<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Pradeep Rawat 'મહાભારત'ના અશ્વત્થામાથી 'ગજની'ના વિલનથી થયા લોકપ્રિય, જાણો અભિનેતાના સંઘર્ષની કહાની ]]></title><link>https://sandesh.com/entertainment/news/pradeep-rawat-became-popular-from-ashwatthama-of-mahabharata-to-the-villain-of-ghajini-know-the-story-of-the-actors-struggle</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/pradeep-rawat-became-popular-from-ashwatthama-of-mahabharata-to-the-villain-of-ghajini-know-the-story-of-the-actors-struggle</guid><pubDate>Wed, 05 Aug 2026 09:08:54 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય સિનેમાના શક્તિશાળી ખલનાયક પ્રદીપ રાવત હવે આપણી વચ્ચે નથી રહ્યા. બ્લડ કેન્સર સામે પાંચ વર્ષ સુધી બહાદુરીપૂર્વક લડ્યા બાદ તેમનું અવસાન થયું છે. તેઓ પોતાની પાછળ પત્ની અને બે પુત્રોને મુકતા ગયા છે. પ્રદીપ રાવતની કારકિર્દી માત્ર એક વિલન બનવા પૂરતી સીમિત નહોતી, પરંતુ તે સંઘર્ષ, દ્રઢ નિશ્ચય અને અવિરત મહેનતનું એક અદ્ભુત ઉદાહરણ હતી.</p><h2><b>પ્રદીપ રાવત સંઘર્ષથી ભરેલી શરૂઆત</b></h2><p>મધ્યપ્રદેશના જબલપુરમાં જન્મેલા પ્રદીપ રાવત માટે બોલિવૂડની સફર સરળ નહોતી. મુંબઈ આવ્યા પછી તેમણે સતત રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. ઊંચું કદ અને મજબૂત બાંધો હોવા છતાં તેમને યોગ્ય તક મળવામાં વિલંબ થયો. ૧૯૮૫માં 'મેરી જંગ' ફિલ્મથી તેમણે ફિલ્મી સફર શરૂ કરી અને ત્યારબાદ 'કોયલા', 'બાગી', 'મેજર સાબ', 'સરફરોશ', 'અગ્નિપથ' અને 'લગાન' જેવી મોટી ફિલ્મોમાં નાના-મોટા રોલ કર્યા, પરંતુ તેમને જોઈતી ઓળખ ન મળી. તેમની કારકિર્દીનો પ્રથમ મોટો વળાંક ૧૯૮૮માં આવ્યો, જ્યારે પીઢ નિર્માતા બી.આર. ચોપરાએ તેમની પ્રતિભા ઓળખીને ઐતિહાસિક ટીવી શો 'મહાભારત' માં અશ્વત્થામાની ભૂમિકા આપી. આ પાત્રથી તેઓ દેશના ઘરેઘરમાં જાણીતા બન્યા.</p><p><b>દક્ષિણ સિનેમામાં પ્રભુત્વ: 'સે' અને 'ગજની'નો જાદુ</b></p><p>૨૦૦૪માં એસ.એસ. રાજામૌલીની તેલુગુ ફિલ્મ 'સે' (Sye) પ્રદીપ રાવતની કારકિર્દી માટે ગેમ-ચેન્જર સાબિત થઈ. આ ફિલ્મમાં તેમના પાત્ર 'ભિક્ષુ યાદવ' ના ડરાવનારા હાસ્ય અને દમદાર ડાયલોગ્સે દર્શકો પર ઊંડી છાપ છોડી. આ સફળતા બાદ તેમણે 'ભદ્ર', 'છત્રપતિ' (રાસ બિહારી તરીકે) અને 'લક્ષ્મી' જેવી સુપરહિટ ફિલ્મો આપીને દક્ષિણ ભારત સાઉથના સૌથી લોકપ્રિય વિલન તરીકે સ્થાન જમાવ્યું. ત્યારબાદ ૨૦૦૫માં એ.આર. મુરુગાદોસની તમિલ ફિલ્મ 'ગજની' માં તેમણે મુખ્ય ખલનાયકની ભૂમિકા ભજવી. ૨૦૦૮માં જ્યારે આ ફિલ્મની હિન્દી રિમેક (આમિર ખાન સાથે) બની, ત્યારે પણ પ્રદીપ રાવતે જ 'ગજની'નો રોલ ભજવ્યો. આ ફિલ્મ બોલિવૂડની પ્રથમ ૧૦૦ કરોડ કમાનારી ફિલ્મ બની અને તેમના આ પાત્રને ઇતિહાસમાં અમર કરી દીધું.</p><p><b>ખલનાયક નહીં બન્યા અભિનેતા, પ્રદીપ રાવત</b></p><p>માત્ર ક્રૂર વિલન જ નહીં, પરંતુ 'ઓયે', 'પૂલારંગડુ', 'નેનુ શૈલાજા' અને 'સરૈનોડુ' જેવી ફિલ્મોમાં પોતાની શ્રેષ્ઠ કોમિક ટાઇમિંગથી તેમણે સાબિત કર્યું કે તેઓ દર્શકોને હસાવી પણ શકે છે. સમય જતાં સિનેમા બદલાયું અને નવા કલાકારો આવ્યા, જેથી તેઓ ધીમે ધીમે પડદાથી દૂર થતા ગયા. છતાં, ચાહકોના હૃદયમાં તેમનું સ્થાન હંમેશા ખાસ રહ્યું. પ્રદીપ રાવતે સાબિત કરી બતાવ્યું કે સિનેમામાં અમર થવા માટે હંમેશા હીરો બનવું જરૂરી નથી હોતું, એક મજબૂત કલાકાર તરીકે પણ ઇતિહાસ રચી શકાય છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/DWpNowlWPoEQBcv0abxpiJ7aArcTkON3Jl6fMQyV.webp'/></item><item><title><![CDATA[Assam Flood:આસામ અને કેરળમાં કુદરતનો કહેર, આસામમાં 87 અને કેરળમાં 25 લોકોના મોત ]]></title><link>https://sandesh.com/india/news/assam-kerala-floods-heavy-rain-updates</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/assam-kerala-floods-heavy-rain-updates</guid><pubDate>Wed, 05 Aug 2026 08:56:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દેશભરના વિવિધ રાજ્યોમાં ચોમાસાના ભારે વરસાદે તબાહી મચાવી છે. ખાસ કરીને કેરળ, આસામ અને ઓડિશામાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે, જ્યાં પૂર અને વરસાદને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લાખો