<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Delhi : સ્વતંત્રતા દિવસ પહેલા ભવ્ય તિરંગા યાત્રા, ઈન્ડિયા ગેટથી કર્તવ્ય પથ સુધી ગુંજ્યા 'ભારત માતા કી જય'ના નારા ]]></title><link>https://sandesh.com/india/news/delhi-tiranga-yatra-india-gate-kartavya-path-independence-day</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/delhi-tiranga-yatra-india-gate-kartavya-path-independence-day</guid><pubDate>Thu, 13 Aug 2026 18:45:57 +05:30</pubDate><description><![CDATA[<p>દિલ્હીમાં સ્વતંત્રતા દિવસ પહેલા દેશભક્તિનો માહોલ જોવા મળ્યો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન અને દિલ્હી મુખ્યમંત્રી રેખા ગુપ્તાની આગેવાનીમાં ઈન્ડિયા ગેટથી કર્તવ્ય પથ સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. મોટી સંખ્યામાં યુવાનો, સામાન્ય નાગરિકો અને ભાજપના કાર્યકરોએ હાથમાં તિરંગો લઈને યાત્રામાં ભાગ લીધો. આ દરમિયાન 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ'ના નારાથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/NitinNabin/status/2087545407073358276"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>ભાજપ અધ્યક્ષે કહ્યું કે 'દેશને આગળ લઈ જવામાં યુવાનોની મહત્વપૂર્ણ ભૂમિકા'</b></h2><p>મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ તિરંગાના મહત્વ વિશે વાત કરતાં જણાવ્યું કે તિરંગો માત્ર એક ધ્વજ નથી, પરંતુ દેશની એકતા, સન્માન, સ્વતંત્રતા અને વીર શહીદોની કુરબાનીનું પ્રતીક છે. તેમણે દિલ્હીના લોકોને 'હર ઘર તિરંગા' અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાવા અને સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા અપીલ કરી હતી.</p><p>યાત્રા બાદ સભાને સંબોધતા ભાજપ અધ્યક્ષ નિતિન નવીને કહ્યું કે દેશને આગળ લઈ જવામાં યુવાનોની મહત્વપૂર્ણ ભૂમિકા છે. તેમણે યુવાનોને 2047 સુધી ભારતને વિકસિત અને વિશ્વમાં મજબૂત દેશ બનાવવા માટે યોગદાન આપવા અપીલ કરી હતી. તેમણે લોકોને 13થી 15 ઓગસ્ટ સુધી 'હર ઘર તિરંગા' અભિયાનમાં જોડાવા, પોતાના ઘરો પર તિરંગો ફરકાવવા અને તિરંગા સાથે સેલ્ફી લઈને દેશના વિકાસમાં યોગદાન આપવાનો સંકલ્પ લેવા જણાવ્યું.</p><h3><b>'વંદે માતરમ'ના 150 વર્ષ પૂર્ણ</b></h3><p>નિતિન નવીને કાશ્મીરનો ઉલ્લેખ કરતાં કહ્યું કે કલમ 370 હટાવ્યા બાદ આજે કાશ્મીરમાં તિરંગો સમગ્ર સન્માન સાથે લહેરાઈ રહ્યો છે. આ વર્ષે સ્વતંત્રતા દિવસની સાથે 'વંદે માતરમ'ના 150 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગનો પણ તેમણે ઉલ્લેખ કર્યો. યાત્રામાં કેન્દ્રીય મંત્રી હર્ષ મલ્હોત્રા સહિત દિલ્હી સરકારના મંત્રીઓ અને ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.</p><p><b><a href="https://sandesh.com/india/news/business/dabur-emami-trade-dress-dispute-stock-sale-september-30" target="_blank">આ પણ વાંચો : Emami સાથે ટ્રેડ ડ્રેસ વિવાદ વચ્ચે ડાબરને રાહત, હાજર સ્ટોકને 30 સપ્ટેમ્બર સુધી વેચી શકશે</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/dleb4Zg9j0p3aNofVLYLdn0Fgn9vO7AbSIJbAEbx.webp'/></item><item><title><![CDATA[DGCA Rule:પાઇલટનો ડોપ ટેસ્ટ પોઝિટિવ આવવા પર શું સજા મળે છે? શું છે DGCAનો નિયમ ]]></title><link>https://sandesh.com/india/news/air-india-pilot-drug-test-positive--what-are-dgca-rules-for-pilots-</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/air-india-pilot-drug-test-positive--what-are-dgca-rules-for-pilots-</guid><pubDate>Thu, 13 Aug 2026 18:41:26 +05:30</pubDate><description><![CDATA[<p>DGCA Rule: 4 ઓગસ્ટના રોજ એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટના પાઇલટનો ગાંજો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ફ્લાઇટમાં મુસાફરી દરમિયાન ભારે અશાંતિનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટનાએ પાઇલટ્સ માટે ડ્રગ ટેસ્ટિંગ પ્રોટોકોલ અને પોઝિટિવ પરિણામ પછી લેવામાં આવેલી કાર્યવાહી અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.</p><p><br></p><h4><b>શું દરેક ફ્લાઇટ પહેલાં ડ્રગ ટેસ્ટ કરવામાં આવે છે?