<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Celebrity Life : 41 વર્ષ જૂની પ્રોપર્ટી અને રોયલ અંદાજ! મિથુન દાનું 1.5 એકરનું ભવ્ય ફાર્મહાઉસ છે શાનદાર! ]]></title><link>https://sandesh.com/entertainment/news/mithun-chakraborty-1-5-acre-farmhouse-property</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/mithun-chakraborty-1-5-acre-farmhouse-property</guid><pubDate>Sun, 13 Sep 2026 16:40:17 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મિથુન ચક્રવર્તીએ 70ના દાયકામાં પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તેમણે 1976માં મૃણાલ સેનના નિર્દેશનમાં બનેલી મૃગયા ફિલ્મથી એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો હતો, જેના માટે તેમને બેસ્ટ એક્ટરનો નેશનલ ફિલ્મ એવોર્ડ પણ મળ્યો હતો. આજે મિથુન ચક્રવર્તી કરોડો રૂપિયાની સંપત્તિના માલિક છે અને દેશના અનેક સ્થળોએ તેમની પ્રોપર્ટી છે, પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે તેમણે જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. તેમણે ફૂટપાથ પર સૂવાથી લઈને સ્ટારડમ મેળવવા સુધીની સફર કરી અને પોતાની પેઢીના સૌથી મોટા સ્ટાર્સમાંથી એક બન્યા.</p><h2 style="text-align: justify; "><b>રસ્તા પર સૂવાથી ફાર્મહાઉસ સુધીની સફર</b></h2><p style="text-align: justify; "> </p><p style="text-align: justify; ">મિથુન ચક્રવર્તી પોતે પણ ઘણી વખત એ દિવસો વિશે વાત કરી ચૂક્યા છે, જ્યારે તેમને રસ્તા પર સૂવું પડતું હતું અને વોશરૂમનો ઉપયોગ કરવાની મંજૂરી મેળવવા માટે ઓફિસની સફાઈ કરવી પડતી હતી. ફિલ્મોમાં પગ મૂક્યા બાદ પણ તેમને આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે આજે તેમની પાસે દેશમાં અનેક પ્રોપર્ટી છે, જેમાં મધ આઇલેન્ડમાં આવેલું તેમનું મોટું ફાર્મહાઉસ પણ સામેલ છે. 1.5 એકરમાં ફેલાયેલા આ ફાર્મહાઉસમાં પરિવારના દરેક સભ્ય માટે અલગ કોટેજ છે અને અહીં 22 પાળતુ પ્રાણીઓ રહે છે.<br><img alt="Mithun Chakraborty, Bollywood (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/13/aVHnIEyaVWq0jEbg6KOFNU4BGQ9DdYNxhOi5DUCf.webp"><br></p><h3 style="text-align: justify; "><b>મધ આઇલેન્ડમાં મિથુન ચક્રવર્તીનો બંગલો</b></h3><p style="text-align: justify; ">મિથુન ચક્રવર્તીના પુત્ર નમાશી ચક્રવર્તીએ પિંકવિલા સાથે વાત કરતાં આ બંગલાની કહાની વિશે જણાવ્યું હતું. નમાશીના જણાવ્યા મુજબ, તેમના માતા-પિતા એટલે કે મિથુન ચક્રવર્તી અને યોગિતા બાલીએ 1985માં પોતાના મોટા પુત્ર મિમોહ ચક્રવર્તીના જન્મના થોડા મહિના બાદ આ બંગલો ખરીદ્યો હતો. આ કારણે તેમણે આ ઘરનું નામ પણ પુત્ર મિમોહના નામ પરથી જ રાખ્યું હતું. નમાશીએ જણાવ્યું કે થોડા વર્ષો માટે તેમનો પરિવાર ઊટી જતો રહ્યો હતો અને ત્યાંથી મુંબઈ પરત આવ્યા બાદ મધ આઇલેન્ડના આ બંગલામાં કાયમી રહેવા લાગ્યો હતો. તે પહેલા આ ફાર્મહાઉસનો ઉપયોગ હોલિડે હોમ તરીકે કરવામાં આવતો હતો.<br><img alt="Mithun Chakraborty, Bollywood (2)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/13/USiPJbbRqncdylVFUN569utYKs2o62Z3mbcj5C1t.webp"><br></p><h3 style="text-align: justify; "><b>હરિયાળીથી ઘેરાયેલી છે પ્રોપર્ટી</b></h3><p style="text-align: justify; ">મિથુન ચક્રવર્તીનો આ બંગલો ચારેય તરફથી હરિયાળીથી ઘેરાયેલો છે અને અહીં પરિવારના દરેક સભ્ય માટે અલગ કોટેજ છે. આ ઉપરાંત બંગલામાં પરિવારના 22 કૂતરાઓ માટે પણ અલગ જગ્યા છે. નમાશીએ જણાવ્યું કે તેમના પિતાને ગાર્ડનિંગનો ઘણો શોખ છે અને તેઓ જ્યારે પણ અહીં આવે છે ત્યારે પોતાનો આ શોખ પૂરો કરે છે. નમાશીએ અહીં પોતાના પિતાનું પહેલું ઘર પણ બતાવ્યું હતું, જે પીળી વોક્સવેગન બીટલ કાર છે. નમાશીએ જણાવ્યું કે જ્યારે તેમના પિતા એટલે કે મિથુન ચક્રવર્તી મુંબઈ આવ્યા હતા ત્યારે તેમની પાસે રહેવા માટે ઘર નહોતું. તેથી શરૂઆતના 15 દિવસ તેમણે આ જ પીળી બીટલ કારમાં પસાર કર્યા હતા. મુંબઈમાં આ તેમનું પહેલું ઘર હતું. હવે આ કાર ચલાવવાની સ્થિતિમાં નથી, પરંતુ મિથુન ચક્રવર્તીની ઘણી યાદો આ કાર સાથે જોડાયેલી છે, જેના કારણે તેઓ તેની જાળવણીમાં કોઈ કસર છોડતા નથી.<br><img alt="Mithun Chakraborty, Bollywood (3)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/13/WnNfJnuOyq0uo8QXoOOZCrhCkkmXvSOfHphy778R.webp"><br></p><h4 style="text-align: justify; "><b>દિવાલ પર PM મોદી સાથેની તસવીર</b></h4><p style="text-align: justify; ">નમાશીએ ઘરની એ દિવાલની પણ ઝલક બતાવી હતી, જે મિથુન ચક્રવર્તીની શાનદાર કરિયરની યાદ અપાવે છે. આ દિવાલ પર તેમને મળેલા સન્માન, પુરસ્કારો અને ચાહકો દ્વારા બનાવવામાં આવેલા તેમના સ્કેચ સજાવવામાં આવ્યા છે. બીજી દિવાલ પર જાણીતી અને સન્માનિત હસ્તીઓ સાથેની તસવીરો લગાવવામાં આવી છે. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બાળ ઠાકરે અને કન્નડ સિનેમાના દિગ્ગજ રાજકુમાર સાથેની તેમની તસવીરો સામેલ છે. દિવાલ પર એ ક્ષણની તસવીર પણ જોવા મળી હતી, જ્યારે મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળ્યો હતો.</p><h4 style="text-align: justify; "><b>હોસ્પિટલમાં દાખલ થયા હતા મિથુન ચક્રવર્તી</b></h4><p style="text-align: justify; ">છેલ્લા કેટલાક સમયથી મિથુન ચક્રવર્તી પોતાની તબિયતને લઈને ચર્ચામાં રહ્યા હતા. મિથુન ચક્રવર્તીને કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સર્જરી બાદ તેમને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ એક તસવીર શેર કરીને આ માહિતી આપી હતી. તેઓ અભિનેતાની તબિયત જાણવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા અને મિથુન ચક્રવર્તીના જલ્દી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/krishnavataram-navratri-re-release-part-2-release" target="_blank">આ પણ વાંચો-Devotional Film : Gen-Zના દિલો પર છવાઈ કૃષ્ણાવતારમ! નવરાત્રિમાં ફરી રિલીઝ થશે ફિલ્મ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/13/STMgIqIlmKRmcqclJrObegjSkqTGy6jTnlwJwvk0.webp'/></item><item><title><![CDATA[Vadodara News : ખેડા અને વડોદરા પંથકમાં મેઘમહેર, કપડવંજ અને ડેસરમાં પવન સાથે વરસાદથી સુકાતા પાકને મળ્યું નવજીવન! ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/vadodara/rains-hit-kapadvanj-and-desar--heat-relief-and-lifeline-for-standing-crops</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/vadodara/rains-hit-kapadvanj-and-desar--heat-relief-and-lifeline-for-standing-crops</guid><pubDate>Sun, 13 Sep 2026 16:34:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહી વચ્ચે મધ્ય ગુજરાતના ખેડા અને વડોદરા જિલ્લાના વાતાવરણમાં બપોર પછી અચાનક મોટો પલટો આવ્યો છે. ખેડા જિલ્લાના કપડવંજ શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બપોરે 3 વાગ્યા બાદ વાદળો ઘેરાયા હતા અને વરસાદની શરુઆત થઈ હતી. આ જ પ્રમાણે વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં પણ બપોર પછી જોરદાર પવન સાથે વરસાદી ઝાપટાં શરૂ થતાં સમગ્ર પંથકમાં મેઘમહેર જોવા મળી હતી.</p><h2 style="text-align: justify; "><b>અસહ્ય બફાતથી મુક્તિ અને રસ્તાઓ પર વહ્યા પાણી</b></h2><p style="text-align: justify; ">છેલ્લા કેટલાક દિવસોથી બંને જિલ્લાઓમાં અસહ્ય ગરમી, બફારા અને ઉકળાટના કારણે સ્થાનિક રહીશો ભારે અકળામણ અનુભવી રહ્યા હતા. જોકે, બપોર બાદ પવનના સુસવાટા સાથે પડેલા મેઘરાજાના આ ઝાપટાંને કારણે સમગ્ર વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે. વડોદરાના ડેસર તાલુકામાં પવન સાથે પડેલા વરસાદના કારણે માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા, જેનાથી વાતાવરણ રમણીય બની ગયું હતું.</p><h2 style="text-align: justify; "><b>સુકાવાના આરે પહોંચેલી મોલાતને મળ્યું સંજીવની જીવનદાન</b></h2><p style="text-align: justify; ">સૌથી વધુ રાહતના સમાચાર ખેડૂત આલમ માટે આવ્યા છે. વરસાદ ખેંચાવાને કારણે કપડવંજ અને ડેસર પંથકમાં વાવેતર કરેલા કપાસ, મગફળી, એરંડા, બાજરી, ડાંગર અને કઠોળ જેવા ચોમાસુ પાકો સુકાવાના આરે પહોંચી ગયા હતા. સિંચાઈના ખરા સમયે જ મેઘરાજાએ પધરામણી કરતાં પાકને જરૂરી ભેજ મળી રહેશે અને સુકાતી મોલાત બચી જશે. પાકને નવું જીવનદાન મળવાની પૂરેપૂરી આશા જાગતાં જ બંને પંથકના જગતના તાતમાં ભારે ખુશી અને હાસકારાની લહેર દોડી ગઈ છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-news--counterfeit-tirupati-edible-oil-racket-busted-in-rakhial--1-arrested" target="_blank">Ahmedabad News : રખિયાલમાં ડુપ્લીકેટ ખાધ્ય તેલનું કૌભાંડ ઝડપાયું, ‘તિરુપતિ’ ના અસલી ડબ્બામાં વેચાતું હતું નકલી તેલ!</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/13/kmQwKtA2as57qJT3vFcv70vgXTUW0kkbGQngpozT.webp'/></item><item><title><![CDATA[Himatnagar પાસે NH-48 પર કાર હવામાં ફંગોળાતા ગમખ્વાર અકસ્માત, 4થી વધુ ઈજાગ્રસ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/himatnagar/himatnagar-nh48-car-flying-over-divider-accident</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/himatnagar/himatnagar-nh48-car-flying-over-divider-accident</guid><pubDate>Sun, 13 Sep 2026 16:30:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. હિંમતનગર નજીક આવેલા કરણપુર ઓવરબ્રિજ પાસેથી પસાર થઈ રહેલી એક કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. કારની ઝડપ એટલી વધારે હતી કે તે નિયંત્રણ બહાર જઈને હવામાં ફંગોળાઈ હતી અને ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં હિંમતનગરથી શામળાજી તરફ જઈ રહેલી અન્ય એક કાર પર સીધી આવી પડી હતી.