<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[EPFOથી જોડાયેલા કામ આખરે કેમ અઠવાડિયા સુધી અટકી જાય છે? સામે આવ્યું મોટું કારણ ]]></title><link>https://sandesh.com/business/news/epfo-work-stuck-for-weeks--staff-shortage-and-no-it-hiring-since-2004-is-the-reason</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/epfo-work-stuck-for-weeks--staff-shortage-and-no-it-hiring-since-2004-is-the-reason</guid><pubDate>Wed, 05 Aug 2026 14:43:44 +05:30</pubDate><description><![CDATA[<p>EPFO: શું તમે ક્યારેય વિચાર્યું છે કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) સંબંધિત કાર્યો અઠવાડિયા કે મહિનાઓ સુધી કેમ અટકેલા રહે છે? આ સમસ્યા પાછળનું મુખ્ય કારણ હવે સામે આવ્યું છે. અધિકારીઓએ પોતે EPFO ​​ની સેવાઓમાં સુધારો કરવા માટે સરકારને એક મહત્વપૂર્ણ માંગ કરી છે. EPF ઓફિસર્સ એસોસિએશને શ્રમ અને રોજગાર મંત્રાલયને વિનંતી કરી છે કે તેઓ શક્ય તેટલી વહેલી તકે EPFO ​​માટે IT નિષ્ણાતો અને વ્યાવસાયિક સ્ટાફની ભરતી કરે. તેઓ જણાવે છે કે વર્તમાન સિસ્ટમમાં સ્ટાફની તીવ્ર અછત છે, જે ડિજિટલ સિસ્ટમ્સ અને જનતાને પૂરી પાડવામાં આવતી સેવાઓ પર પ્રતિકૂળ અસર કરી રહી છે.</p><p>શ્રમ મંત્રીને લખેલા પત્રમાં, એસોસિએશને કહ્યું છે કે EPFO ​​જેવી મોટી આધુનિક સંસ્થાને મજબૂત IT ટીમ વિના ચલાવવી મુશ્કેલ છે. એક મોટી ચિંતા એ છે કે EPFO​​ના માહિતી સેવા વિભાગ (ISD) માં ઘણા વર્ષોથી કોઈ નવી ભરતી થઈ નથી; આશ્ચર્યજનક રીતે, આ વિભાગમાં છેલ્લી સીધી ભરતી 2004 માં થઈ હતી.</p><p><b style="font-size: 1.5rem;">આઇટી વિભાગમાં મર્યાદિત સંસાધનો</b></p><p>પત્રમાં ભાર મૂકવામાં આવ્યો હતો કે આઇએસડીના ઘણા સંયુક્ત નિર્દેશકો અને નાયબ નિર્દેશકો કાં તો નિવૃત્ત થયા છે અથવા સંસ્થા છોડી દીધી છે, છતાં તેમના સ્થાને કોઈ નવા અધિકારીની નિમણૂક કરવામાં આવી નથી. વધુમાં, ઇપીએફઓ છેલ્લા ત્રણ વર્ષથી પૂર્ણ-સમયના ચીફ ટેકનોલોજી ઓફિસર (સીટીઓ) ની નિમણૂક કરવામાં નિષ્ફળ ગયું છે. પરિણામે, સમગ્ર આઇટી વિભાગ અત્યંત મર્યાદિત સંસાધનો સાથે કાર્યરત છે. અધિકારીઓ દલીલ કરે છે કે સોફ્ટવેર ડેવલપમેન્ટ માટે બાહ્ય એજન્સીઓ પાસેથી સહાય લેવી ફાયદાકારક છે, પરંતુ પર્યાપ્ત ઇન-હાઉસ ટેકનિકલ નિષ્ણાતોનો અભાવ સોફ્ટવેરની યોગ્ય ગુણવત્તા તપાસ અને દેખરેખને અટકાવે છે, જેના કારણે સિસ્ટમ સમસ્યાઓમાં વધારો થવાની સંભાવના છે.</p><p><b style="font-size: 1.5rem;">ફિલ્ડ ઓફિસોમાં કર્મચારીઓ પર વધે છે દબાણ</b></p><p>અધિકારીઓ જણાવે છે કે જ્યારે દાવાઓ અટવાઈ જાય છે, ત્યારે પરિણમતી ફરિયાદોને કારણે ફિલ્ડ ઓફિસોમાં કર્મચારીઓને ભારે દબાણનો સામનો કરવો પડે છે. તેમને ઓનલાઈન પોર્ટલ અને સોશિયલ મીડિયા દ્વારા નોંધાવવામાં આવતી ફરિયાદો તેમજ કાર્યભારના મુલાકાતીઓ દ્વારા ઉઠાવવામાં આવતી ફરિયાદોનું સંચાલન કરવાની જરૂર પડે છે, જેના કારણે કાર્યભાર સતત વધતો જાય છે. વધુમાં, અધિકારીઓએ ધ્યાન દોર્યું કે EPFO ​​માં એકંદર સ્ટાફ તાકાત વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો અભાવ રહ્યો છે. છેલ્લે 2016-17 માં કાર્યભારનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, છતાં ઘણી ઓફિસો 2008 માં સ્થાપિત સ્ટાફિંગ ધોરણોના આધારે કાર્યરત છે. મુંબઈ, દિલ્હી, બેંગલુરુ અને ગુરુગ્રામ જેવા મુખ્ય શહેરોમાં EPFO ​​ઓફિસો સૌથી વધુ દબાણનો સામનો કરી રહી છે.</p><p>એસોસિએશન ચેતવણી આપે છે કે જો ટેકનિકલ નિષ્ણાતોની ભરતી કરવામાં નહીં આવે, સ્ટાફની સંખ્યા વધારવામાં નહીં આવે અને ડિજિટલ સિસ્ટમોને સમયસર મજબૂત બનાવવામાં નહીં આવે, તો ભવિષ્યમાં EPFO ​​સેવાઓ પર વધુ પ્રતિકૂળ અસર પડી શકે છે. તેથી તેઓએ સરકારને તાત્કાલિક જરૂરી પગલાં લેવા વિનંતી કરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/world/news/spacex-falcon-9-rocket-stage-to-crash-into-moon-today--will-create-new-crater" target="_blank"><b>Falcon-9: ચંદ્ર પર મોટો ધડાકો... બેકાબુ થયેલું SpaceXનું રોકેટની સપાટીથી ટકરાશે</b></a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/87WCOr6BiyYIGLYsitZPLg3Mgg0uyjaOn6SGoxza.webp'/></item><item><title><![CDATA[Gandhinagar: CM ભૂપેન્દ્ર પટેલ US-કેનેડા અને DyCM હર્ષ સંઘવી જાપાન-યુરોપના પ્રવાસે જશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/vibrant-gujarat-2027-cm-bhupendra-patel-us-canada-tour-dycm-harsh-sanghavi-japan-europe-indextb</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/vibrant-gujarat-2027-cm-bhupendra-patel-us-canada-tour-dycm-harsh-sanghavi-japan-europe-indextb</guid><pubDate>Wed, 