<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Bhavnagar Fake Liquor Case: આ પહેલી ઘટના નથી! વાંચો લઠ્ઠાકાંડ, નકલી દારુ અને મોતના માતમનો ઈતિહાસ ]]></title><link>https://sandesh.com/explainer/news/gujarat/bhavnagar/bhavnagar-fake-liquor-tragedy-hooch-fact-and-figures</link><guid isPermaLink="true">https://sandesh.com/explainer/news/gujarat/bhavnagar/bhavnagar-fake-liquor-tragedy-hooch-fact-and-figures</guid><pubDate>Wed, 19 Aug 2026 21:24:33 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંધી અમલમાં હોવા છતાં સમયાંતરે ગેરકાયદે દારૂ અને ઝેરી કેમિકલના કારણે નિર્દોષ લોકો ભોગ બને છે. સામાન્ય રીતે રાજ્યમાં ગેરકાયદે દેશી દારૂના અડ્ડાઓ પર લઠ્ઠાકાંડ સર્જાતા હોય છે, પરંતુ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખરકડી ગામે અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં બ્રાન્ડેડ વિદેશી દારૂ (IMFL)ની બોટલોમાં દેશી દારૂ અને ઝેરી કેમિકલ ભેળવીને વેચવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે.</p><p>ગામના યુવક વિશ્વરાજસિંહ ગોહિલનું પોલીસ ભરતીમાં સિલેક્શન થતાં તેણે મિત્રો માટે દારૂ અને જમવાની પાર્ટી યોજી હતી. જોકે, દારૂ પીધા બાદ ઉપેન્દ્રસિંહ નામના યુવકનું શંકાસ્પદ મોત થતાં જ સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જોતજોતામાં મૃત્યુઆંક વધવા લાગ્યો અને ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો.</p><h2><b>ભાવનગર ખરકડી ઘટનાની તમામ વિગતો અને પોલીસ કાર્યવાહી</b></h2><p>આ ઘટના સામે આવ્યા બાદ જિલ્લા પોલીસ તંત્ર, ગાંધીનગર ગૃહ વિભાગ અને સ્ટેટ મોનિટરિંગ સેલ હરકતમાં આવ્યું છે.</p><p><b>મૃત્યુઆંક અને હોસ્પિટલની સ્થિતિ: </b>અત્યાર સુધીમાં ઉપેન્દ્રસિંહ ચંદુસિંહ ગોહિલ, કાર્તિક અશ્વિનભાઈ મકવાણા અને નરેન્દ્રસિંહ યાદવ સહિત સત્તાવાર રીતે 4 અને 1 શંકાસ્પદ મળી કુલ 5 લોકોના મોત થયા છે.</p><p><b>દર્દીઓની સ્થિતિ:</b> કુલ 18થી વધુ દર્દીઓ સર ટી. હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. જેમાંથી 4 દર્દીઓ ICU માં છે, 2 વેન્ટિલેટર પર છે, જ્યારે 10 દર્દીઓની હાલત સ્થિર છે.</p><p><b>ગાંધીનગરથી મેડિકલ ટીમો: </b>દર્દીઓની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને ભાવનગર જિલ્લા પોલીસ વડાની માંગણી બાદ ગાંધીનગરની જીવરાજ મહેતા હોસ્પિટલથી 2 વિશેષ મેડિકલ ટીમો તાત્કાલિક ભાવનગર રવાના કરવામાં આવી હતી.</p><h2><b>ઉજ્જૈન કનેક્શન અને મોડસ ઓપરેન્ડી</b></h2><p>મુખ્ય આરોપી ભાવનગરના બૂટલેગર ગૌતમ સોલંકી તેમજ મધ્યપ્રદેશના ઉજ્જૈનના આરોપીઓ રઈશ અને મુકેશે ભેગા મળીને આ નેટવર્ક ચલાવ્યું હતું. ઉજ્જૈનથી લવાયેલી 'Royal Stag' ની ખાલી/અસલ બોટલોમાં દેશી દારૂ અને મિથેનોલ મિક્સ કરીને 250 નવી બોટલો ભરવામાં આવી હતી અને પ્રતિ બોટલ રૂ. 1,100 ના ભાવે વેચવામાં આવી હતી.</p><h2><b>પોલીસ એક્શન</b></h2><p>રેન્જ IG રાજેન્દ્ર અસારી, SMC ના PI અને સ્થાનિક અધિકારીઓની 2 કલાકથી વધુ સમય ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. પોલીસે ગૌતમ, રઈશ અને મુકેશ સહિત 13 જેટલા બૂટલેગરોની અટકાયત કરી છે. ઘટના સ્થળેથી અને દરોડા દરમિયાન 130થી વધુ બોટલો કબ્જે કરી સેમ્પલ FSL ચકાસણી માટે મોકલ્યા છે.</p><h2><b>તંત્રની ખાસ અપીલ&nbsp;&nbsp;</b></h2><p>ભાવનગર જિલ્લા કલેક્ટર અને સ્પેશિયલ વિજિલન્સ ટીમે સ્પષ્ટ અપીલ કરી છે કે, રવિવાર કે સોમવાર દરમિયાન જે પણ લોકોએ આવી શંકાસ્પદ બોટલમાંથી દારૂનું સેવન કર્યું હોય, તેઓ કોઈપણ લક્ષણ વગર પણ તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાવે જેથી સમયસર જીવ બચાવી શકાય.&nbsp;&nbsp;</p><h2><b>લઠ્ઠો એટલે શું? અને મેડિકલ સાયન્સનું ગણિત</b></h2><p>સામાન્ય ભાષામાં 'લઠ્ઠો' એટલે ગેરકાયદેસર રીતે તૈયાર કરાયેલો ઝેરી દારૂ.</p><p><b>નફો વધારવાની લાલચ:</b> બૂટલેગરો દારૂમાં નશો ઝડપથી ચડે, દારૂ વધુ કડક એટલે કે સ્ટ્રોંગ બને અને ઓછા ખર્ચે વધુ જથ્થો તૈયાર થાય તે માટે તેમાં ઝેરી રાસાયણિક પદાર્થો ઉમેરે છે.</p><p><b>ભેળસેળનું જોખમ:</b> જ્યારે બનાવટી દારૂ બનાવતી વખતે કેમિકલનું પ્રમાણ અંકુશ બહાર જતું રહે છે, ત્યારે તે સામાન્ય આલ્કોહોલને બદલે અત્યંત ઝેરી પ્રવાહી એટલે કે 'લઠ્ઠો' બની જાય છે.</p><p><b>એથેનોલ અને મિથેનોલ:</b> કાયદેસર કે પીવા યોગ્ય દારૂમાં એથિલ આલ્કોહોલ હોય છે. પરંતુ નફો વધારવા કે નશો કડક કરવા બૂટલેગરો તેમાં મિથાઈલ આલ્કોહોલ (Methanol - CH_3OH)</p><p><b>ઔદ્યોગિક કેમિકલ:</b> મિથેનોલ એ રંગવિહીન ઝેરી કેમિકલ છે, જેનો ઉપયોગ સોલ્વન્ટ તરીકે પ્લાસ્ટિક, એસેટિક એસિડ અને પેઇન્ટ બનાવવામાં થાય છે.</p><h2><b>મિથેનોલ શરીરમાં કેવી રીતે ઝેર ફેલાવે છે?</b></h2><p>શરીરમાં મિથેનોલ જતાં જ 2 કલાકની અંદર તેની ખતરનાક રાસાયણિક અસર શરૂ થાય છે.&nbsp;&nbsp;</p><p><b>ફોર્મિક એસિડનું નિર્માણ:</b> મિથેનોલ શરીરમાં ગયા પછી લીવર દ્વારા 'ફોર્મિક એસિડ'માં રૂપાંતરિત થાય છે. આ એસિડ લોહીમાં ભળીને શરીરના કોષોને તોડી નાખે છે.