<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Banaskantha: શિહોરી-દિયોદર બિસ્માર માર્ગનું સમારકામ શરૂ થતા લોકોને રાહત ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/banaskantha/banaskantha-relief-for-people-as-repairs-of-shihori-deodar-bismar-road-begin</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/banaskantha/banaskantha-relief-for-people-as-repairs-of-shihori-deodar-bismar-road-begin</guid><pubDate>Thu, 27 Aug 2026 05:08:56 +05:30</pubDate><description><![CDATA[<p>xબનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં શિહોરી-દિયોદર રોડ પર આકોલી નજીક પડેલા ખાડાઓની મરામત કામગીરી શરૂ કરવામાં આવી છે. માર્ગની ખરાબ સ્થિતિ અંગે વાહન ચાલકોની રજૂઆત બાદ સ્ટેટ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે ખાડાઓ પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.&nbsp;</p><p>શિહોરી-દિયોદર મુખ્ય માર્ગ પર આકોલી નજીક પાકા રોડ ઉપરના મોટા ખાડાઓ પડી જતાં વાહનચાલકોને અવરજવર દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને રાત્રિના સમયે ખાડાઓ સ્પષ્ટ દેખાતા ન હોવાથી અકસ્માતની ભીતિ પણ વધી હતી. આ અંગે સ્થાનિક લોકો અને વાહનચાલકો દ્વારા માર્ગની તાત્કાલિક મરામત કરવાની માંગ કરવામાં આવી હતી. હવે તંત્ર દ્વારા ખાડાઓની મરામત કામગીરી શરૂ થતાં વાહનચાલકોને રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. માર્ગની મરામત પૂર્ણ થયા બાદ વાહનચાલકોની મુશ્કેલી ઘટવાની સાથે અકસ્માતનું જોખમ પણ ઓછું થશે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/8dd8tNDiI22BH0l5KA7LVg6UTO6GjPdtacfRmqho.webp'/></item><item><title><![CDATA[Disa: ડીસા રેલ્વે સ્ટેશન પર કલાર્ક રૂ.500 ની લાંચ લેતા ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/disa/disa-clerk-caught-taking-bribe-of-rs-500-at-disa-railway-station</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/disa/disa-clerk-caught-taking-bribe-of-rs-500-at-disa-railway-station</guid><pubDate>Thu, 27 Aug 2026 05:01:21 +05:30</pubDate><description><![CDATA[<p>બનાસકાંઠા જિલ્લાના ડીસા રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાં રિઝર્વેશન કરાવવા માટે લાંચ માગતા લાંચિયા કલાર્કને એસીબી એ ઝડપી પાડયો હતો. જેમાં એક ટ્રેન યાત્રિકને દિલ્લી જવાની તત્કાલ ટિકિટનું રિઝર્વેશન કરવા માટે રેલ્વેમાં ચીફ બુકિંગ કલાર્ક તરીકે ફરજ બજાવતા રેલ્વે કર્મીએ રૂ.500 ની લાંચ માંગતા યાત્રીએ એસીબીનો સંપર્ક કરતા પાલનપુર લાંચ રૂશ્વત વિભાગની ટીમે ડીસા રેલ્વે સ્ટેશન પર બુકિંગ ઓફિસમાં છટકું ગોઠવીને આરોપીને લાંચની રકમ સ્વીકારતા ઝડપી પાડવામાં આવ્યો હતો. ડીસાના રેલ્વે સ્ટેશન પર બુકિંગ ઓફિસમાં એક મુસાફર દિલ્લી જવાની તત્કાલ ટિકિટનું રિઝર્વેશન કરાવવા જતા અહીં ફરજ બજાવતા ચીફ બુકિંગ કલાર્ક તરીકે વર્ગ-3 ના કર્મચારી સુરેશ રામુજી સોલંકીએ આ મુસાફર પાસે તત્કાલ રિઝર્વેશન કરવાની અવેજ પેટે રૂ.500 ની લાંચ માંગી હતી જોકે આ મુસાફર લાંચની રકમ આપવા માંગતો ન હોય તેને એસીબીના ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરતા પાલનપુર એસીબી પીઆઈ એલ.