<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[ફ્લાન્ડીની કંપની દ્વારા સરકારી જમીન અને રસ્તા પર કબજો જમાવ્યાની રાવ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vapi/rao-alleges-that-flandys-company-has-occupied-government-land-and-roads</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vapi/rao-alleges-that-flandys-company-has-occupied-government-land-and-roads</guid><pubDate>Sun, 06 Sep 2026 05:11:53 +05:30</pubDate><description><![CDATA[<p>દાદરા અને નગર હવેલીના ફ્લાન્ડી-પારડીપાડા વિસ્તારમાં આવેલી નંદન પેટ્રોકેમિકલ પ્રા. લિમિટેડ કંપની વિરુદ્ધ સરકારી જમીન દબાવવાનો અને જાહેર રસ્તા પર ગેરકાયદે બાંધકામ કરાયાના આક્ષેપ સાથે કલેકટરને લેખિત ફરિયાદ થઈ છે.</p><p>ફ્લાન્ડી (લીંબારપાડા)ના રહીશ ઘેડુભાઈ જીવલુભાઈ દાધવે કલેકટરને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, કંપની દ્વારા રસ્તાની બાઉન્ડ્રીમાં દીવાલ અને શેડ બનાવી દેવાયો છે. ઉપરાંત મંજૂરી લીધા વિના, ફ્લાન્ડી મુખ્ય માર્ગથી પારડીપાડા જવા માટેના વિલેજ રોડની સીમા (બાઉન્ડ્રી)માં આવેલી સરકારી જમીન પર અતિક્રમણ કર્યું છે. કંપનીએ ત્યાં પાકી કમ્પાઉન્ડ વોલ અને મોટા-મોટા શેડ ઊભા કરી દીધા છે.</p><p>ફરિયાદકર્તાએ વધુમાં જણાવ્યું છે કે રસ્તાની જમીન પર કબજો થવાના કારણે અને કંપનીના મોટા વાહનો તેમજ ભારે ટ્રકો ગમે તેમ રસ્તા પર પાર્ક કરી દેવાય છે. તેથી રસ્તા પર ટ્રાફિકની સમસ્યા ઉભી થાય છે. કટોકટીના સમયે ઇમરજન્સી વાહનોને પસાર થવામાં પણ ભારે હાલાકી ભોગવવી પડે છે.</p><p>રજૂઆતમાં મહેસૂલ (રેવન્યુ) અને સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરી જમીનની માપણી કરવામાં આવે અને કંપની દ્વારા બનાવવામાં આવેલા શેડ અને અન્ય બાંધકામોની કાયદેસરની મંજૂરીઓની ઝીણવટભરી તપાસ થાય તેવી માંગ કરાઈ છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/06/oPY3nFeg34uKVviyAbrO2UBVhqM0W6YfpymsPMDB.webp'/></item><item><title><![CDATA[ક્લાઈમેટ ચેન્જથી વધતી આફતોને રોકવા વનીકરણ અત્યંત જરૂરી : મંત્રી કનુભાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/valsad/afforestation-is-extremely-important-to-prevent-disasters-due-to-climate-change-minister-kanubhai</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/valsad/afforestation-is-extremely-important-to-prevent-disasters-due-to-climate-change-minister-kanubhai</guid><pubDate>Sun, 06 Sep 2026 05:10:13 +05:30</pubDate><description><![CDATA[<p>પારડીની સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે જિલ્લા કક્ષાના 77માં વન મહોત્સવની ઉજવણી નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. આ ઉજવણીમાં 'એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરી વૃક્ષ રથને લીલી ઝંડી આપી રવાના કરાયો હતો. આ સાથે રોપા વિતરણ પણ કરાયું હતુ.</p><p>કાર્યક્રમમાં મંત્રી સહિત મહાનુભાવોના હસ્તે સામાજિક વનીકરણ વિભાગની વિવિધ યોજનાના લાભાર્થીઓને યોજના સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખાસ અંગભૂત યોજના હેઠળ આંબા કલમ, એગ્રો ફોરેસ્ટ્રી યોજના, ડીસીપી નર્સરી યોજના અને વન્ય પ્રાણી સંરક્ષણ યોજના હેઠળ ચેક વિતરણ અને વન્ય પ્રાણી સંરક્ષણ ક્ષેત્રે, વર્ષ 2025-26 દરમિયાન વધુ વૃક્ષો વાવવાની પ્રશંસનીય કામગીરી કરવા બદલ વિવિધ સંસ્થાઓને બિરદાવી પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યા હતા.</p><p>કાર્યક્રમમાં મંત્રી કનુભાઈ દેસાઈએ વૃક્ષોનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વ. કનૈયાલાલ મુનશીએ સૌપ્રથમ વન મહોત્સવની શરૂઆત કરી હતી. ક્લાઈમેટ ચેન્જના કારણે વધતી આફ્તોને રોકવા અને પર્યાવરણનું સંતુલન જાળવવા વનીકરણ અત્યંત આવશ્યક છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વન મહોત્સવને માત્ર ગાંધીનગર પૂરતો સીમિત ન રાખતા અન્ય શહેરોમાં પણ વિસ્તારીને પુનીત વન, મારુતિ નંદન વન અને આમ્ર વન જેવા વિવિધ 'સાંસ્કૃતિક વનો' થકી લોકોમાં જાગૃતિ લાવવામાં આવી છે. વધુમાં મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં 72 જેટલા 'નમો વડ વન' બનાવવામાં આવ્યા છે અને 'એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ 10 કરોડ વૃક્ષોના વાવેતર સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. ઉજવણી પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરાયું હતુ. કલેક્ટર નીતિન સાંગવાને ક્લાઈમેટ ચેન્જ સામે લડવા માટે સ્થાનિક સ્તરે તાત્કાલિક પગલાં લેવા પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય વન સંરક્ષક ડો. બી. સુચિંદ્રાએ કાર્યક્રમની રૂપરેખા આપતા સ્વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે પારડી નગરપાલિકા પ્રમુખ ચેતન નાયકા, તાલુકા પંચાયત પ્રમુખ કિન્નરીબેન પટેલ, સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક આર.આર. ચૌધરી, નગરપાલિકા ચીફ્ ઓફ્સિર ઉપસ્થિત રહ્યા હતા.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/06/mF8X3CdfsaNVkylpiwUXtt0Pt3oHo6hcleMfbeFs.webp'/></item><item><title><![CDATA[કીમમાંથી સિટી સરવે ઓફિસ ઓલપાડ ખસેડાતા 38 ગામના લોકોને પરેશાની ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/people-of-38-villages-face-problems-as-city-survey-office-is-shifted-from-keem-to-olpad</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/people-of-38-villages-face-problems-as-city-survey-office-is-shifted-from-keem-to-olpad</guid><pubDate>Sun, 06 Sep 2026 05:00:43 +05:30</pubDate><description><![CDATA[<p>કીમ ખાતે છેલ્લા સાડા ચાર દાયકાથી કાર્યરત સિટી સરવે કચેરીને ઓલપાડ ખાતે ખસેડવામાં આવતા સ્થાનિક રહીશો અને મિલકતધારકોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે. પ્રાપ્તમાહિતી અનુસાર કીમ તેમજ આસપાસનાં 38 જેટલા ગામડાંઓમાં આવેલી મિલકત સંબંધિત રેકોર્ડ માટે લોકોને કીમ ખાતે આવેલી સિટી સરવે કચેરી નજીક પડે છે. અને કીમની સિટી સરવે કચેરી જર્જરિત બની ગઈ છે. ગાંધીનગર સ્થિત મહેસૂલ વિભાગ દ્વારા કીમ ખાતે બીએસએનએલ એક્સચેન્જની બાજુમાં અંદાજિત 1 કરોડનાં ખર્ચે સિટી સરવેની નવી કચેરી બનાવાઈ છે, તેનું ઉદ્ઘાટન બાકી છે ત્યારે સરકારે અચાનક કીમની સિટી સરવે કચેરીને કાયમી તાળા મારી ઓલપાડ સેવા સદનમાં ખસેડી દીધી છે તેમજ કીમ વિભાગના મહેસૂલી રેકર્ડની માહિતી ધરાવતા સર્વેયરની અચાનક ઉમરપાડા બદલી કરી દેવામાં આવી હતી. હવે કીમની નવી સિટી સરવે કચેરી ખંડિયર બની જશે. બીજી તરફ 38 જેટલા ગામડાંઓના હજારો મિલકતધારકોને પોતાના કામ માટે ઓલપાડ સુધી ધરમના ધક્કા ખાવાની નોબત ઊભી થશે.1981નાં વર્ષની આસપાસ કીમ ગામનો સિટી સરવેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તે સમયે મુખ્ય બજાર વિસ્તારમાં જૂની પંચાયત કચેરી નજીક સિટી સરવે ઓફિસ શરૂ કરાઇ હતી. ત્યારબાદ બાઇની જીન રોડ પર આવેલા પીડબ્લ્યુડી કેમ્પસમાં વર્ષો સુધી આ કચેરી ધમધમતી રહી હતી, જેથી કીમ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને પોતાની મિલકતો સંબંધિત વિવિધ કામગીરી ઘરઆંગણે જ સરળતાથી પતી જતી હતી.</p><p>પ્રોપર્ટી કાર્ડની નકલો ઓનલાઇન ઉપલબ્ધ હોવા છતાં ગ્રામીણ સ્તરે સામાન્ય લોકો માટે તેનો ઉપયોગ કરવો અત્યંત જટિલ બની રહે છે. ખાસ કરીને મિલકતોના ખરીદ-વેચાણની એન્ટ્રી કરાવવા માટે લોકોને નોકરી ધંધામાં રજા પાડી ફરજિયાતપણે ઓલપાડ સુધી લાંબા થવું પડે છે. ઘણીવાર કલાકો સુધી સર્વર બંધ હોવાથી કે જવાબદાર અધિકારીઓ કચેરીમાં હાજર હોવાથી અરજદારોને વારંવાર ધક્કા ખાવાની નોબત આવે છે જેથી સમય તેમજ નાણાંનો વ્યય થાય છે. આ મામલે કીમના સરપંચ પ્રવીણ પટેલે ઉચ્ચ કક્ષાએ કીમ ખાતે જ કચેરી કાર્યરત રાખવા રજૂઆત કરી છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/06/Pd3WdWd3eCyTL1ADIVhe0ylhgisiJcDK9pL9gEjv.webp'/></item><item><title><![CDATA[નવી પારડી ખાતેની વિદ્યામંગલ નિવાસી શાળાના ખેલાડીઓને જૂડોમાં 47 મેડલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/47-medals-in-judo-for-players-from-vidyamangal-residential-school-in-navi-pardi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/47-medals-in-judo-for-players-from-vidyamangal-residential-school-in-navi-pardi</guid><pubDate>Sun, 06 Sep 2026 04:58:37 +05:30</pubDate><description><![CDATA[<p>સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ્ ઇન્ડિયા (SGFI)અંતર્ગત ચાલી રહેલી જિલ્લા કક્ષાની જુડોની સ્પર્ધામાં વિદ્યામંગલ નિવાસી શાળા, નવી પારડીના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કુલ 18 ગોલ્ડ, 18 સિલ્વર અને 11 બ્રોન્ઝ મેડલ, એમ કુલ 47 મેડલ મેળવી મેળવી સિદ્ધિ હાંસલ કરી છે.