<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Harmanpreet Kaur Retirement: નિવૃત્તિના સવાલ પર હરમન પ્રીત કૌરે રિપોર્ટરનો આપ્યો કરારો જવાબ ]]></title><link>https://sandesh.com/cricket/news/sports/harmanpreet-kaur-retirement-harmanpreet-kaur-gave-a-candid-answer-to-a-reporter-on-the-question-of-retirement</link><guid isPermaLink="true">https://sandesh.com/cricket/news/sports/harmanpreet-kaur-retirement-harmanpreet-kaur-gave-a-candid-answer-to-a-reporter-on-the-question-of-retirement</guid><pubDate>Mon, 08 Jun 2026 11:00:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 ની રોમાંચક શરૂઆત 12 જૂનથી ઈંગ્લેન્ડની ધરતી પર થવા જઈ રહી છે. આ મેગા ટૂર્નામેન્ટની શરૂઆત પહેલાં જ તમામ ભાગ લેનારી ટીમોના કેપ્ટનોએ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો, જેમાં ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર પણ સામેલ હતી. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હરમનપ્રીત કૌર અને એક રિપોર્ટર વચ્ચે નિવૃત્તિના પ્રશ્નને લઈને થયેલી રસપ્રદ વાતચીતનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>નિવૃત્તિના સવાલ પર હરમનપ્રીતનો રોકડો જવાબ</b></h2><p style="text-align: justify; ">વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક રિપોર્ટરે ભારતીય કેપ્ટનને સવાલ પૂછ્યો, "શું આ તમારો છેલ્લો વર્લ્ડ કપ છે? તમે તેના વિશે શું કહેવા માંગો છો?" આ પ્રશ્ન સાંભળતા જ હરમનપ્રીતે પોતાના અંદાજમાં વળતો પ્રશ્ન કર્યો કે, "આ મારો છેલ્લો વર્લ્ડ કપ કેમ છે? શું તમે ઇચ્છો છો કે હું નિવૃત્તિ લઉં?" ભારતીય કેપ્ટનનો આવો જડબાતોડ જવાબ સાંભળીને રિપોર્ટર પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો અને તેણે તાત્કાલિક મામલો થાળે પાડતા કહ્યું, "ના, હું ફક્ત જાણવા માંગતો હતો. મને એ સાંભળીને આનંદ થયો કે આ તમારો છેલ્લો વર્લ્ડ કપ નથી." જોકે, હરમનપ્રીતે ફરી હસતા હસતા ઉમેર્યું, "તો પછી તમે આવો સવાલ કેમ પૂછી રહ્યા છો?"</p><h3 style="text-align: justify; "><b>પાકિસ્તાન સામે મહામુકાબલાથી ભારત કરશે શરૂઆત</b></h3><p style="text-align: justify; ">આ મેગા ઈવેન્ટની ઓપનિંગ મેચ 12 જૂને યજમાન ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાશે. જ્યારે ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 14 જૂને કટ્ટર હરીફ પાકિસ્તાન સામેના હાઈ-વોલ્ટેજ મુકાબલાથી કરશે. ટુર્નામેન્ટના લીગ તબક્કામાં ભારતીય ટીમ કુલ પાંચ મેચ રમશે. આ ટુર્નામેન્ટમાં કુલ 12 ટીમો ભાગ લઈ રહી છે, જેને 6-6ના બે ગ્રુપ (ગ્રુપ A અને ગ્રુપ B) માં વહેંચવામાં આવી છે. ભારતીય ટીમને ગ્રુપ Aમાં રાખવામાં આવી છે, જેથી કહી શકાય કે ભારતને સેમીફાઇનલમાં પહોંચવા માટે કેટલીક કડક ટક્કરનો સામનો કરવો પડશે.</p><h3 style="text-align: justify; "><b>ટીમ ઈન્ડિયાનો સંપૂર્ણ શેડ્યૂલ:</b></h3><p style="text-align: justify; ">14 જૂન: ભારત વિરૂદ્ધ પાકિસ્તાન (પ્રથમ મેચ)</p><p style="text-align: justify; ">17 જૂન: ભારત વિરૂદ્ધ નેધરલેન્ડ્સ (બીજી મેચ)</p><p style="text-align: justify; ">21 જૂન: ભારત વિરૂદ્ધ દક્ષિણ આફ્રિકા (ત્રીજી મેચ)</p><p style="text-align: justify; ">25 જૂન: ભારત વિરૂદ્ધ બાંગ્લાદેશ (ચોથી મેચ)</p><p style="text-align: justify; ">28 જૂન: ભારત વિરૂદ્ધ ઓસ્ટ્રેલિયા (અંતિમ લીગ મેચ)</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/08/uUmla3wixuaZa3rE36yredZRrvGY59Xn3D33G47k.webp'/></item><item><title><![CDATA[Gold Silver Price Today: સોમવારે બદલાયો સોના ચાંદીનો ભાવ, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત ]]></title><link>https://sandesh.com/business/news/gold-silver-price-today-gold-and-silver-price-changed-on-monday-know-the-latest-price-of-10-grams</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/gold-silver-price-today-gold-and-silver-price-changed-on-monday-know-the-latest-price-of-10-grams</guid><pubDate>Mon, 08 Jun 2026 10:52:36 +05:30</pubDate><description><![CDATA[<p>સોમવાર 8 જૂનના રોજ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (MCX) પર, ઓગસ્ટ સોનાનો વાયદો 1.05 % ઘટીને 10 ગ્રામ દીઠ 1,53,962&nbsp; થયો, જ્યારે જુલાઈ ચાંદીનો વાયદો 2.05 % ઘટીને 243450&nbsp; થયો.
</p><h2><b>સોના અને ચાંદીના તાજેતરના ભાવ
</b></h2><p>ગુડરિટર્ન્સની વેબસાઇટ અનુસાર 24 કેરેટ સોનાના 1 ગ્રામનો ભાવ 15169&nbsp; છે. દરમિયાન, એક કિલોગ્રામ ચાંદીનો ભાવ ₹260000 છે.&nbsp;</p><p><b style="font-size: 2rem;">અમદાવાદમાં આજે સોનાનો ભાવ</b></p><p>અમદાવાદમાં આજે, 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ₹15,174, 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ₹13,910 અને 18 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ₹11,382 છે.
