<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Uttar Pradesh : શાહજહાંપુર મેડિકલ કોલેજમાં ટ્રેની નર્સો પર હુમલો, પિતા-પુત્ર સહિત 20 લોકો સામે ગુનો નોંધાયો ]]></title><link>https://sandesh.com/india/news/uttar-pradesh-shahjahanpur-medical-college-trainee-nurses-assault-fir-against-20</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/uttar-pradesh-shahjahanpur-medical-college-trainee-nurses-assault-fir-against-20</guid><pubDate>Mon, 20 Jul 2026 17:22:00 +05:30</pubDate><description><![CDATA[<p>ઉત્તર પ્રદેશના શાહજહાંપુર સ્થિત સરકારી મેડિકલ કોલેજમાં ટ્રેની નર્સો પર થયેલા હુમલાના મામલે પોલીસે પિતા-પુત્ર સહિત 20 જેટલા અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે. ઘટના શુક્રવારે બની હતી, જ્યારે લતા સિંહ નામની મહિલા સાથે આવેલા પરિવારજનોએ શંકા વ્યક્ત કરી હતી કે એક ટ્રેની નર્સ દર્દીનો વીડિયો બનાવી રહી છે. આ શંકાના આધારે નર્સના વાળ ખેંચી તેની સાથે મારપીટ કરવામાં આવી હતી.</p><h2><b>ડાયાલિસિસ યુનિટમાં તોડફોડ કરી</b></h2><p>પોલીસના જણાવ્યા અનુસાર, બાદમાં આરોપીઓએ વધુ લોકોને બોલાવી ડાયાલિસિસ યુનિટમાં તોડફોડ કરી હતી અને ત્યાં હાજર અન્ય ટ્રેની નર્સો સાથે પણ મારપીટ કરી હતી. ફરિયાદમાં એવો પણ આરોપ છે કે હુમલાખોરોએ એક નર્સને બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો તેમજ તેની સાથે અભદ્ર વર્તન કર્યું હતું. શાહજહાંપુરના પોલીસ અધિક્ષકે જણાવ્યું કે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કોલેજ અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે અન્ય આરોપીઓની ઓળખ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.</p><h3><b>ટ્રેની નર્સોએ શાહજહાંપુરની મેયરને મળી રજૂઆત કરી</b></h3><p>ઘટના બાદ રવિવારે ટ્રેની નર્સોએ શાહજહાંપુરની મેયરને મળી રજૂઆત કરી હતી. નર્સોએ આરોપ લગાવ્યો કે ફરિયાદ પાછી ખેંચવા માટે તેમને સતત ધમકીઓ આપવામાં આવી રહી છે અને દબાણ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં એક ટ્રેની નર્સે દાવો કર્યો છે કે હુમલાખોરો દદરૌલ વિસ્તારના એક ભાજપ ધારાસભ્ય સાથે જોડાયેલા છે. જોકે, આ આરોપ અંગે ધારાસભ્યએ કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો છે. પોલીસનું કહેવું છે કે તમામ પાસાઓની તપાસ નિષ્પક્ષ રીતે કરવામાં આવી રહી છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/tripura-dgp-death-know-about-the-career-of-1994-batch-ips-nirav-modi-case-investigating-officer-anurag-dhankhar" target="_blank">આ પણ વાંચો : Tripura DGP Death: 1994 બેચના IPS, નીરવ મોદી કેસના તપાસ અધિકારી અનુરાગ ધનખડની કારકિર્દી વિશે જાણો</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/20/Mdm496E1hKQU3GuuHVt18V457AAASLaMu9AVn2NH.webp'/></item><item><title><![CDATA[Surat Nasirnagar Demolition Case Update: "નાના કર્મચારીઓ સસ્પેન્ડ તો કમિશ્નર કેમ નહીં?", હાઈકોર્ટે સરકાર પાસે માંગ્યો ખુલાસો ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/nasirnagar-demolition-case-gujarat-high-court-reprimands</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/nasirnagar-demolition-case-gujarat-high-court-reprimands</guid><pubDate>Mon, 20 Jul 2026 17:21:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતના નાસિરનગર વિસ્તારમાં કાયદાકીય પ્રક્રિયાઓ પૂરી કર્યા વિના હાથ ધરવામાં આવેલા વિવાદિત ડિમોલિશન કેસમાં ગુજરાત હાઈકોર્ટે અત્યંત સખત વલણ અપનાવ્યું છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકાને આડે હાથ લેતા કાયદાકીય મર્યાદાઓ તથા અધિકારીઓની કથિત બેદરકારી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. તંત્રની મનસ્વી કામગીરી સામે કોર્ટે લાલ આંખ કરી છે.</p><h2 style="text-align: justify; "><b>"નાના કર્મચારીઓ સસ્પેન્ડ તો SMC કમિશનર કેમ નહીં?"