<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[India-SACU વેપાર સંબંધોને મળશે નવી ગતિ, પીયૂષ ગોયલે કહ્યું 'સંતુલિત અને ન્યાયી કરારથી બંને પક્ષને લાભ થશે' ]]></title><link>https://sandesh.com/india/news/world/india-sacu-pta-trade-talks-piyush-goyal-fair-trade-deal</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/world/india-sacu-pta-trade-talks-piyush-goyal-fair-trade-deal</guid><pubDate>Wed, 12 Aug 2026 23:36:09 +05:30</pubDate><description><![CDATA[<p>ભારત અને સધર્ન આફ્રિકન કસ્ટમ્સ યુનિયન (SACU) વચ્ચે Preferential Trade Agreement (PTA) માટેની વાટાઘાટો શરૂ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. બુધવારે નવી દિલ્હીના વાણિજ્ય ભવન ખાતે ભારત અને SACUના પ્રતિનિધિઓએ વાટાઘાટો માટે Terms of Reference (ToR) પર હસ્તાક્ષર કર્યા. આ કરારથી ભારત અને દક્ષિણ આફ્રિકાના SACU સભ્ય દેશો વચ્ચે વેપાર અને આર્થિક સંબંધોને વધુ મજબૂતી મળવાની અપેક્ષા છે.</p><h2><b>ગુણવત્તાયુક્ત દવાઓ પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે</b></h2><p>આ પ્રસંગે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ભારત અને SACU વચ્ચેનો પ્રસ્તાવિત વેપાર કરાર બંને પક્ષની ક્ષમતાઓનો લાભ લઈને સહિયારી સમૃદ્ધિ તરફ આગળ વધવામાં મદદ કરી શકે છે. તેમણે સંતુલિત, ન્યાયી અને બંને પક્ષ માટે લાભદાયી વેપાર કરાર પર ભાર મૂક્યો હતો. ગોયલે કહ્યું કે ભારત દક્ષિણ આફ્રિકાના SACU ક્ષેત્રમાં સસ્તી અને ગુણવત્તાયુક્ત દવાઓ પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ ઉપરાંત IT ક્ષેત્રમાં નવા કૌશલ્ય અને પ્રતિભાના વિકાસમાં પણ ભારત સહયોગ આપી શકે છે. તેમણે કહ્યું કે જ્યાં SACU દેશોની કંપનીઓ સ્પર્ધાત્મક છે, ત્યાં તેમને વૈશ્વિક સપ્લાય ચેઈન સાથે જોડવામાં ભારત મદદ કરી શકે છે.</p><h3><b>વેપારની સંભાવનાઓને વધુ વેગ મળી શકે</b></h3><p>પ્રસ્તાવિત PTA હેઠળ એન્જિનિયરિંગ અને મશીનરી, ઓટોમોબાઈલ, ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઈલ, કૃષિ અને એગ્રો-પ્રોસેસિંગ જેવા ક્ષેત્રોમાં વેપારની સંભાવનાઓને વધુ વેગ મળી શકે છે. ગોયલે જણાવ્યું કે ભારતના દક્ષિણ આફ્રિકા સાથેના સંબંધો માત્ર વેપાર પૂરતા મર્યાદિત નથી. તેમણે મહાત્મા ગાંધી અને રંગભેદ વિરોધી સંઘર્ષ દરમિયાન ભારતના સમર્થનનો ઉલ્લેખ કરતા કહ્યું કે બંને પક્ષો વચ્ચે લાંબા સમયથી મજબૂત ભાગીદારી છે.</p><p>તેમણે વાટાઘાટો ઝડપથી આગળ વધારીને PTAને વહેલી તકે અંતિમ સ્વરૂપ આપવાની અપીલ કરી. જોકે તેમણે સ્પષ્ટ કર્યું કે માત્ર ToR પર હસ્તાક્ષર કરવાથી ટેરિફમાં ઘટાડો નહીં થાય. અંતિમ વેપાર કરાર થયા બાદ જ તેનો વાસ્તવિક લાભ મળશે.</p><p><a href="https://sandesh.com/business/news/mp-cm-mohan-yadav-meets-arvind-limited-kulin-lalbhai-in-ahmedabad-1200-crore-investment-pm-mitra-park" target="_blank"><b>આ પણ વાંચો : Business News: ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનશે, એમપીના સીએમએ આપ્યું રોકાણનું આમંત્રણ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/3DAwFIezw4BD3W959cNWyHGiEgK5sQn9RseDq0XG.webp'/></item><item><title><![CDATA[રમત મંત્રાલયે ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયાને કર્યું સસ્પેન્ડ ]]></title><link>https://sandesh.com/sports/news/ttfi-suspended-sports-ministry-governance-issues</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/ttfi-suspended-sports-ministry-governance-issues</guid><pubDate>Wed, 12 Aug 2026 22:23:48 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય રમત મંત્રાલયે 12 ઓગસ્ટના રોજ ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયાને સસ્પેન્ડ કરી દીધું હતું અને તેની માન્યતા રદ્દ કરી હતી, ભારતીય ઓલિમ્પિક એસોસિએશનને રમતના કામકાજનું સંચાલન કરવા માટે એક એડ-હોક સમિતિ બનાવવા કહ્યું હતું. મંત્રાલયે તેના આદેશમાં જણાવ્યું હતું કે ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયાને અગાઉ જાહેર કરાયેલ કારણ બતાવો નોટિસનો અપેક્ષિત જવાબ ન મળવાને કારણે અને સમયસર ચૂંટણીઓ યોજવામાં નિષ્ફળતાને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.