<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Jamnagar: દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં સૌની યોજના મારફતે પાણી અપાશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/jamnagar/jamnagar-</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/jamnagar/jamnagar-</guid><pubDate>Sun, 30 Aug 2026 04:44:32 +05:30</pubDate><description><![CDATA[<p>હાલારના દ્વારકા અને જામનગર જિલ્લામાં ચાલુ ચોમાસામાં તદ્દન ઓછો વરસાદ પડયો છે. દુષ્કાળની ભીતિ સર્જાઈ છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા સૌની યોજના મારફત બંને જિલ્લાને સૌની યોજનાનું પાણી આપવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે.</p><p>સામાન્ય રીતે હાલારના બંને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિક ડેમો મારફતે સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવતું હોય છે, પરંતુ વર્તમાન સમયે ઓછો વરસાદ હોવાના કારણે નર્મદા બેસીનમાં પણ પાણી સામાન્ય સંગ્રહ કરતા ઓછું છે. આમ છતાં, દ્વારકા અને જામનગરની સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે સૌની યોજનાની પાઇપલાઇન દ્વારા મચ્છુ-2 જળાશયમાંથી પાણી ઉપાડીને આ જિલ્લાઓમાં આપવા ખાસ મંજૂરી આપી દીધી છે. રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં સૌની લીન્ક-1 મારફતે 600 ક્યુસેક પાણી ઉપાડવામાં આવી રહ્યું છે. આ ઉપાડવામાં આવેલા પાણીમાંથી સૌથી પહેલા પીવાના પાણીને પ્રાધાન્ય આપવામાં આવશે અને ત્યારબાદ બાકી રહેતું પાણી ખેતી તથા સિંચાઈ માટે પૂરું પાડવામાં આવશે. રાજ્ય સરકારના આ પ્રજાલક્ષી નિર્ણયથી દ્વારકા અને જામનગર જિલ્લાના વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા હળવી થશે તેમજ સિંચાઈ માટે પણ મોટી રાહત મળી રહેશે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/30/xtkxbr1ixAWSwGNGCCDnLHL2IhXcbH5gE6YvhXom.webp'/></item><item><title><![CDATA[Morbi: ગુડ મોર્નિંગ મોરબી...શહેર-જિલ્લામાં ટૂંક સમયમાં રેડિયો ગુંજતો થઈ જશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/morbi/morbi-</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/morbi/morbi-</guid><pubDate>Sun, 30 Aug 2026 04:43:11 +05:30</pubDate><description><![CDATA[<p>મોરબીમાં ટૂંક સમયમાં ઓલ ઈન્ડિયા રેડિયો (આકાશવાણી) સ્ટેશન શરૂ થવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટને સાકાર કરવાની દિશામાં દિલ્હી અને અમદાવાદના ઉચ્ચ અધિકારીઓની ટીમે મોરબી ખાતે રેડિયો સ્ટેશન માટેની રવાપર - ધુનડા રોડ પરની સૂચિત જગ્યાનું બારીકાઈથી સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન સ્ટેશન સ્થાપવા માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્થળની ભૌગોલિક યોગ્યતા અંગે પ્રાથમિક સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.</p><p>મંત્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા કરવામાં આવેલી સતત રજૂઆતો અને સઘન પ્રયાસોના પરિણામે આ પ્રોજેક્ટને નવી ગતિ મળી છે. મોરબીની મુલાકાતમાં ન્યૂ દિલ્હી ઓલ ઈન્ડિયા રેડિયોના એડિશનલ ડિરેક્ટર જનરલ અભિષેક અગ્રવાલ, ડેપ્યુટી ડિરેક્ટર જનરલ રવિન્દ્ર ગોયલ અને અમદાવાદ-ગુજરાત ક્લસ્ટર આકાશવાણીના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ એન. એલ. ચૌહાણ, મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી સહિતના સ્થાનિક આગેવાનોએ રવાપર - ધુનડા રોડ પર ફાળવેલ સરકારી ખરાબાની જગ્યા પર બારીકાઈથી નિરીક્ષણ કરી પ્રોજેક્ટની રૂપરેખા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.