<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA['Biharને જનઆંદોલનની જરૂર', તેજ પ્રતાપે અભિજીત દિપકેને રાજ્યમાં આવવાનું આપ્યું આમંત્રણ ]]></title><link>https://sandesh.com/india/news/-political-news/tej-pratap-yadav-invites-abhijeet-dipke-bihar-mass-movement</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/-political-news/tej-pratap-yadav-invites-abhijeet-dipke-bihar-mass-movement</guid><pubDate>Sat, 25 Jul 2026 22:42:11 +05:30</pubDate><description><![CDATA[<p>કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ બિહારની રાજનીતિમાં પણ હલચલ તેજ બની છે. જનશક્તિ જનતા દળ (JJD)ના અધ્યક્ષ તેજ પ્રતાપ યાદવે CJPના નેતા અભિજીત દિપકને બિહારમાં આવી જનઆંદોલન શરૂ કરવાની અપીલ કરી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/TejYadav14/status/2080972989907272151"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>રાજ્યની જનતા હાલની સરકારથી પરેશાન : તેજ પ્રતાપ યાદવ&nbsp;</b></h2><p>તેજ પ્રતાપ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે બિહારને હવે એક મોટા જનઆંદોલનની જરૂર છે. તેમના જણાવ્યા અનુસાર રાજ્યની જનતા હાલની સરકારથી પરેશાન છે અને લોકોના પ્રશ્નોને લઈને મજબૂત જનચળવળ ઉભી કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે અભિજીત દિપક બિહારમાં આવી લોકોનો અવાજ બને અને રાજ્યમાં જનઆંદોલન શરૂ કરે.</p><p>તેજ પ્રતાપે વધુમાં કહ્યું કે તેઓ અને તેમની પાર્ટી CJPને સંપૂર્ણ સમર્થન આપશે અને બિહારના સારા ભવિષ્ય માટે સાથે મળીને કામ કરશે. ઉલ્લેખનીય છે કે જંતર-મંતર પર ચાલી રહેલા વિરોધ દરમિયાન એક યુવતીએ ભાવુક અપીલ કરતાં અભિજીત દિપકને બિહારમાં આવવા વિનંતી કરી હતી. તેના જવાબમાં અભિજીત દિપકે કહ્યું હતું કે દિલ્હીનું આંદોલન પૂર્ણ થયા બાદ CJPનો આગામી કાર્યક્રમ બિહારમાં યોજાશે.</p><h3><b>તેજ પ્રતાપ યાદવની પોલીસે અટકાયત પણ કરી&nbsp;</b></h3><p>આ દરમિયાન બિહારના પટણા, ઔરંગાબાદ, છપરા અને ભાગલપુર સહિત અનેક શહેરોમાં NEET પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. કેટલાક સ્થળોએ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ પણ થઈ હતી. પટણામાં વિદ્યાર્થીઓને સમર્થન આપવા પહોંચેલા તેજ પ્રતાપ યાદવને પોલીસે અટકાયત પણ કરી હતી.</p><p>જોકે, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ CJPએ પ્રેસ કોન્ફરન્સ કરીને હાલનું આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. હવે અભિજીત દિપકના બિહાર પ્રવાસ અને ત્યાં સંભવિત જનઆંદોલનને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.</p><p><a href="https://sandesh.com/india/news/-political-news/dharmendra-pradhans-resignation-cjps-agitation-how-the-power-of-instagram-was-seen" target="_blank">આ પણ વાંચો : Dharmendra Pradhanનું રાજીનામું, CJPનું આંદોલન... કેવી રીતે જોવા મળી ઇન્સ્ટાગ્રામની તાકાત</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/ARO45yjySempRBfT1B80hmqFU4tiwSzVZzC1n41A.webp'/></item><item><title><![CDATA[Dharmendra Pradhanનું રાજીનામું, CJPનું આંદોલન... કેવી રીતે જોવા મળી ઇન્સ્ટાગ્રામની તાકાત ]]></title><link>https://sandesh.com/india/news/-political-news/dharmendra-pradhans-resignation-cjps-agitation-how-the-power-of-instagram-was-seen</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/-political-news/dharmendra-pradhans-resignation-cjps-agitation-how-the-power-of-instagram-was-seen</guid><pubDate>Sat, 25 Jul 2026 22:10:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ ફરી એકવાર 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ચર્ચામાં છે. છેલ્લા બે મહિનાથી જંતર-મંતર પર ચાલી રહેલા આંદોલનને લઈને CJPએ આને પોતાની સૌથી મોટી જીત ગણાવી છે. પાર્ટીનો દાવો છે કે સોશિયલ મીડિયાથી શરૂ થયેલી આ ઝુંબેશ ધીમે-ધીમે દેશભરના યુવાનોનો અવાજ બની ગઈ. આ આખી ઘટનાએ એ પણ બતાવી દીધું કે ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હવે માત્ર મનોરંજનનું માધ્યમ નથી રહ્યા, પરંતુ મોટા જન આંદોલનોનું મંચ પણ બની રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>એક કમેન્ટથી શરૂ થઈ આખી વાર્તા</b></h2><p style="text-align: justify; ">મે 2026માં સુપ્રીમ કોર્ટમાં એક સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતની