<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[PM Kisan Yojana 23rd Installment : PM મોદીએ પશ્ચિમ બંગાળથી રિલિઝ કર્યો પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો ]]></title><link>https://sandesh.com/india/news/agriculture/pm-kisan-yojana-23rd-installment-pm-modi-west-bengal-release</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/agriculture/pm-kisan-yojana-23rd-installment-pm-modi-west-bengal-release</guid><pubDate>Sat, 20 Jun 2026 17:48:20 +05:30</pubDate><description><![CDATA[<p>20 જૂનનો દિવસ દેશના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સાબિત થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-Kisan) યોજનાનો 23મો હપ્તો રિલિઝ કર્યો છે. આ હપ્તા હેઠળ પાત્ર ખેડૂતોના ખાતામાં સીધા ₹2000 ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. સમગ્ર પ્રક્રિયા ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT) મારફતે કરવામાં આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2068298459988582803"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><br></p><h2><b>દેશભરમાં 9.44 કરોડથી વધુ ખેડૂતોના બેન્ક ખાતામાં પૈસા જમા થયા&nbsp;</b></h2><p>સરકારી માહિતી મુજબ આ હપ્તા હેઠળ દેશભરમાં 9.44 કરોડથી વધુ ખેડૂતોના બેન્ક ખાતામાં કુલ ₹18,880 કરોડથી વધુ રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. આ પગલાથી ખેડૂતોને સીધી આર્થિક સહાય મળી છે, જે તેમના કૃષિ કાર્ય અને રોજિંદા ખર્ચમાં મદદરૂપ બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. તેઓ હુગલી જિલ્લાના તારકેશ્વર ખાતે યોજાયેલા ‘પશ્ચિમ બંગ દિવસ’ સમારોહમાં હાજર રહ્યા હતા, જે કોલકાતાથી લગભગ 62 કિમી દૂર છે. આ કાર્યક્રમ દરમિયાન તેમણે અનેક કેન્દ્ર સરકારની યોજનાઓનો શુભારંભ કર્યો અને વિકાસ પ્રોજેક્ટ્સની શિલાન્યાસ પણ કરી.</p><h3><b>2019માં યોજના શરૂ કરાઈ હતી&nbsp;</b></h3><p>PM કિસાન યોજના 24 ફેબ્રુઆરી 2019ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે કુલ ₹6,000ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ રકમ ₹2,000ની ત્રણ સમાન હપ્તામાં સીધા ખેડૂતોના બેન્ક ખાતામાં જમા કરવામાં આવે છે. હાલ સુધીમાં આ યોજનાની 23 હપ્તા સફળતાપૂર્વક જાહેર કરવામાં આવી ચૂક્યા છે, જેના કારણે લાખો ખેડૂતોને નિયમિત આર્થિક સહાય મળી રહી છે અને તેમની કૃષિ પ્રવૃત્તિઓને મજબૂતી મળી રહી છે.<br></p><p><b><a href="https://sandesh.com/india/news/pm-modi-in-west-bengal-bengal-has-now-broken-free-from-its-shackles-pm-attacks-tmc-left" target="_blank">આ પણ વાંચો : PM Modi In West Bengal: બંગાળ બંધનોમાંથી મુક્ત થઈ ગયું, PMનો TMC-ડાબેરીઓ પર પ્રહાર</a></b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/ucYaHQB73rXrjNXFkNxySD7ePNA5VWGP1DaLBHB1.webp'/></item><item><title><![CDATA[Aamir Khan : મોટા પડદા પર જોવા મળશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની કહાની, આમિર ખાન બનાવી રહ્યા છે ડોક્યુમેન્ટ્રી ]]></title><link>https://sandesh.com/entertainment/news/aamir-khan-to-produce-biographical-documentary-on-president-droupadi-murmu</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/aamir-khan-to-produce-biographical-documentary-on-president-droupadi-murmu</guid><pubDate>Sat, 20 Jun 2026 17:33:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આમિર ખાન પ્રોડક્શન્સના બેનર હેઠળ બની રહેલી બંટવારા 1947 ટૂંક સમયમાં જ થિએટરોમાં દસ્તક દેવાની છે, જેનું તાજેતરમાં જ ટીઝર સામે આવ્યું છે. આ દરમિયાન આમિર ખાન એક વધુ મોટો પ્રોજેક્ટ લઈને આવી રહ્યા છે, પરંતુ આ એક્શન કે પાર્ટિશન પર બની રહેલી કોઈ ફિલ્મ નથી, પણ એક ડોક્યુમેન્ટ્રી હોવાની છે. અહેવાલ છે કે આમિર ખાનનું પ્રોડક્શન હાઉસ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પર ડોક્યુમેન્ટ્રી બનાવી રહ્યું છે એટલે કે દ્રૌપદી મુર્મૂની શાનદાર સફરને મોટા પડદા પર ઉતારવામાં આવશે.