</p><p><b>શરૂઆતી લક્ષણો:</b> વ્યક્તિને સૌથી પહેલા સખત માથાનો દુખાવો, અકળામણ, બેચેની, ચક્કર અને સતત ઉલટીઓ થાય છે તેમજ શ્વાસ લેવામાં તકલીફ પડે છે.</p><p><b>અંધાપો અને મોત:</b> ફોર્મિક એસિડ સીધું સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને વિઝ્યુઅલ નર્વ (આંખની દ્રષ્ટિ વિષયક નસો) પર પ્રહાર કરે છે, જેનાથી વ્યક્તિ સૌપ્રથમ પોતાની દ્રષ્ટિ ગુમાવે છે. જો શરીરમાં કેમિકલનું પ્રમાણ વધુ હોય તો દર્દી કોમામાં સરી પડે છે અથવા મલ્ટી-ઓર્ગન ફેલ્યોર થવાથી તેનું મોત નીપજે છે&nbsp;</p><p><img alt="Bhavnagar Fake Liquor Case: Methanol Toxicity &amp; Gujarat Prohibition Facts" src="https://epapercdn.sandesh.com/images/2026/08/19/f8RtA6hA8gQjqIUchPG0uH5juUAtQdnZo3rByPP0.webp" style="width: 100%;"><br></p><h2><b>તાજેતરમાં પકડાયેલા નકલી દારૂના નેટવર્ક&nbsp;&nbsp;</b></h2><p><b>મહેસાણામાં નકલી દારૂનું રેકેટ (મે 2026):</b> પોલીસે રહેણાંક મકાન પર દરોડો પાડી નકલી દારૂ બનાવવાનું કારખાનું પકડ્યું હતું. સ્થળ પરથી 1,000 લીટર ઇથેનોલ, પ્રીમિયમ બ્રાન્ડની 2,100 નકલી દારૂની બોટલો, ખાલી બોટલો અને સીલિંગ મશીનરી જપ્ત કરાઈ હતી.</p><p><b>અમદાવાદ શાહપુર ફેક્ટરી (ઓગસ્ટ 2026):</b> PCB એ શાહપુર મોઢવાડની પોળમાં દરોડો પાડીને ખુલાસો કર્યો હતો કે, આરોપીઓ ખાલી બ્રાન્ડેડ બોટલોમાં સસ્તો દારૂ, પાણી અને કેમિકલ ફ્લેવર ઉમેરી રૂ. 2,000 થી રૂ. 5,000 માં વેચતા હતા. સ્થળ પરથી 227 ભરેલી બોટલો, 127 ખાલી બોટલો, બનાવટી સ્ટિકર્સ અને 4 આરોપીઓની ધરપકડ કરાઈ હતી.</p><p><b>ભાવનગર ખરકડી દારૂકાંડ (ઓગસ્ટ 2026):</b> ઉજ્જૈનથી લવાયેલા જથ્થામાં મિથેનોલ અને દેશી દારૂ મિશ્ર કરી 250 બોટલો બનાવી રૂ. 1,100 ના ભાવે વેચવામાં આવી હતી.</p><h2><b>ગુજરાત અને દેશમાં લઠ્ઠાકાંડનો કાળો ઈતિહાસ</b></h2><ul><li><b>1977 (અસારવા, અમદાવાદ):</b> અસારવા લઠ્ઠાકાંડમાં 120થી વધુ લોકોના મોત થયા હતા.</li><li><b>1989 (વડોદરા): </b>કહોડા ગલી લઠ્ઠાકાંડમાં 132 લોકોએ જીવ ગુમાવ્યા હતા.</li><li><b>2009 (ઓઢવ, અમદાવાદ):</b> ઓઢવ, કાગડાપીઠ અને બાપુનગરમાં લઠ્ઠાકાંડમાં 123 લોકોના મોત થયા હતા અને 200 લોકોએ આંખો ગુમાવી હતી. આ કેસમાં ખાસ અદાલતે 10 વર્ષ બાદ 3 આરોપીઓને 10 વર્ષની જેલ અને રૂ. 50,000 દંડ તથા 3 મહિલા આરોપીઓને 3.5 વર્ષની જેલ ફટકારી હતી. આ ઘટના બાદ સરકારે કાયદામાં સુધારો કરી મૃત્યુદંડની જોગવાઈ ઉમેરી હતી.</li><li><b>2012 (સંખેડા, વડોદરા):</b> પાણેજ ગામમાં ઝેરી દારૂથી 3 વ્યક્તિઓના મોત નોંધાયા હતા.</li><li><b>2016 (સુરત): </b>લિંબાયત, પુણા, કાપોદ્રા અને વરેલી વિસ્તારમાં ઝેરી દારૂ પીવાથી 24 લોકોના મોત થયા હતા.</li><li><b>2019 (ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ):</b> યુપીના બે જિલ્લા અને રુડકીમાં ઝેરી દારૂ પીવાથી 60થી વધુ લોકોના મોત થયા હતા.</li><li><b>2022 (બોટાદ/અમદાવાદ)</b>: રોજીદ ગામ ખાતે કેમિકલ મિશ્રિત દારૂ પીવાથી 42થી વધુ લોકોના મોત થયા હતા.</li><li><b>પશ્ચિમ બંગાળ (હાવડા): </b>ઘસુડીમાં ઝેરી દેશી દારૂ પીવાથી 10 લોકોના મોત અને 30 ગંભીર રીતે બીમાર થયા હતા</li></ul><p><img alt="Bhavnagar Fake Liquor Case: Methanol Toxicity &amp; Gujarat Prohibition Facts" src="https://epapercdn.sandesh.com/images/2026/08/19/wYFTOBQMA1TgDmovvS1U8V9NlXujUkG8M9Q4B2gI.webp" style="width: 100%;"><br></p><h2><b>પરમિટ, વાઇન શોપ અને આંતરરાજ્ય સીમાઓના આંકડા</b></h2><p>ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજ્યમાં કાયદેસર વ્યવસ્થા અને ગેરકાયદે ઘૂસણખોરીનો ચિતાર ઘણો ગંભીર છે.</p><ul><li><b>અધિકૃત વાઇન શોપ:</b> રાજ્યની માન્ય ફાઇવ સ્ટાર અને પ્રીમિયમ હોટલોમાં આશરે 70 કાયદેસર વાઇન શોપ આવેલી છે.</li><li><b>હેલ્થ પરમિટ ધારકો:</b> તબીબી કારણોસર કાયદેસર દારૂની પરમિટ ધરાવતા નાગરિકોની સંખ્યા આશરે 1 લાખની આસપાસ છે.</li><li><b>આંતરરાજ્ય રસ્તાઓ: </b>મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દમણ સરહદથી ગુજરાતમાં પ્રવેશતા આશરે 150 જેટલા નાના-મોટા રસ્તાઓ છે.</li></ul><p><img alt="Bhavnagar Fake Liquor Case: Methanol Toxicity &amp; Gujarat Prohibition Facts" src="https://epapercdn.sandesh.com/images/2026/08/19/j8b5e6lZp5URAyTwoqrAdjGIxWIaCXQLh3gD381n.webp" style="width: 100%;"><br></p><p><b>છેલ્લા 5 વર્ષમાં દારૂની જપ્તીના સરકારી આંકડા</b></p><p>વિધાનસભા અને પોલીસ વિભાગના સત્તાવાર ચોપડે નોંધાયેલી વિગતો અનુસાર, રાજ્યમાં કાયદેસર દારૂ પરમિટ ધારકો 100,000 લોકો છે. જ્યારે માન્ય વાઇન શોપની સંખ્યા 70 છે.