<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabad News : સાયબર ફ્રોડના ભોગ બનનારને મોટી રાહત, 11 ભોગ બનનારને રૂ.2.60 કરોડથી વધુ રિફંડ કર્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-news-big-relief-for-cyber-fraud-victims-more-than-rs-260-crore-refunded-to-11-victims</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-news-big-relief-for-cyber-fraud-victims-more-than-rs-260-crore-refunded-to-11-victims</guid><pubDate>Wed, 12 Aug 2026 18:05:02 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ પોલીસની સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકો માટે એક પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. સાયબર ગુનાઓમાં પોતાની કમાણી ગુમાવનારા અરજદારોને મદદરૂપ થવા માટે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હેઠળ પોલીસ ટીમે ત્વરિત અને અસરકારક કાર્યવાહી કરીને સાયબર ફ્રોડનો ભોગ બનેલા 11 જેટલા અરજદારોને તેમની હોલ્ડ કરાયેલી રકમ પરત અપાવીને મોટી રાહત આપી છે.</p><h2><b>રૂ. 2.60 કરોડથી વધુની રકમ મૂળ માલિકોને રિફંડ કરાઈ</b></h2><p>સાયબર ક્રાઇમ બ્રાંચની ટેકનિકલ ટીમ દ્વારા ફ્રોડમાં ગયેલા નાણાંના લોકેશન અને બેંક એકાઉન્ટ્સ ટ્રેસ કરીને કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ સઘન કામગીરીના પરિણામે રૂ. 2.60 કરોડથી પણ વધુની માતબર રકમ રિકવર કરીને અરજદારોના ખાતામાં સફળતાપૂર્વક રિફંડ કરાવવામાં આવી છે. પોતાની ગુમાવેલી મૂડી પાછી મળતા અરજદારોએ અમદાવાદ પોલીસનો આભાર માન્યો હતો.</p><h2><b>રોકાણની લાલચથી સાવચેત રહેવા અને ત્વરિત ફરિયાદ કરવા અપીલ</b></h2><p>આ પ્રસંગે સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા નાગરિકોને શેરબજાર, ક્રિપ્ટો કે અન્ય સ્કીમોમાં વધુ વળતરની લાલચ આપતી અજાણી લિંક્સ અને રોકાણની ઠગાઈથી સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ સાથે જ પોલીસે અપીલ કરી છે કે જો કોઈ પણ વ્યક્તિ નાણાકીય છેતરપિંડીનો ભોગ બને, તો તેણે સમય ગુમાવ્યા વિના તરત જ સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર અથવા નજીકના પોલીસ મથકે સંપર્ક કરીને ફરિયાદ નોંધાવવી જોઈએ.</p><p><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/modasa/megharajas-explosive-entry-in-sabarkantha-torrential-rain-in-many-areas" target="_blank">Sabarkanthaમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/mzdEdcgkpJKGsn8q9ZTEsQrZZob6S8vzBBMJ6Uxb.webp'/></item><item><title><![CDATA[Rajkot: ગિફ્ટ ફ્રોડ આચરનાર નાઇજીરિયન માસ્ટરમાઇન્ડ દિલ્હીથી ઝડપાયો,કિંમતી વસ્તુઓની લાલચ આપી આચરતા હતા કરોડોનું ફ્રોડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/district-cyber-crime-arrests-nigerian-national-from-delhi-in-gift-fraud-case</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/district-cyber-crime-arrests-nigerian-national-from-delhi-in-gift-fraud-case</guid><pubDate>Wed, 12 Aug 2026 18:03:19 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ જિલ્લામાં સાઇબર ગુનાખોરી સામે લાલ આંખ કરતી સાઇબર ક્રાઇમ પોલીસને આંતરરાષ્ટ્રીય સ્તરના ફ્રોડ કેસમાં મોટી સફળતા મળી છે. રાજકોટ જિલ્લા પોલીસ વડાએ યોજેલી પત્રકાર પરિષદમાં જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયાના માધ્યમથી નિર્દોષ લોકોને કિંમતી ભેટ-સોગાદો મોકલવાની અને લોભામણી લાલચ આપી લાખો રૂપિયા પડાવી લેતી આંતરરાષ્ટ્રીય સાઇબર ગેંગના વધુ એક મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે.</p><h2><b>મૂળ નાઇજીરિયન નાગરિકની અટકાયત</b></h2><p>સાઇબર ક્રાઇમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે દિલ્હીના મહેરૌલી વિસ્તારમાં દરોડો પાડીને મૂળ નાઇજીરિયન નાગરિકની અટકાયત કરી છે.પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ નાઇજીરિયન નાગરિક ભારતમાં મેડિકલ વિઝા પર આવ્યો હતો. અહીં આવીને તેણે દિલ્હીના મહેરૌલી વિસ્તારમાં ડેરા તંબૂ તાણ્યા હતા અને પોતાની ગર્લફ્રેન્ડ તથા અન્ય દેશી-વિદેશી સાથીદારો સાથે મળીને સાઇબર ઠગાઈનું નેટવર્ક શરૂ કર્યું હતું. આ આરોપી ગેંગનો મુખ્ય માસ્ટરમાઇન્ડ હતો, જે ભોગ બનનાર ફરિયાદીઓને કઈ રીતે વાતોમાં ફસાવવા અને પૈસા પડાવવા તેની આખી 'ફ્રોડ સ્ક્રિપ્ટ' પ્લાન્ટ કરતો હતો.</p><h3><b>સુરક્ષા એજન્સીઓ સાથે સંયુક્ત તપાસ</b></h3><p>રાજકોટ જિલ્લા પોલીસે આ કેસમાં અગાઉ 3 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી, જેમની સઘન પૂછપરછમાં આ નાઇજીરિયન સૂત્રધારનું નામ ખુલ્યું હતું. આ ફ્રોડ નેટવર્કમાં ભારત દેશના કેટલાક સ્થાનિક એજન્ટો/આરોપીઓ પણ સામેલ હોવાનું અનુમાન છે, જેઓ બેન્ક ખાતાઓ અને સિમકાર્ડ પૂરા પાડતા હતા. કેસમાં વિદેશી નાગરિકો સંકળાયેલા હોવાથી રાજકોટ પોલીસ દેશની અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે મળીને આગળનું મોટું ઓપરેશન ચલાવી રહી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/civil-hospital-orthoscopy-surgery-equipment-theft-10-lakh-fir" target="_blank">આ પણ વાંચો: Gandhinagar: સિવિલ હોસ્પિટલમાંથી 10.23 લાખના સર્જરી સાધનોની ચોરી, સેક્ટર-7 પોલીસ મથકે ફરિયાદ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/SGBkL4afrC2KOIy0eVHQ55ZE6IhhkhagxSPx7RGK.webp'/></item><item><title><![CDATA[Gandhinagar: સિવિલ હોસ્પિટલમાંથી 10.23 લાખના સર્જરી સાધનોની ચોરી, સેક્ટર-7 પોલીસ મથકે ફરિયાદ ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/civil-hospital-orthoscopy-surgery-equipment-theft-10-lakh-fir</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/civil-hospital-orthoscopy-surgery-equipment-theft-10-lakh-fir</guid><pubDate>Wed, 12 Aug 2026 17:51:54 +05:30</pubDate><description><![CDATA[<p>ગાંધીનગર સ્થિત સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદ અને સુરક્ષાના ગંભીર સવાલોના ઘેરાવામાં આવી છે. હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં દર્દીઓના હાડકાં અને સાંધાના ઓપરેશન માટે વપરાતા અત્યાધુનિક ઓર્થોસ્કોપી સર્જરી સાધનોની રહસ્યમય રીતે ચોરી થઈ ગઈ છે. જપ્ત/ગુમ થયેલા આ તબીબી સાધનોની કિંમત રૂ. 10.23 લાખ જેટલી અંકાયી છે.</p><h2><b>ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ચોરી</b></h2><p>સાધનો ગુમ થયા હોવાની જાણ થતાં જ હોસ્પિટલ તંત્ર દ્વારા તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવવાને બદલે મામલો થાળે પાડવા અથવા આંતરિક કક્ષાએ શોધખોળ કરવા માટે એક વિશેષ 'તપાસ કમિટી'ની રચના કરવામાં આવી હતી. છેલ્લા ૩ મહિનાથી આ કમિટી હોસ્પિટલના વિવિધ વિભાગો અને સ્ટાફની પૂછપરછ કરી રહી હતી, પરંતુ સાધનોનો કોઈ પત્તો ન મળતાં આખરે ચોરી થઈ હોવાનું નિષ્કર્ષ સામે આવ્યું હતું.આંતરિક તપાસ કમિટીના અહેવાલ બાદ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા આખરે સેક્ટર-7 પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસે રૂ. 10.23લાખના સાધનોની ચોરી અંગે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે.</p><h3><b>ઓર્થોસ્કોપી સર્જરી સાધનોની ચોરી</b></h3><p>ઓપરેશન થિયેટર જેવા સુરક્ષિત અને ચોક્કસ સ્ટાફની અવરજવર વાળા વિસ્તારમાંથી આટલા મોંઘા સાધનો ચોરાઈ જવા પાછળ કોઈ અંદરના જ સ્ટાફ કે જાણ ભેદુ વ્યક્તિની સંડોવણી હોવાની પોલીસને પ્રબળ આશંકા છે. સેક્ટર-7 પોલીસની ટીમે હોસ્પિટલના ઓપરેશન થિયેટર આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવી, સિક્યુરિટી ગાર્ડ્સ તેમજ છેલ્લા 3-4 મહિનામાં ફરજ બજાવનાર કર્મચારીઓની સઘન પૂછપરછ હાથ ધરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/anandnagar-student-rape-case-accused-dharamsinh-sent-to-jail-remand-rejected" target="_blank">આ પણ વાંચો:Ahmedabad: આનંદનગરમાં વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરનાર સિક્યુરિટી ગાર્ડ ધર્મસિંહના રિમાન્ડ ના-મંજૂર, કોર્ટે જેલ હવાલે કર્યો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/LFgAvCT6nQt9QwNuLIfJnwsONcO21nT3TeGJYz7X.webp'/></item><item><title><![CDATA[Rhea Chakraborty: જેલની અંદરના એ 27 દિવસ... રિયા ચક્રવર્તીએ કહ્યું- 'બહારના લોકો કરતા જેલના લોકો વધારે સારા' ]]></title><link>https://sandesh.com/entertainment/news/rhea-chakraborty--27-days-in-jail-people-inside-are-better</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/rhea-chakraborty--27-days-in-jail-people-inside-are-better</guid><pubDate>Wed, 