<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Narmada ડેમ છલકાવાની તૈયારીમાં! 95%થી વધુ ભરાયો, મહત્તમ સપાટીથી માત્ર 1.20 મીટર દૂર ]]></title><link>https://sandesh.com/gujarat/news/narmada/narmada--sardar-sarovar-dam-crosses-95--capacity--water-level-touches-137-48m</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/narmada/narmada--sardar-sarovar-dam-crosses-95--capacity--water-level-touches-137-48m</guid><pubDate>Wed, 16 Sep 2026 10:18:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં જળરાશિનો વિપુલ જથ્થો જમા થતાં ડેમ 95 ટકાથી વધુ ભરાઈ ગયો છે. ડેમની મહત્તમ જળ ક્ષમતા 138.68 મીટર છે, જેની સામે હાલની જળ સપાટી 137.48 મીટરે પહોંચી ચૂકી છે. ડેમમાં હાલ 5,379.80 MCM (મિલિયન ક્યુબિક મીટર) જેટલો જીવંત જળજથ્થો (લાઈવ સ્ટોરેજ) ઉપલબ્ધ થતાં સમગ્ર ગુજરાત માટે પીવાના પાણી અને સિંચાઈની સુરક્ષા મજબૂત બની છે.</p><h2 style="text-align: justify; "><b>ઉપરવાસમાંથી 54,952 ક્યુસેક પાણીની આવક, પાવરહાઉસ કાર્યાન્વિત</b></h2><p style="text-align: justify; ">ઉપરવાસમાં થઈ રહેલી આવકના કારણે નર્મદા ડેમમાં સતત 54,952 ક્યુસેક પાણી આવી રહ્યું છે. પાણીની આ ભારે આવકને પગલે જળ સપાટી નિયંત્રિત રાખવા માટે રિવર બેડ પાવરહાઉસ મારફતે નર્મદા નદીમાં 40,947 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાવરહાઉસ મારફતે પાણી વહાવવામાં આવતાં જળ વિદ્યુતનું પણ મોટા પાયે ઉત્પાદન થઈ રહ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>કેનાલમાં 13,500 ક્યુસેક જાવક, કુલ જાવક 54,447 ક્યુસેક નોંધાઈ</b></h2><p style="text-align: justify; ">નદી ઉપરાંત રાજ્યના વિવિધ વિસ્તારોમાં સિંચાઈ અને પીવાના પાણીની જરૂરિયાતો પૂરી કરવા માટે મુખ્ય કેનાલ મારફતે 13,500 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આમ, નદી અને કેનાલ મળીને ડેમમાંથી કુલ 54,447 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. ડેમ 95% થી વધુ ભરાઈ જતાં નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા જળ સપાટી પર ચોવીસે કલાક કડક મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/surat/surat--pp-savani-school-fined--1-lakh-over-hostel-food-poisoning--smc-to-audit-canteens" target="_blank">Surat News : રસોડાના કર્મચારીઓ પાસે જ નહોતા મેડિકલ સર્ટિફિકેટ! મનપાએ પીપી સવાણી સ્કૂલ સામે કરી મોટી કાર્યવાહી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/xxT1XlRiw5m6oNptUMSaqbz8vpzK8TCnCnLO1FWF.webp'/></item><item><title><![CDATA[Surat News: નર્મદાના પોલીસ કોન્સ્ટેબલ વિજ્ઞેશ વસાવા વિરુદ્ધ કાપોદ્રામાં બળાત્કારનો ગુનો દાખલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/case-filed-against-narmada-police-constable-in-kapodra</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/case-filed-against-narmada-police-constable-in-kapodra</guid><pubDate>Wed, 16 Sep 2026 10:17:27 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નર્મદા જિલ્લામાં આર્મ્સ પોલીસ કોન્સ્ટેબલ વિજ્ઞેશ વસાવાએ સુરતના કાપોદ્રા વિસ્તારની ખાનગી હોસ્પિટલની નર્સ પર દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. સુરત ગ્રામ્ય વિસ્તારની વતની અને હાલ કાપોદ્રાની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી આ યુવતીએ નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના અલમાવાડી ગામના વતની અને નર્મદામાં આર્મ્સ પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા વિજ્ઞેશ રાવજી વસાવા વિરુદ્ધ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, તેની સંબંધી આ યુવકના વતનમાં પરણી હોઈ ત્યાં જતી આવતી હોઈ આ સંબંધીએ જ વિજ્ઞેશ સાથે પરિચય કરાવ્યો હતો.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>સામાજિક રીતે આઠ લાખનું વળતર લઈ છૂટા પડ્યા</b></h2><p style="text-align: justify; ">બંનેની જ્ઞાતિ એક જ હોઈ બંને વચ્ચે પરિચય વધુ ગાઢ બન્યો હતો અને તે દૈહિક આકર્ષણમાં પરિણમ્યો હતો. સગાઈ અને લગ્નનું વચન આપી આ કોન્સ્ટેબલે તેની સાથે સંબંધો વધાર્યા હતા, પરંતુ થોડાક સમયથી બંને વચ્ચે તણાવ સર્જાયો હતો.બંને વચ્ચે સંબંધોમાં તણાવ ઊભો થતાં લગ્ન શક્ય બન્યા ન હતા. જેને લઈ મામલો સમાજના આગેવાનો પાસે પહોંચ્યો હતો. સમાજની બેઠકમાં આ કોન્સ્ટેબલ વળતર તરીકે આઠ લાખ ચૂકવે તેવું નક્કી થયું હતું. પહેલાં પાંચ લાખ રોકડા અને બાકીની રકમ દર મહિને હપ્તા પેટે બાંહેધરી આપવામાં આવી હતી. સમાજના લેવાયેલા નિર્ણય પ્રમાણે આ કોન્સ્ટેબલે નાણાં આપવાનું ઠેરવ્યું હતું અને ફરી ક્યારેય સંપર્ક નહિ કરવાનો પણ આદેશ કરાયો હતો.