<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[RBI New Rule: બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગે RBI લાવી રહ્યું છે નવો નિયમ, આખું એકાઉન્ટ ફ્રીઝ નહીં થાય ]]></title><link>https://sandesh.com/business/news/rbi-cyber-fraud-account-freeze-new-rule</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/rbi-cyber-fraud-account-freeze-new-rule</guid><pubDate>Tue, 15 Sep 2026 13:17:50 +05:30</pubDate><description><![CDATA[<p>આજના સમયમાં ડિજિટલ પેમેન્ટ ઝડપથી વધી રહ્યા છે. તેની સાથે સાથે સાયબર ફ્રોડની રીતો પણ સતત બદલાઈ રહી છે અને લોકોને છેતરવા માટે ઠગટોળકી દરરોજ અવનવી રીતો અપનાવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી સાયબર ફ્રોડ અને શંકાસ્પદ બેંક ટ્રાન્ઝેક્શનના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. આવા કિસ્સામાં ઘણી વખત બેંકો સુરક્ષા માટે ગ્રાહકોના આખા ખાતા ફ્રીઝ કરી દે છે, જેના કારણે જરૂરિયાતના સમયે પૈસાનો ઉપયોગ કરવો મુશ્કેલ બની જાય છે. પરંતુ હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે RBI આ પ્રક્રિયામાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે.</p><h2><b>RBIના નવા ફ્રેમવર્કમાં શું બદલાશે?</b></h2><p>RBIના પ્રસ્તાવિત નવા ડ્રાફ્ટ ફ્રેમવર્ક હેઠળ સાયબર ફ્રોડ અથવા મની-મ્યુલ એકાઉન્ટની શંકા હોય ત્યારે દર વખતે આખું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાને બદલે માત્ર શંકાસ્પદ રકમ પર ડેબિટ હોલ્ડ લગાવવાનો પ્રસ્તાવ છે. આવી સ્થિતિમાં ગ્રાહકને સંબંધિત ટ્રાન્ઝેક્શન યોગ્ય હોવાનું સાબિત કરવા માટે 20 દિવસનો સમય આપવામાં આવશે.</p><p>આ દરમિયાન ગ્રાહકે પોતાની ઓળખ અને રકમના સ્ત્રોત સાથે જોડાયેલા જરૂરી દસ્તાવેજો આપવા પડશે. ત્યારબાદ ગ્રાહક દ્વારા આપવામાં આવેલા દસ્તાવેજો અને માહિતીની સમીક્ષા કરવા માટે બેંકને 10 દિવસનો સમય મળશે.</p><h2><b>કયા કારણોસર બેંક એકાઉન્ટ પર રોક લાગી શકે?</b></h2><p>જો તમારા ખાતામાં સાયબર ફ્રોડ અથવા છેતરપિંડી સાથે જોડાયેલી રકમ આવે અથવા કોઈ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન જોવા મળે, તો બેંક તપાસ માટે રોક લગાવી શકે છે.</p><p>લાંબા સમય સુધી KYC અપડેટ ન કરાવ્યું હોય તો પણ ખાતા સામે કાર્યવાહી થઈ શકે છે.</p><p>ખાતામાં સામાન્ય લેવડદેવડની સરખામણીમાં અચાનક મોટી રકમની આવક-જાવક થાય તો બેંકને શંકા થઈ શકે છે અને તે તમારા ટ્રાન્ઝેક્શન પર રોક લગાવી શકે છે.</p><p>કોર્ટ, પોલીસ, ઇન્કમ ટેક્સ વિભાગ અથવા અન્ય કોઈ અધિકૃત સરકારી એજન્સીના આદેશ પર પણ તમારા ખાતા પર રોક લગાવી શકાય છે.</p><h2><b>ગ્રાહકો માટે કેમ રાહતની વાત છે?</b></h2><p>આ નવા પ્રસ્તાવનો સૌથી મોટો ફાયદો એ છે કે શંકાસ્પદ રકમની તપાસ દરમિયાન ગ્રાહકના આખા ખાતાની રકમ પર રોક લગાવવાની જરૂર નહીં પડે. એટલે હવે ગ્રાહક બાકીની રકમનો સામાન્ય રીતે ઉપયોગ કરી શકશે, જ્યારે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી શંકાસ્પદ રકમ પર ડેબિટ હોલ્ડ લગાવી શકાય છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/sx85YaSsqxHdSk1RTg8P1T9NNGgAN02zxFC6t6HK.webp'/></item><item><title><![CDATA[Navsariના ગોલવાડમાં ગિફ્ટ શોપમાં લાગી ભીષણ આગ, મોટાભાગનો સામાન બળીને થયો ખાખ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/navsari/navsari-golwad-gift-shop-massive-fire-short-circuit</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/navsari/navsari-golwad-gift-shop-massive-fire-short-circuit</guid><pubDate>Tue, 15 Sep 2026 13:16:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નવસારી શહેરના ગીચ વિસ્તાર ગણાતા ગોલવાડમાં આવેલી એક ગિફ્ટ શોપમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. દુકાનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જ આસપાસના વેપારીઓ અને સ્થાનિક રહીશોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચિંતા વ્યાપી ગઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરી અને જાનહાનિ અટકી&nbsp;</b></h2><p style="text-align: justify; ">ઘટના અંગે નવસારી ફાયર વિભાગને તુરંત જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે દોડી આવેલા ફાયર ફાઇટરોએ ત્વરિત કામગીરી હાથ ધરીને સતત પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયર વિભાગની ટીમની ભારે જહમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો હતો, જેના કારણે આસપાસની અન્ય દુકાનો આગની ઝપેટમાં આવતા બચી ગઈ હતી.