<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Nitin Nabin’s New Team: 2 વર્ષ બાદ સ્મૃતિ ઇરાનીની રાજકારણમાં એન્ટ્રી, નીતિન નવીનની ટીમમાં મળી આ જવાબદારી ]]></title><link>https://sandesh.com/india/news/nitin-nabins-new-team-smriti-iranis-entry-into-politics-after-2-years-got-this-responsibility-in-nitin-nabins-team</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/nitin-nabins-new-team-smriti-iranis-entry-into-politics-after-2-years-got-this-responsibility-in-nitin-nabins-team</guid><pubDate>Mon, 17 Aug 2026 16:27:13 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન દ્વારા જાહેર કરાયેલી નવી ટીમમાં, ભૂતપૂર્વ સાંસદ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો સમાવેશ કરવામાં આવ્યો છે.&nbsp; તેમને રાષ્ટ્રીય મહાસચિવની જવાબદારી સોંપવામાં આવી છે. આ યાદી સોમવાર 17 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવી હતી. </p><h2><b>સ્મૃતિ ઇરાનીને મળી નવી જવાબદારી&nbsp;</b></h2><p>સ્મૃતિ ઇરાનીને નવી જવાબદારી મળતા તેમના બે વર્ષના રાજકીય વિરામનો અંત આવ્યો છે.&nbsp; જોકે 2024 માં અમેઠીથી ચૂંટણી હાર્યા પછી તેઓ રાજકીય રીતે સક્રિય રહ્યા હતા, તેમના રાજકીય ભવિષ્ય અંગે ઘણી અટકળો ચાલી રહી હતી. જોકે, આજના નિર્ણયથી આવી અટકળોનો ચોક્કસ અંત આવ્યો છે.</p><h3><b>2003માં ભાજપમાં જોડાયા</b></h3><p>સ્મૃતિ ઈરાની ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતાઓમાંના એક છે. તેઓ 2003 માં ભાજપમાં જોડાયા હતા અને ત્યારબાદ પાર્ટી સંગઠનમાં ઘણી મુખ્ય જવાબદારીઓ નિભાવી હતી. તેઓ 2011 માં રાજ્યસભામાં ચૂંટાયા હતા અને 2019 માં અમેઠી લોકસભા મતવિસ્તારમાંથી સાંસદ બન્યા હતા. રાજકારણમાં પ્રવેશતા પહેલા, તેઓ ટેલિવિઝન અભિનેત્રી અને મોડેલ તરીકે જાણીતા હતા. તેમણે કેન્દ્ર સરકારમાં અનેક મહત્વપૂર્ણ મંત્રાલયોનો હવાલો સંભાળ્યો છે.</p><p><b style="font-size: 1.75rem;">એકતા કપૂર સાથે પ્રોડક્શન હાઉસમાં કર્યુ કામ&nbsp;</b></p><ul><li>સ્મૃતિ ઈરાનીનો જન્મ 23 માર્ચ, 1976ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. </li><li>રાજકારણમાં પ્રવેશતા પહેલા તેઓ એક અભિનેત્રી તરીકે જાણીતા હતા. </li><li>વર્ષ 2000માં જ્યારે તેણી એકતા કપૂરના પ્રોડક્શન ક્યુંકી સાસ ભી કભી બહુ થી માં દેખાયા અને પછી નસીબ પલટાયુ.</li><li>આ શોએ તેણીને ઘર-ઘરમાં જાણીતા કર્યા અને ટેલિવિઝન જગતમાં સ્ટાર બની ગયા.</li><li>.તેણીએ 2001માં ઝુબિન ઈરાની સાથે લગ્ન કર્યા, તેણીનું નામ સ્મૃતિ મલ્હોત્રાથી બદલીને સ્મૃતિ ઝુબિન ઈરાની રાખ્યું.</li></ul><p><br></p><h4><b>અમેઠીમાં હરાવ્યા રાહુલ ગાંધીને&nbsp;</b></h4><p><br></p><p>2011માં રાજ્યસભામાં ચૂંટાયા બાદ, સ્મૃતિએ 2014ની લોકસભા ચૂંટણી અમેઠીથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે લડી હતી, જોકે તે ચૂંટણી હારી ગયા હતા.. ત્યારબાદ, સ્મૃતિએ 2019 ની લોકસભા ચૂંટણીમાં અમેઠી બેઠક માટે રાહુલ ગાંધીને હરાવીને એક મોટો રાજકીય ઉથલપાથલ મચાવી દીધો હતો.&nbsp; રાજકીય પરિદૃશ્યમાં અને ભાજપમાં પોતાને એક મુખ્ય વ્યક્તિ તરીકે સ્થાપિત કર્યા. જોકે, 2024 ની લોકસભા ચૂંટણી દરમિયાન તેમને અમેઠી મતવિસ્તારમાં હારનો સામનો કરવો પડ્યો, કોંગ્રેસના કિશોરી લાલ શર્મા સામે બેઠક ગુમાવી.