<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[નાનાપોંઢા તાલુકા શિક્ષક સંઘ દ્વારા તાલુકાના સ્વતંત્ર મહેકમ, અલગ વધઘટ કેમ્પની માંગ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vapi/nanapondha-taluka-teachers-union-demands-independent-taluka-body-separate-agitation-camp</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vapi/nanapondha-taluka-teachers-union-demands-independent-taluka-body-separate-agitation-camp</guid><pubDate>Fri, 04 Sep 2026 04:26:49 +05:30</pubDate><description><![CDATA[<p>નવરચિત નાનાપોંઢા તાલુકામાં કપરાડા, વાપી અને પારડી તાલુકાના કેટલાક ગામોના સમાવેશ કરવામાં આવ્યો છે. તાલુકાની રચના થયા બાદ હાલ સુધી સુધી શિક્ષકોના વધઘટ કેમ્પનું કોઈ આયોજન નથી કરાયું. આ બાબતે નવરચિત નાનાપોંઢા તાલુકાશિક્ષક સંઘના પ્રમુખ મિતેષ પટેલની આગેવાનીમાં શિક્ષકાઓનું એક પ્રતિંનિધિ મંડળની રચના કરવામાં આવી છે. શિક્ષકોના પ્રતિનિધિ મંડળે કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીનેેલેખિત રજૂઆત કરી, તાલુકામાં શિક્ષકોનું સ્વતંત્ર મહેકમ તૈયાર કરવા તથા શિક્ષકોના વધઘટ કેમ્પ યોજવાની માંષણી કરી છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/2c6CnIRC5hKqSKjgY6LMwtCt8N4RWMNbrEnUbqsI.webp'/></item><item><title><![CDATA[ઉમરગામમાં ટાસ્કફોર્સનું ચેકિંગ 28 દુકાનદારોને 5600નો દંડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/valsad/task-force-checks-in-umargam-fines-5600-to-28-shopkeepers</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/valsad/task-force-checks-in-umargam-fines-5600-to-28-shopkeepers</guid><pubDate>Fri, 04 Sep 2026 04:25:20 +05:30</pubDate><description><![CDATA[<p>સરકારના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વલસાડ કલેક્ટરની અધ્યક્ષતામાં રચાયેલી જિલ્લા ટાસ્કફોર્સ દ્વારા ઉમરગામ તાલુકામાં તમાકુના બિનઅધિકૃત વેચાણ અને આનુસંગિક નિયમોના પાલન માટે સઘન અને આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.</p><p>વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ તેમજ ખોરાક અને ઔષધ નિયંત્રણ વિભાગની સ્ટિયરિંગ કમિટીએ માર્ગ પરના નાના-મોટા પાનના ગલ્લા અને પાર્લર સહિત કુલ 28 દુકાનો પર સરપ્રાઈઝ ચેકિંગ કરી નિયમોનો ભંગ કરનાર દુકાનદારો પાસેથી કુલ રૂ. 5600નો દંડ વસૂલ કર્યો છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/hgWaGFSo00PWIx1v5hJqZaqP3dbvBHzQRLqlUX4J.webp'/></item><item><title><![CDATA[આદિવાસીઓના હક-અધિકાર મુદ્દે કુકરમુંડા તાલુકા સેવાસદનમાં ધરણાં ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/protest-at-kukarmunda-taluka-seva-sadan-over-the-issue-of-tribal-rights</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/protest-at-kukarmunda-taluka-seva-sadan-over-the-issue-of-tribal-rights</guid><pubDate>Fri, 04 Sep 2026 04:22:22 +05:30</pubDate><description><![CDATA[<p>કુકરમુંડા તાલુકામાં આદિવાસી હક-અધિકારની વિવિધ મુદ્દાઓને લઇને તાલુકા સેવા સદન કુકરમુંડા ખાતે ધરણા પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું હતું.