<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabad News : કૈલાશ યાત્રાએ ગયેલા અમદાવાદના ભાવિન રાવલ નેપાળમાં ગુમ, બુધવારે ફ્લેશ ફ્લડ બાદ સંપર્ક તૂટ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/world/ahmedabad/ahmedabad-news-bhavin-rawal-from-ahmedabad-who-went-on-kailash-yatra-missing-in-nepal-contact-lost-after-flash-flood-on-wednesday</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/world/ahmedabad/ahmedabad-news-bhavin-rawal-from-ahmedabad-who-went-on-kailash-yatra-missing-in-nepal-contact-lost-after-flash-flood-on-wednesday</guid><pubDate>Thu, 27 Aug 2026 16:55:07 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મૂળ વડનગરના રહેવાસી અને હાલ અમદાવાદ ખાતે રહેતા ભાવિન રાવલ પોતાના ત્રણ મિત્રો સાથે ઓસ્ટ્રેલિયાથી ભારત આવ્યા બાદ ચંદીગઢથી નેપાળ થઈને કૈલાશ માનસરોવર યાત્રા માટે રવાના થયા હતા. આ દરમિયાન બુધવારે નેપાળમાં સર્જાયેલી ફ્લેશ ફ્લડની વિનાશક હોનારત બાદ તેઓ રહસ્યમય રીતે ગુમ થઈ ગયા છે. તીબેટ બોર્ડર પર ઈમિગ્રેશન પ્રક્રિયા માટે પહોંચેલા ભાવિનભાઈ અને તેમના જૂથ સાથે ફ્લેશ ફ્લડની ઘટના બાદ સંપર્ક તૂટી જતાં પરિવારમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>આજે જ ભાવિન રાવલનો જન્મદિવસ</b></h2><p style="text-align: justify; ">ભાવિન રાવલે ગઈકાલે જ તેમની પત્ની આરતી રાવલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને પોતાના લોકેશન અંગે માહિતગાર કર્યા હતા. પરંતુ ત્યારબાદ અચાનક આવેલ પૂરની સ્થિતિને કારણે તેમનો ફોન બંધ થઈ ગયો હતો. અત્યંત દુઃખદ બાબત એ છે કે આજે ભાવિન રાવલનો જન્મદિવસ છે, ત્યારે પરિવાર તેમના જન્મદિવસની ઉજવણી કરવાના બદલે તેઓ હેમખેમ મળી આવે તે માટે ઈશ્વર પાસે પ્રાર્થના કરી રહ્યો છે.</p><p style="text-align: justify; "><img alt="WhatsApp Image 2026-08-27 at 15.57.02 (2)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/27/VswT4GdiuSjJSmXjBbqEvedeTrEdx8ROwi34N58A.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>ભાઈ ધવલ રાવલે રાજ્ય સરકાર પાસે મદદની ગુહાર લગાવી</b></h2><p style="text-align: justify; ">ભાઈનો સંપર્ક ન થઈ શકતાં ધવલ રાવલે તાત્કાલિક રાજ્ય સરકારે જાહેર કરેલા વિશેષ હેલ્પલાઈન નંબર પર સંપર્ક સાધીને સમગ્ર ઘટનાની સત્તાવાર જાણ કરી છે. પરિવારે કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ અપીલ કરી છે કે નેપાળ સ્થિત ભારતીય એમ્બેસી અને સ્થળ પરના તંત્ર સાથે સમન્વય સાધીને ભાવિન રાવલ તેમજ તેમની સાથેના અન્ય યાત્રીઓની શોધખોળ માટે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/dahod/dahod-news-red-eye-of-the-administration-in-limkheda-intensive-checking-in-hotels-and-breakfast-shops-crackdown-on-adulterators" target="_blank">Dahod News : લીમખેડામાં તંત્રની લાલ આંખ! હોટલ-નાસ્તાની દુકાનોમાં સઘન ચેકિંગ, મિલાવટખોરોમાં ફફડાટ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/mRQMnqH7hKI2t6bEzN1lygxIv9t39MinPhQwJspz.webp'/></item><item><title><![CDATA[Delhi : 21 વર્ષીય મોડલ મુસ્કાનની હત્યા, જિમ ટ્રેનર પર પરિવારે લગાવ્યો આરોપ ]]></title><link>https://sandesh.com/india/news/crime/delhi-21-year-old-model-muskan-murder-gym-trainer-accused</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/crime/delhi-21-year-old-model-muskan-murder-gym-trainer-accused</guid><pubDate>Thu, 27 Aug 2026 16:53:54 +05:30</pubDate><description><![CDATA[<p>નવી દિલ્હીના તિલક નગર વિસ્તારમાં આવેલા ઓલ્ડ મહાવીર નગરમાં બુધવારે સાંજે 21 વર્ષીય વિદ્યાર્થી અને મોડલ મુસ્કાનની ઘરમાં ઘૂસીને ચાકુ મારી હત્યા કરવામાં આવી હતી. ઘટનાના સમયે મુસ્કાન ઘરમાં એકલી હતી. પાડોશીઓએ તેની ચીસો સાંભળીને દોડી આવ્યા ત્યારે તે લોહીલુહાણ હાલતમાં મળી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/AHindinews/status/2092688262175527339"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>હુમલો કર્યા બાદ આરોપી ફરાર</b></h2><p>પોલીસના જણાવ્યા મુજબ, આરોપી બુધવારે સાંજે આશરે 5 વાગ્યે મુસ્કાનના ઘરે ઘૂસ્યો હતો અને તેના પર અનેક વખત ચાકુથી હુમલો કર્યા બાદ ફરાર થઈ ગયો હતો. મુસ્કાન પોતાના માતા-પિતા અને ચાર ભાઈ-બહેનો સાથે ચાર માળની ઇમારતના બીજા માળે રહેતી હતી. પરિવારે જિમ ટ્રેનર ઈમરાન પર હત્યાનો આરોપ લગાવ્યો છે. પરિવારનો દાવો છે કે ઈમરાન મુસ્કાનને પરેશાન કરતો હતો. પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. પોલીસે આરોપીને પકડવા માટે તેના જિમ અને ઘર સહિત અન્ય સંભવિત સ્થળોએ દરોડા પાડ્યા છે.