<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Chhota Udepur: રંગપુર-ચિસાડિયા રેલવેબ્રિજની જોખમી એંગલો બહાર ઉપસી આવી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhota-udepur-dangerous-angles-of-rangpur-chisadia-railway-bridge-exposed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhota-udepur-dangerous-angles-of-rangpur-chisadia-railway-bridge-exposed</guid><pubDate>Fri, 14 Aug 2026 05:46:56 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતા મહત્વપૂર્ણ ને. હા.નં.56 પર તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. છોટાઉદેપુર જિલ્લાના રંગપુર-ચિસાડિયા ગામ પાસે રેલવે ઓવરબ્રિજની હાલત અત્યંત બિસમાર થતાં દુર્ઘટનાનું જોખમ ઊભું થયું છે. 15 દિવસથી બ્રિજ પર જોખમી સ્થિતિ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાતા નથી. જ્યારે કમરતોડ ખાડાઓથી વાહનચાલકો પરેશાન થાય છે.</p><p style="text-align: justify; ">ને. હા.56 પર આવેલા ચિસાડિયા રેલવે ઓવરબ્રિજ પર સળિયા અને લોખંડની એંગલો સાપની જેમ બહાર નીકળી આવી છે. બ્રિજની પાળીઓ ઉપર પણ મોટી તિરાડો જોવા મળે છે. જે ગમે ત્યારે મોટી હોનારતને નોતરી શકે છે. પરંતુ અધિકારીઓ માત્ર સરકારી કાર્યક્રમોમાં વ્યસ્ત છે. જ્યારે જાહેર જગ્યા ઉપર ઊભી થયેલી આ સમસ્યા અંગે કોઈને રસ નથી. બ્રિજ પર મોટા ખાડા પડયાં છે. તૂટેલી એંગલો રસ્તા પર આવવાથી ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચે અવરજવર કરતા વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્થિતિની ગંભીરતા જોતા પોલીસે તાત્કાલિક ધોરણે બેરિકેડ ગોઠવીને બહાર નીકળી આવેલી જોખમી એંગલોને કોર્ડન કરી છે. પરંતુ સવાલ એ થાય છે કે,15 દિવસથી આ ખરાબ હાલત હોવા છતાં કોઇ કાર્યવાહી કરાતી નથી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/tEkjBVFrx48cc8Il14Gpx2uTOHtSBQpCKOh1t7Ca.webp'/></item><item><title><![CDATA[Chhota Udepur: GRD અને હોમગાર્ડ્સ માટે કાનૂની જાગૃતિ સેમિનાર યોજાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhota-udepur-legal-awareness-seminar-held-for-grd-and-home-guards</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhota-udepur-legal-awareness-seminar-held-for-grd-and-home-guards</guid><pubDate>Fri, 14 Aug 2026 05:46:02 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">છોટાઉદેપુર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના ઉપક્રમે નારી વંદન ઉત્સવ અંતર્ગત જિલ્લા સેવા સદન સ્થિત સંકલન હૉલ ખાતે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરાઇ હતી. જે પ્રસંગે GRD અને હોમગાર્ડ્સના ભાઈઓ-બહેનો માટે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-2013 (POSHAct) વિષયક વિશેષ કાનૂની જાગૃતિ સેમિનાર યોજાયો હતો. જેમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી હીનાબેન ચૌધરી તેમજ દહેજ પ્રતિબંધક અધિકારી વિહાંગ સેવક દ્વારા કાર્યસ્થળે મહિલાઓની સુરક્ષા, તેમના બંધારણીય અધિકારો અને કાયદાકીય જોગવાઈ અંગે માર્ગદર્શન અપાયું હતું. ઉપસ્થિત જવાનોને એક વિશેષ શોર્ટ ફ્લ્મિ દર્શાવીને કાર્યસ્થળે થતી સતામણીના સ્વરૂપો, સંબંધિત કાયદાકીય કલમો તથા ફ્રિયાદ નિવારણ વ્યવસ્થા વિશે વિસ્તૃત છણાવટ કરાઇ હતી. અંતે લાભાર્થીને કુલ રૂ. 