</p><p>આદિવાસી સમાજના આગેવાનો દ્વારા કુકરમુંડા મામલતદારને આવેદનપત્ર આપી ધરણા અને અંદોલન કરવાની મંજૂરી માટે રજૂઆત કરવામાં આવી હતી. ધરણા આંદોલન દરમિયાન ફૂલવાડી ગ્રામ પંચાયતના મુખ્ય મથક કુકરમુંડા ગામે સરકારી જમીન પર કોમર્શિયલ હેતુસર પાકી દુકાનો બનાવવામાં આવી હોવાના આક્ષેપો સાથે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની માંગ કરવામાં આવી છે. આ અંગે અગાઉ રજૂઆતો કરવા છતાં કાર્યવાહી ન થઇ હોવાનો દાવો કરવામાં આવ્યો છે, ઉપરાંત વર્ષ 2014થી આદિવાસી સમાજના આર્થિક વિકાસ માટે ગ્રામ હાટ બજાર માટે રૂ.5.35 કરોડથી વધુની ગ્રાન્ટ ફાળવાઇ હોવા છતાં આજદિન સુધી બાંધકામ ન થયું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. વર્ષ 2024માં વધુ રૂ.2 કરોડનો મામલો અને ફૂલવાડી ગ્રામ પંચાયતના સરપંચ તથા માજી સરપંચ સામે વિવિધ સરકારી યોજનાઓમાં કથિત ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આક્ષેપો સાથે આરટીઆઇ આધારિત સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/hIe1xgTiAARV9Fypz9oc21ybNP7gNXi4qqGfgS2b.webp'/></item><item><title><![CDATA[આવો રે આવો રે ઓ ચિત્તડું ચોરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/come-on-come-on-you-little-thief</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/come-on-come-on-you-little-thief</guid><pubDate>Fri, 04 Sep 2026 04:18:02 +05:30</pubDate><description><![CDATA[<p>આવો રે આવો રે ઓ ચિત્તડું ચોરી</p><p>જાનારા ! મને મોતના વાગે ભણકારા</p><p>હુતૂતૂતૂ જામી રમતની ઋતુ..</p><p>અમથું જરાક અમે પૂછયું કે કેમ છો..</p><p>પિયુ મારો લજામણીનો છોડ..</p><p>હજુ રસભર રાત તો બાકી રહી ગઈ..</p><p>કોયલ ઊડી રે ગઈ ને પગલાં..</p><p>કાનમાં પવન કહીને ચાલ્યો કે..</p><p>આ અને આવી 750 ઉપરાંત સુગમ રચનાઓના સૂરીલા સ્વરકાર ગૌરાંગ વ્યાસે ગઈ કાલે વિદાય લીધી. ગુજરાતી સુગમ સંગીત અને ફ્લ્મિ સંગીત એમ બંને ક્ષેત્રે અનન્ય યોગદાન આપનાર આ સ્વરકારની સ્વરયાત્રાનાં કેટલાક મનોહર મુકામ પર નજર કરીએ.</p><p>ગુજરાતને ગાતું કરનાર' એવા ગરિમાપૂર્ણ 'વાગ્ગેયકાર' અવિનાશ વ્યાસના પનોતા પુત્ર ગૌરાંગભાઈનો જન્મ 24 નવેમ્બર, 1938ના રોજ મુંબઈ ખાતે થયો. પિતાનો કલાવારસો ગળથૂથીમાં લઈને જન્મેલ ગૌરાંગભાઈએ 5 વર્ષની શિશુવયે બાજુમાં પડેલ હાર્મોનિયમ પર 'વૈષ્ણવ જન તો તેને રે કહીએ'ની ધુન વગાડી તો પિતા રાજીના રેડ થઈ ગયા.</p><p>આ ચિરંજીવી ક્ષણોને યાદ કરતાં ભાવવિભોર થઈને ગૌરાંગભાઈએ નંદિની ત્રિવેદીને એક મુલાકાતમાં કહેલું :</p><p>''એ વખતે તેમણે આ વારસપુત્રમાં સૌ પ્રથમવાર સંગીતનો પહેલવહેલો છાંટો જોયો હશે. એમણે મારી પીઠ થાબડી હતી. એ વખતના તેમના હાથનો હૂંફાળો સ્પર્શ હું આજેય અનુભવું છું.''</p><p>મોટા થઈને ગૌરાંગભાઈને તો એન્જિનિયર બનવું હતું, પણ મુંબઈમાં એડમિશન ન મળતાં તેઓ 1959માં 21 વર્ષની વયે અમદાવાદ આવ્યા અને ત્યાં જ મિકેનિકલ એન્જિનિયરિંગનો ડિપ્લોમા અભ્યાસ પણ કર્યો. એ જ સમયગાળામાં ગૌરાંગભાઈ અમદાવાદ ખાતે રાસબિહારી- વિભા દેસાઈએ 1961માં સ્થાપેલ સાંગીતિક સંસ્થા 'શ્રુતિ' સાથે અને સમાંતરે અમદાવાદમાં આયોજિત થતા રહેતા સાંગીતિક ઉપક્રમો સાથે પણ સંકળાતા રહ્યા. આમ, 1960માં શરૂ થયેલ ગૌરાંગભાઈની સંગીતયાત્રા પૂરા 65 વર્ષ સુધી સાતત્યપૂર્વક ચાલતી રહી.</p><p>1969માં રજૂ થયેલ પ્રથમ રંગીન ગુજરાતી ફ્લ્મિ 'લીલુડી ધરતી' માટે તેઓ પુરુષોત્તમ ઉપાધ્યાય સાથે સંગીતકાર તરીકે જોડાયા, જેનાં સંગીત માટે તેમને 'શ્રેષ્ઠ સંગીતકાર'નો ગુજરાત સરકારનો એવોર્ડ પણ મળ્યો. આ પછી 1970માં પ્રથમ ગુજરાતી ઈસ્ટમેનકલર ફ્લ્મિ 'જેસલ તોરલ'માં પિતાજીના સહાયક તરીકે સેવાઓ આપીને ગૌરાંગભાઈ સાંગીતિક બારીકીઓ શીખતાં રહીને જાતને સમૃદ્ધ કરતા રહ્યા.