<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Sabarkantha Farmers Protest: Framework for Fertilizer Sale એપ મામલે ખેડૂતોએ આપી આંદોલનની ચીમકી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/himatnagar/sabarkantha-farmers-protest-framework-for-fertilizer-sale-app-server-down-issue</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/himatnagar/sabarkantha-farmers-protest-framework-for-fertilizer-sale-app-server-down-issue</guid><pubDate>Sat, 20 Jun 2026 20:24:52 +05:30</pubDate><description><![CDATA[<p>કેન્દ્ર સરકારના એક નવા પાયલોટ પ્રોજેક્ટ સામે ગુજરાતના ખેડૂતોએ હવે બાયો ચડાવી છે. 'ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઇઝર સેલ' નામની નવી અંગ્રેજી એપ્લિકેશન સામે જગતના તાત ઉગ્ર આંદોલનના મૂડમાં જોવા મળી રહ્યા છે. ચોમાસાની શરૂઆતમાં જ વાવણીના સમયે જ આ ઓનલાઇન સિસ્ટમના સર્વર ડાઉન થતાં અને ખેડૂતોને જરૂરિયાત કરતાં ખાતરનો ઓછો જથ્થો મળી રહ્યો છે. જે કારણે સાબરકાંઠા સહિત સમગ્ર પંથકમાં ખેડૂતોનો ભારે રોષ ફાટી નીકળ્યો છે.</p><h2><b>અંગ્રેજી એપ અને સર્વર ડાઉનની સમસ્યાથી ખેડૂતો પરેશાન</b></h2><p>સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોને સરકારની નવી નીતિના કારણે ફરી એકવાર ધંધે લાગવાનો વારો આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા ખાતરના વિતરણ માટે શરૂ કરવામાં આવેલી આ નવી જટિલ ડિજિટલ એપ્લિકેશન હેઠળ, ખેડૂતે ખાતર જોઈતું હોય તો પહેલા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી જમીનનો સર્વે નંબર નાખવો પડે છે. ત્યારબાદ એપ્લિકેશન પોતે નક્કી કરે છે કે, કયા ખેડૂતને કેટલું ખાતર આપવું, પરંતુ વાવણીના અમૂલ્ય સમયે ક્યાંક ઓટીપી નથી આવી રહ્યા તો ક્યાંક સોફ્ટવેરના સર્વર ડાઉન થઈ રહ્યા છે, જેના કારણે ખેડૂતો છેલ્લા ત્રણ દિવસથી ખાતર મેળવવા માટે મંડળીઓ અને સોસાયટીઓના ધક્કા ખાઈ રહ્યા છે.</p><h2><b>ઓછો જથ્થો મળતા પાકના ઉત્પાદન પર માઠી અસરની ભીતિ</b></h2><p>ખેડૂતોનો સૌથી મોટો આક્રોશ એ વાતનો છે કે, આ આખી એપ્લિકેશન અંગ્રેજી ભાષામાં છે, જે સામાન્ય ખેડૂત માટે સમજવી ખૂબ મુશ્કેલ છે. આ ઉપરાંત, જમીનની વાસ્તવિક જરૂરિયાત સામે આ એપ્લિકેશનમાં ખાતરનો જથ્થો પણ ખૂબ ઓછો નક્કી કરવામાં આવ્યો છે. ખેડૂતોને ચિંતા છે કે, જો પાકને પૂરતું ખાતર નહીં મળે, તો તેની સીધી અસર પાકના ઉત્પાદન પર પડશે અને ખેડૂતો પાયમાલ થઈ જશે.&nbsp;</p><p>ઉલ્લેખનીય છે કે, અગાઉ ખેડૂતો પોતાનું ઓળખપત્ર લઈને સોસાયટીમાં જતા અને મશીન પર અંગૂઠો લગાવીને સરળતાથી ખાતર મેળવી લેતા હતા. ખેડૂતોનું કહેવું છે કે, જો સરકારને ખાતરની ચોરી અટકાવવી હોય તો મોટા માથાઓને પકડે, વાવણીના સમયે ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરે. જો આ પદ્ધતિ નાબૂદ નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન થશે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2068334859152724475"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>એસી કેબિનોમાં બેસીને બનતી અટપટી નીતિઓ સામે સવાલ</b></h2><p>હાલ ખેડૂતો વીજપોલ મામલે આંદોલન કરી રહ્યા છે. આ આંદોલનમાં વધુ એક મુદ્દો જોડાય તેવી શક્યતા છે. હાલ ચોમાસુ શરૂ થઈ ગયું છે, આવા સમયે જો ખેડૂતોને સમયસર ખાતર ન મળે તો પાકને મોટાપાયે નુકસાન જવાની શક્યતા નકારી શકાતી નથી. આવામાં આ સમસ્યાનો ઉકેલ ઝડપી લાવવો અતિ આવશ્યક છે.</p><p>એસી કેબિનોમાં બેસીને અટપટી નીતિઓ બનાવતું તંત્ર કદાચ એ ભૂલી ગયું છે કે, ખેડૂત ખેતરમાં રાત-દિવ પરસેવો પાડે છે, તે કોઈ સોફ્ટવેર એન્જિનિયર નથી. વાવણીના એક-એક મિનિટના કિંમતી સમયે જો ખેડૂતનો સમય ઓનલાઇન અરજીઓ અને લાઈનોમાં જ બગડશે, તો દેશનો અન્નદાતા કઈ રીતે બેઠો થશે? હવે જોવાનું એ રહેશે કે, ખેડૂતોની આ ખુલ્લી ચીમકી બાદ સરકાર આ પાયલોટ પ્રોજેક્ટ પર રોક લગાવી જૂની પદ્ધતિ શરૂ કરે છે કે, પછી સાબરકાંઠાથી શરૂ થયેલું આ આંદોલન રાજ્ય વ્યાપી મોટું સ્વરૂપ ધારણ કરે છે.