<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Vadodara News: પાદરા-જંબુસર રોડ પર કન્ટેનર પાછળ કાર ઘૂસી જતાં અકસ્માત, કારચાલકનું મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/padra-jambusar-road-kural-car-container-accident</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/padra-jambusar-road-kural-car-container-accident</guid><pubDate>Tue, 11 Aug 2026 18:08:08 +05:30</pubDate><description><![CDATA[<p>વડોદરા જિલ્લાના પાદરા-જંબુસર સ્ટેટ હાઇવે પર વધુ એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. પાદરા તાલુકાના કુરાલ ગામ પાસે માર્ગ પરથી પસાર થઈ રહેલી એક કાર આગળ ઉભેલા કન્ટેનર પાછળ પૂરપાટ ઝડપે ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, કારનો આગળનો ભાગ કન્ટેનર નીચે ગરકાવ થઈ ગયો હતો અને કારના કુરચેકુરચા ઊડી ગયા હતા.</p><h2><b>ધડાકાભેર ટક્કરમાં કારચાલકનું ઘટના સ્થળે જ મોત</b></h2><p>આ ગમખ્વાર અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચવાને કારણે કારચાલકનું ઘટના સ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. અકસ્માતનો અવાજ એટલો તીવ્ર હતો કે, આસપાસના સ્થાનિક રહીશો અને માર્ગ પરથી પસાર થતાં અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહમત ઉઠાવીને અકસ્માતગ્રસ્ત કારમાંથી ચાલકને બહાર કાઢ્યો હતો, પરંતુ તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.</p><h2><b>હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો, વડું પોલીસની ટીમે મોરચો સંભાળ્યો</b></h2><p>અકસ્માતની આ ઘટનાને પગલે પાદરા-જંબુસર હાઈવે પર બંને બાજુ વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટના અંગે જાણ થતાં જ વડું પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.</p><h2><b>પોલીસે રોડ પરથી વાહનો ખસેડી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો</b></h2><p>વડું પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને ક્રેઇન અને જેસીબીની મદદથી રોડ સાઇડ પર ખસેડીને હાઇવે પર ખોરવાયેલા વાહનવ્યવહારને પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધીને મૃતક કારચાલકની ઓળખ મેળવવાની તથા અકસ્માતના ચોક્કસ કારણો જાણવા આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/vadodara/sadhli-shinor-grand-tiranga-yatra-bharat-vidhyalaya" target="_blank">Vadodara News: સાધલીમાં નીકળી અડધો કિલોમીટર લાંબી તિરંગા યાત્રા</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/huNzkmUMYrOUO7a2SU6ROPofnTNIuRl2CvuQRbMh.webp'/></item><item><title><![CDATA[Mahisagar: ધોધમાર વરસાદથી પાનમ નદી બે કાંઠે, લુણાવાડામાં પીવાના પાણીની સમસ્યા હળવી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mahisagar/panam-river-overflows-heavy-rain-lunawada-water-crisis-solved</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mahisagar/panam-river-overflows-heavy-rain-lunawada-water-crisis-solved</guid><pubDate>Tue, 11 Aug 2026 18:04:11 +05:30</pubDate><description><![CDATA[<p>મહીસાગર જિલ્લામાં ચોમાસાની જમાવટ વચ્ચે સર્વત્ર મેઘમહેર જોવા મળી રહી છે. જિલ્લાના વિવિધ વિસ્તારો ઉપરાંત ઉપરવાસના વિસ્તારોમાં પણ પડેલા ધોધમાર વરસાદના કારણે સ્થાનિક નદી-નાળાઓમાં નવા પાણીનો સતત પ્રવાહ વહી રહ્યો છે. મહીસાગર જિલ્લા અને લુણાવાડા તાલુકાની જીવાદોરી સમાન પાનમ નદીમાં પાણીની ભારે આવક નોંધાઈ છે.</p><h2><b>પાનમ નદીમાં પાણીની ભારે આવક&nbsp;</b></h2><p>ઉપરવાસથી વિપુલ પ્રમાણમાં પાણીનો જથ્થો આવતાં જ પાનમ નદી બંને કાંઠે પૂર્ણ વહેણ સાથે વહેતી થઈ છે, જેના કારણે નદીનું રૌદ્ર અને નયનરમ્ય સ્વરૂપ જોવા મળી રહ્યું છે.