<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Govinda પરિવારનો ઝઘડો થયો ખતમ? સુનીતા આહુજાની દીકરીએ કૃષ્ણા અભિષેકને બાંધી રાખડી ]]></title><link>https://sandesh.com/entertainment/news/govinda-family-tina-ahuja-krushna-abhishek-raksha-bandhan</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/govinda-family-tina-ahuja-krushna-abhishek-raksha-bandhan</guid><pubDate>Mon, 31 Aug 2026 15:46:28 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રક્ષાબંધનને પૂરા થયાને 3 દિવસ થઈ ગયા છે, પરંતુ હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક એવી તસવીર સામે આવી છે, જેને જોઈને ફેન્સનું દિલ ખુશ થઈ ગયું છે. ગોવિંદા અને સુનિતા આહુજાની દીકરી ટીના આહુજાએ રક્ષાબંધનના અવસરની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. રક્ષાબંધન બાદ શેર કરવામાં આવેલી આ તસવીરોમાં આખો પરિવાર સાથે ખુશ જોવા મળી રહ્યો છે. તસવીરમાં એક વાતની કમી દર્શકોનું ધ્યાન ખેંચી રહી છે, તો બીજી તરફ સુનિતા આહુજા પોતાના ભાણેજ-ભાણેજી કૃષ્ણા અને આરતી સાથે જોવા મળી રહી છે. ઝઘડો ખતમ થયા બાદ પહેલીવાર આખો પરિવાર સાથે જોવા મળ્યો છે, જેને જોઈને લોકોએ પણ ઘણો પ્રેમ વરસાવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>પરિવારના રક્ષાબંધન સેલિબ્રેશનમાં ગોવિંદા ગેરહાજર</b></h2><p style="text-align: justify; ">તસવીરો અને વીડિયોમાં ગોવિંદાની દીકરી ટીના આહુજા પોતાના ભાઈ યશવર્ધન આહુજા અને કઝિન્સ કૃષ્ણા અભિષેક તથા આરતી સિંહ સાથે તહેવાર ઉજવતી જોવા મળી રહી છે. ટીનાએ તસવીરો સાથે અમારી વાળી રાખી સેલિબ્રેશન્સ! કેપ્શન લખ્યું છે. આ તસવીરો પરથી સ્પષ્ટ થાય છે કે ભાણેજ-ભાણેજી સાથે હવે સુનિતા આહુજાના સંબંધો સારા થઈ ગયા છે. આ ઉજવણીથી બોલીવુડ સુપરસ્ટાર ગોવિંદા સંપૂર્ણપણે ગાયબ રહ્યા, જેના કારણે સોશિયલ મીડિયા પર તેમના પારિવારિક સંબંધોને લઈને ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.</p><h3 style="text-align: justify; "><b>પરિવાર સાથે જોવા ન મળ્યા ગોવિંદા</b></h3><p style="text-align: justify; ">એક તરફ આખો પરિવાર સાથે મળીને રક્ષાબંધનનો તહેવાર ઉજવતો જોવા મળ્યો, તો બીજી તરફ ગોવિંદા સાથે જોવા મળ્યા નહીં, જેના કારણે ફરી સવાલો ઊભા થયા છે. જોકે, ગોવિંદા અને સુનિતા આહુજા વચ્ચે લાંબા સમયથી અણબનાવ ચાલી રહ્યો છે. થોડા સમય પહેલાં બંને વચ્ચે સોશિયલ મીડિયા પર કોલ્ડ વોર પણ ચાલી રહી હતી. સુનિતાએ ગોવિંદાની આગામી ફિલ્મની હિરોઈન પર સવાલ ઉઠાવ્યા હતા, તો ગોવિંદાએ કહ્યું હતું કે પત્નીએ પોતાની મર્યાદામાં રહીને વાત કરવી જોઈએ. હવે લોકોનું કહેવું છે કે આ ઝઘડાને કારણે જ ગોવિંદાએ પોતાના જ ઘરની આ ઉજવણીથી અંતર રાખ્યું.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/Dcq4QNVlDam/?utm_source=ig_web_copy_link&amp;igsi=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/Dcq4QNVlDam/?utm_source=ig_web_copy_link&amp;igsi=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/Dcq4QNVlDam/?utm_source=ig_web_copy_link&amp;igsi=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/Dcq4QNVlDam/?utm_source=ig_web_copy_link&amp;igsi=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><p style="text-align: justify; ">તાજેતરમાં માહિતી સામે આવી હતી કે સુનિતા આહુજાએ ગોવિંદા વિરુદ્ધ દાખલ કરેલી છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી છે. ગોવિંદાના મેનેજર શશી સિન્હાએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી. ત્યાર બાદ ગોવિંદા તરફથી એક જાહેર નોટિસ પણ બહાર પાડવામાં આવી હતી, જેમાં મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ્સને ચેતવણી આપવામાં આવી હતી.</p><h4 style="text-align: justify; "><b>ભાણેજ સાથે વર્ષો બાદ થયું પેચ-અપ</b></h4><p style="text-align: justify; ">કૃષ્ણા અભિષેક અને સુનિતા આહુજા વચ્ચે 14 વર્ષના લાંબા સમય બાદ પેચ-અપ થયું છે. બંને વચ્ચે અણબનાવની શરૂઆત લગભગ 2010-2016 દરમિયાન થઈ હતી, જે સમય જતાં વધુ ગંભીર બનતી ગઈ. એપ્રિલ 2026માં રિયાલિટી શો ‘લાફ્ટર શેફ્સ’ના સેટ પર સુનિતા આહુજા અચાનક પહોંચી હતી, જ્યાં તેણે કૃષ્ણા અને કાશ્મીરા શાહને ગળે લગાવ્યા હતા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/mansi-parekh-nepal-flood-kailash-mansarovar-yatra" target="_blank">આ પણ વાંચો-Gujarati Cinemaની જાણીતી