<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Rain Update : સૌરાષ્ટ્રના જસદણ પંથકમાં વહેલી સવારથી વરસાદની એન્ટ્રી, મગફળી-કપાસનો પાક બચી ગયો, ખેડૂતોમાં આનંદ ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/jasdan/early-morning-rain-hits-jasdan--major-relief-for-cotton-and-groundnut-crops</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/jasdan/early-morning-rain-hits-jasdan--major-relief-for-cotton-and-groundnut-crops</guid><pubDate>Sun, 13 Sep 2026 09:57:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સૌરાષ્ટ્રના જસદણ પંથકમાં આજે વહેલી સવારથી જ હવામાનમાં અચાનક પલટો આવ્યો છે અને વરસાદી માહોલ જામ્યો છે. જસદણ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારો જેવા કે આટકોટ, જંગવડ, પાંચવડા, જીવાપર, સાણથલી અને બળધોઈ સહિતના વિસ્તારોમાં હળવા થી ભારે વરસાદી ઝાપટાં વરસી રહ્યા છે. વહેલી સવારે પડેલા આ વરસાદને કારણે ગ્રામ્ય માર્ગો અને રોડ-રસ્તા પર પાણી વહી નીકળ્યા હતા, જેનાથી સમગ્ર વિસ્તારના વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે.</p><p style="text-align: justify; "><b>કપાસ અને મગફળીના મુરઝાતા પાકને મળ્યું નવજીવન</b></p><p style="text-align: justify; ">છેલ્લા કેટલાક સમયથી વરસાદ ખેંચાવાને કારણે ખેતરોમાં ઉભેલી મોલાત સુકાઈ રહી હતી અને ખેડૂતો ચિંતાતુર બન્યા હતા. પરંતુ વહેલી સવારે પડેલા આ વરસાદી ઝાપટાં ખેડૂતો માટે સંજીવની સમાન સાબિત થયા છે. વિશેષ કરીને જસદણ પંથકમાં મોટા પાયે વાવેતર કરાયેલા કપાસ અને મગફળીના પાકને આ વરસાદથી મોટું જીવનદાન મળ્યું છે. સુકાતી મોલાતને પાણી મળી રહેતાં પાક બચી ગયો છે, જેનાથી જગતના તાતમાં ભારે ખુશીની લહેર દોડી ગઈ છે.</p><p style="text-align: justify; "><b>ખેડૂતોમાં હાસકારો પરંતુ ધોધમાર વરસાદની હજુ પણ આશા</b></p><p style="text-align: justify; ">વહેલી સવારથી શરૂ થયેલા વરસાદી ઝાપટાંના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે અને તેમણે મોટી રાહત અનુભવી છે. જોકે, હાલ જે વરસાદ વરસ્યો છે તે પાકને તાત્કાલિક હોનારતમાંથી ઉગારવા પૂરતો છે, પરંતુ જમીનમાં ઊંડે સુધી ભેજ ઉતરે અને નદી-નાળા છલકાય તે માટે ખેડૂતો હજુ પણ એક સાર્વત્રિક અને ધોધમાર વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આગામી સમયમાં પણ વરસાદી માહોલ જળવાઈ રહે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/surat/surat-rain-update--imd-issues-orange-alert-as-heavy-rains-return" target="_blank">Suratમાં મેઘરાજાની ધમાકેદાર વાપસી, ધોધમાર વરસાદથી બફાતમાંથી મુક્તિ, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/13/xhZPklRv38Yf8BAfWc0txsm4HHAU43wFcpvzmjRm.webp'/></item><item><title><![CDATA[Surat News: ગામડામાં વીજળી ઉત્પન્ન કરો અને શહેરમાં મફતમાં વાપરો, જાણો શું છે આખી યોજના ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/generate-solar-power-in-villages-and-use-it-free-in-city</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/generate-solar-power-in-villages-and-use-it-free-in-city</guid><pubDate>Sun, 13 Sep 2026 09:12:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સમગ્ર દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી, ભરૂચ જિલ્લામાં વસતા હજારો શહેરીજનો, ફ્લેટ અને એપાર્ટમેન્ટ ધારકો કે જેઓ પોતાની અંગત છત (ટેરેસ) નહીં હોવાના કારણે અત્યાર સુધી સોલાર રૂફટોપના આર્થિક લાભથી વંચિત રહેતા હતા, તેમના માટે ઊર્જા ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવી રહ્યું છે. અત્યાર સુધી એવો કડક નિયમ હતો કે જે છત (ટેરેસ) પર સોલાર પેનલ લગાવો, તે જ પ્રીમાઇસના વીજબિલમાં નેટ મીટરિંગનો લાભ મળતો હતો, પરંતુ ગુજરાત વિદ્યુત નિયમન પંચ દ્વારા પ્રસ્તાવિત ગ્રીડ ઇન્ટરેક્ટિવ ડિસ્ટ્રિબ્યુટેડ રિન્યૂએબલ એનર્જી રેગ્યુલેશન્સ અંતર્ગત આ જૂની પ્રથાઓ કાયમી અંત લાવવાના દિશામાં સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે.</p><h2 style="text-align: justify; "><b>વીજળીનું ઉત્પાદન કરી યુનિટ્સ ફ્રી મેળવી શકશે</b></h2><p style="text-align: justify; ">નવા નિયમો અનુસાર જ્યાં રહે છે ત્યાં જ સોલાર પ્લાન્ટ લગાવવો અનિવાર્ય નથી. