<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[General Dhiraj Seth 17થી 19 ઓગસ્ટ સુધી નેપાળના પ્રવાસે, મળશે વિશેષ સન્માન ]]></title><link>https://sandesh.com/india/news/world/general-dhiraj-seth-nepal-visit-august-17-19-honorary-rank</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/world/general-dhiraj-seth-nepal-visit-august-17-19-honorary-rank</guid><pubDate>Sun, 16 Aug 2026 18:09:37 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય સેનાના પ્રમુખ જનરલ ધીરજ સેઠ 17થી 19 ઓગસ્ટ 2026 દરમિયાન નેપાળની સત્તાવાર મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન ભારત અને નેપાળ વચ્ચેના લાંબા સમયથી ચાલતા સૈન્ય સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ થવાની અપેક્ષા છે. જનરલ સેઠ 30 જૂન 2026થી ભારતીય સેનાના 31મા ચીફ ઓફ ધ આર્મી સ્ટાફ તરીકે કાર્યરત છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2088962088639287547"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>બંને દેશો વચ્ચેના સંરક્ષણ સહયોગ અને પરસ્પર સંબંધો અંગે ચર્ચા</b></h2><p>નેપાળ પહોંચ્યા બાદ જનરલ સેઠનું નેપાળી સેના મુખ્યાલય ખાતે ઔપચારિક સ્વાગત કરવામાં આવશે અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. મુલાકાત દરમિયાન તેઓ નેપાળના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ સાથે મુલાકાત કરી બંને દેશો વચ્ચેના સંરક્ષણ સહયોગ અને પરસ્પર સંબંધો અંગે ચર્ચા કરશે. જનરલ સેઠ નેપાળના રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનારા ઈન્વેસ્ટિચર સમારોહમાં પણ હાજરી આપશે. ભારત અને નેપાળની સેનાઓ વચ્ચેની વિશિષ્ટ પરંપરા મુજબ, નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ તેમને નેપાળી સેનાના 'જનરલ'ની માનદ પદવી એનાયત કરશે.</p><h3><b>જનરલ સેઠની છે લાંબી કારકિર્દી</b></h3><p>ભારત અને નેપાળ વચ્ચે ઐતિહાસિક અને ગાઢ સૈન્ય સંબંધો છે. બંને દેશોની સેનાઓ વચ્ચે તાલીમ, સંયુક્ત કવાયત અને ઉચ્ચસ્તરીય મુલાકાતો દ્વારા સહયોગ સતત આગળ વધતો રહ્યો છે. જનરલ સેઠની આ મુલાકાત બંને દેશો વચ્ચેના સંરક્ષણ અને વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જનરલ સેઠ નેશનલ ડિફેન્સ એકેડમી, ખડકવાસલાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને ડિસેમ્બર 1986માં આર્મર્ડ કોર્પ્સમાં કમિશન થયા હતા. તેમની લાંબી કારકિર્દીમાં વિવિધ મહત્વપૂર્ણ કમાન્ડ અને વ્યૂહાત્મક જવાબદારીઓ સંભાળી છે.<br><br><a href="https://sandesh.com/india/news/political-news/after-the-death-of-tmc-leader-asish-banerjee-cm-shubhendu-adhikari-promises-an-investigation-into-the-possibility-of-threats" target="_blank"><b>આ પણ વાંચો : TMC નેતા Asish Banerjeeના મૃત્યુ બાદ, સીએમ Shubhendu Adhikariએ ધમકીઓની શક્યતા અંગે તપાસનું આપ્યું વચન</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/nKOM4C3M9yTeA6Zq5I5StJ2QShUAJkqnMzcUy7ks.webp'/></item><item><title><![CDATA[Ahmedabad Airport પર કસ્ટમ્સની કાર્યવાહી, શારજાહથી લાવેલું રૂ.28.87 લાખનું સોનું અને સામાન જપ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/airport-customs-seizes-gold-sharjah-passengers</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/airport-customs-seizes-gold-sharjah-passengers</guid><pubDate>Sun, 16 Aug 2026 18:09:36 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની એર ઇન્ટેલિજન્સ યુનિટની ટીમે મોટી કાર્યવાહી કરી છે. શારજાહથી એર અરેબિયાની ફ્લાઇટ નંબર G9-418 મારફતે 16 ઓગસ્ટે અમદાવાદ પહોંચેલા બે મુસાફરોને શંકાના આધારે અટકાવવામાં આવ્યા હતા. પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે કસ્ટમ્સ ટીમે એક મહિલા અને એક પુરુષ મુસાફરની સઘન તપાસ હાથ ધરી હતી.