</p><h2><b>મુંબઈમાં આજે સોનાનો ભાવ</b></h2><p>મુંબઈમાં આજે, 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ₹15,169, 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ₹13,905 અને 18 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ₹11,377 છે.
</p><h3><b>ચેન્નાઈમાં આજે સોનાનો ભાવ</b></h3><p>ચેન્નાઈમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ₹15349,&nbsp; 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ₹14,070 અને 18 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ₹11795&nbsp; છે.</p><h3><b>દિલ્હીમાં આજે સોનાનો ભાવ</b></h3><p>દિલ્હીમાં આજે, 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ ₹1,55,910, 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ ₹1,40,150 અને 18 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ ₹1,16,990 છે</p><h3><b>વડોદરામાં આજે સોનાનો ભાવ</b></h3><p>વડોદરામાં આજે, 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ ₹1,55,810, 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ ₹1,40,050 અને 18 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ ₹1,16,890 છે</p><h4><b>સુરતમાં આજે સોનાનો ભાવ</b></h4><p>સુરતમાં આજે, 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ ₹1,55,810, 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ ₹1,40,050 અને 18 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ ₹1,16,890 છે</p><h4><b>બેંગ્લોરમાં આજે સોનાનો ભાવ&nbsp;</b></h4><p>બેંગલોરમાં આજે, 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ ₹1,52,730, 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ ₹1,40,000 અને 18 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ ₹1,14,550 છે</p><p><br></p><h4><b>આજે શું છે ચાંદીનો ભાવ?&nbsp;</b></h4><p>દિલ્હીમાં આજે, ચાંદીનો ભાવ 10 ગ્રામ દીઠ ₹2,650, 100 ગ્રામ દીઠ ₹26,500 અને 1 કિલો દીઠ ₹2,65,000 છે<br>મુંબઈમાં આજે, ચાંદીનો ભાવ 10 ગ્રામ દીઠ ₹2,650, 100 ગ્રામ દીઠ ₹26,500 અને 1 કિલો દીઠ ₹2,65,000 છે<br>કોલકાતામાં આજે, ચાંદીનો ભાવ 10 ગ્રામ દીઠ ₹2,650, 100 ગ્રામ દીઠ ₹26,500 અને 1 કિલો દીઠ ₹2,65,000 છે<br>ચેન્નઈમાં આજે, ચાંદીનો ભાવ 10 ગ્રામ દીઠ ₹2,700, 100 ગ્રામ દીઠ ₹27,000 અને 1 કિલો દીઠ ₹2,70,000 છે</p><p><br></p><p><a href="https://sandesh.com/gallery/news/lifestyle/this-district-is-considered-the-litchi-capital-of-india-know-which-one" target="_blank">આ પણ વાંચો-  આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?</a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/04/24/swrDCOgrg8IccCqTQuJimGwhfxNG2pV65UDYkN1q.webp'/></item><item><title><![CDATA[Rajkot: ત્રંબા ગામ પાસે પૂરપાટ કારે દુકાન પાસે ઉભેલા વ્યક્તિને કચડ્યો, ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/rajkot/horrific-car-accident-near-tramba-village-on-rajkot-bhavnagar-highway-one-dead-cctv</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/rajkot/horrific-car-accident-near-tramba-village-on-rajkot-bhavnagar-highway-one-dead-cctv</guid><pubDate>Mon, 08 Jun 2026 10:44:46 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ-ભાવનગર હાઇવે પર વાહનોની અનિયંત્રિત ગતિ સતત માસૂમ લોકોનો ભોગ લઈ રહી છે. હાઇવે પર આવેલા ત્રંબા ગામ નજીક આજે એક અત્યંત ગમખ્વાર અને અરેરાટીભરી અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં રોડની સાઇડમાં આવેલી એક દુકાન પાસે ઉભેલા વ્યક્તિ પર કાળ બનીને આવેલી એક કાર ત્રાટકી હતી. કારની સ્પીડ એટલી વધારે હતી કે દુકાન પાસે ઉભેલા વ્યક્તિને બચવાની એક ક્ષણ પણ મળી ન હતી અને કારની જોરદાર ટક્કર વાગતાં જ તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.</p><h2><b>દુકાનમાં ઉભેલા વ્યક્તિ પર ફરી વળી કાર</b></h2><p>પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, મૃતક વ્યક્તિ હાઇવે કિનારે આવેલી દુકાન પાસે સામાન્ય રીતે ઉભો હતો. આ દરમિયાન રાજકોટ તરફથી/ભાવનગર તરફથી આવી રહેલી એક પૂરપાટ ઝડપે દોડતી કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. કાબૂ બહાર ગયેલી આ કાર રોડ પરથી નીચે ઉતરીને સીધી જ સાઇડમાં આવેલી દુકાન તરફ ધસી ગઈ હતી અને ત્યાં ઉભેલા વ્યક્તિને અડફેટે લઈ કચડી નાખ્યો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે આસપાસના લોકો દોડીને આવે તે પહેલા જ લોહીલુહાણ હાલતમાં વ્યક્તિએ દમ તોડી દીધો હતો.