<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[4 બાળકો, 2 દિવસની રાહ, પણ અંતે તો મળ્યો બિનવારસી સ્વરૂપે અગ્નિદાહ, પરિવારને જોઈએ છે માત્ર ડેથ સર્ટિફિકેટ! ]]></title><link>https://sandesh.com/india/news/indore-father-ghanshyam-abandoned-by-children-dies-in-bhopal-old-age-home</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/indore-father-ghanshyam-abandoned-by-children-dies-in-bhopal-old-age-home</guid><pubDate>Mon, 10 Aug 2026 21:13:31 +05:30</pubDate><description><![CDATA[<p>ઈન્દોરના એક નાના ઘરમાં સાયકલના ટાયર-ટ્યુબનું કામ કરતા 70 વર્ષીય ઘનશ્યામજીની સ્ટોરી આજના આધુનિક સંબંધોની વરવી વાસ્તવિકતા છતી કરે છે. વર્ષો પહેલા તેમની પત્નીનું અવસાન થયું, ત્યારે સૌથી નાની પુત્રી માત્ર 2 વર્ષની હતી. ઘનશ્યામજીએ પોતે જ પિતા અને માતા બંનેની ભજવીને બે દીકરા અને બે દીકરીઓને મોટા કર્યા. પોતાના પેટના કટકા કરીને સંતાનોની દરેક જરૂરિયાત પૂરી કરી, પરંતુ જ્યારે જીવનના આખરી પડાવ પર તેમને સંભાળની જરૂર હતી, ત્યારે ચારેય સંતાનોમાંથી કોઈએ પણ તેમની સામે જોયું નહીં.</p><h2><b>અડધા શરીરે લકવો, તોય બસ સ્ટેન્ડથી પહોંચ્યા વૃદ્ધાશ્રમ</b></h2><p>જીવનના છેલ્લા 4 વર્ષ ઘનશ્યામજીએ ભોપાલના 'અપના ઘર' વૃદ્ધાશ્રમમાં વિતાવ્યા હતા. શરીરના અડધા ભાગમાં લકવો હોવાથી તેમને બોલવામાં અને ચાલવામાં તકલીફ પડતી હતી. સૌથી દુઃખદ વાત એ છે કે, તેમને વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે પણ કોઈ દીકરો કે દીકરી આવ્યા ન હતા. તેઓ પોતે જ ઈન્દોરથી બસમાં બેસીને ભોપાલના ISBT બસ સ્ટેન્ડ પહોંચ્યા હતા. ત્યાં કેટલાક સામાજિક કાર્યકરોની નજર તેમના પર પડી અને તેમણે ઘનશ્યામજીને વૃદ્ધાશ્રમ પહોંચાડ્યા હતા.</p><h2><b>4 ઓગસ્ટ 2026ના રોજ નિધન, 2 દિવસ સુધી મૃતદેહ સ્વજનોની રાહ જોતો રહ્યો</b></h2><p>ઘનશ્યામજીનું નિધન 4 ઓગસ્ટ 2026ના રોજ થયું હતું. વૃદ્ધાશ્રમ સંચાલકોએ તુરંત જ તેમના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. ક્યારેક ટ્રેનની ટિકિટ નથી તો ક્યારેક બસમાં જગ્યા નથી તેવા બહાના સંતાનો આપતા રહ્યા. વૃદ્ધાશ્રમ પાસે મૃતદેહને લાંબો સમય રાખવાની સુવિધા ન હોવા છતાં, કોઈ આવી પહોંચશે તે આશાએ 2 દિવસ સુધી મૃતદેહ રાખવામાં આવ્યો, પરંતુ ન તો કોઈ દીકરો આવ્યો કે ન તો કોઈ દીકરી. આખરે પોલીસે કાયદાકીય પ્રક્રિયા પૂરી કરીને વૃદ્ધાશ્રમે જ તેમના અંતિમ સંસ્કાર કર્યા.</p><p><img alt="Heartbreaking Story of 70-Year-Old Father Abandoned by 4 Children in MP" src="https://epapercdn.sandesh.com/images/2026/08/10/KQPRikASkUQ9MGQrmj7dSZqRsc6Pw9sW8qSnNstZ.webp" style="width: 100%;"><br></p><h2><b>"અમે આમને ઓળખતા નથી..." - સંતાનોએ મિલકત વહેંચીને પિતાને ત્યજી દીધા</b></h2><p>વૃદ્ધાશ્રમના સંચાલિકા માધુરી મિશ્રા જણાવે છે કે, ઘનશ્યામજીનું ઈન્દોરમાં એક નાનું મકાન હતું, જે વેચીને આશરે 2 થી 3 લાખ રૂપિયા ભાઈ-બહેનોએ પરસ્પર વહેંચી લીધા હતા. જ્યારે આશ્રમમાંથી સંતાનોને ફોન કરવામાં આવ્યો ત્યારે સાંભળવા મળ્યું કે, હું આમને ઓળખતો નથી, અમે એમનો ત્યાગ કરી ચૂક્યા છીએ. અમારે એમની સાથે કોઈ લેવાદેવા નથી. દીકરીઓનું કહેવું હતું કે, પિતાએ મિલકત દીકરાઓને આપી એટલે અમે કેમ જઈએ, જ્યારે દીકરાઓનું કહેવું હતું કે, પિતાએ અમારા માટે કર્યું જ શું છે!</p><h2><b>જીવતા જીવ મોં ન બતાવ્યું, હવે પરિવારને માત્ર ડેથ સર્ટિફિકેટ જોઈએ છે!</b></h2><p>સૌથી શરમજનક બાબત તો એ છે કે, પિતાના નિધન પછી સંતાનોએ સ્પષ્ટ કહી દીધું કે, અંતિમ સંસ્કાર તમે જ કરી દો અને અમને ડેથ સર્ટિફિકેટ મોકલી આપો. જે પિતાને જીવતા જીવ ઘરમાં જગ્યા ન મળી, તેની મોત પછી પરિવારને માત્ર કાગળના ટુકડાની જરૂર છે. આ વાતથી નારાજ થઈને સંચાલિકા માધુરી મિશ્રાએ ડેથ સર્ટિફિકેટ આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. તેમણે માગ કરી છે કે, આવા સંતાનોનો સામાજિક બહિષ્કાર થવો જોઈએ.</p><p><img alt="Heartbreaking Story of 70-Year-Old Father Abandoned by 4 Children in MP" src="https://epapercdn.sandesh.com/images/2026/08/10/Jw9EHD27raba5CPtQiBg5yLIoffA7U2uEUwTOX6B.webp" style="width: 100%;"><br></p><h2><b>પેન્શન માટે જ યાદ આવે છે મા બાપ!</b></h2><p>માધુરી મિશ્રા જણાવે છે કે, તેમના આશ્રમમાં 24 થી 25 વડીલો રહે છે. તેઓ કોઈ જ સરકારી મદદ વગર આ સંસ્થા ચલાવે છે. ઘણી વખત સંતાનો અચાનક પ્રેમ બતાવીને માતા-પિતાને ઘરે લઈ જવા આવે છે, પરંતુ તેની પાછળનું કડવું સત્ય એ હોય છે કે, તેઓ બેંકમાં લઈ જઈને વૃદ્ધોના ખાતામાંથી આખી પેન્શનની રકમ ઉપાડી લે છે અને ફરી તેમને ત્યજી દે છે. આ ઘટનાએ આજે સમાજમાં વિખૂટા પડી રહેલા કળિયુગી સંબંધો પર મોટો સવાલ ઊભો કર્યો છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/explainer/news/gujarat/ragging-laws-punishment-statistics-gujarat-explainer" target="_blank">Explainer: રેગિંગનો રાક્ષસ - વ્યાખ્યા, કોર્ટ, કાયદો, સજા અને તમારા અધિકારો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/p6sylnP8cIwlR7zFU72Ocq3VHYLmbNcKyUNi1xwf.webp'/></item><item><title><![CDATA[Jharkhand Protest: વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જનો રાહુલ ગાંધીએ કર્યો વિરોધ, કહ્યું 'વાતચીતથી ઉકેલ લાવો' ]]></title><link>https://sandesh.com/india/news/political-news/jharkhand-protest-rahul-gandhi-lathi-charge-students</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/political-news/jharkhand-protest-rahul-gandhi-lathi-charge-students</guid><pubDate>Mon, 10 Aug 2026 20:34:41 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઝારખંડમાં JPSC અને JSSC ભરતી પરીક્ષામાં કથિત ગેરરીતિઓને લઈને વિદ્યાર્થીઓનું આંદોલન ઉગ્ર બન્યું છે. સોમવારે હજારો વિદ્યાર્થીઓ વિધાનસભા ઘેરાવ માટે નીકળ્યા હતા. આ દરમિયાન વિદ્યાર્થીઓને રોકવા માટે પોલીસે લાઠીચાર્જ, ટિયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હોવાની માહિતી સામે આવી છે. વિદ્યાર્થીઓ પર થયેલા બળપ્રયોગને લઈને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકારને આ મુદ્દો તાત્કાલિક ઉકેલવાની અપીલ કરી છે.</p><h2 style="text-align: justify; "><b>વિદ્યાર્થીઓ સામે બળપ્રયોગ કરવો ખોટું</b></h2><p style="text-align: justify; ">રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે ઝારખંડમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે બળપ્રયોગ કરવો ખોટું છે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો અધિકાર છે અને વાતચીત દ્વારા જ સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે. તેમણે ઝારખંડ સરકારને વિદ્યાર્થીઓની વાત સાંભળીને તેમની સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવાની અપીલ કરી હતી.</p><h3 style="text-align: justify; "><b>ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિઓનો વિદ્યાર્થીઓનો આરોપ</b></h3><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, વિદ્યાર્થીઓ ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા, જવાબદારી અને નિષ્પક્ષતાની માગ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિઓ થઈ છે. સોમવારે પ્રદર્શનકારીઓ બેરિકેડ તોડીને વિધાનસભા તરફ આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા હતા.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/RahulGandhi/status/2086790769202073986"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p style="text-align: justify; "> </p><p style="text-align: justify; ">ત્યારબાદ પોલીસે તેમને રોકવા માટે ટિયર ગેસના શેલ છોડ્યા અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. વિદ્યાર્થીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેમની માગણીઓ પૂરી ન થાય અને કથિત ગેરરીતિઓ માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.</p><h4 style="text-align: justify; "><b>CIDએ મોટી કાર્યવાહી કરી</b></h4><p style="text-align: justify; ">આ દરમિયાન આ મામલે ઝારખંડ પોલીસની CIDએ મોટી કાર્યવાહી કરી છે. CIDએ સોમવારે JPSCના પૂર્વ અધ્યક્ષ એલ. ખિયાંગ્તેની ધરપકડ કરી છે. પરીક્ષામાં કથિત અનિયમિતતાઓની તપાસના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાયું છે. ઝારખંડમાં JMMની સરકાર છે, જે કોંગ્રેસ સાથે INDIA ગઠબંધનનો ભાગ છે. વિદ્યાર્થીઓના આંદોલન અને પોલીસ કાર્યવાહી વચ્ચે હવે સરકાર પર સમગ્ર મામલાનો ઝડપી ઉકેલ લાવવાનું દબાણ વધી રહ્યું છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/uttarakhand-chamoli-cloudburst-tamak-drain-bridge-bro-employee-missing" target="_blank">Uttarakhand : ચમોલીમાં વાદળ ફાટ્યુ, તમક નાળામાં પૂર આવતા પુલ તણાયો, BRO કર્મચારી લાપતા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/FyLrYxPXoIvQG6sUKCzYflMpOle2Uo5p6tZzQUht.webp'/></item><item><title><![CDATA[Vav Tharad News: લાખણીમાં નવા બની રહેલા રોડ પર ફરી ડામરનો છંટકાવ, વાહનચાલકોને ભારે હાલાકી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/vav-tharad/fresh-tar-spraying-on-newly-built-road-in-lakhni-raises-quality-concerns</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/vav-tharad/fresh-tar-spraying-on-newly-built-road-in-lakhni-raises-quality-concerns</guid><pubDate>Mon, 10 Aug 2026 20:02:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વાવ થરાદ વિસ્તારના લાખણી તાલુકામાં નવા બની રહેલા માર્ગોની નબળી ગુણવત્તા અને કામગીરી સામે સ્થાનિક રહીશો તથા વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આગથળા-ધુણસોલ-ધાનેરા રોડ પર કરવામાં આવેલી કામગીરીને લઈને તંત્ર અને કોન્ટ્રાક્ટરની નીતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.નવા બનેલા રોડ પર અચાનક ફરીથી ડામરનો છંટકાવ કરવામાં આવતાં વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>વાવ થરાદના લાખણીમાં રોડની કામગીરી નબળી</b></h2><p style="text-align: justify; ">ચાર દિવસ પહેલાં જ આ માર્ગ પર મોટા પ્રમાણમાં ડામરનો છંટકાવ કરવામાં આવ્યો હતો.રોડ પરથી પસાર થતાં નાનાં-મોટાં વાહનો પર આ ડામર ઉડીને ચોંટી રહ્યો છે.જેના કારણે વાહનોના કલર અને બોડીને મોટું નુકસાન થવાનો ભય વાહનચાલકો વ્યક્ત કરી રહ્યા છે.કાળઝાળ ગરમી અને ડામરના થરને કારણે દ્વિચક્રી વાહનચાલકો માટે અહીંથી પસાર થવું જોખમી બની ગયું છે.સ્થાનિક રહીશો અને વાહનચાલકોએ રોડના નિર્માણકાર્ય સામે આકરા આક્ષેપો કરતાં જણાવ્યું છે કે, શરૂઆતથી જ આ રોડની કામગીરી અત્યંત હલકી ગુણવત્તાની કરવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>ભ્રષ્ટ નીતિ અપનાવનાર એજન્સી સામે કાર્યવાહીની માગ</b></h3><p style="text-align: justify; ">રોડ બનતાંની સાથે જ તૂટવા લાગતાં પોતાની નબળી કામગીરી અને ખોટુ કામ ઢાંકવા માટે જ કોન્ટ્રાક્ટર દ્વારા ઉતાવળે ડામરનો છંટકાવ કરી દેવામાં આવ્યો છે.સ્થાનિકોએ આ કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.ગામજનોની માગ છે કે સંબંધિત વહીવટી તંત્ર અને માર્ગ-મકાન વિભાગ દ્વારા આ રોડની ગુણવત્તાની તટસ્થ તપાસ કરવામાં આવે અને ભ્રષ્ટ નીતિ અપનાવનાર એજન્સી સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.</p><p style="text-align: justify; "><br><a href="http://Anand News: ખંભાતમાં દુષ્કર્મ કેસના આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા, એક દિવસના રિમાન્ડ મંજૂર" target="_blank">આ પણ વાંચોઃ Anand News: ખંભાતમાં દુષ્કર્મ કેસના આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા, એક દિવસના રિમાન્ડ મંજૂર</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/JvTNnyR7eKPtCqDp7lqzjR4ewuonw3A1H2RGonfZ.webp'/></item><item><title><![CDATA[Surat News : જ્વેલર્સમાં વહુએ 11 જોડી ઝાંઝર આપી ને સાસુએ ચણિયામાં છુપાવી, બે લાખના દાગીના ચોરી ફરાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/mother-in-law-and-daughter-in-law-steal-11-pairs-of-silver-anklets-worth-2-lakh</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/mother-in-law-and-daughter-in-law-steal-11-pairs-of-silver-anklets-worth-2-lakh</guid><pubDate>Mon, 10 Aug 2026 19:36:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલ માનસરોવર સર્કલ પાસેના સતનામ જ્વેલર્સમાં ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.ગ્રાહકના સ્વાંગમાં આવેલી સાસુ અને વહુની જોડીએ વેપારીની નજર ચૂકવીને આશરે બે લાખ રૂપિયાની કિંમતના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. શહેરમાં ધોળા દિવસે બનેલી આ ઘટનાથી વેપારી આલમમાં ચકચાર મચી જવા પામી છે.</p><h2 style="text-align: justify; "><b>વાતોમાં ભોળવીને ચાંદીની 11 જોડી પાયલ સેરવી લીધી</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ આશરે 40 થી 45 વર્ષની એક મહિલા તેની સાસુ સાથે સતનામ જ્વેલર્સમાં દાગીના ખરીદવાના બહાને આવી હતી.