<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Anand News: સોજીત્રાની લિંબાલી પ્રાથમિક શાળામાં દારૂ ગટગટાવતો આચાર્ય ઝડપાયો, 50 બોટલો જપ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/anand/sojitra-limbali-primary-school-principal-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/anand/sojitra-limbali-primary-school-principal-arrested</guid><pubDate>Wed, 19 Aug 2026 23:43:18 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતમાં જ્યાં એક તરફ કડક દારૂબંધીના દાવા કરવામાં આવે છે, ત્યાં બીજી તરફ આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકામાંથી શિક્ષણ જગતને શર્મસાર કરતી અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોજીત્રાના લિંબાલી ગામે આવેલી પ્રાથમિક શાળામાં પવિત્ર વિદ્યાધામને દારૂનો અડ્ડો બનાવી દેનાર આચાર્યને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યો છે. બાળકોને સંસ્કાર અને જ્ઞાન આપતા આચાર્ય પોતે જ શાળાના સમય દરમિયાન દારૂના નશામાં ધૂત રહેતા હોવાનું સામે આવતાં સમગ્ર આણંદ જિલ્લામાં ભારે ચકચાર મચી ગઈ છે.</p><h2><b>ટેબલ પરથી અડધી ભરેલી અને તિજોરીમાંથી 50 ખાલી બોટલો જપ્ત</b></h2><p>ઘટનાની વિગતો અનુસાર, લિંબાલી પ્રાથમિક શાળામાં દારૂ પીવાતો હોવાની અને ગેરપ્રવૃત્તિ ચાલતી હોવાની ચોક્કસ માહિતીના આધારે પોલીસ દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસ અધિકારીઓ પણ શાળાનું દ્રશ્ય જોઈને દંગ રહી ગયા હતા. આચાર્યના ટેબલ ઉપરથી વિદેશી દારૂની અડધી ભરેલી બોટલ મળી આવી હતી. એટલું જ નહીં, શાળાની સરકારી તિજોરી કે જેમાં શૈક્ષણિક દસ્તાવેજો હોવા જોઈએ, તેમાંથી વિદેશી દારૂની 50 જેટલી ખાલી બોટલો મળી આવી હતી. આના પરથી સ્પષ્ટ થાય છે કે, આચાર્ય લાંબા સમયથી શાળા પરિસરમાં જ દારૂ ગટગટાવતો હતો.</p><h2><b>શિક્ષણ અધિકારીની ફરિયાદ બાદ આચાર્ય સુરેશ માછી સામે કાર્યવાહી</b></h2><p>શાળામાંથી આટલી મોટી સંખ્યામાં વિદેશી દારૂની ભરેલી અને ખાલી બોટલો મળી આવવાની ઘટના અંગે સોજીત્રાના ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જાણ કરવામાં આવી હતી. શિક્ષણ વિભાગના અધિકારી તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર બાબતની ગંભીરતા જોઈને સોજીત્રા પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવી હતી. શિક્ષણ અધિકારીની ફરિયાદના આધારે પોલીસે શાળાના કલંકિત આચાર્ય સુરેશ મગનભાઈ માછી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.</p><p><img alt="Anand News: Sojitra Limbali Primary School Principal Arrested with Alcohol Bottles" src="https://epapercdn.sandesh.com/images/2026/08/19/CVhe7sr2UpLDlmfAQcJEbPVUmFwufV4I36Raxv3m.webp" style="width: 100%;"><br></p><h2><b>પોલીસે આચાર્યને કસ્ટડીમાં લીધો, વાલીઓમાં ભારે રોષ</b></h2><p>સોજીત્રા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આચાર્ય સુરેશ માછીની સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી છે અને તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. જે શાળામાં નાના માસુમ બાળકો શિક્ષણ મેળવવા આવે છે, ત્યાં આ પ્રકારે દારૂની મહેફિલો અને બોટલો મળી આવતા સ્થાનિક ગ્રામજનો અને વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વાલીઓએ માગ કરી છે કે, આચાર્ય સામે માત્ર પોલીસ કેસ જ નહીં, પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા તેને કાયમી ધોરણે બરતરફ કરવામાં આવે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/india/news/gujarat/20-august-top-news-national-regional-updates" target="_blank">20 August Top News: 20 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/XEySLfGemTXM2vtH2JF64Js7Rf6FBQQf1uqwKdzr.webp'/></item><item><title><![CDATA[Aravalli News: ડો. હર્ષ પંડ્યાના માનમાં મોડાસામાં કેન્ડલ માર્ચ, ન્યાય માટે માર્ગો પર ઉતર્યા તબીબો અને નગરજનો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/aravalli/modasa-dr-harsh-pandya-suicide-surat-ragging-candle-march</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/aravalli/modasa-dr-harsh-pandya-suicide-surat-ragging-candle-march</guid><pubDate>Wed, 