<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[જૂનાગઢમાં આર્થિક સંકડામણથી પરિવારનો માળો વિંખાયો, માનસિક તણાવમાં વૃદ્ધ દંપતીનો આપઘાત ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/junagadh/in-junagadh-a-familys-nest-was-torn-apart-due-to-financial-constraints-an-elderly-couple-committed-suicide-due-to-mental-stress</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/junagadh/in-junagadh-a-familys-nest-was-torn-apart-due-to-financial-constraints-an-elderly-couple-committed-suicide-due-to-mental-stress</guid><pubDate>Sun, 20 Sep 2026 02:43:47 +05:30</pubDate><description><![CDATA[<p>જૂનાગઢમાં ગેંડાગળ રોડ પર ટેલિફોન એક્સચેન્જ પાસે રહેતા એસટી વિભાગના નિવૃત્ત કર્મચારી 58 વર્ષીય વનરાજસિંહ ઝાલા અને તેમના 55 વર્ષીય પત્ની રેખાબા વનરાજસિંહ ઝાલાએ પોતાના ઘરે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે.</p><p>તા. 17 સપ્ટેમ્બરના બપોરે 2 વાગ્યા પહેલા આ ઘટના બની હતી. મનીષસિંહ જોરાવરસિંહ ઝાલાએ પોલીસને જાણ કરી હતી કે, વનરાજસિંહ ઝાલાના ઘરમાં કોઈ કમાવાવાળું ન હોય, જેના કારણે આ દંપતી છેલ્લા ઘણા સમયથી માનસિક તણાવમાં રહેતું હતું. આર્થિક ભીંસ અને ભવિષ્યની ચિંતાના કારણે બંનેએ પોતાની મરજીથી ઘરે ઝેરી દવાના ટીકડા ખાઈ લીધા હતા.ઝેરી દવા પી લીધા બાદ દંપતીની હાલત લથડતા બંનેને તાત્કાલિક સારવાર અર્થે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ પહોંચતા જ પત્ની રેખાબા ઝાલાનું મોત નીપજ્યું હતું, જ્યારે વનરાજસિંહ ઝાલા બેભાન અવસ્થામાં હતા. ત્યારબાદ સારવાર દરમિયાન પતિનું પણ મોત નીપજતા બંને પતિ-પત્નીએ દુનિયાને અલવિદા કહી દીધી છે. આ સમગ્ર બનાવ અંગે પીએસઆઇ ડી. બી. જોષીએ તપાસ હાથ ધરી છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/etGBkRX10GmN6Go0leeA9jRb2DCvaLbSHxR65frW.webp'/></item><item><title><![CDATA[પોરબંદર કોર્ટ બિલ્ડીંગમાં ઈતિહાસની પ્રથમ ચોરી, બે કોમ્પ્યુટર સેટની ચોરી કરનાર બે વકીલ ઝડપાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/porbandar/first-theft-in-history-at-porbandar-court-building-two-lawyers-arrested-for-stealing-two-computer-sets</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/porbandar/first-theft-in-history-at-porbandar-court-building-two-lawyers-arrested-for-stealing-two-computer-sets</guid><pubDate>Sun, 20 Sep 2026 02:42:52 +05:30</pubDate><description><![CDATA[<p>પોરબંદરના ઈતિહાસમાં પ્રથમ વખત કોર્ટ બિલ્ડીંગમાં ચોરીનો સનસનીખેજ બનાવ સામે આવ્યો છે. પોરબંદર ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં આવેલા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના મીડીયેશન સેન્ટરમાંથી રૂ. 1 લાખ 17 હજાર 800 ની કિંમતના બે કોમ્પ્યુટર સેટની ચોરી થતાં ચકચાર મચી જવા પામી છે. જોકે, પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ આ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે અને આ ચોરીમાં સંડોવાયેલા બે વકીલોની ધરપકડ કરી સો ટકા મુદ્દામાલ જપ્ત કર્યો છે.</p><p>ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ખાતે વર્ક ટુ ઓર્ડર બેન્ચ ક્લાર્ક ગ્રેડ-1 તરીકે ફરજ બજાવતા રચિતભાઈ દુષ્યંતભાઈ દેસાઈ (ઉ.વ. 55)એ કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત તા. 16 ના રોજ આઉટ સોર્સ પટ્ટાવાળા વેજાભાઈ કોડીયાતરે એલ.એ.ડી.સી.એસ.ની ઓફ્સિમાંથી ઓલ-ઇન-વન કોમ્પ્યુટર તથા કી-બોર્ડ અને માઉસના બે સેટ મીડીયેશન સેન્ટરમાં મૂક્યા હતા. ત્યારબાદ તા. 