<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Suratના ઓલપાડમાં સેના ખાડીના ધસમસતા પ્રવાહમાં સાયકલ સવાર તણાયો, બાવા ફળિયા જતા માર્ગ પર બની દુર્ઘટના ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/cyclist-swept-away-in-the-rushing-current-of-sena-creek-in-olpad-surat-accident-occurred-on-the-way-to-bawa-phalia</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/cyclist-swept-away-in-the-rushing-current-of-sena-creek-in-olpad-surat-accident-occurred-on-the-way-to-bawa-phalia</guid><pubDate>Sat, 25 Jul 2026 23:43:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત જિલ્લાના ઓલપાડ વિસ્તારમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઓલપાડ નજીક આવેલા બાવા ફળિયા તરફ જતા મુખ્ય માર્ગ પર વરસાદી પાણી અને સેના ખાડીના પાણીના ભારે પ્રવાહ વહી રહ્યા છે. આ દરમિયાન માર્ગ પરથી પસાર થઈ રહેલો એક અજાણ્યો સાયકલ સવાર સેના ખાડીના ધસમસતા પાણીના વહેણમાં અચાનક તણાઈ ગયો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. પાણીનું વહેણ અતિશય ઝડપી હોવાના કારણે સાયકલ સવાર જોતજોતામાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.</p><h2 style="text-align: justify; "><b>SDRFની ટીમ અને ઓલપાડ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી</b></h2><p style="text-align: justify; ">સાયકલ સવાર પાણીમાં તણાયો હોવાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક સ્થાનિક વહીવટી તંત્ર તથા પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ઓલપાડ પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. આ સાથે જ બચાવ કામગીરી માટે SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની ટીમને તાત્કાલિક બોલાવવામાં આવી હતી.</p><h3 style="text-align: justify; "><b>પૂરના પાણીમાં સાયકલ ચાલકની શોધખોળ તેજ</b></h3><p style="text-align: justify; ">સ્થળ પર પહોંચેલી SDRFની ટીમે સ્થાનિક તંત્ર અને પોલીસની મદદથી ખાડીના ઊંડા પાણીમાં ગરકાવ થયેલા સાયકલ ચાલકની શોધખોળ હાથ ધરી છે. સેના ખાડીના વહેણ અને આસપાસના વિસ્તારોમાં બોટ તેમજ રેસ્ક્યુ સાધનોની મદદથી સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. વરસાદ અને પાણીના સતત પ્રવાહ વચ્ચે પણ SDRFના જવાનો દ્વારા લાપતા સાયકલ સવારને વહેલી તકે શોધી કાઢવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/fkCiDfoQkSx3kHAa8C0yxJM48W0WHxSqmIq4B9nj.webp'/></item><item><title><![CDATA[Paper Leak મામલે કેન્દ્ર સરકાર કડક, 27 જુલાઈએ લોકસભામાં રજૂ થશે એન્ટી-પેપર લીક બિલ ]]></title><link>https://sandesh.com/india/news/anti-paper-leak-bill-lok-sabha-july-27-fast-track-courts</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/anti-paper-leak-bill-lok-sabha-july-27-fast-track-courts</guid><pubDate>Sat, 25 Jul 2026 23:41:35 +05:30</pubDate><description><![CDATA[<p>દેશભરમાં પરીક્ષાઓમાં પેપર લીક અને ગેરરીતિઓને રોકવા માટે કેન્દ્ર સરકાર કડક પગલાં લેવા જઈ રહી છે. સરકાર સોમવારે લોકસભામાં જાહેર પરીક્ષા સુધારા વિધેયક-2026 રજૂ કરશે. નવા વિધેયક હેઠળ દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં પેપર લીકના કેસોની ઝડપી સુનાવણી માટે વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટની રચનાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે.</p><h2><b>ઓછામાં ઓછી 7 વર્ષની જેલની સજાની જોગવાઈ</b></h2><p>બિલ મુજબ પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિ સંબંધિત તપાસ બે મહિનામાં પૂર્ણ કરવાની રહેશે. ચાર્જશીટ દાખલ થયા બાદ ત્રણ મહિનાની અંદર કેસનો ટ્રાયલ પૂર્ણ કરવાનો રહેશે અને કોર્ટમાં દરરોજ સુનાવણી કરવામાં આવશે. નવા કાયદા હેઠળ દોષિત વ્યક્તિને ઓછામાં ઓછી 5 વર્ષની અને વધુમાં વધુ 10 વર્ષની જેલની સજા તેમજ ₹50 લાખ સુધીનો દંડ થઈ શકશે. જો સંગઠિત રીતે પેપર લીક અથવા પરીક્ષામાં ગેરરીતિ કરનાર ગેંગ સામેલ હશે તો તેમને ઓછામાં ઓછી 7 વર્ષની જેલ અને ₹10 કરોડ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.</p><h3><b>પરીક્ષા પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવાશે</b></h3><p>કેન્દ્ર સરકારને જરૂરિયાત મુજબ આવા કેસોની તપાસ માટે વિશેષ ટાસ્ક ફોર્સ (STF) બનાવવાનો અધિકાર પણ મળશે. આ ઉપરાંત પરીક્ષા પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે નવા માર્ગદર્શકો પણ નક્કી કરવામાં આવ્યા છે. તેમાં પરીક્ષા કેન્દ્રોનું પ્રી-ઓડિટ, ઉમેદવારોની બાયોમેટ્રિક ચકાસણી, સુરક્ષા વ્યવસ્થા, પ્રશ્નપત્ર તૈયાર કરવાની પ્રક્રિયા, પરીક્ષા દરમિયાન દેખરેખ અને દિવ્યાંગ ઉમેદવારો માટે સ્ક્રાઇબની સુવિધા જેવા નિયમોનો સમાવેશ થાય છે.</p><h4><b>15 પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓને સ્પષ્ટપણે ગુનો જાહેર કરવામાં આવ્યો</b></h4><p>બિલમાં પેપર લીક, OMR શીટ સાથે ચેડાં, નકલી વેબસાઈટ બનાવવી, નકલી એડમિટ કાર્ડ ઈશ્યુ કરવું સહિત કુલ 15 પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓને સ્પષ્ટપણે ગુનો જાહેર કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે આ સુધારા કાયદાનો મુખ્ય હેતુ દેશની જાહેર પરીક્ષાઓને વધુ પારદર્શક, નિષ્પક્ષ અને વિશ્વસનીય બનાવવાનો છે. હવે આ બિલ પર લોકસભામાં ચર્ચા બાદ તેને મંજૂરી મળે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/-political-news/tej-pratap-yadav-invites-abhijeet-dipke-bihar-mass-movement" target="_blank">આ પણ વાંચો : 'Biharને જનઆંદોલનની જરૂર', તેજ પ્રતાપે અભિજીત દિપકેને રાજ્યમાં આવવાનું આપ્યું આમંત્રણ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/zZGLB8M8SXE2k2KiqBh7ZljHuMKZQQVOqc0URbyF.webp'/></item><item><title><![CDATA[Harijમાં ભારે વરસાદ વચ્ચે વાદી વસાહતની વ્હારે આવી પોલીસ, PIની ટીમે ભોજનની વ્યવસ્થા કરી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/harij/police-came-to-the-aid-of-the-plaintiff-colony-amidst-heavy-rains-in-harij-pi-ab-mehrias-team-arranged-food</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/harij/police-came-to-the-aid-of-the-plaintiff-colony-amidst-heavy-rains-in-harij-pi-ab-mehrias-team-arranged-food</guid><pubDate>Sat, 25 Jul 2026 23:34:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પાટણ જિલ્લાના હારીજ શહેરમાં સતત ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ખાસ કરીને રોજનું કમાઈને રોજ ખાતા શ્રમિક અને મજૂર વર્ગની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. હારીજની વાદી વસાહતમાં દૈનિક મજૂરી કરી ગુજરાન ચલાવતા ગરીબ પરિવારોની હાલત કફોડી બનતાં હારીજ પોલીસ સ્ટેશનના PI એ.બી. મહેરીયા અને તેમની ટીમ સ્વયંભૂ તેમની મદદે પહોંચી હતી.</p><h2 style="text-align: justify; "><b>સાંજના ભોજનની વ્યવસ્થા કરાવી, ગરીબ પરિવારોમાં ખુશીની લહેર</b></h2><p style="text-align: justify; ">વરસાદી આફતમાં આ પરિવારો ભૂખ્યા ન રહે તે માટે PI મહેરીયા અને પોલીસ ટીમે વાદી વસાહતમાં રૂબરૂ જઈને તમામ લોકો માટે સાંજના પૌષ્ટિક ભોજનની વિશેષ વ્યવસ્થા કરાવી હતી. મુશ્કેલ સમયમાં પોલીસનો આવો માનવીય અને સંવેદનશીલ અભિગમ જોઈને વસાહતના ગરીબ પરિવારો અને બાળકોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી. ગ્રામજનોએ હારીજ પોલીસની આ સરાહનીય કામગીરીને બિરદાવી હતી.