<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[બારડોલી સર્કિટ હાઉસ સામે રસ્તા પર વીજતાર પડતા નાસભાગ મચી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bardoli/a-stampede-occurred-due-to-a-fallen-electric-wire-on-the-road-in-front-of-bardoli-circuit-house</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bardoli/a-stampede-occurred-due-to-a-fallen-electric-wire-on-the-road-in-front-of-bardoli-circuit-house</guid><pubDate>Tue, 30 Jun 2026 01:55:34 +05:30</pubDate><description><![CDATA[<p>બારડોલી : બારડોલીના સર્કિટ હાઉસ સામે રસ્તા પર દક્ષિણ ગુજરાત વીજકંપની પસાર થતી ઓવરહેડ વીજલાઈનના વાયરો ઉપર ઠેર ઠેર જોઈન્ટ મારેલો જીવતો વાયર અચાનક તૂટી પડતા રોડ લોકો ગભરાઇને ભાગવા લાગ્યા હતા. જીવંત વીજતાર રોડ પર પડતા જ સળગવા લાગ્યો હતો. વીજ કંપનીને તાત્કાલિક ઘટના અંગે જાણ કરાતા વીજ પુરવઠો બંધ કરાયો હતો. સર્જાયેલી ઘટના દરમિયાન કોઈ જાનહાનિ ન થતા દુર્ઘટના ટળી હતી.</p><p><br></p><p>બારડોલી સર્કિટ હાઉસની સામે દક્ષિણ ગુજરાત વીજકંપની પસાર થતી ઓવરહેડ વીજલાઈનના વાયરો ઉપર ઠેર ઠેર જોઈન્ટ મારેલો વાયર આજે સવારે 11 વાગ્યાના અરસામાં અચાનક તૂટી પડતા રોડની બાજુમાં સર્કિટ હાઉસની બહાર ઉભેલી ઈકો કાર ઉપર પડયો જ્યારે બીજો છેડો જૂની કોર્ટ બિલ્ડિીંગના સામેના રોડ ઉપર પડતા સળગવા લાગ્યો હતો. સદનસીબે આ વીજતાર પડયો ત્યારે કોઈ માનવીના સંપર્કમાં નહી આવતા મોટી જાનહાનિ ટળી હતી. સુરતી જકાત નાકાથી ધુલિયા ચાર રસ્તા અને કડોદ તરફ જવાના રસ્તે ચક્કાજામની સ્થિતિ સર્જાતા ઘટનાની જાણ બારડોલી ટ્રાફિક પોલીસને થતા ટ્રાફિક બિગ્રેડનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. જ્યારે જીવંત વીજતાર રોડ ઉપર સળગતો હતો. ત્યારે બારડોલી એકતા ટ્રસ્ટના સકીલભાઈ પટેલ આવી પહોંચતા લાકડીના સહારે જીવંત વીજતાર રોડની બાજુએ ખસેડી ડી.જી.વી.સી.એલ.ને જાણ કરતા વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/30/psH8xZFoEg0uKsbwCd5qBIz7vgYlE54tc7DamJmr.webp'/></item><item><title><![CDATA[વટસાવિત્રીની ઉજવણી, પતિના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની પ્રાર્થના ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/tapi/celebrating-vatsavitri-praying-for-husbands-health-and-long-life</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/tapi/celebrating-vatsavitri-praying-for-husbands-health-and-long-life</guid><pubDate>Tue, 30 Jun 2026 01:54:49 +05:30</pubDate><description><![CDATA[<p>વ્યારા : તાપી જિલ્લાના વ્યારા, ડોલવણ, ઉચ્છલ, નિઝર, કુકરમુંડા તાલુકામાં સોમવારે સૌભાગ્યવતી મહિલાઓએ વટ સાવિત્રીના પાવન પર્વની ઉજવણી કરી હતી. વ્યારા નર્મદેશ્વર મહાદેવ મંદિર તેમજ જુદાજુદા વિસ્તારોમાં સૌભાગ્યવતી મહિલાઓ દ્ધારા વડની પૂજા-અર્ચના કરી પતિના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની પ્રાર્થના કરી હતી. છેવાડાના તાલુકાઓ નિઝર, ઉચ્છલ અને કુકરમુંડા તાલુકાઓના ગામોમાં વટસાવિત્રી પૂનમ નિમિત્તે મહિલાઓએ વ્રત રાખી પતિદેવોના લાંબા આયુષ્યની પ્રાર્થના કરી હતી.