<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Vav-Tharadમાં બે દિવસના વિરામ બાદ વરસાદનું મનમોહક આગમન, ગરમીથી ત્રસ્ત લોકોને મળી રાહત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/vav-tharad/tharad-heavy-rain-after-two-day-break-crops-relief</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/vav-tharad/tharad-heavy-rain-after-two-day-break-crops-relief</guid><pubDate>Thu, 17 Sep 2026 17:10:35 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બનાસકાંઠાના સરહદી વાવ-થરાદ પંથકમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. થરાદ શહેરમાં બે દિવસના વિરામ બાદ આજે સતત ત્રીજા દિવસે મેઘરાજાએ પુનઃ પધરામણી કરી છે. બપોર બાદ આકાશ કાળાડિબંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું.</p><h2 style="text-align: justify; "><b>ગરમી અને બફારામાંથી લોકોને મળી રાહત</b></h2><p style="text-align: justify; ">છેલ્લા બે દિવસથી સતત વધી રહેલા તાપમાન અને અસહ્ય ઉકળાટ-બફારાથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. વરસાદનું આગમન થતાં જ સમગ્ર થરાદ પંથકના વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. ધીમી ધારે પડી રહેલા વરસાદી ઝાપટાંના કારણે લોકોને અસહ્ય ગરમીમાંથી મોટી રાહત મળી છે.</p><p style="text-align: justify; "><img alt="Rainy weather returns to Tharad" src="https://epapercdn.sandesh.com/images/2026/09/17/8KKJhjlqH8uxWFntt1C7X868nDrJOdDFg3BwApwR.webp"><br></p><h3 style="text-align: justify; "><b>ખેતીપાકો માટે અમૃત સમાન વરસાદ</b></h3><p style="text-align: justify; ">હાલના તબક્કે લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા સ્થાનિક ખેડૂતો માટે આ વરસાદ ખૂબ જ આનંદના સમાચાર લઈને આવ્યો છે. વાવ અને થરાદ પંથકમાં વાવેતર કરાયેલા ખેતીપાકો માટે આ વરસાદ આશીર્વાદરૂપ અને નવું જીવન આપનારો સાબિત થશે. મેઘમહેર થતાં જ પંથકના ખેડૂતોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/I6AynD3Hj0KLNQysegqkiz256wEWcDv3npsKYxW9.webp'/></item><item><title><![CDATA[Kannada Cinema : યશની દખલગીરી ટોક્સિકને ભારે પડી? હવે આ એક્ટરે જણાવી આખી હકીકત! ]]></title><link>https://sandesh.com/entertainment/news/yash-toxic-interference-actor-reveals-truth</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/yash-toxic-interference-actor-reveals-truth</guid><pubDate>Thu, 17 Sep 2026 17:06:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">યશે ટોક્સિક માટે જે પ્લાનિંગ કરી હતી, તે ખરાબ રીતે નિષ્ફળ રહી છે. ગીતુ મોહનદાસના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મે પહેલા દિવસે જોરદાર કમાણી કરી હતી. પરંતુ ત્યાર બાદ ફિલ્મની કમાણી સતત ઘટતી ગઈ. હા, યશની ટોક્સિકનું બજેટ 400 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. જોકે, ફિલ્મ આટલી કમાણી કરી શકી નથી. ફિલ્મની નિષ્ફળતા પાછળ ઘણી જગ્યાએ યશને જ જવાબદાર ગણાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ટોક્સિકમાં કામ કરનાર અભિનેતા અક્ષય ઓબેરોયે આ અહેવાલો પર પ્રતિક્રિયા આપી છે અને તમામ અફવાઓને ફગાવી દીધી છે.</p><h2 style="text-align: justify; "><b>ટોક્સિકમાં શું ખોટું થયું? અક્ષય ઓબેરોયે આપ્યો જવાબ</b></h2><p style="text-align: justify; ">તાજેતરમાં યુટ્યુબ પર કડક સાથેની વાતચીત દરમિયાન અક્ષય ઓબેરોયને પૂછવામાં આવ્યું કે ફિલ્મમાં શું ખોટું થયું? તેના જવાબમાં તેમણે કહ્યું કે આ અંગે વાત કરવી ઘણી મુશ્કેલ છે. અભિનેતાએ કહ્યું, ફિલ્મનો હેતુ કંઈક નવું રજૂ કરવાનો હતો. તેને ઈન્ટરનેશનલ લેવલ પર બનાવવામાં આવી હતી, પરંતુ અંતે અમે અમારા લક્ષ્ય સુધી પહોંચી શક્યા નહીં.