<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Petrol Diesel Price Today:  ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, શું પેટ્રોલ ડીઝલ મોંઘુ થયું?  જાણો આજનો લેટેસ્ટ રેટ ]]></title><link>https://sandesh.com/business/news/petrol-diesel-price-today-crude-oil-spike</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/petrol-diesel-price-today-crude-oil-spike</guid><pubDate>Mon, 14 Sep 2026 09:19:24 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને હુમલાઓને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ૨.૮% વધીને $૧૦૭.૫૪ પ્રતિ બેરલની સપાટી વટાવી ચૂક્યું છે, જ્યારે WTI ક્રૂડ પણ $102.34 પહોંચી ગયું છે.</p><h2 style="text-align: justify; "><b>ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો</b></h2><p style="text-align: justify; ">ચા તેલના ભાવમાં આવેલા આ ઉછાળાની સીધી અસર આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પડશે. જો ક્રૂડના ભાવ ઊંચા રહેશે, તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં મોટો વધારો થવાની શક્યતા છે, જેનાથી મોંઘવારી વધશે.ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા દરરોજ સવારે 6 વાગ્યે નવા દરો જાહેર કરવામાં આવે છે, અને તાજેતરના અપડેટ્સ અનુસાર, હાલ તો સામાન્ય નાગરિકો માટે રાહતની વાત એ છે કે ઘરેલુ બજારમાં ઇંધણના ભાવમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી.પરંતુ આગામી સમયમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની શક્યતા છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>આજે દેશના મોટા શહેરોમાં પેટ્રોલ ડીઝલનો ભાવ</b></h3><p style="text-align: justify; ">દિલ્હી: ઇથેનોલ-મુક્ત પેટ્રોલની કિંમત ₹167.35 પ્રતિ લિટર છે. દિલ્હીમાં E5 પેટ્રોલની કિંમત ₹109.24 અને E20 પેટ્રોલની કિંમત ₹102.12 પ્રતિ લિટર છે.</p><p style="text-align: justify; ">મુંબઈ: પેટ્રોલ ₹111.21 અને ડીઝલ ₹97.83 પ્રતિ લિટર.</p><p style="text-align: justify; ">જયપુર: પેટ્રોલની કિંમત ₹112.66 અને ડીઝલની કિંમત ₹97.78 પ્રતિ લિટર છે.</p><p style="text-align: justify; ">પટના: પેટ્રોલનો ભાવ ₹113.37 અને ડીઝલનો ભાવ ₹99.36 પ્રતિ લિટર છે.</p><p style="text-align: justify; ">લખનૌ: પેટ્રોલનો ભાવ ₹101.89 અને ડીઝલનો ભાવ ₹95.36 પ્રતિ લિટર છે.</p><p style="text-align: justify; ">ભોપાલ: પેટ્રોલનો ભાવ ₹114.45 અને ડીઝલનો ભાવ ₹99.55 પ્રતિ લિટર છે.</p><h4 style="text-align: justify; "><b>ગુજરાતના મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના અંદાજિત દરો</b></h4><h4 style="text-align: justify; "><b><br></b></h4><table class="table table-bordered"><tbody><tr><td>શહેર&nbsp;&nbsp;</td><td>પેટ્રોલ/પ્રતિ લીટર</td><td>ડીઝલ/ પ્રતિ લીટર</td></tr><tr><td>અમદાવાદ</td><td>&nbsp;₹102.15&nbsp;</td><td>₹98.27&nbsp;</td></tr><tr><td>ગાંધીનગર</td><td>₹102.04&nbsp;</td><td>₹98.15&nbsp;</td></tr><tr><td>રાજકોટ&nbsp;</td><td>₹101.57&nbsp;</td><td>₹97.71</td></tr><tr><td>સુરત</td><td>₹101.82</td><td>₹97.95&nbsp;</td></tr><tr><td>વડોદરા</td><td>₹101.46</td><td>₹97.57&nbsp;</td></tr></tbody></table><h5><b>તમારા શહેરના તાજા ભાવ કેવી રીતે જાણી શકશો?</b></h5><div>જો તમે તમારા ચોક્કસ શહેરના લેટેસ્ટ રેટ ઘર બેઠા જાણવા માંગતા હોવ, તો તમે સરળતાથી SMS દ્વારા માહિતી મેળવી શકો છો:</div><div>IOCL (ઇન્ડિયન ઓઇલ): 'RSP &lt;સ્પેસ&gt; &lt;સેન્ટર કોડ&gt;' લખીને 92249 92249 પર SMS કરો.</div><div>HPCL (હિન્દુસ્તાન પેટ્રોલિયમ): 'HPPRICE &lt;સ્પેસ&gt; &lt;સેન્ટર કોડ&gt;' લખીને 92222 01122 પર SMS કરો.</div><div>BPCL (ભારત પેટ્રોલિયમ): 'RSP &lt;સ્પેસ&gt; &lt;સેન્ટર કોડ&gt;' લખીને 92231 12222 પર SMS કરો.