એસ.ચૌધરીએ તેમની ટીમ સાથે ડીસા રેલ્વે સ્ટેશન પર બુકિંગ ઓફિસમાં છટકું ગોઠવ્યું હતું જેમાં આરોપી ચીફ બુકિંગ કલાર્ક સુરેશ સોલંકી ફરિયાદી પાસેથી રૂ.500 ની લાંચ સ્વીકારતા તેને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેની વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ હતી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/uqqpiR0BX3uoFwHmm1UiBAOh0qQJQ8hvQucT6KsY.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: વાંચ ગામથી ડાકોર હાઇવે તરફ્ જતા માર્ગના નવિનીકરણનો ખર્ચ પાણીમાં ! ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-the-cost-of-renovating-the-road-from-vanch-village-to-dakor-highway-is-in-the-water</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-the-cost-of-renovating-the-road-from-vanch-village-to-dakor-highway-is-in-the-water</guid><pubDate>Thu, 27 Aug 2026 04:29:09 +05:30</pubDate><description><![CDATA[<p>દસ્ક્રોઈ તાલુકાના વાંચ ગામથી અમદાવાદ-ડાકોર હાઇવે તરફ્ જતા માર્ગનું કરોડો રૂપિયાના ખર્ચે નવિનીકરણ કરાયા બાદ માત્ર બે મહિનામાં જ રસ્તો તૂટવા લાગતા કામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. અગાઉ રસ્તાની બદહાલી અંગે અખબારમાં અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ માર્ગ અને મકાન વિભાગે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી રસ્તો બનાવ્યો હતો. હવે ટૂંકા ગાળામાં રોડની હાલત બગડતા સ્થાનિકોએ તપાસની માંગ કરી છે.</p><p>સ્થાનિકોના જણાવ્યા મુજબ, વર્ષોથી બિસમાર હાલતમાં રહેલા આ માર્ગ માટે માર્ગ અને મકાન પંચાયત વિભાગ, અમદાવાદ દ્વારા ટેન્ડર પ્રક્રિયા બાદ અંદાજે એક કરોડથી વધુના ખર્ચે નવી કામગીરી કરવામાં આવી હતી. જોકે રોડ બન્યાને હજુ માત્ર બે મહિના જેટલો સમય થયો છે ત્યાં જ અનેક સ્થળે રોડનું ધોવાણ અને તિરાડો દેખાવા લાગી છે. જેના કારણે કરોડોનો ખર્ચ ખરેખર રોડના ટકાઉ કામ પાછળ થયો કે માત્ર કાગળ પર જ ગુણવત્તા જાળવાઈ, તેવો સવાલ ઉઠી રહ્યો છે. વધુમાં કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તા પર સ્પીડબ્રેકરના જરૂરી સાઇન બોર્ડ પણ લગાવવામાં આવ્યા નથી. રાત્રિના સમયે અજાણ્યા વાહનચાલકો સ્પીડબ્રેકર પરથી પસાર થતાં અકસ્માતનો ભય રહે છે. થોડા દિવસ પહેલાં રાત્રે એક બાઇક ખેતરમાં ઉતરી જવાની ઘટના પણ બની હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ રોડની કામગીરીમાં ગંભીર ગેરરીતિ થઈ છે. હવે તંત્રએ માત્ર દેખાવ પૂરતી તપાસ નહીં, પરંતુ ટેન્ડર, એસ્ટિમેટ, વપરાયેલું મટિરિયલ, બિલ ચુકવણી અને ગુણવત્તા ચકાસણીના રેકોર્ડની તપાસ કરી જવાબદારી નક્કી કરવી જરૂરી છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/J67vayZ2Jl6AYLEd8yUcWiaeXo9lUqnu0KTMGzzt.webp'/></item><item><title><![CDATA[Bavla: નાનોદરા ગામે બાયફ્ સંસ્થાનો 60મો સ્થાપના દિવસ ઉજવાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/bavla-60th-foundation-day-of-baif-organization-celebrated-in-nanodara-village-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/bavla-60th-foundation-day-of-baif-organization-celebrated-in-nanodara-village-1</guid><pubDate>Thu, 27 Aug 2026 04:24:46 +05:30</pubDate><description><![CDATA[<p>બાવળા તાલુકાના નાનોદરા ગામ ખાતે આવેલા બાયફ્ જાબુડી ફાર્મ ખાતે બાયફ્ સંસ્થાનો 60મો સ્થાપના દિવસ ઉજવાયો હતો. કાર્યક્રમમાં બાયફ્ સંસ્થાના જોઈન્ટ રિજનલ ડાયરેક્ટર તથા ગુજરાત રાજ્યના હેડ જયંતીભાઈ મોરી, તાતા મોટર્સ CSRના હેડ સંપાબેન, મારુતિ સુઝુકી મોટર્સના CSR હેડ વિવેકભાઈ, ધરતી ચેરિટેબલ ટ્રસ્ટ બાવળાના પ્રમુખ કાંતિભાઈ મકવાણા તેમજ નાનોદરાના ખેડૂત આગેવાન બાબુભાઈ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બાયફ્ સંસ્થાના મુખ્ય ડો. મણિભાઈ દેસાઈએ સંસ્થાની 60 વર્ષની સફર અને દેશના 18 રાજ્યોમાં ગ્રામ વિકાસ, પશુપાલન, ખેતી તથા ગ્રામજનોની આજીવિકા વધારવા માટે કરવામાં આવતી કામગીરીની માહિતી આપી હતી. વિવિધ વિસ્તારોમાં કાર્યરત બાયફ્ના આશરે 200 સ્ટાફ્ સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. શ્રોષ્ઠ કામગીરી કરનાર સ્ટાફ્ને પ્રમાણપત્ર અને પુરસ્કાર એનાયત કરાયા હતા. બાદમાં બાંસી ગૌશાળાની મુલાકાત લઈ કામગીરીની માહિતી મેળવવામાં આવી હતી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/PqK9FiWPnBpI8lgYYjRHvABNpFD9TeBxEJjS8CZW.webp'/></item><item><title><![CDATA[Vadodara: અમાસ, શ્રાવણ-અધિક મહિનાના સોમવારે ભસ્મ આરતીનો દોર જારી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-the-series-of-bhasma-aarti-continues-on-mondays-of-amavasya-shravan-and-adhik-months</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-the-series-of-bhasma-aarti-continues-on-mondays-of-amavasya-shravan-and-adhik-months</guid><pubDate>Thu, 27 Aug 2026 00:41:34 +05:30</pubDate><description><![CDATA[<p>શહેરના સરસિયા તળાવ સામે ગાયકવાડી શાસનકાળના સૈકાઓ જુના શ્રી યમનેશ્વર(શ્રીયમુનેશ્વર)મહાદેવમાં પવિત્ર શ્રાવણ-અધિક મહિનાના સોમવાર સહિત દર અમાસે વહેલી સવારે ભસ્મ આરતી કરાય છે.</p><p>શહેરના પૂર્વ વિસ્તારના સરસિયા તળાવ સામે સૈકાઓ જૂના શ્રીયમનેશ્વર મહાદેવમાં સદીઓ પૂર્વે સાધુ-સંતો, શિવ આરાધકો જપ-તપ કરતા હતા. ગાયકવાડી શાસનકાળના શિવધામોની શ્રુંખલાના યમનેશ્વર મહાદેવ મંદિરમાં નિત્ય પૂજા-અર્ચન-ભક્તિનો દોર જારી રહે છે. લોકવાયકા એવી છે કે સૈકાઓ પૂર્વે નાગરશૈલી-રજવાડી ડિઝાઇનના પથ્થરો થકી કલાત્મક શિવાલય બનાવાયું હતું. શિવભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન શિવાલયમાં પ્રત્યેક અમાસે, પવિત્ર શ્રાવણ-અધિક મહિનાના સોમવારે સવારે 6 કલાકે ભસ્મ આરતી કરાય છે. બિલ્વ-વડ-પીપળો અને તુલસીની સૂકી ડાળખી સહિત પવિત્ર દ્રવ્યોનો ઉપયોગ કરી સાત્વિક ભસ્મ તૈયાર કરાય છે. સન 2013થી શ્રી દશા મોઢ માંડલિયા વણિક જ્ઞાતિ(જગમાલની પોળ-માંડવી)દ્વારા મંદિરનો વહીવટ સંભાળવામાં આવે છે. શિવભક્તોએ એવી લાગણી વ્યક્ત કરી હતી કે યમનેશ્વર મહાદેવના દર્શન થકી માનવોને નવી ઉર્જા પ્રાપ્ત થાય છે. સૈકાઓ જૂના શિવાલયના ગર્ભગૃહમાં ભિંતચિત્રો ઐતિહાસિક વિરાસતના સાક્ષી છે. ખાસ કરીને નંદીના શિંગડા પર સુવર્ણ-પંચધાતુનો નયનરમ્ય ઢોળ ચઢાવેલો છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/Ww44uC6N8wrOcLqSWi0SBpKRguO5gvlqnjtbn8Hs.