</b></h4><p>ના. ડ્રગ ટેસ્ટિંગ અને આલ્કોહોલ બ્રેથલાઇઝર ટેસ્ટ અલગ પ્રક્રિયાઓ છે. એરલાઇન્સ અને એર નેવિગેશન સર્વિસ પ્રોવાઇડર્સને વાર્ષિક ધોરણે તેમના ફ્લાઇટ ક્રૂ અને એર ટ્રાફિક કંટ્રોલર્સના ઓછામાં ઓછા 10 ટકા પર રેન્ડમ ડ્રગ ટેસ્ટ કરાવવા ફરજિયાત છે. દરેક ફ્લાઇટ પહેલાં આવા પરીક્ષણ નિયમિતપણે કરવામાં આવતા નથી.</p><p><br></p><h4><b>તપાસમાં કયા ડ્રગ્સની તપાસ થાય છે?</b></h4><p>ટેસ્ટમાં એમ્ફેટામાઇન્સ, કેનાબીસ (ગાંજો), કોકેન, ઓપિએટ્સ, બાર્બિટ્યુરેટ્સ અને બેન્ઝોડિયાઝેપાઇન્સ જેવા સાયકોએક્ટિવ પદાર્થો માટે સ્ક્રીનીંગ કરે છે.</p><p><br></p><h4><b>શું 'નોન-નેગેટિવ'નો મતલબ ડ્રગ લેતા હશે?</b></h4><p>ના. જો પ્રારંભિક સ્ક્રીનીંગ ડ્રગની હાજરી સૂચવે છે તો રિપોર્ટને 'નોન-નેગેટિવ' તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. ત્યારબાદ, પોઝિટિવ પરિણામ ચકાસવા માટે સેમ્પલનું કન્ફર્મેટરી ટેસ્ટ કરાવવામાં આવે છે.&nbsp;</p><p><br></p><h4><b>જો પહેલી વાર પુષ્ટિકરણ પરીક્ષણ સકારાત્મક આવે તો શું થાય છે?</b></h4><p>પાઇલટને ડૉક્ટર, કાઉન્સેલર અથવા વ્યસન મુક્તિ અને પુનર્વસન કેન્દ્રમાં મોકલવામાં આવે છે. તેઓ પછીના ડ્રગ પરીક્ષણમાં નકારાત્મક પરીક્ષણ અને તબીબી ફિટનેસ પ્રમાણપત્ર મેળવ્યા પછી જ ફરજ પર પાછા ફરી શકે છે.પોઝિટિવ કેસોની જાણ 24 કલાકની અંદર DGCA ને કરવી આવશ્યક છે.</p><p><br></p><h4><b>બીજી કે ત્રીજી વાર સકારાત્મક પરિણામો માટે દંડ</b></h4><p>જો કોઈ પાઇલટ પુનર્વસનમાંથી પાછા ફર્યા પછી બીજી વાર પુષ્ટિકરણ પરીક્ષણમાં પોઝિટિવ આવે છે, તો તેમનું લાઇસન્સ ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે. ત્રીજી વાર સકારાત્મક પરિણામ લાઇસન્સ કાયમી ધોરણે રદ કરી શકે છે.</p><p><br></p><h4><b>જો કોઈ પાઇલટ ટેસ્ટ કરાવવાનો ઇનકાર કરે તો શું?</b></h4><p>તેમને તાત્કાલિક ફરજ પરથી દૂર કરવામાં આવે છે. 48 કલાકની અંદર ટેસ્ટ પાસ કરવામાં નિષ્ફળતાના પરિણામે તેમનું લાઇસન્સ એક વર્ષ માટે સસ્પેન્ડ થઈ શકે છે. બીજી વાર ઇનકાર કરવા પર ત્રણ વર્ષના સસ્પેન્શન અને વધુ ઉલ્લંઘનના કિસ્સામાં લાઇસન્સ રદ કરવાની જોગવાઈ છે. ઉડ્ડયન સલામતી સુનિશ્ચિત કરવા માટે આ નિયમો બનાવવામાં આવ્યા છે.</p><p><br></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/G5rU3jn9xIvFN3fEmcP5Ql0IiKox1Q07DF3BTUZe.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના નારણપુરામાં મકાનની છતના પોપડા પડ્યા, મોટી દુર્ઘટના ટળી ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/roof-of-a-building-collapses-in-naranpura-ahmedabad-major-tragedy-averted</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/roof-of-a-building-collapses-in-naranpura-ahmedabad-major-tragedy-averted</guid><pubDate>Thu, 13 Aug 2026 18:41:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા નારાણપુરા સ્થિત શ્રદ્ધા દીપ સોસાયટીમાં મકાનની છતના પોપડા ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. અચાનક મોટો અવાજ સાથે છતમાંથી પ્લાસ્ટર અને કોંક્રીટના પોપડા નીચે પડતાં સોસાયટીના રહીશોમાં ક્ષણભર માટે ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.</p><h2 style="text-align: justify; "><b>જૂના બાંધકામને કારણે સળિયા સડી ગયા</b></h2><p style="text-align: justify; ">ઘટનાની વિગતો અનુસાર, આ સોસાયટીના મકાનો ખૂબ જ જૂના બાંધકામ ધરાવે છે. લાંબા સમયથી યોગ્ય જાળવણીના અભાવે અને મકાન જૂનું થઈ ગયું હોવાથી છતના આંતરિક લોખંડના સળિયા પણ ભારે સડી ગયેલી અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળ્યા છે. આ જર્જરિત સ્થિતિને કારણે જ છતનો કેટલોક ભાગ અચાનક તૂટી પડ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>સદનસીબે કોઈ જાનહાની નહીં</b></h2><p style="text-align: justify; ">છતના ભારે પોપડા નીચે પડ્યા તે સમયે સદનસીબે નીચે કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી હોનારત ટળી હતી અને કોઈ જાનહાની નોંધાઈ નથી, જેથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, આ ઘટનાને પગલે સોસાયટીમાં આવેલા અન્ય જૂના અને જર્જરિત મકાનોની સલામતી સામે પણ મોટા પ્રશ્નાર્થચિહ્નો ઊભા થયા છે, જેને લઈને રહીશોમાં ચિંતા વ્યાપી ગઈ છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/junagadh/strict-action-against-saboteur-policemen-in-junagadh-5-d-staff-personnel-transferred-immediately" target="_blank">Junagadhમાં તોડબાજ પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી, ડી-સ્ટાફના 5 કર્મીઓની તાત્કાલિક બદલી</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/34sA4TIi1vJuQwc0tLKYPpKomqimFgnxwmSTebhw.