<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[PM Vishwakarma Scheme:  ગેરંટી વગર સરકાર આપી રહી છે 3 લાખ સુધીની લોન, જાણો અરજી કરવાની સરળ રીત ]]></title><link>https://sandesh.com/india/news/business/pm-vishwakarma-scheme-loan-benefits-eligibility-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/pm-vishwakarma-scheme-loan-benefits-eligibility-2026</guid><pubDate>Thu, 17 Sep 2026 15:22:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જો તમે તમારો પોતાનો નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હોવ અને આર્થિક મુશ્કેલીઓ કે ફંડના અભાવને કારણે મુશ્કેલી અનુભવી રહ્યા હોવ, તો કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર તમને મોટી આર્થિક સહાય પૂરી પાડી રહી છે. નાણાકીય ચિંતાઓ દૂર કરવા માટે ચલાવવામાં આવતી 'પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના' ને હાલમાં જ સફળતાપૂર્વક ત્રણ વર્ષ પૂરા થયા છે. આ લોકકલ્યાણકારી યોજના હેઠળ કુશળ કારીગરો અને શ્રમિકોને કોઈપણ પ્રકારની ગેરંટી કે સિક્યોરિટી વગર 3 લાખ રૂપિયા સુધીની આકર્ષક લોનનું વિતરણ કરવામાં આવે છે, જે ખૂબ જ ઓછા વ્યાજ દરે ઉપલબ્ધ છે.</p><h2 style="text-align: justify; "><b>અનેક લોકોને મળશે સહાય</b></h2><p style="text-align: justify; ">વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 17 સપ્ટેમ્બર, 2023 ના રોજ શરૂ કરવામાં આવેલી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં રહેતા પરંપરાગત કારીગરો અને કુશળ વ્યક્તિઓને સશક્ત બનાવવાનો છે. આ યોજના હેઠળ કુલ 18 પ્રકારના નાના વ્યવસાયો અને વ્યવસાયિકોને આવરી લેવામાં આવ્યા છે. જેમાં સુથાર, લુહાર, કડિયા, કુંભાર, શિલ્પકાર, તાళા બનાવનારા, બોટ નિર્માતા, ફિશનેટ બનાવનારા અને રમકડા બનાવનારા સહિતના અનેક હુન્નરમંદ લોકોને સહાય મળે છે.</p><h3 style="text-align: justify; "><b>ગેરંટી વગરની લોન મળશે</b></h3><p style="text-align: justify; ">આ યોજના અંતર્ગત સરકાર કુલ 3 લાખ રૂપિયા સુધીની લોન બે તબક્કામાં આપે છે. પ્રથમ તબક્કામાં વ્યવસાય શરૂ કરવા અથવા આગળ વધારવા માટે 1 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે, જ્યારે સફળતાપૂર્વક ધંધો ચલાવ્યા બાદ બીજા તબક્કામાં વ્યવસાયના વિસ્તરણ માટે 2 લાખ રૂપિયાની વધારાની લોન આપવામાં આવે છે. આ લોનની સૌથી મોટી વિશેષતા એ છે કે તે સંપૂર્ણપણે ગેરંટી-મુક્ત (Collateral-free) છે અને તેના પર માત્ર 5% જેટલો ઓછો વ્યાજ દર વસૂલવામાં આવે છે.</p><h4 style="text-align: justify; "><b>લોન ઉપરાંચ તાલીમ પણ અપાશે</b></h4><p style="text-align: justify; ">લોન ઉપરાંત, આ યોજના હેઠળ લાભાર્થીઓને માસ્ટર ટ્રેનર્સ દ્વારા નિઃશુલ્ક તાલીમ પણ આપવામાં આવે છે. તાલીમ દરમિયાન દરરોજના હિસાબે સ્ટાઇપેન્ડ પણ ચૂકવાય છે. તેમજ પ્રશિક્ષણ પૂર્ણ થયા બાદ ₹15,000 ની કિંમતની આધુનિક ટૂલકીટ, પીએમ વિશ્વકર્મા પ્રમાણપત્ર અને સત્તાવાર આઈડી કાર્ડ પણ પ્રદાન કરવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે અરજદારની ઉંમર 18 થી 50 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે. અરજી કરવા માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુક, આવક અને જાતિનું પ્રમાણપત્ર તથા પાસપોર્ટ સાઇઝનો ફોટો જેવા દસ્તાવેજોની જરૂર પડે છે.</p><h5 style="text-align: justify; "><b>આ રીતે કરો નોંધણી</b></h5><p style="text-align: justify; ">લાભાર્થીઓ સત્તાવાર વેબસાઇટ (pmvishwakarma.gov.in) પર જઈને ઓનલાઇન નોંધણી કરાવી શકે છે. અત્યાર સુધીમાં આ યોજના હેઠળ લાખો લોકોએ નોંધણી કરાવીને કૌશલ્ય તાલીમ અને આધુનિક સાધનોનો લાભ મેળવ્યો છે, જે કારીગરોની આર્થિક સ્થિતિ સુધારવામાં અત્યંત ઉપયોગી સાબિત થઈ રહ્યો છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/world/news/yemen-houthi-leader-abdul-malik-al-houthi-secret-caves" target="_blank">આ પણ વાંચોઃ Middle East: યમનની ગુપ્ત ગુફામાંથી સરકારને નિયંત્રણમાં રાખતો હુતી નેતા અબ્દુલ મલિક કોણ?