</p><h2 style="text-align: justify; "><b>રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના જીવન પર બનાવશે ડોક્યુમેન્ટ્રી</b></h2><p style="text-align: justify; ">બંટવારા 1947ની વચ્ચે આમિર ખાને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની જિંદગી પર એક ડોક્યુમેન્ટ્રી બનાવવાનો નિર્ણય લીધો છે. આ ફિલ્મના ડિરેક્શનની કમાન સ્વાતિ ચક્રવર્તી ભટકલા સંભાળશે, જેઓ રૂબરૂ રોશની જેવી ડોક્યુમેન્ટ્રી બનાવી ચૂક્યા છે. અહેવાલ છે કે આ ડોક્યુમેન્ટ્રીનું શૂટિંગ પહેલાથી જ શરૂ થઈ ચૂક્યું છે.</p><h3 style="text-align: justify; "><b>આમિર ખાનના પ્રોજેક્ટની ચર્ચા</b></h3><p style="text-align: justify; ">વેરાયટી ઇન્ડિયાના એક અહેવાલ મુજબ, આમિર ખાન પ્રોડક્શન્સ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના જીવન અને સફર પર બેઝ્ડ એક ડોક્યુમેન્ટ્રી પર કામ કરી રહ્યું છે. આ પ્રોજેક્ટને ફિલ્મમેકર અને રાઇટર સ્વાતિ ચક્રવર્તી ભતકાલ ડિરેક્ટ કરશે. આ ડોક્યુમેન્ટ્રી એ શાનદાર સફરને બતાવશે જેમાં મુર્મૂ ઓડિશાના એક નાના ગામથી ભારતના રાષ્ટ્રપતિ બન્યા. જણાવવામાં આવી રહ્યું છે કે આ ડોક્યુમેન્ટ્રી દ્રૌપદી મુર્મૂની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફના મહત્વના પડાવોને બતાવશે. જો કે, હજી મેકર્સ તરફથી કન્ફર્મેશન બાકી છે અને જો સમાચાર કન્ફર્મ થઈ જાય છે, તો આ આમિર ખાન પ્રોડક્શન્સની એક વધુ સાચી જિંદગી પર આધારિત સ્ટોરી હશે.</p><h4 style="text-align: justify; "><b>શરૂ થઈ ગયું શૂટિંગ</b></h4><p style="text-align: justify; ">અહેવાલોનું માનીએ તો આ ડોક્યુમેન્ટ્રીના કેટલાક ભાગ પહેલાથી જ ઓડિશામાં મુર્મૂના પૈતૃક ગામમાં શૂટ કરવામાં આવી ચૂક્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે મેકર્સે તેમના શરૂઆતી જીવનની મહત્વની ક્ષણોને ફરીથી તૈયાર કરી છે અને તેમની સફરના અલગ-અલગ પડાવોને બતાવવા માટે લોકલ કલાકારોને કાસ્ટ કર્યા છે. આ ડોક્યુમેન્ટ્રી દ્વારા આમિર ખાન પ્રોડક્શન્સ અને સ્વાતિ ચક્રવર્તી ભતકાલ એકવાર ફરી સાથે કામ કરશે. સ્વાતિએ આ પહેલા રૂબરૂ રોશનીને ડિરેક્ટ કરી હતી, જે 2019 માં આવેલી એક ડોક્યુમેન્ટ્રી એન્થોલોજી હતી અને જેને આમિર ખાન અને કિરણ રાવે પ્રોડ્યુસ કરી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/tmkoc-bagha-tanmay-vekaria-shares-real-life-financial-struggle-story" target="_blank">આ પણ વાંચો-Tanmay Vekaria : એક સમયે ખિસ્સામાં હતા ફક્ત 700 રૂપિયા, આજે લોકપ્રિયતાના શિખરે છે TMKOCના બાઘા!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/MUfmnKIuwI9umMX1WfyOSNjgmzILMrwiK7kSkn0V.webp'/></item><item><title><![CDATA[PM Kisan Installment Released: ખેડૂતો અંગે કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીએ આપ્યું મોટું નિવેદન ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/pm-kisan-samman-nidhi-installment-release-cm-bhupendra-patel-jitu-vaghani</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/pm-kisan-samman-nidhi-installment-release-cm-bhupendra-patel-jitu-vaghani</guid><pubDate>Sat, 20 Jun 2026 17:22:35 +05:30</pubDate><description><![CDATA[<p>દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો નવો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો છે. આ નિમિત્તે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાના ‘PM કિસાન ઉત્સવ દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના 51 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં સીધા જ 2000 રૂપિયાનો હપ્તો સહાય રૂપે જમા થશે. સમગ્ર રાજ્યના ખેડૂતો માટે આ ઉત્સવ સમાન પ્રસંગ બની રહ્યો છે.</p><h2><b>ખેડૂતોની સુખાકારી માટે સરકાર કટિબદ્ધ: CM ભૂપેન્દ્ર પટેલ</b></h2><p>કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વિશ્વના લોકપ્રિય નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુશાસનના સફળ વર્ષો પૂર્ણ કર્યા છે, જેમાં ખેડૂતોનું કલ્યાણ હંમેશા કેન્દ્ર સ્થાને રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, ખેડૂતો માટે સૌથી મહત્વની જરૂરિયાત પાણીની છે. આગામી સમયમાં જો ‘અલ નીનો’ની સ્થિતિ સર્જાય તો પણ ખેડૂતોને ઓછી તકલીફ પડે તે માટે સરકારે દૂરંદેશી પગલાં ભર્યા છે અને જ્યાં જરૂર છે, ત્યાં નર્મદાના પાણી પહોંચાડવાનું આયોજન કરાયું છે.