</p><h2><b>મહિલા મુસાફરના પર્સ અને કપડાંમાંથી સોનું મળ્યું</b></h2><p>તપાસ દરમિયાન મહિલા મુસાફર પાસેથી 24 કેરેટ અને 18 કેરેટનું કુલ 219.43 ગ્રામ સોનું મળી આવ્યું હતું. આ જપ્ત કરાયેલા સોનાની બજાર કિંમત રૂ.28,87,473 અંકાયી છે. મહિલાએ કસ્ટમ્સની નજરથી બચવા માટે સોનાના દાગીના પર્સમાં તેમજ કપડાંની નીચે શરીર પર છુપાવ્યા હતા. જપ્ત કરવામાં આવેલા સોનામાં બ્રેસલેટ, બંગડી, નેકલેસ, ચેઇન, પાયલ અને કાનની બુટ્ટીઓનો સમાવેશ થાય છે. જેમાં 24 કેરેટનું 70.18 ગ્રામ અને 18 કેરેટનું 149.25 ગ્રામ સોનું હતું.</p><p><img alt="Ahmedabad Airport Customs Seizes Gold Worth Rs 28.87 Lakh From Sharjah Passengers" src="https://epapercdn.sandesh.com/images/2026/08/16/oFontiFxgQMbslO0135CdTLQ2j46xfD1JGFtxhPL.webp"><br></p><h2><b>પુરુષ મુસાફર પાસેથી લેપટોપ અને કોસ્મેટિક્સ જપ્ત</b></h2><p>મહિલા સાથે મુસાફરી કરી રહેલા પુરુષ મુસાફરની બેગની તપાસ કરતા તેમાંથી પણ બિનઅધિકૃત સામાન મળી આવ્યો હતો. પુરુષ મુસાફર પાસેથી કોસ્મેટિક્સ, ફેસ બ્લીચ ક્રીમ, કોલ્ડ રિલીફ ઓઇલ, રેડીમેડ કપડાં, 1 મોબાઇલ ફોન અને 2 લેપટોપ મળી આવ્યા હતા. જપ્ત કરવામાં આવેલા આ તમામ સામાનની અંદાજિત કિંમત રૂ.3.50 લાખ આંકવામાં આવી છે.</p><p><img alt="Ahmedabad Airport Customs Seizes Gold Worth Rs 28.87 Lakh From Sharjah Passengers" src="https://epapercdn.sandesh.com/images/2026/08/16/PdbaLaXClyrAFUqMA2ozY0f5G17c37bVATTPlU2a.webp"><br></p><h2><b>કસ્ટમ્સ એક્ટ હેઠળ કાયદેસરની તપાસ શરૂ</b></h2><p>અમદાવાદ કસ્ટમ્સ વિભાગે કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ કુલ 219.43 ગ્રામ સોનું અને અન્ય કિંમતી સામાન જપ્ત કર્યો છે. શારજાહથી ગેરકાયદે સોનું અને કિંમતી ચીજવસ્તુઓ લાવવા પાછળ કોઈ મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે કે, કેમ તે દિશામાં કસ્ટમ્સ અધિકારીઓએ બંને મુસાફરોની પૂછપરછ હાથ ધરીને આગળની તપાસ તેજ કરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/crime-branch-seizes-80-gram-md-drugs-in-danilimda-two-arrested" target="_blank">Ahmedabad: મહાનગરપાલિકાએ તોડેલી બિલ્ડિંગ બન્યો નશાનો અડ્ડો, 8 લાખના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/fhmhQEHJ5ZofWQCKUnO1oj0kk0nXLqvdK4w86U4u.webp'/></item><item><title><![CDATA[TMC નેતા Asish Banerjeeના મૃત્યુ બાદ, સીએમ Shubhendu Adhikariએ ધમકીઓની શક્યતા અંગે તપાસનું આપ્યું વચન ]]></title><link>https://sandesh.com/india/news/political-news/after-the-death-of-tmc-leader-asish-banerjee-cm-shubhendu-adhikari-promises-an-investigation-into-the-possibility-of-threats</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/political-news/after-the-death-of-tmc-leader-asish-banerjee-cm-shubhendu-adhikari-promises-an-investigation-into-the-possibility-of-threats</guid><pubDate>Sun, 16 Aug 2026 18:06:50 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ ટીએમસી નેતાની આત્મહત્યાના થોડા કલાકો પછી કહ્યું કે, જો કોઈએ તેમને ધમકી આપી હોય, તો તપાસ કરીશું.</p><h2 style="text-align: justify; ">આશિષ બેનર્જીના મોત પાછળ શુ છે સત્ય ?&nbsp;</h2><p style="text-align: justify; ">પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે તેઓ આશિષ બેનર્જીના નિધનથી ખૂબ જ દુઃખી છે. તેમણે પોતાના જીવનનો મોટાભાગનો સમય સમાજને શિક્ષણ આપવામાં અને સેવા આપવામાં વિતાવ્યો. તેઓ હંમેશા તેમના નમ્ર સ્વભાવ અને રામપુરહાટ અને બીરભૂમના લોકો સાથેના ગાઢ સંબંધો માટે જાણીતા હતા. બેનર્જી બીરભૂમ જિલ્લાના રામપુરહાટમાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યાલયમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે તેમનો મૃતદેહ લટકતો મળી આવ્યો હતો.&nbsp;</p><h3 style="text-align: justify; ">આશિષ બેનર્જીની મોત પીડાદાયકઃ મમતા બેનર્જી&nbsp;</h3><p style="text-align: justify; ">આ દુ:ખદ ઘટનાને વધુ પીડાદાયક બનાવતી બાબત એ છે કે તેમણે તેમના અંતિમ દિવસોમાં ભારે માનસિક અને ભાવનાત્મક તણાવ સહન કર્યો હતો. પાંચ વખતના ધારાસભ્ય, ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર અને ચેરમેન તરીકે, આશિષ દાએ રામપુરહાટમાં વિકાસ લાવવા માટે પોતાને સમર્પિત કર્યા અને લોકો માટે ઘણા મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કર્યા. છતાં, તેમની સિદ્ધિઓ હોવા છતાં, તેમને વારંવાર બદનામ કરવામાં આવ્યા, ખોટા આરોપ મૂકવામાં આવ્યા અને સતત દબાણનો સામનો કરવો પડ્યો.