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સૂચના બાદ AMC એક્શનમાં, બોપલમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ માસ્ટર પ્લાન તૈયાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-prepares-storm-water-drainage-master-plan-for-bopal</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-prepares-storm-water-drainage-master-plan-for-bopal</guid><pubDate>Thu, 13 Aug 2026 18:33:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહે અમદાવાદ ખાતે 18 ઇંચ જેટલા પડેલા વરસાદના પગલે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ  આંબલી,બોપલ,ઘુમા સહિતના વિસ્તારોમાં સર્જાયેલ જળભરાવની સમસ્યાનાની ગંભીર નોંધ લઈ આ અંગે કાયમી અને આયોજનબદ્ધ ઉકેલ લાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, એ.એમ.સી. મેયર અને મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને ભલામણ કરી હતી.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ઝોનવાર સ્ટોર્મ વોટર ડ્રેનેજ માસ્ટર પ્લાન તૈયાર</b></h2><p style="text-align: justify; ">તાજેતરમાં અમદાવાદમાં એકસાથે પડેલા 18 ઇંચ જેટલા ભારે વરસાદના કારણે આંબલી,બોપલ,ઘુમા, શેલા વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા સામે આવી હતી. વર્ષ 2021માં આ વિસ્તારોનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવિષ્ટ થયો હતો.વિસ્તારની ભૌગોલિક સ્થિતિ અને અગાઉ સ્ટોર્મ વોટર ડ્રેનેજ નેટવર્કનો અભાવને કારણે ભારે વરસાદ દરમિયાન જળભરાવની સમસ્યા સર્જાઈ હતી.આ સંદર્ભમાં અમિત શાહે આપેલ સીધી સૂચનાના જવાબમાં એએમસી દ્વારા સમગ્ર વિસ્તારમાં હાઇડ્રોલોજિકલ અભ્યાસ કરી ઝોનવાર સ્ટોર્મ વોટર ડ્રેનેજ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>&nbsp;ડ્રેનેજ નેટવર્ક ઉપલબ્ધ નથી ત્યાં નવું નેટવર્ક ઊભું કરાશે</b></h3><p style="text-align: justify; ">આ માસ્ટર પ્લાન અંતર્ગત જ્યાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ નેટવર્ક ઉપલબ્ધ નથી ત્યાં નવું નેટવર્ક ઊભું કરવા, વોટર લોગિંગ સ્પોટ દૂર કરવા તેમજ વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે જરૂરી સ્ટોર્મ વોટર લાઈનો,ઇન્ટર-કનેક્શન અને આઉટફોલ સહિતની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વધતા શહેરીકરણને ધ્યાનમાં રાખીને ગોતા–ગોધાવી કેનાલ તથા સાબરમતી નદી સાથેની નિકાલ વ્યવસ્થા સહિતના લાંબા ગાળાના ઉકેલને પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.અમિત શાહની સૂચના અને ભલામણના પ્રતિસાદમાં એ.એમ.સી.દ્વારા આંબલી, બોપલ, ઘુમા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીના જળભરાવની સમસ્યાના કાયમી નિવારણને અગ્રતા આપી કરાયેલ આયોજનબદ્ધ અને સમયબદ્ધ કાર્યવાહી આગામી સમયમાં ભારે વરસાદ દરમિયાન જળભરાવની સમસ્યામાં નાગરિકોને રાહત મળે તે દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/vadodara/vadodara-news-cloudy-weather-for-the-third-consecutive-day-in-shinor-panthak-happiness-among-farmers" target="_blank">આ પણ વાંચોઃ Vadodara News : શિનોર પંથકમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર, ખેડૂતોમાં ખુશી</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/uL0ipgfMczRcHvCzf1s2n7Ug5xofM6oOYN4GDGP8.webp'/></item><item><title><![CDATA[Tata Group Owner: ટાટા ગ્રુપના વાસ્તવિક માલિક કોણ અને ક્યાં વપરાય છે કરોડોની કમાણી?, જાણો ]]></title><link>https://sandesh.com/business/news/india/tata-group-owner-who-is-the-real-owner-of-tata-group-and-where-is-the-income-of-crores-used-know</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/tata-group-owner-who-is-the-real-owner-of-tata-group-and-where-is-the-income-of-crores-used-know</guid><pubDate>Thu, 13 Aug 2026 18:28:43 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ટ્રસ્ટની આવક સમાજના કલ્યાણ માટે ખર્ચવામાં આવે છે. ચેરિટેબલ ટ્રસ્ટ ટાટા સન્સના લગભગ 66% શેર ધરાવે છે.