<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[BRICS 2026: પીએમ મોદી અને પેઝેશ્કિયાન વચ્ચે પશ્ચિમ એશિયામાં શાંતિ, ચાબહાર અને સુરક્ષા પર થઈ ગંભીર ચર્ચા ]]></title><link>https://sandesh.com/india/news/brics-2026-pm-modi-and-pezeshkian-hold-serious-discussions-on-peace-chabahar-and-security-in-west-asia</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/brics-2026-pm-modi-and-pezeshkian-hold-serious-discussions-on-peace-chabahar-and-security-in-west-asia</guid><pubDate>Fri, 11 Sep 2026 20:55:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાત પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવના સમયે થઈ હતી. વિદેશ મંત્રાલયે બેઠક અંગે માહિતી શેર કરી હતી.&nbsp;</p><h2 style="text-align: justify; ">બ્રિક્સ સમિટ દરમિયાન બેઠકનો દૌર&nbsp;</h2><p style="text-align: justify; ">વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે પીએમ મોદીએ નવી દિલ્હીમાં બ્રિક્સ સમિટ દરમિયાન ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેઝેશ્કિયાન સાથે મુલાકાત કરી હતી. બે અઠવાડિયાથી ઓછા સમયમાં બંને નેતાઓ વચ્ચે આ બીજી મુલાકાત છે. બંને નેતાઓ અગાઉ 31 ઓગસ્ટના રોજ બિશ્કેકમાં SCO સમિટ દરમિયાન મળ્યા હતા. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી હતી.&nbsp;</p><h3 style="text-align: justify; ">ઉચ્ચ સ્તરીય ભાગીદારીની પ્રશંસા&nbsp;</h3><p style="text-align: justify; ">પીએમ મોદીએ પડકારજનક પરિસ્થિતિઓ છતાં બ્રિક્સ બેઠકોમાં ઈરાનની નિયમિત અને ઉચ્ચ સ્તરીય ભાગીદારીની પ્રશંસા કરી. બંને નેતાઓએ પશ્ચિમ એશિયામાં તાજેતરના વિકાસ પર પણ વિચારો શેર કર્યા. પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો કે તમામ મુદ્દાઓ વાતચીત અને રાજદ્વારી દ્વારા ઉકેલવા જોઈએ. તેમણે પ્રદેશમાં કાયમી શાંતિ અને સ્થિરતા, નેવિગેશન અને વેપારની સ્વતંત્રતા અને દરિયાઈ મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયાસો પર ભાર મૂક્યો હતો.&nbsp;</p><h4 style="text-align: justify; ">બ્રિક્સ બિઝનેસ ફોરમ લીડર્સ સત્રમાં પેઝેશ્કિયાને શું કહ્યું?</h4><p style="text-align: justify; ">બ્રિક્સ બિઝનેસ ફોરમ લીડર્સ સત્રમાં, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને કહ્યું હતું કે વિશ્વ આજે તેના સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. ભૂ-રાજકીય અનિશ્ચિતતા, સપ્લાય ચેઇન વિક્ષેપો અને રાજકીય દબાણ લાવવા માટે આર્થિક સાધનોના વધતા ઉપયોગે આર્થિક વાતાવરણને વધુ જટિલ બનાવ્યું છે. આમાં દેશની ભૂમિકા એ પ્રશ્ન છે: આ પડકારો માટે બ્રિક્સનો પ્રતિભાવ શું છે? અમારું માનવું છે કે બ્રિક્સની સાચી તાકાત તેના સભ્ય દેશોની અર્થવ્યવસ્થાના કદ સુધી મર્યાદિત નથી, પરંતુ જ્યારે આ ક્ષમતાઓ વેપાર, રોકાણ અને સંયુક્ત ધિરાણના નેટવર્કમાં પરિવર્તિત થાય છે ત્યારે તે વધુ સ્પષ્ટ રીતે દેખાય છે.&nbsp;</p><h5 style="text-align: justify; ">મુલાકાત શા માટે મહત્વપૂર્ણ ?</h5><p style="text-align: justify; ">પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચેની મુલાકાત પશ્ચિમ એશિયાઈ તણાવ, વ્યૂહાત્મક જોડાણ અને ઉર્જા સુરક્ષાના સંદર્ભમાં મહત્વપૂર્ણ છે. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે મધ્ય પૂર્વ ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ સાથે સંઘર્ષોથી ઝઝૂમી રહ્યું છે. ઈરાને આશા વ્યક્ત કરી છે કે ભારત તેના રાજદ્વારી પ્રભાવનો ઉપયોગ સંવાદ માટે માર્ગો ખોલવા માટે કરશે. હોર્મુઝ સ્ટ્રેટના નાકાબંધીની પણ અસર પડી છે. વધુમાં, બંને દેશો ડોલર પર નિર્ભરતા ઘટાડીને આર્થિક સહયોગને મજબૂત બનાવવા પર ભાર મૂકી રહ્યા છે. ચાબહાર બંદર અને પ્રાદેશિક વેપાર સંબંધિત વ્યૂહાત્મક મુદ્દાઓ પર ભારત અને ઈરાન વચ્ચે સતત સહયોગ જરૂરી છે.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/india/news/india-russia-trade-target-target-to-reach-100-billion-in-trade-from-railways-to-digital-currency-by-2030" target="_blank">2030 સુધીમાં રેલવેથી લઈને ડિજિટલ ચલણ સુધીનો વેપાર $100 બિલિયન કરવાનો લક્ષ્યાંક</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/PqRab6sB4kCrXhHihWf3yVVkX2ebD3ShakIVWfw1.webp'/></item><item><title><![CDATA[BRICS Summit 2026, પોલીસ ભરતી, તરણેતરનો મેળો અને ગણેશોત્સવ અંગે મોટી અપડેટ્સ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/top-10-news-headlines-10-september-important-news-updates-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/top-10-news-headlines-10-september-important-news-updates-1</guid><pubDate>Fri, 11 Sep 2026 20:46:03 +05:30</pubDate><description><![CDATA[<p>સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો</p><ol><li><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-police-bharti-2026-document-verification-schedule-announcement" target="_blank">Gujarat Police Bharti 2026: 30 સપ્ટેમ્બરથી દસ્તાવેજ ચકાસણી શરૂ, 1.98 લાખ ઉમેદવારો થશે સામેલ</a></li><li><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/bhavnagar-mc-standing-committee-approves-development-projects" target="_blank">Bhavnagar મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ.5.70 કરોડના વિકાસકામોને લીલી ઝંડી</a></li><li><a href="https://sandesh.com/gujarat/news/surendranagar/tarnetar-mela-2026-police-security-cctv-cm-visit" target="_blank">TARNETAR FAIR 2026: વિશ્વપ્રસિદ્ધ તરણેતરના મેળામાં 2500 પોલીસકર્મીઓનો લોખંડી બંદોબસ્ત</a></li><li><a href="https://sandesh.com/world/news/iran-president-pezeshkian-brics-economic-cooperation-us-sanctions" target="_blank">BRICS Summit 2026: BRICSમાં ઈરાનનો અમેરિકા પર પ્રહાર, સપ્લાય ચેઇન પર સૈન્ય દબાણનો આરોપ</a></li><li><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-police-ganesh-utsav-security-dgp-gyanendra-singh-malik-review-meeting" target="_blank">Gandhinagar: ગણેશોત્સવને લઈને સમગ્ર રાજ્યમાં કડક સુરક્ષા બંદોબસ્ત, સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ ફોર્સ તૈનાત</a></li><li><a href="https://sandesh.com/world/news/brics-vs-g7-putin-global-economy-us-sanctions-business-forum-2026" target="_blank">BRICSની તાકાત G7 કરતાં વધુ, પુતિને અમેરિકા સહિત પશ્ચિમી દેશો પર સાધ્યું નિશાન</a></li><li><a href="https://sandesh.com/crime/news/india/jaipur-kardhani-four-women-murder-geeta-jha-daughters-husband-suspected" target="_blank">Jaipur : ઘરમાં મોતનું તાંડવ, માતા સહિત 3 દીકરીઓના મૃતદેહ અલગ-અલગ રૂમમાંથી મળતા સનસનાટી</a></li><li><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/jambusar/jambusar-dahegam-sea-boat-accident-7-saved-sdrf-searches-missing-akshay-vaghela" target="_blank">Jambusar: દહેગામ દરિયામાં બોટમાં ખામી બાદ 8 તણાયા, SDRF દ્વારા લાપતા યુવકની શોધખોળ ચાલુ</a></li><li><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/smc-raid-degham-chiloda-road-liquor-seized" target="_blank">Gandhinagar News: સ્ટેટ મોનીટરીંગ સેલનો સપાટો, દહેગામ રોડ પરથી 2,690 બોટલ બીયરનો જથ્થો જપ્ત કર્યો</a></li><li><a href="https://sandesh.com/india/news/brics-business-forum-2026-piyush-goyal-india-big-market-demand" target="_blank">BRICS બિઝનેસ ફોરમમાં પીયૂષ ગોયલનું મોટું નિવેદન, ભારતે કરી આ માંગ</a></li></ol> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/GVHW1l3X5j86FxifGPtqc1MDEMsRf5kHAreEYWzV.webp'/></item><item><title><![CDATA[Mehsanaના રામપુરા કટોસણ ગામમાં જર્જરિત પાણીની ટાંકી કરાઈ ધરાશાયી! ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/mehsana-rampura-katosan-dilapidated-water-tank-demolished</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/mehsana-rampura-katosan-dilapidated-water-tank-demolished</guid><pubDate>Fri, 11 Sep 2026 20:28:48 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મહેસાણા જિલ્લાના રામપુરા કટોસણ ગામમાં લાંબા સમયથી બિનઉપયોગી અને જર્જરિત અવસ્થામાં ઊભેલી પીવાના પાણીની ટાંકીને આખરે તંત્ર દ્વારા ધરાશાયી કરવામાં આવી છે. ટાંકી અત્યંત જર્જરિત થઈ ગઈ હોવાથી ગમે ત્યારે પડી જવાની ભીતિ સેવાઈ રહી હતી. સુરક્ષાના તમામ પાસાઓને ધ્યાને રાખીને તંત્ર દ્વારા યોગ્ય યોજના બનાવી આ ટાંકીને સુરક્ષિત રીતે જમીનદોસ્ત કરીને ઉતારી લેવામાં આવી હતી.</p><h2 style="text-align: justify; "><b>ટાંકી ધરાશાયી થવાના ભયથી ભારે ચિંતા&nbsp;</b></h2><p style="text-align: justify; ">રામપુરા કટોસણ ગામના મધ્ય ભાગમાં આવેલી આ પાણીની ટાંકીના સિમેન્ટ અને સળિયા ખરી રહ્યા હતા. આસપાસના વિસ્તારમાંથી ગામના રહીશો અને બાળકો સતત અવરજવર કરતા હોવાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવો ભય ગ્રામજનોને સતાવી રહ્યો હતો. સ્થાનિકો દ્વારા આ જર્જરિત માળખાને તાત્કાલિક દૂર કરવા માટે તંત્ર સમક્ષ અવારનવાર રજૂઆતો પણ કરવામાં આવી હતી.