<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Gandhinagar: ડભોડામાં 250 વર્ષ જૂનું ઝાડ ભારે વરસાદમાં ધરાશાયી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/gandhinagar/gandhinagar-250-year-old-tree-collapses-in-heavy-rain-in-dabhoda</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/gandhinagar/gandhinagar-250-year-old-tree-collapses-in-heavy-rain-in-dabhoda</guid><pubDate>Mon, 27 Jul 2026 04:52:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગાંધીનગરના ડભોડામાં તાજેતરમાં ભારે વરસાદમાં એક 250 વર્ષ જુનુ આંબલીનુ તોતીંગ ઝાડ પડી ગયુ હતુ. આ ઝાડનો ઇતિહાસ અઢીસો વર્ષ પહેલા નો મનાય છે અને અંગ્રેજોના સમયે સાદરા સ્ટેટથી ડભોડાને જોડતા માર્ગ પર આ વૃક્ષને વવાયુ હોવાની માન્યતા છે. અગ્રેજાના કાળના આ ઝાડ પડી જવા થી વર્ષો જુની જીવંત ઇકોલોજીકલ વિરાસતનો તથખઆ ઓકિસજનના વિપુલ ભંડાર પુરો પાડતી સિસ્ટમનો અંત આવ્યો હોવાનુ ભાવપુર્વક ગ્રામજનોએ જણાવ્યુ હતુ.&nbsp;</p><p style="text-align: justify; ">ડભોડામાં આ ઝાડથી આખા એક વિસ્તારની ઓળખ થતી હતી. અંબાલાલ કાકાની આંબલી તરીકે ઝાડને ઓળખવામાં આવતુ હતુ અને ગામમાં કોઇ બહારથી આવનાર વ્યકતી જ્યારે આ વિસ્તારમાં જવુ હોય તો પણ આંબલી વિસ્તાર તરીકે પુછવામા આવતુ હતુ. રોડની નજીકમા પડી ગયેલા આ તોતીંગ ઝાડથી કોઇ જાનહાની કે નુકસાન ના થયુ હોવાની વિગતો છે. ઝાડને દુર કરવામાં આવ્યુ ત્યારે સ્થાનીક ગ્રામજનો પૈકી વર્ષો સુધી આ ઝાડની છત્રછાયામાં રહેનારા રહીશોએ તેની પુજા અને દીપ જલાવીને આખરી વિદાય આપી હતી તો કેટલાક ગ્રાજનોએ તેના કેટલાક લાકડાના ટુકડાને પણ યાદગીરીના સ્વરુપે સંગ્રહ્યા હતા. ઓકિસજનનો ભંડાર આપતા વૃક્ષના પડી જવાની ઘટના બાદ ખરેખર આખે આખા વિસ્તાર જેનાથી ઓળખાતો હતો એ ઓળખનુ પ્રતિક જ મટી ગયુ હોવાની સ્થિતી જોવા મળી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/27/Kp3UXvzXgEGtVQkRbUo8PKtHv07DFCVekcNADZS9.webp'/></item><item><title><![CDATA[Kheralu: થરાદ-ગાંધીનગર રૂટની બસ ખેરાલુમાં રસ્તાના ભુવામાં ફ્સાઈ, 32 મુસાફરોનો આબાદ બચાવ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/kheralu/kheralu-bus-on-tharad-gandhinagar-route-gets-stuck-in-mud-on-the-road-in-kheralu-32-passengers-rescued-safely</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/kheralu/kheralu-bus-on-tharad-gandhinagar-route-gets-stuck-in-mud-on-the-road-in-kheralu-32-passengers-rescued-safely</guid><pubDate>Mon, 27 Jul 2026 04:51:19 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ખેરાલુ શહેરમાં નગરપાલિકાની બેદરકારીના કારણે એક મોટો અકસ્માત ટળ્યો હતો. શીત કેન્દ્ર નજીક બસ સ્ટેન્ડથી હાઈવે પર ચડતી થરાદ-ગાંધીનગર રૂટની એસટી બસ (નં. GJ-18 - Z-1029) રસ્તા વચ્ચે પડેલા મોટા ખાડા (ભુવા)માં ફ્સાઈ જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં ગટર લાઈનનું કામ કરાયું હતું. જોકે, કામગીરી પૂર્ણ થયા બાદ રસ્તાનું યોગ્ય રીતે પુનઃસ્થાપન કરવામાં ન આવતાં મોટો ખાડો રહી ગયો હતો. બસ હાઈવે પર ચડતી વખતે આગળનું ટાયર ખાડામાં ઉતરી જતાં બસ ફ્સાઈ ગઈ હતી. સદનસીબે બસના ડ્રાઈવરની સમયસૂચકતા અને સતર્કતાના કારણે બસમાં સવાર 32 મુસાફરોને કોઈપણ પ્રકારની ઈજા પહોંચી ન હતી. બાદમાં ક્રેનની મદદથી બસને ખાડામાંથી બહાર કાઢી ફરી ગાંધીનગર જવા રવાના કરવામાં આવી હતી.