1.10 લાખની સહાયના મંજૂરી હુકમો અને દીકરી વધામણાં કિટનું વિતરણ કરાયું હતું.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/AZ5a7FQdobi08C6Cp4zLdFO452uEzSVvPeCLPVHP.webp'/></item><item><title><![CDATA[Vadodara: સાવલી ભીમનાથ મહાદેવ સહિત અનેક શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-devotees-throng-many-shiva-temples-including-savli-bhimnath-mahadev</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-devotees-throng-many-shiva-temples-including-savli-bhimnath-mahadev</guid><pubDate>Fri, 14 Aug 2026 05:43:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સાવલી : સાવલી તાલુકામાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે નગર સહિત આસપાસના વિસ્તારમાં આવેલા શિવ મંદિરોમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ ભક્તો ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે શિવાલયોમાં ઊમટયા હતા. સાવલીના પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિર સહિત શહેરના વિવિધ શિવ મંદિરોમાં મોટી સંખ્યામાં શ્રાદ્ધાળુ પહોંચ્યા હતા. ભક્તોએ ભગવાન શિવને જળાભિષેક, દૂધાભિષેક તેમજ બીલીપત્ર, ફૂલ અને પ્રસાદ અર્પણ કરી પૂજા-અર્ચના કરી હતી. સાથે પુણ્ય સ્વામીજીની પાદુકા અને સમાધિના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. અનેક ભક્તોએ શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ અને ધાર્મિક અનુષ્ઠાન કરવાનો સંકલ્પ પણ લીધો હતો. સમગ્ર તાલુકો શિવમય બન્યો હતો</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank" style="background-color: rgb(255, 255, 255);">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/xemuvNpYuiJJ4fadJ28Mxs8JvjQI4enmFyupT29H.webp'/></item><item><title><![CDATA[Vadodara: પાવીજેતપુર ને.હા.56 પર વરસાદી પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા નહીં ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-there-is-no-arrangement-for-rainwater-drainage-at-pavijetpur-ne-56</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-there-is-no-arrangement-for-rainwater-drainage-at-pavijetpur-ne-56</guid><pubDate>Fri, 14 Aug 2026 05:42:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પાવીજેતપુરના વનકુટિર ત્રણ રસ્તા પાસે સ્વામિનારાયણ મંદિર સામે ને. હા.નં.56 પર વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે ઘણાં સમયથી પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. વરસાદ બાદ અહીં 24 કલાક સુધી પાણી ભરાયેલું રહેતા રાહદારી અને વાહનચાલકોને ભારે મુશ્કેલી પડે છે.