્ષણ પૂરું પાડવા ઉગ્ર માંગ કરી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ahmedabad/rainwater-enters-houses-and-farms-after-heavy-upstream-rain-in-viramgam" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: વિરમગામમાં ઉપરવાસના વરસાદી પાણી ફરી વળ્યા, રહેણાંક મકાનો અને ખેતરો જળમગ્ન</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/P2OLdqu1Y9Z8lkGO7rFWZuXFZqDlmviIZoC4cxkW.webp'/></item><item><title><![CDATA[Suratમાં લાખોની છેતરપિંડી આચરનાર ઠગ તેજસ સોજીત્રાની વરાછા પોલીસે કરી ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/varachha-police-arrests-tejas-sojitra-a-thug-who-cheated-millions-in-surat</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/varachha-police-arrests-tejas-sojitra-a-thug-who-cheated-millions-in-surat</guid><pubDate>Mon, 03 Aug 2026 16:32:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરના કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓને ચૂનો ચોપડનાર એક શાતિર ઠગ આખરે પોલીસના હથ્થે ઝડપાઈ ગયો છે. સુરતની વરાછા પોલીસે સફળ કાર્યવાહી કરીને આરોપી તેજસ ઉર્ફે તેજો નનુભાઈ સોજીત્રાને ઝડપી પાડ્યો છે. આરોપી તેજસ વેપારીઓ પાસેથી જોબવર્ક કરાવવાના બહાને લાખો રૂપિયાનો સાડીનો માલસામાન મેળવી લેતો હતો અને ત્યારબાદ ઠગાઈ આચરીને ગાયબ થઈ જતો હતો. ફરિયાદી પાસેથી આરોપી જોબવર્ક અર્થે રૂ. 15,58,900ની કિંમતની સાડીઓ લઈ ગયો હતો અને ત્યારપછી પોતાનો ફોન બંધ કરીને સંપર્ક વિહોણો થઈ ગયો હતો.</p><h2 style="text-align: justify; "><b>પુણા વિસ્તારમાં પણ આચરી હતી કરોડોની છેતરપિંડી</b></h2><p style="text-align: justify; ">પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી તેજસ સોજીત્રા મોટો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. વરાછા વિસ્તાર ઉપરાંત તેણે પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ કાપડના વેપારીઓ સાથે મોટું કૌભાંડ આચર્યું હતું. પુણા વિસ્તારમાંથી પણ તે જોબવર્કના નામે રૂ.1,08,06,989ની કિંમતની સાડીઓનો જથ્થો પચાવી પાડ્યો હતો અને ત્યાંથી પણ ફરાર થઈ ગયો હતો. કાપડ બજારમાં કરોડો રૂપિયાની છેતરપિંડી આચરીને આરોપી તેજસ સોજીત્રા છેલ્લા 8 મહિનાથી પોલીસને સતત ચકમો આપી રહ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>વરાછા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી</b></h3><p style="text-align: justify; ">આરોપી લાંબા સમયથી ફરાર હોવાથી વરાછા પોલીસની ટીમ તેના સગડ મેળવવા માટે સતત પ્રયત્નશીલ હતી. ચોક્કસ બાતમી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે વરાછા પોલીસે દરોડો પાડીને તેજસ સોજીત્રાને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની અટકાયત કરીને કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. આરોપીએ પચાવી પાડેલો કરોડો રૂપિયાનો સાડીનો મુદ્દામાલ ક્યાં છુપાવ્યો છે અથવા કોને વેચી દીધો છે તે અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. તેની ધરપકડથી કાપડ બજારના અન્ય અનેક ઠગાઈના ગુનાઓ ઉકેલાવાની શક્યતા સેવાઈ રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/ooCR6bmkYsVzsMUBVQDVu0IT484iqbJsWjqNhCsR.webp'/></item><item><title><![CDATA[Brij Bhushan Singh વિરુદ્ધ 1000 પાનાની ચાર્જશીટ, 108 લોકોના નિવેદન; છતાં કેમ મળી રાહત? ]]></title><link>https://sandesh.com/india/news/why-did-brij-bhushan-singh-get-relief-even-after-a-1000-page-charge-sheet-and-statements-from-108-people</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/why-did-brij-bhushan-singh-get-relief-even-after-a-1000-page-charge-sheet-and-statements-from-108-people</guid><pubDate>Mon, 03 Aug 2026 16:29:47 +05:30</pubDate><description><![CDATA[<p>રાઉસ એવન્યુ કોર્ટે મહિલા કુસ્તીબાજોના જાતીય સતામણી કેસમાં ભૂતપૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહને નિર્દોષ જાહેર કર્યા છે.એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (ACJM) અશ્વિની પનવરે સોમવારે ચુકાદો આપ્યો.કુસ્તીબાજોના વિરોધ બાદ એપ્રિલ 2023માં બ્રિજભૂષણ શરણ સિંહ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.ત્રણ વર્ષની ટ્રાયલ બાદ કોર્ટે ચુકાદો આપ્યો.ચાલો જાણીએ કેવી રીતે...</p><h4><b>જૂન 2023માં&nbsp; 1,000 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી</b></h4><p>જૂન 2023માં દિલ્હી પોલીસે બ્રિજભૂષણ શરણ સિંહ સામે 1,000 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી.ચાર્જશીટમાં 108 લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા હતા.તે સમયે, મિડિયા રિપોર્ટ અનુસાર ચાર્જશીટની વિગતો જાહેર કરવામાં આવી  હતી.દિલ્હી પોલીસે ચાર્જશીટમાં જણાવ્યું હતું કે બ્રિજભૂષણ શરણ સિંહ મહિલા કુસ્તીબાજોનો પીછો કરતા હતા અને તેમને હેરાન કરતા હતા.આનાથી સવાલો ઉભા થાય છે કે રાઉસ એવન્યુ કોર્ટે બ્રિજભૂષણ શરણ સિંહને શા માટે નિર્દોષ જાહેર કર્યા.</p><h5><b>બ્રિજભૂષણ શરણ સિંહની દલીલો</b></h5><p>રાઉસ એવન્યુ કોર્ટમાં બ્રિજભૂષણ શરણ સિંહ વતી વકીલ રાજીવ મોહન અને ઋષભ ભાટી હાજર થયા. 2 જુલાઈના રોજ,કોર્ટે આ કેસમાં પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. બત્રીસ દિવસ પછી,કોર્ટે બ્રિજ ભૂષણની તરફેણમાં ચુકાદો આપ્યો.આના ચાર કારણો છે:</p><ul><li>બ્રિજભૂષણ શરણ સિંહના વકીલે જણાવ્યું હતું કે આ કેસમાં તમામ પીડિતોએ સમયાંતરે પોતાના નિવેદનો બદલ્યા છે. ક્યારેક સ્થળ અંગે, ક્યારેક સમય અંગે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે કંઈ સ્પષ્ટ નથી અને બધા આરોપો પાયાવિહોણા છે.</li><li>રેસલિંગ ફેડરેશનના કાર્યાલયમાં કથિત ઘટના સમયે બ્રિજભૂષણ શરણ સિંહ ભારતમાં હાજર નહોતા. આના પુરાવા કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યા છે.</li><li>રાજીવ મોહને જણાવ્યું હતું કે ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલા પુરાવા મૌખિક અને પરિસ્થિતિગત છે. કોઈ નક્કર પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી. બ્રિજભૂષણ શરણ સિંહના વકીલે દલીલ કરી હતી કે બંને આરોપીઓને શંકાનો લાભ આપવો જોઈએ કારણ કે કેસ ફક્ત શંકા પર આધારિત છે.