<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[India News: શું DMK, NCP અને અકાલી દળ ભાજપ સાથે જોડાશે? જાણો શું છે આખો પ્લાન ]]></title><link>https://sandesh.com/india/news/will-dmk-ncp-and-akali-dal-join-bjp-led-nda-</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/will-dmk-ncp-and-akali-dal-join-bjp-led-nda-</guid><pubDate>Fri, 14 Aug 2026 21:10:46 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દેશમાં સીમાંકન અને મહિલા અનામત જેવા અત્યંત મહત્વના વિધેયકોને પસાર કરવા માટે કેન્દ્રની એનડીએ સરકારને સંસદમાં મજબૂત બે-તૃતીયાંશ બહુમતીની જરૂરિયાત ઊભી થઈ છે.આ રાજકીય જરૂરિયાતને પહોંચી વળવા માટે ભાજપ પોતાના જૂના સહયોગીઓ અને અન્ય પ્રાદેશિક પક્ષોને સાથે લઈને ગઠબંધનનો વિસ્તાર કરવાનો પ્લાન બનાવી રહી છે.આ કવાયતના ભાગરૂપે દક્ષિણમાંથી ડીએમકે (DMK), મહારાષ્ટ્રમાંથી એનસીપી (NCP) અને પંજાબમાંથી શિરોમણી અકાલી દળ એનડીએમાં સામેલ થાય તેવી અટકળોએ જોર પકડ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>તમિલનાડુમાં સત્તાપરિવર્તન અને DMKનું નવું રાજકીય વલણ</b></h2><p style="text-align: justify; ">તમિલનાડુમાં સત્તામાં ફેરબદલ થયા બાદ ડીએમકે અને કોંગ્રેસ વચ્ચેના સંબંધોમાં અંતર આવ્યું છે.આગામી પાંચ વર્ષ સુધી પક્ષના અસ્તિત્વને ટકાવી રાખવા અને કાર્યકરોને જાળવી રાખવા માટે ડીએમકે માટે કેન્દ્ર સરકાર સાથે સકારાત્મક સંબંધો જાળવવા જરૂરી બન્યા છે.સંસદ સત્રના અંતે વિપક્ષ દ્વારા સ્પીકરની પરંપરાગત ચાય-પાર્ટીનો બહિષ્કાર કરાયો હોવા છતાં,ડીએમકે સાંસદ કનિમોઝીએ તેમાં હાજરી આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ડીએમકે પાસે સંસદના બંને ગૃહો મળીને 30 સાંસદોનું બળ છે.ડીએમકેનો એક વર્ગ કેન્દ્ર સરકારને મુદ્દા આધારિત સમર્થન આપવાના પક્ષમાં છે,જેથી પ્રાદેશિક રાજકારણમાં તેમની પકડ નબળી ન પડે.</p><h3 style="text-align: justify; "><b>મહારાષ્ટ્રમાં NCPના બંને જૂથોના એકીકરણની ગતિવિધિઓ તેજ</b></h3><p style="text-align: justify; ">મહારાષ્ટ્રમાં શરદ પવાર અને અજિત પવાર જૂથના એકીકરણ માટેની વાટાઘાટો અંતિમ તબક્કામાં હોવાના અહેવાલો છે.સંસદના ચોમાસુ સત્ર દરમિયાન વડાપ્રધાન મોદી સાથે શરદ પવાર અને સુપ્રિયા સુલેની યોજાયેલી બેઠકો બાદ આ રાજકીય ચર્ચાઓ મજબૂત બની છે.ભાજપ ઈચ્છે છે કે એનસીપીના બંને ધડા એક થઈને કેન્દ્રમાં એનડીએનો હિસ્સો બને.સૂત્રોના જણાવ્યા અનુસાર, જો એકીકરણ પૂર્ણ થાય તો કેન્દ્રીય મંત્રીમંડળના આગામી વિસ્તારમાં એનસીપીને બે મહત્વના મંત્રીપદ મળી શકે છે, જેમાં મુખ્યત્વે કૃષિ અને સહકાર જેવા વિભાગો માટે દાવેદારી કરવામાં આવી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>પંજાબમાં અકાલી દળ અને ભાજપના પુનઃ ગઠબંધનના સંકેત</b></h2><p style="text-align: justify; ">પંજાબમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ અને શિરોમણી અકાલી દળ વચ્ચે ફરીથી ગઠબંધન થવાની સંભાવનાઓ વધી ગઈ છે. તાજેતરમાં જ શિરોમણી અકાલી દળના વડા સુખબીર સિંહ બાદલે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. નાંદેડમાં સુખબીર બાદલ પર થયેલા હુમલા બાદ પીએમ મોદીએ તેમના સાંસદ પત્ની હરસિમરત કૌર સાથે ફોન પર વાત કરીને ખબરઅંતર પૂછ્યા હતા. પંજાબના રાજકીય સમીકરણો બદલવા માટે બંને પક્ષો ફરી એકમંચ પર આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/piyush-jethva-sentenced-to-20-years-in-rape-case" target="_blank">આ પણ વાંચોઃ&nbsp; Ahmedabad News: દુષ્કર્મ કેસમાં દોષિત પિયુષ જેઠવાને કોર્ટે 20 વર્ષની કેદની સજા ફટકારી</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/CYe8iLqMonJG3PlrS8SUtp3Lv8kLKh3JC0Rhlcp2.webp'/></item><item><title><![CDATA[Mahisagar: સંતરામપુર હાઇવે પર ટેન્કર-કારની ટક્કરમાં એક જ પરિવારના 3 ના મોત, ચાલક સ્થળ પરથી નાસી છૂટ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mahisagar/lunawada-santrampur-highway-fatal-accident-three-of-same-family-dead-tanker-collision</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mahisagar/lunawada-santrampur-highway-fatal-accident-three-of-same-family-dead-tanker-collision</guid><pubDate>Fri, 14 Aug 2026 21:07:16 +05:30</pubDate><description><![CDATA[<p>મહીસાગર જિલ્લાના મુખ્ય વાહન વ્યવહાર માર્ગ ગણાતા લુણાવાડા-સંતરામપુર હાઇવે પર આજે એક અત્યંત કરૂણ અને કાળજુ કંપાવી દેનારો અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક વિગતો અનુસાર, લુણાવાડા તરફથી દૂધ ભરેલું એક ટેન્કર સરસણ શીત કેન્દ્ર તરફ જઈ રહ્યું હતું. આ દરમિયાન સંતરામપુર તરફથી એક કાર પોતાના ગંતવ્ય સ્થાન લુણાવાડા તરફ આવી રહી હતી.