<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીમાં PhD એડમિશન મુદ્દે ABVP નો હંગામો; VC એ આપી સત્તાવાર સફાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-university-phd-admission-controversy-abvp-protest-vc-clarification</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-university-phd-admission-controversy-abvp-protest-vc-clarification</guid><pubDate>Mon, 07 Sep 2026 17:58:46 +05:30</pubDate><description><![CDATA[<p>રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીમાં શિક્ષણમાં ગેરરીતિ અને પીએચડી (PhD) એડમિશન પ્રક્રિયાને લઈને વાતાવરણ ગરમાયું છે. વિદ્યાર્થી સંગઠન ABVP દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં વિરોધ પ્રદર્શન યોજીને તંત્ર સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.</p><p></p><h2><b>ગુજરાત યુનિવર્સિટીમાં PhD એડમિશન મુદ્દે ABVP નું વિરોધ</b></h2><div>ABVP નો દાવો છે કે આજે PhD એડમિશન માટે અરજી કરવાનો છેલ્લો દિવસ હોવા છતાં, એડમિશન પોર્ટલ પર ક્લાઇમેટ ચેન્જ સહિતના મહત્વના વિષયો દર્શાવવામાં જ આવ્યા નથી. સંબંધિત વિભાગોમાં કાયમી શૈક્ષણિક કર્મચારીઓ ન હોવાના કારણે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી, જેનાથી અનેક લાયક વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ બન્યું છે. વિદ્યાર્થીઓના આક્રોશ વચ્ચે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ (VC) એ સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. કુલપતિએ સ્પષ્ટ કર્યું હતું કે યુનિવર્સિટી તંત્ર યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ના નિયમોને આધીન રહીને જ કામગીરી કરી રહ્યું છે.</div><h3><b>UGC નિયમો મુજબ પ્રોફેસર વગર પ્રવેશ શક્ય નથી; VC</b></h3><div>UGC ના નિયમો અનુસાર, PhD ના વિદ્યાર્થીઓને ગાઇડ કરવા માટે કાયમી પ્રોફેસરો હોવા આવશ્યક છે. જે વિષયોમાં કાયમી પ્રોફેસર ઉપલબ્ધ નથી ત્યાં ગાઇડ વિના પ્રવેશ આપવો નિયમવિરુદ્ધ ગણાય.યુનિવર્સિટી દ્વારા પ્રોફેસરોની કાયમી ભરતી કરવા માટે રાજ્ય સરકાર પાસે મંજૂરી અને માંગણી કરવામાં આવી છે. નવી ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અથવા યોગ્ય વ્યવસ્થા ઊભી થયા પછી વધુ વિદ્યાર્થીઓને PhD માં પ્રવેશ આપવાની તક પૂરી પાડવામાં આવશે. યુનિવર્સિટી નિયમોની મર્યાદામાં રહીને વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય ઉકેલ લાવવા માટે પ્રયત્નશીલ છે.</div><div><b><br></b></div><div><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/botad/extortion-allegation-bjp-leader-police-koli-samaj-meeting-circuit-house" target="_blank">આ પણ વાંચો: Botad: કથિત 1 કરોડના તોડ કાંડ સામે કોળી સમાજ લાલઘૂમ, ભાજપ નેતાએ આંગડિયાથી 60 લાખ લીધાનો ઉમેશ મકવાણાનો દાવો</a></b></div><p></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/uBTPlppKNIxm1tHAK4BXD5Zpx61CUvhULIurn256.webp'/></item><item><title><![CDATA[PM Modiના ગુજરાત-મહારાષ્ટ્ર પ્રવાસ દરમિયાન રૂ.35,000 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ ]]></title><link>https://sandesh.com/india/news/gujarat/pm-modi-gujarat-maharashtra-visit-35000-crore-projects</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/gujarat/pm-modi-gujarat-maharashtra-visit-35000-crore-projects</guid><pubDate>Mon, 07 Sep 2026 17:16:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રવાસે રહેશે. આ પ્રવાસ દરમિયાન વડોદરા ખાતેથી તેઓ રૂ.35,000 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોની આધારશિલા મૂકશે તેમજ તેને દેશને સમર્પિત કરશે. આ ઉપરાંત તેઓ મુંબઈ ખાતે ગ્લોબલ ફિનટેક ફેસ્ટ (GFF) 2026નું ઉદ્ઘાટન કરીને સંબોધન કરશે.