<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Hindi Song Interesting Story: ના કજરે કી ધાર..મુકેશનું અધૂરું ગીત પંકજ ઉધાસના અવાજમાં કેવી રીતે બન્યું સદાબહાર ]]></title><link>https://sandesh.com/entertainment/news/hindi-song-interesting-story-na-kajre-ki-dharhow-mukeshs-unfinished-song-became-evergreen-in-the-voice-of-pankaj-udhas</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/hindi-song-interesting-story-na-kajre-ki-dharhow-mukeshs-unfinished-song-became-evergreen-in-the-voice-of-pankaj-udhas</guid><pubDate>Tue, 28 Jul 2026 12:10:24 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગઝલ સમ્રાટ પંકજ ઉધાસે પોતાના મધુર અવાજથી ભારતીય સંગીત જગતમાં અનેક ગીતોને અમર બનાવ્યા છે. તેમનું ગાયેલું એક એવું ગીત છે જેને આજે પણ કોઈ અન્ય ગાયકના અવાજમાં કલ્પવું મુશ્કેલ લાગે છે, તે છે – 'ના કજરે કી ધાર'. પરંતુ શું તમે જાણો છો કે આ ગીત પંકજ ઉધાસે ગાયાના લગભગ ત્રણ દાયકા પહેલા જ રેકોર્ડ થઈ ચૂક્યું હતું? જો આ ગીત 1960ના દાયકામાં મુકેશજીના અવાજમાં રિલીઝ થયું હોત, તો સંગીતનો ઇતિહાસ કંઈક અલગ જ હોત. આજે જાણીએ સુપરહિટ સોન્ગ&nbsp; 'ના કજરે કી ધાર'...નો રસપ્રદ ઇતિહાસ. મુકેશજીનું ગીત કેવી રીતે પંકજ ઉધાસ પાસે આવ્યું અને બ્લોક બસ્ટર બન્યું.</p><h2 style="text-align: justify; "><b>1960માં રચાઈ હતી મૂળ ધૂન: મુકેશે આપ્યો હતો અવાજ</b></h2><p style="text-align: justify; ">છેલ્લા ૩૦ વર્ષથી લોકોના દિલ પર રાજ કરી રહેલું આ સદાબહાર ગીત ખરેખર ૧૯૬૦ના દાયકામાં તૈયાર કરવામાં આવ્યું હતું. જાણીતી સંગીતકાર જોડી કલ્યાણજી-આનંદજીએ આ ધૂન બનાવી હતી અને તેને મહાન ગાયક મુકેશના અવાજમાં રેકોર્ડ કરવામાં આવ્યું હતું. પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. જે ફિલ્મ માટે આ ગીત રેકોર્ડ કરાયું હતું તે ફિલ્મ ક્યારેય પૂરી જ ન થઈ અને ગીત પણ કબાટના કોઈ ખૂણામાં બંધ થઈને રહી ગયું.</p><h3 style="text-align: justify; "><b>'મોહરા' ફિલ્મ દ્વારા પંકજ ઉધાસ સુધી પહોંચ્યું ગીત</b></h3><p style="text-align: justify; ">આ જૂની ધૂન દાયકાઓ સુધી અપ્રકાશિત રહી. ત્યારબાદ 90ના દાયકામાં સંગીતકાર વિજુ શાહે (કલ્યાણજીના પુત્ર) આ અદ્ભુત ધૂનને પુનર્જીવિત કરવાનો નિર્ણય લીધો. વિજુ શાહે ડિરેક્ટર રાજીવ રાયની બ્લોકબસ્ટર ફિલ્મ 'મોહરા' (1994) માટે આ ધૂનનો ઉપયોગ કર્યો. આ ગીત માટે સંગીત કલ્યાણજીના પ્રિય પંકજ ઉધાસ અને સાધના સરગમની પસંદગી કરવામાં આવી. સુનીલ શેટ્ટી અને પૂનમ ઝાવર પર ફિલ્માવવામાં આવેલું આ ગીત રિલીઝ થતાં જ ચાર્ટબસ્ટર સાબિત થયું. આજે પણ વરસાદની સિઝન અને જયારે રોમેન્ટીક ગીતની વાત થાય ત્યારે લોકો જરૂર આ સોન્ગ પોતાના પ્લેલિસ્ટમાં સામેલ કરે છે.</p><h4 style="text-align: justify; "><b>'મોહરા' ફિલ્મના અન્ય સદાબહાર ગીતો</b></h4><p style="text-align: justify; ">1994માં આવેલી 'મોહરા' ફિલ્મના તમામ ગીતોએ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવી હતી. 'ના કજરે કી ધાર' ઉપરાંત આ ફિલ્મના "તુ ચીઝ બડી હૈ મસ્ત મસ્ત" અને "ટિપ ટિપ બરસા પાની" જેવા ગીતો આજે પણ હિન્દી સિનેમાના સૌથી લોકપ્રિય ગીતોમાં ગણાય છે. દાયકાઓ પહેલા અધૂરું રહી ગયેલું એક ગીત કેવી રીતે ભાગ્યવશાત પંકજ ઉધાસ સુધી પહોંચ્યું અને સંગીત જગતનું રત્ન બની ગયું, તેની આ કહાની ખરેખર અદ્ભુત છે!