<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ambaji જતા પદયાત્રીઓ માટે મોટા સમાચાર, અસારવા-ખેડબ્રહ્મા વચ્ચે 1 ઓક્ટોબર સુધી દોડશે સ્પેશિયલ ટ્રેન ]]></title><link>https://sandesh.com/gujarat/news/ambaji/ambaji-bhadarvi-mahakumbh-begins--over-6-000-police-deployed--special-trains-announced</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ambaji/ambaji-bhadarvi-mahakumbh-begins--over-6-000-police-deployed--special-trains-announced</guid><pubDate>Sun, 20 Sep 2026 09:18:07 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજથી ભાદરવી પૂનમના 7 દિવસીય મહાકુંભનો શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે પ્રારંભ થઈ રહ્યો છે. ટૂંક સમયમાં જ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા મંદિરના સિંહ દ્વારથી રથને પ્રયાણ કરાવીને આ મહામેળાને સત્તાવાર રીતે ખુલ્લો મૂકવામાં આવશે. આ 7 દિવસ દરમિયાન મા અંબાના દર્શનાર્થે દેશ-વિદેશ અને રાજ્યભરમાંથી લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અને માઈભક્તો અંબાજી ધામ ખાતે ઉમટી પડશે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>6,000થી વધુ જવાનોનો કડક સુરક્ષા બંદોબસ્ત અને ભક્તો માટે સુવિધાઓ</b></h2><p style="text-align: justify; ">ભાદરવી મહાકુંભ દરમિયાન શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા અભેદ્ય સુરક્ષા ગોઠવવામાં આવી છે. મહામેળાની સુરક્ષા અર્થે 2 SP, 25 DySP સહિત PI, PSI અને 6,000થી વધુ પોલીસ જવાનો રાત-દિવસ ખડેપગે તૈનાત રહેશે. આ ઉપરાંત પદયાત્રીઓ માટે પીવાના પાણી, આરોગ્ય સુવિધાઓ, લાઈટ અને રહેવાની સુચારુ વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેથી ભક્તોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.</p><h2 style="text-align: justify; "><b>શ્રદ્ધાળુઓ માટે અસારવા-ખેડબ્રહ્મા વચ્ચે સ્પેશિયલ ટ્રેન સેવા શરુ</b></h2><p style="text-align: justify; ">અંબાજી ભાદરવી મહાકુંભમાં આવતા લાખો ભક્તોની સુવિધા માટે રેલવે વિભાગ દ્વારા પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજી જતા શ્રદ્ધાળુઓ માટે અસારવા થી ખેડબ્રહ્મા વચ્ચે સ્પેશિયલ ટ્રેન સેવા શરુ કરવામાં આવી છે, જે 1 ઓક્ટોબર સુધી દરરોજ દોડશે. આ ટ્રેનમાં મુસાફરોના ઘોડાપૂરને ધ્યાનમાં રાખીને વધારાના કોચ પણ જોડવામાં આવશે, જેથી યાત્રિકો સુગમતાથી મુસાફરી કરી શકશે અને અંબાજી પહોંચી શકશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat--tat-secondary-main-exam-held-today--75-000-candidates-appear-across-403-centers" target="_blank">Ahmedabad News : ગુજરાતમાં આજે TAT માધ્યમિકની મુખ્ય પરીક્ષા, 5 શહેરોના 403 કેન્દ્રો પર 75 હજાર ઉમેદવારો આપશે કસોટી</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/owR3ZGB1IcEZtHnVMZRrswBM109RREWRA2J2HUKi.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: અમદાવાદીઓ સાવધાન! AMCએ 5 વર્ષમાં 700 કરોડ ખર્ચ્યા છતાં શહેરની હવા ઝેરી બની ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-spent--700-crore-in-5-years-yet-air-pollution-remains-a-concern</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-spent--700-crore-in-5-years-yet-air-pollution-remains-a-concern</guid><pubDate>Sun, 20 Sep 2026 09:06:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નેશનલ ક્લીન એર પ્રોગ્રામ અંતર્ગત અમદાવાદ શહેરની પ્રદૂષિત હવાને શુદ્ધ કરવા અને વાયુ પ્રદૂષણનું સ્તર ઘટાડવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં મોટા પાયે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.આ ગ્રાન્ટ પૈકી અંદાજે રૂપિયા 708 કરોડ જેટલી માતબર રકમ રોડના નિર્માણ,સ્મશાનગૃહના આધુનિકરણ તેમજ AMTS અને BRTS માટે ઇલેક્ટ્રિક બસોની ખરીદી જેવા વિવિધ પ્રોજેક્ટ્સ પાછળ ખર્ચ કરવામાં આવી છે.વાસ્તવિકતા એ છે કે કરોડો રૂપિયાના આંધણ છતાં શહેરની હવા સતત ઝેરી અને દૂષિત બની રહી છે. હવાની ગુણવત્તા બાબતે તાજેતરમાં જાહેર થયેલા સ્વચ્છ સર્વેક્ષણના આંકડા પણ ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>સર્વેક્ષણમાં માત્ર 189 પોઇન્ટ જ પ્રાપ્ત થયા</b></h2><p style="text-align: justify; ">અમદાવાદની સરખામણીમાં પ્રમાણમાં નાનું શહેર હોવા છતાં અન્ય એક શહેર 10 લાખથી વધુ વસ્તી ધરાવતી કેટેગરીમાં પ્રથમ નંબરે સ્થાન મેળવવામાં સફળ રહ્યું હતું.