<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[નવસારીમાં માછી સમાજ દ્વારા ભવ્ય નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/navsari/a-grand-free-all-disease-diagnosis-camp-was-organized-by-the-fish-society-in-navsari</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/navsari/a-grand-free-all-disease-diagnosis-camp-was-organized-by-the-fish-society-in-navsari</guid><pubDate>Wed, 09 Sep 2026 05:01:57 +05:30</pubDate><description><![CDATA[<p>નવસારી કૃષિ યુનિવર્સિટી પાસે આવેલા માનવ કલ્યાણ સંચાલિત મમતા મંદિર ખાતે માછી સમાજ સંગઠન દ્વારા નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું સફ્ળ આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક રહીશો અને જરૂરિયાતમંદ પરિવારના નાગરિકો માટે સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્યથી યોજાયેલા કેમ્પને સમાજના અગ્રણીઓ, હોદ્દેદારો અને સ્થાનિક શ્રોષ્ઠીઓની ઉપસ્થિતિમાં ખુલ્લો મૂકાયો હતો.</p><p>સમાજના વડીલોએ તંદુરસ્ત સમાજના નિર્માણ માટે આવા આયોજનોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કેમ્પમાં વિવિધ રોગોના નિષ્ણાત ડોક્ટરો દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. તપાસ કરાવનાર દર્દીઓને નિષ્ણાત તબીબોના માર્ગદર્શન હેઠળ સ્થળ પર જ જરૂરિયાતમંદ દર્દીઓ માટે શુગર, પ્રેશર, ઈ.સી.જી. અને કેલ્શિયમની તપાસ સહિતના કેટલાક પાયાના લેબોરેટરી ટેસ્ટ પણ વિનામૂલ્યે કરવામાં આવ્યા હતાં, આ સમગ્ર આયોજનને સફ્ળ બનાવવા માટે સમાજના પ્રમુખ ઈશ્વર એન. ટંડેલ, મંત્રી રમણીકલાલ વી. ટંડેલ, કન્વીનરો કૃષ્ણવદન એસ. ટંડેલ, નિલયકુમાર એચ. ટંડેલ તથા ડો. અરવિંદ આર. ટંડેલ અને સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/mlUw5IB5LAwcUW0eS6PWM56Qho1HS0SjCGZ02O8T.webp'/></item><item><title><![CDATA[વાંસદામાં 'દરબાર ચા રાજા'ના ભવ્ય આગમનથી શ્રીજી ભક્તોમાં આનંદ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/navsari/devotees-of-shriji-rejoice-over-grand-arrival-of-durbar-cha-raja-in-vansda-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/navsari/devotees-of-shriji-rejoice-over-grand-arrival-of-durbar-cha-raja-in-vansda-1</guid><pubDate>Wed, 09 Sep 2026 05:00:10 +05:30</pubDate><description><![CDATA[<p>14મી સપ્ટેમ્બરના રોજ ગણેશજીની સ્થાપના પૂર્વે વાંસદાનગર સહિત સમગ્ર તાલુકાના વિવિધ મંડળો દ્વારા શ્રીજીની પ્રતિમાનું આગમન કરાવી રહ્યા છે. જેમાં વાંસદા જૂના દરબાર ખાતે દર વર્ષની માફક આ વર્ષે પણ આકર્ષક શ્રીજીની સ્થાપનાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.</p><p>સોમવારના સાંજે દરબાર ચા રાજાનું ભવ્ય આગમન થતાં શ્રીજીની બેલેન્સિંગ માટેની પ્રતિમા નિહાળવા હજારોની સંખ્યામાં ગણેશ ભક્તો ઉમટી પડયા હતાં અને ઢોલ-નગારાના તાલે વાજતે ગાજતે શ્રીજીના આગમનમાં જોડાતા સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલનું નિર્માણ થવા સાથે ગણપતિ બાપ્પા મોરિયાના નારાથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠયો હતો. દરબાર ચા રાજાના આગમન સમયે મુંબઈનું ફેમસ અઘોરી અને કાળીકા માતાના ગ્રૂપ દ્વારા વિવિધ પ્રકારની આકર્ષક કૃતિઓ રજૂ કરવામાં આવતા હજારો ભક્તો ભક્તિભાવમાં લિન થઈ ગયા હતા. મંડળના સંચાલકોએ પર્યાવરણને ધ્યાનમાં રાખી દર વર્ષની માફ્ક આ વર્ષે પણ માટીની પ્રતિમા બનાવવાના આયોજનથી એક જાગૃતિનો સંદેશ આપ્યો હતો.