<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[PM Modi Live Today: ભારત દુનિયાને સમાધાન આપી રહ્યું છે, જળવાયુ સંમેલનમાં બોલ્યા PM Modi ]]></title><link>https://sandesh.com/india/news/pm-narendra-modi-international-conference-the-future-of-environment-and-climate-dynamics-new-delhi-pm-modi-latest-speech-today-news-in-gujarati-on-sandesh-digital</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/pm-narendra-modi-international-conference-the-future-of-environment-and-climate-dynamics-new-delhi-pm-modi-latest-speech-today-news-in-gujarati-on-sandesh-digital</guid><pubDate>Sat, 19 Sep 2026 11:21:13 +05:30</pubDate><description><![CDATA[<p>વડાપ્રધાન મોદીએ સવારે લગભગ 10 વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે "પર્યાવરણ અને આબોહવા ગતિશીલતાનું ભવિષ્ય" (The Future of Environment and Climate Dynamics) વિષય પરની આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું.&nbsp;</p><h2><b>ભારતની વિકાસ યાત્રા ચર્ચાનો વિષય- પીએમ મોદી&nbsp;</b></h2><p>આ પ્રસંગે પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે પ્રકૃતિ અને પર્યાવરણ અંગે ભારતે વિશ્વને માર્ગદર્શન આપ્યું. વિકસિત દેશોમાં 6 ગણુ કાર્બન ઉત્સર્જન થાય છે. ભારત દુનિયાને સમાધાન આપી રહ્યું છે. 12 વર્ષ પહેલા&nbsp; સોલાર એનર્જી ક્ષમતા 2 ગીગાવોટ હતી જે હવે 160 ગીગા વોટથી વધારે છે. ભારતની&nbsp; વિકાસ યાત્રા ચર્ચાનો વિષય બની છે.&nbsp;</p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/iF1VxdNqj18kzUambpF4znhfMxHBbp1lSNltNbux.webp'/></item><item><title><![CDATA[Railway Rules:  ગર્ભવતી મહિલાઓને ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે મળી શકે આ ખાસ સુવિધા, જાણો શું છે નિયમો ]]></title><link>https://sandesh.com/business/news/indian-railways-lower-berth-rules-for-pregnant-women</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/indian-railways-lower-berth-rules-for-pregnant-women</guid><pubDate>Sat, 19 Sep 2026 11:15:32 +05:30</pubDate><description><![CDATA[<p>સામાન્ય રીતે ગર્ભવતી મહિલાઓએ મુસાફરી દરમિયાન સાવચેતી રાખવી જોઈએ. પરંતુ જો કોઈ જરૂરી કામ માટે ટ્રેન મુસાફરી કરવાનું થાય તો ટ્રેનની મુસાફરી દરમિયાન કેટલીક ખાસ સુવિધાઓ મળી શકે છે. ગર્ભવતી મહિલાને ટ્રેનમાં અપર કે મિડલ બર્થ ફાળવવામાં આવે તો ઘણી મુશ્કેલી પડી શકે છે. આથી રેલવે દ્વારા ગર્ભવતી મહિલાઓ માટે અલગ-અલગ કોચમાં લોઅર બર્થની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તેમની મુસાફરી આરામદાયક બની રહે.</p><h2><b>કયા કોચમાં કેટલી લોઅર બર્થ નક્કી કરવામાં આવી છે?</b></h2><p>ટ્રેનમાં ગર્ભવતી મહિલાઓ માટે અલગ-અલગ કોચમાં લોઅર બર્થની વ્યવસ્થા કરવામાં આવે છે. સ્લીપર ક્લાસમાં 6થી 7 લોઅર બર્થ, 3AC કોચમાં આશરે 4થી 5 લોઅર બર્થ અને 2AC કોચમાં આશરે 3થી 4 લોઅર બર્થ નક્કી કરવામાં આવે છે.</p><p>ગર્ભવતી મહિલાઓ આ નક્કી કરાયેલી લોઅર બર્થ માટે ટિકિટ બુક કરાવી શકે છે, જેથી તેમને લોઅર બર્થ મળવાની શક્યતા વધી શકે.</p><h2><b>ગર્ભવતી મહિલાઓ માટે ટિકિટ માત્ર રેલવે કાઉન્ટર પરથી જ મળે છે?</b></h2><p>જો ગર્ભવતી મહિલા માટે ટ્રેનની ટિકિટ બુક કરાવવી હોય અને લોઅર બર્થ જોઈતી હોય, તો રેલવે કાઉન્ટર પરથી ટિકિટ લેવી પડે છે. ઓનલાઈન ટિકિટ બુકિંગમાં આ સુવિધા ઉપલબ્ધ નથી.</p><p>રેલવેના રિઝર્વેશન કાઉન્ટર પર જઈને એક ફોર્મ ભરવાનું રહેશે, જેમાં ગર્ભવતી મહિલા અંગેની માહિતી આપવાની રહેશે. આ અરજી કર્યા બાદ ખાસ ક્વોટા હેઠળ લોઅર બર્થ મળવાની શક્યતા વધી શકે છે.