</p><h3 style="text-align: justify;"><b>સુરતમાં બંદોબસ્તમાં આવ્યો ત્યારે ધમકાવી બળાત્કાર</b></h3><p style="text-align: justify;">સુરતમાં બંદોબસ્તમાં આવ્યો ત્યારે ધમકાવી બળાત્કારસામાજિક રીતે નિર્ણય લઈ છૂટા થયા બાદ પણ ગત મે મહિનામાં આ કોન્સ્ટેબલ સુરત શહેરમાં બંદોબસ્ત માટે આવ્યો હતો. તે વખતે આ યુવતીને હોસ્પિટલમાં આવી તોફાન કરવાની ધમકી આપી લાલ દરવાજા સ્થિત આલકાર ગેસ્ટ હાઉસમાં બોલાવી હતી. અહીં જૂના સંબંધો વેળા લેવાયેલી તસવીરો વાયરલ કરવાની ધમકી આપી બળાત્કાર કર્યાના આક્ષેપ સાથે યુવતીએ કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઇન્સ્પેક્ટર એમ.આર. સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/gujarat-rain-report-season-rainfall-reaches-84-38-deficit-up-to-95-in-42-talukas" target="_blank">આ પણ વાંચોઃ Gujarat Rain Report: રાજ્યમાં સિઝનનો 84 ટકા વરસાદ ખાબક્યો, આ વિસ્તારોમાં હજી 95 ટકા સુધીની ઘટ</a></p><p style="text-align: justify;"><br></p><p style="text-align: justify;"><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/bWnBODuuPH5egiHzBt7yFwTg2egPYaDLbXLhJLRU.webp'/></item><item><title><![CDATA[New York Concertમાં એવું તો શું થયું કે સોનુ નિગમે ગીત ગાયું, અને નેટીઝન્સના નિશાના પર નેહાક્કર, Video ]]></title><link>https://sandesh.com/entertainment/news/sonu-nigam-sings-shah-rukh-khan-song-aaj-ki-raat-in-male-and-female-voices-in-new-yourk-concert-viral-video</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/sonu-nigam-sings-shah-rukh-khan-song-aaj-ki-raat-in-male-and-female-voices-in-new-yourk-concert-viral-video</guid><pubDate>Wed, 16 Sep 2026 09:56:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુપ્રસિદ્ધ ગાયક સોનુ નિગમ તેમની અદ્ભુત ગાયકી અને સંગીતની ઊંડી સમજ માટે જાણીતા છે. બોલીવુડને અસંખ્ય યાદગાર હિટ ગીતો આપનાર સોનુ નિગમ એક અત્યંત બહુમુખી પ્રતિભા (Versatile Singer) ધરાવે છે. તેઓ માત્ર પુરૂષ જ નહીં પણ અદ્બેહૂબ સ્ત્રીના અવાજમાં પણ ગાવાની આશ્ચર્યજનક ક્ષમતા ધરાવે છે. તાજેતરમાં જ તેમના એક લાઈવ કોન્સર્ટ દરમિયાન આ અનોખો જાદુ જોવા મળ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં નેટીઝન્સે સોનુના વખાણ કર્યા છે અને ગાયિકા નેહા કક્કરને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે.</p><h2 style="text-align: justify; "><b>ન્યૂ યોર્ક કોન્સર્ટમાં સોનુ નિગમનો અદ્ભુત અંદાજ</b></h2><p style="text-align: justify;">સોનુ નિગમ હાલમાં તેમની ઈન્ટરનેશનલ ટૂર "ધ રિવોલ્યુશન: સોનુ નિગમ લાઈવ" (The Revolution: Sonu Nigam Live) ના સંદર્ભમાં અમેરિકાના ન્યૂ યોર્કમાં આવેલા નાસાઉ વેટરન્સ મેમોરિયલ કોલિઝિયમ ખાતે પર્ફોર્મ કરી રહ્યા હતા. આ શોની તમામ ટિકિટો એડવાન્સમાં જ સોલ્ડ આઉટ થઈ ગઈ હતી અને હજારોની સંખ્યામાં ફેન્સ તેમને સાંભળવા પહોંચ્યા હતા.</p><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DdRWjDTxmnw/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DdRWjDTxmnw/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a></p><h3 style="text-align: justify; "><b>"આજ કી રાત" ગીતમાં એકલા હાથે સ્ત્રી ગાયકોની ઉણપ પૂરી કરી</b></h3><p style="text-align: justify; ">કોન્સર્ટના વાયરલ વીડિયોમાં સોનુ નિગમ ૨૦૦૬ની ફિલ્મ 'ડોન'નું સુપરહિટ ગીત "આજ કી રાત" ગાતા જોવા મળે છે. મૂળ ગીતમાં સોનુ નિગમ સાથે અલીશા ચિનોય અને મહાલક્ષ્મી ઐયરે અવાજ આપ્યો હતો. પરંતુ લાઈવ સ્ટેજ પર સોનુએ પોતાના અવાજની સાથે સાથે ગીતના ફિમેલ વર્ઝનના બોલ પણ પોતે જ સ્ત્રીના અવાજમાં ગાઈને ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.</p><h4 style="text-align: justify; "><b>સોશિયલ મીડિયા પર ફેન્સે કર્યા વખાણ</b></h4><p style="text-align: justify;">સોનુ નિગમની આ પ્રતિભા જોઈને સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સનો વરસાદ શરૂ થઈ ગયો છે. એક યુઝરે લખ્યું કે, "કાનને કેટલું સુખદ લાગે છે, તેમને અમસ્થા જ લેજેન્ડ નથી કહેવાતા." તો બીજા યુઝરે ઉમેર્યું કે, "તેમની પાસે તો ૪૭ અલગ અલગ અવાજમાં ગાવાનો વર્લ્ડ રેકોર્ડ છે."