</p><p style="text-align: justify; ">સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ સમસ્યા અંગે અગાઉ પણ સંબંધિત તંત્રને વારંવાર રજૂઆતો કરાઇ છે. ગત વર્ષે રોડ ખાતાના અધિકારીઓ દ્વારા સ્થળની મુલાકાત લઇ પાણીના નિકાલની કામગીરી કરાઇ હતી. પરંતુ ચાલુ વર્ષે હજુ સુધી કોઈ અધિકારી સ્થળ પર ફરક્યા ન હોવાની સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળે છે. હાઇવે પર પાણી ભરાવાથી વરસાદમાં અહીં નદી જેવો માહોલ સર્જાય છે. પાણીમાંથી પસાર થતા બાઇકચાલકો અને રાહદારીના કપડાં પણ પલળે છે. સાથે જ લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેવાને કારણે રોડને પણ નુકસાન થવાની ભીતિ રહે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, વરસાદી પાણીના નિકાલ માટે અગાઉ એક નાળું હતું. પરંતુ તે પુરાઈ જતાં પાણીના નિકાલનો પ્રશ્ન ગંભીર બન્યો છે. જેના કારણે સામાન્ય વરસાદમાં પણ હાઇવે પર પાણી ભરાય છે. સ્થાનિકો દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવા માંગ કરાઇ છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/edibLLorckUQTT0K9ukHAhrNuM2yZPtmnYoNX9eQ.webp'/></item><item><title><![CDATA[Vadodara: વાલાવાવ - પાંડુ ચોકડી પાસે મસમોટા ખાડામાં ટેન્કર ફસાયું ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</guid><pubDate>Fri, 14 Aug 2026 05:41:12 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ડેસર તાલુકાના વાલાવાવથી સાવલી તરફ્ જતા મુખ્ય માર્ગની હાલત અત્યંત બિસ્માર થતાં વાહનચાલકોમાં ભારે રોષ ફેલાયો છે. માર્ગ પર ઠેર-ઠેર મસમોટા ખાડા પડતાં વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે. ત્યારે વાલાવાવની પાંડુ ચોકડી પાસે માર્ગ પર પડેલા મસમોટા ખાડામાં એક ભારે માલવાહક ટેન્કર ફ્સાઈ જતા વાહનચાલકોમાં અકસ્માતની ભીતિ વધુ ઘેરી બની હતી. લગભગ બે કલાકની જહેમત બાદ ટેન્કરને ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું.</p><p style="text-align: justify; ">સાવલીથી ઉદલપુર સુધીનો આશરે 38 કિમી લાંબો માર્ગ રૂા. 389 કરોડના ખર્ચે બનાવવાનું કામ પ્રગતિમાં છે. જોકે, હાલ સાવલીથી વાલાવાવ તરફ્ના માર્ગ પર અનેક સ્થળે મસમોટા ખાડા પડયાં હોવાથી આ માર્ગ પરથી રોજિંદી અવરજવર કરતા વાહનચાલકોના માથે જોખમ ઊભું થયું છે. ઉદલપુર, વરસડા અને જાંબુગોરલ વિસ્તારમાં ક્વોરી ઉદ્યોગો આવેલ હોય રોજ મોટી સંખ્યામાં ભારે ડમ્પરો અને અન્ય માલવાહક વાહનોની અવરજવર રહે છે. જેથી માર્ગ પર પડેલા ખાડાઓને કારણે અવારનવાર વાહનો ખોટકાતા હોવાનું સ્થાનિકો જણાવે છે. અગાઉ પણ સાવલી-ડેસર-ઉદલપુર માર્ગ પર ખાડાઓને કારણે અકસ્માતો સર્જાયા હોવાના બનાવ બન્યાં છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, માર્ગ પર ખાડા અંગે મીડિયા દ્વારા તંત્રનું ધ્યાન દોરવામાં આવે ત્યારે તાત્કાલિક ખાડા પૂરવાની કામગીરી કરાય છે. પરંતુ યોગ્ય રીતે પુરાણ ન થતાં થોડા જ દિવસોમાં ફરી ખાડા પડે છે. પરિણામે વાહનચાલકોની મુશ્કેલી યથાવત રહે છે. દિવસે વાહનચાલકોને ખાડાઓથી બચવા વાહનની ગતિ ધીમી કરવી પડે છે. જ્યારે રાત્રે ખાડા સ્પષ્ટ દેખાતા ન હોવાથી અકસ્માતનું જોખમ વધે છે. વાહનચાલકો અને સ્થાનિકોની માંગ છે કે, માર્ગનું નવું કામ પૂર્ણ થાય ત્યાં સુધી માર્ગ પરના મસમોટા ખાડાઓનું ગુણવત્તાયુક્ત અને વ્યવસ્થિત રીતે તાત્કાલિક પુરાણ કરવા સહિત પાંડુ ચોકડી પાસે ટેન્કર ફ્સાવાની ઘટનાને પગલે તંત્ર તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરી યોગ્ય કામગીરી કરે તેવી માંગ ઉઠી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/HKYgqJNLt1Co8eh7OXbroxZMq6LiHakrg1xLbBDT.webp'/></item><item><title><![CDATA[Mumbai Local