</p><h3 style="text-align: justify; "><b>તંત્રની કામગીરીથી મોટો અકસ્માત ટળ્યો</b></h3><p style="text-align: justify; ">સ્થાનિકોની રજૂઆત અને પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને સંબંધિત પ્રશાસનિક તંત્ર દ્વારા આખરે કામગીરી હાથ ધરવામાં આવી હતી. યોગ્ય સલામતી વ્યવસ્થા વચ્ચે જર્જરિત ટાંકીને તોડી પાડવામાં આવતાં જ સંભવિત મોટી હોનારત કે અકસ્માત ટળી ગયો હતો. ભયજનક ટાંકી દૂર થતાં જ રામપુરા કટોસણના ગ્રામજનોએ ભારે હાસકારો અનુભવ્યો હતો અને તંત્રની આ કામગીરીને આવકારી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/n4waCoFKX1ozszMiMKy6cCp5dKadLluDfRc2mAaf.webp'/></item><item><title><![CDATA[Somnath મહાદેવને પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે ભવ્ય અન્નકૂટ શૃંગાર ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gir-somnath/somnath-temple-shravan-month-final-day-annakut-darshan</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gir-somnath/somnath-temple-shravan-month-final-day-annakut-darshan</guid><pubDate>Fri, 11 Sep 2026 20:13:07 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે કે શ્રાવણ કૃષ્ણ અમાવસ્યાના પવિત્ર અવસરે દિવ્ય અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણી અમાવસ્યાના વિશેષ પર્વે સોમનાથ મહાદેવને વિવિધ પ્રકારની મિષ્ટાન અને વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો. અન્નકૂટ શૃંગારના દિવ્ય વૈભવથી સોમનાથ મહાદેવનું ગર્ભહૃહ ઝળહળી ઉઠ્યું હતું અને સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો.</p><h2 style="text-align: justify; "><b>‘હર હર મહાદેવ’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું ધામ</b></h2><p style="text-align: justify; ">પવિત્ર શ્રાવણ માસના આ માસવ્યાપી શિવોત્સવનું અન્નકૂટ મહાભોગ સાથે અત્યંત ભાવભીનું સમાપન થયું હતું. અન્નકૂટ દર્શન માટે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં ઉમટી પડેલા શિવભક્તો દિવ્ય શૃંગારના દર્શન કરીને ભાવવિભોર બન્યા હતા. સમગ્ર મંદિર પરિસર ‘હર હર મહાદેવ’ અને ‘જય સોમનાથ’ના ગગનભેદી જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ મહાદેવના ચરણોમાં સીસ નમાવીને અદ્ભુત આધ્યાત્મિક અનુભૂતિ વ્યક્ત કરી હતી.</p><p style="text-align: justify; "><img alt="Attachment details" src="https://epapercdn.sandesh.com/images/2026/09/11/Rh0VSTPxYIQut0155tC3KuYJCl0GvYn7vIQ6gS5G.webp"><br></p><h3 style="text-align: justify; "><b>સુખ-દુઃખને પ્રસાદ ગણી સ્વીકારવાનો આપ્યો સંદેશ&nbsp;</b></h3><p style="text-align: justify; ">મહાદેવના ચરણોમાં ધરાવવામાં આવેલા આ મહા અન્નકૂટ શૃંગારમાંથી શિવભક્તોને જીવનનો એક ઊંડો આધ્યાત્મિક સંદેશ પણ પ્રાપ્ત થયો હતો. જીવનમાં આવતા સુખ અને દુઃખ બંનેને સોમનાથ મહાદેવનો દિવ્ય પ્રસાદ માનીને સહજતાથી સ્વીકારવાની પ્રેરણા આ પવિત્ર અવસરે ભક્તોએ મેળવી હતી. શ્રાવણના આખરી દિવસે સોમનાથ મંદિર ખાતે ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણનો અલૌકિક ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/aZnRIe4QpZ7NsNu7KGNr3PusuUfTPlgLjvI5gElq.webp'/></item><item><title><![CDATA[Madhuri Elephant: વનતારામાંથી કોલ્હાપુર પરત ફરશે માધુરી, HPCનો મોટો નિર્ણય ]]></title><link>https://sandesh.com/india/news/madhuri-elephant-kolhapur-return-hpc-order-vantara-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/madhuri-elephant-kolhapur-return-hpc-order-vantara-2026</guid><pubDate>Fri, 11 Sep 2026 20:07:03 +05:30</pubDate><description><![CDATA[<p>Madhuri Elephant: કોલ્હાપુરમાં મહાદેવી તરીકે જાણીતી અને લોકોમાં લોકપ્રિય માધુરી 30 જુલાઈ 2025ના રોજ હાઈ-પાવર્ડ કમિટી (HPC)ના નિર્દેશોના પાલનમાં જામનગરના વનતારા ખાતે આવી હતી. બોમ્બે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ આ નિર્દેશોને માન્ય રાખ્યા હતા. વનતારાએ તેની કસ્ટડી માંગી નહોતી. તેને નિર્દેશ આપવામાં આવ્યો હોવાથી વનતારાએ તેને સ્વીકારી અને તેની સંભાળ લીધી હતી.</p><p><b>કોલ્હાપુરના લોકોની લાગણીનું સન્માન</b></p><p>વનતારાએ કહ્યું કે, કોલ્હાપુરમાં માધુરીને લઈને રહેલી ઊંડી લાગણીઓને અમે સંપૂર્ણપણે સમજીએ છીએ. મહારાષ્ટ્ર સરકાર, તેના અધિકારીઓ, હિતધારકો અને સમુદાયના સભ્યો સાથે ચર્ચા કર્યા બાદ વનતારાએ 6 ઓગસ્ટ 2025ના રોજ કહ્યું હતું કે તે આ લાગણીઓનું સન્માન કરે છે અને સક્ષમ સત્તાધિકારીઓના નિર્દેશોનું પાલન કરશે.</p><p><img alt="Madhuri " src="https://epapercdn.sandesh.com/images/2026/09/11/WnCxAYfqHrPyvoBw2CQ8JPSRJD4jedHhuPLeqYAg.webp"><br></p><p><b>HPCએ માધુરીને કોલ્હાપુર પરત મોકલવાની મંજૂરી આપી</b></p><p>ત્યારબાદ, માનનીય સુપ્રીમ કોર્ટે પક્ષકારોને પોતાના દાવા HPC સમક્ષ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. પક્ષકારોની સુનાવણી, રિપોર્ટ મંગાવ્યા અને નંદાણી ખાતેની સુવિધાનું નિરીક્ષણ કર્યા બાદ HPCએ 9 સપ્ટેમ્બર 2026ના રોજ આદેશ આપ્યો હતો. તેમાં કડક શરતો સાથે માધુરીને કોલ્હાપુર પરત જવાની મંજૂરી આપવામાં આવી હતી.