<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[BYD Denza Z9S: 1,100 કિમી રેન્જનો દાવો, 5 મિનિટમાં 70% ચાર્જ ]]></title><link>https://sandesh.com/business/automobile/news/byd-denza-z9s-1100-km-range-claimed-70-charge-in-5-minutes</link><guid isPermaLink="true">https://sandesh.com/business/automobile/news/byd-denza-z9s-1100-km-range-claimed-70-charge-in-5-minutes</guid><pubDate>Wed, 26 Aug 2026 12:18:51 +05:30</pubDate><description><![CDATA[<p>Chinaની ઇલેક્ટ્રિક વાહન કંપની BYDએ એક એવી નવી ઇલેક્ટ્રિક કાર રજૂ કરી છે, જેની રેન્જનો દાવો સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ શકો છો. કંપનીનું કહેવું છે કે તેની નવી Denza Z9S એકવાર ફુલ ચાર્જ થયા બાદ 1,100 કિલોમીટર સુધી ચાલી શકે છે. જો આ દાવો સાચો સાબિત થાય છે, તો આ ઇલેક્ટ્રિક કારોની રેન્જના મામલે દુનિયાની સૌથી લાંબી અંતર કાપનારી કારોમાં સામેલ થઈ શકે છે.</p><h2><b>5 મિનિટમાં 10થી 70% ચાર્જ</b></h2><p>Denza Z9Sની સૌથી મોટી ખાસિયત માત્ર તેની લાંબી રેન્જ નથી. કંપનીએ તેમાં ખૂબ જ ઝડપી ચાર્જિંગ ટેક્નોલોજી પણ આપી છે. BYDની બ્લેડ બેટરીનો ઉપયોગ આ કારમાં કરવામાં આવ્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, કારની બેટરી માત્ર 5 મિનિટમાં 10થી 70% સુધી ચાર્જ થઈ શકે છે. જ્યારે 10થી 97% ચાર્જ થવામાં લગભગ 9 મિનિટ લાગી શકે છે.  આનો અર્થ એ છે કે થોડા સમય સુધી ચાર્જ કર્યા બાદ કારને ખૂબ લાંબા અંતર સુધી ચલાવી શકાય છે. આ પ્રકારની ચાર્જિંગ સ્પીડ ઇલેક્ટ્રિક કારના ઉપયોગને વધુ સરળ બનાવી શકે છે, ખાસ કરીને લાંબા અંતરની મુસાફરી કરતા લોકો માટે.</p><h3><b>ત્રણ વેરિઅન્ટ અને અલગ-અલગ રેન્જ</b></h3><p>BYD Denza Z9Sને ત્રણ અલગ-અલગ રેન્જ ધરાવતા વેરિઅન્ટમાં રજૂ કરશે. તેના બેઝ વેરિઅન્ટની રેન્જ લગભગ 780 કિલોમીટર, બીજા વેરિઅન્ટની રેન્જ 920 કિલોમીટર અને ટોપ મોડલની રેન્જ 1,100 કિલોમીટર હોવાનું જણાવવામાં આવ્યું છે. આ તમામ આંકડા ચીનની CLTC ટેસ્ટિંગ સિસ્ટમ પર આધારિત છે. આ ટેસ્ટિંગ સિસ્ટમ વાસ્તવિક ડ્રાઇવિંગ પરિસ્થિતિઓની સરખામણીએ વધુ રેન્જ બતાવી શકે છે. જો આ જ કાર અમેરિકામાં EPA ટેસ્ટિંગમાંથી પસાર થાય, તો તેની રેન્જ લગભગ 772 કિલોમીટર રહેવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.</p><h4><b>Lucid Air સાથે મુકાબલો</b></h4><p>અમેરિકામાં હાલમાં લાંબી રેન્જ ધરાવતી ઇલેક્ટ્રિક કારોમાં Lucid Air Grand Touringનું નામ સૌથી આગળ છે. તેની EPA રેન્જ લગભગ 824 કિલોમીટર છે. તેથી Denza Z9Sનો 1,100 કિલોમીટરની રેન્જનો દાવો ઘણો મોટો છે, પરંતુ અલગ-અલગ ટેસ્ટિંગ માપદંડોને કારણે બંનેની સીધી સરખામણી કરવી યોગ્ય રહેશે નહીં.</p><p><b><a href="https://sandesh.com/" target="_blank">વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/26/H0KxdKyqbWzM8buRwN1r5rB5PySp2dO7X3vDTk8Y.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : દારૂની રેડ પછી ‘તોડ’નો કથિત વીડિયો વાયરલ, નરોડા પોલીસમાં લાખોના સેટલમેન્ટની વાતથી ખાખી સવાલોના ઘેરામાં ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-naroda-police-viral-video-alleged-liquor-case-settlement</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-naroda-police-viral-video-alleged-liquor-case-settlement</guid><pubDate>Wed, 26 Aug 2026 12:18:35 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ પોલીસ કમિશનરના દારૂ વિરોધી ડ્રાઈવના આદેશ વચ્ચે નરોડા પોલીસને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. નરોડા પોલીસ દ્વારા દારૂના કેસમાં કાર્યવાહી કર્યા બાદ પોલીસકર્મી અને બુટલેગર વચ્ચે લાખો રૂપિયાના કથિત સેટલમેન્ટની વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ વિભાગમાં ચર્ચા મચી છે. જોકે વીડિયોની સત્યતા અને તેમાં કરવામાં આવેલા દાવાઓની તપાસ શરૂ કરવામાં આવી છે. આ વીડિયો વાયરલ થતાં પોલીસ કર્મી જનકને&nbsp;</p><h2 style="text-align: justify; "><b>નરોડા પોલીસના જનક નામના પોલીસકર્મી અને બુટલેગર વચ્ચેનો વીડિયો</b></h2><p style="text-align: justify; ">વાયરલ થયેલા કથિત વીડિયોમાં નરોડા પોલીસના જનક નામના પોલીસકર્મી અને બુટલેગર વચ્ચે દારૂના કેસમાં સેટલમેન્ટને લઈને વાતચીત સંભળાઈ રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વીડિયોમાં રૂ.3થી 3.50 લાખમાં મામલો પતાવવાની વાતચીતનો દાવો છે. એટલું જ નહીં, રૂ.1.50 લાખ ઓછા હોવાનું કહી વધુ રકમની માંગણી અંગે પણ વાતચીત થઈ હોવાનો દાવો સામે આવ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>સાહેબ રૂ.6થી 8 લાખ માંગે છે</b></h3><p style="text-align: justify; ">વીડિયોમાં કથિત રીતે ‘સાહેબ રૂ.6થી 8 લાખ માંગે છે’ તેવી વાત પણ સંભળાઈ રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જ્યારે રૂ.3 લાખ સુધીમાં મામલો પતાવવાનો પ્રયાસ થતો હોવાનું પણ ચર્ચામાં છે. આ કથિત વાતચીત સામે આવ્યા બાદ દારૂ પકડનાર પોલીસકર્મી જ કેસમાં સેટલમેન્ટ માટે વહીવટ કરતો હતો કે કેમ તે અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.