<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[West Bengal : પૂર્વ ધારાસભ્ય સુજય હઝરાના ઘરે CIDના દરોડા, લાંબા સમય સુધી ચાલી તપાસ ]]></title><link>https://sandesh.com/india/news/west-bengal-cid-search-former-mla-sujoy-hazra-residence</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/west-bengal-cid-search-former-mla-sujoy-hazra-residence</guid><pubDate>Sun, 16 Aug 2026 19:17:01 +05:30</pubDate><description><![CDATA[<p>પશ્ચિમ બંગાળના મેદિનીપુર શહેરમાં CIDએ પૂર્વ ધારાસભ્ય સુજય હઝરાના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. અરવિંદો નગર વિસ્તારમાં આવેલા તેમના ઘરે CIDની ટીમ પહોંચી હતી અને લાંબા સમય સુધી તપાસ કરી હતી. તપાસ દરમિયાન સુજય હઝરા પણ તેમના નિવાસસ્થાને હાજર હોવાનું જાણવા મળ્યું છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2088959459251114433"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>જૂન મહિનામાં પૂર્વ મેદિનીપુર ધારાસભ્ય સુજય હઝરાની ધરપકડ કરાઈ હતી</b></h2><p>મળતી માહિતી મુજબ, CID અધિકારીઓએ પૂર્વ ધારાસભ્યના ઘરના વિવિધ સ્થળોની તપાસ કરી હતી. જોકે, સર્ચ દરમિયાન કયા દસ્તાવેજો અથવા અન્ય સામગ્રી મળી આવી તે અંગે અધિકારીઓ તરફથી હજુ કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. સુજય હઝરા વિરુદ્ધ સાલબોની, પશ્ચિમ મેદિનીપુર જિલ્લામાં સરકારી જમીન કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં કાર્યવાહી ચાલી રહી છે. આ જ કેસમાં જૂન મહિનામાં પૂર્વ મેદિનીપુર ધારાસભ્ય સુજય હઝરાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી CID દ્વારા કેસની તપાસ આગળ વધારવામાં આવી રહી છે.</p><h3><b>સુમિત રોયની પણ પૂછપરછ શરૂ કરી</b></h3><p>આ કેસમાં તપાસનો વ્યાપ વધારતા CIDએ અભિષેક બેનર્જીના નજીકના સહયોગી તરીકે ઓળખાતા સુમિત રોયની પણ પૂછપરછ શરૂ કરી છે. તપાસ એજન્સી કથિત સરકારી જમીન કૌભાંડમાં નાણાકીય વ્યવહારો અને અન્ય સંભવિત કડીઓની તપાસ કરી રહી હોવાનું માનવામાં આવે છે. પૂર્વ ધારાસભ્યના ઘરે CIDની આ કાર્યવાહીથી સ્થાનિક રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઈ છે. સર્ચ ઓપરેશન બાદ તપાસ એજન્સી દ્વારા આગળ કઈ કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે. જોકે, હાલ CIDની તપાસને લઈને સત્તાવાર રીતે વધુ વિગતો સામે આવી નથી.</p><p><a href="https://sandesh.com/india/news/cag-report-finds-e-coli-in-railway-station-water--poor-sanitation-at-458-stations" target="_blank" style=""><b>આ પણ વાંચો : CAG Report: રેલ્વે મુસાફરોના સ્વાસ્થ્ય સાથે ચેડાં, સ્ટેશનના પીવાના પાણીમાં ઝેરીલા બેક્ટેરિયા!</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/dgb82J4TSdoYgVckI77W74zAW85QLE1SC5Tucc8Y.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: આણંદનગર દુષ્કર્મ ઘટના બાદ ગુજરાત યુનિવર્સિટીનો મોટો નિર્ણય, 57 સિક્યુરિટી ગાર્ડ છૂટા કરાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-university-security-guards-dismissed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-university-security-guards-dismissed</guid><pubDate>Sun, 16 Aug 2026 19:09:18 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદના આણંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સિક્યુરિટી ગાર્ડ દ્વારા વિદ્યાર્થીની પર કરવામાં આવેલા શર્મસાર બળાત્કારની ઘટના બાદ ગુજરાત યુનિવર્સિટી પ્રશાસન સફાળું જાગી ગયું છે. કેમ્પસમાં વિદ્યાર્થીઓ, ખાસ કરીને વિદ્યાર્થીનીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા સિક્યુરિટી એજન્સીઓ સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે, અને તાત્કાલિક અસરથી મહત્વપૂર્ણ આદેશો જાહેર કરવામાં આવ્યા છે.</p><h2><b>પોલીસ વેરિફિકેશન વગર કામ કરતા 57 ગાર્ડ છૂટા કરાયા</b></h2><p>ગુજરાત યુનિવર્સિટી પ્રશાસને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, પોલીસ વેરિફિકેશન વગરના કોઈપણ સિક્યુરિટી ગાર્ડને કેમ્પસમાં ડ્યુટી પર રાખવામાં આવશે નહીં. આ આદેશના પગલે યુનિવર્સિટીમાં સેવારત 'પેન્થર એજન્સી'ના અંદાજિત 57 સિક્યુરિટી ગાર્ડને તાત્કાલિક અસરથી ફરજ પરથી છૂટા કરી દેવામાં આવ્યા છે. હવેથી માત્ર જે ગાર્ડનું કાયદેસરનું પોલીસ વેરિફિકેશન થયેલું હશે તેમને જ યુનિવર્સિટી કેમ્પસમાં તૈનાત કરવામાં આવશે.