<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Mahisagar News: ખાનપુરમાં વરસાદ ખેંચાતા ખેડૂતોનું આવેદન, 5 મુખ્ય માંગણી સાથે રજૂઆત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/mahisagar/khanpur-farmers-memorandum-rain-shortage-crop-damage</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/mahisagar/khanpur-farmers-memorandum-rain-shortage-crop-damage</guid><pubDate>Mon, 07 Sep 2026 14:02:23 +05:30</pubDate><description><![CDATA[<p>મહિસાગર જિલ્લામાં લાંબા સમયથી વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સિંચાઈના પાણીના અભાવે ખેતરોમાં ઉભો મકાઈ અને ડાંગર સહિતનો પાક સુકાઈ જવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે. મોંઘા બિયારણ અને ખાતરનો ખર્ચ કર્યા બાદ હવે પાક નિષ્ફળ જવાની આશંકાથી ખાનપુર તાલુકાના ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે.</p><h2><b>ખાનપુર મામલતદારને 5 મુખ્ય માંગણીઓ સાથે રજૂઆત</b></h2><p>વરસાદી ખેંચથી સર્જાયેલી વિષમ પરિસ્થિતિને પગલે ખાનપુર તાલુકાના ખેડૂતોએ એકઠા થઈને ખાનપુર મામલતદારને આવેદનપત્ર સોંપ્યું હતું. ખેડૂતોએ પોતાની રોજીરોટી અને પાક બચાવવા માટે સરકાર સમક્ષ 5 અલગ અલગ મુખ્ય માંગણીઓ રજૂ કરી છે.</p><p><img alt="Mahisagar News: Khanpur Farmers Submit Memorandum Over Rain Shortage" src="https://epapercdn.sandesh.com/images/2026/09/07/GePd4sTg0gaFCQS59WcxUqhFuVAhmvxAZhAo1Ka3.webp"><br></p><h2><b>કડાણા ડેમમાંથી પાણી છોડવા અને ધિરાણ માફીની માગ</b></h2><p>આવેદનપત્રમાં ખેડૂતોએ માગ કરી છે કે, કડાણા ડેમમાંથી પાણી છોડીને ગામના તળાવો ભરવામાં આવે જેથી સિંચાઈ થઈ શકે. આ ઉપરાંત પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવી અને ખેડૂતોના કૃષિ ધિરાણ માફ કરવાની અપીલ કરવામાં આવી છે. આ સાથે સાથે ખેતરોમાં થયેલા નુકસાનનો ત્વરિત સર્વે કરાવીને યોગ્ય આર્થિક સહાય ચૂકવવાની માંગ પણ કરી છે.</p><p><img alt="Mahisagar News: Khanpur Farmers Submit Memorandum Over Rain Shortage" src="https://epapercdn.sandesh.com/images/2026/09/07/PpjjDZPZFMIrjY1tisMYlH9p7XahPuE123rdZyTU.webp"><br></p><h2><b>સરકારી વરસાદી આંકડા સામે ખેડૂતોના ગંભીર આક્ષેપ</b></h2><p>આવેદનપત્ર આપવા પહોંચેલા ખેડૂતોએ તંત્ર સામે રોષ ઠાલવતા આક્ષેપ કર્યો હતો કે ખાનપુર તાલુકામાં દર્શાવાઈ રહેલા વરસાદના સરકારી આંકડા સાચા નથી પરંતુ ખોટા છે. વાસ્તવિકતામાં ખેતરોમાં પાણી વગર પાક બળી રહ્યો છે, ત્યારે સરકારે કાગળ પરના આંકડા ભૂલીને જમીની હકીકત જોઈ ત્વરિત રાહત આપવી જોઈએ.</p><p><br></p><p>આ પણ વાંચો:<a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mahisagar/mahisagar-santaramapur-sangwada-lcb-gambling-raid-10-arrested" target="_blank"> Mahisagar News: સંતરામપુરના સાંગવાડા પાસે શ્રાવણ માસમાં જુગાર રમતા 10 ઈસમો ઝડપાયા</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/NfOExhkr2OiIQ6KYIPwQkiG73tNTN3np6wyEO1Er.webp'/></item><item><title><![CDATA[PM Jan Dhan Yojanaનો ધબડકો, 5.72 કરોડ જન ધન ખાતાઓમાં એક પણ પૈસો નથી! ]]></title><link>https://sandesh.com/india/news/business/pmjdy-jan-dhan-accounts-inactive-zero-balance-up-tops</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/pmjdy-jan-dhan-accounts-inactive-zero-balance-up-tops</guid><pubDate>Mon, 07 Sep 2026 13:58:05 +05:30</pubDate><description><![CDATA[<p>નાણાં મંત્રાલયે એક RTIના જવાબમાં જણાવ્યું છે કે પ્રધાનમંત્રી જનધન યોજના PMJDY હેઠળ દેશનું લગભગ દર ચોથું ખાતું નિષ્ક્રિય છે. એટલે કે દેશના લગભગ દર ચોથા ખાતામાં કોઈ લેવડદેવડ થતી નથી.&nbsp; બીજી તરફ, લગભગ 5.72 કરોડ ખાતાઓમાં એક પણ રૂપિયો જમા નથી. નિષ્ક્રિય ખાતા અને શૂન્ય બેલેન્સ ધરાવતા ખાતા, આ બંને મામલે ઉત્તર પ્રદેશ દેશભરમાં પ્રથમ ક્રમે છે.