</p><p><b>માધુરી માટે કડક શરતો નક્કી</b></p><p>આ શરતોમાં માધુરીનો સરઘસ કે અન્ય કોઈ હેતુ માટે ઉપયોગ ન કરવો, તેને 24 કલાક સંભાળ આપવી અને દર પખવાડિયે તેની તબીબી તપાસ કરાવવાનો સમાવેશ થાય છે. વનતારાએ કહ્યું કે તે HPCના અધિકારનું સન્માન કરે છે અને તેના નિર્દેશોનું સંપૂર્ણ પાલન કરશે.</p><p><b>માધુરીની સ્થિતિ અંગે વનતારાની સ્પષ્ટતા</b></p><p>વનતારાએ કહ્યું કે માધુરી અંગે તેનું વલણ હંમેશા વેટરનરી સાયન્સ અને તેના કલ્યાણથી માર્ગદર્શિત રહ્યું છે. સતત વેટરનરી કેરથી તેની સ્થિતિ સ્થિર થઈ છે, પરંતુ તેની જૂની બીમારીઓ દૂર થઈ નથી. તેને યોગ્ય સંભાળ, સહાયક સારવાર અને નિયમિત વેટરનરી મોનિટરિંગની જરૂરિયાત રહેશે.</p><p><b>કોલ્હાપુર પરત ફર્યા બાદ પણ સંભાળ ચાલુ રહેશે</b></p><p>વનતારાએ કહ્યું કે માધુરી કોલ્હાપુર પરત ફર્યા બાદ તેની જવાબદારી પૂરી થતી નથી. માધુરીના ટ્રાન્ઝિશનને મદદ કરવા માટે યોગ્ય રહેવાની સ્થિતિ, વેટરનરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મેડિકલ સાધનો, દવાઓ અને અન્ય જરૂરી વસ્તુઓ ઉપલબ્ધ રહે તે માટે વનતારાએ મદદ કરી છે.</p><p><img alt="Madhuri " src="https://epapercdn.sandesh.com/images/2026/09/11/se4k8TcUG38DOgmX5R9kVtDn498pa2kLunwgOOWD.webp"><br></p><p><b>દર પખવાડિયે વનતારાના પશુચિકિત્સકો કરશે તપાસ</b></p><p>HPCના નિર્દેશ મુજબ વનતારાના વેટરનરી ડોક્ટરો દર પખવાડિયે કોલ્હાપુરમાં માધુરીની મુલાકાત લેશે. તેઓ તેની તબીબી તપાસ કરીને સક્ષમ સત્તાધિકારીઓને રિપોર્ટ સોંપશે. માધુરી જ્યાં પણ રહે, તેની સંભાળમાં સાતત્ય જળવાય અને તેના કલ્યાણની સુરક્ષા થાય તે હેતુ છે.</p><p><b>નંદાણીની સુવિધામાં જરૂરી વ્યવસ્થા</b></p><p>માધુરી હાથી હવે નંદાણીની જે જગ્યાએ પરત જવાની છે, ત્યાં વનતારાએ ઉપલબ્ધ જગ્યા અને સુવિધા પ્રમાણે જરૂરી સુધારા કર્યા છે. એટલે કે, માધુરીને રાખવા માટે જે એન્ક્લોઝર છે, તેમાં શક્ય તેટલી સારી વ્યવસ્થા કરવામાં આવી છે.</p><p><b>ટાઉન પ્લાનિંગના કારણે વધુ કામ થઈ શક્યું નહીં</b></p><p>નંદાણીમાં જગ્યાની મર્યાદા છે. ટાઉન પ્લાનિંગના નિયમો અને ટ્રસ્ટની જમીનમાંથી પસાર થતા રસ્તાના કારણે ત્યાં વધુ જમીન ઉપલબ્ધ નથી. તેથી એન્ક્લોઝર અને અન્ય સુવિધાઓમાં મોટા પાયે વધુ ફેરફાર કરી શકાયા નથી.&nbsp;પરંતુ, માધુરી ત્યાં પરત જઈને સ્થાયી થયા પછી, વનતારા જરૂર પડે તો આ સુવિધાને વધુ સારી બનાવવા માટે મઠને મદદ કરશે. જો કોર્ટ અથવા સત્તાવાળાઓ આ માટે આદેશ આપશે, તો વનતારા અપગ્રેડેશનના કામમાં પણ સહયોગ આપશે.</p><p><img alt="Madhuri " src="https://epapercdn.sandesh.com/images/2026/09/11/jA2wrgyYJa5VL8a4P4w6oe7zCK5ttgwwPUwpozDX.webp"><br></p><p><b>સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને HPCનો આભાર</b></p><p>વનતારાનું માનવું છે કે સાચા પશુ કલ્યાણ માટે હકીકતો, વેટરનરી સાયન્સ, જવાબદાર સંભાળ, કાયદાકીય પ્રક્રિયાનું સન્માન અને જીવનની હંમેશા સુરક્ષા માટે અડગ પ્રતિબદ્ધતા જરૂરી છે. વનતારાએ માનનીય સુપ્રીમ કોર્ટ, માનનીય બોમ્બે હાઈકોર્ટ અને HPCના નિર્દેશો માટે આભાર વ્યક્ત કર્યો છે. સાથે જ મહારાષ્ટ્ર અને ગુજરાત સરકારો તથા તેમના અધિકારીઓના સહયોગ બદલ પણ આભાર માન્યો છે.</p><p><b>કોલ્હાપુરના લોકો અને PETA Indiaનો પણ ઉલ્લેખ</b></p><p>વનતારાએ માધુરી અંગે ચિંતા વ્યક્ત કરનારા મઠ અને કોલ્હાપુરના લોકોનો પણ આભાર માન્યો છે. માધુરીની સ્થિતિ HPC સમક્ષ લાવવામાં PETA Indiaની ભૂમિકાને પણ સ્વીકારી છે અને પશુ કલ્યાણના મુદ્દે તેની સાથેના લાંબા સંબંધને મહત્વપૂર્ણ ગણાવ્યો છે.</p><p><b>માધુરીનું કલ્યાણ વનતારાની પ્રથમ ચિંતા</b></p><p>વનતારાએ અંતમાં કહ્યું કે માધુરીનું કલ્યાણ તેની પ્રથમ ચિંતા છે. તેના સ્વાસ્થ્ય, કલ્યાણ અને ગૌરવ પ્રત્યેની પ્રતિબદ્ધતા તે ક્યાં રહે છે તેના પર નિર્ભર નથી. વનતારાએ માધુરી માટે સારા સ્વાસ્થ્ય અને લાંબા, સુરક્ષિત તથા સુખી જીવનની શુભેચ્છા પાઠવી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/world/jamnagar/vantara-partners-with-laos-mandalao-for-elephant-conservation-and-rescue-operations" target="_blank">આ પણ વાંચો: ગુજરાતના વનતારાનો વિદેશમાં ડંકો, લાઓસના જંગલી અને પાલતુ હાથીઓની મફત સારવાર કરશે તબીબી ટીમ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/UXfL9O7VambuNq7jm0j45gJS4mvWqvBQn8Db7Ceq.webp'/></item><item><title><![CDATA[Bhavnagar મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ.5.70 કરોડના વિકાસકામોને લીલી ઝંડી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/bhavnagar-mc-standing-committee-approves-development-projects</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/bhavnagar-mc-standing-committee-approves-development-projects</guid><pubDate>Fri, 11 Sep 2026 19:57:46 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભાવનગર મહાનગરપાલિકા (મનપા) ની સ્ટેન્ડિંગ કમિટીની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિક સુવિધાઓ વધારવાના હેતુથી વિવિધ વિભાગોના મળીને કુલ રૂપિયા 5 કરોડ 70 લાખના વિકાસકામોને મંજૂરી આપવામાં આવી હતી. ખાસ કરીને શહેરની સ્વચ્છતા અને કચરા નિકાલની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ અંતર્ગત રૂપિયા 1.71 કરોડના આધુનિક મશીનો ખરીદવાની મંજૂરી પણ આપવામાં આવી હતી.