<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Bharuch: ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના મદદનીશ કમિશ્નર અને ડ્રગ્સ ઇન્સ્પેક્ટર 40 હજારની લાંચ લેતા ઝડપાયા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/acb-trap-food-and-drugs-assistant-commissioner-prakash-posnani-inspector-surbhi-desai-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/acb-trap-food-and-drugs-assistant-commissioner-prakash-posnani-inspector-surbhi-desai-arrested</guid><pubDate>Tue, 18 Aug 2026 21:16:52 +05:30</pubDate><description><![CDATA[<p>ભરૂચ ખાતે આવેલી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કચેરીમાં ભ્રષ્ટાચારનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. એક જાગૃત નાગરિકે દવાના નવા હોલસેલ લાઇસન્સ મેળવવા માટે અરજી કરી હતી. આ લાઇસન્સ મંજૂર કરવાની પ્રક્રિયા આગળ ધપાવવા અને મંજુરી આપવાના બદલામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના મદદનીશ કમિશ્નર પ્રકાશ પોસનાની (વર્ગ-1) અને ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરભી દેસાઈ દ્વારા રૂ. 50,000 ની લાંચની કાયદેસરની માગણી કરવામાં આવી હતી.</p><h2><b>&nbsp;ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કચેરીમાં ભ્રષ્ટાચાર</b></h2><p>ફરિયાદી આ લાંચની રકમ આપવા માગતા ન હોવાથી તેમણે તુરંત નર્મદા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) નો સંપર્ક કરીને સમગ્ર મામલે લેખિત ફરીયાદ નોંધાવી હતી.ફરિયાદીની કાયદેસરની ફરિયાદના આધારે નર્મદા ACB ની ટીમે રચેલા આયોજન મુજબ ભરૂચ ખાતે મદદનીશ કમિશ્નરની ચેમ્બરમાં જ લાંચનું છટકું (Trap) ગોઠવવામાં આવ્યું હતું.<br><h3><b>40 હજારની રકમ સાથે કમિશ્નર અને ઇન્સ્પેક્ટરને દબોચ્યા</b></h3></p><p>ટ્રેપ દરમિયાન ફરિયાદી પાસેથી રફા-દફા પેટે નક્કી થયેલી રૂ. 40,000 ની લાંચની રકમ સ્વીકારતા જ બંને અધિકારીઓને ACB ની ટીમે સ્થળ પર જ દબોચી લીધા હતા.ACB ની ટીમે સ્થળ પરથી જ લાંચની રૂ. 40,000ની પૂરેપૂરી રકમ રિકવર કરી કાયદેસરની સીઝર પ્રોસિજર પૂરી કરી હતી.બંને વર્ગ-1 અને વર્ગ-2 ના સરકારી અધિકારીઓએ પોતાના સરકારી હોદ્દાનો દુરુપયોગ કરીને લાંચ સ્વીકારી હોવાનું ફલિત થતાં ACB એ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (PC Act) હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/limbdi/national-highway-overbridge-truck-car-accident-passengers-safe" target="_blank">આ પણ વાંચો: Limbdi: નેશનલ હાઈવે ઓવરબ્રિજ પર કાર પર ટ્રક ચઢી ગયો, મોટી જાનહાનિ ટળી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/aA3wBeBb3la6TrFT2DBqph4EokdTHfKIFtJAvqGA.webp'/></item><item><title><![CDATA[IAS તુકારામ મુંઢેની કડક કાર્યવાહી, મહારાષ્ટ્રમાં ખાદ્ય સુરક્ષાને લઈને તાબડતોડ એક્શન ]]></title><link>https://sandesh.com/india/news/ias-tukaram-mundhe-maharashtra-food-safety-crackdown-fda-action</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ias-tukaram-mundhe-maharashtra-food-safety-crackdown-fda-action</guid><pubDate>Tue, 18 Aug 2026 20:02:00 +05:30</pubDate><description><![CDATA[<p>2026માં મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તરીકે જવાબદારી સંભાળ્યા બાદ 2005 બેચના વરિષ્ઠ IAS અધિકારી તુકારામ મુંઢેએ રાજ્યમાં ખાદ્ય સુરક્ષાને લઈને કડક કાર્યવાહી શરૂ કરી છે. જન આરોગ્યને પ્રાથમિકતા આપીને તેમણે ભેળસેળ કરનારા, અસ્વચ્છ રીતે ખાદ્ય પદાર્થો બનાવતા હોટલ-રેસ્ટોરન્ટ અને પ્રતિબંધિત વસ્તુઓ વેચનારાઓ સામે રાજ્યવ્યાપી અભિયાન શરૂ કર્યું છે.</p><h2><b>21 વર્ષમાં 25 વખત થઈ બદલી</b></h2><p>IAS તુકારામ મુંઢે કડક નિર્ણયો અને નિયમોના પાલન માટે જાણીતા છે. તેમના 21 વર્ષના વહીવટી કરિયરમાં અત્યાર સુધીમાં 25 વખત બદલી થઈ હોવાનું જણાવાય છે. FDAની જવાબદારી સંભાળ્યા બાદ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર કોઈપણ વ્યક્તિ કે સંસ્થાને છોડવામાં નહીં આવે.