<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Sabarkantha News: હિંમતનગર પાસે રેલવેની ટક્કરે નર્સિંગની વિદ્યાર્થિનીનું મોત, વીર ભૂમિ એક્સપ્રેસ અડફેટે ચડી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/himatnagar/sabarkantha-balwantpura-train-accident-nursing-student-death</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/himatnagar/sabarkantha-balwantpura-train-accident-nursing-student-death</guid><pubDate>Sat, 19 Sep 2026 16:21:03 +05:30</pubDate><description><![CDATA[<p>સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. હિંમતનગરના બળવંતપુરા પાસે અસારવાથી ઉદયપુર જતી ટ્રેનની અડફેટે આવી જવાથી 17 વર્ષીય યુવતીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જેને કારણે સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.</p><h2><b>વીર ભૂમિ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી યુવતી</b></h2><p>પ્રાપ્ત વિગતો અનુસાર, અસારવાથી ઉદયપુર જતી વીર ભૂમિ એક્સપ્રેસ ટ્રેન જ્યારે હિંમતનગરના બળવંતપુરા પાસેથી પસાર થઈ રહી હતી, તે દરમિયાન નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી મિસ્ત્રી ધ્રુવી અલ્પેશકુમાર નામની 17 વર્ષીય યુવતી અચાનક આ ટ્રેનની અડફેટે આવી ગઈ હતી. ગંભીર ઈજાઓને કારણે તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.</p><p><img alt="Sabarkantha News: Nursing Student Dies After Being Hit by Train Near Himmatnagar" src="https://epapercdn.sandesh.com/images/2026/09/19/TPikT3GvPa6UE1K6sbLXGakvmwqE3Ck2PQDrEI4e.webp"><br></p><h2><b>ઘટના સ્થળેથી મળેલા આઈકાર્ડ દ્વારા થઈ ઓળખ</b></h2><p>અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મૃતક યુવતી જલારામ મંદિર વિસ્તારમાં રહેતી હતી અને નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી હતી. ઘટના સ્થળેથી યુવતીનું આઈકાર્ડ અને બેગ મળી આવ્યા હતા, જેના આધારે તેની તરત જ ઓળખ થઈ શકી હતી.</p><p><img alt="Sabarkantha News: Nursing Student Dies After Being Hit by Train Near Himmatnagar" src="https://epapercdn.sandesh.com/images/2026/09/19/JUmlSbolHthQ6faYMVPTRBLELXBD6UA58BrZGJNO.webp"><br></p><h2><b>પરિવારમાં આક્રંદ અને રેલવે પોલીસની તપાસ</b></h2><p>યુવતીના અચાનક અને આકસ્મિક મોતને પગલે પરિવારજનોમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને કબ્જે કરીને પોસ્ટ મોર્ટમ તેમજ આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/himatnagar/khedbrahma-and-idar-receive-over-2-inches-of-rain-overnight" target="_blank">Sabarkantha News: મોડી રાત્રે ખેડબ્રહ્મા અને ઈડરમાં બે ઈંચથી વધુ વરસાદ ખાબક્યો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/zQrhsTf875NNCIbWVtIASNyGBDCv7DYcIFv2mWmh.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: MD ડ્રગ્સ કેસમાં EDની મોટી કાર્યવાહી, 90 લાખથી વધુની મિલકતો જપ્ત કરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ed-action-mephedrone-drugs-case-properties-attached</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ed-action-mephedrone-drugs-case-properties-attached</guid><pubDate>Sat, 19 Sep 2026 16:16:03 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ ચર્ચાસ્પદ બનેલા મેફેડ્રોન ડ્રગ્સ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અત્યંત કડક પગલાં લેવામાં આવ્યા છે. EDએ મની લોન્ડરિંગ અટકાયત ધારા (PMLA) હેઠળ મોટી કાર્યવાહી કરતા હૈદરાબાદ અને મંઢસૌર સ્થિત મિલકતોને જપ્ત કરી લીધી છે.</p><h2><b>રૂ. 90 લાખથી વધુની સંપત્તિઓ કરાઈ અટેચ</b></h2><p>પ્રાપ્ત વિગતો અનુસાર, EDની તપાસમાં ડ્રગ્સના કારોબાર સાથે જોડાયેલી ગેરકાયદે નાણાકીય લેવડ-દેવડ સામે આવી હતી. આ મામલામાં તપાસને આગળ ધપાવતા એજન્સી દ્વારા હૈદરાબાદ અને મંઢસૌર ખાતે આવેલી રૂ. 