</p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/himatnagar/himatnagar-pre-booking-pilot-project-to-be-started-in-sabarkantha-for-subsidized-fertilizer" target="_blank"> Himatnagar: સાબરકાંઠામાં સબસિડાઈઝ ખાતર પ્રી-બુકિંગ પાયલોટ પ્રોજેક્ટ શરૂ થશે</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/cqKegFYB0NRSid6vdx9il81TjN3TEXeZV0qCZdB4.webp'/></item><item><title><![CDATA[Maharashtra Politics : રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ ઠાકરેની મોટી જાહેરાત, યવતમાલમાં કરશે શક્તિ પ્રદર્શન ]]></title><link>https://sandesh.com/india/news/maharashtra-politics-uddhav-thackeray-yavatmal-visit-show-of-strength</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/maharashtra-politics-uddhav-thackeray-yavatmal-visit-show-of-strength</guid><pubDate>Sat, 20 Jun 2026 20:05:44 +05:30</pubDate><description><![CDATA[<p>મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો વચ્ચે શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે)ના વડા ઉદ્ધવ ઠાકરે 27 જૂને યવતમાલા જિલ્લાના પ્રવાસે રહેશે. આ દરમિયાન તેઓ પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકરો સાથે સીધો સંવાદ કરશે અને સંગઠનની સ્થિતિની સમીક્ષા કરશે.</p><h2><b>યવતમાલાના કાર્યકરો સાથે પ્રથમ વખત ઉદ્ધવ ઠાકરે સીધો સંપર્ક કરશે</b></h2><p>તાજેતરના રાજકીય ફેરફારો અને સાંસદ સંજય દેશમુખના બગાવતી વલણ બાદ આ મુલાકાતને ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે. ઉદ્ધવ ઠાકરેનો આ પ્રવાસ મુખ્યત્વે સ્થાનિક સ્તરે પાર્ટી સંગઠનને વધુ મજબૂત બનાવવાનો અને કાર્યકરોમાં નવો ઉત્સાહ જગાવવાનો છે. પાર્ટીમાં ઉભી થયેલી આંતરિક અસંતોષની સ્થિતિ વચ્ચે યવતમાલાના કાર્યકરો સાથે પ્રથમ વખત ઉદ્ધવ ઠાકરે સીધો સંપર્ક કરશે. તેઓ સંગઠનમાં ઉભી થયેલી ગેરસમજ દૂર કરવા અને જમીની સ્તરે પાર્ટીની હાજરી મજબૂત કરવા પ્રયાસ કરશે.</p><p>આ અગાઉ યવતમાલાના સાંસદ સંજય દેશમુખના બગાવતી વલણને લઈને શિવસેના (UBT) કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી હતી. કાર્યકરોએ તેમના વિરોધમાં રસ્તા પર ઉતરીને પ્રદર્શન કર્યું હતું અને પતળા દહન સહિતના આંદોલન પણ કરવામાં આવ્યા હતા.</p><h3><b>MNS પ્રમુખ રાજ ઠાકરેએ શું કહ્યું?</b></h3><p>આ ઉપરાંત મહારાષ્ટ્રના રાજકારણમાં અન્ય એક નિવેદનમાં MNS પ્રમુખ રાજ ઠાકરેએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે સત્તાની લાલચમાં રાજકીય પક્ષો પોતાના જ પ્રતિનિધિઓને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આત્મસન્માન ગુમાવ્યા પછી માત્ર 'જીવતી લાશો' જ બાકી રહે છે. આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે ઉદ્ધવ ઠાકરેનો યવતમાલા પ્રવાસ પાર્ટી માટે સંગઠનાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/delhi-jantar-mantar-police-action-students-protest-eviction-exam-issues" target="_blank">આ પણ વાંચો : Delhi : જંતર-મંતર પર દિલ્હી પોલીસ એક્શન મોડ પર, વિદ્યાર્થીઓને પ્રદર્શન સ્થળેથી હટાવવાનું કર્યું શરૂ</a></b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/uN4ewvmsAT7TwT27JQxt5O2EEdpGDOqLTWxDSYds.webp'/></item><item><title><![CDATA[Maharashtra : રત્નાગીરીમાં મોટી દુર્ઘટના, 5 પ્રવાસીઓ દરિયામાં ડુબ્યા, શોધખોળ ચાલુ ]]></title><link>https://sandesh.com/india/news/maharashtra-ratnagiri-ganpatipule-5-tourists-drown-search-operation</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/maharashtra-ratnagiri-ganpatipule-5-tourists-drown-search-operation</guid><pubDate>Sat, 20 Jun 2026 19:48:07 +05:30</pubDate><description><![CDATA[<p>મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારના રત્નાગિરી જિલ્લાના પ્રસિદ્ધ પર્યટન સ્થળ ગણપતિપુલેમાં શનિવારે મોટો અકસ્માત સર્જાયો છે. છત્રપતિ સંભાજીનગર જિલ્લાના 5 પર્યટકો દરિયામાં ડૂબી જતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પ્રશાસન, પોલીસ અને બચાવ દળ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા છે.</p><h2><b>11 વાગ્યે દરિયામાં ઉતર્યા હતા</b></h2><p>પ્રાથમિક માહિતી મુજબ, છત્રપતિ સંભાજીનગરથી કુલ 21 લોકોનું એક ગ્રુપ ગણપતિપુલે ફરવા આવ્યું હતું. સવારે લગભગ 11 વાગ્યાની આસપાસ કેટલાક યુવાનો દરિયામાં ઉતર્યા હતા, ત્યારે અચાનક ઊંચી લહેરો અને તેજ પ્રવાહને કારણે 5 પ્રવાસી પાણીમાં ખેંચાઈ ગયા હતા. દરિયાની પરિસ્થિતિનો યોગ્ય અંદાજ ન લગાવી શકવાને કારણે આ દુર્ઘટના બની હોવાનું જણાવાયું છે.