</p><h3><b>મુસ્કાન પાર્ટ-ટાઈમ મોડલ તરીકે કામ કરતી હતી</b></h3><p>મુસ્કાનના મિત્ર અમને જણાવ્યું કે ઘટનાની જાણ થયા બાદ તેને મુસ્કાનની મોટી બહેનનો ફોન આવ્યો હતો અને તાત્કાલિક ઘરે આવવા કહેવામાં આવ્યું હતું. પરિવાર પાસેથી મળેલી માહિતી મુજબ, મુસ્કાને ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું અને તે પાર્ટ-ટાઇમ મોડલ તરીકે કામ કરતી હતી. પોલીસ હાલ આરોપીની શોધખોળ કરી રહી છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/business/india-japan-startup-connect-japan-7-lakh-crore-investment-piyush-goyal" target="_blank">આ પણ વાંચો : India-Japan સ્ટાર્ટઅપ કનેક્ટને વેગ, આગામી 4 વર્ષમાં રૂપિયા 7 લાખ કરોડનું રોકાણ કરશે જાપાન: પીયૂષ ગોયલ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/SRFmDalFX1iLpgWS4l7svHpmFhTmcZrZb1nrsNXD.webp'/></item><item><title><![CDATA[KBC 18નો કન્ટેસ્ટેન્ટ વિશાલ રાઠોડ 50 લાખ જીતતાં ચૂક્યા! જાણો એ અઘરા સવાલનો સાચો જવાબ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/kbc-18-vishal-rathod-50-lakh-nanga-parbat-question</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/kbc-18-vishal-rathod-50-lakh-nanga-parbat-question</guid><pubDate>Thu, 27 Aug 2026 16:50:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝનના લોકપ્રિય ક્વિઝ રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિ 16ના મંચ પર ફરી એકવાર સંઘર્ષ અને હિંમતની એવી કહાની જોવા મળી, જેણે કરોડો દર્શકોના દિલને સ્પર્શી લીધા. શોના રોલઓવર એપિસોડની શરૂઆત હોસ્ટ અમિતાભ બચ્ચન અને તેમની સામે હોટસીટ પર બેઠેલા કન્ટેસ્ટન્ટ વિશાલ પ્રેમચંદ રાઠોડ સાથે થઈ.</p><h2 style="text-align: justify; "><b>વિશાલના સંઘર્ષની કહાનીએ સૌને ભાવુક કર્યા</b></h2><p style="text-align: justify; "> </p><p style="text-align: justify; ">વિશાલના જીવનની હકીકત સામે આવી ત્યારે સ્ટુડિયોમાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ. છેલ્લા 3 વર્ષથી MPSCની તૈયારી કરી રહેલા વિશાલ પાસે અભ્યાસ માટે પૈસા નહોતા, જેના કારણે તેમને પોતાના પિતા સાથે મજૂરી પણ કરવી પડી હતી. હોટસીટ પર વિશાલે કહ્યું, કોઈ પણ મોટો દીકરો પોતાના માતા-પિતાને કામ કરતા જોઈ શકતો નથી સર, મજબૂરી છે એટલે મજૂરી છે.</p><p style="text-align: justify; "><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dcf-KOcFRhz/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dcf-KOcFRhz/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dcf-KOcFRhz/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dcf-KOcFRhz/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><p style="text-align: justify; ">વિશાલે પોતાના જ્ઞાનના આધારે કૌન બનેગા કરોડપતિમાં એક પછી એક સવાલોના સાચા જવાબ આપ્યા અને 25 લાખ રૂપિયાની મોટી રકમ પોતાના નામે કરી લીધી. જ્યારે બિગ બીએ 5 લાખ રૂપિયાનો ચેક બતાવ્યો હતો, ત્યારે વિશાલે ભાવુક થઈને જણાવ્યું હતું કે તેમણે જીવનમાં પહેલીવાર બેંકનો ચેક જોયો છે. પરંતુ અસલી રોમાંચ ત્યારે શરૂ થયો જ્યારે તેઓ 14મા પડાવ એટલે કે 50 લાખ રૂપિયાના સવાલ સુધી પહોંચ્યા.</p><h3 style="text-align: justify; "><b>50 લાખના સવાલ પર અટકી ગયા વિશાલ</b></h3><p style="text-align: justify; ">25 લાખ રૂપિયા જીત્યા બાદ વિશાલ પાસે કોઈ લાઇફલાઇન બાકી રહી નહોતી. અમિતાભ બચ્ચને તેમને સ્પષ્ટ ચેતવણી આપી કે જો તેમણે જોખમ લીધું અને જવાબ ખોટો પડ્યો, તો તેઓ સીધા 5 લાખ રૂપિયા પર આવી જશે. ત્યારબાદ બિગ બીએ 50 લાખ રૂપિયા માટે 14મો સવાલ સ્ક્રીન પર મૂક્યો.</p><p style="text-align: justify; "><b>સવાલ:</b> 1953માં નાંગા પર્વતની ટોચ પર પહોંચનાર પ્રથમ વ્યક્તિ કોણ બન્યા હતા, જ્યારે તેમના સાથી ટોચ સુધી પહોંચતા પહેલાં જ અટકી ગયા હતા અને તેમણે એકલા ચઢાણ પૂરું કર્યું હતું?</p><p style="text-align: justify; "><b>વિકલ્પો:</b></p><p style="text-align: justify; "><b>A. વિલી મર્કલ</b></p><p style="text-align: justify; "><b>B. કાર્લ એમ. હર્લિગકોફર</b></p><p style="text-align: justify; "><b>C. હર્મન બુહલ</b></p><p style="text-align: justify; "><b>D. રેઇનહોલ્ડ મેસનર</b></p><h3 style="text-align: justify; "><b>જોખમ ન લીધું, સમજદારીથી ગેમ છોડી</b></h3><p style="text-align: justify; ">સવાલ ઘણો મુશ્કેલ હતો અને ઇતિહાસના પર્વતારોહણ અભિયાનો સાથે જોડાયેલો હતો. વિશાલને જવાબ અંગે પૂરો વિશ્વાસ નહોતો અને ખોટા જવાબ પર 20 લાખ રૂપિયાનું સીધું નુકસાન થઈ શકે તેમ હતું. તેથી તેમણે સમજદારી બતાવીને 25 લાખ રૂપિયા પર જ ગેમ છોડવાનો નિર્ણય લીધો. બિગ બીએ તેમના આ નિર્ણયની પ્રશંસા કરી અને તાળીઓના ગડગડાટ વચ્ચે તેમને 25 લાખ રૂપિયાના વિજેતા જાહેર કર્યા. ગેમ પૂરી થયા બાદ બિગ બીએ જણાવ્યું કે તેનો સાચો જવાબ વિકલ્પ C- હર્મન બુહલ હતો.