એક ટિપ્પણી સોશિયલ મીડિયા પર વિવાદનો વિષય બની ગઈ. CJP અને તેના સમર્થકોનું કહેવું છે કે આ ટિપ્પણી બાદ જ તેમણે 'કોકરોચ' શબ્દને વિરોધના પ્રતીક તરીકે અપનાવ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>ઔરંગાબાદના અભિજીત દીપકેએ CJPની કરી શરૂઆત&nbsp;</b></h2><p style="text-align: justify; ">તેના પછીના જ દિવસે, 16 મે 2026ના રોજ મહારાષ્ટ્રના ઔરંગાબાદના અભિજીત દીપકેએ 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ની શરૂઆત કરી. બોસ્ટન યુનિવર્સિટીના વિદ્યાર્થી અને રાજકીય સંચાર વ્યૂહરચનાકાર (Political Communication Strategist) દીપકેએ આને એક વ્યંગાત્મક ચળવળ (Satirical Movement) ગણાવી, જેની ટેગલાઇન રાખવામાં આવી - Voice of the Lazy &amp; Unemployed.</p><h3 style="text-align: justify; "><b>ઇન્સ્ટાગ્રામ બન્યું આંદોલનનું સૌથી મોટું મંચ</b></h3><p style="text-align: justify; ">17 મેના રોજ @cockroachjantaparty નામે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ લોન્ચ કરવામાં આવ્યું. શરૂઆત મીમ્સ, રીલ્સ અને વ્યંગાત્મક પોસ્ટ્સથી થઈ. બેરોજગારી, NEET-UG પરીક્ષામાં કથિત ગેરરીતિઓ, શિક્ષણ વ્યવસ્થા, મોંઘવારી અને યુવાનોને લગતા મુદ્દાઓ પર સતત કન્ટેન્ટ પોસ્ટ કરવામાં આવવા લાગ્યું.</p><h3 style="text-align: justify; "><b>અભિયાન ઝડપથી થયું વાયરલ&nbsp;&nbsp;</b></h3><p style="text-align: justify; ">લોન્ચના થોડા જ દિવસોમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સાથે કરોડો લોકો જોડાઈ ગયા અને આ અભિયાન ઝડપથી વાયરલ થઈ ગયું. મોટી સંખ્યામાં યુવાનોએ પાર્ટીની વેબસાઇટ પર સભ્યપદ પણ લીધું. પાર્ટીના જણાવ્યા અનુસાર ગ્રાફિક્સ, પોસ્ટર, મેનિફેસ્ટો અને સોશિયલ મીડિયા કન્ટેન્ટ તૈયાર કરવા માટે ChatGPT અને Claude જેવા AI ટૂલ્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઓછા સંસાધનોમાં તૈયાર કરાયેલું આ ડિજિટલ અભિયાન જોતજોતામાં લાખો યુવાનો સુધી પહોંચી ગયું.</p><h4 style="text-align: justify; "><b>સોશિયલ મીડિયાથી રોડ સુધી પહોંચ્યું આંદોલન</b></h4><p style="text-align: justify; ">જૂન અને જુલાઈ આવતા-આવતા આ આંદોલન સોશિયલ મીડિયાથી નીકળીને દિલ્હીના જંતર-મંતર સુધી પહોંચી ગયું. CJP અને કેટલાક વિદ્યાર્થી સંગઠનો સતત વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા. આંદોલનની મુખ્ય માંગણીઓમાં NEET-UG પરીક્ષામાં કથિત ગેરરીતિઓની નિષ્પક્ષ તપાસ, પરીક્ષા પદ્ધતિમાં સુધારો અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાનો સમાવેશ થતો હતો. આ દરમિયાન 'ચલો સંસદ' માર્ચ પણ કાઢવામાં આવી. જંતર-મંતર પર ધરણાં, પ્રદર્શન અને સોશિયલ મીડિયા કેમ્પેઇન એકસાથે ચાલતા રહ્યા. CJPનું કહેવું હતું કે આ આંદોલન યુવાનોનો અવાજ ઉઠાવવા માટે છે અને તેને સંપૂર્ણપણે વોલેન્ટિયર મોડલ પર ચલાવવામાં આવ્યું હતું.</p><h4 style="text-align: justify; "><b>ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક થતાં ચર્ચા વધુ વધી</b></h4><p style="text-align: justify; ">જુલાઈમાં પ્રદર્શન દરમિયાન CJPનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ થોડા સમય માટે બંધ થઈ ગયું. આ પછી અભિજીત દીપકેએ X (ટ્વિટર) પર પોસ્ટ કરીને દાવો કર્યો કે Metaએ પાર્ટીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હટાવી દીધું છે. પાછળથી એકાઉન્ટ ફરી ચાલુ કરી દેવામાં આવ્યું. આ આખી ઘટનાએ સોશિયલ મીડિયા પર નવી બહેસ છેડી દીધી અને CJP ફરીથી ટ્રેન્ડ કરવા લાગી. CJP સમર્થકોએ આ પોસ્ટ્સ અને રીલ્સ પર વ્યંગાત્મક પ્રતિક્રિયાઓ આપી જેનાથી સોશિયલ મીડિયા પર આ બંને પક્ષો વચ્ચે ડિજિટલ ચર્ચા સતત ચાલુ રહી.</p><h5 style="text-align: justify; "><b>મોડી રાત્રે વડાપ્રધાન મોદીનો ઇન્સ્ટાગ્રામ વિડીયો</b></h5><p style="text-align: justify; ">આ જ ઘટનાક્રમ વચ્ચે બુધવારે રાત્રે 11 વાગ્યેને 52 મિનિટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો. આ વિડીયો તેમના સામાન્ય સંબોધનો કરતાં અલગ હતો. તેને મોબાઈલના ફ્રન્ટ કેમેરાથી વર્ટિકલ ફોર્મેટમાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો.</p><h5 style="text-align: justify; "><b>આખા આંદોલનનું સૌથી મોટું કેન્દ્ર આ પ્લેટફોર્મ&nbsp;</b></h5><p style="text-align: justify; ">વિડીયોની શરૂઆત તેમણે પોતાના પરંપરાગત સંબોધન 'મિત્રો'ને બદલે 'ફ્રેન્ડ્સ' કહીને કરી હતી. ઘણા લોકોનું માનવું હતું કે ઇન્સ્ટાગ્રામને માધ્યમ બનાવવા પાછળ યુવાનો સુધી સીધા પહોંચવાનો પ્રયાસ હોઈ શકે છે, કારણ કે આ પ્લેટફોર્મ આખા આંદોલનનું સૌથી મોટું કેન્દ્ર રહ્યું હતું.