<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Auto News: પેટ્રોલ કાર ખરીદનારાઓ માટે એક સુવર્ણ તક; ઓગસ્ટ મહિનામાં નવી કારની ખરીદી પર રૂ.1 લાખ સુધીનું ભારે ડિસ્કાઉન્ટ! ]]></title><link>https://sandesh.com/business/news/automobile/auto-news-huge-discount-of-up-to-rs--1-lakh-on-purchase-of-new-car-in-august</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/auto-news-huge-discount-of-up-to-rs--1-lakh-on-purchase-of-new-car-in-august</guid><pubDate>Mon, 10 Aug 2026 16:11:46 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જો તમે ઓગસ્ટ 2026માં નવી Hyundai Creta ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક ઉત્તમ તક છે. હ્યુન્ડાઈ કંપનીએ આ મહિને Cretaના કેટલાક ચોક્કસ પેટ્રોલ મોડેલ્સ અને Creta N Line વેરિઅન્ટ્સ પર રૂ. 1 લાખ સુધીના ડિસ્કાઉન્ટ ઓફર કરવાની જાહેરાત કરી છે. જોકે, શોરૂમ પર જતાં પહેલાં એ સમજવું જરૂરી છે કે દરેક વેરિઅન્ટ પર આ પૂરો લાભ નહીં મળે.</p><h2 style="text-align: justify;"><b>ક્રેટાના કયા મોડેલ પર કેટલો લાભ મળશે?</b></h2><p style="text-align: justify;">કંપની દ્વારા જાહેર કરાયેલી ઓફર મુજબ, ઓગસ્ટ મહિનામાં Cretaના પસંદગીના પેટ્રોલ વેરિઅન્ટ્સ તેમજ Creta N Line પર મહત્તમ રૂ. 1 લાખ સુધીના બેનિફિટ્સ મળી રહ્યા છે. જ્યારે પેટ્રોલ IVT (ઓટોમેટિક) વેરિઅન્ટ પર રૂ. 90,000 સુધી અને બેઝ E પેટ્રોલ વેરિઅન્ટ પર રૂ. 85,000 સુધીનો ફાયદો મળી રહ્યો છે. સૌથી મહત્વની વાત તો એ છે કે આ ડીઝલ વેરિઅન્ટ પર આ ઓફર ખૂબ જ મર્યાદિત છે, તેમાં માત્ર રૂ. 10,000 સુધીનો જ લાભ આપવામાં આવી રહ્યો છે.</p><h3 style="text-align: justify;"><b>1 લાખ રૂપિયાના ડિસ્કાઉન્ટનું ગણિત સમજો</b></h3><p style="text-align: justify; ">આ ઓફરને કારણે ઘણા ગ્રાહકો એવું માને છે કે રૂ.1 લાખનું ડિસ્કાઉન્ટ એટલે કારની એક્સ-શોરૂમ કિંમતમાં સીધો રોકડ ઘટાડો થશે. પરંતુ વાસ્તવમાં આ 1 લાખના પેકેજમાં કેશ ડિસ્કાઉન્ટ ઉપરાંત એક્સચેન્જ બોનસ, સ્ક્રૈપેજ ઇન્સેન્ટિવ અને અન્ય કોર્પોરેટ કે ડીલર બોનસ સામેલ હોઈ શકે છે. તમને શું ફાયદો મળશે, તેનો આધાર તમે પસંદ કરેલા વેરિઅન્ટ, તમારા શહેરમાં, ડીલર પાસે ઉપલબ્ધ સ્ટોક અને જૂની કાર એક્સચેન્જ કરો છો કે નહીં તેના પર રહેશે.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>એન્જિન અને ગિયરબોક્સના વિકલ્પો</b></h4><p style="text-align: justify; ">Cretaના મોટાભાગના પેટ્રોલ મોડેલ્સ (IVT સિવાય) અને Creta N Line પર આકર્ષક ઓફર્સ ઉપલબ્ધ છે. Cretaમાં 1.5-લીટરનું નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન મળે છે, જે મેન્યુઅલ અને IVT ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આવે છે. બીજી તરફ, પરફોર્મન્સના શોખીનો માટે Creta N Lineમાં 1.5-લીટર ટર્બો-પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જેમાં મેન્યુઅલ અને ડ્યુઅલ-ક્લચ (DCT) ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ મળે છે.</p><h5 style="text-align: justify;"><b>ડીઝલ ક્રેટા પર શા માટે ઓછું ડિસ્કાઉન્ટ?</b></h5><p style="text-align: justify;">જો તમે ડીઝલ વેરિઅન્ટ ખરીદવા માંગતા હોવ તો નિરાશા સાંપડી શકે છે, કારણ કે ડીઝલ Creta પર કંપની માત્ર રૂ. 10,000 સુધીનો જ ફાયદો આપી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ડિસ્કાઉન્ટ વચ્ચે રૂ. 90,000 સુધીનો મોટો તફાવત છે. આમ છતાં, જે લોકોનું દૈનિક રનિંગ વધારે છે તેમના માટે શ્રેષ્ઠ માઇલેજ અને સારા લો-એન્ડ ટોર્કને કારણે ડીઝલ વેરિઅન્ટ જ લાંબા ગાળે ફાયદાકારક સાબિત થઈ શકે છે.</p><h6 style="text-align: justify; "><b>કિંમત અને સ્ટોક ચેક કરવો જરૂરી</b></h6><p style="text-align: justify;">હાલમાં Hyundai Creta અને Creta N Lineની એક્સ-શોરૂમ કિંમત આશરે રૂ. 10.91 લાખથી રૂ. 19.95 લાખ વચ્ચે છે. આ ઓગસ્ટ ઓફરને કિંમતમાં સીધો કાપ માનવાને બદલે શરતોને આધીન મળતો લાભ ગણવો જોઈએ. નવી કાર બુક કરાવતા પહેલાં ડીલર પાસે કારનો મેન્યુફેક્ચરિંગ મહિનો (Manufacturing Month) અને સ્ટોકની સ્થિતિ ચોક્કસ ચકાસી લેવી જરૂરી છે.</p><p style="text-align: justify;"><b>જુલાઈ મહિનામાં રેકોર્ડતોડ વેચાણ</b></p><p style="text-align: justify;">રસપ્રદ વાત એ છે કે આ ડિસ્કાઉન્ટ ઓફર એવા સમયે આવી છે જ્યારે જૂન પછી જુલાઈમાં ક્રેટાનું વેચાણ ખૂબ મજબૂત રહ્યું છે. જુલાઈ 2026માં હ્યુન્ડાઈએ 18,088 યુનિટ્સ ડિસ્પેચ કર્યા હતા, જે આ વર્ષનું સૌથી વધુ માસિક વેચાણ છે. જૂન મહિનામાં સપ્લાયર ફેક્ટરીમાં આગ લાગવાને કારણે ઉત્પાદન ખોરવાયું હતું અને વેચાણ ઘટીને 7,168 યુનિટ થઈ ગયું હતું, જેમાંથી જુલાઈમાં પ્રોડક્શન સુધરતાં કારોબારે સ્પીડ પકડી છે.