<br><br><b><a href="https://sandesh.com/world/news/iranian-cargo-ship-attacked-strait-of-hormuz" target="_blank">આ પણ વાંચોઃ Hormuz માં ફરી તણાવ વધ્યો, ઇરાની કાર્ગો જહાજ પર જોરદાર હુમલો, એકનું મોત</a></b></div><div><b><br></b></div> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/TkPGQnLGDG28VLyws23DUIZqAq429k4Vifp5MhVA.webp'/></item><item><title><![CDATA[Ramayana Part 1 Siya Ram Poster: ગણેશ ચતુર્થી પર 'રામાયણ 1'નું નવું 'સિયા રામ' પોસ્ટર આઉટ, સાઈ પલ્લવીનો દિવ્ય લુક ]]></title><link>https://sandesh.com/entertainment/news/ganesh-chaturthi--ramayan--part-1-new-siya-ram-poster-released</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/ganesh-chaturthi--ramayan--part-1-new-siya-ram-poster-released</guid><pubDate>Mon, 14 Sep 2026 08:30:12 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વ પર જ્યાં દેશભરમાં બાપ્પાના આગમનની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યાં બોલીવુડ ચાહકો માટે પણ એક મોટી ખુશખબર સામે આવી છે. આ શુભ પ્રસંગે હિન્દી સિનેમાની બહુપ્રતિક્ષિત પૌરાણિક ફિલ્મ "રામાયણ: ભાગ ૧"નું નવું 'સિયા રામ' પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. નિર્માતાઓએ ગણેશોત્સવના ખાસ દિવસે ભગવાન રામ અને માતા સીતાના રૂપમાં રણબીર કપૂર અને સાઈ પલ્લવીનું આ ખાસ પોસ્ટર જાહેર કરીને ફેન્સને એક ઉત્સવની ભેટ આપી છે. સોશિયલ મીડિયા પર આ વાયરલ પોસ્ટરે ચાહકોમાં ભારે ઉત્સાહ જગાડ્યો છે.</p><p style="text-align: justify; "><b>શું સાઈ પલ્લવી સીતાના પાત્ર ફેન્સને પસંદ આવશે</b></p><p style="text-align: justify; ">અગાઉ કાસ્ટિંગની જાહેરાત અને ટ્રેલર ઝલક બાદ સાઈ પલ્લવીના સીતા તરીકેના પાત્ર અંગે સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. પરંતુ આ નવું 'સિયા રામ' પોસ્ટર સામે આવ્યા પછી ચાહકો સાઈ પલ્લવીના લુકથી અત્યંત પ્રભાવિત થયા છે. માતા સીતાના રોલમાં તેની સાદગી અને દિવ્યતાના નેટીઝન્સ મુક્તકંઠે વખાણ કરી રહ્યા છે અને રણબીર-સાઈની જોડીને પરફેક્ટ ગણાવી રહ્યા છે.</p><p style="text-align: justify; "><b>રામાયણ ભાગ 1 નું સિયા રામ પોસ્ટર</b></p><p style="text-align: justify; ">નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ "રામાયણ"ને ભારતીય સિનેમાના ઈતિહાસની સૌથી ભવ્ય ફિલ્મોમાંથી એક માનવામાં આવી રહી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર (ભગવાન રામ) અને સાઈ પલ્લવી (માતા સીતા) ઉપરાંત દક્ષિણ ભારતના સુપરસ્ટાર યશ 'રાવણ'ના દમદાર રોલમાં જોવા મળશે. આ મોગા બજેટ ફિલ્મ "રામાયણ: ભાગ ૧" આગામી દિવાળીએ સિનેમાઘરોમાં ધમાકેદાર એન્ટ્રી કરવા માટે પૂરી રીતે તૈયાર છે.</p><p style="text-align: justify; "><b>ગણેશ ચતુર્થી પર નિર્માતાની પોસ્ટ</b></p><p style="text-align: justify; ">રામાયણ ફિલ્મના નિર્માતાઓએ ઇન્સ્ટાગ્રામ પર એક નોંધ સાથે આ માહિતી શેર કરી. તેમણે લખ્યું, "દરેક શુભ શરૂઆત પ્રાર્થનાથી શરૂ થાય છે. આ ગણેશ ચતુર્થીએ, 'રામાયણ' ની સંગીત યાત્રા સવારે 7:30 વાગ્યે અમારા 'સિયા રામ પોસ્ટર' ના અનાવરણ સાથે શરૂ થાય છે. આ પછી ટૂંક સમયમાં અમારી પહેલી સંગીત ભેટ, 'જય જય રામ' આવશે. સંગીત: એ.આર. રહેમાન, ગીતો: ડૉ. કુમાર વિશ્વાસ, ગાયકો: શ્રેયા ઘોષાલ અને અરિજિત સિંહ. આ પોસ્ટ શેર કરતી વખતે, તેમણે કેપ્શનમાં લખ્યું, 'ગણપતિ બાપ્પાના આશીર્વાદથી, આપણે આવતીકાલે 'રામાયણ' ની સંગીત યાત્રા શરૂ કરી રહ્યા છીએ.'</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/ranveer-singh-ad-fees-brand-endorsement" target="_blank">આ પણ વાંચો : Ranveer Singh BMW India: રણવીર સિંહની એક જાહેરાતની ફી સાંભળીને ચોંકી જશો! BMW કારની એડ માટે મળ્યા અધધ..રૂપિયા!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/GkaruJemSOI5dZokwGIarvmeK2Yf11icdVRz5y7J.webp'/></item><item><title><![CDATA[Rajkot News : સાયબર ગઠિયાઓએ મોડી રાત્રે ફોન કરી વૃદ્ધ દંપતીને ડિજિટલ એરેસ્ટ કર્યું, 2 કરોડના ફ્રોડની ધમકી આપી ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/rajkot/cyber-fraudsters-digitally-arrest-elderly-couple</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/rajkot/cyber-fraudsters-digitally-arrest-elderly-couple</guid><pubDate>Mon, 14 Sep 2026 07:25:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વર્તમાન સમયમાં સાયબર ઠગાઈના કિસ્સાઓ અવિરતપણે વધી રહ્યા છે અને ભેજાબાજ ગઠિયાઓ સામાન્ય નાગરિકોને ડરાવીને લૂંટવા માટે નવા નવા પેંતરા રચી રહ્યા છે. રાજકોટ શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં સાયબર ગઠિયાઓએ એક વૃદ્ધ દંપતીને નિશાન બનાવીને ડિજિટલ એરેસ્ટ કરવાની ધમકી આપી હતી. જો કે આ પરિસ્થિતિમાં વૃદ્ધ દંપતીએ ગભરાઈ જવાના બદલે હિંમત અને સતર્કતા દાખવી હતી. જેના પરિણામે રાજકોટ પોલીસની તાત્કાલિક કાર્યવાહીથી આ દંપતીનો આબાદ બચાવ થયો હતો.