<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Gandhinagar News: વિધાનસભા અને સ્કૂલોને બોમ્બની ધમકી આપનાર બે આરોપી ઝારખંડથી ઝડપાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/two-accused-held-over-bomb-threat-emails-to-gujarat-assembly-and-schools</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/two-accused-held-over-bomb-threat-emails-to-gujarat-assembly-and-schools</guid><pubDate>Mon, 14 Sep 2026 12:12:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">તાજેતરમાં અમદાવાદની સ્કૂલો, ગાંધીનગર કોર્ટ, વિધાનસભા, સચિવાલય અને બ્રિક્સ સમિટ સહિતના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેઈલ મળ્યા હતાં. પોલીસે આ ધમકીને પગલે તપાસ શરૂ કરી હતી. પરિસરમાં તપાસ દરમિયાન માત્ર અફવા સાબિત થતાં પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. આ પ્રકારની સતત આવી રહેલી ધમકીઓની તપાસ સાયબર સેલ દ્વારા કરવામાં આવી રહી છે.  આ પ્રકારના કેસમાં તાજેતરમાં મળેલી ધમકીઓને પગલે ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલેન્સને એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટી સફળતા હાથ લાગી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>સાયબર સેલે બે આરોપીઓની ધરપકડ કરી</b></h2><p style="text-align: justify; ">કેન્દ્રીય ગૃહ મંત્રીની ઓફિસ, મુખ્યમંત્રી કાર્યાલય તેમજ ગુજરાત વિધાનસભા સહિતના દેશ અને રાજ્યના અત્યંત સંવેદનશીલ અને મહત્વના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.આ ગંભીર મામલે સાયબર સેન્ટર ઓફ એક્સલેન્સે સત્વરે કાર્યવાહી કરીને બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.આ સમગ્ર કેસમાં બોમ્બથી ઉડાવવાની ધમકી આપતા ઇ-મેઇલ મોકલવામાં આવ્યા હતા. આ મામલે ટેક્નિકલ સર્વેલન્સ અને સાયબર ઇન્ટેલિજન્સના આધારે બિહાર અને ઝારખંડમાંથી બે શંકાસ્પદ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ભયનો માહોલ ઊભો કરવાના આ મોટા ષડયંત્રનો પર્દાફાશ</b></h2><p style="text-align: justify; ">આ આરોપીઓએ ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરીને સુરક્ષા તંત્રને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગુજરાત સાયબર સેલની સચોટ ટેક્નિકલ ટીમ દ્વારા તેમને ટ્રેક કરીને આંતરરાજ્ય કક્ષાએ સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આ ધમકીભર્યા ઈ-મેઇલ માત્ર સ્થાનિક કે રાજ્યો પૂરતા મર્યાદિત નહોતા, પરંતુ બ્રિક્સ (BRICS) શિખર સંમેલન દરમિયાન વૈશ્વિક સ્તરે ભારતને સહકાર આપતા મિત્ર દેશોને પણ બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકીઓ આપવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા અને ભયનો માહોલ ઊભો કરવાના આ મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા આગામી સમયમાં આ મામલે વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/crime/rajkot/cyber-fraudsters-digitally-arrest-elderly-couple" target="_blank">આ પણ વાંચોઃ Rajkot News : સાયબર ગઠિયાઓએ મોડી રાત્રે ફોન કરી વૃદ્ધ દંપતીને ડિજિટલ એરેસ્ટ કર્યું, 2 કરોડના ફ્રોડની ધમકી આપી</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/HwsHQ2TjIYk9lHa9SCm5dtRssNdbKPFkmcervsN4.webp'/></item><item><title><![CDATA[Sidharth Malhotra અને તમન્ના ભાટિયાની ફિલ્મ 'ધ વન'નું 'છઠી મૈયા' ગીત સુપરહિટ 3 જ દિવસમાં મળ્યા 27 મિલિયનથી વધુ વ્યૂઝ ]]></title><link>https://sandesh.com/entertainment/news/the-song-chhathi-maiya-from-tamannaah-bhatias-film-the-one-is-superhit</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/the-song-chhathi-maiya-from-tamannaah-bhatias-film-the-one-is-superhit</guid><pubDate>Mon, 14 Sep 2026 11:51:24 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">તમન્ના ભાટિયા અને સિદ્ધાર્થ મલ્હોત્રાની આગામી બહુપ્રતિક્ષિત ફિલ્મ "ધ વન: ફોર્સ ઓફ ધ ફોરેસ્ટ"નું નવું ભક્તિ ગીત "છઠી મૈયા" રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. બોલીવુડ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ ખાસ છઠ ગીતને દર્શકોનો અદ્ભુત પ્રતિસાદ અને પ્રેમ મળી રહ્યો છે. બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશના લોકપ્રિય મહાપર્વ છઠ પૂજાની ધાર્મિક વિધિઓ અને પરંપરાઓને વણી લેતા આ ગીતે રિલીઝના માત્ર ત્રણ જ દિવસમાં ૨૭ મિલિયન (૨.૭ કરોડ)થી વધુ વ્યૂઝ મેળવીને નવો રેકોર્ડ સર્જ્યો છે.</p><p style="text-align: justify; "><b>'હનુમાન અંશ' ફિલ્મના હિટ ગીતોના રેકોર્ડ તૂટ્યા</b></p><p style="text-align: justify; ">આ બોલીવુડ છઠ ગીતની લોકપ્રિયતા એટલી ઝડપથી વધી કે તેણે તાજેતરમાં ચર્ચામાં રહેલી ફિલ્મ 'હનુમાન અંશ'ના સુપરહિટ ગીતોના વ્યૂઝ રેકોર્ડને પણ પાછળ છોડી દીધા છે. 'હનુમાન અંશ'માં સુનીલ લોધીના અવાજમાં ગવાયેલા લોકપ્રિય ભજન "મૈંને તેરે હી ભરોસે"ને યુટ્યુબ પર ૩.૯ મિલિયન (લગભગ ૪૦ લાખ) વ્યૂઝ મળ્યા હતા, જે સોશિયલ મીડિયા રીલ્સ પર ખૂબ ટ્રેન્ડ થઈ રહ્યું છે. આ ઉપરાંત, સાધુ તિવારી દ્વારા લિખિત, કંપોઝ અને ગવાયેલા ફિલ્મ 'હનુમાન અંશ'ના બીજા હિટ ગીત "આવગમન"ને ૯ મિલિયન (૯૦ લાખ) વ્યૂઝ મળ્યા છે. પરંતુ તમન્નાના "છઠી મૈયા" ગીતે માત્ર ત્રણ દિવસમાં ૨૭ મિલિયન વ્યૂઝ મેળવીને આ તમામ આંકડાઓને વટાવી દીધા છે.