</p><h4 style="text-align: justify; ">કુણાલ ઘોષે તપાસની માંગ કરી</h4><p style="text-align: justify; ">બીજી તરફ, ટીએમસીના ધારાસભ્ય કુણાલ ઘોષે નિષ્પક્ષ તપાસની માંગ કરી, કહ્યું કે આશિષ બેનર્જીએ તેમની સુસાઇડ નોટમાં માનસિક તણાવ અને સામાજિક કલંકના ડરનો ઉલ્લેખ કર્યો હતો. ઘોષે તેમના મૃત્યુને તૃણમૂલ કોંગ્રેસના રાજકીય વિકાસ સાથે જોડવાનો પણ પ્રયાસ કર્યો. ઘોષે કહ્યું, તેમની સુસાઇડ નોટમાં તેમણે લખ્યું હતું કે તેઓ સામાજિક કલંકના ડરને કારણે થતા માનસિક દબાણને સહન કરી શકતા નથી. તૃણમૂલના સારા નેતા હોવા છતાં, તેઓ બચી શક્યા નહીં. ભારતીય જનતા પાર્ટીએ આની જવાબદારી લેવી જોઈએ. અમે આ ઘટનાની નિષ્પક્ષ તપાસ ઇચ્છીએ છીએ.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/indonesia-earthquake-tsunami-3-major-earthquakes-and-more-than-230-aftershocks-in-24-hours-create-fear-in-indonesia" target="_blank">24 કલાકમાં 3 મોટા ભૂકંપ અને 230થી વધુ આફ્ટરશોક્સથી ઇન્ડોનેશિયામાં ડરનો માહોલ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/ailsB5c9M4fZ5QpPGPNB0GaepoMEaa2XfBHPuSjp.webp'/></item><item><title><![CDATA[Surendranagar News : શ્રાવણ માસમાં મહિલાઓની અનોખી શિવભક્તિ, દરરોજ બનાવે છે 25 હજાર પાર્થેશ્વર શિવલિંગ ]]></title><link>https://sandesh.com/gujarat/news/shravan-vishesh-/surendranagar/surendranagar-news-unique-devotion-of-women-to-shiva-in-shravan-month-25-thousand-partheshwar-shivlings-are-made-every-day</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/shravan-vishesh-/surendranagar/surendranagar-news-unique-devotion-of-women-to-shiva-in-shravan-month-25-thousand-partheshwar-shivlings-are-made-every-day</guid><pubDate>Sun, 16 Aug 2026 17:57:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સુરેન્દ્રનગર શહેરમાં શિવભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરની મહિલાઓ વહેલી સવારે 3 વાગ્યાથી એકત્રિત થઈને કાળી માટીમાંથી રોજના 25 હજાર પાર્થેશ્વર શિવલિંગ બનાવીને દેવાધિદેવ મહાદેવની આરાધના કરી રહી છે. શ્રાવણ માસ દરમિયાન કુલ સવા લાખ શિવલિંગ બનાવી તેની શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા-અર્ચના કર્યા બાદ તેનું વિસર્જન કરવામાં આવે છે.</p><h2 style="text-align: justify; "><b>ચોખા અને કેસરથી અનોખો શૃંગાર</b></h2><p style="text-align: justify; ">મહિલાઓ દ્વારા માટીમાંથી શિવલિંગ તૈયાર કર્યા બાદ તેની પર ચોખાનો દાણો અર્પિત કરીને કેસરનો ચાંદલો કરવામાં આવે છે. આ શિવલિંગને એકત્રિત કરીને દરરોજ અલગ-અલગ મનોહર આકૃતિઓ રચવામાં આવે છે. શ્રાવણ માસની આ પવિત્ર આરાધનામાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈને શિવમય બની રહી છે.</p><h2 style="text-align: justify; "><b>આધ્યાત્મિક વાતાવરણ અને શિવભક્તિનો ઉત્સવ</b></h2><p style="text-align: justify; ">મહિલાઓ દ્વારા કરવામાં આવી રહેલી આ નિષ્ઠાપૂર્વકની ભક્તિને કારણે સમગ્ર વિસ્તારમાં આધ્યાત્મક ઉર્જાનો સંચાર થયો છે. દરરોજ વિધિવત પૂજા-અર્ચના બાદ જળાશયમાં શિવલિંગનું વિસર્જન કરવામાં આવે છે. આ અનોખા ભક્તિ આયોજનથી સુરેન્દ્રનગરમાં શ્રાવણ માસની ઉજવણી વધુ શ્રદ્ધામય બની રહી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/kheda/kheda-news-controversy-over-chitlav-sardarpura-bridge-collapse-tension-within-the-administration-over-taking-responsibility" target="_blank">Kheda News : ચિતલાવ-સરદારપુરા બ્રિજ ધરાશાયી મામલે વિવાદ, જવાબદારી લેવા મુદ્દે તંત્રમાં ખેંચતાણ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/YX3r5BsikHcdwbPMEqrNTc27fnK5S8zl4J9XbyLT.