</p><h2><b>લુણાવાડા-સંતરામપુર હાઇવે પર અકસ્માત&nbsp;</b></h2><p>જ્યારે બંને વાહનો હરિગરના મુવાડા ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પુરપાટ ઝડપે આવતા દૂધના ટેન્કર અને કાર વચ્ચે ધડાકાભેર સામસામે સીધી ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કુરચો બોલી ગયો હતો અને કારમાં સવાર મુસાફરો અંદર જ ગંભીર રીતે ફસાયા હતા.આ ભયાનક માર્ગ અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના ત્રણ સભ્યો જેમાં પુત્ર, તેમના માતા અને દાદીનું ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. એક જ પરિવારના ત્રણ-ત્રણ લોકોના કાળજી કંપાવી દે તે રીતે મોત નીપજતાં અકસ્માત સ્થળે ભેગા થયેલા સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ હતી.</p><h3><b>એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત&nbsp;</b></h3><p>ઘટના અંગેની જાણ થતાં જ સંતરામપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. (PI) સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે સ્થાનિકોની મદદથી મૃતદેહોને બહાર કાઢી પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માત સર્જાયા બાદ ટેન્કરચાલક પોતાનું વાહન રસ્તા પર જ મૂકીને તકનો લાભ લઈ નાસી છૂટ્યો હતો. પોલીસે ટેન્કર કબજે કરી ફરાર ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/borsad/borsad-rain-update-showers-bring-relief-from-heat-in-anand-district" target="_blank">આ પણ વાંચો: Borsad: કાળાડિબાંગ વાદળો સાથે મેઘરાજાની રી-એન્ટ્રી, વરસાદી ઝાપટાંથી વાતાવરણમાં ઠંડક</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/ppvs0hIScoLpFrwOKgyfcxpyzkifoPGoEE1w67T4.webp'/></item><item><title><![CDATA[Surat News : 125 કરોડની ડિજિટલ છેતરપિંડીના રેકેટનો પર્દાફાશ, 4 સાગરીતો ઝડપાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/surat-news-rs-125-crore-digital-fraud-racket-busted-4-accomplices-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/surat-news-rs-125-crore-digital-fraud-racket-busted-4-accomplices-arrested</guid><pubDate>Fri, 14 Aug 2026 21:05:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેર પોલીસે સાઈબર ક્રાઈમ ક્ષેત્રે એક મોટી અને ઐતિહાસિક સફળતા મેળવતા રૂ. 125 કરોડથી વધુની રકમની ઓનલાઈન છેતરપિંડી આચરનારી શાતિર ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આંતરરાજ્ય રેકેટ સાથે સંકળાયેલા 4 મુખ્ય સાગરીતોની અટકાયત કરી છે. આ ગેંગે ટેકનોલોજીનો ગેરઉપયોગ કરીને દેશભરના હજારો નાગરિકોને પોતાની જાળમાં ફસાવીને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>PNB જેવી ફેક એપ બનાવી 5,613 લોકોના ખાતા સાફ કર્યા</b></h2><p style="text-align: justify; ">પોલીસ તપાસમાં બહાર આવેલા ચોંકાવનારા ખુલાસા મુજબ, આરોપીઓ પંજાબ નેશનલ બેંક (PNB) જેવી જ હૂબહૂ દેખાતી નકલી (ફેક) મોબાઈલ એપ્લિકેશન બનાવીને લોકોના ફોન હેક કરતા હતા. આ બોગસ એપ દ્વારા લોકોની બેંકિંગ વિગતો અને ઓટીપી (OTP) ચોરી કરીને ગેંગના સભ્યોએ અત્યાર સુધીમાં કુલ 5,613 નિર્દોષ લોકોના બેંક ખાતામાંથી તમામ રકમ સાફ કરી નાખી હતી.</p><h2 style="text-align: justify; "><b>નકલી એપ્લિકેશન બનાવનાર માસ્ટરમાઈન્ડ ઝડપાયો</b></h2><p style="text-align: justify; ">સુરત પોલીસે આ સમગ્ર ઓનલાઈન ઠગાઈના નેટવર્કના મૂળ સુધી પહોંચીને નકલી એપ્લિકેશન કોડિંગ અને ડેવલપ કરનાર મુખ્ય સૂત્રધાર (ડેવલપર)ની પણ ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપીઓ પાસેથી હેકિંગમાં વપરાતા સાધનો અને ડિજિટલ પુરાવા કબજે કર્યા છે. આ સમગ્ર રેકેટમાં અન્ય કોઈ મોટા માથા કે આંતરરાષ્ટ્રીય કનેક્શન સંકળાયેલું છે કે નહીં તે દિશામાં સુરત પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/amreli/amreli-news-youth-bjps-grand-torch-rally-in-rajula-a-large-number-of-youth-power-and-townspeople-participated" target="_blank">Amreli News : રાજુલામાં યુવા ભાજપની ભવ્ય મશાલ રેલી, મોટી સંખ્યામાં યુવા શક્તિ અને નગરજનો