&nbsp;&nbsp;</p><h2 style="text-align: justify; "><b>પશ્ચિમી ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના નવા સેક્શન રાષ્ટ્રને સમર્પિત&nbsp;&nbsp;</b></h2><p style="text-align: justify; ">વડાપ્રધાન રૂ.20,700 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરાયેલા 326 કિલોમીટર લાંબા પશ્ચિમી ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (WDFC)ના ત્રણ મહત્વપૂર્ણ સેક્શન રાષ્ટ્રને સમર્પિત કરશે. તેની સાથે જ તેઓ ન્યૂ સાણંદ (ઉત્તર), ન્યૂ મકરપુરા, ન્યૂ ઉંબરગામ અને મુંબઈના ન્યૂ જેએનપીટી (JNPT) ખાતેથી માલગાડીઓની સેવાઓને લીલી ઝંડી બતાવીને રવાના કરશે.&nbsp;&nbsp;</p><h3 style="text-align: justify; "><b>આદિવાસી વિસ્તારો માટે નવી રેલવે સેવા અને લાઇનનું લોકાર્પણ</b></h3><p style="text-align: justify; ">વડોદરા અને ટાંડા રોડ વચ્ચે નવી ટ્રેન સેવાનો પ્રારંભ કરાવવામાં આવશે, જેનાથી વડોદરા, છોટાઉદેપુર અને અલીરાજપુર જિલ્લાના નાગરિકોને સીધો લાભ થશે. છોટાઉદેપુર-ધાર પ્રોજેક્ટ હેઠળ નિર્માણ પામેલી જોબટ-ટાંડા રોડ નવી રેલ લાઇન પણ દેશને સમર્પિત કરાશે, જે અલીરાજપુરના દૂરસુદૂરના આદિવાસી વિસ્તારોને રાષ્ટ્રીય રેલ નેટવર્ક સાથે જોડશે.</p><h4 style="text-align: justify; "><b>રૂ. 9,700 કરોડથી વધુના રેલવે અને હાઇવે પ્રોજેક્ટ્સનો શિલારોપણ&nbsp;&nbsp;</b></h4><p style="text-align: justify; ">વડાપ્રધાન દ્વારા રૂ.9,700 કરોડથી વધુના ખર્ચ ધરાવતા ત્રણ રેલવે પ્રોજેક્ટ્સ અને આશરે રૂ.1,780 કરોડના ખર્ચે આકાર પામનારા ત્રણ રાષ્ટ્રીય રાજમાર્ગ (નેશનલ હાઇવે) પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરવામાં આવશે.  આ ઉપરાંત, ગુજરાત સરકારના આશરે રૂ.2,600 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. આ પ્રસંગે તેઓ વિશાળ જનસભાને પણ સંબોધિત કરશે.&nbsp;&nbsp;</p><h5 style="text-align: justify; "><b>મુંબઈમાં ‘ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026’નું ઉદ્ઘાટન&nbsp;&nbsp;</b></h5><p style="text-align: justify; ">મહારાષ્ટ્રના મુંબઈ ખાતે વડાપ્રધાન ગ્લોબલ ફિનટેક ફેસ્ટ (GFF) 2026નું ઉદ્ઘાટન કરશે.  આ વર્ષની ફિનટેક કોન્ફરન્સની મુખ્ય થીમ “અસરની ક્ષમતા : એજન્ટિક AI, ટોકનાઇઝેશન, ક્વોન્ટમ – સમાવેશી નાણાકીય વ્યવસ્થા માટે વિશ્વસનીય, કનેક્ટેડ અને વૈશ્વિક પ્રણાલીઓ” (Potential to Impact: Agentic AI, Tokenisation, Quantum – Trusted, Connected, Global Systems for Inclusive Finance) રાખવામાં આવી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/Nu3TwkspRs0PxBpzMfLlSkExsmDMu4BxcrtMdyL5.webp'/></item><item><title><![CDATA[Botad: કથિત 1 કરોડના તોડ કાંડ સામે કોળી સમાજ લાલઘૂમ, ભાજપ નેતાએ આંગડિયાથી 60 લાખ લીધાનો ઉમેશ મકવાણાનો દાવો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/botad/extortion-allegation-bjp-leader-police-koli-samaj-meeting-circuit-house</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/botad/extortion-allegation-bjp-leader-police-koli-samaj-meeting-circuit-house</guid><pubDate>Mon, 07 Sep 2026 17:10:24 +05:30</pubDate><description><![CDATA[<p>બોટાદ જિલ્લાના કાનીયાડ ગામના કોળી સમાજના યુવાનો સાથે પોલીસ અને રાજકીય નેતાઓની મિલીભગતથી કરોડો રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ સનસનાટીભર્યા આરોપ લગાવતા જણાવ્યું છે કે, પોલીસ દ્વારા કલ્પેશભાઈ મીઠાપરા સહિત ત્રણ યુવાનોને ગેરકાયદે ઉઠાવી જઈને નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો હતો.</p><h2><b>તોડ કાંડ સામે કોળી સમાજ લાલઘૂમ</b></h2><p>આ યુવાનો પાસેથી 1 કરોડથી વધુની ખંડણી વસૂલવા દબાણ કરાયું હતું, જેમાં જિલ્લા ભાજપના એક કદાવર નેતાની સંડોવણી હોવાનો અને આંગડિયા મારફતે 60 લાખ રૂપિયા મેળવી લેવાયા હોવાનો ગંભીર દાવો કરવામાં આવ્યો છે. આ ઘટનાના વિરોધમાં અને પીડિત યુવાનોને ન્યાય અપાવવા માટે અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ દ્વારા બોટાદ સર્કિટ હાઉસ ખાતે એક મહત્ત્વની બેઠકનું આહવાન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં સમાજના રાજકીય-સામાજિક આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહી આગળની રણનીતિ નક્કી કરશે.