</p><h3><b>અકસ્માતના લાઈવ CCTV ફૂટેજ આવ્યા સામે</b></h3><p>આ સમગ્ર ઘટનાના રૂવાડા ઉભા કરી દે તેવા લાઈવ સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કાર ચાલક કેટલી બેફામ ગતિથી ગાડી ચલાવી રહ્યો હતો અને કેવી રીતે કાર સીધી જ રોડની બહાર ઉભેલા વ્યક્તિને ઉડાવીને દુકાન સાથે ભટકાઈ ગઈ હતી. આ ફૂટેજ સામે આવ્યા બાદ સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડીને અકસ્માત સર્જનાર કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/hit-and-run-accident-near-iscon-mall-piplod-surat-liquor-bottles-found-in-car" target="_blank">આ પણ વાંચો: Surat: પીપલોદ હાઇવે પર બેફામ દોડતી કારે એક્ટિવા સવારને લીધો અડફેટે, ગાડીમાંથી મળી આવી દારૂની બોટલો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/08/X8XjAqwNZ9f4s02QLfSvyjshsEDqbYiFuDdWX7K6.webp'/></item><item><title><![CDATA[Mehsana: દાતાની ભક્તિ પર વેપાર હાવી! બસ સ્ટેન્ડનું બોર્ડ કપડાથી ઢાંકીને સરકારી મિલકત ખાનગી પેઢી બનાવી દીધી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/visnagar/illegal-encroachment-on-st-bus-stand-in-kada-village-visnagar-converted-into-shop</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/visnagar/illegal-encroachment-on-st-bus-stand-in-kada-village-visnagar-converted-into-shop</guid><pubDate>Mon, 08 Jun 2026 10:40:14 +05:30</pubDate><description><![CDATA[<p>વિસનગર તાલુકામાં આવેલા કડા ગામમાંથી સરકારી અને જાહેર મિલકતો પર થતા ગેરકાયદેસર દબાણનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કડા ગામે આવેલા સુપ્રસિદ્ધ સિદ્ધેશ્વરી માતાના મંદિરે દર્શનાર્થે આવતા દેશ-વિદેશના હજારો ભક્તો અને સ્થાનિક મુસાફરોની સુવિધા માટે બનાવવામાં આવેલું એસ.ટી. બસ સ્ટેન્ડ અત્યારે એસ.ટી. તંત્રના પાપે ખાનગી દુકાન અને પાર્લરમાં ફેરવાઈ ગયું છે. સ્થાનિક દબાણકારોએ આખા બસ સ્ટેન્ડ પર ગેરકાયદેસર કબજો જમાવીને ત્યાં પોતાનો અંગત વેપાર ધમધમતો કરી દીધો હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.</p><h2><b>દાતા ગુણવંતભાઈ પંડિતના પવિત્ર આશય પર પાણી ફર્યું</b></h2><p>પ્રાપ્ત વિગતો અનુસાર, આજથી આશરે ૨૦ વર્ષ પહેલાં કડા ગામના વતની અને ઉદાર દિલના દાતા ગુણવંતભાઈ પંડિતે મુસાફરો અને સિદ્ધેશ્વરી માતાના ભક્તોની સુવિધા માટે પોતાના સ્વખર્ચે એક સુંદર એસ.ટી. બસ સ્ટેન્ડનું નિર્માણ કરાવ્યું હતું. આ માળખું તૈયાર કરીને તેમણે એસ.ટી. વિભાગને લોકહિત માટે દાનમાં આપ્યું હતું. પરંતુ, સમય જતાં સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતાનો લાભ લઈને કેટલાક તત્વોએ આ સરકારી બસ સ્ટેન્ડની અંદર ગેરકાયદેસર રીતે 'જય માતાજી પ્રસાદ ભંડાર' અને કટલરી-પાર્લર જેવી દુકાનો ખોલી દીધી છે. આ હરકત એટલી હદે શરમજનક છે કે દબાણકારોએ બસ સ્ટેન્ડના સત્તાવાર સરકારી બોર્ડ પર લીલું કપડું ઢાંકી દીધું છે જેથી કોઈને ખબર ન પડે કે આ બસ સ્ટેન્ડ છે.</p><h3><b>નોટિસ છતાં દાદાગીરી યથાવત, પ્રજા ગરમીમાં શેકાય છે</b></h3><p>આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે જાગૃત નાગરિકોએ અવાજ ઉઠાવતા કડા ગ્રામ પંચાયત અને મંદિર ટ્રસ્ટ દ્વારા દબાણકારોને જગ્યા ખાલી કરવા માટે સત્તાવાર નોટિસો પણ ફટકારવામાં આવી છે. જો કે, આ નોટિસોને ઘોળીને પી જઈને દબાણકારોએ હજુ સુધી બસ સ્ટેન્ડ ખાલી કર્યું નથી. હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે મંદિરે આવતા નાના બાળકો, વૃદ્ધો અને મહિલા મુસાફરો બસ સ્ટેન્ડની અંદર બેસવાની જગ્યા ન હોવાથી બહાર રોડ પર તડકામાં શેકાવા મજબૂર બન્યા છે. કડા ગામના રહીશો અને ભક્તોએ મહેસાણા એસ.ટી. વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને વિસનગર સ્થાનિક વહીવટી તંત્રને સત્વરે આ આકસ્મિક કટોકટીમાં દખલગીરી કરી, બસ સ્ટેન્ડ પરથી ગેરકાયદેસર દબાણ હટાવીને તેને જનતા માટે ખુલ્લું કરવાની ઉગ્ર માંગ કરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/mehsana/visnagar-bjp-corporator-deepak-modi-commits-suicide-under-train-in-mehsana" target="_blank">આ પણ વાંચો: Mehsana: વિસનગર ભાજપના કોર્પોરેટર દીપક મોદીએ ટ્રેન નીચે પડતું મૂકી કર્યો આપઘાત, રાજકીય આલમ સ્તબ્ધ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/08/QtrbYqd7TaClTLjNWzDGpkAOZuCbynzT4I6Hrj4l.webp'/></item><item><title><![CDATA[Naagin 7 : કયામતની રાતે થશે મહાસંગ્રામ! રાધિકાએ માગ્યો વિશાખાનો સાથ, શું નાગિનની શક્તિ પડશે ડ્રેગન પર ભારી? ]]></title><link>https://sandesh.com/entertainment/news/naagin-7-upcoming-twist-radhika-joins-hands-with-vishakha-naagin-vs-dragon-mega-episode</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/naagin-7-upcoming-twist-radhika-joins-hands-with-vishakha-naagin-vs-dragon-mega-episode</guid><pubDate>Mon, 08 Jun 2026 10:38:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પ્રિયંકા ચાહર ચૌધરી અને નામિક પૌલ સ્ટારર એકતા કપૂરના શો 'નાગિન 7' ને એક અઠવાડિયાનું એક્સટેન્શન મળ્યું છે. શોની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તે ગ્રાન્ડ ફિનાલે હવે આગામી અઠવાડિયે થશે, જેમાં દર્શકો માટે મોટા ટ્વિસ્ટ, ડ્રેગન અને નાગિનની લડાઈથી લઈને બે સ્પેશિયલ અપીયરન્સ જેવા સરપ્રાઈઝ મળશે. મેકર્સે નાગિન 7 છેલ્લો વાર ચેપ્ટર 2 નો નવો ધાંસુ પ્રોમો સોશિયલ મીડિયા પર શેર કરી દીધો છે, જેમાં તેજસ્વી પ્રકાશ અને અનીતા હસનંદાની પણ જોવા મળી. આ ખતરનાક જંગમાં આ બે નવી એન્ટ્રી પછી કયામતની રાત્રે મોટો ધડાકો થવાનો છે, જેનાથી સ્ટોરીએ નવો વળાંક લઈ લીધો છે. TRPમાં પણ આ સિરિયલના રેટિંગમાં સુધારો જોવા મળશે.