</p><p>આ ઉપરાંત, ટ્રેનની મુસાફરી દરમિયાન ગર્ભવતી મહિલા TTE સાથે પણ લોઅર બર્થ માટે વાત કરી શકે છે. પોતાની સ્થિતિ અંગે માહિતી આપીને TTEને લોઅર બર્થ ફાળવવા માટે વિનંતી કરી શકાય છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/tWoERp502UD9Q9dT7F3zk64MJ1rI5loemKMtqUl8.webp'/></item><item><title><![CDATA[Asian Games Opening Ceremony: રમતગમત મંત્રી મનસુખ માંડવિયા જાપાન પહોંચ્યા, ભારત મેડલ માટે તૈયાર ]]></title><link>https://sandesh.com/sports/news/asian-games-2026-mansukh-mandaviya-japan-opening-ceremony</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/asian-games-2026-mansukh-mandaviya-japan-opening-ceremony</guid><pubDate>Sat, 19 Sep 2026 11:12:39 +05:30</pubDate><description><![CDATA[<p>જાપાનમાં આજે એશિયન ગેમ્સ 2026નો સત્તાવાર પ્રારંભ થવા જઈ રહ્યો છે.આ દરમિયાન ભારતના રમતગમત મંત્રી મનસુખ માંડવિયા જાપાન પહોંચી ગયા છે.જાપાન પહોંચ્યા બાદ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ જાપાનના એક પરંપરાગત સમારોહમાં પણ ભાગ લીધો હતો.આ દરમિયાન તેમણે જાપાનની સંસ્કૃતિ અને પરંપરાની ઝલક મેળવી હતી.</p><h3><b>આજે યોજાશે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ</b></h3><p>જાપાનના આઈચી-નાગોયામાં આજે એશિયન ગેમ્સ 2026નો ઉદ્ઘાટન સમારોહ યોજાશે. ભારત સહિત એશિયાના વિવિધ દેશોના રમતવીરો આ ભવ્ય સમારોહમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરશે.ઉદ્ઘાટન સમારોહને લઈને ભારતીય ચાહકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ભારતીય દળ આગામી દિવસોમાં વિવિધ રમતોમાં મેડલ માટે પડકાર રજૂ કરશે.</p><p><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/mansukhmandviya/status/2101160059195809972?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></p><p><br></p><h5><b>496 સભ્યોનું ભારતીય દળ</b></h5><p>એશિયન ગેમ્સ 2026 માટે ભારતનું 496 સભ્યોનું દળ જાપાન પહોંચ્યું છે. ભારતીય ખેલાડીઓ અનેક રમતોમાં ભાગ લઈને દેશ માટે વધુમાં વધુ મેડલ જીતવાનો પ્રયાસ કરશે.ભારતનું લક્ષ્ય અગાઉના એશિયન ગેમ્સના શાનદાર પ્રદર્શનને આગળ વધારવાનું રહેશે.ભારતીય ખેલાડીઓમાં શૂટિંગ,એથ્લેટિક્સ,બેડમિન્ટન,કુસ્તી,બોક્સિંગ અને ક્રિકેટ સહિત અનેક રમતોમાં મેડલની આશા છે.</p><h5><b>મનુ ભાકર બનશે ભારતની ધ્વજવાહક</b></h5><p>ભારતીય શૂટર મનુ ભાકર ઉદ્ઘાટન સમારોહમાં ભારતીય દળની ધ્વજવાહક બનશે.મનુ ભાકર ભારતની અગ્રણી શૂટર્સમાં સામેલ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશ માટે મહત્વપૂર્ણ સફળતા મેળવી ચૂકી છે.એશિયન ગેમ્સના ઉદ્ઘાટન સાથે હવે ભારતીય ખેલાડીઓના મેડલ અભિયાન પર સમગ્ર દેશની નજર રહેશે.</p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/asian-games-2026-day-1-india-schedule-opening-ceremony" target="_blank"> Asian Games 2026 Day 1: આજથી રોમાંચ શરૂ, પહેલા જ દિવસે ભારતને મેડલની આશા</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/iFULFtBS42LbUgD8fLV59mpChmD7YbSRPoTYswqB.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : 10 દિવસ પૂજ્યા, વિસર્જનના દિવસે રઝળ્યા! ગણેશ મૂર્તિઓની દુર્દશાએ ઊભા કર્યા અનેક સવાલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ganesh-visarjan-mismanagement--outrage-over-abandoned-idols-and-inadequate-immersion-ponds</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ganesh-visarjan-mismanagement--outrage-over-abandoned-idols-and-inadequate-immersion-ponds</guid><pubDate>Sat, 19 Sep 2026 10:59:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દર વર્ષે ગણેશ વિસર્જન વખતે પર્યાવરણ બચાવવાનો ઢોંગ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા તો એ છે કે ધર્મના નામે આસ્થાના ધજાગરા ઉડી રહ્યા છે. કૃત્રિમ કુંડ બનાવવાના મોટા-મોટા દાવાઓ વચ્ચે વિઘ્નહર્તાની પવિત્ર પ્રતિમાઓ રોડ-રસ્તા પર અને કુંડની બહાર બિનવારસી હાલતમાં રઝળતી જોવા મળે તે અત્યંત શરમજનક અને આક્રોશજનક છે. તંત્ર દ્વારા માત્ર કાગળ પર જ વ્યવસ્થાઓ દર્શાવીને સંતોષ માની લેવાય છે, પરંતુ જમીની હકીકત એ છે કે અપૂરતી જગ્યા અને નબળા આયોજનના કારણે વિસર્જન કરવા આવેલા ભક્તો અડધેથી મૂર્તિઓ છોડી જવા મજબૂર બને છે. જેને દસ દિવસ સુધી પૂર્ણ શ્રદ્ધાથી પૂજીએ છીએ, તે જ બાપાની મૂર્તિઓ વિસર્જનના નામે કચરાની જેમ રઝળે તે આસ્થાનું ઘોર અપમાન નથી તો બીજું શું છે?</p><h2 style="text-align: justify; "><b>તંત્રની નાકામી કે ભક્તોની લાપરવાહી?</b></h2><p style="text-align: justify; ">આ ધિક્કારપાત્ર સ્થિતિ માટે આખરે જવાબદાર કોણ છે? માત્ર નીતિ-નિયમો ઘડીને હાથ ઊંચા કરી લેતું તંત્ર કે પછી આસ્થાના આવેગમાં પર્યાવરણ અને પ્રતિમાના સન્માનને ભૂલી જતો ભક્તવર્ગ? પીઓપી (POP) ની મૂર્તિઓ પર પ્રતિબંધના પોકળ દાવાઓ કરવામાં આવે છે, પરંતુ જ્યારે લાખોની સંખ્યામાં આ મૂર્તિઓ બજારમાં વેચાય છે ત્યારે તંત્ર આંખ આડા કાન કરીને ઊંઘતું રહે છે. વિસર્જનના દિવસે કુંડ પર પહોંચેલા ભક્તોને 'POP ની મૂર્તિ અંદર નહીં ચાલે' કહીને અટકાવી દેવાય છે. જો તંત્ર પાસે વૈકલ્પિક વ્યવસ્થા કે મોટા કુંડ બનાવવાની ક્ષમતા નહોતી, તો છેલ્લી ઘડીએ આ બહાનાબાજી શા માટે? પોતાની જવાબદારીમાંથી છટકી જવા માટે તંત્ર અને ભક્તો એકબીજા પર દોષ ઘાલીને પાપમાંથી મુક્ત થઈ શકે તેમ નથી.</p><h2 style="text-align: justify; "><b>પર્યાવરણ અને આસ્થા બંનેનું સન્માન જળવાય તેવી નક્કર વ્યવસ્થાની જરૂર</b></h2><p style="text-align: justify; ">હવે આ વાર્ષિક નાટક અને આસ્થા સાથેના ખિલવાડને તાત્કાલિક ધોરણે બંધ કરવાની જરૂર છે. પર્યાવરણનું જતન કરવું જેટલું અનિવાર્ય છે, તેટલું જ વિઘ્નહર્તાનું સન્માન જાળવવું એ દરેક નાગરિક અને શાસકોની પ્રાથમિક નૈતિક ફરજ છે. તંત્રએ માત્ર કૃત્રિમ કુંડના બેનરો મારીને સંતોષ માનવાને બદલે POP ની મૂર્તિઓના સાયન્ટિફિક અને સન્માનજનક વિસર્જન માટે વહેલી તકે કાયમી અને વૈકલ્પિક વ્યવસ્થા કરવી જ પડશે. બીજી તરફ, ભક્તોએ પણ માત્ર ઉત્સવ મનાવવા પૂરતી આસ્થા મર્યાદિત ન રાખતા માટીની મૂર્તિઓ અપનાવીને પર્યાવરણ પ્રત્યે સાચી ગંભીરતા દર્શાવવી પડશે. જો સમયસર તંત્ર અને સમાજ બંને નહીં જાગે, તો આસ્થા અને પર્યાવરણ બંનેનો વિનાશ નિશ્ચિત છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad--final-notice-issued-to-129-grant-in-aid-schools-over-pending-audits" target="_blank">Ahmedabadમાં ઓડિટ વગર ચાલતી ગ્રાન્ટેડ સ્કૂલો સામે શિક્ષણ વિભાગની લાલ આંખ, 129 સ્કૂલોને ફટકારી નોટિસ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/wZ8DJkYhPMCvVomnVYOhBJRK0I60ajcoHvnpmiNY.webp'/></item><item><title><![CDATA[Gujarat Policeમાં 200 નવી જગ્યાઓ મંજૂર, આઉટ પોસ્ટ પર થશે PSIની નિમણૂક, તમારા જિલ્લામાં કેટલા? ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-home-department-creates-200-new-psi-posts-rural-security</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-home-department-creates-200-new-psi-posts-rural-security</guid><pubDate>Sat, 19 Sep 2026 10:51:06 +05:30</pubDate><description><![CDATA[<p>રાજ્યના નાગરિકો માટે સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન અને મજબૂત બનાવવાના હેતુસર ગૃહ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ વિભાગમાં નવી 200 જગ્યાઓ ઊભી કરવામાં આવી છે, જેનાથી ગ્રામ્ય સ્તરે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સારી બનશે.