05 Aug 2026 14:41:10 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતને ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ હબ તરીકે પ્રસ્થાપિત કરનારી 'વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027' (VG 2027) ને અભૂતપૂર્વ સફળતા અપાવવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે કમાન સંભાળી લીધી છે. રાજ્યમાં મોટા પાયે વિદેશી મૂડીરોકાણ (FDI) લાવવા અને વૈશ્વિક ફોર્ચ્યુન 500 કંપનીઓના સીઇઓ (CEOs) સાથે સીધો સંવાદ સાધવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 10 દિવસના બહુવિધ વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે.</p><h2><b>વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027</b></h2><p>પોતાના આ 10 દિવસીય પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી અમેરિકા (USA) અને કેનેડા (Canada) ના વિવિધ પ્રમુખ શહેરોની મુલાકાત લેશે. ત્યાં તેઓ પ્રવાસી ભારતીય સમુદાય (NRGs), અગ્રણી બિઝનેસ લીડર્સ અને બહુભાષી કોર્પોરેટ ગૃહો સાથે વન-ટુ-વન બેઠકો યોજશે અને વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2027 માં સહભાગી થવા માટે સત્તાવાર નિમંત્રણ પાઠવશે.</p><h3><b>મુખ્યમંત્રી 10 દિવસના વિદેશ પ્રવાસે</b></h3><p>મુખ્યમંત્રીના અમેરિકા પ્રવાસની સાથે સાથે રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે જાપાન (Japan) અને યુરોપિયન દેશોના પ્રવાસે જશે. ઉલ્લેખનીય છે કે જાપાન પહેલેથી જ વાયબ્રન્ટ ગુજરાતનું પાર્ટનર કન્ટ્રી રહ્યું છે અને ગુજરાતમાં જાપાનીઝ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક સહિતના અનેક મેગા પ્રોજેક્ટ્સ કાર્યરત છે. હર્ષ સંઘવી આ પ્રવાસ દરમિયાન યુરોપ અને જાપાનના અગ્રણી ઉદ્યોગ સાહસિકો સાથે હાઇ-લેવલ ડેલીગેશન મીટિંગ્સ કરશે.</p><h4><b>જાપાન પહેલેથી જ વાયબ્રન્ટ ગુજરાતનું પાર્ટનર કન્ટ્રી&nbsp;</b></h4><p>રાજ્ય સરકારની નોડલ એજન્સી ઇન્ડેક્સ-બી (iNDEXTb) દ્વારા આ બંને વડાઓ અને તેમની સાથે જનારા ઉચ્ચ સ્તરીય આઇએઇસ (IAS) અધિકારીઓના પ્રતિનિધિ મંડળના વિદેશ પ્રવાસ માટેની તમામ તૈયારીઓ આખરી તબક્કામાં પહોંચાડી દેવામાં આવી છે. વિદેશ મંત્રાલય (MEA) ની મંજૂરીઓ, વિવિધ દેશોમાં ભારતીય એમ્બેસી (દૂતાવાસ) સાથે સંકલન અને ઇન્વેસ્ટર મીટનું સમયપત્રક તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/halvad/halvad-igorala-mayapur-crop-damage-rain-2000-vigha-cotton-groundnut" target="_blank">આ પણ વાંચો: Halvad: ઈગોરાળા અને મયાપુરમાં 2 હજાર વીઘામાં કપાસ-મગફળી નષ્ટ, ખેતરો તળાવમાં ફેરવાઈ જતાં પાકના મૂળિયાં કોહવાઈ ગયા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/FuvQysZjWw43DDhBvOB8adQnBP5TZql9pcB26Dvr.webp'/></item><item><title><![CDATA[Rajkot News: દારૂબંધીના ખુલ્લેઆમ લીરેલીરા, હોસ્પિટલ બાજુમાં જ ધમધમતું દારૂનું વેચાણ, Video ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/liquor-selling-viral-video-near-hospital</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/liquor-selling-viral-video-near-hospital</guid><pubDate>Wed, 05 Aug 2026 14:27:13 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતમાં કાગળ પર કડક દારૂબંધી હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. રાજકોટ શહેરમાં દારૂબંધીના ખુલ્લેઆમ લીરેલીરા ઉડતા હોવાની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ચાલતા આ કારોબારે પોલીસ વહીવટી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ખડા કર્યા છે.</p><h2><b>હોસ્પિટલની બાજુમાં જ ચાલે છે કાળો કારોબાર</b></h2><p>પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટની જાણીતી બી. ટી. સવાણી હોસ્પિટલની બિલકુલ બાજુમાં જ ખુલ્લેઆમ વિદેશી કે દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યાં દર્દીઓ અને તેમના સ્વજનોની અવરજવર રહેતી હોય તેવા સંવેદનશીલ સ્થળની નજીક જ ચાલતા આ ગેરકાયદે ધંધાએ લોકોમાં ભારે આશ્ચર્ય ફેલાવ્યું છે. હોસ્પિટલ જેવા સંવેદનશીલ સ્થળની આસપાસ આ પ્રકારે દારૂ વેચાતો હોવાથી નાગરિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.</p><h2><b>સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા હલચલ</b></h2><p>આ ખુલ્લેઆમ ચાલતા દારૂના વેચાણનો કોઈ સ્થાનિક દ્વારા વીડિયો બનાવી લેવામાં આવ્યો હતો, જે હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ શહેરમાં ચકચાર મચી ગઈ છે કે, શું બુટલેગરોને પોલીસ કે કાયદાનો કોઈ જ ડર નથી રહ્યો?