<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Supree Court : સાયોની ઘોષ, યુસુફ પઠાણ... TMCના બળવાખોર સાંસદોને  SCએ નોટિસ ફટકારી ]]></title><link>https://sandesh.com/india/news/supreme-court-sc-issues-notice-to-rebel-tmc-mps-sayoni-ghosh-yusuf-pathan</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/supreme-court-sc-issues-notice-to-rebel-tmc-mps-sayoni-ghosh-yusuf-pathan</guid><pubDate>Tue, 25 Aug 2026 14:03:19 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બંગાળમાં પાર્ટીની કારમી હાર બાદ સુપ્રીમ કોર્ટે ટીએમસી છોડીને એનસીપીમાં જોડાનારા સાંસદોને નોટિસ ફટકારી છે.અભિષેક બેનર્જીએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો,જેમાં લોકસભા સ્પીકરને 20 બળવાખોર સાંસદોને ગેરલાયક ઠેરવવાનો નિર્ણય ઝડપી લેવા વિનંતી કરવામાં આવી હતી.સીજેઆઈ સૂર્યકાંતજસ્ટિસ જોયમલ્યા બાગચી અને જસ્ટિસ વી.મોહનાની બેન્ચે બળવાખોર સાંસદોને તેમના જવાબો રજૂ કરવા કહ્યું છે.</p><h4 style="text-align: justify; "><b>સુપ્રીમ કોર્ટમાં આવો જ બીજો કેસ</b></h4><p style="text-align: justify; ">અભિષેક બેનર્જીએ લોકસભા સ્પીકરના કાર્યાલય અને લોકસભા સેક્રેટરી જનરલને પણ નોટિસ માંગી હતી.જોકે,સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો.કોર્ટે જણાવ્યું હતું કે સોલિસિટર જનરલ તુષાર મહેતા તેમના વતી હાજર થયા હતા.આવો જ બીજો કેસ હાલમાં સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે.શિવસેના (યુબીટી)એ તેના છ સાંસદો એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં જોડાયા બાદ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.</p><h5 style="text-align: justify; "><b>ગેરલાયકાતની કાર્યવાહીમાં વિલંબને પડકાર ફેંક્યો</b></h5><p style="text-align: justify; ">પોતાની અરજીમાં, બેનર્જીએ સાંસદો સામે શરૂ કરાયેલી ગેરલાયકાતની કાર્યવાહીના નિર્ણયમાં કથિત વિલંબને પડકાર્યો છે. તૃણમૂલ નેતાએ લોકસભા સ્પીકરને વિનંતી કરી છે કે તેઓ બંધારણની પક્ષપલટા વિરોધી જોગવાઈઓ અનુસાર ગેરલાયકાતની અરજીઓ પર નિર્ણય લેવાનો નિર્દેશ આપે. તેમણે અગાઉ 20 સાંસદો સામે અલગ અરજીઓ દાખલ કરી હતી અને ત્યારબાદ સ્પીકરને તેમનો નિકાલ ઝડપી બનાવવા વિનંતી કરી હતી.</p><h5 style="text-align: justify; "><b>બેનર્જીએ લોકસભા સ્પીકરને મળ્યા હતા</b></h5><p style="text-align: justify; ">અહેવાલ મુજબ, 27 જુલાઈના રોજ લેખિતમાં યાદ અપાવ્યા બાદ બેનર્જી 12 ઓગસ્ટના રોજ લોકસભા સ્પીકર ઓમ બિરલાને મળ્યા હતા.તૃણમૂલ કોંગ્રેસ સંસદીય પક્ષમાં બળવો થયા બાદ આ વિવાદ ઉભો થયો હતો.તૃણમૂલ કોંગ્રેસના 20 લોકસભા સાંસદોએ જાહેરાત કરી હતી કે તેઓ ત્રિપુરા સ્થિત રાજકીય સંગઠન, નેશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયામાં જોડાયા છે અથવા મર્જ થયા છે અને લોકસભામાં એક અલગ પક્ષ તરીકે માન્યતાની વિનંતી કરી છે.પક્ષપલટા વિરોધી કાયદાના આધારે, તૃણમૂલ કોંગ્રેસ દલીલ કરે છે કે આ સાંસદોએ પક્ષના પ્રતીક પર ચૂંટણી જીતી હતી અને અન્ય રાજકીય સંગઠનમાં જોડાવાનો તેમનો નિર્ણય સ્વેચ્છાએ પક્ષ સભ્યપદનો ત્યાગ કરવા સમાન છે. તેથી, તેમને પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ ગેરલાયક ઠેરવી શકાય છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/india/breakingnews/students-protest-in-patna-police-stop-them-while-they-are-going-to-surround-cm-residence" target="_blank">Bihar: પટનામાં પોલીસે વોટરકેનનનો કર્યો ઉપયોગ, અનેક વિદ્યાર્થીઓની અટકાયત</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/25/cHV0QE7hbSZ1kctQ4GprzJ2ITu3Je83Z7N6UpMBo.webp'/></item><item><title><![CDATA[Haiwaan Trailer Out:  અક્ષય બન્યા ખલનાયક, સૈફ મુશ્કેલીમાં! ‘Haiwaan’નું ટ્રેલર થયું રિલીઝ ]]></title><link>https://sandesh.com/entertainment/news/haiwaan-trailer-akshay-kumar-saif-ali-khan</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/haiwaan-trailer-akshay-kumar-saif-ali-khan</guid><pubDate>Tue, 25 Aug 2026 13:36:41 +05:30</pubDate><description><![CDATA[<p></p><p>અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની આગામી ફિલ્મ ‘Haiwaan’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. પ્રિયદર્શનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં અક્ષય કુમાર ખલનાયકની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.