</li><li>જ્યારે દિલ્હી પોલીસે ચાર્જશીટ દાખલ કરી, ત્યારે છ મહિલા કુસ્તીબાજોના સમર્થનમાં 15 સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ અંતિમ કોર્ટ સુનાવણીમાં, એવું બહાર આવ્યું હતું કે આ સાક્ષીઓમાંથી કોઈ પણ સીધા સાક્ષી નહોતા. ફરિયાદ પક્ષ ઘટનાના કોઈ સીધા સાક્ષી રજૂ કરવામાં અસમર્થ હતું. ફક્ત પીડિતોના નિવેદનો કોર્ટમાં ઉમેરવામાં આવ્યા હતા અને રજૂ કરવામાં આવ્યા હતા.</li></ul><h5><b>સગીરાએ કેસ પાછો ખેંચ્યો</b></h5><p>શરૂઆતમાં એક સગીરાએ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે કેસ દાખલ કર્યો હતો.જેના કારણે ભૂતપૂર્વ સાંસદ સામે POCSO કેસ દાખલ થયો હતો.જોકે એક મહિના પછી જ કેસ પર યુ-ટર્ન લીધો.મેજિસ્ટ્રેટ સમક્ષ સગીર છોકરીએ કેસ પાછો ખેંચવાનો નિર્ણય લીધો.જેને 2025માં દિલ્હીની એક કોર્ટે સ્વીકાર્યો. ત્યારબાદ બ્રિજ ભૂષણને ધમકીના કેસમાં પણ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.હવે તેમને જાતીય સતામણીના કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.કોર્ટના નિર્ણય બાદ બ્રિજ ભૂષણે એક નિવેદન બહાર પાડ્યું,જેમાં કહ્યું જે કંઈ થાય છે તે ભગવાનનો ઈરાદો હોય છે.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/vinesh-phogat-statement-vinesh-phogats-big-blast-as-soon-as-brijbhushan-gets-relief-targeted-at-the-system" target="_blank">Vinesh Phogat Statement : બ્રિજભૂષણને રાહત મળતા જ વિનેશ ફોગાટનો મોટો ધડાકો! સિસ્ટમ પર સાધ્યું નિશાન</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/r8YVtTQu3c5U5Ov4V6h3ktGiQ7FDhR6yjHk2kYuS.webp'/></item><item><title><![CDATA[Una: ઉનાની મેન બજારમાં ફૂડ વિભાગની કાર્યવાહી, ઘી-કરિયાણાના 5 શંકાસ્પદ સેમ્પલ લેવાયા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/una/gir-somnath-una-main-bazar-food-safety-raid-ghee-grocery-samples-seized</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/una/gir-somnath-una-main-bazar-food-safety-raid-ghee-grocery-samples-seized</guid><pubDate>Mon, 03 Aug 2026 16:24:22 +05:30</pubDate><description><![CDATA[<p>ગિર સોમનાથ જિલ્લાના મુખ્ય વેપારી મથક એવા ઉના શહેરમાં નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાસભર ખાદ્યચીજો મળી રહે તેમજ અશુદ્ધ કે ભેળસેળયુક્ત ઘી અને મસાલાઓનું વેચાણ અટકે તે હેતુથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અચાનક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉના શહેરની ધમધમતી મેન બજારમાં ફૂડ સેફ્ટી અધિકારીઓની ટીમે અચાનક કાફલા સાથે પ્રવેશ કરીને ઘીના જથ્થાબંધ વેપારીઓ અને કરિયાણાના મોટા સ્ટોર્સમાં સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કર્યું હતું.</p><h2><b>ઉનામાં ફૂડ વિભાગના દરોડા</b></h2><p>ફૂડ વિભાગના દરોડાથી વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને કેટલાકે દુકાનોના શટર અડધા ઢાળી દીધા હોવાના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ સઘન ચેકિંગ દરમિયાન અધિકારીઓને ગુણવત્તા અંગે શંકા જતાં ઘી સહિત વિવિધ ખાદ્યપદાર્થોના 5 જેટલા શંકાસ્પદ સેમ્પલો વિધિવત રીતે જપ્ત કરવામાં આવ્યા છે.