</p><h3><b>ત્રણ મહિનામાં 3,100થી વધુ તપાસ</b></h3><p>FDAના જણાવ્યા મુજબ, છેલ્લા લગભગ ત્રણ મહિનામાં સમગ્ર મહારાષ્ટ્રમાં 3,100થી વધુ ફૂડ ઈન્સ્પેક્શન કરવામાં આવ્યા છે. આ દરમિયાન જન આરોગ્ય માટે જોખમી જણાયેલા આશરે 165 સંસ્થાઓના લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે 750થી વધુ ફૂડ બિઝનેસને સુધારણા માટે નોટિસ આપવામાં આવી છે.</p><p>25 મે થી 15 જૂન 2026 દરમિયાન જ 360થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં 235 FIR નોંધાઈ, 359 લોકોની ધરપકડ થઈ અને 274 ગેરકાયદેસર અથવા અમાનક સંસ્થાઓને સીલ કરવામાં આવી હતી. આશરે 50 કરોડ રૂપિયાની અસુરક્ષિત, દૂષિત અને ભેળસેળવાળી ખાદ્ય સામગ્રી જપ્ત કરવામાં આવી છે. મુંઢેના કાર્યકાળ દરમિયાન લેવામાં આવેલા 4,000થી વધુ ખાદ્ય નમૂનાઓ ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ ગયા હોવાનું પણ જણાવાયું છે.</p><h4><b>મોટા નામો સામે પણ કાર્યવાહી</b></h4><p>FDAની કાર્યવાહીમાં સામાન્ય હોટલોથી લઈને જાણીતી સંસ્થાઓ પણ આવી છે. બોમ્બે હાઈકોર્ટની કેન્ટીનમાં તપાસ દરમિયાન બે બિનલાઈસન્સવાળા કિચન મળ્યા હતા, જેના પગલે તેમને બંધ કરવાની નોટિસ આપવામાં આવી હતી. IIT બોમ્બેની મેસમાં પણ સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોના ઉલ્લંઘન બદલ નોટિસ આપવામાં આવી હતી.</p><p>મુંબઈની જાણીતી શાલીમાર હોટલ અને K. Rustom Ice Cream Parlour સામે પણ નિયમોના ઉલ્લંઘન બદલ કાર્યવાહી કરી લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. ફિલ્મ અને ટીવી શૂટિંગના સેટ પર મળતા ખોરાકની ગુણવત્તા અંગે પણ FDA દ્વારા દેખરેખ વધારવામાં આવી છે.</p><h5><b>ડિનર દરમિયાન 'નકલી પનીર'ની ઓળખ</b></h5><p>તુકારામ મુંઢે એક વખત મિત્રો સાથે રેસ્ટોરન્ટમાં સામાન્ય ગ્રાહક તરીકે ગયા હતા. ત્યાં પીરસવામાં આવેલા પનીર અંગે તેમને શંકા જતા તેમણે રેસ્ટોરન્ટના સંચાલક પાસેથી લાઈસન્સ અને પાણીની ગુણવત્તા અંગે પણ માહિતી મેળવી હતી. તપાસમાં ખામીઓ મળતાં 24 કલાકમાં સુધારો કરવાની સૂચના આપવામાં આવી હતી.</p><h5><b>ફૂડ સેફ્ટી એક્ટની કલમ 32નો ઉપયોગ</b></h5><p>કડક કાર્યવાહી અંગે ઉઠતા સવાલોના જવાબમાં મુંઢેએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006ની કલમ 32નો ઉલ્લેખ કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર, જો કોઈ ખાદ્ય પદાર્થથી જન આરોગ્યને ગંભીર જોખમની શક્યતા હોય તો નિયુક્ત અધિકારીને સંબંધિત સંસ્થાનું લાઇસન્સ તાત્કાલિક સસ્પેન્ડ કરવાની સત્તા છે. બાળકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને ‘Safe Food For Every Child in Maharashtra’ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત શાળા, કોલેજ, હોસ્ટેલની મેસ અને સરકારી મિડ-ડે મીલ પ્રદાતાઓ માટે કડક નિયમો લાગુ કરવાની દિશામાં પગલાં લેવાયા છે.</p><p>શાળાના પરિસરમાં અને તેની આસપાસના 50 મીટરના વિસ્તારમાં સોફ્ટ ડ્રિંક્સ, પેકેજ્ડ જંક ફૂડ અને વધુ પડતા તેલવાળા નાસ્તાના વેચાણ પર નિયંત્રણ મૂકવાની સૂચના આપવામાં આવી છે. દૂધ અને દૂધની બનાવટોમાં ભેળસેળ રોકવા માટે પણ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/india-response-donald-trump-election-commission-remarks-mea" target="_blank">આ પણ વાંચો : Donald Trumpના ભારતીય ચૂંટણી પંચ અંગેના નિવેદન પર ભારતનો જવાબ, MEAએ કહ્યું 'ચૂંટણી તંત્રની મજબૂતી વૈશ્વિક સ્તરે જાણીતી'</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/RmN8dJbXWJyY8iRGv27ra9vthQKgGLOcoKmUw1bc.webp'/></item><item><title><![CDATA[Vande Mataram Controversy: વંદે માતરમ વિવાદ પર મલ્લિકાર્જુન ખડગેનો ભાજપને જવાબ, જાણો શુ કહ્યુ? ]]></title><link>https://sandesh.com/india/news/political-news/vande-mataram-controversy-mallikarjun-kharges-reply-to-bjp-on-vande-mataram-controversy-know-what-he-said</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/political-news/vande-mataram-controversy-mallikarjun-kharges-reply-to-bjp-on-vande-mataram-controversy-know-what-he-said</guid><pubDate>Tue, 18 Aug 2026 19:49:49 +05:30</pubDate><description><![CDATA[<p><br></p><p>કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પોતાનું વલણ જાળવી રાખ્યું, અને કહ્યું કે તેમણે રાષ્ટ્રગીતનું એ જ સંસ્કરણ ગાયું હતું.