</p><p style="text-align: justify;"><b>ઓગસ્ટમાં કાર ખરીદવી કેટલી ડહાપણભરી?</b></p><p style="text-align: justify;">એકંદરે જોઈએ તો, ઓગસ્ટ 2026માં Cretaનું પેટ્રોલ મોડેલ ખરીદનારા ગ્રાહકો માટે આ ડીલ ખૂબ જ આકર્ષક છે. પરંતુ રૂ. 1 લાખની જાહેરાત જોઈને સીધી બુકિંગ કરાવવાને બદલે તમારા કેસમાં કેટલું કેશ ડિસ્કાઉન્ટ મળે છે અને કેટલું એક્સચેન્જ/સ્ક્રૈપેજ બોનસ છે તેનો પૂરો બ્રેકઅપ ડીલર પાસેથી લેવો હિતાવહ રહેશે. ડીઝલ મોડેલ પર ઓછું ડિસ્કાઉન્ટ હોવાથી તમારું રનિંગ જોઈને જ નિર્ણય લેવો.</p><p style="text-align: justify;"><a href="https://sandesh.com/automobile" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/ZJBeJKFNFqtkKre19H2gVKvXM9IYtUEUxIEOJ5fc.webp'/></item><item><title><![CDATA[Gadchiroli : હોસ્ટેલમાં ફ્લોર પર સૂતેલી 3 આદિવાસી વિદ્યાર્થિનીઓને ઝેરી સાપ કરડતા મોત, 3 ની હાલત ગંભીર ]]></title><link>https://sandesh.com/india/news/gadchiroli-3-tribal-students-sleeping-on-the-floor-in-the-hostel-died-due-to-poisonous-snake-bite-3-in-critical-condition</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/gadchiroli-3-tribal-students-sleeping-on-the-floor-in-the-hostel-died-due-to-poisonous-snake-bite-3-in-critical-condition</guid><pubDate>Mon, 10 Aug 2026 16:11:42 +05:30</pubDate><description><![CDATA[<p>મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાંથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ધનોરા તાલુકાના જપતલાઈ ગામમાં આવેલી એક આદિવાસી હોસ્ટેલમાં રવિવારે મોડી રાત્રે ઝેરી સાપ કરડવાથી ત્રણ આદિવાસી વિદ્યાર્થિનીઓના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ત્રણ વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.</p><h2><b>છોકરીઓ જમીન પર સૂતી હતી અને બની ઘટના</b></h2><p>જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, ધનોરા તાલુકા મથકથી આશરે 10 કિલોમીટર દૂર આવેલા જપતલાઈ ગામની આદિવાસી છાત્રાલયમાં રવિવારે મધ્યરાત્રિની આસપાસ આ અકસ્માત સર્જાયો હતો. હોસ્ટેલના તમામ બાળકો ફ્લોર (જમીન) પર સૂતા હતા. તે સમયે રાત્રે અચાનક ઝેરી સાપે તેમને ડંખ માર્યો હતો. આ કરૂણ ઘટનામાં 8, 12 અને 14 વર્ષની ત્રણ માસૂમ બાળકીઓએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 11 થી 14 વર્ષની વયની અન્ય ત્રણ વિદ્યાર્થિનીઓની હાલતમાં સુધારો કરવા માટે તબીબી ટીમ સતત પ્રયત્નશીલ છે.</p><h3><b>ગંભીર તપાસ અને જવાબદારી નક્કી કરાશે: કલેક્ટર</b></h3><p>ગઢચિરોલીના જિલ્લા કલેક્ટર અવિશ્યંત પાંડાએ આ દુઃખદ ઘટના પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરતા તપાસની ખાતરી આપી છે. તેમણે જણાવ્યું કે: શાળા મેનેજમેન્ટે જરૂરી સલામતી નિયમોનું પાલન કર્યું હતું કે કેમ તે અંગે વિગતવાર વિશ્લેષણ કરવામાં આવશે. હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને રહેઠાણની વ્યવસ્થાની સમીક્ષા કરાશે. હાલ સારવાર હેઠળ રહેલા ત્રણેય બાળકોને 'એન્ટી-સ્નેક વેનમ' (સાપના ઝેર વિરોધી દવા) આપવામાં આવી છે અને તબીબો તેમની સ્થિતિ પર ચોકીયાત નજર રાખી રહ્યા છે. જો તપાસમાં શાળા કે હોસ્ટેલ તંત્રની કોઈ બેદરકારી કે ક્ષતિ સામે આવશે, તો દોષિતો સામે કડક નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરાશે.</p><h4><b>મંત્રી આશિષ જયસ્વાલનું નિવેદન</b></h4><p>આદિજાતિ વિકાસ વિભાગની વિશેષ ટીમ ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામલાની માહિતી એકત્ર કરી રહી છે. જિલ્લા સર્જનને પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકો માટે કોઈ તબીબી ખામી ન રહે તે સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ છે. ગઢચિરોલીના મંત્રી આશિષ જયસ્વાલે મૃતક બાળકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે વહીવટીતંત્રને ઈજાગ્રસ્ત બાળકોની શ્રેષ્ઠ સારવાર સુનિશ્ચિત કરવા નિર્દેશ અપાયા છે. આદિજાતિ વિકાસ વિભાગનો તપાસ અહેવાલ આવ્યા બાદ જ આ મામલે દોષિતો નક્કી કરી આગળની નક્કર કાર્યવાહી કરવામાં આવશે. બાળકીઓની સારવારમાં કોઈ કચાશ રખાશે નહી.