<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ramayana Trailer Released : આલિયાએ શેર કરી પોસ્ટ, કપૂર ફેમીલી માટે 'રામાયણ' વધુ ખાસ, જાણો ફિલ્મની ખાસ વાતો ]]></title><link>https://sandesh.com/entertainment/news/ramayana-trailer-released-alia-shared-a-post-ramayana-is-more-special-for-the-kapoor-family-know-the-special-things-about-the-film</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/ramayana-trailer-released-alia-shared-a-post-ramayana-is-more-special-for-the-kapoor-family-know-the-special-things-about-the-film</guid><pubDate>Fri, 31 Jul 2026 12:49:13 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલિવૂડ સુપરસ્ટાર રણબીર કપૂરની બહુપ્રતિક્ષિત મેગા-બજેટ ફિલ્મ 'રામાયણ'નું ટ્રેલર 30 જુલાઈના રોજ રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે. ચાહકો આલિયા ભટ્ટની પ્રતિક્રિયાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આખરે આલિયાએ મોડી રાત્રે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફિલ્મનું ટ્રેલર શેર કરીને પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો છે.</p><h2 style="text-align: justify;"><b>ઇન્સ્ટાગ્રામ પર આલિયા ભટ્ટની પ્રતિક્રિયા</b></h2><p style="text-align: justify;">આલિયાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ટ્રેલર શેર કરતા કેપ્શનમાં "દિવાળી 2026" લખીને સ્પાર્કલ ઇમોજી ઉમેર્યા હતા. આ સિવાય, ભૂમિ પેડનેકર અને તારા સુતારિયાએ પણ નિર્માતા નમિત મલ્હોત્રાની પોસ્ટને લાઈક કરી હતી. એક ઝૂમ કોલ દરમિયાન ચાહકો સાથે વાત કરતા આલિયાએ રણબીરના કામની પ્રશંસા કરતા કહ્યું હતું: "રણબીરે ભગવાન શ્રી રામના પાત્રમાં ઉત્કૃષ્ટ કામ કર્યું છે. તે દર્શકોની તમામ અપેક્ષાઓ પર ખરું ઉતરશે અને આ ફિલ્મ દરેક માટે ખાસ સાબિત થશે."</p><h4 style="text-align: justify;"><b>કપૂર ફેમીલી અને દીકરી રાહા માટે પણ ખાસ ફિલ્મ</b></h4><p style="text-align: justify; ">આ ફિલ્મ રણબીર અને આલિયાની દીકરી રાહા કપૂર માટે પણ ખાસ બની રહેશે, કારણ કે આ તેની પહેલી ફિલ્મ હશે જે તે થિયેટરમાં જોશે. તાજેતરમાં 'સાન ડિએગો કોમિક-કોન 2026'માં રણબીરે ખુલાસો કર્યો હતો કે તે પોતાની દીકરીને મોટા પડદા પર આ ફિલ્મ બતાવવા માટે ખૂબ જ આતુર છે. આ ફિલ્મ કપૂર ફેમીલી માટે વધુ ખાસ હશે. એનિમલ ફિલ્મ કરવા પર રણબીરને અનેક લોકોએ ટીકા કરી હતી. જયારે તેઓ રામાયણમાં રણબીરને રામ બનતા જોશે ત્યારે તેનો અભિનય જોઈ ખરેખર આશ્ચર્યચિકત થશે.</p><p style="text-align: justify; "><b style="font-size: 1.5rem;">રણબીર કપૂરનો ધમાકેદાર ડબલ રોલ!</b></p><p style="text-align: justify; ">'રામાયણ' ફિલ્મમાં રણબીર કપૂર ડબલ રોલમાં જોવા મળશે. તે ભગવાન શ્રી રામ તેમજ ભગવાન પરશુરામ બંને ભૂમિકાઓ ભજવી રહ્યો છે. એક અહેવાલ મુજબ, રણબીરે આ બંને પાત્રોને એકબીજાથી અલગ અને જીવંત દર્શાવવા માટે પોતાની બોડી લેંગ્વેજ, વોઇસ ટોન અને ઇમોશન્સ પર લગભગ એક વર્ષ સુધી સખત મહેનત કરી છે. રામાયણમાં જયારથી રામ તરીકે રણબીરનો લુક સામે આવ્યો છે ત્યારથી લોકો તેના ફેન થઈ ગયા છે. રણબીરના લુકની લોકો પ્રશંસા કરી રહ્યા છે. એટલે જ હવે લોકો આ ફિલ્મ જોવા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કયારે દિવાળી આવશે અને ફિલ્મ રિલીઝ થશે.</p><h4 style="text-align: justify; "><b>રામાયણ ફિલ્મ રિલીઝ અને કલાકારો</b></h4><p style="text-align: justify; ">દરમિયાન, 'રામાયણ' વિશે વાત કરીએ તો, રણબીર કપૂર અને સાઈ પલ્લવી રામ અને સીતાની ભૂમિકા ભજવે છે. તેનું નિર્માણ નિતેશ તિવારી દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સની દેઓલ હનુમાન, યશ રાવણ અને રકુલ પ્રીત શૂર્પણખાની ભૂમિકામાં છે. અરુણ ગોવિલ રાજા દશરથની ભૂમિકામાં છે. આ ફિલ્મમાં અદ્ભુત VFX છે. તેનું સાઉન્ડટ્રેક હંસ ઝિમર અને એ.