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: અસંભાઉઉઉ’ની ટીમે પેટ પેરેન્ટ્સ સાથે ઉજવ્યો આંતરરાષ્ટ્રીય ડોગ ડે ]]></title><link>https://sandesh.com/gujarat/news/entertainment/ahmedabad/asambhauuuu-rsquo--team-celebrates-international-dog-day-with-pet-parents</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/entertainment/ahmedabad/asambhauuuu-rsquo--team-celebrates-international-dog-day-with-pet-parents</guid><pubDate>Wed, 26 Aug 2026 23:03:28 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આંતરરાષ્ટ્રીય ડોગ ડે નિમિત્તે આજે ગોટીલો ગાર્ડન ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ફિલ્મના કલાકારો રૌનક કામદાર, મિત્ર ગઢવી, તત્સત મુનશી અને શિવાની ભારદ્વાજ ઉપસ્થિત રહ્યા હતા. ડોગ પરેડ કાર્યક્રમમાં કલાકારોએ પેટ પેરેન્ટ્સ અને તેમના શ્વાન મિત્રો સાથે મનોરંજક વાતચીત કરી અને તેમની સાથે આનંદભરી ક્ષણો વિતાવી. પોતાના પ્રિય કલાકારોને નજીકથી મળવાની અને પોતાના શ્વાન મિત્રો સાથે ખાસ દિવસની ઉજવણી કરવાની તક મળતા પેટ પેરેન્ટ્સમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો.</p><p style="text-align: justify; "><img alt="અસંભઉઉઉઉઉઉ" src="https://epapercdn.sandesh.com/images/2026/08/26/nbGYzJmYDE0usVdkUDYROrTIThSdjUfyTdqfGqmg.webp"><br></p><h2 style="text-align: justify; "><b>કાર્યક્રમમાં ‘ભાઉ ભાઉ’ ગીતની ચર્ચા</b></h2><p style="text-align: justify; ">આ પ્રસંગે ફિલ્મનું લોકપ્રિય ‘ભાઉ ભાઉ’ સોંગ પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ફિલ્મના અનોખા વિષય અને ચિન્ટુ સાથે જોડાયેલી લાગણીને દર્શાવતું આ ગીત ફિલ્મના મસ્તીભર્યા માહોલને વધુ જીવંત બનાવે છે. કાર્યક્રમમાં ‘ભાઉ ભાઉ’ ગીતની ચર્ચા અને તેની સાથે જોડાયેલી મસ્તીથી સમગ્ર વાતાવરણમાં ફિલ્મી રંગ છવાઈ ગયો હતો. ગીત ફિલ્મના માણસ અને શ્વાન વચ્ચેના ખાસ સંબંધને હળવા-ફૂલકા અને મનોરંજક અંદાજમાં રજૂ કરે છે. આ પ્રસંગે કલાકારોએ જણાવ્યું કે ‘અસંભાઉઉઉ’ માત્ર એક મનોરંજક ફિલ્મ નથી, પરંતુ મૂંગા જીવો પ્રત્યેનો પ્રેમ, લાગણી અને તેમની નિઃસ્વાર્થ વફાદારીને સમજાવતી એક સુંદર વાર્તા છે.&nbsp;</p><p style="text-align: justify; "><img alt="અસંભાઉઉઉઉ" src="https://epapercdn.sandesh.com/images/2026/08/26/glQypAopLDRHBse7ovuKMSFk8H7oBe5dqlWzwzrS.webp"><br></p><h3 style="text-align: justify; "><b>દર્શકોમાં અત્યારથી જ ઉત્સુકતા જોવા મળી રહી છે</b></h3><p style="text-align: justify; ">ફિલ્મમાં હાસ્ય અને લાગણી સાથે પરિવાર સાથે માણી શકાય તેવો સંદેશ પણ જોવા મળશે. ‘ભાઉ ભાઉ’ જેવા મજેદાર ગીતો ફિલ્મની મસ્તી અને મનોરંજનને વધુ ખાસ બનાવે છે. પાર્થ ત્રિવેદી