<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Mosquito Bite: આખી રાત હેરાન કરે છે મચ્છર? આ રીતે ઘરે જ બનાવો મચ્છર મારવાની દવા ]]></title><link>https://sandesh.com/india/news/diy-mosquito-repellent-spray-home-remedies</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/diy-mosquito-repellent-spray-home-remedies</guid><pubDate>Thu, 20 Aug 2026 16:09:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દર વર્ષે 20 ઓગસ્ટે 'વિશ્વ મચ્છર દિવસ' ઉજવવામાં આવે છે, જે આપણને યાદ અપાવે છે કે મચ્છરોથી બચવું માત્ર આરામ માટે જ નહીં, પરંતુ સારા સ્વાસ્થ્ય માટે પણ અત્યંત જરૂરી છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં મચ્છરોનો ઉપદ્રવ ખૂબ જ વધી જાય છે, જેના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા ગંભીર રોગોનો ભય પણ વધી જાય છે. જો તમે પણ મચ્છરોના ત્રાસથી કંટાળી ગયા છો અને કુદરતી કે ઘરેલુ ઉપાયોથી તેમને ભગાડવા માંગતા હો, તો આ સરળ પદ્ધતિઓ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.</p><h2 style="text-align: justify; "><b>શરીર પર શું લગાવવું?</b></h2><p style="text-align: justify; ">જો તમને કે તમારા બાળકોને વારંવાર મચ્છર કરડતા હોય, તો નાળિયેર તેલમાં થોડું લીમડાનું તેલ ભેળવીને ત્વચા પર લગાવી શકાય છે. આ એક ઉત્તમ નેચરલ રિપેલન્ટ છે. આ ઉપરાંત, તમે બજારમાં મળતા DEET, પિકારીડિન અથવા લીંબુ નીલગિરી તેલ (OLE) યુક્ત લોશન કે સ્પ્રેનો ઉપયોગ કરી શકો છો. આ લગાવવાથી મચ્છરો આસપાસ પણ ફરકતા નથી.</p><h3 style="text-align: justify; "><b>ઘરમાંથી મચ્છર ભગાડવાના ઝડપી ઉપાયો</b></h3><p style="text-align: justify; ">ઘરમાં અચાનક મચ્છરો વધી જાય ત્યારે સૌથી પહેલા પંખો ફૂલ સ્પીડમાં ચાલુ કરી દેવો જોઈએ, કારણ કે તેઝ પવનમાં મચ્છરો ઉડી શકતા નથી. આ સાથે જ ઘરમાં કે આસપાસ કૂલર, ડોલ કે વાસણોમાં ભરાયેલું પાણી તરત ખાલી કરી દેવું જોઈએ, કારણ કે પાણીનું જમા થવું એ મચ્છરોના પ્રજનનનું મુખ્ય કારણ છે. રાત્રે બારી-દરવાજા બંધ રાખવા અને સાંજના સમયે મચ્છરદાની કે જાળીનો ઉપયોગ કરવો હિતાવહ છે.</p><h4 style="text-align: justify; "><b>ઘરે જ બનાવો મચ્છર ભગાડનાર સ્પ્રે</b></h4><p style="text-align: justify; ">તમે ઘરે જ નેચરલ મચ્છર ભગાડનાર સ્પ્રે બનાવી શકો છો. એક સ્પ્રે બોટલમાં પાણી લો, તેમાં લીમડાના તેલના થોડા ટીપાં અને થોડો લિક્વિડ સોપ (પ્રવાહી સાબુ) ઉમેરો. સાબુ તેલને પાણીમાં ભળવામાં મદદ કરશે. ત્વચા પર તેનો ઉપયોગ કરતા પહેલા એકવાર પેચ ટેસ્ટ જરૂર કરી લો.</p><h5 style="text-align: justify; "><b>એરોસોલ સ્પ્રેનો ઉપયોગ પણ કરી શકાય</b></h5><p style="text-align: justify; ">મચ્છરોથી કાયમી રક્ષણ મેળવવા માટે ઇલેક્ટ્રિક વેપોરાઇઝર્સ, મચ્છર કોઇલ અથવા એરોસોલ સ્પ્રેનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ તેનો ઉપયોગ કરતી વખતે બાળકોનું ખાસ ધ્યાન રાખો અને ઘરમાં વેન્ટિલેશન પૂરતું રાખો. ઘરની આસપાસ ચોખાઈ રાખવી એ જ મચ્છરોથી બચવાનો સૌથી મોટો ઉપાય છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/lifestyle/news/how-to-get-rid-of-dark-circles-naturally-home-remedies" target="_blank">આ પણ વાંચોઃ Dark circles : માત્ર આ એક વસ્તુ અને ચૂટકીમાં ગાયબ થશે ડાર્ક સર્કલ, આજે જ અપનાવો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/KygcRaFX7MxyHNd01p3c86S3BxfMGfWv6qzHUCqs.webp'/></item><item><title><![CDATA[GSRTC News: રક્ષાબંધન અને જન્માષ્ટમી માટે ST નિગમનો નિર્ણય, દોડશે 9500 વધારાની બસો ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/gsrtc-extra-buses-rakshabandhan-janmashtami-festival-special</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/gsrtc-extra-buses-rakshabandhan-janmashtami-festival-special</guid><pubDate>Thu, 20 Aug 2026 16:06:08 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આગામી તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા મોટા તહેવારોમાં વતન જતા અને પ્રવાસે નીકળતા નાગરિકોને ટ્રાફિક કે બસની અછતનો સામનો ન કરવો પડે તે માટે નિગમે કુલ 9500 વધારાની બસો (ટ્રીપ) દોડાવવાનું આયોજન કર્યું છે.</p><h2 style="text-align: justify; "><b>રક્ષાબંધન પર્વ પર 6500 વધારાની ટ્રીપનું આયોજન</b></h2><p style="text-align: justify;">ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ સમાન રક્ષાબંધનના તહેવાર દરમિયાન મુસાફરોનો ધસારો સૌથી વધુ રહેતો હોય છે. આ બાબતને ધ્યાને રાખીને ST નિગમ દ્વારા 26 ઓગસ્ટથી 30 ઓગસ્ટ દરમિયાન વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ 5 દિવસના સમયગાળા દરમિયાન રાજ્યના વિવિધ રૂટ પર કુલ 6500 વધારાની ટ્રીપ ચલાવવામાં આવશે, જેથી મુસાફરો સરળતાથી પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકે.</p><h2 style="text-align: justify; "><b>જન્માષ્ટમીના તહેવારોમાં દોડશે 3000 એક્સ્ટ્રા બસો</b></h2><p style="text-align: justify;">રક્ષાબંધન બાદ આવતા કૃષ્ણ જન્માષ્ટમીના લોકમેળા અને તહેવારો માટે પણ નિગમે આગોતરું આયોજન કરી લીધું છે. જન્માષ્ટમીની રજાઓ દરમિયાન મુસાફરોની ભીડને પહોંચી વળવા માટે 2 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર દરમિયાન વધારાની 3000 ટ્રીપ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ધાર્મિક સ્થળો તરફ જતાં યાત્રાળુઓને મોટી રાહત મળશે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/crime/gandhinagar/bhavnagar-fake-liquor-scam-methanol-parcel-from-ahmedabad-dholera-seizure" target="_blank">Bhavnagar લઠ્ઠાકાંડની તપાસમાં સનસનાટીભર્યા ખુલાસા, આરોપીઓએ 3 વખત ઝેરી દારુ બનાવ્યો પણ.....</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/PxFhaGLyQtNBLt0wqTsgjQrvGXImUUORjghlhjli.webp'/></item><item><title><![CDATA[Vadodara News : વચગાળાના જામીન બાદ ફરાર ખૂની ઝડપાયો, શિનોર SOGએ ઘનશ્યામ વસાવાને દબોચ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/vadodara/vadodara-news-fugitive-murderer-caught-after-interim-bail-shinor-sog-nabs-ghanshyam-vasava</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/vadodara/vadodara-news-fugitive-murderer-caught-after-interim-bail-shinor-sog-nabs-ghanshyam-vasava</guid><pubDate>Thu, 20 Aug 2026 15:56:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા જિલ્લાના શિનોર વિસ્તારમાં ચકચાર મચાવનાર વર્ષ 2023ના અપહરણ અને હત્યાના ગુનામાં વચગાળાના જામીન પર છૂટીને ફરાર થઈ ગયેલા પાકા કામના આરોપીને વડોદરા SOG ટીમે ઝડપી પાડ્યો છે. શિનોરના માલપુર ગામનો રહેવાસી આરોપી ઘનશ્યામ ઉર્ફે ગણીયો વસાવા જેલમાંથી વચગાળાના જામીન મેળવી બહાર આવ્યા બાદ પરત હાજર થયો ન હતો, જેને વડોદરા SOGની ટીમે બીથલી ગામ નજીકથી કસ્ટડીમાં લીધો છે.</p><h2 style="text-align: justify; "><b>2023માં મહેશ વસાવાની હત્યા કરી હતી</b></h2><p style="text-align: justify; ">આરોપી ઘનશ્યામ ઉર્ફે ગણીયા વસાવા સામે વર્ષ 2023માં મહેશભાઈ વસાવાનું અપહરણ કરી તેમની નિર્મમ હત્યા કરવાનો ગંભીર ગુનો નોંધાયેલો છે. આરોપીઓએ હત્યા બાદ ગુનાના પુરાવા નાશ કરવાના ઈરાદાથી મૃતદેહને શેરડીના ખેતરમાં ફેંકી દીધો હતો અને મહેશભાઈની મોટરસાયકલને નજીકની કેનાલમાં પધરાવી દીધી હતી. આ ચકચારી કેસમાં આરોપી જેલમાં સજા ભોગવી રહ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>જેલમાં હાજર ન થઈ ફરાર થયેલા આરોપીને બીથલી નજીકથી દબોચાયો</b></h2><p style="text-align: justify; ">આરોપી ઘનશ્યામ વસાવા 28 જુલાઈથી 16 ઓગસ્ટ સુધીના સમયગાળા માટે કોર્ટમાંથી વચગાળાના જામીન પર બહાર આવ્યો હતો. જામીનની મુદત પૂરી થતાં 16 ઓગસ્ટે તેણે જેલમાં પરત હાજર થવાનું હતું, પરંતુ તે હાજર ન થઈને ફરાર થઈ ગયો હતો. આ અંગે SOG ટીમે ચોક્કસ બાતમીના આધારે શિનોરના બીથલી ગામ પાસેથી આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કરવાની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/anand/anand-news-food-department-raids-in-ankalaw-jwala-chinese-and-aashirvad-hotel-sealed-traders-in-a-huff" target="_blank">Anand News : આંકલાવમાં ફૂડ વિભાગનો સપાટો, જ્વાલા ચાઈનીઝ અને આશીર્વાદ હોટલ સીલ, વેપારીઓમાં ફફડાટ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/JHVJlkHV1li6XoRAONzb7ZoVX6Mof7bMvv1oKMMi.webp'/></item><item><title><![CDATA[India-Japan વચ્ચે નેવલ વોરશિપ પર થઈ મોટી ડિલ, ડિફેન્સ ટેક્નોલોજી પર પણ ફોક્સ ]]></title><link>https://sandesh.com/india/news/world/india-japan-naval-warship-defence-technology-deal</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/world/india-japan-naval-warship-defence-technology-deal</guid><pubDate>Thu, 20 Aug 2026 15:52:32 +05:30</pubDate><description><![CDATA[<p>ભારત અને જાપાને દરિયાઈ સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધુ ગાઢ બનાવવાનો નિર્ણય લીધો છે. નવી દિલ્હીમાં ગુરુવારે રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને જાપાનના રક્ષા મંત્રી શિંજીરો કોઈઝુમી વચ્ચે યોજાયેલી બેઠકમાં બંને દેશોએ નૌકાદળ વચ્ચે તાલમેલ વધારવા તેમજ યુદ્ધજહાજોના ડિઝાઈન અને નિર્માણમાં સાથે કામ કરવાની સંભાવનાઓ પર ચર્ચા કરી હતી.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/rajnathsingh/status/2090335302351245318"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>MOU પર હસ્તાક્ષર કર્યા</b></h2><p>બંને મંત્રીઓએ દરિયાઈ સુરક્ષા સહયોગ અંગે MOU પર હસ્તાક્ષર કર્યા. આ કરાર હેઠળ ભારતીય નૌકાદળ અને જાપાન મેરીટાઈમ સેલ્ફ-ડિફેન્સ ફોર્સ વચ્ચે સહયોગ માટે માળખું તૈયાર થશે. તેમાં મેરીટાઈમ ડોમેન અવેરનેસ, સર્ચ એન્ડ રેસ્ક્યૂ તથા માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત કામગીરીમાં સહકાર વધારવામાં આવશે.</p><p>બંને દેશોએ દરિયાઈ સંચાર માર્ગોની સુરક્ષા માટે નૌકાદળના પરસ્પર પ્રવાસ, સંયુક્ત સૈન્ય અભ્યાસ, કર્મચારીઓ અને નિષ્ણાતોના આદાન-પ્રદાન તથા લોજિસ્ટિકલ સપોર્ટ વધારવા સંમતિ દર્શાવી છે. માઈન કાઉન્ટરમેઝર ક્ષમતાઓ વધારવા માટે પણ સહયોગ કરવામાં આવશે.</p><h3><b>પ્રથમ વખત જાપાનના ફાઈટર જેટ્સ ભારત આવશે</b></h3><p>ભારતની ઉત્પાદન ક્ષમતા અને જાપાનની ટેક્નોલોજી તથા નિષ્ણાતીનો ઉપયોગ કરીને નૌકાદળના જહાજોના સંયુક્ત વિકાસ અને નિર્માણની શક્યતાઓ પણ તપાસવામાં આવશે. ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ સહયોગ વધારવા તેમજ એકબીજાની જહાજ મરામત સુવિધાઓનો ઉપયોગ કરવા અંગે પણ ચર્ચા થઈ. સૈન્ય અભ્યાસ ક્ષેત્રે બંને દેશોએ ‘ધર્મ ગાર્જિયન’ અને ‘JAIMEX’ જેવા અભ્યાસોના વિસ્તરણનું સ્વાગત કર્યું. ખાસ કરીને ‘વીર ગાર્જિયન 26’ માટે તૈયારીઓનું સ્વાગત કરવામાં આવ્યું, જેમાં પ્રથમ વખત જાપાનના ફાઈટર જેટ્સ ભારત આવશે.</p><p>બંને દેશો ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સહયોગ વધારવા ઉપરાંત લોજિસ્ટિક્સ, ઈન્ટેલિજન્સ, ટેક્નોલોજી અને રક્ષા ઉદ્યોગ ક્ષેત્રે સંકલન માટે વર્કિંગ ગ્રુપ બનાવશે. આ ઉપરાંત વર્ષના અંતમાં ટોક્યોમાં ચોથી ભારત-જાપાન ‘2+2’ બેઠક યોજવા માટે ચર્ચા આગળ વધારવામાં આવશે.