<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Surat News: ઝાંપા બજારમાં જર્જરિત મકાન અચાનક ધરાશાયી, સદનસીબે જાનહાનિ ટળી ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-news-a-dilapidated-building-in-jhampa-bazaar-suddenly-collapsed-fortunately-no-casualties-were-reported</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-news-a-dilapidated-building-in-jhampa-bazaar-suddenly-collapsed-fortunately-no-casualties-were-reported</guid><pubDate>Tue, 21 Jul 2026 23:26:49 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત શહેરના ગીચ અને વેપારી વિસ્તાર ગણાતા ઝાંપા બજાર ખાતે એક મોટી દુર્ઘટના સામે આવી છે. ઝાંપા બજારમાં આવેલા તૈયાબી મોહલ્લામાં બુરહાની હોસ્પિટલ નજીકનું એક જૂનું અને જર્જરિત મકાન અચાનક ધડાકાભેર ધરાશાયી થઈ ગયું હતું. મકાનનો મોટો ભાગ અચાનક રસ્તા પર અને આસપાસના વિસ્તારમાં તૂટી પડતાં જ ધૂળના ગોટેગોટા ઉડ્યા હતા. ભરચક વિસ્તારમાં બનેલી આ ઘટનાના કારણે આસપાસના રહીશો અને રાહદારીઓમાં ક્ષણભર માટે ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.</p><h2><b>સદનસીબે મોટી જાનહાનિ ટળી</b></h2><p>મકાન ધરાશાયી થવાની આ ઘટનામાં સૌથી રાહતની વાત એ રહી છે કે સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ઘટના સમયે મકાનની અંદર કે તેની બિલકુલ નજીક કોઈ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. જોકે, મકાનનો કાટમાળ રસ્તા પર પથરાઈ જતાં વાહન વ્યવહાર અને લોકોની અવરજવર થોડા સમય માટે ખોરવાઈ ગઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, મકાન લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતું અને અચાનક ચોમાસા કે અન્ય કારણોસર કડડભૂસ થઈને તૂટી પડ્યું હતું.</p><h3><b>ફાયર વિભાગે સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી</b></h3><p>ઘટના અંગેની જાણ થતાં જ સુરત ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગના જવાનોએ સ્થળ પર પહોંચીને કાટમાળ હટાવવાની તેમજ આસપાસના વિસ્તારોને સુરક્ષિત કરવાની કામગીરી હાથ ધરી હતી. આ સાથે જ જોખમી બનેલા બાકીના ભાગોને દૂર કરી રસ્તો ખુલ્લો કરવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને પાલિકાનો સ્ટાફ પણ પહોંચી ગયો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.</p><p><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/PygDgaCIBYLtYaCL3RqHDTrPDDThPjJPXPAJVad9.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: ગુજરાતના ઉભરતા રમતવીરો સાથે DyCMનો પ્રેરણાદાયી સંવાદ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gandhinagar/gandhinagar-news-dycms-inspiring-dialogue-with-budding-athletes-of-gujarat</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gandhinagar/gandhinagar-news-dycms-inspiring-dialogue-with-budding-athletes-of-gujarat</guid><pubDate>Tue, 21 Jul 2026 23:11:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે નવી પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા અને તેમને વૈશ્વિક સ્તરે પહોંચાડવાના ઉદ્દેશ્યથી એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર સ્થિત મંત્રીના સરકારી નિવાસસ્થાને રાજ્યના વિવિધ રમતગમતના ઉભરતા અને તેજસ્વી રમતવીરો સાથે એક અગત્યનો સંવાદ યોજાયો હતો. આ બેઠકનો મુખ્ય હેતુ રાજ્યના યુવા ખેલાડીઓ સાથે સીધો સંપર્ક સાધીને તેમની જરૂરિયાતો, સપનાઓ અને રમત ક્ષેત્રે આગળ વધવા માટેના આયોજનને સમજવાનો હતો.