<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Anand: સારોલમાં વીજ સ્ટેશનનું ભૂમિપૂજન ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/anand/anand-groundbreaking-ceremony-of-power-station-in-sarol</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/anand/anand-groundbreaking-ceremony-of-power-station-in-sarol</guid><pubDate>Sun, 07 Jun 2026 05:53:19 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોરસદ : આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના સારોલ ગામે રૂ.17.75 કરોડના ખર્ચે નિર્માણ થનારા નવા વીજ સબ-સ્ટેશનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીના હસ્તે આ કાર્યક્રમ યોજાયો હતો. આ સબ-સ્ટેશન ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠાને વધુ સુદ્રઢ અને કાર્યક્ષમ બનાવશે. રાજ્ય સરકાર દ્વારા છેવાડાના ગામો સુધી ગુણવત્તાસભર અને પૂરતો વીજ પુરવઠો પહોંચાડવાના હેતુથી વિવિધ વિસ્તારોમાં નવા સબ-સ્ટેશનોનું નિર્માણ થઈ રહ્યું છે. આ આયોજનના ભાગરૂપે સારોલ ગામ ખાતે આ નવું વીજ સબ-સ્ટેશન સ્થાપિત કરવામાં આવી રહ્યું છે, જે સ્થાનિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ભૂમિપૂજન પ્રસંગે મંત્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું કે આ સબ-સ્ટેશન સારોલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે મહત્વપૂર્ણ છે. તેમણે ઉમેર્યું કે નવા સબ-સ્ટેશનના નિર્માણથી વીજળી સંબંધિત સમસ્યાઓનું કાયમી નિવારણ થશે અને વિસ્તારના સર્વાંગી વિકાસને વેગ મળશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/07/KDiMyDaN44HxpmEVx3Nr5CBierPSWMkzhJyZQZ5b.webp'/></item><item><title><![CDATA[Mehsana: બહુચરાજીની સરકારી માધ્ય.શાળામાં બે દિવસમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/mehsana/mehsana-admission-process-to-start-in-two-days-in-bahucharajis-government-secondary-school</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/mehsana/mehsana-admission-process-to-start-in-two-days-in-bahucharajis-government-secondary-school</guid><pubDate>Sun, 07 Jun 2026 05:52:29 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજ્ય સરકાર દ્વારા બહુચરાજીને માધ્યમિક શાળાની મંજૂરી મળી છે.અને નવીન મકાન તૈયાર ન થાય ત્યાં સુધી ચાલુ સત્રથી સ્થાનિક અને આજુબાજુના ગામડાંના વિધાર્થીઓને સ્થાનિક કક્ષાએ શિક્ષણ મળી રહે તે માટે બહુચરાજીની કુમાર પ્રાથમિક શાળાની અંદર વ્યવસ્થા કરવામાં આવી છે.આ વ્યવસ્થાના ભાગરૂપે બહુચરાજી ધારાસભ્ય ર્ડો. સુખાજી ઠાકોરે</p><p style="text-align: justify; ">મહેસાણા જિલ્લા શિક્ષણ અધિકારી,તાલુકા ભાજપ પ્રમુખ કમલેશભાઈ દેસાઈ,શહેર ભાજપ પ્રમુખ દેવાંગ પંડયા,બેચર -બેચરાજી નગરપાલિકાના પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ અને કોર્પોરેટર સાથે કુમાર પ્રાથમિક શાળાનું નિરીક્ષણ કર્યું હતું.અને એક બેઠકનું આયોજન કરાયું હતું.જેમાં એડમિશનથી લઇને શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની તેમજ આવશ્યક જરૂરી સુવિધા અંગેની સમીક્ષા કરાઈ હતી.આ બાબતે ધારાસભ્ય ડો. સુખાજી ઠાકોરે જણાવ્યું કે આવનારા બે દિવસની અંદર એડમિશન શરૂ કરવામાં આવશે. અને વિધાર્થીઓને યોગ્ય શૈક્ષણિક સુવિધા અને સગવડ મળી રહે તે પ્રકારના આયોજન માટે પ્રશાસન સાથે સતત સમન્વયથી સમગ્ર પ્રક્રિયા ઝડપી બનવા અંગે નિર્ધાર વ્યક્ત કર્યો હતો.બહુચરાજી સહીત આજુબાજુના વિસ્તારના બાળકોના ભવિષ્યની ચિંતા કરી યોગ્ય દિશામાં કરાયેલ પ્રયાસોના ફ્ળ સ્વરૂપે બહુચરાજીને મળેલી માધ્યમિક શાળાની ભેટ બદલ સ્થાનિક જનતાએ ધારાસભ્યનો આભાર માન્યો હતો.