</p><h3 style="text-align: justify; "><b>યશને લઈને અક્ષય ઓબેરોયે શું કહ્યું?</b></h3><p style="text-align: justify; ">આ દરમિયાન અક્ષય ઓબેરોયે એમ પણ કહ્યું કે ફિલ્મની ખામીઓ માટે તેઓ કોઈને દોષ નહીં આપે. તેમને ફિલ્મ પર ગર્વ છે. ફિલ્મનું પરિણામ તેમના હાથમાં ન હતું. આ સાથે અક્ષયે એ અહેવાલોને પણ ફગાવી દીધા, જેમાં કહેવામાં આવ્યું હતું કે ટોક્સિકના નિર્માણમાં યશ ખૂબ વધારે દખલ કરી રહ્યા હતા.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DVGTsDNDw5a/?utm_source=ig_web_copy_link&amp;stkn=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DVGTsDNDw5a/?utm_source=ig_web_copy_link&amp;stkn=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DVGTsDNDw5a/?utm_source=ig_web_copy_link&amp;stkn=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DVGTsDNDw5a/?utm_source=ig_web_copy_link&amp;stkn=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><p style="text-align: justify; ">તેમણે કહ્યું, મારા અનુભવમાં મેં આવું કંઈ જોયું નથી. જે લોકોએ ફિલ્મ જોવા માટે ટિકિટ ખરીદી છે, તેમને પોતાની વાત કહેવાનો અને ફિલ્મનું વિશ્લેષણ કરવાનો અધિકાર છે. આ લોકોના પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ છે અને તેઓ જે ઈચ્છે તે લખી શકે છે. જોકે, હું સેટ પર હાજર હતો અને મને ખબર છે કે મને માત્ર એક જ વ્યક્તિ, ગીતુ મોહનદાસે દિગ્દર્શિત કર્યો હતો. મને ખરેખર આશા છે કે મને તેમની સાથે ફરી કામ કરવાની તક મળશે.</p><h4 style="text-align: justify; "><b>અક્ષયે યશના કર્યા વખાણ</b></h4><p style="text-align: justify; ">અક્ષય ઓબેરોયે માત્ર યશની દખલગીરીની વાતને નકારી નથી, પરંતુ તેમણે યશના વખાણ પણ કર્યા છે. અભિનેતાએ કહ્યું, તેઓ એકદમ અલગ પ્રકારના વ્યક્તિ છે. કોઈને તેમના વ્યક્તિત્વ વિશે કેવી રીતે જણાવું તે મને ખબર નથી. હું પહેલેથી જ યશનો ફેન હતો. તેમનો ઓરા એકદમ અલગ છે. જ્યારે મેં તેમની સાથે કામ કર્યું, ત્યારે હું તેમનાથી ખૂબ પ્રભાવિત થયો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/hanuman-ansh-300-crore-big-shock" target="_blank">આ પણ વાંચો-Hanuman Ansh : 300 કરોડની નજીક પહોંચતાં જ ફિલ્મને લાગ્યો મોટો ઝટકો! મેકર્સના મોટા પ્લાનિંગ પર ફરી વળ્યું પાણી!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/RuryUbc2RYHyHLZNtve7F4NkadPH1yR1C8gbcEdt.webp'/></item><item><title><![CDATA[PM મોદી આગામી અઠવાડિયે મંત્રીઓ સાથે કરશે ચિંતન શિબિર, કેબિનેટમાં ફેરબદલની અટકળો તેજ ]]></title><link>https://sandesh.com/india/news/political-news/pm-modi-cabinet-reshuffle-chintan-shivir-ministers-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/political-news/pm-modi-cabinet-reshuffle-chintan-shivir-ministers-2026</guid><pubDate>Thu, 17 Sep 2026 16:54:41 +05:30</pubDate><description><![CDATA[<p>PM Modi Cabinet: શું નરેન્દ્ર મોદી કેબિનેટમાં ફેરબદલની તૈયારી ચાલી રહી છે?, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી અઠવાડિયે પોતાના મંત્રીમંડળ સાથે બે દિવસ ચિંતન શિબિર યોજવાના છે. PM મોદીએ મંત્રીઓને અડધા ડઝનથી વધુ ગ્રુપમાં વહેંચવાનો નિર્દેશ આપ્યો છે. દરેક ગ્રુપમાં 8 મંત્રીઓ હશે. આ ગ્રુપમાં મંત્રીઓ સંવાદ, ગવર્નન્સ અને કામકાજને વધુ અસરકારક બનાવવાના મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ બેઠક આગામી અઠવાડિયે યોજાનાર બે દિવસીય સંપૂર્ણ મંત્રી પરિષદના ચિંતન શિબિર પહેલા યોજાશે. આ કારણે કેબિનેટમાં ફેરબદલને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે.</p><p><b>2021માં પણ યોજાઈ હતી ચિંતન શિબિર</b></p><p>ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, આ ચિંતન શિબિર 'સેવા તીર્થ' ખાતે યોજાશે. એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળના લગભગ મધ્યમાં આ રિટ્રીટ યોજાઈ રહી છે. આ પ્રકારની ચિંતન શિબિર અગાઉ 21 ઓક્ટોબર 2021ના રોજ યોજાઈ હતી. તે સમયે બીજા કાર્યકાળ દરમિયાન કેબિનેટમાં મોટા ફેરબદલના થોડા મહિનાઓ બાદ આ શિબિર યોજાઈ હતી. ત્યારે ચર્ચાનો મુખ્ય મુદ્દો ગવર્નન્સ અને પોલિસી બનાવવાનો હતો. આ કવાયતનો હેતુ મંત્રીઓને ગવર્નન્સના મુદ્દાઓને વધુ સારી રીતે સમજવામાં મદદ કરવાનો હતો. મંત્રીઓએ કાઉન્સિલમાં પોતાના સહયોગીઓની ભાગીદારી સાથે વિગતવાર પ્રેઝન્ટેશન પણ આપ્યાં હતાં.</p><p><b>ચિંતન શિબિરમાં આ મુદ્દાઓ પર થશે ચર્ચા</b></p><p>આગામી ચર્ચા સત્રોમાં પણ અગાઉ જેવો જ ફોર્મેટ અપનાવવામાં આવે તેવી શક્યતા છે. તેમાં અલગ-અલગ ગ્રુપ દ્વારા ચોક્કસ વિષયો પર ચર્ચા કરવામાં આવશે અને પ્રેઝન્ટેશન આપવામાં આવશે. આ ચિંતન શિબિરને ગવર્નન્સની સમીક્ષા કરવા, અલગ-અલગ મંત્રાલય વચ્ચે તાલમેલ વધારવા અને સરકારનો ભવિષ્યનો એજન્ડા તૈયાર કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તાજેતરમાં મંત્રાલયોને 2021ના ચિંતન શિબિરમાં આપવામાં આવેલી ભલામણો પર થયેલી કાર્યવાહીનો વિગતવાર અહેવાલ આપવા માટે કહેવામાં આવ્યું હતું.</p><p><b>મંત્રીઓ અને મંત્રાલયોને આપવામાં આવ્યા ખાસ નિર્દેશ</b></p><p>મંત્રીઓ અને મંત્રાલયોને અનેક સૂચનાઓ આપવામાં આવી હતી. તેમાં મંત્રાલયની કામગીરીના લાઈવ ડેશબોર્ડ રાખવા, પ્રગતિની સમીક્ષા કરવા તેમજ ફીડબેક અને નવા વિચારો મેળવવા માટે તમામ કર્મચારીઓ સાથે વાતચીત કરવાનો સમાવેશ થાય છે. કોઈપણ સમયે મંત્રાલયોની કામગીરીની સમીક્ષા થઈ શકે છે. પીએમ મોદીએ તમામ મંત્રીઓને મંત્રાલયો અને વિભાગોની સત્તાવાર વેબસાઈટને વધુ યુઝર-ફ્રેન્ડલી બનાવવા માટે કામ કરવા કહ્યું હતું.</p><p><b><a href="https://sandesh.com/india/breakingnews/political-news/modi-cabinet-decision-7-railway-projects-get-4-lane-approval" target="_blank">આ પણ વાંચો: 32,500 કરોડના 7 મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી, દેશના 9 રાજ્યોને થશે મોટો ફાયદો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/eQBRJEKZ0yvGVrchwxvBrI8NayuuLITdLFgQblE3.webp'/></item><item><title><![CDATA[PM મોદીના જન્મદિવસે આ CMએ પોતાના શરીરના 14 અંગોનું દાન કરવાની કરી મોટી જાહેરાત ]]></title><link>https://sandesh.com/india/news/political-news/delhi-cm-rekha-gupta-organ-donation-pm-modi-birthday</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/political-news/delhi-cm-rekha-gupta-organ-donation-pm-modi-birthday</guid><pubDate>Thu, 17 Sep 2026 16:44:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અંગદાન અને પરોપકારનો મહત્વપૂર્ણ સંકલ્પ એક રાજ્યના મુખ્યમંત્રીએ કર્યો છે. તેમણે પોતાના શરીરના વિવિધ અંગો અને પેશીઓનું મહાદાન કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશાની નવી કિરણ ઊભી થઈ શકે છે.</p><h2 style="text-align: justify; "><b>કયા અંગોનું દાન કરશે?</b></h2><p style="text-align: justify; ">આ મુખ્યમંત્રી છે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા..મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ હૃદય, આંતરડું, અગ્નાશય, લિવર, કિડની, ફેફસાં, હાથ અને આંખોની કોર્નિયા દાન કરવાનો સંકલ્પ લીધો છે. આ ઉપરાંત તેમણે હાડકાં, હાર્ટ વાલ્વ, ત્વચા, કાર્ટિલેજ, લિગામેન્ટ, ટેન્ડન, રક્તવાહિનીઓ અને એમનિયન જેવી પેશીઓના દાનની પણ જાહેરાત કરી છે.</p><h3 style="text-align: justify; "><b>અંગદાન અંગે જાગૃતિનો પ્રયાસ</b></h3><p style="text-align: justify; ">મુખ્યમંત્રીના આ નિર્ણયને અંગદાન અંગે જાગૃતિ ફેલાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. સમાજમાં અંગદાનને લઈને રહેલી ગેરસમજો અને ભ્રમ દૂર કરવા માટે આવા સંકલ્પો પ્રેરણારૂપ બની શકે છે. આ પગલાથી વધુ લોકો અંગદાન માટે આગળ આવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.