</p><p><b style="font-size: 2rem;">ટ્રેલરમાં શું છે?</b></p><p>2 મિનિટ 34 સેકન્ડના ટ્રેલરમાં શહેરમાં એક વિચિત્ર ભયનો માહોલ જોવા મળે છે. કોઈ એક વ્યક્તિ લોકોની હત્યા કરી રહ્યો છે. ટ્રેલરમાં સૈફ અલી ખાન ખૂબ જ પરેશાન અને ચિંતિત જોવા મળે છે. ત્યારબાદ પોલીસ દિવ્યાંગની ભૂમિકા ભજવી રહેલા સૈફ અલી ખાનની ધરપકડ કરી લે છે.</p><h2><b>એક્શન અવતારમાં અક્ષય કુમાર</b></h2><p>ત્યારબાદ ટ્રેલરમાં અક્ષય કુમારની એન્ટ્રી થાય છે. તેઓ એક્શન અવતારમાં જોવા મળે છે. અક્ષય કુમાર અને સૈફ અલી ખાન વચ્ચે સંઘર્ષ થતો હોવાનું જોવા મળે છે. ટ્રેલર પરથી જાણવા મળે છે કે ફિલ્મની વાર્તા બદલો લેવાની ભાવના પર આધારિત હશે.</p><p><br></p><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/akshaykumar/status/2092144952948166801"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script><p></p><p><br></p><h2><b>આ કલાકારો પણ જોવા મળ્યા</b></h2><p>ટ્રેલરમાં અક્ષય કુમાર અને સૈફ અલી ખાન ઉપરાંત સૈયામી ખેર અને બોમન ઈરાની પણ જોવા મળે છે. દયાનંદ શેટ્ટીની પણ ઝલક જોવા મળી છે. ટ્રેલર જોયા બાદ ફિલ્મની આખી વાર્તા સ્પષ્ટ થતી નથી, પરંતુ સસ્પેન્સ જળવાઈ રહે છે. અક્ષય કુમાર નિર્દોષ લોકોની હત્યા શા માટે અને કોની પાસેથી બદલો લેવા માટે કરી રહ્યા છે, તે સવાલ મેકર્સે દર્શકોના મનમાં છોડી દીધો છે.</p><h2><b>18 વર્ષ બાદ સાથે જોવા મળશે અક્ષય-સૈફ</b></h2><p>ફિલ્મ ‘Haiwaan’ દ્વારા અક્ષય કુમાર અને સૈફ અલી ખાન લગભગ 18 વર્ષ બાદ ફરી એકસાથે પડદા પર જોવા મળશે. આ પહેલાં બંનેની જોડી ફિલ્મ ‘Tashan’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં બોમન ઈરાની, સૈયામી ખેર અને શ્રિયા પિલગાંવકર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.</p><p></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/25/dAagjPDh3VMBQyR1THZe9RJsl6w1cMael5dBRd5s.webp'/></item><item><title><![CDATA[Viral News: આખી જિંદગી ભીખ માંગીને જીવન વિતાવ્યું, મોત બાદ ઘરમાંથી નીકળ્યા ₹8.4 લાખ ]]></title><link>https://sandesh.com/india/news/viral-news-spent-his-entire-life-begging-left-84-lakhs-from-home-after-death</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/viral-news-spent-his-entire-life-begging-left-84-lakhs-from-home-after-death</guid><pubDate>Tue, 25 Aug 2026 13:34:22 +05:30</pubDate><description><![CDATA[<p>Karnataka News: 68 વર્ષની એક મહિલાના મોત બાદ તેના ઘરમાંથી જે મળ્યું, તેને જોઈને આસપાસના લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. મહિલા વર્ષોથી ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. તેના મોત બાદ ભાડાના મકાનની તપાસ કરવામાં આવી તો ત્યાં 30થી વધુ થેલીઓમાં સિક્કા અને નોટો મળી આવી. મહિલાનું મોત ઉંમર સંબંધિત બીમારીના કારણે થયું હતું. આ મામલો કર્ણાટકના માંડ્યા જિલ્લાનો છે.</p><p><b>બહેન સાથે ભાડાના મકાનમાં રહેતી હતી મહિલા</b></p><p>મહિલાનું નામ હૂર હોવાનું જણાવવામાં આવ્યું છે. તે પોતાની બહેન સાથે ભાડાના મકાનમાં રહેતી હતી. બંને બહેનોના લગ્ન થયા ન હતા અને તેઓ સાથે રહેતી હતી. આશરે બે વર્ષ પહેલા તેની બહેનનું પણ મોત થયું હતું. ત્યારબાદ હૂર એ જ ઘરમાં એકલી રહેતી હતી અને ભીખ માંગીને પોતાનું જીવન ચલાવતી હતી. હૂરના મોત બાદ જ્યારે સ્થાનિક લોકોએ તેમના ઘરની તપાસ કરી તો ત્યાં રાખેલી થેલીઓ જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. ઘરમાં 30થી વધુ થેલીઓ હતી, જેમાં સિક્કા અને ચલણી નોટો ભરેલી હતી.