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/XKWNxOFTpG53yjyFne1F3COlQEAJ4M0Mak5ns32d.webp'/></item><item><title><![CDATA[Patan News : પૂર્વ જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર સામે વિરોધ, સ્થાનિક નેતાઓની શિસ્તભંગના પગલાં લેવાની માગ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/patan/leaders-demand-disciplinary-action-against-former-district-president-babuji-thakor</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/patan/leaders-demand-disciplinary-action-against-former-district-president-babuji-thakor</guid><pubDate>Mon, 10 Aug 2026 15:58:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાત કોંગ્રેસમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા ભડકો થયો છે. તાજેતરમાં ઉત્તર ગુજરાતના કોંગ્રેસના જિલ્લા પ્રમુખો સહિતના નેતાઓ દિલ્હી પહોંચ્યા હતાં. તેમણે મોવડી મંડળને નિમણૂંકો અંગે રજૂઆતો કરી હતી. આ ઉપરાંત પ્રદેશ નેતૃત્વની કાર્યપદ્ધતિ સામે પણ સવાલો ઉઠાવ્યા હતાં. સંગઠનમાં કરવામાં આવેલી નિમણૂકો પ્રત્યે તેમણે ભારે અસંતોષ વ્યક્ત કર્યો હતો. હવે પાટણ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ આવ્યો છે. પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોર સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.&nbsp;&nbsp;</p><h2 style="text-align: justify; "><b>બાબુજી ઠાકોર અને તેમના સમર્થકો પર તીખા પ્રહારો</b></h2><p style="text-align: justify; ">પાટણ જિલ્લા કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે.પૂર્વ જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર સામે સ્થાનિક આગેવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ પરિસ્થિતિ વચ્ચે વર્તમાન ધારાસભ્ય ડૉ.કિરીટ પટેલ અને જિલ્લા પ્રમુખ ઘેમરભાઈના સમર્થનમાં એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના સદસ્યો અને ઠાકોર સમાજના અગ્રણી નેતાઓ ખુલ્લેઆમ ડૉ.કિરીટ પટેલના પક્ષમાં આવ્યા હતા.પત્રકાર પરિષદ દરમિયાન સ્થાનિક નેતાઓએ પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોર અને તેમના સમર્થકો પર તીખા પ્રહારો કર્યા હતા.</p><h3 style="text-align: justify; "><b>વિરોધીઓ ભાજપની B-ટીમ તરીકે કામ કરતા હોવાનો આક્ષેપ</b></h3><p style="text-align: justify; ">તેમણે આક્ષેપ કર્યો હતો કે વિરોધીઓ ભાજપની B-ટીમ તરીકે કામ કરી રહ્યા છે અને જ્યારે પણ ચૂંટણી નજીક આવે છે.ત્યારે ચોમાસાના દેડકાની જેમ ભાજપના ઈશારે સક્રિય થઈ જાય છે.સદસ્યોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ B-ટીમ સામે અગાઉ પણ પક્ષના વરિષ્ઠ સ્તરે લેખિત રજૂઆતો કરવામાં આવી છે.છતાં હજુ સુધી કોઈ કડક કાર્યવાહી કેમ કરવામાં નથી આવી? આંતરિક વિખવાદ અને વિરોધ વચ્ચે પણ સ્થાનિક કોંગ્રેસ નેતાઓએ આગામી રાજકીય ભવિષ્યને લઈને મજબૂત દાવો રજૂ કર્યો હતો.સ્થાનિક નેતાઓ અને સદસ્યોએ એકસૂરે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તમામ પડકારો હોવા છતાં વર્ષ 2027માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે.<br><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/valsad/valsad-municipality-general-board-meeting-uproar-flood-rescue" target="_blank">આ પણ વાંચોઃ Valsad પાલિકાની સામાન્ય સભા બની ઉગ્ર: પૂરગ્રસ્ત વિસ્તારોમાં રેસ્ક્યુ કામગીરી ન થતાં સભ્યોએ મચાવ્યો હોબાળો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/Hht6Gw2UbAh6W76XkuKKmAUjiNo8SyX7t7Ch2Fsj.webp'/></item><item><title><![CDATA[Salman Khan-Sanjay Duttની જોડી ઇન્ટરનેશનલ પડદા પર છવાઈ! સાઉદી થ્રિલર 7 Dogsની ભારતમાં રિલીઝ ડેટ જાહેર ]]></title><link>https://sandesh.com/entertainment/news/7-dogs-india-release-salman-khan-sanjay-dutt</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/7-dogs-india-release-salman-khan-sanjay-dutt</guid><pubDate>Mon, 10 Aug 2026 15:51:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સલમાન ખાન હાલમાં પોતાની આગામી ફિલ્મ માતૃભૂમિની તૈયારીમાં વ્યસ્ત છે. દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન સલમાન ખાને પોતાની ઇન્ટરનેશનલ એક્શન થ્રિલર ફિલ્મ 7 ડોગ્સ વિશે એક મોટી માહિતી શેર કરી છે. આ ફિલ્મ આ વર્ષની શરૂઆતમાં મિડલ ઈસ્ટમાં રિલીઝ થઈ હતી અને હવે ભારતીય સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.