</p><p><a href="https://sandesh.com/india/news/sajjan-kumar-passes-away-congress-leader-sajjan-kumar-passes-away-was-lodged-in-tihar-jail-1984-anti-sikh-riots" target="_blank"><b>&nbsp;આ પણ વાંચો : Sajjan kumar Passes Away: કોંગ્રેસ નેતા સજ્જન કુમારનું નિધન, તિહાડ જેલમાં હતા બંધ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/HlX5DnDSWhg4hkMtXC9GB18cx4bz4WJtw8IBsnws.webp'/></item><item><title><![CDATA[Sugar Price Hike: તહેવાર પહેલા જ ખાંડના ભાવમાં ભડકો, મીઠાઈઓ થશે મોંઘી, જાણો લેટેસ્ટ રેટ ]]></title><link>https://sandesh.com/business/news/sugar-price-hike-sugar-prices-hike-before-the-festival-sweets-will-become-expensive-know-the-latest-rate</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/sugar-price-hike-sugar-prices-hike-before-the-festival-sweets-will-become-expensive-know-the-latest-rate</guid><pubDate>Thu, 20 Aug 2026 15:43:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જે ખાંડ પહેલા જીવનમાં મધુરસ ઘોળતી હતી તે હવે ગ્રાહકો માટે કડવી સાબિત થઈ રહી છે. તહેવાર ટાણે જ ખાંડના ભાવ વધતા મહિલાઓનું માસિક બજેટ ખોરવાઈ ગયું છે. ખાંડના ભાવમાં આવેલા આ અચાનક અને અનપેક્ષિત વધારા પાછળનું સાચું કારણ સમજી શકવામાં વેપારીઓ અને ગ્રાહકો બંને અસમર્થ બની રહ્યા છે, જેના કારણે સામાન્ય માણસના ખિસ્સા પર સીધો ફટકો પડ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>જાણો ખાંડનો લેટેસ્ટ રેટ</b></h2><p style="text-align: justify; "> માત્ર 20 દિવસના ટૂંકા ગાળામાં ખાંડના ભાવમાં કિલોએ 20 રૂપિયાથી વધુનો મોટો ઉછાળો જોવા મળ્યો છે. જે ખાંડ પહેલા 45 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતી હતી, તે 20 ઓગસ્ટ સુધીમાં વધીને 65 રૂપિયાના સ્તરને વટાવી ગઈ છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>તહેવારોની સીઝનમાં મીઠાઈઓ અને બજેટ પર માઠી અસર</b></h2><p style="text-align: justify; ">રક્ષાબંધન સહિતના આગામી મુખ્ય તહેવારોને ધ્યાનમાં રાખતાં ખાંડના ભાવ વધારાની સીધી અસર તહેવારોના બજેટ પર પડશે. ખાંડ મોંઘી થવાથી બજારમાં મળતી મીઠાઈઓ, બેકરી પ્રોડક્ટ્સ, બિસ્કિટ અને સોફ્ટ ડ્રિંક્સના ભાવ વધવા નિશ્ચિત છે. આ સિવાય, રોજિંદા ધોરણે ઘરમાં ચા-નાસ્તો અને બાળકો માટે વાનગીઓ બનાવતી ગૃહિણીઓના માસિક રસોડા બજેટ પર પણ આ મોંઘવારીની ગંભીર અસર જોવા મળશે, જેનાથી સામાન્ય પરિવારોની ચિંતા વધી ગઈ છે.</p><h3 style="text-align: justify; "><b>સંગ્રહખોરી રોકવા સરકારનો કડક નિર્ણય</b></h3><p style="text-align: justify; ">ભાવમાં સતત થઈ રહેલા વધારા અને સંગ્રહખોરીની શક્યતાઓને ધ્યાનમાં રાખીને સરકારે તાત્કાલિક અસરથી મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે ખાંડના સ્ટોક રાખવાની મર્યાદા (Stock Limit) માં ઘટાડો કરી દીધો છે. આ નવા નિયમ અનુસાર, અત્યાર સુધી 30 દિવસનો સ્ટોક રાખી શકતા વેપારીઓ અને પ્રોસેસિંગ કંપનીઓ હવે માત્ર 15 દિવસ જેટલો જ ખાંડનો સંગ્રહ કરી શકશે. સરકારનો આ આદેશ 1 સપ્ટેમ્બરથી લાગુ થઈને 30 નવેમ્બર સુધી અમલમાં રહેશે.</p><h4 style="text-align: justify; "><b>બજારમાં ખાંડનો પુરવઠો જાળવી રાખવાનો પ્રયાસ</b></h4><p style="text-align: justify; ">સરકારના આ કડક નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય તહેવારોની સિઝનમાં સંગ્રહખોરો પર લગામ કસવાનો અને બજારમાં ખાંડનો સતત પુરવઠો જાળવી રાખવાનો છે. સ્ટોક લિમિટ અડધી કરી દેવાથી વેપારીઓ માટે માલ રોકી રાખવો મુશ્કેલ બનશે, જેનાથી બજારમાં ખાંડની અછત ઊભી નહીં થાય. તહેવારોના દિવસોમાં ગ્રાહકોને વ્યાજબી ભાવે ખાંડ મળી રહે અને કૃત્રિમ તેજી અટકે તે માટે આ પગલું અત્યંત નિર્ણાયક સાબિત થઈ શકે છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/business/news/amazon-fined-selling-fake-ayodhya-ram-mandir-prasad" target="_blank">આ પણ વાંચો : Amazon ને ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા બદલ ફટકાર્યો 1 લાખનો દંડ, ભગવાનના પ્રસાદના નામે વેચતા હતા મિઠાઇ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/e2qfj9MfwD8vBFj1X3zgCsvtb77YO4oOc6TACdhj.webp'/></item><item><title><![CDATA[Amreli News: પીપાવાવ બ્રિજ પર હિટ એન્ડ રન, ચાંચ ગામના યુવકનું સારવાર દરમિયાન મોત, એક ગંભીર ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/rajula-pipavav-bridge-hit-and-run-accident-news</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/rajula-pipavav-bridge-hit-and-run-accident-news</guid><pubDate>Thu, 20 Aug 2026 15:43:24 +05:30</pubDate><description><![CDATA[<p>અમરેલી જિલ્લાના રાજુલા નજીકથી પસાર થતા સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે પર પીપાવાવ બ્રિજ પર એક અત્યંત ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. એક પૂરપાટ ઝડપે આવતી ચાર પૈડાં વાળી ગાડીના ચાલકે ટુ-વ્હીલર (દ્વિચક્રી વાહન) પર જઈ રહેલા બે નિર્દોષ લોકોને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, ટુ-વ્હીલર પર સવાર બંને સવારીઓ રસ્તા પર પટકાઈ પડ્યા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.</p><h2><b>અજાણ્યો કાર ચાલક અકસ્માત સર્જી ફરાર</b></h2><p>અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિના જણાવ્યા અનુસાર, અજાણ્યો ફોર-વ્હીલર ચાલક પોતાના વાહનને પૂરપાટ અને બેદરકારીપૂર્વક ચલાવી રહ્યો હતો. ટુ-વ્હીલરને જોરદાર ટક્કર માર્યા બાદ વાહન ચાલક માનવતા નેવે મૂકીને ઘટના સ્થળેથી ગાડી લઈને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.</p><p><img alt="Amreli News: Rajula Pipavav Bridge Hit and Run incident road Accident, Chanch Resident Dies in Mahuva" src="https://epapercdn.sandesh.com/images/2026/08/20/jhvVjeiUSrLxzT3GScP6yXUw3wMLBS0I5uwg5JAG.webp"><br></p><h2><b>108 મારફતે ઈજાગ્રસ્તોને રાજુલા હોસ્પિટલ ખસેડાયા</b></h2><p>ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ સર્વિસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતમાં ભોગ બનેલા બંને વ્યક્તિઓને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર અર્થે રાજુલાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, બંને ઈજાગ્રસ્ત વ્યક્તિઓ નજીકના ચાંચ ગામના રહેવાસી છે.</p><p><img alt="Amreli News: Rajula Pipavav Bridge Hit and Run incident road Accident, Chanch Resident Dies in Mahuva" src="https://epapercdn.sandesh.com/images/2026/08/20/qtDoQLRnKpWYxsJ5nwpkx7uitt2LQXaUuTrUloVP.webp" style="width: 100%;"><br></p><h2><b>મહુવા ખાનગી હોસ્પિટલમાં યુવકે દમ તોડ્યો</b></h2><p>ઈજાગ્રસ્તો પૈકી માલદેવ બાલાભાઈ ગુજરિયા નામના યુવકની હાલત અત્યંત ગંભીર જણાતા તેમને રાજુલાથી વધુ સારવાર અર્થે મહુવાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન માલદેવભાઈ ગુજરિયાનું કરુણ મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે ચાંચ ગામમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે. ઘટના અંગે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/an-accident-occurred-when-a-car-collided-with-a-railway-track-fence-near-malila-phatak-on-the-dhari-amreli-highway" target="_blank">Dhari-Amreli હાઇવે પર માળીલા ફાટક પાસે કાર રેલવે ટ્રેકની જાળી સાથે અથડાતાં સર્જાયો અકસ્માત</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/Vg0ANeSFgSvLNoOlwgQJZIarrCrE1jR7HsOCCIvJ.webp'/></item><item><title><![CDATA[Gandhinagar : 1 વર્ષે ફૂટ્યો છેતરપિંડીનો ભાંડો, વીમા કંપનીને 5 લાખનો ચૂનો લગાવનાર ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/gandhinagar/gandhinagar-21-year-old-insurance-fraud-mukesh-patel-arrest</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/gandhinagar/gandhinagar-21-year-old-insurance-fraud-mukesh-patel-arrest</guid><pubDate>Thu, 20 Aug 2026 15:38:25 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગાંધીનગરમાં વીમા કંપની સાથે છેતરપિંડી કરવાના 21 વર્ષ જૂના મામલામાં મોટો ખુલાસો થયો છે. કુદરતી મૃત્યુને અકસ્માતમાં મૃત્યુ તરીકે દર્શાવી વીમા કંપની પાસેથી લાખો રૂપિયા મેળવવાના કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમે મુકેશ પટેલની ધરપકડ કરી છે. આરોપીની કલોલ ખાતેથી ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>પારિવારિક સભ્યના મૃત્યુ બાદ  છેતરપિંડીનું કાવતરું&nbsp;</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, વર્ષ 1999માં પારિવારિક સભ્યના મૃત્યુ બાદ આ સમગ્ર છેતરપિંડીનું કાવતરું રચાયું હતું. કુદરતી રીતે થયેલા મૃત્યુને અકસ્માત તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. આ માટે ખોટી FIR અને બોગસ દસ્તાવેજો તૈયાર કરી વીમા કંપનીને ગેરમાર્ગે દોરવામાં આવી હતી.</p><h3 style="text-align: justify; "><b>5 લાખનો આર્થિક લાભ મેળવ્યો</b></h3><p style="text-align: justify; ">આરોપીઓએ આ કૌભાંડી ખેલ દ્વારા અંદાજે 5 લાખનો આર્થિક લાભ મેળવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. એટલું જ નહીં, કોર્ટને પણ ખોટી માહિતી અને દસ્તાવેજોના આધારે ગેરમાર્ગે દોરી વધુ 3.75 લાખનો આર્થિક લાભ મેળવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.</p><h4 style="text-align: justify; "><b>અગાઉ 5 લોકોની ધરપકડ</b></h4><p style="text-align: justify; ">આ મામલામાં તપાસ એજન્સીએ અગાઉ 5 લોકોની ધરપકડ કરી હતી. હવે લાંબા સમયથી તપાસ હેઠળ રહેલા આ કેસમાં મુખ્ય કૌભાંડી તરીકે સામે આવેલા મુકેશ પટેલને પણ ઝડપી લેવામાં આવ્યો છે. 21 વર્ષ બાદ આ છેતરપિંડીના કેસમાં કાર્યવાહી થતાં સમગ્ર કૌભાંડ ફરી ચર્ચામાં આવ્યું છે. સીઆઈડી ક્રાઇમ હવે આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં અને ખોટા દસ્તાવેજો તૈયાર કરવામાં કોની ભૂમિકા હતી તેની વધુ તપાસ કરી રહી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-indepth-gujarat-prohibition-failure-liquor-scam-police-nexus" target="_blank"><b>Sandesh Indepth : દારૂમુક્ત ગુજરાતનો ફ્લોપ શો: કરોડોનો દારૂ, નકલી ફેક્ટરીઓ અને 'ખાખી'ની ખામોશી</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/IMucVCE7IwH5INKc15w1SQi70qTv04WwMBNPkt2S.webp'/></item><item><title><![CDATA[Surat મેડિકલ કોલેજ રેગિંગ પ્રકરણ: માઇક્રોબાયોલોજી વિભાગના પ્રોફેસર ડો. સુમૈયા મુલ્લા સસ્પેન્ડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-medical-college-ragging-case-microbiology-department-professor-dr-sumaiya-mulla-suspended</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-medical-college-ragging-case-microbiology-department-professor-dr-sumaiya-mulla-suspended</guid><pubDate>Thu, 20 Aug 2026 15:33:29 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત મેડિકલ કોલેજમાં ચર્ચાસસ્પદ બનેલા રેગિંગ પ્રકરણમાં તંત્ર દ્વારા મોટી અને કડક કાર્યવાહી કરવામાં આવી છે. કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગના પ્રોફેસર ડો. સુમૈયા મુલ્લાને રેગિંગની ગંભીર ઘટના અટકાવવામાં નિષ્ફળ રહેવા બદલ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા આ અંગેનો સત્તાવાર આદેશ પત્ર જાહેર કરીને શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા છે, જેને પગલે મેડિકલ આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>નિયમોના ઉલ્લંઘન બદલ સસ્પેન્શન</b></h2><p style="text-align: justify; ">જાહેર કરાયેલા આદેશ મુજબ પ્રોફેસર સામે ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો-1971ના સરેઆમ ઉલ્લંઘન બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. શિસ્ત અને અપીલના કડક નિયમો હેઠળ તેમને 90 દિવસના સમયગાળા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જવાબદાર હોદ્દા પર હોવા છતાં વિદ્યાર્થીઓ સાથે બનતી રેગિંગની ઘટના પ્રત્યે દુર્લક્ષ સેવવા અને તેને રોકવામાં નિષ્ફળ જવા બદલ વિભાગે આ આકરું વલણ અપનાવ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>સસ્પેન્શન સમય દરમિયાન કરાઈ બદલી&nbsp;</b></h3><p style="text-align: justify; ">આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે સસ્પેન્શનના આ 90 દિવસના સમયગાળા દરમિયાન ડો. સુમૈયા મુલ્લાનું હેડક્વાર્ટર વડોદરા ખાતે રાખવામાં આવ્યું છે. એટલે કે સસ્પેન્શન દરમિયાન તેમની વડોદરા ખાતે બદલી કરવામાં આવી છે. રેગિંગ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને તંત્ર દ્વારા લેવાયેલા આ આકરા નિર્ણયથી અન્ય જવાબદાર અધિકારીઓ અને કોલેજ પ્રશાસનમાં પણ કડક સંદેશ ગયો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/7H4WBkEsw0IglwXhdIGRTwpg3RGzFS13tmFdHZjm.webp'/></item><item><title><![CDATA[Classics Songs : 71 વર્ષ પહેલાં આવ્યું હતું ઋષિ કપૂરનું પહેલું ગીત! લતા-મન્ના ડેના અવાજે બનાવ્યું કલ્ટ ક્લાસિક ]]></title><link>https://sandesh.com/entertainment/news/rishi-kapoor-first-song-lata-manna-dey</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/rishi-kapoor-first-song-lata-manna-dey</guid><pubDate>Thu, 20 Aug 2026 15:28:26 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઋષિ કપૂર પહેલીવાર કોઈ રોમેન્ટિક ગીતમાં 71 વર્ષ પહેલાં જોવા મળ્યા હતા. આ ગીત સિનેમાનું સૌથી હિટ કલ્ટ ક્લાસિક અને સદાબહાર ગીત બની ગયું. આજે પણ લોકો આ ગીત ગણગણાવે છે. ખાસ વાત એ હતી કે આ ગીતને દિગ્ગજ ગાયિકા લતા મંગેશકર અને ગાયક મન્ના ડેએ પોતાનો અવાજ આપ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>ઋષિ કપૂરનું પહેલું ગીત</b></h2><p style="text-align: justify; ">હવે તમે વિચારતા હશો કે અમે કયા ગીતની વાત કરી રહ્યા છીએ? આ ગીત 1955માં આવેલી ફિલ્મ શ્રી 420નું છે. રાજ કપૂર અને નરગિસ દત્ત જેવા કલાકારોથી સજેલી ક્લાસિક ફિલ્મ શ્રી 420નાં તમામ ગીતો સુપરહિટ રહ્યા હતા. એક ગીતમાં રાજ કપૂરના લાડકા દીકરા ઋષિ કપૂર પણ જોવા મળ્યા હતા.</p><h3 style="text-align: justify; "><b>રોમેન્ટિક ગીતમાં જોવા મળ્યા હતા ઋષિ કપૂર</b></h3><p style="text-align: justify; ">આ ગીત હતું પ્યાર હુઆ ઇકરાર હુઆ. હા, સિનેમાનાં સૌથી રોમેન્ટિક ગીતોમાંથી એકમાં ઋષિ કપૂર પહેલીવાર જોવા મળ્યા હતા. આ ગીત રાજ કપૂર અને નરગિસ પર ફિલ્માવવામાં આવ્યું હતું, પરંતુ તેમાં ઋષિ પોતાના ભાઈ-બહેન સાથે જોવા મળ્યા હતા. ગીતમાં 3 બાળકોને બતાવવામાં આવ્યા હતા. તેમાં સૌથી નાનું બાળક ઋષિ કપૂર હતા. તેમની સાથે બહેન રિતુ નંદા અને ભાઈ રણધીર કપૂર હતા.<br><img alt="Pyar Hua Iqrar Hua (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/20/BMDt8lEIZfRcBOyKT5vk5X67UsI60nGPVYyIRMmp.webp"><br></p><h3 style="text-align: justify; "><b>નરગિસે ઋષિ કપૂરને આપી હતી ચોકલેટ</b></h3><p style="text-align: justify; ">પ્યાર હુઆ ઇકરાર હુઆ એક રોમેન્ટિક વરસાદી ગીત છે. ઋષિ કપૂર માત્ર 2 વર્ષના હતા, જ્યારે તેમણે આ ગીતનું શૂટિંગ કર્યું હતું. એક વખત તેમણે જણાવ્યું હતું કે વરસાદને કારણે તેઓ શૂટિંગ કરી શકતા નહોતા અને તેમના ચહેરા પર કોઈ ભાવ પણ આવી રહ્યા નહોતા. ત્યારે નરગિસે તેમને ચોકલેટ આપીને આ ગીતનું શૂટિંગ કરાવ્યું હતું.