<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[The One Movie : બિહારનું 16મી સદીનું રહસ્યમય મંદિર, જેના પર બની છે સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ ધ વન! ]]></title><link>https://sandesh.com/entertainment/news/sidharth-malhotra-the-one-bihar-mysterious-temple</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/sidharth-malhotra-the-one-bihar-mysterious-temple</guid><pubDate>Mon, 31 Aug 2026 14:49:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સિદ્ધાર્થ મલ્હોત્રા હાલમાં પોતાની આગામી ફિલ્મ ધ વન- ફોર્સ ઓફ ફોરેસ્ટને લઈને ચર્ચામાં છે, જેમાં તેની સાથે તમન્ના ભાટિયા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તાજેતરમાં મેકર્સે ધ વનનું ટીઝર રિલીઝ કર્યું છે, જેમાં સિદ્ધાર્થ અને તમન્ના એક રહસ્યમય લોકકથાની દુનિયામાં જોવા મળે છે. બાલાજી મોશન પિક્ચર્સ દ્વારા રજૂ કરવામાં આવેલી ધ વનનું ટીઝર ભારતીય લોકકથાઓ અને ફેન્ટસીની એવી દુનિયામાં લઈ જાય છે, જે મોટા પડદા પર બહુ ઓછી જોવા મળે છે. અલૌકિક શક્તિઓ, પ્રાચીન માન્યતાઓ અને રહસ્ય આ ફિલ્મની સ્ટોરીનું કેન્દ્ર છે. આ દરમિયાન ફિલ્મના મેકર્સે ખુલાસો કર્યો છે કે ધ વનની સ્ટોરી બિહારના 16મી સદીના વન દેવી મંદિર પર આધારિત છે.</p><h2 style="text-align: justify; "><b>અરુણાભ કુમાર અને દીપક મિશ્રાને ધ વનની પ્રેરણા ક્યાંથી મળી?</b></h2><p style="text-align: justify; ">ધ વનનું દિગ્દર્શન પંચાયત સીરિઝના દિગ્દર્શક દીપક મિશ્રાએ કર્યું છે અને ટીવીએફના અરુણાભ કુમાર તથા એકતા કપૂર તેના પ્રોડ્યુસર છે. ફિલ્મની સ્ટોરી પણ અરુણાભ કુમારે જ લખી છે. હવે દીપક મિશ્રા અને અરુણાભ કુમારે જણાવ્યું છે કે તેમને આ ફિલ્મની સ્ટોરીની પ્રેરણા ક્યાંથી મળી અને તેમણે આ ફિલ્મ બનાવવાનો વિચાર કેવી રીતે કર્યો.</p><h3 style="text-align: justify; "><b>વન દેવી મંદિર સાથે જોડાયેલી સત્ય ઘટના પર આધારિત છે ફિલ્મ</b></h3><p style="text-align: justify; ">દીપક મિશ્રા અને અરુણાભ કુમારે ANI સાથેની વાતચીત દરમિયાન ધ વન વિશે ઘણી ઈન્ટરેસ્ટિંગ વાતો જણાવી. ઈન્ટરવ્યૂ દરમિયાન અરુણાભ કુમારે જણાવ્યું કે 'ધ વન'ની સ્ટોરી પટનાની નજીક આવેલા વન દેવી મંદિરની સત્ય ઘટના સાથે જોડાયેલી છે. અરુણાભ કુમારના જણાવ્યા અનુસાર, વન દેવી મંદિરની મુલાકાત લેતા અને ત્યાંની લોકકથાઓ વિશે જાણતા લોકો સાથે તેમણે વાત કરી હતી, ત્યાર બાદ આ મંદિર પ્રત્યે તેમની રુચિ વધવા લાગી. તેમણે સ્થાનિક પૂજારીઓ અને ગામના લોકો સાથે પણ વાત કરી અને ત્યાર બાદ તેમને આ ફિલ્મનો વિચાર આવ્યો. આ પછી અરુણાભ કુમાર અને દીપક મિશ્રાએ સાથે મળીને તેના પર ફિલ્મ બનાવવાનો વિચાર કર્યો.</p><h3 style="text-align: justify; "><b>16મી સદીનું છે મંદિર</b></h3><p style="text-align: justify; ">અરુણાભ કુમારે આ ફિલ્મ અને મંદિર વિશે વાત કરતાં જણાવ્યું, આ મંદિર 16મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. ગામના લોકો અને સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, જંગલમાં કેટલીક એવી શક્તિઓ હતી જે લોકોને પરેશાન કરતી હતી. સૂર્યાસ્ત બાદ જંગલમાં લોકોના જવા પર પ્રતિબંધ હતો અને આ લોકકથા આજે પણ પ્રચલિત છે. મેં પૂજારીઓ, સ્થાનિક લોકો અને ગામના લોકો સાથે વાત કરી અને 2 વર્ષ પહેલાં દીપકને આ વિશે જણાવ્યું હતું. અમને બંનેને આ સ્ટોરી ખૂબ રોમાંચક લાગી, ત્યાર બાદ અમે એકતા કપૂર પાસે ગયા અને તેમણે કહ્યું કે આ સ્ટોરી મોટા પડદા માટે યોગ્ય છે.</p><h3 style="text-align: justify; "><b>એનિમેશન અને સ્પેશિયલ ઇફેક્ટ્સથી તૈયાર થઈ ધ વનની દુનિયા</b></h3><p style="text-align: justify; ">દીપક મિશ્રાએ ફિલ્મ વિશે વાત કરતાં જણાવ્યું, સ્ટોરીને ફિલ્મનું રૂપ આપવું અને તે દુનિયા પ્રમાણે તેને તૈયાર કરવી સરળ નહોતી. સામાન્ય શૂટિંગ દ્વારા આ શક્ય નહોતું, તેથી અમે ટેક્નોલોજીની મદદ લીધી. સ્પેશિયલ ઇફેક્ટ્સ અને એનિમેશનની મદદથી ધ વનની દુનિયા તૈયાર કરવામાં આવી. ધ વન 25 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે તમન્ના ભાટિયા મુખ્ય ભૂમિકામાં છે અને સુનીલ ગ્રોવર, મનીષ પોલ, અજય રાજુ અને અનૂપ સોની પણ ફિલ્મનો ભાગ હશે.</p><h5 style="text-align: justify; "><b>વન દેવી મંદિર વિશે</b></h5><p style="text-align: justify; ">મા વન દેવી મંદિર વિશે વાત કરીએ તો આ પ્રાચીન મંદિર પટના જિલ્લાના બિહટા પાસે અમહારા, રાઘોપુર અને કંચનપુર ગામોની સીમા પર આવેલું છે. આ એક પ્રાચીન અને રહસ્યમય સિદ્ધપીઠ છે, જે 350 થી 400 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે. આ મંદિર રાજધાની પટનાથી લગભગ 35 કિલોમીટર દૂર છે અને ચારેય તરફથી લીલાછમ તથા શાંત વાતાવરણથી ઘેરાયેલું છે. આ મંદિરમાં મા દુર્ગાની કોઈ મૂર્તિ નથી, પરંતુ દેવી માતાનું પવિત્ર પિંડ સ્થાપિત છે. સ્થાનિક લોકકથાઓ અનુસાર, સૂર્યાસ્ત બાદ આ મંદિર અને મંદિર પરિસરની આસપાસના જંગલોમાં કોઈના પણ રોકાવા પર પ્રતિબંધ છે. મંદિરના દરવાજા બંધ થયા બાદ પૂજારીઓ પણ અહીં રોકાતા નથી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/kashmira-irani-pregnancy-good-news-age-40" target="_blank">આ પણ વાંચો-Celebrity : 40 વર્ષની ઉંમરે માતા બનશે એક્ટ્રેસ કશ્મીરા ઈરાની! લગ્નના 2 વર્ષ પછી શેર કરી ગુડ ન્યૂઝ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/31/vCNLLTNfx0R48cUUQAjDE2mqG9dflyXvKzLxf7mA.webp'/></item><item><title><![CDATA[US Open 2026માં મોટો ઉલટફેર, જોકોવિચ પહેલા જ રાઉન્ડમાં બહાર ]]></title><link>https://sandesh.com/sports/news/big-upset-in-us-open-2026-djokovic-out-in-the-first-round</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/big-upset-in-us-open-2026-djokovic-out-in-the-first-round</guid><pubDate>Mon, 31 Aug 2026 14:27:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગ્રાન્ડ સ્લેમ ટેનિસમાં સૌથી સફળ પુરુષ ખેલાડીઓમાં સામેલ નોવાક જોકોવિચ માટે US Open 2026ની શરૂઆત નિરાશાજનક રહી છે.