</p><h2><b>પાણી સંગ્રહ અને પ્રાકૃતિક ખેતી પર વિશેષ ભાર</b></h2><p>મુખ્યમંત્રીએ પાણીના સંગ્રહ માટેની વ્યવસ્થા અંગે વાત કરતા જણાવ્યું કે, ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાને રાખીને ગુજરાતના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાનું લક્ષ્ય પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત, પહેલા તળાવ ભરવા માટે 5 કિલોમીટર સુધી મંજૂરી અપાતી હતી, જે હવે વધારીને 7 કિલોમીટર કરવામાં આવી છે. ધારાસભ્યોની ગ્રાન્ટમાં પણ વધારો કરાયો છે, જેથી રિચાર્જ બોર બનાવી શકાય. તેમણે ખેડૂતોને DAPનો ઓછો વપરાશ કરવા અને વૈજ્ઞાનિક પરિણામો આપતી પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહવાન કર્યું હતું.</p><h2><b>અલ નીનોની સંભવિત પરિસ્થિતિ સામે ગુજરાત સરકાર સજ્જ: CM ભૂપેન્દ્ર પટેલ</b></h2><p>ચોમાસાની આગાહી વચ્ચે દેશમાં અલ નીનોની સંભવિત પરિસ્થિતિને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર મંચ પરથી મોટું નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રીએ ખેડૂતોને આશ્વાસન આપતા જણાવ્યું કે, આ સંકટ સામે લડવા માટે રાજ્ય સરકારે અગાઉથી જ પોતાની રીતે આગોતરા પગલાં લઈ લીધા છે. ખેડૂતોને પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે સરકારે અત્યારથી જ જરૂરિયાતવાળા વિસ્તારોમાં નર્મદાના પાણી ભરાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. સરકારના આ આગોતરા આયોજનથી સંભવિત દુષ્કાળ કે પાણીની તંગીના પડકાર સામે ખેડૂતોના પાકને મોટું રક્ષણ મળશે.</p><h2><b>કોઈપણ વચેટિયા વિના ખેડૂતોના ખાતામાં ₹1025 કરોડ જમા: જીતુ વાઘાણી</b></h2><p>આ પ્રસંગે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જીતુ વાઘાણીએ સરકારના નિર્ણયોને બિરદાવતા કહ્યું કે, આજના હપ્તા દ્વારા ગુજરાતના ખેડૂતોને કુલ 1025 કરોડ રૂપિયાની સહાય સીધી તેમના ખાતામાં મળશે. વર્ષ 2019થી શરૂ થયેલી આ યોજના અંતર્ગત દેશના 9.5 કરોડથી વધુ ખેડૂતોને પારદર્શક રીતે, કોઈપણ વચેટિયા વગર લાભ મળી રહ્યો છે. મમતા બેનર્જીની સરકારે પશ્ચિમ બંગાળના ખેડૂતો સાથે અન્યાય કર્યો હતો, પરંતુ હવે ત્યાંના ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળી રહ્યો છે.</p><h2><b>સબસિડીમાં વધારો અને આપત્તિ સમયે કરોડોનું પેકેજ</b></h2><p>જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું કે, ભૂપેન્દ્ર પટેલની સરકાર ખેડૂતોની લાગણીઓને સમજનારી સરકાર છે. ખેડૂતો માટે વીજળી વધારવાનો નિર્ણય હોય કે આપત્તિના સમયે મદદ કરવાની વાત હોય, સરકાર હંમેશા અગ્રેસર રહે છે. સરકારે કૃષિ ઓજારો પર કરોડોની સબસિડી આપી છે, સનેડોની સહાયમાં વધારો કર્યો છે, અને ખેતરની ફરતે વાડ બનાવવા માટે ફેન્સિંગ યોજનામાં પણ મોટા નિર્ણયો લીધા છે. દિવાળીના સમયે પણ સરકારે ઉદારતા દાખવી ખેડૂતોને 25 હજાર કરોડ રૂપિયા આપ્યા હતા. કોંઢ ગામના ખેડૂતોની સમસ્યા અંગે પણ સરકારે હકારાત્મક વલણ અપનાવ્યું છે, અને તેનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/gujarat-latest-news-gujarat-latest-news-live-and-samachar-20-june-2026-politics-weather-updates-daily-breaking-news-nation" target="_blank">Gujarat Latest News Live: ખેડૂતોના ખાતામાં આવ્યા પૈસા! PM મોદીએ પશ્ચિમ બંગાળથી રિલિઝ કર્યો પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/OvjfAMZRosa1BT4xbMxeZMRMa8eMnAkEBtmWT4ZG.webp'/></item><item><title><![CDATA[Vadodara News: અટલાદરામાં વ્યાજખોરોના ત્રાસથી પ્રૌઢે ઝેરી દવા પીને જીવ ટૂંકાવ્યું, સુસાઇડ નોટમાં ચોંકાવનારા ખુલાસા ]]></title><link>https://sandesh.com/crime/news/vadodara/atladra-loan-shark-torture-suicide-rajubhai-mihir-ramlavat</link><guid isPermaLink="true">https://sandesh.com/crime/news/vadodara/atladra-loan-shark-torture-suicide-rajubhai-mihir-ramlavat</guid><pubDate>Sat, 20 Jun 2026 16:46:19 +05:30</pubDate><description><![CDATA[<p>વડોદરાના અટલાદરા વિસ્તારમાં વ્યાજખોરીના દૂષણે વધુ એક માસૂમનો જીવ લીધો હોવાની ઘટના સામે આવી છે. વ્યાજખોરોના અસહ્ય ત્રાસ અને ધમકીઓથી કંટાળીને અટલાદરામાં રહેતા 55 વર્ષીય રાજુભાઈ નામના વ્યક્તિએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેમનું વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. રાજુભાઈના મોતના પગલે પરિવારમાં ભારે આક્રોશ અને માતમનો માહોલ છવાઈ ગયો છે. તેમના પરિવારે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.