</p><h2 style="text-align: justify; "><b>વૃદ્ધ દંપતીને ડિજિટલ એરેસ્ટ કર્યું</b></h2><p style="text-align: justify; ">પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટમાં મોડી રાત્રે સાયબર ગુનેગારોએ એક વૃદ્ધ દંપતીના ઘરે ફોન કર્યો હતો. ફોન કરનાર શખ્સોએ પોતાની ઓળખ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના ઉચ્ચ અધિકારીઓ તરીકે આપી હતી. ઠગોએ દંપતીને ડરાવતા દાવો કર્યો હતો કે તેમના નામે કોઈ મોટું બેંક ખાતું ચાલી રહ્યું છે અને તેમાંથી 2 કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગ તથા ગેરકાયદેસર વ્યવહારો મામલે 25 લાખ રૂપિયાની શંકાસ્પદ રકમ ટ્રાન્સફર થઈ ચૂકી છે.આ ગંભીર ગુનામાં તેમની સંડોવણી હોવાનું જણાવીને કાયદેસરની ધરપકડથી બચવા માટે સતત સર્વેલન્સ હેઠળ રહેવાની ખોટી ધમકી આપવામાં આવી હતી.</p><h2 style="text-align: justify; "><b>દંપતીએ ડર્યા વિના જ પોલીસનો સંપર્ક કર્યો</b></h2><p style="text-align: justify; ">અડધી રાત્રે આવેલા આ ધાકધમકીભર્યા ફોનથી વૃદ્ધ દંપતી માનસિક રીતે ભાંગી પડ્યું હતું અને ભારે ડરમાં જીવી રહ્યું હતું. ગઠિયાઓએ તેમની પર સતત નજર રાખવાના દાવા સાથે વિડિયો કોલ કે અન્ય માધ્યમો દ્વારા ડિજિટલ મોનિટરિંગ હેઠળ રાખ્યા હતા. આ પ્રકારે સતત ચાર કલાક સુધી વૃદ્ધ દંપતી ભયના સાયા હેઠળ ડિજિટલ એરેસ્ટ જેવી સ્થિતિમાં રહ્યું હતું. સાયબર ઠગો તેમને કોઈપણ બહારના વ્યક્તિ કે પરિવારજનો સાથે સંપર્ક ન કરવા દબાણ કરી રહ્યા હતા જેથી તેમની પોલ છતી ન થાય. આ વૃદ્ધ દંપતીએ આખરે પોતાની માનસિક મક્કમતા જાળવી રાખી હતી અને આ સમગ્ર મામલો શંકાસ્પદ હોવાનું તેમને અનુભવાયું હતું. દંપતીએ ડરને બાજુ પર મૂકીને અત્યંત હિંમત દાખવી અને તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક સાધીને સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી આપી હતી.</p><h2 style="text-align: justify; "><b>પોલીસે લોકોને અપીલ કરી</b></h2><p style="text-align: justify; ">રાજકોટ પોલીસ કંટ્રોલ રૂમને આ ગંભીર કિસ્સા અંગે સૂચના મળતા જ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. સાયબર ક્રાઈમ અને સ્થાનિક પોલીસની ટીમે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના સમયસૂચકતા દાખવી હતી. પોલીસની ટીમ તાત્કાલિક તે વૃદ્ધ દંપતીના નિવાસ્થાને દોડી ગઈ હતી અને તેમને સાયબર ઠગોના વર્ચ્યુઅલ ચુંગલમાંથી સહીસલામત મુક્ત કરાવ્યા હતા. પોલીસે દંપતીને સાંત્વના આપીને સમજાવ્યું હતું કે આ સંપૂર્ણપણે સાયબર ઠગોનું એક મોટું પ્રપંચ અને બોગસ કાવતરું હતું જેમાં ડરવાની કોઈ જરૂર નથી. આ ઘટના બાદ પોલીસે ફરી એકવાર નાગરિકોને ચેતવણી આપી છે કે કોઈપણ સરકારી એજન્સી કે પોલીસ ક્યારેય ફોન કે વીડિયો કોલ કરીને ડિજિટલ એરેસ્ટ'કરતી નથી. આવા કોઈ પણ શંકાસ્પદ કે ધમકીભર્યા કોલ આવે તો તરત જ ગભરાયા વગર પોલીસનો સંપર્ક કરવો જોઈએ જેથી સમયસર અસામાજિક તત્વોના મનસૂબાઓને નિષ્ફળ બનાવી શકાય.<br><br><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vapi/vapi-lok-adalat-held-in-selvas-court-premises-395-cases-resolved-amicably" target="_blank">આ પણ વાંચોઃ Vapi: સેલવાસ કોર્ટ પરિસરમાં લોક અદાલત યોજાઈ : 395 કેસોનો સુખદ નિકાલ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/4M3WDgLHLNFPFlsvEbztz87pUacvIvUSOhPvKT5j.webp'/></item><item><title><![CDATA[Himatnagar: ઈડરના ટાઉનહોલમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/himatnagar/himatnagar-workshop-held-under-seva-sankalp-abhiyan-at-idar-town-hall</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/himatnagar/himatnagar-workshop-held-under-seva-sankalp-abhiyan-at-idar-town-hall</guid><pubDate>Mon, 14 Sep 2026 05:36:41 +05:30</pubDate><description><![CDATA[<p>ઈડર ટાઉનહોલમાં શનિવારે સેવા સંકલ્પ 2026 અભિયાન અંતર્ગત સેવા અને સમર્પણ કાર્યક્રમની ઈડર વિધાનસભા ક્ષેત્ર માટે કાર્યશાળા યોજાઈ હતી. આ કાર્યશાળા યોજવા પાછળનો ઉદ્દેશ એ છે કે, તા.17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીના જન્મદિવસથી 17 ઓક્ટોબર સુધી 25 વર્ષના સેવા સંકલ્પના ભાગરૂપે વિવિધ સેવાકીય અને જનજાગૃત્તિ કાર્યક્રમો યોજાશે. કાર્યશાળામાં પ્રદેશ મંત્રી ર્ડા.