<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Bhavnagar બસ સ્ટેન્ડમાં પ્રેમિકાની નિર્મમ હત્યા કરનાર આરોપી ખાટકીનું રી-કન્સ્ટ્રક્શન ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/bhavnagar-st-bus-stand-kajal-baraiya-murder-reconstruction</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/bhavnagar-st-bus-stand-kajal-baraiya-murder-reconstruction</guid><pubDate>Sat, 05 Sep 2026 13:08:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભાવનગર શહેરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડ પરિસરમાં બે દિવસ પહેલાં આચરવામાં આવેલા એક સનસનાટીભર્યા હત્યાકાંડના કેસમાં પોલીસે સખત કાર્યવાહી હાથ ધરી છે. જાહેર જનતાની હાજરીમાં જ પ્રેમીએ પોતાની પ્રેમિકાને બેરહેમીથી ઢોર માર મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ગંભીર ગુનામાં પકડાયેલા નરાધમ આરોપીને સાથે રાખીને પોલીસે ઘટનાસ્થળે જઈને સમગ્ર બનાવનું રી-કન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>ફૈઝલ ઉર્ફે ખાટકીએ કાજલ બારૈયાને માર્યો હતો ઢોર માર</b></h2><p style="text-align: justify; ">આ ચકચારી બનાવની મળતી વિગતો અનુસાર, આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકી લાખાણી નામના શખ્સે પોતાની પ્રેમિકા કાજલ બારૈયાને એસ.ટી. બસ સ્ટેન્ડમાં આંતરીને જાહેરમાં જ હુમલો કર્યો હતો. આરોપીએ સતત સાત મિનિટ સુધી કાજલને જાહેરમાં બેરહેમીથી ઢોર માર માર્યો હતો, જેના કારણે ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ક્રૂર ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા હતા, જે જોઈને સમગ્ર ભાવનગર શહેર ધ્રૂજી ઊઠ્યું હતું.</p><h3 style="text-align: justify; "><b>પોલીસે જે સ્થળે હત્યા થઈ ત્યાં જ આરોપીને પાઠ ભણાવ્યો</b></h3><p style="text-align: justify; ">હત્યાના બનાવ બાદ ત્વરિત કાર્યવાહી કરીને નિલમબાગ પોલીસ ટીમે આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકીને કબ્જે લીધો હતો. ત્યારબાદ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી નિલમબાગ પોલીસે આરોપીને બસ સ્ટેન્ડના એ જ સ્થળે લાવીને રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, જ્યાં તેણે પ્રેમિકાની હત્યા કરી હતી. રી-કન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસે જાહેર જનતાની હાજરીમાં આરોપીને કડક મેથીપાક ચખાડ્યો હતો. પોલીસની આ આકરી કાર્યવાહી જોઈને બસ સ્ટેન્ડમાં એકત્રિત થયેલા લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/4FfU9wL8JcGcXmgv4HTpeg2o3gV4glZ3LMWOFjJf.webp'/></item><item><title><![CDATA[Junagadh News: ચોરવાડમાં SMCનો દરોડો, 42 જુગારીઓ ઝડપાયા, 3.72 લાખની રોકડ કબ્જે ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/junagadh/chorwad-smc-gambling-raid-42-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/junagadh/chorwad-smc-gambling-raid-42-arrested</guid><pubDate>Sat, 05 Sep 2026 13:00:30 +05:30</pubDate><description><![CDATA[<p>જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પાડેલા દરોડાથી સ્થાનિક પોલીસ બેડા સહિત અસામાજિક તત્વોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ચોરવાડમાં મોટા પાયે ચાલી રહેલા ધસમસતા જુગારધામ પર SMCની ટીમે ચોક્કસ બાતમીના આધારે સરપ્રાઈઝ રેડ પાડી હતી. આ દરોડા દરમિયાન પોલીસે જુગાર રમતા 42 જેટલા અસામાજિક જુગારીઓની સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી હતી.</p><h2><b>3.72 લાખની રોકડ અને વાહનો સહિતનો જથ્થો જપ્ત</b></h2><p>આ દરોડા દરમિયાન પોલીસે જુગારના અડ્ડા પરથી સ્થળ પર રમાઈ રહેલી રૂ. 3.72 લાખની રોકડ રકમ કબ્જે કરી છે. આ ઉપરાંત, જુગારીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલા 11 બાઈક, કાર તેમજ અન્ય સાધન-સામગ્રી સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. SMCની આ અચાનક કાર્યવાહીથી જુગારધામ પર ભાગદોડનો માહોલ સર્જાયો હતો.</p><p><img alt="Junagadh News: Chorwad SMC Raid: Massive Gambling Den Busted, 42 Arrested" src="https://epapercdn.sandesh.com/images/2026/09/05/ZWnAPcTteCTM7z3YPSoVepnyIYpA9Xu3bpVO4wna.webp"><br></p><h2><b>ત્રણ રીઢા ભાગીદારો અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા</b></h2><p>આટલી મોટી સફળતા વચ્ચે પણ જુગારધામ ચલાવતા મુખ્ય ત્રણ રીઢા ભાગીદારો દરોડા દરમિયાન પોલીસને થાપ આપીને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. SMC પોલીસે આ ભાગી છૂટેલા ત્રણેય મુખ્ય સૂત્રધારો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવા માટે શોધખોળની તજવીજ હાથ ધરી છે.