17 ના રોજ સવારે વેજાભાઈને આ કોમ્પ્યુટર ન દેખાતા તેમણે રચિતભાઈને જાણ કરી હતી. કચેરીના તમામ વિભાગોમાં તપાસ કરવા છતાં કોમ્પ્યુટર ન મળતા, ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી અજાણ્યા શખ્સો સામે કમલાબાગ પોલીસમાં ચોરીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/FWYxnsnqExvBmBOnXKPhrRFP3kigZ4nIpfdynu6p.webp'/></item><item><title><![CDATA[ધબકારા અનિયમિત થવા અને બીપી વધવાનું જોખમ છતાં બાળકોમાં રૂ. 20માં મળતા એનર્જી ડ્રિંક્સનો ક્રેઝ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/craze-among-children-for-energy-drinks-available-for-rs-20-despite-the-risk-of-irregular-heartbeat-and-increased-bp</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/craze-among-children-for-energy-drinks-available-for-rs-20-despite-the-risk-of-irregular-heartbeat-and-increased-bp</guid><pubDate>Sun, 20 Sep 2026 02:40:40 +05:30</pubDate><description><![CDATA[<p>આજકાલ સ્કૂલો અને કોલેજોની બહાર પાન શિલાઓ, પ્રોવિઝન સ્ટોર અને નાના ગલ્લાઓ પર અલગ અલગ બ્રાન્ડના એનર્જી ડ્રિંક્સનો ક્રેઝ અભૂતપૂર્વ રીતે વધી ગયો છે. માત્ર 20થી લઈને 125-150 સુધીમાં મળતા આ એનર્જી ડ્રિંક્સ બાળકો અને યુવાનો ઇન્સ્ટન્ટ એનર્જી અને સ્ટાઇલ સ્ટેટસ માટે પી રહ્યા છે. એનર્જીના નામે પ્લાસ્ટિક કે કેનમાં વેચાતું આ પ્રવાહી નાની વયના બાળકોના શરીર અને મગજ પર ગંભીર અસરો કરી રહ્યું છે. નિષ્ણાત તબીબોના મતે, આ કોઈ હેલ્થ કે સ્પોર્ટ્સ ડ્રિંક નથી, પરંતુ કેફીન અને સુગરનું એક અત્યંત ખતરનાક કોકટેલ છે. ગુજરાત માર્કેટ સાઈઝની વાત કરીએ તો સંશોધન એજન્સીઓ અને એફ્એમસીજીના ડેટા અનુસાર, ભારતના કુલ એનર્જી ડ્રિંક માર્કેટમાં ગુજરાતનો હિસ્સો અંદાજે 8% થી 10% જેટલો છે. ગુજરાતમાં એનર્જી ડ્રિંક્સનું વાર્ષિક બજાર અંદાજે 200થી 400 કરોડ સુધી પહોંચી ગયું છે (જે દર વર્ષે 20%થી વધુના દરે વધી રહ્યું છે). રાજ્યના કુલ વેચાણમાંથી 60%થી વધુ વેચાણ માત્ર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરો અને તેની આસપાસની શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ થાય છે. ભારતમાં એનર્જી ડ્રિંક્સનું માર્કેટ વર્ષ 2025-26માં અંદાજે અંદાજે 5000 કરોડથી 7,000 કરોડની આસપાસ પહોંચવાનો અંદાજ છે.આ સેક્ટર વાર્ષિક 15% થી 20% ના મજબૂત ગ્રોથ રેટ સાથે વધી રહ્યું છે.બજાર આટલું ઝડપથી કેમ ફૂલ્યું-ફલ્યું તેના કારણો પણ ખૂબ જ ચોંકાવનારા છે. માત્ર રુ.20 વાળા એનર્જી ડ્રીંક્સની પહેલા આવેલા પીણા 125 થી 150માં મળતા હતા, જેથી તે અમુક વર્ગ સુધી સીમિત હતા. પરંતુ એક જાણીતી કંપનીએ 20 રુપિયામાં એનર્જી ડ્રીંક્સ લોન્ચ કરીને આખું માર્કેટ બદલી નાખ્યું છે આજે નાના બાળકો અને મધ્યમ વર્ગ સુધી આ ડ્રિંક પહોંચી ગયું છે. 20 થી 35 ની પ્રાઇસ પોઇન્ટ હોવાથી શાળા-કોલેજના વિદ્યાર્થીઓ દૈનિક પોકેટ મનીમાંથી આસાનીથી ખરીદી શકે છે. ગુજરાતના નાના ગામડાઓ, હાઇવે પરના ધાબા અને સ્કૂલ-કોલેજની બહાર આવેલા નાના ગલ્લાઓ સુધી આનું નેટવર્ક વિસ્તરી ચૂક્યું છે. બીજુ કે પ્રોવિઝન સ્ટોર અને પાન ગલ્લાના વેપારીઓને સામાન્ય સોફ્ટ ડ્રિંક્સ કે દૂધ-છાશ કરતાં એનર્જી ડ્રિંક્સમાં વધુ માર્જિન કે કમિશન મળે છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/WN59kemXlUrCAj8Jc6AZ0TIrB5OFah8mEWCGFFyg.webp'/></item><item><title><![CDATA[તડકાછાયા વચ્ચે વરસાદી માહોલથી મનમોહક દૃશ્ય ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/rajkot/a-captivating-view-of-the-rainy-weather-amidst-the-sun-and-shade</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/rajkot/a-captivating-view-of-the-rainy-weather-amidst-the-sun-and-shade</guid><pubDate>Sun, 20 Sep 2026 02:38:58 +05:30</pubDate><description><![CDATA[<p>રંગબેરંગી મિજાજ ધરાવતા રાજકોટ શહેરમાં હવામાનનું અનોખું અને મનોહર રૂપ જોવા મળ્યું હતું. આકાશમાં ઘેરાયેલા સફેદ અને વાદળી રંગના વાદળોની રમત વચ્ચે એક તરફ્ તીખો તડકો તો બીજી તરફ્ મન મૂકીને વરસી