</p><h2><b>NSUI દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા</b></h2><p>ઉલ્લેખનીય છે કે, આણંદનગરની ઘટના બન્યા બાદ વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટી પ્રશાસન અને સિક્યુરિટી એજન્સી સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. NSUI એ આરોપ લગાવ્યો હતો કે, પેન્થર સિક્યુરિટી એજન્સી દ્વારા નિયુક્ત કરવામાં આવેલા અનેક સિક્યુરિટી ગાર્ડ્સનું કોઈ પણ જાતનું પોલીસ વેરિફિકેશન કરાવવામાં આવ્યું નથી, જે વિદ્યાર્થીઓની સુરક્ષા સામે મોટો ખતરો છે.</p><h2><b>કેમ્પસની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા સૂચના</b></h2><p>વિદ્યાર્થી સંગઠનોના વિરોધ અને ઘટનાની ગંભીરતાને જોતાં યુનિવર્સિટી તંત્ર દ્વારા આ આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. ભવિષ્યમાં આવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એજન્સીઓને પોતાના તમામ કર્મચારીઓનું વેરિફિકેશન વહેલી તકે પૂર્ણ કરવા અને કેમ્પસની સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવા કડક સૂચનાઓ આપવામાં આવી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/airport-customs-seizes-gold-sharjah-passengers" target="_blank">Ahmedabad Airport પર કસ્ટમ્સની કાર્યવાહી, શારજાહથી લાવેલું રૂ.28.87 લાખનું સોનું અને સામાન જપ્ત</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/yFUqYNZ4iMEz13UkfQKRDsRctarOp6Ppn3rlPON4.webp'/></item><item><title><![CDATA[Anand News : કેમિકલ ગેસ લીકેજના કારણે પક્ષીઓ મૃત હાલતમાં મળ્યા; ખેડૂતોનો પાક બળીને ખાખ ]]></title><link>https://sandesh.com/gujarat/news/anand/anand-news-birds-found-dead-due-to-chemical-gas-leakage-farmers-crops-burnt-to-ashes</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/anand/anand-news-birds-found-dead-due-to-chemical-gas-leakage-farmers-crops-burnt-to-ashes</guid><pubDate>Sun, 16 Aug 2026 19:09:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આણંદ જિલ્લાના ખંભાત તાલુકા હેઠળ આવતા વત્રા–વટાદરા રોડ પર આવેલી બિડ સીમ વિસ્તારમાં ઝેરી ગેસ લીકેજ થવાના કારણે ભારે અફરાતફરી મચી ગઈ છે. આ વાયુ પ્રદૂષણની ઘાતક અસરને કારણે મોટી સંખ્યામાં પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યા છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ ઉપરાંત, આસપાસના ખેતરોમાં વાવેલો 30 વીઘાથી પણ વધુ ડાંગરનો પાક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હોવાનો સ્થાનિક ખેડૂતોએ ગંભીર આક્ષેપ કર્યો છે.</p><h2 style="text-align: justify; "><b>ખારાવાલા કેમિકલ કંપની પર ખેડૂતોના આક્ષેપો</b></h2><p style="text-align: justify; ">સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, કલમસર ખાતે આવેલી ખારાવાલા કેમિકલ કંપનીમાંથી નિકળેલા ઝેરી અને ઘાતક વાયુના કારણે જ આ મોટી હોનારત સર્જાઈ છે. કંપનીમાંથી છોડવામાં આવેલા ઝેરી ગેસની સીધી અસર સીમ વિસ્તારમાં થતાં એકસાથે અનેક પક્ષીઓએ જીવ ગુમાવ્યા છે અને ખેડૂતોનો તૈયાર થવા આવેલો પાક નાશ પામ્યો છે, જેને પગલે પશુપંખી પ્રેમીઓ અને ખેડૂત આલમમાં ભારે રોષ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>તંત્ર પાસે તાત્કાલિક તપાસ અને વળતરની માંગ</b></h2><p style="text-align: justify; ">સિઝનનો પાક બળીને નાશ પામતા ખેડૂતોને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે. આ ગંભીર ઘટનાને પગલે રોષે ભરાયેલા ખેડૂતોએ સરકારી તંત્ર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) પાસે તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરવાની માંગ કરી છે. ગેસ લીકેજ માટે જવાબદાર કંપની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને નુકસાન પામેલા ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/shravan-vishesh-/surendranagar/surendranagar-news-unique-devotion-of-women-to-shiva-in-shravan-month-25-thousand-partheshwar-shivlings-are-made-every-day" target="_blank">Surendranagar News : શ્રાવણ માસમાં મહિલાઓની અનોખી શિવભક્તિ, દરરોજ બનાવે છે 25 હજાર પાર્થેશ્વર