</p><h3 style="text-align: justify; "><b>ભોજન સાથે શિક્ષણનું માર્ગદર્શન: "બાળકોને ભણાવો, ગરીબી દૂર થશે"</b></h3><p style="text-align: justify; ">પોલીસે માત્ર ભોજન પૂરું પાડીને પોતાની ફરજ પૂરી ન માની, પરંતુ વાદી વસાહતના વાલીઓ અને બાળકો સાથે સંવાદ પણ સાધ્યો હતો. PI એ.બી. મહેરીયાએ પ્રેરણાદાયી માર્ગદર્શન આપતાં જણાવ્યું કે, "બાળકોને શિક્ષણથી ક્યારેય વંચિત ન રાખો, ઉચ્ચ શિક્ષણથી જ ગરીબી દૂર થશે. જો બાળકો ભણીગણીને આગળ વધશે અને સરકારી નોકરી મેળવશે, તો પરિવાર સારા મકાન અને તમામ સુખ-સુવિધાઓ મેળવી શકશે." વધુમાં તેમણે ખાતરી આપી હતી કે વરસાદ કે અન્ય કોઈ પણ તકલીફના સમયે હારીજ પોલીસ સ્ટેશનનો તાત્કાલિક સંપર્ક કરવો, પોલીસ હંમેશાં મદદ માટે તૈયાર છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/GCtc5Pqmex2JmkpL3RXCjaZHNRgkjU7IBJXyc2a3.webp'/></item><item><title><![CDATA[Mehsanaના દુધઈ ગામે 108ની ટીમ બની દેવદૂત, ભર પાણીમાંથી ગર્ભવતી મહિલાનું ઝોળી બનાવી રેસ્ક્યુ કર્યું ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/mehsanas-dudhai-village-became-an-angel-in-the-108-team-rescued-a-pregnant-woman-from-the-floodwaters-by-making-a-sling</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/mehsanas-dudhai-village-became-an-angel-in-the-108-team-rescued-a-pregnant-woman-from-the-floodwaters-by-making-a-sling</guid><pubDate>Sat, 25 Jul 2026 23:26:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મહેસાણા જિલ્લાના દુધઈ ગામે ભારે વરસાદના કારણે ચારેય તરફ પાણી ભરાઈ જતાં પૂર જેવી મુશ્કેલ પરિસ્થિતિ સર્જાઈ હતી. આ આકાશી આફત વચ્ચે ગામના કેશરબેન નારાયણભાઈ ભીલ નામના ગર્ભવતી મહિલાની તબિયત અચાનક અત્યંત લથડી હતી. મહિલાને અતિશય પેટનો દુખાવો, સતત બ્લીડિંગ અને બ્લડ પ્રેશર (BP) લો થઈ જવાની ગંભીર સ્થિતિ ઊભી થઈ હતી. ચારેય તરફ પાણી હોવાના કારણે હોસ્પિટલ પહોંચવું અશક્ય લાગતું હતું, ત્યારે પરિવારજનોએ તાત્કાલિક Emergency 108 સર્વિસનો સંપર્ક કર્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>108ની ટીમે કપરી પરિસ્થિતિમાં ઝોળી બનાવી કર્યું સાહસિક રેસ્ક્યુ</b></h2><p style="text-align: justify; ">કપરી સ્થિતિ હોવા છતાં 108ની ટીમે સહેજ પણ સમય ગુમાવ્યા વિના દુધઈ ગામે પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. પાણીનો પ્રવાહ વધુ હોવાથી અને વાહન જઈ શકે તેમ ન હોવાથી, 108ના કર્મચારીઓએ સ્થાનિકોની મદદથી કાપડની ઝોળી બનાવી ગર્ભવતી મહિલાને સુરક્ષિત રીતે ઊંચકીને પૂરના પાણીમાંથી બહાર કાઢ્યા હતા. મુશ્કેલ સમયમાં 108ના જવાનોએ બતાવેલી આ માનવતા અને સાહસિક કામગીરીથી ગ્રામજનો માટે આ ટીમ ખરા અર્થમાં 'દેવદૂત' સાબિત થઈ હતી.</p><h3 style="text-align: justify; "><b>કડીમાં પ્રાથમિક સારવાર બાદ ગાંધીનગર સિવિલમાં રીફર કરાયા</b></h3><p style="text-align: justify; ">ભર પાણીમાંથી બહાર કાઢ્યા બાદ દર્દીને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે SDH કડી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબો દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે, ગર્ભવતી મહિલાની હાલત વધુ ગંભીર અને ચિંતાજનક હોવાથી તબીબોની સલાહ મુજબ તેમને વધુ ને વધુ સારી સારવાર માટે તાત્કાલિક GMERS ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. 