90 લાખથી વધુ કિંમતની સ્થાવર અને અસ્થાવર મિલકતોને સત્તાવાર રીતે અટેચ કરવામાં આવી છે.</p><h2><b>70 કરોડના MD ડ્રગ્સ પ્રકરણમાં ધમધમી તપાસ</b></h2><p>તમને જણાવી દઈએ કે, આ સમગ્ર મામલો આશરે રૂ. 70 કરોડના મસમોટા MD ડ્રગ્સ પ્રકરણ સાથે જોડાયેલો છે. આ કેસમાં વેદ પ્રકાસ વ્યાસ સહિત અન્ય સંડોવાયેલા શખ્સો સામે ED દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ગેરકાયદેસર રીતે વસાવવામાં આવેલી સંપત્તિઓની ઓળખ કરીને કાયદાકીય શિકંજો વધુ મજબૂત કરવામાં આવી રહ્યો છે.</p><h2><b>અગાઉ ત્રણ આરોપીઓની થઈ ચૂકી છે ધરપકડ</b></h2><p>આ હાઇપ્રોફાઇલ ડ્રગ્સ રેકેટમાં અગાઉ પણ કેન્દ્રીય તપાસ એજન્સી ED દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. અગાઉ આ કેસમાં સંડોવાયેલા ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે, અને હવે તેમની ગેરકાયદે સંપત્તિઓ ટાંચમાં લેવાની કાર્યવાહીથી ડ્રગ્સ માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-edunova-school-recognition-cancelled-irregularities" target="_blank">Ahmedabad: 15 વર્ષ બાદ તંત્રને થયું જ્ઞાન, એજ્યુનોવા સ્કૂલની માન્યતા રદ, હવે 180 વિદ્યાર્થીઓનું શું?</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/1RPuLLaqbeg97wcQWIiaKOqgVFV0zko3xHRy6iYm.webp'/></item><item><title><![CDATA[Lock Upp Season 2: છૂટાછેડાની ચર્ચા વચ્ચે ગૌરવ-આકાંક્ષા ગણપતિમાં થયા ભેગા, અભિનેત્રીએ મીડિયાને કહ્યું... ]]></title><link>https://sandesh.com/entertainment/news/gaurav-khanna-akanksha-chamola-ganpati-meet</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/gaurav-khanna-akanksha-chamola-ganpati-meet</guid><pubDate>Sat, 19 Sep 2026 16:06:22 +05:30</pubDate><description><![CDATA[<p>ગૌરવ ખન્ના અને અકાંક્ષા ચમોલા છૂટાછેડાની ચર્ચાઓ વચ્ચે તાજેતરમાં ગણપતિ ઉજવણીમાં સાથે જોવા મળ્યાં. બંનેના ઘણા ફોટા અને વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. અકાંક્ષા ચમોલાએ જણાવ્યું કે બંને એકબીજા સાથે વાતચીત પણ કરી હતી.&nbsp;</p><p>'લૉક અપ'માં આકાંક્ષા ચમોલાએ જણાવ્યું હતું કે તે અને ગૌરવ છૂટાછેડા લઈ રહ્યા છે. આ વાતથી સૌ કોઈ ચોંકી ગયા હતા. છૂટાછેડાની ચર્ચાઓ વચ્ચે બંને તાજેતરમાં સાથે જોવા મળ્યાં.</p><h2><b>ગણપતિ ઉજવણીમાં મળ્યા ગૌરવ-અકાંક્ષા</b></h2><p>શુક્રવારે આકાંક્ષા ચમોલા મુંબઈમાં નિર્માતા એકતા કપૂરની ગણપતિ ઉજવણીમાં પહોંચી હતી, જ્યાં ગૌરવ ખન્ના પણ હાજર હતો. વાયરલ વીડિયોમાં બંને એક જ ફ્રેમમાં જોવા મળ્યાં, પરંતુ તેઓ એકબીજા સાથે વાત કરતા જોવા મળ્યા નહોતા. જોકે, હવે આકાંક્ષાએ જણાવ્યું છે કે પાર્ટીમાં બંનેએ એકબીજાનું અભિવાદન કર્યું હતું.</p><p>એકતા કપૂરની ગણપતિ ઉજવણીમાં આકાંક્ષા ચમોલા જાંબલી અને સોનેરી સાડીમાં ખૂબ સુંદર લાગી રહી હતી. જ્યારે ગૌરવ ખન્ના પીળા કુર્તામાં જોવા મળ્યા. પાર્ટીમાંથી બહાર નીકળતી વખતે બંનેએ ફોટોગ્રાફરોનું સ્મિત સાથે અભિવાદન પણ કર્યું.</p><p><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DdcgoBczQiW/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DdcgoBczQiW/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a><br></p><h2><b>આકાંક્ષાએ આપ્યું રિએક્શન</b></h2><p>બહાર મીડિયા સાથે વાતચીત દરમિયાન જ્યારે અકાંક્ષાને યાદ અપાવવામાં આવ્યું કે ગૌરવ પણ પાર્ટીમાં હાજર હતા, ત્યારે તે થોડી અસહજ લાગી અને સ્મિત સાથે બોલી, "હા હા, અમે બંને અંદર આવ્યા હતા. અમે મળી પણ લીધું... શા માટે અમે ન મળીએ?"&nbsp;</p><p>તાજેતરમાં એવા અહેવાલો પણ સામે આવ્યા હતા કે આકાંક્ષા ચમોલાએ ઈન્સ્ટાગ્રામ પર ગૌરવ ખન્નાને અનફોલો કરી દીધા છે અને પોતાની પ્રોફાઇલ પરથી બંનેની તસવીરો પણ હટાવી દીધી છે.&nbsp;</p><h2><b>'લૉકઅપ 2'માં છૂટાછેડાનો કર્યો હતો ખુલાસો</b></h2><p>અકાંક્ષા ચમોલાએ નેટફ્લિક્સના રિયાલિટી શો 'લૉક અપ: સચ યા સજા'માં પહેલીવાર પોતાના છૂટાછેડા વિશે વાત કરી હતી. શોમાં પોતાના એક રહસ્ય વિશે વાત કરતા તેણે જણાવ્યું હતું કે બંને અલગ રહે છે અને છૂટાછેડા લેવાના છે. આ ખુલાસા છતાં ગૌરવ ખન્ના શોમાં આકાંક્ષાને ટેકો આપવા પહોંચ્યા હતા.