</p><p style="text-align: justify; ">મંત્રાલયના આદેશમાં કહેવામાં આવ્યું હતું કે IOA, આંતરરાષ્ટ્રીય સંસ્થા ITTF સાથે વાતચીત કરીને, એક એડ-હોક સમિતિની રચના સહિત આંતરિક નિયમનકારી માળખું બનાવવા માટે યોગ્ય પગલાં લેશે, અને આ TTFI માં યોગ્ય શાસન માળખું પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે.</p><h2 style="text-align: justify; "><b>TTFI છેલ્લા ઘણા મહિનાઓથી ઉથલપાથલના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે</b></h2><p style="text-align: justify; ">ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયાને સસ્પેન્ડ કરવાના રમત મંત્રાલયના આદેશમાં કહેવામાં આવ્યું છે કે IOA, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે વાતચીત કરીને, એક આંતરિક નિયમનકારી પદ્ધતિ સ્થાપિત કરવા માટે જરૂરી પગલાં લેશે, જેમાં એડ-હોક સમિતિની રચનાનો સમાવેશ થાય છે. TTFI માં યોગ્ય કાર્યકારી માળખું પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધી આ કરવામાં આવશે. TTFI હાલમાં મેઘના અહલાવતના નેતૃત્વમાં છે, જે તેની પ્રથમ મહિલા પ્રમુખ છે.&nbsp;</p><p style="text-align: justify; ">મેઘના અહલાવતે ડિસેમ્બર 2022 માં પદ સંભાળ્યું. ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા છેલ્લા ઘણા મહિનાઓથી ઉથલપાથલનો સામનો કરી રહ્યું છે. જાન્યુઆરી 2026 માં તેને તેના સેક્રેટરી જનરલ અને ભૂતપૂર્વ ખેલાડી કમલેશ મહેતાને નાણાકીય અનિયમિતતાના આરોપસર સસ્પેન્ડ કર્યા. મેહતા આ મામલો દિલ્હી હાઈકોર્ટમાં લઈ ગયા, જ્યાં તેમનું સસ્પેન્શન રદ્દ કરવામાં આવ્યું.</p><h3 style="text-align: justify; "><b>મનિકા બત્રાએ પણ TTFI ની ટીકા કરી</b></h3><p style="text-align: justify; ">થોડા મહિના પહેલા જ્યારે સ્ટાર ખેલાડી મનિકા બત્રાને 2026 એશિયન ગેમ્સની ટીમ માટે પસંદ કરવામાં આવી ન હતી, કારણ કે તેને જરૂરી સ્થાનિક ટુર્નામેન્ટ રમવાનો અભાવ હોવાનું કારણ આપવામાં આવ્યું હતું, ત્યારે તેણે જાહેરમાં આ નિર્ણયની ટીકા કરી હતી અને રમત મંત્રાલયને હસ્તક્ષેપ કરવાની માગ કરી હતી.&nbsp;</p><p style="text-align: justify; ">તેણે આરોપ લગાવ્યો હતો કે ફેડરેશનની પસંદગી પ્રક્રિયામાં ભારે ખામી હતી. રમત મંત્રાલયે TTFI સાથેના તમામ મુદ્દાઓની નોંધ લીધી અને કારણ બતાવો નોટિસ જાહેર કરી.&nbsp;</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/0WoybCddOet5z2HRNhFRRZAQNkQUZHgZSurRjlFv.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે FIBA અંડર 18 એશિયા કપ યોજાશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/fiba-u18-asia-cup-to-be-held-at-veer-savarkar-sports-complex</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/fiba-u18-asia-cup-to-be-held-at-veer-savarkar-sports-complex</guid><pubDate>Wed, 12 Aug 2026 22:00:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રમતગમત ક્ષેત્રે અમદાવાદ શહેરના આંગણે વધુ એક આંતરરાષ્ટ્રીય સ્તરની ટૂર્નામેન્ટનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે.ભારતમાં લાંબા 22 વર્ષના વિરામ બાદ પ્રતિષ્ઠિત FIBA અંડર 18 એશિયા કપ યોજાવા જઈ રહ્યો છે.જેના તમામ મુકાબલાઓ અમદાવાદના અદ્યતન વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેલાશે.આ આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ સ્પર્ધાને લઈને રમતપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.આ ટૂર્નામેન્ટમાં એશિયા ખંડની શ્રેષ્ઠ 16 ટીમો ભાગ લઈ રહી છે જેમને 4 અલગ-અલગ ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ત્રીજી મેચ 18 ઓગસ્ટે કિર્ગિસ્તાન સામે ખેલાશે</b></h2><p style="text-align: justify; ">ટૂર્નામેન્ટની શરૂઆતની મેચમાં જ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ટીમ થાઈલેન્ડ સામે પોતાની તાકાત બતાવવા મેદાનમાં ઉતરશે.