&nbsp;</a></b></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/Szj5eZBc1YgdwYxGrJcrGO3inPffihcXGmESiJOs.webp'/></item><item><title><![CDATA[PM Vishwakarma Scheme:  ગેરંટી વગર સરકાર આપી રહી છે 3 લાખ સુધીની લોન, જાણો અરજી કરવાની સરળ રીત ]]></title><link>https://sandesh.com/india/news/business/pm-vishwakarma-scheme-loan-benefits-eligibility-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/pm-vishwakarma-scheme-loan-benefits-eligibility-2026</guid><pubDate>Thu, 17 Sep 2026 15:22:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જો તમે તમારો પોતાનો નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હોવ અને આર્થિક મુશ્કેલીઓ કે ફંડના અભાવને કારણે મુશ્કેલી અનુભવી રહ્યા હોવ, તો કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર તમને મોટી આર્થિક સહાય પૂરી પાડી રહી છે. નાણાકીય ચિંતાઓ દૂર કરવા માટે ચલાવવામાં આવતી 'પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના' ને હાલમાં જ સફળતાપૂર્વક ત્રણ વર્ષ પૂરા થયા છે. આ લોકકલ્યાણકારી યોજના હેઠળ કુશળ કારીગરો અને શ્રમિકોને કોઈપણ પ્રકારની ગેરંટી કે સિક્યોરિટી વગર 3 લાખ રૂપિયા સુધીની આકર્ષક લોનનું વિતરણ કરવામાં આવે છે, જે ખૂબ જ ઓછા વ્યાજ દરે ઉપલબ્ધ છે.</p><h2 style="text-align: justify; "><b>અનેક લોકોને મળશે સહાય</b></h2><p style="text-align: justify; ">વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 17 સપ્ટેમ્બર, 2023 ના રોજ શરૂ કરવામાં આવેલી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં રહેતા પરંપરાગત કારીગરો અને કુશળ વ્યક્તિઓને સશક્ત બનાવવાનો છે. આ યોજના હેઠળ કુલ 18 પ્રકારના નાના વ્યવસાયો અને વ્યવસાયિકોને આવરી લેવામાં આવ્યા છે. જેમાં સુથાર, લુહાર, કડિયા, કુંભાર, શિલ્પકાર, તાళા બનાવનારા, બોટ નિર્માતા, ફિશનેટ બનાવનારા અને રમકડા બનાવનારા સહિતના અનેક હુન્નરમંદ લોકોને સહાય મળે છે.</p><h3 style="text-align: justify; "><b>ગેરંટી વગરની લોન મળશે</b></h3><p style="text-align: justify; ">આ યોજના અંતર્ગત સરકાર કુલ 3 લાખ રૂપિયા સુધીની લોન બે તબક્કામાં આપે છે. પ્રથમ તબક્કામાં વ્યવસાય શરૂ કરવા અથવા આગળ વધારવા માટે 1 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે, જ્યારે સફળતાપૂર્વક ધંધો ચલાવ્યા બાદ બીજા તબક્કામાં વ્યવસાયના વિસ્તરણ માટે 2 લાખ રૂપિયાની વધારાની લોન આપવામાં આવે છે. આ લોનની સૌથી મોટી વિશેષતા એ છે કે તે સંપૂર્ણપણે ગેરંટી-મુક્ત (Collateral-free) છે અને તેના પર માત્ર 5% જેટલો ઓછો વ્યાજ દર વસૂલવામાં આવે છે.</p><h4 style="text-align: justify; "><b>લોન ઉપરાંચ તાલીમ પણ અપાશે</b></h4><p style="text-align: justify; ">લોન ઉપરાંત, આ યોજના હેઠળ લાભાર્થીઓને માસ્ટર ટ્રેનર્સ દ્વારા નિઃશુલ્ક તાલીમ પણ આપવામાં આવે છે. તાલીમ દરમિયાન દરરોજના હિસાબે સ્ટાઇપેન્ડ પણ ચૂકવાય છે. તેમજ પ્રશિક્ષણ પૂર્ણ થયા બાદ ₹15,000 ની કિંમતની આધુનિક ટૂલકીટ, પીએમ વિશ્વકર્મા પ્રમાણપત્ર અને સત્તાવાર આઈડી કાર્ડ પણ પ્રદાન કરવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે અરજદારની ઉંમર 18 થી 50 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે. અરજી કરવા માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુક, આવક અને જાતિનું પ્રમાણપત્ર તથા પાસપોર્ટ સાઇઝનો ફોટો જેવા દસ્તાવેજોની જરૂર પડે છે.</p><h5 style="text-align: justify; "><b>આ રીતે કરો નોંધણી</b></h5><p style="text-align: justify; ">લાભાર્થીઓ સત્તાવાર વેબસાઇટ (pmvishwakarma.gov.in) પર જઈને ઓનલાઇન નોંધણી કરાવી શકે છે. અત્યાર સુધીમાં આ યોજના હેઠળ લાખો લોકોએ નોંધણી કરાવીને કૌશલ્ય તાલીમ અને આધુનિક સાધનોનો લાભ મેળવ્યો છે, જે કારીગરોની આર્થિક સ્થિતિ સુધારવામાં અત્યંત ઉપયોગી સાબિત થઈ રહ્યો છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/world/news/yemen-houthi-leader-abdul-malik-al-houthi-secret-caves" target="_blank">આ પણ વાંચોઃ Middle East: યમનની ગુપ્ત ગુફામાંથી સરકારને નિયંત્રણમાં રાખતો હુતી નેતા અબ્દુલ મલિક કોણ?&nbsp;</a></b></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/Szj5eZBc1YgdwYxGrJcrGO3inPffihcXGmESiJOs.webp'/></item><item><title><![CDATA[Gir Somnath News : વેરાવળમાં સાયબર ઠગોનો આતંક, ક્રેડિટ કાર્ડના નામે બે લોકો સાથે રૂ.2.75 લાખથી વધુની ઠગાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gir-somnath/gir-somnath--cyber-fraudsters-swindle--2-75-lakh-in-veraval-via-apk-and-phishing-link</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gir-somnath/gir-somnath--cyber-fraudsters-swindle--2-75-lakh-in-veraval-via-apk-and-phishing-link</guid><pubDate>Thu, 17 Sep 2026 15:19:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં સાયબર ક્રાઈમની બે અલગ-અલગ ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે. સાયબર ઠગોએ ક્રેડિટ કાર્ડ અને ઈન્સ્યોરન્સના નામે નકલી બેંક અધિકારી બનીને બે નાગરિકો પાસેથી રૂ. 