<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Samantha Ruth Prabhu Visits Isha Foundation: પ્રેગનન્સીમાં સામંથા પહોંચી ઇશા ફાઉન્ડેશન, કરી ગૌસેવા ]]></title><link>https://sandesh.com/entertainment/news/samantha-ruth-prabhu-pregnancy-isha-foundation</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/samantha-ruth-prabhu-pregnancy-isha-foundation</guid><pubDate>Tue, 08 Sep 2026 19:17:52 +05:30</pubDate><description><![CDATA[<p>સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) અને રાજ નિદિમોરુ (Raj Nidimoru) ના ઘરે ટૂંક સમયમાં બાળકનું આગમન થવાનું છે. પ્રેગ્નન્સી દરમિયાન સામંથા પોતાનું ખૂબ ધ્યાન રાખી રહી છે. શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખી રહી છે. તાજેતરમાં તે ઈશા ફાઉન્ડેશન (Isha Foundation) પહોંચી હતી અને ત્યાં ગૌ સેવા કરી હતી.</p><h2><b>સામંથાની છેલ્લા 5 વર્ષની જર્ની કેવી રહી?</b></h2><p>સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu pregnancy) પોતાની તાજેતરની સોશિયલ મીડિયા પોસ્ટમાં પોતાના જીવનની છેલ્લા 5 વર્ષની જર્ની વિશે વાત કરતી જોવા મળી છે. આ સાથે તેણે એ વાત પર ભાર મૂક્યો છે કે એક સારો મેન્ટર તમારી જિંદગીમાં માર્ગદર્શક તરીકે કેટલી મહત્વની ભૂમિકા ભજવી શકે છે.</p><h2><b>શાંતિભરી પળો વિતાવતી જોવા મળી સામંથા</b></h2><p>સામંથા રૂથે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરી છે. તેમાં તેણે તસવીરોની એક સિરીઝ શેર કરી છે. કેટલીક તસવીરોમાં તે કુદરતી નજારાઓ વચ્ચે શાંતિભરી પળો વિતાવતી જોવા મળે છે. કેટલીક તસવીરોમાં તે ધ્યાન કરતી જોવા મળે છે, જ્યારે કેટલીક તસવીરોમાં તે ગૌ સેવા કરતી જોવા મળે છે. તસવીરોમાં સામંથાનો બેબી બમ્પ પણ જોવા મળી રહ્યો છે.</p><p><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/Dc8cDUOmpKo/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/Dc8cDUOmpKo/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a><br></p><h2><b>જિંદગી વિશે સામંથાએ કહી આ વાત</b></h2><p>સામંથાએ પોસ્ટ સાથે કેપ્શનમાં લખ્યું છે, “એવા લોકો અને જગ્યાઓ શોધો, જે તમને આગળ વધવામાં મદદ કરે. મને લાગે છે કે જિંદગીમાં એક સમય એવો આવે છે જ્યારે તમને લાગે છે કે તમે તમારી જાતને સારી રીતે ઓળખો છો. તમે તમારી જાતને કહો છો, ‘હું આવી જ છું. આ મારી ખૂબીઓ છે, આ મારી ખામીઓ છે. આ મારી રીત છે. કદાચ હું અહીં સુધી જ જઈ શકું છું.’ પરંતુ છેલ્લા 5 વર્ષોએ મને કંઈક અલગ જ શીખવ્યું છે.”</p><h2><b>‘પોતાને વધુ સારા બનાવતા રહો’</b></h2><p>અભિનેત્રીએ આગળ લખ્યું છે, “જ્યારે પણ હું અહીં આવું છું, ત્યારે કેટલીક નવી શક્યતાઓ સાથે પાછી ફરું છું. એવો અહેસાસ થાય છે કે હજુ ઘણું શીખવાનું છે, બદલવાનું છે અને પોતાની જાતને વધુ સારી બનાવવાની છે. સારો મેન્ટર આ જ કરે છે. તેઓ તમને એ નથી કહેતા કે તમારે શું બનવાનું છે. તેઓ તમને યાદ અપાવે છે કે પોતાની જાતને વધુ સારી બનાવવાની સફર ક્યારેય પૂરી થતી નથી. તેઓ તમારી ગાડીના ઈંધણ જેવા હોય છે. આવા લોકોને શોધો. આવી જગ્યાઓ શોધો. પોતાની જાતને વધુ સારી બનાવતા રહો. તમારી અંદર હંમેશા કંઈક નવું શોધવા જેવું હોય છે.”</p><p>ઈશા ફાઉન્ડેશનની સ્થાપના આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવે કરી છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/hBQXRzPbteo5O7kGpKpDBKkIqkiXA4bp7GpPTTfP.webp'/></item><item><title><![CDATA[Rajkotના રામનાથ મંદિરમાં ચોરીના ઇરાદે આવેલ શખ્સને દર્શનાર્થીઓએ ચખાડ્યો મેથીપાક! ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-ramnath-mahadev-temple-theft-attempt</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-ramnath-mahadev-temple-theft-attempt</guid><pubDate>Tue, 08 Sep 2026 19:09:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે રાજકોટના પ્રસિદ્ધ રામનાથ મહાદેવ મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટી રહી છે. આ ભીડનો ગેરલાભ ઉઠાવીને ગત રાત્રે એક શખ્સ ચોરી કરવાના ઇરાદે મંદિરના પટાંગણમાં ઘૂસી આવ્યો હતો. જોકે, તેની શંકાસ્પદ હિલચાલ અને ચોરી કરવાના પ્રયાસો દરમિયાન જ તે મંદિરમાં હાજર લોકોની નજરે ચડી ગયો હતો અને રંગેહાથ ઝડપાઈ ગયો હતો.