</p><p><br></p><p>આ પણ વાંચો -&nbsp; <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/metro-phase-3-expansion-pib-approval" target="_blank">Ahmedabad Metro Phase 3: ધોલેરા એરપોર્ટ અને કોમનવેલ્થ ગેમ્સ સ્થળ સુધી પહોંચશે મેટ્રો, જાણો સ્ટેશન અને રૂટ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/UbEKjy1uDvHrgHawYTtckMUecsjmgPKWlx5XN1Zg.webp'/></item><item><title><![CDATA[Junagadh News : ગિરનાર પર માનવ-સિંહ સંઘર્ષ રોકવા 25 ટ્રેકર તૈનાત! નવી-જૂની સીડી સહિત દાતાર પર પેટ્રોલિંગ કરશે... ]]></title><link>https://sandesh.com/gujarat/news/junagadh/junagadh-news-25-trackers-deployed-to-stop-human-lion-conflict-at-girnar-patrolling-on-datar-including-new-and-old-ladders</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/junagadh/junagadh-news-25-trackers-deployed-to-stop-human-lion-conflict-at-girnar-patrolling-on-datar-including-new-and-old-ladders</guid><pubDate>Wed, 19 Aug 2026 21:23:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગિરનાર પર્વત પર માનવ અને વન્યજીવો વચ્ચે થતા સંઘર્ષની ઘટનાઓને રોકવા તેમજ યાત્રાળુઓની સુરક્ષા મજબૂત કરવાના હેતુથી વન વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગત 11 જુલાઈના રોજ ગિરનાર પર એક બાળકને સિંહે ફાડી ખાવાની અત્યંત કરુણ અને હચમચાવી નાખનારી ઘટના બની હતી. આ ઘટના બાદ ગુજરાત સરકારના વન મંત્રી અર્જુન મોઢવાડીયા દ્વારા ગિરનાર વિસ્તારમાં ટ્રેકરોની વિશેષ ટીમ તૈનાત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતના અમલરૂપે વન વિભાગ દ્વારા 25 ટ્રેકરોની પસંદગી કરીને આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.</p><h2 style="text-align: justify; "><b>સાસણ ખાતે વિશેષ તાલીમ બાદ ટ્રેકરોની તૈનાતી</b></h2><p style="text-align: justify; ">પસંદગી પામેલા આ 25 ટ્રેકરોને સાસણ ગીર ખાતે વન્યજીવો, ખાસ કરીને સિંહની વર્તણૂક અને તેમની હિલચાલને ઓળખવા અંગેની વિશેષ તાલીમ આપવામાં આવી હતી. ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ આ તમામ 25 ટ્રેકરોને હવે ફરજ પર નિયુક્ત કરી દેવામાં આવ્યા છે. આ નવનિયુક્ત ટ્રેકરો ગિરનાર પર્વતની નવી સીડી, જૂની સીડી તેમજ દાતારની સીડી સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરશે. તેઓ સિંહ અને અન્ય વન્યપ્રાણીઓની હાજરી અને તેમની ગતિવિધિઓ પર ચોવીસે કલાક બારીકાઈથી નજર રાખશે.</p><h2 style="text-align: justify; "><b>DCF અક્ષય જોશીના માર્ગદર્શન હેઠળ યાત્રાળુઓની સુરક્ષા વધારાશે</b></h2><p style="text-align: justify; ">ડીસીએફ (DCF) અક્ષય જોશીની સૂચનાથી અમલમાં મુકાયેલી આ વ્યવસ્થા અંતર્ગત જૂનાગઢ ડુંગર દક્ષિણ રેન્જના આરએફઓ અને ભવનાથ રાઉન્ડના ફોરેસ્ટર સહિતના સ્ટાફે ટ્રેકરોને સ્થળ પર જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ટ્રેકરોને વન્યજીવોના પગલાં અને હાજરીના સંકેતો ઓળખવા તેમજ કોઈપણ અસામાન્ય હિલચાલ જણાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા તાકીદ કરાઈ છે. આ નવીન વ્યવસ્થાથી ગિરનાર આવતા લાખો યાત્રાળુઓ અને પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત થશે અને માનવ-પ્રાણી સંઘર્ષ અટકાવવામાં મોટી સફળતા મળશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-news-stop-corruption-in-amcs-development-works-independent-quality-control-team-will-do-surprise-checking" target="_blank">Ahmedabad News : AMC ના વિકાસકામોમાં ભ્રષ્ટાચાર પર વિરામ, સ્વતંત્ર ક્વોલિટી કંટ્રોલ ટીમ કરશે 'સરપ્રાઇઝ ચેકિંગ'</a></b></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/NtNdXq26MBELsazQmZkJk4DJOooWyDmpVmPrV2vM.webp'/></item><item><title><![CDATA[Mehsana: મુક્તા સિનેમામાં શેકમાંથી પ્લાસ્ટિકના ટુકડા નીકળ્યા, ગર્ભવતી મહિલાના આરોગ્ય સામે ખતરો ઊભો થતાં ભારે વિવાદ સર્જાયો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/mukta-cinema-shake-plastic-pieces-food-safety-controversy</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/mukta-cinema-shake-plastic-pieces-food-safety-controversy</guid><pubDate>Wed, 19 Aug 2026 21:17:15 +05:30</pubDate><description><![CDATA[<p>મહેસાણાના રાધનપુર રોડ પર આવેલ જાણીતા મુક્તા સિનેમામાં પરિવાર સાથે ફિલ્મ જોવા ગયેલા નાગરિકો માટે એક ભયાનક અનુભવ સામે આવ્યો છે. સિનેમાઘરમાં ઓર્ડર કરવામાં આવેલા ખાદ્યપદાર્થોની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે. એક પરિવારે થિયેટરના કેન્ટીનમાંથી ૪ શેક ઓર્ડર કર્યા હતા.</p><h2><b>સિનેમામાં નાગરિકો માટે એક ભયાનક અનુભવ&nbsp;</b></h2><p>શેક પીતી વખતે તેમાંથી પ્લાસ્ટિકના નાના-મોટા ટુકડાઓ નીકળતાં પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. આ બનાવની સૌથી ગંભીર બાબત એ છે કે પ્લાસ્ટિકના ટુકડાવાળો શેક એક ગર્ભવતી મહિલા પી રહી હતી. જો આ ટુકડા પેટમાં ગયા હોત તો મહિલા અને ગર્ભસ્થ શિશુના આરોગ્ય સામે અતિ ગંભીર જોખમ ઊભું થઈ શકત.