</p><h2><b>રૂપિયા ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી અને સુસાઇડ નોટ</b></h2><p>મૃતક રાજુભાઈના પરિવારે આક્ષેપ કર્યો છે કે, વ્યાજખોરોના ત્રાસના કારણે જ તેમણે આ અંતિમ પગલું ભર્યું છે. આત્મહત્યા કરતા પહેલાં રાજુભાઈએ એક સુસાઇડ નોટ પણ લખી છે, જેમાં મિહિર રામલાવત નામના વ્યાજખોર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પરિવારના જણાવ્યા અનુસાર, રાજુભાઈએ લીધેલા તમામ રૂપિયા વ્યાજ સહિત ચૂકવી દીધા હોવા છતાં મિહિર રામલાવત દ્વારા સતત પઠાણી ઉઘરાણી અને નાણાંની માંગણી ચાલુ રાખવામાં આવી હતી.</p><h2><b>મોબાઈલ છીનવ્યો, મારપીટ કરી અને પોલીસ તપાસ શરૂ</b></h2><p>આટલું જ નહીં, વ્યાજખોર મિહિર રામલાવત દ્વારા રાજુભાઈને અવારનવાર જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી. આ સાથે તેમની સાથે મારપીટ પણ કરવામાં આવી હતી. પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી છે કે, વ્યાજખોરે બળજબરીપૂર્વક રાજુભાઈ પાસેથી રૂપિયા અને તેમનો મોબાઈલ ફોન પણ છીનવી લીધા હતા. </p><p>આ અમાનુષી માનસિક અને શારીરિક ત્રાસ સહન ન થતાં આખરે રાજુભાઈએ ઝેર પીને જીવન ટૂંકાવી લીધું છે. હાલમાં અટલાદરા પોલીસે સુસાઇડ નોટ કબ્જે કરીને ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-karelibaug-police-fir-facebook-post-defamation-extortion-case-news" target="_blank">Vadodara : સોશિયલ મીડિયા પર બદનામ કરવાની ધમકી આપી 50 હજારની ખંડણી માંગતી ગેંગ સામે પોલીસમાં ગુનો નોંધાયો</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/z2IFIIm1JlFnUfsJKYgFNR2S2n0vhkGoc2YVI9A3.webp'/></item><item><title><![CDATA[Amit Shah On Shiv Sena: હવે કોઇ જૂથ નથી, શિવસેના એક જ છે, અમિત શાહનો ઉદ્ધવ ઠાકરેને ટોણો ]]></title><link>https://sandesh.com/india/news/amit-shah-on-shiv-sena-now-there-is-no-group-shiv-sena-is-one-amit-shahs-big-statement-on-uddhav-thackeray</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/amit-shah-on-shiv-sena-now-there-is-no-group-shiv-sena-is-one-amit-shahs-big-statement-on-uddhav-thackeray</guid><pubDate>Sat, 20 Jun 2026 16:15:13 +05:30</pubDate><description><![CDATA[<p>મહારાષ્ટ્રમાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ચાલી રહેલુ આંતરિક યુદ્ધ સપાટી પર આવ્યુ છે. ઉદ્વવ ઠાકરે જૂથના સાંસદો એકનાથ શિંદે જૂથમાં જોડાયાની ચર્ચાઓ તેજ બની છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોલ્હાપુરમાં હતા. ત્યારે ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા.&nbsp;</p><h2><b>શિવસેના હવે એક જ છે- અમિત શાહ&nbsp;</b></h2><p>તેમણે કહ્યું કે કોંગ્રેસના લોકો અને કોંગ્રેસના ખોળામાં બેઠેલા ઉદ્ધવ ઠાકરે ઘૂસણખોરોને વોટબેક બનાવીને ટકી રહેવા માગે છે. તેવા લોકો કાન ખોલીને સાંભળી લે. આ દેશમાં એજ લોકો રહેશે કે જેઓ અહીં જન્મ્યા છે. આ કોઇ ધર્મશાળા નથી. વધુમાં કહ્યું કે પહેલા કહેવુ પડતુ હતું શિવસેના શિંદે જૂથ. પરંતુ હવે તો કોઇ જૂથ વધ્યુ નથી. એક જ શિવસેના થઇ ગઇ છે. તેમ કહ્યું.