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના કાર્યક્ષેત્રમાં આવતો કોઈપણ વીજગ્રાહક દક્ષિણ ગુજરાતમાં જ આવેલા પોતાના ગામડાના વતનના મકાન પર, વાડીમાં કે ખેતરની ખુલ્લી જમીન પર સોલાર સિસ્ટમ લગાવીને સુરત જેવા મેગા સિટીમાં આવેલા પોતાના ફ્લેટની વીજળી મફત (શૂન્ય બિલ) કરી શકશે. ઊર્જા વિભાગના ઉચ્ચ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અંગેની આખરી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને ચાલુ માસના અંત સુધીમાં આ નવી પદ્ધતિનું સત્તાવાર જાહેરનામું બહાર પાડીને પોર્ટલ પર અરજીઓ સ્વીકારવાનું શરૂ કરી દેવાશે.આ સુવિધા જે તે વીજ કંપનીના કાર્યક્ષેત્રમાં જ મળશે. એપાર્ટમેન્ટના રહીશો એપાર્ટમેન્ટની ખાલી જગ્યા હોય તો ત્યાં પણ સોલાર સિસ્ટમ લગાડી વીજળીનું ઉત્પાદન કરી યુનિટ્સ ફ્રી મેળવી શકશે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>ગ્રાહકને પ્રતિ યુનિટ રૂપિયા 2.25 લેખે નાણાં મળશે</b></h3><p style="text-align: justify; ">નવી પ્રણાલી હેઠળ વીજળીનું બિલિંગ અને એકાઉન્ટિંગ સામાન્ય નાગરિક પણ સમજી શકે તેટલું સરળ અને પારદર્શક બનાવવામાં આવ્યું છે. ગામડાના ઘર કે ખેતરમાં લગાવેલા સોલાર પ્લાન્ટમાંથી ઉત્પન્ન થઈને ગ્રીડમાં ફીડ થયેલા વીજ યુનિટ્સ સીધા જ સુરત કે અન્ય શહેરના ફ્લેટના મીટરમાં વપરાયેલા યુનિટ્સ સામસામે સરભર કરી આપવામાં આવશે. જો ખેતર/ગામના પ્લાન્ટમાંથી ૪૦૦ યુનિટ ગ્રીડમાં ગયા અને શહેરમાં ફ્લેટનો વપરાશ 500 યુનિટ થયો, તો ગ્રાહકે માત્ર તફાવતના 100 યુનિટનું જ પ્રવર્તમાન રેટિંગ દર મુજબ સામાન્ય બિલ ભરવું પડશે, અને જો ફ્લેટમાં ૩૦૦ યુનિટ વપરાયા અને પ્લાન્ટમાંથી 500 યુનિટ પેદા થયા હોય, તો વપરાશ બાદ વધેલા 200 યુનિટ વીજ કંપની દ્વારા 'ડીમ્ડ પર્ચેઝ' ગણી ખરીદી લેવાશે અને ગ્રાહકને પ્રતિ યુનિટ રૂપિયા 2.25 લેખે નાણાં તેના ખાતામાં જમા કરવામાં આવશે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>10થી 50 કિલોવોટનો સોલાર પ્લાન્ટ સ્થાપી દેશે</b></h2><p style="text-align: justify; ">સૌથી મોટી રાહત એ છે કે ઘરવપરાશના રહેણાંક ગ્રાહકો માટે આ એડજસ્ટમેન્ટ પર વીજ કંપની કોઈ પણ પ્રકારનો બેંકિંગ ચાર્જ કે વ્હીલિંગ ચાર્જ વસૂલશે નહીં.સુરત ડાયમંડ અને ટેક્સટાઇલનું હબ દક્ષિણ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાંથી આવીને શહેરમાં વસેલા હજારો લોકો અહીં એપાર્ટમેન્ટ્સમાં વસે છે. દક્ષિણ ગુજરાતના કાર્યક્ષેત્રમાં આવેલા ગામડે તેમના પૈતૃક મકાનો, ધાબા કે વાડી-ખેતરોમાં પુષ્કળ જગ્યા ખુલ્લી પડી રહે છે, જ્યારે સુરતમાં ફ્લેટમાં રહેતા હોવાથી ટેરેસ રાઇટ્સના વિવાદોને કારણે સોલાર લગાવી શકતા નહોતા. હવે આ પરિવારો પોતાના ગામના મકાનની છત પર 10થી 50 કિલોવોટનો સોલાર પ્લાન્ટ સ્થાપી દેશે, તો ગામડે વીજળી પેદા થશે અને તેનો પૂરેપૂરો ફાયદો સુરતમાં ચાલતા એસી, પંખા અને ફ્રિજના બિલમાં સીધો બાદ મળી જશે. આમ, ગામડાની ખાલી જગ્યાનું મોનેટાઈઝેશન થશે અને શહેરમાં વીજબિલની કાયમી ચિંતા દૂર થશે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/38-artificial-lakes-prepared-for-ganesh-idol-immersion" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News : શહેરમાં ગણેશજીની મૂર્તિના વિસર્જન માટે આ 38 સ્થળોએ આર્ટિફિશિયલ તળાવ તૈયાર કરાયા</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/13/Q3DhRkQzdhMR9UHIQ9N7onEzk5Up925IYO3xELkE.webp'/></item><item><title><![CDATA[VIDEO: "ખ્વાબ હો તુમ યા કોઈ હકીકત...," બ્રિક્સમાં છવાયો સંગીતનો જાદુ, મલેશિયાના PMએ ગાયું ગીત ]]></title><link>https://sandesh.com/india/news/malaysian-pm-anwar-ibrahim-sings-bollywood-song-brics-summit</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/malaysian-pm-anwar-ibrahim-sings-bollywood-song-brics-summit</guid><pubDate>Sun, 13 Sep 2026 09:04:12 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નવી દિલ્હીના ભવ્ય ભારત મંડપમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બ્રિક્સ સમિટમાં ભાગ લેવા આવેલા વૈશ્વિક નેતાઓ માટે એક ખાસ ગાલા ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાત્રિભોજન સમારોહમાં મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમે પોતાના અનોખા અંદાજથી સમગ્ર મહેફિલની વાહવાહી લૂંટી લીધી હતી. પિયાનોના સૂર અને સંગીતના માહોલ વચ્ચે તેમણે વર્ષ ૧૯૬૫ની પ્રખ્યાત બોલિવૂડ ફિલ્મ "તીન દેવિયાં"નું અમર ગીત "ખ્વાબ હો તુમ યા કોઈ હકીકત..." ગાઈને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. એસ.