</p><h3 style="text-align: justify; "><b>ખુલ્લા મેદાનમાં પોલીસે રેડ કરી હતી</b></h3><p style="text-align: justify; ">મહત્વનું છે કે 24 ઓગસ્ટે નરોડા સિટી સેન્ટર પાછળ આવેલા ખુલ્લા મેદાનમાં પોલીસે રેડ કરી હતી. રેડ દરમિયાન વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો, જ્યારે 2 શખ્સો પોલીસને જોઈને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પોલીસે 43 નંગ વિદેશી દારૂના ક્વાર્ટર, કાર અને મોબાઇલ સહિત કુલ રૂ.5,18,975નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.</p><h4 style="text-align: justify; "><b>કથિત વીડિયોએ સમગ્ર કેસને નવા સવાલોના ઘેરામાં મૂકી દીધો</b></h4><p style="text-align: justify; ">પરંતુ આ કાર્યવાહી બાદ સામે આવેલા કથિત વીડિયોએ સમગ્ર કેસને નવા સવાલોના ઘેરામાં મૂકી દીધો છે. નરોડા પોલીસ સ્ટેશનમાં નવા PIને ચાર્જ સંભાળ્યાને માંડ 2 દિવસ થયા હતા ત્યારે વીડિયો તેમના ધ્યાને આવતા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/crime/vadodara/vande-bharat-train-stone-pelting-near-surat" target="_blank"><b> Surat નજીક વંદે ભારત પર પથ્થરમારો, ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા રાજ્યપાલ આનંદીબેન પટેલ</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/26/rTEdbS3Pryccm1Yv4NnrMeoQ9u4on7zsdmvcYnwb.webp'/></item><item><title><![CDATA[Asim Riazના ભાઈ ઉમરે હિમાંશીને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું- 'અટેન્શન માટે કરી રહી છે આ બધું'! ]]></title><link>https://sandesh.com/entertainment/news/umar-riaz-himanshi-khurana-religion-change-claim</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/umar-riaz-himanshi-khurana-religion-change-claim</guid><pubDate>Wed, 26 Aug 2026 12:09:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હિમાંશી ખુરાના અને આસિમ રિયાઝના બ્રેકઅપને 3 વર્ષ થઈ ચૂક્યા છે, પરંતુ હવે બંને ફરી એકવાર ચર્ચામાં છે. હિમાંશીએ તાજેતરમાં અનેક દાવા કર્યા છે અને આસિમને ખોટા ગણાવ્યા છે. અભિનેત્રીનું કહેવું છે કે આસિમ ઇચ્છતા હતા કે તે પોતાનો ધર્મ બદલીને મુસ્લિમ બની જાય. એટલું જ નહીં, અભિનેત્રીએ આસિમ પર ઘરેલુ હિંસાના પણ આરોપ લગાવ્યા છે. જોકે, આસિમે હિમાંશીના તમામ દાવાઓને ફગાવીને ખોટા ગણાવ્યા છે. આ દરમિયાન આસિમના ભાઈ અને બિગ બોસ 15 ફેમ ઉમર રિયાઝનું નિવેદન સામે આવ્યું છે. તેમણે આ સમગ્ર વિવાદ પર ખુલ્લેઆમ પોતાની વાત કહી છે. ઉમરનું કહેવું છે કે હિમાંશી ખોટું બોલી રહી છે.<br></p><h2 style="text-align: justify;"><b>હિમાંશીના દાવા પર ઉમરનો જવાબ</b></h2><p></p><p style="text-align: justify; ">ઉમર રિયાઝે હિમાંશીના ધર્મ પરિવર્તનના દાવાને ફગાવીને તેમના પર પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. ઉમરે કહ્યું કે આ બધું પહેલેથી જ નક્કી કરવામાં આવ્યું હતું. 3 વર્ષ બાદ તમે એક મિત્ર સાથે કોઈ શોમાં આવો છો અને તમારા સંબંધ વિશે એક પણ સારી વાત કહેતા નથી, જ્યારે બંને 4 વર્ષ સુધી સાથે હતા.</p><h3 style="text-align: justify; "><b>ઉમરે હિમાંશી-આસિમના સંબંધની હકીકત જણાવી</b></h3><p style="text-align: justify; ">ઉમરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, હું હજુ પણ આ સંબંધમાં ત્રીજી વ્યક્તિ છું. સંબંધમાં શું-શું થયું તે અંગે મને દરેક વાત ખબર નથી. પરંતુ હું એટલું ચોક્કસ કહીશ કે તે અમારા ઘરે આવી છે, ત્યાં રોકાઈ છે, મારા પિતા અને માતાને મળી છે. તેણે જોયું છે કે અમે એક રૂઢિચુસ્ત મુસ્લિમ પરિવાર છીએ. મારા પિતા દિવસમાં 5 વખત નમાઝ પઢે છે. મારી માતા હિજાબ પહેરે છે અને માથું ઢાંકે છે. તે અમારા સંબંધીઓને પણ મળી છે. તે દર વખતે ઈદ પર અમારા ઘરે આવી છે. તેને ખબર છે કે અમે ખૂબ ખુલ્લા વિચારો ધરાવતો કે પૈસાદાર પરિવાર નથી. અમે એક મધ્યમ વર્ગીય અને રૂઢિચુસ્ત પરિવાર છીએ અને કેટલાક નિયમો સાથે રહીએ છીએ. બસ એટલું જ.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DccvteUEyGR/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DccvteUEyGR/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DccvteUEyGR/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DccvteUEyGR/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>હિમાંશીના ધર્મ પરિવર્તનના દાવા પર ઉમરે ઉઠાવ્યા સવાલ</b></h4><p style="text-align: justify; ">ત્યારબાદ ઉમરે સવાલ કરતા કહ્યું, શું તમને લાગે છે કે કોઈ તેમને દબાણ કરી શકે? મને નથી લાગતું કે આવું કોઈ કરી શકે. હિમાંશી પર નિશાન સાધતા ઉમરે આગળ કહ્યું, મને લાગે છે કે હિમાંશીએ રાજકારણી બની જવું જોઈએ. તેણે પોતાના સંબંધ વિશે જે રીતે વાત કરી છે, તેનાથી એવું લાગે છે કે તેમના સમગ્ર સંબંધમાં માત્ર ધર્મ જ મુદ્દો હતો. આ 4 વર્ષનો સંબંધ હતો.