&nbsp;</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2068246737102442822"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3><b>પીએમ મોદીએ સેવા આપવાનો રેકોર્ડ બનાવ્યો- અમિત શાહ&nbsp;</b></h3><p>પીએમ મોદીના 12 વર્ષના રાજકીય પ્રવાસ અંગે બોલતા જણાવ્યું કે&nbsp; પીએમ મોદીએ દેશના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા વડા પ્રધાન તરીકે સેવા આપવાનો રેકોર્ડ બનાવ્યો છે. જ્યારે પણ સ્વતંત્ર ભારતનો ઇતિહાસ લખાશે, ત્યારે આ 12 વર્ષ ભારતની વિકાસલક્ષી સિદ્ધિઓ, ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાન, સુરક્ષિત ભારતનું નિર્માણ અને દેશનું વૈશ્વિક સ્તરે વધતું કદ સાથે લખાશે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2068240490366218361"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h4><b>દેશભરમાંથી ઘૂસણખોરોને બહાર કાઢીશું- અમિત શાહ&nbsp;</b></h4><p>ગૃહમંત્રીએ ઉમેર્યું, "આ 12 વર્ષોમાં, પીએમ મોદીના નેતૃત્વ હેઠળ, સોમનાથથી ગંગાસાગર સુધી, સમગ્ર દેશમાં ભાજપ અને એનડીએ શાસનનો વિસ્તાર કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. છેલ્લી ચૂંટણીમાં બંગાળના લોકોએ પણ ભાજપને આશીર્વાદ આપ્યા હતા. હું તમને ખાતરી આપું છું કે બંગાળની સરહદો પારથી થતી ઘુસણખોરીને માત્ર અટકાવવામાં આવશે જ નહીં, પરંતુ અમે દેશભરમાંથી દરેક ઘુસણખોરને ઓળખીને બહાર કાઢીશું.&nbsp;</p><p><a  target="_blank" style="background-color: rgb(255, 255, 255);"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2068245817874690235"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/przjiRvYAXqBgkNcAeMlgFG6Jv43wl0mS0CFgVK6.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: મોરૈયા ગામના સરપંચના પતિ અને પુત્ર પર 5થી વધુ શખ્સોનો સશસ્ત્ર હુમલો ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/moraiya-village-sarpanch-husband-son-attacked</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/moraiya-village-sarpanch-husband-son-attacked</guid><pubDate>Sat, 20 Jun 2026 15:48:33 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ નજીક આવેલા ચાંગોદરના મોરૈયા ગામમાંથી જૂની અદાવતમાં હિંસક હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદ જિલ્લામાં આવેલા મોરૈયા ગામના મહિલા સરપંચના પતિ અને તેમના પુત્ર પર ગામના જ પાંચથી વધુ શખ્સોએ ઘાતક હથિયારો વડે તૂટી પડ્યા હતા. આ જીવલેણ હુમલોમાં પિતા અને પુત્ર બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જે કારણે તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.</p><h2><b>પૂર્વ આયોજિત કાવતરું રચી હુમલો કરાયો</b></h2><p>ઘટનાની મળતી માહિતી અનુસાર, હુમલાખોરો અને સરપંચના પરિવાર વચ્ચે અગાઉથી જ જૂની અદાવત ચાલી રહી હતી. જેની વેરઝેર રાખીને શનિવારના રોજ 5થી વધુ શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું રચી હથિયારો સાથે પિતા-પુત્રને રસ્તામાં ઘેરી લીધા હતા. જે બાદ તેમના પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી દીધો હતો. ઘટનાને પગલે સમગ્ર મોરૈયા ગામમાં ચકચાર મચી ગઈ છે. નાના ગામમાં આવી હિંસક ઘટનાને કારણે ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2068299850320642320"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>પોલીસે હાથ ધરી કાર્યવાહી</b></h2><p>આ લોહિયાળ ખેલ અંગે ચાંગોદર પોલીસને જાણ કરાતા જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધીને હુમલાખોરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે ગામમાં અણબનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/police-strict-security-arrangements-for-neet-exam-23-centers-drone-surveillance" target="_blank">Ahmedabad: NEET પરીક્ષા માટે પોલીસની કડક કિલ્લેબંધી! 23 કેન્દ્રો પર 10,445 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/PGm39oHg1DfcfnufPVG9cEfP3IXBRN7llXfU1aB7.webp'/></item><item><title><![CDATA[Weather Update : 21થી 25 જૂન દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/weather-update-gujarat-weather-forecast-next-7-days-rain-alert-cyclonic-circulation-news</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/weather-update-gujarat-weather-forecast-next-7-days-rain-alert-cyclonic-circulation-news</guid><pubDate>Sat, 20 Jun 2026 15:12:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં હાલ ગરમી અને અસહ્ય બફારાથી તોબા પોકારી ઉઠેલા નાગરિકો માટે હવામાન વિભાગ તરફથી રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સાર્વત્રિક વરસાદી માહોલ જામવાની સત્તાવાર આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાત રિજનની આસપાસ એક મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશનસક્રિય થયું છે, જેની સાથે તેલંગાણા તરફથી બનેલા ટ્રફની સીધી અસર પણ રાજ્યના વાતાવરણ પર જોવા મળી રહી છે. આ સિસ્ટમના કારણે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે છૂટોછવાયો વરસાદ ખાબકશે.