2.75 લાખથી વધુની રકમ પડાવી લીધી છે. એક જ દિવસમાં સાયબર છેતરપિંડીના બે બનાવો પ્રકાશમાં આવતાં સમગ્ર વેરાવળ શહેરમાં ભારે ખળભળાટ મચી ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>APK ફાઈલ અને ફિશિંગ લિંકથી ક્રેડિટ કાર્ડની વિગતો તારવી</b></h2><p style="text-align: justify; ">મોડસ ઓપરેન્ડી અંગે મળતી માહિતી અનુસાર, પ્રથમ કિસ્સામાં ઠગે બેંક અધિકારી તરીકે ઓળખ આપીને ક્રેડિટ કાર્ડની પ્રોસેસિંગ માટે એક APK ફાઈલ ડાઉનલોડ કરાવી હતી. આ ફાઈલ ઈન્સ્ટોલ થતાં જ ફરિયાદીના ખાતામાંથી રૂ. 1.80 લાખ સેરવી લેવાયા હતા. જ્યારે બીજા કિસ્સામાં ઈન્સ્યોરન્સ પોલિસી બંધ કરાવવાના બહાને ફિશિંગ લિંક મોકલીને ક્રેડિટ કાર્ડની વિગતો મેળવી રૂ. 95,760નું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી લેવામાં આવ્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>પોલીસે ગુનો નોંધી સાયબર ઠગોને દબોચવા તપાસ ચક્ર ગતિમાન કર્યા</b></h2><p style="text-align: justify; ">ક્રેડિટ કાર્ડમાંથી અચાનક મોટી રકમ ઉપડી જતાં ઠગાઈનો ભોગ બનેલા બંને નાગરિકોએ તુરંત જ વેરાવળ પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને બનાવોમાં સાયબર ક્રાઈમના વિવિધ કાયદા હેઠળ ગુનો નોંધીને જે બેંક ખાતાઓ અને લિંક્સનો ઉપયોગ થયો છે તેની ટેકનિકલ તપાસ શરૂ કરી છે. પોલીસે સ્થાનિક રહીશોને અજાણ્યા કોલ, APK ફાઈલ કે ફિશિંગ લિંક પર ક્લિક ન કરવા અપીલ કરી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/dholka/dholka--35-year-old-man-drowns-in-kharanti-village-pond--body-found-after-2-days" target="_blank">Ahmedabad News : ધોળકાના ખરાંટી ગામે તળાવમાં ડૂબવાથી 35 વર્ષીય યુવાનનું કરૂણ મોત, સમગ્ર ગામમાં શોકનો માહોલ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/oLachVMiwP3P7ytka5ymLqhkhswVVvUb67J2i4A6.webp'/></item><item><title><![CDATA[Sabarkantha News: PM મોદીના જન્મ દિવસે હિંમતનગર સિવિલને મળ્યું મેમોગ્રાફી મશીન ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/himatnagar/himmatnagar-civil-hospital-gets-two-advanced-mammography-machines</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/himatnagar/himmatnagar-civil-hospital-gets-two-advanced-mammography-machines</guid><pubDate>Thu, 17 Sep 2026 15:16:36 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે હિંમતનગર સિવિલ હોસ્પિટલને અત્યાધુનિક તબીબી સુવિધાની ભેટ મળી છે.કેન્દ્રશાસિત પ્રદેશ દીવ-દમણ, દાદરા-નગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલના પરિવાર તરફથી તેમના ધર્મપત્નીના નામે રૂપિયા 2 કરોડથી વધુની કિંમતના બે આધુનિક મેમોગ્રાફી મશીન સિવિલ હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યા છે.ગરીબ અને સામાન્ય વર્ગના દર્દીઓને ઘરઆંગણે શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે આ સેવા શરૂ કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>કેન્સરની શરૂઆતમાં જ ઓળખ થઈ શકશે</b></h2><p style="text-align: justify; ">હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં મેમોગ્રાફી મશીનનું વિધિવત લોકાર્પણ કરાયું હતું.​મહિલાઓમાં સ્તન કેન્સરનું જોખમ વધી રહ્યું છે.ત્યારે વહેલા તબક્કે તેનું સચોટ નિદાન થાય તે અત્યંત જરૂરી છે.ખાનગી લેબ અને મોટા શહેરોમાં આ ટેસ્ટ સામાન્ય દર્દીઓ માટે ઘણો ખર્ચાળ સાબિત થતો હોય છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આ મશીન કાર્યરત થતાં સમગ્ર સાબરકાંઠા,અરવલ્લી અને રાજસ્થાન સહિત આસપાસના વિસ્તારમાં વિનામૂલ્યે તપાસનો લાભ મળશે.આ મેમોગ્રાફી મશીન આવવાથી સ્ત્રીઓમાં થતા કેન્સરની શરૂઆતમાં જ ઓળખ થઈ શકશે.ગ્રામીણ વિસ્તારની બહેનો માટે આ મશીન આશીર્વાદરૂપ સાબિત થશે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>કેન્સર જાગૃતિ માટે એક મહત્વનું પગલું</b></h3><p style="text-align: justify; ">સાંસદ શોભનાબેન બારૈયાએ કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીના જન્મદિવસને સેવાના સંકલ્પ સાથે જોડીને સમાજ ઉપયોગી કાર્યો હાથ ધરાયા છે.