જ્યારે બીજી તરફ અમદાવાદને આ સર્વેક્ષણમાં માત્ર 189 પોઇન્ટ જ પ્રાપ્ત થયા હતા.શહેરમાં પ્રદૂષણ વધવા પાછળ માત્ર વાહનો જ નહીં પરંતુ અન્ય વ્યવસ્થાઓ પણ જવાબદાર હોવાનું જણાય છે.તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચથી વોલ ટુ વોલ પાકા રોડ બનાવવામાં આવ્યા છે.જેના કારણે વરસાદી કે અન્ય પાણી જમીનમાં ઉતરી શકતું નથી અને જમીનની શ્વાસ લેવાની ક્ષમતા ઘટે છે.આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનરે પણ સાપ્તાહિક રિવ્યુ બેઠક દરમિયાન ફૂટપાથ ઉપર પેવર બ્લોક અથવા પેવિંગ કરતી વખતે માટીનો યોગ્ય ઉપયોગ કરવા સૂચના આપી હતી,જેથી જમીનમાં પાણી સરળતાથી ઉતરી શકે અને ભૂગર્ભ જળસ્તર જળવાઈ રહે.</p><p style="text-align: justify; "><img alt="અમદાવાદની હવાની ગુણવત્તા" src="https://epapercdn.sandesh.com/images/2026/09/20/qePwQmosYnMKoCCvxcn84oUzBRmxF6dWke7Sqm41.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>મહત્વપૂર્ણ કામગીરી અત્યંત મંદ ગતિએ ચાલી રહી છે</b></h2><p style="text-align: justify; ">શનિવારે સાંજે 7 કલાકે અમદાવાદ શહેરનો ઓવરઓલ એર ક્વોલિટી ઇન્ડેક્સ 105 એટલે કે પુઅર શ્રેણીમાં નોંધાયો હતો.નેશનલ ક્લીન એર પ્રોગ્રામ અને 15મા નાણાંપંચ તરફથી મળેલી ગ્રાન્ટની રકમમાંથી એર ક્વોલિટી મોનિટરિંગ અને સ્માર્ટ સેન્સર્સ લગાવવા માટે અંદાજે રૂપિયા 25 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે. આ યોજના હેઠળ રિયલ-ટાઇમ પ્રદૂષણ માપવા માટે શહેરના તમામ વોર્ડ અને મુખ્ય રસ્તાઓ ઉપર 1500 જેટલા સ્માર્ટ એર સેન્સર્સ અને ડિસ્પ્લે બોર્ડ લગાવવાની મોટી જાહેરાતો તંત્ર દ્વારા કરવામાં આવી હતી.પરંતુ દુઃખદ બાબત એ છે કે આ મહત્વપૂર્ણ કામગીરી અત્યંત મંદ ગતિએ ચાલી રહી છે. ગ્રાન્ટમાંથી મોટા પાયે રોડ રિસરફેસિંગ અને વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાની કામગીરી પણ ચાલી રહી છે.કરોડો રૂપિયાનો તોતિંગ ખર્ચ કરવા છતાં અમદાવાદ શહેરનો ઓવરઓલ તેમજ વિવિધ વિસ્તારોનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 200થી 300 સુધીના અત્યંત ચિંતાજનક સ્તર ઉપર નોંધાઈ રહ્યો છે.&nbsp;&nbsp;</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/rce3LQfQKabj4lhcz12wbZGlLgmgfHSsrqEJ2OYA.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: રાજ્યમાં રોડ અકસ્માતમાં રોજ 25થી 45 વર્ષના 10થી વધુ લોકો જીવ ગુમાવે છે! ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/over-10-people-aged-25-to-45-die-in-road-accidents-every-day</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/over-10-people-aged-25-to-45-die-in-road-accidents-every-day</guid><pubDate>Sun, 20 Sep 2026 08:06:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજ્યમાં રોડ અકસ્માતમાં જીવ ગુમાવનાર લોકોના આંકડા પરથી નોકરી ધંધે કે અભ્યાસ માટે બહાર જતા પરિવારના સભ્યોની ચિંતા ઘરના સભ્યો કરે તેવી સ્થિતિ ઉદ્ભવી રહી છે.રાજ્યમાં રોડ અકસ્માતમાં 25થી 45 વર્ષની ઉંમરના રોજના દસ લોકો જીવ ગુમાવતા હોવાનું આંકડા પરથી સ્પષ્ટ થયું છે.આ ઉંમરના લોકો સામાન્ય રીતે ઘરની જવાબદારીઓ પુરી કરવા માટે જોબ,વેપાર અર્થે સતત બહાર અવરજવર કરતા હોય છે.આંકડા પરથી સ્પષ્ટ થયું છે કે,વાહનને જાતે ડ્રાઈવ કરતા હોય, વોક કરતા હોય, સાયકલ પર જતા હોય કે પેસેન્જર તરીકે મુસાફરી કરતા હોય આ જ ઉંમરના લોકો અકસ્માતનો ભોગ વધુ બન્યા છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>રાજ્યમાં અકસ્માતના આંકડા શું કહે છે</b></h2><p style="text-align: justify; ">આ આંકડા 25થી 45 વર્ષની ઉંમરના લોકો રોડ પર જતી વખતે વધુ સતર્ક રહેવાની જરૂર હોવાનો સંદેશ આપે છે.રાજ્યમાં રોડ અકસ્માતના આંકડા પર નજર કરીએ 2024માં વાહન ડ્રાઈવ કરતા હોય તેવા 3776 લોકોએ જીવ ગુમાવ્યો હતો.આ લોકોમાં 163 મહિલાઓનો સમાવેશ થાય છે.જેમાં 25થી 45 વર્ષની ઉંમરના 1928 પુરુષો અને 97 મહિલાઓનો સમાવેશ થાય છે.18થી 25 વર્ષની ઉંમરના 917 યુવક અને 42 યુવતીઓનો સમાવેશ થાય છે.