આર. રહેમાન દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું છે. રામાયણ ફિલ્મ કુલ 4000 કરોડના બજેટમાં બની છે. ફિલ્મનો પહેલો ભાગ દિવાળી 2026 અને બીજો ભાગ દિવાળી 2027ના શુભ અવસરે થિયેટરોમાં રિલીઝ થશે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/bhumi-pednekar-temple-look-trolled" target="_blank">આ પણ વાંચો : Controversy : મંદિરમાં સનગ્લાસ પહેરીને પહોંચી ભૂમિ પેડનેકર! ભડકેલા યુઝર્સે કહ્યું- 'ભગવાનના દરબારમાં તો ડ્રામા બંધ કરો'</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/31/HJIgXcoqjvxxpzNoS7Uvwg87vPiMYwgxZATvpK5K.webp'/></item><item><title><![CDATA[Khedbrahma News: ખેડબ્રહ્મામાં કુવામાં પડી જતાં શ્રમિકનું મોત, કુવાના સમારકામ દરમિયાન બની ઘટના ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/khed-brahma/sabarkantha-rodhra-well-repair-accident-laborer-death</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/khed-brahma/sabarkantha-rodhra-well-repair-accident-laborer-death</guid><pubDate>Fri, 31 Jul 2026 12:46:18 +05:30</pubDate><description><![CDATA[<p>સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાંથી એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. ખેડબ્રહ્માના રોધરા ગામે આવેલા પટેલ હસમુખભાઈના ખેતરના કુવા પર સમારકામની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી દરમિયાન અચાનક જ એક અકસ્માત સર્જાયો હતો, જેમાં કુવાની અંદર કામ કરી રહેલો એક શ્રમિક અચાનક ઊંડા કુવામાં ખાબક્યો હતો.</p><h2><b>વાસણા ગામના 32 વર્ષીય યુવકે જીવ ગુમાવ્યો</b></h2><p>આ કરૂણ ઘટનામાં જીવ ગુમાવનાર શ્રમિકની ઓળખ વાસણા ગામના રહેવાસી 32 વર્ષીય વિનોદ ઠાકોર તરીકે થઈ છે. યુવક કુવામાં ખાબકતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકો દ્વારા તાત્કાલિક ધોરણે આ અંગે ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરવામાં આવી હતી.</p><p><img alt="Sabarkantha News: Laborer Dies After Falling into Well in Rodhra of Khedbrahma" src="https://epapercdn.sandesh.com/images/2026/07/31/Vzl5VM2BFTCX3Rx9AjKSn6tg0RdRbr2wc2TeqW8r.webp"><br></p><h2><b>ફાયર બ્રિગેડે મૃતદેહ બહાર કાઢ્યો</b></h2><p>ઘટનાની જાણ થતાં જ ખેડબ્રહ્મા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરોએ ભારે જહમત બાદ 32 વર્ષીય વિનોદ ઠાકોરના મૃતદેહને કુવામાંથી બહાર કાઢ્યો હતો. યુવકના મોતથી તેના પરિવારમાં અરેરાટી સાથે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.</p><h2><b>પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી</b></h2><p>બનાવ અંગે ખેડબ્રહ્મા પોલીસને જાણ કરાતાં પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી તેને પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. ખેડબ્રહ્મા પોલીસે આ અકસ્માતે થયેલા મોત અંગે આગળની વધુ કાયદેસરની તપાસ હાથધરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/himatnagar/sabarkantha-lcb-busts-honeytrap-gang-arrests-10-in-derol-robbery-culpable-homicide-case" target="_blank">Sabarkantha: દેરોલમાં એક્ટિવા ચાલકની લૂંટ અને હત્યાના કેસમાં હનીટ્રેપ ગેંગનો પર્દાફાશ, મુખ્ય માસ્ટરમાઇન્ડ સહિત 10 જેલહવાલે</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/31/pZzLd5aWSQMKCM2iZWskAjx0CW929o3V0r26bx6L.webp'/></item><item><title><![CDATA[Navsari: ગણદેવામાં પુલ પર લટકતો જીવંત વીજતાર કાળ બન્યો, 'છોટા હાથી'માં જતાં 9 મજૂરોમાંથી 3 નાં સ્થળ પર મોત, 3 ઈજાગ્રસ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/navsari/gandeva-bridge-live-wire-touches-chota-hathi-3-laborers-dead-3-injured</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/navsari/gandeva-bridge-live-wire-touches-chota-hathi-3-laborers-dead-3-injured</guid><pubDate>Fri, 31 Jul 2026 12:44:00 +05:30</pubDate><description><![CDATA[<p>નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગણદેવા ગામ ખાતે આજે સવારે એક અત્યંત કરુણ અને કંપારી છૂટી જાય તેવી વીજ દુર્ઘટના ઘટી છે. પોતાના રોજિંદા જીવનનિર્વાહ માટે લાકડા કાપવાના કામકાજ અર્થે નીકળેલા મજૂરો કાળનો ભોગ બન્યા છે.</p><h2><b>ગણદેવામાં પુલ પર લટકતો જીવંત વીજતાર કાળ બન્યો</b></h2><p>મળતી અદ્યતન વિગતો મુજબ, કુલ 9 જેટલા શ્રમિકો 'છોટા હાથી' (માલવાહક ટેમ્પો) માં સવાર થઈને ગણદેવા ગામના પુલ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પુલ પરથી પસાર થતી મુખ્ય વીજ લાઇનનો જીવંત વીજતાર અત્યંત નીચો લટકી રહ્યો હતો. ટેમ્પો પુલ પરથી પસાર થતાં જ આ હાઇવોલ્ટેજ વાયર 'છોટા હાથી' ટેમ્પોના ઉપરના ભાગને અડી ગયો હતો. વાહન લોખંડનું હોવાથી ક્ષણવારમાં જ આખા ટેમ્પોમાં કાળજાળ વીજપ્રવાહ દોડી ગયો હતો.