</p><p>મોરબીમાં આકાશવાણી કેન્દ્ર શરૂ થવાથી સ્થાનિક કલાકારો અને પ્રતિભાઓને પોતાની કલા રજૂ કરવા માટે એક નવું પ્લેટફોર્મ મળશે. આ રેડિયો સ્ટેશનના માધ્યમથી સ્થાનિક સમાચાર, શિક્ષણ, કૃષિ, ઉદ્યોગ, સંસ્કૃતિ, લોકકલા તેમજ સામાજિક જાગૃતિના વિવિધ કાર્યક્રમો લોકો સુધી સરળતાથી પહોંચશે. ઔદ્યોગિક નગરી મોરબીના વિકાસમાં આ સુવિધાનો ઉમેરો એક મહત્વપૂર્ણ કડી સાબિત થશે અને સ્થાનિક જનજીવનને વધુ માહિતીસભર બનાવશે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/30/K7u431tWgI5VeQLP2jGOKWwQJAmlWNSTZh1bjlkH.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: સ્કૂલોની બહાર વેચાતું ધીમું ઝેર, હવે 50 મીટરની ત્રિજ્યામાં જંકફૂડ પ્રતિબંધના નિયમનો અમલ જરૂરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-slow-poison-sold-outside-schools-now-it-is-necessary-to-implement-the-rule-banning-junk-food-within-a-radius-of-50-meters</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-slow-poison-sold-outside-schools-now-it-is-necessary-to-implement-the-rule-banning-junk-food-within-a-radius-of-50-meters</guid><pubDate>Sun, 30 Aug 2026 04:21:27 +05:30</pubDate><description><![CDATA[<p>શહેરની શાળાઓની બહાર મુક્તપણે વેચાતા અસ્વચ્છ જંકફૂડ, તળેલા નાસ્તા અને કેમિકલયુક્ત કોલ્ડ ડ્રિંક્સ માસુમ બાળકોના શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભા કરી રહ્યા છે. રાષ્ટ્રીય સ્તરે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ્ ઈન્ડિયા (FSSAI)ના સ્પષ્ટ માર્ગદર્શક નિયમો મુજબ શાળા પરિસરની 50 મીટરની ત્રિજ્યામાં હાઈ ફેટ, શુગર અને સોલ્ટ (HFSS) વાળા ખોરાક કે તેના વેન્ડર્સ પર સખત મનાઈ છે. આ ઉપરાંત, મહારાષ્ટ્ર જેવા અન્ય રાજ્યોએ શાળા આસપાસ 50 મીટરના દાયરામાં જંકફૂડના વેચાણ પર કાયદાકીય પ્રતિબંધ અમલી બનાવ્યો છે. જોકે, ગુજરાતમાં હજુ સુધી સ્કૂલ ઝોન માટે આવી કોઈ ચોક્કસ કાયદાકીય નીતિ કે SOP સત્તાવાર રીતે લાગુ થઈ નથી. શાળા સંચાલકોદ્વારા સ્થિતિની ગંભીરતા સમજીને શાળા પરિસરની 100 મીટરની ત્રિજ્યામાં પ્રતિબંધ મૂકવા માટે સરકારમાં રજૂઆતો અને માંગણીઓ કરવામાં આવી છે, પરંતુ આ માંગ હાલ પ્રક્રિયા હેઠળ છે. બાળરોગ નિષ્ણાતોના મતે વારંવાર મેદો અને વનસ્પતિ ઘી-તેલના વપરાશથી 12 થી 16 વર્ષના બાળકોમાં 'નોન-આલ્કોહોલિક ફેટી લિવર'ના કેસો વધી રહ્યા છે. પેક્ડ જંકફૂડ અને સોડાના કારણે નાની વયે બાળકોના પ્લીહા પર લોડ પડે છે, જે નાની ઉંમરે પ્રી-ડાયાબિટીક પરિસ્થિતિનું કારણ બને છે. મહાનગરપાલિકાનું ફૂડ ડિપાર્ટમેન્ટ અને રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન સ્કૂલ ઝોનમાં ચાલતી લારી-ગલ્લાંઓ પર સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં સંપૂર્ણ નિષ્ફ્ળ નીવડયા છે. જંકફૂડમાં વપરાતા દૂષિત પાણી, કેમિકલયુક્ત સોસ અને વાસી તેલનું નિયમિત સેમ્પલિંગ કરવામાં આવતું નથી. જો સમયસર ગુજરાતમાં સ્કૂલોની