આ જ રીતે પેસેન્જર તરીકે મુસાફરી દરમિયાન કુલ 1480 પુરુષો અને 583 મહિલાઓના મોત થયા જેમાં 25થી 45ની ઉંમરના 879 પુરુષ અને 316 મહિલાઓનો સમાવેશ થાય છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>ગંભીર ઈજા અને સામાન્ય ઈજાનો આંકડો પણ મોટો</b></h3><p style="text-align: justify; ">આ જ કેટેગરીમાં રોડ અકસ્માતના આંકડામાં પણ ગંભીર ઈજા અને સામાન્ય ઈજાનો ભોગ બનેલા લોકોમાં 25થી 45 વર્ષની ઉંમરના લોકોનો આંકડો વધુ જોવા મળે છે.રાજ્યમાં આ સિવાય પગપાળા જતા કે સાયકલ પર જતા લોકોમાં અકસ્માતનો ભોગ બનેલા 25થી 45 વર્ષની ઉંમરના લોકોએ જીવ ગુમાવ્યો હોય તેઓની સંખ્યા વધુ છે.ટ્રાફિકના સિનિયર અધિકારીઓના જણાવ્યા મુજબ આ ઉંમરના લોકો જ નહીં પણ તમામ લોકોએ રોડ પર તેઓની હાજરી દરમિયાન સતર્ક રહેવું ખાસ જરૂરી છે.ખાસ કરી ટુવ્હીલર, સાયકલ ચાલકોએ રોડની ડાબી સાઈડમાં તેઓનું વાહન સ્પીડ લીમીટમાં ચલાવવું.ચાર રસ્તા પર વાહનને બ્રેક કરી જોઈને ક્રોસ રોડ પસાર કરવો કે ટર્ન લેવો વગેરે બાબતો ધ્યાન પર લેવી જરૂરી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>રોડ અકસ્માતમાં 50 ટકા ઘટાડો થઈ શકે છે</b></h2><p style="text-align: justify; ">આ ઉપરાંત રોડ ક્રોસ કરતી વખતે કેટલાક વ્યક્તિઓ ફોન પર વાત કરતા કે સિગ્નલ બંધ છે કે ચાલુ તે જોયા વગર જ રોડ ક્રોસ કરતા હોય છે.આ ઉપરાંત અમુક લોકો ગમે ત્યાંથી ડિવાઈડર પર ચડીને આજુબાજુ જોયા વગર રોડ ક્રોસ કરવાનો પ્રયાસ છે,જે બાબતથી અજાણ વાહન ચાલકનો ઈરાદો ન હોવા છતાં પણ તેનાથી અકસ્માત થાય છે.આ જ રીતે પેસેન્જર તરીકે બેઠેલી વ્યક્તિના મામલામાં ટુવ્હીલરની પાછળ બેઠેલી વ્યક્તિ હેલ્મેટ પહેરે તો તેઓનો અકસ્માતમાં બચાવ થવાની શક્યતાઓ વધી જાય છે.નિયમનું લોકો યોગ્ય રીતે પાલન કરે તો રોડ અકસ્માતમાં 50 ટકા ઘટાડો થઈ શકે છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/banaskantha/ambaji-bhadarvi-poonam-maha-mela-begins-today" target="_blank">આ પણ વાંચોઃ Banaskantha News : આજથી અંબાજીમાં ભાદરવી પૂનમ મહા મેળાનો પ્રારંભ, 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટશે</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/iy3Id05OZvQgDsvkYQsIhCcTEKUNBke7FAwccY2B.webp'/></item><item><title><![CDATA[Valsad : ગાંધીવાડીમાં યુવકનો ગળા પર છરી ફેરવી આપઘાતનો પ્રયાસ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/valsad/valsad-a-young-man-attempted-suicide-by-stabbing-himself-in-gandhiwadi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/valsad/valsad-a-young-man-attempted-suicide-by-stabbing-himself-in-gandhiwadi</guid><pubDate>Sun, 20 Sep 2026 05:42:50 +05:30</pubDate><description><![CDATA[<p>ઉમરગામ : ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં</p><p>એક પરપ્રાંતીય યુવકે પોતાના ગળા પર છરી ફેરવી આપઘાત કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ</p><p>હતી. મળતી માહિતી મુજબ ગાંધાવાડીના ગોકુલધામ પાસે, અયપ્પા મંદિરની બાજુમાં રહેતા સોનુ કુમાર અશોક પ્રસાદ કુશવાહ (ઉ.વ. 32)એ શનિવારે બપોરે આશરે બાર વાગ્યે અચાનક પોતાના ગળા પર છરી ફેરવી દીધી હતી. તેથી તેના ગળા પર ગંભીર ઈજા થવા સાથે યુવક લોહીલુહાણ હાલતમાં નીચે પડી ગયો હતો. ઘટનાના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને યુવકને તાત્કાલિક ઉમરગામની સરકારી</p><p>હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. ત્યાંથી વધુ સારવાર માટે તેને વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ્ બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકે આ પગલું શા</p><p>માટે ભર્યું તે અંગે વધુ તપાસ ઉમરગામ પોલીસે હાથ ધરી છે.</p><p>.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/bDn2oLQx7JEkOOgd8wO6LLOuryD1iKgjcBJVwhGE.webp'/></item><item><title><![CDATA[Surat : સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયાને રોડ સેફ્ટીવોરિયર્સ ગુજરાત એવોર્ડ એનાયત ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-surat-rural-police-superintendent-rajesh-gadhiya-awarded-road-safety-warriors-gujarat-award</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-surat-rural-police-superintendent-rajesh-gadhiya-awarded-road-safety-warriors-gujarat-award</guid><pubDate>Sun, 20 Sep 2026 04:12:16 +05:30</pubDate><description><![CDATA[<p>કીમ : ગાંધીનગર ખાતે ગુજરાત રોડ સેફ્ટી</p><p>તથા સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચર્સ દ્વારા 27મો સેફ એન્યુઅલ માર્ગ સલામતી</p><p>સેમિનાર યોજાયો હતો. આ રાજ્યકક્ષાના સેમિનારમાં રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ તથા વાહન વ્યવહાર મંત્રી પ્રવીણભાઇ માળીના હસ્તે સુરત ગ્રામ્ય વિસ્તારમાં</p><p>માર્ગ સલામતી સંબંધે પ્રશંસનીય અને નોંધપાત્ર કામગીરી કરવા બદલ સુરત ગ્રામ્ય પોલીસ</p><p>અધિક્ષક રાજેશ ગઢિયાને રોડ સેફ્ટી વોરિયર્સ ગુજરાત તરીકેનો ગૌરવપૂર્ણ એવોર્ડ એનાયત</p><p>કરવામાં આવ્યો હતો. આ અવસરે રોડ સેફ્ટી કમિશનર સતીષ પટેલ સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત</p><p>રહ્યા હતા.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/xpkhQ2yWlb9KpD4fK6wwyniuXjVDkX5ImRmpC5dY.webp'/></item><item><title><![CDATA[Disha Salian કેસમાં આદિત્ય ઠાકરેને 500 કરોડની માનહાનિ નોટિસ ]]></title><link>https://sandesh.com/india/breakingnews/entertainment/disha-salian-aaditya-thackeray-500-crore-notice</link><guid isPermaLink="true">https://sandesh.com/india/breakingnews/entertainment/disha-salian-aaditya-thackeray-500-crore-notice</guid><pubDate>Sun, 20 Sep 2026 01:13:32 +05:30</pubDate><description><![CDATA[<div style="text-align: justify;">દિશા સાલિયાનના પિતા સતીશ સાલિયાને આદિત્ય ઠાકરેને 500 કરોડ રૂપિયાની બદનક્ષીની નોટિસ મોકલી છે. નોટિસમાં 16 સપ્ટેમ્બર 2026 ના રોજ એક્સ પર મૂકવામાં આવેલી અંગ્રેજી અને મરાઠી પોસ્ટને ખોટી અને બદનક્ષીભરી ગણાવી છે. આરોપ છે કે તેમાં સતીશ પર રાજકીય સ્વાર્થ અને અંગત દુશ્મનાવટના આક્ષેપો કરવામાં આવ્યા હતા. વકીલ નિલેશ ઓઝાએ આદિત્યના ઘરની બહાર નોટિસ પહોંચાડી હતી અને માફી તેમજ 500 કરોડ રૂપિયાના ડિમાન્ડ ડ્રાફ્ટની માગણી કરી હતી.</div><h2 style="text-align: justify;"><b>દિશા કેસમાં કાયદાકીય જંગ</b></h2><div style="text-align: justify;">દિશા સાલિયાન મોતના કેસમાં હવે કાયદાકીય લડાઈ તેજ થઈ ગઈ છે. દિશાના પિતા સતીશ સાલિયાને શિવસેના યુબીટી નેતા આદિત્ય ઠાકરેને 500 કરોડ રૂપિયાની બદનક્ષીની નોટિસ મોકલી છે. નોટિસમાં માફી અને વળતરની માગ કરવામાં આવી છે. વકીલ નિલેશ ઓઝાએ કહ્યું કે ધમકીઓ આપવાથી કાયદાની લડાઈ અટકશે નહીં. આ પહેલાં સતીશે કહ્યું હતું કે તેઓ કોઈ રાજકીય વ્યક્તિ નથી અને સીબીઆઈએ યોગ્ય રીતે તપાસ કરી છે. ઉદ્ધવ ઠાકરેએ પણ કાયદાકીય પગલાં લેવાની ચેતવણી આપી હતી.</div><h3 style="text-align: justify;"><b>સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ</b></h3><div style="text-align: justify;">નોટિસ પ્રમાણે આદિત્ય ઠાકરેએ 16 સપ્ટેમ્બર 2026 ના રોજ પોતાના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર અંગ્રેજી અને મરાઠીમાં ખોટી, ખરાબ ઈરાદાવાળી અને બદનક્ષી કરતી પોસ્ટ મૂકી હતી. આરોપ છે કે તેમાં સતીશ સાલિયાન પર રાજકીય હેતુ અને અંગત અદાવતના આક્ષેપ લગાવવામાં આવ્યા હતા. આ બધું તેમની દીકરીના મોત સાથે જોડાયેલી કાર્યવાહી અને સીબીઆઈ તપાસના સંદર્ભમાં કહેવામાં આવ્યું હતું. નોટિસમાં નુકસાની અને વળતર તરીકે 500 કરોડ રૂપિયા માગવામાં આવ્યા છે.</div><h3 style="text-align: justify;"><b>ઘરની બહાર નોટિસ પહોંચાડી</b></h3><div style="text-align: justify;">નોટિસ આપવા માટે વકીલ નિલેશ ઓઝા આદિત્ય ઠાકરેના ઘરની બહાર પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે તેમના એક જુનિયર વકીલ તે જ સમયે નોટિસ આપી રહ્યા હતા. નોટિસમાં માફી અને 500 કરોડ રૂપિયાના ડિમાન્ડ ડ્રાફ્ટની માગ છે. ઓઝાએ કહ્યું કે બંધારણમાં બધા સરખા છે. તેમના જણાવ્યા મુજબ તેમને વકીલાત ન કરવા દેવાની ધમકી આપવામાં આવી હતી, તેથી તેઓ સીધા દરવાજે નોટિસ આપવા આવ્યા હતા. તેમણે કહ્યું કે જેટલા મન ફાવે તેટલા ગુંડા બોલાવી લે, જે કરવું હોય તે કરી લે.</div><h4 style="text-align: justify;"><b>સતીશ સાલિયાનનો આકરો સવાલ</b></h4><div style="text-align: justify;">સતીશ સાલિયાને આદિત્યની કમેન્ટ પર કહ્યું હતું કે તેઓ રાજકીય વ્યક્તિ નથી અને તેમની દીકરી પણ રાજકારણમાં નહોતી. તેમણે સવાલ કર્યો કે શું બળાત્કાર અને હત્યા કરનારાઓએ નેતાઓને પૂછીને આવું કર્યું હતું? સીબીઆઈએ માનપૂર્વક વાત કરી અને કોઈ હેરાનગતિ કરી નથી. પરિવાર સાથે 4 કલાક પૂછપરછ થઈ, જે સારી રીતે પતી ગઈ. તેમણે સ્વીકાર્યું કે આગળ હજુ વધુ મુશ્કેલીઓ આવશે. બીજી તરફ આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું કે તેઓ દિશાને ક્યારેય મળ્યા નથી અને પુરાવા વગર તેમના નામનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે.&nbsp;</div><h5 style="text-align: justify;"><b>દિશા સાલિયાન મોત કેસ</b></h5><div style="text-align: justify;">દિશા 28 વર્ષની હતી અને સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર હતી. 8 જૂન 2020 ના રોજ મલાડની બિલ્ડિંગ પરથી પડી જવાથી તેનું મોત થયું હતું. પોલીસે તેને આત્મહત્યા ગણાવી હતી. 2 સપ્ટેમ્બરે હાઈકોર્ટે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો. સીબીઆઈએ કોઈ પણ આરોપીનું નામ લીધા વગર કેસ દાખલ કર્યો છે.</div><div style="text-align: justify;"><a href="https://sandesh.com/entertainment/news/kbc-18-kapila-taneja-story-amitabh-bachchan-emotional" target="_blank">આ પણ વાંચો-Big B : 'મને કેરોસીન છાંટી સળગાવી...' KBC 18ના મંચ પર મહિલાનું દર્દ છલકાતાં ભાવુક થયા બિગ બી, આપ્યું મોટું નિવેદન</a></div> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/w033t41ZJzGTwMYv0tzpU4DU381NYHhKeQ41xmCi.webp'/></item><item><title><![CDATA[Disha Salian કેસમાં આદિત્ય ઠાકરેને 500 કરોડની માનહાનિ નોટિસ ]]></title><link>https://sandesh.com/india/breakingnews/entertainment/disha-salian-aaditya-thackeray-500-crore-notice</link><guid isPermaLink="true">https://sandesh.com/india/breakingnews/entertainment/disha-salian-aaditya-thackeray-500-crore-notice</guid><pubDate>Sun, 20 Sep 2026 01:13:32 +05:30</pubDate><description><![CDATA[<div style="text-align: justify;">દિશા સાલિયાનના પિતા સતીશ સાલિયાને આદિત્ય ઠાકરેને 500 કરોડ રૂપિયાની બદનક્ષીની નોટિસ મોકલી છે. નોટિસમાં 16 સપ્ટેમ્બર 2026 ના રોજ એક્સ પર મૂકવામાં આવેલી અંગ્રેજી અને મરાઠી પોસ્ટને ખોટી અને બદનક્ષીભરી ગણાવી છે. આરોપ છે કે તેમાં સતીશ પર રાજકીય સ્વાર્થ અને અંગત દુશ્મનાવટના આક્ષેપો કરવામાં આવ્યા હતા. વકીલ નિલેશ ઓઝાએ આદિત્યના ઘરની બહાર નોટિસ પહોંચાડી હતી અને માફી તેમજ 500 કરોડ રૂપિયાના ડિમાન્ડ ડ્રાફ્ટની માગણી કરી હતી.</div><h2 style="text-align: justify;"><b>દિશા કેસમાં કાયદાકીય જંગ</b></h2><div style="text-align: justify;">દિશા સાલિયાન મોતના કેસમાં હવે કાયદાકીય લડાઈ તેજ થઈ ગઈ છે. દિશાના પિતા સતીશ સાલિયાને શિવસેના યુબીટી નેતા આદિત્ય ઠાકરેને 500 કરોડ રૂપિયાની બદનક્ષીની નોટિસ મોકલી છે. નોટિસમાં માફી અને વળતરની માગ કરવામાં આવી છે. વકીલ નિલેશ ઓઝાએ કહ્યું કે ધમકીઓ આપવાથી કાયદાની લડાઈ અટકશે નહીં. આ પહેલાં સતીશે કહ્યું હતું કે તેઓ કોઈ રાજકીય વ્યક્તિ નથી અને સીબીઆઈએ યોગ્ય રીતે તપાસ કરી છે. ઉદ્ધવ ઠાકરેએ પણ કાયદાકીય પગલાં લેવાની ચેતવણી આપી હતી.</div><h3 style="text-align: justify;"><b>સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ</b></h3><div style="text-align: justify;">નોટિસ પ્રમાણે આદિત્ય ઠાકરેએ 16 સપ્ટેમ્બર 2026 ના રોજ પોતાના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર અંગ્રેજી અને મરાઠીમાં ખોટી, ખરાબ ઈરાદાવાળી અને બદનક્ષી કરતી પોસ્ટ મૂકી હતી. આરોપ છે કે તેમાં સતીશ સાલિયાન પર રાજકીય હેતુ અને અંગત અદાવતના આક્ષેપ લગાવવામાં આવ્યા હતા. આ બધું તેમની દીકરીના મોત સાથે જોડાયેલી કાર્યવાહી અને સીબીઆઈ તપાસના સંદર્ભમાં કહેવામાં આવ્યું હતું. નોટિસમાં નુકસાની અને વળતર તરીકે 500 કરોડ રૂપિયા માગવામાં આવ્યા છે.</div><h3 style="text-align: justify;"><b>ઘરની બહાર નોટિસ પહોંચાડી</b></h3><div style="text-align: justify;">નોટિસ આપવા માટે વકીલ નિલેશ ઓઝા આદિત્ય ઠાકરેના ઘરની બહાર પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે તેમના એક જુનિયર વકીલ તે જ સમયે નોટિસ આપી રહ્યા હતા. નોટિસમાં માફી અને 500 કરોડ રૂપિયાના ડિમાન્ડ ડ્રાફ્ટની માગ છે. ઓઝાએ કહ્યું કે બંધારણમાં બધા સરખા છે. તેમના જણાવ્યા મુજબ તેમને વકીલાત ન કરવા દેવાની ધમકી આપવામાં આવી હતી, તેથી તેઓ સીધા દરવાજે નોટિસ આપવા આવ્યા હતા. તેમણે કહ્યું કે જેટલા મન ફાવે તેટલા ગુંડા બોલાવી લે, જે કરવું હોય તે કરી લે.