</p><h4 style="text-align: justify; "><b>શૈલેન્દ્રના લખેલા શબ્દો દિલને સ્પર્શી જાય છે</b></h4><p style="text-align: justify; ">પ્યાર હુઆ ઇકરાર હુઆ રાજ કપૂરની કારકિર્દીનું સૌથી સુપરહિટ ગીત રહ્યું હતું. આજે પણ જ્યારે લોકો તેમને યાદ કરે છે ત્યારે આ ગીત જરૂર ગણગણાવે છે. આ ગીતને મન્ના ડે અને લતા મંગેશકરે પોતાનો અવાજ આપ્યો હતો. આ ગીતના સુંદર અને દિલને સ્પર્શી જાય એવા શબ્દો શૈલેન્દ્રએ લખ્યા હતા. જ્યારે ગીતની ધૂન શંકર-જયકિશને તૈયાર કરી હતી. કુલ મળીને આ ગીત આજે પણ માસ્ટરપીસ અને સદાબહાર ગીતોમાં ટોચ પર છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/kishore-kumar-42-year-old-cult-classic-song" target="_blank">આ પણ વાંચો-Retro Hits : 42 વર્ષ જૂનું કિશોર કુમારનું એ જાદુઈ ગીત, જેણે બધાને બનાવ્યા હતા દીવાના! આજે પણ છે સુપરહિટ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/YxdSkySOJOEg1e0FUGIZhASPNT8auVdNUGxhVEOZ.webp'/></item><item><title><![CDATA[BWF World Championships: પી.વી. સિંધુ અને આયુષ શેટ્ટીનો પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં એન્ટ્રી ]]></title><link>https://sandesh.com/sports/news/bwf-world-championship-pv-sindhu-and-aayush-shetty-enter-pre-quarterfinals</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/bwf-world-championship-pv-sindhu-and-aayush-shetty-enter-pre-quarterfinals</guid><pubDate>Thu, 20 Aug 2026 08:37:21 +05:30</pubDate><description><![CDATA[<p>નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી BWF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતીય શટલરોએ શાનદાર પ્રદર્શન જાળવી રાખ્યું છે. ભારતની સ્ટાર ખેલાડી પી.વી. સિંધુ અને યુવા ખેલાડી આયુષ શેટ્ટીએ પોતપોતાની મેચો જીતીને પ્રી-ક્વાર્ટર ફાઇનલ (રાઉન્ડ ઓફ 16) માં સ્થાન પાક્કું કર્યું છે.</p><p><b>પી.વી. સિંધુની સળંગ ગેમ્સમાં સરળ જીત</b></p><p>9મી ક્રમાંકિત પી.વી. સિંધુએ મહિલા સિંગલ્સના મુકાબલામાં કેનેડાની ઝાંગ વેન્યુને માત્ર 34 મિનિટમાં 21-16, 21-17 થી પરાજય આપ્યો હતો. પ્રથમ ગેમ (21-16)માં સિંધુએ આક્રમક શરૂઆત કરીને સતત 4 પોઈન્ટ સાથે લીડ મેળવી હતી. ઝાંગે વાપસી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સિંધુએ ઇન્ટરવલ સુધી 11-9 ની સરસાઈ જાળવી રાખી. બ્રેક બાદ કેનેડિયન ખેલાડીના દબાણ છતાં, અનુભવી સિંધુએ નિર્ણાયક ક્ષણોમાં સંયમ જાળવીને 16 મિનિટમાં પહેલી ગેમ પોતાના નામે કરી. બીજી ગેમમાં (21-17) ઝાંગે સિંધુને કડક ટક્કર આપી હતી. એક સમયે સ્કોર 9-9 થી બરાબર રહ્યા બાદ ઝાંગે ઇન્ટરવલ સુધી 11-9 ની લીડ મેળવી લીધી હતી. જોકે, બ્રેક પછી સિંધુએ શાનદાર વાપસી કરતાં સતત 5 પોઈન્ટ જીતીને મેચનું પાસું પલટી નાખ્યું અને બીજી ગેમ સાથે મેચ પણ જીતી લીધી.</p><p><b>આગામી પડકાર: વાંગ જી યી સામે ટક્કર</b></p><p>ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે સિંધુનો સામનો ચીનની 3જી ક્રમાંકિત ખેલાડી વાંગ જી યી સામે થશે. વાંગે પોતાની અગાઉની મેચમાં મલેશિયાની કરુપથેવન લેત્શાનાને 21-16, 21-9 થી હરાવીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ જીતથી આત્મવિશ્વાસથી છલકાતી સિંધુ મેડલ તરફ વધુ એક પગલું ભરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.</p><p><b>મેન્સ સિંગલ્સ: આયુષ શેટ્ટીની દબદબાભરી જીત</b></p><p>મહિલા સિંગલ્સ ઉપરાંત મેન્સ સિંગલ્સમાં પણ ભારતને સફળતા મળી હતી. ભારતના આયુષ શેટ્ટીએ શ્રીલંકાના ડુમિન્ડુ અબેવિક્રમાને એકતરફી મુકાબલામાં 21-8, 21-10 થી ધૂળ ચાટતી કરીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પોતાની જગ્યા પાકી કરી લીધી છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/KWwDOVDeKBVOUKY9Up6RYw33BPmdB9C3mh9TUL5O.webp'/></item></channel></rss>