આ બનાવ અંગે ગ્રાહકોએ તાત્કાલિક થિયેટરના મેનેજમેન્ટને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોતાં મુક્તા સિનેમાના મેનેજરે જાહેરમાં પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. જોકે, માત્ર ભૂલ સ્વીકારવાથી સંતોષ ન માનતાં પીડિત પરિવારે આરોગ્ય સાથે ચેડાં કરનારા બેદરકાર કર્મચારીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી છે.</p><h3><b>થિયેટર મેનેજરે ભૂલ સ્વીકારી</b></h3><p>મલ્ટિપ્લેક્સમાં અતિશય ઊંચા ભાવે વેચાતા ખાદ્યપદાર્થોમાં આવી અસ્વચ્છતા અને બેદરકારી સાંખી લેવાય નહીં.મહેસાણા નગરપાલિકા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા થિયેટરની કેન્ટીનમાં અચાનક દરોડા પાડી ખાદ્ય સામગ્રીના સેમ્પલ લેવામાં આવે તેવી માંગ ઊઠી છે.આવી ગંભીર બેદરકારી બદલ થિયેટર સંચાલકો અને કૅન્ટીન કોન્ટ્રાક્ટર સામે કાનૂની પગલાં ભરવા રજૂઆત કરવામાં આવી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/breakingnews/bhavnagar/bhavnagar-sp-nitesh-pandey-suspends-4-vartej-police-officers-duplicate-liquor" target="_blank">આ પણ વાંચો: વરતેજમાં ડુપ્લીકેટ દારૂના કૌભાંડ મામલે 4 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/wMQCb4N4LHkSaWGQqaqmMjCpWELoGlRZkcd7Dp37.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : AMC ના વિકાસકામોમાં ભ્રષ્ટાચાર પર વિરામ, સ્વતંત્ર ક્વોલિટી કંટ્રોલ ટીમ કરશે 'સરપ્રાઇઝ ચેકિંગ' ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-news-stop-corruption-in-amcs-development-works-independent-quality-control-team-will-do-surprise-checking</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-news-stop-corruption-in-amcs-development-works-independent-quality-control-team-will-do-surprise-checking</guid><pubDate>Wed, 19 Aug 2026 20:58:29 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં ચાલતા વિવિધ વિકાસકામોની ગુણવત્તા સુધારવા અને નબળા બાંધકામો પર લગામ લગાવવા માટે એક મહત્વનો અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી તમામ વિકાસકામોની ગુણવત્તા ચકાસવા માટે એક ખાસ સ્વતંત્ર ક્વોલિટી કંટ્રોલ ટીમ દ્વારા 'સરપ્રાઇઝ ચેકિંગ' (ઓચિંતી તપાસ) કરવામાં આવશે. પ્રોજેક્ટની શરૂઆત થાય ત્યારથી લઈને તેના લોકાર્પણ સુધીના તમામ તબક્કે સામગ્રી અને બાંધકામની ગુણવત્તાની બારીકાઈથી તપાસ કરવામાં આવશે, જેથી નબળા કામો પર સ્થળ પર જ રોક લગાવી શકાય.</p><h2 style="text-align: justify; "><b>ખામીઓ સુધારવા સમયમર્યાદા નક્કી</b></h2><p style="text-align: justify; ">સ્વતંત્ર ટીમની તપાસ દરમિયાન જો કોઈ કામમાં ખામી કે નબળી ગુણવત્તા માલૂમ પડશે, તો તેને સુધારવા માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. સામાન્ય ખામીઓ જણાય તો કોન્ટ્રાક્ટરે 7 દિવસની અંદર સુધારાત્મક કાર્યવાહી કરવી ફરજિયાત રહેશે. જોકે, સ્ટ્રક્ચરલ સેફ્ટી (માળખાકીય સુરક્ષા) કે પબ્લિક સેફ્ટી (જાહેર જનતાની સુરક્ષા) ને અસર કરતી કોઈ ગંભીર ખામી સામે આવશે, તો તેને માત્ર 2 જ દિવસમાં દૂર કરીને કામ યોગ્ય કરવાનું રહેશે. આ નિયમથી જાહેર મિલકતો અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત થશે.</p><h2 style="text-align: justify; "><b>ક્વોલિટી રિપોર્ટ વગર પેમેન્ટ અટકશે</b></h2><p style="text-align: justify; ">AMC એ કોન્ટ્રાક્ટરો અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ (PMC) પર કડક આર્થિક અને શિસ્તભંગના સિકંજો કસ્યો છે. જો તપાસ દરમિયાન વારંવાર ખામીઓ સામે આવશે, તો કોન્ટ્રાક્ટર અને પીએમસી સામે નિયમો મુજબ ભારે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, સૌથી મહત્વનો ફેરફાર એ કરાયો છે કે સ્વતંત્ર ક્વોલિટી કંટ્રોલ ટીમ દ્વારા રિપોર્ટની સંપૂર્ણ ચકાસણી અને મંજૂરી મળ્યા બાદ જ વિકાસકામના રનિંગ બિલ તેમજ ફાઈનલ બિલના ચૂકવણા (પેમેન્ટ) ની પ્રક્રિયા આગળ ધપાવવામાં આવશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-news-dri-makes-a-big-raid-at-nhavasheva-port-56-kg-of-methamphetamine-drugs-bound-for-saudi-arabia-seized" target="_blank">Ahmedabad News : ન્હાવાશેવા પોર્ટ પર DRIનો મોટો સપાટો! સાઉદી જતું 56 કિલો મેથામ્ફેટામાઈન ડ્રગ્સ ઝડપાયું</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/2260Cz5J1bb2QXctQWSCpxMNEgN9rmJA2yyBWQsW.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: AMC ના નામે રૂ. 