<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[World Record : બાપ રે! 10 વર્ષ સુધી ન કપાવ્યા વાળ, હવે એટલા લાંબા થયા કે ભારતીય મહિલાનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું! ]]></title><link>https://sandesh.com/videos/viral-videos/news/india/indian-woman-10-years-hair-guinness-world-record</link><guid isPermaLink="true">https://sandesh.com/videos/viral-videos/news/india/indian-woman-10-years-hair-guinness-world-record</guid><pubDate>Sat, 08 Aug 2026 14:46:50 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઘણા લોકોને લાંબા વાળ રાખવાનો શોખ હોય છે, પરંતુ શું કોઈ 10 વર્ષ સુધી વાળ ન કપાવે અને પછી એ જ વાળના કારણે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવી લે? ઉત્તરાખંડની રહેવાસી રેનુ ધરિયાલે આવું જ કરી બતાવ્યું છે. તેમના વાળ હવે એટલા લાંબા થઈ ગયા છે કે ખુલ્લા રાખવાથી જમીન પર પથરાઈ જાય છે અને આ જ વાતે તેમને આખી દુનિયામાં અલગ ઓળખ અપાવી છે.</p><h2 style="text-align: justify; "><b>દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની રેનુ</b></h2><p style="text-align: justify; ">ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ મુજબ, રેનુ ધરિયાલના વાળની લંબાઈ 271.50 સેન્ટિમીટર એટલે કે લગભગ 8 ફૂટ 10 ઇંચ માપવામાં આવી છે. આ સાથે તેઓ જીવિત મહિલાઓમાં સૌથી લાંબા વાળ ધરાવતી મહિલા બની ગઈ છે. તેમના વાળની સત્તાવાર માપણી એપ્રિલમાં ઉત્તરાખંડના હલ્દવાનીમાં કરવામાં આવી હતી. ઈન્ટરેસ્ટિંગ વાત એ છે કે તેમના વાળ દુનિયાના સૌથી લાંબા વ્યક્તિ રહી ચૂકેલા રોબર્ટ વાડલોની 272 સેન્ટિમીટર ઊંચાઈ કરતાં માત્ર અડધો સેન્ટિમીટર નાના છે. આ જ કારણે રેનુની આ સિદ્ધિ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>2015 પછી નથી કપાવ્યા વાળ</b></h2><p style="text-align: justify; ">રેનુ જણાવે છે કે તેમણે 2015થી પોતાના વાળ કપાવ્યા નથી. તેમનું માનવું છે કે ભારતીય સંસ્કૃતિમાં લાંબા વાળને સુંદરતા, ધીરજ અને પરંપરાનું પ્રતીક માનવામાં આવે છે. આ વિચાર તેમને સતત પોતાના વાળ વધારવા માટે પ્રેરિત કરતો રહ્યો. આજે તેમના વાળ એટલા લાંબા થઈ ગયા છે કે ખુલ્લા રાખવાથી જમીન પર પથરાઈ જાય છે. બહાર જતી વખતે તેમને સંભાળવા માટે તેઓ લાંબી ચોટલી બનાવી લે છે.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/GWR/status/2085681268537139319"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3 style="text-align: justify; "><b>વાળની સંભાળ પણ કોઈ પડકારથી ઓછી નથી</b></h3><p style="text-align: justify; ">આટલા લાંબા વાળ રાખવા જેટલું ખાસ છે, તેમની સંભાળ રાખવી એટલી જ મુશ્કેલ પણ છે. રેનુ જણાવે છે કે વાળ ધોવા, સુકવવા અને ગૂંચ ઉકેલવામાં ઘણા કલાકો લાગી જાય છે. તેઓ કેમિકલવાળા હેર પ્રોડક્ટ્સની જગ્યાએ ઘરે બનાવેલા તેલ અને શેમ્પૂનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. સોશિયલ મીડિયા પર એક યુઝરે લખ્યું કે રેનુ ધરિયાલના વાળ 8 ફૂટ 10 ઇંચ લાંબા છે. એટલે કે તેમના વાળ એકલા જ 7 ફૂટ 1 ઇંચ ઊંચાઈ ધરાવતા ધ ગ્રેટ ખલી કરતાં 1 ફૂટ 9 ઇંચ લાંબા છે. કેટલાક રેકોર્ડ ખરેખર આશ્ચર્યચકિત કરી દે છે.</p><h4 style="text-align: justify; "><b>સોશિયલ મીડિયા પર પણ છે લોકપ્રિય</b></h4><p style="text-align: justify; ">રેનુ કન્ટેન્ટ ક્રિએટર અને યુટ્યુબર પણ છે. તેઓ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હેર કેર અને બ્યુટી સાથે જોડાયેલી ટિપ્સ શેર કરતી રહે છે. તેમના લાંબા વાળને કારણે લોકો તેમને જોઈને ઘણીવાર આશ્ચર્યચકિત થઈ જાય છે. રેનુ ધરિયાલે યુક્રેનની અલિયા નાસિરોવાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. અલિયાના વાળ 257.33 સેન્ટિમીટર એટલે કે લગભગ 8 ફૂટ 5.3 ઇંચ લાંબા હતા, જ્યારે રેનુના વાળ તેમની સરખામણીમાં 14 સેન્ટિમીટરથી વધુ લાંબા માપવામાં આવ્યા છે. રેનુનું કહેવું છે કે આ રેકોર્ડ માત્ર તેમની વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ ભારત અને ભારતીય સંસ્કૃતિ માટે પણ ગર્વની વાત છે. તેઓ ઈચ્છે છે કે લોકો પોતાની કુદરતી સુંદરતાને સ્વીકારે અને ધીરજ તથા સતત મહેનત સાથે પોતાના લક્ષ્ય તરફ આગળ વધતા રહે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/cm-vijay-sangeetha-divorce-shobha-chandrasekhar" target="_blank">આ પણ વાંચો-Thalapathy Vijayનું તૂટતું ઘર તેમની માતાએ બચાવ્યું! પત્ની સંગીતાએ છૂટાછેડાનો નિર્ણય એમ જ નથી બદલ્યો!