19 Aug 2026 23:40:11 +05:30</pubDate><description><![CDATA[<p>સુરતની સરકારી મેડિકલ કોલેજ હોસ્ટેલમાં અતિશય રેગિંગના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને મોડાસાના તેજસ્વી રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાએ જીવન ટૂંકાવી લીધું હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. એક આશાસ્પદ અને ભાવી તબીબે રેગિંગના રાક્ષસ સામે હારીને આત્મહત્યા કરી લેતાં સમગ્ર તબીબી આલમ અને મોડાસા પંથકમાં અરેરાટી સાથે ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે.</p><h2><b>ડો. હર્ષ પંડ્યાના માનમાં મોડાસામાં યોજાઈ વિશાળ કેન્ડલ માર્ચ</b></h2><p>સુરતના વિવાદાસ્પદ આત્મહત્યા કેસ બાદ, બુધવારે મોડી સાંજે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સ્વ. ડો. હર્ષ પંડ્યાના માનમાં એક મૌન કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ડો. હર્ષના નિવાસસ્થાનેથી શરૂ થયેલી આ કેન્ડલ માર્ચ મોડાસાના મુખ્ય ચાર રસ્તા ખાતે પહોંચી હતી. આ શાંતિપૂર્ણ રેલીમાં સ્વર્ગસ્થ આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવાની સાથે સાથે જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી.</p><p><img alt="Aravalli News: Modasa Candle March for Dr Harsh Pandya Surat Medical College Ragging Suicide Case" src="https://epapercdn.sandesh.com/images/2026/08/19/Heaiv0eMxU9DGS4BdkKnuTi5JkBV1MWJG6GFi8BV.webp"><br></p><h2><b>પરિવારજનો, તબીબો અને નગરજનો ન્યાયની માગ સાથે માર્ગો પર ઉતર્યા</b></h2><p>આ કેન્ડલ માર્ચમાં માત્ર પરિવારજનો જ નહીં, પરંતુ મોટી સંખ્યામાં મોડાસાના નગરજનો, મિત્રો અને મોટી સંખ્યામાં તબીબો જોડાયા હતા. લોકોએ હાથમાં પ્લેકાર્ડ્સ અને મીણબત્તીઓ સાથે "ન્યાય આપો" ના સૂત્રોચ્ચાર કર્યા હતા. આખી કેન્ડલ માર્ચ દરમિયાન વાતાવરણ અત્યંત ગંભીર અને શોક રોષથી ભરેલું જોવા મળ્યું હતું.</p><p><img alt="Aravalli News: Modasa Candle March for Dr Harsh Pandya Surat Medical College Ragging Suicide Case" src="https://epapercdn.sandesh.com/images/2026/08/19/7syh3tCnwB6NyF6wQFZScQJa7bisbBz71OIipfNy.webp"><br></p><h2><b>અન્ય નિર્દોષ તબીબો રેગિંગનો ભોગ ન બને તે માટે કડક પગલાંની માગ</b></h2><p>કેન્ડલ માર્ચમાં જોડાયેલા તબીબો અને નાગરિકોએ એકસૂરે માગ કરી હતી કે, ડો. હર્ષ પંડ્યા સાથે જે બન્યું તે અત્યંત ગંભીર ગુનો છે. ભવિષ્યમાં કોઈ પણ નિર્દોષ રેસિડેન્ટ ડોક્ટર આવા અમાનુષી રેગિંગનો ભોગ ન બને તે માટે સુરત મેડિકલ કોલેજના દોષિતો સામે દાખલારૂપ અને કડક પગલાં ભરવામાં આવે. તબીબોએ હોસ્પિટલો અને મેડિકલ કોલેજોમાંથી રેગિંગનું દૂષણ જડમૂળથી નાબૂદ કરવાની માગ કરી હતી.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/india/news/gujarat/20-august-top-news-national-regional-updates" target="_blank">20 August Top News: 20 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/UlQXhIufZUFomQVxyhCs5ARTxxcpNj7c7Gx4M6pu.webp'/></item><item><title><![CDATA[Delhi-NCRમાં પ્રદૂષણ પર લગામ! 2027થી નવા પેટ્રોલ-ડીઝલ-CNG LGVના રજીસ્ટ્રેશન પર પ્રતિબંધ ]]></title><link>https://sandesh.com/india/news/delhi-ncr-pollution-lgv-registration-ban-2027-caqm</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/delhi-ncr-pollution-lgv-registration-ban-2027-caqm</guid><pubDate>Wed, 19 Aug 2026 23:32:25 +05:30</pubDate><description><![CDATA[<p>દિલ્હી-NCRમાં વધતા વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન આયોગ (CAQM)એ મહત્વનો નિર્ણય લીધો છે. 18 ઓગસ્ટે યોજાયેલી CAQMની 29મી પૂર્ણ બેઠકમાં Direction No. 102ને મંજૂરી આપવામાં આવી છે. આ અંતર્ગત પ્રદૂષણ ફેલાવતા પેટ્રોલ, ડીઝલ અને CNGથી ચાલતા N1 કેટેગરીના Light Goods Vehicles (LGVs)ના નવા રજીસ્ટ્રેશન પર તબક્કાવાર પ્રતિબંધ મૂકવામાં આવશે.