<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Mehsana : ઊંઝા માર્કેટયાર્ડ બેંકના 3.44 કરોડના કૌંભાડમાં મોટો વળાંક, કોર્ટે ફરી તપાસનો આપ્યો આદેશ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/unjha/mehsana-unjha-marketyard-bank-scam-court-orders-reinvestigation-3-44-crore-fraud</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/unjha/mehsana-unjha-marketyard-bank-scam-court-orders-reinvestigation-3-44-crore-fraud</guid><pubDate>Wed, 12 Aug 2026 13:13:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મહેસાણા જિલ્લાના ઊંઝા સ્થિત 'ઊંઝા માર્કેટયાર્ડ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક'માં થયેલા કરોડો રૂપિયાના કેશ કૌભાંડ મામલે એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટો વળાંક આવ્યો છે. આશરે રૂ. 3.44 કરોડની ઉચાપતના આ બહુચર્ચિત કેસમાં કોર્ટે પુનઃ તપાસ કરવાનો આદેશ આપ્યો છે. કર્મચારીઓની ગંભીર બેદરકારી અને કથિત સંડોવણીના આક્ષેપો વચ્ચે કોર્ટના આ હુકમથી બેંક વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>કેશિયર સચિન પટેલ દ્વારા 3.44 કરોડની ઉચાપત&nbsp;</b></h2><p style="text-align: justify; ">મળતી વિગતો અનુસાર, ઊંઝા માર્કેટયાર્ડ બેંકમાંથી એપ્રિલ 2025 થી જૂન 2025 દરમિયાન કેશિયર સચિન પટેલ દ્વારા તબક્કાવાર રીતે રૂ. 3.44 કરોડની મોટી રકમની ઉચાપત કરવામાં આવી હતી. આ સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ અન્ય કર્મચારીઓની ભૂમિકા અને બેદરકારી સામે પણ અનેક સવાલો ઊભા થયા હતા. મામલો કોર્ટમાં પહોંચતા, અદાલતે આ કેસની ગંભીરતાને ધ્યાને રાખીને કેસ ફરી ઓપન કરી ઊંડાણપૂર્વક તપાસ કરવાનો હુકમ કર્યો છે.</p><h3 style="text-align: justify; "><b>45 દિવસની અંદર તેનો વિસ્તૃત તપાસ રિપોર્ટ રજૂ કરવા આદેશ&nbsp;</b></h3><p style="text-align: justify; ">કોર્ટે પોલીસ તંત્રને કડક નિર્દેશ આપતાં જણાવ્યું છે કે, આ કેસમાં કર્મચારીઓની કથિત સંડોવણી અને કૌભાંડના તમામ પાસાઓની તટસ્થ તપાસ કરીને આગામી 45 દિવસની અંદર તેનો વિસ્તૃત તપાસ રિપોર્ટ અદાલત સમક્ષ સોંપવામાં આવે. કોર્ટના આ આદેશ બાદ તપાસ એજન્સીઓ ફરી હરકતમાં આવી ગઈ છે, જેના કારણે કૌભાંડમાં સંકળાયેલા અન્ય જવાબદારો પર પણ કાયદાનો સિકંજો કસાય તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">&nbsp; આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-morbi-veerparda-mysterious-well-water-waves-scientific-reason-gsi" target="_blank"><b>&nbsp;Sandesh Digital Explainer: મોરબીનો રહસ્યમય કૂવો: અફવા નહીં, જાણો વૈજ્ઞાનિક હકીકત</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/feelCHc34m9UvqgwmvOSrVDi97eFyvLa2a5ZwGAp.webp'/></item><item><title><![CDATA[Independence Day 2026:  દિલ્હીમાં હર ઘર તિરંગા સાયકલ યાત્રા, સાયકલ ફિટનેસ અને પ્રદુષણનું સમાધાનઃ કેન્દ્રિય મંત્રી ]]></title><link>https://sandesh.com/india/news/independence-day-2026-delhi-tiranga-cycle-rally-mansukh-mandaviya</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/independence-day-2026-delhi-tiranga-cycle-rally-mansukh-mandaviya</guid><pubDate>Wed, 12 Aug 2026 12:58:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતના 80 મા સ્વતંત્રતા દિવસના ઐતિહાસિક અવસરની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં અત્યારે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સરકારના "હર ઘર તિરંગા" અભિયાન અને "વંદે માતરમ્" ગાનની 150મી વર્ષગાંઠ નિમિત્તે સમગ્ર દેશમાં ભવ્ય તિરંગા યાત્રાઓ અને સાયકલ રેલીઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.ત્યારે કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ સાયકલ ચલાવીને આ રેલીમાં ભાગ લીધો હતો.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>5 કિલોમીટર લાંબી રેલીને આપી લીલી ઝંડી</b></h2><p style="text-align: justify; ">આ 5 કિલોમીટર લાંબી સાયકલ તિરંગા યાત્રાને દેશના કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ આકાશમાં રંગબેરંગી ફુગ્ગાઓ છોડીને ખુબ જ ઉત્સાહપૂર્વક લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાયકલ યાત્રા મેજર ધ્યાનચંદ સ્ટેડિયમથી શરૂ થઈને ઇન્ડિયા ગેટના રસ્તે પસાર થઈ હતી. આ વિશેષ યાત્રાનું મુખ્ય આકર્ષણ તેમાં મોટી સંખ્યામાં જોડાયેલા નાના બાળકો અને યુવાનો હતા. તમામ સહભાગીઓએ ખાસ "તિરંગા સાયકલ યાત્રા" લખેલા યુનિફોર્મ શર્ટ પહેર્યા હતા અને પોતાના હાથમાં ભારતનો રાષ્ટ્રધ્વજ ત્રિરંગો પકડી રાખ્યો હતો.