</p><h2><b>ગ્રામ્ય સુરક્ષા કવચ યોજના હેઠળ નવી જગ્યાઓ</b></h2><p>રાજ્ય સરકારની ગ્રામ્ય સુરક્ષા કવચ યોજના અંતર્ગત આ નવી જગ્યાઓનું સર્જન કરવામાં આવ્યું છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય વિસ્તારો સુધી પોલીસ વહીવટી તંત્રને વધુ સક્રિય કરવાનો અને નાગરિકોને ઝડપી સુરક્ષા પૂરી પાડવાનો છે.</p><p><img alt="police bharti 2026 (2)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/19/HbJsTRbYpRWNubijD2ucULIQwvMriDaO8lPJ6vIr.webp"><br></p><h2><b>પોલીસ સ્ટેશનની આઉટ પોસ્ટ પર થશે પોસ્ટિંગ</b></h2><p>મંજૂર કરવામાં આવેલી આ 200 નવી જગ્યાઓ પોલીસ સ્ટેશન અંતર્ગત આવતી આઉટ પોસ્ટ પર ફાળવવામાં આવશે. 200 આઉટ પોસ્ટ માટે ખાસ કરીને પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) સ્તરની જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે, જેથી આઉટ પોસ્ટ સ્તરે જ ગુનાખોરી પર અંકુશ મેળવી શકાય અને તપાસ ઝડપી બની શકે.</p><p><img alt="police bharti 2026 (9)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/19/p8NOJPhwd2PBoTQm5Q9Su8txj2YzwlClutVogabZ.webp"><br></p><h2><b>પીઆઈ બાદ હવે પીએસઆઈ સ્તરની જગ્યાઓનું માળખું</b></h2><p>અગાઉ તમામ પોલીસ સ્ટેશનોને પીઆઈ (PI) સ્તરના કરવામાં આવ્યા બાદ, હવે સરકાર દ્વારા આઉટ પોસ્ટ સ્તરે પીએસઆઈ સ્તરની જગ્યાઓ ઊભી કરવામાં આવી છે. આ પગલાથી પોલીસ વિભાગનું વહીવટી માળખું વધુ મજબૂત થશે અને ગ્રામ્ય સ્તરે પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિ સુનિશ્ચિત થશે.</p><p><img alt="police bharti 2026 (8)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/19/FysQRYK1S0rleSRTLwsuISw7sjwsq1WHwYxNOWJ7.webp"><br></p><p><img alt="police bharti 2026 (7)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/19/1CsXseKcqNm0JHwRmH6m1vPn8vn9rxvyaqVoD5YF.webp"><img alt="police bharti 2026 (6)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/19/yBW4UQ35tMtKXcm87JzLYALKpaozEgIpafPOiP1c.webp"><img alt="police bharti 2026 (5)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/19/bQ01fM86VJk2ISJhOwRT0WO5PZc6iAaw8PaYcT33.webp"><img alt="police bharti 2026 (4)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/19/kR9yrQ8Gi8c6m6AaoxYIwUu4rnzJ3QzrtHjyJwI3.webp"><img alt="police bharti 2026 (3)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/19/k5qklCSqAggCTAjfcn6S6qavtd8485w05HgQITyQ.webp"></p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/amod-palej-road-hit-and-run-accident-unidentified-death" target="_blank">Bharuch News: આમોદ-પાલેજ રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/duYmFVQr6Dq01NHYxtwKur4cnF3ZNCvi4IOBAvCl.webp'/></item><item><title><![CDATA[Dengue સામે લડવાનું સૌથી મોટું હથિયાર તૈયાર, ભારતની પહેલી વેક્સિનને મળી મંજૂરી ]]></title><link>https://sandesh.com/india/news/india-first-dengue-vaccine-qdenga-launch-dr-reddys-and-takeda-deal-by-2027</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/india-first-dengue-vaccine-qdenga-launch-dr-reddys-and-takeda-deal-by-2027</guid><pubDate>Sat, 19 Sep 2026 10:42:15 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતમાં દર વર્ષે ડેન્ગ્યુને કારણે અંદાજે 200 થી 400 લોકોના મૃત્યુ નોંધાય છે. આ રોગનો સામનો કરવા માટે, ટૂંક સમયમાં દેશમાં એક રસી ઉપલબ્ધ થશે. આ મહિનામાં હૈદરાબાદ સ્થિત 'ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ' અને જાપાની કંપની 'તાકેદા ફાર્માસ્યુટિકલ્સ' વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરાર હેઠળ, તાકેદાની ડેન્ગ્યુ-વિરોધી રસી 'ક્ડેન્ગા' (Qdenga) ભારતની પ્રથમ ડેન્ગ્યુ રસી બનશે.