</p><p style="text-align: justify; "><img alt="Fire breaks out in gift shop in Navsari Golwad" src="https://epapercdn.sandesh.com/images/2026/09/15/jSWrCTQz2kcx1qFhz6PR1HwH1kGvh3kSsMNug4K1.webp"><br></p><h3 style="text-align: justify; "><b>નુકસાન અને પ્રાથમિક તપાસનું અનુમાન&nbsp;</b></h3><p style="text-align: justify; ">આ દુર્ઘટનામાં ગિફ્ટ શોપમાં રહેલો મોટાભાગનો સામાન બળીને ખાખ થઈ જતાં દુકાનદારને ભારે નુકસાન થયું છે. પ્રાથમિક તપાસ અને અનુમાન મુજબ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. સદભાગ્યે, સમયસરની કામગીરીને કારણે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/GGGzY2LQeGwsLWRXVzkOnCxirYH2XcxgL9QEYykA.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: વિકાસ અને પર્યાવરણ એકબીજાના વિરોધી નથી, ઇન્ડસ્ટ્રી સાથે ઇકોલોજી પણ જોઈએઃ CM ભૂપેન્દ્ર પટેલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/cm-bhupendra-patel-says-development-and-environment-must-go-together</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/cm-bhupendra-patel-says-development-and-environment-must-go-together</guid><pubDate>Tue, 15 Sep 2026 13:12:12 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે દક્ષિણ એશિયામાં પ્રથમવાર આયોજિત પ્રતિષ્ઠિત વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ 2026ની 10મી આવૃત્તિનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ વૈશ્વિક ફોરમમાં વિશ્વના 66 દેશોના 2000થી વધુ હિસ્સેદારો, વૈજ્ઞાનિકો અને ઉદ્યોગસાહસિકો સહભાગી થઈ રહ્યા છે.આગામી 18 સપ્ટેમ્બર સુધી યોજાનાર આ ચાર દિવસીય ફોરમમાં વૈશ્વિક સ્તરે ઉત્સર્જન ઘટાડવા,સર્ક્યુલર બિઝનેસ મોડેલ્સ અપનાવવા અને ટકાઉ આર્થિક વિકાસને વેગ આપવા અંગે ઊંડાણપૂર્વક મંથન કરવામાં આવશે.આ આયોજનથી દક્ષિણ એશિયાઈ દેશોમાં પર્યાવરણ અનુકૂળ નીતિઓ અને ટેકનોલોજીના આદાન-પ્રદાનને એક નવી દિશા મળશે.</p><h2 style="text-align: justify; "><b>વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન</b></h2><p style="text-align: justify; ">મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,ગુજરાતની ધરતી પર એક એવી વૈશ્વિક ચિંતનયાત્રાનો આરંભ થઈ રહ્યો છે જે માત્ર અર્થવ્યવસ્થાની દિશા નક્કી કરવાની નહીં, પરંતુ આવનારી પેઢીઓનું ભવિષ્ય નક્કી કરવાની યાત્રા છે.વર્લ્ડ સર્ક્યુલર ઇકોનૉમી ફોરમ 2026નું સૌ પ્રથમ વખત ભારતમાં આયોજન થઈ રહ્યું છે.ભારત ઉપરાંત 66 દેશોના પ્રતિનિધિઓ,આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો અને 55 આંતરરાષ્ટ્રીય વક્તાઓની ભાગીદારી આ ફોરમના વૈશ્વિક મહત્વને દર્શાવે છે.ગુજરાતે ઔદ્યોગિક વિકાસ, પુનઃપ્રાપ્ય ઊર્જા, કચરા અને જળ વ્યવસ્થાપન તેમજ સંસાધન કાર્યક્ષમતા જેવાં ક્ષેત્રોમાં વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવી અનેક પહેલો કરી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>આપણે ગ્રોથ પણ જોઈએ અને ગ્રીનરી પણ જોઈએ</b></h2><p style="text-align: justify; ">તેમણે કહ્યું હતું કે, મંદિરમાં ભક્તો દ્વારા અર્પણ થતાં ફૂલ, બિલીપત્ર, દૂધ, જળ, પંચામૃત, કપડાં કે અન્ય સામગ્રીને કચરો સમજીને ફેંકી દેવામાં આવતી નથી. અભિષેકમાંથી નીકળતા પવિત્ર પ્રવાહીને વૈજ્ઞાનિક પદ્ધતિથી શુદ્ધ કરીને ‘સોમ-ગંગા જળ’તરીકે ભક્તો સુધી પહોંચાડવામાં આવે છે.મંદિર અને ટ્રસ્ટની વ્યવસ્થામાંથી નીકળતાં ફૂલ, બિલીપત્ર અને ભોજનના જૈવિક કચરાને વૈજ્ઞાનિક પ્રક્રિયા દ્વારા ખાતરમાં પરિવર્તિત કરવામાં આવે છે.સર્ક્યુલર ઇકોનોમી ભારતની પ્રાચીન પરંપરાઓનો પણ હિસ્સો રહી છે.રિયુઝિંગ અને રિસાયક્લિંગ આપણાં જીવન સાથે સહજ રીતે જોડાયેલાં છે. વેસ્ટ ટુ વેલ્થ અને કચરા વ્યવસ્થાપનના મોડલ દ્વારા ગ્રામીણ અર્થવ્યવસ્થાને પણ ગતિ આપવામાં આવી રહી છે. આપણે ગ્રોથ પણ જોઈએ અને ગ્રીનરી પણ જોઈએ, ઇન્ડસ્ટ્રી પણ જોઈએ અને ઇકોલોજી પણ જોઈએ,પ્રોસ્પેરિટી પણ જોઈએ અને સસ્ટેનેબિલિટી પણ જોઈએ, આ જ WCEF–2026ની સાચી ભાવના છે.</p><h2 style="text-align: justify; "><b>આર્થિક વિકાસ અને સમૃદ્ધિ માટેની સંભાવના</b></h2><p style="text-align: justify; ">કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે ઉપસ્થિત સર્વે ડેલીગેટ્સને આવકારતા જણાવ્યું હતું કે,બ્રિક્સ નવી દિલ્હી ઘોષણાપત્રમાં પણ આર્થિક સ્થિતિસ્થાપકતા અને ટકાઉ વિકાસ માટે સર્ક્યુલર ઇકોનોમીની અનિવાર્યતાને વૈશ્વિક સ્તરે પુનઃસમર્થન મળ્યું છે.સર્ક્યુલર ઇકોનોમીનો અર્થ માત્ર કચરાના નિકાલ કે રિસાયક્લિંગ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે સંસાધનોના સમગ્ર જીવનચક્ર,ડિઝાઇન,ઉત્પાદન,વપરાશ,પુનઃઉપયોગ,સમારકામ અને પુનઃઉત્પાદનને વધુ કાર્યક્ષમ અને ટકાઉ બનાવવાની વ્યાપક વિચારધારા છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે,ભારત હવે સર્ક્યુલર ઇકોનોમીના ક્ષેત્રમાં એક મોટી સંભાવના તરીકે ઉભરી રહ્યું છે.