</p><p style="text-align: justify; "><b>વિશાલ મિશ્રાના અવાજ અને કૌશલ કિશોરના શબ્દોએ જીત્યા દિલ</b></p><p style="text-align: justify; ">આ ભક્તિમય ગીત સાથે શ્રદ્ધાળુઓની ઊંડી લાગણીઓ જોડાયેલી છે. ફિલ્મ "ધ વન: ફોર્સ ઓફ ધ ફોરેસ્ટ"ના આ ગીતનું સંગીત જાણીતા મ્યુઝિક ડિરેક્ટર વિશાલ મિશ્રાએ તૈયાર કર્યું છે અને તેને પોતાનો મધુર અવાજ પણ આપ્યો છે, જ્યારે ગીતના ભાવુક શબ્દો કૌશલ કિશોર દ્વારા લખવામાં આવ્યા છે. વિશાલ મિશ્રાના ભક્તિમય અવાજે દેશ અને વિદેશમાં વસતા ભારતીયોના હૃદયમાં ઘર અને છઠ પર્વની પવિત્ર યાદો તાજી કરી દીધી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/ganesh-chaturthi--ramayan--part-1-new-siya-ram-poster-released" target="_blank">આ પણ વાંચો : Ramayana Part 1 Siya Ram Poster: ગણેશ ચતુર્થી પર 'રામાયણ 1'નું નવું 'સિયા રામ' પોસ્ટર આઉટ, સાઈ પલ્લવીનો દિવ્ય લુક</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/tZqDs6csCWaJ4GInQ5eQEaaoAoDaMTbC1SQuwmIP.webp'/></item><item><title><![CDATA[Ganesh Chaturthi 2026: Google કર્મચારીઓએ ઓફિસમાં બનાવ્યા મોદક, ગણેશોત્સવની અનોખી ઉજવણી, Video ]]></title><link>https://sandesh.com/india/news/ganesh-chaturthi-2026-google-employees-make-modaks-in-the-office-a-unique-celebration-of-ganeshotsav</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ganesh-chaturthi-2026-google-employees-make-modaks-in-the-office-a-unique-celebration-of-ganeshotsav</guid><pubDate>Mon, 14 Sep 2026 11:33:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગણેશ ચતુર્થી પહેલાં ગૂગલના બેંગલુરુ સ્થિત ઓફિસનો એક રસપ્રદ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. ગૂગલના અનંતા ઓફિસમાં કર્મચારીઓ માટે ખાસ મોદક બનાવવાની પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિમાં કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને જાતે મોદક બનાવીને તહેવારની ઉજવણી કરી હતી.</p><p style="text-align: justify; ">ગૂગલમાં કામ કરતી ગઝલ અરોરાએ આ ખાસ પ્રવૃત્તિનો વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં તેઓ ગૂગલ ઓફિસ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી સામગ્રી અને મોદકના મોલ્ડની મદદથી મોદક બનાવતી જોવા મળે છે. વીડિયો શેર કરતી વખતે તેમણે ‘મોદક એક્ટિવિટી ઇન ગૂગલ’ એવું કેપ્શન લખ્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>‘છ મહિનામાં ઘર કરતાં વધુ તહેવાર ઉજવ્યા’</b></h2><p style="text-align: justify; ">વીડિયોમાં માત્ર મોદક બનાવવાની પ્રવૃત્તિ જ નહીં, પરંતુ ગઝલનો ગૂગલમાં કામ કરવાનો અનુભવ પણ લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. તેમણે જણાવ્યું કે ગૂગલમાં જોડાયા બાદ છેલ્લા છ મહિનામાં તેમણે એટલા બધા તહેવારોની ઉજવણી કરી છે, જેટલી કદાચ તેમણે પોતાના ઘરે પણ કરી ન હોય.</p><p style="text-align: justify; ">ગઝલના જણાવ્યા અનુસાર ગૂગલના ઓફિસમાં માત્ર કામ પર જ ધ્યાન આપવામાં આવતું નથી, પરંતુ વિવિધ તહેવારો અને ખાસ પ્રસંગોને યાદગાર બનાવવા માટે કર્મચારીઓ માટે અલગ અલગ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે ઓણમથી લઈને સ્વતંત્રતા દિવસ સુધી અનેક પ્રસંગોએ ઓફિસમાં વિશેષ કાર્યક્રમો યોજાયા છે.</p><p style="text-align: justify; ">આ જ શ્રેણીમાં ગણેશ ચતુર્થી પહેલાં બેંગલુરુના ગૂગલ અનંતા ઓફિસમાં મોદક બનાવવાની ખાસ પ્રવૃત્તિ રાખવામાં આવી હતી. કર્મચારીઓએ કામની સાથે આ પરંપરાગત મીઠાઈ બનાવવાનો આનંદ માણ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>ગણેશ ચતુર્થી પર મોદક કેમ બનાવાય છે?</b></h3><p style="text-align: justify; ">ગણેશ ચતુર્થી ભારતના મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે. આ પર્વ દરમિયાન ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે અને તેમને મોદકનો પ્રસાદ ધરાવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર મોદક ભગવાન ગણેશને પ્રિય છે. તેથી ગણેશ ચતુર્થી દરમિયાન અનેક ઘરોમાં ખાસ મોદક બનાવવામાં આવે છે.</p><p style="text-align: justify; "><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DdLW9uly6rN/?utm_source=ig_web_copy_link&amp;stkn=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DdLW9uly6rN/?utm_source=ig_web_copy_link&amp;stkn=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DdLW9uly6rN/?utm_source=ig_web_copy_link&amp;stkn=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DdLW9uly6rN/?utm_source=ig_web_copy_link&amp;stkn=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">મોદકને માત્ર પ્રસાદ તરીકે જ નહીં, પરંતુ આનંદ અને શુભતાના પ્રતીક તરીકે પણ જોવામાં આવે છે. આ કારણે વિવિધ સંસ્થાઓ અને સમુદાયો પણ ગણેશોત્સવ દરમિયાન મોદક બનાવવાની પ્રવૃત્તિઓનું આયોજન કરે છે.</p><h4 style="text-align: justify; "><b>સોશિયલ મીડિયા પર લોકોએ કરી પ્રશંસા</b></h4><p style="text-align: justify; ">ગઝલ અરોરાના વીડિયોને સોશિયલ મીડિયા પર સારો પ્રતિસાદ મળ્યો છે. ઘણા યુઝર્સે ગૂગલના ઓફિસ કલ્ચરની પ્રશંસા કરી હતી. એક યુઝરે લખ્યું કે ગૂગલ જાણે છે કે તહેવાર કેવી રીતે ઉજવવા જોઈએ. અન્ય એક યુઝરે કહ્યું કે ઓફિસ કલ્ચર આવું જ હોવું જોઈએ. કેટલાક યુઝર્સે મોદક પર પણ ધ્યાન આપ્યું. એક યુઝરે મોદકને સ્વાદિષ્ટ ગણાવ્યા, જ્યારે અન્ય લોકોએ આ પ્રવૃત્તિને મજેદાર અને આનંદદાયક ગણાવી હતી.