ડી. બર્મનના સંગીત અને મજરૂહ સુલતાનપુરીના શબ્દોવાળું આ ગીત ગાતી વખતે તેમનો ઉત્સાહ જોવાલાયક હતો, અને આ ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>બોલિવૂડ પ્રત્યેનો અગાધ પ્રેમ અને સાંસ્કૃતિક લગાવ</b></h2><p style="text-align: justify; ">મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ હિન્દી સિનેમા અને તેની કળાના મોટા પ્રશંસક છે. આ અગાઉ પણ પીએમ મોદી સાથેની મુલાકાતોમાં તેમણે ભારતીય સંસ્કૃતિ અને બોલિવૂડ પ્રત્યેનો પોતાનો સ્નેહ વ્યક્ત કર્યો છે. ભારતની સભ્યતા, સમૃદ્ધ ઇતિહાસ અને સાંસ્કૃતિક વિવિધતાની તેમણે હંમેશા પ્રશંસા કરી છે. આ પ્રકારના સાંસ્કૃતિક સેતુઓ બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોને વધુ ગાઢ અને મિત્રતાપૂર્ણ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2098826252144824503"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h3 style="text-align: justify; "><b>દ્વિપક્ષીય સંબંધોમાં નવો અધ્યાય</b></h3><p style="text-align: justify; ">વર્ષ ૨૦૨૨માં મલેશિયાના વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ અનવર ઇબ્રાહિમની આ પ્રથમ ભારત મુલાકાત છે, જેણે બંને દેશો વચ્ચેના સંબંધોને એક નવું શિખર પ્રદાન કર્યું છે. આ ઐતિહાસિક મુલાકાત દરમિયાન ભારત અને મલેશિયાએ તેમના પરસ્પર સંબંધોને 'વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી'ના સ્તરે ઉન્નત કર્યા છે. આ ઉપરાંત, ડિજિટલ ટેકનોલોજી, પર્યટન અને આર્થિક ક્ષેત્રોમાં અનેક મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે ભવિષ્યના સહયોગ માટે મજબૂત પાયો નાખે છે.</p><h4 style="text-align: justify; "><b>ભૂતકાળના તણાવ પાછળ છૂટ્યા</b></h4><p style="text-align: justify; ">નોંધનીય છે કે વર્ષ ૨૦૧૯માં તત્કાલીન મલેશિયાના વડાપ્રધાન મહાથિર મોહમ્મદ દ્વારા જમ્મુ અને કાશ્મીરના વિશેષ દરજ્જાને લઈને આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનોને કારણે બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટરાગ ઊભો થયો હતો. જોકે, વર્તમાન પીએમ અનવર ઇબ્રાહિમની આ મુલાકાતે તે તમામ ભૂતકાળના તણાવ અને મતભેદોને પાછળ છોડી દીધા છે. આ સાર્થક પહેલ ભારત અને મલેશિયા વચ્ચે શાંતિ, પ્રગતિ અને પારસ્પરિક વિશ્વાસના નવા યુગની શરૂઆત દર્શાવે છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/pm-modi-xi-jinping-brics-summit-meeting-new-delhi" target="_blank">આ પણ વાંચોઃ BRICS Summit 2026: ભારત ચીન સંબંધો પર ચીનનું મોટું નિવેદન, સંબંધો મજબૂત કરવા સૂચવ્યા આ ખાસ 4 મુદ્દા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/13/oF93BoEHKMbWjbd7YKHDWqHCzhomrNoJS3pujPQl.webp'/></item><item><title><![CDATA[BRICS Summit 2026: ભારત ચીન સંબંધો પર ચીનનું મોટું નિવેદન, સંબંધો મજબૂત કરવા સૂચવ્યા આ ખાસ 4 મુદ્દા ]]></title><link>https://sandesh.com/india/news/pm-modi-xi-jinping-brics-summit-meeting-new-delhi</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/pm-modi-xi-jinping-brics-summit-meeting-new-delhi</guid><pubDate>Sun, 13 Sep 2026 08:25:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નવી દિલ્હીમાં આયોજિત 18 મી બ્રિક્સ સમિટ દરમિયાન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ અને સાર્થક બેઠક યોજાઈ હતી. આ મુલાકાતમાં બંને અગ્રણી નેતાઓએ વ્યૂહાત્મક અને લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત અને સ્થિર બનાવવા પર સંમતિ વ્યક્ત કરી હતી. ચીનના રાષ્ટ્રપતિએ આ બેઠકમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ભારત અને ચીન એકબીજાના સાથી અને સાચા ભાગીદાર છે, કોઈ હરીફ નથી.</p><h2 style="text-align: justify; "><b>બંને દેશોના સંબંધોને નવી ઊંચાઈઓ મળી</b></h2><p style="text-align: justify; ">ચર્ચા દરમિયાન શી જિનપિંગે નોંધ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં પીએમ મોદી સાથે થયેલી બેઠકોથી બંને દેશોના સંબંધોને નવી ઊંચાઈઓ મળી છે. બંને દેશો વચ્ચે સંસ્થાકીય આદાનપ્રદાન ફરીથી વેગવંતુ બન્યું છે, સહયોગ પ્રોજેક્ટ્સનો વ્યાપ વધ્યો છે અને દ્વિપક્ષીય વેપાર નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે. બંને દેશોની આર્થિક અને સામાજિક પરિસ્થિતિઓ અલગ હોવા છતાં, ભારત અને ચીન એકબીજાની શક્તિઓને પૂરક બની શકે છે અને પરસ્પર સમર્થનથી સાથે મળીને પ્રગતિ કરી શકે છે. વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા બે દેશો અને 'ગ્લોબલ સાઉથ'ના અગ્રણી સભ્યો તરીકે, બદલાતા વૈશ્વિક પરિદૃશ્યમાં તેમની ભૂમિકા ખૂબ જ નિર્ણાયક છે.</p><h3 style="text-align: justify; "><b>સંબંધો માટે ચીને આપ્યા આ ચાર પ્રમુખ સૂચનો&nbsp;</b></h3><p style="text-align: justify; ">ચીન-ભારત સંબંધોના ભવિષ્યને સુનિશ્ચિત કરવા માટે શી જિનપિંગે ચાર મહત્વપૂર્ણ મુદ્દાઓ રજૂ કર્યા હતા.