108ની ટીમની આ ત્વરિત અને સરાહનીય કામગીરીની ચારેય તરફ પ્રશંસા થઈ રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/NY9FuV1eUTjMVUpTrPtxBcgyJeJWEdsiA3M2Li4K.webp'/></item><item><title><![CDATA['Biharને જનઆંદોલનની જરૂર', તેજ પ્રતાપે અભિજીત દિપકેને રાજ્યમાં આવવાનું આપ્યું આમંત્રણ ]]></title><link>https://sandesh.com/india/news/-political-news/tej-pratap-yadav-invites-abhijeet-dipke-bihar-mass-movement</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/-political-news/tej-pratap-yadav-invites-abhijeet-dipke-bihar-mass-movement</guid><pubDate>Sat, 25 Jul 2026 22:42:11 +05:30</pubDate><description><![CDATA[<p>કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ બિહારની રાજનીતિમાં પણ હલચલ તેજ બની છે. જનશક્તિ જનતા દળ (JJD)ના અધ્યક્ષ તેજ પ્રતાપ યાદવે CJPના નેતા અભિજીત દિપકને બિહારમાં આવી જનઆંદોલન શરૂ કરવાની અપીલ કરી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/TejYadav14/status/2080972989907272151"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>રાજ્યની જનતા હાલની સરકારથી પરેશાન : તેજ પ્રતાપ યાદવ&nbsp;</b></h2><p>તેજ પ્રતાપ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે બિહારને હવે એક મોટા જનઆંદોલનની જરૂર છે. તેમના જણાવ્યા અનુસાર રાજ્યની જનતા હાલની સરકારથી પરેશાન છે અને લોકોના પ્રશ્નોને લઈને મજબૂત જનચળવળ ઉભી કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે અભિજીત દિપક બિહારમાં આવી લોકોનો અવાજ બને અને રાજ્યમાં જનઆંદોલન શરૂ કરે.</p><p>તેજ પ્રતાપે વધુમાં કહ્યું કે તેઓ અને તેમની પાર્ટી CJPને સંપૂર્ણ સમર્થન આપશે અને બિહારના સારા ભવિષ્ય માટે સાથે મળીને કામ કરશે. ઉલ્લેખનીય છે કે જંતર-મંતર પર ચાલી રહેલા વિરોધ દરમિયાન એક યુવતીએ ભાવુક અપીલ કરતાં અભિજીત દિપકને બિહારમાં આવવા વિનંતી કરી હતી. તેના જવાબમાં અભિજીત દિપકે કહ્યું હતું કે દિલ્હીનું આંદોલન પૂર્ણ થયા બાદ CJPનો આગામી કાર્યક્રમ બિહારમાં યોજાશે.</p><h3><b>તેજ પ્રતાપ યાદવની પોલીસે અટકાયત પણ કરી&nbsp;</b></h3><p>આ દરમિયાન બિહારના પટણા, ઔરંગાબાદ, છપરા અને ભાગલપુર સહિત અનેક શહેરોમાં NEET પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. કેટલાક સ્થળોએ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ પણ થઈ હતી. પટણામાં વિદ્યાર્થીઓને સમર્થન આપવા પહોંચેલા તેજ પ્રતાપ યાદવને પોલીસે અટકાયત પણ કરી હતી.</p><p>જોકે, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ CJPએ પ્રેસ કોન્ફરન્સ કરીને હાલનું આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. હવે અભિજીત દિપકના બિહાર પ્રવાસ અને ત્યાં સંભવિત જનઆંદોલનને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.</p><p><a href="https://sandesh.com/india/news/-political-news/dharmendra-pradhans-resignation-cjps-agitation-how-the-power-of-instagram-was-seen" target="_blank">આ પણ વાંચો : Dharmendra Pradhanનું રાજીનામું, CJPનું આંદોલન... કેવી રીતે જોવા મળી ઇન્સ્ટાગ્રામની તાકાત</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/ARO45yjySempRBfT1B80hmqFU4tiwSzVZzC1n41A.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: બગોદરાના સરલાગામમાં પૂરના પાણી ઘૂસ્યા, 50 લોકોનું રેસ્ક્યુ કરાયું ]]></title><link>https://sandesh.com/weather/monsoon-2026/news/maru-saher-maru-gaam/ahmedabad/bagodra-sarla-village-flooded-rescue-operation-school-shift</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/monsoon-2026/news/maru-saher-maru-gaam/ahmedabad/bagodra-sarla-village-flooded-rescue-operation-school-shift</guid><pubDate>Sat, 25 Jul 2026 22:09:37 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ જિલ્લાના બગોદરા પંથકમાં આવેલું સરલાગામ આકાશી આફત અને પૂરના પાણીને કારણે ચોમેરથી ઘેરાઈ ગયું છે. ઉપરવાસમાંથી થઈ રહેલી સતત અને ભારે પાણીની આવકને કારણે સરલાગામની ચારેય તરફ વરસાદી પાણી ભરાઈ ગયા છે. ગામની આસપાસ પાણીનો મોટો ભરાવો થઈ જતાં સમગ્ર ગામ બેટમાં ફેરવાઈ ગયું છે અને જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.