પૂર્વ ગૃહ મંત્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા અપાયેલી આ ભેટથી જિલ્લાના આરોગ્ય તંત્રને વ્યાપક ફાયદો થશે તે નક્કી છે. તેમજ સ્થાનિક નાગરિકોને હવે મોટા શહેરો સુધી લાંબા થવું નહીં પડે.જનસેવા જ પ્રભુસેવાના ઉદ્દેશ સાથે અર્પણ કરાયેલા બે મેમોગ્રાફી મશીનની કિંમત 2 કરોડથી વધુ છે. આવનારા સમયમાં હજુ ગાંઠિયોલ સિવિલ હોસ્પિટલ તેમજ લક્ષ્મીપુરા સિવિલ હોસ્પિટલમાં મેમોગ્રાફી મશીન આપવાના છે.  જેનાથી કેન્સર જાગૃતિ માટે એક મહત્વનું પગલું બની રહેશે.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/congress-releases-manifesto-for-municipal-corporation-election" target="_blank">આ પણ વાંચોઃ Gandhinagar News: મનપાની ચૂંટણીમાં કોંગ્રેસે તૈયાર કર્યો મેનિફેસ્ટો, ભાજપે કહ્યું જનતાના આશીર્વાદ અમારી સાથે</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/TZHR7aEGvhqerNNo6pEGnizfbwSkm92ufmvkQNjO.webp'/></item><item><title><![CDATA[Dawood Ibrahim સાથે વાયરલ ફોટો પર પહેલીવાર મૌન તોડ્યું મંદાકિનીએ! કર્યો સનસનાટીભર્યો ખુલાસો ]]></title><link>https://sandesh.com/entertainment/news/mandakini-breaks-silence-on-viral-photo</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/mandakini-breaks-silence-on-viral-photo</guid><pubDate>Thu, 17 Sep 2026 15:16:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દિગ્ગજ અભિનેત્રી મંદાકિનીએ બોલીવુડમાં પગ મૂકતાની સાથે જ સૌને પોતાના ફેન બનાવી દીધા હતા. તેમની એક્ટિંગ હોય, બોલ્ડ સીન હોય કે પછી સુંદરતા, મંદાકિની કોઈને કોઈ કારણસર હંમેશાં ચર્ચામાં રહેતી હતી. તેમની કારકિર્દી પણ સારી ચાલી રહી હતી. પરંતુ એક તસવીરે તેમની કારકિર્દીને મોટો ઝટકો આપ્યો હતો. ઘણા વર્ષો પહેલાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથેની તેમની એક તસવીર વાયરલ થઈ હતી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ તસવીર દુબઈની હતી, જ્યાં મંદાકિની દાઉદ ઈબ્રાહિમના બોલાવવા પર ગઈ હતી. તે સમયે મુંબઈમાં થયેલા બોમ્બ વિસ્ફોટોમાં દાઉદનું નામ સામે આવ્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>દાઉદ સાથેની તસવીરને લઈને વર્ષો બાદ મંદાકિનીએ તોડ્યું મૌન</b></h2><p style="text-align: justify; ">આ જ કારણસર મંદાકિનીનું દાઉદ સાથેનું જોડાણ તેમની કારકિર્દી પર ભારે પડ્યું હતું. તે સમયે અભિનેત્રીએ આ તસવીર અંગે કંઈ કહ્યું ન હતું. પરંતુ હવે ઘણા વર્ષો બાદ મંદાકિનીએ વાયરલ થયેલી તસવીરની હકીકત જણાવી છે. સાથે જ તેમણે એ પણ જણાવ્યું છે કે તેઓ દુબઈ શા માટે ગયા હતા.&nbsp;<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DcBjJj2Epqs/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DcBjJj2Epqs/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DcBjJj2Epqs/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DcBjJj2Epqs/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h3 style="text-align: justify; "><b>મંદાકિનીએ જણાવી તસવીરની હકીકત&nbsp;</b></h3><p style="text-align: justify; ">ANIને આપેલા એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂમાં મંદાકિનીએ કહ્યું, લોકો જે લખવા માગે કે જે બોલવા માગે, તેના પર આપણું કોઈ નિયંત્રણ હોતું નથી. એક કલાકારને હજારો લોકોને મળવું પડે છે અને આપણા માટે બધા લોકો સરખા હોય છે. ત્યાં પણ ઘણા લોકો સાથે હતા. અમે એક શો માટે દુબઈ ગયા હતા અને ત્યાર બાદ મેચ જોવા પહોંચ્યા હતા. ના, મને દાઉદે આમંત્રણ આપ્યું ન હતું. તે સમયે મને આ વાતનો અહેસાસ પણ ન હતો.</p><p style="text-align: justify; "><img alt="Mandakini, Bollywood" src="https://epapercdn.sandesh.com/images/2026/09/17/xUAJ71Sw5oJrU9VgaQNNKI6lFIbSvX7uZLpifBA7.webp"><br></p><h4 style="text-align: justify; "><b>વિવાદ બાદ મંદાકિનીનું જીવન બદલાઈ ગયું</b></h4><p style="text-align: justify; ">દાઉદ સાથેની તેમની તસવીર સામે આવ્યા બાદ ઘણો વિવાદ થયો હતો અને તેને લઈને અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી હતી. મંદાકિનીએ જણાવ્યું કે આ સમગ્ર વિવાદની તેમની ફિલ્મી કારકિર્દી પર ઘણી અસર પડી હતી. તેમણે કહ્યું કે આ વિવાદને કારણે ઘણું નુકસાન થયું હતું. બાદમાં તેમને સમજાયું કે આવી બાબતો સંભાળવા માટે એક ટીમ હોવી જોઈએ. તેમણે દરેક જગ્યાએ આ અફવાઓનું ખંડન કર્યું હતું.