</p><p style="text-align: justify; ">ઉદ્દેશ્યપૂર્ણ સમજ: બંને દેશોએ પારસ્પરિક રીતે સ્વીકારવું જોઈએ કે તેઓ ભાગીદાર છે, હરીફ નહીં. તેઓ એકબીજાના વિકાસ માટે તકો પેદા કરે છે, જોખમો નહીં.</p><p style="text-align: justify; ">જીત-જીત સહકાર: આર્થિક તથા વેપાર સંબંધોને સંતુલિત કરવા માટે લોકો-થી-લોકોના સંપર્કો વધારવા અને સીધી હવાઈ જોડાણ સેવાઓને વિસ્તારવાની જરૂર છે.</p><p style="text-align: justify; ">સરહદ વિવાદોનું સમાધાન: પરસ્પર આદર અને રાજકીય શાણપણ દ્વારા સરહદના મુદ્દાઓને સમાંતર ટ્રેક પર ઉકેલવા જોઈએ, જેથી સરહદી વિસ્તારોમાં સ્થાયી શાંતિ અને સ્થિરતા જાળવી શકાય.</p><p style="text-align: justify; ">બહુપક્ષીય મંચો પર સહયોગ: બંને દેશોએ યુએન (UN), એસસીઓ (SCO) અને જી20 (G20) જેવા વૈશ્વિક મંચો પર પરસ્પર સંકલન વધારીને આંતરરાષ્ટ્રીય ન્યાયીતાનું રક્ષણ કરવું જોઈએ અને બ્રિક્સ સહયોગને પ્રોત્સાહન આપવું જોઈએ. આ બેઠક બંને દેશો વચ્ચેના સંબંધોમાં એક નવો અધ્યાય જોડે છે, જે પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ તથા સમૃદ્ધિ માટે અત્યંત આવશ્યક સાબિત થશે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/brics-summit-2026-pm-modi-bilateral-meetings-schedule" target="_blank">આ પણ વાંચોઃ BRICS Summit 2026 Live: બ્રિક્સ સમિટનો આજે બીજો દિવસ,  PM મોદી કરશે મહત્વની દ્વિપક્ષીય બેઠકો, જાણો શેડ્યુઅલ</a></b></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/13/zJ1UgPDpo6SRBAA86IXo3gm6V6i9YRfw3OnSnwDn.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : શહેરમાં ગણેશજીની મૂર્તિના વિસર્જન માટે આ 38 સ્થળોએ આર્ટિફિશિયલ તળાવ તૈયાર કરાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/38-artificial-lakes-prepared-for-ganesh-idol-immersion</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/38-artificial-lakes-prepared-for-ganesh-idol-immersion</guid><pubDate>Sun, 13 Sep 2026 08:14:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં 14 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા ગણેશોત્સવને લઈને તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ પર્વ દરમિયાન શહેરમાં બાપ્પાની આરાધના માટે વ્યાપક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નાગરિકો દ્વારા પોતપોતાના ઘરોમાં તેમજ સોસાયટીઓમાં સુંદર પંડાલો અને મંડપસજાવીને સામૂહિક રીતે ભગવાન ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવશે. દબાણ કે ભીડભાડ વગર પર્યાવરણની જાળવણી સાથે મૂર્તિ વિસર્જન સંપન્ન થાય તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશેષ આયોજનો હાથ ધરવામાં આવ્યાં છે.</p><h2 style="text-align: justify; "><b>કુંડ તૈયાર કરવા માટે કરોડો રૂપિયાનું આંધણ</b></h2><p style="text-align: justify; ">શહેરના જળાશયોને પ્રદૂષિત થતા અટકાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં કુલ 38 જેટલા સ્થળો પર આર્ટિફિશિયલ ગણેશ મૂર્તિ વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. આ સમગ્ર વ્યવસ્થા પાછળ મ્યુનિસિપલ તંત્ર દ્વારા રૂપિયા 8 કરોડથી વધુનો જંગી ખર્ચ કરવામાં આવ્યો છે. જેના અંતર્ગત શહેરમાં કુલ 47 જેટલા કૃત્રિમ વિસર્જન કુંડનું નિર્માણ કરાયું છે. દર વર્ષે ગણેશોત્સવના સમયÜ શહેરમાં ઉત્સવના માહોલ વચ્ચે મૂર્તિઓના શાસ્ત્રોક્ત અને સુરક્ષિત વિસર્જન માટે આ પ્રકારના કામચલાઉ કુંડ બનાવવા પડે છે, જેથી લાખો શ્રદ્ધાળુઓ સુગમતાપૂર્વક વિસર્જન વિધિ કરી શકે.મ્યુનિસિપલ તંત્ર તરફથી દર વર્ષે શહેરના સાત અલગ-અલગ ઝોનમાં આ પ્રકારે કૃત્રિમ ગણેશમૂર્તિ વિસર્જન કુંડ તૈયાર કરવા માટે કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે.&nbsp;</p><p style="text-align: justify; "><img alt="ગણેશ વિસર્જન" src="https://epapercdn.sandesh.com/images/2026/09/13/vAty1LXIR7ABvYcjv5hfVmAO0mfeHWquaLoqLVJs.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>કાયમી કુંડ બનાવવાના આયોજનને ઠેબે ચઢાવી દેવાયું</b></h2><p style="text-align: justify; ">આ પુનરાવર્તિત ખર્ચમાં મોટો ઘટાડો થાય અને કાયમી ધોરણે પ્રશ્નનો ઉકેલ આવે તે હેતુસર, વર્ષ 2022માં યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરમાં કાયમી કુંડ બનાવવાનું મહત્વપૂર્ણ આયોજન વિચારણા હેઠળ લેવામાં આવ્યું હતું. આ અંગે સત્તાવાર ચર્ચાઓ પણ થઈ હતી કે જો કાયમી માળખું ઊભું કરવામાં આવે તો દર વર્ષે થતા લાખો-કરોડો રૂપિયાના ખર્ચમાંથી છુટકારો મળી શકે છે. પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે, સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ગંભીર ચર્ચા થયા બાદ પણ તે દિશામાં આગળની કોઈ નક્કર કાર્યવાહી થઈ શકી નથી. કોઈ અગમ્ય અને રહસ્યમય કારણોસર તંત્ર દ્વારા કાયમી કુંડ બનાવવાના આયોજનને ઠેબે ચઢાવી દેવામાં આવ્યું છે, જેના પરિણામે દર વર્ષે ઉત્સવ ટાણે જ અસ્થાઈ ધોરણે કરોડો રૂપિયા ખર્ચીને કુંડ બનાવવાની કામગીરી કરવાની ફરજ પડે છે.