</p><h2 style="text-align: justify; "><b>ભારતમાં આ દિવસે રિલીઝ થશે 7 ડોગ્સ</b></h2><p style="text-align: justify; ">સલમાન ખાને જાહેરાત કરી છે કે તેમની ઇન્ટરનેશનલ ફિલ્મ 7 ડોગ્સ આખરે 21 ઓગસ્ટે ભારતમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મનું ટીઝર શેર કરતા સલમાને લખ્યું, સૌથી મોટા મિશન માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે! આ જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે 7 ડોગ્સ અરબ દુનિયાની બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડનારી હિટ ફિલ્મ છે. સાથે જ એ પણ કન્ફર્મ કરવામાં આવ્યું છે કે ભારતીય દર્શકો હવે આ એક્શન થ્રિલર ફિલ્મને મોટા પડદા પર જોઈ શકશે. ફિલ્મનું દિગ્દર્શન બિલાલ ફલ્લાહ અને આદિલ અલ અરબી દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ આ વર્ષની શરૂઆતમાં મિડલ ઈસ્ટમાં રિલીઝ થઈ ચૂકી છે, જેમાં સલમાન ખાન અને સંજય દત્તની નાની પરંતુ ખાસ ઝલક જોવા મળી હતી. હવે ભારતમાં ફિલ્મની રિલીઝ તારીખ સામે આવ્યા બાદ બંને કલાકારોના ફેન્સ ખૂબ ખુશ છે.</p><h3 style="text-align: justify; "><b>સલમાન-સંજયની ઝલકથી ટીઝરે વધારી ફેન્સની એક્સાઇટમેન્ટ</b></h3><p style="text-align: justify; ">ગયા વર્ષે ફિલ્મનું ટીઝર સામે આવ્યા બાદ સલમાન ખાન અને સંજય દત્તના ફેન્સ ખૂબ એક્સાઇટેડ થઈ ગયા હતા. ટીઝરના પહેલા જ મિનિટમાં સંજય દત્તની ઝલક જોવા મળી હતી, જેમાં તેઓ કોઈ વ્યક્તિ પર બંદૂક તાકતા જોવા મળ્યા હતા. તેમના ચહેરા પર ખતરનાક અંદાજ જોવા મળ્યો હતો. ત્યારબાદ ટીઝરના બીજા ભાગમાં સલમાન ખાનની એન્ટ્રી થઈ હતી.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Db01zHQN9II/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Db01zHQN9II/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Db01zHQN9II/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Db01zHQN9II/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h3 style="text-align: justify; "><b>કેમિયો રોલમાં જોવા મળશે સલમાન અને સંજય</b></h3><p style="text-align: justify; ">ફિલ્મની સ્ટોરી ઈન્ટરપોલ ઓફિસર ખાલિદ અલ-અઝ્ઝાજીની આસપાસ ફરે છે, જે ખતરનાક વૈશ્વિક ક્રાઇમ સિન્ડિકેટ 7 ડોગ્સના મોટા સભ્ય ઘાલી અબુ દાઉદને પકડી લે છે. ફિલ્મમાં સલમાન ખાન અને સંજય દત્ત કેમિયો રોલમાં જોવા મળશે, જ્યારે કરીમ અબ્દેલ અઝીઝ અને અહમદ એઝ્ઝ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું નિર્માણ સાઉદી અરેબિયાની જનરલ એન્ટરટેઇનમેન્ટ ઓથોરિટીના ચેરમેન તુર્કી અલ-શેખે કર્યું છે. સલમાન ખાન અને સંજય દત્ત ફેબ્રુઆરી 2025માં 3 દિવસના શૂટિંગ માટે રિયાધ પણ ગયા હતા. સલમાન ખાન અને સંજય દત્તના ફેન્સ બંનેને ફરી એકવાર પડદા પર સાથે જોવા માટે ખૂબ એક્સાઇટેડ છે. આ પહેલાં બંને સાજન, ચાલ મેરે ભાઈ અને યે હૈ જલવા જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. બંનેની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી હંમેશા દર્શકોને પસંદ આવી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/toxic-raya-sister-yash-lady-superstar-shah-rukh-khan" target="_blank">આ પણ વાંચો-Actor Yash : કોણ છે Toxicના ખૂંખાર રાયાની બહેન? શાહરૂખ ખાન સાથે આપી બ્લોકબસ્ટર ફિલ્મ, યશે કહ્યું- 'લેડી સુપરસ્ટાર'!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/3HKCFtvmbJRB6Q6IWXj5l4n5mtRgNJSWZtM1a3Tr.webp'/></item><item><title><![CDATA[Rajkot: બેવડી ઋતુને કારણે રોગચાળામાં ઉછાળો, ડેન્ગ્યુના 2 નવા કેસ, વાયરલ તાવના 954 થી વધુ દર્દીઓ નોંધાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/health-update-dengue-and-viral-fever-cases-rise-rmc-notices-issued</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/health-update-dengue-and-viral-fever-cases-rise-rmc-notices-issued</guid><pubDate>Mon, 10 Aug 2026 15:44:12 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાઈ રહેલા મિશ્ર હવામાન અને તાપમાનના ઉતાર-ચઢાવના કારણે ઋતુજન્ય બીમારીઓએ માથું ઊંચક્યું છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના તાજેતરના આંકડા દર્શાવે છે કે શહેરમાં વાયરલ ઈન્ફેક્શન અને મચ્છરજન્ય રોગચાળો ઝડપથી ફેલાઈ રહ્યો છે.</p><h2><b>ઋતુજન્ય બીમારીઓએ માથું ઊંચક્યું</b></h2><p>મનપાના રિપોર્ટ મુજબ, શહેરમાં ડેન્ગ્યુના 2 નવા કેસ સામે આવ્યા છે. આ સિવાય સામાન્ય અને વાયરલ તાવના 954 દર્દીઓ, શરદી-ઉધરસના 957 દર્દીઓ અને પાણીજન્ય ઝાડા-ઊલટીના 450 થી વધુ કેસ નોંધાયા છે, જેને પગલે સરકારી અને ખાનગી હોસ્પિટલોની ઓપીડીમાં દર્દીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે.રોગચાળાના વધતા કેસોને પગલે આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં મચ્છરનાશક અને રોગચાળા નિયંત્રણ કામગીરી સઘન બનાવવામાં આવી છે. આરોગ્ય ટીમો દ્વારા ઘરોઘર અને વ્યાપારી સંકુલોમાં પોરાનાશક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.