</p><p style="text-align: justify; ">ગૂગલ બેંગલુરુ ઓફિસનો આ વીડિયો એટલા માટે પણ ચર્ચામાં છે કારણ કે તેમાં કામની સાથે ભારતીય તહેવારો અને પરંપરાઓને ઉજવતા કર્મચારીઓની એક અલગ તસવીર જોવા મળે છે. ઓફિસમાં મોદક બનાવવાની આ પ્રવૃત્તિએ કર્મચારીઓને તહેવારની ઉજવણીનો આનંદ આપવાની સાથે ભારતીય સંસ્કૃતિ સાથે જોડાવાની તક પણ આપી.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો: <a href="https://sandesh.com/astrology/news/bhakti/kalank-chauth-2026-why-does-looking-at-the-moon-cause-bad-luck-know-special-remedies-to-overcome-lifes-problems" target="_blank">Kalank Chauth 2026: ચંદ્રને જોવાથી કેમ લાગે છે કલંક? જાણો જીવનની સમસ્યાઓ દૂર કરવાના ખાસ ઉપાય</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/wfZFb7LZabZ9cUvYoo7if6cggfXpIr7slxp2iZps.webp'/></item><item><title><![CDATA[Manipurમાં ભડકી હિંસા, 24 કલાકમાં 4 લોકોના મોત; 6 વર્ષના બાળકને વાગી ગોળી ]]></title><link>https://sandesh.com/india/news/manipur-violence-4-kuki-community-members-killed-in-tamenglong-noney-militant-attacks</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/manipur-violence-4-kuki-community-members-killed-in-tamenglong-noney-militant-attacks</guid><pubDate>Mon, 14 Sep 2026 11:24:50 +05:30</pubDate><description><![CDATA[<p>Manipur: મણિપુરમાં છેલ્લા 24 કલાક દરમિયાન શંકાસ્પદ ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવેલા અલગ-અલગ હુમલાઓમાં કુકી સમુદાયના ચાર સભ્યો (જેમાં બે મહિલાઓનો સમાવેશ થાય છે) માર્યા ગયા છે, જે આ વિસ્તારમાં હિંસા ફરી ભડકી ઉઠી હોવાનો સંકેત આપે છે. આ ઘટનાઓ રવિવારે તામંગલોંગ અને નોની જિલ્લામાં બની હતી. ખાસ કરીને, એક છ વર્ષના બાળકને પણ ગોળી વાગી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તામંગલોંગ જિલ્લાના કાઈમાઈ પોલીસ સ્ટેશન હેઠળના ટોલેન કુકી ગામમાં થયેલા હુમલામાં એક મહિલા સહિત બે લોકોના મોત થયા હતા. નોની જિલ્લાના નુંગબા પોલીસ સ્ટેશન હેઠળના લોંગપી ગામમાં થયેલા અન્ય એક હુમલામાં એક મહિલા સહિત બે વ્યક્તિઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.</p><p><br></p><h4><b>ટોલેન ગામમાં છ વર્ષના બાળકને ગોળી વાગી</b></h4><p>પોલીસે અહેવાલ આપ્યો છે કે શંકાસ્પદ ઉગ્રવાદીઓએ ટોલેન ગામમાં લિંગાઈ સિંગસિતના ઘર પર હુમલો કર્યો, જેમાં તેમનું મૃત્યુ થયું. હુમલા દરમિયાન તેમના પતિ સેઈનેહ સિંગસિત અને તેમના છ વર્ષના બાળકને પણ ગોળી વાગી હતી; હોસ્પિટલ લઈ જતી વખતે સેઈનેહ સિંગસિતનું ઈજાઓને કારણે મૃત્યુ થયું હતું. ઘાયલ પરિવારના સભ્યોને તબીબી સારવાર માટે દક્ષિણ આસામના સિલચર લઈ જવામાં આવી રહ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સુરક્ષા દળો ગામમાં પહોંચ્યા અને ઘાયલોને તબીબી સહાય પૂરી પાડી. બીજી ઘટનામાં, સશસ્ત્ર ઉગ્રવાદીઓએ લોંગપી ગામમાં આડેધડ ગોળીબાર કર્યો હોવાનું કહેવાય છે, જેમાં જુલી ગેંગટે અને આર. ગેંગટેના મોત થયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃતક ચારેય વ્યક્તિઓ કુકી સમુદાયના હતા.</p><p><br></p><h4><b>મુખ્યમંત્રી યુમનામ ખેમચંદે ઘટનાની નિંદા કરી</b></h4><p>આ હુમલાઓ પાછળ નાગા બળવાખોર જૂથો NSCN અને ZUF નો હાથ હોવાની શંકા છે. મણિપુરના મુખ્યમંત્રી યુમનામ ખેમચંદ સિંહે આ ઘટનાની સખત નિંદા કરી છે. નિર્દોષ લોકોના જીવ ગુમાવવા બદલ ઊંડું દુઃખ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે આવી કાયરતાપૂર્ણ હિંસા અસ્વીકાર્ય છે અને સભ્ય સમાજમાં તેને કોઈ સ્થાન નથી. કાઈમાઈ વિલેજ ઓથોરિટી સહિત અનેક સંસ્થાઓ, ધારાસભ્યો અને નેતાઓએ ટોલેન ગામ પર થયેલા હુમલાની નિંદા કરી છે. તેમણે આને સમુદાયો વચ્ચે ભાગલા અને અશાંતિ ફેલાવવાનો ઈરાદાપૂર્વકનો પ્રયાસ ગણાવ્યો હતો. તેમણે નિષ્પક્ષ તપાસ અને ગુનેગારોની તાત્કાલિક ધરપકડની પણ માંગ કરી હતી.&nbsp;</p><p><br></p><h4><b>મણિપુરમાં અત્યાર સુધીમાં 306 લોકોનાં મોત</b></h4><p>ઉલ્લેખનીય છે કે આ ઘટના એવા દિવસે બની જ્યારે કુકી સમુદાય 'સાહનીત નિ' (Sahnit Ni) અથવા 'બ્લેક ડે' (કાળો દિવસ) પાળે છે; આ એક વાર્ષિક કાર્યક્રમ છે જે 1990ના દાયકાના કુકી-નાગા સંઘર્ષ દરમિયાન ગુમાવાયેલા જીવની યાદમાં યોજાય છે. હિંસાની આ નવી ઘટના એવા સમયે બની છે જ્યારે મણિપુરમાં શાંતિ સ્થાપવાના પ્રયાસો ચાલી રહ્યા છે. મે 2023થી મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચેની વંશીય હિંસામાં 306થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે; આ ઉપરાંત, 49 વ્યક્તિઓ ગુમ છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/n2AFk43DtDxeJ4XIWNKmfV3gh5CV4PSP5kAyztdG.webp'/></item><item><title><![CDATA[Ahmedabad Weather : શહેરમાં ભારે વરસાદથી મીઠાખળી અંડરપાસ બંધ, વાસણા બેરેજના ત્રણ દરવાજા ખોલાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/heavy-rain-in-ahmedabad-mithakhali-underpass-closed-after-heavy-rain</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/heavy-rain-in-ahmedabad-mithakhali-underpass-closed-after-heavy-rain</guid><pubDate>Mon, 14 Sep 2026 11:20:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે, જેના પગલે પૂર્વ વિસ્તારના રબારી કોલોની, વસ્ત્રાલ અને સીટીએમ તેમજ એસ.જી. હાઈવે, બોડકદેવ, સેટેલાઈટ અને ઈસ્કોન સહિત શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરાસદની આ ધમાકેદાર બેટિંગના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે, જેમાં પાલડીની શાંતિકૃપા રેસિડન્સીમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. શહેરમાં ભારે વરસાદને કારણે વાસણા બેરેજના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે.&nbsp;</p><p style="text-align: justify; "><img alt="અમદાવાદના દે ધનાધન" src="https://epapercdn.sandesh.com/images/2026/09/14/J8Pct57QLmCAdgqaXA5vv9xAReQvklDm8SK4MC6M.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>અમરાઈવાડી વિસ્તારમાં પણ પાણી ભરાયા</b></h2><p style="text-align: justify; ">શહેરમાં વરસેલા ભારે વરસાદને કારણે અમરાઈવાડી વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. ખાસ કરીને એપ્રિલપાર્ક મેટ્રો સ્ટેશન નજીક અને ત્યાંથી ગોમતીપુર તેમજ અમરાઈવાડી તરફ જવાના માર્ગો પર પાણી ભરાઈ જવાથી વાહનચાલકોને અવાર-જવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.આ ઉપરાંત, ધોધમાર વરસાદના કારણે શહેરના રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ગુજરાત કોલેજ અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જવા અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે ગરનાળામાં વાહનવ્યવહાર ખોરવાયો છે.  જેને લઈને પીક અવર્સમાં ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો અને મનપાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે.</p><p style="text-align: justify; "><img alt="અમદાવાદનો વરસાદ" src="https://epapercdn.sandesh.com/images/2026/09/14/Qzqyz3fRxJqQ6OkD6TaJZVyvxLasLfjyPFNGaC7y.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>મીઠાખળી અંડરપાસમાં પણ પાણી ભરાઈ ગયા</b></h2><p style="text-align: justify; ">શહેરમાં પડેલા માત્ર 30 મિનિટના વરસાદમાં જ મીઠાખળી અંડરપાસમાં પણ પાણી ભરાઈ જતા તેને બંધ કરવાની ફરજ પડી છે. આસપાસના વિસ્તારોનું પાણી પણ અંડરપાસમાં છોડાતું હોવાને કારણે થોડા જ વરસાદમાં આ સ્થિતિ સર્જાય છે અને વાહનચાલકો માટે અંડરપાસ બંધ કરવો પડે છે. પાણી ભરાઈ જવાના કારણે પાલડીની શાંતિકૃપા રેસિડન્સીમાં તો ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, જેનાથી સામાન્ય જનજીવન ગંભીર રીતે પ્રભાવિત થયું છે. શહેરમાં પરિમલ ગાર્ડન પાસે પાણી ભરાઈ જવાથી વાહન ચાલકો પરેશાન થયાં છે.&nbsp;<br><img alt="અમદાવાદ ડ્રાઈવિન" src="https://epapercdn.sandesh.com/images/2026/09/14/WM0j3SYT6yr3mBL42uEka8X1sTFzq3ZYxAdvCAWQ.webp" style="width: 100%;"><br></p><h2><b>શહેરના રસ્તાઓ પાણીમાં થયા ગરકાવ</b></h2><p></p><p style="text-align: justify; ">અમદાવાદમાં માત્ર એક જ કલાકના ધોધમાર વરસાદમાં શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતાં અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા છે, જેના કારણે ખારીકટ કેનાલ હોવા છતાં પાણીનો નિકાલ કેમ નથી થઈ રહ્યો અને નીચાણવાળા વિસ્તારોની આ કાયમી સમસ્યાનો ક્યારે ઉકેલ આવશે તેવા ગંભીર સવાલો સાથે AMCની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે અને તંત્રના મોટા દાવાઓ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>જનજીવન ગંભીર રીતે અસરગ્રસ્ત થયું</b></h2><p style="text-align: justify; ">અમદાવાદના સુખરામનગર વિસ્તારમાં ભારે પાણી ભરાઈ જવાના કારણે મુખ્ય રોડ પર જનજીવન ગંભીર રીતે અસરગ્રસ્ત થયું છે, જેને લીધે વાહનચાલકોને અવર-જવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે અને સુરક્ષાના ભાગરૂપે કેટલીક શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને વહેલા રજા આપીને છોડી દેવામાં આવ્યા છે.થલતેજ વિસ્તારમાં પેલેડિયમ મોલથી થલતેજ વચ્ચેનો મુખ્ય રોડ પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયો છે, જ્યાં ચોમાસાના પહેલા જ વરસાદમાં પાણી ભરાવાની આ કાયમી સમસ્યા વચ્ચે ટ્રાફિક પોલીસ પાણીની વચ્ચે રહીને ટ્રાફિક મેનેજ કરતી નજરે પડી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર અહીં ચોમાસાની શરૂઆત થતાં જ દર વખતે પાણી ભરાય છે, છતાં AMC દ્વારા પાણીના નિકાલ માટેની કોઈ જ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી.<br><br><h2><b>અમદાવાદમાં પેલેડિયમ મોલ નજીકનો સર્વિસ રોડ પાણીમાં ગરકાવ</b></h2></p><p style="text-align: justify; ">અમદાવાદના એસ.જી. હાઈવે પર વરસાદ બાદ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. પેલેડિયમ મોલ નજીકનો સર્વિસ રોડ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયો છે. પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ટૂ-વ્હીલર ચાલકો માટે અહીંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. રસ્તા પર ચાલી રહેલા ખોદકામને કારણે માર્ગ સાંકડો બની ગયો છે. સાથે જ માટીના ઢગલા રસ્તા પર ખડકાતા વરસાદી પાણી સાથે કાદવ અને માટી ફેલાઈ રહી છે. પરિણામે વાહનચાલકોની મુશ્કેલીમાં વધુ વધારો થયો છે.