શિવલિંગ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/SETtu8yrnMUSyuqIFvPN1eMwTYnX8Ot9KX08wdnS.webp'/></item><item><title><![CDATA[Surendranagar News: ખનીજ માફિયાઓ પર ધાક બેસાડનાર ચોટીલા પ્રાંત અધિકારી હરેશ મકવાણાની મહીસાગર બદલી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/surendranagar/chotila-prant-officer-haresh-makwana-transferred-mahisagar</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/surendranagar/chotila-prant-officer-haresh-makwana-transferred-mahisagar</guid><pubDate>Sun, 16 Aug 2026 19:00:34 +05:30</pubDate><description><![CDATA[<p>સુરેન્દ્રનગર જિલ્લાના વહીવટી તંત્રમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ચોટીલાના પ્રાંત અધિકારી હરેશ મકવાણાની રાજ્ય સરકાર દ્વારા બદલી કરવામાં આવી છે. તેમને મહીસાગર જિલ્લામાં ડેપ્યુટી કલેક્ટર તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પોતાની કડક અને નિષ્પક્ષ કામગીરી માટે જાણીતા અધિકારીની અચાનક થયેલી આ બદલીએ સ્થાનિક રાજકારણ અને વહીવટી વર્તુળોમાં ચર્ચા જગાવી છે.</p><h2><b>અબજો રૂપિયાની ખનીજચોરી પર ચલાવ્યું હતું બુલડોઝર</b></h2><p>પ્રાંત અધિકારી તરીકેની તેમની મુદત દરમિયાન હરેશ મકવાણાએ ચોટીલા, સાયલા, થાનગઢ અને મૂળી તાલુકામાં વ્યાપક પ્રમાણમાં ચાલતી ગેરકાયદે ખનીજ ચોરી સામે લાલ આંખ કરી હતી. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન દરોડા પાડીને અબજો રૂપિયાની ખનીજચોરી અને તેના સાધનો જપ્ત કરી કડક કાનૂની કાર્યવાહી કરી હતી. તેમની આ આક્રમક ઝુંબેશને કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનીજ ઉત્ખનન કરતા ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.</p><h2><b>રાજકીય આકાઓ અને માફિયાઓ મથામણ કરતા હતા</b></h2><p>હરેશ મકવાણાની નિષ્પક્ષ અને કડક કામગીરીને કારણે તેઓ ખનીજ માફિયાઓ અને તેમના રાજકીય આકાઓની આંખમાં કણાની જેમ ખૂંચતા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમની બદલી કરાવવા માટે ખનીજ માફિયાઓ અને કેટલાક રાજકીય નેતાઓ દ્વારા લાંબા સમયથી ઉચ્ચ સ્તરે ભારે મથામણ અને દબાણ કરવામાં આવી રહ્યું હતું. આખરે તેમની બદલી થતાં ખનીજ માફિયા તત્વોમાં આનંદ અને ગેલનો માહોલ જોવા મળી રહ્યો છે.</p><p><img alt="Surendranagar News: Chotila Prant Officer Haresh Makwana Transferred to Mahisagar" src="https://epapercdn.sandesh.com/images/2026/08/16/1SCvPSa6CdCHOvMcPg0bmEmWUQEuOHrmuTppNtVY.webp"><br></p><h2><b>જિલ્લાના પ્રામાણિક અધિકારી તરીકે ઉભરી આવ્યા</b></h2><p>પ્રાંત અધિકારી હરેશ મકવાણાની બદલીના સમાચાર વાયુવેગે ફેલાતાં જ સામાન્ય જનતા અને પર્યાવરણપ્રેમીઓમાં એક અલગ જ ચર્ચા શરૂ થઈ છે. ખનીજચોરી જેવા દૂષણને નાથવા માટે તેમણે દર્શાવેલી મક્કમતા અને હિંમતની સ્થાનિક લોકો બિરદાવા કરી રહ્યા છે, તો બીજી તરફ એક નિષ્ઠાવાન અધિકારીની બદલીથી ખનીજ માફિયાઓને ફરી મોકળું મેદાન મળી જવાની આશંકા પણ વ્યક્ત થઈ રહી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/shravan-vishesh-/surendranagar/surendranagar-news-unique-devotion-of-women-to-shiva-in-shravan-month-25-thousand-partheshwar-shivlings-are-made-every-day" target="_blank">Surendranagar News : શ્રાવણ માસમાં મહિલાઓની અનોખી શિવભક્તિ, દરરોજ બનાવે છે 25 હજાર પાર્થેશ્વર શિવલિંગ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/ltjEo6KSg0UlLELVZVOYs0Kv9SCRTL9Mc5JNuZ8D.webp'/></item><item><title><![CDATA[Upcoming IPO : 17થી 21 ઓગસ્ટ વચ્ચે 7 કંપનીઓ લાવશે IPO, 6400 કરોડ રૂપિયાથી વધુ એકત્ર કરવાની યોજના ]]></title><link>https://sandesh.com/business/news/upcoming-ipo-7-companies-raise-over-6400-crore-august-17-21</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/upcoming-ipo-7-companies-raise-over-6400-crore-august-17-21</guid><pubDate>Sun, 16 Aug 2026 18:31:42 +05:30</pubDate><description><![CDATA[<p>પ્રાઈમરી માર્કેટમાં આગામી સપ્તાહે ફરી એકવાર ભારે હલચલ જોવા મળશે. 17થી 21 ઓગસ્ટ દરમિયાન કુલ સાત કંપનીઓ તેમના IPO લોન્ચ કરશે. આ IPO મારફતે કંપનીઓ કુલ ₹6,400 કરોડથી વધુની મૂડી એકત્ર કરવાની યોજના ધરાવે છે. તેમાં બ્લેકસ્ટોન સમર્થિત Horizon Industrial Parks અને Lalita Jewellery Mart જેવા મોટા નામો સામેલ છે.