</p><h2 style="text-align: justify; "><b>ચોર પકડાતા જ ભક્તોએ કાયદો હાથમાં લઈ મેથીપાક ચખાડ્યો&nbsp;</b></h2><p style="text-align: justify; ">પવિત્ર શ્રાવણ મહિનામાં મંદિરમાં ચોરી કરવાના ઇરાદે આવેલ આ શખ્સને ઝડપી પાડ્યા બાદ ત્યાં હાજર લોકો અને ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ પોલીસને જાણ કરવાને બદલે કાયદો પોતાના હાથમાં લઈને આ ચોરને બરાબરનો લમધાર્યો હતો. લોકોએ તેને પકડીને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે, જેના કારણે મંદિર પરિસરમાં થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી.</p><h3 style="text-align: justify; "><b>ચોરને માર મારતો સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો</b></h3><p style="text-align: justify; ">રામનાથ મંદિરના પટાંગણમાં ગત રાત્રે બનેલી આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ હવે સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે લોકો ચોરને પકડીને કેવી રીતે ગુસ્સો ઠાલવી રહ્યા છે અને માર મારી રહ્યા છે. શ્રાવણ માસમાં મંદિરોમાં મોટી સંખ્યામાં ભીડ રહેતી હોવાથી શ્રદ્ધાળુઓએ પોતાના કિંમતી સામાન અંગે વધુ સાવચેત રહેવાની જરૂર છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/Du0cGt2XUqpF9nbm8nhn2T37Tb293CocXI5Gccsp.webp'/></item><item><title><![CDATA[Anand: ડૉ. મનુભાઈ પટેલ આણંદ કૃષિ યુનિવર્સિટીના નવા વાઇસ ચાન્સેલર તરીકે નીમાયા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/anand/manubhai-prahladbhai-patel-appointed-anand-agricultural-university-vc</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/anand/manubhai-prahladbhai-patel-appointed-anand-agricultural-university-vc</guid><pubDate>Tue, 08 Sep 2026 18:59:42 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતની અગ્રણી કૃષિ શિક્ષણ સંસ્થા આણંદ કૃષિ યુનિવર્સિટી (AAU) ખાતે નવા વાઇસ ચાન્સેલરની નિયુક્તિ અંગેનો મહત્વનો આદેશ જાહેર થયો છે. રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા ડૉ. મનુભાઈ પ્રહલાદભાઈ પટેલને આણંદ કૃષિ યુનિવર્સિટીના નવા વાઇસ ચાન્સેલર (VC) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.</p><h2><b>આણંદ કૃષિ યુનિવર્સિટીના નવા VCની થઈ જાહેરાત</b></h2><p>આ અંગે કૃષિ વિભાગ દ્વારા વિધિવત નિયુક્તિ પત્ર જારી કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીના વડા તરીકે તેમની પદસંભાળથી કૃષિ શિક્ષણ અને સંશોધનની પ્રવૃત્તિઓમાં વધુ ગતિ આવશે. આણંદ કૃષિ યુનિવર્સિટી મધ્ય ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં કૃષિ વિજ્ઞાન, જમીન સુધારણા, નવીન બિયારણો અને કૃષિ તકનીકીના વિકાસ માટે અગ્રણી ભૂમિકા ભજવે છે. ડૉ. મનુભાઈ પટેલના નેતૃત્વ હેઠળ યુનિવર્સિટીના વિવિધ સંશોધન કેન્દ્રો અને કોલેજોની શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો થશે તેમજ ખેડૂતો સુધી નવીન ટેકનોલોજી પહોંચાડવાના કાર્યોને વધુ બળ મળશે.</p><h3><b>કૃષિ વિભાગે વિધિવત આદેશ પત્ર ઇશ્યૂ કર્યો.</b></h3><p>આ નિયુક્તિ બદલ શૈક્ષણિક જગત, કૃષિ વૈજ્ઞાનિકો અને સંસ્થાના સ્ટાફ દ્વારા નવા વાઇસ ચાન્સેલરને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. મનુભાઈ પ્રહલાદભાઈ પટેલને આણંદ કૃષિ યુનિવર્સિટીની કમાન સોંપાઈ.કૃષિ વિભાગે વિધિવત આદેશ પત્ર ઇશ્યૂ કર્યો.કૃષિ સંશોધન, ખેડૂત ઉપયોગી તકનીકો અને શૈક્ષણિક સુધારા પર રહેશે ભાર.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mahisagar/santrampur-mahisagar-father-kills-3-month-son-well-zaldada" target="_blank">આ પણ વાંચો: Mahisagar: કૌટુંબિક ઝઘડામાં પિતા બન્યો હેવાન, ગુસ્સામાં આવી 3 માસના માસૂમ પુત્રને કૂવામાં ફેંકી મોતને ઘાટ ઉતાર્યો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/mAV5Jy0lQaiJJTIS2aOp5VxcenreyAYQAyQemS3B.webp'/></item><item><title><![CDATA[Drug Abuse Risk In Children: દેશના કિશોરોમાં વધ્યું નશાનું જોખમ, શાળાઓ પાસે જ મળી રહે છે જથ્થો ]]></title><link>https://sandesh.com/india/news/lifestyle/icmr-study-guwahati-teens-highest-drug-abuse-risk</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/lifestyle/icmr-study-guwahati-teens-highest-drug-abuse-risk</guid><pubDate>Tue, 08 Sep 2026 18:38:08 +05:30</pubDate><description><![CDATA[<p>આપણા દેશમાં સ્કૂલમાં ભણવાની ઉંમરના બાળકો અને કિશોરોમાં નશા સાથે જોડાયેલું જોખમ ચિંતાનો વિષય બની રહ્યું છે. ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (ICMR)ના સહયોગથી થયેલા એક સંશોધનમાં દેશના અલગ-અલગ વિસ્તારોના કિશોરોમાં નશાના જોખમને લઈને મોટો પ્રાદેશિક તફાવત જોવા મળ્યો છે. 6 સ્થળોની 108 સ્કૂલમાં ભણતા 6,168 કિશોરો પર થયેલા રિસર્ચમાં ગુવાહાટીની સ્કૂલોમાં સ્થિતિ સૌથી ગંભીર જોવા મળી. અહીં 42.3 ટકા કિશોરો મધ્યમ અથવા તેનાથી વધુ નશાના જોખમની કેટેગરીમાં જોવા મળ્યા.</p><h2><b>ગુવાહાટીમાં સૌથી વધુ કિશોરો નશાના જોખમમાં</b></h2><p>રિસર્ચમાં સામેલ 6 સ્થળોમાં ગુવાહાટીની સ્કૂલોમાં મધ્યમથી વધુ નશાના જોખમની કેટેગરીમાં આવતા કિશોરોનું પ્રમાણ સૌથી વધુ રહ્યું. અહીં 42.3 ટકા કિશોરો આ કેટેગરીમાં જોવા મળ્યા. ત્યારબાદ દેવઘરમાં 41.3 ટકા કિશોરો આ કેટેગરીમાં હતા. ગોરખપુરમાં આ આંકડો 24.5 ટકા, રાજકોટમાં 13.5 ટકા અને નાગપુરમાં 17.1 ટકા રહ્યો. પુડુચેરીમાં આ પ્રમાણ સૌથી ઓછું 0.1 ટકા નોંધાયું.</p><h2><b>રાજકોટના 919 કિશોરો પર રિસર્ચ</b></h2><p>આ રિસર્ચ 18થી 19 વર્ષની ઉંમરના કિશોરો પર કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના કિશોરો પણ સામેલ હતા. રિસર્ચર્સે ઓક્ટોબર 2025થી જાન્યુઆરી 2026 દરમિયાન અલગ-અલગ સ્થળોની સરકારી અને ખાનગી સ્કૂલોમાંથી ડેટા મેળવ્યો હતો. દેશની કુલ 108 સ્કૂલના 6,168 કિશોરોને રિસર્ચમાં સામેલ કરવામાં આવ્યા હતા.</p><p>ગોરખપુરના 1,223, ગુવાહાટીના 890, નાગપુરના 1,082, રાજકોટના 919, દેવઘરના 1,066 અને પુડુચેરીના 988 કિશોરો સામેલ હતા. આ રિસર્ચ ગોરખપુર, ગુવાહાટી, નાગપુર, રાજકોટ અને દેવઘર સ્થિત AIIMS તેમજ પુડુચેરીના JIPMERના રિસર્ચર્સે કરી હતી.</p><h2><b>નશીલા પદાર્થો સરળતાથી મળવા એ સૌથી મોટું જોખમ</b></h2><p>આ રિસર્ચ મુજબ કિશોરોની આસપાસ નશીલા પદાર્થોની ઉપલબ્ધતા નશાના જોખમ સાથે જોડાયેલું સૌથી મહત્વનું અને બદલી શકાય તેવું કારણ છે. જે કિશોરોને લાગ્યું કે તેમની આસપાસ નશીલા પદાર્થો સરળતાથી મળી શકે છે, તેમના મધ્યમ અથવા વધુ જોખમની કેટેગરીમાં આવવાની શક્યતા વધારે હતી.</p><p>રિસર્ચર્સે ડિજિટલ માધ્યમના વધતા ઉપયોગને પણ મહત્વનું કારણ ગણાવ્યું છે. મોબાઇલ, ઇન્ટરનેટ અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મના વધુ સંપર્કમાં રહેતા કિશોરોમાં નશા સાથે જોડાયેલા જોખમની શક્યતા વધારે જોવા મળી.</p><h2><b>છોકરાઓ કરતાં છોકરીઓમાં જોખમ વધુ</b></h2><p>આ રિસર્ચમાં લિંગના આધારે પણ તફાવત જોવા મળ્યો છે. રિસર્ચના વિશ્લેષણ મુજબ, છોકરાઓની સરખામણીએ છોકરીઓમાં નશાનું જોખમ વધવાની શક્યતા વધુ જોવા મળી છે.</p><p>ગુવાહાટીના આંકડામાં કેટલીક બીજી ખાસ બાબતો પણ સામે આવી છે. અહીં રિસર્ચમાં સામેલ 82.3 ટકા વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલના હતા, જ્યારે 17.8 ટકા ખાનગી સ્કૂલના હતા.</p><p>રિસર્ચમાં સામેલ સ્થળોમાં ગુવાહાટીમાં મહિલા વિદ્યાર્થીઓનું પ્રમાણ સૌથી વધુ 59.2 ટકા હતું. ગુવાહાટીના કિશોરોમાં અન્ય 5 સ્થળોની સરખામણીએ એન્ઝાયટી સેન્સિટિવિટી સૌથી વધુ જોવા મળી હતી અને ઇમ્પલ્સિવિટી સ્કોર પણ સૌથી વધુ હતો. જ્યારે હોપલેસનેસ સ્કોર બીજા ક્રમે અને સેન્સેશન સીકિંગ સ્કોર પણ બીજા સૌથી ઊંચા સ્તરે રહ્યો.</p><h2><b>માત્ર જાગૃતિ અભિયાન પૂરતું નથી</b></h2><p>રિસર્ચમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ જેવા રાષ્ટ્રીય સ્તરના પ્રયાસોથી જાગૃતિ વધી છે. પરંતુ અલગ-અલગ વિસ્તારોમાં જોવા મળતી પરિસ્થિતિનો સામનો કરવા માટે એકસરખી રણનીતિ પૂરતી ન હોઈ શકે.