<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Cab ઝડપથી મેળવવા માટે ટિપ આપવાની જરૂર નહીં, સરકારનો એગ્રીગેટર્સને મોટો આદેશ ]]></title><link>https://sandesh.com/india/news/business/cab-aggregators-pre-ride-tip-ban-government-order</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/cab-aggregators-pre-ride-tip-ban-government-order</guid><pubDate>Thu, 13 Aug 2026 19:30:40 +05:30</pubDate><description><![CDATA[<p>કેબથી મુસાફરી કરતા લોકો માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવે Uber, Ola સહિતના કેબ એગ્રીગેટર્સ મુસાફરોને સફર શરૂ થાય તે પહેલાં ટિપ આપવા માટે કહી શકશે નહીં. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે તમામ મોટર વ્હીકલ એગ્રીગેટર્સને પોતાના મોબાઈલ એપ અને ડિજિટલ પ્લેટફોર્મ પરથી પ્રી-રાઈડ ટિપનો વિકલ્પ દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે.</p><h2><b>મુસાફરો પર વધારાની ટિપ આપવાનું દબાણ ઘટશે</b></h2><p>સરકારના ધ્યાનમાં આવ્યું હતું કે કેટલાક કેબ એપ્સ પર બુકિંગ દરમિયાન ‘Advance Tip’, ‘Choose an Add-on’ અને ‘Improve your chances of quicker ride confirmation’ જેવા વિકલ્પો દર્શાવવામાં આવતા હતા. આ પ્રકારના મેસેજથી મુસાફરોને એવું લાગી શકે છે કે અગાઉથી ટિપ આપવાથી કેબ ઝડપથી કન્ફર્મ થશે અથવા ડ્રાઈવર રાઈડ વહેલી સ્વીકારશે.</p><p>નવી સૂચના મુજબ, કેબ બુક કરતા પહેલાં એવી કોઈ ટિપ, મેસેજ કે પેમેન્ટ સુવિધા દર્શાવી શકાશે નહીં, જેનાથી વધારાના પૈસા ચૂકવવાથી વધુ સારી અથવા ઝડપી સેવા મળતી હોવાનો સંકેત મળે. તેમાં રાઈડ સ્વીકારવાનો સમય, બુકિંગ કન્ફર્મેશન, ડ્રાઈવર ફાળવણી અને રાહ જોવાના સમય જેવી બાબતોનો સમાવેશ થાય છે.</p><h3><b>રાઈડ પૂર્ણ થયા બાદ ટિપ આપી શકાશે</b></h3><p>જોકે, સરકારે ટિપ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો નથી. મુસાફરો રાઈડ પૂર્ણ થયા બાદ પોતાની ઈચ્છાથી ડ્રાઈવરને ટિપ આપી શકશે. ખાસ વાત એ છે કે ટિપની સંપૂર્ણ રકમ ડ્રાઈવરને જ આપવાની રહેશે અને કેબ એગ્રીગેટર તેમાં કોઈ હિસ્સો કાપી શકશે નહીં.</p><p>આ મામલે અગાઉ સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) દ્વારા પણ કેબ પ્લેટફોર્મને પ્રી-રાઈડ ટિપની વ્યવસ્થા બંધ કરવા સૂચના આપવામાં આવી હતી. હવે મંત્રાલયે તમામ એગ્રીગેટર્સને Motor Vehicle Aggregator Guidelines 2025 મુજબ એપમાં જરૂરી ફેરફાર કરવા કહ્યું છે. આ નિર્ણયથી કેબ બુકિંગ દરમિયાન મુસાફરો પર વધારાની ટિપ આપવાનું દબાણ ઘટશે.</p><p><b><a href="https://sandesh.com/knowledge/news/india/air-india-pilot-dope-test-what-is-a-dope-test-for-pilots-know-what-information-comes-out-of-it" target="_blank">આ પણ વાંચો : Air India Pilot Dope Test: શુ હોય છે પાયલટોનો ડોપ ટેસ્ટ, જાણો તેનાથી કઇ માહિતી આવે છે સામે?</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/xHK3QC9MQVbe6Ef0DMI7SUS3FtP5us0zhg710CHW.webp'/></item><item><title><![CDATA[Cab ઝડપથી મેળવવા માટે ટિપ આપવાની જરૂર નહીં, સરકારનો એગ્રીગેટર્સને મોટો આદેશ ]]></title><link>https://sandesh.com/india/news/business/cab-aggregators-pre-ride-tip-ban-government-order</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/cab-aggregators-pre-ride-tip-ban-government-order</guid><pubDate>Thu, 13 Aug 2026 19:30:40 +05:30</pubDate><description><![CDATA[<p>કેબથી મુસાફરી કરતા લોકો માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવે Uber, Ola સહિતના કેબ એગ્રીગેટર્સ મુસાફરોને સફર શરૂ થાય તે પહેલાં ટિપ આપવા માટે કહી શકશે નહીં. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે તમામ મોટર વ્હીકલ એગ્રીગેટર્સને પોતાના મોબાઈલ એપ અને ડિજિટલ પ્લેટફોર્મ પરથી પ્રી-રાઈડ ટિપનો વિકલ્પ દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે.</p><h2><b>મુસાફરો પર વધારાની ટિપ આપવાનું દબાણ ઘટશે</b></h2><p>સરકારના ધ્યાનમાં આવ્યું હતું કે કેટલાક કેબ એપ્સ પર બુકિંગ દરમિયાન ‘Advance Tip’, ‘Choose an Add-on’ અને ‘Improve your chances of quicker ride confirmation’ જેવા વિકલ્પો દર્શાવવામાં આવતા હતા. આ પ્રકારના મેસેજથી મુસાફરોને એવું લાગી શકે છે કે અગાઉથી ટિપ આપવાથી કેબ ઝડપથી કન્ફર્મ થશે અથવા ડ્રાઈવર રાઈડ વહેલી સ્વીકારશે.