</p><p><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dcc3hBJmrvg/?utm_source=ig_web_copy_link&amp;igsi=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dcc3hBJmrvg/?utm_source=ig_web_copy_link&amp;igsi=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dcc3hBJmrvg/?utm_source=ig_web_copy_link&amp;igsi=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dcc3hBJmrvg/?utm_source=ig_web_copy_link&amp;igsi=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a></p><p><b>બે ભાઈઓને સોંપવામાં આવ્યા પૈસા</b></p><p>રોકડમાં મુખ્યત્વે 10 અને 20 રૂપિયાની નોટો હતી, જ્યારે મોટી સંખ્યામાં સિક્કા પણ મળી આવ્યા હતા. મહિલાના ઘરેથી મળેલા 8.4 લાખ રૂપિયા તેના બે ભાઈઓને સોંપી દેવામાં આવ્યા. ઘરેથી આટલી મોટી રકમ મળવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. ત્યારબાદ લોકો આ ઘટનાને લઈને અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.</p><p><b><a href="https://sandesh.com/" target="_blank">વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/25/kuAgahJtnoISwzKbq7mVmmZmrnW0ZJTIQo5Yq1t5.webp'/></item><item><title><![CDATA[MG Hector Tomahawk EV 26 ઓગસ્ટે લોન્ચ થશે, જાણો કિંમત ]]></title><link>https://sandesh.com/business/automobile/news/mg-hector-tomahawk-ev-to-launch-on-august-26-will-come-with-550km-range-and-7-seater</link><guid isPermaLink="true">https://sandesh.com/business/automobile/news/mg-hector-tomahawk-ev-to-launch-on-august-26-will-come-with-550km-range-and-7-seater</guid><pubDate>Tue, 25 Aug 2026 13:11:04 +05:30</pubDate><description><![CDATA[<p>MG Hector Tomahawk: એમજી મોટર ભારતમાં 26ઓગસ્ટે પોતાની નવી ઇલેક્ટ્રિક એસયુવી એમજી હેક્ટર ટોમહોકને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ એસયુવીને એમજી એડેપ્ટ પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે અને તેને ઇલેક્ટ્રિક એસયુવી સેગમેન્ટમાં રજૂ કરવામાં આવશે. તેમાં 60 કિલોવોટ-કલાકની બેટરી મળી શકે છે, જેનાથી ફુલ ચાર્જ પર આશરે 500થી 550 કિલોમીટર સુધીની રેન્જ મળી શકે  છે. એસયુવીમાં 7 સીટનો વિકલ્પ, પેનોરમિક સનરૂફ, 12.8 ઇંચની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને લેવલ-2 એડીએએસ જેવા ફીચર્સ આપવામાં આવી શકે છે.</p><h2><b>60kWh બેટરી અને 550Km સુધીની રેન્જ</b></h2><p>એમજીની નવી ઇલેક્ટ્રિક એસયુવી હેક્ટર ટોમહોકને 60 કિલોવોટ-કલાકની બેટરી સાથે લોન્ચ કરવામાં આવી શકે છે. કંપની તેને ફુલ ચાર્જ કર્યા બાદ આશરે 500થી 550 કિલોમીટર સુધીની રેન્જ આપી શકે છે. તેમાં સિંગલ મોટર પણ હોઈ શકે છે, જે 136 પીએસની પાવર અને 200 ન્યૂટન મીટરનો ટોર્ક આપી શકે છે. આ એસયુવીને એમજી એડેપ્ટ પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે અને તેને ઇલેક્ટ્રિક એસયુવી સેગમેન્ટમાં ઉતારવામાં આવશે.</p><h3><b>7 સીટ અને પ્રીમિયમ ફીચર્સ</b></h3><p>ફીચર્સની વાત કરીએ તો એમજી હેક્ટર ટોમહોકના ફ્રન્ટમાં C આકારની એલઇડી ડીઆરએલ અને એલઇડી હેડલાઇટ આપવામાં આવશે. તેમાં એલઇડી ટેલ લાઇટ, 7 સીટનો વિકલ્પ, પ્રીમિયમ ઇન્ટિરિયર, રૂફ રેલ અને પેનોરમિક સનરૂફ જેવા ફીચર્સ મળશે. આ ઉપરાંત ફ્લેટ બોનેટ અને બોડી ક્લેડિંગ પણ આપવામાં આવી શકે છે. એસયુવીના કેબિનમાં 12.8 ઇંચની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને વાયરલેસ ચાર્જર મળી શકે છે.</p><h4><b>26 ઓગસ્ટે લોન્ચ, આટલી હોઈ શકે છે કિંમત</b></h4><p>એમજી તરફથી નવી એસયુવીને ભારતમાં સત્તાવાર રીતે 26 ઓગસ્ટે લોન્ચ કરવામાં આવશે. લોન્ચ બાદ તેની ડિલિવરી પણ તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી માહિતી છે. જોકે, તેની કિંમતની સત્તાવાર માહિતી લોન્ચ સમયે જ સામે આવશે. આશા છે કે એમજી હેક્ટર ટોમહોકને ભારતમાં 18થી 20 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતની વચ્ચે રજૂ કરવામાં આવી શકે છે. એસયુવીમાં લેવલ-2 એડીએએસ જેવા ફીચર્સ પણ આપવામાં આવી શકે છે.