</p><h2 style="text-align: justify; "><b>નાગિન 7 માં બે નવી નાગિનની થઈ એન્ટ્રી
</b></h2><p style="text-align: justify; ">સોશિયલ મીડિયા પર ઘણા દિવસોથી ચર્ચા હતી કે છેલ્લો વાર ચેપ્ટર 2 માં બે નવી નાગિનની પણ એન્ટ્રી થવાની છે અને હવે મેકર્સે કન્ફર્મ કરી દીધું છે કે આ અફવા નથી, પરંતુ સત્ય છે. નાગિન અને ડ્રેગનની આ લડાઈમાં તેજસ્વી પ્રકાશ અને અનીતા હસનંદાની પણ સામેલ થશે. વિશાખા પોતાની દુશ્મનથી બદલો લેવા માટે રાધિકાનો સાથ આપશે. નાગિન અનંતા અને ડ્રેગન રાધિકા વચ્ચે શરૂ થયેલા મહાસંગ્રામથી આખા નાગલોકમાં હલચલ મચી ગઈ છે.
</p><h3 style="text-align: justify; "><b>છેલ્લો વાર ચેપ્ટર 2 ક્યારે આવશે
</b></h3><p style="text-align: justify; ">નાગિનનો છેલ્લો વાર ચેપ્ટર 2, 13 અને 14 જૂનની રાત્રે 8 વાગ્યે જોવા મળશે. આ બે દિવસ ટીવી પર કયામતની રાત હશે, જ્યારે નાગિન અને ડ્રેગન વચ્ચે જંગ થશે. મેકર્સે વીડિયો શેર કરીને લખ્યું, ઇન્તકામના છેલ્લા વારમાં રાધિકાએ વિશાખાનો સાથ માંગ્યો, પરંતુ શું કામયાબીની રાત્રે નાગિન આપશે ડ્રેગનને માત?</p><h4 style="text-align: justify; "><b>આ કોરિયોગ્રાફરના ઈશારે નાચે છે ટીવીની નાગિન
</b></h4><p style="text-align: justify; ">આ છેલ્લા કેટલાક એપિસોડ્સમાં દર્શકો આ સીઝનની સૌથી મહત્વની ઘટનાઓ જોઈ શકશે. આમાંથી એક મોટી ઘટના ડ્રેગન અને નાગિન વચ્ચેની લડાઈ હોવાની છે. આ દરમિયાન ફિનાલેની તૈયારીઓ વિશે વાત કરતા, એક્ટ્રેસ પ્રિયંકા ચાહર ચૌધરીએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ દ્વારા શોના શૂટિંગના બિહાઇન્ડ-ધ-સીન (BTS) ફૂટેજ શેર કર્યા હતા, જેમાં કેટલાક ખતરનાક સીન જોવા મળ્યા હતા. આ સિવાય, તેણે પોતાના ફેન્સને કોરિયોગ્રાફર આમાર સખારકર સાથે પણ મુલાકાત કરાવી હતી, જે 'નાગિન 7' માં અત્યાર સુધી થયેલા તમામ ડાન્સ માટે જાણીતા છે.
</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/900-crore-movie-villain-bobby-deol-latest-film-bandar" target="_blank">આ પણ વાંચો-Flop movie : 900 કરોડની બ્લોકબસ્ટર ફિલ્મનો વિલન, આજે 1 કરોડની કમાણી માટે પણ ફાંફા મારી રહ્યો છે!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/08/gLW3W571Sv3YGem9KygGFcX2w0AwiEocM3SdFrOJ.webp'/></item><item><title><![CDATA[West Bengal: 4,800 ગેરકાયદે ઘૂસણખોરો બાંગ્લાદેશ મોકલાયા, હજુ 836ને દેશનિકાલ કરાશે ]]></title><link>https://sandesh.com/india/news/west-bengal-4800-illegal-immigrants-sent-to-bangladesh-836-more-to-be-deported</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/west-bengal-4800-illegal-immigrants-sent-to-bangladesh-836-more-to-be-deported</guid><pubDate>Mon, 08 Jun 2026 10:17:29 +05:30</pubDate><description><![CDATA[<p>શુભેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળનો કાર્યભાર સંભાળીને ગેરકાયદેસર રહેતા લોકોને તગેડી મૂકવાની કામગીરી શરૂ કરી છે. જે અંતર્ગત&nbsp; &nbsp;રાજ્યના સરહદી જિલ્લાઓમાં આવેલા અટકાયત કેન્દ્રોમાંથી આશરે 4,800 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને બાંગ્લાદેશ મોકલવામાં આવ્યા છે, અને આ કેન્દ્રોમાંથી અન્ય 836 વ્યક્તિઓને પરત મોકલવાની તૈયારી હોવાનો સીએમએ દાવો કર્યો છે.&nbsp;</p><h2><b>ગેરકાયદેસર ઇમિગ્રેશન એક ગંભીર મુદ્દો - શુભેન્દુ અધિકારી&nbsp;</b></h2><p>મુખ્યમંત્રીએ ટિપ્પણી કરી કે ગેરકાયદેસર ઇમિગ્રેશન એક ગંભીર મુદ્દો છે; ભારત-બાંગ્લાદેશ સરહદને સુરક્ષિત કરવા માટે, તેમની સરકારે વાડ સ્થાપિત કરવા માટે BSF ને જમીન સોંપી છે - જે જરૂરી 556 કિલોમીટરમાંથી લગભગ 100 કિલોમીટર આવરી લે છે.