</p><h2><b>50થી વધુ લોકોનું રેસ્ક્યુ કરી પ્રાથમિક શાળામાં સ્થળાંતર</b></h2><p>ગામમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોના ઘર સુધી પૂરના પાણી પહોંચી ગયા હતા. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર અને સ્થાનિક ટીમો દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાણીમાં ફસાયેલા 50થી વધુ ગ્રામજનોનું સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તેમને ગામની પ્રાથમિક શાળા ખાતે બનાવેલા કામચલાઉ આશ્રયસ્થાનમાં સુરક્ષિત રીતે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.</p><h2><b>તંત્રની ઢીલી નીતિથી ગામ સંપૂર્ણ સંપર્ક વિહોણું</b></h2><p>સરલાગામને જોડતા તમામ મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હોવાથી વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે, જેના કારણે ગામ સંપૂર્ણપણે સંપર્ક વિહોણું બની ગયું છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે ,કે પ્રી-મોન્સૂન કામગીરી અને પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા દાખવવામાં આવેલી ઢીલી નીતિને કારણે ગામમાં આ પ્રકારની કટોકટી સર્જાઈ છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2081023565324042258"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>વધુ નુકસાન થાય તે પહેલાં ઝડપી નિકાલની માગ</b></h2><p>હજુ પણ ઉપરવાસમાંથી સતત પાણીની આવક ચાલુ હોવાથી ગામ લોકોમાં ભારે ચિંતા અને ભયનો માહોલ વ્યાપી ગયો છે. ગ્રામજનો વહીવટી તંત્ર પાસે માગ કરી રહ્યા છે કે, યુદ્ધના ધોરણે પંપિંગ અથવા વૈકલ્પિક માર્ગ બનાવીને ગામ ફરતે ભરાયેલા પૂરના પાણીનો વહેલી તકે નિકાલ કરવામાં આવે, જેથી લોકોને વધુ મોટું આર્થિક અને માલમત્તાનું નુકસાન સહન ન કરવું પડે.</p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/viramgam-mandal-flood-heavy-rainfall-evacuation" target="_blank"> Ahmedabad Rain Update: વિરમગામ અને માંડલમાં 18 ઇંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ, 2000 લોકોનું સ્થળાંતર</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/jlIY6cZTO0ef8XNhIs1OwNQElGwu3o270poYU1XS.webp'/></item><item><title><![CDATA['Gen-Zની જીત' ગણાવતાં સેલિબ્રિટીઓએ વિદ્યાર્થીઓના આંદોલનને બિરદાવ્યું, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અભિનંદન પાઠવ્યા ]]></title><link>https://sandesh.com/entertainment/news/celebrities-reaction-genz-victory-protest-social-media</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/celebrities-reaction-genz-victory-protest-social-media</guid><pubDate>Sat, 25 Jul 2026 21:26:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ સોશિયલ મીડિયા પર વિવિધ એક્ટર અને એક્ટ્રેસ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે. પરીક્ષા પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓના લાંબા સમયથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શન બાદ થયેલા આ રાજકીય ઘટનાક્રમને અનેક સેલિબ્રિટીઓએ યુવાનોની જીત ગણાવી છે.</p><h2 style="text-align: justify; "><b>પ્રકાર રાજ અને અરમાન મલિકે કરી પોસ્ટ&nbsp;</b></h2><p style="text-align: justify; ">એક્ટર પ્રકાશ રાજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને વિદ્યાર્થીઓ અને આંદોલન સાથે જોડાયેલા લોકોની પ્રશંસા કરી હતી. તેમને લખ્યું કે યુવાનોએ એકતા અને સંઘર્ષના બળથી સરકારને નિર્ણય લેવા માટે મજબૂર કરી છે.