દુકાનદારને વિવિધ દાગીના બતાવવાનું કહીને બંને મહિલાઓએ તેને વાતોમાં ભોળવી રાખ્યો હતો.આ દરમિયાન વહુએ વેપારીની નજર ચૂકવીને કાઉન્ટર પરથી 900 ગ્રામ વજન ધરાવતી ચાંદીની 11  જોડી પાયલ ચાલાકીપૂર્વક ઉપાડીને પોતાની સાસુને આપી દીધી હતી.સાસુએ ત્વરિત આ ઝાંઝરીઓ પોતાના ચણિયામાં છુપાવી દીધી હતી.વેપારીને સહેજ પણ આશંકા ન જાય તે રીતે આ બંને મહિલાઓ ચોરી કરીને રફુચક્કર થઈ ગઈ હતી.</p><h3 style="text-align: justify; "><b>ચોરીની સમગ્ર ઘટના CCTVમાં કેદ</b></h3><p style="text-align: justify; ">થોડી વાર પછી જ્યારે વેપારીને દાગીના ઓછા હોવાનો ખ્યાલ આવ્યો ત્યારે તેમણે તરત જ દુકાનમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ ચકાસ્યા હતા.CCTV ફૂટેજમાં સાસુ-વહુની આ જોડી સાતિરતાથી ચોરી કરતી સ્પષ્ટપણે કેદ થઈ ગઈ હતી.વેપારીએ આ અંગે ત્વરિત અમરોલી પોલીસ મથકે જાણ કરી હતી.પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે બંને ચતુર મહિલાઓની શોધખોળ હાથ ધરી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/anand/khambhat-rape-case-accused-produced-in-court" target="_blank">આ પણ વાંચોઃ Anand News: ખંભાતમાં દુષ્કર્મ કેસના આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા, એક દિવસના રિમાન્ડ મંજૂર</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/eMJEnJXLWiwRWcdUQBfYi7SlT0mwib5pGYD1PKx1.webp'/></item><item><title><![CDATA[Dahod: ઝાલોદમાં 10,000ની લાંચ લેતા AHM એન્જિનિયર અને વચેટિયો રંગેહાથ ઝડપાયા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dahod/zalod-ahm-engineer-jayesh-patel-and-mediator-arrested-acb-bribe-trap</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dahod/zalod-ahm-engineer-jayesh-patel-and-mediator-arrested-acb-bribe-trap</guid><pubDate>Mon, 10 Aug 2026 19:21:32 +05:30</pubDate><description><![CDATA[<p>દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં સરકારી યોજનાઓમાં ચાલતા ભ્રષ્ટાચાર પર એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ મોટી કાર્યવાહી કરી છે. ઝાલોદ ખાતે AHM એન્જિનિયર તરીકે ફરજ બજાવતા જયેશ પટેલે સરકારી આવાસ યોજના હેઠળ મંજૂર થયેલા ઘરના નિર્માણ માટે આગળનો હપ્તો છૂટો કરવાની કામગીરીના બદલામાં અરજદાર પાસેથી 10,000 ની લાંચની માંગણી કરી હતી.</p><h2><b>ઝાલોદમાં ACBની કાર્યવાહી</b></h2><p>અરજદાર લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) નો સંપર્ક કરી સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદના આધારે ACB ની ટીમે તાત્કાલિક વ્યૂહરચના બનાવી મુવાડા ચોકડી નજીક છટકું ગોઠવ્યું હતું. એન્જિનિયર જયેશ પટેલના કહેવાથી ખાનગી વ્યક્તિ મનુભાઈ વસૈયા મુવાડા ચોકડી પાસે આવેલ એક પાનના ગલ્લા પર અરજદાર પાસેથી ₹10,000ની રોકડ રકમ સ્વીકારી રહ્યા હતા.</p><h3><b>ACB કાર્યવાહી અને અટકાયત</b></h3><p>લાંચની રકમ સ્વીકારતાં જ એસીબીની ટીમે સ્થળ પર દરોડો પાડી વચેટિયા મનુભાઈ વસૈયા અને એન્જિનિયર જયેશ પટેલ બંનેને રંગેહાથ ઝડપી લીધા હતા. એસીબીએ રૂ. 10,000 ની લાંચની રકમ જપ્ત કરી બંને વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ કાયદા (POCA) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dhrangadhra/dhrangadhra-apmc-election-historic-voting-traders-farmers-panel-result-tomorrow" target="_blank">આ પણ વાંચો: Dhrangadhra: APMCની ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતદાન, વેપારી પેનલમાં 100 ટકા અને ખેડૂત પેનલમાં 97 ટકા મતદાન નોંધાયું</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/glRlIovQNUJtOySkbWeTqOyQLviPm5QTa5zwUCyM.webp'/></item><item><title><![CDATA[Rajkot News: મંજૂરી વગર સ્થળ ફેરફાર કરનાર ન્યૂ ફ્લોરા અને અંબિકા સ્કૂલને બંધ કરવા DEO ની નોટિસ ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/deo-notice-to-close-new-flora-and-ambika-schools</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/deo-notice-to-close-new-flora-and-ambika-schools</guid><pubDate>Mon, 10 Aug 2026 19:19:31 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ શહેરમાં શિક્ષણ વિભાગના નિયમોનું અનાદર કરીને સ્વેચ્છાએ અને વગર મંજૂરીએ શાળાનું સ્થળ બદલી નાખનારી શાળાઓ સામે જિલ્લા શિક્ષણ અધિકારીએ લાલ આંખ કરી છે. યોગ્ય મંજૂરી મેળવ્યા વિના જ નવા સ્થળે શાળા શરૂ કરી દેવાના ગંભીર મામલે DEO દ્વારા પેડક રોડ પર આવેલી ન્યૂ ફ્લોરા સ્કૂલ અને ભક્તિનગર વિસ્તારમાં આવેલી અંબિકા સ્કૂલને તુરંત અસરથી બંધ કરી દેવા માટેની આકરી નોટિસ ફટકારવામાં આવી છે. તંત્રની આ સપાટાબંધ કાર્યવાહીથી રાજકોટના ખાનગી શાળા સંચાલકોમાં ભારે સળવળાટ મચી ગયો છે.