<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Maharashtra: મરાઠી ભાષાના નામે હેરાન કરવાનું બંધ કરો, મુંબઇમાં ઓટો ચાલકો ઉતર્યા રસ્તા પર ]]></title><link>https://sandesh.com/india/news/maharashtra-front-against-rules-on-speaking-marathi-auto-drivers-take-to-the-roads-in-mumbai</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/maharashtra-front-against-rules-on-speaking-marathi-auto-drivers-take-to-the-roads-in-mumbai</guid><pubDate>Mon, 24 Aug 2026 17:39:05 +05:30</pubDate><description><![CDATA[<p>મુંબઈમાં મરાઠી ભાષા શીખવા અંગેનો વિવાદ હવે રસ્તા પર આવી ગયો છે. આજે મુંબઈના વિવિધ ભાગોમાં ઓટો-રિક્ષા ચાલકો અને માલિકો મરાઠી ન જાણવાના કથિત દબાણ અને દંડાત્મક કાર્યવાહી સામે વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા. </p><h2><b>કાંદિવલીમાં ઓટો ચાલકો રસ્તે ઉતર્યા&nbsp;</b></h2><p>કાંદિવલીના લોખંડવાલા વિસ્તારમાં, ઓટો ચાલકોએ રસ્તાઓ પરથી પોતાના વાહનો દૂર રાખીને વિરોધ પ્રદર્શન કર્યું. એ જ રીતે કાંદિવલીના દહાણુકરવાડી વિસ્તારમાં ઓટો ચાલકો વિરોધ કરવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને સાથી ડ્રાઇવરોને કામગીરી બંધ કરવા વિનંતી કરી હતી. વિરોધ કરી રહેલા હિન્દી ભાષી ઓટો-રિક્ષા ચાલકોએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 40 થી 50 વર્ષથી મુંબઈમાં વાહન ચલાવી રહ્યા છે. તેઓ દાવો કરે છે કે તેઓ મરાઠી સમજે છે અને અમુક અંશે બોલે પણ છે, છતાં ભાષાના મુદ્દા પર તેમને હેરાન અને દંડ કરવામાં આવી રહ્યો છે.</p><p><b style="font-size: 1.75rem;">પ્રદર્શનો કરનારાઓ શું માંગ કરી રહ્યા છે?</b></p><p>એક ઓટો-રિક્ષા ચાલકે ટિપ્પણી કરી. અમે દાયકાઓથી મુંબઈમાં રહીએ છીએ અને ઓટો ચલાવીએ છીએ. અમે મરાઠી પણ સમજીએ છીએ અને બોલીએ છીએ. તો પછી ભાષાના નામે આપણને કેમ હેરાન કરવામાં આવી રહ્યા છે?" ઓટો ડ્રાઇવરોના આંદોલને ફરી એકવાર મુંબઈમાં ભાષા અને રોજગાર અંગે લાંબા સમયથી ચાલી આવતી ચર્ચાને આગળ ધપાવી છે. પ્રદર્શનકારીઓની માંગ છે કે ભાષા શીખવાની જરૂરિયાત પર તેમના પર કોઈ દબાણ ન કરવામાં આવે, કે શિક્ષાત્મક પગલાં લેવામાં ન આવે.</p><p><b style="font-size: 1.75rem;">ઓટો અને ટેક્સી ડ્રાઇવરો માટે મૂળભૂત મરાઠી ફરજિયાત</b></p><p>ઓટો-રિક્ષા ડ્રાઇવરો ગૌરવ સાથે કામ કરવાના અધિકાર માટે હાકલ કરી રહ્યા છે. અહેવાલો દર્શાવે છે કે વિવિધ વિસ્તારોમાં આ વિરોધ પ્રદર્શનોને કારણે સ્થાનિક સ્તરે ઓટો સેવાઓ ખોરવાઈ ગઈ છે. નોંધનીય છે કે મહારાષ્ટ્ર સરકારે રાજ્યભરના વાણિજ્યિક ઓટો અને ટેક્સી ડ્રાઇવરો માટે મરાઠીનું મૂળભૂત જ્ઞાન ફરજિયાત બનાવ્યું છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2091795871033860560"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p><b style="font-size: 1.5rem;">જો મરાઠી શીખશે નહીં તો..</b></p><p>નવા નિયમોમાં જણાવાયું છે કે જે ડ્રાઇવરો મરાઠી નથી જાણતા તેમને પહેલા નોટિસ જાહેર કરવામાં આવશે અને ભાષા શીખવા માટે ગ્રેસ પીરિયડ આપવામાં આવશે. જો ડ્રાઇવરો નિર્ધારિત સમયમાં મરાઠી શીખશે, તો મામલો ઉકેલાઈ જશે નહીં તો તેમના ડ્રાઇવિંગ લાઇસન્સ અને બે ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવશે. આ સમયગાળા પછી પણ પાલન કરવામાં નિષ્ફળતાના પરિણામે તેમના પરમિટ સંપૂર્ણપણે રદ કરવામાં આવશે.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/NgojYD8BxpBAKDIt0nDDLVs0mtGPFFskdVfPoPLU.webp'/></item><item><title><![CDATA[મહિલાઓ માટે રોકાણની મોટી તક! પોસ્ટ ઓફિસની આ યોજનાઓથી બનાવો મજબૂત ભવિષ્ય ]]></title><link>https://sandesh.com/business/news/post-office-schemes-for-women-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/post-office-schemes-for-women-2026</guid><pubDate>Mon, 24 Aug 2026 17:33:19 +05:30</pubDate><description><![CDATA[<p>મહિલાઓને જીવનના અલગ-અલગ તબક્કાઓ માટે આર્થિક સુરક્ષા ઊભી કરવામાં પોસ્ટ ઓફિસની ઘણી યોજનાઓ મદદ કરી શકે છે. આ યોજનામાં રોકાણ કરવા માટે દીકરીના ભણતર, નિવૃત્તિનું આયોજન, ઇમરજન્સી ફંડ તૈયાર કરવું અથવા નિવૃત્તિ બાદ નિયમિત આવક મેળવવા સહિત ઘણા હેતુ હોઈ શકે છે. મ્યુચ્યુઅલ ફંડ અને શેરબજાર સાથે જોડાયેલા રોકાણમાં મળતું વળતર બજારની સ્થિતિ પ્રમાણે બદલાતું રહે છે. બીજી તરફ, ઘણા રોકાણકારો પોતાની કેટલીક રકમ એવા વિકલ્પોમાં રાખવા માંગે છે, જેના પર બજારના ઉતાર-ચઢાવની સીધી અસર ન થાય. આવા રોકાણકારો માટે પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓ ઉપયોગી બની શકે છે.</p><p>પોસ્ટ ઓફિસની મોટાભાગની યોજનાઓમાં મહિલાઓ માટે અલગ વ્યાજદર હોતો નથી. જોકે, મહિલાઓ પોતાની જરૂરિયાત અને નાણાકીય લક્ષ્ય પ્રમાણે અલગ-અલગ યોજનાઓ પસંદ કરી શકે છે. સુકન્યા સમૃદ્ધિ યોજના SSY ખાસ કરીને દીકરી માટે છે, જ્યારે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ PPF, મન્થલી ઇન્કમ સ્કીમ MIS, રિકરિંગ ડિપોઝિટ RD, ટાઇમ ડિપોઝિટ TD અને નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ NSC જેવી યોજનાઓમાં પાત્ર મહિલાઓ અને પુરુષો બંને રોકાણ કરી શકે છે. હાલમાં સુકન્યા સમૃદ્ધિ યોજના પર 8.2%, PPF પર 7.1%, પોસ્ટ ઓફિસ MIS પર 7.4%, 5 વર્ષની RD પર 6.7%, 5 વર્ષની TD પર 7.5% અને NSC પર 7.7% વ્યાજ મળી રહ્યું છે. સરકાર આ વ્યાજદરોની સમયાંતરે સમીક્ષા કરે છે. કઈ યોજના કઈ જરૂરિયાત માટે વધુ યોગ્ય બની શકે છે, તે સરળ રીતે સમજીએ.</p><h2><b>સુકન્યા સમૃદ્ધિ યોજના</b></h2><p>સુકન્યા સમૃદ્ધિ યોજના હાલમાં વધુ વ્યાજ આપતી નાની બચત યોજનાઓમાં સામેલ છે. તેમાં 8.2% વ્યાજ મળે છે. 10 વર્ષની ઉંમર પહેલાં દીકરીના નામે માતા-પિતા અથવા વાલી SSY ખાતું ખોલાવી શકે છે. તેમાં એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 250 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરી શકાય છે.આ ખાતું ખોલ્યાની તારીખથી 21 વર્ષ બાદ મેચ્યોર થાય છે. આ યોજનાનો મુખ્ય હેતુ દીકરીના ભણતર અને ભવિષ્યની અન્ય જરૂરિયાતો માટે લાંબા સમય સુધી ફંડ તૈયાર કરવાનો છે. નક્કી કરેલી શરતો હેઠળ ઉચ્ચ શિક્ષણ માટે જમા રકમમાંથી 50% સુધી રકમ ઉપાડી શકાય છે.</p><h2><b>પબ્લિક પ્રોવિડન્ટ ફંડ</b></h2><p>PPF પર હાલમાં 7.1% વ્યાજ મળી રહ્યું છે. તેમાં એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 500 રૂપિયા જમા કરવા પડે છે, જ્યારે વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકાય છે. તેની મેચ્યોરિટી અવધિ 15 વર્ષની છે. ત્યારબાદ તેને 5-5 વર્ષના સમયગાળા માટે આગળ વધારી શકાય છે.યોજનાની શરતો મુજબ તેમાં લોન લેવાની અને કેટલીક રકમ ઉપાડવાની સુવિધા પણ મળે છે. સરકાર દ્વારા સમર્થિત PPF એવી મહિલાઓ માટે ઉપયોગી બની શકે છે, જેઓ નિવૃત્તિ જેવા લાંબા ગાળાના લક્ષ્ય માટે બચત કરવા માંગે છે. PPFમાં ટેક્સ સંબંધિત લાભ પણ મળે છે.</p><h2><b>પોસ્ટ ઓફિસ MIS</b></h2><p>જો કોઈ વ્યક્તિ પાસે પહેલેથી એકસાથે મોટી રકમ હોય અને તેમાંથી નિયમિત આવક મેળવવા માંગતી હોય, તો પોસ્ટ ઓફિસ મન્થલી ઇન્કમ સ્કીમ એટલે કે MIS એક વિકલ્પ બની શકે છે.MIS પર હાલમાં વાર્ષિક 7.4% વ્યાજ મળે છે અને વ્યાજ દર મહિને આપવામાં આવે છે. તેમાં સિંગલ ખાતામાં વધુમાં વધુ 9 લાખ રૂપિયા અને જોઇન્ટ ખાતામાં વધુમાં વધુ 15 લાખ રૂપિયા રોકાણ કરી શકાય છે.ઉદાહરણ તરીકે, જો કોઈ મહિલા 9 લાખ રૂપિયા રોકાણ કરે અને વ્યાજદર 7.4% હોય, તો એક વર્ષમાં આશરે 66,600 રૂપિયા વ્યાજ મળશે. એટલે દર મહિને આશરે 5,550 રૂપિયાની આવક થઈ શકે છે.</p><h2><b>પોસ્ટ ઓફિસ RD</b></h2><p>દરેક વ્યક્તિ પાસે એકસાથે લાખો રૂપિયા રોકાણ કરવા માટે હોતા નથી. એવી મહિલાઓ જે દર મહિને થોડી-થોડી રકમ જમા કરવા માંગે છે, તેમના માટે પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ એટલે કે RD એક વિકલ્પ બની શકે છે.5 વર્ષની RD પર હાલમાં 6.7% વ્યાજ મળે છે. તેમાં માત્ર 100 રૂપિયા દર મહિને જમા કરીને શરૂઆત કરી શકાય છે. ત્યારબાદ 10 રૂપિયાના ગુણાંકમાં રકમ જમા કરી શકાય છે. તેમાં વધુમાં વધુ રોકાણની કોઈ મર્યાદા નથી.ઉદાહરણ તરીકે, કોઈ મહિલા પોતાના બજેટ પ્રમાણે દર મહિને 1,000 રૂપિયા, 5,000 રૂપિયા અથવા 10,000 રૂપિયા જમા કરી શકે છે. તેમાં એકસાથે મોટી રકમ જમા કરવાની જરૂર પડતી નથી.