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DWItUycmK8x/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DWItUycmK8x/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DWItUycmK8x/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DWItUycmK8x/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>ધર્મ પરિવર્તનની વાત સાવ ખોટી: ઉમર રિયાઝ</b></h4><p style="text-align: justify; ">આસિમના ભાઈએ સ્પષ્ટ કર્યું કે હિમાંશીને ઇસ્લામ સ્વીકારવા માટે કહેવામાં આવ્યું ન હતું. ઉમરે જણાવ્યું, અમે કોઈના પર દબાણ કરતા નથી. મારા બધા મિત્રો બિન-મુસ્લિમ છે. તેઓ મારા ઘરે આવે છે અને મારા પિતાના પગે લાગે છે. મારા પિતા તેના આદી નથી, પરંતુ તેઓ સન્માનના કારણે આવું કરે છે. મારા પિતાએ ક્યારેય મને એવું કહ્યું નથી કે બિન-મુસ્લિમ લોકોને ઘરે ન લાવો. તેણે આગળ કહ્યું કે તેમનો પરિવાર શિક્ષિત છે અને તેઓ લોકોને તેમના ધર્મના બદલે તેમની વિચારસરણી, વ્યક્તિત્વ અને સમાજમાં તેમના યોગદાનના આધારે જુએ છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/Dae3X6XDd6-/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/Dae3X6XDd6-/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/Dae3X6XDd6-/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/Dae3X6XDd6-/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>ઉમરે કહ્યું- દરેક સંબંધમાં ઘણી સમસ્યાઓ હોઈ શકે છે</b></h4><p style="text-align: justify; ">ઉમરે કહ્યું, હું માત્ર એટલું કહી રહ્યો છું કે કોઈપણ સંબંધમાં ઘણી બધી સમસ્યાઓ હોઈ શકે છે. જો તમને લાગ્યું કે ધર્મ એક સમસ્યા હતી, તો તમે કહી શકતા હતા કે હા, ધર્મને લઈને મુશ્કેલી હતી. તેમણે જે પણ અનુભવ્યું, હું તેનું સન્માન કરું છું. પરંતુ આસિમને એ રીતે રજૂ કરવો કે તેઓ તેમને ધર્મ બદલવા માટે મજબૂર કરવા માગતા હતા, ખોટું છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/toxic-movie-x-review-yash-action-style" target="_blank">આ પણ વાંચો-Toxic Review : સ્ટાઇલ પણ હિટ અને એક્શન પણ સુપરહિટ! દર્શકો બોલ્યા- 'ફૂલ પૈસા વસૂલ'!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/26/BlSZVpTUkdNDEIaXadmU8hZKjXaQ8QhjxzflQbLE.webp'/></item><item><title><![CDATA[ગ્રાહકો હવે 5 કિલો જ ખાંડ ખરીદી શકશે, D Mart, Blinkit જેવા પ્લેટફોર્મે ખરીદી પર મૂકી મર્યાદા ]]></title><link>https://sandesh.com/india/news/sugar-purchase-limit-dmart-blinkit-festivals</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/sugar-purchase-limit-dmart-blinkit-festivals</guid><pubDate>Wed, 26 Aug 2026 12:06:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દેશમાં આગામી મુખ્ય તહેવારોની મોસમ પહેલા ખાંડની અછત અને તેના સતત વધી રહેલા ભાવોને કારણે રિટેલર્સ અને ઇન્સ્ટન્ટ-કોમર્સ કંપનીઓએ સખત પગલાં લેવાનું શરૂ કર્યું છે. ડી-માર્ટ જેવી મોટી સુપરમાર્કેટ ચેઇન્સ તેમજ બિગબાસ્કેટ, બ્લિંકિટ અને સ્વિગી ઇન્સ્ટામાર્ટ જેવા ક્વિક કોમર્સ પ્લેટફોર્મ્સે ગ્રાહકો માટે ખાંડની ખરીદી પર મર્યાદા (Purchase Limit) લાદી દીધી છે. છેલ્લા બે મહિનામાં છૂટક બજારમાં ખાંડના ભાવમાં આશરે 40 ટકાનો જંગી વધારો જોવા મળ્યો છે, જેના કારણે રિટેલર્સે ગ્રાહકો દીઠ ખાંડની ખરીદીને 3 થી 5 કિલો સુધી સીમિત કરી દીધી છે.</p><h2 style="text-align: justify; "><b>ખર્ચને કારણે કંપનીઓના નફા પર દબાણ</b></h2><p style="text-align: justify; ">આ સ્થિતિ એવા સમયે સર્જાઈ છે જ્યારે પેકેજ્ડ ફૂડ અને નાસ્તા બનાવતી કંપનીઓ માત્ર ખાંડ જ નહીં પરંતુ રસોઈ તેલના પણ ઊંચા ખર્ચનો સામનો કરી રહી છે. આ વધતા ખર્ચને કારણે કંપનીઓના નફા પર ભારે દબાણ આવ્યું છે. પરિણામે, ખાદ્ય ઉત્પાદકો તેમના ઉત્પાદનોના ભાવમાં 5% થી 6% સુધીનો વધારો કરવાની તૈયારી કરી રહ્યા છે. એક મોટી નાસ્તા ઉત્પાદક કંપનીના વડાએ જણાવ્યું હતું કે ઉત્પાદન ખર્ચ વધવાને કારણે તેમની પાસે ભાવ વધારવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી.</p><h3 style="text-align: justify; "><b>ભાવ વધારા પાછળના કારણો અને રેશનિંગ</b></h3><p style="text-align: justify; ">બજારના વિશેષજ્ઞોના મતે, અપેક્ષા કરતા ઓછું ખાંડનું ઉત્પાદન, અગાઉ થયેલી 800,000 ટન ખાંડની નિકાસ અને કેટલાક વચેટિયાઓ દ્વારા કરવામાં આવેલી સંગ્રહખોરી આ કિંમતોમાં વધારા માટે જવાબદાર છે. આ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે ગત અઠવાડિયે સરકારે 1 મિલિયન ટન ખાંડની આયાતને મંજૂરી આપી હતી. જોકે, રાહત મળે તે પહેલાં વિવિધ ઇ-કોમર્સ અને રિટેલ કંપનીઓએ સ્ટોક જાળવી રાખવા માટે રેશનિંગ પ્રક્રિયા શરૂ કરી દીધી છે.</p><h4 style="text-align: justify; "><b>દેશના વિવિધ શહેરોમાં પ્લેટફોર્મ્સ દ્વારા મર્યાદાઓ નક્કી કરાઇ</b></h4><p style="text-align: justify; ">બ્લિંકિટ: દિલ્હી-NCR અને પુણેમાં ગ્રાહકો માત્ર 5 કિલો સુધીની મર્યાદિત બ્રાન્ડેડ ખાંડ જ ખરીદી શકે છે, અથવા કાર્ટમાં ફક્ત ત્રણ 1 કિલોના પેક ઉમેરી શકે છે.</p><p style="text-align: justify; ">બિગબાસ્કેટ અને સ્વિગી ઇન્સ્ટામાર્ટ: આ પ્લેટફોર્મ્સ પર પણ ચોક્કસ બ્રાન્ડ્સ માટે 1 કિલોના બે થી પાંચ પેક સુધીની જ મર્યાદા રાખવામાં આવી છે.</p><p style="text-align: justify; ">ડી-માર્ટ: સુપરમાર્કેટના સ્ટોર્સ પર બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે કે એક ગ્રાહક પ્રતિ ઇન્વોઇસ માત્ર 5 કિલો ખાંડ જ ખરીદી શકશે.