<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Team India: બાંગ્લાદેશ પ્રવાસને લઈને BCCIએ આપ્યુ અપડેટ, ભારત સરકારની મંજૂરી બાદ લેવાશે નિર્ણય ]]></title><link>https://sandesh.com/sports/news/cricket/team-india-bcci-gives-update-on-bangladesh-tour-decision-will-be-taken-after-approval-from-the-indian-government</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/cricket/team-india-bcci-gives-update-on-bangladesh-tour-decision-will-be-taken-after-approval-from-the-indian-government</guid><pubDate>Fri, 14 Aug 2026 09:04:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ઈચ્છે છે કે ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ જઈને દ્વિપક્ષીય શ્રેણી રમે, પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તરફથી હજુ સુધી આ પ્રવાસ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ દરમિયાન BCCIએ અફઘાનિસ્તાન સામેની T20I શ્રેણીની જાહેરાત કરી છે, જેના કારણે ભારતના બાંગ્લાદેશ પ્રવાસની શક્યતાઓ ઓછી થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>બાંગ્લાદેશ પ્રવાસ હજુ રદ થયો નથી</b></h2><p style="text-align: justify; ">જોકે, હવે BCCIના એક સૂત્રએ સ્પષ્ટ કર્યું છે કે બાંગ્લાદેશ પ્રવાસ હજુ રદ થયો નથી. અંતિમ નિર્ણય ભારત સરકારની મંજૂરી બાદ જ લેવામાં આવશે. BCCIના સૂત્રના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશ પ્રવાસને લઈને સરકારના નિર્ણયની રાહ જોવામાં આવી રહી છે. બોર્ડના અધિકારીઓ આ મુદ્દે હાઈ કમિશનર સાથે સતત સંપર્કમાં છે અને વાતચીત ચાલી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>બાંગ્લાદેશ પ્રવાસ માટે સરકારની મંજૂરી જરૂરી</b></h3><p style="text-align: justify; ">BCCIના સૂત્રએ જણાવ્યું કે બાંગ્લાદેશ પ્રવાસ માટે સરકારની મંજૂરી જરૂરી છે. બંને દેશોના ક્રિકેટ બોર્ડ વચ્ચે સંબંધો હજુ પણ સારા છે અને BCCI હાલમાં સરકાર તરફથી મળનારા સંકેતની રાહ જોઈ રહ્યું છે. જો સરકાર પ્રવાસને મંજૂરી આપે છે, તો ત્યારબાદ શ્રેણીની તારીખો નક્કી કરવામાં આવશે. હાલમાં આ શ્રેણી માટે કોઈ સમયગાળો નક્કી કરવામાં આવ્યો નથી.</p><h4 style="text-align: justify; "><b>BCBએ 6 મેચની શ્રેણીનો પ્રસ્તાવ આપ્યો</b></h4><p style="text-align: justify; ">ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મર્યાદિત ઓવરોની શ્રેણી યોજવાનો પ્રસ્તાવ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે BCCI સમક્ષ મૂક્યો છે. આ શ્રેણીમાં કુલ છ મેચ રમાવાની યોજના છે. તેમાં ત્રણ વનડે અને ત્રણ T20I મેચનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર, BCBના અધ્યક્ષે પણ BCCI સાથે ભારતના પ્રવાસ અંગે ચર્ચા કરી હતી.</p><p style="text-align: justify; ">છેલ્લા કેટલાક સમયથી બંને દેશોના ક્રિકેટ સંબંધોમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. ખાસ કરીને T20 વર્લ્ડ કપને લઈને બાંગ્લાદેશના નિર્ણય બાદ સ્થિતિ વધુ સંવેદનશીલ બની હતી. બાંગ્લાદેશે સુરક્ષાને કારણ દર્શાવીને વર્લ્ડ કપ માટે ભારત ન આવવાનો નિર્ણય લીધો હતો. તેણે પોતાના મેચો શ્રીલંકામાં રમાડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ તેની માંગ સ્વીકારી નહોતી. પરિણામે બાંગ્લાદેશ વર્લ્ડ કપમાં રમ્યું નહોતું.