</p><h2><b>ગત મહિને સ્થળ ફેરફારને લઈ સર્જાયો હતો મોટો વિવાદ</b></h2><p>ઉલ્લેખનીય છે કે, ગત મહિને જ બંને શાળાઓ સંચાલકો દ્વારા પૂર્વ મંજૂરી વિના જ અન્યત્ર ખસેડવામાં આવતાં વિવાદમાં આવી હતી. શાળાના આ મનસ્વી નિર્ણયથી વિદ્યાર્થીઓ અને વાલીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. વાલીઓ દ્વારા શાળા સંચાલકોની આ મનમાની સામે ઉગ્ર વિરોધ નોંધાવી જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બંને શાળાઓએ સરકારી નિયમો અને પ્રક્રિયાનું પાલન કર્યા વગર જ સ્થળ બદલ્યું હોવાનું સ્પષ્ટપણે સામે આવ્યું હતું.</p><p><img alt="Rajkot News: DEO Issues Notice to Close New Flora and Ambika Schools Over Unauthorized Relocation" src="https://epapercdn.sandesh.com/images/2026/08/10/23JDS6ASntplCCypNXHNqrPYmim0u6h5cebACEok.webp"><br></p><h2><b>વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાને રાખી તંત્રનું કડક વલણ</b></h2><p>વિદ્યાર્થીઓના ભવિષ્ય અને સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ન થાય તેવા સ્પષ્ટ હેતુથી DEO દ્વારા આ આકરાં પગલાં લેવામાં આવ્યા છે. DEO એ બંને શાળાઓને કારણદર્શક નોટિસ પાઠવી શાળા બંધ કરવા આદેશ આપ્યો છે, અને નિયમાનુસાર જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. શિક્ષણ વિભાગે સ્પષ્ટ ચીમકી આપી છે કે, મંજૂરી વિના શાળાના સ્થળ ફેરફાર કે અન્ય કોઈ પણ ગેરરીતિ આચરનાર સંચાલકો સામે કાયદાકીય ધોરણે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/explainer/news/gujarat/ragging-laws-punishment-statistics-gujarat-explainer" target="_blank">Explainer: રેગિંગનો રાક્ષસ - વ્યાખ્યા, કોર્ટ, કાયદો, સજા અને તમારા અધિકારો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/YOI0n84O0k6reue7DGPKFUS8OvzyfzGHAYjRhuo4.webp'/></item><item><title><![CDATA[Real Estate: ભારતના ધનિકો હવે ખાનગી જેટ કરતાં પણ ખરીદી રહ્યા છે મોંઘુ ઘર, Gurugramમાં ₹271 કરોડનો થયો સોદો! ]]></title><link>https://sandesh.com/business/news/india/real-estate-indias-rich-are-now-buying-expensive-houses-instead-of-private-jets-a-deal-worth-271-crore-was-made-in-gurugram</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/real-estate-indias-rich-are-now-buying-expensive-houses-instead-of-private-jets-a-deal-worth-271-crore-was-made-in-gurugram</guid><pubDate>Mon, 10 Aug 2026 19:00:41 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">એક તરફ, ભારતમાં એક મોટો વર્ગ એવો છે જે પોતાની જીવનભરની બચતનું રોકાણ કરીને સસ્તા અને સસ્તા ઘર શોધી રહ્યો છે.</p><h2 style="text-align: justify; ">વૈભવી ઘરોની વ્યાખ્યા બદલાઈ&nbsp;</h2><p style="text-align: justify; ">ઉદ્યોગસાહસિક માનવ સરદાના આજકાલ સૌથી વધુ ચર્ચામાં રહેલા વ્યક્તિ છે. તેમણે તાજેતરમાં ₹271 કરોડમાં એક ભવ્ય પેન્ટહાઉસ ખરીદ્યું છે. આ સમાચારમાં સૌથી રસપ્રદ બાબત ખર્ચ કરાયેલી રકમ નથી, પરંતુ હકીકત એ છે કે આ ઘર દરિયા કિનારાના શહેર મુંબઈમાં સ્થિત નથી. માનવ સરદાનાએ દિલ્હીને અડીને આવેલા ગુરુગ્રામના ગગનચુંબી ઇમારતોમાં આ કરોડો રૂપિયાનું ઘર ખરીદ્યું છે. તેમનું પેન્ટહાઉસ ગુરુગ્રામના પોશ પ્રોજેક્ટ "DLF The Dahlias" માં આવેલું છે.</p><h3 style="text-align: justify; ">પ્રોજેક્ટ કેમ થયો પ્રખ્યાત ?&nbsp;</h3><p style="text-align: justify; ">આ જ પ્રોજેક્ટમાં, પ્રખ્યાત રોકાણકાર મધુસુદન કેલાએ પણ આશરે ₹121 કરોડમાં એક વૈભવી એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું. તેમના ઉપરાંત, બર્કશાયર હેથવેના વાઇસ ચેરમેન અજિત જૈને પણ DLF The Dahlias માં ₹85 કરોડમાં એક ઘર ખરીદ્યું હતું. 2025 ના આંકડાઓ પર નજર કરીએ તો, ગુરુગ્રામે ₹10 કરોડ અને તેથી વધુ કિંમતના ઘરોના વેચાણમાં મુંબઈને પાછળ છોડી દીધું. 