</p><h3><b>તમામ પર્યટકો છત્રપતિ સંભાજીનગર જિલ્લાના રહેવાસી</b></h3><p>ઘટનાની માહિતી મળતાં જ લાઈફગાર્ડ, પોલીસ, પ્રશાસન અને સ્થાનિક માછીમારોની મદદથી તરત જ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. હાલ પાંચેય પર્યટકોની શોધખોળ યુદ્ધસ્તરે ચાલી રહી છે, પરંતુ ખરાબ દરિયાઈ પરિસ્થિતિ બચાવ કામગીરીમાં અવરોધ ઉભો કરી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ, લાપતા થયેલા પર્યટકોની ઓળખ આદિત્ય રાઉત, યશ કાંબલે, અનિકેત હિવરાલે, પ્રેમ આદમે અને આનંદ નવરાડે તરીકે થઈ છે. તમામ પર્યટકો છત્રપતિ સંભાજીનગર જિલ્લાના રહેવાસી છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચિંતા અને શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રશાસન દ્વારા પર્યટકોના પરિવારજનોને જાણ કરી દેવામાં આવી છે અને રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલુ છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/delhi-jantar-mantar-police-action-students-protest-eviction-exam-issues" target="_blank">આ પણ વાંચો : Delhi : જંતર-મંતર પર દિલ્હી પોલીસ એક્શન મોડ પર, વિદ્યાર્થીઓને પ્રદર્શન સ્થળેથી હટાવવાનું કર્યું શરૂ</a></b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/PpZCRq15mihjCjdAyZ9VP4yId3DROII0x4qR8VwH.webp'/></item><item><title><![CDATA[AVC મેન્સ વોલીબોલ કપ 2026નો અમદાવાદમાં ભવ્ય પ્રારંભ, 11 દેશની ટીમો વચ્ચે થશે જંગ ]]></title><link>https://sandesh.com/sports/news/gujarat/ahmedabad/avc-mens-volleyball-cup-2026-ahmedabad-tournament</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/gujarat/ahmedabad/avc-mens-volleyball-cup-2026-ahmedabad-tournament</guid><pubDate>Sat, 20 Jun 2026 19:45:08 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં વધુ એક આંતરરાષ્ટ્રીય રમતગમત ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. AVC મેન્સ વોલીબોલ કપ 2026નો આજથી વિધિવત પ્રારંભ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે થયો છે. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ 20 જૂનથી 28 જૂન સુધી યોજાશે, જેમાં એશિયાના 11 દેશની ટીમો ખિતાબ માટે સ્પર્ધા કરશે.</p><h2 style="text-align: justify;"><b>આ ટુર્નામેન્ટમાં 11 દેશની ટીમો ભાગ લઈ રહી છે</b></h2><p style="text-align: justify;">આ ટુર્નામેન્ટમાં ભારત સિવાય બહેરિન, થાઈલેન્ડ, કતાર, ચાઈનીઝ તાઈપેઈ, ઈન્ડોનેશિયા સહિત કુલ 11 દેશની ટીમો ભાગ લઈ રહી છે. તમામ ટીમો વચ્ચે જોરદાર અને રોમાંચક મુકાબલા જોવા મળશે, જેના કારણે રમતપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.</p><p style="text-align: justify;">વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ તૈયાર કરવામાં આવ્યું છે, જ્યાં ખેલાડીઓ માટે જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સ્પર્ધા દરમિયાન સુરક્ષા, ટ્રાન્સપોર્ટ અને રહેવા જેવી વ્યવસ્થાઓને પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.</p><h3 style="text-align: justify;"><b>અમદાવાદ શહેરને વૈશ્વિક રમતગમતના નકશા પર નવી ઓળખ મળવાની આશા</b></h3><p style="text-align: justify;">આ ઈવેન્ટના આયોજનથી અમદાવાદ શહેરને વૈશ્વિક રમતગમતના નકશા પર નવી ઓળખ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. શહેરમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ આયોજિત થવાથી રમતગમતના વિકાસને પણ નવી દિશા મળશે અને સ્થાનિક ખેલાડીઓને પણ પ્રેરણા મળશે.</p><p style="text-align: justify;">આ ટુર્નામેન્ટ દરમિયાન દરરોજ અનેક મેચો રમાશે અને અંતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટીમને ખિતાબ એનાયત કરવામાં આવશે. સમગ્ર એશિયાથી આવેલા ખેલાડીઓ વચ્ચેનો આ મુકાબલો રમતપ્રેમીઓ માટે યાદગાર અનુભવ બનશે તેવી અપેક્ષા છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/entertainment/virat-kohli-photos-with-son-akaay-anushka-sharma" target="_blank">Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/EDZ6ZM4Zq4NGtlcmLCkQ1bjdoCzEZ0YUnnL4away.webp'/></item><item><title><![CDATA[AVC મેન્સ વોલીબોલ કપ 2026નો અમદાવાદમાં ભવ્ય પ્રારંભ, 11 દેશની ટીમો વચ્ચે થશે જંગ ]]></title><link>https://sandesh.com/sports/news/gujarat/ahmedabad/avc-mens-volleyball-cup-2026-ahmedabad-tournament</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/gujarat/ahmedabad/avc-mens-volleyball-cup-2026-ahmedabad-tournament</guid><pubDate>Sat, 20 Jun 2026 19:45:08 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં વધુ એક આંતરરાષ્ટ્રીય રમતગમત ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. AVC મેન્સ વોલીબોલ કપ 2026નો આજથી વિધિવત પ્રારંભ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે થયો છે. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ 20 જૂનથી 28 જૂન સુધી યોજાશે, જેમાં એશિયાના 11 દેશની ટીમો ખિતાબ માટે સ્પર્ધા કરશે.</p><h2 style="text-align: justify;"><b>આ ટુર્નામેન્ટમાં 11 દેશની ટીમો ભાગ લઈ રહી છે</b></h2><p style="text-align: justify;">આ ટુર્નામેન્ટમાં ભારત સિવાય બહેરિન, થાઈલેન્ડ, કતાર, ચાઈનીઝ તાઈપેઈ, ઈન્ડોનેશિયા સહિત કુલ 11 દેશની ટીમો ભાગ લઈ રહી છે. તમામ ટીમો વચ્ચે જોરદાર અને રોમાંચક મુકાબલા જોવા મળશે, જેના કારણે રમતપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.</p><p style="text-align: justify;">વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ તૈયાર કરવામાં આવ્યું છે, જ્યાં ખેલાડીઓ માટે જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સ્પર્ધા દરમિયાન સુરક્ષા, ટ્રાન્સપોર્ટ અને રહેવા જેવી વ્યવસ્થાઓને પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.</p><h3 style="text-align: justify;"><b>અમદાવાદ શહેરને વૈશ્વિક રમતગમતના નકશા પર નવી ઓળખ મળવાની આશા</b></h3><p style="text-align: justify;">આ ઈવેન્ટના આયોજનથી અમદાવાદ શહેરને વૈશ્વિક રમતગમતના નકશા પર નવી ઓળખ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. શહેરમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ આયોજિત થવાથી રમતગમતના વિકાસને પણ નવી દિશા મળશે અને સ્થાનિક ખેલાડીઓને પણ પ્રેરણા મળશે.</p><p style="text-align: justify;">આ ટુર્નામેન્ટ દરમિયાન દરરોજ અનેક મેચો રમાશે અને અંતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટીમને ખિતાબ એનાયત કરવામાં આવશે. સમગ્ર એશિયાથી આવેલા ખેલાડીઓ વચ્ચેનો આ મુકાબલો રમતપ્રેમીઓ માટે યાદગાર અનુભવ બનશે તેવી અપેક્ષા છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/entertainment/virat-kohli-photos-with-son-akaay-anushka-sharma" target="_blank">Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/EDZ6ZM4Zq4NGtlcmLCkQ1bjdoCzEZ0YUnnL4away.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: ઓગણજમાંથી MD ડ્રગ્સ અને ગાંજા સાથે મહિલા સહિત બે પેડલરોને ઝડપાયા ]]></title><link>https://sandesh.com/crime/news/ahmedabad/sola-high-court-police-md-drugs-ganja-seized-oganaj</link><guid isPermaLink="true">https://sandesh.com/crime/news/ahmedabad/sola-high-court-police-md-drugs-ganja-seized-oganaj</guid><pubDate>Sat, 20 Jun 2026 19:00:18 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરમાં નશાના કારોબાર સામે પોલીસે લાલ આંખ કરી છે. સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનની ટીમે એક ચોક્કસ બાતમીના આધારે ઓગણજ ગામમાં રેડ કરીને એમડી ડ્રગ્સ અને ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓમાં એક મહિલા પેડલરનો પણ સમાવેશ થાય છે. પોલીસે બંને વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.</p><h2><b>એમડી ડ્રગ્સ, ગાંજો અને રોકડ સહિત 1.29 લાખનો મુદ્દામાલ જપ્ત</b></h2><p>પોલીસ રેડ દરમિયાન આરોપીઓ પાસેથી ગેરકાયદે નશીલો પદાર્થ મળી આવ્યો હતો. જેમાં પોલીસે 23.10 ગ્રામ એમડી ડ્રગ્સ અને 194.87 ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે. આ ઉપરાંત, આરોપીઓ પાસેથી ડ્રગ્સના વેચાણના વ્યવહારો માટે વપરાતા મોબાઇલ ફોન, રોકડ રકમ તેમજ હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતા વાહનો પણ કબજે લેવાયા છે. પોલીસે ડ્રગ્સ, ગાંજો અને અન્ય સાહિત્ય મળીને કુલ રૂપિયા 1.29 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.