</p><p>અધિકારીએ ઉલ્લેખ કર્યો હતો કે, કેન્દ્ર સરકારના કાયદા અનુસાર, તેમના વહીવટીતંત્રે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પાછા મોકલવાનું શરૂ કર્યું છે જે નાગરિકતા સુધારા કાયદાના કાર્યક્ષેત્રમાં આવતા નથી. આ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને સીધા BSFને સોંપવામાં આવી રહ્યા છે.
</p><h3><b>વસ્તી ગણતરી પ્રક્રિયા ભાજપે સરકારે શરૂ કરી&nbsp;</b></h3><p>અધિકારીએ આરોપ લગાવ્યો હતો કે અગાઉની TMC સરકાર રાજ્યમાં વસ્તી ગણતરી પ્રક્રિયા શરૂ કરવામાં નિષ્ફળ રહી હતી, જ્યારે ભાજપ સરકારે હવે તે શરૂ કરી દીધી છે. રાજ્યમાં 1 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન ઘરે ઘરે જઈને વસ્તી ગણતરી સર્વેક્ષણ થવાનું છે. તેમણે એ પણ નોંધ્યું કે સરકારે અન્નપૂર્ણા યોજના હેઠળ રાજ્યની 50 લાખ મહિલાઓને 3000 રૂપિયા પ્રતિ મહિલા ટ્રાન્સફર કર્યા છે. ભાજપનો મુખ્ય ચૂંટણી વચન ટીએમસી સરકારની 'લક્ષ્મી ભંડાર' યોજના હેઠળ પૂરી પાડવામાં આવતી નાણાકીય સહાયને બમણી કરવાનું હતું.</p><p><br></p><h4><b>ડિટેક્ટ, ડિલીટ એન્ડ ડિપોર્ટ&nbsp;</b></h4><p>શુભેન્દુ અધિકારીએ કાર્યભાર સંભાળ્યા પછી સરકારે તેની પ્રાથમિકતાઓ સંપૂર્ણપણે સ્પષ્ટ કરી. રાજ્ય સરકાર હવે ડિટેક્ટ, ડિલીટ એન્ડ ડિપોર્ટ નીતિ પર કામ કરી રહી છે, જેના હેઠળ ગેરકાયદેસર રીતે રહેતા વ્યક્તિઓની ઓળખ કરવામાં આવી રહી છે. એકવાર ઓળખ થઈ ગયા પછી તેમને સ્વદેશ પરત મોકલવાની પ્રક્રિયા શરૂ થાય છે. સાથે સાથે, ગેરકાયદેસર ઘૂસણખોરોને પકડવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.
</p><h4><b>જેલને બદલે હોલ્ડિંગ સેન્ટરો
</b></h4><p>પહેલાં, બંગાળમાં પકડાયેલા ગેરકાયદેસર ઘૂસણખોરોને જેલમાં રાખવામાં આવતા હતા. નવી સરકારે કાર્યભાર સંભાળ્યા પછી આ સિસ્ટમને સંપૂર્ણપણે બદલી નાખી. ઘૂસણખોરોને અટકાયતમાં રાખવા માટે, બંગાળ સરકારે સરહદી જિલ્લાઓમાં ખાસ હોલ્ડિંગ સેન્ટરો સ્થાપ્યા છે. આ કેન્દ્રો દ્વારા, સરકાર ઘૂસણખોરોને સીધા BSFને સોંપી રહી છે.
</p><h4><b>સુરક્ષા માટે BSFને જમીન સોંપવામાં આવી
</b></h4><p>બંગાળમાં સુરક્ષા અને સરહદી તકેદારી વધારવા માટે, સરકારે પદ સંભાળ્યા પછી તરત જ લગભગ 100 કિલોમીટર સુધી ફેલાયેલી જમીન BSFને સોંપી દીધી. ઉત્તર બંગાળના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ 'ચિકન્સ નેક' ક્ષેત્રમાં સુરક્ષાને મજબૂત બનાવવાને ટોચની પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. નોંધનીય છે કે પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશ સાથે 2,216 કિલોમીટર લાંબી સરહદ ધરાવે છે, અને આ વિસ્તારના લગભગ 556 કિલોમીટર વિસ્તારમાં હજુ સુધી વાડ કરવામાં આવી નથી. વધુમાં, સરકારમાં પરિવર્તન બાદ, રાજ્યભરમાં કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ લાગુ કરવામાં આવી રહી છે.
