<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabad News: નિકોલના મેવાડા ગ્રીન ચોકડી પાસે ચાલુ કારમાં લાગી અચાનક ભીષણ આગ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-nikol-mevada-green-car-fire</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-nikol-mevada-green-car-fire</guid><pubDate>Sun, 06 Sep 2026 16:16:26 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં અચાનક એક કારમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. નિકોલ ખાતે આવેલી મેવાડા ગ્રીન ચોકડી પાસેથી પસાર થઈ રહેલી ચાલુ કારમાં અચાનક ધુમાડા નીકળ્યા બાદ આગ ભભૂકી ઊઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં સમગ્ર કાર આગીજ્વાળામાં લપેટાઈ ગઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>કારચાલકની સતર્કતાથી મોટો અકસ્માત ટળ્યો</b></h2><p style="text-align: justify; ">ચાલુ વાહને આગ લાગતાં જ કારચાલકે ત્વરિત બુદ્ધિશક્તિ વાપરીને કારને રોકી દીધી હતી અને અંદર બેઠેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા. કારચાલકની સમયસૂચકતા અને ઝડપી નિર્ણયના કારણે એક મોટી હોનારત ટળી ગઈ હતી. ઘટનાને પગલે આસપાસના રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકોમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.</p><h3 style="text-align: justify; "><b>સ્થાનિકો અને ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબૂ</b></h3><p style="text-align: justify; ">આ બનાવ અંગે તાત્કાલિક સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આ સદનસીબ અકસ્માતમાં સદ્ભાગ્યે કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જેથી તંત્ર અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે પોલીસે ઘટના અંગે આગળની નોંધ લઈ તપાસ હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/06/Eji6iSIz7eQNQtCvgka1kSGx1RuIUfoa224Hg6Ex.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના વટવામાં લગ્નની કંકોત્રી ન આપતાં જૂના મિત્રો બન્યા જાનના દુશ્મન, બે ભાઈઓ પર ચાર શખ્સોનો હિચકારો હુમલો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/in-ahmedabads-vatva-old-friends-became-mortal-enemies-for-not-giving-a-wedding-ring-four-men-attacked-two-brothers</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/in-ahmedabads-vatva-old-friends-became-mortal-enemies-for-not-giving-a-wedding-ring-four-men-attacked-two-brothers</guid><pubDate>Sun, 06 Sep 2026 16:14:13 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરના વટવા GIDC વિસ્તારમાં આવેલ હાથીજણ સર્કલ પાસે શાલીન સ્ક્વેર કોમ્પલેક્ષ નજીક સામાન્ય ગણાતી બાબતે મોટો ઝઘડો અને મારામારીની ઘટના સામે આવી છે. લગ્નની કંકોત્રી ન આપવા જેવી નજીવી બાબતે ચાર શખ્સોએ ભેગા મળીને બે ભાઈઓ પર જાનલેવા હુમલો કર્યો હતો. ફરિયાદી વિરેન્દ્રસિંહ વાઘેલા અને તેમના નાના ભાઈ મીતરાજ પર તેમના જ જૂના મિત્ર રાજવિર રાઠોડ અને તેના સાથીઓએ બોલાચાલી બાદ હુમલો કરી દીધો હતો, જેના કારણે વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>4 શખ્સોએ ભેગા મળી બે ભાઈઓને ઢોરમાર માર્યો</b></h2><p style="text-align: justify; ">બનાવની વિગત મુજબ, વિરેન્દ્રસિંહે લગ્નની કંકોત્રી ન આપતાં જૂના મિત્ર રાજવિર રાઠોડે ઉશ્કેરાઈને ગાળો આપી માર મારવાનું શરૂ કર્યું હતું. આ સમયે રાજવિરનું ઉપરાણું લઈને નિકુંજ વાઘેલા, દિવ્યરાજ અને દેવો નામના શખ્સો પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને ગળદાપાટુનો માર મારવા લાગ્યા હતા. વચ્ચે પડેલા નાના ભાઈ મીતરાજને પણ આ ચારેય શખ્સોએ ભેગા મળીને માથા, છાતી અને દાઢીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ "તમે નોકરી કેવી રીતે કરો છો તે જોઈ લઈશું" તેવી ધમકીઓ પણ આપવામાં આવી હતી.