લોકો પ્રભાવિત થયા છે અને વહીવટીતંત્ર દ્વારા રાહત તથા બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>કેરળમાં સૌથી ખરાબ પરિસ્થિતિ</b></h2><p style="text-align: justify; ">કેરળમાં સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક છે. અહીં છેલ્લા ચાર દિવસમાં 1 થી 4 ઓગસ્ટ દરમિયાન સામાન્ય કરતાં 181 ટકા વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ (IMD) અનુસાર આ સમયગાળામાં 205.8 મીમી વરસાદ પડ્યો છે. સતત મુશળધાર વરસાદને કારણે પથાનમથિટ્ટા, કોટ્ટાયમ, ઇડુક્કી, એર્નાકુલમ સહિત આઠ જિલ્લાઓમાં 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં વરસાદ અને પૂર સંબંધિત દુર્ઘટનાઓમાં અત્યાર સુધીમાં 25 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 4 લોકો ગુમ છે અને અનેક લોકો ઘાયલ થયા છે.</p><h3 style="text-align: justify; "><b>આસામમાં પૂરની સ્થિતિ વધુ ગંભીર</b></h3><p style="text-align: justify; ">મળતી માહિતી પ્રમાણે ભારે વરસાદને પગલે રાજ્યભરમાં 400થી વધુ રાહત શિબિરો ઊભી કરવામાં આવી છે, જેમાં 18,000 થી વધુ લોકો આશરો લઈ રહ્યા છે. પૂરના કારણે અનેક લોકોના મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ઘરવખરી ધોવાઈ ગઈ છે, જેને લઈને સરકારે દસ્તાવેજો પુનઃ મેળવવા અને બાળકોને નવા પુસ્તકો પૂરા પાડવા માટે ખાસ અદાલતો બનાવવાની જાહેરાત કરી છે. બીજી તરફ, આસામમાં પૂરની સ્થિતિ હજુ પણ ગંભીર છે. રાજ્યમાં પૂરના કારણે મૃત્યુઆંક વધીને 87 પર પહોંચી ગયો છે. શિવસાગર, ચરાઈદેવ અને જોરહાટ સહિત છ જિલ્લાના આશરે 1.28 લાખ લોકો પૂરની ઝપેટમાં છે. જોકે, રાહતની વાત એ છે કે હવે ધીમે ધીમે પાણીનું સ્તર ઓછું થઈ રહ્યું છે, છતાં કટોકટી યથાવત છે.</p><h4 style="text-align: justify; "><b>ઓડિશામાં પણ જોવા મળ્યો પૂરનો પ્રકોપ</b></h4><p style="text-align: justify; ">બીજી તરફ ઓડિશામાં પણ પૂરનો પ્રકોપ જોવા મળ્યો છે, જ્યાં 22 જિલ્લાના અંદાજે 8.64 લાખ લોકો પ્રભાવિત થયા છે. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ પૂરગ્રસ્તો માટે 110 કરોડ રૂપિયાના પ્રારંભિક રાહત પેકેજની જાહેરાત કરી છે. પૂરમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સહાય અને સંપૂર્ણ નુકસાન પામેલા મકાનો માટે 1.2 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત, અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને નાગાલેન્ડમાં પણ ભારે વરસાદને કારણે હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેનાથી ઉત્તર-પૂર્વના રાજ્યોમાં પણ ચિંતા વધી ગઈ છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/world/news/us-donald-trump-golf-club-security-suspect-arrested" target="_blank">આ પણ વાંચોઃ US: ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક, બંદૂક અને દારૂગોળો સાથે શંકાસ્પદ વ્યક્તિની કરાઇ ધરપકડ</a></b></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/BCE7qfzwh94w3VmSDJJFHG2WBshDw7U1nZVQeL3e.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: શહેરમાં 33 હજારથી વધુ મકાનોમાં મચ્છરોનું બ્રિડિંગ મળ્યું, પાણીના 47 સેમ્પલ અનફિટ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/mosquito-breeding-found-in-33742-houses</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/mosquito-breeding-found-in-33742-houses</guid><pubDate>Wed, 05 Aug 2026 08:19:48 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદમાં વરસાદના વિરામ અને વાદળછાયાં વાતાવરણના કારણે ડેન્ગ્યુના રોજના બે કેસ નોંધાઈ રહ્યા છે.જુલાઈ મહિનામાં શહેરમાં ડેન્ગ્યુના 60, મેલેરિયાના 38,ઝેરી મેલેરિયાના 4 અને ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયો છે.મચ્છરજન્ય રોગના કેસની સાથે પાણીજન્ય એવા ઝાડા-ઊલટીના 422, ટાઈફોઈડના 267, કમળાના 88 કેસ નોંધાયા છે.શહેરના 7 ઝોનમાં મચ્છર અને તેનું બિડિંગ શોધવા 20.20 લાખથી વધુ રહેઠાણોમાં જુલાઈ મહિનામાં 33742 મકાનોમાં મચ્છર અને તેનું બ્રિડિંગ મળી આવ્યું હતું.આ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શહેરમાં આપવામાં આવતા પાણીના 47 સેમ્પલ જુલાઈ મહિનામાં પીવાલાયક નહોતા.34 પાણીના સેમ્પલમાં ક્લોરિન નહોતું.