વર્ષ 2050 સુધીમાં ભારતની સર્ક્યુલર ઇકોનોમીનું બજાર મૂલ્ય 2 ટ્રિલિયન ડોલરથી વધુ થવાની અને લગભગ 1 કરોડ રોજગારીની તકો ઊભી થવાની સંભાવના છે.આથી, આજના સમયમાં સર્ક્યુલર ઇકોનોમી માત્ર આપણા પર્યાવરણ અને ઇકોસિસ્ટમને સહારો આપવાનો માર્ગ નથી.તે હવે આર્થિક વિકાસ અને સમૃદ્ધિ માટેની એક મોટી સંભાવના પણ બની રહી છે.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/breakingnews/rajkot/rajkot-court-nayara-refinery-and-mahatma-mandir-receive-bomb-threat" target="_blank">આ પણ વાંચોઃ Gujarat News: રાજકોટ કોર્ટ, નાયરા રિફાઈનરી અને મહાત્મા મંદિરને ઉડાવી દેવાની ધમકી</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/WhMwyfLPpfjAU3ySZj9xaPCf8K5MOuPzjIPywsox.webp'/></item><item><title><![CDATA[Ambani Family Ganesh festival: રાધિકા અંબાણીએ 'એકદંતાય વક્રતુંડાય' પર કર્યો મંત્રમુગ્ધ કરનારો ક્લાસિકલ ડાન્સ, Video ]]></title><link>https://sandesh.com/entertainment/news/radhika-ambani-dance-performance-at-ganesh-chaturthi-celebration-at-antilia</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/radhika-ambani-dance-performance-at-ganesh-chaturthi-celebration-at-antilia</guid><pubDate>Tue, 15 Sep 2026 12:47:03 +05:30</pubDate><description><![CDATA[<p>દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત નિવાસસ્થાન 'એન્ટિલિયા' ખાતે ગણેશોત્સવની ખૂબ જ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવમાં બોલિવૂડ, બિઝનેસ અને રાજકારણ જગતની અનેક નામી હસ્તીઓએ હાજરી આપી હતી. અંબાણી પરિવારમાં "એન્ટિલિયા ચા રાજા" નું સ્વાગત સંપૂર્ણ પરંપરાગત વિધિઓ સાથે કરવામાં આવ્યું હતું. જોકે, આ આખી ઉજવણીમાં અંબાણી પરિવારની નાની પુત્રવધૂ રાધિકા અંબાણીના ભક્તિમય નૃત્ય રજૂઆતે સૌથી વધુ ધ્યાન ખેંચ્યું હતું.</p><p><img alt="રાધિકા" src="https://epapercdn.sandesh.com/images/2026/09/15/oqc9w6u3B6wR1ouDhA3yy41DH0Zq7x7lJe68hXNr.webp"><br></p><p><b>ભગવાન ગણેશના ચરણોમાં રાધિકા અંબાણીની 'નૃત્ય સેવા'</b></p><p>ગણેશ ઉત્સવ દરમિયાન રાધિકા અંબાણીએ ભગવાન ગણેશના સુપ્રસિદ્ધ સ્તોત્ર "એકદંતાય વક્રતુંડાય" પર અત્યંત ભાવનાત્મક અને શાસ્ત્રીય નૃત્ય (ભરતનાટ્યમ) રજૂ કર્યું હતું. તેમના સચોટ લય, મુદ્રાઓ અને મોહક હાવભાવે ઉપસ્થિત તમામ મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. રાધિકાની આ ભક્તિમય પ્રસ્તુતિ પૂર્ણ થતાં જ સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઊઠ્યો હતો.</p><p><b>કાંજીવરમ સાડી અને રોયલ લુકથી જીત્યા દિલ</b></p><p>આ ખાસ પ્રસંગે રાધિકાનો ટ્રેડિશનલ લુક ખૂબ જ આકર્ષક હતો. તેમણે એન્ટિક ગોલ્ડ મરોડી ભરતકામ અને ઝરદોસી વર્ક ધરાવતી લાલ રંગની કાંજીવરમ સાડી પહેરી હતી, જેને પર્ફોર્મન્સની સરળતા માટે પ્રી-સ્ટીચ્ડ સ્કર્ટ સ્ટાઇલમાં જોડી હતી. રોયલ લુક પૂર્ણ કરવા માટે તેમણે ડબલ-લેયર્ડ નેકલેસ, દામણી (માથાપટ્ટી), કમરપટ્ટો, હીરાની બંગડીઓ અને નથણી ધારણ કરી હતી. સોફ્ટ મેકઅપ અને નાની બિંદી સાથેનો તેમનો આ ભારતીય અવતાર ખૂબ જ શોભી રહ્યો હતો.</p><p><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DdSBLv6OXSe/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DdSBLv6OXSe/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a></p><p><b>કોરિયોગ્રાફર વાઇભવી મર્ચન્ટે કર્યા વખાણ</b></p><p>રાધિકાના કોરિયોગ્રાફર વાઇભવી મર્ચન્ટે આ ડાન્સ પર્ફોર્મન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતાં તેમની શિસ્ત અને નૃત્ય પ્રત્યેના સમર્પણની પ્રશંસા કરી હતી. વાઇભવીએ લખ્યું કે, "તમારા માટે કોરિયોગ્રાફી કરવાનો અનુભવ અદ્ભુત રહ્યો. નૃત્યમાં પાછા ફરવા માટેનો તમારો ઉત્સાહ અને જુસ્સો ખરેખર પ્રશંસનીય છે. ગણેશ ચતુર્થીથી બહેતર અન્ય કયો દિવસ હોઈ શકે!"</p><p><b>સોશિયલ મીડિયા પર વિડીયો થયો વાયરલ</b></p><p>રાધિકા અંબાણીના આ ક્લાસિકલ ડાન્સનો વિડીયો સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગ્યો છે. નેટિઝન્સ અને ચાહકો રાધિકાની સાદગી, શિસ્ત અને ભારતીય સંસ્કૃતિ તથા પરંપરા પ્રત્યેના તેમના ઊંડા પ્રેમના મુક્ત મને વખાણ કરી રહ્યા છે.