</p><p style="text-align: justify; ">અગાઉ સરકારે સરપ્લસ સ્ટોકની આશા રાખીને 2 મિલિયન ટન નિકાસને છૂટ આપી હતી, પરંતુ સ્થાનિક બજારમાં ભાવ વધતા મે મહિનામાં નિકાસ અટકાવી દેવામાં આવી હતી. સરકારી પગલાંથી મિલ સ્તરે ભાવ ઘટીને 58 રૂપિયા થયા હોવા છતાં, રક્ષાબંધન અને તહેવારો ટાણે ગ્રાહકોએ આ મર્યાદાઓનો સામનો કરવો પડી રહ્યો છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/sugar-price-hike-festivals-retail-rates" target="_blank">આ પણ વાંચોઃ Sugar Price Hike: તહેવારો પહેલા ફરી એક વખત ખાંડના ભાવમાં વધારો! જાણો કેટલા થયા રેટ....</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/26/dVvdUHCjSOXtjmRM6mEaqhTFEntNxfs28rWOYKpw.webp'/></item><item><title><![CDATA[Amit shah: 'ભારત કોઇ ધર્મશાળા નથી... કે કોઈપણ આવી જાય' ]]></title><link>https://sandesh.com/india/news/amit-shah-national-security-strategy--india-is-not-dharamshala-only-citizens-have-right-to-stay</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/amit-shah-national-security-strategy--india-is-not-dharamshala-only-citizens-have-right-to-stay</guid><pubDate>Wed, 26 Aug 2026 11:59:32 +05:30</pubDate><description><![CDATA[<p>Amit Shah: રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના પરિષદના સમાપન સત્રનું સંબોધન કર્યું હતું.   તેમણે  સંબોધન કરતા જણાવ્યું હતું કે,  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે 2047 સુધીમાં 'વિકસિત ભારત' (વિકસિત ભારત) ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે દેશની આંતરિક સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવી જરૂરી છે. આ દેશ કોઈ ધર્મશાળા નથી. અહીં રહેવાનો અધિકાર ફક્ત નાગરિકોને જ છે. ઘુસણખોરો રાષ્ટ્રની સુરક્ષા, અર્થતંત્ર અને વસ્તી વિષયક સંતુલન માટે ખતરો છે. અમારું લક્ષ્ય દેશને આ ઘુસણખોરોથી મુક્ત કરવાનો છે.તેમણે રાજ્યના પોલીસ મહાનિર્દેશકો (DGPs) અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓના અધિકારીઓને ભવિષ્યના પડકારોનો અંદાજ લગાવવા અને તે મુજબ વ્યૂહરચના ઘડવા હાકલ કરી. શાહે ભાર મૂક્યો હતો કે આતંકવાદ, નક્સલવાદ, ડ્રગ હેરફેર, ઘૂસણખોરી, સાયબર-હુમલા અને વૈશ્વિક અસ્થિરતા જેવા પડકારોનો શરૂઆતથી જ સામનો કરવો વધુ અસરકારક છે. તેમણે ટેકનોલોજી, કૃત્રિમ બુદ્ધિ (AI) અને આંતર-એજન્સી સંકલનને રાષ્ટ્રીય સુરક્ષાના મહત્વપૂર્ણ સ્તંભો તરીકે ઓળખાવ્યા. અમિત શાહ મંગળવારે નવી દિલ્હીમાં ઇન્ટેલિજન્સ બ્યુરોના 'રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના પરિષદ'ના સમાપન સત્રમાં બોલી રહ્યા હતા. બે દિવસીય આ પરિષદમાં રાજ્યના DGPs, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓના અધિકારીઓએ હાજરી આપી હતી.</p><p><br></p><h4><b>હવે ભવિષ્યના પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરવું</b></h4><p>અમિત શાહે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના ફક્ત વર્તમાન મુદ્દાઓ પર આધારિત ન હોવી જોઈએ. તેમણે આગામી 15 થી 20 વર્ષોમાં વૈશ્વિક વલણોનો અભ્યાસ કરીને ભવિષ્યની સંભવિત સમસ્યાઓ ઓળખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમના મતે કોઈ પડકાર વધી ગયા પછી તેનો સામનો કરવા કરતાં તેના શરૂઆતના તબક્કામાં જ તેને અટકાવવો વધુ સરળ છે. ગૃહમંત્રીએ ટિપ્પણી કરી કે જો ડ્રગ્સનો દુરુપયોગ, નક્સલવાદ અને પૂર્વોત્તરની સમસ્યાઓ જેવા મુદ્દાઓને પ્રારંભિક તબક્કે ગંભીરતાથી સંબોધવામાં આવ્યા હોત તો દેશને આટલા લાંબા સમય સુધી તેમની સાથે ઝઝૂમવું પડત નહીં.</p><p><br></p><h4><b>આતંકવાદ વિરુદ્ધ પ્રહાર પર ભાર</b></h4><p>અમિત શાહે આતંકવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે પ્રહાર રણનીતિને જમીન પર લાગુ કરવાની વાત કરી છે. તેમણે ભાર મૂક્યો કે આ વ્યૂહરચના ફક્ત એક દસ્તાવેજ ન રહેવી જોઈએ પરંતુ તેને દૈનિક પોલીસ કામગીરીમાં સંકલિત કરવી જોઈએ. તેમણે સમગ્ર આતંકવાદી નેટવર્કને તોડી પાડવા માટે '360-ડિગ્રી વ્યૂહરચના' અપનાવવાની હાકલ કરી અને રાજ્યના ડીજીપીને આતંકવાદનો સામનો કરવા માટે અસરકારક પદ્ધતિઓ સ્થાપિત કરવા વિનંતી કરી.</p><p><br></p><h4><b>નશા વિરુદ્ધ ત્રણ D પર કામ</b></h4><p>અમિત શાહે રાજ્યોને 'નાર્કોટિક્સ કંટ્રોલ વિઝન ડોક્યુમેન્ટ 2026-2029' લાગુ કરવા વિનંતી કરી. તેમણે ડ્રગ્સ સામેની લડાઈમાં ડિટેક્ટ, ડિસરપ્ટ અને ડિસ્ટ્રોય એટલે ઓળખવા તેમજ નેટવર્કને તોડીવા અને તેને ખતમ કરવા પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ડ્રગ્સના જોખમ સામે સંયુક્ત રીતે આ લડાઈ લડવી જોઈએ.</p><p><br></p><h4><b>ઘૂસણખોરીને કાબુમાં લેવી: ટોચની પ્રાથમિકતા</b></h4><p>ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે તેમણે છેલ્લા આઠ મહિનામાં જમીન સરહદો ધરાવતા તમામ રાજ્યોની મુલાકાત લીધી છે. આ મુલાકાતો દરમિયાન રાજ્યો સાથે સરહદ સુરક્ષા માટે એક નવો અભિગમ શેર કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સરકારનું લક્ષ્ય ભારતને શક્ય તેટલી વહેલી તકે ઘૂસણખોરીથી મુક્ત કરવાનું છે. અમિત શાહે ટિપ્પણી કરી હતી કે ઘૂસણખોરો દેશની સુરક્ષા, અર્થતંત્ર અને વસ્તી વિષયક બાબતો માટે ખતરો છે. તેમણે રાજ્યોને સરહદ સુરક્ષા માટે સમર્પિત વરિષ્ઠ સ્તરના નોડલ અધિકારીઓની નિમણૂક કરવા પણ વિનંતી કરી હતી.