પાનમ નદી એ લુણાવાડા શહેર માટે પાણીનો મુખ્ય સ્ત્રોત છે. નદીમાંથી જ લુણાવાડા શહેરના ખૂણે-ખૂણા સુધી પીવાનું પાણી વિતરિત કરવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી જળસ્તર નીચું જવાથી ઉનાળા અને ચોમાસાના પ્રારંભે પાણીનું સંકટ ઊભું થવાની શક્યતા હતી, પરંતુ હવે પાનમ નદી બે કાંઠે વહેતી થતાં લુણાવાડા વાસીઓની પીવાના પાણીની સમસ્યા ઉકેલાઈ ગઈ છે.</p><h3><b>ખેડૂતો અને રહીશોમાં ઉત્સાહ</b></h3><p>નદીમાં નવા નીર આવવાના સમાચાર મળતાં જ સ્થાનિક રહીશો અને ખેડૂતો નદી કિનારે નવા જળના વધામણાં કરવા પહોંચ્યા હતા. નદી સમૃદ્ધ થતાં આસપાસના ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવશે, જેનાથી ખેતી અને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે. જેને લઈને સમગ્ર લુણાવાડા અને મહીસાગર પંથકના ખેડૂતોમાં ભારે ખુશી અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.<br></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/singanpore-fire-locals-rescue-3-people-illegal-shed-controversy" target="_blank">આ પણ વાંચો: Surat: સિંગણપોરમાં ઈમારતમાં લાગેલી આગમાં સ્થાનિકો બન્યા દેવદૂત, ફાયર પહોંચે તે પહેલાં ફસાયેલા 3 લોકોને ઉગાર્યા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/FxQ6eoA5kAH9ctaXds5G5WOYakUNBgHDAve4BKSB.webp'/></item><item><title><![CDATA[India News : બેંગલુરુની તાજ હોટલમાં પિતાએ બે પુત્રીઓની હત્યા કરી, પિતાએ પણ કર્યો આત્મહત્યાનો પ્રયાસ ]]></title><link>https://sandesh.com/india/news/crime/india-news-father-kills-two-daughters-at-taj-hotel-in-bengaluru-father-also-attempts-suicide</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/crime/india-news-father-kills-two-daughters-at-taj-hotel-in-bengaluru-father-also-attempts-suicide</guid><pubDate>Tue, 11 Aug 2026 18:03:36 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બેંગલુરુના નાગવારા વિસ્તારની તાજ હોટલમાં એક આઘાતજનક ઘટના સામે આવી છે, જ્યાં 40 વર્ષીય એસજી ઇમરાને તેની બે નિર્દોષ પુત્રીઓ—5 વર્ષીય શેખ ઝેહરા અને 10 વર્ષીય શેખ ઝોયાની ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. બાળકીઓની હત્યા કર્યા બાદ ઇમરાને પોતે પણ ગળું કાપીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. હોટલ સ્ટાફે તેને ગંભીર હાલતમાં મણિપાલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે અને તે ખતરાથી બહાર છે.</p><h2 style="text-align: justify; "><b>દુબઈના મહેમાનનું બહાનું બનાવી હોટલમાં રોકાયો હતો આરોપી</b></h2><p style="text-align: justify; ">ખાનગી કેબ કંપનીમાં મેનેજર તરીકે કામ કરતો ઇમરાન રવિવાર (9 ઓગસ્ટ)ની સાંજે પોતાની બંને પુત્રીઓ સાથે હોટલના ચોથા માળે રૂમ રાખીને રોકાયો હતો. તેણે હોટલ સ્ટાફને કહ્યું હતું કે, દુબઈથી આવનારા મહેમાનને રિસીવ કરવા માટે તે રૂમ રાખી રહ્યો છે અને સોમવારે સવારે ચેક-આઉટ કરી દેશે. પરંતુ સોમવારે સાંજે પણ રૂમનો દરવાજો ન ખુલતા હોટલ મેનેજરે ડુપ્લિકેટ ચાવીથી દરવાજો ખોલ્યો ત્યારે બંને બાળકીઓ બેડ પર મૃત હાલતમાં અને ઇમરાન સોફા પાસે લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>પત્નીના અફેરની શંકામાં આપઘાત નોટ લખી આચર્યો ગુનો</b></h2><p style="text-align: justify; ">ઘટનાસ્થળેથી નોર્થ-ઈસ્ટ ડિવિઝનની પોલીસને એક સુસાઈડ નોટ મળી આવી છે, જે ઇમરાને લખી હોવાની શંકા છે. નોટમાં તેણે પોતાની પત્નીના બીજા પુરુષ સાથેના આડા સંબંધો અને તેના પુરાવા હોવાનો દાવો કર્યો છે. તેણે લખ્યું હતું કે, પત્નીના અફેરથી તંગ આવીને તે પોતાની પુત્રીઓને પણ પોતાની સાથે લઈ જઈ રહ્યો છે. હાલ પોલીસે ડીસીપી મિથુન કુમાર જીકેના નેતૃત્વમાં ગુનો નોંધીને ઘટનાસ્થળેથી મળેલા પુરાવા અને કૌટુંબિક વિવાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/india/news/crime/trainee-ips-faces-serious-charges-of-rs-1-crore-bribe-delhi-cbi-court-orders-seeks-atr-from-dgp" target="_blank">ટ્રેની IPS પર રૂ. 