<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Govinda Divorce : ગોવિંદા સાથે છૂટાછેડા કન્ફર્મ? દીકરા સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા! ]]></title><link>https://sandesh.com/entertainment/news/govinda-sunita-ahuja-family-court-divorce-rumors</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/govinda-sunita-ahuja-family-court-divorce-rumors</guid><pubDate>Wed, 19 Aug 2026 16:05:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગયા વર્ષે ગોવિંદા અને તેમની પત્ની સુનીતા આહૂજાના છૂટાછેડાને લઈને ઘણી અફવાઓ ફેલાઈ હતી. જોકે, બંને ગણપતિ પૂજા દરમિયાન સાથે જોવા મળ્યા હતા અને આ અફવાઓને ફગાવી દીધી હતી. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે ગોવિંદા અને સુનીતા આહૂજા છૂટાછેડા લઈ રહ્યા છે. બુધવારે સવારે સુનીતા આહૂજા તેમના પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>સુનીતા આહૂજા પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી</b></h2><p style="text-align: justify; ">વાયરલ થઈ રહેલા વીડિયોમાં સુનીતા આહૂજા તેમના પુત્ર યશવર્ધન સાથે ફેમિલી કોર્ટની બહાર નીકળતી જોવા મળી રહી છે. હંમેશા મીડિયા સામે ખુલ્લેઆમ વાત કરતી સુનીતા આજે ખૂબ જ શાંત, ગંભીર અને ઉતાવળમાં જોવા મળી હતી. તેણે પાપારાઝી સાથે કોઈ વાત કરી નહોતી. આ દરમિયાન તેના પુત્ર યશવર્ધને પણ પાપારાઝીને ફોટો ન લેવાની વિનંતી કરી હતી. પોતાની કારમાં બેસતી વખતે સુનીતા આહૂજાએ કટાક્ષ કરતાં કહ્યું કે તેઓ જન્મદિવસ ઉજવવા આવ્યા હતા.</p><h3 style="text-align: justify; "><b>2024માં શરૂ થઈ હતી છૂટાછેડાની ચર્ચા</b></h3><p style="text-align: justify; ">2024માં એવા સમાચાર સામે આવ્યા હતા કે સુનીતા આહૂજાએ ગોવિંદા સાથે છૂટાછેડા માટે અરજી કરી છે. બાદમાં સામે આવેલા કોર્ટના દસ્તાવેજો અનુસાર, સુનીતાએ કથિત રીતે 5 ડિસેમ્બર, 2024ના રોજ મુંબઈની બાંદ્રા ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DcNpgZ6MTAZ/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DcNpgZ6MTAZ/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DcNpgZ6MTAZ/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DcNpgZ6MTAZ/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>છૂટાછેડાની અરજી છતાં સાથે રહેવાની વાત કરી હતી સુનીતાએ</b></h4><p style="text-align: justify; ">આ મામલો કેટલાક મહિના બાદ જાહેર થયો હતો. ફેબ્રુઆરી 2025માં ગોવિંદાના વકીલ અને પરિવારના મિત્ર લલિત બિંદલે પણ પુષ્ટિ કરી હતી કે છૂટાછેડાની અરજી કેટલાક મહિના પહેલાં કરવામાં આવી હતી. જોકે, તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે હવે આ કપલ સાથે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે સુનીતાની કેટલીક વાતોનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો હતો અને તેમનું લગ્નજીવન કાયમ માટે તૂટવાની સ્થિતિમાં નહોતું. એ જ વર્ષે બાદમાં ગોવિંદાના વકીલે ફરીથી એવા સમાચારને ફગાવી દીધા હતા કે આ કપલ ટૂંક સમયમાં અલગ થવાનું છે. સુનીતા આહૂજાએ પણ બાદમાં કહ્યું હતું કે તે ગોવિંદાને ક્યારેય છોડશે નહીં. ગોવિંદાથી અલગ બીજા ઘરમાં રહેવાનું કારણ જણાવતાં તેમણે કહ્યું હતું કે ગોવિંદાના રાજકીય કામ અને પુત્રી મોટી થઈ રહી હોવાથી પરિવારની અંગત જિંદગી જાળવવાની જરૂરિયાતને કારણે તેઓ અલગ રહે છે.</p><h3 style="text-align: justify; "><b>લોક અપ 2માં સુનીતાએ કર્યા ખુલાસા</b></h3><p style="text-align: justify; ">તાજેતરમાં સુનીતા આહૂજાએ લોક અપ: સચ યા સજા 2માં ગોવિંદાના કથિત અફેર વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે જ્યારે તમે કોઈને પ્રેમ કરો છો ત્યારે તમારે બધું સહન કરવું પડે છે. ચિચીના જીવનમાં કેટલાં અફેર રહ્યાં હશે? અભિનેતા અને અભિનેત્રીના અફેર થતા જ હોય છે અને તેમાં કંઈ ખોટું નથી. બાદમાં તેણે કહ્યું હતું કે શું તમે કોઈને રોકી શકો છો? શું હું 24 કલાક તેમની સામે બેસી રહું? સામેની વ્યક્તિ પણ કંટાળી જશે. હું તો આ વિશે વિચારતી પણ નથી.</p><h4 style="text-align: justify; "><b>ગોવિંદા અને સુનીતા વચ્ચે તાજેતરમાં કેવી રીતે વધ્યો વિવાદ?</b></h4><p style="text-align: justify; ">સૌથી તાજેતરનો વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ગોવિંદા તેમની કથિત પ્રેમિકા રાની સ્વર્ણકાર સાથે એરપોર્ટ પર જોવા મળ્યા હતા. રાની તેની આગામી ફિલ્મ રૂપાની અભિનેત્રી છે. સોશિયલ મીડિયા પર બંનેની તસવીરો પણ ખૂબ વાયરલ થઈ હતી. જોકે, ગોવિંદા કે કોમલે કોઈ રોમેન્ટિક સંબંધની જાહેરમાં પુષ્ટિ કરી નહોતી.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DcGYHxfTnu-/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DcGYHxfTnu-/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DcGYHxfTnu-/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DcGYHxfTnu-/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>ગોવિંદા સાથે રાની સ્વર્ણકારને જોઈ સુનીતાએ સાધ્યું નિશાન</b></h4><p style="text-align: justify; ">સુનીતાએ આ મામલે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે તેઓ એવી યુવતી સાથે ફરી રહ્યા છે જે તેમની પુત્રીની ઉંમરની છે અને તેમને શરમ આવવી જોઈએ. કોમલ તરફ ઈશારો કરતાં તેમણે કહ્યું હતું કે તમારો સુગર ડેડી ખૂબ અમીર છે. યોગ્ય રીતે કપડાં પહેરો. અમારો સ્ટાઇલ જુઓ. પહેલાં કંઈક સ્ટાન્ડર્ડ હતું, હવે તો એ પણ નથી.