</p><p><br></p><p>ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ બાળકો અને પુખ્ત વયના લોકોના રસીકરણ માટે દેશના ખાનગી બજારમાં તાકેદાની ડેન્ગ્યુ-વિરોધી રસી (જે ભારતની પ્રથમ રસી હશે) ના પ્રચાર અને વિતરણની જવાબદારી સંભાળશે. કંપનીઓના જણાવ્યા અનુસાર, તાકેદાની રસી 'ક્ડેન્ગા' ૨૦૨૭ના પ્રથમ છ મહિના દરમિયાન ભારતમાં લોન્ચ થઈ શકે છે. રસીની કિંમત અંગે હજુ સુધી કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.</p><p><br></p><h4><b>જનજાગૃતિ વધારવા માટેની જાહેરાત</b></h4><p>તાકેદા ખાતે 'ઇન્ટરકોન્ટિનેન્ટલ માર્કેટ્સ'ના વડા મહેન્દ્ર નાયકે જણાવ્યું હતું કે, "જુલાઈમાં માર્કેટિંગ માટેની મંજૂરી મળી ગઈ હતી. તેથી અત્યારે સૌથી મહત્વપૂર્ણ કાર્ય વ્યાવસાયિક વિતરણ શરૂ થાય તે પહેલાં જરૂરી સ્થાનિક પ્રક્રિયાઓ પૂર્ણ કરવાનું છે. આ સ્થાનિક પ્રક્રિયાઓ પૂર્ણ થાય તે પહેલાં કિંમત વિશે અનુમાન લગાવવું વહેલું ગણાશે."</p><p><br></p><p>તેમણે ઉમેર્યું હતું કે આ સહયોગ દ્વારા, તાકેદા અને ડૉ. રેડ્ડીઝ નિયમનકારી જરૂરિયાતોનું પાલન કરીને બાળકો અને પુખ્ત વયના લોકો માટે ભારતના ખાનગી બજારમાં 'ક્ડેન્ગા'ના પ્રચાર અને વિતરણની સુવિધા પૂરી પાડશે, તેમજ સાથે સાથે રોગ વિશે જાગૃતિ લાવશે અને આરોગ્યસંભાળ વ્યવસાયિકો સાથે જોડાણ કરશે.</p><p><br></p><p>"ભારતના જાહેર રસીકરણ કાર્યક્રમમાં આ રસીનો સમાવેશ કરવો એ લાંબા ગાળાનું મુખ્ય લક્ષ્ય છે, પરંતુ ડૉ. રેડ્ડીઝ દ્વારા ખાનગી બજારમાં તેની ઉપલબ્ધતા પાત્ર વ્યક્તિઓ માટે રસી મેળવવાનો માર્ગ મોકળો કરશે. વધુ વિગતો યોગ્ય સમયે જણાવવામાં આવશે." ભારતમાં ડેન્ગ્યુ એ જાહેર આરોગ્ય માટે એક મોટો અને સતત બદલાતો પડકાર છે. 'ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ'ની 'વાયરસ રિસર્ચ એન્ડ ડાયગ્નોસ્ટિક લેબોરેટરીઝ' દ્વારા હાથ ધરવામાં આવેલા દેશવ્યાપી ડેન્ગ્યુ સર્વેલન્સ અભ્યાસ મુજબ, ડેન્ગ્યુ વાયરસના ચારેય સીરોટાઇપ્સ (DENV-1 થી DENV-4) દેશના ઘણા વિસ્તારોમાં એકસાથે ફેલાયેલા છે અને દર 14માંથી એક દર્દી એકસાથે ડેન્ગ્યુના અનેક સીરોટાઇપ્સથી સંક્રમિત હોવાનું જણાયું છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/west-bengal-tmc-mamata-banerjees-love-for-football-is-visible-see-the-partys-symbol-in-front" target="_blank"><b>West Bangal TMC: મમતા બેનર્જીનો ફૂટબોલ પ્રત્યે પ્રેમ દેખાયો.. જુઓ પાર્ટીનો સિમ્બોલ આવ્યો સામે</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/WgUO9Lv9MyKDkcFGULhPt7HLdaWDGBoFrIn843IO.webp'/></item><item><title><![CDATA[Oscar 2027 : 3000 કરોડની કમાણી છતાં ઓસ્કરની રેસમાંથી કેમ બહાર થઈ રણવીર સિંહની ધુરંધર? ]]></title><link>https://sandesh.com/entertainment/news/dhurandhar-oscar-2027-not-selected-reason</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/dhurandhar-oscar-2027-not-selected-reason</guid><pubDate>Sat, 19 Sep 2026 10:40:24 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મરાઠી ફિલ્મ ગોંધળ 99મા એકેડેમી એવોર્ડ્સ માટે પસંદ થઈ છે. ઓસ્કર 2027માં પહોંચ્યા પછી બધી બાજુ ફિલ્મની ચર્ચા છે. એક તરફ જ્યાં બધા ગોંધળને લઈને ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને આખી ટીમને અભિનંદન આપી રહ્યા છે, ત્યાં જ ઘણા લોકો એ વાત પર નવાઈ પામી રહ્યા છે કે રણવીર સિંહની બોક્સ ઓફિસ પર હિટ રહેલી ફિલ્મ ધુરંધરને પાછળ છોડીને ગોંધળ કેવી રીતે પસંદ થઈ.</p><h2 style="text-align: justify; "><b>ધુરંધર કેમ ન પસંદ થઈ?