3.15 લાખની લાંચ લેતા બોગસ પત્રકાર પતિ-પત્ની ઝડપાયા, સોનીની ચાલી પાસે ACB ની સફળ ટ્રેપ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/acb-trap-bogus-journalists-shilpa-ahir-vijay-ahir-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/acb-trap-bogus-journalists-shilpa-ahir-vijay-ahir-arrested</guid><pubDate>Wed, 19 Aug 2026 20:16:23 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરમાં પત્રકારત્વના નામે બ્લેકમેઇલિંગ અને તોડબાજી કરતા તત્વો સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ લાલ આંખ કરી છે. ફરિયાદી જાગૃત નાગરિકે પોતાના મકાનના પ્રથમ માળે પતરાની છત દૂર કરીને પાકું બાંધકામ કરાવ્યું હતું. આ ગેરકાયદે બાંધકામ સંદર્ભે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના પૂર્વ ઝોન દ્વારા ફરિયાદીને બે નોટિસો આપવામાં આવી હતી.</p><h2><b>AMC અધિકારીઓના નામે લાંચની માંગણી</b></h2><p>આ નોટિસનો આધાર બનાવી શિલ્પાબેન વિજયભાઈ આહીર અને તેમના પતિ વિજયભાઈ ડાહ્યાભાઈ આહીરે ફરિયાદીનો સંપર્ક કર્યો હતો. બંને આરોપીઓએ AMC ના અધિકારીઓ સાથે સેટલમેન્ટ કરાવી દેવાની અને બાંધકામ ન તોડાવવાની ખાતરી આપી AMC અધિકારીઓના નામે રૂ. 3 લાખ અને શિલ્પાબેને પોતાના રૂ. 25 હજાર મળી કુલ રૂ. 3.25 લાખની લાંચની માંગણી કરી હતી. આરોપી શિલ્પાબેને અગાઉ ફરિયાદી પાસેથી રૂ. 10 હજાર મેળવી લીધા હતા. બાકી નીકળતા રૂ. 3.15 લાખ આપવા માટે આરોપીઓ અવારનવાર દબાણ કરતા હતા. ફરિયાદી લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે ત્વરિત એસીબીનો સંપર્ક કરી સમગ્ર મામલે લેખિત ફરિયાદ નોંધાવી હતી.</p><h3><b>ACB ની ટીમે લાંચનું છટકું ગોઠવ્યું</b></h3><p>ફરિયાદના આધારે 19 ઓગસ્ટના રોજ એસીબીની ટીમે સોનીની ચાલી ચાર રસ્તા પાસે સફળ લાંચનું છટકું ગોઠવ્યું હતું. આરોપી શિલ્પા આહીર અને વિજય આહીર પોતાની વેગનઆર કારમાં સોનીની ચાલી ચાર રસ્તા પાસે જાહેર રોડ પર ફરિયાદી પાસેથી રૂ. 3.15 લાખની લાંચ સ્વીકારી રહ્યા હતા ત્યારે જ એસીબીએ દરોડો પાડી બંનેને રકમ સાથે પકડી પાડ્યા હતા. એસીબીએ બંને બોગસ પત્રકાર પતિ-પત્ની સામે ગુનો નોંધી, AMC ના કયા અધિકારીઓનો વપરાશ કરાતો હતો અને અગાઉ કેટલા લોકોને બ્લેકમેઇલ કર્યા છે તે દિશામાં તપાસ તેજ કરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/limbayat-police-brutality-tea-vendor-manoj-saroj-high-court" target="_blank">આ પણ વાંચો: Surat: લિંબાયતમાં મફત સામાન ન આપતાં વેપારી પર 5 પોલીસકર્મીઓનો અમાનુષી અત્યાચાર, પીડિતે ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/7yZDO2TDi3vhikDZveLRZHv6SCEz2Zec5TKqA43a.webp'/></item><item><title><![CDATA[Delhi Jal Board alleged scam case : સત્યેન્દ્ર જૈન સહિત 5 આરોપીઓને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી ]]></title><link>https://sandesh.com/india/news/delhi-jal-board-scam-case-satyendar-jain-judicial-custody</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/delhi-jal-board-scam-case-satyendar-jain-judicial-custody</guid><pubDate>Wed, 19 Aug 2026 20:00:24 +05:30</pubDate><description><![CDATA[<p>દિલ્હી જલ બોર્ડ (DJB) સાથે જોડાયેલા કથિત કૌભાંડ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટમાં બુધવારે મહત્વપૂર્ણ સુનાવણી થઈ હતી. કોર્ટે આરોપીઓની કસ્ટડી અંગે મહત્વનો નિર્ણય આપ્યો છે. કેસમાં આરોપી અંકિત શ્રીવાસ્તવને 2 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2090076289344717211"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>આગામી 25 ઓગસ્ટે સુનાવણી યોજાશે</b></h2><p>બીજી તરફ, દિલ્હી સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન સહિત અન્ય ચાર આરોપીઓને કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. એટલે હવે આ પાંચેય આરોપીઓ પોલીસ કસ્ટડીને બદલે ન્યાયિક કસ્ટડીમાં રહેશે. કેસની સુનાવણી દરમિયાન આરોપીઓ તરફથી દાખલ કરવામાં આવેલી જામીન અરજીઓ અંગે પણ કોર્ટે નોંધ લીધી છે. રાઉઝ એવન્યુ કોર્ટે જામીન અરજીઓ પર સંબંધિત પક્ષોને નોટિસ જાહેર કરી છે. હવે આ જામીન અરજીઓ પર આગામી 25 ઓગસ્ટે સુનાવણી યોજાશે.</p><h3><b>આરોપીઓની કાનૂની સ્થિતિ વધુ મહત્વપૂર્ણ બની</b></h3><p>કોર્ટના આ નિર્ણય બાદ કેસમાં આરોપીઓની કાનૂની સ્થિતિ વધુ મહત્વપૂર્ણ બની છે. પોલીસ કસ્ટડીમાં રહેલા અંકિત શ્રીવાસ્તવની પૂછપરછ દરમિયાન તપાસ એજન્સી કથિત કૌભાંડ સાથે જોડાયેલી વિગતો અંગે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરશે. જ્યારે સત્યેન્દ્ર જૈન સહિત અન્ય ચાર આરોપીઓની 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીનો અર્થ એ છે કે તેઓ હાલ ન્યાયિક દેખરેખ હેઠળ રહેશે. તેમની જામીન અરજીઓ પર 25 ઓગસ્ટે કોર્ટમાં વધુ દલીલો થઈ શકે છે.