</p><p>આકાંક્ષા પોતાના અને ગૌરવના સંબંધ વિશે ઘણી વખત વાત કરી ચૂકી છે, પરંતુ ગૌરવે આ અંગત મામલે અત્યાર સુધી મૌન જાળવ્યું છે.<a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DdcgoBczQiW/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DdcgoBczQiW/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/vZWEjdX4nRsG0bF7qJU5q1CJ511lWwXdu71kA8I1.webp'/></item><item><title><![CDATA[Patan News: 12 પાસ મુન્નાભાઈ ચલાવતો હતો દવાખાનું, સાંતલપુરમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/patan/santlpur-sog-police-arrests-bogus-doctor-krishna-complex</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/patan/santlpur-sog-police-arrests-bogus-doctor-krishna-complex</guid><pubDate>Sat, 19 Sep 2026 15:59:48 +05:30</pubDate><description><![CDATA[<p>પાટણ જિલ્લામાંથી આરોગ્ય સાથે ચેડા કરતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાંતલપુર વિસ્તારમાં એસઓજી પોલીસે દરોડા પાડીને કોઈપણ પ્રકારની અધિકૃત મેડિકલ ડિગ્રી ન હોવા છતાં લોકોની સારવાર કરતા એક બોગસ તબીબને ઝડપી પાડ્યો છે, જેના કારણે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.</p><h2><b>ક્રિષ્ણા કોમ્પ્લેક્સમાં ચાલતું હતું ગેરકાયદે દવાખાનું</b></h2><p>પ્રાપ્ત વિગતો મુજબ, સાંતલપુર ખાતે આવેલા ક્રિષ્ણા કોમ્પ્લેક્સમાં આ બોગસ ડોક્ટર લાંબા સમયથી પોતાનું દવાખાનું ચલાવી રહ્યો હતો. આ શખ્સ પાસે તબીબી ક્ષેત્રની કોઈ જ ઓરિજિનલ કે માન્ય ડિગ્રી ન હતી, છતાં તે બેરોકટોક દવાખાનું ચલાવીને લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડા કરી રહ્યો હતો.</p><h2><b>ધોરણ 12 પાસ શખ્સ માત્ર અનુભવના આધારે કરતો હતો સારવાર</b></h2><p>પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, પકડાયેલો બોગસ તબીબ માત્ર ધોરણ 12 પાસ છે અને કોઈ મેડિકલ અભ્યાસ વગર માત્ર પોતાના સામાન્ય અનુભવના આધારે દર્દીઓની સારવાર કરતો હતો. તે બીમાર દર્દીઓને ગેરકાયદે એલોપેથીક દવાઓ આપીને તેમની સારવાર કરતો હોવાનું સામે આવ્યું છે.</p><p><img alt="Patan News: SOG Police Arrests Bogus Doctor in Santalpur" src="https://epapercdn.sandesh.com/images/2026/09/19/dmo3uEe0nbYinSTz33hrnuJJJ7Enz5Qeh4h1n8vo.webp" style="width: 100%;"><br></p><h2><b>પોલીસે રૂ. 24,841 થી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત</b></h2><p>માહિતી મળતા જ SOG પોલીસે સ્થળ પર અચાનક દરોડો પાડીને મેડિકલ સાધનો અને દવાઓ જપ્ત કરી હતી. પોલીસે સ્થળ પરથી સ્ટેથોસ્કોપ, બીપી માપવાનું મશીન, વિવિધ પ્રકારની એલોપેથીક દવાઓ, સિરપ, ડ્રોપ્સ, સીરીંજ અને ઇન્જેક્શન સહિત કુલ રૂ. 24,841.34 નો શંકાસ્પદ મુદ્દામાલ કબજે કર્યો છે.</p><h2><b>આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ</b></h2><p>આ ગંભીર ગુનામાં પોલીસે બોગસ ડોક્ટર લાખાભાઈ નાથાભાઈ રબારી (રહે. ચલવાડા) વિરુદ્ધ કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહીથી પંથકમાં અન્ય છૂપા બોગસ તબીબોમાં પણ ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/red-alert-in-9-districts-of-north-gujarat-until-1-pm" target="_blank">Gujarat Weather News: ઉત્તર ગુજરાતવાસીઓ સાવધાન, બપોરે 1 વાગ્યા સુધી 9 જિલ્લામાં રેડ એલર્ટ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/pm7BS7S6eauGvncILlWidFTZKrJnS1bQuqpu1GPA.webp'/></item><item><title><![CDATA[Surat: ટેક્સટાઇલ માર્કેટમાં મોઢે રૂમાલ બાંધી આવ્યો, આગ લગાવી બાઈક પર ફરાર; આરોપીના CCTV સામે આવ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/surat-saroli-textile-market-fire-cctv-accused</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/surat-saroli-textile-market-fire-cctv-accused</guid><pubDate>Sat, 