<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Abhinandan Varthaman: પાકિસ્તાને ધૂળ ચટાડનાર અભિનંદન વર્ધમાન IAF છોડી ખાનગી એરલાઇનમાં જોડાયા ]]></title><link>https://sandesh.com/india/news/indian-air-force-hero-abhinandan-varthaman-leaves-iaf-to-join-private-airline</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/indian-air-force-hero-abhinandan-varthaman-leaves-iaf-to-join-private-airline</guid><pubDate>Thu, 03 Sep 2026 09:15:29 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય વાયુસેનાના પૂર્વ ગ્રુપ કેપ્ટન અને દેશના વીર યોદ્ધા અભિનંદન વર્ધમાને પોતાની કારકિર્દીની એક નવી સફર શરૂ કરી છે. ૨૦૧૯માં પાકિસ્તાન સાથેની હવાઈ જંગ (ડોગફાઇટ) દરમિયાન દુશ્મન દેશના ફાઇટર જેટને તોડી પાડનાર અભિનંદન હવે ફાઇટર જેટના બદલે કોમર્શિયલ પેસેન્જર વિમાનો ઉડાડતા જોવા મળશે.</p><h2 style="text-align: justify; "><b>ગોવાની એરલાઇન FLY91 માં જોડાવાનો નિર્ણય</b></h2><p style="text-align: justify; ">સૂત્રોના જણાવ્યા અનુસાર, વીર ચક્ર પુરસ્કાર વિજેતા અભિનંદન ઓગસ્ટ મહિનામાં ગોવા આધારિત પ્રાદેશિક એરલાઇન FLY91 માં પાઇલટ તરીકે જોડાયા છે. જોકે, એરલાઇનના પ્રવક્તાએ તેમની નિમણૂકની પુષ્ટિ કરવાનો ઇનકાર કરતાં જણાવ્યું હતું કે કર્મચારીઓની વ્યક્તિગત માહિતી ગોપનીય બાબત છે. ઉલ્લેખનીય છે કે માર્ચ ૨૦૨૪થી સંચાલન શરૂ કરનાર FLY91 એરલાઇન પાસે હાલમાં છ ATR 72-600 એરક્રાફ્ટ છે અને તેના મુખ્ય મથકો ગોવા અને હૈદરાબાદમાં આવેલા છે.</p><h3 style="text-align: justify; "><b>પુલવામા હુમલો અને ૨૭ ફેબ્રુઆરી, ૨૦૧૯ની ઐતિહાસિક ડોગફાઇટ</b></h3><p style="text-align: justify; ">૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં CRPFના ૪૦ જવાનો શહીદ થયા હતા, જેના જવાબમાં ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇક કરી હતી. ત્યારબાદ ૨૭ ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઐતિહાસિક હવાઈ લડાઈ થઈ હતી, જે લશ્કરી ઉડ્ડયનના ઇતિહાસમાં અવિસ્મરણીય રહેશે.</p><h4 style="text-align: justify; "><b>દુશ્મનનું વિમાન તોડ્યું અને ૩ દિવસ પાકિસ્તાની કસ્ટડીમાં રહ્યા</b></h4><p style="text-align: justify; ">આ ડોગફાઇટ દરમિયાન ભારતીય વાયુસેનાના ફાઇટર પાઇલટ અભિનંદને પોતાના મિગ-૨૧ (MiG-21) વિમાનથી પાકિસ્તાની ફાઇટર જેટને તોડી પાડ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન તેમનું મિગ-૨૧ ક્રેશ થતાં તેઓ પાકિસ્તાની સીમામાં પડ્યા અને પકડાઈ ગયા હતા. પાકિસ્તાનની કસ્ટડીમાં લગભગ ત્રણ દિવસ વિતાવ્યા બાદ ભારત સરકારના મજબૂત દબાણને કારણે તેમને દેશમાં સલામત પરત સોંપવામાં આવ્યા હતા.</p><h5 style="text-align: justify; "><b>અસાધારણ વીરતા બદલ 'વીર ચક્ર'થી સન્માનિત</b></h5><p style="text-align: justify; ">ઓપરેશન દરમિયાન દેશ પ્રત્યેની અસાધારણ ફરજ અને સાહસ બતાવવા બદલ ભારત સરકારે ૨૦૨૧માં અભિનંદન વર્ધમાનને દેશના ત્રીજા સર્વોચ્ચ યુદ્ધકાલીન વીરતા પુરસ્કાર 'વીર ચક્ર'થી સન્માનિત કર્યા હતા.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/india/news/raghav-chadha-name-removed-from-punjab-draft-voter-list" target="_blank">આ પણ વાંચો : India News: પંજાબની ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ કપાયુ,રાજ્યસભાના સભ્યપદ સામે સવાલો ઊભા થયા</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/5A3P8RpWXCn2hLCvOdeeS6K6H677DOLwUdSvr6SE.webp'/></item><item><title><![CDATA[Ahmedabadમાં ન્યૂઝીલેન્ડના વિઝાના નામે રૂ.70.55 લાખની ઠગાઈ. 'કેપિટલ ઓવરસીઝ'ના 4 સંચાલકો સામે CID ક્રાઈમમાં FIR દાખલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/rs7055-lakh-fraud-in-the-name-of-new-zealand-visa-in-ahmedabad-fir-registered-in-cid-crime-against-4-managers-of-capital-overseas</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/rs7055-lakh-fraud-in-the-name-of-new-zealand-visa-in-ahmedabad-fir-registered-in-cid-crime-against-4-managers-of-capital-overseas</guid><pubDate>Thu, 03 Sep 2026 09:10:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં વિદેશ મોકલવાના બહાને નિર્દોષ નાગરિકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડીનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. શહેરની 'કેપિટલ ઓવરસીઝ' નામની કન્સલ્ટન્સી એજન્સી દ્વારા ન્યૂઝીલેન્ડના વર્ક પરમિટ વિઝા આપવાની લાલચ આપીને નિર્દોષ લોકો પાસેથી કુલ રૂ.70.55 લાખની માતબર રકમ પડાવી લેવામાં આવી છે. વિદેશ જઈને રોજગારી મેળવવાનું સ્વપ્ન સેવતા અરજદારો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવ્યા બાદ વિઝા ન આપીને તેમની સાથે મોટો વિશ્વાસઘાત આચરવામાં આવ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>'કેપિટલ ઓવરસીઝ'ના 4 સંચાલકો સામે ગુનો દાખલ</b></h2><p style="text-align: justify; ">આ સમગ્ર કૌભાંડમાં સંકળાયેલા 'કેપિટલ ઓવરસિસ'ના મુખ્ય સંચાલકો વૈભવ પ્રજાપતિ, અખિલ ચાતુર, ઓઈસઅલી હસનવાલા અને અહેમદ અફલાક વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધવામાં આવી છે. આ આરોપીઓએ ન્યૂઝીલેન્ડમાં આકર્ષક નોકરી અને વર્ક પરમિટ વિઝા અપાવવાની ખોટી ખાતરીઓ આપીને અરજદારો પાસેથી તબક્કાવાર લાખો રૂપિયા મેળવી લીધા હતા. સમયમર્યાદા પૂરી થયા બાદ પણ વિઝા ન મળતા અને નાણાં પરત આપવામાં બહાનાબાજી કરતા ભોગ બનનારાઓએ આખરે કાનૂની રસ્તો અપનાવ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>CID ક્રાઈમે કાયદેસરની કાર્યવાહી કરી તપાસ લંબાવી</b></h2><p style="text-align: justify; ">ભોગ બનનાર નાગરિકોની રજૂઆતના આધારે આ મામલે સીઆઈડી ક્રાઈમ (CID Crime) ખાતે ચારેય આરોપીઓ વિરુદ્ધ વિધિવત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સીઆઈડી ક્રાઈમની ટીમે એજન્સીના દસ્તાવેજો, બેંક ખાતાઓ અને નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ ઠગ ટોળકી દ્વારા અન્ય લોકો સાથે પણ આ પ્રકારની છેતરપિંડી આચરવામાં આવી છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/former-dysp-ashok-singh-chauhan-denied-bail" target="_blank">Ahmedabad News: નહેરુનગર જમીન વિવાદ કેસમાં પૂર્વ DySP અશોકસિંહ ચૌહાણને મોટો ઝટકો</a></b></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/U9bZUHJlfaXZOWkXW4JFqMxD8WHDVTja60yICHXt.webp'/></item><item><title><![CDATA[Ramayan ના આ દિગ્ગજ અભિનેતા ગંભીર બીમારી સપડાતા હોસ્પિટલનું મસમોટા બિલથી પરિવાર મુશ્કેલીમાં મુકાયો, રણબીર, અક્ષય અને કાર્તિકે કરી મદદ ]]></title><link>https://sandesh.com/entertainment/news/this-veteran-actor-of-ramayan-fell-seriously-ill-and-his-family-was-in-trouble-due-to-a-huge-hospital-bill-ranbir-akshay-and-kartik-came-to-his-aid</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/this-veteran-actor-of-ramayan-fell-seriously-ill-and-his-family-was-in-trouble-due-to-a-huge-hospital-bill-ranbir-akshay-and-kartik-came-to-his-aid</guid><pubDate>Thu, 03 Sep 2026 08:37:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ટીવી અને હિન્દી સિનેમાના જાણીતા જ્યેષ્ઠ અભિનેતા સુધીર દળવી હાલમાં પોતાના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. ૧૯૭૭ની સુપરહિટ ફિલ્મ 'શિરડી કે સાંઈ બાબા'માં સાંઈ બાબા અને રામાનંદ સાગરની 'રામાયણ'માં ગુરુ વશિષ્ઠની યાદગાર ભૂમિકા ભજવનાર ૮૬ વર્ષીય સુધીર દળવી ગંભીર બીમારી બાદ હવે હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા છે. જોકે તેમની રિકવરી ખૂબ જ ધીમી છે અને તેઓ વોકરની મદદથી ચાલી રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>સેપ્સિસનો શિકાર બન્યા બાદ ICUમાં દાખલ કરાયા</b></h2><p style="text-align: justify;">૭ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ સુધીર દળવીને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ 'સેપ્સિસ' નામના ગંભીર અને જીવલેણ ઇન્ફેક્શનની ઝપેટમાં આવી ગયા હતા. આ ચેપને કારણે તેમના સાંધાઓ પર ગંભીર અસર પડી હતી અને હાથ-પગની હલનચલન ખૂબ જ મર્યાદિત થઈ ગઈ હતી. તબિયત વણસતાં તેમને એક મહિના સુધી ICUમાં રાખવામાં આવ્યા હતા.</p><h3 style="text-align: justify; "><b>લાખો રૂપિયાના હોસ્પિટલ બિલથી પરિવાર મુશ્કેલીમાં મુકાયો</b></h3><p style="text-align: justify;">લાંબી સારવારના કારણે હોસ્પિટલનું બિલ શરૂઆતમાં ₹૧૦ લાખ અને ત્યારબાદ વધીને ₹૧૯ લાખથી પણ વધુ થઈ ગયું હતું. હોસ્પિટલના સતત વધતા જતા ખર્ચ સામે સુધીર દળવીનો પરિવાર નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યો હતો.</p><h4 style="text-align: justify; "><b>બોલિવૂડ કલાકારો અને સાંઈ ભક્તો મદદ માટે આગળ આવ્યા</b></h4><p style="text-align: justify;">અભિનેતાની આર્થિક તંગીના સમાચાર વાયરલ થતાં જ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાંથી અક્ષય કુમાર, રણબીર કપૂર અને કાર્તિક આર્યન સૌપ્રથમ મદદ માટે આગળ આવ્યા હતા. આ ઉપરાંત સુધીર દળવીના સાંઈ બાબાના યાદગાર પાત્રને કારણે દેશ-વિદેશના અસંખ્ય સાંઈ ભક્તોએ પણ આર્થિક સહાય મોકલી હતી. ડિસેમ્બર ૨૦૨૫માં બોમ્બે હાઈકોર્ટની મંજૂરી બાદ 'શ્રી સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટ' દ્વારા પણ ₹૧૧ લાખ (૧.૧ મિલિયન)ની નાણાકીય મદદ પૂરી પાડવામાં આવી હતી.</p><h4 style="text-align: justify; "><b>"હવે પૈસા નહીં, માત્ર પ્રાર્થનાની જરૂર છે" - પત્ની સુહાસ દળવી</b></h4><p style="text-align: justify; ">સુધીર દળવીની પત્ની સુહાસ દળવીએ તમામ મદદગારો, કલાકારો અને ફેન્સનો આભાર માનતા જણાવ્યું કે, હોસ્પિટલના ડરામણા વાતાવરણમાંથી તેઓ ઘરે આવીને ખુશ છે. તેમણે સ્પષ્ટતા કરી કે હવે પરિવારને વધુ નાણાકીય સહાયની જરૂર નથી, પરંતુ માત્ર લોકોની પ્રાર્થનાની જરૂર છે. તેમણે ફિલ્મ એસોસિએશનને પણ અપીલ કરી કે તેઓ જે માસિક સહાય મોકલે છે તે હવે અન્ય કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આપવામાં આવે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/september-4-2026-movie-box-office-clash-ott" target="_blank">આ પણ વાંચો : Movie Clash : 4 સપ્ટેમ્બરે બોક્સ ઓફિસ પર આ 2 મોટી ફિલ્મો વચ્ચે જામશે જબરદસ્ત ક્લેશ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/TLrhmvMuVTYwmvM1YfajrqpDpmOcAxAPunLBS2Qb.webp'/></item><item><title><![CDATA[India News: પંજાબની ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ કપાયુ,રાજ્યસભાના સભ્યપદ સામે સવાલો ઊભા થયા ]]></title><link>https://sandesh.com/india/news/raghav-chadha-name-removed-from-punjab-draft-voter-list</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/raghav-chadha-name-removed-from-punjab-draft-voter-list</guid><pubDate>Thu, 03 Sep 2026 08:08:19 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા સાંસદ રાઘવ ચઢ્ઢાને મોટો આંચકો લાગ્યો છે.પંજાબમાં ચાલી રહેલા મતદાર યાદીના ખાસ સુધારણા કાર્યક્રમ  દરમિયાન રાઘવ ચઢ્ઢાનું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી કાપી નાંખવામાં આવ્યું છે. ચૂંટણી પંચે આ કાર્યવાહી પાછળનું કારણ પણ સ્પષ્ટ કર્યું છે. જોકે,આ સમગ્ર મામલે રાઘવ ચઢ્ઢાએ વાંધો ઉઠાવ્યો છે.આ કાર્યવાહી સામે સવાલો ઉઠાવીને તેમણે પંજાબ સરકારને ઘેરી છે.</p><h2 style="text-align: justify; "><b>રાઘવ ચઢ્ઢાનું નામ ASSD કેટેગરીમાં નોંધવામાં આવ્યું</b></h2><p style="text-align: justify; ">પંજાબમાં મતદાર યાદીની ખાસ ગહન સુધારણા ઝુંબેશ 25 જૂન 2026થી શરૂ કરવામાં આવી હતી.રાજ્યમાં લગભગ 23 વર્ષ બાદ આ પ્રક્રિયા ફરી શરૂ થઈ છે જેનો મુખ્ય હેતુ 2027ની પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં મતદાર યાદીને સંપૂર્ણપણે સુધારવા અને અપડેટ કરવાનો છે.આ પ્રક્રિયા દરમિયાન સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યું છે.ચૂંટણી પંચની પ્રક્રિયા અનુસાર રાઘવ ચઢ્ઢાનું નામ ASSD કેટેગરીમાં નોંધવામાં આવ્યું છે.ASSD એટલે કે ગેરહાજર, સ્થળાંતરિત.તેમના કિસ્સામાં આ સ્ટેટસ કાયમી ધોરણે સ્થળાંતરિત દર્શાવવામાં આવ્યું છે.<br><br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/raghav_chadha/status/2095330459702153377"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br><br><br></p><h2 style="text-align: justify; "><b>રાઘવ ચઢ્ઢાએ પંજાબ સરકાર પર સાધ્યું નિશાન</b></h2><p style="text-align: justify; ">આ મામલે રાઘવ ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે પંજાબની આપ સરકાર હવે બદલાની રાજનીતિને ડ્રાફ્ટ મતદાર યાદી સુધી લઈ આવી છે.તેમણે ઉમેર્યું કે,હું પંજાબથી રાજ્યસભાનો વર્તમાન સાંસદ છું અને મારું વોટર આઈડી પંજાબના મોહાલીમાં રજિસ્ટર્ડ છે.છતાં પણ ડ્રાફ્ટ મતદાર યાદીમાં મારું નામ શિફ્ટેડ દર્શાવવામાં આવ્યું છે. ચઢ્ઢાએ વધુમાં જણાવ્યું કે આ માત્ર ડ્રાફ્ટ મતદાર યાદી છે આખરી યાદી નથી.