</p><h2><b>ડ્રગ્સ સપ્લાય ચેઇન નેટવર્ક તોડી પાડવા પોલીસની તપાસ તેજ</b></h2><p>સોલા હાઇકોર્ટ પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરીને તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં આ ડ્રગ્સ અને ગાંજાનો જથ્થો તેઓ ક્યાંથી લાવ્યા હતા અને અમદાવાદમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં તપાસ લંબાવવામાં આવી છે. આ નશાના નેટવર્કમાં અન્ય કયા શખ્સો સંડોવાયેલા છે, તેની સપ્લાય ચેઇન સુધી પહોંચવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને વધુ તપાસ હાથ ધરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/moraiya-village-sarpanch-husband-son-attacked" target="_blank">Ahmedabad News: મોરૈયા ગામના સરપંચના પતિ અને પુત્ર પર 5થી વધુ શખ્સોનો સશસ્ત્ર હુમલો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/42LPKVvLjLALUthMq2TMVYF5aOegEbRgqX7IcHsb.webp'/></item><item><title><![CDATA[Surat News: SMC તંત્રની હેરાનગતિથી કંટાળ્યું વૃદ્ધ દંપતી, માંગી ઇચ્છામૃત્યુની મંજૂરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/elderly-couple-seeks-euthanasia-smc-harassment-shops-sealed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/elderly-couple-seeks-euthanasia-smc-harassment-shops-sealed</guid><pubDate>Sat, 20 Jun 2026 18:21:48 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત શહેરમાંથી એક અત્યંત હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે, જેમાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની કથિત હેરાનગતિથી પરેશાન થઈને 75 વર્ષના એક વૃદ્ધ દંપતીએ ઇચ્છામૃત્યુ માટે કલેક્ટર કચેરીમાં અરજી કરી છે. તંત્ર દ્વારા વારંવાર કરવામાં આવતી હેરાનગતિના કારણે કંટાળીને આખરે આ દાદા-દાદીએ જીવવા કરતાં મૃત્યુ પસંદ કરવાનો મોટો નિર્ણય લીધો છે. કલેક્ટર કચેરી દ્વારા આ ઇચ્છામૃત્યુની અરજીને સ્વીકારી લેવામાં આવી છે.</p><h2><b>10 વર્ષ પહેલા અકસ્માતમાં આખો પરિવાર ગુમાવ્યો હતો</b></h2><p>આ વૃદ્ધ દંપતી ભૂતકાળમાં ભારે મોટી કુદરતી આફત સહન કરી ચૂક્યું છે. દસ વર્ષ પહેલાં પાવાગઢથી પરત ફરતી વખતે આ દાદા-દાદીનો આખો પરિવાર એક ભયાનક કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. આ અકસ્માતમાં તેમનો પુત્ર, વહુ, બે પૌત્ર, દીકરી, જમાઈ, તેમના બે બાળકો અને એક સાળા સહિત પરિવારના તમામ સભ્યોનો માળો વિખેરાઈ ગયો હતો. આ અકસ્માત બાદથી જ વૃદ્ધ દંપતી તદ્દન એકલું પડી ગયું હતું અને પાંડેસરા વિસ્તારમાં આવેલી પોતાની મિલકતોના ભાડાની આવક પર ગુજારો કરતું હતું.</p><h2><b>રાજકીય ઇશારે દુકાનો પચાવી પાડવાનો આક્ષેપ</b></h2><p>વૃદ્ધ દંપતીનો ગંભીર આક્ષેપ છે કે, પાંડેસરામાં આવેલી તેમની કરોડોની મિલકતો ભાજપના કેટલાક મળતિયાઓ તંત્રનો દુરૂપયોગ કરીને પચાવી પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. પાંચ વર્ષ પહેલા સુજલ પ્રજાપતિ નામના અધિકારી દ્વારા ફાયર સેફ્ટીના અભાવનું બહાનું બતાવીને દાદા-દાદીની 9 જેટલી દુકાનો ખોટી રીતે સીલ કરી દેવામાં આવી હતી. </p><p>આ મામલે વૃદ્ધ દંપતીએ હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. સાડા પાંચ વર્ષની લાંબી કાનૂની લડત બાદ હાઇકોર્ટના આદેશથી આ દુકાનો ખોલી આપવામાં આવી હતી. આ દરમિયાન ફાયર વિભાગે પણ સત્તાવાર લેટર આપીને સ્પષ્ટ કર્યું હતું કે, આ દુકાનોમાં કોઈ પણ પ્રકારની ફાયર સેફ્ટીની જરૂરિયાત ઊભી થતી નથી.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2067958522256748737"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>કારણ વગર ફરી સીલ મારતા જીવવું મુશ્કેલ બન્યું</b></h2><p>હાઈકોર્ટમાંથી ન્યાય મળ્યાને હજુ થોડો સમય જ થયો હતો ત્યાં 20 દિવસ પહેલા, એટલે કે 30 મેના રોજ, ઉધના ઝોનના અધિકારીઓએ કોઈ પણ જાતનું કારણ દર્શાવ્યા વગર કે નોટિસ આપ્યા વગર આ તમામ 9 દુકાનોને ફરીથી સીલ મારી દીધું છે. આ દુકાનોમાંથી આવતા ભાડાના રૂપિયાથી જ આ દંપતીનું ગુજરાત ચાલતું હતું અને દવા-પાણીનો ખર્ચ નીકળતો હતો. </p><p>હવે ભાડાની આવક સંપૂર્ણ બંધ થઈ જતાં આ ઉંમરે ગુજારો ચલાવવો અશક્ય બન્યો છે. કોઈના ઇશારે અધિકારીઓ દુકાનો પચાવવા માટે વારંવાર હેરાન કરી રહ્યા હોવાથી, હવે ન્યાય મેળવવાની હિંમત ન બચતા દાદા-દાદીએ આખરે કલેક્ટર પાસે ઇચ્છામૃત્યુની માંગણી કરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/surat/mangrol-pipodra-gidc-massive-fire-plastic-waste-dumping-yard-sumilon-rajhans-fire" target="_blank">Surat: પીપોદરા GIDCમાં પ્લાસ્ટિકના