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/27/STxyW39ns3GPqhpoiIq8xnGGD4Woj4XwICdqumv6.webp'/></item><item><title><![CDATA[Zalawad: આકાશી આફતથી 10 મુખ્ય માર્ગો ઠપ થયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/zalawad-10-major-roads-blocked-due-to-celestial-calamity</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/zalawad-10-major-roads-blocked-due-to-celestial-calamity</guid><pubDate>Mon, 27 Jul 2026 04:20:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સમગ્ર રાજયની સાથે સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. અને માત્ર બે દિવસમાં જ જિલ્લામાં સીઝનનો 25 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. ત્યારે સતત વરસાદને લીધે જિલ્લાના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જેમાં જિલ્લાના 10 રસ્તાઓ બંધ થઈ ગયા હતા.&nbsp; &nbsp;&nbsp;</p><p style="text-align: justify; ">સુરેન્દ્રનગર જિલ્લામા તા. 23 અને 24મી જુલાઈએ પડેલા ભારે વરસાદને લઈને ખાસ કરીને ગ્રામ્ય પંથકોમાં રસ્તાઓને નુકશાન થયુ હતુ. જેમાં દસાડા, લખતર, વઢવાણ, ધ્રાંગધ્રા, થાન, લીંબડી સહિતના તાલુકાઓમાંથી પસાર થતા પંચાયત હસ્તકના તથા માર્ગ મકાન સ્ટેટ હસ્તકના હાઈવે અને ગ્રામ્ય પંથકોને જોડતા રસ્તાઓ પર પાણી ફરી વળતા રસ્તાઓ બંધ થયા હતા. જેમાં જિલ્લાના 10 રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ કરી દેવાયો હતો. જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગરના દુધરેજથી માલવણ, પાટડી થઈ બહુચરાજી જતો હાઈવે પર બંધ થતા હજારો વાહનચાલકો અટવાયા હતા. ત્યારે જિલ્લા કલેકટર જી.એચ.સોલંકીની સુચનાથી માર્ગ મકાન વિભાગ દ્વારા મેગા ડ્રાઈવનું આયોજન કરાયુ હતુ. જેમાં નાયબ કાર્યપાલક ઈજનેર્સ, સેકશન ઓફીસર્સના નિરીક્ષણ હેઠળ 850 કિમીથી વધુ લંબાઈના રસ્તાઓનું નિરીક્ષણ કરાયુ હતુ. અને ક્ષતીગ્રસ્ત માર્ગોની યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં 5 ઈમરજન્સી ટીમ, 20 જેસીબી, 40 ટ્રેકટર-ટ્રોલી અને 100થી વધુ શ્રામીકો જોડાયા હતા. આ કામગીરીમાં પાણી નીકાલના માર્ગો સાફ કરીને રસ્તા પરથી પાણીનો નીકાલ સુનિશ્ચિત કરાયો હતો. જયારે રસ્તાઓ પરથી પાણી ઓસરતા ક્ષતીગ્રસ્ત રસ્તાઓનું પેચવર્ક કરીને મરમ્મત કરાઈ હતી. તા. 23-24મી જુલાઈના વરસાદથી જિલ્લામાંથી પસાર થતા 10 રસ્તાઓ પર સંપૂર્ણ વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. જેમ રવીવાર બપોર સુધીમાં 7 માર્ગ પર વાહન વ્યવહાર પુનઃ સ્થાપીત કરાયો છે. જયારે 3 રસ્તાઓ પર ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ કરવાની કામગીરી ચાલી રહી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/27/ZJ2c3ZooGg49AqcDQIC5LpFSYzg5FfOohLT68uOt.webp'/></item><item><title><![CDATA[Surat: પાલમાં બી.કોમ.ની વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-bcom-student-commits-suicide-by-hanging-herself-in-pal</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-bcom-student-commits-suicide-by-hanging-herself-in-pal</guid><pubDate>Mon, 27 Jul 2026 02:39:01 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત : શનિવારે સાંજના સમયે પાલ વિસ્તારમાં બી.કોમ.ની વિદ્યાર્થિનીએ ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. લાંબા સમયથી એક યુવક તેણીને પરેશાન કરી રહ્યો હતો. આ યુવકના ત્રાસથી કંટાળી જઈ પુત્રીએ અંતિમ પગલું ભરી લીધું હોવાનો આક્ષેપ પરિવારના સભ્યોએ કર્યો હતો.</p><p>ઝારખંડના વતની રામલખન યાદવ પરિવાર સાથે પાલ બાગબાન સર્કલ પાસે સુમન મુદ્રા એસએમસી આવાસમાં રહે છે. ઓટો રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા રામલખનને સંતાનમાં ત્રણ પુત્રી અને બે પુત્ર છે. દરમિયાન શનિવારે સાંજે રામલખનની કાજલકુમારી (ઉં.વ.20) નામની પુત્રીએ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી. એસ. ડી. જૈન કોલેજમાં બી.