</p><p><br></p><p><a href="https://sandesh.com/entertainment/news/sunita-ahuja-film-with-son-ganesh-chaturthi" target="_blank">આ પણ&nbsp; વાંચો : Sunita Ahuja Reveals Film With Son: પુત્ર સાથે ફિલ્મમાં દેખાશે સુનીતા આહૂજા, ગણેશ ચતુર્થી પર કરી જાહેરાત</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/Bnu7qh3P6KsH7WKxGC2Pf9GwyZlc9xmQGnys29ov.webp'/></item><item><title><![CDATA[Meta : બાળકોની ઓનલાઈન સુરક્ષા, કેન્દ્ર સરકારના દબાણ બાદ મેટા સોંપશે બાળકોના A-ટુ-Z ડેટા ]]></title><link>https://sandesh.com/tech/news/india/meta-a-z-meta-agrees-to-share-child-safety-data-india</link><guid isPermaLink="true">https://sandesh.com/tech/news/india/meta-a-z-meta-agrees-to-share-child-safety-data-india</guid><pubDate>Tue, 15 Sep 2026 12:29:27 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઇન્ટરનેટ પર બાળકોની સુરક્ષાને લઈને ભારત સરકાર હવે અત્યંત કડક વલણ અપનાવી રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર બાળકો સાથે સંકળાયેલી વાંધાજનક અને ગેરકાયદેસર સામગ્રી પર અંકુશ મેળવવા માટે સરકારે પોતાની પકડ વધુ મજબૂત બનાવી છે. આ જ કડકાઈના પરિણામે ટેક જાયન્ટ મેટા (Meta) કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે બાળ જાતીય શોષણ અને તેનાથી સંબંધિત કેસોની તમામ માહિતી શેર કરવા માટે સત્તાવાર રીતે સંમત થઈ ગયું છે. સરકારનો સ્પષ્ટ સંદેશ છે કે ભારતમાં ઓનલાઈન બાળ સુરક્ષા એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને આ બાબતમાં કોઈપણ પ્રકારની બેદરકારી બિલકુલ સહન કરવામાં આવશે નહીં.</p><h2 style="text-align: justify; "><b>વાંધાજનક સામગ્રીનું પ્રી-એક્ટિવ નિરીક્ષણ અને સરકારનો એક્શન પ્લાન</b></h2><p style="text-align: justify; ">સરકારનું મુખ્ય ધ્યાન સોશિયલ મીડિયા પર માત્ર ફરિયાદ મળ્યા બાદ સામગ્રી દૂર કરવા પૂરતું સીમિત નથી, પરંતુ આવી હાનિકારક સામગ્રીને અગાઉથી જ ઓળખીને તેને પ્લેટફોર્મ પરથી અટકાવવા માટે સક્રિય પદ્ધતિઓ વિકસાવવા પર છે. મેટા દ્વારા કાયદાકીય એજન્સીઓ સાથે ડેટા શેર કરવાના કરારને આ દિશામાં એક મોટું અને મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આનાથી તપાસ એજન્સીઓને ઓનલાઈન બાળ ગુનાઓના કેસોને ઉકેલવામાં અને ગુનેગારો સુધી પહોંચવામાં મોટી મદદ મળશે.</p><h3 style="text-align: justify; "><b>અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ સરકારના રડાર પર</b></h3><p style="text-align: justify; ">ભારત સરકાર માત્ર મેટા પૂરતી મર્યાદિત રહેવા માંગતી નથી, પરંતુ દેશમાં કાર્યરત તમામ મુખ્ય સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ્સ સાથે સતત બેઠકો અને ચર્ચાઓ ચાલી રહી છે. ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે તમામ પ્લેટફોર્મ્સ બાળકોની સલામતીના નિયમોનું કડક પાલન કરે. જો કોઈ કંપની આ દિશામાં બેદરકાર સાબિત થશે, તો તેની સામે પ્રવર્તમાન કાયદાકીય નિયમો હેઠળ કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આગામી સમયમાં સરકાર આ સિસ્ટમને વધુ મજબૂત કરવા માટે ટેક કંપનીઓ સાથે મળીને કામ કરવા જઈ રહી છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/nandigram-by-election-bjp-candidate-hasirani-rath" target="_blank">આ પણ વાંચોઃ Nandigram by-election ભાજપનો મોટો દાવ, સુવેન્દુના પૂર્વ PA ચંદ્રનાથ રથની માતાને ઉતારી મેદાને</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/m45lvtxhyMjrUeajWTWcEkWW8cG7Zr749XCBD6NJ.webp'/></item><item><title><![CDATA[Mumbai MLA Parag Shah: 5000 કરોડના માલિક ધારાસભ્ય મુંબઈના રસ્તા પર કેમ બન્યા ભિખારી ]]></title><link>https://sandesh.com/india/news/mumbai-bjp-mla-parag-shah-5000-crore-property-become-beggar</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/mumbai-bjp-mla-parag-shah-5000-crore-property-become-beggar</guid><pubDate>Tue, 15 Sep 2026 12:28:40 +05:30</pubDate><description><![CDATA[<p>લાંબી દાઢી, ફાટેલા કપડાં અને હાથમાં વાટકી સાથે એક શખ્સ રસ્તાઓ પર પસાર થતા લોકો પાસે ભીખ માગતો હતો. રાહદારીઓ પાસે મદદ માંગી વાસી રોટલી અને ઉપલબ્ધ ખોરાક પર ગુજરાન ચલાવનાર આ શખ્સ કરોડોનું સામ્રાજ્ય છોડી ભીખારી તરીકે જીવન પસાર કરે છે. આખરે કોણ છે આ શખ્સ જે સંપત્તિ છોડી ભીખારી બની મુંબઈના રસ્તા પર ભીખ માગી રહ્યા છે. ખરેખર આ શખ્સ મુંબઈ ઘાટકોપર પૂર્વના ભાજપના ધારાસભ્ય પરાગ શાહ છે. કેમ તેઓ ભીખારી બન્યા જાણો આ રસપ્રદ કહાની.