<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Indo-MIM IPO : શેરબજારમાં આ કંપનીનું શાનદાર લિસ્ટિંગ, પ્રથમ દિવસે જ રોકાણકારોના પૈસામાં 50 ટકાનો વધારો ]]></title><link>https://sandesh.com/business/news/indo-mim-ipo-share-listing-investors-gain-50-percent</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/indo-mim-ipo-share-listing-investors-gain-50-percent</guid><pubDate>Thu, 30 Jul 2026 15:47:17 +05:30</pubDate><description><![CDATA[<p>એન્જિનિયરિંગ ક્ષેત્ર માટે ખાસ મેટલ પાર્ટ્સ બનાવતી કંપની ઈન્ડો-એમઆઈએમ (Indo-MIM)એ શેરબજારમાં શાનદાર શરૂઆત કરી છે. કંપનીનો શેર IPOના ઈશ્યૂ પ્રાઈસ ₹485 સામે બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર સીધો ₹703 પર લિસ્ટ થયો હતો, એટલે કે રોકાણકારોને પહેલા જ દિવસે આશરે 45 ટકા જેટલો જંગી નફો મળ્યો. લિસ્ટિંગ બાદ શેરમાં વધુ તેજી જોવા મળી અને તે દિવસ દરમિયાન લગભગ ₹757.75 સુધી પહોંચ્યો હતો. બપોરે 3 વાગ્યે શેર લગભગ ₹742ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.</p><h2><b>ઈશ્યૂને 72.34 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું</b></h2><p>કંપનીના IPOને મળેલા જબરદસ્ત પ્રતિસાદથી જ તેના મજબૂત લિસ્ટિંગના સંકેતો મળી ગયા હતા. IPOના છેલ્લા દિવસે આ ઈશ્યૂને 72.34 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું, જે રોકાણકારોના ભારે વિશ્વાસને દર્શાવે છે. કંપનીએ IPO માટે પ્રતિ શેર ₹461થી ₹485ની પ્રાઈસ બેન્ડ નક્કી કરી હતી. સફળ લિસ્ટિંગ બાદ કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન ₹35,132 કરોડથી વધુ પહોંચી ગયું છે.</p><h3><b>કંપનીએ ₹500 કરોડના નવા શેર ઈશ્યુ કરીને ભંડોળ એકત્ર કર્યું</b></h3><p>IPO મારફતે કંપનીએ ₹500 કરોડના નવા શેર ઈશ્યુ કરીને ભંડોળ એકત્ર કર્યું છે. ઉપરાંત, હાલના શેરધારકોએ ઓફર ફોર સેલ (OFS) હેઠળ લગભગ 6.83 કરોડ શેરોનું વેચાણ કર્યું છે. કંપનીના મેનેજમેન્ટ અનુસાર નવા ભંડોળમાંથી ₹400 કરોડનો ઉપયોગ બેંકના જૂના દેવા ચૂકવવા માટે કરવામાં આવશે, જ્યારે બાકીની રકમ બિઝનેસના વિસ્તરણ અને અન્ય કામગીરીમાં ખર્ચાશે. દેવું ઘટવાથી કંપનીની નાણાકીય સ્થિતિ વધુ મજબૂત બનવાની અપેક્ષા છે.</p><h4><b>એન્જિનિયરિંગ પાર્ટ્સ બનાવે છે કંપની&nbsp;</b></h4><p>1996માં સ્થાપિત બેંગલુરુ સ્થિત ઇન્ડો-એમઆઈએમ મેટલ ઈન્જેક્શન મોલ્ડિંગ (MIM) ટેક્નોલોજી દ્વારા ઉચ્ચ ગુણવત્તાવાળા અને ચોકસાઈ ધરાવતા એન્જિનિયરિંગ પાર્ટ્સ બનાવે છે. કંપની ઉત્પાદનથી લઈને સંપૂર્ણ મેન્યુફેક્ચરિંગ સોલ્યુશન્સ પૂરા પાડે છે. લાંબા અનુભવ, આધુનિક ટેક્નોલોજી અને મજબૂત બિઝનેસ મોડલને કારણે કંપનીને રોકાણકારોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે.</p><p><b><a href="https://sandesh.com/business/news/bajaj-housing-finance-q1-results-profit-715-crore" target="_blank">આ પણ વાંચો : Bajaj Housing Finance Q1 Results : બજાજ ગ્રુપની કંપનીને થયો 715નો નફો, શેર પર જોવા મળશે અસર</a></b></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p><p><b><br></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/5ghKSdl3VuW0fRciEH5l5RcljgXyGV0NcoMYrXee.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના ચાંદખેડામાં 'દૂધ નથી' કહેતા લુખ્ખાનો આતંક, પ્રોવિઝન સ્ટોરમાં ઘૂસી ધારદાર હથિયાર બતાવી મચાવી તોડફોડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/in-chandkheda-ahmedabad-a-thug-saying-no-milk-entered-a-provision-store-and-vandalized-it-by-brandishing-a-sharp-weapon</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/in-chandkheda-ahmedabad-a-thug-saying-no-milk-entered-a-provision-store-and-vandalized-it-by-brandishing-a-sharp-weapon</guid><pubDate>Thu, 30 Jul 2026 15:46:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે, જ્યાં માત્ર 'દૂધ નથી' તેવી નજીવી બાબતે એક લુખ્ખાએ ભાન ભૂલીને ભારે આતંક મચાવ્યો હતો. ચાંદખેડા ખાતે આવેલા એક પ્રોવિઝન સ્ટોર પર ગ્રાહક તરીકે આવેલા શખ્સે દૂધ માંગ્યું હતું, પરંતુ વેપારીએ દૂધ હાજર ન હોવાનું જણાવતા જ આ લુખ્ખો ઉશ્કેરાઈ ગયો હતો. સામાન્ય વાતમાં ઉગ્ર બનેલા આ શખ્સે દુકાનમાં ઘૂસીને ધમાલ મચાવવાનું શરૂ કર્યું