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DdO4bKekqAH/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DdO4bKekqAH/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DdO4bKekqAH/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DdO4bKekqAH/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>રામ તેરી ગંગા મૈલીથી મળી ઓળખ</b></h4><p style="text-align: justify; ">મંદાકિનીએ ફિલ્મ રામ તેરી ગંગા મૈલીથી બોલીવુડમાં પગ મૂક્યો હતો. રાજ કપૂરના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ મોટી હિટ રહી હતી અને મંદાકિનીને 1980ના દાયકાની જાણીતી અભિનેત્રીઓમાં સ્થાન અપાવ્યું હતું. તે સમયે મંદાકિની નવી અભિનેત્રી હતી અને તેમની ઉંમર માત્ર 16 વર્ષ હતી. ફિલ્મમાં ગંગાનું પાત્ર ભજવીને તેમણે દર્શકોના મનમાં પોતાની ખાસ જગ્યા બનાવી હતી. રામ તેરી ગંગા મૈલીની સફળતા બાદ મંદાકિનીએ હિન્દી સિનેમામાં સતત કામ કર્યું હતું. પોતાની કારકિર્દીમાં તેમણે 75થી વધુ ફિલ્મોમાં કામ કર્યું અને અનિલ કપૂર, મિથુન ચક્રવર્તી તથા ગોવિંદા સહિતના અનેક મોટા કલાકારો સાથે સ્ક્રીન શેર કરી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/hanuman-ansh-300-crore-big-shock" target="_blank">આ પણ વાંચો-Hanuman Ansh : 300 કરોડની નજીક પહોંચતાં જ ફિલ્મને લાગ્યો મોટો ઝટકો! મેકર્સના મોટા પ્લાનિંગ પર ફરી વળ્યું પાણી!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/EhKFgRAs3PdjatLlJmzJRe6Y1Yenli2rc1JfpyNC.webp'/></item><item><title><![CDATA[Surat Crime News: ડિંડોલીમાં લાખોની કિંમતના અફીણ-ગાંજા સાથે ત્રણ શખ્સોને ઝડપાયા, મળ્યા અધધ રોડકા ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/dindoli-sog-police-arrests-three-with-opium-ganja</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/dindoli-sog-police-arrests-three-with-opium-ganja</guid><pubDate>Thu, 17 Sep 2026 15:11:19 +05:30</pubDate><description><![CDATA[<p>સુરતમાં અસામાજિક તત્વો અને નશાના વેપારીઓ સામે પોલીસે સકંજા વધુ કડક બનાવ્યો છે. તાજેતરમાં સુરત SOG પોલીસે બાતમીના આધારે મોટી સફળતા મેળવતા ડિંડોલી વિસ્તારમાંથી અફીણ અને ગાંજાના ગેરકાયદે જથ્થા સાથે ત્રણ ઈસમોને રંગે હાથે ઝડપી પાડ્યા છે. પોલીસની આ કડક કાર્યવાહીથી ડ્રગ્સ માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.</p><h2><b>લાખો રૂપિયાનો મુદ્દામાલ અને ડ્રગ્સ જથ્થો જપ્ત</b></h2><p>પોલીસ તપાસ દરમિયાન પકડાયેલા આરોપીઓ પાસેથી કુલ 1.698 કિલોગ્રામ અફીણ અને ગાંજાનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂપિયા 8,49,000 આંકવામાં આવી છે. ડ્રગ્સ ઉપરાંત પોલીસે ઘટના સ્થળેથી રોકડ રૂપિયા 4,01,500 તેમજ ડ્રગ્સનું વજન કરવા માટેનો ઈલેક્ટ્રીક વજન કાંટો પણ કબજે કર્યો છે. આમ, પોલીસે કુલ રૂપિયા 12,91,500 નો જંગી મુદ્દામાલ જપ્ત કર્યો છે.</p><h2><b>શોર્ટકટમાં પૈસા કમાવવાની લાલચે બન્યા અપરાધી</b></h2><p>પ્રાથમિક પૂછપરછમાં એ વાત સામે આવી છે કે, પકડાયેલા આરોપીઓએ ટૂંકા સમયમાં અને શોર્ટકટથી વધારે નાણાં કમાવવાની લાલચમાં આવીને આ ગેરકાયદે ધંધો શરૂ કર્યો હતો. તેઓ વોન્ટેડ જાહેર થયેલા એક મુખ્ય આરોપી પાસેથી આ અફીણ અને ગાંજો ખરીદીને સુરતના ડિંડોલી વિસ્તારમાં છુપી રીતે ગ્રાહકોને વેચાણ કરતા હોવાનું બહાર આવ્યું છે.</p><h2><b>NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ</b></h2><p>સુરત SOG પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદાકીય કડક પગલાં લેતા NDPS એક્ટ મુજબ સત્તાવાર ગુનો નોંધી લીધો છે. આ રેકેટની પાછળ કયા-કયા મોટા માથા સંકળાયેલા છે અને વોન્ટેડ આરોપી ક્યાં છુપાયેલો છે તે દિશામાં પોલીસે વધુ સઘન તપાસ શરૂ કરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/news/crime/surat/surat--3-traders-arrested-in-udhna-for-selling-fake-puma-footwear-worth--12-72-lakh" target="_blank">Surat News : ઉધનામાં ‘PUMA’ બ્રાન્ડના ડુપ્લિકેટ બૂટ-ચંપલ વેચતું મોટું રેકેટ પકડાયું, CID ક્રાઇમના દરોડામાં ૩ વેપારીઓ દબોચાયા!