</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/07/k5t4fEqi4SC4vPSdFBCOegmRIztFgr3vhY5Bpvcb.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: વિરમગામના સોકલી પાસે ટ્રકમાં આગ ભભૂકી ઉઠી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</guid><pubDate>Sun, 07 Jun 2026 05:40:08 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વિરમગામ અમદાવાદ હાઈવે માર્ગ પર સોકલી ગામ પાસે શનિવારે મધ્યાહન સમય આસપાસ એક બંધ બોડીની સામાન લઈને જતી ટ્રકના ટાયરમાં ઓચિંતા આગ ભભૂકી હતી. આ અંગે ટ્રક ચાલકને જાણ થતા તુરત જ વાહનને થોભાવી દીધુ હતુ.અન્ય લોકો દોડી આવ્યા હતા. આગ બુઝાવવા પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા અને વિરમગામ પાલિકા ફયર ટીમને જાણ કરાઈ હતી. ટીમે તાબડતોબ પહોંચીને ટ્રકમાં લાગેલ આગ પર કાબુ મેળવી બુઝાવી દીધી હતી. ટ્રકમાં સામાન મૂકવાના ખાસ પ્લાસ્ટિકના કેરેટ ભરેલા હતા.જે ટ્રક છારોડીથી વીઠલાપુર જીઆઇડીસી તરફ્ જઈ રહ્યાનું જાણવા મળ્યુ છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/07/RifcMw2mWO3snQFlJ4jXOmD9ItcbbGv5FEh1IH3E.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: માણકોલ ચોકડી પાસેની શિવમ હોસ્પિટલમાંથી બોગસ ડોક્ટર ઝડપાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-fake-doctor-caught-from-shivam-hospital-near-mankol-chowkdi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-fake-doctor-caught-from-shivam-hospital-near-mankol-chowkdi</guid><pubDate>Sun, 07 Jun 2026 05:36:48 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ જિલ્લામાં સાણંદ નળસરોવર રોડ પર આવેલ માણકોલ ચોકડી મખીયવાર રોડ પર આવેલ શિવમ હોસ્પીટલ ખાતેથી બોગસ ડોક્ટર ઝડપાયો હતો. જેની પાસે એલોપેથીક દવાઓ આપવા માટેનું કોઈ લાઈસન્સ ન હોવા છતાં એલોપેથીક દવાઓ આપતો ઝડપાતા મેડીકલ ઓફીસર અંકિતા વિશ્રનુભાઈ પટેલ ઉપળદલ પીએચસી દ્વારા સાણંદ પોલીસ સ્ટેશન ખાતે આ ડોક્ટર વિરુધ્ધ ફરિયાદ કરવામાં આવતા સાણંદ પોલીસ સ્ટાફે શિવમ હોસ્પીટલ ખાતે જઈને યોગેશ મહેન્દ્રભાઈ દવે (ઉં.વર્ષ 60, રહે બી 403, સત્યમેવ વિસ્ટા, ગોતા) હોસ્પીટલ મેનેજર તથા વિજય જેસીંગભાઈ ગલસર (ઉં.વર્ષ-35, સત્યેશ રેસીડેન્સી) નામના બોગસ તબીબની અટકાયત કરી તેમની વિરુધ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી હતી.</p><p style="text-align: justify; ">વધુમાં પ્રાપ્ત વિગતો એવી છે કે સાણંદ ઉપળદલ પી.એસ.