</p><h2><b>પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ</b></h2><p>પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ એટલે કે TD અમુક અંશે બેંક FDની જેમ કામ કરે છે. તેમાં રોકાણકાર પોતાની જરૂરિયાત પ્રમાણે સમયગાળો પસંદ કરી શકે છે.5 વર્ષની પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ પર હાલમાં 7.5% વ્યાજ મળે છે. તેમાં ઓછામાં ઓછા 1,000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકાય છે અને ત્યારબાદ 100 રૂપિયાના ગુણાંકમાં રકમ જમા કરી શકાય છે. તેમાં વધુમાં વધુ રોકાણની કોઈ મર્યાદા નથી.આ યોજના એવી મહિલાઓ માટે ઉપયોગી બની શકે છે, જેમની પાસે એકસાથે મોટી રકમ છે અને તેમને અંદાજ છે કે ભવિષ્યમાં ક્યારે પૈસાની જરૂર પડી શકે છે.</p><h2><b>નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ</b></h2><p>નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ એટલે કે NSC પર હાલમાં 7.7% વ્યાજ મળી રહ્યું છે. તેની મેચ્યોરિટી અવધિ 5 વર્ષની છે. તેમાં ઓછામાં ઓછા 1,000 રૂપિયા રોકાણ કરી શકાય છે અને વધુમાં વધુ રોકાણની કોઈ મર્યાદા નથીMISથી અલગ, NSCનો મુખ્ય હેતુ દર મહિને આવક આપવાનો નથી. આ યોજના એવા લોકો માટે વધુ યોગ્ય બની શકે છે, જેઓ પોતાની રકમ મેચ્યોરિટી સુધી રોકાણમાં રાખી શકે છે.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/fTP3Kw5QGW6IKMdTNtZrQkmbN8P4CRgPUTxroHQa.webp'/></item><item><title><![CDATA[Vadodara: ડભોઇના ભીલાપુરમાં ફેસબુક કોમેન્ટ મુદ્દે ભાજપના બે જૂથ વચ્ચે લોહીયાળ મારામારી ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/dabhoi-bhilapur-bjp-groups-clash-facebook-comment-viral-video</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/dabhoi-bhilapur-bjp-groups-clash-facebook-comment-viral-video</guid><pubDate>Mon, 24 Aug 2026 17:33:12 +05:30</pubDate><description><![CDATA[<p>વડોદરાના ડભોઇ તાલુકાના ભીલાપુર ગામે સત્તાધારી પક્ષ ભાજપના બે જૂથો વચ્ચેની આંતરિક અદાવત હવે જાહેર રસ્તા પર આવી ગઈ છે. ફેસબુક પર કરવામાં આવેલી એક કોમેન્ટ અને જૂના રાજકીય મનદુઃખને લઈને બંને જૂથના કાર્યકરો અને હોદ્દેદારો સામસામે આવી જતાં તીવ્ર બોલાચાલી બાદ લોહીયાળ અથાડામણ સર્જાઈ હતી.</p><h2><b>ભીલાપુર ગામે ભાજપના બે જૂથ વચ્ચે મારામારી</b></h2><p>પાર્ટીની શિસ્તના જાહેર રસ્તા પર ધજાગરા ઉડાવતી આ ઘટનામાં ડભોઇ ભાજપ તાલુકા યુવા મોરચાના મંત્રી રઘુવીર પર સામેના જૂથ દ્વારા જાનલેવા હુમલો કરીને ઢોર માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. આ ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં હુમલાના દ્રશ્યો કેદ થયા છે. આક્ષેપ મુજબ, ગામના સસ્તા અનાજની દુકાનના સંચાલક કિરણ પટેલ અને તેના સમર્થકો દ્વારા યુવા મોરચાના મંત્રી અને તેમના સાથીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો.</p><h3><b>પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરુ</b></h3><p>લોહીયાળ મારામારીમાં બંને પક્ષે ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક અસરથી ડભોઇ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં જ ડભોઇ પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. પોલીસે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોના આધારે તેમજ ભોગ બનનારાઓના નિવેદન નોંધીને ગુનો નોંધવાની અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/rajkot/phd-student-exploitation-chintan-makwana-arrested-abortion-case" target="_blank">આ પણ વાંચો: Rajkot: Ph.D. કરતી યુવતીને હવસનો શિકાર બનાવી, લગ્નની લાલચ આપી ગર્ભપાત કરાવ્યા બાદ આરોપી ફરી ગયો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/KKhmsKH8JhlXEGcFB1OVmpYcPx8Lb8rkv83GMSll.webp'/></item><item><title><![CDATA[Banaskantha News : રાજયમાં બટાકાના ભાવ નહીં મળતાં 800 કરોડનું નુકસાન, ખેડૂતોએ સરકાર પાસે સહાયની માગ કરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/agriculture/banaskantha/potato-farmers-face-800-crore-loss-seek-government-aid</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/agriculture/banaskantha/potato-farmers-face-800-crore-loss-seek-government-aid</guid><pubDate>Mon, 24 Aug 2026 17:32:50 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં સૌથી ખર્ચાળ અને મોંઘી બટાકાની ખેતી થાય છે. ચાલુ વર્ષે સાતથી આઠ કરોડ કટ્ટાનું ઉત્પાદન થવા પામ્યું છે.