પડતા વરસાદી ઝાપટાંએ અદ્ભુત દૃશ્ય સર્જ્યું હતું. શાંત જળાશયના નીર ઉપર છવાયેલું આકાશ કુદરતના કેનવાસ પર દોરેલા કોઈ જીવંત ચિત્ર જેવું ભાસે છે. તડકાના સોનેરી કિરણો વચ્ચે અચાનક તૂટી પડતા વરસાદી ટીપાઓએ વાતાવરણમાં એક અનોખી તાજગી અને ભીનાશ ભરી દીધી હતી. તડકા અને વરસાદની આ જુગલબંધીએ રાજકોટવાસીઓને અનોખો આહલાદક અનુભવ કરાવ્યો હતો. જળાશયની આસપાસની લીલોતરી અને આકાશમાં વાદળોની વચ્ચેથી ડોકિયું કરતો તડકો કુદરતનો વિરોધાભાસી છતાં અત્યંત મનોહર સંગમ દર્શાવે છે. ગરમી વચ્ચે પડેલા આ હળવા ઝાપટાંએ શહેરના માર્ગો અને કુદરતી નજારાઓને નવપલ્લવિત કરી દીધા છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/B0blzKLOyborWoP43CPnlQtPDxzRW72lErMw6VJP.webp'/></item><item><title><![CDATA[મારવાડી યુનિ.માં ગણેશ ચતુર્થી નિમિતે મહાઆરતીનું આયોજન થયું ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/rajkot/maha-aarti-organized-on-the-occasion-of-ganesh-chaturthi-at-marwari-university</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/rajkot/maha-aarti-organized-on-the-occasion-of-ganesh-chaturthi-at-marwari-university</guid><pubDate>Sun, 20 Sep 2026 02:37:47 +05:30</pubDate><description><![CDATA[<p>મારવાડી યુનિ. મુખ્ય કેમ્પસ ખાતે ગણેશ ચતુર્થી નીમિતે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામા આવ્યું હતું.જેમાં 5500થી વધુ વિદ્યાર્થીઓ,ફેકલ્ટી સભ્યો અને યુનિ.ના નેતૃત્વ સાથે જોડાયેલ સભ્યો એકત્ર થયા હતા.આધ્યાત્મિક ઉર્જા અને સામૂહિક ઉત્સાહથી ભરપુર આ સાંજ યુનિ.ની જીવંત સમુદાય ભાવના અને સમૃધ્ધ સાંસ્કૃતિક એકતાનું પ્રતિબંધ બની હતી.આ શૃભ પ્રસંગની શરૂઆત સાંજે ડિપાર્ટમેન્ટ ઓફ મ્યુઝિક એન્ડ ડાન્સ દ્વારા આયોજીત લાઈવ ભજન જામિંગ સેશનથી થઈ હતી.એકોસ્ટિક ગિટાર અને પરંપરાગત વાદ્યોના સંગાથ સાથે રજૂ થયેલ મધુર ભજનો દ્વારા સમગ્ર વાતાવરણ ભકિતમય અને શાંત બની ગયું હતું.ખુલ્લા કેમ્પસની સીડીઓ પણ જાણે સામૂહિક શ્રધ્ધા અને આધ્યાત્મિક ચિંતનના એમ્ફિથિયેટરમાં પરિવર્તિત થઈ ગઈ હતી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/SbXm4aptx9rWNTgzU2kV8S6jazs0hBoIDB66QHLh.webp'/></item><item><title><![CDATA[Disha Salian કેસમાં આદિત્ય ઠાકરેને 500 કરોડની માનહાનિ નોટિસ ]]></title><link>https://sandesh.com/india/breakingnews/entertainment/disha-salian-aaditya-thackeray-500-crore-notice</link><guid isPermaLink="true">https://sandesh.com/india/breakingnews/entertainment/disha-salian-aaditya-thackeray-500-crore-notice</guid><pubDate>Sun, 20 Sep 2026 01:13:32 +05:30</pubDate><description><![CDATA[<div style="text-align: justify;">દિશા સાલિયાનના પિતા સતીશ સાલિયાને આદિત્ય ઠાકરેને 500 કરોડ રૂપિયાની બદનક્ષીની નોટિસ મોકલી છે. નોટિસમાં 16 સપ્ટેમ્બર 2026 ના રોજ એક્સ પર મૂકવામાં આવેલી અંગ્રેજી અને મરાઠી પોસ્ટને ખોટી અને બદનક્ષીભરી ગણાવી છે. આરોપ છે કે તેમાં સતીશ પર રાજકીય સ્વાર્થ અને અંગત દુશ્મનાવટના આક્ષેપો કરવામાં આવ્યા હતા. વકીલ નિલેશ ઓઝાએ આદિત્યના ઘરની બહાર નોટિસ પહોંચાડી હતી અને માફી તેમજ 500 કરોડ રૂપિયાના ડિમાન્ડ ડ્રાફ્ટની માગણી કરી હતી.</div><h2 style="text-align: justify;"><b>દિશા કેસમાં કાયદાકીય જંગ</b></h2><div style="text-align: justify;">દિશા સાલિયાન મોતના કેસમાં હવે કાયદાકીય લડાઈ તેજ થઈ ગઈ છે. દિશાના પિતા સતીશ સાલિયાને શિવસેના યુબીટી નેતા આદિત્ય ઠાકરેને 500 કરોડ રૂપિયાની બદનક્ષીની નોટિસ મોકલી છે. નોટિસમાં માફી અને વળતરની માગ કરવામાં આવી છે. વકીલ નિલેશ ઓઝાએ કહ્યું કે ધમકીઓ આપવાથી કાયદાની લડાઈ અટકશે નહીં. આ પહેલાં સતીશે કહ્યું હતું કે તેઓ કોઈ રાજકીય વ્યક્તિ નથી અને સીબીઆઈએ યોગ્ય રીતે તપાસ કરી છે. ઉદ્ધવ ઠાકરેએ પણ કાયદાકીય પગલાં લેવાની ચેતવણી આપી હતી.