સી. મેડીકલ ઓફીસર અંકિતા વિશ્રનુભાઈ પટેલ ને માહિતી મળી હતી કે માણકોલ ચોકડી શિવમ હોસ્પીટલ દ્વારા વગર લાઈસન્સે એલોપેથીક દવાઓ આપવામાંઆવે છે જેથી મેડીકલ ઓફીસર તેમજ તેમની ટીમે સાણંદ પોલીસને જાણ કરી પોલીસ સ્ટાફ સાથે માણકોલ ચોકડી પર આવેલ શિવમ હોસ્પીટલ ખાતે તપાસ કરતાં હાર્દિક યોગેશભાઈ દવે આ હોસ્પીટલ ચલાવે છે. જેમની પાસે એમ.બી.બી.એસ. વીથ ક્રીટીકલ કેરની ડીગ્રી છે. પરંતુ ત્યાં તેમના પિતા યોગેશ મહેન્દ્રભાઈ દવે હાજર રહે છે. બીજા ડોક્ટરો વિઝીટ માં આવી જતા રહે છે પરંતુ ત્યાં હાજર યોગેશ મહેન્દ્રભાઈ દવે ત્યાં મેનેજર હોવાનું જણાવેલ તથા અન્ય શખ્શ વિજય જેસીંગભાઈ ગલસર જણાવેલ હતું જેની પાસે બી.એચ.એમ.એસ.ની ડીગ્રી હોવા છતા પેશન્ટો ની પુછપરછ કરતાં ઓ તેમને એલોપેથીક દવાઓ આપતા હોવાનું જણાતા પોલીસે બંન્ને શખ્સો ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/07/yQer91PhymLLAaLZO3LcjzU3x7gFzjkrCnjFPC0B.webp'/></item><item><title><![CDATA[સાધલીમાં પોલીસની વિશાળ જગ્યા કચરાના ઢગલાથી ઉકરડો બન્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/a-large-police-station-in-sadhli-has-become-a-mess-due-to-a-pile-of-garbage</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/a-large-police-station-in-sadhli-has-become-a-mess-due-to-a-pile-of-garbage</guid><pubDate>Sun, 07 Jun 2026 01:44:21 +05:30</pubDate><description><![CDATA[<p>શિનોર તાલુકાના મુખ્ય મથક સાધલી મુકામે જાહેર સ્થળ ઉપર પોલીસ તંત્રની વિશાળ જગ્યા આવેલ છે, જે 6 વર્ષ પહેલાં તોડી પાડયા પછી હજુ સુધી નવીન ના બનતા તે જગ્યાએ કચરાના ઢગલા જોવા મળે છે. તો નવીન આઉટ પોસ્ટ પોલીસ ચોકી બનાવવા માંગ ઉઠી છે.</p><p>સાધલી મુકામે પંચવટી બાગની બાજુમાં કરોડો રૂપિયાની ખુલ્લી જમીન પોલીસ તંત્રના હસ્તક છે, અગાઉ 6 વર્ષ પહેલા આ સ્થળે આઉટપોસ્ટ પોલીસ ચોકી કસ્ટડી રૂમ અને સ્ટાફ્ માટે રૂમો બનાવેલ હતી, તે જર્જરિત થતાં તંત્ર દ્વારા તોડી પાડવામાં આવેલ હતી. આ સ્થળે પોલીસે અગાઉ તાર બાંધી જગ્યા બંધ કરી હતી તે હાલમાં ખુલ્લી કરાતાં આજુબાજુના લોકો ત્યાં જાહેરમાં કચરો નાખી જાય છે અને આ જગ્યા હાલ જાહેર કચરાપેટી બનેલ છે. અને ગંદકીનું ઉભ્દવ સ્થાન બનેલ છે. અને સાથોસાથ વગર પૈસે પાર્કિંગ બનેલ છે. તાજેતરમાં નારેશ્વર મુકામે જિલ્લા પોલીસ વડા દ્વારા નવા બનેલા નારેશ્વર પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું જે આનંદની વાત છે, પરંતુ છેલ્લા 6 વર્ષથી મુખ્ય જગ્યા ઉપર સાધલી મુકામે 6 વર્ષ પહેલાં તોડી પડાયેલ આઉટ પોસ્ટ પોલીસ ચોકી ,કસ્ટડી રૂમ અને સ્ટાફ્ રૂમો આજ દિન સુધી બન્યા નથી.