</p><p style="text-align: justify; "><br><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/red-alert-in-18-districts-for-extremely-heavy-rain-till-1-pm" target="_blank">આ પણ વાંચોઃ Gujarat Weather News : ગુજરાતીઓ આજે બપોરે 1 વાગ્યા સુધી સાવધાન, 18 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/RxJLbz3xen0txu1SZe8t1K5VVPH9X8sttEBYBf0x.webp'/></item><item><title><![CDATA[Alexander Zverev બન્યો ચેમ્પિયન, બેન શેલ્ટનને હરાવી પ્રથમ US Open ખિતાબ જીત્યો ]]></title><link>https://sandesh.com/sports/news/alexander-zverev-defeats-ben-shelton-to-become-us-open-champion</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/alexander-zverev-defeats-ben-shelton-to-become-us-open-champion</guid><pubDate>Mon, 14 Sep 2026 11:06:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જર્મનીના ટેનિસ ખેલાડી અલેકઝાન્ડર ઝ્વેરેવે શાનદાર રમતનું પ્રદર્શન કરીને 2026 US Openનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. રવિવારે ન્યૂયોર્કમાં રમાયેલી પુરુષ સિંગલ્સની ફાઇનલમાં ઝ્વેરેવે અમેરિકાના બેન શેલ્ટનને 6-3, 7-6 (2), 5-7, 6-2થી હરાવ્યો હતો. આ જીત સાથે ઝ્વેરેવે પોતાના કારકિર્દીનો બીજો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યો છે.ઘરઆંગણે રમતા 23 વર્ષના બેન શેલ્ટન પાસેથી અમેરિકન ચાહકોને ઘણી આશા હતી. અમેરિકાને આશા હતી કે 2003માં એન્ડી રૉડિક બાદ પ્રથમ વખત કોઈ અમેરિકન પુરુષ ખેલાડી ગ્રાન્ડ સ્લેમનું ટાઇટલ જીતશે. જોકે, ઝ્વેરેવે શરૂઆતથી જ દબદબો જાળવી રાખ્યો અને શેલ્ટનની આ ઐતિહાસિક તક અધૂરી રહી ગઈ.</p><h3 style="text-align: justify; "><b>પ્રથમ સેટથી જ ઝ્વેરેવનો દબદબો</b></h3><p style="text-align: justify; ">શેલ્ટન પોતાના પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં રમવા ઉતર્યા હતા અને શરૂઆતથી જ તેમના પર દબાણ જોવા મળ્યું.પ્રથમ સેટના શરૂઆતના ગેમમાં ડબલ ફૉલ્ટના કારણે ઝ્વેરેવે ફાયદો ઉઠાવ્યો. જર્મન ખેલાડીએ આ તકનો ઉપયોગ કરીને પ્રથમ સેટ 6-3થી જીતી લીધો.બીજા સેટમાં શેલ્ટને વાપસી કરવાનો પ્રયાસ કર્યો અને બંને ખેલાડીઓ વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો. જોકે, ટાઇબ્રેકમાં ઝ્વેરેવે શાનદાર રમત બતાવી અને 7-2થી સેટ જીતીને મેચમાં પોતાની પકડ વધુ મજબૂત કરી.</p><h4 style="text-align: justify; "><b>શેલ્ટને ત્રીજા સેટમાં કરી વાપસી</b></h4><p style="text-align: justify; ">ત્રીજા સેટમાં બેન શેલ્ટને શાનદાર વાપસી કરી. અમેરિકન ખેલાડીએ દબાણ વચ્ચે પોતાની રમતને વધુ મજબૂત બનાવી અને 7-5થી સેટ પોતાના નામે કર્યો. આ સાથે સ્ટેડિયમમાં હાજર અમેરિકન ચાહકોમાં ફરી આશા જાગી હતી.શેલ્ટનને પ્રોત્સાહન આપવા માટે તેમની ગર્લફ્રેન્ડ અને અમેરિકન ફૂટબોલ ખેલાડી ટ્રિનિટી રોડમેન પણ ફાઇનલ જોવા પહોંચી હતી. તે વૉશિંગ્ટનમાં પોતાનો મેચ પૂર્ણ કર્યા બાદ સમયસર ન્યૂયોર્ક પહોંચી હતી.જોકે, ચોથા સેટમાં ઝ્વેરેવે શેલ્ટનને કોઈ તક આપી નહોતી. તેમણે શરૂઆતથી જ આક્રમક રમત જાળવી રાખી અને 6-2થી સેટ જીતીને મેચ સાથે US Openની ટ્રોફી પણ પોતાના નામે કરી લીધી.</p><h4 style="text-align: justify; "><b>ઝ્વેરેવ માટે યાદગાર વર્ષ</b></h4><p style="text-align: justify; ">2026 ઝ્વેરેવ માટે અત્યાર સુધીનું શાનદાર વર્ષ રહ્યું છે. તેમણે આ વર્ષે ફ્રેન્ચ ઓપનમાં કારકિર્દીનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યો હતો. હવે US Openમાં પણ ચેમ્પિયન બનીને તેમણે પોતાના નામે બીજો મોટો ખિતાબ નોંધાવ્યો છે.ખાસ વાત એ છે કે 2020માં US Openની ફાઇનલમાં મળેલી હાર બાદ ઝ્વેરેવે આ વખતની જીત સાથે જૂની નિરાશાને પણ પાછળ છોડી દીધી છે. આ ઉપરાંત, તેઓ પ્રથમ વખત કોઈ ગ્રાન્ડ સ્લેમમાં નંબર-1 સીડ તરીકે રમ્યા હતા અને આ જવાબદારીને તેમણે ખિતાબ જીતીને સાબિત કરી બતાવી.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/usopen/status/2099264457570488500?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h5 style="text-align: justify; "><b>શેલ્ટનની હારથી અમેરિકાની આશા ફરી અધૂરી</b></h5><p style="text-align: justify; ">બેન શેલ્ટનની હાર સાથે અમેરિકન પુરુષ ટેનિસનો ગ્રાન્ડ સ્લેમ ખિતાબનો ઇંતેજાર યથાવત રહ્યો છે.એન્ડી રૉડિકે 2003માં US Open જીત્યા બાદ કોઈ અમેરિકન પુરુષ ખેલાડી ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન બની શક્યો નથી.શેલ્ટન પાસે 1968માં આર્થર ઍશ બાદ US Open પુરુષ સિંગલ્સ ખિતાબ જીતનારા પ્રથમ અશ્વેત ખેલાડી બનવાની પણ તક હતી. પરંતુ ઝ્વેરેવે આ તક છીનવી લીધી. આ હાર બાદ શેલ્ટન સામે ઝ્વેરેવનો રેકોર્ડ હવે 6-0 થઈ ગયો છે.US Open 2026ની મહિલા સિંગલ્સમાં એલેના રિબાકિનાએ ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્યના સબાલેન્કાને હરાવીને ખિતાબ જીત્યો હતો. હવે પુરુષ સિંગલ્સમાં ઝ્વેરેવના વિજય સાથે આ વર્ષની US Open સ્પર્ધાનો પણ અંત આવ્યો છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/indian-hockey-team-women-beat-china-to-clinch-third-successive-junior-asia-cup-title" target="_blank">Junior Women Asia Cup : ભારતીય દીકરીઓએ રચ્યો ઇતિહાસ, ફાઇનલમાં ચીનને હરાવીને ચેમ્પિયન બન્યું</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/QkaKzmq7cXRxCfD4YFk6ppzcEG4d1rz0NBQoclgQ.webp'/></item><item><title><![CDATA[Gujarat Weather News : ગુજરાતીઓ આજે બપોરે 1 વાગ્યા સુધી સાવધાન, 18 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/red-alert-in-18-districts-for-extremely-heavy-rain-till-1-pm</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/red-alert-in-18-districts-for-extremely-heavy-rain-till-1-pm</guid><pubDate>Mon, 14 Sep 2026 10:45:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં બપોરે 1 વાગ્યા સુધી ઉત્તરથી લઈને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ અને સુરેન્દ્રનગર સહિત કુલ 18 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ અને સુરત જેવા મહત્વના જિલ્લાઓનો