</p><p>ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યામંગલના 18 વિદ્યાર્થીઓ હવે આગામી રાજ્ય કક્ષાની SGFIજુડો સ્પર્ધામાં ભાગ લેશે. જમાં પટેલપરમ સચિનભાઈ, તલાવિયા ધ્રુવ નીતિનકુમાર, યાદવ મીત તુષારસિંહ, દોંડા યુગ જયંતિભાઈ, પટેલ તીર્થ મનીષભાઈ, પટેલ વેદાંત ભદ્રેશકુમાર, બિસ્વાસ સ્વસ્તિક બાબુભાઈ, શાહ પ્રિન્સ અલ્પેશભાઈ, પટેલ વેદ ભાસ્કરભાઈ, પરમાર રુદ્ર દિલીપભાઈ, સિંધવ કિશન ઈશ્વરભાઈ, વસાવા કૃતિક રાકેશભાઈ, પટેલ ધ્રુવ અશ્વિનકુમાર, પટેલ પ્રાર્થના ભાવિનભાઈ, પટેલ કૃષ્ણા સંજયભાઈ, પટેલ આર્યા સ્નેહલકુમાર, પ્રજાપતિ ખુશી કૌશિકભાઈ અને વસાવા યશવી દીપકભાઈનો સમાવેશ થાય છે.</p><p>સિલ્વર મેડલ મેળવનાર વિદ્યાર્થીઓમાં પટેલ આલોક દીપકભાઈ, પરમાર મોહિત દિલીપભાઈ, પટેલ સ્મિત અશ્વિનભાઈ, વસાવા વિવેક બિપિનભાઈ, વાલવી વિરલ અરુણભાઈ, પટેલ હેરી મેહુલભાઈ, પટેલ ધ્યાની રજનીકાંતભાઈ, વસાવા જીનલ દેવજીભાઈ, પટેલ વૈષ્ણવી જિગ્નેશભાઈ, વાઘશિયા પાલક ગૌતમભાઈ, પટેલ કાવ્યા શશિકાંતભાઈ, પરમાર નવ્યા જિતેન્દ્રસિંહ, પટેલ તુલસી રાકેશ, પટેલ શ્રુષ્ટિ રાજેશભાઈ, પટેલ યાત્રી કામેશભાઈ, રાજવાડી કાવ્યા યોગેશકુમાર, પટેલ પ્રાચી જનમેશભાઈ અને નાઈક હીર રાકેશભાઈનો સમાવેશ થાય છે. બ્રોન્ઝ મેડલ મેળવી તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓમાં પરમાર દેવાંગ ભાવેશસિંહ, પટેલ રુદ્ર ધર્મેશભાઈ, પરમાર સોહમ કલ્પેશભાઈ, પટેલ વંશ અલકેશભાઈ, પટેલ મયંક વિપુલભાઈ, ચૌધરી ત્રિશા હિતેશકુમાર, વસાવા પ્રકૃતિ અમરસિંહભાઈ, પરમાર માહી વિનુભાઈ, ચાવડા આરોહી કૃપાલસિંહ, વાઘશિયા પાલ ગૌતમભાઈ અને પટેલ પ્રિન્સી કલ્પેશભાઈનો સમાવેશ થાય છે.</p><p>વિદ્યાર્થીઓને જુડોની તાલીમ કોચ શ્વેતા અક્ષયકુમાર પટેલે આપી હતી. તેમને અને વિદ્યાર્થીઓને શાળાના ટ્રસ્ટીઓ, આચાર્યો, શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા હતા.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/06/9lc8Cbmbj5eHVyT4ZdDVEyVByb73fZ7oftj3Y6EZ.webp'/></item><item><title><![CDATA[14.50 કરોડની ઠગાઇના 7 ગુનાઓમાં છ વર્ષથી વોન્ટેડ ઠગ MPથી ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/a-thug-wanted-for-six-years-in-7-cases-of-fraud-of-rs-1450-crores-was-caught-in-mp</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/a-thug-wanted-for-six-years-in-7-cases-of-fraud-of-rs-1450-crores-was-caught-in-mp</guid><pubDate>Sun, 06 Sep 2026 04:49:12 +05:30</pubDate><description><![CDATA[<p>રુપિયા 14.50 કરોડનીઠગાઇના સાત જેટલા ગુનાઓમાં છ વર્ષથી વોન્ટેડ નિકોલના રહેવાસી નિલેશ કોઠીયાને વાસણા પોલીસેમધ્યપ્રદેશના બૈતુલથી ઝડપી પાડયો છે. આરોપીએ 20 જેટલી શેલ કંપનીઓ ખોલીને નવા રોકાણકારોને નિશાન બનાવવાની તૈયાર કરી રહ્યો હતો. આટલુ જ નહીં, આરોપી સેમિકન્ડક્ટર પ્લાન્ટના નામે 5 કરોડ રૂપિયાનું લોકો પાસે રોકાણ કરાવવાનો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યુ છે. નવરંગપુરામાં રહેતા અરવિંદભાઈ સોનીની આર્યમાન હોમ્સ ખાતે આવેલી મિલ્કત પર બેંક લોન ચાલુ હોવા છતાં તેમની મિલ્કતનો નિલેશ ધીરૂભાઇ કોઠીયાએ બનાવટી દસ્તાવેજો તૈયાર કરી ગેરંટર તરીકે રજૂ કરીને રૂ.90 લાખની લોન લઇને રૂ.65 લાખ સાઈ એક્ઝિમ નામની કંપનીના બેંક ખાતામાં મેળવ્યા હતા. આ અંગે વર્ષ 2020માં વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. નિલેશ કોઇને પણ મળે ત્યારે લોન એજન્ટ અથવા પ્રોપર્ટી મોર્ગેજર તરીકે ઓળખ આપતો હતો. આ બાદ લોન માટે યોગ્ય મિલકતો શોધી તેના માલિકની જાણ બહાર બનાવટી દસ્તાવેજો તૈયાર કરાવતો હતો. મિલકતના માલિક તરીકે ડમી વ્યક્તિ અને ગેરંટર ઊભા કરી બેંકમાં મોર્ગેજ લોનની પ્રક્રિયા કરાવીને લોન મંજૂર થયા બાદ મળેલી રકમ અન્ય કંપનીઓના ખાતામાં ટ્રાન્સફરકરાતી હતી. આવી જ રીતે છેતરપિંડીના સાત જેટલા ગુનામાં વોન્ટેડ નિલેશને અમદાવાદ ઉપરાંત મુંબઇ પોલીસ પણ છ વર્ષથી શોધતી હતી પરંતુ તે મધ્યપ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં ફરતો હતો. ધરપકડ બાદ તપાસનો નવો અને મહત્વનો એંગલ તેની સાથે સંકળાયેલી TAUSCHEN GROUPની આશરે 20 કંપનીઓનો છે. લાઇફ્સ્ટાઇલ, ફાર્મા, ટેક્સટાઇલ, ફ્નિટેક, બાયોટેક, ટેક્નોલોજી, એરોસ્પેસ, ઇ-મોટર્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત અલગ અલગ ક્ષેત્રોના નામે કંપનીઓ ઊભી કરેલી છે.કંપનીઓના નામે મોટી લોન તથા રોકાણ મેળવવાની તૈયારી ચાલી રહી હતી. નિલેશ તથા તેની સાથે સંકળાયેલા શંકાસ્પદ લોકોના 64 બેંક ખાતાંની વિગતો તપાસતા શંકાસ્પદ વ્યવહારોના આધારે 20 લાખ ફ્રીઝ કરાયા છે. કિયા કેરેન્સ કાર, છ મોબાઇલ ફોન અને એક સેમસંગ લેપટોપ મળી રૂ.14.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે આ કેસમાં દિપક ઉર્ફે ટાંકી નાનિકરામ આહુજાનું નામ પણ સહઆરોપી તરીકે બહાર આવ્યું છે. કંપનીઓ, બેંક ખાતાં અને રોકાણકારો સાથેના વ્યવહારો અંગે તપાસ ચાલુ છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/06/3qQWq5btAHHYPAI3MbWuZLb9PRAhrqtDNEdLJBCD.webp'/></item><item><title><![CDATA[Parisના રસ્તાઓ બન્યા ભારતમય, હજારો ભક્તો સાથે ભવ્ય નગરયાત્રા યોજાઈ ]]></title><link>https://sandesh.com/world/news/india/the-streets-of-paris-became-indias-a-grand-nagar-yatra-was-held-with-thousands-of-devotees</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/india/the-streets-of-paris-became-indias-a-grand-nagar-yatra-was-held-with-thousands-of-devotees</guid><pubDate>Sat, 05 Sep 2026 23:42:13 +05:30</pubDate><description><![CDATA[<p>Franceની રાજધાની પેરિસમાં વિશ્વવિખ્યાત એફિલ ટાવરની નજીક ભારતીય સંસ્કૃતિ, સંગીત, કલા અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ‘ફેસ્ટિવલ ઓફ કલ્ચર’ અંતર્ગત યોજાયેલી ઐતિહાસિક નગરયાત્રામાં હજારો ભક્તો, મુલાકાતીઓ અને વિવિધ દેશોના સહભાગીઓ જોડાયા હતા.</p><p><b>5,000થી વધુ સહભાગીઓ, 1,500 કલાકારો જોડાયા</b></p><p>એકોલ મિલિટેરથી શરૂ થયેલી નગરયાત્રા પ્લાસ દ લા કોન્કોર્ડ સુધી યોજાઈ હતી. તેમાં 40થી વધુ દેશોનું પ્રતિનિધિત્વ કરતા આશરે 5,000 સહભાગીઓ અને 1,500થી વધુ કલાકારોએ ભાગ લીધો હતો. સંગીત, નૃત્ય અને ભક્તિસભર પ્રસ્તુતિઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું.</p><p><img alt="Parish " src="https://epapercdn.sandesh.com/images/2026/09/05/AJF7WY6SzyXgj4J6LD3Z2fQNi22A4b57SA3jMb86.webp"><br></p><p><b>રથોએ દર્શાવ્યો ભારતનો સાંસ્કૃતિક વારસો</b></p><p>નગરયાત્રામાં 14 સુંદર રીતે સુશોભિત રથો મુખ્ય આકર્ષણ બન્યા હતા. પરંપરાગત વેશભૂષામાં સજ્જ નૃત્યકારો સાથે હિન્દુ દેવી-દેવતાઓની શણગારેલી મૂર્તિઓને પણ રથોમાં લઈ જવામાં આવી હતી. આ રથો દ્વારા ભારતની વિવિધ કલાત્મક અને આધ્યાત્મિક પરંપરાઓ રજૂ કરવામાં આવી હતી.</p><p><b>મોર, હાથી અને હિમાલયની કલાત્મક ઝાંખી</b></p><p>રથોની સજાવટમાં ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઝલક જોવા મળી હતી. મોર, હાથી, હિમાલય અને પરંપરાગત પુષ્પાકૃતિઓ સહિત વિવિધ ભારતીય પ્રતીકોને કલાત્મક રીતે રજૂ કરવામાં આવ્યા હતા. આ ઝાંખીઓએ ભારતની વિવિધતા અને સાંસ્કૃતિક વૈભવને દર્શાવ્યો હતો.</p><p><img alt="Parish " src="https://epapercdn.sandesh.com/images/2026/09/05/0biafPIiaZ6aUzcjElqhfwaUAZgM5OGJBsO0Xn2E.webp"><br></p><p><b>શાંતિ અને સૌહાર્દનો અપાયો સંદેશ</b></p><p>નગરયાત્રામાં સૌહાર્દ, શાંતિ, સેવા અને માનવ મૂલ્યો જેવા સાર્વત્રિક સંદેશાઓને વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું. વિવિધ રથો અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા ભારતીય સંસ્કૃતિ તથા હિન્દુ ધર્મના શાશ્વત સિદ્ધાંતોને જીવંત કરવામાં આવ્યા હતા. ભારત-ફ્રાન્સ ઇનોવેશન વર્ષ 2026 દરમિયાન યોજાયેલી આ નગરયાત્રાએ બંને દેશો વચ્ચેની લાંબા સમયથી ચાલી આવતી મિત્રતા અને સાંસ્કૃતિક સંબંધોની પણ ઉજવણી કરી હતી. </p><p><b>BAPSની પાંચ દાયકાની સેવા યાત્રા</b></p><p>આ પ્રસંગે ફ્રાન્સમાં BAPSની પાંચ દાયકાથી વધુ સમયની ઉપસ્થિતિ અને સેવા યાત્રાને પણ ઉજાગર કરવામાં આવી હતી. સંસ્થા દ્વારા ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને સેવાકીય પ્રવૃત્તિઓના પ્રસાર માટે કરવામાં આવતી કામગીરીને આ કાર્યક્રમમાં વિશેષ સ્થાન મળ્યું હતું.