12 Aug 2026 17:51:02 +05:30</pubDate><description><![CDATA[<p>Rhea Chakraborty: બોલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તી હાલમાં કરણ જોહર દ્વારા આયોજિત પ્રાઇમ વિડીયો રિયાલિટી શો *ધ ટ્રેટર્સ 2* માં ભાગ લેવા માટે હેડલાઇન્સમાં છે. આ દરમિયાન તેણે તેના ખરાબ સમય વિશે ખુલીને વાત કરી છે. ખાસ કરીને અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અવસાન પછી જેલમાં વિતાવેલા સમય વિશે. રિયાએ જણાવ્યું હતું કે જેલની અંદરના લોકો બહારના લોકો કરતા સારા છે. તેણે એમ પણ ઉલ્લેખ કર્યો હતો કે તે જેલમાં તેના દિવસો વિશે એક પુસ્તક લખી રહી છે.</p><p>રિયા ચક્રવર્તી તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં જેલમાં હતી તે સમય કેવો હતો તે અંગે ચર્ચા કરી હતી. તેણે કહ્યું, "મને લાગે છે કે જેલની અંદરના લોકો બહારના લોકો કરતા સારા છે કારણ કે જેલમાં મોટાભાગના કેદીઓ નિર્દોષ છે, ખાસ કરીને મહિલાઓ. ત્યાં કોઈ ભેદભાવ લો નથી; દરેક વ્યક્તિ સમાન છે. દરેક વ્યક્તિ ફક્ત એક નંબર દ્વારા ઓળખાય છે, નામ દ્વારા નહીં."</p><p><b>રિયા ચક્રવર્તી જેલમાં તેના સમય વિશે એક પુસ્તક લખી રહી છે</b></p><p>ઇન્ટરવ્યુમાં રિયાએ એ પણ ખુલાસો કર્યો કે તે તેના જેલના અનુભવ વિશે એક પુસ્તક લખી રહી છે. જેલમાં પીરસવામાં આવતા ખોરાકની ગુણવત્તા વિશે પૂછવામાં આવતા, તેણે જવાબ આપ્યો, "હું એક પુસ્તક લખી રહી છું; તમે તેને ત્યાં વાંચી શકો છો." પુસ્તકનું શીર્ષક શું હશે તે પૂછવામાં આવતા, તેણીએ મજાકમાં "ચુડૈલ કા બદલા". રિયાએ એ પણ શેર કર્યું કે જેલની અંદર મોટાભાગના કેદીઓ ગાતા અને નાચતા સમય પસાર કરે છે. વધુમાં, તેમાંના ઘણા ત્યાં રહીને "થેચા" (એક પ્રખ્યાત મહારાષ્ટ્રીયન ચટણી) બનાવે છે.</p><p>ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતનું જૂન 2020 માં અવસાન થયું. તેમના મૃત્યુ પછી રિયા પર આત્મહત્યા માટે ઉશ્કેરણી સહિતના અનેક આરોપોનો સામનો કરવો પડ્યો. તે જ વર્ષે સપ્ટેમ્બરમાં તેણીની ધરપકડ કરવામાં આવી હતી અને તેણે મુંબઈની ભાયખલા જેલમાં લગભગ 27 દિવસ અંડરટ્રાયલ કેદી તરીકે વિતાવ્યા હતા. ત્યારબાદ તેને બોમ્બે હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. 2025 માં તેને CBI તરફથી ક્લીનચીટ મળી હતી.</p><p><b>'ધ ટ્રેટર્સ 2' ક્યારે પ્રીમિયર થશે?</b></p><p>રિયા ચક્રવર્તી અભિનીત શોની વાત કરીએ તો, 'ધ ટ્રેટર્સ 2' 13 ઓગસ્ટના રોજ પ્રાઇમ વીડિયો પર પ્રીમિયર થવાનું છે. રિયાની સાથે મુનાવર ફારુકી, મલ્લિકા શેરાવત, શ્વેતા તિવારી, અભિષેક મલ્હાન અને ક્રિસ્ટલ ડિસોઝા જેવા સ્ટાર્સ શોમાં દેખાશે.</p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gallery/news/4-morning-mistakes-that-spike-blood-sugar-in-diabetes-patients?1" target="_blank">આ 4 ભૂલથી વધી જાય છે તમારું બ્લડ શુગર, સવારે કરો બસ આટલું</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/XNGvzXo6hXBWYKIbE7uYUeP4km02pDBpJGWM6dxa.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: આનંદનગરમાં વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરનાર સિક્યુરિટી ગાર્ડ ધર્મસિંહના રિમાન્ડ ના-મંજૂર, કોર્ટે જેલ હવાલે કર્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/anandnagar-student-rape-case-accused-dharamsinh-sent-to-jail-remand-rejected</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/anandnagar-student-rape-case-accused-dharamsinh-sent-to-jail-remand-rejected</guid><pubDate>Wed, 12 Aug 2026 17:29:12 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદના પોશ ગણાતા આનંદનગર વિસ્તારમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગના કોર્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા ધર્મસિંહ નામના શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. આ ગંભીર ગુના બાદ પોલીસે આરોપી ધર્મસિંહની અટકાયત કરી હતી.