1 કરોડની લાંચનો ગંભીર આરોપ, દિલ્હી CBI કોર્ટનો આદેશ, DGP પાસે ATR માંગ્યો</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/2AOazLw82un1toD5FXgWxGrkmcJbHZQZVdO70g3m.webp'/></item><item><title><![CDATA[FSSAIના નવા નિયમો લાગુ, પાન મસાલાના પ્લાસ્ટિક પેકેજિંગ પર પ્રતિબંધ ]]></title><link>https://sandesh.com/business/news/india/fssai-new-rules-pan-masala-plastic-packaging-ban-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/fssai-new-rules-pan-masala-plastic-packaging-ban-2026</guid><pubDate>Tue, 11 Aug 2026 17:58:15 +05:30</pubDate><description><![CDATA[<p>પાન મસાલા ખરીદનારા ગ્રાહકોને આગામી દિવસોમાં તેના પેકેટમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધોરણ પ્રાધિકરણ (FSSAI)એ પાન મસાલાના પેકેજિંગને લઈને નવા નિયમો લાગુ કર્યા છે. આ નિયમો 10 ઓગસ્ટ 2026થી અમલમાં આવ્યા છે. નવા નિયમો હેઠળ પાન મસાલાના પેકિંગમાં ચોક્કસ પ્રકારના પ્લાસ્ટિક અને સિન્થેટિક સામગ્રીના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.</p><h2><b>પેકેજિંગ વ્યવસ્થામાં મોટા ફેરફાર થશે</b></h2><p>નવા નિયમો મુજબ પાન મસાલાના પેકેજિંગમાં પોલિએથિલીન, પોલિપ્રોપિલીન, પોલિએસ્ટર, PVC સહિતના સિન્થેટિક પોલિમર અને કો-પોલિમરનો ઉપયોગ કરી શકાશે નહીં. આ ઉપરાંત લેમિનેટ, એલ્યુમિનિયમ ફોઈલ અને મેટલાઈઝ્ડ લેયર ધરાવતા પેકેજિંગ પર પણ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. પરિણામે પાન મસાલા બનાવતી કંપનીઓએ તેમની હાલની પેકેજિંગ વ્યવસ્થામાં મોટા ફેરફાર કરવા પડી શકે છે.</p><h3><b>હવે કઈ સામગ્રીમાં પેક થશે પાન મસાલા?</b></h3><p>નવા નિયમો હેઠળ પાન મસાલાના પેકેજિંગ માટે કાગળ, પેપર બોર્ડ, સેલ્યુલોઝ અને કુદરતી સ્ત્રોતોમાંથી મેળવેલી અન્ય સામગ્રીના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત ટિન અથવા કાચના કન્ટેનરમાં પણ પાન મસાલાનું પેકિંગ કરી શકાશે. પેકેજિંગ બદલવાથી કંપનીઓના ઉત્પાદન ખર્ચમાં વધારો થવાની શક્યતા છે. નવા કાચા માલની વ્યવસ્થા ઉપરાંત પેકેજિંગ મશીનરી અને ઉત્પાદન પ્રક્રિયામાં પણ ફેરફાર કરવાની જરૂર પડી શકે છે. કાગળ, ટિન અને કાચ જેવી વૈકલ્પિક સામગ્રી મોંઘી પડતી હોય તો તેનો થોડો બોજ ગ્રાહકો પર પણ પડી શકે છે.</p><h4><b>કેવા પડકારો ઊભા થઈ શકે?</b></h4><p>પ્લાસ્ટિક આધારિત પેકેજિંગની જગ્યાએ અન્ય સામગ્રીના ઉપયોગથી પાન મસાલાની શેલ્ફ લાઇફ, ભેજથી સુરક્ષા અને પરિવહન દરમિયાન ગુણવત્તા જાળવવા જેવા પડકારો ઊભા થઈ શકે છે. નવા પેકેટના સંગ્રહ અને વેચાણને લઈને જથ્થાબંધ વેપારીઓ તથા દુકાનદારોને પણ પોતાની વ્યવસ્થામાં ફેરફાર કરવો પડી શકે છે.