એક્ટ્રેસ માનસી પારેખ કૈલાશ માનસરોવર યાત્રાથી પરત ફરી, ગુમ થયાની હતી ચર્ચાઓ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/31/NDd6I3JRLwzdBELODuhqWABu8VYP4K7Xlqr41U5c.webp'/></item><item><title><![CDATA[Kaushhambi Firecracker Factory Blast : ઉત્તરપ્રદેશના કૌશામ્બીમાં ફટાકડા ફેકટરીમાં લાગી ભીષણ આગ, 5 લોકોના મોત ]]></title><link>https://sandesh.com/india/news/kaushambi-firecracker-factory-blast-uttar-pradesh-5-dead</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/kaushambi-firecracker-factory-blast-uttar-pradesh-5-dead</guid><pubDate>Mon, 31 Aug 2026 15:43:54 +05:30</pubDate><description><![CDATA[<p>કૌશામ્બી-પ્રયાગરાજ સીમા પર આવેલા મનૌરી બજારમાં સોમવારે બપોરે ફટાકડાની ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ લાગ્યા બાદ એક પછી એક જોરદાર વિસ્ફોટ થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. પ્રાથમિક માહિતી મુજબ, આ દુર્ઘટનામાં પાંચથી વધુ લોકોના મોત થયા છે, જ્યારે એક ડઝનથી વધુ લોકો ગંભીર રીતે દાઝ્યા હોવાનું જાણવા મળ્યું છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANINewsUP/status/2094359074863514080"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>બ્લાસ્ટની અસર 3 કિલોમીટર સુધી અનુભવાઈ</b></h2><p>મળતી માહિતી અનુસાર, પિંપરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વસાહતથી થોડે દૂર એક મકાનમાં ફટાકડાની ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી. સોમવારે બપોરે આશરે 12 વાગ્યે અચાનક આગ લાગી હતી. ત્યારબાદ ફેક્ટરીમાં રાખવામાં આવેલા ફટાકડામાં સતત વિસ્ફોટ થવા લાગ્યા હતા. ધડાકાની અસર લગભગ ત્રણ કિલોમીટર દૂર સુધી અનુભવાઈ હતી.</p><h3><b>અનેક મકાનોના કાચ તૂટી ગયા</b></h3><p>વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ફેક્ટરીની આસપાસ આવેલા 15થી વધુ મકાનો ધરાશાયી થઈ ગયા હતા. અનેક મકાનોના કાચ તૂટી ગયા હતા. ઈંટો અને કાટમાળ આશરે 250 મીટર દૂર આવેલા રેલવે પુલ સુધી પહોંચ્યો હોવાનું જણાવાઈ રહ્યું છે. મકાનોના કાટમાળ નીચે અનેક લોકો દટાયા હોવાની આશંકા છે.</p><h4><b>આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી</b></h4><p>ઘટનાની જાણ થતાં પ્રયાગરાજ અને કૌશામ્બી જિલ્લાના પોલીસ તથા વહીવટી અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પ્રયાગરાજના એડીજી, આઈજી, ડીઆઈજી અને એડિશનલ પોલીસ કમિશનર ઉપરાંત કૌશામ્બીના ડીએમ અને એસપી પણ સ્થળ પર પહોંચ્યા હતા. બે પોલીસ સ્ટેશનની ફોર્સ સાથે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.</p><p>કાટમાળ હટાવવા માટે જેસીબી સહિતના સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઘાયલોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે ગંભીર રીતે દાઝેલા લોકોને પ્રયાગરાજની એસઆરએન હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. ફેક્ટરીમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પ્રશાસન દ્વારા સમગ્ર ઘટનાની તપાસ સાથે કાટમાળમાં ફસાયેલા લોકોને શોધવાની કામગીરી ચાલુ છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/goa-nightclub-fire--supreme-court-upholds-bail-cancellation-luthra-brothers" target="_blank">આ પણ વાંચો : Goa નાઈટક્લબ અગ્નિકાંડમાં લૂથરા બ્રધર્સને સુપ્રીમ કોર્ટનો ઝટકો, જામીન રદ અને બે અઠવાડિયામાં કરવું પડશે સરેન્ડર</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/31/upXSzQYFcNZk9ShTO95CPYnSUPgvH1vcF9sIsj0x.webp'/></item><item><title><![CDATA[Anand News: શકરપૂરના તળાવમાં ડૂબી જવાથી 3 સગી બહેનોના મોત, એકસાથે નીકળી અંતિમયાત્રા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/anand/khambhat-sakarpur-three-sisters-drowning-death-news</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/anand/khambhat-sakarpur-three-sisters-drowning-death-news</guid><pubDate>Mon, 31 Aug 2026 15:35:28 +05:30</pubDate><description><![CDATA[<p>આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં આવેલા શકરપૂર ગામે એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. રમવા-ભણવાની નાની ઉંમરે એક જ પરિવારની 3 માસૂમ સગી બહેનોના તળાવના ઊંડા પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા છે. આ કાળજું કંપાવનારી દુર્ઘટનાને પગલે સમગ્ર શકરપૂર ગામ સહિત આસપાસના પંથકમાં ભારે અરેરાટી સાથે શોકની કાળી ડિબંગ છાયા ફરી વળી છે.