</p><p>પ્રધાનમંત્રી જનધન યોજના ઓગસ્ટ, 2014માં શરૂ કરવામાં આવી હતી. દેશના દરેક પરિવારને ઓછામાં ઓછું એક બેંક ખાતું, બેંકિંગ સેવાઓ સુધી પહોંચ, નાણાકીય સમજણ અને સામાજિક સુરક્ષા મળે તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી હતી. નાણાં મંત્રાલયના નાણાકીય સેવા વિભાગ મુજબ, 12 ઓગસ્ટ, 2026 સુધી દેશમાં PMJDYના કુલ 59,03,74,907 ખાતા હતા. આ ખાતાઓમાં કુલ 3.15 લાખ કરોડ રૂપિયાથી વધુ રકમ જમા હતી. RTI કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડે કરેલી અરજીના જવાબમાં વિભાગે જણાવ્યું કે કુલ ખાતાઓમાંથી 32.89 કરોડ ખાતા મહિલાઓના અને 26.14 કરોડ ખાતા પુરુષોના છે. આંકડા મુજબ, 5,72,35,490 ખાતાઓમાં કોઈ રકમ જમા નહોતી. જ્યારે 15,36,77,009 ખાતા નિષ્ક્રિય હતા.</p><h2><span style="font-size: 2rem;"><b>શૂન્ય બેલેન્સ અને નિષ્ક્રિય ખાતામાં ઉત્તર પ્રદેશ પ્રથમ</b></span></h2><p>શૂન્ય બેલેન્સ એટલે કે કોઈ રકમ ન ધરાવતા જનધન ખાતાઓની સંખ્યામાં ઉત્તર પ્રદેશ 95.92 લાખ ખાતા સાથે સૌથી આગળ છે. ત્યારબાદ બિહાર 62.35 લાખ, પશ્ચિમ બંગાળ 37.20 લાખ, આસામ 36.30 લાખ અને મહારાષ્ટ્ર 36.04 લાખ સાથે આવે છે. નિષ્ક્રિય ખાતાઓની સંખ્યામાં પણ ઉત્તર પ્રદેશ 3.23 કરોડ ખાતા સાથે પ્રથમ ક્રમે છે. ત્યારબાદ બિહાર 1.59 કરોડ, મધ્ય પ્રદેશ 1.35 કરોડ, પશ્ચિમ બંગાળ 1.02 કરોડ અને મહારાષ્ટ્ર 97.94 લાખ સાથે આવે છે. કુલ જનધન ખાતાઓની સંખ્યામાં પણ ઉત્તર પ્રદેશ 10.51 કરોડ ખાતા સાથે પ્રથમ ક્રમે છે. બિહારમાં 7.01 કરોડ, પશ્ચિમ બંગાળમાં 5.73 કરોડ, રાજસ્થાનમાં 3.87 કરોડ અને મહારાષ્ટ્રમાં 3.85 કરોડ ખાતા છે. </p><h2><b>આ અંગેની માહિતી સરકાર પાસે નથી.</b></h2><p>1 સપ્ટેમ્બરે આપવામાં આવેલા RTIના જવાબમાં જણાવાયું હતું કે કેન્દ્ર સરકાર પુરુષો અને મહિલાઓના જનધન ખાતાઓમાં રહેલી રકમ અને નિષ્ક્રિય ખાતાઓના આંકડાની અલગથી વિગતો રાખતી નથી.</p><p>આ ઉપરાંત, 100 રૂપિયાથી ઓછી રકમ ધરાવતા ખાતા, છેલ્લા 5 વર્ષમાં બંધ થયેલા ખાતા અને શંકાસ્પદ લેવડદેવડ અથવા સાઇબર છેતરપિંડીના કારણે બ્લોક કે ફ્રીઝ કરાયેલા ખાતાઓની માહિતી પણ કેન્દ્ર સ્તરે ઉપલબ્ધ નથી. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે જોડાયેલો આ આંકડો કુલ 36 એકમોનો છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/zDrgCDvwGW9CLA6KX2cjqIUE9NA0DHxLkHjUzg6t.webp'/></item><item><title><![CDATA[PM Jan Dhan Yojanaનો ધબડકો, 5.72 કરોડ જન ધન ખાતાઓમાં એક પણ પૈસો નથી! ]]></title><link>https://sandesh.com/india/news/business/pmjdy-jan-dhan-accounts-inactive-zero-balance-up-tops</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/pmjdy-jan-dhan-accounts-inactive-zero-balance-up-tops</guid><pubDate>Mon, 07 Sep 2026 13:58:05 +05:30</pubDate><description><![CDATA[<p>નાણાં મંત્રાલયે એક RTIના જવાબમાં જણાવ્યું છે કે પ્રધાનમંત્રી જનધન યોજના PMJDY હેઠળ દેશનું લગભગ દર ચોથું ખાતું નિષ્ક્રિય છે. એટલે કે દેશના લગભગ દર ચોથા ખાતામાં કોઈ લેવડદેવડ થતી નથી.&nbsp; બીજી તરફ, લગભગ 5.72 કરોડ ખાતાઓમાં એક પણ રૂપિયો જમા નથી. નિષ્ક્રિય ખાતા અને શૂન્ય બેલેન્સ ધરાવતા ખાતા, આ બંને મામલે ઉત્તર પ્રદેશ દેશભરમાં પ્રથમ ક્રમે છે.</p><p>પ્રધાનમંત્રી જનધન યોજના ઓગસ્ટ, 2014માં શરૂ કરવામાં આવી હતી. દેશના દરેક પરિવારને ઓછામાં ઓછું એક બેંક ખાતું, બેંકિંગ સેવાઓ સુધી પહોંચ, નાણાકીય સમજણ અને સામાજિક સુરક્ષા મળે તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી હતી. નાણાં મંત્રાલયના નાણાકીય સેવા વિભાગ મુજબ, 12 ઓગસ્ટ, 2026 સુધી દેશમાં PMJDYના કુલ 59,03,74,907 ખાતા હતા. આ ખાતાઓમાં કુલ 3.15 લાખ કરોડ રૂપિયાથી વધુ રકમ જમા હતી. RTI કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડે કરેલી અરજીના જવાબમાં વિભાગે જણાવ્યું કે કુલ ખાતાઓમાંથી 32.89 કરોડ ખાતા મહિલાઓના અને 26.14 કરોડ ખાતા પુરુષોના છે. આંકડા મુજબ, 5,72,35,490 ખાતાઓમાં કોઈ રકમ જમા નહોતી. જ્યારે 15,36,77,009 ખાતા નિષ્ક્રિય હતા.