</p><h2><b>1 જુલાઈ 2027થી આ નિયમ લાગુ થશે</b></h2><p>CAQM અનુસાર, વાહનો દિલ્હી-NCRમાં PM2.5 પ્રદૂષણનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે. દિલ્હીમાં 1 જાન્યુઆરી 2027થી નવા પેટ્રોલ, ડીઝલ અને CNG N1 LGVના રજીસ્ટ્રેશન પર પ્રતિબંધ લાગુ થશે. ત્યારબાદ ગુરુગ્રામ, ફરીદાબાદ, સોનીપત, ગાઝિયાબાદ અને ગૌતમ બુદ્ધ નગર જેવા હાઈ વ્હીકલ ડેન્સિટી ધરાવતા જિલ્લાઓમાં 1 જુલાઈ 2027થી આ નિયમ લાગુ થશે.</p><p>NCRના અન્ય જિલ્લાઓમાં નવા પેટ્રોલ અને ડીઝલ N1 LGVના રજીસ્ટ્રેશન પર 1 જાન્યુઆરી 2028થી પ્રતિબંધ લાગુ થશે. N2 કેટેગરીના LGV માટે પણ 2028 અને 2029 દરમિયાન તબક્કાવાર પ્રતિબંધ લાગુ કરવામાં આવશે. CAQMએ સ્ટોન ક્રશિંગ યુનિટમાંથી થતા પ્રદૂષણને રોકવા Direction No. 103ને પણ મંજૂરી આપી છે. તેમાં ધૂળ નિયંત્રણના પગલાં ફરજિયાત કરવામાં આવશે. સાથે જ વીડિયો સર્વેલન્સ, PM2.5 અને PM10 સેન્સર તથા વ્હીલ-વોશિંગ જેવી વ્યવસ્થાઓ મજબૂત કરવામાં આવશે.</p><h3><b>4.60 કરોડથી વધુ વૃક્ષો અને છોડ વાવવાનો લક્ષ્યાંક</b></h3><p>CAQMએ પ્રદૂષણ નિયંત્રણ માટે ચાર R&amp;D પ્રોજેક્ટને બે વર્ષ માટે કુલ ₹3.25 કરોડથી વધુની આર્થિક મદદ મંજૂર કરી છે. આ પ્રોજેક્ટમાં રોડ ડસ્ટ, મિકેનિકલ રોડ સ્વીપિંગ, પાર્ટિક્યુલેટ મેટર અને પરાળી સળગાવવાની આગાહી જેવા વિષયો સામેલ છે. આ ઉપરાંત નિયમોનું ઉલ્લંઘન કરનારી 1,816 પ્રદૂષણકારી એકમોને ક્લોઝર ઓર્ડર આપવામાં આવ્યા છે. જ્યારે દિલ્હી-NCRમાં 2026-27 દરમિયાન 4.60 કરોડથી વધુ વૃક્ષો અને છોડ વાવવાનો લક્ષ્યાંક પણ નક્કી કરવામાં આવ્યો છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/kozhikode-ed-raids-nine-locations-cmrl-corporate-fraud-case" target="_blank">આ પણ વાંચો : Kozhikodeમાં કથિત કોર્પોરેટ ફ્રોડ કેસમાં EDની મોટી કાર્યવાહી, 9 સ્થળે પાડ્યા દરોડા</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/PVUqI1greC8szF5eYEiC7aadm8CaWPX1Uvp5odTH.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : EKA Clubના રૂ.20 કરોડના ટેક્સ વિવાદમાં AMC એક્શનમાં! ડબલ બેંચમાં કેસ, 10 સપ્ટેમ્બરે મુદત ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-news-amc-in-action-in-eka-clubs-rs-20-crore-tax-dispute-case-in-double-bench-deadline-on-september-10</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-news-amc-in-action-in-eka-clubs-rs-20-crore-tax-dispute-case-in-double-bench-deadline-on-september-10</guid><pubDate>Wed, 19 Aug 2026 23:17:43 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદમાં કાંકરિયા પાસે આવેલી પ્રખ્યાત 'એકા ક્લબ' ના પ્રોપર્ટી ટેક્સના મોટો વિવાદ અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ની લીગલ કમિટીની બેઠકમાં ચર્ચાનો મુખ્ય વિષય બન્યો હતો. AMC દ્વારા એકા ક્લબના ટેક્સની આકારણી પરિબળ-6 (Factor-6) મુજબ કરવામાં આવી છે, જેના આધારે ક્લબનો અંદાજે 20 કરોડ રૂપિયા જેટલો જંગી ટેક્સ બાકી નીકળે છે. બીજી તરફ, ક્લબ સંચાલકો દ્વારા પરિબળ-2 (Factor-2) હેઠળ ઓછી રકમની આકારણી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે, જેના કારણે આ ટેક્સ વસૂલાતનો મુદ્દો લાંબા સમયથી અટવાઈ પડ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>સિંગલ જજનો ચુકાદો AMC વિરૂદ્ધ જતાં હાઈકોર્ટની ડબલ બેંચમાં કરાઈ અપીલ</b></h2><p style="text-align: justify; ">આ મિલકત વેરાનો સમગ્ર વિવાદ હાલ અદાલતના શરણે પહોંચ્યો છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટની સિંગલ જજની બેંચમાં આવેલો ચુકાદો મહાનગરપાલિકાની વિરૂદ્ધમાં ગયો હતો, જેથી AMC એ પોતાના કરોડો રૂપિયાના ટેક્સની વસૂલાત માટે આ કેસને ડબલ બેંચ સમક્ષ મૂક્યો છે. લીગલ કમિટીની બેઠકમાં આ કેસનો ચુકાદો શક્ય તેટલો ઝડપી આવે અને મહાનગરપાલિકાના હિતમાં નિર્ણય થાય તે બાબતે કાયદાકીય વ્યૂહરચના અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.