</p><h2><b>આનંદનગરમાં વિદ્યાર્થીની પર દુષ્કર્મનો કેસ</b></h2><p>તપાસ દરમિયાન પંચનામાની કામગીરી વેળાએ આરોપી ધર્મસિહે પોલીસ ઝાપતામાંથી ફરાર થવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. તેને રોકવા માટે પોલીસે ગોળીબાર કરવો પડ્યો હતો, જે આરોપીના પગમાં વાગતાં તે ઈજાગ્રસ્ત થયો હતો. આથી તેને તાત્કાલિક સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર બાદ કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.</p><h2><b>ઇજાગ્રસ્ત આરોપી ધર્મસિંહ ગ્રામ્ય કોર્ટમાં રજૂ</b></h2><p>આનંદનગર પોલીસે આરોપીના ૫ દિવસના પોલીસ રિમાન્ડ મેળવવા માટે કોર્ટ સમક્ષ 5 મુખ્ય મુદ્દાઓ રજૂ કર્યા હતા. બળાત્કાર જેવા ગંભીર ગુના પાછળ અગાઉથી કોઈ કાવતરું ઘડાયું હતું કે કેમ. ગંભીર ગુનો આચરી ભાગવામાં તેને કોઈ વ્યક્તિ તરફથી આર્થિક કે અન્ય મદદ મળી હતી કે કેમ.આરોપીના મોબાઈલ ફોનના CDR (કોલ ડિટેલ રેકોર્ડ) અને SDR એનાલિસિસ માટે કસ્ટડી જરૂરી. ગુનામાં અન્ય કોઈ આરોપી સાથે હતો કે કેમ તે ચકાસવું. બનાવની ગંભીરતા જોતાં આરોપીની ભૌતિક હાજરી જરૂરી.</p><h4><b>અદાલતનો મહત્વનો નિર્ણય</b></h4><p>પોલીસે સુનાવણી દરમિયાન રજૂઆત કરી હતી કે આરોપી ભોગ બનનાર પીડિતાનો મોબાઈલ ફોન ઝૂંટવીને ભાગી ગયો હતો. આથી પોલીસે BNS (ભારતીય ન્યાય સંહિતા) ની કલમ ૩૦૮ (૫) ઉમેરવા અરજી કરી હતી, જેને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. પરંતુ, બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ગ્રામ્ય કોર્ટે પોલીસની ૫ દિવસની રિમાન્ડ અરજી ના-મંજૂર કરી દીધી હતી અને આરોપી ધર્મસિંહને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/palanpur-heavy-waterlogging-bus-stand-ambaji-highway-rain" target="_blank">આ પણ વાંચો: Banaskantha: પાલનપુરમાં માત્ર દોઢ ઇંચ વરસાદમાં જૂના બસ સ્ટેન્ડ રોડ અને અંબાજી હાઇવે પાણીમાં ગરકાવ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/BBrjkYJAihlZG6GEDAuxRlEQMrfOn2GiTlYWR27J.webp'/></item><item><title><![CDATA[Sabarkanthaમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/modasa/megharajas-explosive-entry-in-sabarkantha-torrential-rain-in-many-areas</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/modasa/megharajas-explosive-entry-in-sabarkantha-torrential-rain-in-many-areas</guid><pubDate>Wed, 12 Aug 2026 17:27:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સાબરકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ હવામાનમાં પલટો આવ્યો છે અને ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મુસળધાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને વડાલી અને ખેડબ્રહ્મા તાલુકામાં માત્ર થોડા જ સમયમાં 3 ઇંચ જેટલો ખાબકેલો વરસાદ નોંધાયો છે, જેનાથી સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.</p><h2 style="text-align: justify; "><b>વિજયનગર અને પોશીનામાં 2 ઇંચ વરસાદ</b></h2><p style="text-align: justify; ">બીજી તરફ વિજયનગર અને પોશીના તાલુકામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા, જ્યાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પરથી પાણીના પટ વહેવા લાગ્યા હતા અને નીચાણવાળા વિસ્તારો તેમજ મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>વરસાદી માહોલથી ખેડૂતોમાં આનંદની લહેર</b></h2><p style="text-align: justify; ">આગમન સાથે જ મેઘરાજા મહેરબાન થતાં સમગ્ર સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વાવણી બાદ વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ સંજીવની સમાન સાબિત થયો છે. આ પાકપૂરક વરસાદથી ખેતરોમાં લહેરાતા પાકને નવું જીવન મળ્યું છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/the-sound-of-vande-mataram-will-echo-in-ahmedabad-bjp-yuva-morchas-special-campaign-has-started" target="_blank">Ahmedabadમાં ‘વંદે માતરમ્’નો ગુંજશે નાદ, BJP યુવા મોરચાનું વિશેષ અભિયાન શરૂ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/Qj6B9aUXin1KHxgiq6I4tjKLRo3IRGzhuUNys5tr.webp'/></item><item><title><![CDATA[Weather Alert: દિલ્હી-યુપીથી લઈને એમપી સુધી મેઘરાજાની તોફાની બેટિંગ, આ રાજ્યોમાં IMDનું રેડ-ઓરેન્જ એલર્ટ ]]></title><link>https://sandesh.com/india/news/monsoon-2026/weather-alert-stormy-weather-from-delhi-up-to-mp-imd-issues-red-orange-alert-in-these-states</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/monsoon-2026/weather-alert-stormy-weather-from-delhi-up-to-mp-imd-issues-red-orange-alert-in-these-states</guid><pubDate>Wed, 12 Aug 2026 17:10:31 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">IMDએ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે. જેમાં કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડશે.&nbsp;</p><h2 style="text-align: justify; ">ઉત્તર બંગાળની ખાડીમાં દબાણ</h2><p style="text-align: justify; ">ભારતીય હવામાન વિભાગે 13 ઓગસ્ટના રોજ અનેક રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની ચેતવણી જારી કરી હતી. ધ્યાન પશ્ચિમ બંગાળ અને ઓડિશા પર કેન્દ્રિત છે. જ્યાં કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે. દરમિયાન, દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર અને ઝારખંડમાં પણ હવામાન બદલાવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળ-બાંગ્લાદેશ કિનારાની નજીક ઉત્તર બંગાળની ખાડીમાં એક નીચા દબાણનો વિસ્તાર સક્રિય છે.&nbsp;</p><h3 style="text-align: justify; ">વરસાદની પ્રવૃત્તિમાં વધારો થવાની શક્યતા&nbsp;</h3><p style="text-align: justify; ">આગામી 12 કલાકમાં તે વધુ મજબૂત થવાની ધારણા છે. આ સિસ્ટમ પછી ડિપ્રેશનમાં તીવ્ર બની શકે છે અને આગામી 24 કલાકમાં પશ્ચિમ બંગાળ અને આસપાસના બાંગ્લાદેશી વિસ્તારો તરફ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી શકે છે. આ સિસ્ટમની અસરો પૂર્વી અને મધ્ય ભારતના ઘણા રાજ્યોમાં વરસાદના સ્વરૂપમાં અનુભવાઈ શકે છે. આ ઉપરાંત, ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં એક નીચા દબાણનો વિસ્તાર રચાયો છે. આનાથી મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને આસપાસના વિસ્તારોમાં વરસાદની પ્રવૃત્તિમાં વધારો થઈ શકે છે.</p><h4 style="text-align: justify; ">ભારે વરસાદની આગાહી&nbsp;</h4><p style="text-align: justify; ">આગામી દિવસોમાં પૂર્વી ઉત્તર પ્રદેશમાં વરસાદી ગતિવિધિઓ વધુ વધી શકે છે. IMD એ 14 થી 18 ઓગસ્ટ દરમિયાન પૂર્વી ઉત્તર પ્રદેશમાં ઘણી જગ્યાએ વરસાદની આગાહી કરી છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 14 થી 17 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની પણ અપેક્ષા છે. આનાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે અને સ્થાનિક ટ્રાફિક ખોરવાઈ શકે છે. પર્વતીય રાજ્ય ઉત્તરાખંડમાં હવામાન વધુ પડકારજનક બની શકે છે. 13 ઓગસ્ટે રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે, કેટલાક સ્થળોએ વાવાઝોડાની શક્યતા છે. 15 અને 18 ઓગસ્ટે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.&nbsp;</p><h5 style="text-align: justify; ">દક્ષિણ ભારતમાં વરસાદની આગાહી&nbsp;</h5><p style="text-align: justify; ">મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવામાં 12 થી 15 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. 13 ઓગસ્ટ અને 15-16 ઓગસ્ટે મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. ૧૨ અને ૧૪ ઓગસ્ટે કેટલાક વિસ્તારોમાં ખૂબ ભારે વરસાદ પણ શક્ય છે. દક્ષિણ ભારતના કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને રાયલસીમાના ઘણા વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ ચાલુ રહેશે. 12 થી 18 ઓગસ્ટ દરમિયાન દરિયાકાંઠાના કર્ણાટક અને કેરળમાં વ્યાપક વરસાદની આગાહી છે.</p><h6 style="text-align: justify; ">આસામ-મેઘાલયમાં ભારે વરસાદની શક્યતા&nbsp;</h6><p style="text-align: justify; ">તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં 12 થી 14 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. 13-14 ઓગસ્ટના રોજ કેરળ અને માહેમાં ભારે વરસાદની આગાહી છે. દરિયાકાંઠાના અને આંતરિક કર્ણાટકમાં પણ ભારે પવન અને વાવાઝોડા સાથે ભારે વરસાદ પડી શકે છે. 12 થી 18 ઓગસ્ટ દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને અન્ય ઉત્તરપૂર્વીય રાજ્યોમાં વ્યાપક વરસાદની આગાહી છે. 13 ઓગસ્ટના રોજ અરુણાચલ પ્રદેશ અને આસામ-મેઘાલયમાં ભારે વરસાદની શક્યતા છે. 15 થી 18 ઓગસ્ટ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ખૂબ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/knowledge/news/india/air-india-pilot-marijuana-drug-case-what-tests-are-done-on-pilots-before-flying-a-plane-know" target="_blank">વિમાન ઉડાડતા પહેલા પાયલટ્સના કયા થાય છે પરીક્ષણો?, જાણો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/fgfQDz5gYMqwLd49fLBgbVwAuiBUy3CKLYXBr0Vi.webp'/></item><item><title><![CDATA[Inflation rises : ફુગાવાએ ચિંતા વધારી! જુલાઈમાં સતત નવમા મહિને છૂટક મોંઘવારી વધી ]]></title><link>https://sandesh.com/business/news/inflation-raises-concerns-retail-inflation-rises-for-ninth-consecutive-month-in-july</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/inflation-raises-concerns-retail-inflation-rises-for-ninth-consecutive-month-in-july</guid><pubDate>Wed, 12 Aug 2026 17:05:00 +05:30</pubDate><description><![CDATA[<p>જુલાઈમાં મોંઘવારીએ સામાન્ય માણસના બજેટને સંપૂર્ણપણે ખોરવી નાખ્યું છે. ખાદ્ય ચીજો ઉપરાંત, મુસાફરી, કપડાં અને વ્યક્તિગત સંભાળ ઉત્પાદનોના ખર્ચમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. સતત બીજા મહિને, ફુગાવો RBIના લક્ષ્યાંક કરતાં વધી ગયો છે.</p><h2><b>ફુગાવો વધ્યો&nbsp;</b></h2><p>જુલાઈમાં મોંઘવારીએ ફરી એકવાર જાહેર નાણાંકીય બાબતો પર ભાર મૂક્યો છે. સરકારી આંકડા અનુસાર દેશનો છૂટક ફુગાવાનો દર જૂનમાં 4.38% થી વધીને જુલાઈમાં 4.45% થયો છે. આ સતત બીજા મહિને છે જ્યારે ફુગાવો ભારતીય રિઝર્વ બેંક (RBI) ના 4% ના લક્ષ્યાંક કરતાં ઉપર રહ્યો છે. આ વધારા પાછળનું મુખ્ય કારણ ખાદ્ય ચીજોની આકાશને આંબી રહેલી કિંમતો છે. જ્યારે પણ ખાદ્ય ચીજોના ભાવ વધે છે, ત્યારે તે દરેક ઘરના રસોડાના અને માસિક બજેટને સીધી અસર કરે છે. આ નવો આંકડો આ વર્ષની શરૂઆતમાં નવી CPI શ્રેણી (સુધારેલા આધાર વર્ષ અને વપરાશ બાસ્કેટ દર્શાવતી) ના અમલીકરણ પછી નોંધાયેલ ઉચ્ચતમ સ્તરનું પ્રતિનિધિત્વ પણ કરે છે.</p><p><b style="font-size: 1.75rem;">આ વસ્તુઓને કારણે ગૃહણીઓનું બજેટ ખોરવાયુ&nbsp;</b></p><p>ખાસ કરીને ખાદ્ય ચીજો પર ધ્યાન કેન્દ્રિત કરીને, ગ્રાહક ખાદ્ય ભાવ સૂચકાંક (CFPI) જૂનમાં 5.32% થી વધીને જુલાઈમાં 5.52% થયો. રસપ્રદ વાત એ છે કે, શહેરી વિસ્તારો (5.05%) ની સરખામણીમાં ગ્રામીણ વિસ્તારોમાં (5.79%) ખાદ્ય ચીજો વધુ મોંઘી થઈ છે.&nbsp;</p><p>ડુંગળી, લસણ અને આદુ તમારી થાળી માટે ઓછા પોસાય તેવા બનવાના છે. ડેટા પર નજર નાખતાં જાણવા મળે છે કે જુલાઈમાં ડુંગળીનો ફુગાવાનો દર 4.73% થી વધીને 22.54% થયો છે. લસણનો ફુગાવો 17.93% થી વધીને 35.36% થયો છે જ્યારે આદુના ભાવ રેકોર્ડ તોડી નાખ્યા છે, જે 50.41% થી વધીને આશ્ચર્યજનક રીતે 83.62% થયો છે.</p><p>જોકે, કેટલીક શાકભાજીએ થોડી રાહત આપી છે. ગયા વર્ષની સરખામણીમાં બટાકાના ભાવમાં 16.56%નો ઘટાડો થયો છે. ભીંડા, વટાણા અને ટામેટાંના ભાવમાં ઘટાડો થયો છે જેનાથી શાકભાજી બજારોમાં આવતા ગ્રાહકોને થોડી રાહત મળી છે.</p><h3><b>પરિવહનથી લઈને સૌંદર્ય પ્રસાધનો સુધીની અસર</b></h3><p>ફુગાવાની અસર ફક્ત ખોરાક સુધી મર્યાદિત નથી તે અન્ય વિવિધ જીવન ખર્ચમાં પણ દેખાય છે. મુસાફરી થોડી મોંઘી થઈ છે, કારણ કે પરિવહન માટે ફુગાવાનો દર 4.31% થી વધીને 4.43% થયો છે. માલ પરિવહન સેવાઓ માટે, આ આંકડો 7.77% છે.</p><p>રહેઠાણ માટે ફુગાવાનો દર 2.22% પર રહ્યો. જો તમે બહાર જમવાનું પસંદ કરો છો અથવા કપડાં ખરીદવાની યોજના બનાવો છો, તો નોંધી લો કે રેસ્ટોરન્ટ અને રહેઠાણ સેવાઓમાં મોંઘવારી 7.72% સુધી પહોંચી  છે, જ્યારે કપડાં અને ફૂટવેર માટે તે 3.38% છે. સૌથી નોંધપાત્ર આંકડો વ્યક્તિગત સંભાળ અને સામાજિક સુરક્ષા વસ્તુઓનો છે, જ્યાં ફુગાવો 14.77% પર ઊંચો રહે છે. વધુમાં, આરોગ્ય સેવાઓમાં ફુગાવો 1.34% અને શિક્ષણ સેવાઓમાં 3.64% વધ્યો છે.