</p><h3><b>આરોગ્ય વિભાગનું તારણ&nbsp;</b></h3><p>તંત્રની તપાસ દરમિયાન જ્યાં પોરા મચ્છરની ઉત્પત્તિ મળી આવી હતી તેવા ૩૯૨ ઘરો અને ૧૫૯ કોમર્શિયલ સ્થળોને સત્તાવાર નોટિસ પાઠવવામાં આવી છે. આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે મિશ્ર હવામાનને કારણે વાયરલ અને પોરાજન્ય રોગોમાં વધારો થયો છે. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે શહેરમાં ઘરોઘર ફોગિંગ, દવા છંટકાવ અને મચ્છરનાશક કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. તદુપરાંત નાગરિકોને ઘર આસપાસ પાણી ભરાઈ ન રહેવા દેવા અને ઉકાળેલું પાણી પીવા અપીલ કરવામાં આવી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/bhavnagar/rain-update-kalanala-rupani-circle-ghogha-circle-weather-change" target="_blank">આ પણ વાંચો: Bhavnagar: લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી, બપોરે અચાનક વાતાવરણ બદલાતા વિવિધ વિસ્તારોમાં વરસાદ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/lq11LFMz2VC2agY1WlLnWnZxTQCIfChUARSKsQ3g.webp'/></item><item><title><![CDATA[Rajasthan : બ્રેક ફેલ થતાં રાજસ્થાન રોડવેઝની બસ બેકાબૂ, 20થી 25 મુસાફર હતા સવાર ]]></title><link>https://sandesh.com/india/news/rajasthan-roadways-bus-crash-pratapgarh-brake-failure</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/rajasthan-roadways-bus-crash-pratapgarh-brake-failure</guid><pubDate>Mon, 10 Aug 2026 15:41:05 +05:30</pubDate><description><![CDATA[<p>રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના બારાવરદા વિસ્તારમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-56 પર સોમવારે વહેલી સવારે મોટો માર્ગ અકસ્માત સર્જાયો. ભુતયવર ઘાટી ખાતે નર્સરી નજીક રાજસ્થાન રોડવેઝની બસ અચાનક બેકાબૂ થઈ રસ્તાની બાજુની ખાઈમાં ખાબકી હતી. અકસ્માત સવારે આશરે 5:30 વાગ્યે થયો હતો. બસ સુરતથી ચિત્તોડગઢ તરફ જઈ રહી હતી અને તેમાં આશરે 20થી 25 મુસાફરો સવાર હોવાનું જાણવા મળ્યું છે.</p><h2><b>ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ</b></h2><p>પ્રાથમિક માહિતી મુજબ બસના ચાલકને અચાનક બ્રેક ફેલ થયાનો અહેસાસ થયો હતો. બ્રેકમાં ટેક્નિકલ ખામી સર્જાતા બસ પર કાબૂ મેળવવો મુશ્કેલ બન્યો અને બસ રસ્તા પરથી ઉતરી ખાઈમાં જઈ પડી હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં આસપાસના ગ્રામજનો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ધમોતર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ અને ગ્રામજનોની મદદથી બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે પ્રતાપગઢ જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બસના ચાલકને પણ માથામાં ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે.</p><h3><b>બસ મોટા વૃક્ષ સાથે અથડાઈ</b></h3><p>ખાઈમાં ખાબક્યા બાદ બસ સાગવાનના મોટા વૃક્ષો સાથે અથડાઈને અટકી ગઈ હતી. અથડામણ એટલી જોરદાર હતી કે કેટલાક વૃક્ષો પણ ઉખડી ગયા હતા. જોકે, વૃક્ષોના કારણે બસની ગતિ અટકી જતાં મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોનું કહેવું છે. સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ ભુતયવર ઘાટી અગાઉ પણ અકસ્માતો માટે ચર્ચામાં રહી છે. તેમણે માર્ગ પર સ્પીડ બ્રેકર, ચેતવણી સૂચક બોર્ડ અને અન્ય સુરક્ષા વ્યવસ્થા વધારવાની માગ કરી છે. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી તપાસ શરૂ કરી છે. હાલ બ્રેકમાં ટેક્નિકલ ખામી અકસ્માતનું સંભવિત કારણ માનવામાં આવે છે, જોકે તપાસ પૂર્ણ થયા બાદ જ સાચું કારણ સ્પષ્ટ થશે.<br><br><b><a href="https://sandesh.com/india/breakingnews/former-jpsc-chairman-l-khyangte-arrested-amid-massive-student-protests-in-ranchi" target="_blank">આ પણ વાંચો : Jharkhand Students Protest : JPSCના પૂર્વ ચેરમેન એલ. ખ્યાંગતેની ધરપકડ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/Kopt9ozJCyBJfTashd7tA8YcGgSybAEe4u5dlyUd.webp'/></item><item><title><![CDATA[Sabarkantha News: હસનપુરા શાળામાં મધ્યાહન ભોજનથી 40થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ ]]></title><link>https://sandesh.com/gujarat/breakingnews/idar/sabarkantha-hasanpura-school-food-poisoning-lizard-in-midday-meal</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/breakingnews/idar/sabarkantha-hasanpura-school-food-poisoning-lizard-in-midday-meal</guid><pubDate>Mon, 10 Aug 2026 15:32:51 +05:30</pubDate><description><![CDATA[<p>સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાંથી સરકારી શાળાના મધ્યાહન ભોજનની ઘોર બેદરકારી છતી કરતી એક અત્યંત ચિંતાજનક ઘટના સામે આવી છે. ઈડર તાલુકાની હસનપુરા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને પીરસવામાં આવેલા બોપરે બનાવેલા ભોજનમાં ગંભીર ગફલત સામે આવી છે. શાળામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ અડદની દાળ બનાવવામાં આવી હતી. આ ભોજન આરોગ્યા બાદ એકાએક માસૂમ ભૂલકાઓની તબિયત લથડવા લાગી હતી, અને એક પછી એક બાળકોને ઊલટી, ઉબકા અને પેટમાં અસહ્ય દુખાવાની ફરિયાદો શરૂ થઈ ગઈ હતી.