</p><h2 style="text-align: justify; ">કૌટુંબિક વ્યવસાયોથી અલગ</h2><p style="text-align: justify; ">ટાટા ગ્રુપને ભારતના સૌથી મોટા અને સૌથી વિશ્વસનીય બિઝનેસ ગ્રુપોમાંનું એક માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ટાટા ગ્રુપ કોઈ એક વ્યક્તિ કે ટાટા પરિવારના સભ્યની માલિકીનું નથી? ટાટા સન્સ ટાટા ગ્રુપની પ્રાથમિક હોલ્ડિંગ કંપની છે. ટાટા સન્સમાં સૌથી મોટો હિસ્સો ટાટા પરિવાર દ્વારા સ્થાપિત અનેક ચેરિટેબલ ટ્રસ્ટ પાસે છે. ચેરિટેબલ ટ્રસ્ટ ટાટા સન્સના લગભગ 66% શેર ધરાવે છે. આ ટ્રસ્ટ શિક્ષણ, આરોગ્ય, રોજગાર, આજીવિકા અને કલા અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રોમાં કાર્ય કરે છે.&nbsp;</p><h3 style="text-align: justify; ">સૌથી મોટા શેરધારકો કોણ ?</h3><p style="text-align: justify; ">ટાટા સન્સના બે સૌથી મોટા શેરધારકો સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટ છે. એકસાથે, આ ટ્રસ્ટો ટાટા સન્સમાં 51.54% હિસ્સો ધરાવે છે. 51%થી વધુ હિસ્સા સાથે, આ ટ્રસ્ટો ટાટા સન્સમાં સ્પષ્ટ બહુમતી ધરાવે છે. વધુમાં, ટાટા પરિવાર સાથે સંકળાયેલા અન્ય ચેરિટેબલ ટ્રસ્ટો પણ ટાટા સન્સમાં હિસ્સો ધરાવે છે. એકસાથે, આ ટ્રસ્ટો કુલ આશરે 66% હિસ્સો ધરાવે છે. આ ટ્રસ્ટો દ્વારા રાખવામાં આવેલા શેર કોઈ એક વ્યક્તિની વ્યક્તિગત મિલકત નથી; ટ્રસ્ટનું ટ્રસ્ટી મંડળ તેમના અંગે નિર્ણયો લે છે.</p><h4 style="text-align: justify; ">શું નોએલ ટાટા ટાટા સન્સના માલિક ?</h4><p style="text-align: justify; ">વારંવાર પૂછાતો પ્રશ્ન એ છે કે શું ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટા ટાટા સન્સમાં શેર ધરાવે છે. જવાબ ના છે. નોએલ ટાટા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવેલા શેર વ્યક્તિગત રીતે ધરાવતા નથી. આ શેર સંબંધિત ટ્રસ્ટના નામે રાખવામાં આવે છે, અને તેમના અંગેના નિર્ણયો ટ્રસ્ટના ટ્રસ્ટી બોર્ડ દ્વારા લેવામાં આવે છે. ટાટા ટ્રસ્ટ એ છત્ર માળખું છે જેના હેઠળ ટાટા પરિવાર સાથે સંકળાયેલા મુખ્ય ચેરિટેબલ ટ્રસ્ટ કાર્ય કરે છે.</p><h5 style="text-align: justify; ">ટાટા ગ્રુપમાં ટાટા સન્સની ભૂમિકા&nbsp;</h5><p style="text-align: justify; ">ટાટા સન્સ ટાટા ગ્રુપના હૃદયમાં પ્રાથમિક રોકાણ અને હોલ્ડિંગ કંપની છે. તેને જૂથની પ્રાથમિક પ્રમોટર કંપની તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણી મોટી કંપનીઓ તેના છત્ર જૂથમાં કાર્ય કરે છે, દરેકનું પોતાનું બોર્ડ અને મેનેજમેન્ટ છે. આનો અર્થ એ છે કે દરેક ટાટા ગ્રુપ કંપનીના રોજિંદા કામકાજ સીધા એક પણ ટાટા પરિવારના સભ્ય દ્વારા ચલાવવામાં આવતા નથી. એમકે ટાટા ટ્રસ્ટ ટાટા સન્સના શેર ધરાવતા ટ્રસ્ટોમાંનો એક છે. ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલના 2024ના નિર્ણય મુજબ, આ ટ્રસ્ટ ટાટા સન્સના 2,421 શેર ધરાવે છે. 1959માં જ્યારે તેની રચના કરવામાં આવી ત્યારે આ શેર ટ્રસ્ટમાં તેની પ્રારંભિક સંપત્તિ અથવા ભંડોળ તરીકે મૂકવામાં આવ્યા હતા.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ તુ<a href="https://sandesh.com/world/news/threat-of-attack-on-donald-trumps-plane-in-turkey-why-was-marco-rubio-put-on-the-same-plane" target="_blank">ર્કીમાં Donald Trumpના વિમાન પર હુમલાનો ખતરો, Marco Rubioને કેમ એ જ પ્લેનમાં રખાયા?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/M41yj2XgJlUosmbgofraESoKrdmvPyETXXMI4yJv.webp'/></item><item><title><![CDATA[Bollywood : રિલીઝ પહેલાં જ રચ્યો ઈતિહાસ! આવારાપન 2એ એડવાન્સ બુકિંગમાં તોડ્યો ભાગ-1ની કુલ કમાણીનો રેકોર્ડ ]]></title><link>https://sandesh.com/entertainment/news/awarapan-2-advance-booking-part-1-record</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/awarapan-2-advance-booking-part-1-record</guid><pubDate>Thu, 13 Aug 2026 18:09:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઇમરાન હાશમીની 2007માં આવેલી ફિલ્મ આવારાપનને આજે ભલે ક્લાસિક ફિલ્મ માનવામાં આવે છે, પરંતુ રિલીઝ સમયે તે બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી. તે સમયે ફિલ્મે પોતાના સમગ્ર સમયગાળામાં માત્ર 7.7 કરોડની કમાણી કરી હતી. જોકે સમય જતાં કેબલ, ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા આ ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો અને તે એક કલ્ટ ફિલ્મ બની ગઈ. વર્ષો પછી તેની લોકપ્રિયતાનો સીધો ફાયદો હવે તેની સિક્વલને મળી રહ્યો છે, જે આ વીકએન્ડે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.