</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/07/nHMKvUvG81q2CZeoOGaD9fkR2Kvt8PwoZiixDrj4.webp'/></item><item><title><![CDATA[શિવરાજ્યાભિષેક દિને ઐતિહાસિક જાહેરાત, ઇઝરાયેલમાં સ્થાપાશે છત્રપતિ શિવાજી મહારાજનું સ્ટેચ્યુ ]]></title><link>https://sandesh.com/india/news/consul-general-yaniv-revach-chhatrapati-shivaji-maharaj-statue-in-israel</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/consul-general-yaniv-revach-chhatrapati-shivaji-maharaj-statue-in-israel</guid><pubDate>Sat, 06 Jun 2026 23:44:52 +05:30</pubDate><description><![CDATA[<p>છત્રપતિ શિવાજી મહારાજના શિવરાજ્યાભિષેક દિનના પાવન અવસરે વૈશ્વિક સ્તરે એક અત્યંત ગર્વ લેવા જેવા અને ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે. મુંબઈમાં સ્થિત ઇઝરાયેલના કોન્સ્યુલ જનરલ યાનિવ રેવાચે જાહેરાત કરી છે કે, તેઓ ભારતના મહાન શાસક છત્રપતિ શિવાજી મહારાજની એક ભવ્ય પ્રતિમા બનાવીને તેને ઇઝરાયેલના એક મોટા શહેરમાં સ્થાપિત કરવા જઈ રહ્યા છે. આ પ્રસ્તાવ માટે તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી મંજૂરી માંગી હતી, જેને સીએમ દ્વારા તુરંત સ્વીકારી લેવામાં આવી છે.</p><p><br></p><h2><b>ભારત અને ઇઝરાયેલના ઇતિહાસ વચ્ચે અદ્ભુત સમાનતા</b></h2><p>યાનિવ રેવાચે જણાવ્યું કે, થોડા મહિનાઓ પહેલા જ્યારે તેઓ ભારત આવ્યા ત્યારે તેમણે ભારત અને ઇઝરાયેલના ઇતિહાસ વચ્ચેની સમાનતાઓ વિશે જાણ્યું હતું. તેમણે કહ્યું, બંને દેશો અને પ્રજાએ પોતાની માતૃભૂમિ માટે દાયકાઓ સુધી સંઘર્ષ કરવો પડ્યો છે અને લડવું પડ્યું છે. અમે બરાબર સમજીએ છીએ કે, ભારતના ઇતિહાસમાં છત્રપતિ શિવાજી મહારાજનો પ્રભાવ અને તેમનું સ્થાન કેટલું મહત્વપૂર્ણ છે.</p><p><br></p><h2><b>PM મોદીની જેરૂસલેમ મુલાકાત બાદ સંબંધો વધુ મજબૂત બન્યા</b></h2><p>ઇઝરાયેલના કોન્સ્યુલ જનરલે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેરૂસલેમની મુલાકાત બાદ ભારત અને ઇઝરાયેલ વચ્ચેના સંબંધોને વિવિધ ક્ષેત્રોમાં વધુ ઊંડા બનાવવાનો નિર્ણય લેવાયો હતો. આ અંતર્ગત બંને દેશોના ઈતિહાસ અને સંસ્કૃતિને જોડવા માટે અમે આ સદ્ભાવના પ્રોજેક્ટ તરીકે છત્રપતિ શિવાજી મહારાજની પસંદગી કરી છે. આ અંતર્ગત ભારતમાં એક મોટું સ્ટેચ્યુ તૈયાર કરી ઇઝરાયેલ મોકલવામાં આવશે, જે લાંબા ગાળા સુધી બંને દેશોના નાગરિકોને ભાવનાત્મક રીતે જોડી રાખશે.</p><p><br></p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/Dev_Fadnavis/status/2063237800481452495"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p><br></p><h2><b>મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આપ્યા આશીર્વાદ અને પૂર્ણ સહયોગ</b></h2><p>આ પ્રોજેક્ટ અંગે ચર્ચા કરવા માટે યાનિવ રેવાચ મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસની ઓફિસે પહોંચ્યા હતા. સીએમ ફડણવીસે આ પ્રસ્તાવને તત્કાલ મંજૂરી આપીને પોતાના આશીર્વાદ આપ્યા હતા અને મહારાષ્ટ્ર સરકાર તરફથી જરૂરી તમામ સહયોગ આપવાની ખાતરી આપી હતી. આ અંગે દેવેન્દ્ર ફડણવીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું, આ ખૂબ જ મોટા સમાચાર છે! શિવરાજ્યાભિષેક દિનના પાવન અવસરે, ઇઝરાયેલના સીજી યાનિવ રેવાચનો ઇઝરાયેલમાં છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવાની આ ઐતિહાસિક જાહેરાત માટે હૃદયપૂર્વક આભાર. મહારાષ્ટ્ર સરકાર આ ઐતિહાસિક પહેલને પૂર્ણ સહયોગ આપશે. જય ભવાની, જય શિવાજી!