</p><h3><b>સેમ્પલને સીલ કરી ટેસ્ટિંગ માટે મોકલાયા</b></h3><p>આ તમામ સેમ્પલને સીલ કરીને પૃથક્કરણ અર્થે સરકારી ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. ફૂડ સેફ્ટી અધિકારીઓના જણાવ્યા મુજબ, લેબોરેટરીમાંથી એનાલિસિસ રિપોર્ટ આવ્યા બાદ જો ખાદ્યપદાર્થો સબ-સ્ટાન્ડર્ડ કે મિલાવટવાળા જણાશે તો સંબંધિત વેપારીઓ અને ઉત્પાદકો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ કડક કાનૂની કાર્યવાહી અને દંડ ફટકારવામાં આવશે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/gtu-appoints-dr-vaibhav-d-bhatt-as-incharge-vice-chancellor-dr-rajul-gajjar-term-ends" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: GTU ના ઈન્ચાર્જ કુલપતિ તરીકે ડૉ. વૈભવ ડી. ભટ્ટની નિમણૂક, ડૉ. રાજુલ ગજ્જરની ટર્મ પૂર્ણ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/xNoYBq7hvJFgoO02mnsg6rnTi1q5DDm7Qof7Yw6I.webp'/></item><item><title><![CDATA[Delhiની શાળા બાદ હવે લાલ કિલ્લાને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ એક્શન મોડમાં... ]]></title><link>https://sandesh.com/india/news/delhi-bomb-threat--schools--red-fort--mayor-office-targeted--police-probe</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/delhi-bomb-threat--schools--red-fort--mayor-office-targeted--police-probe</guid><pubDate>Mon, 03 Aug 2026 15:58:57 +05:30</pubDate><description><![CDATA[<p>Delhi: ફરી એકવાર દિલ્હીની ઘણી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. પોલીસ હાલ આ અંગે તપાસ કરી રહી છે.  મળતી માહિતી અનુસાર આજે બપોરે એક ઇ-મેઇલ આવ્યો જેમાં લાલ કિલ્લો અને દિલ્હીના મેયરના કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જોકે, પોલીસે હાલમાં આ ધમકીઓને ખોટી ગણાવીને ફગાવી દીધી છે.&nbsp;&nbsp;</p><p>સોમવારે દિલ્હીની ઘણી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા સંદેશા મળ્યા હતા. આ ધમકીઓએ શાળા વહીવટીતંત્ર અને સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચાવ્યો હતો. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે તમામ સુરક્ષા પ્રોટોકોલનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે અને ધમકી આપવામાં આવેલા શાળા પરિસરની સંપૂર્ણ તપાસ ચાલી રહી છે.</p><p><b>વર્ગખંડો અને શૌચાલયોની શોધખોળ</b></p><p>પોલીસ, સ્થાનિક વહીવટીતંત્ર અને શાળા સુરક્ષા ટીમો વર્ગખંડો, શૌચાલય અને આસપાસના વિસ્તારો સહિત સમગ્ર પરિસરમાં તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી તપાસમાં કંઈપણ શંકાસ્પદ કે વિસ્ફોટક મળ્યું નથી. અધિકારીઓએ વાલીઓને અફવાઓ પર ધ્યાન ન આપવા અને ફક્ત સત્તાવાર માહિતી પર આધાર રાખવાની અપીલ કરી છે. તેમજ હાલ તપાસ ચાલુ છે.</p><p><b>પોલીસ એક્શનમોડમાં...</b></p><p>આ દરમિયાન મેયર ઓફિસ અને એમસીડીના સત્તાવાર ઇમેઇલ આઈડી પર મેયર ઓફિસ અને લાલ કિલ્લાને લક્ષ્ય બનાવતો ધમકીભર્યો ઇમેઇલ મળ્યો હતો. મોકલનાર વ્યક્તિએ ખાલિસ્તાન નેશનલ આર્મી (કેએનએ) સાથે સંકળાયેલો આતંકવાદી હોવાનો દાવો કર્યો હતો. ઇમેઇલ મળતાં જ બંને સરકારી ઇમારતોની સુરક્ષા વધારી દેવામાં આવી હતી અને પોલીસે આ સ્થળોએ પણ સઘન સુરક્ષા તપાસ શરૂ કરી દીધી છે.