સંજય દેસાઈ, ભાજપ પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલા, જિલ્લા ભાજપ મહામંત્રી બિપીન ઓઝા, જિલ્લા સાંસદ, ભાજપ પ્રમુખ કનુ પટેલ, ઈડર ધારાસભ્ય રમણ વોરા, ઈડર તાલુકા પ્રમુખ દિનેશ પટેલ, શહેર પ્રમુખ કૃણાલ કંસારા, નગરપાલિકા પ્રમુખ અનુસૂયાબેન પટેલ, કમલેશ બારોટ સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.</p><p>સેવા સંકલ્પ 2026 અંતર્ર્ગત 13 વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડનગરથી વારાણસી બાઈક રેલી, 25 કરોડ બાળકોના સપનાનું ભારત રાષ્ટ્રવ્યાપી ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા, શાળાઓમાં ઇનામ વિતરણ, 'નમો સેવા ગાથા' અંતર્ર્ગત નરેન્દ્ર મોદીના જીવનચરિત્ર પર નાટક સહિતના કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત આંગણવાડી ઉત્સવ, સેવાસેતુ તથા આયુષ્માન કાર્ડ સહિતની વિવિધ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા કાર્યકર્તાઓને કામગીરી કરવા જણાવાયું હતું. તા.17 ઓક્ટોબરે આશીર્વાદનો દીવડો કાર્યક્રમ અંતર્ર્ગત યોજનાઓનો લાભ મેળવનાર પરિવારોના ઘરે દીવડો પ્રગટાવવાનો કાર્યક્રમ પણ યોજાશે. કાર્યશાળામાં ઈડર-વડાલી વિસ્તારના ભાજપ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/qIacjOiVtJ54zCmWuzsXW0MycxNFcaFrd0xqLPJb.webp'/></item><item><title><![CDATA[Himatnagar: આકોદરાથી 60 પદયાત્રીઓના સંઘનું માતાજીનાં રથ સાથે અંબાજી જવા પ્રસ્થાન ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/himatnagar/himatnagar-a-group-of-60-pedestrians-from-akodara-set-off-for-ambaji-with-matajis-chariot</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/himatnagar/himatnagar-a-group-of-60-pedestrians-from-akodara-set-off-for-ambaji-with-matajis-chariot</guid><pubDate>Mon, 14 Sep 2026 05:35:53 +05:30</pubDate><description><![CDATA[<p>શનિવારથી ભાદરવા મહિનાની શરૂઆત થઈ ચુકી છે જેના ભાગરૂપે 15મા દિવસે ભાદરવી પૂનમનો મેળો ખેડબ્રહ્મા અને અંબાજીમાં ભરાશે. જેથી અનેક પદયાત્રીઓ રથ સાથે અંબાજી પગપાળા જવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે હિંમતનગરના આકોદરાથી 60 યુવકોનો સંઘે રથ સાથે શનિવારે અંબાજી જવા પ્રસ્થાન કર્યુ હતું. આ સંઘ ચાર દિવસ બાદ અંબાજી પહોંચી માતાજીના દર્શન કરશે.</p><p>જે અંગે આકોદરા ગામના જયેશ પટેલ અને પંકીલ પટેલે જણાવ્યું હતું કે, આકોદરા યુવક મંડળ દ્વારા શનિવારે સવારે 8 વાગ્યે માતાજીના રથ સાથે 60 યુવકોના સંઘનું 'બોલ માડી અંબે જય જય અંબે'ના નાદ સાથે પ્રસ્થાન કર્યું હતું. આકોદરા યુવક મંડળ દ્વારા 12 વર્ષથી પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે સતત 13મા વર્ષે આ સંઘ નીકળ્યો છે, જેમાં ઘણા યુવકો જોડાયા છે. બોલ માડી અંબે જય જય અંબેના નાદ અને માતાજી પ્રત્યેની શ્રાદ્ધા સાથે આ સંઘ રવિવારે સવારે ખેડબ્રહ્મા અને મંગળવારે સવારે અંબાજી માતાજીના મંદિરના ચાચર ચોકમાં પહોંચી દર્શન અને આરતીનો લાભ લેશે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/Lhqu10o7XKwFglVugP7QT0pnwSqDBHyj3ybILtSv.webp'/></item><item><title><![CDATA[Vadodara: ગુતાલ ગામે રામદેવજીના દર્શને ભાવિકો ઊમટયાં ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-devotees-throng-to-have-darshan-of-ramdevji-in-gutal-village</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-devotees-throng-to-have-darshan-of-ramdevji-in-gutal-village</guid><pubDate>Mon, 14 Sep 2026 05:15:03 +05:30</pubDate><description><![CDATA[<p>વાઘોડિયા : વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામે રામદેવજી મહારાજના મંદિરે ભાદરવા સુદ બીજના દિવસે રામદેવજી મહારાજના દર્શન કરવા માટે તાલુકાના તેમજ જિલ્લા બહારના પણ દર્શનાથીઓ આ મંદિરે દર્શન કરવા માટે ઊમટી પડે છે. મંદિરે ભવ્ય ભંડારાનું પણ આયોજન કરાય છે. જેનો પણ શ્રદ્ધાળુઓ લાભ લે છે. ભાદરવા સુદ બીજના દિવસે રામદેવજી મહારાજના દર્શન કરવા માટે દૂર-દૂરથી પણ શ્રદ્ધાળુઓ આસ્થા સાથે પગપાળા ચાલીને ગુતાલ ગામે મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/Rz9kFAZZ4j8RphNSXK5CjUGX98EaDJLfuDcZFTzh.webp'/></item><item><title><![CDATA[Bagodra: અમદાવાદ - રાજકોટ હાઈવે પર ભોગાવા બ્રિજ પાસે ટ્રક પલટતા ત્રણ કિમીનો ટ્રાફિક જામ : બંને સાઈડ વાહનચાલકો કલાકો સુધી અટવાયા ! ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/bagodra-three-km-traffic-jam-after-truck-overturns-near-bhogawa-bridge-on-ahmedabad-rajkot-highway-drivers-on-both-sides-stuck-for-hours</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/bagodra-three-km-traffic-jam-after-truck-overturns-near-bhogawa-bridge-on-ahmedabad-rajkot-highway-drivers-on-both-sides-stuck-for-hours</guid><pubDate>Mon, 14 Sep 2026 05:14:39 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર બગોદરા ટોલ નાકાની પાસે આવેલા ભોગાવા બ્રિજની છેડા પર શનિવારે મોડી રાતે ટ્રક પલટી પડતાં એક તરફ્નો માર્ગ બ્લોક થઈ ગયો હતો. જેના પગલે બગોદરા તરફ્ અંદાજે ત્રણ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી જતાં હાઈવેની બંને સાઈડના વાહનચાલકોને રવિવારે સવારે 10 વાગ્યાના સમયગાળા સુધી ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ ભોગાવા બ્રિજની છેડે એક ભારે ટ્રક પલટી મારી જતાં હાઈવે પરનો એક તરફ્નો માર્ગ સંપૂર્ણપણે અવરોધાયો હતો. ઘટનાની જાણ થતાં બગોદરા પોલીસ તેમજ અમદાવાદ જિલ્લા ટ્રાફ્કિ પોલીસનો કાફ્લો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે ક્રેનની મદદથી પલટી પડેલી ટ્રકને હટાવવાની કામગીરી હાથ ધરી ટ્રાફ્કિ વ્યવસ્થા પૂર્વવત કરવા પ્રયાસો કર્યા હતા. ટ્રાફ્કિજામ દરમિયાન કેટલાક વાહનચાલકો રોંગ સાઈડમાં વાહનો હંકારી જતા પોલીસ દ્વારા આવા વાહનચાલકો સામે કાર્યવાહી કરી દંડ પણ ફ્ટકારવામાં આવ્યો હતો.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/HK135B9HYOejgk601hXtEq9LGFJTRWMP1ofLvzMc.webp'/></item><item><title><![CDATA[India: મણિપુરમાં બે અલગ-અલગ હુમલામાં દંપતી સહિત 4 લોકોની નિર્મમ હત્યા, 6 વર્ષના બાળકને ગોળી વાગી ]]></title><link>https://sandesh.com/india/news/manipur-violence-tamenglong-4-killed-child-injured-in-fresh-attack</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/manipur-violence-tamenglong-4-killed-child-injured-in-fresh-attack</guid><pubDate>Sun, 13 Sep 2026 23:04:43 +05:30</pubDate><description><![CDATA[<p>મણિપુરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો વચ્ચે તામેંગલોંગ જિલ્લામાં રવિવારે ફરી એકવાર સશસ્ત્ર હુમલાખોરોએ રક્તપાત આચર્યો છે. પહેલી ઘટના તામેંગલોંગના કૈમાઈ પોલીસ સ્ટેશન હેઠળના ટોલોન ગામમાં સવારે આશરે 5:30 વાગ્યાના સુમારે બની હતી. સશસ્ત્ર ગુનેગારોએ એક પરિવાર પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં 46 વર્ષીય મહિલા લિંગઝાંગાઈ સિંગસિતનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.</p><h2><b>મણિપુરમાં ફરી લોહિયાળ હિંસા</b></h2><p>જ્યારે તેમના પતિ સેનેહ સિંગસિત અને 6 વર્ષના માસૂમ પુત્રને ગંભીર રીતે ગોળી વાગી હતી. ઘાયલ પિતા-પુત્રને સારવાર અર્થે પાડોશી રાજ્ય આસામની સિલચર મેડિકલ કોલેજ લઈ જવામાં આવી રહ્યા હતા, પરંતુ રસ્તામાં જ પતિ સેનેહ સિંગસિતનું પણ કરુણ મોત નીપજ્યું હતું. 6 વર્ષના બાળકની હાલત હજુ પણ ગંભીર જણાવાઈ રહી છે અને તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.</p><h3><b>હુમલાખોરોએ દંપતી સહિત 4 લોકોની કરી નિર્મમ હત્યા</b></h3><p>પ્રથમ ઘટનાના ગણતરીના કલાકો બાદ જ, બપોરે આશરે 3:00 વાગ્યાના અરસામાં નુંગબા પોલીસ સ્ટેશન ક્ષેત્રના લોંગપી ગામમાં બીજો હુમલો થયો હતો. જેમાં લોંગપી ગામના રહીશ જિલી સિંગસિન અને રેયોલ ગેંગટે નામના બે લોકોના મોત થયા હતા. કુકી સંગઠન 'વેસ્ટર્ન વિલેજ વોલેન્ટિયર્સ' (WVV) ના પ્રવક્તા ઓબેન સિંગસને નિવેદન આપતાં આરોપ લગાવ્યો છે કે, આ હુમલો નાગા ઉગ્રવાદી જૂથો NSCN-IM અને ZUF-K ના સભ્યો દ્વારા કરવામાં આવ્યો હતો.