</div><h3 style="text-align: justify;"><b>સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ</b></h3><div style="text-align: justify;">નોટિસ પ્રમાણે આદિત્ય ઠાકરેએ 16 સપ્ટેમ્બર 2026 ના રોજ પોતાના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર અંગ્રેજી અને મરાઠીમાં ખોટી, ખરાબ ઈરાદાવાળી અને બદનક્ષી કરતી પોસ્ટ મૂકી હતી. આરોપ છે કે તેમાં સતીશ સાલિયાન પર રાજકીય હેતુ અને અંગત અદાવતના આક્ષેપ લગાવવામાં આવ્યા હતા. આ બધું તેમની દીકરીના મોત સાથે જોડાયેલી કાર્યવાહી અને સીબીઆઈ તપાસના સંદર્ભમાં કહેવામાં આવ્યું હતું. નોટિસમાં નુકસાની અને વળતર તરીકે 500 કરોડ રૂપિયા માગવામાં આવ્યા છે.</div><h3 style="text-align: justify;"><b>ઘરની બહાર નોટિસ પહોંચાડી</b></h3><div style="text-align: justify;">નોટિસ આપવા માટે વકીલ નિલેશ ઓઝા આદિત્ય ઠાકરેના ઘરની બહાર પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે તેમના એક જુનિયર વકીલ તે જ સમયે નોટિસ આપી રહ્યા હતા. નોટિસમાં માફી અને 500 કરોડ રૂપિયાના ડિમાન્ડ ડ્રાફ્ટની માગ છે. ઓઝાએ કહ્યું કે બંધારણમાં બધા સરખા છે. તેમના જણાવ્યા મુજબ તેમને વકીલાત ન કરવા દેવાની ધમકી આપવામાં આવી હતી, તેથી તેઓ સીધા દરવાજે નોટિસ આપવા આવ્યા હતા. તેમણે કહ્યું કે જેટલા મન ફાવે તેટલા ગુંડા બોલાવી લે, જે કરવું હોય તે કરી લે.</div><h4 style="text-align: justify;"><b>સતીશ સાલિયાનનો આકરો સવાલ</b></h4><div style="text-align: justify;">સતીશ સાલિયાને આદિત્યની કમેન્ટ પર કહ્યું હતું કે તેઓ રાજકીય વ્યક્તિ નથી અને તેમની દીકરી પણ રાજકારણમાં નહોતી. તેમણે સવાલ કર્યો કે શું બળાત્કાર અને હત્યા કરનારાઓએ નેતાઓને પૂછીને આવું કર્યું હતું? સીબીઆઈએ માનપૂર્વક વાત કરી અને કોઈ હેરાનગતિ કરી નથી. પરિવાર સાથે 4 કલાક પૂછપરછ થઈ, જે સારી રીતે પતી ગઈ. તેમણે સ્વીકાર્યું કે આગળ હજુ વધુ મુશ્કેલીઓ આવશે. બીજી તરફ આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું કે તેઓ દિશાને ક્યારેય મળ્યા નથી અને પુરાવા વગર તેમના નામનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે.&nbsp;</div><h5 style="text-align: justify;"><b>દિશા સાલિયાન મોત કેસ</b></h5><div style="text-align: justify;">દિશા 28 વર્ષની હતી અને સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર હતી. 8 જૂન 2020 ના રોજ મલાડની બિલ્ડિંગ પરથી પડી જવાથી તેનું મોત થયું હતું. પોલીસે તેને આત્મહત્યા ગણાવી હતી. 2 સપ્ટેમ્બરે હાઈકોર્ટે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો. સીબીઆઈએ કોઈ પણ આરોપીનું નામ લીધા વગર કેસ દાખલ કર્યો છે.</div><div style="text-align: justify;"><a href="https://sandesh.com/entertainment/news/kbc-18-kapila-taneja-story-amitabh-bachchan-emotional" target="_blank">આ પણ વાંચો-Big B : 'મને કેરોસીન છાંટી સળગાવી...' KBC 18ના મંચ પર મહિલાનું દર્દ છલકાતાં ભાવુક થયા બિગ બી, આપ્યું મોટું નિવેદન</a></div> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/w033t41ZJzGTwMYv0tzpU4DU381NYHhKeQ41xmCi.webp'/></item><item><title><![CDATA[Disha Salian કેસમાં આદિત્ય ઠાકરેને 500 કરોડની માનહાનિ નોટિસ ]]></title><link>https://sandesh.com/india/breakingnews/entertainment/disha-salian-aaditya-thackeray-500-crore-notice</link><guid isPermaLink="true">https://sandesh.com/india/breakingnews/entertainment/disha-salian-aaditya-thackeray-500-crore-notice</guid><pubDate>Sun, 20 Sep 2026 01:13:32 +05:30</pubDate><description><![CDATA[<div style="text-align: justify;">દિશા સાલિયાનના પિતા સતીશ સાલિયાને આદિત્ય ઠાકરેને 500 કરોડ રૂપિયાની બદનક્ષીની નોટિસ મોકલી છે. નોટિસમાં 16 સપ્ટેમ્બર 2026 ના રોજ એક્સ પર મૂકવામાં આવેલી અંગ્રેજી અને મરાઠી પોસ્ટને ખોટી અને બદનક્ષીભરી ગણાવી છે. આરોપ છે કે તેમાં સતીશ પર રાજકીય સ્વાર્થ અને અંગત દુશ્મનાવટના આક્ષેપો કરવામાં આવ્યા હતા. વકીલ નિલેશ ઓઝાએ આદિત્યના ઘરની બહાર નોટિસ પહોંચાડી હતી અને માફી તેમજ 500 કરોડ રૂપિયાના ડિમાન્ડ ડ્રાફ્ટની માગણી કરી હતી.