</p><h2 style="text-align: justify; "><b>અકસ્માતમાં 4થી વધુ લોકો ઈજાગ્રસ્ત</b></h2><p style="text-align: justify; ">બંને કાર વચ્ચે સામસામે ભયાનક ટક્કર થતાં કારનો કૂચડો નીકળી ગયો હતો. આ અકસ્માતમાં 4થી વધુ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે, જ્યારે 2થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. બનાવને પગલે હાઈવે પરથી પસાર થતા સ્થાનિક લોકો અને વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા મુસાફરોને ભારે જહમત બાદ બહાર કાઢ્યા હતા.</p><p style="text-align: justify; "><img alt="A terrible accident occurred in Sabarkantha" src="https://epapercdn.sandesh.com/images/2026/09/13/aiARibmWR6Yko94sTC6J9wcJ3PbHEHU3tezR5Izg.webp"><br></p><h3 style="text-align: justify; "><b>હાઈવે પર ટ્રાફિક જામ અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા</b></h3><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો, જેના આધારે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના કારણે હાઈવેના એક તરફના રોડ પર લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા, જેના લીધે વાહનવ્યવહાર થોડા સમય માટે થંભી ગયો હતો. ઘટના અંગે પોલીસને જાણ કરાતાં પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક હળવો કરવાની અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/13/NwdZuGWtl7M6Kf9KgmE2vB1SyyhtdXjKX370np54.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: સાબરમતી નદીમાંથી યુવકનો મૃતદેહ મળ્યો, હાથમાં શું લખ્યું? ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/sabarmati-riverfront-youth-body-found-police-investigation</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/sabarmati-riverfront-youth-body-found-police-investigation</guid><pubDate>Sun, 13 Sep 2026 16:28:42 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરની સાબરમતી નદીમાંથી એક યુવકનો તરતો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કાવડ-રેસ્ક્યૂ હાથ ધરી મૃતદેહને નદીમાંથી બહાર કાઢી હતી. ઘટના અંગે જાણ થતા જ રિવરફ્રન્ટ પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને પ્રાથમિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.</p><h2><b>હાથમાંથી મળી આવી ચિઠ્ઠી અને મોબાઈલ નંબર</b></h2><p>પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક યુવકના હાથમાં એક મોબાઈલ નંબર અને ચિઠ્ઠી મળી આવી હતી. આ કરુણ ચિઠ્ઠીમાં "મારી બોડી મારા પિતાને સોંપી દેજો" તેવું લખાણ હોવાનું સામે આવ્યું છે. યુવકના હાથમાંથી મળેલા મોબાઈલ નંબરના આધારે રિવરફ્રન્ટ પોલીસે તાત્કાલિક તેના પિતાનો સંપર્ક સાધ્યો હતો અને ઘટના અંગે જાણ કરી હતી.</p><h2><b>મૃતદેહ પરિવારને સોંપવા તજવીજ</b></h2><p>પોલીસે મૃતકના પરિવારજનોને જાણ કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહ પરિવારને સોંપવાની પ્રક્રિયા હાથ ધરી છે. યુવકે આ આત્યંતિક પગલું કયા કારણોસર ભર્યું તે અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.</p><h2><b>સતત બીજા દિવસે નદીમાંથી મૃતદેહ મળતા અરેરાટી</b></h2><p>સાબરમતી નદીમાં ગઈકાલે પણ એક માનવ હાડપિંજર મળી આવ્યું હતું, જેના કારણે ભારે સળવળાટ મચ્યો હતો. ત્યાં જ આજે ફરી એક યુવકનો મૃતદેહ મળી આવતા રિવરફ્રન્ટ વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. રિવરફ્રન્ટ પોલીસે આ બંને બનાવ અંગે અલગ-અલગ ગુના નોંધીને ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/kalupur-transport-company-45-lakh-stolen-by-two-brothers" target="_blank">Ahmedabad: માલિકે ઓફિસની ચાવી સોંપી અને કર્મચારીએ કર્યો હાથફેરો, બે સગા ભાઈઓ 45 લાખ રોકડા ચોરીને ફરાર</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/13/rUwsRCzlET4x6k0szLixT9wDSLWl5ebKHJlsFH33.webp'/></item><item><title><![CDATA[Gir Somnath News: જુગારના બે અડ્ડા પર LCBની રેડ, 13 શકુનિ ઝડપાયા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/gir-somnath/lcb-raid-gambling-den-talala-kodinar-arrest-13</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/gir-somnath/lcb-raid-gambling-den-talala-kodinar-arrest-13</guid><pubDate>Sun, 13 Sep 2026 16:25:28 +05:30</pubDate><description><![CDATA[<p>ગીર સોમનાથ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ અને જુગારની બદીને નાથવા માટે સ્થાનિક ગુના શોધક શાખા (LCB) અને પેરોલ ફર્લો સ્ટાફે સંયુક્ત રીતે ધાકધમકી વગર કડક કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે પોલીસે તાલાળા અને કોડીનાર તાલુકામાં અલગ-અલગ જગ્યાએ દરોડા પાડીને જુગાર રમી રહેલા 13 શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે.&nbsp;&nbsp;</p><h2><b>તાલાળાના રાતીધારમાં દરોડો, 10 ઝડપાયા</b></h2><p>LCBની ટીમે પ્રથમ દરોડો તાલાળા તાલુકાના રાતીધાર ગામમાં પાડ્યો હતો. જ્યાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલા જુગારના અડ્ડા પરથી પોલીસે 10 શખ્સોને જુગાર રમતા પકડી પાડ્યા હતા. દરોડા દરમિયાન સ્થળ પરથી 52,150 રૂપિયાની રોકડ રકમ તેમજ જુગારનું અન્ય સાહિત્ય અને મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.</p><h2><b>કોડીનારના આણંદનગરમાં તવાઈ, 3 ઝડપાયા</b></h2><p>બીજી તરફ, કોડીનારના આણંદનગર વિસ્તારમાં પણ જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમી મળતા પોલીસે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ સ્થળેથી પોલીસે જુગાર રમતા 3 શખ્સોની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી 23,200 રૂપિયાની રોકડ રકમ કબજે કરી હતી.</p><p><img alt="Gir Somnath News: 13 Arrested in Gambling Raid at Talala &amp; Kodinar" src="https://epapercdn.sandesh.com/images/2026/09/13/kZXco314DXDoWlmbjmwlbdaxEUPRXMlAfU6FqTYH.webp" style="width: 100%;"><br></p><h2><b>કુલ 75,350 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત</b></h2><p>બંને સ્થળો પરથી પોલીસે કુલ 13 આરોપીઓની અટકાયત કરી છે. આ કાર્યવાહી દરમિયાન કુલ 75,350 રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. પોલીસ દ્વારા તાલાળા અને કોડીનાર બંને પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુના નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/gir-somnath/gir-somanth-a-student-of-std-9-residing-in-a-hostel-drowned-in-an-ashram-tank-in-sutrapada-and-died" target="_blank">Gir somanth : સુત્રાપાડામાં આશ્રમનાં કુંડમાં ડૂબી જતા હોસ્ટેલમાં રહેતા ધો. 9ના વિદ્યાર્થીનું મોત</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/13/yhJHGsGzDuQM29GOWVSMwbnzLqu1FJrCYtu0nzft.webp'/></item><item><title><![CDATA[Suratના કામરેજમાં તસ્કરોનો તરખાટ: કુમકુમ સોસાયટીમાંથી રૂ.1.89 લાખની ચોરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-kamrej-kumkum-society-theft-rs-1-89-lakh-cctv</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-kamrej-kumkum-society-theft-rs-1-89-lakh-cctv</guid><pubDate>Sun, 13 Sep 2026 16:16:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતના કામરેજ વિસ્તારમાં આવેલી કુમકુમ સોસાયટીમાં ચોરીની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. તસ્કરોએ સોસાયટીમાં આવેલા બે બંધ મકાનોને પોતાનો નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. મોડી રાત્રે અંધારાનો લાભ ઉઠાવીને આવેલા મોઢે બુકાની બાંધેલા બે તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જ્યો હતો.</p><h2 style="text-align: justify;"><b>સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી</b></h2><p style="text-align: justify;">મકાનની અંદર પ્રવેશ્યા બાદ ચોરોએ કબાટના તાળા તોડીને તેમાં મુકેલા કિંમતી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની લૂંટ ચલાવી હતી. પ્રાથમિક માહિતી મુજબ, બંને બંધ મકાનોમાંથી કુલ મળીને આશરે રૂ.1.89 લાખની મત્તાની ચોરી કરી બંને બુકાનીધારી તસ્કરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. સવારે મકાનમાલિકો અને આસપાસના લોકોને જાણ થતાં સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>CCTV ફૂટેજ અને પોલીસ તપાસ</b></h3><p style="text-align: justify;">ચોરીની આ સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં બંને બુકાનીધારી તસ્કરો ચોરી કરીને ભાગતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. ઘટના અંગે જાણ થતાં જ કામરેજ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. કામરેજ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું સગડ મેળવવા અને તેમને વહેલી તકે ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify;"><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/13/TyXDtoeeMGhua4HL6JM2lxWBFZDVHK9zQGHusVWQ.webp'/></item><item><title><![CDATA[US Open 2026: Elena Rybakinaએ રચ્યો ઈતિહાસ, Sabalenkaને હરાવીને જીત્યું પ્રથમ ટાઈટલ ]]></title><link>https://sandesh.com/sports/news/us-open-2026-elena-rybakina-creates-history-defeats-sabalenka-to-win-first-us-open-title</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/us-open-2026-elena-rybakina-creates-history-defeats-sabalenka-to-win-first-us-open-title</guid><pubDate>Sun, 13 Sep 2026 16:12:30 +05:30</pubDate><description><![CDATA[<p>એલેના રિબાકીનાએ યુએસ ઓપન ગ્રાન્ડ સ્લેમની મહિલા સિંગલ્સ ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન અરીના સબાલેન્કાને 6-4,5-7,6-2થી હરાવીને ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. આ જીત સાથે જ રિબાકીના આગામી સપ્તાહે જાહેર થનારી રેન્કિંગમાં સબાલેન્કાને પછાડીને વિશ્વની નંબર-1 ખેલાડી બની જશે.