</p><h2><b>ધારાસભ્ય પરાગશાહ બન્યા ભીખારી</b></h2><p>મુંબઈના ઘાટકોપર પૂર્વના ધારાસભ્ય (MLA) પરાગ શાહ, જેઓ આશરે ₹૫,૦૦૦ કરોડની અથાહ સંપત્તિ, રાજકીય પ્રભાવ અને મજબૂત સુરક્ષા બંદોબસ્ત ધરાવે છે, તેમણે તાજેતરમાં એક એવો આધ્યાત્મિક પ્રયોગ કર્યો જેણે સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા. પોતાની VIP ઓળખ, કિંમતી ગાડીઓ અને બોડીગાર્ડ્સનો ઘેરો છોડીને તેઓ મુંબઈના રસ્તાઓ પર ફાટેલા કપડાં અને હાથમાં વાટકી સાથે એક સામાન્ય ભિખારી તરીકે નીકળી પડ્યા હતા.</p><p><b>ગુરુ રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજનો આદેશ, છોડી સંપત્તિ&nbsp;</b></p><p>જૈન ચાતુર્માસ દરમિયાન ધારાસભ્ય પરાગ શાહે તેમના આધ્યાત્મિક માર્ગદર્શક રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજના ઉપદેશથી આ આત્મનિરીક્ષણનો પ્રયોગ કર્યો હતો. ગુરુજીએ તેમને સંપત્તિ, હોદ્દો અને રાજકીય અહંકારથી પર થઈને સમાજના સૌથી નબળા વર્ગના જીવનનો પ્રત્યક્ષ અનુભવ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. આ આદેશનું પાલન કરવા માટે તેમણે સુરક્ષા હટાવી દીધી અને મેકઅપ આર્ટિસ્ટની મદદથી એક એવો ભિખારીનો લુક ધારણ કર્યો કે જેથી ઘાટકોપરના જ રસ્તાઓ પર તેમને કોઈ ઓળખી ન શકે.</p><p><b>હાથમાં વાટકી, લાંબી દાઢી અને ફાટેલા કપડાં સાથે રસ્તા પર માંગ્યા પૈસા</b></p><p>આ અનુભવ દરમિયાન પરાગ શાહ પાસે કોઈ મોબાઈલ, લેટેસ્ટ ગાડી કે રાજકીય ફાઈલો નહોતી. લાંબી દાઢી અને ફાટેલા કપડાં સાથે તેઓ હાથમાં વાટકો લઈને પસાર થતા લોકો અને વાહનચાલકો સમક્ષ મદદ માટે હાથ લંબાવતા રહ્યા. લગભગ એક કલાક ચાલેલા આ પ્રયોગ દરમિયાન કોઈ પણ નાગરિક તેમને ઓળખી શક્યો નહીં. જે નેતાને મળવા લોકો રાહ જોતા હોય, તે જ નેતા આજે રસ્તા પર સામાન્ય માણસની જેમ મદદ માગી રહ્યા હતા.</p><p><b>વાસી રોટલી ખાધી, લોકોનો ઠપકો અને માનવતાના દર્શન પણ થયા</b></p><p>રસ્તા પર ભીખ માંગતી વખતે પરાગ શાહે સમાજના અલગ-અલગ ચહેરા જોયા. ઘણા લોકોએ તેમની અવગણના કરી, કેટલાકે ધિક્કારીને ઠપકો આપ્યો, તો કેટલાક દયાળુ લોકોએ માનવતા દર્શાવીને તેમના વાટકામાં પૈસા કે ખોરાક મૂક્યો. કરોડોની સંપત્તિ ધરાવતા ધારાસભ્યએ લોકોને હાથે મળેલી વાસી રોટલી અને ભોજન ખાઈને પોતાની ભૂખ સંતોષી હતી, જેનાથી તેમને ગરીબી અને ભૂખમરાની વાસ્તવિકતાનો ઊંડો અહેસાસ થયો.</p><p><b>મેકઅપ ઉતાર્યા બાદ મદદ કરનારા લોકોનો માન્યો આભાર</b></p><p>સાંજના સમયે આ પ્રયોગ પૂર્ણ થયા બાદ પરાગ શાહે પોતાનો ભિખારીનો મેકઅપ દૂર કર્યો અને મૂળ સ્વરૂપમાં પાછા ફર્યા. ત્યારબાદ તેઓ એ જ સામાન્ય નાગરિકોને રૂબરૂ મળવા પહોંચ્યા જેમણે તેમને ભિખારી સમજીને રોટલી કે પૈસા આપ્યા હતા. તેમણે તે તમામ લોકોનો આભાર માન્યો અને તેમની સાથે વાતચીત કરીને અનુભવો શેર કર્યા.</p><p><b>સાચો સંદેશ: પદ અને શક્તિ કરતાં માનવતા મોટી</b></p><p>આ પ્રયોગ પાછળનો મુખ્ય હેતુ અહંકાર અને પદનો મોહ છોડીને સાચી માનવતાને સમજવાનો હતો. ગુરુ નમ્રમુનિ મહારાજના જણાવ્યા મુજબ, વ્યક્તિ ગમે તેટલી આર્થિક કે રાજકીય ઊંચાઈ પર પહોંચે, પણ તેણે જમીન પરના જરૂરિયાતમંદ લોકોની તકલીફો ક્યારેય ભૂલવી જોઈએ નહીં. ₹૫,૦૦૦ કરોડની માલિકી ધરાવતા ધારાસભ્ય માટે આ અનુભવ જીવનનો સૌથી મોટો આત્મજ્ઞાનનો પાઠ સાબિત થયો.</p><p><br></p><p><a href="https://sandesh.com/india/news/gurugram-hit-and-run-case-accused-kalyan-baisla-arrested-police-reach-bike-rider-siya-chauhans-house" target="_blank">આ પણ વાંચો : Gurugram Hit and Run Case: રાજસ્થાનના દૌસાથી ઝડપાયો આરોપી કલ્યાણ બૈસલા</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/ex3RBYlzmKs61ZSvNlJ57eWS0VZSDxrAu1CPZmjL.webp'/></item><item><title><![CDATA[ગુજરાતમાં ફરી બોમ્બની ધમકી, શું બ્રિટનના ભાગલા પડશે સહિતના 12 વાગ્યા સુધીના મોટા સમાચાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-08-am-to-12-pm-15-september-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-08-am-to-12-pm-15-september-2026</guid><pubDate>Tue, 15 Sep 2026 11:59:38 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર</b></p><p><a href="https://sandesh.com/gujarat/breakingnews/rajkot/rajkot-court-nayara-refinery-and-mahatma-mandir-receive-bomb-threat" target="_blank"><b>1. Gujarat News: રાજકોટ કોર્ટ, નાયરા રિફાઈનરી અને મહાત્મા મંદિરને ઉડાવી દેવાની ધમકી</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/2-accidents-at-same-spot-on-iskcon-bridge" target="_blank"><b>2. Ahmedabad News : આજે ઈસ્કોન બ્રિજ પર 2 અકસ્માત સર્જાયા, ડાયવર્ઝન બન્યું જોખમી</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/heavy-rain-forecast-today-know-when-monsoon-will-ease" target="_blank"><b>3. Gujarat Weather News: રાજ્યમાં આજે પણ આ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો ક્યારે મેઘરાજા વિરામ લેશે?