દાવાઓ અને વાંધાઓની પ્રક્રિયા દરમિયાન નામોમાં સુધારો કરવામાં આવે છે અને તે પ્રક્રિયા અત્યારે ચાલુ છે.આખરી મતદાર યાદી ઓક્ટોબર 2026માં જાહેર કરવામાં આવશે.તેઓ SIR માર્ગદર્શિકા હેઠળ ઉપલબ્ધ ઉપાયોનો ઉપયોગ કરી રહ્યા છે. આ કોઈ ભૂલ નથી પરંતુ સ્પષ્ટપણે રાજકીય બદલાની ભાવના છે.</p><h2 style="text-align: justify; "><b>રાજ્યસભા સભ્યપદ પર ઘેરાયા સવાલો</b></h2><p style="text-align: justify; ">યાદીમાંથી નામ હટાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાની રાજ્યસભા સદસ્યતા પર સવાલો ઊભા થઈ રહ્યા છે.ચઢ્ઢાએ આને પંજાબ સરકારનું રાજકીય કાવતરું ગણાવ્યું છે જ્યારે સામે પક્ષે આમ આદમી પાર્ટીનું કહેવું છે કે આ ચૂંટણી પંચની સામાન્ય વહીવટી પ્રક્રિયાનો એક ભાગ છે.પોસ્ટમાં સવાલો ઉઠાવતા તેમણે લખ્યું કે,મને શિફ્ટેડ માર્ક કોણે કર્યો? આ વર્ગીકરણની ચકાસણી કોણે કરી? આને ઉચ્ચ સ્તરે પ્રોસેસ કોણે કર્યું? આપ સરકારના જ અધિકારીએ.<br><br><a href="https://sandesh.com/world/news/12-killed-in-american-strikes-on-iran-donald-trump-issues-new-warning" target="_blank">આ પણ વાંચોઃ World News: અમેરિકાના ઈરાન પર હુમલામાં 12 લોકોના મોત, ડોનાલ્ડ ટ્રમ્પે કરી મોટી જાહેરાત</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/UPiVzOxEjHQJFhs2Q4vuR02WViG4ano0xz2GCXX7.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: લતા મંગેશ્કર અને આશા ભોંસલેને ગુજરાતી ગીતો ગવડાવનાર સંગીતકાર ગૌરાંગ વ્યાસનું નિધન ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/veteran-gujarati-music-composer-gaurang-vyas-no-more</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/veteran-gujarati-music-composer-gaurang-vyas-no-more</guid><pubDate>Thu, 03 Sep 2026 07:20:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતી સુગમ સંગીત અને ફિલ્મ જગત માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે.ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપનારા જાણીતા અને દિગ્ગજ સંગીતકાર અવિનાશ વ્યાસના પુત્ર ગૌરાંગ વ્યાસનું અમદાવાદ ખાતે મોડી રાત્રે અવસાન થયું છે.તેમના નિધનના સમાચાર વહેતા થતાં જ ગુજરાતી કલા  અને સંગીત જગતમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.બાળપણથી જ ઘરમાં સંગીતનો સમૃદ્ધ માહોલ મળવાને કારણે તેમણે નાની ઉંમરે જ સ્વર અને તાલ પર અદ્ભુત પકડ મેળવી લીધી હતી.પિતાના ભવ્ય વારસાને આગળ ધપાવતા તેમણે ગુજરાતી સંગીતને એક નવી ઊંચાઈએ પહોંચાડવામાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું.&nbsp;&nbsp;</p><h2 style="text-align: justify; "><b>100થી વધુ ફિલ્મોમાં સંગીત નિર્દેશક તરીકે કામ કર્યું</b></h2><p style="text-align: justify; ">ગૌરાંગ વ્યાસે 100થી વધુ ફિલ્મોમાં સંગીત નિર્દેશક તરીકે અદ્ભુત કામ કર્યું છે.તેમણે આપેલા ગીતો અને ગરબાઓ આજે પણ દરેક ગુજરાતીના દિલમાં વસેલા છે. ભવની ભવાઈ, લાખો ફુલાણી જેવી લોકપ્રિય ફિલ્મોમાં તેમનું સંગીત ક્ષેત્રે અનોખું પ્રદાન રહ્યું છે.ગુજરાતી સિનેમા ઉપરાંત તેમણે અનેક સુગમ સંગીતના આલ્બમો, ગરબા, ભજનો અને નાટકોમાં પણ યાદગાર સ્વરાંકનો તૈયાર કર્યા હતા. લતા મંગેશકર, આશા ભોંસલે જેવા દિગ્ગજ પાર્શ્વગાયકો પાસે પણ તેમણે ગુજરાતી ગીતો ગવડાવ્યા હતા.&nbsp;&nbsp;</p><h3 style="text-align: justify; "><b>ગુજરાતી કલા અને સાહિત્ય જગતને મોટી ખોટ પડી</b></h3><p style="text-align: justify; ">ગૌરાંગ વ્યાસના નિધનથી માત્ર સંગીત ક્ષેત્ર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતી કલા અને સાહિત્ય જગતને મોટી ખોટ પડી છે. સ્થાનિક કલાકારો, ગાયકો, નિર્માતાઓ અને સંગીતપ્રેમીઓએ તેમને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સંગીત અને ફિલ્મ ક્ષેત્રના લોકોના જણાવ્યા પ્રમાણે ગૌરાંગ વ્યાસની વિદાય એ ગુજરાતી સંગીતની એક સુવર્ણ યુગનો અંત છે અને તેમની ખોટ ક્યારેય પૂરી શકાય તેમ નથી.તેમનું સંગીત અને તેમની મધુર રચનાઓ હંમેશા સંગીત પ્રેમીઓના હૃદયમાં જીવંત રહેશે. ગૌરાંગ વ્યાસે તેમની સંગીત કારકિર્દી દરમિયાન 'લાખ લાખ દિવડા','ઘોર અંધારી રે રાતલડીમાં' જેવા લોકપ્રિય ગરબા, 'દીકરી તો પારકી થાપણ' જેવા ફિલ્મી ગીતો અને 'તુ રંગાઈ જાને રંગમાં' જેવા ભજનોમાં અદ્ભુત સ્વરાંકન કર્યું છે.