&nbsp;</p><h2>વિવાદ ક્યારે અને કેવી રીતે શરૂ થયો?</h2><p>15 ઓગસ્ટના રોજ કોંગ્રેસ મુખ્યાલયમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન એક વીડિયો સામે આવ્યા પછી વિવાદ શરૂ થયો. વીડિયોમાં ખડગે અને સોનિયા ગાંધી રાષ્ટ્રગીત ગાતી વખતે એકબીજા સાથે વાતચીત કરતા દેખાય છે. ત્યારબાદ, ભાજપે કોંગ્રેસના ટોચના નેતૃત્વ પર "વંદે માતરમ" નું અપમાન કરવાનો આરોપ લગાવ્યો અને જાહેર માફીની માંગ કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, અમે એ જ વંદે માતરમ ગાયું છે જે મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરુએ ગાયું હતું. છેલ્લા 18 વર્ષથી તેમની સરકારે પણ એ જ ગાયું છે.&nbsp;</p><h3>90 વર્ષથી ચાલી આવતી પરંપરા</h3><p>ખડગેએ વધુમાં કહ્યું કે, તેઓ એ હકીકતથી અજાણ છે કે તેમના જન્મ પહેલાં જ કોંગ્રેસે એક ઠરાવ પસાર કર્યો હતો કે દેશ માટે કયું રાષ્ટ્રગીત અપનાવવું જોઈએ. એવું નથી કે તમે જે કહો છો તે રાષ્ટ્રગીત બની જાય છે, અથવા તમે જે કહો છો તે દેશ માટે ધોરણ બની જાય છે. જો કાલે બીજી સરકાર આવે છે, તો શું એ જ નિયમ ધોરણ બની જશે? અમે ફક્ત છેલ્લા 90 વર્ષથી ચાલી આવતી પરંપરા ચાલુ રાખી છે.</p><h4>"વંદે માતરમ"ને લગતો વિવાદ વકર્યો&nbsp;&nbsp;</h4><p>રાષ્ટ્રીય રાજધાનીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન "વંદે માતરમ" ને લગતા વિવાદ બાદ, સોમવારે ગોવામાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યક્રમમાં રાષ્ટ્રગીતના ફક્ત બે શ્લોક ગવાયા. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પણ આ કાર્યક્રમમાં હાજર હતા. દરમિયાન, દક્ષિણ ગોવામાં એક જાહેર સભાને સંબોધતા, ખડગેએ ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર કટાક્ષ કર્યો અને ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં ભાજપ-આરએસએસના યોગદાન પર સવાલ ઉઠાવ્યા. ખડગેએ ગોવાના શાસક પક્ષ પર "ધારાસભ્યોનું અપહરણ કરીને સરકાર બનાવવાનો" પણ આરોપ લગાવ્યો હતો.&nbsp;</p><h5>"વંદે માતરમ" મુદ્દે આમને-સામને&nbsp;</h5><p>ખડગેએ કહ્યું, "મેં મારા બધા નેતાઓને ફોન કરીને તેમની સાથે વાત કરી હતી. મેં ભાર મૂક્યો હતો કે આપણે આગામી ચૂંટણીઓ એક થઈને લડવી જોઈએ. તેમણે મને ખાતરી આપી હતી કે તેઓ સાથે ઉભા રહેશે અને આ વખતે જીતશે. આ પછી, મેં સમાજના વિવિધ વર્ગોના પ્રતિનિધિઓને મળ્યા, તેમની ચિંતાઓ સાંભળી અને તેમની સાથે વાત કરી. મને ખુશી છે કે સ્થાનિક સરકાર અમને ડરાવવા અને દબાવવાનો પ્રયાસ કરી રહી હોવા છતાં, અહીં કોંગ્રેસના નેતાઓ હિંમતભેર સાથે કામ કરી રહ્યા છે. તેમના પ્રયાસો સફળ થશે નહીં.</p><p>આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/us-iran-tensions-iran-hits-back-at-donald-trump-over-americas-new-claim-over-strait-of-hormuz" target="_blank">અમેરિકાના Strait of Hormuzના નવા દાવા પર ઈરાનનો Donald Trump પર આકરો પ્રહાર</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/WDnJzWVbAORBVG7zy1ylJ7CBTOZcDIpnw65sSoRq.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: DGP જ્ઞાનેન્દ્રસિંહ મલિકની ઉચ્ચ સ્તરીય બેઠક, 112 ઈમરજન્સી સેવા ઝડપી બનાવવા કડક સૂચનાઓ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-dgp-gyanendra-singh-malik-law-and-order-review-meeting-112-emergency-response</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-dgp-gyanendra-singh-malik-law-and-order-review-meeting-112-emergency-response</guid><pubDate>Tue, 18 Aug 2026 19:40:54 +05:30</pubDate><description><![CDATA[<p>રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ મજબૂત બનાવવા તેમજ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે રાજ્યના પોલીસ વડા (DGP) જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલી આ બેઠકમાં રાજ્યના તમામ મહાનગરોના પોલીસ કમિશનરો, વિવિધ રેન્જ આઈજીઓ અને તમામ જિલ્લાઓના પોલીસ અધિક્ષકો (SP) સીધા જોડાયા હતા.