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : 21 વર્ષના યુવકના દુઃખદ અવસાન પર સિવિલ તંત્રની પ્રતિક્રિયા, 'પરિવારની સાથે છીએ, તપાસ થશે' ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-news-civil-administrations-reaction-to-the-tragic-death-of-a-21-year-old-youth-we-are-with-the-family-an-investigation-will-be-conducted</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-news-civil-administrations-reaction-to-the-tragic-death-of-a-21-year-old-youth-we-are-with-the-family-an-investigation-will-be-conducted</guid><pubDate>Sun, 16 Aug 2026 17:36:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 21 વર્ષીય યુવકના થયેલા દુઃખદ મોત અંગે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, યુવકના પગમાં STG (સ્કિન ગ્રાફ્ટિંગ) સર્જરી કરવામાં આવી હતી, જે અત્યંત સામાન્ય ઓપરેશન ગણાય છે. આ સર્જરીમાં દર્દીના શરીરના એક ભાગમાંથી ચામડી લઈને બીજા ભાગ પર લગાવવામાં આવતી હોય છે.</p><h2 style="text-align: justify; "><b>મોતનું કારણ અને એનેસ્થેશિયા પર પ્રતિક્રિયા</b></h2><p style="text-align: justify; ">યુવકના અચાનક થયેલા અવસાન પાછળના કારણો અંગે વાત કરતા સુપ્રિટેન્ડેન્ટે ઉમેર્યું હતું કે, આ કિસ્સામાં એનેસ્થેશિયાના કારણે મોત થયું હોય તેવી શક્યતા નહિવત અથવા ખૂબ ઓછી છે. તેથી મોત પાછળ કોઈ અન્ય તબીબી કે આકસ્મિક કારણ હોઈ શકે છે, જેની ટેકનિકલ તપાસ કરવી જરૂરી છે.</p><h2 style="text-align: justify; "><b>સંવેદના અને તપાસની ખાતરી</b></h2><p style="text-align: justify; ">સિવિલ તંત્રએ આ દુઃખદ ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હોસ્પિટલ પ્રશાસન આ કઠિન સમયે પીડિત પરિવારની સાથે ઊભું છે. યુવકનું મોત ખરેખર કયા કારણોસર થયું છે તેની સત્યતા બહાર લાવવા માટે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક અને તટસ્થ તપાસ કરવામાં આવશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/surendranagar/surendranagar-news-gross-negligence-in-the-work-of-dhrangadhra-railway-station-children-seen-playing-among-heavy-stones" target="_blank">Surendranagar News : ધ્રાંગધ્રા રેલવે સ્ટેશનના કામમાં ઘોર બેદરકારી, ભારે પથ્થરો વચ્ચે રમતા જોવા મળ્યા બાળકો</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/8WtUVx4gNJJRlPj06afB93shDAniWnUcODJZos1z.webp'/></item><item><title><![CDATA[Sunny Deol નથી પીતા દારૂ! કરિયરના ડાઉનફોલ અને સક્સેસ પર એક્ટરે તોડ્યું મૌન, કર્યો ચોંકાવનારો ખુલાસો! ]]></title><link>https://sandesh.com/entertainment/news/sunny-deol-alcohol-career-downfall-reaction</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/sunny-deol-alcohol-career-downfall-reaction</guid><pubDate>Sun, 16 Aug 2026 17:30:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સની દેઓલ હાલ ફિલ્મ બંટવારા 1947માં જોવા મળી રહ્યા છે. ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સની દેઓલ જોરશોરથી ફિલ્મના પ્રચારમાં વ્યસ્ત છે. તાજેતરમાં એક મુલાકાતમાં તેમણે પોતાની કારકિર્દીના ઉતાર વિશે વાત કરી હતી.</p><h2 style="text-align: justify; "><b>કારકિર્દીના ઉતાર પર સની દેઓલે કરી વાત</b></h2><p style="text-align: justify; ">ગદર ફિલ્મ ખૂબ સફળ થયા પછી પણ સની દેઓલની કારકિર્દીમાં જે ઉતાર આવ્યો હતો, તેના વિશે અભિનેતાએ શુભાંકર મિશ્રાના પોડકાસ્ટમાં વાત કરી. તેમણે કહ્યું કે અચાનક કોમ્પ્યુટરનો સમય આવ્યો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કામ કરવાની રીત બદલાવા લાગી. ગદરની સાથે તેમણે ઈન્ડિયન ફિલ્મમાં પણ કામ કર્યું હતું, જે ખૂબ મોટી સફળ રહી હતી. તે સમયે ઈન્ડિયનએ લગાન કરતાં બમણી કમાણી કરી હતી અને ગદરએ તો તેનાથી પણ વધુ કમાણી કરી હતી.</p><h2 style="text-align: justify; "><b>ફિલ્મોમાં રાજકારણ ન આવવું જોઈએ: સની દેઓલ</b></h2><p style="text-align: justify; ">સની દેઓલે વધુમાં કહ્યું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બદલાવ આવ્યો હતો. જો બોલે સો નિહાલ ફિલ્મને પણ રાજકારણના કારણે સિનેમાઘરોમાંથી હટાવવી પડી હતી. તેમણે કહ્યું કે આજકાલ ફિલ્મોની વચ્ચે જે રાજકારણ આવી રહ્યું છે, તે ન આવવું જોઈએ. રાજકારણને બહાર જ રાખવું જોઈએ. આપણે કોઈ ખોટું કામ નથી કરતા. આ મનોરંજન છે અને તેને મનોરંજન જ રહેવા દેવું જોઈએ.