ભારતીય ચાહકોની નજર ખાસ કરીને યજમાન ટીમ ઈન્ડિયાના પ્રદર્શન પર રહેશે.ભારતને ગ્રુપ-Dમાં સ્થાન મળ્યું છે.ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 14 ઓગસ્ટે શક્તિશાળી જાપાન સામેની મેચથી કરશે.ત્યારબાદ ભારતનો બીજો મુકાબલો 16 ઓગસ્ટે કોરિયા સામે અને ત્રીજી મેચ 18 ઓગસ્ટે કિર્ગિસ્તાન સામે ખેલાશે.</p><h2 style="text-align: justify; "><b>ભારતીય ટીમ નોકઆઉટ સ્ટેજમાં પહોંચવા આતુર</b></h2><p style="text-align: justify; ">સ્થાનિક પ્રેક્ષકોની હાજરી અને હોમ ગ્રાઉન્ડનો લાભ મેળવીને ભારતીય ટીમ નોકઆઉટ સ્ટેજમાં પહોંચવા માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા આતુર છે.ટૂર્નામેન્ટના શિડ્યુલ મુજબ ગ્રુપ સ્ટેજની રોમાંચક મેચો પૂર્ણ થયા બાદ ક્વાર્ટર ફાઇનલનો તબક્કો 20 ઓગસ્ટથી શરૂ થશે.એશિયાના નવા બાસ્કેટબોલ ચેમ્પિયનનો નિર્ણય 23 ઓગસ્ટે રમાનારી ફાઇનલ મેચ દ્વારા થશે.અમદાવાદ જેવા સ્પોર્ટ્સ હબમાં આ પ્રકારની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન થવાથી સ્થાનિક અને દેશના ઉભરતા બાસ્કેટબોલ ખેલાડીઓને મોટું પ્રોત્સાહન મળશે.<br><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kheda/mgvcl-officials-missing-as-sonipura-residents-protest-power-issues" target="_blank">આ પણ વાંચોઃ Kheda News: MGVCL કચેરી પર લોકો હલ્લાબોલ કરવા આવતા હોવાની જાણ થતાં જ અધિકારીઓ ગાયબ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/RMA4EOK3qwGfbVMSnlsuSPUQWmnJqTgP23LljZwD.webp'/></item><item><title><![CDATA[Mumbaiમાં વરસાદનો કહેર, કુર્લામાં લેન્ડસ્લાઈડની દુર્ઘટનામાં મોતનો આંકડો વધીને 7 પર પહોંચ્યો, 7 લોકો ઘાયલ ]]></title><link>https://sandesh.com/india/news/mumbai-heavy-rain-kurla-landslide-7-dead-7-injured</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/mumbai-heavy-rain-kurla-landslide-7-dead-7-injured</guid><pubDate>Wed, 12 Aug 2026 21:39:59 +05:30</pubDate><description><![CDATA[<p>મુંબઈમાં સતત પડી રહેલા ભારે વરસાદ વચ્ચે બુધવારે વહેલી સવારે કુર્લા પશ્ચિમના ચિરાગ નગર વિસ્તારમાં મોટો અકસ્માત સર્જાયો હતો. ભૂસ્ખલન થતાં પહાડીનો એક ભાગ ધસી પડ્યો અને તેનો કાટમાળ આસપાસ આવેલા મકાનો પર પડ્યો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 7 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 7 લોકો ઘાયલ થયા છે.</p><h2><b>વરસાદને કારણે અચાનક ભૂસ્ખલન થયું&nbsp;</b></h2><p>મળતી માહિતી મુજબ, ઘટના બુધવારે વહેલી સવારે લગભગ 3 વાગ્યાથી 3:48 વાગ્યાની વચ્ચે બની હતી. ચિરાગ નગરના ગૌશિયા ચાલ અને અશોકનગર વિસ્તારમાં સતત વરસાદને કારણે અચાનક ભૂસ્ખલન થયું હતું. રાતનો સમય હોવાથી લોકો ઊંઘમાં હતા અને તેમને બચવાની તક પણ મળી નહોતી. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન કાટમાળમાંથી અત્યાર સુધીમાં 7 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. પોલીસ અને પ્રશાસનની ટીમો હજુ પણ કાટમાળ હટાવી રહી છે અને કોઈ અન્ય વ્યક્તિ ફસાઈ હોય તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને શોધખોળ ચાલુ છે.</p><h3><b>તમામ ઘાયલોની હાલત હાલમાં સ્થિર</b></h3><p>દુર્ઘટનામાં ઘાયલ થયેલા 7 લોકોને કુર્લાની ભાભા હોસ્પિટલ અને રાજાવાડી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર તમામ ઘાયલોની હાલત હાલમાં સ્થિર છે. ઘટનાની જાણ થતાં જ મુંબઈ ફાયર બ્રિગેડ, પોલીસ, બીએમસી, એનડીઆરએફ, 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક વોર્ડ સ્ટાફની ટીમો સ્થળ પર પહોંચી હતી. તમામ એજન્સીઓ સંયુક્ત રીતે બચાવ કામગીરી ચલાવી રહી છે.