</p><h2><b>ગુજરાત પોલીસ વડા GS મલિકની બેઠક</b></h2><p>બેઠક દરમિયાન રાજ્યમાં શાંતિ અને સલામતી જાળવવા તેમજ ઈમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ (ERSS 112) ની કામગીરીને વધુ ક્ષમતાવાન બનાવવા પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. DGP જ્ઞાનેન્દ્રસિંહ મલિકે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઈમરજન્સી સેવા 112 પર કોલ આવતાની સાથે જ નાગરિકને ત્વરિત અને સમયસર પોલીસ સહાય મળે તે અત્યંત જરૂરી છે. આ માટે 112 વાહનોના રિસ્પોન્સ ટાઈમમાં ઘટાડો લાવવા માટે કામગીરીનું સતત મોનિટરિંગ કરવા અધિકારીઓને સૂચના અપાઈ છે.</p><h3><b>112 ઈમરજન્સી સેવા ઝડપી બનાવવા કડક સૂચનાઓ</b></h3><p>જે પોલીસ વાહનો ટેકનિકલ ખામીના કારણે ઓફ-રોડ (બંધ) પડ્યા છે, તેનું તાત્કાલિક સમારકામ કરાવી રસ્તા પર દોડતા કરવા અને પૂરતા ડ્રાઈવરોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી. 112 ઈમરજન્સી સેવામાં તૈનાત સ્ટાફની પૂરતી હાજરી જળવાઈ રહે તે બાબત સુનિશ્ચિત કરવી. સ્ટાફની રજા મંજૂર કરતી વખતે કંટ્રોલ રૂમ સાથે યોગ્ય સંકલન રાખવું, જેથી ઈમરજન્સી કામગીરી પર કોઈ પ્રતિકૂળ અસર ન પડે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/cricket/ambaji/indian-cricketer-axar-patel-visits-ambaji-temple-with-family-offers-prayers" target="_blank">આ પણ વાંચો: Ambaji: ક્રિકેટર અક્ષર પટેલે સહપરિવાર મા અંબાના ચરણોમાં શિશ ઝુકાવ્યું</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/LYbORvNkuEQ50LnHnGLlIoYqcImdRKhBw4rSeCMY.webp'/></item><item><title><![CDATA[Rajkot ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, 4 ગેરકાયદેસર હથિયારો સાથે રીઢો ગુનેગાર માલિયાસણ ચોકડીથી ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/rajkot/rajkot-crime-branch-conducts-major-operation-habitual-criminal-arrested-with-4-illegal-weapons-from-maliyasan-intersection</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/rajkot/rajkot-crime-branch-conducts-major-operation-habitual-criminal-arrested-with-4-illegal-weapons-from-maliyasan-intersection</guid><pubDate>Tue, 18 Aug 2026 19:39:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અસામાજિક તત્વો અને ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી કરતા ગુનેગારો સામે એક મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે માલિયાસણ ચોકડી નજીક વ્યૂહાત્મક ગોઠવણી કરીને વોચ ગોઠવી હતી. આ ઓપરેશન દરમિયાન પોલીસે ધીરૂ મોહન કુકડીયા નામના રીઢા ગુનેગારને કોર્ડન કરીને ઝડપી લીધો હતો.</p><h2 style="text-align: justify; "><b>ચાર શસ્ત્રો જપ્ત, મધ્યપ્રદેશથી લાવતો હતો હથિયાર</b></h2><p style="text-align: justify; ">ઝડપાયેલા આરોપી ધીરૂ કુકડીયાની તલાશી લેતા તેની પાસેથી 2 દેશી તમંચા અને 2 દેશી બનાવટની પિસ્તોલ મળીને એકસાથે કુલ 4 ગેરકાયદેસર હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે આરોપી આ તમામ જીવલેણ શસ્ત્રો મધ્યપ્રદેશ (MP) થી ખરીદીને રાજકોટમાં સપ્લાય કરવા માટે લાવતો હતો. પોલીસે ચારેય હથિયારો કબ્જે કરીને આગળની કાયદાકીય પ્રોસેસ હાથ ધરી છે.</p><h3 style="text-align: justify; "><b>અગાઉ પણ હથિયારો વેચ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો</b></h3><p style="text-align: justify; ">પોલીસની સઘન પૂછપરછમાં આરોપીએ એવો પણ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે આ અગાઉ પણ તે વિજય અને રિપલ નામના બે શખ્સોને ગેરકાયદે હથિયારો વેચી ચૂક્યો છે. આ ખુલાસા બાદ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે હથિયારો ખરીદનારા આ બંને શખ્સોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/junagadh/farmers-create-ruckus-in-mangrol-junagadh-protest-against-survey-to-extract-stones-from-land" target="_blank">Junagadhના માંગરોળમાં ખેડૂતોનો હોબાળો, જમીનમાં પથ્થર કાઢવાના સર્વે સામે નોંધાવ્યો વિરોધ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/3VbmX7ox7R0jHsHoVXG4ngKBYlv3noRhoOimfRQH.webp'/></item><item><title><![CDATA[Ambaji: ક્રિકેટર