દ્વારા લખાયેલી અને દિગ્દર્શિત આ ફિલ્મમાં મિત્ર ગઢવી, રૌનક કામદાર, શિવાની ભારદ્વાજ, તત્સત મુનશી અને ચેતન દૈયા સહિતની કલાકારોની ટીમ જોવા મળશે. હાસ્ય, લાગણી, પરિવાર અને માણસ તથા શ્વાન વચ્ચેના અનોખા સંબંધની વાત કરતી ‘અસંભાઉઉઉ’ 4 સપ્ટેમ્બર, 2026ના રોજ* સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મના અનોખા વિષય, મનોરંજક પાત્રો અને ‘ભાઉ ભાઉ’ જેવા ગીતોને લઈને દર્શકોમાં અત્યારથી જ ઉત્સુકતા જોવા મળી રહી છે.<br><img alt="અસંભાઉ" src="https://epapercdn.sandesh.com/images/2026/08/26/JSwJ0ajrZUDzEss0b62fTZpJzSuUJg53YQNKFsnw.webp"><br><br><a href="https://sandesh.com/gujarat/news/crime/surat/cyber-crime-busted-40-crore-stock-market-investment-fraud-2-arrested" target="_blank">આ પણ વાંચોઃ Surat: શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટના નામે 40.48 કરોડથી વધુની છેતરપિંડી કરતી ગેંગના 2 સાગરીતો મહારાષ્ટ્રથી ઝડપાયા</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/26/my5olQmNO1m5uBHRpDfqGUyLAIW11u2m5dXnp7zD.webp'/></item><item><title><![CDATA[Hindustan Zinc Share : સરકારે કરી મોટી સ્પષ્ટતા, રોકેટ બની ગયો શેર ]]></title><link>https://sandesh.com/business/news/hindustan-zinc-share-government-stake-sale-clarification-jefferies-target</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/hindustan-zinc-share-government-stake-sale-clarification-jefferies-target</guid><pubDate>Wed, 26 Aug 2026 22:41:59 +05:30</pubDate><description><![CDATA[<p>હિન્દુસ્તાન ઝિંકના શેરમાં 26 ઓગસ્ટે બજાર ખુલતાની સાથે જ જોરદાર તેજી જોવા મળી હતી. કંપનીના શેરમાં શરૂઆતના કારોબારમાં આશરે 5.1 ટકાનો ઉછાળો નોંધાયો અને શેર રૂ. 623 સુધી પહોંચી ગયો હતો. બાદમાં તેજી થોડી ઘટી હતી. સરકાર તરફથી કંપનીમાં પોતાની હિસ્સેદારી વેચવા અંગે હાલ કોઈ યોજના ન હોવાની સ્પષ્ટતા બાદ રોકાણકારોમાં સકારાત્મક માહોલ જોવા મળ્યો છે.</p><h2><b>અગાઉ OFSની હતી અટકળો&nbsp;</b></h2><p>DIPAMના સચિવ અરુણિશ ચાવલાએ એક દિવસ અગાઉ જણાવ્યું હતું કે સરકાર હાલ હિન્દુસ્તાન ઝિંકમાં પોતાની હિસ્સેદારી વેચવાનો વિચાર કરી રહી નથી. આ નિવેદન બાદ કંપનીના શેરમાં ખરીદીનું વલણ વધ્યું હતું. અગાઉ હિન્દુસ્તાન ઝિંકમાં સરકાર ઓફર ફોર સેલ (OFS) મારફતે હિસ્સો વેચી શકે તેવી અટકળો ચાલી રહી હતી. ખાસ કરીને હિન્દુસ્તાન કૉપરનો OFS શરૂ થયા બાદ આ ચર્ચાએ જોર પકડ્યું હતું. હાલમાં હિન્દુસ્તાન ઝિંકમાં ભારત સરકારની 27.92 ટકા હિસ્સેદારી છે, જ્યારે વેદાંતાની 60.71 ટકા ભાગીદારી છે.</p><h3><b>ચાંદીના ભાવ જુલાઈના નીચલા સ્તરથી લગભગ 23 ટકા ઉપર આવ્યા</b></h3><p>આ દરમિયાન એક વિદેશી બ્રોકરેજ ફર્મે હિન્દુસ્તાન ઝિંક માટે ‘Buy’ રેટિંગ જાળવી રાખ્યું છે અને ટાર્ગેટ પ્રાઈસ વધારીને રૂ. 750 કર્યો છે. ઝિંક અને ચાંદીના ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને બ્રોકરેજે કંપનીના EPS અંદાજમાં 10થી 11 ટકાનો વધારો કર્યો છે. ઝિંકના ભાવ જૂન ક્વાર્ટરના સરેરાશ ભાવની સરખામણીએ આશરે 15 ટકા વધ્યા છે, જ્યારે ચાંદીના ભાવ જુલાઈના નીચલા સ્તરથી લગભગ 23 ટકા ઉપર આવ્યા છે. આ ભાવવધારાથી કંપનીની કમાણીમાં સુધારાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. 