</p><p style="text-align: justify; ">આ ઘટનાના બાદ BCBએ ભારત સાથે ક્રિકેટ સંબંધો સુધારવાની ઈચ્છા વ્યક્ત કરી છે. હવે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ ફરી શરૂ થાય તેવી આશા છે. જોકે, ભારત સરકારની મંજૂરી મળ્યા બાદ જ આ અંગે અંતિમ નિર્ણય થઈ શકશે.</p><p style="text-align: justify; ">હાલમાં BCCI અને સરકાર વચ્ચે ચર્ચા ચાલી રહી છે. જો મંજૂરી મળે છે તો ત્રણ વનડે અને ત્રણ T20Iની શ્રેણી માટે નવી તારીખો નક્કી થઈ શકે છે. તેથી ભારતીય ટીમ બાંગ્લાદેશ જશે કે નહીં, તેના પર અંતિમ નિર્ણય માટે હજુ રાહ જોવી પડશે.</p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/uYSOgzdd4Q9qObMbqhh6eAfjSc1xziqQR0spcYV7.webp'/></item><item><title><![CDATA[Vadodaraમાં ગોરવા નર્મદા નગરી નજીકથી SOGની ટીમે રૂ.20 લાખથી વધુનો કફ સિરપનો જથ્થો કર્યો જપ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/sog-team-seizes-cough-syrup-worth-over-rs-20-lakh-near-gorwa-narmada-nagari-in-vadodara</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/sog-team-seizes-cough-syrup-worth-over-rs-20-lakh-near-gorwa-narmada-nagari-in-vadodara</guid><pubDate>Fri, 14 Aug 2026 08:24:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા શહેરમાં ગેરકાયદેસર અને નશીલા પદાર્થોના વેચાણ સામે એસઓજી (SOG - સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ની ટીમે વધુ એક મોટી સફળતા મેળવી છે. SOG ની ટીમે ગુપ્ત બાતમીના આધારે ગોરવા વિસ્તારમાં આવેલી નર્મદા નગરી નજીક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરીને દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન મોટા પ્રમાણમાં નશીલી કફ સિરપનો ગેરકાયદેસર જથ્થો મળી આવતા પોલીસ બેડામાં ચર્ચા જાગી છે.</p><h2 style="text-align: justify; "><b>રૂ.20 લાખથી વધુનો મુદ્દામાલ કબજે</b></h2><p style="text-align: justify; ">પોલીસે સ્થળ પરથી કફ સિરપની કુલ 16 પેટીઓ જપ્ત કરી છે. પ્રાથમિક અંદાજ મુજબ આ કફ સિરપના જથ્થાની કિંમત રૂપિયા 20 લાખથી પણ વધુ અંકાય છે. SOG ની આ ત્વરિત અને સગીર કાર્યવાહીના પગલે વડોદરામાં નશાકારક કફ સિરપનું ગેરકાયદે વેચાણ અને હેરાફેરી કરતા અસામાજિક તત્વો અને બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.</p><h3 style="text-align: justify; "><b>પોલીસે આગળની તપાસ હાથ ધરી</b></h3><p style="text-align: justify; ">આટલી મોટી માત્રામાં કફ સિરપનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં SOG પોલીસે કાયદેસરનો ગુનો નોંધીને સઘન પૂછપરછ અને તપાસ શરૂ કરી છે. નશા તરીકે ઉપયોગમાં લેવાતી આવી દવાઓના નેટવર્કને બુધ્ધિપૂર્વક પર્દાફાશ કરવા માટે પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/heLWI9Zgd20Wso644T1SHiEl2m7YMN7sJWT4U0As.webp'/></item><item><title><![CDATA[Chamoli Tunnel Accident : પીપલકોટીની ટનલમાં પાણી અને કાટમાળ ઘૂસતાં 7 મજૂરોના મોત, રેસ્ક્યૂ ચાલુ ]]></title><link>https://sandesh.com/india/news/uttarakhand-chamoli-thdc-tunnel-accident-7-dead-rescue-operation</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/uttarakhand-chamoli-thdc-tunnel-accident-7-dead-rescue-operation</guid><pubDate>Fri, 