</p><h2 style="text-align: justify; "><b>પ્રોફેશનલ પડકારો અને ખેલાડીઓના અનુભવો પર મંથન</b></h2><p style="text-align: justify; ">આ સંવાદ દરમિયાન ઉપસ્થિત ખેલાડીઓએ રમતગમતના ક્ષેત્રમાં પોતાની અત્યાર સુધીની સફર અને પોતાના વ્યક્તિગત અનુભવો મુક્તપણે રજૂ કર્યા હતા. ખેલાડીઓએ નેશનલ અને ઈન્ટરનેશનલ લેવલે રમત રમતી વખતે સામનો કરવા પડતા પ્રોફેશનલ પડકારો, જેવા કે આધુનિક ટ્રેનિંગ, ડાયેટ, વર્લ્ડ-ક્લાસ ઈક્વિપમેન્ટ્સ અને સ્પોર્ટ્સ ફાઇનાન્સિયલ સપોર્ટ અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી. મંત્રીએ દરેક ખેલાડીની વાત ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળી હતી અને તેમને આવતી અડચણો દૂર કરવાની ખાતરી આપી હતી.</p><h3 style="text-align: justify; "><b>રમતવીરોને શ્રેષ્ઠ સુવિધાઓ આપવા તંત્ર કટિબદ્ધ</b></h3><p style="text-align: justify; ">મંત્રીએ ખેલાડીઓનો ઉત્સાહ વધારતા જણાવ્યું હતું કે ગુજરાત સરકાર રાજ્યના ખેલાડીઓને દેશ અને દુનિયાના મંચ પર ગોલ્ડ મેડલ જીતવા માટે સક્ષમ બનાવવા માટે કટિબદ્ધ છે. ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કોચિંગ મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. આ પ્રેરણાદાયક સંવાદથી ઉભરતા રમતવીરોમાં એક નવો ઉત્સાહ અને વિશ્વાસ જોવા મળ્યો હતો અને તેમણે રાજ્યનું નામ રોશન કરવાનો મનોરથ વ્યક્ત કર્યો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/mdqcBkV8ABy8Gk8KY9A4u3psaCOjJhERtaxesHol.webp'/></item><item><title><![CDATA[Surat News: ગોવા જતી ફ્લાઈટમાં મુસાફરે ઈમરજન્સી એક્ઝિટ ગેટ ખોલવાનો પ્રયાસ કર્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/passenger-tries-to-open-emergency-exit-on-goa</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/passenger-tries-to-open-emergency-exit-on-goa</guid><pubDate>Tue, 21 Jul 2026 22:57:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત એરપોર્ટ પર એક મોટી હોનારત ટળવાના અહેવાલ સામે આવ્યા છે.સુરતથી ગોવા જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E-419માં બોર્ડિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ અચાનક એક મુસાફરે ઈમરજન્સી એક્ઝિટ ગેટ ખોલવાનો પ્રયાસ કર્યો હતો.ફ્લાઈટ ઉપડવાની તૈયારીમાં હતી ત્યારે મુસાફરે અચાનક ગેટ ખોલવાનો પ્રયાસ કરતાં જ વિમાનમાં સવાર અન્ય મુસાફરોમાં ભારે અફરાતફરી અને અસુરક્ષાનો માહોલ સર્જાયો હતો.</p><h2 style="text-align: justify; "><b>સુરત એરપોર્ટ પર મોટી હોનારત ટળી</b></h2><p style="text-align: justify; ">આ ઘટના બનતાં જ એરલાઈનના સતર્ક સ્ટાફે ત્વરિત કાર્યવાહી કરીને હંગામો મચાવનાર મુસાફરોને કાબૂમાં લીધો હતો અને તેને તાત્કાલિક વિમાનમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યો હતો.પ્રાથમિક તપાસમાં ઈમરજન્સી ગેટ ખોલવાનો પ્રયાસ કરનાર મુસાફર સુરતના પુનાગામ વિસ્તારનો રહેવાસી જિતેન્દ્ર મણિયા હોવાનું ખુલ્યું છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>સ્ટાફે મુસાફરને તાત્કાલિક કાબૂમાં લીધો</b></h3><p style="text-align: justify; ">ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને એરપોર્ટની સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક પ્રોટોકોલ મુજબ કાર્યવાહી હાથ ધરીને આરોપીને આગળની કાયદેસરની તપાસ માટે પોલીસને સોંપી દીધો હતો.સૂઝબૂઝ અને ઝડપી કાર્યવાહીના કારણે આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા પહોંચી ન હતી કે વિમાનને કોઈ નુકસાન થયું ન હતું. સુરક્ષા એજન્સીઓ દ્વારા વિમાનની સંપૂર્ણ તપાસ અને જરૂરી તમામ પ્રોટોકોલ સંતોષકારક રીતે પૂરા કર્યા બાદ ફ્લાઈટને સુરક્ષિત રીતે ગોવા જવા માટે રવાના કરવામાં આવી હતી.