</p><h2><b>17 ઓગસ્ટે બે IPO ખુલશે</b></h2><p>સપ્તાહની શરૂઆત 17 ઓગસ્ટે બે IPO સાથે થશે. Horizon Industrial Parks ₹2,600 કરોડનો સંપૂર્ણ ફ્રેશ ઇશ્યૂ લાવશે. કંપનીએ શેર માટે ₹57થી ₹60નો પ્રાઈસ બેન્ડ નક્કી કર્યો છે. IPOમાંથી મળેલી રકમનો ઉપયોગ મુખ્યત્વે દેવું ચૂકવવા માટે કરવામાં આવશે. આ જ દિવસે Lalita Jewellery Martનો ₹1,700 કરોડનો IPO પણ ખુલશે. તેનો પ્રાઈસ બેન્ડ ₹190થી ₹201 પ્રતિ શેર છે. ઈશ્યૂમાં ₹1,200 કરોડ સુધીનો ફ્રેશ ઇશ્યૂ અને ₹500 કરોડ સુધીનો ઓફર ફોર સેલ (OFS) સામેલ છે.</p><p>18 ઓગસ્ટે Shankesh Jewellers અને Sunshine Picturesના IPO ખુલશે. Shankesh Jewellers ₹367 કરોડ એકત્ર કરશે અને તેનો પ્રાઇસ બેન્ડ ₹88થી ₹93 છે. જ્યારે ફિલ્મ અને ટેલિવિઝન પ્રોડ્યુસર Sunshine Picturesનો IPO ₹282 કરોડનો છે અને પ્રાઇસ બેન્ડ ₹342થી ₹360 નક્કી કરવામાં આવ્યો છે. 19 ઓગસ્ટે Gaza Alternative Asset Managementનો ₹550 કરોડનો IPO આવશે. 20 ઓગસ્ટે Tempsens Instrumentsનો IPO ખુલશે, જેમાં ₹95 કરોડનો ફ્રેશ ઇશ્યૂ અને 1.85 કરોડ શેરનો OFS હશે. તેનો પ્રાઇસ બેન્ડ બાદમાં જાહેર થશે.</p><h3><b>24 ઓગસ્ટે Skyways Air Servicesનો IPO આવશે</b></h3><p>સપ્તાહનો છેલ્લો IPO 21 ઓગસ્ટે Augmont Enterprisesનો હશે. કંપની ₹825 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. આ ઉપરાંત 24 ઓગસ્ટે Skyways Air Servicesનો ₹583 કરોડનો IPO આવવાની તૈયારીમાં છે. નવા ઈશ્યૂ સાથે 2026માં IPO લાવતી કંપનીઓની સંખ્યા આશરે 55 સુધી પહોંચી શકે છે.</p><p><b><a href="https://sandesh.com/business/news/fii-investment-indian-stock-market-16621-crore-august" target="_blank">આ પણ વાંચો : FII Investment : ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોનો વિશ્વાસ ફરી વધ્યો, ઓગસ્ટના 15 દિવસમાં રૂપિયા 16,621 કરોડનું કર્યું રોકાણ</a></b></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/2YvXvBGFpGDtdEc0QXPKAueBPFLWwEPS1UJDes8S.webp'/></item><item><title><![CDATA[CAG Report: રેલ્વે મુસાફરોના સ્વાસ્થ્ય સાથે ચેડાં, સ્ટેશનના પીવાના પાણીમાં ઝેરીલા બેક્ટેરિયા! ]]></title><link>https://sandesh.com/india/news/cag-report-finds-e-coli-in-railway-station-water--poor-sanitation-at-458-stations</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/cag-report-finds-e-coli-in-railway-station-water--poor-sanitation-at-458-stations</guid><pubDate>Sun, 16 Aug 2026 18:23:00 +05:30</pubDate><description><![CDATA[<p>CAG Report: દેશભરમાં લાખો મુસાફરો દરરોજ ટ્રેનો દ્વારા તેમના ગંતવ્ય સ્થાનો પર મુસાફરી કરે છે, છતાં રેલ્વે સ્ટેશનો પર પીવાના પાણી અને સ્વચ્છતા સુવિધાઓ તેમના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમો ઉભા કરી રહી છે. કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG) દ્વારા સંસદમાં રજૂ કરાયેલા અહેવાલમાં મુસાફરોની સુવિધાઓ અંગે ભારતીય રેલ્વેના દાવાઓ પાછળની વાસ્તવિકતા છતી કરવામાં આવી છે.</p><p><br></p><p>'ભારતીય રેલ્વેમાં બિન-ઉપનગરીય રેલ્વે સ્ટેશનો પર મુસાફરોની સુવિધાઓ અને સ્વચ્છતા' ('Passenger Amenities and Sanitation at Non-Suburban Railway Stations in Indian Railways) શીર્ષકવાળા અહેવાલ અનુસાર, ઘણા મુખ્ય રેલ્વે સ્ટેશનો પર કુલર અને નળના પાણીમાં E.coli બેક્ટેરિયા અને ફુલ કોલિફોર્મ હોવાનું જાણવા મળ્યું છે જે માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે -&nbsp;</p><p><br></p><h4><b>રેલ્વે બોર્ડના ધોરણો પ્રત્યે સ્પષ્ટ અવગણના</b></h4><p>CAG રિપોર્ટ 2019-20 થી 2023-24 ના સમયગાળાને આવરી લેતા દેશભરના 512 બિન-ઉપનગરીય સ્ટેશનોના સઘન ઓડિટ પર આધારિત છે. અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે જ્યારે રેલ્વે બોર્ડે મૂળભૂત મુસાફરોની સુવિધાઓ માટે કડક નિયમો અને માર્ગદર્શિકા સ્થાપિત કરી હતી, ત્યારે પ્રાદેશિક રેલ્વે ઝોન તેનું પાલન કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયા. પરિસ્થિતિ એવી હતી કે છ અલગ-અલગ ઝોનના 59 સ્ટેશનો પર પીવાના પાણીનું બેક્ટેરિયોલોજિકલ પરીક્ષણ પણ કરવામાં આવ્યું ન હતું.