</p><h4><b>આગળ મોટી કાર્યવાહી
</b></h4><p>અહેવાલો અનુસાર, ઘૂસણખોરી સામે ચાલી રહેલી ઝુંબેશ આગામી દિવસોમાં વધુ તીવ્ર બનશે. હાલમાં હોલ્ડિંગ સેન્ટરોમાં રહેલા 836 વ્યક્તિઓને ટૂંક સમયમાં દેશનિકાલ કરવામાં આવશે. હકીમપુર બોર્ડર આઉટપોસ્ટ દ્વારા ઘૂસણખોરોની સ્વૈચ્છિક વાપસી પણ સતત ચાલુ છે. રાજ્યની સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવવી એ સરકારનો પ્રાથમિક ઉદ્દેશ્ય છે. આ મુખ્ય ઝુંબેશનો હેતુ ગેરકાયદેસર સરહદ પારની પ્રવૃત્તિઓને રોકવાનો છે.&nbsp;</p><p><br></p><p><a href="https://sandesh.com/gallery/news/lifestyle/this-district-is-considered-the-litchi-capital-of-india-know-which-one" target="_blank">આ પણ વાંચો-  આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?</a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/08/i5mEPWLnrnDSbla1VT8lyfVJ0en4na6T1mvZaCtu.webp'/></item><item><title><![CDATA[Surat: વરાછા ખાંડ બજારમાં 4 શ્રમિકોના મોત છતાં પોલીસે માત્ર 'અકસ્માત મોત'નો ગુનો નોંધી સંતોષ માન્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/no-strict-action-by-police-in-surat-ratihi-jewellers-gas-leak-case-four-dead</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/no-strict-action-by-police-in-surat-ratihi-jewellers-gas-leak-case-four-dead</guid><pubDate>Mon, 08 Jun 2026 10:04:21 +05:30</pubDate><description><![CDATA[<p>સુરતના વરાછા સ્થિત ખાંડ બજાર વિસ્તારમાં આવેલી રતીહ જ્વેલર્સમાં બનેલી ગેસ ગૂંગળામણની ઘટનાએ સુરત શહેરને હચમચાવી દીધું છે. ETP ટેન્કની સફાઈ કરવા ઉતરેલા ૪ શ્રમિકોના ઝેરી ગેસના કારણે કરૂણ મોત નીપજ્યા બાદ અપેક્ષા હતી કે પોલીસ અને વહીવટી તંત્ર કડક હાથે કામ લેશે. પરંતુ, આ ઘટનાના ૨૪ કલાક બાદ પણ સુરત પોલીસની જે કામગીરી સામે આવી છે, તેનાથી મૃતકોના પરિવારો અને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પોલીસે આટલી મોટી બેદરકારી સામે માત્ર અકસ્માત મોતનો ગુનો નોંધીને સંતોષ માની લીધો છે.</p><h2><b>ગંભીર કલમો લગાવવામાં પોલીસ પાછીપાની કેમ કરે છે?</b></h2><p>સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે ફેક્ટરી કે પેઢીમાં સેફ્ટીના સાધનો વગર મજૂરોને મોતના મોંમાં ધકેલી દેવાયા, છતાં પોલીસ દ્વારા આ ગુનામાં કોઈ ગંભીર કલમો (જેવી કે આઇપીસી/બીએનએસ હેઠળ સાપરાધ મનુષ્યવધ કે બેદરકારીથી મોત) કેમ લગાવાઈ નથી? અત્યાર સુધી કંપનીના માલિક વિરૂદ્ધ પણ કોઈ કાયદેસરની કડક ફરિયાદ નોંધવામાં આવી નથી. સામાન્ય રીતે આવી ઔદ્યોગિક દુર્ઘટનાઓમાં માલિકો સામે તાત્કાલિક પગલાં લેવાતા હોય છે, ત્યારે આ કેસમાં પોલીસની ઢીલી નીતિ શંકાના દાયરામાં છે.</p><h3><b>કોન્ટ્રાક્ટર પણ પોલીસ રડારથી બહાર</b></h3><p>ઘટનાને પગલે એવો પણ સવાલ ઉઠી રહ્યો છે કે રતીહ જ્વેલર્સની અંદર આ ૪ મજૂરોને કામ પર રાખનાર મુખ્ય કોન્ટ્રાક્ટર કોણ હતો? શું કંપની પાસે પોતાના જ પ્લાન્ટમાં કામ કરતા શ્રમિકોના કોન્ટ્રાક્ટરનો કોઈ સંપર્ક કે રેકોર્ડ નહીં હોય? પોલીસે હજુ સુધી એ દિશામાં પણ તપાસ લંબાવી નથી કે કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ કોઈ કાર્યવાહી થશે કે કેમ.</p><h4><b>પોલીસની ઢીલી નીતિ શંકાના દાયરામાં</b></h4><p>ગઈકાલે એફ.એસ.એલ. (FSL) ની ટીમ ઘટનાસ્થળે આવી, સેમ્પલિંગની વિધિ પતાવીને જતી રહી. તે જ રીતે સુરતના મેયર માયાબેન માવાણી પણ ઘટનાસ્થળે આવ્યા, અધિકારીઓ સાથે વાતચીત કરી, નિરીક્ષણ કર્યું અને મીડિયાને બાઈટ આપીને રવાના થઈ ગયા. પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર હજુ પણ ન્યાયની પ્રક્રિયા શૂન્ય દેખાઈ રહી છે. પ્રજા પૂછી રહી છે કે શું આ ગરીબ શ્રમિકોના મોતના ગુનેગારો સામે ક્યારેય પાકા પગલાં લેવાશે, કે પછી આ મામલાને પણ અકસ્માત ખપાવીને દબાવી દેવામાં આવશે?</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/jasdan/atkot-police-constable-bhagvan-berani-died-in-road-accident-near-jasdan-barvala-village" target="_blank">આ પણ વાંચો: Jasdan: : બાઈક-ઈકો વચ્ચેની જોરદાર ટક્કરમાં પોલીસકર્મીનું મોત, મૃતદેહ પીએમ અર્થે જસદણ સિવિલ હોસ્પિટલ ખસેડાયો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/08/Ts13sirguwuEimQqlt5WPxxfiR43kiowsWW4BwJr.webp'/></item><item><title><![CDATA[Jasdan: : બાઈક-ઈકો વચ્ચેની જોરદાર ટક્કરમાં પોલીસકર્મીનું મોત, મૃતદેહ પીએમ અર્થે જસદણ સિવિલ હોસ્પિટલ ખસેડાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/jasdan/atkot-police-constable-bhagvan-berani-died-in-road-accident-near-jasdan-barvala-village</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/jasdan/atkot-police-constable-bhagvan-berani-died-in-road-accident-near-jasdan-barvala-village</guid><pubDate>Mon, 08 Jun 2026 10:02:06 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ ગ્રામ્ય વિસ્તારના હાઇવે ફરી એકવાર લોહિયાળ સાબિત થયા છે. જસદણ તાલુકાના બરવાળા ગામ નજીક એક કાળજું કંપાવી દેનારો માર્ગ અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને પ્રજાની સુરક્ષામાં ખડેપગે રહેતા પોલીસકર્મી ભગવાન વિઠ્ઠલભાઈ બેરાણીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. ફરજ દરમિયાન જ બનેલી આ દુર્ઘટનાને પગલે રાજકોટ ગ્રામ્ય પોલીસ તંત્રમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.