</p><h4><b>6 વર્ષના માસૂમ બાળકને ગોળી વાગતાં સારવાર હેઠળ</b></h4><p>હત્યા બાદ હુમલાખોરો ગામના સેન્ટર તરફ આગળ વધ્યા હતા, પરંતુ સ્થાનિક ગ્રામીણ વોલેન્ટિયર્સ સાથેના વળતા ગોળીબાર બાદ તેઓને પીછેહઠ કરવાની ફરજ પડી હતી. પોલીસ સ્ટેશનથી 30 કિલોમીટર દૂર અને ખરાબ રસ્તા ધરાવતા વિસ્તારમાં આ ઘટના બની હોવાથી પોલીસે ઘટનાસ્થળે પહોંચી સઘન તપાસ અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.</p><p><b><a href="https://sandesh.com/world/news/brics-summit-2026-iran-uae-meeting-trump-reaction-new-delhi-declaration" target="_blank">આ પણ વાંચો: BRICS Summit 2026: ઈરાન-UAE નેતાઓની બેઠક પર ટ્રમ્પને લાગ્યા મરચા-કહ્યું મને કોઈ ફર્ક નથી પડતો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/13/V2DA340Bx9SnOB1htBOCz4Ufeo8TY6UPFAbPpuIv.webp'/></item><item><title><![CDATA[14 September Top News: હિન્દી દિવસ અને ગણેશ ચતુર્થીનો સુભગ સમન્વય, જાણો આજનો દેશ-વિદેશનો ઐતિહાસિક વારસો ]]></title><link>https://sandesh.com/india/news/gujarat/14-september-top-news-today-in-history-events-gujarati</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/gujarat/14-september-top-news-today-in-history-events-gujarati</guid><pubDate>Sun, 13 Sep 2026 22:12:55 +05:30</pubDate><description><![CDATA[<p>14 સપ્ટેમ્બરનો દિવસ ધાર્મિક, રાજકીય અને સંરક્ષણ ક્ષેત્રે અત્યંત વિશેષ રહેવાનો છે. એક તરફ પોખરણમાં ભારતીય વાયુસેનાનું વિશાળ 'ડ્રોનથોન-2026' શરૂ થઈ રહ્યું છે, તો બીજી તરફ મુંબઈમાં કેન્દ્રીય અહમદ શાહ રાજભાષા સંમેલનનું ઉદ્ઘાટન કરશે. ધાર્મિક દ્રષ્ટિએ હરતાલિકા ત્રીજ અને ગણેશ ચતુર્થીનો અદ્ભુત સંયોગ રચાઈ રહ્યો છે. ઉપરાંત, ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અને દિલ્હીના રાજકારણમાં સસંપાદિત 'શીશમહલ' તપાસ સમિતિનું નિરીક્ષણ મુખ્ય આકર્ષણ રહેશે.</p><h2><b>વાયુસેનાનું ‘ડ્રોનથોન-2026’ સંરક્ષણ પ્રદર્શન</b></h2><p>રાજસ્થાનના જેસલમેરમાં આવેલા પોખરણ ફીલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે 14થી 16 સપ્ટેમ્બર દરમિયાન ભારતીય વાયુસેના દ્વારા 'ડ્રોનથોન-2026'નું આયોજન કરવામાં આવ્યું છે. સંરક્ષણ મંત્રાલય હેઠળ યોજાનારા આ ત્રણ દિવસીય કાર્યક્રમ સૈન્ય વિમાની ક્ષેત્રે ટેકનોલોજી અને ડ્રોન ક્ષમતાનું પ્રદર્શન કરશે.</p><p><b style="font-size: 2rem;">મુંબઈમાં રાષ્ટ્રીય હિન્દી દિવસ અને રાજભાષા સંમેલન</b></p><p>કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 14 સપ્ટેમ્બરે મુંબઈ ખાતે 'છઠ્ઠા અખિલ ભારતીય રાજભાષા સંમેલન' અને હિન્દી દિવસના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, બંને ઉપમુખ્યમંત્રીઓ, સાંસદો અને સાહિત્યકારો ઉપસ્થિત રહેશે.</p><p><b style="font-size: 2rem;">દિલ્હીમાં 'શીશમહલ' બંગલાનું PAC દ્વારા નિરીક્ષણ</b></p><p>દિલ્હી વિધાનસભા દ્વારા ગઠિત પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (PAC) 14 સપ્ટેમ્બરે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાનનું નિરીક્ષણ કરશે. CAG રિપોર્ટના આધારે રચાયેલી આ સમિતિ ભાજપ દ્વારા 'શીશમહલ' તરીકે ઓળખાવાતા બંગલાની તપાસ કરશે.</p><p><b style="font-size: 2rem;">હરતાલિકા ત્રીજ અને ગણેશ ચતુર્થીનો મહાસંયોગ</b></p><p>14 સપ્ટેમ્બરે સવારે 7:06 વાગ્યા સુધી તૃતીયા તિથિ હોવાથી હરતાલિકા ત્રીજનું વ્રત રખાશે. ત્યારબાદ ચતુર્થી તિથિ શરૂ થતાં ગણેશ ચતુર્થીનો ઉત્સવ શરૂ થશે. આ શુભ સંયોગમાં શ્રદ્ધાળુઓ બાપ્પાની સ્થાપના કરી શકશે.</p><p><b style="font-size: 2rem;">સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી</b></p><p>હવામાન વિભાગ મુજબ 14 સપ્ટેમ્બરે દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. આ વરસાદી સ્પેલથી રાજ્યમાં ચોમાસાની ઘટ પુરાશે.