જોડાયા</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/KXYcvfn1EGSco7n8ktj61hc6WPazGWtS3Cx8JdD8.webp'/></item><item><title><![CDATA[Jamnagar News: તિરંગા યાત્રામાં રણમલ તળાવથી રણજીતનગર સુધી 2,000 થી વધુ નાગરિકો અને જવાનો જોડાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/independence-day/jamnagar/tiranga-yatra-ranmal-lake-ranjitnagar-patriotism</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/independence-day/jamnagar/tiranga-yatra-ranmal-lake-ranjitnagar-patriotism</guid><pubDate>Fri, 14 Aug 2026 20:45:00 +05:30</pubDate><description><![CDATA[<p>સ્વતંત્રતા દિવસના એક દિવસ પૂર્વે જામનગર શહેરમાં રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સંદેશ આપતી એક અદભુત અને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદીના અમૃત પર્વની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ યાત્રામાં સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.</p><h2><b>રણમલ તળાવથી રણજીતનગર સુધી ગુંજી ઉઠ્યા દેશભક્તિના નારા</b></h2><p>જામનગરમાં યોજાયેલી તિરંગા યાત્રાનો પ્રારંભ ઐતિહાસિક રણમલ તળાવ ખાતેથી કરવામાં આવ્યો હતો, જે રણજીતનગર સુધી પહોંચી હતી. સમગ્ર માર્ગ પર નાગરિકોએ હાથમાં ત્રિરંગો લહેરાવીને ભારત માતા કી જય અને વંદે માતરમના દેશભક્તિપૂર્ણ નારા લગાવ્યા હતા.</p><p><img alt="Jamnagar News: Grand Tiranga Yatra in Jamnagar, Over 2,000 Join Patriotism Rally" src="https://epapercdn.sandesh.com/images/2026/08/14/O09oAukZfNiy731oj6q5Zt7HVFEQ7wdojYtCYjKV.webp"><br></p><h2><b>2,000 થી વધુ નાગરિકો અને વિવિધ દળો સહભાગી થયા</b></h2><p>આ ભવ્ય તિરંગા યાત્રામાં અંદાજે 2,000 થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. યાત્રામાં દેશની સુરક્ષા કરતા વિવિધ દળો જેવા કે એરફોર્સ, ગુજરાત પોલીસ, લશ્કરી દળો અને હોમગાર્ડના જવાનો વિશેષ રૂપે જોડાયા હતા. આ ઉપરાંત વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને NCC કેડેટ્સે પણ મોટી સંખ્યામાં હાજરી આપીને આકર્ષણ જમાવ્યું હતું.</p><p><img alt="Jamnagar News: Grand Tiranga Yatra in Jamnagar, Over 2,000 Join Patriotism Rally" src="https://epapercdn.sandesh.com/images/2026/08/14/LkRUNLrta7mZNGLkvfpWKVHZrIqnu9ggpdgxY5Sg.webp"><br></p><h2><b>નિવૃત્ત સૈનિકોનું સન્માન અને નેતાઓની ઉપસ્થિતિ</b></h2><p>યાત્રાના પ્રારંભે દેશની રક્ષા કરનાર દેશના વીર નિવૃત્ત સૈનિકોનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ, પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયા, જિલ્લા કલેક્ટર, સ્થાનિક ધારાસભ્યો અને જામનગરના મેયર સહિતના અનેક રાજકીય તથા સામાજિક આગેવાનોએ હાજરી આપીને રેલીને પ્રોત્સાહિત કરી હતી.</p><p><img alt="Jamnagar News: Grand Tiranga Yatra in Jamnagar, Over 2,000 Join Patriotism Rally" src="https://epapercdn.sandesh.com/images/2026/08/14/jvLGK6HQEXG3CocBeCSBhUYaeIUEQTgt5OmyjHxx.webp"><br></p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/jamnagar/police-investigation-begins-after-newborn-baby-found-dead-under-closed-stairs-at-gg-hospital-in-jamnagar" target="_blank">Jamnagarની જીજી હોસ્પિટલમાં બંધ સીડી નીચેથી નવજાત બાળક મૃત હાલતમાં મળતાં પોલીસ તપાસ શરૂ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/5kAKzuybXSXatDu1iYsWcWwf6aiQTcO95o9eSs1D.webp'/></item><item><title><![CDATA[Cancer Success Story:  મોટી સર્જરી નહીં, યોગ્ય સર્જરી: 28 વર્ષીય યુવા ડૉક્ટરે અમેરિકાથી ભારત આવી કેડી કેન્સર સેન્ટરમાં મેળવી કેન્સરમુક્ત જિંદગી ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/kd-cancer-center-pancreatic-tumor-dpphr-surgery-</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/kd-cancer-center-pancreatic-tumor-dpphr-surgery-</guid><pubDate>Fri, 14 Aug 2026 20:23:21 +05:30</pubDate><description><![CDATA[<p>માત્ર 28 વર્ષની નાની ઉંમરે ડૉ. ભૂમિ શાહ (નામ બદલવામાં આવ્યું છે) પોતાનું જીવન દર્દીઓની સેવા માટે સમર્પિત કરી ચૂક્યા હતા. અમેરિકામાં પ્રેક્ટિસ કરતા ડૉક્ટર તરીકે તેઓ રોગ, નિદાન અને સારવાર વિશે ખૂબ સારી રીતે જાણતા હતા, પરંતુ એક દિવસ જ્યારે તેઓ પોતે દર્દી બન્યા, ત્યારે તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું.</p><h2><b>દુર્લભ પેન્ક્રિયાટિક ટ્યુમરનું નિદાન અને અમેરિકાથી ભારત આગમન</b></h2><p>તેમને એક દુર્લભ પ્રકારના અગ્ન્યાશય (પેન્ક્રિયાસ) ના ટ્યુમર 'સોલિડ સ્યુડોપેપિલરી એપિથેલિયલ નિયોપ્લાઝમ' (SPEN) હોવાનું નિદાન થયું હતું. શ્રેષ્ઠ સારવાર અને નિષ્ણાતોની સલાહ મેળવવા માટે ડૉ. ભૂમિ શાહ અમેરિકાથી ભારત આવ્યા. અનેક નિષ્ણાતોએ તેમને 'વિપ્પલ સર્જરી' (Whipple Surgery) ની સલાહ આપી હતી, જે એક અત્યંત જટિલ સર્જરી છે. આ સર્જરીમાં પેન્ક્રિયાસનો મોટો ભાગ, પિત્તાશય, બાઇલ ડક્ટ અને જઠરનો એક ભાગ દૂર કરવામાં આવે છે, જેની લાંબા ગાળાની ગંભીર અસરો યુવાન દર્દી પર પડી શકે છે.</p><h2><b>કેડી કેન્સર સેન્ટરમાં કાળજીપૂર્વક પુનઃમૂલ્યાંકન</b></h2><p>તેમની સારવારની સફર અંતે કેડી કેન્સર સેન્ટર (KD Cancer Center) ખાતે પહોંચી. જ્યાં ડૉ. સોમેશ ચંદ્રાના નેતૃત્વ હેઠળની મલ્ટિડિસિપ્લિનરી ટીમે તેમના કેસનું વિગતવાર પુનઃમૂલ્યાંકન કર્યું. તપાસમાં જાણવા મળ્યું કે,</p><ul><li>ટ્યુમર 2 સેમીથી નાનું હતું.</li><li>ટ્યુમર સંપૂર્ણપણે આવરાયેલો (Encapsulated) હતો.</li><li>તે મુખ્ય રક્તવાહિનીઓથી દૂર હતો.</li><li>તેની આસપાસનું પેન્ક્રિયાસનું સ્વસ્થ ટિશ્યૂ સુરક્ષિત હતું.</li></ul><p>આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને તેમને અંગને શક્ય તેટલું જાળવી રાખતી (Organ-Preserving) સર્જરી માટે યોગ્ય ઉમેદવાર માનવામાં આવ્યા.</p><h2><b>વિપલ સર્જરીના બદલે DPPHR સર્જરીનો વિજયી નિર્ણય</b></h2><p>પરંપરાગત વિપલ સર્જરીને બદલે ડૉ. સોમેશ ચંદ્રા અને સર્જિકલ ટીમે 'ડ્યુઓડેનમ-પ્રિઝર્વિંગ પેન્ક્રિયાટિક હેડ રિસેક્શન' (DPPHR) સાથે લિમ્ફ નોડ ડિસેક્શન કરવાનો આધુનિક નિર્ણય લીધો. આ સર્જરીમાં ડ્યુઓડેનમ અને પેન્ક્રિયાસનો મોટો ભાગ જાળવી શકાય છે, જેના કારણે દર્દીની પાચનક્રિયા સચવાય છે અને જીવનની ગુણવત્તા પર લાંબા ગાળે સકારાત્મક અસર પડે છે.</p><h2><b>સફળ સર્જરી બાદ માત્ર 5 દિવસમાં ડિસ્ચાર્જ</b></h2><p>સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ અને ડૉ. ભૂમિ શાહ ઝડપથી સ્વસ્થ થયા. માત્ર 5 દિવસમાં તેઓ હોસ્પિટલમાંથી રજા મેળવી પોતાના સ્વસ્થ જીવન તરફ આગળ વધ્યા. અંતિમ પેથોલોજી રિપોર્ટમાં સર્જરીની તમામ ધારાઓ (Margins) સંપૂર્ણપણે સ્વચ્છ મળી આવી હતી અને રોગ ફેલાયો હોવાનો કોઈ પુરાવો મળ્યો નહોતો, જે પૂર્ણ સફળ સારવારની પુષ્ટિ કરે છે.</p><h2><b>આધુનિક કેન્સર સારવારનો નવો અભિગમ</b></h2><p>આ કેસ વ્યક્તિગત અભિગમ ધરાવતી કેન્સર સારવારનું ઉત્તમ ઉદાહરણ છે, જ્યાં દરેક નિર્ણય માત્ર તબીબી માર્ગદર્શિકા પર નહીં પરંતુ દર્દીની ઉંમર, ટ્યુમરની સ્થિતિ અને ભવિષ્યની જીવનશૈલીને ધ્યાનમાં રાખીને લેવામાં આવે છે. ડૉ. શાહની સફર દર્શાવે છે કે આધુનિક કેન્સર સારવારનો હેતુ માત્ર રોગ દૂર કરવાનો નથી, પરંતુ દર્દીને ઉત્તમ ગુણવત્તાસભર ભવિષ્ય આપવાનો છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/lifestyle/news/health-fitness/prostate-cancer-symptoms-what-signs-of-prostate-cancer-do-men-often-ignore-know" target="_blank">Prostate Cancer Symptoms: પ્રોસ્ટેટ કેન્સરના કયા સંકેતોની પુરુષો અવારનવાર કરે છે અવગણના?, જાણો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/PP94HDsSu0O67bzUQIAUnWbuypLVcDImrrPNgth8.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: SWAC દ્વારા ઐતિહાસિક સમુદ્ર પ્રદક્ષિણા અભિયાનની મહિલા અધિકારીઓનું સન્માન ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/swac-honours-9-women-officers-after-historic-samudra-pradakshina</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/swac-honours-9-women-officers-after-historic-samudra-pradakshina</guid><pubDate>Fri, 14 Aug 2026 20:16:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">SWACના હેડક્વાર્ટર ખાતે 14 ઓગસ્ટ 2026ના રોજ યોજવામાં આવેલા એક સમારંભ દરમિયાન,એર માર્શલ પી.વી. શિવાનંદ, AVSM,VM, એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ (SWAC) દ્વારા ભારતીય સેના, ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુસેનાનાં નવ મહિલા અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.