</p><h2 style="text-align: justify; "><b>વટવા GIDC પોલીસે તપાસ હાથ ધરી</b></h2><p style="text-align: justify; ">અચાનક બનેલી આ ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા અને લોકો વચ્ચે પડતાં બંને ભાઈઓ વધુ મારમાંથી બચી શક્યા હતા. લોકો એકઠા થતાં જ ચારેય હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ ઈજાગ્રસ્ત બંને ભાઈઓને ત્વરિત 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે વટવા GIDC પોલીસે વિરેન્દ્રસિંહની ફરિયાદના આધારે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તેમની અટકાયત માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/valsad/a-leopard-fell-into-a-well-in-dharampur-valsad-and-was-successfully-rescued-by-villagers-and-the-forest-department-of-gundia-village-with-great-difficulty" target="_blank">Valsadના ધરમપુરમાં કુવામાં ખાબક્યો દીપડો, ગુંદિયા ગામે ગ્રામજનો અને વન વિભાગે મહામુસીબતે કર્યું સફળ રેસ્ક્યુ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/06/aTUp4gEMThWfBNPRTIvnZCx2N3RwRgDTpKHSg119.webp'/></item><item><title><![CDATA[Post Officeની આ સ્કીમમાં 30 લાખ મૂકો, દર મહિને ₹20,500ની આવક મેળવો ]]></title><link>https://sandesh.com/business/news/post-office-scss-senior-citizen-savings-scheme-30-lakh-8-2-percent-interest</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/post-office-scss-senior-citizen-savings-scheme-30-lakh-8-2-percent-interest</guid><pubDate>Sun, 06 Sep 2026 16:10:19 +05:30</pubDate><description><![CDATA[<p>Post Office SCSS: વૃદ્ધાવસ્થામાં નાણાકીય સુરક્ષા દરેક વ્યક્તિની સૌથી મોટી જરૂરિયાત હોય છે. નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ નિયમિત આવકનો એક સ્ત્રોત હોવો ખૂબ જ જરૂરી છે, જેથી રોજિંદા ખર્ચ સરળતાથી ચલાવી શકાય. આવી સ્થિતિમાં પોસ્ટ ઓફિસની અનેક યોજનાઓ સામાન્ય લોકો માટે વરદાન સાબિત થઈ રહી છે. આ બચત યોજનાઓમાં એક વખત પૈસા રોકાણ કરીને તમે તમારી માસિક આવકને સંપૂર્ણપણે સુરક્ષિત કરી શકો છો. ખાસ વાત એ છે કે શેરબજારના ઉતાર-ચઢાવની તેના પર કોઈ અસર થતી નથી, એટલે કે તમારું રોકાણ સુરક્ષિત રહે છે.</p><h2><b>વૃદ્ધોની પસંદગીની યોજના</b></h2><p>પોસ્ટ ઓફિસની સિનિયર સિટિઝન સેવિંગ સ્કીમ (SCSS) વૃદ્ધોની નાગરિકોમાં ખૂબ લોકપ્રિય છે. સરકાર આ યોજનાની સુરક્ષાની ગેરંટી આપે છે, તેથી તે ઓછા જોખમવાળી સરકારી બચત યોજના છે. બેંક FDની સરખામણીમાં આ યોજનામાં સારું વ્યાજ આપવામાં આવી રહ્યું છે. કોઈપણ વૃદ્ધ નાગરિક માત્ર 1,000 રૂપિયાની રકમથી પોતાનું ખાતું ખોલાવી શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે તેમાં રોકાણ કરવા પર આવકવેરાની કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની કરછૂટનો લાભ પણ મેળવી શકાય છે.</p><h3><b>રોકાણની મર્યાદાના નિયમો</b></h3><p>આ સ્કીમમાં ખાતું ખોલાવવાના નિયમો ખૂબ સરળ રાખવામાં આવ્યા છે. જો તમે સિંગલ એકાઉન્ટ ખોલાવો છો, તો તેમાં મહત્તમ 15 લાખ રૂપિયા જમા કરી શકો છો. જ્યારે પતિ-પત્ની મળીને જોઈન્ટ એકાઉન્ટ ખોલાવે છે, ત્યારે મહત્તમ રોકાણની મર્યાદા 30 લાખ રૂપિયા થઈ જાય છે. યોજનાનો મેચ્યોરિટી પિરિયડ પાંચ વર્ષનો હોય છે. મેચ્યોરિટી પૂર્ણ થયા બાદ તમે તમારી મૂળ રકમ પરત મેળવી શકો છો. આ ઉપરાંત, જરૂરિયાત હોય તો યોજનાને આગામી ત્રણ વર્ષ માટે એક્સટેન્ડ પણ કરી શકાય છે.</p><h4><b>કેવી રીતે થશે બમ્પર કમાણી?</b></h4><p>હવે સૌથી મોટો સવાલ એ છે કે આ યોજનામાંથી દર મહિને સારી આવક કેવી રીતે થશે. હાલમાં સરકાર આ સ્કીમ પર 8.2 ટકાના દરે વાર્ષિક વ્યાજ આપી રહી છે. જો કોઈ કપલ જોઈન્ટ એકાઉન્ટમાં એકસાથે 30 લાખ રૂપિયા જમા કરે છે, તો 8.2 ટકાના હિસાબે વાર્ષિક 2,46,000 રૂપિયાનું વ્યાજ બને છે. નિયમો અનુસાર વ્યાજની ચુકવણી દર ત્રિમાસિક કરવામાં આવે છે. આ પ્રમાણે દર ત્રણ મહિને 61,500 રૂપિયા તમારા ખાતામાં આવશે. જો તેને મહિનાના હિસાબે જોવામાં આવે તો આ રકમ સીધી 20,500 રૂપિયા થાય છે.</p><h6><b>ખાતું બંધ કરવાની શરતો</b></h6><p>આ સરકારી સ્કીમનો સંપૂર્ણ લાભ ત્યારે જ મળે છે જ્યારે તમે સમગ્ર પાંચ વર્ષ સુધી તમારું રોકાણ જાળવી રાખો. જો કોઈ મજબૂરીના કારણે તમારે સમય પહેલાં પૈસા ઉપાડવા પડે, તો તેના માટે પણ કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે. સમય પહેલાં એકાઉન્ટ બંધ કરવા પર પેનલ્ટીની જોગવાઈ છે, જેના કારણે રોકાણકારને નુકસાન થઈ શકે છે. તેથી રોકાણ કરતા પહેલા તમારી ભવિષ્યની જરૂરિયાતોનું સંપૂર્ણ ધ્યાન રાખવું જરૂરી છે. કુલ મળીને, આ યોજના એવા લોકો માટે ઉપયોગી છે જેઓ ઓછા જોખમ સાથે નિયમિત આવક મેળવવા માંગે છે.