અક્ષર પટેલે સહપરિવાર મા અંબાના ચરણોમાં શિશ ઝુકાવ્યું ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/cricket/ambaji/indian-cricketer-axar-patel-visits-ambaji-temple-with-family-offers-prayers</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/cricket/ambaji/indian-cricketer-axar-patel-visits-ambaji-temple-with-family-offers-prayers</guid><pubDate>Tue, 18 Aug 2026 19:23:43 +05:30</pubDate><description><![CDATA[<p>ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અને યાત્રાધામ અંબાજી ખાતે ભારતીય ક્રિકેટ ટીમના જાણીતા ઓલરાઉન્ડર અક્ષર પટેલ તેમના પરિવાર સાથે અંબાજી મા અંબાના દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. મંદિર પરિસરમાં પહોંચીને તેમણે માતાજીના ગર્ભગૃહ સમક્ષ શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી હતી.</p><p><b>ભારતીય ક્રિકેટર અંબાજી મંદિરે</b><br><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DcLzZgijzGo/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DcLzZgijzGo/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a><br></p><h2><b>અંબાજી ધામે ભારતીય ક્રિકેટર અક્ષર પટેલ</b></h2><p>અક્ષર પટેલે મા અંબાના ભક્તિભાવપૂર્વક દર્શન કરીને દેશ તથા પોતાના ખેલ કરિયર માટે પ્રાથના કરી હતી. અંબાજી મંદિરના મુખ્ય ભટ્ટજી મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે અક્ષર પટેલ અને તેમના પરિવારને વિશેષ મંત્રોચ્ચાર સાથે મા અંબાના પવિત્ર યંત્રની પૂજા-અર્ચના કરાવવામાં આવી હતી. પૂજા વિધિ સંપન્ન થયા બાદ ભટ્ટજી મહારાજે ક્રિકેટરને આશીર્વાદ પાઠવ્યા હતા.</p><h3><b>મા અંબાના દર્શન કરી અનુભવી ધન્યતા</b></h3><p>સ્ટાર ક્રિકેટર અક્ષર પટેલ અંબાજી આવ્યા હોવાના સમાચાર મળતાં જ મંદિર પરિસરમાં હાજર ભક્તો અને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. દર્શન બાદ અક્ષર પટેલે માતાજીના સાનિધ્યમાં પરમ શાંતિ અને ધન્યતાની અનુભૂતિ થઈ હોવાનું વ્યક્ત કર્યું હતું. મંદિર પરિસર ખાતે પધારેલા ક્રિકેટરનું અંબાજી મંદિર ટ્રસ્ટ અને પૂજારીઓ દ્વારા માતાજીની ચૂંદડી અને પ્રસાદ આપીને બહુમાન કરવામાં આવ્યું હતું.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/patan/food-and-drugs-department-raids-tanna-traders-seizes-678kg-suspicious-chutney" target="_blank">આ પણ વાંચો: Patan: જૂના ગંજ બજારમાં તન્ના ટ્રેડર્સ પર ફૂડ વિભાગના દરોડા, 678 કિલો શંકાસ્પદ ચટણી સીઝ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/zveI7IcrKnpWZEAKv8kTjHktCQL8TlFMwgnnPF76.webp'/></item><item><title><![CDATA[Bank Holidays List: આ અઠવાડિયે 3 દિવસ બંધ રહેશે બેન્ક, જાણી લો તારીખ ]]></title><link>https://sandesh.com/india/news/business/bank-holidays-list-3-days-bank-closed-this-week-august-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/bank-holidays-list-3-days-bank-closed-this-week-august-2026</guid><pubDate>Tue, 18 Aug 2026 19:19:42 +05:30</pubDate><description><![CDATA[<p>જો આ અઠવાડિયે તમને ચેક ક્લિયરન્સ, ડ્રાફ્ટ કઢાવવો, રોકડ જમા કરાવવી કે અન્ય કોઈ મહત્વપૂર્ણ બેન્કિંગ કામ હોય તો રજાઓની તારીખો જાણી લેવી જરૂરી છે. ઓગસ્ટ 2026માં તહેવારો અને મહિનાના ચોથા શનિવારને કારણે અલગ-અલગ રાજ્યોમાં બેન્ક શાખાઓ બંધ રહેશે. બેન્ક હોલિડે રાજ્ય પ્રમાણે અલગ હોઈ શકે છે, જ્યારે બીજા અને ચોથા શનિવારે બેન્કો માટે રજા રહે છે.</p><ul><li>19 ઓગસ્ટ, બુધવાર: ત્રિપુરામાં મહારાજા બીર બિક્રમ કિશોર માણિક્ય બહાદુર જયંતિના કારણે બેન્કોમાં રજા રહેશે.</li><li>22 ઓગસ્ટ, શનિવાર: મહિનાનો ચોથો શનિવાર હોવાથી દેશભરની બેન્ક શાખાઓ બંધ રહેશે.</li><li>23 ઓગસ્ટ, રવિવાર: સાપ્તાહિક રજાના કારણે સમગ્ર દેશમાં બેન્કો બંધ રહેશે.</li></ul><p>આ ઉપરાંત આગામી સપ્તાહમાં પણ કેટલાક રાજ્યોમાં તહેવારોને કારણે બેંકિંગ સેવાઓ પર અસર પડશે.</p><ul><li>25 ઓગસ્ટે- મિલાદ-ઉન-નબી અને પ્રથમ ઓણમના અવસર પર કેટલાક રાજ્યોમાં રજા રહેશે.&nbsp;</li><li>26 ઓગસ્ટે- ઈદ-એ-મિલાદ/બારાવફાત અને તિરુવોનમને કારણે અનેક રાજ્યોમાં બેંકો બંધ રહેશે.