<br><br><a href="https://sandesh.com/india/breakingnews/cjp-protest-2026-delhi-police-remove-rahul-gandhi-akhilesh-yadav-detained" target="_blank">આ પણ વાંચોઃ CJP Protest 2026 : રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ સહિત ઘણા નેતાઓની કરાઈ અટકાયત</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/I7zXeU9BQoJENrey5ymQBKHeLkpQf1eahKvp6VFX.webp'/></item><item><title><![CDATA[CJP Protest : પ્રદર્શનકારી વિદ્યાર્થીઓના સમર્થનમાં આવ્યા રેપર હની સિંહ અને અભિનેત્રી સોનાક્ષી સિંહા, કહ્યું 'ભોલેનાથ શક્તિ આપે' ]]></title><link>https://sandesh.com/india/news/entertainment/cjp-protest-honey-singh-sonakshi-sinha-support-students</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/entertainment/cjp-protest-honey-singh-sonakshi-sinha-support-students</guid><pubDate>Tue, 21 Jul 2026 22:40:36 +05:30</pubDate><description><![CDATA[<p>દેશમાં NEET મુદ્દે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે બોલિવૂડના અનેક કલાકારો વિદ્યાર્થીઓના સમર્થનમાં આગળ આવ્યા છે. રેપર અને ગાયક યો યો હની સિંહે પોતાના નવા ગીત 'Moonlight'નું ટીઝર હાલ માટે મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. તેમણે જણાવ્યું કે દેશના યુવાનો અને વિદ્યાર્થીઓની લાગણીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.</p><h2><b>24 જુલાઈએ ગીત રિલિઝ થવાનું હતું&nbsp;</b></h2><p>હની સિંહે અગાઉ જાહેરાત કરી હતી કે તેમનું નવું ગીત 24 જુલાઈ, 2026ના રોજ રિલીઝ થશે અને તેનું ટીઝર 22 જુલાઈએ રજૂ થવાનું હતું. જોકે, તેમણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે દેશ અને યુવાનોની ભાવનાઓનો સન્માન કરતાં તેઓ ટીઝરનું લોન્ચિંગ થોડા દિવસ માટે સ્થગિત કરી રહ્યા છે. સાથે તેમણે ભગવાન ભોલેનાથને વિદ્યાર્થીઓને શક્તિ આપવાની પ્રાર્થના પણ કરી હતી.</p><h3><b>વિદ્યાર્થીઓ અને યુવાનો રસ્તા પર ઉતર્યા&nbsp;</b></h3><p>NEET પેપર લીક મુદ્દે થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવાનો રસ્તા પર ઉતર્યા હતા. કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી, જેના કારણે ઘટનાક્રમ ચર્ચામાં રહ્યો હતો. આ વિરોધ પ્રદર્શનને અનેક ફિલ્મી હસ્તીઓનું સમર્થન મળ્યું છે. અભિનેત્રી શબાના આઝમી અને અભિનેતા પ્રકાશ રાજ પણ પ્રદર્શનકારીઓ સાથે જોડાયા હતા. આ દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહીના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અનેક લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી.</p><p><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DbCqTXWgipb/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DbCqTXWgipb/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DbCqTXWgipb/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DbCqTXWgipb/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a></p><h4><b>અભિનેત્રી સોનાક્ષી થઈ ખુબ જ દુ:ખી&nbsp;</b></h4><p>અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ પણ સોશિયલ મીડિયા પર પ્રદર્શનની તસવીરો શેર કરીને વિદ્યાર્થીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું કે આ ઘટના માત્ર વિદ્યાર્થીઓને જ નહીં પરંતુ સમગ્ર દેશને દુઃખ પહોંચાડનારી છે. અગાઉ પણ સોનાક્ષીએ વિદ્યાર્થીઓના આંદોલન અને સોનમ વાંગચુકની ભૂખ હડતાળને સમર્થન આપ્યું હતું. બોલિવૂડના કલાકારોના આ સમર્થનને કારણે વિદ્યાર્થીઓના આંદોલનને વધુ ચર્ચા મળી રહી છે અને સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દો સતત ચર્ચાનો વિષય બન્યો છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/sonam-wangchuk-discharged-safdarjung-hospital-shifted-to-medanta-hospital" target="_blank">આ પણ વાંચો : Sonam Wangchuk સફદરજંગ હોસ્પિટલમાંથી થયા ડિસ્ચાર્જ, સારવાર માટે મેદાંતા હોસ્પિટલમાં થશે શિફ્ટ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/vJecDsogWAa4RROgfnES9QAdIAhzGL9bHZGzfi4t.webp'/></item><item><title><![CDATA[CJP Protest : પ્રદર્શનકારી વિદ્યાર્થીઓના સમર્થનમાં આવ્યા રેપર હની સિંહ અને અભિનેત્રી સોનાક્ષી સિંહા, કહ્યું 'ભોલેનાથ શક્તિ આપે' ]]></title><link>https://sandesh.com/india/news/entertainment/cjp-protest-honey-singh-sonakshi-sinha-support-students</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/entertainment/cjp-protest-honey-singh-sonakshi-sinha-support-students</guid><pubDate>Tue, 