</p><p><br></p><p><b>સ્મૃતિ ઈરાનીએ કેન્દ્રીય મંત્રી તરીકે પણ સેવા આપી છે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં અનેક મંત્રાલયોના વિભાગો સંભાળ્યા છે</b></p><p><br></p><p>માનવ સંસાધન વિકાસ મંત્રાલય</p><p>કાપડ મંત્રાલય</p><p>મહિલા અને બાળ વિકાસ મંત્રાલય</p><p>માહિતી અને પ્રસારણ મંત્રાલય</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/17/OxLNrR97UEnSoajj7RiAJkNE7lVTAHtzw9zbIHUk.webp'/></item><item><title><![CDATA[Dhoot Transmissionની શેરમાર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી, 37 ટકા પ્રીમિયમ પર શેર થયો લિસ્ટ ]]></title><link>https://sandesh.com/business/news/dhoot-transmission-share-listing-37-percent-premium-ipo</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/dhoot-transmission-share-listing-37-percent-premium-ipo</guid><pubDate>Mon, 17 Aug 2026 16:26:31 +05:30</pubDate><description><![CDATA[<p>ધૂત ટ્રાન્સમિશનના શેરનું આજે શેરબજારમાં ધમાકેદાર લિસ્ટિંગ થયું છે. કંપનીના IPOને 75 ગણાથી વધુ સબ્સક્રિપ્શન મળ્યા બાદ શેર BSE પર ₹1,193.80 અને NSE પર ₹1,200ના ભાવે લિસ્ટ થયો હતો. કંપનીએ IPOમાં શેર ₹871ના ભાવ પર ઈશ્યુ કર્યા હતા. આ રીતે IPO રોકાણકારોને શરૂઆતમાં 37%થી વધુનો લિસ્ટિંગ ગેઈન મળ્યો હતો.</p><h2><b>શેર લગભગ ₹1,187.50 પર બંધ થયો</b></h2><p>જોકે લિસ્ટિંગ બાદ શેરમાં થોડી વેચવાલી જોવા મળી હતી અને BSE પર ભાવ ઘટીને ₹1,130.50 સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ શેરમાં જોરદાર રિકવરી આવી અને ભાવ ₹1,212.70 સુધી પહોંચ્યો. અંતે નફાવસૂલીને કારણે ભાવ થોડો નરમ પડ્યો અને શેર લગભગ ₹1,187.50 પર બંધ થયો. એટલે પહેલા ટ્રેડિંગ દિવસના અંતે IPO રોકાણકારો લગભગ 36.34%ના નફામાં રહ્યા.</p><h3><b>3,067 કરોડનો હતો IPO</b></h3><p>ધૂત ટ્રાન્સમિશનનો ₹3,067 કરોડનો IPO 10થી 12 ઓગસ્ટ દરમિયાન ખુલ્યો હતો. તેને કુલ 75.06 ગણું સબ્સક્રિપ્શન મળ્યું હતું. QIB કેટેગરી 209.02 ગણું, NII 53.13 ગણું અને રિટેલ રોકાણકારોનો હિસ્સો 8.32 ગણો ભરાયો હતો. IPOમાંથી મળેલી રકમનો ઉપયોગ કંપની દેવું ઘટાડવા, સબ્સિડિયરીઝમાં રોકાણ, નવી વાયરિંગ હાર્નેસ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા, IPO ખર્ચ તથા અધિગ્રહણ અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરશે.&nbsp;</p><p>ધૂત ટ્રાન્સમિશન ઓટોમોટિવ અને નોન-ઓટોમોટિવ ક્ષેત્ર માટે વાયરિંગ હાર્નેસ, બેટરી પેક, સેન્સર, ઇલેક્ટ્રિક કન્ટ્રોલર, સ્વિચ, કનેક્ટર અને અન્ય ઈલેક્ટ્રિકલ-ઈલેક્ટ્રોનિક ઉત્પાદનો બનાવે છે. કંપનીની આવક અને નફામાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં મજબૂત વૃદ્ધિ નોંધાઈ છે.</p><p><b><a href="https://sandesh.com/business/news/fii-investment-indian-stock-market-16621-crore-august" target="_blank">આ પણ વાંચો : FII Investment : ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોનો વિશ્વાસ ફરી વધ્યો, ઓગસ્ટના 15 દિવસમાં રૂપિયા 16,621 કરોડનું કર્યું રોકાણ</a></b></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/17/T6Hgeiac1YWbczwUADBRcfK8DiiiR7gWtXiuu7gH.webp'/></item><item><title><![CDATA[Amreli: સાવરકુંડલાના છાપરી ગામે વરસાદી પાણીના ખાડામાં નાહવા પડેલા 17 વર્ષીય સગીરનું ડૂબી જતાં મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/savarkundla-chhapri-17-year-old-minor-sahil-unad-drowns-in-rainwater-pit</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/savarkundla-chhapri-17-year-old-minor-sahil-unad-drowns-in-rainwater-pit</guid><pubDate>Mon, 17 Aug 2026 16:23:13 +05:30</pubDate><description><![CDATA[<p>અમરેલી જિલ્લામાં ચોમાસાની મોસમ દરમિયાન નદી-નાળા અને ખાડાઓમાં પાણી ભરાવાના કારણે અકસ્માતોની શ્રેણી ચાલુ રહી છે. સાવરકુંડલા તાલુકાના છાપરી ગામે વરસાદી પાણીથી ભરાયેલા એક ખાડામાં નાહવા પડેલો 17 વર્ષનો સગીર ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.</p><h2><b>સગીર ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો</b></h2><p>બનાવની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને સગીરને પાણીમાંથી બહાર કાઢ્યો હતો.