<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Maranને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, ગુજરાતી સિનેમાએ ફરી દેશભરમાં વધાર્યું ગૌરવ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/maran-gujarati-film-national-film-award</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/maran-gujarati-film-national-film-award</guid><pubDate>Thu, 30 Jul 2026 11:50:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતી સિનેમાએ વધુ એક ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે નોંધાવી છે. દિગ્દર્શક અભિષેક જૈનની ઇન્ટેન્સ થ્રિલર ફિલ્મ મારણને વર્ષ 2026નો ભારતનો સર્વોચ્ચ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો છે. આ સન્માનથી સમગ્ર ગુજરાત અને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ગૌરવની લાગણી જોવા મળી રહી છે. આ સાથે સિનેમેન પ્રોડક્શન બે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મેળવનાર ગુજરાતનું એકમાત્ર પ્રોડક્શન હાઉસ બન્યું છે.</p><h2 style="text-align: justify; "><b>અભિષેક જૈને ફરી રચ્યો નવો અધ્યાય</b></h2><p style="text-align: justify; ">અભિષેક જૈન દરેક ફિલ્મમાં અલગ વિષય અને નવી રજૂઆત માટે જાણીતા છે. કેવી રીતે જઈશ, રોંગ સાઇડ રાજુ અને વીઠ્ઠલ તીડી બાદ મારણ દ્વારા તેમણે ફરી સાબિત કર્યું છે કે ગુજરાતી સિનેમા વિષયવસ્તુ અને ગુણવત્તાના મામલે કોઈથી પાછળ નથી. દરેક ફિલ્મ સાથે નવો ચીલો ચાતરવો તેમના માટે સર્જનાત્મક જવાબદારી બની ગયો છે.</p><h3 style="text-align: justify; "><b>દમદાર સ્ટોરી&nbsp;</b><b style="font-size: 1.75rem;">અને કલાકારોનો અભિનય</b></h3><p style="text-align: justify; ">મારણ એક રહસ્ય અને રોમાંચથી ભરપૂર ફિલ્મ છે, જે શરૂઆતથી અંત સુધી દર્શકોને જકડી રાખે છે. ફિલ્મનું સ્ક્રીનપ્લે, અસરકારક સંવાદો, સિનેમેટોગ્રાફી, બેકગ્રાઉન્ડ સ્કોર અને સંગીત તેની મુખ્ય તાકાત ગણાય છે. યશ સોની, દીક્ષા જોશી અને શ્રુહદ ગોસ્વામીના સ્વાભાવિક અભિનયે ફિલ્મના પાત્રોને વધુ અસરકારક અને જીવંત બનાવ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>વિશેષ પ્રદર્શન બાદ મળી પ્રશંસા</b></h3><p style="text-align: justify; ">ફિલ્મના વિશેષ પ્રદર્શન દરમિયાન સિનેમા નિષ્ણાતો અને વિવેચકોએ તેના શક્તિશાળી કન્ટેન્ટ, ઝડપી સ્ક્રીનપ્લે, પ્રભાવશાળી ડાયલોગ અને ટેક્નિકલ ગુણવત્તાની પ્રશંસા કરી હતી. મારણને ગુજરાતી સિનેમામાં કન્ટેન્ટ આધારિત ફિલ્મો માટે નવા બેન્ચમાર્ક તરીકે જોવામાં આવી રહી છે.</p><h4 style="text-align: justify; "><b>માત્ર થ્રિલર નહીં, સમાજ માટે સંદેશ પણ</b></h4><p style="text-align: justify; ">મારણ માત્ર રહસ્ય અને રોમાંચની સફર નથી. ફિલ્મ વિશ્વાસ, સંબંધો, સ્વાર્થ અને માનવ મનની જટિલતા જેવા મુદ્દાઓને પણ સ્પર્શે છે. ફિલ્મ દર્શકોને પોતાની આસપાસ બનતી હકીકતો સામે આંખ ખોલીને જોવાનો સંદેશ આપે છે અને અનેક એવા પ્રશ્નો ઊભા કરે છે, જેના જવાબ દર્શકોએ પોતાનામાં શોધવાના રહે છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DbS6CoHNza1/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DbS6CoHNza1/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DbS6CoHNza1/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DbS6CoHNza1/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h5 style="text-align: justify; "><b>ગુજરાતી સિનેમાને નવી ઓળખ</b></h5><p style="text-align: justify; ">રાષ્ટ્રીય સન્માન મળ્યા બાદ મારણ ગુજરાતી સિનેમાના બદલાતા ચહેરાનું પ્રતીક બની છે. ફિલ્મ 31 જુલાઈ એ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મે માત્ર ગુજરાતી સિનેમાનું ગૌરવ વધાર્યું નથી, પરંતુ ભવિષ્યમાં ગુણવત્તાસભર અને વિષય આધારિત ફિલ્મો માટે નવી દિશા પણ બતાવી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/ramayana-trailer-7-powerful-dialogues" target="_blank">આ પણ વાંચો-Ramayana : 'ત્રણેય લોક સામે રાવણનો વધ કરીશ...' રામાયણના આ 7 ડાયલોગ્સે મચાવ્યો તહેલકો!