</p><p><img alt="Junagadh News: Chorwad SMC Raid: Massive Gambling Den Busted, 42 Arrested" src="https://epapercdn.sandesh.com/images/2026/09/05/7Y1LjAS6u4GthZmi0FSjOd5lIPNEDzxwuzvYx4kX.webp"><br></p><h2><b>સ્થાનિક પોલીસની નિષ્ફળતા અને કામગીરી સામે ગંભીર સવાલો</b></h2><p>સ્થાનિક ચોરવાડ પોલીસના નાક નીચે આટલું મોટું જુગારધામ ધમધમી રહ્યું હોવા છતાં સ્થાનિક પોલીસ અજાણ રહી અને ગાંધીનગર SMCની ટીમે આવીને દરોડો પાડવો પડ્યો, તેને લઈને સ્થાનિક પોલીસની કામગીરી સામે ગંભીર પ્રશ્નાર્થો ઊભા થયા છે. આ દરોડા બાદ સ્થાનિક પોલીસ તંત્રની ઘોર નિષ્ફળતા છતી થતાં વહીવટી સ્તરે પણ ચર્ચાનો વિષય બન્યો છે.</p><p><img alt="Junagadh News: Chorwad SMC Raid: Massive Gambling Den Busted, 42 Arrested" src="https://epapercdn.sandesh.com/images/2026/09/05/JEsyndKyfy4xOv0wkNmA4TmEHOvgXlnXmNQTBDOS.webp"><br></p><p><br></p><p>આ પણ વાંચો:<a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/junagadh-uparkot-fort-leopard-captured-tourists-allowed" target="_blank"> Junagadhના ઉપરકોટ કિલ્લામાં દહેશત ફેલાવનાર દીપડો આખરે પાંજરે પુરાયો, પ્રવાસીઓ માટે કિલ્લો ખુલ્લો મુકાયો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/RKl5dUjOZjsPxFDJpARQaT7uh6fiwAIVSckplJxB.webp'/></item><item><title><![CDATA[Janmashtami પર વ્હાઇટ સાડીમાં ISKCON પહોંચી મૌની રોય! ગૌર ગોપાલ દાસ સાથે કરી ખાસ મુલાકાત ]]></title><link>https://sandesh.com/entertainment/news/mouni-roy-iskcon-janmashtami-white-saree</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/mouni-roy-iskcon-janmashtami-white-saree</guid><pubDate>Sat, 05 Sep 2026 12:59:48 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આખા દેશે 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવ્યો. સામાન્ય લોકોની સાથે બોલીવુડના સેલેબ્સ પણ ભગવાન કૃષ્ણની ભક્તિમાં ડૂબેલા જોવા મળ્યા. અભિનેત્રી મૌની રોય પણ જન્માષ્ટમીના ખાસ અવસરે મુંબઈના ઇસ્કોન મંદિર પહોંચી, જ્યાં તેણે પૂજા-અર્ચના કરી અને ભગવાન કૃષ્ણના આશીર્વાદ લીધા. આ દરમિયાન તેણે ઇસ્કોન મંદિરમાં આધ્યાત્મિક ગુરુ ગૌર ગોપાલ દાસ સાથે મુલાકાત કરી.</p><h2 style="text-align: justify; "><b>ગુરુ ગૌર ગોપાલ દાસને મળી મૌની રોય</b></h2><p style="text-align: justify; ">મૌની રોયે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર જન્માષ્ટમીની ઉજવણીની કેટલીક તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તસવીરોમાં મૌની ભગવાન કૃષ્ણની ભક્તિમાં ડૂબેલી જોવા મળી રહી છે. તેમણે ગુરુ ગૌર ગોપાલ દાસ સાથેની મુલાકાતની તસવીર પણ શેર કરી છે. મૌનીએ કેપ્શનમાં લખ્યું, સૌથી ખુશ એ લોકો હોય છે જે બીજાની મદદ કરે છે - ગૌર ગોપાલ દાસ. જન્માષ્ટમીના શુભ દિવસે પ્રભુ સાથે લાંબી વાતચીત કરવાનો મોકો મળ્યો.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/Dc3ycDGjVDY/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/Dc3ycDGjVDY/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/Dc3ycDGjVDY/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/Dc3ycDGjVDY/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><p style="text-align: justify; ">તેણે આગળ લખ્યું, કેટલીક વાતચીત હંમેશા યાદ રહી જાય છે... આ વાતચીત પણ મારા માટે ખૂબ જ ખાસ અને શાંતિ આપનારી હતી. આ વાતચીતથી મને વધુ ખુશ અને સંતોષી અનુભવાયું. હું પોતાને ખૂબ નસીબદાર અને આભારી માનું છું કે આ વાતચીત એવા દિવસે થઈ, જે પહેલેથી જ કૃપા અને શક્તિથી ભરેલો લાગતો હતો. હરે કૃષ્ણ.</p><p style="text-align: justify; "><img alt="Mouni Roy Janmashtam (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/05/S2sZXqLaClhSdjMOWxs2w5i5hWzsfHcZ9ntiUCCS.webp"><br></p><h3 style="text-align: justify; "><b>સફેદ સાડીમાં મૌની રોયે લૂંટી મહેફિલ</b></h3><p style="text-align: justify; ">જન્માષ્ટમીના અવસરે મૌની રોયનો એથનિક લુક પણ જોવા જેવો રહ્યો. અભિનેત્રીએ સફેદ રંગની સાડી પહેરી હતી, જેના પર પહોળી લાલ અને સોનેરી જરીની બોર્ડર હતી. તેની સાથે તેમણે લાલ સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું હતું. ગોલ્ડન ઝુમકા, કપાળ પર નાની લાલ બિંદી અને સટલ મેકઅપે તેના લુકને વધુ સુંદર બનાવી દીધો. વાળને સ્લીક બનમાં બાંધીને તેમાં સફેદ ગજરો લગાવ્યો હતો. મૌનીનો આ સિમ્પલ અને ટ્રેડિશનલ લુક ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે.<br><img alt="Mouni Roy Janmashtam (2)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/05/NhPkfuElBO0QVoTTZE0d4He04VeEqrofDkPXg3qp.webp"><br></p><h4 style="text-align: justify; "><b>મૌની રોયે ફેન્સને આપી જન્માષ્ટમીની શુભેચ્છા</b></h4><p style="text-align: justify; ">મૌની રોયે કેટલીક બીજી તસવીરો અને વીડિયો પણ શેર કર્યા છે. આ સાથે તેમણે પોતાના ફેન્સને જન્માષ્ટમીની શુભેચ્છા પણ આપી. તેમણે લખ્યું, રાધા નામ વિના કૃષ્ણ નામ, કૃષ્ણ વિના રાધા ક્યાં. બે નામ, એક પ્રેમ. આ જ છે વૃંદાવનની રીત. આપ સૌને જન્માષ્ટમીના શુભ અવસર પર હાર્દિક શુભેચ્છા. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. સૌથી આનંદમય દિવસ હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/58-year-old-janmashtami-song-lata-mangeshkar" target="_blank">આ પણ વાંચો-Old Song : 58 વર્ષ જૂનું જન્માષ્ટમીનું સૌથી વાયરલ ગીત, લતા મંગેશકરના અવાજમાં આજે પણ હિટ છે આ સદાબહાર ગીત!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/UR8iJ2QiIah6jp2bpa8Z2RYoHCoZEdiu2OpNNMUo.webp'/></item><item><title><![CDATA[Air India Phuket Delhi Incident: એર ઇન્ડિયાની મોટી કાર્યવાહી, નશામાં ફ્લાઇટ ઉડાડનાર પાયલટની નોકરી ગઇ ]]></title><link>https://sandesh.com/india/news/air-india-phuket-delhi-incident-air-india-takes-major-action-pilot-who-flew-a-flight-drunk-loses-job</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/air-india-phuket-delhi-incident-air-india-takes-major-action-pilot-who-flew-a-flight-drunk-loses-job</guid><pubDate>Sat, 05 Sep 2026 12:30:28 +05:30</pubDate><description><![CDATA[<p>છેલ્લા ઘણા સમયથી ફ્લાઇટની ઇમરજન્સી લેન્ડિંગના ઘણા બનાવો બને છે. તેમાં ક્યાંક કોઇ ધમકી હોય તો ક્યાંક ટેક્નિકલ ખામી હોય. પરંતુ પાયલટની લાપરવાહીને કારણે એક ગંભીર દુ્ર્ઘટના થતા થતા રહી ગઇ હતી. તેમાં એમ હતું કે પ્લેનમાં હાઇડ્રોલિક સિસ્ટમ ફેલ હતી. વળી તેમાં એ પણ ખુલાસો થયો હતો કે પાયલટ નશામાં હતો. આ મામલે હવે એર ઇન્ડિયાએ મોટી કાર્યવાહી કરી છે.&nbsp;</p><p><br></p><h2><b>એર ઇન્ડિયાએ કરી મોટી કાર્યવાહી&nbsp;</b></h2><p>ફુકેચ-દિલ્હી ફ્લાઇટ ઘટના અંગે AAIB ના પ્રારંભિક અહેવાલ પ્રકાશિત થયા બાદ એર ઇન્ડિયાએ મોટી કાર્યવાહી કરી છે. એરલાઇને ફ્લાઇટના પાઇલટ-ઇન-કમાન્ડને નોકરીમાંથી હટાવી દીધો છે. તપાસમાં સાઇકોએક્ટિવ ટેસ્ટમાં પાયલટ પોઝિટીવ આવ્યો હતો.&nbsp; એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે મુસાફરોની સલામતી તેની ટોચની પ્રાથમિકતા છે. એરલાઇન સલામતી, ફિટનેસ અને નિયમનકારી ધોરણોના ઉલ્લંઘન અંગે શૂન્ય-સહિષ્ણુતા નીતિ જાળવી રાખે છે.</p><p><br></p><h2><b>ફુકેતથી દિલ્હી આવતી હતી ફ્લાઇટ&nbsp;</b></h2><p><br></p><p>4 ઓગસ્ટ 2026ના રોજ એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-2379 ફૂકેટથી દિલ્હી આવી રહી હતી. આ ફ્લાઇટમાં Airbus A320neo વિમાન હતું. તેમાં 137 મુસાફરો હતા, જેમાં 3 બાળકો પણ સામેલ હતા. આ ઉપરાંત 6 કેબિન ક્રૂ અને 2 પાઇલટ પણ વિમાનમાં હતા.</p><p>ફ્લાઇટ લગભગ 36 હજાર ફૂટની ઊંચાઈએ ઉડી રહી હતી. તે દરમિયાન માત્ર થોડા જ સેકન્ડમાં વિમાનની ત્રણેય હાઇડ્રોલિક સિસ્ટમ એક પછી એક બંધ થઈ ગઈ. હાઇડ્રોલિક સિસ્ટમ વિમાનના મહત્વપૂર્ણ ભાગોને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. હાઇડ્રોલિક સિસ્ટમ ફેલ થયા બાદ વિમાનનું ઓટોપાઇલટ પણ બંધ થઈ ગયું. ત્યારબાદ લગભગ 2 સેકન્ડ સુધી સ્ટોલ વોર્નિંગનો અવાજ સંભળાયો.</p><p>આ દરમિયાન વિમાન પહેલા લગભગ 372 ફૂટ ઉપર ગયું અને ત્યારબાદ લગભગ 292 ફૂટ નીચે આવ્યું. તે સમયે સીટ બેલ્ટનું સિગ્નલ બંધ હતું. વિમાનમાં અચાનક આવેલા આ ફેરફારને કારણે 24 લોકોને ઈજા થઈ હતી. તેમાં 20 મુસાફરો અને 4 કેબિન ક્રૂ સામેલ હતા. 20 લોકોને શરૂઆતની સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. જ્યારે ગંભીર ઈજા પામેલા 4 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.</p><p><br></p><h3><b>શરૂઆતમાં એર ટર્બ્યુલન્સ કારણ જણાયુ</b></h3><p>શરૂઆતમાં આ ઘટનાને ખરાબ હવામાન અને ટર્બ્યુલન્સ સાથે જોડવામાં આવી હતી. પરંતુ વિમાનમાં થયેલી ઈજા અને નુકસાનને ધ્યાનમાં રાખીને આ મામલાની અકસ્માત તરીકે તપાસ શરૂ કરવામાં આવી. AAIB એટલે કે Aircraft Accident Investigation Bureauએ હવે આ ઘટનાની પ્રારંભિક તપાસ રિપોર્ટ જાહેર કર્યો છે.&nbsp;</p><p><br></p><p>આ રિપોર્ટમાં વિમાનની ત્રણેય હાઇડ્રોલિક સિસ્ટમ ફેલ થવા અંગે મહત્વની માહિતી સામે આવી છે. આ ઉપરાંત બંને પાઇલટની ડ્રગ ટેસ્ટ રિપોર્ટને લઈને પણ મહત્વની વિગતો સામે આવી છે. હવે આ પ્રારંભિક રિપોર્ટના આધારે તપાસકર્તાઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે વિમાનની સિસ્ટમમાં એકસાથે આટલી મોટી ખામી કેવી રીતે સર્જાઈ અને તેના કારણે ફ્લાઇટ પર શું અસર પડી. પાઇલટ-ઇન-કમાન્ડ 34 વર્ષનો છે. AAIB રિપોર્ટમાં આ પરિણામને ગંભીર ચિંતાનો વિષય ગણાવવામાં આવ્યો છે અને DGCA ને પ્રાથમિકતાના ધોરણે પગલાં લેવાની ભલામણ કરવામાં આવી છે.