</p><p><a href="https://sandesh.com/business/news/wipro-exits-nifty-50-bse-entry-691-million-investment" target="_blank"><b>આ પણ વાંચો : Nifty 50માંથી વિપ્રોની વિદાય, આ કંપનીની થશે એન્ટ્રી, ઈન્ડેક્સ ફેરફારથી કરોડો ડૉલરના રોકાણની શક્યતા</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/Hgde3MVAN8LbtdlNjAzIT9oQHf66ASHPnX0u83eF.webp'/></item><item><title><![CDATA[FSSAIના નવા નિયમો લાગુ, પાન મસાલાના પ્લાસ્ટિક પેકેજિંગ પર પ્રતિબંધ ]]></title><link>https://sandesh.com/business/news/india/fssai-new-rules-pan-masala-plastic-packaging-ban-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/fssai-new-rules-pan-masala-plastic-packaging-ban-2026</guid><pubDate>Tue, 11 Aug 2026 17:58:15 +05:30</pubDate><description><![CDATA[<p>પાન મસાલા ખરીદનારા ગ્રાહકોને આગામી દિવસોમાં તેના પેકેટમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધોરણ પ્રાધિકરણ (FSSAI)એ પાન મસાલાના પેકેજિંગને લઈને નવા નિયમો લાગુ કર્યા છે. આ નિયમો 10 ઓગસ્ટ 2026થી અમલમાં આવ્યા છે. નવા નિયમો હેઠળ પાન મસાલાના પેકિંગમાં ચોક્કસ પ્રકારના પ્લાસ્ટિક અને સિન્થેટિક સામગ્રીના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.</p><h2><b>પેકેજિંગ વ્યવસ્થામાં મોટા ફેરફાર થશે</b></h2><p>નવા નિયમો મુજબ પાન મસાલાના પેકેજિંગમાં પોલિએથિલીન, પોલિપ્રોપિલીન, પોલિએસ્ટર, PVC સહિતના સિન્થેટિક પોલિમર અને કો-પોલિમરનો ઉપયોગ કરી શકાશે નહીં. આ ઉપરાંત લેમિનેટ, એલ્યુમિનિયમ ફોઈલ અને મેટલાઈઝ્ડ લેયર ધરાવતા પેકેજિંગ પર પણ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. પરિણામે પાન મસાલા બનાવતી કંપનીઓએ તેમની હાલની પેકેજિંગ વ્યવસ્થામાં મોટા ફેરફાર કરવા પડી શકે છે.</p><h3><b>હવે કઈ સામગ્રીમાં પેક થશે પાન મસાલા?</b></h3><p>નવા નિયમો હેઠળ પાન મસાલાના પેકેજિંગ માટે કાગળ, પેપર બોર્ડ, સેલ્યુલોઝ અને કુદરતી સ્ત્રોતોમાંથી મેળવેલી અન્ય સામગ્રીના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત ટિન અથવા કાચના કન્ટેનરમાં પણ પાન મસાલાનું પેકિંગ કરી શકાશે. પેકેજિંગ બદલવાથી કંપનીઓના ઉત્પાદન ખર્ચમાં વધારો થવાની શક્યતા છે. નવા કાચા માલની વ્યવસ્થા ઉપરાંત પેકેજિંગ મશીનરી અને ઉત્પાદન પ્રક્રિયામાં પણ ફેરફાર કરવાની જરૂર પડી શકે છે. કાગળ, ટિન અને કાચ જેવી વૈકલ્પિક સામગ્રી મોંઘી પડતી હોય તો તેનો થોડો બોજ ગ્રાહકો પર પણ પડી શકે છે.</p><h4><b>કેવા પડકારો ઊભા થઈ શકે?</b></h4><p>પ્લાસ્ટિક આધારિત પેકેજિંગની જગ્યાએ અન્ય સામગ્રીના ઉપયોગથી પાન મસાલાની શેલ્ફ લાઇફ, ભેજથી સુરક્ષા અને પરિવહન દરમિયાન ગુણવત્તા જાળવવા જેવા પડકારો ઊભા થઈ શકે છે. નવા પેકેટના સંગ્રહ અને વેચાણને લઈને જથ્થાબંધ વેપારીઓ તથા દુકાનદારોને પણ પોતાની વ્યવસ્થામાં ફેરફાર કરવો પડી શકે છે.</p><p><a href="https://sandesh.com/business/news/wipro-exits-nifty-50-bse-entry-691-million-investment" target="_blank"><b>આ પણ વાંચો : Nifty 50માંથી વિપ્રોની વિદાય, આ કંપનીની થશે એન્ટ્રી, ઈન્ડેક્સ ફેરફારથી કરોડો ડૉલરના રોકાણની શક્યતા</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/Hgde3MVAN8LbtdlNjAzIT9oQHf66ASHPnX0u83eF.webp'/></item><item><title><![CDATA[Surat News : AIથી ડુપ્લિકેટ RC બુક બનાવી ચોરીના વાહનો વેચતી ગેંગનો પર્દાફાશ, બે આરોપી પકડાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/selling-stolen-bikes-using-ai-generated-duplicate-rc-books</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/selling-stolen-bikes-using-ai-generated-duplicate-rc-books</guid><pubDate>Tue, 11 Aug 2026 17:43:39 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરમાં વાહનચોરી કરીને તેને વેચવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરતી એક અત્યંત શાતીર ગેંગનો લિંબાયત પોલીસે પર્દાફાશ કર્યો છે.