</p><h2><b>સબાલેન્કાનો 19 મેચોનો વિજયી રથ અટક્યો</b></h2><p>ન્યૂયોર્કમાં પહેલી વખત રિબાકીનાએ યુએસ ઓપન ટાઈટલ જીત્યું છે. આ અગાઉ સબાલેન્કાએ સતત બે વર્ષ સુધી આ ખિતાબ જીત્યો હતો, પરંતુ આ વખતે રિબાકીનાએ તેની ટ્રોફી જીતવાની હેટ્રિક રોકી દીધી હતી. આ સાથે જ યુએસ ઓપનમાં સબાલેન્કાની સતત 19 મેચોથી ચાલી આવતી જીતની સિરીઝનો પણ અંત આવ્યો છે. રિબાકીનાની કારકિર્દીનું ત્રીજું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે, અને તેની આ વર્ષની બીજી મોટી ટ્રોફી છે. વિશેષ વાત એ છે કે, આ વર્ષે તેણે પોતાના બંને ગ્રાન્ડ સ્લેમ ખિતાબ સબાલેન્કાને હરાવીને જ જીત્યા છે, જેમાં વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઓપન ફાઇનલનો પણ સમાવેશ થાય છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/usopen/status/2098908644318286315"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>ઈતિહાસની સૌથી મોટી ઈનામી રકમ મેળવી</b></h2><p>ચૅમ્પિયન બનવાની સાથે જ રિબાકીનાને 5.5 મિલિયન ડૉલર (અંદાજે 46 કરોડ રૂપિયાથી વધુ)ની ઈનામી રકમ મળી છે, જે ગ્રાન્ડ સ્લેમ ઈતિહાસની અત્યાર સુધીની સૌથી મોટી રકમ છે. આ સાથે જ રિબાકીનાના નામે આ વર્ષે ત્રણ ટાઈટલ થઈ ગયા છે. મૂળ રશિયાની પણ કઝાકિસ્તાન તરફથી રમતી રિબાકીનાએ 20222માં વિમ્બલ્ડન જીતીને પોતાનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ મેળવ્યું હતું. હવે તેને કેરિયર ગ્રાન્ડ સ્લેમ પૂરો કરવા માટે માત્ર ફ્રેંચ ઓપનની ટ્રોફી જીતવાની બાકી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/usopen/status/2098904994997059643"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>સબાલેન્કાનું હેટ્રિકનું સપનું રોળાયું</b></h2><p>અરીના સબાલેન્કા સતત ત્રીજી વખત યુએસ ઓપનનો ખિતાબ પોતાના નામે કરવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરી હતી. જો તે જીતી ગઈ હોત તો 2012-2014 દરમિયાન સરેના વિલિયમ્સ બાદ સતત ત્રણ વખત આ ટ્રોફી જીતનારી પ્રથમ ખેલાડી બની ગઈ હોત. હાર બાદ નિરાશ સબાલેન્કાએ પોતાનું રેકેટ પણ તોડી નાખ્યું હતું. રનરઅપ તરીકે તેને 2.8 મિલિયન ડૉલરની ઈનામી રકમ મળી હતી.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/13/ZICUIGptii5ceFnf3TOT5cyeAeO0rVUb5d6PupbZ.webp'/></item><item><title><![CDATA[India Iran Partnership: BRICSમાં માત્ર ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને જ કેમ કરી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત? ]]></title><link>https://sandesh.com/india/news/india-iran-partnership-why-did-only-iranian-president-masoud-pezeshkian-meet-president-draupadi-murmu-in-brics</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/india-iran-partnership-why-did-only-iranian-president-masoud-pezeshkian-meet-president-draupadi-murmu-in-brics</guid><pubDate>Sun, 13 Sep 2026 16:05:50 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">અમેરિકા અને ઇઝરાયલી હુમલાઓ અને ઈરાન પર આર્થિક નાકાબંધી વચ્ચે ઈરાની નેતાની ભારત મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">ઇરાન ભારતનો મુખ્ય ભાગીદાર&nbsp;</h2><p style="text-align: justify; ">નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત 18મા બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા સહિત અનેક દેશોના ટોચના નેતાઓ અને પ્રતિનિધિઓ દિલ્હીમાં ઉપસ્થિત રહ્યા હતા. ભારત માટે વ્યૂહાત્મક, આર્થિક અને સુરક્ષા દ્રષ્ટિકોણથી ઈરાન સાથે સારા અને સ્થિર સંબંધો મહત્વપૂર્ણ છે. ઈરાન ફક્ત પશ્ચિમ એશિયાનો દેશ નથી, પરંતુ મધ્ય એશિયા, ઉર્જા સુરક્ષા અને દરિયાઈ વેપાર સુધી પહોંચવાની દ્રષ્ટિએ ભારત માટે મુખ્ય ભાગીદાર છે.&nbsp;</p><h3 style="text-align: justify; ">વેપાર માર્ગો ખુલ્લા રાખવા ભારતના હિતમાં</h3><p style="text-align: justify; ">ચાબહાર બંદર, ઉર્જા સુરક્ષા, લાલ સમુદ્ર અને હુતી સંકટ, હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા, મધ્ય એશિયા સાથે જોડાણ અને સદીઓ જૂના સભ્યતા સંબંધો ઈરાનને ભારત માટે એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદાર બનાવે છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવનો સામનો કરીને, તમામ પક્ષો સાથે સંતુલિત સંબંધો જાળવી રાખીને, ઈરાન સાથે સંવાદ, રાજદ્વારી અને આર્થિક સહયોગના માર્ગો ખુલ્લા રાખવા ભારતના હિતમાં છે.