</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2084915549453304008"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>પોલીસની પેટ્રોલિંગ કામગીરી પર ઉઠ્યા સવાલો</b></h2><p>આ ઘટનાને કારણે સ્થાનિક લોકો અને નાગરિકોમાં પોલીસ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલો પૂછી રહ્યા છે કે, શું રાજકોટ પોલીસની પેટ્રોલિંગ કામગીરી માત્ર કાગળ પર જ સીમિત છે? હોસ્પિટલ જેવા વિસ્તારની બાજુમાં આટલા મોટા પ્રમાણમાં ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવા છતાં સ્થાનિક પોલીસ અજાણ કેવી રીતે રહી શકે? હવે જોવું રહ્યું કે, આ વાયરલ વીડિયો બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા શું કડક પગલાં લેવામાં આવે છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/rajkot/civil-hospital-state-youngest-3-month-baby-recovers-from-chandipura-virus-discharged" target="_blank">Rajkot: ચાંદીપુરા વાયરસગ્રસ્ત 3 માસના બાળકને રજા અપાઈ, 2 શંકાસ્પદ બાળકોમાં 1 વેન્ટિલેટર પર</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/HjT6LtHIa0HXb9lxRyojbSCSCr3ArWLhaNy4yjWI.webp'/></item><item><title><![CDATA[Awarapan 2ની રિલીઝ પોસ્ટપોન નહીં થાય, ઇમરાન હાશ્મીએ કર્યું કન્ફર્મ, ટ્રેલરને લઈને આપ્યું અપડેટ ]]></title><link>https://sandesh.com/entertainment/news/awarapan-2-release-not-postponed-emraan-hashmi-trailer-update</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/awarapan-2-release-not-postponed-emraan-hashmi-trailer-update</guid><pubDate>Wed, 05 Aug 2026 14:23:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડ એક્ટર ઈમરાન હાશ્મી હાલમાં પોતાની આગામી ફિલ્મ આવારાપન 2ને લઈને ચર્ચામાં છે. ફિલ્મની રિલીઝને લઈને છેલ્લા કેટલાક સમયથી અલગ-અલગ સમાચાર સામે આવી રહ્યા હતા. 14 ઓગસ્ટે ઈમરાન હાશ્મીની આવારાપન 2ની ટક્કર સની દેઓલની ફિલ્મ બંટવારા 1947 સાથે થવાની છે. આ પછી એવી ચર્ચા શરૂ થઈ હતી કે મેકર્સ ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારી શકે છે. હવે ઈમરાન હાશ્મીએ આ તમામ અહેવાલો પર પૂર્ણવિરામ મૂકીને સ્પષ્ટ કરી દીધું છે કે આવારાપન 2 નક્કી કરેલી તારીખ એટલે કે 14 ઓગસ્ટે જ સિનેમાઘરોમાં રિલીઝ થશે.</p><h2 style="text-align: justify; "><b>14 ઓગસ્ટે જ રિલીઝ થશે ફિલ્મ</b></h2><p style="text-align: justify; ">ઈમરાન હાશ્મી હાલમાં જ પોતાના ફેન્સ સાથે વાત કરવા માટે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવ્યા હતા. આ દરમિયાન તેણે આવારાપન 2ની રિલીઝ પાછળ ઠેલાઈ હોવાના સમાચાર પર પ્રતિક્રિયા આપી અને સ્પષ્ટ કર્યું કે ફિલ્મ પોતાની નક્કી કરેલી રિલીઝ ડેટ 14 ઓગસ્ટે જ સિનેમાઘરોમાં આવશે.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/MovieReview_Hub/status/2084664724260868105"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p style="text-align: justify; ">એક્ટરે કહ્યું, ના, કંઈ પણ પાછળ ઠેલાયું નથી. અમે 14 ઓગસ્ટે આવી રહ્યા છીએ. ખબર નથી કે આજકાલ સોશિયલ મીડિયા પર લોકો મનમાં આવે તેવું કંઈ પણ બોલી દે છે અને એ સમાચાર ફેલાઈ જાય છે. પરંતુ અમે 14 ઓગસ્ટે આવી રહ્યા છીએ. આ ખૂબ સારી તારીખ છે. ફિલ્મનું ટ્રેલર ટૂંક સમયમાં રિલીઝ થશે.</p><h3 style="text-align: justify; "><b>આવારાપન 2ની સ્ટોરી હશે અલગ</b></h3><p style="text-align: justify; ">તેણે આગળ કહ્યું, જેણે પહેલી ફિલ્મ જોઈ હતી, મને પૂરો વિશ્વાસ છે કે તેઓ પહેલી ફિલ્મની યાદો સાથે આવશે. જ્યારે તેઓ બીજો ભાગ જોશે, ત્યારે આવારાપન 1ની યાદોમાં કેટલીક નવી યાદો પણ જોડાઈ જશે. ઈમરાને નવી પેઢી વિશે પણ વાત કરી અને કહ્યું, Gen Zએ આવારાપન 1 જોઈ નથી. તેમના માટે આવારાપન 2 એક અલગ સ્ટોરી હશે, પરંતુ ફિલ્મ જોયા પછી તેઓ આવારાપન 1 જોવા માટે ખૂબ ઉત્સુક થશે.