</p><p>1976માં ગૌરાંગભાઈની કારકિર્દીનો પ્રવાહ પલટાયો. દિગંત ઓઝાની ફ્લ્મિ 'લાખો ફૂલાણી'માં તેઐ સ્વતંત્રપણે સંગીત નિયોજક બન્યા. આ ફ્લ્મિમાં મણિયારો' ગવડાવીને તેમણે પ્રફુલ્લ દવેને પ્રથમ તક આપી, જે આગળ જતાં ગુજરાતી ફ્લ્મિસંગીતના 'સ્ટાર સિંગર' બન્યા. ગૌરાંગભાઈએ આ પછી કુલ 140 જેટલી ફ્લ્મિોમાં સંગીત પીરસ્યું, જે પૈકી 18 ફ્લ્મિોમાં તેમને 'શ્રેષ્ઠ સંગીતકાર'નો ગુજરાત સરકારનો એવોર્ડ મળેલ. ગૌરાંગ વ્યાસની અજોડ સિદ્ધિ એ છે કે તેઓ પ્રથમ પંક્તિના બિન ગુજરાતી ગાયકોને ગુજરાતી ફ્લ્મિક્ષેત્રે લઈ આવ્યા. આ બિનગુજરાતી ગાયકોમાં સમાવિષ્ટ છે લતાજી, આશાજી, સુમન કલ્યાણપુર, મુકેશ, કિશોરકુમાર, મન્નાડે, મહેન્દ્રકપુર ઉપરાંત ભુપેન્દ્રસીંગ, જગજિતસીંગ, સુરેશ વાડકર, સોનુ નિગમ, સાધના સરગમ, અલકા યાજ્ઞિક ઈત્યાદિ.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/L5OBom5R7cVPMXGjbmw5zUOkycWTunX7ShZAcZYG.webp'/></item><item><title><![CDATA[મુખ્યમંત્રીએ મુંબઈ ખાતે વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/chief-minister-holds-meeting-with-industrialists-under-vibrant-summit-in-mumbai</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/chief-minister-holds-meeting-with-industrialists-under-vibrant-summit-in-mumbai</guid><pubDate>Fri, 04 Sep 2026 04:12:54 +05:30</pubDate><description><![CDATA[<p>વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027ને અનુલક્ષીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે રોડ-શો બાદ દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે વન-ટુ-વન બેઠકો યોજી ગુજરાતમાં નવા રોકાણ અને ઔદ્યોગિક વિસ્તરણની તકો અંગે ચર્ચા કરી હતી. મુખ્યમંત્રીએ ઉદ્યોગજગતના અગ્રણીઓને સમિટમાં ભાગીદાર બનવા આમંત્રણ આપ્યું હતું.</p><p>મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ ગુજરાતમાં રોકાણના પોતાના અનુભવો શેર કરતાં જણાવ્યું કે, તેમની ગુજરાતમાં રોકાણ અંગેની પ્રથમ બેઠક તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે થઈ હતી. તેમની દુરંદેશીથી તેઓ પ્રભાવિત થયા હતા. ભૂપેન્દ્ર પટેલ સાથેની મુલાકાત દરમિયાન મહિન્દ્રા ગ્રુપના ભવિષ્યના રોકાણ અને વિકાસ યોજનાઓ અંગે ચર્ચા થઈ હતી.જેમાં ગુજરાતમાં ઈવી અને ગિફ્ટ સિટી ક્ષેત્રે તકોની શોધ કરવા અંગે મહિન્દ્રા ગ્રૂપ સાથે ફળદાયી ચર્ચાઓ કરવામાં આવી હતી.</p><p>આ ઉપરાંત સ્વાન કોર્પોરેશન, વેલ્સપન ઇન્ડિયા, હિન્ડાલ્કો, એએમએનએસ(AM/NS)ઇન્ડિયા સાથે મિટિંગ કરી હતી. આ બેઠકો દ્વારા ઇવી, ટેક્સટાઇલ, સ્ટીલ, શિપિંગ, રિન્યુએબલ એનર્જી અને સર્ક્યુલર ઇકોનોમી સહિતના ક્ષેત્રોમાં ગુજરાતની રોકાણ ક્ષમતાને વધુ વેગ મળવાની અપેક્ષા છે. વિકસિત ગુજરાત-શેપિંગ ગ્લોબલ ફ્યુચર'ની થીમ સાથે યોજાનારી સમિટમાં સેમિકન્ડક્ટર, ફ્નિટેક, ગ્રીન હાઈડ્રોજન, એઆઈ અને ગ્રીન ગ્રોથ જેવા ક્ષેત્રો પર વિશેષ ભાર મૂકાશે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/HXjPbvqKU7jxgPFzNi8EdfNCtURJdv0z2ETLP4jE.webp'/></item><item><title><![CDATA[Indiaને મળ્યું નવું ઘાતક હથિયાર, 'ખગાંતક-243' ગ્લાઈડ બોમ્બનું પ્રથમ સફળ પરીક્ષણ ]]></title><link>https://sandesh.com/india/news/india-khagantak-243-long-range-glide-bomb-successful-test</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/india-khagantak-243-long-range-glide-bomb-successful-test</guid><pubDate>Thu, 03 Sep 2026 23:32:15 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ થઈ છે. દેશમાં જ વિકસાવવામાં આવેલા 'ખગાંતક-243' (Khagantak-243) લોંગ-રેન્જ ગ્લાઈડ બોમ્બનું પ્રથમ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. પરીક્ષણ દરમિયાન ગ્લાઈડ બોમ્બે રણ વિસ્તારમાં નિર્ધારિત લક્ષ્યને ચોક્કસ રીતે ભેદ્યું હતું અને જોરદાર વિસ્ફોટ થયો હતો.