</p><h2><b>કાગળની હોડી તરાવતી વખતે બની દુર્ઘટના</b></h2><p>પ્રાપ્ત માહિતી અનુસાર, ઘર નજીક આવેલા તળાવ પાસે ત્રણેય માસૂમ બહેનો રમી રહી હતી. રમતા રમતા તળાવના પાણીમાં કાગળની હોડી તરાવતી વખતે આ દુર્ઘટના બની હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રમત-રમતમાં પાણીની ઊંડાઈનો અંદાજ ન રહેવાના કારણે એક પછી એક ત્રણેય બહેનો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને ડૂબી જવાના કારણે તેમના શ્વાસ રુંધાતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.</p><h2><b>ગ્રામજનોએ ભારે જહેમત બાદ મૃતદેહો બહાર કાઢ્યા</b></h2><p>બનાવની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો તાત્કાલિક તળાવ ખાતે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ ભારે જહેમત ઉઠાવીને ત્રણેય દીકરીઓના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. રમવાની ઉંમરે વ્હાલસોયી દીકરીઓના આ રીતે અચાનક વિદાય લેવાથી પરિજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2094364623046897870"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>એકસાથે 3 દીકરીઓની અંતિમયાત્રા નીકળતા ગામ હિબકે ચડ્યું</b></h2><p>એક જ ઘરની 3 દીકરીઓના મૃતદેહ જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે માતા-પિતા અને સ્વજનોના કરુણ આક્રંદથી વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું. જ્યારે એકસાથે ત્રણેય માસૂમોની અંતિમયાત્રા નીકળી ત્યારે ત્યાં હાજર રહેલા તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. આ કરુણ ઘટનાના આઘાતમાં શકરપૂર ગામના અનેક પરિવારોમાં સાંજનો ચૂલો પણ સળગ્યો ન હતો.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/anand/anand-news-tragic-accident-in-khadou-khambhat-3-innocent-girls-of-the-same-family-die-after-drowning-in-a-lake" target="_blank">Anand News : ખંભાતના ખડઉમાં ગમખ્વાર દુર્ઘટના, તળાવમાં ડૂબી જતાં એક જ પરિવારની 3 માસૂમ બાળકીઓના મોત</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/31/1JXwA2RdCziqwy2DgVnNmY8W30c5VCyGxvpsooys.webp'/></item><item><title><![CDATA[Goa નાઈટક્લબ અગ્નિકાંડમાં લૂથરા બ્રધર્સને સુપ્રીમ કોર્ટનો ઝટકો, જામીન રદ અને બે અઠવાડિયામાં કરવું પડશે સરેન્ડર ]]></title><link>https://sandesh.com/india/news/goa-nightclub-fire--supreme-court-upholds-bail-cancellation-luthra-brothers</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/goa-nightclub-fire--supreme-court-upholds-bail-cancellation-luthra-brothers</guid><pubDate>Mon, 31 Aug 2026 15:31:36 +05:30</pubDate><description><![CDATA[<p>GOA: ગોવા નાઈટક્લબ આગ કેસ અંગે સુપ્રીમ કોર્ટમાં લુથરા બંધુઓને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ત્રણેય માલિકોને આપવામાં આવેલા જામીન રદ કરવાના હાઈકોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો છે અને તેમને બે અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે. નોંધનીય છે કે ડિસેમ્બર 2025માં ગોવાના આર્પોરામાં 'બર્ક બાય રોમિયો લેન' નાઈટક્લબમાં લાગેલી આગમાં 25 લોકો મૃત્યુ પામ્યા હતા. વિનાશક આગ બાદ, માલિકો થાઈલેન્ડ ભાગી ગયા હતા પરંતુ ત્યારબાદ તેમને ભારત પાછા લાવવામાં આવ્યા હતા. પાછા ફર્યા બાદ, ત્રણેય આરોપીઓની લાંબી પૂછપરછ અને તપાસ કરવામાં આવી હતી; જોકે, માપુસાની એડિશનલ સેશન્સ કોર્ટે અગાઉ તેમને જામીન આપ્યા હતા.</p><p><br></p><p><b>માપુસા કોર્ટ દ્વારા આપવામાં આવેલ જામીન, હાઈકોર્ટ દ્વારા રદ</b></p><p><br></p><p>અજય ગુપ્તાને 23 માર્ચે જામીન આપવામાં આવ્યા હતા, જ્યારે સૌરભ અને ગૌરવ લુથરાને 1 એપ્રિલે જામીન મળ્યા હતા. ગોવા સરકારે આ નિર્ણયને બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. 19 ઓગસ્ટના રોજ, જસ્ટિસ નીલા ગોખલેએ રાજ્યની અપીલ સ્વીકારી અને ત્રણેયના જામીન રદ કર્યા. ત્યારબાદ આરોપીઓએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો, પરંતુ સુપ્રીમ કોર્ટે સોમવારે તેમની અપીલ ફગાવી દીધી.</p><p><br></p><p><b>સુપ્રીમ કોર્ટે જામીન અરજી ફગાવી</b></p><p>સુપ્રીમ કોર્ટે આગની ઘટનાના સંદર્ભમાં ત્રણેય સહ-માલિકોના જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો છે. ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ શીલ નાગુની બનેલી બેન્ચે સોમવારે સૌરભ લુથરા, ગૌરવ લુથરા અને અજય ગુપ્તા દ્વારા દાખલ કરાયેલી અપીલ ફગાવી દીધી. કોર્ટે ત્રણેયને બે અઠવાડિયામાં સંબંધિત અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કરવાનો નિર્દેશ આપ્યો.</p><p><br></p><p><b>6 ડિસેમ્બરની રાત્રે નાઈટક્લબમાં આગ લાગી હતી; 25 લોકોના મોત</b></p><p>સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટને આ કેસમાં આરોપો ઘડવાની પ્રક્રિયા ઝડપી બનાવવા પણ વિનંતી કરી હતી. આ મામલો 6 ડિસેમ્બર, 2025ની રાત્રે ઉત્તર ગોવાના અર્પોરા સ્થિત નાઈટક્લબમાં લાગેલી આગનો છે. આ દુર્ઘટનામાં પચીસ લોકોએ જીવ ગુમાવ્યા. પોલીસ તપાસમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે ક્લબ પાસે માન્ય સલામતી મંજૂરીઓનો અભાવ હતો અને પૂરતા અગ્નિશામક સાધનો નહોતા.</p><p><br></p><p>પોલીસના જણાવ્યા અનુસાર, જરૂરી સલામતીના પગલાં વિના ઇન્ડોર ફાયર શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન આગ લાગી હતી. તપાસમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે રેસ્ટોરન્ટ માન્ય ટ્રેડ લાઇસન્સ વિના કાર્યરત હતું. આગની ઘટનાના થોડા કલાકો પછી સૌરભ અને ગૌરવ લુથરા થાઈલેન્ડ ભાગી ગયા હોવાનું બહાર આવ્યું હતું.</p><p><br></p><p><b>થાઈલેન્ડથી દેશનિકાલ કર્યા બાદ ધરપકડ</b></p><p>બંનેને ત્યારબાદ થાઈલેન્ડથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા અને ગોવા પોલીસે તેમની ધરપકડ કરી હતી. આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, જેમાં ગુનાહિત હત્યા, જીવનને જોખમમાં મૂકતા કૃત્યો અને આગને લગતી બેદરકારીના આરોપોનો સમાવેશ થાય છે. ક્લબના અન્ય ભાગીદારો, મેનેજર, ઇવેન્ટ આયોજકો અને સ્ટાફ સભ્યોને પણ આ કેસમાં આરોપી તરીકે નામ આપવામાં આવ્યા છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/sadhguru-donates-1-crore-for-nepal-flood-victims-proposes-himalayan-board" target="_blank">Nepal: 1 કરોડનું દાન અને 5 દેશોને 'હિમાલય બોર્ડ' બનાવવાનો પ્રસ્તાવ, નેપાલમાં તબાહી બાદ સદગુરુનું મોટું પગલું</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/31/OCVMQrjmDQglR9Tmpecnsg2jJA3nMeXQ7HZRLZUJ.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: તુલશી ઈન્ડસ્ટ્રીઝમાંથી તસ્કરો 20 લાખ રોકડ ભરેલી આખેઆખી તિજોરી અને લોકર ઉપાડી ગયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/nikol-gidc-tulshi-industries-theft-20-lakh-cash-stolen-cctv</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/nikol-gidc-tulshi-industries-theft-20-lakh-cash-stolen-cctv</guid><pubDate>Mon, 31 Aug 2026 15:29:44 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા નિકોલ-કઠવાડા GIDC માં તસ્કરો બેફામ બન્યા છે. નિકોલ GIDC માં આવેલી તુલશી ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનાને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ૨૫ ઓગસ્ટની રાત્રે 8:00 વાગ્યાથી 26 ઓગસ્ટની વહેલી સવાર દરમિયાન તસ્કરો કારખાનામાં ઘૂસ્યા હતા અને ઓફિસના તાળાં તોડી અંદર પ્રવેશ કર્યો હતો.</p><p><b>તસ્કરોના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ<br></b><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2094350831105802567"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><b><br></b></p><h2><b>નિકોલ GIDC માં ચોરીની મોટી ઘટના</b></h2><p>તસ્કરોએ ઓફિસમાં મૂકેલી તિજોરી તોડવાનો પ્રયાસ કરવાને બદલે ચાલાકી વાપરી 20 લાખની રોકડ રકમ ભરેલી આખેઆખી તિજોરી અને લોકર જ ગાયબ કરી દીધું હતું. બીજા દિવસે સવારે જ્યારે કારખાનું ખોલવામાં આવ્યું ત્યારે ચોરી થયાની જાણ થતાં જ ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટના અંગે તુરંત જ નિકોલ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરતા ઈન્ડસ્ટ્રીઝના CCTV કેમેરા તપાસ્યા હતા.