</p><h3 style="text-align: justify; "><b>આવારાપનને પ્રીક્વલની જેમ ફરી રિલીઝ કરવામાં આવશે</b></h3><p style="text-align: justify; ">ઈમરાન હાશ્મીએ એ પણ જણાવ્યું કે મેકર્સ પહેલી ફિલ્મને પ્રીક્વલ તરીકે ફરી રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે. તેણે કહ્યું, લાઈવ પર હું એ પણ જણાવી દઉં કે અમે આવારાપનને પ્રીક્વલની જેમ ફરી રિલીઝ કરવા જઈ રહ્યા છીએ. શિવમની મૂળ કહાની લોકો આવારાપન 2 જોયા પછી જોઈ શકશે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DaKH7R2MMFc/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DaKH7R2MMFc/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DaKH7R2MMFc/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DaKH7R2MMFc/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h3 style="text-align: justify; "><b>આવારાપન 2માં આ કલાકારો જોવા મળશે</b></h3><p style="text-align: justify; ">આવારાપન 2ની વાત કરીએ તો આ ફિલ્મ 2007માં આવેલી ઈમરાન હાશ્મીની સુપરહિટ અને કલ્ટ એક્શન-ડ્રામા ફિલ્મ આવારાપનની સિક્વલ છે. તેમાં દિશા પટાણી, સુવિંદર વિક્કી, અતુલ કુમાર અને શબાના આઝમી જેવા કલાકારો પણ જોવા મળશે. ફિલ્મનું દિગ્દર્શન નિતિન કક્કડ કરી રહ્યા છે. જ્યારે વિશેષ ભટ્ટ ફિલ્મના નિર્માતા છે. ફિલ્મ 14 ઓગસ્ટ 2026ના રોજ દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.</p><h4 style="text-align: justify; "><b>કેવી હશે ફિલ્મની સ્ટોરી?</b></h4><p style="text-align: justify; ">આવારાપન 2 દ્વારા ઈમરાન હાશ્મી ફરી એકવાર પોતાના લોકપ્રિય પાત્ર શિવમ પંડિત તરીકે વાપસી કરી રહ્યા છે. ફિલ્મની સ્ટોરી શિવમ પંડિતની આગળની સફર, દર્દ, પ્રેમ, પસ્તાવો અને ગુનાની દુનિયાની આસપાસ ફરશે. પહેલી ફિલ્મની જેમ આ ફિલ્મ પણ એક ઈમોશનલ એક્શન-રોમેન્ટિક થ્રિલર હશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/jannat-zubair-bigg-boss-20-entry-shivangi-joshi" target="_blank">આ પણ વાંચો-Salman Khanના શો બિગ બોસ 20માં ગ્લેમરનો તડકો! જન્નત ઝુબેર અને શિવાંગી જોશીની જોડી જમાવશે રંગ?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/CP33HLma9QkkT6ZUWDT7ZmgGhxDU6kzDtL32wOR0.webp'/></item><item><title><![CDATA['સુરક્ષા દળ સંયમ રાખે અને યુવાનોની વાત સાંભળે', CJP વિરોધ પ્રદર્શનો પર CJI સૂર્યકાંતે સરકારને આપી સલાહ ]]></title><link>https://sandesh.com/india/news/security-forces-should-exercise-restraint-and-listen-to-the-youth-cji-surya-kant-advises-the-government-on-cjp-protests</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/security-forces-should-exercise-restraint-and-listen-to-the-youth-cji-surya-kant-advises-the-government-on-cjp-protests</guid><pubDate>Wed, 05 Aug 2026 14:21:02 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">CJI સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે CJP વિરોધીઓ સામે કાર્યવાહીની માંગ કરતી અરજીની સુનાવણી વખતે આ ટિપ્પણી કરી હતી.&nbsp;</p><h2 style="text-align: justify; ">SCએ કાર્યવાહીની માંગ પર ટિપ્પણી કરી</h2><p style="text-align: justify; ">CJIએ કહ્યું હતુ કે, આપણે સાવધાની સાથે આગળ વધવું જોઈએ. જેથી યુવાનો હિંસાનો આશરો ન લે. શ્રેષ્ઠ રસ્તો એ છે કે તેમને સલાહ આપવી અને શાંત પાડવું. સૌથી શક્તિશાળી હથિયાર સાંભળવું છે. તેમને સાંભળો અને સમજો કે તેઓ શા માટે હોબાળો કરી રહ્યા છે. ખંડપીઠે પોલીસને સંયમ રાખવા પણ કહ્યું અને સાથે જણાવ્યુ હતુ કે, કાર્યવાહી કાયદા અમલીકરણ એજન્સીઓના વિવેકબુદ્ધિ પર છોડી દેવી જોઈએ. અરજીને અન્ય સંબંધિત કેસો સાથે જોડીને નોટિસ જાહેર કરવામાં આવી હતી.</p><h3 style="text-align: justify; ">હિંસક પ્રતિક્રિયા પરિસ્થિતિને કરે છે વધુ ખરાબઃ CJI</h3><p style="text-align: justify; ">CJI સૂર્યકાંતે CJP વિરોધ પ્રદર્શનો અંગે સરકારને સલાહ આપી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, સત્તાવાળાઓએ યુવાન વિરોધીઓ પ્રત્યે સંયમ રાખવો જોઈએ. હિંસા અટકાવવા માટે હિંસક પ્રતિક્રિયા પરિસ્થિતિને વધુ ખરાબ કરે છે. યુવાનોને સાંભળવા જોઈએ. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે CJP વિરોધ પ્રદર્શનો અંગે મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી છે. તેમણે કહ્યું હતું કે, સત્તાવાળાઓએ યુવાન વિદ્યાર્થી વિરોધીઓ પ્રત્યે સંયમ રાખવો જોઈએ અને સાવધાની રાખવી જોઈએ. હિંસા અટકાવવા માટે હિંસક પ્રતિક્રિયા પરિસ્થિતિને વધુ ખરાબ કરે છે.