</p><p><b><a href="https://sandesh.com/" target="_blank">વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/25/Gxq7KF26LBZ5slTXcfdqLVxrGgUUDUAmNhYw5SD7.webp'/></item><item><title><![CDATA[Vadodara: સાવધાન રહેજો, આઈસ્ક્રીમથી પનીર સુધી 19 ફૂડ સેમ્પલ ફેલ, ગુણવત્તાનો મોટો ભાંડો ફૂટ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-food-safety-19-samples-fail-ice-cream-paneer</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-food-safety-19-samples-fail-ice-cream-paneer</guid><pubDate>Tue, 25 Aug 2026 12:35:50 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી લેવામાં આવેલા ખાદ્યપદાર્થોના નમૂનાઓની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. લેબોરેટરીમાં કરવામાં આવેલી ચકાસણી દરમિયાન કુલ 19 ખાદ્યપદાર્થોના નમૂના ગુણવત્તાના ધોરણોમાં નાપાસ થયા હોવાનું સામે આવ્યું છે. કેટલાક નમૂનાઓને સબસ્ટાન્ડર્ડ તો કેટલાકને અનસેફ જાહેર કરવામાં આવ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>તપાસમાં સૌથી વધુ 7 આઈસ્ક્રીમના નમૂના નાપાસ થયા</b></h2><p style="text-align: justify; ">તપાસમાં સૌથી વધુ 7 આઈસ્ક્રીમના નમૂના નાપાસ થયા છે. આ ઉપરાંત પનીરના 3, મિનરલ વોટરના 2 તેમજ માવો, ઘી, સેવ, હળદર, તુવેર દાળ અને રવા સહિતના વિવિધ ખાદ્યપદાર્થોના નમૂનાઓ પણ ગુણવત્તાના માપદંડોમાં ખરા ઉતર્યા નથી. આ રિપોર્ટ બાદ શહેરમાં વેચાતા ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને ગ્રાહકોના આરોગ્યને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><b><a href="https://epapercdn.sandesh.com/images/2026/08/25/b7Ey7ccqNFVOg8OzNOJNDmku9VKjqSOn7yQpVWSL.pdf" target="_blank">સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલી પેઢીનું લિસ્ટ વાંચવા અહીં ક્લિક કરો&nbsp;&nbsp;</a></b></p><p style="text-align: justify; "><br></p><h3 style="text-align: justify; "><b>ગુણવત્તાને લગતી ખામીઓ જોવા મળી</b></h3><p style="text-align: justify; ">તપાસ દરમિયાન કેટલીક ખાદ્ય ચીજવસ્તુઓના નમૂનાઓને સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે રાજભોગ આઈસ્ક્રીમનો નમૂનો સબસ્ટાન્ડર્ડ હોવાની સાથે અનસેફ પણ જાહેર કરાયો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સેવ, ઢોસા, પનીર અને હળદર સહિતના ખાદ્યપદાર્થોના નમૂનાઓ અંગે પણ ગુણવત્તાને લગતી ખામીઓ સામે આવી છે.</p><h2 style="text-align: justify; "><b>VMCની તપાસમાં નાપાસ થયેલી પેઢીઓ અને ખાદ્ય નમૂનાઓ</b></h2><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><b>શ્રી રામકૃપા એન્ટરપ્રાઇઝ — માવો (લૂઝ) — સબ સ્ટાન્ડર્ડ</b></p><p style="text-align: justify; "><b>સહજાનંદ સુપર સ્ટોર — ગોળ (લૂઝ) — સબ સ્ટાન્ડર્ડ</b></p><p style="text-align: justify; "><b>કમલા એન્ટરપ્રાઇઝ — વેનીલા આઈસ્ક્રીમ (લૂઝ) — સબ સ્ટાન્ડર્ડ</b></p><p style="text-align: justify; "><b>દયા આઇસ ફેક્ટરી — પેકેજ્ડ ડ્રિન્કિંગ વોટર — સબ સ્ટાન્ડર્ડ</b></p><p style="text-align: justify; "><b>ન્યુ મહાલક્ષ્મી સુપર માર્કેટ— તુવેરદાળ (લૂઝ) — સબ સ્ટાન્ડર્ડ</b></p><p style="text-align: justify; "><b>શ્રીનાથજી ડેરી ફાર્મ — પનીર — સબ સ્ટાન્ડર્ડ</b></p><p style="text-align: justify; "><b>શેટ્ટીસ કિચન (સ્વાતિ એન્ટરપ્રાઇઝ) — રવા ઘી પોડી ઢોસા (પ્રીપેક્ડ) — સબ સ્ટાન્ડર્ડ</b></p><p style="text-align: justify; "><b>શ્રી સાંઈ સુરતી ઢોસા પાવભાજી એન્ડ ચાઈનીઝ — પનીર (લૂઝ) — સબ સ્ટાન્ડર્ડ</b></p><p style="text-align: justify; "><b>ગુજરાત આઈસ્ક્રીમ એન્ડ કુલ્ફી — આઈસ્ક્રીમ રોજ ફ્લેવર (લૂઝ) — સબ સ્ટાન્ડર્ડ</b></p><p style="text-align: justify; "><b>ગુજરાત આઈસ્ક્રીમ એન્ડ કુલ્ફી — આઈસ્ક્રીમ કાજુદ્રાક્ષ (લૂઝ) — સબ સ્ટાન્ડર્ડ</b></p><p style="text-align: justify; "><b>અમૃતસરી કુલ્ચા — ફ્રેશ પનીર મીડિયમ ફેટ — સબ સ્ટાન્ડર્ડ</b></p><p style="text-align: justify; "><b>મૃદા એન્ટરપ્રાઇઝ — આઈસ્ક્રીમ (બ્લેક કરંટ) — સબ સ્ટાન્ડર્ડ</b></p><p style="text-align: justify; "><b>ભાનુ સેલ્સ— પેકેજ્ડ ડ્રિન્કિંગ વોટર — સબ સ્ટાન્ડર્ડ</b></p><p style="text-align: justify; "><b>અનામીકા એન્ટરપ્રાઇઝ — આઈસ્ક્રીમ (રોસ્ટેડ બદામ અંજીર) — સબ સ્ટાન્ડર્ડ</b></p><p style="text-align: justify; "><b>અર્બન વેન્ચર્સ — પનીર (લૂઝ) — સબ સ્ટાન્ડર્ડ</b></p><p style="text-align: justify; "><b>માધવજીમસાલા મિલ — હળદર પાઉડર (લૂઝ) — સબ સ્ટાન્ડર્ડ</b></p><p