</p><p style="text-align: justify; ">સિંગર અરમાન મલિકે પણ "Power of the Youth" લખીને યુવાનોની શક્તિને બિરદાવી હતી. એક્ટ્રેસ સંભાવના સેઠે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને છેલ્લા કેટલાક દિવસોમાં વિદ્યાર્થીઓએ દર્શાવેલી હિંમત, ધીરજ અને સંઘર્ષને સલામ કરી હતી.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/prakashraaj/status/2080951840124829901"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3 style="text-align: justify; "><b>અદિતિ રાવ હૈદરીએ વિદ્યાર્થીઓને પાઠવ્યા અભિનંદન&nbsp;</b></h3><p style="text-align: justify; ">એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ પણ સોશિયલ મીડિયા પર લખ્યું કે દેશવ્યાપી વિદ્યાર્થીઓના વિરોધ અને સોનમ વાંગચુકના ઉપવાસ બાદ આંદોલનને સફળતા મળી છે. એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરીએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા લખ્યું કે સત્ય અને અહિંસાની લડાઈની જીત થઈ છે. તેમને આશા વ્યક્ત કરી કે ઈમાનદારી, જવાબદારી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા વધુ મજબૂત બનશે.</p><p style="text-align: justify; "><img alt="Priyanka Chopra Post" src="https://epapercdn.sandesh.com/images/2026/07/25/GcflnWMXh5nVJINRrm1zxmgHrbbsKvyJxKVTZYe2.webp"><br></p><h4 style="text-align: justify; "><b>વાણી કપૂરે કહ્યું 'વિદ્યાર્થીઓ માટે આ ક્ષણ ખાસ'</b></h4><p style="text-align: justify; ">એક્ટ્રેસ દિયા મિર્ઝાએ આ ઘટનાને યુવાનોની મોટી જીત ગણાવી હતી, જ્યારે વાણી કપૂરે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતાં કહ્યું કે સતત પ્રશ્નો પૂછનારા અને આશા જાળવનારા વિદ્યાર્થીઓ માટે આ ક્ષણ ખાસ છે. એક્ટર વિજય વર્માએ પણ પ્રતિક્રિયા આપી હતી. દિવ્યેન્દુ શર્માએ લખ્યું કે અવાજ ઉઠાવવાથી ફેર પડે છે, જ્યારે એક્ટર સોનુ સૂદે પણ સોશિયલ મીડિયા પર Gen-Zની પ્રશંસા કરતી પોસ્ટ શેર કરી હતી.</p><p style="text-align: justify; ">ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ સોશિયલ મીડિયા પર સેલિબ્રિટીઓની આ પ્રતિક્રિયાઓ ઝડપથી વાયરલ થઈ રહી છે અને વિદ્યાર્થીઓના આંદોલન અંગે ચર્ચા વધુ તેજ બની છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/entertainment/kriti-sanon-ziva-dhoni-lords-india-england-odi" target="_blank">MS Dhoniની પુત્રી સાથે કૃતિ સેનને કરી મસ્તી, મેચ દરમિયાન જોવા મળ્યો ક્યૂટ બોન્ડિંગ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/F7iHcGmGoAL3UfIetXpunDc3SxhrLt5W5mg65UYw.webp'/></item><item><title><![CDATA[Bhavnagarનો વેળાવદર-રાજગઢ માર્ગ પર ફરી વળ્યા વરસાદી પાણી, ભાલ પોલીસ દ્વારા વાહનવ્યવહાર તાત્કાલિક કરાવ્યો બંધ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/rainwater-overflows-on-bhavnagars-velavadar-rajgarh-road-bhal-police-immediately-stop-traffic</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/rainwater-overflows-on-bhavnagars-velavadar-rajgarh-road-bhal-police-immediately-stop-traffic</guid><pubDate>Sat, 25 Jul 2026 20:48:14 +05:30</pubDate><description><![CDATA[<p>ભાવનગર જિલ્લામાં વરસેલા ભારે વરસાદના કારણે નદી-નાળાં છલકાયા છે. વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વેળાવદર-રાજગઢ માર્ગ પરના નાળા ઉપર પાણી ફરી વળ્યા છે. પાણીનો પ્રવાહ અત્યંત ઝડપી હોવાથી વાહનચાલકો અને પસાર થતા લોકો માટે મોટો સદંતર ભય ઊભો થયો હતો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને ભાલ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને સુરક્ષાના ભાગરૂપે આ માર્ગ પરનો વાહનવ્યવહાર તાત્કાલિક અસરથી બંધ કરાવી દીધો હતો.