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/GWDZ7XLrVeHmRzokBsMgzeDjJ3lLQvYhzlUSZ5lJ.webp'/></item><item><title><![CDATA[ધડગાંવના ઘાટલી ગામે ખેતરમાં મકાઈ અને તુવેરના પાક વચ્ચે ગાંજાની ખેતી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/marijuana-cultivation-among-maize-and-tur-crops-in-a-field-in-ghatli-village-of-dhadgaon</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/marijuana-cultivation-among-maize-and-tur-crops-in-a-field-in-ghatli-village-of-dhadgaon</guid><pubDate>Wed, 09 Sep 2026 04:29:34 +05:30</pubDate><description><![CDATA[<p>મહારાષ્ટ્રના નંદુરબાર ક્રાઈમ બ્રાંચ પોલીસે ધડગાંવ પોલીસ મથકની હદમાં ખેતરમાં મકાઈ અને તુવરની ખેતી સાથે ઉગાડેલા 443 કિલો ગ્રામ ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી અન્ય એક આરોપી ફરાર જાહેર કર્યો હતો.</p><p>ક્રાઈમ બ્રાંચના પી.આઈ.હેમંત પાટીલને ખાનગી રાહે બાતમી મળી હતી.કે ધડગાંવ તાલુકાના ઘાટલી ગામની સીમમાં આવેલા ખેતરમાં મકાઈ અને તુવેરના પાકની વચ્ચે ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે.બાતમીના આધારે પોલીસે 7 સંપ્ટેમ્બરના સોમવારે તુરંત એક ટીમ બનાવીને ખેતરમાં જઈ તપાસ કરી હતી ત્યારે બહારથી તો માત્ર મકાઈ અને તુવેરના લહેરાતા પાક જ દેખાયા હતા.પરંતુ ચોક્કસ બાતમી હોવાથી પોલીસે અંદર જઈને તપાસ કરી તો ખેતરમાંથી 2,2158 હજાર રૂપિયાની કિંમતના 443 કિલો ગ્રામ ગાંજાના છોડ મળી આવ્યા હતા.પોલીસે ગાંજાના છોડ જપ્ત કરી ખેતરના માલિક શૈલેશ શંકર પાવરા (રહે.ઘાટલી તાલુકો ધડગાંવ જિલ્લા નંદુરબાર)ની દરપકડ કરી હતી.જ્યારે તેનો અન્ય એક સાથીદાર ભાગી જતા તેને ફરાર જાહેર કર્યો છે.</p><p><a href="http://ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/5qSTBuf1ZRiVwuU9DVrJWso3340wxGUG0DTj6zHc.webp'/></item><item><title><![CDATA[તળાવોની સફાઈ અને જાળવણી પાછળ 9 કરોડ ફૂંકાશે, છતાં ગટરોનાં પાણી વહેશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/9-crores-will-be-spent-on-cleaning-and-maintenance-of-lakes-yet-sewage-water-will-flow</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/9-crores-will-be-spent-on-cleaning-and-maintenance-of-lakes-yet-sewage-water-will-flow</guid><pubDate>Wed, 09 Sep 2026 04:16:36 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદમાં 122 તળાવ આવેલાં છે. આ પૈકી 97 તળાવની સફાઈ અને જાળવણી માટે વર્ષ 2026માં રૂ.9.13 કરોડથી વધુ રકમનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. કમનસીબી એ વાતની છે કે, વિવિધ તળાવોની સફાઈ અને જાળવણી પાછળ કોર્પોરેશન દર વર્ષે કરોડો રૂપિયાનું આંધણ કરતું હોવા છતાં આ તળાવો ક્યારેય બારેય મહિના પાણીથી ભરેલાં જોવા મળતાં નથી. મોટાભાગના તળાવમાં ગટરનું ગંદું પાણી વહેતું જોવા મળતું હોવાથી મચ્છરોના ઉપદ્રવના કારણે તળાવ આસપાસ રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઊઠે છે. કોર્પોરેશન દ્વારા વિવિધ વોર્ડ વિસ્તારમાં આવેલાં તળાવોની સફાઈને લઈ એજન્સીઓની કામગીરી અને તેમને ચૂકવવામાં આવતી રકમને લઈ અવારનવાર સવાલો પણ કરવામાં આવ્યા છે.