</p><h2 style="text-align: justify; "><b>&nbsp;21 થી 25 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ
</b></h2><p style="text-align: justify; ">હવામાન વિભાગે ખાસ કરીને 21 થી 25 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિઓ વ્યાપક સ્તરે વધવાની આશંકા વ્યક્ત કરી છે. જો કે, આ મેઘરાજાની સત્તાવાર બેટિંગ શરૂ થાય તે પહેલાં લોકોને ભારે ઉકળાટ સહન કરવો પડશે. 
</p><h3 style="text-align: justify; "><b>લોકોને અસહ્ય બફારા અને ગરમીનો અહેસાસ 
</b></h3><p style="text-align: justify; ">વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોવાના કારણે લોકોને અસહ્ય બફારા અને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. તાપમાનની વાત કરીએ તો, આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અને પાટનગર ગાંધીનગરમાં 38 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આગામી દિવસોમાં અમદાવાદમાં પારો 36  થી 40 ડિગ્રીની વચ્ચે રહેવાની સંભાવના છે.
</p><h4 style="text-align: justify; "><b>માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની કડક ચેતવણી
</b></h4><p style="text-align: justify; ">બીજી તરફ, બદલાયેલા હવામાનને પગલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ ખૂબ જ તેજ થવાની શક્યતા છે. દરિયામાં કરંટ વધવાની આશંકાને પગલે હવામાન વિભાગે માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની કડક ચેતવણી આપી છે. તંત્ર દ્વારા દરિયાકાંઠાના તમામ બંદરો અને માછીમારોને એલર્ટ રહેવા તેમજ સાવચેતીના તમામ પગલાં લેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. આગામી બે દિવસમાં જ ગરમીમાં ઘટાડો થતાં ચોમાસુ માહોલ સંપૂર્ણપણે જામી જશે તેવી આશા બંધાઈ છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/sandesh-explainer-surat-rajkot-ahmedabad-wife-swapping-racket-social-media-groups-explainer" target="_blank"><b>Sandesh Digital Explainer : ગુજરાતના મહાનગરોમાં ‘વાઇફ સ્વેપિંગ’નો કાળો ખેલ, પત્નીઓની અદલાબદલીનું આ દૂષણ કેટલું ઊંડું છે?</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/vNelF9GJNWkesQ5ir3hf9VnHNBqj2v8Bn0GyM5t6.webp'/></item><item><title><![CDATA[Kutch News: અંજાર PGVCL કચેરીના રેકોર્ડ રૂમમાં ભીષણ આગ ]]></title><link>https://sandesh.com/gujarat/breakingnews/kutch/anjar-pgvcl-office-record-room-fire-documents-damaged</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/breakingnews/kutch/anjar-pgvcl-office-record-room-fire-documents-damaged</guid><pubDate>Sat, 20 Jun 2026 15:11:15 +05:30</pubDate><description><![CDATA[<p>કચ્છના અંજાર શહેરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અંજાર સ્થિત PGVCL કચેરીના રેકોર્ડ રૂમમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી છે. ઓફિસ સમય દરમિયાન અચાનક આગ ફાટી નીકળતા જ કચેરીના સ્ટાફ અને સ્થાનિક લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.</p><h2><b>વીજ કંપનીના વર્ષો જૂના દસ્તાવેજ બળીને ખાખ</b></h2><p>ઘટનાની મળતી માહિતી અનુસાર, આગ એટલી ગંભીર હતી કે, જોતજોતામાં સમગ્ર રેકોર્ડ રૂમને લપેટમાં લઈ લીધો હતો. આ દુર્ઘટનાને કારણે રેકોર્ડ રૂમમાં રાખવામાં આવેલા વીજ કંપનીના વર્ષો જૂના મહત્વના સરકારી દસ્તાવેજો, ફાઈલો અને અન્ય રેકોર્ડને ભારે નુકસાન થયું હોવાની આશંકા સેવાઈ રહી છે.