</p><h4 style="text-align: justify; "><b>‘જનસેવા જ રાષ્ટ્રસેવા’</b></h4><p style="text-align: justify; ">મુખ્યમંત્રી કાર્યાલય તરફથી સંદેશ આપવામાં આવ્યો છે કે જનસેવા અને પરોપકાર રાષ્ટ્રસેવાનું મહત્વપૂર્ણ માધ્યમ છે. અંગદાનનું આ સંકલ્પ જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં મદદરૂપ થવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું બની શકે છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/india/ahmedabad/sandesh-digital-explainer-epf-salary-limit-increased-25000-take-home-salary-calculation" target="_blank"><b>Sandesh Digital Explainer : EPFમાં મોટો ફેરફાર, તમારી ટેક-હોમ સેલરીનું શું થશે? સમજો, નવું ગણિત</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/4dMLT8GALgUHsg6hJLSz8H2zLfK2PbAa59raceud.webp'/></item><item><title><![CDATA[Surendranagar News: લખતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિવ્યાંગ પ્રમાણપત્ર કેમ્પનો ફિયાસ્કો, સર્ટિફિકેટ ન આપતા લોકોમાં ભારે રોષ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/surendranagar/lakhtar-primary-health-centre-disability-certificate-camp</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/surendranagar/lakhtar-primary-health-centre-disability-certificate-camp</guid><pubDate>Thu, 17 Sep 2026 16:43:36 +05:30</pubDate><description><![CDATA[<p>સુરેન્દ્રનગર ડજિલ્લાના લખતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિવ્યાંગ પ્રમાણપત્ર મેળવવા માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ કેમ્પ સંપૂર્ણપણે ફિયાસ્કો સાબિત થયો હતો. દૂર-દૂરના ગ્રામ્ય વિસ્તારોમાંથી અસંખ્ય દિવ્યાંગ દર્દીઓ અને તેમના સ્વજનો મોટી આશા સાથે કેમ્પમાં પહોંચ્યા હતા, પરંતુ સર્ટિફિકેટ ન મળતા તમામમાં ભારે રોષ જોવા મળ્યો હતો.</p><h2><b>સુરેન્દ્રનગરથી આવેલા ડોક્ટરોની બેદરકારી અને ફોટોસેશન</b></h2><p>સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલથી આવેલા ડોક્ટરો દ્વારા કેમ્પમાં માત્ર ઉપરછલ્લી તપાસણી જ કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. લખતર તાલુકાની વિવિધ શાળાઓમાંથી શિક્ષકો દિવ્યાંગ બાળકોને લઈને કેમ્પમાં પહોંચ્યા હતા, જ્યાં ડોક્ટરોએ માત્ર તપાસ કરીને ફોટોસેશન કરાવ્યું હતું અને અંતે દર્દીઓને ગાંધી હોસ્પિટલ ખાતે સર્ટી માટે રિફર કરી દીધા હતા, જેના કારણે દર્દીઓને ધરમનો ધક્કો પડ્યો હતો.</p><p><img alt="Surendranagar News: Lakhtar Disability Camp Fiasco: Locals Angry Over No Certificates" src="https://epapercdn.sandesh.com/images/2026/09/17/1i6zKVm2JxcBJZuWvp5IVlZTuz2wo9sYY6JsOJrI.webp" style="width: 100%;"><br></p><h2><b>ડોક્ટર દ્વારા દર્દીઓ સાથે અયોગ્ય વર્તન અને ધમકાવવા બાબત</b></h2><p>આ કેમ્પમાં હાજર રહેલા ગાંધી હોસ્પિટલના વર્ગ 1 ના ફિઝિશિયન ડોક્ટર જે. એમ. ગોસાઈ દ્વારા દર્દીઓ સાથે અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હોવાની અને તેમને ધમકાવતા હોવાની ગંભીર બાબત પણ સામે આવી છે. દર્દીઓ જ્યારે પોતાની મુશ્કેલી રજૂ કરતા હતા, ત્યારે ડોક્ટર દ્વારા હડધૂત વર્તન કરવામાં આવતા લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો.</p><p><img alt="Surendranagar News: Lakhtar Disability Camp Fiasco: Locals Angry Over No Certificates" src="https://epapercdn.sandesh.com/images/2026/09/17/8s0fXQXukLNiVCottj5LIJITH3DBqrmLTVjqLiQP.webp"><br></p><h2><b>પ્રાથમિક સુવિધાઓનો અભાવ અને હાલાકી</b></h2><p>દર્દીઓની આટલી મોટી સંખ્યા હોવા છતાં કેમ્પના સ્થળે ન તો બેસવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી કે ન તો પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ હતી. અસુવિધાઓ વચ્ચે દૂરથી આવેલા દિવ્યાંગો અને વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જેને લઈને તંત્રની વહીવટી લાપરવાહી સામે સવાલો ઉભા થયા છે.</p><p><img alt="Surendranagar News: Lakhtar Disability Camp Fiasco: Locals Angry Over No Certificates" src="https://epapercdn.sandesh.com/images/2026/09/17/XaKpdSYLSycUu5Xj454qVlDaOHbj959PYXTPPrEC.webp"><img alt="Surendranagar News: Lakhtar Disability Camp Fiasco: Locals Angry Over No Certificates" src="https://epapercdn.sandesh.com/images/2026/09/17/YN6RbxIkx2TfkMqSzCbexmb2SRhMQNGqQIubU0EN.webp"><br></p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/surendranagar/wadhwan-smc-liquor-seized-4-wanted-2-arrested" target="_blank">Surendranagarના વઢવાણની હદમાં SMC ના દરોડા, લીંબડી-રાજકોટ હાઇવે પરથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/ecROgJqH8A11CRcdQtnJspd6fx5UDR06em1v8Yh5.webp'/></item><item><title><![CDATA[Surat News : PM મોદીના જન્મદિને ડાયમંડ હોસ્પિટલમાં માનવતાની મહેક, તમામ OPD અને પ્રસૂતિ સેવા સદંતર નિઃશુલ્ક ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat--diamond-hospital-offers-free-opd-and-deliveries-on-pm-modis-birthday</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat--diamond-hospital-offers-free-opd-and-deliveries-on-pm-modis-birthday</guid><pubDate>Thu, 17 Sep 2026 16:12:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">PM નરેન્દ્ર મોદીના જન્મદિવસ પ્રસંગે સુરતની સુપ્રસિદ્ધ ડાયમંડ હોસ્પિટલ દ્વારા માનવતાની મહેક પ્રસરાવતી એક સરાહનીય પહેલ કરવામાં આવી છે. આ ખાસ દિવસે હોસ્પિટલ પ્રશાસન દ્વારા તમામ દર્દીઓ માટે OPD તપાસ તેમજ તમામ પ્રકારની પ્રસૂતિ (ડિલિવરી) સેવાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવાનો નિર્ણય લેવાયો હતો. આ ઉમદા નિર્ણયના કારણે સુરત શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા અનેક ગરીબ અને મધ્યમવર્ગીય દર્દીઓને મોટી આર્થિક રાહત મળી હતી.</p><h2 style="text-align: justify; "><b>આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાની હોસ્પિટલ મુલાકાત</b></h2><p style="text-align: justify; ">આ સેવા કાર્યક્રમ અંતર્ગત રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ સુરતની ડાયમંડ હોસ્પિટલની ખાસ મુલાકાત લીધી હતી. હોસ્પિટલ પરિસરમાં પહોંચીને તેમણે ગણેશ વંદના કરી દિવસનો શુભ પ્રારંભ કરાવ્યો હતો. તદુપરાંત, મંત્રીએ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા દર્દીઓ અને નવજાત શિશુઓની મુલાકાત લઈ તેમના ખબર-અંતર પૂછ્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>ટ્રસ્ટીઓ અને દાતાઓની સરાહના</b></h2><p style="text-align: justify; ">કાર્યક્રમ દરમિયાન આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ ડાયમંડ હોસ્પિટલના ટ્રસ્ટીઓ, તબીબો અને આ ઉમદા કાર્યમાં સહયોગ આપનાર તમામ દાતાઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે PMના જન્મદિવસની ઉજવણી સેવાકાર્ય દ્વારા કરવી એ સમાજ માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ છે. હોસ્પિટલના આ આયોજનને સમગ્ર સુરત શહેરમાં ભારે આવકાર અને પ્રશંસા મળી રહી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/himatnagar/sabarkantha--illegal-sand-mining-ramps-up-in-sabarmati-river--officials-maintain-silence" target="_blank">Sabarkantha News : સાબરમતી નદીમાંથી 'બાજ નાવડી' વડે બેફામ રેતી