</p><h2><b>અડદની દાળમાંથી ગરોળી જેવી જીવાત મળી આવી</b></h2><p>ભોજન પીરસાઈ રહ્યા બાદ અડદની દાળના તપેલામાંથી ગરોળી જેવી મૃત જીવાત મળી આવતાં જ શાળાના શિક્ષકો અને બાળકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ગરોળીવાળું ઝેરી ભોજન પેટમાં જતાં જ શાળાના 40થી વધુ બાળકો ગંભીર રીતે ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા હતા. અચાનક મોટી સંખ્યામાં બાળકોની સ્થિતિ કથળતાં શાળા પરિસરમાં કરૂણ દ્રશ્યો સર્જાયા હતા અને ગ્રામજનો તથા વાલીઓના ટોળાં શાળા ખાતે એકઠા થઈ ગયા હતા.</p><p><img alt="Sabarkantha News: Idar School Food Poisoning: Lizard Found in Midday Meal, Over 40 Students Hospitalized" src="https://epapercdn.sandesh.com/images/2026/08/10/78cgKQch7l22tDL4ifrvsvTPFB3OI1zxJNyDcYb4.webp" style="width: 100%;"><br></p><h2><b>40થી વધુ બાળકો ઈડર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ</b></h2><p>ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક વાહનો મારફતે તમામ પ્રભાવિત બાળકોને સારવાર અર્થે ઈડરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલમાં તબીબોની ટીમ દ્વારા ઇમરજન્સી ધોરણે તમામ માસૂમ બાળકોની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. કેનાલ અને ઝેરી ખોરાકના કારણે કેટલાક બાળકોની સ્થિતિ નાજુક હોવાનું પણ જાણવા મળી રહ્યું છે, જેને પગલે તબીબો તેમની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.</p><p><img alt="Sabarkantha News: Idar School Food Poisoning: Lizard Found in Midday Meal, Over 40 Students Hospitalized" src="https://epapercdn.sandesh.com/images/2026/08/10/3yJqsahzSBzFlT2QNt2bkkDdBOeNsObGARokgwuU.webp" style="width: 100%;"><br></p><h2><b>મધ્યાહન ભોજન અને પુરવઠા વિભાગ સામે ઉઠ્યા સવાલો</b></h2><p>એકસાથે 40થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ થવાની ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતાં જ સ્થાનિક વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ દોડતું થઈ ગયું છે. માસૂમ ભૂલકાઓના જીવ સાથે રમત રમનારા મધ્યાહન ભોજન વિભાગ અને પુરવઠા વિભાગની કામગીરી સામે વાલીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. ગુણવત્તા વગરનું અને અસ્વચ્છ ભોજન બનાવનારા જવાબદારો સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે, તેવી ગ્રામજનો અને વાલીઓ દ્વારા ઉગ્ર માગણી કરવામાં આવી રહી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/explainer/news/gujarat/ragging-laws-punishment-statistics-gujarat-explainer" target="_blank">Explainer: રેગિંગનો રાક્ષસ - વ્યાખ્યા, કોર્ટ, કાયદો, સજા અને તમારા અધિકારો</a><div><div><br></div></div></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/rYAWgrUnaXXZ5MmgZYDJi7xtZQ85YlYBwlRnaHqY.webp'/></item><item><title><![CDATA[Vadodara News: ભીમપુરા પાસે નર્મદા કેનાલમાં ડૂબી જવાથી ગોત્રી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરનું મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/gotri-hospital-doctor-drowns-in-narmada-canal-bhimpura</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/gotri-hospital-doctor-drowns-in-narmada-canal-bhimpura</guid><pubDate>Mon, 10 Aug 2026 15:28:13 +05:30</pubDate><description><![CDATA[<p>સંસ્કારી નગરી વડોદરામાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વડોદરા નજીક આવેલા ભીમપુરા પાસે પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જવાથી એક યુવાન અને તેજસ્વી રેસિડેન્ટ ડોક્ટરનું મોત નિપજ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક ડોક્ટર પોતાના 2 મિત્રો સાથે સાંજના સમયે ભીમપુરા પાસે કેનાલ કિનારે ગયા હતા. આ દરમિયાન અકસ્માતે પગ લપસી જતાં અથવા અન્ય કોઈ કારણોસર તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.