<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[સોનવાડામાં નેશનલ હાઇવે ઓથોરિટીને પાપે સ્થાનિકોનું જીવવું દોહ્યલું થઇ ગયું ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/valsad/the-lives-of-locals-in-sonwara-have-become-miserable-due-to-the-sins-of-the-national-highway-authority</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/valsad/the-lives-of-locals-in-sonwara-have-become-miserable-due-to-the-sins-of-the-national-highway-authority</guid><pubDate>Tue, 08 Sep 2026 04:56:22 +05:30</pubDate><description><![CDATA[<p>વલસાડહાઇવે ઉપર વાહનચાલકો માટે વિઝિબિલિટીની સમસ્યા સર્જાઇ રહી છે. ને.હા.ઓથોરિટીના અધિકારીને વારંવાર ફોન કરવા છતાં કોઇ કામગીરી નહીં કરતા આખરે ગામના સરપંચે ગ્રામજનો સાથે મળીને સોમવારે વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યુ હતુ.</p><p>તાજેતરમાં અતુલ વિસ્તારના રહીશોએ અતુલ ફર્સ્ટ ગેટ ઓવરબ્રિજ પર ધૂળની ડમરીઓ સતત ઉડી રહી હોવાથી લોકો અસ્થમા, ખાંસી-શરદી જેવા રોગોનો ભોગ બની રહ્યા હોવાની ફરિયાદ કરી હતી. હવે વલસાડના જ સોનવાડા ગામના સરપંચ સુરેશભાઇ ધીરૂભાઇ પટેલની આગેવાનીમાં ગામના રહીશોએ કલેક્ટરને સુપ્રત કરેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, સોનવાડા ગામે હાઇવે પર સ્થિત ઓવરબ્રિજના બંને તરફના રસ્તા પર દર વર્ષે મોટા ખાડા પડી જવાથી લોકો અકસ્માતનો ભોગ બનતા આવ્યા છે. આ ખાડામાં નાંખવામાં આવતી માટી તેમજ જી.એસ.બી. જેવી કાચી સામગ્રીના ઉપયોગને કારણે વાહનોના ટાયરો ફરવાથી ધૂળના ગોટે-ગોટા ઉડીને ગ્રામજનોના ઘરોમાં જાય છે. જેને કારણે ગ્રામજનો બીમારીનો ભોગ બની રહ્યા છે. જે બાબતે ને.હા.ઓથોરિટીના અધિકારીને વારંવાર જાણ કરવા છતાં યોગ્ય પ્રતિસાદ આપતા નથી. સરપંચે આ બાબતને ધ્યાનમાં લઇ જરૂરી પગલાં લેવા તથા લોકોને બીમાર પડતા અટકાવવા કાર્યવાહી કરવા કલેક્ટરને રજૂઆત કરી છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/SA1GmLWZKvHDHKeLmvbeRPYduu9MxAIXjjdMQW83.webp'/></item><item><title><![CDATA[બારડોલી BABS હાઈસ્કૂલની બે ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bardoli/two-of-bardoli-babs-high-school</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bardoli/two-of-bardoli-babs-high-school</guid><pubDate>Tue, 08 Sep 2026 04:53:10 +05:30</pubDate><description><![CDATA[<p>વિદ્યાર્થિની હેન્ડબોલ સ્પર્ધામાં ઝળકી</p><p>બારડોલીની બી.એ.બી.એસ. સ્કૂલની બે વિદ્યાર્થીઓએ એમ.કે. પટેલ પ્રા.શા. મઢી મુકામે યોજાયેલી જિલ્લા કક્ષાની એસ.જી.એફ.આઈ.ની અંડર-14, અંડર-17 તેમજ અંડર-19 ની સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં હેન્ડબોલ સ્પર્ધામાં સ્કૂલની બે વિદ્યાર્થીનીઓએ સિદ્ધિ મેળવી હતી. જેમાં અંડર-19 માં બી.એ.બી.એસ. સ્કૂલની બે વિદ્યાર્થીનીઓ સુપ્રિયા રાઘવેન્દ્ર સિંહ અને આંચલ રત્નાકર મિશ્રા વિજેતા બની હતી. સ્કૂલની વિદ્યાર્થીનીઓ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરતા રાજ્ય કક્ષાએ તેમની પસંદગી થઈ હતી. બંને વિદ્યાર્થીનીઓને તાલીમ આપનાર હિંમાશું આર. પારેખ, ડો. રૂમિતભાઈ શાહને બારડોલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત બારડોલી ઔદિચ્ય બ્રાહ્મણ સાર્વજનિક હાઈસ્કૂલના ચેરમેન હસમુખભાઈ એમ. પટેલ ડો. વ્યોમ બી. પાઠક તથા તમામહોદ્દેદારો અને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p>Handball, Students, School, Bardoli</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/yhtjI2TRGj2GNj8AofXBvxkBiymDMKGEf99QZIlj.webp'/></item><item><title><![CDATA[એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની (ઈન્ડિયા) લિમિટેડનો આઈપીઓ બુધવાર, 9 સપ્ટેમ્બર, 2026ના રોજ ખુલશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/asset-reconstruction-company-india-limiteds-ipo-will-open-on-wednesday-september-9-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/asset-reconstruction-company-india-limiteds-ipo-will-open-on-wednesday-september-9-2026</guid><pubDate>Tue, 08 Sep 2026 04:38:56 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ : એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની (ઈન્ડિયા) લિમિટેડ બુધવાર, 9 સપ્ટેમ્બર, 2026ના રોજ રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા તેના ઇક્વિટી શેરનો આઈપીઓ શરૂ કરવાની દરખાસ્ત ધરાવે છે. એન્કર ઇન્વેસ્ટર માટે બિડીંગની તારીખ બિડ/ઓફર શરૂ થવાની તારીખના કામકાજના એક દિવસ પહેલા એટલે કે મંગળવાર, 8 સપ્ટેમ્બર, 2026 છે. બિડ/ઓફર બંધ થવાની તારીખ શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026 છે. ઓફર માટેનો પ્રાઇઝ બેન્ડ રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેર માટે રૂ. 132થી રૂ. 139 નક્કી કરવામાં આવ્યો છે. બિડ રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઓછામાં ઓછા 107 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા 107 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/AS5EWF72zERaGyz8huXjDgM1fWg0ua2eq6BcA9LU.webp'/></item><item><title><![CDATA[ડાઇનેમિક અચીવર્સ માટે ડિઝાઈન કરેલ નવી આકર્ષક બલેનો સાથે 'ડેર ટૂ ગો ગ્લેમ' માટે તૈયાર રહો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/get-ready-to-dare-to-go-glam-with-the-new-sleek-baleno-designed-for-dynamic-achievers</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/get-ready-to-dare-to-go-glam-with-the-new-sleek-baleno-designed-for-dynamic-achievers</guid><pubDate>Tue, 08 Sep 2026 04:36:45 +05:30</pubDate><description><![CDATA[<p>મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડે આકર્ષક યુવાઓ, મહત્ત્વાકાંક્ષી અર્બન અચીવર્સ જે તેમનું જીવન તેમના અંદાજમાં જ જીવે છે તેમના માટે નવી આકર્ષક બલેનો તૈયાર કરી છે. તેને 'ડેર ટૂ ગો ગ્લેમ'ની ફિલોસોફી સાથે વિકસિત કરવામાં આવેલ એવી પ્રોગ્રેસિવ ડિઝાઇનવાળી પ્રીમિયમ હેચબેક છે. સુરક્ષા અને સુવિધા એમ બંને દૃષ્ટિએ તેને વધુ સુગમ કરવામાં આવેલ છે. આ નવી બલેનોને પ્રસ્તુત કરતી વેળાએ શ્રી પાર્થો બેનરજી, સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર, માર્કેટિંગ અને સેલ્સ, મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ જણાવે છે કે, આ બલેનો એ એક દાયકા કરતા વધુ સમયથી નેક્સા માટે આધારસ્તંભ છે અને પ્રીમિયમ હેચબેક છે. તે લેવલ 2 એડીએએસ જેવા સેગમેન્ટમાં પ્રથમ વખત પ્રારંભ સાથે ગ્રાહકોની સુરક્ષા અને સુવિધાને વધુ સુનિશ્ચિત કરે છે. તે એડવાન્સ્ડ ઝેડ12ઈ પાવરટ્રેન સાથે 5-સ્પીડ મેન્યુઅલ અને એજીએસ ઓટોમેટિક ટ્રાન્સમિશન વિકલ્પ પૂરા પાડે છે. તેની એક્સ શોરૂમ કિંમત રૂ. 6,09,900 છે અને તેનું બુકિંગ હાલમાં માત્ર 11,000 રૂપિયા ભરી કરી શકાશે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/qPObRZ8m8rI2oKq7UuQ30BDKR0EmsedbYGxWmy7l.webp'/></item><item><title><![CDATA[1200થી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રા માં પર્વાધિરાજ પર્યુષણનો મંગલ પ્રારંભ : 260થી વધુ જૈન સંઘોમાં આરાધના ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/more-than-1200-sadhus-and-sadhvis-worshipped-the-lord-and-the-auspicious-beginning-of-parvadhiraj-paryushan-worship-in-more-than-260-jain-sanghas</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/more-than-1200-sadhus-and-sadhvis-worshipped-the-lord-and-the-auspicious-beginning-of-parvadhiraj-paryushan-worship-in-more-than-260-jain-sanghas</guid><pubDate>Tue, 08 Sep 2026 04:34:40 +05:30</pubDate><description><![CDATA[<p>જૈન ધર્મના