આ મહિલા અધિકારીઓએ ભારતીય સેના સેઇલિંગ વેસલ (IASV) ત્રિવેણી પર સવાર થઈને પ્રથમ વખત યોજાયેલા ‘સમુદ્ર પ્રદક્ષિણા’ નામના ત્રિ-સેવા તમામ મહિલા પરિક્રમા સેઇલિંગ અભિયાનને  સફળતાપૂર્વક પૂરું કર્યું છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ટીમવર્ક અને મિશન પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા&nbsp;</b></h2><p style="text-align: justify; ">આ સન્માન સમારંભમાં ભારતીય સેના, ભારતીય નૌકાદળ, ભારતીય તટરક્ષક, કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF), સીમા સુરક્ષા દળ (BSF), નાગરિક વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ તેમજ વિવિધ શાળાઓના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.તેમણે 314 દિવસના આ અભિયાનમાં ચાર મહાસાગરોમાં લગભગ 25,500 નોટિકલ માઇલનો પ્રવાસ ખેડ્યો હતો, જેમાં ક્રૂને શારીરિક અને માનસિક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. સફળતાપૂર્વક પૂરી કરેલી આ સફર તેમની હિંમત, સ્થિતિસ્થાપકતા, ટીમવર્ક અને મિશન પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે.</p><h3 style="text-align: justify; "><b>કોઈપણ પ્રયાસમાં સફળતા પ્રાપ્ત થાય છે</b></h3><p style="text-align: justify; ">અધિકારીઓ સાથે વાતચીત કરતી વખતે, એર માર્શલ પી.વી. શિવાનંદ, AVSM, VM એ તેમની સિદ્ધિની પ્રશંસા કરી હતી અને આ અભિયાનને નારી શક્તિ અને ત્રિ-સેવામાં પારસ્પરિક તાલમેલનું તેજસ્વી ઉદાહરણ ગણાવ્યું હતું. મહિલા અધિકારીઓને અભિયાન દરમિયાન તેમની સમક્ષ આવેલા પડકારો વખતે જે પ્રકારે અસાધારણ દૃઢ નિશ્ચય, નેતૃત્વ અને માનસિક સ્થિતિસ્થાપકતા બતાવી તે બદલ તેમણે ટીમની પ્રશંસા કરી હતી અને ભારપૂર્વક કહ્યું હતું કે જો દૃઢ નિશ્ચય અને સામૂહિક પ્રયાસ સાથે આગળ વધવામાં આવે તો કોઈપણ પ્રયાસમાં સફળતા પ્રાપ્ત થાય છે.</p><h2 style="text-align: justify; "><b>સશક્તિકરણ તેમજ ઉત્કૃષ્ટતાની ભાવનાને મજબૂત બનાવે છે</b></h2><p style="text-align: justify; ">અધિકારીઓએ સફરના પોતાના અનુભવો જણાવ્યા હતા જેમાં તેમણે કેવા પડકારોનો સામનો કર્યો અને કેવી રીતે ટીમવર્ક, નેતૃત્વ તેમજ દૃઢતામાં વિવિધ બોધપાઠ શીખ્યા તેના પર પ્રકાશ પાડ્યો હતો. તેમની યાત્રા સશસ્ત્ર દળોમાં પડકારજનક ઓપરેશનલ અને અભિયાનની ભૂમિકાઓમાં મહિલાઓની વધતી સહભાગીતાનું ઉદાહરણ આપે છે.એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફે અધિકારીઓને તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે તેમની સિદ્ધિ સમગ્ર દેશની યુવતીઓને પડકારજનક લક્ષ્યો પ્રાપ્ત કરવા અને પરંપરાગત અવરોધોને તોડવા માટે પ્રેરણા આપશે.“સમુદ્ર પ્રદક્ષિણા”નું સફળ સમાપન ભારતીય સશસ્ત્ર દળો માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સિદ્ધિ છે અને પારસ્પરિક તાલમેલ, સશક્તિકરણ તેમજ ઉત્કૃષ્ટતાની ભાવનાને મજબૂત બનાવે છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/crime/vadodara/pi-ajay-desai-sentenced-to-life-imprisonment-in-sweety-patel-murder-case" target="_blank">આ પણ વાંચોઃ Vadodara News: ચકચારી સ્વીટી પટેલ મર્ડર કેસમાં પૂર્વ PI અજય દેસાઈને આજીવન કેદની સજા</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/VowLBsbYgiWSwkExuiVKjJ9Iwwnar5Ofx9VpGbYf.webp'/></item><item><title><![CDATA[Afghanistan India Relations: તાલિબાન 17 ઓગસ્ટે 'વિજય દિવસ'ની ઉજવણી માટે દિલ્હીમાં પ્રથમ મેળાવડો યોજશે ]]></title><link>https://sandesh.com/india/news/afghanistan-india-relations-taliban-to-hold-first-gathering-in-delhi-to-celebrate-victory-day-on-august-17</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/afghanistan-india-relations-taliban-to-hold-first-gathering-in-delhi-to-celebrate-victory-day-on-august-17</guid><pubDate>Fri, 14 Aug 2026 19:05:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ કાર્યક્રમનું આયોજન તાલિબાનના દિલ્હી સ્થિત રાજદ્વારી નૂર અહમદ નૂર કરશે.&nbsp;</p><h2 style="text-align: justify; ">"વિજય દિવસ" નિમિત્તે સ્વાગત સમારોહ&nbsp;</h2><p style="text-align: justify; ">અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળ્યાના પાંચ વર્ષ પછી, તાલિબાન નવી દિલ્હીમાં પોતાનો પહેલો મોટો જાહેર કાર્યક્રમ યોજી રહ્યું છે. 17 ઓગસ્ટના રોજ, તાલિબાનના દિલ્હી સ્થિત રાજદ્વારી નૂર અહમદ નૂર "વિજય દિવસ" નિમિત્તે એક સ્વાગત સમારોહનું આયોજન કરશે. રાજદ્વારીઓ, અફઘાન સમુદાયના અગ્રણી વ્યક્તિઓ અને મીડિયા હાજરી આપે તેવી અપેક્ષા છે. ભારત સરકારનું પણ પ્રતિનિધિત્વ કરવામાં આવે તેવી અપેક્ષા છે, જોકે વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. આ કાર્યક્રમ પાકિસ્તાન માટે સૌથી મોટી સમસ્યા ઉભી કરે તેવી શક્યતા છે.