</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/cricket/news/virat-kohli-anushka-sharma-buy-mumbai-luxury-apartment" target="_blank">આ પણ વાંચો : Virat Kohli અને અનુષ્કા શર્મા ફરી ભારતમાં થશે શિફ્ટ? મુંબઈમાં ખરીદ્યું કરોડોનું આલીશાન એપાર્ટમેન્ટ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/SFbWcVtvL8J3QIDHB2JjiBt64RiKAb8Kdz63uhUd.webp'/></item><item><title><![CDATA[Auto News : તો શું હવે વારંવાર PUC નહીં કઢાવવું પડે!, જાણો સરકારનો શું છે માસ્ટરપ્લાન... ]]></title><link>https://sandesh.com/business/automobile/news/auto-news-big-change-in-puc-certificate-rules-for-bs6-vehicles-know-what-the-governments-master-plan-is</link><guid isPermaLink="true">https://sandesh.com/business/automobile/news/auto-news-big-change-in-puc-certificate-rules-for-bs6-vehicles-know-what-the-governments-master-plan-is</guid><pubDate>Tue, 28 Jul 2026 11:58:19 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દેશમાં વધતા વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકારે BS6 ટેકનોલોજી ધરાવતા વાહનો માટે મોટી રાહત આપતું ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. નવા પ્રસ્તાવ મુજબ, 6 વર્ષ સુધીના નવા BS6 વાહનો માટે PUC (પોલ્યુશન અંડર કંટ્રોલ) સર્ટિફિકેટની વેલિડિટી હવે 1 વર્ષથી વધારીને 3 વર્ષ કરવાની યોજના છે. વાહન 6 થી 10 વર્ષ જૂનું થશે ત્યારે દર 1 વર્ષે અને 10 વર્ષથી વધુ જૂનું થવા પર દર 6 મહિને PUC રિન્યૂ કરાવવું પડશે. BS6 એન્જિનમાં આધુનિક એમિશન કંટ્રોલ સિસ્ટમ હોવાથી તે ખૂબ જ ઓછું પ્રદૂષણ ફેલાવે છે, જેના કારણે ગાડી માલિકોને વારંવાર PUC કેન્દ્રના ધક્કામાંથી મુક્તિ મળશે.</p><h2 style="text-align: justify; "><b>જૂના વાહનો માટે નિયમો થશે વધુ કડક</b></h2><p style="text-align: justify; ">નવા નિયમો હેઠળ સરકારનું મુખ્ય ધ્યાન વધુ પ્રદૂષણ ફેલાવતા જૂના વાહનો પર રહેશે. BS4 વાહનો માટે દર 6 મહિને PUC કઢાવવું ફરજિયાત રહેશે, જ્યારે BS1, BS2 અને BS3 કેટેગરીના જૂના વાહનો માટે આ સમયગાળો ઘટાડીને માત્ર 3 મહિના કરવાનો પ્રસ્તાવ છે. વાહનો જેમ જૂના થાય તેમ તેમની એન્જિન ક્ષમતા ઘટતી હોવાથી અને તે પર્યાવરણને વધુ નુકસાન પહોંચાડતા હોવાથી તેમની નિયમિત તપાસ જરૂરી માનવામાં આવી છે. યોગ્ય PUC સર્ટિફિકેટ વગર ગાડી ચલાવવા પર મોટર વાહન અધિનિયમ હેઠળ ભારે ચલાન પણ થઈ શકે છે.</p><h3 style="text-align: justify; "><b>શા માટે શ્રેષ્ઠ છે BS6 ટેકનોલોજી અને શું થશે ફાયદો?</b></h3><p style="text-align: justify; ">ભારતમાં 1 એપ્રિલ 2020થી અમલમાં આવેલી BS6 ટેકનોલોજીમાં ડીઝલ પાર્ટિક્યુલેટ ફિલ્ટર (DPF) અને સિલેક્ટિવ કેટેલિટિક રિડક્શન (SCR) જેવા આધુનિક સિસ્ટમનો ઉપયોગ થાય છે. આ ટેકનોલોજી વાહનોમાંથી નીકળતા કાર્બન મોનોક્સાઈડ અને નાઈટ્રોજન ઓક્સાઈડ જેવા હાનિકારક વાયુઓનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટાડે છે. જો આ પ્રસ્તાવને આખરી મંજૂરી મળી જશે, તો લાખો BS6 વાહન માલિકોના સમય અને નાણાં બંનેની બચત થશે, જ્યારે સરકાર પણ જૂના વાહનો દ્વારા થતા પ્રદૂષણ પર વધુ અસરકારક રીતે નજર રાખી શકશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/business/news/automobile/this-new-luxury-truck-is-ready-to-take-the-auto-market-by-storm-the-countdown-for-the-new-generation-car-with-4x4-power-has-begun" target="_blank">Auto માર્કેટમાં ધમાકો કરવા તૈયાર છે આ નવી લક્ઝરી ટ્રક, 4x4 પાવર સાથે નવી જનરેશન કારનું કાઉન્ટડાઉન શરૂ!</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/lCdTZKBHCWA2q8xAfrAtsH4FjcHSPnX4E99BcXFd.webp'/></item><item><title><![CDATA[Mehsana: મોઢેરા રોડ પર આઇકોનિક રોડના અધૂરા ખોદકામમાં ટ્રકનું ટાયર ફસાયું, વાહનચાલકો અને સ્થાનિકો ત્રાહિમામ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/modhera-road-truck-stuck-in-unfilled-excavation-civic-negligence</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/modhera-road-truck-stuck-in-unfilled-excavation-civic-negligence</guid><pubDate>Tue, 28 Jul 2026 11:51:55 +05:30</pubDate><description><![CDATA[<p>મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિકાસકામો અને પ્રિમોન્સૂન કામગીરીના મોટા-મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ ચિત્ર બતાવી રહી છે. મહેસાણાના ધમધમતા મોઢેરા રોડ પર કિરણ સ્ટોર પાસે આજે મનપાની ઘોર બેદરકારીનો નમૂનો જોવા મળ્યો હતો.