style="text-align: justify; "><b>માતેશ્વરી આઈસ્ક્રીમ પાર્લર — આઈસ્ક્રીમ (વેનિલા) (લૂઝ) — સબ સ્ટાન્ડર્ડ</b></p><p style="text-align: justify; "><b>શિવ ફરસાણ રાજકોટવાળા — સેવ (લૂઝ) — સબ સ્ટાન્ડર્ડ</b></p><p style="text-align: justify; "><b>શ્રી જનતા આઈસ્ક્રીમ એન્ડ જ્યૂસ ફતેગંજ— આઈસ્ક્રીમ (રાજભોગ) (લૂઝ) — સબ સ્ટાન્ડર્ડ અને અનસેફ</b></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><b style="font-size: 1.75rem;">કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા&nbsp;</b></p><p style="text-align: justify; ">આરોગ્ય માટે જોખમી અથવા ગુણવત્તાના ધોરણોમાં ખરા ન ઉતરતા ખાદ્યપદાર્થો વેચતા વેપારીઓ સામે હવે નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સંબંધિત વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.</p><h5 style="text-align: justify; "><b>ખાદ્ય સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા&nbsp;</b></h5><p style="text-align: justify; ">શહેરમાં રોજિંદા મોટા પ્રમાણમાં લોકો દ્વારા ખરીદવામાં આવતા અને ખાવામાં આવતા ખાદ્યપદાર્થોના નમૂના નાપાસ થતાં ગ્રાહકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. ખાસ કરીને આઈસ્ક્રીમ અને પનીર જેવી ચીજવસ્તુઓના નમૂનાઓ નાપાસ થતાં ખાદ્ય સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે. આગામી દિવસોમાં શહેરમાં સેમ્પલિંગ અને ચકાસણીની કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવે તેવી શક્યતા છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">&nbsp; આ પણ વાંચો&nbsp; :&nbsp;&nbsp;<a href="https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-gujarat-monsoon-el-nino-impact-rainfall-deficit-september-forecast#google_vignette" target="_blank"><b>Monsoon 2026 : અલ નીનોનો પ્રભાવ વધ્યો, ગુજરાતમાં ચોમાસું નબળું પડવાની આશંકા</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/25/Yss4wTRIoOGww1hd65JssP7nmWelY1HQb4ktvwut.webp'/></item><item><title><![CDATA[Ahmedabad ક્રાઈમ બ્રાન્ચે રાણીપમાંથી રૂ.1.15 લાખના ડ્રગ્સ સાથે એક યુવકની કરી ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/crime-branch-arrests-man-with-drugs-ranip</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/crime-branch-arrests-man-with-drugs-ranip</guid><pubDate>Tue, 25 Aug 2026 12:35:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોનું વેચાણ અને હેરાફેરી રોકવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાણીપ વિસ્તારમાં આવેલા એક હેર સલૂનમાં અચાનક દરોડો પાડ્યો હતો. આ સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન સલૂનમાંથી નશીલા પદાર્થનો જથ્થો મળી આવતાં ક્રાઈમ બ્રાન્ચે ત્વરિત કાર્યવાહી કરીને હિરેન ભટ્ટ નામના યુવકની સ્થળ પરથી જ અટકાયત કરી લીધી હતી.</p><h2 style="text-align: justify; "><b>રૂપિયા 1.15 લાખનું ડ્રગ્સ જપ્ત&nbsp;</b></h2><p style="text-align: justify; ">પોલીસ ટીમે દરોડા દરમિયાન સલૂનમાંથી 38 ગ્રામ 390 મિલિગ્રામ જેટલો ડ્રગ્સનો જથ્થો કબ્જે કર્યો છે. બજારમાં આ જપ્ત કરાયેલા ડ્રગ્સની અંદાજિત કિંમત રૂ.1,15,000 જેટલી થવા જાય છે. હેર સલૂનની ઓટલે કે અંદર નશીલા પદાર્થનું વેચાણ કે સંગ્રહ થતો હોવાનો ખુલાસો થતાં આસપાસના વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે.</p><h3 style="text-align: justify; "><b>મુખ્ય સપ્લાયર ફરાર, NDPS હેઠળ ગુનો દાખલ&nbsp;</b></h3><p style="text-align: justify; ">પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા હિરેન ભટ્ટને ગોમતીપુર વિસ્તારનો રહીમ અન્સારી નામનો શખ્સ આ ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરતો હતો. હાલમાં ડ્રગ્સ આપનાર રહીમ અન્સારી પોલીસ પકડથી ફરાર છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ મામલે NDPS (એનડીપીએસ) એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધીને ફરાર આરોપી રહીમ અન્સારીને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી સઘન શોધખોળ હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/25/In10n0FX6aIc8RDRfbkULxXdIRZpWIdCwwOyGkeW.webp'/></item><item><title><![CDATA[Suratમાં તહેવારો ટાણે ફૂડ સેફ્ટી ટીમનો સપાટો: મીઠાઈના વિક્રેતાઓને ત્યાં મનપાનું સરપ્રાઈઝ ચેકિંગ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/food-safety-team-inspects-sweet-shops-rakshabandhan</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/food-safety-team-inspects-sweet-shops-rakshabandhan</guid><pubDate>Tue, 25 Aug 2026 12:14:02 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આગામી પવિત્ર રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ફૂડ સેફ્ટી ટીમ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગઈ છે. તહેવારો દરમિયાન નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે તે હેતુથી આરોગ્ય વિભાગે શહેરના તમામ વિસ્તારોમાં મીઠાઈના વિક્રેતાઓ અને દુકાનો પર સઘન સરપ્રાઈઝ ચેકિંગ ઝુંબેશ હાથ ધરી છે, જેથી ભેળસેળયુક્ત કે વાસી મીઠાઈના વેચાણ પર રોક લગાવી શકાય.</p><h2 style="text-align: justify; "><b>શહેરના 9 ઝોનમાં દરોડા અને સેમ્પલિંગ&nbsp;</b></h2><p style="text-align: justify; ">ફૂડ સેફ્ટી વિભાગની વિવિધ ટીમો દ્વારા સુરત શહેરના તમામ 9 ઝોનમાં આવેલી મીઠાઈની નાની-મોટી દુકાનો અને ઉત્પાદન એકમો પર એકસાથે સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન અધિકારીઓએ સ્થળ પર જઈને મીઠાઈના બનાવટની સ્વચ્છતા ચકાસી હતી અને માવો, કંદોઈની મીઠાઈઓ તેમજ અન્ય વાનગીઓના અલગ-અલગ નમૂનાઓ (સેમ્પલ્સ) એકત્રિત કર્યા હતા.</p><h3 style="text-align: justify; "><b>લેબોરેટરી રિપોર્ટ બાદ કડક કાર્યવાહી કરાશે&nbsp;</b></h3><p style="text-align: justify; ">એકત્ર કરાયેલા મીઠાઈના નમૂનાઓને સીલ કરીને ત્વરિત ચકાસણી અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. ફૂડ સેફ્ટી વિભાગના જણાવ્યા અનુસાર, લેબોરેટરીમાંથી સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ જો કોઈપણ મીઠાઈમાં ભેળસેળ કે અખાદ્ય સામગ્રી માલૂમ પડશે, તો સંબંધિત મીઠાઈ વિક્રેતા સામે કાયદાકીય જોગવાઈઓ હેઠળ કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/25/PBCDIsawTRAuqa1cSQDrVSNc4RH4tFa1JHT92Q7w.webp'/></item><item><title><![CDATA[Gandhinagar :  25 નગરપાલિકાના ચીફ ઓફિસરોની બદલીના હુકમ, વાંચો લિસ્ટ ]]></title><link>https://sandesh.com/gujarat/breakingnews/gandhinagar/gandhinagar-gujarat-municipal-chief-officer-transfer-25-urban-development-order</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/breakingnews/gandhinagar/gandhinagar-gujarat-municipal-chief-officer-transfer-25-urban-development-order</guid><pubDate>Tue, 25 Aug 2026 11:41:31 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા નગરપાલિકાઓના વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. વિભાગે રાજ્યભરના 25 ચીફ ઓફિસરોની બદલીના આદેશો જાહેર કર્યા છે. એકસાથે મોટી સંખ્યામાં ચીફ ઓફિસરોની બદલી થતાં નગરપાલિકાના વહીવટી તંત્રમાં નવી ગોઠવણ જોવા મળશે.</p><p style="text-align: justify;"><br></p><p style="text-align: justify; "><a href="https://epapercdn.sandesh.com/images/2026/08/25/pyjlcz9gUfxEyi6Hj2pTinm8Sdt6Bj0NPnw4jswZ.pdf" target="_blank"><b>ચીફ ઓફિસરની બદલીનું લિસ્ટ વાંચવા અહીં ક્લિક કરો</b></a>&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;</p><p style="text-align: justify; "><br></p><h2 style="text-align: justify; "><b>ચીફ ઓફિસરોને નવી જવાબદારીઓ સોંપવામાં આવી</b></h2><p style="text-align: justify; ">શહેરી વિકાસ વિભાગના આદેશ મુજબ વિવિધ નગરપાલિકાઓમાં ફરજ બજાવતા ચીફ ઓફિસરોને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. બદલીના આદેશ સાથે કેટલીક જગ્યાઓ પર વધારાના ચાર્જની જવાબદારી પણ સોંપવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>મુંદ્રાના ચીફ ઓફિસરને માંડવીનો વધારાનો ચાર્જ&nbsp;</b></h3><p style="text-align: justify; ">આ બદલીના આદેશમાં મુંદ્રા નગરપાલિકાના ચીફ ઓફિસરને માંડવી નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય 25 ચીફ ઓફિસરોની બદલી અને નવી નિમણૂકો અંગે પણ શહેરી વિકાસ વિભાગ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.