</p><h2 style="text-align: justify; "><b>મચ્છરોના ઉપદ્રવમાં વધારો જોવા મળ્યો&nbsp;</b></h2><p style="text-align: justify; ">આ વર્ષે વિલંબથી શરૂ થયેલી ચોમાસાની ઋતુ દરમિયાન જુલાઈ મહિનાના અંતિમ પખવાડિયામાં શહેરમાં ભારે વરસાદ વરસ્યો હતો.આ કારણથી શહેરના મોટાભાગના વિસ્તારોમાં મચ્છરોના ઉપદ્રવમાં વધારો જોવા મળ્યો હતો.કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા શહેરમાં પાણીજન્ય રોગચાળો વકરે નહીં એ માટે જુલાઈ મહિનામાં બેક્ટેરિયોલોજીકલ તપાસ માટે 8.575 પાણીના સેમ્પલ લેબોરેટરી તપાસ માટે લીધા હતા.જે પૈકી પાણીના 47 સેમ્પલ અનફ્ટિ જાહેર કરવામાં આવ્યા છે. રેસિડેન્શિયલ ક્લોરિનની તપાસ માટે એક મહિનામાં 59591 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા.જે પૈકી પાણીના 34 સેમ્પલમાં ક્લોરિન જોવા મળ્યું નહોતું.</p><h3 style="text-align: justify; "><b>મચ્છરોનો ઉપદ્રવ કઈ રીતે નક્કી કરાય છે?</b></h3><p style="text-align: justify; ">મચ્છરોનો ઉપદ્રવ ક્યાં-કેટલો છે તે નક્કી કરવા હાઉસ ઇન્ડેક્સ, ઉપરાંત એડીસ મચ્છરને ટ્રેસ કરવા બ્રેટો ઇન્ડેક્સ અને કન્ટેનર ઇન્ડેક્સ એમ ત્રણ પ્રકારે તપાસ કરવામાં આવે છે. આ ત્રણ ઇન્ડેક્સ પાંચથી ઓછા જોવા મળે તો મચ્છરોના ઉપદ્રવની સ્થિતિ સામાન્ય છે એમ ગણવામાં આવે છે.100 ઘર દીઠ મળતા મચ્છરના લાર્વા ઉપરથી તેના ઉપદ્રવની માત્રા નક્કી થતી હોય છે. મચ્છરોનો ઉપદ્રવ ક્યાં અને કેટલો છે તે તપાસવા હાઉસ અને કન્ટેનર ઇન્ડેક્સ જોવામાં આવે છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-live-news-politics-weather-breaking-updates-08-august-2026" target="_blank">આ પણ વાંચોઃ Gujarat Latest News Live: રાજ્યમાં ગાજવીજ અને પવન સાથે સાર્વત્રિક વરસાદની આગાહી</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/uAlfz603sAuQs8UuBYRo2MInns5xj9LrufOmvlHr.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: રાજ્યમાં કુદરતી આફતોને લીધે 3 વર્ષમાં 605નાં મોત, 1.33 લાખ હેક્ટરમાં પાકને નુકસાન ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-records-605-deaths-and-crop-damage-across-1-33-lakh-hectares-in-3-years</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-records-605-deaths-and-crop-damage-across-1-33-lakh-hectares-in-3-years</guid><pubDate>Wed, 05 Aug 2026 08:00:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં ભારે વરસાદ, વાવાઝોડું, વીજળી પડવા સહિત કુદરતી આફતોના કારણે ત્રણ વર્ષમાં 605 લોકોના મોત થયા છે. જયારે 12370 પશુઓના મોત નોંધાયા છે.વરસાદી આફતને કારણે કાચા અને પાકા મકાનોને સંપૂર્ણ અથવા તો અંશતઃ નુકસાન થયું છે.51,449 મકાનોને નુકસાન થવા પામ્યું છે.આ આંકડા વર્ષ 2023-24થી 2025-26ની સ્થિતિના છે.</p><h2 style="text-align: justify; "><b>ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું</b></h2><p style="text-align: justify; ">ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે.ત્રણ વર્ષના સમય ગાળામાં ગુજરાતમાં 1.33 લાખ હેક્ટરમાં પાકને નુકસાન થયું છે.વર્ષ 2023-24માં સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ હેઠળ રાજ્ય અને કેન્દ્રના હિસ્સા સહિત 1556 કરોડની ફાળવણી કરવામાં આવી હતી.એ પછી 2024-25માં 1635 કરોડ અને વર્ષ 2025-26માં 1716 કરોડની ફાળવણી કરવામાં આવી હતી.</p><h3 style="text-align: justify; "><b>20741 મકાનોને નુકસાન થયું હતું</b></h3><p style="text-align: justify; ">વર્ષ 2023-24 અને 2024-25માં ભારે કુદરતી આફત છતાં નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડ હેઠળ કોઈ વધારાની ફાળવણી કરાઈ ન હતી.કેન્દ્ર સરકારે સંસદમાં આ સંદર્ભે જવાબ રજૂ કર્યો છે.ગુજરાતમાં વર્ષ 2025-26ના સમયમાં કુલ 139 મોત અને 14 હજાર જેટલા મકાનોને સંપૂર્ણ અથવા તો અંશતઃ નુકસાન થયું હતું જ્યારે 2024-25માં 230 લોકોનાં મોત, 7222 પશુઓનાં મોત અને 20741 મકાનોને નુકસાન થયું હતું.<br><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/cyclonic-circulation-western-disturbance-active-rain-forecast" target="_blank">આ પણ વાંચોઃ Gujarat Weather News: સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/9v8cn6TU9L0Exd9vnT6ewsnphBlSGV89Vu8ge468.