આસપાસ વેચાતા અસ્વચ્છ ખોરાક સામે કડક ઝુંબેશ ચલાવવામાં નહીં આવે અને FSSAIની ગાઈડલાઈન મુજબ કાયદો નહીં બનાવાય, તો આ જંકફૂડનું દૂષણ આવનારી પેઢીના આરોગ્યને કાયમી નુકસાન 5હોંચાડશે તેવી શક્યતા નકારી ન શકાય. આથી, બાળકોના આરોગ્યને કેન્દ્રમાં રાખીને શાળા આસપાસના ખાદ્ય વેચાણ માટે અલગ દેખરેખ વ્યવસ્થા ઊભી કરવાની તાતી જરૂરિયાત ઉભી થઈ છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/30/wu08sKCSELFhYxiI56Wvvimj0pzarITJyTR37uyt.webp'/></item><item><title><![CDATA[Vadodara: MSU: પ્રતિષ્ઠા-ઓછી ફી આકર્ષણનું કેન્દ્ર, પરંતુ સુવિધાઓમાં સુધારાની જરૂર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-msu-</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-msu-</guid><pubDate>Sun, 30 Aug 2026 04:19:14 +05:30</pubDate><description><![CDATA[<p>એમ.એસ.યુનિવર્સિટીની શૈક્ષણિક પ્રતિષ્ઠા, વિવિધ અભ્યાસક્રમોની ઉપલબ્ધતા અને ઓછી ફી ગુજરાત સહિત અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓને વડોદરા સુધી ખેંચી રહી છે. અહીં અભ્યાસ કરતા અંદાજે 25% વિદ્યાર્થીઓ વડોદરા અથવા ગુજરાત બહારના છે. આ વિદ્યાર્થીઓ એમ.એસ.યુનિવર્સિટીને શા માટે પસંદ કરે છે અને વડોદરા આવ્યા બાદ તેમને કેવા પડકારોનો સામનો કરવો પડે છે તે જાણવા સાયન્સ ફેકલ્ટીના સ્ટેટિસ્ટિક્સ વિભાગના એમ.એસસી.ના વિદ્યાર્થીઓ દેવાંશી ઠાકર, અંકિત પુરી, શ્રુતિ ખારવા અને અમૃતા સુદાનીએ પ્રોફેસર દિપા કડપાલના માર્ગદર્શન હેઠળ સર્વે હાથ ધર્યો હતો.</p><p>સર્વે દરમિયાન કુલ 380 વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરાઇ હતી. જેમાં 295 વિદ્યાર્થીઓ વડોદરા સિવાય ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી જ્યારે 85 વિદ્યાર્થીઓ અન્ય રાજ્યમાંથી MSUમાં અભ્યાસ કરવા આવ્યા હોવાનું સામે આવ્યું હતું.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/30/uYHfIhOzb5sUYlSTqzO465BOAbUaTsKZGIPtNx2d.webp'/></item><item><title><![CDATA[Vadodara: આ વર્ષે 4 ઇંચથી 20 ફૂટ ઊંચી શ્રીજીની મૂર્તિઓની બોલબાલા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-this-year-there-is-a-buzz-about-idols-of-shriji-ranging-from-4-inches-to-20-feet-tall</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-this-year-there-is-a-buzz-about-idols-of-shriji-ranging-from-4-inches-to-20-feet-tall</guid><pubDate>Sun, 30 Aug 2026 04:17:43 +05:30</pubDate><description><![CDATA[<p>શહેરમાં ગણેશોત્સવનું માહત્મ્ય અનેરું હોઇ હજારો આકાર-પ્રકારની શ્રીજીની મૂર્તિઓ દરવર્ષે વેચાવા આવે છે. મુઠ્ઠીમાં સમાય એટલી નાની મૂર્તિઓ સહિત વિરાટ મૂર્તિઓ ગણેશોત્સવ દરમિયાન આકર્ષણનું કેન્દ્ર બનશે.</p><p>કૈલાસવાસી મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની કલાનગરીમાં કરોડો રૂપિયાના ખર્ચે ગણેશોત્સવનું આયોજન કરાય છે. વડોદરા ઉપરાંત મહારાષ્ટ્રના મુંબઇ, પેણ, પૂણેમાં અનેક દેવી-દેવતાઓના સ્વરૂપે શ્રીજીની મૂર્તિ તૈયાર કરાય છે. આ વર્ષે બાળ ગણેશ સ્વરૂપે મુઠ્ઠીમાં સમાય એટલી નાની 4 ઇંચની મૂર્તિઓ પણ વેચાવા આવી છે. જેમાં, સોફા પર આરામ ફરમાવતા શ્રીજી, રીંછ-હાથી-ઊંદર-મોર પર સવાર શ્રીજીની નયનરમ્ય મૂર્તિઓ બાળ ગણેશ યુવક મંડળો દ્વારા બુક