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/NCOqjYRKKJOXLJSZfGR0522Ebog4m1SkjL4ykPhK.webp'/></item><item><title><![CDATA[Rajkotના ચોરડી ગામે ગૌચર જમીન બચાવવા અનોખું આંદોલન: ખેડૂતોએ જેટકો કંપનીનું 'બેસણું' યોજી નોંધાવ્યો વિરોધ ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/farmers-staged-a-unique-protest-by-holding-a-besanu-of-jetco-company-in-chordi-village-of-rajkot</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/farmers-staged-a-unique-protest-by-holding-a-besanu-of-jetco-company-in-chordi-village-of-rajkot</guid><pubDate>Sat, 08 Aug 2026 14:31:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલા ચોરડી ગામે ગૌચરની જમીન બચાવવા માટે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ આક્રમક તેમજ અનોખા આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. ગૌચર જમીનમાં જેટકો (JETCO) કંપની દ્વારા વીજપોલ (ટ્રાન્સમિશન ટાવર) નાખવાની કામગીરી શરૂ કરવામાં આવતાં ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. જમીનનું અસ્તિત્વ અને પશુઓ માટેનું ગૌચર બચાવવા માટે સમગ્ર ગામના ખેડૂતો એકજૂટ થયા છે. પોતાના વિરોધને અનોખી રીતે વ્યક્ત કરવા માટે ખેડૂતોએ એકઠા થઈને જેટકો કંપનીનું સાંકેતિક 'બેસણું' યોજીને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>વીજપોલની કામગીરી તાત્કાલિક અટકાવવા ખેડૂતોની માંગ</b></h2><p style="text-align: justify; ">ખેડૂતોનો સ્પષ્ટ આક્ષેપ છે કે ગૌચરની જમીનમાં કાયદાકીય જોગવાઈઓ અને સ્થાનિકોના હિતોને નેવે મૂકીને વીજપોલ ઊભા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેના કારણે પશુધનના ચરાણ માટેની જમીન છીનવાઈ જવાનો ભય ઊભો થયો છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને ખેડૂતોએ ચાલી રહેલી તમામ કામગીરી તાત્કાલિક અસરથી અટકાવી દેવાની ઉગ્ર માંગ કરી છે. આ અનોખા વિરોધ પ્રદર્શનના કારણે સમગ્ર ગોંડલ પંથકમાં આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને વહીવટી તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે.</p><h3 style="text-align: justify; "><b>સમયસર ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ખુલ્લી ચીમકી</b></h3><p style="text-align: justify; ">જેટકો કંપની સામે અનોખો વિરોધ નોંધાવ્યા બાદ ખેડૂતોએ વહીવટી તંત્ર અને કંપનીના અધિકારીઓને સ્પષ્ટ ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું છે કે જો ગૌચર જમીનમાં વીજપોલ નાખવાનો નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે અને સમસ્યાનો યોગ્ય ઉકેલ નહીં આવે, તો આગામી દિવસોમાં આંદોલનને વધુ તીવ્ર અને ઉગ્ર બનાવવામાં આવશે. પોતાના હક અને ગૌચરની જમીન બચાવવા માટે ખેડૂતો કોઈપણ હદ સુધી લડત આપવા માટે તૈયાર હોવાથી વાતાવરણ વધુ ગરમાયું છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/v0ALw8ENkWILhxFmAXAUkJuvCt10VqN8mrZPsZCV.webp'/></item><item><title><![CDATA[Gujarat Dam Water Level Status: ગુજરાતના જળાશયોમાં 70% થી વધુ પાણીનો સંગ્રહ, સરદાર સરોવર 81% ભરાયો, 10 થી વધુ ડેમ હાઈ એલર્ટ પર ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-dam-water-level-status-sardar-sarovar</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-dam-water-level-status-sardar-sarovar</guid><pubDate>Sat, 08 Aug 2026 14:22:53 +05:30</pubDate><description><![CDATA[<p>ચોમાસાની ઋતુમાં ગુજરાત રાજ્ય માટે જળસંપત્તિના ક્ષેત્રે રાહતના સમાચાર સામે આવ્યા છે. 8 ઓગસ્ટ 2026 ની સ્થિતિએ રાજ્યના કુલ 207 જળાશયોની કુલ સંગ્રહ ક્ષમતા (25,257.56 MCM) ની સરખામણીએ હાલ 17,798.94 MCM જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આ ક્ષમતાના 70.47% જેટલો સંગ્રહ દર્શાવે છે. નોંધનીય છે કે, ગયા વર્ષે આ જ દિવસે રાજ્યના જળાશયોમાં 18,186.34 MCM પાણીનો સંગ્રહ હતો.</p><h2><b>સરદાર સરોવર નર્મદા ડેમ 81.30% ભરાયો</b></h2><p>રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની વિપુલ આવક થઈ રહી છે. હાલ ડેમની મુખ્ય જળ સપાટી 133.00 મીટર પર પહોંચી ગઈ છે અને તેમાં 81.30% (7,691.00 MCM) પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો છે. ઉપરવાસમાંથી સરેરાશ 17,348 ક્યુસેક પાણીની આવક સતત થઈ રહી છે, જેના કારણે આગામી સમય માટે સિંચાઈ અને પીવાના પાણીની સુરક્ષા સુનિશ્ચિત થઈ છે.</p><h2><b>વિભાગવાર પાણીના સંગ્રહની સ્થિતિ</b></h2><p>રાજ્યના જુદા જુદા ઝોનમાં વરસાદના આધારે જળાશયોની સપાટી નીચે મુજબ નોંધાઈ છે:</p><ul><li><b>દક્ષિણ ગુજરાત: </b>સૌથી વધુ 75.46% પાણીનો સંગ્રહ થયો છે. અહીંના કુલ 13 ડેમમાંથી 9 ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે.</li><li><b>મધ્ય ગુજરાત:</b> આ ક્ષેત્રના જળાશયોમાં 57.09% પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો છે.</li><li><b>સૌરાષ્ટ્ર: </b>પ્રદેશના 141 નાના-મોટા ડેમમાં સરેરાશ 53.33% સંગ્રહ છે, જેમાંથી 15 ડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે.</li><li><b>ઉત્તર ગુજરાત:</b> આ ક્ષેત્રના જળાશયોમાં 42.02% પાણીનો જથ્થો નોંધાયો છે.</li><li><b>કચ્છ: </b>કચ્છ પ્રદેશમાં હાલ સૌથી ઓછો 25.42% સંગ્રહ જોવા મળ્યો છે.</li></ul><h2><b>રાજ્યના મુખ્ય ડેમ જે હાઈ એલર્ટ અને છલોછલ ભરાયા</b></h2><p>ઉપરવાસમાં અને સ્થાનિક સ્તરે થયેલા ભારે વરસાદને કારણે રાજ્યના અનેક મુખ્ય જળાશયો પૂર્ણ સપાટીએ પહોંચતા તંત્ર દ્વારા હાઈ એલર્ટ અને ચેતવણી જાહેર કરવામાં આવી છે:</p><ul><li><b>શેત્રુંજી:</b> 100% ભરાઈ ગયેલ છે.</li><li><b>બ્રાહ્મણી અને મચ્છુ-2: </b>બ્રાહ્મણી (100%) અને મચ્છુ-2 (98.58%) ભરાયા છે.</li><li><b>ઝૂજ અને કેલિયા:</b> બંને ડેમ 100% ભરાઈ ચૂક્યા છે.</li><li><b>દોસવાડા, ચોપડવાવ અને કાકડી-આંબા: </b>તમામ 100% ભરાયેલા છે.</li><li><b>ઢોલી, બળદેવા અને પીગુટ:</b> 100% ભરાઈ ગયા છે.</li><li><b>વણકબોરી: </b>99.59% પાણીનો સંગ્રહ થયો છે.</li></ul><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/general-rainfall-forecast-for-gujarat-for-the-next-7-days-cloudy-skies-in-saurashtra-kutch-and-central-south-gujarat" target="_blank">Gujaratમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી: સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય-દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/Q1E7aIsa05E9ObxmbayaLVK3bxK1iTYX29Zz4x7U.webp'/></item><item><title><![CDATA[Thalapathy Vijayનું તૂટતું ઘર તેમની માતાએ બચાવ્યું! પત્ની સંગીતાએ છૂટાછેડાનો નિર્ણય એમ જ નથી બદલ્યો! ]]></title><link>https://sandesh.com/entertainment/news/cm-vijay-sangeetha-divorce-shobha-chandrasekhar</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/cm-vijay-sangeetha-divorce-shobha-chandrasekhar</guid><pubDate>Sat, 08 Aug 2026 14:19:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">લગભગ 6 મહિના બાદ તમિલનાડુના સીએમ અને અભિનેતા થલાપતિ વિજય તથા તેમની પત્ની વચ્ચે ચાલી રહેલી કાનૂની લડાઈ પૂરી થઈ ગઈ છે. ફેબ્રુઆરી 2026માં તેમની પત્ની સંગીતા સોર્નાલિંગમે વિજયથી છૂટાછેડા લેવા માટે કોર્ટમાં અરજી કરી હતી. જોકે હવે તેમણે પોતાની અરજી પાછી ખેંચી લીધી છે. બંનેના છૂટાછેડા નહીં થાય. પરંતુ સંગીતાએ આ નિર્ણય અચાનક લીધો નથી, પરંતુ તેમના સંબંધને બચાવવામાં પરિવારની એક ખાસ વ્યક્તિની મોટી ભૂમિકા રહી છે.</p><h2 style="text-align: justify; "><b>સંગીતાએ છૂટાછેડાની અરજી પાછી ખેંચી</b></h2><p style="text-align: justify; ">આ કેસની સુનાવણી ચેંગલપટ્ટુ જિલ્લા ફેમિલી કોર્ટમાં 3 વખત થઈ ચૂકી હતી અને 7 ઓગસ્ટે ફરી આ કેસની સુનાવણી થઈ હતી. આ દરમિયાન કેસમાં અચાનક મોટો વળાંક આવ્યો. સંગીતા સોર્નાલિંગમે છૂટાછેડાનો કેસ બંધ કરવાની અપીલ કરી હતી. કોર્ટે તેમની અપીલ સ્વીકારી લીધી અને કેસને આગળ વધાર્યો નહીં.</p><h3 style="text-align: justify; "><b>વિજયની માતાએ સંભાળી જવાબદારી</b></h3><p style="text-align: justify; ">સંગીતાએ પોતાનો નિર્ણય બદલ્યા બાદ અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. નવભારત ટાઇમ્સના અહેવાલ મુજબ, સંગીતાએ આ નિર્ણય વિજયની માતાના કારણે લીધો છે. કહેવાય છે કે પોતાના દીકરાનું ઘર તૂટતું જોઈને વિજયની માતા શોભા ચંદ્રશેખરે વહુ સંગીતા સાથે એકાંતમાં વાત કરી હતી અને તેમને ઘણી સમજાવી હતી. સાસુની સમજાવટ બાદ સંગીતા માની ગઈ અને તેમણે આ સંબંધને સમાપ્ત ન કરવાનો નિર્ણય લીધો. જોકે, છૂટાછેડાનો કેસ બંધ કરવાના નિર્ણય અંગે સંગીતા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.