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: મનપસંદ જુગારધામ થકી મેળવાયેલા કાળા નાણાં દેશવિરોધી પ્રવૃત્તિમાં વપરાયા હોવાની શંકા ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/manpasand-gambling-racket-linked-to-suspected-anti-national-activities</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/manpasand-gambling-racket-linked-to-suspected-anti-national-activities</guid><pubDate>Wed, 05 Aug 2026 07:42:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં આયોજનબદ્ધ રીતે ચાલતા મોટા મનપસંદ જિમખાના જુગારધામ પર પોલીસે પાડેલા દરોડામાં ચોંકાવનારા ખુલાસા થયા છે.જુગારના આ નેટવર્કમાં કાયદાની પકડથી બચવા અને કડીબદ્ધ પુરાવા ન મળે તે માટે આરોપીઓએ રોકડની સાથે સાથે જાણીતી આંગડિયા પેઢીઓ અને યુપીઆઈ ટ્રાન્ઝેક્શન મારફતે હારજીતના મોટા નાણાકીય વ્યવહારો કર્યા હોવાનું બહાર આવ્યું છે.પોલીસે કેશિયર અને જુગાર રમાડનાર મુખ્ય નવ આરોપીઓ વિરુદ્ધ સચોટ પુરાવા એકત્ર કરવા અને એફએસએલ તપાસ માટે મેટ્રોપોલીટન કોર્ટમાં રજૂ કરીને ચાર દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે. માત્ર સામાન્ય જુગાર નહીં, પરંતુ એક સંગઠિત ગુનાહિત ટોળકી દ્વારા આયોજનબદ્ધ રીતે આ અડ્ડો ચલાવવામાં આવતો હતો.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>આંગડિયા પેઢીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો</b></h2><p style="text-align: justify; ">રિમાન્ડમાં તપાસનીશ અધિકારીએ શંકા વ્યક્ત કરી છે કે જુગાર દ્વારા મેળવાયેલા કાળા નાણાંની ગેરકાયદેસર હેરાફેરી કરી તેનો ઉપયોગ આતંકવાદ કે નાર્કોટિક્સ ડ્રગ્સ જેવી દેશવિરોધી પ્રવૃત્તિઓમાં થયો હોઈ શકે છે.આ ગંભીર નેટવર્કનો પર્દાફાશ કરવો જરૂરી છે.જ્યારે 178 આરોપીઓને કોર્ટે જામીન પર મુક્ત કર્યા છે. એસએમસીના અધિકારીએ ગોવિંદ પટેલ, સત્તાર વોરા, હુસેન સિપાઈ, લક્ષ્મણ પરમાર, દિનેશ ભાવસાર, કિશોર પઢિયાર, નારણ રાવલ, સલીમ મસુરી અને આનંદ ઠાકોરના રિમાન્ડ મેળવવા માટે અરજી કરી હતી.રિમાન્ડ અરજીમાં જણાવ્યું હતું કે, જુગારધામમાં બહારથી રમવા આવતા ગ્રાહકો પાસેથી મોટી હારજીતના નાણાકીય વ્યવહારો માટે અલગ-અલગ આંગડિયા પેઢીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>મોપેડમાંથી જુગારના પૈસા કબજે કરવામાં આવ્યા</b></h3><p style="text-align: justify; ">માધુપુરા અને કાલુપુર વિસ્તારની જાણીતી આર.કે. આંગડિયા, રમેશ કાંતિ આંગડિયા, એચ.આર. આંગડિયા અને પી.એમ. આંગડિયા પેઢી મારફતે વ્યવહારો થયાનું ખુલ્યું છે. આ પેઢીઓમાંથી દસ્તાવેજી પુરાવા મળ્યા છે. જુગાર રમવા આવતા ગ્રાહકો રોકડ ઉપરાંત ઓનલાઈન યુપીઆઈ ટ્રાન્ઝેક્શન મારફતે પણ હારજીતના પૈસાની લેવડદેવડ કરતા હતા. આ ડિજિટલ ટ્રાન્ઝેક્શનના નેટવર્ક અને બેંક ખાતાઓની ઊંડી તપાસ કરવાની છે. કેશિયર આરોપી નારણ રાવલ અને ટેબલ ભાડે રાખી જુગાર રમાડનાર આરોપી લક્ષ્મણ પરમારની જીમખાના પાસે પાર્ક કરેલી મોપેડમાંથી જુગારના પૈસા કબજે કરવામાં આવ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>આંક લખેલી-સહી કરેલી ચિઠ્ઠીઓ મળી આવી</b></h2><p style="text-align: justify; ">રેડ દરમિયાન આંક લખેલી અને સહી કરેલી ચિઠ્ઠીઓ તેમજ પ્રિન્ટેડ શીટ મળી આવી છે.આવી અન્ય ગુપ્ત ચિઠ્ઠીઓ અને હિસાબો ક્યાં સંતાડયા છે તે અંગે યુક્તિપ્રયુક્તિથી પૂછપરછ હાથ ધરાશે.કબજે કરાયેલી ચિઠ્ઠીઓ આરોપી નારાયણનાથ ઉર્ફે નારણ કમલનાથ રાવલ દ્વારા જુગાર રમવા આવનાર વ્યક્તિઓ પાસેથી પૈસા મેળવી લખી સહી કરી આપ્યાનું ખુલ્યું છે. સચોટ વૈજ્ઞાનિક પુરાવો મેળવવા આરોપીના હસ્તાક્ષરના નમૂના લઈ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ખાતે મોકલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>અન્ય કયા મોટા માથાઓ સંડોવાયેલા તેની તપાસ ચાલુ</b></h2><p style="text-align: justify; ">આરોપીઓએ જુગારના નેટવર્કથી મેળવેલા લાખો રૂપિયાના હિસાબો અને આ ગુનામાં અન્ય કયા મોટા માથાઓ સંડોવાયેલા છે તેની પણ તપાસ ચાલુ છે. પોલીસ રેડ દરમિયાન ઘણા આરોપીઓ નાસી જવામાં સફળ રહ્યા હતા. પકડાયેલા આરોપીઓએ જ તેમને જુગાર રમવા બોલાવ્યા હોવાથી, ફરાર થઈ ગયેલા આરોપીઓને પકડવા અને તેમના નેટવર્કને તોડવા માટે રિમાન્ડ જરૂરી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/cyclonic-circulation-western-disturbance-active-rain-forecast" target="_blank">આ પણ વાંચોઃ Gujarat Weather News: સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/lpyMNpMbRRNKqSX6RVPUOkqyM8sZGKiBjCIlD2Y7.