</p><p><img alt="Parish " src="https://epapercdn.sandesh.com/images/2026/09/05/NhNss16hkftAcqBYdEbARaVIU8oYeuczrwP3n45k.webp"><br></p><p><b>પ્લાસ દ લા કોન્કોર્ડ ખાતે નગરયાત્રાનું સમાપન</b></p><p>એકોલ મિલિટેરથી શરૂ થયેલી ભવ્ય નગરયાત્રા પેરિસના માર્ગો પરથી પસાર થઈને પ્લાસ દ લા કોન્કોર્ડ ખાતે પૂર્ણ થઈ હતી. અંતિમ તબક્કામાં પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણ્યો હતો.</p><p><img alt="Parish " src="https://epapercdn.sandesh.com/images/2026/09/05/AJF7WY6SzyXgj4J6LD3Z2fQNi22A4b57SA3jMb86.webp"><br></p><p><b>મહંત સ્વામી મહારાજના દર્શનથી ભક્તોમાં આનંદ</b></p><p>નગરયાત્રામાં ઉપસ્થિત હજારો ભક્તોએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દર્શનનો લાભ લીધો હતો. ભક્તોએ આ સમગ્ર પ્રસંગને યાદગાર ગણાવ્યો હતો. એફિલ ટાવરની પૃષ્ઠભૂમિમાં યોજાયેલી આ ભવ્ય નગરયાત્રાએ પેરિસમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મના વૈશ્વિક પ્રભાવની સુંદર ઝલક રજૂ કરી હતી.</p><p><b><a href="https://sandesh.com/gallery/news/world/baps-hindu-temple-madhya-pradesh-chief-minister-dr-mohan-yadav-visited-the-baps-hindu-temple-in-abu-dhabi" target="_blank">આ પણ વાંચો: મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે અબુ ધાબીના BAPS હિન્દુ મંદિરની લીધી મુલાકાત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/w46AgAGACUJLX8PYs0pAUOIDf2Kl1fQds55xAe05.webp'/></item><item><title><![CDATA[Gwalior: બંધ મકાનમાં 18 મિનિટમાં 30 તોલા સોનાની ચોરી, શાંતિર ચોરોએ એક ભુલ કરી નાખીને કાંડ થઇ ગયો ]]></title><link>https://sandesh.com/india/news/crime/gwalior-madhavganj-police-arrested-thieves-30-tola-gold-theft-cc</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/crime/gwalior-madhavganj-police-arrested-thieves-30-tola-gold-theft-cc</guid><pubDate>Sat, 05 Sep 2026 22:18:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મધ્યપ્રદેશના ગ્વાલિયરના માધૌગંજ વિસ્તારમાં એક હેરાન કરી દેનારી ચોરીની ઘટના સામે આવી છે. તસ્કરોએ બંધ મકાનમાંથી માત્ર 18 મિનીટમાં હાથફેરો કરીને 30 તોલાના સોનાના દાગીનાની ચોરી કરી હતી. ઘટનાના પગલે પોલીસ તંત્રમાં દોડધામ થઇ ગઇ હતી.</p><h2 style="text-align: justify; "><b>બંધ મકાન જોઇ ખાતર પાડ્યું</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી પ્રમાણે  યશવંત સિંહ તોમર નામના રહીશ રક્ષાબંધનનો તહેવાર મનાવવા અશોકનાગર ગયા હતા, ત્યારે 28 અને 29 ઓગસ્ટ 2026ની મધ્યરાત્રિએ તેમના બંધ મકાનને નિશાન બનાવવામાં આવ્યું હતું.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>18 મિનીટમાં જ ખેલ પાડી દીધો</b></h3><p style="text-align: justify; ">ચોરોએ દિવસે રેકી કર્યા બાદ રાત્રે 1:40 વાગ્યે મોં પર રૂમાલ બાંધીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને માત્ર 18 મિનિટમાં, એટલે કે રાત્રે 1:58 વાગ્યે 30 તોલા સોનું ચોરીને ફરાર થઈ ગયા હતા.</p><h4 style="text-align: justify; "><b>પોલીસે 100થી વધુ CCTV કેમેરાના ફૂટેજ ફંફોસી નાંખ્યા</b></h4><p style="text-align: justify; ">ચોરીની ફરિયાદ મળતા જ માધૌગંજ પોલીસે ખાસ ટીમ બનાવીને આસપાસના 100થી વધુ CCTV કેમેરાના ફૂટેજ ફંફોસ્યા હતા. તપાસ દરમિયાન ત્રણ શંકાસ્પદો એક બાઇક પર જતા નજરે પડ્યા હતા. બાઇકના નંબરના આધારે પોલીસે સઘન તપાસ હાથ ધરીને મુખ્ય સૂત્રધાર ફરહાન ખાન, રાજ ખાન અને વિવેક પ્રજાપતિની ધરપકડ કરી લીધી છે. મુખ્ય આરોપી ફરહાન અગાઉ પણ ચોરીના ગુનામાં જેલ જઈ ચૂક્યો છે અને ગુનામાં વપરાયેલી બાઇક પણ તેની જ છે.</p><h4 style="text-align: justify; "><b>મોટાભાગનો મુદ્દામાલ કબજે&nbsp;</b></h4><p style="text-align: justify; ">પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરાયેલા 5 સોનાના હાર, 10 વીંટી, 12 બંગડીઓ, 1 ચેઇન અને કાનના ટોપ્સ સહિત મોટાભાગનો મુદ્દામાલ રિકવર કરી લીધો છે.