મહાપર્વ પર્વાધિરાજ પર્યુષણનો શુભારંભ થયો છે. પુણ્યનું પોષણ અને પાપનું શોષણ કરતું આ પર્વ આઠ દિવસનું હોય છે. પર્યુષણ શબ્દમાં 'પરિ' એટલે ચારેય બાજુથી સારી રીતે અને 'ઉષણ' એટલે કે આરાધના તથા આત્મશુદ્ધિ માટે એક સાથે રહેવું. પર્યુષણનો સંદેશ આત્માની નજીક રહેવાનો અને જગતભરના જીવો સાથે મૈત્રી સાધવાનો છે. પર્યુષણમાં જૈનો તપ, જપ અને પૌષધ આદરે છે તેમજ આઠેય દિવસ અહિંસાનું ચુસ્તપણે પાલન કરે છે. પર્યુષણ દરમિયાન મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ સવાર-સાંજ પ્રતિક્રમણ કરતા હોય છે. પુણ્યનું પોષણ અને આત્મશુદ્ધિનું આ પર્વ જિનશાસનની અત્યંત ભવ્ય પરંપરા છે.</p><p>પ્રથમ ત્રણ દિવસ 'અષ્ટાન્હિકા' ગ્રંથ પર પ્રવચનો થાય છે, જેમાં શ્રાાવકના પર્યુષણના પાંચ કર્તવ્ય, વાર્ષિક 11 કર્તવ્ય અને પૌષધ વ્રત પર વિવેચન કરવામાં આવે છે. ચોથા દિવસથી કલ્પસૂત્રના વાંચનનો પ્રારંભ થાય છે. સળંગ ચાર દિવસ સવાર-સાંજ મળી કુલ 8 વ્યાખ્યાનો દ્વારા કલ્પસૂત્રનું વાંચન પૂર્ણ થાય છે, જેમાં સાધુ ભગવંતોના આચારો તથા ભગવાન મહાવીર સ્વામીનું વિસ્તૃત જીવન ચરિત્ર સમજાવવામાં આવે છે. પાંચમા દિવસે તા. 12 સપ્ટેમ્બરે પ્રભુ મહાવીર સ્વામીના જન્મવાંચનનો મહોત્સવ ઉજવાય છે. પ્રભુજીની માતા ત્રિશલા દેવીને આવેલાં ચૌદ મહાસ્વપ્નોનાં દર્શન સકળ સંઘને કરાવવામાં આવે છે અને પ્રભુજીને પારણે ઝુલાવવામાં આવે છે.</p><p>આઠ દિવસના આ મહાપર્વમાં પ્રથમ સાત દિવસ આરાધનાના છે, જ્યારે આઠમો દિવસ સિદ્ધિનો એટલે કે ક્ષમારૂપી ધર્મની સિદ્ધિનો છે. આઠમા દિવસે સમગ્ર કલ્પસૂત્ર-બારસાસૂત્રના મૂળપાઠનું મંત્રતુલ્ય શ્રાવણ જૈનો પૂર્ણ શ્રાદ્ધાપૂર્વક કરે છે. ત્યારબાદ સંવત્સરી પ્રતિક્રમણ થાય છે. પ્રત્યેક જૈન પોતાના મન, વચન અને કાયાથી કોઈ જીવ કે વ્યક્તિનું મન દુભાવ્યું હોય તો 'મિચ્છામિ દુક્કડં' કહી હૃદયપૂર્વક ક્ષમાયાચના કરે છે, જ્યારે સામા પક્ષે કોઈ ભૂલનો એકરાર કરી ક્ષમા માંગે તો તેને પ્રેમપૂર્વક સ્વીકારી ક્ષમા આપે છે.</p><p>પર્યુષણ અંગે વધુ માહિતી આપતાં જૈન યુવક મહાસંઘના ભદ્રેશ શાહે જણાવ્યું કે આ વર્ષે પર્યુષણ પર્વનો અનેરો ઉત્સાહ રાજનગરમાં વર્તાઈ રહ્યો છે. 260થી વધારે જૈન સંઘોમાં આ વર્ષે તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંત મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજ, ગચ્છાધિપતિ આચાર્ય નરદેવસાગરસૂરીશ્વરજી, ગચ્છાધિપતિ આચાર્ય નરરત્નસૂરીશ્વરજી, ગચ્છાધિપતિ આચાર્ય કુલચંદ્રસૂરીશ્વરજી, ગચ્છાધિપતિ ડૉ. આચાર્ય હેમચંદ્રસૂરીશ્વરજી તથા 45થી વધુ પ્રભાવક જૈનાચાર્યો અને 1200થી અધિક સાધુ-સાધ્વીજી ભગવંતોની પાવનકારી નિશ્રા મળી રહી છે. પ્રત્યેક સંઘમાં ભાવિકો અઠ્ઠાઈ (8 ઉપવાસ), 16 ઉપવાસ, સિદ્ધિતપ અને માસક્ષમણ (30 ઉપવાસ) જેવી કઠોર તપશ્ચર્યાઓ મોટા પાયે કરી રહ્યા છે. બાર-બાર મહિનાથી વેર-ઝેર, રાગ-દ્વેષ, ઈર્ષ્યા અને નિંદાના કાદવથી ખરડાયેલા આત્માને પર્વાધિરાજ પર્વની આરાધના શુદ્ધ-બુદ્ધ બનાવે છે. સારી રીતે અને સાચી રીતે આરાધેલા આ પર્વને ભગવાન મહાવીરે અતિ મહાન ગણાવ્યું છે. ઉપમા આપતાં શાસ્ત્ર્રોમાં કહેવાયું છેઃ 'નમસ્કારમાં જેમ નવકાર મંત્ર મોટો છે, તીર્થોમાં જેમ શત્રુંજય મહાતીર્થ મોટું છે, દાનમાં અભયદાન મહાન છે, ધ્યાનમાં શુક્લધ્યાન ઉત્તમ છે, રત્નોમાં ચિંતામણિ રત્ન શ્રોષ્ઠ છે, તેમ તમામ પર્વોમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વ સર્વોપરી છે.'