<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Rajkot News: બોગસ દસ્તાવેજ કેસમાં છેલ્લા 11 વર્ષથી ફરાર નિમેશ શાહ મુંબઈથી ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/rajkot/crime-branch-arrests-nimesh-shah-in-bogus-document-case</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/rajkot/crime-branch-arrests-nimesh-shah-in-bogus-document-case</guid><pubDate>Wed, 16 Sep 2026 20:16:42 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ શહેર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બનાવવા માટે લાંબા સમયથી ફરાર હોય તેવા વોન્ટેડ આરોપીઓ સામે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ જ ક્રમમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે. બનાવટી દસ્તાવેજો તૈયાર કરવાના અને આચરવાના એક ગંભીર ગુનામાં છેલ્લા 11 વર્ષથી લાંબા સમયથી કાયદાની પકડથી દૂર ભાગતા ફરાર આરોપીને પોલીસે મુંબઈથી દબોચી લીધો છે.</p><h2><b>મુંબઈ સેન્ટ્રલ ખાતેથી ઝડપાયો નિમેશ શાહ</b></h2><p>પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ પ્રકરણમાં મુખ્ય આરોપી નિમેશ શાહ લાંબા સમયથી પોતાનું સરનામું બદલીને અલગ-અલગ જગ્યાએ છુપાઈને રહેતો હતો. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમને આ આરોપી વિશે ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી મુંબઈ સેન્ટ્રલ વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસે બાતમીના આધારે રેડ કરીને ફરાર આરોપી નિમેશ શાહની આખરે ધરપકડ કરી લીધી છે.</p><p><img alt="Rajkot News: Crime Branch Arrests Accused Nimesh Shah After 11 Years in bogus Document Case" src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/hIjVcoUfmKvTIbexOyuVGocOnvIdKwhrffACSpxK.webp"><br></p><h2><b>આગળની સઘન તપાસ શરૂ</b></h2><p>વર્ષો જૂના આ બનાવટી દસ્તાવેજ કૌભાંડમાં આ આરોપી સિવાય અન્ય કયા-કયા લોકો સંડોવાયેલા છે અને તેણે આ 11 વર્ષ દરમિયાન ક્યાં-ક્યાં આશરો લીધો હતો તે અંગે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઊંડાણપૂર્વકની પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસની આ સરાહનીય કામગીરીથી વોન્ટેડ આરોપીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/news/rajkot/odisha-laborer-dukhishyam-murdered-over-molestation-three-arrested" target="_blank">Rajkot: યુવતીની છેડતીની અદાવતમાં પરપ્રાંતીયો વચ્ચે ખેલાયો ખૂની ખેલ; ઓડિશાના યુવક દુખીશ્યામની હત્યા</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/4z0diUNyt3WHXSPd02gqIV2Nh8bRZdM5ZJ5f0GVI.webp'/></item><item><title><![CDATA[Tarnetar Fair 2026: ફૂડ વિભાગનું ચેકિંગ, 150 સ્ટોલ પર તપાસ, 120 કિલો વાસી ખોરાક નાશ કરાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/surendranagar/tarnetar-fair-2026-food-and-drugs-department-raid</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surendranagar/tarnetar-fair-2026-food-and-drugs-department-raid</guid><pubDate>Wed, 16 Sep 2026 20:10:03 +05:30</pubDate><description><![CDATA[<p>સુરેન્દ્રનગર જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ તરણેતરના મેળામાં લાખો શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓ ઉમટી પડતા હોય છે. મેળા દરમિયાન લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય તે માટે તંત્ર સંપૂર્ણપણે સતર્ક બન્યું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મેળાના પરિસરમાં આવેલા ખાણીપીણીના સ્ટોલ્સ પર અચાનક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેના કારણે અનિયમિતતા આચરતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો.</p><h2><b>150થી વધુ સ્ટોલ્સનું થયું ઝીણવટભર્યું ચેકિંગ</b></h2><p>ફૂડ વિભાગની ટીમે મેળામાં ધમધમતા પાણીપુરી, પાઉંભાજી, બરફના ગોલા, ઢોકળા અને ફાસ્ટ ફૂડ સહિતની વિવિધ ખાણી-પીણીની ચીજવસ્તુઓનું વેચાણ કરતા અંદાજે 150 જેટલા સ્ટોલ્સમાં રૂબરૂ જઈને તપાસ કરી હતી. આ દરમિયાન અનેક સ્ટોલ્સ પર સ્વચ્છતાના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા અને અખાદ્ય સામગ્રીનો ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું હતું.