</p><p><br></p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/30/SqkUz2pCEGuZdTXGLtJIaOieRuv1g1kX2KRAVa0q.webp'/></item><item><title><![CDATA[શાળા-કોલેજોના અભ્યાસક્રમમાં સાયબર સુરક્ષાનું મહત્ત્વ વધશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/the-importance-of-cyber-security-will-increase-in-the-curriculum-of-schools-and-colleges</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/the-importance-of-cyber-security-will-increase-in-the-curriculum-of-schools-and-colleges</guid><pubDate>Tue, 30 Jun 2026 01:42:25 +05:30</pubDate><description><![CDATA[<p>ડિજિટલ ટેકનોલોજીના વધતા ઉપયોગ અને સાયબર ગુનાઓના વધતા જોખમ વચ્ચે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે સાયબર સિક્યોરિટીને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. રાજ્યની શાળા, કોલેજો અને યુનિવર્સિટીઓ પરંપરાગત શિક્ષણની સાથે વિદ્યાર્થીઓને ડિજિટલ દુનિયામાં સુરક્ષિત રહેવા માટે જરૂરી જ્ઞાન અને કૌશલ્યથી સજ્જ બનાવવા તરફ્ આગળ વધી રહી છે. પરિણામે શિક્ષણ પદ્ધતિમાં ગુણાત્મક પરિવર્તન આવવાની સાથે વિદ્યાર્થીઓ માટે આઇટી ક્ષેત્રે નવી કારકિર્દીની તકો પણ વિસ્તરી રહી છે.  રાજ્યેની અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં હવે સાયબર સુરક્ષા, ડિજિટલ હાઇજીન અને ઓનલાઇન સુરક્ષા અંગે જાગૃતિ લાવતાં વિષયોનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓને ઇન્ટરનેટનો સુરક્ષિત ઉપયોગ, ઓનલાઇન છેતરપિંડીથી બચવાના ઉપાયો અને સોશિયલ મીડિયા સંબંધિત જોખમોની સમજ આપવામાં આવી રહી છે,જેથી તેઓ ડિજિટલ યુગનાપડકારોનો આત્મવિશ્વાસપૂર્વક સામનો કરી શકે. શિક્ષણઅને ટેકનોલોજી ક્ષેત્રના નિષ્ણાતોના મતે આગામી સમયમાં દરેક ક્ષેત્રમાં ડિજિટલ સુરક્ષાનું મહત્વ વધુ વધવાનું છે. ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થામાં સાયબર સિક્યોરિટીને પ્રાધાન્ય આપવાના પ્રયાસોથી રાજ્યના વિદ્યાર્થીઓ વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા સક્ષમ બનશે અને આઇટી ક્ષેત્રમાં નવી ઓળખ ઊભી કરી શકશે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank" style="background-color: rgb(255, 255, 255);">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/30/22gcknstCwps17fdXMbegOkqN4Bff53cgZVgn4wz.webp'/></item><item><title><![CDATA[ભવિષ્યનું ભણતરઃ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બનશે વિદ્યાર્થીઓનો નવો પર્સનલ ટયૂટર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/future-of-education-artificial-intelligence-will-become-students-new-personal-tutor</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/future-of-education-artificial-intelligence-will-become-students-new-personal-tutor</guid><pubDate>Tue, 30 Jun 2026 01:41:42 +05:30</pubDate><description><![CDATA[<p>આજના આધુનિક યુગમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) માત્ર ઉદ્યોગો પૂરતું મર્યાદિત નથી રહ્યું, પરંતુ શિક્ષણ ક્ષેત્રે પણ પગપેસારો કરી ચૂક્યું છે. પરંપરાગત શિક્ષણ પદ્ધતિમાં ક્રાંતિકારી પરિવર્તન લાવીને AI હવે વગખંડોને વધુ સ્માર્ટ અને રસપ્રદ બનાવી રહ્યું છે. સ્માર્ટફોન અને કમ્પ્યૂટરના માધ્યમથી AI દરેક વિદ્યાર્થીની શીખવાની ક્ષમતાને સમજીને તેને વ્યક્તિગત માર્ગદર્શન પૂરું પાડી રહ્યું