</p><h5 style="text-align: justify; "><b>24 કલાકમાં બીજી વાર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ</b></h5><p style="text-align: justify; ">વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 કલાકની અંદર બીજી વાર ઇન્સ્ટાગ્રામ પર વિડીયો પોસ્ટ કર્યો. વિડીયોમાં તેમણે લોકોનો આભાર માનતા કહ્યું કે, તેમના છેલ્લા વિડીયો પર મળેલા હકારાત્મક સૂચનો અને પ્રતિક્રિયાઓ માટે તેઓ સૌનો આભાર માને છે. તેમણે આશા વ્યક્ત કરી કે લોકોનો પ્રેમ અને સમર્થન આગળ પણ આ જ રીતે જળવાઈ રહેશે.</p><h6 style="text-align: justify; "><b>ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ જંતર-મંતર પર ઉજવણી</b></h6><p style="text-align: justify; ">25 જુલાઈ 2026ના રોજ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આખરે X પર પોસ્ટ કરીને પોતાના રાજીનામાની જાણકારી આપી. તેમણે લખ્યું કે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનું રાજીનામં  સોંપી દીધું છે. પોતાના સંદેશમાં તેમણે વિદ્યાર્થીઓના ભવિષ્ય, રાષ્ટ્રહિત અને જંતર-મંતરની સ્થિતિનો ફાયદો 'દેશવિરોધી તત્વો' (Anti-National Forces) દ્વારા ન ઉઠાવવામાં આવે જેવી વાતો પણ કહી.</p><h6 style="text-align: justify; "><b>શું બદલાઈ ગઈ છે આંદોલનની રાજનીતિ?</b></h6><p style="text-align: justify; ">કોકરોચ જનતા પાર્ટીની આ સફર એ વાતનું ઉદાહરણ બની ગઈ કે સોશિયલ મીડિયા પર શરૂ થયેલું એક વ્યંગાત્મક અભિયાન પણ રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બની શકે છે. ઇન્સ્ટાગ્રામ પર શરૂ થયેલી આ ઝુંબેશ જંતર-મંતરના ધરણાં સુધી પહોંચી અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ તેની ચર્ચા વધુ તીવ્ર બની ગઈ છે.</p><h6 style="text-align: justify; ">શું સો.મીડિયા બનશે પ્રભાવશાળી મંચ?</h6><p style="text-align: justify; ">જોકે CJPનું કહેવું છે કે તેની લડાઈ હજુ પૂરી થઈ નથી. પાર્ટી હવે પરીક્ષા પદ્ધતિમાં સુધારો, યુવાનોને લગતા મુદ્દાઓ અને અન્ય માંગણીઓને લઈને આગળની વ્યૂહરચના પર કામ કરી રહી છે. તો બીજી તરફ, આ આખી ઘટનાએ એ સવાલ પણ ઊભો કરી દીધો છે કે શું આવનારા સમયમાં સોશિયલ મીડિયા ભારતીય રાજનીતિ અને જન આંદોલનોનું સૌથી પ્રભાવશાળી મંચ બની જશે?</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/india" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/EjZtGnqLpb1gAMRdMtS6L8PJwsJ8cw2EWz0ZOMlJ.webp'/></item><item><title><![CDATA['Gen-Zની જીત' ગણાવતાં સેલિબ્રિટીઓએ વિદ્યાર્થીઓના આંદોલનને બિરદાવ્યું, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અભિનંદન પાઠવ્યા ]]></title><link>https://sandesh.com/entertainment/news/celebrities-reaction-genz-victory-protest-social-media</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/celebrities-reaction-genz-victory-protest-social-media</guid><pubDate>Sat, 25 Jul 2026 21:26:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ સોશિયલ મીડિયા પર વિવિધ એક્ટર અને એક્ટ્રેસ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે. પરીક્ષા પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓના લાંબા સમયથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શન બાદ થયેલા આ રાજકીય ઘટનાક્રમને અનેક સેલિબ્રિટીઓએ યુવાનોની જીત ગણાવી છે.</p><h2 style="text-align: justify; "><b>પ્રકાર રાજ અને અરમાન મલિકે કરી પોસ્ટ&nbsp;</b></h2><p style="text-align: justify; ">એક્ટર પ્રકાશ રાજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને વિદ્યાર્થીઓ અને આંદોલન સાથે જોડાયેલા લોકોની પ્રશંસા કરી હતી. તેમને લખ્યું કે યુવાનોએ એકતા અને સંઘર્ષના બળથી સરકારને નિર્ણય લેવા માટે મજબૂર કરી છે.</p><p style="text-align: justify; ">સિંગર અરમાન મલિકે પણ "Power of the Youth" લખીને યુવાનોની શક્તિને બિરદાવી હતી. એક્ટ્રેસ સંભાવના સેઠે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને છેલ્લા કેટલાક દિવસોમાં વિદ્યાર્થીઓએ દર્શાવેલી હિંમત, ધીરજ અને સંઘર્ષને સલામ કરી હતી.