સ્ક્રેપમાં લાગી ભીષણ આગ, ફાયરની ટીમો ઘટનાસ્થળે</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/AJSbt36QEGjen2wgTPCQeHFGse9dpLmnthMpkcHz.webp'/></item><item><title><![CDATA[Aamir Khan : મોટા પડદા પર જોવા મળશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની કહાની, આમિર ખાન બનાવી રહ્યા છે ડોક્યુમેન્ટ્રી ]]></title><link>https://sandesh.com/entertainment/news/aamir-khan-to-produce-biographical-documentary-on-president-droupadi-murmu</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/aamir-khan-to-produce-biographical-documentary-on-president-droupadi-murmu</guid><pubDate>Sat, 20 Jun 2026 17:33:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આમિર ખાન પ્રોડક્શન્સના બેનર હેઠળ બની રહેલી બંટવારા 1947 ટૂંક સમયમાં જ થિએટરોમાં દસ્તક દેવાની છે, જેનું તાજેતરમાં જ ટીઝર સામે આવ્યું છે. આ દરમિયાન આમિર ખાન એક વધુ મોટો પ્રોજેક્ટ લઈને આવી રહ્યા છે, પરંતુ આ એક્શન કે પાર્ટિશન પર બની રહેલી કોઈ ફિલ્મ નથી, પણ એક ડોક્યુમેન્ટ્રી હોવાની છે. અહેવાલ છે કે આમિર ખાનનું પ્રોડક્શન હાઉસ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પર ડોક્યુમેન્ટ્રી બનાવી રહ્યું છે એટલે કે દ્રૌપદી મુર્મૂની શાનદાર સફરને મોટા પડદા પર ઉતારવામાં આવશે.</p><h2 style="text-align: justify; "><b>રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના જીવન પર બનાવશે ડોક્યુમેન્ટ્રી</b></h2><p style="text-align: justify; ">બંટવારા 1947ની વચ્ચે આમિર ખાને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની જિંદગી પર એક ડોક્યુમેન્ટ્રી બનાવવાનો નિર્ણય લીધો છે. આ ફિલ્મના ડિરેક્શનની કમાન સ્વાતિ ચક્રવર્તી ભટકલા સંભાળશે, જેઓ રૂબરૂ રોશની જેવી ડોક્યુમેન્ટ્રી બનાવી ચૂક્યા છે. અહેવાલ છે કે આ ડોક્યુમેન્ટ્રીનું શૂટિંગ પહેલાથી જ શરૂ થઈ ચૂક્યું છે.</p><h3 style="text-align: justify; "><b>આમિર ખાનના પ્રોજેક્ટની ચર્ચા</b></h3><p style="text-align: justify; ">વેરાયટી ઇન્ડિયાના એક અહેવાલ મુજબ, આમિર ખાન પ્રોડક્શન્સ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના જીવન અને સફર પર બેઝ્ડ એક ડોક્યુમેન્ટ્રી પર કામ કરી રહ્યું છે. આ પ્રોજેક્ટને ફિલ્મમેકર અને રાઇટર સ્વાતિ ચક્રવર્તી ભતકાલ ડિરેક્ટ કરશે. આ ડોક્યુમેન્ટ્રી એ શાનદાર સફરને બતાવશે જેમાં મુર્મૂ ઓડિશાના એક નાના ગામથી ભારતના રાષ્ટ્રપતિ બન્યા. જણાવવામાં આવી રહ્યું છે કે આ ડોક્યુમેન્ટ્રી દ્રૌપદી મુર્મૂની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફના મહત્વના પડાવોને બતાવશે. જો કે, હજી મેકર્સ તરફથી કન્ફર્મેશન બાકી છે અને જો સમાચાર કન્ફર્મ થઈ જાય છે, તો આ આમિર ખાન પ્રોડક્શન્સની એક વધુ સાચી જિંદગી પર આધારિત સ્ટોરી હશે.</p><h4 style="text-align: justify; "><b>શરૂ થઈ ગયું શૂટિંગ</b></h4><p style="text-align: justify; ">અહેવાલોનું માનીએ તો આ ડોક્યુમેન્ટ્રીના કેટલાક ભાગ પહેલાથી જ ઓડિશામાં મુર્મૂના પૈતૃક ગામમાં શૂટ કરવામાં આવી ચૂક્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે મેકર્સે તેમના શરૂઆતી જીવનની મહત્વની ક્ષણોને ફરીથી તૈયાર કરી છે અને તેમની સફરના અલગ-અલગ પડાવોને બતાવવા માટે લોકલ કલાકારોને કાસ્ટ કર્યા છે. આ ડોક્યુમેન્ટ્રી દ્વારા આમિર ખાન પ્રોડક્શન્સ અને સ્વાતિ ચક્રવર્તી ભતકાલ એકવાર ફરી સાથે કામ કરશે. સ્વાતિએ આ પહેલા રૂબરૂ રોશનીને ડિરેક્ટ કરી હતી, જે 2019 માં આવેલી એક ડોક્યુમેન્ટ્રી એન્થોલોજી હતી અને જેને આમિર ખાન અને કિરણ રાવે પ્રોડ્યુસ કરી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/tmkoc-bagha-tanmay-vekaria-shares-real-life-financial-struggle-story" target="_blank">આ પણ વાંચો-Tanmay Vekaria : એક સમયે ખિસ્સામાં હતા ફક્ત 700 રૂપિયા, આજે લોકપ્રિયતાના શિખરે છે TMKOCના બાઘા!