</p><h4 style="text-align: justify; "><b>નેહા ક્કર થઈ ટ્રોલ</b></h4><p style="text-align: justify; ">બીજી તરફ, ઘણા યુઝર્સે સોનુ નિગમના આ સ્ત્રી અવાજની સરખામણી નેહા કક્કર સાથે કરીને તેને ટ્રોલ કરી હતી. એક યુઝરે લખ્યું, "સોનુનો ફિમેલ વોઈસ પણ નેહા કક્કર કરતાં વધુ સારો છે," જ્યારે બીજાએ લખ્યું, "નેહા કક્કર પણ આ સ્ત્રી અવાજનો મુકાબલો કરી શકે તેમ નથી." કેટલાક ચાહકોએ સોનુના આ અવાજને સુનિધિ ચૌહાણના ટોન સાથે પણ સરખાવ્યો હતો.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/rajkamal-chashme-buddoor-music-singing-experiment" target="_blank">આ પણ વાંચો : Old Songs: 45 વર્ષ જૂનું એ ગીત જેમાં 3 સિંગરે એકસાથે અવાજ આપ્યો, 80ના દાયકામાં થયો હતો અનોખો પ્રયોગ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/Du0oZunB3xVsuBVagso5nHsw0lJwBeMpvgb8kuYY.webp'/></item><item><title><![CDATA[PM મોદીનો શી જિનપિંગને સીધો અને સટ સંદેશ, સંબંધો વધારવા સરહદ પર શાંતિ જરૂરી છે ]]></title><link>https://sandesh.com/india/news/world/pm-modi-xi-jinping-brics-summit-border-peace</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/world/pm-modi-xi-jinping-brics-summit-border-peace</guid><pubDate>Wed, 16 Sep 2026 09:51:02 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">તાજેતરમાં બ્રિક્સ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થયેલી મહત્વપૂર્ણ બેઠકને લઈને ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ ચીની સમક્ષ ભારતની ચિંતાઓને ખુલ્લીને મૂકી હતી અને જણાવ્યું હતું કે બંને દેશોએ પરસ્પર સંબંધો સુધારવા માટે એકબીજાની મુખ્ય ચિંતાઓ પ્રત્યે સંવેદનશીલ બનવું પડશે.</p><h2 style="text-align: justify; "><b>સરહદી શાંતિ જ સંબંધોનો પાયો</b></h2><p style="text-align: justify; ">વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક કહ્યું કે ભારત અને ચીન વચ્ચેના સંબંધોને પાટા પર લાવવા માટે સરહદ પર શાંતિ અને સ્થિરતા હોવી સૌથી પહેલી શરત છે. બંને રાષ્ટ્રોએ 'પરસ્પર આદર, પરસ્પર હિત અને પરસ્પર સંવેદનશીલતા' ના ત્રણ મૂળભૂત સિદ્ધાંતોનું પાલન કરવું જોઈએ. સરહદી તણાવ ઓછો થાય તે બંને દેશોના હિતમાં છે.</p><h3 style="text-align: justify; "><b>તિબેટ અને તાઇવાન અંગે ભારતનું સંતુલિત વલણ</b></h3><p style="text-align: justify; ">ચીન દ્વારા જારી કરાયેલા નિવેદનમાં તિબેટ અને તાઇવાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેના જવાબમાં વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે ભારતની પરંપરાગત નીતિમાં કોઈ ફેરફાર થયો નથી. ભારત સરકાર માને છે કે તાઇવાન સાથે વેપાર, શિક્ષણ, સંસ્કૃતિ અને પર્યટન જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવો જોઈએ. બીજી તરફ, તિબેટ બાબતે ભારત 2003ના કરાર મુજબ તેને ચીનનો ભાગ માને છે અને ભારતીય ધરતી પર કોઈપણ ચીન વિરોધી પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવતી નથી.</p><h4 style="text-align: justify; "><b>સ્વતંત્ર વિદેશ નીતિ અને રાજદ્વારી સ્થિતિ</b></h4><p style="text-align: justify; ">ચીની નિવેદનમાં એ વાતનો પણ ઉલ્લેખ હતો કે ભારત એક સ્વતંત્ર વિદેશ નીતિ ધરાવે છે અને ચીન પ્રત્યેનો ભારતનો અભિગમ કોઈ ત્રીજા દેશથી પ્રભાવિત નથી. જોકે, ભારતે આ બેઠક બાદ પોતાના સત્તાવાર નિવેદનમાં ચીનની "મિત્ર, હરીફ નહીં" જેવી ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનું ટાળ્યું છે, જે દર્શાવે છે કે ભારત વાસ્તવિક જમીની હકીકતોને ધ્યાનમાં રાખીને ખૂબ જ કાળજીપૂર્વક આગળ વધી રહ્યું છે. અગાઉ વિદેશ મંત્રી એસ. જયશંકર અને ચીની સમકક્ષ વાંગ યી વચ્ચેની વાતચીતમાં પણ સાર્વભૌમત્વ અને સરહદી મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/pm-modi-gifts-e-auction-namami-gange" target="_blank">આ પણ વાંચોઃ&nbsp; PM મોદીને મળેલી ભેટો ખરીદવાની સોનેરી તક, 17 સપ્ટેમ્બરથી શરૂ થશે પ્રક્રિયા, જાણો કેવી રીતે?</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/JIABX4VpkFhb6l524KgnKWeCXGaKVA2hmNdxud6v.webp'/></item><item><title><![CDATA[Ganesh Mahotsav 2026 : ‘બાપ્પાની ભક્તિ અને સજાવટની ઝલક હવે પહોંચશે કરોડો વાચકો સુધી!’ સંદેશ ડિજિટલ લઈને આવ્યું છે ભક્તો માટે ગોલ્ડન ચાન્સ ]]></title><link>https://sandesh.com/gujarat/news/bhakti/ahmedabad/ganesh-mahotsav-2026-send-ganpati-bappa-photos-videos-sandesh-digital</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/bhakti/ahmedabad/ganesh-mahotsav-2026-send-ganpati-bappa-photos-videos-sandesh-digital</guid><pubDate>Wed, 16 Sep 2026 09:43:51 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગણેશ મહોત્સવ 2026ની ઉજવણીને વધુ ખાસ અને યાદગાર બનાવવા માટે સંદેશ ડિજિટલ લઈને આવ્યું છે એક સુંદર તક. હવે તમારા ઘેર કે સોસાયટીમાં પધારેલા ગણપતિ બાપ્પાની સુંદર તસવીરો અને વીડિયો માત્ર તમારા પરિવાર કે સોસાયટી પૂરતા સીમિત નહીં રહે, પરંતુ તેને દુનિયા સુધી પહોંચાડવાની તક મળશે. આ પાવન પર્વે તમારા ગણપતિ દાદાની સુંદર તસવીરો અને વીડિયો સંદેશ ડિજિટલ દ્વારા પ્રકાશિત કરવામાં આવશે. તમારા શ્રીજીની તસવીરો સંદેશ ડિજિટલની વેબસાઇટ sandesh.com તેમજ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ચમકશે. તમારા ઘેર, ફ્લેટમાં કે સોસાયટીમાં પધારેલા શ્રીજીની સુંદર તસવીરો અને વીડિયો અમને મોકલો. સાથે તમારું નામ અને સ્થળ જરૂરથી લખશો, જેથી તમારી તસવીરો યોગ્ય ઓળખ સાથે પ્રકાશિત કરી શકાય. તો આ ગણેશ મહોત્સવમાં તમારા બાપ્પાની ભક્તિ, શ્રદ્ધા અને સુંદર સજાવટની ઝલક દુનિયા સુધી પહોંચાડો. આજે જ તમારા શ્રીજીની તસવીરો અને વીડિયો મોકલો આ નંબર પર----   9316724216&nbsp;</p><p style="text-align: justify; "><b>મકરબા,અમદાવાદ</b></p><p style="text-align: justify; "><img alt="મકરબા,અમદાવાદ" src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/tSn9n2ufr5Jw2trMOEHDV6sjhZJojYfWrX4ye056.webp" style="width: 100%;"></p><p style="text-align: justify; "><b>સદગુરુ સાનિધ્ય ફ્લેટ, ન્યુ મણિનગર, અમદાવાદ</b></p><p style="text-align: justify; "><img alt="સદગુરુ સાનિધ્ય ફ્લેટ, ન્યુ મણિનગર, અમદાવાદ" src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/fmqAnDzZL9NBP5oDAwzDjtayhZQ1n8xtxkg82468.webp" style="width: 100%;"></p><p style="text-align: justify; "><b>ગેલેક્સી 88,  હંસપુરા</b></p><p style="text-align: justify; "><img alt="ગેલેક્સી 88,  હંસપુરા" src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/sAspMVubsRxyB9Ugi6u4aefRFuMVFabWxVkDLAse.webp" style="width: 100%;"><b><br></b></p><p style="text-align: justify; "><b>જૈનિશ પીઠડિયા શ્રેયસ સોસાયટી,બેરેજ રોડ,વાસણા, અમદાવાદ</b></p><p style="text-align: justify; "><img alt="જૈનિશ પીઠડિયા શ્રેયસ સોસાયટી,બેરેજ રોડ,વાસણા, અમદાવાદ" src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/xaNKNEM7XQE42iY0z4ljh16k4xvoE6Tkj88opDbx.webp" style="width: 100%;"><b><br></b></p><p style="text-align: justify; "><b>દ્રષ્ટિચા બાપ્પા, સાગર કનૈયાલાલ નાયી,બોપલ અમદાવાદ</b></p><p style="text-align: justify; "><img alt="દ્રષ્ટિચા બાપ્પા, સાગર કનૈયાલાલ નાયી,બોપલ અમદાવાદ" src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/KTg2ETbCkOzgtaXGOFuVWXwrpxw7VunznN7Bx28y.webp" style="width: 100%;"><b><br></b></p><p style="text-align: justify; "><b>મિષ્ટી પ્રતીક કેડિયા, અમદાવાદ</b></p><p style="text-align: justify; "><img alt="મિષ્ટી પ્રતીક કેડિયા, અમદાવાદ" src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/cf9zr9A4IMV1BO6CdoZjpQ24bXI6QTcPSsMjNLKX.webp" style="width: 100%;"><b><br></b></p><p style="text-align: justify; "><b>લીમડાચા રાજા રત્નમણિ કોમ્પ્લેક્સ,ઘીકાંટા</b></p><p style="text-align: justify; "><img alt="લીમડાચા રાજા રત્નમણિ કોમ્પ્લેક્સ,ઘીકાંટા" src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/pGm1pOgGJ90MnLE06ZlozysLByYcZ2J0GexMoDRV.webp" style="width: 100%;"><b><br></b></p><p style="text-align: justify; "><b>રઘુવીર ગ્રુપ,અમરોલી,સુરત</b></p><p style="text-align: justify; "><img alt="રઘુવીર ગ્રુપ,અમરોલી,સુરત" src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/NfjHPkYJCKw5jSqk04z9ySIVkWsXsa0mzENSipHL.webp" style="width: 100%;"><b><br></b></p><p style="text-align: justify; "><b>શિવધરા, મોટા વરાછા</b></p><p style="text-align: justify; "><img alt="શિવધરા, મોટા વરાછા" src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/HW6ba5s9MxzwsjvlRgPMuWsH34Dj6hdWFKYuA4xU.webp" style="width: 100%;"><b><br></b></p><p style="text-align: justify; "><b>સીતારામ એપાર્ટમેન્ટ ઉત્તમ નગર, મણિનગર</b></p><p style="text-align: justify; "><img alt="સીતારામ એપાર્ટમેન્ટ ઉત્તમ નગર, મણિનગર" src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/G4C0f6JjRYCZNYqK5K1CnZWPaIe0wQMgdKLwNSNo.webp" style="width: 100%;"><b><br></b></p><p style="text-align: justify; "><b>સુરેલીયા