<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Nandigram by-election : ભાજપનો મોટો દાવ, સુવેન્દુના પૂર્વ PA ચંદ્રનાથ રથની માતાને ઉતારી મેદાને ]]></title><link>https://sandesh.com/india/news/nandigram-by-election-bjp-candidate-hasirani-rath</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/nandigram-by-election-bjp-candidate-hasirani-rath</guid><pubDate>Tue, 15 Sep 2026 12:04:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે કારણ કે ભાજપે નંદીગ્રામ પેટાચૂંટણી માટે એક અત્યંત ભાવનાત્મક અને વ્યૂહાત્મક પગલું ભર્યું છે. ભારતીય જનતા પાર્ટીએ આ ચૂંટણી માટે હસિરાની રથને પોતાના સત્તાવાર ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. હસિરાની રથ એ જ ચંદ્રનાથ રથની માતા છે, જે અગાઉ અગ્રણી નેતા સુવેન્દુ અધિકારીના પર્સનલ સેક્રેટરી (પીએ) તરીકે ફરજ બજાવતા હતા. પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના પરિણામો અને તે પછીના થોડા જ સમયમાં ચંદ્રનાથ રથની કરુણ હત્યા કરવામાં આવી હતી, જેણે રાજ્યભરમાં ભારે રાજકીય હલચલ મચાવી દીધી હતી.</p><h2 style="text-align: justify; "><b>ચંદ્રનાથ રથની હત્યા અને ચૂંટણી સાથે જોડાણ</b></h2><p style="text-align: justify; ">ચંદ્રનાથ રથની શંકાસ્પદ હત્યાનો મામલો તે સમયે પશ્ચિમ બંગાળના રાજકારણમાં ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો હતો. હવે તેમની માતા હસિરાની રથને ચૂંટણીના રણમાં ઉતારીને ભાજપે ફરી એકવાર તે દુઃખદ ઘટનાને અને ચંદ્રનાથના નામની રાજકીય ચર્ચાને તાજી કરી દીધી છે. રાજકીય નિષ્ણાતોના મતે, આ બેઠક પર ભાજપનો આ નિર્ણય માત્ર એક ઉમેદવારની પસંદગી નથી, પરંતુ તે એક મજબૂત રાજકીય સંદેશ પણ છે. નંદીગ્રામ વિધાનસભા મતવિસ્તાર હંમેશાંથી બંગાળની રાજનીતિનું કેન્દ્રબિંદુ રહ્યો છે, અને અહીં યોજાનારી આ પેટાચૂંટણી તમામ પક્ષો માટે ખૂબ જ પ્રતિષ્ઠાનો વિષય બની ગઈ છે.</p><h3 style="text-align: justify; "><b>હસિરાની ઉમેદવારી જાહેર થતા રાજકારણમાં ગરમાવો</b></h3><p style="text-align: justify; ">હસિરાની રથની ઉમેદવારી જાહેર થતાં જ નંદીગ્રામના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને તમામની નજર આ હાઇ-વોલ્ટેજ બેઠક પર ટકેલી છે. ભાજપ આ ચૂંટણીમાં સ્થાનિક લાગણીઓ અને કાયદો-વ્યવસ્થાના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને મેદાનમાં ઉતરી રહી છે, ત્યારે શાસક પક્ષ માટે પણ આ બેઠક જીતવી એક મોટો પડકાર સાબિત થશે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/world/news/us-iran-war-trump-claims-oil-prices-will-drop" target="_blank">આ પણ વાંચોઃ US Iran War: તેલના ભાવ સાવ ઘટી જશે, ડોનાલ્ડ ટ્રમ્પના દાવાએ સૌને ચોંકાવી દીધા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/rhjTwSZdgVPTIbuNRk7Yy6PKhxYZ87jebHW5PbP0.webp'/></item><item><title><![CDATA[Ganpati Songs: બોલીવુડના આ યાદગાર ગીતો સાથે બનાવો ગણેશોત્સવ સ્પેશિયલ પ્લેલિસ્ટ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/ganpati-songs-bollywood-ganesh-chaturthi-playlist</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/ganpati-songs-bollywood-ganesh-chaturthi-playlist</guid><pubDate>Tue, 15 Sep 2026 11:56:59 +05:30</pubDate><description><![CDATA[<p>બોલીવુડની ફિલ્મોમાં ગણેશોત્સવની ઉજવણીના ઘણા દ્રશ્યો જોવા મળતા હોય છે. ફિલ્મ રિલીઝ થઇ જાય એના વર્ષો પછી પણ આ ગીતો ગણેશ પંડાલમાં ગવાતા અને સંભળાતા રહે છે. ગણેશોત્સવના ખાસ અવસરે અમે તમને એવા 5 ગીતો વિશે જણાવી રહ્યા છીએ, જેને તમે આ વર્ષે તમારી પ્લેલિસ્ટમાં સામેલ કરી શકો છો.</p><h2><b>અગ્નિપથ (2012)નું ‘દેવા શ્રી ગણેશા’</b></h2><p>અજય ગોગાવલેએ ગાયેલું આ ખૂબ જ જોશભર્યું ગીત દર વર્ષે ગણેશ ચતુર્થીની ઉજવણીનો મહત્વનો ભાગ બની જાય છે. ફિલ્મમાં જાહેર ગણપતિ પંડાલમાં ઉજવણી દરમિયાન આ ગીત વાગે છે. ફિલ્મનો હીરો વિજય એટલે કે ઋત્વિક રોશન ભગવાન ગણેશની આરતી કરી રહ્યો હોય છે. આ ગીતમાં બતાવવામાં આવ્યું છે કે ઋત્વિક રોશનનું પાત્ર વિજય પૂજામાં વ્યસ્ત હોય છે અને બીજી તરફ તેને જ મારવાની યોજના બનાવવામાં આવી રહી હોય છે.</p><p><a href="https://youtu.be/KYUURuT4W5Y?si=JiqG9Z9Ga3Yg5vJH" target="_blank">https://youtu.be/KYUURuT4W5Y?si=JiqG9Z9Ga3Yg5vJH</a><br></p><h2><b>ABCD: એની બોડી કેન ડાન્સ (2013)નું ‘શંભૂ સુતાયા’</b></h2><p>શંકર મહાદેવન અને વિશાલ દદલાણીએ યુવાનો માટે બનાવેલા આ ફેસ્ટિવલ ગીતને પોતાનો અવાજ આપ્યો છે. આ ગીતને સચિન-જિગરે સંગીત આપ્યું છે. તેમાં ભગવાન ગણેશને સમર્પિત પરંપરાગત સંસ્કૃત મંત્રોને ઝડપી ઈલેક્ટ્રોનિક બીટ્સ અને રોક સ્ટાઇલના અવાજ સાથે જોડવામાં આવ્યા છે. ફિલ્મમાં આ ગીત ત્યારે વાગે છે જ્યારે ડાન્સ ગ્રુપના માર્ગદર્શક વિષ્ણુ એટલે કે પ્રભુ દેવાના માર્ગદર્શન હેઠળ સ્ટ્રીટ ડાન્સર્સ મોટા ગણેશ ચતુર્થી સમારોહમાં પોતાની કળા રજૂ કરવા માટે એકસાથે આવે છે.