હતું અને વેપારી સાથે ગાળાગાળી કરી હોબાળો મચાવ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>ફ્રિજ પાડી દઈ જાનથી મારવાની આપી ધમકી</b></h2><p style="text-align: justify; ">આ ગુંડાગીરી દરમિયાન આરોપી પોતાના હાથમાં છરા જેવું ધારદાર હથિયાર લઈને દુકાનમાં ત્રાટક્યો હતો. તેણે દુકાનમાં મૂકેલું ફ્રિજ નીચે પાડી દીધું હતું અને કરિયાણાનો કિંમતી સામાન રસ્તા પર ફેંકી દઈ ભારે તોડફોડ કરી હતી. લુખ્ખાએ કરેલી આ તોડફોડના કારણે વેપારીને આશરે 25 હજાર રૂપિયાનું મોટું આર્થિક નુકસાન પહોંચ્યું હતું. આટલેથી ન અટકતા, આ તત્વે વેપારી ભાઈઓને ધારદાર હથિયાર બતાવી સરેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.</p><h3 style="text-align: justify; "><b>આરોપી વિરુદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ</b></h3><p style="text-align: justify;">દુકાનમાં તોડફોડ અને ધમકીની આ સમગ્ર ઘટના બાદ પીડિત વેપારી દ્વારા તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આરોપી મેહુલ કનુભાઈ ઝાપડીયા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે વેપારીની ફરિયાદના આધારે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વેપારીઓને ધમકી આપી આતંક મચાવનાર આરોપી મેહુલ ઝાપડીયાને ઝડપી પાડવા માટે આગળની તપાસ શરૂ કરી છે.</p><p style="text-align: justify;"><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/KqwVMeQmL6CIlbEd6miPWJE7lPbKzCqf4mTyRXEe.webp'/></item><item><title><![CDATA[TMKOC : જેઠાલાલ નહીં, સુંદરલાલ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સૌથી મોંઘા એક્ટર! ]]></title><link>https://sandesh.com/entertainment/news/tmkoc-sundarlal-highest-paid-actor</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/tmkoc-sundarlal-highest-paid-actor</guid><pubDate>Thu, 30 Jul 2026 15:46:08 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સિટકોમ ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સૌથી વધુ ફી લેવાના મામલે જેઠાલાલ સૌથી આગળ છે. તેઓ આ શોના સૌથી મોંઘા અભિનેતા છે. અહેવાલો અનુસાર, તેઓ દરેક એપિસોડ માટે 1.5-2 લાખ રૂપિયા ફી લે છે. જોકે, તાજેતરમાં મયૂર વાકાણીએ કહ્યું છે કે તેઓ આ શોના સૌથી મોંઘા અભિનેતા છે. મયૂર આ શોમાં જેઠાલાલના સાળા એટલે કે દયાના ભાઈનું પાત્ર ભજવે છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>જેઠાલાલ કરતાં મયૂરની ફી ઓછી, પરંતુ નિર્માતાઓ માટે વધુ ખર્ચાળ</b></h2><p style="text-align: justify; ">જેઠાલાલની સરખામણીમાં મયૂરની ફી તો ઘણી ઓછી હશે, પરંતુ તેણે સમજાવ્યું છે કે આખરે તે નિર્માતાઓ માટે કેવી રીતે મોંઘા સાબિત થાય છે. હકીકતમાં, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં મુંબઈની ગોકુલધામ સોસાયટીની કહાની બતાવવામાં આવે છે. શોનું શૂટિંગ પણ મુંબઈમાં જ થાય છે. જોકે, મયૂર શોની જેમ વાસ્તવિક જીવનમાં પણ અમદાવાદમાં રહે છે. શોમાં તેમનું પાત્ર હંમેશાં નહીં, પરંતુ ક્યારેક કહાનીની જરૂરિયાત પ્રમાણે જોવા મળે છે. જ્યારે પણ તેમના પાત્રની જરૂર પડે છે, ત્યારે પ્રોડક્શન ટીમ પોતાના ખર્ચે તેમને અમદાવાદથી મુંબઈ બોલાવે છે. એક સીન માટે પણ તેમને ફ્લાઇટ દ્વારા બોલાવવામાં આવે છે અને ફ્લાઇટથી જ પરત મોકલવામાં આવે છે. મયૂરનું કહેવું છે કે આ રીતે તેઓ પ્રોડક્શન માટે મોંઘા અભિનેતા બની જાય છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbWbNcxRKjB/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbWbNcxRKjB/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbWbNcxRKjB/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbWbNcxRKjB/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h2 style="text-align: justify; "><b>નિર્માતાઓએ ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું</b></h2><p style="text-align: justify; ">28 જુલાઈએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને શરૂ થયાને 18 વર્ષ પૂર્ણ થયા છે. આ ખાસ અવસરની ઉજવણી કરવા માટે નિર્માતાઓએ એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં સુંદરલાલ, જેઠાલાલ સહિત અનેક પાત્રો ભજવનારા કલાકારો સામેલ થયા હતા. આ દરમિયાન મયૂરે પોતાને શોના સૌથી મોંઘા અભિનેતા ગણાવ્યા હતા.