</p><p><br></p><h4><b>વિદેશમાં છુપાયેલા ભાગેડુઓ સામે કાર્યવાહી</b></h4><p>અમિત શાહે જણાવ્યું હતું કે સરકારે વિદેશમાં છુપાયેલા ભાગેડુઓને પાછા લાવવા માટે તંત્રને મજબૂત બનાવ્યું છે. તેમણે ખુલાસો કર્યો હતો કે 2019 થી 2026 દરમિયાન આશરે 274 ભાગેડુઓને વિદેશથી ભારત પાછા લાવવામાં આવ્યા છે. તેમણે રાજ્યોને કહ્યું હતું કે તેમનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો હોવો જોઈએ કે વિદેશમાં છુપાયેલો કોઈ ભાગેડુ ભારતીય કાયદાની પહોંચની બહાર ન રહે.</p><p><br></p><h4><b>ટેકનોલોજી અને AI પર ભાર</b></h4><p>ગૃહમંત્રીએ પોલીસ અને સુરક્ષા એજન્સીઓમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે મલ્ટી-એજન્સી સેન્ટર (MAC) ને આધુનિક બનાવવામાં આવ્યું છે; તેનો ઉપયોગ વિવિધ એજન્સીઓ પાસેથી મળેલી માહિતીને એકીકૃત અને વિશ્લેષણ કરવા માટે થઈ રહ્યો છે. તેમણે યુવા અધિકારીઓને ડેટાનું વિશ્લેષણ કરવા અને ગુનેગારોની મોડસ ઓપરેન્ડી ઓળખવા માટે AI નો ઉપયોગ કરવા હાકલ કરી હતી.</p><p><br></p><h4><b>સાયબર યુદ્ધ અને વૈશ્વિક અસ્થિરતા: મુખ્ય પડકારો</b></h4><p>અમિત શાહે જણાવ્યું હતું કે ભારતની સુરક્ષા નીતિ ફક્ત આંતરિક ઘટનાઓ જોઈને ઘડી શકાતી નથી. વૈશ્વિક અસ્થિરતા, ઉર્જા સુરક્ષા, પુરવઠા શૃંખલામાં વિક્ષેપો, વધતા કટ્ટરપંથીકરણ અને સાયબર-ખોટી માહિતી જેવા જોખમોને પણ ધ્યાનમાં લેવા જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો કેન્દ્ર અને રાજ્યો સાથે મળીને કામ કરે, તો સૌથી મહત્વપૂર્ણ સુરક્ષા પડકારોને પણ દૂર કરી શકાય છે. ગૃહમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ધ્યેય સ્પષ્ટ છે: પડકારો મોટી સમસ્યાઓમાં પરિણમે તે પહેલાં તેમને ઓળખવા અને તટસ્થ કરવા. આ સુરક્ષિત, ઘૂસણખોરી-મુક્ત અને ડ્રગ-મુક્ત ભારત બનાવવામાં મદદ કરશે.</p><p><br></p><p><br></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/26/RjyK6hewmEGGUCjj5bkerym0ZF8J6e9WX2XzPP5X.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : થલતેજમાં 11મા માળેથી યુવતીએ કૂદીને જીવન ટૂંકાવ્યું, રહસ્ય અકબંધ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-thaltej-woman-dies-after-fall-11th-floor</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-thaltej-woman-dies-after-fall-11th-floor</guid><pubDate>Wed, 26 Aug 2026 11:03:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના થલતેજ વિસ્તારમાં થલતેજ મેટ્રો સ્ટેશન નજીક આવેલી શક્તિ 140 ફ્લેટમાં એક કરુણ ઘટના સામે આવી છે. 26 વર્ષીય યુવતીએ રાત્રિના સમયે બિલ્ડિંગના 11મા માળે આવેલી અગાશી પરથી કૂદીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. યુવતી બેઝમેન્ટ પાર્કિંગ તરફના ભાગે પટકાતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.</p><h2 style="text-align: justify; "><b>યુવતી માતા પિતા સાથે રહેતી હતી</b></h2><p style="text-align: justify; ">મળતી વિગતો મુજબ, યુવતી શક્તિ 140 ફ્લેટના A બ્લોકમાં પોતાના માતા-પિતા અને બહેન સાથે રહેતી હતી. રાત્રિના સમયે તેણે અગાશી પરથી કૂદકો મારતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સોસાયટીના રહીશો અને આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા.</p><h3 style="text-align: justify; "><b>પોલીસ સ્થળ પર પહોંચી</b></h3><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં બોડકદેવ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી કર્યા બાદ યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. આ ઉપરાંત પોલીસ દ્વારા પરિવારના સભ્યોના નિવેદનો પણ લેવામાં આવ્યા છે.</p><h4 style="text-align: justify; "><b>યુવતી માનસિક બિમારીની દવા લેતી હતી</b></h4><p style="text-align: justify; ">પોલીસને પરિવાર દ્વારા મૃતક યુવતીની મેડિકલ ફાઈલ પણ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં યુવતી માનસિક બીમારી સંબંધિત સારવાર અને દવા લેતી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ માનસિક બીમારીને કારણે યુવતીએ આ પગલું ભર્યું હોઈ શકે છે.</p><h4 style="text-align: justify; "><b>કોઈ સુસાઇડ નોટ મળી આવી નથી</b></h4><p style="text-align: justify; ">ઘટનાસ્થળેથી યુવતી પાસેથી કોઈ સુસાઇડ નોટ મળી આવી નથી. જેના કારણે આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે બોડકદેવ પોલીસે તપાસ વધુ તેજ કરી છે. પરિવારના સભ્યોના નિવેદન, મેડિકલ વિગતો અને અન્ય પુરાવાના આધારે સમગ્ર ઘટનાક્રમની તપાસ કરવામાં આવી રહી છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp;<a href="https://sandesh.com/gujarat/news/crime/vadodara/vande-bharat-train-stone-pelting-near-surat" target="_blank"><b> &nbsp;Surat નજીક વંદે ભારત પર પથ્થરમારો, ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા રાજ્યપાલ આનંદીબેન પટેલ</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/26/Z94cZWWhHcKUNrVHxaxXIP3iC7w1rHMIMqtqGGKQ.