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DcEdL55zTqx/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DcEdL55zTqx/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DcEdL55zTqx/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DcEdL55zTqx/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>સુનીતાના આરોપો પર ગોવિંદાએ પણ આપ્યો જવાબ</b></h4><p style="text-align: justify; ">આ વખતે ગોવિંદા પણ સુનીતા આહૂજાના આરોપો પર ચૂપ રહ્યા નહોતા. અભિનેતાએ એક વીડિયો સંદેશમાં સુનીતા પર પોતાના કામમાં દખલ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે તેમની પાસે આવતી દરેક તક તેઓ સ્વીકારતા નથી, છતાં સુનીતા તેમના વર્તમાન કામમાં દખલ કરી રહી છે. અપમાનજનક ટિપ્પણીઓ સામે પણ ગોવિંદાએ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સામાન્ય પરિવારમાંથી આવતા લોકોને એટલા શરમમાં કે અપમાનિત ન કરવા જોઈએ કે તેઓ ડરી જાય અથવા ઇન્ડસ્ટ્રી છોડવા માટે મજબૂર થઈ જાય.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DcG28H5TkDd/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DcG28H5TkDd/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DcG28H5TkDd/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DcG28H5TkDd/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><p style="text-align: justify; ">સુનીતા દ્વારા તેમની ઉંમર અંગે કરવામાં આવેલી ટિપ્પણીનો જવાબ આપતાં ગોવિંદાએ કહ્યું હતું કે જ્યારે તમે વારંવાર ઉંમરનો મુદ્દો ઉઠાવો છો, ત્યારે હું તમને યાદ અપાવું કે દેશમાં ઘણા મોટા અભિનેતાઓએ પોતાનાથી ઓછી ઉંમરની અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે.</p><h5 style="text-align: justify; "><b>ગોવિંદા અને સુનીતા આહૂજાના લગ્ન ક્યારે થયા હતા?</b></h5><p style="text-align: justify; ">ગોવિંદા અને સુનીતા આહૂજાએ 1987માં લગ્ન કર્યા હતા. બંનેએ લગભગ 2 વર્ષ સુધી પોતાના લગ્નની વાત દુનિયાથી છુપાવી રાખી હતી. તેમની પુત્રી ટીના આહૂજાના જન્મ બાદ તેમણે પોતાના લગ્નની વાત જાહેર કરી હતી. આ કપલને એક પુત્ર યશવર્ધન આહૂજા પણ છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/mohammed-rafi-64-year-old-cult-song" target="_blank">આ પણ વાંચો-Old Romantic Song : મોહમ્મદ રફીના નટખટ અવાજે 64 વર્ષ જૂનું ગીત આજે પણ છે પ્રેમીઓનું ફેવરિટ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/AGSyjGX7gwZon4JHQnxCP6x3YiT55CUvBSc8DkEO.webp'/></item><item><title><![CDATA[Amazon ને ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા બદલ  ફટકાર્યો 1 લાખનો દંડ, ભગવાનના પ્રસાદના નામે વેચતા હતા મિઠાઇ ]]></title><link>https://sandesh.com/business/news/amazon-fined-selling-fake-ayodhya-ram-mandir-prasad</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/amazon-fined-selling-fake-ayodhya-ram-mandir-prasad</guid><pubDate>Wed, 19 Aug 2026 16:03:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન પર સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ ₹1 લાખનો દંડ ફટકાર્યો છે. એમેઝોનના પ્લેટફોર્મ પર સામાન્ય મીઠાઈઓને "શ્રી રામ મંદિર અયોધ્યા પ્રસાદ" તરીકે વેચવામાં આવી રહી હતી, જેની સામે ઓથોરિટીએ આ કડક પગલું ભર્યું છે.</p><h2 style="text-align: justify; "><b>એમેઝોન પર કરાયું હતુ ભ્રામક લિસ્ટિંગ</b></h2><p style="text-align: justify; ">તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પાસેથી આ નામ હેઠળ પ્રોડક્ટ્સ વેચવા માટે એમેઝોન કે સંબંધિત વિક્રેતાઓ પાસે કોઈ અધિકૃત પરવાનગી નહોતી. ઓથોરિટીના જણાવ્યા અનુસાર, 22 જાન્યુઆરી, 2024 ના રોજ અયોધ્યામાં યોજાયેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઐતિહાસિક પ્રસંગ પૂર્વે જ એમેઝોન પર આવી ભ્રામક લિસ્ટિંગ કરવામાં આવી હતી. આનાથી દેશભરના લાખો ગ્રાહકોની ધાર્મિક આસ્થા અને વિશ્વાસનો ખોટો દુરુપયોગ થયો હતો.</p><h3 style="text-align: justify; "><b>એમેઝોનને ₹1 લાખનો દંડ</b></h3><p style="text-align: justify; ">CCPA એ 19 જાન્યુઆરી, 2024 ના રોજ એમેઝોનને કારણ બતાવો નોટિસ જાહેર કરી હતી, જે બાદ પ્લેટફોર્મે તે લિસ્ટિંગ દૂર કરી દીધી હતી. જોકે, એમેઝોને પોતાને માત્ર એક 'મધ્યસ્થી' (Intermediary) ગણાવીને બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. ઓથોરિટીએ આ દલીલ નકારી કાઢી જણાવ્યું હતું કે એમેઝોન જેવું મોટું પ્લેટફોર્મ આવી ગેરમાર્ગે દોરનારી પ્રોડક્ટ્સને મંજૂરી આપીને ગ્રાહકોના મનમાં તેની વાસ્તવિકતા વિશે ખોટો વિશ્વાસ ઊભો કરે છે. આ લિસ્ટિંગમાંથી 'ચંદુ ટ્રેડિંગ કંપની' નામના વેચનારે ₹25 લાખથી વધુનું વેચાણ કર્યું હતું, જ્યારે એમેઝોને પણ તેમાંથી કમિશન મેળવ્યું હતું.