અહીં મોઢેરા રોડને 'આઇકોનિક રોડ' બનાવવાની કામગીરી અંતર્ગત અગાઉ મોટું ખોદકામ કરવામાં આવ્યું હતું. જોકે, કામગીરી પૂર્ણ થયા બાદ કે પાઇપલાઇન/ડ્રેનેજ નાખ્યા બાદ તંત્ર અને કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું સરખું પુરાણ કરવામાં આવ્યું નહોતું.</p><h2><b>ટ્રકનું ટાયર ખાડામાં ફસાયું</b></h2><p>વરસાદના કારણે ખોદકામ કરેલી જગ્યા પોચી પડી જતાં, ત્યાંથી પસાર થઈ રહેલી એક ભારે માલવાહક ટ્રકનું ટાયર અચાનક રોડના અધૂરા પુરાણમાં ઊંડે સુધી ફસાઈ ગયું હતું.ટ્રકનું ટાયર ધસી જતાં ગાડી એકતરફ નમી ગઈ હતી અને મોઢેરા રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આસપાસના વેપારીઓ અને સ્થાનિકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા.</p><h3><b>પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર</b></h3><p>સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, મહેસાણા મનપા દ્વારા ચોમાસા પહેલા કરાતી પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહે છે. આઇકોનિક રોડ જેવા મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાં પણ જો આવી અણધડ રીતે ખોદકામ કરીને પુરાણ વગર રસ્તા ખુલ્લા છોડી દેવાતા હોય તો સામાન્ય નાગરિકોની સલામતીનું શું? અવારનવાર નાના-મોટા વાહનો અહીં ફસાતા હોવાથી મોઢેરા રોડ પરથી પસાર થતા વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ત્વરિત યોગ્ય રોડ રિપેરિંગ કરવાની માંગ ઉઠી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/thara-shihori-highway-oil-tanker-overturns-people-rush-to-collect-oil" target="_blank">આ પણ વાંચો: Banaskantha: થરા-શિહોરી નેશનલ હાઇવે પર ટેન્કર પલટ્યું, તેલ ભરી જવા લોકો ડબ્બા લઈને દોડ્યા!</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/baHTTsvP5YhgL2j2FQbpNbz5rvHKl6jNwlzKH1Ti.webp'/></item><item><title><![CDATA[Vadodara : સાંકરદા પાસે વિદ્યાર્થીઓનો ફરી ચક્કાજામ: અનિયમિત બસોથી રોષ, ઉગ્ર આંદોલનની આપાઈ ચીમકી ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-sankarda-students-st-bus-chakkajam-protest</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-sankarda-students-st-bus-chakkajam-protest</guid><pubDate>Tue, 28 Jul 2026 11:43:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા ગ્રામ્યની હદમાં આવેલા સાંકરદા ગામ પાસે વિદ્યાર્થીઓએ એસટી બસોની અનિયમિતતાથી કંટાળીને ફરી એકવાર ચક્કાજામ કર્યો હતો. છેલ્લા ત્રણ દિવસમાં બીજી વખત વિદ્યાર્થીઓએ વડોદરા-વાસદ-આણંદ રૂટની બસો રોકીને પોતાનો ભારે રોષ ઠાલવ્યો હતો. આ ચક્કાજામના કારણે થોડા સમય માટે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. ઘટનાની જાણ થતાં જ નંદેશરી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>બસોની અનિયમિતતા હોવાનો આરોપ</b></h2><p style="text-align: justify; ">વિદ્યાર્થીઓનો આરોપ છે કે બસોની અનિયમિતતા અને અપૂરતી વ્યવસ્થાના કારણે તેમને દરરોજ મુશ્કેલી વેઠવી પડે છે. આ મામલે ધારાસભ્ય કેતન ઇનામદારે પણ એસટી નિગમને પત્ર લખીને યોગ્ય રજૂઆત કરી હતી, તેમ છતાં કોઈ ઉકેલ આવ્યો નથી.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>નિયમિત અને પૂરતી બસ સેવા મળે તેવી માગ</b></h3><p style="text-align: justify; ">વિદ્યાર્થીઓએ માગ કરી છે કે આ રૂટ પર નિયમિત અને પૂરતી બસ સેવા તાત્કાલિક શરૂ કરવામાં આવે. જો તેમની માગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp; :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-indepth-gujarat-heavy-rain-reason-el-nino-fail-negative-pdo-impact" target="_blank"><b>Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/ImyFIeqkmKzC3BYDrHhvNmDzgIWgdu2AgWlv9pv4.webp'/></item><item><title><![CDATA[Banaskantha: થરા-શિહોરી નેશનલ હાઇવે પર ટેન્કર પલટ્યું, તેલ ભરી જવા લોકો ડબ્બા લઈને દોડ્યા! ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/thara-shihori-highway-oil-tanker-overturns-people-rush-to-collect-oil</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/thara-shihori-highway-oil-tanker-overturns-people-rush-to-collect-oil</guid><pubDate>Tue, 28 Jul 2026 11:37:53 +05:30</pubDate><description><![CDATA[<p>બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતાં થરા-શિહોરી નેશનલ હાઇવે પર આજે એક અકસ્માતની સાથે વિચિત્ર દ્રશ્યો સર્જાયા હતા. કંડલા બંદરથી ખાદ્ય તેલ ભરીને દિલ્હી તરફ જઈ રહેલું એક વિશાળ ટેન્કર થરા-શિહોરી હાઇવે પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. કાબૂ બહાર ગયેલું ટેન્કર રોડની સાઇડમાં ધડાકાભેર પલટી મારી ગયું હતું.</p><h2><b>બનાસકાંઠામાં નેશનલ હાઇવે પર અકસ્માત બાદ વિચિત્ર દ્રશ્યો</b></h2><p>અકસ્માતને કારણે ટેન્કરમાંથી તેલ રસ્તા પર અને આસપાસના ખાડામાં વહેવા લાગ્યું હતું. ટેન્કર પલટી ગયું હોવાના સમાચાર વાયુવેગે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રસરી જતાં જ સ્થાનિકો પોતાના ઘરેથી બોટલો, ડોલ, ડબ્બા અને કેરબા લઈને ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.</p><h3><b>તેલ લેવા માટે લોકોમાં પડાપડી</b></h3><p>અકસ્માતગ્રસ્ત ટેન્કરમાંથી વહી રહેલું તેલ મફતમાં મેળવવા માટે લોકો વચ્ચે ભારે ધક્કામુક્કી અને પડાપડીના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતની ગંભીરતા બાજુ પર રહી ગઈ હતી અને લોકો તેલ ભરી જવામાં વ્યસ્ત જોવા મળ્યા હતા.બનાવ અંગેની જાણ થતાં જ શિહોરી પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને તેલ લેવા એકઠા થયેલા લોકોના ટોળાં દૂર કર્યા હતા અને હાઇવે પરનો વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે ટેન્કર ચાલકની સ્થિતિ અંગે જાણકારી મેળવી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/yogichowk-online-goods-godown-massive-fire-controlled-by-fire-brigade" target="_blank">આ પણ વાંચો: Surat: યોગીચોકમાં ઓનલાઇન સામાનના ગોડાઉનમાં ભીષણ આગ, કરોડોનો માલ સામાન બળીને ખાખ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/PPrh8uelQNrVuXj2w4OvdCQQILGDURBnwKClaW5X.webp'/></item><item><title><![CDATA[T.G. મોહનદાસના વિવાદાસ્પદ નિવેદનની RSSએ કરી આકરી નિંદા, ભાષણ અંગે કેરળ સરકારના તપાસના આદેશ ]]></title><link>https://sandesh.com/india/news/tg-mohandas-controversial-remark-rss-condemns-kerala-police-inquiry</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/tg-mohandas-controversial-remark-rss-condemns-kerala-police-inquiry</guid><pubDate>Tue, 28 Jul 2026 11:34:03 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ કેરળમાં સંઘ સાથે જોડાયેલા રહેલા ટી.જી. મોહનદાસની વિવાદાસ્પદ ટિપ્પણીઓની સખત શબ્દોમાં નિંદા કરી છે. દિલ્હીના જંતર-મંતર ખાતે NEET પેપર લીક સામે પ્રદર્શન કરી રહેલા યુવાનો અને મહિલાઓ અંગે મોહનદાસે અત્યંત અશોભનીય નિવેદન આપ્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરાવત&nbsp;</b></h2><p style="text-align: justify; ">તેમણે પોતાના યૂટ્યૂબ વિડિયોમાં કહ્યું હતું કે જો તેમની પાસે સત્તા હોત તો તેઓ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરાવત અને કેટલાંક લોકો માર્યા ગયા હોત તો સ્થિતિ સામાન્ય થઈ જાત. આ સિવાય તેમણે પ્રદર્શનમાં સામેલ મહિલાઓ માટે પણ અત્યંત વાંધાજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>મોહનદાસનું આ નિવેદન તેમનો અંગત વિચાર&nbsp;</b></h3><p style="text-align: justify; ">આ મામલે ગંભીર નોંધ લેતા RSS દક્ષિણ કેરળ પ્રાંત સહ-કાર્યવાહ કે.