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: રાજ્યમાં 25 હજારથી વધુ પ્રાથમિક શિક્ષકોની ઘટ, 6 જિલ્લામાં HTAT આચાર્યની 50 ટકા જગ્યા ખાલી ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/25919-primary-teacher-vacancies-5193-htat-principal-posts-vacant</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/25919-primary-teacher-vacancies-5193-htat-principal-posts-vacant</guid><pubDate>Wed, 05 Aug 2026 07:26:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની 31784 સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક અને વિદ્યાર્થીઓનું વિદ્યાર્થી સંખ્યા સાથેનું મહેકમ જાહેર પ્લેટફોર્મ પર મૂક્યું છે. અત્યાર સુધીમાં શિક્ષકોની બદલીના કેમ્પમાં મંજૂર મહેકમ અને ખાલી જગ્યાની વિગતો એકત્ર કરવામાં ભારે વિલંબ થતો હતો.જોકે હવે તમામ પ્રક્રિયા જ પેપરલેસ કરી દેવામાં આવી છે.જેના કારણે, તમામ શિક્ષકો તેમજ કોઈપણ વ્યક્તિ ઓનલાઇન જ જિલ્લાવાઈઝ ફરજ બજાવતા શિક્ષકો અને ખાલી જગ્યાની વિગતો જાણી શકશે. હાલની સ્થિતિએ રાજ્યના 49.01 લાખ બાળકોને ભણાવવા માટે 201458 શિક્ષકોની જરૂરિયાત સામે 175839 ફરજ બજાવે છે જ્યારે 25919 શિક્ષકોની ઘટ જોવા મળી છે.સૌથી વધુ બાળમંદિરથી લઈને ધોરણ 1થી 5માં 16525 શિક્ષકોની ઘટ છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>શિક્ષકોની વિગતો એકત્ર કરવાની સૂચના કરવામાં આવી હતી</b></h2><p style="text-align: justify; ">7 ઓગસ્ટ સુધીમાં જિલ્લાઓ વાંધા રજૂ કરી શકશે, 10મીએ ફાઈનલ યાદી જાહેર થઈ જશે.રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાના શિક્ષકોનું મહેકમ દર વર્ષે 31 જુલાઈની સ્થિતિએ મંજૂર કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે.જે અંતર્ગત સેટઅપ તૈયાર કરવા માટે ચાઈલ્ડ ટ્રેકિંગ પોર્ટલમાંથી વિદ્યાર્થીઓની સંખ્યા અને ટીચર્સ પોર્ટલ પરથી શિક્ષકોની વિગતો એકત્ર કરવાની સૂચના કરવામાં આવી હતી.આ વિગતોના આધારે પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાના શિક્ષકોનું કામચલાઉ મહેકમ સમગ્ર શિક્ષાની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>આ નિર્ણયથી બદલીઓની પ્રક્રિયામાં ખૂબ મોટી પારદર્શિતા આવશે</b></h3><p style="text-align: justify; ">શિક્ષણ વિભાગે જાહેર કરેલી વિગતો મુજબ, હાલમાં 31784 શાળામાં 4901380 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.જેમાં બાળમંદિરમાં 494001,ધોરણ 1થી 5માં 2934621 અને ધોરણ 6થી 8માં 1772758 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેની સામે 175839 શિક્ષકો ફરજ બજાવે છે અને 25619 શિક્ષકોની ઘટ છે.ધોરણ કેટલીક સ્કૂલોમાં જરૂરિયાત કરતાં વધુ શિક્ષકો હોવાની પણ વિગતો સામે આવી છે.જેમાં ધોરણ 1થી 5માં 1903, ધો.6થી 8માં 685 અને 323 IHTAT આચાર્યો વધમાં છે.શિક્ષણ વિભાગના આ નિર્ણયથી બદલીઓની પ્રક્રિયામાં ખૂબ મોટી પારદર્શિતા આવશે એવો ઉચ્ચ અધિકારીઓનો દાવો છે.ઉલ્લેખનીય છે કે, શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરેલ કામચલાઉ યાદી સામે વિસંગતતા કે ક્ષતિ જણાય તો જિલ્લાના શિક્ષણાધિકારીઓએ આગામી તા.7 ઓગસ્ટના રોજ યોજાનાર બેઠકમાં પુરાવા સહિતની વિગતો રજૂ કરવાની રહેશે.</p><h2 style="text-align: justify; "><b>આખરી મહેકમ મંજૂર કરી દેવામાં આવશે</b></h2><p style="text-align: justify; ">10  ઓગસ્ટના રોજ આખરી મહેકમ મંજૂર કરી દેવામાં આવશે. એ પછી જો કોઈ ભૂલ જણાશે તો તેની તમામ જવાબદારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની રહેશે.એચટાટ આચાર્યની કુલ 12328 જગ્યા સામે 5193 જગ્યા ખાલી પડી છે. જેમાં 6 જિલ્લામાં HTAT આચાર્યની ઘટ હોવાનું શિક્ષણ વિભાગે જાહેર કરેલા ડેટા પરથી જાણવા મળે છે.