</p><p><a href="https://youtu.be/DOvG7MC8i7E?si=_Rwzo0eAW_azB6e3" target="_blank">https://youtu.be/DOvG7MC8i7E?si=_Rwzo0eAW_azB6e3</a><br></p><h2><b>ABCD 2 (2015)નું ‘હે ગણરાયા’</b></h2><p>આ ગીતમાં હિન્દુસ્તાની શાસ્ત્રીય ધૂન અને આધુનિક હિપ-હોપ રિધમનું મિશ્રણ છે. દિવ્યા કુમારે ગાયેલું આ ગીત ફિલ્મના અંતિમ ભાગમાં આવે છે, જ્યારે વરુણ ધવન અને શ્રદ્ધા કપૂરની આગેવાની હેઠળનું ભારતીય ડાન્સ ગ્રુપ લોસ એન્જલસમાં યોજાયેલી મોટી આંતરરાષ્ટ્રીય ડાન્સ સ્પર્ધામાં પર્ફોર્મ કરી રહ્યું હોય છે. આ ગીત શાસ્ત્રીય પ્રાર્થનાથી શરૂ થઈને જોરદાર હિપ-હોપ બીટમાં બદલાય છે. તેથી ગણેશોત્સવ દરમિયાન સ્થાનિક યુવાનો અને બાળકો માટે આ ગીત ઉજવણીમાં વગાડવા માટેની પહેલી પસંદ બની ગયું છે.</p><p><a href="https://youtu.be/v10jDT7SJsw?si=BDspJwJrs2Ne9XHM" target="_blank">https://youtu.be/v10jDT7SJsw?si=BDspJwJrs2Ne9XHM</a><br></p><h2><b>બાજીરાવ મસ્તાની (2015)નું ‘ગજાનન’</b></h2><p>સુખવિંદર સિંહે ગાયેલું આ ગીત પરંપરાગત ઢોલના અવાજ અને શાનદાર શાસ્ત્રીય ગાયકીનો ઉપયોગ કરે છે. ફિલ્મમાં આ ગીત ત્યારે વાગે છે જ્યારે મસ્તાની એટલે કે દીપિકા પાદુકોણ અને તેમના નાના પુત્ર પર જીવલેણ હુમલો થાય છે. તે સમયે પેશવા બાજીરાવ એટલે કે રણવીર સિંહ આરતી કરી રહ્યા હોય છે. તેમની પહેલી પત્ની કાશીબાઈ એટલે કે પ્રિયંકા ચોપડાને આ યોજનાની જાણ થઈ જાય છે અને તે બાજીરાવને ચેતવે છે, જેથી તેઓ મસ્તાનીને બચાવી શકે.</p><p><a href="https://youtu.be/KJF8t-BWVRM?si=QQQAEluQTSN_HV5M" target="_blank">https://youtu.be/KJF8t-BWVRM?si=QQQAEluQTSN_HV5M</a><br></p><h2><b>ડોન (2006)નું ‘મૌર્યા રે’</b></h2><p>ગણપતિ વિસર્જનનું લોકપ્રિય ગીત ‘મૌર્યા રે’ શંકર મહાદેવને ગાયું છે અને તેના શબ્દો જાવેદ અખ્તરે લખ્યા છે. શંકર-એહસાન-લોયે તૈયાર કરેલું આ ગીત શાહરૂખ ખાન પર ફિલ્માવવામાં આવ્યું છે. તેમાં તેઓ પોતાના બાપ્પાને વિદાય આપવા માટે આખા વિસ્તારના લોકો સાથે રસ્તા પર નાચતા જોવા મળે છે. ફરહાન અખ્તરની આ થ્રિલર ફિલ્મમાં આ ગીત ત્યારે આવે છે જ્યારે દર્શકોને ડોનના હમશકલ વિશે જાણ થાય છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/9OLiGRYvspE30db6SHZr9t26uPUL2fmlAhm3BG4i.webp'/></item><item><title><![CDATA[Patan News : વૌવા ગામમાં વીજળી પડતાં 35 ઘેટાંના ઘટના સ્થળે મોત, માલધારી પરિવાર પર આફત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/patan/35-sheep-killed-by-lightning-in-vauva-village</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/patan/35-sheep-killed-by-lightning-in-vauva-village</guid><pubDate>Tue, 15 Sep 2026 11:04:25 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પાટણ જિલ્લાના સાંતલપુર પંથકમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપે એક ગરીબ માલધારી પરિવાર પર મોટો આફતનો પહાડ તૂટી પડવા જેવી સ્થિતિ સર્જાઈ છે.  સાંતલપુર તાલુકાના વૌવા ગામમાં મોડી રાત્રે ગાજવીજ અને ભારે વરસાદની વચ્ચે અચાનક આકાશી વીજળી ત્રાટકવાની ઘટના સામે આવી છે.ગામના સીમાડે આવેલા ઘેટાંના વાડા પર આ વીજળી પડવાને કારણે વાડામાં પૂરી રાખવામાં આવેલા કુલ 35 ઘેટાંના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે.આ અચાનક બનેલી દુર્ઘટનાને કારણે પશુપાલક પરિવારો પર આર્થિક સંકટના વાદળો ઘેરાઈ ગયા છે.</p><h2 style="text-align: justify; "><b>રાત્રિના સમયે ગાજવીજ સાથે ત્રાટકી આકાશી વીજળી</b></h2><p style="text-align: justify; ">સાંતલપુર વિસ્તારમાં ગત મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે જોરદાર ગાજવીજ અને પવન સાથે વરસાદ શરૂ થયો હતો.આ દરમિયાન વૌવા ગામના માલધારીઓ દ્વારા તેમના ઘેટાંઓને સુરક્ષિત રાખવા માટે બનાવવામાં આવેલા વાડા પર અચાનક વીજળી ત્રાટકી હતી. વીજળી પડવાનો ધડાકો એટલો ભયાનક હતો કે આસપાસનો વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો હતો.વીજળીના પ્રચંડ આંચકા અને કરંટને કારણે વાડામાં રહેલા મૂંગા પશુઓને બચવાની કોઈ તક મળી ન હતી.</p><h2 style="text-align: justify; "><b>બે માલધારીઓના અસંખ્ય ઘેટાં હોમાયા</b></h2><p style="text-align: justify; ">આ આકાશી આફતમાં બે અલગ-અલગ માલધારી પરિવારોએ પોતાના મૂડીસમાન પશુધનને ગુમાવવું પડ્યું છે.ગ્રામજનોએ જણાવ્યું હતું કે,રબારી વેલાભાઈ સોમાભાઈના વાડામાં રહેલા 21 ઘેટાંના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા છે,જ્યારે રબારી વલ્લભભાઈ કાજળભાઈના 14 ઘેટાં પણ આ વીજળીની ઝપેટમાં આવીને મૃત્યુ પામ્યા છે.એક જ રાત્રે કુલ 35 ઘેટાં મોતને ભેટતા પશુપાલકોની હાલત કફોડી બની ગઈ છે.ઘેટાં જ આ પરિવારોની આજીવિકાનો મુખ્ય આશરો હોવાથી તેઓ બેહાલ થઈ ગયા છે.</p><h2 style="text-align: justify; "><b>તંત્ર દ્વારા પંચનામું અને સરકારી સહાયની ઉગ્ર માગ</b></h2><p><div style="text-align: justify;">ઘટનાની જાણ થતાં જ વૌવા ગામના સરપંચ અને તલાટી કમ મંત્રી દ્વારા ત્વરિતાગતિએ સાંતલપુર તાલુકા વિકાસ અધિકારીને ટેલિફોનિક તેમજ લેખિતમાં આ દુર્ઘટનાની સત્તાવાર જાણ કરવામાં આવી હતી.મામલાની ગંભીરતાને ધ્યાને લઈને વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને પશુપાલન વિભાગના ડોક્ટરોની વિશેષ ટીમને તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચીને મૃત પશુઓનું પેનલ પીએમ અને પંચનામું કરવા માટે સખત સૂચનાઓ આપવામાં આવી છે.