બી. શ્રીકુમારે સ્પષ્ટતા કરી છે કે મોહનદાસનું આ નિવેદન તેમનો અંગત વિચાર છે અને સંઘને તેની સાથે કોઈ લેવાદેવા નથી. સંઘ કોઈપણ સ્તરે આવા વિચારોનું સમર્થન કરતો નથી. મોહનદાસ ભૂતકાળમાં ભાજપના ઈન્ટેલેક્ચ્યુઅલ સેલના સ્ટેટ કન્વીનર અને ભારતીય વિચાર કેન્દ્ર સાથે જોડાયેલા રહ્યા છે, પરંતુ હાલમાં તેઓ સંઘમાં કોઈ હોદ્દો ધરાવતા નથી.</p><h4 style="text-align: justify; "><b>નફરતી ભાષણ સામે પોલીસ તપાસના આદેશ&nbsp;</b></h4><p style="text-align: justify; ">બીજી તરફ, કેરળ સરકારે મોહનદાસના આ નફરતી ભાષણ સામે પોલીસ તપાસના આદેશ આપ્યા છે. ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ ફેડરેશન (AISF) દ્વારા કેરળ સ્ટેટ પોલીસ ચીફ સમક્ષ આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. વિવિધ રાજકીય પક્ષો અને સંસ્થાઓ દ્વારા પણ તેમના આ નિવેદનનો સખત વિરોધ કરીને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો :&nbsp;&nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-indepth-gujarat-heavy-rain-reason-el-nino-fail-negative-pdo-impact" target="_blank"><b>&nbsp; Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/0ztGCkkq9IsbnVpVku9RbekHPXnNns47ZmXqsI5X.webp'/></item><item><title><![CDATA[Surat: યોગીચોકમાં ઓનલાઇન સામાનના ગોડાઉનમાં ભીષણ આગ, કરોડોનો માલ સામાન બળીને ખાખ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/yogichowk-online-goods-godown-massive-fire-controlled-by-fire-brigade</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/yogichowk-online-goods-godown-massive-fire-controlled-by-fire-brigade</guid><pubDate>Tue, 28 Jul 2026 11:22:47 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત શહેરના યોગીચોક વિસ્તારમાં મોડી રાત્રે આગની એક વિકરાળ ઘટના બનતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. યોગીચોકમાં આવેલી શિવફાર્મ સોસાયટી નજીક ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ પર વેચાતી વિવિધ ચીજવસ્તુઓ સંગ્રહિત કરવાનું એક મોટું ગોડાઉન આવેલું છે. મોડી રાત્રે અચાનક આ ગોડાઉનની અંદરથી ધુમાડાના ગોટેગોટા નીકળવાનું શરૂ થયું હતું અને જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.ગોડાઉનમાં પ્લાસ્ટિક, પેકિંગ મટિરિયલ, ઈલેક્ટ્રોનિક્સ અને કાપડ જેવી જ્વલનશીલ વસ્તુઓનો મોટો જથ્થો હોવાના કારણે આગ વાયુવેગે સમગ્ર વેરહાઉસમાં પ્રસરી ગઈ હતી.</p><h2><b>યોગીચોકમાં આવેલા ગોડાઉનમાં આગ લાગી&nbsp;</b></h2><p>બનાવની જાણ થતાં જ આસપાસના રત્નકલાકારો અને સ્થાનિકો એકઠા થઈ ગયા હતા અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગને ઈમરજન્સી કોલ કરવામાં આવ્યો હતો. મેજર કોલ જાહેર કરીને યોગીચોક, વરાછા અને કાપોદ્રા સહિતના ફાયર સ્ટેશનોમાંથી ફાયર ફાઇટરોની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.ફાયર બ્રિગેડના જવાનોએ ચારેય તરફથી પાણીનો સતત મારો ચલાવીને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. કલાકોની આકરી મશક્કત અને સવાર સુધી ચાલેલા ઓપરેશન બાદ આગ પર આખરે કાબૂ મેળવી શકાયો હતો.</p><h3><b>કરોડો રૂપિયાની કિંમતનો સામાન બળી ગયો</b></h3><p>જોકે અગ્નિકાંડ એટલો ભયાનક હતો કે સવાર સુધીમાં ગોડાઉનમાં રહેલો અંદાજે કરોડો રૂપિયાની કિંમતનો ઓનલાઇન સામાન બળીને કોલસો થઈ ગયો હતો. સદનસીબે બનાવ વખતે ગોડાઉનમાં કોઈ કર્મચારી કે મજૂર હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી. આગ કયા કારણોસર લાગી તે હજુ અસ્પષ્ટ છે, પરંતુ પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/chhota-udepur/orsang-river-overflows-first-time-this-monsoon-checkdam-flooded" target="_blank">આ પણ વાંચો:Chhotaudepur: ઓરસંગ નદી સીઝનમાં પ્રથમ વાર બે કાંઠે વહી: મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી આવ્યા નવા નીર</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/KsKJEqYGVY2IHVyxLnwFk2LXcMT5mO2OzFs51VIS.webp'/></item><item><title><![CDATA[PM