</p><p><img alt="Tarnetar Fair 2026: Food Department Raids 150 Stalls, Destroys 120 kg of Unhygienic Food" src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/7y1UeNhLlfvtjgDZwdjKMPqJCLvxupyBL2JJ1h78.webp"><br></p><h2><b>120 કિલો વાસી અને હાનિકારક ખોરાકનો નાશ</b></h2><p>તપાસ દરમિયાન સ્ટોલ્સમાંથી નુકસાનકારક અને વાસી ખાદ્ય સામગ્રી મળી આવી હતી. પોલીસે અને ફૂડ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરીને લસણ-મરચાની ચટણી, બફાયેલા બટેકા, વાસી પાઉં તથા અન્ય બગડેલી ચીજવસ્તુઓ સહિત કુલ 120 કિલો જેટલા વાસી અને અખાદ્ય ખોરાકનો સ્થળ પર જ નાશ કર્યો હતો.</p><p><img alt="Tarnetar Fair 2026: Food Department Raids 150 Stalls, Destroys 120 kg of Unhygienic Food" src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/t2IXXw12Q0rdVGzgslBHwP9Kabw8mT6LX97BTFev.webp"><br></p><h2><b>ગંદકી ફેલાવનારા સંચાલકો સામે લાલ આંખ</b></h2><p>મેળાના પવિત્ર અને ઉત્સવના માહોલ વચ્ચે ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરી ગંદકી ફેલાવનાર સ્ટોલ ધારકો સામે ફૂડ વિભાગ દ્વારા કડક કાર્યવાહીના ભાગરૂપે દંડ અને નોટિસ આપવામાં આવી છે. તંત્રની આ લાભદાયક અને આક્રમક કાર્યવાહીથી આરોગ્ય પ્રત્યે બેદરકાર રહેતા વેપારીઓમાં મોટો ડર જોવા મળી રહ્યો છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/thangadh/tarnetar-mela-ride-collapse-than-gadh-surendranagar-permission-questioned" target="_blank">Thangadh: તરણેતરના મેળામાં 'મોતનો કૂવો' તૂટી પડતા ભાગદોડ, વઢવાણની ઘટના બાદ રાઇડ તૂટવાનો બીજો કિસ્સો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/vKQtTDwnNIRgovRYNkHclRw8LVhq1f1hNcqYwbnL.webp'/></item><item><title><![CDATA[Banaskantha News: થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર, નોંધી લો મહત્વની તારીખો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/thara-nagarpalika-election-announced-local-body-poll-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/thara-nagarpalika-election-announced-local-body-poll-2026</guid><pubDate>Wed, 16 Sep 2026 19:49:34 +05:30</pubDate><description><![CDATA[<p>બનાસકાંઠા જિલ્લાના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાની મહત્વની ગણાતી થરા નગરપાલિકાની ચૂંટણી સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે. ચૂંટણીના એલાન સાથે જ થરા પંથકમાં રાજકીય માહોલ એકદમ ગરમાઈ ગયો છે અને તમામ રાજકીય પક્ષો દ્વારા અત્યારથી જ રણનીતિઓ તૈયાર કરવામાં આવી રહી છે.</p><h2><b>6 વોર્ડ અને 24 બેઠકો માટે થશે ખરાખરીનો જંગ</b></h2><p>પ્રાપ્ત વિગતો મુજબ, થરા નગરપાલિકાના કુલ 6 વોર્ડની 24 બેઠકો માટે આગામી સમયમાં ચૂંટણી યોજાશે. અગાઉની ટર્મની વાત કરીએ તો, આ 24 બેઠકોમાંથી 20 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી (BJP) અને 4 બેઠકો પર કોંગ્રેસનો દબદબો રહ્યો હતો. આ વખતે રાજકીય સમીકરણો કેવા રહેશે તે તો ચૂંટણીના પરિણામો જ નક્કી કરશે.</p><h2><b>મતદાન અને મતગણતરીની તારીખો જાહેર</b></h2><p>તંત્ર દ્વારા ચૂંટણીના કાર્યક્રમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. જાહેર થયેલ શેડ્યૂલ મુજબ, આગામી 11 ઓક્ટોબર ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરાશે અને ત્યારબાદ 13 ઓક્ટોબર ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજકીય નેતાઓ અને સંભવિત ઉમેદવારોએ લોકસંપર્ક વધારી દીધો છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-congress-rift-amit-chavda-cancels-gulabsinh-rajput-banaskantha-list" target="_blank">Ahmedabad: સુરજેવાલાના આગમન સાથે જ ગુજરાત કોંગ્રેસમાં ડખો! અમિત ચાવડા સામે શિંગડા ભિડાવનારા ગુલાબસિંહ રાજપૂત કોણ છે?</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/kQ4pRoqiDvC8ka2JIdYwWMf9exsxWmjOdkNJmRxy.webp'/></item><item><title><![CDATA[MRP કરતાં વધુ કિંમતમાં પાણી વેચ્યું, ગ્રાહક આયોગે ફટકાર્યો  ₹7 લાખનો દંડ ]]></title><link>https://sandesh.com/india/news/water-bottle-mrp-overcharging-andhra-pradesh-consumer-court-7-lakh-fine</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/water-bottle-mrp-overcharging-andhra-pradesh-consumer-court-7-lakh-fine</guid><pubDate>Wed, 16 Sep 2026 19:48:33 +05:30</pubDate><description><![CDATA[<p>Andhra Pradeshમાં એક ગ્રાહક આયોગે MRP કરતાં વધુ ભાવે પાણીની બોટલ વેચવાના મામલે દુકાનદાર પર ₹7 લાખનો ભારે દંડ ફટકાર્યો છે. આરોપ હતો કે દુકાનદારે ₹18ની પાણીની બોટલ માટે ગ્રાહક પાસેથી ₹25 વસૂલ્યા હતા.