</p><h2 style="text-align: justify; "><b>એડવાન્સ બુકિંગમાં બનાવ્યો નવો રેકોર્ડ</b></h2><p style="text-align: justify; ">આવારાપન 2ની એડવાન્સ બુકિંગ રિલીઝના માત્ર 48 કલાક પહેલાં શરૂ કરવામાં આવી હતી, પરંતુ દર્શકોના જબરદસ્ત ઉત્સાહને કારણે તેને શાનદાર શરૂઆત મળી. રિલીઝના બરાબર એક દિવસ પહેલાં સુધી ફિલ્મની પહેલા દિવસની 1.3 લાખથી વધુ ટિકિટ વેચાઈ ચૂકી હતી. એડવાન્સ બુકિંગ દ્વારા જ ફિલ્મ પહેલા દિવસ માટે લગભગ 4 કરોડનું ગ્રોસ કલેક્શન કરી ચૂકી છે. જો સમગ્ર ઓપનિંગ વીકએન્ડના એડવાન્સ બુકિંગના આંકડા જોવામાં આવે તો આ આંકડો 9 કરોડ ગ્રોસથી પણ વધારે થઈ ગયો છે. આ રીતે ફિલ્મ રિલીઝ પહેલાં જ તેના પહેલા ભાગની કુલ કમાણીથી આગળ નીકળી ગઈ છે.</p><h3 style="text-align: justify; "><b>બોક્સ ઓફિસ કલેક્શનનો નવો રેકોર્ડ</b></h3><p style="text-align: justify; ">2007માં રિલીઝ થયેલી આવારાપન એ પહેલા દિવસે 79 લાખની કમાણી કરી હતી અને પહેલા વીકએન્ડમાં માત્ર 2.88 કરોડનું કલેક્શન કર્યું હતું. તેની સામે આવારાપન 2 ઇમરાન હાશમીની કારકિર્દીની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ મેળવનારી ફિલ્મ બનવાની દિશામાં આગળ વધી રહી છે. બોક્સ ઓફિસ નિષ્ણાતોના અનુમાન મુજબ આ ફિલ્મ પહેલા જ દિવસે 15 થી 20 કરોડ વચ્ચેનું શાનદાર નેટ કલેક્શન કરી શકે છે. આ ઉપરાંત દુનિયાભરના સિનેમાઘરોમાં પહેલા વીકએન્ડ દરમિયાન જ ફિલ્મ 100 કરોડનો આંકડો પાર કરી શકે છે, જે તેના પહેલા ભાગની કુલ કમાણી કરતાં અનેક ગણી વધારે છે.</p><h4 style="text-align: justify; "><b>બોક્સ ઓફિસ પર ટક્કર અને સ્ટારકાસ્ટ</b></h4><p style="text-align: justify; ">આ શુક્રવારે બોક્સ ઓફિસ પર આવારાપન 2ની સીધી ટક્કર સની દેઓલની ફિલ્મ બંટવારા 1947 સાથે થઈ રહી છે. જોકે હાલના ટ્રેન્ડ અને એડવાન્સ બુકિંગના આંકડા જોતા ટ્રેડ વિશ્લેષકોનું માનવું છે કે આ મુકાબલામાં આવારાપન 2 ઘણી આગળ નીકળી શકે છે. નિતિન કક્કડના દિગ્દર્શન અને વિશેષ ભટ્ટના નિર્માણમાં બનેલી આ ફિલ્મમાં ઇમરાન હાશમી ફરી એકવાર પોતાના લોકપ્રિય પાત્ર શિવમ પંડિત તરીકે પરત ફરી રહ્યા છે. ફિલ્મમાં તેમની સાથે શબાના આઝમી, દિશા પટણી અને સુવિંદર વિક્કી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ મોસ્ટ અવેટેડ ફિલ્મ 14 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/munawar-faruqui-the-traitors-2-exit-crying-video" target="_blank">આ પણ વાંચો-The Traitors 2માંથી બહાર થયો મુનાવર ફારુકી! રડતાં રડતાં બાકી કન્ટેસ્ટેન્ટ સંભળાવી ખરીખોટી!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/xtmYEBpgQaFavCvHpmLH220UG3bUcjBApPnz5ciO.webp'/></item><item><title><![CDATA[વાંચો બપોરે 03થી સાંજે 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-03-pm-to-06-pm-13-august-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-03-pm-to-06-pm-13-august-2026</guid><pubDate>Thu, 13 Aug 2026 17:57:16 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર<br></b></p><p><a href="https://sandesh.com/world/news/how-strong-is-al-qaedas-network-in-indias-neighboring-countries-a-shocking-revelation-in-the-unsc-report" target="_blank"><b>1. ભારતના પડોશી દેશોમાં કેટલું મજબૂત છે Al Qaedaનું નેટવર્ક? UNSC રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો!</b></a></p><p><a href="https://sandesh.com/entertainment/news/border-2-unfinished-rakhi-song-brother-sister" target="_blank"><b>2. Border 2નું એ ગીત જે આજે પણ છે અધૂરું, ભાઈ-બહેનની રાખડીવાળી લાઈનો તમને કરી દેશે ઈમોશનલ!</b></a></p><p><a href="https://sandesh.com/cricket/news/india-vs-sri-lanka-1st-test-galle-2026" target="_blank"><b>3. Team India માટે સારા સમાચાર, હાર્દિક પંડ્યા કમબેક માટે છે તૈયાર</b></a></p><p><a href="https://sandesh.com/india/news/chicken-neck-fourth-railway-line-northeast-india-connectivity" target="_blank"><b>4. 