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/rain-forecast-red-alert-in-gujarat" target="_blank">આ પણ વાંચોઃ Gujarat Weather News: છેલ્લા 24 કલાકમાં આ તાલુકામાં 11 ઈંચ વરસાદ ખાબક્યો, આજે આ વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/13/E3arhjgDhKv08eC197DklQPPZ6RfZUL8ClxXsiZN.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : શહેરના મોટાભાગના તળાવોમાં ગંદકી વધી, 5 વર્ષમાં સફાઈ પાછળ 70 કરોડનો ખર્ચ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-spends-rs-70-crore-on-lake-cleaning-in-5-years</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-spends-rs-70-crore-on-lake-cleaning-in-5-years</guid><pubDate>Sun, 13 Sep 2026 07:56:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા તળાવોમાંથી ગંદકી દૂર કરી સફાઈ કરવા અને હવે તળાવના પાણીમાં ઓક્સિજન લેવલ વધારવા ચાર કરોડના ખર્ચેથી 97 પૈકી 29 તળાવમાં 68 જેટ એરેટર્સ લગાવ્યા છે. જે તળાવોમાં જેટ એરેટર લગાવ્યા છે, તે પૈકી એક માત્ર કાંકરિયા તળાવમાં પાણી છે. આ સિવાયના મોટાભાગના તળાવોમાં વરસાદના અભાવના કારણે પાણી તળિયે પહોંચી ગયા છે તેમજ અસહ્ય ગંદકી જોવા મળી રહી છે. જે ચંડોળા તળાવના વોટરબોડી વિસ્તારમાંથી મોટાપાયે કોર્પોરેશને ગત વર્ષે મેગા ડિમોલિશન કર્યું હતું તેની સફાઈ કરવા વર્ષ-2025માં કોર્પોરેશનની હેલ્થ કમિટીએ રૂપિયા 24 લાખનો ખર્ચ મંજૂર કર્યો હતો.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>37 તળાવોની સફાઈ કરવા માટે કોન્ટ્રાક્ટ અપાયો હતો</b></h2><p style="text-align: justify; ">કોર્પોરેશન દ્વારા દર વર્ષે તળાવોમાંથી લીલ, પ્લાસ્ટિક, કચરો, જંગલી વનસ્પતિ અને મચ્છરોના ઉપદ્રવને અટકાવવા માટે રૂપિયા 7થી 8 કરોડનો ખર્ચ કરાય છે. પાંચ વર્ષમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 35થી 40 કરોડનો ખર્ચ તળાવોની સફાઈ પાછળ કરાયા છતાં પરિણામ દેખાતું નથી. વર્ષ-2026માં શહેરના 97 તળાવોની સફાઈ કરવા માટે રૂપિયા 9.13 કરોડનું ટેન્ડર કોર્પોરેશનની હેલ્થ કમિટીમાં મંજૂર કરવામાં આવેલું છે. પાંચ વર્ષ પહેલાં એએમસીની હેલ્થ કમિટી દ્વારા શહેરના 37 તળાવોની સફાઈ કરવા માટે કોન્ટ્રાક્ટ અપાયો હતો.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>ત્રણ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપ્યો હતો</b></h3><p style="text-align: justify; ">કોર્પોરેશનના અધિકારીઓએ 37 તળાવની સફાઈ કરાવવા માટે રૂપિયા 3.60  કરોડનો અંદાજ એ સમયે મૂક્યો હતો. જેમાં એ સમયના હેલ્થ કમિટીના ચેરમેન અને સભ્યોએ રૂપિયા 70 લાખનો વધારો કરી રૂપિયા 4.40 કરોડના ખર્ચેથી 37 તળાવની સફાઈ કરવા માટે કુમાર એજ્યુકેશન સોસાયટી, મીનાક્ષી સખી મંડળ અને દેવ રેસિડેન્ટ વેલ્ફેર એસોસિએશન એમ ત્રણ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. પાંચ વર્ષમાં તળાવ સફાઈ પાછળ કોર્પોરેશન તરફથી કરવામાં આવતો ખર્ચ રૂપિયા 10 કરોડ સુધી પહોંચી ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>ગંદકી વચ્ચે દૂષિત પાણી ઠલવાતું નજરે પડે છે</b></h2><p style="text-align: justify; ">શહેરનાં જળાશયોને સ્વચ્છ રાખવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.તળાવના એક છેડે કચરો અને ગંદકી વચ્ચે દૂષિત પાણી ઠલવાતું નજરે પડે છે. જ્યારે બીજી તરફ બોટ દ્વારા પાણીની સપાટી સાફ કરવાની કામગીરી ચાલી રહી છે. પ્રદૂષણના મૂળ સ્ત્રોતને અટકાવ્યા વિના થતી આવી સફાઈ કેટલી અસરકારક બની શકે તે મોટો પ્રશ્ન છે. આવી જ સ્થિતિ સાબરમતી નદીની પણ છે. સાબરમતીના શુદ્ધિકરણ માટે અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર દ્વારા સમયાંતરે મોટા ખર્ચ કરવામાં આવે છે, છતાં નદીમાં ગંદુ અને કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાની સમસ્યા યથાવત્ રહે છે. એટલે હવે શહેરની નદીની સાથે તળાવો પણ પ્રદૂષણનો ભોગ બની રહ્યા છે.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/rain-forecast-red-alert-in-gujarat" target="_blank">આ પણ વાંચોઃ Gujarat Weather News: છેલ્લા 24 કલાકમાં આ તાલુકામાં 11 ઈંચ વરસાદ ખાબક્યો, આજે આ વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/13/upHfvcvtyYqP2qywUgpqKVxLbY1TTszNa5qPMTtf.webp'/></item><item><title><![CDATA[Gir somanth : સુત્રાપાડામાં આશ્રમનાં કુંડમાં ડૂબી જતા હોસ્ટેલમાં રહેતા ધો. 