</p><h2 style="text-align: justify; "><b>GIFA તરફથી ગોલ્ડન એવોર્ડ એનાયત</b></h2><p style="text-align: justify; ">ગૌરાંગ વ્યાસનો જન્મ 24 નવેમ્બર, 1938ના રોજ થયો હતો. તેઓ સંગીતકાર પદ્મશ્રી સ્વ.અવિનાશ વ્યાસના પુત્ર હતા.વર્ષ 1967માં અમદાવાદ ખાતે તેમના લગ્ન નયનાબેન સાથે થયા હતા. ભવની ભવાઈ (1980), મણિયારો (1980), નસીબની બલિહારી (1982), પારકી થાપણ (1979) અને સુપરહિટ કૌટુંબિક ડ્રામા ફિલ્મ મૈયરમાં મનડું નથી લાગતું (2001) મુખ્ય છે. તેમને ગુજરાતી સિનેમામાં ઉત્કૃષ્ટ યોગદાન માટે GIFA તરફથી ગોલ્ડન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.<br><br><a href="https://sandesh.com/india/news/ram-mandir-trust-ceo-jitendra-mishra-lord-ram-responsibility" target="_blank">આ પણ વાંચોઃ Ram Mandir ટ્રસ્ટના CEO બન્યા બાદ ભાવુક થયા જિતેન્દ્ર મિશ્રા, કહ્યું 'પ્રભુ શ્રીરામની ઈચ્છાથી આ જવાબદારી મળી'</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/rFf9x2RmAhanrz8Jfv5nhsSnMvQDY5DatWAojruz.webp'/></item><item><title><![CDATA[નવસારીના ઉદ્યોગપતિ પાસેથી 80 લાખની લોનના બહાને ઠગબાજોએ 4 લાખ પડાવ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/navsari/on-the-pretext-of-a-loan-of-80-lakhs-fraudsters-extorted-4-lakhs-from-a-navsari-industrialist</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/navsari/on-the-pretext-of-a-loan-of-80-lakhs-fraudsters-extorted-4-lakhs-from-a-navsari-industrialist</guid><pubDate>Thu, 03 Sep 2026 04:37:56 +05:30</pubDate><description><![CDATA[<p>નવસારીના તંબોલી સ્ટ્રીટમાં રહેતા અને કબીલપોર જીઆઇડીસીમાં હબીબ એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરી ધરાવતા બિઝનેસમેનને ઠગ ટોળકીએ ફાઇનાન્સ કંપનીમાંથી રૂ. 80 લાખની લોન આપવાની લાલચ આપી જુદા જુદા ચાર્જિસ પેટે રૂ. 4 લાખથી વધુ પડાવી લઈ છેતરપિંડી કર્યાની ફરિયાદ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.</p><p>પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ હબીબ હાસીમભાઈ ગોધરાવાલા (ઉં.વ. 58, રહે. ફ્લેટ નં 503, પંચમુખી એપાર્ટમેન્ટ, તંબોલી સ્ટ્રીટ, પીંજારા મહોલ્લો, નવસારી) તેમના ભાગીદારો સાથે નવસારી, કબીલપોર જીઆઇડીસીમાં હબીબ એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરી ધરાવે છે. તેઓ ગત તા. 11-08-2026ના રોજ તેઓ થાઈલેન્ડ પ્રવાસ ગયા હતા, તે દરમિયાન તેમના મોબાઈલ ઉપર એક અજાણ્યા નંબર (+91 77079 94677) પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર યુવતીએ પોતાની ઓળખ હિન્દી ભાષામાં આપી જણાવ્યું કે, સર, મેં રીતિકા બાત કર રહી હૂં કેપિટલ વન ફાઇનાન્સ સે, સર આપકા અપડેટ આયા થા પૌસા બજાર સે કી આપને બ્રિઝનેસ લોન કે લીયે એપલાઈ કીયા હૈ... આમ કહીને વિશ્વાસ કેળવવામાં આવ્યો હતો.</p><p>જોકે આ સમયે હબીબભાઈ પોતે વિદેશમાં છે અને 18 ઓગસ્ટ પછી ફોન કરવાનું કહ્યું હતું. જોકે ત્યારબાદ ઠગ ટોળકીના પોતાની ઓળખ રીતિકા તેમજ પોતે કેપિટલ વન ફાઇનાન્સ કંપનીના અધિકારી છે તેવી ઓળખ આપનાર બલજિન્દર સિંહે મોબાઈલ ફોન ઉપર હબીબભાઈ ગોધરાવાલા પાસે તેમના અને ફેક્ટરીના અન્ય ભાગીદારોના આધાર-પાનકાર્ડ, ઇન્કમટેક્સ રિટર્ન, ફોટોગ્રાફ, જેવા દસ્તાવેજો વોટ્સએપ ઉપર મંગાવી તમારી રૂ. 80 લાખની લોન મંજૂર થઈ ગઈ છે તેમ કહી લોન રજિસ્ટ્રેશન ફી, ઇન્સ્યોરન્સ ફી, ઈ-મેન્ડેટ ફી અને પેનલ્ટીના જુદા જુદા ચાર્જિસ પેટે બેંકમાં ઓનલાઇન રૂ. 4,00,490 ટ્રાન્સફર કરાવ્યા હતાં.</p><p>જોકે, ત્યારબાદ વારંવાર નાણાં પડાવ્યા પછી પણ લોનની રકમ ખાતામાં જમા ન થતાં અને વધુ રૂપિયાની માંગણી ચાલુ રહેતા હબીબભાઈને છેતરપિંડી થયાનો અહેસાસ થતાં સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર ફોન કરી પોતાની હકીકત નોંધાવી હતી. આ અંગે નવસારી ટાઉન પોલીસે હબીબભાઈ ગોધરાવાલાની ફરિયાદના આધારે ઠગ ટોળકીના રીતિકા અને બલજિન્દર સિંહ વિરુદ્ધ સાયબર ફ્રોડનો ગુનો નોંધી વધુ તપાસ પીઆઈ. વી.