જેમાંથી 50% પ્રોસેસિંગ અને 50% બટાકા રાશન એટલે કે ખાવાના ઉપયોગ માટે ઉત્પાદન થયું છે.જોકે આ ચાર કરોડ કટ્ટામાં હાલમાં ખેડૂત અને મૂડીમાં પર કટ્ટા દીઠ 200 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. એટલે કે અંદાજિત 800 કરોડ રૂપિયાનું નુકસાન ખેડૂતને મૂડીમાં થઈ રહ્યું છે. જોકે હાલમાં બટાકા પ્રતિ કિલો પાંચથી સાત રૂપિયે વેચાઈ રહ્યાં છે. જેમાંથી થતી આવક  માત્ર કોલ્ડ સ્ટોરેજના ભાડા, બારદાન અને લેબર ખર્ચ પૂરતી છે. ત્યારે મજૂરી અને બિયારણના પ્રતિ કટ્ટે 200નું નુકસાન હાલ ખેડૂતોને થઈ રહ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>સહાય માટે બે વખત આવેદનપત્ર પણ આપી ચૂક્યા છે&nbsp;</b></h2><p style="text-align: justify; ">ખેડૂતો દ્વારા સરકાર પાસે સહાય માટે બે વખત આવેદનપત્ર પણ આપી ચૂક્યા છે પરંતુ સરકાર હજુ સુધી નિર્ણય લઈ શકી નથી. ખેડૂતોએ આ નુકસાની ભરપાઈ માટે હવે સરકાર પાસે મદદ માંગી છે.  રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજ ભાડામાં કે ટ્રાન્સપોર્ટ ભાડામાં કે પછી એકર દીઠ વાવેતરમાં સહાય નક્કી કરી આપે તેવી આશા વ્યક્ત કરાઈ છે. ખેડૂતોને છેલ્લા ત્રણ ચાર વર્ષથી રાજ્ય સરકારની ચાર ટકા વ્યાજ લોન પણ મળતી નથી જેથી ખેડૂતો વ્યાજ લોન પણ સમયસર આપવાની માગણી કરી રહ્યા છે.રાજ્ય સરકાર ખેડૂતોને મદદરૂપ નહીં થાય તો ખેડૂતો દેવાના ડુંગરા નીચે દબાઈ જશે તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>અંદાજિત 700થી 800 કરોડ રૂપિયાનું નુકસાન</b></h2><p style="text-align: justify; ">ડીસાના જાણીતા વેપારી ફૂલચંદભાઈ કચ્છવા એ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે યુપી અને બંગાળમાં ઓવર પ્રોડક્શન થવાના કારણે બટાકાની માંગ ઘટી છે. જેના કારણે ભાવ દિન પ્રતિદિન ગગડી રહ્યા છે. જોકે ગુજરાતમાં ચાલુ વર્ષે ચાર કરોડ કટ્ટા રાશન માટેના ઉત્પાદન થયા હતા જેમાં પ્રતિ કટ્ટા દીઠ હાલ ખેડૂતને રૂપિયા 200નું નુકસાન થઈ રહ્યું છે અને જે પ્રમાણે અંદાજિત 700થી 800 કરોડ રૂપિયાનું નુકસાન છે. સરકાર ખેડૂતોની સહાય માટે ત્રણ ઓપ્શન આપી શકે છે જેમાં કોલ્ડ સ્ટોરેજ ભાડામાં સહાય, ટ્રાન્સપોર્ટ ખર્ચમાં સહાય કે પછી બટાકાના વાવેતરમાં એકર દીઠ સહાય નક્કી કરીને મદદ રૂપ થઈ શકે તેમ છે. સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય લેવો જરૂરી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/valsad/liquor-is-like-god-in-gujarat-everywhere-but-invisible-to-police-says-tushar-chaudhary" target="_blank">આ પણ વાંચોઃ Valsad News: ગુજરાતમાં દારુ ભગવાન જેવો થઈ ગયો છે, જે બધે હાજર છે પણ પોલીસને દેખાતો નથી : તુષાર ચૌધરી</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/rERGPSHij5mpl2NGLUNURnVo5Fl0X47BkOdVoCfP.webp'/></item><item><title><![CDATA[Sugar Price Hike : શું દેશમાં ખાંડની છે અછત? સરકારે કેમ 10 લાખ ટનનો સ્ટોક બહારથી મગાવ્યો? ]]></title><link>https://sandesh.com/india/news/sugar-price-hike-india-10-lakh-tonne-duty-free-import</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/sugar-price-hike-india-10-lakh-tonne-duty-free-import</guid><pubDate>Mon, 24 Aug 2026 17:29:49 +05:30</pubDate><description><![CDATA[<p>તહેવારોની સિઝન પહેલાં ખાંડના વધતા ભાવને કારણે સામાન્ય ગ્રાહકોની ચિંતા વધી છે. છેલ્લા એક મહિનામાં રિટેલ અને હોલસેલ બજારમાં ખાંડના ભાવમાં આશરે 24 ટકાનો વધારો થયો છે અને ભાવ 56થી 60 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. ભાવને નિયંત્રણમાં રાખવા માટે કેન્દ્ર સરકારે 20 ઓગસ્ટે 10 લાખ ટન કાચી ખાંડની ડ્યૂટી-ફ્રી આયાતને મંજૂરી આપી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2091839332562931955"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>દેશમાં ખાંડની કોઈ અછત નથી: ISMA</b></h2><p>જોકે, ઈન્ડિયન શુગર મિલ્સ એસોસિએશન (ISMA)નું કહેવું છે કે દેશમાં ખાંડની કોઈ અછત નથી. ISMAના અધ્યક્ષ નીરજ શિરગાંવકરના જણાવ્યા અનુસાર, 1 ઓગસ્ટ સુધી દેશમાં આશરે સાડા ત્રણ મહિનાનો સ્ટોક ઉપલબ્ધ હતો. સરકારનો આયાતનો નિર્ણય અછતને કારણે નહીં પરંતુ સાવચેતીના પગલા તરીકે લેવામાં આવ્યો છે. આયાતથી અંદાજિત ક્લોઝિંગ સ્ટોકમાં 25થી 29 ટકાનો વધારો થવાની શક્યતા છે.