</p><h2 style="text-align: justify; "><b>દ્વારા લેવામાં આવ્યો આ વિશેષ નિર્ણય</b></h2><p style="text-align: justify; ">બાળકોના ઉત્તમ શૈક્ષણિક અને શારીરિક વિકાસ માટે મનપા દ્વારા વિશેષ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ભાવનગરના આખલોલ જકાતનાકા વિસ્તાર તેમજ ઇન્દિરા નગરમાં અધ્યતન સુવિધાઓથી સજ્જ સ્માર્ટ આંગણવાડીઓ બનાવવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. આ સ્માર્ટ આંગણવાડીઓ બનવાથી સ્થાનિક ભૂલકાંઓને રમત-ગમત સાથે આધુનિક પ્રાથમિક શિક્ષણનો લાભ મળશે.</p><h3 style="text-align: justify; "><b>8 ફોરલેન માર્ગો પર નંખાશે સ્ટ્રીટ લાઈટો</b></h3><p style="text-align: justify; ">રાત્રિના સમયે વાહનચાલકો અને રાહદારીઓની સુરક્ષાને ધ્યાને રાખીને બેઠકમાં શહેરના મુખ્ય માર્ગોને પ્રકાશિત કરવાનો મોટો નિર્ણય લેવાયો હતો. ભાવનગર શહેરને જોડતા 8 જેટલા મુખ્ય ફોરલેન રોડ ઉપર નવી આધુનિક સ્ટ્રીટ લાઈટો નાખવાના કામને લીલી ઝંડી આપવામાં આવી છે. આ નિર્ણયથી શહેરના પ્રવેશદ્વાર સમાન રસ્તાઓ વધુ સુરક્ષિત બનશે અને રાત્રિ દરમિયાન અકસ્માતોનું પ્રમાણ ઘટશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/RwTN4hRHA7lHn8DaXOW6b3CsfIuY5pwSGQxCrAbW.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: દરેક નાગરિક મતદાર બને અને અચૂક મતદાન કરે તે જ ચૂંટણી પંચનું લક્ષ્ય - CEC જ્ઞાનેશ કુમાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/cec-gyanesh-kumar-press-conference-eci-net-app-voter-registration</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/cec-gyanesh-kumar-press-conference-eci-net-app-voter-registration</guid><pubDate>Fri, 11 Sep 2026 19:51:23 +05:30</pubDate><description><![CDATA[<p>કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા યોજાયેલી મહત્વપૂર્ણ પ્રેસ પરિષદને સંબોધતા મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારે ભારપૂર્વક જણાવ્યું હતું કે, લોકશાહીને વધુ મજબૂત કરવા માટે 18 વર્ષ પૂર્ણ કરનાર દરેક નાગરિકનું નામ મતદાર યાદીમાં સામેલ થાય તે અત્યંત જરૂરી છે. ચૂંટણી પંચે યુવાનો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગજનો તેમજ LGBT સમુદાય સહિત સમાજના તમામ વર્ગોને આગળ આવીને મતદાર તરીકે નોંધણી કરાવવા માટે ભાવુક અપીલ કરી હતી.</p><h2>ECI Net એપ મારફતે ઘરે બેઠા મતદાર નોંધણી</h2><p>આ વિશાળ નોંધણી અભિયાનને સફળ બનાવવા માટે સમગ્ર દેશમાં 11 લાખથી વધુ બૂથ લેવલ ઓફિસર (BLO) અને 15 લાખથી વધુ બૂથ લેવલ એજન્ટ (BLA) દિવસ-રાત કામગીરી કરી રહ્યા છે. પંચનું મુખ્ય લક્ષ્ય કોઈ પણ પાત્ર નાગરિક મતદાનના અધિકારથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવાનું છે. મુખ્ય ચૂંટણી કમિશનરે દેશના તમામ નાગરિકોને 'ECI Net' એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે વિનંતી કરી હતી. આ આધુનિક એપના માધ્યમથી કોઈપણ નાગરિક પોતાનો વોટર ID નંબર દાખલ કરીને મતદાર તરીકેનું સ્ટેટસ સરળતાથી ચકાસી શકે છે. જો કોઈ નાગરિકનું નામ મતદાર યાદીમાં ન હોય, તો તેઓ ECI Net એપ મારફતે જ સીધું Form-6 ભરીને નવી નોંધણી માટે અરજી કરી શકે છે.</p><h3><b>Form-6 અને BLO કોલ બુકિંગની ડિજિટલ સુવિધા</b></h3><p>ફોર્મ ભરાયા બાદ સંબંધિત BLO દ્વારા સ્થળ તપાસ અને આગળની કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત, મતદાર યાદીને લગતી કોઈ પણ મૂંઝવણ કે સહાય માટે નાગરિકો આ એપ દ્વારા પોતાના વિસ્તારના BLO સાથે સીધો કોલ બુક કરી શકે છે. જ્ઞાનેશ કુમારે સ્પષ્ટ કર્યું હતું કે દરેક નાગરિક મતદાર બને અને પોતાના મતાધિકારનો ચોક્કસ ઉપયોગ કરે તે જ ચૂંટણી પંચનો મુખ્ય ઉદ્દેશ્ય છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-police-ganesh-utsav-security-dgp-gyanendra-singh-malik-review-meeting" target="_blank">આ પણ વાંચો: Gandhinagar: ગણેશોત્સવને લઈને સમગ્ર રાજ્યમાં કડક સુરક્ષા બંદોબસ્ત, સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ ફોર્સ તૈનાત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/s5GUuhW4rtkkKN0qvO248xLRXD3qevv91YrcnaXN.webp'/></item><item><title><![CDATA[Auto News: iPhone Duoની કિંમતમાં ઘરે લાવો આ નવી કાર: જુઓ આ 5 ઓપ્શન્સની યાદી ]]></title><link>https://sandesh.com/business/news/automobile/iphone-duo-price-cars-under-5-lakh-options</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/iphone-duo-price-cars-under-5-lakh-options</guid><pubDate>Fri, 