<br><img alt="CM Vijay divorce, Sangeetha Vijay (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/08/sNhTpniHPZPMxI46t2VNJeVr3GvWXUaeqm0Me6Rn.webp"><br></p><h3 style="text-align: justify; "><b>સંગીતાએ વિજય પર લગાવ્યા હતા ગંભીર આરોપ</b></h3><p style="text-align: justify; ">સંગીતાએ વિજય પર અનેક આરોપ લગાવ્યા હતા. સૌથી મોટો આરોપ એ હતો કે 2021થી વિજયનું અન્ય એક મહિલા સાથે અફેર ચાલી રહ્યું હતું. વિજયે પોતાની પત્નીને ખાતરી આપી હતી કે તેઓ આ સંબંધનો અંત લાવશે, પરંતુ સંગીતાના જણાવ્યા મુજબ તેમણે આવું કર્યું નહોતું. ત્યારબાદ મામલો વધુ ગંભીર બન્યો હતો. સંગીતાએ વિજય પર માનસિક ત્રાસ અને સાથ ન આપવાના આરોપ પણ લગાવ્યા હતા. ત્યારબાદ તેમણે ફેબ્રુઆરી 2026માં ચેંગલપટ્ટુ કોર્ટમાં સ્પેશિયલ મેરેજ એક્ટ, 1954 હેઠળ છૂટાછેડા માટે અરજી કરી હતી.</p><h4 style="text-align: justify; "><b>વિજય અને સંગીતા 2 બાળકોના માતા-પિતા છે</b></h4><p style="text-align: justify; ">વિજય અને સંગીતાએ અફેર બાદ 1999માં હિન્દુ રીતરિવાજ મુજબ લગ્ન કર્યા હતા. હવે આ દંપતીને એક દીકરી દિવ્યા અને એક દીકરો જેસન છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/spider-man-box-office-collection-border-2" target="_blank">આ પણ વાંચો-Spider Manનો બોક્સ ઓફિસ પર ધમાકો! 9મા દિવસે બોર્ડર 2નો રેકોર્ડ તોડ્યો, હવે ધુરંધર 2ને આપશે ટક્કર?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/uAQTPFkPPvcPY7kOEdVU0aHFpK6cprmLVKfsKWWH.webp'/></item><item><title><![CDATA[Mehsana મનપામાં ગટર વ્યવસ્થાના અભાવે હોબાળો: રાધનપુર રોડની સોસાયટીઓ ખાળકૂવા પર નિર્ભર ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/uproar-over-lack-of-sewage-system-in-mehsana-municipal-corporation-societies-on-radhanpur-road-dependent-on-kharkuva</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/uproar-over-lack-of-sewage-system-in-mehsana-municipal-corporation-societies-on-radhanpur-road-dependent-on-kharkuva</guid><pubDate>Sat, 08 Aug 2026 13:58:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં યોગ્ય ગટર વ્યવસ્થા ન હોવાના કારણે ભારે હોબાળો મચ્યો છે. રાધનપુર રોડ, કમળપથ, મોઢેરા રોડ અને GIDC આસપાસની અનેક સોસાયટીઓ તથા વેપારીઓ આજે પણ ખારકૂવા પર નિર્ભર રહેવા મજબૂર બન્યા છે. મનપા દ્વારા ગંદા પાણીના યોગ્ય નિકાલની કોઈ ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવી નથી. છેલ્લા ઘણા સમયથી ટેન્કર દ્વારા આ ગંદુ પાણી ખેંચીને નિકાલ કરતા ટેન્કર ચાલકોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે તેમને ડમ્પિંગ સમયે ભારે હેરાનગતી અને ત્રાસનો સામનો કરવો પડી રહ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>અધિકારીઓ દ્વારા ગેરકાયદે ઉઘરાણીનો આક્ષેપ</b></h2><p style="text-align: justify; ">ટેન્કર ચાલકોએ મનપા અને વહીવટી તંત્ર સામે ગંભીર આરોપો લગાવતા જણાવ્યું છે કે સોસાયટીઓ, હોટલો અને પ્લોટોમાંથી ગંદુ પાણી ખેંચીને જ્યારે તેઓ ડમ્પિંગ કરવા જાય છે, ત્યારે અધિકારીઓ અને અન્ય શખ્સો દ્વારા તેમને ડરાવી-ધમકાવીને નાણાં પડાવવામાં આવે છે. ટેન્કરના એક ફેરાના માત્ર રૂ.700 મળતા હોવા છતાં સામે રૂ. 2,000 સુધીની ગેરકાયદેસર ઉઘરાણી કરવામાં આવે છે. આ પ્રકારના માનસિક ત્રાસ અને આર્થિક શોષણના કારણે ટેન્કર ચાલકોમાં ભારે રોષ અને અસંતોષની વ્યાપી ગયો છે.