</p><h4 style="text-align: justify; "><b>15 દિવસમાં ₹1 લાખની દંડની રકમ જમા કરવાનો આદેશ</b></h4><p style="text-align: justify; ">ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019 અને ઈ-કોમર્સ નિયમો, 2020 હેઠળ એમેઝોનને દોષિત ઠેરવતા ઓથોરિટીએ 15 દિવસમાં ₹૧ લાખની દંડની રકમ જમા કરાવવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત, ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે CCPA એ દેશના ૧૦ મુખ્ય ધાર્મિક સ્થળો જેમ કે શ્રી રામ જન્મભૂમિ મંદિર, તિરુપતિ બાલાજી, વૈષ્ણો દેવી, કાશી વિશ્વનાથ, જગન્નાથ પૂરી, સોમનાથ, બદ્રીનાથ, કેદારનાથ, દ્વારકાધીશ અને મહાકાલેશ્વરના નામે કોઈપણ પરવાનગી વગર પ્રસાદ કે ભોગનું વેચાણ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. એમેઝોનને વિક્રેતાઓ શ્રેષ્ઠ અને સ્પષ્ટ વિગતો પ્રદર્શિત કરે તેમજ કીવર્ડ-આધારિત કડક ફિલ્ટરિંગ સિસ્ટમ લાગુ કરે તે સુનિશ્ચિત કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/jharkhand-exam-controversy-students-protest-22-exams-cancelled" target="_blank">આ પણ વાંચોઃ Jharkhand : રાંચીમાં વિદ્યાર્થી આંદોલન 2 મહિના માટે સ્થગિત, સરકારને 60 દિવસનું અલ્ટીમેટમ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/dtD6aicHFgoQvQ4GvGTl3HFfECDDeOttAqEVC25G.webp'/></item><item><title><![CDATA[Surendranagar News: ધ્રાંગધ્રાના રાવળીયાવદર ગામમાં તળાવમાં ડૂબવાથી 7 વર્ષના માસૂમ બાળકનું મોત ]]></title><link>https://sandesh.com/crime/news/surendranagar/dhrangadhra-ravaliyavadar-village-pond-child-drowning</link><guid isPermaLink="true">https://sandesh.com/crime/news/surendranagar/dhrangadhra-ravaliyavadar-village-pond-child-drowning</guid><pubDate>Wed, 19 Aug 2026 15:56:41 +05:30</pubDate><description><![CDATA[<p>સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ધ્રાંગધ્રા પાસે આવેલા રાવળીયાવદર ગામમાં આવેલા તળાવમાં ડૂબી જવાથી એક 7 વર્ષના માસૂમ બાળકનું અકાળે અવસાન થતાં સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે. જન્માષ્ટમી જેવા પવિત્ર અને ઉત્સાહભર્યા તહેવારોના દિવસોમાં જ બનેલી આ કરૂણાંતિકાને કારણે પરિવાર પર આભ તૂટી પડ્યું છે.</p><h2><b>તહેવાર ઉજવવા માતા સાથે મામાના ઘરે આવ્યો હતો માસૂમ</b></h2><p>પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક બાળકની ઓળખ 7 વર્ષના વિરમ રૂદાતલા તરીકે થઈ છે. બાળકી પોતાની માતા સાથે સાતમ-આઠમનો તહેવાર ધામધૂમથી ઉજવવા માટે રાવળીયાવદર ગામે આવેલા પોતાના મામાના ઘરે આવ્યો હતો. પરિવારમાં તહેવારને લઈને ભારે ખુશી અને ઉત્સાહનો માહોલ હતો, પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું. રમતા રમતા બાળક ગામના તળાવ પાસે પહોંચી ગયો હતો, અને અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.</p><h2><b>સ્થાનિકોએ મૃતદેહ બહાર કાઢ્યો, પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડાયો</b></h2><p>બાળક તળાવમાં ડૂબ્યો હોવાની જાણ થતાં જ આસપાસના લોકો અને સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં તળાવ ખાતે દોડી આવ્યા હતા. ગ્રામજનોએ ભારે જહમત બાદ 7 વર્ષના માસૂમ બાળક વિરમનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢ્યો હતો. બાળકની નિશ્ચેત દેહ બહાર આવતા જ મામાના પરિવારજનો અને માતાના કાળજાકાંપક રુદનથી આખું ગામ ગમગીન બની ગયું હતું. ત્યારબાદ તાત્કાલિક ધોરણે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.</p><h2><b>ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર</b></h2><p>આ કરૂણ બનાવની જાણ ધ્રાંગધ્રા સ્થાનિક પોલીસને કરવામાં આવતાં જ પોલીસ કાફલો તુરંત જ રાવળીયાવદર ગામે ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બાળકના મૃતદેહનું પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને બાળક તળાવ પાસે કેવી રીતે પહોંચ્યો અને ઘટના કઈ રીતે બની તે તમામ પાસાઓ પર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/crime/news/maru-saher-maru-gaam/surendranagar/dhrangadhra-methan-grameen-bank-manager-scam-arrested" target="_blank">Surendranagar News: ધ્રાંગધ્રાના મેથાણ ગ્રામીણ બેંકમાં કરોડોનું કૌભાંડ આચરનાર પૂર્વ મેનેજર ઝડપાયો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/d8L1rTIJBR6cNg6ClOEGKYX6AuBcljRyCeAS0kZM.webp'/></item><item><title><![CDATA[Indian Captain Ashish Kumar Missing Case: પત્નીએ કહ્યું જહાજના નાશ થયા બાદ પણ આવ્યા પતિના વોટ્સએપ મેસેજ, SCએ કેન્દ્ર પાસે માગ્યો રિપોર્ટ ]]></title><link>https://sandesh.com/india/news/indian-captain-ashish-kumar-missing-case-wife-said-husbands-whatsapp-messages-came-even-after-the-ship-was-destroyed-sc-seeks-report-from-the-center</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/indian-captain-ashish-kumar-missing-case-wife-said-husbands-whatsapp-messages-came-even-after-the-ship-was-destroyed-sc-seeks-report-from-the-center</guid><pubDate>Wed, 19 Aug 2026 15:53:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">SC કહ્યુ કે, 1 માર્ચ 2026ના રોજ હોર્મુઝ સ્ટ્રેટમાં તેમના જહાજ, એમટી સ્કાયલાઇટ પર મિસાઇલ હુમલા પછી તેઓ ગુમ થયા હતા.