</p><p>નવી સૂચના મુજબ, કેબ બુક કરતા પહેલાં એવી કોઈ ટિપ, મેસેજ કે પેમેન્ટ સુવિધા દર્શાવી શકાશે નહીં, જેનાથી વધારાના પૈસા ચૂકવવાથી વધુ સારી અથવા ઝડપી સેવા મળતી હોવાનો સંકેત મળે. તેમાં રાઈડ સ્વીકારવાનો સમય, બુકિંગ કન્ફર્મેશન, ડ્રાઈવર ફાળવણી અને રાહ જોવાના સમય જેવી બાબતોનો સમાવેશ થાય છે.</p><h3><b>રાઈડ પૂર્ણ થયા બાદ ટિપ આપી શકાશે</b></h3><p>જોકે, સરકારે ટિપ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો નથી. મુસાફરો રાઈડ પૂર્ણ થયા બાદ પોતાની ઈચ્છાથી ડ્રાઈવરને ટિપ આપી શકશે. ખાસ વાત એ છે કે ટિપની સંપૂર્ણ રકમ ડ્રાઈવરને જ આપવાની રહેશે અને કેબ એગ્રીગેટર તેમાં કોઈ હિસ્સો કાપી શકશે નહીં.</p><p>આ મામલે અગાઉ સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) દ્વારા પણ કેબ પ્લેટફોર્મને પ્રી-રાઈડ ટિપની વ્યવસ્થા બંધ કરવા સૂચના આપવામાં આવી હતી. હવે મંત્રાલયે તમામ એગ્રીગેટર્સને Motor Vehicle Aggregator Guidelines 2025 મુજબ એપમાં જરૂરી ફેરફાર કરવા કહ્યું છે. આ નિર્ણયથી કેબ બુકિંગ દરમિયાન મુસાફરો પર વધારાની ટિપ આપવાનું દબાણ ઘટશે.</p><p><b><a href="https://sandesh.com/knowledge/news/india/air-india-pilot-dope-test-what-is-a-dope-test-for-pilots-know-what-information-comes-out-of-it" target="_blank">આ પણ વાંચો : Air India Pilot Dope Test: શુ હોય છે પાયલટોનો ડોપ ટેસ્ટ, જાણો તેનાથી કઇ માહિતી આવે છે સામે?</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/xHK3QC9MQVbe6Ef0DMI7SUS3FtP5us0zhg710CHW.webp'/></item><item><title><![CDATA[Ahmedabadમાં AMC એક્શન મોડમાં, ગંદકી અને અનહાઇજેનિક સ્થિતિને કારણે વધુ બે બેકરી સીલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-in-action-mode-in-ahmedabad-two-more-bakeries-sealed-due-to-dirt-and-unhygienic-conditions</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-in-action-mode-in-ahmedabad-two-more-bakeries-sealed-due-to-dirt-and-unhygienic-conditions</guid><pubDate>Thu, 13 Aug 2026 19:23:19 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના હેલ્થ અને ફૂડ વિભાગ દ્વારા શહેરમાં અખાદ્ય ચીજવસ્તુઓ અને અસ્વચ્છતા સામે કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગના નિયમોનું અનાદર કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી બેકરીઓ સામે લાલ આંખ કરીને તંત્રે વધુ બે બેકરીઓને સીલ મારી દીધી છે. તપાસ દરમિયાન આ એકમોમાં અત્યંત ગંદકી અને નિયમોના ઉલ્લંઘનની ગંભીર બાબતો સામે આવી હતી.</p><h2 style="text-align: justify; "><b>નારોલમાં 'મુસ્કાન' અને બહેરામપુરામાં 'પ્રિન્સ' બેકરી સીલ</b></h2><p style="text-align: justify; ">AMCના ચેકિંગ દરમિયાન નારોલ વિસ્તારમાં આવેલી 'મુસ્કાન બેકરી' અને બહેરામપુરા વિસ્તારમાં આવેલી 'પ્રિન્સ બેકરી' ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન બંને ઉત્પાદન એકમો અત્યંત અનહાઇજેનિક અને ગંદકીભરી સ્થિતિમાં કાર્યરત હોવાનું માલૂમ પડ્યું હતું. એટલું જ નહીં, બહેરામપુરાની પ્રિન્સ બેકરીમાં ખાધ્ય સામગ્રી માટે વપરાતા મેદાના જથ્થામાંથી જીવાતો મળી આવતાં અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા સામે કડક કાર્યવાહી</b></h2><p style="text-align: justify; ">આરોગ્ય વિભાગની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, બંને બેકરી સંચાલકો પાસે વાણિજ્યિક નિયમો મુજબ હોવું જોઈતું જરૂરી 'પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ' પણ નહોતું. જંતુનાશક કામગીરી અને સ્વચ્છતાના અભાવે ઉત્પાદિત થતી બેકરી આઇટમો નાગરિકો માટે જોખમી સાબિત થઈ શકે તેમ હોવાથી તંત્રે તાત્કાલિક ધોરણે બંને એકમોને સીલ મારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/vadodara/alleged-love-jihad-case-in-makarpura-vadodara-police-arrest-accused-miran-qadri" target="_blank">Vadodaraના મકરપુરામાં કથિત 'લવ જેહાદ'નો કિસ્સો, પોલીસે આરોપી મીરાન કાદરીની કરી ધરપકડ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/SnrJGFAGDF4vnDOqdfr6EYWFLCkuNWmFdsfr0LW7.