<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[નવસારીના ઉદ્યોગપતિ પાસેથી 80 લાખની લોનના બહાને ઠગબાજોએ 4 લાખ પડાવ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/navsari/on-the-pretext-of-a-loan-of-80-lakhs-fraudsters-extorted-4-lakhs-from-a-navsari-industrialist</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/navsari/on-the-pretext-of-a-loan-of-80-lakhs-fraudsters-extorted-4-lakhs-from-a-navsari-industrialist</guid><pubDate>Thu, 03 Sep 2026 04:37:56 +05:30</pubDate><description><![CDATA[<p>નવસારીના તંબોલી સ્ટ્રીટમાં રહેતા અને કબીલપોર જીઆઇડીસીમાં હબીબ એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરી ધરાવતા બિઝનેસમેનને ઠગ ટોળકીએ ફાઇનાન્સ કંપનીમાંથી રૂ. 80 લાખની લોન આપવાની લાલચ આપી જુદા જુદા ચાર્જિસ પેટે રૂ. 4 લાખથી વધુ પડાવી લઈ છેતરપિંડી કર્યાની ફરિયાદ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.</p><p>પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ હબીબ હાસીમભાઈ ગોધરાવાલા (ઉં.વ. 58, રહે. ફ્લેટ નં 503, પંચમુખી એપાર્ટમેન્ટ, તંબોલી સ્ટ્રીટ, પીંજારા મહોલ્લો, નવસારી) તેમના ભાગીદારો સાથે નવસારી, કબીલપોર જીઆઇડીસીમાં હબીબ એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરી ધરાવે છે. તેઓ ગત તા. 11-08-2026ના રોજ તેઓ થાઈલેન્ડ પ્રવાસ ગયા હતા, તે દરમિયાન તેમના મોબાઈલ ઉપર એક અજાણ્યા નંબર (+91 77079 94677) પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર યુવતીએ પોતાની ઓળખ હિન્દી ભાષામાં આપી જણાવ્યું કે, સર, મેં રીતિકા બાત કર રહી હૂં કેપિટલ વન ફાઇનાન્સ સે, સર આપકા અપડેટ આયા થા પૌસા બજાર સે કી આપને બ્રિઝનેસ લોન કે લીયે એપલાઈ કીયા હૈ... આમ કહીને વિશ્વાસ કેળવવામાં આવ્યો હતો.</p><p>જોકે આ સમયે હબીબભાઈ પોતે વિદેશમાં છે અને 18 ઓગસ્ટ પછી ફોન કરવાનું કહ્યું હતું. જોકે ત્યારબાદ ઠગ ટોળકીના પોતાની ઓળખ રીતિકા તેમજ પોતે કેપિટલ વન ફાઇનાન્સ કંપનીના અધિકારી છે તેવી ઓળખ આપનાર બલજિન્દર સિંહે મોબાઈલ ફોન ઉપર હબીબભાઈ ગોધરાવાલા પાસે તેમના અને ફેક્ટરીના અન્ય ભાગીદારોના આધાર-પાનકાર્ડ, ઇન્કમટેક્સ રિટર્ન, ફોટોગ્રાફ, જેવા દસ્તાવેજો વોટ્સએપ ઉપર મંગાવી તમારી રૂ. 80 લાખની લોન મંજૂર થઈ ગઈ છે તેમ કહી લોન રજિસ્ટ્રેશન ફી, ઇન્સ્યોરન્સ ફી, ઈ-મેન્ડેટ ફી અને પેનલ્ટીના જુદા જુદા ચાર્જિસ પેટે બેંકમાં ઓનલાઇન રૂ. 4,00,490 ટ્રાન્સફર કરાવ્યા હતાં.</p><p>જોકે, ત્યારબાદ વારંવાર નાણાં પડાવ્યા પછી પણ લોનની રકમ ખાતામાં જમા ન થતાં અને વધુ રૂપિયાની માંગણી ચાલુ રહેતા હબીબભાઈને છેતરપિંડી થયાનો અહેસાસ થતાં સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર ફોન કરી પોતાની હકીકત નોંધાવી હતી. આ અંગે નવસારી ટાઉન પોલીસે હબીબભાઈ ગોધરાવાલાની ફરિયાદના આધારે ઠગ ટોળકીના રીતિકા અને બલજિન્દર સિંહ વિરુદ્ધ સાયબર ફ્રોડનો ગુનો નોંધી વધુ તપાસ પીઆઈ. વી.આર ભરવાડ કરી રહ્યા છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/iQxOgT3ZmaozopxabECA5G4rwvRy0BxO8lwDjN1H.webp'/></item><item><title><![CDATA[નવસારીમાં લાંચના છટકામાં પકડાયેલા મુન્ના મિશ્રા ની જામીન અરજી ફગાવાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/navsari/bail-application-of-munna-mishra-caught-in-bribery-case-in-navsari-rejected</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/navsari/bail-application-of-munna-mishra-caught-in-bribery-case-in-navsari-rejected</guid><pubDate>Thu, 03 Sep 2026 04:36:25 +05:30</pubDate><description><![CDATA[<p>નવસારી સરોવર હોટલ પાસેથી સરકારી કામોના કોન્ટ્રાક્ટર પાસે સરકારી કામો અંગે અખબારમાં નકારાત્મક સમાચાર નહીં છાપવા અને આર.ટી.આઈ.(RTI) નહીં કરવા માટે પત્રકારત્વની ઓથ હેઠળ રૂા. 51,000ની લાંચ માગી એન્ટીકરપ્શન બ્રાન્ચACBના હાથે રંગેહાથે ઝડપાયેલા આરોપી સતશંકર ઉર્ફે મુન્ના રામચરિત્ર મિશ્રા ની રેગ્યુલર જામીન અરજી નવસારી સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી.</p><p>પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી સતશંકર રામચરિત્ર મિશ્રા ઉર્ફે મુન્ના મિશ્રા (રહે. 