</p><p><b>શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે માહિતી માટે પોલીસ અપીલ</b></p><p>સ્વતંત્રતા દિવસ (૧15 ઓગસ્ટ) પહેલા દિલ્હીભરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસ વિભાગે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને જો તેમને કંઈપણ શંકાસ્પદ લાગે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી છે.</p><p><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/kerala-floods--15-dead--7-missing--ndrf-deployed--cm-announces-relief" target="_blank"><b>Heavy Rain: કેરલમમાં ભારે વરસાદથી ચારેકોર તબાહી જ તબાહી, 15 લોકોના મોત, એલર્ટ પર NDRF અને સેનાના જવાન</b></a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/9Z104Eo13UfxSZG412gxJyBjWnQdHSXdm4gAm875.webp'/></item><item><title><![CDATA[Stock Market Close: : સોમવારે બજારમાં તેજીનો બુલ રન!, સેન્સેક્સ અને નિફ્ટી તેજી સાથે બંધ ]]></title><link>https://sandesh.com/business/news/stockmarket/https-sandesh-com-business-news-stock-market-opening-stock-market-starts-flat-sensex-opens-at-77929-points</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stockmarket/https-sandesh-com-business-news-stock-market-opening-stock-market-starts-flat-sensex-opens-at-77929-points</guid><pubDate>Mon, 03 Aug 2026 15:29:02 +05:30</pubDate><description><![CDATA[<p>સવારે શેરબજારમાં સારી શરૂઆત જોવા મળી હતી. જયારે બપોરે બજાર તેજી સાથે બંધ થયું. બપોરે 3.30 વાગ્યે બજાર BSE SENSEX +582.49 (0.75%) પોઈન્ટ વધી  78,677.13 ના સ્તર પર બંધ થયો. આ જ સમયે નિફ્ટી +189.75 (0.78%) પોઈન્ટ વધી 24,573.35ના સ્તર પર બંધ થયો.</p><h2><b>સોમવારે બજાર તેજી સાથે બંધ</b></h2><p>યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે તેહરાન સાથે વાતચીત શરૂ થશે તેવું કહ્યું ત્યારબાદ નિફ્ટી 50 અને સેન્સેક્સ વધ્યા અને તેલના ભાવ ઘટ્યા. બપોરે 12:00 વાગ્યા સુધીમાં, નિફ્ટી 50, 210 પોઈન્ટ અથવા 0.86 ટકા વધીને 24,593.10 પર અને સેન્સેક્સ 628 પોઈન્ટ અથવા 0.8 ટકા વધીને 78,722.36 પર બંધ રહ્યો હતો. આજે સપ્તાહના પ્રથમ દિવસે બજારના આરંભે સેન્સેક્સ 586 પોઈન્ટ અને નિફ્ટી 161 પોઈન્ટ વધીને ખુલ્યા હતા. સપ્તાહના પ્રથમ દિવસે બજારની સકારાત્મક શરૂઆતથી&nbsp;</p><h3><b>આ શેરમાં આજે રોકેટ જેવી તેજી</b></h3><p>સોમવારે GACM ટેક્નોલોજીસના શેરમાં તીવ્ર વધારો જોવા મળ્યો. આ લેખ લખતી વખતે, NSE પર શેર ₹0.75 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે 8.70% વધારે છે. બજારમાં આજે GACM ટેક્નોલોજીસના શેરનું સારું પ્રદર્શન જોવા મળ્યું. છેલ્લા અઠવાડિયા અને મહિનામાં શેરમાં આશરે 53%નો વધારો થયો છે. અત્યાર સુધીમાં, 2026 માં તેમાં આશરે 36%નો વધારો થયો છે, જ્યારે પાછલા વર્ષમાં શેરમાં આશરે 44% વળતર મળ્યું છે. જોકે, લાંબા ગાળે ચિત્ર થોડું અલગ છે. છેલ્લા ત્રણ વર્ષમાં શેરમાં આશરે 28% ઘટાડો થયો છે, પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં, તેણે રોકાણકારોને આશરે 23% વળતર આપ્યું છે.