Modi Selfie Video: PMનો વીડિયો ફેસબુક પર પ્રતિબંધ અંગે Metaએ માગી માફી, જણાવ્યુ આ કારણ ]]></title><link>https://sandesh.com/india/news/pm-modi-selfie-video-meta-apologizes-for-removing-pms-video-from-facebook-reveals-this-reason</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/pm-modi-selfie-video-meta-apologizes-for-removing-pms-video-from-facebook-reveals-this-reason</guid><pubDate>Tue, 28 Jul 2026 11:09:10 +05:30</pubDate><description><![CDATA[<p>PM નરેન્દ્ર મોદીએ દિલ્હીના જંતર મંતર પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન એક વીડિયો શેર કર્યો હતો. પીએમ મોદીએ યુવાનોને સંબોધિત કરતો એક વિડીયો&nbsp; ખાસ કરીને ઝેન Zને લગતો શેર કર્યો હતો.&nbsp; જે થોડા કલાકો સુધી ફેસબુક પર ભારતના યુઝર્સ માટે દેખાતો જ ન હતો. જે મામલે મેટાએ હવે માફી માગી છે.&nbsp;</p><h2><b>સેલ્ફી મોડમાં રેકોર્ડ કર્યો હતો વીડિયો&nbsp;</b></h2><p>પીએમ મોદીએ આ વીડિયો સેલ્ફી મોડમાં રેકોર્ડ કર્યો હતો. 'કોકરોચ જનતા પાર્ટી'ના વિરોધ દરમિયાન તેમણે આ વીડિયો દ્વારા વિદ્યાર્થીઓને સંદેશ આપ્યો હતો. વિદ્યાર્થીઓને ખાતરી આપતા પીએમ મોદીએ કહ્યું કે સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી છે અને આ મુદ્દાને ઉકેલવા માટે કડક પગલાં લેશે.</p><h2><b>મેટાએ હવે કરી સ્પષ્ટતા&nbsp;</b></h2><p>પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફેસબુક વિડીયોને લઇને હવે મેટાએ માફી માગી છે. "આ સામગ્રી ભૂલથી દૂર કરવામાં આવી હતી અને ત્યારથી તેને પુનઃસ્થાપિત કરવામાં આવી છે," તેમ મેટા પ્રવક્તાએ જણાવ્યું. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ જે સેલ્ફી વીડિયો રેકોર્ડ કર્યો હતો તે ભારતમાં ફેસબુક પર દેખાતો ન હતો.&nbsp;</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2081971548534296808"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p><b style="font-size: 1.75rem;">પીએમના સેલ્ફી વીડિયોને લઇને શું થઇ બબાલ ?&nbsp;</b></p><p>ફેસબુકે મોડી રાત્રે ભારતમાં પીએમ મોદીના સેલ્ફી વીડિયો&nbsp; પ્રતિબંધ મૂક્યો હતો. 1:25 AM વાગ્યે "કેમ જુઓ" વિકલ્પ પર ક્લિક કરવા પર, એક સંદેશ દેખાયો જેમાં કહેવામાં આવ્યું હતું કે કાનૂની વિનંતીના પાલનમાં સામગ્રી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મેટાએ જણાવ્યું હતું કે વડા પ્રધાનનો વીડિયો ભૂલથી દૂર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ મુદ્દો સુધારી લેવામાં આવ્યો છે. વિવાદ વધ્યા પછી મેટાએ પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો.</p><p><b style="font-size: 1.75rem;">ભારતમાં પીએમ મોદીનો વીડિયો ફેસબુક પર દેખાતો ન હતો&nbsp;</b></p><p>વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઝેન Zવિડીયો અંગે ફેસબુક પર થયેલા વિવાદે સોશિયલ મીડિયા પર નવી ચર્ચા જગાવી હતી. દાવાઓ ફરતા થઈ રહ્યા હતા કે ફેસબુકે ભારતમાં પીએમ મોદીનો વિડીયો બ્લોક કરી દીધો છે. વીડિયો ખોલવાનો પ્રયાસ કરતી વખતે, કેટલાક વપરાશકર્તાઓને એક સંદેશ મળ્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે કાનૂની વિનંતીને કારણે સામગ્રી તેમના પ્રદેશમાં ઉપલબ્ધ નથી. જો કે, ત્યારથી જે માહિતી બહાર આવી છે તે સ્પષ્ટ કરે છે કે આ સેન્સરશીપ અથવા ઇરાદાપૂર્વક બ્લોક કરવાનું કૃત્ય નથી, પરંતુ પ્લેટફોર્મ પર એક તકનીકી સમસ્યા હતી.&nbsp;</p><p><b style="font-size: 1.75rem;">પીએમ મોદીનો વીડિયો થોડા કલાકો માટે ઉપલબ્ધ ન હતો&nbsp;</b></p><p>પીએમ મોદીએ યુવાનો સાથે જોડાવા માટે ફેસબુક પર પોતાનો પહેલો સેલ્ફી વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં, તેમણે ઝેન Zને સંબોધિત કર્યો હતો અને પેપર લીક જેવા મુદ્દાઓ સામે સરકારના કડક પગલાં પર પ્રકાશ પાડ્યો હતો. મંગળવારે વહેલી સવારે, લગભગ 1:25 વાગ્યે, કેટલાક વપરાશકર્તાઓને વીડિયો જોવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. એક સંદેશ દેખાયો જેમાં કહેવામાં આવ્યું હતું કે કાનૂની વિનંતીને કારણે સામગ્રી ઉપલબ્ધ નથી. આનાથી સોશિયલ મીડિયા પર અટકળો શરૂ થઈ ગઈ કે શું ફેસબુકે ભારતમાં વડાપ્રધાનના વીડિયોને બ્લોક કર્યો છે.