104, શંકુતલમ રેસિડેન્સી, પિંજારા મોહલ્લો, જુનાથાના, નવસારી) વિરુદ્ધ નવસારી એસીબી પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (સંશોધન 2018) ની કલમ-7 એ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ફરિયાદી પાસે સરકારે મંજૂર કરેલા કામોમાં તમારા વિરુદ્ધ અખબારમાં નહીં છાપવા અને આર.ટી.આઈ. નહીં કરવા બદલ દર વર્ષે નાણાં પહોંચતા કરવા પડશે તેમ કહી પ્રભાવ ઊભો કરી રૂા. 51,000 ની માંગણી કરવામાં આવી હતી.</p><p>ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે 1064 ટોલ ફ્રી નંબર પર એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે એસીબી પોલીસ સ્ટેશને લાંચના છટકાનું આયોજન કર્યું હતું અને છટકા દરમ્યાન આરોપીએ ફરિયાદી પાસેથી માંગણી મુજબની લાંચની રકમ સ્વીકારતા સ્થળ પરથી ઝડપાઈ ગયો હતો. તા. 24 ઓગસ્ટ 2026ના રોજ તેની અટકાયત કરવામાં આવી હતી અને રિમાન્ડ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપી સતશંકર ઉર્ફે મુન્ના મિશ્રા એ રેગ્યુલર જામીન અરજી નવસારીના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં કરી હતી. જેની સુનાવણીમાં જ્જ પી.એચ. શેઠ દ્વારા સરકારી વકીલ તુષાર સુળે જિલ્લા સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/r3V3WN9yohPvmKg6s069Z98zNZBXCRPurvKbrugy.webp'/></item><item><title><![CDATA[અમદાવાદ એરપોર્ટ પરથી રૂ.2 કરોડના ગાંજા સાથે વડોદરાનું દંપતી ઝડપાયું ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/vadodara-couple-caught-with-ganja-worth-rs-2-crore-at-ahmedabad-airport</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/vadodara-couple-caught-with-ganja-worth-rs-2-crore-at-ahmedabad-airport</guid><pubDate>Thu, 03 Sep 2026 04:08:29 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ એરપોર્ટ પરથી સતત બીજા દિવસે બે કરોડની કિંમતનો ગાંજો ઝડપાયો હતો. તા. 2 સપ્ટેમ્બરના રોજ બેંગકોકથી ફ્લાઇટ નંબર ટીજી-343 (TG-343) મારફ્તે અમદાવાદ આવેલા દંપતી પાસેની બેગમાં તે સંતાડી રખાયો હતો. કેરિયર દંપતી આશરે 50 વર્ષની ઉંમર ધરાવે છે અને તેઓ વડોદરાના રહેવાસી છે. કસ્ટમ્સે તેઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.</p><p>અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની એર ઇન્ટેલિજન્સ યુનિટે બુધવારે બેંગકોકથી આવેલા પતિ-પત્ની પાસેથી 1,928 ગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો હતો. આ નશીલો પદાર્થ ટ્રોલી બેગની અંદર ખાસ રીતે બનાવવામાં આવેલી ફેક લેયરમાં છુપાવીને લવાયો હતો. મુસાફ્રોની પેસેન્જર પ્રોફાઇલિંગ તથા એક્સ-રે સ્કેનિંગ દરમિયાન કસ્ટમ્સ અધિકારીઓને શંકા ઉપજી હતી. ત્યારબાદ બંનેના સ્ાામાનની ઝીણવટભરી તપાસ હાથ ધરાતાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થયો હતો. તપાસ દરમિયાન બંને ટ્રોલી બેગની અંદર છુપી લેયર બનાવવામાં આવી હોવાનું જણાયું હતું. આ લેયર ખોલીને તપાસ કરતાં દરેક ટ્રોલી બેગમાંથી પાંચ-પાંચ મળી કુલ 10 વેક્યૂમ પેકેટ મળી આવ્યા હતા. પેકેટોમાં લીલા રંગનો શંકાસ્પદ પદાર્થ હતો. પ્રાથમિક પરીક્ષણમાં પદાર્થ ગાંજો હોવાનું પોઝિટિવ આવ્યું હતું. બંને ટ્રોલી બેગમાંથી મળી આવેલા કુલ 10 પેકેટમાં 1,928 ગ્રામ હાઇડ્રોપોનિક મેરિજુઆના (ગાંજો) હોવાનું કસ્ટમ્સે જણાવ્યું છે. કસ્ટમ્સ વિભાગે સમગ્ર જથ્થો એનડીપીએસ અધિનિયમ, 1985ની જોગવાઈઓ હેઠળ જપ્ત કર્યો છે. આ મામલે બંને મુસાફરોએટલે કે પતિ-પત્નીની ધરપકડ કરવામાં આવી છે. ગાંજો ક્યાંથી મેળવાયો, કોને પહોંચાડવાનો હતો તે સહિતના મુદ્દે કસ્ટમ્સ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/s56ruZLHQUPyjs4DwFoVhvw49mfj4uMm3QJYd5X6.webp'/></item><item><title><![CDATA[રંગીલા રાજકોટમાં જન્માષ્ટમીનો ભવ્ય રંગોત્સવ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/rajkot/a-grand-festival-of-colors-on-janmashtami-in-colorful-rajkot</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/rajkot/a-grand-festival-of-colors-on-janmashtami-in-colorful-rajkot</guid><pubDate>Thu, 03 Sep 2026 04:06:56 +05:30</pubDate><description><![CDATA[<p>જન્માષ્ટમીના પાવન પ્રસંગે રાજકોટ શહેરમાં ભવ્ય ઉજવણીનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરમાં ઇન્દિરા સર્કલ ખાતે બદ્રીનાથ, નાણાવટી ચોકમાં દ્વારકાનગરી અને શ્રીકૃષ્ણ પ્રતિમા તેમજ ભગવતીપરામાં જગન્નાથ રથયાત્રાની થીમ આધારિત 3 રથ અને મનોરમ્ય રોશનીથી સજ્જ આકર્ષક ફ્લોટ્સ તૈયાર કરાયા છે, જે બુધવારથી 6 સપ્ટેમ્બર સુધી શ્રાદ્ધાળુઓ માટે ખુલ્લા રહેશે. બીજી તરફ્, રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે લોકમેળાનો સત્તાવાર પ્રારંભ બુધવારે થવાનો હોવા છતાં, મંગળવાર રાતથી જ ઝગમગતી રોશની વચ્ચે રંગીલા રાજકોટવાસીઓનો ભારે ધસારો જોવા મળતા મેળાની રંગત આગોતરી જામી ગઈ છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/4oSd4K6mVNr7nPQvmdfTVQhVCuDPMzXihWWJmpuG.webp'/></item><item><title><![CDATA[શાસ્ત્ર્રીમેદાનથી રેસકોર્સ સુધીઃ ભાતીગળ-પરંપરાગત 73 વર્ષ જૂના લોકમેળાની ભવ્ય ઐતિહાસિક સફર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/rajkot/from-shastri-maidan-to-racecourse-the-grand-historical-journey-of-bhatigal-a-traditional-73-year-old-folk-fair</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/rajkot/from-shastri-maidan-to-racecourse-the-grand-historical-journey-of-bhatigal-a-traditional-73-year-old-folk-fair</guid><pubDate>Thu, 03 Sep 2026 04:05:31 +05:30</pubDate><description><![CDATA[<p>સૌરાષ્ટ્રના સૌથી મોટા જન્માષ્ટમીના રાજકોટનો લોકમેળો છેલ્લા 73 વર્ષથી યોજાઈ રહ્યો છે. સૌ પ્રથમ મેળો 1953માં શાસ્ત્રીમેદાનમાં કરવામાં આવ્યો હતો ત્યારથી આ પરંપરાગત મેળો અવિરત યોજાઈ રહ્યો છે. શાસ્ત્રીમેદાનમાં મેળાએ ફિફટી ફટકારી હતી અને છેલ્લા 22 વર્ષથી રેસકોર્ષ મેદાનમાં લોકમેળો યોજાઈ રહ્યો છે. છતાં મેળાની રોનક ઝાંખી પડી નથી. ઉલ્ટાનો મેળામાં દર વર્ષે માનવ મેદનીનો વ્યાપ વધી રહ્યો છે.</p><p>1953માં સૌ પ્રથમ મેળો યોજવામાં આવ્યો હતો જેમાં શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા 31 વર્ષ સુધી લોકમેળાનું શાસ્ત્રી મેદાનમાં ત્રણ દિવસ સુધી આયોજન કરવામાં આવતું હતું. ત્યારબાદ રાજકોટમાં જન્માષ્ટમીના પાવન પર્વે નિમિત્તે 1984માં રાજ્ય સરકારના યુવક સેવા અને સાસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા ત્રણ દિવસ સુધી શાસ્ત્રી મેદાન ખાતે જ લોકમેળો યોજવામાં આવતો હતો. ત્યારબાદ 1988માં રાજકોટ કલેક્ટર દ્વારા સુવ્યવસ્થિત આયોજન માટે હુકમ કરી સમિતીઓની રચના કરી અધિકારો આપી ફરજો સોંપવામાં આવી. આ લોકમેળો રાજકોટની ભાતીગળ ઓળખ બની ગયો છે. શરૂઆતથી શાસ્ત્રી મેદાનમાં યોજાતો આ મેળો વધતા જતાં માનવ મહેરામણના લીધે વર્ષ 2004થી રેસકોર્સ ખાતે યોજાય મેળાના સમયગાળો ત્રણ દિવસથી વધારીને પાંચ દિવસનો કરવામાં આવ્યો.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/Tje2LUcQTtsRPya4Cfq9oBArByuEhaftPSCLD7Z7.webp'/></item><item><title><![CDATA[S Jaishankar યુક્રેન-પોલેન્ડની મુલાકાતે, રશિયા-યુક્રેન યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલ પર રહેશે ભાર ]]></title><link>https://sandesh.com/india/news/world/s-jaishankar-ukraine-poland-visit-russia-ukraine-peace-talks</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/world/s-jaishankar-ukraine-poland-visit-russia-ukraine-peace-talks</guid><pubDate>Wed, 02 Sep 2026 23:27:30 +05:30</pubDate><description><![CDATA[<p>રશિયા અને યુક્રેન વચ્ચે વધતા તણાવ વચ્ચે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર 3થી 5 સપ્ટેમ્બર દરમિયાન યુક્રેન અને પોલેન્ડની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે જશે. આ દરમિયાન તેઓ બંને દેશો સાથેના દ્વિપક્ષીય સંબંધો ઉપરાંત પ્રાદેશિક સ્થિતિ અને પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે મુલાકાત દરમિયાન જયશંકર યુક્રેનના વિદેશ મંત્રી એન્ડ્રી સિબિહા અને પોલેન્ડના નાયબ વડાપ્રધાન તથા વિદેશ મંત્રી રાડોસ્લાવ સિકોર્સ્કી સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે.</p><h2><b>ભારતના વલણને વધુ એક વખત સ્પષ્ટ કરશે</b></h2><p>જયશંકરની કીવ મુલાકાતનું ખાસ મહત્વ છે, કારણ કે ભારત સતત રશિયા-યુક્રેન સંઘર્ષનો ઉકેલ વાતચીત અને કૂટનીતિના માધ્યમથી લાવવાની અપીલ કરી રહ્યું છે. એવી શક્યતા છે કે યુક્રેનમાં જયશંકર શાંતિપૂર્ણ ઉકેલ માટે ભારતના વલણને વધુ એક વખત સ્પષ્ટ કરશે. અગાઉ ઓગસ્ટ 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનની રાજધાની કીવની મુલાકાત લીધી હતી. તે સમયે તેમણે રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી અને સંઘર્ષનો અંત લાવવા માટે સંવાદ તથા કૂટનીતિનો માર્ગ અપનાવવાની અપીલ કરી હતી.</p><h3><b>યુદ્ધના ઉકેલ માટે વાતચીત અને કૂટનીતિ પર ભાર</b></h3><p>તાજેતરમાં બિશ્કેકમાં યોજાયેલી SCO સમિટ દરમિયાન પણ વડાપ્રધાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતમાં યુદ્ધના ઉકેલ માટે વાતચીત અને કૂટનીતિ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે યુદ્ધનો દરેક દિવસ માનવતાને પાછળ ધકેલે છે, જ્યારે શાંતિ તરફ લેવાયેલું દરેક પગલું નવી આશા જન્માવે છે. જયશંકરની યુક્રેન મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે આ સપ્તાહે રશિયન હુમલા બાદ યુક્રેનની રાજધાની કીવમાં એક ભારતીય નાગરિકના મોતને લઈને ભારતમાં ચિંતા વધી છે.&nbsp;</p><p>આ મુદ્દો પણ મુલાકાત દરમિયાન મહત્વનો બની શકે છે. પોલેન્ડ પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો, વેપાર, પ્રાદેશિક સુરક્ષા અને અન્ય પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. ભારતની આ મુલાકાત રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ માટેના તેના રાજદ્વારી પ્રયાસોને વધુ મજબૂત બનાવવાના સંદર્ભમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.<br><br><b><a href="https://sandesh.com/world/news/india/100-year-old-hindu-temple-demolished-in-pakistan-india-expresses-anger" target="_blank">આ પણ વાંચો : Pakistanમાં 100 વર્ષ જૂનું હિન્દુ મંદિર તોડાયું, ભારતે વ્યક્ત કર્યો રોષ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/LSsrzWTcRyzFmKDGFxiZqmtJkXVgkBZ12BjydqNl.webp'/></item><item><title><![CDATA[Pakistanમાં 100 વર્ષ જૂનું હિન્દુ મંદિર તોડાયું, ભારતે વ્યક્ત કર્યો રોષ ]]></title><link>https://sandesh.com/world/news/india/100-year-old-hindu-temple-demolished-in-pakistan-india-expresses-anger</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/india/100-year-old-hindu-temple-demolished-in-pakistan-india-expresses-anger</guid><pubDate>Wed, 02 Sep 2026 22:39:52 +05:30</pubDate><description><![CDATA[<p>Pakistanમાં લગભગ 100 વર્ષ જૂના હિન્દુ મંદિરને તોડી પાડવામાં આવ્યાના મામલે ભારતે કડક પ્રતિક્રિયા આપી છે. ભારતના વિદેશ મંત્રાલયે આ ઘટનાની નિંદા કરી છે અને પાકિસ્તાન સરકારને સમગ્ર મામલાની તાત્કાલિક અને પારદર્શક તપાસ કરાવવાની માંગ કરી છે.</p><h2><b>વિદેશ મંત્રાલયે શું કહ્યું?</b></h2><p>વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસવાલે પાકિસ્તાનના નરોવાલ જિલ્લાના સિરાજ ગામમાં આવેલા ઐતિહાસિક હિન્દુ મંદિરને નષ્ટ કરવાના અહેવાલો અંગે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું હતું. રણધીર જયસવાલે કહ્યું કે, સદી જૂના લઘુમતી સમુદાયના પૂજા સ્થળ સામે કરવામાં આવેલી તોડફોડની આ નિંદનીય ઘટનાની ભારત સ્પષ્ટપણે નિંદા કરે છે. તેમણે કહ્યું કે આ ઘટનાને લઈને ભારતે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.</p><h3><b>પાકિસ્તાનના અધિકારીઓ સામે પણ સવાલ</b></h3><p>ભારતે મંદિરની સુરક્ષા કરવામાં પાકિસ્તાનના અધિકારીઓની કથિત નિષ્ફળતા સામે પણ સવાલ ઉઠાવ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે સદી જૂના મંદિરની સુરક્ષા કરવામાં અધિકારીઓની ઉદાસીનતા અને નિષ્ફળતા ચિંતાજનક છે. ભારતે કહ્યું કે આવી ઘટનાઓ પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયોની સુરક્ષા અને તેમની ધાર્મિક સ્વતંત્રતા અંગે ગંભીર સવાલો ઉભા કરે છે. સાથે જ તેમના પૂજા સ્થળોની સુરક્ષા અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે.</p><h4><b>ભારતે પાકિસ્તાન પાસે શું માંગ્યું?