19 Sep 2026 15:59:27 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતના સરોલી વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટમાં આગ લગાવવાના મામલે પોલીસ તપાસમાં મહત્વની કડી સામે આવી છે. માર્કેટમાં આગ લગાવનાર શખ્સના CCTV ફૂટેજ સામે આવ્યા છે. CCTVમાં આરોપી મોઢે રૂમાલ બાંધીને માર્કેટમાં પ્રવેશ કરતો અને ત્યારબાદ આગ લગાવીને ફરાર થતો હોવાનું સામે આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>મોઢે રૂમાલ બાંધી માર્કેટમાં પહોંચ્યો</b></h2><p style="text-align: justify; ">પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આગ લગાવનાર શખ્સે પોતાની ઓળખ છુપાવવા માટે મોઢા પર રૂમાલ બાંધ્યો હતો. માર્કેટમાં પ્રવેશ કર્યા બાદ તેણે આગ લગાવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>વિનોદ સાવલેનું નામ તપાસમાં સામે આવ્યું</b></h3><p style="text-align: justify; ">પોલીસની પ્રાથમિક તપાસમાં આગ લગાવનાર તરીકે વિનોદ સાવલેનું નામ સામે આવ્યું છે. તે ડીંડોલી વિસ્તારમાં રહેતો હોવાનું અને મૂળ મહારાષ્ટ્રનો હોવાનું જાણવા મળ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>આગ લગાવી બાઈક પર કડોદરા તરફ ભાગ્યો</b></h3><p style="text-align: justify; ">માર્કેટમાં આગ લગાવ્યા બાદ આરોપી બાઈક લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસ તપાસમાં તે કડોદરા તરફ ભાગ્યો હોવાની વિગતો સામે આવી છે. CCTV સહિતના પુરાવાના આધારે પોલીસ આરોપી સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.</p><h4 style="text-align: justify; "><b>થોડા મહિના પહેલા માર્કેટમાં કરતો હતો કામ</b></h4><p style="text-align: justify; ">તપાસમાં વધુ એક મહત્વની માહિતી સામે આવી છે. વિનોદ સાવલે થોડા મહિના પહેલા શ્યામ સંગીની માર્કેટના 6 માળે આવેલી એક દુકાનમાં કામ કરતો હતો. જેના કારણે તેને માર્કેટની અંદરની વ્યવસ્થા અને દુકાનો અંગે જાણકારી હોવાની શક્યતા તપાસવામાં આવી રહી છે.</p><h4 style="text-align: justify; "><b>આગ પાછળ સોપારી કે જૂની દુશ્મની?</b></h4><p style="text-align: justify; ">પોલીસ હવે આગ લગાવવાના કારણની પણ તપાસ કરી રહી છે. કોઈ વેપારીએ સોપારી આપીને આગ લગાવડાવી છે કે પછી કોઈ વ્યક્તિગત દુશ્મનીના કારણે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે. જોકે આ અંગેનું કારણ તપાસ પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થશે.</p><h4 style="text-align: justify; "><b>બે ટીમો બનાવી બહારના રાજ્યોમાં તપાસ</b></h4><p style="text-align: justify; ">સરોલી પોલીસે તપાસ માટે 2 અલગ-અલગ ટીમો બનાવી છે. પોલીસની ટીમો બહારના રાજ્યોમાં પણ તપાસ કરી રહી છે. CCTV ફૂટેજ, આરોપીની હિલચાલ અને તેની અગાઉની નોકરી સહિતની કડીઓને જોડીને સમગ્ર મામલાની તપાસ આગળ વધારવામાં આવી રહી છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; &nbsp; <a href="https://sandesh.com/weather/news/india/cyclone-alert-bay-of-bengal-cyclone-arnava-low-pressure-september-19-weather-alert" target="_blank"><b>Cyclone Alert : બંગાળની ખાડીમાંથી આવી રહ્યું છે 'અર્નવ' વાવાઝોડું..!</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/3rtVbVjTjyDCyP9CktxjCPvqrKBcG6ddP3BbdVKG.webp'/></item><item><title><![CDATA[Asian Games 2026 Medals: કેવી છે મેડલની ડિઝાઇન?, જાણો 5 ખાસિયતો ]]></title><link>https://sandesh.com/sports/news/asian-games-2026-medals-5-special-features-gold-silver-bronze</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/asian-games-2026-medals-5-special-features-gold-silver-bronze</guid><pubDate>Sat, 19 Sep 2026 15:58:20 +05:30</pubDate><description><![CDATA[<p>Asian Games 2026 Medals: જાપાનના આઇચી-નાગોયામાં આયોજિત 20મી એશિયન ગેમ્સના મેડલ્સની ડિઝાઇન તેની કલાત્મકતા, સાંસ્કૃતિક વારસો અને આધુનિક વિચારસરણીને કારણે દુનિયાભરમાં ચર્ચાનો વિષય છે. આ મેડલ્સની પસંદગી નેશનલ ડિઝાઇન કોમ્પિટિશન દ્વારા કરવામાં આવી હતી, જેને જાણીતા જાપાની ડિઝાઇનર ડાઇસુકે શીબાએ તૈયાર કર્યા છે. શીબાનો આ કન્સેપ્ટ એશિયન ગેમ્સના સત્તાવાર નારા ‘ઇમેજિન વન એશિયા’ અને ‘વિવિધતામાં એકતા’ની થીમ પર આધારિત છે.