&nbsp;<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2087339309708066875"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h3 style="text-align: justify; "><b>સાઇકલ ફિટનેસ અને પ્રદુષણનું સમાધાનઃ કેન્દ્રિય મંત્રી</b></h3><p style="text-align: justify; ">આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે આપણો દેશ ખૂબ જ ગર્વ સાથે પોતાનો 80મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે, અને આ પર્વને વધુ અર્થપૂર્ણ બનાવવા માટે દેશના ખૂણે-ખૂણે તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે. તેમણે આ સાયકલ યાત્રાના માધ્યમથી સ્વાસ્થ્ય અને પર્યાવરણ અંગે પણ એક મોટો સંદેશ આપ્યો હતો. મંત્રીએ સાયકલ ચલાવવાના અનેકવિધ ફાયદાઓ વિશે જણાવતા કહ્યું હતું કે નિયમિત સાયકલ ચલાવવાથી આપણું શરીર સ્વસ્થ રહે છે, ફિટનેસ જળવાઈ રહે છે, પર્યાવરણ પ્રદૂષણમુક્ત બને છે અને કિંમતી બળતણની પણ બચત થાય છે.</p><h4 style="text-align: justify; "><b>દેશભક્તિનું એક અદ્ભુત વાતાવરણ સર્જાયું</b></h4><p style="text-align: justify; ">તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આજના "હર ઘર તિરંગા" અભિયાનમાં યુવાનોએ જે ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે તે પ્રશંસનીય છે. છેલ્લા કેટલાક મહિનાઓથી આપણા અસંખ્ય સ્વયંસેવકો અને કાર્યકરો આ તિરંગા યાત્રાઓને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે, જેના પરિણામે આજે દેશભરમાં દેશભક્તિનું એક અદ્ભુત વાતાવરણ સર્જાયું છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/himachal-pradesh-heavy-rains-landslides-death-toll-loss" target="_blank">આ પણ વાંચોઃ Himachal Pradesh: ભારે વરસાદે મચાવી તબાહી, અત્યાર સુધીમાં 157 લોકોના મોત, 886 કરોડનું નુકસાન</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/E2JixdeteUyI3r8T2NNa5IM1PvhTKJXPNMJA8FXF.webp'/></item><item><title><![CDATA[Prajwal Revanna Case Updates : સેન્ટ્રલ જેલમાં પ્રજ્વલ રેવન્ના પાસેથી મળ્યો મોબાઈલ, હવે નોંધાશે વધુ એક ગુનો? ]]></title><link>https://sandesh.com/india/news/mobile-phone-found-from-prajwal-revanna-in-central-jail--will-another-crime-be-registered-now-</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/mobile-phone-found-from-prajwal-revanna-in-central-jail--will-another-crime-be-registered-now-</guid><pubDate>Wed, 12 Aug 2026 12:48:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ભૂતપૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્ના માટે મુશ્કેલી વધી ગઈ છે.બેંગલુરુની સેન્ટ્રલ જેલમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દરોડા દરમિયાન રેવન્ના પાસેથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આ ઘટનાએ જેલ પ્રશાસનની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. જેલ પરિસરમાં ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા અચાનક દરોડા પાડવામાં આવ્યા દરમિયાન, પ્રજ્વલ રેવન્ના મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા મળી આવ્યા હતા. આ ઘટના બાદ, ક્રાઈમ બ્રાન્ચે કેસ નોંધ્યો છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે જેલની અંદર પ્રજ્વલ રેવન્ના પાસે મોબાઇલ ફોન કેવી રીતે પહોંચ્યો.</p><h5 style="text-align: justify; "><b>જેલ પરિસરમાં ફોન મળતા સુરક્ષા પર ઉઠયા સવાલ&nbsp;</b></h5><p style="text-align: justify; ">જેલ પરિસરમાં મોબાઇલ ફોન મળવાને મોટી સુરક્ષા ભૂલ ગણીને, વહીવટીતંત્રે કડક વલણ અપનાવ્યું છે. સહાયક જેલ અધિક્ષક ઈરાના રંગપુરને ફરજમાં ગંભીર બેદરકારી બદલ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મુખ્ય અધિક્ષક અંશુચ કુમારને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે, જેમણે સ્પષ્ટતા માંગી છે.</p><h5 style="text-align: justify; "><b>દેવગૌડાના પૌત્ર&nbsp; આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે</b></h5><p style="text-align: justify; ">નોંધનીય છે કે ભૂતપૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર અને કેન્દ્રીય પ્રધાન એચડી કુમારસ્વામીના ભત્રીજા પ્રજ્વલ રેવન્નાને જાતીય હુમલો, બળાત્કાર અને ધાકધમકી આપવા બદલ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. તેમને હાસન જિલ્લાના હોલેનરાસીપુરામાં તેમના ફાર્મહાઉસમાં કામ કરતી 48 વર્ષીય મહિલા પર વારંવાર દુષ્કર્મ કરવા અને પછી તેનો વાંધાજનક વીડિયો બનાવવા અને પ્રસારિત કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા. આ વીડિયો સામે આવ્યા પછી, પ્રજ્વલ રેવન્ના જર્મની ભાગી ગયા હતા, ત્યારબાદ તેમને તેમની પાર્ટી, જનતા દળ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેઓ 2024ની લોકસભા ચૂંટણી હારી ગયા હતા અને જર્મનીથી પરત ફર્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.