</p><h4 style="text-align: justify; ">ભારત માટે ઈરાનનો સહયોગ શા માટે જરૂરી ?</h4><p style="text-align: justify; "><b>1. ચાબહાર બંદર:&nbsp;</b></p><p style="text-align: justify; ">ઈરાનનું ચાબહાર બંદર ભારતના સૌથી મહત્વપૂર્ણ વ્યૂહાત્મક પ્રોજેક્ટ્સમાંનું એક છે. તેના દ્વારા, ભારત પાકિસ્તાનને બાયપાસ કરીને અફઘાનિસ્તાન અને આગળ મધ્ય એશિયા સુધી વેપાર પ્રવેશ મેળવી શકે છે. આ બંદર ભારતના પ્રાદેશિક જોડાણ અને આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ પરિવહન કોરિડોર માટે પણ મહત્વપૂર્ણ છે.</p><p style="text-align: justify; "><b>2. તેલ અને ઉર્જા સુરક્ષા:&nbsp;</b></p><p style="text-align: justify; ">ભારત તેની ઉર્જા જરૂરિયાતો માટે નોંધપાત્ર પ્રમાણમાં ક્રૂડ ઓઇલ આયાત કરે છે. ઈરાન સાથે સારા સંબંધો જાળવવાથી ભારતને ઉર્જાના મહત્વપૂર્ણ સ્ત્રોત સુધી પહોંચ જાળવવામાં મદદ મળે છે. વધુમાં, પશ્ચિમ એશિયામાં વધતા તણાવ તેલના ભાવ અને પુરવઠા પર અસર કરી શકે છે, જેના કારણે ભારત માટે ઈરાન સાથે વાતચીત જાળવી રાખવી મહત્વપૂર્ણ બને છે.</p><p style="text-align: justify; "><b>3. હુથી અને લાલ સમુદ્ર પરિબળ:&nbsp;</b></p><p style="text-align: justify; ">યમનના હુથી જૂથની પ્રવૃત્તિઓએ લાલ સમુદ્ર અને બાબ-અલ-મંડેબ જેવા મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોની સુરક્ષાને અસર કરી છે. યુરોપ અને પશ્ચિમ એશિયા સાથે ભારતનો નોંધપાત્ર દરિયાઈ વેપાર આ માર્ગોની સ્થિરતા સાથે જોડાયેલો છે. તેથી, પ્રાદેશિક તણાવ ઘટાડવા અને દરિયાઈ વેપારને સુરક્ષિત રાખવામાં ભૂમિકા ભજવવા માટે ઈરાન સાથે વાતચીત અને રાજદ્વારી સંપર્ક જાળવી રાખવો ભારત માટે ફાયદાકારક છે.</p><p style="text-align: justify; "><b>4. હોર્મુઝ સ્ટ્રેટ:</b></p><p style="text-align: justify; ">હોર્મુઝ સ્ટ્રેટ પર્સિયન ગલ્ફ અને વૈશ્વિક ઉર્જા વેપાર માટે મહત્વપૂર્ણ છે. ભારત માટે, પશ્ચિમ એશિયામાંથી ઉર્જા પુરવઠા અને દરિયાઈ વેપારની સુરક્ષા સીધી રીતે પ્રદેશની સ્થિરતા સાથે જોડાયેલી છે. તાજેતરના પ્રાદેશિક તણાવ વચ્ચે, ભારતે દરિયાઈ વેપાર અને તેની સુરક્ષા પર પણ ભાર મૂક્યો છે.</p><p style="text-align: justify; "><b>5. મધ્ય એશિયામાં પ્રવેશ:&nbsp;</b></p><p style="text-align: justify; ">ઈરાન સાથે ભારતનો સહયોગ દ્વિપક્ષીય વેપાર સુધી મર્યાદિત નથી. ઈરાન ભારતને અફઘાનિસ્તાન, મધ્ય એશિયા અને વ્યાપક યુરેશિયન બજારો માટે વૈકલ્પિક જોડાણ પૂરું પાડી શકે છે.</p><p style="text-align: justify; "><b>6. ઐતિહાસિક અને સભ્યતા સંબંધો: </b></p><p style="text-align: justify; ">ભારત અને ઈરાનના સંબંધો ફક્ત આધુનિક રાજદ્વારી પર આધારિત નથી. બંને દેશો સદીઓ જૂના સાંસ્કૃતિક, ભાષાકીય, વેપાર અને સભ્યતા સંબંધો ધરાવે છે. ભારત સરકાર બંને દેશો વચ્ચેના લાંબા સમયથી ચાલતા સભ્યતા અને લોકો-થી-લોકોના સંબંધોને દ્વિપક્ષીય સંબંધોનો મહત્વપૂર્ણ પાયો માને છે.</p><p style="text-align: justify; "><b>7. ભારતની સ્વતંત્ર વિદેશ નીતિ:&nbsp;</b></p><p style="text-align: justify; ">ભારત યુનાઇટેડ સ્ટેટ્સ, રશિયા, ઇઝરાયલ, આરબ દેશો અને ઈરાન સાથે સંબંધો જાળવવા માંગે છે, જે બધા તેના રાષ્ટ્રીય હિતોના આધારે છે. ઈરાન સાથે વાતચીત જાળવવાથી ભારતની વ્યૂહાત્મક સ્વતંત્રતા અને વિદેશ નીતિ મજબૂત બને છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/crime/usa/shalini-thakur-murder-case-horrifying-incident-of-eccentric-lover-in-america-woman-shot-dead-at-point-blank-range" target="_blank">અમેરિકામાં સનકી પ્રેમીનો ખૌફનાક કાંડ, પોઇન્ટ બ્લેન્ક રેન્જથી મહિલાની ગોળી મારી હત્યા</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/13/dGeqcUQxlECXGckbyf0aEe80DQEnviAovrmzBQNb.webp'/></item><item><title><![CDATA[Pahalgam આતંકી હુમલાની નિંદા સારી વાત પણ... BRICS પર મહેબૂબા મુફ્તીનું નિવેદન ]]></title><link>https://sandesh.com/india/news/mehbooba-mufti-calls-brics-2026-new-delhi-declaration-positive-for-condemning-pahalgam-attack</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/mehbooba-mufti-calls-brics-2026-new-delhi-declaration-positive-for-condemning-pahalgam-attack</guid><pubDate>Sun, 13 Sep 2026 16:04:21 +05:30</pubDate><description><![CDATA[<p>જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી (PDP)ના વડા મહેબૂબા મુફ્તીએ બ્રિક્સ (BRICS) સમિટ 2026ના 'નવી દિલ્હી ઘોષણાપત્ર'ને એક સકારાત્મક પગલું ગણાવી આવકાર્યું હતું, પરંતુ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતની વિદેશ નીતિ અંગે પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે ઘોષણાપત્રમાં પહલગામ આતંકવાદી હુમલાની નિંદા કરવામાં આવી તે આવકારદાયક છે, પરંતુ ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર આતંકવાદનો મુદ્દો વધુ મજબૂતીથી ઉઠાવવો જોઈતો હતો.