</p><p><b style="font-size: 2rem;">રાષ્ટ્રીય હિન્દી દિવસનું ઐતિહાસિક મહત્વ</b></p><p>14 સપ્ટેમ્બર 1949ના રોજ બંધારણ સભાએ હિન્દીને ભારતની સત્તાવાર રાજભાષા તરીકે સ્વીકારી હતી. 1953થી રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ, વર્ધાના પ્રસ્તાવથી દર વર્ષે 14 સપ્ટેમ્બરને 'રાષ્ટ્રીય હિન્દી દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.</p><h2><b>14 સપ્ટેમ્બરની મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાઓ</b></h2><ul><li>1752 - બ્રિટન અને તેના સામ્રાજ્ય હેઠળના દેશોએ જુલિયન કેલેન્ડર છોડીને ગ્રેગોરિયન કેલેન્ડર અપનાવ્યું. આ બદલાવ માટે 3 સપ્ટેમ્બર પછી સીધી 14 સપ્ટેમ્બર તારીખ ગણવામાં આવી હતી.</li><li>1770 - ડેનમાર્કમાં પ્રેસની સ્વતંત્રતાને સત્તાવાર માન્યતા આપવામાં આવી.</li><li>1812 - ફ્રાન્સના નેપોલિયન બોનાપાર્ટે મોસ્કો પર કબ્જો કર્યો, પરંતુ રશિયનોએ શહેરમાં આગ લગાડી દેતા પીછેહઠ કરવી પડી.</li><li>1833 - વિલિયમ બેન્ટિક ભારતના પ્રથમ ગવર્નર જનરલ બન્યા.</li><li>1901 - અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ વિલિયમ મેકકિન્લીનું અવસાન થતાં 42 વર્ષના થિયોડોર રૂઝવેલ્ટ અમેરિકાના સૌથી નાની વયના 26મા રાષ્ટ્રપ્રમુખ બન્યા.</li><li>1917 - રશિયાને સત્તાવાર રીતે પ્રજાસત્તાક દેશ જાહેર કરવામાં આવ્યો.</li><li>1959 - સોવિયેત યુનિયનનું 'Luna-2' સ્પેસ ક્રાફ્ટ ચંદ્રની સપાટી પર ઉતર્યું. ચંદ્ર પર પહોંચનારી આ પ્રથમ માનવસર્જિત વસ્તુ હતી.</li><li>1960 - ખનિજ તેલ નિકાસકાર દેશોએ ભેગા મળીને OPEC ની સ્થાપના કરી.</li><li>1999 - કિરીબાતી, નૌરુ અને ટોંગા દેશો સંયુક્ત રાષ્ટ્ર (UN)માં જોડાયા.</li><li>2000 - માઇક્રોસોફ્ટે Windows M.E. ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કરી.</li><li>2000 - ભારતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ યુએસ સેનેટના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરી.</li><li>2003 - સેનાએ ગયાના-બિસાઉમાં રાષ્ટ્રપતિ કુમ્બા માલાની સરકારનું તખ્તાપલટ કર્યું.</li><li>2003 - એસ્ટોનિયા યુરોપિયન યુનિયનમાં જોડાયું.</li><li>2006 - IBSA અંતર્ગત પરમાણુ ઊર્જા સહયોગ કરાર થયો અને દલાઈ લામાને યુએસ સર્વોચ્ચ નાગરિક સન્માન આપવાની જાહેરાત થઈ.</li><li>2007 - જાપાને તાનેગાશીયા સ્પેસ સેન્ટર પરથી પોતાનો પ્રથમ ચંદ્ર ઉપગ્રહ H-2A લોન્ચ કર્યો.</li><li>2008 - રશિયાના પર્મ એરપોર્ટ પર એરોફ્લોટ ફ્લાઇટ 821 ક્રેશ થતાં 88 લોકોના મોત થયા.</li></ul><h2><b>14 સપ્ટેમ્બરના રોજ પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ</b></h2><ul><li>1894 - જ્ઞાન ચંદ્ર ઘોષ - ભારતના પ્રખ્યાત વૈજ્ઞાનિક અને સંશોધક.</li><li>1910 - રસુના સેદ - બીજા વિશ્વયુદ્ધ સમયના સક્રિય મહિલા યોદ્ધા.</li><li>1914 - ગોપાલદાસ પરમાનંદ સિપ્પી - જાણીતા હિન્દી ફિલ્મ નિર્દેશક.</li><li>1921 - મોહન થપલિયાલ - પ્રખ્યાત હિન્દી સાહિત્યકાર.</li><li>1923 - રામ જેઠમલાણી - ભારતના દિગ્ગજ વકીલ અને રાજકારણી.</li><li>1928 - કોમોડોર બબરુભાન યાદવ - 1971ના ભારત-પાક યુદ્ધના બહાદુર નૌકાદળ અધિકારી.</li><li>1930 - રાજકુમાર કોહલી - બોલિવૂડ ફિલ્મ નિર્માતા.</li><li>1945 - તથાગત રોય - ભારતીય રાજકારણી, એન્જિનિયર અને લેખક.</li><li>1954 - શ્રીકાંત જિચકર - 42 યુનિવર્સિટીઓની ડિગ્રી ધરાવનાર ભારતીય વિદ્વાન.</li><li>1957 - ગોપી કુમાર પોદિલા - પ્રખ્યાત ભારતીય-અમેરિકન વૈજ્ઞાનિક.</li><li>1963 - રોબિન સિંહ - પૂર્વ ભારતીય ક્રિકેટર.</li><li>1993 - સાજન પ્રકાશ - ઓલિમ્પિક માટે સીધી લાયકાત મેળવનાર પ્રથમ ભારતીય સ્વિમર.</li></ul><h2><b>14 સપ્ટેમ્બરના રોજ પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ</b></h2><ul><li>1947 - કવિ ચંદ્ર કુંવર બરતવાલ - 'હિન્દીના કાલિદાસ' તરીકે ઓળખાતા પ્રખ્યાત કવિ.</li><li>1971 - તારાશંકર બંદ્યોપાધ્યાય - જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા બંગાળી સાહિત્યકાર.</li><li>1985 - રામકૃષ્ણ શિંદે - હિન્દી સિનેમાના જાણીતા સંગીતકાર.</li><li>1992 - ચંદ્રસિંહ બિરકાલી - આધુનિક રાજસ્થાનના પ્રખ્યાત પ્રકૃતિ પ્રેમી કવિ.</li><li>2008 - રાલ્ફ રસેલ - મિર્ઝા ગાલિબના નિષ્ણાત અને ઉર્દૂ ભાષાના વિદ્વાન.