ગરીબ માલધારી પરિવારોની આજીવિકાનો એકમાત્ર આધાર છીનવાઈ જવાથી ગ્રામજનોમાં ભારે શોક અને વેદના જોવા મળી રહી છે.&nbsp;</div><div style="text-align: justify;"><br></div><div style="text-align: justify;"><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/scientists-research-artificial-sun-to-unlock-clean-fusion-energy" target="_blank">આ પણ વાંચો: Gandhinagar News : ગુજરાતમાં વૈજ્ઞાનિકો સૂર્યનું રહસ્ય ઉકેલવા લાગ્યા, કૃત્રિમ સૂરજ બનાવવા માટે સંશોધન શરૂ</a></div><div style="text-align: justify;"><br></div></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/4IngZhJzsN0pIqFtQ3kjtYGPGHRh2nnqPJzrU98r.webp'/></item><item><title><![CDATA[Gurugram Hit and Run Case: તેણે જાણી જોઇને ટક્કર મારી,આ હત્યાનો પ્રયાસ,  બાઇકર સિયાનો ખુલાસો ]]></title><link>https://sandesh.com/india/news/gurugram-hit-and-run-case-he-deliberately-hit-this-was-an-attempt-at-murder-biker-siya-reveals</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/gurugram-hit-and-run-case-he-deliberately-hit-this-was-an-attempt-at-murder-biker-siya-reveals</guid><pubDate>Tue, 15 Sep 2026 10:49:04 +05:30</pubDate><description><![CDATA[<p>ગુરુગ્રામ હિટ-એન્ડ-રન કેસની ચકચારી ઘટના. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થયો છે. જેમાં મહિલા બાઇકર કારની ટક્કર વાગે છે અને બાઇક સાથે તે આખી ફંગોળાઇ જાય છે. આ વીડિયોએ સૌને ચોંકાવી દીધા છે. કોઇ કહે છે આ અકસ્માત છે તો કોઇ જોનાર કહે છે કે કારે જ ટક્કર મારી. ત્યારે આ મામલે&nbsp; ભોગ બનેલી બાઈકર સિયા મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરવા માટે આગળ આવી છે. </p><h2><b>મારો પીછો કેમ કરવામાં આવતો હતો? - સિયા&nbsp;</b></h2><p>સિયાએ આ ઘટના વિશે વિગતવાર ચર્ચા કરી. મંગળવારે મીડિયા સાથે વાત કરતા સિયાએ કહ્યું, "મારો પીછો શા માટે કરવામાં આવી રહ્યો હતો? હું મારી પોતાની લેનમાં જ બાઈક ચલાવી રહી હતી. મને ડર હતો કે તેઓ કંઈક નુકસાન પહોંચાડી શકે છે. મારા હાથ અને પગમાં ઈજાઓ થઈ છે. આ હત્યાના પ્રયાસનો મામલો હતો." તેણે ઉમેર્યું કે હું દિલ્હીથી ગુરુગ્રામના 'બાઈકર વન' (Biker One) કાફે તરફ જઈ રહી હતી. હું કોઈ ચોક્કસ રાઈડિંગ ગ્રુપ સાથે જોડાયેલી નથી.&nbsp; હું ઘણીવાર મારા ભાઈ સાથે રાઈડિંગ કરું છું. કાર ચાલકોને ઉશ્કેરવાની મારી કોઈ ઈચ્છા નથી. હું એક વર્ષથી બાઈક ચલાવી રહી છું."</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2099716516531052954"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p><b style="font-size: 2rem;">મારી બાઇક તૂટી ગઇ હું ખૂબ ડરી ગઇ- સિયા&nbsp;&nbsp;</b></p><p>સિયાએ સમજાવ્યું કે અકસ્માત બાદ તેની બાઈકના આગળ અને પાછળના બંને બ્રેક તૂટી ગયા હતા, જેના કારણે તેને ચલાવવી અશક્ય બની ગઈ હતી. અન્ય એક રાઈડરે આ ઘટના જોઈ અને તેને પોતાની બાઈક પર પાછળ બેસાડી (પિલિયન રાઈડ આપી) 'બાઈકર વન' કાફે સુધી લઈ ગયા. તેણે કહ્યું, "હું ખૂબ ડરી ગઈ હતી અને બાઈક ચલાવવાની સ્થિતિમાં જ નહોતી. અન્ય એક રાઈડરે મારી બાઈક ચલાવી, જ્યારે હું બીજા મોટરસાયકલ પર ઘરે પાછી ફરી."</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2099474250319216825"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>'તેમણે જાણીજોઈને મને ટક્કર મારી...'</b></h2><p>સિયાએ જણાવ્યું કે રાઈડિંગ કરતી વખતે તે પોતાની સુરક્ષાને પ્રાથમિકતા આપે છે, તેથી રસ્તા પર અન્ય કોઈની સાથે ઝઘડો કરવાનું તેનું કોઈ કારણ જ નથી. "આખો દેશ તે વીડિયો જોઈ ચૂક્યો છે અને સ્પષ્ટ છે કે ગુનો કોણે કર્યો છે. મને નથી લાગતું કે તેઓ જે પણ ખુલાસો આપે તે માન્ય ગણાશે. આ હિટ-એન્ડ-રનનો કેસ છે.&nbsp; તેમણે જાણીજોઈને મને ટક્કર મારી હતી. સિયાએ વધુમાં જણાવ્યું કે ગુરુગ્રામ પોલીસે ઈન્સ્ટાગ્રામ દ્વારા તેનો સંપર્ક કર્યો હતો.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2099713516639072497"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3><b>સિયાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સવાલ ઉઠાવ્યા&nbsp;</b></h3><p>આરોપીના વકીલે સિયા પર પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો છે. આના જવાબમાં સિયાએ કહ્યું, સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરવાનો મારો ઉદ્દેશ્ય લોકોમાં કાયદાનો ડર ન હોવાની બાબતને ઉજાગર કરવાનો હતો. કેવી રીતે તેઓ રસ્તા પર કોઈને ટક્કર મારીને સરળતાથી ભાગી જાય છે. આવી હરકતો અંગે ડરની ભાવના પેદા કરવી એ આપણી જવાબદારી છે. સિયાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા...</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2099717272847991272"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p>ઘટનામાં ભોગ બનેલી સિયાએ સવાલ ઉઠાવતા કહ્યું કે ગુરુગ્રામમાં કાયદો અને વ્યવસ્થાની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી. તેમણે ટ્રાફિક પોલીસને પણ સવાલ કર્યો કે શું કાયદા અમલીકરણ તંત્ર ત્યારે જ હસ્તક્ષેપ કરશે જ્યારે કોઈ બાઈકરને ટક્કર વાગે અને તેનું મૃત્યુ થાય? તેમણે દલીલ કરી કે જો સત્તાવાળાઓ ગુરુગ્રામમાં બાઈકર્સ પર નિયંત્રણો લાદવાના હોય, તો તેમણે ફોર-વ્હીલર ચાલકોની બેફામ ડ્રાઇવિંગની બાબત પર પણ વિચાર કરવો જોઈએ તેમના વિશે શું પગલાં લેવામાં આવી રહ્યા છે?