</p><h2><b>અંજાર ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે</b></h2><p>ઘટનાની જાણ થતાં જ અંજાર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો, જેના કારણે મોટી હોનારત ટળી હતી. જોકે, આ આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. હાલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા આગ લાગવાનું સચોટ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/kutch/kutch-adipur-tagore-road-woman-crying-help-police-drone-search-operation-news" target="_blank">Kutch : આદિપુરમાં ઝાડીઓમાંથી સંભળાયો મહિલાનો 'બચાવો બચાવો'નો અવાજ; પોલીસે ડ્રોન કેમેરાથી સર્ચ ઓપરેશન આદર્યું</a></p><p><br></p><p><br></p><p></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/Bu4tZSB0wrfj1nnBqzHlAfe8TbQqUouJRUzbvfzR.webp'/></item><item><title><![CDATA[Bharat Forge Share: સરકારનો મળ્યો 425 કરોડનો ઓર્ડર અને...રોકાણકારો માલામાલ ]]></title><link>https://sandesh.com/business/news/bharat-forge-share-government-gets-order-of-rs-425-crore-andinvestors-are-rich</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/bharat-forge-share-government-gets-order-of-rs-425-crore-andinvestors-are-rich</guid><pubDate>Sat, 20 Jun 2026 12:57:07 +05:30</pubDate><description><![CDATA[<p>શેરબજારમાં સતત વધઘટ જોવા મળી રહી છે. ગત અઠવાડિયે તો શેરબજારમાં ઘટાડાનો દોર હતો. પરંતુ આ ઘટાડા વચ્ચે ઘણી કંપનીઓના શેરએ સારુ પ્રદર્શન કર્યુ હતું. જો કે આગામી દિવસોમાં પણ આવો ટ્રેન્ડ જોવા મળી શકે છે. ત્યારે આવો જાણીએ કઇ કંપનીઓના શેર માર્કેટમાં મંદીના માહોલમાં પણ ટોપ પર હતા.&nbsp;</p><h2><b>Bharat Forge નો શેર ટોચ પર&nbsp;</b></h2><p>જે કંપનીનો શેર ટોચ પર હતો તે છે Bharat Forge. જો કે આગામી દિવસોમાં પણ તેના શેર ટોપ પર રહે તેવી શક્યતા છે.&nbsp; સરકાર દ્વારા કંપનીને આપવામાં આવેલા ₹425 કરોડના નોંધપાત્ર ઓર્ડરને કારણે સંરક્ષણ ક્ષેત્રની અગ્રણી કંપની Bharat Forgeના શેર ફોકસમાં રહેવાની તૈયારીમાં છે.</p><h3><b>રોકાણકારો માટે મલ્ટીબેગર સ્ટોક બન્યો Bharat Forge</b></h3><p>Bharat Forge તેના રોકાણકારો માટે મલ્ટીબેગર સ્ટોક તરીકે ઉભરી આવ્યો છે. વળતરની દ્રષ્ટિએ તેણે લાંબા ગાળે રોકાણકારો માટે નોંધપાત્ર સંપત્તિ ઉત્પન્ન કરી છે.  9 એપ્રિલ, 2020 ના રોજ આ  શેરનો ભાવ ₹245 હતો. જે હવે 12 જૂન  શુક્રવારના રોજ  ₹2,036 પર બંધ થયો હતો. એટલે કહી શકાય કે રોકાણકારોને તો તગડી કમાણી કરાવી દીધી.  2020થી 2026 સુધીમાં રોકાણકારોએ  729% નું પ્રભાવશાળી વળતર મેળવ્યું .Bharat Forgeમાં જે  રોકાણ કર્યુ હતું તેના કરતા આઠ ગણાથી વધુનો વધારો થયો છે.</p><p><b style="font-size: 1.5rem;">રોકાણકારોને કેટલું આપ્યું વળતર ?&nbsp;</b></p><p>આ ડિફેન્સ  સ્ટોકનું બજાર મૂડીકરણ ₹97,340 કરોડ છે. તેનો 52 અઠવાડિયાનો ઉચ્ચતમ ભાવ ₹2,059.50 છે, જ્યારે 52 અઠવાડિયાનો નીચો ભાવ ₹1,100.50 છે. છેલ્લા છ મહિનામાં આ શેર નોંધપાત્ર રીતે સારો દેખાવ કરી રહ્યો છે. જે રોકાણકારોને 40% વળતર આપે છે.  છેલ્લા પાંચ વર્ષના વળતરની વાત કરીએ તો તે 180% છે.</p><p><br></p><h4><b>ભારત ફોર્જ કેમ ફોકસમાં છે?</b></h4><p>Bharat Forgeના શેર આગામી સપ્તાહે પણ ચર્ચામાં રહેવાની ધારણા છે. પીટીઆઈના અહેવાલ મુજબ કંપનીએ ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જાહેરાત કરી હતી કે તેણે ભારતીય નૌકાદળ માટે સંરક્ષણ મંત્રાલય પાસેથી એક મોટો કરાર મેળવ્યો છે.</p><p><b style="font-size: 1.5rem;">Bharat Forgeમેળવ્યો ડિફેન્સ સેક્ટર પાસેથી ઓર્ડર&nbsp;</b></p><p>મળતી માહિતી મુજબ આ ઓર્ડર ગેસ ટર્બાઇન જનરેટરના પુરવઠા માટે છે જે ફાઇલિંગ મુજબ ₹425 કરોડ મૂલ્યનો છે. Bharat Forgeને કરારને અમલમાં મૂકવા માટે પાંચ વર્ષનો સમયમર્યાદા આપવામાં આવી છે. આ કરાર હેઠળ, કંપની 1.25 મેગાવોટની ક્ષમતાવાળા ગેસ ટર્બાઇન જનરેટરનું ઉત્પાદન કરશે.&nbsp;</p><p>શુક્રવારે સંરક્ષણ મંત્રાલયે નવી દિલ્હીમાં પુણે સ્થિત Bharat Forge લિમિટેડ સાથે ભારતીય નૌકાદળ માટે બાર 1.25 મેગાવોટ મરીન ગેસ ટર્બાઇન જનરેટર સેટ ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા. આ દરમિયાન સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ હાજર રહ્યા હતા, આ જનરેટરમાં ઓછામાં ઓછી 60% 'મેડ ઇન ઇન્ડિયા' સામગ્રીનો ઉપયોગ કરવામાં આવશે.