</p><h3><b>3 ના સ્થળ પર મોત, 3 ઈજાગ્રસ્ત અને 3 નો ચમત્કારિક બચાવ</b></h3><p>વીજપ્રવાહ એટલો ભયાનક હતો કે ટેમ્પોમાં સવાર 3 મજૂરોના ઘટનાસ્થળે જ તડપી-તડપીને કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય ૩ મજૂરો ગંભીર રીતે દાઝી જતાં તેમને તાત્કાલિક 108 મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. આ ભયાનક આંચકા વચ્ચે ૩ મજૂરોનો ચમત્કારિક બચાવ થયો છે, જેમને સામાન્ય ઈજાઓ પહોંચી છે.</p><h4><b>કેબિનેટ મંત્રી નરેશ પટેલ હોસ્પિટલ દોડ્યા</b></h4><p>ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતાં જ રાજ્યના કેબિનેટ મંત્રી નરેશ પટેલ તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. મંત્રીએ સારવાર હેઠળ રહેલા ત્રણેય મજૂરોના ખબર-અંતર પૂછ્યા હતા અને હાજર તબીબોને તેમને શ્રેષ્ઠ અને વિનામૂલ્યે સારવાર આપવા આદેશ કર્યો હતો. આ ઉપરાંત, મંત્રીએ અકાળે જીવ ગુમાવનારા મૃતક મજૂરોના શોકગ્રસ્ત પરિવારજનોને રૂબરૂ મળીને સાંત્વના પાઠવી હતી. પુલ પર નીચો લટકતો જીવંત વીજતાર હોવા છતાં વીજ કંપની (DGVCL) દ્વારા યોગ્ય જાળવણી ન કરાઈ હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે બનાવ અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/kasak-new-navi-nagari-compound-wall-collapse-vehicles-buried" target="_blank">આ પણ વાંચો: Bharuch: કસકની ન્યુ નવી નગરીમાં કમ્પાઉન્ડ વોલ ધરાશાયી, 5 મોપેડ કાટમાળ નીચે દબાયા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/31/Kal53g2ksDedRBhsJAZp2os1OiiIXRLSteCIJp6e.webp'/></item><item><title><![CDATA[Indian Railways New Rule: હવે ટ્રેનમાં લઈ જવા માટે સામાનની પણ થશે ઓનલાઈન બુકિંગ! ]]></title><link>https://sandesh.com/business/news/indian-railways-new-rule--book-luggage-online-with-confirmed-ticket-from-31-july</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/indian-railways-new-rule--book-luggage-online-with-confirmed-ticket-from-31-july</guid><pubDate>Fri, 31 Jul 2026 12:41:40 +05:30</pubDate><description><![CDATA[<p>Luggage Booking: જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો અને તમારી સાથે વધારે સામાન લઈને જાઓ છો તો તમારા માટે સારા સમાચાર છે. ભારતીય રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે એક નવો નિયમ રજૂ કર્યો છે. કન્ફર્મ ટ્રેન ટિકિટ  (Confirmed Train Tickets) ધરાવતા મુસાફરો હવે કોચમાં પોતાની સાથે લઈ જવા માટે પોતાનો વ્યક્તિગત સામાન ઓનલાઈન બુક કરાવી શકે છે. આનો અર્થ એ થયો કે સ્ટેશન પર કતારોમાં ઉભા રહેવાને બદલે આ કાર્ય ક્ષણોમાં ઓનલાઈન પૂર્ણ કરી શકાય છે. પરંતુ શું તમે જાણો છો કે વધારાના ચાર્જ લીધા વિના તમે કેટલો સામાન લઈ જઈ શકો છો?&nbsp;</p><h4><b>ઓનલાઈન સામાન બુકિંગ 31 જુલાઈ, 2026 થી શરૂ</b></h4><p>આ નવી રેલ્વે સુવિધા 31 જુલાઈ, 2026 થી અમલમાં આવી છે. રેલ્વે બોર્ડે 20 જુલાઈ, 2026 ના રોજ તમામ ઝોનલ રેલ્વેને આ સિસ્ટમ લાગુ કરવા સૂચનાઓ જારી કરી હતી. આ સુવિધા ફક્ત કન્ફર્મ રિઝર્વેશન ટિકિટ ધરાવતા મુસાફરો માટે જ ઉપલબ્ધ છે જેઓ રિઝર્વેશન કોચમાં પોતાનો સામાન પોતાની સાથે લઈ જવા માંગે છે.</p><h4><b>નવા નિયમ હેઠળ શું બદલાયું છે?</b></h4><p>મુસાફરોને હવે તેઓ જે વ્યક્તિગત સામાન લઈ જવા માંગે છે તે બુક કરવા માટે સ્ટેશન પર અલગ, લાંબી પ્રક્રિયામાંથી પસાર થવાની જરૂર રહેશે નહીં. જો સામાન રેલ્વે દ્વારા નિર્ધારિત મર્યાદામાં આવે છે, તો તે ઓનલાઈન બુક કરી શકાય છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન બુકિંગને સરળ બનાવવાનો અને સમગ્ર પ્રક્રિયાને વધુ અનુકૂળ બનાવવાનો છે.</p><h4><b>કયા મુસાફરો આ સુવિધાનો લાભ લઈ શકે છે?</b></h4><p>આ સુવિધા ફક્ત કન્ફર્મ ટ્રેન ટિકિટ ધરાવતા મુસાફરો માટે જ ઉપલબ્ધ છે. હાલમાં તે વેઇટલિસ્ટ અથવા RAC ટિકિટ પર મુસાફરી કરતા મુસાફરો માટે ઉપલબ્ધ નથી.</p><h4><b>કેટલો સામાન મફતમાં લઈ જઈ શકાય છે?</b></h4><p>રેલ્વેએ વિવિધ વર્ગો માટે પહેલાથી અસ્તિત્વમાં રહેલી મફત સામાન લઈ જવામાં કોઈ ફેરફાર કર્યો નથી.</p><p>- ફર્સ્ટ એસીમાં મુસાફરી કરતા મુસાફરો 70 કિલો સુધીનો સામાન મફતમાં લઈ જઈ શકે છે.</p><p>- ફર્સ્ટ ક્લાસ અને સેકન્ડ એસી (2AC) માં મુસાફરો માટે મર્યાદા 50 કિલો છે.</p><p>- થર્ડ એસી (3AC), એસી ચેર કાર (CC) અને સ્લીપર ક્લાસના મુસાફરો 40 કિલો સુધીનો સામાન મફતમાં લઈ જઈ શકે છે.&nbsp;</p><p>- જ્યારે સેકન્ડ ક્લાસ મુસાફરો માટે મફત સામાન લઈ જવાની સીમા 35 કિલોગ્રામ નક્કી કરવામાં આવી છે.