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: સસ્પેન્ડેડ GAS કેતકી વ્યાસને સાબરમતી જેલમાં મોકલવા કોર્ટનો આદેશ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/suspended-gas-officer-ketki-vyas-sent-to-sabarmati-jail</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/suspended-gas-officer-ketki-vyas-sent-to-sabarmati-jail</guid><pubDate>Thu, 13 Aug 2026 19:14:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આણંદના પૂર્વ અધિક કલેક્ટર અને સસ્પેન્ડેડ GAS એટલે કે ગુજરાત એડમિનીસ્ટ્રેટિવ સર્વિસના અધિકારી કેતકી વ્યાસની કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકત ના કેસમાં વિધિવત ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ની સંયુક્ત કાર્યવાહી અંતર્ગત શહેરના શેલા વિસ્તારમાં આવેલા તેમના બહેનના ઘરેથી કેતકી વ્યાસની અટકાયત કરવામાં આવી હતી.પ્રાથમિક કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ ક્રાઇમ બ્રાન્ચે તેમને આગળની તપાસ માટે એસીબીને સોંપ્યા છે.આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. કોર્ટે તેમને જેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>સાબરમતી જેલમાં મોકલવા કોર્ટનો આદેશ</b></h2><p style="text-align: justify; ">અપ્રમાણસર મિલકતના  કેસમાં આરોપી કેતકી વ્યાસની ધરપકડ કર્યા બાદ સ્પેશિયલ ACB કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.જેના આધારે કોર્ટના જેલ વોરંટ સાથે તેમને સાબરમતી જેલ મોકલી દેવાયા છે.સમગ્ર તપાસ મુખ્યત્વે દસ્તાવેજી પુરાવાઓ પર આધારિત હોવાથી ACB દ્વારા કેતકી વ્યાસના વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવી નહોતી.કાર્યવાહી દરમિયાન કેતકી વ્યાસની પ્રત્યક્ષ હાજરીમાં જ સીલ કરાયેલો ફ્લેટ ખોલીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ફ્લેટ સંબંધિત જરૂરી પ્રશ્નો અંગે તેમની હાજરીમાં જ પૂછપરછ પૂર્ણ કરી લેવામાં આવી હતી.દસ્તાવેજી તપાસ જ બાકી હોવાથી તંત્ર દ્વારા રિમાન્ડની જરૂર ન જણાતાં તેમને જેલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>કલેક્ટર સામે મળેલી અરજીના આધારે તપાસ શરૂ કરાઈ</b></h2><p style="text-align: justify; ">એસીબીના નાયબ નિયામક હરેષ મેવાડાએ પત્રકાર પરિષદમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે, કેતકી વ્યાસ સામેની ગુજરાત હાઈકોર્ટે આગોતરા જામીન અરજી નામેંજૂર કર્યા બાદ આ એક્શન લેવાયા છે. વર્ષ 2023માં આણંદના તત્કાલીન નિવાસી કલેક્ટર સામે મળેલી અરજીના આધારે તપાસ શરૂ કરાઈ હતી. એસીબીની તપાસ દરમિયાન તેમની કાયદેસરની આવક કરતાં 68.84 ટકા વધુ એટલે કે રૂ. 3.56 કરોડની બેનામી સંપત્તિ મળી આવી હતી. વર્ષ 2001ની બેચમાં જોડાયેલા અને 2005માં કલેક્ટર બનેલા કેતકી વ્યાસને 2012 થી 2023 દરમિયાન પગાર પેટે રૂ. 78 લાખ મળ્યા હતા, જેની સામે તેમની પાસે રૂ. 5.17 કરોડથી વધુની સંપત્તિ અને રોકાણો સામે આવ્યા છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/suspended-gas-officer-ketki-vyas-arrested-crime-branch-acb-remand" target="_blank">આ પણ વાંચોઃ ACB : પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસ પાસે 3.56 કરોડની અપ્રમાણસર મિલકત, પરિવારના 24 એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/n83ylD2gdxZziBKgYe6zEXuz6EYpHkIZ9hbn4cs2.webp'/></item><item><title><![CDATA[Weather Update: ઓડિશા- છત્તીસગઢમાં રેડ એલર્ટ, બિહાર સહિત 18 રાજ્યમાં ભારે વરસાદની આગાહી ]]></title><link>https://sandesh.com/india/news/weather-update-14-aug--imd-issues-red-alert-for-18-states-including-delhi</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/weather-update-14-aug--imd-issues-red-alert-for-18-states-including-delhi</guid><pubDate>Thu, 13 Aug 2026 19:14:35 +05:30</pubDate><description><![CDATA[<p>Weather Update: દિલ્હી-એનસીઆર સહિત દેશના ઘણા રાજ્યોમાં હાલમાં ભારે વરસાદ પડી રહ્ય છે. ઉત્તર ભારતથી બંગાળ અને કેરળ સુધી વરસાદનો સિલસિલો ચાલુ છે. જ્યારે હવામાન વિભાગે આવતીકાલે, 14 ઓગસ્ટના રોજ અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી જારી કરી છે. IMD અનુસાર, આવતીકાલે દેશભરના 18 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે, જેમાં દિલ્હી અને યુપીથી બિહાર અને ઓડિશાનો સમાવેશ થાય છે. આવતીકાલે હવામાન કેવું રહેવાની ધારણા છે તે અહીં છે.