</p><h5 style="text-align: justify; "><b>જેલોમાં વીઆઈપી વોર્ડમાં સુરક્ષામાં ચૂક&nbsp;</b></h5><p style="text-align: justify; ">બેંગલુરુ સેન્ટ્રલ જેલમાં કોઈ હાઈ-પ્રોફાઇલ કેદી પાસેથી દારૂ મળી આવવાની આ પહેલી ઘટના નથી. અગાઉ, 2024માં, એક ચાહકની હત્યાના આરોપસર તે જ જેલમાં કેદ કન્નડ અભિનેતા દર્શનનો ફોટો અને વીડિયો વાયરલ થયો હતો. તેમાં, તેઓ જેલના લોન પર બેસીને, સિગારેટ પીતા અને ફોન પર વાત કરતા જોવા મળ્યા હતા. તે સમયે, ઘણા જેલ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, અને અભિનેતા દર્શનને બેલ્લારી સેન્ટ્રલ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.</p><h5 style="text-align: justify; "><b>જેલના નિયમો શું કહે છે?</b></h5><p style="text-align: justify; ">જેલના નિયમો અનુસાર, જેલની અંદર કોઈપણ કેદી દ્વારા મોબાઇલ ફોન, સિમ કાર્ડ અથવા અન્ય કોઈપણ ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ સખત પ્રતિબંધિત છે. કેદીઓને ફક્ત તેમના પરિવારના સભ્યો અથવા વકીલો સાથે વાતચીત કરવા માટે જેલ વહીવટીતંત્ર દ્વારા સ્થાપિત મોનિટર કરાયેલ સત્તાવાર લેન્ડલાઇનનો ઉપયોગ કરવાની મંજૂરી છે. જેલની અંદરથી વાતચીતમાં કોણ સામેલ હતું અને આ સુરક્ષા ખામી માટે કોણ જવાબદાર હતું તે નક્કી કરવા માટે પોલીસ હાલમાં આ મામલાની તપાસ કરી રહી છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/india/news/union-home-minister-amit-shah-says-ready-to-discuss-with-opposition-anytime-" target="_blank">Amit Shah: દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય... વિપક્ષ સાથે ચર્ચા કરવા તૈયાર છે અમિત શાહ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/aDncjni04bTu71oCk71l95MO8tNJPBahdajX4nA7.webp'/></item><item><title><![CDATA[Vadnagarના વારસાને નવો ચમકારો: જૂની રિક્ષાઓને અપાયો શહેરના ઐતિહાસિક વારસાનો 'ન્યૂ લુક' ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadnagar/vadnagar-vadnagar-heritage-auto-project-gsfc-retrofits-old-auto-rickshaws-tourism</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadnagar/vadnagar-vadnagar-heritage-auto-project-gsfc-retrofits-old-auto-rickshaws-tourism</guid><pubDate>Wed, 12 Aug 2026 12:03:03 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહર ધરાવતા વડનગર શહેરને વિશ્વસ્તરીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના રાજ્ય સરકારના ભગીરથ પ્રયાસોમાં હવે રાજ્યના જાહેર સાહસો  પણ સક્રિયપણે જોડાયા છે. ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની (GSFC) દ્વારા પોતાના CSR ફંડ અંતર્ગત વડનગરની જૂની ઑટો રિક્ષાઓને શહેરના સમૃદ્ધ ઇતિહાસની ઝાંખી કરાવતો આકર્ષક ઐતિહાસિક લુક આપવાની વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><img alt="Vadnagar Heritage Auto Project GSFC Retrofits Old Auto Rickshaws For Tourism" src="https://epapercdn.sandesh.com/images/2026/08/12/oGMfNe2Nh3jmCQ19or5SNnemlRruR8JNDdaO7K2t.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>પ્રતિ રિક્ષા 50 હજારથી વધુના ખર્ચે રિટ્રોફિટમેન્ટ&nbsp;</b></h2><p style="text-align: justify; ">વડનગર હેરિટેજ ઑટો પ્રોજેક્ટ હેઠળ પ્રવાસન વિભાગ અને વાહનવ્યવહાર વિભાગના સક્રિય લોજિસ્ટિક સપોર્ટથી આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ સમક્ષ વડનગરની એક અલગ અને યુનિક ઓળખ ઊભી થાય તે માટે પ્રતિ રિક્ષા 50 હજારથી વધુના ખર્ચે રિટ્રોફિટમેન્ટ કરવામાં આવી રહ્યું છે.&nbsp;</p><p style="text-align: justify; "><img alt="Vadnagar Heritage Auto Project GSFC Retrofits Old Auto Rickshaws For Tourism" src="https://epapercdn.sandesh.com/images/2026/08/12/elXDO1z3ZKWufmPY0lnQHRNosVdeb8MWoDKSdfDQ.webp" style="width: 100%;"><br></p><h3 style="text-align: justify; "><b>પ્રથમ તબક્કામાં 21 રિક્ષાઓનું સફ્ળતાપૂર્વક નવીનીકરણ</b></h3><p style="text-align: justify; ">વડનગરમાં હાલ 300થી વધુ નોંધાયેલી રિક્ષાઓ પૈકી પ્રથમ તબક્કામાં 21 રિક્ષાઓનું સફ્ળતાપૂર્વક નવીનીકરણ કરી દેવાયું છે, જેથી સ્થાનિક રિક્ષાચાલકોની રોજીરોટીમાં પણ વધારો થશે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/CMOGuj/status/2087117809344225455"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a>&nbsp; &nbsp;</p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>હજુ પણ નોંધણી પ્રક્રિયા ખુલ્લી રાખવામાં આવી</b></h4><p style="text-align: justify; ">આ યોજનાનો લાભ વધુમાં વધુ રિક્ષાચાલકો લઈ શકે તે માટે હજુ પણ નોંધણી પ્રક્રિયા ખુલ્લી રાખવામાં આવી છે. પોતાની રિક્ષાને વડનગરના વારસાને દર્શાવતો નવો લુક આપવા ઈચ્છતા રિક્ષાચાલકો વડનગર એસ.