</b></h2><p style="text-align: justify; "> </p><p style="text-align: justify; ">હવે ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાની જ્યુરીના મેમ્બર વિવેક વાસવાનીએ જણાવ્યું છે કે આખરે ધુરંધરને ભારતની ઓસ્કર એન્ટ્રી તરીકે કેમ પસંદ કરવામાં ન આવી. વિવેક વાસવાનીને પૂછવામાં આવ્યું કે છેલ્લો નિર્ણય લેતી વખતે ધુરંધર જ્યુરીની પસંદગીમાં ક્યાં હતી. આના પર તેમણે જણાવ્યું કે કેટલાક લોકોને ફિલ્મ ગમી હતી, પણ અમને ન લાગ્યું કે આ ઓસ્કર માટે સાચી ફિલ્મ છે.</p><h3 style="text-align: justify; "><b>ધુરંધરને કેટલા વોટ મળ્યા હતા?</b></h3><p style="text-align: justify; ">વિવેકે એ પણ જણાવ્યું કે જ્યુરી જે રીતે ફિલ્મ દ્વારા ભારતીય સંસ્કૃતિ રજૂ કરવા માગતી હતી, તે બાબતમાં ધુરંધર ખરી ઉતરી શકી નહીં. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે 14 મેમ્બર્સવાળી જ્યુરીમાંથી કેટલા લોકોએ ધુરંધરની તરફેણમાં વોટ આપ્યો હતો, ત્યારે તેમણે જવાબ આપ્યો, ચાર.</p><h4 style="text-align: justify; "><b>કેવી રીતે પસંદ થઈ ગોંધળ?</b></h4><p style="text-align: justify; ">રિપોર્ટ મુજબ, ગોંધળે કુલ 33 ફિલ્મો વચ્ચેથી પોતાની જગ્યા બનાવી છે. આ લિસ્ટમાં 14 હિન્દી, ચાર મરાઠી, ચાર તેલુગુ, ત્રણ ગુજરાતી, ત્રણ તમિલ, એક મલયાલમ, એક નેપાળી અને નાગાલેન્ડની એક ફિલ્મ સામેલ હતી. જ્યુરીના છેલ્લા ત્રણ ઓપ્શનમાં ગોંધળ, અંગ અને મૈં વાપસ આયેગા સામેલ હતી. છેવટે મરાઠી ફિલ્મ ગોંધળને ભારત તરફથી ઓસ્કર માટે મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો.</p><h5 style="text-align: justify; "><b>રણવીર સિંહ સ્ટારર ધુરંધર</b></h5><p style="text-align: justify; ">રણવીર સિંહ સ્ટારર ધુરંધર ફ્રેન્ચાઈઝીનું ડિરેક્શન આદિત્ય ધરે કર્યું છે. તેની પહેલી ફિલ્મ ડિસેમ્બર 2025માં રિલીઝ થઈ હતી, જ્યારે ધુરંધર: ધ રિવિન્જ માર્ચ 2026માં સિનેમાઘરોમાં આવી હતી. બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી અને આખી ફ્રેન્ચાઈઝીએ દુનિયાભરમાં લગભગ 3000 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/rani-mukerji-old-song-alka-yagnik-doordarshan" target="_blank">આ પણ વાંચો-Doordarshan પર સવાર-સવારમાં ગૂંજતું હતું રાની મુખર્જીનું આ ગીત! 27 વર્ષ વીત્યા છતાં નથી ઘટ્યો જાદુ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/0N3vOlAM3p0wwxXICUUrfEdo2lOQjvGg3vJj5VDn.webp'/></item><item><title><![CDATA[Ahmedabadમાં ઓડિટ વગર ચાલતી ગ્રાન્ટેડ સ્કૂલો સામે શિક્ષણ વિભાગની લાલ આંખ, 129 સ્કૂલોને ફટકારી નોટિસ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad--final-notice-issued-to-129-grant-in-aid-schools-over-pending-audits</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad--final-notice-issued-to-129-grant-in-aid-schools-over-pending-audits</guid><pubDate>Sat, 19 Sep 2026 10:13:29 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં ઓડિટ કરાવ્યા વગર ચાલતી ગ્રાન્ટેડ (અનુદાનિત) શાળાઓ સામે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વર્ષ 2023-24નું હિસાબી ઓડિટ બાકી રાખનાર શહેરની 129 જેટલી ગ્રાન્ટેડ શાળાઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા વારંવાર સૂચનાઓ આપવા છતાં ઓડિટની પ્રક્રિયા પૂર્ણ ન કરાતાં વહીવટી તંત્રે હવે આકરું વલણ અપનાવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>3 વખત આદેશ આપ્યા છતાં બેદરકારી</b></h2><p style="text-align: justify; ">તંત્ર દ્વારા અગાઉ ત્રણ-ત્રણ વખત સ્પષ્ટ આદેશો અને યાદીઓ આપવા છતાં પણ સંબંધિત શાળા સંચાલકો દ્વારા ઓડિટ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો નથી. શાળાઓની આ ગંભીર બેદરકારીને ધ્યાને રાખીને શિક્ષણ વિભાગે 25 સપ્ટેમ્બર સુધીની આખરી મુદત (અલ્ટીમેટમ) આપી છે. આ સમયગાળા દરમિયાન તમામ હિસાબી ઓડિટ પૂર્ણ કરીને તેનો સત્તાવાર રિપોર્ટ જમા કરાવવો ફરજિયાત રહેશે.