પણ સમાવેશ થતો હોવાથી નાગરિકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે</p><h2 style="text-align: justify; "><b>રાજ્યના આ જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ</b></h2><p style="text-align: justify; ">ગુજરાતમાં રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ અને સુરતમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ અને તાપીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>છેલ્લા 24 કલાકમાં 234 તાલુકામાં વરસાદ</b></h2><p style="text-align: justify; ">રાજ્યમા છેલ્લા 24 કલાકમાં 234 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો છે. સુરતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, જ્યાં હવામાન વિભાગની ઓરેન્જ એલર્ટની આગાહી વચ્ચે શહેરભરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે.અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે વસ્ત્રાપુર અને બોડકદેવ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. પરંતુ આ ખરાબ વાતાવરણની સીધી અસર હવાઈ મુસાફરી પર પડી છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં માત્ર એક જ કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો</p><h2 style="text-align: justify; "><b>207 ડેમો પૈકી 17 ડેમો સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યા છે</b></h2><p style="text-align: justify; ">રાજ્યના કુલ 207 ડેમો પૈકી 17 ડેમો સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યા છે. જ્યારે કેટલાક મોટા ડેમોમાં પાણીની સપાટી વધતા એલર્ટ અને હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યા છે, જેની પર તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.રાજ્યમાં આજે પણ ભારે વરસાદની આગાહીને પગલે મહેસાણા, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર અને ભરૂચ સહિતના 11 જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.વાવાઝોડા સાથે વરસી રહેલા આ વરસાદ દરમિયાન 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.જ્યારે અમદાવાદ, કચ્છ, મોરબી, ડાંગ અને વડોદરા સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને કચ્છ તથા સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની સંભાવના છે.</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/news/crime/rajkot/cyber-fraudsters-digitally-arrest-elderly-couple" target="_blank">આ પણ વાંચોઃ Rajkot News : સાયબર ગઠિયાઓએ મોડી રાત્રે ફોન કરી વૃદ્ધ દંપતીને ડિજિટલ એરેસ્ટ કર્યું, 2 કરોડના ફ્રોડની ધમકી આપી</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/s8VLTFwNifCfV4WAYUwzZHaKgn4yMXicNfa6Ljcp.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : આ વિસ્તારોમાં પ્રોપર્ટીના દસ્તાવેજોની નોંધણીમાં મોટો ઉછાળો, જાણો ભાવમાં કેટલો વધારો થયો? ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/property-document-registrations-surge-in-key-areas</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/property-document-registrations-surge-in-key-areas</guid><pubDate>Mon, 14 Sep 2026 10:03:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના પોશ વિસ્તાર સાયન્સસિટીમાં પહેલી એપ્રિલથી 31મી ઓગસ્ટ સુધીના સમયગાળામાં વર્ષ 2025 કરતાં વર્ષ 2026માં 4 હજાર દસ્તાવેજો વધુ થયા છે. છેલ્લા પાંચ મહિનાના સમયગાળામાં રજિસ્ટર્ડ ધરાવતી સોલા અને બોપલ સબરજિસ્ટ્રાર કચેરીઓમાં વર્ષ 2026માં આશરે 26 હજાર દસ્તાવેજો નોંધાયા છે, જેની સામે વર્ષ 2025માં 22 હજાર દસ્તાવેજ રજિસ્ટર્ડ થયા હતા. આ સિવાય રિડેવલપમેન્ટના કારણે પાલડી, વાસણા અને નારણપુરા સહિત પૂર્વના અમરાઈવાડી, ઈસનપુર અને મણિનગર સહિતના વિસ્તારોમાં રિયલ એસ્ટેટનો વિકાસ વેગવંતો બન્યો છે.&nbsp;<br><br></p><h2 style="text-align: justify; "><b>વર્ષ 2026માં 185111 યુનિટ નોંધાયા</b></h2><p style="text-align: justify; ">અમદાવાદમાં છેલ્લા પાંચ મહિનાના સમયગાળામાં વર્ષ 2025માં 156326ની સામે વર્ષ 2026માં 185111 યુનિટ નોંધાયા છે. જેથી કુલ 28785 યુનિટનો વધારો થયો છે. શહેરની સાબરમતી, અમરાઈવાડી, પાલડી, નરોડા અને અસલાલી કચેરીઓમાં પાંચ મહિનામાં 9 હજારથી વધુ દસ્તાવેજો નોંધાયા છે. ડેવલપર્સ એસોસિએશનના હોદ્દેદારોએ નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું કે, હાલ માર્કેટ પર ગંભીર અસર છે, જેમાં સરકાર તરફથી સુધારો જરૂરી છે. નવા પ્રોજેક્ટમાં 8 થી 9 મહિનાનો સમય તો માત્ર પ્લાન પાસ કરાવવામાં અને રેરા (RERA) રજિસ્ટ્રેશનમાં જ નીકળી જાય છે. આ સમયગાળો ઘટે તો કન્સ્ટ્રક્શન ખર્ચ પર સીધી સાનુકૂળ અસર થઈ શકે છે અને ડેવલપર્સને રો-મટિરિયલ્સના વધતા ભાવ સામે રાહત પણ મળી શકે છે.</p><p style="text-align: justify; "></p><h2><b>નવ હજારથી વધુ નોંધાયેલા દસ્તાવેજ</b></h2><p></p><p style="text-align: justify; "><img alt="અમદાવાદ" src="https://epapercdn.sandesh.com/images/2026/09/14/2irRKicldJVf3qvct0JMPSohHFp6rYtth79L5ket.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>આગામી દિવસોમાં સાનુકૂળ ફેરફારો થઈ શકે છે</b></h2><p style="text-align: justify; ">રિયલ એસ્ટેટનું માર્કેટ સ્થિર હોવાનું જણાવતાં ક્રેડાઈ ગાંધીનગરના પ્રમુખ આલાપ મોદીએ કહ્યું કે, હાલ પ્રોપર્ટી મોંઘી થવા પાછળનું મુખ્ય કારણ યુદ્ધ અને વૈશ્વિક પરિસ્થિતિ છે. જેને લીધે રિયલ એસ્ટેટના કાચા માલના ભાવ વધતાં પ્રોપર્ટીના ભાવમાં સરેરાશ 12 ટકા સુધીનો વધારો થયો છે. હાલ વિવિધ પ્રોજેક્ટસમાં ડેવલપર્સ નોમિનલ પ્રોફિટથી કામ કરે છે. ભારતમાં સૌથી ઓછો પ્રોફિટથી કામ કરનારા ડેવલપર્સની યાદીમાં અમદાવાદનો સમાવેશ થઈ શકે છે. નીતિવિષયક કેટલાક સુધારાજરૂરી છે અને સરકાર પણ હકારાત્મક હોવાથી આગામી દિવસોમાં સાનુકૂળ ફેરફારો થઈ શકે છે.