2025 માં, ગુરુગ્રામમાં ₹10 કરોડથી વધુ કિંમતના 1,494 ઘર વેચાયા હતા, જે કુલ ₹24,120 કરોડ હતા. આ આંકડો 2023 માં નોંધાયેલા ₹4,004 કરોડ કરતા લગભગ છ ગણો વધારે છે. દિલ્હીના લુટિયન્સ વિસ્તારમાં પણ, ભાડાના ઘરોની માંગ એટલી ઊંચી છે કે ત્યાંના બંગલાઓનું ભાડું દર મહિને ₹20 લાખ સુધી પહોંચી ગયું છે.</p><h4 style="text-align: justify; ">મુંબઈનું વર્ચસ્વ યથાવત્&nbsp;</h4><p style="text-align: justify; ">ગુરુગ્રામ લક્ઝરી હાઉસિંગ માર્કેટમાં ઝડપથી વિકાસ પામી રહ્યું હોવા છતાં, જ્યારે ₹100 કરોડથી વધુ કિંમતના સુપર-લક્ઝરી ઘરોની વાત આવે છે, ત્યારે મુંબઈ નિર્વિવાદ રાજા રહે છે. ફક્ત વરલી વિસ્તારમાં જ, છેલ્લા 24 મહિનામાં ₹40 કરોડથી વધુ કિંમતના 30 થી વધુ ઘરો વેચાયા છે. આ સોદાઓની કુલ કિંમત ₹5,500 કરોડથી વધુ હોવાનો અંદાજ છે. મુંબઈના કેટલાક મોટા સોદાઓ પર નજર કરીએ તો આશ્ચર્યજનક આંકડા બહાર આવે છે. 2025 માં, USV ચેરપર્સન લીના ગાંધી તિવારીએ વર્લીના નમન ઝાના પ્રોજેક્ટમાં ₹639 કરોડના મૂલ્યના બે સી-ફેસિંગ ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ખરીદ્યા. પ્રખ્યાત બેંકર ઉદય કોટક અને તેમના પરિવારે મુંબઈના શિવ સાગર વિસ્તારમાં ₹400 કરોડથી વધુ કિંમતના અનેક એપાર્ટમેન્ટ ખરીદ્યા. તાન્યા દુબાશે 2025 માં નમન ઝાનામાં ₹226 કરોડમાં એક ડુપ્લેક્સ અને 2026 માં ₹294 કરોડથી વધુ કિંમતના બે વધુ એપાર્ટમેન્ટ ખરીદ્યા.</p><h5 style="text-align: justify; ">સસ્તા ઘરોનું સ્વપ્ન અધૂરું</h5><p style="text-align: justify; ">આ બધા વચ્ચે, ₹20 કરોડથી ઓછી કિંમતના બજારમાં એક અલગ પરિવર્તન જોવા મળી રહ્યું છે. ૨૦૨૬ ના પહેલા ભાગમાં ₹1 કરોડથી વધુ કિંમતના ઘરો કુલ ઘર વેચાણના 54% હતા. સૌથી વધુ વેચાણ ₹1-₹2 કરોડ સેગમેન્ટમાં થયું હતું, જેમાં 50,488 ઘર વેચાયા હતા. પરંતુ વાર્તાની બીજી બાજુ સામાન્ય માણસ માટે થોડી ચિંતાજનક છે. ₹50 લાખથી ઓછી કિંમતના પરવડે તેવા ઘરોના વેચાણમાં 15 ટકાનો ઘટાડો થયો છે. કુલ વેચાણમાં આ સેગમેન્ટનો હિસ્સો હવે ઘટીને માત્ર 16 ટકા થયો છે.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/india/news/political-news/mamata-banerjee-attack-politics-heated-up-after-mahua-moitra-commented-on-the-attack-on-mamata-banerjee" target="_blank"> મમતા બેનર્જી પર થયેલા હુમલા અંગે Mahua Moitraએ ટીપ્પણી કરતા રાજકારણ ગરમાયું</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/hr6S7pa6WbuiqbcbYOEnqiwi7MwJyrR0T8troPx5.webp'/></item><item><title><![CDATA[વાંચો બપોરે 03થી સાંજે 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-03-pm-to-06-pm-10-august-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-03-pm-to-06-pm-10-august-2026</guid><pubDate>Mon, 10 Aug 2026 17:58:04 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર</b></p><p><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/chhota-udepur/chhota-udepur-collector-gargi-jain-car-accident-near-pavi-jetpur-driver-injured" target="_blank"><b>1.Chhota Udepur: કલેક્ટર ગાર્ગી જૈનની કારનો અકસ્માત, કલેક્ટર અને સિક્યુરિટીનો આબાદ બચાવ</b></a></p><p><a href="https://sandesh.com/entertainment/news/priyanka-chopra-siddhivinayak-varanasi-release" target="_blank"><b>2. Varanasiની રિલીઝ પહેલાં સિદ્ધિવિનાયક મંદિર પહોંચી પ્રિયંકા ચોપરા, બાપ્પાના લીધા આશીર્વાદ!</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/crime/surat/4-senior-doctors-suspended-in-surat-civil-hospital-ragging-case" target="_blank"><b>3. Gandhinagar News: રેગિંગ કેસમાં જવાબદાર 4 સિનિયર ડોક્ટરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા</b></a></p><p><a href="https://sandesh.com/world/news/tech/meta-launches-new-ai-model-muse-glimmer-will-work-on-pc-and-mac-as-well-mark-zuckerberg-announced" target="_blank"><b>4. Metaએ લોન્ચ કર્યું નવું AI મોડલ Muse Glimmer, PC અને Mac પર પણ કરશે કામ, Mark Zuckerbergની જાહેરાત</b></a></p><p><a href="https://sandesh.com/india/news/madhya-pradesh-rajgarh-eeco-car-swept-away-flooded-drain-9-dead" target="_blank"><b>5. Madhya Pradesh : રાજગઢમાં મોટી દુર્ઘટના, પાણી ભરેલા નાળામાં ઈકો કાર તણાઈ, 9 લોકોના