</p><p><br></p><p><a href="https://sandesh.com/india/news/dharmendra-pradhan-resigns-dharmendra-pradhan-resigns-from-the-post-of-education-minister-cjp-protest-delhi-police-jantar-mantar-sonam-wangchukl" target="_blank">આ પણ વાંચો: Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણમંત્રી પદેથી આપ્યુ રાજીનામુ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/9PwFMLdZKbUuv4Qxh7B0RHQC6lkDcIKsalrsoecr.webp'/></item><item><title><![CDATA[CWG 2026 Day 6 : પ્રીતિ પવારથી લઈને હરજિંદર કૌર સુધી, આજે ભારતીય એથ્લીટો પર રહેશે મેડલની આશા ]]></title><link>https://sandesh.com/sports/news/cwg-2026-day-6-from-preeti-pawar-to-harjinder-kaur-indian-athletes-will-be-in-the-hunt-for-medals-today</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/cwg-2026-day-6-from-preeti-pawar-to-harjinder-kaur-indian-athletes-will-be-in-the-hunt-for-medals-today</guid><pubDate>Tue, 28 Jul 2026 10:47:04 +05:30</pubDate><description><![CDATA[<p>સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026નો છઠ્ઠો દિવસે ભારત માટે સ્પર્ધાઓથી ભરેલો દિવસ બનવાનો છે. ભારતીય ખેલાડીઓ એથ્લેટિક્સ, બોક્સિંગ, વેઇટલિફ્ટિંગ, સ્વિમિંગ અને લોન બાઉલમાં ભાગ લેશે. બોક્સિંગ અને વેઇટલિફ્ટિંગ એવા ક્ષેત્રો છે જ્યાં ભારત અનેક મેડલ જીતી શકે છે.</p><h4><b>પાંચ બોક્સિંગ ખેલાડીઓ પાસે મેડલની આશા&nbsp;</b></h4><p>ભારતીય બોક્સિંગ ટુકડી માટે મંગળવાર મહત્વપૂર્ણ રહેશે. મહિલા વર્ગમાં, પ્રીતિ પવાર, પ્રિયા ઘંઘાસ અને પરવીન હુડા પોતપોતાના ક્વાર્ટર ફાઇનલ મુકાબલા રમશે. પુરુષોના વર્ગમાં, જદુમણી સિંહ અને કપિલ પોખરિયા પણ રિંગમાં ઉતરશે. આ બધા મુકાબલા જીતવાથી સંબંધિત ખેલાડીઓ ઓછામાં ઓછા બ્રોન્ઝ મેડલની ખાતરી કરશે.</p><h5><b>વેઇટલિફ્ટિંગમાં વધુ બે મેડલની અપેક્ષા&nbsp;</b></h5><p>ભારતીય વેઇટલિફ્ટિંગ ટીમે અત્યાર સુધી અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે, અને છઠ્ઠા દિવસે પણ મેડલની આશા ઊંચી છે. નિરુપમા દેવી સેરામ મહિલાઓની 63 કિગ્રા શ્રેણીમાં અને હરજિંદર કૌર 69 કિગ્રા શ્રેણીમાં ફાઇનલમાં રમશે. ભારત બંને ખેલાડીઓના પ્રદર્શન પર નજીકથી નજર રાખશે.</p><h4><b>28 જુલાઈ માટે મેડલ ઇવેન્ટ્સ અને સમય</b></h4><ul><li>4:30 PM - પુરુષોની 400 મીટર દોડનો પ્રથમ રાઉન્ડ: રાજેશ રમેશ (હીટ 3), વિશાલ ટીકે (હીટ6)</li><li>11:35 PM - મહિલાઓની હાઈ જમ્પ ફાઇનલ (મેડલ ઇવેન્ટ): પૂજા</li><li>12:55 AM (29 જુલાઈ) - પુરુષોની 10000૦ મીટર દોડ (મેડલ ઇવેન્ટ): ગુલવીર સિંહ</li></ul><h4><b>બોક્સિંગ</b></h4><ul><li>10:30 PM - મહિલાઓની 54 કિગ્રા ક્વાર્ટરફાઇનલ: પ્રીતિ પવાર વિરુદ્ધ નિકોલ ક્લાઈડ (ઉત્તરી આયર્લેન્ડ)</li><li>11:00 PM - મહિલાઓની 60 કિગ્રા ક્વાર્ટરફાઇનલ: પ્રિયા ઘંઘાસ વિરુદ્ધ નિયામ મિશેલ (સ્કોટલેન્ડ)</li><li>11:30 PM - મહિલાઓની 65 કિગ્રા ક્વાર્ટરફાઇનલ: પરવીન હુડા વિરુદ્ધ સચ્ચા હિકી (ઇંગ્લેન્ડ)</li><li>12:15 AM - પુરુષોની 55 કિગ્રા ક્વાર્ટરફાઇનલ: જદુમણિ સિંહ માંડેંગબામ વિ. મ્વેન્ગો મ્વેલે (ઝામ્બિયા)</li><li>1:30 AM - પુરુષોની 90 કિગ્રા 800 કિગ્રા ક્વાર્ટર ફાઇનલ: કપિલ પોખરિયા વિરુદ્ધ રોબર્ટ મેકનલ્ટી (સ્કોટલેન્ડ)</li></ul><h5><b>સ્વિમિંગ અને પેરા સ્વિમિંગ</b></h5><p>3:26 PM થી - પુરુષોની 50 મીટર બટરફ્લાય હીટ્સ: સાજન પ્રકાશ (હીટ 9)</p><p>4:41 PM થી - પુરુષોની 100 મીટર બેકસ્ટ્રોક હીટ્સ: શ્રીહરિ નટરાજ (હીટ 4)</p><p>4:57 PM થી - પુરુષોની 50 મીટર ફ્રીસ્ટાઇલ S13 હીટ્સ: આર.વી.વી.બી.