9ના વિદ્યાર્થીનું મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/gir-somnath/gir-somanth-a-student-of-std-9-residing-in-a-hostel-drowned-in-an-ashram-tank-in-sutrapada-and-died</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/gir-somnath/gir-somanth-a-student-of-std-9-residing-in-a-hostel-drowned-in-an-ashram-tank-in-sutrapada-and-died</guid><pubDate>Sun, 13 Sep 2026 04:24:55 +05:30</pubDate><description><![CDATA[<p>સુત્રાપાડા શહેરમાં આવેલી બક્ષીપંચ આશ્રમ શાળાની હોસ્ટેલમાં રહીને ધોરણ-9 માં અભ્યાસ કરતો અને મૂળ કોડીનાર તાલુકાના પ્રણાદર ગામનો 15 વર્ષીય વિદ્યાર્થી આજે સવારે સુત્રાપાડા બસ સ્ટેન્ડ નજીક આવેલા સ્તવનઋષિ આશ્રમના કુંડમાં ડૂબી ગયો હતો. પાણીમાં ગરકાવ થઈ જવાથી આ આશાસ્પદ બાળકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને મૃતદેહને બહાર કાઢયો હતો. આ બનાવને પગલે પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે.</p><p>બનાવની જાણ થતાં પરિવારજનો અને પોલીસ કાફ્લો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મૃતક બાળકના પરિવારે માંગ કરી છે કે હોસ્ટેલના જવાબદાર સંચાલકો વિરુદ્ધFIRનોંધવામાં આવે અને સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થાય ત્યારબાદ જ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવા દેવામાં આવશે. આ બાળક કુંડ સુધી કેવી રીતે પહોંચ્યો, કયા સંજોગોમાં ડૂબ્યો અને તે સમયે તેની સાથે કોણ હતુ. તે તમામ દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાનું સચોટ કારણ બહાર આવશે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/13/BW8BwNBXV4cUJEy2pKqBM7olZJQNKAIG7xxGhI5e.webp'/></item><item><title><![CDATA[Car Insurance: ઘરે બેઠા ઓનલાઈન કાર ઈન્શ્યોરન્સ કેવી રીતે કરાવશો? જાણો સરળ રીત ]]></title><link>https://sandesh.com/business/automobile/news/car-insurance-how-to-get-car-insurance-online-from-home-know-the-easy-way</link><guid isPermaLink="true">https://sandesh.com/business/automobile/news/car-insurance-how-to-get-car-insurance-online-from-home-know-the-easy-way</guid><pubDate>Sat, 12 Sep 2026 23:48:09 +05:30</pubDate><description><![CDATA[<p>car insurance: જો તમારી કારનું ઇન્શ્યોરન્સ ટૂંક સમયમાં પૂરું થવાનું છે અથવા તમે હમણાં જ નવી કાર ખરીદી છે અને પહેલીવાર ઇન્શ્યોરન્સ કરાવવા જઈ રહ્યા છો, તો હવે તેના માટે બહાર જવાની જરૂર નથી. આજના સમયમાં મોટાભાગની ઇન્શ્યોરન્સ કંપનીઓ ઓનલાઇન પોલિસી ખરીદવાની સુવિધા આપે છે. એટલે કે તમે તમારા મોબાઇલ અથવા લેપટોપથી જ ઘરે બેઠા કારનું ઇન્શ્યોરન્સ કરાવી શકો છો.</p><p><b>ઓનલાઈન કાર ઈન્શ્યોરન્સ લેવાની પ્રક્રિયા</b></p><p>આ માટે તમારે માત્ર તમારી કારની કેટલીક જરૂરી માહિતી આપવી પડે છે અને માંગવામાં આવેલા દસ્તાવેજો જમા કરાવવાના હોય છે. આખી પ્રક્રિયા થોડી જ મિનિટમાં ઓનલાઇન પૂરી થઈ શકે છે. જોકે, પોલિસી લેતા પહેલા અલગ-અલગ કંપનીઓના પ્લાન અને તેમના પ્રીમિયમની સરખામણી કરવી જરૂરી છે. તેનાથી તમને તમારી જરૂરિયાત પ્રમાણે યોગ્ય કવર ઓછા ખર્ચમાં મળી શકે છે.</p><p><b>સૌથી પહેલા ભરવી પડશે કારની માહિતી</b></p><p>ઓનલાઇન ઇન્શ્યોરન્સ લેવા માટે સૌથી પહેલા કોઈ વિશ્વસનીય ઇન્શ્યોરન્સ કંપનીની વેબસાઇટ અથવા મોબાઇલ એપ પર જાઓ. અહીં તમારી પાસેથી કારનો રજિસ્ટ્રેશન નંબર, મોડલ, ખરીદીનું વર્ષ અને બીજી જરૂરી માહિતી માંગવામાં આવી શકે છે. જો તમારી કાર પહેલેથી ઇન્શ્યોર્ડ છે અને તમે પોલિસી રિન્યૂ કરાવી રહ્યા છો, તો જૂની પોલિસીની માહિતી પણ આપવી પડી શકે છે. આ માહિતી ભર્યા બાદ કંપની તમારી કાર પ્રમાણે ઉપલબ્ધ ઇન્શ્યોરન્સ પ્લાન બતાવે છે. અહીં તમે તમારી જરૂરિયાત પ્રમાણે થર્ડ પાર્ટી અથવા કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પસંદ કરવાનો વિકલ્પ મળી શકે છે. પ્લાન પસંદ કરતા પહેલા પોલિસીમાં કઈ વસ્તુઓનું કવર મળી રહ્યું છે અને કયા નુકસાનને કવરથી બહાર રાખવામાં આવ્યા છે, તે જરૂર તપાસો.