</p><h3><b>CCTV ના આધારે નિકોલ પોલીસની તપાસ</b></h3><p>સીસીટીવી ફુટેજમાં અજાણ્યા તસ્કરો લોકર અને રોકડ ભરેલી તિજોરી ઊંચકીને લઈ જતા સ્પષ્ટપણે કેદ થયેલા જોવા મળ્યા છે. ઘટના અંગે કારખાનાના માલિકની ફરિયાદના આધારે નિકોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો છે. સીસીટીવી ફુટેજના આધારે પોલીસે તસ્કરોનું સગડ મેળવવા અને તેમને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/railway-station-rat-puff-viral-video-contract-cancelled" target="_blank">આ પણ વાંચો: Surat: પફ ખાતા ઉંદરનો વીડિયો વાઇરલ થતાં સુરત રેલવે સ્ટેશનનો સ્ટોલ કાયમ માટે બંધ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/31/2pTnGFaYKQcTBqSbSvxamx1VObQ5ftfgU420f2Eg.webp'/></item><item><title><![CDATA[Surat: પફ ખાતા ઉંદરનો વીડિયો વાઇરલ થતાં સુરત રેલવે સ્ટેશનનો સ્ટોલ કાયમ માટે બંધ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/railway-station-rat-puff-viral-video-contract-cancelled</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/railway-station-rat-puff-viral-video-contract-cancelled</guid><pubDate>Mon, 31 Aug 2026 15:26:51 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ થતાં ચેડાંનો એક ચોંકાવનારો વીડિયો શનિવારે વહેલી સવારે સામે આવ્યો હતો. પ્લેટફોર્મ પર આવેલા એક ફૂડ સ્ટોલના ડિસ્પ્લે કાચની અંદર તાજા પફ પર એક ઉંદર નિશ્ચિંત બનીને મોજથી પફ ખાતો કેમેરામાં કેદ થયો હતો. સ્ટેશન પર હાજર એક જાગૃત નાગરિકે આ સમગ્ર દ્રશ્ય પોતાના મોબાઈલમાં શૂટ કરીને સોશિયલ મીડિયા પર વાઇરલ કરી દીધું હતું.</p><h2><b>સુરત રેલવે સ્ટેશનનો સ્ટોલ કાયમ માટે બંધ</b></h2><p>આ વીડિયો વાઇરલ થતાં જ પશ્ચિમ રેલવેના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. રેલવે પ્રશાસને બનાવની ગંભીરતા સમજીને તાત્કાલિક ધોરણે આકરી કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો. સામાન્ય રીતે સરકારી કે રેલવે તંત્ર આવા બનાવોમાં નાનો-મોટો દંડ ફટકારીને કાગળો બંધ કરી દેતું હોય છે, પરંતુ આ કેસમાં પશ્ચિમ રેલવેએ દાખલો બેસાડતી કાર્યવાહી કરી છે. રેલવેએ સંચાલક એજન્સી સામે કાયદેસરના પગલાં ભરીને સ્ટોલને કાયમ માટે બંધ કરાવી દીધો છે અને સંબંધિત એજન્સીનો કોન્ટ્રાક્ટ પણ કાયમી ધોરણે રદ કરી નાખ્યો છે.</p><h3><b>રેલવેએ દાખલારૂપ કડક એક્શન લીધું</b></h3><p>બીજી તરફ, સુરત શહેરમાં છેલ્લા એક જ અઠવાડિયામાં જુદી જુદી હોટેલો, રેસ્ટોરન્ટ્સ અને ખાણીપીણીની દુકાનોમાંથી ખાદ્ય પદાર્થોમાં જીવાતો, અખાદ્ય વસ્તુઓ અને બેદરકારીના 3 થી 4 બનાવો પ્રકાશમાં આવ્યા છે.પરંતુ સુરત મહાનગરપાલિકા (SMC) નો આરોગ્ય વિભાગ આવી ગંભીર બેદરકારી દાખવનારા વેપારીઓ કે હોટેલો સામે માત્ર મામુલી દંડ કે નોટિસ ફટકારીને સંતોષ માની લે છે. રેલવે તંત્રના આકરા પગલાં બાદ હવે સુરત મનપા પણ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા સંગ્રહખોરો અને હોટેલ માલિકો સામે આવી જ કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/patan/chanasma-police-public-beating-contempt-case-gujarat-high-court-notice" target="_blank">આ પણ વાંચો: Patan: ચાણસ્મા પોલીસે જાહેરમાં માર મારતાં HCની નોટિસ, DGP અને 20થી વધુ પોલીસકર્મીઓને 21 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થવા આદેશ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/31/MAaQxDygn4uDEdXmvAITCj7oJ1gq9ERhkiWbpCm2.webp'/></item><item><title><![CDATA[PM Poshan Yojanaના 96 હજાર કર્મચારીઓનું સરકારને અલ્ટીમેટમ, પડતર માંગણીઓ ન સંતોષાય તો... ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/pm-poshan-yojana-workers-ultimatum-strike-warning</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/pm-poshan-yojana-workers-ultimatum-strike-warning</guid><pubDate>Mon, 31 Aug 2026 15:26:07 +05:30</pubDate><description><![CDATA[<p>રાજ્યભરની શાળાઓમાં મધ્યાહ્ન ભોજન પીરસતા PM પોષણ યોજનાના કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સામે આરપારની લડાઈનું બ્યુગલ ફૂંક્યું છે. વર્ષોથી સળગતા પ્રશ્નો અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આખરે 96,000 જેટલા કર્મચારીઓએ એકજૂથ થઈને સરકારને આખરી અલ્ટીમેટમ આપી દીધું છે.</p><h2><b>અનેક રજૂઆતો છતાં ઉકેલ ન આવતાં રોષ</b></h2><p>PM પોષણ યોજના હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓ વિતેલા ઘણા સમયથી પોતાના હક્કો અને વિવિધ પડતર માંગણીઓ અંગે તંત્ર અને સરકારના દ્વાર ખટખટાવી રહ્યા છે. સરકાર દ્વારા આ બાબતે કોઈ યોગ્ય અને સંતોષકારક નિર્ણય ન લેવાતાં કર્મચારીઓમાં ભારે અસંતોષ અને રોષની લાગણી જન્મી છે. કર્મચારી મંડળોએ સ્પષ્ટ કર્યું છે કે, જો તેમની વ્યાજબી માંગણીઓનો ઉકેલ લાવવામાં નહીં આવે તો તેઓ આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં કામગીરી ઠપ્પ કરીને ઉગ્ર આંદોલન કરશે.</p><h2><b>માસિક રૂ. 