</p><p><br></p><p>AAIB રિપોર્ટના પ્રકાશન પછી એર ઇન્ડિયાએ પાઇલટ સામે કાર્યવાહી કરી છે. એરલાઇને જણાવ્યું હતું કે તે સલામતી નિયમો, ફિટનેસ ધોરણો અને નિયમનકારી આવશ્યકતાઓના ઉલ્લંઘન અંગે શૂન્ય-સહિષ્ણુતા નીતિ જાળવી રાખે છે. પરિણામે, પાઇલટ-ઇન-કમાન્ડની નોકરી તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવી છે. એર ઇન્ડિયાએ એમ પણ જણાવ્યું હતું કે તે તપાસમાં સંપૂર્ણ સહકાર આપી રહી છે.</p><p><br></p><h3><b>350 થી વધુ પાયલટ્સનું પરિક્ષણ&nbsp;</b></h3><p><br></p><p>આ ઘટનાને પગલે, એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસે તેમના પાઇલટ્સ માટે ડ્રગ પરીક્ષણ શરૂ કર્યું છે. 17 ઓગસ્ટ સુધીમાં, લગભગ 350 પાયલટનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આમાંથી બે પાઇલટ્સના પ્રારંભિક પરીક્ષણોમાં નકારાત્મક પરિણામો આવ્યા હતા. જોકે, આ કેસ માટે પુષ્ટિકરણ પરીક્ષણો હજુ બાકી છે. હાલમાં, નિયમો અનુસાર એરલાઇન્સે તેમના 10 ટકા પાયલટ્સ&nbsp; પર રેન્ડમ ડ્રગ પરીક્ષણો કરાવવાની જરૂર છે. સરકાર હવે બધા પાઇલટ્સ માટે વાર્ષિક રેન્ડમ ડ્રગ પરીક્ષણ ફરજિયાત કરવાનું પણ વિચારી રહી છે.</p><p><br></p><h4><b>પાયલટે નશો કર્યો એટલે આ ઘટના બની ?&nbsp;</b></h4><p><br></p><p>અહીં એક મુદ્દો સ્પષ્ટપણે સમજવો મહત્વપૂર્ણ છે AAIB એ હજુ સુધી જણાવ્યું નથી કે આ ઘટના પાયલટના ડ્રગ પરીક્ષણના પરિણામને કારણે બની છે. વિમાનની ત્રણેય હાઇડ્રોલિક સિસ્ટમ્સ એક સાથે કેમ નિષ્ફળ ગઈ, ઓટોપાયલટ કેમ છૂટી ગયો અને વિમાનના અચાનક વર્ટિકલ ઓસિલેશનના મૂળ કારણોની તપાસ ચાલી રહી છે. હાલ પૂરતું, એ સ્પષ્ટ છે કે AAIB રિપોર્ટમાં પાઇલટ-ઇન-કમાન્ડ માટે નોન-નેગેટિવ ડ્રગ ટેસ્ટ પરિણામ જાહેર થયું છે, અને રિપોર્ટ બાદ, એર ઇન્ડિયાએ તાત્કાલિક અસરથી તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા છે.&nbsp;</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/mvFjIZqYLPPgqo1LmsM4wX6NUTwVr4uzaNvCWZPZ.webp'/></item><item><title><![CDATA[Bhavnagarમાં દારૂના સેવનથી વધુ એક શંકાસ્પદ મોત, આનંદનગરમાં 48 વર્ષીય ભાવેશ વિસાણીના મોતથી અરેરાટી! ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/another-suspicious-death-due-to-alcohol-consumption-in-bhavnagar-the-death-of-48-year-old-bhavesh-visani-in-anandnagar-is-a-shocker</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/another-suspicious-death-due-to-alcohol-consumption-in-bhavnagar-the-death-of-48-year-old-bhavesh-visani-in-anandnagar-is-a-shocker</guid><pubDate>Sat, 05 Sep 2026 12:14:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાંથી દારૂના સેવનના કારણે એક વ્યક્તિનું શંકાસ્પદ મોત થયું હોવાની અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. આનંદનગરમાં રહેતા 48 વર્ષીય ભાવેશભાઈ વિસાણી નામના વ્યક્તિનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજતાં પરિવારજનો અને સ્થાનિકોમાં ઘેરા શોકની કાલિમા સાથે ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. જાહેરમાં દારૂબંધી હોવા છતાં આ પ્રકારે બનેલી ઘટનાથી સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>મૃતદેહ ફોરેન્સિક PM માટે ખસેડાયો</b></h2><p style="text-align: justify; ">મૃતકના પરિવારજનોનું સ્પષ્ટ કહેવું છે કે ભાવેશભાઈએ દારૂનું સેવન કર્યું હતું અને ત્યાર બાદ તેમની તબિયત અચાનક લથડતાં આ મોત નીપજ્યું છે. લઠ્ઠાકાંડ કે ઝેરી દારૂના સેવનની આશંકાઓ સેવાઈ રહી હોવાથી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મૃતદેહનો કબજો મેળવી તેને વિધિવત રીતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (FSL PM) માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>LCB PSI સહિતના અધિકારીઓ સિવિલ હોસ્પિટલ દોડી ગયા, તપાસ તેજ</b></h2><p style="text-align: justify; ">શંકાસ્પદ મોત અંગેની જાણ થતાં જ LCB ના PSI સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ કાફલો તાબડતોબ ભાવનગર સિવિલ હોસ્પિટલ પહોંચી ગયો હતો. પોલીસે પરિજનોની પૂછપરછ હાથ ધરીને જરૂરી કાયદાકીય કાગળો તૈયાર કર્યા છે. ભાવેશભાઈના મોતનું ચોક્કસ કારણ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે તેમ પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે, છતાં આ ઘટનાથી શહેરમાં ગેરકાયદેસર દારૂના વેચાણ સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભો થયો છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad--27-teachers-honored-with-best-teacher-awards-on-teachers-day" target="_blank">Ahmedabadમાં શિક્ષક દિને શ્રેષ્ઠ ગુરુજનોનું બહુમાન, મેયર હિતેશ બારોટના હસ્તે 27 ઉત્કૃષ્ટ શિક્ષકોને કરાયા સન્માનિત</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/hlnEZz0vNdD7ctiEebaqFLko8HNZxlLMqM5jBEL2.webp'/></item><item><title><![CDATA[સવારે 