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : હોલસેલમાં ખાંડ સસ્તી, એક દિવસમાં રૂ.750નો ઘટાડો છતાં રિટેલ ભાવ 70થી 80 રૂપિયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-sugar-price-wholesale-fall-retail-rates-high</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-sugar-price-wholesale-fall-retail-rates-high</guid><pubDate>Wed, 26 Aug 2026 10:50:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદમાં ખાંડના ભાવને લઈને હવે મોટો સવાલ ઊભો થયો છે. હોલસેલ માર્કેટમાં ખાંડના ભાવમાં એક જ દિવસમાં રૂ.750 સુધીનો નોંધપાત્ર ઘટાડો થયો હોવા છતાં તેનો લાભ સામાન્ય ગ્રાહકો સુધી પહોંચતો નથી. હોલસેલમાં ભાવ ઘટ્યા છે, પરંતુ રિટેલ બજારમાં ખાંડ હજુ પણ પ્રતિ કિલો રૂ.70થી 80ના ભાવે વેચાઈ રહી હોવાનું સામે આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>પુરવઠા વિભાગની કામગીરી સામે સવાલો</b></h2><p style="text-align: justify; ">હોલસેલ અને રિટેલ ભાવ વચ્ચેનો આ મોટો તફાવત ગ્રાહકો માટે ચિંતાનો વિષય બન્યો છે. હોલસેલમાં ભાવ ઘટે તો તેનો લાભ સીધો રિટેલ માર્કેટમાં જોવા મળવો જોઈએ, પરંતુ હાલ સ્થિતિ વિપરીત જોવા મળી રહી છે. જેના કારણે પુરવઠા વિભાગની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.</p><h3 style="text-align: justify; "><b>ગુજરાતમાં વાર્ષિક અંદાજે 18 લાખ ટન ખાંડનો વપરાશ</b></h3><p style="text-align: justify; ">ગુજરાતમાં વાર્ષિક અંદાજે 18 લાખ ટન ખાંડનો વપરાશ થાય છે. જેમાંથી આશરે 70 ટકા ખાંડનો ઉપયોગ વિવિધ ઉદ્યોગોમાં થાય છે, જ્યારે બાકીનો જથ્થો ઘરેલુ અને અન્ય વપરાશ માટે બજારમાં પહોંચે છે. આટલા મોટા વપરાશ ધરાવતા રાજ્યમાં ખાંડના ભાવમાં થતો ફેરફાર સીધો સામાન્ય નાગરિકોના ઘરેલુ બજેટને અસર કરે છે.</p><h3 style="text-align: justify; "><b>ખાંડના ભાવ પર સૌની નજર&nbsp;</b></h3><p style="text-align: justify; ">હવે તહેવારો નજીક આવી રહ્યા હોવાથી ખાંડના ભાવ પર સૌની નજર છે. તહેવારો દરમિયાન મીઠાઈ અને અન્ય ખાદ્ય વસ્તુઓની માંગ વધતી હોવાથી ભાવમાં વધારો થવાની શક્યતા રહે છે. ત્યારે હોલસેલ ભાવમાં થયેલા ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચે તે જરૂરી બન્યું છે.</p><h4 style="text-align: justify; "><b>રિટેલ માર્કેટમાં ભાવ કેમ ઘટતા નથી?</b></h4><p style="text-align: justify; ">આયાતી ખાંડ બજારમાં આવતાં ભાવમાં વધુ ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે સવાલ એ છે કે હોલસેલમાં ખાંડ સસ્તી થયા બાદ પણ રિટેલ માર્કેટમાં ભાવ કેમ ઘટતા નથી? લોકો દ્વારા સંગ્રહખોરી અને કૃત્રિમ ભાવવધારો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.</p><h4 style="text-align: justify; "><b>સામાન્ય ગ્રાહકોને લાભ ક્યારે&nbsp;</b></h4><p style="text-align: justify; ">તહેવારો પહેલાં સરકાર અને પુરવઠા વિભાગ ભાવ પર અસરકારક નિયંત્રણ લાવી શકે છે કે નહીં અને હોલસેલમાં થયેલા ઘટાડાનો લાભ સામાન્ય ગ્રાહકો સુધી પહોંચશે કે નહીં, તે હવે મહત્વનો મુદ્દો બન્યો છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/crime/vadodara/vande-bharat-train-stone-pelting-near-surat" target="_blank"><b>Surat નજીક વંદે ભારત પર પથ્થરમારો, ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા રાજ્યપાલ આનંદીબેન પટેલ</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/26/jGfxq5UOM7IlSbczD94U3GbB5IeVaSGAkX2Pxrnw.webp'/></item><item><title><![CDATA[Kutch News: રોયલ સ્ટેગ પછી હવે નકલી ‘રોયલ ચેલેન્જ’, આદિપુરમાં ઝડપાઇ નકલી દારૂની ફેક્ટરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/kutiyana/kutch-news-adipur-fake-royal-challenge-liquor-factory-busted</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/kutiyana/kutch-news-adipur-fake-royal-challenge-liquor-factory-busted</guid><pubDate>Wed, 26 Aug 2026 10:21:31 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કચ્છના ગાંધીધામ નજીક આવેલા આદિપુરના 4- એ વિસ્તારમાં નકલી ઇંગ્લિશ દારૂનું મોટું કૌભાંડ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. ભુજ સાયબર સેલની ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી ડુપ્લીકેટ દારૂ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. સ્થળ પરથી જાણીતી બ્રાન્ડના નામે બજારમાં ખપાવવા માટે તૈયાર કરવામાં આવતો નકલી દારૂ, હજારો ખાલી બોટલો, ભરેલા ક્વાર્ટર, શંકાસ્પદ કેમિકલ અને બોટલો સીલ કરવાનું મશીન કબજે કરવામાં આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>2 આરોપીની ધરપકડ</b></h2><p style="text-align: justify; ">પોલીસે આ સમગ્ર મામલે મુંબઈના હિતેશ બામણિયા અને ઉત્તર પ્રદેશના મથુરાના બિજેન્દ્ર જાટ નામના બે આરોપીઓને ઝડપી પાડી સઘન પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં નકલી દારૂનો જથ્થો બજારમાં સપ્લાય થાય તે પહેલાં જ પોલીસે કાર્યવાહી કરીને સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હોવાનું સામે આવ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>અચાનક દરોડો અને અંદર ચાલતી હતી નકલી દારૂની ફેક્ટરી!</b></h3><p style="text-align: justify; ">ભુજ સાયબર સેલની ટીમને આદિપુરના 4-A વિસ્તારમાં ભાડાની દુકાનમાં ગેરકાયદેસર રીતે નકલી દારૂ બનાવવામાં આવતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે ટીમે અચાનક દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન અંદર મોટા પાયે નકલી દારૂ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી હોવાનું સામે આવ્યું હતું.