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/MUfmnKIuwI9umMX1WfyOSNjgmzILMrwiK7kSkn0V.webp'/></item><item><title><![CDATA[PM Kisan Installment Released: ખેડૂતો અંગે કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીએ આપ્યું મોટું નિવેદન ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/pm-kisan-samman-nidhi-installment-release-cm-bhupendra-patel-jitu-vaghani</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/pm-kisan-samman-nidhi-installment-release-cm-bhupendra-patel-jitu-vaghani</guid><pubDate>Sat, 20 Jun 2026 17:22:35 +05:30</pubDate><description><![CDATA[<p>દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો નવો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો છે. આ નિમિત્તે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાના ‘PM કિસાન ઉત્સવ દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના 51 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં સીધા જ 2000 રૂપિયાનો હપ્તો સહાય રૂપે જમા થશે. સમગ્ર રાજ્યના ખેડૂતો માટે આ ઉત્સવ સમાન પ્રસંગ બની રહ્યો છે.</p><h2><b>ખેડૂતોની સુખાકારી માટે સરકાર કટિબદ્ધ: CM ભૂપેન્દ્ર પટેલ</b></h2><p>કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વિશ્વના લોકપ્રિય નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુશાસનના સફળ વર્ષો પૂર્ણ કર્યા છે, જેમાં ખેડૂતોનું કલ્યાણ હંમેશા કેન્દ્ર સ્થાને રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, ખેડૂતો માટે સૌથી મહત્વની જરૂરિયાત પાણીની છે. આગામી સમયમાં જો ‘અલ નીનો’ની સ્થિતિ સર્જાય તો પણ ખેડૂતોને ઓછી તકલીફ પડે તે માટે સરકારે દૂરંદેશી પગલાં ભર્યા છે અને જ્યાં જરૂર છે, ત્યાં નર્મદાના પાણી પહોંચાડવાનું આયોજન કરાયું છે.</p><h2><b>પાણી સંગ્રહ અને પ્રાકૃતિક ખેતી પર વિશેષ ભાર</b></h2><p>મુખ્યમંત્રીએ પાણીના સંગ્રહ માટેની વ્યવસ્થા અંગે વાત કરતા જણાવ્યું કે, ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાને રાખીને ગુજરાતના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાનું લક્ષ્ય પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત, પહેલા તળાવ ભરવા માટે 5 કિલોમીટર સુધી મંજૂરી અપાતી હતી, જે હવે વધારીને 7 કિલોમીટર કરવામાં આવી છે. ધારાસભ્યોની ગ્રાન્ટમાં પણ વધારો કરાયો છે, જેથી રિચાર્જ બોર બનાવી શકાય. તેમણે ખેડૂતોને DAPનો ઓછો વપરાશ કરવા અને વૈજ્ઞાનિક પરિણામો આપતી પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહવાન કર્યું હતું.</p><h2><b>અલ નીનોની સંભવિત પરિસ્થિતિ સામે ગુજરાત સરકાર સજ્જ: CM ભૂપેન્દ્ર પટેલ</b></h2><p>ચોમાસાની આગાહી વચ્ચે દેશમાં અલ નીનોની સંભવિત પરિસ્થિતિને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર મંચ પરથી મોટું નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રીએ ખેડૂતોને આશ્વાસન આપતા જણાવ્યું કે, આ સંકટ સામે લડવા માટે રાજ્ય સરકારે અગાઉથી જ પોતાની રીતે આગોતરા પગલાં લઈ લીધા છે. ખેડૂતોને પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે સરકારે અત્યારથી જ જરૂરિયાતવાળા વિસ્તારોમાં નર્મદાના પાણી ભરાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. સરકારના આ આગોતરા આયોજનથી સંભવિત દુષ્કાળ કે પાણીની તંગીના પડકાર સામે ખેડૂતોના પાકને મોટું રક્ષણ મળશે.</p><h2><b>કોઈપણ વચેટિયા વિના ખેડૂતોના ખાતામાં ₹1025 કરોડ જમા: જીતુ વાઘાણી</b></h2><p>આ પ્રસંગે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જીતુ વાઘાણીએ સરકારના નિર્ણયોને બિરદાવતા કહ્યું કે, આજના હપ્તા દ્વારા ગુજરાતના ખેડૂતોને કુલ 1025 કરોડ રૂપિયાની સહાય સીધી તેમના ખાતામાં મળશે. વર્ષ 2019થી શરૂ થયેલી આ યોજના અંતર્ગત દેશના 9.5 કરોડથી વધુ ખેડૂતોને પારદર્શક રીતે, કોઈપણ વચેટિયા વગર લાભ મળી રહ્યો છે. મમતા બેનર્જીની સરકારે પશ્ચિમ બંગાળના ખેડૂતો સાથે અન્યાય કર્યો હતો, પરંતુ હવે ત્યાંના ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળી રહ્યો છે.</p><h2><b>સબસિડીમાં વધારો અને આપત્તિ સમયે કરોડોનું પેકેજ</b></h2><p>જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું કે, ભૂપેન્દ્ર પટેલની સરકાર ખેડૂતોની લાગણીઓને સમજનારી સરકાર છે. ખેડૂતો માટે વીજળી વધારવાનો નિર્ણય હોય કે આપત્તિના સમયે મદદ કરવાની વાત હોય, સરકાર હંમેશા અગ્રેસર રહે છે. સરકારે કૃષિ ઓજારો પર કરોડોની સબસિડી આપી છે, સનેડોની સહાયમાં વધારો કર્યો છે, અને ખેતરની ફરતે વાડ બનાવવા માટે ફેન્સિંગ યોજનામાં પણ મોટા નિર્ણયો લીધા છે. દિવાળીના સમયે પણ સરકારે ઉદારતા દાખવી ખેડૂતોને 25 હજાર કરોડ રૂપિયા આપ્યા હતા. કોંઢ ગામના ખેડૂતોની સમસ્યા અંગે પણ સરકારે હકારાત્મક વલણ અપનાવ્યું છે, અને તેનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/gujarat-latest-news-gujarat-latest-news-live-and-samachar-20-june-2026-politics-weather-updates-daily-breaking-news-nation" target="_blank">Gujarat Latest News Live: ખેડૂતોના ખાતામાં આવ્યા પૈસા! PM મોદીએ પશ્ચિમ બંગાળથી રિલિઝ કર્યો પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/OvjfAMZRosa1BT4xbMxeZMRMa8eMnAkEBtmWT4ZG.webp'/></item><item><title><![CDATA[Bharat Forge Share: સરકારનો મળ્યો 425 કરોડનો ઓર્ડર અને...