ચોરી, ખનીજ વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/UoUOeRo6lyuyQ7XY0FJm3Fe53hVARzvsllPWoFau.webp'/></item><item><title><![CDATA[Suratના NH-48 પર ટાયર ફાટતાં કામદારો ભરેલો ટેમ્પો પલટ્યો, 1 શ્રમિકનું મોત; 6 ઇજાગ્રસ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-national-highway-48-tempo-accident-17-workers</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-national-highway-48-tempo-accident-17-workers</guid><pubDate>Thu, 17 Sep 2026 15:52:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતમાં નેશનલ હાઇવે 48 પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. કામદારોને લઈને જઈ રહેલા આઇશર ટેમ્પાનું રસ્તામાં અચાનક ટાયર ફાટતાં ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ટેમ્પો હાઇવે પર પલટી મારી ગયો હતો. આ અચાનક બનેલી ઘટનાથી ટેમ્પામાં સવાર શ્રમિકોમાં ભારે ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>કામરેજના ઘલા ગામથી ભરૂચ જઈ રહ્યા હતા કામદારો</b></h2><p style="text-align: justify; ">મળતી વિગતો અનુસાર, આ આઇશર ટેમ્પામાં કુલ 17 જેટલા કામદારો સવાર હતા. આ તમામ લોકો કામરેજ તાલુકાના ઘલા ગામ ખાતેથી લાઈટનો સામાન ભરીને ફિટિંગના કામ અર્થે ભરૂચ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન નેશનલ હાઇવે 48 પર કાળમુખો અકસ્માત નડ્યો હતો. ટાયર ફાટવાના કારણે ટેમ્પો પલટી જતાં સામાન અને શ્રમિકો રસ્તા પર પટકાયા હતા.</p><p style="text-align: justify; "><img alt="Fatal accident on Surat NH-48" src="https://epapercdn.sandesh.com/images/2026/09/17/4YcAzDUXG6SqO3ijopyqkRvi2ros7ajvybXZUZYA.webp"><br></p><h3 style="text-align: justify; "><b>1 નું સ્થળ પર મોત, ઇજાગ્રસ્તો સારવાર હેઠળ</b></h3><p style="text-align: justify; ">આ ગમખ્વાર અકસ્માતમાં 1 કામદારનું ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 6 જેટલા કામદારોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ જિલ્લા ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે સ્થાનિકોની મદદથી ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને હાઇવે પરનો વાહનવ્યવહાર પૂર્વવત કરાવી આગળની તપાસ હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/9Ji4ty5yraFGjsiKLzycz4x8kkJe3ECXkber1aNJ.webp'/></item><item><title><![CDATA[Stock Market Closing: ભારતીય શેરબજાર ફ્લેટ બંધ, સેન્સેક્સ 74,314.59 અંકે ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-closing-us-india-100-percent-tariff-indian-stock-market-closes-flat-sensex-at-7431459-points</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-closing-us-india-100-percent-tariff-indian-stock-market-closes-flat-sensex-at-7431459-points</guid><pubDate>Thu, 17 Sep 2026 15:45:19 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય શેરબજારમાં આજે મંદી જેવો માહોલ જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઘટાડા સાથે બંધ થયા છે. બપોરે 3.30 કલાકે સેન્સેક્સ 21.86 પોઇન્ટના ઘટાડા સાથે 74,314.59 અંકે બંધ થયો. નિફ્ટી +53.00 પોઇન્ટના વધારા સાથે 23,270.60 અંકે બંધ થયો.&nbsp;</p><h2><b>શેર માર્કેટની ફ્લેટ શરૂઆત&nbsp;</b></h2><p>અમેરિકા તરફથી આવેલા બે નકારાત્મક સમાચારને કારણે પ્રી-માર્કેટ સત્ર દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો, તેમ છતાં બજાર ખુલતાની સાથે જ ટ્રમ્પના ટેરિફ (આયાત જકાત) અંગેની આશંકાઓ દૂર થઈ ગઈ હતી. જોકે, બંને સૂચકાંકોમાં થોડી ધીમી ગતિ જોવા મળી હતી; બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખુલતાની સાથે જ નીચે સરક્યું હતું પરંતુ તરત જ તે 'ગ્રીન' ઝોનમાં (વધારા સાથે) કારોબાર કરતું જોવા મળ્યું હતું, અને નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી-50એ પણ સમાન વલણ દર્શાવ્યું હતું.