</p><h4><b>જો સામાન નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હોય તો શું થાય છે?</b></h4><p>જો કોઈ મુસાફર ફ્રી લિમીટ કરતાં વધુ સામાન સાથે મુસાફરી કરવા માંગે છે, તો વધારાનો સામાન રેલવેના નિયમો અનુસાર બુક કરાવી શકાય છે. મુસાફરોએ લાગુ સામાન દરના 1.5 ગણા જેટલી ફી ચૂકવવાની રહેશે. બુક કરાવ્યા પછી, વધારાનો સામાન રિઝર્વ્ડ કોચમાં સાથે લઈ જઈ શકાય છે. જો તમે આ અઠવાડિયે ટ્રેન દ્વારા પ્રવાસ અથવા ઘરે જવાનું આયોજન કરી રહ્યા છો, તો તમારા સુટકેસ અને બેગનું વજન તપાસવાનું ભૂલશો નહીં.</p><h4><b>ઓનલાઈન બુકિંગ દરમિયાન કઈ માહિતી આપવામાં આવશે?</b></h4><p>રેલ્વેએ જણાવ્યું છે કે મુસાફરોને ઓનલાઈન સામાન બુક કરાવતી વખતે સંબંધિત માહિતી બતાવવામાં આવશે. તેમા જણાવવામાં આવશે કે તેમના ક્લાસમાં કયો સામાન ફ્રીમાં લઈ જવાની મંજૂરી છે. કેટલો વધારે વજન લઈ જઈ શકો છો. કઈ-કઈ વસ્તુઓ સામાન તરીકે લઈ જઈ શકો છો અને નક્કી કરેલી સીમાથી વધારે સમાન પર ફી કે દંડ આપવો પડે છે.&nbsp;</p><p>આ નવી સુવિધાનો ઉદ્દેશ્ય મુસાફરો માટે સામાન બુકિંગ પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરો હવે મુસાફરી પહેલાં પોતાનો સામાન ઓનલાઈન બુક કરાવી શકશે. આનાથી સ્ટેશન પર સમય બચશે અને મુસાફરીની તૈયારીઓ પહેલાથી વધુ અનુકૂળ બનશે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/kaveri-water-dispute-karnataka-protests-against-water-release-to-tamil-nadu" target="_blank"><b>Kaveri Water Dispute: ફરી ગરમાયો કાવેરી જળ વિવાદ, તમિલનાડુને પાણી છોડવાના વિરોધમાં કર્ણાટક બંધની ચેતવણી</b></a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/31/RmXLEYuQmWlNE79WXRGxSrYFGvdcQXxzuuRXI9ZE.webp'/></item><item><title><![CDATA[Corona Case : વડોદરામાં 4 વર્ષ બાદ કોરોનાની એન્ટ્રી, SSG હોસ્પિટલમાં સંક્રમિત દર્દી દાખલ, તંત્ર હરકતમાં ]]></title><link>https://sandesh.com/gujarat/news/corona/vadodara/corona-case-corona-enters-vadodara-after-4-years-infected-patient-admitted-to-ssg-hospital-system-in-action</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/corona/vadodara/corona-case-corona-enters-vadodara-after-4-years-infected-patient-admitted-to-ssg-hospital-system-in-action</guid><pubDate>Fri, 31 Jul 2026 12:38:48 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા શહેરમાં 4 વર્ષના લાંબા સમયગાળા બાદ ફરી એકવાર કોરોના વાયરસની એન્ટ્રી થતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. શહેરની સયાજીરાવ ગાયકવાડ (SSG) હોસ્પિટલમાં એક સંક્રમિત દર્દી મળી આવતાં હોસ્પિટલ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. આ ઘટનાને પગલે વડોદરા અને આસપાસના વિસ્તારોમાં આરોગ્ય વિષયક સાવચેતી વધારી દેવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>પેટલાદના યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, સંક્રમિત થયેલો યુવક આણંદ જિલ્લાના પેટલાદનો નિવાસી છે. યુવકમાં કોરોના જેવા શંકાસ્પદ લક્ષણો જોવા મળતાં તેના સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. તપાસના અંતે યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેને વધુ સારવાર માટે તાત્કાલિક વડોદરાની SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>દર્દીને ખાસ કોવિડ વોર્ડમાં દાખલ કરી આઇસોલેટ કરાયો</b></h2><p style="text-align: justify; ">કોરોનાનો કેસ કન્ફર્મ થતાં જ SSG હોસ્પિટલના સ્પેશિયલ કોવિડ વોર્ડમાં દર્દીને દાખલ કરવામાં આવ્યો છે અને તેને નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ આઇસોલેશનમાં રાખીને સારવાર આપવામાં આવી રહી છે. આ સાથે જ દર્દીના સંપર્કમાં આવેલા લોકોની માહિતી મેળવીને આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી તકેદારીના પગલાં લેવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/monsoon-2026-kankaria-and-riverfront-closed-amid-heavy-rain-forecast-in-ahmedabad-gauri-vrat-plans-postponed" target="_blank">Monsoon 2026 : અમદાવાદમાં ભારે વરસાદની આગાહી વચ્ચે કાંકરિયા અને રિવરફ્રન્ટ બંધ, ગૌરીવ્રતના આયોજનો મોકૂફ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/31/0Yz32OKViTVOJxImMA5sMcaeq3E9HeH50LXLDF0Q.webp'/></item><item><title><![CDATA[Shehzad