</p><h3><b>ધારાસભ્ય અને સમાજની મુખ્ય માંગણીઓ</b></h3><p>&nbsp;સમગ્ર ઘટનાની તટસ્થ, નિષ્પક્ષ અને તાત્કાલિક ઉચ્ચસ્તરીય તપાસ હાથ ધરવામાં આવે. જો ભાજપના હોદ્દેદારની સંડોવણી સાબિત થાય તો તેમને ત્વરિત હોદ્દા પરથી દૂર કરવામાં આવે. તોડ કાંડમાં સામેલ પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓ સામે કડક ગુનાહિત કાર્યવાહી થાય.સમગ્ર વિગત સાથે ગુજરાત સરકાર, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવશે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/thaltej-dumper-accident-12-year-old-girl-killed-driver-arrested" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: થલતેજ મેટ્રો સ્ટેશન નીચે ડમ્પરે 12 વર્ષની બાળકીને કચડી, ઘટનાસ્થળે જ સગીરાએ દમ તોડ્યો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/nMyHF2MEq0Oy1c03vXfOtzMuCHDPq5rYOEl9ZJ78.webp'/></item><item><title><![CDATA[Delhi Building Collapse: મંજૂરી વગરની પાંચમા માળવાળી બધી ઇમારતો થશે સીલ, CM રેખા ગુપ્તાનો આદેશ ]]></title><link>https://sandesh.com/india/news/delhi-satya-niketan-building-collapse-cm-orders-sealing-of-illegal-5th-floor-buildings</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/delhi-satya-niketan-building-collapse-cm-orders-sealing-of-illegal-5th-floor-buildings</guid><pubDate>Mon, 07 Sep 2026 17:08:44 +05:30</pubDate><description><![CDATA[<p>Delhi Building Collapse: દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં પાંચ માળની ઇમારત ધરાશાયી થવાથી છ લોકોના મોત બાદ, સરકારે એક મોટો નિર્દેશ જારી કર્યો છે. મુખ્યમંત્રીએ મંજૂરી વિના પાંચમા માળનું બાંધકામ ધરાવતી તમામ ઇમારતોને તાત્કાલિક સીલ કરવાનો આદેશ આપ્યો છે.</p><p>સત્ય નિકેતનમાં પીજી બિલ્ડિંગ ધરાશાયી થવાથી છ લોકોના મોત બાદ, દિલ્હી સરકારે ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી વધુ તીવ્ર બનાવવાનો નિર્ણય લીધો છે. નિયમોનું ઉલ્લંઘન કરીને બાંધવામાં આવેલી પાંચ માળની ગેરકાયદેસર ઇમારતોને તાત્કાલિક સીલ કરવાના નિર્દેશો જારી કરવામાં આવ્યા છે. વધુમાં, સત્ય નિકેતન અને આસપાસના વિસ્તારોમાં પીજી રહેઠાણો અને અન્ય ઇમારતોનું સંપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવશે.</p><p><br></p><p>મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દિલ્હીના રહેવાસીઓની સલામતી સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. કોઈપણ બેદરકારી માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.</p><p><br></p><h4><b>4 માળથી વધુ ગેરકાયદેસર બાંધકામો સીલ કરવામાં આવશે: એમસીડી</b></h4><p>સત્ય નિકેતન ઘટનાના સંદર્ભમાં ઇમારતના માલિક સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. જો તપાસમાં એમસીડીના કોઈપણ અધિકારીની બેદરકારી અથવા સંડોવણી જણાશે, તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. એમસીડીએ એમ પણ જણાવ્યું છે કે ચાર માળથી વધુ ગેરકાયદેસર બાંધકામો તાત્કાલિક સીલ કરવામાં આવશે. આવા બાંધકામોને મંજૂરી આપનારા અથવા સમયસર પગલાં લેવામાં નિષ્ફળ રહેલા અધિકારીઓ માટે જવાબદારી નક્કી કરવામાં આવશે. તાત્કાલિક બરતરફી સુધીના દંડની જોગવાઈઓ અસ્તિત્વમાં છે. આ નિર્દેશો તાત્કાલિક અમલમાં આવે છે.</p><p><br></p><h4>સત્ય નિકેતનમાં પીજી રહેઠાણો અને અન્ય ઇમારતોનું નિરીક્ષણ</h4><p>સરકારના નિર્દેશને અનુસરીને, સત્ય નિકેતન અને આસપાસના વિસ્તારોમાં પીજી રહેઠાણો અને અન્ય ઇમારતોનું વ્યાપક નિરીક્ષણ કરવામાં આવશે. જો બાંધકામના ધોરણોનું ઉલ્લંઘન જોવા મળશે, તો સંબંધિત ઇમારતોને સીલ કરવામાં આવશે અને અન્ય યોગ્ય પગલાં લેવામાં આવશે.<br><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gallery/news/betel-leaves-for-diabetes-control-how-to-control-blood-sugar-naturally?1" target="_blank"><b>ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ... કરો નાગરવેલના પાનનું સેવન</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/DBhy3oQa95XMWxnfGG7YMXxiLEGsvajC7VPmQJXz.