</li></ul><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/top-10-news-headlines-13-september-important-news-updates" target="_blank">તરણેતરનો મેળો, વાહનચાલકોની મુશ્કેલી વધશે, વીજળીનો કહેર</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/13/fsERdOlT0QJ1flyRRW0nupRWXB8mZ0i4DK3BtMgI.webp'/></item><item><title><![CDATA[Junior Women Asia Cup : ભારતીય દીકરીઓએ રચ્યો ઇતિહાસ, ફાઇનલમાં ચીનને હરાવીને ચેમ્પિયન બન્યું ]]></title><link>https://sandesh.com/sports/news/indian-hockey-team-women-beat-china-to-clinch-third-successive-junior-asia-cup-title</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/indian-hockey-team-women-beat-china-to-clinch-third-successive-junior-asia-cup-title</guid><pubDate>Sun, 13 Sep 2026 18:10:26 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય મહિલા હોકી ટીમે શાનદાર રમતનું પ્રદર્શન કરીને જુનિયર એશિયા કપનો ખિતાબ સતત ત્રીજી વખત પોતાના નામે કર્યો છે. રવિવારે રમાયેલી ફાઈનલમાં ભારતે યજમાન ચીનને 1-0થી હરાવીને ટ્રોફી પર કબજો જમાવ્યો. આ જીત સાથે ભારતીય ટીમે FIH જુનિયર વર્લ્ડ કપ માટે પણ સ્થાન મેળવી લીધું છે.ભારતની જીતમાં સાનિકા ચંદ્રકાંત માણેનું મહત્વનું યોગદાન રહ્યું હતું. તેણે મેચની 17મી મિનિટે શાનદાર ગોલ કરીને ભારતને 1-0ની સરસાઈ અપાવી હતી. આ એકમાત્ર ગોલ અંત સુધી નિર્ણાયક સાબિત થયો અને ભારતીય ટીમે ખિતાબ પોતાના નામે કર્યો.</p><h3 style="text-align: justify; "><b>સાનિકાનો ગોલ બન્યો જીતનો આધાર</b></h3><p style="text-align: justify; ">ભારત અને ચીન વચ્ચેની ફાઈનલની શરૂઆતથી જ બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. પ્રથમ ક્વાર્ટરમાં બંને ટીમોએ ગોલ માટે અનેક પ્રયાસો કર્યા, પરંતુ કોઈ ટીમને સફળતા મળી નહોતી.ત્યારબાદ 17મી મિનિટે ભારતને પેનલ્ટી કોર્નર સહિતના પ્રયાસો બાદ સફળતા મળી અને સાનિકાએ બોલને ગોલમાં પહોંચાડીને ટીમને 1-0થી આગળ કરી દીધી. ભારતીય ટીમે ત્યારબાદ ચીનને વાપસી કરવાની તક આપી નહોતી અને હાફટાઈમ સુધી પોતાની સરસાઈ જાળવી રાખી હતી.બીજા હાફમાં ચીનની ટીમે બરાબરીનો ગોલ કરવા માટે આક્રમક રમત અપનાવી હતી. જોકે ભારતીય ખેલાડીઓએ મજબૂત રક્ષણ સાથે ચીનના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા. અંતિમ સીટી વાગી ત્યારે ભારત 1-0થી આગળ હતું અને તેની સાથે જ ટીમે સતત ત્રીજી વખત જુનિયર એશિયા કપનો ખિતાબ જીતી લીધો.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/TheHockeyIndia/status/2099076730531271099?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h4 style="text-align: justify; "><b>સતત ત્રીજી વખત ચેમ્પિયન</b></h4><p style="text-align: justify; ">ભારતીય મહિલા ટીમ માટે આ જીત ખાસ મહત્વ ધરાવે છે. ટીમે અગાઉની 2 આવૃત્તિઓમાં પણ જુનિયર એશિયા કપની ટ્રોફી જીતી હતી. હવે ચીનને હરાવીને ભારતે ખિતાબની હેટ્રિક પૂરી કરી છે.આ વર્ષે ટીમની જવાબદારી સંભાળનાર કોચ ટિમ વ્હાઇટના માર્ગદર્શન હેઠળ ભારતીય ખેલાડીઓએ આયોજનબદ્ધ તાલીમ કાર્યક્રમ દ્વારા ટૂર્નામેન્ટની તૈયારી કરી હતી. તેની અસર ટીમના પ્રદર્શન પર પણ જોવા મળી અને ભારતે સમગ્ર સ્પર્ધામાં મજબૂત રમત બતાવી.</p><h5 style="text-align: justify; "><b>ખેલાડીઓને મળશે રોકડ પુરસ્કાર</b></h5><p style="text-align: justify; ">ખિતાબ જીત્યા બાદ હોકી ઈન્ડિયાએ ભારતીય મહિલા ટીમ માટે રોકડ પુરસ્કારની પણ જાહેરાત કરી છે. ટીમની દરેક ખેલાડીને 3 લાખ રૂપિયા આપવામાં આવશે, જ્યારે સપોર્ટ સ્ટાફના દરેક સભ્યને 1.5 લાખ રૂપિયાનું ઇનામ મળશે.આ જીતથી ભારતીય મહિલા હોકીના ભવિષ્ય માટે પણ આશા વધી છે. જુનિયર સ્તરે સતત સફળતા મેળવી રહેલી ટીમ હવે FIH જુનિયર વર્લ્ડ કપમાં પણ પોતાની ક્ષમતા સાબિત કરવા ઉતરશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/us-open-2026-elena-rybakina-creates-history-defeats-sabalenka-to-win-first-us-open-title" target="_blank"> US Open 2026: Elena Rybakinaએ રચ્યો ઈતિહાસ, Sabalenkaને હરાવીને જીત્યું પ્રથમ ટાઈટલ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/13/hIKTQqQRttApX5F1PU6edKYWoFmkCpJ1skt68pYl.webp'/></item></channel></rss>