ડૂબી ગયેલા સગીરની ઓળખ વીજપડી ગામના રહેવાસી સાહિલ રૂસ્તમભાઈ ઊનડ (ઉંમર 17 વર્ષ) તરીકે થઈ હતી. ઘટના સ્થળેથી સગીરને તાત્કાલિક 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ વીજપડી અને ત્યારબાદ વધુ સારવાર તથા પોસ્મોર્ટમ (PM) પ્રક્રિયા અર્થે સાવરકુંડલાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.</p><h3><b>યુવકને તબીબોએ મૃત જાહેર કર્યો&nbsp;</b></h3><p>જોકે, હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. 17 વર્ષના પુત્રના આકસ્મિક મોતથી ઊનડ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.ચોમાસાની ઋતુમાં ગ્રામ્ય વિસ્તારોમાં ભરાતા વરસાદી પાણી, ખાડાઓ કે ચેકડેમમાં બાળકો કે સગીરોને નાહવા ન જવા દેવા વાલીઓને અપીલ કરાઈ છે. સાવરકુંડલા પોલીસે ઘટના અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dahod/ratanmahal-sanctuary-naldha-waterfall-starts-monsoon-nature-tourism" target="_blank">આ પણ વાંચો: Dahod: રતનમહાલમાં નલધા ધોધ શરૂ, ચોમાસામાં સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/17/REJZXfvEcF9xaq9LbPyCvJ5JsH8n0zo5mwdBttqH.webp'/></item><item><title><![CDATA[India-Thailand વચ્ચે MAITREE-XV સૈન્ય અભ્યાસ શરૂ, 170 જવાનો લેશે ભાગ ]]></title><link>https://sandesh.com/india/news/world/india-thailand-maitree-xv-military-exercise-170-troops</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/world/india-thailand-maitree-xv-military-exercise-170-troops</guid><pubDate>Mon, 17 Aug 2026 16:00:39 +05:30</pubDate><description><![CDATA[<p>ભારત અને થાઈલેન્ડ વચ્ચેના સંયુક્ત સૈન્ય અભ્યાસ 'MAITREE-XV'ના 15મા સંસ્કરણમાં ભાગ લેવા માટે ભારતીય સેનાની ટુકડી સોમવારે, 17 ઓગસ્ટે થાઈલેન્ડ રવાના થઈ છે. આ સંયુક્ત સૈન્ય અભ્યાસ 18થી 31 ઓગસ્ટ 2026 દરમિયાન થાઈલેન્ડના સુરત થાની સ્થિત વિભાવદી રંગસિત કેમ્પમાં યોજાશે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2089242930280345828"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>ભારતીય દળમાં 9 ગોરખા રાઈફલ્સના જવાનો સામેલ</b></h2><p>આ અભ્યાસમાં ભારતીય સેના અને રોયલ થાઈ આર્મીના 85-85 જવાનો સહિત કુલ 170 સૈનિકો ભાગ લઈ રહ્યા છે. ભારતીય દળમાં 9 ગોરખા રાઈફલ્સના જવાનો સામેલ છે, જ્યારે થાઈલેન્ડ તરફથી 3rd Battalion, 25th Infantry Brigade, 5th Divisionના સૈનિકો ભાગ લેશે. અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ બંને દેશોની સેનાઓ વચ્ચે સૈન્ય સહયોગ, પરસ્પર સમજણ અને સંયુક્ત ઓપરેશનની ક્ષમતાને વધુ મજબૂત કરવાનો છે. આ દરમિયાન કંપની સ્તરે સંયુક્ત તાલીમનું આયોજન કરવામાં આવશે, જેમાં જંગલ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં કાઉન્ટર-ઈન્સર્જન્સી અને આતંકવાદ વિરોધી ઓપરેશન પર ખાસ ધ્યાન આપવામાં આવશે.</p><h3><b>MAITREE સૈન્ય અભ્યાસની શરૂઆત 2006માં થઈ હતી</b></h3><p>સૈનિકો ફીલ્ડ એક્સરસાઈઝ, કોમ્બેટ ડિસ્કશન, લેક્ચર, સાધનો સંબંધિત ડ્રિલ્સ અને વેલિડેશન એક્સરસાઈઝમાં ભાગ લેશે. બંને દેશોના સૈનિકો પોતાના ઓપરેશનલ અનુભવો શેર કરવાની સાથે આધુનિક સૈન્ય ટેક્નોલોજી અને સાધનોનું પ્રદર્શન પણ કરશે. ભારત અને થાઈલેન્ડ વચ્ચે MAITREE સૈન્ય અભ્યાસની શરૂઆત 2006માં થઈ હતી. આ અભ્યાસ બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ વધારવાનું મહત્વપૂર્ણ માધ્યમ છે.