</p><h4><b>નાણાકીય વ્યવહારોની તપાસ થશે</b></h4><p>દિલ્હી જલ બોર્ડ સાથે જોડાયેલા આ કેસમાં તપાસ એજન્સીઓ દ્વારા નાણાકીય વ્યવહારો અને કથિત અનિયમિતતાઓ અંગે તપાસ કરવામાં આવી રહી છે. જોકે, આરોપીઓ સામેના આક્ષેપો અંગે અંતિમ નિર્ણય કોર્ટની આગળની કાર્યવાહી અને પુરાવાના આધારે જ થશે. હાલમાં કોર્ટના આદેશ બાદ આગામી મહત્વની તારીખ 25 ઓગસ્ટ છે, જ્યારે જામીન અરજીઓ પર સુનાવણી થશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/indigo-flight-emergency-landing-jaipur-passenger-falls-ill" target="_blank">આ પણ વાંચો : IndiGo ફ્લાઈટનું જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ, મુસાફરની તબિયત બગડતા લેવાયો નિર્ણય</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/S3vzSrHgAfxUpcZA6faKa8IJAbYv1kQk5UUuYjVN.webp'/></item><item><title><![CDATA[IndiGo ફ્લાઈટનું જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ, મુસાફરની તબિયત બગડતા લેવાયો નિર્ણય ]]></title><link>https://sandesh.com/india/news/indigo-flight-emergency-landing-jaipur-passenger-falls-ill</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/indigo-flight-emergency-landing-jaipur-passenger-falls-ill</guid><pubDate>Wed, 19 Aug 2026 19:15:14 +05:30</pubDate><description><![CDATA[<p>રાજસ્થાનના જયપુરમાં ઈન્ડિગોની ફ્લાઈટનું મેડિકલ ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સુરતથી જયપુર જઈ રહેલી ફ્લાઈટમાં એક મુસાફરની અચાનક તબિયત બગડતાં પાઈલટે મેડિકલ ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.</p><h2><b>ફ્લાઈટમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી</b></h2><p>મળતી માહિતી મુજબ, આ ઘટના ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E-6852 સાથે બની હતી. ફ્લાઈટમાં મુસાફરની તબિયત ખરાબ થતાં કેબિન ક્રૂ અને અન્ય સ્ટાફ દ્વારા તેને વિમાનમાં જ પ્રાથમિક સારવાર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, સારવાર બાદ પણ મુસાફરની તબિયતમાં પૂરતો સુધારો ન થતાં સ્થિતિને ધ્યાનમાં રાખીને ફ્લાઈટને જયપુર એરપોર્ટ પર ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.</p><h3><b>5:36 વાગ્યે ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું</b></h3><p>બુધવારે સાંજે આશરે 5:36 વાગ્યે ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઈટ જયપુર એરપોર્ટ પર પહોંચ્યા બાદ એરપોર્ટ ઓથોરિટીએ મુસાફરને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની વ્યવસ્થા કરી હતી. હાલ મુસાફરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેની તબિયત અંગે વધુ વિગતવાર માહિતી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી.</p><p>મેડિકલ ઈમરજન્સીના કિસ્સામાં મુસાફરની સ્થિતિને ધ્યાનમાં રાખીને ફ્લાઈટને નજીકના યોગ્ય એરપોર્ટ પર ઉતારવાનો નિર્ણય લેવામાં આવે છે. આ કિસ્સામાં પણ મુસાફરની તબિયત વધુ ન બગડે અને તેને સમયસર તબીબી સારવાર મળી રહે તે માટે જયપુરમાં લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આકસ્મિક મેડિકલ ઈમરજન્સી છતાં ફ્લાઈટનું લેન્ડિંગ સુરક્ષિત રીતે કરવામાં આવ્યું હતું. મુસાફરને હોસ્પિટલ પહોંચાડ્યા બાદ જરૂરી તબીબી સારવાર શરૂ કરવામાં આવી છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/congress-cwc-meeting--kharge-on-modi-govt--says-youth-future-ruined-in-last-12-years" target="_blank">આ પણ વાંચો : Congress: શિક્ષા વ્યવસ્થા, રાષ્ટ્રીય સુરક્ષાથી લઈ યુવા સુધી... CWCની બેઠકમાં મલ્લિકાર્જુન ખડગેએ શું કહ્યું?</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/jkPiIk2cwe1ALLHLHFnVVYdU8HR28HHeYqr0G0pn.webp'/></item><item><title><![CDATA[Govinda Divorce : ગોવિંદાથી છૂટાછેડા નહીં લે સુનીતા આહૂજા! સામે આવ્યું ફેમિલી કોર્ટ પહોંચવાનું સાચું કારણ ]]></title><link>https://sandesh.com/entertainment/news/govinda-sunita-ahuja-family-court-divorce-reason</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/govinda-sunita-ahuja-family-court-divorce-reason</guid><pubDate>Wed, 19 Aug 2026 17:57:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અભિનેતા ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહૂજા લાંબા સમયથી પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. બંને વચ્ચેનો અણબનાવ હવે જાહેરમાં પણ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ગોવિંદા અને સુનીતાના છૂટાછેડાને લઈને સમાચાર આવ્યા હતા. એવા અહેવાલ હતા કે સુનીતાએ છૂટાછેડા માટે કેસ કર્યો છે. બુધવારે સુનીતા ફેમિલી કોર્ટની બહાર પણ જોવા મળી હતી. ત્યારથી બંનેના છૂટાછેડાના સમાચારને વધુ વેગ મળ્યો હતો. જોકે, હવે સુનીતા ફેમિલી કોર્ટમાં શા માટે ગઈ હતી તેનું કારણ સામે આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>છૂટાછેડાનો કેસ પાછો લેવા કોર્ટ પહોંચી હતી સુનીતા</b></h2><p style="text-align: justify; ">સુનીતા ફેમિલી કોર્ટમાં છૂટાછેડાનો કેસ પાછો લેવા માટે ગઈ હતી. મીડિયા રિપોર્ટ મુજબ, સુનીતાએ છૂટાછેડાનો કેસ કર્યો હતો અને એ જ કેસ પાછો ખેંચવા માટે તે ફેમિલી કોર્ટ પહોંચી હતી.