&nbsp;</li><li>28 ઓગસ્ટે - રક્ષાબંધનના કારણે ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં બેન્ક શાખાઓમાં રજા રહેશે.</li></ul><p>બેન્ક શાખાઓ બંધ હોવા છતાં ગ્રાહકોને ડિજિટલ બેન્કિંગની સુવિધાઓ મળતી રહેશે. મોબાઈલ બેન્કિંગ અને નેટ બેન્કિંગ દ્વારા ફંડ ટ્રાન્સફર કરી શકાશે. ATM સેવા પણ સામાન્ય રીતે ઉપલબ્ધ રહેશે. જોકે, પાસબુક અપડેટ, ચેક સંબંધિત કામ અને બ્રાન્ચમાં રોકડ જમા કરવા જેવા કામ માટે બેન્ક ખુલવાની રાહ જોવી પડશે.</p><p><a href="https://sandesh.com/india/news/business/india-fdi-rules-15000-crore-investment-direct-approval" target="_blank"><b>આ પણ વાંચો : FDIના નિયમોમાં મોટા ફેરફાર કરવાની શક્યતા, 15,000 કરોડ સુધીના રોકાણને સીધી મંજૂરીની તૈયારી</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/jxItYMyt3k14V2H9VoPIWoO0GC9claNuESETqhm7.webp'/></item><item><title><![CDATA[Ahmedabadમાં TPC મુદ્દે AMCની તવાઈ, ઈસનપુરનું જલારામ ખમણ હાઉસ સીલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/amcs-stand-on-tpc-issue-in-ahmedabad-jalaram-khaman-house-in-isanpur-sealed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/amcs-stand-on-tpc-issue-in-ahmedabad-jalaram-khaman-house-in-isanpur-sealed</guid><pubDate>Tue, 18 Aug 2026 18:46:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના હેલ્થ અને ફૂડ વિભાગ દ્વારા શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે કડક ચકાસણી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત AMC ની ટીમે ઇસનપુર વિસ્તારમાં આવેલા જાણીતા 'જલારામ ખમણ હાઉસ' પર અચાનક દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ગંભીર ક્ષતિઓ મળી આવતાં તંત્ર દ્વારા આ ખાણીપીણીના એકમને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>TPC નું પ્રમાણ 24 ની જગ્યાએ 38 સુધી પહોંચ્યું</b></h2><p style="text-align: justify; ">તપાસ દરમિયાન હેલ્થ વિભાગે ખમણ હાઉસમાં વપરાતા તળવાના તેલની 'ટોટલ પોલર કમ્પાઉન્ડ્સ' (TPC) મશીન વડે સ્થળ પર જ ચકાસણી કરી હતી. ખાદ્ય સુરક્ષાના નિયમો અનુસાર તેલમાં TPC નું પ્રમાણ વધુમાં વધુ 24 સુધી હોવું જોઈએ, તેની જગ્યાએ જલારામ ખમણ હાઉસમાં વપરાતા તેલમાં આ પ્રમાણ 38 સુધી નોંધાયું હતું. એકના એક તેલનો વારંવાર ઉપયોગ કરવાથી તેલમાં આટલું ઊંચું TPC પ્રમાણ આવે છે, જે માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થાય છે.</p><h2 style="text-align: justify; "><b>અખાદ્ય અને હાનિકારક તેલ સામે તંત્રની લાલ આંખ</b></h2><p style="text-align: justify; ">વારંવાર એક જ તેલમાં વાનગીઓ તળવાથી તે તેલ ઝેરી અને હાનિકારક બની જાય છે, જેનાથી કેન્સર અને હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓ થવાનું જોખમ રહેલું છે. AMC હેલ્થ વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે શહેરમાં આવા અખાદ્ય અને સ્વાસ્થ્ય માટે હાનિકારક તેલનો ઉપયોગ કરતા તમામ નાના-મોટા વેપારીઓ સામે આગામી દિવસોમાં પણ આ જ પ્રકારે કડકમાં કડક કાનૂની કાર્યવાહી અને સીલિંગની ઝુંબેશ ચાલુ રહેશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-ips-officers-included-in-the-best-performance-at-the-national-level-including-dcps-of-danko-vadodara-and-ahmedabad-and-kheda-sp" target="_blank">ગુજરાતના IPS અધિકારીઓનો રાષ્ટ્રીય સ્તરે ડંકો, વડોદરા અને અમદાવાદના DCP સહિત ખેડા SP નો શ્રેષ્ઠ કામગીરીમાં સમાવેશ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/h0n1toIcugsl4FdwprNuUV6hTLU4kDiGffxlaHHZ.webp'/></item><item><title><![CDATA[Hollywood Box Office India: ભારતમાં Spider Man બની સૌથી વધુ કમાણી કરનારી હોલીવુડ ફિલ્મ ]]></title><link>https://sandesh.com/entertainment/news/india/hollywood-box-office-india-spider-man-becomes-highest-grossing-hollywood-film-in-india</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/india/hollywood-box-office-india-spider-man-becomes-highest-grossing-hollywood-film-in-india</guid><pubDate>Tue, 