21 Jul 2026 22:40:36 +05:30</pubDate><description><![CDATA[<p>દેશમાં NEET મુદ્દે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે બોલિવૂડના અનેક કલાકારો વિદ્યાર્થીઓના સમર્થનમાં આગળ આવ્યા છે. રેપર અને ગાયક યો યો હની સિંહે પોતાના નવા ગીત 'Moonlight'નું ટીઝર હાલ માટે મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. તેમણે જણાવ્યું કે દેશના યુવાનો અને વિદ્યાર્થીઓની લાગણીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.</p><h2><b>24 જુલાઈએ ગીત રિલિઝ થવાનું હતું&nbsp;</b></h2><p>હની સિંહે અગાઉ જાહેરાત કરી હતી કે તેમનું નવું ગીત 24 જુલાઈ, 2026ના રોજ રિલીઝ થશે અને તેનું ટીઝર 22 જુલાઈએ રજૂ થવાનું હતું. જોકે, તેમણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે દેશ અને યુવાનોની ભાવનાઓનો સન્માન કરતાં તેઓ ટીઝરનું લોન્ચિંગ થોડા દિવસ માટે સ્થગિત કરી રહ્યા છે. સાથે તેમણે ભગવાન ભોલેનાથને વિદ્યાર્થીઓને શક્તિ આપવાની પ્રાર્થના પણ કરી હતી.</p><h3><b>વિદ્યાર્થીઓ અને યુવાનો રસ્તા પર ઉતર્યા&nbsp;</b></h3><p>NEET પેપર લીક મુદ્દે થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવાનો રસ્તા પર ઉતર્યા હતા. કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી, જેના કારણે ઘટનાક્રમ ચર્ચામાં રહ્યો હતો. આ વિરોધ પ્રદર્શનને અનેક ફિલ્મી હસ્તીઓનું સમર્થન મળ્યું છે. અભિનેત્રી શબાના આઝમી અને અભિનેતા પ્રકાશ રાજ પણ પ્રદર્શનકારીઓ સાથે જોડાયા હતા. આ દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહીના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અનેક લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી.</p><p><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DbCqTXWgipb/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DbCqTXWgipb/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DbCqTXWgipb/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DbCqTXWgipb/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a></p><h4><b>અભિનેત્રી સોનાક્ષી થઈ ખુબ જ દુ:ખી&nbsp;</b></h4><p>અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ પણ સોશિયલ મીડિયા પર પ્રદર્શનની તસવીરો શેર કરીને વિદ્યાર્થીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું કે આ ઘટના માત્ર વિદ્યાર્થીઓને જ નહીં પરંતુ સમગ્ર દેશને દુઃખ પહોંચાડનારી છે. અગાઉ પણ સોનાક્ષીએ વિદ્યાર્થીઓના આંદોલન અને સોનમ વાંગચુકની ભૂખ હડતાળને સમર્થન આપ્યું હતું. બોલિવૂડના કલાકારોના આ સમર્થનને કારણે વિદ્યાર્થીઓના આંદોલનને વધુ ચર્ચા મળી રહી છે અને સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દો સતત ચર્ચાનો વિષય બન્યો છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/sonam-wangchuk-discharged-safdarjung-hospital-shifted-to-medanta-hospital" target="_blank">આ પણ વાંચો : Sonam Wangchuk સફદરજંગ હોસ્પિટલમાંથી થયા ડિસ્ચાર્જ, સારવાર માટે મેદાંતા હોસ્પિટલમાં થશે શિફ્ટ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/vJecDsogWAa4RROgfnES9QAdIAhzGL9bHZGzfi4t.webp'/></item><item><title><![CDATA[Auto News: સ્પાય શૉટ્સમાં કેદ થઈ આ કારની મોસ્ટ અવેટેડ ફ્યુચરિસ્ટિક ઇલેક્ટ્રિક SUV! ]]></title><link>https://sandesh.com/business/news/automobile/auto-news-this-cars-most-awaited-futuristic-electric-suv-captured-in-spy-shots</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/auto-news-this-cars-most-awaited-futuristic-electric-suv-captured-in-spy-shots</guid><pubDate>Tue, 21 Jul 2026 22:26:55 +05:30</pubDate><description><![CDATA[<p>ટાટા મોટર્સની બહુપ્રતિક્ષિત પ્રીમિયમ ઇલેક્ટ્રિક SUV Tata Avinya લૉન્ચ થાય તે પહેલાં પહેલીવાર ભારતીય રસ્તાઓ પર ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી છે. વર્ષ 2022માં જ્યારે ટાટાએ આ કારના કોન્સેપ્ટ લૂક પરથી પડદો ઊંચક્યો હતો, ત્યારથી જ તે ઓટોમોબાઈલ જગતમાં સતત ચર્ચામાં રહી છે. અત્યાર સુધી માત્ર પ્રદર્શનોમાં જ જોવા મળેલો આ કોન્સેપ્ટ હવે વાસ્તવિક ઉત્પાદન તરફ આગળ વધી રહ્યો છે, જેને કારણે ભારતીય માર્કેટમાં આ ઇલેક્ટ્રિક SUV માટે ઉત્સાહ બેવડાયો છે.</p><h2><b>2027માં 'Avinya X' નામે થશે વિધિવત ડેબ્યૂ</b></h2><p>ટેસ્ટિંગ દરમિયાન સ્પૉટ થયેલી આ કારને Avinya X તરીકે ઓળખવામાં આવશે અને તે વર્ષ 2027માં ભારતીય માર્કેટમાં વિધિવત રીતે ડેબ્યૂ કરશે. Gaadiwaadiના અહેવાલ મુજબ, ટેસ્ટિંગ વાહનને સુરક્ષાના કારણોસર સંપૂર્ણપણે કવર (Camouflage) કરવામાં આવ્યું હતું. જોકે, તેના એકંદર કદ અને કટ આઉટ પરથી સ્પષ્ટ થાય છે કે પ્રોડક્શન મોડેલમાં પણ મૂળ કોન્સેપ્ટનો સ્લીક, મોર્ડન અને ફ્યુચરિસ્ટિક અવતાર જાળવી રાખવામાં આવશે.</p><h3><b>સ્લીક ડિઝાઇન અને પ્રીમિયમ લૂક</b></h3><p>ડિઝાઇનના દ્રષ્ટિકોણથી જોઈએ તો, આ SUVમાં લાંબો વ્હીલબેઝ અને સ્પોર્ટી નીચી રૂફલાઇન જોવા મળે છે. સામાન્ય રીતે પ્રોડક્શન મોડેલ તૈયાર કરતી વખતે કાર ઉત્પાદકો કોન્સેપ્ટના કેટલાક અત્યંત ડ્રામેટિક અથવા જટિલ એલિમેન્ટ્સને થોડા સરળ બનાવતા હોય છે, પરંતુ તેમ છતાં પણ અવિન્યા ટાટાની હાલની તમામ EVs (જેવી કે Nexon EV કે Harrier EV) કરતાં ઘણી વધુ પ્રીમિયમ અને લક્ઝુરિયસ લૂક આપશે.</p><h4><b>નવું પ્લેટફોર્મ અને સ્થાનિક મેન્યુફેક્ચરિંગ</b></h4><p>Avinya X ટાટા મોટર્સની EV વ્યૂહરચનામાં એક મોટો યુ-ટર્ન દર્શાવે છે. પહેલાં એવું આયોજન હતું કે આ કાર JLRના EMA આર્કિટેક્ચર પર બનાવવામાં આવશે, પરંતુ નવા ડેવલપમેન્ટ મુજબ આવનારું આ મોડેલ Chery-JLR દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલા ફ્રીલેન્ડર (Freelander) પ્લેટફોર્મ પર આધારિત હશે. ભારતીય વાહનચાલકોની જરૂરિયાતો અને રસ્તાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ટાટા આ પ્લેટફોર્મના ઇલેક્ટ્રોનિક્સ અને સૉફ્ટવેર સિસ્ટમમાં સ્થાનિક સ્તરે જરૂરી ફેરફારો કરશે. આ કારનું ઉત્પાદન તમિલનાડુના પનપક્કમ ખાતે સ્થિત ટાટાના નવા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં કરવામાં આવશે.</p><h5><b>ક્ષમતા ધરાવતી દમદાર 95kWh સુધીની બેટરી</b></h5><p>જો બેટરી અને પાવરટ્રેન સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો, કંપનીએ હજુ સુધી સત્તાવાર આંકડા જાહેર કર્યા નથી. જોકે, કારની સાઈઝ અને પ્રીમિયમ સેગમેન્ટને જોતાં તેમાં 75kWh થી 95kWh ની ક્ષમતા ધરાવતી વિશાળ બેટરી પેક મળવાની પૂરેપૂરી શક્યતા છે, જે લાંબી સફર માટે શ્રેષ્ઠ સાબિત થશે.</p><h6><b>700 KMની રેન્જ અને ઓલ-વ્હીલ-ડ્રાઇવ ઓપ્શન</b></h6><p>પરફોર્મન્સના મામલે આ SUV ખૂબ જ દમદાર હશે. અંદાજ મુજબ, એકવાર ફુલ ચાર્જ કરવા પર આ કાર 600 થી 700 કિલોમીટર સુધીની ઉત્તમ ડ્રાઇવિંગ રેન્જ આપી શકશે. આ ઉપરાંત, કારના ટોપ અથવા હાયર વેરિઅન્ટ્સમાં વધુ પાવર અને બહેતર ગ્રીપ માટે ડ્યુઅલ-મોટર ઓલ-વ્હીલ-ડ્રાઇવ (AWD) સેટઅપ પણ આપવામાં આવે તેવી અપેક્ષા છે.</p><p><a href="https://sandesh.com/automobile" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/VF7wZLXx36NBumo8i4OWdtInbhACV9olFWs63o4x.webp'/></item><item><title><![CDATA[Gandhinagr News: ગાંધીનગર અને સાબરકાંઠામાં 815 કરોડના વિકાસ કામોના ઇ લોકાર્પણ ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/amit-shah-inaugurates-and-lays-foundation-for--815-crore-development-projects</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/amit-shah-inaugurates-and-lays-foundation-for--815-crore-development-projects</guid><pubDate>Tue, 21 Jul 2026 21:51:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 815 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ હતું.