પોલીસે દરોડો પાડીને આ ગેંગના બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી ચોરીની 12 મોટરસાઈકલ સહિત કુલ રૂ.4.95 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ ચોરી કરેલા વાહનોને સરળતાથી અને ઊંચા ભાવે વેચવા માટે AI સોફ્ટવેર અને એડિટિંગ ટૂલ્સનો ઉપયોગ કરતા હતા.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>વાહનચોરીના કુલ 12 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો</b></h2><p style="text-align: justify; ">પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓ ઓરિજિનલ જેવી જ આબેહૂબ ડુપ્લિકેટ આરસી બુક બનાવી લેતા હતા.આ બનાવટી કાગળો બતાવીને તેઓ નિર્દોષ લોકોને જાળમાં ફસાવતા અને ચોરીના વાહનો અસલી હોવાનું કહીને વેચી દેતા હતા. લિંબાયત પોલીસ મથકની ટીમે ચોક્કસ બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે કાર્યવાહી કરીને બંને આરોપીઓને ઝડપી લીધા હતા.આરોપીઓની કડક પૂછપરછ દરમિયાન સુરત શહેરના વિવિધ વિસ્તારોમાંથી આચરેલી વાહનચોરીના કુલ 12 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>4.95 લાખની કિંમતની 12 ચોરાઉ બાઈકો જપ્ત</b></h3><p style="text-align: justify; ">પોલીસે આરોપીઓના કબજામાંથી રૂ.4.95 લાખની કિંમતની 12 ચોરાઉ બાઈકો જપ્ત કરી છે.આરોપીઓ અત્યાર સુધીમાં અન્ય કેટલા લોકોને AI નિર્મિત ડુપ્લિકેટ કાગળોના આધારે વાહનો વેચી ચૂક્યા છે અને આ રેકેટમાં અન્ય કોઈ સાગરીતો સામેલ છે કે કેમ,તે દિશામાં લિંબાયત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.આ ઉપરાંત, પોલીસે સામાન્ય નાગરિકોને પણ સેકન્ડ હેન્ડ વાહન ખરીદતી વખતે તેના કાગળોની કાળજીપૂર્વક ચકાસણી કરવા અપીલ કરી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/mahisagar/suva-village-road-flooded-22-patients-stranded" target="_blank">આ પણ વાંચોઃ Mahisagar News: ભારે વરસાદથી લુણાવાડાના સુવા ગામનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ, 22 દર્દીઓ ફસાયા</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/SXG7inucyRGot1xrHMlAANHQqJ4qqYDHbA2gtYa1.webp'/></item><item><title><![CDATA[Surat: સિંગણપોરમાં ઈમારતમાં લાગેલી આગમાં સ્થાનિકો બન્યા દેવદૂત, ફાયર પહોંચે તે પહેલાં ફસાયેલા 3 લોકોને ઉગાર્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/singanpore-fire-locals-rescue-3-people-illegal-shed-controversy</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/singanpore-fire-locals-rescue-3-people-illegal-shed-controversy</guid><pubDate>Tue, 11 Aug 2026 17:40:38 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત શહેરના સિંગણપોર રોડ પર આવેલા નવા મહોલ્લા નજીક એક ઈમારતમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. ઈમારતના પહેલા માળે આવેલા એક પરિસરમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતાં જ માર્ગ પર ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. પતરાના શેડના કારણે આગે ઝડપથી રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે બીજા માળે રહેતા લોકો ઉપર જ ફસાઈ ગયા હતા.</p><h2><b>સિંગણપોર રોડ પર ઈમારતમાં અચાનક આગ</b></h2><p>સુરતમાં અગાઉ બનેલી તક્ષશિલા જેવી આગની ઘટનાઓને ધ્યાને રાખીને સ્થાનિક યુવાનોએ સહેજ પણ સમય બગાડ્યા વગર ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલાં જ પોતે જ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. સ્થાનિકોએ પોતાના જીવનું જોખમ ખેડીને ઈમારતના બીજા માળે ફસાયેલા ૩ જેટલા લોકોને સહીસલામત બહાર કાઢી લીધા હતા. આ સમગ્ર સાહસિક રેસ્ક્યૂનો લાઈવ વીડિયો પણ કેમેરામાં કેદ થયો છે.