</b></h2><p style="text-align: justify; ">સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સરકારની કામગીરી સામે તીખી ટકોર કરતા પૂછ્યું હતું કે, આટલી મોટી ઘટના બની છતાં જવાબદાર ઉચ્ચ અધિકારીઓ સામે હજુ સુધી પગલાં કેમ લેવાયા નથી? કોર્ટે સવાલ કર્યો કે, જો નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવતા હોય તો સુરત મ્યુનિસિપલ કમિશનર સામે કાર્યવાહી કેમ કરવામાં ન આવી? હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, નાના અધિકારીઓને બલિનો બકરો બનાવીને મુખ્ય જવાબદારોને છાવરવાનો પ્રયાસ કોઈ પણ ભોગે સહન કરવામાં આવશે નહીં.</p><h2 style="text-align: justify; "><b>"હાઈકોર્ટની આંખમાં ધૂળ ન નાખો" - સરકાર પર કોર્ટના આકરા પ્રહાર</b></h2><p style="text-align: justify; ">રાજ્ય સરકારના બચાવ સામે હાઈકોર્ટે આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, હાઈકોર્ટની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ ન કરો. આટલા મોટા પાયે ઘરો તોડી પાડવામાં આવ્યા અને 150 થી વધુ પરિવારો રસ્તા પર આવી ગયા, તેની જવાબદારીમાંથી સરકાર કે ઉચ્ચ અધિકારીઓ છટકી શકે નહીં. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, સમગ્ર ઘટનાની આખરી જવાબદારી શાસન અને તંત્રની પોતાની જ બને છે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2079167744340283648"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2 style="text-align: justify; "><b>હાઈકોર્ટે સરકાર પાસે માંગ્યો વિસ્તૃત લેખિત ખુલાસો</b></h2><p style="text-align: justify; ">હાઈકોર્ટે રાજ્ય સરકારને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, સમગ્ર ઘટનામાં વાસ્તવિક જવાબદારી કોની હતી અને ઉચ્ચ અધિકારીઓ સામે હજુ સુધી દાખલારૂપ કાર્યવાહી કેમ નથી કરવામાં આવી, તે અંગે લેખિત ખુલાસો રજૂ કરવામાં આવે. આ વિવાદિત ડિમોલિશનમાં 150 થી વધુ અસરગ્રસ્ત પરિવારોના પુનઃવસન અને કાયદાકીય ઉલ્લંઘન મામલે હાઈકોર્ટે આગામી દિવસોમાં વધુ આકરા નિર્દેશો આપવાના સંકેત આપ્યા છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/surat/surat-nasirnagar-demolition-case-sujal-prajapati-whatsapp-chat-high-court" target="_blank">Surat : ડિમોલિશન કાંડમાં મોટો ધડાકો, "કમિશનરના આદેશથી જ તોડફોડ થઈ", સસ્પેન્ડેડ એન્જિનિયરે હાઈકોર્ટમાં રજૂ કરી વૉટ્સએપ ચેટ</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/20/JEGbqFZhbiyQpXpPhVSZJiYWg4swDaRZiuhOtXje.webp'/></item><item><title><![CDATA[VIDEO : CJPના વિરોધ પ્રદર્શન પર કંગના રનૌતનું નિવેદન, કહ્યું- 'અરાજકતા ફેલાવવી યોગ્ય નથી' ]]></title><link>https://sandesh.com/entertainment/news/kangana-ranaut-reaction-on-cjp-protest-video-viral</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/kangana-ranaut-reaction-on-cjp-protest-video-viral</guid><pubDate>Mon, 20 Jul 2026 17:21:17 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગને લઈને જંતર મંતર પર કોકરોચ જનતા પાર્ટી (CJP) નું વિરોધ પ્રદર્શન ચાલુ છે. આને વિપક્ષનો પણ ટેકો મળી રહ્યો છે. આ મુદ્દા પર હવે અભિનેત્રી કંગના રનૌત અને ભાજપ સાંસદ કંગના રનૌતે પણ સ્પષ્ટપણે પોતાનો મત રજૂ કર્યો છે. કંગનાએ માધ્યમો સાથે વાત કરતા વિપક્ષ અને પ્રદર્શનકારીઓને સાફ-સાફ કહ્યું છે કે કોને હટાવવાના છે અને કોને રાખવાના છે, એ તમે નક્કી ન કરી શકો.</p><h2 style="text-align: justify; "><b>'હંગામો કરશો, ઉપદ્રવ મચાવશો, આ યોગ્ય નથી...'</b></h2><p style="text-align: justify; ">નીટ પેપર લીક મામલાને લઈને કેટલાય દિવસોથી દિલ્હીના જંતર મંતર પર કોકરોચ જનતા પાર્ટીનું વિરોધ પ્રદર્શન ચાલુ છે. કંગના રનૌતે આજે એટલે કે સોમવાર, 20 જુલાઈએ સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે સંસદ પરિસરમાં માધ્યમો સાથે વાત કરતા વિરોધ પ્રદર્શન અંગે કહ્યું, સંસદનું જે સત્ર હોય છે તે એટલા માટે જ હોય છે કે તમામ મુદ્દાઓ પર અમે વિગતવાર ચર્ચા કરી શકીએ અને સરકારની જવાબદારી દરેક બાબત માટે હોય છે, આ તેના માટે જ હોય છે. અમે ઈચ્છીએ છીએ કે આ સત્ર ચાલે અને પોતાના પ્રશ્નો ત્યાં રજૂ કરે. પરંતુ, જો હંગામો કરશો, ઉપદ્રવ મચાવશો અને જે રીતે આ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે તે યોગ્ય નથી.</p><h3 style="text-align: justify; "><b>'તમે સરકાર પર દબાણ ન બનાવી શકો...'