Poonawalla Resigns: શું શહેઝાદ પૂનાવાલાએ છોડી ભારતીય જનતા પાર્ટી? X એકાઉન્ટમાં કર્યો બદલાવ ]]></title><link>https://sandesh.com/india/news/shehzad-poonawalla-resigns-has-shehzad-poonawalla-left-the-bharatiya-janata-party-x-made-changes-to-the-account</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/shehzad-poonawalla-resigns-has-shehzad-poonawalla-left-the-bharatiya-janata-party-x-made-changes-to-the-account</guid><pubDate>Fri, 31 Jul 2026 12:07:23 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના રાષ્ટ્રીય પ્રવક્તા શહઝાદ પૂનાવાલાને લઈને રાજકીય વર્તુળોમાં અટકળો ચાલી રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર તેમની પ્રોફાઇલમાં ફેરફાર બાદ તેઓ ભાજપ છોડી શકે છે તેવી અફવાઓ તેજ બની છે. જોકે પાર્ટી કે પૂનાવાલાના રાજીનામાની કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી.&nbsp;</p><h2><b>ભાજપનું નામ દૂર થયા પછી અટકળો વધી&nbsp;</b></h2><p>શહઝાદ પૂનાવાલાએ તેમના X એકાઉન્ટ પ્રોફાઇલ અપડેટ કર્યા છે. તેમની નવી પ્રોફાઇલમાં ભારતીય જનતા પાર્ટીનો કોઈ ઉલ્લેખ નથી. જોકે તેઓ પોતાને PM નરેન્દ્ર મોદીના " લાઇફ ટાઇમ ફોલોઅર " તરીકે વર્ણવે છે. અહેવાલો સૂચવે છે કે તેમણે ગુરુવારે તેમની પ્રોફાઇલ અપડેટ કરી હતી પરંતુ ફેરફાર પાછળનું કારણ જાહેર કર્યું નથી.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/Shehzad_Ind/status/2082751978384552424"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b style="font-size: 1.75rem;">કોંગ્રેસ છોડ્યા પછી 2017માં ભાજપમાં જોડાયા</b></p><p>શહેજાદ પૂનાવાલાએ 2017 માં કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી. તે સમયે તેમણે પાર્ટીની સંગઠનાત્મક ચૂંટણીઓ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. ત્યારબાદ,તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને બાદમાં તેમને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.</p><p><b style="font-size: 1.75rem;">સોશિયલ મીડિયા પોસ્ટ્સ દ્વારા અગાઉના સંકેતો</b></p><p>કેટલાક સમય માટે, શહેજાદ પૂનાવાલા તેમના X એકાઉન્ટ પર વિડિઓઝ શેર કરી રહ્યા હતા જે સક્રિય રાજકારણથી આગળ વધવાનો સંકેત આપતા હતા. તેમણે ભૂતકાળના ઇન્ટરવ્યુના વિડિઓઝ પોસ્ટ કર્યા - કેપ્શન વિના - જેમાં તેઓ રાજકારણ અને જાહેર જીવન પર તેમના વિચારો શેર કરતા જોવા મળ્યા હતા.&nbsp;</p><p><b style="font-size: 1.75rem;">'રાજકીય ધ્યેયો અને ચૂંટણી લક્ષ્યો અલગ છે'</b></p><p>જાન્યુઆરી 2025 ના એક વીડિયો ક્લિપમાં, શહેઝાદ પૂનાવાલાને કહેતા સાંભળવામાં આવે છે કે રાજકીય ધ્યેયો અને ચૂંટણી લક્ષ્યો એકબીજાથી અલગ છે. તેમણે ટિપ્પણી કરી હતી કે સંસદ સભ્ય ન બનવાનો અર્થ એ નથી કે વ્યક્તિ સમાજ અને દેશ માટે યોગદાન આપી શકે નહીં. તેમના મતે દરેક વ્યક્તિ વિવિધ રીતે રાષ્ટ્રની સેવા કરી શકે છે, અને રાજકારણ ફક્ત ચૂંટણી જીતવા સુધી મર્યાદિત નથી.</p><p><b style="font-size: 1.5rem;">2024 ની ચૂંટણીને તેમની છેલ્લી ગણાવી હતી</b></p><p>બીજા વીડિયોમાં, શહેઝાદ પૂનાવાલાએ ઉલ્લેખ કર્યો છે કે તેમણે 2024 ની લોકસભા ચૂંટણી પછી સક્રિય રાજકારણ છોડવાનો નિર્ણય લીધો હતો. તેમણે નોંધ્યું હતું કે, આ હોવા છતાં, તેઓ પશ્ચિમ બંગાળ, દિલ્હી, હરિયાણા, બિહાર અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં મહત્વપૂર્ણ ચૂંટણીઓ દરમિયાન સક્રિય રહ્યા. તેમને હવે લાગે છે કે સક્રિય રાજકારણથી આગળ વધવાનો સમય આવી ગયો છે.</p><p><b style="font-size: 1.5rem;">સત્તાવાર નિવેદનની રાહ જોઈ રહ્યા છીએ</b></p><p>સોશિયલ મીડિયા પર શહેઝાદ પૂનાવાલાના ભાજપ છોડવાની અટકળો ચાલી રહી છે, પરંતુ પાર્ટી કે પૂનાવાલા તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. પરિણામે, તેમના રાજીનામા અંગેની અંતિમ સ્થિતિ સત્તાવાર નિવેદન જારી થયા પછી જ સ્પષ્ટ થશે.