</p><p><br></p><p>મહેબૂબા મુફ્તીએ ટિપ્પણી કરી હતી કે ઐતિહાસિક રીતે ભારતની ઓળખ માનવ અધિકારો, માનવતા અને લોકશાહી માટે પ્રતિબદ્ધ રાષ્ટ્ર તરીકે રહી છે. જવાહરલાલ નેહરુના સમયથી જ ભારત પોતાની સ્વતંત્ર વિદેશ નીતિ અને બિન-જોડાણવાદી નીતિ (non-alignment) પર ગર્વ કરતું આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ભારત ક્યારેય કોઈ મહાસત્તા સામે ઝૂક્યું નથી, પછી ભલે તે અમેરિકા જ કેમ ન હોય.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2099037942778052817"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b style="font-size: 1.5rem;">‘વડાપ્રધાને તેમનું વલણ વધુ મજબૂતીથી રજૂ કરવું જોઈતું હતું’</b></p><p>પીડીપીના વડાએ દલીલ કરી હતી કે બ્રિક્સના અધ્યક્ષ અને યજમાન તરીકે, વડાપ્રધાન મોદીએ પહલગામ હુમલા અને આતંકવાદના મુદ્દે વધુ સ્પષ્ટ અને મક્કમ વલણ અપનાવવું જોઈતું હતું. તેમના મતે, વડાપ્રધાને ખૂબ જ સાવચેતીપૂર્વક શબ્દોની પસંદગી કરી હતી અને ભારત આ બાબતમાં અપેક્ષિત ભૂમિકા ભજવવામાં નિષ્ફળ રહ્યું હતું.</p><p><br></p><h4><b>ગાઝા અને પશ્ચિમ એશિયાનો મુદ્દો પણ ઉઠાવ્યો</b></h4><p>મહેબૂબાએ ધ્યાન દોર્યું કે નવી દિલ્હી ઘોષણાપત્રમાં પહલગામ હુમલાની સાથે સાથે પશ્ચિમ એશિયા અને ગાઝાની પરિસ્થિતિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે ભારત આતંકવાદી હુમલાઓની નિંદા કરવામાં 'પસંદગીયુક્ત અભિગમ' અપનાવી રહ્યું છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર તમામ પ્રકારની હિંસા અને માનવ અધિકારોના ઉલ્લંઘન સામે સમાન રીતે અવાજ ઉઠાવવો જોઈએ.</p><p><br></p><h4><b>‘અધ્યક્ષપદ હોવા છતાં આપણે મૌન રહ્યા’</b></h4><p>મહેબૂબા મુફ્તીએ જણાવ્યું હતું કે ભારત પાસે બ્રિક્સમાં પોતાનું વલણ સ્પષ્ટ કરવાની મોટી તક હતી, પરંતુ તે તેનો પૂરો લાભ ઉઠાવવામાં નિષ્ફળ રહ્યું. ચીન અને રશિયાના વધતા પ્રભાવનો ઉલ્લેખ કરતા તેમણે નોંધ્યું કે વિશ્વ બહુ-મહાસત્તા વ્યવસ્થા (multi-superpower order) તરફ આગળ વધી રહ્યું છે. તેમણે દાવો કર્યો કે જ્યારે ચીની અને રશિયન નેતાઓના નિવેદનોની આંતરરાષ્ટ્રીય મીડિયામાં ચર્ચા થઈ રહી છે, ત્યારે ભારત તેના વિચારો તેટલી જ અસરકારકતા સાથે રજૂ કરવામાં અસમર્થ રહ્યું.<br><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/air-india-flight-ai-1886-bhopal-to-delhi-emergency-landing-in-jaipur--all-safe" target="_blank"><b>મોટો અકસ્માત ટળ્યો! ભોપાલ-દિલ્હી Air India ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ</b></a></p><p><br></p><div class="twitter-tweet twitter-tweet-rendered" style="display: flex; max-width: 550px; width: 100%; margin-top: 10px; margin-bottom: 10px;"><iframe id="twitter-widget-0" scrolling="no" frameborder="0" allowtransparency="true" allowfullscreen="true" class="" title="X Post" src="<blockquote class="twitter-tweet">
  <a href="https://platform.twitter.com/embed/Tweet.html?dnt=false&amp;embedId=twitter-widget-0&amp;features=eyJ0ZndfdGltZWxpbmVfbGlzdCI6eyJidWNrZXQiOltdLCJ2ZXJzaW9uIjpudWxsfSwidGZ3X2ZvbGxvd2VyX2NvdW50X3N1bnNldCI6eyJidWNrZXQiOnRydWUsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfdHdlZXRfZWRpdF9iYWNrZW5kIjp7ImJ1Y2tldCI6Im9uIiwidmVyc2lvbiI6bnVsbH0sInRmd19yZWZzcmNfc2Vzc2lvbiI6eyJidWNrZXQiOiJvbiIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfZm9zbnJfc29mdF9pbnRlcnZlbnRpb25zX2VuYWJsZWQiOnsiYnVja2V0Ijoib24iLCJ2ZXJzaW9uIjpudWxsfSwidGZ3X21peGVkX21lZGlhXzE1ODk3Ijp7ImJ1Y2tldCI6InRyZWF0bWVudCIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfZXhwZXJpbWVudHNfY29va2llX2V4cGlyYXRpb24iOnsiYnVja2V0IjoxMjA5NjAwLCJ2ZXJzaW9uIjpudWxsfSwidGZ3X3Nob3dfYmlyZHdhdGNoX3Bpdm90c19lbmFibGVkIjp7ImJ1Y2tldCI6Im9uIiwidmVyc2lvbiI6bnVsbH0sInRmd19kdXBsaWNhdGVfc2NyaWJlc190b19zZXR0aW5ncyI6eyJidWNrZXQiOiJvbiIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfdXNlX3Byb2ZpbGVfaW1hZ2Vfc2hhcGVfZW5hYmxlZCI6eyJidWNrZXQiOiJvbiIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfdmlkZW9faGxzX2R5bmFtaWNfbWFuaWZlc3RzXzE1MDgyIjp7ImJ1Y2tldCI6InRydWVfYml0cmF0ZSIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfbGVnYWN5X3RpbWVsaW5lX3N1bnNldCI6eyJidWNrZXQiOnRydWUsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfdHdlZXRfZWRpdF9mcm9udGVuZCI6eyJidWNrZXQiOiJvbiIsInZlcnNpb24iOm51bGx9fQ%3D%3D&amp;frame=false&amp;hideCard=false&amp;hideThread=false&amp;id=2099037942778052817&amp;lang=en&amp;origin=https%3A%2F%2Fsdplcms.sandesh.com%2Fposts%2Fedit%2FZ2tNNmg1TlpzT1E4eW1tMzYza0h5dz09&amp;sessionId=d0c2a525e4d0f350441264fbc335e6eb51643c0e&amp;theme=light&amp;widgetsVersion=6a3ad42b224df%3A1778106238597&amp;width=550px"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>" style="position: static; visibility: visible; width: 550px; height: 1114px; display: block; flex-grow: 1;" data-tweet-id="2099037942778052817"></iframe></div>