</b></h4><p>ભારતે પાકિસ્તાન સરકારને આ ઘટનાની તાત્કાલિક અને પારદર્શક તપાસ કરાવવાની માંગ કરી છે. આ ઉપરાંત મંદિર તોડવા માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરી તેમની જવાબદારી નક્કી કરવા પણ ભારતે કહ્યું છે. વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને નુકસાન પામેલા મંદિરને ફરીથી યોગ્ય રીતે બહાલ કરવા માટે તાત્કાલિક પગલાં લેવા પણ અપીલ કરી છે. ભારતે સ્પષ્ટ કહ્યું છે કે પાકિસ્તાન સરકારની પોતાની તમામ લઘુમતી નાગરિકોની સુરક્ષા અને કલ્યાણ સુનિશ્ચિત કરવાની જવાબદારી છે. ભારતે માત્ર લઘુમતી નાગરિકોની જ નહીં, પરંતુ તેમની ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાની પણ સુરક્ષા કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.</p><h4><b>શું છે સમગ્ર મામલો?</b></h4><p>ભારતની આ પ્રતિક્રિયા પાકિસ્તાનના નરોવાલ જિલ્લામાં આવેલા સિરાજ ગામમાં લગભગ 100 વર્ષ જૂના ઐતિહાસિક હિન્દુ મંદિરને કથિત રીતે નષ્ટ કરવામાં આવ્યાના અહેવાલો બાદ આવી છે. ભારતે આ ઘટનાને ગંભીર ગણાવીને પાકિસ્તાન સરકાર પાસે તાત્કાલિક તપાસ, જવાબદારો સામે કાર્યવાહી અને મંદિરની પુનઃસ્થાપનાની માંગ કરી છે.</p><p><b><a href="https://sandesh.com/astrology/news/bhakti/maa-dat-kali-temple-no-vehicle-enters-dehradun-without-worshiping-here-may-goddess-kali-constantly-protect-her" target="_blank">આ પણ વાંચો: અહી પૂજા વગર દહેરાદૂનમા પ્રવેશતી નથી ગાડી, માતા કાળી સતત રક્ષા કરે</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/uujAhpomtSwW7NsHZ20HlMoxuZugyKiH1l5pA5L9.webp'/></item><item><title><![CDATA[RBIની સ્કીમે કમાલ કરી, NRI પાસેથી ભારતમાં આવ્યા $127 અબજ ]]></title><link>https://sandesh.com/business/news/rbi-fcnr-b-dollar-rupee-swap-nri-deposits-127-billion</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/rbi-fcnr-b-dollar-rupee-swap-nri-deposits-127-billion</guid><pubDate>Wed, 02 Sep 2026 20:26:52 +05:30</pubDate><description><![CDATA[<p>Reserve Bank of India (RBI)ની ખાસ ડોલર-રૂપિયા ફોરેન કરન્સી સ્વેપ સુવિધા હેઠળ ભારતે 127.23 અબજ ડોલરની વિદેશી ચલણની FCNR-B ડિપોઝિટ મેળવી છે. NRI એટલે કે વિદેશમાં રહેતા ભારતીયોએ આ યોજનામાં ખૂબ રસ દાખવ્યો હતો. જેના કારણે આ યોજના નક્કી કરેલા સમય કરતાં એક મહિના પહેલા જ 31 ઓગસ્ટે બંધ કરી દેવામાં આવી હતી. RBIએ 8 જૂન, 2026ના રોજ FCNR(B) ડિપોઝિટ, વિદેશમાંથી વિદેશી ચલણમાં લેવાતી લોન અને એક્સટર્નલ કોમર્શિયલ બોરોઇંગ (ECB) માટે આ ખાસ ડોલર-રૂપિયા સ્વેપ સુવિધા શરૂ કરી હતી. વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા વચ્ચે દેશની બાહ્ય આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા અને દેશમાં પૂરતી વિદેશી ચલણની ઉપલબ્ધતા જાળવી રાખવા માટે આ પગલાં લેવામાં આવ્યા હતા.</p><h2><b>FCNR(B) ડિપોઝિટમાંથી જ આવ્યા $127.226 અબજ</b></h2><p>RBIના આંકડા પ્રમાણે, આ તમામ પગલાંના કારણે દેશમાં વિદેશી ચલણનો પ્રવાહ ઝડપથી વધ્યો હતો. 31 ઓગસ્ટ સુધીમાં કુલ 136.377 અબજ ડોલરથી વધુ વિદેશી ચલણનો પ્રવાહ દેશમાં આવ્યો હતો. તેમાંથી માત્ર FCNR(B) ડિપોઝિટ દ્વારા 127.226 અબજ ડોલરથી વધુ રકમ આવી હતી. આ આંકડો અસ્થાયી છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે વિદેશમાં રહેતા ભારતીયોએ આ યોજનાને સારો પ્રતિસાદ આપ્યો હતો. FCNR(B) યોજના હેઠળ બેંકોએ વિદેશી ચલણમાં ડિપોઝિટ મેળવવા માટે આકર્ષક વ્યાજ દરોની ઓફર કરી હતી. જેના કારણે NRI તરફથી આ યોજનામાં સારો પ્રતિસાદ મળ્યો. યોજનાને અપેક્ષા કરતાં વધુ સારો પ્રતિસાદ મળતાં RBIએ તેને 30 સપ્ટેમ્બરના બદલે 31 ઓગસ્ટ, 2026ના રોજ જ બંધ કરી દીધી હતી. RBIએ જણાવ્યું કે યોજનાએ નક્કી કરેલા સમય કરતાં વહેલા જ પોતાનો હેતુ પૂર્ણ કરી લીધો હતો.</p><h2><b>શું છે FCNR(B) ડિપોઝિટ?</b></h2><p>FCNR(B) એટલે Foreign Currency Non-Resident (Bank) Deposit. આ વિદેશી ચલણમાં રાખવામાં આવતી એક પ્રકારની ફિક્સ્ડ ડિપોઝિટ છે. આ ડિપોઝિટમાં જે ચલણમાં પૈસા જમા કરવામાં આવે છે, તે જ વિદેશી ચલણમાં મૂળ રકમ અને વ્યાજ બંને ચૂકવવામાં આવે છે. એટલે કે ડિપોઝિટ ડોલરમાં હોય તો તેનું પેમેન્ટ પણ ડોલરમાં જ થાય છે. આ યોજનાના અન્ય ભાગોમાં પણ વિદેશી ચલણનો સારો પ્રવાહ જોવા મળ્યો હતો. વિદેશમાંથી વિદેશી ચલણમાં લેવાયેલી લોન દ્વારા 5.26 અબજ ડોલર, જ્યારે એક્સટર્નલ કોમર્શિયલ બોરોઇંગ (ECB) દ્વારા 3.891 અબજ ડોલરનો પ્રવાહ આવ્યો હતો.  