</p><h2><b>ગ્લાઈડ બોમ્બનું વજન આશરે 300 કિલો</b></h2><p>આ ગ્લાઈડ બોમ્બનું વજન આશરે 300 કિલોગ્રામ છે. તેમાં 125 કિલોગ્રામનું Mk-81 વોરહેડ લગાવવામાં આવ્યું છે. તેને સ્ટેન્ડ-ઓફ પ્રિસિઝન વેપન તરીકે વિકસાવવામાં આવ્યું છે. વધુ ઊંચાઈ પરથી લોન્ચ કરવામાં આવે તો આ બોમ્બ 140 કિલોમીટરથી વધુ અંતર કાપી શકે છે. ખગાંતક-243ને INS અને GNSS આધારિત નેવિગેશન સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યું છે. આ ટેક્નોલોજી તેને લક્ષ્ય સુધી ચોકસાઈપૂર્વક પહોંચવામાં મદદ કરે છે. દાવો કરવામાં આવે છે કે તે 10 મીટરથી ઓછા અંતરની ચોકસાઈ સાથે નિર્ધારિત લક્ષ્યને નિશાન બનાવી શકે છે.</p><h3><b>વાયુસેનાની સ્ટેન્ડ-ઓફ સ્ટ્રાઈક ક્ષમતામાં વધારો</b></h3><p>આ ગ્લાઈડ બોમ્બનું પરીક્ષણ ભારતીય વાયુસેનાના શક્તિશાળી Su-30MKI ફાઈટર જેટ પરથી કરવામાં આવ્યું હતું. આ હથિયાર ભારતીય વાયુસેનાની સ્ટેન્ડ-ઓફ સ્ટ્રાઈક ક્ષમતામાં વધારો કરી શકે છે. તેનો સૌથી મોટો વ્યૂહાત્મક ફાયદો એ છે કે ફાઈટર જેટને દુશ્મનના એર ડિફેન્સ ઝોનની ખૂબ નજીક ગયા વિના સુરક્ષિત અંતરેથી લક્ષ્ય પર હુમલો કરવાની ક્ષમતા મળી શકે છે.</p><p>ખગાંતક-243ને નાગપુર સ્થિત JSR Dynamics દ્વારા ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) સાથે મળીને વિકસાવવામાં આવ્યું છે. સ્વદેશી ટેક્નોલોજીથી તૈયાર થયેલા આ હથિયારનું સફળ પરીક્ષણ 'આત્મનિર્ભર ભારત' અભિયાન માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. આ સિદ્ધિથી ભારતીય વાયુસેનાની લાંબા અંતરની ચોકસાઈભરી હુમલાની ક્ષમતામાં વધારો થવાની શક્યતા છે. સાથે જ દેશમાં સ્વદેશી રીતે આધુનિક હથિયારો વિકસાવવાની ક્ષમતાને પણ પ્રોત્સાહન મળશે.<br><br><b><a href="https://sandesh.com/india/news/pm-modi-bjp-ruled-states-jal-jeevan-mission-last-person" target="_blank">આ પણ વાંચો : PM મોદીની ભાજપ શાસિત રાજ્યોના જળમંત્રીઓ સાથે બેઠક, કહ્યું 'યોજનાનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડો'</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/pBblwmc393RpmeJ2wnUUmDbXJUVLurUVsc9Hf89d.webp'/></item><item><title><![CDATA[PM મોદીની ભાજપ શાસિત રાજ્યોના જળમંત્રીઓ સાથે બેઠક, કહ્યું 'યોજનાનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડો' ]]></title><link>https://sandesh.com/india/news/pm-modi-bjp-ruled-states-jal-jeevan-mission-last-person</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/pm-modi-bjp-ruled-states-jal-jeevan-mission-last-person</guid><pubDate>Thu, 03 Sep 2026 22:49:30 +05:30</pubDate><description><![CDATA[<p>વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને જળમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી. આ બેઠકમાં તેમણે જળ જીવન મિશન સહિત સરકારની વિવિધ યોજનાઓનો લાભ સમાજમાં કતારમાં ઊભેલા અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવા પર ભાર મૂક્યો હતો.</p><h2><b>કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વધુ સારું સંકલન જરૂરી</b></h2><p>PM મોદીએ જળ ક્ષેત્ર સાથે જોડાયેલા મંત્રીઓને સરકારની યોજનાઓના અસરકારક અમલીકરણ માટે પરસ્પર સંકલન સાથે કામ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વધુ સારું સંકલન તેમજ એકબીજાના અનુભવો અને સફળ પ્રયાસોની આપ-લે જરૂરી છે. વડાપ્રધાને રાજ્યોને એકબીજાની બેસ્ટ પ્રેક્ટિસ અને સફળ મોડલમાંથી શીખવા અને પોતાના રાજ્યની જરૂરિયાત પ્રમાણે તેનો અમલ કરવા પણ સૂચના આપી હતી. તેમણે યોજનાઓના અમલીકરણની અસરકારક દેખરેખ અને લોકો સુધી તેનો વાસ્તવિક લાભ પહોંચે તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો.</p><h3><b>ભાજપ અધ્યક્ષ તમામ મંત્રીઓને લઈને PM આવાસ પહોંચ્યા</b></h3><p>આ બેઠક વડાપ્રધાનના નિવાસસ્થાને યોજાઈ હતી. તે પહેલાં ભાજપ મુખ્યાલય ખાતે જળમંત્રીઓ અને સંબંધિત નેતાઓ સાથે આશરે પાંચ કલાકની બેઠક ચાલી હતી. ત્યારબાદ ભાજપ અધ્યક્ષ નીતિન નવીન તમામ મંત્રીઓને લઈને PM આવાસ પહોંચ્યા હતા. આ અગાઉ નીતિન નવીને 'જળ મંથન' કાર્યક્રમ હેઠળ ભાજપ શાસિત રાજ્યોના જળ સંસાધન મંત્રીઓ સાથે બેઠક કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે આંતરરાજ્ય સંકલન અને શ્રેષ્ઠ કાર્યપદ્ધતિઓના આદાન-પ્રદાન અંગે બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી.</p><h4><b>આગામી 25થી 50 વર્ષ માટે પણ આયોજન જરૂરી&nbsp;</b></h4><p>નીતિન નવીને જણાવ્યું હતું કે PM મોદીના નેતૃત્વ હેઠળ દેશના કરોડો પરિવારો સુધી નળથી પાણી પહોંચાડવાનું મહત્વપૂર્ણ કાર્ય થયું છે. તેમણે લાંબા ગાળાની નીતિ અને આયોજન પર ભાર મૂકતા કહ્યું કે ભારતને 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને આગામી 25થી 50 વર્ષ માટે પણ આયોજન જરૂરી છે. કેન્દ્ર સરકાર, રાજ્યો, અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેના સંકલનથી યોજનાઓનું વધુ સારું આયોજન, અમલીકરણ અને મોનિટરિંગ થઈ શકે અને તેનો મહત્તમ લાભ સામાન્ય નાગરિકો સુધી પહોંચાડી શકાય તે બેઠકનો મુખ્ય ઉદ્દેશ રહ્યો હતો.<br><br><b><a href="https://sandesh.com/india/news/world/s-jaishankar-meets-ukraine-foreign-minister-war-must-end" target="_blank">આ પણ વાંચો : S Jaishankar યુક્રેનના વિદેશપ્રધાનને મળ્યા, કહ્યું 'યુદ્ધનો અંત હવે જરૂરી'</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/w6NngxCgGR2C9yJqUDeJ1U3GwoJCRBC2eOekYYK0.webp'/></item><item><title><![CDATA[Bullet Train બનાવશે આ ભારતીય કંપની, 866 કરોડનું છે બજેટ ]]></title><link>https://sandesh.com/india/news/business/beml-india-first-indigenous-bullet-train-866-crore-contract</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/beml-india-first-indigenous-bullet-train-866-crore-contract</guid><pubDate>Thu, 03 Sep 2026 19:16:50 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય રેલવે 280 કિલોમીટર પ્રતિ કલાકની ડિઝાઈન સ્પીડ ધરાવતી પોતાની પ્રથમ સ્વદેશી હાઈસ્પીડ ટ્રેન તૈયાર કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ચેન્નાઈની ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF)એ BEML Limitedને ₹866.87 કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ અંતર્ગત બે હાઈસ્પીડ ટ્રેનસેટના પ્રોટોટાઈપ તૈયાર કરવામાં આવશે.</p><h2><b>વિવિધ પાસાઓ ચકાસવામાં આવશે</b></h2><p>રેલવેનો લક્ષ્યાંક માર્ચ 2027 સુધીમાં પ્રથમ પ્રોટોટાઈપ તૈયાર કરવાનો છે. ત્યારબાદ રિસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઈઝેશન (RDSO) દ્વારા ટ્રેનનું પરીક્ષણ કરવામાં આવશે. પરીક્ષણ દરમિયાન ઝડપ, સુરક્ષા, બ્રેકિંગ, સ્થિરતા અને મુસાફરોના આરામ સહિતના વિવિધ પાસાઓ ચકાસવામાં આવશે. દરેક ટ્રેનસેટમાં 8 કોચ હશે અને તેની ડિઝાઈન સ્પીડ 280 KMPH રાખવામાં આવી છે. ટ્રેન 250 KMPHથી વધુ ઝડપે દોડી શકશે. તમામ કોચ સંપૂર્ણ એર-કન્ડિશન્ડ ચેર કાર હશે. મુસાફરો માટે ઓનબોર્ડ ઈન્ફોટેનમેન્ટ, રિક્લાઈનિંગ અને ફરતી સીટ જેવી સુવિધાઓ આપવામાં આવશે. દિવ્યાંગ મુસાફરોની સુવિધાઓનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે.</p><h3><b>ટ્રેનસેટને B-28 કોડનેમ આપવામાં આવ્યું</b></h3><p>BEMLએ આ ટ્રેનના નિર્માણ માટે બેંગલુરુમાં 'આદિત્ય' નામનું અલગ હાઈસ્પીડ રેલ કોમ્પ્લેક્સ તૈયાર કર્યું છે. ટ્રેનસેટને B-28 કોડનેમ આપવામાં આવ્યું છે. ભારતીય હવામાનને ધ્યાનમાં રાખીને ટ્રેનની ડિઝાઈન કરવી પણ એક મોટો પડકાર છે. ભારતમાં ગરમી, ધૂળ અને વિવિધ હવામાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ટેક્નોલોજી વિકસાવવામાં આવી રહી છે. હાલમાં સ્ટેનલેસ સ્ટીલના ઉપયોગની યોજના છે, જ્યારે 300 KMPHથી વધુ ઝડપ માટે એલ્યુમિનિયમ ટ્રેનસેટ પર પણ વિચારણા ચાલી રહી છે.</p><h4><b>પ્રથમ તબક્કામાં સુરત-બિલિમોરા સેક્શનથી સેવા શરૂ થવાની શક્યતા</b></h4><p>આ પ્રોજેક્ટનું મહત્વ મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર માટે પણ મોટું છે. પ્રથમ તબક્કામાં સુરત-બિલિમોરા સેક્શનથી સેવા શરૂ થવાની શક્યતા છે. પ્રોટોટાઈપ અને ટેસ્ટિંગ સમયસર પૂર્ણ થાય તો ઓગસ્ટ 2027 સુધીમાં આ રૂટ પર હાઈસ્પીડ ટ્રેન સેવા શરૂ થવાની આશા છે. સરકારે ભવિષ્યમાં વધુ 7 હાઈસ્પીડ રેલ કોરિડોર વિકસાવવાની યોજના પણ જાહેર કરી છે, જેમાં મુંબઈ-પુણે, પુણે-હૈદરાબાદ, દિલ્હી-વારાણસી સહિતના રૂટનો સમાવેશ થાય છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/nta-standard-testing-centres-network-aicte-it-infrastructure-data" target="_blank">આ પણ વાંચો : NTA દેશભરમાં બનાવશે સ્ટાન્ડર્ડ ટેસ્ટિંગ સેન્ટર્સનું નેટવર્ક, AICTEએ સંસ્થાઓ પાસેથી માગ્યો ડેટા</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/LsxjsbyWXkMoJeCknZofj6nEhtFwrP5HtzQOcceg.webp'/></item><item><title><![CDATA[Asian Games 2026: નીરજ ચોપરાના રિપ્લેસમેન્ટની જાહેરાત, આ સ્ટારને મળ્યું સ્થાન ]]></title><link>https://sandesh.com/sports/news/neeraj-chopra-out-yashvir-singh-asian-games</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/neeraj-chopra-out-yashvir-singh-asian-games</guid><pubDate>Thu, 03 Sep 2026 18:11:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">એશિયન ગેમ્સ 19 સપ્ટેમ્બરથી જાપાનમાં શરૂ થવાની છે. ભારતીય ટીમને તાજેતરમાં મોટો ઝટકો લાગ્યો છે. ઈજાને કારણે બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા અને સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરા 2026 સીઝનની બાકીની બધી સ્પર્ધાઓમાંથી બહાર થઈ ગયો છે. તેને સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરી. ફેન્સને આશા હતી કે તે ગોલ્ડ જીતશે.&nbsp;</p><p style="text-align: justify;">પરંતુ એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ ત્યારબાદ એક નિવેદનમાં જાહેરાત કરી હતી કે તેઓ ટૂંક સમયમાં નીરજના રિપ્લેસમેન્ટની જાહેરાત કરશે. હવે તે ખેલાડીનું નામ જાહેર કરવામાં આવ્યું છે.</p><h2 style="text-align: justify;"><b>નીરજ ચોપરાનું સ્થાન કોણ લેશે?</b></h2><p style="text-align: justify;">ઈજા છતાં નીરજ ચોપરાએ તાજેતરની કેટલીક સ્પર્ધાઓમાં સારું પ્રદર્શન કર્યું. તેને કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો. નીરજના સાથી અને પ્રખ્યાત ભાલા ફેંકનાર યશવીર સિંહે કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. હવે તેને તેનું ઈનામ મળી ગયું છે. યશવીર એશિયન ગેમ્સમાં નીરજનું સ્થાન લેશે. યશવીરને એક મોટી તક મળી છે. તે એશિયન ગેમ્સમાં અજાયબીઓ કરી શકે છે.