</p><h4 style="text-align: justify; "><b>મિત્રોના ઋણ અને પિતા માટે ભાવુક વાતો</b></h4><p style="text-align: justify; ">વિશાલે જણાવ્યું કે તેમના આ મુશ્કેલ સફરમાં તેમના મિત્રોએ હંમેશા સાથ આપ્યો. ક્યારેક પુસ્તકો, ફોર્મ ભરવા અને ટિકિટના પૈસા નહોતા હોતા ત્યારે મિત્રોએ મદદ કરી હતી. 2021ના કોરોના સમયગાળા દરમિયાન જ્યારે તેઓ સંક્રમિત થયા હતા, ત્યારે વાહનવ્યવહાર બંધ હોવા છતાં મિત્રોએ પરિવારની નારાજગી વહોરીને પોતાની ગાડીમાં તેમને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જીત બાદ વિશાલે ભાવુક થઈને કહ્યું કે તેઓ આજ સુધી પોતાના પિતાને ક્યારેય નવા કપડાંની એક જોડી પણ અપાવી શક્યા નહોતા. હવે આ 25 લાખ રૂપિયાથી તેઓ ગામમાં દાદાના જૂના કાચા ઘરની મરામત કરાવશે, પોતાની બહેનોનો અભ્યાસ પૂર્ણ કરાવશે અને પોતે કોઈ મજબૂરી વગર ફરી એકવાર સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારીમાં લાગી જશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/rhea-chakraborty-the-traitors-2-eviction-innocent" target="_blank">આ પણ વાંચો-The Traitors 2માંથી બહાર થતાં જ ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડી રિયા ચક્રવર્તી, બોલી- 'હું ઇનોસન્ટ હતી અને હંમેશા રહીશ!'</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/UFjGidGmi7aHCoR9Al9P91lQHmcWmvnV3wQhvvIK.webp'/></item><item><title><![CDATA[Nepal Cloud: 288 ભારતીયો સંપર્ક વિહોણા, બચાવ કામગીરી તેજ, MEAનું નિવેદન ]]></title><link>https://sandesh.com/india/news/nepal-cloud-288-indians-uncontacted-rescue-operations-in-full-swing-mea-statement</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/nepal-cloud-288-indians-uncontacted-rescue-operations-in-full-swing-mea-statement</guid><pubDate>Thu, 27 Aug 2026 16:24:20 +05:30</pubDate><description><![CDATA[<p>ગુરુવારે વિદેશ મંત્રાલય (MEA) એ નેપાળ-ચીન સરહદી વિસ્તારમાં અચાનક પૂર પછી ભારતીય નાગરિકોનો સામનો કરી રહેલી પરિસ્થિતિ અંગે વિગતો પૂરી પાડી. સરકારે જણાવ્યું હતું કે તેઓ અસરગ્રસ્ત વ્યક્તિઓને શોધવા માટે નેપાળી અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. </p><h2><b>288 ભારતીય નાગરિકો ફસાયેલા છે-MEA</b></h2><p>MEA પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે આ બ્રીફિંગનો હેતુ તમને ભારતીય નાગરિકો સંબંધિત નવીનતમ વિકાસ અને નેપાળમાં દુર્ઘટના પછી અમે હાથ ધરેલા રાહત પ્રયાસો વિશે અપડેટ કરવાનો છે. જેમ તમે નોંધ્યું હશે, આપણા PMએ ગઈકાલે નેપાળના વડા પ્રધાન સાથે વાત કરી હતી, ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી, નેપાળના લોકો સાથે ભારતની એકતાની પુષ્ટિ કરી હતી અને શક્ય તેટલી માનવતાવાદી સહાયની ઓફર કરી હતી.</p><p>MEA અનુસાર બોર્ડરના ચીન બાજુએ 200 ભારતીય નાગરિકો ફસાયેલા છે, જ્યારે અન્ય 288 ભારતીય નાગરિકો સાથે હજુ સુધી સંપર્ક સ્થાપિત થયો નથી. મંત્રાલયે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 21 ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે.</p><h3><b>288 ભારતીયો સંપર્ક વિહોણા- MEA</b></h3><p>અધિકારીઓએ જણાવ્યું હતું કે ઈશા ફાઉન્ડેશન જૂથ પણ એવા લોકોમાં સામેલ છે જેઓ હજુ સુધી શોધી શકાયા નથી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે તેઓ બચાવ અને રાહત કામગીરી પર નેપાળી અધિકારીઓ સાથે નજીકથી કામ કરી રહ્યા છે, અને નેપાળના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત પુરવઠો મોકલવામાં આવ્યો છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2092910292418335178"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p>બ્રીફિંગ દરમિયાન, રણધીર જયસ્વાલે સમજાવ્યું કે 288 ભારતીય નાગરિકો જેમની સાથે હજુ સુધી સંપર્ક સ્થાપિત થયો નથી તેમાં ત્રિશુલી 1 પાવર પ્રોજેક્ટ પર કામ કરતા 73 લોકો, તેમજ તમિલનાડુના બે અલગ જૂથો&nbsp; અનુક્રમે 37 અને 49 નાગરિકોનો સમાવેશ થાય છે . જેઓ સમ્રાટ ટ્રાવેલ્સ અને ફ્લાય એવરેસ્ટ ટ્રાવેલ્સ દ્વારા મુસાફરી કરી હતી.