</p><p><b>કોણે બનાવ્યા આ મેડલ?&nbsp;</b></p><p>ડિઝાઇનર ડાઇસુકે શીબાએ આ મેડલ બનાવવા માટે એક અનોખી પ્રક્રિયા અપનાવી છે. મેડલનું અંતિમ સ્વરૂપ નક્કી કરતી વખતે તેમણે જાણી જોઈને અનેક સિરામિક ડિસ્ક્સ તોડી અને તેના ટુકડાઓના જોડાણનો અભ્યાસ કર્યો. શીબાનું માનવું છે કે એક એથ્લેટની સફર નિષ્ફળતા, ઈજા, સંઘર્ષ અને સખત મહેનતની વિખેરાયેલી ક્ષણોથી બને છે. જ્યારે આ તમામ ટુકડાઓ એક સાથે જોડાય છે, ત્યારે તે મેડલના રૂપમાં એથ્લેટની સફળતાનું પ્રતીક બની જાય છે. આ ડિઝાઇન એશિયાની વિવિધ સંસ્કૃતિ અને ભાષાના ખેલાડીઓ એક જ રમતના મંચ પર સાથે આવે છે તે દર્શાવે છે.</p><p><b>એશિયન ગેમ્સ 2026ના મેડલની 5 મોટી ખાસિયતો</b></p><ol><li>પર્યાવરણ સંરક્ષણ અને સર્ક્યુલર ઇકોનોમીને પ્રોત્સાહન આપવા માટે જાપાનની મ્યુનિસિપાલિટીઝ દ્વારા એકત્ર કરવામાં આવેલા જૂના અને નાના ઇલેક્ટ્રોનિક કચરામાંથી ધાતુ કાઢીને આ મેડલ્સ બનાવવામાં આવ્યા છે.</li><li>મેડલના રિબન પર આઇચી પ્રાંતના સત્તાવાર ફૂલ ‘કાકિત્સુબાતા’નું સુંદર સિલુએટ કોતરવામાં આવ્યું છે. તેની વળાંકવાળી પેટર્ન એથ્લેટ્સની શક્તિ દર્શાવે છે.</li><li>મેડલ રાખવા માટે તૈયાર કરવામાં આવેલું બોક્સ આઇચીના પ્રખ્યાત ‘હિનૉકી’ લાકડામાંથી બનાવવામાં આવ્યું છે, જે જાપાનની પરંપરાગત ચા સંસ્કૃતિથી પ્રેરિત છે.</li><li>તમામ મેડલ 8 સેન્ટિમીટર વ્યાસ અને 5 મિલીમીટર જાડાઈના ગોળાકાર ફોર્મેટમાં બનાવવામાં આવ્યા છે.</li><li>ગોલ્ડ મેડલનું વજન લગભગ 265 ગ્રામ છે, જેમાં શુદ્ધ ચાંદી પર ઓછામાં ઓછા 1 ગ્રામ સોનાનું કોટિંગ કરવામાં આવ્યું છે. જ્યારે સિલ્વર મેડલનું વજન લગભગ 264 ગ્રામ છે, જે શુદ્ધ ચાંદીમાંથી બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત બ્રોન્ઝ મેડલનું વજન લગભગ 222 ગ્રામ છે, જે 95 ટકા તાંબુ અને 5 ટકા ઝિંકમાંથી તૈયાર કરવામાં આવ્યું છે.</li></ol><p><b><a href="https://sandesh.com/sports/news/asian-games-2026-opening-ceremony-india" target="_blank">આ પણ વાંચો:&nbsp; જાપાનના આઇચી-નાગોયામાં ભવ્ય ઓપનિંગ સેરેમની, ભારતની ભવ્ય એન્ટ્રી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/AO7inCBOe8DrN7fzUZZnxxPhtOoVOiApW52xmg8b.webp'/></item><item><title><![CDATA[Home Loan Interest Rates: સપ્ટેમ્બરમાં હોમ લોન કેટલી સસ્તી? જુઓ તમામ બેંકના દરની સરખામણી ]]></title><link>https://sandesh.com/business/news/home-loan-interest-rates-september-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/home-loan-interest-rates-september-2026</guid><pubDate>Sat, 19 Sep 2026 15:45:36 +05:30</pubDate><description><![CDATA[<p>ઘર ખરીદવા માટે હોમ લોન લેવાનું વિચારી રહેલા લોકો માટે સપ્ટેમ્બરમાં ઘણી બેંકો અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓના શરૂઆતના વ્યાજ દર 7%ની આસપાસ છે. જોકે, ગ્રાહકને મળતો વાસ્તવિક વ્યાજ દર તેની પ્રોફાઇલ અને લોનની શરતો પર આધાર રાખશે. જાણો કઈ બેંક કયા વ્યાજ દરે હોમ લોન આપી રહી છે.</p><p>18 સપ્ટેમ્બર 2026ના ઉપલબ્ધ આંકડા અનુસાર, બેંક ઓફ મહારાષ્ટ્ર અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં હોમ લોનનો શરૂઆતનો વ્યાજ દર 7% છે. જ્યારે બેંક ઓફ ઇન્ડિયામાં તે 7.10% છે. ઇન્ડિયન બેંક, UCO બેંક અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં વ્યાજ દર 7.15%થી શરૂ થાય છે.</p><p>બેંક ઓફ બરોડાનો શરૂઆતનો વ્યાજ દર 7.20% અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો 7.25% છે. કેનરા બેંકમાં લોનની રકમ પ્રમાણે શરૂઆતનો વ્યાજ દર 7.15%થી 7.25% વચ્ચે છે.</p><h2><b>ખાનગી બેંકોમાં કેટલો છે વ્યાજ દર?