14 Aug 2026 08:20:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાંથી એક અત્યંત દુઃખદ અને મોટા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. ગુરુવારે રાત્રે પીપલકોટી ખાતે આવેલી THDC (તેહરી હાઇડ્રો ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ)ની નિર્માણાધીન ટનલમાં અચાનક પાણી અને માટી-કાટમાળ ઘૂસી જતાં કામ કરી રહેલા અનેક મજૂરો અંદર ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર સાથે NDRF અને SDRFની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને મોટા પાયે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.</p><h2 style="text-align: justify; "><b>7 મજૂરના મોત&nbsp;</b></h2><p style="text-align: justify; ">અત્યાર સુધીમાં ટનલમાંથી 25 મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરોએ તેમાંથી 7 મજૂરોને મૃત જાહેર કર્યા છે. ગોપેશ્વર જિલ્લા હોસ્પિટલના ડોક્ટરોના જણાવ્યા મુજબ, બાકીના ઇજાગ્રસ્ત મજૂરોની સારવાર ચાલી રહી છે, જ્યારે એક ગંભીર રીતે ઘવાયેલા મજૂરને વધુ સારવાર અર્થે શ્રીનગર બેઝ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2088023935514456512"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a>&nbsp; &nbsp;</p><p style="text-align: justify; "><br></p><h3 style="text-align: justify; "><b>ટનલની અંદર મોટી સંખ્યામાં મજૂરો કામ કરી રહ્યા હતા</b></h3><p style="text-align: justify; ">અધિકારીઓના જણાવ્યા અનુસાર, જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે ટનલની અંદર મોટી સંખ્યામાં મજૂરો કામ કરી રહ્યા હતા. અચાનક ધસી આવેલા મલબા કાટમાળ અને પાણીના કારણે ત્યાં નાસભાગ મચી ગઈ હતી. કેટલાક મજૂરો પોતાની જાતે બહાર નીકળવામાં સફળ રહ્યા હતા, પરંતુ ઘણા અંદર જ ફસાઈ ગયા હતા. હાલમાં ટનલમાં ફસાયેલા બાકીના 3 મજૂરોને સલામત બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/crime/vadodara/vadodara-manjalpur-nude-video-call-racket-busted-stripchat-app" target="_blank"><b>Vadodara : એક ફ્લેટ... અનેક યુવતીઓ... ઓનલાઈન ન્યુડ વીડિયો કોલ અને લાખોની કમાણી..! વાંચો ચોંકાવનારો કિસ્સો</b></a>&nbsp; &nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-morbi-veerparda-mysterious-well-water-waves-scientific-reason-gsi" target="_blank"><b>Sandesh Digital Explainer: મોરબીનો રહસ્યમય કૂવો: અફવા નહીં, જાણો વૈજ્ઞાનિક હકીકત</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/pZscFyZbK5IoL6XFSQ2C7j2TTOIV1OpAdbbzZ5zi.webp'/></item><item><title><![CDATA[Chhota Udepur: રંગપુર-ચિસાડિયા રેલવેબ્રિજની જોખમી એંગલો બહાર ઉપસી આવી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhota-udepur-dangerous-angles-of-rangpur-chisadia-railway-bridge-exposed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhota-udepur-dangerous-angles-of-rangpur-chisadia-railway-bridge-exposed</guid><pubDate>Fri, 14 Aug 2026 05:46:56 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતા મહત્વપૂર્ણ ને. હા.