</p><h4><b>મસમોટા ગેરકાયદેસર પતરાના શેડ</b></h4><p>આ ઘટના બાદ સ્થાનિક રહીશોમાં મનપા અને ફાયર વિભાગની નિષ્ક્રિયતા સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આરોપ છે કે સિંગણપોર, કતારગામ, ડભોલી અને મોટા વરાછા જેવા વિસ્તારોમાં રહેણાંક અને કોમર્શિયલ ઈમારતોની આસપાસ મસમોટા ગેરકાયદેસર પતરાના શેડ અને ગોડાઉનો ધમધમી રહ્યા છે, જે કાયમ માટે માનવજિંદગી માટે મોટું જોખમ સાબિત થાય છે.</p><h5><b>ગોડાઉન સંપૂર્ણપણે ગેરકાયદેસર રીતે ચાલતું હતું</b></h5><p>ઘટના અંગે જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચેલી ફાયર વિભાગની ટીમે પણ પ્રાથમિક તપાસ બાદ સ્વીકાર્યું હતું કે જે જગ્યાએ આગ લાગી હતી તે પતરાનો શેડ અને ગોડાઉન સંપૂર્ણપણે ગેરકાયદેસર રીતે ચાલતું હતું. આ ઘટના બાદ હવે તંત્ર દ્વારા સુરતમાં ધમધમતા આવા ગેરકાયદેસર પતરાના શેડ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/navsari/khergam-vadpada-damanganga-water-pipeline-bursts-during-testing" target="_blank">આ પણ વાંચો: Navsari: ખેરગામમાં દમણગંગા પાણી યોજનામાં સર્જાયું ભંગાણ, ટેસ્ટિંગ સમયે જ તૂટી પાઈપલાઈન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/VisfTSbNvgtvR9Qh8uZi4yWD96o8SvtvTHp0UQX9.webp'/></item><item><title><![CDATA[Navsari: ખેરગામમાં દમણગંગા પાણી યોજનામાં સર્જાયું ભંગાણ, ટેસ્ટિંગ સમયે જ તૂટી પાઈપલાઈન ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/navsari/khergam-vadpada-damanganga-water-pipeline-bursts-during-testing</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/navsari/khergam-vadpada-damanganga-water-pipeline-bursts-during-testing</guid><pubDate>Tue, 11 Aug 2026 17:19:37 +05:30</pubDate><description><![CDATA[<p>નવસારી જિલ્લાના ખેરગામ તાલુકા અંતર્ગત આવતા વડપાડા ગામેથી પસાર થતી દમણગંગા પાણી પુરવઠા યોજનાની મુખ્ય પાઈપલાઈનમાં અચાનક મોટું ભંગાણ સર્જાયું હતું. વડપાડા ચાર રસ્તા નજીક બનેલી આ ઘટનામાં પાઈપલાઈન ફાટતાં જ ધડાકાભેર પાણીનો પ્રવાહ બહાર ફેંકાયો હતો અને જોતજોતામાં આશરે 70 ફૂટ જેટલા ઊંચા પાણીના ફુવારા હવામાં ઊડવા લાગ્યા હતા.</p><p><b>પાણી પુરવઠાની પાઈપલાઈનમાં ભંગાણ&nbsp;</b></p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2087144716370694383"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>દમણગંગા પાણી પુરવઠા યોજનાની પાઈપલાઈનમાં ભંગાણ&nbsp;</b></h2><p>રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક ગ્રામજનો આ ભયાનક દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને થોડીવાર માટે ચાર રસ્તા પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, દમણગંગા પાણી યોજના હજુ વિધિવત રીતે શરૂ કરવામાં આવી નથી. લાઈનમાં પાણી પુરવઠો નિયમિત ચાલુ થાય તે પહેલાં તંત્ર દ્વારા માત્ર ટ્રાયલ/ટેસ્ટિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું. ટેસ્ટિંગના તબક્કે જ પાઈપલાઈન ધડાકા સાથે તૂટી જતાં કોન્ટ્રાક્ટર અને સંબંધિત વિભાગ દ્વારા કરાયેલી કામગીરીની ગુણવત્તા સામે અનેક સવાલો ઊભા થયા છે.</p><h3><b>રહેણાંક મકાનને નુકસાન પહોંચ્યું</b></h3><p>પાણીનું પ્રેશર એટલું વધારે હતું કે નજીકમાં જ આવેલા એક રહેણાંક મકાન પર પાણી અને કાંકરીનો મારો થતાં મકાનને નુકસાન પહોંચ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને ટેકનિકલ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પાઈપલાઈનનો મુખ્ય વાલ્વ બંધ કરી સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી હતી.