</p><h2><b>ગોત્રી હોસ્પિટલના ડર્મેટોલોજી વિભાગમાં હતા ફાઈનલ યરમાં</b></h2><p>મૃતક ડોક્ટરની ઓળખ ડો. ડોડીયા દર્શન બાબુભાઈ તરીકે થઈ છે. ડો. દર્શન ડોડીયા વડોદરાની જાણીતી ગોત્રી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ડર્મેટોલોજી (ચામડીના રોગો) વિભાગમાં ફાઈનલ યરમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ તબીબી ક્ષેત્રે ખૂબ જ હોનહાર અને આશાસ્પદ તબીબ હતા. પોતાના અભ્યાસના અંતિમ તબક્કામાં પહોંચેલા યુવાન ડોક્ટરના અચાનક આવી રીતે નિધનથી ગોત્રી હોસ્પિટલના સ્ટાફ અને સહકર્મચારીઓમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.</p><h2><b>સ્થાનિકો અને પોલીસની મદદે મૃતદેહ બહાર કઢાયો</b></h2><p>ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સ્થાનિક તરવૈયાઓ અને પોલીસ ટીમ દ્વારા કેનાલમાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ભારે જહમત બાદ ડો. દર્શન ડોડીયાનો મૃતદેહ કેનાલના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટના અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને મૃતદેહને આગળની તપાસ અને પોસ્ટ મોર્ટમ અર્થે ગોત્રી હોસ્પિટલમાં ખસેડ્યો છે.</p><p><img alt="Vadodara News: Gotri Hospital Resident Doctor Drowns in Narmada Canal Near Bhimpura" src="https://epapercdn.sandesh.com/images/2026/08/10/EwH1xxyf4MGqDuTvI0TLh9WHC325KnLhm4OgGJNp.webp" style="width: 100%;"><br></p><h2><b>તબીબી આલમ અને પરિવારમાં શોકનો માહોલ</b></h2><p>ઘટનાના દુઃખદ સમાચાર પરિવારજનોને મળતાં જ તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા અને તુરંત જ ગોત્રી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં પરિવારજનોના કરૂણ રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. માતૃપ્રેમ અને ઉજ્જવળ ભવિષ્યનું સપનું સેવતા યુવાન પુત્રને ગુમાવતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ ઘટનાથી વડોદરાના સમગ્ર તબીબી આલમમાં ભારે અરેરાટી સાથે શોકની લહેર ફરી વળી છે.</p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/explainer/news/gujarat/ragging-laws-punishment-statistics-gujarat-explainer" target="_blank"> Explainer: રેગિંગનો રાક્ષસ - વ્યાખ્યા, કોર્ટ, કાયદો, સજા અને તમારા અધિકારો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/ar8a6L7I19YfmIMIMisCclp2Ns7xdpIMJIWJUCj0.webp'/></item><item><title><![CDATA[Rajkot News: ગોંડલમાં ગૌચર જમીન પર વીજપોલ સામે ખેડૂતોનો વિરોધ, ચોરડીમાં 'જેટકોના ભૂત' બની ખેડૂતે કર્યો કટાક્ષ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/rajkot/gondal-chordi-gauchar-land-jetco-power-pole-farmers-protest</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/rajkot/gondal-chordi-gauchar-land-jetco-power-pole-farmers-protest</guid><pubDate>Mon, 10 Aug 2026 15:04:40 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલા ચોરડી ગામે ગૌચરની જમીન બચાવવા માટે ખેડૂતોનો ઉગ્ર વિરોધ સતત 6ઠ્ઠા દિવસે પણ યથાવત રહ્યો છે. ચોરડી ગામની કિંમતી ગૌચર જમીન પર જેટકો કંપની દ્વારા મોટા વીજપોલ ઊભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેની સામે સમગ્ર ગામના ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકારી તંત્ર અને કંપનીની મનમાની સામે ખેડૂતોએ પીછેહઠ કરવાનો સાફ ઈનકાર કરી દીધો છે.</p><h2><b>વડલા પરથી 'જેટકોનું ભૂત' બનીને ઉતર્યો ખેડૂત</b></h2><p>આંદોલનના 6ઠ્ઠા દિવસે ખેડૂતોએ વિરોધ નોંધાવવા માટે એક અત્યંત અનોખો અને વિનોદી રસ્તો અપનાવ્યો હતો. કંપનીની મનમાની અને તંત્રની ઉદાસીનતા પર કટાક્ષ કરવા માટે એક ખેડૂત 'જેટકોના ભૂત'નું પાત્ર ભજવીને વડલાના વૃક્ષ પરથી નીચે ઉતર્યો હતો. તેમણે 'મિસ્ટર ઈન્ડિયા' જેવા ગાયબ થઈ જતા પરિપત્રો અને વહીવટી તંત્રની નીતિઓ પર આકરા પ્રહારો કરી અનોખી રીતે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. આ અનોખો વિરોધ સમગ્ર પંથકમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.