ટી. ડેપો ખાતે GSFCના પ્રતિનિધિનો સંપર્ક કરી શકે છે. સરકારી સાહસની આ પહેલથી સહેલાણીઓને વડનગરના વારસાનો નવો અનુભવ મળશે અને સાથે સ્થાનિક રોજગારીને પણ વેગ મળશે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp; :&nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-morbi-veerparda-mysterious-well-water-waves-scientific-reason-gsi" target="_blank"><b> Sandesh Digital Explainer: મોરબીનો રહસ્યમય કૂવો: અફવા નહીં, જાણો વૈજ્ઞાનિક હકીકત</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/hEh70HQTk3AuMmjpoU2flGuFCybT11eBQ4gmDjCc.webp'/></item><item><title><![CDATA[વાંચો સવારે 08થી બપોરે 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/today-top-breaking-news-bulletin-gujarat-india-read-important-news-from-08-am-to-12-pm-12-august-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/today-top-breaking-news-bulletin-gujarat-india-read-important-news-from-08-am-to-12-pm-12-august-2026</guid><pubDate>Wed, 12 Aug 2026 12:00:00 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર&nbsp; &nbsp;</b></p><p><b><br></b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/crime/kutch/gujaratpolice-kutch-woman-gets-back-35-lakh-fraud-money-harsh-sanghavi-action" target="_blank">1. Gujarat Police : રજૂઆતના ત્રીજા જ દિવસે ન્યાય: ફ્રોડમાં ફસાયેલા 35 લાખ કચ્છની મહિલાને પરત અપાવતા હર્ષ સંઘવી</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/delhi-even-today-the-absence-of-mother-is-felt-pm-modi-spoke-at-the-book-launch-of-former-president-ram-nath-kovind" target="_blank">2. Delhi: આજે પણ માતાની ગેરહાજરી..પૂર્વ રાષ્ટ્રપતિના પુસ્તક વિમોચન પ્રસંગે PMને હીરાબાની યાદ આવી</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/crime/dhoraji/rajkot-dhoraji-elderly-couple-commits-suicide-jamnavad-road-rajkot-news" target="_blank">3. Rajkot : ધોરાજીમાં કૌટુંબિક કારણોસર વૃદ્ધ દંપતીએ ઝેરી દવા પીને આપઘાત કરતા ખળભળાટ, પોલીસ તપાસ શરુ</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/cricket/news/big-update-on-hardik-pandyas-return-to-gt-gills-decision-stops-the-debate" target="_blank">4. Hardik Pandyaની GTમાં વાપસી પર મોટું અપડેટ! ગિલના એક નિર્ણયથી ચર્ચા અટકી?</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-sg-highway-crane-body-found-hanging-300-feet-high-building" target="_blank">5. Ahmedabad SG હાઇવે પર સનસનાટી: 32 માળની બિલ્ડિંગની 300 ફૂટ ઊંચી ક્રેન પર શ્રમિકનો મૃતદેહ લટકતો મળ્યો, Video</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/world/news/zimbabwe-lake-kariba-boat-capsizing-deaths" target="_blank">6. Zimbabwe : કરીબા તળાવમાં 95 મુસાફરો ભરેલી હોડી પલટી, 15 લોકોના મોત, 20થી વધુ ગુમ</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/anand-niketan-school-ahmedabad-holiday-declared-after-parents-protest" target="_blank">7. Ahmedabad : આનંદ નિકેતન સ્કૂલમાં વાલીઓના હોબાળા બાદ રજા જાહેર: શાળા તંત્રે શિક્ષકોના હેરેસમેન્ટનો લગાવ્યો આક્ષેપ</a>&nbsp; &nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/entertainment/news/hollywood-star-tom-cruise-has-a-crush-on-her-this-actress-made-a-shocking-revelation-in-the-traitors-2" target="_blank">8. Hollywood સ્ટાર ટોમ ક્રૂઝને મારા પર ક્રશ છે, 'ધ ટ્રેટર્સ 2'માં આ અભિનેત્રીએ કર્યો ચોંકાવનારો ખુલાસો</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/mumbai-landslide-landslide-in-kurla-mumbai-amid-heavy-rains-two-people-killed" target="_blank">9. Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભારે વરસાદ વચ્ચે ભુસ્ખલન, 6 લોકોના મોત</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/world/news/donald-trump-plane-switch-security-threats" target="_blank">10. Donald Trump: "મારા જીવને જોખમ હતું, એટલે જ વિમાન બદલવું પડ્યું": ટ્રમ્પનો મોટો ખુલાસો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/ygwvntS45lpVXwj82aeXKYVL0gk9T7EF9QOQcEgg.webp'/></item><item><title><![CDATA[Tata Sons Chairman Resign: ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને આપ્યું રાજીનામુ ]]></title><link>https://sandesh.com/business/news/tata-sons-chairman-resigns-tata-sons-chairman-n-chandrasekaran-resigns</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/tata-sons-chairman-resigns-tata-sons-chairman-n-chandrasekaran-resigns</guid><pubDate>Wed, 12 Aug 2026 11:57:36 +05:30</pubDate><description><![CDATA[<p></p><p>Tata Sons Chairman Resign: ટાટા સન્સ અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને આજે, 12 ઓગસ્ટ, 2026 ના રોજ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ફેબ્રુઆરીમાં, ટાટા સન્સના બોર્ડે તેમને ફરીથી ચેરમેન તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય મુલતવી રાખ્યો હતો. આ ઘટનાક્રમ ખાસ કરીને મહત્વપૂર્ણ છે કારણ કે કંપનીની વાર્ષિક સામાન્ય સભા 18 ઓગસ્ટના રોજ યોજાવાની છે.