તેમણે જણાવ્યું હતું કે,આજે માણસા અને પ્રાંતિજ મતક્ષેત્રના વિકાસ માટે લગભગ 815 કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 89 કરોડના ખર્ચે નિર્માણ પામેલા અલુવા- સાદરા બ્રિજથી જક્ષિણી માતાજીના મંદિર આસપાસના વિસ્તારમાં પર્યટનને વેગ મળશે અને સ્થાનિકો, વિદ્યાર્થીઓ તથા શ્રદ્ધાળુઓ માટે યાતાયાત સુગમ બનશે. સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રથી આસપાસના લગભગ 1 લાખથી વધુ ગરીબ અને સામાન્ય નાગરિકોને 24 કલાક ડાયાલિસિસ,ઓપરેશન થિયેટર, NICU અને અદ્યતન તબીબી સુવિધાઓ ઉપલબ્ધ થશે.</p><h2 style="text-align: justify; "><b>પર્યટન અને વન્યજીવ સંરક્ષણને પણ બળ મળશે</b></h2><p style="text-align: justify; ">તેમણે ઉમેર્યું હતું કે,માણસાના રાણીયાપુરરા ખાતે કમ્યુનિટી હોલ,અલકાપુરી ખાતે ESR વોટર ટાંકી અને બાપુપુરા ગામ ખાતે સંસ્કાર ભવન ટ્રસ્ટના સુસજ્જ બિલ્ડિંગનું લોકાર્પણ કરતા નાગરિક સુખાકારીમાં ઉમેરો થશે. આ બેરેજના નિર્માણથી ચરાડા, માણસા, રિદ્રોલ સહિતના વિસ્તારોમાં સાબરમતી નદીનું પાણી 8 મહિના સુધી સંગ્રહિત રહેશે.પરિણામે વિસ્તારમાં ઝડપથી નીચે જઈ રહેલા ભૂગર્ભ જળસ્તરમાં 5 થી 10 ફૂટ સુધીનો વધારો થશે. ખેડૂતો અને પશુપાલકોની સમૃદ્ધિ વધશે તેમજ પર્યટન અને વન્યજીવ સંરક્ષણને પણ બળ મળશે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>સ્વાસ્થ્ય કેન્દ્રો સંકલિત થઈને શ્રેષ્ઠ મેડિકલ સારવાર&nbsp;</b></h3><p style="text-align: justify; ">માણસા પંથકના લોકોને સ્વાસ્થ્ય સેવાઓ માટે ગાંધીનગર જવું ન પડે તે માટે અદ્યતન સિવિલ હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે, જેની સાથે આસપાસના સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રો સંકલિત થઈને શ્રેષ્ઠ મેડિકલ સારવાર આપશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે 'વિકસિત ગુજરાત'ના માધ્યમથી જ વડાપ્રધાનશ્રીનું 2047 સુધીમાં 'વિકસિત ભારત' બનાવવાનું સ્વપ્ન સાકાર થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, અલુવા અને સાદરાને જોડતા બ્રિજનું ઇ-લોકાર્પણ થયું છે તે લોકોના વિશ્વાસનો સેતુ બનશે.અલુવા, સાદરા સહિત આસપાસના ગામોના હજારો પરિવારોને સરળ, ઝડપી અને સુરક્ષિત મુસાફરીની સુવિધા મળશે.&nbsp;<br><br>આ પણ વાંચોઃ&nbsp;</p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/0XfAdqw5XARmThRfrRksxiHIpyPs02HzwFziNs0R.webp'/></item><item><title><![CDATA[Ayodhya : રામ મંદિર ટ્રસ્ટની 22 જુલાઈએ યોજાશે બેઠક, નવા ટ્રસ્ટી અને પ્રથમ CEOની પસંદગી પર રહેશે નજર ]]></title><link>https://sandesh.com/india/news/ayodhya-ram-temple-trust-meeting-july-22-new-trustees-first-ceo</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ayodhya-ram-temple-trust-meeting-july-22-new-trustees-first-ceo</guid><pubDate>Tue, 21 Jul 2026 21:48:16 +05:30</pubDate><description><![CDATA[<p>અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વિશેષ બેઠક બુધવારે યોજાવાની છે. આ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવે તેવી શક્યતા છે. બેઠકના મુખ્ય એજન્ડામાં ટ્રસ્ટના ત્રણ ખાલી ટ્રસ્ટી પદોની નિમણૂક, નવા મહાસચિવની પસંદગી અને રામ મંદિરના પ્રથમ મુખ્ય કાર્યકારી અધિકારી (CEO)ની પસંદગી પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપવાનો સમાવેશ થાય છે.</p><h2><b>ખાલી પડેલા ટ્રસ્ટી પદો ભરવા અત્યંત જરૂરી</b></h2><p>ટ્રસ્ટના સભ્ય સ્વામી પરમાનંદ ગિરિએ જણાવ્યું કે હાલ ખાલી પડેલા ટ્રસ્ટી પદો ભરવા અત્યંત જરૂરી છે અને બેઠકમાં સૌપ્રથમ આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. તેમણે કહ્યું કે અત્યાર સુધી કોઈ ચોક્કસ નામ પર ચર્ચા થઈ નથી અને તમામ નિર્ણયો બેઠક દરમિયાન વિચાર-વિમર્શ બાદ જ લેવામાં આવશે. બેઠકમાં રામ મંદિરના દાન ચોરી કેસ પણ ચર્ચાનું કેન્દ્ર બનશે. આ મામલે સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકાર પાસે સ્થાનિક પોલીસને બદલે વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા તપાસ કરાવવાના મુદ્દે જવાબ માગ્યો છે.