08થી બપોરે 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/read-important-news-from-08-am-to-12-pm-5-september-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/read-important-news-from-08-am-to-12-pm-5-september-2026</guid><pubDate>Sat, 05 Sep 2026 12:06:41 +05:30</pubDate><description><![CDATA[<p>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર</p><ol><li><a href="https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/another-suspicious-death-due-to-alcohol-consumption-in-bhavnagar-the-death-of-48-year-old-bhavesh-visani-in-anandnagar-is-a-shocker" target="_blank">Bhavnagarમાં દારૂના સેવનથી વધુ એક શંકાસ્પદ મોત, આનંદનગરમાં 48 વર્ષીય ભાવેશ વિસાણીના મોતથી અરેરાટી!</a></li><li><a href="https://sandesh.com/india/news/teachers-day-i-am-your-student-if-i-want-to-become-a-skilled-speaker-pm-modi-questions-the-teacher-causing-a-wave-of-laughter-watch-the-video" target="_blank">Teachers Day: મારે કુશળ વક્તા બનવુ હોય તો.. PM મોદીએ ટીચરને સવાલ કરતા ફરી વળ્યુ હાસ્યનું મોજુ, જુઓ Video</a></li><li><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/dahod/devgadh-baria-highway-liquor-car-accident-pipod-police" target="_blank">Dahod News: દેવગઢ બારીઆમાં દારૂ ભરેલી કારનો અકસ્માત, રોડ પર વેરાઈ બોટલો</a></li><li><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad--27-teachers-honored-with-best-teacher-awards-on-teachers-day" target="_blank">Ahmedabadમાં શિક્ષક દિને શ્રેષ્ઠ ગુરુજનોનું બહુમાન, મેયર હિતેશ બારોટના હસ્તે 27 ઉત્કૃષ્ટ શિક્ષકોને કરાયા સન્માનિત</a></li><li><a href="https://sandesh.com/gujarat/news/vadodara/pm-modi-vadodara-visit-september-8-development-projects" target="_blank">PM Modi Vadodara Visit: 8 સપ્ટેમ્બરે PM મોદી વડોદરા આવશે, Y-આકારના રેમ્પ પરથી GEN Zને મળશે</a></li><li><a href="https://sandesh.com/business/news/gold-silver-price-today-how-expensive-is-gold-today-what-is-the-price-of-silver-know-the-rate-of-10-grams" target="_blank">Gold Silver Price Today: આજે કેટલુ મોંઘુ થયુ સોનું ? ચાંદીના શું છે ભાવ ? જાણો 10 ગ્રામનો રેટ</a></li><li><a href="https://sandesh.com/india/news/saharanpur-mosque-uproar-over-demolition-of-mosque-sp-mp-iqra-hasan-under-house-arrest" target="_blank">Saharanpur Mosque: મસ્જિદ તોડી પાડવા અંગે હોબાળો.. સપા સાંસદ ઇકરા હસન નજરકેદ</a></li><li><a href="https://sandesh.com/india/news/nepal-floods-275-indians-missing-166-rescued-mea-1300-dead-nepal-tibet-border" target="_blank">Nepal Flood: 275 ભારતીય હજુ પણ ગુમ, 166 લોકોને બચાવાય; મરનારનો આંકડો 1300ને પાર</a></li><li><a href="https://sandesh.com/india/news/delhi-chocolate-was-brought-to-india-gate-but-was-not-given-as-a-gift-know-why-the-belgian-pm-did-this" target="_blank">Delhi: ચોકલેટ ઇન્ડિયા ગેટ લાવ્યા પણ ભેટ ન આપી.. જાણો બેલ્જિયનના PMએ આવું કેમ કર્યુ ?</a></li><li><a href="https://sandesh.com/gujarat/news/crime/surat/surat--dance-teacher-extorted-of--1-33-lakh-in-online-honeytrap-scam" target="_blank">Surat News : ‘ઇન્સ્ટા પર મેસેજ મોકલી ન્યૂડ કોલ કર્યો, પછી DCP બની ધમકાવ્યો!’ ડાન્સ ટીચરનું રેકોર્ડિંગ કરી લાખો પડાવ્યા</a></li></ol><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/05/30/mDmSiSJWp4EJffsL4XdCg0WZVmFETlBX3EYK5ohQ.webp'/></item><item><title><![CDATA[Teachers Day: મારે કુશળ વક્તા બનવુ હોય તો.. PM મોદીએ ટીચરને સવાલ કરતા ફરી વળ્યુ હાસ્યનું મોજુ, જુઓ Video ]]></title><link>https://sandesh.com/india/news/teachers-day-i-am-your-student-if-i-want-to-become-a-skilled-speaker-pm-modi-questions-the-teacher-causing-a-wave-of-laughter-watch-the-video</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/teachers-day-i-am-your-student-if-i-want-to-become-a-skilled-speaker-pm-modi-questions-the-teacher-causing-a-wave-of-laughter-watch-the-video</guid><pubDate>Sat, 05 Sep 2026 11:54:59 +05:30</pubDate><description><![CDATA[<p>આજે ટીચર્સ ડે છે. ત્યારે પીએમ મોદીએ આજે કેટલાક ટીચર્સ સાથે વાત કરી. તેમણે તેમના સત્તાવાર નિવાસસ્થાને એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનારા શિક્ષકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. </p><h2><b>પીએમ નિવાસ સ્થાને શિક્ષકો સાથે મુલાકાત&nbsp;</b></h2><p>પીએમ મોદીએ શિક્ષકો સાથે વિવિધ મુદ્દે વાતચીત કરી અને તેમના સૂચનો માગ્યા.