</p><h2><b>એન ચંદ્રશેખરને પત્રમાં શું લખ્યું ?&nbsp;</b></h2><p>"હું 40 વર્ષથી ટાટા ગ્રુપ સાથે સંકળાયેલો છું. ટાટામાં યોગદાન આપવાની તક મળી તે બદલ હું આભારી છું. છેલ્લા એક દાયકાથી મેં ટાટા સન્સનું નેતૃત્વ કર્યું છે. ટાટા સન્સના ચેરમેન તરીકેનો મારો કાર્યકાળ 20 ફેબ્રુઆરી, 2027 ના રોજ પૂર્ણ થવાનો છે.</p><p>સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટે મારા આગામી કાર્યકાળને પાંચ વર્ષના સમયગાળા માટે લંબાવવા માટે સર્વાનુમતે પ્રસ્તાવ પસાર કર્યો હતો અને ભલામણ કરી હતી, જેને ટાટા સન્સની નોમિનેશન એન્ડ રેમ્યુનરેશન કમિટી અને બોર્ડ દ્વારા નોંધવામાં આવ્યો હતો અને ભલામણ કરવામાં આવી હતી. ત્યારબાદ આ પ્રસ્તાવ 24 ફેબ્રુઆરી, 2026ના રોજ ટાટા સન્સના બોર્ડ સમક્ષ મૂકવામાં આવ્યો હતો. જો કે આ પ્રસ્તાવ પસાર થયો ન હતો કારણ કે બોર્ડના એક સભ્યે તેને ટેકો આપ્યો ન હતો, અને સર્વાનુમતે ટેકો ન હોવાને કારણે, મેં આ નિર્ણય મુલતવી રાખવાનું પસંદ કર્યું.</p><p>તે બોર્ડ મીટિંગને 6 મહિના થઈ ગયા છે, અને અત્યાર સુધી કોઈ નિર્ણય પર પહોંચી શકાયું નથી. ટાટા સન્સ એક ખૂબ જ મોટી સંસ્થા છે અને ઘણા વ્યૂહાત્મક પ્રોજેક્ટ્સ અમલીકરણના નિર્ણાયક તબક્કામાં છે. ફેબ્રુઆરી 2027 પછી પણ ગ્રૂપનું નેતૃત્વ કરવા માટે નેતાનું હોવું માત્ર જરૂરી નથી, પરંતુ કર્મચારીઓ, રોકાણકારો, ભાગીદારો અને અન્ય હિસ્સેદારો માટે નેતૃત્વ અંગે સ્પષ્ટતા હોવી પણ મહત્વપૂર્ણ છે&nbsp;</p><p>આ સંજોગોમાં આજે વહેલી સવારે, મેં ટાટા સન્સ બોર્ડને જાણ કરી છે કે મેં 20 ફેબ્રુઆરી, 2027ના રોજ મારું પદ સમાપ્ત થાય ત્યારે પુનઃનિમૂણુંક માટે પોતાને ઉપલબ્ધ ન રાખવાનો નિર્ણય કર્યો છે. યોગ્ય સંક્રમણ સુનિશ્ચિત કરવા માટે મેં બોર્ડને ઉત્તરાધિકારી અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવા વિનંતી કરી છે."</p><p><b style="font-size: 2rem;">ટાટા સન્સના ચેરમેનનું અચાનક રાજીનામુ</b></p><p>એન. ચંદ્રશેખરને ટાટા સન્સના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે.  એવા સમયે જ્યારે ટાટા ગ્રુપ તેના વિવિધ વ્યવસાયોમાં અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. અહેવાલો અનુસાર ચંદ્રશેખરનની પુનઃનિયુક્તિ અંગે ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટ વચ્ચે સતત મતભેદો ચાલી રહ્યા હતા.</p><p>નોંધનીય છે કે ટાટા સન્સ $400 બિલિયનના ટાટા ગ્રુપની મુખ્ય હોલ્ડિંગ કંપની છે. તે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS), ટાટા મોટર્સ અને એર ઇન્ડિયા સહિત 30 થી વધુ કંપનીઓનું નિયંત્રણ કરે છે. ટાટા ટ્રસ્ટ્સ ટાટા સન્સમાં 66% હિસ્સો ધરાવે છે.</p><p><img alt="n-chadrshekhran-tata-sons" src="https://epapercdn.sandesh.com/images/2026/08/12/aAjYhfKZeYQ03DJVfKL7gDOBDn25MklyDlWay3DK.webp"><br></p><h3><b>તાત્કાલિક પદ છોડશે નહીં</b></h3><p>આ બાબતથી વાકેફ એક સૂત્રએ સંકેત આપ્યો કે તેઓ તાત્કાલિક પદ છોડશે નહીં. તેઓ તેમનો વર્તમાન કાર્યકાળ પૂર્ણ કરશે, જે ફેબ્રુઆરી 2027 સુધી ચાલશે. એન. ચંદ્રશેખરન 2017 થી ટાટા સન્સના ચેરમેન છે. આ પહેલા, તેઓ ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) ના CEO તરીકે સેવા આપી હતી. તેઓ 1987 માં ટાટા ગ્રુપમાં જોડાયા હતા.</p><p>અહેવાલો સૂચવે છે કે આંતરિક વિખવાદમાં ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટા દ્વારા મૂકવામાં આવેલી ઘણી શરતોનો સમાવેશ થતો હતો; આવી એક શરત એ હતી કે ટાટા સન્સ ક્યારેય સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે નહીં. આ બાબતથી પરિચિત સૂત્રો સૂચવે છે કે એન. ચંદ્રશેખરન આ માટે સક્ષમ ન હતા, અને બોર્ડમાં આવા વિવિધ મુદ્દાઓ પર બંને પક્ષો વચ્ચે મતભેદો ચાલુ રહ્યા.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2087419418230104302"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p></p><p><b style="font-size: 1.5rem;">ટાટા ગ્રુપની કંપનીઓના શેરના ભાવ ઘટ્યા&nbsp;</b></p><p>ટાટા સન્સના ચેરમેન ચંદ્રશેખરનના રાજીનામાના સમાચારની તાત્કાલિક અસર વિવિધ ગ્રુપ કંપનીઓના શેરના ભાવ પર પડી. બુધવારના ટ્રેડિંગ સેશન દરમિયાન, લિસ્ટેડ ટાટા કંપનીઓમાં અચાનક વેચવાલી જોવા મળી, જેમાં કેટલાક શેર 4% થી વધુ ઘટ્યા.</p><p>સૌથી તીવ્ર ઘટાડો ટાટા ગ્રુપની મુખ્ય IT કંપની TCS ના શેરમાં જોવા મળ્યો, જે 4.97% ઘટ્યો. વધુમાં, જગુઆર લેન્ડ રોવરના માલિક ટાટા મોટર્સના શેરમાં 2.8% ઘટાડો થયો, જ્યારે ટાટા પાવરના શેરમાં લગભગ 2% ઘટાડો થયો.