</b></a></p><p><a href="https://sandesh.com/world/news/us-iran-war-trump-claims-oil-prices-will-drop" target="_blank"><b>4.US Iran War: તેલના ભાવ સાવ ઘટી જશે, ડોનાલ્ડ ટ્રમ્પના દાવાએ સૌને ચોંકાવી દીધા</b></a></p><p><a href="https://sandesh.com/entertainment/news/sooraj-pancholi-disha-salian-case-statement" target="_blank"><b>5. Disha Salian Case: દિશા સાલિયન કેસમાં નામ ઉછળ્યું, Sooraj Pancholi એ તોડ્યું મૌન</b></a></p><p><a href="https://sandesh.com/india/news/gurugram-hit-and-run-case-accused-kalyan-baisla-arrested-police-reach-bike-rider-siya-chauhans-house" target="_blank"><b>6. Gurugram Hit and Run Case: આરોપી કલ્યાણ બૈસલા ઝડપાયો, બાઇક રાઇડર સિયા ચૌહાણના ઘરે પહોંચી પોલીસ</b></a></p><p><a href="https://sandesh.com/gallery/news/entertainment/ganesh-chaturthi-at-antilia-ambani-family-ganpati-celebration-bollywood-celebs-present" target="_blank"><b>7. અંબાણી પરિવારના ગણેશોત્સવમાં ઉમટયા બોલીવુડ સિતારાઓ, વાયરલ તસવીરોમાં જુઓ સેલેબ્સના શાનદાર લુક</b></a></p><p><a href="https://sandesh.com/world/news/uk-breakup-wales-scotland-northern-ireland-pact" target="_blank"><b>8. UK Breakup Risk : શું બ્રિટનના પડશે ભાગલા? વેલ્સ, સ્કોટલેન્ડ અને ઉત્તરી આયર્લેન્ડ અલગ થવાના કરાર પર હસ્તાક્ષર</b></a></p><p><a href="https://sandesh.com/cricket/news/england-ecb-delegation-pakistan-odi-tri-series-security-review" target="_blank"><b>9. ODI Tri Series પહેલા ECB એક્શન મોડમાં! પાકિસ્તાન પહોંચ્યું ઇંગ્લેન્ડનું સ્પેશિયલ ડેલિગેશન</b></a></p><p><a href="https://sandesh.com/india/news/3-foreign-passengers-arrived-on-an-international-flight-without-going-through-immigration-at-delhi-airport-show-cause-notice-issued-to-air-india" target="_blank"><b>10. Delhi Airport પર ઇમિગ્રેશન કર્યા વિના 3 વિદેશી મુસાફરો ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં પહોંચ્યા, Air Indiaને શો કોઝ નોટિસ</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/05/30/mDmSiSJWp4EJffsL4XdCg0WZVmFETlBX3EYK5ohQ.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: રોંગ સાઈડમાં આવી રહેલી ટ્રક ચાલકે બાઈક સવાર બે યુવકોને અડફેટે લીધા, એકનું મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/wrong-side-truck-hits-two-bikers-near-anjali-bridge-one-killed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/wrong-side-truck-hits-two-bikers-near-anjali-bridge-one-killed</guid><pubDate>Tue, 15 Sep 2026 09:58:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં બેફામ વાહનચાલકોની બેદરકારી અને ટ્રાફિક નિયમનના સરેઆમ ભંગને કારણે નિર્દોષ નાગરિકોના ભોગ લેવાવવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી.શહેરના વ્યસ્ત ગણાતા એવા અંજલી બ્રિજ પાસે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.જેમાં રોંગ સાઈડમાં આવી રહેલી એક અનિયંત્રિત ટ્રકે બાઈક પર જઈ રહેલા બે યુવકોને અડફેટે લીધા હતા.આ અકસ્માતમાં એક યુવકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.જ્યારે અન્ય એક યુવક ગંભીર હાલતમાં હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>મહાલક્ષ્મી પાંચ રસ્તા પાસે બ્રિજની છેડે સર્જાઈ દુર્ઘટના</b></h2><p style="text-align: justify; ">પ્રાપ્ત વિગતો અનુસાર આ ગંભીર અકસ્માત અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી પાંચ રસ્તા પાસે અંજલી બ્રિજના છેડા પર સર્જાયો હતો.બાઈક સવાર બે યુવકો પોતાના નિયમિત રસ્તે જઈ રહ્યા હતા તે દરમિયાન સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રક અચાનક રોંગ સાઈડમાં ધસી આવી હતી.ટ્રક ચાલકની આ બેદરકારી અને ઓવરસ્પીડના કારણે બાઈક ચાલક કઈ સમજે તે પહેલા જ ટ્રકે જોરદાર ટક્કર મારી દીધી હતી.ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક પર સવાર બંને યુવકો ફંગોળાઈને રોડ પર પટકાયા હતા.</p><h2 style="text-align: justify; "><b>એક યુવકનું ઘટનાસ્થળે જ મોત બીજો ગંભીર ઇજાગ્રસ્ત</b></h2><p style="text-align: justify; ">આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાના કારણે બાઈક સવાર એક યુવકનું ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જ્યારે તેની સાથે રહેલો અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો.અકસ્માતની ઘટના જાણીને આસપાસના લોકો ત્વરિત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.