</p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/world/news/iran-war-president-donald-trump-makes-a-big-claim-amid-venezuela-iran-dispute" target="_blank"> Iran War: વેનેઝુએલા અને ઈરાન વિવાદ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો મોટો દાવો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/jPIChOsipjLKHFxLmvQ0XS0BIl1zbPtQVncvtJWd.webp'/></item><item><title><![CDATA[Ramalingam Murder Case : હત્યા કેસમાં NIAની મોટી કાર્યવાહી, PFIના ચાર પૂર્વ સભ્યો સામે ચાર્જશીટ દાખલ ]]></title><link>https://sandesh.com/india/news/crime/ramalingam-murder-case-nia-chargesheet-four-former-pfi-members</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/crime/ramalingam-murder-case-nia-chargesheet-four-former-pfi-members</guid><pubDate>Sat, 06 Jun 2026 21:59:22 +05:30</pubDate><description><![CDATA[<p>હાઈ-પ્રોફાઈલ રામલિંગમ હત્યા કેસમાં NIAએ પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના ચાર પૂર્વ સભ્યો સામે વિશેષ NIA કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આરોપ છે કે આ ચારેય લોકોએ હત્યાકાંડમાં સામેલ ફરાર અને જાહેર ગુનેગારોને લાંબા સમય સુધી આશ્રય આપીને કાયદાની પકડથી બચાવવામાં મદદ કરી હતી.</p><h2><b>સાંપ્રદાયિક તણાવ અને ભયનું વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ હતો
</b></h2><p>NIA દ્વારા પૂનમલ્લી સ્થિત વિશેષ કોર્ટમાં દાખલ કરાયેલી ચાર્જશીટમાં કે. મોહિદીન, મોહમ્મદ ઈમરાન, તમીમ અંસારી અને અસમતને આરોપી બનાવવામાં આવ્યા છે. તપાસ એજન્સી અનુસાર આ ચારેય લોકોએ થિરુભુવનમ વિસ્તારમાં રામલિંગમ પર થયેલા જીવલેણ હુમલામાં સામેલ આરોપીઓ અને કાવતરાખોરોને જાણતા હોવા છતાં આશ્રય આપ્યો હતો. એજન્સીએ ચાર્જશીટમાં Unlawful Activities (Prevention) Actની કલમ 19 તેમજ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 61(2) અને 249નો ઉલ્લેખ કર્યો છે. NIAનું માનવું છે કે આ માત્ર હત્યાનો કેસ નહોતો, પરંતુ વિસ્તારમા સાંપ્રદાયિક તણાવ અને ભયનું વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ હતો.
</p><h3><b>2019માં થઈ હતી હત્યા
</b></h3><p>NIAના જણાવ્યા મુજબ 5 ફેબ્રુઆરી 2019ના રોજ રામલિંગમની હત્યા કરવામાં આવી હતી. તેઓએ કથિત બળજબરીથી ધર્માંતરણની પ્રવૃત્તિઓનો વિરોધ કર્યો હતો, જેના કારણે PFI સાથે જોડાયેલા કેટલાક લોકો સાથે તેમનો વિવાદ થયો હતો. બાદમાં તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન મોહમ્મદ બુરહાનુદ્દીન અને મોહમ્મદ નબીલ હસનની સંડોવણી સામે આવી હતી. NIAનો આરોપ છે કે આરોપીઓને ઓળખતા હોવા છતાં આ ચારેય લોકોએ લગભગ છ વર્ષ સુધી તેમને અલગ-અલગ સ્થળોએ છુપાવી રાખ્યા હતા. આ પહેલાં NIA 18 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે. એજન્સીએ જણાવ્યું છે કે કેસની તપાસ હજુ ચાલુ છે અને નવા પુરાવાઓના આધારે વધુ કાર્યવાહી કરવામાં આવશે.