&nbsp;</p><p>MAITREE-XVથી બંને સેનાઓ વચ્ચે આંતર-સંચાલનક્ષમતા અને સંયુક્ત કામગીરીની ક્ષમતામાં વધારો થવાની અપેક્ષા છે. MAITREEનું અગાઉનું સંસ્કરણ સપ્ટેમ્બર 2025માં મેઘાલયના ઉમરોઈ સ્થિત ફોરેન ટ્રેનિંગ નોડ ખાતે યોજાયું હતું. નવા સંસ્કરણથી ભારત-થાઈલેન્ડના લાંબા સમયથી ચાલી રહેલા દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધોને વધુ મજબૂતી મળશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/amit-shah--253-detained-in-isi-backed-shahzad-bhatti-network-crackdown" target="_blank">આ પણ વાંચો : Amit Shah: આતંકી શહજાદ ભટ્ટીના નેટવર્ક સામે મોટી કાર્યવાહી, ગુજરાત સહિત 13 રાજ્યમાંથી 253 લોકોની અટકાયત</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/17/Zesfg9uWXZfZR5TMMpWOvCs2rS88YzlXSJ8uheBF.webp'/></item><item><title><![CDATA[Dahod: રતનમહાલમાં નલધા ધોધ શરૂ, ચોમાસામાં સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dahod/ratanmahal-sanctuary-naldha-waterfall-starts-monsoon-nature-tourism</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dahod/ratanmahal-sanctuary-naldha-waterfall-starts-monsoon-nature-tourism</guid><pubDate>Mon, 17 Aug 2026 15:50:09 +05:30</pubDate><description><![CDATA[<p>દાહોદ જિલ્લાના લીમખેડા/ધાનપુર વિસ્તારમાં આવેલું અને જંગલ-વનરાજીથી સમૃદ્ધ એવું રતનમહાલ રીંછ અભયારણ્ય હાલ ચોમાસાની મોસમમાં કુદરતી સૌંદર્યનું સ્વર્ગ બની ગયું છે. ઉપરવાસના પહાડી વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે અભયારણ્યમાં આવેલો પ્રખ્યાત નલધા ધોધ પુનઃ જીવંત થઈ ઊઠ્યો છે.ઊંચા પર્વતોના મુખમાંથી દૂધની ધારાની જેમ વહેતો આ ધોધ અત્યંત નયનરમ્ય અને મનમોહક દ્રશ્યો સર્જી રહ્યો છે.</p><h2><b>દાહોદનું રતનમહાલ બન્યું કુદરતી સૌંદર્ય</b></h2><p>વરસાદી માહોલ વચ્ચે રતનમહાલની ટેકરીઓ ધુમ્મસ અને લીલીછમ વનરાજીથી ઘેરાયેલી જોવા મળી રહી છે. નલધા ધોધ ચાલુ થવાના સમાચાર મળતાં જ દાહોદ, પંચમહાલ, વડોદરા સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ અને પ્રકૃતિપ્રેમીઓ ધોધનો નજારો માણવા માટે પહોંચી રહ્યા છે.</p><h3><b>પર્વતોમાંથી વહી નીકળી અમીધારા</b></h3><p>પહાડોની વચ્ચેથી ખાબકતો ધોધ પ્રકૃતિપ્રેમીઓ અને ફોટોગ્રાફીના શોખીનો માટે શ્રેષ્ઠ સ્થળ બન્યું છે. અભયારણ્ય વિસ્તાર હોવાથી કુદરતી વાતાવરણની સાથે પક્ષીઓ અને વનસ્પતિની વિવિધતા જોવા મળે છે.ચોમાસા દરમિયાન પહાડી રસ્તાઓ અને ધોધના ઊંડા પાણી નજીક પ્રવાસીઓને સુરક્ષાના નિયમો પાળવા વન વિભાગ દ્વારા અપીલ કરાઈ છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-high-court-judges-shortage-19-vacancies-yatin-ojha-ghaa-demand" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: HCમાં 19 ન્યાયાધીશોની ઘટથી કેસોનું ભારણ વધ્યું, દૂરના જિલ્લાના અસીલો હેરાન થતાં વકીલ મંડળે યોજી બેઠક</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/17/p2UjTnnf6rY5c6BUAzMWOEXmDw80jEjOuoWklToI.webp'/></item><item><title><![CDATA[Rajkotના પોપટપરા નાળા પાસે 12 લાખની લૂંટ ચલાવનાર 3 આરોપીઓ 14 વર્ષે ક્રાઇમ બ્રાન્ચના હથ્થે ચડ્યા! ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/3-accused-who-looted-rs-12-lakh-near-popatpara-nala-in-rajkot-were-arrested-by-the-crime-branch-after-14-years</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/3-accused-who-looted-rs-12-lakh-near-popatpara-nala-in-rajkot-were-arrested-by-the-crime-branch-after-14-years</guid><pubDate>Mon, 17 Aug 2026 15:29:41 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે વર્ષ 2012માં બનેલી 14 વર્ષ જૂની રૂ.12 લાખની સનસનાટીભરી લૂંટનો સફળતાપૂર્વક ભેદ ઉકેલી નાખ્યો છે. પોપટપરા નાળા પાસે ત્રણ શખ્સો દ્વારા આ લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. લાંબા સમયથી વણઉકેલાયેલા આ ગુનામાં લૂંટારૂઓ વચ્ચે લૂંટની રકમની ગેરવાજબી ભાગબટાઈને લઈને અંદરોઅંદર ઊભો થયેલો વિવાદ જ પોલીસ માટે ગુનાનો ભેદ ઉકેલવામાં મુખ્ય ચાવીરૂપ સાબિત થયો હતો.