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/anjar/anjar-shekh-timbo-demolition-east-kutch-police-destroys-1-crore-illegal-houses" target="_blank">આ પણ વાંચો: Kutch: અંજારના શેખ ટિંબોમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વોના 5 મકાનો તોડી પડાયા</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/Pioizbc4NJz9mbJ4UoJBgickKFvkBkTyyj6VA5lw.webp'/></item><item><title><![CDATA[Suniel Shetty Birthday: 90ના દાયકાના એક્શન સ્ટાર 'અન્ના'નો જન્મદિવસ, પુત્ર અહાન અને જેકી શ્રોફે પાઠવી ખાસ શુભેચ્છા ]]></title><link>https://sandesh.com/entertainment/news/suniel-shetty-birthday-90s-action-star-anna-celebrates-his-birthday-son-ahan-and-jackie-shroff-send-special-wishes</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/suniel-shetty-birthday-90s-action-star-anna-celebrates-his-birthday-son-ahan-and-jackie-shroff-send-special-wishes</guid><pubDate>Tue, 11 Aug 2026 14:52:31 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડના લોકપ્રિય અભિનેતા સુનીલ શેટ્ટી આજે ૧૧ ઓગસ્ટના રોજ તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ પ્રસંગે સોશિયલ મીડિયા પર ચાહકો, બોલીવુડ સેલિબ્રિટીઝ અને તેમના નજીકના મિત્રો તરફથી શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. અભિનેતાના પુત્ર અહાન શેટ્ટીએ પિતા સાથેની એક સુંદર તસવીર શેર કરીને લખ્યું, "હેપ્પી બર્થડે, પપ્પા." બીજી તરફ, તેમના ખાસ મિત્ર અને દિગ્ગજ અભિનેતા જેકી શ્રોફે પણ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફોટો શેર કરતા લખ્યું, "ધ રીઅલ ભીડુ... હેપ્પી બર્થડે."</p><h2 style="text-align: justify; "><b>અન્નાની જેકી શ્રોફ સાથેની ખાસ કેમિસ્ટ્રી</b></h2><p style="text-align: justify; ">જેકી શ્રોફ અને સુનીલ શેટ્ટી વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા છે. બંને કલાકારોએ 'બોર્ડર' (૧૯૯૭), 'બાઝ: અ બર્ડ ઇન ડેન્જર', 'હલચલ' અને 'અપના સપના મની મની' જેવી અનેક યાદગાર ફિલ્મોમાં સાથે કામ કરીને પ્રેક્ષકોનું મનોરંજન કર્યું છે. તાજેતરમાં આવેલી બોર્ડર 2 ફિલ્મમાં સુનીલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટીએ કામ કર્યું. અગાઉની ફિલ્મમાં એરફોર્સ પાયલટ તરીકેનો રોલ હતો તે બોર્ડર-2માં અહાને કર્યો હતો. અન્ના અને જેકીશ્રોફના સંબંધો હંમેશા સારા રહ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>સુનીલ શેટ્ટીની ૩ દાયકા લાંબી કારકિર્દી અને ૧૦૦થી વધુ ફિલ્મો</b></h3><p style="text-align: justify;">સુનીલ શેટ્ટીએ પોતાની ત્રણ દાયકાથી વધુ લાંબી ફિલ્મી સફરમાં ૧૦૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે વર્ષ ૧૯૯૨માં રિલીઝ થયેલી એક્શન ફિલ્મ 'બલવાન'થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ 'મોહરા', 'દિલવાલે', 'ગોપી કિશન' અને 'સપૂત' જેવી સુપરહિત ફિલ્મો આપીને તેઓ ૯૦ના દાયકાના સૌથી સફળ અને વ્યસ્ત એક્શન સ્ટાર તરીકે સ્થાપિત થયા હતા.</p><h4 style="text-align: justify; "><b>'હેરાફેરી' અને 'ધડકન'થી બદલાયેલી ઈમેજ</b></h4><p style="text-align: justify; ">વર્ષ ૨૦૦૦માં આવેલી કોમેડી ક્લાસિક ફિલ્મ 'હેરા ફેરી'માં 'શ્યામ'નું પાત્ર ભજવીને સુનીલ શેટ્ટીએ પોતાની એક્શન હીરોની છબી બદલી નાખી હતી. આ ઉપરાંત, 'ધડકન' (૨૦૦૦) અને 'મૈં હૂં ના' (૨૦૦૪) જેવી ફિલ્મોમાં નકારાત્મક ભૂમિકા ભજવીને તેમણે પોતાની એક્ટિંગની વિવિધતા સાબિત કરી. 