</p><p><b style="font-size: 1.5rem;">દિલ્હી-એનસીઆરમાં હવામાન કેવું રહેશે?</b></p><p>દિલ્હી-એનસીઆરમાં સપ્તાહની શરૂઆત વરસાદથી થઈ હતી, હવામાન વિભાગ આગાહી કરતા જણાવ્યું છે કે આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, હળવો વરસાદ અથવા ઝરમર વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. આવતીકાલે મહત્તમ તાપમાન 33°C અને લઘુત્તમ તાપમાન 25°C રહેવાની ધારણા છે. સવારથી બપોર દરમિયાન કેટલાક વિસ્તારોમાં ખૂબ જ હળવો વરસાદ પડી શકે છે અને બપોરથી સાંજ દરમિયાન ઘણી જગ્યાએ હળવો વરસાદ પણ પડી શકે છે.</p><p><b style="font-size: 1.5rem;">ઉત્તર પ્રદેશમાં પણ વરસાદ</b></p><p>હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આવતીકાલે યુપીના અનેક જિલ્લાઓમાં વરસાદ ચાલુ રહેશે. આઇએમડીએ આવતીકાલે પૂર્વી ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં 18 ઓગસ્ટ સુધી વરસાદની સંભાવના છે. વધુમાં, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 14 થી 18 ઓગસ્ટ દરમિયાન વરસાદની સંભાવના છે, જેમાં 14 અને 15 ઓગસ્ટના રોજ છૂટાછવાયા ભારે વરસાદની સંભાવના છે.</p><p><b style="font-size: 1.5rem;">બિહારમાં વરસાદની શક્યતા</b></p><p>હવામાન વિભાગે આવતીકાલે બિહારના કેટલાક ભાગોમાં વરસાદ અથવા છૂટાછવાયા ઝાપટા પડવાની આગાહી કરી છે. જોકે, 17 થી 18 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે.</p><p><b style="font-size: 1.5rem;">રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ</b></p><p>રાજસ્થાનમાં હાલમાં ચોમાસું સક્રિય છે. હવામાન વિભાગની આગાહી મુજબ, જોધપુર, ઉદયપુર અને અજમેર વિભાગના મોટાભાગના ભાગોમાં વરસાદની પ્રવૃત્તિ ધીમે ધીમે ઘટશે. જો કે, બિકાનેર, જયપુર, ભરતપુર અને કોટા વિભાગના અલગ અલગ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહી શકે છે. ૧૫ ઓગસ્ટથી, પશ્ચિમ અને ઉત્તર રાજસ્થાનના કેટલાક વિસ્તારોને બાદ કરતાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ ઓછી થવાની ધારણા છે. 16 ઓગસ્ટના રોજ જયપુર, ભરતપુર, કોટા અને બિકાનેર વિભાગના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.</p><p><b style="font-size: 1.5rem;">ઓડિશામાં ભારે વરસાદ માટે 'રેડ એલર્ટ'</b></p><p>ઓડિશામાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ ચાલુ છે. હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં વરસાદ માટે 'રેડ એલર્ટ' જારી કર્યું છે. IMD એ જણાવ્યું હતું કે બંગાળની ખાડી પર રચાયેલી હવામાન પ્રણાલી પશ્ચિમ ગંગા પ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડને પણ અસર કરશે. હવામાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને વિભાગે માછીમારોને 14 ઓગસ્ટ સુધી ઉત્તર બંગાળની ખાડી અને ઓડિશા-પશ્ચિમ બંગાળ-બાંગ્લાદેશ દરિયાકાંઠાના પાણીમાં ન જવાની સલાહ આપી છે.</p><p><b style="font-size: 1.5rem;">બંગાળના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી</b></p><p>આગામી થોડા દિવસોમાં બંગાળની ખાડી પર રચાયેલા ઓછા દબાણવાળા વિસ્તારમાં 'ડીપ ડિપ્રેશન' થવાની શક્યતા છે. પરિણામે, દક્ષિણ બંગાળના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી દક્ષિણ બંગાળમાં વ્યાપક વરસાદની આગાહી કરી છે. IMD એ દક્ષિણ 24 પરગણા અને પૂર્વ મેદિનીપુર જિલ્લામાં ભારે વરસાદ માટે 'યલો એલર્ટ' જારી કર્યું છે. દક્ષિણ બંગાળના મોટાભાગના જિલ્લાઓમાં વાવાઝોડા અને વરસાદની સાથે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. દરિયાકાંઠાના અને પશ્ચિમી જિલ્લાઓમાં શુક્રવાર સુધી ભારે વરસાદની ચેતવણી અમલમાં રહેશે.