&nbsp;</p><p>મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સતત ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ પાણી ભરાવા અને ભૂસ્ખલનનું જોખમ વધ્યું છે. કુર્લાની આ ઘટનાએ ફરી એકવાર વરસાદ દરમિયાન જોખમી ઢાળ અને નબળા વિસ્તારોમાં રહેતા લોકોની સુરક્ષાને લઈને ચિંતા વધારી છે.</p><p><a href="https://sandesh.com/india/news/karnataka-cabinet-expansion-dk-shivakumar-ministers-portfolios-changes" target="_blank"><b>આ પણ વાંચો : Karnataka Cabinet Expansion: DK શિવકુમારે મંત્રીઓને સોંપ્યા વિભાગો, મુનિયપ્પા અને રામલિંગા રેડ્ડીના ખાતામાં ફેરફાર</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/hnYrx9llJxTfmoeDL9vM0UuibSM43VGlyMcGeDQu.webp'/></item><item><title><![CDATA[Dhoraji: સવારે કાકા-કાકીનો આપઘાત, સાંજે સ્મશાનમાં દોણી લઈને ગયેલા ભત્રીજાનું હાર્ટ એટેકથી મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dhoraji/tragic-incident-uncle-aunt-suicide-nephew-dies-of-heart-attack-at-crematorium</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dhoraji/tragic-incident-uncle-aunt-suicide-nephew-dies-of-heart-attack-at-crematorium</guid><pubDate>Wed, 12 Aug 2026 21:37:50 +05:30</pubDate><description><![CDATA[<p>ધોરાજી શહેરના જમનાવડ રોડ વિસ્તારમાં રહેતા રાવરાણી પરિવારમાં આજે સવારના સમયે જ એક ભારે કરુણાંતિકા સર્જાઈ હતી. ઘરમાં રહેતા જિતુભાઈ રાવરાણી અને તેમના ધર્મપત્ની મધુભાઈ જિતુભાઈ રાવરાણી નામના દંપતીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ગંભીર હાલતમાં દંપતીને સારવાર મળે તે પહેલાં જ બંનેના મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.</p><h2><b>ધોરાજીમાં રાવરાણી પરિવાર પર તૂટી પડ્યો દુઃખનો પહાડ</b></h2><p>એકસાથે પતિ-પત્નીના આત્મહત્યાના બનાવથી રાવરાણી પરિવાર અને સગાં-સંબંધિઓ પર આઘાતનો વજ્રાઘાત થયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને સ્થાનિકો પરિવારની વહારે દોડી આવ્યા હતા. કાકા જિતુભાઈ અને કાકી મધુભાઈના અચાનક નિધન બાદ સાંજના સમયે તેમની અંતિમયાત્રા (સ્મશાનયાત્રા) કાઢવામાં આવી હતી. આ અંતિમયાત્રામાં મૃતક દંપતીનો ભત્રીજો દીપકભાઈ કિરીટભાઈ રાવરાણી (ઉંમર વર્ષ 41) વિધિ મુજબ કાકા-કાકીની અગ્નિદાહ માટેની દોણી હાથમાં લઈને સ્મશાનગૃહ સુધી પહોંચ્યો હતો.</p><h3><b>સ્મશાનગૃહમાં જ કરુણ અંત</b></h3><p>સ્વજનોને ગુમાવવાના ભારે આઘાત અને શોક વચ્ચે સ્મશાનગૃહમાં અંતિમ વિધિ ચાલી રહી હતી તે જ સમયે ભત્રીજા દીપકભાઈ રાવરાણીને છાતીમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો અને તેઓ સ્મશાનગૃહમાં જ ઢળી પડ્યા હતા. ઉપસ્થિત લોકો કંઈ સમજે કે તબીબી સારવાર મળે તે પહેલાં જ તેમને સીવિયર હાર્ટ એટેક આવી જતાં તેમનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેડું ઊડી ગયું હતું. સવારે કાકા-કાકી અને સાંજે ભત્રીજાના મોતથી ધોરાજીમાં રાવરાણી પરિવાર પર કાળનો એવો પંજો વાગ્યો છે કે આખી આસપાસની જનતાના કાળજાં કંપી ગયાં છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/vadodara/tarsali-danteshwar-vuda-awas-mehul-darbar-murdered-on-birthday" target="_blank">આ પણ વાંચો: Vadodara: તરસાલીમાં જન્મદિવસ જ બન્યો કાળ, સમાધાનના બહાને બોલાવી યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/dSDmfkto41MhlnT0YwRe28rPJhuGTuHzgc0xgZjU.webp'/></item><item><title><![CDATA[Kheda News: MGVCL કચેરી પર લોકો હલ્લાબોલ કરવા આવતા હોવાની જાણ થતાં જ અધિકારીઓ ગાયબ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kheda/mgvcl-officials-missing-as-sonipura-residents-protest-power-issues</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kheda/mgvcl-officials-missing-as-sonipura-residents-protest-power-issues</guid><pubDate>Wed, 12 Aug 2026 21:30:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ખેડા જિલ્લાના કપડવંજ નગરપાલિકાના વોર્ડ નંબર ૩ માં આવેલા સોનીપુરા વિસ્તારના સમસ્ત રહીશોએ વીજ પુરવઠાની ગંભીર સમસ્યાને લઈને મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (MGVCL)ની ટાઉન અને રૂરલ વિભાગીય કચેરીએ ધસી જઈ ભારે હલ્લાબોલ કર્યો હતો.