'Chicken Neck'માં હવે ચોથી રેલવે લાઈનને મંજૂરી, પૂર્વોત્તર ભારત સાથે કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે</b></a></p><p><a href="https://sandesh.com/entertainment/news/shah-rukh-khan-google-gemini-face-prediction" target="_blank"><b>5. Google AI : 8 મહિના પહેલાં થયેલી ભવિષ્યવાણી સાચી પડી! Google Geminiનો ચહેરો બન્યા શાહરૂખ ખાન</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/crime/gandhinagar/3-cyber-fraudsters-arrested-for-126-fake-websites-targeting-21985-people" target="_blank"><b>6. Gandhinagar News : 126 બોગસ વેબસાઇટ બનાવી દેશના 21 હજારથી વધુ લોકોને ઠગનારા 3 આરોપીઓ ઝડપાયા</b></a></p><p><a href="https://sandesh.com/india/news/business/dabur-emami-trade-dress-dispute-stock-sale-september-30" target="_blank"><b>7. Emami સાથે ટ્રેડ ડ્રેસ વિવાદ વચ્ચે ડાબરને રાહત, હાજર સ્ટોકને 30 સપ્ટેમ્બર સુધી વેચી શકશે</b></a></p><p><a href="https://sandesh.com/cricket/news/india-pakistan-asian-games-2026-cricket" target="_blank"><b>8. India Vs Pakistanની એશિયન ગેમ્સ 2026માં ટક્કર થવી મુશ્કેલ, જાણો કારણ</b></a></p><p><a href="https://sandesh.com/india/news/ayodhya-ram-temple-priests-uniform-dress-code-august-15" target="_blank"><b>9. Ayodhya : રામ મંદિરમાં 15 ઓગસ્ટથી પૂજારીઓ માટે નવો ડ્રેસ કોડ, પીળા રેશમી વસ્ત્રમાં દેખાશે પૂજારી</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/crime-against-husband-in-suicide-case-of-17-year-old-girl-in-narol-ahmedabad-video-becomes-important-evidence" target="_blank"><b>10. Ahmedabadના નારોલમાં 17 વર્ષની સગીરાના આપઘાત કેસમાં પતિ સામે ગુનો, વીડિયો બન્યો મહત્વનો પુરાવો</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/05/30/ci0PwfUyHcao4H4ziwpdhMLnO6QMfKyI3jwCPvfh.webp'/></item><item><title><![CDATA[Sabarkantha News: ઈડરની હસનપુરા શાળામાં ભોજનમાંથી મૃત ગરોળી મળવાના કેસમાં શિક્ષક સસ્પેન્ડ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/idar/teacher-suspended-after-dead-lizard-found-in-mid-day-meal</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/idar/teacher-suspended-after-dead-lizard-found-in-mid-day-meal</guid><pubDate>Thu, 13 Aug 2026 17:30:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઈડર તાલુકાના હસનપુરા સ્થિત પ્રાથમિક શાળામાં પોષણ યોજના હેઠળ પીરસવામાં આવેલા ભોજનમાંથી મૃત ગરોળી મળી આવવાની અને ત્યારબાદ ફુડ પોઈઝનિંગની ઘટના સામે આવતા જ વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે.આ ગંભીર બેદરકારી બદલ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરીને શાળાના શિક્ષકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.જ્યારે પોષણ યોજના સાથે જોડાયેલા 3 કર્મચારીઓને ફરજમુક્ત કરી દેવામાં આવ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>શાળાના શિક્ષક સસ્પેન્ડ, રસોઈયા સહિત 3 કર્મચારી ફરજમુક્ત</b></h2><p style="text-align: justify; ">ફુડ પોઈઝનિંગની આ ઘટનામાં વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ બાદ ઘોર બેદરકારી દાખવનાર પ્રાથમિક શાળાના ઉપ શિક્ષક અનિલાબેન સુથારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.શિક્ષક સામે લેવાયેલા આ કડક પગલાના કારણે શિક્ષણ આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.આ ઉપરાંત, ભોજન બનાવવામાં લાપરવાહી બદલ પોષણ યોજનાના રસોઈયા જમીલાબેન બી.બલોચ અને મદદનીશ સુગરાબેન એ.સંઘી સહિત કુલ 3 કર્મચારીઓને સેવાઓમાંથી તુરંત જ ફરજમુક્ત કરાયા છે.</p><h3 style="text-align: justify; "><b>તમામ બાળકો સુરક્ષિત હોવાથી હોસ્પિટલમાંથી રજા અપાઈ</b></h3><p style="text-align: justify; ">ભોજન આરોગવાથી અસરગ્રસ્ત થયેલા તમામ 36 બાળકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.તબીબોની સમયસરની સારવાર બાદ હાલ તમામ બાળકો સંપૂર્ણપણે સ્વસ્થ અને સુરક્ષિત હોવાથી તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.