</p><p><br></p><p><br></p><p><a href="https://sandesh.com/business/news/coal-india-production-growth-july-2026-share-price-update" target="_blank">આ પણ વાંચો : Coal India Production: સરકારી કંપનીનું કોલસાનું પ્રોડક્શન 8 ટકા વધ્યું, શેરના ભાવ પર રહેશે નજર</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/Nr5BUsoyN9zYTincSLWYTw4m7j1dA8wyW2fbtdfY.webp'/></item><item><title><![CDATA[Vinesh Phogat Statement : બ્રિજભૂષણને રાહત મળતા જ વિનેશ ફોગાટનો મોટો ધડાકો! સિસ્ટમ પર સાધ્યું નિશાન ]]></title><link>https://sandesh.com/sports/news/vinesh-phogat-statement-vinesh-phogats-big-blast-as-soon-as-brijbhushan-gets-relief-targeted-at-the-system</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/vinesh-phogat-statement-vinesh-phogats-big-blast-as-soon-as-brijbhushan-gets-relief-targeted-at-the-system</guid><pubDate>Mon, 03 Aug 2026 14:52:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દિલ્હીની એક કોર્ટે સોમવારે ભારતીય કુસ્તી ફેડરેશનના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહને છ મહિલા કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપોમાંથી મુક્ત કર્યા છે.બ્રિજભૂષણે આ નિર્ણયને વિજય ગણાવ્યો છે,જ્યારે ઓલિમ્પિયન વિનેશ ફોગાટે સ્પષ્ટ કર્યું છે કે મહિલા કુસ્તીબાજો આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકારશે.આ કેસ છ મહિલા કુસ્તીબાજોની ફરિયાદોના આધારે દાખલ કરવામાં આવ્યો હતો જેમણે તેમના પર ગંભીર આરોપો લગાવ્યા હતા.કોર્ટના નિર્ણયથી ફોજદારી કેસની સુનાવણી પૂર્ણ થાય છે.</p><h4 style="text-align: justify; "><b>વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી&nbsp;</b></h4><p style="text-align: justify; ">નિર્ણય પછી તરત જ, સ્ટાર કુસ્તીબાજ વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટમાં પોતાની નારાજગી વ્યક્ત કરી. વિનેશ ફોગાટે લખ્યું, શાસક પક્ષના એક શક્તિશાળી નેતા સામે રસ્તા પર ઉતરીને FIR દાખલ કરવામાં અમને ઘણી હિંમતની જરૂર પડી. પોતાની શક્તિ અને પ્રભાવનો ઉપયોગ કરીને, બ્રિજભૂષણ શરણ સિંહે ઘણી મહિલાઓને તેમના નામ પાછા ખેંચવા માટે ડરાવ્યા. જોકે, ઘણી મહિલા કુસ્તીબાજોએ અડગ રહીને કોર્ટમાં લડવાનું ચાલુ રાખ્યું.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/Phogat_Vinesh/status/2084179633893961951?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>કોર્ટેના નિર્ણયથી અમને ખૂબ જ દુઃખ થયું : વિનેશ ફોગા</b></h4><p style="text-align: justify; ">વિનેશ ફોગાટ લખે છે, મહિલા કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપોમાં કોર્ટે બ્રિજભૂષણ શરણ સિંહને દોષિત ઠેરવ્યા નથી તેનું અમને ખૂબ જ દુઃખ છે. શરૂઆતથી જ, સમગ્ર વ્યવસ્થા,સરકાર અને વ્યવસ્થા તેમને બચાવવા માટે કામ કરી રહી હતી. મહિલા કુસ્તીબાજોએ તેમના વકીલોને આ નિર્ણય સામે અપીલ કરવા સૂચના આપી છે. આ અપીલ ટૂંક સમયમાં દાખલ કરવામાં આવશે. અમે આશા ગુમાવી નથી અને અમારી લડાઈ ચાલુ રાખીશું.