</p><h2><b>શું છે ભાવવધારાનું મુખ્ય કારણ?</b></h2><p>તાજેતરમાં ભાવ વધવાનું મુખ્ય કારણ સટોડિયાઓ દ્વારા કરાયેલી જમાખોરી હોવાનું જણાવવામાં આવે છે. ખરાબ હવામાનને કારણે ઉત્પાદન પર પણ થોડી અસર પડી છે. નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટિવ શુગર ફેક્ટરીઝના અધ્યક્ષ પ્રકાશ નાઈકનવરેએ પણ દેશમાં પૂરતો પુરવઠો હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 2025-26 સિઝનમાં ખાંડનું ઉત્પાદન આશરે 279 લાખ ટન રહેવાનો અંદાજ છે. જ્યારે 2026-27 સિઝનની શરૂઆતમાં લગભગ 35 લાખ ટનનો સ્ટોક રહેવાની અપેક્ષા છે. દેશમાં દર મહિને આશરે 22 લાખ ટન ખાંડનો વપરાશ થાય છે.</p><h4><b>કયાથી કરાશે આયાત?</b></h4><p>આયાત માટે બ્રાઝિલ મુખ્ય વિકલ્પ રહેશે. બ્રાઝિલથી ભારત સુધી ખાંડની ખેપ પહોંચવામાં સામાન્ય રીતે 40થી 45 દિવસ લાગે છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, ગુજરાત અને આંધ્ર પ્રદેશ જેવા દરિયાકાંઠાના રાજ્યોમાં આયાતી ખાંડ પહેલાં પહોંચવાની શક્યતા છે. સરકાર 31 ઓક્ટોબરની આયાતની સમયમર્યાદામાં પણ જરૂરી રાહત આપી શકે છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/supreme-court-notice-jharkhand-government-jpsc-2025-cbi-probe" target="_blank">આ પણ વાંચો : CBI તપાસ કે કેન્સલ થશે JPSC પરીક્ષા? સુપ્રીમ કોર્ટે ઝારખંડ સરકારને મોકલી નોટિસ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/WkT28utLyM5XPq13IQ7np6b6iSgPfSslHXlM8xdz.webp'/></item><item><title><![CDATA[Rocking Star Yashની ટોક્સિકનો જબરદસ્ત ક્રેઝ! ટિકિટના ભાવ પહોંચ્યા 3600 સુધી, ફેન્સમાં જોરદાર ઉત્સાહ ]]></title><link>https://sandesh.com/entertainment/news/yash-toxic-ticket-price-3600-advance-booking</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/yash-toxic-ticket-price-3600-advance-booking</guid><pubDate>Mon, 24 Aug 2026 17:15:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કન્નડ સિનેમાના સુપરસ્ટાર યશ 4 વર્ષના લાંબા સમય બાદ મોટા પડદા પર જોવા મળવાના છે. 26 ઓગસ્ટે તેમની ફિલ્મ ટોક્સિક રિલીઝ થવા જઈ રહી છે. લાંબા સમય બાદ ફેન્સ તેમને સિનેમાઘરોમાં જોવા માટે ઉત્સાહિત છે. ટોક્સિકને લઈને જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. સ્થિતિ એવી છે કે ટિકિટના ભાવ 3600 સુધી પહોંચી ગયા છે. સામાન્ય ટિકિટ ઓછી કિંમતમાં મળી રહી છે, પરંતુ પ્રીમિયમ શોની ટિકિટની કિંમત હજારોમાં છે.</p><h2 style="text-align: justify; "><b>3600 સુધી પહોંચી ટિકિટની કિંમત</b></h2><p style="text-align: justify; ">ગીતુ મોહનદાસના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં યશ સાથે કિયારા અડવાણી, નયનતારા, તારા સુતરિયા, હુમા કુરેશી અને રુક્મિણી વસંત જોવા મળશે. અહેવાલો અનુસાર, પ્રીમિયમ સિનેમાઘરોમાં મુંબઈમાં ટિકિટની કિંમત 2700, દિલ્હીમાં 2400 અને બેંગલુરુમાં 3600 સુધી પહોંચી ગઈ છે.</p><h3 style="text-align: justify; "><b>મુંબઈ, દિલ્હી અને બેંગલુરુમાં ટોક્સિકની ટિકિટના ભાવ</b></h3><p style="text-align: justify; ">સ્ક્રીનિંગ અને સીટની કેટેગરી પ્રમાણે મુંબઈમાં જિયો વર્લ્ડ ડ્રાઇવ અને જિયો વર્લ્ડ પ્લાઝા જેવી જગ્યાઓ પર ટિકિટની કિંમત 2250થી 2600 વચ્ચે જોવા મળી રહી છે. એટલું જ નહીં, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલા જિયો વર્લ્ડ પ્લાઝાના મેઝોન આઇનોક્સમાં સાંજે 5:45 વાગ્યાના શોની ટિકિટની કિંમત 2700 હોવાનું કહેવાય છે. માત્ર મુંબઈમાં જ નહીં, દિલ્હીમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. અહેવાલો અનુસાર, દિલ્હીના એમ્બિયન્સ મોલમાં પીવીઆર ડિરેક્ટર્સ કટ થિયેટરમાં બપોરે 12:55, સાંજે 4:35, રાત્રે 8:15 અને રાત્રે 11:55 વાગ્યાના શોની ટિકિટની કિંમત 2400 સુધી પહોંચી ગઈ છે.