<br><br><a href="https://sandesh.com/india/news/world/india-pakistan-un-ga-kashmir-issue-rebuttal-india-response" target="_blank">આ પણ વાંચો : UNમાં પાકિસ્તાને ફરી કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો, ભારતે તાત્કાલિક રોકડુ પરખાવ્યું</a><b></b></p><p><br></p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/QwaNPnmHyUXEOs0dAuUvgmxhNxi6x3Y9mDXkT89p.webp'/></item><item><title><![CDATA[Hockey U18 Asia Cup: ભારતે ફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયનને હરાવીને હોકી અંડર-18 એશિયા કપનો ખિતાબ જીત્યો ]]></title><link>https://sandesh.com/sports/news/india-win-u18-hockey-asia-cup-2026-japan-final</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india-win-u18-hockey-asia-cup-2026-japan-final</guid><pubDate>Sat, 06 Jun 2026 19:23:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતે 2026 અંડર-18 હોકી મેન્સ એશિયા કપનો ખિતાબ જીત્યો છે. ફાઈનલમાં ભારતનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન જાપાન સામે થયો હતો. જાપાની ટીમ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી અપરાજિત રહી હતી, તેને પુલ રાઉન્ડમાં ભારતને હરાવ્યું હતું.
</p><p style="text-align: justify; ">ટીમ ઈન્ડિયાએ કાવાસાકી હેવી ઈન્ડસ્ટ્રીઝ હોકી સ્ટેડિયમમાં યજમાન ટીમને કોઈ તક આપી ન હતી, 4-1થી જીત મેળવી હતી. આ જીત સાથે ભારત ટુર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી સફળ દેશ બની ગયો છે. આ ટીમની ત્રીજી ટ્રોફી છે. પાકિસ્તાને 2 વાર ટાઈટલ જીત્યું છે.
</p><h2 style="text-align: justify; "><b>ભારતે બીજી જ મિનિટમાં ગોલ કર્યો
</b></h2><p style="text-align: justify; ">સેમીફાઈનલમાં મલેશિયાને 8-1થી હરાવનાર જાપાની ટીમ ફાઈનલમાં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી. મેચની બીજી મિનિટે ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો. આશિષ તાની પૂર્તિએ પેનલ્ટીને ગોલમાં રૂપાંતરિત કરીને ભારતને લીડ અપાવી. બીજા ક્વાર્ટરની 28મી મિનિટે આશિષે ભારતનો બીજો ગોલ કર્યો. 30મી મિનિટે કેતન કુશવાહાએ ફિલ્ડ ગોલ કરીને ટીમની લીડ 3-0 કરી દીધી.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/TheHockeyIndia/status/2063227334459871477"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p style="text-align: justify; ">
</p><h3 style="text-align: justify; "><b>આશિષ તાની પૂર્તિએ હેટ્રિક લીધી હતી
</b></h3><p style="text-align: justify; ">ત્રીજા ક્વાર્ટરની ચોથી મિનિટે આશિષે ભારત માટે બીજો ગોલ કરીને પોતાની હેટ્રિક પૂર્ણ કરી અને ટીમની લીડ 4-0 સુધી લંબાવી. જાપાન માટે નુમાદા ગાકુએ 52મી મિનિટે પેનલ્ટી કોર્નરથી ગોલ કર્યો. ભારતે યજમાન ટીમને વધુ કોઈ તક આપી નહીં, અને મેચ 4-1થી જીતીને ટાઈટલ જીત્યું.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/narendramodi/status/2063233749928808912"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p style="text-align: justify; ">
</p><h4 style="text-align: justify; "><b>PM મોદીએ પાઠવ્યા અભિનંદન
</b></h4><p style="text-align: justify; ">ભારતીય પુરુષ અંડર-18 હોકી ટીમને પુરુષોનો અંડર-18 એશિયા કપ 2026 જીતવા બદલ અભિનંદન. ટીમે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઉત્તમ કૌશલ્ય અને ટીમવર્કનું પ્રદર્શન કર્યું, અંતે ફાઈનલમાં યાદગાર વિજય મેળવ્યો. આ જીત આપણા યુવાનોમાં હોકીની વધતી જતી લોકપ્રિયતાને પણ પ્રતિબિંબિત કરે છે. હું ટીમને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ પાઠવું છું.