&nbsp;</p><h2 style="text-align: justify; ">ડીએનએ ટેસ્ટમાં શુ આવ્યુ સામે ?&nbsp;</h2><p style="text-align: justify; ">કેપ્ટન આશિષ કુમારની પત્ની અંશુ કુમારીએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે આ મામલે કેન્દ્ર સરકાર પાસેથી સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે. આ કેસમાં આગામી સુનાવણી સોમવાર 24 ઓગસ્ટ 2026ના રોજ હાથ ધરાશે. કેપ્ટન આશિષ કુમારના બળી ગયેલા કેબિનમાંથી હાડકાં મળી આવ્યા બાદ તેમને મૃત માનવામાં આવ્યા હતા. જોકે, ડીએનએ ટેસ્ટ પછી જાણવા મળ્યું કે અવશેષો તેમના નથી.</p><h3 style="text-align: justify; ">કેપ્ટનના પત્નીની સુપ્રીમ કોર્ટમાં અરજી&nbsp;</h3><p style="text-align: justify; ">કેપ્ટનની પત્ની અંશુ કુમારીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ડીએનએ પરીક્ષણો અને તબીબી પુરાવા તેમના મૃત્યુની ધારણાને ખોટી સાબિત કરે છે. કેપ્ટનની પત્ની અંશુ કુમારીએ પોતાની અરજીમાં કહ્યુ હતું કે, ઘટનાના ત્રણ દિવસ પછી, 4 માર્ચે, અરજદારને આંતરરાષ્ટ્રીય નંબરો પરથી 2 મિલિયનની માંગણી કરીને ખંડણીના ફોન આવ્યા હતા. આ કોલ્સ મજબૂત પુરાવા છે કે કુમાર જીવિત છે અને તેમને બંધક બનાવવામાં આવ્યા છે. વધુમાં, જહાજ નાશ થયાના કલાકો પછી પણ કુમારના ફોન પર વોટ્સએપ સંદેશાઓ દેખાતા રહ્યા હતા.&nbsp;</p><h4 style="text-align: justify; ">1લી માર્ચે જહાજ પર શું થયું ?</h4><p style="text-align: justify; ">અરજી અનુસાર, કેપ્ટન આશિષ કુમારનું જહાજ ઓમાનના ખાસાબ બંદર નજીક ડોક કરવામાં આવ્યું હતું. 1લી માર્ચે, યુનાઇટેડ સ્ટેટ્સ, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા પ્રાદેશિક સંઘર્ષ દરમિયાન તેના પર મિસાઇલ અથવા ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે. બોર્ડ પર સવાર 20 ક્રૂ સભ્યોમાંથી 18ને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે કેપ્ટન આશિષ કુમાર અને અન્ય એક ભારતીય નાગરિક ગુમ થયા હોવાનું જાણવા મળ્યું હતું.</p><h5 style="text-align: justify; ">ભારતીય દૂતાવાસે શુ આપી માહિતી ?&nbsp;</h5><p style="text-align: justify; ">અરજી મુજબ, મસ્કત સ્થિત ભારતીય દૂતાવાસે 15 મે, 2026 ના રોજ પરિવારને જાણ કરી હતી કે મળી આવેલા અવશેષો કેપ્ટન આશિષ કુમારના નથી. અરજીમાં રોયલ ઓમાન પોલીસના ડિરેક્ટોરેટ જનરલ ઓફ સર્ચ એન્ડ ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશનના બાયોલોજિકલ ટેકનિકલ એક્ઝામિનેશન રિપોર્ટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં તપાસવામાં આવેલા હાડકાંમાં કોઈ માનવ ડીએનએ મળ્યું નથી.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/china-earthquake-56-magnitude-earthquake-hits-chinas-qinghai-province-no-casualties" target="_blank">ચીનના કિંઘાઈ પ્રાંતમાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિ નહીં</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/FreD5rhY4BAluZGFQZlKbuvKXPb6wRHOVMiVJghw.webp'/></item><item><title><![CDATA[Sergio Gore Jammu Kashmir Vsit: દેશની ફરિયાદ કરવી એ...ઓમર અબ્દુલ્લાના નિવેદનથી પાકિસ્તાનને લાગશે મરચા ]]></title><link>https://sandesh.com/india/news/sergio-gore-jammu-kashmir-vsit-complaining-about-the-countryomar-abdullahs-statement-will-make-pakistan-angry</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/sergio-gore-jammu-kashmir-vsit-complaining-about-the-countryomar-abdullahs-statement-will-make-pakistan-angry</guid><pubDate>Wed, 19 Aug 2026 15:53:25 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતમાં અમેરિકાના રાજદૂત અને દક્ષિણ અને મધ્ય એશિયા માટેના ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ દૂત સર્જિયો ગોર, કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખની બે દિવસની મુલાકાતે છે. જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં ગોર,&nbsp; લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાને મળવાના છે. તેઓ વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓને પણ મળવાના છે.</p><h2><b>સર્જિયો ગોર શ્રીનગરમાં રાત્રિ રોકાણ કરશે&nbsp;</b></h2><p>સર્જિયો ગોર શ્રીનગરમાં રાત્રિ રોકાણ કરશે. તેમના આગમન પહેલાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ટિપ્પણી કરી હતી કે લાંબા સમય પછી જમ્મુ અને કાશ્મીરમાં અમેરિકાના રાજદૂત મુલાકાતે આવી રહ્યા છે. તેમણે કહ્યું કે તેઓ અમારી વાત સાંભળવા આવી રહ્યા છે.&nbsp; હું તેમને વધુ સાંભળવાનું પસંદ કરીશ.