થવા માંડી છે. મહારાષ્ટ્રથી મગાવાતી બીબાઢાળ મૂર્તિઓ સસ્તી હોય છે. પરંતુ, વડોદરામાં મૂર્તિઓનો સાજ-શણગાર કરી ખૂબજ મોંઘાભાવે વેચવામાં આવે છે, એવો ઊભરો ભક્તોએ ઠાલવી ઉમેર્યું હતું કે મુઠ્ઠીમાં સમાય એટલી નાની મૂર્તિઓેનો હોલસેલ રેટ રૂા.600 જેટલો હોય છે. જેનો સાજ-શણગાર કરી રિટેઇલ બજારમાં રૂા.1200 કે તેથી વધુ વસૂલવામાં આવે છે. જ્યારે, 3.5 ફૂટની મૂર્તિ હોલસેલ રેટમાં રૂા.10,000ની આસપાસ મળે છે. જે મૂર્તિના સાજ-શણગાર પછી રૂા.28,000 કે તેથી વધુ વસૂલવામાં આવે છે. શહેરના વિવિધ વિસ્તારોમાં શ્રીજીની નાની 50,000 કરતા વધુ મૂર્તિઓ વેચાવા આવી છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/30/dIG60Pn8bsAM3Gt0dLuuEFTgo6fbmIykQ12Tuect.webp'/></item><item><title><![CDATA[Womens Hockey World Cup: આર્જેન્ટિનાએ 9 વખતની ચેમ્પિયન નેધરલેન્ડ્સને હરાવીને જીત્યું ટાઈટલ ]]></title><link>https://sandesh.com/sports/news/argentina-win-womens-hockey-world-cup-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/argentina-win-womens-hockey-world-cup-2026</guid><pubDate>Sat, 29 Aug 2026 23:19:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">શુક્રવારે 29 ઓગસ્ટના રોજ ફાઈનલમાં આર્જેન્ટિનાએ 9 વખતની ચેમ્પિયન નેધરલેન્ડ્સને હરાવીને 2026 વિમેન્સ હોકી વર્લ્ડકપ જીત્યો. નેધરલેન્ડ્સનું સતત ચોથું વર્લ્ડકપ જીતવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું.&nbsp;</p><p style="text-align: justify; ">મેચનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટ દ્વારા લેવામાં આવ્યો, જેમાં આર્જેન્ટિનાએ નેધરલેન્ડ્સને 3-1 થી હરાવ્યું. આ આર્જેન્ટિનાના આ ત્રીજું ટાઈટલ હતું. આ જીતે આર્જેન્ટિનાના પાછલી હારનો બદલો પણ લીધો. પાછલા વર્લ્ડકપમાં પણ આર્જેન્ટિનાને નેધરલેન્ડ્સે 3-1થી હરાવ્યું હતું. આર્જેન્ટિનાએ અગાઉ 2002 અને 2010 માં ટાઈટલ જીત્યું હતું.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>મેચમાં પૂર્ણ સમય સુધી સ્કોર 1-1 રહ્યો</b></h2><p style="text-align: justify; ">નેધરલેન્ડ્સના એમ્સ્ટલવીનમાં રમાયેલી આ મેચમાં બંને ટીમોનો સ્કોર 1-1 હતો. 30મી મિનિટે નેધરલેન્ડ્સ માટે જેન્સેન યબ્બીએ ગોલ કર્યો, જ્યારે 54મી મિનિટે આર્જેન્ટિના માટે ગ્રેનાટો મારિયાએ ગોલ કર્યો. મેચનો પહેલો ક્વાર્ટર ગોલ રહિત રહ્યો. નેધરલેન્ડ્સે બીજા ક્વાર્ટરમાં મેચનો પહેલો ગોલ કર્યો. ત્રીજો ક્વાર્ટર પણ ગોલ વિના પસાર થયો. આર્જેન્ટિનાએ ચોથા અને અંતિમ ક્વાર્ટરમાં ગોલ કરીને મેચ 1-1 થી બરાબર કરી દીધી. પૂર્ણ સમય સુધી સ્કોર 1-1 રહ્યો, જેના કારણે પેનલ્ટી શૂટઆઉટનો ઉપયોગ કરવો પડ્યો. આર્જેન્ટિનાને મેચમાં 8 પેનલ્ટી કોર્નર મળ્યા, જ્યારે નેધરલેન્ડ્સને 3 પેનલ્ટી કોર્નર મળ્યા.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/FIH_Hockey/status/2093731216323158526"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3 style="text-align: justify; "><b>આ રીતે પેનલ્ટી શૂટઆઉટ થયું&nbsp;</b></h3><p style="text-align: justify; ">પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિના તરફથી વિક્ટોરિયા ગ્રેનાટો, બ્રિસા બ્રુગેસર અને સોફિયા કૈરોએ ગોલ કર્યા. ડિયાઝ જોનો ગોલ રદ્દ થયો. નેધરલેન્ડ્સ તરફથી એકમાત્ર ગોલ વિએન મારિનનો હતો. પીએન સેન્ડર્સ, ફેલિસ આલ્બર્સ અને મોઈસ ફ્રેક પેનલ્ટી ચૂકી ગયા.