</p><h4 style="text-align: justify; "><b>વહીવટી કામગીરીને વધુ અસરકારક બનાવવા નિર્ણય&nbsp;</b></h4><p style="text-align: justify; ">નગરપાલિકાઓમાં વહીવટી કામગીરીને વધુ અસરકારક બનાવવા અને વિવિધ શહેરી વિસ્તારોમાં ચાલી રહેલી કામગીરીને ગતિ આપવા માટે આ બદલીના આદેશોને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. નવા ચીફ ઓફિસરો પોતાની નવી જવાબદારી સંભાળ્યા બાદ સંબંધિત નગરપાલિકાઓના વહીવટી કામકાજમાં પણ ફેરફાર જોવા મળી શકે છે.</p><h4 style="text-align: justify; "><b>નાગરિક સુવિધાઓના અમલીકરણમાં ચીફ ઓફિસરની ભૂમિકા&nbsp;</b></h4><p style="text-align: justify; ">રાજ્યમાં નગરપાલિકાઓના વિકાસ કાર્યો, સફાઈ વ્યવસ્થા, પાણી પુરવઠો, રોડ-રસ્તા સહિતની વિવિધ નાગરિક સુવિધાઓના અમલીકરણમાં ચીફ ઓફિસરની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે. ત્યારે શહેરી વિકાસ વિભાગે 25 ચીફ ઓફિસરોની બદલી કરીને વહીવટી માળખામાં નવી ગોઠવણ કરી છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-gujarat-monsoon-el-nino-impact-rainfall-deficit-september-forecast#google_vignette" target="_blank"><b>Monsoon 2026 : અલ નીનોનો પ્રભાવ વધ્યો, ગુજરાતમાં ચોમાસું નબળું પડવાની આશંકા</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/25/sNEzAztIRlyjPSWrYvM8kYzHJEz3m7vfuqPUgPZl.webp'/></item><item><title><![CDATA[Sabarkantha : ઇડરમાં 8 વર્ષના માસૂમનું અપહરણ અને હત્યા કરી કૂવામાં ફેંકી દેવાયો, શંકાસ્પદ યુવકની પૂછપરછમાં હત્યાનો ખુલાસો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/idar/sabarkantha-idar-8-year-old-child-kidnapped-killed-body-found-in-well</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/idar/sabarkantha-idar-8-year-old-child-kidnapped-killed-body-found-in-well</guid><pubDate>Tue, 25 Aug 2026 11:01:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના સમલાપુર ગામમાં 8 વર્ષના નિર્દોષ બાળકના અપહરણ અને કૃર હત્યાની ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી દીધો છે. રવિવાર રાતથી ગુમ થયેલા માસૂમ બાળકની શોધખોળ ચાલી રહી હતી. પરિવારજનોએ બાળક ગુમ થતાં પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ ઇડર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>શંકાસ્પદ યુવક સાવનજી ઠાકોરની પૂછપરછ</b></h2><p style="text-align: justify; ">તપાસ દરમિયાન પોલીસની શંકા એક યુવક પર ગઈ હતી. પોલીસે શંકાસ્પદ યુવક સાવનજી ઠાકોરને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધો હતો. કડક પૂછપરછ દરમિયાન યુવકે બાળકનું અપહરણ કર્યા બાદ તેની હત્યા કરી હોવાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>બાળકને ગામની સીમ વિસ્તારમાં આવેલા એક કૂવામાં ફેંકી દીધો</b></h3><p style="text-align: justify; ">પ્રાથમિક વિગતો મુજબ 19 વર્ષના આરોપીએ 8 વર્ષના બાળકને ગામની સીમ વિસ્તારમાં આવેલા એક કૂવામાં ફેંકી દીધો હતો. પોલીસ આરોપીને સાથે રાખીને ઘટનાસ્થળે પહોંચી હતી અને કૂવામાંથી બાળકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી</b></h3><p style="text-align: justify; ">માસૂમ બાળકની હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસે હત્યા પાછળનું કારણ, અપહરણની ઘટના અને આરોપી સાથે બાળકનો કોઈ અગાઉનો સંબંધ હતો કે નહીં સહિતના વિવિધ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.</p><h4 style="text-align: justify; "><b>ગામમાં ભારે શોક અને રોષની લાગણી ફેલાઈ</b></h4><p style="text-align: justify; ">આ ઘટના સામે આવતા બાળકના પરિવારજનો સહિત સમગ્ર સમલાપુર ગામમાં ભારે શોક અને રોષની લાગણી ફેલાઈ છે. 8 વર્ષની કુમળી વયના બાળક સાથે બનેલી આ ઘટનાને લઈને ગ્રામજનોએ આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.