</p><p><b style="font-size: 1.5rem;">અન્ય રાજ્યો માટે પણ વરસાદની ચેતવણી</b></p><p>અત્યંત ભારે વરસાદ: છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ.</p><p>ભારે વરસાદ: પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઝારખંડ, ઓડિશા, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને પુડુચેરી.<br><br>આ પણ વાંચો:<a href="https://sandesh.com/india/news/air-india-pilot-drug-test-positive--what-are-dgca-rules-for-pilots-" target="_blank"><b> DGCA Rule:પાઇલટનો ડોપ ટેસ્ટ પોઝિટિવ આવવા પર શું સજા મળે છે? શું છે DGCAનો નિયમ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/0robz3Jnco1vRkZwwjk3Z6sFWjCpXhiyTI8sLZpm.webp'/></item><item><title><![CDATA[Vadodaraના મકરપુરામાં કથિત 'લવ જેહાદ'નો કિસ્સો, પોલીસે આરોપી મીરાન કાદરીની કરી ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/vadodara/alleged-love-jihad-case-in-makarpura-vadodara-police-arrest-accused-miran-qadri</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/vadodara/alleged-love-jihad-case-in-makarpura-vadodara-police-arrest-accused-miran-qadri</guid><pubDate>Thu, 13 Aug 2026 19:07:17 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં કથિત 'લવ જેહાદ' અને દુષ્કર્મનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પીડિત યુવતીની ગંભીર ફરીયાદના આધારે મકરપુરા પોલીસ મથકની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય આરોપી મીરાન કાદરીની ધરપકડ કરી લીધી છે. લગ્નની લાલચ આપીને યુવતીને વિશ્વાસમાં લઈ આચરાયેલા આ ગુનાથી સમગ્ર શહેરમાં ભારે ચર્ચા જાગી છે.</p><h2 style="text-align: justify; "><b>લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું</b></h2><p style="text-align: justify; ">ઘટનાની વિગત મુજબ, આરોપી મીરાન કાદરીએ યુવતીને પોતાની જાળમાં ફસાવી લગ્ન કરવા જેવા વચનો આપી તેની સાથે સતત દુષ્કર્મ આચર્યું હતું. આ સંબંધ આશરે 4 વર્ષ સુધી ચાલ્યો હતો. પરંતુ 4 વર્ષ બાદ યુવતી સામે સત્ય બહાર આવ્યું કે મીરાન કાદરી પહેલેથી જ પરિણીત છે. પોતાના પ્રેમીના આ કપટ અને વિવાહિત હોવાની સત્ય હકીકત સામે આવતાં જ યુવતીના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>ધમકી અને બળજબરીથી ધર્મ પરિવર્તનનો દબાણ</b></h2><p style="text-align: justify; ">પોતે છેતરાઈ હોવાનો અહેસાસ થતાં જ યુવતીએ મીરાન કાદરી સાથે તમામ સંબંધો તોડી નાખવાનો નિર્ણય કર્યો હતો. જોકે, સંબંધ કટ કરવાના નિર્ણયથી ક્રોધે ભરાયેલા આરોપીએ યુવતીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. આટલું જ નહીં, આરોપી દ્વારા યુવતી પર બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરવા માટે પણ સતત માનસિક અને શારીરિક દબાણ કરવામાં આવતું હતું. આખરે પીડિતાએ હિંમત ભેગી કરી પોલીસના શરણે પહોંચી ન્યાયની માગણી કરી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/roof-of-a-building-collapses-in-naranpura-ahmedabad-major-tragedy-averted" target="_blank">Ahmedabadના નારણપુરામાં મકાનની છતના પોપડા પડ્યા, મોટી દુર્ઘટના ટળી</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/1fYi7Zbz6aCc0FRDdWganYL5qdDCfEsW3J5SZluw.webp'/></item><item><title><![CDATA[Junagadhમાં તોડબાજ પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી, ડી-સ્ટાફના 5 કર્મીઓની તાત્કાલિક બદલી ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/junagadh/strict-action-against-saboteur-policemen-in-junagadh-5-d-staff-personnel-transferred-immediately</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/junagadh/strict-action-against-saboteur-policemen-in-junagadh-5-d-staff-personnel-transferred-immediately</guid><pubDate>Thu, 13 Aug 2026 18:23:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જૂનાગઢ પોલીસ બેડામાં ભ્રષ્ટાચાર અને તોડકાંડની ઘટના સામે આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. બી-ડિવિઝન પોલીસ મથકના ડી-સ્ટાફના પાંચ પોલીસકર્મીઓ સામે તોડબાજીના ગંભીર