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: થલતેજ મેટ્રો સ્ટેશન નીચે ડમ્પરે 12 વર્ષની બાળકીને કચડી, ઘટનાસ્થળે જ સગીરાએ દમ તોડ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/thaltej-dumper-accident-12-year-old-girl-killed-driver-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/thaltej-dumper-accident-12-year-old-girl-killed-driver-arrested</guid><pubDate>Mon, 07 Sep 2026 16:48:43 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરમાં ફરી એકવાર બેફામ દોડતા ડમ્પરોએ દહેશત મચાવી છે. થલતેજ ચાર રસ્તા પર આવેલા મેટ્રો સ્ટેશન નીચે એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. એક માતા પોતાની 12 વર્ષની બાળકી સાથે એક્ટિવા પર જઈ રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરના ચાલકે એક્ટિવાને સખત ટક્કર મારી હતી.</p><h2><b>થલતેજમાં મોતના ડમ્પરે લીધો 12 વર્ષની દીકરીનો જીવ</b></h2><p>આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે ૧૨ વર્ષની માસૂમ બાળકીનું તેની માતાની નજર સામે જ ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું.અકસ્માત સર્જાયા બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ભાગવા જઈ રહેલા ડમ્પર ચાલકની અટકાયત કરી ડમ્પર જપ્ત કરી લીધું છે.</p><h3><b>માતાની નજર સામે જ બાળકીનું કરુણ મોત</b></h3><p>તપાસ દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી છે કે આ જ ડમ્પરે અગાઉ પણ બે નિર્દોષ લોકોનો જીવ લીધો હતો, છતાં રોડ પર દોડતું હતું.ટ્રાફિક પોલીસે ડમ્પર ચાલક સામે સાપરાધ મનુષ્યવધ અને અકસ્માતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.શહેરમાં દિવસે પણ બેફામ દોડતા ભારે વાહનો સામે ટ્રાફિક પોલીસ કડક ઝુંબેશ ચલાવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/auto-rickshaw-strike-brts-passengers-cross-one-lakh-revenue-soars" target="_blank">આ પણ વાંચો: Ahemdabad: રિક્ષાઓ બંધ રહેતાં BRTSમાં મુસાફરોનું ઘોડાપૂર, બપોર સુધીમાં 13.82 લાખની આવક રળી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/shuC93ktxq1ZHqZZ1p4DrW76pn00PG4I7yB2aXEE.webp'/></item><item><title><![CDATA[Kutch Crime News: પ્રેમિકાને પામવા પતિની હત્યા, બે ટુકડા કરી તળાવમાં ફેંક્યા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kutch/anjar-varsamedi-murder-case-wife-lover-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kutch/anjar-varsamedi-murder-case-wife-lover-arrested</guid><pubDate>Mon, 07 Sep 2026 16:47:05 +05:30</pubDate><description><![CDATA[<p>પૂર્વ કચ્છના અંજાર તાલુકાના વરસામેડી ગામેથી ગત 31 ઓગસ્ટના રોજ ગુમ થયેલા 43 વર્ષીય લખ્ખુભાઈ રૂડાભાઈ હુંબલની ઘાતકી હત્યાનો સનસનાટીભર્યો પર્દાફાશ થયો છે. 5 સપ્ટેમ્બરના રોજ ગામના તળાવ કિનારેથી બે શંકાસ્પદ પ્લાસ્ટિકના કોથળા મળી આવ્યા હતા, જેમાં તપાસ કરતા માનવ શરીરના અલગ-અલગ ટુકડા મળી આવ્યા હતા. પોલીસે મૃતદેહની ઓળખ ગુમ થયેલા લખ્ખુભાઈ તરીકે કરી હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.</p><h2><b>અનૈતિક સંબંધમાં પત્નીના પ્રેમીએ જ ઘડી હત્યાની સ્ક્રિપ્ટ</b></h2><p>પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચનાથી અંજાર પોલીસ અને એલસીબીની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ તપાસ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો કે મૃતક લખ્ખુભાઈની પત્ની સાથે પાડોશમાં રહેતા દિનેશ રાયધણભાઈ ઠાકોરનો છેલ્લા દોઢ વર્ષથી પ્રેમસંબંધ હતો. આ જ પ્રેમસંબંધના કારણે દિનેશે લખ્ખુભાઈને મોડી રાત્રે પોતાના ઘરે બોલાવી માથામાં લોખંડનો રોડ મારી હત્યા નીપજાવી હતી.