</p><h3 style="text-align: justify; "><b>ટેન્કર સેવાઓ બંધ કરવાની આપી ચેતવણી</b></h3><p style="text-align: justify; ">મનપા દ્વારા ગટરના પાણીના નિકાલ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા ન કરાતાં અને ઉઘરાણીના વિરોધમાં ટેન્કર ચાલકોએ આક્રમક વલણ અપનાવ્યું છે. ચાલકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આ સમસ્યાનો સત્વરે કોઈ કાયમી નિકાલ કે યોગ્ય ડમ્પિંગ વ્યવસ્થા નહીં કરવામાં આવે, તો તમામ ટેન્કર ચાલકો પોતાની સેવાઓ સંપૂર્ણપણે બંધ કરી દેશે. જો ટેન્કર સેવાઓ બંધ થશે તો રાધનપુર રોડ સહિતના વિસ્તારોની સોસાયટીઓમાં ગંદા પાણીનો ભરાવો થતાં જનજીવન પ્રભાવિત થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/Rx70zS6NBWR7nqHP1zhi9pcTv2grZHCPWmaV0oDZ.webp'/></item><item><title><![CDATA['India પર 100 ટકા ટેરિફ લાદવો એ આત્મઘાતી પગલું...', ટ્રમ્પ વહીવટીતંત્રના નિર્ણય પર પોતાના લોકોએ જ ઉઠાવ્યા સવાલ! ]]></title><link>https://sandesh.com/india/news/trump-plans-100-percent-tariff-on-india--china-for-buying-russian-oil--us-senate-bill</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/trump-plans-100-percent-tariff-on-india--china-for-buying-russian-oil--us-senate-bill</guid><pubDate>Sat, 08 Aug 2026 13:55:22 +05:30</pubDate><description><![CDATA[<p>India: ટ્રમ્પ વહીવટીતંત્ર રશિયાના તેલ ખરીદવા બદલ ભારત સહિત પાંચ દેશો પર 100 ટકા ટેરિફ લાદવાની તૈયારી કરી રહ્યું છે. યુએસ સેનેટે બહુમતી મતે એક બિલને મંજૂરી આપી છે જે રશિયા અને તેના પેટ્રોલિયમ ઉત્પાદનોના મુખ્ય ખરીદદારો (જેમ કે ચીન અને ભારત) પર ટેરિફ લાદવાનો આદેશ આપી દીધો છે. આ બિલ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને એ દેશો પર 100 ટકા ટેરિફ લગાવવાની મંજૂરી આપે છે કે જે  રશિયન તેલ અને ગેસના ટોચના આયાતકાર છે.&nbsp;<br><br><h5><b>યુએસ સેનેટરના ટેરિફ પર સવાલ</b></h5></p><p>જોકે, ટ્રમ્પના આ નિર્ણયનો અમેરિકામાં પહેલેથી જ વિરોધ થઈ રહ્યો છે. એક યુએસ સેનેટરએ આ પગલા પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે, "એવા સમયે જ્યારે આપણે ચીન સાથેની અમારી ચાલી રહેલી સ્પર્ધામાં ભારતનો ટેકો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, ત્યારે ભારત પર 100 ટકા ટેરિફ લાદવો એ સંપૂર્ણપણે આત્મઘાતી પગલું છે." ટ્રમ્પ વહીવટીતંત્રે અગાઉ રશિયન તેલ ખરીદતા દેશો પર પ્રતિબંધો લાદ્યા છે; જો કે, 100 ટકા ટેરિફના પ્રસ્તાવને ખાસ કરીને ગંભીર માનવામાં આવે છે. બિલ પાછળનો તર્ક એ છે કે આવા વેપાર યુક્રેનમાં યુદ્ધને વેગ આપે છે.</p><p>હાલમાં, ચીન, ભારત, અઝરબૈજાન, હંગેરી અને સ્લોવાકિયા રશિયા પાસેથી તેલ અને ગેસના ટોચના પાંચ ખરીદદારો છે. રશિયા પર પ્રતિબંધો ઉપરાંત આ બિલ 'ઈરાન પ્રતિબંધ અધિનિયમ 1996' ના ટાઈમ લિમિટને 2031 સુધી લંબાવશે; આ કાયદો ઈરાનના ઉર્જા ક્ષેત્રમાં રોકાણ કરતી કંપનીઓ પર દંડ લાદે છે.</p><p>જોકે, મતદાન પછી, સેનેટર બ્લુમેન્થલે મીડિયાને જણાવ્યું, "આ કડક પ્રતિબંધો અને ટેરિફ આ ઘાતક, ગુનાહિત અને આક્રમક યુદ્ધમાં સામેલ તમામ લોકોને અટકાવશે." તેમજ કેટલાક ડેમોક્રેટ્સે ચેતવણી આપી છે કે આ બિલ ટ્રમ્પને ટેરિફ અંગે નવી સત્તાઓ આપશે. આ બિલ હવે મંજૂરી માટે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં જશે, જ્યાં 31 ઓગસ્ટે તેની ચર્ચા થવાની અપેક્ષા છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gallery/news/monsoon-health--moong-dal-is-best-home-remedy-for-cold--fever-and-digestion" target="_blank"><b>અનેક બીમારીઓથી મળશે રાહત અને રોગ પ્રતિકારક શક્તિમાં થશે વધારો, પીઓ આ દાળ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/kAyoHRgof9ESM0NO7Me06IJ4C6e7zFDuUrtzksuo.webp'/></item><item><title><![CDATA[RBIએ આ બેન્કો માટે બદલ્યા નિયમ, હવે હોમલોનમાં રાહત અને ફ્રોડ પર પણ લાગશે લગામ ]]></title><link>https://sandesh.com/business/news/rbi-proposes-new-rules-for-rural-cooperative-banks--home-loan-limit-raised-to-rs-3-crore</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/rbi-proposes-new-rules-for-rural-cooperative-banks--home-loan-limit-raised-to-rs-3-crore</guid><pubDate>Sat, 08 Aug 2026 13:02:34 +05:30</pubDate><description><![CDATA[<p>RBI: જ્યારે આપણે લોન લેવાનો વિચાર કરીએ છીએ, ત્યારે સામાન્ય રીતે SBI, HDFC બેન્ક અથવા ICICI બેન્ક જેવા નામો સૌથી પહેલા ધ્યાનમાં આવે છે. જો કે, દેશના દૂરના ગ્રામીણ વિસ્તારોમાં, ગ્રામીણ સહકારી બેન્કો (RCBs) નું નેટવર્ક શાંતિથી ઘરો, ખેતરો અને નાના વ્યવસાયોને ધિરાણ આપી રહ્યું છે.</p><p>હવે, ભારતીય રિઝર્વ બેન્ક (RBI) આ બેન્કોને વધુ સારી સગવડ આપવાનો ઇરાદો ધરાવે છે, સાથે સાથે તેમની જોખમ વ્યવસ્થાપન પદ્ધતિઓને કડક બનાવવાનો પણ ઇરાદો ધરાવે છે. RBI એ RCBs માટે એકાગ્રતા જોખમ વ્યવસ્થાપન અને ધિરાણ સુવિધાઓ સંબંધિત 2025 ના નિયમોમાં નોંધપાત્ર ફેરફારો સૂચવતી ડ્રાફ્ટ એડવાઈઝરી જારી કરી છે. આ દરખાસ્તો પર જાહેર ટિપ્પણીઓ 28 ઓગસ્ટ સુધી આમંત્રિત કરવામાં આવી છે તે પહેલાં તેમને અંતિમ સ્વરૂપ આપવામાં આવે.</p><p><b style="font-size: 1.5rem;">RBI નો ઉદ્દેશ્ય શું છે?</b></p><p>આ નિયમોમાં ફેરફારોનો મુખ્ય ઉદ્દેશ RCBs ની નાણાકીય સ્થિરતાને મજબૂત બનાવવાનો અને ગ્રામીણ વિસ્તારોમાં ઉધાર લેનારાઓની વિકસતી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તેમને વધુ કાર્યકારી સુગમતા પ્રદાન કરવાનો છે. RBI એ કોઈપણ એક પ્રતિપક્ષને બેન્કની ટાયર-1 મૂડીના 20% અને એક જ જૂથને મહત્તમ 25% લોન આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ પગલાનો હેતુ બેન્કોને ફક્ત એક કે બે કોર્પોરેટ્સને વધુ પડતું ધિરાણ આપવાથી રોકવાનો છે.</p><p><b style="font-size: 1.5rem;">હોમ લોનનો વ્યાપ વધારવો</b></p><p>ગ્રામીણ વિસ્તારોમાં કાયમી આવાસ અને ઘરના નવીનીકરણની વધતી માંગને ધ્યાનમાં રાખીને, RBI એ હોમ લોન મર્યાદા વધારી છે. ₹10,000 કરોડથી વધુ થાપણો ધરાવતી ગ્રામીણ બેન્કોને હવે ₹3 કરોડ સુધીની હોમ લોન મંજૂર કરવાની મંજૂરી આપવામાં આવશે. વધુમાં, RBI એ ₹10,000 કરોડથી વધુ થાપણો ધરાવતી બેન્કોના બોર્ડને હોમ લોન માટે મુદત અને મુદતનો સમયગાળો નક્કી કરવા માટે સત્તા આપી છે.</p><p>RBI દ્વારા બીજો મુખ્ય પ્રસ્તાવ એ છે કે મોટાભાગના ક્ષેત્રો માટે ક્ષેત્રવાર એક્સપોઝર મર્યાદા દૂર કરવી, જ્યારે ખાસ કરીને રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે આ મર્યાદાઓ જાળવી રાખવી. આનાથી ગ્રામીણ બેન્કોને સ્થાનિક માંગના આધારે કૃષિ ક્ષેત્ર, MSME અથવા સ્થાનિક વ્યવસાયોને વધુ લોન આપવાની સ્વતંત્રતા મળશે.</p><p><b style="font-size: 1.5rem;">ઉધાર લેનારાઓને કેવી રીતે ફાયદો થશે?</b></p><p>ડ્રાફ્ટ દરખાસ્તો ધિરાણના ધોરણોમાં તાત્કાલિક કોઈ ફેરફાર કરશે નહીં. તેના અંગે ચર્ચાઓ હજુ પણ ચાલુ છે. જોકે, જો તેનો અમલ કરવામાં આવે તો, ગ્રામીણ સહકારી બેન્કો ખાસ કરીને મોટી બેન્કો માટે નોંધપાત્ર હાઉસિંગ લોન આપવાનું અને વધુ કસ્ટમાઇઝ્ડ લોન ચુકવણી પદ્ધતિઓ અપનાવવાનું સરળ બનાવી શકે છે. ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોના ઉધાર લેનારાઓ જે સહકારી બેન્કો પર આધાર રાખે છે, તેમના માટે આ ફેરફારો હાઉસિંગ ફાઇનાન્સની સરળ ઍક્સેસને સરળ બનાવી શકે છે અને ભવિષ્યમાં વધુ અનુકૂળ લોન વિકલ્પો પ્રદાન કરી શકે છે.</p><p><br></p><p><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/bsf-and-punjab-police-recover-pakistani-drone-with-chinese-pistol--2-magazines" target="_blank">Pakistanનું વધુ એક કાવતરું નિષ્ફળ! ફાઝિલકા બોર્ડર પર ડ્રોન સાથે મળી પિસ્તોલ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/MQ03yOfhGLBTQRYpQ6WCVrQpWaOBBtAL4D2xRUM7.webp'/></item><item><title><![CDATA[Rajkot News: ગ્રામ્ય SOG અને આરોગ્ય વિભાગની રેડ, 3 ડેરીમાંથી 1165 કિલો જથ્થો સીઝ ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/sog-health-department-raid-dairies</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/sog-health-department-raid-dairies</guid><pubDate>Sat, 08 Aug 2026 12:29:54 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ જિલ્લામાં લોકોના અરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયા તત્વો સામે તંત્રે લાલ આંખ કરી છે. રાજકોટ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને આરોગ્ય વિભાગની ટીમે સંયુક્ત રીતે ચોક્કસ બાતમીના આધારે જાણીતી ડેરીઓ પર રેડ કરી હતી. ભેળસેળયુક્ત અને અખાદ્ય ડેરી પ્રોડક્ટ્સનું વેચાણ અટકાવવા માટે પાડવામાં આવેલા આ દરોડાથી દૂધ અને માવાના વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.</p><h2><b>જય ખોડિયાર, શ્રીજી અને બજરંગ ડેરીમાં સઘન તપાસ</b></h2><p>પોલીસ અને આરોગ્ય અધિકારીઓની ટીમ દ્વારા રાજકોટની ત્રણ મુખ્ય પેઢીઓ - જય ખોડિયાર ડેરી, શ્રીજી કોર્પોરેશન અને બજરંગ ડેરી માં એકસાથે રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન સ્થળ પર રાખવામાં આવેલા દૂધ, માવો અને અન્ય ડેરી ઉત્પાદનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જ મોટા પાયે અસ્વચ્છતા અને ભેળસેળના પુરાવા મળી આવ્યા હતા.