</p><h2 style="text-align: justify; "><b>AMC એ એડવોકેટ બદલ્યા, આગામી 10 સપ્ટેમ્બરે હાઈકોર્ટમાં મહત્વની મુદત</b></h2><p style="text-align: justify; ">કેસમાં મજબૂત રજૂઆત કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પોતાના એડવોકેટની બદલી કરી દેવામાં આવી છે અને અગાઉના વકીલની જગ્યાએ અન્ય અનુભવી એડવોકેટને આ કેસની જવાબદારી સોંપાઈ છે. મહાનગરપાલિકાના 20 કરોડના બાકી ટેક્સની વસૂલાત માટેની આ કાયદાકીય લડતમાં હવે આગામી 10 સપ્ટેમ્બરના રોજ હાઈકોર્ટની ડબલ બેંચ સમક્ષ મહત્વની સુનાવણી અને મુદત રાખવામાં આવી છે, જેના પર સૌની નજર ટકેલી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/shocking-incident-in-naroda-ahmedabad-minor-girl-molested-for-not-giving-her-phone-number-and-thrown-down-from-the-10th-floor" target="_blank">Ahmedabadના નરોડામાં હચમચાવનારી ઘટના, ફોન નંબર ન આપતા સગીરાની છેડતી કરી 10મા માળેથી નીચે ફેંકી દીધી</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/Me3jZm59CrEqLEMncNnJTDqIhEJJlhwqJPf7UkEA.webp'/></item><item><title><![CDATA[Ahmedabad Civil Hospitalમાં સિક્યુરિટી ટેન્ડર વિવાદ, ટર્નઓવરની શરત એક જ વર્ષમાં 13 કરોડથી વધારી 69.82 કરોડ કરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-civil-hospital-security-guard-tender-controversy</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-civil-hospital-security-guard-tender-controversy</guid><pubDate>Wed, 19 Aug 2026 23:13:14 +05:30</pubDate><description><![CDATA[<p>એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર મોટા વિવાદના વંટોળમાં ઘેરાઈ છે. સિવિલ હોસ્પિટલ પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરવા માટે તાજેતરમાં 523 સિક્યુરિટી ગાર્ડ અને 30 સુપરવાઈઝરની ભરતી માટે નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, પરંતુ આ ટેન્ડરમાં મુકવામાં આવેલી આકરી અને વિચિત્ર શરતોને કારણે સમગ્ર પ્રક્રિયા શંકાના દાયરામાં આવી ગઈ છે. સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે, આ સિક્યુરિટી ગાર્ડની પારદર્શક ભરતી છે કે પછી કોઈ ચોક્કસ ખાનગી એજન્સીને ‘રેડ કાર્પેટ’ પાથરીને કામ સોંપવાનો કારસો?</p><h2><b>ટર્નઓવરની શરત 13 કરોડથી સીધી વધારી 69.82 કરોડ કરી દેવાઈ</b></h2><p>આ ટેન્ડર વિવાદનું મુખ્ય કારણ તેમાં મુકવામાં આવેલી વાર્ષિક ટર્નઓવરની કડક શરત છે. ગત વર્ષે બહાર પાડવામાં આવેલા ટેન્ડરમાં અરજી કરનાર સિક્યુરિટી કંપનીનું વાર્ષિક ટર્નઓવર 13 કરોડ રૂપિયા હોવું ફરજિયાત હતું, પરંતુ આશ્ચર્યજનક રીતે, માત્ર એક જ વર્ષના ગાળામાં આ વખતના નવા ટેન્ડરમાં ટર્નઓવરની મર્યાદા વધારીને સીધી 69.82 કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે! એટલે કે ટર્નઓવરની રકમમાં એકઝેટ 5 ગણાથી પણ વધુનો જંગી વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આ શરતના કારણે નાની અને મધ્યમ કક્ષાની સિક્યુરિટી એજન્સીઓ ટેન્ડરની રેસમાંથી બહાર ફેંકાઈ ગઈ છે.</p><h2><b>523 સિક્યુરિટી ગાર્ડ્સ માટેની નવી ભરતીનું માળખું</b></h2><p>અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા બહાર પાડવામાં આવેલા આ વિવાદાસ્પદ ટેન્ડરમાં નીચે મુજબના સુરક્ષા કર્મચારીઓની માંગણી કરવામાં આવી છે:</p><ul><li>કુલ સિક્યુરિટી ગાર્ડ: 523</li><li>પુરુષ સિક્યુરિટી ગાર્ડ: 448</li><li>મહિલા સિક્યુરિટી ગાર્ડ: 45</li><li>સિક્યુરિટી સુપરવાઈઝર: 30</li></ul><p><img alt="Ahmedabad Civil Hospital Security Tender Controversy | Turnover Hiked 5 Times" src="https://epapercdn.sandesh.com/images/2026/08/19/T1apLvXxy7L90w4lEWJta3AknTrMHdi7H5kFmv2T.webp" style="width: 100%;"><br></p><h2><b>જૂના અને નવા ટેન્ડરના નિયમોની સરખામણી: શું બદલાયું?</b></h2><p>જૂના અને નવા ટેન્ડરના વર્ક ઓર્ડર અને અનુભવની શરતોની સરખામણી કરીએ તો મોટો તફાવત અને ગોટાળો સ્પષ્ટપણે નજરે પડે છે:</p><h3><b>વર્ષ 2023 થી 2025ના ટેન્ડરની શરતો:</b></h3><ul><li>4.33 કરોડના કામના 3 વર્ક ઓર્ડર</li><li>6.50 કરોડના 2 વર્ક ઓર્ડર</li><li>13 કરોડનું 1 વર્ક ઓર્ડર</li></ul><h3><b>વર્ષ 2026 થી 2028ના નવા ટેન્ડરની શરતો:</b></h3><ul><li>6.98 કરોડના 5 વર્ક ઓર્ડર</li><li>10.40 કરોડના 4 વર્ક ઓર્ડર</li><li>13.96 કરોડના 3 વર્ક ઓર્ડર</li><li>17.45 કરોડના 2 વર્ક ઓર્ડર</li><li>29.67 કરોડનું 1 વર્ષ મેનપાવર સપ્લાય કરવાનો વર્ક ઓર્ડર</li></ul><p>આ આંકડાકીય સરખામણી પરથી સ્પષ્ટ થાય છે કે, અનુભવ અને કામગીરીના આંકડા એટલા ઊંચા કરી દેવાયા છે, જેથી કરીને ખૂબ જ મર્યાદિત કંપનીઓ જ આમાં ક્વોલિફાય થઈ શકે.