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/prakashraaj/status/2080951840124829901"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3 style="text-align: justify; "><b>અદિતિ રાવ હૈદરીએ વિદ્યાર્થીઓને પાઠવ્યા અભિનંદન&nbsp;</b></h3><p style="text-align: justify; ">એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ પણ સોશિયલ મીડિયા પર લખ્યું કે દેશવ્યાપી વિદ્યાર્થીઓના વિરોધ અને સોનમ વાંગચુકના ઉપવાસ બાદ આંદોલનને સફળતા મળી છે. એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરીએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા લખ્યું કે સત્ય અને અહિંસાની લડાઈની જીત થઈ છે. તેમને આશા વ્યક્ત કરી કે ઈમાનદારી, જવાબદારી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા વધુ મજબૂત બનશે.</p><p style="text-align: justify; "><img alt="Priyanka Chopra Post" src="https://epapercdn.sandesh.com/images/2026/07/25/GcflnWMXh5nVJINRrm1zxmgHrbbsKvyJxKVTZYe2.webp"><br></p><h4 style="text-align: justify; "><b>વાણી કપૂરે કહ્યું 'વિદ્યાર્થીઓ માટે આ ક્ષણ ખાસ'</b></h4><p style="text-align: justify; ">એક્ટ્રેસ દિયા મિર્ઝાએ આ ઘટનાને યુવાનોની મોટી જીત ગણાવી હતી, જ્યારે વાણી કપૂરે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતાં કહ્યું કે સતત પ્રશ્નો પૂછનારા અને આશા જાળવનારા વિદ્યાર્થીઓ માટે આ ક્ષણ ખાસ છે. એક્ટર વિજય વર્માએ પણ પ્રતિક્રિયા આપી હતી. દિવ્યેન્દુ શર્માએ લખ્યું કે અવાજ ઉઠાવવાથી ફેર પડે છે, જ્યારે એક્ટર સોનુ સૂદે પણ સોશિયલ મીડિયા પર Gen-Zની પ્રશંસા કરતી પોસ્ટ શેર કરી હતી.</p><p style="text-align: justify; ">ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ સોશિયલ મીડિયા પર સેલિબ્રિટીઓની આ પ્રતિક્રિયાઓ ઝડપથી વાયરલ થઈ રહી છે અને વિદ્યાર્થીઓના આંદોલન અંગે ચર્ચા વધુ તેજ બની છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/entertainment/kriti-sanon-ziva-dhoni-lords-india-england-odi" target="_blank">MS Dhoniની પુત્રી સાથે કૃતિ સેનને કરી મસ્તી, મેચ દરમિયાન જોવા મળ્યો ક્યૂટ બોન્ડિંગ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/F7iHcGmGoAL3UfIetXpunDc3SxhrLt5W5mg65UYw.webp'/></item><item><title><![CDATA[Dang Rain Update: ધોધમાર વરસાદથી સાપુતારા-ડોન હિલ સ્ટેશન માર્ગ પર ભુસ્ખલન ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ahwa/dang-heavy-rain-landslide-don-hill-station-road-cleared</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ahwa/dang-heavy-rain-landslide-don-hill-station-road-cleared</guid><pubDate>Sat, 25 Jul 2026 21:14:34 +05:30</pubDate><description><![CDATA[<p>ડાંગ જિલ્લામાં વરસેલા મસમોટા ધોધમાર વરસાદને કારણે પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠ્યું છે, પરંતુ સાથે સાથે વાહનવ્યવહાર પર ભારે અસર પડી છે. વરસાદી પ્રવાહના કારણે જિલ્લાના અનેક ગ્રામીણ માર્ગો ધોવાઈ ગયા છે. આ દરમિયાન પ્રસિદ્ધ પ્રવાસન ધામ સાપુતારા બાદ જાણીતા ડોન હિલ સ્ટેશન તરફ જતા મુખ્ય માર્ગ પર પહાડ પરથી ભેખડો ધસી પડવાની ઘટના બની હતી.</p><h2><b>મોટા પથ્થરો અને માટી પડતાં વાહનવ્યવહાર ઠપ્પ</b></h2><p>ડોન હિલ સ્ટેશન તરફ જતાં રસ્તા પર પહાડ પરથી માટી અને મહાકાય પથ્થરો નીચે આવી પડતાં રસ્તો સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો હતો. માર્ગ પર પથ્થરોનો ભરાવો થઈ જતાં પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકોની અવરજવર અટકી ગઈ હતી અને વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો. ઘટનાને પગલે રસ્તાની બંને તરફ વાહનોની લાઈનો લાગી ગઈ હતી.</p><h2><b>માર્ગ અને મકાન વિભાગની યુદ્ધના ધોરણે કામગીરી</b></h2><p>ઘટનાની જાણ થતાં જ ડાંગ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગની ટીમ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. તંત્ર દ્વારા જેસીબી અને જરૂરી મશીનરી સાથે સ્થળ પર પહોંચીને યુદ્ધના ધોરણે રસ્તો સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભારે જહમત બાદ માર્ગ પરથી મોટા પથ્થરો અને માટી દૂર કરીને રસ્તાને વાહનવ્યવહાર માટે પુનઃ કાર્યરત કરવામાં આવ્યો હતો.