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/Mom5j3BeR5lLwC5KQuxiFg6yEhzXjQDc2GsPtz5x.webp'/></item><item><title><![CDATA[Indian Railway ની મોટી ઉપલબ્ધિ, 12 વર્ષમાં 5.56 લાખ યુવાનોને મળી નોકરી ]]></title><link>https://sandesh.com/india/news/big-achievement-of-indian-railways-556-lakh-youth-got-jobs-in-12-years</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/big-achievement-of-indian-railways-556-lakh-youth-got-jobs-in-12-years</guid><pubDate>Thu, 30 Jul 2026 11:46:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય રેલવે દ્વારા રોજગારી અને પ્રશાસનકીય વ્યવસ્થાને લઈને સંસદમાં મહત્વપૂર્ણ આંકડાઓ રજૂ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે સંસદમાં માહિતી આપી હતી કે છેલ્લા 12 વર્ષના સમયગાળા દરમિયાન ભારતીય રેલવેમાં જરૂરિયાતના આધારે વ્યાપક પાયે ભરતી કરવામાં આવી છે, જેના દ્વારા કુલ 5.56 લાખ લોકોને સરકારી રોજગાર પૂરો પાડવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>રેલવેના અલગ અલગ વિભાગોમાં યુવાનોને મળી નોકરી</b></h2><p style="text-align: justify; ">લોકસભામાં વિગતવાર રજૂઆત કરતા મંત્રીએ જણાવ્યું કે વર્ષ 2014 થી લઈને જૂન 2026 સુધીના સમયગાળામાં રેલવેના વિવિધ વિભાગોમાં કુલ 5.56 લાખ લોકોની નિયુક્તિ કરવામાં આવી છે. એકલા દક્ષિણ રેલવે ઝોનમાં જ 50,485 લોકોને નોકરી આપવામાં આવી છે. અગાઉના યુપીએ સરકારના શાસનકાળ (2004-05 થી 2013-14) સાથે સરખામણી કરતા તેમણે જણાવ્યું કે તે સમયગાળા દરમિયાન 4.11 લાખ લોકોની ભરતી કરવામાં આવી હતી. રેલવે મંત્રીએ સ્પષ્ટ કર્યું કે ટેકનોલોજીમાં આવતા બદલાવ અને ઓપરેશનલ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પારદર્શક પદ્ધતિથી આ પરીક્ષાઓ અને ભરતીઓ યોજવામાં આવે છે.</p><h3 style="text-align: justify; "><b>TTE ના કાર્યભાર અને નિયમો અંગે સ્પષ્ટતા</b></h3><p style="text-align: justify; ">સંસદમાં કોંગ્રેસના સાંસદ દ્વારા ટીટીઈ (TTE) પરના કામના ભારણ અંગે ઉઠાવવામાં આવેલા સવાલના જવાબમાં મંત્રીએ જણાવ્યું કે નવા દિશા-નિર્દેશો મુજબ કોઈપણ એક ટીટીઈને સામાન્ય રીતે પાંચથી વધુ એસી (AC) કોચ અથવા ત્રણ 'ચેર કાર' કે 'સ્લીપર' ડિબ્બાની જ જવાબદારી સોંપવામાં આવે છે. ટ્રેનમાં કોચની સંખ્યા અને પ્રકારના આધારે સ્ટાફ તહેનાત કરવામાં આવે છે, જેથી કર્મચારીઓનો યોગ્ય ઉપયોગ થઈ શકે અને મુસાફરોને પણ શ્રેષ્ઠ સુવિધા મળી રહે.</p><h4 style="text-align: justify; "><b>ટિકિટ કેન્સલેશન અને રિફંડના નવા નિયમો</b></h4><p style="text-align: justify; ">રાજ્યસભામાં એક લેખિત જવાબમાં રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે ભારતીય રેલવે કેન્સલ અને વેટિંગ ટિકિટથી થતી આવકનો ઝોન-વાર અલગથી રેકોર્ડ રાખતું નથી. જો કે, વંદે ભારત સ્લીપર એક્સપ્રેસ અને અમૃત ભારત એક્સપ્રેસ જેવી પ્રીમિયમ ટ્રેનો માટે ટિકિટ રદ કરવાના નિયમો સામાન્ય ટ્રેનો કરતાં અલગ રાખવામાં આવ્યા છે. આ વિશેષ ટ્રેનોના કન્ફર્મ ટિકિટ પરના રિફંડના નિયમો અનુસાર, જો ટ્રેન ઉપડવાના સમયથી ૭૨ કલાક પહેલા ટિકિટ રદ કરવામાં આવે તો 25 ટકા રકમ કપાય છે. જો ૭૨ કલાકથી ૮ કલાક પહેલા કેન્સલ થાય તો ૫૦ ટકા રકમ કાપવામાં આવે છે, અને જો ટ્રેન ઉપડવાના સમયથી 8 કલાકની અંદર ટિકિટ રદ કરવામાં આવે તો કોઈ જ રિફંડ આપવામાં આવતું નથી.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/world/news/us-retaliates-for-jordan-attack-launches-missile-attack-on-iran" target="_blank">આ પણ વાંચોઃ US એ જોર્ડન હુમલાનો લીધો બદલો, ઇરાન પર કર્યો મિસાઇલ હુમલો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/6y579vW1wtIg1cGGjuhW4viPCH8wckgTcPHcrRYl.webp'/></item><item><title><![CDATA[Surat: રોગચાળો રોકવા SMCએ 5.91 લાખ ઘરો તપાસ્યા, મચ્છરોના બ્રીડિંગ બદલ 28 લાખથી વધુનો દંડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/smc-action-against-mosquito-breeding-5-lakh-houses-checked-28-lakh-penalty-collected</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/smc-action-against-mosquito-breeding-5-lakh-houses-checked-28-lakh-penalty-collected</guid><pubDate>Thu, 30 Jul 2026 11:45:06 +05:30</pubDate><description><![CDATA[<p>દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની જામતી ઋતુ સાથે જ સુરત શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો (મેલેરિયા, ડેંગ્યુ, ચિકનગુનિયા) નો ઉપદ્રવ ન વધે તે માટે સુરત મહાનગરપાલિકા નું આરોગ્ય તંત્ર યુદ્ધના ધોરણે મેદાનમાં ઊતર્યું છે. રોગચાળાને શરૂઆતી તબક્કે જ ડામી દેવાના હેતુથી મનપાની હેલ્થ ટીમો દ્વારા જુલાઈ માસ દરમિયાન સમગ્ર શહેરના વિવિધ ઝોનમાં આક્રમક ચેકિંગ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. આ ડ્રાઇવ અંતર્ગત આરોગ્ય વર્કરો દ્વારા શહેરના 5,91,086 ઘરોની પ્રત્યક્ષ મુલાકાત (ડોર-ટુ-ડોર ચેકિંગ) લઈને ધાબા, કુલર, પાણીના ટાંકા અને કુંડાઓની તપાસ કરવામાં આવી હતી.</p><h2><b>શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો ઉપદ્રવ&nbsp;</b></h2><p>સઘન તપાસ દરમિયાન શહેરમાંથી 8,817 જેટલા સ્થળોએ મચ્છરોના લાર્વા/બ્રીડિંગ મળી આવ્યા હતા. SMC ની ટીમ દ્વારા ત્વરિત પોટાશ અને મચ્છરનાશક દવાઓનો છંટકાવ કરીને આ બ્રીડિંગનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. મચ્છરોની ઉત્પત્તિ થાય તેવી બેદરકારી દાખવનારા અને મનપાના હેલ્થ પ્રોટોકોલનો ભંગ કરનારા ૩,૩૪૩ લોકોને કારણદર્શક નોટિસ ફટકારીને રૂ. 15,79,600 નો વહીવટી દંડ વસૂલવામાં આવ્યો હતો.</p><h3><b>બાંધકામ સાઇટો પર VBDC વિભાગની સરપ્રાઇઝ રેડ</b></h3><p>રહેણાંક વિસ્તારો ઉપરાંત મનપાના 'વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ' (VBDC) વિભાગ દ્વારા પણ ખુલ્લામાં પાણી ભરાઈ રહેતું હોય તેવી 1,161 બાંધકામ (કન્સ્ટ્રક્શન) સાઇટો પર અચાનક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.તપાસ દરમિયાન કન્સ્ટ્રક્શન સાઇટ પર બેદરકારી દાખવનાર અને મચ્છરના બ્રીડિંગ જાળવી રાખનાર 446 બાંધકામ સાઇટોને સ્થળ પર જ નોટિસ ફટકારવામાં આવી હતી અને રૂ. 12,93,400 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. મનપા પ્રશાસને સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં પણ જો કોઈપણ કન્સ્ટ્રક્શન સાઇટ કે કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં પાણી ભરાયેલું રહેશે તો દંડનીય કાર્યવાહી સાથે સાઇટ સીલ કરવા સુધીના પગલાં લેવામાં આવશે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/sg-highway-ambaji-temple-road-damaged-potholes-cause-traffic-jam" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: એસ.જી. હાઇવે પર મસમોટા ખાડા, 3 મહિના પહેલાં બનેલો રોડ પ્રથમ વરસાદમાં જ ધોવાયો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/rRjGNXehMK2YBj52cIXbCFJ8AukHCGfjITPhnvOa.webp'/></item><item><title><![CDATA[Bhavnagar પંથકમાં સાવજના આંટાફેરા, વાડી વિસ્તારમાં સિંહ દેખાતાં ખેડૂતોમાં ભયનો માહોલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/bhavnagar/farmers-fear-as-lioness-seen-roaming-in-savajna-antafera-wadi-area-in-bhavnagar-district</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/bhavnagar/farmers-fear-as-lioness-seen-roaming-in-savajna-antafera-wadi-area-in-bhavnagar-district</guid><pubDate>Thu, 30 Jul 2026 11:40:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભાવનગર નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં સિંહણની હાજરીથી ભારે ખળભળાટ મચી ગયો છે. સોડવદરા ગામના વાડી વિસ્તારમાં એક સિંહણ મુક્તપણે આંટાફેરા કરતી જોવા મળી હતી. સ્થાનિક દ્વારા સિંહણનો આ નજારો કેમેરામાં કેદ કરી લેવાતાં તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને પગલે પંથકમાં ભય અને આશ્ચર્યનો માહોલ સર્જાયો છે.