</p><h4><b>21 ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા</b></h4><p>પશ્ચિમ બંગાળના 32 નાગરિકોનું એક જૂથ જે સમ્રાટ ટ્રાવેલ્સ દ્વારા રસુવા જિલ્લામાં ગયું હતું; વિવિધ રાજ્યોના 61 ભારતીય નાગરિકોનું એક જૂથ જે રિચા ટુર્સ દ્વારા મુસાફરી કરી હતી; અને કેરળના 33 ભારતીય નાગરિકોનું એક જૂથ પણ અપ્રાપ્ય છે. બચાવ અને રાહત પ્રયાસો અંગે, જયસ્વાલે જણાવ્યું હતું કે 21 ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે અને નોંધ્યું છે કે આશરે 200 ભારતીયોએ તિબેટમાં મદદ માંગી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2092906050571964449"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h4><b>મૃત્યુઆંક 280ને પાર&nbsp;</b></h4><p>દરમિયાન, બુધવારે નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક વધીને 280ને પાર થયો છે. પોલીસે ગુરુવારે અહેવાલ આપ્યો હતો કે અધિકારીઓ ગુમ થયેલા હજારો લોકોની શોધ માટે યુદ્ધના ધોરણે વિશાળ કામગીરીમાં રોકાયેલા છે. તાજેતરના વર્ષોમાં નેપાળમાં આવેલી આ સૌથી ગંભીર આફતોમાંની એક છે.</p><p>નેપાળ પોલીસે જણાવ્યું હતું કે બુધવારે આવેલા અચાનક પૂરથી ત્રણ જિલ્લામાં ભારે વિનાશ થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ભોટે કોશી નદીમાં અચાનક પૂર બાદ 93 વધારાના મૃતદેહો મળી આવ્યા છે, જેનાથી કુલ મૃત્યુઆંક 270 થયો છે. હવાઈ માર્ગે બે પ્રસ્થાનોમાં કુલ આઠ ટન દવા અને એક ટન ખાદ્ય પદાર્થો, ભારતે નેપાળના ચાલી રહેલા બચાવ અને રાહત કામગીરીને ટેકો આપવા માટે 47.5 ટન કટોકટી પુરવઠો મોકલ્યો છે.</p><h4><b>ઘાયલો સહિત 800થી વધુ લોકોને બચાવી લેવાયા&nbsp;</b></h4><p>નેપાળ પોલીસ પ્રવક્તા અભિ નારાયણ કાફલેના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં મળી આવેલા મૃતદેહોમાં ચિતવાનના 108, નવલપરાસી પૂર્વના 62, ધાડિંગના 27, ગોરખાના 20, રાસુવાના 17, નવલપરાસી પશ્ચિમના 15, નુવાકોટના 12 અને તનહુનના નવ લોકોનો સમાવેશ થાય છે. કાફલેએ જણાવ્યું હતું કે ઘાયલો સહિત 800 થી વધુ ફસાયેલા લોકોને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી બચાવી લેવામાં આવ્યા છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2092912280942018615"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h5><b>રસુવા સહિત અનેક જગ્યાએ લોકો હજી પણ ગુમ&nbsp;</b></h5><p>ભોટે કોશીની ઉપનદી લહેન્ડે નદીના પ્રવાહને ભૂસ્ખલનથી અવરોધિત કરવામાં આવ્યો હતો. પૂરના પાણી સૌપ્રથમ ચીનની સરહદ નજીક રાસુવાગઢીમાં તૈમુરે પહોંચ્યા. નેપાળના વિદેશ પ્રધાન શિશિર ખાનાલે ગુરુવારે જણાવ્યું હતું કે અચાનક પૂરને કારણે ગુમ થયેલા હજારો લોકોમાં આશરે 300 ભારતીય પ્રવાસીઓનો સમાવેશ થાય છે. ખાનાલે એ પણ પુષ્ટિ આપી હતી કે રસુવા ક્ષેત્રમાં આ આપત્તિમાં 160 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, અને હજારો હજુ પણ ગુમ છે.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/kklUlCJ0tmtNhwJYtJlpPW9NN1iSRSnuVLgi0Ds0.webp'/></item><item><title><![CDATA[Share Market રક્ષાબંધનના દિવસે ખુલશે કે બંધ રહેશે? જાણો ]]></title><link>https://sandesh.com/business/news/share-market-open-or-closed-on-raksha-bandhan-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/share-market-open-or-closed-on-raksha-bandhan-2026</guid><pubDate>Thu, 27 Aug 2026 16:20:48 +05:30</pubDate><description><![CDATA[<p>રક્ષાબંધનના પાવન પર્વને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. તહેવારો દરમિયાન રોકાણકારોમાં શેરબજાર ખુલ્લું રહેશે કે બંધ તે અંગે ઘણીવાર મૂંઝવણ જોવા મળે છે. જો તમે શુક્રવાર, 28 ઓગસ્ટે શેરબજારમાં ટ્રેડિંગ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો તમારા માટે મહત્વના સમાચાર છે. રક્ષાબંધનના દિવસે ભારતીય શેરબજારમાં કોઈ રજા નથી. એટલે કે રોકાણકારો અન્ય સામાન્ય દિવસોની જેમ શેરની ખરીદી-વેચાણ કરી શકશે.</p><h2><b>શેરબજાર નિર્ધારિત સમય મુજબ ખુલ્લું રહેશે</b></h2><p>દેશના બંને મુખ્ય સ્ટોક એક્સચેન્જ 28 ઓગસ્ટે પોતાના નિર્ધારિત સમય મુજબ ખુલ્લા રહેશે. ટ્રેડિંગ ઉપરાંત ક્લિયરિંગ અને સેટલમેન્ટની કામગીરી પણ સામાન્ય રીતે ચાલુ રહેશે. શેરબજાર ઉપરાંત કોમોડિટી માર્કેટમાં પણ કોઈ રજા નથી. દેશના મોટા કોમોડિટી એક્સચેન્જ 'મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા' પર પણ નિયમિત કામગીરી ચાલુ રહેશે. તેથી ટ્રેડર્સ પોતાના સોદા સામાન્ય રીતે કરી શકશે.</p><h3><b>હવે ક્યારે બંધ રહેશે શેરબજાર?</b></h3><p>વર્ષ 2026 માટે શેરબજારે કુલ 16 રજાઓનું કેલેન્ડર જાહેર કર્યું છે. અત્યાર સુધીમાં 10 રજાઓ પસાર થઈ ચૂકી છે. હવે શેરબજારની આગામી રજા 14 સપ્ટેમ્બર, ગણેશ ચતુર્થીના દિવસે રહેશે. આ ઉપરાંત 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધી જયંતિ, 20 ઓક્ટોબરે દશેરા, 10 નવેમ્બરે દિવાળી-બલિપ્રતિપદા, 24 નવેમ્બરે ગુરુ નાનક જયંતિ અને 25 ડિસેમ્બરે ક્રિસમસના દિવસે બજાર બંધ રહેશે. રોકાણકારોએ તહેવારો દરમિયાન ટ્રેડિંગનું આયોજન શેરબજારના હોલિડે કેલેન્ડર મુજબ કરવું જરૂરી છે.