આ સુવિધા અગાઉ નક્કી કરાયેલા સમય મુજબ 31 ડિસેમ્બર, 2026 સુધી ઉપલબ્ધ રહેશે.</p><p><b><a href="https://sandesh.com/business/news/rbi-rules-dont-panic-if-money-is-suddenly-deducted-from-your-account-get-it-back-this-way" target="_blank">આ પણ વાંચો:&nbsp; ખાતામાંથી અચાનક પૈસા કપાયા તો ગભરાશો નહીં, આ રીતે મેળવો પરત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/cxfg2nIAf80SOiZttnbuNxeNmYrwFUiOSjTxXeHS.webp'/></item><item><title><![CDATA[Samay Rainaના IGLથી રાતોરાત સ્ટાર બનેલી બિહારની શેરોન વર્મા કોણ છે? કન્ટેસ્ટન્ટથી જજ સુધીની સફર ]]></title><link>https://sandesh.com/entertainment/news/who-is-sharon-verma-samay-raina-igl</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/who-is-sharon-verma-samay-raina-igl</guid><pubDate>Wed, 02 Sep 2026 17:44:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં કન્ટેસ્ટન્ટ તરીકે આવેલી શેરોન વર્મા હવે સીઝન 2માં જજ તરીકે જોવા મળી છે. તેના તીખા જવાબો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. જાણીએ બિહારની આ સ્ટેન્ડ-અપ કોમેડિયન વિશે, જેણે કન્ટેસ્ટન્ટથી જજ સુધીની સફર કરી છે.</p><h2 style="text-align: justify; "><b>પટનાથી દિલ્હીની સફર</b></h2><p style="text-align: justify; ">પટનામાં જન્મેલી અને મોટી થયેલી શેરોન 16-17 વર્ષની ઉંમરે 11મા ધોરણના અભ્યાસ માટે દિલ્હી શિફ્ટ થઈ ગઈ હતી. નવા શહેરમાં ભાષા અને બિહારી એક્સેન્ટ તેના માટે મોટો પડકાર હતો. વાતચીતના અંતે વારંવાર ઠીક છે કહેવાની તેની આદતની લોકો મજાક ઉડાવતા. દિલ્હીમાં પોતાને ઢાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોતાની ઓળખ અને બિહારી મૂળ હંમેશાં તેની સાથે રહ્યા. બાદમાં તેણે આ જ અનુભવને પોતાની કોમેડીનો મહત્વનો હિસ્સો બનાવી લીધો.</p><h3 style="text-align: justify; "><b>પહેલો ઓપન માઈક રહ્યો ફ્લોપ</b></h3><p style="text-align: justify; ">કોલેજમાં બાળકોને થિયેટર શીખવતી શેરોને 2019માં પહેલો ઓપન માઈક કર્યો હતો. 5 મિનિટના આ સેટમાં માત્ર 2 લોકો હસ્યા, પરંતુ સ્ટેજનો આ અનુભવ તેના માટે ખાસ હતો. ત્યારબાદ કોવિડ અને પોતાના સ્વભાવને કારણે તેઓ 4 વર્ષ સુધી સ્ટેજથી દૂર રહ્યા. મુંબઈના એક ઓપન માઈક બાદ એક વ્યક્તિએ ઈન્સ્ટાગ્રામ પર તેને અપશબ્દો કહ્યા હતા, જેના કારણે તે ખૂબ દુઃખી થઈ ગઈ હતી. તેની માતાએ હિંમત આપતાં ફરી સ્ટેજ પર પાછા ફરવા માટે પ્રોત્સાહિત કરી હતી.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DcszsGampC6/?utm_source=ig_web_copy_link&amp;igsi=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DcszsGampC6/?utm_source=ig_web_copy_link&amp;igsi=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DcszsGampC6/?utm_source=ig_web_copy_link&amp;igsi=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DcszsGampC6/?utm_source=ig_web_copy_link&amp;igsi=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>નામને લઈને શેરોનનો મજેદાર જોક</b></h4><p style="text-align: justify; ">શેરોન વર્માની કોમેડીની ખાસિયત તેમનો દેશી અને ઓબ્ઝર્વેશનલ હ્યુમર છે. પોતાના નામને લઈને તેમનો એક જોક સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. તેણે કહ્યું હતું કે આખા બિહારમાં તેનું નામ માત્ર 3 લોકો જ સાચું બોલી શકે છે, એક પોતે અને બીજા તેમના મમ્મી-પપ્પા. બાકીના લોકો તેને અલગ-અલગ નામથી બોલાવે છે.</p><h4 style="text-align: justify; "><b>વીક ઈન્ડિપેન્ડન્ટ વુમનથી ચર્ચામાં</b></h4><p style="text-align: justify; ">ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટની પહેલી સીઝનમાં શેરોને ફોર્મમાં પોતાને વીક ઈન્ડિપેન્ડન્ટ વુમન લખ્યું હતું. સમય રૈનાએ કારણ પૂછ્યું ત્યારે તેણે કહ્યું હતું કે તેની પાસે પૈતૃક સંપત્તિ નહોતી, તેથી મજબૂરીમાં ઈન્ડિપેન્ડન્ટ બનવું પડ્યું. હવે તેઓ એવી સ્થિતિમાં છે કે કોઈના પર ડિપેન્ડન્ટ પણ થઈ શકે છે. તેની આ હાજરજવાબીથી સમય રૈના પણ પ્રભાવિત થયા હતા.