છે, જે ભવિષ્યના ભારતના નિર્માણમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. શિક્ષણકાર્યમાં AIનો ઉપયોગ વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંને માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે. વર્ગખંડમાં પચાસ વિદ્યાર્થીઓ વચ્ચે દરેક બાળક પર વ્યક્તિગત ધ્યાન આપવું શિક્ષક માટે મુશ્કેલ હોય છે. અહીં AI પ્લેટફોર્મ્સ મદદે આવે છે. તે બાળકની નબળાઈઓ અને રસના વિષયોનું વિશ્લેષણ કરીને તેને અનુરૂપ શૈક્ષણિક સામગ્રી તૈયાર કરે છે. ગણિત જેવા અઘરા વિષયોને એનિમેશન અને AI-જનરેટેડ ગેમ્સ દ્વારા રમતા-રમતા શીખવી શકાય છે. બીજી તરફ્, શિક્ષકોનું વહીવટી ભારણ પણ ઘટશે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/30/yAYUP5sSIbEorgPArjWDMeLXmp4fjxe1u5mZKGL0.webp'/></item><item><title><![CDATA[JG યુનિવર્સિટીઃ મેનેજમેન્ટ શિક્ષણમાં નવી દિશા, નવી ઓળખ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/jg-university-new-direction-new-identity-in-management-education</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/jg-university-new-direction-new-identity-in-management-education</guid><pubDate>Tue, 30 Jun 2026 01:40:58 +05:30</pubDate><description><![CDATA[<p>આજના ઝડપથી બદલાતા વૈશ્વિક વ્યવસાયિક માહોલમાં ડિગ્રીની સાથોસાથ વિદ્યાર્થીઓને ઉદ્યોગલક્ષી કૌશલ્ય, નેતૃત્વ ક્ષમતા અને વૈશ્વિક દૃષ્ટિકોણની પણ જરૂર છે. આ જ દિશામાં નક્કર રીતે કાર્ય કરતી JG યુનિવર્સિટી આજે ગુજરાતમાંઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પોતાની વિશિષ્ટ ઓળખ ઊભી કરી રહી છે. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉ. એમ. પી. ચંદ્રન મુજબ, 'JG યુનિવર્સિટીનું ધ્યેય માત્ર શિક્ષણ પૂરું પાડવાનું નથી, પરંતુ વિદ્યાર્થીઓને ઉદ્યોગ માટે સંપૂર્ણપણે તૈયાર કરીને તેમને સફ્ળ કારકિર્દી તરફ્ દોરી જવાનું પણ છે. અને એટલે જ યુનિવર્સિટીનો અભ્યાસક્રમ આધુનિક ઉદ્યોગોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં શૈક્ષણિક ગુણવત્તા સાથે પ્રાયોગિક શિક્ષણ અને વ્યક્તિત્વ વિકાસને સમાન મહત્વ આપવામાં આવે છે.'JG યુનિવર્સિટીની 'સ્કૂલ ઑફ્ મેનેજમેન્ટ' વિદ્યાર્થીઓને આજના અને આવનારા સમયમાં વધુ માંગ ધરાવતા ક્ષેત્રોમાં અભ્યાસ કરવાની તક આપે છે. અહીં માર્કેટિંગ, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, ફાઇનાન્સ, એપ્લાઇડ ટેકનોલોજી (AI+Management), પબ્લિક એડિમનિસ્ટ્રેશન (UPSC&amp;GPSC), ફેમિલી બિઝનેસ, ઉદ્યોગસાહસિકતા (Entrepreneurship), ગ્લોબલ બિઝનેસ મેનેજમેન્ટ, ઇન્ટરનેશનલ ટ્રેડ એન્ડ ફાઇનાન્સ,BFSI (બેન્કિંગ, ફાઇનાન્સિયલ સર્વિસિસ એન્ડ ઇન્સ્યોરન્સ),ACCA તેમજ MBA જેવા આધુનિક અભ્યાસક્રમો ઉપલબ્ધ છે અને તે પણ વ્યાજબી ફી તથા સ્કોલરશિપ સાથે દરેક અભ્યાસક્રમમાં જ્ઞાન અને માહિતીની સાથોસાથ ઉદ્યોગ સાથે સીધું જોડાણ થાય તે માટે લાઇવ પ્રોજેક્ટ્સ, કેસ સ્ટડીઝ, ઇન્ડસ્ટ્રી વિઝિટ્સ, એક્સપર્ટ લેક્ચર્સ, કોર્પોરેટ મેન્ટરશિપ, વર્કશોપ્સ અને ઇન્ટર્નશિપ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આથી વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન જ વાસ્તવિક વ્યવસાયિક પરિસ્થિતિઓનો અનુભવ મળે છે.JG યુનિવર્સિટીનો સૌથી મોટો આધારસ્તંભ તેની મજબૂત 'Placement