</p><h2><b>500 કિલ શંકાસ્પદ માવો અને 400 લીટર અખાદ્ય દૂધ સીઝ કરાયું</b></h2><p>આ સફળ ઓપરેશન દરમિયાન અધિકારીઓએ દરોડા સ્થળેથી 500 કિલો જેટલો શંકાસ્પદ માવો અને 400 લીટર જેટલું માનવ વપરાશ માટે અયોગ્ય અને અખાદ્ય દૂધ ઝડપી પાડ્યું હતું. ત્રણેય પેઢીઓમાંથી મળીને કુલ 1165 કિલો જેટલો મોટી માત્રામાં અખાદ્ય જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. જો આ જથ્થો બજારમાં વેચાઈ ગયો હોત તો નાગરિકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી શકી હોત.</p><p><img alt="Rajkot News: SOG and Health Dept Raid Dairies: 1165 KG Adulterated Mawa &amp; Milk Seized" src="https://epapercdn.sandesh.com/images/2026/08/08/BOACGiRRFOL62SFk3AUYg5GHbDmMgQhOIcoDRlx4.webp" style="width: 100%;"><br></p><h2><b>નમૂના લેબોરેટરીમાં મોકલાયા, આગળની કાર્યવાહી શરૂ</b></h2><p>આરોગ્ય વિભાગ દ્વારા સીઝ કરવામાં આવેલા માવા અને દૂધના શંકાસ્પદ જથ્થામાંથી નમૂના લઈને તેને પૃથ્થકરણ અર્થે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ સંબંધિત ડેરી સંચાલકો સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે આ મામલે આગળની વધુ તપાસ હાથ ધરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/rajkot/sapar-pithadiya-illegal-mineral-mining-raid" target="_blank">Rajkot News: પીઠડીયા અને શાપરમાંથી ગેરકાયદે ખનીજ ચોરીનો પર્દાફાશ, 4 પકડાયા, 1.39 કરોડનો મુદ્દામાલ જપ્ત</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/aW33HxBAyTU4kmRDR2Z6qk2P0dV7eg1BXLsAVlJX.webp'/></item><item><title><![CDATA[Ahmedabad મનપાના CFO અમિત ડોંગરે તાત્કાલિક અસરથી કરાયા સસ્પેન્ડ! ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-municipal-corporation-cfo-amit-dongre-caught-red-handed-accepting-a-bribe-of-rs-36-thousand-with-a-middleman</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-municipal-corporation-cfo-amit-dongre-caught-red-handed-accepting-a-bribe-of-rs-36-thousand-with-a-middleman</guid><pubDate>Sat, 08 Aug 2026 11:51:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના મુખ્ય નાણાકીય અધિકારી (CFO) અમિત ડોંગરે સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રૂ. 36 હજારની લાંચ લેવાના ગંભીર કેસમાં રંગેહાથ ઝડપાયા બાદ અમદાવાદ મનપા તંત્ર દ્વારા તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, અમિત ડોંગરે એક વચેટીયા મારફતે આ લાંચની રકમ સ્વીકારી રહ્યા હતા ત્યારે જ એસીબીની ટીમે દરોડો પાડીને બંનેને આબાદ ઝડપી લીધા હતા. મનપાના ઉચ્ચ અધિકારી સામેની આ સફળ ટ્રેપથી વહીવટી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>રાત્રિ દરમિયાન નિવાસસ્થાને સર્ચ&nbsp;</b></h2><p style="text-align: justify; ">લાંચ કેસમાં ધરપકડ કર્યા બાદ એસીબીની ટીમે ગઈકાલે મોડી રાત્રે અમિત ડોંગરેના નિવાસસ્થાને સંઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એસીબીના અધિકારીઓ દ્વારા ઘરની બારીકાઈથી તલાશી લેવામાં આવી હતી અને મહત્વના દસ્તાવેજો તથા નાણાકીય લેવડદેવડની તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ બાદ અધિકારી પાસે કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકત (અધિક આવકથી વધુ સંપત્તિ) મળી આવવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. એસીબી દ્વારા તેમની બેંક વિગતો, લોકર અને બેનામી મિલકતો અંગે પણ ઊંડાણપૂર્વક પૂછપરછ અને તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>આ કાર્યવાહી બાદ ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ</b></h3><p style="text-align: justify; ">અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈતિહાસમાં ઉચ્ચ કક્ષાના અધિકારી સામે આ પ્રકારની કડક કાર્યવાહી થતાં જ સમગ્ર મનપા મહેકમમાં ફફડાટ વ્યાપી ગયો છે. લાંચરૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા કાયદેસરની ગુનાહિત કાર્યવાહી શરૂ કરાતાં જ સંસ્થાગત ધોરણો મુજબ વહીવટી તંત્રે સસ્પેન્શનનો હુકમ જારી કર્યો છે. પ્રજાના નાણાંની જવાબદારી સંભાળતા મુખ્ય નાણાકીય અધિકારી જ ભ્રષ્ટાચારમાં લિપ્ત હોવાનું બહાર આવતાં તંત્રની પારદર્શિતા સામે પણ સવાલો ઊભા થયા છે. આગામી દિવસોમાં એસીબીની તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસાઓ થાય તેવી શક્યતા છે.