&nbsp; . પ્રધાનમંત્રીના સોશિયલ મીડિયા હેન્ડલ પર બેઠકનો એક વિડિઓ પણ શેર કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિક્ષકોમાંના એક સાથે વાત કરતા, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, "હું કાશીનો સંસદસભ્ય છું, અને મેં ત્યાં સ્તન કેન્સર અંગે જાગૃતિ અભિયાન શરૂ કર્યું હતું.&nbsp; હવે મહિલાઓ સ્વેચ્છાએ તપાસ માટે આગળ આવી રહી છે તે જોઈને મને ખૂબ આનંદ થાય છે. પહેલા એવું નહોતું. બીજો સકારાત્મક અનુભવ એક જ દિવસમાં સૌથી વધુ લોકોની તપાસ કરવાનો વિશ્વ રેકોર્ડ બનાવવાનો હતો."</p><p><br></p><h2><b>કુશળ વક્તા બનવા મારે શું કરવું જોઇએ- પીએમ મોદી&nbsp;</b></h2><p><br></p><p>પીએમ મોદીએ શિક્ષકો પાસે તેમની જાહેર બોલવાની કુશળતા કેવી રીતે સુધારવી તે અંગે સૂચનો માંગ્યા. તેમણે પૂછ્યું, "જો હું તમારા વર્ગમાં વિદ્યાર્થી હોત અને એક કુશળ વક્તા બનવા માંગતો હોત, તો તમે મને શું સલાહ આપત? મારે શું કરવું જોઈએ?" જવાબમાં, એક શિક્ષકે કહ્યું, "સૌ પ્રથમ, તમારે આત્મવિશ્વાસની જરૂર છે... અને આત્મવિશ્વાસ વ્યાપક અભ્યાસથી આવે છે. તમારા વ્યક્તિત્વને જોઈને મને પણ થોડો ગભરાટ થયો..."</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/narendramodi/status/2096093485946565085"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3><b>સ્ક્રીન ટાઇમ બની ગયુ છે વ્યસન</b></h3><p><br></p><p>PM મોદીએ ટિપ્પણી કરી કે "સ્ક્રીન ટાઇમ હવે વ્યસનનું એક સ્વરૂપ બની ગયું છે. મને એક વિચાર આવે છે. જો બાળક રમતગમતમાં ઊંડો રસ વિકસાવે છે&nbsp; અને રમતગમત દ્વારા, મારો મતલબ વાસ્તવિક ક્ષેત્રીય રમતો છે, વિડીયો ગેમ્સ નહીં.&nbsp; તો તે ધીમે ધીમે આ વ્યસનથી મુક્ત થઈ શકે છે. આ સંદર્ભમાં આપણે બાળકોને સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં જેટલા વધુ જોડીએ છીએ, તેટલું સારું. આપણે આને પ્રોત્સાહન આપતા કાર્યક્રમો બનાવવાની ટેવ કેળવવી જોઈએ."</p><h3><b>બાળપણને લુપ્ત થવા દેવું જોઈએ નહીં- પીએમ મોદી&nbsp;</b></h3><p>તેમણે ઉમેર્યું, "હું તમારા બધા સાથે વાત કરી રહ્યો છું, પરંતુ હું સમગ્ર શિક્ષણ સમુદાયને એ પણ જણાવવા માંગુ છું કે આપણે બાળકોના જીવન સાથે ખરેખર જોડાવા માટે પાઠ્યપુસ્તકો અને અભ્યાસક્રમોથી આગળ વધવાની જરૂર છે. બાળપણને લુપ્ત થવા દેવું જોઈએ નહીં. બાળપણને જાળવવામાં શિક્ષકો સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બાળકમાં બાળપણની ભાવના જીવંત રહે તે સુનિશ્ચિત કરવું શિક્ષકની ફરજ છે."</p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/uuBY4RlB86FWM3EzNd3tizpUR98C43105TB8OVAO.webp'/></item><item><title><![CDATA[Dahod News: દેવગઢ બારીઆમાં દારૂ ભરેલી કારનો અકસ્માત, રોડ પર વેરાઈ બોટલો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/dahod/devgadh-baria-highway-liquor-car-accident-pipod-police</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/dahod/devgadh-baria-highway-liquor-car-accident-pipod-police</guid><pubDate>Sat, 05 Sep 2026 11:47:44 +05:30</pubDate><description><![CDATA[<p>દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકામાં આવેલા તોયણી ગામ નજીક દિલ્હી-મુંબઈ નેશનલ હાઈવે કોરિડોર પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પૂરઝડપે દોડી રહેલી વિદેશી દારૂ ભરેલી એક કારચાલકે કાર પરનો કાબૂ ગુમાવતા કાર હાઈવેની સુરક્ષા રેલિંગ તોડીને સીધી નીચે ખાબકી હતી. આ ભયાનક અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.</p><h2><b>અકસ્માત બાદ માર્ગ પર વિદેશી દારૂની બોટલો વેરવિખેર થઈ</b></h2><p>કાર નીચે ખાબકતા જ તેમાં ગેરકાયદે ભરેલી વિદેશી દારૂની બોટલો રોડ અને આસપાસની ખુલ્લી જગ્યામાં વેરવિખેર થઈ ગઈ હતી. ઘટના બાદ અકસ્માતનો લાભ ઉઠાવીને કાયદાની ગિરફ્તમાંથી બચવા માટે કાર ચાલક અકસ્માતગ્રસ્ત કારને સ્થળ પર જ મૂકીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો.</p><h2><b>પીપલોદ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો</b></h2><p>ઘટના અંગેની જાણ થતાં જ પીપલોદ પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચી સમગ્ર વિસ્તારને કવર કર્યો હતો અને કાર તેમજ વેરવિખેર પડેલી વિદેશી દારૂની બોટલોનો જથ્થો કબ્જે કરવાની કામગીરી હાથ ધરી હતી.</p><p><img alt="Dahod News: Liquor-Laden Car Crashes on Delhi-Mumbai Highway in Devgadh Baria" src="https://epapercdn.sandesh.com/images/2026/09/05/q99d0048jFFdtHeGDCemwyJZ5Rm9TjPwNc4NnSMu.webp" style="width: 100%;"><br></p><h2><b>8.14 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે તપાસ તેજ કરી</b></h2><p>પીપલોદ પોલીસે ઘટના સ્થળેથી અકસ્માતગ્રસ્ત કાર અને વિદેશી દારૂનો જથ્થો મળીને એકંદર રૂ. 