</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/hpcC5TjpqR1czWhggCo7PKutNLieO1q7BxUnv5Ob.webp'/></item><item><title><![CDATA[Mangaluru : 30 વર્ષથી પોલીસને ચકમો, ક્યારેક NIA તો ક્યારેક RAW અધિકારી બનીને કરોડોની ઠગાઈ કરતો આરોપી ઝડપાયો ]]></title><link>https://sandesh.com/india/news/crime/mangaluru-fake-nia-raw-officer-sam-antony-30-years-identity-fraud-arrest</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/crime/mangaluru-fake-nia-raw-officer-sam-antony-30-years-identity-fraud-arrest</guid><pubDate>Mon, 07 Sep 2026 23:26:43 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">લગભગ 30 વર્ષ સુધી અલગ-અલગ નામ અને ઓળખ સાથે પોલીસને ચકમો આપનાર 64 વર્ષીય સેમ એન્ટની ઉર્ફે સેમ પીટરની આખરે ધરપકડ કરવામાં આવી છે. મંગલુરુ સિટી પોલીસે કેરળના કન્નુરમાંથી આરોપીને ઝડપી લીધો છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી ક્યારેક સેમ પીટર, રાહુલ પીટર, ડેની થરક્કન, રાજેશ રોબિન્સન અને એન્થની ફ્રાન્સિસના નામથી ઓળખાતો હતો. પોલીસને શંકા છે કે તેણે આ સિવાય પણ અનેક નકલી ઓળખનો ઉપયોગ કર્યો હોઈ શકે છે.</p><h2 style="text-align: justify; "><b>ક્યારેક NIA તો ક્યારેક RAWનો અધિકારી!</b></h2><p style="text-align: justify; ">આરોપી અલગ-અલગ સરકારી અને કેન્દ્રીય એજન્સીઓનો અધિકારી હોવાનો દાવો કરીને લોકોને વિશ્વાસમાં લેતો હતો. ક્યારેક તે NIAનો અધિકારી બનતો તો ક્યારેક RAW સાથે જોડાયેલો હોવાનું જણાવતો હતો. પોલીસના જણાવ્યા મુજબ તેની પાસે નકલી પાસપોર્ટ, આધાર કાર્ડ અને PAN કાર્ડ સહિતના અનેક દસ્તાવેજો હતા. તે પોતાની નકલી ઓળખને વિશ્વસનીય બનાવવા માટે અલગ-અલગ નામના દસ્તાવેજોનો ઉપયોગ કરતો હતો.</p><h3 style="text-align: justify; "><b>માત્ર 10 મિનિટમાં સામેના વ્યક્તિને વિશ્વાસમાં લેતો!</b></h3><p style="text-align: justify; ">તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ આરોપીની અંગ્રેજી ભાષા પર સારી પકડ હતી અને તેને કાયદાની પણ સારી સમજ હતી. તેની વાત કરવાની શૈલી, પહેરવેશ અને અધિકારી જેવી બોડી લેંગ્વેજને કારણે લોકો તેને ઉચ્ચ અધિકારી અથવા મોટો બિઝનેસમેન માનવા લાગતા હતા. પોલીસના જણાવ્યા મુજબ આરોપી હંમેશાં વ્યવસ્થિત કપડાં પહેરતો અને પોતાની છબી એક ઉચ્ચ અધિકારી જેવી જાળવતો હતો.</p><h4 style="text-align: justify; "><b>અમીર વેપારીઓને બનાવતો હતો નિશાન</b></h4><p style="text-align: justify; ">પોલીસના જણાવ્યા મુજબ આરોપી બેંક ફ્રોડ, ટેક્સ વિવાદ અને કેન્દ્રીય એજન્સીઓ સાથે જોડાયેલા નાણાકીય કેસોમાં ફસાયેલા વેપારીઓનો સંપર્ક કરતો હતો. પછી તે પૈસાના બદલામાં તેમની કાનૂની મુશ્કેલી દૂર કરવાની ખાતરી આપતો હતો. આરોપી ઘણી વખત પોતાને NCIBનો સિનિયર અધિકારી ગણાવતો અને લોકોને ગેરમાર્ગે દોરતો હતો.</p><h4 style="text-align: justify; "><b>નકલી રેડથી લઈને બનાવટી લેટરહેડ સુધીનો ખેલ</b></h4><p style="text-align: justify; ">પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પોતાની ઓળખ અસલી દેખાડવા માટે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરતો હતો. તેમાં છેડછાડ કરેલા મેસેજ, નકલી રેડના વીડિયો અને વિવિધ એજન્સીઓના બનાવટી લેટરહેડનો સમાવેશ થતો હોવાનું પોલીસનું કહેવું છે.</p><h4 style="text-align: justify; "><b>1997થી ગુનાહિત રેકોર્ડ, અનેક રાજ્યોમાં કેસ</b></h4><p style="text-align: justify; ">પોલીસે આરોપીના જૂના રેકોર્ડની તપાસ કરતાં તેની ગુનાહિત પ્રવૃત્તિઓ 1997 સુધી પહોંચતી હોવાનું સામે આવ્યું છે. છત્તીસગઢ, કર્ણાટક સહિત અનેક રાજ્યોમાં તેની સામે કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. આરોપી એક રાજ્યમાં ગુના કર્યા બાદ નવી ઓળખ સાથે બીજા રાજ્યમાં જતો હતો. પોલીસના જણાવ્યા મુજબ તેણે કર્ણાટક ઉપરાંત બિહાર, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં પણ પોતાની ઓળખ બદલીને ગુનાહિત પ્રવૃત્તિઓ કરી હોવાની શંકા છે.</p><h4 style="text-align: justify; "><b>2007માં ઇન્ટરપોલનું રેડ કોર્નર નોટિસ</b></h4><p style="text-align: justify; ">આરોપીની ગુનાહિત પ્રવૃત્તિઓની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વર્ષ 2007માં તેની સામે ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી. પોલીસે તેની સામે અત્યાર સુધી 17 કેસની વિગતો એકત્રિત કરી છે અને દેશભરના પોલીસ સ્ટેશનોને પત્ર લખીને આરોપી સામે અન્ય કોઈ કેસ નોંધાયેલા છે કે નહીં તેની તપાસ શરૂ કરી છે.