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DAGRF61KDmu/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DAGRF61KDmu/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DAGRF61KDmu/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DAGRF61KDmu/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>કોર્પોરેટ નોકરીથી કોમેડી સુધી</b></h4><p style="text-align: justify; ">સ્ટેન્ડ-અપ કોમેડીમાં આવતાં પહેલાં શેરોનનો કોર્પોરેટ કરિયર હતો. તેણે Disney+ Hotstar અને The Rabbit Holeમાં સિનિયર ક્રિએટિવ એક્ઝિક્યુટિવ તરીકે કામ કર્યું છે. આ ઉપરાંત HashTag Orange અને મેન્સ ગ્રૂમિંગ બ્રાન્ડ Ustraa સાથે સિનિયર કોપીરાઈટર તરીકે પણ કામ કર્યું છે. કોર્પોરેટ વર્ક કલ્ચર અને રાઈટિંગના અનુભવથી તેની કોમેડીને અલગ ઓળખ મળી.</p><h4 style="text-align: justify; "><b>સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા</b></h4><p style="text-align: justify; ">ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટની ક્લિપ્સ વાયરલ થયા બાદ શેરોનના સોશિયલ મીડિયા ફોલોઅર્સ ઝડપથી વધ્યા. આજે ઈન્સ્ટાગ્રામ પર તેના 19 લાખથી વધુ ફોલોઅર્સ છે. તેના Sensitivity અને Pressure જેવા સ્ટેન્ડ-અપ વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા છે. ડેટિંગ, કોર્પોરેટ લાઈફ અને બિહારથી મેટ્રો સિટી સુધીની સફર જેવા વિષયો પર તેની કોમેડી યુવાનો સાથે સીધી કનેક્ટ થાય છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DVyBXelCHWS/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DVyBXelCHWS/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DVyBXelCHWS/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DVyBXelCHWS/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>ફ્રી પેલેસ્ટાઈન જોકથી વિવાદ</b></h4><p style="text-align: justify; ">શેરોન પોતાના કોમેડી કરિયરમાં વિવાદોમાં પણ રહી ચૂકી છે. એક લાઈવ સ્ટેન્ડ-અપ શોની ક્લિપમાં તેણે ફ્રી પેલેસ્ટાઈન અને ઓનલાઈન એક્ટિવિઝમને લઈને કોમેન્ટ કરી હતી. આ ક્લિપ વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે તેની ટીકા કરી હતી અને ગંભીર માનવીય દુર્ઘટનાની મજાક કરવાનો આરોપ લગાવ્યો હતો. જોકે ટ્રોલિંગ વચ્ચે પણ શેરોને પોતાના કામ પર ધ્યાન જાળવી રાખ્યું.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dcl57YdykCe/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dcl57YdykCe/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dcl57YdykCe/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dcl57YdykCe/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h5 style="text-align: justify; "><b>કન્ટેસ્ટન્ટથી જજ સુધીની સફર</b></h5><p style="text-align: justify; ">ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ 2માં જજ તરીકે શેરોનની એન્ટ્રી તેમની વધતી લોકપ્રિયતાનો પુરાવો છે. શોમાં સમય રૈનાએ તેના બિહારી બેકગ્રાઉન્ડ પર મજાક કરી ત્યારે શેરોને પણ તીખા જવાબથી પલટવાર કર્યો. તેના સચોટ જવાબે સમયને પણ નિરુત્તર કરી દીધા. એક સામાન્ય કન્ટેસ્ટન્ટથી લોકપ્રિય કોમેડી શોની જજ બનવા સુધીની શેરોનની સફર બતાવે છે કે પોતાની ઓળખને આત્મવિશ્વાસ સાથે રજૂ કરવાની કળા હોય તો કોઈપણ સ્ટેજ પર પોતાની જગ્યા બનાવી શકાય છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/world/news/knowledge/baba-vanga-september-2026-dangerous-predictions" target="_blank">આ પણ વાંચો-Future : સપ્ટેમ્બર 2026માં સાચી પડશે બાબા વેંગાની આ ડરામણી ભવિષ્યવાણી! સાંભળીને જ રૂંવાડા ઊભા થઈ જશે!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/mnew1DmufUOn4Z7gCoDHabZTA8jppSHK5baQZQ4s.webp'/></item><item><title><![CDATA[Commonwealth Q Sports Championship અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાશે, 45 દેશોના ખેલાડીઓ ભાગ લેશે ]]></title><link>https://sandesh.com/sports/news/commonwealth-q-sports-championship-to-be-held-at-veer-savarkar-sports-complex-in-ahmedabad-players-from-45-countries-will-participate</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/commonwealth-q-sports-championship-to-be-held-at-veer-savarkar-sports-complex-in-ahmedabad-players-from-45-countries-will-participate</guid><pubDate>Wed, 02 Sep 2026 15:08:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ આંતરરાષ્ટ્રીય રમતગમતના નકશા પર પોતાની ઓળખ વધુ મજબૂત કરવા માટે તૈયાર છે. અમદાવાદ શહેરમાં 7 થી 10 ઓક્ટોબર 2026 દરમિયાન કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ યોજાવાની છે.