</p><p><b>₹7 પરત, વળતર અને કોર્ટ ખર્ચ ચૂકવવાનો આદેશ</b></p><p>આયોગના અધ્યક્ષ C.H. રઘુપતિ વસંત કુમાર અને સભ્યો ચક્કા સુસી તથા છાગંટી નાગેશ્વર રાવની બેન્ચે દુકાનદારને ગ્રાહક પાસેથી લીધેલા વધારાના ₹7 પરત કરવા આદેશ આપ્યો છે. આ ઉપરાંત ગ્રાહકને ₹10,000 વળતર અને ₹5,000 કોર્ટ ખર્ચ ચૂકવવાનો પણ આદેશ કરાયો છે. જ્યારે ₹7 લાખનો દંડ ‘ઉપભોક્તા કલ્યાણ કોષ’માં જમા કરાવવાનો રહેશે. આયોગે પોતાના નિર્ણયમાં કહ્યું કે અનુચિત વેપારી પ્રવૃત્તિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે દુકાનદાર પર ₹7 લાખનો દંડ લગાવવામાં આવ્યો છે. આ રકમ ઉપભોક્તા કલ્યાણ કોષમાં જમા થશે.</p><p><b>MRP કરતાં વધુ ભાવ લેવાનો દાવો&nbsp;</b></p><p>ફરિયાદી ગ્રાહકે જણાવ્યું કે તે મંદિરના દર્શન માટે ગયો હતો. ત્યાં મંદિર પરિસરમાં આવેલી એક દુકાનમાંથી તેણે એક લીટર પાણીની બોટલ ખરીદી હતી. બોટલ પર MRP ₹18 લખેલી હતી, પરંતુ દુકાનદારે તેની પાસેથી ₹25 લીધા હતા. ગ્રાહકે જ્યારે વધુ પૈસા લેવા અંગે વિરોધ કર્યો ત્યારે દુકાનદારે કહ્યું કે તેને MRP કરતાં વધુ ભાવમાં વસ્તુ વેચવાની મંજૂરી મળી છે. ત્યારબાદ ગ્રાહકે આ મામલે ગ્રાહક આયોગમાં ફરિયાદ કરી હતી.</p><p><b>દુકાનદારનો અલગ દાવો</b></p><p>સુનાવણી દરમિયાન દુકાનદારે આ આરોપોને નકારી કાઢ્યા હતા. તેણે દાવો કર્યો કે ₹25 પાણીની બોટલના નહોતા, પરંતુ ₹20ની કોલ્ડ ડ્રિંક અને ₹5ના બિસ્કિટના પેકેટ માટે ચૂકવવામાં આવ્યા હતા. દુકાનદારે એ પણ કહ્યું કે મંદિર પરિસરમાં અનેક જગ્યાએ મફત પીવાનું પાણી ઉપલબ્ધ છે. આ કેસમાં મંદિરના કાર્યકારી અધિકારીને પણ પ્રથમ પ્રતિવાદી બનાવવામાં આવ્યા હતા. જોકે તેમણે પોતાની જવાબદારી નકારી હતી. તેમણે કહ્યું કે દુકાનનું સંચાલન એક લાઇસન્સધારક દ્વારા સ્વતંત્ર રીતે કરવામાં આવે છે.</p><p><b>પુરાવાથી ગ્રાહકનો દાવો સાબિત થયો</b></p><p>મંદિર પ્રશાસને આયોગને જણાવ્યું કે દુકાનદાર વિરુદ્ધ અગાઉ પણ વધુ ભાવ વસૂલવાની ફરિયાદો મળી હતી. આ મામલે મંદિર પ્રશાસને દુકાનદારને અગાઉ નોટિસ પણ આપી હતી અને તેના સંબંધિત દસ્તાવેજો આયોગ સમક્ષ રજૂ કર્યા હતા. આયોગે તપાસમાં જણાવ્યું કે ગ્રાહકનો દાવો ચુકવણીના રેકોર્ડ, MRP દર્શાવતી પાણીની બોટલના ફોટા અને વીડિયો રેકોર્ડિંગથી સાબિત થાય છે.</p><p><b>દુકાનદાર પોતાનો દાવો સાબિત ન કરી શક્યો</b></p><p>બીજી તરફ, દુકાનદારે કોલ્ડ ડ્રિંક અને બિસ્કિટ વેચ્યાના પોતાના દાવાને સાબિત કરવા માટે ઇલેક્ટ્રોનિક બિલિંગ રેકોર્ડ અથવા CCTV ફૂટેજ રજૂ કર્યા નહોતા. ગ્રાહક આયોગે કહ્યું કે આ વેચાણ એવા મંદિર પરિસરમાં થયું હતું, જે આંધ્રપ્રદેશના સૌથી વ્યસ્ત તીર્થસ્થળોમાંનું એક છે અને જ્યાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ આવે છે.</p><p><b>શ્રદ્ધાળુઓને જરૂરી વસ્તુ મોંઘી ખરીદવી પડી શકે</b></p><p>આયોગે કહ્યું કે આવા સ્થળોએ આવતા ગ્રાહકો પાસે સમય ઓછો હોય છે, બીજી દુકાન શોધવાના વિકલ્પો મર્યાદિત હોય છે અને ઘણી વખત તેમને જરૂરી વસ્તુની તાત્કાલિક જરૂર હોય છે. આવી સ્થિતિમાં ગ્રાહકોને દુકાનદાર દ્વારા માંગવામાં આવેલી કિંમતે વસ્તુ ખરીદવાની ફરજ પડી શકે છે. આયોગે માન્યું કે MRP કરતાં વધુ ભાવ વસૂલવો એ સામાન્ય ભૂલ નહીં પરંતુ ગ્રાહક પાસેથી અનુચિત નફો મેળવવાની રીત છે. માત્ર વધારાની રકમ પરત કરી દેવી અથવા નામમાત્રનું વળતર આપવું એ ગ્રાહક સંરક્ષણ કાયદાના હેતુને પૂરતું નથી.</p><p><b>₹7 લાખનો દંડ કેમ?</b></p><p>આ કારણોસર આયોગે ₹7 લાખનો દંડ ફટકાર્યો છે, જેથી આવી રીતે MRP કરતાં વધુ ભાવ વસૂલવાની ઘટનાઓ સામે કડક સંદેશ જાય અને ભવિષ્યમાં આવી હરકતોને રોકી શકાય. આયોગે મંદિરના કાર્યકારી અધિકારી સામેની ફરિયાદને ફગાવી દીધી હતી. કારણ કે મંદિર પ્રશાસને દુકાનદારને MRP કરતાં વધુ ભાવ વસૂલવાનો કોઈ આદેશ આપ્યો હતો અથવા તેને પ્રોત્સાહન આપ્યું હતું, તેવું સાબિત કરતો કોઈ પુરાવો મળ્યો નહોતો.</p><p><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/shopkeepers-occupied-half-of-the-footpath-and-road-in-naroda" target="_blank">આ પણ વાંચો: નરોડામાં દુકાનદારોએ ફૂટપાથ અને રોડનો અડધો હિસ્સો કબ્જે કરી લીધો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/dOObmCfEPkzdWsiL9mOpn5Au615qp4qxbVyEzJRd.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: સુરજેવાલાના આગમન સાથે જ ગુજરાત કોંગ્રેસમાં ડખો! અમિત ચાવડા સામે શિંગડા ભિડાવનારા ગુલાબસિંહ રાજપૂત કોણ છે? ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-congress-rift-amit-chavda-cancels-gulabsinh-rajput-banaskantha-list</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-congress-rift-amit-chavda-cancels-gulabsinh-rajput-banaskantha-list</guid><pubDate>Wed, 16 Sep 2026 19:47:37 +05:30</pubDate><description><![CDATA[<p>2027 ની વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા અને પક્ષમાં આક્રમક વ્યૂહરચના ઘડવા માટે રાહુલ ગાંધીએ ફાયરબ્રાન્ડ નેતા અને મહાસચિવ રણદીપ સુરજેવાલાને ગુજરાતના મોરચે તૈનાત કર્યા છે. જોકે, રણદીપ સુરજેવાલાની ગુજરાતની પ્રથમ મુલાકાત સાથે જ રાજ્ય નેતૃત્વ અને પક્ષના સૌથી મજબૂત ગણાતા બનાસકાંઠા જિલ્લા એકમ વચ્ચે આંતરિક જૂથબંધી સપાટી પર આવી ગઈ છે.</p><p></p><h2><b>અમિત ચાવડા વિરુદ્ધ ગુલાબ સિંહ રાજપૂત</b></h2>પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત વચ્ચેનો આંતરિક અસંતોષ હવે ખુલ્લી લડાઈમાં ફેરવાઈ ગયો છે. ગુલાબસિંહ રાજપૂતે જિલ્લા કોંગ્રેસ સમિતિ માટે ઉપપ્રમુખો, મહામંત્રીઓ, સચિવો અને કારોબારી સભ્યો સહિત 200થી વધુ હોદ્દેદારોની નવી સંગઠનાત્મક યાદી તૈયાર કરી હતી. આ યાદી રાજ્ય સમિતિની સત્તાવાર મંજૂરી વિના સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાતાં, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તાત્કાલિક અસરથી સમગ્ર માળખાને વિસર્જિત અને રદ કરી દીધું હતું. અમિત ચાવડાએ સ્પષ્ટતા કરી હતી કે પ્રદેશ નેતૃત્વ સાથે સલાહ-મશવરા વિના કરવામાં આવેલી કોઈપણ નિમણૂક માન્ય રહેશે નહીં.<p></p><p><b>સાંસદ ગેનીબેન ઠાકોર સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો&nbsp;</b></p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/GulabsinhRajput/status/2099538873558913439"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3><b>ગુલાબસિંહ રાજપૂતે પ્રદેશ નેતૃત્વ સામે અસંતોષ વ્યક્ત કર્યો&nbsp;</b></h3><p>અમિત ચાવડાના કડક સ્ટેન્ડ બાદ, ગુલાબસિંહ રાજપૂતે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરીને પ્રદેશ નેતૃત્વ સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પક્ષની ખરી લડાઈ અંદરોઅંદર લડવાને બદલે જનતાના મુદ્દાઓ પર શાસક ભાજપ સરકાર સામે હોવી જોઈએ. આ સાથે જ તેમણે પક્ષના કેટલાક નેતાઓ પર ભાજપ સાથે સાંઠગાંઠ કરીને સ્થાનિક સ્તરે મજબૂત પકડ ધરાવતાં સાંસદ ગેનીબેન ઠાકોરને રાજકીય રીતે નુકસાન પહોંચાડવાનું કાવતરું રચવાનો પણ ગંભીર આરોપ લગાવ્યો હતો. આ ખેંચતાણ વચ્ચે યુથ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રોહિત પારેગીએ પણ રાજીનામું આપી દેતાં અસંતોષ વધુ ઘેરો બન્યો છે.</p><h4><b>કોણ છે ગુલાબસિંહ રાજપૂત?</b></h4><p>ગુલાબસિંહ રાજપૂત બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે અને ઉત્તર ગુજરાત કોંગ્રેસના અગ્રણી યુવા ચહેરા ગણાય છે. તેઓ થરાદ બેઠક પરથી 2019ની પેટાચૂંટણી જીતીને વિધાનસભામાં પહોંચ્યા હતા. ભૂતકાળમાં તેઓ ગુજરાત યુવા કોંગ્રેસ અને NSUIના પ્રદેશ પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. 2024ની વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસે તેમને સત્તાવાર ઉમેદવાર બનાવ્યા હતા, જેમાં તેમનો પરાજય થયો હતો. બનાસકાંઠાના રાજકારણમાં સાંસદ ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂતની જોડીને કોંગ્રેસનો મુખ્ય આધારસ્તંભ માનવામાં આવે છે.</p><h5><b>નવા પ્રભારી આંતરિક સંગઠનાત્મક વિવાદને શમાવી દેશે?</b></h5><p>બનાસકાંઠા એ એ જ લોકસભા બેઠક છે જ્યાં 2024માં કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે જીત મેળવીને ભાજપની ક્લીન સ્વીપની સતત હેટ્રિક રોકી હતી. હવે જ્યારે 'મિશન 2027' માટે ઉત્તર ગુજરાત અત્યંત મહત્વનું છે, ત્યારે નવા પ્રભારી રણદીપ સુરજેવાલા આ આંતરિક સંગઠનાત્મક વિવાદને શમાવીને બનાસકાંઠામાં કોંગ્રેસની એકતા કેવી રીતે જાળવી રાખે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/rajkot/odisha-laborer-dukhishyam-murdered-over-molestation-three-arrested" target="_blank">આ પણ વાંચો: Rajkot: યુવતીની છેડતીની અદાવતમાં પરપ્રાંતીયો વચ્ચે ખેલાયો ખૂની ખેલ; ઓડિશાના યુવક દુખીશ્યામની હત્યા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/ypGj5n9laxYDIXclXxbohtFoo3HqbqKSGn69ejIN.webp'/></item><item><title><![CDATA[Ganesh Mahotsav 2026 : ‘બાપ્પાની ભક્તિ અને સજાવટની ઝલક હવે પહોંચશે કરોડો વાચકો સુધી!’ સંદેશ ડિજિટલ લઈને આવ્યું છે ભક્તો માટે ગોલ્ડન ચાન્સ ]]></title><link>https://sandesh.com/ganeshotsav/news/bhakti/ahmedabad/ganesh-mahotsav-2026-ganpati-photos</link><guid isPermaLink="true">https://sandesh.com/ganeshotsav/news/bhakti/ahmedabad/ganesh-mahotsav-2026-ganpati-photos</guid><pubDate>Wed, 16 Sep 2026 19:16:10 +05:30</pubDate><description><![CDATA[<p>ગણેશ મહોત્સવ 2026ની ઉજવણીને વધુ ખાસ અને યાદગાર બનાવવા માટે સંદેશ ડિજિટલ લઈને આવ્યું છે એક સુંદર તક. હવે તમારા ઘેર કે સોસાયટીમાં પધારેલા ગણપતિ બાપ્પાની સુંદર તસવીરો અને વીડિયો માત્ર તમારા પરિવાર કે સોસાયટી પૂરતા સીમિત નહીં રહે, પરંતુ તેને દુનિયા સુધી પહોંચાડવાની તક મળશે. આ પાવન પર્વે તમારા ગણપતિ દાદાની સુંદર તસવીરો અને વીડિયો સંદેશ ડિજિટલ દ્વારા પ્રકાશિત કરવામાં આવશે. તમારા શ્રીજીની તસવીરો સંદેશ ડિજિટલની વેબસાઇટ sandesh.com તેમજ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ચમકશે. તમારા ઘેર, ફ્લેટમાં કે સોસાયટીમાં પધારેલા શ્રીજીની સુંદર તસવીરો અને વીડિયો અમને મોકલો. સાથે તમારું નામ અને સ્થળ જરૂરથી લખશો, જેથી તમારી તસવીરો યોગ્ય ઓળખ સાથે પ્રકાશિત કરી શકાય. તો આ ગણેશ મહોત્સવમાં તમારા બાપ્પાની ભક્તિ, શ્રદ્ધા અને સુંદર સજાવટની ઝલક દુનિયા સુધી પહોંચાડો. આજે જ તમારા શ્રીજીની તસવીરો અને વીડિયો મોકલો આ નંબર પર---- 9316724216&nbsp;</p><h2><b>એક દંતાય ગ્રુપ સોલાપુરા આણંદ</b></h2><p><img alt="ganpati photos" src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/8PlzcF8W05ADc7kgjngbSzKuZIO8zkvH0Nb2gfX7.webp" style="width: 50%;"><br></p><h2><b>શ્રી સિધ્ધિ વિનાયક ગ્રુપ ડીસા</b></h2><p><img alt="ganpati photos" src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/FQqIgTu6Tee9hbBqTpuwvXD2ShSBD7WroquksCtZ.webp" style="width: 50%;"><br></p><h2><b>માધવ એલાઇટ પરિવારના વિઘ્નહરતા, વડોદરા</b></h2><p><img alt="ganpati photos" src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/WqSqKD2fJr5kYCT6jCPaA4rYtV2VZIhiwoKEkbnJ.webp" style="width: 50%;"></p><h2><b>રાશિ આકાશ પુરોહિત, ડોમ્બિવલી, મુંબઈ</b></h2><p><img alt="ganpati photos" src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/YOVHUE3OfqKrmMp8QgXar3RuHJu1IqI6prCotUfh.webp" style="width: 50%;"><br></p><p></p><h2><b>સિદ્ધાર્થ સ્કાયલાઇન, વાવોલ, ગાંધીનગર</b></h2><h2><img alt="ganpati photos" src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/ctvxCwItyWFupP5wTXXxg0f10PG7pznzbymHMdhD.webp" style="width: 50%;"><b><br></b></h2><h2><b><br></b></h2><h2><b>લીમડાચા રાજા રત્નમણિ કોમ્પ્લેક્સ, ઘીકાંટા, અમદાવાદ</b></h2><h2><img alt="ganpati photos" src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/OqOYZK5p0ulpvFEY3XILsolfcgGzlX5DPAfjGLtc.webp" style="width: 50%;"><b><br></b></h2><h2><b>સદગુરુ સાનિધ્ય ફ્લેટ, ન્યુ મણિનગર, અમદાવાદ</b></h2><div><img alt="ganpati photos" src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/IQry11H7NCFZKKOGPGxCsJmlAmYdY76MvHJ8C9wE.webp" style="width: 50%;"><b><br></b></div><div><b><br></b></div><h2><b>આરંભ વિસ્તાર, ગોતા, અમદાવાદ</b></h2><div><img alt="ganpati photos" src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/bhlMbFWzYbxPww4UMXIDZvkHyA6fGjg7Z1Y0rUKF.webp" style="width: 50%;"><b><br></b></div><div><b><br></b></div><h2><b>હરીઓમ સોસાયટી, કતારગામ, સુરત</b></h2><div><b><br></b></div><div><img alt="ganpati photos" src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/vKSJufpOkNSumpLxhIINhkGRpDxCWmRStt4hpwBq.webp" style="width: 50%;"><b><br></b></div><div><b><br></b></div><h2><b>ઓમ શ્રી સાઈ ગૃપ, બામરોલી રોડ, ઉધના સુરત</b></h2><h2><b><br></b><img alt="ganpati photos" src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/3rcgdpeMcO9a540VrG1tEHuAjSHwSNi96OfB5PNf.webp" style="width: 50%;"></h2><p><br></p><h2><b>ધ્રુમિલ રાજેશભાઈ સાગર, નિકોલ, અમદાવાદ</b></h2><h2><img alt="ganpati photos" src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/s5dXIfR52VUQqBiR85ueN0dPbylXtVdT3XgYTn9D.webp" style="width: 50%;"><b><br></b></h2><h2><b><br></b></h2><h2><b>કૃપાલી , વિશાલ કટકર ,સાયન , મહારાષ્ટ્ર</b></h2><h2><b><br></b></h2><h2><img alt="ganpati photos" src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/l2yfc0ftFQac76E7tGWqoNx66HBCIfGC1T0JSzKX.webp" style="width: 50%;"><b><br></b></h2><h2><b>અંતાણી રામલા ફળિયા, બીલીમોરા</b></h2><h2><img alt="ganpati photos" src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/R2fvYu1pEl1WLGU0ljHxM8YBbbfxT7WmHx4gJgef.webp" style="width: 