રોડ, વસ્ત્રાલ</b></p><p style="text-align: justify; "><img alt="સુરેલીયા રોડ, વસ્ત્રાલ" src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/nXR7CqjgJ3P0fhAxZH6NTBD4SKmPIR2SOfVo7tqV.webp" style="width: 100%;"><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/CPh34zv7l8xydCl1X37hl0zGZKeKIsNtQ5CjS9bM.webp'/></item><item><title><![CDATA[UPI MDRના નવા નિયમો: શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારાઓ માટે શું બદલાશે? ]]></title><link>https://sandesh.com/business/news/new-upi-mdr-rules-what-will-change-for-those-investing-in-the-stock-market-and-mutual-funds</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/new-upi-mdr-rules-what-will-change-for-those-investing-in-the-stock-market-and-mutual-funds</guid><pubDate>Wed, 16 Sep 2026 09:39:19 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જો કે હવે UPI સાથે જોડાયેલા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે MDRના નિયમોમાં ફેરફાર થવાનો છે. નવા MDR ફ્રેમવર્ક મુજબ 15 ઓક્ટોબર, 2026થી નવા નિયમો લાગુ થશે. જોકે સામાન્ય ગ્રાહકો માટે UPI પેમેન્ટ પહેલાની જેમ જ મફત રહેશે અને તેમને પોતાની તરફથી અલગથી MDR ચૂકવવાનો રહેશે નહીં.</p><p style="text-align: justify; ">નવા નિયમોમાં ખાસ કરીને ₹2,000થી વધુના કેટલાક UPI વ્યવહારો માટે વેપારીઓ અને સંબંધિત બિઝનેસને MDR ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત શેરબજાર અને કેપિટલ માર્કેટ સાથે જોડાયેલા UPI પેમેન્ટને સામાન્ય મર્ચન્ટ પેમેન્ટથી અલગ શ્રેણીમાં રાખવામાં આવ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>શેરબજારમાં UPI પેમેન્ટ પર કેટલો MDR?</b></h2><p style="text-align: justify; ">કેપિટલ માર્કેટ કેટેગરીમાં મ્યુચ્યુઅલ ફંડ, સિક્યોરિટીઝ, સ્ટોક બ્રોકર અને ડીલર સાથે જોડાયેલા UPI પેમેન્ટ માટે 0.02% MDR નક્કી કરવામાં આવ્યો છે. તેની મહત્તમ મર્યાદા ₹300 પ્રતિ ટ્રાન્ઝેક્શન રહેશે.</p><p style="text-align: justify; "><img alt="upi" src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/iVLYTTZpHDzvzmo5G2zZiGmZpyQnzjbuxQ7oDhvB.webp"><br></p><p style="text-align: justify; ">ઉદાહરણ તરીકે, જો તમે UPI દ્વારા ₹10,000નું રોકાણ કરો છો તો 0.02% પ્રમાણે MDR ₹2 થાય છે. ₹50,000ના રોકાણ પર ₹10 અને ₹1 લાખના રોકાણ પર ₹20 MDR બને છે. મોટા વ્યવહારમાં આ ચાર્જ મહત્તમ ₹300 સુધી મર્યાદિત રહેશે.</p><h3 style="text-align: justify; "><b>કયા રોકાણ પર લાગુ થઈ શકે?</b></h3><p style="text-align: justify; ">આ કેટેગરીમાં UPI દ્વારા કરવામાં આવતા મ્યુચ્યુઅલ ફંડ રોકાણ, સિક્યોરિટીઝ ખરીદી, સ્ટોક બ્રોકર અથવા ડીલરને કરવામાં આવતી ચુકવણી અને બ્રોકિંગ સાથે સંબંધિત ફંડ ટ્રાન્સફરનો સમાવેશ થઈ શકે છે.</p><p style="text-align: justify; ">સામાન્ય વેપારીને ₹10,000ની ચુકવણી અને મ્યુચ્યુઅલ ફંડમાં ₹10,000નું રોકાણ—બંને UPIથી કરવામાં આવે તો પણ MDRનો દર અલગ રહેશે. સામાન્ય મર્ચન્ટ પેમેન્ટ માટે 0.4%, જ્યારે કેપિટલ માર્કેટ પેમેન્ટ માટે 0.02% દર નક્કી કરવામાં આવ્યો છે.</p><h4 style="text-align: justify; "><b>શું રોકાણકારના બેંક ખાતામાંથી પૈસા કપાશે?</b></h4><p style="text-align: justify; ">આ સૌથી મહત્વનો મુદ્દો છે. MDR મુખ્યત્વે મર્ચન્ટ અથવા સંબંધિત મધ્યસ્થી પાસેથી લેવામાં આવતી ફી છે. તેથી રોકાણકારે UPIથી ₹1 લાખનું રોકાણ કર્યું એટલે તેના બેંક ખાતામાંથી અલગથી ₹20 MDR કપાશે એવું સીધું માનવું યોગ્ય નથી.</p><p style="text-align: justify; ">આ ખર્ચને બ્રોકર, મ્યુચ્યુઅલ ફંડ પ્લેટફોર્મ અથવા અન્ય મધ્યસ્થી કેવી રીતે સંભાળે છે તે મહત્વનું રહેશે. નવા ફ્રેમવર્ક મુજબ MDRનો ખર્ચ ગ્રાહક પાસેથી અલગથી વસૂલવાની મંજૂરી નથી.</p><h4 style="text-align: justify; "><b>SIP કરનારાઓ પર શું અસર પડશે?</b></h4><p style="text-align: justify; ">દર મહિને UPI મારફતે SIP કરનારા રોકાણકારો માટે પણ દર 0.02% હોવાથી રકમ પ્રમાણમાં ઓછી રહેશે. ઉદાહરણ તરીકે ₹10,000ના રોકાણ પર MDRની ગણતરી ₹2 થાય છે. જોકે વાસ્તવિક ખર્ચ સંબંધિત રોકાણ પ્લેટફોર્મ આ MDRને કેવી રીતે સંભાળે છે તેના પર આધાર રાખશે.</p><p style="text-align: justify; ">વારંવાર UPI મારફતે ફંડ ટ્રાન્સફર કરતા ટ્રેડર્સ અને રોકાણકારો માટે આ ફ્રેમવર્ક વધુ મહત્વનું બની શકે છે. NSEના એમડી અને સીઈઓ આશિષ કુમાર ચૌહાણે પણ ટૂંકા ગાળામાં UPI મારફતે ટ્રેડિંગ વોલ્યુમ પર અસર થવાની સંભાવના વ્યક્ત કરી છે. જોકે સમય જતાં સ્થિતિ સ્થિર થઈ શકે છે. તેથી રોકાણકારોએ પોતાના બ્રોકર અથવા પ્લેટફોર્મની MDR સંબંધિત શરતો જરૂર તપાસવી જોઈએ.