&nbsp;</p><h3 style="text-align: justify; ">નવી દિલ્હીમાં આયોજિત જાહેર કાર્યક્રમ&nbsp;</h3><p style="text-align: justify; ">ઓગસ્ટ 2021 માં અશરફ ગની સરકારના પતન પછી તાલિબાન દ્વારા નવી દિલ્હીમાં આયોજિત આ પહેલો મોટો જાહેર કાર્યક્રમ હશે. રાજદ્વારી પ્રતીકો અને અફઘાન ધ્વજના ઉપયોગ માટે આ કાર્યક્રમ પર નજીકથી નજર રાખવામાં આવશે. ભારત સહિત મોટાભાગના દેશો તાલિબાન સરકારને ઔપચારિક રીતે માન્યતા આપતા નથી. પરિણામે, દિલ્હીમાં તાલિબાન દ્વારા આ જાહેર કાર્યક્રમને બંને પક્ષો વચ્ચે વધતી જતી સગાઈના સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે.</p><h4 style="text-align: justify; ">પાકિસ્તાન ચિંતામાં&nbsp;</h4><p style="text-align: justify; ">તાલિબાન સરકાર દ્વારા નિયુક્ત ચાર્જ ડી'અફેયર્સ નૂર અહેમદ નૂર, નવી દિલ્હીમાં તાલિબાન દ્વારા નિયુક્ત કરાયેલા પ્રથમ અધિકારી છે. તેઓ જાન્યુઆરીમાં ભારત આવ્યા હતા અને ત્યારથી તેમણે વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે ઘણી બેઠકો યોજી છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં ભારત અને તાલિબાન વચ્ચે વધતી સગાઈમાં મુલાકાત પણ મહત્વપૂર્ણ હતી. નૂર અહેમદ નૂર વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી સાથે ભારત આવેલા તાલિબાન પ્રતિનિધિમંડળનો ભાગ હતા. તાલિબાનના વરિષ્ઠ અધિકારી દ્વારા ભારતની આ પ્રથમ મુલાકાત હતી.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/political-news/controversy-erupted-in-nepals-parliament-over-the-disappearance-of-the-original-of-the-210-year-old-sugauli-treaty-know-what-impact-it-will-have-on-india" target="_blank">210 વર્ષ જૂની Sugauli Treatyની મૂળ ગાયબ થતા Nepalની સંસદમાં થયો વિવાદ, જાણો ભારત પર શું અસર થશે?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/NNp4luM5hM3as4bTkb1Ww2BpHCGhI44tiZ8VHt9R.webp'/></item><item><title><![CDATA[Hockey World Cup 2026 : ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે હાઈ વોલ્ટેજ મેચ, જાણો  સંપૂર્ણ શેડ્યૂલ ]]></title><link>https://sandesh.com/sports/news/hockey-world-cup-2026-high-voltage-match-to-be-played-between-india-and-pakistan-know-the-complete-schedule</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/hockey-world-cup-2026-high-voltage-match-to-be-played-between-india-and-pakistan-know-the-complete-schedule</guid><pubDate>Fri, 14 Aug 2026 18:41:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">FIH હોકી વર્લ્ડ કપ 2026 15 ઓગસ્ટથી શરૂ થવાનો છે.આ મોટી ટુર્નામેન્ટ નેધરલેન્ડ અને બેલ્જિયમમાં યોજાઈ રહી છે.ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ જીતવા માટે મજબૂત દાવેદાર માનવામાં આવે છે,પરંતુ તેમને આ ટુર્નામેન્ટમાં ઈંગ્લેન્ડ,ચીન,પાકિસ્તાન અને બેલ્જિયમને હરાવવા પડશે. હરમનપ્રીત સિંહની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમ 1975 પછીનો પોતાનો પહેલો વર્લ્ડ કપ જીતવાનું લક્ષ્ય રાખશે. ચાલો ટીમ ઈન્ડિયાના શેડ્યૂલ પર એક નજર કરીએ.</p><h5 style="text-align: justify;"><b>ટીમ ઈન્ડિયા કયા ગ્રુપમાં છે?</b></h5><p style="text-align: justify; ">હોકી વર્લ્ડ કપ 2026 માં કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે. ટીમ ઈન્ડિયા પૂલ D નો ભાગ છે, જેમાં ઈંગ્લેન્ડ, વેલ્સ અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. ભારતીય ટીમે FIH પ્રો લીગમાં ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનનો પણ સામનો કર્યો હતો. હવે, ભારત વર્લ્ડ કપમાં પણ આ બે ટીમોનો સામનો કરશે.</p><h4 style="text-align: justify;"><b>ટીમ ઈન્ડિયાનો હોકી વર્લ્ડ કપ 2026 શેડ્યૂલ</b></h4><p style="text-align: justify;">ભારતીય ટીમ 2026 FIH હોકી વર્લ્ડ કપના ગ્રુપ તબક્કામાં કુલ ત્રણ મેચ રમશે. ટીમ ઈન્ડિયાનો પહેલો મુકાબલો સ્વતંત્રતા દિવસે વેલ્સ સામે હશે. ટીમ ઈન્ડિયાનો ગ્રુપ સ્ટેજ શેડ્યૂલ નીચે મુજબ છે:</p><p style="text-align: justify;">ભારત vs વેલ્સ (15 ઓગસ્ટ - સાંજે 4:30 વાગ્યા)</p><p style="text-align: justify;">ભારત vs ઈંગ્લેન્ડ (17 ઓગસ્ટ - સાંજે 6:30 વાગ્યા)</p><p style="text-align: justify;">ભારત vs પાકિસ્તાન (19 ઓગસ્ટ - સાંજે 6:30 વાગ્યા)</p><h4 style="text-align: justify;"><b>એફઆઈએચ હોકી વર્લ્ડ કપ માટે ભારતની ટીમ</b></h4><ul><li style="text-align: justify;">ગોલકીપર્સ: સૂરજ કરકેરા, મોહિત એચએસ.