&nbsp;</p><p><b><a href="https://sandesh.com/business/news/post-office-schemes-for-women-2026" target="_blank">આ પણ વાંચો:&nbsp; મહિલાઓ માટે રોકાણની મોટી તક! પોસ્ટ ઓફિસની આ યોજનાઓથી બનાવો મજબૂત ભવિષ્ય</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/06/JjRveFY97zVD4JOqsgPEo4nOWkyOqRVXXKOevrNC.webp'/></item><item><title><![CDATA[London જઇ રહેલી ફ્લાઇટમાં ટેકનિકલ ખામી... અડધો કલાક આકાશમાં લગાવ્યા ચક્કર, બેંગલુરુ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ ]]></title><link>https://sandesh.com/india/news/bengaluru-kempegowda-airport-virgin-atlantic-london-flight-technical-glitch-emergency-return-270-safe</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/bengaluru-kempegowda-airport-virgin-atlantic-london-flight-technical-glitch-emergency-return-270-safe</guid><pubDate>Sun, 06 Sep 2026 15:54:19 +05:30</pubDate><description><![CDATA[<p>રવિવારે સવારે બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (KIAB) પર એક મોટી ઘટના ટળી ગઈ જ્યારે લંડન જતી વર્જિન એટલાન્ટિક ફ્લાઇટને ટેકનિકલ ખામીને કારણે ટેકઓફ કર્યા પછી તરત જ તાત્કાલિક પરત ફરવું પડ્યું. બેંગલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (BIAL) ના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, બોઇંગ વિમાનમાં સવાર તમામ 270 મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત છે.</p><p><br></p><p>વર્જિન એટલાન્ટિક ફ્લાઇટ સવારે લગભગ 8:20 વાગ્યે બેંગલુરુથી લંડન માટે ઉડાન ભરી હતી. જોકે, હવામાં ઉડાન ભર્યાના થોડા સમય પછી, ક્રૂને વિમાનમાં ટેકનિકલ ખામી જોવા મળી.</p><p><br></p><p>સલામતીને પ્રાથમિકતા આપતા, પાઇલટ્સે તાત્કાલિક સાવચેતીનાં પગલાં લીધાં અને વિમાનને એરપોર્ટ તરફ પાછું ફેરવ્યું. સલામત ઉતરાણની સ્થિતિ સુનિશ્ચિત કરવા અને માનક પ્રોટોકોલનું પાલન કરવા માટે વિમાન બેંગલુરુ પરત ફરતા પહેલા અડધા કલાકથી વધુ સમય માટે નજીકના તુમકુરુ વિસ્તારમાં ચક્કર લગાવ્યું.</p><p><br></p><p>ત્યારબાદ, વિમાન કેમ્પેગૌડા એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું. ઘટના અંગે વર્જિન એટલાન્ટિકના નિવેદનની રાહ જોવામાં આવી રહી છે, જ્યારે એરપોર્ટ અધિકારીઓ ટેકનિકલ ખામીનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ કરી રહ્યા છે.<br><br>આ પણ વાંચો:<a href="https://sandesh.com/india/news/baba-bageshwar-dhirendra-shastri-slams-swara-bhaskar-jauhar-cowardice" target="_blank"><b> Jauhar Row: જૌહર કાયરતા નથી... બાબા બાગેશ્વરે સ્વરા ભાસ્કરને લીધી આડેહાથ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/06/CkaVrFWZuyNVu4FpopHgRGYzBJMK1GflWDEmvJXw.webp'/></item><item><title><![CDATA[Correct the Map પર ભારતે સ્પષ્ટ કર્યું પોતાનું વલણ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ પર ખોટી તસવીર મંજૂર નથી ]]></title><link>https://sandesh.com/india/news/indias-firm-response-on-correct-the-map-incorrect-depiction-of-jandk-and-ladakh-unacceptable-</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/indias-firm-response-on-correct-the-map-incorrect-depiction-of-jandk-and-ladakh-unacceptable-</guid><pubDate>Sun, 06 Sep 2026 15:31:43 +05:30</pubDate><description><![CDATA[<p>Correct the Map: સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા "નકશાને સુધારો" ઠરાવ અપનાવવામાં આવ્યા બાદ ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે જ્યારે ભારત "સમાન-ક્ષેત્ર નકશા પ્રક્ષેપણ" ના મૂળભૂત સિદ્ધાંતને સમર્થન આપે છે, ત્યારે આનો અર્થ કોઈ ચોક્કસ વિશ્વ નકશા અથવા પ્રક્ષેપણનું સમર્થન નથી.</p><p><br></p><p>4 સપ્ટેમ્બરના રોજ, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ "નકશાને સુધારો: વૈશ્વિક નકશા પ્રતિનિધિત્વનું પુનઃસંતુલન અને વિશ્વના પ્રદેશો, ખાસ કરીને આફ્રિકાના સમાન પ્રતિનિધિત્વને પ્રોત્સાહન આપવું" શીર્ષક ધરાવતો ઠરાવ પસાર કર્યો. તેનો ઉદ્દેશ્ય એવા નકશાના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે જે વિવિધ ખંડોના પ્રમાણસર સપાટી વિસ્તારોને વધુ સચોટ રીતે પ્રતિબિંબિત કરે. ભારતે ઠરાવની તરફેણમાં મતદાન કર્યું. તેને 164 દેશોનો ટેકો મળ્યો, જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સે તેની વિરુદ્ધ મતદાન કર્યું, અને છ દેશોએ ગેરહાજર રહ્યા.</p><p><br></p><h4><b>UNએ નવો નકશો સ્વીકાર્યો</b></h4><p>ઠરાવ પછી ઘણા અહેવાલો સૂચવે છે કે સંયુક્ત રાષ્ટ્રએ પરંપરાગત Mercator projectionની જગ્યા નવા Equal Earth map સ્વીકાર કરી લીધો છે. જો કે, ભારતે સ્પષ્ટતા કરી કે ઠરાવ કોઈ ચોક્કસ નકશા અથવા projection સમર્થન આપતો નથી.