Train Murder Case : 11 પાનાની ચાર્જશીટ દાખલ, 68 સાક્ષીના લેવાયા નિવેદન ]]></title><link>https://sandesh.com/india/news/crime/mumbai-local-train-murder-case-charge-sheet-68-witness-statements</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/crime/mumbai-local-train-murder-case-charge-sheet-68-witness-statements</guid><pubDate>Thu, 13 Aug 2026 22:38:46 +05:30</pubDate><description><![CDATA[<p>મુંબઈની લોકલ ટ્રેનમાં 24 જૂને થયેલા 22 વર્ષીય મયંક લોહાર હત્યા કેસમાં બોરીવલી રેલવે પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે. પોલીસે કોર્ટમાં આશરે 1100 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે. તેમાં તપાસ દરમિયાન સામે આવેલા મહત્વપૂર્ણ તથ્યો, પુરાવા અને સાક્ષીઓના નિવેદનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.</p><h2><b>24 જૂને બની હતી ઘટના&nbsp;</b></h2><p>પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં કુલ 68 સાક્ષીઓના નિવેદનો સામેલ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ નિવેદનો ઘટનાની કડીઓને જોડવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. 24 જૂને મુંબઈની લોકલ ટ્રેનમાં ચાકૂબાજીની ઘટના દરમિયાન મયંક લોહાર પર હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયા બાદ તેનું મોત થયું હતું. ત્યારબાદ બોરીવલી રેલવે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.</p><h3><b>સુનાવણી ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં કરાવવાની માગ</b></h3><p>કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બોરીવલી રેલવે પોલીસે આ કેસની સુનાવણી ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં કરાવવાની માગ પણ કરી છે. પોલીસનું કહેવું છે કે ચાર્જશીટ દાખલ થઈ ચૂકી હોવાથી હવે કેસની સુનાવણી ઝડપથી આગળ વધારવામાં આવે. આ ઉપરાંત પોલીસે વરિષ્ઠ વકીલ અજય મિસારને વિશેષ સરકારી વકીલ તરીકે નિયુક્ત કરવાની ભલામણ પણ કરી છે. આના મારફતે કેસની કોર્ટમાં મજબૂત રીતે રજૂઆત કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.</p><h4><b>મુસાફરોની સુરક્ષાને લઈને ગંભીર સવાલો</b></h4><p>મુંબઈની લોકલ ટ્રેનમાં બનેલી આ ચાકૂબાજીની ઘટનાએ મુસાફરોની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉભા કર્યા હતા. હવે ચાર્જશીટ દાખલ થયા બાદ કેસની કાનૂની કાર્યવાહી આગળ વધવાનો માર્ગ ખુલ્યો છે. પોલીસે તપાસ દરમિયાન એકત્ર કરેલા પુરાવા અને 68 સાક્ષીઓના નિવેદનોના આધારે ચાર્જશીટ તૈયાર કરી છે. હવે કોર્ટમાં સુનાવણી દરમિયાન આ પુરાવા અને સાક્ષીઓના નિવેદનો મહત્વપૂર્ણ બની શકે છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/crime/kolkata-nrs-hospital-woman-nurse-found-dead-toilet" target="_blank">આ પણ વાંચો : Kolkataમાં ફરી આરજી કર જેવો કાંડ, NRS હોસ્પિટલના ટોયલેટમાંથી મહિલા નર્સનો મૃતદેહ મળ્યો!