</p><h2><b>સિક્યુરિટીના કામમાં શા માટે માંગવામાં આવ્યો ‘મેનપાવર સપ્લાય’નો અનુભવ?</b></h2><p>નવા ટેન્ડરમાં સૌથી મોટો સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે, જ્યારે કામગીરી માત્ર સિક્યુરિટી ગાર્ડ સપ્લાય કરવાની છે, ત્યારે ટેન્ડરની શરતોમાં શા માટે 29.67 કરોડ રૂપિયાનું 'મેનપાવર સપ્લાય' કરવાનો અનુભવ માંગવામાં આવ્યો છે? ગત ટેન્ડર વખતે સંખ્યાબંધ કંપનીઓએ ભાગ લીધો હતો, જેમાં 48 કંપનીઓને ડીસ્કોલીફાઈડ કરવામાં આવી હતી અને અંતે 4 કંપનીઓ જ ક્વોલિફાય થઈ હતી, જેમાં રાજસ્થાનની આર.એસ. સિક્યુરિટીને કોન્ટ્રાક્ટ મળ્યો હતો. આ વખતે શરતો વધુ કડક બનાવીને કોઈ ચોક્કસ મળતીયા કે માનીતી કંપનીને જ કોન્ટ્રાક્ટ આપવાની પૂર્વ આયોજિત ગોઠવણ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.</p><h2><b>સુપ્રિટેન્ડેન્ટનો દાવો- "નિયમ મુજબ કામગીરી", પણ સવાલો અકબંધ</b></h2><p>આ સમગ્ર ટેન્ડર વિવાદ અંગે જ્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે તમામ આક્ષેપોને ફગાવતા જણાવ્યું હતું કે, ટેન્ડર પ્રક્રિયા સંપૂર્ણપણે નિયમોનુસાર અને પારદર્શક રીતે જ કરવામાં આવી છે. જોકે, સુપ્રિટેન્ડેન્ટના બચાવ સામે અનેક સવાલો હજુ પણ અનુત્તરીત છે. જો નિયમો વ્યાજબી છે, તો ટર્નઓવરમાં એકાએક 5 ગણો વધારો શા માટે કરાયો? કોના આર્થિક હિતો સાચવવા માટે કયા અધિકારીઓની મિલીભગતથી આ તખ્તો ઘડાયો છે તે હવે ઉચ્ચ સ્તરીય તપાસનો વિષય બન્યો છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/india/news/gujarat/20-august-top-news-national-regional-updates" target="_blank">20 August Top News: 20 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/vM7GpjTii0mx4kRU3PhFK6XCX191E2oTkz8VHvnK.webp'/></item><item><title><![CDATA[Kozhikodeમાં કથિત કોર્પોરેટ ફ્રોડ કેસમાં EDની મોટી કાર્યવાહી, 9 સ્થળે પાડ્યા દરોડા ]]></title><link>https://sandesh.com/india/news/kozhikode-ed-raids-nine-locations-cmrl-corporate-fraud-case</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/kozhikode-ed-raids-nine-locations-cmrl-corporate-fraud-case</guid><pubDate>Wed, 19 Aug 2026 22:52:46 +05:30</pubDate><description><![CDATA[<p>કેરળના કોઝિકોડમાં કથિત કોર્પોરેટ ફ્રોડ અને લાંચના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી કરી છે. EDની કોચી ઝોનની ટીમે 18 ઓગસ્ટે PMLA હેઠળ કોઝિકોડમાં 9 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ તપાસ કોચીન મિનરલ્સ એન્ડ રૂટાઈલ લિમિટેડ (CMRL) સાથે જોડાયેલી કથિત નાણાકીય ગેરરીતિઓ અને લાંચની ચુકવણીના આરોપોને લઈને ચાલી રહી છે.</p><h2><b>182 કરોડના કથિત ખોટા રોકડ ખર્ચ દર્શાવ્યા</b></h2><p>EDએ આ કેસમાં તપાસ સિરિયસ ફ્રોડ ઈન્વેસ્ટિગેશન ઓફિસ (SFIO)ની તપાસના આધારે શરૂ કરી હતી. SFIOએ 3 એપ્રિલ 2025ના રોજ કથિત કોર્પોરેટ ફ્રોડ મામલે પ્રોસિક્યુશન ફરિયાદ દાખલ કરી હતી. તપાસમાં આરોપ છે કે CMRLએ આશરે 15 વર્ષ દરમિયાન લગભગ ₹182 કરોડના કથિત ખોટા રોકડ ખર્ચ દર્શાવ્યા હતા અને આ નાણાંનો ઉપયોગ વિવિધ લોકોને લાંચ આપવા માટે કરવામાં આવ્યો હતો.</p><h3><b>₹2.78 કરોડની કથિત ચુકવણી</b></h3><p>EDના જણાવ્યા અનુસાર, CMRL તરફથી વીણાની કંપની એક્સાલૉજિક સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડને IT કન્સલ્ટન્સી સર્વિસના નામે આશરે ₹2.78 કરોડ ચૂકવવામાં આવ્યા હતા. જોકે, એજન્સીનો આરોપ છે કે કંપનીએ તેના બદલામાં વાસ્તવિક સેવાઓ પૂરી પાડી નહોતી. આ ઉપરાંત CMRLના MD એસ.એન. શશિધરન કાર્થા સાથે જોડાયેલી કંપનીએ પણ એક્સાલૉજિકને આશરે ₹50 લાખની લોન આપી હોવાનો EDનો દાવો છે.</p><h4><b>અગાઉની તપાસમાં મળ્યા હતા હસ્તલેખિત હિસાબ</b></h4><p>EDએ 27 મે 2026ના રોજ પણ વીણા અને CMRLના પ્રમોટરો સાથે જોડાયેલા સ્થળોએ સર્ચ કર્યું હતું. તે દરમિયાન હસ્તલેખિત હિસાબ-કિતાબ મળી આવ્યા હતા, જેમાં નાણાકીય લેવડદેવડની વિગતો નોંધાયેલી હતી. 