</p><h4 style="text-align: justify; "><b>મયૂર વાકાણીએ શું કહ્યું?</b></h4><p style="text-align: justify; ">શોમાં ઘણીવાર બતાવવામાં આવે છે કે સુંદરલાલ પોતાના બનેવી જેઠાલાલને પૈસાની બાબતમાં છેતરતો રહે છે. શોની આ જ વાતનો ઉલ્લેખ કરતાં મયૂર વાકાણીએ કહ્યું, જેઠાલાલ કરતાં વધુ ચુનો તો મેં અસિત ભાઈ (નિર્માતા)ને લગાવ્યો છે. પ્રોડક્શનના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો સૌથી મોંઘો અભિનેતા હું છું, કારણ કે એક શોટ માટે પણ મને ફ્લાઇટથી બોલાવવામાં આવે છે અને ફ્લાઇટથી જ પરત મોકલવામાં આવે છે. મયૂરે 18 વર્ષ સુધી શોને પ્રેમ આપવા બદલ ફેન્સનો આભાર પણ માન્યો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/ramayana-trailer-sunny-deol-hanuman-missing" target="_blank">આ પણ વાંચો-Big Budget Movie : હનુમાન ક્યાં છે? રણબીર-યશની રામાયણમાં સની દેઓલ ન દેખાતા ફેન્સ નિરાશ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/FHkchUsGFtmcjXcON6S6dv4F4M17BR9e7W2vAb73.webp'/></item><item><title><![CDATA[Tapi News : નેશનલ હાઈવે 53 અને સર્વિસ રોડની દયનીય સ્થિતિ, ઠેર-ઠેર ખાડાઓનું સામ્રાજ્ય, વાહનચાલકોમાં રોષ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/tapi/tapi-news-poor-condition-of-nh-53-and-service-roads-potholes-everywhere</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/tapi/tapi-news-poor-condition-of-nh-53-and-service-roads-potholes-everywhere</guid><pubDate>Thu, 30 Jul 2026 15:41:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">તાપી જિલ્લામાંથી પસાર થતો મહત્વનો નેશનલ હાઇવે-53 હાલમાં અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. ચોમાસાના વરસાદ બાદ હાઇવે પર ઠેર-ઠેર મોટા મોટા ખાડાઓ પડી જતાં આખો રોડ ખાડારાજમાં ફેરવાઈ ગયો છે. એટલું જ નહીં, હાઇવેની સાથે જોડાયેલા સર્વિસ રોડની હાલત પણ ખૂબ જ બદતર બની ચૂકી છે, જેના કારણે દરરોજ અહીંથી પસાર થતાં હજારો વાહનચાલકો અને સ્થાનિકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>ખાડાઓથી બચવા રોંગ સાઇડ ડ્રાઇવિંગ, અકસ્માતોનું જોખમ વધ્યું</b></h2><p style="text-align: justify; ">રસ્તા પર પડેલા ઊંડા ખાડાઓના કારણે વાહનોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. આ ખાડાઓથી બચવા માટે વાહનચાલકો મજબૂરીવશ પોતાના વાહનો રોંગ સાઇડમાં ચલાવવા માટે પ્રેરાઈ રહ્યા છે. હાઇવે પર સામસામે અને રોંગ સાઇડમાં આવતા વાહનોના કારણે નાના-મોટા અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે, જે ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે છે.</p><h2 style="text-align: justify; "><b>ત્રાહિમામ પોકારી ગયેલા લોકોની સત્વરે સમારકામ કરવાની માંગ</b></h2><p style="text-align: justify; ">હાઇવેની આ દયનીય સ્થિતિને કારણે સ્થાનિકો અને વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. રસ્તા પરથી પસાર થવું એટલે જીવના જોખમે પ્રવાસ કરવા સમાન બની ગયું છે. ચોમાસાની ઋતુમાં માર્ગ વધુ ખરાબ થાય તે પહેલાં નેશનલ હાઇવે ઓથોરિટી અને સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ બિસ્માર રસ્તાનું તથા સર્વિસ રોડનું યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી લોક માંગણી બુલંદ બની છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/monsoon-2026-cms-big-order-due-to-threat-of-rain-vacations-of-officials-cancelled-ndrf-sdrf-ready-1" target="_blank">Monsoon 2026 : વરસાદના ખતરાને પગલે CM નો મોટો આદેશ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF તૈયાર</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/su8aOh28PETsuRcIMh6osq7TZKCwyiFCMAUu97MF.webp'/></item><item><title><![CDATA[E20 : એન્જિન બચાવવાની દોડ, E20ની ચિંતાઓ વચ્ચે ઇથેનોલ ફ્રી પેટ્રોલના વેચાણમાં વધારો ]]></title><link>https://sandesh.com/india/news/e20-race-to-save-engines-ethanol-free-petrol-sales-increase-amid-e20-concerns</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/e20-race-to-save-engines-ethanol-free-petrol-sales-increase-amid-e20-concerns</guid><pubDate>Thu, 30 Jul 2026 15:29:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતમાં E20 પેટ્રોલ વાહનના એન્જિન અને ઇંધણ પ્રણાલીને નુકસાન પહોંચાડી શકે છે તેવી વધતી શંકાઓ અને ચિંતાઓ વચ્ચે ઇથેનોલ-મુક્ત પ્રીમિયમ પેટ્રોલનું વેચાણ બમણું થઈ ગયું છે. વાહન માલિકો હવે એન્જિનની લાંબી આયુ, કાટ સામે રક્ષણ અને ઉત્તમ પ્રદર્શન માટે પરંપરાગત ઇંધણના બદલે હાઇ-ઓક્ટેન ઇથેનોલ-મુક્ત વિકલ્પો તરફ વળી રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>ઇથેનોલ મિશ્રણને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચાએ જોર પકડ્યું</b></h2><p style="text-align: justify; ">તાજેતરના મહિનાઓમાં 100-ઓક્ટેન પ્રીમિયમ પેટ્રોલનું વેચાણ બે ગણાથી વધુ નોંધાયું છે. વિશેષ વાત એ છે કે આ એકમાત્ર એવું ઇંધણ છે જેમાં કોઈપણ પ્રકારનું ઇથેનોલ મિશ્રણ કરવામાં આવતું નથી. જુલાઈ મહિનામાં જ્યારે ઇથેનોલ મિશ્રણને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી હતી, ત્યારે તેની માંગમાં અચાનક મોટો ઉછાળો જોવા મળ્યો હતો. દેશની સરકારી તેલ માર્કેટિંગ કંપનીઓ આ ઇંધણ અલગ-અલગ બ્રાન્ડ હેઠળ વેચે છે, જેમાં આઈઓસીએલ (IOCL) નું XP100, બીપીસીએલ (BPCL) નું Speed100 અને એચપીસીએલ (HPCL) નું Power100 સામેલ છે. મૂળભૂત રીતે આ ઇંધણ સુપરકાર, લક્ઝરી સેડાન અને હાઈ-પરફોર્મન્સ સુપરબાઇક માટે બનાવવામાં આવ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>ઊંચી કિંમત અને મર્યાદિત ઉપલબ્ધતા</b></h3><p style="text-align: justify; ">આ ઇંધણની માંગ વધી હોવા છતાં તે દેશના કુલ પેટ્રોલ વેચાણના માત્ર 0.1 ટકા જ છે, કારણ કે તેની કિંમત સામાન્ય પેટ્રોલ કરતા ઘણી વધારે છે. દિલ્હીમાં ઇથેનોલ-મુક્ત 100-ઓક્ટેન પેટ્રોલની રિટેલ કિંમત આશરે 160 રૂપિયા પ્રતિ લીટર છે, જે સામાન્ય પેટ્રોલ કરતા આશરે 57% મોંઘી છે. મુંબઈમાં પણ તેની કિંમત આશરે 167 રૂપિયા પ્રતિ લીટર આસપાસ ચાલી રહી છે. ઓછી માંગ અને ઊંચી કિંમતને કારણે આ ઇંધણ દેશના 1 ટકાથી પણ ઓછા પેટ્રોલ પંપ પર અને મોટાભાગે ફક્ત મોટા શહેરોમાં જ ઉપલબ્ધ છે.</p><h4 style="text-align: justify; "><b>સરકારનું વલણ અને નિષ્ણાતોનો અભિપ્રાર</b></h4><p style="text-align: justify; ">સરકારી અધિકારીઓનું માનવું છે કે માંગમાં થયેલો આ વધારો કામચલાઉ છે અને ચિંતાઓ ઓછી થતાં વેચાણ સામાન્ય થઈ જશે. સરકારે અગાઉ સ્પષ્ટ કર્યું છે કે E20 મિશ્રણ ૨૦%થી વધુ વધારવાનો કે ફરીથી E0 કે E10 પેટ્રોલ પાછું લાવવાનો કોઈ પ્રસ્તાવ નથી. ૧૦૦-ઓક્ટેન પેટ્રોલ એન્જિન નોકિંગ અટકાવવામાં મદદરૂપ છે, પરંતુ તેની વધુ કિંમતને કારણે તે આર્થિક રીતે સામાન્ય વાહનચાલકો માટે પરવડે તેમ નથી. હાલમાં E20 પેટ્રોલના કારણે માઇલેજમાં ૩ થી ૫ ટકાનો ઘટાડો થતો હોવાની સ્વીકૃતિ વચ્ચે વાહન માલિકો એન્જિનની સુરક્ષાને પ્રાથમિકતા આપી રહ્યા છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/world/news/knowledge/-us-city-bans-toilet-flushing-bathing-water-plant-failure" target="_blank">આ પણ વાંચોઃ હાથ ન ધોવો, બાથ ન લેશો એટલું જ નહીં ટોઇલેટ પણ ન જાવ...અહિંયા જાહેર કરાયો વિચિત્ર આદેશ!</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/FxwG23bTouaIuAy7qbbQFnH8WNEt2Xq42POYQYT3.webp'/></item><item><title><![CDATA[Anand Rain Update: જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, 39 ગામોને અપાયું એલર્ટ ]]></title><link>https://sandesh.com/weather/monsoon-2026/news/anand/rain-update-alert-district-collector-high-alert</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/monsoon-2026/news/anand/rain-update-alert-district-collector-high-alert</guid><pubDate>Thu, 30 Jul 2026 15:27:37 +05:30</pubDate><description><![CDATA[<p>આણંદ જિલ્લામાં આગામી કલાકો દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાને પગલે હવામાન વિભાગ દ્વારા 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. મેઘરાજાના આક્રમક એંધાણ વચ્ચે જિલ્લા કલેક્ટરે સમગ્ર વહીવટી તંત્રને સાબદા થઈ જવાની સૂચના આપી છે અને હાઈએલર્ટ મોડ પર મૂકી દીધું છે.</p><h2><b>મહી અને સાબરમતી કાંઠાના 39 ગામોને એલર્ટ</b></h2><p>વરસાદી સ્થિતિ અને નદીઓમાં પાણીની આવક વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને મહી અને સાબરમતી નદીના કિનારે આવેલા 39 ગામોના લોકોને વિશેષ સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે. સલામતીના ભાગરૂપે 30 જુલાઈના રોજ કાંઠાળ વિસ્તારોમાં સાયરન ટેસ્ટિંગ પણ કરવામાં આવશે, જેથી કટોકટીના સમયે ગ્રામજનોને તાત્કાલિક સાવધ કરી શકાય.