</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/BflZQIEK5QAT0eAA3xFtEDukjQop1qnmxlqa8QU9.webp'/></item><item><title><![CDATA[Kolkataમાં ફરી આરજી કર જેવો કાંડ, NRS હોસ્પિટલના ટોયલેટમાંથી મહિલા નર્સનો મૃતદેહ મળ્યો! ]]></title><link>https://sandesh.com/india/news/crime/kolkata-nrs-hospital-woman-nurse-found-dead-toilet</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/crime/kolkata-nrs-hospital-woman-nurse-found-dead-toilet</guid><pubDate>Thu, 13 Aug 2026 21:42:40 +05:30</pubDate><description><![CDATA[<p>કોલકાતાની નીલરતન સરકારી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (NRS)માં બુધવારની રાત્રે એક મહિલા નર્સનો મૃતદેહ હોસ્પિટલના ટોયલેટમાંથી મળી આવતા હડકંપ મચી ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, ટોયલેટનો દરવાજો લાંબા સમયથી અંદરથી બંધ હતો અને વારંવાર અવાજ આપવા છતાં અંદરથી કોઈ જવાબ મળ્યો ન હતો. ત્યારબાદ હોસ્પિટલના કર્મચારીઓએ પોલીસને જાણ કરી હતી.</p><h2><b>પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો&nbsp;</b></h2><p>માહિતી મળતાં જ પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે ટોયલેટની બહારથી નર્સને અવાજ આપી જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ પ્રતિક્રિયા ન મળતા આખરે દરવાજો તોડી નાખવામાં આવ્યો હતો. અંદર મહિલા નર્સનો મૃતદેહ પડેલો મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હાલ નર્સના મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. એન્ટાલી પોલીસ સ્ટેશનની ટીમ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.</p><h3><b>પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી&nbsp;</b></h3><p>પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મહિલા નર્સની બુધવારે નાઈટ શિફ્ટ હતી અને તે રાત્રે આશરે 8 વાગ્યે ડ્યૂટી પર પહોંચી હતી. તેની સાથે કામ કરતા કર્મચારીઓના જણાવ્યા મુજબ, રાત્રે 9થી 10 વાગ્યાની વચ્ચે તે હોસ્પિટલના ટોયલેટમાં ગઈ હતી. લાંબા સમય સુધી તે પરત ન ફરતાં સહકર્મચારીઓને ચિંતા થઈ હતી. તેમણે ટોયલેટની બહારથી અનેક વખત અવાજ લગાવ્યો, પરંતુ અંદરથી કોઈ જવાબ મળ્યો નહોતો. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. હવે પોલીસ નર્સનું મોત કયા સંજોગોમાં થયું અને ટોયલેટની અંદર શું બન્યું હતું તે અંગે તપાસ કરી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ વધુ સ્પષ્ટ થવાની શક્યતા છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/chamoli-tunnel-collapse-20-workers-trapped-after-thdc-project-tunnel-collapses-in-chamoli-uttarakhand-13-rescued-safely" target="_blank">આ પણ વાંચો : Chamoli Tunnel Collapse: ઉત્તરાખંડના ચમોલીમાં THDC પ્રોજેક્ટની ટનલ ધસતાં 20 શ્રમિક ફસાયા, 13ને સુરક્ષિત બહાર કઢાયા</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/issFW7Xc59urIRHHGSlqrO1dRKQFNMdmP3r5neIL.webp'/></item><item><title><![CDATA[Cab ઝડપથી મેળવવા માટે ટિપ આપવાની જરૂર નહીં, સરકારનો એગ્રીગેટર્સને મોટો આદેશ ]]></title><link>https://sandesh.com/india/news/business/cab-aggregators-pre-ride-tip-ban-government-order</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/cab-aggregators-pre-ride-tip-ban-government-order</guid><pubDate>Thu, 13 Aug 2026 19:30:40 +05:30</pubDate><description><![CDATA[<p>કેબથી મુસાફરી કરતા લોકો માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવે Uber, Ola સહિતના કેબ એગ્રીગેટર્સ મુસાફરોને સફર શરૂ થાય તે પહેલાં ટિપ આપવા માટે કહી શકશે નહીં. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે તમામ મોટર વ્હીકલ એગ્રીગેટર્સને પોતાના મોબાઈલ એપ અને ડિજિટલ પ્લેટફોર્મ પરથી પ્રી-રાઈડ ટિપનો વિકલ્પ દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે.</p><h2><b>મુસાફરો પર વધારાની ટિપ આપવાનું દબાણ ઘટશે</b></h2><p>સરકારના ધ્યાનમાં આવ્યું હતું કે કેટલાક કેબ એપ્સ પર બુકિંગ દરમિયાન ‘Advance Tip’, ‘Choose an Add-on’ અને ‘Improve your chances of quicker ride confirmation’ જેવા વિકલ્પો દર્શાવવામાં આવતા હતા. આ પ્રકારના મેસેજથી મુસાફરોને એવું લાગી શકે છે કે અગાઉથી ટિપ આપવાથી કેબ ઝડપથી કન્ફર્મ થશે અથવા ડ્રાઈવર રાઈડ વહેલી સ્વીકારશે.</p><p>નવી સૂચના મુજબ, કેબ બુક કરતા પહેલાં એવી કોઈ ટિપ, મેસેજ કે પેમેન્ટ સુવિધા દર્શાવી શકાશે નહીં, જેનાથી વધારાના પૈસા ચૂકવવાથી વધુ સારી અથવા ઝડપી સેવા મળતી હોવાનો સંકેત મળે. તેમાં રાઈડ સ્વીકારવાનો સમય, બુકિંગ કન્ફર્મેશન, ડ્રાઈવર ફાળવણી અને રાહ જોવાના સમય જેવી બાબતોનો સમાવેશ થાય છે.</p><h3><b>રાઈડ પૂર્ણ થયા બાદ ટિપ આપી શકાશે</b></h3><p>જોકે, સરકારે ટિપ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો નથી. મુસાફરો રાઈડ પૂર્ણ થયા બાદ પોતાની ઈચ્છાથી ડ્રાઈવરને ટિપ આપી શકશે. ખાસ વાત એ છે કે ટિપની સંપૂર્ણ રકમ ડ્રાઈવરને જ આપવાની રહેશે અને કેબ એગ્રીગેટર તેમાં કોઈ હિસ્સો કાપી શકશે નહીં.</p><p>આ મામલે અગાઉ સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) દ્વારા પણ કેબ પ્લેટફોર્મને પ્રી-રાઈડ ટિપની વ્યવસ્થા બંધ કરવા સૂચના આપવામાં આવી હતી. હવે મંત્રાલયે તમામ એગ્રીગેટર્સને Motor Vehicle Aggregator Guidelines 2025 મુજબ એપમાં જરૂરી ફેરફાર કરવા કહ્યું છે. આ નિર્ણયથી કેબ બુકિંગ દરમિયાન મુસાફરો પર વધારાની ટિપ આપવાનું દબાણ ઘટશે.</p><p><b><a href="https://sandesh.com/knowledge/news/india/air-india-pilot-dope-test-what-is-a-dope-test-for-pilots-know-what-information-comes-out-of-it" target="_blank">આ પણ વાંચો : Air India Pilot Dope Test: શુ હોય છે પાયલટોનો ડોપ ટેસ્ટ, જાણો તેનાથી કઇ માહિતી આવે છે સામે?</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/xHK3QC9MQVbe6Ef0DMI7SUS3FtP5us0zhg710CHW.webp'/></item><item><title><![CDATA[Bollywood : રિલીઝ પહેલાં જ રચ્યો ઈતિહાસ! આવારાપન 2એ એડવાન્સ બુકિંગમાં તોડ્યો ભાગ-1ની કુલ કમાણીનો રેકોર્ડ ]]></title><link>https://sandesh.com/entertainment/news/awarapan-2-advance-booking-part-1-record</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/awarapan-2-advance-booking-part-1-record</guid><pubDate>Thu, 13 Aug 2026 18:09:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઇમરાન હાશમીની 2007માં આવેલી ફિલ્મ આવારાપનને આજે ભલે ક્લાસિક ફિલ્મ માનવામાં આવે છે, પરંતુ રિલીઝ સમયે તે બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી. તે સમયે ફિલ્મે પોતાના સમગ્ર સમયગાળામાં માત્ર 7.7 કરોડની કમાણી કરી હતી. જોકે સમય જતાં કેબલ, ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા આ ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો અને તે એક કલ્ટ ફિલ્મ બની ગઈ. વર્ષો પછી તેની લોકપ્રિયતાનો સીધો ફાયદો હવે તેની સિક્વલને મળી રહ્યો છે, જે આ વીકએન્ડે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.