</p><h3><b>આરોપી કલ્યાણ બેંસલા સામે કર્યા આક્ષેપ&nbsp;</b></h3><p>ઇન્સ્ટાગ્રામના એક નવા વીડિયોમાં, મહિલા બાઈકર સિયાએ આરોપી કલ્યાણ બૈંસલા સામે ગંભીર આક્ષેપો કર્યા. તેમણે સવાલ કર્યો કે જો આરોપીને આ ઘટનાનો ખરેખર પસ્તાવો હતો, તો ટક્કર બાદ તે ઘટનાસ્થળે કેમ ન રોકાયો? "જો તમને મારા માટે દુઃખ થયું હોત, તો તમે તમારી કારથી મને ટક્કર માર્યા પછી કેમ ન રોકાયા? મારો જીવ પણ જઈ શક્યો હોત," તેમ તેમણે પૂછ્યું. તેમણે ઉમેર્યું કે ટક્કર બાદ આરોપીએ તે સુરક્ષિત છે કે નહીં તે તપાસવાનો પ્રયાસ પણ કર્યો ન હતો.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2099712760053641216"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h4><b>ગુરુગ્રામના ગોલ્ફ કોર્સ રોડ પર શું બન્યું હતું?</b></h4><p>આ ઘટના રવિવારે સવારે ગુરુગ્રામના ગોલ્ફ કોર્સ રોડ પર બની હતી. મહિલાએ જણાવ્યું કે તે બાઈકર્સના એક જૂથ સાથે પોતાની 'એપ્રિલિયા RS 457 સ્પોર્ટ્સ' બાઈક ચલાવી રહી હતી ત્યારે એક કારે તેનો પીછો કરવાનું શરૂ કર્યું. ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી એક પોસ્ટમાં, તેમણે આક્ષેપ કર્યો કે કારમાં સવાર લોકો વારંવાર તેમની બાઈકની નજીક આવીને વાહન ચલાવતા હતા અને એવું વર્તન કરતા હતા જેનાથી તેમને અસહજતા અનુભવાઈ. મહિલાએ જણાવ્યું કે તેમણે તેમને સુરક્ષિત અંતર જાળવવાનું કહ્યું હતું. તેના બદલે, કારમાં સવાર લોકોએ તેમને ઊભા રહેવા માટે કહ્યું.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/4Wur9YdX4aKoL4oacnDYNg7smOOHwp0jBHWnNwap.webp'/></item><item><title><![CDATA[Vande Bharat or Rajdhani Express: વંદે ભારત કે પછી રાજધાની એક્સપ્રેસ, કઇ ટ્રેનમાં સૌથી વધુ સુવિધાઓ મળશે? ]]></title><link>https://sandesh.com/business/news/travel/vande-bharat-vs-rajdhani-express-comparison</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/travel/vande-bharat-vs-rajdhani-express-comparison</guid><pubDate>Tue, 15 Sep 2026 10:44:36 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય રેલવેમાં રાજધાની એક્સપ્રેસ અને વંદે ભારત એક્સપ્રેસ બંને પ્રીમિયમ શ્રેણીની ટ્રેન છે, પરંતુ તેમના નેટવર્કની શરૂઆત અને હેતુમાં મોટો તફાવત છે. આ બંને ટ્રેન એકબીજાની સીધી હરીફ નથી, પરંતુ અલગ-અલગ જરૂરિયાતો અને મુસાફરીના અંતરને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.</p><p>દેશની પ્રથમ રાજધાની એક્સપ્રેસ 1969માં નવી દિલ્હીથી હાવડા વચ્ચે શરૂ થઈ હતી. તેનો મુખ્ય હેતુ દેશની રાજધાની દિલ્હીને અલગ-અલગ રાજ્યોની રાજધાનીઓ અને મોટા શહેરો સાથે ઝડપી અને આરામદાયક રાત્રિ મુસાફરી દ્વારા જોડવાનો હતો.</p><p>ભારતની પ્રથમ સેમી-હાઈ-સ્પીડ સ્વદેશી ટ્રેન ફેબ્રુઆરી 2019માં નવી દિલ્હીથી વારાણસી વચ્ચે શરૂ થઈ હતી. તેને મુખ્યત્વે શહેરો વચ્ચેની દિવસ દરમિયાનની મુસાફરી માટે બનાવવામાં આવી હતી.</p><h2><b>ઝડપ અને એક્સિલરેશન</b></h2><p>વંદે ભારત એક્સપ્રેસની ડિઝાઇન સ્પીડ 180 કિમી પ્રતિ કલાક છે અને યોગ્ય ટ્રેક પર તે 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. બીજી તરફ, મોટાભાગની રાજધાની ટ્રેનોની મહત્તમ ઝડપ 130 કિમી પ્રતિ કલાક સુધી રહે છે. પરંપરાગત એન્જિનથી ચાલતી રાજધાનીની સરખામણીએ વંદે ભારત સ્વયંસંચાલિત ટ્રેન છે. આ ટ્રેન માત્ર 52 સેકન્ડમાં 0થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે, જેના કારણે સ્ટેશન પર રોકાયા બાદ ફરી ઝડપ મેળવવામાં લાગતો સમય ઘણો ઓછો થઈ જાય છે.</p><h2><b>સીટિંગ ક્લાસ અને કોચની સુવિધાઓ</b></h2><p>સ્ટાન્ડર્ડ વંદે ભારત ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર શ્રેણીમાં આવે છે. તેમાં ઓટોમેટિક સ્લાઇડિંગ દરવાજા, GPS આધારિત પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ, આધુનિક સસ્પેન્શન અને 180 ડિગ્રી સુધી ફરી શકતી બેઠકો મળે છે.</p><p>રાજધાની એક્સપ્રેસમાં ફર્સ્ટ AC, સેકન્ડ AC અને થર્ડ ACમાં પરંપરાગત સૂવાની વ્યવસ્થા હોય છે. ઘણા રૂટ પર હવે નવા તેજસ-રાજધાની કોચ પણ લગાવવામાં આવ્યા છે, જેમાં ઓટોમેટિક દરવાજા અને બાયો-વેક્યૂમ ટોયલેટ જેવી સુવિધાઓ છે.</p><h2><b>વંદે ભારત સ્લીપર</b></h2><p>લાંબા અંતરની રાત્રિ મુસાફરી માટે હવે વંદે ભારતના સ્લીપર વર્ઝન પણ રજૂ કરવામાં આવી રહ્યા છે. તેમાં ગાદીવાળી બર્થ, અવાજ ઓછો કરવાની ટેક્નોલોજી, સેન્સર આધારિત લાઇટિંગ અને 1ACમાં ગરમ પાણી જેવી પ્રીમિયમ સુવિધાઓ આપવામાં આવી રહી છે.</p><h2><b>ખાવા-પીવાની સુવિધા</b></h2><p>વંદે ભારત એક્સપ્રેસમાં IRCTC દ્વારા આપવામાં આવતી કેટરિંગ સુવિધામાં નાસ્તો, બ્રેકફાસ્ટ, લંચ અથવા ડિનર સામેલ હોય છે. મુસાફરોને બુકિંગ વખતે જ ભોજન ન લેવાનો વિકલ્પ પણ મળે છે, જેના કારણે ટિકિટનું ભાડું ઓછું થઈ જાય છે.</p><p>રાજધાની એક્સપ્રેસમાં લાંબી મુસાફરી હોવાથી સવારની ચા, નાસ્તો, સૂપ, લંચ, સાંજના નાસ્તા અને ડિનરનું નક્કી શેડ્યૂલ હોય છે. ફર્સ્ટ ACના મુસાફરોને સૂપ અને ખાસ મેન્યૂનો વિકલ્પ પણ આપવામાં આવે છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/g0iSHaNwCBCCnluyF2sXAptHtvjMQQvBVPslya8l.