આક્ષેપો ઊઠતાં જૂનાગઢ જિલ્લા પોલીસ વડા (SP) સુબોધ ઓડેદરાએ લાલ આંખ કરી છે. ખાખીને દાગ લગાડનારા આ પાંચેય કર્મચારીઓ સામે આકરાં કડક પગલાં ભરીને તેમની તાત્કાલિક ધોરણે જિલ્લાના અન્ય સ્થળોએ બદલી કરી દેવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>ગોકુલેશ ગૌશાળા પાસે જુગારધામ પર રેડ</b></h2><p style="text-align: justify; ">ઘટનાની વિગત મુજબ, બી-ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ગોકુલેશ ગૌશાળા નજીક ચાલી રહેલા એક જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ રેડ દરમિયાન પોલીસે સ્થળ પરથી આશરે રૂપિયા 1 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે, નીતિ-નિયમો નેવે મૂકીને ડી-સ્ટાફના તોડબાજ પોલીસકર્મીઓએ સરકારી ચોપડે માત્ર 16 હજાર રૂપિયાનો જ મુદ્દામાલ દર્શાવ્યો હતો અને બાકીના 84 હજાર જેટલા રૂપિયા પોતાના ખિસ્સામાં પચાવી પાડ્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>મકાન માલિકને બચાવવા માટે પણ પૈસા પડાવ્યા</b></h2><p style="text-align: justify; ">આટલું ઓછું હોય તેમ, આ તોડબાજ પોલીસકર્મીઓએ જુગારધામ જે જગ્યા પર ચાલતું હતું તે મકાનના માલિક સામે કાયદેસરની ફરિયાદ ન નોંધવા અને કેસમાંથી તેનું નામ બાકાત રાખવા માટે પણ અલગથી નાણાંની માગણી કરી હતી. સમગ્ર મામલો જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરાના ધ્યાને આવતા તેમણે આ ગંભીર ગેરરીતિ બદલ આકરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ વિભાગના જ કર્મચારીઓ સામે લેવાયેલા આ કડક પગલાંથી ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/vadodara/vadodara-news-cloudy-weather-for-the-third-consecutive-day-in-shinor-panthak-happiness-among-farmers" target="_blank">Vadodara News : શિનોર પંથકમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર, ખેડૂતોમાં ખુશી</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/MhyJU52e6YI5CMozhaiIsRIGl2RHGN9X5CQVO3lB.webp'/></item><item><title><![CDATA[Bollywood : રિલીઝ પહેલાં જ રચ્યો ઈતિહાસ! આવારાપન 2એ એડવાન્સ બુકિંગમાં તોડ્યો ભાગ-1ની કુલ કમાણીનો રેકોર્ડ ]]></title><link>https://sandesh.com/entertainment/news/awarapan-2-advance-booking-part-1-record</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/awarapan-2-advance-booking-part-1-record</guid><pubDate>Thu, 13 Aug 2026 18:09:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઇમરાન હાશમીની 2007માં આવેલી ફિલ્મ આવારાપનને આજે ભલે ક્લાસિક ફિલ્મ માનવામાં આવે છે, પરંતુ રિલીઝ સમયે તે બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી. તે સમયે ફિલ્મે પોતાના સમગ્ર સમયગાળામાં માત્ર 7.7 કરોડની કમાણી કરી હતી. જોકે સમય જતાં કેબલ, ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા આ ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો અને તે એક કલ્ટ ફિલ્મ બની ગઈ. વર્ષો પછી તેની લોકપ્રિયતાનો સીધો ફાયદો હવે તેની સિક્વલને મળી રહ્યો છે, જે આ વીકએન્ડે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.</p><h2 style="text-align: justify; "><b>એડવાન્સ બુકિંગમાં બનાવ્યો નવો રેકોર્ડ</b></h2><p style="text-align: justify; ">આવારાપન 2ની એડવાન્સ બુકિંગ રિલીઝના માત્ર 48 કલાક પહેલાં શરૂ કરવામાં આવી હતી, પરંતુ દર્શકોના જબરદસ્ત ઉત્સાહને કારણે તેને શાનદાર શરૂઆત મળી. રિલીઝના બરાબર એક દિવસ પહેલાં સુધી ફિલ્મની પહેલા દિવસની 1.3 લાખથી વધુ ટિકિટ વેચાઈ ચૂકી હતી. એડવાન્સ બુકિંગ દ્વારા જ ફિલ્મ પહેલા દિવસ માટે લગભગ 4 કરોડનું ગ્રોસ કલેક્શન કરી ચૂકી છે. જો સમગ્ર ઓપનિંગ વીકએન્ડના એડવાન્સ બુકિંગના આંકડા જોવામાં આવે તો આ આંકડો 9 કરોડ ગ્રોસથી પણ વધારે થઈ ગયો છે. આ રીતે ફિલ્મ રિલીઝ પહેલાં જ તેના પહેલા ભાગની કુલ કમાણીથી આગળ નીકળી ગઈ છે.