&nbsp;</p><h3><b>કૂલ 3 પદ છે ખાલી&nbsp;</b></h3><p>સ્વામી પરમાનંદ ગિરિએ જણાવ્યું કે હાલની SITનો રિપોર્ટ આવ્યા બાદ જ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે. ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાના રાજીનામા તેમજ ટ્રસ્ટી બિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રાના નિધન બાદ કુલ ત્રણ પદ ખાલી થયા છે. આ તમામ જગ્યાઓ ભરવા અંગે બેઠકમાં ચર્ચા થશે. આ ઉપરાંત મંદિરમાં દાન રૂપે મળેલી રોકડ રકમની ગણતરી, મંદિરની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા અને દાન ચોરી કેસમાં SITની તપાસની પ્રગતિ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.&nbsp;<br><br><b><a href="https://sandesh.com/india/news/tribunal-reforms-bill-likely-to-be-introduced-in-monsoon-session" target="_blank">આ પણ વાંચો : Tribunal Reforms Bill : સંસદના ચોમાસુ સત્રમાં નવું બિલ રજૂ થવાની શક્યતા</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/4kmZORfdf3b5qONp3R60ZBtJDauooHItGGpEJfVQ.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના વટવામાં પી.ડી. પંડ્યા કોલેજ પાસેના તળાવમાં 3 બાળકો ડૂબ્યા, ફાયર બ્રિગેડ દ્વારા સઘન શોધખોળ ચાલુ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/3-children-drowned-in-a-pond-near-pd-pandya-college-in-vatva-ahmedabad-intensive-search-underway-by-fire-brigade</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/3-children-drowned-in-a-pond-near-pd-pandya-college-in-vatva-ahmedabad-intensive-search-underway-by-fire-brigade</guid><pubDate>Tue, 21 Jul 2026 21:14:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં આવેલી જાણીતી પી.ડી. પંડ્યા કોલેજની બાજુમાં આવેલ તળાવ ખાતે એક અત્યંત અરેરાટીભરી દુર્ઘટના સામે આવી છે. સાંજના આશરે ૭:૦૦ વાગ્યાના સુમારે રમતાં-રમતાં કે અન્ય કોઈ કારણોસર ત્રણ માસૂમ બાળકો અચાનક તળાવના ઊંડા પાણીમાં ખાબક્યા હતા. સાંજના સમયે બનેલી આ ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભારે અફરાતફરી અને શોકનું મોજું ફરી વળ્યું હતું. ઘટના અંગે તુરંત જ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.</p><h2 style="text-align: justify; "><b>ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું</b></h2><p style="text-align: justify; ">બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસિસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરો અને ડાઇવર્સ (હરફનમૌલા તરવૈયાઓ) ની ખાસ ટુકડી દ્વારા તળાવના ઊંડા પાણીમાં બાળકોને શોધવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી. અંધારું થઈ ગયું હોવા છતાં ફાયર બ્રિગેડ દ્વારા સ્પેશિયલ લાઈટો અને હોડીઓની મદદથી તળાવમાં સઘન શોધખોળ અને રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>વટવા વિસ્તારમાં ચિંતા અને અરેરાટીનો માહોલ</b></h3><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં જ ડૂબેલા બાળકોના પરિવારજનો અને મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો તળાવ કિનારે એકઠા થઈ ગયા હતા. બાળકોના ભવિષ્યને લઈને પરિવારોમાં ભારે કક્રાંત અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક પોલીસ પણ બનાવ સ્થળે પહોંચી ગઈ છે અને ભીડને નિયંત્રિત કરી રેસ્ક્યૂ કામગીરી સરળતાથી ચાલે તે માટે કાયદો-વ્યવસ્થા જાળવી રહી છે. ફાયર વિભાગ દ્વારા બાળકોને સલામત રીતે બહાર કાઢવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/Z75lq0tP0l5DbYwIUlTuM0IZHelCpvGPFuKggy4a.webp'/></item><item><title><![CDATA[Hockey વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત,જાણો કોને મળ્યું સ્થાન ]]></title><link>https://sandesh.com/sports/news/indian-team-announced-for-hockey-world-cup-know-who-got-a-place</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/indian-team-announced-for-hockey-world-cup-know-who-got-a-place</guid><pubDate>Tue, 21 Jul 2026 13:26:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હોકી ઇન્ડિયાએ આગામી FIH મેન્સ હોકી વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે.ટીમમાં કુલ 20 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.હોકી વર્લ્ડ કપ 15 થી 30 ઓગસ્ટ, 2026 દરમિયાન બેલ્જિયમ અને નેધરલેન્ડ્સમાં રમાશે.મુખ્ય કોચ ક્રેગ ફુલ્ટનને વિશ્વાસ છે કે પસંદ કરાયેલી ટીમ પાસે ભારતીય હોકી ઇતિહાસમાં પોતાનો અધ્યાય લખવાની સારી તક છે.</p><h4 style="text-align: justify; "><b>હરમનપ્રીત સિંહ ટીમનું નેતૃત્વ કરશે</b></h4><p style="text-align: justify; ">એશિયાના ટોચના ડિફેન્ડર અને ડ્રેગ-ફ્લિકર હરમનપ્રીત સિંહ ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે ભારતના સૌથી વધુ કેપ્ડ મિડફિલ્ડર મનપ્રીત સિંહ પણ ટીમનો ભાગ હશે, જે અનુભવી ખેલાડીઓ અને ઉત્તેજક યુવા પ્રતિભાઓની સંતુલિત ટીમમાં અનુભવનો ભંડાર લાવશે. મુખ્ય કોચ ફુલ્ટને ટીમ વિશે કહ્યું, આ એક સારી રીતે સંતુલિત ટીમ છે. ટુર્નામેન્ટના અનુભવ અને ફોર્મમાં રહેલા યુવાનોનું યોગ્ય મિશ્રણ છે. ખેલાડીઓએ પ્રતિષ્ઠા નહીં પણ પ્રદર્શન દ્વારા પોતાનું સ્થાન મેળવ્યું છે."</p><h4 style="text-align: justify; "><b>ગોલકીપિંગમાં મોહિત અને સૂરજનો સમાવેશ</b></h4><p style="text-align: justify; ">ગોલકીપિંગ વિભાગમાં મોહિત એચએસ અને સૂરજ કરકેરાનો સમાવેશ થાય છે, જ્યારે ડિફેન્સિવ યુનિટમાં જર્મનપ્રીત સિંહ, કેપ્ટન હરમનપ્રીત, અમિત રોહિદાસ, જુગરાજ સિંહ, સંજય, સુમિત અને યશદીપ સિવાચનો સમાવેશ થાય છે. મિડફિલ્ડનું નેતૃત્વ મનપ્રીત, હાર્દિક સિંહ અને વિવેક સાગર પ્રસાદ, નીલકંઠ શર્મા અને આશાસ્પદ યુવા ખેલાડીઓ રાજિન્દર સિંહ અને આદિત્ય અર્જુન લાલગે કરશે. આક્રમણની જવાબદારી મનદીપ સિંહ, દિલપ્રીત સિંહ, અભિષેક, સુખજીત સિંહ અને શિલાનંદ લાકરા સંભાળશે.</p><p style="text-align: justify; "><a href="https://x.com/TheHockeyIndia/status/2079454470547947669?s=20" target="_blank">https://x.com/TheHockeyIndia/status/2079454470547947669?s=20</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ઇંગ્લેન્ડ, પાકિસ્તાન અને વેલ્સની સાથે પૂલ ડીમાં સ્થાન મેળવનાર ભારત, નેધરલેન્ડ્સના એમ્સ્ટલવીનમાં તેની બધી પૂલ-સ્ટેજ મેચ રમશે. મુખ્ય કોચ ફુલ્ટને કહ્યું, પ્રેસ, કાઉન્ટર, પર્ફોર્મન્સ એ ફક્ત અમારી વ્યૂહાત્મક ઓળખ નથી; તે આ જૂથ દરરોજ કેવી રીતે તાલીમ આપે છે અને વિચારે છે તેના વિશે પણ છે. આપણે આપણી જાતથી આગળ નથી વધી રહ્યા&nbsp; એક સમયે એક રમત, બધું જ લાઇન પર મૂકી રહ્યા છીએ, તે માનસિકતા છે જે આપણે દરેક મેચમાં અપનાવી રહ્યા છીએ.</p><h5 style="text-align: justify; "><b>ભારત 15 ઓગસ્ટે અભિયાન શરૂ કરશે</b></h5><p style="text-align: justify; ">ભારત 15 ઓગસ્ટે વેલ્સ સામે પોતાનું અભિયાન શરૂ કરશે, ત્યારબાદ 17 ઓગસ્ટે ઈંગ્લેન્ડ અને 19 ઓગસ્ટે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રમશે, જે પૂલ સ્ટેજની સૌથી અપેક્ષિત મેચ છે. 1975 વર્લ્ડ કપ જીતના પચાસ વર્ષ પછી આ જૂથ પાસે ભારતીય હોકી ઇતિહાસમાં પોતાનો અધ્યાય લખવાની તક છે, અને અમે તેના માટે ખૂબ જ ઉત્સાહિત છીએ.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/lionel-messi-heartbreak-messi-broke-his-silence-after-losing-in-the-final-saying-this-big-thing" target="_blank"> Lionel Messi heartbreak : ફાઇનલમાં હાર બાદ મેસ્સીએ મૌન તોડ્યું, કહી આ મોટી વાત</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/AlUe6i2EaTqLxWn7wy7869U96l54gE2UbiMlcrnf.webp'/></item></channel></rss>