<br><br><a href="https://sandesh.com/india/news/business/india-japan-startup-connect-japan-7-lakh-crore-investment-piyush-goyal" target="_blank"><b>આ પણ વાંચો : India-Japan સ્ટાર્ટઅપ કનેક્ટને વેગ, આગામી 4 વર્ષમાં રૂપિયા 7 લાખ કરોડનું રોકાણ કરશે જાપાન: પીયૂષ ગોયલ</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/ZEKWCHJD0rOVOnjB4CwmPqQsDGeia1YoO5PTyQHn.webp'/></item><item><title><![CDATA[Dahod News : લીમખેડામાં તંત્રની લાલ આંખ! હોટલ-નાસ્તાની દુકાનોમાં સઘન ચેકિંગ, મિલાવટખોરોમાં ફફડાટ ]]></title><link>https://sandesh.com/gujarat/news/dahod/dahod-news-red-eye-of-the-administration-in-limkheda-intensive-checking-in-hotels-and-breakfast-shops-crackdown-on-adulterators</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/dahod/dahod-news-red-eye-of-the-administration-in-limkheda-intensive-checking-in-hotels-and-breakfast-shops-crackdown-on-adulterators</guid><pubDate>Thu, 27 Aug 2026 16:17:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં લોકોના આરોગ્ય સાથે થતાં ચેડાં રોકવા માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મામલતદાર અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે સંયુક્ત રીતે લીમખેડા નગર તેમજ દુધીયા અને બાંડીબાર જેવા ગ્રામ્ય વિસ્તારોમાં આકસ્મિક તપાસ ઝુંબેશ ચલાવી હતી. આ દરોડા દરમિયાન સ્થાનિક હોટેલો, નાસ્તાની દુકાનો અને ડેરીઓ પર સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેને પગલે ખુલ્લેઆમ નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.</p><h2 style="text-align: justify; "><b>હાનિકારક સેવનો સ્થળ પર નાશ અને મિલાવટી પેંડાના સેમ્પલ લેવાયા</b></h2><p style="text-align: justify; ">તપાસ દરમિયાન અધિકારીઓએ શંકાસ્પદ ખાદ્ય પદાર્થો અને અલગ-અલગ મીઠાઈઓના સેમ્પલ એકત્ર કરી લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપ્યા હતા. આ કામગીરી દરમિયાન આરોગ્ય માટે અત્યંત હાનિકારક કેમિકલ યુક્ત કલરવાળી સેવ મળી આવતાં તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, મિલાવટી પેંડાનું વેચાણ કરતા વેપારીઓ સામે કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. તંત્રની તપાસની જાણ થતાં જ અનિયમિતતાઓ આચરતા અનેક શંકાસ્પદ વેપારીઓ પોતાની દુકાનો બંધ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.</p><h2 style="text-align: justify; "><b>અયોગ્ય તેલ વાપરતા વેપારીઓને નોટિસ અને કડક ચેતવણી</b></h2><p style="text-align: justify; ">તંત્રની ટીમ દ્વારા નાસ્તો બનાવવા માટે બળેલા અને આરોગ્ય માટે અયોગ્ય તેલનો ઉપયોગ કરતા વેપારીઓને સ્થળ પર જ નોટિસ ફટકારવામાં આવી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને મામલતદાર તંત્ર દ્વારા સ્પષ્ટ શબ્દોમાં કડક ચેતવણી આપવામાં આવી છે કે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે રમઝટ કરતા અથવા ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ આચરતા કોઈપણ વેપારીને બક્ષવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં પણ આ પ્રકારની આકસ્મિક તપાસ ચાલુ રહેશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/world/vadodara/vaodara-news-nri-couple-from-vadodara-who-went-on-a-trip-to-nepal-goes-missing-family-seeks-government-help#google_vignette" target="_blank">Vaodara News : નેપાળ પ્રવાસે ગયેલું વડોદરાનું NRI દંપતી ગુમ, પરિવારે સરકાર પાસે મદદની ગુહાર લગાવી</a></b></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/MZiGt4ggMd2Y2pkHWrAARgKmUI1o1SrfpQQLXIcD.webp'/></item><item><title><![CDATA[Vaodara News : નેપાળ પ્રવાસે ગયેલું વડોદરાનું NRI દંપતી ગુમ, પરિવારે સરકાર પાસે મદદની ગુહાર લગાવી ]]></title><link>https://sandesh.com/gujarat/news/world/vadodara/vaodara-news-nri-couple-from-vadodara-who-went-on-a-trip-to-nepal-goes-missing-family-seeks-government-help</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/world/vadodara/vaodara-news-nri-couple-from-vadodara-who-went-on-a-trip-to-nepal-goes-missing-family-seeks-government-help</guid><pubDate>Thu, 27 Aug 2026 15:38:24 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મૂળ વડોદરાના અને હાલ ન્યુઝીલેન્ડ ખાતે સ્થાયી થયેલા મિહિર પટેલ અને તેમના પત્ની કિન્નરી પટેલ નેપાળના પ્રવાસે ગયા બાદ રહસ્યમય રીતે ગુમ થઈ ગયા છે. આ દંપતી મુંબઈ સ્થિત એક જાણીતી ટ્રાવેલ્સ એજન્સી મારફતે નેપાળ પ્રવાસ માટે રવાના થયું હતું. નેપાળ પહોંચ્યાના થોડા સમય