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: બાળકોની હાજરી ધરાવતી સંસ્થાઓ અને કર્મચારીઓ માટે આચારસંહિતા નક્કી કરાશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-child-protection-policy-2026-announced</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-child-protection-policy-2026-announced</guid><pubDate>Tue, 15 Sep 2026 10:23:51 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતના બાળકોને સુરક્ષિત ગૌરવપૂર્ણ અને અધિકારસભર બાળપણ મળે તે દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે વધુ એક મહત્વની અને સંવેદનશીલ પહેલ કરી રાજ્યમાં ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ નીતિ 2026 જાહેર કરી છે. મુખ્યમંત્રીનાં માર્ગદર્શન તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજા તેમજ રાજ્ય મંત્રી ડૉ.મનીષા વકીલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર રીતે ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ નીતિ 2026 જાહેર કરવામાં આવી છે.આ નીતિનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં એવું સુરક્ષિત અને સમાનતાપૂર્ણ વાતાવરણ ઊભું કરવાનો છે કે જ્યાં દરેક બાળક હિંસા,શોષણ,દુર્વ્યવહાર,ઉપેક્ષા અને ભેદભાવથી મુક્ત રહી પોતાની સંપૂર્ણ ક્ષમતાનો વિકાસ કરી શકે.</p><h2 style="text-align: justify; "><b>વાંધા સૂચનોને પણ સરકારે ધ્યાનમાં લીધા&nbsp;</b></h2><p style="text-align: justify; ">સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ગત તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા એક જાહેરનામા મુજબ આ નીતિ રાજપત્રમાં પ્રકાશિત થયાની તારીખથી અમલમાં આવી ગઈ છે.નીતિ તૈયાર કરતા અગાઉ તેના મુસદ્દા અંગે મળેલા વાંધા સૂચનોને પણ સરકારે ધ્યાનમાં લીધા છે.POCSO નિયમો, જુવેનાઈલ જસ્ટિસ અધિનિયમ, બાળલગ્ન પ્રતિબંધ કાયદો, બાળમજૂરી સંબંધિત કાયદા, શાળા સલામતી માર્ગદર્શિકા, રાષ્ટ્રીય બાળ નીતિ સહિતના વિવિધ કાયદાકીય અને નીતિગત માળખાઓનો પણ અભ્યાસ કરવામાં આવ્યો છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>દરેક બાળકને સુરક્ષિત અને ગૌરવપૂર્ણ બાળપણ આપવાનું લક્ષ્ય</b></h2><p style="text-align: justify; ">નવી નીતિનો અભિગમ માત્ર કોઈ ઘટના બન્યા પછી કાર્યવાહી કરવાનો નથી,પરંતુ બાળ સુરક્ષાને નિવારણ, સમયસર ઓળખ, તાત્કાલિક પ્રતિભાવ, પુનર્વસન અને પુનઃસમાવેશન સાથે જોડીને એક વ્યાપક વ્યવસ્થા ઊભી કરવાનો છે. સરકારનું સ્પષ્ટ ધ્યેય એવા સમાજનું નિર્માણ કરવાનું છે કે જેમાં દરેક બાળક સલામત, આદરણીય, સુરક્ષિત અને અધિકારસંપન્ન હોય. બાળકને સુરક્ષા સાથે શિક્ષણ, આરોગ્ય, સર્વાંગી વિકાસ અને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર પણ મળે તે સુનિશ્ચિત કરવાની દિશામાં નીતિ ઘડવામાં આવી છે.આ નીતિમાં ધર્મ, જાતિ, લિંગ, સામાજિક-આર્થિક સ્થિતિ, રાજકીય કે સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ અથવા ભૌગોલિક વિસ્તારના આધારે કોઈ ભેદભાવ વિના તમામ બાળકોને બાળ સંરક્ષણ સેવાઓનો સમાન લાભ મળે તે બાબતને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>બાળ સુરક્ષા હવે માત્ર એક વિભાગની જવાબદારી નહીં</b></h2><p style="text-align: justify; ">આ નીતિની સૌથી ખાસ બાબત એ છે કે બાળ સંરક્ષણને સમગ્ર સમાજની સામૂહિક જવાબદારી તરીકે જોવામાં આવ્યું છે. નીતિનો વ્યાપ સરકારી વિભાગો અને સરકારી એજન્સીઓ પૂરતો મર્યાદિત નથી. તેમાં સ્થાનિક સંસ્થાઓ, NGO, નાગરિક સમાજ, કૉર્પોરેટ અને વેપારી ગૃહો, ઉદ્યોગો, મીડિયા સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, બાળ સંભાળ સંસ્થાઓ તેમજ બાળકો સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવતી વ્યક્તિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.આથી બાળ સુરક્ષાને એક સંકલિત સામાજિક જવાબદારીનું સ્વરૂપ મળશે અને બાળકો સાથે જોડાયેલી વિવિધ સંસ્થાઓ વચ્ચે વધુ મજબૂત સંકલન ઊભું થઈ શકશે.</p><h2 style="text-align: justify; "><b>સંવેદનશીલ પરિસ્થિતિમાં રહેલા બાળકો માટે વિશેષ સુરક્ષા</b></h2><p style="text-align: justify; ">નીતિમાં સમાજના વધુ સંવેદનશીલ વર્ગોના બાળકોને વિશેષ રીતે આવરી લેવામાં આવ્યા છે. સંભાળ અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકો, કાયદા સાથે સંઘર્ષમાં આવેલા બાળકો, દિવ્યાંગ બાળકો, સ્થળાંતરિત બાળકો, અનાથ બાળકો, અનુસૂચિત જાતિ-જનજાતિના બાળકો, વંચિત સમુદાયોના બાળકો, માનવ તસ્કરીથી પ્રભાવિત બાળકો, શેરીમાં રહેતા બાળકો તેમજ સંસ્થાકીય અને વૈકલ્પિક સંભાળમાં રહેતા બાળકો માટે સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી છે.