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>ટુર્નામેન્ટમાં આર્જેન્ટિનાની સફર&nbsp;</b></h4><p style="text-align: justify; ">પૂલ સ્ટેજમાં આર્જેન્ટિનાએ તેમની 3 માંથી 2 મેચ જીતી અને 1 ડ્રો કરીને આગળના સ્ટેજમાં પ્રવેશ કર્યો. બીજા સ્ટેજમાં ટીમે તેમની 3 માંથી 2 મેચ જીતી, 1 ડ્રો કરીને સેમીફાઈનલમાં સ્થાન મેળવ્યું. ત્યારબાદ ટીમે સેમીફાઈનલ જીતી અને ફાઈનલમાં પ્રવેશ કર્યો, અંતે ફાઈનલમાં શક્તિશાળી નેધરલેન્ડ્સને હરાવીને ટાઈટલ જીત્યું.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/mm1ehzQulQP0oZjKwWwkRnZGzX0VvdFUNeEUALOS.webp'/></item><item><title><![CDATA[Ujjain : મહાકાલ મંદિરમાં શ્રદ્ધાળુઓનો રેકોર્ડ તુટ્યો, શ્રાવણ મહિનામાં 1.57 કરોડ ભક્તોએ કર્યા દર્શન ]]></title><link>https://sandesh.com/india/news/ujjain-mahakal-temple-shravan-1-57-crore-devotees-new-record</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ujjain-mahakal-temple-shravan-1-57-crore-devotees-new-record</guid><pubDate>Sat, 29 Aug 2026 22:52:32 +05:30</pubDate><description><![CDATA[<p>ઉજ્જૈનના વિશ્વ પ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિરમાં આ વર્ષે શ્રાવણ માસ દરમિયાન ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. માત્ર 30 દિવસના શ્રાવણ માસમાં અંદાજે 1 કરોડ 57 લાખ 210 શ્રદ્ધાળુઓએ બાબા મહાકાલના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. મંદિર સમિતિના જણાવ્યા અનુસાર, આ દરમિયાન શીઘ્ર દર્શન ટિકિટ અને લાડુ પ્રસાદીના વેચાણથી પણ કરોડો રૂપિયાની આવક થઈ છે.</p><p>શ્રી મહાકાલેશ્વર મંદિર પ્રબંધ સમિતિના સહાયકના જણાવ્યા અનુસાર, શ્રાવણ માસ દરમિયાન ભક્તોની સુવિધા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. કાવડિયાઓ માટે જળ અર્પણ કરવાની અલગ વ્યવસ્થા ઉપરાંત સરળ દર્શન, નિઃશુલ્ક ભોજન પ્રસાદી અને જરૂરિયાતમંદ ભક્તો માટે નિઃશુલ્ક ચરણ પાદુકાની સુવિધા આપવામાં આવી હતી.</p><h2><b>1.13 કરોડ ભક્તોએ સીધા મંદિર પહોંચીને દર્શન કર્યા</b></h2><p>મંદિર સમિતિના આંકડા મુજબ, શ્રાવણ દરમિયાન આશરે 1 કરોડ 13 લાખ 25 હજાર 210 ભક્તોએ સીધા મહાકાલેશ્વર મંદિરે પહોંચી દર્શન કર્યા હતા. જ્યારે બાબા મહાકાલની સવારી અને ભગવાન નાગચંદ્રેશ્વરના દર્શન માટે આશરે 43 લાખ 75 હજાર ભક્તો પહોંચ્યા હતા. આ રીતે કુલ સંખ્યા 1 કરોડ 57 લાખ 210 સુધી પહોંચી હતી.</p><p>ભક્તોની સંખ્યામાં વધારા સાથે મંદિરની આવકમાં પણ વધારો થયો હતો. શીઘ્ર દર્શન માટે લગભગ 5 લાખ 76 હજાર 370 ટિકિટનું વેચાણ થયું, જેના થકી આશરે 14.47 કરોડ રૂપિયાની આવક થઈ. જ્યારે લગભગ 2,215.939 ક્વિન્ટલ લાડુ પ્રસાદીના વેચાણથી આશરે 10.49 કરોડ રૂપિયાની આવક થઈ હતી.