</p><p><img alt="Kutch Crime News: Anjar Murder case: Wife's Lover Kills Man, Cuts Body into Two Pieces" src="https://epapercdn.sandesh.com/images/2026/09/07/tWRvlduKLki5PIySvwYvtn31RRQJQFtMl9n8QSJh.webp"><br></p><h2><b>મૃતદેહના બે ટુકડા કરી તળાવમાં ફેંકી દીધા</b></h2><p>હત્યા કર્યા બાદ આરોપી દિનેશે મૃતદેહનો નિકાલ કરવા માટે ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી. મૃતદેહ ભારે હોવાથી ઉપાડી ન શકાતાં તેણે ઘરે પડેલી હેક્સો બ્લેડ વડે લખ્ખુભાઈના શરીરના બે ટુકડા કરી નાખ્યા હતા. ત્યારબાદ અલગ-અલગ પ્લાસ્ટિકના કોથળામાં ભરીને વરસામેડી ગામના તળાવમાં ફેંકી દીધા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં આ ઘાતકી હત્યાનો ભેદ ઉકેલી આરોપી દિનેશ ઠાકોરની ધરપકડ કરી લીધી છે.</p><p><img alt="Kutch Crime News: Anjar Murder case: Wife's Lover Kills Man, Cuts Body into Two Pieces" src="https://epapercdn.sandesh.com/images/2026/09/07/u2ZMBXNM7poKvTYPvpZ7KWZmDVJGTdHBZ3ulZcrG.webp"><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kutch/kachchh-mandvi-narmada-canal-farmers-protest" target="_blank">Kutchના માંડવીમાં નર્મદા કેનાલના અનિયમિત પાણીથી ખેડૂતોમાં ભારે રોષ, સિંચાઈના પાણી માટે નોંધાવ્યો વિરોધ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/fCigxh9qpT5QE4byFxG2Sp8NAasCTKYUJTZh95rN.webp'/></item><item><title><![CDATA[Rajkot News: લોકમેળામાં ફૂડ વિભાગની કાર્યવાહી, 417 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-news-food-department-action-at-lok-mela-417-kg-of-inedible-food-destroyed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-news-food-department-action-at-lok-mela-417-kg-of-inedible-food-destroyed</guid><pubDate>Mon, 07 Sep 2026 16:40:18 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટના પ્રસિદ્ધ જન્માષ્ટમી લોકમેળામાં દેશ-વિદેશથી આવતા મુલાકાતીઓના આરોગ્યની જાળવણી માટે ફૂડ વિભાગ મારફતે કડક ઝુંબેશ ચલાવવામાં આવી હતી. મહાનગરપાલિકાના ફૂડ વિભાગે તા. 2 થી 6 સપ્ટેમ્બર દરમિયાન મેળા પરિસરમાં આવેલા વિવિધ ખાદ્યચીજોના સ્ટોલ તેમજ ફેરિયાઓનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં કડક હાથે કાર્યવાહી કરવામાં આવી હતી.</p><h2><b>વાસી બટેટા, દાઝેલું તેલ અને ચટણી જપ્ત કરાયા</b></h2><p>તપાસ દરમિયાન ખાદ્ય પદાર્થો વેચતા વેપારીઓ પાસેથી મોટા પ્રમાણમાં અસ્વસ્થ અને આરોગ્ય માટે હાનિકારક સામગ્રી મળી આવી હતી. ફૂડ વિભાગની ટીમે વાસી બટેટા, વારંવાર વપરાયેલું દાઝેલું તેલ, સડેલા શાકભાજી, વાસી ઘૂઘરા-ચટણી અને પાણિપુરીનું અશુદ્ધ પાણી સહિત અંદાજે 417 કિલો જેટલો અખાદ્ય જથ્થો પકડી પાડી સ્થળ પર જ તેનો નાશ કર્યો હતો.</p><p><img alt="Rajkot Janmashtami Lok Mela 2026: Food Dept Destroys 417 kg Inedible Food" src="https://epapercdn.sandesh.com/images/2026/09/07/xVr83dFmKRue3MjzweWJjRbjvIMuD1rriLRsRzGK.webp"><br></p><h2><b>નિયમભંગ કરનાર વેપારીઓ પાસેથી વહીવટી દંડ વસૂલાયો</b></h2><p>લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા અને સ્વચ્છતાના નિયમોનું પાલન ન કરનારા સ્ટોલ ધારકો સામે તંત્રએ દંડાત્મક કાર્યવાહી કરાઈ છે. ફૂડ વિભાગે બેદરકાર વેપારીઓ પાસેથી કુલ 15,750 નો વહીવટી ચાર્જ પણ વસૂલ કર્યો હતો. આગામી દિવસોમાં પણ આવી તપાસ ચાલુ રાખવાની ચિંતન સાથે ફૂડ વિભાગે વેપારીઓને શુદ્ધ સામગ્રી જ વેચવાની સખત તકીદ કરી છે. આ કાર્યવાહીને કારણે લોકોને મેળામાં સ્વચ્છ અને આરોગ્યપ્રદ ખાણીપીણીની વસ્તું મળી હતી.