</p><p><b>ઇન્શ્યોરન્સ સસ્તું કરવા માટે આ બાબતો પર ધ્યાન આપો</b></p><p>ઓનલાઇન ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે પૈસા બચાવવાની તક પણ મળી શકે છે. ઘણી કંપનીઓ ઓનલાઇન પોલિસી લેવા પર અલગ-અલગ પ્રકારની છૂટ આપે છે. તેથી કોઈ એક કંપનીનો પ્લાન તરત ખરીદવાને બદલે ઓછામાં ઓછી બે-ત્રણ કંપનીઓની કિંમત અને કવરેજની સરખામણી કરી લેવી વધુ સારી છે. જો તમારી જૂની કારની પોલિસી દરમિયાન તમે કોઈ ક્લેમ લીધો નથી, તો તમને નો-ક્લેમ બોનસનો લાભ મળી શકે છે. તેનાથી તમારી નવી પોલિસીનું પ્રીમિયમ ઓછું થઈ શકે છે. પરંતુ, માત્ર સસ્તું ઇન્શ્યોરન્સ જોઈને નિર્ણય ન લો. ઓછા પ્રીમિયમની સાથે મળતું કવરેજ, સુવિધાઓ, ડિડક્ટિબલ અને ક્લેમ સાથે જોડાયેલા નિયમો પણ ધ્યાનથી વાંચો. યોગ્ય પોલિસી એ જ છે જે જરૂરિયાતના સમયે તમારા કામ આવે.</p><p><b>પેમેન્ટ બાદ મોબાઇલ પર મળી જશે પોલિસી</b></p><p>પ્લાન પસંદ કર્યા બાદ જરૂરી માહિતી અને દસ્તાવેજો ઓનલાઇન જમા કરવાના હોય છે. ત્યારબાદ ઓનલાઇન પેમેન્ટ કરીને પ્રક્રિયા પૂરી કરી શકાય છે. પેમેન્ટ સફળ થયા બાદ પોલિસીની કોપી સામાન્ય રીતે ઇમેઇલ અથવા મોબાઇલ પર મોકલવામાં આવે છે. પોલિસી મળ્યા બાદ તેની ડિજિટલ કોપી ફોનમાં સેવ કરીને રાખો. સાથે તેની વેલિડિટીની તારીખ પણ ધ્યાનમાં રાખો. કાર ચલાવતી વખતે માન્ય ઇન્શ્યોરન્સ હોવું જરૂરી છે, તેથી પોલિસી પૂરી થવાની રાહ જોવાને બદલે સમયસર તેને રિન્યૂ કરાવવું વધુ સારું છે. આ રીતે કોઈ એજન્ટ પાસે ગયા વગર અને ઘરેથી બહાર નીકળ્યા વગર તમે તમારા મોબાઇલથી જ થોડી મિનિટમાં કારનું ઇન્શ્યોરન્સ કરાવી શકો છો. બસ પોલિસી ખરીદતા પહેલા કિંમતની સાથે તેના કવરેજ અને નિયમોની સારી રીતે તપાસ જરૂર કરો.</p><p><b><a href="https://sandesh.com/lifestyle/news/tech/car-insurance-claim-flood-damage-rules-explained" target="_blank">આ પણ વાંચો: પૂરમાં કાર તણાઈ જાય કે નુકસાન થાય તો વીમાનો દાવો કેવી રીતે મળશે?</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/12/ZNAeq3NvEA0qVVrpSrRUVtsAN7O8soHGEE9qtk2S.webp'/></item><item><title><![CDATA[Web Series : 5 સીઝન, 59 એપિસોડ અને 43 દેશો! Netflixની આ વોર સીરિઝે વિશ્વભરમાં મચાવી ધૂમ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/netflix-war-series-5-seasons-59-episodes-83-imdb</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/netflix-war-series-5-seasons-59-episodes-83-imdb</guid><pubDate>Sat, 12 Sep 2026 17:21:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હાલ નેટફ્લિક્સ પર એક સિરીઝ દુનિયાભરમાં ખૂબ ચર્ચામાં છે. આ સિરીઝ 1-2 નહીં પરંતુ 43 દેશોમાં ટોપ 10માં ટ્રેન્ડ કરી રહી છે. ખાસ વાત એ છે કે આ સિરીઝની પાંચમી સીઝન હાલમાં જ રિલીઝ થઈ છે અને આવતાની સાથે જ તેણે ટોપ 10માં સ્થાન બનાવી લીધું છે. આ વોર સિરીઝની પહેલી 4 સીઝનને પણ જોરદાર સફળતા મળી હતી. હવે પાંચમી સીઝનને પણ દુનિયાભરના દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને IMDb પર તેને 8.3ની જોરદાર રેટિંગ મળી છે.</p><h2 style="text-align: justify; "><b>5 સીઝન, 59 એપિસોડ અને 43 દેશ</b></h2><p style="text-align: justify; ">નેટફ્લિક્સ પર આ વોર સિરીઝ 8 સપ્ટેમ્બરે રિલીઝ થઈ હતી, જેનું નામ ફૌદા છે. આ વોર સિરીઝની 5 સીઝન આવી ચૂકી છે, જેમાં કુલ 59 એપિસોડ છે. પાંચમી સીઝન રિલીઝ થતાં જ તે દુનિયાના 43 દેશોમાં ટોપ 10માં ટ્રેન્ડ કરી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>શું છે સિરીઝની સ્ટોરી?</b></h3><p style="text-align: justify; ">ફૌદાનો અર્થ અરાજકતા અથવા અશાંતિ થાય છે. આ ઈઝરાયલી ટેલિવિઝન સિરીઝ લિયોર રાજ અને એવિ ઈસ્સાચારોફે ઈઝરાયલી ડિફેન્સ ફોર્સિસમાં પોતાના અનુભવના આધારે બનાવી છે. આ સિરીઝ મિસ્તા અરવિમ યુનિટના કમાન્ડર ડોરોન અને તેમની ટીમની સ્ટોરી છે.<br><img alt="Netflix Fauda Season (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/12/bpE6ZPgB636BL4inCBNlZ2ZsRTh5ZKkY1hxPU7xJ.webp"><br></p><p style="text-align: justify; ">સિરીઝની પહેલી સીઝન 2014ના ગાઝા યુદ્ધ દરમિયાન કાફ્ર કાસિમમાં શૂટ કરવામાં આવી હતી અને 15 ફેબ્રુઆરી 2015ના રોજ રિલીઝ થઈ હતી. બીજી સીઝન 31 ડિસેમ્બર 2017ના રોજ રિલીઝ થઈ હતી. ત્રીજી સીઝન ગાઝા પટ્ટી પર આધારિત હતી અને 2019 તથા 2020માં પ્રસારિત થઈ હતી. ચોથી સીઝન 2023ની શરૂઆતમાં પ્રસારિત થઈ હતી, જેમાં ફૌદાની સ્ટોરી બ્રસેલ્સ, સીરિયા અને લેબનોન સુધી પહોંચી હતી. હવે 2026માં તેની 5મી સીઝન રિલીઝ થઈ છે.</p><h4 style="text-align: justify; "><b>સ્ટોરી છે દમદાર...