આ ઘટનાને ગંભીરતાથી લઈને જિલ્લા તંત્ર દ્વારા સાબરકાંઠા જિલ્લાના તમામ 1200 જેટલા પીએમ પોષણ કેન્દ્રોમાં તાકીદે તપાસ હાથ ધરવા માટે વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે.આ સાથે જ તંત્ર દ્વારા તમામ શાળાઓ માટે કડક સૂચના જારી કરવામાં આવી છે કે હવેથી બાળકોને ભોજન પીરસતા પહેલા શાળાના આચાર્ય અથવા કોઈ શિક્ષકે ભોજનનું ગુણવત્તા ચકાસણી માટે ટેસ્ટિંગ કરવું ફરજિયાત રહેશે.</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/esic-workers-to-get-unlimited-cost-super-specialty-treatment-in-gujarat" target="_blank">આ પણ વાંચોઃ Gandhinagar News: રાજ્યના શ્રમિક પરિવારોને મળશે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં અમર્યાદિત ખર્ચે સારવાર</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/JGdKxrsUsT0zr5VnRwlwd6d2qWbU6tChsW7ALsqP.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: રાજ્યના શ્રમિક પરિવારોને મળશે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં અમર્યાદિત ખર્ચે સારવાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/esic-workers-to-get-unlimited-cost-super-specialty-treatment-in-gujarat</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/esic-workers-to-get-unlimited-cost-super-specialty-treatment-in-gujarat</guid><pubDate>Thu, 13 Aug 2026 17:11:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજ્યના શ્રમિક પરિવારોને વધુ સારી ગુણવત્તાસભર અને સમયસર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી શ્રમ અને રોજગાર વિભાગ તથા કર્મચારી રાજ્ય વીમા નિગમ ગુજરાતે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે.ESIC હેઠળ નોંધાયેલા વીમાધારક શ્રમિકો તથા તેમના આશ્રિત લાભાર્થીઓને ટર્સરી કેર અને સુપર સ્પેશિયાલિટી સારવાર ઉપલબ્ધ કરાવવા શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની પ્રેરક ઉપસ્થિતિમાં 6 અગ્રણી આરોગ્ય સંસ્થાઓ સાથે સમજૂતી કરાર કરાયા છે.</p><h2 style="text-align: justify; "><b>સુરક્ષા કવચ તેમજ મોટી આર્થિક રાહતનું માધ્યમ બનશે</b></h2><p style="text-align: justify; ">ગાંધીનગર ખાતે યોજાયેલા આ MoU એક્સચેન્જ બાદ શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, સ્વસ્થ શ્રમિક જ મજબૂત અર્થતંત્ર અને રાષ્ટ્રનિર્માણનો આધાર છે.શ્રમિકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવતી આ પહેલ લાખો શ્રમિક પરિવારો માટે મજબૂત આરોગ્ય સુરક્ષા કવચ તેમજ મોટી આર્થિક રાહતનું માધ્યમ બનશે.આ પહેલથી હવે રાજ્યમાં ESIC હેઠળ નોંધાયેલા શ્રમિકો અને તેમના પરિવારને જરૂરિયાત મુજબ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં અમર્યાદિત ખર્ચે સારવાર ઉપલબ્ધ થશે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>શ્રેષ્ઠ તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવે</b></h3><p style="text-align: justify; ">મંત્રીએ ઉપસ્થિત તબીબી સંચાલકો, તબીબો, પેથોલોજિસ્ટ્સ અને અધિકારીઓને શ્રમિકોના આરોગ્ય તથા કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા પર વિશેષ ભાર મૂક્યો હતો.તેમણે હોસ્પિટલ સંચાલકોને અપીલ કરી હતી કે સારવાર માટે આવતા દરેક શ્રમિક પ્રત્યે પરિવારના સભ્ય જેવી સંવેદનશીલતા અને કાળજી દાખવીને તેમને શ્રેષ્ઠ તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવે.ESIC અંતર્ગત ઉપલબ્ધ સરકારી ભંડોળનો ઉપયોગ માત્ર શ્રમિકોના હિત અને કલ્યાણ માટે યોગ્ય રીતે થાય અને યોજનાનો કોઈપણ સ્તરે દુરુપયોગ ન થાય તેની પણ ખાસ તકેદારી રાખવા તાકીદ કરી હતી.</p><h2 style="text-align: justify; "><b>અગાઉ 26  MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે</b></h2><p style="text-align: justify; ">ESICના પ્રાદેશિક નિયામક  હેમંતકુમાર પાંડેએ કહ્યું હતું કે, ESIC ગુજરાત દ્વારા સમગ્ર રાજ્યમાં ટર્સરી તથા સુપર સ્પેશિયાલિટી આરોગ્ય સેવાઓનું નેટવર્ક વધુ મજબૂત કરવાની દિશામાં સતત કામગીરી કરવામાં આવી રહી છે. તાજેતરના આ 6 MoU સહિત અગાઉ 26  MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે,જેમાં 13 સરકારી હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓનો સમાવેશ થાય છે.