ન્યૂયોર્કમાં રમાયેલી પ્રથમ રાઉન્ડની મેચમાં જોકોવિચને અર્જેન્ટિનાના બિનક્રમાંકિત ખેલાડી મારિયાનો નાવોને હરાવીને મોટો ઉલટફેર સર્જ્યો છે. નાવોને જોકોવિચને 7-6, 5-7, 6-4, 2-6, 6-1થી હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધા.આ હાર સાથે જોકોવિચનું 25મું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતવાનું સપનું પણ અધૂરું રહી ગયું છે. આ ઉપરાંત US Openમાં જિમી કોનોર્સના 98 મેચ જીતવાના રેકોર્ડને પાછળ છોડવાની જોકોવિચની આશા પણ પૂર્ણ થઈ શકી નથી.</p><h5 style="text-align: justify; "><b>ન્યૂયોર્કની ગરમીથી પરેશાન દેખાયા જોકોવિચ</b></h5><p style="text-align: justify; ">આર્થર એશ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ દરમિયાન ન્યૂયોર્કની ભારે ગરમી અને ભેજની અસર જોકોવિચના પ્રદર્શન પર જોવા મળી હતી.મેચ દરમિયાન તેઓ ઘણી વખત ઠંડક મેળવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.સ્થિતિ મુશ્કેલ હોવા છતાં જોકોવિચે મેચ છોડ્યા વગર અંત સુધી લડત આપી હતી.મેડિકલ ટીમની મદદ મળ્યા બાદ પણ જોકોવિચ માટે મેચમાં પોતાની સંપૂર્ણ ક્ષમતા સાથે રમવું મુશ્કેલ રહ્યું હતું. તેમ છતાં તેમણે અનુભવ અને જોરદાર રમતનું પ્રદર્શન કરીને મેચમાં વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો.</p><h5 style="text-align: justify; "><b>બીજા અને ચોથા સેટમાં જોરદાર ટક્કર</b></h5><p style="text-align: justify; ">મેચની શરૂઆતમાં જોકોવિચને નાવોને સખત પડકાર આપ્યો હતો. પ્રથમ સેટ ટાઇબ્રેકમાં ગુમાવ્યા બાદ જોકોવિચે બીજા સેટમાં શાનદાર વાપસી કરી હતી અને 7-5થી સેટ જીતી લીધો હતો.ત્રીજા સેટમાં પણ નાવોને દબાણ જાળવી રાખ્યું અને 6-4થી સેટ પોતાના નામે કર્યો. જોકે જોકોવિચે ચોથા સેટમાં ફરી જોરદાર રમત બતાવી હતી. તેમણે 6-2થી સેટ જીતીને મેચને નિર્ણાયક પાંચમા સેટ સુધી પહોંચાડી હતી.</p><h5 style="text-align: justify; "><b>પાંચમા સેટમાં નાવોનનો દબદબો</b></h5><p style="text-align: justify; ">નિર્ણાયક પાંચમા સેટમાં મારિયાનો નાવોને શરૂઆતથી જ પોતાની પકડ મજબૂત બનાવી હતી. નાવોને 4-1ની સરસાઈ મેળવી લીધા બાદ જોકોવિચ માટે વાપસી કરવી મુશ્કેલ બની ગઈ હતી.મેચ આગળ વધતાં જોકોવિચ ભાવુક પણ જોવા મળ્યા હતા. બીજી તરફ નાવોને પોતાની રમત પર ધ્યાન કેન્દ્રિત રાખ્યું અને અંતે પાંચમો સેટ 6-1થી જીતીને કારકિર્દીની સૌથી મોટી જીતમાંથી એક નોંધાવી.આ જીત સાથે મારિયાનો નાવોને US Open 2026માં મોટો ઉલટફેર સર્જ્યો છે, જ્યારે જોકોવિચને ગ્રાન્ડ સ્લેમ ટાઇટલની રેસમાંથી પ્રથમ જ મેચ બાદ બહાર થવું પડ્યું છે. વિમ્બલ્ડનની સેમિફાઇનલ બાદ US Openમાં પણ વહેલી વિદાય જોકોવિચ માટે નિરાશાજનક પરિણામ સાબિત થઈ છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/germany-beat-spain-hockey-world-cup-2026-final" target="_blank">Germanyએ રચ્યો ઈતિહાસ, સ્પેનને હરાવીને મેન્સ હોકી વર્લ્ડકપ 2026નું જીત્યું ટાઈટલ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/31/uRMXQ6qrX2Pd6xGCVIYabWsGLKnrwOoDsgu0kYkr.webp'/></item><item><title><![CDATA[CJPની 5 સપ્ટેમ્બરની કૂચ પર પ્રતિબંધ મૂકવાનો SCએ કર્યો ઇનકાર, વિરોધ પ્રદર્શન યથાવત ]]></title><link>https://sandesh.com/india/news/sc-refuses-ban-cjp-march-delhi-neet</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/sc-refuses-ban-cjp-march-delhi-neet</guid><pubDate>Mon, 31 Aug 2026 14:17:50 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દેશની સર્વોચ્ચ અદાલતે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા આગામી 5 સપ્ટેમ્બરે દિલ્હીમાં યોજાનારી પ્રસ્તાવિત કૂચ પર રોક લગાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન અવલોકન કર્યું હતું કે આ કૂચના કારણે કોઈ અનિચ્છનીય ઘટના સર્જાશે તેવું માનવા માટે હાલ કોઈ વાજબી કારણ ઉપલબ્ધ નથી.</p><h2 style="text-align: justify; "><b>વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવાનો SCએ કર્યો ઇનકાર</b></h2><p style="text-align: justify; ">મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર પાસેથી હંમેશાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચુસ્તપણે જાળવવાની તેમજ તમામ પક્ષો કાયદાનું પાલન કરે તે સુનિશ્ચિત કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ અરજી નિવૃત્ત દિલ્હી પોલીસ અધિકારી રાજેન્દ્ર સિંહ દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમાં દિલ્હીમાં યોજાનારી બ્રિક્સ સમિટને ધ્યાનમાં રાખીને મોટા સરઘસો અને પ્રદર્શનો પર પ્રતિબંધ મૂકવાની દલીલ કરવામાં આવી હતી.