</div><h4 style="text-align: justify;"><b>સતીશ સાલિયાનનો આકરો સવાલ</b></h4><div style="text-align: justify;">સતીશ સાલિયાને આદિત્યની કમેન્ટ પર કહ્યું હતું કે તેઓ રાજકીય વ્યક્તિ નથી અને તેમની દીકરી પણ રાજકારણમાં નહોતી. તેમણે સવાલ કર્યો કે શું બળાત્કાર અને હત્યા કરનારાઓએ નેતાઓને પૂછીને આવું કર્યું હતું? સીબીઆઈએ માનપૂર્વક વાત કરી અને કોઈ હેરાનગતિ કરી નથી. પરિવાર સાથે 4 કલાક પૂછપરછ થઈ, જે સારી રીતે પતી ગઈ. તેમણે સ્વીકાર્યું કે આગળ હજુ વધુ મુશ્કેલીઓ આવશે. બીજી તરફ આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું કે તેઓ દિશાને ક્યારેય મળ્યા નથી અને પુરાવા વગર તેમના નામનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે.&nbsp;</div><h5 style="text-align: justify;"><b>દિશા સાલિયાન મોત કેસ</b></h5><div style="text-align: justify;">દિશા 28 વર્ષની હતી અને સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર હતી. 8 જૂન 2020 ના રોજ મલાડની બિલ્ડિંગ પરથી પડી જવાથી તેનું મોત થયું હતું. પોલીસે તેને આત્મહત્યા ગણાવી હતી. 2 સપ્ટેમ્બરે હાઈકોર્ટે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો. સીબીઆઈએ કોઈ પણ આરોપીનું નામ લીધા વગર કેસ દાખલ કર્યો છે.</div><div style="text-align: justify;"><a href="https://sandesh.com/entertainment/news/kbc-18-kapila-taneja-story-amitabh-bachchan-emotional" target="_blank">આ પણ વાંચો-Big B : 'મને કેરોસીન છાંટી સળગાવી...' KBC 18ના મંચ પર મહિલાનું દર્દ છલકાતાં ભાવુક થયા બિગ બી, આપ્યું મોટું નિવેદન</a></div> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/w033t41ZJzGTwMYv0tzpU4DU381NYHhKeQ41xmCi.webp'/></item><item><title><![CDATA[Asian Games 2026: PM મોદીએ ભારતીય ખેલાડીઓને પાઠવી શુભેચ્છા, કહ્યું- દરેક ભારતીય એથ્લેટ પર ગર્વ છે ]]></title><link>https://sandesh.com/sports/news/asian-games-2026-pm-modi-congratulates-indian-athletes-says-proud-of-every-indian-athlete</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/asian-games-2026-pm-modi-congratulates-indian-athletes-says-proud-of-every-indian-athlete</guid><pubDate>Sat, 19 Sep 2026 23:45:32 +05:30</pubDate><description><![CDATA[<p>Asian Games 2026: નાગોયાના મિઝુહો પાર્ક એથ્લેટિક સ્ટેડિયમમાં શનિવારે એશિયન ગેમ્સ 2026ની શરૂઆત ભવ્ય ઉદ્ઘાટન સમારોહ સાથે થઈ. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય દળને શુભકામનાઓ આપતા તેમની પાસેથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની આશા વ્યક્ત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે સારું રમો અને દેશનું નામ રોશન કરો.</p><p><b>પીએમ મોદીએ આપી શુભકામનાઓ</b></p><p>વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, 'આઇચી-નાગોયામાં એશિયન ગેમ્સની શરૂઆત સાથે જ, હું ભારતીય દળને મારી શુભકામનાઓ આપું છું. દરેક ખેલાડીએ ખૂબ મહેનત કરી છે અને અદ્ભુત લગન તથા દૃઢ સંકલ્પ દર્શાવ્યો છે. ભારતને તેમના પર ગર્વ છે. તેઓ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે, સારું રમે અને શાનદાર સફળતા મેળવે.'</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/narendramodi/status/2101293318315630710"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b>મનુ ભાકર અને પવન સેહરાવતે લહેરાવ્યો તિરંગો</b></p><p>ઉદ્ઘાટન સમારોહમાં ઓલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકર અને કબડ્ડી સ્ટાર પવન સેહરાવતે ભારતીય દળની આગેવાની કરી. આ એશિયાની સૌથી મોટી રમત સ્પર્ધા છે, જે દર ચાર વર્ષે એક વખત યોજાય છે. તેનું આયોજન ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા (OCA) દ્વારા કરવામાં આવે છે, જેમાં 45 દેશો ભાગ લે છે.</p><p><b>એશિયન ગેમ્સનું 20મું સંસ્કરણ</b></p><p>એશિયન ગેમ્સ પહેલીવાર વર્ષ 1951માં નવી દિલ્હીમાં યોજાઈ હતી, જેમાં 11 દેશોના 489 એથ્લેટ્સે ભાગ લીધો હતો. ત્યારથી અત્યાર સુધી આ રમતો કુલ 19 વખત યોજાઈ ચૂકી છે. એશિયન ગેમ્સ 2026માં 45 દેશો અને વિસ્તારોના એથ્લેટ્સ 43 રમતોમાં સ્પર્ધા કરશે. આ રમતોનું આ 20મું સંસ્કરણ હશે. ટોક્યો 1958 અને હિરોશિમા 1994 બાદ ત્રીજી વખત જાપાન આ મહાદ્વીપીય સ્પર્ધાની યજમાની કરશે.