</p><h2 style="text-align: justify; "><b>સંચાલક મંડળની અંગત જવાબદારી નક્કી કરાશે</b></h2><p style="text-align: justify; ">શિક્ષણ વિભાગે આ આદેશ સાથે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો 25 સપ્ટેમ્બર સુધીમાં ઓડિટની કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો કાયદેસરના કડક પગલાં ભરવામાં આવશે. આ સાથે જ, ઓડિટ ન થવાના કિસ્સામાં ઊભી થનારી તમામ વિષમ પરિસ્થિતિઓ અને પરિણામોની અંગત જવાબદારી શાળાના સંચાલક મંડળની રહેશે. આ કાર્યવાહીથી અમદાવાદના શિક્ષણ આલમમાં અને શાળા સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/surat/surat--food-dept-raids-zepto-warehouse-in-rander--fines--25-000-for-expired-stock" target="_blank">Surat News : લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં! રાંદેરના ઝેપ્ટો ગોડાઉનમાંથી એક્સપાયરી ડેટની છાસ અને બ્રેડ જપ્ત</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/eZb7SR1KbTO9c3osN3TKcwuv32UkqPe0qAcNvACF.webp'/></item><item><title><![CDATA[Narmada News: એક બાદ એક અચાનક ધૂણવા લાગ્યા 11 બાળકો, Video ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/narmada/dediyapada-moskut-ashramshala-children-shaking-incident</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/narmada/dediyapada-moskut-ashramshala-children-shaking-incident</guid><pubDate>Sat, 19 Sep 2026 09:45:21 +05:30</pubDate><description><![CDATA[<p>નર્મદા જિલ્લામાંથી એક ચોંકાવનારી અને રહસ્યમય ઘટના સામે આવી છે. ડેડિયાપાડા તાલુકાની મોસ્કુટ આશ્રમશાળામાં એકસાથે 11 જેટલા બાળકો અચાનક ધુણવા લાગતા આખી શાળામાં અને ગ્રામજનોમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ અચાનક બનેલી ઘટનાને કારણે શિક્ષકો અને સંચાલકોમાં દોડધામ થઈ ગઈ હતી.</p><h2><b>108ની મદદથી હોસ્પિટલ ખસેડાયા બાળકો</b></h2><p>ઘટનાની ગંભીરતા જોતા શાળાના સત્તાવાળાઓ દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. તમામ બાળકોને સારવાર માટે સૌપ્રથમ ડેડિયાપાડા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ તપાસ અને સારવાર માટે તેમને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.</p><h2><b>શરૂઆતમાં ફૂડ પોઈઝનિંગની આશંકા, પણ લક્ષણો ન મળ્યા</b></h2><p>આ ઘટનાની શરૂઆતમાં બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, તપાસ દરમિયાન સામે આવ્યું કે, બાળકોને ઝાડા, ઉલ્ટી કે પેટમાં દુખાવા જેવી કોઈ જ તકલીફ કે ફરિયાદ ન હતી. જેના કારણે આ ઘટના પાછળ કોઈ માનસિક કે અન્ય કારણ હોવાની પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2101163745942937610"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>શિક્ષકોનો આંતરિક વિખવાદ અને ગ્રામજનોની ચિંતા</b></h2><p>આ રહસ્યમય ઘટના પાછળ શાળાના શિક્ષકો વચ્ચે ચાલી રહેલો આંતરિક વિખવાદ પણ હાલ ચર્ચાના એરણે ચડ્યો છે. સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે કે, શિક્ષકોના આંતરિક વિવાદોને કારણે માસૂમ બાળકોના શિક્ષણ અને ભવિષ્ય પર માઠી અસર ન પડે.