</p><p style="text-align: justify;">એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બહાદુર સિંહ સાગુએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "અમે એશિયન ગેમ્સ માટે નીરજ ચોપરાની જગ્યાએ યશવીર સિંહને સામેલ કર્યો છે. તેને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યો હતો. નીરજ હાલમાં ઘાયલ છે. તેની ઈજાને કારણે આ ફેરફાર કરવામાં આવ્યો છે. યશવીરના આવવામાં કોઈ સમસ્યા નહોતી."</p><h3 style="text-align: justify;"><b>યશવીર સિંહની સિઝન શાનદાર રહી&nbsp;</b></h3><p style="text-align: justify;">યશવીર સિંહે કોમનવેલ્થ ગેમ્સ  2026માં બ્રોન્ઝ મેડલ જીતીને બધાનું દિલ જીતી લીધું હતું. આ પછી તેની ખૂબ ચર્ચા થઈ હતી. તેને ત્યાં પણ પોતાનું બેસ્ટ પ્રદર્શન કર્યું. યશવીરે 85.41 મીટરનો થ્રો ફેંક્યો. કાશીનાથ નાયક (2010) અને નીરજ (2018, 2026) પછી તે કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનાર ત્રીજો ભારતીય છે.</p><p style="text-align: justify;">2026નું વર્ષ તેમના માટે શાનદાર રહ્યું છે. તેને 8 ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો, જેમાંથી 6માં 80 મીટરથી વધુ થ્રો ફેંક્યા હતા. હવે, બધાની નજર યશવીર પર રહેશે. નીરજના સ્થાને સામેલ થવાથી તેના પર પણ દબાણ આવશે. તે 2026 કોમનવેલ્થ ગેમ્સમાં પોતાના પ્રદર્શનનું કમબેક કરવા અને ભારત માટે મેડલ લાવવા માગશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/bcci-meeting-rohit-sharma-odi-future" target="_blank">Rohit Sharmaના ક્રિકેટ કરિયર અને 2027ના ODI વર્લ્ડકપને લઈને ચર્ચા, BCCI મોટો નિર્ણય લેવા માટે તૈયાર</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/pnZfVXFfDbiVeUTCGLZBXQLYtouFoYzTiWb82QVE.webp'/></item><item><title><![CDATA[Bebo : 25 વર્ષનું સફળ કરિયર છતાં કરીના કપૂરને છે આ વાતનો અફસોસ! એક્ટ્રેસનું એક સપનું અધૂરું...! ]]></title><link>https://sandesh.com/entertainment/news/kareena-kapoor-25-years-career-biggest-regret-children</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/kareena-kapoor-25-years-career-biggest-regret-children</guid><pubDate>Thu, 03 Sep 2026 17:33:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડમાં અઢી દાયકાથી પોતાની એક્ટિંગનો દમ બતાવનાર અભિનેત્રી કરીના કપૂર ખાન આજે કોઈ ઓળખની મોહતાજ નથી. તેણે પોતાની અલગ-અલગ પાત્રો ભજવવાની કળા અને શાનદાર એક્ટિંગથી કરોડો દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. પરંતુ સફળતાના આ મુકામ પર પહોંચ્યા પછી પણ તેના જીવનમાં એક એવી કમી રહી ગઈ છે, જેને લઈને તે ઘણીવાર ભાવુક થઈ જાય છે. નાની ઉંમરમાં જ ફિલ્મી દુનિયામાં જોડાઈ જવાના કારણે તેણે સ્કૂલનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો અને આ વાત આજે પણ તેને ખાલીપાનો અહેસાસ કરાવે છે.</p><h2 style="text-align: justify; "><b>કિશોરાવસ્થામાં લીધો હતો અભ્યાસ છોડવાનો નિર્ણય</b></h2><p style="text-align: justify; ">એક ઈન્ટરવ્યૂમાં પોતાના શરૂઆતના જીવન વિશે વાત કરતાં અભિનેત્રીએ સ્વીકાર્યું કે 11મા ધોરણ પછી તેણે અભ્યાસ આગળ વધાર્યો નહોતો. તે સમયે તેનું સંપૂર્ણ ધ્યાન એક્ટિંગની દુનિયામાં પોતાને સાબિત કરવા પર હતું. તેણે જણાવ્યું કે એ ઉંમરે પોતાના સપના પૂરા કરવા અને મનની વાત સાંભળવાનો ઉત્સાહ એટલો વધારે હતો કે અભ્યાસ આગળ વધારવાની તક હોવા છતાં તેણે તેનાથી દૂર રહેવાનું પસંદ કર્યું. જોકે, ઉંમર અને અનુભવ વધવાની સાથે હવે તેને સમજાય છે કે ડિગ્રી અને ઔપચારિક શિક્ષણ માત્ર કાગળ પૂરતું નથી, પરંતુ તે વ્યક્તિના વ્યક્તિત્વને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. અભિનેત્રી માને છે કે તેમણે પોતાના સપના પૂરા કર્યા, પરંતુ વ્યવસ્થિત શિક્ષણથી દૂર રહેવું તેના જીવનનો એવો અધૂરો ભાગ છે, જેને તેઓ બદલી શક્યા હોત.