</p><h2 style="text-align: justify; "><b>વરતેજ અને નવાગામના ખેડૂતોમાં ફફડાટનો માહોલ</b></h2><p style="text-align: justify; ">સીમ વિસ્તારમાં સિંહણ ફરી રહી હોવાના સમાચાર વાયુવેગે પ્રસરતાં જ આસપાસના વરતેજ અને નવાગામના ખેડૂતો તથા પશુપાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ખાસ કરીને રાત્રિના સમયે ખેતરોમાં પાકને પાણી પાવા કે રક્ષણ માટે જતાં ખેડૂતોમાં પોતાના જીવનું જોખમ વર્તાઈ રહ્યું છે, જેના કારણે લોકો વાડી-ખેતરોમાં એકલા જતાં પણ ડરી રહ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>વન વિભાગની ટીમ હરકતમાં, ગ્રામજનોને સાવચેત રહેવા અપીલ</b></h3><p style="text-align: justify; ">સિંહણના વાયરલ વીડિયોના આધારે વન વિભાગ પણ તાત્કાલિક હરકતમાં આવ્યું છે. સિંહણની લોકેશન ટ્રેક કરવા અને તેની હિલચાલ પર સતત નજર રાખવા માટે ટીમો તૈનાત કરવામાં આવી છે. આ સાથે જ વન વિભાગે વરતેજ, નવાગામ અને સોડવદરા સહિતના ગ્રામજનોને સાવચેત રહેવા, રાત્રિ દરમિયાન ખેતરોમાં એકલા ન જવા અને પશુઓની સુરક્ષા જાળવવા માટે ખાસ અપીલ કરી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/modasa/aravalli-news-another-victim-of-incomplete-highway-work-youth-dies-in-car-accident-near-modasa" target="_blank">Aravalli News : અધૂરા હાઈવેના કામનો વધુ એક ભોગ, મોડાસા નજીક કાર અકસ્માતમાં યુવકનું અવસાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/cjt49aAW1SpixSKXhVyVlHX4f7BGkdEwWa3UyB99.webp'/></item><item><title><![CDATA[CWG 2026 Medal Tally: કોમન વેલ્થ ગેમ્સમાં જાણો ભારતનું સ્થાન અને મેડલ ટેબલમાં કોણ ટોચ પર ]]></title><link>https://sandesh.com/sports/news/cwg-2026-medal-tally-know-indias-position-in-the-commonwealth-games-and-who-is-at-the-top-of-the-medal-table</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/cwg-2026-medal-tally-know-indias-position-in-the-commonwealth-games-and-who-is-at-the-top-of-the-medal-table</guid><pubDate>Thu, 30 Jul 2026 11:15:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગ્લાસગો ખાતે રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ માં 29 જુલાઈનો દિવસ ભારત માટે વધુ યાદગાર રહ્યો છે. પેરા એથ્લીટ દિલીપ મહાદુ ગાવિતે પુરુષોની ૧૦૦ મીટર T47 ઈવેન્ટમાં નવો ગેમ્સ રેકોર્ડ બનાવીને ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. બીજી તરફ, સ્ટાર એથ્લીટ મુરલી શ્રીશંકરે પુરુષોની લાંબી કૂદ (Long Jump) માં સતત બીજી વખત કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. આ સાથે જ ભારતે કોમનવેલ્થ ગેમ્સ 2026માં કુલ 15 મેડલ પ્રાપ્ત કરી મેડલ પોઈન્ટ ટેબલમાં 8મું સ્થાન પ્રાપ્ત કર્યું છે.</p><p style="text-align: justify; "><b>ભારત 15 મેડલ સાથે 8માં સ્થાન પર</b></p><p style="text-align: justify; ">દિલીપ મહાદુ ગાવિત અને મુરલી શ્રીશંકરે ઉપરાંત કોમન વેલ્થમાં ભારતીય બોક્સરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું. બોક્સરના સારા પ્રદર્શનના કારણે તેઓએ સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે, જેનાથી ભારત માટે વધુ ૧૦ મેડલ પાકા થઈ ગયા છે. આ નવા સફળ દિવસ બાદ ભારતની કુલ મેડલ સંખ્યા ૧૫ થઈ ગઈ છે. જેમાં ૩ ગોલ્ડ, ૯ સિલ્વર અને ૩ બ્રોન્ઝ મેડલ નો સમાવેશ થાય છે. હાલમાં ભારત મેડલ ટેલીમાં ૮મા સ્થાને છે.</p><ul><li style="text-align: justify;">ભારતના ૩ ગોલ્ડ મેડલ વિજેતા:</li><li style="text-align: justify;">ભારતને અત્યાર સુધી મળેલા ત્રણેય ગોલ્ડ અલગ-અલગ રમતોમાંથી આવ્યા છે:</li><li style="text-align: justify;">મીરાબાઈ ચાનુ – મહિલા ૪૮ કિગ્રા (વેઇટલિફ્ટિંગ)</li><li style="text-align: justify;">શર્મિલા ધનખર – મહિલા શોટ પુટ F57 (પેરા એથ્લેટિક્સ)</li><li style="text-align: justify;">દિલીપ મહાદુ ગાવિત – પુરુષોની ૧૦૦ મીટર T47 (પેરા એથ્લેટિક્સ)</li></ul><p style="text-align: justify; ">આગામી દિવસોમાં એથ્લેટિક્સ, વેઇટલિફ્ટિંગ અને બોક્સિંગની મેચો બાકી હોવાથી ભારતની મેડલ સંખ્યામાં મોટો ઉછાળો આવવાની પૂરી શક્યતા છે.</p><p style="text-align: justify; "><img alt="કોમનવેલ્થ ગેમ્સ 2026" src="https://epapercdn.sandesh.com/images/2026/07/30/KJEkaoxNKXQ0siQvPSyFSNhPRXZjeTokSQWPdrk6.webp"><br></p><p style="text-align: justify; "><b>કોમન વેલ્થ મેડલ ટેલીમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ સ્થાને</b></p><p style="text-align: justify; ">મેડલ ટેબલ પર ઓસ્ટ્રેલિયાનો એકચક્રી દબદબો જોવા મળી રહ્યો છે. આ વર્ષ 2026ના કોમનવેલ્થ ગેમ્સમાં ઓસ્ટ્રેલિયા ૪૭ ગોલ્ડ જીતી મેડલ ટેબલમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું. જયારે ગોલ્ડ ઉપરાંત ઓસ્ટ્રિલિયાના ખાતામાં ૨૧ સિલ્વર અને ૩૫ બ્રોન્ઝનો સમાવેશ થાય છે. કુલ ૧૦૩ મેડલ મેળવીને ઓસ્ટ્રેલિયા અનેક દેશોને પાછળ છોડી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.