&nbsp;</p><p>ઓમર અબ્દુલ્લાએ સંકેત આપ્યો હતો કે તેઓ સર્જિયો ગોર સાથે આંતરિક બાબતો ઉઠાવશે નહીં, તેમણે ઉમેર્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના મુદ્દાઓનો ઉકેલ વોશિંગ્ટનથી આવશે નહીં. "આપણા દેશે પોતે જ આપણી સમસ્યાઓનું નિરાકરણ કરવું જોઈએ," તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે તેઓ યુએસ રાજદૂત સાથેની મુલાકાત દરમિયાન આંતરિક મુદ્દાઓ ઉઠાવશે નહીં.</p><h3><b>વિદેશી રાજદૂતને ફરિયાદ કરવી અયોગ્ય- ઓમર અબ્દુલ્લા&nbsp;</b></h3><p>અબ્દુલ્લાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેમની સમસ્યાઓનો રાજદૂત સાથે બહુ ઓછો સંબંધ છે, ન તો બીજા દેશના રાજદૂત સાથે પોતાના દેશના મુદ્દાઓ પર ચર્ચા કરવાની તેમની આદત છે. તેમણે ટિપ્પણી કરી કે તેમના માટે પોતાના દેશ વિશે વિદેશી રાજદૂતને ફરિયાદ કરવી ખૂબ જ અયોગ્ય રહેશે.</p><p>અબ્દુલ્લાએ નોંધ્યું કે તેઓ ચોક્કસપણે જમ્મુ અને કાશ્મીરની પરિસ્થિતિ અંગે ગોર સાથે ચર્ચા કરશે, પરંતુ તેઓ ન તો ફરિયાદો વ્યક્ત કરશે કે ન તો તેમની પાસેથી આવી ફરિયાદોનો ઉકેલ શોધશે. દરમિયાન, ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ગોરની મુલાકાત પર ટિપ્પણી કરી, સૂચવ્યું કે તેઓ ઓછામાં ઓછું કાશ્મીરની મુસાફરીને નિરુત્સાહિત કરતી ઉચ્ચ-સ્તરીય મુસાફરી સલાહકારની સમીક્ષા કરી શકે છે અને તેને પાછી ખેંચી શકે છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2089935234464882763"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p>સોશિયલ મીડિયા પોસ્ટમાં, તેમણે પ્રકાશિત કર્યું કે હજારો કાશ્મીરી પરિવારો પર્યટન પર આધાર રાખે છે. પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ કાશ્મીર સંબંધિત મુસાફરી સલાહકારને પ્રદેશ અને બાકીના વિશ્વ વચ્ચે દિવાલ તરીકે વર્ણવી, કહ્યું કે તેને દૂર કરવાથી વિશ્વાસનો મજબૂત સંદેશ જશે.</p><p>મહત્વનું છે કે સર્જિયો ગોરના શ્રીનગર આગમન પહેલાં આપેલા ઓમર અબ્દુલ્લાના નિવેદનને પાકિસ્તાન અને ચીન માટે સ્પષ્ટ સંદેશ તરીકે જોવામાં આવી રહ્યું છે. કાશ્મીર અંગે અમેરિકાને ગેરમાર્ગે દોરવા માટે છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા પ્રયાસો પર બનેલો પાકિસ્તાની પ્રચારનો પરપોટો ઓમર અબ્દુલ્લાના નિવેદનથી ફાટી ગયો છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/hFDZ7P6M9CLZZdKqUrlnvMoLRT0sWUw9GgblQLDr.webp'/></item><item><title><![CDATA[Surendranagar News: મેથાણ ગ્રામીણ બેંકમાં કરોડોનું ફુલેકું ફેરવનારો તત્કાલીન મેનેજર ઝડપાયો, આ રીતે કર્યું હતું કૌભાંડ ]]></title><link>https://sandesh.com/crime/news/maru-saher-maru-gaam/surendranagar/dhrangadhra-methan-grameen-bank-manager-scam-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/crime/news/maru-saher-maru-gaam/surendranagar/dhrangadhra-methan-grameen-bank-manager-scam-arrested</guid><pubDate>Wed, 19 Aug 2026 15:44:45 +05:30</pubDate><description><![CDATA[<p>સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાંથી બેંકિંગ ક્ષેત્રે સળવળાટ મચાવતો કૌભાંડનો કિસ્સો સામે આવ્યો છે. મેથાણ ગામે આવેલી ગ્રામીણ બેંકમાં કરોડો રૂપિયાની નાણાકીય ગેરરીતિ આચરનારા તત્કાલીન બેંક મેનેજરને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. ગ્રાહકોના નામે બોગસ ખાતા ખોલીને કરોડો રૂપિયાની લોન મેળવી લેવાના આ ગંભીર કૌભાંડનો પર્દાફાશ થતાં જ સમગ્ર બેંકિંગ વર્તુળ અને સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.</p><h2><b>67 બોગસ ખાતા ખોલીને આચર્યું કરોડોનું કૌભાંડ</b></h2><p>પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, મેથાણ ગ્રામીણ બેંકના તત્કાલીન મેનેજર નિખિલ ગૌતમભાઈ પ્રજાપતિએ પોતાના પદનો દુરુપયોગ કરીને બેંકને રૂ. 1.72 કરોડનો ચૂનો લગાવ્યો હતો. મેનેજરે નિર્દોષ ગ્રાહકોના નામે કુલ 67 જેટલા બોગસ ખાતા ખોલ્યા હતા અને આ બનાવટી એકાઉન્ટ્સ પરથી કરોડો રૂપિયાની લોન મંજૂર કરાવીને રકમ બારોબાર ઉપાડી લીધી હતી. કૌભાંડ બહાર આવ્યા બાદ કૌભાંડી રકમ બેંકમાં પરત જમા પણ કરાવી દેવામાં આવી છે, પરંતુ ગ્રાહકોના ડોક્યુમેન્ટ્સનો દુરુપયોગ કરી બોગસ ખાતા ખોલવાનો ગંભીર ગુનો બન્યો હોવાથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.</p><h2><b>આસપાસના અનેક ગામોના ગ્રાહકોના નામે ખોલ્યા હતા ફેક એકાઉન્ટ</b></h2><p>પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં એ વાત પણ ખુલ્લી પડી છે કે, આરોપી મેનેજર નિખિલ પ્રજાપતિએ માત્ર મેથાણ જ નહીં, પરંતુ આસપાસના અન્ય ગામોના ગ્રામજનોને પણ નિશાન બનાવ્યા હતા. ધ્રાંગધ્રાના મેથાણ ઉપરાંત રાજગઢ, દુદાપુર અને રાજચરાડી સહિતના ગામોમાં રહેતા નિર્દોષ ગ્રાહકોના નામે પણ કૌભાંડી મેનેજરે બોગસ ખાતા ખોલીને લોન ઉપાડી લીધી હતી. ગ્રાહકોને જાણ પણ ન થાય તે રીતે તેમની ઓળખના પુરાવાનો ઉપયોગ કરી આ સમગ્ર કૌભાંડને અંજામ આપવામાં આવ્યો હતો.