</p><h3 style="text-align: justify; "><b>સરકાર સામેની માંગણીઓ હજુ અધૂરી</b></h3><p style="text-align: justify; ">બીજી બાજુ, કોકરોચ જનતા પાર્ટી (CJP) એ સરકાર પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે સરકારે અગાઉ આપેલી ખાતરીઓ મુજબ તેમની માંગણીઓ હજુ સુધી પૂરી કરી નથી. CJPના જણાવ્યા અનુસાર, સરકાર સમક્ષ રજૂ કરાયેલી ચારમાંથી ત્રણ મુખ્ય માંગણીઓ હજુ અધૂરી છે. જેમાં પ્રથમ, NEET પેપર લીક અને ગેરરીતિઓને કારણે આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારોને વળતર આપવું; બીજું, વિદ્યાર્થીઓ સામે નોંધાયેલી તમામ FIR પાછી ખેંચવી અને કોઈ દંડાત્મક કાર્યવાહી ન કરવી; અને ત્રીજું, RAF તેમજ દિલ્હી પોલીસે સાર્વજનિક રૂપે માફી માંગવી વગેરેનો સમાવેશ થાય છે.</p><h4 style="text-align: justify; "><b>સરકાર વચન પૂરા ન કરતા 5 સપ્ટેમ્બરે કરશે વિરોધ&nbsp;</b></h4><p style="text-align: justify; ">અગાઉ 20 જૂને જંતર મંતર પર શરૂ થયેલું આ આંદોલન શિક્ષણ મંત્રીના રાજીનામા અને સરકાર સાથે થયેલી સમજૂતી બાદ 25 જુલાઈએ સ્થગિત કરવામાં આવ્યું હતું. CJPના નેતાઓ આશુતોષ રંકા અને સૌરવ દાસે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા સાથે બેઠક પણ કરી હતી. પરંતુ વચનો પૂરા ન થતાં CJPએ આગામી ૫ સપ્ટેમ્બરે ફરીથી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો છે.</p><h5 style="text-align: justify; "><b>કૂચ દિલ્હી પોલીસ મુખ્યાલય સુધી કરશે</b></h5><p style="text-align: justify; ">આ આગામી કૂચ ઇન્ડિયા ગેટથી શરૂ થઈને નવી દિલ્હી પોલીસ મુખ્યાલય સુધી જશે, જેમાં પીડિત વિદ્યાર્થીઓના પરિવારો પણ મોટી સંખ્યામાં જોડાશે. CJPએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે સરકાર તેમની ધીરજને નબળાઈ ન સમજે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે આ પ્રદર્શન નિર્ધારિત કાર્યક્રમ મુજબ યોજાશે, જેના પર સૌની નજર રહેશે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/lifestyle/news/tummy-fat-loss-japanese-habits-after-40" target="_blank">આ પણ વાંચોઃ Tummy Fat: 40ની ઉંમર બાદ પણ પેટ રહેશે ફ્લેટ, માત્ર જાપાની 5 આદતોને અપનાવી લો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/31/bSCueYeWOxlslb5sar62w5jbqxbg2veoz65TtNVj.webp'/></item><item><title><![CDATA[Crisis OF Rice: શું ચોખા પણ થશે મોંઘા? વરસાદના કારણે વધી ચિંતા... નબળા ચોમાસાને કારણે ડાંગરનું વાવેતર 19 લાખ હેક્ટર ઘટ્યું ]]></title><link>https://sandesh.com/india/news/crisis-of-rice--will-rice-get-expensive-due-to-weak-monsoon</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/crisis-of-rice--will-rice-get-expensive-due-to-weak-monsoon</guid><pubDate>Mon, 31 Aug 2026 13:37:13 +05:30</pubDate><description><![CDATA[<p>Crisis OF Rice: શું આ વર્ષે નબળા ચોમાસાની અસર તમારા રસોડાને પહોંચી શકે છે? જ્યારે સરકાર હાલમાં આ શક્યતાને નકારી રહી છે, ત્યારે વરસાદની ખાધએ ચોક્કસપણે કૃષિ સંબંધિત ચિંતાઓ ઉભી કરી છે. દેશભરમાં ખરીફ પાકનું વાવેતર ગયા વર્ષની સરખામણીમાં આશરે ૧.૯ મિલિયન હેક્ટર ઘટ્યું છે, જેમાં ડાંગરના વાવેતરને સૌથી વધુ અસર થઈ છે. જ્યારે ઘણા મુખ્ય કૃષિ રાજ્યો ભારે વરસાદની અછતનો સામનો કરી રહ્યા છે, ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે: જો સપ્ટેમ્બરમાં ચોમાસું ઝડપથી આગળ ન વધે, તો શું પાક ઉત્પાદન પર પ્રતિકૂળ અસર થઈ શકે છે? કૃષિ મંત્રાલયના તાજેતરના અહેવાલ મુજબ, ૨૮ ઓગસ્ટ, ૨૦૨૬ સુધીમાં ખરીફ પાકનું વાવેતર પાછલા વર્ષ કરતાં ૧.૮૯૧ મિલિયન હેક્ટર ઓછું હતું. ડાંગરના વાવેતરમાં સૌથી તીવ્ર ઘટાડો નોંધાયો હતો, જેમાં વાવેતર વિસ્તાર વર્ષ દરમિયાન ૧.૪૩૬ મિલિયન હેક્ટર ઘટ્યો હતો.</p><p><br></p><p><b>ખેતરો પર અપૂરતા વરસાદની અસર</b></p><p>ઓગસ્ટની શરૂઆતમાં કેટલાક પ્રદેશોમાં સારો વરસાદ પડ્યો હતો, જેનાથી આશા જાગી હતી કે ચોમાસું વેગ પકડશે; જોકે, મહિનાના ઉત્તરાર્ધ દરમિયાન વરસાદ નબળો પડ્યો હતો. પરિણામે, દેશમાં 1 જૂનથી 30 ઓગસ્ટ દરમિયાન સરેરાશ 14 ટકા વરસાદની ખાધ નોંધાઈ છે. પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતમાં પરિસ્થિતિ સૌથી ગંભીર છે, જ્યાં વરસાદની ખાધ 26.3 ટકા સુધી પહોંચી ગઈ છે. દક્ષિણ ભારતમાં પણ પરિસ્થિતિ આદર્શથી ઘણી દૂર છે, 23.7 ટકા ખાધ નોંધાઈ છે. ઉત્તર-પશ્ચિમ ભારત અને મધ્ય ભારતમાં અનુક્રમે 10.7 ટકા અને 3.6 ટકા વરસાદની ખાધ જોવા મળી છે. સૌથી ચોંકાવનારો આંકડો મેઘાલયનો છે; સામાન્ય રીતે દેશના સૌથી વધુ વરસાદી રાજ્યોમાંના એક, આ સિઝનમાં 58 ટકા વરસાદની ઓછો પડ્યો છે.</p><p><br></p><p><b>સૌથી ખરાબ પરિસ્થિતિઓનો સામનો કરી રહેલા રાજ્યો</b></p><p>હવામાન વિભાગના ડેટા દર્શાવે છે કે ઘણા મુખ્ય કૃષિ રાજ્યોમાં સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે ઓછો વરસાદ પડ્યો છે.&nbsp;</p><p>આંધ્રપ્રદેશ: ૪૧% અછત</p><p>બિહાર: ૪૦% અછત</p><p>પંજાબ: ૩૬% અછત</p><p>આસામ: ૨૬% અછત</p><p>રાજસ્થાન: ૨૩% અછત</p><p>કર્ણાટક: ૨૩% અછત</p><p>કેરળ: ૨૧% અછત</p><p>તમિલનાડુ: ૨૦% અછત</p><p>આ રાજ્યોના ખેડૂતો બે મોરચે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે: વાવણી અને પાકનો પ્રારંભિક વિકાસ.</p><p><br></p><p><b>ડાંગર પર સૌથી મોટી અસર</b></p><p>વરસાદનો અભાવ ડાંગર પર સૌથી નોંધપાત્ર અસર કરી રહ્યો છે. ડાંગર દેશનો સૌથી મહત્વપૂર્ણ ખરીફ પાક છે અને લાખો લોકોના ખોરાક પુરવઠા સાથે સીધો જોડાયેલો છે. કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ૨૮ ઓગસ્ટ સુધીમાં ડાંગરનું વાવેતર પાછલા વર્ષની સરખામણીમાં ૧૪.