</p><h3><b>5 લાખથી વધુ કાવડિયાઓ પહોંચ્યા</b></h3><p>શ્રાવણ દરમિયાન 5 લાખથી વધુ કાવડિયાઓએ બાબા મહાકાલને જળ અર્પણ કર્યું હતું. મંદિરના અન્નક્ષેત્રમાં આશરે 3 લાખ 47 હજાર 912 ભક્તોએ નિઃશુલ્ક ભોજન પ્રસાદી લીધી હતી. ચરણ પાદુકાની નવી વ્યવસ્થાનો લાભ 10 હજારથી વધુ ભક્તોએ લીધો હતો. ગત વર્ષોની સરખામણીમાં આ વર્ષે શ્રાવણમાં જ 1.57 કરોડથી વધુ ભક્તો પહોંચતા મહાકાલ મંદિર ખાતે શ્રદ્ધાળુઓની હાજરીનો નવો રેકોર્ડ બન્યો છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/uttarakhand-disaster-threat-threat-of-nepal-like-disaster-in-uttarakhand-know-the-emergency-preparations" target="_blank">આ પણ વાંચો : Uttarakhand Disaster Threat: નેપાળ જેવી તબાહીનો ખતરો ઉત્તરાખંડ પર, જાણો કટોકટીની તૈયારીઓ</a></b></p><p>&nbsp;&nbsp;</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/61vby1YiFLc5KbZiPVKTataZOkzg6D9gqBnjeRHi.webp'/></item><item><title><![CDATA[PM Modi Visit Uzbekistan : ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદીનું એરપોર્ટ પર કર્યું સ્વાગત, ડિફેન્સ સહિત આ સેક્ટરમાં થશે ડીલ ]]></title><link>https://sandesh.com/india/news/world/pm-modi-visit-uzbekistan-president-welcomes-at-airport-defence-energy-deals</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/world/pm-modi-visit-uzbekistan-president-welcomes-at-airport-defence-energy-deals</guid><pubDate>Sat, 29 Aug 2026 21:29:30 +05:30</pubDate><description><![CDATA[<p>વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે બે દેશોના પ્રવાસના પ્રથમ તબક્કા હેઠળ ઉઝબેકિસ્તાનની રાજધાની તાશકંદ પહોંચ્યા છે. એરપોર્ટ પર ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શાવકત મિર્ઝિયોયેવે તેમનું સ્વાગત કર્યું. વડાપ્રધાન મોદીનો ઉઝબેકિસ્તાનનો આ ચોથો પ્રવાસ છે. પ્રવાસ દરમિયાન બંને નેતાઓ ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરશે.</p><h2><b>બે દિવસ રોકાશે વડાપ્રધાન મોદી&nbsp;</b></h2><p>વડાપ્રધાન મોદી ઉઝબેકિસ્તાનમાં બે દિવસ રોકાશે. આ દરમિયાન વેપાર અને રોકાણ વધારવા ઉપરાંત ડિજિટલ કનેક્ટિવિટી, સંરક્ષણ અને ઊર્જા ક્ષેત્રે સહયોગને આગળ વધારવા અંગે ચર્ચા થવાની છે. બંને દેશો વચ્ચે આર્થિક અને વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો પર પણ ભાર મૂકવામાં આવશે. પ્રવાસ પહેલાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિ મિર્ઝિયોયેવ સાથે વેપાર અને રોકાણમાં સહયોગ વધારવા અંગે ચર્ચા કરવા આતુર છે. બંને દેશોની વિકાસલક્ષી વિચારધારામાં ‘વિકસિત ભારત’ અને ‘નવું ઉઝબેકિસ્તાન’ જેવા લક્ષ્યોને આગળ વધારવા પર પણ ચર્ચા થવાની શક્યતા છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2093706335280095535"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h3><b>ઐતિહાસિક સંબંધોને પણ મળશે મહત્વ</b></h3><p>તાશકંદ પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીએ યાંગી ઉઝબેકિસ્તાન પાર્કની મુલાકાત લીધી અને સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન રાષ્ટ્રપતિ મિર્ઝિયોયેવ પણ હાજર રહ્યા હતા. મોદી તાશકંદમાં શાસ્ત્રી સ્મારકની મુલાકાત લેવાના છે. તેઓ તાશકંદ સ્ટેટ યુનિવર્સિટી ઓફ ઓરિએન્ટલ સ્ટડીઝ સ્થિત મહાત્મા ગાંધી સેન્ટરની પણ મુલાકાત લેશે.