</p><p>રિસર્ચર્સે સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પગલાં લેવાની જરૂરિયાત જણાવી છે. તેમાં સ્કૂલની આસપાસ નશીલા પદાર્થોની ઉપલબ્ધતા પર નિયંત્રણ રાખવું અને ડિજિટલ તથા મીડિયા સાક્ષરતા સાથે જોડાયેલા કાર્યક્રમો ચલાવવાનો સમાવેશ થાય છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/XuEbWCg3EZBAjDhH9bLnNmvufwYDLx9KBriW8rEb.webp'/></item><item><title><![CDATA[BRICS Summit 2026: Su-30MKI માટે 300 km રેન્જ ધરાવતી રશિયન RVV-BD મિસાઈલ ડીલ પર નજર ]]></title><link>https://sandesh.com/india/news/brics-summit-2026-russian-rvv-bd-missile-deal-with-300-km-range-for-su-30mki-under-consideration</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/brics-summit-2026-russian-rvv-bd-missile-deal-with-300-km-range-for-su-30mki-under-consideration</guid><pubDate>Tue, 08 Sep 2026 18:34:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ભારતીય વાયુસેનાના Su-30MKI ફાઇટર જેટને રશિયન RVV-BD લાંબા અંતરની એર-ટુ-એર મિસાઇલથી સજ્જ કરવાનો પ્રસ્તાવ મહત્વપૂર્ણ છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">દિલ્હીમાં મોદી-પુતિનની મુલાકાત</h2><p style="text-align: justify; ">આ વર્ષે દિલ્હીમાં BRICS સમિટ યોજાઈ રહી છે. આ સમિટ ભારત અને રશિયા બંને માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે. 11 સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં યોજાનારી પીએમ મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની દ્વિપક્ષીય બેઠક દરમિયાન સંરક્ષણ સહયોગ એક મુખ્ય મુદ્દો બનવાની અપેક્ષા છે. Su-30MKI માટે RVV-BD દરખાસ્ત ભારત-રશિયા સંરક્ષણ સહયોગ માટે એક મુખ્ય એજન્ડા બની શકે છે. બંને દેશોના ટોચના નેતાઓ અને અધિકારીઓ વચ્ચે ચર્ચા શક્ય છે.&nbsp;</p><h3 style="text-align: justify; ">AWACS-Tanker વિમાનને નિશાન બનાવી શકે</h3><p style="text-align: justify; ">RVV-BDને રશિયાની R-37M મિસાઇલનું નિકાસ સંસ્કરણ માનવામાં આવે છે. તેની રેન્જ આશરે 300 કિલોમીટર હોવાનું જણાવાયું છે, અને તેની મહત્તમ ગતિ મેક 6 ની આસપાસ હોવાનો દાવો કરવામાં આવે છે. આવા લાંબા અંતરના મિસાઇલની સૌથી નોંધપાત્ર વિશેષતા એ છે કે તે ફક્ત પરંપરાગત દુશ્મન ફાઇટર એરક્રાફ્ટને જ નહીં પરંતુ AWACS, AEW&amp;C, હવાથી હવામાં રિફ્યુઅલિંગ ટેન્કર અને સર્વેલન્સ એરક્રાફ્ટ જેવા ઉચ્ચ-મૂલ્યના વિમાનોને પણ નિશાન બનાવવાની મંજૂરી આપે છે.</p><h4 style="text-align: justify; ">Su-30MKI વધુ ખતરનાક બનશે</h4><p style="text-align: justify; ">260થી વધુ વિમાનો સાથે, Su-30MKI ભારતીય વાયુસેનાના ફાઇટર કાફલાની કરોડરજ્જુ બનાવે છે. ભારત આ વિમાનોને નવા રડાર, એવિઓનિક્સ અને સેન્સર સાથે અપગ્રેડ કરવા માટે પણ કામ કરી રહ્યું છે. RVV-BD ના સમાવેશથી અપગ્રેડેડ Su-30MKI ની દૂરથી દુશ્મન વિમાનને શોધવા અને લક્ષ્ય બનાવવાની ક્ષમતાનો વધુ સારી રીતે ઉપયોગ થશે. જ્યારે ભારત રશિયા પાસેથી લાંબા અંતરની મિસાઇલો મેળવવાની શક્યતા પર વિચાર કરી રહ્યું છે, ત્યારે સ્વદેશી વિકલ્પો પર પણ કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. DRDO ની એસ્ટ્રા મિસાઇલ શ્રેણી સતત વિકસિત થઈ રહી છે, અને ભવિષ્યમાં, લાંબા અંતરના હવાથી હવામાં પ્રહાર કરનારા શસ્ત્રો ભારતની જરૂરિયાતોને પૂર્ણ કરી શકે છે.</p><h5 style="text-align: justify; ">શું BRICS પછી આ સોદો આગળ વધશે ?</h5><p style="text-align: justify; ">શું Su-30MKI માટે RVV-BD સોદો BRICS સમિટ દરમિયાન મોદી-પુતિન બેઠક પછી આગળ વધશે? જો ભારત આ દરખાસ્તને મંજૂરી આપે છે અને કિંમત, તકનીકી એકીકરણ અને પુરવઠા સંબંધિત મુદ્દાઓ પર રશિયા સાથે કરાર કરે છે, તો Su-30MKI ને લાંબા અંતરની હવાથી હવામાં પ્રહાર કરનારા મિસાઇલોથી સજ્જ કરવા તરફ એક મોટું પગલું લઈ શકાય છે. આનો અર્થ એ છે કે BRICS સમિટ ભારત-રશિયા સંબંધો માટે રાજદ્વારી પ્લેટફોર્મ તરીકે સેવા આપી શકે છે, તેમજ સંરક્ષણ સહયોગને આગળ વધારવા માટે એક મહત્વપૂર્ણ તક તરીકે સેવા આપી શકે છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/india/news/brics-summit-2026-strict-action-will-be-taken-against-those-who-flee-abroad-after-looting-the-countrys-rupees-new-law-will-be-made-to-bring-back-financial-criminals" target="_blank">દેશનો રૂપિયો લૂંટીને વિદેશ ભાગી જનારાઓ પર કસાશે શિકંજો, નાણાકીય ગુનેગારોને પરત લાવવા બનશે નવો