</p><h2><b>સ્થાનિકો અને પ્રવાસીઓએ તંત્રની કામગીરીને બિરદાવી</b></h2><p>આપત્તિના સમયે વહીવટી તંત્રની આવી ઝડપી અને સરાહનીય કામગીરી જોઈને સ્થાનિક રહીશો તેમજ પ્રવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. કોઈ પણ જાતની મોટી હોનારત કે, લાંબા ટ્રાફિક જામ વગર ટૂંક સમયમાં માર્ગ ખુલ્લો કરી દેવા બદલ લોકોએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/dang-rain-waghai-6-inch-rainfall-road-closures-landslides" target="_blank">Dang Rain : વઘઈમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, અનેક સ્થળોએ વૃક્ષો પડતાં રસ્તાઓ બંધ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/PMdkMDmBkpKimBxpqNf7gWJxdshIz57xzVhgHjlo.webp'/></item><item><title><![CDATA[Bhavnagarનો વેળાવદર-રાજગઢ માર્ગ પર ફરી વળ્યા વરસાદી પાણી, ભાલ પોલીસ દ્વારા વાહનવ્યવહાર તાત્કાલિક કરાવ્યો બંધ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/rainwater-overflows-on-bhavnagars-velavadar-rajgarh-road-bhal-police-immediately-stop-traffic</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/rainwater-overflows-on-bhavnagars-velavadar-rajgarh-road-bhal-police-immediately-stop-traffic</guid><pubDate>Sat, 25 Jul 2026 20:48:14 +05:30</pubDate><description><![CDATA[<p>ભાવનગર જિલ્લામાં વરસેલા ભારે વરસાદના કારણે નદી-નાળાં છલકાયા છે. વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વેળાવદર-રાજગઢ માર્ગ પરના નાળા ઉપર પાણી ફરી વળ્યા છે. પાણીનો પ્રવાહ અત્યંત ઝડપી હોવાથી વાહનચાલકો અને પસાર થતા લોકો માટે મોટો સદંતર ભય ઊભો થયો હતો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને ભાલ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને સુરક્ષાના ભાગરૂપે આ માર્ગ પરનો વાહનવ્યવહાર તાત્કાલિક અસરથી બંધ કરાવી દીધો હતો.</p><h2><b>વટેમાર્ગુઓને સલામત સ્થળે ખસેડાયા</b></h2><p>કોઈ વાહનચાલક કે સાહસિક નાગરિક જોખમ ઉઠાવીને પાણીમાં પ્રવેશવાનો પ્રયાસ ન કરે તે માટે પોલીસે નાળા પાસે જીઆરડી (GRD) જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ ઉપરાંત, માર્ગ પર અટવાયેલા કે પસાર થઈ રહેલા વટેમાર્ગુઓને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી, જેથી કોઈ અનિચ્છનીય ઘટના કે હોનારત ન સર્જાય.</p><h3><b>વાહનચાલકોને વૈકલ્પિક માર્ગ વાપરવા પોલીસની અપીલ</b></h3><p>ભાલ પોલીસ દ્વારા નાગરિકો અને વાહનચાલકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે આ માર્ગ પર પાણીનો પ્રવાહ ચાલુ હોવાથી લોકોએ આ રસ્તાનો ઉપયોગ કરવાનું ટાળવું. મુસાફરી કરતી વખતે વૈકલ્પિક માર્ગો પસંદ કરવા તેમજ તંત્ર અને પોલીસ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું કડકપણે પાલન કરી પોતાની સુરક્ષા જાળવી રાખવા જણાવાયું છે.</p><p><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/7vg6TEncT7PKKNFS2CwqKrnP0dj9fiu5Ef7q00G7.webp'/></item><item><title><![CDATA[Banaskantha News: દિયોદર GIDCમાં જળબંબાકાર, 2 દિવસમાં 15 ઇંચ વરસાદ ]]></title><link>https://sandesh.com/weather/monsoon-2026/news/maru-saher-maru-gaam/banaskantha/deodar-gidc-flooded-heavy-rain-15-inches-industrial-loss</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/monsoon-2026/news/maru-saher-maru-gaam/banaskantha/deodar-gidc-flooded-heavy-rain-15-inches-industrial-loss</guid><pubDate>Sat, 25 Jul 2026 19:54:00 +05:30</pubDate><description><![CDATA[<p>બનાસકાંઠા જિલ્લાના દિયોદર પંથકમાં મેઘરાજાએ ભારે તારાજી સર્જી છે. દિયોદરમાં છેલ્લા 2 દિવસ દરમિયાન ધોધમાર 15 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતા ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ ભારે વરસાદના કારણે દિયોદર સ્થિત ઔદ્યોગિક વસાહત એટલે કે GIDC વિસ્તાર પાણીમાં સંપૂર્ણપણે ડૂબી ગયો છે.</p><h2><b>ઢીંચણસમા પાણી ભરાતા ઉદ્યોગો ઠપ્પ, કરોડોનું આર્થિક નુકસાન</b></h2><p>જીઆઈડીસીના મુખ્ય માર્ગો અને શેરીઓમાં ઢીંચણસમા પાણી ભરાઈ જવાના કારણે તમામ પ્રકારની વ્યવસાયિક પ્રવૃત્તિઓ ઠપ્પ થઈ ગઈ છે. પાણીના નિકાલના યોગ્ય અભાવે ફેક્ટરીઓની અંદર પાણી ઘૂસી જતાં મશીનરી અને કાચો માલ નષ્ટ પામ્યો છે, જેના કારણે સ્થાનિક ઉદ્યોગપતિઓને કરોડો રૂપિયાનું માતબર આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.