</p><p style="text-align: justify; "><b>મેડલ ટેબલમાં ટોચના 10માં કોણ</b></p><p style="text-align: justify; ">કેનેડા ૧૪ ગોલ્ડ, ૧૧ સિલ્વર અને ૧૪ બ્રોન્ઝ (કુલ ૩૯ મેડલ) સાથે બીજા સ્થાને છે. ઈંગ્લેન્ડ ૧૨ ગોલ્ડ અને કુલ ૫૬ મેડલ સાથે ત્રીજા ક્રમે છે. સ્કોટલેન્ડ (યજમાન): ૯ ગોલ્ડ સહિત ૨૩ મેડલ સાથે ચોથા ક્રમે છે. અન્ય દેશોમાં 5માં સ્થાન પર નાઈજીરીયા ૭ ગોલ્ડ, 2 સિલ્વર, 5 બ્રોન્ઝ, 6 ઠ્ઠા સ્થાન પર દક્ષિણ આફ્રિકા અને 7મા સ્થાન પર મલેશિયા ૭મા ક્રમે છે. ભારત કુલ 15 મેડલની જીત સાથે ૮મા સ્થાને છે, જ્યારે ન્યુઝીલેન્ડ અને જમૈકા પણ ટોપ-૧૦ માં સામેલ છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/sports/news/commonwealth-games-2026-day-8-india-neeraj-chopra" target="_blank">આ પણ વાંચો : CWG 2026: નીરજ ચોપરા એક્શનમાં મળશે જોવા, 8મા દિવસનું સંપૂર્ણ શેડ્યૂલ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/Iql1YwdrFV1GJBCXAud8bf9mHbs1TDGMColQPkzA.webp'/></item><item><title><![CDATA[NEET Paper Leak: 'મને ભારતીય રેલ્વે પર ગર્વ, આજ રીતે...', મોદી સરકારને લઈને સોનમ વાંગચૂકે શું કહ્યું? ]]></title><link>https://sandesh.com/india/news/i-am-proud-of-indian-railways--ndash--what-wangchuk-said-about-the-modi-government-</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/i-am-proud-of-indian-railways--ndash--what-wangchuk-said-about-the-modi-government-</guid><pubDate>Thu, 30 Jul 2026 11:13:17 +05:30</pubDate><description><![CDATA[<p>NEET Paper Leak: NEET પેપર લીક મામલે મોદી સરકારના મંત્રીના રાજીનામાની માંગણી સાથે 26 દિવસની ભૂખ હડતાળ કરનાર સોનમ વાંગચુકે કેન્દ્ર દ્વારા લેવામાં આવેલા પગલાં પર ખુશી વ્યક્ત કરી છે. દિલ્હીમાં વિરોધ પ્રદર્શન બાદ કાશ્મીરમાં એક દિવસ આરામ કર્યા પછી લદ્દાખ પરત ફરતા, વાંગચુકે પેપર લીક વિરુદ્ધ સંસદમાં બિલ રજૂ થવાનું સ્વાગત કર્યું. તેમણે આશા વ્યક્ત કરી કે આ દિશામાં પ્રયાસો ચાલુ રહેશે. વધુમાં, તેમણે સરકારને વિરોધીઓ સામે દંડાત્મક કાર્યવાહી ન કરવાના પોતાના વચનનું પાલન કરવા વિનંતી કરી.</p><p>જંતર-મંતર પર 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ના વિરોધ દરમિયાન ભૂખ હડતાળ પર બેઠેલા વાંગચુકને આંદોલનની સફળતાના મુખ્ય સુત્રધાર માનવામાં આવે છે. 18 જુલાઈના રોજ જંતર-મંતરથી તેમની અટકાયત કરવામાં આવી ત્યારે, જાહેર સહાનુભૂતિનું મોજું ફરી વળ્યું; વિરોધ જે અગાઉ ઉજ્જડ અને સમર્થકોનો અભાવ દેખાતો હતો. તે અચાનક ફરી જીવંત થઈ ગયો, જેના કારણે કેન્દ્ર સરકારને શિક્ષણ મંત્રીનું રાજીનામું સ્વીકારવાની ફરજ પડી. જોકે, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પહેલા કેન્દ્ર સરકાર તરફથી ચોક્કસ ખાતરી મળ્યા પછી વાંગચુકે પહેલેથી જ તેમની ભૂખ હડતાળ સમાપ્ત કરી દીધી હતી.</p><p>ગુરુગ્રામની હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ, વાંગચુક ઘરે પાછા ફરતા પહેલા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા રાજઘાટ ગયા. ગુરુવારે એક વીડિયો શેર કરતા તેમણે ઉલ્લેખ કર્યો કે તેમણે નવી દિલ્હીથી શ્રીનગર સુધીની નવી શરૂ થયેલી વંદે ભારત ટ્રેનમાં કાશ્મીરની મુસાફરી કરી હતી - આ ટ્રેનમાં તેમનો પહેલો પ્રવાસ હતો. તેમણે જણાવ્યું હતું કે તેઓ ચિનાબ બ્રિજ પણ જોવા માંગતા હતા. આ અનુભવને શાનદાર ગણાવતા વાંગચુકે ભારતીય રેલ્વે પર ગર્વ વ્યક્ત કર્યો.</p><h4><b>તેમણે બિલ વિશે શું કહ્યું?</b></h4><p>સોનમ વાંગચુકે મોદી સરકારે પરીક્ષા લીક સામે કાયદામાં સુધારો કરવા માટે લોકસભામાં બિલ પસાર કર્યા તે અંગે ખુશી વ્યક્ત કરી. આ મુદ્દા પર સંસદીય ચર્ચા વાંગચુકે સરકાર સમક્ષ રજૂ કરેલી માંગણીઓમાંની એક હતી. તેમણે કહ્યું, "મને ખુશી છે કે પરીક્ષા સુધારા અંગેનું બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે, અને મને આશા છે કે સુધારા ફક્ત પરીક્ષાઓમાં જ નહીં પરંતુ સમગ્ર શિક્ષણ પ્રણાલીમાં થાય અને આ પ્રક્રિયા ચાલુ રહે." બીજી બાજુ, હું સરકારને વિનંતી કરવા માંગુ છું કે મારી સાથે અને ત્યારબાદ સીજેપી સાથે થયેલા લેખિત કરારોનું સન્માન કરે અને વચન આપે કે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે નહીં. ચાલો આપણે દેશભરમાં ખાસ કરીને યુવાનોમાં વિશ્વાસનું વાતાવરણ બનાવીએ અને રાષ્ટ્રના નિર્માણ અને મહાન ભારતનું નિર્માણ કરવા માટે હાથ મિલાવીએ.