11 Sep 2026 18:59:14 +05:30</pubDate><description><![CDATA[<p>Apple એ તાજેતરમાં તેનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન iPhone Duo વૈશ્વિક સ્તરે રજૂ કર્યો છે. લોન્ચ થતાની સાથે જ આ ફોનની ટેકનોલોજી કરતાં પણ તેની કિંમત વધુ ચર્ચાનો વિષય બની છે. ખાસ કરીને 2TB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂ.4.49 લાખ રાખવામાં આવી છે. એક સ્માર્ટફોન અને કાર વચ્ચે સરખામણી કરવી ભલે થોડી અજીબ લાગે, પરંતુ iPhone Duo ના આ મોડલની કિંમત એટલી વધારે છે કે તેટલા બજેટમાં ભારતમાં એક નવી બ્રાન્ડ ન્યૂ કાર ખરીદી શકાય છે.</p><p><img alt="You can get this car for the price of a phone!" src="https://epapercdn.sandesh.com/images/2026/09/11/zzlOvCA5jlbiaJHRl2HgviKFhHSq600GWpRy4HCk.webp"><br></p><h2><b>Maruti Suzuki S-Presso</b></h2><p>ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં Maruti Suzuki S-Presso એ સૌથી સસ્તા અને ભરોસાપાત્ર વિકલ્પોમાંથી એક છે. નાના કદની હોવા છતાં તેનો બોલ્ડ લુક Mini-SUV જેવો અનુભવ આપે છે, જે ખાસ કરીને સિટી ડ્રાઇવિંગ માટે શ્રેષ્ઠ છે. આ કારમાં 1.0-લીટરનું પેટ્રોલ એન્જિન અને બળતણની બચત માટે આઈડલ સ્ટાર્ટ-સ્ટોપ ટેકનોલોજી મળે છે. તેની એક્સ-શોરૂમ કિંમત રૂ.3.49 લાખથી રૂ.5.27 લાખ વચ્ચે છે, જે iPhone Duo ના પ્રીમિયમ વેરિઅન્ટ કરતાં પણ ઓછી છે.</p><h3><b>Maruti Suzuki Alto K10</b></h3><p>દાયકાઓથી ભારતીય મધ્યમ વર્ગની પહેલી પસંદ રહેલી Alto K10 ઓછી કિંમત અને જાળવણીના સરળ ખર્ચ માટે જાણીતી છે. આ કારમાં 1.0-લીટર પેટ્રોલ એન્જિન સાથે મેન્યુઅલ અને ઓટોમેટિક (AMT) ગિયરબોક્સના વિકલ્પો ઉપલબ્ધ છે. વધારે માઇલેજ ઈચ્છતા ગ્રાહકો માટે કંપની આમાં CNG વેરિઅન્ટ પણ આપે છે. રૂ.3.69 લાખથી રૂ.5.44 લાખની એક્સ-શોરૂમ રેન્જ ધરાવતી આ કાર iPhone Duo ના બજેટમાં આસાનીથી ફીટ બેસે છે.</p><p><img alt="You can get this car for the price of a phone!" src="https://epapercdn.sandesh.com/images/2026/09/11/yZOrtlEBPGd1PcSZJ4PfIS8GA6x7WL84cuYCkpCS.webp"><br></p><h4><b>Renault Kwid</b></h4><p>જો તમે સસ્તા બજેટમાં આકર્ષક અને સ્પોર્ટી ડિઝાઇન ધરાવતી કાર શોધી રહ્યા છો, તો Renault Kwid એક શ્રેષ્ઠ વિકલ્પ છે. 1.0-લીટર પેટ્રોલ એન્જિન ધરાવતી આ કારમાં 8-ઈંચની ટચસ્ક્રીન, LED DRLs, ડ્યુઅલ એરબેગ્સ, ABS અને હિલ સ્ટાર્ટ આસિસ્ટ જેવા આધુનિક ફીચર્સ મળે છે. તેની એક્સ-શોરૂમ કિંમત રૂ.4.53 લાખથી રૂ.5.60 લાખ છે, જે iPhone Duo ના 2TB મોડલની કિંમતની બિલકુલ બરાબર કે થોડી જ વધારે છે.</p><h5><b>Tata Tiago</b></h5><p>સુરક્ષા અને મજબૂતીની દ્રષ્ટિએ Tata Tiago આ સેગમેન્ટમાં એક ઉત્તમ હેચબેક કાર ગણાય છે. ડીલરશીપ પર મળતા ડિસ્કાઉન્ટ કે ઑફર્સ પછી તેનું બેઝ મોડલ આશરે રૂ.4.5 લાખ આસપાસ મળી રહે છે. Tiago માં પેટ્રોલ અને CNG સિવાય ઇલેક્ટ્રિક (EV) ઓપ્શન પણ ઉપલબ્ધ છે. રૂ.4.70 લાખથી રૂ.8.55 લાખની રેન્જમાં આવતી આ કાર એક પ્રીમિયમ સ્માર્ટફોનની કિંમતમાં ઉત્કૃષ્ટ સવારીનો અનુભવ આપી શકે છે.</p><p><img alt="You can get this car for the price of a phone!" src="https://epapercdn.sandesh.com/images/2026/09/11/LywQb3hpl5zFjlidXht1dYEXpBvXuRDoDzQ831tR.webp"><br></p><h6><b>Maruti Suzuki Celerio</b></h6><p>વધારે માઇલેજ અને આરામદાયક સિટી ડ્રાઇવિંગ માટે Maruti Celerio ભારતમાં ખૂબ લોકપ્રિય છે. તેમાં 1.0-લીટર પેટ્રોલ એન્જિન સાથે મેન્યુઅલ અને AMT નો વિકલ્પ મળે છે, તેમજ કંપની ફિટેડ CNG મોડલ પણ ઉપલબ્ધ છે જે દૈનિક વપરાશકારો માટે ખર્ચ ઓછો કરે છે. તેની એક્સ-શોરૂમ કિંમત રૂ.4.69 લાખથી રૂ.6.75 લાખ સુધીની છે.</p><p><b>સ્માર્ટફોન કે કાર: આખરી નિર્ણય તમારો</b></p><p>iPhone Duo ના 2TB વેરિઅન્ટ માટે રૂ.4.49 લાખ ખર્ચવા કે પછી તે જ રકમમાં S-Presso કે Alto K10 જેવી નવી કાર ઘરે લાવવી, તે સંપુર્ણપણે ગ્રાહકની જરૂરિયાત પર આધાર રાખે છે. જોકે, આ સરખામણી એ વિચારવા ચોક્કસ મજબૂર કરે છે કે એક સ્માર્ટફોન પાછળ લાખો રૂપિયા ખર્ચવા યોગ્ય છે કે તે જ બજેટમાં આખા પરિવાર માટે એક નવી કાર ખરીદવી વધુ ફાયદાકારક છે.</p><p><img alt="You can get this car for the price of a phone!" src="https://epapercdn.sandesh.com/images/2026/09/11/lgbtisSbwItSnCD2ZBk2RWKtS4qsrVCXffhepD5e.webp"><br></p><p><a href="https://sandesh.com/automobile" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/iwQCtrfNRAGT6urJv0Qfrms4ocQOyLA6NL8wSDxj.webp'/></item><item><title><![CDATA[Box Office : 2 કરોડ પણ ન કમાઈ શકી હૈવાન! મિર્ઝાપુરે પહેલા જ દિવસે બગાડી અક્ષય-સૈફની ફિલ્મની રમત! ]]></title><link>https://sandesh.com/entertainment/news/haiwaan-day-1-box-office-mirzapur-akshay-kumar</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/haiwaan-day-1-box-office-mirzapur-akshay-kumar</guid><pubDate>Fri, 11 Sep 2026 17:47:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની જોડી 18 વર્ષ બાદ હૈવાન સાથે મોટા પડદા પર પાછી આવી છે. આ વખતે બંને ક્રાઇમ થ્રિલર ફિલ્મ લઈને આવ્યા છે, જેમાં અક્ષય કુમારે વિલનની ભૂમિકા ભજવી છે. ફિલ્મ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>હૈવાનનું એડવાન્સ બુકિંગ કેટલું થયું?