</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/j67mVyR0EsZkOrzLKCcEaeRqlu7B2ph3ihUIrp45.webp'/></item><item><title><![CDATA[ઓલા અને ઉબેર પર સરકારની લાલઆંખ, NSE IPO ખુલતાની સાથે જ ચર્ચામાં આવ્યો સહિતના મોટા સમાચાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-12-pm-to-03-pm-17-september-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-12-pm-to-03-pm-17-september-2026</guid><pubDate>Thu, 17 Sep 2026 14:55:57 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર</b></p><p><a href="https://sandesh.com/business/news/gold-silver-price-today-a-decision-from-america-and-a-gold-and-silver-boom-know-the-latest-rate-of-10-grams" target="_blank"><b>1.Gold Silver Price Today: અમેરિકાનો એક નિર્ણય અને સોના ચાંદી ધડામ.. જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ</b></a></p><p><a href="https://sandesh.com/world/news/middle-east-conflict-mecca-attack-increases-tension-in-saudi-arabia-houthi-seeks-help-from-four-countries-to-stop-drones-and-missiles" target="_blank"><b>2. Middle East Conflict: મક્કા હુમલાએ સાઉદી અરેબિયામાં વધાર્યો તણાવ, હુથી ડ્રોન અને મિસાઇલો રોકવા માટે ચાર દેશોની મદદ માંગી</b></a></p><p><a href="https://sandesh.com/business/news/nse-ipo-in-the-news-as-soon-as-it-opens-know-everything-from-price-band-gmp-to-risk" target="_blank"><b>3. NSE IPO ખુલતાની સાથે જ ચર્ચામાં! પ્રાઇસ બેન્ડ, GMPથી લઈને જોખમ સુધી જાણો બધુ જ</b></a></p><p><a href="https://sandesh.com/india/news/gujarat/bharuch/dahej-industrial-accident-supreme-court-gujarat-high-court-compensation" target="_blank"><b>4. Supreme Courtનો ઐતિહાસિક આદેશ, દહેજ અકસ્માતના પીડિતોને વહેલી તકે વળતર ચૂકવવાનો આદેશ</b></a></p><p><a href="https://sandesh.com/business/news/government-bans-advance-tip-before-ride-confirmation-ola-uber-rapido" target="_blank"><b>5. Ride બુક કરતા પહેલા ટિપ માંગનારાઓની ખેર નથી! Ola-Uber-Rapido પર સરકારની લાલઆંખ</b></a></p><p><a href="https://sandesh.com/business/news/epfo-new-rule-pension-wage-limit-increased-25000" target="_blank"><b>6. EPFO New Rule: જો તમારો પગાર 25,000 છે તો કેટલું પેન્શન મળશે? આ રહ્યુ આખું ગણિત</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/saurashtra-heavy-rain-forecast--yellow-alert-issued-for-5-districts--fishermen-warned" target="_blank"><b>7. Weather Update : સૌરાષ્ટ્રમાં આજે મેઘતાંડવની આગાહી, જામનગર, દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ જાહેર</b></a></p><p><a href="https://sandesh.com/entertainment/news/ravi-kishan-manoj-tiwari-set-6-hours-amrapali-revelation" target="_blank"><b>8.Bhojpuri Cinema : રવિ કિશન અને મનોજ તિવારી વચ્ચે થયો હતો જોરદાર ઝઘડો, ફેમસ એક્ટ્રેસે કર્યો ખુલાસો...!</b></a></p><p><a href="https://sandesh.com/world/news/yemen-houthi-leader-abdul-malik-al-houthi-secret-caves" target="_blank"><b>9. Middle East: યમનની ગુપ્ત ગુફામાંથી સરકારને નિયંત્રણમાં રાખતો હુતી નેતા અબ્દુલ મલિક કોણ?</b></a></p><p><a href="https://sandesh.com/explainer/news/india/sandesh-digital-explainer-can-pm-modi-break-congress-record" target="_blank"><b>10.Sandesh Digital Explainer: શું PM મોદી કોંગ્રેસનો આ રેકોર્ડ તોડી શકશે, જાણો ઈતિહાસ રચવાથી કેટલા દૂર?</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/29/wLbfyTnyUxIYEFJiJxV9BkITi0sHaa4rS7kNibmF.webp'/></item><item><title><![CDATA[PM Modi Birthday: PM મોદીને ‘નરેન્દ્ર ભાઈ’ કહેતાં હતાં Lata Mangeshkar, દર વર્ષે મોકલતાં રાખડી! ]]></title><link>https://sandesh.com/entertainment/news/india/lata-mangeshkar-pm-modi-special-bond</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/india/lata-mangeshkar-pm-modi-special-bond</guid><pubDate>Thu, 17 Sep 2026 14:54:53 +05:30</pubDate><description><![CDATA[<p>વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે એટલે કે આજે પોતાનો 76મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ત્યારે તેમની અલગ અલગ લોકો સાથે જોડાયેલી ઘણી યાદો અને કિસ્સા ફરી ચર્ચામાં આવી રહ્યા છે. આ કિસ્સામાં ભારત રત્નથી સન્માનિત દિવંગત ગાયિકા લતા મંગેશકર સાથેની તેમની યાદો પણ સામેલ છે.