</p><p>કોર્પોરેશન દ્વારા અલગ-અલગ ઝોનમાં આવેલાં તળાવોની સંખ્યા મુજબ પ્રત્યેક ઝોન દીઠ રૂ.50 લાખથી બે કરોડનો ખર્ચ તળાવ સફાઈ માટે મંજૂર કરવામાં આવે છે. ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલાં 16 તળાવ માટે રૂ.1.44 કરોડ અને પશ્ચિમ ઝોનમાં 8 તળાવ માટે રૂ.65 લાખનાં ઈ-ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં છે. વિવિધ તળાવોમાંથી લીલ, કચરો અને વનસ્પતિ દૂર કરવાની કામગીરી સામે હેલ્થ કમિટીના ચેરમેને પણ સવાલ કરતાં હેલ્થ વિભાગના અધિકારીઓમાં સોંપો પડી ગયો હતો.</p><p>અગાઉના વર્ષોની સરખામણીમાં આ વર્ષે અમદાવાદમાં ચોમાસું સરેરાશ રહ્યું છે. 25 ઇંચ જેટલો વરસાદ વરસી ગયા પછી ઓગસ્ટ મહિનો કોરો જતાં હવે જો વરસાદ નહીં આવે તો શહેર ઉપર પણ આવનારા સમયમાં જળકાપનું સંકટ તોળાઈ રહ્યું છે. આ પરિસ્થિતિમાં વિવિધ તળાવોને ઈન્ટરલિંક કરી બારેય મહિના તળાવો પાણીથી ભરેલાં રાખવાની સત્તાધીશોની ગુલબાંગ પોકળ પુરવાર થઈ છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/7ax0Ooi95n0yNIzoAfAm1SeiebyjiXFJCMaOKAaj.webp'/></item><item><title><![CDATA[ભાદરવી અમાસ પહેલાં દામોદર કુંડ સ્વચ્છ છ ટન ગારો-કચરો કાઢી શુદ્ધ જળથી ભરાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/--1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/--1</guid><pubDate>Wed, 09 Sep 2026 04:13:02 +05:30</pubDate><description><![CDATA[<p>ભાદરવી અમાસ પૂર્વે જૂનાગઢ મહાપાલિકા દ્વારા પવિત્ર દામોદર કુંડની વ્યાપક સફાઈ કરવામાં આવી હતી. કુંડને સંપૂર્ણપણે ખાલી કરીને તળિયાથી જ સફાઈ ઝુંબેશ હાથ ધરાતાં અંદાજિત પાંચથી છ ટન જેટલો ગારો અને કચરો નીકળ્યો હતો. દામોદર કુંડની નિયમિત સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સફાઈ પૂર્ણ થતાં આજથી કુંડને શુદ્ધ જળથી ભરીને ભાવિકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ગુરુ-શુક્ર ચૌદસ અને અમાસના પર્વ નિમિત્તે પવિત્ર દામોદર કુંડમાં પિતૃતર્પણ તથા સ્નાનવિધિ માટે મોટી સંખ્યામાં શ્રાદ્ધાળુઓ આવે છે. સામાન્ય રીતે દર વર્ષે વરસાદને કારણે ઉપરવાસના પાણીની આવકથી કુંડ ઓવરફ્લો થઈ જતાં તેની કુદરતી સફાઈ થઈ જાય છે અને પાણીથી છલોછલ રહે છે. પરંતુ આ વખતે ચોમાસું પૂર્ણ થવાના આરે છે તેમ છતાં દામોદર કુંડ એક વખત પણ ઓવરફ્લો થયો નથી. આથી મહાનગરપાલિકાએ કુંડ ખાલી કરીને જેસીબીની મદદથી તળિયાથી જ સફાઈ કરી હતી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/sBRipmchKlzv5K15Su8NVpphIZxz6UVg9alpoX3Z.webp'/></item><item><title><![CDATA[Delhiના પૂર્વ મુખ્ય સચિવ રાકેશ મેહતાએ જીવન ટૂંકાવ્યું, વહીવટી ક્ષેત્રે છોડી મોટી છાપ ]]></title><link>https://sandesh.com/india/news/delhi-former-chief-secretary-rakesh-mehta-death-administrative-reforms</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/delhi-former-chief-secretary-rakesh-mehta-death-administrative-reforms</guid><pubDate>Tue, 08 Sep 2026 22:55:13 +05:30</pubDate><description><![CDATA[<p>Delhiના પૂર્વ મુખ્ય સચિવ રાકેશ મેહતા હવે રહ્યા નથી. 1975 બેચના વરિષ્ઠ IAS અધિકારી રાકેશ મેહતાએ રવિવારે નોઈડાના સેક્ટર-82 સ્થિત સેન્ટ્રલ વિહાર-2 સોસાયટીમાં કથિત રીતે ફાંસો લગાવી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. તેમનો મૃતદેહ બપોરે મળી આવ્યો હતો. 