લોકોએ તાત્કાલિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ દ્વારા ખસેડવામાં આવ્યો છે.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ટ્રાફિક પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે.પોલીસે અકસ્માતે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા ટ્રક ચાલકને ઝડપી પાડવાની કવાયત તેજ કરી છે.&nbsp;<br><br><h2><b>ઈસ્કોન બ્રિજ પર બે અકસ્માત</b></h2></p><p style="text-align: justify; ">ઉલ્લેખનીય છે કે, શહેરમાં બેફામ પણે વાહન હંકારનારા લોકો અકસ્માત સર્જી રહ્યાં છે. આજે સવારે ઈસ્કોન બ્રિજ પર એક જ સ્થળે બે અકસ્માત સર્જાયા હતાં. કર્ણાવતી ક્લબ પાસે ચાલી રહેલા કામને કારણે એક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ ડાયવર્ઝન બોર્ડ સાથે એક બેફામ સ્પીડે આવી રહેલા કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. જ્યારે એક ટ્રક ચાલકે બ્રિજ પાસે ગોઠવેલા બેરિકેટ તોડ્યા હતાં. આ અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી નથી. પરંતુ બેફામ ચાલકો દ્વારા થતા આ અકસ્માતોમાં નિર્દોષ લોકોના મોત થઈ રહ્યાં છે.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/2-accidents-at-same-spot-on-iskcon-bridge" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News:આજે ઈસ્કોન બ્રિજ એક જ જગ્યાએ 2 અકસ્માત સર્જાયા, ડાયવર્ઝન બન્યું જીવલેણ</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/EHTv3MbuApS7GEqdWDOVW9ilPz1p7qZL46SH6S0P.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : આજે ઈસ્કોન બ્રિજ પર 2 અકસ્માત સર્જાયા, ડાયવર્ઝન બન્યું જોખમી ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/2-accidents-at-same-spot-on-iskcon-bridge</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/2-accidents-at-same-spot-on-iskcon-bridge</guid><pubDate>Tue, 15 Sep 2026 09:15:02 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં બેફામ વાહનચાલકોની ઓવરસ્પીડ અને ટ્રાફિક નિયમોના લીરેલીરે ઉડી રહ્યા છે. જેને કારણે અકસ્માતોની વણઝાર અટકવાનું નામ નથી રહી. રફતારના રાક્ષસ તથ્ય પટેલ દ્વારા નિર્દોષ લોકોને આ બ્રિજ પર કચડી નાંખ્યા હતાં. ત્યાર બાદ ફરી એકવાર બેફામ રફતારનો કહેર જોવા મળ્યો છે.જ્યાં ઓવરસ્પીડમાં આવી રહેલી એક કાર ડાયવર્ઝન બોર્ડ સાથે ધડાકાભેર અથડાવાની ગંભીર ઘટના સામે આવી છે.આ અકસ્માતે એકવાર ફરીથી બ્રિજ પરની સુરક્ષા વ્યવસ્થા અને તંત્રની પોકળ દાવાઓની પોલ ખોલી નાખી છે.આજે વહેલી સવારથી આ બ્રિજ પર એક જ જગ્યાએ બે અકસ્માત સર્જાયા છે.</p><h2 style="text-align: justify; "><b>કર્ણાવતી બ્રિજની કામગીરી અને ઈસ્કોન બ્રિજનું જોખમી ડાયવર્ઝન</b></h2><p style="text-align: justify; ">હાલમાં કર્ણાવતી બ્રિજ પર ચાલી રહેલી મરામત અને નિર્માણ કામગીરીના કારણે વાહનવ્યવહાર માટે ઈસ્કોન બ્રિજ પર વિશેષ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.આ ડાયવર્ઝન પર પૂરતી સાવચેતી કે યોગ્ય બેરિકેડિંગના અભાવે તે વાહનચાલકો માટે અત્યંત જોખમી સાબિત થઈ રહ્યું છે.આ બ્રિજ પર ફૂલ સ્પીડમાં આવી રહેલી કારનાચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી ડાયવર્ઝન બોર્ડ સાથે અથડાઈ હતી જેના કારણે મોટો અકસ્માત સર્જાતા અટક્યો હતો અને કારચાલકનો આબાદ બચાવ થયો હતો.</p><p style="text-align: justify; "><img alt="અમદાવાદ અકસ્માત" src="https://epapercdn.sandesh.com/images/2026/09/15/m40SsMmjlN1X5JyEL2UBj3pxIImhVpFSSv1hA7Ka.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>ટ્રક ચાલકે બેરિકેટ્સ તોડ્યા</b></h2><p style="text-align: justify; ">માત્ર કાર જ નહીં પરંતુ ઈસ્કોન બ્રિજ પર ભારે વાહનોની બેફામ ગતિ પણ જોખમરૂપ બની છે.20 વર્ષીય સુનિલ પરીખ નામના ચાલકે પૂરપાટ ઝડપે હંકારી રહેલી ટ્રક દ્વારા ડાયવર્ઝનના બેરિકેટ્સ તોડી નાખ્યા હોવાનો બનાવ બન્યો હતો.ઈસ્કોન બ્રિજ પર અગાઉ બનેલી દર્દનાક તથ્ય પટેલ કાર અકસ્માતની યાદો હજુ લોકોના માનસપટ પર તાજી છે છતાં પણ તંત્ર દ્વારા બ્રિજ પર સ્પીડ કંટ્રોલ કરવા કે સુરક્ષા વધારવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.અકસ્માતો બાદ તંત્ર દ્વારા સીસીટીવી કેમેરા લગાવવાના અને સ્પીડ બ્રેકર મૂકવાના મોટા દાવા કરવામાં આવે છે. પરંતુ હકીકત જોતાં આ તમામ દાવાઓ માત્ર પોકળ સાબિત થઈ રહ્યા છે.</p><p style="text-align: justify; "><img alt="ઈસ્કોન બ્રિજ અકસ્માત" src="https://epapercdn.sandesh.com/images/2026/09/15/nAocnnXlZKDn4sSqmjR5O5XTxYyFCAuM5rSZJirG.