Ecosystem'છે. વિદ્યાર્થીઓને શરૂઆતથી જ કરિયર ગાઇડન્સ, સોફ્ટ સ્કિલ્સ ટ્રેનિંગ, ઇન્ટરવ્યૂ પ્રિપેરેશન, રિઝયૂમ બિલ્ડિંગ અને કોર્પોરેટ એક્સપોઝર આપવામાં આવે છે, આથી તેઓ ઉદ્યોગની અપેક્ષાઓને અનુરૂપ તૈયાર થાય છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે યુનિવર્સિટી વિવિધ લીડરશિપ પ્રોગ્રામ્સ, મેનેજમેન્ટ ફેસ્ટિવલ, બિઝનેસ કોન્ક્લેવ્સ,  અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સેમિનાર, સ્પર્ધાઓ અને સામાજિક પ્રવૃત્તિઓનું સતત આયોજન કરે છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/30/BeKmYFjm4UwHblVKcGDoxWKw3tuFMoNEL8WEI2JW.webp'/></item><item><title><![CDATA[ભારત-સાઉદી અરબ વચ્ચે વોટર મેનેજમેન્ટ માટે મહત્વપૂર્ણ MoU, સહયોગને મળશે નવી દિશા ]]></title><link>https://sandesh.com/india/news/world/india-saudi-arabia-water-management-mou-sustainable-cooperation</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/world/india-saudi-arabia-water-management-mou-sustainable-cooperation</guid><pubDate>Mon, 29 Jun 2026 22:43:06 +05:30</pubDate><description><![CDATA[<p>ભારત અને સાઉદી અરબે જળ સંસાધન વ્યવસ્થાપન અને પાણી ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર જેદ્દાહમાં આયોજિત 'સાઉદી વોટર વીક' દરમિયાન કરવામાં આવ્યો હતો. બંને દેશો વચ્ચે થયેલો આ કરાર પાણીના અસરકારક સંચાલન અને ટકાઉ વિકાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/IndianEmbRiyadh/status/2071572810397253863"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>MOU પર કોણે કોણે કર્યા હસ્તાક્ષર?</b></h2><p>સત્તાવાર નિવેદન અનુસાર, આ સમજૂતીનો મુખ્ય હેતુ જળ સંસાધન આયોજન, ટકાઉ જળ વ્યવસ્થાપન, સિંચાઈ પ્રણાલીઓના વિકાસ તેમજ પાણી સંબંધિત અન્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવાનો છે. સાથે જ બંને દેશો વચ્ચે ક્ષમતાવર્ધન અને શ્રેષ્ઠ પદ્ધતિઓની આપ-લેને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. આ સમજૂતી કરાર પર સાઉદી અરબમાં ભારતના રાજદૂત સુહેલ ખાન અને સાઉદી અરબના પર્યાવરણ, જળ અને કૃષિ મંત્રી અબ્દુલ રહમાન અબ્દુલ મોહસિન અલ-ફદલી દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભારતના કાઉન્સલ જનરલ ફહદ સૂરી પણ ઉપસ્થિત રહ્યા હતા.</p><h3><b>પાણી ક્ષેત્રમાં લાંબા ગાળાના સહયોગ માટે નવી તકો ઊભી કરશે</b></h3><p>રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે આ કરાર ભારત અને સાઉદી અરબ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે અને પાણી ક્ષેત્રમાં લાંબા ગાળાના સહયોગ માટે નવી તકો ઊભી કરશે. જળ સંસાધનોના સંરક્ષણ અને અસરકારક ઉપયોગ માટે વૈશ્વિક સ્તરે વધી રહેલી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ સમજૂતી બંને દેશો માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે આ ભાગીદારી દ્વારા આધુનિક ટેક્નોલોજી, સંશોધન અને પાણી સંચાલનની નવી પદ્ધતિઓનો લાભ બંને દેશોને મળશે.</p><p><b><a href="https://sandesh.com/world/news/-political-news/bangladesh-politics-news-why-is-sheikh-hasina-returning-to-bangladesh-despite-663-cases-and-death-sentence" target="_blank">આ પણ વાંચો : Bangladesh Politics News: 663 કેસ અને ફાંસીની સજા છતાં Sheikh Hasina કેમ પરત ફરી રહ્યા છે બાંગ્લાદેશ?