નં.56 પર તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. છોટાઉદેપુર જિલ્લાના રંગપુર-ચિસાડિયા ગામ પાસે રેલવે ઓવરબ્રિજની હાલત અત્યંત બિસમાર થતાં દુર્ઘટનાનું જોખમ ઊભું થયું છે. 15 દિવસથી બ્રિજ પર જોખમી સ્થિતિ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાતા નથી. જ્યારે કમરતોડ ખાડાઓથી વાહનચાલકો પરેશાન થાય છે.</p><p style="text-align: justify; ">ને. હા.56 પર આવેલા ચિસાડિયા રેલવે ઓવરબ્રિજ પર સળિયા અને લોખંડની એંગલો સાપની જેમ બહાર નીકળી આવી છે. બ્રિજની પાળીઓ ઉપર પણ મોટી તિરાડો જોવા મળે છે. જે ગમે ત્યારે મોટી હોનારતને નોતરી શકે છે. પરંતુ અધિકારીઓ માત્ર સરકારી કાર્યક્રમોમાં વ્યસ્ત છે. જ્યારે જાહેર જગ્યા ઉપર ઊભી થયેલી આ સમસ્યા અંગે કોઈને રસ નથી. બ્રિજ પર મોટા ખાડા પડયાં છે. તૂટેલી એંગલો રસ્તા પર આવવાથી ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચે અવરજવર કરતા વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્થિતિની ગંભીરતા જોતા પોલીસે તાત્કાલિક ધોરણે બેરિકેડ ગોઠવીને બહાર નીકળી આવેલી જોખમી એંગલોને કોર્ડન કરી છે. પરંતુ સવાલ એ થાય છે કે,15 દિવસથી આ ખરાબ હાલત હોવા છતાં કોઇ કાર્યવાહી કરાતી નથી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/tEkjBVFrx48cc8Il14Gpx2uTOHtSBQpCKOh1t7Ca.webp'/></item><item><title><![CDATA[Chhota Udepur: GRD અને હોમગાર્ડ્સ માટે કાનૂની જાગૃતિ સેમિનાર યોજાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhota-udepur-legal-awareness-seminar-held-for-grd-and-home-guards</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhota-udepur-legal-awareness-seminar-held-for-grd-and-home-guards</guid><pubDate>Fri, 14 Aug 2026 05:46:02 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">છોટાઉદેપુર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના ઉપક્રમે નારી વંદન ઉત્સવ અંતર્ગત જિલ્લા સેવા સદન સ્થિત સંકલન હૉલ ખાતે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરાઇ હતી. જે પ્રસંગે GRD અને હોમગાર્ડ્સના ભાઈઓ-બહેનો માટે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-2013 (POSHAct) વિષયક વિશેષ કાનૂની જાગૃતિ સેમિનાર યોજાયો હતો. જેમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી હીનાબેન ચૌધરી તેમજ દહેજ પ્રતિબંધક અધિકારી વિહાંગ સેવક દ્વારા કાર્યસ્થળે મહિલાઓની સુરક્ષા, તેમના બંધારણીય અધિકારો અને કાયદાકીય જોગવાઈ અંગે માર્ગદર્શન અપાયું હતું. ઉપસ્થિત જવાનોને એક વિશેષ શોર્ટ ફ્લ્મિ દર્શાવીને કાર્યસ્થળે થતી સતામણીના સ્વરૂપો, સંબંધિત કાયદાકીય કલમો તથા ફ્રિયાદ નિવારણ વ્યવસ્થા વિશે વિસ્તૃત છણાવટ કરાઇ હતી. અંતે લાભાર્થીને કુલ રૂ. 1.10 લાખની સહાયના મંજૂરી હુકમો અને દીકરી વધામણાં કિટનું વિતરણ કરાયું હતું.