30,000 લઘુત્તમ વેતન ચૂકવવા માગ</b></h2><p>કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં વેતન વધારો સૌથી અગ્રસ્થાને છે. મોંઘવારીના આ યુગમાં હાલ મળી રહેલું માનદવેતન અત્યંત ઓછું હોવાનો આક્ષેપ કરીને કર્મચારીઓએ માસિક લઘુત્તમ વેતન રૂ. 30,000 ચૂકવવાની માગ કરી છે. કર્મચારીઓનું કહેવું છે કે, આટલી આકરી મહેનત સામે મળતું વેતન પરિવારનું ગુજરાન ચલાવવા માટે અપૂરતું છે.</p><p><img alt="Patan News: SP Denies Spurious Liquor Death Claims by MLA Dinesh Thakor, Gives Clarification" src="https://epapercdn.sandesh.com/images/2026/08/31/tiqja1cTzGHXF52fthBvrdeEdF4k3PRVWt9lR24M.webp" style="width: 100%;"><br></p><h2><b>અકસ્માતમાં રૂ. 4 લાખનું વળતર અને નોકરીની સુરક્ષા આપવા રજૂઆત</b></h2><p>આર્થિક માગણીઓ ઉપરાંત કર્મચારીઓએ પોતાની સામાજિક અને નોકરીની સુરક્ષાનો પણ મુદ્દો ઉઠાવ્યો છે.</p><ul><li><b>અકસ્માત વળતર:</b> ફરજ દરમિયાન જો કોઈ કર્મચારીનું આકસ્મિક રીતે મોત નિપજે તો તેના આશ્રિત પરિવારને રૂ. 4 લાખનું આર્થિક વળતર આપવામાં આવે.</li><li><b>નોકરીની સુરક્ષા:</b> વર્ષોથી અસ્થાયી ધોરણે કામ કરી રહેલા આ તમામ કર્મચારીઓને નોકરીની કાયમી કે પૂર્ણ સુરક્ષા પૂરી પાડવામાં આવે.</li></ul><p>જો સરકાર દ્વારા આગામી સમયમાં આ દિશામાં કોઈ સકારાત્મક પગલાં ભરવામાં નહીં આવે, તો રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ભોજન વ્યવસ્થા ખોરવાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/patan/latha-kand-chanasma-bhatsar-liquor-death-mda-allegation-lcb" target="_blank">Patan News: ભાવનગર બાદ હવે પાટણમાં લઠ્ઠાકાંડની આશંકા, બે મોત થયા બાદ LCB પર ધારાસભ્યનો સીધો આક્ષેપ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/31/aHZSIRljoF3NleZjNXKnxbeqMWnI7BpTSSIQ4fY2.webp'/></item><item><title><![CDATA[US Open 2026માં મોટો ઉલટફેર, જોકોવિચ પહેલા જ રાઉન્ડમાં બહાર ]]></title><link>https://sandesh.com/sports/news/big-upset-in-us-open-2026-djokovic-out-in-the-first-round</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/big-upset-in-us-open-2026-djokovic-out-in-the-first-round</guid><pubDate>Mon, 31 Aug 2026 15:11:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગ્રાન્ડ સ્લેમ ટેનિસમાં સૌથી સફળ પુરુષ ખેલાડીઓમાં સામેલ નોવાક જોકોવિચ માટે US Open 2026ની શરૂઆત નિરાશાજનક રહી છે.ન્યૂયોર્કમાં રમાયેલી પ્રથમ રાઉન્ડની મેચમાં જોકોવિચને અર્જેન્ટિનાના બિનક્રમાંકિત ખેલાડી મારિયાનો નાવોને હરાવીને મોટો ઉલટફેર સર્જ્યો છે. નાવોને જોકોવિચને 7-6, 5-7, 6-4, 2-6, 6-1થી હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધા.આ હાર સાથે જોકોવિચનું 25મું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતવાનું સપનું પણ અધૂરું રહી ગયું છે. આ ઉપરાંત US Openમાં જિમી કોનોર્સના 98 મેચ જીતવાના રેકોર્ડને પાછળ છોડવાની જોકોવિચની આશા પણ પૂર્ણ થઈ શકી નથી.</p><h5 style="text-align: justify; "><b>ન્યૂયોર્કની ગરમીથી પરેશાન દેખાયા જોકોવિચ</b></h5><p style="text-align: justify; ">આર્થર એશ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ દરમિયાન ન્યૂયોર્કની ભારે ગરમી અને ભેજની અસર જોકોવિચના પ્રદર્શન પર જોવા મળી હતી.મેચ દરમિયાન તેઓ ઘણી વખત ઠંડક મેળવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.સ્થિતિ મુશ્કેલ હોવા છતાં જોકોવિચે મેચ છોડ્યા વગર અંત સુધી લડત આપી હતી.મેડિકલ ટીમની મદદ મળ્યા બાદ પણ જોકોવિચ માટે મેચમાં પોતાની સંપૂર્ણ ક્ષમતા સાથે રમવું મુશ્કેલ રહ્યું હતું. તેમ છતાં તેમણે અનુભવ અને જોરદાર રમતનું પ્રદર્શન કરીને મેચમાં વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો.</p><h5 style="text-align: justify; "><b>બીજા અને ચોથા સેટમાં જોરદાર ટક્કર</b></h5><p style="text-align: justify; ">મેચની શરૂઆતમાં જોકોવિચને નાવોને સખત પડકાર આપ્યો હતો. પ્રથમ સેટ ટાઇબ્રેકમાં ગુમાવ્યા બાદ જોકોવિચે બીજા સેટમાં શાનદાર વાપસી કરી હતી અને 7-5થી સેટ જીતી લીધો હતો.ત્રીજા સેટમાં પણ નાવોને દબાણ જાળવી રાખ્યું અને 6-4થી સેટ પોતાના નામે કર્યો. જોકે જોકોવિચે ચોથા સેટમાં ફરી જોરદાર રમત બતાવી હતી. તેમણે 6-2થી સેટ જીતીને મેચને નિર્ણાયક પાંચમા સેટ સુધી પહોંચાડી હતી.