</p><h2><b>કામદારો અને ઉદ્યોગપતિઓ ફેક્ટરીઓમાં જ ફસાયા</b></h2><p>અચાનક ભારે પાણી ભરાઈ જવાના કારણે જીઆઈડીસીમાં ફરજ બજાવતા સેંકડો કામદારો અને ઉદ્યોગપતિઓ સુરક્ષિત બહાર નીકળી ન શકતા ફેક્ટરીઓની અંદર જ અટવાઈ ગયા છે. રસ્તાઓ પર નદી જેવો પ્રવાહ વહેતો હોવાથી વાહનવ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો છે, જેના કારણે જીઆઈડીસીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા મુશ્કેલ બન્યા છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2081024819165114416"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>તંત્ર સામે રોષ અને સ્થિતિ અત્યંત ગંભીર</b></h2><p>માત્ર 2 દિવસમાં પડેલા 15 ઇંચ વરસાદને કારણે દિયોદરના આ મુખ્ય ઔદ્યોગિક એકમોને ભારે ફટકો પડ્યો છે. તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોકળ વાતો સામે ઉદ્યોગકારોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વરસાદી પાણી ઓસર્યા બાદ જ નુકસાનનું સાચું ચિત્ર સામે આવશે, પરંતુ હાલ સમગ્ર GIDC વિસ્તારમાં ચિંતાજનક માહોલ છવાયેલો છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/weather/monsoon-2026/news/maru-saher-maru-gaam/vav-tharad/vav-tharad-high-alert-heavy-rain-bhabhar-11-inches-shankar-chaudhary-meeting" target="_blank">Tharad Rain Update: ભાભરમાં 24 કલાકમાં 11.30 ઇંચ વરસાદ, અધ્યક્ષ શંકર ચૌધરીએ યોજી ઉચ્ચસ્તરીય બેઠક</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/m0XU4CrkbuUmPNnEU6gQ3EhBKeQO86TnUe8LE6aT.webp'/></item><item><title><![CDATA[IDFC ફર્સ્ટ બેન્કનું જોરદાર પ્રદર્શન, જૂન ત્રિમાસિકમાં નફો બમણો થઈ રૂપિયા 1,075 કરોડ પર પહોંચ્યો ]]></title><link>https://sandesh.com/business/news/idfc-first-bank-q1-profit-doubles-1075-crore-nii-growth</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/idfc-first-bank-q1-profit-doubles-1075-crore-nii-growth</guid><pubDate>Sat, 25 Jul 2026 19:06:08 +05:30</pubDate><description><![CDATA[<p>IDFC ફર્સ્ટ બેન્કે 25 જુલાઈએ જૂન ત્રિમાસિકના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. બેન્કના પરિણામો મુજબ જૂન ક્વાર્ટરમાં તેનો નેટ પ્રોફિટ બમણાથી વધુ વધીને ₹1,075 કરોડ થયો છે. ગયા વર્ષના સમાન સમયગાળામાં બેન્કનો નફો ₹465 કરોડ હતો.</p><h2><b>બેન્કની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ 21 ટકા વધી&nbsp;</b></h2><p>જૂન ત્રિમાસિક દરમિયાન બેન્કની આવકમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. બેન્કની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ (NII) 21 ટકા વધીને ₹5,972.3 કરોડ થઈ છે. એક વર્ષ અગાઉ આ આંકડો ₹4,933 કરોડ હતો. વ્યાજની આવકમાં થયેલા વધારાને કારણે બેન્કના પ્રદર્શનને મજબૂતી મળી છે. આ ઉપરાંત બેન્કની એસેટ ક્વોલિટીમાં પણ સુધારો નોંધાયો છે. ગ્રોસ નોન-પરફોર્મિંગ એસેટ (GNPA) ત્રિમાસિક આધાર પર 1.61 ટકાથી ઘટીને 1.51 ટકા થયો છે. જ્યારે નેટ NPA પણ 0.48 ટકાથી ઘટીને 0.44 ટકા પર આવી ગયો છે.</p><h3><b>કંપનીના શેર પર જોવા મળી અસર&nbsp;</b></h3><p>જૂન ત્રિમાસિકમાં બેન્કને NCGTC તરફથી CGFMU યોજના હેઠળ ₹514.82 કરોડ પ્રાપ્ત થયા છે. IDFC ફર્સ્ટ બેન્ક એક ખાનગી ક્ષેત્રની બેન્ક છે. 24 જુલાઈના રોજ બેન્કનો શેર 1.3 ટકા વધીને ₹80.95ના સ્તરે બંધ થયો હતો. જોકે, આ વર્ષે અત્યાર સુધીમાં શેરમાં 5.4 ટકાનો ઘટાડો નોંધાયો છે.</p><p>બીજી તરફ, 24 જુલાઈએ ભારતીય શેરબજારમાં સતત પાંચમા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે, જેની અસર બજારના સેન્ટિમેન્ટ પર પડી રહી છે. હવે IDFC ફર્સ્ટ બેન્કના સારા પરિણામોની અસર આગામી ટ્રેડિંગ સેશનમાં શેરના ભાવ પર કેવી પડે છે તેના પર રોકાણકારોની નજર રહેશે.<br><br><a href="https://sandesh.com/business/news/india/senior-citizen-fd-where-will-you-get-the-highest-interest-on-a-5-year-fd-for-senior-citizens" target="_blank"><b>આ પણ વાંચો : Senior Citizen FD: સિનિયર સિટીઝન્સ માટે 5 વર્ષની FD પર ક્યાં મળશે સૌથી વધુ વ્યાજ</b></a></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/UVaxbiIHWdAVOyessWpmBJ9I0GV0NJ4oEbiOmmkO.webp'/></item><item><title><![CDATA[Ahmedabad Rain Update: વિરમગામ અને માંડલમાં 18 ઇંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ, 2000 લોકોનું સ્થળાંતર ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/viramgam-mandal-flood-heavy-rainfall-evacuation</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/viramgam-mandal-flood-heavy-rainfall-evacuation</guid><pubDate>Sat, 25 Jul 2026 17:59:29 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ જિલ્લાના વિરમગામ અને માંડલ પંથકમાં મેઘરાજાએ મચાવેલા તાંડવને કારણે ચોમેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 3 દિવસ દરમિયાન વિરમગામમાં રેકોર્ડબ્રેક 18 ઇંચ અને માંડલ પંથકમાં 14 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે. વરસાદી આંકડાઓએ સમગ્ર વિસ્તારમાં પૂર જેવી ગંભીર સ્થિતિ નિર્માણ કરી દીધી છે.