</p><h2><b>બાઈક અને ઈકો કાર વચ્ચે અકસ્માત</b></h2><p>પ્રાપ્ત વિગતો અનુસાર, આટકોટ પોલીસ મથકના જવાન ભગવાનભાઈ બેરાણી પોતાની ફરજના ભાગરૂપે બાઈક લઈને જસદણ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન બરવાળા ગામની સીમ નજીક સામેથી આવી રહેલી એક પૂરપાટ અને બેફામ ઝડપે દોડતી ઈકો કારના ચાલકે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે હાઇવે પર બાઈકના કુચ્ચેકુચ્ચા ઊડી ગયા હતા અને પોલીસકર્મી ભગવાનભાઈ રોડ પર પછાડાતા તેમને માથા તેમજ શરીરના ભાગે ગંભીર જીવલેણ ઇજાઓ થઈ હતી. વધુ પડતું લોહી વહી જવાના કારણે તેમનું ઘટનાસ્થળે જ દમ તૂટી ગયો હતો.</p><h3><b>પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે</b></h3><p>અકસ્માતને પગલે આસપાસના સ્થાનિક લોકો અને હાઇવે પરથી પસાર થતા વાહનચાલકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ જસદણ પોલીસ અને આટકોટ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોતાના જ સાથી કર્મચારીનો રક્તરંજીત મૃતદેહ જોઈને સ્થળ પર હાજર પોલીસ અધિકારીઓ પણ ભાવુક બની ગયા હતા. પોલીસે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી, ૧૦૮ મારફતે મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે જસદણની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. પોલીસે અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા/હાજર ઈકો કાર ચાલક સામે ગુનો નોંધી આગળની કાયદાકીય તપાસ હાથ ધરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/thirty-days-water-cut-in-half-of-vadodara-city-due-to-mahi-french-well-repairing" target="_blank">આ પણ વાંચો: Vadodara: આજથી 30 દિવસ સુધી અડધા શહેરમાં મોટો પાણીકાપ, મહી ફ્રેન્ચવેલ ખાતે સમારકામ અને રેતી કાઢવાની કામગીરી શરૂ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/08/5xMYdswCh3K9mFHW4gyU6M64AcC4E3oNWfbbokyO.webp'/></item><item><title><![CDATA[Jaipur Demolition: નૂરાની મસ્જિદ સીલ, ચાંપતી સુરક્ષા વચ્ચે દબાણ હટાવો કામગીરી, ઇન્ટરનેટ બંધ ]]></title><link>https://sandesh.com/india/news/jaipur-demolition-noorani-mosque-sealed-pressure-relief-operation-underway-amid-tight-security-internet-shut-down</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/jaipur-demolition-noorani-mosque-sealed-pressure-relief-operation-underway-amid-tight-security-internet-shut-down</guid><pubDate>Mon, 08 Jun 2026 09:53:03 +05:30</pubDate><description><![CDATA[<p>જયપુર ડેવલપમેન્ટ ઓથોરિટી (JDA) એ શહેરના નંદપુરી વિસ્તારમાં રસ્તા પહોળા કરવાના પ્રોજેક્ટમાં અવરોધરૂપ બની રહેલા ધાર્મિક માળખાને દૂર કરવા માટે કાર્યવાહી શરૂ કરી છે. અહેવાલો સૂચવે છે કે વહીવટી ટીમે નૂરાની મસ્જિદને સીલ કરી દીધી છે અને તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરી છે.
</p><h2><b>ઇન્ટરનેટ સેવા બંધ</b></h2><p>આ અતિક્રમણ વિરોધી ઝુંબેશ પહેલા, વહીવટીતંત્રે જિલ્લાના મોટાભાગના ભાગોમાં ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દીધી છે અને ભારે પોલીસ દળ તૈનાત કરી દીધું છે. વધુમાં, પોલીસે સુરક્ષાના પગલા તરીકે મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજી હતી, અને સમગ્ર વિસ્તારમાં મોટી સંખ્યામાં સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.</p><h3><b>મુખ્યમાર્ગોને પહોળા કરવાનું કામ&nbsp;</b></h3><p>જયપુરમાં માલવિયા નગરથી જગતપુરાને જોડતા મુખ્ય માર્ગને પહોળો કરવાનું કામ ઘણા સમયથી ચાલી રહ્યું હતું. છેલ્લા કેટલાક દિવસોથી રસ્તા પહોળા કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી, પરંતુ શરૂઆતમાં આ મસ્જિદને કોઈ અસર થઈ ન હતી. આ મુદ્દા પર લોકો દ્વારા શાસક ભાજપની ટીકા કરતી સતત સોશિયલ મીડિયા પોસ્ટને પગલે, JDA એ તેને દૂર કરવાની તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપ્યું.</p><h3><b>રસ્તો પહોળો કરવામાં ધાર્મિક સ્થાનો બની રહ્યા હતા અવરોધ&nbsp;</b></h3><p>વહીવટી અધિકારીઓએ જણાવ્યું હતું કે માલવિયા નગરથી જગતપુરા સુધીના મુખ્ય રસ્તાને પહોળો કરવા માટે JDA અને જિલ્લા વહીવટીતંત્ર લાંબા સમયથી સંયુક્ત રીતે કામ કરી રહ્યા છે. આ પહેલના ભાગ રૂપે, નંદપુરી અંડરપાસ નજીક રેલ્વે લાઇનને સમાંતર ચાલતા રસ્તાને તેની હાલની 25-30 ફૂટ પહોળાઈથી નિર્ધારિત 80 ફૂટ સુધી પહોળો કરવા માટે એક ઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેશના ભાગ રૂપે રસ્તાના જમણા માર્ગમાં આવતા પાંચ ધાર્મિક બાંધકામો - જેમાં એક મસ્જિદ, બે મંદિરો, એક સત્સંગ હોલ અને એક મઝાર (તીર્થસ્થાન)નો સમાવેશ થાય છે. જેને દૂર કરવામાં આવી રહ્યા છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI_MP_CG_RJ/status/2063837163939348679"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p>વહીવટીતંત્રે લોકોને અફવાઓને અવગણવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે. લોકોને ભડકાઉ પોસ્ટ્સ અથવા વીડિયો શેર કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે, ચેતવણી આપી છે કે અન્યથા કડક પગલાં લેવામાં આવશે.