<script async="" src="<blockquote class="twitter-tweet">
  <a href="https://platform.x.com/widgets.js"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>" charset="utf-8"></script> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/13/xY1xbVF5ar5rLJwLHuQXQMrWt5e4ShZ2mYmjoYsD.webp'/></item><item><title><![CDATA[Bank Holidays: બાકી રહેલા બેંકના કામ આજે જ પતાવી લો, 14 થી 20 સપ્ટેમ્બર દરમિયાન 4 દિવસ બેંક રહેશે બંધ ]]></title><link>https://sandesh.com/business/news/india/bank-holidays-september-2026-banks-closed</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/bank-holidays-september-2026-banks-closed</guid><pubDate>Sun, 13 Sep 2026 14:34:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જો તમે આગામી અઠવાડિયે બેંક સંબંધી કોઈ મહત્વપૂર્ણ કામકાજ પતાવવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે અત્યંત ઉપયોગી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના રજા કેલેન્ડર મુજબ, ૧૪ થી ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન દેશના વિવિધ પ્રંતોમાં બેંકો ચાર દિવસ માટે બંધ રહેશે. સ્થાનિક તહેવારો, ઉત્સવો અને સાપ્તાહિક રજાઓને ધ્યાનમાં રાખીને આ રજાઓ જુદા-જુદા શહેરોમાં લાગુ થાય છે.</p><h2 style="text-align: justify; "><b>આ અઠવાડિયે બેંક શાખાઓની રજાઓનું સમયપત્રક નીચે મુજબ છે:</b></h2><p style="text-align: justify; ">૧૪ સપ્ટેમ્બર (સોમવાર): ગણેશ ચતુર્થી, હરતાલિકા અને વિનાયક વ્રત જેવા તહેવારોના કારણે બેલાપુર, બેંગલુરુ, ભુવનેશ્વર, ચેન્નાઈ, હૈદરાબાદ, મુંબઈ, નાગપુર, પણજી અને વિજયવાડામાં બેંકો બંધ રહેશે.</p><p style="text-align: justify; ">૧૫ સપ્ટેમ્બર (મંગળવાર): સંવત્સરી, નુઆખાઈ અને ગણેશ ચતુર્થીના બીજા દિવસ નિમિત્તે અમદાવાદ, ભુવનેશ્વર અને પણજી ખાતે બેંક શાખાઓનું કામકાજ બંધ રહેશે.</p><p style="text-align: justify; ">૧૮ સપ્ટેમ્બર (શુક્રવાર): એકતા વર્ષગાંઠ દિવસના અવસર પર શિલોંગમાં બેંકો બંધ રહેશે.</p><p style="text-align: justify; ">૨૦ સપ્ટેમ્બર (રવિવાર): સાપ્તાહિક રજા હોવાના કારણે સમગ્ર ભારતભરમાં બેંકો બંધ રહેશે.</p><h3 style="text-align: justify; "><b>કુલ 4 દિવસ બેંકો રહેશે બંધ</b></h3><p style="text-align: justify; ">આમ, આ અઠવાડિયામાં પસંદગીના સ્થળોએ ત્રણ દિવસ અને રવિવારની રાષ્ટ્રીય રજા મળીને કુલ ચાર દિવસ બેંક શાખાઓ બંધ રહેશે. જો કે, ગ્રાહકોએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે રોકડ જમા, ચેક પ્રોસેસિંગ જેવી ભૌતિક સેવાઓ બંધ હોવા છતાં ઇન્ટરનેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ, UPI અને ATM જેવી ડિજિટલ બેંકિંગ સેવાઓ રાબેતા મુજબ ૨૪૭ કાર્યરત રહેશે.</p><h4 style="text-align: justify; "><b>સપ્ટેમ્બર મહિનાના અંત ભાગમાં પણ આવશે રજાઓ</b></h4><p style="text-align: justify; ">આ ઉપરાંત, સપ્ટેમ્બર મહિનાના અંત ભાગમાં પણ કેટલીક પ્રાદેશિક રજાઓ આવશે. ૨૧ સપ્ટેમ્બરે શ્રીમંત શંકરદેવ જન્મજયંતિ નિમિત્તે ગુવાહાટી, કોચી અને તિરુવનંતપુરમમાં, ૨૨ સપ્ટેમ્બરે કર્મ પૂજા નિમિત્તે રાંચીમાં, ૨૩ સપ્ટેમ્બરે મહારાજા હરિ સિંહજીના જન્મદિન નિમિત્તે જમ્મુ-શ્રીનગરમાં અને ૨૫ સપ્ટેમ્બરે ઇન્દ્રજાત્રાને કારણે ગંગટોકમાં બેંકો બંધ રહેશે.</p><p style="text-align: justify; ">ભારતમાં બેંક રજાઓનું સંચાલન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ અને અન્ય નિયમો હેઠળ થાય છે. નોંધનીય છે કે અગાઉ ૧૧ સપ્ટેમ્બરે યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા પાંચ દિવસના કાર્ય સપ્તાહની માંગણી સાથે હડતાળ પણ બોલાવવામાં આવી હતી, જેનાથી જાહેર ક્ષેત્રની બેંકોના કામકાજ પર અસર પડી હતી. તેથી, કોઈપણ અસુવિધાથી બચવા માટે ગ્રાહકોએ બેંકની મુલાકાત લેતા પહેલા RBI ની સત્તાવાર રજાઓની યાદી અવશ્ય તપાસી લેવી જોઈએ.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/tech/news/iphone-duo-price-cheapest-country-apple-foldable" target="_blank">આ પણ વાંચોઃ આ દેશમાં સૌથી સસ્તો મળી રહ્યો છે 'iPhone Duo', કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/13/4iOkSvqCciJoVfjl7CculaQcQ9tgC7Rki9RHrenC.webp'/></item></channel></rss>