</p><h4 style="text-align: justify; ">કેન્દ્ર સરકારનું વલણ પણ સાંભળવામાં આવશે</h4><p style="text-align: justify; ">કોર્ટે વિરોધ પ્રદર્શનો દરમિયાન લેવામાં આવતી કાર્યવાહી અંગે કાયદા અમલીકરણ એજન્સીઓના વિવેકબુદ્ધિ પર પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, કાયદા અમલીકરણ એજન્સીઓના વિવેકબુદ્ધિ પર છોડી દો. તેઓ પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરવી તે અમારા કરતાં વધુ સારી રીતે જાણે છે. જંતર-મંતર ખાતે CJP આંદોલનની સાથે, દેશભરના ઘણા રાજ્યોમાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ સમય દરમિયાન, બિહાર, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનમાં યુવાનોએ નોંધપાત્ર અશાંતિ ઉભી કરી. પરિણામે, ઘણી જગ્યાએ પાણીના તોપ, લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વધુમાં, વિદ્યાર્થીઓ સામે પેલેટ ગનનો ઉપયોગ અંગે સંસદમાં પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/dubai-blast-news-fierce-fire-near-jebel-ali-port-what-is-the-connection-with-iran-and-yemen-know" target="_blank">જેબેલ અલી પોર્ટ નજીક ભીષણ આગ, ઈરાન અને યમન સાથે શું છે કનેક્શન?, જાણો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/kP0ZaEDOx9ArX0GwHX2dO1d4s4UI7YfEgVRTLYn8.webp'/></item><item><title><![CDATA[Gujarat Weather News:  રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, અમદાવાદમાં ગાજવીજ સાથે મેઘમહેર થઈ શકે ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/light-to-moderate-rain-forecast-ahmedabad-may-get-thunderstorms</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/light-to-moderate-rain-forecast-ahmedabad-may-get-thunderstorms</guid><pubDate>Wed, 05 Aug 2026 14:14:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં જુલાઈના અંતિમ સપ્તાહમાં અતિભારે વરસાદને કારણે સમગ્ર રાજ્યમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. વરસાદને કારણે મોટું નુકસાન પણ સામે આવ્યું હતું. પરંતુ થોડા દિવસોથી વરસાદે જાણે વિરામ લીધો હોય તેમ રાજ્યમાં મેઘમહેર થવાની બંધ થઈ ગઈ છે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે અલનીનોની સ્થિતિને કારણે હાલમાં વરસાદ બંધ રહ્યો છે. પરંતુ ઓગસ્ટના અંતમાં ફરીવાર વરસાદનો રાઉન્ડ આવશે. બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા સતત વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. રાજ્યમાં પવન સાથે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતા</b></h2><p style="text-align: justify; ">ગુજરાતમાં મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાના કારણે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં પવન સાથે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન 30થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. જ્યારે અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આગાહી મુજબ સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં વરસાદ થવાની સંભાવના છે. તેમજ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા અને સૌરાષ્ટ્ર-કચ્છમાં મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. જોકે ભારેથી અતિભારે વરસાદની શક્યતા નહિવત દર્શાવવામાં આવી છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાને કારણે નાગરિકોને ગરમી અને અસહ્ય ઉકળાટનો અનુભવ પણ થશે.&nbsp;&nbsp;</p><h3 style="text-align: justify; "><b>રાજ્યમાં ચોમાસાની પ્રગતિ પર બ્રેક વાગી</b></h3><p style="text-align: justify; ">રાજ્યમાં ચોમાસાની પ્રગતિ પર બ્રેક વાગતાં ખેડૂતોમાટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ,ચોમાસા પર અલનીનોનું ગ્રહણ લાગવાના કારણે હાલ વરસાદી સિસ્ટમમાં યોગ્ય પ્રેશર સક્રિય થઈ રહ્યું નથી.જેને પગલે હવે ભારે વરસાદ માટે રાહ જોવી પડશે.હવામાન નિષ્ણાતોના મતે ઓગસ્ટ મહિનાના અંતમાં વરસાદનો નવું રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા છે.જ્યારે સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદ થાય તેવી સંભાવનાઓ ખૂબ જ નહિવત જણાઈ રહી છે.<br><br><a href="https://sandesh.com/india/news/gujarat/centre-deploys-njort-team-to-control-chandipura-virus-outbreak" target="_blank">આ પણ વાંચોઃ Gujarat News: ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે કેન્દ્ર સરકારે ટીમ મોકલી, પશુઓના બ્લડ અને દૂધના 70 સેમ્પલ લેવાયા</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/TNPzr9OKpTdzlhUQkWGruqbx89sTYvL1xTn3dFlN.webp'/></item><item><title><![CDATA[Nitin Gadkari E20 Fuel: નિતિન ગડકરીને બોમ્બે હાઈકોર્ટથી મોટી રાહત, Deepfake અને AI કન્ટેન્ટ હટાવવાનો આદેશ ]]></title><link>https://sandesh.com/india/news/nitin-gadkari-e20-fuel-big-relief-for-nitin-gadkari-from-bombay-high-court-order-to-remove-deepfake-and-ai-content</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/nitin-gadkari-e20-fuel-big-relief-for-nitin-gadkari-from-bombay-high-court-order-to-remove-deepfake-and-ai-content</guid><pubDate>Wed, 