&nbsp;</p><p><b style="font-size: 1.75rem;">નોએલ ટાટાએ તેનો વિરોધ કર્યો&nbsp;</b></p><p>મીડિયા અહેવાલો અનુસાર, ફેબ્રુઆરીમાં યોજાયેલી બોર્ડની બેઠક દરમિયાન ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન અને ટાટા સન્સના ડિરેક્ટર નોએલ ટાટાએ ચંદ્રશેખરનના પ્રસ્તાવિત ત્રીજા કાર્યકાળનો વિરોધ કર્યો હતો. સૂત્રોએ સંકેત આપ્યો છે કે નોએલ નેતૃત્વમાં ફેરફારની તરફેણમાં છે. ટાટા સન્સમાં ટાટા ટ્રસ્ટ્સનો સંયુક્ત હિસ્સો આશરે 66% છે.</p><p><b style="font-size: 2rem;">આ શેરોએ મજબૂતી દર્શાવી&nbsp;</b></p><p>વૈશ્વિક તણાવ અને નકારાત્મક સંકેતો વચ્ચે, શેરબજારની ઉપર તરફની ગતિને કેટલાક શેરોનું સમર્થન મળ્યું. BSE લાર્જ-કેપ શેરોમાં, Eternal (2.20%), Bajaj Finance (1.60%) અને BEL (1.40%) ના શેરોમાં વધારો જોવા મળ્યો હતો. આ શ્રેણીમાં, 30માંથી 20 શેરો 'ગ્રીન' ઝોનમાં (એટલે ​​કે તેજી સાથે) ટ્રેડ થઈ રહ્યા હતા.&nbsp;</p><p><a href="https://sandesh.com/india/news/100-us-tariff-on-india-america-does-whatever-it-takes-india-will-not-bow-down-indias-reaction-to-the-100-percent-tariff-law" target="_blank">આ પણ વાંચો:100% US Tariff on India: થાય તે કરી લે અમેરિકા, ભારત.... ઝૂકશે નહી, 100 ટકા ટેરિફ લૉ અંગે ભારતની પ્રતિક્રિયા</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/eQFtepqjGeDrT49wfnRSOn2FNF5kIagNUEtC3g2b.webp'/></item><item><title><![CDATA[Surat Crime News: ડિંડોલીમાં લાખોની કિંમતના અફીણ-ગાંજા સાથે ત્રણ શખ્સો ઝડપાયા, મળ્યા અધધ રોડકા ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/dindoli-sog-police-arrests-three-with-opium-ganja</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/dindoli-sog-police-arrests-three-with-opium-ganja</guid><pubDate>Thu, 17 Sep 2026 15:11:19 +05:30</pubDate><description><![CDATA[<p>સુરતમાં અસામાજિક તત્વો અને નશાના વેપારીઓ સામે પોલીસે સકંજા વધુ કડક બનાવ્યો છે. તાજેતરમાં સુરત SOG પોલીસે બાતમીના આધારે મોટી સફળતા મેળવતા ડિંડોલી વિસ્તારમાંથી અફીણ અને ગાંજાના ગેરકાયદે જથ્થા સાથે ત્રણ ઈસમોને રંગે હાથે ઝડપી પાડ્યા છે. પોલીસની આ કડક કાર્યવાહીથી ડ્રગ્સ માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.</p><h2><b>લાખો રૂપિયાનો મુદ્દામાલ અને ડ્રગ્સ જથ્થો જપ્ત</b></h2><p>પોલીસ તપાસ દરમિયાન પકડાયેલા આરોપીઓ પાસેથી કુલ 1.698 કિલોગ્રામ અફીણ અને ગાંજાનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂપિયા 8,49,000 આંકવામાં આવી છે. ડ્રગ્સ ઉપરાંત પોલીસે ઘટના સ્થળેથી રોકડ રૂપિયા 4,01,500 તેમજ ડ્રગ્સનું વજન કરવા માટેનો ઈલેક્ટ્રીક વજન કાંટો પણ કબજે કર્યો છે. આમ, પોલીસે કુલ રૂપિયા 12,91,500 નો જંગી મુદ્દામાલ જપ્ત કર્યો છે.</p><h2><b>શોર્ટકટમાં પૈસા કમાવવાની લાલચે બન્યા અપરાધી</b></h2><p>પ્રાથમિક પૂછપરછમાં એ વાત સામે આવી છે કે, પકડાયેલા આરોપીઓએ ટૂંકા સમયમાં અને શોર્ટકટથી વધારે નાણાં કમાવવાની લાલચમાં આવીને આ ગેરકાયદે ધંધો શરૂ કર્યો હતો. તેઓ વોન્ટેડ જાહેર થયેલા એક મુખ્ય આરોપી પાસેથી આ અફીણ અને ગાંજો ખરીદીને સુરતના ડિંડોલી વિસ્તારમાં છુપી રીતે ગ્રાહકોને વેચાણ કરતા હોવાનું બહાર આવ્યું છે.</p><h2><b>NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ</b></h2><p>સુરત SOG પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદાકીય કડક પગલાં લેતા NDPS એક્ટ મુજબ સત્તાવાર ગુનો નોંધી લીધો છે. આ રેકેટની પાછળ કયા-કયા મોટા માથા સંકળાયેલા છે અને વોન્ટેડ આરોપી ક્યાં છુપાયેલો છે તે દિશામાં પોલીસે વધુ સઘન તપાસ શરૂ કરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/news/crime/surat/surat--3-traders-arrested-in-udhna-for-selling-fake-puma-footwear-worth--12-72-lakh" target="_blank">Surat News : ઉધનામાં ‘PUMA’ બ્રાન્ડના ડુપ્લિકેટ બૂટ-ચંપલ વેચતું મોટું રેકેટ પકડાયું, CID ક્રાઇમના દરોડામાં ૩ વેપારીઓ દબોચાયા!