</b></h2><p>ખાનગી ક્ષેત્રમાં સાઉથ ઇન્ડિયન બેંકનો શરૂઆતનો વ્યાજ દર 7.25% છે. HSBC બેંકમાં તે 7.45%, ICICI બેંકમાં 7.55%, કોટક મહિન્દ્રા બેંકમાં 7.60% અને HDFC બેંકમાં 7.75%થી શરૂ થાય છે. જ્યારે Axis બેંકનો હોમ લોન વ્યાજ દર 8%થી શરૂ થાય છે. ગ્રાહકની પાત્રતા પ્રમાણે આ દરોમાં ફેરફાર થઈ શકે છે.</p><h2><b>હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓમાં પણ 7%થી ઉપરના વિકલ્પ</b></h2><p>હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓમાં LIC Housing Financeનો શરૂઆતનો વ્યાજ દર 7.15% છે. Bajaj Housing Finance 7.25%, ICICI Home Finance 7.50% અને Godrej Housing Finance 7.65%થી હોમ લોન આપી રહ્યા છે. PNB Housing Financeનો શરૂઆતનો વ્યાજ દર લોનની રકમ પ્રમાણે 7.50%થી છે.</p><h2><b>લોનની રકમ પ્રમાણે પણ વ્યાજ દર બદલાઈ શકે છે</b></h2><p>દરેક બેંક તમામ લોનની રકમ પર એકસરખો વ્યાજ દર રાખતી નથી. ઉદાહરણ તરીકે, કેનરા બેંકમાં 30 લાખ રૂપિયા સુધીની લોન પર શરૂઆતનો વ્યાજ દર 7.25% છે, જ્યારે 30થી 75 લાખ રૂપિયા સુધીની લોન માટે 7.20% અને 75 લાખ રૂપિયાથી વધુની લોન માટે 7.15%થી શરૂઆત થાય છે.</p><h2><b>માત્ર શરૂઆતના વ્યાજ દરને જોઈને નિર્ણય ન લો</b></h2><p>બેંક દ્વારા જણાવવામાં આવતો સૌથી ઓછો વ્યાજ દર દરેક ગ્રાહકને મળે તે જરૂરી નથી. ક્રેડિટ સ્કોર, આવક, નોકરીની પ્રોફાઇલ, લોન-ટુ-વેલ્યુ રેશિયો અને પ્રોપર્ટીની માહિતીના આધારે અંતિમ વ્યાજ દર નક્કી થઈ શકે છે. તેથી હોમ લોન લેતી વખતે માત્ર શરૂઆતના વ્યાજ દરને નહીં, પરંતુ પ્રોસેસિંગ ફી, અન્ય ચાર્જ અને સમગ્ર લોનના સમયગાળા દરમિયાન ચૂકવવાના કુલ વ્યાજને પણ ધ્યાનમાં લેવું જરૂરી છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/JhCKpi7L9dOkMHZ1e4W8YtH0q0Eg7tbJgWHexFj0.webp'/></item><item><title><![CDATA[Mumbai: જિગરજાન મિત્ર સાથે ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા ચિરાગ પાસવાન, જુઓ Video ]]></title><link>https://sandesh.com/india/news/mumbai-chirag-got-emotional-during-bappas-farewell-burst-into-tears-watch-the-video</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/mumbai-chirag-got-emotional-during-bappas-farewell-burst-into-tears-watch-the-video</guid><pubDate>Sat, 19 Sep 2026 15:43:01 +05:30</pubDate><description><![CDATA[<p>તમે કદાચ કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના નેતા ચિરાગ પાસવાનને તમે હંમેશા કુલ, હસતા અને ખુશમિજાજમાં જોયા હશે પરંતુ હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમાં તેઓ ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા છે.&nbsp;</p><h2><b>રડી પડ્યા ચિરાગ પાસવાન&nbsp;</b></h2><p>&nbsp;મુંબઈમાં ગણપતિ વિસર્જન દરમિયાન તેઓ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા અને પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શક્યા ન હતા. તેઓ બાપ્પાનું વિસર્જન કરતી વખતે રડી પડ્યા હતા. આ દરમિયાન તેમની સાથે સાથ નિભાના સાથિયા ફેમ જીગર એટલે કે વિશાલ સિંહ પણ હતા.&nbsp; તેઓ પણ ચિરાગ પાસવાનની સાથે ભાવુક થતા જોવા મળ્યા હતા. તેમની આંખોમાં આંસુ જોઈને ચાહકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી.</p><h2><b>ગણપતિ બાપ્પાની વિદાય&nbsp;</b></h2><p>વાયરલ થયેલા વીડિયોમાં ચિરાગ પાસવાન અને વિશાલ સિંહ ગુલાબી રંગના પોશાકમાં એકસરખા દેખાઈ રહ્યા છે. પાણી ભરેલા પાત્રમાં વિસર્જનની વિધિ કરતી વખતે ચિરાગ અને વિશાલ સતત રડતા જોવા મળ્યા હતા. તેમને જોઈને સ્પષ્ટ થાય છે કે બાપ્પાને વિદાય આપવી તેમના માટે કેટલું મુશ્કેલ છે. તેમની આ ઊંડી ભક્તિએ ચાહકોને પ્રભાવિત કર્યા છે.