</p><h2><span style="font-size: 2rem;"><b>શૂન્ય બેલેન્સ અને નિષ્ક્રિય ખાતામાં ઉત્તર પ્રદેશ પ્રથમ</b></span></h2><p>શૂન્ય બેલેન્સ એટલે કે કોઈ રકમ ન ધરાવતા જનધન ખાતાઓની સંખ્યામાં ઉત્તર પ્રદેશ 95.92 લાખ ખાતા સાથે સૌથી આગળ છે. ત્યારબાદ બિહાર 62.35 લાખ, પશ્ચિમ બંગાળ 37.20 લાખ, આસામ 36.30 લાખ અને મહારાષ્ટ્ર 36.04 લાખ સાથે આવે છે. નિષ્ક્રિય ખાતાઓની સંખ્યામાં પણ ઉત્તર પ્રદેશ 3.23 કરોડ ખાતા સાથે પ્રથમ ક્રમે છે. ત્યારબાદ બિહાર 1.59 કરોડ, મધ્ય પ્રદેશ 1.35 કરોડ, પશ્ચિમ બંગાળ 1.02 કરોડ અને મહારાષ્ટ્ર 97.94 લાખ સાથે આવે છે. કુલ જનધન ખાતાઓની સંખ્યામાં પણ ઉત્તર પ્રદેશ 10.51 કરોડ ખાતા સાથે પ્રથમ ક્રમે છે. બિહારમાં 7.01 કરોડ, પશ્ચિમ બંગાળમાં 5.73 કરોડ, રાજસ્થાનમાં 3.87 કરોડ અને મહારાષ્ટ્રમાં 3.85 કરોડ ખાતા છે. </p><h2><b>આ અંગેની માહિતી સરકાર પાસે નથી.</b></h2><p>1 સપ્ટેમ્બરે આપવામાં આવેલા RTIના જવાબમાં જણાવાયું હતું કે કેન્દ્ર સરકાર પુરુષો અને મહિલાઓના જનધન ખાતાઓમાં રહેલી રકમ અને નિષ્ક્રિય ખાતાઓના આંકડાની અલગથી વિગતો રાખતી નથી.</p><p>આ ઉપરાંત, 100 રૂપિયાથી ઓછી રકમ ધરાવતા ખાતા, છેલ્લા 5 વર્ષમાં બંધ થયેલા ખાતા અને શંકાસ્પદ લેવડદેવડ અથવા સાઇબર છેતરપિંડીના કારણે બ્લોક કે ફ્રીઝ કરાયેલા ખાતાઓની માહિતી પણ કેન્દ્ર સ્તરે ઉપલબ્ધ નથી. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે જોડાયેલો આ આંકડો કુલ 36 એકમોનો છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/zDrgCDvwGW9CLA6KX2cjqIUE9NA0DHxLkHjUzg6t.webp'/></item><item><title><![CDATA['Hanuman Ansh' એ બ્રહ્મચારીઓને પણ પહોંચાડી દીધા થિયેટર , જુઓ વાયરલ VIDEO ]]></title><link>https://sandesh.com/entertainment/news/hanuman-ansh-viral-video-gurukul-brahmacharis</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/hanuman-ansh-viral-video-gurukul-brahmacharis</guid><pubDate>Mon, 07 Sep 2026 13:54:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જ્યારે કોઈ ફિલ્મ પાસેથી શરૂઆતમાં બહુ ઓછી અપેક્ષાઓ હોય, પરંતુ તેની રિલીઝ પછી તેનું પ્રદર્શન અપેક્ષાઓ કરતા અનેકગણું વધી જાય, ત્યારે તે ફિલ્મ ખાસ બની જાય છે. નીમ કરોલી બાબાના જીવન અને તેમની પવિત્ર ઉપદેશો પર આધારિત ભક્તિમય ફિલ્મ 'હનુમાન અંશ' સાથે પણ હાલમાં કઈંક આવું જ જોવા મળી રહ્યું છે. દર્શકો તરફથી આ ફિલ્મને અભૂતપૂર્વ પ્રેમ અને સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થયો છે જેણે સૌનું વિશેષ ધ્યાન ખેંચ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>પરંપરાગત પોશાકમાં પહોંચ્યા બ્રહ્મચારીઓ</b></h2><p style="text-align: justify; ">આ વાયરલ વીડિયોમાં&nbsp; થિયેટરની અંદર અને બહાર ગુરુકુલના કેટલાક બ્રહ્મચારીઓ પરંપરાગત પોશાકમાં નજરે પડી રહ્યા છે. ગુરુકુળના આ યુવા વિદ્યાર્થીઓ એકસાથે થિયેટરમાં પહોંચ્યા હતા અને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક 'હનુમાન અંશ' ફિલ્મનું સ્ક્રીનિંગ નિહાળ્યું હતું. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ આ બ્રહ્મચારીઓની ઉપસ્થિતિએ સિનેમાઘરમાં ઉપસ્થિત અન્ય દર્શકોનું પણ ધ્યાન આકર્ષિત કર્યું હતું. ફિલ્મનો મુખ્ય વિષય મહાન આધ્યાત્મિક ગુરુ નીમ કરોલી બાબાની જીવનકથા હોવાને કારણે ગુરુકુલના વિદ્યાર્થીઓનું આ રીતે ફિલ્મ જોવા પહોંચવું એ એક અનોખો અને પ્રેરણાદાયી સંયોગ બન્યો છે.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/choga_don/status/2096529724243931474"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h3 style="text-align: justify; "><b>હનુમાન અંશે કરી કરોડોની કમાણી</b></h3><p style="text-align: justify; ">વિશાલ ચતુર્વેદી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં શોભિનવ સત્ય મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે, જ્યારે તેમની સાથે વિહાન શેડગે, ચંદન કે. આનંદ, પૂર્ણિમા તિવારી અને ગુલશન પાંડે જેવા કલાકારો પણ મહત્વના રોલમાં છે. ફિલ્મની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ ફિલ્મને રાજ્યમાં કરમુક્ત (Tax-Free) જાહેર કરી છે. સિનેમાઘરોમાં દર્શકોની ભીડ જામી રહી છે અને ગુરુકુલના વિદ્યાર્થીઓનો આ વીડિયો ઇન્ટરનેટ પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/delhi-building-collapse-manual-rescue-body-found" target="_blank">આ પણ વાંચોઃ Delhi Building Collapse: કાટમાળ માંથી વધુ એક મૃતદેહ મળ્યો, હવે JCBથી નહીં મેન્યુઅલી કાટમાળ હટાવાશે</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/XR1zL2uAIINEHpv6AkalgIT8kOxwlwtjySF4eB2V.webp'/></item><item><title><![CDATA[ISRO Privatization: ખાનગીકરણની અફવાઓ પર ISROનો મોટો ખુલાસો, Moon Mission 2040 અને Space Station પર રહેશે મુખ્ય ધ્યાન ]]></title><link>https://sandesh.com/india/news/isro-privatization-isros-big-clarification-on-privatization-rumors-main-focus-will-be-on-moon-mission-2040-and-space-station</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/isro-privatization-isros-big-clarification-on-privatization-rumors-main-focus-will-be-on-moon-mission-2040-and-space-station</guid><pubDate>Mon, 07 Sep 2026 13:49:12 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">અવકાશ એજન્સીના જણાવ્યા અનુસાર, ખાનગી ક્ષેત્રની ભાગીદારીમાં વધારો ISROને આગામી પેઢીના વધુ અવકાશ કાર્યક્રમો કરવાની મંજૂરી આપશે.</p><h2 style="text-align: justify; ">સંસ્થાની યોજના અંગે સ્પષ્ટતા</h2><p style="text-align: justify; ">ISRO તરફથી આ સ્પષ્ટતા 4 સપ્ટેમ્બરના રોજ ISROના વડા વી. નારાયણનને પત્ર લખીને ખાનગી સંસ્થાઓને ઉત્પાદન અને સંચાલન કાર્ય સોંપવાની સંસ્થાની યોજના અંગે સ્પષ્ટતાની માંગ કર્યા પછી આવી છે. IN-SPACEના ચેરમેન પવન ગોયેન્કાની 21 ઓગસ્ટના રોજ ટિપ્પણીઓ બાદ વિવાદ શરૂ થયો હતો. ગોયેન્કાએ કહ્યું હતું કે, ભવિષ્યમાં, ISRO લોન્ચ વાહનોનું ઉત્પાદન કરશે નહીં અને આ કાર્ય ખાનગી ક્ષેત્ર અથવા જાહેર ક્ષેત્રની કંપનીઓ દ્વારા હાથ ધરાશે.</p><h3 style="text-align: justify; ">ISROની પ્રતિક્રિયા&nbsp;</h3><p style="text-align: justify; ">X પરની પોસ્ટમાં, ISROએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં તેની ભૂમિકા એવા ક્ષેત્રોમાં મજબૂત બનાવાશે. જ્યાં વૈજ્ઞાનિક કુશળતાની સૌથી વધુ જરૂર છે. આમાં અત્યાધુનિક સંશોધન અને વિકાસ, માનવ અવકાશ ઉડાન, આગામી પેઢીના પ્રક્ષેપણ પ્રણાલીઓ, ઊંડા અવકાશ અને ગ્રહોના મિશન અને વ્યૂહાત્મક રાષ્ટ્રીય ક્ષમતાઓનો સમાવેશ થાય છે. અવકાશ એજન્સીએ કહ્યું કે, તે સંદેશાવ્યવહાર, નેવિગેશન અને પૃથ્વી નિરીક્ષણ માટે અદ્યતન પેલોડ્સ, સેન્સર્સ, પ્રોપલ્શન સિસ્ટમ્સ અને અન્ય મહત્વપૂર્ણ તકનીકો વિકસાવવાનું ચાલુ રાખશે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/isro/status/2096614804094099486"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; "><span style="font-size: 1.5rem;">ભારતીઓને ચંદ્ર પર મોકલવાનું મિશન&nbsp;</span></p><p style="text-align: justify; ">ISROના મતે, આ વ્યવસ્થા તેના વૈજ્ઞાનિકો અને સંસાધનોને ભવિષ્યના મુખ્ય મિશન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની મંજૂરી આપશે. આમાં 2035 સુધીમાં ભારતીય અવકાશ મથકની સ્થાપના, 2040 સુધીમાં ભારતીય અવકાશયાત્રીઓને ચંદ્ર પર મોકલવા, આગામી પેઢીના ફરીથી વાપરી શકાય તેવા પ્રક્ષેપણ પ્રણાલીઓ વિકસાવવા અને ચંદ્ર અને અન્ય ગ્રહો પર સતત મિશન ચલાવવાનો સમાવેશ થાય છે. તેમના પત્રમાં, કર્મચારી સંગઠનોએ જણાવ્યું હતું કે ISRO દ્વારા વિકસિત ટેકનોલોજી એક રાષ્ટ્રીય સંપત્તિ છે અને તેનું ટ્રાન્સફર પારદર્શક અને જવાબદાર રીતે થવું જોઈએ.&nbsp;</p><h5 style="text-align: justify; ">IN-SPACEના ચેરમેનની પ્રતિક્રિયા&nbsp;</h5><p style="text-align: justify; ">IN-SPACEના ચેરમેન પવન ગોયેન્કાએ જણાવ્યું હતું કે, ISROની ભૂમિકા કોઈપણ રીતે ઓછી થઈ રહી નથી અને તે ભારતીય અવકાશ ક્ષેત્રનો પાયો રહેશે. તેમણે કહ્યું કે 2030 સુધીમાં વાર્ષિક 50 પ્રક્ષેપણના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ISRO અને ખાનગી કંપનીઓએ સાથે મળીને કામ કરવું પડશે. કોઈ એક સંસ્થા એકલા આટલું મોટું લક્ષ્ય પ્રાપ્ત કરી શકતી નથી.