</p><p><br></p><p>CAG ઓડિટ દરમિયાન પરીક્ષણ માટે મોકલવામાં આવેલા પાણીના નમૂનાઓના પરિણામો ચિંતાજનક હતા. રિપોર્ટ અનુસાર, મુંબઈના ઐતિહાસિક છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT), કલ્યાણ, લોનાવાલા અને ભિવંડી રોડ જેવા વ્યસ્ત સ્ટેશનો પરના વોટર કુલરમાં E.coli બેક્ટેરિયા મળી આવ્યા હતા. તેવી જ રીતે, દક્ષિણ રેલ્વે હેઠળના કોઈમ્બતુર (તામિલનાડુ) અને પલક્કડ જંક્શન (કેરળ) ખાતેના કુલરમાંથી પાણી દૂષિત હોવાનું જાણવા મળ્યું હતું. દક્ષિણ મધ્ય રેલ્વે ઝોનમાં, હૈદરાબાદ સ્ટેશન પર પીવાના પાણીમાં E.coliની હાજરી મળી આવી હતી.</p><p><br></p><p>પૂર્વ રેલ્વેની વાત કરીએ તો, માધુપુર સ્ટેશન પરનું પાણી પણ ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ ગયું હતું. વધુમાં, 2022-23માં 8 ઝોનના 49 સ્ટેશનો પર અને 2023-24માં 9 ઝોનના 56 સ્ટેશનો પર પ્લેટફોર્મ નળમાંથી પાણીમાં 'ટોટલ કોલિફોર્મ' બેક્ટેરિયા મળી આવ્યા હતા. આ બેક્ટેરિયા પાચનતંત્ર અને પેટને અસર કરતા ગંભીર ચેપી રોગોના સીધા કારણો છે.</p><p><br></p><h4><b>જર્જરિત શૌચાલયો અને મૂળભૂત સુવિધાઓનો અભાવ</b></h4><p>આ અહેવાલમાં માત્ર પાણીની ગુણવત્તાના મુદ્દાઓ જ નહીં પરંતુ સ્ટેશનના શૌચાલય અને શૌચાલયોની દયનીય સ્થિતિ પણ પ્રકાશિત કરવામાં આવી છે. ગંદકી અને નબળી જાળવણીને કારણે મુસાફરો આ સુવિધાઓનો ઉપયોગ કરવાનું ટાળે છે. CAG ની પેસેન્જર એમેનિટીઝ મેનેજમેન્ટ સિસ્ટમ (PAMS) ના ડેટા અનુસાર, 2035 સ્ટેશનો પર પાણીના નળની તીવ્ર અછત છે.</p><p><br></p><p>- 403 સ્ટેશનો પર પૂરતી પેશાબઘરની સુવિધાઓનો અભાવ છે.</p><p>- 201 સ્ટેશનો પર, શૌચાલયોની સંખ્યા નિર્ધારિત ધોરણો કરતાં નોંધપાત્ર રીતે ઓછા છે.</p><h4><b>89% સ્ટેશનો પર સુવિધાઓનો અભાવ</b></h4><p>એપ્રિલ 2018 માં રેલ્વે બોર્ડે નિર્દેશ આપ્યો હતો કે ઓગસ્ટ ૨૦૧૮ સુધીમાં દેશભરના તમામ સ્ટેશનો પર પીવાનું પાણી, બેઠક વ્યવસ્થા, આશ્રયસ્થાનો, શૌચાલય, પંખા, ફૂટ-ઓવર-બ્રિજ અને માહિતી બોર્ડ જેવી આવશ્યક સુવિધાઓ ફરજિયાત રીતે પૂરી પાડવામાં આવે. જોકે, CAG ઓડિટમાં જાણવા મળ્યું હતું કે સર્વે કરાયેલા 512 સ્ટેશનોમાંથી 458 સ્ટેશનોમાં આ મૂળભૂત સુવિધાઓનો સંપૂર્ણ અભાવ હતો અથવા જરૂરી ધોરણોથી ઘણા નીચે હતા.</p><p><br></p><p>નવી દિલ્હી, હાવડા, સિયાલદાહ, મુંબઈ સેન્ટ્રલ અને CSMT જેવા મુખ્ય 'NSG-1' શ્રેણીના સ્ટેશનો પર પરિસ્થિતિ ખાસ કરીને ચિંતાજનક હતી - જ્યાં મુસાફરો માટેની સુવિધાઓ (બેઠક, પંખા, વોટર કૂલર, ડસ્ટબિન અને ટ્રેન માહિતી પ્રદર્શન બોર્ડ સહિત) કાં તો ગુમ હતી અથવા જર્જરિત સ્થિતિમાં હતી.</p><h4><b>રેલ્વે વહીવટને CAGનો કડક નિર્દેશ</b></h4><p>લાખો મુસાફરોના સ્વાસ્થ્ય અને સલામતી માટેના જોખમો અંગે ચિંતિત, CAG એ ભલામણ કરી છે કે રેલ્વે મંત્રાલય અને રેલ્વે વહીવટીતંત્ર પરિસ્થિતિને સુધારવા માટે તાત્કાલિક પગલાં લે. CAG એ જણાવ્યું છે કે રેલ્વે સ્ટેશનો પર પાણી પુરવઠા પ્રણાલીઓ અને પાણીની ગુણવત્તાનું એક સમાન પીવાના પાણીની ગુણવત્તા પ્રોટોકોલ હેઠળ નિયમિત અને કડક નિરીક્ષણ થવું જોઈએ, જેથી સામાન્ય લોકો શુદ્ધ પીવાનું પાણી અને સ્વચ્છ વાતાવરણ મેળવી શકે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/world/news/bangladesh--tarique-rahman-visit-to-india-linked-to-hasina-extradition" target="_blank">Bangladesh: જ્યા સુધી ભારત... તારિક રહેમાનની ભારત મુલાકાત પર બાંગ્લાદેશે રાખી મોટી શરત</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/YMH25XrqGQ3yREshQXMK6VGIaeSs9KyVj8mlNMdD.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : 21 વર્ષના યુવકના દુઃખદ અવસાન પર સિવિલ તંત્રની પ્રતિક્રિયા, 'પરિવારની સાથે છીએ, તપાસ થશે' ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-news-civil-administrations-reaction-to-the-tragic-death-of-a-21-year-old-youth-we-are-with-the-family-an-investigation-will-be-conducted</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-news-civil-administrations-reaction-to-the-tragic-death-of-a-21-year-old-youth-we-are-with-the-family-an-investigation-will-be-conducted</guid><pubDate>Sun, 16 Aug 2026 17:36:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 21 વર્ષીય યુવકના થયેલા દુઃખદ મોત અંગે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, યુવકના પગમાં STG (સ્કિન ગ્રાફ્ટિંગ) સર્જરી કરવામાં આવી હતી, જે અત્યંત સામાન્ય ઓપરેશન ગણાય છે. આ સર્જરીમાં દર્દીના શરીરના એક ભાગમાંથી ચામડી લઈને બીજા ભાગ પર લગાવવામાં આવતી હોય છે.