</p><p><br></p><p><a href="https://sandesh.com/astrology/news/bhakti/shani-transit-shani-dev-will-have-a-great-move-luck-will-shine-for-4-zodiac-signs-from-august-20" target="_blank">આ પણ વાંચો: Shani Transit: શનિ દેવ ચાલશે ગજબની ચાલ, 20 ઑગષ્ટથી 4 રાશિનું ચમકશે નસીબ</a></p><p></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/LPpvvmDSpnKznpBJiXf0suUROYqFjrULcy22MeAX.webp'/></item><item><title><![CDATA[Janhvi Kapoor એ દિલ્હી હાઇકોર્ટના ખટખટાવ્યા દરવાજા, જાણો સમગ્ર મામલો ]]></title><link>https://sandesh.com/entertainment/news/janhvi-kapoor-knocks-on-the-doors-of-delhi-high-court-for-personality-rights</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/janhvi-kapoor-knocks-on-the-doors-of-delhi-high-court-for-personality-rights</guid><pubDate>Wed, 12 Aug 2026 11:45:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂરે પોતાના પર્સનાલિટી રાઇટ્સ (વ્યક્તિત્વ અધિકારો)ના રક્ષણ માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. તેણે AI-જનરેટેડ ડીપફેક વિડિયો, ફેક સોશિયલ મીડિયા પ્રોફાઈલ, અશ્લીલ સામગ્રી અને તેની ઓળખનો દુરુપયોગ કરીને કરવામાં આવતી વ્યાપારી પ્રવૃત્તિઓ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.</p><h2 style="text-align: justify; "><b>જાહ્નવી કપૂરના વકીલની રજૂઆત</b></h2><p style="text-align: justify; ">જાહ્નવી કપૂર તરફથી કોર્ટમાં હાજર રહેલા એડવોકેટ આસવ રાજને જણાવ્યું હતું કે, અભિનેત્રીના નામ, ચહેરા અને ફોટાનો ઉપયોગ તેની પરવાનગી વગર કરવામાં આવી રહ્યો છે. AI ટેકનોલોજીનો દુરુપયોગ કરીને તેના વાંધાજનક અને અશ્લીલ ફોટા-વિડિયો બનાવવામાં આવી રહ્યા છે. આ સિવાય ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને X (ટ્વિટર) પર તેના નામે બનાવટી એકાઉન્ટ્સ ચલાવીને ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. તેમજ તેની ઓળખનો ઉપયોગ વિવિધ પ્રોડક્ટ્સ અને સર્વિસિસના પ્રચાર માટે પણ થઈ રહ્યો છે, જેના પર રોક લગાવવી જરૂરી છે.</p><h3 style="text-align: justify; "><b>દિલ્હી હાઇકોર્ટનું મહત્વનું અવલોકન</b></h3><p style="text-align: justify; ">આ કેસની સુનાવણી કરતી વખતે જસ્ટિસ અનુપ જયરામ ભંભાણીની બેન્ચે સ્પષ્ટ કર્યું કે આ મામલે ત્રણ પ્રકારની કન્ટેન્ટ પર રાહત આપી શકાય છે.&nbsp;</p><p style="text-align: justify; ">૧. અશ્લીલ કે વાંધાજનક સામગ્રી.</p><p style="text-align: justify; ">૨. જાહ્નવીના વ્યક્તિત્વ અધિકારોનું ગેરકાયદેસર શોષણ કરતી સામગ્રી.</p><p style="text-align: justify; ">૩. તેની ઓળખનો ઉપયોગ કરીને કોઈ પ્રોડક્ટ કે સર્વિસનો પ્રચાર કરતી સામગ્રી.</p><p style="text-align: justify; ">જોકે, કોર્ટે સોશિયલ મીડિયા પરના તમામ ફેન પેજીસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કરી દીધો હતો. કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું, "શું જાહ્નવી કપૂરને ફેન્સની જરૂર નથી? આ ડિજિટલ યુગ છે." કોર્ટે વધુમાં ઉમેર્યું કે દરેક ફેન પેજ કાયદાનું ઉલ્લંઘન કરતું નથી, કારણ કે ફેન પેજ અભિવ્યક્તિ, રચનાત્મકતા કે વ્યંગનું માધ્યમ પણ હોઈ શકે છે.</p><p style="text-align: justify; "><b>અભિવ્યક્તિની સ્વતંત્રતા અને અધિકારો વચ્ચે સંતુલન</b></p><p style="text-align: justify; ">હાઇકોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે સેલિબ્રિટીઝના અધિકારોનું રક્ષણ કરવું જેટલું જરૂરી છે, એટલું જ સામાન્ય લોકોની કાયદેસરની અભિવ્યક્તિની સ્વતંત્રતા જાળવવી પણ મહત્વપૂર્ણ છે. તેથી વ્યક્તિત્વ અધિકારો અને મુક્ત અભિવ્યક્તિ વચ્ચે સ્પષ્ટ રેખા દોરવી જરૂરી છે.</p><p style="text-align: justify; "><b>મેટાએ ૪,૦૦૦ થી વધુ લિંક્સ અંગે આપી માહિતી</b></p><p style="text-align: justify; ">સુનાવણી દરમિયાન મેટા તરફથી કોર્ટને જણાવવામાં આવ્યું કે જાહ્નવીની લીગલ ટીમે ૪,૦૦૦ થી વધુ URL ની યાદી આપી છે જેને હટાવવાની માંગ કરાઈ છે. મેટાએ સ્પષ્ટ કર્યું કે આ બધી લિંક્સ એકસરખી નથી અને તે બધી જ અશ્લીલ કે ગેરકાયદેસર નથી. ત્યારબાદ દિલ્હી હાઈકોર્ટે જાહ્નવી કપૂરની લીગલ ટીમને વિવાદિત સામગ્રીને અલગ-અલગ કેટેગરીમાં વર્ગીકૃત કરીને કોર્ટ સમક્ષ રજૂ કરવા આદેશ આપ્યો છે, જેથી તેના આધારે અંતિમ આદેશ જારી કરી શકાય.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/arjun-bijlani-breaks-silence-on-dating-rumors-with-mouni-roy-attempts-to-defame-him-by-targeting-him" target="_blank">આ પણ વાંચો : Arjun Bijlani મૌની રોય સાથે ડેટિંગની અફવા પર તોડયું મૌન, ટાર્ગેટ કરીને બદનામ કરવાનો પ્રયાસ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/T5yp5iLdJTDR0OBkMKX6hqpGWEkE7oyl5VoOtIpP.