</p><h4 style="text-align: justify; "><b>2019માં હથિયારો અને નકલી ID સાથે ઝડપાયો હતો</b></h4><p style="text-align: justify; ">વર્ષ 2019માં આરોપી મંગલુરુમાં NCIBના સિનિયર અધિકારી તરીકે રહેતો હોવાની માહિતી પોલીસને મળી હતી. તપાસ દરમિયાન પોલીસે લોજ પર દરોડો પાડી આરોપી અને તેના સાથીઓને ઝડપી લીધા હતા. પોલીસને રિવોલ્વર, પિસ્તોલ, નકલી ID કાર્ડ, રોકડ રકમ, વાહનો, મોબાઇલ ફોન અને મિલકતના દસ્તાવેજો મળી આવ્યા હતા. આ કેસમાં તેની સામે નકલી ઓળખ, ગુનાહિત ષડયંત્ર, આર્મ્સ એક્ટ અને રાજ્યના પ્રતીકના દુરુપયોગ સહિતની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.</p><h4 style="text-align: justify; "><b>જામીન મળ્યા બાદ ફરી ગાયબ, હવે આખરે પકડાયો</b></h4><p style="text-align: justify; ">2023માં જામીન મળ્યા બાદ આરોપી ફરી પોલીસની નજરમાંથી ગાયબ થઈ ગયો હતો. લાંબા સમય સુધી કોઈ ચોક્કસ મોબાઇલ નંબર કે સરનામું ન મળતા પોલીસને તેને શોધવામાં મુશ્કેલી પડી હતી. આખરે મંગલુરુ સિટી પોલીસ અને સિટી ક્રાઇમ બ્રાન્ચની વિશેષ ટીમોએ જૂના સંપર્કો અને અગાઉના સાથીઓ સુધી પહોંચી તપાસ શરૂ કરી હતી. 1 સપ્ટેમ્બરે આરોપીને કેરળના કન્નુરમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો.</p><h4 style="text-align: justify; "><b>ધરપકડ બાદ પણ ચાલતી રહી ઠગની કહાની</b></h4><p style="text-align: justify; ">આરોપીની ધરપકડ બાદ પણ પોલીસ અધિકારીઓને કેટલાક લોકોના ફોન આવ્યા હતા. ફોન કરનારાઓ આરોપીને નિર્દોષ અને ઇમાનદાર વ્યક્તિ ગણાવી રહ્યા હતા. પોલીસ અધિકારીઓને તેની લાંબી ગુનાહિત હિસ્ટ્રી સમજાવીને લોકોને વિશ્વાસ અપાવવો પડ્યો હતો. આ સમગ્ર મામલો બતાવે છે કે આરોપી વર્ષો સુધી પોતાની બનાવટી ઓળખ અને પ્રભાવશાળી વ્યક્તિત્વના આધારે લોકોનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યો હતો.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-gujarat-drowning-deaths-1999-river-lake-check-dam-water-safety" target="_blank"><b> Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/n9qLnjIgkDEhezvJERsGHsyIw5pn6srJ3E4caxbk.webp'/></item><item><title><![CDATA[Malaysia : 72 વર્ષના ફૂટબોલ દિગ્ગજે 20 વર્ષની યુવતી સાથે કર્યા લગ્ન, તસવીરો વાયરલ થતાં પરિવારે કરી પુષ્ટિ ]]></title><link>https://sandesh.com/world/news/sports/malaysia-football-legend-abdul-alif-marriage-72-year-old-20-year-old-wife</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/sports/malaysia-football-legend-abdul-alif-marriage-72-year-old-20-year-old-wife</guid><pubDate>Mon, 07 Sep 2026 23:00:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મલેશિયન ફૂટબોલના દિગ્ગજ અને પૂર્વ હરિમાઉ મલાયા સ્ટાર દાતુક અબ્દુલ અલિફે 72 વર્ષની ઉંમરે પોતાના જીવનનો નવો અધ્યાય શરૂ કર્યો છે. સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો વાયરલ થયા બાદ તેમના પરિવારે લગ્નની સત્તાવાર પુષ્ટિ કરી છે. અહેવાલ મુજબ 27 ઓગસ્ટે યોજાયેલા ખાનગી સમારંભમાં અબ્દુલ અલિફે પોતાની જીવનસંગિની સાથે નિકાહ કર્યા હતા. તેમની પત્નીની ઉંમર 20 વર્ષ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>લગ્નની ખબર કોણે કરી કન્ફર્મ?</b></h2><p style="text-align: justify; ">અબ્દુલ અલિફના નાના ભાઈ અને પૂર્વ ખેલાડી તથા કોચ દાતુક યુનુસ અલિફે લગ્નની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે 27 ઓગસ્ટે બંનેના લગ્ન થયા હતા અને બંને પરિવારોની સંમતિ તથા આશીર્વાદ સાથે આ સંબંધ બંધાયો છે. પરિવાર દ્વારા નવદંપતીના સુખી દાંપત્ય જીવન માટે શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>ફોન નહીં ઉઠાવતા ભાઈએ શું કહ્યું?