</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/news/crime/rajkot/cyber-fraudsters-digitally-arrest-elderly-couple" target="_blank">આ પણ વાંચોઃ Rajkot News : સાયબર ગઠિયાઓએ મોડી રાત્રે ફોન કરી વૃદ્ધ દંપતીને ડિજિટલ એરેસ્ટ કર્યું, 2 કરોડના ફ્રોડની ધમકી આપી</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/lzTC57dyN2jDKmNQMoA56z10roX2U9tpDQzDy6lO.webp'/></item><item><title><![CDATA[Gold Rate Today : ગણેશ ચતુર્થીના શુભ દિવસે સોના-ચાંદીમાં વધારો કે ઘટાડો, જાણો કયા શહેરમાં સૌથી ઓછો સોનાનો ભાવ ]]></title><link>https://sandesh.com/business/news/ganesh-chaturthi-festival-know-gold-and-silver-prices-rise-or-fall</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/ganesh-chaturthi-festival-know-gold-and-silver-prices-rise-or-fall</guid><pubDate>Mon, 14 Sep 2026 09:48:39 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગણેશ ચતુર્થી તહેવારની ભારતભરમાં આજે ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. તહેવારને પગલે અનેક સ્થાનો પર શેરબજાર આજે બંધ છે ત્યારે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો કે ઘટાડો તે જાણીએ. ગત સપ્તાહમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. જયારે આજે સપ્તાહના પ્રથમ દિવસે અને ગણેશ ચતુર્થી પર સોના અને ચાંદીના ભાવમાં ફરી આંશિક ઘટાડો જોવા મળ્યો. જાણો ગણેશ ચતુર્થી પર ભારતના મુખ્ય શહેરોમાં આજે સોના-ચાંદીનો ભાવ શું છે.</p><p style="text-align: justify; "><b>સોના-ચાંદીના આજના તાજા ભાવ</b></p><p style="text-align: justify; ">૧૪ સપ્ટેમ્બરના રોજ ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. દેશમાં ૨૪ કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ₹૧૫,૪૫૭, ૨૨ કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ₹૧૪,૧૬૯ અને ૧૮ કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ₹૧૧,૫૯૩ નોંધાયો હતો. સ્થાનિક ઝવેરીઓ, સ્થાનિક ટેક્સ અને મેકિંગ ચાર્જીસના કારણે અલગ-અલગ શહેરો વચ્ચે કિંમતોમાં આંશિક તફાવત જોવા મળી શકે છે. આજે ચેન્નાઈમાં સોના અને ચાંદીના ભાવ સૌથી વધુ નોંધાયા હતા, જ્યારે દિલ્હીમાં ભારતના મુખ્ય શહેરોમાં સૌથી ઓછા ભાવ નોંધાયા હતા.</p><p style="text-align: justify; "><b>આજના સોનાના ભાવ (કેરેટ પ્રમાણે):</b></p><table class="table table-bordered"><tbody><tr><td>વજન</td><td>24K સોનું (શુદ્ધ)</td><td>22K સોનું (દાગીના)</td><td>18K સોનું</td></tr><tr><td>૧ ગ્રામ</td><td>₹૧૫,૪૫૭</td><td>₹૧૪,૧૬૯</td><td>₹૧૧,૫૯૩</td></tr><tr><td>૮ ગ્રામ</td><td>₹૧,૨૩,૬૫૬</td><td>₹૧,૧૩,૩૫૨</td><td>₹૯૨,૭૪૪</td></tr><tr><td>૧૦ ગ્રામ</td><td>₹૧,૫૪,૫૭૦</td><td>₹૧,૪૧,૬૯૦</td><td>₹૧,૧૫,૯૩૦</td></tr><tr><td>૧૦૦ ગ્રામ</td><td>₹૧૫,૪૫,૭૦૦</td><td>₹૧૪,૧૬,૯૦૦</td><td>₹૧૧,૫૯,૩૦૦</td></tr></tbody></table><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><b>મુખ્ય શહેરોમાં આજનો સોનાના દર:</b></p><p style="text-align: justify; ">દિલ્હી: ૨૪ કેરેટ સોનું ₹૧૫,૪૭૨/ગ્રામ અને ૨૨ કેરેટ સોનું ₹૧૪,૧૮૪/ગ્રામ.</p><p style="text-align: justify; ">મુંબઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નાઈ, કેરળ અને પુણે: ૨૪ કેરેટ સોનું ₹૧૫,૪૫૭/ગ્રામ અને ૨૨ કેરેટ સોનું ₹૧૪,૧૬૯/ગ્રામ.</p><p style="text-align: justify; "><b>દેશના મુખ્ય શહેરોમાં આજના સોના-ચાંદીના તાજા ભાવ</b></p><table class="table table-bordered"><tbody><tr><td>દેશના મુખ્ય શહેરો</td><td>સોનું પ્રતિ 10 ગ્રામ (24 K) ભાવ</td><td>ચાંદી પ્રતિ કિલો ભાવ</td></tr><tr><td>મુંબઈ</td><td>પ્રતિ ૧૦ ગ્રામ ૧,૫૨,૯૯૦ રૂપિયા</td><td>પ્રતિ કિલો રૂ. ૨,૩૪,૨૬૦</td></tr><tr><td>દિલ્હી</td><td>પ્રતિ ૧૦ ગ્રામ ૧,૫૨,૭૨૦ રૂપિયા</td><td>પ્રતિ કિલો રૂ. ૨,૩૩,૮૬૦</td></tr><tr><td>ચેન્નાઇ</td><td>પ્રતિ ૧૦ ગ્રામ ૧,૫૩,૪૩૦ રૂપિયા</td><td>પ્રતિ કિલો રૂ. ૨,૩૪,૯૫૦</td></tr><tr><td>કોલકાતા</td><td>&nbsp;પ્રતિ ૧૦ ગ્રામ ૧,૫૨,૭૮૦ રૂપિયા</td><td>પ્રતિ કિલો રૂ. ૨,૩૩,૯૫૦</td></tr><tr><td>બેંગલુરુ</td><td>પ્રતિ ૧૦ ગ્રામ ૧,૫૩,૧૧૦ રૂપિયા</td><td>પ્રતિ કિલો રૂ. ૨,૩૪,૪૫૦</td></tr><tr><td>અમદાવાદ</td><td>પ્રતિ ૧૦ ગ્રામ ૧,૫૪,૧૪૦ રૂપિયા</td><td>પ્રતિ કિલો રૂ. ૨,૪૫,૦૦૦</td></tr></tbody></table><p style="text-align: justify; "><b>આજના ચાંદીના ભાવ:</b></p><p style="text-align: justify; ">આજે ચાંદીના ભાવમાં પ્રતિ કિલો ₹૧૦૦નો સામાન્ય ઘટાડો નોંધાયો છે. પ્રતિ ગ્રામ ચાંદીનો ભાવ ₹૨૪૪.૯૦ અને પ્રતિ કિલો ભાવ ₹૨,૪૪,૯૦૦ રહ્યો હતો.</p><ul><li style="text-align: justify;">૧ ગ્રામ: ₹૨૪૪.૯૦ (-₹૦.૧૦)</li><li style="text-align: justify;">૧૦ ગ્રામ: ₹૨,૪૪૯ (-₹૧)</li><li style="text-align: justify;">૧૦૦ ગ્રામ: ₹૨૪,૪૯૦ (-₹૧૦)</li><li style="text-align: justify;">૧ કિલો: ₹૨,૪૪,૯૦૦ (-₹૧૦૦)</li></ul><p style="text-align: justify; "><b>શહેર અનુસાર ચાંદી:</b> </p><p style="text-align: justify; ">અમદાવાદ, વડોદરા, મુંબઈ, દિલ્હી, કોલકાતા અને પુણેમાં ૧૦ ગ્રામ ચાંદીનો ભાવ ₹૨,૪૪૯ હતો, જ્યારે ચેન્નાઈ, હૈદરાબાદ અને કેરળમાં ₹૨,૪૯૯ નોંધાયો હતો.