</p><p><img alt="Rajkot Janmashtami Lok Mela 2026: Food Dept Destroys 417 kg Inedible Food" src="https://epapercdn.sandesh.com/images/2026/09/07/riTOsJXQ3cHQne7bxxb5hUn84IkrWrlzWAIG1oCK.webp"><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/rajkot/railway-station-ganja-seized-crime-branch-raid-one-arrested" target="_blank">Rajkot: ટ્રેનો બની નશીલા પદાર્થોની હેરાફેરીનું માધ્યમ, પ્લેટફોર્મ નંબર 1 પરથી 18 કિલો ગાંજો જપ્ત</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/WqhgaSg26iaJSgLRCR3r84MW2akrRV6RBwnOKuLB.webp'/></item><item><title><![CDATA[Stock Market Closing: શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સ 382.62 પોઇન્ટ તૂટ્યો ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-closing-stock-market-declines-sensex-falls-38262-points</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-closing-stock-market-declines-sensex-falls-38262-points</guid><pubDate>Mon, 07 Sep 2026 15:34:27 +05:30</pubDate><description><![CDATA[<p>સોમવારે શેરબજારમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું. ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે રોકાણકારોની ચિંતા વધી ગઈ છે. મોંઘા તેલ ફુગાવાને વેગ આપી શકે છે તેવી આશંકાને કારણે બજાર દબાણ હેઠળ છે.</p><h2><b>શેરબજારમાં ઘટાડો&nbsp;</b></h2><p>બપોરે 1:00 વાગ્યા સુધીમાં, સેન્સેક્સ 515.89 પોઈન્ટ અથવા 0.67 ટકા ઘટીને 75,999.54 પર ટ્રેડ કરી રહ્યો હતો. દરમિયાન, નિફ્ટી 23,743.55 પર ટ્રેડ કરી રહ્યો હતો, જે 154.15 પોઈન્ટ અથવા 0.65 ટકાનો ઘટાડો દર્શાવે છે. જ્યારે બપોરે 3.30 કલાકે સેન્સેક્સ 382.62 પોઇન્ટના ઘટાડા સાથે&nbsp; 76,132 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી −118.55 પોઇન્ટના ઘટાડા સાથે&nbsp; 23,779.15 અંકે બંધ થયો.&nbsp;</p><h2><b>ઇન્ફોસિસ અને ટેક મહિન્દ્રામાં ઘટાડો</b></h2><p>નિફ્ટી 50 ઇન્ડેક્સમાં ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા અને બજાજ ઓટો ટોચના ઘટાડા કરનારાઓમાં સામેલ હતા. આઇટી શેરોમાં નોંધપાત્ર દબાણ જોવા મળ્યું.વ્યાપક બજારમાં, નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 0.15 ટકા ઘટ્યો હતો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સ 0.24 ટકાના વધારા સાથે ટ્રેડ થયો હતો.</p><h3><b>આઇટી અને રિયલ્ટી ક્ષેત્રો પર દબાણ</b></h3><p>ક્ષેત્રીય સૂચકાંકોમાં, નિફ્ટી આઇટી, નિફ્ટી રિયલ્ટી અને નિફ્ટી પીએસયુ બેંકમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો. તેનાથી વિપરીત, નિફ્ટી ફાર્મા અને નિફ્ટી હેલ્થકેરમાં સૌથી નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો.</p><h3><b>IT શેર ખુલતા જ ઘટ્યા</b></h3><p>ટ્રેડિંગની શરૂઆતમાં, આશરે 1,519 શેર વધારા સાથે ખુલ્યા, જ્યારે 1,224 શેર લાલ નિશાનમાં ખુલ્યા; અન્ય 261 શેર સ્થિર ખુલ્યા. અઠવાડિયાના પહેલા દિવસે આ ઘટાડા વચ્ચે, IT કંપનીના શેરમાં ઘટાડો અને મૂલ્યમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો.</p><p>BSE લાર્જ-કેપ કંપનીઓમાં, ઇન્ફોસિસ (-2.60%), ટેક મહિન્દ્રા (-1.75%), HCL ટેક (-1.60%), અને TCS (-1%) ના શેર નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા. મિડ-કેપ કેટેગરીમાં, ભારત ફોર્જ (-1.90%), એમફેસિસ (-1.75%), પર્સિસ્ટન્ટ (-1.70%) અને ગોદરેજ પ્રોપર્ટીઝ (-1.40%) ના શેર પણ નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.</p><h4><b>માર્કેટમાં કડાકાના ચાર મુખ્ય કારણો</b></h4><p><b>પહેલું કારણ: </b>આ શેરબજારના ઘટાડા પાછળના મુખ્ય પરિબળોની વાત કરીએ તો, આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવમાં ઉથલપાથલ સ્પષ્ટપણે દેખાય છે. બ્રેન્ટ ક્રૂડના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો, પ્રતિ બેરલ $97 થી ઉપર ટ્રેડ થયો. આનાથી વૈશ્વિક ફુગાવાના જોખમો વધ્યા છે અને રોકાણકારોના ભાવનામાં ઘટાડો થયો છે.</p><p><b>બીજું કારણ:</b> અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઓછો થવાના કોઈ સંકેતો નથી મળતા. તાજેતરના વિકાસમાં, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના અર્થતંત્ર, તેલ ક્ષેત્ર અને ચલણને લક્ષ્ય બનાવતી અનેક સોશિયલ મીડિયા પોસ્ટ્સ શેર કરી. એક પોસ્ટમાં તેહરાનના નકશા પર ટ્રમ્પની છબી દર્શાવવામાં આવી હતી, જ્યારે બીજી પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઈરાનની તેલ નિકાસ ઘટી રહી છે. આ ક્રિયાઓ મધ્ય પૂર્વમાં તણાવ વધારી રહી હોય તેવું લાગે છે.