દાહોદમાં 833 જગ્યા સામે માત્ર 263 જ એચટાટ આચાર્ય ફરજ બજાવે છે. એવી જ રીતે કચ્છમાં 570 જગ્યા સામે 186, મોરબીમાં 268 જગ્યા સામે 112, નર્મદામાં 108 જગ્યા સામે 48, પંચમહાલમાં 529 જગ્યા સામે 236 અને વાવ-થરાદમાં 425 જગ્યા સામે 194 એચટાટ આચાર્ય ફરજ બજાવી રહ્યા છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/cyclonic-circulation-western-disturbance-active-rain-forecast" target="_blank">આ પણ વાંચોઃ Gujarat Weather News: સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/KN0bMbBAbu5Zza1TqWU6ZqI6EJzDspDBZ5tAdwyO.webp'/></item><item><title><![CDATA[Deesa: ડીસા નગરપાલિકામાં વિવિધ સમિતિઓની રચના ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/deesa/deesa-formation-of-various-committees-in-deesa-municipality</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/deesa/deesa-formation-of-various-committees-in-deesa-municipality</guid><pubDate>Wed, 05 Aug 2026 05:44:46 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ડીસા નગરપાલિકાની ચૂંટણી બાદ હવે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. જેમાં 19 સમિતિઓ વિવિધ ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરને આપવામાં આવી છે. જોકે આ સમિતિઓની બેઠક ડીસા નગરપાલિકા સભાખંડમાં પાલિકા પ્રમુખ કૌશિક સાધુના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં ચીફ ઓફિસર ચંદ્રકાંત દેસાઈ, ઉપપ્રમુખ પલ્લવી જોષી ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ દ્વારા તમામ સમિતિઓના મેન્ડેડ રજુ કરવામાં આવ્યા હતા. જોકે પાર્ટીએ અને ડીસાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણ માળી દ્વારા સમિતિઓમાં લગભગ મોટા ભાગના જ્ઞાતિઓને સમાવી લીધા હતા. જેથી સમિતિઓની રચના બાદ ભાજપના કોર્પોરેટરોમાં ખુશી જોવા મળી રહી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/ihiNVMAFUyptwdBs1dXCzHA3ITzU5In06zLBXb1u.webp'/></item><item><title><![CDATA[CAPF એક્ટ 2026ને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટની કેન્દ્રને નોટિસ, ચાર સપ્તાહમાં માગ્યો જવાબ ]]></title><link>https://sandesh.com/india/news/supreme-court-notice-centre-capf-act-2026-constitutional-challenge</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/supreme-court-notice-centre-capf-act-2026-constitutional-challenge</guid><pubDate>Tue, 04 Aug 2026 22:32:43 +05:30</pubDate><description><![CDATA[<p>સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ (CAPF) એક્ટ 2026ની બંધારણીય માન્યતાને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરીને ચાર સપ્તાહમાં જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. ન્યાયમૂર્તિ મનોજ મિશ્રા અને ન્યાયમૂર્તિ વિજય બિશ્નોઈની ખંડપીઠે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. હવે આ કેસની આગામી સુનાવણી 20 ઓગસ્ટ 2026ના રોજ થશે.</p><h2><b>આ કાયદો સત્તાના વિભાજનના સિદ્ધાંત વિરુદ્ધ&nbsp;</b></h2><p>CAPFના 34 અધિકારીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે CAPF એક્ટ 2026 બંધારણના અનુચ્છેદ 14, 16 અને 21નું ઉલ્લંઘન કરે છે. અરજીકર્તાઓનું કહેવું છે કે આ કાયદો સત્તાના વિભાજનના સિદ્ધાંત વિરુદ્ધ છે અને સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાને અસરહીન બનાવવા માટે લાવવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે 23 મે 2025ના રોજ કેન્દ્ર સરકારને CAPFમાં DIG અને IG જેવા ઉચ્ચ હોદ્દાઓ પર IPS અધિકારીઓની પ્રતિનિયુક્તિ બે વર્ષની અંદર તબક્કાવાર ઘટાડવાનો આદેશ આપ્યો હતો.&nbsp;</p><h3><b>CAPFના કેડર અધિકારીઓને પ્રમોશનની તક ઓછી</b></h3><p>કોર્ટે નોંધ્યું હતું કે લાંબા સમયથી IPS અધિકારીઓના પ્રભુત્વના કારણે CAPFના કેડર અધિકારીઓને પ્રમોશનની તક ઓછી મળી રહી છે, જેના કારણે તેમનો મનોબળ પણ પ્રભાવિત થઈ રહ્યો છે. બાદમાં કેન્દ્ર સરકારની પુનર્વિચાર અરજી પણ ફગાવી દેવામાં આવી હતી. અરજદારોએ દલીલ કરી છે કે નવા CAPF એક્ટ દ્વારા કેડર અધિકારીઓને મળેલી ન્યાયિક રાહત નાબૂદ કરવામાં આવી રહી છે અને વરિષ્ઠ હોદ્દાઓ પર IPS અધિકારીઓની પ્રતિનિયુક્તિને કાનૂની સુરક્ષા આપવામાં આવી રહી છે.