</p><h4 style="text-align: justify; "><b>એડવાન્સ બુકિંગમાં ટોક્સિકનો ધમાકો</b></h4><p style="text-align: justify; ">બેંગલુરુમાં પણ પ્રીમિયમ ટિકિટની કિંમત 2000 હોવાનું કહેવાય છે. જોકે, બેંગલુરુમાં જ કેટલીક જગ્યાએ તેનાથી પણ મોંઘી ટિકિટ વેચાઈ રહી છે. અહેવાલો અનુસાર, આઇનોક્સ એમ5 ઈસિટીમાં સવારે 6:30, સવારે 10:25, સાંજે 6:15 અને રાત્રે 10:15 વાગ્યાના શોની ટિકિટ 3600 છે. આટલા મોંઘા ભાવ હોવા છતાં એડવાન્સ બુકિંગમાં ટોક્સિક જોરદાર પરફોર્મ કરી રહી છે.</p><h5 style="text-align: justify; "><b>ટોક્સિકનું એડવાન્સ બુકિંગ રિપોર્ટ</b></h5><p style="text-align: justify; ">સેકનિલ્ક અનુસાર, 24 ઓગસ્ટે બપોરે 3 વાગ્યા સુધી સમગ્ર ભારતમાં 6,94,997 ટિકિટ બુક થઈ ચૂકી છે. તેના દ્વારા ફિલ્મે 25.91 કરોડની કમાણી કરી લીધી છે. જો તેમાં બ્લોક સીટ પણ સામેલ કરવામાં આવે તો કમાણીનો આંકડો 34.36 કરોડ સુધી પહોંચી જાય છે. આ તમામ આંકડાને જોતા માનવામાં આવી રહ્યું છે કે ટોક્સિક બોક્સ ઓફિસ પર જોરદાર ઓપનિંગ કરી શકે છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/koyila-song-vijay-bulganin-78-million-views" target="_blank">આ પણ વાંચો-Rejected Song : 3-4 ડિરેક્ટર્સે રિજેક્ટ કરેલું ગીત YouTube પર છવાયું, મળ્યા 78 મિલિયન વ્યૂઝ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/x2eNSWYWaxjZl5Y07v1sEZeOacf7SqGQ9mmOyHD6.webp'/></item><item><title><![CDATA[Rajkot: Ph.D. કરતી યુવતીને હવસનો શિકાર બનાવી, લગ્નની લાલચ આપી ગર્ભપાત કરાવ્યા બાદ આરોપી ફરી ગયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/phd-student-exploitation-chintan-makwana-arrested-abortion-case</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/phd-student-exploitation-chintan-makwana-arrested-abortion-case</guid><pubDate>Mon, 24 Aug 2026 17:10:06 +05:30</pubDate><description><![CDATA[<p>જેતપુર મૂળની યુવતી રાજકોટમાં રહીને જૂનાગઢ ખાતે આવેલી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાંથી Ph.D. નો ઉચ્ચ અભ્યાસ કરી રહી હતી. આ અભ્યાસકાળ દરમિયાન તેનો સંપર્ક ચિંતન મકવાણા નામના યુવક સાથે થયો હતો. ધીમે ધીમે આ સંપર્ક પ્રેમસંબંધમાં પરિણમ્યો હતો. આરોપી ચિંતને યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરવાના અને સાથે જીવવા-મરવાના વચનો આપ્યા હતા.</p><h2><b>રાજકોટમાં Ph.D. ની વિદ્યાર્થીની સાથે વિશ્વાસઘાત</b></h2><p>લગ્નની પાકી ખાતરી આપીને આરોપીએ યુવતી સાથે અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ દરમિયાન યુવતી ગર્ભવતી બની ગઈ હતી. જ્યારે યુવતીએ લગ્ન માટે દબાણ કર્યું ત્યારે આરોપીએ વાડિયા કોર્ટમાં લગ્ન કરવાની વાત કહીને રજિસ્ટ્રેશન પણ કરાવી લીધાનો ઢોંગ કરી યુવતીને વિશ્વાસમાં લીધી હતી.યુવતી ગર્ભવતી હોવાનું સામે આવતાં આરોપી ચિંતન મકવાણાએ તેના પર દબાણ લાવીને તેનો ગર્ભપાત કરાવી દીધો હતો. ગર્ભપાત કરાવ્યા બાદ આરોપીએ પોતાનો અસલી ચહેરો બતાવ્યો હતો અને યુવતીને સરેઆમ તરછોડી દીધી હતી.</p><h3><b>લગ્નની લાલચ આપી હવસનો શિકાર બનાવી</b></h3><p>આરોપીએ અગાઉ આપેલા લગ્નના તમામ વચનો ફોક કરી દીધા હતા અને યુવતીને આ બાબત ભૂલી જવા માટે ધાકધમકીઓ આપી હતી. આરોપી ચિંતન મકવાણા સંપૂર્ણપણે ફરી જતાં આખરે પીડિત યુવતીએ પોલીસ મથકનો સંપર્ક કરી સમગ્ર આપવીતી જણાવી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને આરોપી ચિંતન મકવાણાને ઝડપી પાડી જેલભેગો કર્યો છે.</p><p><b>આ પણ વાંચો:</b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/8jkImA3TYCghJ37xpCY5IxrJLNV88BlIqlnM4iC1.webp'/></item><item><title><![CDATA[Hockey World Cup 2026: શું ભારતીય હોકી ટીમ સેમિફાઇનલમાં પહોંચશે? જાણો સંપૂર્ણ સમીકરણ ]]></title><link>https://sandesh.com/sports/news/hockey-world-cup-2026-will-the-indian-hockey-team-reach-the-semi-finals-know-the-complete-equation</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/hockey-world-cup-2026-will-the-indian-hockey-team-reach-the-semi-finals-know-the-complete-equation</guid><pubDate>Mon, 24 Aug 2026 16:56:58 +05:30</pubDate><description><![CDATA[<p>નેધરલેન્ડ્સ સામે 1-3થી મળેલી હારથી ભારતીય પુરુષ હોકી ટીમ વર્લ્ડ કપની કગાર પર આવી ગઈ છે.સેમિફાઇનલમાં પહોંચવાની તેમની આશાઓ લુપ્ત થતી દેખાતી હોવા છતાં,ટીમને આર્જેન્ટિના સામેની તેમની અંતિમ ગ્રુપ મેચ પહેલા નોંધપાત્ર રાહત મળી.