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/india/news/political-news/tamil-nadu-news-cm-vijays-red-eye-in-the-assembly-harsh-attacks-on-dmk" target="_blank">વિધાનસભામાં CM Vijayની લાલ આંખ, DMK પર કર્યા આકરા પ્રહારો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/V7zf4C525osLrXyeksRiOk2N1rH11RW7oLkV4gnX.webp'/></item><item><title><![CDATA[Surendranagar News: લીંબડી નજીક અમદાવાદ-રાજકોટ હાઈવે પર ત્રીપલ અકસ્માત, 2 ના મોત, 7 ઈજાગ્રસ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/surendranagar/limbdi-ahmedabad-rajkot-highway-katariya-triple-accident</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/surendranagar/limbdi-ahmedabad-rajkot-highway-katariya-triple-accident</guid><pubDate>Mon, 07 Sep 2026 12:58:15 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર લીંબડી નજીક આવેલા કટારિયા ગામ પાસે એક અત્યંત ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જ્યાં કાર, ખાનગી ટ્રાવેલ્સની બસ અને ટ્રેલર વચ્ચે ત્રીપલ અકસ્માત થતાં માર્ગ પર સન્નાટો વ્યાપી ગયો હતો. વાહનો વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે, ઘટના સ્થળે જ ભારે ચીસાચીસ મચી ગઈ હતી.</p><h2><b>અકસ્માતમાં 2 લોકોના મોત, 7 લોકો ઈજાગ્રસ્ત</b></h2><p>આ ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 2 વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા, જ્યારે અન્ય 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનીકો મદદ માટે દોડી આવ્યા હતા અને તમામ 7 ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે લીંબડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની વધુ ગંભીર હાલતને ધ્યાનમાં રાખીને સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે.</p><p><img alt="Surendranagar News: Limbdi Triple Road Accident: 2 Dead, 7 Injured on Ahmedabad-Rajkot Highway" src="https://epapercdn.sandesh.com/images/2026/09/07/euExqjHNh7qAqVB98fn2sGZ3Jqw2Gxmw7jsbOEjD.webp" style="width: 100%;"><br></p><h2><b>પોલીસ કાફલો ઘટના સ્થળે, હાઈવે પર ટ્રાફિક જામ</b></h2><p>અકસ્માતની જાણ થતાં જ લીંબડી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ટ્રાફિક સુચારૂ કરવાની સાથે સમગ્ર મામલે કાયદેસરની તપાસ હાથ ધરી હતી. અકસ્માતના કારણે અમદાવાદ-રાજકોટ હાઈવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને વાહનોની અવરજવર પર ભારે અસર પડી હતી.</p><p><br></p><p>આ પણ વાંચો:<a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surendranagar/surendranagar-the-tragic-end-of-a-love-affair-that-happened-five-years-ago-through-instagram" target="_blank"> Surendranagar: ઈન્સ્ટાગ્રામ થકી પાંચ વર્ષ પૂર્વે થયેલા પ્રેમનો કરૂણ અંજામ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/QPtUwNWqOIESZ64fmReGzJucpMUFf7LZNKlPfV4q.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : રિક્ષા ચાલકોની હડતાળને લઈ AMTS અને BRTSના ડ્રાઈવરોને બસ નહીં છોડવા આદેશ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/amts-and-brts-drivers-ordered-to-keep-buses-running-amid-rickshaw-strike</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/amts-and-brts-drivers-ordered-to-keep-buses-running-amid-rickshaw-strike</guid><pubDate>Mon, 07 Sep 2026 12:35:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઓનલાઈન ટેક્સી અને રિક્ષા બુકિંગ કરતી કંપનીઓની મનમાની અને પડતર માંગણીઓને લઈને અમદાવાદમાં રિક્ષા અને ટેક્સી ચાલકોએ મોરચો માંડ્યો છે.7થી 10 સપ્ટેમ્બર સુધીની હડતાળના કારણે શહેરભરમાં રિક્ષા અને ટેક્સી સેવાઓ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે.શહેરમાં રાણીપ,સાબરમતી અને મેમનગર સહિતના વિસ્તારોમાં ચાલકોએ એકઠા થઈને વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું.રસ્તાઓ પર રિક્ષા કે કાર ઉપલબ્ધ ન થતાં મુસાફરો અને નોકરીયાતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.