૩૬ લાખ હેક્ટર ઓછું હતું. ડાંગરની ખેતી પાણી પર ખૂબ આધાર રાખે છે; પરિણામે, ઓછા વરસાદવાળા રાજ્યોમાં, ઘણા ખેડૂતોએ વાવણી મુલતવી રાખી હતી અથવા વાવેતર હેઠળનો વિસ્તાર ઘટાડ્યો હતો.</p><p><br></p><p><b>શું અછત ઉત્પાદન પર અસર થશે?</b></p><p>હાલ માટે, કેન્દ્ર સરકારનું કહેવું છે કે પરિસ્થિતિ ખરેખર ચિંતાજનક હોવા છતાં, ગભરાવાની જરૂર નથી. મળતી માહિતી અનુસાર કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિને જોતાં, ખાદ્યાન્નના ઉત્પાદન પર પ્રતિકૂળ અસર થવાની શક્યતા ઓછી છે. તેમના મતે, ખરીફ ઋતુ હજુ પૂરી થઈ નથી, અને સપ્ટેમ્બરમાં વરસાદ મહત્વપૂર્ણ રહેશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ વર્ષે હજુ પણ સારું ઉત્પાદન શક્ય છે. બીજા શબ્દોમાં કહીએ તો, સરકારનું મૂલ્યાંકન છે કે વાવણી ઓછી હોવા છતાં, જો પાકનો વિકાસ સ્વસ્થ રહે અને સપ્ટેમ્બરમાં પૂરતો વરસાદ પડે, તો એકંદર ઉત્પાદન પર મોટી અસર પડશે નહીં.</p><p><br></p><p><b>હવામાન વિભાગ શું આગાહી કરે છે?</b></p><p>હવામાન વિભાગ અનુસાર, બંગાળની ખાડી પર ઓછા દબાણવાળા ક્ષેત્રને કારણે પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા અને છત્તીસગઢમાં આગામી થોડા દિવસોમાં ભારે વરસાદની અપેક્ષા છે. આનાથી પૂર્વી ભારતના કેટલાક ભાગોમાં રાહત મળી શકે છે. જો કે, વિભાગ ચોમાસાની ઋતુના બીજા ભાગમાં (ઓગસ્ટ-સપ્ટેમ્બર) દેશભરમાં સામાન્ય કરતા ઓછા વરસાદની પણ આગાહી કરે છે. પ્રશાંત મહાસાગરમાં વિકસતી મધ્યમ અલ નીનો સ્થિતિને આ પાછળનું મુખ્ય પરિબળ માનવામાં આવે છે. હવામાનશાસ્ત્રીઓની આગાહી છે કે અલ નીનો વધુ મજબૂત બની શકે છે, જે ભારતીય ચોમાસાને અસર કરી શકે છે.</p><p><br></p><p><b>સપ્ટેમ્બરમાં ખરી કસોટી&nbsp;</b></p><p>પરિસ્થિતિ ફક્ત 19 લાખ હેક્ટર વાવેતરમાં થયેલા ઘટાડાની નથી; મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે સપ્ટેમ્બરમાં વરસાદ કેવી રીતે થશે. જો ચોમાસુ પાછું ખેંચાય તે પહેલાં સારો વરસાદ પડે તો પાકને નોંધપાત્ર રાહત મળી શકે છે. જો કે, જો વરસાદની ખાધ ચાલુ રહે તો, ડાંગર અને અન્ય ખરીફ જાતો સહિત પાકને વધુ તણાવનો સામનો કરવો પડી શકે છે. ટૂંકમાં, ખેડૂતોની નજર હાલમાં આકાશ પર છે, જ્યારે કૃષિ નિષ્ણાતો સપ્ટેમ્બરના વરસાદ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આનું કારણ એ છે કે આ સમયગાળા દરમિયાન વરસાદ નક્કી કરશે કે નબળા ચોમાસાની અસર વાવણીના તબક્કા સુધી મર્યાદિત રહે છે કે દેશના એકંદર ખાદ્ય અનાજ ઉત્પાદનને અસર કરે છે.</p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/world/news/nepal-flood--principal-saved-1643-students-after-3-warnings-in-minutes" target="_blank"><b>Nepal Flood: 'પૂર અને કાંપ અમારી તરફ આવે તે પહેલા...', નેપાળ પૂર વચ્ચે પ્રિન્સીપાલે કેવી રીતે બચાવ્યો હજારો વિદ્યાર્થીઓનો જીવ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/31/pI9KS4iRp2DyESrPF1QgXCaKtntiQjq2y3Lf5ZRY.webp'/></item><item><title><![CDATA[Gold Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો 24 કેરેટ સોનાની નવી કિંમત ]]></title><link>https://sandesh.com/business/news/gold-silver-price-today-big-drop-in-gold-and-silver-prices-know-the-new-price-of-24-carat-gold</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/gold-silver-price-today-big-drop-in-gold-and-silver-prices-know-the-new-price-of-24-carat-gold</guid><pubDate>Mon, 31 Aug 2026 13:17:40 +05:30</pubDate><description><![CDATA[<p>હાલ સોનાના ભાવમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. સોમવારે સોનાના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે, MCX પર દર આશરે ₹1,800 ઘટીને ₹1,54,544 પ્રતિ 10 ગ્રામ થયા છે. શુક્રવારે ફેડરલ રિઝર્વના આક્રમક વલણના સંકેતોને પગલે રોકાણકારો નફા-બુકિંગમાં રોકાયેલા છે, જેના કારણે વૈશ્વિક બજારોમાં સોના પર દબાણ પણ વધ્યું છે. </p><p><b style="font-size: 2rem;">આજે સોના ચાંદીનો ભાવ&nbsp;</b></p><p>સપ્તાહના અંતે બંધ થયા પછી આજે બજાર ખુલી રહ્યું છે. શનિવાર સુધીમાં, MCX પર 24 કેરેટ સોનાનો ભાવ 1.63% ઘટીને ₹1,56,400 પ્રતિ 10 ગ્રામ થયો હતો, જે ₹2,596 નો ઘટાડો દર્શાવે છે; તે પાછલા ટ્રેડિંગ દિવસે ₹1,58,996 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. દરમિયાન, ચાંદીનો ભાવ 1.66% ઘટીને ₹2,36,651 પ્રતિ કિલોગ્રામ થયો હતો - જે ₹4,000 નો ઘટાડો છે - જે છેલ્લા ટ્રેડિંગ સત્રમાં ₹2,40,651 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયા પછી.</p><p>બુલિયન માર્કેટના ડેટા અનુસાર, 24 કેરેટ સોનાનો ભાવ ₹1,56,850 પ્રતિ 10 ગ્રામ પર છે. અલગથી, ગુડરિટર્ન્સ અહેવાલ આપે છે કે 24 કેરેટ સોનાનો ભાવ ₹10 ગ્રામ પર અને ચાંદી ₹2,55,000 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી છે. દિલ્હીના બુલિયન માર્કેટમાં ચાંદીનો ભાવ ₹2,45,500 પ્રતિ કિલોગ્રામ છે.</p><p><b style="font-size: 1.75rem;">ચાંદીનો ભાવ અત્યાર સુધીના ઉચ્ચતમ સ્તરથી ₹1.51 લાખ ઘટ્યો</b></p><p>આ વર્ષે સોના અને ચાંદીના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે. 31 ડિસેમ્બર, 2025ના રોજ સોનાનો ભાવ ₹1.33 લાખ હતો, જે 29 જાન્યુઆરીએ વધીને ₹1.76 લાખની ટોચે પહોંચ્યો હતો. ત્યારથી, સોનું ₹21,000 સસ્તું થયું છે. એ જ રીતે, 31 ડિસેમ્બર, 2025ના રોજ ચાંદીનો ભાવ ₹2.30 લાખ હતો અને 29 જાન્યુઆરીએ ₹3.86 લાખની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. ત્યારથી, ચાંદીના ભાવ ₹1.51 લાખ ઘટ્યા છે.