</b></h2><p style="text-align: justify; ">હૈવાનનું એડવાન્સ બુકિંગ ખાસ રહ્યું નથી. ફિલ્મની રિલીઝ પહેલાં તેની બહુ ચર્ચા જોવા મળી નહોતી, જેની અસર તેની પ્રી-સેલ પર પણ પડી છે. બીજી તરફ ક્રાઇમ થ્રિલર મિર્ઝાપુર ધ મૂવી બોક્સ ઓફિસ પર છવાયેલી છે. તેના કારણે હૈવાનની કમાણી પર પણ અસર પડી છે. ફિલ્મ અપેક્ષા મુજબ પ્રી-સેલ કરી શકી નથી અને પહેલા દિવસે પણ મિર્ઝાપુર ધ મૂવીના કારણે તેની કમાણી ઓછી જોવા મળી રહી છે.</p><ol><li style="text-align: justify;">સેકનિલ્ક મુજબ હૈવાનના 7,368 શો માટે 44,176 ટિકિટનું એડવાન્સ બુકિંગ થયું છે.</li><li style="text-align: justify;">આ સાથે પ્રી-ટિકિટ સેલથી બ્લોક સીટ વગર ફિલ્મે 1.03 કરોડ રૂપિયાની કમાણી કરી છે.</li><li style="text-align: justify;">બ્લોક સીટ સાથે ફિલ્મની કમાણી 2.76 કરોડ રૂપિયા રહી છે.</li></ol><h3 style="text-align: justify; "><b>હૈવાન કેટલા કરોડની ઓપનિંગ કરી શકે?</b></h3><p style="text-align: justify; ">હૈવાનને સિનેમાઘરોમાં સુપરહિટ ફિલ્મો મિર્ઝાપુર ધ મૂવી અને હનુમાન અંશ સાથે ટક્કર લેવી પડશે. બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર છવાયેલી છે અને દરરોજ કરોડોની કમાણી કરી રહી છે. હૈવાન 3થી 4 કરોડ રૂપિયાની ઓપનિંગ કરી શકે છે. જો ફિલ્મને સારો વર્ડ ઓફ માઉથ મળે તો આ આંકડો વધી પણ શકે છે.<br><img alt="Haiwan, Akshay Kumar, Saif Ali Khan (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/11/FFCyASEaRIWUDs8dUCv2NdE8CYHfoFg99kPzXahK.webp"><br></p><h4 style="text-align: justify; "><b>હૈવાન વિશે</b></h4><p style="text-align: justify; ">હૈવાનમાં અક્ષય કુમાર અને સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં છે. આ સાથે બોમન ઈરાની, શ્રિયા પિલગાંવકર અને સૈયામી ખેર પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ 2026માં અક્ષય કુમાર અને પ્રિયદર્શનની જોડીની બીજી ફિલ્મ છે. આ વર્ષે રિલીઝ થયેલી તેમની પહેલી ફિલ્મ ભૂત બંગલા હતી, જે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. આ ક્રાઇમ થ્રિલરમાં સૈફ અલી ખાન અંધ વ્યક્તિની ભૂમિકા ભજવી રહ્યા છે, જ્યારે અક્ષય કુમાર મુખ્ય વિલનની ભૂમિકામાં છે. બંને કલાકારોની એકદમ અલગ ભૂમિકાઓ ફિલ્મને ઈન્ટરેસ્ટિંગ બનાવે છે. આ ફિલ્મ મોહનલાલની મલયાલમ ફિલ્મ ઓપ્પમની રીમેક છે. હૈવાનને KVN પ્રોડક્શન્સ અને થેસ્પિયન ફિલ્મ્સના બેનર હેઠળ વેંકટ કે. નારાયણ અને શૈલજા દેસાઈએ પ્રોડ્યુસ કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/taarak-mehta-old-goli-youtube-24-lakh-views" target="_blank">આ પણ વાંચો-YouTube Debut : 80 કલાકમાં 24 લાખ વ્યૂઝ! YouTube પર એન્ટ્રી કરતાં જ છવાઈ ગયો તારક મહેતાનો જૂનો ગોલી!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/eV33Wr1G2wvDdLPdMfDTpcymXa3YkLD3upaN2UN5.webp'/></item><item><title><![CDATA[Delhi High Court : વિનેશ ફોગાટને મોટો ઝટકો, વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલમાંથી બહાર ]]></title><link>https://sandesh.com/sports/news/vinesh-phogat-world-championship-trials-delhi-high-court</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/vinesh-phogat-world-championship-trials-delhi-high-court</guid><pubDate>Fri, 11 Sep 2026 09:21:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને આંતરરાષ્ટ્રીય કુસ્તીમાં વાપસીના પ્રયાસ વચ્ચે મોટો ઝટકો લાગ્યો છે.દિલ્હી હાઈકોર્ટે 2026 સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપની પસંદગી માટે યોજાનારી ટ્રાયલમાં વિનેશને ભાગ લેવાની વચગાળાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે.આ નિર્ણય બાદ વિનેશ માટે 14 સપ્ટેમ્બરે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં યોજાનારી પસંદગી ટ્રાયલમાં ઉતરવાનો રસ્તો બંધ થઈ ગયો છે.જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ ગુરુવારે મોડી રાત્રે વિનેશ ફોગાટની વચગાળાની રાહતની માગ કરતી અરજી ફગાવી દીધી હતી.</p><h4 style="text-align: justify; "><b>દિલ્હી હાઈકોર્ટે શું કહ્યું</b></h4><p style="text-align: justify; ">અદાલતે કહ્યું કે ભારતીય કુસ્તી મહાસંઘ દ્વારા નક્કી કરવામાં આવેલી પાત્રતાની શરતો કોઈ એક ખેલાડી માટે અલગ રીતે લાગુ કરી શકાય નહીં.