</p><h5 style="text-align: justify; "><b>પાંચમા સેટમાં નાવોનનો દબદબો</b></h5><p style="text-align: justify; ">નિર્ણાયક પાંચમા સેટમાં મારિયાનો નાવોને શરૂઆતથી જ પોતાની પકડ મજબૂત બનાવી હતી. નાવોને 4-1ની સરસાઈ મેળવી લીધા બાદ જોકોવિચ માટે વાપસી કરવી મુશ્કેલ બની ગઈ હતી.મેચ આગળ વધતાં જોકોવિચ ભાવુક પણ જોવા મળ્યા હતા. બીજી તરફ નાવોને પોતાની રમત પર ધ્યાન કેન્દ્રિત રાખ્યું અને અંતે પાંચમો સેટ 6-1થી જીતીને કારકિર્દીની સૌથી મોટી જીતમાંથી એક નોંધાવી.આ જીત સાથે મારિયાનો નાવોને US Open 2026માં મોટો ઉલટફેર સર્જ્યો છે, જ્યારે જોકોવિચને ગ્રાન્ડ સ્લેમ ટાઇટલની રેસમાંથી પ્રથમ જ મેચ બાદ બહાર થવું પડ્યું છે. વિમ્બલ્ડનની સેમિફાઇનલ બાદ US Openમાં પણ વહેલી વિદાય જોકોવિચ માટે નિરાશાજનક પરિણામ સાબિત થઈ છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/germany-beat-spain-hockey-world-cup-2026-final" target="_blank">Germanyએ રચ્યો ઈતિહાસ, સ્પેનને હરાવીને મેન્સ હોકી વર્લ્ડકપ 2026નું જીત્યું ટાઈટલ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/31/uRMXQ6qrX2Pd6xGCVIYabWsGLKnrwOoDsgu0kYkr.webp'/></item><item><title><![CDATA[વાંચો બપોરે 12થી 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/today-top-breaking-news-bulletin-gujarat-india-read-important-news-from-12-pm-to-03-pm-31-august-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/today-top-breaking-news-bulletin-gujarat-india-read-important-news-from-12-pm-to-03-pm-31-august-2026</guid><pubDate>Mon, 31 Aug 2026 15:00:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર&nbsp; &nbsp;</b></p><p style="text-align: justify; "><b><br></b></p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/gujarat/breakingnews/crime/vadodara/vadodara-bhayli-gang-rape-case-life-imprisonment" target="_blank">1.&nbsp; &nbsp;Vadodara : ભાયલી ગેંગરેપ કેસમાં 5 આરોપીઓને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા</a>&nbsp; &nbsp;&nbsp;</b></p><p style="text-align: justify; "><b><br></b></p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/entertainment/news/mansi-parekh-nepal-flood-kailash-mansarovar-yatra" target="_blank">2. Gujarati Cinemaની જાણીતી એક્ટ્રેસ માનસી પારેખ કૈલાશ માનસરોવર યાત્રાથી પરત ફરી, ગુમ થયાની હતી ચર્ચાઓ!</a>&nbsp; &nbsp;</b></p><p style="text-align: justify; "><b><br></b></p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/manipur-torch-rally-violence-nrc-census-protest" target="_blank">3. Manipur : મશાલ સરઘસ બન્યું હિંસક! પોલીસ પર ભારે પથ્થરમારો થતાં છોડાયા ટીયર ગેસના સેલ!</a>&nbsp; &nbsp;</b></p><p style="text-align: justify; "><b><br></b></p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/gujarat-weather-update-light-rain-forecast-wind-speed" target="_blank">4. Gujarat Weather Update: ક્યારે અને કેવો થશે વરસાદ? હવામાન વિભાગે કરી આગાહી</a>&nbsp; &nbsp;</b></p><p style="text-align: justify; "><b><br></b></p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/world/news/nepal-glacier-collapse-drone-video-floods" target="_blank">5. Nepal Flood: ગ્લેશિયર તૂટવાથી નેપાળમાં સર્જાયો મહાવિનાશ, રૂંવાડા ઊભા કરી દેતો Video વાયરલ</a>&nbsp; &nbsp;</b></p><p style="text-align: justify; "><b><br></b></p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/business/news/gold-silver-price-today-big-drop-in-gold-and-silver-prices-know-the-new-price-of-24-carat-gold" target="_blank">6. Gold Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો 24 કેરેટ સોનાની નવી કિંમત</a>&nbsp; &nbsp;</b></p><p style="text-align: justify; "><b><br></b></p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-gutkha-pan-masala-ban-extended-one-year-september-13" target="_blank">7. Gutkha Ban in Gujarat: રાજ્યમાં ગુટખા અને પાન-મસાલા પર પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાવાયો, આ તારીખથી થશે લાગૂ</a>&nbsp;&nbsp;</b></p><p style="text-align: justify; "><b><br></b></p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/cricket/news/duleep-trophy-vaibhav-sooryavanshis-explosive-batting-broke-a-57-year-old-record-created-history" target="_blank">8. Vaibhav