</p><p><br></p><p>વિદેશ મંત્રાલય (MEA) ના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, તેના "explanation of vote" માં ભારતે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઠરાવનો હેતુ "equal-area cartographic representation" ને પ્રોત્સાહન આપવાનો છે. ભારત કોઈ ચોક્કસ  map, projection या national boundariesના ચોક્કસ depiction ને સમર્થન આપી રહ્યું નથી.</p><p><br></p><h4><b>કેન્દ્રશાસિત પ્રદેશો પર ભારતનું વલણ શું હતું?</b></h4><p><br></p><p>MEA એ ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા અંગે પણ પોતાનું વલણ પુનરાવર્તિત કર્યું. મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતના સાર્વભૌમ પ્રદેશ - જેમાં જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે. ભારતના સત્તાવાર નકશા અનુસાર દર્શાવવો જોઈએ. ભારતે કોઈપણ અચોક્કસ અથવા misleading depictionને અસ્વીકાર્ય માન્યું છે.</p><p><br></p><p>જોકે,  Mercator projectionમાં વિષુવવૃત્તથી દૂર સ્થિત પ્રદેશો તેમના વાસ્તવિક સપાટી ક્ષેત્ર કરતા નોંધપાત્ર રીતે મોટા દેખાય છે. તેનાથી વિપરીત સમાન-ક્ષેત્ર અંદાજોનો હેતુ ભૂમિના વાસ્તવિક સંબંધિત સપાટી ક્ષેત્રને વધુ સચોટ રીતે રજૂ કરવાનો છે. આ મુદ્દો "Correct the Map" અભિયાનના કેન્દ્રમાં રહેલો છે. જો કે, map projection બદલવાથી દેશની આંતરરાષ્ટ્રીય સરહદોમાં કોઈ ફેરફાર થતો નથી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનો આ ઠરાવ રાજકીય સીમાઓ, disputed territories અથવા સ્થળના નામો અંગે કોઈ નિર્ણય લેતો નથી. ભારતનું તાજેતરનું નિવેદન આ ભેદને સ્પષ્ટ કરે છે.</p><p><br></p><p>બીજા શબ્દોમાં કહીએ તો, ભારતનું વલણ સ્પષ્ટ છે: તે વિશ્વના નકશા પર ભૌગોલિક વિસ્તારોને વધુ સચોટ રીતે દર્શાવવાના પ્રયાસોને સમર્થન આપે છે, પરંતુ ભારતની સાર્વભૌમ સીમાઓ - ખાસ કરીને જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના સત્તાવાર depiction અંગે કોઈ સમાધાન નથી.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/baba-bageshwar-dhirendra-shastri-slams-swara-bhaskar-jauhar-cowardice" target="_blank"><b>Jauhar Row: જૌહર કાયરતા નથી... બાબા બાગેશ્વરે સ્વરા ભાસ્કરને લીધી આડેહાથ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/06/1ewpOD4xEBsjTsawObZ7IwBrNwvuvWAnx0AGZiNe.webp'/></item><item><title><![CDATA[Surat News: ડાયનેમિક વોરિયર એકેડમીના કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/harsh-sanghavi-dynamic-warrior-academy-event-speech</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/harsh-sanghavi-dynamic-warrior-academy-event-speech</guid><pubDate>Sun, 06 Sep 2026 15:20:35 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત શહેરમાં આયોજિત ડાયનેમિક વોરિયર એકેડમીના ખાસ કાર્યક્રમ 'વોરિયર સાઇનિંગ સ્ટાર એવોર્ડ એન્ડ બ્લેક બેલ્ટ સેરેમની'માં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે એવોર્ડ વિજેતા અને બ્લેક બેલ્ટ મેળવનાર ખેલાડીઓને બિરદાવ્યા હતા. પોતાના સંબોધન દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ રાજ્યમાં સ્પોર્ટ્સ કલ્ચર અને રમતગમતના વિકાસને લઈને મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી.</p><h2><b>સ્પોર્ટ્સ સાયન્સ અને ટેકવાંડો માટે સરકાર આપશે પૂર્ણ સપોર્ટ</b></h2><p>કાર્યક્રમમાં બોલતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સેન્ટર ઓફ એક્સિલન્સમાં AI બેઝ્ડ ટ્રેનિંગ અને સ્પોર્ટ્સ સાયન્સ કઈ રીતે વધુ ડેવલપ થઈ શકે તે માટે આવનારા વર્ષોમાં ગુજરાત સરકાર પૂર્ણ સપોર્ટ કરશે. ખાસ કરીને ટેકવાંડો રમતને લઈને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે જે પણ સંસાધનો અને મદદની જરૂર પડશે, તે તમામ સહયોગ રાજ્ય સરકાર પૂરો પાડશે. તેમણે ગુજરાતમાં રમતગમતનું વાતાવરણ બદલવામાં યોગદાન આપનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.