</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/29/uVbZEPFgtkbkvWqFJ4mTS4H39s7A8cuoAsFNHMW7.webp'/></item><item><title><![CDATA[Kavya Maran અને સિંગર અનિરુદ્ધ રવિચંદરના થશે લગ્ન? કાકાના નિવેદનથી સસ્પેન્સમાં થયો વધારો ]]></title><link>https://sandesh.com/cricket/news/entertainment/kavya-maran-anirudh-ravichander-wedding-yg-mahendran</link><guid isPermaLink="true">https://sandesh.com/cricket/news/entertainment/kavya-maran-anirudh-ravichander-wedding-yg-mahendran</guid><pubDate>Mon, 29 Jun 2026 22:06:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સનરાઈઝર્સ હૈદરાબાદની માલિક કાવ્યા મારન અને ફેમસ સિંગર અને કમ્પોઝર અનિરુદ્ધ રવિચંદર વચ્ચે લગ્નની ચર્ચાઓ હાલમાં સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. આ ચર્ચાઓને વધુ વેગ મળ્યો જ્યારે સિંગર અને કમ્પોઝરના કાકા, એક્ટર વાયજી મહેન્દ્રને એક ટીવી ચેનલ સાથેની મુલાકાતમાં દાવો કર્યો કે તેમની જાણકારી મુજબ તેમના લગ્ન નક્કી થઈ ગયા છે.&nbsp;</p><p style="text-align: justify; ">તેમને એમ પણ કહ્યું કે બંને સાથે ખૂબ સારા દેખાય છે. પરંતુ આ ચર્ચા પાછળનું સત્ય નક્કી કરવું મુશ્કેલ છે, કારણ કે કાવ્યા મારન કે અનિરુદ્ધ બંનેમાંથી કોઈએ કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. તેથી હાલ માટે આ માત્ર એક ચર્ચા માનવામાં આવે છે.</p><h2 style="text-align: justify; "><b>અનિરુદ્ધ અને કાવ્યાના લગ્ન વિશે વાયજી મહેન્દ્રને શું કહ્યું?</b></h2><p style="text-align: justify; ">તમિલ એક્ટર વાય.જી. મહેન્દ્રને એક તમિલ ટીવી ચેનલ સાથેની મુલાકાતમાં લગ્ન વિશે ચર્ચા કરી હતી. તેમને અનિરુદ્ધની પ્રશંસા કરતા કહ્યું હતું કે તે ખૂબ જ શાંત અને સારા સ્વભાવનો વ્યક્તિ છે અને તેઓ તેને અભિનંદન આપવા માગે છે. મહેન્દ્રને દાવો કર્યો હતો કે અનિરુદ્ધ એક ગ્રાન્ડ લગ્નનું આયોજન કરી રહ્યો છે અને તેમને મળેલી માહિતી મુજબ તે ચોક્કસ છે કે કાવ્યા અને અનિરુદ્ધ લગ્ન કરવાના છે. તેમને લગ્ન ક્યારે અને ક્યાં થશે તે અંગે કોઈ ખુલાસો કર્યો નથી.</p><h3 style="text-align: justify; "><b>મહેન્દ્રને કાવ્યા મારન વિશે શું કહ્યું?</b></h3><p style="text-align: justify; ">તમિલ એક્ટરે સન ગ્રુપના માલિક કલાનિધિ મારનની પુત્રી કાવ્યા મારનની પ્રશંસા કરી. તેમને કહ્યું કે કાવ્યા કોઈ સામાન્ય છોકરી નથી, પરંતુ સનરાઈઝર્સ હૈદરાબાદ જેવી મોટી IPL ટીમને એકલા હાથે સંચાલિત કરવાની નોંધપાત્ર ક્ષમતા ધરાવે છે. તેને આ વ્યવસાયિક કુશળતા તેના પિતા પાસેથી વારસામાં મળી છે.</p><p style="text-align: justify; ">મહેન્દ્રને વધુમાં ઉમેર્યું કે કાવ્યા અને ફેમસ સિંગર અનિરુદ્ધ રવિચંદરની એક મહાન જોડી બનશે અને તેમને સંગીત વ્યવસાયમાં આગળ વધવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ.</p><h4 style="text-align: justify; "><b>2025ના વર્ષમાં ચર્ચાઓ શરૂ થઈ</b></h4><p style="text-align: justify; ">સિંગર અનિરુદ્ધ રવિચંદર અને કાવ્યા મારન વચ્ચેના અફેરના સમાચાર નવા નથી. 2025 માં, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર એક પોસ્ટ વાયરલ થઈ હતી. પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે બંને એક વર્ષથી વધુ સમયથી ડેટિંગ કરી રહ્યા હતા અને ટૂંક સમયમાં લગ્ન કરવાનું વિચારી રહ્યા હતા.