Sooryavanshiએ 57 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, દુલીપ ટ્રોફીમાં મેળવી આ સિદ્ધિ</a>&nbsp; &nbsp;</b></p><p style="text-align: justify; "><b><br></b></p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/patan/latha-kand-chanasma-bhatsar-liquor-death-mda-allegation-lcb" target="_blank">9. Patan News: ભાવનગર બાદ હવે પાટણમાં લઠ્ઠાકાંડની આશંકા, બે મોત થયા બાદ LCB પર ધારાસભ્યનો સીધો આક્ષેપ</a>&nbsp;</b></p><p style="text-align: justify; "><b><br></b></p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/entertainment/news/kashmira-irani-pregnancy-good-news-age-40" target="_blank">10. Celebrity : 40 વર્ષની ઉંમરે માતા બનશે એક્ટ્રેસ કશ્મીરા ઈરાની! લગ્નના 2 વર્ષ પછી શેર કરી ગુડ ન્યૂઝ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/31/Pici1RbyN5EaYQ4IbkUNRoLubvUUnQRI5kEJEveb.webp'/></item><item><title><![CDATA[Analogue Paneer Ban: ઝોમેટો પ્લેટફોર્મ પર નહી વેચાય એનાલોગ પનીર, લેવાયો મહત્વનો નિર્ણય ]]></title><link>https://sandesh.com/business/news/analogue-paneer-ban-analogue-paneer-will-not-be-sold-on-zomato-platform-important-decision-taken</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/analogue-paneer-ban-analogue-paneer-will-not-be-sold-on-zomato-platform-important-decision-taken</guid><pubDate>Mon, 31 Aug 2026 13:43:54 +05:30</pubDate><description><![CDATA[<p>ડેરી આધારિત પનીરથી બધા પરિચિત છે, પરંતુ "એનાલોગ પનીર" વિશે બહુ ઓછા લોકો જાણે છે, જે વનસ્પતિઓ આધારિત ઘટકોમાંથી બનાવવામાં આવે છે. તે ઘણીવાર અધિકૃત પનીરના આડમાં વેચાય છે. હવે, એનાલોગ પનીરથી બનેલી વાનગીઓ હવે ફૂડ એગ્રીગેટર પ્લેટફોર્મ ઝોમેટો પર વેચવામાં આવશે નહીં. આ અંગે&nbsp; કંપનીએ શૂન્ય-સહિષ્ણુતા નીતિની જાહેરાત કરી છે.</p><h2><b>એનાલોગ પનીરની પ્રોડક્ટ નહી વેચાય&nbsp;</b></h2><p>ઓનલાઈન ફૂડ ઓર્ડર આપતી કંપની ઝોમેટોએ તેના પ્લેટફોર્મ પર એનાલોગ ડેરીથી બનેલી વાનગીઓના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. કંપનીએ જણાવ્યું છે કે તે આ બાબતે શૂન્ય-સહિષ્ણુતા નીતિ જાળવી રાખે છે; આ નિયમોનું ઉલ્લંઘન કરતી રેસ્ટોરન્ટ્સ તેમની સૂચિ દૂર કરી શકે છે.</p><p><b style="font-size: 2rem;">ઝોમેટોએ કરી જાહેરાત&nbsp;</b></p><p>ઝોમેટોના જણાવ્યા અનુસાર, જે રેસ્ટોરન્ટ્સે ચોક્કસ વાનગીઓમાં એનાલોગ ડેરીનો ઉપયોગ જાહેર કર્યો હતો તેમને તાત્કાલિક પ્લેટફોર્મ પરથી દૂર કરવામાં આવ્યા છે. કંપની જણાવે છે કે આ નિર્ણય ગ્રાહકના સ્વાસ્થ્ય અને ખોરાકની માહિતી અંગે પારદર્શિતાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.</p><p><b style="font-size: 1.75rem;">રેસ્ટોરન્ટ્સે હવે શું કરવું જોઈએ?</b></p><p>ઝોમેટોએ તેના રેસ્ટોરન્ટ ભાગીદારોને વાસ્તવિક ડેરી ઉત્પાદનોનો ઉપયોગ કરવાની સૂચના આપી છે. જો તેઓ તાત્કાલિક આમ ન કરી શકે, તો તેમણે તેમના મેનુમાંથી એનાલોગ ડેરી ધરાવતી વાનગીઓ દૂર કરવી જોઈએ. રેસ્ટોરન્ટ્સે સપ્લાયર્સ પાસેથી પ્રાપ્ત ઉત્પાદનોના લેબલ અને ઘટક વિગતો ફરીથી ચકાસવી અને ઉપયોગમાં લેવાતા ઘટકો અંગે ઝોમેટો પર સચોટ માહિતી પ્રદાન કરવી જરૂરી છે. જે રેસ્ટોરન્ટ્સ આ નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જાય છે તેમને ઝોમેટો પ્લેટફોર્મ પરથી દૂર કરી શકાય છે.</p><p><br></p><h4><b>'એનાલોગ ચીઝ' પર ચર્ચા શા માટે ?</b></h4><p><br></p><p>તાજેતરમાં દેશમાં એનાલોગ ચીઝ અંગે ચર્ચાઓએ જોર પકડ્યું છે. એપ્રિલ 2026 માં, FSSAI એ એક જાહેર નોટિસ જાહેર કરીને જણાવ્યું હતું કે 'ચીઝ' નામથી એનાલોગ ચીઝ (અથવા ચીઝ એનાલોગ) વેચવું એ નિયમોનું ઉલ્લંઘન છે. FSSAI એ રેસ્ટોરાં અને અન્ય ફૂડ બિઝનેસ ઓપરેટરોને તેમના મેનુ પર ડેરીને બદલે બિન-ડેરી ઘટકો ધરાવતા ઉત્પાદનોને 'નોન-ડેરી' અથવા 'એનાલોગ' તરીકે સ્પષ્ટ રીતે લેબલ કરવા નિર્દેશ આપ્યો હતો. આ મહિને જ, રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) એ પણ FSSAI અને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એનાલોગ ચીઝ અંગે નોટિસ જારી કરી હતી, જેમાં તેના ઉપયોગ, પોષણ મૂલ્ય, આરોગ્ય પર અસર અને પરીક્ષણ પદ્ધતિઓ વિશે માહિતી માંગવામાં આવી હતી.</p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/31/kSv6dCXafruLSB4382RLOfKP5gnIJlJhLzQcAiDL.webp'/></item></channel></rss>