</div><h2 style="text-align: justify;"><b>દિશા કેસમાં કાયદાકીય જંગ</b></h2><div style="text-align: justify;">દિશા સાલિયાન મોતના કેસમાં હવે કાયદાકીય લડાઈ તેજ થઈ ગઈ છે. દિશાના પિતા સતીશ સાલિયાને શિવસેના યુબીટી નેતા આદિત્ય ઠાકરેને 500 કરોડ રૂપિયાની બદનક્ષીની નોટિસ મોકલી છે. નોટિસમાં માફી અને વળતરની માગ કરવામાં આવી છે. વકીલ નિલેશ ઓઝાએ કહ્યું કે ધમકીઓ આપવાથી કાયદાની લડાઈ અટકશે નહીં. આ પહેલાં સતીશે કહ્યું હતું કે તેઓ કોઈ રાજકીય વ્યક્તિ નથી અને સીબીઆઈએ યોગ્ય રીતે તપાસ કરી છે. ઉદ્ધવ ઠાકરેએ પણ કાયદાકીય પગલાં લેવાની ચેતવણી આપી હતી.</div><h3 style="text-align: justify;"><b>સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ</b></h3><div style="text-align: justify;">નોટિસ પ્રમાણે આદિત્ય ઠાકરેએ 16 સપ્ટેમ્બર 2026 ના રોજ પોતાના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર અંગ્રેજી અને મરાઠીમાં ખોટી, ખરાબ ઈરાદાવાળી અને બદનક્ષી કરતી પોસ્ટ મૂકી હતી. આરોપ છે કે તેમાં સતીશ સાલિયાન પર રાજકીય હેતુ અને અંગત અદાવતના આક્ષેપ લગાવવામાં આવ્યા હતા. આ બધું તેમની દીકરીના મોત સાથે જોડાયેલી કાર્યવાહી અને સીબીઆઈ તપાસના સંદર્ભમાં કહેવામાં આવ્યું હતું. નોટિસમાં નુકસાની અને વળતર તરીકે 500 કરોડ રૂપિયા માગવામાં આવ્યા છે.</div><h3 style="text-align: justify;"><b>ઘરની બહાર નોટિસ પહોંચાડી</b></h3><div style="text-align: justify;">નોટિસ આપવા માટે વકીલ નિલેશ ઓઝા આદિત્ય ઠાકરેના ઘરની બહાર પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે તેમના એક જુનિયર વકીલ તે જ સમયે નોટિસ આપી રહ્યા હતા. નોટિસમાં માફી અને 500 કરોડ રૂપિયાના ડિમાન્ડ ડ્રાફ્ટની માગ છે. ઓઝાએ કહ્યું કે બંધારણમાં બધા સરખા છે. તેમના જણાવ્યા મુજબ તેમને વકીલાત ન કરવા દેવાની ધમકી આપવામાં આવી હતી, તેથી તેઓ સીધા દરવાજે નોટિસ આપવા આવ્યા હતા. તેમણે કહ્યું કે જેટલા મન ફાવે તેટલા ગુંડા બોલાવી લે, જે કરવું હોય તે કરી લે.</div><h4 style="text-align: justify;"><b>સતીશ સાલિયાનનો આકરો સવાલ</b></h4><div style="text-align: justify;">સતીશ સાલિયાને આદિત્યની કમેન્ટ પર કહ્યું હતું કે તેઓ રાજકીય વ્યક્તિ નથી અને તેમની દીકરી પણ રાજકારણમાં નહોતી. તેમણે સવાલ કર્યો કે શું બળાત્કાર અને હત્યા કરનારાઓએ નેતાઓને પૂછીને આવું કર્યું હતું? સીબીઆઈએ માનપૂર્વક વાત કરી અને કોઈ હેરાનગતિ કરી નથી. પરિવાર સાથે 4 કલાક પૂછપરછ થઈ, જે સારી રીતે પતી ગઈ. તેમણે સ્વીકાર્યું કે આગળ હજુ વધુ મુશ્કેલીઓ આવશે. બીજી તરફ આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું કે તેઓ દિશાને ક્યારેય મળ્યા નથી અને પુરાવા વગર તેમના નામનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે.&nbsp;</div><h5 style="text-align: justify;"><b>દિશા સાલિયાન મોત કેસ</b></h5><div style="text-align: justify;">દિશા 28 વર્ષની હતી અને સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર હતી. 8 જૂન 2020 ના રોજ મલાડની બિલ્ડિંગ પરથી પડી જવાથી તેનું મોત થયું હતું. પોલીસે તેને આત્મહત્યા ગણાવી હતી. 2 સપ્ટેમ્બરે હાઈકોર્ટે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો. સીબીઆઈએ કોઈ પણ આરોપીનું નામ લીધા વગર કેસ દાખલ કર્યો છે.