</p><p><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DdcGruMh3oz/?utm_source=ig_embed&amp;ig_rid=A9474p-mZlijFxlmhHAXXTp" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DdcGruMh3oz/?utm_source=ig_embed&amp;ig_rid=A9474p-mZlijFxlmhHAXXTp" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a></p><p><b style="font-size: 1.75rem;">અભિનેતામાંથી બન્યા રાજકારણી&nbsp;</b></p><p>ચિરાગ પાસવાનની વાત કરીએ તો, રાજકારણમાં પ્રવેશતા પહેલા તેઓ અભિનેતા હતા. તેમણે કંગના રનૌત સાથે હિન્દી ફિલ્મ 'મિલે ના મિલે હમ'માં કામ કર્યું હતું; આ તેમની પ્રથમ ફિલ્મ હતી, જોકે તે બોક્સ ઓફિસ પર સફળ રહી ન હતી. શો-બિઝનેસમાં તેમની સફર ટૂંકી રહી હતી અને ત્યારથી તેઓ રાજકારણમાં સક્રિય છે. ચિરાગ પાસવાન ખૂબ જ લોકપ્રિય છે અને તેમને તેમના ચાહકો તરફથી અપાર પ્રેમ મળે છે. બીજી તરફ, વિશાલ સિંહ પણ છેલ્લા કેટલાક વર્ષોમાં 'કુછ ઈસ તરહ', 'કસમ સે' અને 'કુમકુમ ભાગ્ય' જેવા અનેક લોકપ્રિય ટીવી શોનોમાં જોવા મળી રહ્યા છે.&nbsp;</p><p><a href="https://sandesh.com/india/news/100-us-tariff-on-india-america-does-whatever-it-takes-india-will-not-bow-down-indias-reaction-to-the-100-percent-tariff-law" target="_blank">આ પણ વાંચો:100% US Tariff on India: થાય તે કરી લે અમેરિકા, ભારત.... ઝૂકશે નહી, 100 ટકા ટેરિફ લૉ અંગે ભારતની પ્રતિક્રિયા</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/ZzNvo61aHHObCSlyxL3AQdDtt3KA3F0BwYZhE4d5.webp'/></item><item><title><![CDATA[Vadodara: GSFC યુરિયા પ્લાન્ટ ગેસ ગળતર મામલે વધુ એક કર્મચારીનું મોત; મૃત્યુઆંક 2 થયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/gsfc-urea-plant-gas-leak-another-employee-keyur-parmar-dies</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/gsfc-urea-plant-gas-leak-another-employee-keyur-parmar-dies</guid><pubDate>Sat, 19 Sep 2026 15:35:44 +05:30</pubDate><description><![CDATA[<p>વડોદરા સ્થિત પ્રખ્યાત ખાતર ઉત્પાદક કંપની GSFC (ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ) ના યુરિયા પ્લાન્ટમાં થોડા દિવસો અગાઉ બનેલી ગેસ ગળતરની ગંભીર દુર્ઘટનામાં આજે વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઝેરી ગેસની અસરમાં આવી જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયેલા કર્મચારી કેયુર પરમારનું 11 દિવસની લાંબી અને સંઘર્ષપૂર્ણ સારવાર બાદ મોત નીપજ્યું છે.</p><h2><b>ગેસ ગળતરમાં 2 કર્મચારીઓના મોત</b></h2><p>ગેસ લીકેજની આ દુર્ઘટના સમયે પ્લાન્ટમાં કામ કરી રહેલા બે કર્મચારીઓ ઝેરી ગેસની ચપેટમાં આવી જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. કેયુર પરમારને ત્વરિત ખાનગી હોસ્પિટલમાં આઈસીયુ (ICU) હેઠળ રાખી સારવાર આપવામાં આવી રહી હતી, પરંતુ ઝેરી વાયુની ગંભીર અસરને કારણે તબીબોની ભારે મહેનત છતાં તેમને બચાવી શકાયા નથી.ઉલ્લેખનીય છે કે, આ જ ગેસ ગળતરની ઘટનામાં અગાઉ ઘનશ્યામ ગોહિલ નામના અન્ય એક કર્મચારીનું કરૂણ મોત નીપજ્યું હતું. પ્રથમ મોત બાદ GSFC કંપની મેનેજમેન્ટ દ્વારા મૃતક કર્મચારીના પરિવારજનોને રૂ. 18.51 લાખનું વળતર ચૂકવવામાં આવ્યું હતું. પરંતુ હવે બીજા કર્મચારીનું પણ સારવાર દરમિયાન મોત થતાં મૃત્યુઆંક વધીને ૨ થયો છે.</p><h3><b>11 દિવસની હોસ્પિટલમાં સારવાર બાદ તોડ્યો દમ</b></h3><p>એક જ ઘટનામાં બે-બે હોનહાર કર્મચારીઓએ પોતાના જીવ ગુમાવતાં GSFC ના કામદારો અને યુનિયનમાં ભારે અરેરાટી અને રોષ જોવા મળી રહ્યો છે. પ્લાન્ટની સેફ્ટી અને મેન્ટેનન્સમાં ક્યાં ચૂક રહી ગઈ હતી તેને લઈને સ્થાનિક ફેક્ટરી ઇન્સ્પેક્ટર તથા ઔદ્યોગિક સુરક્ષા વિભાગ દ્વારા તપાસ વધુ ઝડપી બનાવવામાં આવી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/vadodara/manjalpur-class-10-student-commits-suicide-jumps-from-5th-floor" target="_blank">આ પણ વાંચો: Vadodara: માંજલપુરમાં રાધા રેસિડેન્સીના પાંચમા માળેથી વિદ્યાર્થીનીએ ઝંપલાવ્યું; પરિસરમાં અચાનક ધમાકો થતાં રહીશો દોડી આવ્યા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/DPt0UhbMzikX2Ahs8f86hViA3SOWXthY4zonTqFh.webp'/></item><item><title><![CDATA[Punjab: બીજેપી નેતા રવનીત