આ સ્પર્ધામાં કોમનવેલ્થના વિવિધ દેશોના અગ્રણી ક્યૂ સ્પોર્ટ્સ ખેલાડીઓ ભાગ લેશે.કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપની આ બીજી સીઝન અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાશે. આ સ્પર્ધામાં અંદાજે 45 દેશોના ખેલાડીઓ ભાગ લે તેવી આશા રાખવામાં આવી રહી છે. ખેલાડીઓ 5 અલગ-અલગ ક્યૂ સ્પોર્ટ્સ શાખામાં કુલ 10 મેડલ ઇવેન્ટ્સ માટે સ્પર્ધા કરશે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ ચેમ્પિયનશિપમાં સ્નૂકર, ઇંગ્લિશ બિલિયર્ડ્સ, બ્લેકબોલ, હેબોલ અને 10-બોલ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્પર્ધાનું આયોજન વર્લ્ડ કન્ફેડરેશન ઓફ બિલિયર્ડ્સ સ્પોર્ટ્સ અને બિલિયર્ડ્સ એન્ડ સ્નૂકર ફેડરેશન ઓફ ઇન્ડિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે. એપેક્સ સ્પોર્ટ્સ પ્રમોશન આ સમગ્ર આયોજનની જવાબદારી સંભાળશે.</p><h5 style="text-align: justify; "><b>ભારતમાં પ્રથમ વખત યોજાશે ચેમ્પિયનશિપ</b></h5><p style="text-align: justify; ">કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપની પ્રથમ સીઝન વર્ષ 2025માં મોરેશિયસમાં યોજાઈ હતી. હવે બીજી સીઝનનું આયોજન ભારતમાં પ્રથમ વખત થઈ રહ્યું છે. આ સ્પર્ધાને કોમનવેલ્થ સ્પોર્ટ દ્વારા પણ સમર્થન મળ્યું છે. આ વખતે સ્પર્ધાના કાર્યક્રમમાં એક મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રથમ સીઝનમાં 4 શાખાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જ્યારે અમદાવાદમાં યોજાનારી ચેમ્પિયનશિપમાં ઇંગ્લિશ બિલિયર્ડ્સનો ઉમેરો કરવામાં આવ્યો છે. તમામ 5 શાખામાં પુરુષો અને મહિલાઓ માટે અલગ મેડલ ઇવેન્ટ્સ યોજાશે. દરેક શાખામાં પુરુષો અને મહિલાઓના 16-16 ખેલાડીઓ ભાગ લેશે. જોકે ઇંગ્લિશ બિલિયર્ડ્સમાં બંને વર્ગમાં 8-8 ખેલાડીઓને તક આપવામાં આવશે.</p><h5 style="text-align: justify; "><b>2030 કોમનવેલ્થ ગેમ્સ પહેલાં મોટું આયોજન</b></h5><p style="text-align: justify; ">અમદાવાદમાં આ આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપનું આયોજન એવા સમયે થઈ રહ્યું છે, જ્યારે શહેર 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે પણ તૈયારી કરી રહ્યું છે. તેથી આ સ્પર્ધાને શહેરના રમતગમત ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. વર્લ્ડ પૂલ એસોસિએશનના પ્રમુખ ઈશૌન સિંહે જણાવ્યું કે, અમદાવાદ આંતરરાષ્ટ્રીય રમતગમતના નકશા પર ઝડપથી મહત્વનું સ્થાન બનાવી રહ્યું છે. તેમના મતે ભારતમાં ક્યૂ સ્પોર્ટ્સનો સમૃદ્ધ ઇતિહાસ છે, અને દેશ ભવિષ્યમાં વિશ્વના અગ્રણી ક્યૂ સ્પોર્ટ્સ રાષ્ટ્રોમાં સ્થાન મેળવી શકે છે.</p><h5 style="text-align: justify; "><b>ભારતીય ખેલાડીઓને ઘરઆંગણે મોટી તક</b></h5><p style="text-align: justify; ">બિલિયર્ડ્સ એન્ડ સ્નૂકર ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ એસ. બાલાસુબ્રમણિયમે કહ્યું કે, અમદાવાદમાં આ ચેમ્પિયનશિપનું આયોજન ભારતીય ક્યૂ સ્પોર્ટ્સ માટે ગૌરવની વાત છે. 45 દેશોના ખેલાડીઓની હાજરીથી ભારતીય ખેલાડીઓને ઘરઆંગણે ઉચ્ચ સ્તરની સ્પર્ધાનો અનુભવ મળશે. આ ચેમ્પિયનશિપથી ભારતમાં ક્યૂ સ્પોર્ટ્સને વધુ લોકપ્રિયતા મળવાની સાથે ખેલાડીઓ, રમતગમતના સાધનો બનાવતી કંપનીઓ,આયોજકો અને અન્ય ક્ષેત્રોને પણ નવી તકો મળી શકે છે. ખાસ કરીને હેબોલ અને અન્ય પૂલ શાખાઓમાં ભારતમાં વધી રહેલા રસને આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાથી વધુ વેગ મળવાની આશા છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/china-masters-2026-kidambi-srikanth-wins-in-the-first-round-enters-the-pre-quarterfinals" target="_blank"> China Masters 2026 Badminton : કિદામ્બી શ્રીકાંતનો જલવો, પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં મેળવી એન્ટ્રી!</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/3HUPkVY0qs6E1baoKVkT1q1B5Ynm6uHl68vNWsq6.webp'/></item></channel></rss>