રોકાણકારો માલામાલ ]]></title><link>https://sandesh.com/business/news/bharat-forge-share-government-gets-order-of-rs-425-crore-andinvestors-are-rich</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/bharat-forge-share-government-gets-order-of-rs-425-crore-andinvestors-are-rich</guid><pubDate>Sat, 20 Jun 2026 12:57:07 +05:30</pubDate><description><![CDATA[<p>શેરબજારમાં સતત વધઘટ જોવા મળી રહી છે. ગત અઠવાડિયે તો શેરબજારમાં ઘટાડાનો દોર હતો. પરંતુ આ ઘટાડા વચ્ચે ઘણી કંપનીઓના શેરએ સારુ પ્રદર્શન કર્યુ હતું. જો કે આગામી દિવસોમાં પણ આવો ટ્રેન્ડ જોવા મળી શકે છે. ત્યારે આવો જાણીએ કઇ કંપનીઓના શેર માર્કેટમાં મંદીના માહોલમાં પણ ટોપ પર હતા.&nbsp;</p><h2><b>Bharat Forge નો શેર ટોચ પર&nbsp;</b></h2><p>જે કંપનીનો શેર ટોચ પર હતો તે છે Bharat Forge. જો કે આગામી દિવસોમાં પણ તેના શેર ટોપ પર રહે તેવી શક્યતા છે.&nbsp; સરકાર દ્વારા કંપનીને આપવામાં આવેલા ₹425 કરોડના નોંધપાત્ર ઓર્ડરને કારણે સંરક્ષણ ક્ષેત્રની અગ્રણી કંપની Bharat Forgeના શેર ફોકસમાં રહેવાની તૈયારીમાં છે.</p><h3><b>રોકાણકારો માટે મલ્ટીબેગર સ્ટોક બન્યો Bharat Forge</b></h3><p>Bharat Forge તેના રોકાણકારો માટે મલ્ટીબેગર સ્ટોક તરીકે ઉભરી આવ્યો છે. વળતરની દ્રષ્ટિએ તેણે લાંબા ગાળે રોકાણકારો માટે નોંધપાત્ર સંપત્તિ ઉત્પન્ન કરી છે.  9 એપ્રિલ, 2020 ના રોજ આ  શેરનો ભાવ ₹245 હતો. જે હવે 12 જૂન  શુક્રવારના રોજ  ₹2,036 પર બંધ થયો હતો. એટલે કહી શકાય કે રોકાણકારોને તો તગડી કમાણી કરાવી દીધી.  2020થી 2026 સુધીમાં રોકાણકારોએ  729% નું પ્રભાવશાળી વળતર મેળવ્યું .Bharat Forgeમાં જે  રોકાણ કર્યુ હતું તેના કરતા આઠ ગણાથી વધુનો વધારો થયો છે.</p><p><b style="font-size: 1.5rem;">રોકાણકારોને કેટલું આપ્યું વળતર ?&nbsp;</b></p><p>આ ડિફેન્સ  સ્ટોકનું બજાર મૂડીકરણ ₹97,340 કરોડ છે. તેનો 52 અઠવાડિયાનો ઉચ્ચતમ ભાવ ₹2,059.50 છે, જ્યારે 52 અઠવાડિયાનો નીચો ભાવ ₹1,100.50 છે. છેલ્લા છ મહિનામાં આ શેર નોંધપાત્ર રીતે સારો દેખાવ કરી રહ્યો છે. જે રોકાણકારોને 40% વળતર આપે છે.  છેલ્લા પાંચ વર્ષના વળતરની વાત કરીએ તો તે 180% છે.</p><p><br></p><h4><b>ભારત ફોર્જ કેમ ફોકસમાં છે?</b></h4><p>Bharat Forgeના શેર આગામી સપ્તાહે પણ ચર્ચામાં રહેવાની ધારણા છે. પીટીઆઈના અહેવાલ મુજબ કંપનીએ ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જાહેરાત કરી હતી કે તેણે ભારતીય નૌકાદળ માટે સંરક્ષણ મંત્રાલય પાસેથી એક મોટો કરાર મેળવ્યો છે.</p><p><b style="font-size: 1.5rem;">Bharat Forgeમેળવ્યો ડિફેન્સ સેક્ટર પાસેથી ઓર્ડર&nbsp;</b></p><p>મળતી માહિતી મુજબ આ ઓર્ડર ગેસ ટર્બાઇન જનરેટરના પુરવઠા માટે છે જે ફાઇલિંગ મુજબ ₹425 કરોડ મૂલ્યનો છે. Bharat Forgeને કરારને અમલમાં મૂકવા માટે પાંચ વર્ષનો સમયમર્યાદા આપવામાં આવી છે. આ કરાર હેઠળ, કંપની 1.25 મેગાવોટની ક્ષમતાવાળા ગેસ ટર્બાઇન જનરેટરનું ઉત્પાદન કરશે.&nbsp;</p><p>શુક્રવારે સંરક્ષણ મંત્રાલયે નવી દિલ્હીમાં પુણે સ્થિત Bharat Forge લિમિટેડ સાથે ભારતીય નૌકાદળ માટે બાર 1.25 મેગાવોટ મરીન ગેસ ટર્બાઇન જનરેટર સેટ ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા. આ દરમિયાન સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ હાજર રહ્યા હતા, આ જનરેટરમાં ઓછામાં ઓછી 60% 'મેડ ઇન ઇન્ડિયા' સામગ્રીનો ઉપયોગ કરવામાં આવશે.</p><p><br></p><p><a href="https://sandesh.com/gallery/news/india/why-are-potatoes-and-chickpeas-the-filling-in-panipuri?2" target="_blank">આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/8gAOmPtUhuQp6cQgCRCresDqJT7KUFfJ9t7F1ztY.webp'/></item></channel></rss>