</b></h3><p style="text-align: justify; ">લગ્ન બાદ અબ્દુલ અલિફ મીડિયા સંપર્કમાં ન આવતા તેમના ભાઈ યુનુસ અલિફે જણાવ્યું હતું કે તેઓ સંભવતઃ હનીમૂન પર હોવાથી ફોનનો જવાબ આપી શકતા નથી.જોકે પરિવારે સ્પષ્ટ કર્યું છે કે બંનેના નિકાહ થઈ ચૂક્યા છે અને પરિવાર તરફથી બંનેને શુભકામનાઓ આપવામાં આવી છે.</p><h4 style="text-align: justify; "><b>મલેશિયન ફૂટબોલના દિગ્ગજ રહ્યા છે અબ્દુલ અલિફ</b></h4><p style="text-align: justify; ">અબ્દુલ અલિફ મલેશિયન ફૂટબોલ ઇતિહાસના જાણીતાં ખેલાડીઓમાં સામેલ રહ્યા છે. 1970ના અંતિમ વર્ષો અને 1980ના શરૂઆતના સમયમાં મલેશિયન ફૂટબોલના સફળ સમયગાળામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.તેઓ તે મલેશિયન ટીમના સભ્ય હતા જેણે ક્વોલિફાઇંગ મેચમાં દક્ષિણ કોરિયાને 2-1થી હરાવી 1980ના મોસ્કો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું.</p><h4 style="text-align: justify; "><b>ઓલિમ્પિક રમવાનું સપનું કેમ અધૂરું રહ્યું?</b></h4><p style="text-align: justify; ">મલેશિયાએ સોવિયેત સંઘના અફઘાનિસ્તાન પરના આક્રમણના વિરોધમાં 1980ના મોસ્કો ઓલિમ્પિકનો બહિષ્કાર કર્યો હતો. જેના કારણે અબ્દુલ અલિફ સહિત અનેક ખેલાડીઓનું ઓલિમ્પિકમાં રમવાનું સપનું અધૂરું રહી ગયું હતું. લાંબા સમય સુધી વ્યાવસાયિક ફૂટબોલ અને મીડિયા લાઇમલાઇટથી દૂર રહ્યા બાદ આ દિગ્ગજ ખેલાડી હવે પોતાના અંગત જીવનના નવા નિર્ણયને કારણે ફરી ચર્ચામાં આવ્યા છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">&nbsp; આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-gujarat-drowning-deaths-1999-river-lake-check-dam-water-safety" target="_blank"><b>Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/oQuxxQEBdhQdWmZFxk2LOPbwDJRpf6zDEmwi2pJ3.webp'/></item><item><title><![CDATA[Mangaluru : સંતરા વેચીને સ્કૂલ બનાવનાર પદ્મશ્રી હજબ્બાને નોટિસ, હવે પોતાની ઓળખ સાબિત કરવા દસ્તાવેજો રજૂ કરવા પડશે ]]></title><link>https://sandesh.com/india/news/mangaluru-padmashri-harekala-hajabba-voter-list-name-mismatch-identity-notice</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/mangaluru-padmashri-harekala-hajabba-voter-list-name-mismatch-identity-notice</guid><pubDate>Mon, 07 Sep 2026 22:41:25 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કર્ણાટકના મેંગલુરુની સડકો પર સંતરા વેચીને પોતાના ગામમાં શાળા ઊભી કરનાર અને પદ્મશ્રી સન્માન મેળવનાર સામાજિક કાર્યકર હરેકાલા હજબ્બા હાલ એક અલગ કારણસર ચર્ચામાં આવ્યા છે. દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંથી એક મેળવનાર હજબ્બાને હવે પોતાની ઓળખ સાબિત કરવા માટે દસ્તાવેજો રજૂ કરવાની સ્થિતિ ઊભી થઈ છે.</p><h2 style="text-align: justify; "><b>મતદાર યાદીમાં નામનો ફરક બન્યો મુશ્કેલી</b></h2><p style="text-align: justify; ">આ સમગ્ર મામલો મતદાર યાદીમાં નોંધાયેલા નામના ફરકને કારણે સામે આવ્યો છે. વર્ષ 2002ની જૂની મતદાર યાદીમાં તેમનું નામ માત્ર 'હજબ્બા' તરીકે નોંધાયેલું હતું.</p><h3 style="text-align: justify; "><b>નામમાં તફાવત બહાર આવ્યો&nbsp;</b></h3><p style="text-align: justify; ">જ્યારે સમય જતાં તેમના અન્ય સરકારી અને સત્તાવાર દસ્તાવેજોમાં નામ 'હરેકાળા હજબ્બા' તરીકે નોંધાયું છે. મતદાર યાદીના રેકોર્ડની ચકાસણી દરમિયાન નામમાં રહેલો આ તફાવત સામે આવતા ચૂંટણી પંચ દ્વારા તેમને નોટિસ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.</p><h4 style="text-align: justify; "><b>આધારથી પાસપોર્ટ સુધી એક જ નામ</b></h4><p style="text-align: justify; ">હાલમાં હજબ્બાના આધાર કાર્ડ, રેશન કાર્ડ, પાસપોર્ટ અને નવા મતદાર ઓળખપત્ર સહિતના મુખ્ય દસ્તાવેજોમાં તેમનું નામ 'હજબ્બા' તરીકે નોંધાયેલું છે.