</p><p>લતા મંગેશકર તેમને 'નરેન્દ્ર ભાઈ' કહીને બોલાવતાં હતાં. બંને વચ્ચે ભાઈ-બહેન જેવો સંબંધ હતો અને લતા મંગેશકર દર વર્ષે રક્ષાબંધન પર તેમને રાખડી પણ મોકલતાં હતાં. લતા મંગેશકરે કહ્યું હતું કે તેઓ નરેન્દ્ર મોદીની કામ કરવાની રીત અને તેમના ઈરાદાઓથી ખૂબ પ્રભાવિત હતાં.</p><h2><b>'નરેન્દ્ર મોદીનું ધ્યાન લોકોના ભલું કરવા પર કેન્દ્રિત છે'</b></h2><p>લતા મંગેશકરે 'મોદી એટ 20: ડ્રીમ્સ મીટ ડિલિવરી' પુસ્તકની પ્રસ્તાવનામાં PM નરેન્દ્ર મોદી વિશે પોતાના વિચારો લખ્યા હતા. તેમણે લખ્યું હતું કે તેઓ તેમને ઘણા વર્ષોથી ઓળખતાં હતાં અને લોકો માટેની તેમની કામગીરીને ખૂબ રસપૂર્વક જોતા હતાં. તેમની પ્રાથમિકતાઓ કંઈક અલગ જોવા મળતી હતી અને તેમની સાથેની વાતચીત પરથી તેમને લાગ્યું હતું કે નરેન્દ્ર મોદીનું ધ્યાન સત્તાથી વિશેષ લોકો માટે ખરેખર કંઈક કરવા પર વધુ કેન્દ્રિત છે.</p><p>મહાત્મા ગાંધીનું ઉદાહરણ આપતાં લતા મંગેશકરે કહ્યું હતું કે જે રીતે ગાંધીજીએ આઝાદીની લડતને જનઆંદોલન બનાવી અને સામાન્ય લોકોને તેની સાથે જોડ્યા, તેવી જ રીતે નરેન્દ્ર ભાઈ દેશના વિકાસની યાત્રાને પણ જનઆંદોલન સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમણે પુસ્તકની પ્રસ્તાવનામાં પોતાનો આ અભિપ્રાય લખ્યો હતો.</p><h2><b>લતા મંગેશકર નરેન્દ્ર મોદીને પોતાના ભાઈ માનતાં હતાં</b></h2><p>લતા મંગેશકર PM નરેન્દ્ર મોદીને પોતાના ભાઈ માનતાં હતાં અને PM મોદી પણ તેમને પોતાની મોટી બહેન કહેતા હતા. લતા મંગેશકરના ભાઈ હૃદયનાથ મંગેશકરે જણાવ્યું હતું કે તેમની બહેન અને PM મોદી વચ્ચે ઘણા દાયકાઓથી સન્માન અને આત્મીયતાનો સંબંધ હતો.</p><p>લતા દીદી રક્ષાબંધન પર તેમને રાખડી મોકલતાં હતાં અને નરેન્દ્ર મોદી પણ ફોન અથવા પત્ર દ્વારા જવાબ આપતા હતા. જ્યારે તેઓ લતા મંગેશકરને મળવા જતા ત્યારે લતાદીદી તેમને ગુજરાતી ભોજન પણ ખવડાવતાં હતાં.</p><h2><b>દેશમાં થઈ રહેલા બદલાવથી લતા મંગેશકર ખુશ હતાં</b></h2><p>2019માં લતા મંગેશકરના 90મા જન્મદિવસે PM મોદીએ અમેરિકા જવા રવાના થતાં પહેલાં તેમને ફોન કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ વાતચીત દરમિયાન લતા મંગેશકરે દેશમાં થઈ રહેલા બદલાવ અંગે પોતાની ખુશી વ્યક્ત કરી હતી.</p><p>તેમણે કહ્યું હતું કે તેમને લાગે છે કે દેશની તસવીર બદલાઈ રહી છે અને તેનાથી તેમને ખુશી થઇ રહી છે. આ વાતચીત બાદમાં રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'માં પણ શેર કરવામાં આવી હતી.</p><h2><b>નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે જોવા માગતાં હતાં લતા મંગેશકર</b></h2><p>નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને તે પહેલાં પણ લતા મંગેશકરે તેમના માટે પોતાની ઈચ્છા જાહેર કરી હતી. નવેમ્બર 2013માં પુણેમાં દીનાનાથ મંગેશકર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ઉદ્ઘાટન કાર્યક્રમમાં લતાજીએ કહ્યું હતું કે તેઓ નરેન્દ્ર મોદીને દેશના વડાપ્રધાન તરીકે જોવા માગે છે.</p><p>તે સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર હતા.</p><h2><b>લતા મંગેશકરના નિધન પર નરેન્દ્ર મોદીએ કરી હતી ખાસ પોસ્ટ</b></h2><p>2022માં લતા મંગેશકરના નિધન પર શ્રદ્ધાંજલિ આપતાં PM મોદીએ એક પોસ્ટ લખી હતી. તેમણે લખ્યું હતું કે લતા દીદીના નિધનનું દુઃખ તેઓ શબ્દોમાં વ્યક્ત કરી શકતા નથી. તેમણે કહ્યું હતું કે લતા દીદી દેશને એક એવી ખોટ આપી ગયા છે જે ક્યારેય પૂરી થઈ શકે નહીં.</p><p>નરેન્દ્ર મોદીએ વધુમાં લખ્યું હતું કે આવનારી પેઢીઓ લતા મંગેશકરને ભારતીય સંસ્કૃતિના એક દિગ્ગજ તરીકે યાદ કરશે. તેમના સુરીલા અવાજમાં લોકોને મંત્રમુગ્ધ કરવાની અનોખી ક્ષમતા હતી.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/SMOsjEX9kwE8qgk4ZLe9f1tFXpKZ7qAVxToEnOu4.webp'/></item><item><title><![CDATA[Rajkotના કાલાવડ રોડ પર મટુકી રેસ્ટોરન્ટ પાછળ મહિલાની નિર્મમ હત્યા! ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-kalawad-road-woman-murder-55-year-old-geetaben</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-kalawad-road-woman-murder-55-year-old-geetaben</guid><pubDate>Thu, 17 Sep 2026 14:18:41 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ શહેરના પોશ ગણાતા કાલાવડ રોડ વિસ્તારમાંથી એક અત્યંત ચકચારી અને ભયાનક ઘટના સામે આવી છે. કાલાવડ રોડ પર આવેલી જાણીતી મટુકી રેસ્ટોરન્ટની પાછળના ભાગેથી એક પ્રૌઢ મહિલાની લોહી નીતરતી હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને સનસનાટી મચી જવા પામી છે.