</p><p style="text-align: justify; ">પોસ્ટમાં આગળ કહેવામાં આવ્યું હતું કે અનિરુદ્ધના સંબંધી અને સુપરસ્ટાર રજનીકાંત આ સંબંધને આગળ વધારવા માટે કાવ્યાના પિતા કલાનિધિ મારનને વ્યક્તિગત રીતે મળ્યા હતા.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/entertainment/virat-kohli-photos-with-son-akaay-anushka-sharma" target="_blank">Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/29/odFIHfQ3qICb4hMi4Pv88aaUQS0dxpWtTwaVL7V8.webp'/></item><item><title><![CDATA[mAadhaar એપ 30 જૂનથી બંધ, UIDAIએ નવી Aadhaar App ઉપયોગ કરવાની આપી સૂચના ]]></title><link>https://sandesh.com/india/news/maadhaar-app-discontinued-june-30-new-aadhaar-app-uidai</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/maadhaar-app-discontinued-june-30-new-aadhaar-app-uidai</guid><pubDate>Mon, 29 Jun 2026 21:46:13 +05:30</pubDate><description><![CDATA[<p>સરકાર દ્વારા આધાર સંબંધિત સેવાઓમાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે. UIDAIએ જાહેરાત કરી છે કે 30 જૂનથી mAadhaar એપ બંધ કરી દેવામાં આવશે અને તેની જગ્યાએ નવો Aadhaar App ઉપયોગ કરવો પડશે. આ અંગે UIDAIએ પોતાના અધિકૃત X અકાઉન્ટ મારફતે યુઝર્સને નવો એપ ડાઉનલોડ કરવા માટે સૂચના આપી છે.</p><h2><b>યુઝર્સને દરેક જગ્યાએ આધાર કાર્ડની ફિઝિકલ કોપી બતાવવાની જરૂર નહીં</b></h2><p>અધિકારીઓ મુજબ mAadhaar એપને ધીમે ધીમે રિટાયર કરવામાં આવશે, એટલે કે હવે તેમાં નવા અપડેટ્સ નહીં આવે અને આગામી સમયમાં તેની સેવાઓ પણ બંધ થઈ જશે. તેથી તમામ યુઝર્સને નવા Aadhaar App પર શિફ્ટ થવા માટે કહેવામાં આવ્યું છે. નવી Aadhaar App પહેલા કરતા વધુ આધુનિક અને સુરક્ષિત બનાવવામાં આવી છે. તેમાં સૌથી મોટો ફેરફાર એ છે કે હવે યુઝર્સને દરેક જગ્યાએ આધાર કાર્ડની ફિઝિકલ કોપી બતાવવાની જરૂર નહીં પડે. QR કોડ સ્કેન દ્વારા તરત જ ઓળખ ચકાસણી થઈ શકશે.</p><h3><b>એપમાં બાયોમેટ્રિક લોક-અનલોક સુવિધા</b></h3><p>આ ઉપરાંત એપમાં ફેસ ઓથન્ટિકેશન સિસ્ટમ પણ ઉમેરવામાં આવી છે, જેના દ્વારા યુઝરની ઓળખ માત્ર ચહેરા દ્વારા પણ થઈ શકશે. એપમાં બાયોમેટ્રિક લોક/અનલોક સુવિધા પણ આપવામાં આવી છે, જેથી આધાર સાથે જોડાયેલા ફ્રોડના કેસ ઘટાડવામાં મદદ મળશે. UIDAIનું કહેવું છે કે નવી એપ યુઝરની પ્રાઈવસી ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવી છે. હવે યુઝર જરૂર મુજબ જ પોતાની માહિતી શેર કરી શકશે અને સંપૂર્ણ આધાર નંબર આપવાની જરૂર નહીં રહે.</p><h4><b>ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોરમાંથી એપ ડાઉનલોડ કરવી</b></h4><p>યુઝર્સને સલાહ આપવામાં આવી છે કે તેઓ ફક્ત ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોરમાંથી જ Aadhaar App ડાઉનલોડ કરે. એપ ઈન્સ્ટોલ કરતી વખતે પબ્લિશર UIDAI છે કે નહીં તેની ખાતરી કરવી જરૂરી છે, કારણ કે ફેક એપ્સથી ડેટા ચોરીનો ખતરો રહે છે. સરકારનો ઉદ્દેશ છે કે આગામી સમયમાં આધાર સંબંધિત તમામ સેવાઓ આ નવા એપ મારફતે વધુ સુરક્ષિત અને સરળ રીતે ઉપલબ્ધ કરાવવામાં આવે.