'ધડકન' ફિલ્મમાં તેમના શાનદાર અભિનય માટે તેમને બેસ્ટ વિલનનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. અભિનય ઉપરાંત, તેમણે પોતાના પ્રોડક્શન હાઉસ 'પોપકોર્ન એન્ટરટેઈનમેન્ટ' હેઠળ 'ખેલ', 'રક્ત' અને 'ભાગમ ભાગ' જેવી સફળ ફિલ્મોનું નિર્માણ પણ કર્યું છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/controversy-over-portrayal-of-women-in-partition-1947-it-is-unfair-to-reach-final-conclusions-without-understanding-preity-zintas-blunt-response" target="_blank">આ પણ વાંચો : Partition 1947માં મહિલાઓના ચિત્રણ વિવાદ પર ટિકાકારો અને વિરોધ કરનારાઓને પ્રિતી ઝિન્ટાનો રોકડો જવાબ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/GKjEqdrVAMv4uzXKAO7cv0SAwkB7pFXCZIyzGQbJ.webp'/></item><item><title><![CDATA[PM મોદી સામે બોક્સર નરેન્દ્રએ સંભળાવ્યો પાકિસ્તાની બોક્સરનો કિસ્સો, વાત સાંભળીને હસી પડ્યા વડાપ્રધાન ]]></title><link>https://sandesh.com/sports/news/pm-modi-boxer-narender-pakistani-opponent-funny-story</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pm-modi-boxer-narender-pakistani-opponent-funny-story</guid><pubDate>Mon, 10 Aug 2026 20:09:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગ્લાસગો ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતે કુલ 39 મેડલ સાથે મેડલ ટેબલમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. ગેમ્સ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પોતાના નિવાસસ્થાને ભારતીય મેડલ વિજેતા ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ખેલાડીઓએ PM મોદી સાથે ખુલ્લા દિલે વાતચીત કરી હતી અને પોતાના અનુભવો પણ શેર કર્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>નરેન્દ્રએ સિલ્વર મેડલ જીત્યો</b></h2><p style="text-align: justify; ">આ મુલાકાત દરમિયાન ભારતીય હેવીવેઈટ બોક્સર નરેન્દ્ર બેરવાલે PM મોદીને એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો હતો. નરેન્દ્રે કોમનવેલ્થ ગેમ્સમાં 90+ કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેમને જણાવ્યું કે વર્ષ 2015માં મિલિટરી ગેમ્સ દરમિયાન તેમની પ્રથમ બાઉટ પાકિસ્તાની બોક્સર સામે હતી. તેમને મિલિટરી તરફથી ફોન કરીને પાકિસ્તાન સામે ન હારવાની વાત કહેવામાં આવી હતી.</p><h3 style="text-align: justify; "><b>મને નરેન્દ્ર નામથી નફરત થઈ ગઈ છે</b></h3><p style="text-align: justify; ">નરેન્દ્રે જણાવ્યું કે તેમણે પ્રથમ બાઉટ 4-1થી અને બીજી બાઉટ 3-2થી જીતી હતી. આ દરમિયાન બંને બોક્સરના માથા પણ અથડાયા હતા અને બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2086683661504843813"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p style="text-align: justify; "> </p><p style="text-align: justify; ">નરેન્દ્રે આગળ જણાવ્યું કે તેમના કોચનું નામ પણ નરેન્દ્ર રાણા હતું અને તે સમયે ભારતના વડાપ્રધાનનું નામ પણ નરેન્દ્ર હતું. આ સંયોગને લઈને પાકિસ્તાની બોક્સરે તેમને કહ્યું હતું કે, “તમારું નામ નરેન્દ્ર છે, તમારા કોચનું નામ પણ નરેન્દ્ર છે અને તમારા PMનું નામ પણ નરેન્દ્ર છે. હવે મને નરેન્દ્ર નામથી નફરત થઈ ગઈ છે.” આ વાત સાંભળીને PM મોદી હસતા જોવા મળ્યા હતા.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>ભારતે બોક્સિંગમાં 10 મેડલ જીત્યા&nbsp;</b></h4><p style="text-align: justify; ">કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય બોક્સિંગ ટીમનું પ્રદર્શન પણ નોંધપાત્ર રહ્યું હતું. ભારતે બોક્સિંગમાં 10 મેડલ જીત્યા હતા, જ્યારે નરેન્દ્ર બેરવાલે 90+ કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. ફાઇનલમાં તેમને ઇંગ્લેન્ડના ડામાર થોમસ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/oMWNn5CGUFi7LAuIfgHkI21UFhgy68SNnoD190zK.webp'/></item></channel></rss>