</p><h2><b>વટેમાર્ગુઓને સલામત સ્થળે ખસેડાયા</b></h2><p>કોઈ વાહનચાલક કે સાહસિક નાગરિક જોખમ ઉઠાવીને પાણીમાં પ્રવેશવાનો પ્રયાસ ન કરે તે માટે પોલીસે નાળા પાસે જીઆરડી (GRD) જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ ઉપરાંત, માર્ગ પર અટવાયેલા કે પસાર થઈ રહેલા વટેમાર્ગુઓને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી, જેથી કોઈ અનિચ્છનીય ઘટના કે હોનારત ન સર્જાય.</p><h3><b>વાહનચાલકોને વૈકલ્પિક માર્ગ વાપરવા પોલીસની અપીલ</b></h3><p>ભાલ પોલીસ દ્વારા નાગરિકો અને વાહનચાલકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે આ માર્ગ પર પાણીનો પ્રવાહ ચાલુ હોવાથી લોકોએ આ રસ્તાનો ઉપયોગ કરવાનું ટાળવું. મુસાફરી કરતી વખતે વૈકલ્પિક માર્ગો પસંદ કરવા તેમજ તંત્ર અને પોલીસ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું કડકપણે પાલન કરી પોતાની સુરક્ષા જાળવી રાખવા જણાવાયું છે.</p><p><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/7vg6TEncT7PKKNFS2CwqKrnP0dj9fiu5Ef7q00G7.webp'/></item><item><title><![CDATA[IDFC ફર્સ્ટ બેન્કનું જોરદાર પ્રદર્શન, જૂન ત્રિમાસિકમાં નફો બમણો થઈ રૂપિયા 1,075 કરોડ પર પહોંચ્યો ]]></title><link>https://sandesh.com/business/news/idfc-first-bank-q1-profit-doubles-1075-crore-nii-growth</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/idfc-first-bank-q1-profit-doubles-1075-crore-nii-growth</guid><pubDate>Sat, 25 Jul 2026 19:06:08 +05:30</pubDate><description><![CDATA[<p>IDFC ફર્સ્ટ બેન્કે 25 જુલાઈએ જૂન ત્રિમાસિકના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. બેન્કના પરિણામો મુજબ જૂન ક્વાર્ટરમાં તેનો નેટ પ્રોફિટ બમણાથી વધુ વધીને ₹1,075 કરોડ થયો છે. ગયા વર્ષના સમાન સમયગાળામાં બેન્કનો નફો ₹465 કરોડ હતો.</p><h2><b>બેન્કની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ 21 ટકા વધી&nbsp;</b></h2><p>જૂન ત્રિમાસિક દરમિયાન બેન્કની આવકમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. બેન્કની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ (NII) 21 ટકા વધીને ₹5,972.3 કરોડ થઈ છે. એક વર્ષ અગાઉ આ આંકડો ₹4,933 કરોડ હતો. વ્યાજની આવકમાં થયેલા વધારાને કારણે બેન્કના પ્રદર્શનને મજબૂતી મળી છે. આ ઉપરાંત બેન્કની એસેટ ક્વોલિટીમાં પણ સુધારો નોંધાયો છે. ગ્રોસ નોન-પરફોર્મિંગ એસેટ (GNPA) ત્રિમાસિક આધાર પર 1.61 ટકાથી ઘટીને 1.51 ટકા થયો છે. જ્યારે નેટ NPA પણ 0.48 ટકાથી ઘટીને 0.44 ટકા પર આવી ગયો છે.</p><h3><b>કંપનીના શેર પર જોવા મળી અસર&nbsp;</b></h3><p>જૂન ત્રિમાસિકમાં બેન્કને NCGTC તરફથી CGFMU યોજના હેઠળ ₹514.82 કરોડ પ્રાપ્ત થયા છે. IDFC ફર્સ્ટ બેન્ક એક ખાનગી ક્ષેત્રની બેન્ક છે. 24 જુલાઈના રોજ બેન્કનો શેર 1.3 ટકા વધીને ₹80.95ના સ્તરે બંધ થયો હતો. જોકે, આ વર્ષે અત્યાર સુધીમાં શેરમાં 5.4 ટકાનો ઘટાડો નોંધાયો છે.</p><p>બીજી તરફ, 24 જુલાઈએ ભારતીય શેરબજારમાં સતત પાંચમા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે, જેની અસર બજારના સેન્ટિમેન્ટ પર પડી રહી છે. હવે IDFC ફર્સ્ટ બેન્કના સારા પરિણામોની અસર આગામી ટ્રેડિંગ સેશનમાં શેરના ભાવ પર કેવી પડે છે તેના પર રોકાણકારોની નજર રહેશે.