</p><p><b style="font-size: 1.5rem;">RBI ની નવી આગાહીને સમજવી</b></p><p>એ નોંધનીય છે કે ભારતીય રિઝર્વ બેંક (RBI) ની નાણાકીય નીતિ સમિતિ (MPC) એ 5 ઓગસ્ટના રોજ તેની બેઠક દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ અવલોકનો કર્યા હતા. વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થવાને કારણે, RBI એ 2026-27 નાણાકીય વર્ષ (FY27) માટે ફુગાવાનો અંદાજ 5.1% થી ઘટાડીને 5% કર્યો છે. કેન્દ્રીય બેંકનો અંદાજ છે કે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન ફુગાવો ટોચ પર પહોંચશે પરંતુ ત્યારબાદ ધીમે ધીમે ઘટવાનું શરૂ થશે.</p><p><br></p><p><a href="https://sandesh.com/astrology/news/bhakti/shani-transit-shani-dev-will-have-a-great-move-luck-will-shine-for-4-zodiac-signs-from-august-20" target="_blank">આ પણ વાંચો: Shani Transit: શનિ દેવ ચાલશે ગજબની ચાલ, 20 ઑગષ્ટથી 4 રાશિનું ચમકશે નસીબ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/eolDZCjwoi69FamOy8dhYkF4BMa94Aodl6Q1Gl3F.webp'/></item><item><title><![CDATA[Air India Pilot Marijuana Drug Case: વિમાન ઉડાડતા પહેલા પાયલટ્સના કયા થાય છે પરીક્ષણો?, જાણો ]]></title><link>https://sandesh.com/knowledge/news/india/air-india-pilot-marijuana-drug-case-what-tests-are-done-on-pilots-before-flying-a-plane-know</link><guid isPermaLink="true">https://sandesh.com/knowledge/news/india/air-india-pilot-marijuana-drug-case-what-tests-are-done-on-pilots-before-flying-a-plane-know</guid><pubDate>Wed, 12 Aug 2026 16:25:08 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">પ્રારંભિક પરીક્ષણ નકારાત્મક આવ્યા પછી, પુષ્ટિકરણ પરીક્ષણ કરાયુ હતું, જેમાં પાયલટના નમૂનામાં ગાંજાની હાજરીની પુષ્ટિ કરાઇ હતી.</p><p style="text-align: justify; "><span style="font-size: 2rem;">પાયલટ્સના કયા થાય છે ટેસ્ટ?</span></p><p style="text-align: justify; ">પાયલટ્સ અને ક્રૂ મેમ્બર્સ માટે બ્રેથલાઇઝર ટેસ્ટ જરૂરી છે. આમાં તેમના શ્વાસમાં આલ્કોહોલ છે કે નહીં તે તપાસવા માટે મશીનમાં ફૂંક મારવાનો સમાવેશ થાય છે. માનક રીડિંગ 0.000 હોવું જોઈએ. ફ્લાઇટ પહેલાં અને પછી બ્રેથલાઇઝર ટેસ્ટ લેવામાં આવે છે. પાયલટ્સ ડોપ અથવા સાયકોએક્ટિવ પદાર્થ પરીક્ષણ પણ કરાવે છે. આ પેશાબ અથવા લોહીના નમૂનાઓ દ્વારા ગાંજા, કોકેન, અફીણ અને એમ્ફેટામાઇન જેવા પદાર્થો માટે પરીક્ષણ કરે છે, જોકે આ પરીક્ષણ દરેક ફ્લાઇટ પર કરવામાં આવતું નથી.&nbsp;</p><p style="text-align: justify; "><b>1. બ્રેથલાઇઝર ટેસ્ટ </b>- પાયલટના શ્વાસમાં આલ્કોહોલ માટે પરીક્ષણ કરવામાં આવે છે. રીડિંગ 0.000 હોવું જોઈએ.</p><p style="text-align: justify; "><b>2. ડોપ-ડ્રગ ટેસ્ટ</b> - પાયલટના પેશાબ અથવા લોહીના નમૂનાનું પરીક્ષણ ગાંજા, કોકેન, અફીણ અને એમ્ફેટામાઇન જેવા મનોવૈજ્ઞાનિક પદાર્થો શોધવા માટે કરવામાં આવે છે.</p><p style="text-align: justify; "><b>3. તબીબી તંદુરસ્તી પરીક્ષણ</b> - પાયલટની દૃષ્ટિ, શ્રવણ, શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક તંદુરસ્તીનું મૂલ્યાંકન સ્થાપિત તબીબી પ્રોટોકોલ અનુસાર કરવામાં આવે છે.</p><p style="text-align: justify; "><b>4. ફ્લાઇટ પછીનો પરીક્ષણ</b> - ફરજ પર હોય ત્યારે દારૂના સેવનની તપાસ કરવા માટે પાઇલટ અને ક્રૂ ફ્લાઇટ પછી બ્રેથલાઇઝર પરીક્ષણ પણ કરાવી શકે છે.</p><p style="text-align: justify; "><b>5. પુષ્ટિકારક દવા પરીક્ષણ</b> - જો પ્રારંભિક દવા પરીક્ષણ નકારાત્મક હોય, તો બીજા નમૂનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે. જો પરિણામ સકારાત્મક હોય, તો તબીબી સમીક્ષા અધિકારી એ પણ નક્કી કરે છે કે કારણ પ્રિસ્ક્રિપ્શન દવા છે કે નહીં.</p><p style="text-align: justify; "><b>6. તંદુરસ્તી અને થાક પરીક્ષણ</b> - પાઇલટ્સને પૂરતો આરામ અને ઊંઘ પણ મળવી જોઈએ. DGCAના FDTL નિયમો પાઇલટ્સના ફરજ અને આરામના સમયગાળાને નિયંત્રિત કરે છે.</p><h4 style="text-align: justify; "><font color="#000000" style="background-color: rgb(255, 255, 255);">ગાંજા કેમ ન શોધાયો ?