</b></h3><p style="text-align: justify; ">કંગનાએ આગળ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ અંગે કહ્યું, જનતાએ જે સરકારને ચૂંટી છે, તે કઈ રીતે સરકાર ચલાવશે એ તેમનો અધિકાર છે. જો તમને આટલી જ તકલીફ હોય તો તમે પણ ચૂંટણીમાં ઊભા રહી જાઓ. તમે સરકાર પર દબાણ ન બનાવી શકો કે કોને હટાવવાના છે અને કોને રાખવાના છે.<br><a href="https://x.com/ANI/status/2079090746544754823" target="_blank">https://x.com/ANI/status/2079090746544754823</a><br></p><h3 style="text-align: justify; "><b>DMK પર કહ્યું - આ સનાતનના શરણે જ આવશે</b></h3><p style="text-align: justify; ">માધ્યમકર્મીઓએ આનાથી આગળ ડીએમકે અંગે પ્રશ્ન કર્યો કે શું ડીએમકેનું વલણ સ્પષ્ટ નથી કે તે ઇન્ડિયા ગઠબંધન સાથે છે? આના પર અભિનેત્રીએ કહ્યું, આ બધા ધીમે ધીમે ભારતીય જનતા પાર્ટી અને સનાતન સંસ્કૃતિ જે છે તેની જ શરણમાં આવશે. કારણ કે આ આપણી પોતાની સંસ્કૃતિ છે અને આ જે બાકી છે તે બધું દુનિયા પાસેથી ઉધાર લીધેલું છે.</p><h5 style="text-align: justify; "><b>કેટલાય કલાકારો આવ્યા CJP ના સમર્થનમાં</b></h5><p style="text-align: justify; ">સ્વરા ભાસ્કર, શબાના આઝમી અને પ્રકાશ રાજ જેવા કલાકારો સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલી CJP ના સમર્થનમાં છે. આમાં મુખ્યત્વે સ્વરા ભાસ્કર, પ્રકાશ રાજ અને શબાના આઝમીના નામ સામેલ છે. CJP ના સ્થાપક અભિજીત દિપકેની આગેવાનીમાં આ વિરોધ પ્રદર્શન ચાલુ છે અને સંસદ સત્ર શરૂ થતાં જ CJP ના પ્રતિનિધિમંડળે ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા સાથે મુલાકાત કરી છે અને તેમની સામે કેટલીક શરતો મૂકી છે. બીજી તરફ પ્રદર્શનકારીઓ સંસદ ભવન તરફ આગળ વધી રહ્યા છે. આના માટે 500 પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/shabana-azmi-cjp-protest-bollywood-silence-reaction" target="_blank">આ પણ વાંચો-CJPના વિરોધ પ્રદર્શનમાં જોડાઈ શબાના આઝમી, બોલીવુડના મૌન પર આપ્યો જવાબ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/20/w0aDU5uOXNscXm1dVM0f0YFVTvevIWCWSv61x0dY.webp'/></item><item><title><![CDATA[Tripura DGP Death: 1994 બેચના IPS, નીરવ મોદી કેસના તપાસ અધિકારી અનુરાગ ધનખડની કારકિર્દી વિશે જાણો ]]></title><link>https://sandesh.com/india/news/tripura-dgp-death-know-about-the-career-of-1994-batch-ips-nirav-modi-case-investigating-officer-anurag-dhankhar</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/tripura-dgp-death-know-about-the-career-of-1994-batch-ips-nirav-modi-case-investigating-officer-anurag-dhankhar</guid><pubDate>Mon, 20 Jul 2026 16:49:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">પોલીસ મુખ્યાલયમાં મૃત હાલતમાં મળી આવેલા IPS અધિકારી અનુરાગ ધનખડ તેમની ઉત્તમ તપાસ કુશળતા માટે જાણીતા હતા.&nbsp;</p><h2 style="text-align: justify; ">પોલીસ બેડામાં શોકનો માહોલ&nbsp;</h2><p style="text-align: justify; ">ત્રિપુરાના પોલીસ મહાનિર્દેશક અનુરાગ ધનખડ મૃત હાલતમાં મળી આવ્યા હતા. પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે તે કથિત આત્મહત્યાનો કેસ હતો. આ ઘટનાએ પોલીસ વિભાગ અને વહીવટી વર્તુળોમાં શોકની લહેર ફેલાવી દીધી છે. અનુરાગ ધનખડ માત્ર એક વરિષ્ઠ પોલીસ અધિકારી જ નહીં પરંતુ દેશના હાઇ-પ્રોફાઇલ કેસોની તપાસ કરનારા અનુભવી IPS અધિકારીઓમાં પણ ગણાતા હતા.&nbsp;</p><h3 style="text-align: justify; ">મે 2025માં ત્રિપુરાના ડીજીપી બન્યા</h3><p style="text-align: justify; ">અનુરાગ ધનખરે 17 મે 2025ના રોજ ત્રિપુરાના પોલીસ મહાનિર્દેશકનું પદ સંભાળ્યું હતુ, આ પહેલા, તેમણે રાજ્યમાં પોલીસ મહાનિર્દેશક (ગુપ્તચર) તરીકે સેવા આપી હતી. 1 જાન્યુઆરી 2024થી તેમણે વધારાના પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા)ની જવાબદારી પણ સંભાળી હતી. તત્કાલીન ડીજીપી અમિતાભ રંજનની નિવૃત્તિ પછી તેમની નિમણૂક કરવામાં આવી હતી. રાજ્યપાલે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન સાથે પરામર્શ કર્યા પછી તેમના નામાંકનને મંજૂરી આપી હતી.</p><h4 style="text-align: justify; ">કોણ હતા આઈપીએસ અધિકારી અનુરાગ ધનખડ ?