</p><p><br></p><h3><b>દેશના કેટલાક મોટા શહેરોમાં સોનાનો ભાવ</b></h3><p><br></p><p><br></p><p><br></p><table class="table table-bordered"><tbody><tr><td>શહેર&nbsp;</td><td>24 કેરેટ સોનાની કિંમત&nbsp;</td><td>22 કેરેટ સોનાની કિંમત&nbsp;&nbsp;</td></tr><tr><td>દિલ્હી</td><td>&nbsp;1,56,920</td><td>&nbsp;1,43,850</td></tr><tr><td>મુંબઈ<br></td><td>&nbsp;1,56,770</td><td>&nbsp;1,43,700</td></tr><tr><td>કોલકાતા&nbsp;</td><td>1,56,770&nbsp;</td><td>1,43,700</td></tr><tr><td>ચેન્નઈ</td><td>&nbsp;1,56,770&nbsp;</td><td>1,43,700</td></tr><tr><td>અમદાવાદ</td><td>&nbsp;1,56,770&nbsp;</td><td>1,43,700</td></tr><tr><td>રાજકોટ</td><td>&nbsp;1,56,770&nbsp;</td><td>1,43,700</td></tr></tbody></table><p><br></p><p><b style="font-size: 1.75rem;">સોનું અને ચાંદી ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું?</b></p><p>જો તમે સોનું ખરીદી રહ્યા હોવ તો હંમેશા હોલમાર્ક તપાસો અને 6 અંકનો HUID કોડ જોઈને જ ખરીદી કરો. ચાંદી માટે પણ BIS હોલમાર્ક હોય છે અને તેમાં 925 સ્ટર્લિંગ સિલ્વરને સૌથી સારી ગુણવત્તાનું માનવામાં આવે છે. ઉપરાંત, ખરીદી પહેલાં સોના અને ચાંદીની શુદ્ધતાની તપાસ પણ જરૂર કરાવો.</p><p><br></p><p><b style="font-size: 1.75rem;">જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતી વખતે આ 3 બાબતો ધ્યાનમાં રાખો</b><span style="font-size: 1.75rem;">&nbsp;</span></p><p><b>માત્ર પ્રમાણિત સોનું જ ખરીદો:</b> હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) હોલમાર્ક ધરાવતું પ્રમાણિત સોનું ખરીદો. આ ચિહ્નમાં એક આલ્ફાન્યૂમેરિક કોડ શામેલ છે—ઉદાહરણ તરીકે, AZ4524. હોલમાર્કિંગ સોનાની શુદ્ધતા&nbsp; દર્શાવે છે.</p><p><b>કિંમતની ક્રોસ-ચેક કરો</b>: વિવિધ સ્ત્રોતો (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન વેબસાઇટ) નો ઉપયોગ કરીને ખરીદીના દિવસે સોનાનું ચોક્કસ વજન અને તેની કિંમત ચકાસો. શુદ્ધતાના આધારે સોનાના ભાવ બદલાય છે—24-કેરેટ, 22-કેરેટ અને 18-કેરેટ.</p><p><b>મેકિંગ ચાર્જને સમજવું:</b> મેકિંગ ચાર્જ એ ફી છે જે જ્વેલર્સ સોનાને દાગીનામાં બનાવવા માટે વસૂલ કરે છે. આ ચાર્જ નિશ્ચિત નથી, અને તમે તેમની સાથે વાટાઘાટો કરી શકો છો. ખાસ કરીને મોટી ખરીદી માટે, ઝવેરી ઘણીવાર આ ચાર્જ ઘટાડવા તૈયાર હોય છે. વધુ સારો સોદો મેળવવા માટે મજૂરી ખર્ચનું સીધું વિભાજન પૂછો.</p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/03/15/XRZVVuqnnGNl4izHvZiL4oLwNGzcVLHqKUnasgnK.webp'/></item><item><title><![CDATA[Gutkha Ban in Gujarat: રાજ્યમાં ગુટખા અને પાન-મસાલા પર પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાવાયો, આ તારીખથી થશે લાગૂ ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-gutkha-pan-masala-ban-extended-one-year-september-13</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-gutkha-pan-masala-ban-extended-one-year-september-13</guid><pubDate>Mon, 31 Aug 2026 13:17:34 +05:30</pubDate><description><![CDATA[<p>રાજ્યમાં નાગરિકોના આરોગ્યની સુરક્ષાને પ્રાથમિકતા આપતા ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યભરમાં તમાકુ કે નિકોટીનયુક્ત ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ માટે લંબાવી દેવામાં આવ્યો છે. કમિશનર ઓફ ફૂડ સેફ્ટીએ જાહેર કરેલી યાદી મુજબ, આ નવો આદેશ તારીખ 13 સપ્ટેમ્બર 2026થી અમલમાં આવશે.</p><h2><b>વર્ષ 2012થી લાગુ પ્રતિબંધ 12 સપ્ટેમ્બર 2027 સુધી લંબાવાયો</b></h2><p>ગુજરાત સરકારે નાગરિકોના સ્વાસ્થ્યની રક્ષા અને વિવિધ બિન-સરકારી સંસ્થાઓ (NGOs)ની રજૂઆતોને ધ્યાને રાખીને વર્ષ 2012થી આ પ્રતિબંધ સતત અમલમાં મૂક્યો છે. હવે આ પ્રતિબંધનો સમયગાળો તા. 13 સપ્ટેમ્બર 2026થી લંબાવીને તા. 12 સપ્ટેમ્બર 2027 સુધીનો કરવામાં આવ્યો છે. કોઈપણ નામે ઓળખાતા તમાકુ કે નિકોટીન ધરાવતા ગુટખા અને પાન મસાલા પર આ હુકમ સંપૂર્ણપણે લાગુ પડશે.</p><h2><b>ટાટા મેમોરિયલ હોસ્પિટલ અને સંશોધન સંસ્થાઓના ચોંકાવનારા અહેવાલ</b></h2><p>ફૂડ સેફ્ટી કમિશનરની યાદીમાં જણાવ્યા મુજબ, ટાટા મેમોરિયલ હોસ્પિટલ, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ અને 'હેમર'ના સંશોધનોમાં એ વાત સ્પષ્ટ થઈ છે કે, ગુટખા તેમજ પાન મસાલાનું સેવન અત્યંત હાનિકારક અને કેન્સર માટે જવાબદાર છે. તેના સતત સેવનથી મોઢાના કેન્સરનું જોખમ અનેકગણું વધી જાય છે.</p><h2><b>દેશમાં 21 ટકા લોકો ધુમાડા વગરની તમાકુના શિકાર: GATS રિપોર્ટ</b></h2><p>'ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે' (GATS) ના વૈશ્વિક અહેવાલને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, દેશમાં હાલ 35 ટકા પુખ્ત વયના લોકો કોઈને કોઈ સ્વરૂપે તમાકુનું સેવન કરે છે. જેમાંથી 21 ટકા જેટલા લોકો ધુમાડા વગરની તમાકુ એટલે કે ગુટખા, પાન મસાલા અને ઝરદાનો ઉપયોગ કરી રહ્યા છે, જે ગંભીર ચિંતાનો વિષય છે.