સ્થાનિક રહીશોએ ભેગા થઈને કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી અને પોતાની માંગણીઓ સંદર્ભે એક આવેદનપત્ર પાઠવ્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>વારંવાર વીજળી ખોરવાઈ જવાની સમસ્યા</b></h2><p style="text-align: justify; ">ગામલોકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતાં ગંભીર આક્ષેપ કર્યો હતો કે,તેઓ છેલ્લા 50 વર્ષથી નિયમિતપણે શહેરી વિસ્તાર મુજબનું વીજ બિલ ચૂકવે છે છતાં પણ સોનીપુરા ગામને ગ્રામ્ય ફીડરમાંથી વીજ પુરવઠો આપવામાં આવે છે.વારંવાર વીજળી ખોરવાઈ જવાની સમસ્યા સર્જાય છે પરંતુ જ્યારે પણ રજૂઆત કરવામાં આવે ત્યારે ટાઉન અને રૂરલ વિભાગ એકબીજા પર જવાબદારી ઢોળીને છટકવાનો પ્રયાસ કરે છે.સોનીપુરા ગામને તાત્કાલિક કપડવંજ ટાઉન ફીડર સાથે જોડવામાં આવે, વીજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેમજ છેલ્લા 50 વર્ષ દરમિયાન શહેરી અને ગ્રામ્ય વીજદર વચ્ચેના તફાવતની ગણતરી કરી તે રકમ પરત સર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>લોકોના આક્રોશનો ભોગ બનવાથી અધિકારીઓ ભાગ્યા</b></h3><p style="text-align: justify; ">આશ્ચર્યની વાત એ છે કે,ગ્રામજનો આવેદનપત્ર આપવા આવવાના છે તેની અગાઉથી જાણ હોવા છતાં લોકોના આક્રોશનો ભોગ બનવાથી બચવા માટે MGVCLના જવાબદાર અધિકારીઓ કચેરીમાંથી ગાયબ થઈ ગયા હતા.અધિકારીઓ આ રીતે ગાયબ થઈ જતાં ગ્રામજનોનો રોષ બેવડાયો હતો અને તેઓએ નાયબ ઈજનેરની ઓફિસ આગળ જ જમીન પર બેસીને ધરણા શરૂ કરી દીધા હતા. સોનીપુરાના રહીશોએ તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમની આ વાજબી માંગણીઓ અને વીજ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર પંથકના લોકોને સાથે રાખીને વધુ ઉગ્ર આંદોલન ચલાવવામાં આવશે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/amit-shah-launches-gramin-gyan-setu-app-to-digitally-connect-village-libraries" target="_blank">આ પણ વાંચોઃ Gandhinagar News: મારા સંસદીય વિસ્તારના ગામોની લાયબ્રેરીને ડિજિટલી જોડવામાં આવી છે : ગૃહમંત્રી અમિત શાહ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/pDDE5MjLQfr0L4vmk5yectJQNYfsxExA8Y9eSj6d.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: અપ્રમાણસર મિલકતના કેસમાં સસ્પેન્ડેડ GAS અધિકારી કેતકી વ્યાસની ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/suspended-gas-officer-ketki-vyas-arrested-by-crime-branch</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/suspended-gas-officer-ketki-vyas-arrested-by-crime-branch</guid><pubDate>Wed, 12 Aug 2026 20:56:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">લાંચ અને ભ્રષ્ટાચારના ચર્ચિત કેસમાં આરોપી અને સસ્પેન્ડેડ જીએએસ અધિકારી તથા પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસ સામે કાયદાનો સકંજો વધુ મજબૂત બન્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા એક ખાસ ઓપરેશન દરમિયાન શેલા વિસ્તારમાંથીકેતકી વ્યાસની ધરપકડ કરવામાં આવી છે.આ હાઇપ્રોફાઇલ ધરપકડ બાદ રાજ્યના સરકારી અને વહીવટી વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>સસ્પેન્ડેડ GAS અધિકારી કેતકી વ્યાસની ધરપકડ</b></h2><p style="text-align: justify; ">પ્રાપ્ત વિગતો અનુસાર સસ્પેન્ડેડ અધિકારી કેતકી વ્યાસ સામે લાંચ લેવા અને હોદ્દાનો દુરુપયોગ કરીને ભ્રષ્ટાચાર આચરવાના ગંભીર આરોપો હેઠળ ગુનો નોંધાયેલો હતો. લાંબા સમયથી ચાલી રહેલી તપાસ વચ્ચે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે તેઓ શેલા વિસ્તારમાં ઉપસ્થિત છે.આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ત્વરિત કાર્યવાહી કરીને તેમની અટકાયત કરી હતી.પ્રાથમિક કાયદેસરની કાગળજી કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કેતકી વ્યાસની કસ્ટડી અને આગળની તપાસ  એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ને સોંપી દીધી છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>પ્રાથમિક કાર્યવાહી બાદ કેતકી વ્યાસને ACBને સોંપી&nbsp;</b></h3><p style="text-align: justify; ">એસીબી દ્વારા કસ્ટડી મેળવ્યા બાદ હવે ભ્રષ્ટાચાર અને લાંચ રૂશ્વત કેસના મૂળ સુધી પહોંચવા માટે તેમની ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરવામાં આવી છે.એસીબીના સૂત્રોના જણાવ્યા અનુસાર કેસની વધુ અને તટસ્થ તપાસ માટે, બેનામી મિલકતો તેમજ આ કૌભાંડમાં સામેલ અન્ય સંડોવાયેલા નામોની વિગતો બહાર લાવવા માટે આરોપી અધિકારી કેતકી વ્યાસને ટૂંક સમયમાં જ સંબંધિત કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.એસીબી કોર્ટ પાસે તેમના રિમાન્ડ મેળવવાની મજબૂત પ્રક્રિયા હાથ ધરશે,જેથી પૂછપરછ દરમિયાન અનેક મોટા ખુલાસાઓ થવાની સંભાવના સેવાઈ રહી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/amit-shah-launches-gramin-gyan-setu-app-to-digitally-connect-village-libraries" target="_blank">આ પણ વાંચોઃ Gandhinagar News: મારા સંસદીય વિસ્તારના ગામોની લાયબ્રેરીને ડિજિટલી જોડવામાં આવી છે : ગૃહમંત્રી અમિત શાહ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/jK6whQaL5L22JsmPhCHE8EafxqKy69i7sTHi9gjN.webp'/></item><item><title><![CDATA[Reels Effect On Gen-Z: રીલ્સના ચક્કરમાં કેવી રીતે બરબાદ થઈ રહ્યો છે યુવાનોનો કિંમતી સમય?, જાણો ]]></title><link>https://sandesh.com/entertainment/news/india/reels-effect-on-gen-z-how-is-the-precious-time-of-the-youth-being-wasted-in-the-hustle-and-bustle-of-reels-find-out</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/india/reels-effect-on-gen-z-how-is-the-precious-time-of-the-youth-being-wasted-in-the-hustle-and-bustle-of-reels-find-out</guid><pubDate>Wed, 12 Aug 2026 20:25:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">પરંતુ હવે, મોટાભાગના Gen-Z સ્માર્ટફોન પર એક નજર નાખો અને તમને કલા, શિક્ષણ, મહેનત અથવા બુદ્ધિનો કોઈ પત્તો નહીં મળે.&nbsp;</p><h2 style="text-align: justify; ">રીલની દુનિયામાં ખોવાયેલો Gen-Z</h2><p style="text-align: justify; ">આજની દુનિયામાં, જો તમે લાખો ફોલોઅર્સ ઇચ્છતા હોવ, તો તમારે ડિગ્રી, રીતભાત કે ઊંડી સમજણની જરૂર નથી. ઘણા સર્જકો છે જે સામગ્રીના નામે, તેમની રીલ્સ પર કંઈપણ પીરસતા હોય છે, અને તેને લાખો વ્યૂઝ મળી રહ્યા છે. ઉદાહરણ તરીકે, "ડેની પંડિત" ના વાયરલ વિડીયોને લો, જ્યાં તે લાંબા વિગ અને છોકરીઓના કપડાં પહેરીને વાહિયાત રીતે નૃત્ય કરે છે, અને આ રીલ, કોઈપણ છંદ કે પ્રતિભા વિના, 84.2 મિલિયન વ્યૂઝ ધરાવે છે.&nbsp;</p><h3 style="text-align: justify; ">કેવી થાય છે માનસિક અસર ?&nbsp;</h3><p style="text-align: justify; ">બીજી બાજુ, એક રેન્ડમ રીલ જ્યાં એક મહિલા તેના રૂમમાં સાડી પહેરીને ડાન્સ કરે છે તેને સરળતાથી 14.8 મિલિયન વ્યૂઝ મળે છે. આ ફક્ત થોડા ઉદાહરણો છે કે કેવી રીતે રીલ્સ યુવાનોનો સમય બગાડી રહી છે. ઇન્સ્ટા રીલ્સની દુનિયામાં, લાખો આવી રીલ્સ છે, જેના પર યુવાનો પોતાનો કિંમતી સમય બગાડી રહ્યા છે તે જાણ્યા વિના પણ. માનસિક દ્રષ્ટિકોણથી, આ કોઈ સંયોગ નથી, પરંતુ ધીમું ઝેર છે. રીલ્સ અને શોર્ટ્સના ફોર્મેટ તમારા મગજમાં તરત જ ડોપામાઇન મુક્ત કરવા માટે રચાયેલ છે.&nbsp;</p><h4 style="text-align: justify; ">ચર્ચાનો નવો વિષય&nbsp;</h4><p style="text-align: justify; ">દરેક સ્ક્રોલ સાથે, યુવાનોને એક નવો આંચકો અથવા ચર્ચાનો નવો વિષય મળે છે. આ તેમના ધ્યાનના સમયગાળા પર સીધી અસર કરી રહ્યું છે. આ જ કારણ છે કે આજે મોટાભાગના યુવાનો 2 મિનિટનો ગંભીર વિડિઓ અથવા પુસ્તકનું એક પૃષ્ઠ શાંતિથી વાંચી શકતા નથી. તેમને દર 10 સેકન્ડે કંઈક ઉત્તેજક જોઈએ છે. પરિણામ શું છે? શિક્ષણનું મહત્વ ઘટી રહ્યું છે, ડિગ્રીઓ ફક્ત કાગળના ટુકડા બની રહી છે, અને સર્જનાત્મકતાના નામે, બીજા લોકોના ગીતો સાથે લિપ-સિંકિંગ એક કૌશલ્ય માનવામાં આવે છે.