કાયદો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/NVn6k4NMTll9rrMpUBUCG1fr2dvOEQUX4HF9GKsu.webp'/></item><item><title><![CDATA[6G માટે ભારતનું મોટું પગલું, અમેરિકા સહિત 25 દેશો સાથે હાથ મિલાવ્યો ]]></title><link>https://sandesh.com/tech/news/business/india-joins-us-led-global-6g-alliance-6g-technology-ai-semiconductor</link><guid isPermaLink="true">https://sandesh.com/tech/news/business/india-joins-us-led-global-6g-alliance-6g-technology-ai-semiconductor</guid><pubDate>Tue, 08 Sep 2026 18:29:49 +05:30</pubDate><description><![CDATA[<p>5Gની સફળતા બાદ હવે ભારતે 6G તરફ એક અત્યંત મજબૂત પગલું ભરી દીધું છે. દુનિયાભરમાં હજુ 5G સેવાઓનું વિસ્તરણ થઈ રહ્યું છે, પરંતુ ભારત સરકારે અત્યારથી જ 6Gનો પાયો નાખી દીધો છે. ડિજિટલ દુનિયામાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે દેશે અમેરિકાના નેતૃત્વવાળા એક મોટા ગ્લોબલ એલાયન્સમાં સામેલ થવાનો નિર્ણય લીધો છે. આ એક એવું પગલું છે જે આવનારા કેટલાક વર્ષોમાં દેશના ટેક્નોલોજી સેક્ટરનું સમગ્ર ચિત્ર બદલી શકે છે. 6G નેટવર્ક માત્ર ઈન્ટરનેટની સ્પીડ જ નહીં વધારે, પરંતુ AIથી લઈને રોબોટિક્સ સુધી દરેક સેક્ટરમાં નવી તાકાત લાવશે.</p><p><b>6G નેટવર્ક માટે મોટું ગ્લોબલ ગઠબંધન</b></p><p>ભવિષ્યની સંચાર ક્રાંતિને દિશા આપવા માટે અમેરિકાએ એક વૈશ્વિક પહેલ શરૂ કરી છે. અમેરિકન વાણિજ્ય વિભાગ અનુસાર, ભારત હવે 6G ટેક્નોલોજી વિકસાવતા અન્ય 24 દેશોના મજબૂત સમૂહનો ભાગ બની ગયું છે. આ મહત્વપૂર્ણ કરાર તાજેતરમાં અમેરિકાના નોર્થ કેરોલિનામાં આવેલા ચેપલ હિલ ખાતે યોજાયેલી G20 ઇનોવેશન મંત્રી સ્તરીય બેઠક દરમિયાન થયો.</p><p><b>ભારત-અમેરિકા વચ્ચે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય ચર્ચા</b></p><p>આ ખાસ બેઠકમાં ભારત તરફથી કેન્દ્રીય વાણિજ્ય રાજ્ય મંત્રી જિતિન પ્રસાદ અને અમેરિકાના વાણિજ્ય સચિવ હાવર્ડ લૂટનિક વચ્ચે લાંબી દ્વિપક્ષીય વાતચીત થઈ. આ વાતચીત બાદ ભારતના આ ગઠબંધનમાં સત્તાવાર રીતે જોડાવા અંગે અંતિમ મહોર લાગી.</p><p><b>ઇનોવેશન બેઠકમાં ભારતની મજબૂત હાજરી</b></p><p>G20 ઇનોવેશન બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ રાજ્ય મંત્રી જિતિન પ્રસાદે કર્યું. તેમની સાથે ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય (MeitY), વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ (DST) સહિત અનેક મહત્વપૂર્ણ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. અમેરિકન વાણિજ્ય વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપી હતી કે આ પહેલનો મુખ્ય હેતુ સહિયારા સુરક્ષા હિતોને સુનિશ્ચિત કરવાનો છે</p><p><b>6Gમાં ઇનોવેશનને મળશે પ્રોત્સાહન</b></p><p>આ સાથે આ સમૂહ 6Gના ક્ષેત્રમાં ઇનોવેશનને પ્રોત્સાહન આપવાનું કામ કરશે. સંમેલનના અંતે તમામ દેશોના મંત્રીઓએ એક સંયુક્ત નિવેદન પણ જાહેર કર્યું. તેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કે ઉભરતી નવી ટેક્નોલોજીઓ દુનિયાભરના લોકો માટે પ્રગતિના નવા દરવાજા ખોલી શકે છે.</p><p><b>સેમિકન્ડક્ટર રોકાણ અંગે અમેરિકન સચિવ સાથે ચર્ચા</b></p><p>વાણિજ્ય રાજ્ય મંત્રી જિતિન પ્રસાદે અમેરિકન સચિવ હાવર્ડ લૂટનિક સાથે માત્ર 6G અંગે જ ચર્ચા કરી નહોતી, પરંતુ અન્ય અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ઊંડી ચર્ચા કરી હતી. બંને નેતાઓ વચ્ચે સેમિકન્ડક્ટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સાથે જોડાયેલા ડેટા સેન્ટર્સ અંગે પણ મહત્વપૂર્ણ વિચારોનું આદાન-પ્રદાન થયું.</p><p><b>ISM 2.0માં વધુ રોકાણ પર ભાર</b></p><p>બેઠક દરમિયાન રાજ્ય મંત્રીએ અમેરિકા દ્વારા India Semiconductor Mission (ISM 2.0)**માં વધુ રોકાણ કરવાની સંભાવનાઓ પર ભાર મૂક્યો. આ ઉપરાંત AI ટેક્નોલોજી ભાગીદારીને મજબૂત બનાવવા અંગે પણ વિગતવાર ચર્ચા થઈ. જિતિન પ્રસાદે X પર પોસ્ટ કરીને જણાવ્યું કે આ તમામ સેક્ટર ઉભરતી ડિજિટલ અર્થવ્યવસ્થાના મૂળભૂત આધાર છે. તેમણે પોતાની પોસ્ટમાં અમેરિકાની G20 અધ્યક્ષતા અને ઉષ્માભર્યા આતિથ્ય માટે વિશેષ આભાર પણ વ્યક્ત કર્યો.