</p><h4><b>સુધારા બિલમાં શું સામેલ છે?</b></h4><p>'જાહેર પરીક્ષાઓ (અન્યાયી માધ્યમોનું નિવારણ) સુધારા બિલ, 2026, જે બુધવારે લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હતું, તેમાં પેપર લીક અને સંગઠિત પરીક્ષામાં ગેરરીતિઓ પર કડક કાર્યવાહી કરવા માટે કડક જોગવાઈઓ રજૂ કરવામાં આવી છે. તેમાં ₹10 કરોડ સુધીના દંડ અને દસ વર્ષ સુધીની સખત કેદની જોગવાઈ છે. આ બિલમાં પેપર લીક સંબંધિત સંગઠિત ગુનાઓમાં સામેલ લોકો માટે 10 વર્ષ સુધીની કેદ અને ₹10 કરોડ સુધીના દંડ તેમજ સંપત્તિ જપ્ત કરવા, ખાસ ફાસ્ટ-ટ્રેક કોર્ટની સ્થાપના અને સમયબદ્ધ તપાસ અને સુનાવણી સહિત અનેક નવા પગલાંનો સમાવેશ થાય છે. આ બિલ હજુ રાજ્યસભા દ્વારા પસાર થવાનું બાકી છે.<br><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/delhi-weather-august-2026--heavy-rain-forecast-in-delhi-ncr--up--punjab-from-1-aug-2026" target="_blank">Weather Update: દિલ્હી, યુપીથી બિહાર સુધી 16 રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ, હવામાન વિભાગે કરી આગાહી</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/rlLZUKJTA90KNc6ZaGr7vyQQBZe3FG8VQxn1mtFn.webp'/></item><item><title><![CDATA[Surat : વિવાદિત કીર્તિ પટેલની પોલીસે સુરેન્દ્રનગરથી કરી ધરપકડ, વેપારીની બદનક્ષી અને ધમકી મામલે કાર્યવાહી ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/kirti-patel-arrested-puna-police-surendranagar-raju-bhammar-defamation-case</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/kirti-patel-arrested-puna-police-surendranagar-raju-bhammar-defamation-case</guid><pubDate>Thu, 30 Jul 2026 11:08:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સોશિયલ મીડિયા પર પોતાના વિવાદિત નિવેદનો અને વર્તનને કારણે અવારનવાર ચર્ચામાં રહેતી કીર્તિ પટેલ ફરી એકવાર કાયદાના સકંજામાં આવી છે. ભાવનગરના વેપારી દ્વારા નોંધાવવામાં આવેલી ગંભીર ફરિયાદના આધારે સુરતની પુણા પોલીસની ટીમે દરોડો પાડીને કીર્તિ પટેલની સુરેન્દ્રનગર ખાતેથી અટકાયત કરી છે.</p><h2 style="text-align: justify; "><b>શું છે સમગ્ર મામલો?</b></h2><p style="text-align: justify; ">ભાવનગરના વેપારી રાજુ ભમ્મર દ્વારા સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ અને ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા સામે ગંભીર ગુનાહિત કલમો હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ બંને મહિલાઓએ સોશિયલ મીડિયા પર ફરિયાદી અને તેમના પરિવાર વિરૂદ્ધ અશોભનીય ટિપ્પણીઓ કરી હતી અને પોસ્ટ મૂકીને પરિવારની ભારે બદનક્ષી કરી હતી. આ ઉપરાંત ફોન અને મેસેજ મારફતે વેપારીને ગંભીર પરિણામો ભોગવવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી.</p><h3 style="text-align: justify; "><b>સુરેન્દ્રનગરથી થઈ અટકાયત</b></h3><p style="text-align: justify; ">પુણા પોલીસ મથકમાં ગુનો દાખલ થયા બાદ પોલીસની ટીમે સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ શરૂ કરી હતી. કીર્તિ પટેલ સુરેન્દ્રનગર ખાતે હોવાની માહિતી મળતાં જ પુણા પોલીસની ખાસ ટીમે ત્યાં પહોંચીને તેની અટકાયત કરી લીધી હતી. કીર્તિ પટેલને સુરત લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ કેસમાં સામેલ સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા સામે પણ પોલીસે આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી તેજ કરી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp;&nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-indepth-gujarat-heavy-rain-reason-el-nino-fail-negative-pdo-impact" target="_blank"><b> Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/TLyavepNQ6pR4ZpojgrKeZsWP9Yq9BvsBgGA9TQ6.webp'/></item><item><title><![CDATA[Aravalli