બાદ અચાનક જ પરિવાર સાથેનો તેમનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો હતો, જેને પગલે વડોદરામાં રહેતા તેમના પરિવારજનો અને સગા-સંબંધીઓમાં ઘેરી ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>ભાઈ ચિરાગ પટેલે સરકાર પાસે મદદની ગુહાર લગાવી</b></h2><p style="text-align: justify; ">દંપતી સાથે સતત સંપર્ક કરવાના પ્રયાસો નિષ્ફળ જતાં, કિન્નરી પટેલના ભાઈ ચિરાગ પટેલે આ મામલે રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે. ચિરાગ પટેલે ભારતીય વિદેશ મંત્રાલય અને નેપાળ સ્થિત ભારતીય એમ્બેસીને અપીલ કરી છે કે તેઓ સ્થાનિક પ્રશાસન સાથે સમન્વય સાધીને મિહિર અને કિન્નરીની શોધખોળ માટે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરાવે.</p><p style="text-align: justify; "><img alt="WhatsApp Image 2026-08-27 at 15.22.35" src="https://epapercdn.sandesh.com/images/2026/08/27/hJMkYCzum8Nk0C98fABSxXJGoRcZrQHQyf9dk6bh.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>મુંબઈની ટ્રાવેલ એજન્સી અને સ્થાનિક તંત્રની તપાસ</b></h2><p style="text-align: justify; ">આ ઘટના બાદ પરિવાર દ્વારા મુંબઈની સંબંધિત ટ્રાવેલ્સ એજન્સીનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે, જેથી દંપતીના છેલ્લા લોકેશન, હોટેલ બુકિંગ અને પ્રવાસ યોજના અંગેની મહત્વપૂર્ણ માહિતી મેળવી શકાય. સ્થાનિક તંત્ર અને રાજદ્વારી સ્તરે સંપર્ક સાધીને પટેલ દંપતીને સુરક્ષિત અને હેમખેમ શોધી કાઢવા માટેની કાયદાકીય અને બચાવ પ્રક્રિયાઓ ઝડપી બનાવવામાં આવી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/india/news/nepal-flood-reason--langtang-lirung-glacier-collapse-at-5200m-caused-disaster" target="_blank">Nepal Flood: ભૂકંપ નહીં, ગ્લેશિયરનો ટૂકડો 1200 મીટર નીચે પડ્યો અને.... નેપાળ પૂરની આ છે કહાણી!</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/GGjUlIMkJrctB8cSeuHzHzFqcE7X9uszTlGLQpsQ.webp'/></item><item><title><![CDATA[Tharad News: ભારતમાલા ચેકપોસ્ટ પરથી રૂ. 27 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, પ્લાસ્ટિકની થેલીઓની આડમાં થતી હેરાફેરીનો થરાદ પોલીસ દ્વારા પર્દાફાશ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/tharad/bharatmala-checkpost-liquor-seized-police-action</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/tharad/bharatmala-checkpost-liquor-seized-police-action</guid><pubDate>Thu, 27 Aug 2026 15:28:13 +05:30</pubDate><description><![CDATA[<p>વાવ-થરાદ પંથકમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને ગેરકાયદે હેરાફેરી સામે થરાદ પોલીસે લાલ આંખ કરી છે. વાંતાડા ભારતમાલા ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા સઘન ચેકિંગ દરમિયાન વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસની આ ત્વરિત અને સાવચેત કાર્યવાહીને કારણે અસામાજિક તત્વોમાં ભારે ફાળ પડી છે.</p><h2><b>પ્લાસ્ટિકની થેલીઓની આડમાં છુપાવ્યો હતો દારૂ</b></h2><p>બૂટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે અવનવા કસબ અજમાવવામાં આવતા હોય છે, ત્યારે આ કિસ્સામાં પણ એક બંધ બોડીની ટ્રકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટ્રકમાં પ્લાસ્ટિકની ખાલી થેલીઓની આડમાં ખૂબ જ ચાલાકીપૂર્વક વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. જોકે, થરાદ પોલીસની તીક્ષ્ણ નજર સામે બૂટલેગરોનો આ કસબ નાકામ નીવડ્યો હતો અને તપાસ દરમિયાન કુલ 832 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 27,02,289 આંકવામાં આવી છે.</p><p><img alt="Tharad News: Foreign Liquor Worth Rs 27 Lakh Seized at Bharatmala Checkpost, Driver Arrested" src="https://epapercdn.sandesh.com/images/2026/08/27/mB9yFmZjX8HLNtDPvz6WSNyZHvSxwUm7c0AqCVoW.webp"><br></p><h2><b>કુલ રૂ. 37.79 લાખનો મુદ્દામાલ જપ્ત</b></h2><p>પોલીસે ઘટના સ્થળેથી માત્ર દારૂ જ નહીં પરંતુ ગુનામાં ઉપયોગમાં લેવાયેલી સામગ્રી પણ જપ્ત કરી છે. જેમાં રૂ. 10,00,000 ની કિંમતની બંધ બોડીની ટ્રક, વાહનચાલકનો મોબાઇલ ફોન તેમજ દારૂ છુપાવવા માટે વપરાયેલી ખાલી પ્લાસ્ટિકની થેલીઓ સામેલ છે. આમ, થરાદ પોલીસે કુલ રૂ. 37,79,289 નો મુદ્દામાલ પોતાના કબજામાં લીધો છે.</p><h2><b>હરિયાણાનો ટ્રક ડ્રાઇવર સ્થળ પરથી ઝડપાયો</b></h2><p>આ ગેરકાયદે વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રક ચલાવી રહેલા ડ્રાઇવરની પોલીસે સ્થળ પર જ અટકાયત કરી લીધી છે. પકડાયેલા આરોપીની ઓળખ વિનોદ કુમાર અમીલાલ નાયક (રહે. ફતેહાબાદ, હરિયાણા) તરીકે થઈ છે. આરોપી અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આ દારૂનો જથ્થો ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો.</p><p><img alt="Tharad News: Foreign Liquor Worth Rs 27 Lakh Seized at Bharatmala Checkpost, Driver Arrested" src="https://epapercdn.sandesh.com/images/2026/08/27/5xww7sY3Rm7LCJoVUl7f9QCnhiER2N91jlQdbIpY.webp"><br></p><h2><b>દારૂ મંગાવનાર અને ભરાવનાર સામે કાયદેસરની તપાસ શરૂ</b></h2><p>થરાદ પોલીસે ઝડપાયેલા ટ્રક ડ્રાઇવર સામે ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. આ દારૂનો જથ્થો કોણે ભરાવ્યો હતો અને ગુજરાતમાં તે કોને પહોંચાડવાનો હતો તે તમામ કડીઓ મેળવવા માટે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. આ રેકેટમાં જોડાયેલા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે પણ વિવિધ દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/vav-tharad/sujalam-sufalam-canal-water-released-shankar-chaudhary" target="_blank">Tharad News: ખેડૂતોની રજૂઆત બાદ સુજલામ સુફલામ કાચી કેનાલમાં પાણી છોડાયું</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/NPx4d9eVCy8Uh0Yr0bFYpxe4Kj7lBxPxqjlkIxpe.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: નેપાળમાં 21 ભારતીયોને બચાવી લેવાયા, 12 ગુજરાતી પ્રવાસીઓનો સંપર્ક ના થઈ શક્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/21-indians-rescued-in-nepal--12-tourists-including-gujaratis-still-untraceable</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/21-indians-rescued-in-nepal--12-tourists-including-gujaratis-still-untraceable</guid><pubDate>Thu, 27 Aug 2026 15:24:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નેપાળના વિનાશક પૂરમાં ગુમ થયેલા 178 ભારતીયો પૈકી 21 લોકોને બચાવી લેવાયા છે. કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલયે યાદી જાહેર કરી છે. બચાવવામાં આવેલા તમામ લોકો તામિલનાડુના હોવાનું સામે આવ્યું છે. આ તમામ પ્રવાસીઓ માનસરોવરની યાત્રાએ ગયા હતાં. બીજી તરફ ગુજરાતમાંથી નેપાળમાં કેટલા પ્રવાસીઓ ફસાયા છે તેની વિગતો મેળવવામાં આવી રહી છે. રાજ્યમાં જિલ્લા પ્રમાણે હેલ્પલાઈન નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે આરટીઓ તંત્ર અને જિલ્લા કલેક્ટરોને વિગતો મેળવવા આદેશ કર્યો છે.&nbsp;&nbsp;</p><h2 style="text-align: justify; "><b>21 ભારતીય લોકોને બચાવી લેવામાં આવ્યા</b></h2><p style="text-align: justify; ">નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં 178 ભારતીયો ગુમ થયા હોવાની સત્તાવાર યાદી બહાર પાડવામાં આવી હતી. આ યાદી પૈકીના 21 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જેઓ તામિલનાડુના હોવાની વિદેશ મંત્રાલય દ્વારા પુષ્ટી કરવામાં આવી છે. બીજી તરફ ગુજરાતમાંથી પણ કેટલા પ્રવાસીઓ નેપાળમાં ફસાયા છે તેની વિગતો મેળવવા કલેક્ટર અને આરટીઓને આદેશ આપવામાં આવ્યા છે.&nbsp; રાજ્યમાંથી હાલમાં 12 પ્રવાસીઓ નેપાળમાં સંપર્ક વિહોણા થયા હોવાની વિગતો સામે આવી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><img alt="પ્રવાસીઓ લાપતા" src="https://epapercdn.sandesh.com/images/2026/08/27/4Tk5IIaQnEZbGGVfysmjjkML24XovmqePJ3lCi1Z.webp" style="width: 100%;"><br></p><h3 style="text-align: justify; "><b>રાજકોટના 15 વાહનોનો હાલ કોઈ સંપર્ક નહીં</b></h3><p style="text-align: justify; ">રાજકોટથી નેપાળ જવા નીકળેલા 15 જેટલા વાહનોનો હાલ કોઈ સંપર્ક થઈ રહ્યો નથી.આ વાહનોમાં કેટલા પ્રવાસીઓ સવાર હતા તેની ચોક્કસ સંખ્યા હજુ સામે આવી નથી.પ્રવાસીઓ બસ, કાર અને ટેક્સી મારફતે ગયા હતા.કેટલાક નેપાળ પહોંચ્યા હોવાનો જ્યારે કેટલાક ઉત્તરાખંડ તરફ હોવાનો અનુમાન છે.કલેક્ટર તંત્ર અને RTO દ્વારા સંપર્ક કરવા પ્રયાસો હાથ ધરાયા છે.નેપાળમાં હજી 12 લોકોનો સંપર્ક થઈ રહ્યો નથી. જેમાં અમદાવાદ, આણંદ, વલસાડ, રાજકોટ, સુરત, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસીઓનો સમાવેશ થાય છે.&nbsp;&nbsp;</p><h2 style="text-align: justify; "><b>આણંદનો અમેરિકન પરિવાર નેપાળમાં ગુમ</b></h2><p style="text-align: justify; ">આણંદના મુળ અમેરિકન સિટિઝન બિમલ પટેલ અને તેમની પત્ની જૈનિના પટેલ ગુમ થયા હોવાની વિગતો સામે આવી છે. તેઓ એક મહિના અગાઉ પરિવારને સરપ્રાઈઝ આપવા માટે ભારત આવ્યા હતાં. 