50%;"><b><br></b></h2><h2><b><br></b></h2><h2><b><br></b></h2><p></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/FDIaQv14CqQLilmvBVQIuLX9kfj5RuSGJCAA84g5.webp'/></item><item><title><![CDATA[Reliance Foundationની મોટી ભેટ, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્‌ને અર્પણ કરી 25 ઇલેક્ટ્રિક બસો અને ચાર્જિંગ સ્ટેશન ]]></title><link>https://sandesh.com/india/news/reliance-foundation-donates-25-electric-buses-to-tirumala-tirupati-devasthanam-tirumala</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/reliance-foundation-donates-25-electric-buses-to-tirumala-tirupati-devasthanam-tirumala</guid><pubDate>Wed, 16 Sep 2026 19:04:30 +05:30</pubDate><description><![CDATA[<p>યાત્રાધામ તિરુમાલા ખાતે લાખો શ્રદ્ધાળુઓની આસ્થા અને પર્યાવરણના જતન માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સખાવતી સંસ્થા રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્‌ (TTD) ને 25 ઇલેક્ટ્રિક બસો અને તેનું સમર્પિત ચાર્જિંગ સ્ટેશન અર્પણ કરવામાં આવ્યું છે. તિરુમાલા ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુના વરદ્ હસ્તે આ ઇલેક્ટ્રિક બસોને વિધિવત્ ફ્લેગ ઓફ કરવામાં આવી હતી.</p><h2><b>અનંત અંબાણીએ કરેલું વચન પાળ્યું</b></h2><p>આગામી સમયમાં તિરુમાલાના પવિત્ર પર્વત-સ્થિત મંદિરે બે મહત્વપૂર્ણ શ્રીવારી બ્રહ્મોત્સવમ્‌ યોજાવાના છે, જેમાં દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. આ મહાપર્વ પૂર્વે જ આ બસો ઉપલબ્ધ થવાથી મુસાફરી વધુ સરળ બનશે. તમને જણાવી દઈએ કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ જૂન 2026માં તિરુમાલાની મુલાકાત દરમિયાન પર્યાવરણને અનુકૂળ પરિવહન વ્યવસ્થા માટે 25 ઇલેક્ટ્રિક બસો આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી, જે આજે સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે.</p><p><img alt="Reliance Foundation Donates 25 Electric Buses to Tirumala Tirupati Devasthanam Before Brahmotsavam " src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/20pgQFSbUg7SkSy3G02EdZNg3io9KBPHOHOiny8u.webp"><br></p><h2><b>ગ્રીન મોબિલિટી અને જૈવવિવિધતાનું સંરક્ષણ</b></h2><p>આ ઇલેક્ટ્રિક બસોના ઉમેરાથી TTDના ગ્રીન મોબિલિટીના પ્રયાસોને વેગ મળશે તેમજ પરંપરાગત ઇંધણવાળા વાહનો પરની નિર્ભરતા ઘટશે. રિલાયન્સ ફાઉન્ડેશને આર્થિક સહયોગ પૂરો પાડ્યો છે, જ્યારે Jio-bp દ્વારા EV ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પોતાની નિપુણતાનું યોગદાન આપવામાં આવ્યું છે. આ પહેલથી તિરુમાલાની સમૃદ્ધ જૈવવિવિધતાના સંરક્ષણમાં પણ મોટો સહારો મળશે.</p><p><img alt="Reliance Foundation Donates 25 Electric Buses to Tirumala Tirupati Devasthanam Before Brahmotsavam " src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/XdgYCEBZk85TTHhLj2le8gnYztbeM8ShvujlPM1b.webp"><img alt="Reliance Foundation Donates 25 Electric Buses to Tirumala Tirupati Devasthanam Before Brahmotsavam " src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/24VwylWLULsyeLmI3fxrngXagLjvRGJVLQFnrjSV.webp"><br></p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/news/crime/surat/surat-govind-dholakia-deepfake-video-cyber-fraud-arrests" target="_blank">Surat : રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાના ડીપફેક વીડિયોથી સાયબર ઠગાઈ કરનારા 2 આરોપી ઝડપાયા</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/URDHnfBg6Ang01O6bUsl7DWQhTaRjlanE2q2l6ac.webp'/></item><item><title><![CDATA[હું તેને ઓળખતો પણ નથી... દિશા સાલિયન કેસમાં આદિત્ય ઠાકરેનું પહેલું નિવેદન ]]></title><link>https://sandesh.com/india/news/entertainment/disha-salian-case-aaditya-thackeray-first-reaction-cbi-fir-bombay-high-court</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/entertainment/disha-salian-case-aaditya-thackeray-first-reaction-cbi-fir-bombay-high-court</guid><pubDate>Wed, 16 Sep 2026 18:50:13 +05:30</pubDate><description><![CDATA[<p>દિશા સાલિયન કેસે મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે. બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ CBI દ્વારા FIR નોંધવામાં આવી ત્યારથી આ મામલો સતત ચર્ચામાં રહ્યો છે. આ કેસના સંદર્ભમાં આદિત્ય ઠાકરેનું નામ વારંવાર સામે આવ્યું છે અને હવે તેમણે પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપતા સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેઓ દિશા સાલિયનને ઓળખતા નથી.