</p><h4 style="text-align: justify; "><b>પદ્મશ્રી સન્માનમાં પણ હજબ્બા જ લખેલું છે</b></h4><p style="text-align: justify; ">આ ઉપરાંત ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા પદ્મશ્રી સન્માન અને અન્ય રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પુરસ્કારોના સત્તાવાર દસ્તાવેજોમાં પણ આ જ નામ નોંધાયેલું છે. તેમ છતાં 2002ની જૂની મતદાર યાદીમાં અલગ નામ હોવાને કારણે વહીવટી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.</p><h4 style="text-align: justify; "><b>આંગણવાડી કાર્યકરે ઘરે પહોંચી નોટિસ આપી</b></h4><p style="text-align: justify; ">આંગણવાડી કાર્યકર પોતે હજબ્બાના ઘરે પહોંચ્યા હતા અને તેમને નોટિસ સોંપવામાં આવી હતી. ચૂંટણી પંચ તરફથી હજબ્બાને 11 સપ્ટેમ્બરના રોજ તેમના ગ્રામ પંચાયત કાર્યાલયમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે.</p><h5 style="text-align: justify; "><b>પદ્મશ્રીને ઓળખ સાબિત કરવાની નોબત કેમ?</b></h5><p style="text-align: justify; ">મતદાર યાદીમાં માત્ર નામના તફાવતને કારણે પદ્મશ્રી સન્માનિત સામાજિક કાર્યકરને દસ્તાવેજો સાથે પોતાની ઓળખની ચકાસણી માટે હાજર રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. હવે ગ્રામ પંચાયત કાર્યાલયમાં રજૂ થનારા દસ્તાવેજોના આધારે આ નામના તફાવતને કેવી રીતે દૂર કરવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-gujarat-drowning-deaths-1999-river-lake-check-dam-water-safety" target="_blank"><b>Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/wNCeuwwuEgvAy4VTIjDDmAy5QOkYswDSCtro3knm.webp'/></item><item><title><![CDATA[Auto News: તહેવારો પહેલાં જ ખુલી ગયો ઑફર્સનો પિટારો; આ નવી કારની ખરીદી પર મળશે મહા ડિસ્કાઉન્ટ! ]]></title><link>https://sandesh.com/business/news/automobile/maruti-suzuki-september-2026-car-discount-offers</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/maruti-suzuki-september-2026-car-discount-offers</guid><pubDate>Mon, 07 Sep 2026 18:24:13 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય પેસેન્જર વ્હીકલ માર્કેટમાં તહેવારોની સિઝનની શરૂઆત સાથે જ જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક સરસ સમાચાર છે. મારુતિ સુઝુકી (Maruti Suzuki) એ સપ્ટેમ્બર 2026 માટે પોતાના આકર્ષક ડિસ્કાઉન્ટ ઑફર્સ જાહેર કરી દીધા છે. આ ઑફર્સ હેઠળ 'એરેના' (Arena) નેટવર્કના વિવિધ મોડલ્સ પર ગ્રાહકોને મોટો ફાયદો મળી રહ્યો છે. તમે કન્ઝ્યુમર ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ અને લોયલ્ટી અથવા અપગ્રેડ બેનિફિટ્સ દ્વારા મારુતિની કાર ખૂબ જ ઓછી કિંમતમાં ખરીદી શકો છો.</p><h2 style="text-align: justify; "><b>Victoris પર મળી રહ્યું છે સૌથી મોટું ડિસ્કાઉન્ટ</b></h2><p style="text-align: justify; ">સપ્ટેમ્બર મહિનાનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ મારુતિ સુઝુકી Victoris પર આપવામાં આવી રહ્યું છે. આ કારના પેટ્રોલ અને CNG બંને વર્ઝન પર ગ્રાહકોને મહત્તમ રૂ.85,000 સુધીના ફાયદા મળી રહ્યા છે. જ્યારે તેના Strong Hybrid વેરિઅન્ટ પર કંપની સૌથી મોટો એટલે કે રૂ.1.35 લાખ સુધીનો ધમાકેદાર ફાયદો આપી રહી છે, જે આ કારને અત્યંત આકર્ષક બનાવે છે.</p><h3 style="text-align: justify; "><b>Strong Hybrid માટેની ખાસ ઑફર્સ અને શરતો</b></h3><p style="text-align: justify; ">Victoris Strong Hybrid ના ઑફર માળખામાં રૂ.20,000 નું સીધું કન્ઝ્યુમર બેનિફિટ સામેલ છે. આ ઉપરાંત એક્સચેન્જ, લોયલ્ટી કે અપગ્રેડ અને સ્ક્રેપેજ સંબંધિત એડિશનલ ઈન્સેન્ટિવ્સ પણ ગ્રાહકોને આપવામાં આવી રહ્યા છે. જોકે, ગ્રાહક કઈ યોજનાઓ માટે પાત્ર છે તેના આધારે ડિસ્કાઉન્ટની આખરી રકમ નક્કી થશે. તહેવારોમાં જૂની કાર એક્સચેન્જ અથવા અપગ્રેડ કરવા ઈચ્છતા લોકો માટે આ ઑફર્સ હાઇબ્રિડ કારને એક અત્યંત સસ્તો અને સારો વિકલ્પ બનાવી દે છે.