કે. બુડિગીના (હીટ 1), અલી ઇમામ (હીટ 2)</p><p>11:57 PM - પુરુષોની 50 મીટર ફ્રીસ્ટાઇલ S13 ફાઇનલ (મેડલ ઇવેન્ટ) - બુડિગીના અને અલી ઇમામ&nbsp;</p><p>12:50 AM - પુરુષોની 50 મીટર બટરફ્લાય સેમિફાઇનલ - સાજન પ્રકાશ&nbsp;</p><p>1:33 AM - પુરુષોની 100 મીટર બેકસ્ટ્રોક સેમિફાઇનલ - શ્રીહરિ નટરાજ&nbsp;</p><h4><b>વેઇટલિફ્ટિંગ</b></h4><ul><li>6:30 PM - મહિલાઓની 63 કિગ્રા ફાઇનલ (મેડલ ઇવેન્ટ): નિરુપમા દેવી સેરામ</li><li>1:07 AM - મહિલાઓની 69 કિગ્રા ફાઇનલ (મેડલ ઇવેન્ટ): હરજિંદર કૌર</li></ul><h5><b>બોલ અને પેરાબોલ</b></h5><ul><li>10:20 PM - પુરુષોની જોડી વિભાગીય રમત: નવનીત સિંહ અને દિનેશ કુમાર વિરુદ્ધ કૂક આઇલેન્ડ</li><li>1:10 AM - મહિલા સિંગલ્સ વિભાગીય રમત: નયનમોની સૈકિયા વિરુદ્ધ એમી વિલિયમ્સ (વેલ્સ)</li></ul><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/cwg-2026-medal-tally-table-india-takes-medal-tally-to-double-digits-australias-dominance-continues" target="_blank">CWG 2026 Medal Tally Table : ભારતે મેડલનો આંકડો બે અંકમાં પહોંચ્યો, ઓસ્ટ્રેલિયાનો દબદબો યથાવત</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/kxXOaJsSK454O18WICVGnHAT7AKkWXbKjlI0HUYP.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: કાલુપુર ડબગર વાસમાં વહેલી સવારે જર્જરિત મકાન કડડભૂસ, એક મહિલાનું મોત, પુરુષ સારવાર હેઠળ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/kalupur-dabgar-vas-house-collapse-one-dead-one-injured</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/kalupur-dabgar-vas-house-collapse-one-dead-one-injured</guid><pubDate>Tue, 28 Jul 2026 10:33:33 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદના ઐતિહાસિક કોટ વિસ્તારમાં આવેલ કાલુપુરના ડબગર વાસમાંથી એક મોટી હોનારતના સમાચાર આવ્યા છે. આજરોજ વહેલી સવારે જ્યારે સમગ્ર વિસ્તાર ગાઢ નિંદ્રામાં હતો, ત્યારે ડબગર વાસમાં આવેલું એક અત્યંત જૂનું અને કાળગ્રસ્ત મકાન અચાનક ધડાકાભેર ધરાશાયી થઈ ગયું હતું.સ્થાનિકના જણાવ્યા અનુસાર, મકાનમાં બે લોકો વસવાટ કરતા હતા. ચોમાસાના ભેજ અને સતત વરસાદના કારણે જૂનું બાંધકામ બેસી જતાં વહેલી સવારે આખું મકાન કડડભૂસ થઈને જમીનદોસ્ત થયું હતું.</p><h2><b>કાલુપુરના ડબગર વાસમાં મકાન ધરાશાયી&nbsp;</b></h2><p>અચાનક મકાન તૂટી પડતાં અંદર સૂતેલા બંને લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. સ્થાનિકો અને ફાયર બ્રિગેડે તાત્કાલિક ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી બંનેને બહાર કાઢ્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓના કારણે 55 વર્ષીય મહિલાનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. જ્યારે ઈજાગ્રસ્ત પુરુષને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.</p><h3><b>સમારકામના અભાવે આ દુર્ઘટના સર્જાઈ</b></h3><p>અત્રે નોંધનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના પશ્ચિમ અને સેન્ટ્રલ ઝોન દ્વારા આ મકાનને અગાઉ જ ભયજનક જાહેર કરીને નોટિસ આપવામાં આવી હતી. છતાં યોગ્ય તકેદારી અને સમારકામના અભાવે આ દુર્ઘટના સર્જાઈ છે.શહેરમાં છેલ્લા માત્ર બે જ દિવસમાં બે જૂના અને ભયજનક મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવતાં કોટ વિસ્તારમાં રહેતા હજારો નાગરિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને તંત્ર દ્વારા આવા જોખમી બાંધકામો સત્વરે ખાલી કરાવવાની માગણી ઉઠી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/vanthali-manavadar-highway-bantiya-fatak-bike-accident-one-dead" target="_blank">આ પણ વાંચો: Junagadh: વંથલી-માણાવદર હાઇવે પર બંટીયા ફાટક નજીક બે બાઇક વચ્ચે ટક્કર, અકસ્માતમાં 1નું ઘટનાસ્થળે જ મોત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/ODHh2Wh3vECjOTirJC0IPbLqajLaSoE8SGRtcSKL.webp'/></item></channel></rss>