</p><p><img alt="Surat News: Deputy CM Harsh Sanghavi Speaks at Dynamic Warrior Academy Event" src="https://epapercdn.sandesh.com/images/2026/09/06/GL4OETlKKaJsCSEH0JGQCCJuEKHT6pCL38AUZK07.webp"><br></p><h2><b>“20 વર્ષ અગાઉ જેમના પર ટોણા વાગતા, તે ખેલાડીઓ હવે ભુક્કા બોલાવે છે”</b></h2><p>ભૂતકાળના દિવસો યાદ કરતાં હર્ષ સંઘવીએ કહ્યું કે, 20 વર્ષ પહેલાં જ્યારે ગુજરાતના ખેલાડીઓ નેશનલ લેવલે રમવા જતા ત્યારે અન્ય રાજ્યના લોકો તેમને ખમણ, ઢોકળા, ફાફડા અને જલેબી કહીને બોલાવતા હતા, પરંતુ આજે સ્થિતિ તદ્દન બદલાઈ ગઈ છે. હવે આપણા ખેલાડીઓ જ્યાં પણ સ્પર્ધા કરવા પહોંચે છે, ત્યાં મેદાનમાં ભુક્કા બોલાવીને જીત મેળવીને પાછા આવે છે. તેમણે ઉમેર્યું કે, આખા દેશમાં ખેલાડીઓ માટે સૌથી વધુ પ્રોત્સાહક ફંડ જાહેર કરનાર રાજ્ય ગુજરાત છે.</p><p><img alt="Surat News: Deputy CM Harsh Sanghavi Speaks at Dynamic Warrior Academy Event" src="https://epapercdn.sandesh.com/images/2026/09/06/dGNVcxKRCaA9RScn30x4ZEvoiPHPYzBZeizkfUxF.webp"><br></p><h2><b>ખેલાડીઓને વિનમ્ર રહેવા અને માતા-પિતાનું સન્માન કરવા અપીલ</b></h2><p>યુવા ખેલાડીઓને જીવનનો મંત્ર આપતાં તેમણે ભાવુક અપીલ કરી હતી કે, જીવનમાં એવોર્ડ અને મેડલ તો આવતા રહેશે, પરંતુ આપણે ક્યારેય પોતાની વિનમ્રતા છોડવાની નથી. તમને આજે પોડિયમ પર વિજેતા તરીકે જોવા માટે તમારા માતા-પિતાએ પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું છે. તેથી સફળતા મળ્યા પછી પણ માતા-પિતા સાથેનું તમારું વર્તન ક્યારેય બદલાવું ન જોઈએ તેનું ખાસ ધ્યાન રાખજો.</p><p><img alt="Surat News: Deputy CM Harsh Sanghavi Speaks at Dynamic Warrior Academy Event" src="https://epapercdn.sandesh.com/images/2026/09/06/ZoiKU3BEIiauZmTtrSqZvEIQ38eNIShmtv4Cbb2D.webp"><br></p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/news/surat/surat-sachin-brown-sugar-drug-trafficking-odisha" target="_blank">Suratમાં બ્રાઉન સુગર સાથે ઓડિશાના ત્રણ ઈસમો ઝડપાવાનો મામલો, નાણાંની જરૂરિયાતે કરાવી ડ્રગ્સની હેરાફેરી!</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/06/UnGf7itmpi0S8z81wUNAyYgncoQnFR7IX4EIo1bo.webp'/></item><item><title><![CDATA[Bharuchના મારુતિ નગર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક, ઘરમાં ઘૂસી યુવક પર ધારીયાથી હુમલો કરી રોકડની લૂંટ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/bharuch-maruti-nagar-home-attack-cash-robbery</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/bharuch-maruti-nagar-home-attack-cash-robbery</guid><pubDate>Sun, 06 Sep 2026 15:20:13 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભરૂચ શહેરના મારુતિ નગર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. વિસ્તારમાં આતંક મચાવતા અસામાજિક તત્વોએ ઘર ખાલી કરવા મુદ્દે એક યુવક પર ઘાતકી હુમલો કર્યો છે. છેલ્લા 15 દિવસથી ઘર ખાલી કરી દેવા બાબતે ધાક-ધમકી આપ્યા બાદ આ અસામાજિક તત્વોએ ઘરમાં ઘૂસીને લોહિયાળ ખેલ ખેલતા સમગ્ર વિસ્તારમાં ભારે ભય અને દહેશતનો માહોલ વ્યાપી ગયો છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ટોળાએ ઘરમાં ઘૂસી માથામાં ધારિયું માર્યું</b></h2><p style="text-align: justify; ">તોસીફ નામના યુવકના ઘરમાં ૬થી વધુ અસામાજિક તત્વોનું ટોળું કાયદો હાથમાં લઈને બળજબરીપૂર્વક ઘૂસી ગયું હતું. આ માથાભારે ઈસમોએ તોસીફ પર પ્રાણઘાતક હુમલો કરીને તેના માથાના ભાગે ધારિયાનો ઘા ઝીંકી દીધો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા તોસીફને માર મારવાની સાથે-સાથે હુમલાખોરો તેના ખિસ્સામાંથી રોકડ રકમની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>ઘર ખાલી કરાવવા યુવક પર ઘાતકી હુમલો</b></h3><p style="text-align: justify; ">હુમલાની આ ઘટના બાદ બૂમાબૂમ થતાં આસપાસના સ્થાનિક રહીશો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં તોસીફને બચાવીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. તહેવારોના પવિત્ર દિવસોમાં જ મારુતિ નગર જેવા રહેણાંક વિસ્તારમાં અસામાજિક તત્વોએ મચાવેલા આતંકથી સ્થાનિકોમાં ઘેરા રોષની લાગણી જોવા મળી રહી છે. રહીશોએ પોલીસ પ્રશાસન પાસે આ માથાભારે તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરીને કાયદાનું ભાન કરાવવા ઉગ્ર માંગ કરી છે.