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/AZ5a7FQdobi08C6Cp4zLdFO452uEzSVvPeCLPVHP.webp'/></item><item><title><![CDATA[Vadodara: સાવલી ભીમનાથ મહાદેવ સહિત અનેક શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-devotees-throng-many-shiva-temples-including-savli-bhimnath-mahadev</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-devotees-throng-many-shiva-temples-including-savli-bhimnath-mahadev</guid><pubDate>Fri, 14 Aug 2026 05:43:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સાવલી : સાવલી તાલુકામાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે નગર સહિત આસપાસના વિસ્તારમાં આવેલા શિવ મંદિરોમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ ભક્તો ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે શિવાલયોમાં ઊમટયા હતા. સાવલીના પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિર સહિત શહેરના વિવિધ શિવ મંદિરોમાં મોટી સંખ્યામાં શ્રાદ્ધાળુ પહોંચ્યા હતા. ભક્તોએ ભગવાન શિવને જળાભિષેક, દૂધાભિષેક તેમજ બીલીપત્ર, ફૂલ અને પ્રસાદ અર્પણ કરી પૂજા-અર્ચના કરી હતી. સાથે પુણ્ય સ્વામીજીની પાદુકા અને સમાધિના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. અનેક ભક્તોએ શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ અને ધાર્મિક અનુષ્ઠાન કરવાનો સંકલ્પ પણ લીધો હતો. સમગ્ર તાલુકો શિવમય બન્યો હતો</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank" style="background-color: rgb(255, 255, 255);">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/xemuvNpYuiJJ4fadJ28Mxs8JvjQI4enmFyupT29H.webp'/></item><item><title><![CDATA[Vadodara: પાવીજેતપુર ને.હા.56 પર વરસાદી પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા નહીં ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-there-is-no-arrangement-for-rainwater-drainage-at-pavijetpur-ne-56</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-there-is-no-arrangement-for-rainwater-drainage-at-pavijetpur-ne-56</guid><pubDate>Fri, 14 Aug 2026 05:42:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પાવીજેતપુરના વનકુટિર ત્રણ રસ્તા પાસે સ્વામિનારાયણ મંદિર સામે ને. હા.નં.56 પર વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે ઘણાં સમયથી પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. વરસાદ બાદ અહીં 24 કલાક સુધી પાણી ભરાયેલું રહેતા રાહદારી અને વાહનચાલકોને ભારે મુશ્કેલી પડે છે.</p><p style="text-align: justify; ">સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ સમસ્યા અંગે અગાઉ પણ સંબંધિત તંત્રને વારંવાર રજૂઆતો કરાઇ છે. ગત વર્ષે રોડ ખાતાના અધિકારીઓ દ્વારા સ્થળની મુલાકાત લઇ પાણીના નિકાલની કામગીરી કરાઇ હતી. પરંતુ ચાલુ વર્ષે હજુ સુધી કોઈ અધિકારી સ્થળ પર ફરક્યા ન હોવાની સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળે છે. હાઇવે પર પાણી ભરાવાથી વરસાદમાં અહીં નદી જેવો માહોલ સર્જાય છે. પાણીમાંથી પસાર થતા બાઇકચાલકો અને રાહદારીના કપડાં પણ પલળે છે. સાથે જ લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેવાને કારણે રોડને પણ નુકસાન થવાની ભીતિ રહે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, વરસાદી પાણીના નિકાલ માટે અગાઉ એક નાળું હતું. પરંતુ તે પુરાઈ જતાં પાણીના નિકાલનો પ્રશ્ન ગંભીર બન્યો છે. જેના કારણે સામાન્ય વરસાદમાં પણ હાઇવે પર પાણી ભરાય છે. સ્થાનિકો દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવા માંગ કરાઇ છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/edibLLorckUQTT0K9ukHAhrNuM2yZPtmnYoNX9eQ.webp'/></item><item><title><![CDATA[JPSC સિવિલ સેવા પરીક્ષા વિવાદ ઝારખંડ હાઈકોર્ટ પહોંચ્યો, CBI તપાસની કરી માગ ]]></title><link>https://sandesh.com/india/news/jpsc-civil-services-exam-controversy-jharkhand-high-court-cbi-probe</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/jpsc-civil-services-exam-controversy-jharkhand-high-court-cbi-probe</guid><pubDate>Thu, 13 Aug 2026 23:44:37 +05:30</pubDate><description><![CDATA[<p>ઝારખંડની 14મી JPSC સિવિલ સેવા પરીક્ષાને લઈને ચાલી રહેલો વિવાદ હવે ઝારખંડ હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે. જનહિત અરજી મારફતે JPSC અને JSSC માટે TDPL દ્વારા આયોજિત અન્ય પરીક્ષાઓને પણ તપાસના દાયરામાં લાવવાની માગ કરવામાં આવી છે. અરજદાર બસંત પ્રસાદે પરીક્ષાઓમાં કથિત મોટા પાયે અનિયમિતતા, ગેરરીતિ અને પૈસાના બદલામાં પદ વેચવાના ગંભીર આરોપો લગાવ્યા છે.</p><h2><b>સ્વતંત્ર તપાસ CBIને સોંપવાની માગ</b></h2><p>હાલ સમગ્ર મામલાની તપાસ CID દ્વારા કરવામાં આવી રહી છે. જોકે, અરજીમાં દલીલ કરવામાં આવી છે કે મામલામાં કથિત રીતે પ્રભાવશાળી લોકોની સંડોવણી હોવાથી CID તપાસ પૂરતી નથી. તેથી સમગ્ર કેસની નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ CBIને સોંપવાની માગ કરવામાં આવી છે. સાથે જ TDPL દ્વારા JPSC અને JSSC માટે લેવામાં આવેલી તમામ પરીક્ષાઓની પણ તપાસ કરવાની માગ છે.</p><p>બીજી તરફ, નોકરી સંબંધિત પરીક્ષાઓમાં ગેરરીતિના વિરોધમાં વિદ્યાર્થીઓનું આંદોલન પણ તેજ બની રહ્યું છે. વિદ્યાર્થીઓએ 15 ઓગસ્ટે તિરંગા યાત્રા કાઢવાની જાહેરાત કરી છે. તેઓએ સરકારને 10 ઓગસ્ટના વિધાનસભા માર્ચમાં સામેલ થયેલા વાસ્તવિક વિદ્યાર્થીઓ સામે FIR દાખલ ન કરવાની અપીલ કરી છે. JPSC-JSSC રિફોર્મ્સ મંચના વિદ્યાર્થી પ્રવક્તાઓએ કોંગ્રેસના મંત્રીઓ પર વિદ્યાર્થીઓ અંગે ખોટી માહિતી ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે આંદોલન કોઈ રાજકીય પક્ષનું નહીં પરંતુ વિદ્યાર્થીઓનું છે.</p><h3><b>આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી</b></h3><p>વિદ્યાર્થી પ્રવક્તા પીયૂષ કુમાર સિંહે જણાવ્યું કે તેમની 98 ટકા માગણીઓ સ્વીકારવામાં આવી હોવાની વાત ખોટી છે. તેમના અનુસાર માત્ર કેટલીક માગણીઓ સ્વીકારાઈ છે અને મુખ્ય માગણીઓ હજુ બાકી છે. વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રી હેમંત સોરેનને તેમની સમસ્યાઓ સમજવા અને બાકી માગણીઓ સ્વીકારવા અપીલ કરી છે. સાથે જ આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/crime/mumbai-local-train-murder-case-charge-sheet-68-witness-statements" target="_blank">આ પણ વાંચો : Mumbai Local Train Murder Case : 11 પાનાની ચાર્જશીટ દાખલ, 68 સાક્ષીના લેવાયા નિવેદન</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/bKdQyoDkiBQLsanQD1cuJNlwfV0yiAa58yGRuQHm.webp'/></item><item><title><![CDATA[Cab ઝડપથી મેળવવા માટે ટિપ આપવાની જરૂર નહીં, સરકારનો એગ્રીગેટર્સને મોટો આદેશ ]]></title><link>https://sandesh.com/india/news/business/cab-aggregators-pre-ride-tip-ban-government-order</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/cab-aggregators-pre-ride-tip-ban-government-order</guid><pubDate>Thu, 13 Aug 2026 19:30:40 +05:30</pubDate><description><![CDATA[<p>કેબથી મુસાફરી કરતા લોકો માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવે Uber, Ola સહિતના કેબ એગ્રીગેટર્સ મુસાફરોને સફર શરૂ થાય તે પહેલાં ટિપ આપવા માટે કહી શકશે નહીં. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે તમામ મોટર વ્હીકલ એગ્રીગેટર્સને પોતાના મોબાઈલ એપ અને ડિજિટલ પ્લેટફોર્મ પરથી પ્રી-રાઈડ ટિપનો વિકલ્પ દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે.</p><h2><b>મુસાફરો પર વધારાની ટિપ આપવાનું દબાણ ઘટશે</b></h2><p>સરકારના ધ્યાનમાં આવ્યું હતું કે કેટલાક કેબ એપ્સ પર બુકિંગ દરમિયાન ‘Advance Tip’, ‘Choose an Add-on’ અને ‘Improve your chances of quicker ride confirmation’ જેવા વિકલ્પો દર્શાવવામાં આવતા હતા. આ પ્રકારના મેસેજથી મુસાફરોને એવું લાગી શકે છે કે અગાઉથી ટિપ આપવાથી કેબ ઝડપથી કન્ફર્મ થશે અથવા ડ્રાઈવર રાઈડ વહેલી સ્વીકારશે.</p><p>નવી સૂચના મુજબ, કેબ બુક કરતા પહેલાં એવી કોઈ ટિપ, મેસેજ કે પેમેન્ટ સુવિધા દર્શાવી શકાશે નહીં, જેનાથી વધારાના પૈસા ચૂકવવાથી વધુ સારી અથવા ઝડપી સેવા મળતી હોવાનો સંકેત મળે. તેમાં રાઈડ સ્વીકારવાનો સમય, બુકિંગ કન્ફર્મેશન, ડ્રાઈવર ફાળવણી અને રાહ જોવાના સમય જેવી બાબતોનો સમાવેશ થાય છે.</p><h3><b>રાઈડ પૂર્ણ થયા બાદ ટિપ આપી શકાશે</b></h3><p>જોકે, સરકારે ટિપ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો નથી. મુસાફરો રાઈડ પૂર્ણ થયા બાદ પોતાની ઈચ્છાથી ડ્રાઈવરને ટિપ આપી શકશે. ખાસ વાત એ છે કે ટિપની સંપૂર્ણ રકમ ડ્રાઈવરને જ આપવાની રહેશે અને કેબ એગ્રીગેટર તેમાં કોઈ હિસ્સો કાપી શકશે નહીં.</p><p>આ મામલે અગાઉ સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) દ્વારા પણ કેબ પ્લેટફોર્મને પ્રી-રાઈડ ટિપની વ્યવસ્થા બંધ કરવા સૂચના આપવામાં આવી હતી. હવે મંત્રાલયે તમામ એગ્રીગેટર્સને Motor Vehicle Aggregator Guidelines 2025 મુજબ એપમાં જરૂરી ફેરફાર કરવા કહ્યું છે. આ નિર્ણયથી કેબ બુકિંગ દરમિયાન મુસાફરો પર વધારાની ટિપ આપવાનું દબાણ ઘટશે.</p><p><b><a href="https://sandesh.com/knowledge/news/india/air-india-pilot-dope-test-what-is-a-dope-test-for-pilots-know-what-information-comes-out-of-it" target="_blank">આ પણ વાંચો : Air India Pilot Dope Test: શુ હોય છે પાયલટોનો ડોપ ટેસ્ટ, જાણો તેનાથી કઇ માહિતી આવે છે સામે?</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/xHK3QC9MQVbe6Ef0DMI7SUS3FtP5us0zhg710CHW.webp'/></item><item><title><![CDATA[Bollywood : રિલીઝ પહેલાં જ રચ્યો ઈતિહાસ! આવારાપન 2એ એડવાન્સ બુકિંગમાં તોડ્યો ભાગ-1ની કુલ કમાણીનો રેકોર્ડ ]]></title><link>https://sandesh.com/entertainment/news/awarapan-2-advance-booking-part-1-record</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/awarapan-2-advance-booking-part-1-record</guid><pubDate>Thu, 13 Aug 2026 18:09:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઇમરાન હાશમીની 2007માં આવેલી