</font></h4><p style="text-align: justify; ">ડ્રગ પરીક્ષણમાં બે અલગ કન્ટેનરમાં નમૂનાઓ મૂકવાનો સમાવેશ થાય છે. પ્રથમ નમૂનાનું પરીક્ષણ કરવામાં આવે છે. જો ટેસ્ટ નેગેટિવ આવે, તો પાયલટને ફરજ પરથી દૂર કરવામાં આવે છે, અને બીજા નમૂનાનો પુષ્ટિકરણ પરીક્ષણ કરવામાં આવે છે. એર ઇન્ડિયા ફ્લાઇટના કિસ્સામાં, પ્રથમ પરીક્ષણ નેગેટિવ આવ્યા પછી બીજો પરીક્ષણ કરવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર, પુષ્ટિકરણ પરીક્ષણમાં ગાંજાની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ તબીબી સમીક્ષા અધિકારી તપાસ કરે છે કે શું સકારાત્મક પરિણામ ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલી દવાને કારણે આવ્યું છે.</p><h5 style="text-align: justify; ">ટેસ્ટ લેવાનો ઇનકાર કરતી વખતે પણ નિયમો લાગુ&nbsp;</h5><p style="text-align: justify; ">જો કોઈ પાઇલટ અથવા સંબંધિત કર્મચારી ડ્રગ ટેસ્ટ લેવાનો ઇનકાર કરે છે, તો DGCA તેને ગંભીરતાથી લે છે. પ્રથમ ઇનકારના પરિણામે કર્મચારીને ફરજ પરથી દૂર કરવામાં આવે છે અને 48 કલાકની અંદર પરીક્ષણ કરાવવાની જરૂર પડે છે. નિયમોનું વારંવાર ઉલ્લંઘન થવાના કિસ્સામાં, લાઇસન્સ સસ્પેન્ડ અથવા રદ પણ થઈ શકે છે.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/lifestyle/news/health-fitness/muscle-building-foods-include-these-healthy-foods-in-your-diet-to-strengthen-muscles" target="_blank">મસલ્સને મજબૂત બનાવવા માટે ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ&nbsp;</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/Qqsmouc3uQhCAPBvVeOznezJPLbxOLbXnrKXeus2.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News : શક્તિદૂત 2.0નો ભવ્ય પ્રારંભ, 799 ખેલાડીઓને અપાશે એવોર્ડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/sports/gandhinagar/gandhinagar-news-shaktidoot-20-grand-launch-799-players-will-be-awarded</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/sports/gandhinagar/gandhinagar-news-shaktidoot-20-grand-launch-799-players-will-be-awarded</guid><pubDate>Wed, 12 Aug 2026 15:44:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેલાડીઓને વૈશ્વિક મંચ પર પહોંચાડવા માટે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતેથી ‘શક્તિદૂત 2.0’ યોજનાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રીના વરદ હસ્તે આ યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં રાજ્યના રમતગમત માળખાને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી રૂ. 388 કરોડના વિવિધ વિકાસકામોના ઈ-ભૂમિપૂજન અને ઈ-લોકાર્પણ કરવામાં આવ્યા હતા. આ સાથે જ ખેલાડીઓની સુવિધા માટે આધુનિક રમત સંકુલ અને ડિજિટલ લાઇબ્રેરીની પણ ભેટ રાજ્યને અર્પણ કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>ખેલાડીઓ પર પુરસ્કારોનો વરસાદ</b></h2><p style="text-align: justify; ">આ પ્રસંગે રાજ્યનું નામ રોશન કરનાર 799 ઉત્કૃષ્ટ ખેલાડીઓને વિશેષ એવોર્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શક્તિદૂત યોજનાએ રાજ્યના રમતવીરોને વૈશ્વિક ઓળખ અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જેના પરિણામે ગુજરાતના ખેલાડીઓએ અત્યાર સુધીમાં રાષ્ટ્રીય કક્ષાએ 831 એવોર્ડ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ 773 એવોર્ડ મેળવીને રાજ્ય તથા દેશનું ગૌરવ વધાર્યું છે.</p><h2 style="text-align: justify; "><b>આર્થિક સહાયમાં મોટો વધારો</b></h2><p style="text-align: justify; ">રમતવીરોને ઉત્કૃષ્ટ કોચિંગ, આધુનિક સાધનો અને આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ વિના કોઈ અવરોધે મળી રહે તે માટે સરકારે આ યોજના હેઠળ અપાતી આર્થિક સહાયમાં મોટો વધારો કર્યો છે. હવે શક્તિદૂત યોજના હેઠળ ખેલાડીઓને મળતી નાણાકીય સહાયની રકમ વધારીને રૂ. 50 લાખ સુધી કરી દેવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી આગામી સમયમાં ઓલિમ્પિક્સ સહિતની વૈશ્વિક સ્પર્ધાઓમાં ગુજરાતના ખેલાડીઓ વધુ ઝડપથી સફળતાના શિખરો સર કરશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kheda/farmers-demand-compensation-for-paddy-crop-damage-in-nadiad" target="_blank">Kheda News: નડિયાદના હાથનોલી ગામના ખેડૂતો બગડેલી ડાંગર લઈ કલેક્ટર કચેરી પહોંચ્યા</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/qte2i7qUmUitaSGr4hFSCLvtRJj7AUsJyM8dprmU.webp'/></item></channel></rss>