</p><p><br></p><p><a href="https://sandesh.com/gallery/news/india/why-are-potatoes-and-chickpeas-the-filling-in-panipuri?2" target="_blank">આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/8gAOmPtUhuQp6cQgCRCresDqJT7KUFfJ9t7F1ztY.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026માં પેરાગ્વેએ સર્જ્યો મોટો અપસેટ, તુર્કીને હરાવીને ટુર્નામેન્ટમાંથી બહાર કરી ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/paraguay-created-a-big-upset-in-fifa-world-cup-2026-defeated-turkey-and-eliminated-them-from-the-tournament</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/paraguay-created-a-big-upset-in-fifa-world-cup-2026-defeated-turkey-and-eliminated-them-from-the-tournament</guid><pubDate>Sat, 20 Jun 2026 12:11:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પેરાગ્વેએ ફિફા વર્લ્ડ કપ 2026ના ગ્રુપ ડીના રોમાંચક મેચમાં તુર્કીને 1-0 થી હરાવ્યું.આ હાર સાથે તુર્કી ટુર્નામેન્ટમાંથી બહાર થનારી બીજી ટીમ બની.પોતાની બંને શરૂઆતની મેચ હારી ગયા બાદ,તુર્કી પાસે હવે આગળના રાઉન્ડમાં પહોંચવાની કોઈ શક્યતા નથી.તુર્કી પર પેરાગ્વેની જીતે ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં મોટો અપસેટ સર્જ્યો છે.</p><h4 style="text-align: justify; "><b>મેચનો સૌથી ઝડપી ગોલ</b></h4><p style="text-align: justify; ">પેરાગ્વેએ રમત શરૂ થતાં જ તુર્કીને સ્તબ્ધ કરી દીધું.મેચની બીજી જ મિનિટમાં પેરાગ્વેના મેથિયાસ ગાલાર્ઝાએ પેનલ્ટી બોક્સની બહારથી એક શક્તિશાળી શોટ માર્યો,જે સીધો ગોલમાં ગયો.તુર્કી ગોલકીપર ઉગુરકાન કાકીર શોટ રોકવામાં સંપૂર્ણપણે અસમર્થ રહ્યો.આ ગોલ આ વર્લ્ડ કપનો અત્યાર સુધીનો સૌથી ઝડપી ગોલ પણ બન્યો.શરૂઆતની નિષ્ફળતા પછી તુર્કીએ વાપસી માટે તમામ પ્રયાસો કર્યા.33મી મિનિટે મેર્ટ મુલ્ડુરનો ઉત્તમ હેડર પોસ્ટ પર વાગ્યો અને પાછો ફર્યો.બીજા હાફમાં આર્ડા ગુલર અને કેનન યિલ્ડીઝ જેવા ખેલાડીઓએ ગોલ કરવાની ઘણી તકો બનાવી પરંતુ પેરાગ્વેના મજબૂત ડિફેન્સ અને ગોલકીપર ઓર્લાન્ડો ગિલની સતર્કતાએ તેમને નિષ્ફળ બનાવ્યા.</p><p style="text-align: justify; "><a href="https://x.com/FIFAWorldCup/status/2068199162135409068?s=20" target="_blank">https://x.com/FIFAWorldCup/status/2068199162135409068?s=20</a></p><p style="text-align: justify; "><br></p><h5 style="text-align: justify; "><b>પ્રથમ હાફમાં એક ખેલાડીને લાલ કાર્ડ આપવામાં આવ્યું</b></h5><p style="text-align: justify; ">પ્રથમ હાફની અંતિમ ક્ષણોમાં મેદાન પર નોંધપાત્ર નાટક હતું. VAR ની મદદથી, પેરાગ્વેના સ્ટાર ખેલાડી મિગુએલ અલ્મિરોનને સીધો લાલ કાર્ડ બતાવીને મેદાનમાંથી બહાર મોકલી દેવામાં આવ્યો. તેના પર વિરોધી ખેલાડીઓ સાથે ઝઘડા દરમિયાન ચહેરો ઢાંકવા અંગેના FIFAના નવા નિયમનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પરિણામે, પેરાગ્વેને આખો બીજો હાફ ફક્ત 10 ખેલાડીઓ સાથે રમવો પડ્યો, પરંતુ તુર્કી આ ફાયદાનો લાભ લેવામાં નિષ્ફળ ગયું.</p><h5 style="text-align: justify; "><b>તુર્કીની વર્લ્ડ કપ સફરનો અંત આવ્યો</b></h5><p style="text-align: justify; ">આ હાર સાથે, તુર્કીની વર્લ્ડ કપ સફરનો અંત આવ્યો છે. સતત બે હાર (ઓસ્ટ્રેલિયા અને પેરાગ્વે સામે) બાદ તુર્કી ગ્રુપમાં સૌથી નીચે છે. જો તેઓ તેમની અંતિમ મેચમાં યુનાઇટેડ સ્ટેટ્સને હરાવે તો પણ, તેઓ પોતપોતાની મેચોમાં તેમના ખરાબ રેકોર્ડને કારણે આગામી રાઉન્ડની સ્પર્ધામાંથી બહાર રહેશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/entertainment/fifa-world-cup-2026-this-actress-is-the-most-searched-on-google-leaving-behind-priyanka-chopra-and-alia-bhatt" target="_blank">FIFA World Cup 2026 : આ અભિનેત્રી ગૂગલ પર સૌથી વધુ થઈ સર્ચ, પ્રિયંકા ચોપરા અને આલિયા ભટ્ટને છોડી દીધી પાછળ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/J8SF1E1MovA3v1E40je0dYFqg669E7oPfr9j8h1c.webp'/></item></channel></rss>