05 Aug 2026 13:34:31 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">HCએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને અન્ય ડિજિટલ મધ્યસ્થીઓને વાંધાજનક પોસ્ટ, વીડિયો દૂર કરવા આદેશ આપ્યો છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">બોમ્બે હાઈકોર્ટના કડક આદેશ&nbsp;</h2><p style="text-align: justify; ">બોમ્બે હાઈકોર્ટે સરકારના E20 ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ સાથે સંબંધિત નિતિન ગડકરી અને તેમના પરિવાર સામે બદનક્ષીભરી અને ડીપફેક કન્ટેન્ટના પ્રસાર પર વચગાળાનો સ્ટે આપ્યો છે. જસ્ટિસ આરિફ ડોક્ટરની આગેવાની હેઠળની સિંગલ બેન્ચે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ડિજિટલ મધ્યસ્થીઓને આવી ખોટી અને ભ્રામક પોસ્ટ અને વીડિયો તાત્કાલિક દૂર કરવાનો કડક આદેશ આપ્યો છે.</p><h3 style="text-align: justify; ">ન્યાયાધીશ આરિફ ડોક્ટરની આગેવાની</h3><p style="text-align: justify; ">સુનાવણી દરમિયાન, ન્યાયાધીશ આરિફ ડોક્ટરની આગેવાની હેઠળની સિંગલ બેન્ચે ગડકરી સામે શેર કરવામાં આવી રહેલી કથિત બદનક્ષીભરી અને અપમાનજનક કન્ટેન્ટને તાત્કાલિક દૂર કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ એક અરજી પર જારી કરવામાં આવ્યો હતો જેમાં ગડકરીએ દાવો કર્યો હતો કે ડીપફેક અને બનાવટી સામગ્રી દ્વારા તેમની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.</p><h4 style="text-align: justify; ">હાઈકોર્ટની પ્રતિક્રિયા&nbsp;</h4><p style="text-align: justify; ">જોકે, હાઈકોર્ટે તેના આદેશમાં એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, આ નિર્દેશ વાસ્તવિક અને તથ્ય આધારિત, વાજબી ટીકા પર લાગુ પડશે નહીં. આનો અર્થ એ છે કે સરકારી નીતિઓ અથવા ગડકરીના કાર્યની કાયદેસર અને જવાબદાર ટીકા ચાલુ રહી શકે છે, પરંતુ નકલી, ભ્રામક, ડીપફેક અથવા બદનક્ષીભરી સામગ્રીને સુરક્ષિત રાખવામાં આવશે નહીં. ગડકરીએ આ કેસ મેટા, એક્સ, ગૂગલ/યુટ્યુબ, કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય, ટેલિકોમ્યુનિકેશન વિભાગ અને "અશોક કુમાર/જોન ડો" તરીકે ઓળખાતા અજાણ્યા યુઝર્સ સામે દાખલ કર્યો હતો. બાર એન્ડ બેન્ચમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, કોર્ટે જણાવ્યું હતું કે, ગડકરીએ જે સામગ્રીને ચિહ્નિત કરી છે તે અભદ્ર અને અપમાનજનક હતી.</p><h5 style="text-align: justify; ">બોમ્બે હાઇકોર્ટનો વચગાળાનો આદેશ&nbsp;</h5><p style="text-align: justify; ">કોર્ટે પોતાના વચગાળાના આદેશમાં જણાવ્યું હતું કે, ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર પણ આવી જ એક ટ્રાન્સક્રિપ્ટ દેખાય છે. બીજી સામગ્રી પણ છે. વાદી જે સામગ્રી દૂર કરવા માંગે છે તે વિશે હું ફક્ત એટલું જ કહી શકું છું કે તે સંપૂર્ણપણે અભદ્ર અને અપમાનજનક છે. આવી સામગ્રીને યુવાનો સહિત દરેક માટે સુલભ જાહેર પ્લેટફોર્મ પર કોઈ સ્થાન હોવું જોઈએ નહીં. અરજદારે વચગાળાની રાહત માટે કેસ દાખલ કર્યો છે. મેટા અને ગુગલ હાજર થયા છે અને પ્રદર્શન Cમાં આપેલી સામગ્રી દૂર કરવા સંમત થયા છે. તેમનું નિવેદન સ્વીકારવામાં આવે છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/india/news/abhishek-banerjee-gets-a-setback-from-calcutta-high-court-not-allowed-to-go-abroad-order-for-investigation-in-sskm" target="_blank">Abhishek Banerjeeને કલકત્તા હાઈકોર્ટનો ઝટકો, વિદેશ જવાની મંજૂરી ન મળી, SSKMમાં તપાસનો આદેશ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/3yYbFCMq5D5h7NFU53ax5dCsvTnVrrmxUT39UllV.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News : ગુજરાત કોમનવેલ્થના આયોજન માટે આગળ વધી રહ્યું છે, દેશના તમામ ખેલાડીનું સ્વાગત કરુ છું : DyCm હર્ષ સંઘવી ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-moves-ahead-to-host-commonwealth-games</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-moves-ahead-to-host-commonwealth-games</guid><pubDate>Wed, 05 Aug 2026 13:21:26 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સના પ્રસ્તાવિત આયોજન સંદર્ભે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિધિવત રીતે ફ્લેગ અને બેટન સોંપવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, કોમનવેલ્થ ગેમ્સના આયોજન મુદ્દે ગુજરાત રાજ્ય સતત આગળ વધી રહ્યી છે. રમતોત્સવને સફળ બનાવવા માટે તમામ સરકારી વિભાગો દ્વારા પરસ્પર સંકલન હાથ ધરવામાં આવ્યું છે. દેશમાં હવે આંતરરાષ્ટ્રીય સ્તરના