આર્જેન્ટિનાએ ઇંગ્લેન્ડને 3-1થી હરાવ્યું,જેના પરિણામે ભારત અંતિમ ચારમાં પ્રવેશના દરવાજા સંપૂર્ણપણે બંધ થયા નથી.જોકે ભારતનું ભાગ્ય હવે ફક્ત તેમના પોતાના પ્રદર્શનથી નક્કી થશે નહીં.ક્રેગ ફુલ્ટનની ટીમે આર્જેન્ટિના સામે માત્ર જીતની જ નહીં,પરંતુ નોંધપાત્ર માર્જિનથી જીતની પણ જરૂર પડશે.વધુમાં ભારતને નેધરલેન્ડ્સ તરફથી નોંધપાત્ર સહાયની જરૂર પડશે.</p><h5><b>ભારત પૂલ Eમાં ચોથા સ્થાને</b></h5><p>નેધરલેન્ડ્સ બે મેચમાંથી છ પોઈન્ટ સાથે ટેબલમાં આગળ છે.ઇંગ્લેન્ડ અને આર્જેન્ટિનાના ત્રણ-ત્રણ પોઈન્ટ છે,જ્યારે ભારત બંને મેચ હારી ગયા પછી પણ ચોથા સ્થાને છે.નેધરલેન્ડ્સનો ગોલ તફાવત +4,ઇંગ્લેન્ડનો 0, આર્જેન્ટિનાનો 0 અને ભારત -4 છે.</p><h5><b>ભારત સામે મોટો પડકાર</b></h5><p>ભારતે ઓછામાં ઓછા બે ગોલના માર્જિનથી આર્જેન્ટિનાને હરાવવું પડશે. જો ભારત બે ગોલથી જીતે છે, તો તે ગોલની સંખ્યાના આધારે આર્જેન્ટિનાને પાછળ છોડી દેશે. જો બેથી વધુ ગોલથી જીત મળે છે, તો ભારત ગોલ તફાવતના આધારે આગળ વધશે. જોકે, આર્જેન્ટિનાને હરાવવું સરળ રહેશે નહીં. આ વર્ષની FIH પ્રો લીગમાં આર્જેન્ટિનાએ ભારતને 8-0 અને 4-2થી હરાવ્યું હતું. તેથી, ભારત પાસે જીતનો પડકાર જ નહીં, પણ ઓછામાં ઓછા બે ગોલના માર્જિનથી જીતવાનો મુશ્કેલ પડકાર પણ છે.</p><h5><b>નેધરલેન્ડ્સ ભારતનું કાર્ય સરળ બનાવશે</b></h5><p>જો ભારત જીતે તો પણ સેમિફાઇનલમાં સ્થાનની ખાતરી નહીં મળે. તેમને આશા રાખવી પડશે કે નેધરલેન્ડ્સ તેમની છેલ્લી મેચમાં ઇંગ્લેન્ડને મોટા માર્જિનથી હરાવશે. ભારત માટે સૌથી સરળ સમીકરણ એ છે કે આર્જેન્ટિનાને ઓછામાં ઓછા બે ગોલથી હરાવવું, અને નેધરલેન્ડ્સ ઇંગ્લેન્ડને ત્રણ ગોલથી હરાવશે.</p><h5><b>ઇંગ્લેન્ડ સામે ભારતનો મુકાબલો</b></h5><p>બીજો રસપ્રદ પાસું મેચનો સમય છે. ભારત અને આર્જેન્ટિના સોમવારે સાંજે 6:30 વાગ્યે રમશે, જ્યારે ઇંગ્લેન્ડ અને નેધરલેન્ડ્સનો મુકાબલો રાત્રે 10:30 વાગ્યે શરૂ થશે. આનો અર્થ એ છે કે ઇંગ્લેન્ડ મેદાનમાં ઉતરતા પહેલા જ ભારતનું પરિણામ જાણી લેશે. જો ભારત આર્જેન્ટિનાને હરાવે છે, તો ઇંગ્લેન્ડને સેમિફાઇનલમાં પહોંચવા માટે નેધરલેન્ડ્સ સામે શું કરવાની જરૂર છે તેનો સ્પષ્ટ ખ્યાલ હશે. ભારતનો રસ્તો હાલમાં અત્યંત મુશ્કેલ છે, પરંતુ હજુ પણ આશા છે.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/indian-captains-pain-spilled-after-being-eliminated-from-hockey-world-cup-said-this-big-thing" target="_blank">Hockey World Cup માંથી બહાર થયા બાદ ભારતીય ટીમના કેપ્ટનનું છલકાયું દર્દ, કહી આ મોટી વાત</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/aydVoGPxaAtbzh69ejvC4QZ1gZczuboh7FhQRs6c.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: લાલ દરવાજા સ્થિત બહુચર માતાના મંદિરમાં દર્શન કરતા વૃદ્ધનો આઈ ફોન ચોરી તસ્કર ફરાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/iphone-stolen-from-elderly-devotee-at-bahuchar-mata-temple</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/iphone-stolen-from-elderly-devotee-at-bahuchar-mata-temple</guid><pubDate>Mon, 24 Aug 2026 16:44:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના ભીડભાડ વાળા લાલ દરવાજા વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ બહુચર માતાના મંદિરમાંથી મોબાઈલ ચોરીની ઘટના સામે આવી છે.મંદિરમાં માતાજીના દર્શન કરવા આવેલા એક શ્રદ્ધાળુ વૃદ્ધનો કિંમતી આઈફોન તસ્કરે નજર ચૂકવીને સેરવી લીધો હતો.આ સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.પોલીસે મંદિરના સીસીટીવી ફૂટેજના આધારે ચોરની ઓળખ છતી કરવાના ચક્ર ગતિમાન કર્યા છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>તસ્કર ભીડનો લાભ ઉઠાવી ફરાર થઈ ગયો</b></h2><p style="text-align: justify; ">પીડિત વૃદ્ધ લાલ દરવાજા સ્થિત બહુચર માતાના મંદિરે દર્શનાર્થે આવ્યા હતા.મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે જ્યારે વૃદ્ધ માતાજીના દર્શનમાં અને ભક્તિમાં લીન હતા ત્યારે જ ચોરે તેમની આસપાસ રેકી કરીને તકનો લાભ ઉઠાવ્યો હતો.