<br><br><b><a href="https://sandesh.com/india/news/fake-irctc-website-scam-government-warning-cyber-fraud-alert" target="_blank">આ પણ વાંચો : IRCTCના નામે ફેક વેબસાઈટથી થઈ રહી છે ઠગાઈ, સરકારે જાહેર કરી ચેતવણી</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/29/by1bR5FJFgm92iSNW9p05JGCQTFMBoZ7eAs2xj02.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup: 'કરો યા મરો' મેચમાં રમશે લિયોનેલ મેસ્સી, ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવું લાઈવ? ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/lionel-messi-next-match-argentina-vs-cabo-verde</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/lionel-messi-next-match-argentina-vs-cabo-verde</guid><pubDate>Mon, 29 Jun 2026 19:25:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">લિયોનેલ મેસ્સીનો ફિફા વર્લ્ડકપ 2026માં શાનદાર પ્રદર્શન રહ્યું છે. તેને આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 6 ગોલ કર્યા છે, જેના કારણે આર્જેન્ટિનાને રાઉન્ડ ઓફ 32માં સ્થાન મળ્યું છે. આર્જેન્ટિનાએ ગ્રુપ Jમાં ઓસ્ટ્રિયા, અલ્જેરિયા અને જોર્ડનને હરાવીને આ વર્લ્ડકપમાં પોતાનો વિજય ક્રમ ચાલુ રાખ્યો છે.</p><p style="text-align: justify; ">જ્યારે પણ લિયોનેલ મેસ્સી રમે છે, ત્યારે ફેન્સનો ઉત્સાહ વધી જાય છે. નોકઆઉટ સ્ટેજ રાઉન્ડ ઓફ 32થી શરૂ થાય છે, અને દરેક મેચ નિર્ણાયક બની જાય છે. તેથી આર્જેન્ટિનાના ફેન્સ આશા રાખશે કે લિયોનેલ મેસ્સી તેનું શાનદાર ફોર્મ ચાલુ રાખશે. મેસ્સીના આગામી ફિફા વર્લ્ડ કપ મેચ શેડ્યૂલ પર એક નજર કરીએ.</p><h2 style="text-align: justify; "><b>લિયોનેલ મેસ્સી કઈ ટીમ સામે રમશે?</b></h2><p style="text-align: justify; ">ફિફા વર્લ્ડકપ 2026ની ગ્રુપ સ્ટેજ પૂર્ણ થઈ ગઈ છે. આર્જેન્ટિના રાઉન્ડ ઓફ 32 માટે ક્વોલિફાય થઈ ગયું છે અને હવે તેની મેત કાબો વર્ડે (કેપ વર્ડે) સામે થશે. આ મેચ 4 જુલાઈના રોજ મિયામીના હાર્ડ રોક સ્ટેડિયમ ખાતે રમાશે. બંને ટીમો રાઉન્ડ ઓફ 16માં પહોંચવાનું લક્ષ્ય રાખશે.</p><h3 style="text-align: justify; "><b>મેચ ક્યારે શરૂ થશે?</b></h3><p style="text-align: justify; ">આર્જેન્ટિના અને કાબો વર્ડે વચ્ચે રાઉન્ડ ઓફ 32 મેચ ભારતીય સમય મુજબ સવારે 3:30 વાગ્યે શરૂ થશે. સમય ઝોનના તફાવતને કારણે ભારતીય ફેન્સે લિયોનેલ મેસ્સીને રમતમાં જોવા માટે મોડી રાત સુધી જાગવું પડશે.</p><h4 style="text-align: justify; "><b>લિયોનેલ મેસ્સીની આગામી મેચ તમે ક્યાં જોઈ શકો છો?</b></h4><p style="text-align: justify; ">FIFA વર્લ્ડકપ 2026ની બધી મેચોનું લાઈવ પ્રસારણ Unite8 સ્પોર્ટ્સ ચેનલો પર કરવામાં આવે છે. આર્જેન્ટિના અને કાબો વર્ડે વચ્ચેની આ રાઉન્ડ ઓફ 32 મેચ પણ આ ચેનલ પર જોઈ શકાય છે. ફેન્સ ઝી5 પર આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકે છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/entertainment/virat-kohli-photos-with-son-akaay-anushka-sharma" target="_blank">Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/29/MutJEyppwW4EifuWt4DqOd5KsF8FK6yhVMfZnn2A.webp'/></item><item><title><![CDATA[Fuel Shortage: રશિયામાં તેલની કટોકટી સર્જાઇ હોવાનો પુતિને કર્યો સ્વીકાર, હવે ભારત પર શું થશે અસર?, જાણો ]]></title><link>https://sandesh.com/world/news/business/fuel-shortage-putin-admits-that-there-is-an-oil-crisis-in-russia-what-will-be-the-impact-on-india-now-know</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/business/fuel-shortage-putin-admits-that-there-is-an-oil-crisis-in-russia-what-will-be-the-impact-on-india-now-know</guid><pubDate>Mon, 29 Jun 2026 18:36:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધે ક્રૂડ ઓઈલની હેરફેરને ખોરવી નાખી હતી. જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો હતો.&nbsp;</p><h2 style="text-align: justify; ">રશિયામાં બળતણની અછત</h2><p style="text-align: justify; ">રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તાજેતરમાં સ્વીકાર્યું હતું કે, યુક્રેનના સતત ડ્રોન અને મિસાઈલ હુમલાઓને કારણે રશિયામાં બળતણની અછત શરૂ થઈ છે. આ વિશે બોલતા, પુતિને પોતે કહ્યું હતું કે, રશિયાનું ધ્યાન હવે તેના હવાઈ સંરક્ષણને મજબૂત બનાવવા અને ખાસ કરીને ક્રિમીઆને બળતણ પુરવઠો સુનિશ્ચિત કરવા પર છે. પુતિને વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક અઠવાડિયામાં, યુક્રેને ઘણી રશિયન તેલ રિફાઇનરીઓ અને ઇંધણ સંગ્રહ સુવિધાઓ પર હુમલો કર્યો છે. આના કારણે ગેસોલિન અને ડીઝલની અછત સર્જાઈ છે.&nbsp;</p><h3 style="text-align: justify; ">રશિયા ઇચ્છે છે આ પ્રદેશો પર કબજો&nbsp;</h3><p style="text-align: justify; ">પુતિને એમ પણ કહ્યું કે, રશિયાનું વર્તમાન લક્ષ્ય ડોનેટ્સક, લુહાન્સ્ક, ખેરસન અને ઝાપોરિઝ્ઝિયા પ્રદેશોને સંપૂર્ણપણે કબજે કરવાનું છે. જ્યાં સુધી આ લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી, રશિયા કોઈપણ શાંતિ કરાર સ્વીકારશે નહીં જે તેની શરતોને પૂર્ણ ન કરે. તેમણે એમ પણ કહ્યું કે તેમને આશા છે કે યુએસ પ્રતિનિધિઓ સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર ટૂંક સમયમાં વાટાઘાટો ફરી શરૂ કરશે. તેમણે એમ પણ કહ્યું કે બેલારુસિયન રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર લુકાશેન્કો શાંતિ વાટાઘાટોમાં મદદ કરી શકે છે.</p><h4 style="text-align: justify; ">ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ કેવી રીતે ઘટશે?</h4><p style="text-align: justify; ">જોકે હવે ઈરાન અને યુક્રેનિયન સશસ્ત્ર દળો વચ્ચે યુદ્ધવિરામ સ્થાપિત થઈ ગયો છે, આ કરાર ફક્ત 60 દિવસ માટે છે. આવી સ્થિતિમાં, 60 દિવસ પછી પરિસ્થિતિ સામાન્ય થઈ શકે છે, જેના કારણે ભારતે આવી સ્થિતિમાં રશિયા તરફ ટેકો આપ્યો હતો. જોકે, હવે જ્યારે રશિયા પણ તેલની અછતનો સામનો કરી રહ્યું છે, ત્યારે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ કેવી રીતે નિયંત્રિત થશે તે અંગે અનિશ્ચિતતા છે. જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય, તો તેલના ભાવ પણ વધી શકે છે.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/india/breakingnews/crime/pune-ketan-agarwal-murder-case-siya-chetan-in-police-custody-till-july-3" target="_blank">સિયા, ચેતન 3 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલાયા</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/29/Kw6PQ4RARGzI5Z5xFSlPup6WjpPB1kd7xZor9Tpb.webp'/></item></channel></rss>