</p><p><br></p><p>"હું દિશા સાલિયનને ક્યારેય મળ્યો નથી કે તેમની સાથે મારો કોઈ પરિચય પણ નહોતો. છેલ્લા છ વર્ષોથી, રાજકીય ઈરાદાઓ, અંગત અદાવત અને મારી છબી ખરડવાના (ચરિત્ર હત્યાના) પ્રયાસોને કારણે અમુક લોકો જાણીજોઈને આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના સાથે મારું નામ જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે આ બાબતે કોઈ પણ પુરાવા કે જોડાણ અસ્તિત્વમાં નથી. સત્ય કે હકીકત વિના ચલાવવામાં આવતું આ ખોટું અભિયાન દુર્ભાગ્યપૂર્ણ છે."</p><p><br></p><h4><b>"નવી તપાસ થવી જોઈએ"</b></h4><p>આદિત્ય ઠાકરેએ વધુમાં કહ્યું, "ટીવી ચેનલો પર થતી સનસનીખેજ ચર્ચાઓ અને મીડિયા ટ્રાયલ સત્યને બદલી શકતા નથી. સત્તાવાર એજન્સીઓને અવરોધ, રાજકીય દખલગીરી કે ચરિત્ર હત્યાના પ્રયાસોથી મુક્ત રહીને આ મામલાની નિષ્પક્ષ અને નવી તપાસ કરવાની છૂટ મળવી જોઈએ. હું ફરીથી કહેવા માંગુ છું કે જો કોઈને એમ લાગતું હોય કે તેઓ આવી ચરિત્ર હત્યા અને ખોટા પ્રચાર દ્વારા અમને ચૂપ કરાવી શકે છે, તો તેઓ ભૂલ કરે છે. દેશની જનતાની સાથે રહીને સત્ય માટે અને અન્યાય વિરુદ્ધનો અમારો સંઘર્ષ ચાલુ રહેશે."</p><p><br></p><h4>આ સમગ્ર મામલો શું છે?</h4><p>સુશાંત સિંહ રાજપૂતના ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયનનું 8 જૂન, 2020ના રોજ મુંબઈના મલાડ વિસ્તારમાં આવેલી એક ઈમારતના 14મા માળેથી પડી જવાથી મૃત્યુ થયું હતું. શરૂઆતમાં, મુંબઈ પોલીસે આ ઘટનાને આત્મહત્યા ગણીને 'આકસ્મિક મૃત્યુનો અહેવાલ' (Accidental Death Report) નોંધ્યો હતો. જોકે, બાદમાં બોમ્બે હાઈકોર્ટે CBIને FIR નોંધીને આ કેસની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારથી આ મામલો સતત ચર્ચાના કેન્દ્રમાં રહ્યો છે અને તેમાં ઉદ્ધવ તથા આદિત્ય ઠાકરે સહિતના અનેક દિગ્ગજ નેતાઓના નામ જોડવામાં આવ્યા છે.<br><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/business/upi-payments-charge-above-rs-2000-supreme-court-plea-mdr-framework" target="_blank"><b>UPI ચાર્જને લઈને ઘમાસાણ! સુપ્રીમ કોર્ટ પહોંચ્યો મામલો, 2000થી વધુના મર્ચન્ટ પેમેન્ટ્સ વિરુદ્ધ અરજી દાખલ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/tjX7ComUj3HJXnZAOA5SJoYoU7exP6T5ybdTJPBM.webp'/></item><item><title><![CDATA[Pakistan Currency: પાકિસ્તાન સરકાર 10 રૂપિયાની નોટ ચલણમાંથી બહાર કાઢી સિક્કો લાવવાની તૈયારીમાં ]]></title><link>https://sandesh.com/world/news/business/pakistan-currency-the-pakistan-government-is-preparing-to-withdraw-the-10-rupee-note-from-circulation-and-introduce-coins</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/business/pakistan-currency-the-pakistan-government-is-preparing-to-withdraw-the-10-rupee-note-from-circulation-and-introduce-coins</guid><pubDate>Wed, 16 Sep 2026 18:34:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ચલણના મૂલ્યને ધ્યાનમાં રાખીને, બેંકે સરકારને 10 રૂપિયાની નોટ બંધ કરવાની સલાહ આપી છે. પાકિસ્તાન સરકાર નિર્ણયને અમલમાં લાવશે.&nbsp;</p><h2 style="text-align: justify; ">નોટના સ્થાને સિક્કા&nbsp;</h2><p style="text-align: justify; ">પાકિસ્તાનની સેન્ટ્રલ બેંકે 10 રૂપિયાની નોટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. બેંકના ડેપ્યુટી ગવર્નરે તાજેતરમાં સેનેટ કમિટીને આ અંગે માહિતી આપી હતી. બેંકે જણાવ્યું હતું કે ખર્ચ બચાવવા અને ચલણનું મૂલ્ય વધારવા માટે તે નોટને સિક્કાથી બદલશે. પાકિસ્તાન સરકારના જણાવ્યા અનુસાર, ચલણ છાપવામાં વાર્ષિક 29.6 અબજ રૂપિયાનો ખર્ચ થાય છે. સેન્ટ્રલ બેંકના ડેપ્યુટી ગવર્નર ઇનાયત હુસૈને સમિતિને જણાવ્યું હતું કે 10રૂ.ની નોટ છાપવાથી પાકિસ્તાનને નુકસાન થઈ રહ્યું છે. તેઓ તેને સિક્કાથી બદલવાનું વિચારી રહ્યા છે.</p><h3 style="text-align: justify; ">પાકિસ્તાન કેમ અમલ લાવશે નિર્ણય ?&nbsp;</h3><p style="text-align: justify; ">પાકિસ્તાનની સેન્ટ્રલ બેંકના ભૂતપૂર્વ ગવર્નર સલીમ રઝાના મતે, ચલણના મૂલ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, સેન્ટ્રલ બેંકે 10 રૂપિયાની નોટના નોટબંધી અંગે સત્તાવાર રીતે કંઈ જણાવ્યું નથી. રઝા કહે છે કે, જ્યારે ચલણનું મૂલ્ય ઘટે છે. ત્યારે નાની નોટોનું મૂલ્ય પણ ઘટે છે અને તેમની સાથે કંઈ ખરીદી શકાતું નથી. મતલબ કે, તેમની કોઈ કિંમત બાકી નથી. ભૂતપૂર્વ ગવર્નર રઝા કહે છે કે હાલમાં, પાકિસ્તાની 10 રૂપિયાની નોટનું કોઈ મૂલ્ય નથી. તેનું મૂલ્ય ખૂબ જ ઓછું છે.