16 ઓગસ્ટે એજન્ટ મારફતે નેપાળ અને કૈલાશ માનસરોવરની યાત્રાએ ગયા હતાં. છેલ્લે ગત રવિવારે તેમની પરિવારજનો સાથે વાત થઈ હતી. આ પતિ પત્ની ગુમ થયા હોવાની એજન્ટે પરિવારજનોને જાણ કરી હતી. આ દંપતી તેમના 12 વર્ષના દીકરાને આણંદ મુકીને નેપાળ ફરવા ગયા હતાં. દીકરાને ફરવું પસંદ નહીં હોવાથી તેને ભાઈને સોંપીને ગયા હતાં. બીજી તરફ વડોદરાના કિન્નરી પટેલ અને મીહિર પટેલ પણ નેપાળમાં ગુમ થયા છે. તેમના ભાઈ ચિરાગ પટેલે સરકાર પાસે મદદ માગી છે. આ દંપતી ન્યૂઝીલેન્ડમાં રહે છે. તેઓ મુંબઈની ટ્રાવેલ્સ એજન્સી મારફતે નેપાળ ગયા હતાં.&nbsp;&nbsp;<br><br><h2><b>ગુમ થયેલા કિન્નરી પટેલના ભાઈ ચિરાગ પટેલે શું કહ્યું</b></h2></p><p style="text-align: justify; ">ગુમ થયેલા કિન્નરી પટેલના ભાઈ ચિરાગ પટેલે કહ્યું હતું કે,  અમારા બહેન 23મીએ સિંગાપુરથી કાઠમંડુ પહોંચ્યા હતાં. તેઓ 3 દિવસ કાઠમંડુમાં રહ્યા હતાં. 26 તારીખથી તેઓ સંપર્ક વિહોણા છે. તેઓ શિવભક્ત હતાં અને કૈલાસ માનસરોવર જવાના હતાં. ભગવાન ભોળાનાથ અને સરકાર પાસે અમે મદદ માગીએ છીએ. અમારો પરિવાર પરત આવે તેવી આશા છે. નેપાળ સરકારે પણ અમને સાંત્વના આપી છે.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/vadodara/nepal-guide-remembered-as-god-by-gujarat-tourists-amid-devastating-flood" target="_blank">આ પણ વાંચોઃ Vadodara News : નેપાળમાં મુશ્કેલીમાં જે ગાઈડે અમારી મદદ કરી તે જ દુર્ઘટનાનો ભોગ બન્યા, ઘરે આવ્યા પછી અમને ઊંઘ નથી આવતી</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/B9aeKkFuygG3sjqJ7xAHZGc1XgaboAxKbaJt79kR.webp'/></item><item><title><![CDATA[PM મોદી 'ખેલો ઇન્ડિયા ડાયલોગ'માં ઓલિમ્પિકમાં ભારતના મેડલ કેવી રીતે વધે જણાવી હકીકત ]]></title><link>https://sandesh.com/sports/news/pm-modi-reveals-the-truth-about-how-indias-medals-in-the-olympics-will-increase-in-khelo-india-dialogue</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pm-modi-reveals-the-truth-about-how-indias-medals-in-the-olympics-will-increase-in-khelo-india-dialogue</guid><pubDate>Thu, 27 Aug 2026 14:26:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'ખેલો ઇન્ડિયા ડાયલોગ' દરમિયાન સેંકડો ખેલાડીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. રમતગમત ક્ષેત્રે ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા અંગે વાત કરતા પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે ભારતનું ઓલિમ્પિક પ્રદર્શન ત્યારે જ સુધરી શકે છે જ્યારે દેશ તમામ રમતોમાં ભાગ લેવાનું શરૂ કરશે. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે ભારત હજુ પણ ઘણી ઓલિમ્પિક રમતોથી દૂર છે. પીએમ મોદીએ જણાવ્યું કે તેમનું વિઝન માત્ર મેડલ જીતવા સુધી સીમિત નથી, પરંતુ રમતગમતને રાષ્ટ્ર નિર્માણનું એક સશક્ત માધ્યમ બનાવવાનું છે.</p><p style="text-align: justify; "><b>ઓલિમ્પિકમાં ભારતનું નબળું પ્રદર્શન, પીએમ મોદી</b></p><p style="text-align: justify; ">૨૦૨૪ના પેરિસ ઓલિમ્પિકનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કડવું સત્ય રજૂ કર્યું હતું. તેમણે કહ્યું કે પેરિસ ઓલિમ્પિકની ૩૨ રમતોમાંથી ભારતે માત્ર ૧૬ રમતોમાં જ ભાગ લીધો હતો. આ કઠોર વાસ્તવિકતા પર પ્રકાશ પાડતા તેમણે ઉમેર્યું, "ઓલિમ્પિકમાં કેટલીય રમતો રમાય છે, પરંતુ ભારતીય ટીમો અડધી રમતમાં પણ ભાગ લેતી નથી. આ સ્થિતિ દાયકાઓથી ચાલી આવી છે, જેના કારણે આપણે મેડલ ટેલીના એક મોટા ભાગ માટે સ્પર્ધા જ કરી શકતા નથી. વિશ્વના અન્ય દેશો તે રમતોમાં મેડલ જીતે છે, જ્યારે આપણે ભાગ પણ નથી લેતા." તેમણે કહ્યું કે જો મેડલની સંખ્યા વધારવી હોય, તો ખેલાડીઓએ અન્ય રમતોમાં પણ નિપુણતા મેળવવી પડશે.</p><p style="text-align: justify; "><b>'ટેલેન્ટ હંટ' જાહેરાત અને રાષ્ટ્ર નિર્માણનું વિઝન</b></p><p style="text-align: justify; ">પોતાના વિઝનને વધુ સ્પષ્ટ કરતા પીએમ મોદીએ ૧૫ ઓગસ્ટના સ્વતંત્રતા દિવસના ભાષણની યાદ અપાવી હતી. તેમણે ૫ થી ૧૫ વર્ષના બાળકો માટે ખાસ પ્રતિભા શોધ (Talent Hunt) કાર્યક્રમની જાહેરાત કરી હતી, જે નાના બાળકોમાંથી રમતગમતની પ્રતિભા ઓળખી તેમને દેશ માટે શ્રેષ્ઠ એથ્લીટ તરીકે તૈયાર કરશે. લાલ કિલ્લાના પ્રાચીર પરથી આપેલા સંદેશનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું, "રમતગમત માત્ર મેડલ જીતવા પૂરતી નથી, પરંતુ ભારતની રમત શક્તિ અને યુવા શક્તિનો ઉપયોગ 'વિકસિત ભારત'ના નિર્માણમાં કરવાનો આ એક મહત્ત્વનો સંકલ્પ છે."</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/sports/news/hockey-world-cup-2026-will-the-indian-hockey-team-reach-the-semi-finals-know-the-complete-equation" target="_blank">આ પણ વાંચો : Hockey World Cup 2026: શું ભારતીય હોકી ટીમ સેમિફાઇનલમાં પહોંચશે? જાણો સંપૂર્ણ સમીકરણ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/biWP3Bdckvhz4FNvf3En5alpL3kmuXNTwf5jrfXQ.webp'/></item></channel></rss>