2007થી 2010 સુધી દિલ્હીના મુખ્ય સચિવ રહેલા મેહતાએ કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન દિલ્હી વહીવટમાં મહત્વની જવાબદારી નિભાવી હતી.</p><p><b>30 વર્ષથી વધુ સમય સુધી સરકારી સેવા આપી</b></p><p>1975 બેચના IAS અધિકારી રાકેશ મેહતાએ ત્રણ દાયકાથી વધુ લાંબી કારકિર્દી દરમિયાન દિલ્હી સરકાર અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અનેક મહત્વપૂર્ણ હોદ્દા પર કામ કર્યું હતું. તેમણે 2007માં દિલ્હીના મુખ્ય સચિવ તરીકે જવાબદારી સંભાળી હતી અને નવેમ્બર 2010માં નિવૃત્ત થયા હતા. સોમવારે લોધી સ્મશાન ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.</p><p><b>અનેક વહીવટી સુધારાઓમાં મહત્વની ભૂમિકા</b></p><p>રાકેશ મેહતા સાથે કામ કરનારા સાથીદારો અને નેતાઓએ તેમને એક કુશળ પ્રશાસક તરીકે યાદ કર્યા હતા. તેઓ નવા વિચારો અપનાવવા અને સુધારાઓ લાગુ કરવા માટે હંમેશા તૈયાર રહેતા હતા. તેમણે પ્રોપર્ટી ટેક્સના આકલન અને વીજળીના ખાનગીકરણથી લઈને બ્લૂલાઇન બસોને હટાવવા અને લો-ફ્લોર બસો લાવવાની યોજના જેવા અનેક મહત્વપૂર્ણ સુધારાઓને આગળ વધાર્યા હતા.</p><p><b>વીજળીના ખાનગીકરણમાં પણ મોટી જવાબદારી સંભાળી</b></p><p>દિલ્હીના પૂર્વ મંત્રી અરવિંદર સિંહ લવલીના જણાવ્યા મુજબ, રાકેશ મેહતા હંમેશા નવી નીતિઓ અને વિચારોને લાગુ કરવા માટે તૈયાર રહેતા હતા. વીજળીના ખાનગીકરણના સમયગાળા દરમિયાન તેઓ દિલ્હી સરકારમાં વીજળી સચિવની જવાબદારી સંભાળી રહ્યા હતા.</p><p><b>બ્લૂલાઇન બસો હટાવવામાં મહત્વની ભૂમિકા</b></p><p>દિલ્હીના રસ્તાઓ પરથી બ્લૂલાઇન બસોને હટાવીને તેમની જગ્યાએ લો-ફ્લોર બસો ચલાવવાની યોજના તૈયાર કરવામાં પણ રાકેશ મેહતાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. દિલ્હીના પૂર્વ મુખ્ય સચિવ રમેશ નેગીએ પણ અનેક મહત્વપૂર્ણ વહીવટી સુધારાઓનો શ્રેય રાકેશ મેહતાને આપ્યો હતો.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/ias-rinkesh-patel-appointed-joint-chief-electoral-officer-gujarat" target="_blank">આ પણ વાંચો:&nbsp; IAS આર. પી. પટેલ બનાવાયા જોઈન્ટ ચીફ ઈલેક્ટોરલ ઓફિસર; ચૂંટણી પંચમાં નવી નિયુક્તિ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/lKfMRvTmnLdBTmjd0YyVkoJHDyKETaXyLd8CsceO.webp'/></item><item><title><![CDATA[Uttar Pradesh : હવે સરકારી ડોક્ટરો નિવૃત્તિ પછી પણ 70 વર્ષ સુધી કરશે સેવા, સરકારનો મોટો નિર્ણય ]]></title><link>https://sandesh.com/india/news/uttar-pradesh-government-doctors-reappointment-70-years-health-services</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/uttar-pradesh-government-doctors-reappointment-70-years-health-services</guid><pubDate>Tue, 08 Sep 2026 22:32:31 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઉત્તર પ્રદેશની સરકારી આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પહેલ કરી છે. હવે સરકારી ડોક્ટરો નિવૃત્તિ બાદ પુનઃનિયુક્તિ દ્વારા 70 વર્ષની ઉંમર સુધી પોતાની સેવાઓ આપી શકશે. હાલની વ્યવસ્થા મુજબ સરકારી ડોક્ટરો 65 વર્ષની ઉંમર સુધી સેવા આપી રહ્યા છે. હવે લાયક અને અનુભવી ડોક્ટરોને વધુ 5 વર્ષ સુધી સેવા આપવાની તક આપવા માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>સરકારનો આ નિર્ણય દર્દીઓ માટે કેવી રીતે બનશે ફાયદાકારક?