</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/ipl-2026/vaibhav-sooryavanshi-ipl-2026-awards-orange-cap-mvp" target="_blank">Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા</a></b></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/Wn6qXxH1bTOkhZ5r3Vek6PfzZEVPzl0TDqXFjwkO.webp'/></item><item><title><![CDATA[Gautam Adani ફરી બન્યા એશિયાના સૌથી અમીર વ્યક્તિ, આ બે દિગ્ગજોને છોડ્યા પાછળ ]]></title><link>https://sandesh.com/business/news/gautam-adani-asia-richest-person-net-worth-rises</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/gautam-adani-asia-richest-person-net-worth-rises</guid><pubDate>Sat, 06 Jun 2026 18:58:32 +05:30</pubDate><description><![CDATA[<p>શેર બજારમાં જોરદાર તેજીના કારણે ગૌતમ અદાણી ફરી એકવાર એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. તેમની કંપનીઓના શેરમાં નોંધપાત્ર વધારો થતાં તેમની કુલ સંપત્તિમાં મોટો ઉછાળો નોંધાયો છે. મળતી માહિતી મુજબ અદાણીની નેટવર્થ હવે વધીને અંદાજે 89.2 અબજ ડોલર પહોંચી ગઈ છે, જેના કારણે તેમણે મુકેશ અંબાણી અને સોફ્ટબેન્કના CEO માસાયોશીના પુત્રને પાછળ છોડી દીધા છે.</p><h2><b>મુકેશ અંબાણીની સંપત્તિ 88 અબજ ડોલર થઈ
</b></h2><p>શુક્રવારે અદાણી ગ્રુપના શેરોમાં વ્યાપક તેજી જોવા મળી. ખાસ કરીને અદાણી ગ્રીન એનર્જીના શેરોમાં લગભગ 7%નો વધારો થયો, જ્યારે અદાણી એનર્જી અને અદાણી પોર્ટ્સ જેવા શેરોમાં પણ 2%થી 4% સુધીનો ઉછાળો નોંધાયો. અદાણી પાવરના શેરોમાં પણ 1%થી વધુ વધારો જોવા મળ્યો હતો. રિપોર્ટ મુજબ 2026ની શરૂઆતથી અત્યાર સુધી અદાણી ગ્રુપના શેરોમાં 23%થી 56% સુધીની વૃદ્ધિ થઈ છે, જેના કારણે રોકાણકારોને મોટો ફાયદો થયો છે.
</p><h3><b>1 મહિનામાં અદાણીની નેટવર્થમાં 10 અબજ ડોલરનો વધારો
</b></h3><p>અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા લગાવવામાં આવેલા કેસના સમાધાન બાદ અદાણી ગ્રુપની સ્થિતિમાં સુધારો થયો છે, જેના કારણે છેલ્લા એક મહિનામાં તેમની સંપત્તિમાં લગભગ 10 અબજ ડોલરનો વધારો થયો છે. ગૌતમ અદાણી હાલમાં વિશ્વના 23મા સૌથી અમીર વ્યક્તિ છે. એક દિવસમાં તેમની સંપત્તિમાં લગભગ 2.5 અબજ ડોલરનો વધારો નોંધાયો છે.