</li><li style="text-align: justify;">ફોરવર્ડ્સ: સુખજીત સિંહ, મનદીપ સિંહ, દિલપ્રીત સિંહ, શિલાનંદ લાકરા, અભિષેક.</li><li style="text-align: justify;">ડિફેન્ડર્સ: હરમનપ્રીત સિંહ (કેપ્ટન), અમિત રોહિદાસ, જર્મનપ્રીત સિંહ, જુગરાજ સિંહ, સંજય, યશદીપ સિવાચ, સુમિત.</li><li style="text-align: justify;">મિડફિલ્ડર્સ: આદિત્ય અર્જુન લાલગે, હાર્દિક સિંહ, રાજિન્દર સિંહ, વિવેક સાગર પ્રસાદ, મનપ્રીત સિંહ, નીલકંઠ શર્મા.</li></ul><h5 style="text-align: justify;"><b>હોકી વર્લ્ડ કપ 2026ની મેચ ક્યાં જોઈ શકો છો?</b></h5><p style="text-align: justify;">હોકી વર્લ્ડ કપ 2026 15 ઓગસ્ટથી 30 ઓગસ્ટ દરમિયાન યોજાવાનો છે. આ મુખ્ય ટુર્નામેન્ટની બધી મેચો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક ચેનલો પર પ્રસારિત કરવામાં આવશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/jamshedpur-fc-football-club-sold-for-just-rs-100-tata-steels-shocking-decision" target="_blank">Jamshedpur FC : માત્ર 100 રૂપિયામાં વેચાઈ ફૂટબોલ ક્લબ,ટાટા સ્ટીલનો ચોંકાવનારો નિર્ણય</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/NrE0OQVsKqPshLxwD8fxfWnGNOw2UegWLcMwZKQ1.webp'/></item><item><title><![CDATA[Govinda : 'દીકરીની ઉંમરની છોકરીને લઈને ફરે...', કથિત ગર્લફ્રેન્ડ સાથે ગોવિંદાને જોઈ પત્ની સુનિતાએ કર્યો કટાક્ષ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/govinda-girlfriend-wife-comment-viral-photo</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/govinda-girlfriend-wife-comment-viral-photo</guid><pubDate>Fri, 14 Aug 2026 17:43:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડના હીરો નંબર 1 તરીકે ઓળખાતા અભિનેતા ગોવિંદા છેલ્લા ઘણા સમયથી પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. પત્ની સુનીતા આહુજા સતત તેમના પર અફેરના આરોપ લગાવતી રહી છે. એટલું જ નહીં, તેમણે એવું પણ કહ્યું હતું કે બંને ઘણા વર્ષોથી અલગ રહે છે. ત્યારબાદ તેમના છૂટાછેડાના સમાચાર પણ મીડિયામાં ખૂબ ચર્ચામાં રહ્યા હતા. ગોવિંદા પર લગ્નબહારના સંબંધોના આરોપ પણ લાગ્યા હતા. કોમલ નામની યુવતી સાથે તેમનું નામ સતત જોડાતું રહ્યું છે. હવે ફરી એકવાર સુનીતા આહુજાએ તેમના પર ગુસ્સો વ્યક્ત કર્યો છે.</p><h2 style="text-align: justify; "><b>કોમલ અને ગોવિંદા ફરી સાથે જોવા મળ્યા</b></h2><p style="text-align: justify; ">ગોવિંદા ફિલ્મ રૂપાની જાહેરાત બાદ અભિનેત્રી કોમલ રાની સાથે કામ કરવાને લઈને ચર્ચામાં છે. બંનેના અફેરના સમાચાર પણ ખૂબ ચર્ચામાં છે. થોડા દિવસ પહેલાં જ બંને કલાકારોને સાથે એરપોર્ટ પર જોવા મળ્યા હતા, જેને લઈને સુનીતાએ ગુસ્સો વ્યક્ત કર્યો હતો. હવે ફરી એકવાર ગોવિંદા અને કોમલ સાથે જોવા મળ્યા છે. ત્યારબાદ સુનીતાએ પ્રતિક્રિયા આપતાં પોતાના અભિનેતા પતિ માટે કહ્યું કે થોડું તો સ્ટાન્ડર્ડ હોવું જોઈએ.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DcA7HUqkx5S/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DcA7HUqkx5S/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DcA7HUqkx5S/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DcA7HUqkx5S/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h3 style="text-align: justify; "><b>ગોવિંદા અને કોમલ પર સુનીતા આહુજા ગુસ્સે થઈ</b></h3><p style="text-align: justify; ">ગોવિંદા અને કોમલ ફરી એકવાર સાથે જોવા મળ્યા બાદ પેપ્સે સુનીતા આહુજાને તેમની પ્રતિક્રિયા પૂછી હતી. તેના પર તેમણે કહ્યું, ફિલ્મ બનવી પણ તો જોઈએ ને? પ્રમોશન ફિલ્મ બન્યા પછી થાય છે. શું બોલવું... દીકરીની ઉંમરની છોકરીને લઈને ફરી રહ્યા છો, થોડી તો શરમ આવવી જોઈએ. થોડું તો સ્ટાન્ડર્ડ હોવું જોઈએ. તમારો શુગર ડેડી આટલો અમીર છે તો ઓછામાં ઓછા કપડાં તો યોગ્ય પહેરો. અમને જુઓ, અમે કેવી સ્ટાઇલથી ફરીએ છીએ. ખૂબ ખરાબ છે, મગજ ખરાબ થઈ ગયું છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DcA3-vszs8J/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DcA3-vszs8J/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DcA3-vszs8J/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DcA3-vszs8J/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, કોમલ અને ગોવિંદા કથિત રીતે સંબંધમાં છે અને છેલ્લા 4 વર્ષથી રિલેશનશિપમાં છે. જોકે, ગોવિંદાએ આ સંબંધની વાત સ્વીકારી નથી. સાથે જ હજુ સુધી એ પણ સ્પષ્ટ થયું નથી કે ગોવિંદા સાથે જે યુવતીનું નામ જોડવામાં આવી રહ્યું છે, તે આ જ કોમલ છે કે કોઈ બીજી વ્યક્તિ.