આ હડતાળને કારણે શહેરનું સામાન્ય જનજીવન અને વાહન વ્યવહાર વ્યાપકપણે પ્રભાવિત થયો છે. જેના કારણે મહાનગર પાલિકા પણ હરકતમાં આવી ગઈ છે. બીઆરટીએસ અને એમટીએસના ડ્રાઈવરોને કડક સૂચના આપવામાં આવી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>રિક્ષા ચાલકોની હડતાળને લઈ AMC હરકતમાં</b></h2><p style="text-align: justify; ">અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળના પગલે મુસાફરોને પડતી હાલાકીને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ત્વરિત હરકતમાં આવ્યું છે. નાગરિકોની સુવિધા માટે BRTS અને AMTS બસનું સંચાલન સમયસર ચલાવવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે.જે અંતર્ગત BRTSની બીજી શિફ્ટના ડ્રાઇવરોને સમયસર અને વહેલા પહોંચવા જણાવવામાં આવ્યું છે.જ્યારે AMTSમાં જ્યાં સુધી બીજી શિફ્ટના ડ્રાઇવર ચાર્જ ન સંભાળે ત્યાં સુધી બસ ન છોડવા માટે સ્પષ્ટ 967  બસોને વિવિધ રૂટ પર દોડાવવામાં આવી રહી છે જેથી મુસાફરોને મહત્તમ રાહત મળી રહે. બીજી તરફ રાણીપ બસ સ્ટેન્ડની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. દાદાગીરી કરતા રિક્ષા ચાલકોને પોલીસે ભગાડી દીધા હતાં.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>સામાન્ય મુસાફરોની સ્થિતિ અત્યંત કફોડી બની</b></h3><p style="text-align: justify; ">સોમવારથી ગુરુવાર સુધી ચાલનારી આ પ્રતીક હડતાલથી સામાન્ય મુસાફરોની સ્થિતિ અત્યંત કફોડી બની છે.સ્કૂલવર્ધીના વાહનોને આ આંદોલનમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે.આગામી ચાર દિવસમાં સત્તાવાળાઓ દ્વારા યોગ્ય નિવારણ નહીં લાવવામાં આવે તો હડતાલને અનિશ્ચિત મુદત સુધી લંબાવવાની સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે. અમદાવાદના રાણીપ એસટી બસ સ્ટેન્ડ અને સાબરમતી રેલવે સ્ટેશન જેવા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શિત કરતા રિક્ષાચાલકોએ અન્ય રિક્ષાઓને અટકાવી તેમાં બેસેલા મુસાફરોને નીચે ઉતારી દીધા હતા.ઝારખંડ અને દિલ્હીથી આવેલા પરપ્રાંતીય મુસાફરો સહિત અનેક લોકો કલાકો સુધી ફૂટપાથ પર બેસી રહેવા મજબૂર બન્યા હતા.રિક્ષા કે કેબ સુવિધા ન મળવાના કારણે હડતાળનો સીધો માર સામાન્ય પેસેન્જરો પર પડ્યો છે અને તેઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે.<br><br><a href="https://sandesh.com/gujarat/breakingnews/gandhinagar/chaitar-vasava-gets-7-day-conditional-bail-can-attend-assembly-session" target="_blank">આ પણ વાંચોઃ Gandhinagar News: ચૈતર વસાવા વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજર રહી શકશે, હાઈકોર્ટે મંજૂર કર્યા જામીન</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/jxUqNBBQZemeeCjPVR9LFkU0PWH41OLj8mZpXLm2.webp'/></item><item><title><![CDATA[વાંચો સવારે 08થી બપોરે 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-08-am-to-12-pm-7-september-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-08-am-to-12-pm-7-september-2026</guid><pubDate>Mon, 07 Sep 2026 11:59:44 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર</b></p><p><a href="https://sandesh.com/world/news/iran-mojtaba-khamenei-london-flats-for-sale-460-crore" target="_blank"><b>1.Iran: કેમ આલીશાન ઘર મોજતબા ખામેનેઇએ વેચવા કાઢ્યું ? લંડન સ્થિત 460 કરોડની મિલકત પર લાગી બોલી</b></a></p><p><a href="https://sandesh.com/india/news/delhi-satya-niketan-building-collapse-kills-6--cm-rekha-gupta-announces-audit" target="_blank"><b>2. Delhiમાં 20-30 વર્ષ જૂના ભવનમાં હોસ્ટેલ કે નર્સિંગ હોમ ચલાવવાની મંજૂરી નહીં... સત્ય નિકેતન ઘટના બાદ રેખા ગુપ્તા લાલઘૂમ</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/counseling-made-mandatory-for-class-9-to-12-students-in-gujarat" target="_blank"><b>3. Gandhinagar News: હવે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓમાં કાઉન્સેલિંગ ફરજિયાત કરાયુ</b></a></p><p><a href="https://sandesh.com/india/news/delhi-building-collapse-one-year-35-deaths" target="_blank"><b>4. Delhi Building Collapse: દિલ્હીમાં મોતના મકાનો, એક વર્ષમાં 6 મોટા અકસ્માતો અને 35 લોકોના મોત</b></a></p><p><a