</p><h2 style="text-align: justify; "><b>અઢી લાખ વધુ લેવાની માથાકૂટ પડી મોંઘી</b></h2><p style="text-align: justify; ">તપાસ દરમિયાન સામે આવ્યું છે કે લૂંટની ઘટના બાદ આરોપી સદામ ઉર્ફે અફઝલે ભાગબટાઈ વખતે પોતાના સાગરીતો કરતાં રૂ. અઢી લાખ વધુ લઈ લીધા હતા. આ વધારાની રકમ બાબતે તેની તેના જ અન્ય બે સાથીદારો રાકેશ ચુડાસમા અને ઈકબાલ શેખ સાથે સતત માથાકૂટ અને તણાવ ચાલી રહ્યો હતો. લૂંટની રકમના ભાગ પાડવા મુદ્દે આરોપીઓ વચ્ચે ચાલતી આ જ આંતરિક અદાવત અને બોલાચાલીની વિગતો પોલીસ સુધી પહોંચી ગઈ હતી.</p><h3 style="text-align: justify; "><b>બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીઓને દબોચ્યા</b></h3><p style="text-align: justify; ">આંતરિક કલહ અંગે મળેલી ચોક્કસ અને સચોટ બાતમીના આધારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક દરોડો પાડીને લૂંટના આ ગુનામાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓ, સદામ ઉર્ફે અફઝલ, રાકેશ ચુડાસમા અને ઈકબાલ શેખની ધરપકડ કરી લીધી છે. વર્ષો જૂના આ કિસ્સામાં આરોપીઓની આખરે ધરપકડ થતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આગળની વધુ તપાસ શરૂ કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/17/e68LMPzqvPktpIxEG55w5tB9RolKEkQRl0gZMJhb.webp'/></item><item><title><![CDATA[Himanshi Khurana દબાણમાં ઈસ્લામ કબૂલવા તૈયાર હતી! આસિમ રિયાઝે પૂજા-પાઠ પર લગાવી હતી રોક! ]]></title><link>https://sandesh.com/entertainment/news/himanshi-khurana-asim-riaz-religion-controversy-bigg-boss</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/himanshi-khurana-asim-riaz-religion-controversy-bigg-boss</guid><pubDate>Mon, 17 Aug 2026 15:26:26 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બિગ બોસ 13માં જોવા મળેલી હિમાંશી ખુરાનાનું આસિમ રિયાઝ સાથે રિલેશન હતું. બંનેએ સાથે એક મ્યુઝિક વીડિયો પણ કર્યો હતો અને થોડા સમય સુધી એકબીજાને ડેટ કર્યા હતા. જોકે, બાદમાં બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. હવે ઘણા વર્ષો બાદ હિમાંશીએ આસિમ રિયાઝ સાથેના બ્રેકઅપ ઉપરાંત પોતાની આસ્થા અને ધર્મ વિશે વાત કરી છે. હિમાંશીએ ક્યાંય આસિમનું નામ લીધું નથી, પરંતુ કહ્યું કે અગાઉના સંબંધમાં તેમના પર એટલું દબાણ બનાવવામાં આવ્યું હતું કે તેઓ ઇસ્લામ સ્વીકારવા માટે તૈયાર થઈ ગયાં હતાં. સંબંધ દરમિયાન તેમની આસ્થા અને પૂજા-પાઠ સામે વાંધો ઉઠાવવામાં આવતો હતો અને તેમને રોકવામાં આવતા હતાં.</p><h3 style="text-align: justify; "><b>હિમાંશીએ પોડકાસ્ટમાં કર્યો મોટો ખુલાસો</b></h3><p style="text-align: justify; ">હિમાંશીએ આ વાત પારસ છાબડાના પોડકાસ્ટમાં કહી હતી. પારસ પણ તેમની સાથે બિગ બોસ 13માં જોવા મળ્યા હતા. હિમાંશી ખુરાનાએ કહ્યું કે એક રાતે ધર્મ અને આસ્થાને લઈને તેમના પર માનસિક દબાણ એટલું વધી ગયું હતું કે તેઓ પોતાને જ સવાલ કરવા લાગ્યા હતાં કે તેમને સળગાવવામાં આવશે કે દફનાવવામાં આવશે. તેમને એવું લાગવા લાગ્યું હતું કે હવે તેઓ વિદાય લેવાના છે અને આ તેમના જીવનનો છેલ્લો દિવસ છે. ત્યારે હિમાંશીએ નક્કી કર્યું હતું કે ધર્મ બદલતા પહેલાં તેમણે તમામ મંદિરો અને ચાર ધામનાં દર્શન કરી લેવા છે.</p><h3 style="text-align: justify; "><b>મને કહેવામાં આવ્યું કે હવે તમે આ બધું નહીં કરી શકો</b></h3><p style="text-align: justify; ">પારસ છાબડાએ જ્યારે હિમાંશીને પૂછ્યું કે સાંભળવા મળ્યું છે કે તમારું ધર્મ પરિવર્તન પણ થવાનું હતું, ત્યારે હિમાંશીએ કહ્યું, છોડો યાર, શું કહેવું છે. એક રાતે એવી ઘટના બની કે મને કહેવામાં આવ્યું કે આ વસ્તુ તમે ત્યાર પછી નહીં કરી શકો. કસમથી મેં મારા મોઢેથી કહ્યું હતું કે તે પહેલાં મારે ચાર ધામ અને તમામ મંદિરોનાં દર્શન પૂરા કરવા છે, કારણ કે ત્યાર પછી હું ક્યારેય મળી નહીં શકું... જાણે હું વિદાય લઈ રહી હોઉં. ત્યાર પછી મારા મનમાં વિચિત્ર વિચારો આવવા લાગ્યા. હું ખૂબ વિચારું છું. હું એવું વિચારવા લાગી કે હું તમારી પ્રાર્થના વાંચીશ તો તમને કેવી રીતે ખબર પડશે કે મારા મનમાંથી ૐ નમઃ શિવાય નથી નીકળી રહ્યું.