</h4><p style="text-align: justify; ">અનુરાગ ધનખડ 1994 બેચના ત્રિપુરા કેડરના IPS અધિકારી હતા. UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા દ્વારા તેમની IPS માટે પસંદગી થઈ હતી. તેઓ તેમના તીક્ષ્ણ-શાંત સ્વભાવ અને ઉત્તમ તપાસ માટે જાણીતા હતા. તેમને પોલીસિંગ, ગુપ્તચર અને મોટા આર્થિક ગુનાઓની તપાસમાં વ્યાપક અનુભવ હતો. અનુરાગ મૂળ હરિયાણાના હતા. સામાન્ય પરિવારમાંથી આવતા, તેમણે દેશની સૌથી પ્રતિષ્ઠિત પોલીસ સેવાઓમાં પ્રવેશ કર્યો અને લગભગ ત્રણ દાયકા સુધી પોલીસ સેવામાં મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી. તેમણે મૈસુરની CFTRIમાંથી ફૂડ ટેકનોલોજીમાં અનુસ્નાતક પૂર્ણ કર્યું. ત્યારબાદ તેમણે ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી પોલીસ મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી મેળવી. તેમણે હૈદરાબાદની NALSAR યુનિવર્સિટી ઓફ લોમાંથી સાયબર ક્રાઇમમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પણ મેળવ્યો હતો.&nbsp;</p><h5 style="text-align: justify; ">અનેક મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા</h5><p style="text-align: justify; ">અનુરાગ ધનખડનો ત્રિપુરા સાથે લાંબો સંબંધ છે. 1995થી2003 સુધી તેમણે રાજ્યમાં અનેક મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા હતા. તેમણે લોંગથરાઈ ખીણમાં સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર તરીકે સેવા આપી હતી. તેમણે અવિભાજિત પશ્ચિમ અને દક્ષિણ ત્રિપુરા જિલ્લાઓના પોલીસ અધિક્ષક તરીકે પણ સેવા આપી હતી. તેમણે સ્પેશિયલ બ્રાન્ચના SP અને AIGPના હોદ્દા પણ સંભાળ્યા હતા. બાદમાં, 2013 થી 2016 સુધી, તેમણે ત્રિપુરામાં IG તરીકે સેવા આપી હતી. 2003 થી 2004 દરમિયાન, અનુરાગ ધનખડ UN કોસોવો મિશનનો પણ ભાગ હતા. આ તેમના આંતરરાષ્ટ્રીય પોલીસ અનુભવમાં એક મહત્વપૂર્ણ પ્રકરણ માનવામાં આવે છે.</p><h6 style="text-align: justify; ">સૌથી વધુ નોંધપાત્ર કાર્યકાળ&nbsp;</h6><p style="text-align: justify; ">અનુરાગનો સૌથી વધુ નોંધપાત્ર કાર્યકાળ CBI સાથે રહ્યો હતો. તેમણે 2005 થી 2013 અને ફરીથી 2016 થી 2023 સુધી કેન્દ્રીય ડેપ્યુટેશન પર સેવા આપી હતી. આ સમયગાળા દરમિયાન, તેમણે SP, DIG, જોઈન્ટ ડિરેક્ટર અને એડિશનલ ડિરેક્ટર જેવા મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા હતા. તેમની સૌથી નોંધપાત્ર તપાસમાં નીરવ મોદી-પંજાબ નેશનલ બેંક કૌભાંડનો સમાવેશ થાય છે. તેમણે કરોડો રૂપિયાના આ હાઇ-પ્રોફાઇલ બેંક કૌભાંડની તપાસનું નેતૃત્વ કર્યું હતુ. તેમણે 1984ના શીખ રમખાણોની SITના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી.</p><h2 style="text-align: justify; ">તપાસ ઉકેલમાં સૌથી આગળ&nbsp;</h2><p style="text-align: justify; ">અનુરાગ ધનખડ IPS અધિકારી તરીકે જાણીતા હતા જેમણે અત્યંત વ્યાવસાયિકતા સાથે સંવેદનશીલ અને જટિલ કેસોની તપાસ કરી હતી. તેમને કાયદો અને વ્યવસ્થા, ગુપ્તચર, આર્થિક ગુનાઓ અને વિશેષ તપાસ જેવા ક્ષેત્રોમાં વ્યાપક અનુભવ હતો. ત્રિપુરામાં, તેમણે કાયદો અને વ્યવસ્થાને મજબૂત કરવા અને આધુનિક પોલીસિંગને પ્રોત્સાહન આપવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં પણ લીધા હતા.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/iran-military-base-news-america-shaken-by-iranian-attacks-donald-trump-shifts-planes-from-qatar-to-israel" target="_blank">ઈરાની હુમલાઓથી અમેરિકા હચમચ્યુ, ડોનાલ્ડ ટ્ર્મ્પે કતારથી વિમાનો ઈઝરાયલ કર્યા શિફ્ટ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/20/tQm5t11kcuTQMa7apsvGKQGaVpclULBoUgzBrICL.webp'/></item><item><title><![CDATA[Baruchના દહેજમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રૂ.2,153 કરોડના નશીલા પદાર્થોનો કરાયો નાશ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/narcotics-worth-crores-destroyed-in-baruchs-dowry-in-the-presence-of-home-minister-harsh-sanghvi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/narcotics-worth-crores-destroyed-in-baruchs-dowry-in-the-presence-of-home-minister-harsh-sanghvi</guid><pubDate>Mon, 20 Jul 2026 16:48:26 +05:30</pubDate><description><![CDATA[<p>ભરૂચના દહેજ ખાતે રાજ્યમાં નશાકારક પદાર્થો સામેની ઝુંબેશ અંતર્ગત એક મોટી અને ઐતિહાસિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં દહેજની BEIL (ભરૂચ એન્વાયરો ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ) ખાતે જપ્ત કરાયેલા નશીલા પદાર્થોના નાશની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ કાર્યવાહી દરમિયાન કુલ 1,095 NDPS કેસોમાં જપ્ત કરાયેલ 3,900 કિલોગ્રામ જેટલો નાર્કોટિક્સનો જથ્થો સત્તાવાર રીતે નાશ કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જપ્ત કરાયેલા ડ્રગ્સની અંદાજિત કિંમત રૂપિયા 2,153 કરોડ જેટલી થાય છે.