</b></h2><p style="text-align: justify; ">ઉત્તર પ્રદેશની સરકારી હોસ્પિટલ, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC)માં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે પહોંચે છે. અનુભવી ડોક્ટરોની સેવાઓ લાંબા સમય સુધી ઉપલબ્ધ રહેતાં દર્દીઓને નિષ્ણાત તબીબી સલાહ અને વધુ સારી સારવારની સુવિધા મળવાની આશા છે. આ નિર્ણયથી સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોને પણ મોટી રાહત મળી શકે છે.</p><h3 style="text-align: justify; "><b>નિવૃત્તિ પછીના અનુભવનો દર્દીઓને સીધો લાભ મળશે</b></h3><p style="text-align: justify; ">ઉપમુખ્યમંત્રી બ્રજેશ પાઠકે જણાવ્યું કે પ્રાંતીય ચિકિત્સા અને આરોગ્ય સેવા સંવર્ગ રાજ્યના આરોગ્ય વિભાગનો મહત્વપૂર્ણ તબીબી સંવર્ગ છે. આ સંવર્ગમાં મેડિકલ ઓફિસર અને નિષ્ણાત ડોક્ટરો સામેલ છે, જે સરકારી હોસ્પિટલો, CHC અને PHCમાં આરોગ્ય સેવાઓની મહત્વપૂર્ણ જવાબદારી સંભાળે છે.</p><h3 style="text-align: justify; "><b>વર્ષોના અનુભવનો સીધો લાભ&nbsp;</b></h3><p style="text-align: justify; ">નિવૃત્તિ બાદ લાયક અને અનુભવી ડોક્ટરોને 70 વર્ષની ઉંમર સુધી સેવા આપવાની તક મળતાં તેમના વર્ષોના અનુભવનો સીધો લાભ દર્દીઓને મળશે.</p><h4 style="text-align: justify; "><b>નિષ્ણાત ડોક્ટરોની અછત સામે સરકારનો નવો પ્લાન</b></h4><p style="text-align: justify; ">આ નિર્ણય ખાસ કરીને એવા તબીબી વિભાગો માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, જ્યાં નિષ્ણાત ડોક્ટરોની અછત છે. ઉપમુખ્યમંત્રી બ્રજેશ પાઠકના જણાવ્યા મુજબ, અનુભવી ડોક્ટરોની પુનઃનિયુક્તિથી નિષ્ણાત તબીબોની અછત ધરાવતા વિભાગોને મજબૂતી મળશે. ગ્રામીણ વિસ્તારોની આરોગ્ય વ્યવસ્થા સુધારવામાં પણ આ ડોક્ટરો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.</p><h4 style="text-align: justify; "><b>હવે આદેશ બહાર પાડવાની પ્રક્રિયા શરૂ</b></h4><p style="text-align: justify; ">ઉપમુખ્યમંત્રીના નિર્દેશ બાદ આરોગ્ય વિભાગના અપર મુખ્ય સચિવ સ્તરેથી ડોક્ટરોને નિવૃત્તિ બાદ 70 વર્ષની ઉંમર સુધી પુનઃનિયુક્તિ આપવા અંગેનો આદેશ બહાર પાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સરકારનો હેતુ અનુભવી ડોક્ટરોની નિષ્ણાતીનો મહત્તમ ઉપયોગ કરીને રાજ્યની સરકારી આરોગ્ય સેવાઓને વધુ સક્ષમ, સરળતાથી ઉપલબ્ધ અને ગુણવત્તાયુક્ત બનાવવાનો છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/political-news/ahmedabad/statue-of-unity-gujarat-national-film-awards-ekta-nagar-uddhav-thackeray-political-row" target="_blank"><b> Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું&nbsp;</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/zbGQf6tJiA3z5BvH3qRGSNQlwqF0WXjsPyB6AJ7R.webp'/></item><item><title><![CDATA[India GDP Growth: ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા: રાજનાથ સિંહ ]]></title><link>https://sandesh.com/india/news/business/india-gdp-growth-india-is-the-fastest-growing-major-economy-in-the-world-rajnath-singh</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/india-gdp-growth-india-is-the-fastest-growing-major-economy-in-the-world-rajnath-singh</guid><pubDate>Tue, 08 