18 Aug 2026 17:36:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">હવે, માર્વેલની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ "સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે" છે. "સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે" એ અત્યાર સુધીમાં ₹550 કરોડની કમાણી કરી છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">હોલીવુડની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ</h2><p style="text-align: justify; ">હોલીવુડ ફિલ્મ "સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે" નો જાદુ ભારતમાં દર્શકોમાં છવાઈ ગયો છે. માર્વેલ કોમિક બ્રહ્માંડના દરેક સુપરહીરો ભારતમાં ચાહક ફોલોઇંગ ધરાવે છે. પરંતુ સ્પાઇડર-મેન લગભગ દરેક વય જૂથના દર્શકો સાથે જોડાઈ શક્યો છે. કદાચ આ જ કારણ છે કે ટોમ હોલેન્ડ અભિનીત આ ફિલ્મ ભારતમાં હોલીવુડની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે. હા, તેણે માર્વેલની સીમાચિહ્ન ફિલ્મ "એવેન્જર્સ: એન્ડગેમ" ના રેકોર્ડને પણ તોડી નાખ્યો છે.&nbsp;</p><h3 style="text-align: justify; ">ત્રીજા સપ્તાહના અંતે નોંધપાત્ર અસર પડી.</h3><p style="text-align: justify; ">31 જુલાઈના રોજ ભારતીય સિનેમાઘરોમાં રિલીઝ થયેલી "સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે" એ ભારતીય બોક્સ ઓફિસ પર ₹550 કરોડનો આંકડો વટાવી દીધો છે. આનાથી તે અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી હોલીવુડ ફિલ્મ બની ગઈ છે. રિલીઝ પછી, "સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે" ને "આવારાપન 2" અને "બંટવારા 1947" જેવી ફિલ્મો સાથે સ્પર્ધા કરવી પડી. આમ છતાં, માર્વેલ સ્ટુડિયો ફિલ્મે તેના ત્રીજા સપ્તાહના અંતે ₹228 મિલિયનની કમાણી કરી હતી.&nbsp;</p><h4 style="text-align: justify; ">આ રેકોર્ડ ફક્ત 18 દિવસમાં સ્થાપિત થયો</h4><p style="text-align: justify; ">સોની પિક્ચર્સ ઇન્ડિયાએ 'સ્પાઇડર-મેન - બ્રાન્ડ ન્યૂ ડે' ની કમાણીના આંકડા જાહેર કરતી વખતે એક પોસ્ટમાં લખ્યું, "દુનિયા કદાચ પીટરને ભૂલી ગઈ હશે, પરંતુ ભારતે ખાતરી કરી છે કે રેકોર્ડ બુક્સ તેને ક્યારેય ભૂલશે નહીં. ₹550 કરોડનો આંકડો પાર કરી દેવામાં આવ્યો છે, અને ગણતરી હજુ પણ ચાલુ છે. નોંધનીય છે કે આ ફિલ્મે માત્ર 18 દિવસમાં આ રેકોર્ડ હાંસલ કર્યો છે. ફિલ્મના થિયેટર રિલીઝની વાત કરીએ તો, તે ભારતમાં ઘણી ભાષાઓમાં રિલીઝ થઈ હતી. હિન્દી અને અંગ્રેજી ઉપરાંત, તે તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થઈ હતી.</p><h5 style="text-align: justify; ">ટોચની 5 ફિલ્મોની યાદીમાં કઈ ફિલ્મ ?</h5><p style="text-align: justify; ">જો તમે વિચારી રહ્યા છો કે કઈ ફિલ્મો હવે 'સ્પાઇડર-મેન - બ્રાન્ડ ન્યૂ ડે' થી પાછળ રહી ગઈ છે, તો ચાલો તમને સંપૂર્ણ યાદી આપીએ. ₹550 કરોડનો આંકડો પાર કર્યા પછી, આ ફિલ્મ નંબર 1 પર છે. નંબર 2 પર 'અવતાર - ધ વે ઓફ વોટર' ₹483 કરોડની કમાણી સાથે છે. યાદીમાં ત્રીજા નંબર પર "એવેન્જર્સ: એન્ડગેમ" છે. ₹438 કરોડની કમાણી સાથે. ચોથા ક્રમે "એવેન્જર્સ: ઇન્ફિનિટી વોર" (₹438 કરોડ) છે. ટોચના પાંચમાં ક્રમે "સ્પાઇડર-મેન: નો વે હોમ" (₹268 કરોડ) છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/lifestyle/news/health-fitness/liver-health-news-fatty-liver-problem-in-thin-people-know-what-is-lean-fatty-liver-and-its-causes" target="_blank">પાતળા લોકોમાં ફેટી લીવરની સમસ્યા, જાણો શું છે Lean Fatty Liver અને તેનાં કારણો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/KAU3pTgxrF9FYPpVju93oGbfKmtxFLS3VoB6ovq6.webp'/></item><item><title><![CDATA[National Sports Awards 2025 announced : તેજસ્વિન શંકર અને અન્ય 17 ખેલાડીઓને મળશે અર્જુન પુરસ્કાર ]]></title><link>https://sandesh.com/sports/news/national-sports-awards-2025-announced-tejaswin-shankar-and-17-other-players-to-receive-arjuna-award</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/national-sports-awards-2025-announced-tejaswin-shankar-and-17-other-players-to-receive-arjuna-award</guid><pubDate>Tue, 18 Aug 2026 14:32:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારત સરકારે રાષ્ટ્રીય રમતગમત પુરસ્કારો 2025 ની જાહેરાત કરી છે. અર્જુન પુરસ્કાર માટે 17 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. એથ્લેટિક્સથી લઈને બેડમિન્ટન, હોકી, ચેસ, શૂટિંગ અને કબડ્ડી સુધીની વિવિધ રમતોના ખેલાડીઓને અર્જુન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. રમતગમત મંત્રાલયે પસંદગી સમિતિની ભલામણોના આધારે આ પુરસ્કારોની જાહેરાત કરી છે.