</p><h3 style="text-align: justify; "><b>અભિનેતા બનવાનું ક્યારે નક્કી કર્યું હતું?</b></h3><p style="text-align: justify; ">આ ઉપરાંત સની દેઓલે અભિનેતા બનવા અંગે પણ વાત કરી. તેમણે કહ્યું, જ્યારે મેં શાળાનો અભ્યાસ પૂરો કર્યો ત્યારે અભિનેતા બનવાનું વિચાર્યું હતું. તે પહેલાં ક્યારેય વિચાર્યું નહોતું. હું પિતાની ફિલ્મો ખૂબ જોતો હતો અને બીજાની ફિલ્મો ભાગ્યે જ જોતો હતો. પિતાની દરેક ફિલ્મ જોતો હતો. હોલીવુડની ફિલ્મો પણ ઘણી જોતો હતો. પિતાની જૂની ફિલ્મોથી મને પ્રેરણા મળી. મારા માટે અભિનય એટલે લાગણીઓને વ્યક્ત કરવી.</p><h3 style="text-align: justify; "><b>સફળતાનો અહંકાર ક્યારેય થયો નથી: સની દેઓલ</b></h3><p style="text-align: justify; ">સફળતા મળ્યા પછી અહંકાર આવવા અંગે સની દેઓલે કહ્યું, મારા મનમાં ક્યારેય એવો વિચાર આવ્યો નથી. આ એક પ્રકારનો નશો હોય છે અને એવો નશો ક્યારેય મારા પર ચઢ્યો નથી. કારણ કે હું ધર્મેન્દ્રનો દીકરો છું. અમે બધી વસ્તુઓ જોઈ છે અને અનુભવી છે. તેથી કારકિર્દીના ઉતાર-ચઢાવથી ક્યારેય ગભરાયો નથી. પિતા પણ ક્યારેય બદલાયા નથી.</p><h4 style="text-align: justify; "><b>દારૂ અને સિગારેટ અંગે શું બોલ્યા સની દેઓલ?</b></h4><p style="text-align: justify; ">સની દેઓલે સિગારેટ અને દારૂ અંગે પણ વાત કરી. તેમણે કહ્યું, મેં દારૂ અને સિગારેટ અજમાવ્યાં છે, પરંતુ ક્યારેય તેનું સેવન કર્યું નથી. જ્યારે હું યુવાન હતો ત્યારે અજમાવ્યું હતું. તે સમયે હું વિદેશમાં ભણતો હતો. મારી ઉંમરના લોકો આ બધું કરતા હતા, એટલે મેં પણ અજમાવ્યું હતું. મને તેનો સ્વાદ પસંદ નથી. તેની ગંધ પણ પસંદ નથી. હું સવારે શક્ય તેટલું વહેલું ઉઠું છું. મને હકારાત્મક લાગે છે.</p><h6 style="text-align: justify; "><b>ઇક્કામાં પણ જોવા મળ્યા હતા સની દેઓલ</b></h6><p style="text-align: justify; ">ફિલ્મ બંટવારા 1947ની વાત કરીએ તો તેમાં સની દેઓલ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં પ્રીતિ ઝિન્ટા મુખ્ય અભિનેત્રીની ભૂમિકામાં છે. શબાના આઝમી પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળી રહ્યાં છે. ફિલ્મનું નિર્માણ આમિર ખાને કર્યું છે, જ્યારે રાજકુમાર સંતોષીએ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. સની દેઓલ આ પહેલાં ઇક્કામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં અક્ષય ખન્ના પણ જોવા મળ્યા હતા. ફિલ્મ OTT પર રિલીઝ થઈ હતી અને તેની ઘણી ચર્ચા થઈ હતી. દર્શકોને આ ફિલ્મ પસંદ પણ આવી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/shah-rukh-khan-ajay-devgn-tiger-fda-notice-elaichi-ad" target="_blank">આ પણ વાંચો-Shah Rukh Khan, અજય દેવગન અને ટાઈગર શ્રોફની વધી મુશ્કેલીઓ! ગુટખા એડને લઈને FDAની નોટિસ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/IaMVfZ3wdyeX2vfFzQA9q7xhhYjTySkwJf43acWK.webp'/></item><item><title><![CDATA[Rajkot News: બેડી નજીક ઘુનામાં ડૂબવાથી 3 બાળકો સહિત 4 લોકોના મોત ]]></title><link>https://sandesh.com/gujarat/breakingnews/rajkot/breaking-bedi-village-drowning-incident-four-dead-kuwadva-police</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/breakingnews/rajkot/breaking-bedi-village-drowning-incident-four-dead-kuwadva-police</guid><pubDate>Sun, 16 Aug 2026 17:14:40 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ શહેર નજીક આવેલા બેડી ગામથી હડમતીયા તરફ જવાના રસ્તા પર એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં આવેલી વીડિવાળા પીરની દરગાહ નજીક ઘુના તળાવમાં ન્હાવા પડેલા 3 માસૂમ બાળકો અને 1 યુવક સહિત કુલ 4 લોકોના પાણીમાં ડૂબી જવાથી કમનસીબ મોત નીપજ્યા છે. એકસાથે 4 લોકોના અકાળે અવસાન થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. એક સાથે ચાર લોકોના મોત થવાને કારણે શોકનું મોજું ફરી વળ્યું છે.