Sep 2026 21:54:12 +05:30</pubDate><description><![CDATA[<p>Defense Minister રાજનાથ સિંહે મંગળવારે ભારતની ઝડપથી વધી રહેલી અર્થવ્યવસ્થાને લઈને મોટું નિવેદન આપ્યું. શ્રીલંકાના કોલંબોમાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે છેલ્લા 10-12 વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થાનું કદ લગભગ બમણું થયું છે. હાલમાં દેશનો GDP ગ્રોથ આશરે 7.8 ટકા છે. રાજનાથ સિંહે કહ્યું કે, ભારત આજે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા છે. વૈશ્વિક આર્થિક વિકાસમાં ભારતનો ફાળો 16 ટકાથી વધુ છે. તેમણે કહ્યું કે સતત મજબૂત થતી અર્થવ્યવસ્થાના કારણે ભારતે આ સ્થાન હાંસલ કર્યું છે.</p><p><b>10-12 વર્ષમાં અર્થવ્યવસ્થા બમણી</b></p><p>રક્ષા મંત્રીએ કહ્યું કે, આઝાદી બાદ ભારતની અર્થવ્યવસ્થાને 1 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવામાં લગભગ 60 વર્ષ લાગ્યા હતા. વર્ષ 2014માં દેશની અર્થવ્યવસ્થાનું કદ આશરે 2 ટ્રિલિયન ડોલર હતું. ત્યારબાદ છેલ્લા 10-12 વર્ષમાં તે લગભગ બમણું થયું છે. તેમણે કહ્યું કે વિશ્વના અનેક દેશો આર્થિક પડકારોનો સામનો કરી રહ્યા છે ત્યારે ભારતનો GDP ગ્રોથ આશરે 7.8 ટકા છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2097347249122726323"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b>મોંઘવારી અંગે રાજનાથ સિંહનું નિવેદન</b></p><p>રાજનાથ સિંહે મોંઘવારીનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારના છેલ્લા 12 વર્ષમાં સરેરાશ મોંઘવારી દર લગભગ 4.7 ટકા રહ્યો છે. તેમના જણાવ્યા મુજબ, અગાઉની કોંગ્રેસ સરકાર દરમિયાન મોંઘવારી 10થી 11 ટકા સુધી પહોંચી હતી. તેમણે કહ્યું કે, રોકાણ અને નિકાસના ક્ષેત્રમાં ભારતની વૈશ્વિક ભાગીદારી સતત વધી રહી છે. વર્ષ 2014માં ભારતની નિકાસનું મૂલ્ય આશરે ₹45 લાખ કરોડ હતું, જે વર્ષ 2025-26માં વધીને ₹79 લાખ કરોડ થયું છે.</p><p><b>38 દેશો સાથે ટ્રેડ ડીલ્સ</b></p><p>રક્ષા મંત્રીએ કહ્યું કે, છેલ્લા 12 વર્ષમાં ભારતે 38 દેશો સાથે ટ્રેડ ડીલ્સ કરી છે. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને ‘મધર ઑફ ઑલ ડીલ્સ’ કહેવામાં આવી રહ્યું છે. આ કરારથી આશરે 27 ટ્રિલિયન ડોલરના મોટા EU માર્કેટમાં ભારત માટે તકો વધશે. રાજનાથ સિંહે કહ્યું કે ગ્રામીણ વિસ્તારોમાં ગરીબીનો દર 18.4 ટકાથી ઘટીને 2022-23માં 2.8 ટકા થયો છે. જ્યારે શહેરી વિસ્તારોમાં ગરીબી 10.7 ટકાથી ઘટીને 1.1 ટકા થઈ છે. તેમણે કહ્યું કે છેલ્લા 10-12 વર્ષમાં ભારતમાં મોટી ડિજિટલ ક્રાંતિ થઈ છે. આજે સ્માર્ટફોન દ્વારા લોકોને અનેક સેવાઓ સરળતાથી મળી રહી છે. વર્ષ 2014માં દેશમાં લગભગ 6 કરોડ બ્રોડબેન્ડ કનેક્શન હતા, જે હવે વધીને લગભગ 100 કરોડ થઈ ગયા છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/telangana-indus-river-water-will-not-reach-the-masters-of-terrorism-defense-minister-rajnath-singh" target="_blank">આ પણ વાંચો: 'આતંકવાદના આકાઓ સુધી સિંધુ નદીનું પાણી નહીં પહોંચે' : રક્ષામંત્રી રાજનાથ સિંહ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/jJ9MpE98FNzSPyy7SyUCuSiydFckBY00JBuUx07c.webp'/></item><item><title><![CDATA[Samantha Ruth Prabhu Visits Isha Foundation: પ્રેગનન્સીમાં સામંથા પહોંચી ઇશા ફાઉન્ડેશન, કરી ગૌસેવા ]]></title><link>https://sandesh.com/entertainment/news/samantha-ruth-prabhu-pregnancy-isha-foundation</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/samantha-ruth-prabhu-pregnancy-isha-foundation</guid><pubDate>Tue, 08 Sep 2026 19:17:52 +05:30</pubDate><description><![CDATA[<p>સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) અને રાજ નિદિમોરુ (Raj Nidimoru) ના ઘરે ટૂંક સમયમાં બાળકનું આગમન થવાનું છે. પ્રેગ્નન્સી દરમિયાન સામંથા પોતાનું ખૂબ ધ્યાન રાખી રહી છે. શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખી રહી છે. તાજેતરમાં તે ઈશા ફાઉન્ડેશન (Isha Foundation) પહોંચી હતી અને ત્યાં ગૌ સેવા કરી હતી.</p><h2><b>સામંથાની છેલ્લા 5 વર્ષની જર્ની કેવી રહી?</b></h2><p>સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu pregnancy) પોતાની તાજેતરની સોશિયલ મીડિયા પોસ્ટમાં પોતાના જીવનની છેલ્લા 5 વર્ષની જર્ની વિશે વાત કરતી જોવા મળી છે. આ સાથે તેણે એ વાત પર ભાર મૂક્યો છે કે એક સારો મેન્ટર તમારી જિંદગીમાં માર્ગદર્શક તરીકે કેટલી મહત્વની ભૂમિકા ભજવી શકે છે.</p><h2><b>શાંતિભરી પળો વિતાવતી જોવા મળી સામંથા</b></h2><p>સામંથા રૂથે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરી છે. તેમાં તેણે તસવીરોની એક સિરીઝ શેર કરી છે. કેટલીક તસવીરોમાં તે કુદરતી નજારાઓ વચ્ચે શાંતિભરી પળો વિતાવતી જોવા મળે છે. કેટલીક તસવીરોમાં તે ધ્યાન કરતી જોવા મળે છે, જ્યારે કેટલીક તસવીરોમાં તે ગૌ સેવા કરતી જોવા મળે છે. તસવીરોમાં સામંથાનો બેબી બમ્પ પણ જોવા મળી રહ્યો છે.</p><p><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/Dc8cDUOmpKo/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/Dc8cDUOmpKo/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a><br></p><h2><b>જિંદગી વિશે સામંથાએ કહી આ વાત</b></h2><p>સામંથાએ પોસ્ટ સાથે કેપ્શનમાં લખ્યું છે, “એવા લોકો અને જગ્યાઓ શોધો, જે તમને આગળ વધવામાં મદદ કરે. મને લાગે છે કે જિંદગીમાં એક સમય એવો આવે છે જ્યારે તમને લાગે છે કે તમે તમારી જાતને સારી રીતે ઓળખો છો. તમે તમારી જાતને કહો છો, ‘હું આવી જ છું. આ મારી ખૂબીઓ છે, આ મારી ખામીઓ છે. આ મારી રીત છે. કદાચ હું અહીં સુધી જ જઈ શકું છું.’ પરંતુ છેલ્લા 5 વર્ષોએ મને કંઈક અલગ જ શીખવ્યું છે.”</p><h2><b>‘પોતાને વધુ સારા બનાવતા રહો’</b></h2><p>અભિનેત્રીએ આગળ લખ્યું છે, “જ્યારે પણ હું અહીં આવું છું, ત્યારે કેટલીક નવી શક્યતાઓ સાથે પાછી ફરું છું. એવો અહેસાસ થાય છે કે હજુ ઘણું શીખવાનું છે, બદલવાનું છે અને પોતાની જાતને વધુ સારી બનાવવાની છે. સારો મેન્ટર આ જ કરે છે. તેઓ તમને એ નથી કહેતા કે તમારે શું બનવાનું છે. તેઓ તમને યાદ અપાવે છે કે પોતાની જાતને વધુ સારી બનાવવાની સફર ક્યારેય પૂરી થતી નથી. તેઓ તમારી ગાડીના ઈંધણ જેવા હોય છે. આવા લોકોને શોધો. આવી જગ્યાઓ શોધો. પોતાની જાતને વધુ સારી બનાવતા રહો. તમારી અંદર હંમેશા કંઈક નવું શોધવા જેવું હોય છે.”