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો: <a href="https://sandesh.com/business/news/rbi-repo-rate-hike-big-news-for-borrowers-rbi-may-increase-interest-rates" target="_blank">RBI Repo Rate Hike: લોન લેનારાઓ માટે મોટા સમાચાર! RBI વ્યાજદર વધારી શકે</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/dIhFOUvriWN0wye2EOjj1BU9bucrz7vpn8ynq02n.webp'/></item><item><title><![CDATA[Gujarat News: દિલીપ સંઘાણી પનામામાં યોજાયેલી ચૂંટણીમાં ICA ગ્લોબલ બોર્ડના ડિરેક્ટર તરીકે ચૂંટાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/dilip-sanghani-elected-ica-global-board-director-in-panama-election</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/dilip-sanghani-elected-ica-global-board-director-in-panama-election</guid><pubDate>Wed, 16 Sep 2026 09:21:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અંતરરાષ્ટ્રીય સહકારિતા આંદોલન માટે એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ રૂપે ઇફ્કો (IFFCO)ના ચેરમેન દિલીપ સંઘાણી ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ (ICA)ના ગ્લોબલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ડિરેક્ટર તરીકે ચૂંટાયા છે. દિલીપ સંઘાણી વિજેતા જાહેર થતાં જ પનામામાં ઉપસ્થિત ભારતીય સહકારી પ્રતિનિધિમંડળના સભ્યોમાં ઉત્સાહ અને ગર્વની લહેર પ્રસરી ગઈ હતી. તમામ સભ્યોએ એક અવાજે ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી આખા સભાખંડને ગૂંજતો કર્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>વૈશ્વિક સહકાર મંચ પર ભારતની વધતી પ્રતિષ્ઠા</b></h2><p style="text-align: justify; ">વિદેશી ધરતી પર ગૂંજેલા ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓએ વૈશ્વિક સહકાર મંચ પર ભારતની વધતી પ્રતિષ્ઠા અને પ્રભાવને અભિવ્યક્ત કર્યો હતો. પનામા સિટીમાં યોજાયેલી ICAની મહાસભા દરમિયાન થયેલી ચૂંટણીમાં દિલીપ સંઘાણીની જીતને ભારતના વિશાળ સહકાર આંદોલન માટે ગૌરવપૂર્ણ ક્ષણ માનવામાં આવી રહી છે. આ ઉપલબ્ધિ વૈશ્વિક સહકાર જગતમાં ભારતની વધતી ભૂમિકા, પ્રભાવ અને નેતૃત્વને વધુ સશક્ત કરે છે. દિલીપ સંઘાણી છેલ્લા કેટલાક દાયકાઓથી સહકાર ક્ષેત્ર સાથે જોડાયેલા છે અને ખેડૂતો, ગ્રામીણ અર્થવ્યવસ્થા તથા સહકારી સંસ્થાઓના સશક્તિકરણ માટે સતત કાર્ય કરતા રહ્યા છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>દિલીપ સંઘાણી IFFCO અને GUJCOMASOLના ચેરમેન છે</b></h3><p style="text-align: justify; ">હાલમાં દિલીપ સંઘાણી IFFCO અને GUJCOMASOLના ચેરમેન છે અને વિવિધ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સહકારી સંસ્થાઓમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે. ICA વિશ્વનું પ્રમુખ વૈશ્વિક સહકારી સંગઠન છે, જે વિવિધ દેશો અને ક્ષેત્રોની સહકારી સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરે છે. ICAના ગ્લોબલ બોર્ડમાં ભારતનું પ્રતિનિધિત્વ ભારતીય સહકાર આંદોલનના અવાજને આંતરરાષ્ટ્રીય મંચ પર વધુ મજબૂતી પ્રદાન કરશે. દિલીપ સંઘાણીની આ જીત વડાપ્રધાન મોદીના સહકાર સે સમૃદ્ધિના વિઝન તથા ભારતના સહકાર આંદોલનની વૈશ્વિક સ્વીકૃતિને પણ દર્શાવે છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>વૈશ્વિક સહકારના ક્ષેત્રમાં ભારતના વધતા પ્રભાવનું મહત્વપૂર્ણ પ્રતીક</b></h2><p style="text-align: justify; ">ભારત આજે સહકારના માધ્યમથી ખેડૂતો, ગ્રામીણ સમુદાયો અને સામાન્ય નાગરિકોના આર્થિક તેમજ સામાજિક સશક્તિકરણની દિશામાં એક નવો દાખલો પ્રસ્તુત કરી રહ્યું છે. દિલીપ સંઘાણીએ પોતાની જીત બદલ ICAના તમામ સભ્ય દેશો, પ્રતિનિધિઓ અને વૈશ્વિક સહકાર સમુદાયનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે તેઓ ભારતના સહકાર આંદોલનની ભાવના, અનુભવ અને દ્રષ્ટિકોણને વૈશ્વિક મંચ પર પ્રભાવી રીતે પ્રસ્તુત કરવા તથા વિશ્વભરમાં સહકારને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. દિલીપ સંઘાણીનું ICA બોર્ડમાં નિર્વાચન ભારત માટે ગૌરવ, ભારતીય સહકાર આંદોલન માટે સન્માન અને વૈશ્વિક સહકારના ક્ષેત્રમાં ભારતના વધતા પ્રભાવનું મહત્વપૂર્ણ પ્રતીક છે.