</p><h2><b>ધ્રાંગધ્રા તાલુકા પોલીસે હાથ ધરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી</b></h2><p>ગ્રાહકોના નામે બોગસ ખાતા ખોલી લોન ઉપાડવાના ગંભીર આરોપો હેઠળ ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને તત્કાલીન મેનેજર નિખિલ ગૌતમભાઈ પ્રજાપતિની ધરપકડ કરી લીધી છે. હાલમાં પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેને કોર્ટ સમક્ષ રજૂ કરીને વધુ પૂછપરછ અને તપાસ અર્થે રિમાન્ડ મેળવવાની કાયદેસરની તજવીજ હાથ ધરી છે. આ કૌભાંડમાં અન્ય કોઈ કર્મચારી કે વ્યક્તિની સંડોવણી છે કે, કેમ તે અંગે પણ પોલીસ ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surendranagar/surendranagar--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1" target="_blank">Surendranagar: શંભુ શરણે પડી....: આપો દ્દષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/Vt3iCYZ8PlaczMtmSOCOFShENKeVzUtOY6qjP4U7.webp'/></item><item><title><![CDATA[Hockey World Cup ના ઇતિહાસમાં ભારતની ઐતિહાસિક જીત, છતાં ખેલાડીઓ અને મેનેજમેન્ટમાં ચિંતાનું મોજું ]]></title><link>https://sandesh.com/sports/news/indias-historic-win-yet-the-end-indian-player-ishika-chaudhary-seriously-injured</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/indias-historic-win-yet-the-end-indian-player-ishika-chaudhary-seriously-injured</guid><pubDate>Wed, 19 Aug 2026 15:14:56 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નેધરલેન્ડ્સના એમ્સ્ટલવીનમાં રમાયેલી મહિલા હોકી વર્લ્ડ કપની મેચમાં ભારતીય મહિલા હોકી ટીમે દક્ષિણ આફ્રિકાને 6-1થી હરાવીને વર્લ્ડ કપના ઇતિહાસમાં પોતાની સૌથી મોટી જીત નોંધાવી છે. આ વિજય સાથે ભારતે નોકઆઉટ રાઉન્ડમાં પહોંચવાની આશાઓ મજબૂત કરી લીધી છે. જોકે, મેચ પૂરી થવાની માત્ર ૧૫ સેકન્ડ પહેલાં જ બનેલી એક દુર્ઘટનાને કારણે ભારતીય ફેન્સ અને ટીમ મેનેજમેન્ટમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.</p><h2 style="text-align: justify;"><b>છેલ્લી ૧૫ સેકન્ડમાં મોટો અકસ્માત, ઈશિકા ઇજાગ્રસ્ત</b></h2><p style="text-align: justify;">મેચ પૂરી થવાને આરે હતી ત્યારે બોલને ડિફેન્ડ કરતી વખતે ભારતીય ડિફેન્ડર ઈશિકા ચૌધરીના કપાળ પર દક્ષિણ આફ્રિકાના ખેલાડીની હોકી સ્ટીક જોરથી વાગી ગઈ હતી. આ વાગવાની અસર એટલી તીવ્ર હતી કે ઈશિકાના કપાળમાં તરત જ ફ્રેક્ચર થઈ ગયું હતું. તેના ચહેરા પરથી સતત લોહી વહેવા લાગ્યું હતું. રક્તસ્ત્રાવ રોકવા મેડિકલ ટીમ મેદાનમાં દોડી આવી. </p><h3 style="text-align: justify;"><b>મેદાન પર ઢળી પડી ઇશિકા ચૌધરી</b></h3><p style="text-align: justify; ">હોકી સ્ટીક વાગતાં જ ઈશિકા પીડાથી કણસતી જમીન પર ઢળી પડી હતી. મેડિકલ ટીમ અને ફિઝિયોએ તાત્કાલિક મેદાન પર પહોંચીને ટીશ્યુ અને કપડા વડે લોહી રોકવાનો પ્રયાસ કર્યો હતો. ઈશિકા કપાળ પર રૂમાલ દબાવીને મેદાન બહાર ગઈ ત્યારે તેના ચહેરા પરથી સતત રક્તસ્ત્રાવ થઈ રહ્યો હતો. આ દ્રશ્ય જોઈને મેદાન પર હાજર તમામ ખેલાડીઓ પણ ગભરાઈ ગયા હતા. તેઓ ઇશિકા જલ્દી સાજી થાય તેની પ્રાર્થના કરવા લાગ્યા.</p><h4 style="text-align: justify;"><b>વર્લ્ડ કપમાં ભારતનો ઐતિહાસિક વિજય</b></h4><p style="text-align: justify;">ઈજાની આ દુઃખદ ઘટના સિવાય, આખી મેચમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન અદ્ભુત રહ્યું હતું. ગોલ કરનાર ભારતીય ખેલાડીઓ: સુનલિતા ટોપો (૧૧મી મિનિટ), નવનીત કૌર (૧૭મી મિનિટ), સુશીલા ચાનુ (૨૪મી મિનિટ), દીપિકા (૩૮મી મિનિટ), લાલરેમસિયામી (૪૩મી મિનિટ) અને સાક્ષી રાણા. દક્ષિણ આફ્રિકા મેચની ૫૬મી મિનિટે માત્ર એક જ ગોલ કરી શક્યું હતું. હવે ભારતીય ટીમ પોતાની અંતિમ ગ્રુપ મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે.</p><p style="text-align: justify;"><br></p><p style="text-align: justify;"><a href="https://sandesh.com/sports/news/national-sports-awards-2025-announced-tejaswin-shankar-and-17-other-players-to-receive-arjuna-award" target="_blank">આ પણ વાંચો : National Sports Awards 2025 announced : તેજસ્વિન શંકર અને અન્ય 17 ખેલાડીઓને મળશે અર્જુન પુરસ્કાર</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/6rES0xjvGJGcaYBb7exq4g68VD5KSlWddq8au6rK.webp'/></item><item><title><![CDATA[વાંચો બપોરે 12થી 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/today-top-breaking-news-bulletin-gujarat-india-read-important-news-from-12-pm-to-03-pm-19-august-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/today-top-breaking-news-bulletin-gujarat-india-read-important-news-from-12-pm-to-03-pm-19-august-2026</guid><pubDate>Wed, 19 Aug 2026 14:52:41 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર&nbsp; &nbsp;</b></p><p><b><br></b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/crime/gandhinagar/dgp-meeting-prohibition-drive-order-bhavnagar-liquor-tragedy" target="_blank">1.