</p><h2><b>16 પોલીસ યુનિટોની હાજરીમાં વિમોચન અને&nbsp;</b></h2><p>આ સમગ્ર નિકાલ પ્રક્રિયા લાકડિયા, ભચાઉ અને ભરૂચ સહિતની કુલ ૧૬ પોલીસ યુનિટોની સઘન હાજરીમાં પાર પાડવામાં આવી હતી. આ પ્રસંગે GACL (ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ) ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગૃહમંત્રી દ્વારા 'NDPS હેન્ડબુક'નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, રાજ્યમાં ડ્રગ્સનું નેટવર્ક બસ્ટ કરનાર અને સફળ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા બાતમીદારોને 'ડ્રગ્સ રિવોર્ડ પોલિસી' હેઠળ પ્રોત્સાહક ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.</p><h3><b>ડ્રગ્સ રિવોર્ડ પોલિસી હેઠળ ઇનામ વિતરણ</b></h3><p>આ કાર્યક્રમમાં પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તેમજ વિવિધ સરકારી વિભાગોના ઉચ્ચ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દહેજ ખાતે યોજાયેલી આ મહત્ત્વપૂર્ણ કાર્યવાહી દ્વારા ગુજરાત સરકારે નશાના કારોબાર સામે પોતાની 'ઝીરો ટોલરન્સ' (Zero Tolerance) નીતિનો સ્પષ્ટ અને આકરો સંદેશ આપ્યો છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે યુવાધન ને બરબાદ કરતા ડ્રગ્સ માફિયાઓ સામે રાજ્ય પોલીસની આવી આકરી કાર્યવાહી આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે.</p><p><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/20/R8qd9E2bUnoKR5MBAVoCex6KSHdW2mgGv1uikLii.webp'/></item><item><title><![CDATA[Bhavnagar Rain Updates: પાલીતાણા ગ્રામ્યમાં મેઘરાજાની મહેર, શેત્રુંજી ડેમ અને આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ ]]></title><link>https://sandesh.com/weather/monsoon-2026/news/bhavnagar/palitana-villages-heavy-rainfall-crops-benefit</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/monsoon-2026/news/bhavnagar/palitana-villages-heavy-rainfall-crops-benefit</guid><pubDate>Mon, 20 Jul 2026 16:45:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગ્રામ્ય પંથકમાં હવામાનમાં અચાનક પલટો આવ્યા બાદ મેઘરાજાએ ભવ્ય પધરામણી કરી છે. પાલીતાણા તાલુકાના શેત્રુંજી ડેમ વિસ્તાર, નાની રાજસ્થળી તેમજ સોનપરી સહિતના આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અનરાધાર વરસાદના કારણે સમગ્ર ગ્રામ્ય પંથકમાં ચારેકોર વરસાદી માહોલ જામી ગયો હતો.</p><h2 style="text-align: justify; "><b>રસ્તાઓ પર પાણી વહ્યા, વાતાવરણમાં પ્રસરી ભારે ઠંડક</b></h2><p><div style="text-align: justify;">ટૂંકા સમયમાં પડેલા ધોધમાર વરસાદને કારણે ગામડાઓના મુખ્ય માર્ગો તેમજ શેરીઓમાં વરસાદી પાણી વહેતા થઈ ગયા હતા. લાંબા સમયના વિરામ બાદ કે, અસહ્ય બફારા પછી પડેલા આ વરસાદના કારણે સમગ્ર વિસ્તારના વાતાવરણમાં સારો એવો સીધો સુધારો જોવા મળ્યો હતો અને વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ હતી, જેનાથી લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે.</div><div style="text-align: justify;"><br></div><div style="text-align: justify;"><a  target="_blank"><a  target="_blank" style="background-color: rgb(255, 255, 255);"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2079141668616393063"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></a></div></p><h2 style="text-align: justify; "><b><br></b></h2><h2 style="text-align: justify; "><b>કપાસ અને મગફળીના પાકને મોટો ફાયદો, ખેડૂતોમાં આનંદ</b></h2><p style="text-align: justify; ">ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાતાં જ સ્થાનિક