અદાલતે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું કે 7 સપ્ટેમ્બર 2026ના પરિપત્રમાં નક્કી કરાયેલા માપદંડ તમામ ખેલાડીઓ માટે સમાન છે.જો કોઈ કુસ્તીબાજે નક્કી કરાયેલી સ્પર્ધામાં ભાગ લીધો નથી,તો તે વર્તમાન નિયમો હેઠળ ટ્રાયલ માટે પાત્ર ગણાતો નથી.</p><h5 style="text-align: justify; "><b>વિનેશ ફોગાટે અદાલતનો દરવાજો કેમ ખખડાવ્યો?</b></h5><p style="text-align: justify; ">વિનેશ ફોગાટે ભારતીય કુસ્તી મહાસંઘના નવા પસંદગી નિયમોને પડકાર્યા હતા.7 સપ્ટેમ્બરે જાહેર કરાયેલા પરિપત્રમાં 2026 સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ માટેના ટ્રાયલમાં ભાગ લેવા માટે છ ઓલિમ્પિક વજન વર્ગો માટે પાત્રતાના નિયમો નક્કી કરવામાં આવ્યા છે.આ નિયમો હેઠળ કેટલીક નિર્ધારિત સ્પર્ધાઓના ચંદ્રક વિજેતા, રાષ્ટ્રીય તાલીમ શિબિરમાં સામેલ કુસ્તીબાજો અને 2026 અંડર-20 વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પસંદ થયેલા ખેલાડીઓ પાત્ર બને છે.વિનેશનું કહેવું હતું કે માતૃત્વના કારણે તે કેટલીક મહત્વની પસંદગી સ્પર્ધાઓમાં ભાગ લઈ શકી નહોતી.તેથી હાલના નિયમો તેમના માટે વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ સુધી પહોંચવાનો માર્ગ બંધ કરે છે.વિનેશે સીધી રીતે વર્લ્ડ ચેમ્પિયનશિપની ટીમમાં પસંદગીની માગ કરી નહોતી. તેમની માગ માત્ર એટલી હતી કે તેમને ટ્રાયલમાં ભાગ લેવાની તક આપવામાં આવે અને ત્યારબાદ તેમના પ્રદર્શનના આધારે ટીમમાં પસંદગી કરવામાં આવે.</p><h4 style="text-align: justify; "><b>એશિયન ગેમ્સના ટ્રાયલનો પણ આપ્યો હતો હવાલો</b></h4><p style="text-align: justify; ">વિનેશે પોતાની દલીલમાં 30 મેના એશિયન ગેમ્સના પસંદગી ટ્રાયલનો પણ ઉલ્લેખ કર્યો હતો.તેમણે 53 કિલોગ્રામ વજન વર્ગમાં ભાગ લીધો હતો અને ક્વાર્ટર ફાઇનલ જીતીને સેમિફાઇનલ સુધી પહોંચ્યા હતા.વિનેશે અદાલતને જણાવ્યું હતું કે માતા બન્યા બાદ તેમણે ફરી તાલીમ શરૂ કરી છે અને સ્પર્ધાત્મક કુસ્તીમાં વાપસી માટે પ્રયાસ કરી રહ્યા છે. તેઓ જુલાઈ 2025માં માતા બન્યા હતા.</p><h4 style="text-align: justify; "><b>માતૃત્વ નીતિ અંગે મોટી લડાઈ હજુ ચાલુ</b></h4><p style="text-align: justify; ">દિલ્હી હાઈકોર્ટે હાલ વિનેશની અરજીમાં ઉઠાવવામાં આવેલા મોટા કાયદાકીય પ્રશ્નો અંગે અંતિમ નિર્ણય આપ્યો નથી.અદાલતે એ પણ નોંધ્યું કે ગર્ભાવસ્થા, બાળકના જન્મ અને ત્યારબાદની શારીરિક પુનઃપ્રાપ્તિ જેવી પરિસ્થિતિઓને મહિલા ખેલાડીઓ માટેની પસંદગી નીતિની કાયદેસરતા અંગે વિચાર કરતી વખતે ધ્યાનમાં લેવાની જરૂર પડી શકે છે.જોકે, આ કારણોસર વિનેશને તાત્કાલિક વચગાળાની છૂટ આપી શકાય નહીં. અદાલતની એક મહત્વની ચિંતા એ પણ હતી કે માત્ર વિનેશને નિયમોમાં છૂટ આપવામાં આવે તો આવી જ સ્થિતિમાં રહેલા અન્ય ખેલાડીઓ સાથે સમાનતાનો પ્રશ્ન ઊભો થઈ શકે છે.વિનેશની કાનૂની લડાઈ માત્ર વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ પૂરતી મર્યાદિત નથી. તેઓ માતૃત્વ બાદ મહિલા ખેલાડીઓ માટે પારદર્શક અને વ્યવસ્થિત પસંદગી વ્યવસ્થા બનાવવાની માગ પણ કરી રહ્યા છે.</p><p style="text-align: justify; "><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/NalinisKitchen/status/2098245458540027916?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>WFIની શિસ્તભંગની કાર્યવાહી પણ પડકારાઈ</b></h4><p style="text-align: justify; ">વિનેશે ભારતીય કુસ્તી મહાસંઘ દ્વારા શરૂ કરવામાં આવેલી શિસ્તભંગની કાર્યવાહી સામે પણ અદાલતનો સંપર્ક કર્યો છે. તેમણે મે અને જૂનમાં આપવામાં આવેલી 2 કારણદર્શક નોટિસ રદ કરવાની માગ કરી છે.બીજી તરફ,કુસ્તી મહાસંઘનું કહેવું છે કે વિનેશને શિસ્ત સમિતિ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક આપવામાં આવી હતી.</p><h5 style="text-align: justify; "><b>ક્યારે યોજાશે વર્લ્ડ ચેમ્પિયનશિપ?</b></h5><p style="text-align: justify; ">2026 સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં 24 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન યોજાવાની છે. દિલ્હી હાઈકોર્ટના હાલના નિર્ણય બાદ વિનેશ ફોગાટ 14 સપ્ટેમ્બરે યોજાનારી ભારતીય પસંદગી ટ્રાયલમાં ભાગ લઈ શકશે નહીં.જોકે, માતૃત્વ બાદ મહિલા ખેલાડીઓને રમતગમતમાં વાપસી માટે કઈ રીતે તક મળવી જોઈએ અને પસંદગી પ્રક્રિયામાં તેમના માટે કેવી વ્યવસ્થા હોવી જોઈએ, તે અંગે વિનેશની મોટી કાનૂની લડાઈ હજુ ચાલુ છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો <a href="https://sandesh.com/cricket/news/shree-charani-breaks-radha-yadav-record-50-t20i-wickets" target="_blank">- Shree Charaniએ નોંધાવી ઐતિહાસિક સિદ્ધિ, રાધા યાદવનો મોટો રેકોર્ડ તોડી રચ્યો ઇતિહાસ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/kFL2T3ixL0obDmcYy4934aTdupVad2PjvKVjk8Ms.webp'/></item></channel></rss>