&nbsp; Gandhinagar : ભાવનગર દારૂકાંડ બાદ ડીજીપીની લાલ આંખ: રાજ્યભરમાં કડક પ્રોહિબિશન ડ્રાઈવ ચલાવવા આપ્યા આદેશ</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/cricket/news//ind-vs-sl-1st-test-highlights-india-win-galle" target="_blank">2. IND vs SL 1st Test : ગોલમાં ટીમ ઈન્ડિયાની મહાજીત! માનવ સુથાર અને દેવદત્ત પડિક્કલ બન્યા હીરો</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/world/news/political-news/usa/indian-american-pia-dandiya-makes-a-grand-entry-into-politics-ready-to-create-history-in-us-elections" target="_blank">3. ભારતીય-અમેરિકન Pia Dandiyaએ રાજકારણમાં કર્યો શાનદાર પ્રવેશ, US ચૂંટણીમાં ઇતિહાસ રચવા તૈયાર</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/shehzad-poonawalla-resigns-i-will-join-congress-on-one-conditionshehzad-poonawalla-made-a-big-statement-after-resigning" target="_blank">4. Shehzad Poonawalla Resigns: હું એક શરતે કોંગ્રેસમાં જોડાવ...રાજીનામા બાદ શહેજાદ પૂનાવાલાએ કરી મોટી વાત</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-allows-12-hour-shifts-at-micron-sanand-plant--first-in-state-for-semiconductor" target="_blank">5. Gandhinagar: ગુજરાત સરકારની મોટી પહેલ, 48 કલાક કામની સાપ્તાહિક મર્યાદા સાથે 12 કલાકની શિફ્ટને સરકારે આપી મંજૂરી</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/political-news/ahmedabad/nitin-patel-statement-rohan-gupta-bjp-new-team" target="_blank">6. Nitin Patelનો ધડાકો: “હું રોહન ગુપ્તાને ઓળખતો નથી, આ 4માંથી 3 નેતાઓ મારા અંગત” Video</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/crime/diu--25-year-old-woman-found-dead-in-vanakbara--family-alleges-love-affair-angle" target="_blank">7. Diu: હત્યા કે આત્મહત્યા... 25 વર્ષીય યુવતીનું શંકાસ્પદ મોત, પ્રેમીના પરિવાર પર શંકા!</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/tamilnadu-students-will-not-be-able-to-join-the-protests-of-cjp-or-left-vijay-sarkars-strict-instructions" target="_blank">8.&nbsp; &nbsp;Tamilnadu: CJP કે લેફ્ટના પ્રોટેસ્ટમાં નહીં જોડાઇ શકે વિદ્યાર્થીઓ... વિજય સરકારનો કડક નિર્દેશ</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/entertainment/news/akshaye-khanna-mahakali-shukracharya-role" target="_blank">9. Dhurandhar બાદ ફરી ખતરનાક અંદાજમાં પાછા ફરશે અક્ષય ખન્ના! મહાકાલીમાં નિભાવશે શુક્રાચાર્યનો દમદાર રોલ</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/supreme-court-nta-neet-ug-upsc-exam-security-system" target="_blank">10.&nbsp; NEET UG : UPSC જેવી મજબૂત સિસ્ટમ બનાવો અને ટેકનોલોજી નિષ્ણાતોની ભરતી કરો, SCની NTA ને ટકોર</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/VysZJbKpyIEVkL36PktwXysb7XI553Pz70dEWuP5.webp'/></item><item><title><![CDATA[Vadodara: ઓ બાપરે... જોઈને જ ઉલટી થઈ જશે, વડોદરાના હરિઓમ કાઠિયાવાડીમાં ગંદકીનું સામ્રાજ્ય! ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/vadodara--health-dept-shuts-hariom-kathiyawadi-hotel-in-sama-for-unhygienic-conditions</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/vadodara--health-dept-shuts-hariom-kathiyawadi-hotel-in-sama-for-unhygienic-conditions</guid><pubDate>Wed, 19 Aug 2026 13:43:06 +05:30</pubDate><description><![CDATA[<p>Vadodara: સુરતમાં સામે આવેલી ઘટનાના પગલે વડોદરા આરોગ્ય તંત્ર પણ એક્શનમાં આવ્યું છે. શહેરના હોટેલ-રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. વડોદરાના સમા-સાવલી વિસ્તારમાં આવેલી હરિઓમ કાઠિયાવાડી હોટેલમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડો પાડી તપાસ હાથ ધરી હતી.</p><h4><b>હોટેલમાં જોવા મળી ગંદકી</b></h4><p>મળતી માહિતી અનુસાર તપાસ દરમિયાન હોટેલમાં અત્યંત ગંદકી વચ્ચે ભોજન બનાવવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. હોટેલના ફ્રિજમાં પણ ભારે ગંદકી જોવા મળી હતી. આ ઉપરાંત રો મટીરીયલના સ્ટોરેજ વિસ્તારમાં પણ સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો.</p><h4><b>બંધ કરાવી હોટેલ</b></h4><p>નોંધનીય છે કે, આરોગ્ય વિભાગની ટીમે સમગ્ર પરિસ્થિતિને ગંભીરતાથી લેતાં હોટેલ બંધ કરાવી દીધી હતી. જ્યાં સુધી હોટેલમાં સંપૂર્ણ સ્વચ્છતા જાળવવામાં નહીં આવે ત્યાં સુધી તેને બંધ રાખવા માટે આદેશ આપવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા હોટેલ સંચાલક સામે દંડનીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. શહેરમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા અંગેની ચકાસણી આગામી દિવસોમાં પણ ચાલુ રહે તેવી શક્યતા છે.<br><a href="https://www.youtube.com/watch?v=lRo2ZYjAp-o" target="_blank">https://www.youtube.com/watch?v=lRo2ZYjAp-o</a></p><p><br></p><p><b style="font-size: 1.5rem;">ફૂડ પોઇઝનિંગથી માસૂમ બાળકીનું મોત</b><br></p><p>ઉલ્લેખનીય છે કે, સુરતમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટનામાં એક માસૂમ બાળકીનું કરુણ મોત નિપજતાં સમગ્ર રાજ્યમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં તાકીદની વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્યના તમામ જિલ્લા અને શહેરોની હોટલો તથા રેસ્ટોરન્ટ્સમાં આગામી 3 દિવસ સુધી સઘન અને કડક ચકાસણી હાથ ધરવાના સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા છે. આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન હોટલ-રેસ્ટોરન્ટના રસોડામાં રાખવામાં આવતી સ્વચ્છતા, ખોરાકની ગુણવત્તા અને હાઈજીન મેઈન્ટેનન્સની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવી અપ્રિય ઘટનાઓ રોકી શકાય.