</p><h4><b>વ્યૂહાત્મક સંબંધોને વધુ વેગ મળવાની અપેક્ષા</b></h4><p>ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવવાનું પણ આ પ્રવાસનું મહત્વનું પાસું છે. બંને દેશો લોકો વચ્ચેના સંપર્કને વધારવા પર પણ ભાર આપી રહ્યા છે. ઉઝબેકિસ્તાનનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન મોદી કિર્ગિઝ ગણરાજ્યની રાજધાની બિશ્કેક જશે. ત્યાં તેઓ રાષ્ટ્રપતિ સદર જાપારોવના આમંત્રણ પર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના 26મા શિખર સંમેલનમાં ભાગ લેશે. આ પ્રવાસથી મધ્ય એશિયાના દેશો સાથે ભારતના રાજદ્વારી, આર્થિક અને વ્યૂહાત્મક સંબંધોને વધુ વેગ મળવાની અપેક્ષા છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/uttarakhand-disaster-threat-threat-of-nepal-like-disaster-in-uttarakhand-know-the-emergency-preparations" target="_blank">આ પણ વાંચો : Uttarakhand Disaster Threat: નેપાળ જેવી તબાહીનો ખતરો ઉત્તરાખંડ પર, જાણો કટોકટીની તૈયારીઓ</a></b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/QOWnf7EWkc3e33f6LFrUQTfGgqwomBfDjEaNmf1G.webp'/></item><item><title><![CDATA[Samay Raina Controversy: કાશ્મીરી પંડિતો અને બિહારીઓ પર ટિપ્પણી બદલ સમય રૈના ફસાયા વિવાદમાં, BJP MLAએ કર્યો વિરોધ ]]></title><link>https://sandesh.com/entertainment/news/india/samay-raina-controversy-samay-raina-gets-embroiled-in-controversy-for-his-comments-on-kashmiri-pandits-and-biharis-bjp-mla-protests</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/india/samay-raina-controversy-samay-raina-gets-embroiled-in-controversy-for-his-comments-on-kashmiri-pandits-and-biharis-bjp-mla-protests</guid><pubDate>Sat, 29 Aug 2026 18:49:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ વખતે, આ મુદ્દો કાશ્મીરી પંડિતો અને બિહારીઓ વિશે શોમાં કરવામાં આવેલી ટિપ્પણીઓ સાથે સંબંધિત છે.</p><h2 style="text-align: justify; ">ફરી વિવાદનું વંટોળ&nbsp;</h2><p style="text-align: justify; ">હાસ્ય કલાકાર સમય રૈના ફરી એકવાર વિવાદમાં ફસાયા છે. તેમના શો 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ 2' ના નવીનતમ એપિસોડમાં કાશ્મીરી પંડિતો અને બિહારીઓ વિશે કરવામાં આવેલી કથિત મજાકથી વિવાદ થયો છે. ભાજપના ધારાસભ્ય રામ કદમે સમય રૈનાના નિવેદનની સખત નિંદા કરી, તેને કાશ્મીરી પંડિત સમુદાયનું અપમાન ગણાવ્યું. તેમણે કહ્યું કે કાશ્મીરી પંડિતો સામે અપમાનજનક ભાષાનો ઉપયોગ અસ્વીકાર્ય છે.</p><h3 style="text-align: justify; ">ભાજપ ધારાસભ્યની પ્રતિક્રિયા&nbsp;</h3><p style="text-align: justify; ">રામ કદમે કહ્યું, કાશ્મીરી પંડિતો આ દેશનો અભિન્ન ભાગ છે. આતંકવાદીઓ અને પાકિસ્તાન-આઈએસઆઈના કાવતરાને કારણે તેમને ઘર છોડીને વિસ્થાપિત થવાની ફરજ પડી હતી. એક સભ્ય સમાજમાં આટલી પીડા અને અત્યાચાર સહન કરનારા સમુદાય વિરુદ્ધ આવી અપમાનજનક ભાષાનો ઉપયોગ સ્વીકાર્ય નથી. તે સંપૂર્ણપણે નિંદનીય અને અપમાનજનક છે. આવી ટિપ્પણી કરનાર વ્યક્તિએ દેશની માફી માંગવી જોઈએ.</p><h4 style="text-align: justify; ">પ્રચાર માટે નિશાન સાધવું: રામ કદમ</h4><p style="text-align: justify; ">રામ કદમે એમ પણ કહ્યું, અમે કલાકારોની પ્રતિભાનું સન્માન કરીએ છીએ. પરંતુ ચોક્કસ મર્યાદાઓ, સીમાઓ હોય છે. જો કોઈ કોઈની શ્રદ્ધા, લાગણીઓ અથવા માન્યતાઓને ઠેસ પહોંચાડે છે, તો આવી કલાને કલા કહી શકાય નહીં. પછી ભલે તે સમય રૈના હોય કે અન્ય કોઈ કલાકાર. આપણે ભૂતકાળમાં જોયું છે અને વર્તમાનમાં જોઈ રહ્યા છીએ કે તેઓ પ્રસિદ્ધિ મેળવવા