8.14 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે અજાણ્યા કારચાલક તથા દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર ઈસમો સામે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા ડ્રાઈવરને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="http://sandesh.com/gujarat/news/dahod/the-authorities-are-busy-in-removing-the-pressure-in-limkheda-dahod-demarcation-has-started-amidst-tight-security-bulldozers-will-be-operating-from-september-7" target="_blank">Dahodના લીમખેડામાં દબાણ હટાવવા તંત્રનો સપાટો, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડીમાર્કેશન શરૂ, 7 સપ્ટેમ્બરથી ચાલશે બુલડોઝર!</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/QaDq3VEzfQWfFupNsMyqbqcEBoql9AsMXC0EVKC8.webp'/></item><item><title><![CDATA[Gold Silver Price Today: આજે કેટલુ મોંઘુ થયુ સોનું ? ચાંદીના શું છે ભાવ ? જાણો 10 ગ્રામનો રેટ ]]></title><link>https://sandesh.com/business/news/gold-silver-price-today-how-expensive-is-gold-today-what-is-the-price-of-silver-know-the-rate-of-10-grams</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/gold-silver-price-today-how-expensive-is-gold-today-what-is-the-price-of-silver-know-the-rate-of-10-grams</guid><pubDate>Sat, 05 Sep 2026 11:26:18 +05:30</pubDate><description><![CDATA[<p>બે દિવસની તેજી બાદ, શુક્રવારે વાયદા બજારમાં સોનાના ભાવ ₹431 ઘટીને ₹1.55 લાખ પ્રતિ 10 ગ્રામ પર સ્થિર થયા. યુએસ નોન-ફાર્મ પેરોલ ડેટા જાહેર થાય તે પહેલાં રોકાણકારોએ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું હોવાથી આ ઘટાડો થયો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર, ઓક્ટોબર ડિલિવરી માટે સોનાનો વાયદો ₹431 (0.28%) ઘટીને ₹1,55,344 પ્રતિ 10 ગ્રામ થયો.</p><p><b style="font-size: 2rem;">સોનાના ભાવ કેમ ઘટ્યા?</b></p><p>વેપારીઓના મતે તાજેતરની તેજી પછી નફા-બુકિંગને કારણે ભાવમાં ઘટાડો થયો હતો. વધુમાં યુએસ નોન-ફાર્મ પેરોલ ડેટા પહેલાં રોકાણકારો સાવધ રહ્યા હતા, જે યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજ દર વલણ અંગે નવા સંકેતો આપી શકે છે.</p><p>એ નોંધવું યોગ્ય છે કે આ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ લેબર દ્વારા બહાર પાડવામાં આવેલ એક મહત્વપૂર્ણ આર્થિક ડેટા પોઇન્ટ છે તે પાછલા મહિનામાં અર્થતંત્રમાં ઉમેરાયેલી નવી નોકરીઓની કુલ સંખ્યાને પ્રતિબિંબિત કરે છે, જેમાં કૃષિ ક્ષેત્ર, ખાનગી ઘરગથ્થુ કર્મચારીઓ અને બિન-લાભકારી સંસ્થાઓ (NGO) ના સ્ટાફનો સમાવેશ થતો નથી.</p><p>આ દરમિયાન વૈશ્વિક મોરચે, ન્યૂ યોર્કમાં ડિસેમ્બર ડિલિવરી માટે COMEX ગોલ્ડ ફ્યુચર્સ $4,528.54 પ્રતિ ઔંસ પર થોડો નીચો ટ્રેડ થયો. બ્રોકરેજ પ્લેટફોર્મ લેમનના રિસર્ચ હેડ ગૌરવ ગર્ગે જણાવ્યું હતું કે, "બજાર યુએસ નોન-ફાર્મ પેરોલ ડેટા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જે ડોલર, બોન્ડ યીલ્ડ અને કિંમતી ધાતુઓની ભવિષ્યની દિશા નક્કી કરી શકે છે."</p><p><b style="font-size: 1.75rem;">ચાંદીનો ભાવ</b></p><p>નફા-બુકિંગ અને વૈશ્વિક બજારોમાં સાવચેતીભર્યા વલણ વચ્ચે, શુક્રવારે ફ્યુચર્સ ટ્રેડિંગમાં ચાંદીના ભાવ ₹749 ઘટીને ₹2,41,600 પ્રતિ કિલોગ્રામ થયા. આનાથી પાછલા બે દિવસમાં ચાંદીના ભાવમાં વધારો અટકી ગયો.</p><p>મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર, ડિસેમ્બર ડિલિવરી માટે ચાંદીના વાયદા ₹749 (0.31%) ઘટીને ₹2,41,600 પ્રતિ કિલોગ્રામ પર સ્થિર થયા. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે તાજેતરની તેજીને પગલે રોકાણકારો દ્વારા નફા-બુકિંગને કારણે ચાંદીના ભાવ દબાણ હેઠળ આવ્યા હતા.</p><h3><b>આજે સોના અને ચાંદીના છૂટક ભાવ</b></h3><p>આજે, 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,56,670 છે, જે ગઈકાલની સરખામણીમાં ₹10 નો વધારો દર્શાવે છે. તેવી જ રીતે, 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,43,610 છે, જે પાછલા દિવસની સરખામણીમાં ₹10 નો વધારો દર્શાવે છે.</p><p>આ દરમિયાન, ચાંદીનો ભાવ આજે ₹1 ઘટીને ₹2,499 પ્રતિ 10 ગ્રામ થયો છે. પરિણામે, 100 ગ્રામ ચાંદીનો ભાવ આજે ₹24,990 છે, જે ગઈકાલની સરખામણીમાં ₹25,000 હતો. તેવી જ રીતે, 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ આજે ₹2,49,900 છે, જે ગઈકાલની સરખામણીમાં ₹100 નો ઘટાડો દર્શાવે છે.