</p><h4 style="text-align: justify; "><b>રોયલ ચેલેન્જ લખેલી બોટલ મળી</b></h4><p style="text-align: justify; ">પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ જાણીતી દારૂ બ્રાન્ડના નામે બોટલો તૈયાર કરીને તેને બજારમાં ખપાવવાની તૈયારીમાં હતા. એક સેમ્પલ બોટલ પર ‘Royal Challenge’ લખેલું મળી આવ્યું હતું, જ્યારે અન્ય બોટલોના ઢાંકણા પર ‘RC’ લખાણ જોવા મળ્યું હતું.</p><h4 style="text-align: justify; "><b>600થી વધુ ભરેલા ક્વાર્ટર મળ્યા&nbsp;</b></h4><p style="text-align: justify; ">પોલીસે દરોડા દરમિયાન અંદાજે 9 હજાર જેટલી ખાલી બોટલો કબજે કરી છે. ઉપરાંત 600થી વધુ દારૂથી ભરેલા ક્વાર્ટર પણ મળી આવ્યા છે. આ તૈયાર ક્વાર્ટર પર હજુ સ્ટીકર લગાવવાની કામગીરી બાકી હોવાનું સામે આવ્યું છે.</p><h4 style="text-align: justify; "><b>600 લીટર જેટલું શંકાસ્પદ કેમિકલ પણ મળ્યું&nbsp;</b></h4><p style="text-align: justify; ">સ્થળ પરથી દારૂ બનાવવા માટે વપરાતું અંદાજે 600 લીટર જેટલું શંકાસ્પદ કેમિકલ, પેકિંગ મટીરિયલ તેમજ બોટલો સીલ કરવા માટેનું મશીન પણ જપ્ત કરવામાં આવ્યું છે. એટલે કે, માત્ર થોડા જ સમયમાં આ જથ્થાને જાણીતી બ્રાન્ડનું લેબલ લગાવી બજારમાં ઉતારવાની તૈયારી ચાલી રહી હતી.</p><h4 style="text-align: justify; "><b>રો મટીરિયલ મુંબઈથી મંગાવાયું, ‘રાજુ’ નામના વ્યક્તિની ભૂમિકા તપાસ હેઠળ</b></h4><p style="text-align: justify; ">રેન્જ આઈજી ચિરાગ કોરડિયાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે ગોડાઉનમાં મોટા પાયે નકલી દારૂનું ઉત્પાદન કરીને જાણીતી બ્રાન્ડના સ્ટીકરો લગાવી બોટલો બજારમાં વેચવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે દારૂ બનાવવાનું રો મટીરિયલ મુંબઈથી મંગાવવામાં આવ્યું હતું. મુંબઈમાં રાજસ્થાનના ‘રાજુ’ નામના વ્યક્તિ મારફતે આ સામગ્રી મોકલવામાં આવી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. હવે આ રાજુ કોણ છે અને તે માત્ર સપ્લાયર છે કે સમગ્ર નેટવર્કનો મહત્વનો ખેલાડી, તે દિશામાં તપાસ આગળ વધી રહી છે.</p><h5 style="text-align: justify; "><b>માત્ર 3-4 દિવસથી શરૂ કર્યું હતું</b></h5><p style="text-align: justify; ">આરોપીઓએ પ્રાથમિક પૂછપરછમાં પોલીસને આ પ્રવૃત્તિ માત્ર 3થી 4 દિવસ પહેલાં જ શરૂ કરી હોવાનું જણાવ્યું છે. જોકે, એક સાથે 9 હજાર ખાલી બોટલો, સેંકડો તૈયાર ક્વાર્ટર, કેમિકલ અને પેકિંગ મશીનરી મળી આવતા સમગ્ર મામલો માત્ર થોડા દિવસનો છે કે તેની પાછળ લાંબા સમયથી ચાલતું કોઈ મોટું નેટવર્ક છે, તે અંગે સવાલો ઊભા થયા છે.</p><h4 style="text-align: justify; "><b>નકલી દારૂના કારોબારની આશંકા</b></h4><p style="text-align: justify; ">રોયલ સ્ટેગ સહિતની બ્રાન્ડના નામે અગાઉ પણ નકલી દારૂના કારોબારની આશંકા સામે આવી ચૂકી છે. હવે ‘રોયલ ચેલેન્જ’ના નામે તૈયાર થતો નકલી દારૂ ઝડપાતા પોલીસ આ સમગ્ર રેકેટના જૂના કનેક્શન અને સપ્લાય ચેઇનની પણ તપાસ કરી રહી છે. ઘટનાસ્થળે FSLની ટીમ પહોંચીને કેમિકલ અને અન્ય સામગ્રીના સેમ્પલ લઈને તપાસ શરૂ કરી છે. હવે સવાલ એ છે કે આ નકલી દારૂનો જથ્થો ક્યાં સપ્લાય થવાનો હતો? અત્યાર સુધી કેટલો જથ્થો બજારમાં પહોંચી ગયો છે? રો મટીરિયલ સપ્લાય કરનાર કોણ છે? અને આ બે આરોપીઓની પાછળ કોઈ મોટું દારૂ માફિયાનું નેટવર્ક કાર્યરત છે કે નહીં? પોલીસે બંને આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરી છે અને સમગ્ર નકલી દારૂના નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp;&nbsp;<a href="https://sandesh.com/gujarat/news/crime/vadodara/vande-bharat-train-stone-pelting-near-surat" target="_blank"><b>Surat નજીક વંદે ભારત પર પથ્થરમારો, ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા રાજ્યપાલ આનંદીબેન પટેલ</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/26/GW9BGT5XQKhzcEBfii8qiRrR6JR2fBg3zPw86tkd.webp'/></item><item><title><![CDATA[Junagadhની નોબલ આયુર્વેદિક કોલેજ વિવાદમાં, 13 નકલી શિક્ષકોના વેરિફિકેશનમાં 10 લાખની લાંચનો આરોપ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/junagadh-noble-ayurvedic-college-13-fake-teachers-cbi-bribery-case</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/junagadh-noble-ayurvedic-college-13-fake-teachers-cbi-bribery-case</guid><pubDate>Wed, 26 Aug 2026 09:56:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ ફરી એકવાર વિવાદમાં આવી છે. કોલેજમાં 13 નકલી શિક્ષકોના વેરિફિકેશનને લઈને ગંભીર મામલો સામે આવ્યો છે. આ કેસમાં પોઝિટિવ રિપોર્ટ મેળવવા માટે રૂપિયા 10 લાખની લાંચ આપવાની ઓફર કરવામાં આવી હોવાના આરોપ સાથે તપાસ શરૂ કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>દિલ્હી CBI દ્વારા ગુનો નોંધવામાં આવ્યો</b></h2><p style="text-align: justify; ">મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને દિલ્હીની CBI દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. તપાસમાં કોલેજ સાથે સંકળાયેલા લોકોની ભૂમિકા તપાસવામાં આવી રહી છે. પ્રાથમિક વિગતો મુજબ 13 શિક્ષકોના વેરિફિકેશનને લઈને પોઝિટિવ રિપોર્ટ મેળવવા માટે કથિત રીતે લાંચ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>કોલેજના ટ્રસ્ટી પ્રતિક મોરી સામે કેસ દાખલ</b></h3><p style="text-align: justify; ">આ સમગ્ર કેસમાં નોબલ આયુર્વેદિક કોલેજના ટ્રસ્ટી પ્રતિક મોરી સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોલેજ સાથે સંકળાયેલા ફેકલ્ટી ડોક્ટર અભય નલાવડે સામે પણ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.