&nbsp;</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/06/0wYfBlty3mqxz1193jrxptdMIDxhtz5YNvoE0lG5.webp'/></item><item><title><![CDATA[Surendranagar News: વઢવાણ જન્માષ્ટમી મેળામાં દુર્ઘટના, મોટા ચકડોળમાંથી પટકાતા કિશોરીનું મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/surendranagar/wadhwan-janmashtami-mela-ride-accident-minor-girl-death</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/surendranagar/wadhwan-janmashtami-mela-ride-accident-minor-girl-death</guid><pubDate>Sun, 06 Sep 2026 15:10:23 +05:30</pubDate><description><![CDATA[<p>સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે આયોજિત જન્માષ્ટમીના લોકમેળામાં મોડી રાત્રે એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજું કંપાવી દેનારી દુર્ઘટના સામે આવી છે. મેળામાં રાઈડ્સની મજા માણી રહેલી 12 વર્ષની માસૂમ કિશોરી મોટા ચકડોળમાંથી અચાનક નીચે પટકાઈ હતી. જે કારણે તેનું કરૂણ મોત નીપજ્યું છે. આનંદ અને ઉલ્લાસથી ભરેલા મેળાના માહોલ વચ્ચે સર્જાયેલી આ કાળમુખી હોનારતથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકની કાલિમા છવાઈ ગઈ છે.</p><h2><b>પાલખીવાળા મોટા ચકડોળમાંથી પટકાતાં નીપજ્યું મોત</b></h2><p>મળતી માહિતી મુજબ, વઢવાણના લોકમેળામાં આવેલી પાલખીવાળા મોટા ચકડોળમાં કિશોરી બેઠી હતી. રાઈડ્સ ચાલી રહી હતી, તે દરમિયાન અચાનક કોઈ કારણોસર કિશોરી ઉપરથી સીધી નીચે પટકાઈ હતી. ઊંચાઈ પરથી નીચે પટકાવાને કારણે તેને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બનતાં જ મેળામાં ભારે ચીસાચીસ અને નાસભાગ મચી ગઈ હતી. ગંભીર હાલતમાં કિશોરીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન અથવા સારવાર મળે તે પહેલાં જ તેનું પ્રાણ પંખેરું ઊડી ગયું હતું.</p><p><img alt="Surendranagar News: Mela Accident: 12-Year-Old Girl Dies Falling From Giant Wheel" src="https://epapercdn.sandesh.com/images/2026/09/06/wm0Et8rLRhSozItYzbjMDc9P7aXPzprFTj4BY0D0.webp"><br></p><h2><b>મૃતક કિશોરી પોલીસ કર્મચારીની પુત્રી હોવાનું સામે આવ્યું</b></h2><p>પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક કિશોરીની ઓળખ થઈ ગઈ છે. મૃતક 12 વર્ષીય કિશોરીનું નામ નિહારિકા પરમાર છે અને તેના પિતા થાન પોલીસ મથકમાં પોલીસ કર્મચારી તરીકે પોતાની ફરજ બજાવે છે. રજાના દિવસે પરિવાર સાથે મેળામાં માણેલી ખુશીઓ પળવારમાં જ માતમમાં ફેરવાઈ જતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.</p><p><img alt="Surendranagar News: Mela Accident: 12-Year-Old Girl Dies Falling From Giant Wheel" src="https://epapercdn.sandesh.com/images/2026/09/06/dba1v28BMFOu0G4xmmhuz5tAn08JHzlzA2WKruRX.webp"><br></p><h2><b>પોલીસે મૃતદેહ પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી તપાસ તેજ કરી</b></h2><p>ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર અને હોસ્પિટલ પહોંચી ગયો હતો. પોલીસે મૃતક કિશોરીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. રાઈડ્સમાં સેફ્ટી લોક કે સુરક્ષાના માપદંડોમાં કોઈ ગંભીર બેદરકારી હતી કે કેમ, તે દિશામાં પોલીસે રાઈડ્સ સંચાલકો સામે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.</p><p><img alt="Surendranagar News: Mela Accident: 12-Year-Old Girl Dies Falling From Giant Wheel" src="https://epapercdn.sandesh.com/images/2026/09/06/pdq5oETsVHGvDyQIDWaoo1sE2CounirZxITXV4IK.webp"><br></p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/surendranagar/surendranagar-vulture-conservation-ghudkhar-sanctuary" target="_blank">Surendranagarમાં ગીધની સંખ્યામાં ચિંતાજનક ઘટાડા વચ્ચે ઘુડખર અભયારણ્ય વિભાગ આવ્યું હરકતમાં</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/06/eM7MFIomWgfBDj0bmAgyxjHfOYYTTf1nTXswdFES.webp'/></item><item><title><![CDATA[Badshah Divorce Truth : બાદશાહની એક્સ વાઇફે છૂટાછેડા અને બીજા લગ્ન પર તોડ્યું મૌન! સામે લાવી દીધું મોટું સત્ય ]]></title><link>https://sandesh.com/entertainment/news/badshah-ex-wife-separation-second-marriage</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/badshah-ex-wife-separation-second-marriage</guid><pubDate>Sun, 06 Sep 2026 11:35:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પંજાબી સિંગર અને રેપર બાદશાહ છેલ્લા ઘણા સમયથી પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. સિંગરે પંજાબી અભિનેત્રી ઈશા રિખી સાથે લગ્ન કર્યા હતા. જોકે, તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને બંનેએ અલગ થવાની જાહેરાત કરી હતી. પરંતુ વાત અહીં અટકી નહીં અને પછી આ મામલો વિવાદમાં ફેરવાઈ ગયો. ઈશાએ પોતાની પોસ્ટ દ્વારા પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. હવે અભિનેત્રીએ પોતાના બીજા લગ્ન અને છૂટાછેડાને લઈને પ્રતિક્રિયા આપી છે.