</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/j67mVyR0EsZkOrzLKCcEaeRqlu7B2ph3ihUIrp45.webp'/></item><item><title><![CDATA[પાકિસ્તાનની ટીમ ભારત આવશે! એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં જામશે ભારત-પાક જંગ ]]></title><link>https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</guid><pubDate>Mon, 14 Sep 2026 15:47:21 +05:30</pubDate><description><![CDATA[<p>આવતા મહિને પાકિસ્તાનની હોકી ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે. 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન પંજાબમાં યોજાનારી AHF મેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026માં પાકિસ્તાન સહિત કુલ છ ટીમો ભાગ લેશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પાકિસ્તાનની ભાગીદારી અંગેની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, મલ્ટી-નેશનલ ઇવેન્ટ્સ અંગે કેન્દ્ર સરકારની નીતિ હેઠળ બંને દેશોની ટીમો આમને-સામને રમશે.</p><h2><b>ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જાલંધરમાં રમાશે</b></h2><p>એશિયન મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન થશે. આ ટૂર્નામેન્ટમાં યજમાન ભારત અને પાકિસ્તાન ઉપરાંત ચીન, જાપાન, મલેશિયા અને કોરિયાની પણ ભાગ લેશે. લીગ સ્ટેજના મુકાબલા જાલંધરમાં યોજાશે, જ્યારે સેમિફાઇનલ અને ફાઇનલ મેચ મોહાલીના હોકી સ્ટેડિયમમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 1 નવેમ્બરે જાલંધરમાં રમાશે. કોઈ ટીમ છેલ્લી ઘડીએ ખસી જાય તો તે સ્થિતિ માટે ઓમાન અને બાંગ્લાદેશને રિઝર્વ ટીમન તરીકે રાખવામી આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PTI_News/status/2099416960278868155"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમવામાં કોઈ મુશ્કેલી નથી</b></h2><p>પાકિસ્તાનની ભાગીદારી અને જરૂરી મંજૂરીઓ અંગે પંજાબના મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં બંને દેશો વચ્ચે રમવામાં કોઈ મુશ્કેલી નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝનું આયોજન અલગ બાબત છે, કારણ કે કેન્દ્ર સરકારની વર્તમાન નીતિ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય રમત-ગમતના આયોજનની મંજૂરી આપતી નથી. પરંતુ મલ્ટી-નેશનલ ટૂર્નામેન્ટમાં બંને દેશોના ખેલાડીઓને એકબીજા સામે રમવાની પરવાનગી છે, જેથી પાકિસ્તાની ટીમ ભારત આવી શકશે.</p><h2><b>ભારત વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે</b></h2><p>ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. ભારતે 2023માં ચેન્નાઈ અને 2024માં ચીનના હુલુનબુઈરમાં યોજાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ગત વર્ષે આ સ્પર્ધા યોજાઈ શકી નહોતી. હવે પંજાબ પ્રથમ વખત આ ટૂર્નામેન્ટની મેજબાની કરવા જઈ રહ્યું છે.</p><h2><b>અગાઉ પાકિસ્તાની ટીમે ના કહી હતી&nbsp;</b></h2><p>પાકિસ્તાનની આ વખતની ભાગીદારી એટલા માટે પણ ખાસ છે, કારણ કે ગત વર્ષે તેણે તમિલનાડુમાં આયોજિત જૂનિયર હોકી વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તે સમયે બંને દેશો વચ્ચેના તણાવને તેનું કારણ ગણાવવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે અને પાકિસ્તાની ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે પૂરી રીતે તૈયાર છે.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/V6jwdiIr9RTCvR6EyBaGsP2qfZvYLq2JfkL7pytm.webp'/></item></channel></rss>