</p><h4 style="text-align: justify;"><b>રાષ્ટ્રીય રમતગમત પુરસ્કારોની યાદી જાહેર</b></h4><p style="text-align: justify;">રાષ્ટ્રીય રમતગમત પુરસ્કારો 2025 ની યાદી જાહેર કરતા, યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે જણાવ્યું હતું કે દર વર્ષે, રમતગમતમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓ, કોચ અને સંસ્થાઓને આ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષે, સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ (નિવૃત્ત) અરુણ કુમાર મિશ્રાની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિએ પુરસ્કારો માટે નામોની ભલામણ કરી હતી.</p><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/IndiaSports/status/2089637873230463475?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify;"><br></p><h5 style="text-align: justify;"><b>આ ખેલાડીઓને અર્જુન પુરસ્કાર મળશે.</b></h5><p style="text-align: justify; ">2025ના અર્જુન પુરસ્કાર માટે કુલ 17 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. તેજસ્વિન શંકર, મોહમ્મદ અજમલ વી અને પ્રિયંકા ગોસ્વામીને એથ્લેટિક્સમાં આ સન્માન પ્રાપ્ત થશે. બેડમિન્ટનમાં સુપ્રસિદ્ધ કોચ પુલેલા ગોપીચંદની પુત્રી ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદની પસંદગી કરવામાં આવી છે. નરેન્દ્રને બોક્સિંગમાં અર્જુન પુરસ્કાર પ્રાપ્ત થશે.વિદિત સંતોષ ગુજરાતી અને દિવ્યા જીતેન્દ્ર દેશમુખને ચેસમાં આ સન્માન મળશે. ધનુષ શ્રીકાંતનો પણ બહેરા શૂટિંગમાં સમાવેશ થાય છે. લાલરેમસિયામી અને રાજકુમાર પાલને હોકીમાં અર્જુન એવોર્ડ મળશે. કબડ્ડીમાં સુરજીત અને પૂજાની પસંદગી કરવામાં આવી છે. પેરા-શૂટિંગમાં રુદ્રાંશ ખંડેલવાલ, પેરા-એથ્લેટિક્સમાં એકતા ભયાન, રોઇંગમાં અરવિંદ સિંહ અને શૂટિંગમાં અખિલ શિયોરનને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.</p><h5 style="text-align: justify;"><b>આજીવન અર્જુન એવોર્ડની પણ જાહેરાત</b></h5><p style="text-align: justify;">ફૂટબોલના આઈ. અરુમાનયગમને અર્જુન એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે, જે રમતગમતમાં લાંબા ગાળાનું યોગદાન આપનારા ખેલાડીઓને આપવામાં આવે છે. આ એવોર્ડ એવા ખેલાડીઓને આપવામાં આવે છે જેમણે તેમની સક્રિય કારકિર્દી દરમિયાન અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે અને નિવૃત્તિ પછી પણ રમતગમતના વિકાસમાં યોગદાન આપતા રહે છે.</p><h5 style="text-align: justify;"><b>કોચને દ્રોણાચાર્ય એવોર્ડ પણ પ્રાપ્ત થશે</b></h5><p style="text-align: justify;">રાષ્ટ્રીય રમતગમત પુરસ્કારોમાં દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતાઓના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. નિયમિત શ્રેણીમાં, એથ્લેટિક્સના પરવીર સિંહ, બોક્સિંગના છોટે લાલ યાદવ અને શૂટિંગના નેહા નંદકુમાર ચવ્હાણની પસંદગી કરવામાં આવી છે. લાઇફટાઇમ શ્રેણીમાં, બોક્સિંગના ધર્મેન્દ્ર સિંહ યાદવ અને કુસ્તીના વીરેન્દ્ર કુમારને સન્માનિત કરવામાં આવશે.</p><p style="text-align: justify;">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/world-championships-2026-aayush-shetty-scores-historic-win-by-defeating-world-number-1" target="_blank"> World Championships 2026: આયુષ શેટ્ટીએ વિશ્વના નંબર 1 ખેલાડીને હરાવી ઐતિહાસિક જીત મેળવી</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/xo47fWJorHfBwNcq6ohySJESbutGlmhsEtpRZIZR.webp'/></item></channel></rss>