</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/car-dealer-was-allegedly-honey-trapped-by-a-woman" target="_blank">આ પણ વાંચોઃ Bhavnagar News: કાર ડીલરને હનીટ્રેપમાં ફસાવી 3 લાખ પડાવી લીધા, મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/LsiRIXj6KKRRp33PbM4NvDsgzyL9DYQDWpMbUrTB.webp'/></item><item><title><![CDATA[PM મોદીને મળેલી ભેટો ખરીદવાની સોનેરી તક, 17 સપ્ટેમ્બરથી શરૂ થશે પ્રક્રિયા, જાણો કેવી રીતે? ]]></title><link>https://sandesh.com/india/news/pm-modi-gifts-e-auction-namami-gange</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/pm-modi-gifts-e-auction-namami-gange</guid><pubDate>Wed, 16 Sep 2026 09:18:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશ-વિદેશમાંથી મળેલી અનોખી ભેટ-સોગાદોની ઈ-હરાજી ફરી એકવાર શરૂ થવા જઈ રહી છે. પ્રજાકલ્યાણ અને પારદર્શિતાના ઉમદા હેતુ સાથે શરૂ થતી આ હરાજી પીએમના જન્મદિવસે એટલે કે ૧૭ સપ્ટેમ્બરથી શરૂ થશે અને ૨ ઓક્ટોબર સુધી ચાલુ રહેશે.</p><h2 style="text-align: justify; "><b>પ્રદર્શન અને કલાત્મક ભેટોની ઝાંખી</b></h2><p style="text-align: justify; ">આ હરાજીમાં મૂકવામાં આવેલી તમામ ભેટોને દિલ્હીની જાણીતી નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટ (National Gallery of Modern Art) ખાતે સુંદર રીતે પ્રદર્શિત કરવામાં આવી છે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત આ પ્રદર્શનની મુલાકાત લઈને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવાના છે. સામાન્ય નાગરિકો પણ આ પ્રદર્શનની રૂબરૂ મુલાકાત લઈ શકે છે અને પોતાની પસંદગીની ચીજવસ્તુઓ નિહાળી શકે છે.</p><h3 style="text-align: justify; "><b>ઈ-હરાજીમાં ભાગ કેવી રીતે લેવો?</b></h3><p style="text-align: justify; ">દેશનો કોઈપણ સામાન્ય નાગરિક આ ઓનલાઈન ઈ-હરાજીમાં સરળતાથી ભાગ લઈ શકે છે. સરકારે આ માટે ખાસ સત્તાવાર પોર્ટલ તૈયાર કર્યું છે, જેના દ્વારા રસ ધરાવતી વ્યક્તિઓ પોતાની મનપસંદ ભેટ ખરીદવા માટે બોલી (બિડ) લગાવી શકે છે. આ પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ્ય ભેટોના વહીવટમાં પારદર્શિતા લાવવાનો અને તેને સીધા જ લોકકલ્યાણના કાર્યો સાથે જોડવાનો છે.</p><h4 style="text-align: justify; "><b>ગંગા નદીની સફાઈ માટે વિશેષ યોગદાન</b></h4><p style="text-align: justify; ">આ ઈ-હરાજી થકી એકત્ર થનારી સંપૂર્ણ રકમ ખૂબ જ પવિત્ર અને પ્રેરણાદાયી હેતુ માટે વાપરવામાં આવશે. મળતી માહિતી મુજબ, હરાજીમાંથી આવતી બધી જ રકમ 'નમામી ગંગે' પ્રોજેક્ટ હેઠળ રાષ્ટ્રીય નદી ગંગાને શુદ્ધ અને સ્વચ્છ બનાવવા માટે ઉપયોગમાં લેવાશે.</p><p style="text-align: justify; ">ઉલ્લેખનીય છે કે, આ વિશેષ પહેલની શરૂઆત સૌપ્રથમવાર 2019 માં કરવામાં આવી હતી. ત્યારથી લઈને આજદિન સુધી દર વર્ષે વડાપ્રધાનના જન્મદિવસની આસપાસ આ હરાજીનું સફળ આયોજન કરવામાં આવે છે, જેને જનતા તરફથી પણ ભારે સમર્થન મળતું રહ્યું છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/himalayan-glaciers-melting-threat-india-economy" target="_blank">આ પણ વાંચોઃ Himalay નો પીગળતો બરફ ભારત માટે ખતરાંની ઘંટડી!શું નોકરીઓ અને અર્થવ્યવસ્થા પર આવશે મોટું સંકટ?</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/qxIpwrlQf0LKWr9zzzZyK1OjaFYMcbiBsM81aryY.webp'/></item><item><title><![CDATA[Patan: સિદ્ધપુરની મસ્કન ટાઉનશીપમાં ત્રણ ઘરોના તાળાં તૂટયા : લાખોની ચોરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/patan/patan-locks-of-three-houses-broken-in-maskan-township-of-siddhpur-lakhs-stolen</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/patan/patan-locks-of-three-houses-broken-in-maskan-township-of-siddhpur-lakhs-stolen</guid><pubDate>Wed, 16 Sep 2026 05:37:49 +05:30</pubDate><description><![CDATA[<p><br></p><p>રોકડ અને ઘરેણા સહિત કુલ 5.67 લાખની તસ્કરી : સ્થાનિક પોલીસે અને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ડૉગ સ્કવોર્ડ સહિતની મદદ લઈ ચોરોનું પગેરૂ મેળવવા તપાસ આરંભીસિદ્ધપુર શહેરમાં તાવડીયા રોડ પરની મસ્કાન ટાઉનશિપ સોસાયટીમાં તસ્કરોએ ત્રણ મકાનોને નિશાન બનાવીને ચોરીને અંજામ આપ્યો હતો.</p><p>જેમાં એક મકાનમાંથી તસ્કરોએ રૂ.2.60 લાખની રોકડ રકમ સહિત સોનાના અને ચાંદીના ઘરેણા મળીને કુલ 5.67 લાખની ચોરી કરી હતી. તદ્પરાંત અન્ય પાડોશમાં આવેલા બે મકાનોમાં પણ ચોરી થતાં સિદ્ધપુર પોલીસે તાત્કાલિક અસરથી સોસાયટીમાં પહોંચી તપાસ હાથ ધરી છે. ચોરી કરવા માટે આવેલ તસ્કર ટોળકી સીસીટીવી કેમેરાના કેમેરામાં દેખાતાં પોલીસે તેની મદદથી પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હોવાનું જાણવા મળ્યું છે. સિદ્ધપુરની તાવડીયા રોડ પર આવેલ મસ્કાન ટાઉનશિપમાં રહેતાં સાયરાબાનુ તેમની દિકરીના ઘરે ગયા હતા તે દરમિયાન પડોશીએ તેમના મકાનનું તાળુ તુટેલું હોવાથી જાણ કરતાં જ દિકરી સાથે દોડી આવ્યા હતા અને તપાસ કરતાં સોસાયટીમાં અન્ય બે મકાનોમાં ચોરી થઈ હોવાનું સામે આવતાં પોલીસે જાણ કરતાં જ સિદ્ધપુર પીઆઈ એમ.