</p><h4 style="text-align: justify; "><b>આરોપીની સઘન પુછપરછ</b></h4><p style="text-align: justify; ">ઇડર પોલીસ હવે આરોપી સાવનજી ઠાકોરને કોર્ટમાં રજૂ કરીને વધુ પૂછપરછ અને તપાસ માટે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરશે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ માસૂમની હત્યા પાછળનું સાચું કારણ અને સમગ્ર ઘટનાક્રમ સ્પષ્ટ થઈ શકશે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">&nbsp;આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-gujarat-monsoon-el-nino-impact-rainfall-deficit-september-forecast#google_vignette" target="_blank"><b>Monsoon 2026 : અલ નીનોનો પ્રભાવ વધ્યો, ગુજરાતમાં ચોમાસું નબળું પડવાની આશંકા</b></a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/25/wnDljG2FJvVw5LOiKT0hgU4I2hB2oPS9w4GdbwxA.webp'/></item><item><title><![CDATA[Team India વર્લ્ડકપમાંથી થઈ ગઈ બહાર, આર્જેન્ટિનાએ મેચ 5-3 ના માર્જિનથી જીતી ]]></title><link>https://sandesh.com/sports/news/india-out-2026-hockey-world-cup-argentina</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india-out-2026-hockey-world-cup-argentina</guid><pubDate>Mon, 24 Aug 2026 21:35:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">2026ના પુરુષ હોકી વર્લ્ડકપમાં ભારતીય હોકી ટીમની સફરનો અંત આવી ગયો છે. બીજા રાઉન્ડના મહત્વપૂર્ણ મેચમાં આર્જેન્ટિનાએ ભારતને 5-3 થી હરાવ્યું. આ હારથી ભારતીય ટીમ વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ છે, જેનાથી ફરી એકવાર વિશ્વ ચેમ્પિયન બનવાનું તેમનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું છે. આ પહેલા ટીમ ઈન્ડિયાને નેધરલેન્ડ્સ સામે પણ હારનો સામનો કરવો પડ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>આર્જેન્ટિના સામેની મેચમાં ભારતની શરૂઆત ખરાબ રહી&nbsp;</b></h2><p style="text-align: justify; ">ભારત માટે મેચની શરૂઆત ખરાબ રહી. રમત શરૂ થયાના 40 સેકન્ડમાં જ આર્જેન્ટિનાના ટોસ્કાનીએ ફિલ્ડ ગોલ કરીને ભારત પર દબાણ બનાવ્યું. થોડી જ વારમાં 7મી મિનિટે, નિકોલસ ડેલા ટોરીએ પેનલ્ટી કોર્નરને ગોલ કરીને આર્જેન્ટિનાને 2-0ની લીડ અપાવી.</p><p style="text-align: justify; ">સુખજીત સિંહે 10મી મિનિટે શાનદાર ફિલ્ડ ગોલ કરીને ભારત માટે વાપસીનો દરવાજો ખોલ્યો, પરંતુ ટીમ ગતિ જાળવી રાખવામાં અસમર્થ રહી. સમગ્ર મેચ દરમિયાન ભારતીય ટીમનો ડિફેન્સ ખરાબ જોવા મળ્યો હતો. બીજા અને ત્રીજા ક્વાર્ટરમાં ભારતીય ખેલાડીઓએ કબજો જાળવી રાખ્યો પરંતુ કોઈ પણ ગોલમાં રૂપાંતરિત કરવામાં નિષ્ફળ રહ્યા.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/TheHockeyIndia/status/2091897544658043073"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3 style="text-align: justify; "><b>ભારતને 4 પેનલ્ટી કોર્નર મળ્યા</b></h3><p style="text-align: justify; ">પરંતુ 34મી મિનિટે ભારતને સતત 4 પેનલ્ટી કોર્નર મળ્યા, અને કેપ્ટન હરમનપ્રીત સિંહ પાસે ગોલ કરવાની સુવર્ણ તક હતી. આર્જેન્ટિનાના મજબૂત ડિફેન્સ અને જુગરાજની ગેરહાજરીએ ભારતીય ટીમને કોઈપણ તકનો લાભ ઉઠાવવાથી રોકી. આર્જેન્ટિનાના ખેલાડી ડોમેન મેચના ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં પ્રભુત્વ ધરાવતો હતો, જ્યારે ભારતીય ગોલકીપર મોહિતે કેટલાક શાનદાર બચાવ કર્યા. યશદીપના ફાઉલથી આર્જેન્ટિનાને પેનલ્ટી સ્ટ્રોક મળ્યો, જેને ડોમેન સરળતાથી કન્વર્ટ કરી શક્યો. ભારતે અંતિમ ક્વાર્ટરમાં 2 ગોલ કર્યા, પરંતુ તે ખૂબ મોડું થયું હતું, અને તેઓ આખરે મેચ 5-3થી હારી ગયા.</p><h4 style="text-align: justify; "><b>ટીમ ઈન્ડિયા નેધરલેન્ડ્સ સામે 3-1થી હારી ગઈ</b></h4><p style="text-align: justify; ">આ હોકી વર્લ્ડકપનો બીજો રાઉન્ડ ભારતીય ટીમ માટે નિરાશાજનક રહ્યો. ટીમને નેધરલેન્ડ્સ સામે 3-1થી હારનો સામનો કરવો પડ્યો. વધુમાં ભારત પ્રથમ રાઉન્ડમાં ઈંગ્લેન્ડ સામે હારી ગયું, જેના કારણે તેમને પ્લેઓફ માટે કોઈ પોઈન્ટ મળ્યા નહીં. પરિણામે, બીજા રાઉન્ડમાં એક પણ પોઈન્ટ મેળવવામાં નિષ્ફળ જતાં ભારતીય ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/nsG2MC907d63vELFo1bIBVbS5CztflSAwMjiy4XY.webp'/></item></channel></rss>