<br><img alt="Himanshi Khurana Asim Riaz controversy (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/17/SoXFSyrVDBh2C9jzD3ky2EUWey221r4iHuPSdQ8L.webp"><br></p><h3 style="text-align: justify; "><b>મને સવાલ થયો કે મને દફનાવવામાં આવશે કે સળગાવવામાં આવશે?</b></h3><p style="text-align: justify; ">હિમાંશી એ આગળ કહ્યું, મેં કહ્યું કે જ્યારે હું તમારા ભગવાન સામે પણ માથું નમાવીશ ત્યારે આપમેળે મારા મોઢામાંથી વાહેગુરુ જ નીકળશે. આ પણ દગો થયો. હું તેમની સારી વાતો સાંભળતી હતી અને તેમને કહેતી પણ હતી કે હા, આ સારી વાત છે. જ્યારે મેં કહ્યું કે જો હું તમારી દુઆ બોલીશ તો મારા મનમાંથી તો મારી પોતાની જ પ્રાર્થના નીકળશે, ત્યારે મારા મનમાં સવાલ આવ્યો કે મને દફનાવવામાં આવશે કે સળગાવવામાં આવશે. આ સવાલ મારું અંતરમન મને પૂછી રહ્યું હતું. એ મારો ટર્નિંગ પોઇન્ટ હતો.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DcBbXoxsBwr/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DcBbXoxsBwr/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DcBbXoxsBwr/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DcBbXoxsBwr/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h5 style="text-align: justify; "><b>ધર્મ બદલવા માટે તૈયાર થઈ ગઈ હતી હિમાંશી&nbsp;</b></h5><p style="text-align: justify; ">હિમાંશીના જણાવ્યા પ્રમાણે, તેમને કહેવામાં આવ્યું હતું કે હવે પૂજા-પાઠ અને આ બધું નહીં ચાલે. તેમના પર એટલું માનસિક દબાણ બનાવવામાં આવ્યું હતું કે તેઓ ધર્મ બદલવા માટે તૈયાર થઈ ગયાં હતાં. હિમાંશી એ કહ્યું કે કોઈપણ સંબંધમાં ધર્મ બદલવા માટે દબાણ ન બનાવવું જોઈએ. દરેક વ્યક્તિને પોતાની ધાર્મિક ઓળખ અને માન્યતાઓ સાથે જીવવાની આઝાદી હોવી જોઈએ.</p><h5 style="text-align: justify; "><b>હિમાંશી અને આસિમની લવ સ્ટોરી</b></h5><p style="text-align: justify; ">હિમાંશી ખુરાના અને આસિમ રિયાઝ પહેલીવાર બિગ બોસ 13માં મળ્યા હતા. શો દરમિયાન જ બંને એકબીજાને પસંદ કરવા લાગ્યાં હતાં. તેમની નિકટતાની ઘણી ચર્ચા થઈ હતી. ત્યારબાદ શોમાંથી બહાર આવ્યા પછી હિમાંશી અને આસિમે પોતાના સંબંધને જાહેર કર્યો અને એકબીજાને ડેટ કરવા લાગ્યા. જોકે, 2023માં બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. હિમાંશી અને આસિમે તેના કારણ તરીકે અલગ-અલગ ધર્મ અને ધાર્મિક માન્યતાઓને જવાબદાર ગણાવ્યાં હતાં. હિમાંશીએ આસિમ રિયાઝ સાથેની પોતાની ચેટ પણ શેર કરી હતી, જેમાં ધર્મને લઈને બંને વચ્ચે વાતચીત થઈ હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/govinda-viral-video-dancing-thailand-club-sunita-ahuja" target="_blank">આ પણ વાંચો-Govinda : પત્ની લાઇમલાઇટમાં, ગોવિંદાના સિતારા ગર્દિશમાં! થાઈલેન્ડના ક્લબમાં કર્યો ડાન્સ, યુઝર્સે પૂછ્યું- આવી શું મજબૂરી?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/17/eXqPJJjU5gjdfgis4b5zfHVGCvsg8Kqaf7moEFxP.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: HCમાં 19 ન્યાયાધીશોની ઘટથી કેસોનું ભારણ વધ્યું, દૂરના જિલ્લાના અસીલો હેરાન થતાં વકીલ મંડળે યોજી બેઠક ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-high-court-judges-shortage-19-vacancies-yatin-ojha-ghaa-demand</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-high-court-judges-shortage-19-vacancies-yatin-ojha-ghaa-demand</guid><pubDate>Mon, 17 Aug 2026 15:23:32 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયાધીશોની ઉપલબ્ધ સંખ્યા સામે ખાલી પડેલી જગ્યાઓને કારણે અદાલતી કામગીરી પર ભારે વિપરીત અસર પડી રહી છે. આ ગંભીર પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિએશન (GHAA) ની એક મહત્વપૂર્ણ બેઠક અમદાવાદ ખાતે યોજાઈ હતી. બેઠકમાં વકીલ મંડળના આગેવાનોએ હાઇકોર્ટમાં ન્યાયાધીશોની ઘટ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.