કે. ઝાલાની ટીમે તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન મકાનમાંથી અજાણ્યા તસ્કરો દ્વારા રૂ.2.60 લાખ રોકડ રકમ સહિત સોનાનો સેટ, સોનાની વીંટી, સોનાની ચેઈનો, સોનાની નાકની ચુની, સોનાનું પેંડલ, સોનાની બુટ્ટી, ચાંદીની પાયલ, ચાંદીની ઝાંઝર તથા ચાંદીની લક્કી અને ચાંદીની વીંટીની ચોરી થવા પામી હોવાનું સામે આવતાં અજાણ્યા તસ્કરો સામે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફુંટેજના આધારે અજાણ્યા તસ્કરો સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. તદ્પરાંત શહેરમાં આવેલ ગોકુલધામ સોસાયટીમાં પણ તસ્કરો દ્વારા ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ નિષ્ફ્ળ નિવડયો હોવાનું જાણવા મળ્યું છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/znbkrkqUEAaEypgeQMlZWszUZvrJUMhqjBPkY8OA.webp'/></item><item><title><![CDATA[પાકિસ્તાનની ટીમ ભારત આવશે! એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં જામશે ભારત-પાક જંગ ]]></title><link>https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</guid><pubDate>Mon, 14 Sep 2026 15:47:21 +05:30</pubDate><description><![CDATA[<p>આવતા મહિને પાકિસ્તાનની હોકી ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે. 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન પંજાબમાં યોજાનારી AHF મેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026માં પાકિસ્તાન સહિત કુલ છ ટીમો ભાગ લેશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પાકિસ્તાનની ભાગીદારી અંગેની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, મલ્ટી-નેશનલ ઇવેન્ટ્સ અંગે કેન્દ્ર સરકારની નીતિ હેઠળ બંને દેશોની ટીમો આમને-સામને રમશે.</p><h2><b>ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જાલંધરમાં રમાશે</b></h2><p>એશિયન મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન થશે. આ ટૂર્નામેન્ટમાં યજમાન ભારત અને પાકિસ્તાન ઉપરાંત ચીન, જાપાન, મલેશિયા અને કોરિયાની પણ ભાગ લેશે. લીગ સ્ટેજના મુકાબલા જાલંધરમાં યોજાશે, જ્યારે સેમિફાઇનલ અને ફાઇનલ મેચ મોહાલીના હોકી સ્ટેડિયમમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 1 નવેમ્બરે જાલંધરમાં રમાશે. કોઈ ટીમ છેલ્લી ઘડીએ ખસી જાય તો તે સ્થિતિ માટે ઓમાન અને બાંગ્લાદેશને રિઝર્વ ટીમન તરીકે રાખવામી આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PTI_News/status/2099416960278868155"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમવામાં કોઈ મુશ્કેલી નથી</b></h2><p>પાકિસ્તાનની ભાગીદારી અને જરૂરી મંજૂરીઓ અંગે પંજાબના મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં બંને દેશો વચ્ચે રમવામાં કોઈ મુશ્કેલી નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝનું આયોજન અલગ બાબત છે, કારણ કે કેન્દ્ર સરકારની વર્તમાન નીતિ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય રમત-ગમતના આયોજનની મંજૂરી આપતી નથી. પરંતુ મલ્ટી-નેશનલ ટૂર્નામેન્ટમાં બંને દેશોના ખેલાડીઓને એકબીજા સામે રમવાની પરવાનગી છે, જેથી પાકિસ્તાની ટીમ ભારત આવી શકશે.</p><h2><b>ભારત વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે</b></h2><p>ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. ભારતે 2023માં ચેન્નાઈ અને 2024માં ચીનના હુલુનબુઈરમાં યોજાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ગત વર્ષે આ સ્પર્ધા યોજાઈ શકી નહોતી. હવે પંજાબ પ્રથમ વખત આ ટૂર્નામેન્ટની મેજબાની કરવા જઈ રહ્યું છે.</p><h2><b>અગાઉ પાકિસ્તાની ટીમે ના કહી હતી&nbsp;</b></h2><p>પાકિસ્તાનની આ વખતની ભાગીદારી એટલા માટે પણ ખાસ છે, કારણ કે ગત વર્ષે તેણે તમિલનાડુમાં આયોજિત જૂનિયર હોકી વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તે સમયે બંને દેશો વચ્ચેના તણાવને તેનું કારણ ગણાવવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે અને પાકિસ્તાની ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે પૂરી રીતે તૈયાર છે.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/V6jwdiIr9RTCvR6EyBaGsP2qfZvYLq2JfkL7pytm.webp'/></item></channel></rss>