</div><div style="text-align: justify;"><a href="https://sandesh.com/entertainment/news/kbc-18-kapila-taneja-story-amitabh-bachchan-emotional" target="_blank">આ પણ વાંચો-Big B : 'મને કેરોસીન છાંટી સળગાવી...' KBC 18ના મંચ પર મહિલાનું દર્દ છલકાતાં ભાવુક થયા બિગ બી, આપ્યું મોટું નિવેદન</a></div> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/w033t41ZJzGTwMYv0tzpU4DU381NYHhKeQ41xmCi.webp'/></item><item><title><![CDATA[Asian Games 2026: PM મોદીએ ભારતીય ખેલાડીઓને પાઠવી શુભેચ્છા, કહ્યું- દરેક ભારતીય એથ્લેટ પર ગર્વ છે ]]></title><link>https://sandesh.com/sports/news/asian-games-2026-pm-modi-congratulates-indian-athletes-says-proud-of-every-indian-athlete</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/asian-games-2026-pm-modi-congratulates-indian-athletes-says-proud-of-every-indian-athlete</guid><pubDate>Sat, 19 Sep 2026 23:45:32 +05:30</pubDate><description><![CDATA[<p>Asian Games 2026: નાગોયાના મિઝુહો પાર્ક એથ્લેટિક સ્ટેડિયમમાં શનિવારે એશિયન ગેમ્સ 2026ની શરૂઆત ભવ્ય ઉદ્ઘાટન સમારોહ સાથે થઈ. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય દળને શુભકામનાઓ આપતા તેમની પાસેથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની આશા વ્યક્ત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે સારું રમો અને દેશનું નામ રોશન કરો.</p><p><b>પીએમ મોદીએ આપી શુભકામનાઓ</b></p><p>વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, 'આઇચી-નાગોયામાં એશિયન ગેમ્સની શરૂઆત સાથે જ, હું ભારતીય દળને મારી શુભકામનાઓ આપું છું. દરેક ખેલાડીએ ખૂબ મહેનત કરી છે અને અદ્ભુત લગન તથા દૃઢ સંકલ્પ દર્શાવ્યો છે. ભારતને તેમના પર ગર્વ છે. તેઓ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે, સારું રમે અને શાનદાર સફળતા મેળવે.'</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/narendramodi/status/2101293318315630710"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b>મનુ ભાકર અને પવન સેહરાવતે લહેરાવ્યો તિરંગો</b></p><p>ઉદ્ઘાટન સમારોહમાં ઓલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકર અને કબડ્ડી સ્ટાર પવન સેહરાવતે ભારતીય દળની આગેવાની કરી. આ એશિયાની સૌથી મોટી રમત સ્પર્ધા છે, જે દર ચાર વર્ષે એક વખત યોજાય છે. તેનું આયોજન ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા (OCA) દ્વારા કરવામાં આવે છે, જેમાં 45 દેશો ભાગ લે છે.</p><p><b>એશિયન ગેમ્સનું 20મું સંસ્કરણ</b></p><p>એશિયન ગેમ્સ પહેલીવાર વર્ષ 1951માં નવી દિલ્હીમાં યોજાઈ હતી, જેમાં 11 દેશોના 489 એથ્લેટ્સે ભાગ લીધો હતો. ત્યારથી અત્યાર સુધી આ રમતો કુલ 19 વખત યોજાઈ ચૂકી છે. એશિયન ગેમ્સ 2026માં 45 દેશો અને વિસ્તારોના એથ્લેટ્સ 43 રમતોમાં સ્પર્ધા કરશે. આ રમતોનું આ 20મું સંસ્કરણ હશે. ટોક્યો 1958 અને હિરોશિમા 1994 બાદ ત્રીજી વખત જાપાન આ મહાદ્વીપીય સ્પર્ધાની યજમાની કરશે.</p><p><b>ભારતે 2023માં રચ્યો હતો ઈતિહાસ</b></p><p>ભારતે એશિયન ગેમ્સ 2023માં ઐતિહાસિક પ્રદર્શન કરતા 107 મેડલ પોતાના નામે કર્યા હતા, જેમાં 28 ગોલ્ડ મેડલ સામેલ હતા. ભારતીય દળ આ વખતે પોતાના પ્રદર્શનમાં વધુ સુધારો કરવા માંગશે. ભારત પુરુષ અને મહિલા ક્રિકેટ તથા કબડ્ડી બંનેમાં વર્તમાન ચેમ્પિયન છે. જ્યારે પુરુષ હોકી ટીમ પણ વર્તમાન ચેમ્પિયન તરીકે આ સ્પર્ધામાં ભાગ લઈ રહી છે.</p><p><b><a href="https://sandesh.com/sports/news/asian-games-2026-opening-ceremony-india" target="_blank">આ પણ વાંચો: જાપાનના આઇચી-નાગોયામાં ભવ્ય ઓપનિંગ સેરેમની, ભારતની ભવ્ય એન્ટ્રી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/LoA6KtoIKxzMIUHlX0ZYsjGc9OOShWjQBEZs5Dwi.webp'/></item><item><title><![CDATA[Bihar Flood: બિહારમાં પૂરનો કહેર, CM સમ્રાટ ચૌધરીએ રાહત ફંડમાં આપ્યો એક મહિનાનો પગાર ]]></title><link>https://sandesh.com/india/news/bihar-flood-flood-havoc-in-bihar-cm-samrat-chaudhary-donated-one-months-salary-to-the-relief-fund</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/bihar-flood-flood-havoc-in-bihar-cm-samrat-chaudhary-donated-one-months-salary-to-the-relief-fund</guid><pubDate>Sat, 19 Sep 2026 22:56:14 +05:30</pubDate><description><![CDATA[<p>Bihar Flood: બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ પોતાના લગભગ એક મહિનાનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં આપી દીધો છે. સીએમએ મુખ્યમંત્રી રાહત ફંડમાં 2 લાખ 70 હજાર રૂપિયાનું દાન કર્યું. તેમણે લોક સેવક આવાસ સ્થિત ‘સંકલ્પ સભાગાર’માં ચેક સોંપ્યો.  સીએમ સમ્રાટ ચૌધરીએ રાજ્યના લોકોને પણ મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન કરવાની અપીલ કરી, જેથી આપત્તિની સ્થિતિમાં અસરગ્રસ્ત લોકો સુધી મદદ પહોંચાડી શકાય. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી રાહત ફંડ જરૂરિયાતમંદોની મદદનું એક મહત્વપૂર્ણ સાધન છે. સમાજના સક્ષમ લોકોની ભાગીદારીથી રાહત અને મદદના પ્રયાસોને વધુ અસરકારક બનાવી શકાય છે.</p><p><b>નિતિન નવીને પણ આપ્યું દાન</b></p><p>આ પહેલાં શુક્રવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીને બિહારમાં આવેલી ભીષણ પૂર પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી, કેન્દ્ર દ્વારા આપવામાં આવેલા સમર્થન અને પોતાના વ્યક્તિગત યોગદાન વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે અસરગ્રસ્ત પરિવારોને આર્થિક મદદ, રાહત શિબિરો અને પાકના નુકસાનના આકલન દ્વારા શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે. આ સંકટ દરમિયાન સમગ્ર સરકાર જનતા સાથે મજબૂતીથી ઊભી છે.</p><p><b>બિહારમાં પૂર પર સતત નજર</b></p><p>નિતિન નવીને કહ્યું કે બિહારમાં પૂર જેવી સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. સરકાર અસરગ્રસ્ત લોકો સુધી સમયસર રાહત અને જરૂરી મદદ પહોંચાડવા માટે સંપૂર્ણ તૈયારી સાથે કામ કરી રહી છે. એક નિવેદન અનુસાર, સંકટની આ ઘડીમાં પોતાની જવાબદારી નિભાવતા નિતિન નવીને રાજ્યસભા Bihar Flood: સાંસદ તરીકે પોતાના ત્રણ મહિનાના પગાર જેટલા 6,35,000 રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન કર્યા છે. નિતિન નવીને એ પણ જણાવ્યું કે રાજ્ય સરકાર પૂરથી અસરગ્રસ્ત પરિવારોને 7,000 રૂપિયા પ્રતિ પરિવારના દરે 550 કરોડ રૂપિયાથી વધુની આર્થિક સહાય આપી ચૂકી છે.</p><p><b>NDRF અને SDRFની ટીમો તૈનાત</b></p><p>ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે જણાવ્યું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત શિબિરો, સામુદાયિક રસોડા, તબીબી સુવિધાઓ અને પશુઓ માટે ઘાસચારાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ટીમો બચાવ કામગીરી માટે સંપૂર્ણ તૈયારી સાથે તૈનાત છે. જ્યારે પાકને થયેલા નુકસાનનું આકલન કરવા અને ખેડૂતોને જરૂરી મદદ આપવાની પ્રક્રિયા પણ ચાલુ છે.</p><p><b>કેન્દ્ર સરકારની મદદનો ઉલ્લેખ</b></p><p>કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી મદદનો ઉલ્લેખ કરતા નિતિન નવીને જણાવ્યું કે કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે પીડિતોને મળીને રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. બાદમાં તેમણે આશ્વાસન આપ્યું હતું કે તેઓ બિહારના તમામ પૂરથી અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે.</p><p><b>બિહારના 15 જિલ્લા પૂરથી અસરગ્રસ્ત</b></p><p>આપદા વ્યવસ્થાપન વિભાગ અનુસાર, બિહારના 15 જિલ્લાઓમાં પૂરથી 49.67 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. આ અસરગ્રસ્ત જિલ્લાઓમાં પટના, ભોજપુર, સારણ, વૈશાલી, ભાગલપુર, બેગુસરાય, બક્સર, સમસ્તીપુર, મુંગેર, કટિહાર, લખીસરાય, ખગડિયા, પૂર્ણિયા, મધેપુરા અને અરરિયા સામેલ છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/bihar-flood-peoples-anger-erupted-due-to-lack-of-relief-go-back-slogans-surrounded-the-minister-mla" target="_blank">આ પણ વાંચો: રાહત ન મળતાં લોકોનો રોષ ફાટ્યો, મંત્રી-ધારાસભ્યને ઘેરી લગાવ્યા ‘Go Back’ના નારા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/uZMqbJBHvhe74Hc55i1XkK7lpCvKdJ6aga43dXml.webp'/></item><item><title><![CDATA[World's Billionaires List: 18 વર્ષ સુધી નંબર-1 અમીર રહ્યા બિલ ગેટ્સ, જાણો બિલ ગેટ્સની સંપત્તિ ]]></title><link>https://sandesh.com/business/news/world-richest-person-longest-time-bill-gates-record</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/world-richest-person-longest-time-bill-gates-record</guid><pubDate>Sat, 19 Sep 2026 19:14:39 +05:30</pubDate><description><![CDATA[<p>world richest person: ટેસ્લા અને સ્પેસએક્સ સહિત ઘણી કંપનીઓ ચલાવી રહેલા એલન મસ્ક દુનિયાના અમીરોની યાદીમાં પહેલા નંબર પર યથાવત છે. દૂર-દૂર સુધી કોઈ તેમની ટક્કરમાં નથી. ફોર્બ્સની રિયલ ટાઇમ બિલિયોનેર લિસ્ટ મુજબ મસ્કની નેટવર્થ 946.5 અબજ ડોલર છે. આ જ વર્ષે તેમને દુનિયાના પહેલા ટ્રિલિયોનેર બનવાની તક પણ મળી હતી. શું તમે જાણો છો કે દુનિયામાં સૌથી લાંબા સમય સુધી નંબર 1 અમીરની ખુરશી પર રહેવાનો રેકોર્ડ કોના નામે છે?</p><p><b>બિલ ગેટ્સના નામે રેકોર્ડ</b></p><p>1995માં બિલ ગેટ્સ પહેલીવાર ફોર્બ્સની વિશ્વના અબજોપતિઓની યાદીમાં નંબર-1 પર પહોંચ્યા હતા. જોકે, તેમના પહેલાં આ સ્થાન પર જાપાનના યોશિયાકી સુત્સુમીનું નામ હતું. તેઓ 1987થી 1990 સુધી વિશ્વના સૌથી અમીર વ્યક્તિ રહ્યા હતા. ત્યારબાદ 1991 અને 1992માં જાપાનના તાઇકિચિરો મોરી વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બન્યા હતા. 1993માં યોશિયાકી સુત્સુમી ફરી નંબર-1 પર આવ્યા અને 1994માં પણ આ સ્થાન જાળવી રાખ્યું. ત્યારબાદ 1995માં બિલ ગેટ્સે પ્રથમ વખત વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બનવાનું ગૌરવ મેળવ્યું હતું.</p><p><b>બિલ ગેટ્સનું વર્ચસ્વ</b></p><p>બિલ ગેટ્સ 1995થી 2007 સુધી દુનિયાના સૌથી મોટા અમીર રહ્યા. 2008માં વૉરેન બફેટે તેમને પાછળ છોડી દીધા, પરંતુ 2009માં ગેટ્સે ફરી વાપસી કરી. 2010માં મેક્સિકોના કાર્લોસ સ્લિમ એન્ડ ફેમિલીએ આ સીટ પર કબજો કર્યો અને 2013 સુધી રહ્યા. 2014માં બિલ ગેટ્સે ફરી વાપસી કરી અને 2017 સુધી આ સીટ પોતાની પાસે રાખી.</p><p><b>જેફ બેઝોસે ગેટ્સને પાછળ છોડ્યા</b></p><p>2018માં એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસે ગેટ્સને પાછળ છોડીને દુનિયાના સૌથી મોટા અમીરની ખુરશી પર કબજો કરી લીધો. તેઓ 2021 સુધી દુનિયાના નંબર 1 અમીર રહ્યા. 2022માં એલન મસ્કે તેમની ખુરશી છીનવી લીધી. પરંતુ ત્યાર પછીના વર્ષે એટલે કે 2023માં ફ્રેન્ચ બિઝનેસમેન બર્નાર્ડ આરનૉલ્ટ એન્ડ ફેમિલી આગળ નીકળી ગઈ. 2024માં પણ તેમણે પોતાની બાદશાહત જાળવી રાખી. છેલ્લા બે વર્ષથી મસ્ક આ ગાદી પર બિરાજમાન છે.</p><p><b>અત્યારે શું છે પોઝિશન?</b></p><p>18 વર્ષ સુધી દુનિયાના સૌથી મોટા અમીર રહેલા બિલ ગેટ્સની નેટવર્થ આજે 114.3 અબજ ડોલર છે અને તેઓ દુનિયાના અમીરોની યાદીમાં 18મા નંબર પર ખસી ગયા છે. બેઝોસ 373.1 અબજ ડોલર સાથે બીજા, વૉરેન બફે 144.6 અબજ ડોલર સાથે 10મા, આરનૉલ્ટ એન્ડ ફેમિલી 125.2 અબજ ડોલર સાથે 14મા અને કાર્લોસ સ્લિમ 119.1 અબજ ડોલર સાથે 15મા નંબર પર છે.</p><p><b><a href="https://sandesh.com/world/news/business/elon-musk-net-worth-drop-spacex-share-crash-tesla-results-impact" target="_blank">આ પણ વાંચો: સ્પેસએક્સના શેર ક્રેશ અને ટેસ્લાના નબળા પરિણામોની મોટી અસર, મસ્કની સંપત્તિ થઈ ગઈ અડધી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/wYQnMT7gLxpnUgfGlFV4BuUx8IfGcfPz6RVXTunn.webp'/></item></channel></rss>