કોમ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી કાજલકુમારીના અણધાર્યા પગલાથી પરિવારજનો ઘેરા શોકમાં ડૂબી ગયા છે. મૃતક કાજલકુમારીના કાકા મહાવીર યાદવે આક્ષેપ કરતા કહ્યું હતું કે, કાજલકુમારીને એક યુવક ઘણા સમયથી પરેશાન કરી રહ્યો હતો. મોબાઈલ ફોન પર મેસેજ કરી પરેશાન કરતા આ યુવકના ત્રાસથી કંટાળી જઈ તેણીએ અંતિમ પગલું ભરી લીધું હતું. એક પરિચિત યુવકે કાજલકુમારીને પરેશાન કરનારા યુવક સાથેની ચેટિંગના સ્ક્રિનશોટ પણ તેમને આપ્યા છે. આ મામલે પાલ પોલીસે જણાવ્યું હતું કે, હજી સુધી પરિવારે આ પ્રકારની કોઈ માહિતી અમને આપી નથી. પરિવારના સભ્યોનો જવાબ લેવાનો બાકી છે. જોકે, મૃતક કાજલકુમારીનો મોબાઈલ ફોન કબજે કરી તપાસ શરૂ કરવામાં આવી છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/27/p3oQvcytAWm3b7CYh9c6jBjgtE2AGFnWrr07IoJ4.webp'/></item><item><title><![CDATA[Surat: મોટા વરાછામાં 100 ફૂટ ઊંચો તિરંગો લહેરાયો, સરદાર પ્રતિમાનું અનાવરણ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-100-feet-tall-tricolor-waved-in-big-rain-sardar-statue-unveiled</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-100-feet-tall-tricolor-waved-in-big-rain-sardar-statue-unveiled</guid><pubDate>Mon, 27 Jul 2026 02:38:20 +05:30</pubDate><description><![CDATA[<p>સુરતના મોટા વરાછા સ્થિત રામચોક ખાતે કારગિલ વિજય દિન નિમિત્તે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. સુદામા ચોક નજીક રામચોક ખાતે 100 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ સ્થાપિત કરી દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, 100 ફૂટ ઊંચા તિરંગાની સ્થાપના માત્ર ધ્વજારોહણ નથી, પરંતુ દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા, શૌર્ય અને ભારત પ્રત્યેની અવિચળ શ્રદ્ધાનું જીવંત પ્રતીક છે. આ પહેલ આવનારી પેઢીઓને પણ રાષ્ટ્રભક્તિની પ્રેરણા આપતી રહેશે.</p><p>વધુમાં, રાષ્ટ્રધ્વજારોહણ બાદ નાયબ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ત્યારબાદ કારગિલ યુદ્ધ સહિત દેશ માટે શહીદ થયેલા વીર જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા, ધારાસભ્ય મુકેશ પટેલ સહિતના અગ્રણીઓ અને સુદામા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/27/7QDcd5gmDhzbaKpX1PondbMoIlvy9ESeVIxHRFJb.webp'/></item><item><title><![CDATA[Auto News: પ્રીમિયમ ઈન્ટિરિયર અને પાનોરેમિક સનરૂફ સાથે ભારતીય બજારમાં વાપસી કરશે આ દમદાર SUV ]]></title><link>https://sandesh.com/business/news/automobile/auto-news-this-powerful-suv-will-return-to-the-indian-market-with-a-premium-interior-and-panoramic-sunroof</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/auto-news-this-powerful-suv-will-return-to-the-indian-market-with-a-premium-interior-and-panoramic-sunroof</guid><pubDate>Sun, 26 Jul 2026 23:33:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મહિન્દ્રા સ્કોર્પિયો-એન (Mahindra Scorpio-N) ભારતીય SUV માર્કેટમાં તેના દમદાર દેખાવ માટે જાણીતી છે. આકર્ષક ડિઝાઇન, મજબૂત બોડી અને ઉત્તમ ઓફ-રોડિંગ ક્ષમતાના કારણે આ SUV ગ્રાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે. હવે કંપની આ કારને વધુ સુધારીને રજૂ કરવાની તૈયારી કરી રહી છે. અહેવાલો મુજબ, મહિન્દ્રા ટૂંક સમયમાં સ્કોર્પિયો-એનનું ફેસલિફ્ટ મોડેલ (Facelift Model) લોન્ચ કરી શકે છે, જેમાં ડિઝાઇનથી લઈને ફીચર્સ સુધી ઘણા મોટા ફેરફારો જોવા મળશે.</p><h2 style="text-align: justify; "><b>નવી ડિઝાઇન અને વધુ પ્રીમિયમ લુક</b></h2><p style="text-align: justify; ">નવી સ્કોર્પિયો-એન ફેસલિફ્ટના એક્સટીરિયરમાં કેટલાક મહત્વના ફેરફારો થવાની ધારણા છે. જેમાં નવી ફ્રન્ટ ગ્રીલ, અપડેટ કરેલી LED હેડલેમ્પ્સ, નવી ડિઝાઇનના DRLs અને નવું બમ્પર મળી શકે છે. આ ઉપરાંત નવા એલોય વ્હીલ્સ અને પાછળના ભાગે અપડેટ થયેલી ટેલલાઇટ ડિઝાઇન પણ જોવા મળી શકે છે. કંપનીનું મુખ્ય ધ્યાન SUVના મૂળ મસ્ક્યુલર અને દમદાર લુકને જાળવી રાખીને તેને વધુ આધુનિક અને પ્રીમિયમ બનાવવા પર રહેશે.</p><h3 style="text-align: justify; "><b>કેબિનમાં મળશે નવા અને આધુનિક ફીચર્સ</b></h3><p style="text-align: justify; ">નવી સ્કોર્પિયો-એનનું ઈન્ટિરિયર પહેલા કરતાં વધુ એડવાન્સ અને આરામદાયક હશે. તેમાં મોટી ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, વાયરલેસ એન્ડ્રોઈડ ઓટો (Android Auto) અને એપલ કારપ્લે (Apple CarPlay) જેવા ફીચર્સ મળવાની આશા છે. આ સિવાય SUVમાં વાયરલેસ ચાર્જિંગ, 360-ડિગ્રી કેમેરા, પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ અને પાનોરેમિક સનરૂફ જેવા ફીચર્સ પણ ઉમેરાઈ શકે છે. કેબિનમાં વધુ સારી ક્વોલિટીનું મટિરિયલ અને નવા ડેશબોર્ડની ડિઝાઇન તેને વધુ લક્ઝુરિયસ ફીલ આપશે.</p><h4 style="text-align: justify; "><b>સુરક્ષામાં પણ મોટો અપડેટ</b></h4><p style="text-align: justify; ">સેફ્ટીના મામલે પણ નવી સ્કોર્પિયો-એનને વધુ મજબૂત બનાવવામાં આવશે. તેમાં લેવલ-2 ADAS (Advanced Driver Assistance Systems) ટેકનોલોજી મળવાની શક્યતા છે. જેમાં એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ, લેન કીપ આસિસ્ટ, ઓટોમેટિક ઈમરજન્સી બ્રેકિંગ અને ફોરવર્ડ કોલિઝન વોર્નિંગ જેવા ફીચર્સ સામેલ હોઈ શકે છે. આ સિવાય 6 એરબેગ્સ, ESC, હિલ હોલ્ડ કંટ્રોલ, હિલ ડિસેન્ટ કંટ્રોલ, TPMS અને 360-ડિગ્રી કેમેરા જેવા સુરક્ષા ફીચર્સ પણ મળશે.</p><h5 style="text-align: justify; "><b>એન્જિન અને કિંમત</b></h5><p style="text-align: justify; ">એન્જિનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી. નવી સ્કોર્પિયો-એનમાં હાલનું જ 2.0-લીટર ટર્બો પેટ્રોલ અને 2.2-લીટર ડીઝલ એન્જિન ચાલુ રહી શકે છે. આ બંને એન્જિન સાથે મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સના વિકલ્પો મળશે. અમુક વેરિઅન્ટ્સમાં 4X4 (ફોર-બાય-ફોર) સિસ્ટમ પણ ઉપલબ્ધ રહેશે.</p><h6 style="text-align: justify; "><b>કંપની દ્વારા લોન્ચિંગ અને કિંમત અંગે સત્તાવાર માહિતી</b></h6><p style="text-align: justify; ">અનુમાન છે કે આ ફેસલિફ્ટ મોડેલની કિંમત વર્તમાન SUV કરતાં થોડી વધુ હોઈ શકે છે. તેની શરૂઆતી કિંમત લગભગ રૂ.13.8 લાખ અને ટોપ મોડેલની કિંમત લગભગ રૂ.25 લાખ સુધી જઈ શકે છે. જોકે, કંપની દ્વારા આ કારના લોન્ચિંગ અને કિંમત અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી શેર કરવામાં આવી નથી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/automobile" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/26/eEHO8BAfWDBKAmnMxIavqDUM213D2sQIXKQhvXIH.webp'/></item><item><title><![CDATA[CWG 2026: ભારતના ખાતામાં 3 મેડલ, મીરાબાઈ ચાનૂએ અપાવ્યો પ્રથમ ગોલ્ડ ]]></title><link>https://sandesh.com/sports/news/india-medal-tally-cwg-2026-mirabai-chanu-gold</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india-medal-tally-cwg-2026-mirabai-chanu-gold</guid><pubDate>Sun, 26 Jul 2026 23:02:39 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગ્લાસગોમાં યોજાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતે મેડલ જીતવાની શરૂઆત કરી દીધી છે. અત્યાર સુધી ભારતના ખાતામાં કુલ 3 મેડલ આવ્યા છે, જેમાં એક ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝનો સમાવેશ થાય છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ સ્ટાર વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ અપાવ્યો</b></h2><p style="text-align: justify; ">ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ સ્ટાર વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ અપાવ્યો છે. મહિલા 48 કિલોગ્રામ કેટેગરીમાં મીરાબાઈએ કુલ 190 કિલોગ્રામ વજન ઉઠાવી ગોલ્ડ જીત્યો હતો. આ સાથે તેણે સતત ત્રીજી કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાનો ઐતિહાસિક રેકોર્ડ પણ બનાવ્યો છે.