</p><h2><b>સરકારી અધિકારીઓની રજાઓ રદ</b></h2><p>આણંદ જિલ્લામાં કોઈ પણ આફતને પહોંચી વળવા અને રાહત-બચાવ કામગીરી સીમલેસ ચાલે તે માટે કલેક્ટરે તાત્કાલિક અસરથી જિલ્લાના તમામ સરકારી અધિકારીઓ તેમજ કર્મચારીઓની રજાઓ રદ કરી દીધી છે. તમામ કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા અને પોતાની ફરજ પર હજાર રહેવા સખત આદેશો આપવામાં આવ્યા છે.</p><h2><b>આશ્રય સ્થાનો તૈયાર અને શાળા-કોલેજો અંગે નિર્ણય</b></h2><p>નીચાણવાળા અને પૂરના જોખમ ધરાવતા વિસ્તારોમાંથી નાગરિકોનું સુરક્ષિત સ્થળાંતર કરી શકાય તે માટે આશ્રય સ્થાનો પૂર્વતૈયારીના ભાગરૂપે સજ્જ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવી કે નહીં તે અંગેનો આખરી નિર્ણય 30 જુલાઈની સાંજે લેવામાં આવશે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2082765366745497621"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>નાગરિકો અને પશુપાલકો માટે કલેક્ટરની અપીલ</b></h2><p>આણંદ જિલ્લા કલેક્ટરે વાવાઝોડા અને ભારે વરસાદ દરમિયાન મોટા ઝાડ, સાઈન બોર્ડ કે હોર્ડિંગ્સથી દૂર રહેવા સ્પષ્ટ સૂચના આપી છે. નાગરિકોને નદી, તળાવ કે ભરાયેલા પાણી નજીક ન જવાની સલાહ આપવામાં આવી છે. પશુપાલકોને પોતાના પશુઓને નીચાણવાળા વિસ્તારમાંથી ખસેડીને સલામત અને ઊંચાણવાળા સ્થળે લઈ જવા અપીલ કરાઈ છે. કલેક્ટરે "સતર્ક રહીએ, સુરક્ષિત રહીએ" નો સંદેશ આપી સૌને સહયોગ આપવા વિનંતી કરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/weather/monsoon-2026/news/gujarat/ahmedabad/gujarat-weather-update-rain-forecast" target="_blank">Gujarat Weather Update: સાંજના 4 વાગ્યા સુધીમાં આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, હવામાન વિભાગે કરી આગાહી</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/N3hD0dTBvCKlAAvexp0QhA8JAfIHHHtHE8O9WjdB.webp'/></item><item><title><![CDATA[Mehbooba Mufti on PoK: મહબૂબા મુફ્તીએ કહ્યું, પોતાના જ લોકો પર ગોળીબાર બંધ કરે પાકિસ્તાન, પાડોશી દેશમાં ગરમાયુ રાજકારણ ]]></title><link>https://sandesh.com/india/news/political-news/mehbooba-mufti-on-pok-mehbooba-mufti-said-pakistan-should-stop-firing-on-its-own-people-politics-heated-up-in-the-neighboring-country</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/political-news/mehbooba-mufti-on-pok-mehbooba-mufti-said-pakistan-should-stop-firing-on-its-own-people-politics-heated-up-in-the-neighboring-country</guid><pubDate>Thu, 30 Jul 2026 15:27:07 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">મહેબૂબા મુફ્તીએ કાશ્મીરીઓ સામે પાકિસ્તાન સરકારની કાર્યવાહી પર સવાલ ઉઠાવી પ્રહાર કર્યા છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">મહેબુબા મુફ્તીએ કાર્યવાહીની નિંદા કરી</h2><p style="text-align: justify; ">મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, કાશ્મીરના અન્ય ભાગોમાં LoC પારથી બહાર આવતી તસવીરો હૃદયદ્રાવક છે. શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ સામે બળનો આ ઉપયોગ દુ:ખદ છે. મુફ્તીએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું છે કે, પાકિસ્તાની સરકારે માનવતાવાદી અને વાતચીતલક્ષી અભિગમ અપનાવવો જોઈતો હતો. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રદર્શનકારીઓની માંગણીઓ કાયદેસર છે અને તેમને સાંભળવા જોઈએ.</p><h3 style="text-align: justify; ">મુફ્તીએ કાશ્મીરીઓના અધિકારો વિશે વાત કરી</h3><p style="text-align: justify; ">તેણીએ આગળ લખ્યું, "કોઈ પણ રાષ્ટ્ર પોતાના લોકોના અવાજને બળનો ઉપયોગ કરીને દબાવીને મજબૂત બનતું નથી. સરકારે આ કાર્યવાહી બંધ કરવી જોઈએ અને શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર બંધ કરવો જોઈએ." મુફ્તીએ વધુમાં કહ્યું કે કાશ્મીરીઓ પણ આદર અને ન્યાયના હકદાર છે, અને તેમના અવાજોને દબાવવા નહીં, સાંભળવા જોઈએ.</p><h4 style="text-align: justify; ">શુ છે સમગ્ર મામલો ?