</p><h4><b>SCના નિર્ણય પર સૌની નજર&nbsp;</b></h4><p>બીજી તરફ, કેન્દ્ર સરકારનું કહેવું છે કે CAPF એક્ટ 2026 પાંચેય કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો માટે ભરતી, વહીવટ અને સેવા નિયમોને એકસરખું કાનૂની માળખું પૂરું પાડે છે. સરકારના મતે આ કાયદો સંઘીય વ્યવસ્થા અને સુરક્ષા સંબંધિત જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. હવે આ મુદ્દે સુપ્રીમ કોર્ટના આગામી નિર્ણય પર સૌની નજર રહેશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/india-news-dmk-leader-udayanidhi-stalin-gets-bail-after-questioning-huge-crowd-of-supporters-gathers-outside-the-station" target="_blank">આ પણ વાંચો : India News : DMK નેતા ઉદયનિધિ સ્ટાલિનને પૂછપરછ બાદ જામીન મળ્યા, સ્ટેશન બહાર સમર્થકોની ભારે ભીડ ઉમટી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/nd3hBeASRQJ1ZKfBFiKr92TZ4OI5CHjtf7LwMwX8.webp'/></item><item><title><![CDATA[Neeraj Chopra ડાયમંડ લીગમાં મળશે જોવા, અરશદ નદીમ અને રૂમેશ પથિરાગેનો કરશે સામનો ]]></title><link>https://sandesh.com/sports/news/neeraj-chopra-lausanne-diamond-league-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/neeraj-chopra-lausanne-diamond-league-2026</guid><pubDate>Tue, 04 Aug 2026 20:58:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતના દિગ્ગજ ભાલા ફેંકનાર અને ઓલિમ્પિક ગોલ્ડ ચંદ્રક વિજેતા નીરજ ચોપરા 21 ઓગસ્ટના રોજ યોજાનારી લૌઝેન ડાયમંડ લીગ સ્પર્ધામાં ભાગ લેશે. આયોજકોએ 3 ઓગસ્ટના રોજ આ વાતની પુષ્ટિ કરી.</p><p style="text-align: justify; ">નીરજ એથલેટિસિમા તરીકે ઓળખાતી સ્પર્ધામાં ચોથી વખત ભાગ લેશે. તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સમાં 85.83 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યા બાદ નીરજ આ ટુર્નામેન્ટ દ્વારા પોતાના ભૂતપૂર્વ ફોર્મમાં પરત ફરવાનો પ્રયાસ કરશે.</p><h2 style="text-align: justify; "><b>નીરજ ચોપરાનો સામનો શ્રીલંકાના રૂમેશ પથિરાગે સામે થશે</b></h2><p style="text-align: justify; ">28 વર્ષના નીરજ ચોપરાએ 2022માં 89.08 મીટરના બેસ્ટ થ્રો સાથે આ ઈવેન્ટ જીતી હતી અને પછીના વર્ષે 87.66 મીટરના ભાલા ફેંકીને પોતાની જીતનો સિલસિલો ચાલુ રાખ્યો હતો. ત્યારબાદ 89.49 મીટરના શાનદાર પ્રદર્શન છતાં તે 2024 લુઝેન ડાયમંડ લીગ ઈવેન્ટમાં બીજા સ્થાને રહ્યો.</p><p style="text-align: justify; ">2026ની ઈવેન્ટ ખૂબ જ રોમાંચક હોવાની અપેક્ષા છે, કારણ કે તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર શ્રીલંકાના રૂમેશ પથિરાગે પણ ભાગ લઈ રહ્યો છે. તેને 89.75 મીટરના બેસ્ટ થ્રો સાથે CWG 2026માં પ્રથમ સ્થાન મેળવ્યું અને ગોલ્ડ મેડલ જીત્યો.</p><h3 style="text-align: justify; "><b>ઘણા અનુભવી ખેલાડીઓ લૌઝેન ડાયમંડ લીગમાં ભાગ લેશે</b></h3><p style="text-align: justify; ">પાકિસ્તાનનો ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમ પણ આ સ્પર્ધામાં ભાગ લેશે, જે ફેન્સ માટે બીજી એક રોમાંચક સ્પર્ધા બનશે. તેના સિવાય બે વખતના વિશ્વ ચેમ્પિયન એન્ડરસન પીટર્સ, જર્મનીના થોમસ રોહલર અને ત્રિનિદાદ અને ટોબેગોના કેશોર્ન વોલકોટ પણ ભાલા ફેંકમાં પોતાની શક્તિનું પ્રદર્શન કરતા જોવા મળશે.</p><h4 style="text-align: justify; "><b>દોહા ડાયમંડ લીગમાં નીરજ ચોપરા ચોથા નંબરે રહ્યો</b></h4><p style="text-align: justify; ">લૌઝેન ડાયમંડ લીગ નીરજ ચોપરાની વર્ષની ત્રીજી મોટી સ્પર્ધા હશે. તે અગાઉ જૂનમાં દોહા ડાયમંડ લીગમાં ચોથા નંબરે રહ્યો હતો અને પછી કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો. ગંભીર ઈજા અને ટોક્યોમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ પછી બ્રેકને કારણે લાંબી ગેરહાજરી બાદ નીરજ આ વર્ષે મેદાનમાં પરત ફર્યો છે. આખી સીઝનમાં તેનું બેસ્ટ પ્રદર્શન ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં રહ્યું.