<br><br><a href="https://sandesh.com/business/news/india/senior-citizen-fd-where-will-you-get-the-highest-interest-on-a-5-year-fd-for-senior-citizens" target="_blank"><b>આ પણ વાંચો : Senior Citizen FD: સિનિયર સિટીઝન્સ માટે 5 વર્ષની FD પર ક્યાં મળશે સૌથી વધુ વ્યાજ</b></a></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/UVaxbiIHWdAVOyessWpmBJ9I0GV0NJ4oEbiOmmkO.webp'/></item><item><title><![CDATA[Sports News : ભારતમાં મેચ રમવા આવશે બ્રાઝિલની ટીમ, ક્યાં અને ક્યારે થશે ટક્કર ]]></title><link>https://sandesh.com/sports/news/sports-news-brazilian-team-will-come-to-india-to-play-a-match-where-and-when-will-the-match-take-place</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/sports-news-brazilian-team-will-come-to-india-to-play-a-match-where-and-when-will-the-match-take-place</guid><pubDate>Sat, 25 Jul 2026 15:46:30 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય ફૂટબોલ ચાહકો માટે એક સારા સમાચાર છે.વિશ્વની સૌથી લોકપ્રિય અને પાંચ વખતની વિશ્વ ચેમ્પિયન બ્રાઝિલિયન ફૂટબોલ ટીમ ઓક્ટોબરમાં ભારતનો પ્રવાસ કરે તેવી શક્યતા છે. મીડિયા રિપોર્ટ અનુસાર બ્રાઝિલિયન ફૂટબોલ એસોસિએશન (CBF) ઓક્ટોબરની શરૂઆતમાં ભારતમાં એક મૈત્રીપૂર્ણ મેચ રમવા માટે આયોજકો સાથે વાતચીત કરી રહ્યું છે.</p><h5><b>કોલકાતા એક ઐતિહાસિક મેચનું સાક્ષી બની શકે છે</b></h5><p>ફૂટબોલના મક્કા તરીકે ઓળખાતું કોલકાતા આ પ્રસ્તાવિત મેચનું આયોજન કરે તેવી શક્યતા છે. મીડિયા રિપોર્ટ અનુસાર CBF અને આયોજકો વચ્ચે આ મેચ અંગે પ્રારંભિક ચર્ચાઓ 2026 માં યુનાઇટેડ સ્ટેટ્સમાં યોજાયેલા FIFA વર્લ્ડ કપ દરમિયાન શરૂ થઈ હતી. જોકે, હજુ સુધી સ્પષ્ટ નથી કે પાંચ વખતની વિશ્વ ચેમ્પિયન ટીમ ભારતીય રાષ્ટ્રીય ટીમનો સામનો કરશે કે અન્ય આંતરરાષ્ટ્રીય ટીમનો.</p><h4><b>બ્રાઝિલનો 3-મેચનો આંતરરાષ્ટ્રીય વિન્ડો પ્લાન</b></h4><p>FIFAનો આંતરરાષ્ટ્રીય વિન્ડો 21 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર સુધી ચાલવાનો છે. આ સમયગાળા દરમિયાન, બ્રાઝિલિયન ટીમ કુલ ત્રણ મેચ રમવાની યોજના ધરાવે છે: બે ઓસ્ટ્રેલિયામાં અને એક ભારતમાં.</p><ul><li>25 સપ્ટેમ્બર: ઓસ્ટ્રેલિયાના ટાઉન્સવિલેમાં મેચ.</li><li>29 સપ્ટેમ્બર: ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં બીજી મેચ.</li><li>ઓક્ટોબરની શરૂઆતમાં: ભારતમાં ત્રીજી મૈત્રીપૂર્ણ મેચ.</li></ul><h5><b>સિંગાપોર સાથે પણ વાટાઘાટો થઈ હતી</b></h5><p>બ્રાઝિલિયન ફૂટબોલ એસોસિએશને આ સમયગાળા દરમિયાન બાંગ્લાદેશમાં ચોથી મેચ રમવાનું પણ વિચાર્યું હતું, પરંતુ ખેલાડીઓનો થાક, મુસાફરીનો સમય અને તૈયારીને ધ્યાનમાં રાખીને, યોજના મુલતવી રાખવામાં આવી છે. સિંગાપોર સાથે પણ વાટાઘાટો થઈ હતી, પરંતુ કોઈ કરાર થઈ શક્યો ન હતો, જેના કારણે કોલકાતાની બોલી સૌથી મજબૂત રહી.</p><h5><b>કોલકાતાનો બ્રાઝિલ સાથે લાંબા ગાળાનો સંબંધ</b></h5><p>કોલકાતાનો બ્રાઝિલિયન ફૂટબોલ સાથે લાંબા સમયથી સંબંધ છે. દિગ્ગજ ફૂટબોલ દિગ્ગજ પેલેએ 1977માં ન્યૂ યોર્ક કોસ્મોસ માટે રમતી વખતે ઇડન ગાર્ડન્સ ખાતે મોહન બાગાન સામે ઐતિહાસિક મેચ રમી હતી. ત્યારબાદ તેમણે 2015માં કોલકાતાની મુલાકાત લીધી હતી. જો આ પ્રવાસ નિર્ધારિત સમય મુજબ ચાલે છે, તો કોલકાતાના ચાહકોને વિનિસિયસ જુનિયર જેવા ફૂટબોલ દિગ્ગજોને વ્યક્તિગત રીતે રમતા જોવાની સુવર્ણ તક મળી શકે છે.</p><p>આ પણ&nbsp; વાંચો <a href="https://sandesh.com/sports/news/cwg-2026-medals-tally-australia-no-1-where-is-india-after-jhandu-kumars-bronze-medal" target="_blank">- CWG 2026 Medals Tally : ઓસ્ટ્રેલિયા નંબર-1, ઝાંડુ કુમારના બ્રોન્ઝ મેડલ બાદ ભારત કયા સ્થાને?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/WGQCJbtFOvCHvaDTTKLtlr0kve93CEqEqB8sKmod.webp'/></item></channel></rss>