</p><h3 style="text-align: justify; "><b>ગોવિંદાના મેનેજરે પણ કરી પુષ્ટિ</b></h3><p style="text-align: justify; ">ગોવિંદાના મેનેજર શશી સિંહાએ પણ આ સમાચારની પુષ્ટિ કરી છે. તેણે કહ્યું, એકવાર તે કોર્ટ પહોંચી ગઈ તો આખી દુનિયાને ખબર પડી ગઈ. શું દુનિયાને આ જાણવાની જરૂર હતી? તેની કોઈ જરૂર નથી. પરિવારની વાતો પરિવાર સુધી જ રહેવી જોઈએ. બેસીને વાત કરવાથી ઘણી બાબતો ઠીક થઈ જાય છે. જો આજે કેસ પાછો જ લેવો હતો, તો કેસ કર્યો જ શા માટે હતો? આ વાતનું મને દુઃખ થાય છે. આપણે તમાશો શા માટે બનીએ? બધું ખૂબ અચાનક થયું. ગોવિંદાની કોઈ પ્રતિક્રિયા નથી. ભગવાન સૌને સદબુદ્ધિ આપે. સૌ સમજદારીથી કામ કરે. મેં હંમેશા ગોવિંદા, સુનીતા અને તેમના બાળકો માટે સારું જ કહ્યું છે.</p><h4 style="text-align: justify; "><b>આ ફિલ્મથી ગોવિંદા કમબેક કરી રહ્યા છે</b></h4><p style="text-align: justify; ">ગોવિંદા અને સુનીતા વચ્ચે લાંબા સમયથી અણબનાવ જોવા મળી રહ્યો છે. સુનીતા ગોવિંદા પર અનેક આરોપો પણ લગાવી ચૂકી છે. તેણે ગોવિંદાને સુગર ડેડી પણ કહ્યા હતા. ગોવિંદા રાની સ્વર્ણકાર સાથે એક ફિલ્મમાં કામ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મનું નામ રૂપા છે અને ગોવિંદાએ તેની સત્તાવાર જાહેરાત પણ કરી છે. ગોવિંદા અને રાનીને ઘણી વખત સાથે જોવા મળ્યા છે. તાજેતરમાં બંને એરપોર્ટ પર પણ જોવા મળ્યા હતા.</p><h4 style="text-align: justify; "><b>સુનીતા અને ગોવિંદા વચ્ચે શરૂ થઈ શાબ્દિક જંગ</b></h4><p style="text-align: justify; ">ગોવિંદા અને રાનીને લઈને સુનીતાએ જાહેરમાં પ્રતિક્રિયા આપી હતી. સુનીતાએ કહ્યું હતું કે ફિલ્મનું પ્રમોશન થઈ રહ્યું છે, પરંતુ પ્રમોશન માટે પહેલાં ફિલ્મ તો બને. ફિલ્મ બન્યા પહેલાં જ પ્રમોશન થઈ રહ્યું છે. તેમણે ગોવિંદા પર પોતાની દીકરીની ઉંમરની યુવતી સાથે ફરવાનો આરોપ પણ લગાવ્યો હતો. રાની વિશે વાત કરતાં સુનીતાએ કહ્યું હતું કે જો આટલા પૈસાવાળો માણસ સાથે છે તો કપડાં તો યોગ્ય રીતે પહેરવા જોઈએ.</p><h4 style="text-align: justify; "><b>મર્યાદામાં રહેવું જોઈએ: ગોવિંદા</b></h4><p style="text-align: justify; ">ત્યારબાદ ગોવિંદાએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. ગોવિંદાએ કહ્યું હતું કે સુનીતાએ પોતાની મર્યાદામાં રહેવું જોઈએ. તેમણે કહ્યું હતું કે સુનીતા તેમનું નામ ખરાબ કરવાની કોઈ કસર છોડી રહી નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે ઘણા મોટા કલાકારોએ પોતાના કરતાં નાની ઉંમરની અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે, પરંતુ સુનીતા તેમને બદનામ કરી રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/bigg-boss-contestant-salman-khan-evicted" target="_blank">આ પણ વાંચો-Reality Show : બિગ બોસની એ હસીના જેણે વટાવી હતી બધી હદો, સલમાન ખાને બતાવ્યો હતો ઘરની બહારનો રસ્તો!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/IBsWy1LkI5sHMOcRNZobjP2AsCw8CM4z7PpLYKHz.webp'/></item><item><title><![CDATA[Amazon ને ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા બદલ  ફટકાર્યો 1 લાખનો દંડ, ભગવાનના પ્રસાદના નામે વેચતા હતા મિઠાઇ ]]></title><link>https://sandesh.com/business/news/amazon-fined-selling-fake-ayodhya-ram-mandir-prasad</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/amazon-fined-selling-fake-ayodhya-ram-mandir-prasad</guid><pubDate>Wed, 19 Aug 2026 16:03:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન પર સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ ₹1 લાખનો દંડ ફટકાર્યો છે. એમેઝોનના પ્લેટફોર્મ પર સામાન્ય મીઠાઈઓને "શ્રી રામ મંદિર અયોધ્યા પ્રસાદ" તરીકે વેચવામાં આવી રહી હતી, જેની સામે ઓથોરિટીએ આ કડક પગલું ભર્યું છે.</p><h2 style="text-align: justify; "><b>એમેઝોન પર કરાયું હતુ ભ્રામક લિસ્ટિંગ</b></h2><p style="text-align: justify; ">તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પાસેથી આ નામ હેઠળ પ્રોડક્ટ્સ વેચવા માટે એમેઝોન કે સંબંધિત વિક્રેતાઓ પાસે કોઈ અધિકૃત પરવાનગી નહોતી. ઓથોરિટીના જણાવ્યા અનુસાર, 22 જાન્યુઆરી, 2024 ના રોજ અયોધ્યામાં યોજાયેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઐતિહાસિક પ્રસંગ પૂર્વે જ એમેઝોન પર આવી ભ્રામક લિસ્ટિંગ કરવામાં આવી હતી. આનાથી દેશભરના લાખો ગ્રાહકોની ધાર્મિક આસ્થા અને વિશ્વાસનો ખોટો દુરુપયોગ થયો હતો.</p><h3 style="text-align: justify; "><b>એમેઝોનને ₹1 લાખનો દંડ</b></h3><p style="text-align: justify; ">CCPA એ 19 જાન્યુઆરી, 2024 ના રોજ એમેઝોનને કારણ બતાવો નોટિસ જાહેર કરી હતી, જે બાદ પ્લેટફોર્મે તે લિસ્ટિંગ દૂર કરી દીધી હતી. જોકે, એમેઝોને પોતાને માત્ર એક 'મધ્યસ્થી' (Intermediary) ગણાવીને બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. ઓથોરિટીએ આ દલીલ નકારી કાઢી જણાવ્યું હતું કે એમેઝોન જેવું મોટું પ્લેટફોર્મ આવી ગેરમાર્ગે દોરનારી પ્રોડક્ટ્સને મંજૂરી આપીને ગ્રાહકોના મનમાં તેની વાસ્તવિકતા વિશે ખોટો વિશ્વાસ ઊભો કરે છે. આ લિસ્ટિંગમાંથી 'ચંદુ ટ્રેડિંગ કંપની' નામના વેચનારે ₹25 લાખથી વધુનું વેચાણ કર્યું હતું, જ્યારે એમેઝોને પણ તેમાંથી કમિશન મેળવ્યું હતું.