</p><p><b>માર્ગના જમણા માર્ગમાં આવેલા ધાર્મિક સ્થળો અંગે કાર્યવાહી</b></p><p>જયપુર પોલીસ કમિશનર સચિન મિત્તલે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે રસ્તાના જમણા માર્ગમાં આવેલા ધાર્મિક બાંધકામોને દૂર કરતી વખતે સામાજિક સંવાદિતાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરનારા કોઈપણ અસામાજિક તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ભડકાઉ વીડિયો બનાવનારા કે પાયાવિહોણા કન્ટેન્ટ ફેલાવનારાઓને છોડવામાં આવશે નહીં.</p><p><b>'3,000 થી વધુ કર્મચારીઓ તૈનાત</b></p><p>એક અધિકારીએ જણાવ્યું હતું કે જયપુર પોલીસ અને વિકાસ સત્તામંડળે આ સંવેદનશીલ અતિક્રમણ વિરોધી ઝુંબેશ શાંતિપૂર્ણ રીતે હાથ ધરવા માટે એક વ્યાપક રણનીતિ ઘડી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 3,000 થી વધુ કર્મચારીઓ અને 50 થી વધુ વહીવટી અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
</p><p><b>કોંગ્રેસે પ્રશ્નો ઉઠાવ્યા</b>&nbsp;</p><p>દરમિયાન, આ વહીવટી કાર્યવાહી પર રાજકીય વિવાદ ફાટી નીકળ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય રફીક ખાને તોડી પાડવાની ઝુંબેશ પર સવાલ ઉઠાવતા દાવો કર્યો છે કે નૂરાની મસ્જિદ - જેને વહીવટીતંત્ર દૂર કરવાનો ઇરાદો ધરાવે છે - તે સંપૂર્ણપણે બાંધકામના નિયમો અને સ્થાપિત નિયમોનું પાલન કરીને બનાવવામાં આવી હતી.</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/08/idqL9F6IAd4eFiuOk5SiBmqkdaxxL5Yil1JYMZKu.webp'/></item><item><title><![CDATA[Surat: પીપલોદ હાઇવે પર બેફામ દોડતી કારે એક્ટિવા સવારને લીધો અડફેટે, ગાડીમાંથી મળી આવી દારૂની બોટલો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/hit-and-run-accident-near-iscon-mall-piplod-surat-liquor-bottles-found-in-car</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/hit-and-run-accident-near-iscon-mall-piplod-surat-liquor-bottles-found-in-car</guid><pubDate>Mon, 08 Jun 2026 09:44:24 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત શહેરમાં રાત્રિના સમયે નબીરાઓ દ્વારા બેફામ ગાડીઓ હંકારવાનો અને અકસ્માતો સર્જવાનો સિલસિલો થંભવાનું નામ નથી લઈ રહ્યો. પીપલોદ વિસ્તારમાં આવેલા પ્રખ્યાત ઇસ્કોન મોલની બિલકુલ નજીક એક કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો છે. મોડી રાત્રે એક પૂરપાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે રસ્તા પરથી પસાર થઈ રહેલા એક નિર્દોષ એક્ટિવા ચાલકને જોરદાર ટક્કર મારી હવામાં ઉછાળ્યો હતો. આ ભયાનક ટક્કરના કારણે એક્ટિવા સવાર રોડ પર પછાડાતા તેને માથાના અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્તને સ્થાનિક લોકોએ તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો છે.</p><h2><b>કારમાંથી દારૂની બોટલો મળી આવતા હોબાળો</b></h2><p>અકસ્માત થતાં જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. જો કે, લોકો એકઠા થાય તે પહેલા જ અકસ્માત સર્જનાર કાર ચાલક પોતાની ગાડી અધવચ્ચે જ મૂકીને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો. ઉશ્કેરાયેલા લોકોએ જ્યારે કારની અંદર તપાસ કરી ત્યારે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. કારની અંદરથી વિદેશી દારૂ અને બિયરની બોટલો મળી આવી હતી. સ્થાનિકોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ કાર ચાલક સંપૂર્ણપણે દારૂના નશામાં (Drink and Drive) ધૂત હતો અને નશાના કારણે જ તેણે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત નડ્યો હતો.</p><h3><b>કડક કાર્યવાહીની માંગ સાથે પોલીસ તપાસ શરૂ</b></h3><p>સુરતના પોશ અને કડક પોલીસ પેટ્રોલિંગના દાવા વચ્ચે ડ્રિંક એન્ડ ડ્રાઇવની આ ઘટનાથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ છે. લોકોએ ફરાર નબીરા સામે કડકમાં કડક કલમો હેઠળ ગુનો નોંધી જેલભેગો કરવાની માંગ કરી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે કારમાંથી મળેલ દારૂનો જથ્થો અને કારને કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/no-strict-action-by-police-in-surat-ratihi-jewellers-gas-leak-case-four-dead" target="_blank">આ પણ વાંચો:Surat: વરાછા ખાંડ બજારમાં 4 શ્રમિકોના મોત છતાં પોલીસે માત્ર 'અકસ્માત મોત'નો ગુનો નોંધી સંતોષ માન્યો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/08/ZaQT8gEie1TIoQR2JIjMp9gWwQ1gDUKhS6FSHPnh.webp'/></item></channel></rss>