રમતગમત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વ્યાપ નોંધપાત્ર રીતે વધ્યો છે. જેથી રાજ્ય સરકાર વધુમાં વધુ ખેલાડીઓને આ ક્ષેત્રે જોડવા માટે આગળ વધી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>બજેટમાં 8 ગણો વધારો કરવાનો મહત્વનો નિર્ણય</b></h2><p style="text-align: justify; ">ગુજરાતમાં જ કોમનવેલ્થનું આયોજન કેમ, હરિયાણામાં કેમ નહીં?' તે અંગે ઉઠેલા સવાલોનો જવાબ આપતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારનું રમતગમત વિભાગનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર માત્ર ગુજરાતના ખેલાડીઓ પૂરતું સીમિત નથી. દેશનો કોઈપણ યુવક કે યુવતી જે પોતાના રમત ક્ષેત્રે મહેનત કરી રહ્યા છે, તે તમામ માટે ગુજરાતના દ્વાર ખુલ્લા છે. દરેક રાજ્યની રમતો માટે અલગ-અલગ ઇકોસિસ્ટમ હોય છે, પરંતુ અંતે આપણે બધા એક છીએ. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટમાં ખેલાડીઓના પ્રોત્સાહન માટે બજેટમાં 8 ગણો વધારો કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.</p><h3 style="text-align: justify; "><b>દેશભરના ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા ભાવુક અપીલ</b></h3><p style="text-align: justify; ">નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દેશભરના ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા ભાવુક અપીલ કરી હતી કે, આ ધરતી આપણા બધાની છે અને તમામ ખેલાડીઓનું અહીં હૃદયપૂર્વક સ્વાગત છે. તેમણે અન્ય રાજ્યોના ખેલાડીઓને આહ્વાન કર્યું હતું કે, તેઓ ગુજરાતમાં માત્ર મહેમાન તરીકે નહીં પરંતુ એક પરિવારના સભ્ય તરીકે આવે અને રમતગમતના ક્ષેત્રે પોતાના સપનાઓને સાકાર કરે. ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને દેશના રમતવીરોને વૈશ્વિક મંચ પૂરો પાડવા માટે સરકાર કટિબદ્ધ છે.<br><br><a href="https://sandesh.com/india/news/gujarat/centre-deploys-njort-team-to-control-chandipura-virus-outbreak" target="_blank">આ પણ વાંચોઃ Gujarat News: ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે કેન્દ્ર સરકારે ટીમ મોકલી, પશુઓના બ્લડ અને દૂધના 70 સેમ્પલ લેવાયા</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/eZjSJwspXTgPDVHGX0SsQrBqqZZV28nWML8pzqRb.webp'/></item><item><title><![CDATA[Rajkot News: RMC મેયર નેહલ શુકલે દૂષિત પાણી વિતરણની કરી કબૂલાત, જૂની પાઇપલાઇન અને ગેરકાયદે કનેક્શનને ગણાવ્યા જવાબદાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/contaminated-water-distribution-mayor-nehal-shukla-statement</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/contaminated-water-distribution-mayor-nehal-shukla-statement</guid><pubDate>Wed, 05 Aug 2026 13:15:40 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ શહેરમાં નાગરિકોને પીવાના પાણીમાં થઈ રહેલી મુશ્કેલીઓ અને દૂષિત પાણીના વિતરણને લઈને એક મોટો ખુલાસો સામે આવ્યો છે. રાજકોટ શહેરમાં અવારનવાર પીવાના પાણીમાં ગંદકી કે દૂષિત પાણી આવવાની ફરિયાદો ઉઠતી રહે છે, ત્યારે હવે ખુદ રાજકોટના મેયરે આ વાતનો જાહેરમાં સ્વીકાર કર્યો છે, જેના કારણે રાજકારણ ગરમાયું છે.</p><h2><b>મેયર ડૉ. નેહલ શુકલ દ્વારા હકીકત સ્વીકારાઈ</b></h2><p>રાજકોટના મેયર ડૉ. નેહલ શુકલે સ્પષ્ટપણે સ્વીકાર્યું છે કે, રાજકોટ શહેરના અમુક વિસ્તારોમાં ખરેખર દૂષિત પાણીનું વિતરણ થાય છે. મેયરે જણાવ્યું હતું કે, વર્ષ 2024થી દર મહિને વોર્ડ પ્રમાણે પાણીની ગુણવત્તાનો ડેટા લેવામાં આવે છે અને પારદર્શિતા જાળવવા માટે આ તમામ ડેટા રાજકોટ મહાનગરપાલિકાની અધિકૃત વેબસાઈટ પર પણ અપલોડ કરવામાં આવે છે.</p><h2><b>દૂષિત પાણી વિતરણ પાછળના મુખ્ય કારણો</b></h2><p>મેયરે દૂષિત પાણી આવવા પાછળના કારણોની સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ચોમાસાની સિઝનમાં નદી-નાળાઓમાં પાણી આવવાને કારણે કુદરતી રીતે પાણી દૂષિત થાય છે. જોકે, તંત્ર દ્વારા ફિલ્ટરેશન કરીને જ પાણીનું વિતરણ કરવામાં આવે છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ચોમાસા પહેલા અથવા અન્ય દિવસોમાં જ્યાં દૂષિત પાણી આવે છે, ત્યાં મોટે ભાગે જૂની પાણીની પાઇપ લાઇનો જવાબદાર હોય છે, જેમાં ડ્રેનેજનું પાણી ભળી જવાની સમસ્યા સર્જાય છે.