18 ઓગસ્ટની કાર્યવાહી દરમિયાન EDએ અનેક ડિજિટલ ડિવાઈસ જપ્ત કર્યા અને સંબંધિત લોકોના નિવેદન નોંધ્યા. એજન્સીનો દાવો છે કે તેને કથિત હવાલા મારફતે નાણાં ટ્રાન્સફર કરવાના પુરાવા પણ મળ્યા છે. હવે ED જપ્ત કરાયેલા દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાના આધારે આગળની તપાસ કરશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/world/india-japan-defence-meeting-maritime-security-china-indo-pacific" target="_blank">આ પણ વાંચો : Chinaની વધતી ગતિવિધિઓ વચ્ચે ભારત-જાપાનની મહત્વપૂર્ણ બેઠક, દરિયાઈ સુરક્ષા પર થશે ચર્ચા</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/07SDYgslVOKb7sopMsWoPjrpSWXHjSa7j4psfzUa.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના નરોડામાં હચમચાવનારી ઘટના, ફોન નંબર ન આપતા સગીરાની છેડતી કરી 10મા માળેથી નીચે ફેંકી દીધી ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/shocking-incident-in-naroda-ahmedabad-minor-girl-molested-for-not-giving-her-phone-number-and-thrown-down-from-the-10th-floor</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/shocking-incident-in-naroda-ahmedabad-minor-girl-molested-for-not-giving-her-phone-number-and-thrown-down-from-the-10th-floor</guid><pubDate>Wed, 19 Aug 2026 22:26:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના નરોડા-મુઠિયા વિસ્તારમાં આવેલી 'શ્યામ ઉપવન' ની નવી બની રહેલી કન્સ્ટ્રક્શન સાઇટ પર અત્યંત ચોંકાવનારી અને માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. એક સગીરા સાઇટ પર કામ કરતા પોતાના પિતાને ટિફિન આપવા માટે પહોંચી હતી. ટિફિન આપીને જ્યારે સગીરા પરત જઈ રહી હતી, ત્યારે 10મા માળે ત્રણ અજાણ્યા યુવકોએ તેને અટકાવી હતી. આરોપીઓએ સગીરા પાસે તેનો ફોન નંબર માંગવા માટે દબાણ કર્યું હતું. સગીરાએ નંબર આપવાનો સ્પષ્ટ ઇનકાર કરતાં ત્રણેય આરોપીઓએ ઉશ્કેરાઈને તેના બંને હાથ પકડી લીધા હતા અને તેની સાથે છેડતી કરી હતી.</p><h2 style="text-align: justify; "><b>સગીરા બચવા મથી તો 10મા માળેથી સીડીઓની ખાલી જગ્યામાં નીચે ફેંકી દીધી</b></h2><p style="text-align: justify; ">પોતાની આબરૂ બચાવવા માટે સગીરાએ આરોપીઓના સિકંજામાંથી છૂટવાનો સતત પ્રયાસ કર્યો હતો. જેથી ક્રોધે ભરાયેલા આરોપીઓએ રાક્ષસી મનોવૃત્તિ દર્શાવી સગીરાને ઊંચકીને 10મા માળેથી સીડીઓની વચ્ચે આવેલી લિફ્ટની ખાલી જગ્યામાં નીચે ફેંકી દીધી હતી. 10મા માળેથી સીધી નીચે પટકાતાં સગીરાના મોઢા પર તેમજ શરીરના અલગ-અલગ ભાગોમાં ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચી હતી. શરીરમાં અનેક જગ્યાએ ગંભીર ફ્રેક્ચર થતાં તેને તાત્કાલિક ધોરણે અત્યંત ગંભીર હાલતમાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>રાજસ્થાનના 3 આરોપીઓ સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ</b></h2><p style="text-align: justify; ">આ બર્બર ઘટના અંગે સગીરાના પિતાએ હિંમત દાખવીને નરોડા પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે રાહુલ ડોડીયાર, સુરેશચંદ્ર ચરપોટા અને દિનેશ નીનામા નામના ત્રણ શખ્સો સામે છેડતી, હત્યાનો પ્રયાસ અને પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પ્રાથમિક તપાસમાં આ ત્રણેય આરોપીઓ મૂળ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના રહેવાસી હોવાનું ખુલ્યું છે. નરોડા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને સઘન શોધખોળ હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/idar/mineral-mafia-in-sabarkanthas-poshina-is-rampant-with-the-connivance-of-the-corrupt-system-they-steal-sand-worth-lakhs-in-the-dark-of-night" target="_blank">Sabarkanthaના પોશીનામાં ખનીજ માફિયાઓ બેફામ, ભ્રષ્ટ તંત્રની મિલીભગતથી રાતના અંધારામાં લાખોની રેતી ચોરી</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/i9ECdvElKHRR8bU9Vt5keqjIx2DLv7QkoTI1xnLL.webp'/></item><item><title><![CDATA[Indiaએ પાકિસ્તાનને વર્લ્ડકપમાં 5-3થી હરાવ્યું, 16 વર્ષ પછી રમાઈ આ મેચ ]]></title><link>https://sandesh.com/sports/news/india-beat-pakistan-5-3-hockey-world-cup-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india-beat-pakistan-5-3-hockey-world-cup-2026</guid><pubDate>Wed, 19 Aug 2026 20:52:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">19 ઓગસ્ટ બુધવારે નેધરલેન્ડના એમ્સ્ટેલવીન સ્ટેડિયમ ખાતે હોકી વર્લ્ડકપ 2026ના પૂલ D મેચમાં ભારતે પાકિસ્તાનને 5-3થી હરાવ્યું. 