</p><h2><b>અલગ-અલગ ઘટકો ભેગા કરીને વેચનારાઓ સામે પણ થશે કડક કાર્યવાહી</b></h2><p>તંત્રએ સ્પષ્ટ સૂચના આપી છે કે, માત્ર તૈયાર ગુટખા જ નહીં, પરંતુ અલગ-અલગ પેકિંગમાં વેચાતા એવા ઘટકો કે જેના મિશ્રણથી અંતિમ ઉત્પાદન તરીકે ગુટખા કે પાન મસાલા તૈયાર થતા હોય, તેના પર પણ સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ સરકારી આદેશનો ભંગ કરનારા વેપારીઓ કે ઉત્પાદકો સામે કાયદાકીય જોગવાઈઓ હેઠળ અત્યંત કડક કાર્યવાહી કરવામાં આવશે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/patan/latha-kand-chanasma-bhatsar-liquor-death-mda-allegation-lcb" target="_blank">Patan News: ભાવનગર બાદ હવે પાટણમાં લઠ્ઠાકાંડની આશંકા, બે મોત થયા બાદ LCB પર ધારાસભ્યનો સીધો આક્ષેપ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/31/e7TEfPRaTQlVkGqYDo1PrkQM9UWlqjcoqwOs1izR.webp'/></item><item><title><![CDATA[Rajkot : PSI ગળચર પર જમીન દલાલીના વધુ ગંભીર આક્ષેપ, 8 કરોડની 2 એકર જમીન પચાવી પાડ્યાનો પીડિત પરિવારનો દાવો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/rajkot/rajkot-psi-galchar-land-dealing-allegations-family</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/rajkot/rajkot-psi-galchar-land-dealing-allegations-family</guid><pubDate>Mon, 31 Aug 2026 13:12:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ પોલીસ પર લાગેલા જમીન દલાલીના ગંભીર આક્ષેપોના મામલે હવે વધુ એક પીડિત પરિવાર મીડિયા સમક્ષ આવ્યો છે. વિવાદિત PSI ગળચર વિરુદ્ધ અત્યાર સુધીમાં જમીન દલાલીના આક્ષેપો સાથે કુલ 4 પરિવારો સામે આવ્યા હોવાનું સામે આવ્યું છે. અગેસાણીયા પરિવારે PSI ગળચર પર ગંભીર આક્ષેપો લગાવતા સમગ્ર મામલે પોલીસ તંત્ર સામે પણ અનેક સવાલો ઊભા થયા છે.</p><h2 style="text-align: justify; "><b>અરજીના બહાને બોલાવી ધાકધમકીનો આક્ષેપ</b></h2><p style="text-align: justify; ">પીડિત પરિવારના જણાવ્યા મુજબ અરજીના બહાને તેમને બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ PSI ગળચર દ્વારા ધાકધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પીડિતોએ એવો પણ દાવો કર્યો છે કે ગળચરના મળતિયાઓ દ્વારા પણ તેમને વારંવાર ધમકાવવામાં આવતા હતા.</p><h3 style="text-align: justify; "><b>8 કરોડની 2 એકર જમીન પચાવી પાડ્યાનો દાવો</b></h3><p style="text-align: justify; ">અગેસાણીયા પરિવારે PSI ગળચર પર કુલ 6 એકર જમીનના મામલે ગંભીર આરોપ લગાવ્યા છે. પીડિતોના દાવા મુજબ 6 એકરમાંથી 4 એકર જમીન પરત આપવામાં આવી હતી, પરંતુ અંદાજે 8 કરોડની કિંમત ધરાવતી 2 એકર જમીનના રૂપિયા હજુ સુધી આપવામાં આવ્યા નથી.</p><h3 style="text-align: justify; "><b>ટેબલ પરથી પૈસા લઈ જવાનું કહ્યું હતું : પીડિત</b></h3><p style="text-align: justify; ">પીડિત પરિવારે મીડિયા સમક્ષ દાવો કર્યો છે કે 2 એકર જમીનના પૈસા PSI ગળચરના ટેબલ પરથી લઈ જવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, પીડિતોના જણાવ્યા મુજબ હજુ સુધી તેમને આ જમીનના એક પણ રૂપિયા મળ્યા નથી.</p><h4 style="text-align: justify; "><b>18 વખત ફરિયાદ છતાં કાર્યવાહી નહીં?</b></h4><p style="text-align: justify; ">પીડિત પરિવારના દાવા મુજબ તેમણે રાજકોટ પોલીસમાં અત્યાર સુધી 18 વખત ફરિયાદ કરી છે. છતાં પોતાની ફરિયાદ પર યોગ્ય કાર્યવાહી ન થઈ હોવાનો પણ પરિવારનો આક્ષેપ છે. પીડિતોએ સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.</p><h4 style="text-align: justify; "><b>પતિના મૃત્યુ મામલે પણ ગંભીર શંકા</b></h4><p style="text-align: justify; ">પીડિત મહિલાએ પોતાના પતિના મૃત્યુ અંગે પણ ગંભીર શંકા વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ પતિના મૃત્યુ બાબતે શંકા હોવાથી કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ મામલે પીડિત પરિવારે રાજકોટ પોલીસ સામે પણ ગંભીર આક્ષેપો કર્યા છે. આ આક્ષેપોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.</p><h4 style="text-align: justify; "><b>સામાજિક આગેવાનોની પીડિતોને અપીલ</b></h4><p style="text-align: justify; ">સામાજિક અગ્રણી દિનેશ બાંભણિયા અને પરસોતમ પીપળીયાએ પણ કથિત રીતે ભોગ બનનાર લોકોને ખુલ્લીને સામે આવવાની અપીલ કરી છે. ભ્રષ્ટાચાર અને જમીન દલાલીના આક્ષેપોમાં નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">&nbsp; આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; &nbsp;<a href="https://sandesh.com/world/news/nepal-flash-flood-lone-house-survives-village-swept-away-viral-video" target="_blank"><b>Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/31/txx3VYQ4N3D8txArj3R2gA00NwZkjWYvPFwZ74Ut.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : ગોતામાં વિશાખા ગ્રુપની દાદાગીરી, AMCનો ફૂટપાથ દબાવી ગાર્ડન બનાવ્યાનો આક્ષેપ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-gota-builder-footpath-encroachment-garden-amc</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-gota-builder-footpath-encroachment-garden-amc</guid><pubDate>Mon, 31 Aug 2026 12:57:43 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના ગોતા વિસ્તારમાં બિલ્ડર દ્વારા ફૂટપાથની જગ્યા પર દબાણ કરી નવી સ્કીમ માટે ગાર્ડન બનાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. સ્થાનિક સ્તરે કરવામાં આવેલા દાવા મુજબ AMCની જગ્યાનો ઉપયોગ કરી સ્કીમના એલિવેશન માટે ફૂટપાથ પર બાંધકામ કરવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે હવે તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>ફૂટપાથ પર જ ગાર્ડન બનાવાયું હોવાનો આરોપ</b></h2><p style="text-align: justify; ">ગોતામાં નવી સ્કીમનું કામ ચાલી રહ્યું છે ત્યારે ફૂટપાથની જગ્યા પર જ ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. બિલ્ડિંગ સ્કીમના એલિવેશનને વધુ આકર્ષક બનાવવા માટે જાહેર ઉપયોગની જગ્યા પર દબાણ કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.