આર ભરવાડ કરી રહ્યા છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/iQxOgT3ZmaozopxabECA5G4rwvRy0BxO8lwDjN1H.webp'/></item><item><title><![CDATA[નવસારીમાં લાંચના છટકામાં પકડાયેલા મુન્ના મિશ્રા ની જામીન અરજી ફગાવાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/navsari/bail-application-of-munna-mishra-caught-in-bribery-case-in-navsari-rejected</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/navsari/bail-application-of-munna-mishra-caught-in-bribery-case-in-navsari-rejected</guid><pubDate>Thu, 03 Sep 2026 04:36:25 +05:30</pubDate><description><![CDATA[<p>નવસારી સરોવર હોટલ પાસેથી સરકારી કામોના કોન્ટ્રાક્ટર પાસે સરકારી કામો અંગે અખબારમાં નકારાત્મક સમાચાર નહીં છાપવા અને આર.ટી.આઈ.(RTI) નહીં કરવા માટે પત્રકારત્વની ઓથ હેઠળ રૂા. 51,000ની લાંચ માગી એન્ટીકરપ્શન બ્રાન્ચACBના હાથે રંગેહાથે ઝડપાયેલા આરોપી સતશંકર ઉર્ફે મુન્ના રામચરિત્ર મિશ્રા ની રેગ્યુલર જામીન અરજી નવસારી સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી.</p><p>પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી સતશંકર રામચરિત્ર મિશ્રા ઉર્ફે મુન્ના મિશ્રા (રહે. 104, શંકુતલમ રેસિડેન્સી, પિંજારા મોહલ્લો, જુનાથાના, નવસારી) વિરુદ્ધ નવસારી એસીબી પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (સંશોધન 2018) ની કલમ-7 એ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ફરિયાદી પાસે સરકારે મંજૂર કરેલા કામોમાં તમારા વિરુદ્ધ અખબારમાં નહીં છાપવા અને આર.ટી.આઈ. નહીં કરવા બદલ દર વર્ષે નાણાં પહોંચતા કરવા પડશે તેમ કહી પ્રભાવ ઊભો કરી રૂા. 51,000 ની માંગણી કરવામાં આવી હતી.</p><p>ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે 1064 ટોલ ફ્રી નંબર પર એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે એસીબી પોલીસ સ્ટેશને લાંચના છટકાનું આયોજન કર્યું હતું અને છટકા દરમ્યાન આરોપીએ ફરિયાદી પાસેથી માંગણી મુજબની લાંચની રકમ સ્વીકારતા સ્થળ પરથી ઝડપાઈ ગયો હતો. તા. 24 ઓગસ્ટ 2026ના રોજ તેની અટકાયત કરવામાં આવી હતી અને રિમાન્ડ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપી સતશંકર ઉર્ફે મુન્ના મિશ્રા એ રેગ્યુલર જામીન અરજી નવસારીના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં કરી હતી. જેની સુનાવણીમાં જ્જ પી.એચ. શેઠ દ્વારા સરકારી વકીલ તુષાર સુળે જિલ્લા સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/r3V3WN9yohPvmKg6s069Z98zNZBXCRPurvKbrugy.webp'/></item><item><title><![CDATA[અમદાવાદ એરપોર્ટ પરથી રૂ.2 કરોડના ગાંજા સાથે વડોદરાનું દંપતી ઝડપાયું ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/vadodara-couple-caught-with-ganja-worth-rs-2-crore-at-ahmedabad-airport</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/vadodara-couple-caught-with-ganja-worth-rs-2-crore-at-ahmedabad-airport</guid><pubDate>Thu, 03 Sep 2026 04:08:29 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ એરપોર્ટ પરથી સતત બીજા દિવસે બે કરોડની કિંમતનો ગાંજો ઝડપાયો હતો. તા. 2 સપ્ટેમ્બરના રોજ બેંગકોકથી ફ્લાઇટ નંબર ટીજી-343 (TG-343) મારફ્તે અમદાવાદ આવેલા દંપતી પાસેની બેગમાં તે સંતાડી રખાયો હતો. કેરિયર દંપતી આશરે 50 વર્ષની ઉંમર ધરાવે છે અને તેઓ વડોદરાના રહેવાસી છે. કસ્ટમ્સે તેઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.</p><p>અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની એર ઇન્ટેલિજન્સ યુનિટે બુધવારે બેંગકોકથી આવેલા પતિ-પત્ની પાસેથી 1,928 ગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો હતો. આ નશીલો પદાર્થ ટ્રોલી બેગની અંદર ખાસ રીતે બનાવવામાં આવેલી ફેક લેયરમાં છુપાવીને લવાયો હતો. મુસાફ્રોની પેસેન્જર પ્રોફાઇલિંગ તથા એક્સ-રે સ્કેનિંગ દરમિયાન કસ્ટમ્સ અધિકારીઓને શંકા ઉપજી હતી. ત્યારબાદ બંનેના સ્ાામાનની ઝીણવટભરી તપાસ હાથ ધરાતાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થયો હતો. તપાસ દરમિયાન બંને ટ્રોલી બેગની અંદર છુપી લેયર બનાવવામાં આવી હોવાનું જણાયું હતું. આ લેયર ખોલીને તપાસ કરતાં દરેક ટ્રોલી બેગમાંથી પાંચ-પાંચ મળી કુલ 10 વેક્યૂમ પેકેટ મળી આવ્યા હતા. પેકેટોમાં લીલા રંગનો શંકાસ્પદ પદાર્થ હતો. પ્રાથમિક પરીક્ષણમાં પદાર્થ ગાંજો હોવાનું પોઝિટિવ આવ્યું હતું. બંને ટ્રોલી બેગમાંથી મળી આવેલા કુલ 10 પેકેટમાં 1,928 ગ્રામ હાઇડ્રોપોનિક મેરિજુઆના (ગાંજો) હોવાનું કસ્ટમ્સે