બિટ્ટુની અટકાયત, ઇંડા ટામેટા લઇને CM માનના કાફલા પર ... ]]></title><link>https://sandesh.com/india/news/punjab-bjp-leader-ravneet-bittu-detained-tomatoes-thrown-at-cm-manns-convoy</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/punjab-bjp-leader-ravneet-bittu-detained-tomatoes-thrown-at-cm-manns-convoy</guid><pubDate>Sat, 19 Sep 2026 14:42:47 +05:30</pubDate><description><![CDATA[<p>લુધિયાણામાં આમ આદમી પાર્ટીના એક મોટા કાર્યક્રમ દરમિયાન ભાજપના નેતા અને રેલવે રાજ્ય મંત્રી રહી ચૂકેલા રવનીત બિટ્ટુની પોલીસે અટકાયત કરી હતી. તેઓ ટામેટાં લઈને પંજાબ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી (PAU)ના ગેટ પર પહોંચ્યા હતા. પોલીસે તેમને આગળ વધતા અટકાવ્યા હતા, પરંતુ જ્યારે મુખ્યમંત્રી ભગવંત માનનો કાફલો ત્યાંથી પસાર થયો, ત્યારે તેમણે વાહન પર ટામેટાં ફેંકવાનો પ્રયાસ કર્યો હતો.</p><h2><b>રવનીત બિટ્ટની કરવામાં આવી અટકાયત&nbsp;</b></h2><p>આ ઘટના શનિવારે બપોરે લગભગ 2 વાગ્યે પંજાબના લુધિયાણામાં બની હતી. બિટ્ટુ મુખ્યમંત્રી ભગવંત માનના કાફલા પર ટામેટાં અને ઈંડાં ફેંકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમની અટકાયત કરવામાં આવી હતી અને તેમને પંજાબ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી (PAU)ના ગેટ પરથી દૂર લઈ જવામાં આવ્યા હતા. અહેવાલો સૂચવે છે કે બિટ્ટુ કાફલાની ખૂબ નજીક પહોંચી શક્યા ન હતા, પરંતુ તેઓ PAUના ગેટ સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા.</p><h3><b>લુધિયાણામાં પાર્ટી કાર્યક્રમ દરમિયાન સીએમ પર ફેંકવાના હતા ટામેટા&nbsp;</b></h3><p>આમ આદમી પાર્ટીએ આજે ​​લુધિયાણામાં એક મોટા કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભગવંત માન, મનીષ સિસોદિયા અને પાર્ટીના અન્ય ઘણા નેતાઓ હાજર રહ્યા હતા. નેતાઓ કાર્યક્રમ માટે લુધિયાણા આવી રહ્યા હતા અને મુખ્યમંત્રીનો કાફલો પંજાબ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીની બહારથી પસાર થવાનો હતો. રવનીત બિટ્ટુ ટામેટાં લઈને આ સ્થળે પહોંચ્યા હતા. જોકે પોલીસે શરૂઆતમાં તેમને આગળ વધતા અટકાવ્યા હતા, પરંતુ કાફલો પસાર થતી વખતે તેમણે ભગવંત માનના વાહન પર ટામેટાં ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાસ્થળે હાજર પોલીસકર્મીઓએ તેમની અટકાયત કરી હતી.</p><h3><b>રવનીત બિટ્ટુના કાફલા પર ફેંક્યા હતા ઇંડા ટામેટા&nbsp;</b></h3><p>આ સમગ્ર ઘટનાક્રમનું મૂળ ગઈકાલે બનેલી એક ઘટનામાં રહેલું છે. બટાલા નજીક, આમ આદમી પાર્ટીના કાર્યકરોએ રવનીત બિટ્ટુના કાફલા પર ઈંડાં અને ટામેટાં ફેંક્યા હતા. બિટ્ટુ આજે તે ઘટનાના વિરોધમાં લુધિયાણા આવ્યા હતા અને ભગવંત માનના કાફલા પર ટામેટાં ફેંકીને બદલો લેવાનો ઈરાદો ધરાવતા હતા.</p><p><a href="<blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2101232723201503560"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>\" target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2101232723201503560"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>\</a></p><p>ટૂંકમાં, બે દિવસમાં બે વાર રાજકીય ઘર્ષણ જોવા મળ્યું છે: પહેલા બટાલા નજીક બિટ્ટુના કાફલા પર ઈંડાં અને ટામેટાં ફેંકવામાં આવ્યા હતા, અને હવે બિટ્ટુ પોતે લુધિયાણામાં મુખ્યમંત્રીના કાફલાના રૂટ પર ટામેટાં લઈને પહોંચ્યા હતા. આ ઘટનાએ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને ઉજાગર કર્યો છે.</p><p><br></p><p>એવી માહિતી સામે આવી છે કે ઘટના દરમિયાન બિટ્ટુના હાથમાં ટામેટું હતું અને તેમણે કાફલા પર તે ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે તેમને અટકાવ્યા હોવાથી તેઓ કાફલાની નજીક પહોંચી શક્યા ન હતા. પોલીસે તેમને PAU પરિસરથી દૂર લઈ ગયા હતા; સૂત્રોના હવાલેથી આ માહિતી સામે આવી છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/4mmK9uVCS8cNzZ4NeN3r8xEN9zDK6WAesVwRYpSY.webp'/></item></channel></rss>