26 ઓગસ્ટે ભારતીય શેરબજારમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું.&nbsp;</p><p><b><a href="https://sandesh.com/business/news/hal-safran-aravalli-helicopter-engine-imrh-dbmrh" target="_blank">આ પણ વાંચો : HAL-Safranની મોટી ડીલ, 3,500થી 4,000 SHPનું 'અરાવલ્લી' એન્જિન બનાવશે</a></b></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/26/4dKFSjeuL8XxC2zD2Q0NTy6oEqKqm1yrlymlmdHW.webp'/></item><item><title><![CDATA[India News : યુટ્યુબર અને હરિયાણવી એક્ટર અંકિત બાલિયાનની ગોળી મારીને હત્યા, યુપીના શામલીમાં જીમ બહાર હુમલો ]]></title><link>https://sandesh.com/india/news/crime/india-news-youtuber-and-haryanvi-actor-ankit-baliyan-shot-dead-attacked-outside-gym-in-shamli-up</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/crime/india-news-youtuber-and-haryanvi-actor-ankit-baliyan-shot-dead-attacked-outside-gym-in-shamli-up</guid><pubDate>Wed, 26 Aug 2026 21:52:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઉત્તર પ્રદેશના શામલીમાં બુધવારે સાંજે પ્રખ્યાત યુટ્યુબર અને હરિયાણવી કલાકાર અંકિત બાલિયાનની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. શામલી કોટવાલી વિસ્તારમાં આવેલા એક જીમમાંથી અંકિત બહાર નીકળી રહ્યા હતા ત્યારે બદમાશોએ તેમના પર અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ગંભીર રીતે ઘવાયેલા અંકિતને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>'ભરી કોર્ટ મેં ગોલી મારેંગે' ગીતથી મળ્યા હતા લોકપ્રિયતા</b></h2><p style="text-align: justify; ">શામલીના બંતીખેડાના નિવાસી અંકિત બાલિયાન હરિયાણવી મ્યુઝિક અને સોશિયલ મીડિયા ક્ષેત્રે જાણીતો ચહેરો હતા. તેઓ પોતાના લોકપ્રિય ગીત 'ભરી કોર્ટ મેં ગોલી મારેંગે મેરી જાન'થી ખૂબ ચર્ચામાં આવ્યા હતા. અંકિત આગામી જિલ્લા પંચાયત ચૂંટણી લડવાની તૈયારી પણ કરી રહ્યા હતા, જેથી તેમની અચાનક હત્યાથી વિસ્તારમાં સન્સનાટી મચી ગઈ છે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/ians_india/status/2092629821813878854?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2 style="text-align: justify; "><b>સીસીટીવી ફુટેજના આધારે પોલીસ તપાસ</b></h2><p style="text-align: justify; ">હત્યા પાછળનું સાચું કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. હુમલાખોરોની ઓળખ કરવા અને તેમનો માર્ગ શોધવા માટે આસપાસના સીસીટીવી (CCTV) ફુટેજ ખંખોળવામાં આવી રહ્યા છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/india/news/india-news-big-decision-of-himachal-pradesh-government-caste-column-will-be-removed-from-admission-form" target="_blank">India News : હિમાચલ પ્રદેશ સરકારનો મોટો નિર્ણય, એડમિશન ફોર્મમાંથી જાતિનું કોલમ હટાવાશે</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/26/Czbnf9kxilRWSOQeFlHpJmU3OI2ZQW0GL9hL6YCt.webp'/></item><item><title><![CDATA[Nepalમાં વિનાશક પૂર વચ્ચે ભારતની મદદ, 10 ટન HADR સામગ્રી અને જરૂરી દવાઓ મોકલાઈ ]]></title><link>https://sandesh.com/india/news/world/india-sends-10-tonnes-hadr-aid-medicines-nepal-floods</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/world/india-sends-10-tonnes-hadr-aid-medicines-nepal-floods</guid><pubDate>Wed, 26 Aug 2026 21:32:29 +05:30</pubDate><description><![CDATA[<p>નેપાળમાં વિનાશક પૂર અને ફ્લેશ ફ્લડથી સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ વચ્ચે ભારતે પડોશી દેશને મદદનો હાથ લંબાવ્યો છે. ભારતે નેપાળના રાહત અને બચાવ પ્રયાસોને વેગ આપવા માટે 10 ટન HADR (Humanitarian Assistance and Disaster Relief) સામગ્રી અને જરૂરી દવાઓ મોકલી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2092630598657744918"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>ભારત નેપાળ સાથે મજબૂતીથી ઉભું છે</b></h2><p>વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે નેપાળમાં આવેલા વિનાશક પૂરના પ્રતિસાદને સહયોગ આપવા માટે 10 ટન માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત સામગ્રી તથા જરૂરી દવાઓ મોકલવામાં આવી છે. ડૉ. જયશંકરે પૂર હોનારતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે આ મુશ્કેલ સમયમાં ભારત નેપાળ અને તેના લોકોની સાથે મજબૂતીથી ઊભું છે.</p><h3><b>અનેક વિસ્તારોમાં જાનમાલનું ભારે નુકસાન</b></h3><p>નેપાળમાં આવેલા અચાનક ફ્લેશ ફ્લડથી અનેક વિસ્તારોમાં જાનમાલનું ભારે નુકસાન થયું છે. ઘરો, રસ્તાઓ, પુલો, હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સ સહિતની માળખાકીય સુવિધાઓને નુકસાન પહોંચ્યું છે. અનેક લોકો લાપતા હોવાના અહેવાલ વચ્ચે નેપાળની સુરક્ષા એજન્સીઓ અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો દ્વારા સર્ચ, રેસ્ક્યૂ, સ્થળાંતર અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.</p><h4><b>નેપાળની પરિસ્થિતિ પર ભારત સરકારની નજર</b></h4><p>ભારત સરકાર નેપાળની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને કાઠમંડુ સાથે સંપર્કમાં છે. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહ સાથે વાતચીત કરીને પૂરથી થયેલી જાનહાનિ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને ભારત તરફથી શક્ય તમામ માનવતાવાદી સહાયની ખાતરી આપી હતી. ભારત અને નેપાળ વચ્ચેના ગાઢ સંબંધોને ધ્યાનમાં રાખીને ભારતની આ મદદ આપત્તિના સમયમાં બંને દેશો વચ્ચેના સહયોગનું વધુ એક ઉદાહરણ બની છે. આવનારા સમયમાં જરૂરિયાત મુજબ વધુ સહાય અંગે પણ નિર્ણય લેવામાં આવી શકે છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/world/nepal-flood-pm-modi-balen-shah-humanitarian-relief-support" target="_blank">આ પણ વાંચો : Nepal Flood : નેપાળમાં પૂરથી તબાહી, PM મોદીએ બાલેન શાહ સાથે કરી વાત, મદદની આપી ખાતરી</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/26/BR7fAuIJx2bVvtkuGdZKDbTfXQeyJtZYu0drlTz0.