આ ઉપરાંત ટ્રાન્સજેન્ડર અને આંતરલિંગી બાળકો, HIV/AIDS અથવા લાંબી બીમારીથી પ્રભાવિત બાળકો, કુદરતી આફતથી અસરગ્રસ્ત બાળકો તથા સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં રહેતા બાળકોને પણ નીતિના દાયરામાં સામેલ કરવામાં આવ્યા છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>શાળા,હૉસ્પિટલથી લઈને જાહેર સ્થળો સુધી બાળ સુરક્ષિત વાતાવરણ</b></h2><p style="text-align: justify; ">રાજ્ય સરકાર હવે બાળકો જ્યાં રહે છે, ભણે છે, સારવાર મેળવે છે અથવા સેવાઓ મેળવે છે, તેવા તમામ સ્થળોને વધુ સુરક્ષિત બનાવવાની દિશામાં આગળ વધશે. નીતિ હેઠળ બાળ-સુરક્ષિત શાળાઓ, બાળ-સુરક્ષિત આરોગ્યસંભાળ સુવિધાઓ, બાળ-સુરક્ષિત બાળ સંભાળ સંસ્થાઓ, બાળ-સુરક્ષિત કાર્યસ્થળો, બાળ-સુરક્ષિત ડિજિટલ વાતાવરણ અને બાળ-સુરક્ષિત જાહેર સ્થળોને પ્રોત્સાહન આપવામાં આવશે.સરકારનો અભિગમ સ્પષ્ટ છે કે બાળકની સુરક્ષા માત્ર ઘર કે શાળા પૂરતી મર્યાદિત ન રહે, પરંતુ બાળક જ્યાં પણ જાય ત્યાં સુરક્ષિત વાતાવરણ તેની સાથે રહે.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/scientists-research-artificial-sun-to-unlock-clean-fusion-energy" target="_blank">આ પણ વાંચોઃ Gandhinagar News : ગુજરાતમાં વૈજ્ઞાનિકો સૂર્યનું રહસ્ય ઉકેલવા લાગ્યા, કૃત્રિમ સૂરજ બનાવવા માટે સંશોધન શરૂ</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/jqVsMomfus5o1hKwxVnsaL2AmM61f1w0SGG8xSBc.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: રોંગ સાઈડમાં આવી રહેલી ટ્રક ચાલકે બાઈક સવાર બે યુવકોને અડફેટે લીધા, એકનું મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/wrong-side-truck-hits-two-bikers-near-anjali-bridge-one-killed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/wrong-side-truck-hits-two-bikers-near-anjali-bridge-one-killed</guid><pubDate>Tue, 15 Sep 2026 09:58:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં બેફામ વાહનચાલકોની બેદરકારી અને ટ્રાફિક નિયમનના સરેઆમ ભંગને કારણે નિર્દોષ નાગરિકોના ભોગ લેવાવવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી.શહેરના વ્યસ્ત ગણાતા એવા અંજલી બ્રિજ પાસે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.જેમાં રોંગ સાઈડમાં આવી રહેલી એક અનિયંત્રિત ટ્રકે બાઈક પર જઈ રહેલા બે યુવકોને અડફેટે લીધા હતા.આ અકસ્માતમાં એક યુવકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.જ્યારે અન્ય એક યુવક ગંભીર હાલતમાં હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>મહાલક્ષ્મી પાંચ રસ્તા પાસે બ્રિજની છેડે સર્જાઈ દુર્ઘટના</b></h2><p style="text-align: justify; ">પ્રાપ્ત વિગતો અનુસાર આ ગંભીર અકસ્માત અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી પાંચ રસ્તા પાસે અંજલી બ્રિજના છેડા પર સર્જાયો હતો.બાઈક સવાર બે યુવકો પોતાના નિયમિત રસ્તે જઈ રહ્યા હતા તે દરમિયાન સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રક અચાનક રોંગ સાઈડમાં ધસી આવી હતી.ટ્રક ચાલકની આ બેદરકારી અને ઓવરસ્પીડના કારણે બાઈક ચાલક કઈ સમજે તે પહેલા જ ટ્રકે જોરદાર ટક્કર મારી દીધી હતી.ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક પર સવાર બંને યુવકો ફંગોળાઈને રોડ પર પટકાયા હતા.</p><h2 style="text-align: justify; "><b>એક યુવકનું ઘટનાસ્થળે જ મોત બીજો ગંભીર ઇજાગ્રસ્ત</b></h2><p style="text-align: justify; ">આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાના કારણે બાઈક સવાર એક યુવકનું ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જ્યારે તેની સાથે રહેલો અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો.અકસ્માતની ઘટના જાણીને આસપાસના લોકો ત્વરિત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.લોકોએ તાત્કાલિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ દ્વારા ખસેડવામાં આવ્યો છે.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ટ્રાફિક પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે.પોલીસે અકસ્માતે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા ટ્રક ચાલકને ઝડપી પાડવાની કવાયત તેજ કરી છે.&nbsp;<br><br><h2><b>ઈસ્કોન બ્રિજ પર બે અકસ્માત</b></h2></p><p style="text-align: justify; ">ઉલ્લેખનીય છે કે, શહેરમાં બેફામ પણે વાહન હંકારનારા લોકો અકસ્માત સર્જી રહ્યાં છે. આજે સવારે ઈસ્કોન બ્રિજ પર એક જ સ્થળે બે અકસ્માત સર્જાયા હતાં. કર્ણાવતી ક્લબ પાસે ચાલી રહેલા કામને કારણે એક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ ડાયવર્ઝન બોર્ડ સાથે એક બેફામ સ્પીડે આવી રહેલા કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. જ્યારે એક ટ્રક ચાલકે બ્રિજ પાસે ગોઠવેલા બેરિકેટ તોડ્યા હતાં. આ અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી નથી. પરંતુ બેફામ ચાલકો દ્વારા થતા આ અકસ્માતોમાં નિર્દોષ લોકોના મોત થઈ રહ્યાં છે.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/2-accidents-at-same-spot-on-iskcon-bridge" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News:આજે ઈસ્કોન બ્રિજ એક જ જગ્યાએ 2 અકસ્માત સર્જાયા, ડાયવર્ઝન બન્યું જીવલેણ</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/EHTv3MbuApS7GEqdWDOVW9ilPz1p7qZL46SH6S0P.webp'/></item><item><title><![CDATA[Gujarat Weather News: રાજ્યમાં આજે પણ આ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો ક્યારે મેઘરાજા વિરામ લેશે? ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/heavy-rain-forecast-today-know-when-monsoon-will-ease</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/heavy-rain-forecast-today-know-when-monsoon-will-ease</guid><pubDate>Tue, 15 Sep 2026 07:47:08 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતભરમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે.જેના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 259 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.ધોધમાર વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે અને નદી-નાળા છલકાઈ ગયા છે. ત્યારે હવામાન વિભાગે આગામી સમયમાં વરસાદનું જોર ઘટવાની સંભાવના પણ વ્યક્ત કરી છે. આ ઉપરાંત આજે પણ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ અપાયું છે.</p><h2 style="text-align: justify; "><b>કચ્છ અને સૌરાષ્ટ્રમાં મેઘ તાંડવ</b></h2><p style="text-align: justify; ">છેલ્લા 24 કલાકના આંકડાઓ પર નજર કરીએ તો કચ્છ પંથકમાં મેઘરાજાએ સૌથી વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.કચ્છના અંજાર તાલુકામાં સૌથી વધુ 7.24 ઇંચ વરસાદ ખાબક્યો છે.આ ઉપરાંત ગાંધીધામમાં 4.61 ઇંચ અને ભચાઉમાં 4.41 ઇંચ વરસાદ નોંધાયો છે.સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાએ હેત વરસાવ્યું છે જેમાં ભાવનગરના વલ્લભીપુરમાં 6.1 ઇંચ, જામનગર શહેરમાં 5.59 ઇંચ અને રાજકોટના કોટડા સાંગાણીમાં 5.2 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. આણંદના બોરસદમાં 5.51 ઇંચ, મહેસાણાના કડીમાં 4.29 ઇંચ, વડોદરાના કરજણમાં 4.29 ઇંચ, સુરત શહેરમાં 4.17 ઇંચ, અમદાવાદના ધોળકામાં 4.13 ઇંચ, ખેડાના નડિયાદમાં 4.06 ઇંચ અને અમદાવાદ શહેરમાં 3.43 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>કચ્છ સૌરાષ્ટ્રમાં હજુ પણ વરસાદનું એલર્ટ</b></h3><p style="text-align: justify; ">હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ યથાવત રહેશે.આજે ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય અમદાવાદમાં હળવા વરસાદની આગાહી છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં સામાન્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શરુઆત થશે.જોકે,છેલ્લા 24 કલાકમાં પડેલા અતિભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા છે અને જળાશયોમાં નવા નીર આવવાથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/if-ev-buses-stop-in-one-foot-water-why-buy-them-mla-questions-amc" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: એક ફૂટ પાણીમાં AMCની ઈલેક્ટ્રીક બસો દોડતી નથી તો ખરીદવાની ક્યાં જરૂર છે: ધારાસભ્યનો સવાલ</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/ZGmTSGUzRdk3bNrD9VmO1ovDso93EFNHn9TfV9Fv.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: એક ફૂટ પાણીમાં AMCની ઈલેક્ટ્રીક બસો દોડતી નથી તો ખરીદવાની ક્યાં જરૂર છે: ધારાસભ્યનો સવાલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/if-ev-buses-stop-in-one-foot-water-why-buy-them-mla-questions-amc</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/if-ev-buses-stop-in-one-foot-water-why-buy-them-mla-questions-amc</guid><pubDate>Tue, 15 Sep 2026 07:32:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">છેલ્લા બે દિવસથી રાજ્યમાં ભારે વરસાદ ખાબક્યો છે. ગઈકાલે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘ મહેર થઈ હતી. બીજી તરફ સ્માર્ટ સિટી કહેવાતા અમદાવાદમાં શાસકો અને અધિકારીઓની મોટી બેદરકારી સામે આવી હતી. જુલાઈમાં થયેલા વરસાદથી બોધ પાઠ નહીં લેતા ગઈકાલના વરસાદમાં પણ શહેર પાણીમાં ડૂબ્યું હતું. સવારથી જ વરસાદ શરૂ થતાં સ્કૂલ બસો પણ વરસાદી પાણીમાં ફસાઈ હતી. આ ઉપરાંત એએમટીએસની બસો પણ રસ્તા પર ભરાઈ ગયેલા પાણીમાં બંધ પડી ગઈ હતી. બસના ડ્રાઈવરોએ બંધ પડેલી બસ પાણીમાં જ ઉભી કરી દેતા મુસાફરો રોષે ભરાયા હતાં.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>પેસેન્જરોને રઝળતા મૂકવાનો વિવાદ વકર્યો</b></h2><p style="text-align: justify; ">અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસો એક ફૂટ પાણીમાં બંધ કરીને મૂકી દઈ પેસેન્જરોને રઝળતા મૂકવાનો વિવાદ વકર્યો છે.વાસણામાં અંદાજે ચાર બસો પાણીમાં બંધ કરીને મૂકી દેવા સામે એલિસબ્રિજના સત્તાપક્ષના ધારાસભ્ય અને પૂર્વ મેયરે પ્રશ્ન ઉઠાવતાં મ્યુનિ.તંત્ર ફસાઈ ગયું હતું.ધારાસભ્યએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, એક ફૂટ પાણીમાં ઇલેક્ટ્રિક બસ ચાલી શકતી નથી તો ખરીદવાની ક્યાં જરૂર છે ? જેના જવાબમાં AMTS વિભાગ ગોળ ગોળ જવાબ આપી છટકી ગયું હતું.બીજી તરફ સ્કૂલ બસની બે ઘટના બની હતી, જેમાં શેલામાં બસ પાણીમાં ફસાતાં બાળકોનું રેસ્કયુ કરાયું હતું, જ્યારે મકરબામાં બસ ખાડામાં ઊતરી ગઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>વાસણામાં ઇલેક્ટ્રિક AMTSની બસો બંધ કરીને મૂકી દેવાઇ</b></h2><p style="text-align: justify; ">બસો ઓપરેટરોના લાભાર્થે ચાલતી હોય તેવા વિપક્ષ દ્વારા આક્ષેપ પણ કરાયા છે.