</p><h2><b>હાઇકોર્ટમાં ન્યાયાધીશોની ઘટ અંગે ચિંતા</b></h2><p>GHAA ના પ્રમુખ અને સિનિયર એડવોકેટ યતીન ઓઝાએ જણાવ્યું હતું કે, હાલ હાઇકોર્ટની દરેક કોર્ટમાં દરરોજ 500 થી 600 કેસો લિસ્ટ કરવામાં આવે છે. જજની સંખ્યા ઓછી હોવાને કારણે આટલી મોટી સંખ્યામાં કેસોનું બોર્ડ પર આવવું અને તેના પર સુનાવણી થવી વ્યવહારિક રીતે શક્ય બનતી નથી.ન્યાયાધીશોની અછતના કારણે સૌથી વધુ માાઠી અસર દૂર-દૂરના જિલ્લાઓમાંથી ન્યાયની આશાએ આવતા અસીલો (અરજદારો) પર પડી રહી છે. કચ્છ, વલસાડ, ડાંગ અને સૌરાષ્ટ્ર જેવા અંતરિયાળ વિસ્તારોમાંથી ભાડાં ખર્ચીને અમદાવાદ હાઇકોર્ટ આવતા નાગરિકોના કેસોનો વારો ન આવતાં તેમને તારીખ પે તારીખ મેળવીને પરત ફરવું પડે છે.</p><h3><b>ન્યાયાધીશોની 19 જગ્યાઓ ખાલી</b></h3><p>હાલ ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયાધીશોની મંજૂર થયેલી સંખ્યામાંથી 19 જગ્યાઓ ખાલી છે, જેને તત્કાળ અસરથી ભરવામાં આવે. સમયસર સુનાવણી ન થવાને કારણે અસીલોનો સમય અને આર્થિક સંસાધનો વેડફાઈ રહ્યા છે.સુપ્રીમ કોર્ટ કોલેજિયમ અને કેન્દ્રીય કાયદા મંત્રાલય દ્વારા તાત્કાલિક નવા જજની નિમણૂક પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તેવી માગ કરાઈ છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/5-rain-systems-active-in-gujarat-heavy-to-very-heavy-rains-forecast-for-next-two-days" target="_blank">આ પણ વાંચો: Gujaratમાં 5 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/17/NvnQV2a4N29mZTtArl5J1AUJt4EKcgwie80oW76Q.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના નરોડામાં SMCની ટીમે દરોડો પાડી રૂ.10.97 લાખનો દારૂનો જથ્થો કર્યો જપ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/smc-team-raids-naroda-ahmedabad-seizes-liquor-worth-rs-10-97-lakh</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/smc-team-raids-naroda-ahmedabad-seizes-liquor-worth-rs-10-97-lakh</guid><pubDate>Mon, 17 Aug 2026 15:13:02 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરના નરોડા GIDC ફેસ-1 વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) ની ટીમે ચોક્કસ બાતમીના આધારે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. SMCની ટીમે અમી એન્ટરપ્રાઈઝ સામે આવેલી એક અવાવરૂ જગ્યા પર અચાનક દરોડો પાડ્યો હતો. આ સફળ રેડ દરમિયાન સ્થળ પરથી સંતાડવામાં આવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) અને બીયરનો મોટો જથ્થો ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે.</p><h2 style="text-align: justify; "><b>71 પેટીઓમાંથી 2,628 બોટલ દારૂ-બીયર જપ્ત</b></h2><p style="text-align: justify; ">પોલીસના દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી કુલ 71 જેટલી પેટીઓ મળી આવી હતી, જેમાં તપાસ કરતા 2,628 બોટલ દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો. SMC દ્વારા ઝડપાયેલા દારૂની કિંમત આશરે રૂ.10.97 લાખ અંકાયા છે. આ ઉપરાંત, ગુનામાં વપરાયેલા અન્ય સાધનો અને વાહનો મળીને પોલીસે કુલ રૂ.32.57 લાખનો મત્તાનો મુદ્દામાલ સ્થળ પરથી સીઝ કરીને જપ્ત કર્યો છે.</p><h3 style="text-align: justify; "><b>મુખ્ય સાગરીતો સહિત 6 આરોપીઓ વોન્ટેડ જાહેર</b></h3><p style="text-align: justify; ">દરોડા દરમિયાન મુખ્ય આરોપી મો. હારૂન જબ્બરભાઈ શેખ (રહે. પંડીતજીની ચાલી, નરોડા પાટીયા) ને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ સિવાય અન્ય એક નામી આરોપી મુકેશ ઉર્ફે મુકો શુટર રમેશજી વાઘેલા પણ આ ગુનામાં વોન્ટેડ જાહેર થયો છે. દરોડા સમયે સ્થળ પરથી અન્ય 4 આરોપીઓ ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. આ સમગ્ર મામલે કુલ 6 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી નરોડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/17/xLxw7jd1zVDgOEfBjDz3LvT1yoVpTU6pkWixLO37.webp'/></item><item><title><![CDATA[Hockey World Cupમાં ભારતીય વિમેન્સ ટીમની મજબૂત શરૂઆત, ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા ચીનને 2-2થી ડ્રો પર રોક્યું ]]></title><link>https://sandesh.com/sports/news/india-women-vs-china-hockey-world-cup-draw</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india-women-vs-china-hockey-world-cup-draw</guid><pubDate>Sun, 16 Aug 2026 22:19:07 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હોકી વર્લ્ડકપમાં પહેલી જ મેચમાં ભારતીય મહિલા ટીમે દર્શાવ્યું કે આ વખતે તેમનું ધ્યાન ફક્ત ભાગ લેવા પર નહીં, પરંતુ મોટી ટીમોને પડકારવા પર છે. કેપ્ટન સલીમા ટેટેના નેતૃત્વમાં ભારતીય ટીમે 16 ઓગસ્ટના રોજ એમ્સ્ટલવીનના વેગનર હોકી સ્ટેડિયમ ખાતે ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા ચીનને 2-2 થી ડ્રો કરીને ટુર્નામેન્ટમાં મજબૂત શરૂઆત કરી.&nbsp;</p><p style="text-align: justify;">ભારત માટે નવનીત અને દીપિકાએ ગોલ કર્યા. ભારતીય ટીમે 2 વાર લીડ લીધી, પરંતુ ચીને દરેક વખતે સ્કોર બરાબર કરવા માટે વળતો પ્રહાર કર્યો. અંતિમ ક્વાર્ટરમાં બંને ટીમોએ નિર્ણાયક ગોલ કરવાનો બેસ્ટ પ્રયાસ કર્યો, પરંતુ કોઈ પણ સફળ થયું નહીં, અને મેચ ડ્રોમાં સમાપ્ત થઈ. અગાઉ ભારતીય પુરુષ ટીમે વેલ્સને હરાવીને તેમના ટુર્નામેન્ટ અભિયાનની શરૂઆત જીત સાથે કરી હતી.</p><h2 style="text-align: justify;"><b>નવનીતે શરૂઆતની લીડ લીધી</b></h2><p style="text-align: justify;">ભારતે મેચની શરૂઆત આક્રમક રીતે કરી. પાંચમી મિનિટમાં લાલરેમસિયામીએ ભારત માટે પેનલ્ટી કોર્નર મેળવ્યો. નવનીતે શોટ લીધો, પરંતુ ચીનના ડિફેન્સે તેને રોકી દીધો. પરંતુ 3 મિનિટ પછી ભારતે પોતાનો ગોલ નોંધાવ્યો. આઠમી મિનિટમાં, નવનીતે નેહાના શાનદાર પાસ પર ગોલ કરીને ભારતને 1-0ની લીડ અપાવી. ભારતની લીડ લાંબો સમય ટકી ન શકી. શિલ્પી દહિયાને સર્કલની અંદર ફાઉલ કરવામાં આવી, જેના કારણે ચીનને પેનલ્ટી સ્ટ્રોક મળ્યો. ઝાંગ યિંગે તકનો લાભ લઈને સ્કોર 1-1 કર્યો.</p><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/TheHockeyIndia/status/2088970225396158718"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3 style="text-align: justify;"><b>ભારતીય ટીમે હાફ ટાઈમ સુધી લીડ મેળવી લીધી</b></h3><p style="text-align: justify;">બીજા ક્વાર્ટરમાં ભારતે ફરીથી દબાણ બનાવવાનું શરૂ કર્યું. 21મી મિનિટે ભારતે પેનલ્ટી કોર્નર મેળવ્યો, પરંતુ તેને કન્વર્ટ કરવામાં નિષ્ફળ ગઈ. 4 મિનિટ પછી દીપિકાએ જમણી બાજુથી એક શાનદાર મૂવ કર્યો, જેનાથી ભારતને બીજો પેનલ્ટી કોર્નર મળ્યો. આ વખતે દીપિકાએ કોઈ ભૂલ કરી નહીં, ડ્રેગ-ફ્લિકથી બોલને નેટમાં મોકલ્યો. પરંતુ બોલ ચીની ડિફેન્ડરને વાગ્યો હતો અને નેટમાં ગયો હતો, તેથી વીડિયો એમ્પાયરે તેને ચેક કર્યો. ગોલ માન્ય જાહેર કરવામાં આવ્યો, અને ભારત 2-1થી આગળ રહ્યું. હાફટાઈમ સુધી સ્કોર યથાવત રહ્યો.</p><h4 style="text-align: justify;"><b>ત્રીજા ક્વાર્ટરમાં ચીને જોરદાર વાપસી કરી</b></h4><p style="text-align: justify;">બીજા હાફમાં ચીને પોતાની ગતિ વધારી. ત્રીજા ક્વાર્ટરમાં ભારતીય ડિફેન્સ પર સતત દબાણ રહ્યું. ચીનના પ્રયાસો આખરે 39મી મિનિટે બરાબરી કરી, જ્યારે મા નિંગે પેનલ્ટી કોર્નરને ગોલ કરીને સ્કોર 2-2ની બરાબરી પર લાવી દીધો. ત્યારબાદ ચીને ઘણા એટેક શરૂ કર્યા, પરંતુ ભારતીય ડિફેન્સે સંયમ જાળવી રાખ્યો અને ત્રીજા ક્વાર્ટરના બાકીના સમય માટે બીજો ગોલ અટકાવ્યો.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/U40HlMQclc0GyUPsH4USiiAd1q02JPtS2DXLB6KW.webp'/></item></channel></rss>