</p><p><br><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/news/surat-municipal-corporation-health-team-caught-more-than-50--people-throwing-garbage-in-public-at-bamroli-khadi--pandesara" target="_blank">Surat: જાહેરમાં કચરો ફેંકનારાઓની હવે ખેર નથી! આરોગ્ય વિભાગની ટીમે 50થી વધુ લોકોને ઝડપ્યા</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/7dCi5RCsJBamjjA6ZrVJac3XngEMwcjrNxU2b7Hc.webp'/></item><item><title><![CDATA[Nitin Patelનો ધડાકો: “હું રોહન ગુપ્તાને ઓળખતો નથી, આ 4માંથી 3 નેતાઓ મારા અંગત” Video ]]></title><link>https://sandesh.com/gujarat/news/political-news/ahmedabad/nitin-patel-statement-rohan-gupta-bjp-new-team</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/political-news/ahmedabad/nitin-patel-statement-rohan-gupta-bjp-new-team</guid><pubDate>Wed, 19 Aug 2026 12:53:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">તાજેતરમાં ગુજરાત ભાજપના 4 નેતાઓને કેન્દ્રીય ભાજપના સંગઠનમાં મહત્વનું સ્થાન આપવામાં  આવ્યું છે. આ નેતાઓની નિમણૂક બાદ ભાજપના નેતાઓ અને કાર્યકરોએ તેમને અભિનંદન આપતી પોસ્ટ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. જો કે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ 4 નેતાઓમાંથી માત્ર 3 નેતાઓને જ સોશિયલ મીડિયામાં અભિનંદન આપ્યા હતા અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રોહન ગુપ્તાની કેન્દ્રીય સંગઠનમાં નિમણૂક થઇ હોવા છતાં તેમને અભિનંદન પાઠવ્યા ન હતા જેના કારણે ભારે રાજકીય વિવાદ સર્જાયો હતો</p><h2 style="text-align: justify; "><b>તેઓ સોશિયલ મીડિયામાં અવારનવાર પોસ્ટ મુકતા રહે છે&nbsp;</b></h2><p style="text-align: justify; ">આ બાબતે આજે સોશિયલ મીડિયા પર મૂકેલી એક પોસ્ટને લઈને ચાલતી ચર્ચા અંગે નીતિન પટેલે પોતાનું નવું નિવેદન આપ્યું છે. તેમણે ખુલાસો કરતા જણાવ્યું છે કે તેઓ સોશિયલ મીડિયામાં અવારનવાર પોસ્ટ મુકતા રહે છે અને લોકો તેની નીચે કોમેન્ટમાં પોતાના વિચારો રજૂ કરતા હોય છે.</p><p style="text-align: justify; "><img alt="Nitin Patel Statement: Unfamiliar with Rohan Gupta, Knows 3 Leaders Personally" src="https://epapercdn.sandesh.com/images/2026/08/19/enx05i77PUo9rhE6T2yS4492m9ESWxtQUrGs4Wph.webp" style="width: 100%;"><br></p><h3 style="text-align: justify; "><b>આ 4 માંથી 3 હોદ્દેદારો તેમના ખૂબ જ જાણીતા અને અંગત&nbsp;</b></h3><p style="text-align: justify; ">કેન્દ્રીય નેતૃત્વ દ્વારા તાજેતરમાં ભાજપની નવી ટીમની રચના કરીને તેની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગુજરાતમાંથી 4 હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. આ હોદ્દેદારો અંગે નીતિન પટેલે જણાવ્યું કે આ 4 માંથી 3 હોદ્દેદારો તેમના ખૂબ જ જાણીતા અને અંગત છે. તેમણે કહ્યું કે જગદીશ પટેલ તેમના મિત્ર અને સહયોગી છે. વર્ષાબેન દોશી મહેસાણાના પ્રભારી રહી ચૂક્યા છે અને વિધાનસભામાં તેમની સાથે ધારાસભ્ય તરીકે કાર્ય કરી ચૂક્યા છે. જ્યારે હેમાંગ જોશી પણ વડોદરાના સાંસદ છે, જેઓ તેમના પરિચયમાં છે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2089972245905211823"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a>&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>રોહન ગુપ્તાને અભિનંદન ન આપવા અંગે સ્પષ્ટતા</b></h4><p style="text-align: justify; ">રોહન ગુપ્તાને અભિનંદન ન પાઠવવા અંગે ચાલતી ચર્ચાઓ પર વિરામ મુકતા નીતિન પટેલે સ્પષ્ટ કર્યું કે, "હું રોહન ગુપ્તાને આજ સેકન્ડ સુધી ક્યારેય મળ્યો નથી અને તેમને ઓળખતો પણ નથી. સામાન્ય રીતે આપણે જાણીતા અને પરિચિત લોકોને જ અભિનંદન પાઠવતા હોઈએ છીએ. જેમ આપણા ઘરે કોઈ પ્રસંગ હોય ત્યારે પરિચિત લોકોને જ આમંત્રણ આપીએ છીએ, તેવી જ આ બાબત છે."</p><h5 style="text-align: justify; "><b>રોહન ગુપ્તાને ક્યારેય મળવાનું થયું નથી</b></h5><p style="text-align: justify; ">તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કોંગ્રેસમાં રહેલા પણ અનેક નેતાઓ-લોકોને તેઓ પ્રસંગોપાત મળતા રહે છે, પરંતુ રોહન ગુપ્તાને ક્યારેય મળવાનું થયું નથી.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp;&nbsp;<a href="https://sandesh.com/gujarat/news/patan/patan-radhanpur-folk-singer-kinjal-rabari-marriage-mukesh-rabari" target="_blank"><b> Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/y4UfFjRCLwHKQfBnNbLt2NcHJ5WLNUDsAMop813o.webp'/></item></channel></rss>