</p><h2><b>ઘટનાના ખુલાસા અને સમય</b></h2><p>મહત્વની વાત એ છે કે, આ ચોંકાવનારી ઘટના ગત 9 તારીખના રોજ બની હતી, પરંતુ તેના વિશેના ખુલાસા અને વિગતો હવે સામે આવી રહી છે, જેને લઈને વિસ્તારમાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2101164087308873869"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>ધૂણવા પાછળના અલગ-અલગ દૃષ્ટિકોણ</b></h2><ul><li><b>ધાર્મિક અને આસ્થાળુ માન્યતા:&nbsp;</b>ઘણા લોકો માને છે કે શરીરમાં કોઈ દેવી, દેવતા, શક્તિ કે આત્માનો પ્રવેશ થવાથી વ્યક્તિ ધૂણે છે</li><li><b>વૈજ્ઞાનિક અને તબીબી દ્રષ્ટિકોણ:</b> વિજ્ઞાન અને મનોચિકિત્સકોના મત મુજબ, ધૂણવું એ કોઈ દૈવી શક્તિ નથી, પરંતુ એક માનસિક સમસ્યા, હિસ્ટરીયા કે સ્ટ્રેસનું પરિણામ છે</li><li><b>અંધશ્રદ્ધા કે દેખાડો:</b> ઘણા કિસ્સાઓમાં આ માત્ર એક ઢોંગ, ધતિંગ કે માન્યતાઓનો લાભ લેવા માટેનું માધ્યમ હોય છે</li></ul><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/narmada/narmada-hindi-day-celebrated-at-government-college-dediapada" target="_blank">Narmada: દેડિયાપાડાની સરકારી કૉલેજમાં હિન્દી દિવસની ઉજવણી</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/KeZu4ZoJ5NsdzKfpPuMzN2mgADWFdQWplSMbNFVQ.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : બાળકોના સ્વાસ્થ્ય પર ખાંડનો મોટો ખતરો! શિક્ષણ વિભાગે સ્કૂલોમાં કેમ લગાવવા પડ્યા 'સુગર બોર્ડ'? ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/education-dept-orders-sugar-boards-in-schools-to-reduce-sugar-intake-among-children</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/education-dept-orders-sugar-boards-in-schools-to-reduce-sugar-intake-among-children</guid><pubDate>Sat, 19 Sep 2026 09:23:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના શારીરિક સ્વાસ્થ્ય અને ભવિષ્યની તંદુરસ્તીને ધ્યાનમાં રાખીને એક અત્યંત સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે. બાળકોમાં નાનપણથી જ ખાંડના સેવનના પ્રમાણને નિયંત્રિત કરવા અને તેનાથી થતાં નુકસાન પ્રત્યે જાગૃતિ લાવવાના આશયથી શિક્ષણ બોર્ડ દ્વારા વિશેષ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી શાળાઓમાં અભ્યાસ કરતા હજારો બાળકોમાં આરોગ્યપ્રદ ટેવોનો વિકાસ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો છે.</p><h2 style="text-align: justify; "><b>શાળાઓમાં ‘સુગર બોર્ડ’ લગાવાશે</b></h2><p style="text-align: justify; ">શિક્ષણ બોર્ડના આદેશ અનુસાર, રાજ્યની તમામ શાળાઓમાં ખાસ 'સુગર બોર્ડ' લગાડવામાં આવશે. આ સુગર બોર્ડ પર દૈનિક જીવનમાં વપરાતા વિવિધ ખાદ્યપદાર્થોમાં ખાંડનું પ્રમાણ અને તેનાથી શરીર પર પડતી આડઅસરો વિશેની વિગતો પ્રદર્શિત કરવામાં આવશે. આ ઉપરાંત, શાળાઓમાં વિશેષ જાગૃતિ અભિયાન ચલાવીને વિદ્યાર્થીઓને ખાંડના વધુ પડતા સેવનથી થતી વિવિધ બીમારીઓ જેવી કે સ્થૂળતા (ઓબેસિટી), ડાયાબિટીસ અને દાંતના રોગો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવશે.</p><h2 style="text-align: justify; "><b>ખાંડના વધુ સેવનથી સ્વાસ્થ્ય જોખમ</b></h2><p style="text-align: justify; ">નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, નાની વયે ખાંડનું વધુ પડતું સેવન બાળકોના શારીરિક અને માનસિક વિકાસ પર વિપરીત અસર કરે છે. આ બાબતને ગંભીરતાથી લઈને શિક્ષણ વિભાગે તમામ શાળાઓને બાળકોમાં સુગરના વપરાશને સીમિત કરવા અને પૌષ્ટિક આહાર લેવા માટે પ્રોત્સાહિત કરવાની કડક સૂચના આપી છે. શિક્ષકો અને વાલીઓના સહિયારા પ્રયાસોથી બાળકોને વધુ પડતા ગળ્યા ખોરાક અને જંક ફૂડથી દૂર રાખવા માટેનું સાનુકૂળ વાતાવરણ નિર્માણ કરવામાં આવશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/gujarat-heavy-rain-forecast-yellow-alert-low-pressure-active-2026" target="_blank">Gujarat Rain Update: આ જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/dZw6bMAiCn6XeeR8jLGaGe0oIHAfqYDSEbz4zeK0.webp'/></item></channel></rss>