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>નાગરિકોમાં રોષ અને તંત્રની બેદરકારી સામે સવાલો</b></h2><p style="text-align: justify; ">ઈસ્કોન બ્રિજ પર વારંવાર સર્જાતા અકસ્માતોને કારણે સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ડાયવર્ઝન વાળા આ પટ્ટા પર પૂરતી લાઈટિંગ, રિફ્લેક્ટર બોર્ડ અને સ્પીડ બ્રેકર ન હોવાના કારણે રાત્રિના સમયે અકસ્માતનું જોખમ અનેકગણું વધી જાય છે.જો વહેલી તકે ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ તંત્ર દ્વારા અહીં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં નહીં આવે તો કોઈ મોટી માનવ તારાજી સર્જાઈ શકે છે.તંત્રની આ પ્રકારની ઘોર બેદરકારી ક્યારે અટકશે અને બેફામ ચાલકો સામે ક્યારે દાખલારૂપ કાર્યવાહી થશે તેવા અનેક ગંભીર સવાલો આજે જાગૃત નાગરિકો દ્વારા પૂછવામાં આવી રહ્યા છે.</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/scientists-research-artificial-sun-to-unlock-clean-fusion-energy" target="_blank">આ પણ વાંચોઃ Gandhinagar News : ગુજરાતમાં વૈજ્ઞાનિકો સૂર્યનું રહસ્ય ઉકેલવા લાગ્યા, કૃત્રિમ સૂરજ બનાવવા માટે સંશોધન શરૂ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/hRvR70GjqMTt7mVoCaMAp06chVFLvMeTQyPU2izs.webp'/></item><item><title><![CDATA[પાકિસ્તાનની ટીમ ભારત આવશે! એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં જામશે ભારત-પાક જંગ ]]></title><link>https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</guid><pubDate>Mon, 14 Sep 2026 15:47:21 +05:30</pubDate><description><![CDATA[<p>આવતા મહિને પાકિસ્તાનની હોકી ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે. 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન પંજાબમાં યોજાનારી AHF મેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026માં પાકિસ્તાન સહિત કુલ છ ટીમો ભાગ લેશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પાકિસ્તાનની ભાગીદારી અંગેની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, મલ્ટી-નેશનલ ઇવેન્ટ્સ અંગે કેન્દ્ર સરકારની નીતિ હેઠળ બંને દેશોની ટીમો આમને-સામને રમશે.</p><h2><b>ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જાલંધરમાં રમાશે</b></h2><p>એશિયન મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન થશે. આ ટૂર્નામેન્ટમાં યજમાન ભારત અને પાકિસ્તાન ઉપરાંત ચીન, જાપાન, મલેશિયા અને કોરિયાની પણ ભાગ લેશે. લીગ સ્ટેજના મુકાબલા જાલંધરમાં યોજાશે, જ્યારે સેમિફાઇનલ અને ફાઇનલ મેચ મોહાલીના હોકી સ્ટેડિયમમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 1 નવેમ્બરે જાલંધરમાં રમાશે. કોઈ ટીમ છેલ્લી ઘડીએ ખસી જાય તો તે સ્થિતિ માટે ઓમાન અને બાંગ્લાદેશને રિઝર્વ ટીમન તરીકે રાખવામી આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PTI_News/status/2099416960278868155"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમવામાં કોઈ મુશ્કેલી નથી</b></h2><p>પાકિસ્તાનની ભાગીદારી અને જરૂરી મંજૂરીઓ અંગે પંજાબના મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં બંને દેશો વચ્ચે રમવામાં કોઈ મુશ્કેલી નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝનું આયોજન અલગ બાબત છે, કારણ કે કેન્દ્ર સરકારની વર્તમાન નીતિ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય રમત-ગમતના આયોજનની મંજૂરી આપતી નથી. પરંતુ મલ્ટી-નેશનલ ટૂર્નામેન્ટમાં બંને દેશોના ખેલાડીઓને એકબીજા સામે રમવાની પરવાનગી છે, જેથી પાકિસ્તાની ટીમ ભારત આવી શકશે.</p><h2><b>ભારત વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે</b></h2><p>ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. ભારતે 2023માં ચેન્નાઈ અને 2024માં ચીનના હુલુનબુઈરમાં યોજાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ગત વર્ષે આ સ્પર્ધા યોજાઈ શકી નહોતી. હવે પંજાબ પ્રથમ વખત આ ટૂર્નામેન્ટની મેજબાની કરવા જઈ રહ્યું છે.</p><h2><b>અગાઉ પાકિસ્તાની ટીમે ના કહી હતી&nbsp;</b></h2><p>પાકિસ્તાનની આ વખતની ભાગીદારી એટલા માટે પણ ખાસ છે, કારણ કે ગત વર્ષે તેણે તમિલનાડુમાં આયોજિત જૂનિયર હોકી વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તે સમયે બંને દેશો વચ્ચેના તણાવને તેનું કારણ ગણાવવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે અને પાકિસ્તાની ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે પૂરી રીતે તૈયાર છે.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/V6jwdiIr9RTCvR6EyBaGsP2qfZvYLq2JfkL7pytm.webp'/></item></channel></rss>