</p><p style="text-align: justify; ">વેઈટલિફ્ટિંગમાં જ ઋષિકાંતા સિંહ ચનામબમે પુરુષોની 60 કિલોગ્રામ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ જીત્યો હતો. તેના પ્રદર્શનથી ભારતના મેડલ ખાતામાં મહત્વપૂર્ણ વધારો થયો છે. ભારતનો ત્રીજો મેડલ પેરા પાવરલિફ્ટિંગમાં ઝાંડુ કુમારે જીત્યો હતો. પુરુષોની હેવીવેઈટ કેટેગરીમાં તેને બ્રોન્ઝ મેડલ મેળવી દેશનું ગૌરવ વધાર્યું.</p><h3 style="text-align: justify; "><b>હાલમાં ભારતના મેડલ ટેલીમાં કુલ 3 મેડલ</b></h3><p style="text-align: justify; ">આગામી દિવસોમાં એથ્લેટિક્સ, બોક્સિંગ અને વેઈટલિફ્ટિંગ જેવી રમતોમાં ભારતને વધુ મેડલની આશા છે. ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા જેવેલિન થ્રોમાં ભારત માટે મુખ્ય આશા છે, જ્યારે બોક્સિંગમાં લવલીના બોર્ગોહૈન અને જાસ્મિન લેમ્બોરિયા જેવા ખેલાડીઓ પાસેથી પણ મેડલની અપેક્ષા રાખવામાં આવી રહી છે.</p><p style="text-align: justify; ">ભારતીય ખેલાડીઓના અત્યાર સુધીના પ્રદર્શનથી સ્પષ્ટ છે કે કોમનવેલ્થ ગેમ્સ 2026માં દેશ વધુ મેડલ જીતવા માટે મજબૂત દાવેદાર બની રહ્યો છે. આગામી સ્પર્ધાઓમાં ભારતના મેડલ ટેલીમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/ishan-kishan-run-out-abhishek-sharma-stump-mic-video" target="_blank">Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?&nbsp;</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/26/ZbbkVMQD3ueBOa5MPu6QZ6LppT8GAaAO6tdj1ADE.webp'/></item><item><title><![CDATA[Nandan Nilekani કોણ છે? જેમને વડાપ્રધાન મોદીએ પરીક્ષામાં સુધારાની આપી મોટી જવાબદારી ]]></title><link>https://sandesh.com/india/news/who-is-nandan-nilekani-pm-modi-exam-reforms-task-force</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/who-is-nandan-nilekani-pm-modi-exam-reforms-task-force</guid><pubDate>Sun, 26 Jul 2026 21:50:06 +05:30</pubDate><description><![CDATA[<p>NEET પેપર લીક બાદ પરીક્ષા વ્યવસ્થામાં સુધારા લાવવા માટે કેન્દ્ર સરકારે મોટું પગલું ભર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે પરીક્ષા સિસ્ટમને વધુ પારદર્શક અને વિશ્વસનીય બનાવવા માટે રચાનારી હાઈ પાવર્ડ ટાસ્ક ફોર્સનું નેતૃત્વ નંદન નીલેકણી કરશે. આ જાહેરાત બાદ ફરી એકવાર નંદન નીલેકણી ચર્ચામાં આવ્યા છે.</p><h2><b>બેંગલુરૂમાં થયો છે જન્મ&nbsp;</b></h2><p>નંદન મોહનરાવ નીલેકણીનો જન્મ 2 જૂન, 1955ના રોજ બેંગલુરુમાં થયો હતો. તેમણે IIT બોમ્બેમાંથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. અભ્યાસ બાદ તેમણે પટની કમ્પ્યુટર સિસ્ટમ્સમાં નોકરી શરૂ કરી હતી, જ્યાં તેમની મુલાકાત એન.આર. નારાયણ મૂર્તિ સાથે થઈ હતી.</p><h3><b>ઈન્ફોસિસની સ્થાપના કરી&nbsp;</b></h3><p>વર્ષ 1981માં નારાયણ મૂર્તિ સહિત 7 સાથીદારો સાથે મળીને તેમણે ઈન્ફોસિસની સ્થાપના કરી હતી. કંપનીને વૈશ્વિક ઓળખ અપાવવામાં નીલેકણીની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. તેઓ વર્ષ 2002થી 2007 દરમિયાન ઇન્ફોસિસના CEO અને મેનેજિંગ ડિરેક્ટર રહ્યા હતા. બાદમાં 2017માં તેઓ કંપનીના ચેરમેન તરીકે પણ પરત ફર્યા હતા. વર્ષ 2009માં તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહે તેમને કેબિનેટ દરજ્જા સાથે UIDAIના પ્રથમ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા. તેમના નેતૃત્વમાં આધાર પ્રોજેક્ટને સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવ્યો, જે આજે ભારતની ડિજિટલ ઓળખ વ્યવસ્થાનો પાયો માનવામાં આવે છે. એક અબજથી વધુ લોકો માટે સરકારી યોજનાઓનો સીધો લાભ અને ઓળખની ચકાસણી સરળ બની છે.