વાસણામાં ઇલેક્ટ્રિક AMTSની બસો બંધ કરીને મૂકી દેવાઇ હતી. શરૂઆતમાં લાગ્યું કે, ઇલેક્ટ્રિક બસમાં ટેકનિકલ સમસ્યા લાગે છે.પરંતુ એલિસબ્રિજના ધારાસભ્ય અને પૂર્વ મેયરે તપાસ કરતાં બસ ચાલકે કહ્યું કે, પાણી ભરાઈ ગયાં છે એટલે ઉપરથી ઇલેક્ટ્રિક બસ બંધ રાખીને ઊભી રાખવાનો આદેશ છે.પૂર્વ મેયરે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, એક કે બે ફૂટ પાણીમાં ઇલેક્ટ્રિક બસો બંધ થઈ જતી હોય તો ખરીદવાની ક્યાં જરૂર છે ? અન્ય એક કિસ્સામાં શેલામાં સ્કૂલ બસ પાણીમાં ભરાઈ જતાં અન્ય બસ લાવીને બાળકોને હેમખેમ શિફ્ટ કરાયાં હતાં. જ્યારે મકરબામાં બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. ફાયર ટીમ પહોંચે તે પહેલાં જ બાળકોને બચાવી લેવાયાં હતાં.</p><h2 style="text-align: justify; "><b>AMTS-BRTSની 1350 બસોમાંથી 380થી વધુ EV બસો&nbsp;</b></h2><p style="text-align: justify; ">મ્યુનિ.ટ્રાન્સપોર્ટ અને જનમાર્ગ વિભાગ દ્વારા વરસાદી પાણી ભરાય એટલે ઇલેક્ટ્રિક બસો બંધ કરીને મૂકી દઈ કોન્ટ્રાક્ટરોને લાભ કરી અપાતો હોવાનું પુરવાર થયું છે.હાલ અંદાજે AMTSની 1000માંથી 136 ઇલેક્ટ્રિક બસ અને BRTSની 350માંથી 250 ઇલેક્ટ્રિક બસો છે.આમ અંદાજે 1350 બસોમાંથી 380થી વધુ ઇલેક્ટ્રિક બસો છે.વિભાગના સૂત્રોએ કહ્યું કે,બસ પાણીના લીધે બંધ કરાતી નથી પણ કોર્પોરેશનના ખરાબ રસ્તાના લીધે બસોને નુકસાન થાય નહીં એટલે બંધ રખાય છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/tapi/tapi-relief-for-villagers-as-leopards-return-to-cages-in-dadaria-valod" target="_blank">આ પણ વાંચોઃ Tapi: વાલોડના દાદરીયામાં ફરી દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોને રાહત</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/roC8UDTRAKL2KCxwh8ZVVV4Z30Ms4fJ1I1x18mPL.webp'/></item><item><title><![CDATA[પાકિસ્તાનની ટીમ ભારત આવશે! એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં જામશે ભારત-પાક જંગ ]]></title><link>https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</guid><pubDate>Mon, 14 Sep 2026 15:47:21 +05:30</pubDate><description><![CDATA[<p>આવતા મહિને પાકિસ્તાનની હોકી ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે. 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન પંજાબમાં યોજાનારી AHF મેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026માં પાકિસ્તાન સહિત કુલ છ ટીમો ભાગ લેશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પાકિસ્તાનની ભાગીદારી અંગેની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, મલ્ટી-નેશનલ ઇવેન્ટ્સ અંગે કેન્દ્ર સરકારની નીતિ હેઠળ બંને દેશોની ટીમો આમને-સામને રમશે.</p><h2><b>ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જાલંધરમાં રમાશે</b></h2><p>એશિયન મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન થશે. આ ટૂર્નામેન્ટમાં યજમાન ભારત અને પાકિસ્તાન ઉપરાંત ચીન, જાપાન, મલેશિયા અને કોરિયાની પણ ભાગ લેશે. લીગ સ્ટેજના મુકાબલા જાલંધરમાં યોજાશે, જ્યારે સેમિફાઇનલ અને ફાઇનલ મેચ મોહાલીના હોકી સ્ટેડિયમમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 1 નવેમ્બરે જાલંધરમાં રમાશે. કોઈ ટીમ છેલ્લી ઘડીએ ખસી જાય તો તે સ્થિતિ માટે ઓમાન અને બાંગ્લાદેશને રિઝર્વ ટીમન તરીકે રાખવામી આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PTI_News/status/2099416960278868155"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમવામાં કોઈ મુશ્કેલી નથી</b></h2><p>પાકિસ્તાનની ભાગીદારી અને જરૂરી મંજૂરીઓ અંગે પંજાબના મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં બંને દેશો વચ્ચે રમવામાં કોઈ મુશ્કેલી નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝનું આયોજન અલગ બાબત છે, કારણ કે કેન્દ્ર સરકારની વર્તમાન નીતિ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય રમત-ગમતના આયોજનની મંજૂરી આપતી નથી. પરંતુ મલ્ટી-નેશનલ ટૂર્નામેન્ટમાં બંને દેશોના ખેલાડીઓને એકબીજા સામે રમવાની પરવાનગી છે, જેથી પાકિસ્તાની ટીમ ભારત આવી શકશે.</p><h2><b>ભારત વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે</b></h2><p>ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. ભારતે 2023માં ચેન્નાઈ અને 2024માં ચીનના હુલુનબુઈરમાં યોજાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ગત વર્ષે આ સ્પર્ધા યોજાઈ શકી નહોતી. હવે પંજાબ પ્રથમ વખત આ ટૂર્નામેન્ટની મેજબાની કરવા જઈ રહ્યું છે.</p><h2><b>અગાઉ પાકિસ્તાની ટીમે ના કહી હતી&nbsp;</b></h2><p>પાકિસ્તાનની આ વખતની ભાગીદારી એટલા માટે પણ ખાસ છે, કારણ કે ગત વર્ષે તેણે તમિલનાડુમાં આયોજિત જૂનિયર હોકી વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તે સમયે બંને દેશો વચ્ચેના તણાવને તેનું કારણ ગણાવવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે અને પાકિસ્તાની ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે પૂરી રીતે તૈયાર છે.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/V6jwdiIr9RTCvR6EyBaGsP2qfZvYLq2JfkL7pytm.webp'/></item></channel></rss>