</p><h2><b>નાના ભાઈને બચાવવા જતાં 4 લોકો કાળનો કોળિયો બન્યા</b></h2><p>ઘટનાની મળતી માહિતી અનુસાર, મૃતકોમાં સોહન શોરા (ઉંમર 10 વર્ષ), સેફુ શોરા (ઉંમર 5 વર્ષ), અલીફા શોરા (ઉંમર 10 વર્ષ) અને સાહિલ શોરા (ઉંમર 18 વર્ષ)નો સમાવેશ થાય છે. જેમાં સોહન અને સેફુ બંને સગા ભાઈઓ હતા. ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે 5 વર્ષનો નાનો માસૂમ સેફુ અચાનક ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો. તેને ડૂબતો જોઈને તેને બચાવવા માટે અન્ય બે બાળકો અને 18 વર્ષનો યુવક સાહિલ પાણીમાં કૂદી પડ્યા હતા, પરંતુ કમનસીબે પાણીનું ઊંડાણ વધુ હોવાથી ચારેય જણા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.</p><h2><b>જન્મદિવસના દિવસે જ કાળનો પંજો ત્રાટક્યો</b></h2><p>આ ગોઝારી ઘટનામાં સૌથી વધુ કાળજું કંપાવનારી બાબત એ સામે આવી છે કે, મૃતક 10 વર્ષીય સોહન શોરાનો આજે જ જન્મદિવસ હતો. જે દિવસે ઘરમાં ઉત્સવ અને ખુશીનો માહોલ હોવો જોઈએ, તે જ દિવસે કાળના પંજાએ માસૂમનો જીવ છીનવી લીધો હતો. પોતાના સંતાનનો જન્મદિવસ જ તેનો અંતિમ દિવસ બનતાં પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને તેમના કરુણ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે.</p><h2><b>સ્થાનિકોએ મૃતદેહો બહાર કાઢ્યા, કુવાડવા રોડ પોલીસની તપાસ શરૂ</b></h2><p>બનાવની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનોએ ભારે જહમત ઉઠાવીને ડૂબેલા ત્રણેય બાળકો અને યુવકના મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢ્યા હતા. આ ઘટના અંગે જાણ કરાતાં જ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડીને આકસ્મિક મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/rajkot/b-division-police-arrests-two-accused-arman-and-afzal-in-minor-girl-pocso-case" target="_blank">Rajkot: સગીરાને અમદાવાદ ભગાડી જઈ આચર્યું હતું દુષ્કર્મ, પોલીસે ગણતરીના કલાકોમાં ગુનો નોંધી આરોપીઓને દબોચ્યા</a></p><p><br></p><p>                                    
                                </p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/TQfaf4ucZNrMoDTxDjmmsNLpJsC9SrVYWZPvFqbB.webp'/></item><item><title><![CDATA[Chhota Udepur Crime News: પ્રેમસંબંધ ન રાખવાની અદાવતમાં ભત્રીજાએ ચાકુના ઘા ઝીંકી 3 સંતાનોની માતાની કરી હત્યા ]]></title><link>https://sandesh.com/crime/news/maru-saher-maru-gaam/chhota-udepur/koraj-village-woman-murder-case-illicit-relationship</link><guid isPermaLink="true">https://sandesh.com/crime/news/maru-saher-maru-gaam/chhota-udepur/koraj-village-woman-murder-case-illicit-relationship</guid><pubDate>Sun, 16 Aug 2026 16:58:16 +05:30</pubDate><description><![CDATA[<p>છોટાઉદેપુરના કોરાજ ગામેથી એક અત્યંત સનસનાટીભર્યા અને હૃદયકંપાવનારા ગોઝારા સમાચાર સામે આવ્યા છે. કોરાજ ગામમાં એક જ ઘરમાંથી 3 સંતાનોની પરણિત માતાની નિર્મમ હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતક મહિલાની ઓળખ ભારતી રાઠવા તરીકે થઈ છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને વાયુવેગે આ સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા હતા.</p><h2><b>પ્રેમસંબંધનો અંત લાવવા બાબતે રક્તપાત સર્જાયો</b></h2><p>પોલીસની પ્રાથમિક તપાસમાં આ સનસનીખેજ હત્યા પાછળ અનૈતિક પ્રેમસંબંધ કારણભૂત હોવાનું બહાર આવ્યું છે. મૃતક ભારતી રાઠવાને તેના જ કૌટુંબિક ભત્રીજા સુનિલ રાઠવા સાથે લગ્નેતર પ્રેમસંબંધ હતો. જોકે, છેલ્લા કેટલાક સમયથી મહિલાએ આ અનૈતિક પ્રેમસંબંધ આગળ ન રાખવાનો અને સંબંધ તોડી નાખવાનો નિર્ણય કર્યો હતો. પ્રેમી સુનિલ રાઠવાને આ વાત સહન ન થતાં તેણે મનમાં ગાઢ અદાવત રાખી હતી.