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : થલતેજમાં AMCની ટીમ પર હુમલો: દબાણ હટાવવા ગયેલી ગાડીઓમાં તોડફોડ, ડ્રાઇવરને ઢોર માર માર્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-thaltej-amc-encroach-team-attacked-vehicles-damaged</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-thaltej-amc-encroach-team-attacked-vehicles-damaged</guid><pubDate>Wed, 12 Aug 2026 10:41:43 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના દબાણ હટાવ ખાતાની ટીમ પર થલતેજ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવાનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. ગઇ કાલે મંગળવારે સાંજે શાક માર્કેટ બહાર ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ઉશ્કેરાયેલા ટોળાએ ગાડીઓમાં ભારે તોડફોડ કરી હતી અને AMCના એક ડ્રાઇવર સાથે મારપીટ કરી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>ટીમ દબાણો દૂર કરવા માટે પહોંચી હતી</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, ગઈકાલે મોડી સાંજે AMCની ટીમ થલતેજ શાક માર્કેટ બહાર થઈ ગયેલા દબાણો દૂર કરવા માટે પહોંચી હતી. દબાણ હટાવવાની કામગીરી ચાલુ હતી તે દરમિયાન સ્થાનિક દબાણકારો અને અસામાજિક તત્વોએ વિરોધ દર્શાવી હંગામો મચાવ્યો હતો.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>AMCની 4 જેટલી ગાડીઓમાં તોડફોડ કરાઇ&nbsp;</b></h3><p style="text-align: justify; ">જોતજોતામાં ઉશ્કેરાયેલા ટોળાએ કાયદો હાથમાં લઈને AMCની 4 જેટલી ગાડીઓમાં તોડફોડ કરી હતી. એટલું જ નહીં, એક ગાડીના ડ્રાઇવરને ગાડીમાંથી બહાર ખેંચીને ઢોર માર મારવામાં આવ્યો હતો.</p><h4 style="text-align: justify; "><b>પોલીસમાં ફરિયાદ નોંધાઇ&nbsp;</b></h4><p style="text-align: justify; ">આ ઘટના બાદ ઘટનાસ્થળે ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. AMCની ટીમ દ્વારા આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. આ મામલે પોલીસ સ્ટેશનમાં તોડફોડ, સરકારી કામમાં રુકાવટ અને મારમારીની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો અને સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરીને તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-morbi-veerparda-mysterious-well-water-waves-scientific-reason-gsi" target="_blank"><b>Sandesh Digital Explainer: મોરબીનો રહસ્યમય કૂવો: અફવા નહીં, જાણો વૈજ્ઞાનિક હકીકત</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/8c5h9wv0KDZ3Dj2taCv0FGZgnNd1mOolyZHobWxq.webp'/></item><item><title><![CDATA[Ahmedabad SG હાઇવે પર સનસનાટી: 32 માળની બિલ્ડિંગની 300 ફૂટ ઊંચી ક્રેન પર શ્રમિકનો મૃતદેહ લટકતો મળ્યો, Video ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-sg-highway-crane-body-found-hanging-300-feet-high-building</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-sg-highway-crane-body-found-hanging-300-feet-high-building</guid><pubDate>Wed, 12 Aug 2026 09:43:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના એસજી હાઇવે  પર છારોડી તળાવ સામે આવેલી એક નિર્માણધીન હાઇરાઇઝ બિલ્ડિંગ પરથી એક અત્યંત ચોંકાવનારી અને સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં 32 માળની બિલ્ડિંગ પર લાગેલી અંદાજે 300 ફૂટ ઊંચી ક્રેન પર એક શ્રમિકનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે.</p><h2 style="text-align: justify; "><b>32 માળની બિલ્ડિંગમાં કામ કરતા એક મજૂરનો મૃતદેહ ક્રેન પર લટકે છે</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, એસજી હાઇવે પર છારોડી તળાવ સામે નિર્માણ પામી રહેલી 32 માળની બિલ્ડિંગમાં કામ કરતા એક મજૂરનો મૃતદેહ ક્રેન સાથે એકાદ કલાકથી વધુ સમય સુધી લટકતો રહ્યો હતો. ક્રેન પર મૃતદેહ લટકતો જોઈને રોડ પરથી પસાર થતા રાહદારીઓ અને બાંધકામ સાઇટ પરના અન્ય શ્રમિકોમાં ભારે ભય અને કૌતુક ફેલાયું હતું. ઘટના અંગે તુરંત જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી.</p><p style="text-align: justify; "><img alt="Shocking Incident At Ahmedabad SG Highway Body Found Hanging On 300 Feet High Crane" src="https://epapercdn.sandesh.com/images/2026/08/12/3vYlbup1yf6I9fo6D3pXA4UmZkXjB4ZPQsaJhVGi.webp" style="width: 100%;"><br></p><h3 style="text-align: justify; "><b>શ્રમિકે આત્મહત્યા કરી હોવાની આશંકા</b></h3><p style="text-align: justify; ">પ્રાથમિક દ્રષ્ટિએ શ્રમિકે આત્મહત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આટલી ઊંચાઈ પર ક્રેન સુધી શ્રમિક કેવી રીતે પહોંચ્યો અને ઘટના પાછળનું સાચું કારણ શું છે તે અંગે રહસ્ય ઘેરાયું છે. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો અને ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ મૃતદેહને નીચે ઉતારવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.