</p><p><b>ત્રીજું કારણ</b>: વિદેશી બજારોમાં મિશ્ર વલણે બજારમાં ઘટાડામાં ફાળો આપ્યો હતો. જ્યારે જાપાન અને દક્ષિણ કોરિયાના શેરબજારો સોમવારે ફાયદા સાથે વેપાર કરતા હતા, ત્યારે અન્ય એશિયન અને યુરોપિયન સૂચકાંકો - જેમ કે હોંગકોંગના હેંગ સેંગ, યુકેના FTSE-100, CAC અને DAX - નીચા વેપાર કરતા હતા. વધુમાં, ગિફ્ટ નિફ્ટી - જે ભારતીય શેરબજાર માટેનો મુખ્ય સૂચક છે - શરૂઆતના સમયે જ લપસી ગયો હતો અને આ અહેવાલ લખાય ત્યાં સુધીમાં લગભગ 90 પોઈન્ટ ઘટ્યો હતો.</p><p><br></p><p><b>ચોથું કારણ:</b> સોમવારે બજારમાં ઘટાડામાં IT શેરોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ઇન્ફોસિસ, એચસીએલ, ટીસીએસ અને ટેક મહિન્દ્રા સહિત વિવિધ આઇટી કંપનીઓના શેર ખુલતા જ ઝડપથી ઘટ્યા. નિફ્ટી આઇટી ઇન્ડેક્સ લગભગ 1 ટકા ઘટ્યો, જે એક એવો ઘટાડો હતો જેણે વ્યાપક શેરબજાર પર નોંધપાત્ર અસર કરી.</p><p><br></p><p><br></p><p><a href="https://sandesh.com/india/news/maithili-thakur-i-dont-think-it-makes-sense-to-base-the-surname-on-maithili-thakur-breaks-silence-on-reservation" target="_blank">આ પણ વાંચો:  Maithili Thakur: મની નથી લાગતું કે સરનેમને આધારે... અનામતને લઇને મૈથિલી ઠાકુરે તોડ્યુ મૌન</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/04/22/ImEoH8XVKSpwKohsEtbZTWR6IaJ4XBQ4dmVVsfy6.webp'/></item><item><title><![CDATA['Hanuman Ansh' એ બ્રહ્મચારીઓને પણ પહોંચાડી દીધા થિયેટર , જુઓ વાયરલ VIDEO ]]></title><link>https://sandesh.com/entertainment/news/hanuman-ansh-viral-video-gurukul-brahmacharis</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/hanuman-ansh-viral-video-gurukul-brahmacharis</guid><pubDate>Mon, 07 Sep 2026 13:54:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જ્યારે કોઈ ફિલ્મ પાસેથી શરૂઆતમાં બહુ ઓછી અપેક્ષાઓ હોય, પરંતુ તેની રિલીઝ પછી તેનું પ્રદર્શન અપેક્ષાઓ કરતા અનેકગણું વધી જાય, ત્યારે તે ફિલ્મ ખાસ બની જાય છે. નીમ કરોલી બાબાના જીવન અને તેમની પવિત્ર ઉપદેશો પર આધારિત ભક્તિમય ફિલ્મ 'હનુમાન અંશ' સાથે પણ હાલમાં કઈંક આવું જ જોવા મળી રહ્યું છે. દર્શકો તરફથી આ ફિલ્મને અભૂતપૂર્વ પ્રેમ અને સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થયો છે જેણે સૌનું વિશેષ ધ્યાન ખેંચ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>પરંપરાગત પોશાકમાં પહોંચ્યા બ્રહ્મચારીઓ</b></h2><p style="text-align: justify; ">આ વાયરલ વીડિયોમાં&nbsp; થિયેટરની અંદર અને બહાર ગુરુકુલના કેટલાક બ્રહ્મચારીઓ પરંપરાગત પોશાકમાં નજરે પડી રહ્યા છે. ગુરુકુળના આ યુવા વિદ્યાર્થીઓ એકસાથે થિયેટરમાં પહોંચ્યા હતા અને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક 'હનુમાન અંશ' ફિલ્મનું સ્ક્રીનિંગ નિહાળ્યું હતું. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ આ બ્રહ્મચારીઓની ઉપસ્થિતિએ સિનેમાઘરમાં ઉપસ્થિત અન્ય દર્શકોનું પણ ધ્યાન આકર્ષિત કર્યું હતું. ફિલ્મનો મુખ્ય વિષય મહાન આધ્યાત્મિક ગુરુ નીમ કરોલી બાબાની જીવનકથા હોવાને કારણે ગુરુકુલના વિદ્યાર્થીઓનું આ રીતે ફિલ્મ જોવા પહોંચવું એ એક અનોખો અને પ્રેરણાદાયી સંયોગ બન્યો છે.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/choga_don/status/2096529724243931474"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h3 style="text-align: justify; "><b>હનુમાન અંશે કરી કરોડોની કમાણી</b></h3><p style="text-align: justify; ">વિશાલ ચતુર્વેદી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં શોભિનવ સત્ય મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે, જ્યારે તેમની સાથે વિહાન શેડગે, ચંદન કે. આનંદ, પૂર્ણિમા તિવારી અને ગુલશન પાંડે જેવા કલાકારો પણ મહત્વના રોલમાં છે. ફિલ્મની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ ફિલ્મને રાજ્યમાં કરમુક્ત (Tax-Free) જાહેર કરી છે. સિનેમાઘરોમાં દર્શકોની ભીડ જામી રહી છે અને ગુરુકુલના વિદ્યાર્થીઓનો આ વીડિયો ઇન્ટરનેટ પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/delhi-building-collapse-manual-rescue-body-found" target="_blank">આ પણ વાંચોઃ Delhi Building Collapse: કાટમાળ માંથી વધુ એક મૃતદેહ મળ્યો, હવે JCBથી નહીં મેન્યુઅલી કાટમાળ હટાવાશે</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/XR1zL2uAIINEHpv6AkalgIT8kOxwlwtjySF4eB2V.webp'/></item><item><title><![CDATA[China Masters Final : સાત્વિક-ચિરાગની જોડીએ રચ્યો ઇતિહાસ, ચીનને હરાવી પ્રથમ વાર બની ચેમ્પિયન ]]></title><link>https://sandesh.com/sports/news/satwik-and-chirag-created-history-by-defeating-a-chinese-pair-to-win-the-china-masters-title</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/satwik-and-chirag-created-history-by-defeating-a-chinese-pair-to-win-the-china-masters-title</guid><pubDate>Mon, 07 Sep 2026 10:23:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતની સ્ટાર પુરુષ ડબલ્સ જોડી સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર દેશનું નામ રોશન કર્યું છે.ચાઇના માસ્ટર્સ 2026ના રોમાંચક ફાઇનલ મુકાબલામાં ભારતીય જોડીએ શાનદાર વાપસી કરીને યજમાન ચીનની જોડી હે જી તિંગ અને રેન શિયાંગ યુને 1 કલાક 10 મિનિટ સુધી ચાલેલા સંઘર્ષપૂર્ણ મુકાબલામાં 11-21, 21-13, 21-17 થી હરાવીને ટ્રોફી પોતાના નામે કરી લીધી છે.આ ઐતિહાસિક જીત સાથે સાત્વિક-ચિરાગની જોડીએ 92,500 ડોલર ની માતબર ઇનામી રકમ પણ મેળવી છે.</p><h4 style="text-align: justify; "><b>ત્રીજા પ્રયાસે જીત્યો ઐતિહાસિક ખિતાબ</b></h4><p style="text-align: justify; ">ચાઇના માસ્ટર્સના મંચ પર સાત્વિક અને ચિરાગનો આ ત્રીજો ફાઇનલ મુકાબલો હતો.આ અગાઉ તેઓ વર્ષ 2023 અને 2025 માં ફાઇનલ સુધી પહોંચ્યા હતા, પરંતુ બંને વખતે તેમને રનર્સ-અપ એટલે કે ઉપવિજેતા બનીને સંતોષ માનવો પડ્યો હતો. આ વખતે પૂર્વ વર્લ્ડ નંબર-4 ચીની જોડી સામે પ્રથમ ગેમ 11-21 થી એકતરફી ગુમાવ્યા છતાં ભારતીય જોડીએ દબાણમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. બીજી ગેમ 21-13 થી જીતી મેચમાં બરાબરી કર્યા બાદ નિર્ણાયક ગેમમાં સાત્વિકના પાવરફુલ સ્મેશ અને ચિરાગના શાનદાર નેટ પ્લેના&nbsp; દમ પર 21-17 થી મેચ સીલ કરી લીધી હતી. આ સાથે ભારતીય જોડીએ ચીની જોડી સામે અજેય રેકોર્ડ જાળવી રાખતાં હેડ-ટુ-હેડ રેકોર્ડ 3-0 કરી લીધો છે.</p><p style="text-align: justify; "><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/Media_SAI/status/2096573691694121117?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></p><p style="text-align: justify; "><br></p><h5 style="text-align: justify; "><b>સિઝનનો બીજો મોટો ખિતાબ અને આગામી પડકારો</b></h5><p style="text-align: justify; ">સાત્વિક અને ચિરાગની જોડી માટે વર્તમાન સિઝનનો આ બીજો મોટો ખિતાબ છે. આ પહેલા તેમણે 'સિંગાપોર ઓપન સુપર 750'નો ખિતાબ જીત્યો હતો, જ્યારે 'થાઈલેન્ડ ઓપન સુપર 500'ના ફાઇનલમાં તેઓ ઉપવિજેતા રહ્યા હતા. સાત્વિકના ખભાની ઈજા અને ફિટનેસની સમસ્યાઓના કારણે આ સિઝન પડકારોથી ભરેલી રહી છે. તેમ છતાં મોટા મંચ પર દબાણ નિયંત્રિત કરવાની તેમની ક્ષમતા આ પ્રદર્શનથી સાબિત થાય છે. 'એશિયન ગેમ્સ 2026' (Asian Games 2026) પહેલાં મળેલી આ શાનદાર જીત ભારતીય બેડમિન્ટન માટે મોટું મનોબળ પૂરું પાડનારી સાબિત થશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/satwik-chirag-enter-china-masters-2026-final-after-beating-malaysia-pair" target="_blank"> China Masters 2026 Badminton : સાત્વિક-ચિરાગની ધમાકેદાર એન્ટ્રી, ચાઇના માસ્ટર્સની ફાઇનલમાં પહોંચ્યા</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/wztWfTUhL3UXUCxk4rAZXpTKylR2DQhLmrODhLPG.webp'/></item></channel></rss>