</p><h2><b>ઉપરવાસના પાણી ઘૂસતાં 2000 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર</b></h2><p>સ્થાનિક વરસાદની સાથે ઉપરવાસમાંથી આવેલા પૂરના પાણી પણ નીચાણવાળા અને મુખ્ય રહેણાંક વિસ્તારોમાં ફરી વળ્યા છે. અનેક સોસાયટીઓ અને રસ્તાઓ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર અને સ્થાનિક રેસ્ક્યુ ટીમો દ્વારા જળમગ્ન વિસ્તારોમાંથી અંદાજે 2000 જેટલા લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત આશ્રયસ્થાનોમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.</p><p><img alt="Ahmedabad Rain Update: Viramgam &amp; Mandal Flood News: 18 Inches Rain Causes Flood, 2000 People Evacuated" src="https://epapercdn.sandesh.com/images/2026/07/25/zb0uggFP2qwsT4Q4Q654IRXYKnqjvchNSksTcSFN.webp" style="width: 100%;"><br></p><h2><b>પાણી ન ઓસરતાં જનજીવન ઠપ્પ</b></h2><p>વરસાદે વિરામ લીધો હોવા છતાં નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે હજુ સુધી વરસાદી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. પાણી ભરાયેલા રહેવાને કારણે વિરમગામ અને માંડલના શહેરીજનોનું જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ રહેતાં લોકોને ખાવા-પીવાની ચીજવસ્તુઓ અને દૈનિક કામગીરીમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.</p><h2><b>પ્રી-મોન્સૂન પ્લાન નિષ્ફળ જતાં વિરમગામ પાલિકા સામે ભારે રોષ</b></h2><p>દર વર્ષની જેમ આ વર્ષે પણ વિરમગામ નગરપાલિકાનો પ્રી-મોન્સૂન પ્લાન ચોમાસાના પ્રારંભે જ સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયો છે. પાલિકા તંત્રની ઘોર બેદરકારી અને યોગ્ય ગટર-નાળાંની સફાઈના અભાવે ચોમેર પાણી ભરાયા હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. ચોમાસા પહેલાં માત્ર કાગળ પર જ કામગીરી દર્શાવનાર નિષ્ઠૂર તંત્ર સામે નીચાણવાળા વિસ્તારના રહીશોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/even-though-the-rains-have-stopped-in-ahmedabad-the-problem-persists-locals-are-troubled-by-waterlogging-at-four-roads-of-godrej-garden-city" target="_blank">Ahmedabadમાં વરસાદે વિરામ લીધો છતાં સમસ્યા યથાવત, ગોદરેજ ગાર્ડન સિટીના ચાર રસ્તા પર જળબંબાકારથી સ્થાનિકો પરેશાન</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/qA3tCCVEHgGBP8twZNQOv9d4E3Qi6a8GELDq5xtv.webp'/></item><item><title><![CDATA[Ahmedabadમાં વરસાદે વિરામ લીધો છતાં સમસ્યા યથાવત, ગોદરેજ ગાર્ડન સિટીના ચાર રસ્તા પર જળબંબાકારથી સ્થાનિકો પરેશાન ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/even-though-the-rains-have-stopped-in-ahmedabad-the-problem-persists-locals-are-troubled-by-waterlogging-at-four-roads-of-godrej-garden-city</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/even-though-the-rains-have-stopped-in-ahmedabad-the-problem-persists-locals-are-troubled-by-waterlogging-at-four-roads-of-godrej-garden-city</guid><pubDate>Sat, 25 Jul 2026 17:15:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં મેઘરાજાએ વિરામ લીધો હોવા છતાં અનેક વિસ્તારોમાં રહીશો માટે સમસ્યાઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. શહેરના પોશ ગણાતા જગતપુર નજીકના ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં વરસાદ બંધ થયાના કલાકો પછી પણ ઠેર-ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે મુખ્ય માર્ગો તળાવમાં ફેરવાઈ જતાં સ્થાનિક રહીશો તંત્રના અણઘડ વહીવટ સામે ભારે અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>મુખ્ય ચાર રસ્તાની ચારેય તરફ પાણી જ પાણી</b></h2><p style="text-align: justify; ">ગોદરેજ ગાર્ડન સિટીના મુખ્ય ચાર રસ્તા પર ચારેય તરફ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. આ ચાર રસ્તાની એક તરફ વિશાળ રહેણાંક સોસાયટીઓ આવેલી છે જ્યારે બીજી તરફ શાળા આવેલી છે. રસ્તાઓ પર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ રહેવાના કારણે શાળાએ જતા નાનાં બાળકો, વાલીઓ તેમજ નોકરી-ધંધે જતાં સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીના કારણે વાહનો બંધ પડી જવાના અને પગપાળા જતાં રાહદારીઓ લપસી પડવાના બનાવો પણ બની રહ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>તંત્ર વહેલી તકે પાણીનો નિકાલ કરે તેવી સ્થાનિકોની માંગ</b></h3><p style="text-align: justify; ">વરસાદ અટક્યા બાદ પણ કલાકો સુધી પાણી ન ઓસરતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. રહીશોનો આક્ષેપ છે કે દર વર્ષે આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. ગોદરેજ ગાર્ડન સિટીના રહીશોએ માંગ કરી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક પંપિંગ મૂકીને ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં આવે અને ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે ડ્રેનેજ લાઈનની સુધારો કરવામાં આવે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/2d42V9a2y6zkeqNDp9OvO2OLvWwVONWnBClaN9jp.webp'/></item><item><title><![CDATA[Sports News : ભારતમાં મેચ રમવા આવશે બ્રાઝિલની ટીમ, ક્યાં અને ક્યારે થશે ટક્કર ]]></title><link>https://sandesh.com/sports/news/sports-news-brazilian-team-will-come-to-india-to-play-a-match-where-and-when-will-the-match-take-place</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/sports-news-brazilian-team-will-come-to-india-to-play-a-match-where-and-when-will-the-match-take-place</guid><pubDate>Sat, 25 Jul 2026 15:46:30 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય ફૂટબોલ ચાહકો માટે એક સારા સમાચાર છે.વિશ્વની સૌથી લોકપ્રિય અને પાંચ વખતની વિશ્વ ચેમ્પિયન બ્રાઝિલિયન ફૂટબોલ ટીમ ઓક્ટોબરમાં ભારતનો પ્રવાસ કરે તેવી શક્યતા છે. મીડિયા રિપોર્ટ અનુસાર બ્રાઝિલિયન ફૂટબોલ એસોસિએશન (CBF) ઓક્ટોબરની શરૂઆતમાં ભારતમાં એક મૈત્રીપૂર્ણ મેચ રમવા માટે આયોજકો સાથે વાતચીત કરી રહ્યું છે.</p><h5><b>કોલકાતા એક ઐતિહાસિક મેચનું સાક્ષી બની શકે છે</b></h5><p>ફૂટબોલના મક્કા તરીકે ઓળખાતું કોલકાતા આ પ્રસ્તાવિત મેચનું આયોજન કરે તેવી શક્યતા છે. મીડિયા રિપોર્ટ અનુસાર CBF અને આયોજકો વચ્ચે આ મેચ અંગે પ્રારંભિક ચર્ચાઓ 2026 માં યુનાઇટેડ સ્ટેટ્સમાં યોજાયેલા FIFA વર્લ્ડ કપ દરમિયાન શરૂ થઈ હતી. જોકે, હજુ સુધી સ્પષ્ટ નથી કે પાંચ વખતની વિશ્વ ચેમ્પિયન ટીમ ભારતીય રાષ્ટ્રીય ટીમનો સામનો કરશે કે અન્ય આંતરરાષ્ટ્રીય ટીમનો.</p><h4><b>બ્રાઝિલનો 3-મેચનો આંતરરાષ્ટ્રીય વિન્ડો પ્લાન</b></h4><p>FIFAનો આંતરરાષ્ટ્રીય વિન્ડો 21 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર સુધી ચાલવાનો છે. આ સમયગાળા દરમિયાન, બ્રાઝિલિયન ટીમ કુલ ત્રણ મેચ રમવાની યોજના ધરાવે છે: બે ઓસ્ટ્રેલિયામાં અને એક ભારતમાં.</p><ul><li>25 સપ્ટેમ્બર: ઓસ્ટ્રેલિયાના ટાઉન્સવિલેમાં મેચ.</li><li>29 સપ્ટેમ્બર: ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં બીજી મેચ.</li><li>ઓક્ટોબરની શરૂઆતમાં: ભારતમાં ત્રીજી મૈત્રીપૂર્ણ મેચ.</li></ul><h5><b>સિંગાપોર સાથે પણ વાટાઘાટો થઈ હતી</b></h5><p>બ્રાઝિલિયન ફૂટબોલ એસોસિએશને આ સમયગાળા દરમિયાન બાંગ્લાદેશમાં ચોથી મેચ રમવાનું પણ વિચાર્યું હતું, પરંતુ ખેલાડીઓનો થાક, મુસાફરીનો સમય અને તૈયારીને ધ્યાનમાં રાખીને, યોજના મુલતવી રાખવામાં આવી છે. સિંગાપોર સાથે પણ વાટાઘાટો થઈ હતી, પરંતુ કોઈ કરાર થઈ શક્યો ન હતો, જેના કારણે કોલકાતાની બોલી સૌથી મજબૂત રહી.</p><h5><b>કોલકાતાનો બ્રાઝિલ સાથે લાંબા ગાળાનો સંબંધ</b></h5><p>કોલકાતાનો બ્રાઝિલિયન ફૂટબોલ સાથે લાંબા સમયથી સંબંધ છે. દિગ્ગજ ફૂટબોલ દિગ્ગજ પેલેએ 1977માં ન્યૂ યોર્ક કોસ્મોસ માટે રમતી વખતે ઇડન ગાર્ડન્સ ખાતે મોહન બાગાન સામે ઐતિહાસિક મેચ રમી હતી. ત્યારબાદ તેમણે 2015માં કોલકાતાની મુલાકાત લીધી હતી. જો આ પ્રવાસ નિર્ધારિત સમય મુજબ ચાલે છે, તો કોલકાતાના ચાહકોને વિનિસિયસ જુનિયર જેવા ફૂટબોલ દિગ્ગજોને વ્યક્તિગત રીતે રમતા જોવાની સુવર્ણ તક મળી શકે છે.</p><p>આ પણ&nbsp; વાંચો <a href="https://sandesh.com/sports/news/cwg-2026-medals-tally-australia-no-1-where-is-india-after-jhandu-kumars-bronze-medal" target="_blank">- CWG 2026 Medals Tally : ઓસ્ટ્રેલિયા નંબર-1, ઝાંડુ કુમારના બ્રોન્ઝ મેડલ બાદ ભારત કયા સ્થાને?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/WGQCJbtFOvCHvaDTTKLtlr0kve93CEqEqB8sKmod.webp'/></item></channel></rss>