</p><h4 style="text-align: justify; "><b>15 દિવસમાં ₹1 લાખની દંડની રકમ જમા કરવાનો આદેશ</b></h4><p style="text-align: justify; ">ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019 અને ઈ-કોમર્સ નિયમો, 2020 હેઠળ એમેઝોનને દોષિત ઠેરવતા ઓથોરિટીએ 15 દિવસમાં ₹૧ લાખની દંડની રકમ જમા કરાવવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત, ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે CCPA એ દેશના ૧૦ મુખ્ય ધાર્મિક સ્થળો જેમ કે શ્રી રામ જન્મભૂમિ મંદિર, તિરુપતિ બાલાજી, વૈષ્ણો દેવી, કાશી વિશ્વનાથ, જગન્નાથ પૂરી, સોમનાથ, બદ્રીનાથ, કેદારનાથ, દ્વારકાધીશ અને મહાકાલેશ્વરના નામે કોઈપણ પરવાનગી વગર પ્રસાદ કે ભોગનું વેચાણ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. એમેઝોનને વિક્રેતાઓ શ્રેષ્ઠ અને સ્પષ્ટ વિગતો પ્રદર્શિત કરે તેમજ કીવર્ડ-આધારિત કડક ફિલ્ટરિંગ સિસ્ટમ લાગુ કરે તે સુનિશ્ચિત કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/jharkhand-exam-controversy-students-protest-22-exams-cancelled" target="_blank">આ પણ વાંચોઃ Jharkhand : રાંચીમાં વિદ્યાર્થી આંદોલન 2 મહિના માટે સ્થગિત, સરકારને 60 દિવસનું અલ્ટીમેટમ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/dtD6aicHFgoQvQ4GvGTl3HFfECDDeOttAqEVC25G.webp'/></item><item><title><![CDATA[Hockey World Cup ના ઇતિહાસમાં ભારતની ઐતિહાસિક જીત, છતાં ખેલાડીઓ અને મેનેજમેન્ટમાં ચિંતાનું મોજું ]]></title><link>https://sandesh.com/sports/news/indias-historic-win-yet-the-end-indian-player-ishika-chaudhary-seriously-injured</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/indias-historic-win-yet-the-end-indian-player-ishika-chaudhary-seriously-injured</guid><pubDate>Wed, 19 Aug 2026 15:14:56 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નેધરલેન્ડ્સના એમ્સ્ટલવીનમાં રમાયેલી મહિલા હોકી વર્લ્ડ કપની મેચમાં ભારતીય મહિલા હોકી ટીમે દક્ષિણ આફ્રિકાને 6-1થી હરાવીને વર્લ્ડ કપના ઇતિહાસમાં પોતાની સૌથી મોટી જીત નોંધાવી છે. આ વિજય સાથે ભારતે નોકઆઉટ રાઉન્ડમાં પહોંચવાની આશાઓ મજબૂત કરી લીધી છે. જોકે, મેચ પૂરી થવાની માત્ર ૧૫ સેકન્ડ પહેલાં જ બનેલી એક દુર્ઘટનાને કારણે ભારતીય ફેન્સ અને ટીમ મેનેજમેન્ટમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.</p><h2 style="text-align: justify;"><b>છેલ્લી ૧૫ સેકન્ડમાં મોટો અકસ્માત, ઈશિકા ઇજાગ્રસ્ત</b></h2><p style="text-align: justify;">મેચ પૂરી થવાને આરે હતી ત્યારે બોલને ડિફેન્ડ કરતી વખતે ભારતીય ડિફેન્ડર ઈશિકા ચૌધરીના કપાળ પર દક્ષિણ આફ્રિકાના ખેલાડીની હોકી સ્ટીક જોરથી વાગી ગઈ હતી. આ વાગવાની અસર એટલી તીવ્ર હતી કે ઈશિકાના કપાળમાં તરત જ ફ્રેક્ચર થઈ ગયું હતું. તેના ચહેરા પરથી સતત લોહી વહેવા લાગ્યું હતું. રક્તસ્ત્રાવ રોકવા મેડિકલ ટીમ મેદાનમાં દોડી આવી. </p><h3 style="text-align: justify;"><b>મેદાન પર ઢળી પડી ઇશિકા ચૌધરી</b></h3><p style="text-align: justify; ">હોકી સ્ટીક વાગતાં જ ઈશિકા પીડાથી કણસતી જમીન પર ઢળી પડી હતી. મેડિકલ ટીમ અને ફિઝિયોએ તાત્કાલિક મેદાન પર પહોંચીને ટીશ્યુ અને કપડા વડે લોહી રોકવાનો પ્રયાસ કર્યો હતો. ઈશિકા કપાળ પર રૂમાલ દબાવીને મેદાન બહાર ગઈ ત્યારે તેના ચહેરા પરથી સતત રક્તસ્ત્રાવ થઈ રહ્યો હતો. આ દ્રશ્ય જોઈને મેદાન પર હાજર તમામ ખેલાડીઓ પણ ગભરાઈ ગયા હતા. તેઓ ઇશિકા જલ્દી સાજી થાય તેની પ્રાર્થના કરવા લાગ્યા.</p><h4 style="text-align: justify;"><b>વર્લ્ડ કપમાં ભારતનો ઐતિહાસિક વિજય</b></h4><p style="text-align: justify;">ઈજાની આ દુઃખદ ઘટના સિવાય, આખી મેચમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન અદ્ભુત રહ્યું હતું. ગોલ કરનાર ભારતીય ખેલાડીઓ: સુનલિતા ટોપો (૧૧મી મિનિટ), નવનીત કૌર (૧૭મી મિનિટ), સુશીલા ચાનુ (૨૪મી મિનિટ), દીપિકા (૩૮મી મિનિટ), લાલરેમસિયામી (૪૩મી મિનિટ) અને સાક્ષી રાણા. દક્ષિણ આફ્રિકા મેચની ૫૬મી મિનિટે માત્ર એક જ ગોલ કરી શક્યું હતું. હવે ભારતીય ટીમ પોતાની અંતિમ ગ્રુપ મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે.</p><p style="text-align: justify;"><br></p><p style="text-align: justify;"><a href="https://sandesh.com/sports/news/national-sports-awards-2025-announced-tejaswin-shankar-and-17-other-players-to-receive-arjuna-award" target="_blank">આ પણ વાંચો : National Sports Awards 2025 announced : તેજસ્વિન શંકર અને અન્ય 17 ખેલાડીઓને મળશે અર્જુન પુરસ્કાર</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/6rES0xjvGJGcaYBb7exq4g68VD5KSlWddq8au6rK.webp'/></item></channel></rss>