</p><h5 style="text-align: justify; ">આજની પેઢી માટે સૌથી ખતરનાક</h5><p style="text-align: justify; ">આજની પેઢી માટે સૌથી ખતરનાક ઉદાહરણ એ છે કે "વિવાદ એ સફળતાની ચાવી છે." સાચા અને ખોટા વચ્ચેનો ભેદ અદૃશ્ય થઈ ગયો છે. કેટલાક રસ્તા પર પસાર થતા લોકોને હેરાન કરીને રીલ્સ બનાવી રહ્યા છે, જ્યારે કેટલાક તેમનો દુરુપયોગ કરી રહ્યા છે. જ્યાં સુધી મામલો પોલીસ સ્ટેશન સુધી ન પહોંચે અથવા વિવાદ તરફ ન જાય ત્યાં સુધી સામગ્રીને પૂર્ણ માનવામાં આવતી નથી. જનરલ-ઝેડ આંધળાપણે આ જુસ્સાને અનુસરી રહ્યા છે. તેઓ માને છે કે એકવાર રીલ્સ વાયરલ થઈ જાય, પછી જીવન સેટ થઈ જાય છે.&nbsp;</p><h6 style="text-align: justify; ">મનોરંજનના નામે અશ્લીલતા&nbsp;</h6><p style="text-align: justify; ">મનોરંજન ખોટું નથી, પરંતુ જ્યારે મનોરંજનના નામે અશ્લીલતાને "આઇકન" માનવામાં આવે છે, અને નવી પેઢી તેમના શિક્ષણને છોડી દે છે અને રસ્તા પરની રીલ્સને તેમના કારકિર્દીનો માર્ગ બનાવવાનું વિચારે છે, ત્યારે ભયની ઘંટડીઓ વાગી જાય છે. જનરલ-ઝેડને સમજવું જોઈએ કે 15-સેકન્ડની રીલ્સ ક્યારેય તમારા વાસ્તવિક જીવનનું સત્ય હોઈ શકે નહીં. જો આપણે સમયસર તમારા ફોન ડેટા બંધ નહીં કરીએ અને તમારા મગજનો ડેટા ચાલુ નહીં કરીએ, તો આવતીકાલ રીલ્સની દુનિયામાં ડૂબી જશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/business/news/india/online-vs-offline-shopping-why-do-companies-sell-different-products-online-and-offline-know-what-is-the-reason" target="_blank">ઓનલાઇન અને ઓફલાઇન કેમ અલગ પ્રોડક્ટ વેચે છે કંપનીઓ, જાણો શુ છે કારણ?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/BDWcBPwWEdeVAB3elqDkqbWBLDjhzEiFJfCL7cBo.webp'/></item><item><title><![CDATA[Vadodara: તરસાલીમાં જન્મદિવસ જ બન્યો કાળ, સમાધાનના બહાને બોલાવી યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/tarsali-danteshwar-vuda-awas-mehul-darbar-murdered-on-birthday</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/tarsali-danteshwar-vuda-awas-mehul-darbar-murdered-on-birthday</guid><pubDate>Wed, 12 Aug 2026 20:13:44 +05:30</pubDate><description><![CDATA[<p>વડોદરાના દંતેશ્વર સ્થિત વુડાના આવાસ વિસ્તારમાં લોહીયાળ ડ્રામા સર્જાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, દંતેશ્વર વુડા આવાસમાં રહેતા મેહુલ દરબાર નામના યુવકને વિસ્તારમાં જ રહેતા વિજય, પદમ અને તેના અન્ય સાથીદારો સાથે 3 દિવસ પૂર્વે કોઈ સામાન્ય બાબતે તકરાર અને બોલાચાલી થઈ હતી.</p><h2><b>તરસાલીમાં બર્થડેના દિવસે જ યુવકની હત્યા</b></h2><p>આ તકરારનું મનદુઃખ રાખીને આરોપીઓએ મનમાં અદાવત રાખી હતી. દરમિયાન આજે મેહુલ દરબારનો જન્મદિવસ હોવાથી ઘર અને મિત્રવર્તુળમાં આનંદનો માહોલ હતો. તેવામાં આરોપીઓએ મેહુલને અગાઉની તકરારનું સુખદ 'સમાધાન' કરી લેવાના બહાને વુડાના આવાસ પાસે બોલાવ્યો હતો.મેહુલ સમાધાન માટે પહોંચતા જ પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે વિજય, પદમ અને તેની સાથેના યુવકોએ અચાનક ઉશ્કેરાઈને મેહુલ પર તીક્ષ્ણ ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. યુવકને શરીરે ચપ્પુના પાંસળા વિંધાઈ જાય તેવા ઘા ઝીંકી દેતાં તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. બનાવ બાદ તમામ હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.</p><h3><b>સમાધાનના બહાને બોલાવી ચપ્પુ માર્યું</b></h3><p>ગંભીર રીતે ઘવાયેલા મેહુલ દરબારને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં વડોદરાની એસએસજી (SSG) હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેની સ્થિતિ વધુ નાજુક બનતાં આખરે તેનું મોત નીપજ્યું હતું. જે દિવસે પરિવાર અને મિત્રો તેના જન્મદિવસની ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યા હતા, એ જ દિવસે મેહુલનું મોત થતાં પરિવારજનોના ક્રંદનથી એસએસજી હોસ્પિટલ કમ્પાઉન્ડ ગુંજી ઉઠ્યું હતું. પોલીસે ઘટના અંગે ગુનો નોંધી આરોપીઓને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.