ચુકાદા પછી, બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું કે તેમને શરૂઆતથી જ વિશ્વાસ હતો કે તેમને દોષિત ઠેરવવામાં આવશે. તેમણે કહ્યું,મેં પહેલા જ દિવસે કહ્યું હતું કે જો આરોપો સાચા સાબિત થશે, તો હું ફાંસી લગાવીશ. આજે મને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. આ મારા અને મારા સમર્થકો માટે સારા સમાચાર છે.</p><h4 style="text-align: justify; "><b>કુસ્તીઓએ જંતર-મંતર પર ધરણા કર્યા</b></h4><p style="text-align: justify; ">આ કેસ જાન્યુઆરી 2023 માં હેડલાઇન્સમાં આવ્યો હતો જ્યારે વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા સહિત દેશના ઘણા ટોચના કુસ્તીબાજોએ દિલ્હીના જંતર-મંતર પર ધરણા કર્યા હતા. કુસ્તીબાજોએ બ્રિજભૂષણ શરણ સિંહ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો અને તેમની ધરપકડ અને WFI પ્રમુખ પદ પરથી હટાવવાની માંગ કરી હતી. રમતગમત મંત્રાલયે પાછળથી એક દેખરેખ સમિતિની રચના કરી હતી, પરંતુ કુસ્તીબાજોએ કાર્યવાહી ન થવાનો આરોપ લગાવતા તેમનો વિરોધ ફરી શરૂ કર્યો હતો.</p><h5 style="text-align: justify; "><b>એપ્રિલ 2023 માં સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી</b></h5><p style="text-align: justify; ">એપ્રિલ 2023 માં છ મહિલા કુસ્તીબાજોએ ઔપચારિક ફરિયાદ દાખલ કરી હતી.ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, અને દિલ્હી પોલીસે બે FIR નોંધી હતી. છ પુખ્ત મહિલા કુસ્તીબાજોની ફરિયાદના આધારે પ્રથમ FIR દાખલ કરવામાં આવી હતી. બીજી FIR એક સગીર કુસ્તીની ફરિયાદના આધારે POCSO એક્ટ હેઠળ દાખલ કરવામાં આવી હતી. બાદમાં, દિલ્હી પોલીસે સગીર કુસ્તીબાજો સાથે સંકળાયેલા કેસમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો, જેને કોર્ટે મે 2025 માં સ્વીકારી લીધો હતો.</p><h4 style="text-align: justify; "><b>બ્રિજભૂષણ નિર્દોષ જાહેર&nbsp;</b></h4><p style="text-align: justify; ">મહિલા કુસ્તીબાજો સાથે સંકળાયેલા કેસમાં, દિલ્હી પોલીસે જૂન 2023 માં ચાર્જશીટ દાખલ કરી હતી. મે 2024 માં, કોર્ટે બ્રિજભૂષણ શરણ સિંહ અને ભૂતપૂર્વ WFI સહાયક સચિવ વિનોદ તોમર સામે આરોપો ઘડ્યા હતા. બંનેએ પોતાને નિર્દોષ કબૂલ્યા હતા. ટ્રાયલ દરમિયાન, ફરિયાદ પક્ષે 32 સાક્ષીઓ રજૂ કર્યા હતા. મે 2026 માં જુબાની પૂર્ણ થઈ, આરોપીઓના નિવેદનો જૂનમાં નોંધાયા અને અંતિમ દલીલો 2 જુલાઈ, 2026 ના રોજ પૂર્ણ થઈ. ત્યારબાદ, 3 ઓગસ્ટ, 2026 ના રોજ કોર્ટે છ મહિલા કુસ્તીબાજો સાથે સંકળાયેલા જાતીય સતામણી કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહને નિર્દોષ જાહેર કર્યા.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/india/news/delhi-rouse-avenue-court-acquits-brijbhushan-singh-in-the-case-of-sexual-harassment-of-female-wrestlers" target="_blank">Delhi Rouse Avenue Courtએ મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ સિંહ નિર્દોષ જાહેર</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/7cwma2HEs4Zqjkv09mzdIf3r9xK1xvj77Uv3bay3.webp'/></item></channel></rss>