</p><h4 style="text-align: justify; ">અગાઉ પણ અમુક નોટ થઇ ચુકી બંધ&nbsp;</h4><p style="text-align: justify; ">પાકિસ્તાને 1,2 અને 5 રૂપિયાની નોટો પહેલાથી જ બંધ કરી છે. શરૂઆતમાં તેમને બદલવા માટે સિક્કા રજૂ કરાયા હતા. પરંતુ પછીથી, સિક્કા પણ બજારમાંથી ગાયબ થયા હતા. હવે, પાકિસ્તાનમાં 1,2 અથવા 5ના સિક્કા જોવા મળતા નથી. આંતરરાષ્ટ્રીય ચલણ બજાર અનુસાર, ભારતમાં 10 પાકિસ્તાની રૂપિયાનું મૂલ્ય 3.46 રૂપિયા જેટલું છે એક કેન્ડી ટોફી 10 રૂપિયામાં વેચાઈ રહી છે. એક બિસ્કિટની ન્યૂનતમ કિંમત 40 રૂપિયા છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/lifestyle/news/health-fitness/body-hydration-along-with-water-balance-of-these-5-electrolytes-in-the-body-is-also-necessary-know-what-the-doctor-says" target="_blank">પાણીની સાથે શરીરમાં આ 5 ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન પણ જરૂરી, જાણો શુ કહે છે તબીબ?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/Qd8ojAKeJ646eaeCnPJbvYQ2stlYgOphcocpQEIL.webp'/></item><item><title><![CDATA[પાકિસ્તાનની ટીમ ભારત આવશે! એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં જામશે ભારત-પાક જંગ ]]></title><link>https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</guid><pubDate>Mon, 14 Sep 2026 15:47:21 +05:30</pubDate><description><![CDATA[<p>આવતા મહિને પાકિસ્તાનની હોકી ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે. 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન પંજાબમાં યોજાનારી AHF મેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026માં પાકિસ્તાન સહિત કુલ છ ટીમો ભાગ લેશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પાકિસ્તાનની ભાગીદારી અંગેની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, મલ્ટી-નેશનલ ઇવેન્ટ્સ અંગે કેન્દ્ર સરકારની નીતિ હેઠળ બંને દેશોની ટીમો આમને-સામને રમશે.</p><h2><b>ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જાલંધરમાં રમાશે</b></h2><p>એશિયન મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન થશે. આ ટૂર્નામેન્ટમાં યજમાન ભારત અને પાકિસ્તાન ઉપરાંત ચીન, જાપાન, મલેશિયા અને કોરિયાની પણ ભાગ લેશે. લીગ સ્ટેજના મુકાબલા જાલંધરમાં યોજાશે, જ્યારે સેમિફાઇનલ અને ફાઇનલ મેચ મોહાલીના હોકી સ્ટેડિયમમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 1 નવેમ્બરે જાલંધરમાં રમાશે. કોઈ ટીમ છેલ્લી ઘડીએ ખસી જાય તો તે સ્થિતિ માટે ઓમાન અને બાંગ્લાદેશને રિઝર્વ ટીમન તરીકે રાખવામી આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PTI_News/status/2099416960278868155"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમવામાં કોઈ મુશ્કેલી નથી</b></h2><p>પાકિસ્તાનની ભાગીદારી અને જરૂરી મંજૂરીઓ અંગે પંજાબના મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં બંને દેશો વચ્ચે રમવામાં કોઈ મુશ્કેલી નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝનું આયોજન અલગ બાબત છે, કારણ કે કેન્દ્ર સરકારની વર્તમાન નીતિ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય રમત-ગમતના આયોજનની મંજૂરી આપતી નથી. પરંતુ મલ્ટી-નેશનલ ટૂર્નામેન્ટમાં બંને દેશોના ખેલાડીઓને એકબીજા સામે રમવાની પરવાનગી છે, જેથી પાકિસ્તાની ટીમ ભારત આવી શકશે.</p><h2><b>ભારત વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે</b></h2><p>ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. ભારતે 2023માં ચેન્નાઈ અને 2024માં ચીનના હુલુનબુઈરમાં યોજાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ગત વર્ષે આ સ્પર્ધા યોજાઈ શકી નહોતી. હવે પંજાબ પ્રથમ વખત આ ટૂર્નામેન્ટની મેજબાની કરવા જઈ રહ્યું છે.</p><h2><b>અગાઉ પાકિસ્તાની ટીમે ના કહી હતી&nbsp;</b></h2><p>પાકિસ્તાનની આ વખતની ભાગીદારી એટલા માટે પણ ખાસ છે, કારણ કે ગત વર્ષે તેણે તમિલનાડુમાં આયોજિત જૂનિયર હોકી વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તે સમયે બંને દેશો વચ્ચેના તણાવને તેનું કારણ ગણાવવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે અને પાકિસ્તાની ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે પૂરી રીતે તૈયાર છે.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/V6jwdiIr9RTCvR6EyBaGsP2qfZvYLq2JfkL7pytm.webp'/></item></channel></rss>