ખેડૂતોના મુખ પર ખુશીની લહેર દોડી ગઈ છે. હાલના તબક્કે પડેલો આ વરસાદ વાવેતર કરેલા કપાસ, મગફળી સહિતના મોસમ આધારિત પાકો માટે અમૃત સમાન સાબિત થશે. સમયસરના વરસાદથી પાકને નવજીવન મળતાં ચાલુ વર્ષે સારો પાક ઊતરવાની આશાએ ધરતીપુત્રોમાં ભારે હરખ જોવા મળી રહ્યો છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/gujarat/news/bhavnagar/chandipura-virus-confirmed-in-melana-village-child-death" target="_blank">&nbsp; Bhavnagar News: 6 વર્ષના બાળકનું મોત, ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થતા આરોગ્ય વિભાગ દોડતું થયું</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/20/QSJ7cSWFqlHmUqViZXXGQlll4m2ZGDJjxt6RftGP.webp'/></item><item><title><![CDATA[STCG-LTCG Tax : શું શેર પર લાગતા ટેક્સને ખતમ કરશે સરકાર? જાણો સરકારે સંસદમાં શું કહ્યું? ]]></title><link>https://sandesh.com/business/news/india/stcg-ltcg-tax-government-no-plan-to-abolish-equity-capital-gains-tax-parliament</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/stcg-ltcg-tax-government-no-plan-to-abolish-equity-capital-gains-tax-parliament</guid><pubDate>Mon, 20 Jul 2026 16:07:10 +05:30</pubDate><description><![CDATA[<p>કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે હાલ રિટેલ અને ઘરેલુ રોકાણકારો માટે ઈક્વિટી ટ્રાન્ઝેક્શન પર લાગતો લોન્ગ-ટર્મ કેપિટલ ગેઈન્સ (LTCG) ટેક્સ દૂર કરવાની કોઈ યોજના વિચારાધીન નથી. લોકસભામાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લેખિત જવાબમાં જણાવ્યું કે બજારનું સેન્ટિમેન્ટ સુધારવા અને ઘરેલુ તથા વિદેશી રોકાણકારો વચ્ચે સમાનતા લાવવા માટે LTCG ટેક્સ હટાવવાનો કોઈ પ્રસ્તાવ સરકાર પાસે નથી.</p><h2><b>બે વર્ષમાં સરકારને 2.01 લાખ કરોડની થઈ આવક&nbsp;</b></h2><p>તેમણે વધુમાં જણાવ્યું કે કેપિટલ ગેઈન્સ ટેક્સ સહિતની ટેક્સ નીતિઓની સમયાંતરે વાર્ષિક બજેટ પ્રક્રિયા અને કાનૂની જોગવાઈઓ હેઠળ સમીક્ષા કરવામાં આવે છે. આ દરમિયાન દેશની આર્થિક સ્થિતિ અને અન્ય મહત્વના પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે. સરકારના આંકડા મુજબ, ઈક્વિટી ટ્રાન્ઝેક્શન પરથી LTCG ટેક્સની વસૂલાતમાં નોંધપાત્ર વધારો થયો છે. એસેસમેન્ટ વર્ષ 2024-25માં 72,249 કરોડ રૂપિયા વસૂલાયા હતા, જ્યારે એસેસમેન્ટ વર્ષ 2025-26માં આ આંકડો વધીને 1,29,158 કરોડ રૂપિયા થયો છે. એટલે કે બે વર્ષમાં સરકારે કુલ 2.01 લાખ કરોડ રૂપિયાની આવક LTCG ટેક્સ દ્વારા મેળવી છે.</p><h3><b>LTCGમાં 1.25 લાખ રૂપિયા સુધીની કમાણી પર ટેક્સ લાગતો નથી&nbsp;</b></h3><p>હાલમાં લિસ્ટેડ ઈક્વિટી અને ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં એક નાણાકીય વર્ષ દરમિયાન 1.25 લાખ રૂપિયાથી વધુના લાંબા ગાળાના નફા પર 12.5 ટકા LTCG ટેક્સ લાગુ પડે છે. 12 મહિનાથી વધુ સમય સુધી રાખવામાં આવેલી સંપત્તિને લોંગ-ટર્મ કેપિટલ એસેટ તરીકે ગણવામાં આવે છે.</p><h5><b>આ મામલે વિચાર કરવામાં આવશે&nbsp;</b></h5><p>સરકારે એ પણ સ્પષ્ટ કર્યું કે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI), ઘરેલુ અને રિટેલ રોકાણકારો માટે ઈક્વિટી રોકાણ પર 12.5 ટકાનો LTCG ટેક્સ સમાન છે. જોકે, સરકારે સરકારી સિક્યોરિટીઝ (G-Secs)માં વિદેશી રોકાણકારોના રોકાણ પર વ્યાજ અને કેપિટલ ગેઈન્સને આવકવેરામાંથી મુક્તિ આપી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ નાણાંમંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે સરકાર LTCG અને STCG ટેક્સ અંગે બજારના હિતધારકોના સૂચનો સાંભળવા અને યોગ્ય સમયે તેના પર વિચાર કરવા માટે તૈયાર છે.</p><p><b><a href="https://sandesh.com/business/news/stock-market-today-investors-concerns-increased-stock-market-in-red-on-monday-know-why" target="_blank">આ પણ વાંચો : Stock Market Today: રોકાણકારોની વધી ચિંતા, સોમવારે શેરબજાર લાલ નિશાને, જાણો કેમ ?