</p><h2 style="text-align: justify; "><b>મૃતકની ઓળખ અને હત્યાનો ખુલાસો</b></h2><p style="text-align: justify; ">બનાવની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાની ઓળખ 55 વર્ષીય ગીતાબેન વાંજા તરીકે થઈ છે. મહિલાના શરીર પર ગંભીર ઈજાના નિશાનો મળી આવ્યા હોવાથી તેમની ધારદાર હથિયાર કે ઘાતક હુમલો કરીને હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે.</p><h3 style="text-align: justify; "><b>ક્રાઇમ બ્રાન્ચ અને LCB નો કાફલો મેદાનમાં</b></h3><p style="text-align: justify; ">ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની અલગ-અલગ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે ગુનો નોંધીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. હત્યા પાછળનું અંગત વૈરઝેર, લૂંટ કે અન્ય કોઈ કારણ છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ પોલીસે આસપાસના CCTV ફૂટેજ મેળવીને અજાણ્યા હત્યારાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/C9pANlzykjne1FZERLpUZoubhqFoiTx71nByfBZ2.webp'/></item><item><title><![CDATA[પાકિસ્તાનની ટીમ ભારત આવશે! એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં જામશે ભારત-પાક જંગ ]]></title><link>https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</guid><pubDate>Mon, 14 Sep 2026 15:47:21 +05:30</pubDate><description><![CDATA[<p>આવતા મહિને પાકિસ્તાનની હોકી ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે. 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન પંજાબમાં યોજાનારી AHF મેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026માં પાકિસ્તાન સહિત કુલ છ ટીમો ભાગ લેશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પાકિસ્તાનની ભાગીદારી અંગેની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, મલ્ટી-નેશનલ ઇવેન્ટ્સ અંગે કેન્દ્ર સરકારની નીતિ હેઠળ બંને દેશોની ટીમો આમને-સામને રમશે.</p><h2><b>ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જાલંધરમાં રમાશે</b></h2><p>એશિયન મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન થશે. આ ટૂર્નામેન્ટમાં યજમાન ભારત અને પાકિસ્તાન ઉપરાંત ચીન, જાપાન, મલેશિયા અને કોરિયાની પણ ભાગ લેશે. લીગ સ્ટેજના મુકાબલા જાલંધરમાં યોજાશે, જ્યારે સેમિફાઇનલ અને ફાઇનલ મેચ મોહાલીના હોકી સ્ટેડિયમમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 1 નવેમ્બરે જાલંધરમાં રમાશે. કોઈ ટીમ છેલ્લી ઘડીએ ખસી જાય તો તે સ્થિતિ માટે ઓમાન અને બાંગ્લાદેશને રિઝર્વ ટીમન તરીકે રાખવામી આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PTI_News/status/2099416960278868155"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમવામાં કોઈ મુશ્કેલી નથી</b></h2><p>પાકિસ્તાનની ભાગીદારી અને જરૂરી મંજૂરીઓ અંગે પંજાબના મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં બંને દેશો વચ્ચે રમવામાં કોઈ મુશ્કેલી નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝનું આયોજન અલગ બાબત છે, કારણ કે કેન્દ્ર સરકારની વર્તમાન નીતિ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય રમત-ગમતના આયોજનની મંજૂરી આપતી નથી. પરંતુ મલ્ટી-નેશનલ ટૂર્નામેન્ટમાં બંને દેશોના ખેલાડીઓને એકબીજા સામે રમવાની પરવાનગી છે, જેથી પાકિસ્તાની ટીમ ભારત આવી શકશે.</p><h2><b>ભારત વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે</b></h2><p>ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. ભારતે 2023માં ચેન્નાઈ અને 2024માં ચીનના હુલુનબુઈરમાં યોજાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ગત વર્ષે આ સ્પર્ધા યોજાઈ શકી નહોતી. હવે પંજાબ પ્રથમ વખત આ ટૂર્નામેન્ટની મેજબાની કરવા જઈ રહ્યું છે.</p><h2><b>અગાઉ પાકિસ્તાની ટીમે ના કહી હતી&nbsp;</b></h2><p>પાકિસ્તાનની આ વખતની ભાગીદારી એટલા માટે પણ ખાસ છે, કારણ કે ગત વર્ષે તેણે તમિલનાડુમાં આયોજિત જૂનિયર હોકી વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તે સમયે બંને દેશો વચ્ચેના તણાવને તેનું કારણ ગણાવવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે અને પાકિસ્તાની ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે પૂરી રીતે તૈયાર છે.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/V6jwdiIr9RTCvR6EyBaGsP2qfZvYLq2JfkL7pytm.webp'/></item></channel></rss>