News : અધૂરા હાઈવેના કામનો વધુ એક ભોગ, મોડાસા નજીક કાર અકસ્માતમાં યુવકનું મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/modasa/aravalli-news-another-victim-of-incomplete-highway-work-youth-dies-in-car-accident-near-modasa</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/modasa/aravalli-news-another-victim-of-incomplete-highway-work-youth-dies-in-car-accident-near-modasa</guid><pubDate>Thu, 30 Jul 2026 10:50:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક આવેલા મડાસણા પાસે એક અત્યંત દર્દનાક અકસ્માત સર્જાયો હતો. એક ટ્રકને સાઇડ આપવાના પ્રયાસમાં કાર ચાલકે નિયંત્રણ ગુમાવતા કાર સીધી ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર કાબોલા ગામના યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે અરેરાટી સાથે સમગ્ર વિસ્તારમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.</p><p style="text-align: justify; "><b>અરવલ્લી-સાબરકાંઠાને જોડતા મહત્વના હાઇવે પર સર્જાયી હોનારત</b></p><p style="text-align: justify; ">જે માર્ગ પર આ અકસ્માત સર્જાયો તે હાઇવે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાને જોડતો અત્યંત મહત્વનો વાહનવ્યવહારનો માર્ગ છે. દરરોજ હજારો વાહનોની અવરજવર ધરાવતા આ માર્ગ પર અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, હાઇવેનું અધૂરું રહેલું કામ અને યોગ્ય માર્ગદર્શિકાના અભાવે વાહનચાલકો માટે આ રસ્તો જોખમી સાબિત થઈ રહ્યો છે.</p><p style="text-align: justify; "><b>હાઇવેનું અટકેલું કામ વહેલી તકે પૂર્ણ કરવા માંગ</b></p><p style="text-align: justify; ">આ માર્ગ અકસ્માતમાં યુવકે જીવ ગુમાવ્યા બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો અને વાહનચાલકો દ્વારા તંત્ર સામે બુલંદ અવાજે માંગ કરવામાં આવી રહી છે કે આ હાઇવેનું બાકી રહેલું કામ વિલંબ કર્યા વિના તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે. ભવિષ્યમાં આવા અન્ય નિર્દોષ લોકોના બિલકુલ નકામા અકસ્માતમાં જીવ ન જાય તે માટે રસ્તાનું કામ વહેલી તકે પૂરું કરવું અનિવાર્ય બન્યું છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/police-raid-illegal-hookah-bar-in-ahmedabad-21-hookahs-seized-from-vinviks-cafe-in-tragad" target="_blank">Ahmedabda માં ગેરકાયદે હુક્કાબાર પર ત્રાટકી પોલીસ, ત્રાગડના VINVIKS કેફેમાંથી 21 હુક્કા જપ્ત</a></b></p><p style="text-align: justify; "><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/9CXCKWenSbv3MQ8q2xJnLkZDGzxhwzdYDx6YlzPQ.webp'/></item><item><title><![CDATA[Chhota Udepur News : વન વિભાગની સજાગતા રંગ લાવી, બાળકી પર હુમલો કરનાર દીપડો પાંજરે પુરાયો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/chhota-udepur/chhota-udepur-news-the-vigilance-of-the-forest-department-paid-off-the-leopard-that-attacked-the-girl-was-captured-in-a-cage</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/chhota-udepur/chhota-udepur-news-the-vigilance-of-the-forest-department-paid-off-the-leopard-that-attacked-the-girl-was-captured-in-a-cage</guid><pubDate>Thu, 30 Jul 2026 10:15:03 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">છોટાઉદેપુર જિલ્લાના મોટા વાજપુર ગામે તાજેતરમાં એક અત્યંત દુઃખદ ઘટના ઘટી હતી, જેમાં એક માસુમ બાળકી પર દીપડાએ પ્રાણઘાતક હુમલો કર્યો હતો. આ ભયાનક હુમલામાં બાળકીનું કરૂણ મોત નીપજતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. આ બનાવ બાદ ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને લોકો પોતાના બાળકોને બહાર મોકલતા પણ ડરી રહ્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>વન વિભાગનું તાકીદનું ઓપરેશન અને સફળતા</b></h2><p style="text-align: justify; ">બનાવની ગંભીરતાને ધ્યાને લઈને વન વિભાગે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી હતી. બાળકીનો શિકાર કરનાર હિંસક દીપડાને નાથવા માટે વન વિભાગની ટીમ દ્વારા મોટા વાજપુર ગામની આસપાસના વિસ્તારમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. વનકર્મીઓની સતત વોચ અને વ્યૂહાત્મક ગોઠવણને કારણે વન વિભાગને આખરે મોટી સફળતા મળી હતી અને હુમલાખોર દીપડો પાંજરે પુરાઈ ગયો હતો.