</b></h4><p style="text-align: justify; ">સિરીઝની પહેલી સીઝન ડોરોન પર કેન્દ્રિત છે, જે પૂર્વ મિસ્તા રેવ છે. તેને અરબ લોકોનો વેશ ધારણ કરીને ગુપ્ત માહિતી મેળવવા માટે ખાસ તાલીમ આપવામાં આવી હતી. તેને ખબર પડે છે કે તૌફીક હામેદ જેને અબુ અહમદ તરીકે પણ ઓળખવામાં આવે છે, હમાસનો એ પૂર્વ આતંકવાદી જેને ડોરોન અને તેની ટીમે મારી નાખ્યો હોવાનું માન્યું હતું, તે જીવતો છે અને આતંકી હુમલાનું કાવતરું ઘડી રહ્યો છે. હામેદને શોધીને તેનો અંત લાવવા માટે ડોરોન પોતાની જૂની ટીમમાં ફરી જોડાય છે. ત્યારબાદ ઘટનાઓની એક અશાંત કડી શરૂ થાય છે. પહેલી સીઝનનો છેલ્લો એપિસોડ એ ઘટના સાથે પૂરો થાય છે જેમાં તૌફીકનો સાથી વલીદ પોતાના જ માર્ગદર્શકની હત્યા કરી નાખે છે.</p><h4 style="text-align: justify; "><b>પાંચમી સીઝનમાં શું છે?</b></h4><p style="text-align: justify; ">પાંચમી સીઝનની સ્ટોરી 7 ઓક્ટોબરના હુમલાની ઘટનાઓના 2 વર્ષ પછીની છે. એલી અને સેલેમ નામનો એક બેદુઈન ટ્રેકર પોતાના સંબંધીઓની હત્યા કરનાર હમાસના એક ઓપરેટિવને પકડવા માટે માર્સેઈ જાય છે. ડોરોન અને સ્ટીવનને તેમના સિનિયર આ બળવાખોર એજન્ટોને રોકવા માટે મોકલે છે, પરંતુ તેઓ એ જ સિસ્ટમ સામેની લડાઈમાં ફસાઈ જાય છે, જેનો તેઓ એક સમયે ભાગ હતા. આ સીઝનમાં હમાસના હુમલાની એવી ઘટનાઓ જોવા મળશે, જે આપણે વાસ્તવિક દુનિયામાં બનતી જોઈ છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/kbc-18-amitabh-bachchan-unfulfilled-dream-regret" target="_blank">આ પણ વાંચો-KBCમાં અમિતાભ બચ્ચને જણાવી પોતાની અધૂરી ઈચ્છા! બોલ્યા- 'મને આજે પણ અફસોસ છે...'</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/12/g8xJV5yooMXXVKtHyKl4xuofcAs3FNlJyY27gXLt.webp'/></item><item><title><![CDATA[US Open 2026: Zverevએ ફાઇનલમાં મારી એન્ટ્રી, હવે Ben Shelton સામે ખિતાબી જંગ ]]></title><link>https://sandesh.com/sports/news/us-open-2026-zverev-enters-final-now-title-fight-against-ben-shelton</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/us-open-2026-zverev-enters-final-now-title-fight-against-ben-shelton</guid><pubDate>Sat, 12 Sep 2026 16:03:46 +05:30</pubDate><description><![CDATA[<p>યુએસ ઓપન 2026ના મેન્સ સિંગલ્સ ફાઇનલ મેચનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. આગામી 14 સપ્ટેમ્બરની સવારે ખિતાબી મુકાબલામાં જર્મનીના અલેક્ઝેન્ડર ઝવેરેવનો સામનો અમેરિકન ખેલાડી બેન શેલ્ટન સામે થશે. ઝવેરેવ પોતાની ટેનિસ કારકિર્દીમાં બીજી વખત યુએસ ઓપનના ફાઇનલમાં પહોચ્યો છે, જ્યારે અગાઉ તે ફાઇનલ મેચ હારી ચૂક્યા છે. સેમિફાઇનલ મેચમાં ઝવેરેવનો મુકાબલો રશિયાના કારેન ખાચાનોવ સામે થયો હતો, જેમાં તેણે શાનદાર પ્રદર્શન કરતા 3-0થી વિજય મેળવ્યો હતો. બીજી તરફ, બેન શેલ્ટને સેમિફાઇનલ મુકાબલામાં પોતાના જ દેશના ટેનિસ ખેલાડી ફ્રાન્સિસ ટિયાફોને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.</p><h2><b>કાંટાની ટક્કરમાં મેળવ્યો વિજય&nbsp;</b></h2><p>સેમિફાઇનલ મેચની શરૂઆતથી જ અલેક્ઝેન્ડર ઝવેરેવે રશિયન ખેલાડી કારેન ખાચાનોવ સામે પોતાનું વર્ચસ્વ જમાવી લીધું હતું. પહેલા જ સેટમાં ખાચાનોવ 6-3થી પરાજિત થયા બાદ બીજા સેટમાં બંને ખેલાડીઓ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. આ સેટ ટાઈ-બ્રેકર સુધી પહોંચ્યો હતો, જેમાં ઝવેરેવે 7-6થી જીત મેળવીને મેચમાં 2-0ની સરસાઈ મેળવી લીધી હતી. ત્રીજા સેટમાં પણ બંને વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી અને તે પણ ટાઈ-બ્રેકરમાં જતાં ઝવેરેવે 7-6થી પોતાના નામે કર્યો હતો. નોંધનીય છે કે ઝવેરેવ આ વર્ષે સતત ત્રીજી વખત કોઈ ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યો છે, જેમાં તેણે ફ્રેન્ચ ઓપનમાં વિજય મળ્યો હતો, જ્યારે વિમ્બલ્ડનમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/usopen/status/2098537057668706743"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>ફાઇનલ મેચ ઝવેરેવ માટે પડકારજનક</b></h2><p>અમેરિકન યુવા ખેલાડી બેન શેલ્ટને પોતાની કારકિર્દીમાં પ્રથમ વખત કોઈ ગ્રાન્ડ સ્લેમની ફાઇનલની ટિકિટ મેળવી છે. યુએસ ઓપન 2026માં શેલ્ટનનું પ્રદર્શન અત્યંત પ્રભાવશાળી રહ્યું છે, ખાસ કરીને ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં તેણે દિગ્ગજ ખેલાડી કાર્લોસ અલ્કારાઝને હરાવીને મોટો ઉલટફેર કર્યો હતો. સેમિફાઇનલમાં તેણે ટિયાફો સામે ચાર સેટ સુધી ચાલેલી સંઘર્ષપૂર્ણ મેચ 3-1થી જીતી લીધી હતી. શરૂઆતી સેટમાં 6-4થી હાર્યા બાદ શેલ્ટને શાનદાર વાપસી કરી હતી અને પછીના ત્રણેય સેટ અનુક્રમે 6-3, 6-3 અને 7-5થી જીતી લીધા હતા. જો કે, ફાઇનલની મેચ તેના માટે સરળ નહીં રહે, કારણ કે ઝવેરેવ સામે અત્યાર સુધી રમાયેલી પાંચેય મેચમાં શેલ્ટનને હારનો સામનો કરવો પડ્યો છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/12/XV2KQkIz8FgBDb8osojDfZg3fNOv9pDqBEiRC5tA.webp'/></item></channel></rss>