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>તસ્કરો બાઉન્ડ્રી વોલ કૂદીને પળવારમાં ચોરી કરી દેતા</b></h4><p style="text-align: justify; ">આ ગેંગ બંધ મકાનોની રેકી કરીને બાઉન્ડ્રી વોલ કૂદીને ચોરી આચરતી હતી. પૂછપરછ દરમિયાન આરોપીઓએ ગ્વાલિયરના અન્ય 3 અલગ-અલગ વિસ્તારમાં પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/crime/surat/surat-girl-death-restaurant-food-fsl-report-no-poison-mystery" target="_blank"><b>Surat : રેસ્ટોરન્ટનું ભોજન ખાધા બાદ 4 વર્ષની બાળકીનું મોત, તપાસનો રિપોર્ટ આવતા કેસમાં આવ્યો ચોંકાવનારો વળાંક</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/cSlpuB72uJfd9KLeNJqXApCSLBbDfUXeNtWuD5gb.webp'/></item><item><title><![CDATA[Auto News: રૂ.5,000ના રેટ્રોફિટ ડિવાઇસથી જૂના ડીઝલ વાહનોને મળશે નવું જીવન! ]]></title><link>https://sandesh.com/business/news/automobile/old-diesel-vehicles-retrofit-device-nitin-gadkari</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/old-diesel-vehicles-retrofit-device-nitin-gadkari</guid><pubDate>Sat, 05 Sep 2026 20:32:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ જૂના ડીઝલ વાહનો ધરાવતા લોકો અને ટ્રક-બસના માલિકો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જૂના ડીઝલ વાહનોમાં એક ખાસ 'રેટ્રોફિટ ડિવાઇસ' લગાવવાની ટૂંક સમયમાં મંજૂરી આપવામાં આવી શકે છે, જેનાથી વાહનોનું પ્રદૂષણ નોંધપાત્ર રીતે ઘટશે. આ ડિવાઇસની અંદાજિત કિંમત રૂ.4,000 થી રૂ.5,000 ની આસપાસ રહેવાની શક્યતા છે.</p><h2 style="text-align: justify; "><b>IIT દિલ્હીનું ઇનોવેશન અને સફળ ટેસ્ટિંગ</b></h2><p style="text-align: justify; ">આ ટેકનોલોજી IIT દિલ્હીના ઇનોવેશન દ્વારા વિકસાવવામાં આવી છે. નિતિન ગડકરીના જણાવ્યા અનુસાર, આ ટેકનોલોજીનું ટેસ્ટિંગ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. હવે BS-III, BS-IV અને અન્ય જૂના ડીઝલ વાહનોમાં આ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>રૂ.5,000નું ડિવાઇસ કેવી રીતે કામ કરશે?</b></h3><p style="text-align: justify; ">આ રેટ્રોફિટ એમિશન કન્ટ્રોલ ડિવાઇસ (RECD) નો મુખ્ય હેતુ જૂના ડીઝલ વાહનોમાંથી નીકળતા હાનિકારક પ્રદૂષકોને ઘટાડવાનો છે. આ ડિવાઇસ પર્ટીક્યુલેટ મેટર (PM) ના કણોને 90% સુધી અને નાઇટ્રોજન ઓક્સાઇડ (NOx) ના ઉત્સર્જનને લગભગ 60% સુધી ઘટાડી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો, જૂના ટ્રક કે બસને માત્ર પ્રદૂષણના કારણે સ્ક્રેપ કરવાની કે બદલવાની જરૂર નહીં પડે. આ ડિવાઇસ ફીટ કરીને તેના એમિશનને BS-VI ના સ્તરની નજીક લાવવાનો પ્રયાસ કરવામાં આવશે, જેથી વાહન માલિકોને નવું વાહન ખરીદવાના મોટા ખર્ચમાંથી મુક્તિ મળશે.</p><h4 style="text-align: justify; "><b>ડીઝલ જનરેટર બાદ હવે રસ્તા પરના વાહનો માટે ટેકનોલોજી</b></h4><p style="text-align: justify; ">ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે આ પ્રકારની એમિશન કન્ટ્રોલ ટેકનોલોજીનો ઉપયોગ પહેલાથી જ ડીઝલ જનરેટર સેટ્સમાં પ્રદૂષણ ઘટાડવા માટે થઈ રહ્યો છે. હવે સરકાર આ જ સફળ ઉકેલને રસ્તા પર દોડતા ભારે વાહનો સુધી પહોંચાડવા માગે છે.</p><h5 style="text-align: justify; "><b>વાહનો સ્ક્રેપ કરવા ઉપરાંત મળશે બીજો વિકલ્પ</b></h5><p style="text-align: justify; ">સરકારની આ યોજના જૂના વાહનોને સ્ક્રેપ કરવાની નીતિનો વિકલ્પ નથી, પરંતુ તેની સાથે એક વધારાના વિકલ્પ તરીકે કામ કરશે. જે જૂના ટ્રક અને બસ હાલ સ્ક્રેપિંગના દાયરામાં નથી આવતા, તેના માલિકો ઓછા ખર્ચે પોતાના વાહનોનું પ્રદૂષણ ઘટાડી શકશે.</p><h6 style="text-align: justify; "><b>AIS-228 માનકો અને નિયમો નક્કી કરવાની તૈયારી</b></h6><p style="text-align: justify; ">આ ટેકનોલોજી માટે જરૂરી નિયમો અને માનકો નક્કી કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. માર્ગ પરિવહન મંત્રાલય Automotive Industry Standard (AIS) 228 ને નોટિફાય કરવાની દિશામાં કામ કરી રહ્યું છે. આ અંતર્ગત રેટ્રોફિટ ડિવાઇસની ટેકનિકલ ક્ષમતા અને પરફોર્મન્સ સંબંધિત ધોરણો નક્કી કરવામાં આવશે, જેથી બજારમાં આવતા ડિવાઇસ નક્કી કરેલા માપદંડો પર ખરા ઊતરે.