</p><p><img alt="ChhotaUdepur Crime News: 3-Child Mother Murdered at Home in Koraj Village" src="https://epapercdn.sandesh.com/images/2026/08/16/PGkAH1UCOGVenc1WUsH0zdnvCtgVNv74zODZqMdK.webp"><br></p><h2><b>મધરાતે ઘરમાં ઘૂસીને ચપ્પુના ઘા ઝીંક્યા</b></h2><p>પ્રેમસંબંધ ન રાખવાની અદાવતમાં અંધ બની ગયેલો પ્રેમી સુનિલ રાઠવા મધરાતના સમયે ચૂપચાપ મહિલાના ઘરે પહોંચ્યો હતો. ઘરમાં ઘૂસીને તેણે ભારતી રાઠવા પર અચાનક હુમલો કરી દીધો હતો. તેણે મહિલાના માથાના અને પીઠના ભાગે ચપ્પુના આડેધડ ઊંડા ઘા ઝીંકીને તેને લોહીલુહાણ કરી નાખી હતી. ગંભીર ઈજાઓના કારણે મહિલાનું ઘટના સ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું અને હત્યારો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.</p><p><img alt="ChhotaUdepur Crime News: 3-Child Mother Murdered at Home in Koraj Village" src="https://epapercdn.sandesh.com/images/2026/08/16/8LXEKK8jsQhyi8LbIe12aCho1HpaNfaQS6MkzNf6.webp"><br></p><h2><b>FSL અને ડોગ સ્ક્વોડ સાથે પોલીસનો ધમધમાટ</b></h2><p>ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને છોટાઉદેપુર પોલીસની ટીમ તાત્કાલિક કોરાજ ગામે પહોંચી ગઈ હતી. ઘટના સ્થળેથી મહત્ત્વના પુરાવા એકત્ર કરવા માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી છે. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા હત્યારા કૌટુંબિક ભત્રીજા સુનિલ રાઠવાને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.</p><p><img alt="ChhotaUdepur Crime News: 3-Child Mother Murdered at Home in Koraj Village" src="https://epapercdn.sandesh.com/images/2026/08/16/VLdLgSUXr5bSKgEGZYon94uhHRxydInqyRNbp6Nv.webp"><br></p><p><br></p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-repairs-of-damaged-naswadi-ako-road-undertaken" target="_blank">Chhota udepur Crime News: નસવાડી-આકોના ક્ષતિગ્રસ્ત માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવ્યું</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/mzjUntN3NtfXaAT7ANSrxaA37HPMgg5bIMw2vvDe.webp'/></item><item><title><![CDATA[FII Investment : ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોનો વિશ્વાસ ફરી વધ્યો, ઓગસ્ટના 15 દિવસમાં રૂપિયા 16,621 કરોડનું કર્યું રોકાણ ]]></title><link>https://sandesh.com/business/news/fii-investment-indian-stock-market-16621-crore-august</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/fii-investment-indian-stock-market-16621-crore-august</guid><pubDate>Sun, 16 Aug 2026 16:22:07 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય શેરબજારમાં રોકાણ કરનારા લોકો માટે રાહતના સમાચાર છે. છેલ્લા કેટલાક મહિનાથી ભારતીય બજારમાં સતત વેચવાલી કરી રહેલા વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI) હવે ફરી ખરીદીના મૂડમાં જોવા મળી રહ્યા છે. ઓગસ્ટના પ્રથમ 15 દિવસમાં જ FPIએ ભારતીય શેરબજારમાં ₹16,621 કરોડનું રોકાણ કર્યું છે. જુલાઈમાં પણ વિદેશી રોકાણકારોએ આશરે ₹20,200 કરોડનું રોકાણ કર્યું હતું. આ સાથે સતત બીજા મહિને વિદેશી મૂડીનો પ્રવાહ જોવા મળ્યો છે.</p><h2><b>અત્યાર સુધી કેટલી વેચવાલી કરી?</b></h2><p>વર્ષ 2026ની શરૂઆતથી વિદેશી રોકાણકારોની ભારે વેચવાલી જોવા મળી હતી. અત્યાર સુધી તેઓ ભારતીય બજારમાંથી કુલ આશરે ₹2.4 લાખ કરોડ પાછા ખેંચી ચૂક્યા છે. આ આંકડો સમગ્ર 2025 દરમિયાન ઉપાડવામાં આવેલા ₹1.66 લાખ કરોડ કરતાં પણ વધુ છે. માર્ચમાં ₹1.17 લાખ કરોડ, એપ્રિલમાં ₹60,847 કરોડ, મેમાં ₹32,963 કરોડ અને જૂનમાં ₹49,340 કરોડની વેચવાલી થઈ હતી. માત્ર ફેબ્રુઆરીમાં FPIએ થોડી ખરીદી કરી હતી.</p><h3><b>કયા કારણોસર વિદેશી રોકાણકારોનો ભારત પ્રત્યેનો વિશ્વાસ વધ્યો?</b></h3><p>અમેરિકામાં વ્યાજદરમાં ઘટાડાની વધતી અપેક્ષા, કાચા તેલના ભાવમાં નરમાઈ અને રૂપિયાની સ્થિરતા જેવા કારણોસર વિદેશી રોકાણકારોનો ભારત પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે. ઉપરાંત, તાઈવાન અને દક્ષિણ કોરિયામાં AI આધારિત શેરોમાં મોટા પ્રમાણમાં રોકાણ થયા બાદ રોકાણકારો પોર્ટફોલિયોમાં વૈવિધ્ય લાવવા ભારત તરફ વળી રહ્યા હોવાનું માનવામાં આવે છે.</p><h4><b>કયા ક્ષેત્રોમાં જોવા મળી રહ્યો છે રસ?