</p><p>ઈશા ફાઉન્ડેશનની સ્થાપના આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવે કરી છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/hBQXRzPbteo5O7kGpKpDBKkIqkiXA4bp7GpPTTfP.webp'/></item><item><title><![CDATA[Malaysia : 72 વર્ષના ફૂટબોલ દિગ્ગજે 20 વર્ષની યુવતી સાથે કર્યા લગ્ન, તસવીરો વાયરલ થતાં પરિવારે કરી પુષ્ટિ ]]></title><link>https://sandesh.com/world/news/sports/malaysia-football-legend-abdul-alif-marriage-72-year-old-20-year-old-wife</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/sports/malaysia-football-legend-abdul-alif-marriage-72-year-old-20-year-old-wife</guid><pubDate>Mon, 07 Sep 2026 23:00:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મલેશિયન ફૂટબોલના દિગ્ગજ અને પૂર્વ હરિમાઉ મલાયા સ્ટાર દાતુક અબ્દુલ અલિફે 72 વર્ષની ઉંમરે પોતાના જીવનનો નવો અધ્યાય શરૂ કર્યો છે. સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો વાયરલ થયા બાદ તેમના પરિવારે લગ્નની સત્તાવાર પુષ્ટિ કરી છે. અહેવાલ મુજબ 27 ઓગસ્ટે યોજાયેલા ખાનગી સમારંભમાં અબ્દુલ અલિફે પોતાની જીવનસંગિની સાથે નિકાહ કર્યા હતા. તેમની પત્નીની ઉંમર 20 વર્ષ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>લગ્નની ખબર કોણે કરી કન્ફર્મ?</b></h2><p style="text-align: justify; ">અબ્દુલ અલિફના નાના ભાઈ અને પૂર્વ ખેલાડી તથા કોચ દાતુક યુનુસ અલિફે લગ્નની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે 27 ઓગસ્ટે બંનેના લગ્ન થયા હતા અને બંને પરિવારોની સંમતિ તથા આશીર્વાદ સાથે આ સંબંધ બંધાયો છે. પરિવાર દ્વારા નવદંપતીના સુખી દાંપત્ય જીવન માટે શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>ફોન નહીં ઉઠાવતા ભાઈએ શું કહ્યું?</b></h3><p style="text-align: justify; ">લગ્ન બાદ અબ્દુલ અલિફ મીડિયા સંપર્કમાં ન આવતા તેમના ભાઈ યુનુસ અલિફે જણાવ્યું હતું કે તેઓ સંભવતઃ હનીમૂન પર હોવાથી ફોનનો જવાબ આપી શકતા નથી.જોકે પરિવારે સ્પષ્ટ કર્યું છે કે બંનેના નિકાહ થઈ ચૂક્યા છે અને પરિવાર તરફથી બંનેને શુભકામનાઓ આપવામાં આવી છે.</p><h4 style="text-align: justify; "><b>મલેશિયન ફૂટબોલના દિગ્ગજ રહ્યા છે અબ્દુલ અલિફ</b></h4><p style="text-align: justify; ">અબ્દુલ અલિફ મલેશિયન ફૂટબોલ ઇતિહાસના જાણીતાં ખેલાડીઓમાં સામેલ રહ્યા છે. 1970ના અંતિમ વર્ષો અને 1980ના શરૂઆતના સમયમાં મલેશિયન ફૂટબોલના સફળ સમયગાળામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.તેઓ તે મલેશિયન ટીમના સભ્ય હતા જેણે ક્વોલિફાઇંગ મેચમાં દક્ષિણ કોરિયાને 2-1થી હરાવી 1980ના મોસ્કો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું.</p><h4 style="text-align: justify; "><b>ઓલિમ્પિક રમવાનું સપનું કેમ અધૂરું રહ્યું?</b></h4><p style="text-align: justify; ">મલેશિયાએ સોવિયેત સંઘના અફઘાનિસ્તાન પરના આક્રમણના વિરોધમાં 1980ના મોસ્કો ઓલિમ્પિકનો બહિષ્કાર કર્યો હતો. જેના કારણે અબ્દુલ અલિફ સહિત અનેક ખેલાડીઓનું ઓલિમ્પિકમાં રમવાનું સપનું અધૂરું રહી ગયું હતું. લાંબા સમય સુધી વ્યાવસાયિક ફૂટબોલ અને મીડિયા લાઇમલાઇટથી દૂર રહ્યા બાદ આ દિગ્ગજ ખેલાડી હવે પોતાના અંગત જીવનના નવા નિર્ણયને કારણે ફરી ચર્ચામાં આવ્યા છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">&nbsp; આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-gujarat-drowning-deaths-1999-river-lake-check-dam-water-safety" target="_blank"><b>Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/oQuxxQEBdhQdWmZFxk2LOPbwDJRpf6zDEmwi2pJ3.webp'/></item></channel></rss>