</p><p style="text-align: justify; "><img alt="Ahmedabad Gota: Builder Accused of Footpath Encroachment" src="https://epapercdn.sandesh.com/images/2026/08/31/66PQwHgzY3BPjBPnv50eGLnf8xlgDO9snLDc4epL.webp" style="width: 100%;"><br></p><h3 style="text-align: justify; "><b>ચોમાસાની પાણીની લાઈન પણ દબાવી?</b></h3><p style="text-align: justify; ">આ મામલે વધુ ગંભીર આક્ષેપ એ છે કે ચોમાસા દરમિયાન પાણીના નિકાલ માટેની લાઈન પણ નીચે દબાઈ ગઈ હોવાનું કહેવાય છે. જો પાણીના નિકાલની લાઈન ખરેખર બાંધકામ નીચે દબાઈ હોય તો ભારે વરસાદ દરમિયાન આસપાસના વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ શકે છે.</p><h3 style="text-align: justify; "><b>રજૂઆત બાદ માત્ર પાણીની લાઈન ખોલાઈ</b></h3><p style="text-align: justify; ">સ્થાનિકો દ્વારા અગાઉ AMC સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ માત્ર પાણીની લાઈન ખોલી નાખવામાં આવી હોવાનો દાવો છે. જોકે, ફૂટપાથ પર થયેલા કથિત દબાણ અંગે સંપૂર્ણ કાર્યવાહી થઈ કે નહીં તે અંગે હવે સવાલો ઊભા થયા છે.</p><p style="text-align: justify; "><img alt="Ahmedabad Gota: Builder Accused of Footpath Encroachment" src="https://epapercdn.sandesh.com/images/2026/08/31/Ingz12v0ZI7N39LAz3SmK3btbvpc0x2tzI6F3fZ5.webp" style="width: 100%;"><br></p><h4 style="text-align: justify; "><b>વિશાખા ગ્રુપની સ્કીમ સામે સવાલ</b></h4><p style="text-align: justify; ">ગોતા વિસ્તારમાં વિશાખા ગ્રુપ દ્વારા નવી સ્કીમનું કામ ચાલી રહ્યું છે. આ સ્કીમના કામ દરમિયાન ફૂટપાથ અને AMCની જગ્યા પર દબાણ થયું હોવાના આક્ષેપો વચ્ચે હવે તંત્ર સ્થળ તપાસ કરીને હકીકત શું છે તે સ્પષ્ટ કરે તેવી માંગ ઉઠી રહી છે.</p><h4 style="text-align: justify; "><b>જાહેર જગ્યા કોની મંજૂરીથી વપરાઈ?</b></h4><p style="text-align: justify; ">સૌથી મોટો સવાલ એ છે કે જો ફૂટપાથ AMCની જાહેર જગ્યા છે તો તેના પર ગાર્ડન અને એલિવેશન માટે બાંધકામ કરવાની મંજૂરી કોના દ્વારા આપવામાં આવી? પાણીની નિકાલની લાઈન પણ બાંધકામ હેઠળ આવી હોય તો તેની જવાબદારી કોની? હવે AMC દ્વારા સ્થળ તપાસ બાદ સમગ્ર મામલે શું કાર્યવાહી થાય છે તેના પર નજર રહેશે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp;&nbsp;<a href="https://sandesh.com/world/news/nepal-flash-flood-lone-house-survives-village-swept-away-viral-video" target="_blank"><b>Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/31/t5JyJWYRuIPSpt3ChmdoLGFKs89lVvfdg8iph9d5.webp'/></item><item><title><![CDATA[Patan News: ભાવનગર બાદ હવે પાટણમાં લઠ્ઠાકાંડની આશંકા, બે મોત થયા બાદ LCB પર ધારાસભ્યનો સીધો આક્ષેપ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/patan/latha-kand-chanasma-bhatsar-liquor-death-mda-allegation-lcb</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/patan/latha-kand-chanasma-bhatsar-liquor-death-mda-allegation-lcb</guid><pubDate>Mon, 31 Aug 2026 12:55:54 +05:30</pubDate><description><![CDATA[<p>રાજ્યમાં ભાવનગર લઠ્ઠાકાંડની શાહી હજુ પૂરી સુકાઈ નથી, ત્યાં પાટણ જિલ્લામાંથી દારૂના દૂષણને કારણે વધુ બે યુવકે જીવ ગુમાવ્યો હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. ચાણસ્મા તાલુકાના ભાટસર ગામના 40 વર્ષીય યુવક અને  35 વર્ષીય યુવકનું મોત દારૂ પીવાના કારણે નીપજ્યું છે. ગેરકાયદેસર રીતે કેનાલ પર વેચાતા ઝેરી દારૂના કારણે જ આ બે યુવકનો જીવ ગયો હોવાનો સનસનાટીભર્યો આક્ષેપ મૃતકના પરિવારજનોએ કર્યો છે. નાની વયે પરિવારના મુખ્ય કમાનાર મોભીનું છત્ર છીનવાઈ જતાં પીડિત પરિવાર પર આભ તૂટી પડ્યું છે.</p><h2><b>ચાણસ્માના ભાટસર અને ઈટોદા ગામના 2 યુવાનોએ જીવ ગુમાવ્યો</b></h2><p>મળતી વિગતો મુજબ, પ્રથમ ઘટના ચાણસ્મા તાલુકાના ભાટસર ગામમાં બની હતી, જ્યાં 40 વર્ષીય યુવકનું દારૂ પીવાના કારણે મોત નીપજ્યું હતું. આ બનાવની ગંભીરતા વચ્ચે ઈટોદા ગામના અન્ય એક 35 વર્ષીય યુવકનું પણ દારૂ પીવાથી મોત થતાં હાહાકાર મચી ગયો છે. મૃતક યુવકના પરિવારજનોના જણાવ્યા મુજબ, તેણે પહેલીવાર જ દારૂ પીધો હતો અને કેનાલ પર ખુલ્લેઆમ વેચાતા દારૂના કારણે તેનો જીવ ગયો છે. નાની વયે જ પરિવારના મોભી અને 2 નાના બાળકોના પિતાનું અવસાન થતાં બંને પરિવારો વેરવિખેર થઈ ગયા છે.</p><p><img alt="Patan News: Alcohol Death, 40-Year-Old Dies in Chanasma; MLA Alleges LCB Corruption" src="https://epapercdn.sandesh.com/images/2026/08/31/mgCLYzSf4YYukXZHfMTiR940vvIr7EKBcbjzO41E.webp" style="width: 100%;"><br></p><h2><b>કેનાલ પર 150 થી 200 યુવાનોની લાઈન, ધારાસભ્યનો સ્ફોટક પર્દાફાશ</b></h2><p>ઘટનાની જાણ થતાં જ ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોર પીડિત પરિવારોની મુલાકાતે પહોંચ્યા હતા. પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ તેમણે તંત્ર સામે અત્યંત ગંભીર આરોપો લગાવતા પર્દાફાશ કર્યો હતો કે, ચાણસ્માના ભાટસર પાસે આવેલી કેનાલ પર રોજ 150 થી 200 જેટલા યુવાનો દારૂ ખરીદવા માટે લાઈનમાં ઊભા રહે છે. ગામડે-ગામડે દારૂનું બેફામ વેચાણ થઈ રહ્યું હોવા છતાં પોલીસ આંખ આડા કાન કરી રહી છે.