</a></b></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/20/FLGVqgagwbeUu8YXkyNANAQYA4PaLgW1wwwjzM9o.webp'/></item><item><title><![CDATA[Dahod News: દેવગઢ બારીઆમાં પરિણીતાનો ગળેફાંસો ખાઈ આત્મહત્યા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dahod/devgadh-baria-piplod-married-woman-commits-suicide</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dahod/devgadh-baria-piplod-married-woman-commits-suicide</guid><pubDate>Mon, 20 Jul 2026 16:05:49 +05:30</pubDate><description><![CDATA[<p>દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકામાં આવેલા પીપલોદ ગામમાં એક અત્યંત દૂખદ અને અરેરાટીભરી ઘટના સામે આવી છે. ગામના માતાનાવડ ફળિયામાં રહેતી એક પરિણીતાએ આંબાના ઝાડ પર ગળેફાંસો ખાઈને પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. આ ઘટનાની જાણ થતાં જ સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.</p><h2><b>પરિણીતા શિલ્પાબેન ડાયરાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું</b></h2><p>ઘટનાની મળતી માહિતી અનુસાર, માતાનાવડ ફળિયાની રહીશ શિલ્પાબેન ડાયરા નામની પરિણીતાએ અગમ્ય કારણોસર આંબાના ઝાડ પર ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિણીતાની આત્મહત્યાના પગલે પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. આ હૃદયદ્રાવક બનાવથી મૃતકના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે અને પરિવારજનોનું આક્રંદ છવાઈ ગયું છે.</p><h2><b>પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી</b></h2><p>ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોએ તાત્કાલિક પીપલોદ પોલીસ સ્ટેશનને માહિતી આપી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબજો મેળવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી કરી પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે.</p><h2><b>આત્મહત્યાનું રહસ્ય અકબંધ, અકસ્માતે મોતનો ગુનો નોંધાયો</b></h2><p>શિલ્પાબેને કયા કારણોસર આટલું અંતિમ અને આત્મઘાતી પગલું ભર્યું તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પીપલોદ પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ અને પરિવારજનોના નિવેદનો લીધા પછી જ આત્મહત્યા પાછળનું સાચું કારણ સામે આવશે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dahod/fatehpura-karmel-village-son-kills-father-with-stick-in-drunk-state-arrested" target="_blank">Dahod: ફતેપુરાના કરમેલ ગામમાં પુત્રએ પિતાને મોતને ઘાટ ઉતાર્યા, પોલીસે ગુનો નોંધી હત્યારાને ઝડપ્યો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/20/fhUk9roLuQU4oXQC0vbJOA3kcO0csH84uTb4VKH7.webp'/></item><item><title><![CDATA[દિલ્હી-દમણ ફ્લાઈટનું Ahmedabad Airport પર ઈમરજન્સી લેન્ડિંગ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/airport-delhi-daman-flight-emergency-landing-low-visibility</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/airport-delhi-daman-flight-emergency-landing-low-visibility</guid><pubDate>Mon, 20 Jul 2026 15:29:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દિલ્હીથી દમણ તરફ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટનું અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. દમણ એરપોર્ટ પર વાતાવરણ ખરાબ હોવાના કારણે અને વિઝિબિલિટી અત્યંત ઓછી હોવાના લીધે ફ્લાઈટ સુરક્ષિત રીતે લેન્ડ થઈ શકી ન હતી, જેથી વિમાનને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>હવામાં 3 થી 4 ચક્કર લગાવ્યા બાદ પાયલટે અમદાવાદ તરફ વિમાન વાળ્યું</b></h2><p style="text-align: justify; ">દમણ એરપોર્ટ પર ઉતરાણ કરવાનો પ્રયાસ કરતા સમયે વિઝિબિલિટીનું પ્રમાણ ખૂબ ઓછું હતું. આ પરિસ્થિતિમાં એર ઈન્ડિયાના વિમાને દમણના આકાશમાં 3 થી 4 ચક્કર લગાવ્યા હતા. જોકે, વાતાવરણમાં સુધારો ન થતાં મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાયલટે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક કરીને વિમાનને અમદાવાદ એરપોર્ટ તરફ લઈ જવાનો નિર્ણય કર્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>વિઝિબિલિટી યોગ્ય થતાં વિમાન પુનઃ દમણ માટે રવાના કરાયું</b></h2><p style="text-align: justify; ">અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કર્યા બાદ તમામ મુસાફરોને સુરક્ષિત રાખવામાં આવ્યા હતા. થોડા સમય બાદ દમણ એરપોર્ટ પર હવામાન સાનુકૂળ બનતા અને વિઝિબિલિટી યોગ્ય થતાં જ અમદાવાદ ખાતેથી વિમાનને ફરીથી દમણ જવા માટે રવાના કરી દેવામાં આવ્યું હતું. ફ્લાઈટે સુરક્ષિત ઉડાન ભરતાં મુસાફરો અને એરપોર્ટ તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/delhi-igi-airport-customs-seizes-8-kg-hydroponic-weed-from-bangkok-passenger-ndps-act" target="_blank">Ahmedabad: દિલ્હી IGI એરપોર્ટ પર બેંકોકથી આવેલી ફ્લાઇટના મુસાફર પાસેથી 8.255 કિલો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/20/IBlvMyADBIMVl52mO0nWTVf9zKCRkekU6PGrbVMt.webp'/></item><item><title><![CDATA[કઈ ટૂર્નામેન્ટમાં મળે છે સૌથી વધુ Prize Money, ક્રિકેટ વર્લ્ડ કપ કે ફીફા વર્લ્ડ કપ? ]]></title><link>https://sandesh.com/sports/news/prize-money-which-tournament-offers-the-most-prize-money-the-cricket-world-cup-or-the-fifa-world-cup</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/prize-money-which-tournament-offers-the-most-prize-money-the-cricket-world-cup-or-the-fifa-world-cup</guid><pubDate>Mon, 20 Jul 2026 12:41:55 +05:30</pubDate><description><![CDATA[<p>વિશ્વમાં રમતગમતના બે સૌથી મોટા મહાકુંભ&nbsp; ફૂટબોલનો ફિફા વર્લ્ડ કપ અને ક્રિકેટનો આઇસીસી વનડે વર્લ્ડ કપ જ્યારે ઇનામી રકમ (Prize Money) ની વાત આવે છે, ત્યારે બંને વચ્ચે  મોટો  તફાવત જોવા મળે છે.ફૂટબોલની વૈશ્વિક પહોંચના કારણે ફિફા વર્લ્ડ કપની પ્રાઇઝ મની ક્રિકેટ વર્લ્ડ કપ કરતાં ઘણી ગણી વધારે છે. અહીં અમે ફૂટબોલ વર્લ્ડકપ અને ક્રિકેટ વર્લ્ડ કપની ઇનામ રકમ વચ્ચેનો તફાવત સમજાવીએ છીએ.</p><h4><b>ઇનામી રકમની સરખામણી</b></h4><table class="table table-bordered"><tbody><tr><td>કેટેગરી&nbsp;</td><td>ફિફા વર્લ્ડ કપ 2026</td><td>ICC ODI ક્રિકેટ વર્લ્ડ કપ</td><td>તફાવત</td></tr><tr><td>કુલ પ્રાઇઝ પૂલ</td><td>$871 મિલિયન (આશરે ₹8,362 કરોડ)</td><td>$10 મિલિયન (આશરે ₹83 કરોડ)</td><td>ફિફા 87 ગણું વધારે&nbsp;</td></tr><tr><td>ચેમ્પિયન&nbsp;</td><td>$51 મિલિયન (આશરે ₹481 કરોડ)</td><td>$4 મિલિયન (આશરે ₹33.2 કરોડ)</td><td>ફિફા 12 ગણું વધારે&nbsp;</td></tr><tr><td>રનર-અપ (Runner-up)</td><td>$33 મિલિયન (આશરે ₹318કરોડ)</td><td>$2 મિલિયન (આશરે ₹16.6 કરોડ)</td><td>ફિફા 16 ગણું વધારે&nbsp;</td></tr><tr><td>ભાગ લેનાર ટીમને&nbsp;</td><td>$12.5 મિલિયન (આશરે ₹120 કરોડ)</td><td>$100,000 (આશરે ₹83 લાખ)</td><td>ફિફા 144 ગણું વધારે</td></tr></tbody></table><h5><b>શા માટે આટલો મોટો તફાવત છે?</b></h5><p>આ તફાવત પાછળનું મુખ્ય કારણ રમતની ગ્લોબલ રીચ (Global Reach) અને બ્રોડકાસ્ટિંગ રાઇટ્સ છે. ફૂટબોલ વિશ્વના ૨૦૦થી વધુ દેશોમાં રમાય છે અને 2026&nbsp; વર્લ્ડ કપમાં 48 દેશોએ ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય સ્પોન્સર્સ અને વૈશ્વિક દર્શકોની સંખ્યાના કારણે ફિફાની કમાણી અરબો ડોલરમાં થાય છે, જેમાંથી મોટો હિસ્સો ઇનામી રકમ તરીકે વહેંચાય છે.</p><h4><b>વુમેન્સ T20 વર્લ્ડ કપ પ્રાઇઝમની કેટલી&nbsp;</b></h4><p>વુમેન્સ T20 વર્લ્ડ કપ 2026 ચેમ્પિયન ટીમ માટે US$2,340,000 ની ઇનામી રકમ જાહેર કરવામાં આવી છે. ભારતીય ચલણમાં, આ આશરે ₹22 કરોડ થાય છે. ભારતીય મહિલા ટીમને ODI વર્લ્ડ કપ 2026 જીતવા બદલ ₹4.48 મિલિયન મળ્યા હતા, જે ભારતીય ચલણમાં આશરે ₹39 કરોડ થાય છે.</p><h5><b>ટીમને T20 વર્લ્ડ કપ જીતવા કેટલા પૈસા મળે છે</b></h5><p>સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમે પુરુષોનો T20 વર્લ્ડ કપ 2026 જીત્યો હતો, અને ટીમ ઇન્ડિયાને ₹3 મિલિયન, અથવા આશરે ₹27 કરોડ, ઇનામી રકમ તરીકે મળ્યા હતા. જોકે, ફૂટબોલ વર્લ્ડ કપ વિજેતાની ઇનામી રકમ આના કરતા ઘણી વધારે છે.</p><p>આ પણ વાંચો-<a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/ferran-torres-love-story-he-made-the-coachs-daughter-his-girlfriend-then-this-is-why-they-broke-up" target="_blank"> Ferran Torres Love Story: કોચની દીકરીને બનાવી ગર્લફ્રેન્ડ, પછી આ કારણે થયું બ્રેકઅપ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/20/R66zrZDp645D12bC4ctUcwNEdygdALXoHHYeklw9.webp'/></item></channel></rss>