</p><p><br></p><p><a href="https://sandesh.com/india/news/dharmendra-pradhan-resigns-dharmendra-pradhan-resigns-from-the-post-of-education-minister-cjp-protest-delhi-police-jantar-mantar-sonam-wangchukl" target="_blank">આ પણ વાંચો: Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણમંત્રી પદેથી આપ્યુ રાજીનામુ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/31/kLhNcO2rN2MfdqBhFXL5JdwVXyz7S6mpoQfC9In1.webp'/></item><item><title><![CDATA[Surat: મુશળધાર વરસાદથી શહેરના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાતાં વાહનચાલકો અને સ્થાનિકો અટવાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/surat/heavy-rain-red-alert-waterlogging-athwalines-disaster-office-suryapur-garnala</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/surat/heavy-rain-red-alert-waterlogging-athwalines-disaster-office-suryapur-garnala</guid><pubDate>Fri, 31 Jul 2026 12:05:00 +05:30</pubDate><description><![CDATA[<p>હવામાન વિભાગ દ્વારા સુરત શહેર માટે જારી કરવામાં આવેલા 'રેડ એલર્ટ' (Red Alert) મુજબ જ સવારથી સમગ્ર સુરત શહેરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. માત્ર અડધા કલાકથી એક કલાકના મુશળધાર વરસાદી સ્પેલમાં જ સુરત મહાનગરપાલિકા (SMC) ના પ્રી-મોન્સૂન ડ્રેનેજ ક્લીનિંગના તમામ દાવાઓની પોલ ખુલ્લી પડી ગઈ છે.</p><h2><b>રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા</b></h2><p>સુરત શહેરના અતિ પોશ ગણાતા અઠવાલાઈન્સ વિસ્તારમાં સાયબર ક્રાઈમ ઓફિસથી લઈને સમગ્ર મુખ્ય માર્ગ સુધી ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા પદયાત્રીઓ અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.</p><h3><b>મંત્રીની મુલાકાત ટાણે જ ડિઝાસ્ટર કચેરી બહાર પાણી ભરાયા</b></h3><p>તંત્રની નિષ્ક્રિયતાનો સૌથી મોટો પુરાવો ત્યારે સામે આવ્યો જ્યારે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરી અને કંટ્રોલ રૂમ બહાર જ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ખાસ વાત એ છે કે રાજ્યના મંત્રી પ્રફુલ પાનસેરીયા જ્યારે પૂર અને વરસાદી સ્થિતિની સમીક્ષા કરવા કલેક્ટર કચેરી કેમ્પસ સ્થિત ડિઝાસ્ટર રૂમની મુલાકાતે પહોંચ્યા, ત્યારે જ કચેરીના મુખ્ય પ્રવેશદ્વાર બહાર અડધા કલાકના વરસાદમાં જળબંબાકાર સર્જાયેલો જોવા મળ્યો હતો.</p><h4><b>સૂર્યપુર ગરનાળું અને ઉધના-મગદલ્લા રોડ બેટમાં ફેરવાયા</b></h4><p>બીજી તરફ, સુરતના મહત્વના ઉધના-મગદલ્લા સર્વિસ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં નોકરીયાતો અને વાહનચાલકો રસ્તા પર અટવાઈ પડ્યા હતા. આ ઉપરાંત સૂર્યપુર ગરનાળામાં પાણી ભરાઈ જતાં ગરનાળાથી પોદાર આર્કેડ સુધીનો સમગ્ર માર્ગ જળમગ્ન થઈ ગયો હતો. રસ્તા પર બંધ પડેલા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરના કારણે કલાકો સુધી ટ્રાફિકજામના ભયાનક દ્રશ્યો સર્જાયા હતા.સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં સુરત મનપા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય અને સમયસર કામગીરી ન કરવા બદલ ભારે રોષ જોવા મળી રહ્યો છે.<br></p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/aravalli/heavy-rain-forecast-ndrf-30-member-team-deployed-modasa" target="_blank">આ પણ વાંચો: Aravalli: જિલ્લામાં 2 દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે NDRF ની 30 સભ્યોની ટીમ તૈના, વહીવટી તંત્ર સજ્જ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/31/fRzt0RrjsVTqAjBYaYusv4nvt69xGTidrfV48231.webp'/></item><item><title><![CDATA[Surat News : કીર્તિ પટેલ પર લેન્ડ ગ્રેબિંગ હેઠળ કેસ, ACP કરશે તપાસ, મકાન માલિકને આપી હતી ધમકી... ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/surat/surat-news-kirti-patel-booked-for-land-grabbing-acp-will-investigate-threatened-the-landlord</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/surat/surat-news-kirti-patel-booked-for-land-grabbing-acp-will-investigate-threatened-the-landlord</guid><pubDate>Fri, 31 Jul 2026 11:48:12 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતમાં અવારનવાર વિવાદોમાં ઘેરાતી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલ સામે વધુ એક ગંભીર ગુનો નોંધાયો છે. કીર્તિ પટેલે વર્ષ 2019 થી ડુંભાલ વિસ્તારમાં આવેલી 'કુશલ દર્શન વાટીકા'માં માસિક રૂપિયા 9,500 ના ભાડે ફ્લેટ રાખ્યો હતો. મકાનમાલિક મંજુલાબેન પટેલના જણાવ્યા મુજબ, તેણે ભાડાકરાર માટે ક્યારેય પુરાવા જમા કરાવ્યા ન હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ કીર્તિ પટેલે ભાડું આપવાનું બંધ કરી દીધું હતું અને "લાઈટબિલ હું ભરું છું, મકાન ખાલી નહીં કરું" તેમ કહી ફ્લેટ પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>મકાનમાલિકે પોલીસ ફરિયાદ નોંધાવી</b></h2><p style="text-align: justify; ">મકાનમાલિકે જ્યારે પોતાનો ફ્લેટ ખાલી કરાવવાનો આગ્રહ કર્યો, ત્યારે કીર્તિ પટેલે જો તેઓ ફ્લેટ ખાલી કરાવવા આવશે તો તેમને જાનથી મારી નાખવાની સીધી ધમકી આપી હતી. કીર્તિ પટેલની આ ધમકીથી ગભરાયેલા મકાનમાલિક મંજુલાબેને આખરે સુરત પોલીસના દ્વાર ખટખટાવ્યા હતા. તેમણે કીર્તિ પટેલ વિરુદ્ધ ગેરકાયદેસર રીતે મિલકત પચાવી પાડવા અને ધમકી આપવા બદલ પુણા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે.</p><h2 style="text-align: justify; "><b>ACP કક્ષાના અધિકારીને તપાસ</b></h2><p style="text-align: justify; ">મકાનમાલિકની ફરિયાદના આધારે પુણા પોલીસે કીર્તિ પટેલ વિરુદ્ધ કડક 'લેન્ડ ગ્રેબિંગ' (જમીન પચાવી પાડવા વિરોધી) કાયદા હેઠળ કેસ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કમિશનર દ્વારા સમગ્ર મામલાની આગળની તપાસ ACP કક્ષાના અધિકારી પી.કે. પટેલને સોંપવામાં આવી છે. પોલીસ હાલ આ મામલે કાયદેસરના પુરાવા એકઠા કરી આગળની તજવીજ કરી રહી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/bharuch/monsoon-2026-torrential-rains-amid-red-alert-in-bharuch-district-systems-in-place-traffic-and-public-life-affected" target="_blank">Monsoon 2026 : ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે મુશળધાર વરસાદ, તંત્ર સજ્જ, વાહનવ્યવહાર અને જનજીવન પ્રભાવિત</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/31/HRAsICT8rHFbB8XM0df5cZWV0eyzVGtqmX1qQoUS.webp'/></item><item><title><![CDATA[Kaveri Water Dispute: ફરી ગરમાયો કાવેરી જળ વિવાદ, તમિલનાડુને પાણી છોડવાના વિરોધમાં કર્ણાટક બંધની ચેતવણી ]]></title><link>https://sandesh.com/india/news/kaveri-water-dispute-karnataka-protests-against-water-release-to-tamil-nadu</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/kaveri-water-dispute-karnataka-protests-against-water-release-to-tamil-nadu</guid><pubDate>Fri, 31 Jul 2026 11:33:17 +05:30</pubDate><description><![CDATA[<p>Kaveri Water Dispute: કાવેરી પાણી વિવાદ ફરી એકવાર ગરમાતો દેખાય છે. કર્ણાટકમાં કાવેરી પાણી તમિલનાડુને છોડવાના આદેશ સામે વિરોધ પ્રદર્શનો જોવા મળી રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને કન્નડ રક્ષા વેદિકા (KRV) ના પ્રવીણ શેટ્ટી જૂથે રામનગરમાં વિશાળ વિરોધ અને રેલી યોજી હતી.</p><p>પ્રવીણ શેટ્ટીની આગેવાની હેઠળ KRV ના જિલ્લા એકમના કાર્યકરોએ કાવેરી પાણી નિયમન સમિતિના આદેશની સખત નિંદા કરી હતી, તેને અવૈજ્ઞાનિક ગણાવ્યો હતો. પ્રદર્શનકારીઓએ માંગ કરી હતી કે રાજ્ય સરકાર કાવેરીનું પાણી તમિલનાડુને ન છોડે. કન્નડ સંગઠનોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓને અવગણવામાં આવે તો ટૂંક સમયમાં 'કર્ણાટક બંધ' (રાજ્યવ્યાપી બંધ)નું એલાન કરવામાં આવશે.</p><p>જોકે, તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજય 3 ઓગસ્ટે કર્ણાટકની મુલાકાતે આવવાના છે. આ મુલાકાત દરમિયાન તેઓ કાવેરી નદીના પાણી વહેંચણી મુદ્દા અંગે કર્ણાટકના મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર સાથે વિગતવાર ચર્ચા કરે તેવી શક્યતા છે. સામાન્ય રીતે જ્યારે દક્ષિણપશ્ચિમ ચોમાસું સામાન્ય હોય છે ત્યારે કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે કાવેરી પાણી વહેંચણી અંગે વિવાદો ઓછા હોય છે; જોકે, જ્યારે પણ વરસાદની અછત હોય છે ત્યારે આ મુદ્દો ખૂબ જ સંવેદનશીલ અને રાજકીય રીતે મહત્વપૂર્ણ બની જાય છે.</p><h5><b>કર્ણાટકમાં ખેડૂતોનો ગુસ્સો</b></h5><p>કર્ણાટકના ખેડૂતો આ આદેશ સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે. ગુરુવારથી માંડ્યા અને મૈસુર જિલ્લામાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો અને રસ્તા રોકો કરવામાં આવ્યા છે. કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટી (CWMA) એ પાણી છોડવાનું મુલતવી રાખવાની કર્ણાટકની અરજીને ફગાવી દીધા પછી આ ગુસ્સો વધુ તીવ્ર બન્યો.</p><h5><b>ભાજપ નેતાઓએ શું કહ્યું</b></h5><p>શિવમોગામાં મીડિયા સાથે વાત કરતા, કર્ણાટક ભાજપ પ્રમુખ વિજયેન્દ્રએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે સરકાર કાવેરી બેસિનમાં ખેડૂતોના હિતોનું રક્ષણ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. તેમણે આરોપ લગાવ્યો કે કર્ણાટકના ખેડૂતો સાથે મજબૂત રીતે ઊભા રહેવાને બદલે સરકાર તમિલનાડુનો પક્ષ લઈ રહી હોય તેવું લાગે છે.