</p><h4 style="text-align: justify; "><b>ગોવિંદાએ આપ્યું હતું મીઠાઈની દુકાનવાળું નિવેદન</b></h4><p style="text-align: justify; ">ગોવિંદાનું તાજેતરમાં મીઠાઈની દુકાનવાળું નિવેદન વાયરલ થયું હતું. તેમણે સમાચાર એજન્સી ANI સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન અભિનેતાએ કહ્યું હતું, મીઠાઈની દુકાનમાં રહીને ભૂખ્યા નીકળ્યા તો શું દુઃખ છે. તેમના આ નિવેદનને લગ્નબહારના સંબંધો સાથે જોડવામાં આવ્યું હતું. લોકોનું માનવું હતું કે અભિનેતાએ પોતાના અફેરના સમાચારની પુષ્ટિ કરી છે. જોકે, ગોવિંદાએ અફેર વિશે ખુલ્લેઆમ કોઈ વાત કરી નથી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/pooja-bedi-maneck-contractor-8-year-engagement" target="_blank">આ પણ વાંચો-Bollywood : 8 વર્ષની સગાઈ છતાં લગ્ન નહીં! માનેક કોન્ટ્રાક્ટર સાથે અનોખો સંબંધ નિભાવી રહી છે પૂજા બેદી</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/4s7eB1Yws0ASr4trAYoPUbZl0X1qdu0opOliTAWt.webp'/></item><item><title><![CDATA[Stock Market Closing: લાલ નિશાનમાં માર્કેટ બંધ, સેન્સેક્સ 78,009 અંકે ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-closing-market-closes-in-red-sensex-closes-at-78009-points</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-closing-market-closes-in-red-sensex-closes-at-78009-points</guid><pubDate>Fri, 14 Aug 2026 15:45:25 +05:30</pubDate><description><![CDATA[<p>શુક્રવાર, 14 ઓગસ્ટના રોજ ભારતીય શેરબજારમાં શરૂઆતના ઘટાડા પછી થોડી રિકવરી જોવા મળી. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ખરીદીને કારણે નિફ્ટી50 અને સેન્સેક્સ બંને તેમના ઇન્ટ્રાડે નીચા સ્તરથી પાછા ફર્યા, જેને ટેકો મળ્યો.</p><h2><b>શેરબજાર લાલ નિશાનમાં બંધ&nbsp;</b></h2><p>બપોરે 2:00 વાગ્યા સુધીમાં, સેન્સેક્સ 81.62 પોઈન્ટ (0.10%) ઘટીને 77,998.34 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે નિફ્ટી50 11.60 પોઈન્ટ (0.05%) ઘટીને 24,383.10 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બપોરે 3.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયુ. સેન્સેક્સ 78,009 અંકે 70.71 પોઇન્ટના ઘટાડા સાથે બંધ થયો. જ્યારે નિફ્ટી 29.85 પોઇન્ટના ઘટાડા સાથે 24,366.00 અંકે બંધ થયું.&nbsp;</p><h3><b>ટોચના નિફ્ટી50 લુઝર્સ</b></h3><p>ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ, મેક્સ હેલ્થકેર ઇન્સ્ટિટ્યૂટ અને હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ નિફ્ટી50 પર ટોચના ઘટાડામાં સામેલ હતા.</p><p><b style="font-size: 1.75rem;">મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો દબાણ હેઠળ</b></p><p>વ્યાપક બજારમાં પણ નબળાઈ ચાલુ રહી; નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 0.45% નીચામાં ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સ 0.55% નીચે હતો.</p><h3><b>મેટલ સ્ટોક્સ નબળા; કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં ખરીદી</b></h3><p>ક્ષેત્રની દ્રષ્ટિએ, નિફ્ટી મેટલ સૌથી ખરાબ પ્રદર્શન કરનારા ક્ષેત્રોમાંનો એક હતો. તેનાથી વિપરીત, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સે સારું પ્રદર્શન કર્યું, તેના ઘટક શેરોમાં ખરીદી પ્રવૃત્તિ જોવા મળી.</p><h4><b>એશિયન બજારોમાં મિશ્ર વેપાર</b></h4><p>પ્રારંભિક વધારા પછી, એશિયા-પેસિફિક બજારો મિશ્ર વલણ સાથે વેપાર કરી રહ્યા હતા. નબળા યુએસ પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ (PPI) ડેટાએ આશા જગાવી છે કે વ્યાજ દરમાં વધારાની શક્યતા ઘટી શકે છે, જેની અસર ટેકનોલોજી શેરોમાં પણ જોવા મળી હતી.</p><p>જાપાનનો નિક્કી 225 લગભગ 0.7% વધુ ટ્રેડ કરી રહ્યો હતો, અને દક્ષિણ કોરિયાનો કોસ્પી લગભગ 0.9% ઉપર હતો. દરમિયાન, હોંગકોંગનો હેંગ સેંગ લગભગ 0.51% નીચે હતો.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/04/22/ImEoH8XVKSpwKohsEtbZTWR6IaJ4XBQ4dmVVsfy6.webp'/></item></channel></rss>