</p><h2><b>LCB અને પોલીસ અધિકારીઓ પર હપ્તા વસૂલીના આક્ષેપ</b></h2><p>ધારાસભ્ય દિનેશ ઠાકોરે પાટણ LCB અને સ્થાનિક પોલીસ તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સીધો આરોપ લગાવ્યો છે કે, LCB PI આર. જી. ઉનાગર અને કન્સ્ટેબલ કેતન પટેલની રહેમનજર અને હપ્તાખોરી હેઠળ જ દારૂ અને જુગારનો અડ્ડો ચાલી રહ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે, PI આર. જી. ઉનાગરની ભાવનગર ખાતે બદલી થઈ ગઈ હોવા છતાં તેઓ હજુ પણ પાટણ LCBનો ચાર્જ સંભાળી રહ્યા છે.</p><h2><b>DYCM હર્ષ સંઘવી સામે સવાલ અને આરપારની લડાઈની ચેતવણી</b></h2><p>પોલીસે દારૂના અડ્ડાઓ બંધ કરાવવાને બદલે હપ્તાના દર વધારી દીધા છે, જેના કારણે બુટલેગરોએ દારૂના ભાવ વધારી દીધા હોવાનો સ્ફોટક દાવો પણ ધારાસભ્યએ કર્યો છે. આ મુદ્દે DGP અને SPને રૂબરૂ રજૂઆતો કરવા છતાં કોઈ આકરી કાર્યવાહી કરવામાં આવી નથી. ધારાસભ્યએ DYCM હર્ષ સંઘવી સામે સવાલ ઉઠાવ્યો હતો કે, સરકારના કડક આદેશો છતાં પોલીસ કેમ દારૂ બંધ નથી કરાવતી? તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, જો તંત્ર પગલાં નહીં લે તો તેઓ પોતે ગામડે-ગામડે જઈને બુટલેગરો સામે જનતા રેડ અને વ્યાપક ઝુંબેશ ચલાવશે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/patan/patan-santalpur-vauva-village-fox-attack-20-injured" target="_blank">Patan: સાંતલપુરના વૌવા ગામમાં શિયાળનો આતંક, 20થી વધુ લોકોને ઈજા, વન વિભાગની તપાસ શરૂ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/31/j1h3NxkiDGfs7BWMhFXz4GFcteS6hL0nSNLp5SdB.webp'/></item><item><title><![CDATA[વાંચો સવારે 08થી બપોરે 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/today-top-breaking-news-bulletin-gujarat-india-read-important-news-from-08-am-to-12-pm-31-august-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/today-top-breaking-news-bulletin-gujarat-india-read-important-news-from-08-am-to-12-pm-31-august-2026</guid><pubDate>Mon, 31 Aug 2026 12:00:00 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/bhavnagar-laththakand-14-accused-jail-remand" target="_blank">1.&nbsp; Bhavnagar : લઠ્ઠાકાંડના 14 આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં જેલમાં ધકેલાયા, SMCની તપાસ યથાવત</a>&nbsp; &nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/mohan-bhagwat-canada-visit--if-hindus-wake-up-the-world-will-wake-up-rss-supremos-important-statement-in-toronto" target="_blank">2. Mohan Bhagwat: હિંદુ જાગશે તો દુનિયા જાગશે, ટોરેન્ટોમાં RSS પ્રમુખનું મહત્વનું નિવેદન</a>&nbsp; &nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/cricket/news/babar-azam-statement-babar-azam-got-angry-after-the-crushing-defeat-at-lords-vented-his-anger-on-the-players" target="_blank">3. Babar Azam Statement : લોર્ડ્સમાં કારમી હાર બાદ બાબર આઝમ ભડક્યો, ખેલાડીઓ પર ઉતાર્યો ગુસ્સો</a>&nbsp; &nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/world/news/nepal-blames-china-for-not-sharing-glacier-data-after-flood-disaster" target="_blank">4. Nepal: 'ચીને નહોતી આપી ગ્લેશિયરની યોગ્ય માહિતી', તબાહી બાદ નેપાળનો આરોપ</a>&nbsp; &nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/sonam-wangchuk-cjp-political-ambitions" target="_blank">5. CJPના નેતાઓ પણ કોઇ સંત નથી..' Sonam Wanchukએ Abhijeet Dipke માટે આ શું કહી દીધું?</a>&nbsp; &nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-sugar-shortage-festival-permit-ration-shops" target="_blank">6. Sugar Shortage : તહેવારો ટાણે ખાંડની અછતનો ભય, 10 લાખથી વધુ પરિવારોને સરકારી ખાંડ નહીં મળે?</a>&nbsp; &nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/crime/mehsana/mehsana-bhavesh-jhala-firing-scorpio-fortuner" target="_blank">7. Mehsana : ફોર્ચ્યુનરને ટક્કર બાદ કુખ્યાત ભાવેશ જીલીયા પર ફાયરિંગ, એક જ દિવસમાં 2 મોટી ઘટનાથી પોલીસ તંત્રમાં દોડધામ, Video</a>&nbsp; &nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/ankit-balian-murder-shamli-encounter-shooters-killed" target="_blank">8. Ankit Baliyan murder case: અંકિત બાલિયાન હત્યા કેસના 2 શૂટર શામલીમાં પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર</a>&nbsp; &nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/crime/vadodara/vadodara-former-ips-family-digital-arrest-cyber-fraud" target="_blank">9. Vadodara : પૂર્વ IPSના પત્ની-પુત્રને 13 દિવસ ‘ડિજિટલ અરેસ્ટ’, સાયબર ઠગોએ પડાવ્યા 1.53 કરોડ</a>&nbsp; &nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/entertainment/news/jana-nayagan-beats-karuppu-highest-grossing-tamil-film-2026" target="_blank">10. Thalapathy Vijay : જન નાયકન ફિલ્મે તોડ્યો કરુપ્પુનો રેકોર્ડ! બની વર્ષ 2026ની હાઈએસ્ટ ગ્રોસિંગ તમિલ ફિલ્મ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/31/sEOQoHhGk5ONMKmDsFolDSFBuhbeyp8z0Hyt1T7w.webp'/></item></channel></rss>