&nbsp;</h4><p style="text-align: justify; ">નોંધનીય છે કે પીઓકેમાં 27 જુલાઈએ વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, અને સ્થાનિક લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે. સૌથી મોટો વિવાદ અહીંની 12 અનામત બેઠકો પર છે. લોકોનો આરોપ છે કે પીઓકે વિધાનસભામાં શરણાર્થીઓ માટે અનામત 12 બેઠકોનો ઉપયોગ કઠપૂતળી સરકાર લાદવા માટે થઈ રહ્યો છે. આનાથી પીઓકેમાં પાકિસ્તાન સરકાર અને સૈન્ય સામે લોકોનો ગુસ્સો ભડકી રહ્યો છે. સ્થાનિક લોકો મોટી સંખ્યામાં વિરોધ કરવા માટે રસ્તાઓ પર ઉતરી રહ્યા છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/pakistan-violence-2026-more-than-1400-deaths-in-violence-from-pok-to-balochistan-india-said-this-is-the-result-of-pakistani-oppression" target="_blank">PoKથી બલૂચિસ્તાન સુધી હિંસામાં 1400થી વધુના મોત, ભારતે કહ્યું, આ પાકિસ્તાની દમનનું પરિણામ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/sryG9fnr6RSgT82JPFkeGOjHHWJSi8sn2KOemPuq.webp'/></item><item><title><![CDATA[Monsoon 2026 : વરસાદના ખતરાને પગલે CM નો મોટો આદેશ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF તૈયાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/monsoon-2026-cms-big-order-due-to-threat-of-rain-vacations-of-officials-cancelled-ndrf-sdrf-ready-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/monsoon-2026-cms-big-order-due-to-threat-of-rain-vacations-of-officials-cancelled-ndrf-sdrf-ready-1</guid><pubDate>Thu, 30 Jul 2026 15:10:28 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બંગાળની ખાડીમાં સર્જાયેલું સર્ક્યુલેશન હવે ડિપ્રેશનમાં ફેરવાઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેને પગલે રાજ્યમાં આગામી કલાકોમાં આફતનો વરસાદ વરસવાની શક્યતા છે. રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ સત્તાવાર નિવેદન આપતાં જણાવ્યું છે કે આજે રાત્રે અને આવતીકાલે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. ખાસ કરીને ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વલસાડ અને નવસારી સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી અત્યંત સાવચેત રહેવા નિર્દેશ આપવામાં આવ્યા છે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2082752333042372640"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2 style="text-align: justify; "><b>મુખ્યમંત્રીના આદેશથી અધિકારીઓની રજાઓ રદ</b></h2><p style="text-align: justify; ">પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને મુખ્યમંત્રીના આદેશથી તમામ જવાબદાર અધિકારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે. એસીએસ (મહેસૂલ) દ્વારા તમામ જિલ્લા કલેક્ટરો સાથે બેઠક યોજીને પૂરતી સજ્જતા કેળવવા આદેશ અપાયા છે. જરૂર પડે ત્યાં નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા (સ્થળાંતર કરવા) અને સ્થાનિક સ્થિતિ મુજબ શાળાઓમાં રજા જાહેર કરવા માટે જિલ્લા કલેક્ટરોને સત્તા આપી દેવામાં આવી છે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2082737410216235491"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2 style="text-align: justify; "><b>સેના, એરફોર્સ, NDRF અને SDRF અલર્ટ મોડ પર</b></h2><p style="text-align: justify; ">કોઈપણ ઈમરજન્સી કે કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. વિવિધ સંવેદનશીલ જિલ્લાઓમાં એનડીઆરએફ (NDRF) અને એસડીઆરએફ (SDRF)ની ટીમો તૈનાત (ડિપ્લોય) કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, પૂરના પાણીમાં ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવા માટે એરફોર્સના ચોપર્સ અને આર્મીની કોલમ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જેથી બચાવ અને રાહત કામગીરી વહેલી તકે શરૂ કરી શકાય.