</p><h2 style="text-align: justify; "><b>ઈશાએ અલગ થવા અને લગ્ન અંગે મૌન તોડ્યું</b></h2><p style="text-align: justify; ">ઈશા રિખીને લઈને હાલ એવી ચર્ચા ચાલી રહી છે કે બાદશાહથી અલગ થયા બાદ તે બીજા લગ્ન કરશે કે નહીં. તેમના છૂટાછેડાને લઈને પણ અનેક અહેવાલો સામે આવ્યા છે. આ અંગે ઈશા રિખીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે. તેમાં તેણે લખ્યું, મારા લગ્નને લઈને અનેક પ્રકારની અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. મારા વિશેના સમાચાર વાંચીને અને સાંભળીને હું ચોંકી ગઈ છું. હું મીડિયાને વિનંતી કરું છું કે મારા લગ્ન અને અલગ થવા અંગે કોઈપણ પ્રકારની અફવા ન ફેલાવે.</p><p style="text-align: justify; "><img alt="Badshah ex wife breaks silence (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/06/5dKl0yKayChl3O6CJj6XXsAFm4b2R65CzPW6Dlh0.webp"><br></p><p style="text-align: justify; ">આટલું જ નહીં, ઈશા રિખીએ પોતાની પોસ્ટમાં લોકોને પણ વિનંતી કરી હતી. તેણે લખ્યું, જ્યાં સુધી હું પોતે કોઈ માહિતી સીધી રીતે શેર ન કરું ત્યાં સુધી કોઈપણ પ્રકારના સમાચારને સાચા ન માનશો. હું મારી સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર પોતે જ માહિતી શેર કરીશ. આભાર.</p><h3 style="text-align: justify; "><b>અંગત જીવનને લોકો વચ્ચે ચર્ચાનો વિષય બનાવવા નથી માગતી ઈશા રિખી</b></h3><p style="text-align: justify; ">ઈશા રિખીએ તાજેતરમાં ઈ-ટાઇમ્સ સાથે પણ વાત કરી હતી. આ દરમિયાન તેણે પહેલીવાર બાદશાહ સાથે લગ્નજીવન તૂટવા અને અલગ થવા અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે આ મામલે તેણે પહેલા વાત એટલા માટે નહોતી કરી, કારણ કે તે પોતાના અંગત જીવનને લોકો વચ્ચે ચર્ચાનો વિષય બનાવવા માગતા નહોતા. તેથી તે ચૂપ રહ્યા હતા. અભિનેત્રીએ એ પણ કહ્યું હતું કે તેનો પ્રેમ પરથી વિશ્વાસ ઉઠ્યો નથી, પરંતુ હાલમાં તે રોમેન્ટિક સંબંધ માટે તૈયાર નથી.</p><p style="text-align: justify; "><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DZsNHu-DhGl/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DZsNHu-DhGl/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DZsNHu-DhGl/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DZsNHu-DhGl/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><p style="text-align: justify; ">ઈશાનું કહેવું છે કે તેની સાથે ઘણું ખરાબ થયું છે, તેથી તે નકારાત્મક વ્યક્તિ બનવા માગતી નથી. જોકે, તેનું માનવું છે કે આ બધામાંથી બહાર આવવામાં તેને સમય લાગશે. બીજા લગ્ન અંગે તેણે કહ્યું કે હાલમાં તેઓ તેના વિશે વિચારી રહી નથી. ફરી લગ્ન કરવાથી તેઓ ઘણા ડરી રહ્યા છે. તેનું કહેવું છે કે અત્યારે તેમના જીવનમાં લગ્ન માટે કોઈ જગ્યા નથી. જોકે, જીવનમાં ક્યારે શું થાય તે કહી શકાય નહીં.</p><h3 style="text-align: justify; "><b>ઈશા રિખીનો પ્રેમ અને લગ્ન</b></h3><p style="text-align: justify; ">ઈશા રિખી અને બાદશાહે લગ્ન પહેલાં 4 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. ત્યારબાદ બંનેએ ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. માર્ચ 2026માં ઈશાની માતાએ સોશિયલ મીડિયા પર તેમના લગ્નની તસવીરો શેર કરી હતી, ત્યારબાદ તેમના લગ્નની વાત સામે આવી હતી. જોકે, માત્ર 5 મહિનામાં જ તેમનો સંબંધ તૂટવાની અણી પર પહોંચી ગયો. ઈશા રિખી ટૂંક સમયમાં સલમાન ખાનના શો બિગ બોસ 20માં જોવા મળશે. શોનું ગ્રાન્ડ પ્રીમિયર 6 સપ્ટેમ્બર, 2026ના રોજ થવાનું છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/miss-world-2026-johery-mole-nikita-porwal'" target="_blank">આ પણ વાંચો-Miss World 2026 : ઝોહેરી મોલે જીત્યો વિશ્વ સુંદરીનો તાજ! ભારતની નિકિતા પોરવાલ ટોપ 20માંથી થઈ બહાર</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/06/dEkEhEAIGSnWmQb0ruRsV2JYgdglVXD22sqnBKar.webp'/></item><item><title><![CDATA[China Masters 2026 Badminton : સાત્વિક-ચિરાગની ધમાકેદાર એન્ટ્રી, ચાઇના માસ્ટર્સની ફાઇનલમાં પહોંચ્યા ]]></title><link>https://sandesh.com/sports/news/satwik-chirag-enter-china-masters-2026-final-after-beating-malaysia-pair</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/satwik-chirag-enter-china-masters-2026-final-after-beating-malaysia-pair</guid><pubDate>Sun, 06 Sep 2026 09:04:07 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતની અનુભવી બેડમિન્ટન જોડી સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ચાઇના માસ્ટર્સ 2026ની ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરી લીધું છે. શનિવારે રમાયેલી સેમિફાઇનલમાં ભારતીય જોડીએ મલેશિયાની જોડીને 21-16, 18-21, 21-11થી હરાવીને ખિતાબી મુકાબલામાં પ્રવેશ કર્યો હતો. આ મેચ લગભગ 1 કલાક અને 6 મિનિટ સુધી ચાલી હતી.