માટે ષડયંત્રના ભાગ રૂપે જાણી જોઈને કોઈને નિશાન બનાવે છે. તમે કાશ્મીરી પંડિતોની મજાક ઉડાવશો તેનું કારણ શું છે? શું તમે આપણા બિહારી ભાઈઓની મજાક ઉડાવશો? આ ઇરાદાપૂર્વકનો પબ્લિસિટી સ્ટંટ છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/india/news/bombay-high-court-slams-fda-orders-reopening-of-restaurants-in-mca-complex" target="_blank"> Bombay High Courtએ FDAને લગાવી ફટકાર, MCA કોમ્પ્લેક્સમાં રેસ્ટોરન્ટ્સ ફરી શરૂ કરવાનો આપ્યો આદેશ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/IEcckcNOFR8IUAfxDCrI5Gim6HZh723d2rHSjWMk.webp'/></item><item><title><![CDATA[Credit Card Limit: એકસાથે કેટલા ક્રેડિટ કાર્ડ રાખવા કાયદેસર છે? RBIનો નિયમ જાણો ]]></title><link>https://sandesh.com/business/news/how-many-credit-cards-can-one-person-have-rbi-rules</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/how-many-credit-cards-can-one-person-have-rbi-rules</guid><pubDate>Sat, 29 Aug 2026 18:38:25 +05:30</pubDate><description><![CDATA[<p>આજકાલ લોકો ખર્ચ પૂરા કરવાની સાથે આવતીકાલ માટે બચત પણ કરતા હોય છે. અત્યારના સમયમાં લોકોમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ઝડપથી વધ્યો છે. ખાસ કરીને નોકરી કરતા લોકો અનેક ક્રેડિટ કાર્ડ કઢાવી રહ્યા છે. તે પણ એક જ બેંકના નહીં, પરંતુ અલગ-અલગ બેંકોના અલગ અલગ ક્રેડિટ કાર્ડ. પરંતુ શું તમને ખબર છે કે એક વ્યક્તિ કેટલા ક્રેડિટ કાર્ડ કઢાવી શકે?</p><h2><b>ક્રેડિટ કાર્ડ કઢાવવાના ફાયદા શું છે?</b></h2><p>ક્રેડિટ કાર્ડનો યોગ્ય ઉપયોગ કરવાથી ક્રેડિટ સ્કોર સારો થઈ શકે છે, જેના કારણે મોટી લોન મેળવવામાં સરળતા રહે છે. ઇમરજન્સીમાં પણ ક્રેડિટ કાર્ડ મદદરૂપ થઈ શકે છે. પૈસા ન હોય ત્યારે પણ તમે જરૂરી ખર્ચ કરી શકો છો અને પછી તેને EMI દ્વારા ચૂકવી શકો છો. આ ઉપરાંત ડિસ્કાઉન્ટ, કૅશબૅક જેવી સુવિધાઓ પણ મળી શકે છે.</p><h2><b>ક્રેડિટ કાર્ડના નુકસાન શું છે?</b></h2><p>ક્રેડિટ કાર્ડના કારણે જરૂર ન હોય તેવા ખર્ચ કરવાની આદત પડી શકે છે. જો સમયસર બિલની રકમ ચૂકવવામાં ન આવે તો CIBIL સ્કોર ખરાબ થઈ શકે છે. તેના કારણે ભવિષ્યમાં લોન મેળવવામાં મુશ્કેલી આવી શકે છે.</p><h2><b>એક વ્યક્તિ કેટલા ક્રેડિટ કાર્ડ કઢાવી શકે?</b></h2><p>ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBIએ એક વ્યક્તિ કેટલા ક્રેડિટ કાર્ડ રાખી શકે તેની કોઈ મર્યાદા નક્કી કરી નથી. એટલે એક વ્યક્તિ પોતાની જરૂરિયાત અને યોગ્યતા પ્રમાણે જેટલી બેંકોમાંથી ક્રેડિટ કાર્ડ મેળવવા પાત્ર હોય તેટલા ક્રેડિટ કાર્ડ લઈ શકે છે. જોકે, ક્રેડિટ કાર્ડના બિલની ચુકવણીને લઈને નિયમો ચોક્કસપણે મહત્વના છે. તમે ગમે તેટલી બેંકોમાંથી ક્રેડિટ કાર્ડ લઈ શકો છો, પરંતુ તમામ કાર્ડના બિલની સમયસર ચુકવણી કરવી જરૂરી છે.</p><p>જો તમે બિલ ચૂકવી ન શકો, તો તમારી ક્રેડિટ હિસ્ટ્રી પર ખરાબ અસર પડી શકે છે અને લાંબા સમય સુધી ચુકવણી ન થાય તો લોન ડિફોલ્ટર તરીકે નોંધાઈ શકો છો. તેથી ક્રેડિટ કાર્ડ જેટલા લેવા હોય તેટલા લો, પરંતુ દરેક કાર્ડની સમયસર ચુકવણી કરવાનું ખાસ ધ્યાન રાખો.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/XnV4kFmRaJI8SUkiAov74GVtvBo19IO9EluqNjfh.webp'/></item></channel></rss>