href="https://sandesh.com/business/news/gold-silver-price-today-gold-is-40-thousand-cheaper-than-all-time-high-silver-also-reduced-know-todays-rate" target="_blank"><b>5. Gold Silver Price Today: સોનું ઓલટાઇમ હાઇથી 40 હજાર સસ્તુ ! ચાંદીમાં પણ ઘટાડો, જાણો આજનો રેટ</b></a></p><p><a href="https://sandesh.com/india/news/punjab-amritsar-airport-drone-alert--7-flights-diverted-security-high-alert" target="_blank"><b>6. Punjab:અમૃતસર એરપોર્ટ પર શંકાસ્પદ ડ્રોન દેખાતા મચી ચકચાર, 7 ફ્લાઇટ્સ કરાઇ ડાયવર્ટ</b></a></p><p><a href="https://sandesh.com/business/news/stock-market-fall-reason-stock-market-crashes-as-soon-as-the-market-opens-it-shares-surgethese-4-reasons-are-responsible" target="_blank"><b>7. Stock Market Fall Reason: માર્કેટ ખૂલતા જ શેરબજારમાં કડાકો, IT શેર્સ ધડામ..આ 4 કારણો જવાબદાર</b></a></p><p><a href="https://sandesh.com/sports/news/satwik-and-chirag-created-history-by-defeating-a-chinese-pair-to-win-the-china-masters-title" target="_blank"><b>8. China Masters Final : સાત્વિક-ચિરાગની જોડીએ રચ્યો ઇતિહાસ, ચીનને હરાવી પ્રથમ વાર બની ચેમ્પિયન</b></a></p><p><a href="https://sandesh.com/business/news/petrol-diesel-prices-today-september-7-2026-fuel-rates" target="_blank"><b>9. Petrol Diesel Price Today: વાહન ચાલકોને મોટી રાહત, પેટ્રોલ ડીઝલના ભાવ યથાવત, જાણો આજનો લેટેસ્ટ રેટ</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/rickshaw-strike-protesters-stop-autos-passengers-face-major-trouble" target="_blank"><b>10. Ahmedabad News: રિક્ષા ચાલકોએ અન્ય રિક્ષાઓને અટકાવી, વાહન નહીં મળતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/05/30/mDmSiSJWp4EJffsL4XdCg0WZVmFETlBX3EYK5ohQ.webp'/></item><item><title><![CDATA[Surat News: SMCમાં ચાર્જ સંભાળતા જ રાજ કુમાર બેનિવાલે કહ્યું, પ્રાથમિક સુવિધા અને મોટા પ્રોજેક્ટ્સને અપાશે પ્રાધાન્ય ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/raj-kumar-beniwal-takes-charge-as-smc-commissioner-sets-development-priorities</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/raj-kumar-beniwal-takes-charge-as-smc-commissioner-sets-development-priorities</guid><pubDate>Mon, 07 Sep 2026 11:35:28 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત મહાનગરપાલિકાને નાસીર નગર ડિમોલિશન વિવાદમાં પૂર્વ કમિશનર એમ.નાગરાજનની બદલીના 26 દિવસ બાદ આખરે નવા મ્યુનિસિપલ કમિશનર મળ્યા છે. રાજ્ય સરકાર દ્વારા 22 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા 2004ની બેચના સિનિયર IAS અધિકારી રાજકુમાર બેનીવાલની સુરતના નવા કમિશનર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.ચાર્જ સંભાળ્યા બાદ નવનિયુક્ત કમિશનરે પોતાની પ્રાથમિકતાઓ સ્પષ્ટ કરતા શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિક સુવિધાઓ પર ભાર મૂક્યો હતો.</p><h2><b>પ્રાથમિક સુવિધા અને મોટા પ્રોજેક્ટ્સને અપાશે પ્રાધાન્ય</b></h2><p>પદભાર સંભાળતાની સાથે જ મ્યુનિસિપલ કમિશનર રાજકુમાર બેનીવાલે જણાવ્યું હતું કે, વિકસિત ભારતના સંકલ્પ હેઠળ સુરત શહેરના નવા અને મોટા વિકાસ પ્રકલ્પોને ઝડપથી અમલી બનાવવા તે તેમની મુખ્ય પ્રાથમિકતા રહેશે.આ ઉપરાંત,શહેરમાં સ્વચ્છતા અભિયાનને વેગ આપવા તેમજ નાગરિકોની રોજબરોજની નાની-મોટી સમસ્યાઓ અને પ્રાથમિક સુવિધાઓનો ઉકેલ ઝડપથી લાવવા માટે ખાસ રોડમેપ તૈયાર કરવામાં આવશે.ચોમાસા દરમિયાન ઊભી થતી ખાડીપૂરની ગંભીર સમસ્યા અંગે તેમણે ઉમેર્યું હતું કે,ટૂંકા સમયમાં અને અસરકારક રીતે ખાડીપૂરની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે તે દિશામાં વહીવટી તંત્ર સઘન પ્રયાસો કરશે.</p><h3><b>વિકાસ પ્રોજેક્ટ્સનો મોટો અનુભવ ધરાવે છે</b></h3><p>રાજકુમાર બેનીવાલ આ અગાઉ જીએનએફસીના મેનેજિંગ ડિરેક્ટર તેમજ અમદાવાદ અને વડનગર વિકાસ પ્રોજેક્ટ્સનો મોટો અનુભવ ધરાવે છે.