હવે ફાઇનલમાં સાત્વિક અને ચિરાગનો સામનો ચીનની ઘરઆંગણાની જોડી સામે થશે. ભારતીય જોડી છેલ્લા 4 વર્ષમાં ત્રીજી વખત આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે. જોકે, તેઓ અત્યાર સુધી એક પણ વખત ચાઇના માસ્ટર્સનો ખિતાબ જીતી શક્યા નથી. તેથી આ વખતે ભારતીય ચાહકોને સાત્વિક-ચિરાગ પાસેથી પ્રથમ વખત ચેમ્પિયન બનવાની મોટી આશા છે.</p><h5 style="text-align: justify; "><b>મલેશિયાની જોડી સામે ફરી ભારતનો દબદબો</b></h5><p style="text-align: justify; ">વિશ્વ રેન્કિંગમાં 5મા ક્રમે રહેલી સાત્વિક-ચિરાગની ભારતીય જોડીએ સેમિફાઇનલમાં શાનદાર રમત બતાવી હતી. બીજા સેટમાં થોડો પડકાર મળ્યા બાદ ભારતીય ખેલાડીઓએ નિર્ણાયક ત્રીજા સેટમાં જોરદાર વાપસી કરી હતી.મલેશિયાની 29મા ક્રમાંકની જોડી સામે સાત્વિક અને ચિરાગનો રેકોર્ડ પહેલેથી જ સારો હતો. આ મેચ પહેલાં બંને જોડીઓ વચ્ચે 2 મુકાબલા રમાયા હતા અને બંનેમાં ભારતીય જોડીનો વિજય થયો હતો. સાત્વિક-ચિરાગે 2024 થાઇલેન્ડ ઓપન અને 2025 મલેશિયા ઓપનમાં પણ આ જોડી સામે જીત મેળવી હતી.ભારતીય જોડી 2023 અને 2025માં પણ ચાઇના માસ્ટર્સની રનર-અપ રહી ચૂકી છે. એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી આ જોડી હવે ત્રીજી વખત ફાઇનલમાં પહોંચી છે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/ani_digital/status/2096259001201885563?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h5 style="text-align: justify; "><b>શરૂઆતમાં 0-5થી પાછળ હતા</b></h5><p style="text-align: justify; ">સેમિફાઇનલની શરૂઆત ભારતીય જોડી માટે સારી રહી નહોતી. ચોથી ક્રમાંકિત સાત્વિક અને ચિરાગ એક સમયે 0-5થી પાછળ ચાલી રહ્યા હતા. જોકે બંને ખેલાડીઓએ જોરદાર વાપસી કરતાં સતત 7 પોઇન્ટ મેળવી લીધા હતા.મેચ દરમિયાન 34 શોટની લાંબી રેલી પણ જોવા મળી હતી. આ રેલી બાદ ભારતે 7-5ની સરસાઈ મેળવી હતી. મલેશિયાના ખેલાડી નૂરની કેટલીક ભૂલોનો ફાયદો ઉઠાવીને ભારતીય જોડી 10-6થી આગળ થઈ હતી. જોકે ત્યારબાદ સાત્વિક અને ચિરાગ તરફથી પણ કેટલીક ભૂલો થઈ હતી. તેમ છતાં ભારતીય જોડી બ્રેક સમયે 11-9થી આગળ હતી.</p><h5 style="text-align: justify; "><b>નિર્ણાયક સેટમાં ભારતીય ખેલાડીઓનો દબદબો</b></h5><p style="text-align: justify; ">બીજા સેટમાં મલેશિયાની જોડીએ 21-18થી જીત મેળવીને મેચને નિર્ણાયક ત્રીજા સેટમાં પહોંચાડી હતી.જોકે ત્રીજા સેટમાં સાત્વિક અને ચિરાગે શરૂઆતથી જ મજબૂત રમત બતાવી હતી.ભારતીય જોડીએ લાંબા શોટ્સ પર પોતાની પકડ જાળવી રાખી અને બ્રેક સુધી 11-4ની મોટી સરસાઈ મેળવી લીધી હતી. ત્યારબાદ સાત્વિકે જોરદાર સ્મેશ ફટકારીને ભારતની સરસાઈ 13-6 કરી હતી.મેચ આગળ વધતાં મલેશિયાના ખેલાડીઓ પર થાક સ્પષ્ટ દેખાવા લાગ્યો હતો. ભારતીય જોડીએ તેનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને મેચ પર પોતાની પકડ વધુ મજબૂત કરી. ચિરાગના એક સચોટ શોટ બાદ ભારત મેચ જીતવાની નજીક પહોંચી ગયું હતું.મલેશિયાના ખેલાડી ટૈને શરૂઆતના 2 મેચ પોઇન્ટ બચાવ્યા હતા, પરંતુ ત્યારબાદ ચિરાગે સચોટ સર્વ કરીને મહત્વનો પોઇન્ટ મેળવ્યો અને ભારતની જીત પર મહોર મારી હતી.હવે સાત્વિક-ચિરાગની નજર ચાઇના માસ્ટર્સની ટ્રોફી પર છે. અગાઉ 2 વખત ફાઇનલમાં પહોંચ્યા બાદ ખિતાબથી વંચિત રહેલી ભારતીય જોડી આ વખતે ચીનની ઘરઆંગણાની જોડી સામે પ્રથમ ચાઇના માસ્ટર્સ ટ્રોફી જીતવા માટે કોર્ટ પર ઉતરશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો<a href="https://sandesh.com/sports/news/us-open-2026-aryna-sabalenka-stops-play-after-smelling-marijuana-during-match--complains-to-umpire" target="_blank"> - US Open 2026: ના વરસાદ, ના કોઈ ટેકનિકલ ખામી, સ્ટેડિયમમાં ગાંજાની ગંધ અને રોકાઈ રમત..</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/06/AhbIusQIZ09BJVatoI8b1zMTDEo9dtsbr3FXqYET.webp'/></item></channel></rss>