</p><p><img alt="Rajkot News: Gondal News: Farmers Unique Ghost Protest Against JETCO Power Pole on Gauchar Land in Chordi" src="https://epapercdn.sandesh.com/images/2026/08/10/f3klDmaNpJVGO6gCIWR42HThGT8po9qq0oy7jmWH.webp" style="width: 100%;"><br></p><h2><b>ગ્રામજનોના આક્રોશ વચ્ચે ભારે પોલીસ બંદોબસ્ત</b></h2><p>એક તરફ ગ્રામજનો અને ખેડૂતોનો વિરોધ દિન-પ્રતિદિન વધુ આક્રમક બની રહ્યો છે, તો બીજી તરફ કંપની દ્વારા વીજપોલ ઊભા કરવાની કામગીરી અટક્યા વગર ઝડપથી પૂરી થાય તે માટે પ્રયાસો થઈ રહ્યા છે. તંગદિલી ભરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિવાદિત ઘટના સ્થળે ભારે પોલીસ કાફલો અને પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. છ-છ દિવસથી સતત આંદોલન ચાલી રહ્યું હોવા છતાં જેટકો કંપની કે તંત્ર દ્વારા કોઈ સંતોષકારક જવાબ ન મળતાં ખેડૂતોમાં અસંતોષની જ્વાળા વધુ ભડકી છે.</p><p><img alt="Rajkot News: Gondal News: Farmers Unique Ghost Protest Against JETCO Power Pole on Gauchar Land in Chordi" src="https://epapercdn.sandesh.com/images/2026/08/10/SOL63LFFuBRvL90WaBz3sv2OQO7RTQVzNXeU4eyk.webp"><br></p><h2><b>મોટું જનસંમેલન યોજી ઉગ્ર આંદોલનની ચેતવણી</b></h2><p>ખેડૂત આગેવાનો અને ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો ગૌચરની જમીનમાં વીજપોલ નાખવાની કામગીરી તાત્કાલિક અસરથી બંધ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે. આસપાસના તમામ ગામોના ખેડૂતો અને પાટીદાર સમાજના સહકારથી એક વિશાળ જનસંમેલનનું આયોજન કરવામાં આવશે અને આ મુદ્દાને ધારાસભા સુધી પહોંચાડવા માટે ઉગ્ર રણનીતિ ઘડવામાં આવશે.</p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/explainer/news/gujarat/ragging-laws-punishment-statistics-gujarat-explainer" target="_blank"> Explainer: રેગિંગનો રાક્ષસ - વ્યાખ્યા, કોર્ટ, કાયદો, સજા અને તમારા અધિકારો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/19H4AGmKu0qYXxjtkMXHBtSyXyzu5EoCzHpXAHWH.webp'/></item><item><title><![CDATA[Commonwealth Gamesના મેડલ વિજેતાઓને મળ્યા પીએમ મોદી, ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો VIDEO ]]></title><link>https://sandesh.com/sports/news/india/pm-modi-meets-india-commonwealth-games-medal-winners</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india/pm-modi-meets-india-commonwealth-games-medal-winners</guid><pubDate>Sun, 09 Aug 2026 19:37:43 +05:30</pubDate><description><![CDATA[<p>સ્કોટલેન્ડના ગ્લાસગોમાં 2026માં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં કુલ 39 મેડલ જીત્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નિવાસસ્થાને તમામ મેડલ વિજેતાઓને મળ્યા હતા, તેમને તેમના મેડલ જીતવા બદલ અભિનંદન આપ્યા હતા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક રીલ શેર કરી હતી, જેમાં લખ્યું હતું, "જો ખેલેગા વો ખિલેગા."</p><h2><b>દેશને હંમેશા પ્રોત્સાહિત કરો</b></h2><p>કોમનવેલ્થ ગેમ્સ 2026માં મેડલ જીતનારા ખેલાડીઓને મળ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર શેર કરેલી રીલમાં તેમને કહ્યું હતું કે "જો ખેલેગા વો ખિલેગા." હંમેશા દેશને પ્રોત્સાહિત કરો. આ પછી પીએમ મોદીએ ભારત માતા કી જયનો નારા લગાવ્યો, જે તેમની સાથે હાજર તમામ ખેલાડીઓએ વારંવાર બોલ્યો.&nbsp;</p><p>આ રીલમાં કોમનવેલ્થ ગેમ્સ 2026માં ગોલ્ડ મેડલ જીતનાર મહિલા બોક્સિંગ ખેલાડી સાક્ષી ચૌધરીએ વીડિયો હોસ્ટ કર્યો અને આ મુલાકાત માટે પીએમ મોદીનો આભાર માન્યો. વીડિયોમાં સાક્ષી ચૌધરીએ કહ્યું કે નમસ્તે મિત્રો, આજે પીએમ સાહેબે કોમનવેલ્થ ગેમ્સના મેડલ વિજેતાઓને બોલાવ્યા છે અને અમે બધા ખૂબ ગર્વ અનુભવી રહ્યા છીએ.</p><p><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reels/Db0hIieTgy8/" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reels/Db0hIieTgy8/" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a><br></p><h3><b>આ વખતે બોક્સિંગમાં 10 મેડલ જીત્યા</b></h3><p>કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતે બોક્સિંગના વિવિધ વજન કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું જેમાં તે 7 ગોલ્ડ અને 3 સિલ્વર સહિત કુલ 10 મેડલ જીતવામાં સફળ રહ્યું હતું. ભારતે એથ્લેટિક્સમાં કુલ 10 મેડલ મેળવ્યા હતા જેમાં ગુલવીર સિંહે 2 અલગ અલગ ઈવેન્ટમાં મેડલ જીત્યા હતા. વેઈટલિફ્ટિંગમાં 8 મેડલ, પેરા એથ્લેટિક્સમાં 6, જુડોમાં 4 અને પેરા પાવરલિફ્ટિંગમાં 1 મેડલ જીત્યો હતો. પહેલીવાર કોમનવેલ્થ ગેમ્સમાં ભારત જુડો ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યું હતું. હવે બધાની નજર જાપાનમાં યોજાવનારી આગામી એશિયન ગેમ્સ પર છે જ્યાં ભારતીય ખેલાડીઓ પાસેથી શાનદાર પ્રદર્શનની અપેક્ષા છે.</p><p><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/0fyqm4BfEeu88Gm4DZle9uesUw8R5L6FcuQSOLfe.webp'/></item></channel></rss>