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : 2030 Commonwealth Games માટે એક્શનમાં સરકાર, અમિત શાહની અધ્યક્ષતામાં કાલે બેઠક ]]></title><link>https://sandesh.com/gujarat/news/sports/ahmedabad/ahmedabad-news-government-in-action-for-2030-commonwealth-games-meeting-chaired-by-amit-shah-tomorrow</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/sports/ahmedabad/ahmedabad-news-government-in-action-for-2030-commonwealth-games-meeting-chaired-by-amit-shah-tomorrow</guid><pubDate>Wed, 26 Aug 2026 17:16:51 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતને વૈશ્વિક રમતગમતનું હબ બનાવવાના વિઝન સાથે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 અને ભવિષ્યમાં યોજાનારા ઓલિમ્પિક્સના આયોજન માટેના રોડમેપ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય સ્તરની 'વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ'ના સફળ આયોજન માટેની માળખાકીય સુવિધાઓ અને રાજ્યની સજ્જતા અંગે પણ વિગતવાર માહિતી મેળવી સમીક્ષા કરવામાં આવી હતી.</p><h2><b>કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં કાલે હાઇ-લેવલ મીટિંગ</b></h2><p>આ તમામ તૈયારીઓને વધુ ગતિ આપવા માટે આવતીકાલે અમદાવાદ એનરેક્સી સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાશે. આ બેઠકમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓ અને રમતગમત વિભાગના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ખેલાડીઓની સુવિધાઓ, સુરક્ષા વ્યવસ્થા અને લોજિસ્ટિક્સ પ્લાનિંગ અંગે અમિત શાહ દ્વારા વિસ્તૃત સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે, જે ભારતની દાવેદારીને વૈશ્વિક મંચ પર વધુ મજબૂત બનાવશે.</p><h2><b>ઓલિમ્પિક્સ અને CWG મેજબાની માટે ગુજરાતનો માસ્ટરપ્લાન</b></h2><p>ભારતમાં વિશ્વસ્તરીય રમતગમતના આયોજન માટે અમદાવાદ અને ગાંધીનગરને મુખ્ય સેન્ટર તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. સરદાર પટેલ સ્પોર્ટ્સ એનક્લેવ સહિતની અત્યાધુનિક પાયાની સુવિધાઓ આ વૈશ્વિક સ્પર્ધાઓ માટે સજ્જ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રીની આ સમીક્ષા બેઠકથી મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના આયોજન માટેની કામગીરીને નવી ઊર્જા મળશે. આ તૈયારીઓ ભારતની ઓલિમ્પિક્સ અને કોમનવેલ્થ ગેમ્સ જેવી મોટી સ્પર્ધાઓની મેજબાની કરવાની વ્યાપક ક્ષમતા દર્શાવે છે.</p><p><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/rajkot/accident-near-raiya-telephone-exchange-in-rajkot-a-young-man-crossing-the-brts-road-was-hit-by-a-city-bus" target="_blank">Rajkotમાં રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે અકસ્માત, BRTS રોડ ક્રોસ કરતા યુવકને સિટી બસે અડફેટે લીધો</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/26/H68NkMlE5om42tvOiKCQXzvukLqLhFLn28OZxRzu.webp'/></item></channel></rss>