</p><h2 style="text-align: justify; "><b>મોતનું કારણ અને એનેસ્થેશિયા પર પ્રતિક્રિયા</b></h2><p style="text-align: justify; ">યુવકના અચાનક થયેલા અવસાન પાછળના કારણો અંગે વાત કરતા સુપ્રિટેન્ડેન્ટે ઉમેર્યું હતું કે, આ કિસ્સામાં એનેસ્થેશિયાના કારણે મોત થયું હોય તેવી શક્યતા નહિવત અથવા ખૂબ ઓછી છે. તેથી મોત પાછળ કોઈ અન્ય તબીબી કે આકસ્મિક કારણ હોઈ શકે છે, જેની ટેકનિકલ તપાસ કરવી જરૂરી છે.</p><h2 style="text-align: justify; "><b>સંવેદના અને તપાસની ખાતરી</b></h2><p style="text-align: justify; ">સિવિલ તંત્રએ આ દુઃખદ ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હોસ્પિટલ પ્રશાસન આ કઠિન સમયે પીડિત પરિવારની સાથે ઊભું છે. યુવકનું મોત ખરેખર કયા કારણોસર થયું છે તેની સત્યતા બહાર લાવવા માટે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક અને તટસ્થ તપાસ કરવામાં આવશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/surendranagar/surendranagar-news-gross-negligence-in-the-work-of-dhrangadhra-railway-station-children-seen-playing-among-heavy-stones" target="_blank">Surendranagar News : ધ્રાંગધ્રા રેલવે સ્ટેશનના કામમાં ઘોર બેદરકારી, ભારે પથ્થરો વચ્ચે રમતા જોવા મળ્યા બાળકો</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/8WtUVx4gNJJRlPj06afB93shDAniWnUcODJZos1z.webp'/></item><item><title><![CDATA[Sunny Deol નથી પીતા દારૂ! કરિયરના ડાઉનફોલ અને સક્સેસ પર એક્ટરે તોડ્યું મૌન, કર્યો ચોંકાવનારો ખુલાસો! ]]></title><link>https://sandesh.com/entertainment/news/sunny-deol-alcohol-career-downfall-reaction</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/sunny-deol-alcohol-career-downfall-reaction</guid><pubDate>Sun, 16 Aug 2026 17:30:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સની દેઓલ હાલ ફિલ્મ બંટવારા 1947માં જોવા મળી રહ્યા છે. ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સની દેઓલ જોરશોરથી ફિલ્મના પ્રચારમાં વ્યસ્ત છે. તાજેતરમાં એક મુલાકાતમાં તેમણે પોતાની કારકિર્દીના ઉતાર વિશે વાત કરી હતી.</p><h2 style="text-align: justify; "><b>કારકિર્દીના ઉતાર પર સની દેઓલે કરી વાત</b></h2><p style="text-align: justify; ">ગદર ફિલ્મ ખૂબ સફળ થયા પછી પણ સની દેઓલની કારકિર્દીમાં જે ઉતાર આવ્યો હતો, તેના વિશે અભિનેતાએ શુભાંકર મિશ્રાના પોડકાસ્ટમાં વાત કરી. તેમણે કહ્યું કે અચાનક કોમ્પ્યુટરનો સમય આવ્યો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કામ કરવાની રીત બદલાવા લાગી. ગદરની સાથે તેમણે ઈન્ડિયન ફિલ્મમાં પણ કામ કર્યું હતું, જે ખૂબ મોટી સફળ રહી હતી. તે સમયે ઈન્ડિયનએ લગાન કરતાં બમણી કમાણી કરી હતી અને ગદરએ તો તેનાથી પણ વધુ કમાણી કરી હતી.</p><h2 style="text-align: justify; "><b>ફિલ્મોમાં રાજકારણ ન આવવું જોઈએ: સની દેઓલ</b></h2><p style="text-align: justify; ">સની દેઓલે વધુમાં કહ્યું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બદલાવ આવ્યો હતો. જો બોલે સો નિહાલ ફિલ્મને પણ રાજકારણના કારણે સિનેમાઘરોમાંથી હટાવવી પડી હતી. તેમણે કહ્યું કે આજકાલ ફિલ્મોની વચ્ચે જે રાજકારણ આવી રહ્યું છે, તે ન આવવું જોઈએ. રાજકારણને બહાર જ રાખવું જોઈએ. આપણે કોઈ ખોટું કામ નથી કરતા. આ મનોરંજન છે અને તેને મનોરંજન જ રહેવા દેવું જોઈએ.</p><h3 style="text-align: justify; "><b>અભિનેતા બનવાનું ક્યારે નક્કી કર્યું હતું?</b></h3><p style="text-align: justify; ">આ ઉપરાંત સની દેઓલે અભિનેતા બનવા અંગે પણ વાત કરી. તેમણે કહ્યું, જ્યારે મેં શાળાનો અભ્યાસ પૂરો કર્યો ત્યારે અભિનેતા બનવાનું વિચાર્યું હતું. તે પહેલાં ક્યારેય વિચાર્યું નહોતું. હું પિતાની ફિલ્મો ખૂબ જોતો હતો અને બીજાની ફિલ્મો ભાગ્યે જ જોતો હતો. પિતાની દરેક ફિલ્મ જોતો હતો. હોલીવુડની ફિલ્મો પણ ઘણી જોતો હતો. પિતાની જૂની ફિલ્મોથી મને પ્રેરણા મળી. મારા માટે અભિનય એટલે લાગણીઓને વ્યક્ત કરવી.