</p><p><b>ભારતે 2023માં રચ્યો હતો ઈતિહાસ</b></p><p>ભારતે એશિયન ગેમ્સ 2023માં ઐતિહાસિક પ્રદર્શન કરતા 107 મેડલ પોતાના નામે કર્યા હતા, જેમાં 28 ગોલ્ડ મેડલ સામેલ હતા. ભારતીય દળ આ વખતે પોતાના પ્રદર્શનમાં વધુ સુધારો કરવા માંગશે. ભારત પુરુષ અને મહિલા ક્રિકેટ તથા કબડ્ડી બંનેમાં વર્તમાન ચેમ્પિયન છે. જ્યારે પુરુષ હોકી ટીમ પણ વર્તમાન ચેમ્પિયન તરીકે આ સ્પર્ધામાં ભાગ લઈ રહી છે.</p><p><b><a href="https://sandesh.com/sports/news/asian-games-2026-opening-ceremony-india" target="_blank">આ પણ વાંચો: જાપાનના આઇચી-નાગોયામાં ભવ્ય ઓપનિંગ સેરેમની, ભારતની ભવ્ય એન્ટ્રી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/LoA6KtoIKxzMIUHlX0ZYsjGc9OOShWjQBEZs5Dwi.webp'/></item><item><title><![CDATA[Bihar Flood: બિહારમાં પૂરનો કહેર, CM સમ્રાટ ચૌધરીએ રાહત ફંડમાં આપ્યો એક મહિનાનો પગાર ]]></title><link>https://sandesh.com/india/news/bihar-flood-flood-havoc-in-bihar-cm-samrat-chaudhary-donated-one-months-salary-to-the-relief-fund</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/bihar-flood-flood-havoc-in-bihar-cm-samrat-chaudhary-donated-one-months-salary-to-the-relief-fund</guid><pubDate>Sat, 19 Sep 2026 22:56:14 +05:30</pubDate><description><![CDATA[<p>Bihar Flood: બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ પોતાના લગભગ એક મહિનાનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં આપી દીધો છે. સીએમએ મુખ્યમંત્રી રાહત ફંડમાં 2 લાખ 70 હજાર રૂપિયાનું દાન કર્યું. તેમણે લોક સેવક આવાસ સ્થિત ‘સંકલ્પ સભાગાર’માં ચેક સોંપ્યો.  સીએમ સમ્રાટ ચૌધરીએ રાજ્યના લોકોને પણ મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન કરવાની અપીલ કરી, જેથી આપત્તિની સ્થિતિમાં અસરગ્રસ્ત લોકો સુધી મદદ પહોંચાડી શકાય. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી રાહત ફંડ જરૂરિયાતમંદોની મદદનું એક મહત્વપૂર્ણ સાધન છે. સમાજના સક્ષમ લોકોની ભાગીદારીથી રાહત અને મદદના પ્રયાસોને વધુ અસરકારક બનાવી શકાય છે.</p><p><b>નિતિન નવીને પણ આપ્યું દાન</b></p><p>આ પહેલાં શુક્રવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીને બિહારમાં આવેલી ભીષણ પૂર પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી, કેન્દ્ર દ્વારા આપવામાં આવેલા સમર્થન અને પોતાના વ્યક્તિગત યોગદાન વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે અસરગ્રસ્ત પરિવારોને આર્થિક મદદ, રાહત શિબિરો અને પાકના નુકસાનના આકલન દ્વારા શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે. આ સંકટ દરમિયાન સમગ્ર સરકાર જનતા સાથે મજબૂતીથી ઊભી છે.</p><p><b>બિહારમાં પૂર પર સતત નજર</b></p><p>નિતિન નવીને કહ્યું કે બિહારમાં પૂર જેવી સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. સરકાર અસરગ્રસ્ત લોકો સુધી સમયસર રાહત અને જરૂરી મદદ પહોંચાડવા માટે સંપૂર્ણ તૈયારી સાથે કામ કરી રહી છે. એક નિવેદન અનુસાર, સંકટની આ ઘડીમાં પોતાની જવાબદારી નિભાવતા નિતિન નવીને રાજ્યસભા Bihar Flood: સાંસદ તરીકે પોતાના ત્રણ મહિનાના પગાર જેટલા 6,35,000 રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન કર્યા છે. નિતિન નવીને એ પણ જણાવ્યું કે રાજ્ય સરકાર પૂરથી અસરગ્રસ્ત પરિવારોને 7,000 રૂપિયા પ્રતિ પરિવારના દરે 550 કરોડ રૂપિયાથી વધુની આર્થિક સહાય આપી ચૂકી છે.</p><p><b>NDRF અને SDRFની ટીમો તૈનાત</b></p><p>ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે જણાવ્યું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત શિબિરો, સામુદાયિક રસોડા, તબીબી સુવિધાઓ અને પશુઓ માટે ઘાસચારાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ટીમો બચાવ કામગીરી માટે સંપૂર્ણ તૈયારી સાથે તૈનાત છે. જ્યારે પાકને થયેલા નુકસાનનું આકલન કરવા અને ખેડૂતોને જરૂરી મદદ આપવાની પ્રક્રિયા પણ ચાલુ છે.</p><p><b>કેન્દ્ર સરકારની મદદનો ઉલ્લેખ</b></p><p>કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી મદદનો ઉલ્લેખ કરતા નિતિન નવીને જણાવ્યું કે કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે પીડિતોને મળીને રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. બાદમાં તેમણે આશ્વાસન આપ્યું હતું કે તેઓ બિહારના તમામ પૂરથી અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે.</p><p><b>બિહારના 15 જિલ્લા પૂરથી અસરગ્રસ્ત</b></p><p>આપદા વ્યવસ્થાપન વિભાગ અનુસાર, બિહારના 15 જિલ્લાઓમાં પૂરથી 49.67 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. આ અસરગ્રસ્ત જિલ્લાઓમાં પટના, ભોજપુર, સારણ, વૈશાલી, ભાગલપુર, બેગુસરાય, બક્સર, સમસ્તીપુર, મુંગેર, કટિહાર, લખીસરાય, ખગડિયા, પૂર્ણિયા, મધેપુરા અને અરરિયા સામેલ છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/bihar-flood-peoples-anger-erupted-due-to-lack-of-relief-go-back-slogans-surrounded-the-minister-mla" target="_blank">આ પણ વાંચો: રાહત ન મળતાં લોકોનો રોષ ફાટ્યો, મંત્રી-ધારાસભ્યને ઘેરી લગાવ્યા ‘Go Back’ના નારા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/uZMqbJBHvhe74Hc55i1XkK7lpCvKdJ6aga43dXml.webp'/></item><item><title><![CDATA[World's Billionaires List: 18 વર્ષ સુધી નંબર-1 અમીર રહ્યા બિલ ગેટ્સ, જાણો બિલ ગેટ્સની સંપત્તિ ]]></title><link>https://sandesh.com/business/news/world-richest-person-longest-time-bill-gates-record</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/world-richest-person-longest-time-bill-gates-record</guid><pubDate>Sat, 19 Sep 2026 19:14:39 +05:30</pubDate><description><![CDATA[<p>world richest person: ટેસ્લા અને સ્પેસએક્સ સહિત ઘણી કંપનીઓ ચલાવી રહેલા એલન મસ્ક દુનિયાના અમીરોની યાદીમાં પહેલા નંબર પર યથાવત છે. દૂર-દૂર સુધી કોઈ તેમની ટક્કરમાં નથી. ફોર્બ્સની રિયલ ટાઇમ બિલિયોનેર લિસ્ટ મુજબ મસ્કની નેટવર્થ 946.5 અબજ ડોલર છે. આ જ વર્ષે તેમને દુનિયાના પહેલા ટ્રિલિયોનેર બનવાની તક પણ મળી હતી. શું તમે જાણો છો કે દુનિયામાં સૌથી લાંબા સમય સુધી નંબર 1 અમીરની ખુરશી પર રહેવાનો રેકોર્ડ કોના નામે છે?</p><p><b>બિલ ગેટ્સના નામે રેકોર્ડ</b></p><p>1995માં બિલ ગેટ્સ પહેલીવાર ફોર્બ્સની વિશ્વના અબજોપતિઓની યાદીમાં નંબર-1 પર પહોંચ્યા હતા. જોકે, તેમના પહેલાં આ સ્થાન પર જાપાનના યોશિયાકી સુત્સુમીનું નામ હતું. તેઓ 1987થી 1990 સુધી વિશ્વના સૌથી અમીર વ્યક્તિ રહ્યા હતા. ત્યારબાદ 1991 અને 1992માં જાપાનના તાઇકિચિરો મોરી વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બન્યા હતા. 1993માં યોશિયાકી સુત્સુમી ફરી નંબર-1 પર આવ્યા અને 1994માં પણ આ સ્થાન જાળવી રાખ્યું. ત્યારબાદ 1995માં બિલ ગેટ્સે પ્રથમ વખત વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બનવાનું ગૌરવ મેળવ્યું હતું.</p><p><b>બિલ ગેટ્સનું વર્ચસ્વ</b></p><p>બિલ ગેટ્સ 1995થી 2007 સુધી દુનિયાના સૌથી મોટા અમીર રહ્યા. 2008માં વૉરેન બફેટે તેમને પાછળ છોડી દીધા, પરંતુ 2009માં ગેટ્સે ફરી વાપસી કરી. 2010માં મેક્સિકોના કાર્લોસ સ્લિમ એન્ડ ફેમિલીએ આ સીટ પર કબજો કર્યો અને 2013 સુધી રહ્યા. 2014માં બિલ ગેટ્સે ફરી વાપસી કરી અને 2017 સુધી આ સીટ પોતાની પાસે રાખી.</p><p><b>જેફ બેઝોસે ગેટ્સને પાછળ છોડ્યા</b></p><p>2018માં એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસે ગેટ્સને પાછળ છોડીને દુનિયાના સૌથી મોટા અમીરની ખુરશી પર કબજો કરી લીધો. તેઓ 2021 સુધી દુનિયાના નંબર 1 અમીર રહ્યા. 2022માં એલન મસ્કે તેમની ખુરશી છીનવી લીધી. પરંતુ ત્યાર પછીના વર્ષે એટલે કે 2023માં ફ્રેન્ચ બિઝનેસમેન બર્નાર્ડ આરનૉલ્ટ એન્ડ ફેમિલી આગળ નીકળી ગઈ. 2024માં પણ તેમણે પોતાની બાદશાહત જાળવી રાખી. છેલ્લા બે વર્ષથી મસ્ક આ ગાદી પર બિરાજમાન છે.</p><p><b>અત્યારે શું છે પોઝિશન?</b></p><p>18 વર્ષ સુધી દુનિયાના સૌથી મોટા અમીર રહેલા બિલ ગેટ્સની નેટવર્થ આજે 114.3 અબજ ડોલર છે અને તેઓ દુનિયાના અમીરોની યાદીમાં 18મા નંબર પર ખસી ગયા છે. બેઝોસ 373.1 અબજ ડોલર સાથે બીજા, વૉરેન બફે 144.6 અબજ ડોલર સાથે 10મા, આરનૉલ્ટ એન્ડ ફેમિલી 125.2 અબજ ડોલર સાથે 14મા અને કાર્લોસ સ્લિમ 119.1 અબજ ડોલર સાથે 15મા નંબર પર છે.</p><p><b><a href="https://sandesh.com/world/news/business/elon-musk-net-worth-drop-spacex-share-crash-tesla-results-impact" target="_blank">આ પણ વાંચો: સ્પેસએક્સના શેર ક્રેશ અને ટેસ્લાના નબળા પરિણામોની મોટી અસર, મસ્કની સંપત્તિ થઈ ગઈ અડધી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/wYQnMT7gLxpnUgfGlFV4BuUx8IfGcfPz6RVXTunn.webp'/></item></channel></rss>