મોત</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/rajkot/edible-oil-price-hike-before-festivals-singtel-kapasiya-oil" target="_blank"><b>6. Edible Oil Price Hike: ખાદ્ય તેલના ભાવમાં ભડકો, તહેવારોની મોસમ પહેલા જ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું</b></a></p><p><a href="https://sandesh.com/india/news/weather-update--imd-rain-alert-for-delhi-ncr--up--mp--rajasthan-on-11-august" target="_blank"><b>7. Weather Update: મધ્ય પ્રદેશ-બિહાર સહિત 17 રાજ્યમાં ભારે વરસાદની આગાહી, દિલ્હી-યુપીમાં યલો એલર્ટ</b></a></p><p><a href="https://sandesh.com/world/news/us-iran-war-americas-missile-stockpile-is-empty-pentagon-gives-21-day-ultimatum-to-arms-companies" target="_blank"><b>8. US Iran War: અમેરિકાનો મિસાઈલ ભંડાર ખાલી!, પેન્ટાગોને હથિયાર કંપનીઓને આપ્યું 21 દિવસનું અલ્ટીમેટમ</b></a></p><p><a href="https://sandesh.com/india/news/abhishek-banerjee-supreme-court-permission-travel-abroad-eye-treatment" target="_blank"><b>9. Abhishek Banerjeeને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વિદેશ જવાની મળી મંજૂરી</b></a></p><p><a href="10.Strait of Hormuz માં યુએસની મોટી કાર્યવાહી, 20 યુદ્ધ જહાજો કર્યા તેનાત, તો 55 જહાજોને રસ્તો બદલાયોhttps://sandesh.com/world/news/strait-of-hormuz-us-warships-iran-tensions" target="_blank"><b>10.Strait of Hormuz માં યુએસની મોટી કાર્યવાહી, 20 યુદ્ધ જહાજો કર્યા તેનાત, તો 55 જહાજોને રસ્તો બદલાયો</b></a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/05/30/ci0PwfUyHcao4H4ziwpdhMLnO6QMfKyI3jwCPvfh.webp'/></item><item><title><![CDATA[Varanasiની રિલીઝ પહેલાં સિદ્ધિવિનાયક મંદિર પહોંચી પ્રિયંકા ચોપરા, બાપ્પાના લીધા આશીર્વાદ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/priyanka-chopra-siddhivinayak-varanasi-release</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/priyanka-chopra-siddhivinayak-varanasi-release</guid><pubDate>Mon, 10 Aug 2026 17:46:43 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મુંબઈમાં હાજર અભિનેત્રી પ્રિયંકા ચોપરાને તાજેતરમાં સોમવાર, 10 ઓગસ્ટ 2026ના રોજ સિદ્ધિવિનાયક મંદિરમાં બાપ્પાના આશીર્વાદ લેતા જોવા મળી હતી. અભિનેત્રી શહેરના મંદિરે પહોંચી હતી અને મંદિરની બહાર એકઠા થયેલા ફેન્સનું અભિવાદન કરતી જોવા મળી હતી. પ્રિયંકા મંદિરની બહાર એકદમ સાદા અને સિમ્પલ સૂટમાં જોવા મળી હતી. બોલીવુડની દેશી ગર્લે સુંદર એથનિક પિંક સૂટ પહેર્યો હતો અને વાળ ખુલ્લા રાખ્યા હતા, જેના કારણે તેનો લુક સિમ્પલ હોવા છતાં ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો. મંદિર પરિસરમાંથી બહાર નીકળતી વખતે અભિનેત્રી ખુશ મૂડમાં જોવા મળી હતી અને ફેન્સને જોઈને સ્મિત કરતી તેમજ હાથ હલાવતી જોવા મળી હતી.</p><h2 style="text-align: justify; "><b>મંદિરમાંથી બહાર આવતાં જ પ્રિયંકાએ ફેન્સને કહ્યું હેલો</b></h2><p style="text-align: justify; ">પ્રિયંકા ચોપરાનું લોકો સાથેનું ગરમજોશીભર્યું વર્તન સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. આ દરમિયાન ઘણા ફેન્સ તેમની એક ઝલક મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મંદિરની અંદર જતા પહેલાં તેમણે સ્મિત સાથે લોકોનું અભિવાદન કર્યું હતું અને બહાર આવતી વખતે પણ પોતાના ફેન્સને હેલો કહ્યું હતું. સોશિયલ મીડિયા પર અભિનેત્રીનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Db2nGePqfKm/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Db2nGePqfKm/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Db2nGePqfKm/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Db2nGePqfKm/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h3 style="text-align: justify; "><b>પ્રિયંકા ચોપરાની દીકરી માલતી સાથેની પહેલી મુલાકાત</b></h3><p style="text-align: justify; ">પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં પોતાની દીકરી માલતી મેરી ચોપરા જોનસને પહેલીવાર ખોળામાં લેવાના એ દિવસ વિશે વાત કરી હતી, જે તેની જિંદગીનો સૌથી ખાસ દિવસ હતો. તેણે જે શેટ્ટીના પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે, તે પહેલીવાર મારી છાતી પર હતી અને ત્યારે તે લગભગ 27.5 અઠવાડિયાની હતી. તે એટલી નાની હતી કે તેની આંગળીઓ મને પતંગિયા જેવી લાગતી હતી. તેનું વજન 1 પાઉન્ડ 11 ઔંસ હતું. તે સમયે મને લાગ્યું કે તેની સુરક્ષા માટે હું દુનિયામાં કોઈપણ હદ સુધી જઈ શકું છું. આ એવો અહેસાસ હતો જે મેં પહેલાં ક્યારેય અનુભવ્યો નહોતો અને મને લાગે છે કે પહેલીવાર માતા-પિતા બનનાર દરેક વ્યક્તિ આવું જ કહે છે. પરંતુ આ ખરેખર તમારા શરીરની બહાર ધબકતું તમારું હૃદય હોય છે.