</p><p style="text-align: justify; "><b>સોના-ચાંદીના ભાવ નક્કી કરતા મુખ્ય પરિબળો:</b></p><ul><li style="text-align: justify;">આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટના દરો અને ડોલર સામે રૂપિયાનું મૂલ્ય.</li><li style="text-align: justify;">વૈશ્વિક ફુગાવો, આર્થિક પરિસ્થિતિઓ અને વ્યાજ દરોની અપેક્ષાઓ.</li><li style="text-align: justify;">આયાત જકાત (Import Duty) અને સરકારી ટેક્સ.</li><li style="text-align: justify;">સોનાની જ્વેલરી માંગ તેમજ ચાંદીની ઈલેક્ટ્રોનિક્સ અને ઔદ્યોગિક ક્ષેત્રે વપરાશની માગ.</li></ul><p style="text-align: justify; "><b>સોનું ખરીદતી વખતે આ બાબતો ખાસ ચકાસો:</b></p><p style="text-align: justify; ">સોનું ખરીદતી વખતે માત્ર સોનાના દૈનિક ભાવ પર આધાર ન રાખવો. દાગીના ખરીદતી વખતે હંમેશા BIS હોલમાર્ક, સોનાનું ચોખ્ખું વજન (Net Weight), શુદ્ધતા (Karat), મેકિંગ ચાર્જીસ અને જીએસટી (GST) નું અલગથી બિલ ચકાસીને જ ખરીદી કરવી.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/lRMxInsns4RtVmtG1H7PmhcWYpoVR5fhqSZDfzUY.webp'/></item><item><title><![CDATA[Gujarat Dam Level : નર્મદા ડેમ મહત્તમ જળ સપાટીથી માત્ર પોણા બે મીટર દૂર, જાણો રાજ્યના અન્ય ડેમની સ્થિતિ ]]></title><link>https://sandesh.com/gujarat/news/narmada/narmada-dam-1-68-metres-below-maximum-level</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/narmada/narmada-dam-1-68-metres-below-maximum-level</guid><pubDate>Mon, 14 Sep 2026 08:30:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ તેની મહત્તમ જળ સપાટીથી છલોછલ થવાની તૈયારીમાં છે. તા. 13 સપ્ટેમ્બર 2026ના સાંજે ડેમની જળસપાટી 137 મીટર નોંધાઈ છે. જે મહત્તમ સપાટીથી માત્ર પોણા બે મીટર જ દૂર છે. ડેમમાં હાલ લાઈવ સ્ટોરેજ 523100 MCM છે. ઉપરવાસમાંથી ડેમમાં 87131 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.પાણીની આવકને ધ્યાનમાં રાખીને નદીમાં પાવરહાઉસ મારફતે 42659 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.જ્યારે કેનાલમાં 13577 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>સપ્તાહમાં નર્મદા ડેમ પૂર્ણ ભરાઈને છલકાઈ શકે</b></h2><p style="text-align: justify; ">નર્મદા ડેમમાંથી નદી અને કેનાલ મારફતે કુલ 56236 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. ડેમની હાલની સપાટી મહત્તમ સપાટીથી માત્ર 1.68 મીટર દૂર છે. ડેમના કેચમેન્ટ એરિયામાં પણ સતત વરસાદ હોવાથી 87000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેના પગલે ડેમની જળ સપાટીમાં ધીમો વધારો થશે અને જો સ્થિતિ આવી જ રહી તો આગામી એક સપ્તાહમાં નર્મદા ડેમ પૂર્ણ ભરાઈને છલકાઈ શકે તેવી શક્યતાઓ છે.</p><h3 style="text-align: justify; "><b>207 જળાશયોમાં હાલ 76.02 % જેટલો કુલ જળસંગ્રહ</b></h3><p style="text-align: justify; ">ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ વચ્ચે જળાશયોમાં પાણીની આવક સતત જળવાઈ રહી છે. જળ સંપત્તિ વિભાગ દ્વારા 13 સપ્ટેમ્બર 2026ના રોજ જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, રાજ્યના કુલ 207 જળાશયોમાં હાલ 76.02 % જેટલો કુલ જળસંગ્રહ નોંધાયો છે.  દક્ષિણ ગુજરાતના 13  ડેમોમાં સૌથી વધુ 78.14% જળસંગ્રહ નોંધાયો છે, જેમાં 6 ડેમો સંપૂર્ણ ભરાઈ ગયા છે. મુખ્ય ઉકાઈ ડેમમાં 77.47% પાણી છે. મધ્ય ગુજરાતના 17 ડેમોમાં 62.36% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. સૌરાષ્ટ્રના 141 ડેમોમાં 48.59% જળસંગ્રહ થયો છે જેમાં 10 ડેમો સંપૂર્ણ ભરાયા છે. ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 42.19% પાણી સંગ્રહિત થયું છે. કચ્છના 20 ડેમોમાં 22.76% જળસંગ્રહ નોંધાયો છે.</p><h2 style="text-align: justify; "><b>207 ડેમો પૈકી 17 ડેમો સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યા છે</b></h2><p style="text-align: justify; ">રાજ્યના કુલ 207 ડેમો પૈકી 17 ડેમો સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યા છે. જ્યારે કેટલાક મોટા ડેમોમાં પાણીની સપાટી વધતા એલર્ટ અને હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યા છે, જેની પર તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.રાજ્યમાં આજે પણ ભારે વરસાદની આગાહીને પગલે મહેસાણા, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર અને ભરૂચ સહિતના 11 જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.વાવાઝોડા સાથે વરસી રહેલા આ વરસાદ દરમિયાન 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.જ્યારે અમદાવાદ, કચ્છ, મોરબી, ડાંગ અને વડોદરા સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને કચ્છ તથા સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની સંભાવના છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/rain-in-234-talukas-in-24-hours-heavy-rain-alert-in-11-districts" target="_blank">આ પણ વાંચોઃ Gujarat Weather News : 24 કલાકમાં 234 તાલુકાઓમાં મેઘમહેર, આજે આ 11 જિલ્લાઓમાં વરસાદ બગડાટી બોલાવશે</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/lrVtsh8cFT9IjiGwu0RjAH9fh94aMAroKeXoowrz.webp'/></item></channel></rss>