</p><p><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/nirmal-purja-and-9-others-missing-after-avalanche-in-pakistan" target="_blank"><b>Pakistanમાં મોટી દુર્ઘટના, હિમપ્રપાત બાદ પ્રખ્યાત પર્વતારોહક નિર્મલ પુર્જા સહિત દસ લોકો ગુમ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/31/iaV2MkdbvzRytku3njpteT7iTIxQxboEOsSWP9gi.webp'/></item><item><title><![CDATA[CWG 2026 Medal Tally: કોમન વેલ્થ ગેમ્સમાં ભારતને વધુ 2 મેડલ છતાં Medal Tableમાં નુકસાન, જાણો ટોપ 10માં કોણ કયાં ]]></title><link>https://sandesh.com/sports/news/cwg-2026-medal-tally-india-loses-in-medal-table-despite-2-more-medals-in-commonwealth-games-know-who-is-in-top-10</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/cwg-2026-medal-tally-india-loses-in-medal-table-despite-2-more-medals-in-commonwealth-games-know-who-is-in-top-10</guid><pubDate>Fri, 31 Jul 2026 11:08:18 +05:30</pubDate><description><![CDATA[<p>ગ્લાસગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026નો 8મો દિવસ ભારત માટે સફળતાઓ અને યાદગાર પ્રદર્શનથી ભરેલો રહ્યો. ભારતીય એથ્લેટ્સના શાનદાર પ્રદર્શનના બળે ભારતની કુલ મેડલની સંખ્યા 17 પર પહોંચી ગઈ છે. જોકે, અન્ય દેશોના બહતર પ્રદર્શનને કારણે મેડલ ટેલીમાં ભારતને બે સ્થાનનું નુકસાન વેઠવું પડ્યું છે. 7મા દિવસના અંતે 8મા ક્રમે રહેલું ભારત હવે 3 ગોલ્ડ, 10 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ સાથે 10મા સ્થાને આવી ગયું છે.</p><h3><b>વેઇટલિફ્ટિંગમાં લવપ્રીતનો નવો રેકોર્ડ</b></h3><p>આઠમા દિવસે ભારતીય વેઇટલિફ્ટર લવપ્રીત સિંહે ઐતિહાસિક પ્રદર્શન કર્યું હતું. પુરુષોની હેવીવેઇટ કેટેગરીમાં તેણે કોમનવેલ્થ ગેમ્સનો નવો રેકોર્ડ બનાવીને ભારત માટે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. બીજી તરફ એથ્લેટિક્સ ટ્રેક પરથી પણ ભારત માટે સારા સમાચાર આવ્યા હતા. મહિલા ડિસ્કસ થ્રો સ્પર્ધામાં સીમા કાલીરામણાએ ઉત્કૃષ્ટ રમત બતાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.</p><p><img alt="common wealth games medal tally india" src="https://epapercdn.sandesh.com/images/2026/07/31/3xbE7vZhc5nJCMH6VEhYQVOOvLradixBMwmQ82r8.webp"><br></p><h2><b>મેડલ ટેલીમાં કેમ નીચે આવ્યું ભારત?</b></h2><p>બે મેડલ મેળવવા છતાં ભારત મેડલ ટેલીમાં 8મા ક્રમેથી ઘસીને 10મા ક્રમે પહોંચી ગયું છે. તેનું મુખ્ય કારણ ન્યૂઝીલેન્ડ અને જમૈકાનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું. રમતના આઠમા દિવસે ન્યૂઝીલેન્ડે એકસાથે 7 મેડલ જીતીને ભારતને પાછળ છોડી દીધું હતું. જમૈકાએ પણ ભારતને પછાડીને 9મું સ્થાન મેળવ્યું છે. જમૈકા પાસે કુલ 8 મેડલ છે, પરંતુ તેમાં 4 ગોલ્ડ મેડલ હોવાથી તે ભારતથી આગળ નીકળી ગયું છે. તેમજ, ઓસ્ટ્રેલિયા કુલ 110 મેડલ સાથે મેડલ ટેલીમાં સિંહાસન પર યથાવત છે.</p><h3><b>CWG 2026 માં ભારતના મેડલ વિજેતાઓની સંપૂર્ણ યાદી:</b></h3><ol><li>મીરાબાઈ ચાનુ: વેઈટ લિફ્ટિંગ - ગોલ્ડ મેડલ</li><li>શર્મિલા ધનખર, પેરા એથ્લેટિક્સ (મહિલા શોટ પુટ F57): સુવર્ણ ચંદ્રક</li><li>દિલીપ મહાદુ ગાવિત, પેરા એથ્લેટિક્સ (પુરુષોની 100 મીટર T47): ગોલ્ડ મેડલ</li><li>ઋષિકાંત સિંહ, વેઇટલિફ્ટિંગ: સિલ્વર મેડલ</li><li>મુથુપંડી રાજા, વેઈટ લિફ્ટિંગઃ સિલ્વર મેડલ</li><li>જ્ઞાનેશ્વરી યાદવ, વેઇટલિફ્ટિંગ: સિલ્વર મેડલ</li><li>વલ્લુરી અજય બાબુ, વેઇટલિફ્ટિંગ: સિલ્વર મેડલ</li><li>હરજિન્દર કૌર, વેઈટ લિફ્ટિંગઃ સિલ્વર મેડલ</li><li>સર્વેશ કુશારે, ઉંચી કૂદ: સિલ્વર મેડલ</li><li>ગુલવીર સિંહ, ૧૦,૦૦૦ મીટર દોડ: રજત ચંદ્રક</li><li>મોહમ્મદ બેસિલ (૧૦૦ મીટર ટી૪૭): સિલ્વર મેડલ</li><li>મુરલી શ્રીશંકર, લાંબી કૂદ: રજત ચંદ્રક</li><li>લવપ્રીત સિંહ, વેઇટલિફ્ટિંગ: સિલ્વર મેડલ</li><li>ઝંદુ કુમાર, પેરા પાવરલિફ્ટિંગઃ બ્રોન્ઝ મેડલ</li><li>બિંદ્યારાણી દેવી, વેઈટ લિફ્ટિંગઃ બ્રોન્ઝ મેડલ</li><li>શિલ્પા શાયલા, પેરા એથ્લેટિક્સ (શોટ પુટ F57): બ્રોન્ઝ મેડલ</li><li>સીમા કાલીરામણા, ડિસ્કસ થ્રો: બ્રોન્ઝ મેડલ</li></ol> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/31/BjAbKSC4RlkVaNy4A2QN784fNCyB0ff2liLTOCPW.webp'/></item></channel></rss>