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/vadodara/vadodara-news-system-prepared-in-view-of-possibility-of-heavy-rain-collector-orders-schools-to-remain-closed" target="_blank">Vadodara News : ભારે વરસાદની શક્યતાને પગલે તંત્ર સજ્જ, શાળાઓ બંધ રાખવા કલેક્ટરનો આદેશ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/Q07tNWVJiyUSrL8w0zX0889t6AQLpam49jaHWgFX.webp'/></item><item><title><![CDATA[Rajkot News: ઋષિકેશ સોસાયટીમાં નવો વિવાદ, કોર્પોરેટરે કહ્યું- 'પાણી ભરાય છે, એમાં સ્થાનિકોનો જ વાંક છે' ]]></title><link>https://sandesh.com/weather/monsoon-2026/news/gujarat/rajkot/rhishikesh-society-road-controversy-corporator-sanjaysinh-rana-statement</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/monsoon-2026/news/gujarat/rajkot/rhishikesh-society-road-controversy-corporator-sanjaysinh-rana-statement</guid><pubDate>Thu, 30 Jul 2026 14:40:11 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ શહેરની ઋષિકેશ સોસાયટીમાં વિકાસના કામોને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. સોસાયટીમાં લાંબા સમયથી રોડ-રસ્તાનું કામ અટકેલું હોવાથી સ્થાનિક રહીશો દ્વારા પોતાના વિસ્તારના કોર્પોરેટર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. સ્થાનિકોના વિરોધ વચ્ચે આ મામલે કોર્પોરેટર સંજયસિંહ રાણાએ આપેલું ખુલાસો ચોંકાવનારો છે.</p><h2><b>યુદ્ધના કારણે ડામરની અછત હોવાનો કોર્પોરેટરનો દાવો</b></h2><p>રોડ ના બનવા પાછળ સ્થાનિક કોર્પોરેટર સંજયસિંહ રાણાએ એવું વિચિત્ર નિવેદન આપ્યું છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા યુદ્ધના કારણે હાલમાં ડામરની ભારે અછત સર્જાઈ છે. ડામર ન મળવાના કારણે જ ઋષિકેશ સોસાયટીમાં રોડ બનાવવાનું કામ વિલંબિત થઈ રહ્યું હોવાનું સ્પષ્ટતા આપતા તેમણે જણાવ્યું હતું. કોર્પોરેટરના આ નિવેદન બાદ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.</p><h2><b>‘પાણી ભરાવા પાછળ લોકોનો જ દોષ’: કોર્પોરેટર સંજયસિંહ રાણા</b></h2><p>ચોમાસા દરમિયાન સોસાયટીમાં થતા જળબંબારામ અને પાણી ભરાવાની સમસ્યા અંગે પણ કોર્પોરેટરે સ્થાનિકોને જ જવાબદાર ઠેરવ્યા છે. સંજયસિંહ રાણાના જણાવ્યા મુજબ, સ્થાનિક લોકો જાતે જ પોતાના ઘરની આગળ માટી પાથરી દે છે, જેના કારણે અન્ય જગ્યાઓ પર પાણીનો નિકાલ રોકાઈ જાય છે અને પાણી ભરાઈ રહે છે. તેમણે દાવો કર્યો હતો કે, પાણી ભરાવાની સમસ્યા પાછળ લોકોનો જ દોષ છે.</p><h2><b>લાખોના ખર્ચે પથરાયેલી મોરમ ગાયબ, સ્થાનિકોમાં ભારે રોષ</b></h2><p>બીજી તરફ, સોસાયટીના રહીશોનો આક્ષેપ છે કે, લોકોના લાખો રૂપિયાના ખર્ચે જે મોરમ પથરાવવામાં આવી હતી, તે પણ કેટલીક જગ્યાએથી ગાયબ થઈ ગઈ છે અને રસ્તાઓ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા છે. એક તરફ પાણી ભરાવાની સમસ્યા અને બીજી તરફ બિસ્માર રસ્તાઓને કારણે સોસાયટીના રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-news-leopard-terror-in-bhoyra-village-of-vinchiya-killed-6-sheep-and-1-calf-in-a-single-night" target="_blank">Rajkot News : વિંછીયાના ભોયરા ગામમાં દીપડાનો આતંક, એક જ રાતમાં 6 ઘેટાં અને 1 વાછરડીનું મારણ કર્યું</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/3ls7f164xHU46gfw5OMlcqORcRXczmfmL8dUFuaU.webp'/></item><item><title><![CDATA[Indian Hockey Team : વાદળીમાંથી કેસરી થઈ હોકી ટીમની જર્સી, હોકી ઈન્ડિયાએ આપ્યો જવાબ! ]]></title><link>https://sandesh.com/sports/news/indian-hockey-team-saffron-jersey-change</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/indian-hockey-team-saffron-jersey-change</guid><pubDate>Thu, 30 Jul 2026 14:17:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય પુરુષ અને મહિલા હોકી ટીમો આગામી મહિને નેધરલેન્ડ્સ અને બેલ્જિયમમાં યોજાનારા FIH વિશ્વ કપમાં પરંપરાગત વાદળી જર્સી નહીં, પરંતુ કેસરી રંગની જર્સી પહેરશે. આ નિર્ણયને લઈને ચર્ચા ચાલી રહી છે. હવે હોકી ઈન્ડિયાએ આ નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું છે કે આખરે જર્સીનો રંગ બદલવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો.</p><h2 style="text-align: justify; "><b>સપોર્ટ સ્ટાફ અને ખેલાડીઓની સલાહ બાદ લેવાયો નિર્ણય</b></h2><p style="text-align: justify; ">હોકી ઈન્ડિયાએ આ અંગે જણાવ્યું, અમે તમને જણાવવા માગીએ છીએ કે જર્સીનો રંગ બદલવાનો નિર્ણય સપોર્ટ સ્ટાફ અને ખેલાડીઓની સલાહ તેમજ તેમની સાથે થયેલી વિગતવાર વાતચીતના આધારે લેવામાં આવ્યો હતો. તેનું મુખ્ય કારણ ટેક્નિકલ હતું. એવું જોવા મળ્યું હતું કે વાદળી રંગની પ્લેઇંગ યુનિફોર્મ વાદળી સિન્થેટિક પ્લેઇંગ સપાટી સાથે ભળી જતી હતી. આ સપાટી હવે આંતરરાષ્ટ્રીય હોકી મેદાનોનો રંગ છે. બંનેનો રંગ એકસરખો દેખાતો હોવાથી ખેલાડીઓને મેદાન પર સ્પષ્ટ રીતે જોવામાં મુશ્કેલી પડતી હતી.