</p><h3 style="text-align: justify; "><b>ગ્રામજનોએ લીધો હાશકારો, ભયનું વાતાવરણ હળવું થયું</b></h3><p style="text-align: justify; ">દીપડો પાંજરે પુરાયાના સમાચાર વાયુવેગે ગામમાં પ્રસરતાં જ ગ્રામજનો અને આસપાસના રહેવાસીઓએ મોટો હાશકારો અનુભવ્યો છે. લાંબા સમયથી મંડરાઈ રહેલું જોખમ ટળતાં લોકોએ વન વિભાગની ઝડપી કામગીરીનો આભાર માન્યો હતો. જોકે, માસુમ બાળકી ગુમાવવાનો શોક હજુ પણ ગામમાં યથાવત છે, પરંતુ આદમખોર દીપડાના પકડાવાથી હવે વિસ્તારમાં ભયનું વાતાવરણ શમ્યું છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/monsoon-2026-thuleta-dam-collapses-in-viramgam-fields-turn-into-sea-communication-with-nani-kishol-village-cut-off" target="_blank">Monsoon 2026 : વિરમગામમાં થુલેટા ડેમ તૂટતાં ખેતરો બન્યા દરિયા, નાની કિશોલ ગામનો સંપર્ક કપાયો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/ui6r2DreHg361KQkRUuvyExfsOFPoXcZK3pDKJq3.webp'/></item><item><title><![CDATA[Stock Market Opening: શેરમાર્કેટની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ 77,646 અંકે જ્યારે નિફ્ટી 24,266 અંકે ખૂલ્યો ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-opening-the-stock-market-started-flat-sensex-opened-at-77646-points-while-nifty-opened-at-24266-points</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-opening-the-stock-market-started-flat-sensex-opened-at-77646-points-while-nifty-opened-at-24266-points</guid><pubDate>Thu, 30 Jul 2026 09:41:36 +05:30</pubDate><description><![CDATA[<p>રોકાણકારો યુએસ ફેડરલ રિઝર્વ (FOMC) ની બેઠકના પરિણામ, વૈશ્વિક બજારના વલણો અને કોર્પોરેટ ત્રિમાસિક પરિણામો પર નજીકથી નજર રાખી રહ્યા છે. ત્યારે ગુરુવારે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં ખૂલ્યા હતા.</p><h2><b>ગુરુવારે ઘટા઼ડા સાથે ખૂલ્યુ શેરબજાર</b></h2><p>સવારે 9.37 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ 8.42 પોઇન્ટના ઘટાડા સાથે 77,646.18 અંકે ખૂલ્યો જ્યારે નિફ્ટી +16.50 પોઇન્ટના વધારા સાથે 24,266.70 અંકે ખૂલ્યો.&nbsp; બજાર ખુલતા પહેલા GIFT નિફ્ટીમાં ઘટાડો જોવા મળ્યો હતો. ફ્યુચર્સ 44 પોઈન્ટ ઘટીને 24,269 પર ટ્રેડ કરી રહ્યા હતા, જે સૂચવે છે કે સ્થાનિક શેરબજાર દબાણ હેઠળ ખુલી શકે છે.</p><h3><b>એશિયન બજારોમાં મિશ્ર વલણ</b></h3><p>ગુરુવારે એશિયન શેરબજારોમાં મિશ્ર વેપાર જોવા મળ્યો. જાપાનનો નિક્કી 225 લગભગ 2.3 ટકા ઘટ્યો, જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી લગભગ 5.19 ટકા ઘટ્યો. દરમિયાન, હોંગકોંગનો હેંગ સેંગ 0.31 ટકા ઘટીને ટ્રેડ કરી રહ્યો હતો.</p><p>રોકાણકારો મુખ્ય વૈશ્વિક ટેક કંપનીઓના ત્રિમાસિક પરિણામો અને યુએસ સેન્ટ્રલ બેંકના નિર્ણયની બજાર અસરનું મૂલ્યાંકન કરી રહ્યા છે.</p><p><b style="font-size: 1.75rem;">યુએસ માર્કેટમાં તીવ્ર ઘટાડો</b></p><p><br></p><p>બુધવારે યુએસ શેરબજારોમાં વેચાણ દબાણનો સામનો કરવો પડ્યો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજમાં 2.19 ટકાનો ઘટાડો નોંધાયો, જે એપ્રિલ 2025 પછીનો તેનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો છે. વધુમાં, S&amp;P 500 1.5 ટકા ઘટ્યો, અને નાસ્ડેક કમ્પોઝિટ 1.74 ટકા ઘટ્યો.</p><p><br></p><h4><b>FOMC ના નિર્ણય પછી સોના અને ચાંદીમાં તેજી</b></h4><p><br></p><p>યુએસ ફેડરલ રિઝર્વે તેની બેઠક દરમિયાન વ્યાજ દર 3.5-3.75 ટકાની રેન્જમાં સ્થિર રાખ્યા. આ પછી, ડોલર ઇન્ડેક્સ નબળો પડ્યો, જેનાથી સોના અને ચાંદીના ભાવને ટેકો મળ્યો.એશિયન ટ્રેડિંગમાં, સોના અને ચાંદીના વાયદા અનુક્રમે 1.2 ટકા અને 1.17 ટકા મજબૂત થયા. દરમિયાન, ફેડના અધ્યક્ષ કેવિન વોર્શે જણાવ્યું હતું કે ફુગાવાને લક્ષ્ય સ્તર સુધી નીચે લાવવો એ સેન્ટ્રલ બેંક માટે પ્રાથમિકતા છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/13/3SkfZasj32mLwXyreNQr7ARkzy5bodLVWKUS4kBF.webp'/></item></channel></rss>