<br><br><a href="https://sandesh.com/business/news/india/fuel-prices-new-fuel-has-come-to-the-market-20-rupees-cheaper-than-petrol-will-be-available-at-48-places-in-the-capital" target="_blank">આ પણ વાંચો : Fuel Prices: પેટ્રોલથી 20 રૂપિયા સસ્તુ માર્કેટમાં આવ્યુ નવુ ઇંધણ, રાજધાનીમાં 48 જગ્યાએ મળશે</a><b></b></p><p><br></p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/lQ5qMFuPVHFMzyCPAOS4o6kTwYlvMpX1jXCGu8j7.webp'/></item><item><title><![CDATA[Bollywood : ક્યારેક વાસણો સાફ કર્યા તો ક્યારેક કરી ચોકીદારી... આજે આ એક્ટર છે કરોડોનો માલિક! ]]></title><link>https://sandesh.com/entertainment/news/from-washing-dishes-and-watchman-to-42-crore-net-worth-inspiring-actor-amit-sadh-story</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/from-washing-dishes-and-watchman-to-42-crore-net-worth-inspiring-actor-amit-sadh-story</guid><pubDate>Sat, 06 Jun 2026 17:33:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હિન્દી સિનેમાના કેટલાય અભિનેતાઓ એવા છે, જેમણે ઇન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવવા માટે ભારે મહેનત કરી છે. આજે અમે તમને એક એવા જ એક્ટર વિશે જણાવી રહ્યા છીએ, જે ક્યારેક વાસણ ઘસતા હતા અને તેમણે ચોકીદારી પણ કરી હતી, પરંતુ આજના સમયમાં તેઓ 42 કરોડના માલિક છે.</p><h2 style="text-align: justify; "><b>અભિનેતા અમિત સાધ
</b></h2><p style="text-align: justify; ">અમે જેમના વિશે વાત કરી રહ્યા છીએ, તેઓ કોઈ અન્ય નહીં પરંતુ અભિનેતા અમિત સાધ છે. આજે એટલે કે 5 જૂન, 1983ના રોજ અમિતનો જન્મ દિલ્હીમાં થયો હતો, પરંતુ તેમનો પરિવાર મૂળ રૂપે પંજાબનો રહેવાસી હતો અને તેમનો અભ્યાસ લખનૌમાં થયો હતો. અમિત જ્યારે 16 વર્ષના હતા, ત્યારે તેમના માથા પરથી પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.
</p><h3 style="text-align: justify; "><b>ઘરોમાં વાસણ પણ ઘસ્યા
</b></h3><p style="text-align: justify; ">પિતાના ગયા પછી તેમના ઘરની પરિસ્થિતિ બગડી ગઈ અને પૈસા માટે તેમણે લોકોના ઘરોમાં વાસણ પણ સાફ કર્યા. આ સિવાય તેઓ રાત્રે ચોકીદારીનું કામ પણ કરતા હતા. કેટલીય વાર તો એવું બનતું કે તેઓ રસ્તા પર સૂઈને રાત વિતાવતા હતા. પોતાની પરિસ્થિતિઓ અને મુશ્કેલીઓના કારણે અમિતે પોતાને ખતમ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ કિસ્મત એવું નહોતી ઈચ્છતી અને એક મિત્રે સમયસર તેમનો જીવ બચાવી લીધો હતો.
<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DZEnDsyjLjX/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DZEnDsyjLjX/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DZEnDsyjLjX/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DZEnDsyjLjX/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>ફિલ્મોમાં ડગ માંડ્યા
</b></h4><p style="text-align: justify; ">ભલે કિસ્મતે ફરી અમિતની પરીક્ષા લીધી, પરંતુ તેમણે હિંમત ન હારી અને સતત મહેનત કરતા રહ્યા. જ્યારે અમિતને ટીવીમાં કામ ન મળ્યું, ત્યારે તેમણે ફિલ્મો તરફ વલણ કર્યું. વર્ષ 2010માં આવેલી ફિલ્મ ‘ફૂંક 2’ થી તેમણે પોતાનું બોલીવુડ ડેબ્યૂ કર્યું હતું અને પછી ક્યારેય પાછળ વળીને જોયું નથી.
</p><h5 style="text-align: justify; "><b>અમિત સાધની નેટવર્થ
</b></h5><p style="text-align: justify; ">ફિલ્મોમાં પોપ્યુલર થયા પછી અમિતે ઓટીટી (OTT) પર પણ નામ કમાયું. પોતાની મહેનતથી તેમણે સાબિત કરી દીધું કે કંઈપણ મુશ્કેલ નથી બસ મહેનત કરવાની વાર છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, અમિતની કુલ સંપત્તિ આશરે 40 થી 42 કરોડ રૂપિયાની વચ્ચે છે અને આજે તેઓ એક શાનદાર લાઇફ જીવી રહ્યા છે.
</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/gauri-spratt-aamir-khan-rumored-third-wife-profession-biography" target="_blank">આ પણ વાંચો-Gauri Spratt કોણ છે અને શું કામ કરે છે? જેના પ્રેમમાં પડ્યા છે આમિર ખાન!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/DhME7tbhkvbc4xSSVld2XwGyd3Coc03Tutgbowts.webp'/></item></channel></rss>