</p><h4 style="text-align: justify; "><b>પોઝિટિવ રિપોર્ટ મેળવવા માટે  10 લાખની ઓફર</b></h4><p style="text-align: justify; ">13 નકલી શિક્ષકોના વેરિફિકેશનને લઈને શરૂ થયેલો આ વિવાદ હવે CBI તપાસ સુધી પહોંચ્યો છે. પોઝિટિવ રિપોર્ટ મેળવવા માટે કથિત રીતે રૂપિયા 10 લાખની ઓફર કરવામાં આવી હોવાના મામલે તપાસ એજન્સી સમગ્ર ઘટનાક્રમની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.</p><h4 style="text-align: justify; "><b>વધુ ચોંકાવનારી માહિતી મલે તેવી શક્યતા</b></h4><p style="text-align: justify; ">જૂનાગઢની આ આયુર્વેદિક કોલેજ સામે CBI દ્વારા કાર્યવાહી શરૂ થતાં શિક્ષણ અને તબીબી ક્ષેત્રમાં ચકચાર મચી છે. તપાસ આગળ વધતાં આ કેસમાં વધુ ચોંકાવનારી વિગતો સામે આવવાની શક્યતા છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp; :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/crime/vadodara/vande-bharat-train-stone-pelting-near-surat" target="_blank"><b>&nbsp;Surat નજીક વંદે ભારત પર પથ્થરમારો, ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા રાજ્યપાલ આનંદીબેન પટેલ</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/26/dcPt3b5vY5Mh5MwWhMJm9gmw8M4H2BcuvqvvkK7f.webp'/></item><item><title><![CDATA[Team India વર્લ્ડકપમાંથી થઈ ગઈ બહાર, આર્જેન્ટિનાએ મેચ 5-3 ના માર્જિનથી જીતી ]]></title><link>https://sandesh.com/sports/news/india-out-2026-hockey-world-cup-argentina</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india-out-2026-hockey-world-cup-argentina</guid><pubDate>Mon, 24 Aug 2026 21:35:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">2026ના પુરુષ હોકી વર્લ્ડકપમાં ભારતીય હોકી ટીમની સફરનો અંત આવી ગયો છે. બીજા રાઉન્ડના મહત્વપૂર્ણ મેચમાં આર્જેન્ટિનાએ ભારતને 5-3 થી હરાવ્યું. આ હારથી ભારતીય ટીમ વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ છે, જેનાથી ફરી એકવાર વિશ્વ ચેમ્પિયન બનવાનું તેમનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું છે. આ પહેલા ટીમ ઈન્ડિયાને નેધરલેન્ડ્સ સામે પણ હારનો સામનો કરવો પડ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>આર્જેન્ટિના સામેની મેચમાં ભારતની શરૂઆત ખરાબ રહી&nbsp;</b></h2><p style="text-align: justify; ">ભારત માટે મેચની શરૂઆત ખરાબ રહી. રમત શરૂ થયાના 40 સેકન્ડમાં જ આર્જેન્ટિનાના ટોસ્કાનીએ ફિલ્ડ ગોલ કરીને ભારત પર દબાણ બનાવ્યું. થોડી જ વારમાં 7મી મિનિટે, નિકોલસ ડેલા ટોરીએ પેનલ્ટી કોર્નરને ગોલ કરીને આર્જેન્ટિનાને 2-0ની લીડ અપાવી.</p><p style="text-align: justify; ">સુખજીત સિંહે 10મી મિનિટે શાનદાર ફિલ્ડ ગોલ કરીને ભારત માટે વાપસીનો દરવાજો ખોલ્યો, પરંતુ ટીમ ગતિ જાળવી રાખવામાં અસમર્થ રહી. સમગ્ર મેચ દરમિયાન ભારતીય ટીમનો ડિફેન્સ ખરાબ જોવા મળ્યો હતો. બીજા અને ત્રીજા ક્વાર્ટરમાં ભારતીય ખેલાડીઓએ કબજો જાળવી રાખ્યો પરંતુ કોઈ પણ ગોલમાં રૂપાંતરિત કરવામાં નિષ્ફળ રહ્યા.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/TheHockeyIndia/status/2091897544658043073"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3 style="text-align: justify; "><b>ભારતને 4 પેનલ્ટી કોર્નર મળ્યા</b></h3><p style="text-align: justify; ">પરંતુ 34મી મિનિટે ભારતને સતત 4 પેનલ્ટી કોર્નર મળ્યા, અને કેપ્ટન હરમનપ્રીત સિંહ પાસે ગોલ કરવાની સુવર્ણ તક હતી. આર્જેન્ટિનાના મજબૂત ડિફેન્સ અને જુગરાજની ગેરહાજરીએ ભારતીય ટીમને કોઈપણ તકનો લાભ ઉઠાવવાથી રોકી. આર્જેન્ટિનાના ખેલાડી ડોમેન મેચના ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં પ્રભુત્વ ધરાવતો હતો, જ્યારે ભારતીય ગોલકીપર મોહિતે કેટલાક શાનદાર બચાવ કર્યા. યશદીપના ફાઉલથી આર્જેન્ટિનાને પેનલ્ટી સ્ટ્રોક મળ્યો, જેને ડોમેન સરળતાથી કન્વર્ટ કરી શક્યો. ભારતે અંતિમ ક્વાર્ટરમાં 2 ગોલ કર્યા, પરંતુ તે ખૂબ મોડું થયું હતું, અને તેઓ આખરે મેચ 5-3થી હારી ગયા.</p><h4 style="text-align: justify; "><b>ટીમ ઈન્ડિયા નેધરલેન્ડ્સ સામે 3-1થી હારી ગઈ</b></h4><p style="text-align: justify; ">આ હોકી વર્લ્ડકપનો બીજો રાઉન્ડ ભારતીય ટીમ માટે નિરાશાજનક રહ્યો. ટીમને નેધરલેન્ડ્સ સામે 3-1થી હારનો સામનો કરવો પડ્યો. વધુમાં ભારત પ્રથમ રાઉન્ડમાં ઈંગ્લેન્ડ સામે હારી ગયું, જેના કારણે તેમને પ્લેઓફ માટે કોઈ પોઈન્ટ મળ્યા નહીં. પરિણામે, બીજા રાઉન્ડમાં એક પણ પોઈન્ટ મેળવવામાં નિષ્ફળ જતાં ભારતીય ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/nsG2MC907d63vELFo1bIBVbS5CztflSAwMjiy4XY.webp'/></item></channel></rss>