વૃદ્ધનું ધ્યાન ન હતું ત્યારે તસ્કરે અત્યંત ચાલાકીપૂર્વક તેમના ખિસ્સામાંથી આઈફોન બહાર કાઢી લીધો હતો અને ભીડનો લાભ ઉઠાવી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.દર્શન પૂર્ણ કરીને મંદિરની બહાર આવ્યા બાદ જ્યારે વૃદ્ધે પોતાનો ફોન તપાસ્યો ત્યારે તેમને ખિસ્સામાંથી આઈફોન ગાયબ હોવાની જાણ થઈ હતી.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ</b></h3><p style="text-align: justify; ">તેમણે તુરંત જ મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં શોધખોળ શરૂ કરી હતી પરંતુ કોઈ પત્તો મળ્યો ન હતો.ત્યારબાદ મંદિર તંત્રની મદદથી સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવતા એક અજાણ્યો શખ્સ વૃદ્ધના ખિસ્સામાંથી ફોન ચોરતો નજરે પડ્યો હતો.પોતાની સાથે થયેલી ચોરી અંગે વૃદ્ધે નજીકના કારંજ પોલીસ સ્ટેશનમાં પહોંચીને લેખિત ફરિયાદ નોંધાવી હતી.ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને કારંજ પોલીસે અજાણ્યા તસ્કર સામે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ધાર્મિક સ્થળો પર વધતી જતી આવી ઘટનાઓને પગલે પોલીસે દર્શનાર્થીઓને પણ પોતાની કિંમતી ચીજવસ્તુઓ પ્રત્યે સાવચેત રહેવા અપીલ કરી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/aravalli/meghraj-farmers-demand-drought-declared" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: શહેરમાં ગુનાહિત ઇતિહાસ ધરાવનારા આરોપીઓ સામે કડક કાર્યવાહીનો તખ્તો તૈયાર</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/vpnomX3uAh0JPxgCT9vtZnHnd1FRyRMS1WKPYIYR.webp'/></item><item><title><![CDATA[Gandhinagar: શ્રાવણ મહિનામાં સોમનાથ મંદિર ટ્રસ્ટનો ઐતિહાસિક નિર્ણય, પ્રસાદ વિતરણ વ્યવસ્થામાં મોટો ફેરફાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/somnath-temple-prasad-packaging-change-tin-box-nid-shravan</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/somnath-temple-prasad-packaging-change-tin-box-nid-shravan</guid><pubDate>Mon, 24 Aug 2026 16:41:18 +05:30</pubDate><description><![CDATA[<p>પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિર ખાતેથી શ્રાવણના પવિત્ર મહિનામાં કરોડો શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ આનંદદાયક સમાચાર સામે આવ્યા છે. મંદિર ટ્રસ્ટ દ્વારા મહાદેવના પ્રસાદ વિતરણની વ્યવસ્થામાં ઐતિહાસિક પરિવર્તન કરવાનો નિર્ણય લેવાયો છે. અત્યાર સુધી જે પરંપરાગત પ્લાસ્ટિક થેલી કે બોક્સમાં પ્રસાદ આપવામાં આવતો હતો તેને હવે સંપૂર્ણપણે અલવિદા કહેવામાં આવશે.</p><h2><b>મહાદેવના મહા પ્રસાદ વિતરણમાં આવશે ઐતિહાસિક ફેરફાર</b></h2><p>મહાદેવના મહા પ્રસાદને વધુ આકર્ષક, સુરક્ષિત અને હાઇજેનિક બનાવવા માટે દેશની પ્રખ્યાત ડિઝાઇનિંગ સંસ્થા NID (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન) ની સલાહ અને ટેકનિકલ મદદ લેવામાં આવી છે. NID ના નિષ્ણાતો દ્વારા સોમનાથ મંદિરની પવિત્રતા અને ભવ્યતાને અનુરૂપ ખાસ ટીન બોક્સનું પેકિંગ તૈયાર કરવામાં આવ્યું છે.ટીન અને સુરક્ષિત ડબ્બાની નવી પેકિંગ વ્યવસ્થાથી સોમનાથ આવતા દેશ અને વિદેશના શ્રદ્ધાળુઓ માટે પ્રસાદને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવો સરળ બનશે. આ ફેરફારથી પ્રસાદની ગુણવત્તા જળવાઈ રહેશે અને ટ્રાન્સપોર્ટેશન દરમિયાન પ્રસાદ ખરાબ થવાનો કે ઢોળાઈ જવાનો ભય રહેશે નહીં.</p><h3><b>હવે પરંપરાગત પ્લાસ્ટિક પેકિંગને અલવિદા</b></h3><p>ટીન પેકિંગને કારણે પ્રસાદની તાજગી અને સ્વાદ લાંબા સમય સુધી અકબંધ રહેશે. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ અટકતાં સોમનાથ મંદિર પરિસર વધુ સ્વચ્છ અને ઈકો-ફ્રેન્ડલી બનશે. આ સમગ્ર આયોજન અને તેના લોન્ચિંગ અંગે સરકાર તેમજ સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી દિવસોમાં વિધિવત સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/rajkot/rmc-drone-technology-mosquito-spray-ramnath-mahadev-mayor" target="_blank">આ પણ વાંચો: Rajkot: મચ્છરોનો ઉપદ્રવ નાથવા મનપાએ શરૂ કર્યો ડ્રોનથી દવા છંટકાવ, મેયરે કરાવ્યો શુભારંભ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/wUmoLnf8EZJAbTMrXlnJnUDLwGVztUNeYURSWMbE.webp'/></item></channel></rss>