</p><p><b>ભારતના ટેક ભવિષ્યની નવી રૂપરેખા</b></p><p>અમેરિકા પ્રવાસ દરમિયાન થયેલી આ મહત્વપૂર્ણ મુલાકાતોએ વૈશ્વિક ટેક્નોલોજી એજન્ડા નક્કી કરવામાં ભારતની વધતી ભૂમિકાને સ્પષ્ટ કરી છે. આ ભાગીદારી દર્શાવે છે કે ભારત હવે AI, સેમિકન્ડક્ટર, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (DPI) સહિત અનેક આધુનિક ટેક્નોલોજીનો લાભ લેવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ ટેક્નોલોજીના માધ્યમથી દેશમાં આર્થિક વિકાસને ગતિ મળશે અને નાગરિકોના જીવનધોરણમાં સુધારો લાવવા માટે ઇનોવેશનના નવા રસ્તા ખુલશે.</p><p><b>વૈશ્વિક ટેક મંચ પર ભારતનો વધતો પ્રભાવ</b></p><p>અમેરિકન વાણિજ્ય વિભાગ ઉપરાંત વ્હાઇટ હાઉસ ઓફિસ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી પોલિસી (OSTP)એ આ G20 સમિટની યજમાની કરી હતી. આટલા મોટા મંચ પર ભારતની હાજરી એ સાબિત કરે છે કે વૈશ્વિક સ્તરે દેશનો પ્રભાવ સતત વધી રહ્યો છે. 6G ટેક્નોલોજીથી ઈન્ટરનેટની સ્પીડ હાલના 5G કરતાં અનેક ગણી વધારે થઈ શકે છે. ટેક્નોલોજીકલ વિકાસની સાથે સાયબર સુરક્ષાના મામલામાં પણ આ સંયુક્ત મંચ એક મોટી ઢાલ તરીકે કામ કરી શકે છે.</p><p><b><a href="https://sandesh.com/tech/news/jio-3599-annual-plan-120gb-bonus-data-jiotv-pro-google-ai-pro-offer" target="_blank">આ પણ વાંચો: Jio યુઝર્સ માટે મોટી ઓફર, 120GB બોનસ ડેટા સાથે મળશે અનેક ફાયદા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/YmLYCZngBzhjwzaRQNxVVcxbq35qACG00cieiZy7.webp'/></item><item><title><![CDATA[Mahisagar: કૌટુંબિક ઝઘડામાં પિતા બન્યો હેવાન, ગુસ્સામાં આવી 3 માસના માસૂમ પુત્રને કૂવામાં ફેંકી મોતને ઘાટ ઉતાર્યો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mahisagar/santrampur-mahisagar-father-kills-3-month-son-well-zaldada</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mahisagar/santrampur-mahisagar-father-kills-3-month-son-well-zaldada</guid><pubDate>Tue, 08 Sep 2026 17:49:36 +05:30</pubDate><description><![CDATA[<p>સંતરામપુર તાલુકામાં માનવતા શરમાવે તેવી અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. સંતરામપુરના ઝાલદડા ગામે રહેતા આશિષભાઈ ભુરીયા અને તેમની પત્ની વચ્ચે કોઈ કૌટુંબિક બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો. આ ઝઘડા દરમિયાન આવેશ અને ગુસ્સામાં ભાન ભૂલેલા પિતા આશિષ ભુરીયાએ પોતાના જ માત્ર 3 માસના અબોલ અને માસૂમ દીકરાને ઘર નજીક આવેલા કૂવાના પાણીમાં ફેંકી દીધો હતો.</p><h2><b>સંતરામપુરના ઝાલદડામાં પિતા બન્યો હેવાન</b></h2><p>પાણીમાં ડૂબી જવાથી આ ત્રણ માસના નિર્દોષ બાળકનું કરૂણ મોત નીપજ્યું હતું. મા-બાપની તકરારમાં એક અબોલ બાળકે જીવ ગુમાવતાં સમગ્ર ઝાલદડા ગામમાં શોક અને ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.પોતાના કાળજાના ટુકડા જેવા માસૂમ દીકરાની પિતા દ્વારા જ હત્યા કરાતાં ભાંગી પડેલી માતાએ હિંમત દાખવીને ન્યાયની ગુહાર લગાવી છે. પત્નીએ પોતાના જ પતિ આશિષ ભુરીયા વિરુદ્ધ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં હત્યાની વિધિવત ફરિયાદ નોંધાવી છે.</p><h3><b>પિતાએ 3 માસના ફૂલ જેવા માસૂમને કૂવામાં ફેંકી દીધો</b></h3><p>પોતાના બાળકના હત્યારા પતિને જેલના સળિયા પાછળ ધકેલવા માતાએ લીધેલા કડક વલણ બાદ સંતરામપુર પોલીસે આશિષ ભુરીયા સામે ગુનો નોંધી તેની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે બાળકના મృతદેહને પીએમ અર્થે ખસેડીને આ મામલે આગળની કાયદાકીય તપાસ શરૂ કરી છે.પતિ-પત્નીના ઝઘડામાં ગુસ્સો નિર્દોષ બાળક પર ઉતારી કૂવામાં ફેંકી દીધો. પત્નીએ જ પતિ આશિષ ભુરીયા સામે સંતરામપુર પોલીસમાં ફરિયાદ દાખલ કરી. સંતરામપુર પોલીસે ગુનો નોંધી આરોપી પિતા સામે કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરી.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/rajkot/jamkandorana-kana-vadala-petrol-tanker-fire-rajkot-highway" target="_blank">આ પણ વાંચો: Rajkot: ટ્રોલ ભરેલા ટેન્કરમાં અચાનક ભભૂકી આગ, 3 તાલુકાની ફાયર ટીમોએ મોટો બ્લાસ્ટ ટાળ્યો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/W4Z1Tn1t7H1zdbLakCUsXxTsRN6xjoOPGMqTrslF.webp'/></item><item><title><![CDATA[Suratના ભાઠેનામાં ભયાનક અકસ્માત સર્જનાર ડંપર ચાલકની પોલીસે કરી ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-bhathena-dumper-accident-driver-arrest</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-bhathena-dumper-accident-driver-arrest</guid><pubDate>Tue, 08 Sep 2026 17:46:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતના ભાઠેના વિસ્તારમાં સર્જાયેલા ભયાનક ડંપર અકસ્માત મામલે સલાબતપુરા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પૂરપાટ ઝડપે આવી રહેલા ડંપરે બાઈક પર સવાર બે યુવાનોને જોરદાર અડફેટે લીધા હતા. આ ગોઝારા અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘવાયેલો હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>સ્પીડમાં હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો</b></h2><p style="text-align: justify; ">અકસ્માતની ઘટના બાદ સલાબતપુરા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ડંપર ચાલક પ્રમોદ યાદવની ધરપકડ કરી લીધી છે તેમજ અકસ્માત સર્જનાર ડંપરને પણ કબજે કર્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે ડંપર ચાલક અત્યંત સ્પીડમાં વાહન ચલાવી રહ્યો હતો. જોકે, ડંપર ચાલક પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવાનું સામે આવ્યું છે, પરંતુ તે સમયે તે નશાની હાલતમાં હતો કે કેમ તે દિશામાં પોલીસે તપાસ ચાલુ કરી છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી અને તપાસ તેજ&nbsp;</b></h3><p style="text-align: justify; ">અકસ્માત સર્જીને એક માસૂમનો જીવ લેનાર ડંપર ચાલક સામે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચાલકના બ્લડ સેમ્પલ લઈને તે નશામાં હતો કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. ભરચક વિસ્તારમાં પૂરપાટ ઝડપે વાહનો હંકારતા ચાલકો સામે કડક પગલાં ભરવા સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે.&nbsp;</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/pvtr6AHtFndGIAmc0SXIaQnQ4b8PhsdLHbPvSJCU.webp'/></item><item><title><![CDATA[Rajkot: ટ્રોલ ભરેલા ટેન્કરમાં અચાનક ભભૂકી આગ, 3 તાલુકાની ફાયર ટીમોએ મોટો બ્લાસ્ટ ટાળ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/rajkot/jamkandorana-kana-vadala-petrol-tanker-fire-rajkot-highway</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/rajkot/jamkandorana-kana-vadala-petrol-tanker-fire-rajkot-highway</guid><pubDate>Tue, 08 Sep 2026 17:21:15 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના કાના વડાળા ગામ નજીક હાઇવે પર એક અત્યંત ગંભીર અકસ્માત સર્જાયો હતો. જામનગરથી આશરે ૨૫,૦૦૦ લીટર જેટલો પેટ્રોલનો જથ્થો ભરીને ગોંડલ તરફ જઈ રહેલા એક ટેન્કરમાં અગમ્ય કારણોસર અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. ઇંધણ ભરેલા ટેન્કરમાં આગ લાગતાં જ ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા આકાશમાં ઊંચે સુધી દેખાવા લાગ્યા હતા, જેના કારણે માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિકોમાં ભારે દહેશત તથા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.</p><h2><b>પેટ્રોલ ભરેલા ટેન્કરમાં અચાનક ભભૂકી આગ</b></h2><p>આગ લાગતાં જ ટેન્કરના ચાલકે પ્રાથમિક તબક્કે સમયસૂચકતા દાખવી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો અને તુરંત જ જામકંડોરણા પોલીસ તથા મામલતદાર કચેરીને જાણ કરી હતી.ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી જામકંડોરણા મામલતદાર, સ્થાનિક પોલીસ કાફલો તેમજ કાલાવડ, જામકંડોરણા અને જેતપુર ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ટેન્કર બ્લાસ્ટ થવાની શક્યતાને પગલે પોલીસે ત્વરિત કડક પગલાં ભરીને મુખ્ય માર્ગનો આશરે ૧ કિલોમીટર સુધીનો વિસ્તાર બંને બાજુથી વાહનવ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરી દીધો હતો.