<br><img alt="Kareena Kapoor (8)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/03/vVl5FNOLWi4UGuu0r1H25CLQBGut9YHVnxcDZ19F.webp"><br></p><h3 style="text-align: justify; "><b>પહેલા શિક્ષણ, પછી કરિયર</b></h3><p style="text-align: justify; ">પોતાના આ અનુભવમાંથી શીખ લઈને અભિનેત્રી હવે પોતાના બાળકોના ઉછેરને લઈને ખૂબ ગંભીર છે. તે ઈચ્છે છે કે તેના બાળકો તૈમુર અને જેહ તેની જેવી ભૂલ ન કરે. તેનું સ્પષ્ટ માનવું છે કે જીવનમાં કોઈપણ ક્ષેત્રમાં કરિયર બનાવતા પહેલાં મજબૂત શૈક્ષણિક પાયો હોવો ખૂબ જરૂરી છે. તે પોતાના દીકરાઓને હંમેશા શીખવે છે કે પહેલા સ્કૂલ અને ઉચ્ચ શિક્ષણ પૂરા ધ્યાનથી પૂર્ણ કરો અને ત્યારબાદ જ કલા કે અન્ય કોઈ ક્ષેત્રમાં કરિયર બનાવવાનું વિચારો. તેના મતે શિક્ષણ વ્યક્તિને યોગ્ય નિર્ણય લેવાની સમજ અને માનસિક પરિપક્વતા આપે છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DctLbswCH4r/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DctLbswCH4r/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DctLbswCH4r/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DctLbswCH4r/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>દીકરીઓના શિક્ષણ માટે પણ કરીના કરે છે કામ</b></h4><p style="text-align: justify; ">પોતાના જીવનમાં અભ્યાસ અધૂરો રહી ગયાનો અફસોસ જ તેને સામાજિક કાર્યો સાથે વધુ ઊંડાણથી જોડતો ગયો. છેલ્લા એક દાયકાથી પણ વધુ સમયથી તેઓ બાળકો અને ખાસ કરીને દીકરીઓના શિક્ષણ માટે કામ કરતી સંસ્થાઓ સાથે સક્રિય રીતે જોડાયેલા છે. જ્યારે તેને દેશભરમાં દીકરીઓના શિક્ષણ અને સ્ત્રી-પુરુષ સમાનતાના સમર્થનમાં આગળ આવવાની તક મળી, ત્યારે તેણે તેને ખુશીથી સ્વીકારી. તેનું માનવું છે કે જ્યાં સુધી દેશની દરેક દીકરીને ગુણવત્તાયુક્ત અને સમાન શિક્ષણનો અધિકાર નહીં મળે, ત્યાં સુધી સમાજનો સંપૂર્ણ વિકાસ શક્ય નથી. પોતાના જીવનના આ અફસોસને હવે તે લાખો દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરવાની પ્રેરણા બનાવી રહી છે.</p><p style="text-align: justify; "><b style="font-size: 1.25rem;">દાયરામાં પોલીસ અધિકારીના રોલમાં જોવા મળશે કરીના</b></p><p style="text-align: justify; ">2000માં ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર કરીનાએ ખૂબ નાની ઉંમરમાં એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો હતો. પોતાની પહેલી જ ફિલ્મથી તેણે પોતાની અલગ ઓળખ બનાવી અને થોડા જ સમયમાં હિન્દી સિનેમાની ટોચની અભિનેત્રીઓમાં સામેલ થઈ ગયા. હવે તે મેઘના ગુલઝારના ડાયરેક્શનમાં બની રહેલી વાસ્તવિક ઘટનાઓ પર આધારિત ક્રાઇમ-થ્રિલર ફિલ્મ દાયરામાં પોલીસ અધિકારીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં સાઉથના જાણીતા અભિનેતા પૃથ્વીરાજ સુકુમારન પણ મુખ્ય ભૂમિકામાં છે. કોઈ વ્યાવસાયિક ગીતો વગરની આ ગંભીર ફિલ્મ 18 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/laalo-telugu-remake-vijay-deverakonda-krishna" target="_blank">આ પણ વાંચો-Laalo Remake : ગુજરાતી બ્લોકબસ્ટર લાલો ફિલ્મના તેલુગુ રીમેકમાં શ્રીકૃષ્ણ બનશે વિજય દેવરકોંડા?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/F7jT6LEcW9Oo3bIZyrBAayflSqpirxFR15n2aUHH.webp'/></item></channel></rss>