</p><h2 style="text-align: justify; "><b>એડવાન્સ બુકિંગમાં બનાવ્યો નવો રેકોર્ડ</b></h2><p style="text-align: justify; ">આવારાપન 2ની એડવાન્સ બુકિંગ રિલીઝના માત્ર 48 કલાક પહેલાં શરૂ કરવામાં આવી હતી, પરંતુ દર્શકોના જબરદસ્ત ઉત્સાહને કારણે તેને શાનદાર શરૂઆત મળી. રિલીઝના બરાબર એક દિવસ પહેલાં સુધી ફિલ્મની પહેલા દિવસની 1.3 લાખથી વધુ ટિકિટ વેચાઈ ચૂકી હતી. એડવાન્સ બુકિંગ દ્વારા જ ફિલ્મ પહેલા દિવસ માટે લગભગ 4 કરોડનું ગ્રોસ કલેક્શન કરી ચૂકી છે. જો સમગ્ર ઓપનિંગ વીકએન્ડના એડવાન્સ બુકિંગના આંકડા જોવામાં આવે તો આ આંકડો 9 કરોડ ગ્રોસથી પણ વધારે થઈ ગયો છે. આ રીતે ફિલ્મ રિલીઝ પહેલાં જ તેના પહેલા ભાગની કુલ કમાણીથી આગળ નીકળી ગઈ છે.</p><h3 style="text-align: justify; "><b>બોક્સ ઓફિસ કલેક્શનનો નવો રેકોર્ડ</b></h3><p style="text-align: justify; ">2007માં રિલીઝ થયેલી આવારાપન એ પહેલા દિવસે 79 લાખની કમાણી કરી હતી અને પહેલા વીકએન્ડમાં માત્ર 2.88 કરોડનું કલેક્શન કર્યું હતું. તેની સામે આવારાપન 2 ઇમરાન હાશમીની કારકિર્દીની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ મેળવનારી ફિલ્મ બનવાની દિશામાં આગળ વધી રહી છે. બોક્સ ઓફિસ નિષ્ણાતોના અનુમાન મુજબ આ ફિલ્મ પહેલા જ દિવસે 15 થી 20 કરોડ વચ્ચેનું શાનદાર નેટ કલેક્શન કરી શકે છે. આ ઉપરાંત દુનિયાભરના સિનેમાઘરોમાં પહેલા વીકએન્ડ દરમિયાન જ ફિલ્મ 100 કરોડનો આંકડો પાર કરી શકે છે, જે તેના પહેલા ભાગની કુલ કમાણી કરતાં અનેક ગણી વધારે છે.</p><h4 style="text-align: justify; "><b>બોક્સ ઓફિસ પર ટક્કર અને સ્ટારકાસ્ટ</b></h4><p style="text-align: justify; ">આ શુક્રવારે બોક્સ ઓફિસ પર આવારાપન 2ની સીધી ટક્કર સની દેઓલની ફિલ્મ બંટવારા 1947 સાથે થઈ રહી છે. જોકે હાલના ટ્રેન્ડ અને એડવાન્સ બુકિંગના આંકડા જોતા ટ્રેડ વિશ્લેષકોનું માનવું છે કે આ મુકાબલામાં આવારાપન 2 ઘણી આગળ નીકળી શકે છે. નિતિન કક્કડના દિગ્દર્શન અને વિશેષ ભટ્ટના નિર્માણમાં બનેલી આ ફિલ્મમાં ઇમરાન હાશમી ફરી એકવાર પોતાના લોકપ્રિય પાત્ર શિવમ પંડિત તરીકે પરત ફરી રહ્યા છે. ફિલ્મમાં તેમની સાથે શબાના આઝમી, દિશા પટણી અને સુવિંદર વિક્કી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ મોસ્ટ અવેટેડ ફિલ્મ 14 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/munawar-faruqui-the-traitors-2-exit-crying-video" target="_blank">આ પણ વાંચો-The Traitors 2માંથી બહાર થયો મુનાવર ફારુકી! રડતાં રડતાં બાકી કન્ટેસ્ટેન્ટ સંભળાવી ખરીખોટી!