</p><h3 style="text-align: justify; "><b>બોક્સ ઓફિસ કલેક્શનનો નવો રેકોર્ડ</b></h3><p style="text-align: justify; ">2007માં રિલીઝ થયેલી આવારાપન એ પહેલા દિવસે 79 લાખની કમાણી કરી હતી અને પહેલા વીકએન્ડમાં માત્ર 2.88 કરોડનું કલેક્શન કર્યું હતું. તેની સામે આવારાપન 2 ઇમરાન હાશમીની કારકિર્દીની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ મેળવનારી ફિલ્મ બનવાની દિશામાં આગળ વધી રહી છે. બોક્સ ઓફિસ નિષ્ણાતોના અનુમાન મુજબ આ ફિલ્મ પહેલા જ દિવસે 15 થી 20 કરોડ વચ્ચેનું શાનદાર નેટ કલેક્શન કરી શકે છે. આ ઉપરાંત દુનિયાભરના સિનેમાઘરોમાં પહેલા વીકએન્ડ દરમિયાન જ ફિલ્મ 100 કરોડનો આંકડો પાર કરી શકે છે, જે તેના પહેલા ભાગની કુલ કમાણી કરતાં અનેક ગણી વધારે છે.</p><h4 style="text-align: justify; "><b>બોક્સ ઓફિસ પર ટક્કર અને સ્ટારકાસ્ટ</b></h4><p style="text-align: justify; ">આ શુક્રવારે બોક્સ ઓફિસ પર આવારાપન 2ની સીધી ટક્કર સની દેઓલની ફિલ્મ બંટવારા 1947 સાથે થઈ રહી છે. જોકે હાલના ટ્રેન્ડ અને એડવાન્સ બુકિંગના આંકડા જોતા ટ્રેડ વિશ્લેષકોનું માનવું છે કે આ મુકાબલામાં આવારાપન 2 ઘણી આગળ નીકળી શકે છે. નિતિન કક્કડના દિગ્દર્શન અને વિશેષ ભટ્ટના નિર્માણમાં બનેલી આ ફિલ્મમાં ઇમરાન હાશમી ફરી એકવાર પોતાના લોકપ્રિય પાત્ર શિવમ પંડિત તરીકે પરત ફરી રહ્યા છે. ફિલ્મમાં તેમની સાથે શબાના આઝમી, દિશા પટણી અને સુવિંદર વિક્કી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ મોસ્ટ અવેટેડ ફિલ્મ 14 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/munawar-faruqui-the-traitors-2-exit-crying-video" target="_blank">આ પણ વાંચો-The Traitors 2માંથી બહાર થયો મુનાવર ફારુકી! રડતાં રડતાં બાકી કન્ટેસ્ટેન્ટ સંભળાવી ખરીખોટી!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/xtmYEBpgQaFavCvHpmLH220UG3bUcjBApPnz5ciO.webp'/></item><item><title><![CDATA[Sabarkantha News: ઈડરની હસનપુરા શાળામાં ભોજનમાંથી મૃત ગરોળી મળવાના કેસમાં શિક્ષક સસ્પેન્ડ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/idar/teacher-suspended-after-dead-lizard-found-in-mid-day-meal</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/idar/teacher-suspended-after-dead-lizard-found-in-mid-day-meal</guid><pubDate>Thu, 13 Aug 2026 17:30:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઈડર તાલુકાના હસનપુરા સ્થિત પ્રાથમિક શાળામાં પોષણ યોજના હેઠળ પીરસવામાં આવેલા ભોજનમાંથી મૃત ગરોળી મળી આવવાની અને ત્યારબાદ ફુડ પોઈઝનિંગની ઘટના સામે આવતા જ વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે.આ ગંભીર બેદરકારી બદલ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરીને શાળાના શિક્ષકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.જ્યારે પોષણ યોજના સાથે જોડાયેલા 3 કર્મચારીઓને ફરજમુક્ત કરી દેવામાં આવ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>શાળાના શિક્ષક સસ્પેન્ડ, રસોઈયા સહિત 3 કર્મચારી ફરજમુક્ત</b></h2><p style="text-align: justify; ">ફુડ પોઈઝનિંગની આ ઘટનામાં વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ બાદ ઘોર બેદરકારી દાખવનાર પ્રાથમિક શાળાના ઉપ શિક્ષક અનિલાબેન સુથારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.શિક્ષક સામે લેવાયેલા આ કડક પગલાના કારણે શિક્ષણ આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.આ ઉપરાંત, ભોજન બનાવવામાં લાપરવાહી બદલ પોષણ યોજનાના રસોઈયા જમીલાબેન બી.બલોચ અને મદદનીશ સુગરાબેન એ.સંઘી સહિત કુલ 3 કર્મચારીઓને સેવાઓમાંથી તુરંત જ ફરજમુક્ત કરાયા છે.</p><h3 style="text-align: justify; "><b>તમામ બાળકો સુરક્ષિત હોવાથી હોસ્પિટલમાંથી રજા અપાઈ</b></h3><p style="text-align: justify; ">ભોજન આરોગવાથી અસરગ્રસ્ત થયેલા તમામ 36 બાળકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.તબીબોની સમયસરની સારવાર બાદ હાલ તમામ બાળકો સંપૂર્ણપણે સ્વસ્થ અને સુરક્ષિત હોવાથી તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.આ ઘટનાને ગંભીરતાથી લઈને જિલ્લા તંત્ર દ્વારા સાબરકાંઠા જિલ્લાના તમામ 1200 જેટલા પીએમ પોષણ કેન્દ્રોમાં તાકીદે તપાસ હાથ ધરવા માટે વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે.આ સાથે જ તંત્ર દ્વારા તમામ શાળાઓ માટે કડક સૂચના જારી કરવામાં આવી છે કે હવેથી બાળકોને ભોજન પીરસતા પહેલા શાળાના આચાર્ય અથવા કોઈ શિક્ષકે ભોજનનું ગુણવત્તા ચકાસણી માટે ટેસ્ટિંગ કરવું ફરજિયાત રહેશે.</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/esic-workers-to-get-unlimited-cost-super-specialty-treatment-in-gujarat" target="_blank">આ પણ વાંચોઃ Gandhinagar News: રાજ્યના શ્રમિક પરિવારોને મળશે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં અમર્યાદિત ખર્ચે સારવાર</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/JGdKxrsUsT0zr5VnRwlwd6d2qWbU6tChsW7ALsqP.webp'/></item><item><title><![CDATA[Lionel Messiની પિતાના અવસાન બાદ પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'મને ખબર નથી કે હવે...' ]]></title><link>https://sandesh.com/sports/news/lionel-messi-father-jorge-messi-death-emotional-post</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/lionel-messi-father-jorge-messi-death-emotional-post</guid><pubDate>Wed, 12 Aug 2026 23:40:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">લિયોનેલ મેસ્સીના પિતા જોર્જ મેસ્સીનું 8 ઓગસ્ટના રોજ 68 વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન થયું હતું. આ પછી લિયોનેલ મેસ્સીએ 12 ઓગસ્ટના રોજ તેમના પિતાના અવસાન પર પહેલીવાર મૌન તોડ્યું જેમાં તેને સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી જેમાં તેમણે ભવિષ્યમાં ફૂટબોલ રમવા અંગે શંકા વ્યક્ત કરી હતી.</p><p style="text-align: justify;">લિયોનેલ મેસ્સીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર તેમના પિતા જોર્જ સાથેનો એક ફોટો પોસ્ટ કર્યો અને એક નોટ પણ શેર કરી જેમાં તેને લખ્યું કે તેઓ આ મોટી ખોટ સ્વીકારી શકતા નથી અને તેને સમજાતું નથી કે તે તેના પિતા વિના જીવનમાં કેવી રીતે આગળ વધશે કારણ કે તેઓ મારા બેસ્ટ મિત્ર, માર્ગદર્શક અને એજન્ટ પણ હતા.</p><h2 style="text-align: justify;"><b>મને ખબર નથી કે આગળ કેવી રીતે આગળ વધવું</b></h2><p style="text-align: justify;">પિતાના અવસાન પછી લિયોનેલ મેસ્સીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી એક પોસ્ટમાં લખ્યું છે કે "મને ખબર નથી કે હું તમારા વિના શું કરીશ. મને ખબર નથી કે આગળ કેવી રીતે વધવું. હું ફક્ત ફૂટબોલ રમી રહ્યો હતો, પરંતુ હવે મારી પાસે ઘણા સવાલો છે કે શું હું ચાલુ રાખી શકીશ." મેસ્સીએ સમજાવ્યું કે તેના પિતાએ તેને દરેક બાબતમાં સપોર્ટ આપ્યો અને હંમેશા તેના નિર્ણયોમાં વિશ્વાસ રાખ્યો. "બધા માટે આભાર. હું તમને પ્રેમ કરું છું, પપ્પા."</p><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/Db8MYnQjYsC/?img_index=1" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/Db8MYnQjYsC/?img_index=1" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a><br></p><h3 style="text-align: justify;"><b>વર્લ્ડકપ શરૂ થવાના થોડા દિવસ પહેલા તે બીમાર પડ્યા&nbsp;</b></h3><p style="text-align: justify;">પોતાની પોસ્ટમાં લિયોનેલ મેસ્સીએ સમજાવ્યું કે વર્લ્ડકપ 2026 શરૂ થવાના થોડા દિવસો પહેલા તેના પિતાની તબિયત અચાનક બગડી ગઈ હતી, જેના કારણે જોર્જ પહેલી વાર કોઈ ટુર્નામેન્ટમાં હાજરી આપી શક્યા ન હતા. "હું દરેક મેચ પછી મારા પિતાના મેસેજની રાહ જોતો હતો. મને તમારી ખૂબ જ યાદ આવશે, પણ તમે હંમેશા સાથે રહેશો. ખાસ કરીને મારા બાળકોને ઉછેરવામાં, કારણ કે હું તેમને એ જ રીતે શીખવીશ અને ઉછેરીશ જે રીતે તમે મને ઉછેર્યો છે."</p><h4 style="text-align: justify;"><b>મેસ્સીને રોનાલ્ડોનો સપોર્ટ મળ્યો</b></h4><p style="text-align: justify;">મેસ્સીના પિતાના અવસાન પછી જ્યારે તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી, ત્યારે તેને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો સપોર્ટ મળ્યો, જેમાં રોનાલ્ડોએ તેની પોસ્ટ પર કોમેન્ટ કરી અને લખ્યું છે કે લીઓ, આ મુશ્કેલ સમયમાં તને અને તારા પરિવારને મારું મોટું હગ, તમને ઘણી શક્તિ મળે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/TGH56UwXwOH6bh1EQIGogFs2CidMiip8syDerxly.webp'/></item></channel></rss>