</p><p style="text-align: justify; "><b>દેશમાં બસોની અછત અંગે ગડકરીનું નિવેદન</b></p><p style="text-align: justify; ">કાર્યક્રમ દરમિયાન ગડકરીએ દેશમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની સ્થિતિ અંગે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે ભારતમાં દર 1,000 લોકો પર માત્ર બે બસો ઉપલબ્ધ છે, જ્યારે વૈશ્વિક સ્તરે આ આંકડો લગભગ આઠ બસોનો છે. તેમણે નાના શહેરોમાં મેટ્રોની સરખામણીએ ઓછા ખર્ચાળ હોય તેવા પબ્લિક ટ્રાન્સપોર્ટ મોડલ્સ વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.</p><p style="text-align: justify; "><b>ટ્રાફિક નિયમો માટે નેગેટિવ પોઇન્ટ સિસ્ટમ</b></p><p style="text-align: justify; ">તેમણે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ માટે 'નેગેટિવ પોઇન્ટ સિસ્ટમ' લાવવાની વાત દોહરાવી હતી. નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ પેનલ્ટી પોઇન્ટ્સ થવા પર ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કે કેન્સલ થઈ શકે છે. બીજી તરફ, સારો ડ્રાઇવિંગ રેકોર્ડ ધરાવતા લોકોને વીમા કંપનીઓ તરફથી પ્રોત્સાહન (Incentive) આપવાનો વિકલ્પ પણ રાખી શકાય છે.</p><p style="text-align: justify; "><b>ઓક્ટોબર 2027થી અપડેટેડ ભારત NCAP</b></p><p style="text-align: justify; ">ગડકરીએ માહિતી આપી હતી કે ઓક્ટોબર 2027થી અપડેટેડ ભારત NCAP (B-NCAP) પ્રોગ્રામ લાગુ કરવાની યોજના છે. તેમાં વાહનની સેફ્ટીને માત્ર એક ભાગના આધારે નહીં, પરંતુ પૂરી 'સેફ્ટી ચેઇન' ને ધ્યાનમાં રાખીને પરખવામાં આવશે. સરકારનો મુખ્ય ભાર માર્ગ અકસ્માતો અને તેમાં થતા મૃત્યુદરને ઘટાડવા પર છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/automobile" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/ewt2JM1LbhYcVvre67jD8Ej6xEEbWdhoOEgR01Vo.webp'/></item><item><title><![CDATA[OMG : 29મા દિવસે હનુમાન અંશ બની બોલીવુડની સૌથી મોટી ફિલ્મ! ધુરંધર 2 અને પુષ્પા 2ના તોડ્યા રેકોર્ડ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/hanuman-ansh-day-29-bollywood-box-office-records</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/hanuman-ansh-day-29-bollywood-box-office-records</guid><pubDate>Sat, 05 Sep 2026 17:40:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આધ્યાત્મિક ગુરુ નીમ કરૌલી બાબાના જીવન પર બનેલી ફિલ્મ હનુમાન અંશ 2026ની સૌથી મોટી સ્લીપર હિટ ફિલ્મોમાંની એક બની ગઈ છે. જોકે, આ ફિલ્મને શરૂઆતના 2 અઠવાડિયામાં કમાણી માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ત્રીજા અઠવાડિયામાં જાણે કોઈ ચમત્કાર થયો અને ત્યારથી અત્યાર સુધી આ ફિલ્મ ઘણી મોટી ફિલ્મોની વચ્ચે પણ જોરદાર કમાણી કરી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>હનુમાન અંશની 29મા દિવસની કમાણી કેટલી રહી?</b></h2><p style="text-align: justify; ">હનુમાન અંશને સિનેમાઘરોમાં રિલીઝ થયાને 1 મહિનો પૂરો થઈ ગયો છે. પરંતુ આ ફિલ્મ માટે દર્શકોનો પ્રેમ દરેક પસાર થતા દિવસ સાથે વધી રહ્યો છે. પરિણામે નવી ફિલ્મોની ભીડ વચ્ચે પણ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. લગભગ 2 કરોડના બજેટમાં બનેલી હનુમાન અંશએ 29મા દિવસ સુધીમાં પોતાના બજેટ કરતાં લગભગ 50 ગણું કલેક્શન કરી લીધું છે.</p><ul><li style="text-align: justify;">સેકનિલ્કના શરૂઆતના આંકડા પ્રમાણે આ ફિલ્મે રિલીઝના 29મા દિવસે એટલે કે 5મા શુક્રવારે 10 કરોડ રૂપિયાની કમાણી કરી છે.</li><li style="text-align: justify;">આ સાથે હનુમાન અંશનું ભારતમાં 29 દિવસનું કુલ નેટ કલેક્શન હવે 82.88 કરોડ રૂપિયા થઈ ગયું છે.</li><li style="text-align: justify;">જ્યારે ફિલ્મની ગ્રોસ કમાણી 97.7 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.</li></ul><h3 style="text-align: justify; "><b>હનુમાન અંશ બની 29મા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ</b></h3><p style="text-align: justify; ">હનુમાન અંશએ 29મા દિવસે કમાણીના મામલે કમાલ કરી દીધી છે. કોઈ મોટા સ્ટાર વગર અને સામાન્ય બજેટમાં બનેલી આ ફિલ્મ 29મા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. ઈન્ટરેસ્ટિંગ વાત એ છે કે તેણે ધુરંધરથી લઈને ધુરંધર 2, છાવા અને પુષ્પા જેવી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે.<br><img alt="Hanuman Ansh, Entertainment (2)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/05/jQ6WQ3jfbvb3ZbRpe6CxJ7szPs2g75eZUU3J0Brx.webp"><br></p><h4 style="text-align: justify; "><b>આ છે 29મા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ટોપ 5 ફિલ્મો</b></h4><ul><li style="text-align: justify;">હનુમાન અંશ – 10 કરોડ</li><li style="text-align: justify;">ધુરંધર – 8.75 કરોડ</li><li style="text-align: justify;">છાવા – 6.50 કરોડ</li><li style="text-align: justify;">પુષ્પા 2 – 3.75 કરોડ</li><li style="text-align: justify;">ધુરંધર 2 – 3.25 કરોડ</li></ul><h4 style="text-align: justify; "><b>હનુમાન અંશ હવે દુનિયાભરમાં થશે રિલીઝ</b></h4><p style="text-align: justify; ">ગુરુવારે ફિલ્મના નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટર શેર કરીને જાહેરાત કરી હતી કે હનુમાન અંશ 11 સપ્ટેમ્બર, 2026ના રોજ દુનિયાભરમાં રિલીઝ થશે. તેનાથી ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનમાં વધુ મોટો વધારો થઈ શકે છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/58-year-old-janmashtami-song-lata-mangeshkar" target="_blank">આ પણ વાંચો-Old Song : 58 વર્ષ જૂનું જન્માષ્ટમીનું સૌથી વાયરલ ગીત, લતા મંગેશકરના અવાજમાં આજે પણ હિટ છે આ સદાબહાર ગીત!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/mrOZgUaenL0dwKHPnY4CajapReIvpzjYKAbyVUyU.webp'/></item><item><title><![CDATA[US Open 2026: ના વરસાદ, ના કોઈ ટેકનિકલ ખામી, સ્ટેડિયમમાં ગાંજાની ગંધ અને રોકાઈ રમત.. ]]></title><link>https://sandesh.com/sports/news/us-open-2026-aryna-sabalenka-stops-play-after-smelling-marijuana-during-match--complains-to-umpire</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/us-open-2026-aryna-sabalenka-stops-play-after-smelling-marijuana-during-match--complains-to-umpire</guid><pubDate>Sat, 05 Sep 2026 14:00:42 +05:30</pubDate><description><![CDATA[<p>યુએસ ઓપનમાં શુક્રવારે (4 સપ્ટેમ્બર) એક અત્યંત વિચિત્ર દ્રશ્ય જોવા મળ્યું હતું. લુઇસ આર્મસ્ટ્રોંગ સ્ટેડિયમમાં વિશ્વની નંબર-1 ટેનિસ ખેલાડી આર્યના સબાલેન્કાએ મેચ દરમિયાન રમત અટકાવીને ફરિયાદ કરવી પડી હતી. રમત રોકવાનું કારણ ના વરસાદ, ના કોઈ ઈજા કે ટેકનિકલ ખામી નહીં, પરંતુ સ્ટેન્ડમાંથી આવી રહેલી ગાંજાની (Marijuana) તીવ્ર ગંધ હતી. રમત રમતી વખતે સ્ટેડિયમમાંથી આવતા ગાંજાની ગંધ&nbsp; સબાલેન્કાને સહન ના થઈ અને એમ્પાયરને ફરીયાદ કરી.</p><p><b>સ્ટેન્ડમાંથી આવતી તીવ્ર ગંધથી સબાલેન્કા પરેશાન</b></p><p>લુઇસ આર્મસ્ટ્રોંગ સ્ટેડિયમમાં કમિલા રાખીમોવા સામે ત્રીજા રાઉન્ડની મેચ દરમિયાન આ ઘટના બની હતી. મેચની ત્રીજી ગેમમાં જ્યારે સબાલેન્કા 30-0 ના સ્કોર પર સર્વ કરી રહી હતી, ત્યારે કોર્ટના દક્ષિણ છેડેથી તેને ગાંજાની ગંધ આવી હતી. તેણે તુરંત ચેર અમ્પાયર તરફ ફરીને સ્ટેન્ડ તરફ ઈશારો કર્યો અને કહ્યું, "કોઈ ગાંજો પી રહ્યું છે. શું તમે તેના વિશે કંઈક કરશો? કારણ કે આ ગંધ ખૂબ જ તીવ્ર છે અને તેને અવગણવી મુશ્કેલ છે."</p><p><b>અમ્પાયરે સ્ટાફને સ્ટેન્ડમાં મોકલ્યો</b></p><p>સબાલેન્કાની ફરિયાદ બાદ અમ્પાયરે તુરંત સ્ટેડિયમ સ્ટાફને મદદ માટે બોલાવ્યા હતા. યુએસ ઓપન સ્ટાફે સ્ટેન્ડમાં જઈને ગંધ ક્યાંથી આવી રહી છે તેની તપાસ હાથ ધરી હતી. આ ઘટનાના કારણે મેચ થોડા સમય માટે રોકવી પડી હતી, પરંતુ પરિસ્થિતિ થાળે પડતાં રમત ફરી શરૂ કરવામાં આવી હતી.</p><p><b>એડ્રિયન મન્નારિનોએ પણ કરી હતી ફરિયાદ</b></p><p>માત્ર સબાલેન્કા જ નહીં, પરંતુ ટેનિસ ખેલાડી એડ્રિયન મન્નારિનોએ પણ આ ટુર્નામેન્ટ દરમિયાન સ્ટેન્ડમાંથી આવતી ગાંજાની ગંધ સામે નારાજગી વ્યક્ત કરી હતી. વિવાદ છતાં સબાલેન્કા ચોથા રાઉન્ડમાં પહોંચી. આ સમગ્ર નાટક અને વિક્ષેપ છતાં સબાલેન્કાના પ્રદર્શન પર કોઈ ખાસ અસર પડી નહોતી. બેલારુસિયન ખેલાડી સબાલેન્કાએ આક્રમક રમત રમીને કમિલા રાખીમોવાને પરાજય આપ્યો હતો અને ચોથા રાઉન્ડમાં પોતાની જગ્યા પાકી કરી હતી. આ જીત સાથે જ યુએસ ઓપન ટાઈટલ ડિફેન્ડ કરવાનું તેનું અભિયાન સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/gZhkIswJ669o8sjvLLfJIyZZkbUSwRO2rkOO1Zay.webp'/></item></channel></rss>