</p><h4><b>દેશના કેટલાક મોટા શહેરોમાં સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)&nbsp;</b></h4><p><br></p><table class="table table-bordered"><tbody><tr><td>શહેર</td><td>&nbsp;24 કેરેટ સોનાની કિંમત</td><td>&nbsp;22 કેરેટ સોનાની કિંમત&nbsp; &nbsp;</td></tr><tr><td>દિલ્હી&nbsp;</td><td>1,54,950&nbsp;</td><td>1,42,050</td></tr><tr><td>મુંબઈ&nbsp;</td><td>1,54,800&nbsp;</td><td>1,41,900&nbsp;</td></tr><tr><td>કોલકાતા&nbsp;</td><td>1,54,800&nbsp;</td><td>1,41,900</td></tr><tr><td>ચેન્નઈ&nbsp;</td><td>1,56,670&nbsp;</td><td>1,43,610</td></tr><tr><td>અમદાવાદ</td><td>&nbsp;1,54,850&nbsp;</td><td>1,41,950</td></tr><tr><td>સુરત&nbsp;</td><td>1,54,850&nbsp;</td><td>1,41,950</td></tr></tbody></table><p><br></p><h4><b>સોનું અને ચાંદી ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું?</b></h4><p><br></p><p>જો તમે સોનું ખરીદી રહ્યા હોવ તો હંમેશા હોલમાર્ક તપાસો અને 6 અંકનો HUID કોડ જોઈને જ ખરીદી કરો. ચાંદી માટે પણ BIS હોલમાર્ક હોય છે અને તેમાં 925 સ્ટર્લિંગ સિલ્વરને સૌથી સારી ગુણવત્તાનું માનવામાં આવે છે. ઉપરાંત, ખરીદી પહેલાં સોના અને ચાંદીની શુદ્ધતાની તપાસ પણ જરૂર કરાવો.</p><p><br></p><p><br></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/hORscNKtAPWdbX7GawiAYlMydDafpilgWXvP1DJj.webp'/></item><item><title><![CDATA[Asian Games 2026: નીરજ ચોપરાના રિપ્લેસમેન્ટની જાહેરાત, આ સ્ટારને મળ્યું સ્થાન ]]></title><link>https://sandesh.com/sports/news/neeraj-chopra-out-yashvir-singh-asian-games</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/neeraj-chopra-out-yashvir-singh-asian-games</guid><pubDate>Thu, 03 Sep 2026 18:11:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">એશિયન ગેમ્સ 19 સપ્ટેમ્બરથી જાપાનમાં શરૂ થવાની છે. ભારતીય ટીમને તાજેતરમાં મોટો ઝટકો લાગ્યો છે. ઈજાને કારણે બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા અને સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરા 2026 સીઝનની બાકીની બધી સ્પર્ધાઓમાંથી બહાર થઈ ગયો છે. તેને સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરી. ફેન્સને આશા હતી કે તે ગોલ્ડ જીતશે.&nbsp;</p><p style="text-align: justify;">પરંતુ એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ ત્યારબાદ એક નિવેદનમાં જાહેરાત કરી હતી કે તેઓ ટૂંક સમયમાં નીરજના રિપ્લેસમેન્ટની જાહેરાત કરશે. હવે તે ખેલાડીનું નામ જાહેર કરવામાં આવ્યું છે.</p><h2 style="text-align: justify;"><b>નીરજ ચોપરાનું સ્થાન કોણ લેશે?</b></h2><p style="text-align: justify;">ઈજા છતાં નીરજ ચોપરાએ તાજેતરની કેટલીક સ્પર્ધાઓમાં સારું પ્રદર્શન કર્યું. તેને કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો. નીરજના સાથી અને પ્રખ્યાત ભાલા ફેંકનાર યશવીર સિંહે કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. હવે તેને તેનું ઈનામ મળી ગયું છે. યશવીર એશિયન ગેમ્સમાં નીરજનું સ્થાન લેશે. યશવીરને એક મોટી તક મળી છે. તે એશિયન ગેમ્સમાં અજાયબીઓ કરી શકે છે.</p><p style="text-align: justify;">એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બહાદુર સિંહ સાગુએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "અમે એશિયન ગેમ્સ માટે નીરજ ચોપરાની જગ્યાએ યશવીર સિંહને સામેલ કર્યો છે. તેને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યો હતો. નીરજ હાલમાં ઘાયલ છે. તેની ઈજાને કારણે આ ફેરફાર કરવામાં આવ્યો છે. યશવીરના આવવામાં કોઈ સમસ્યા નહોતી."</p><h3 style="text-align: justify;"><b>યશવીર સિંહની સિઝન શાનદાર રહી&nbsp;</b></h3><p style="text-align: justify;">યશવીર સિંહે કોમનવેલ્થ ગેમ્સ  2026માં બ્રોન્ઝ મેડલ જીતીને બધાનું દિલ જીતી લીધું હતું. આ પછી તેની ખૂબ ચર્ચા થઈ હતી. તેને ત્યાં પણ પોતાનું બેસ્ટ પ્રદર્શન કર્યું. યશવીરે 85.41 મીટરનો થ્રો ફેંક્યો. કાશીનાથ નાયક (2010) અને નીરજ (2018, 2026) પછી તે કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનાર ત્રીજો ભારતીય છે.</p><p style="text-align: justify;">2026નું વર્ષ તેમના માટે શાનદાર રહ્યું છે. તેને 8 ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો, જેમાંથી 6માં 80 મીટરથી વધુ થ્રો ફેંક્યા હતા. હવે, બધાની નજર યશવીર પર રહેશે. નીરજના સ્થાને સામેલ થવાથી તેના પર પણ દબાણ આવશે. તે 2026 કોમનવેલ્થ ગેમ્સમાં પોતાના પ્રદર્શનનું કમબેક કરવા અને ભારત માટે મેડલ લાવવા માગશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/bcci-meeting-rohit-sharma-odi-future" target="_blank">Rohit Sharmaના ક્રિકેટ કરિયર અને 2027ના ODI વર્લ્ડકપને લઈને ચર્ચા, BCCI મોટો નિર્ણય લેવા માટે તૈયાર</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/pnZfVXFfDbiVeUTCGLZBXQLYtouFoYzTiWb82QVE.webp'/></item></channel></rss>