&nbsp;</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2087396404612460742"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a>&nbsp; &nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>આજે વહેલી સવારે 7:30 વાગ્યે જાણ થઈ&nbsp;</b></h4><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">પ્રોજેક્ટ એન્જિનિયર  જયમીન પટેલે જણાવ્યું હતું કે  ગત મોડી રાત્રે આ ઘટના બની હતી, જે અંગે આજે વહેલી સવારે 7:30 વાગ્યે જાણ થઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, આ બનાવમાં સંકળાયેલ વ્યક્તિ કોન્ટ્રાક્ટરનો જ એક કર્મચારી હતો. ઘટનાની જાણ થતાં જ સૌથી પહેલા 108 એમ્બ્યુલન્સને સંપર્ક કરીને સ્થળ પર બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ તુરંત જ પોલીસ તંત્રને આ અંગે જાણ કરવામાં આવી હતી. આ બનાવ પાછળ ઘરમાં થયેલો કોઈ કૌટુંબિક કલેશ કે ઝઘડો કારણભૂત હોવાની પ્રાથમિક શક્યતા સેવાઈ રહી છે. હાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાયદેસરની તપાસ ચાલુ કરી દીધી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-morbi-veerparda-mysterious-well-water-waves-scientific-reason-gsi" target="_blank"><b>&nbsp; Sandesh Digital Explainer: મોરબીનો રહસ્યમય કૂવો: અફવા નહીં, જાણો વૈજ્ઞાનિક હકીકત</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/pCQKa0KCpof40nmtpeIE8yeYOj77uJdgEJqw6AF6.webp'/></item><item><title><![CDATA[Ronaldo-Georgina marries : 41 વર્ષના ફુટબોલરે 5 બાળકોની હાજરીમાં કર્યા લગ્ન ]]></title><link>https://sandesh.com/sports/news/cristiano-ronaldo-marries-41-year-old-footballer-gets-married-in-the-presence-of-5-children</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/cristiano-ronaldo-marries-41-year-old-footballer-gets-married-in-the-presence-of-5-children</guid><pubDate>Wed, 12 Aug 2026 08:18:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વિશ્વના સૌથી પ્રખ્યાત ફૂટબોલરોમાંના એક ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના જીવનમાં વધુ એક ખાસ પ્રકરણ ઉમેરાયું છે. રોનાલ્ડો અને તેમના લાંબા સમયના જીવનસાથી, જ્યોર્જીના રોડ્રિગ્ઝે આખરે લગ્ન કરી લીધા છે. આ દંપતીએ સોશિયલ મીડિયા પર તેમના લગ્નના સમાચાર શેર કરીને ચાહકોને આશ્ચર્યચકિત કર્યા હતા. 11 ઓગસ્ટના રોજ, 41 વર્ષીય રોનાલ્ડો અને 32 વર્ષીય જ્યોર્જીનાએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં તેમના લગ્નની વીંટીઓ દેખાઈ હતી. તેમણે ફોટોને ટૂંકમાં પરંતુ અનોખી રીતે કેપ્શન આપ્યું હતું, "CG." જોકે, આ દંપતીએ લગ્ન સમારોહના અન્ય કોઈ ફોટા જાહેર કર્યા નથી.</p><h5 style="text-align: justify;"><b>રોનાલ્ડોએ બાળકોની હાજરીમાં કર્યા લગ્ન&nbsp;</b></h5><p style="text-align: justify;">લગ્ન પોર્ટુગલના લિસ્બન નજીક એક સુંદર દરિયાકાંઠાના રિસોર્ટ, કાસ્કેસમાં થયા હતા. રોનાલ્ડોના પબ્લિક રિલેશન્સ મેનેજર, બ્રુન્સવિક ગ્રુપે જણાવ્યું હતું કે સમારોહ ખાનગી રાખવામાં આવ્યો હતો. રોનાલ્ડો અને જ્યોર્જીનાના પાંચ બાળકો પણ હાજર હતા. આ લગ્ને છેલ્લા કેટલાક અઠવાડિયાથી તેમના સંબંધો વિશે ચાલી રહેલી અટકળોનો પણ અંત લાવ્યો. નોંધપાત્ર રીતે, જ્યોર્જિનાએ ઓગસ્ટ 2025 માં તેમની સગાઈની જાહેરાત કરી હતી, અને હવે, બરાબર એક વર્ષ પછી, તેઓ લગ્ન કરી રહ્યા છે. રોનાલ્ડો તાજેતરમાં 2026 ફિફા વર્લ્ડ કપમાં પોર્ટુગલ માટે રમતા જોવા મળ્યો હતો.</p><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/Db6URBZAWgg/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/Db6URBZAWgg/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a></p><p style="text-align: justify;"><br></p><h5 style="text-align: justify;"><b>આ રીતે તેમની પ્રેમકથા શરૂ થઈ</b></h5><p style="text-align: justify;">રોનાલ્ડો અને જ્યોર્જીના પહેલી વાર 2016 માં મેડ્રિડમાં મળ્યા હતા. તે સમયે, જ્યોર્જીના ગુચી સ્ટોરમાં કામ કરતી હતી. તેના થોડા સમય પછી, તેમના સંબંધો હેડલાઇન્સમાં આવવા લાગ્યા. જાન્યુઆરી 2017 માં ઝુરિચમાં આયોજિત બેસ્ટ ફિફા ફૂટબોલ એવોર્ડ સમારોહ દરમિયાન તેઓ પહેલી વાર જાહેરમાં સાથે જોવા મળ્યા હતા.</p><h5 style="text-align: justify; "><b>&nbsp;તેમના સંબંધ ચર્ચામાં રહ્યો&nbsp;</b></h5><p style="text-align: justify; ">આ પછી, તેમનો સંબંધ ધીમે ધીમે વિશ્વના સૌથી ચર્ચિત સેલિબ્રિટી સંબંધોમાંના એકમાં ફેરવાઈ ગયો. જ્યોર્જીનાની નેટફ્લિક્સ શ્રેણી, આઈ એમ જ્યોર્જીના માં પણ તેમની પ્રેમકથા અને પારિવારિક જીવનની ઝલક દર્શાવવામાં આવી હતી. આ જ શ્રેણીમાં રોનાલ્ડોએ જ્યોર્જીના સાથેના પોતાના સંબંધો વિશે વાત કરતા કહ્યું કે શરૂઆતમાં તેમને ખ્યાલ નહોતો કે તે આટલું ગાઢ બનશે. સમય જતાં, તેમને સમજાયું કે જ્યોર્જીના તેમના જીવનમાં એક ખાસ વ્યક્તિ છે. રોનાલ્ડો અને જ્યોર્જીનાને બે પુત્રીઓ, અલાના અને બેલા છે. જ્યોર્જીના રોનાલ્ડોના મોટા પુત્ર, ક્રિસ્ટિયાનો જુનિયર અને જોડિયા, ઈવા મારિયા અને માટેઓનો પણ ઉછેર કરે છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/babita-phogat-welcomes-baby-girl" target="_blank">Babita Phogatએ પુત્રીને આપ્યો જન્મ, શેર કરી પહેલી તસવીર</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/5qKu5ZeFGpbMhgcWzMWcsdDUQmmGRVJ6AYE7zv06.webp'/></item></channel></rss>