ફિલ્મ આવારાપનને આજે ભલે ક્લાસિક ફિલ્મ માનવામાં આવે છે, પરંતુ રિલીઝ સમયે તે બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી. તે સમયે ફિલ્મે પોતાના સમગ્ર સમયગાળામાં માત્ર 7.7 કરોડની કમાણી કરી હતી. જોકે સમય જતાં કેબલ, ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા આ ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો અને તે એક કલ્ટ ફિલ્મ બની ગઈ. વર્ષો પછી તેની લોકપ્રિયતાનો સીધો ફાયદો હવે તેની સિક્વલને મળી રહ્યો છે, જે આ વીકએન્ડે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.</p><h2 style="text-align: justify; "><b>એડવાન્સ બુકિંગમાં બનાવ્યો નવો રેકોર્ડ</b></h2><p style="text-align: justify; ">આવારાપન 2ની એડવાન્સ બુકિંગ રિલીઝના માત્ર 48 કલાક પહેલાં શરૂ કરવામાં આવી હતી, પરંતુ દર્શકોના જબરદસ્ત ઉત્સાહને કારણે તેને શાનદાર શરૂઆત મળી. રિલીઝના બરાબર એક દિવસ પહેલાં સુધી ફિલ્મની પહેલા દિવસની 1.3 લાખથી વધુ ટિકિટ વેચાઈ ચૂકી હતી. એડવાન્સ બુકિંગ દ્વારા જ ફિલ્મ પહેલા દિવસ માટે લગભગ 4 કરોડનું ગ્રોસ કલેક્શન કરી ચૂકી છે. જો સમગ્ર ઓપનિંગ વીકએન્ડના એડવાન્સ બુકિંગના આંકડા જોવામાં આવે તો આ આંકડો 9 કરોડ ગ્રોસથી પણ વધારે થઈ ગયો છે. આ રીતે ફિલ્મ રિલીઝ પહેલાં જ તેના પહેલા ભાગની કુલ કમાણીથી આગળ નીકળી ગઈ છે.</p><h3 style="text-align: justify; "><b>બોક્સ ઓફિસ કલેક્શનનો નવો રેકોર્ડ</b></h3><p style="text-align: justify; ">2007માં રિલીઝ થયેલી આવારાપન એ પહેલા દિવસે 79 લાખની કમાણી કરી હતી અને પહેલા વીકએન્ડમાં માત્ર 2.88 કરોડનું કલેક્શન કર્યું હતું. તેની સામે આવારાપન 2 ઇમરાન હાશમીની કારકિર્દીની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ મેળવનારી ફિલ્મ બનવાની દિશામાં આગળ વધી રહી છે. બોક્સ ઓફિસ નિષ્ણાતોના અનુમાન મુજબ આ ફિલ્મ પહેલા જ દિવસે 15 થી 20 કરોડ વચ્ચેનું શાનદાર નેટ કલેક્શન કરી શકે છે. આ ઉપરાંત દુનિયાભરના સિનેમાઘરોમાં પહેલા વીકએન્ડ દરમિયાન જ ફિલ્મ 100 કરોડનો આંકડો પાર કરી શકે છે, જે તેના પહેલા ભાગની કુલ કમાણી કરતાં અનેક ગણી વધારે છે.</p><h4 style="text-align: justify; "><b>બોક્સ ઓફિસ પર ટક્કર અને સ્ટારકાસ્ટ</b></h4><p style="text-align: justify; ">આ શુક્રવારે બોક્સ ઓફિસ પર આવારાપન 2ની સીધી ટક્કર સની દેઓલની ફિલ્મ બંટવારા 1947 સાથે થઈ રહી છે. જોકે હાલના ટ્રેન્ડ અને એડવાન્સ બુકિંગના આંકડા જોતા ટ્રેડ વિશ્લેષકોનું માનવું છે કે આ મુકાબલામાં આવારાપન 2 ઘણી આગળ નીકળી શકે છે. નિતિન કક્કડના દિગ્દર્શન અને વિશેષ ભટ્ટના નિર્માણમાં બનેલી આ ફિલ્મમાં ઇમરાન હાશમી ફરી એકવાર પોતાના લોકપ્રિય પાત્ર શિવમ પંડિત તરીકે પરત ફરી રહ્યા છે. ફિલ્મમાં તેમની સાથે શબાના આઝમી, દિશા પટણી અને સુવિંદર વિક્કી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ મોસ્ટ અવેટેડ ફિલ્મ 14 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/munawar-faruqui-the-traitors-2-exit-crying-video" target="_blank">આ પણ વાંચો-The Traitors 2માંથી બહાર થયો મુનાવર ફારુકી! રડતાં રડતાં બાકી કન્ટેસ્ટેન્ટ સંભળાવી ખરીખોટી!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/xtmYEBpgQaFavCvHpmLH220UG3bUcjBApPnz5ciO.webp'/></item></channel></rss>