નાસીર નગર ડિમોલિશન વિવાદ બાદ મહાનગરપાલિકાના વહીવટમાં જે અસ્થિરતા સર્જાઈ હતી તેને દૂર કરવા તેમજ હજારો કરોડના અટકેલા પ્રોજેક્ટ્સમાં ઝડપ અને પારદર્શકતા લાવવા માટે સરકારે અનુભવી અધિકારી પર પસંદગી ઉતારી છે.ચર્ચાસ્પદ નાસીર નગર કેસ અંગે કમિશનરે સ્પષ્ટતા કરી હતી કે આ મામલો હાલ હાઈકોર્ટમાં વિચારાધીન છે તેથી ન્યાયાલયના તમામ નિયમો, આદેશો અને દિશાનિર્દેશો મુજબ જ આગળની તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/rickshaw-strike-protesters-stop-autos-passengers-face-major-trouble" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: રિક્ષા ચાલકોએ અન્ય રિક્ષાઓને અટકાવી, વાહન નહીં મળતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/6WbcfyJ4EBBXGru9nsXy4B4Pbzzd2GZgxGB3JVhp.webp'/></item><item><title><![CDATA[China Masters Final : સાત્વિક-ચિરાગની જોડીએ રચ્યો ઇતિહાસ, ચીનને હરાવી પ્રથમ વાર બની ચેમ્પિયન ]]></title><link>https://sandesh.com/sports/news/satwik-and-chirag-created-history-by-defeating-a-chinese-pair-to-win-the-china-masters-title</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/satwik-and-chirag-created-history-by-defeating-a-chinese-pair-to-win-the-china-masters-title</guid><pubDate>Mon, 07 Sep 2026 10:23:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતની સ્ટાર પુરુષ ડબલ્સ જોડી સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર દેશનું નામ રોશન કર્યું છે.ચાઇના માસ્ટર્સ 2026ના રોમાંચક ફાઇનલ મુકાબલામાં ભારતીય જોડીએ શાનદાર વાપસી કરીને યજમાન ચીનની જોડી હે જી તિંગ અને રેન શિયાંગ યુને 1 કલાક 10 મિનિટ સુધી ચાલેલા સંઘર્ષપૂર્ણ મુકાબલામાં 11-21, 21-13, 21-17 થી હરાવીને ટ્રોફી પોતાના નામે કરી લીધી છે.આ ઐતિહાસિક જીત સાથે સાત્વિક-ચિરાગની જોડીએ 92,500 ડોલર ની માતબર ઇનામી રકમ પણ મેળવી છે.</p><h4 style="text-align: justify; "><b>ત્રીજા પ્રયાસે જીત્યો ઐતિહાસિક ખિતાબ</b></h4><p style="text-align: justify; ">ચાઇના માસ્ટર્સના મંચ પર સાત્વિક અને ચિરાગનો આ ત્રીજો ફાઇનલ મુકાબલો હતો.આ અગાઉ તેઓ વર્ષ 2023 અને 2025 માં ફાઇનલ સુધી પહોંચ્યા હતા, પરંતુ બંને વખતે તેમને રનર્સ-અપ એટલે કે ઉપવિજેતા બનીને સંતોષ માનવો પડ્યો હતો. આ વખતે પૂર્વ વર્લ્ડ નંબર-4 ચીની જોડી સામે પ્રથમ ગેમ 11-21 થી એકતરફી ગુમાવ્યા છતાં ભારતીય જોડીએ દબાણમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. બીજી ગેમ 21-13 થી જીતી મેચમાં બરાબરી કર્યા બાદ નિર્ણાયક ગેમમાં સાત્વિકના પાવરફુલ સ્મેશ અને ચિરાગના શાનદાર નેટ પ્લેના&nbsp; દમ પર 21-17 થી મેચ સીલ કરી લીધી હતી. આ સાથે ભારતીય જોડીએ ચીની જોડી સામે અજેય રેકોર્ડ જાળવી રાખતાં હેડ-ટુ-હેડ રેકોર્ડ 3-0 કરી લીધો છે.</p><p style="text-align: justify; "><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/Media_SAI/status/2096573691694121117?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></p><p style="text-align: justify; "><br></p><h5 style="text-align: justify; "><b>સિઝનનો બીજો મોટો ખિતાબ અને આગામી પડકારો</b></h5><p style="text-align: justify; ">સાત્વિક અને ચિરાગની જોડી માટે વર્તમાન સિઝનનો આ બીજો મોટો ખિતાબ છે. આ પહેલા તેમણે 'સિંગાપોર ઓપન સુપર 750'નો ખિતાબ જીત્યો હતો, જ્યારે 'થાઈલેન્ડ ઓપન સુપર 500'ના ફાઇનલમાં તેઓ ઉપવિજેતા રહ્યા હતા. સાત્વિકના ખભાની ઈજા અને ફિટનેસની સમસ્યાઓના કારણે આ સિઝન પડકારોથી ભરેલી રહી છે. તેમ છતાં મોટા મંચ પર દબાણ નિયંત્રિત કરવાની તેમની ક્ષમતા આ પ્રદર્શનથી સાબિત થાય છે. 'એશિયન ગેમ્સ 2026' (Asian Games 2026) પહેલાં મળેલી આ શાનદાર જીત ભારતીય બેડમિન્ટન માટે મોટું મનોબળ પૂરું પાડનારી સાબિત થશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/satwik-chirag-enter-china-masters-2026-final-after-beating-malaysia-pair" target="_blank"> China Masters 2026 Badminton : સાત્વિક-ચિરાગની ધમાકેદાર એન્ટ્રી, ચાઇના માસ્ટર્સની ફાઇનલમાં પહોંચ્યા</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/wztWfTUhL3UXUCxk4rAZXpTKylR2DQhLmrODhLPG.webp'/></item></channel></rss>