</p><h2><b>ગેરકાયદે કનેક્શન પણ એક કારણ</b></h2><p>જ્યાં નવી પાઇપલાઇનો નાખવામાં આવી છે, ત્યાં પણ દૂષિત પાણી આવવાની ફરિયાદો અંગે મેયરે જણાવ્યું હતું કે, ઘણી જગ્યાએ લોકો પોતાની રીતે ગેરકાયદે કનેક્શન મેળવી લે છે. આ ગેરકાયદે કનેક્શનના લીધે મુખ્ય પાઇપ લાઈનમાં તિરાડો પડી જાય છે, જેના કારણે ડ્રેનેજનું પાણી પીવાના પાણીની લાઈનમાં ભળી જાય છે, અને નાગરિકો સુધી દૂષિત પાણી પહોંચે છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/rajkot/mp-rupala-writes-to-union-law-minister-seeking-gujarat-high-court-bench-in-saurashtra" target="_blank">Rajkot News: સૌરાષ્ટ્રને હાઇકોર્ટ બેંચ આપવા બાર સાંસદ રૂપાલાએ કેન્દ્રીય કાયદામંત્રીને પત્ર લખી ભલામણ કરી</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/v12FSkixUAU0MpkZFaMjieQSGR73khAVvxwUE0Gi.webp'/></item><item><title><![CDATA[Neeraj Chopra ડાયમંડ લીગમાં મળશે જોવા, અરશદ નદીમ અને રૂમેશ પથિરાગેનો કરશે સામનો ]]></title><link>https://sandesh.com/sports/news/neeraj-chopra-lausanne-diamond-league-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/neeraj-chopra-lausanne-diamond-league-2026</guid><pubDate>Tue, 04 Aug 2026 20:58:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતના દિગ્ગજ ભાલા ફેંકનાર અને ઓલિમ્પિક ગોલ્ડ ચંદ્રક વિજેતા નીરજ ચોપરા 21 ઓગસ્ટના રોજ યોજાનારી લૌઝેન ડાયમંડ લીગ સ્પર્ધામાં ભાગ લેશે. આયોજકોએ 3 ઓગસ્ટના રોજ આ વાતની પુષ્ટિ કરી.</p><p style="text-align: justify; ">નીરજ એથલેટિસિમા તરીકે ઓળખાતી સ્પર્ધામાં ચોથી વખત ભાગ લેશે. તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સમાં 85.83 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યા બાદ નીરજ આ ટુર્નામેન્ટ દ્વારા પોતાના ભૂતપૂર્વ ફોર્મમાં પરત ફરવાનો પ્રયાસ કરશે.</p><h2 style="text-align: justify; "><b>નીરજ ચોપરાનો સામનો શ્રીલંકાના રૂમેશ પથિરાગે સામે થશે</b></h2><p style="text-align: justify; ">28 વર્ષના નીરજ ચોપરાએ 2022માં 89.08 મીટરના બેસ્ટ થ્રો સાથે આ ઈવેન્ટ જીતી હતી અને પછીના વર્ષે 87.66 મીટરના ભાલા ફેંકીને પોતાની જીતનો સિલસિલો ચાલુ રાખ્યો હતો. ત્યારબાદ 89.49 મીટરના શાનદાર પ્રદર્શન છતાં તે 2024 લુઝેન ડાયમંડ લીગ ઈવેન્ટમાં બીજા સ્થાને રહ્યો.</p><p style="text-align: justify; ">2026ની ઈવેન્ટ ખૂબ જ રોમાંચક હોવાની અપેક્ષા છે, કારણ કે તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર શ્રીલંકાના રૂમેશ પથિરાગે પણ ભાગ લઈ રહ્યો છે. તેને 89.75 મીટરના બેસ્ટ થ્રો સાથે CWG 2026માં પ્રથમ સ્થાન મેળવ્યું અને ગોલ્ડ મેડલ જીત્યો.</p><h3 style="text-align: justify; "><b>ઘણા અનુભવી ખેલાડીઓ લૌઝેન ડાયમંડ લીગમાં ભાગ લેશે</b></h3><p style="text-align: justify; ">પાકિસ્તાનનો ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમ પણ આ સ્પર્ધામાં ભાગ લેશે, જે ફેન્સ માટે બીજી એક રોમાંચક સ્પર્ધા બનશે. તેના સિવાય બે વખતના વિશ્વ ચેમ્પિયન એન્ડરસન પીટર્સ, જર્મનીના થોમસ રોહલર અને ત્રિનિદાદ અને ટોબેગોના કેશોર્ન વોલકોટ પણ ભાલા ફેંકમાં પોતાની શક્તિનું પ્રદર્શન કરતા જોવા મળશે.</p><h4 style="text-align: justify; "><b>દોહા ડાયમંડ લીગમાં નીરજ ચોપરા ચોથા નંબરે રહ્યો</b></h4><p style="text-align: justify; ">લૌઝેન ડાયમંડ લીગ નીરજ ચોપરાની વર્ષની ત્રીજી મોટી સ્પર્ધા હશે. તે અગાઉ જૂનમાં દોહા ડાયમંડ લીગમાં ચોથા નંબરે રહ્યો હતો અને પછી કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો. ગંભીર ઈજા અને ટોક્યોમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ પછી બ્રેકને કારણે લાંબી ગેરહાજરી બાદ નીરજ આ વર્ષે મેદાનમાં પરત ફર્યો છે. આખી સીઝનમાં તેનું બેસ્ટ પ્રદર્શન ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં રહ્યું.</p><h5 style="text-align: justify; "><b>લૌઝેન ડાયમંડ લીગ 2026 જેવેલિન થ્રો એન્ટ્રી લિસ્ટ</b></h5><p style="text-align: justify; ">એન્ડરસન પીટર્સ (ગ્રેનાડા)</p><p style="text-align: justify; ">અરશદ નદીમ (પાકિસ્તાન)</p><p style="text-align: justify; ">કર્ટિસ થોમ્પસન (યુએસએ)</p><p style="text-align: justify; ">જાકુબ વાડલેચ (ચેકિયા)</p><p style="text-align: justify; ">જુલિયન વેબર (જર્મની)</p><p style="text-align: justify; ">કેશોર્ન વોલકોટ (ત્રિનિદાદ અને ટોબેગો)</p><p style="text-align: justify; ">નીરજ ચોપરા (ભારત)</p><p style="text-align: justify; ">રુમેશ પાથિરાગે (શ્રીલંકા)</p><p style="text-align: justify; ">સાઈમન વીલેન્ડ (સ્વિટ્ઝર્લૅન્ડ)</p><p style="text-align: justify; ">થોમસ રોહલર (જર્મની)</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/ZQYBy8LBmgXlHyY1AXRQwO7F2gQ5xJMQHAaQK1oS.webp'/></item></channel></rss>