</b></h4><p>વિદેશી રોકાણકારો ખાસ કરીને ભારતીય સ્થાનિક માગ સાથે જોડાયેલી કંપનીઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર અને કન્ઝ્યુમર સર્વિસિસ જેવા ક્ષેત્રોમાં રસ જોવા મળી રહ્યો છે. જુલાઈમાં IT, મેટલ અને માઈનિંગ ક્ષેત્રોમાં પણ વિદેશી ખરીદી નોંધાઈ હતી. FPIની આ વાપસી ભારતીય શેરબજાર માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહી છે.</p><p><a href="https://sandesh.com/business/news/ril-tcs-sbi-market-cap-fall-lic-gains-26438-crore" target="_blank"><b>આ પણ વાંચો : Business News : RIL, TCS, SBI સહિત 5 કંપનીઓના માર્કેટ કેપમાં 1 લાખ કરોડનો ઘટાડો, LICને રૂપિયા 26,438 કરોડનો ફાયદો</b></a></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/lyxC10Ea9UF9h9o6ojkdS1whfTgGzBwgMZ55EtmZ.webp'/></item><item><title><![CDATA[FIH World Cup 2026 : માતાના પગલે પુત્ર! 28 વર્ષ પછી એ જ ગ્રાઉન્ડ પર હોકી વર્લ્ડ કપમાં રમ્યો દીકરો ]]></title><link>https://sandesh.com/sports/news/fih-world-cup-2026-son-follows-in-mothers-footsteps-son-plays-in-hockey-world-cup-on-same-ground-after-28-years</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fih-world-cup-2026-son-follows-in-mothers-footsteps-son-plays-in-hockey-world-cup-on-same-ground-after-28-years</guid><pubDate>Sun, 16 Aug 2026 10:03:26 +05:30</pubDate><description><![CDATA[<p>હોકી વર્લ્ડ કપ 2026 શરૂ થઈ ગયો છે.ભારતે આ વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત વેલ્સ સામે પોતાની પહેલી મેચ રમીને કરી હતી.15 ઓગસ્ટની સાંજે વેલ્સ સામેની હોકી વર્લ્ડ કપ મેચ પ્રીતમ સિવાચ માટે માત્ર એક મેચ જ નહોતી.આ મેચ તેમના પુત્ર યશદીપના વર્લ્ડ કપ ડેબ્યૂ કર્યું હતું.એક માતા તરીકે,તે તેમના માટે ગર્વની ક્ષણ હતી.આ ગર્વ એ હકીકતથી વધુ વધ્યો કે તે તેમના પુત્રને તેમના પછી હોકી વર્લ્ડ કપમાં ભારત માટે રમતા જોઈ રહી હતી.</p><h5><b>1998માં માતા 2026માં પુત્ર</b></h5><p>પ્રીતમ સિવાચે નેધરલેન્ડ્સમાં 1998ના મહિલા હોકી વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું.હવે 28 વર્ષ પછી તે જ દેશમાં 2026ના પુરુષ હોકી વર્લ્ડ કપમાં તેમના પુત્ર યશદીપ સિવાચે ટુર્નામેન્ટની ભારતની પહેલી મેચ રમી હતી.નોંધપાત્ર વાત એ છે કે પ્રીતમ સિવાચે નેધરલેન્ડ્સમાં હોકી વર્લ્ડ કપ રમ્યો ત્યારે યશદીપનો જન્મ પણ થયો ન હતો.25 વર્ષીય ડિફેન્ડર યશદીપે 2022 માં ભારત માટે સિનિયર ડેબ્યૂ કર્યું હતું.</p><h5><b>પ્રીતમ સિવાચે તેમના પુત્રની સિદ્ધિ વિશે શું કહ્યું?</b></h5><p>પોતાના પુત્રની સિદ્ધિ પર પ્રતિબિંબ પાડતા,પ્રીતમ સિવાચે કહ્યું,આ મારા માટે એક મોટી ક્ષણ છે.મારો પુત્ર વર્લ્ડ કપમાં મારા જેવા જ સ્થળે રમ્યો હતો.તેણીએ શેર કર્યું કે તે નેધરલેન્ડમાં હતી અને તાજેતરમાં જ ત્યાંથી પાછી આવી છે.તે ટીવી પર મેચ જોઈ રહી છે.પ્રીતમએ કહ્યું કે તેણીએ આજે ​​સવારે તેના પુત્રને ફોન કર્યો અને તેને કહ્યું કે તેને તેની માતાનું અધૂરું સ્વપ્ન પૂર્ણ કરવું પડશે.પ્રીતમ સિવાચે કહ્યું કે તેણીને વિશ્વાસ છે કે ટીમ મેડલ સાથે પરત ફરશે.ટીમ ખૂબ જ મજબૂત દેખાય છે અને તેમનું મનોબળ ઊંચું છે.મોટી ટીમો સામે નિયમિત રમવાથી તેમને સારી તૈયારી કરવામાં પણ મદદ મળી છે.</p><h5><b>માતા અને પુત્રની રમવાની શૈલીઓ અલગ અલગ હોય છે</b></h5><p>પોતાના પુત્ર અને તેની પોતાની રમવાની શૈલીઓ વિશે,પ્રીતમ સિવાચે કહ્યું કે તેનો પુત્ર ઝડપથી શીખનાર છે.તે દબાણમાં પણ શાંત રહે છે.હું વધુ આક્રમક ખેલાડી હતો,તેણીએ કહ્યું.તેણીએ કહ્યું કે આ પાછળનું કારણ એ સ્થિતિ હોઈ શકે છે જેમાં અમે બંને રમીએ છીએ.તે ડિફેન્ડર છે.જ્યારે હું સ્ટ્રાઈકર હતો.</p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/cricket/news/rishabh-pants-historic-record-surpassing-adam-gilchrist-to-become-number-1-in-test-cricket" target="_blank"> Rishabh Pant નો ઐતિહાસિક રેકોર્ડ, એડમ ગિલક્રિસ્ટને પાછળ છોડી ટેસ્ટ ક્રિકેટમાં બન્યો નંબર-1</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/P3DXaGssQ6U3XKqDOsKzmdc3t6GpoIdoav8YxsBw.webp'/></item></channel></rss>