</p><h3><b>3 તાલુકાની ફાયર ટીમોએ મોટો બ્લાસ્ટ ટાળ્યો</b></h3><p>ફાયર ફાઇટરોએ સતત પાણી અને ફોમનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને ટેન્કરના મુખ્ય ટેન્ક સુધી વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં અટકાવી હતી. કલાકોની કામગીરી બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવાતાં એક મોટો વિનાશક વિસ્ફોટ ટળ્યો હતો. આગ સંપૂર્ણ કાબૂમાં આવ્યા બાદ તંત્ર દ્વારા માર્ગ પરથી વાહનવ્યવહાર પુનઃ પૂર્વવત્ શરૂ કરવામાં આવ્યો હતો.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dholka/dholka-apmc-market-yard-election-2026-kisan-vikas-khedut-sahkar-panel" target="_blank">આ પણ વાંચો: Dholka: APMC માર્કેટ યાર્ડની ચૂંટણીમાં રાજકીય ગરમાવો; કિસાન વિકાસ અને ખેડૂત સહકાર પેનલ વચ્ચે રસાકસી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/Pj6WM20WQ2L1NzN6cJcMNWUh1z6645uEo7Q4hbUA.webp'/></item><item><title><![CDATA[Malaysia : 72 વર્ષના ફૂટબોલ દિગ્ગજે 20 વર્ષની યુવતી સાથે કર્યા લગ્ન, તસવીરો વાયરલ થતાં પરિવારે કરી પુષ્ટિ ]]></title><link>https://sandesh.com/world/news/sports/malaysia-football-legend-abdul-alif-marriage-72-year-old-20-year-old-wife</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/sports/malaysia-football-legend-abdul-alif-marriage-72-year-old-20-year-old-wife</guid><pubDate>Mon, 07 Sep 2026 23:00:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મલેશિયન ફૂટબોલના દિગ્ગજ અને પૂર્વ હરિમાઉ મલાયા સ્ટાર દાતુક અબ્દુલ અલિફે 72 વર્ષની ઉંમરે પોતાના જીવનનો નવો અધ્યાય શરૂ કર્યો છે. સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો વાયરલ થયા બાદ તેમના પરિવારે લગ્નની સત્તાવાર પુષ્ટિ કરી છે. અહેવાલ મુજબ 27 ઓગસ્ટે યોજાયેલા ખાનગી સમારંભમાં અબ્દુલ અલિફે પોતાની જીવનસંગિની સાથે નિકાહ કર્યા હતા. તેમની પત્નીની ઉંમર 20 વર્ષ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>લગ્નની ખબર કોણે કરી કન્ફર્મ?</b></h2><p style="text-align: justify; ">અબ્દુલ અલિફના નાના ભાઈ અને પૂર્વ ખેલાડી તથા કોચ દાતુક યુનુસ અલિફે લગ્નની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે 27 ઓગસ્ટે બંનેના લગ્ન થયા હતા અને બંને પરિવારોની સંમતિ તથા આશીર્વાદ સાથે આ સંબંધ બંધાયો છે. પરિવાર દ્વારા નવદંપતીના સુખી દાંપત્ય જીવન માટે શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>ફોન નહીં ઉઠાવતા ભાઈએ શું કહ્યું?</b></h3><p style="text-align: justify; ">લગ્ન બાદ અબ્દુલ અલિફ મીડિયા સંપર્કમાં ન આવતા તેમના ભાઈ યુનુસ અલિફે જણાવ્યું હતું કે તેઓ સંભવતઃ હનીમૂન પર હોવાથી ફોનનો જવાબ આપી શકતા નથી.જોકે પરિવારે સ્પષ્ટ કર્યું છે કે બંનેના નિકાહ થઈ ચૂક્યા છે અને પરિવાર તરફથી બંનેને શુભકામનાઓ આપવામાં આવી છે.</p><h4 style="text-align: justify; "><b>મલેશિયન ફૂટબોલના દિગ્ગજ રહ્યા છે અબ્દુલ અલિફ</b></h4><p style="text-align: justify; ">અબ્દુલ અલિફ મલેશિયન ફૂટબોલ ઇતિહાસના જાણીતાં ખેલાડીઓમાં સામેલ રહ્યા છે. 1970ના અંતિમ વર્ષો અને 1980ના શરૂઆતના સમયમાં મલેશિયન ફૂટબોલના સફળ સમયગાળામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.તેઓ તે મલેશિયન ટીમના સભ્ય હતા જેણે ક્વોલિફાઇંગ મેચમાં દક્ષિણ કોરિયાને 2-1થી હરાવી 1980ના મોસ્કો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું.</p><h4 style="text-align: justify; "><b>ઓલિમ્પિક રમવાનું સપનું કેમ અધૂરું રહ્યું?</b></h4><p style="text-align: justify; ">મલેશિયાએ સોવિયેત સંઘના અફઘાનિસ્તાન પરના આક્રમણના વિરોધમાં 1980ના મોસ્કો ઓલિમ્પિકનો બહિષ્કાર કર્યો હતો. જેના કારણે અબ્દુલ અલિફ સહિત અનેક ખેલાડીઓનું ઓલિમ્પિકમાં રમવાનું સપનું અધૂરું રહી ગયું હતું. લાંબા સમય સુધી વ્યાવસાયિક ફૂટબોલ અને મીડિયા લાઇમલાઇટથી દૂર રહ્યા બાદ આ દિગ્ગજ ખેલાડી હવે પોતાના અંગત જીવનના નવા નિર્ણયને કારણે ફરી ચર્ચામાં આવ્યા છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">&nbsp; આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-gujarat-drowning-deaths-1999-river-lake-check-dam-water-safety" target="_blank"><b>Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/oQuxxQEBdhQdWmZFxk2LOPbwDJRpf6zDEmwi2pJ3.webp'/></item></channel></rss>