</p><h4 style="text-align: justify; "><b>વિપક્ષના સરકાર અને AMC પર તીખા પ્રહારો&nbsp;</b></h4><p style="text-align: justify; ">CFOની લાંચ કેસમાં ધરપકડ થતાં જ રાજકીય ગરમાવો આવી ગયો છે અને કોંગ્રેસે સરકાર તેમજ AMC વહીવટ સામે ગંભીર આરોપો લગાવ્યા છે. કોંગ્રેસ નેતાઓએ આક્ષેપ કર્યો છે કે, જે ફાયર વિભાગનું મૂળ કામ નાગરિકોને સરળતાથી અને પારદર્શક રીતે NOC આપવાનું હોવું જોઈએ, ત્યાં જ લાંચરૂશ્વત અને ભ્રષ્ટાચારનો ખેલ ચાલી રહ્યો છે. અગાઉ રાજકોટ, સુરત અને વડોદરા જેવા મહાનગરોમાં પણ અધિકારીઓની આવી જ બેદરકારી અને ભ્રષ્ટાચારને કારણે નિર્દોષ નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા હોવાના દાખલા મોજૂદ છે, છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર બોધપાઠ લેવામાં આવ્યો નથી.&nbsp;</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/fGApjpJJolemUvVXI7E0lUDBfAFnrWyQ8x3XHgpv.webp'/></item><item><title><![CDATA[Sports News : ફૂટબોલ મેચ દરમિયાન ખેલાડી પર પડી વીજળી, Videoમાં કેદ થઈ ઘટના ]]></title><link>https://sandesh.com/sports/news/sports-news-lightning-strikes-player-during-football-match-incident-captured-on-video</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/sports-news-lightning-strikes-player-during-football-match-incident-captured-on-video</guid><pubDate>Fri, 07 Aug 2026 16:01:27 +05:30</pubDate><description><![CDATA[<p>થાઈલેન્ડમાં એક દુ:ખદ અને આઘાતજનક ઘટના બની છે,જ્યાં ફૂટબોલ મેચ દરમિયાન મેદાન પર વીજળી પડી હતી.આ ભયાનક દુર્ઘટનામાં 24 વર્ષીય ફૂટબોલર સફવાન અવેનું દુઃખદ મૃત્યુ થયું હતું,જ્યારે 12 અન્ય ખેલાડીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા.વરસાદ અને તોફાની વાતાવરણ વચ્ચે મેચ રમાઈ રહી હતી, જ્યારે ખેલાડીઓ ધોધમાર વરસાદ છતાં મેદાન પર જ રહ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.</p><h4><b>ભયાનક દ્રશ્ય કેમેરામાં કેદ</b></h4><p>સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં, જોઈ શકાય છે કે ખેલાડીઓ જ્યાં દોડી રહ્યા હતા તે વિસ્તારની નજીક, અચાનક વીજળી એક તેજસ્વી ફ્લેશ સાથે જમીન પર પડી. વીજળી પડતાં ધુમાડાના ગોટેગોટા અને આગની જ્વાળાઓ ઉંચી થતી જોવા મળી હતી. વીજળી પડતાં ફૂટબોલર સફવાન અવે મેદાન પર પડી ગયો. ત્યાં હાજર ચાહકો અને સાથી ખેલાડીઓ તાત્કાલિક મેદાનમાં દોડી ગયા અને તેને જીવિત કરવાનો પ્રયાસ કર્યો.</p><h5><b>સ્થાનિક પોલીસે શું કહ્યું</b></h5><p>ત્યારબાદ સફવાનને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. પરંતુ તેને બચાવી શકાયો નહીં. સ્થાનિક પોલીસે બાદમાં સત્તાવાર રીતે સફવાનના મૃત્યુની પુષ્ટિ કરી. પોલીસે એ પણ જાહેર કર્યું કે વીજળી પડવાથી 12 અન્ય લોકો પણ ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોમાં 22 વર્ષીય મલેશિયન ફૂટબોલર અલિફ અઝાન ઝુલ્કિફલીનો પણ સમાવેશ થાય છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/praylaughlift/status/2085332343762337981?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><br></p><h5><b>સમગ્ર રમતગમત જગતમાં શોકની લહેર&nbsp;</b></h5><p>24 વર્ષીય સફવાન અવેએ તાજેતરમાં થાઈ લીગ 3 સધર્ન રિજનમાં રમતા ફૂટબોલ ક્લબ એફસી યાલા સાથે કરાર કર્યો હતો. તેમના યુવા ખેલાડીના અવસાનથી આઘાત પામેલા ક્લબે સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરીને લખ્યું, "ચોક્કસ, આપણે અલ્લાહના છીએ, અને આપણે તેની પાસે પાછા ફરવું જોઈએ." આ દુ:ખદ ઘટનાએ સમગ્ર રમતગમત જગતમાં શોકની લહેર ફેલાવી દીધી છે.</p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/cricket/news/ind-vs-sl-warm-up-match-kl-rahul-did-something-like-this-in-kuldeep-yadavs-over-video-goes-viral" target="_blank"> IND Vs SL Warm-Up Match : કુલદીપ યાદવની ઓવરમાં કેએલ રાહુલે કર્યું કંઈક એવું, વીડિયો થયો વાયરલ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/ENpFTthkyKp0r7kOAPIIfaXsl0yjFZjGKEx3dOCI.webp'/></item></channel></rss>