</p><p><b><a href="https://sandesh.com/business/news/mp-cm-mohan-yadav-meets-arvind-limited-kulin-lalbhai-in-ahmedabad-1200-crore-investment-pm-mitra-park" target="_blank">આ પણ વાંચો: Business News: ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનશે, એમપીના સીએમએ આપ્યું રોકાણનું આમંત્રણ</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/HkJZanclNsaeYywnf8REZ7MNfT8XoDUba42chzxl.webp'/></item><item><title><![CDATA[Online vs Offline Shopping: ઓનલાઇન અને ઓફલાઇન કેમ અલગ પ્રોડક્ટ વેચે છે કંપનીઓ, જાણો શુ છે કારણ? ]]></title><link>https://sandesh.com/business/news/india/online-vs-offline-shopping-why-do-companies-sell-different-products-online-and-offline-know-what-is-the-reason</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/online-vs-offline-shopping-why-do-companies-sell-different-products-online-and-offline-know-what-is-the-reason</guid><pubDate>Wed, 12 Aug 2026 20:10:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સ કંપનીઓ હવે ઓનલાઈન અને ઓફલાઈન ગ્રાહકો માટે અલગ અલગ મોડેલ અને ફીચર્સ ઓફર કરી રહી છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">ઓનલાઈન અને ઓફલાઈન વચ્ચે તફાવત</h2><p style="text-align: justify; ">દેશની સૌથી મોટી ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓમાંની એક, LG, ઓનલાઈન ખરીદીની તુલનામાં સ્ટોરમાં ખરીદેલા કેટલાક ટીવી પર એક થી બે વર્ષની વધારાની વોરંટી આપે છે. કંપની વેચાણ ચેનલના આધારે કેટલાક ઉપકરણો પર સુવિધાઓ પણ તૈયાર કરે છે. તેવી જ રીતે, Haier ઓનલાઈન અને ઓફલાઈન બજારો માટે અલગ અલગ વ્યૂહરચના અપનાવી રહી છે. ઓનલાઈન ગ્રાહકોને વોટર ડિસ્પેન્સર સાથે પ્રીમિયમ રેફ્રિજરેટર મળે છે, જ્યારે સ્ટોરમાં વેચાતા કેટલાક મોડેલો કાચના દરવાજા અથવા મિરર ફિનિશ સાથે આવે છે.&nbsp;</p><h3 style="text-align: justify; ">કંપનીઓ કેમ કરે છે આવું ?</h3><p style="text-align: justify; ">કંપનીઓ અનુસાર, ઈ-કોમર્સ ગ્રાહકો સુધી પહોંચવાનો ઝડપી માર્ગ છે, પરંતુ કંપની પાસે 35,000 થી વધુ સ્ટોર્સનું મોટું ડીલર નેટવર્ક પણ છે. તેથી, બંને ચેનલો વિવિધ સુવિધાઓ અને વોરંટી કવરેજ ધરાવતા મોડેલો સાથે સહઅસ્તિત્વ ધરાવે છે. અલગ મોડેલો રાખવાથી ઓનલાઈન અને ઓફલાઈન ચેનલો વચ્ચેના સંઘર્ષો ઘટાડવામાં મદદ મળે છે. જો કે, આ માટે કંપનીઓને વધારાના સંશોધન અને વિકાસ ખર્ચનો પણ ભોગવવો પડે છે. આ પરિવર્તન એવા સમયે આવ્યું છે જ્યારે ઓનલાઈન ખરીદી સતત વધી રહી છે.&nbsp;</p><h4 style="text-align: justify; ">ગ્રાહકો પર આની શું અસર પડશે?</h4><p style="text-align: justify; ">આ પરિવર્તન ગ્રાહકો પર સીધી અસર કરી શકે છે. ફક્ત કિંમતના આધારે ઓનલાઈન અને ઓફલાઈન મોડેલની સરખામણી કરવી હવે પૂરતી રહેશે નહીં. ખરીદી કરતા પહેલા, મોડેલ નંબર, સુવિધાઓ, વોરંટી, ક્ષમતા અને ઉર્જા રેટિંગ તપાસવું મહત્વપૂર્ણ છે. કેટલીકવાર, થોડી વધારે કિંમત ધરાવતું ઓફલાઈન મોડેલ વધારાની વોરંટી અથવા વધુ સારી સુવિધાઓ આપી શકે છે. દરમિયાન, ઓનલાઈન મોડેલ ઓછી કિંમતે તમને જોઈતી સુવિધાઓ પ્રદાન કરી શકે છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/imran-khans-death-in-jail-claim-did-asim-munir-take-revenge-on-his-old-self-know-what-is-the-truth" target="_blank">Imran Khanના જેલમાં મોતનો દાવો? શું Asim Munirએ પોતાનો જૂનો બદલો લીધો, જાણો શુ છે હકીકત?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/SrZx5msagdbDLwZq6qk8PKZbZmqXGRkiAsC1vp2K.webp'/></item></channel></rss>