</p><h5 style="text-align: justify; "><b>લૌઝેન ડાયમંડ લીગ 2026 જેવેલિન થ્રો એન્ટ્રી લિસ્ટ</b></h5><p style="text-align: justify; ">એન્ડરસન પીટર્સ (ગ્રેનાડા)</p><p style="text-align: justify; ">અરશદ નદીમ (પાકિસ્તાન)</p><p style="text-align: justify; ">કર્ટિસ થોમ્પસન (યુએસએ)</p><p style="text-align: justify; ">જાકુબ વાડલેચ (ચેકિયા)</p><p style="text-align: justify; ">જુલિયન વેબર (જર્મની)</p><p style="text-align: justify; ">કેશોર્ન વોલકોટ (ત્રિનિદાદ અને ટોબેગો)</p><p style="text-align: justify; ">નીરજ ચોપરા (ભારત)</p><p style="text-align: justify; ">રુમેશ પાથિરાગે (શ્રીલંકા)</p><p style="text-align: justify; ">સાઈમન વીલેન્ડ (સ્વિટ્ઝર્લૅન્ડ)</p><p style="text-align: justify; ">થોમસ રોહલર (જર્મની)</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/ZQYBy8LBmgXlHyY1AXRQwO7F2gQ5xJMQHAaQK1oS.webp'/></item><item><title><![CDATA[India Oil Production: સમુદ્રમાં તેલના 60 કૂવા ખોદશે ભારત, દરેક કૂવા પાછળ સરકાર 650 કરોડ ખર્ચશે ]]></title><link>https://sandesh.com/business/news/india-oil-production-india-will-drill-60-oil-wells-in-the-sea-the-government-will-spend-650-crores-for-each-well</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india-oil-production-india-will-drill-60-oil-wells-in-the-sea-the-government-will-spend-650-crores-for-each-well</guid><pubDate>Tue, 04 Aug 2026 19:01:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની અસ્થિર કિંમતો અને વિદેશી આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટે ભારત સરકારે એક ઐતિહાસિક અને સાહસિક કદમ ઉઠાવ્યું છે. દેશને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે સરકારે વિશિષ્ટ ‘સમુદ્ર મંથન’ (Samudra Manthan) યોજનાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ ભારતીય દરિયાઈ સીમામાં 60 નવા તેલના કૂવા ખોદવાનું મહત્વાકાંક્ષી આયોજન કરવામાં આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>દરેક કૂવા પાછળ 650 કરોડનો ખર્ચ</b></h2><p style="text-align: justify; ">દરિયાના ઊંડા પાણીમાં તેલ અને ગેસના ભંડારો શોધવા એ અત્યંત જટિલ અને ખર્ચાળ પ્રક્રિયા છે. આથી જ, ભારત સરકાર આ મેગા પ્રોજેક્ટ માટે કમર કસી રહી છે. મિશન ‘સમુદ્ર મંથન’ હેઠળ દરિયામાં દરેક ઊંડા તેલના કૂવા (Deepsea Well)ના ડ્રિલિંગ માટે અંદાજે 650 કરોડનો અધધ ખર્ચ કરવામાં આવશે. આ રોકાણ દેશના ઊર્જા ભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.</p><h3 style="text-align: justify; "><b>આયાત પરનું નિર્ભરતા ઘટાડવાનો માસ્ટરપ્લાન</b></h3><p style="text-align: justify; ">હાલમાં ભારત પોતાની જરૂરિયાતનું 85% થી વધુ ક્રૂડ ઓઈલ વિદેશમાંથી આયાત કરે છે, જેના કારણે દેશની તિજોરી પર કરોડો ડોલરનું ભારે બોજ પડે છે. આ નવી યોજનાનો મુખ્ય હેતુ દેશમાં જ ક્રૂડ ઓઈલ અને નૈસર્ગિક ગેસનું ઉત્પાદન વધારીને આ મોંઘી આયાતમાં મોટો કાપ મૂકવાનો છે. જો આ 60 કૂવાઓમાંથી ધાર્યા મુજબ તેલ અને ગેસનો જથ્થો મળી આવશે, તો ભારતનું વિદેશી હૂંડિયામણ બચશે અને સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ સ્થિરતા લાવી શકાશે.</p><h4 style="text-align: justify; "><b>આધુનિક ટેકનોલોજી અને વૈશ્વિક તકો</b></h4><p style="text-align: justify; ">દરિયાની ઊંડાઈમાં ડ્રિલિંગ કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરની અદ્યતન ટેકનોલોજી અને નિષ્ણાતોની મદદ લેવામાં આવશે. હિંદ મહાસાગર, બંગાળની ખાડી અને અરબી સમુદ્રના સંભવિત વિસ્તારોમાં આ સર્વેક્ષણ અને ડ્રિલિંગ હાથ ધરવામાં આવશે. આ પ્રોજેક્ટથી ભારતનું એનર્જી સેક્ટર વધુ મજબૂત બનશે જ, સાથે સાથે દેશમાં ટેકનિકલ ક્ષેત્રે નવી રોજગારીની તકો પણ ઊભી થશે. સરકારનું આ કદમ ભારતને 'ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર' બનાવવાની દિશામાં એક માઈલસ્ટોન સાબિત થશે. સમુદ્રમાંથી તેલ મેળવવાનું આ 'મંથન' ભારતની આર્થિક સ્થિતિને એક નવી ઊંચાઈ પર લઈ જવાની ક્ષમતા ધરાવે છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/india/news/yogi-adityanath-cm-yogis-attack-on-ram-temple-donation-theft-sadhus-and-saints-are-not-guilty-oppositions-behavior-is-anti-sanatan" target="_blank">આ પણ વાંચો: Yogi Adityanath: રામ મંદિર ચંદા ચોરી પર CM યોગીના પ્રહાર-વિપક્ષનું વર્તન સનાતન વિરોધી</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/FpA8IMNnT7gF90illP5yJAGaZZThrvz79iKBvAST.webp'/></item></channel></rss>