જણાવ્યું છે. કસ્ટમ્સ વિભાગે સમગ્ર જથ્થો એનડીપીએસ અધિનિયમ, 1985ની જોગવાઈઓ હેઠળ જપ્ત કર્યો છે. આ મામલે બંને મુસાફરોએટલે કે પતિ-પત્નીની ધરપકડ કરવામાં આવી છે. ગાંજો ક્યાંથી મેળવાયો, કોને પહોંચાડવાનો હતો તે સહિતના મુદ્દે કસ્ટમ્સ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/s56ruZLHQUPyjs4DwFoVhvw49mfj4uMm3QJYd5X6.webp'/></item><item><title><![CDATA[RBIની સ્કીમે કમાલ કરી, NRI પાસેથી ભારતમાં આવ્યા $127 અબજ ]]></title><link>https://sandesh.com/business/news/rbi-fcnr-b-dollar-rupee-swap-nri-deposits-127-billion</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/rbi-fcnr-b-dollar-rupee-swap-nri-deposits-127-billion</guid><pubDate>Wed, 02 Sep 2026 20:26:52 +05:30</pubDate><description><![CDATA[<p>Reserve Bank of India (RBI)ની ખાસ ડોલર-રૂપિયા ફોરેન કરન્સી સ્વેપ સુવિધા હેઠળ ભારતે 127.23 અબજ ડોલરની વિદેશી ચલણની FCNR-B ડિપોઝિટ મેળવી છે. NRI એટલે કે વિદેશમાં રહેતા ભારતીયોએ આ યોજનામાં ખૂબ રસ દાખવ્યો હતો. જેના કારણે આ યોજના નક્કી કરેલા સમય કરતાં એક મહિના પહેલા જ 31 ઓગસ્ટે બંધ કરી દેવામાં આવી હતી. RBIએ 8 જૂન, 2026ના રોજ FCNR(B) ડિપોઝિટ, વિદેશમાંથી વિદેશી ચલણમાં લેવાતી લોન અને એક્સટર્નલ કોમર્શિયલ બોરોઇંગ (ECB) માટે આ ખાસ ડોલર-રૂપિયા સ્વેપ સુવિધા શરૂ કરી હતી. વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા વચ્ચે દેશની બાહ્ય આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા અને દેશમાં પૂરતી વિદેશી ચલણની ઉપલબ્ધતા જાળવી રાખવા માટે આ પગલાં લેવામાં આવ્યા હતા.</p><h2><b>FCNR(B) ડિપોઝિટમાંથી જ આવ્યા $127.226 અબજ</b></h2><p>RBIના આંકડા પ્રમાણે, આ તમામ પગલાંના કારણે દેશમાં વિદેશી ચલણનો પ્રવાહ ઝડપથી વધ્યો હતો. 31 ઓગસ્ટ સુધીમાં કુલ 136.377 અબજ ડોલરથી વધુ વિદેશી ચલણનો પ્રવાહ દેશમાં આવ્યો હતો. તેમાંથી માત્ર FCNR(B) ડિપોઝિટ દ્વારા 127.226 અબજ ડોલરથી વધુ રકમ આવી હતી. આ આંકડો અસ્થાયી છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે વિદેશમાં રહેતા ભારતીયોએ આ યોજનાને સારો પ્રતિસાદ આપ્યો હતો. FCNR(B) યોજના હેઠળ બેંકોએ વિદેશી ચલણમાં ડિપોઝિટ મેળવવા માટે આકર્ષક વ્યાજ દરોની ઓફર કરી હતી. જેના કારણે NRI તરફથી આ યોજનામાં સારો પ્રતિસાદ મળ્યો. યોજનાને અપેક્ષા કરતાં વધુ સારો પ્રતિસાદ મળતાં RBIએ તેને 30 સપ્ટેમ્બરના બદલે 31 ઓગસ્ટ, 2026ના રોજ જ બંધ કરી દીધી હતી. RBIએ જણાવ્યું કે યોજનાએ નક્કી કરેલા સમય કરતાં વહેલા જ પોતાનો હેતુ પૂર્ણ કરી લીધો હતો.</p><h2><b>શું છે FCNR(B) ડિપોઝિટ?</b></h2><p>FCNR(B) એટલે Foreign Currency Non-Resident (Bank) Deposit. આ વિદેશી ચલણમાં રાખવામાં આવતી એક પ્રકારની ફિક્સ્ડ ડિપોઝિટ છે. આ ડિપોઝિટમાં જે ચલણમાં પૈસા જમા કરવામાં આવે છે, તે જ વિદેશી ચલણમાં મૂળ રકમ અને વ્યાજ બંને ચૂકવવામાં આવે છે. એટલે કે ડિપોઝિટ ડોલરમાં હોય તો તેનું પેમેન્ટ પણ ડોલરમાં જ થાય છે. આ યોજનાના અન્ય ભાગોમાં પણ વિદેશી ચલણનો સારો પ્રવાહ જોવા મળ્યો હતો. વિદેશમાંથી વિદેશી ચલણમાં લેવાયેલી લોન દ્વારા 5.26 અબજ ડોલર, જ્યારે એક્સટર્નલ કોમર્શિયલ બોરોઇંગ (ECB) દ્વારા 3.891 અબજ ડોલરનો પ્રવાહ આવ્યો હતો.  આ સુવિધા અગાઉ નક્કી કરાયેલા સમય મુજબ 31 ડિસેમ્બર, 2026 સુધી ઉપલબ્ધ રહેશે.</p><p><b><a href="https://sandesh.com/business/news/rbi-rules-dont-panic-if-money-is-suddenly-deducted-from-your-account-get-it-back-this-way" target="_blank">આ પણ વાંચો:&nbsp; ખાતામાંથી અચાનક પૈસા કપાયા તો ગભરાશો નહીં, આ રીતે મેળવો પરત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/cxfg2nIAf80SOiZttnbuNxeNmYrwFUiOSjTxXeHS.webp'/></item><item><title><![CDATA[Commonwealth Q Sports Championship અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાશે, 45 દેશોના ખેલાડીઓ ભાગ લેશે ]]></title><link>https://sandesh.com/sports/news/commonwealth-q-sports-championship-to-be-held-at-veer-savarkar-sports-complex-in-ahmedabad-players-from-45-countries-will-participate</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/commonwealth-q-sports-championship-to-be-held-at-veer-savarkar-sports-complex-in-ahmedabad-players-from-45-countries-will-participate</guid><pubDate>Wed, 02 Sep 2026 15:08:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ આંતરરાષ્ટ્રીય રમતગમતના નકશા પર પોતાની ઓળખ વધુ મજબૂત કરવા માટે તૈયાર છે. અમદાવાદ શહેરમાં 7 થી 10 ઓક્ટોબર 2026 દરમિયાન કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ યોજાવાની છે.