</p><h4 style="text-align: justify; "><b>વારાણસીમાં મહેશ બાબુ સાથે જોવા મળશે પ્રિયંકા</b></h4><p style="text-align: justify; ">પ્રિયંકા ચોપરાની આગામી ફિલ્મોની યાદીમાં મોટા ઇન્ટરનેશનલ અને પેન-ઇન્ડિયન પ્રોજેક્ટ્સ સામેલ છે. તેમાં એસ. એસ. રાજામૌલીની જબરદસ્ત એડવેન્ચર ફિલ્મ વારાણસી પણ સામેલ છે, જે 7 એપ્રિલ 2027ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં પ્રિયંકા મહેશ બાબુ સાથે જોવા મળશે. આ ઉપરાંત તે રસેલ ક્રો સાથે તાજેતરમાં જાહેર થયેલી સાઇ-ફાઇ એક્શન થ્રિલર 'બ્લૂફ્લાય'માં પણ જોવા મળશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/toxic-bo-prediction-yash-hindi-opening-kgf2-record" target="_blank">આ પણ વાંચો-Toxic બનશે યશની હિન્દી સિનેમાની બીજી સૌથી મોટી ઓપનર? શું તોડી શકશે KGF 2નો રેકોર્ડ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/J7OP3D3ufgIBZPMnPreQVEPtVzVxS8yEiyoj2hvo.webp'/></item><item><title><![CDATA[Commonwealth Gamesના મેડલ વિજેતાઓને મળ્યા પીએમ મોદી, ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો VIDEO ]]></title><link>https://sandesh.com/sports/news/india/pm-modi-meets-india-commonwealth-games-medal-winners</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india/pm-modi-meets-india-commonwealth-games-medal-winners</guid><pubDate>Sun, 09 Aug 2026 19:37:43 +05:30</pubDate><description><![CDATA[<p>સ્કોટલેન્ડના ગ્લાસગોમાં 2026માં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં કુલ 39 મેડલ જીત્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નિવાસસ્થાને તમામ મેડલ વિજેતાઓને મળ્યા હતા, તેમને તેમના મેડલ જીતવા બદલ અભિનંદન આપ્યા હતા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક રીલ શેર કરી હતી, જેમાં લખ્યું હતું, "જો ખેલેગા વો ખિલેગા."</p><h2><b>દેશને હંમેશા પ્રોત્સાહિત કરો</b></h2><p>કોમનવેલ્થ ગેમ્સ 2026માં મેડલ જીતનારા ખેલાડીઓને મળ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર શેર કરેલી રીલમાં તેમને કહ્યું હતું કે "જો ખેલેગા વો ખિલેગા." હંમેશા દેશને પ્રોત્સાહિત કરો. આ પછી પીએમ મોદીએ ભારત માતા કી જયનો નારા લગાવ્યો, જે તેમની સાથે હાજર તમામ ખેલાડીઓએ વારંવાર બોલ્યો.&nbsp;</p><p>આ રીલમાં કોમનવેલ્થ ગેમ્સ 2026માં ગોલ્ડ મેડલ જીતનાર મહિલા બોક્સિંગ ખેલાડી સાક્ષી ચૌધરીએ વીડિયો હોસ્ટ કર્યો અને આ મુલાકાત માટે પીએમ મોદીનો આભાર માન્યો. વીડિયોમાં સાક્ષી ચૌધરીએ કહ્યું કે નમસ્તે મિત્રો, આજે પીએમ સાહેબે કોમનવેલ્થ ગેમ્સના મેડલ વિજેતાઓને બોલાવ્યા છે અને અમે બધા ખૂબ ગર્વ અનુભવી રહ્યા છીએ.</p><p><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reels/Db0hIieTgy8/" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reels/Db0hIieTgy8/" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a><br></p><h3><b>આ વખતે બોક્સિંગમાં 10 મેડલ જીત્યા</b></h3><p>કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતે બોક્સિંગના વિવિધ વજન કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું જેમાં તે 7 ગોલ્ડ અને 3 સિલ્વર સહિત કુલ 10 મેડલ જીતવામાં સફળ રહ્યું હતું. ભારતે એથ્લેટિક્સમાં કુલ 10 મેડલ મેળવ્યા હતા જેમાં ગુલવીર સિંહે 2 અલગ અલગ ઈવેન્ટમાં મેડલ જીત્યા હતા. વેઈટલિફ્ટિંગમાં 8 મેડલ, પેરા એથ્લેટિક્સમાં 6, જુડોમાં 4 અને પેરા પાવરલિફ્ટિંગમાં 1 મેડલ જીત્યો હતો. પહેલીવાર કોમનવેલ્થ ગેમ્સમાં ભારત જુડો ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યું હતું. હવે બધાની નજર જાપાનમાં યોજાવનારી આગામી એશિયન ગેમ્સ પર છે જ્યાં ભારતીય ખેલાડીઓ પાસેથી શાનદાર પ્રદર્શનની અપેક્ષા છે.</p><p><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/0fyqm4BfEeu88Gm4DZle9uesUw8R5L6FcuQSOLfe.webp'/></item></channel></rss>