</p><h3 style="text-align: justify; "><b>સફળતાનો અહંકાર ક્યારેય થયો નથી: સની દેઓલ</b></h3><p style="text-align: justify; ">સફળતા મળ્યા પછી અહંકાર આવવા અંગે સની દેઓલે કહ્યું, મારા મનમાં ક્યારેય એવો વિચાર આવ્યો નથી. આ એક પ્રકારનો નશો હોય છે અને એવો નશો ક્યારેય મારા પર ચઢ્યો નથી. કારણ કે હું ધર્મેન્દ્રનો દીકરો છું. અમે બધી વસ્તુઓ જોઈ છે અને અનુભવી છે. તેથી કારકિર્દીના ઉતાર-ચઢાવથી ક્યારેય ગભરાયો નથી. પિતા પણ ક્યારેય બદલાયા નથી.</p><h4 style="text-align: justify; "><b>દારૂ અને સિગારેટ અંગે શું બોલ્યા સની દેઓલ?</b></h4><p style="text-align: justify; ">સની દેઓલે સિગારેટ અને દારૂ અંગે પણ વાત કરી. તેમણે કહ્યું, મેં દારૂ અને સિગારેટ અજમાવ્યાં છે, પરંતુ ક્યારેય તેનું સેવન કર્યું નથી. જ્યારે હું યુવાન હતો ત્યારે અજમાવ્યું હતું. તે સમયે હું વિદેશમાં ભણતો હતો. મારી ઉંમરના લોકો આ બધું કરતા હતા, એટલે મેં પણ અજમાવ્યું હતું. મને તેનો સ્વાદ પસંદ નથી. તેની ગંધ પણ પસંદ નથી. હું સવારે શક્ય તેટલું વહેલું ઉઠું છું. મને હકારાત્મક લાગે છે.</p><h6 style="text-align: justify; "><b>ઇક્કામાં પણ જોવા મળ્યા હતા સની દેઓલ</b></h6><p style="text-align: justify; ">ફિલ્મ બંટવારા 1947ની વાત કરીએ તો તેમાં સની દેઓલ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં પ્રીતિ ઝિન્ટા મુખ્ય અભિનેત્રીની ભૂમિકામાં છે. શબાના આઝમી પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળી રહ્યાં છે. ફિલ્મનું નિર્માણ આમિર ખાને કર્યું છે, જ્યારે રાજકુમાર સંતોષીએ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. સની દેઓલ આ પહેલાં ઇક્કામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં અક્ષય ખન્ના પણ જોવા મળ્યા હતા. ફિલ્મ OTT પર રિલીઝ થઈ હતી અને તેની ઘણી ચર્ચા થઈ હતી. દર્શકોને આ ફિલ્મ પસંદ પણ આવી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/shah-rukh-khan-ajay-devgn-tiger-fda-notice-elaichi-ad" target="_blank">આ પણ વાંચો-Shah Rukh Khan, અજય દેવગન અને ટાઈગર શ્રોફની વધી મુશ્કેલીઓ! ગુટખા એડને લઈને FDAની નોટિસ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/IaMVfZ3wdyeX2vfFzQA9q7xhhYjTySkwJf43acWK.webp'/></item><item><title><![CDATA[Rajkot News: બેડી નજીક ઘુનામાં ડૂબવાથી 3 બાળકો સહિત 4 લોકોના મોત ]]></title><link>https://sandesh.com/gujarat/breakingnews/rajkot/breaking-bedi-village-drowning-incident-four-dead-kuwadva-police</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/breakingnews/rajkot/breaking-bedi-village-drowning-incident-four-dead-kuwadva-police</guid><pubDate>Sun, 16 Aug 2026 17:14:40 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ શહેર નજીક આવેલા બેડી ગામથી હડમતીયા તરફ જવાના રસ્તા પર એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં આવેલી વીડિવાળા પીરની દરગાહ નજીક ઘુના તળાવમાં ન્હાવા પડેલા 3 માસૂમ બાળકો અને 1 યુવક સહિત કુલ 4 લોકોના પાણીમાં ડૂબી જવાથી કમનસીબ મોત નીપજ્યા છે. એકસાથે 4 લોકોના અકાળે અવસાન થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. એક સાથે ચાર લોકોના મોત થવાને કારણે શોકનું મોજું ફરી વળ્યું છે.</p><h2><b>નાના ભાઈને બચાવવા જતાં 4 લોકો કાળનો કોળિયો બન્યા</b></h2><p>ઘટનાની મળતી માહિતી અનુસાર, મૃતકોમાં સોહન શોરા (ઉંમર 10 વર્ષ), સેફુ શોરા (ઉંમર 5 વર્ષ), અલીફા શોરા (ઉંમર 10 વર્ષ) અને સાહિલ શોરા (ઉંમર 18 વર્ષ)નો સમાવેશ થાય છે. જેમાં સોહન અને સેફુ બંને સગા ભાઈઓ હતા. ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે 5 વર્ષનો નાનો માસૂમ સેફુ અચાનક ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો. તેને ડૂબતો જોઈને તેને બચાવવા માટે અન્ય બે બાળકો અને 18 વર્ષનો યુવક સાહિલ પાણીમાં કૂદી પડ્યા હતા, પરંતુ કમનસીબે પાણીનું ઊંડાણ વધુ હોવાથી ચારેય જણા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.</p><h2><b>જન્મદિવસના દિવસે જ કાળનો પંજો ત્રાટક્યો</b></h2><p>આ ગોઝારી ઘટનામાં સૌથી વધુ કાળજું કંપાવનારી બાબત એ સામે આવી છે કે, મૃતક 10 વર્ષીય સોહન શોરાનો આજે જ જન્મદિવસ હતો. જે દિવસે ઘરમાં ઉત્સવ અને ખુશીનો માહોલ હોવો જોઈએ, તે જ દિવસે કાળના પંજાએ માસૂમનો જીવ છીનવી લીધો હતો. પોતાના સંતાનનો જન્મદિવસ જ તેનો અંતિમ દિવસ બનતાં પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને તેમના કરુણ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે.</p><h2><b>સ્થાનિકોએ મૃતદેહો બહાર કાઢ્યા, કુવાડવા રોડ પોલીસની તપાસ શરૂ</b></h2><p>બનાવની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનોએ ભારે જહમત ઉઠાવીને ડૂબેલા ત્રણેય બાળકો અને યુવકના મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢ્યા હતા. આ ઘટના અંગે જાણ કરાતાં જ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડીને આકસ્મિક મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/rajkot/b-division-police-arrests-two-accused-arman-and-afzal-in-minor-girl-pocso-case" target="_blank">Rajkot: સગીરાને અમદાવાદ ભગાડી જઈ આચર્યું હતું દુષ્કર્મ, પોલીસે ગણતરીના કલાકોમાં ગુનો નોંધી આરોપીઓને દબોચ્યા</a></p><p><br></p><p>                                    
                                </p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/TQfaf4ucZNrMoDTxDjmmsNLpJsC9SrVYWZPvFqbB.webp'/></item><item><title><![CDATA[FIH World Cup 2026 : માતાના પગલે પુત્ર! 28 વર્ષ પછી એ જ ગ્રાઉન્ડ પર હોકી વર્લ્ડ કપમાં રમ્યો દીકરો ]]></title><link>https://sandesh.com/sports/news/fih-world-cup-2026-son-follows-in-mothers-footsteps-son-plays-in-hockey-world-cup-on-same-ground-after-28-years</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fih-world-cup-2026-son-follows-in-mothers-footsteps-son-plays-in-hockey-world-cup-on-same-ground-after-28-years</guid><pubDate>Sun, 16 Aug 2026 10:03:26 +05:30</pubDate><description><![CDATA[<p>હોકી વર્લ્ડ કપ 2026 શરૂ થઈ ગયો છે.ભારતે આ વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત વેલ્સ સામે પોતાની પહેલી મેચ રમીને કરી હતી.15 ઓગસ્ટની સાંજે વેલ્સ સામેની હોકી વર્લ્ડ કપ મેચ પ્રીતમ સિવાચ માટે માત્ર એક મેચ જ નહોતી.આ મેચ તેમના પુત્ર યશદીપના વર્લ્ડ કપ ડેબ્યૂ કર્યું હતું.એક માતા તરીકે,તે તેમના માટે ગર્વની ક્ષણ હતી.આ ગર્વ એ હકીકતથી વધુ વધ્યો કે તે તેમના પુત્રને તેમના પછી હોકી વર્લ્ડ કપમાં ભારત માટે રમતા જોઈ રહી હતી.</p><h5><b>1998માં માતા 2026માં પુત્ર</b></h5><p>પ્રીતમ સિવાચે નેધરલેન્ડ્સમાં 1998ના મહિલા હોકી વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું.હવે 28 વર્ષ પછી તે જ દેશમાં 2026ના પુરુષ હોકી વર્લ્ડ કપમાં તેમના પુત્ર યશદીપ સિવાચે ટુર્નામેન્ટની ભારતની પહેલી મેચ રમી હતી.નોંધપાત્ર વાત એ છે કે પ્રીતમ સિવાચે નેધરલેન્ડ્સમાં હોકી વર્લ્ડ કપ રમ્યો ત્યારે યશદીપનો જન્મ પણ થયો ન હતો.25 વર્ષીય ડિફેન્ડર યશદીપે 2022 માં ભારત માટે સિનિયર ડેબ્યૂ કર્યું હતું.</p><h5><b>પ્રીતમ સિવાચે તેમના પુત્રની સિદ્ધિ વિશે શું કહ્યું?</b></h5><p>પોતાના પુત્રની સિદ્ધિ પર પ્રતિબિંબ પાડતા,પ્રીતમ સિવાચે કહ્યું,આ મારા માટે એક મોટી ક્ષણ છે.મારો પુત્ર વર્લ્ડ કપમાં મારા જેવા જ સ્થળે રમ્યો હતો.તેણીએ શેર કર્યું કે તે નેધરલેન્ડમાં હતી અને તાજેતરમાં જ ત્યાંથી પાછી આવી છે.તે ટીવી પર મેચ જોઈ રહી છે.પ્રીતમએ કહ્યું કે તેણીએ આજે ​​સવારે તેના પુત્રને ફોન કર્યો અને તેને કહ્યું કે તેને તેની માતાનું અધૂરું સ્વપ્ન પૂર્ણ કરવું પડશે.પ્રીતમ સિવાચે કહ્યું કે તેણીને વિશ્વાસ છે કે ટીમ મેડલ સાથે પરત ફરશે.ટીમ ખૂબ જ મજબૂત દેખાય છે અને તેમનું મનોબળ ઊંચું છે.મોટી ટીમો સામે નિયમિત રમવાથી તેમને સારી તૈયારી કરવામાં પણ મદદ મળી છે.</p><h5><b>માતા અને પુત્રની રમવાની શૈલીઓ અલગ અલગ હોય છે</b></h5><p>પોતાના પુત્ર અને તેની પોતાની રમવાની શૈલીઓ વિશે,પ્રીતમ સિવાચે કહ્યું કે તેનો પુત્ર ઝડપથી શીખનાર છે.તે દબાણમાં પણ શાંત રહે છે.હું વધુ આક્રમક ખેલાડી હતો,તેણીએ કહ્યું.તેણીએ કહ્યું કે આ પાછળનું કારણ એ સ્થિતિ હોઈ શકે છે જેમાં અમે બંને રમીએ છીએ.તે ડિફેન્ડર છે.જ્યારે હું સ્ટ્રાઈકર હતો.</p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/cricket/news/rishabh-pants-historic-record-surpassing-adam-gilchrist-to-become-number-1-in-test-cricket" target="_blank"> Rishabh Pant નો ઐતિહાસિક રેકોર્ડ, એડમ ગિલક્રિસ્ટને પાછળ છોડી ટેસ્ટ ક્રિકેટમાં બન્યો નંબર-1</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/P3DXaGssQ6U3XKqDOsKzmdc3t6GpoIdoav8YxsBw.webp'/></item></channel></rss>