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/TheHockeyIndia/status/2081644738240024713"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3 style="text-align: justify; "><b>કેસરી રંગ પસંદ કરવા પાછળનું કારણ</b></h3><p style="text-align: justify; ">હોકી ઈન્ડિયાએ આગળ જણાવ્યું, આ બાબતને ધ્યાનમાં રાખીને કોચ અને ખેલાડીઓએ પીળા અથવા કેસરી જેવા અન્ય રંગોનું સૂચન કર્યું હતું. સારી રીતે વિચારી કર્યા બાદ કેસરી રંગને અંતિમ પસંદગી કરવામાં આવી. ટેક્નિકલ જરૂરિયાત પૂરી કરવા ઉપરાંત, કેસરી રંગનું ઊંડું મહત્વ પણ છે, કારણ કે તે આપણા રાષ્ટ્રીય ધ્વજના રંગોમાંથી એક છે, જે સાહસ, ત્યાગ અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે.</p><h3 style="text-align: justify; "><b>ભારતીય હોકીમાં જર્સીનો રંગ બદલવો નવી વાત નથી</b></h3><p style="text-align: justify; ">એ વાત પણ ધ્યાનમાં લઈ શકાય કે ભારતીય હોકીમાં જર્સીનો રંગ બદલવો કોઈ નવી વાત નથી. સમયાંતરે જરૂરિયાત અને અન્ય કારણોસર રાષ્ટ્રીય ટીમની પ્લેઇંગ કિટનો રંગ બદલવામાં આવતો રહ્યો છે.</p><h4 style="text-align: justify; "><b>2014 અને 2018માં પણ બદલાયો હતો જર્સીનો રંગ</b></h4><p style="text-align: justify; ">ઉદાહરણ તરીકે, 2014 FIH હોકી વિશ્વ કપ દરમિયાન ટીમની જર્સીનો રંગ પીળો કરવામાં આવ્યો હતો અને 2018 FIH હોકી વિશ્વ કપ દરમિયાન રંગ બદલીને આસમાની વાદળી કરવામાં આવ્યો હતો. તે સમયે જર્સીની ડિઝાઇન પણ સંપૂર્ણપણે અલગ હતી. કેસરી રંગમાં કરવામાં આવેલો આ ફેરફાર કોચ અને ખેલાડીઓ પાસેથી મળેલા ટેક્નિકલ પ્રતિસાદ તેમજ રાષ્ટ્રીય ધ્વજનો ભાગ હોવાના કારણે કેસરી રંગના પ્રતીકાત્મક મહત્વને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.</p><h4 style="text-align: justify; "><b>હોકી ઈન્ડિયાની નવી જર્સીમાં શું ખાસ છે?</b></h4><p style="text-align: justify; ">કેસરી રંગ: પરંપરાગત વાદળી જર્સીની જગ્યાએ હવે કેસરી રંગની જર્સી હશે. હોકી ઈન્ડિયાનું કહેવું છે કે આ રંગ સાહસ, ત્યાગ અને જીતનું પ્રતીક છે અને તે ભારતીય રાષ્ટ્રીય ધ્વજ તથા ઉગતા સૂર્યથી પ્રેરિત છે.</p><ul><li style="text-align: justify;"><b>એક ભારત, શ્રેષ્ઠ ભારત થીમ: </b>નવી જર્સીની ડિઝાઇનનો હેતુ એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવના દર્શાવવાનો અને રાષ્ટ્રીય ગૌરવને ઉજાગર કરવાનો છે.</li><li style="text-align: justify;"><b>મંડલા પ્રેરિત પેટર્ન: </b>જર્સીમાં મંડલા શૈલીના ગ્રાફિક્સ છે, જે ભારતના સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરે છે.</li><li style="text-align: justify;"><b>અશોક ચક્રના તત્વો: </b>ઘેરા નેવી-બ્લૂ રંગના ભાગો અશોક ચક્રથી પ્રેરિત છે, જે પ્રગતિ, શાંતિ અને એકાગ્રતાનું પ્રતિનિધિત્વ કરે છે.</li><li style="text-align: justify;"><b>સુદર્શન ચક્ર ગ્રાફિક: </b>છાતી પર સુદર્શન ચક્રનું આધુનિક સ્વરૂપ બનાવવામાં આવ્યું છે, જે શક્તિ, એકતા અને ગતિનું પ્રતીક છે.</li><li style="text-align: justify;"><b>તિરંગાની ડિટેલિંગ: </b>ખભા અને કિનારીઓ પર તિરંગા રંગની પાઇપિંગ આપવામાં આવી છે, જે રાષ્ટ્રીય ઓળખ અને ગૌરવને વધુ મજબૂત બનાવે છે.</li><li style="text-align: justify;"><b>સ્ટાઇલિશ INDIA બ્રાન્ડિંગ: </b>દેશની ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતાની ઉજવણી કરવા માટે INDIAને દેવનાગરીથી પ્રેરિત સ્ટાઇલિશ ડિઝાઇનમાં લખવામાં આવ્યું છે.</li><li style="text-align: justify;"><b>વૈકલ્પિક સફેદ કિટ:</b> કેસરી જર્સી ઉપરાંત ભારતીય ટીમો પાસે સફેદ જર્સી પણ હશે, જેમાં આ જ ડિઝાઇન તત્વોનો સમાવેશ કરવામાં આવ્યો છે.</li></ul><p style="text-align: justify; "><a href="https://sandesh.com/world/news/tech/us-ban-chinese-humanoid-robots-trump" target="_blank">આ પણ વાંચો-Americaમાં હ્યુમનોઇડ રોબોટ્સની એન્ટ્રી પર બેન, ડોનાલ્ડ ટ્રમ્પને હેકિંગનો ડર કે ચીન પર ભરોસો નહીં?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/Y0NAmbSPfG8N6PiVvh0X0R4g0Lmw3rqaA5IacVOM.webp'/></item></channel></rss>