આ નેટવર્કમાં રાજ્યની અગ્રણી તબીબી સંસ્થાઓ જેવી કે યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર, જીએમઇઆરએસ હોસ્પિટલ્સ, ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (જીસીઆરઆઈ), ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર અને એઇમ્સ રાજકોટ જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં વધુ 45 હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓ સાથે MoUની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/crime/gandhinagar/3-cyber-fraudsters-arrested-for-126-fake-websites-targeting-21985-people" target="_blank">આ પણ વાંચોઃ Gandhinagar News : 126 બોગસ વેબસાઇટ બનાવી દેશના 21 હજારથી વધુ લોકોને ઠગનારા 3 આરોપીઓ ઝડપાયા</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/wCbgm0mJ16nnNe1Ywe3tehD1UrOxOKfpcgKwJlgO.webp'/></item><item><title><![CDATA[Lionel Messiની પિતાના અવસાન બાદ પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'મને ખબર નથી કે હવે...' ]]></title><link>https://sandesh.com/sports/news/lionel-messi-father-jorge-messi-death-emotional-post</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/lionel-messi-father-jorge-messi-death-emotional-post</guid><pubDate>Wed, 12 Aug 2026 23:40:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">લિયોનેલ મેસ્સીના પિતા જોર્જ મેસ્સીનું 8 ઓગસ્ટના રોજ 68 વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન થયું હતું. આ પછી લિયોનેલ મેસ્સીએ 12 ઓગસ્ટના રોજ તેમના પિતાના અવસાન પર પહેલીવાર મૌન તોડ્યું જેમાં તેને સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી જેમાં તેમણે ભવિષ્યમાં ફૂટબોલ રમવા અંગે શંકા વ્યક્ત કરી હતી.</p><p style="text-align: justify;">લિયોનેલ મેસ્સીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર તેમના પિતા જોર્જ સાથેનો એક ફોટો પોસ્ટ કર્યો અને એક નોટ પણ શેર કરી જેમાં તેને લખ્યું કે તેઓ આ મોટી ખોટ સ્વીકારી શકતા નથી અને તેને સમજાતું નથી કે તે તેના પિતા વિના જીવનમાં કેવી રીતે આગળ વધશે કારણ કે તેઓ મારા બેસ્ટ મિત્ર, માર્ગદર્શક અને એજન્ટ પણ હતા.</p><h2 style="text-align: justify;"><b>મને ખબર નથી કે આગળ કેવી રીતે આગળ વધવું</b></h2><p style="text-align: justify;">પિતાના અવસાન પછી લિયોનેલ મેસ્સીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી એક પોસ્ટમાં લખ્યું છે કે "મને ખબર નથી કે હું તમારા વિના શું કરીશ. મને ખબર નથી કે આગળ કેવી રીતે વધવું. હું ફક્ત ફૂટબોલ રમી રહ્યો હતો, પરંતુ હવે મારી પાસે ઘણા સવાલો છે કે શું હું ચાલુ રાખી શકીશ." મેસ્સીએ સમજાવ્યું કે તેના પિતાએ તેને દરેક બાબતમાં સપોર્ટ આપ્યો અને હંમેશા તેના નિર્ણયોમાં વિશ્વાસ રાખ્યો. "બધા માટે આભાર. હું તમને પ્રેમ કરું છું, પપ્પા."</p><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/Db8MYnQjYsC/?img_index=1" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/Db8MYnQjYsC/?img_index=1" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a><br></p><h3 style="text-align: justify;"><b>વર્લ્ડકપ શરૂ થવાના થોડા દિવસ પહેલા તે બીમાર પડ્યા&nbsp;</b></h3><p style="text-align: justify;">પોતાની પોસ્ટમાં લિયોનેલ મેસ્સીએ સમજાવ્યું કે વર્લ્ડકપ 2026 શરૂ થવાના થોડા દિવસો પહેલા તેના પિતાની તબિયત અચાનક બગડી ગઈ હતી, જેના કારણે જોર્જ પહેલી વાર કોઈ ટુર્નામેન્ટમાં હાજરી આપી શક્યા ન હતા. "હું દરેક મેચ પછી મારા પિતાના મેસેજની રાહ જોતો હતો. મને તમારી ખૂબ જ યાદ આવશે, પણ તમે હંમેશા સાથે રહેશો. ખાસ કરીને મારા બાળકોને ઉછેરવામાં, કારણ કે હું તેમને એ જ રીતે શીખવીશ અને ઉછેરીશ જે રીતે તમે મને ઉછેર્યો છે."</p><h4 style="text-align: justify;"><b>મેસ્સીને રોનાલ્ડોનો સપોર્ટ મળ્યો</b></h4><p style="text-align: justify;">મેસ્સીના પિતાના અવસાન પછી જ્યારે તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી, ત્યારે તેને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો સપોર્ટ મળ્યો, જેમાં રોનાલ્ડોએ તેની પોસ્ટ પર કોમેન્ટ કરી અને લખ્યું છે કે લીઓ, આ મુશ્કેલ સમયમાં તને અને તારા પરિવારને મારું મોટું હગ, તમને ઘણી શક્તિ મળે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/TGH56UwXwOH6bh1EQIGogFs2CidMiip8syDerxly.webp'/></item></channel></rss>