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/xtmYEBpgQaFavCvHpmLH220UG3bUcjBApPnz5ciO.webp'/></item><item><title><![CDATA[Lionel Messiની પિતાના અવસાન બાદ પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'મને ખબર નથી કે હવે...' ]]></title><link>https://sandesh.com/sports/news/lionel-messi-father-jorge-messi-death-emotional-post</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/lionel-messi-father-jorge-messi-death-emotional-post</guid><pubDate>Wed, 12 Aug 2026 23:40:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">લિયોનેલ મેસ્સીના પિતા જોર્જ મેસ્સીનું 8 ઓગસ્ટના રોજ 68 વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન થયું હતું. આ પછી લિયોનેલ મેસ્સીએ 12 ઓગસ્ટના રોજ તેમના પિતાના અવસાન પર પહેલીવાર મૌન તોડ્યું જેમાં તેને સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી જેમાં તેમણે ભવિષ્યમાં ફૂટબોલ રમવા અંગે શંકા વ્યક્ત કરી હતી.</p><p style="text-align: justify;">લિયોનેલ મેસ્સીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર તેમના પિતા જોર્જ સાથેનો એક ફોટો પોસ્ટ કર્યો અને એક નોટ પણ શેર કરી જેમાં તેને લખ્યું કે તેઓ આ મોટી ખોટ સ્વીકારી શકતા નથી અને તેને સમજાતું નથી કે તે તેના પિતા વિના જીવનમાં કેવી રીતે આગળ વધશે કારણ કે તેઓ મારા બેસ્ટ મિત્ર, માર્ગદર્શક અને એજન્ટ પણ હતા.</p><h2 style="text-align: justify;"><b>મને ખબર નથી કે આગળ કેવી રીતે આગળ વધવું</b></h2><p style="text-align: justify;">પિતાના અવસાન પછી લિયોનેલ મેસ્સીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી એક પોસ્ટમાં લખ્યું છે કે "મને ખબર નથી કે હું તમારા વિના શું કરીશ. મને ખબર નથી કે આગળ કેવી રીતે વધવું. હું ફક્ત ફૂટબોલ રમી રહ્યો હતો, પરંતુ હવે મારી પાસે ઘણા સવાલો છે કે શું હું ચાલુ રાખી શકીશ." મેસ્સીએ સમજાવ્યું કે તેના પિતાએ તેને દરેક બાબતમાં સપોર્ટ આપ્યો અને હંમેશા તેના નિર્ણયોમાં વિશ્વાસ રાખ્યો. "બધા માટે આભાર. હું તમને પ્રેમ કરું છું, પપ્પા."</p><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/Db8MYnQjYsC/?img_index=1" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/Db8MYnQjYsC/?img_index=1" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a><br></p><h3 style="text-align: justify;"><b>વર્લ્ડકપ શરૂ થવાના થોડા દિવસ પહેલા તે બીમાર પડ્યા&nbsp;</b></h3><p style="text-align: justify;">પોતાની પોસ્ટમાં લિયોનેલ મેસ્સીએ સમજાવ્યું કે વર્લ્ડકપ 2026 શરૂ થવાના થોડા દિવસો પહેલા તેના પિતાની તબિયત અચાનક બગડી ગઈ હતી, જેના કારણે જોર્જ પહેલી વાર કોઈ ટુર્નામેન્ટમાં હાજરી આપી શક્યા ન હતા. "હું દરેક મેચ પછી મારા પિતાના મેસેજની રાહ જોતો હતો. મને તમારી ખૂબ જ યાદ આવશે, પણ તમે હંમેશા સાથે રહેશો. ખાસ કરીને મારા બાળકોને ઉછેરવામાં, કારણ કે હું તેમને એ જ રીતે શીખવીશ અને ઉછેરીશ જે રીતે તમે મને ઉછેર્યો છે."</p><h4 style="text-align: justify;"><b>મેસ્સીને રોનાલ્ડોનો સપોર્ટ મળ્યો</b></h4><p style="text-align: justify;">મેસ્સીના પિતાના અવસાન પછી જ્યારે તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી, ત્યારે તેને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો સપોર્ટ મળ્યો, જેમાં રોનાલ્ડોએ તેની પોસ્ટ પર કોમેન્ટ કરી અને લખ્યું છે કે લીઓ, આ મુશ્કેલ સમયમાં તને અને તારા પરિવારને મારું મોટું હગ, તમને ઘણી શક્તિ મળે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/TGH56UwXwOH6bh1EQIGogFs2CidMiip8syDerxly.webp'/></item></channel></rss>