આ સ્પર્ધામાં કોમનવેલ્થના વિવિધ દેશોના અગ્રણી ક્યૂ સ્પોર્ટ્સ ખેલાડીઓ ભાગ લેશે.કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપની આ બીજી સીઝન અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાશે. આ સ્પર્ધામાં અંદાજે 45 દેશોના ખેલાડીઓ ભાગ લે તેવી આશા રાખવામાં આવી રહી છે. ખેલાડીઓ 5 અલગ-અલગ ક્યૂ સ્પોર્ટ્સ શાખામાં કુલ 10 મેડલ ઇવેન્ટ્સ માટે સ્પર્ધા કરશે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ ચેમ્પિયનશિપમાં સ્નૂકર, ઇંગ્લિશ બિલિયર્ડ્સ, બ્લેકબોલ, હેબોલ અને 10-બોલ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્પર્ધાનું આયોજન વર્લ્ડ કન્ફેડરેશન ઓફ બિલિયર્ડ્સ સ્પોર્ટ્સ અને બિલિયર્ડ્સ એન્ડ સ્નૂકર ફેડરેશન ઓફ ઇન્ડિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે. એપેક્સ સ્પોર્ટ્સ પ્રમોશન આ સમગ્ર આયોજનની જવાબદારી સંભાળશે.</p><h5 style="text-align: justify; "><b>ભારતમાં પ્રથમ વખત યોજાશે ચેમ્પિયનશિપ</b></h5><p style="text-align: justify; ">કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપની પ્રથમ સીઝન વર્ષ 2025માં મોરેશિયસમાં યોજાઈ હતી. હવે બીજી સીઝનનું આયોજન ભારતમાં પ્રથમ વખત થઈ રહ્યું છે. આ સ્પર્ધાને કોમનવેલ્થ સ્પોર્ટ દ્વારા પણ સમર્થન મળ્યું છે. આ વખતે સ્પર્ધાના કાર્યક્રમમાં એક મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રથમ સીઝનમાં 4 શાખાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જ્યારે અમદાવાદમાં યોજાનારી ચેમ્પિયનશિપમાં ઇંગ્લિશ બિલિયર્ડ્સનો ઉમેરો કરવામાં આવ્યો છે. તમામ 5 શાખામાં પુરુષો અને મહિલાઓ માટે અલગ મેડલ ઇવેન્ટ્સ યોજાશે. દરેક શાખામાં પુરુષો અને મહિલાઓના 16-16 ખેલાડીઓ ભાગ લેશે. જોકે ઇંગ્લિશ બિલિયર્ડ્સમાં બંને વર્ગમાં 8-8 ખેલાડીઓને તક આપવામાં આવશે.</p><h5 style="text-align: justify; "><b>2030 કોમનવેલ્થ ગેમ્સ પહેલાં મોટું આયોજન</b></h5><p style="text-align: justify; ">અમદાવાદમાં આ આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપનું આયોજન એવા સમયે થઈ રહ્યું છે, જ્યારે શહેર 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે પણ તૈયારી કરી રહ્યું છે. તેથી આ સ્પર્ધાને શહેરના રમતગમત ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. વર્લ્ડ પૂલ એસોસિએશનના પ્રમુખ ઈશૌન સિંહે જણાવ્યું કે, અમદાવાદ આંતરરાષ્ટ્રીય રમતગમતના નકશા પર ઝડપથી મહત્વનું સ્થાન બનાવી રહ્યું છે. તેમના મતે ભારતમાં ક્યૂ સ્પોર્ટ્સનો સમૃદ્ધ ઇતિહાસ છે, અને દેશ ભવિષ્યમાં વિશ્વના અગ્રણી ક્યૂ સ્પોર્ટ્સ રાષ્ટ્રોમાં સ્થાન મેળવી શકે છે.</p><h5 style="text-align: justify; "><b>ભારતીય ખેલાડીઓને ઘરઆંગણે મોટી તક</b></h5><p style="text-align: justify; ">બિલિયર્ડ્સ એન્ડ સ્નૂકર ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ એસ. બાલાસુબ્રમણિયમે કહ્યું કે, અમદાવાદમાં આ ચેમ્પિયનશિપનું આયોજન ભારતીય ક્યૂ સ્પોર્ટ્સ માટે ગૌરવની વાત છે. 45 દેશોના ખેલાડીઓની હાજરીથી ભારતીય ખેલાડીઓને ઘરઆંગણે ઉચ્ચ સ્તરની સ્પર્ધાનો અનુભવ મળશે. આ ચેમ્પિયનશિપથી ભારતમાં ક્યૂ સ્પોર્ટ્સને વધુ લોકપ્રિયતા મળવાની સાથે ખેલાડીઓ, રમતગમતના સાધનો બનાવતી કંપનીઓ,આયોજકો અને અન્ય ક્ષેત્રોને પણ નવી તકો મળી શકે છે. ખાસ કરીને હેબોલ અને અન્ય પૂલ શાખાઓમાં ભારતમાં વધી રહેલા રસને આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાથી વધુ વેગ મળવાની આશા છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/china-masters-2026-kidambi-srikanth-wins-in-the-first-round-enters-the-pre-quarterfinals" target="_blank"> China Masters 2026 Badminton : કિદામ્બી શ્રીકાંતનો જલવો, પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં મેળવી એન્ટ્રી!</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/3HUPkVY0qs6E1baoKVkT1q1B5Ynm6uHl68vNWsq6.webp'/></item></channel></rss>