</p><h4><b>ડિજિટલ પેમેન્ટ ક્રાંતિ લાવ્યા</b></h4><p>ભારતમાં ડિજિટલ પેમેન્ટ ક્રાંતિ લાવનાર UPIના પ્રારંભિક ટેક્નોલોજીકલ માળખાના વિકાસમાં પણ નંદન નીલેકણીનું મહત્વનું યોગદાન રહ્યું છે. વર્ષ 2014માં તેમણે કોંગ્રેસની ટિકિટ પર બેંગલુરુ દક્ષિણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી, પરંતુ પરાજય બાદ સક્રિય રાજકારણથી દૂર થઈ ગયા હતા. નંદન નીલેકણી પરોપકારી કાર્યો માટે પણ જાણીતા છે. વર્ષ 2023માં તેમણે IIT બોમ્બેને ₹315 કરોડનું દાન આપ્યું હતું, જે સંસ્થાને કોઈ પૂર્વ વિદ્યાર્થી દ્વારા આપવામાં આવેલું સૌથી મોટું દાન માનવામાં આવે છે. તેમની પત્ની રોહિણી નીલેકણી પણ શિક્ષણ, આરોગ્ય અને સામાજિક વિકાસના ક્ષેત્રમાં સક્રિય રીતે કાર્ય કરી રહ્યા છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/abhijeet-dipke-cjp-next-strategy-movement-ended-but-fight-continues" target="_blank">આ પણ વાંચો : 'આંદોલન ખત્મ પણ લડત નહીં', અભિજિત દિપકેએ જણાવી CJPની આગામી રણનીતિ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/26/91Ozz0kPXErX9iySxNfVtlEGMWGCslszEoQXXYJj.webp'/></item><item><title><![CDATA[26 જુલાઈના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર ]]></title><link>https://sandesh.com/gujarat/news/india/top-10-news-headlines-july-26-important-news-updates</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/india/top-10-news-headlines-july-26-important-news-updates</guid><pubDate>Sun, 26 Jul 2026 21:00:00 +05:30</pubDate><description><![CDATA[<p><b>સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો</b></p><p><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/st-bus-stuck-in-fog-near-shit-kendra-in-kheralu-mehsana-32-passengers-rescued-safely" target="_blank"><b>1. Mehsanaના ખેરાલુમાં શિત કેન્દ્ર નજીક એસ.ટી. બસ ભુવામાં ફસાઈ, 32 મુસાફરોનો આબાદ બચાવ</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/surat/adajan-sports-bike-cobra-snake-rescue-dhaval-bhandari" target="_blank"><strike><b>2. Surat News: અડાજણમાં બાઈકમાં ઘૂસ્યો કોબ્રા સાપ, રેસ્ક્યૂ Video</b></strike></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/surat/adajan-sports-bike-cobra-snake-rescue-dhaval-bhandarihttps://sandesh.com/gujarat/news/ahmedabad/a-20-foot-deep-sinkhole-formed-on-ahmedabads-airport-hansol-road-amcs-negligence-was-exposed-as-it-was-not-filled-after-drainage-work" target="_blank"><b><strike>3</strike>. Ahmedabadના એરપોર્ટ-હાંસોલ રોડ પર 20 ફૂટ ઊંડો મોટો ભુવો પડ્યો, ડ્રેનેજની કામગીરી બાદ પૂરણ ન કરાતાં AMCની બેદરકારી છતી થઈ</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/alarming-situation-in-amirgarh-of-banaskantha-banas-river-still-dry-despite-rivers-overflowing-across-the-state" target="_blank"><b>4. Banaskanthaના અમીરગઢમાં ચિંતાજનક સ્થિતિ, રાજ્યભરમાં નદીઓ છલકાઈ છતાં બનાસ નદી હજુ પણ કોરી ધાકોર</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/as-soon-as-the-rains-stopped-in-ahmedabad-potholes-appeared-on-the-roads-causing-great-distress-to-motorists" target="_blank"><b>5. Ahmedabadમાં