</p><h4 style="text-align: justify; "><b>WagonR પર પણ થઈ રહી છે શાનદાર બચત</b></h4><p style="text-align: justify; ">મારુતિ સુઝુકીની સૌથી વધુ વેચાતી કારોમાંથી એક એવી લોકપ્રિય WagonR પર પણ આ મહિને ભારે ડિસ્કાઉન્ટ ઓફર થઈ રહ્યું છે. WagonR ના પેટ્રોલ વેરિઅન્ટ પર ગ્રાહકોને રૂ.57,500 સુધીનો કુલ ફાયદો મળી રહ્યો છે, જેમાં પાત્ર વેરિઅન્ટ્સ પર રૂ.30,000 સુધીની કન્ઝ્યુમર ઑફર અને એક્સચેન્જ બોનસનો સમાવેશ થાય છે. બીજી તરફ, જો તમે WagonR CNG ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તેના પર પણ મહત્તમ રૂ.47,500 સુધીના વિવિધ લાભ આપવામાં આવી રહ્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/automobile" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/CLh1Sjb8ImfYHEvgOxEhnPJLpr0eXvLKVWlZDyoM.webp'/></item><item><title><![CDATA['Hanuman Ansh' એ બ્રહ્મચારીઓને પણ પહોંચાડી દીધા થિયેટર , જુઓ વાયરલ VIDEO ]]></title><link>https://sandesh.com/entertainment/news/hanuman-ansh-viral-video-gurukul-brahmacharis</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/hanuman-ansh-viral-video-gurukul-brahmacharis</guid><pubDate>Mon, 07 Sep 2026 13:54:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જ્યારે કોઈ ફિલ્મ પાસેથી શરૂઆતમાં બહુ ઓછી અપેક્ષાઓ હોય, પરંતુ તેની રિલીઝ પછી તેનું પ્રદર્શન અપેક્ષાઓ કરતા અનેકગણું વધી જાય, ત્યારે તે ફિલ્મ ખાસ બની જાય છે. નીમ કરોલી બાબાના જીવન અને તેમની પવિત્ર ઉપદેશો પર આધારિત ભક્તિમય ફિલ્મ 'હનુમાન અંશ' સાથે પણ હાલમાં કઈંક આવું જ જોવા મળી રહ્યું છે. દર્શકો તરફથી આ ફિલ્મને અભૂતપૂર્વ પ્રેમ અને સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થયો છે જેણે સૌનું વિશેષ ધ્યાન ખેંચ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>પરંપરાગત પોશાકમાં પહોંચ્યા બ્રહ્મચારીઓ</b></h2><p style="text-align: justify; ">આ વાયરલ વીડિયોમાં&nbsp; થિયેટરની અંદર અને બહાર ગુરુકુલના કેટલાક બ્રહ્મચારીઓ પરંપરાગત પોશાકમાં નજરે પડી રહ્યા છે. ગુરુકુળના આ યુવા વિદ્યાર્થીઓ એકસાથે થિયેટરમાં પહોંચ્યા હતા અને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક 'હનુમાન અંશ' ફિલ્મનું સ્ક્રીનિંગ નિહાળ્યું હતું. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ આ બ્રહ્મચારીઓની ઉપસ્થિતિએ સિનેમાઘરમાં ઉપસ્થિત અન્ય દર્શકોનું પણ ધ્યાન આકર્ષિત કર્યું હતું. ફિલ્મનો મુખ્ય વિષય મહાન આધ્યાત્મિક ગુરુ નીમ કરોલી બાબાની જીવનકથા હોવાને કારણે ગુરુકુલના વિદ્યાર્થીઓનું આ રીતે ફિલ્મ જોવા પહોંચવું એ એક અનોખો અને પ્રેરણાદાયી સંયોગ બન્યો છે.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/choga_don/status/2096529724243931474"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h3 style="text-align: justify; "><b>હનુમાન અંશે કરી કરોડોની કમાણી</b></h3><p style="text-align: justify; ">વિશાલ ચતુર્વેદી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં શોભિનવ સત્ય મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે, જ્યારે તેમની સાથે વિહાન શેડગે, ચંદન કે. આનંદ, પૂર્ણિમા તિવારી અને ગુલશન પાંડે જેવા કલાકારો પણ મહત્વના રોલમાં છે. ફિલ્મની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ ફિલ્મને રાજ્યમાં કરમુક્ત (Tax-Free) જાહેર કરી છે. સિનેમાઘરોમાં દર્શકોની ભીડ જામી રહી છે અને ગુરુકુલના વિદ્યાર્થીઓનો આ વીડિયો ઇન્ટરનેટ પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/delhi-building-collapse-manual-rescue-body-found" target="_blank">આ પણ વાંચોઃ Delhi Building Collapse: કાટમાળ માંથી વધુ એક મૃતદેહ મળ્યો, હવે JCBથી નહીં મેન્યુઅલી કાટમાળ હટાવાશે</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/XR1zL2uAIINEHpv6AkalgIT8kOxwlwtjySF4eB2V.webp'/></item></channel></rss>