વરસાદ વિરામ લેતાં જ રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય છવાયું, વાહનચાલકોને ભારે હાલાકી</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/ahwa/saputara-maharashtra-national-highway-closed-heavy-rain-bus-services-suspended" target="_blank"><b>6. Dang: સાપુતારા-મહારાષ્ટ્ર નેશનલ હાઇવે ધોવાતાં છેલ્લા 4 દિવસથી વાહનવ્યવહાર ઠપ્પ: ગુજરાત-મહારાષ્ટ્રનો સંપર્ક ખોરવાયો</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/traffic-police-advisory-for-lost-vehicle-number-plates-during-heavy-rains" target="_blank"><b>7. Ahmedabad: વરસાદમાં ખોવાયેલી નંબર પ્લેટ માટે પોલીસની એડવાઇઝરી, જાણવાજોગ નોંધાવવા અપીલ</b></a></p><p><a href="https://sandesh.com/india/news/pm-modi-paper-leak-exam-reforms-high-powered-task-force-nandan-nilekani" target="_blank"><b>8. Paper Leak મુદ્દે PM મોદીનો મોટો સંદેશ, પરીક્ષામાં સુધારા માટે હાઈ પાવર ટાસ્ક ફોર્સની રચના કરવાની કરી જાહેરાત, જુઓ VIDEO</b></a></p><p><a href="https://sandesh.com/india/news/uttarakhand-rain--71-roads-closed-due-to-landslides--imd-issues-heavy-rain-alert" target="_blank"><b>9. Uttarakhand Rain: ઉત્તરાખંડમાં કુદરતનો કહેર! ભૂસ્ખલનથી 71 રસ્તા બંધ, આગામી 3 દિવસ ભારે વરસાદનું એલર્ટ</b></a></p><p><a href="https://sandesh.com/india/news/-political-news/karnataka-siddaramaiah-wont-contest-2028-assembly-elections" target="_blank"><b>10. Karnataka : પૂર્વ CM સિદ્ધારમૈયાની મોટી જાહેરાત, કહ્યું '2028માં વિધાનસભા ચૂંટણી નહીં લડું'</b></a></p><p><b><br></b></p><p><b><br></b></p><p><b><br></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/26/v72gmhB0pRiSz9KHZsKCbfVyD6ynsiWJimYnkUxu.webp'/></item><item><title><![CDATA[Celebrity Couple : મોરિશિયસમાં સમુદ્રની અંદર  કરણ કુન્દ્રાએ તેજસ્વીને કર્યું પ્રપોઝ, વીડિયો જોઈ ફેન્સ થયા ફિદા! ]]></title><link>https://sandesh.com/entertainment/news/karan-kundrra-tejasswi-underwater-proposal</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/karan-kundrra-tejasswi-underwater-proposal</guid><pubDate>Sun, 26 Jul 2026 17:41:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ટીવીના ફેવરિટ કપલ કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશે એકવાર ફરી પોતાના રોમેન્ટિક પલથી લોકોનું દિલ જીતી લીધું છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મોરિશિયસમાં પોતાની હાલની રજાઓ દરમિયાન, બંનેએ એક એવી યાદગાર પળ બનાવી જે કોઈ લવ સ્ટોરી જેવી લાગે છે, અને ફેન્સ તેમની કેમિસ્ટ્રીની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. કરણે હાલમાં જ પોતાની આ શાનદાર ટ્રિપનો એક ટ્રાવેલ વ્લોગ અપલોડ કર્યો, જેમાં કપલના એડવેન્ચર્સની ઝલક જોવા મળી. વીડિયોમાં ઘણી મજેદાર પળો હતી, પરંતુ સમુદ્રની અંદરની એક દિલ જીતી લેનારી પળ તરત જ બધાનું ધ્યાન ખેંચનારી બની ગઈ.</p><h2 style="text-align: justify; "><b>કરણ અને તેજસ્વીનો પાણીમાં રોમાન્સ</b></h2><p style="text-align: justify; ">સ્કૂબા ડાઇવિંગ દરમિયાન, કરણ અને તેજસ્વીએ પાણીની નીચેની અદભુત દુનિયાને જોઈ અને પછી એક સુંદર પળ શેર કરી. બંનેએ પહેલા પોતાના હાથોથી દિલનો આકાર બનાવ્યો અને વગર કઈ કહ્યે જ એકબીજા માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. આ પછી જે થયું, તેણે બધાને ચોંકાવી દીધા. મજેદાર અને સાથે જ ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં, કરણ પાણીની અંદર એક ઘૂંટણે બેઠો અને તેજસ્વી સમક્ષ લગ્ન કરવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરતા પ્રપોઝ કર્યું. ભલે તેઓ પાણીની નીચે બોલી નહોતા શકતા, પરંતુ તેમના હાવભાવ અને ઇશારાઓથી તેમની ભાવનાઓ સાફ ઝળકતી હતી.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/C5ayinhMbLQ/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/C5ayinhMbLQ/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/C5ayinhMbLQ/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/C5ayinhMbLQ/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h3 style="text-align: justify; "><b>કરણે પાણીની અંદર કર્યું પ્રપોઝ</b></h3><p style="text-align: justify; ">કરણે વગર અવાજે આઇ લવ યૂ કહ્યું, અને તેજસ્વીએ ખિલખિલાતી મુસ્કાન સાથે જવાબ આપ્યો, જેથી પાણીની અંદર કરવામાં આવેલું આ પ્રપોઝલ તેમની રજાઓની સૌથી યાદગાર પળોમાંથી એક બની ગયું. આ પળે તરત જ ફેન્સનું દિલ જીતી લીધું અને તેમણે સોશિયલ મીડિયા પર આ જોડીની જબરદસ્ત પ્રશંસા કરી.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DYri49hAgKB/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DYri49hAgKB/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DYri49hAgKB/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DYri49hAgKB/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h3 style="text-align: justify; "><b>મોરિશિયસમાં એકબીજામાં ખોવાયેલા બંને</b></h3><p style="text-align: justify; ">આ વ્લોગમાં આ જોડી મોરિશિયસમાં પોતાની રજાઓનો ભરપૂર આનંદ લેતી દેખાઈ રહી છે - તેઓ સમુદ્રી દુનિયાને જોવાથી લઈને સાથે શાંતિ ભરેલા અને બેફિકર પળો વિતાવવા સુધી, દરેક ચીજને એન્જોય કરી રહ્યા છે. ફેન્સએ પાણીની અંદર કરવામાં આવેલા પ્રપોઝલને કોઈ ફેરીટેલ જેવું જણાવ્યું, અને સાથે જ બંને વચ્ચેના લગાવ અને પ્રેમની પણ ખૂબ પ્રશંસા કરી. આ વીડિયો તમે You Tube પર તેમની ચેનલ પર જોઈ શકો છો.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DY34fIqK-IO/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DY34fIqK-IO/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DY34fIqK-IO/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DY34fIqK-IO/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h3 style="text-align: justify; "><b>બિગ બોસ 15થી શરૂ થઈ લવ સ્ટોરી</b></h3><p style="text-align: justify; ">કરણ અને તેજસ્વીની લવ સ્ટોરી બિગ બોસ 15 ના ઘરથી શરૂ થઈ હતી, જ્યાં રિયાલિટી શો દરમિયાન તેમને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો. ત્યારથી, તેઓ એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીના સૌથી પસંદગીના કપલ્સમાંથી એક બનેલા છે અને ફેન્સ તેમના સંબંધના દરેક પડાવ પર નજર રાખે છે.</p><h4 style="text-align: justify; "><b>દેશી બ્લિંગ પર લગ્ન માટે કર્યું હતું પ્રપોઝ</b></h4><p style="text-align: justify; ">આ વર્ષની શરૂઆતમાં, કરણે રિયાલિટી શો 'દેશી બ્લિંગ' માં તેજસ્વીને ડાયમંડ રિંગ અને પ્રેમ વ્યક્ત કરીને અધિકૃત રીતે પ્રપોઝ કરીને પોતાના સંબંધને એક પગલું અને આગળ વધાર્યો, જે તેમના સાથેના સફરનો વધુ એક મહત્વપૂર્ણ પડાવ હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/karisma-kapoor-attitude-claim-govinda-pairing-breakup" target="_blank">આ પણ વાંચો-Karisma Kapoor અંગે કો-એક્ટ્રેસે કર્યો ખુલાસો, કહ્યું- 'એટીટ્યુડ બહુ વધારે હતો...', ગોવિંદા સાથે જોડી તૂટવા પર કહી મોટી વાત!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/26/4927nerZs2iJf8hi5IjY8nOzcPF64viw8m0TsA3s.webp'/></item></channel></rss>