16 વર્ષની લાંબી રાહ બાદ ભારત અને પાકિસ્તાની હોકી ટીમો વચ્ચે વર્લ્ડકપ મેચ રમાઈ હતી.&nbsp;</p><p style="text-align: justify; ">વર્લ્ડકપમાં બંને વચ્ચે છેલ્લી મેચ 2010માં દિલ્હીમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ તે મેચ 4-1થી જીતી હતી. હવે ફરી એકવાર વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને કચડી નાખ્યું. આ સાથે ટીમ ઈન્ડિયા આગળના રાઉન્ડમાં ગઈ અને પાકિસ્તાન ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>બીજો ક્વાર્ટર ખૂબ જ રોમાંચક રહ્યો</b></h2><p style="text-align: justify; ">ભારતે શરૂઆતથી જ મેચ પર પ્રભુત્વ જમાવ્યું હતું. પહેલા ક્વાર્ટરમાં કેપ્ટન હરમનપ્રીત સિંહ (5મી મિનિટ) અને અભિષેક (11મી મિનિટ) ના ગોલને કારણે ટીમ ઈન્ડિયાએ 2-0 ની લીડ મેળવી હતી. બીજો ક્વાર્ટર ખૂબ જ રોમાંચક રહ્યો બંને ટીમોએ 2-2 ગોલ કર્યા. ભારત માટે કેપ્ટન હરમનપ્રીત (21મી મિનિટ) અને અભિષેક (24મી મિનિટ) એ ગોલ કર્યા.&nbsp;</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi</a><br></p><p style="text-align: justify; ">બીજી તરફ પાકિસ્તાન માટે હન્નાન શાહિદ (22મી મિનિટ) અને સુફિયાન ખાન (25મી મિનિટ) એ ગોલ કર્યા. હન્નાને ટીમ માટે ગોલ કર્યો. મેચમાં કુલ 4 ગ્રીન કાર્ડ આપવામાં આવ્યા, 2 ભારતીય ખેલાડીઓને અને 2 પાકિસ્તાની ખેલાડીઓને. બાકીનું યલો કાર્ડ ભારતના આદિત્ય અર્જુનને આપવામાં આવ્યું.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>હાર્દિક સિંહે 35મી મિનિટે પેનલ્ટી કોર્નરથી કર્યો ગોલ</b></h3><p style="text-align: justify; ">બે ક્વાર્ટર પછી ટીમ ઈન્ડિયાએ 4-2 ની લીડ મેળવી લીધી. અડધી મેચ પૂરી થઈ ગઈ હતી અને ભારત આગળ હતું. ત્યારથી, પાકિસ્તાનને જીતવા માટે એક પછી એક ગોલ કરવાની જરૂર હતી, પરંતુ ત્રીજા ક્વાર્ટરમાં વિપરીત થયું. પાકિસ્તાને એક પણ ગોલ કર્યો નહીં, પરંતુ ભારતે એક ગોલ કર્યો. આ ગોલ હાર્દિક સિંહે 35મી મિનિટે પેનલ્ટી કોર્નરથી કર્યો. ત્રણ ક્વાર્ટર પછી ટીમ ઈન્ડિયા પાસે 5-3 ની લીડ હતી.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>ચોથા ક્વાર્ટરમાં પાકિસ્તાને ગોલ કર્યો</b></h4><p style="text-align: justify; ">ચોથા અથવા અંતિમ ક્વાર્ટરમાં પાકિસ્તાને પોતાનો ત્રીજો ગોલ કર્યો, જે શાહિદ હન્નાને 46મી મિનિટે કર્યો. પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું. ત્યારથી પાકિસ્તાન પાસે ફક્ત ઔપચારિકતાઓ જ બાકી હતી. મેચ પહેલાથી જ તેમના હાથમાંથી નીકળી ગઈ હતી.&nbsp;</p><h5 style="text-align: justify; "><b>ભારત આગામી રાઉન્ડમાં પહોંચ્યું, પાકિસ્તાન ટુર્નામેન્ટમાંથી બહાર થયું&nbsp;</b></h5><p style="text-align: justify; ">આ જીત સાથે, ટીમ ઈન્ડિયા આગળના રાઉન્ડમાં આગળ વધી ગઈ. પુલમાં ટીમ ઈન્ડિયાએ તેમની 3માંથી 2 મેચ જીતી અને 6 પોઈન્ટ મેળવીને આગળ વધ્યું. બીજી તરફ પાકિસ્તાન એક પણ જીત મેળવવામાં નિષ્ફળ રહ્યું. ટીમે તેની 3 માંથી 2 મેચ હારી ગઈ, અને બીજી 1 ડ્રો રહી. આ ખરાબ પ્રદર્શનનો અર્થ એ થયો કે ટીમ આગળ વધી શકી નહીં.&nbsp;</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/fBKQMIPhDIy1VTdqGFPlx1AguO4eVjyRBzzilwvy.webp'/></item><item><title><![CDATA[Govinda Divorce : ગોવિંદાથી છૂટાછેડા નહીં લે સુનીતા આહૂજા! સામે આવ્યું ફેમિલી કોર્ટ પહોંચવાનું સાચું કારણ ]]></title><link>https://sandesh.com/entertainment/news/govinda-sunita-ahuja-family-court-divorce-reason</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/govinda-sunita-ahuja-family-court-divorce-reason</guid><pubDate>Wed, 19 Aug 2026 17:57:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અભિનેતા ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહૂજા લાંબા સમયથી પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. બંને વચ્ચેનો અણબનાવ હવે જાહેરમાં પણ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ગોવિંદા અને સુનીતાના છૂટાછેડાને લઈને સમાચાર આવ્યા હતા. એવા અહેવાલ હતા કે સુનીતાએ છૂટાછેડા માટે કેસ કર્યો છે. બુધવારે સુનીતા ફેમિલી કોર્ટની બહાર પણ જોવા મળી હતી. ત્યારથી બંનેના છૂટાછેડાના સમાચારને વધુ વેગ મળ્યો હતો. જોકે, હવે સુનીતા ફેમિલી કોર્ટમાં શા માટે ગઈ હતી તેનું કારણ સામે આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>છૂટાછેડાનો કેસ પાછો લેવા કોર્ટ પહોંચી હતી સુનીતા</b></h2><p style="text-align: justify; ">સુનીતા ફેમિલી કોર્ટમાં છૂટાછેડાનો કેસ પાછો લેવા માટે ગઈ હતી. મીડિયા રિપોર્ટ મુજબ, સુનીતાએ છૂટાછેડાનો કેસ કર્યો હતો અને એ જ કેસ પાછો ખેંચવા માટે તે ફેમિલી કોર્ટ પહોંચી હતી.</p><h3 style="text-align: justify; "><b>ગોવિંદાના મેનેજરે પણ કરી પુષ્ટિ</b></h3><p style="text-align: justify; ">ગોવિંદાના મેનેજર શશી સિંહાએ પણ આ સમાચારની પુષ્ટિ કરી છે. તેણે કહ્યું, એકવાર તે કોર્ટ પહોંચી ગઈ તો આખી દુનિયાને ખબર પડી ગઈ. શું દુનિયાને આ જાણવાની જરૂર હતી? તેની કોઈ જરૂર નથી. પરિવારની વાતો પરિવાર સુધી જ રહેવી જોઈએ. બેસીને વાત કરવાથી ઘણી બાબતો ઠીક થઈ જાય છે. જો આજે કેસ પાછો જ લેવો હતો, તો કેસ કર્યો જ શા માટે હતો? આ વાતનું મને દુઃખ થાય છે. આપણે તમાશો શા માટે બનીએ? બધું ખૂબ અચાનક થયું. ગોવિંદાની કોઈ પ્રતિક્રિયા નથી. ભગવાન સૌને સદબુદ્ધિ આપે. સૌ સમજદારીથી કામ કરે. મેં હંમેશા ગોવિંદા, સુનીતા અને તેમના બાળકો માટે સારું જ કહ્યું છે.</p><h4 style="text-align: justify; "><b>આ ફિલ્મથી ગોવિંદા કમબેક કરી રહ્યા છે</b></h4><p style="text-align: justify; ">ગોવિંદા અને સુનીતા વચ્ચે લાંબા સમયથી અણબનાવ જોવા મળી રહ્યો છે. સુનીતા ગોવિંદા પર અનેક આરોપો પણ લગાવી ચૂકી છે. તેણે ગોવિંદાને સુગર ડેડી પણ કહ્યા હતા. ગોવિંદા રાની સ્વર્ણકાર સાથે એક ફિલ્મમાં કામ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મનું નામ રૂપા છે અને ગોવિંદાએ તેની સત્તાવાર જાહેરાત પણ કરી છે. ગોવિંદા અને રાનીને ઘણી વખત સાથે જોવા મળ્યા છે. તાજેતરમાં બંને એરપોર્ટ પર પણ જોવા મળ્યા હતા.</p><h4 style="text-align: justify; "><b>સુનીતા અને ગોવિંદા વચ્ચે શરૂ થઈ શાબ્દિક જંગ</b></h4><p style="text-align: justify; ">ગોવિંદા અને રાનીને લઈને સુનીતાએ જાહેરમાં પ્રતિક્રિયા આપી હતી. સુનીતાએ કહ્યું હતું કે ફિલ્મનું પ્રમોશન થઈ રહ્યું છે, પરંતુ પ્રમોશન માટે પહેલાં ફિલ્મ તો બને. ફિલ્મ બન્યા પહેલાં જ પ્રમોશન થઈ રહ્યું છે. તેમણે ગોવિંદા પર પોતાની દીકરીની ઉંમરની યુવતી સાથે ફરવાનો આરોપ પણ લગાવ્યો હતો. રાની વિશે વાત કરતાં સુનીતાએ કહ્યું હતું કે જો આટલા પૈસાવાળો માણસ સાથે છે તો કપડાં તો યોગ્ય રીતે પહેરવા જોઈએ.</p><h4 style="text-align: justify; "><b>મર્યાદામાં રહેવું જોઈએ: ગોવિંદા</b></h4><p style="text-align: justify; ">ત્યારબાદ ગોવિંદાએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. ગોવિંદાએ કહ્યું હતું કે સુનીતાએ પોતાની મર્યાદામાં રહેવું જોઈએ. તેમણે કહ્યું હતું કે સુનીતા તેમનું નામ ખરાબ કરવાની કોઈ કસર છોડી રહી નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે ઘણા મોટા કલાકારોએ પોતાના કરતાં નાની ઉંમરની અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે, પરંતુ સુનીતા તેમને બદનામ કરી રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/bigg-boss-contestant-salman-khan-evicted" target="_blank">આ પણ વાંચો-Reality Show : બિગ બોસની એ હસીના જેણે વટાવી હતી બધી હદો, સલમાન ખાને બતાવ્યો હતો ઘરની બહારનો રસ્તો!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/IBsWy1LkI5sHMOcRNZobjP2AsCw8CM4z7PpLYKHz.webp'/></item><item><title><![CDATA[Amazon ને ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા બદલ  ફટકાર્યો 1 લાખનો દંડ, ભગવાનના પ્રસાદના નામે વેચતા હતા મિઠાઇ ]]></title><link>https://sandesh.com/business/news/amazon-fined-selling-fake-ayodhya-ram-mandir-prasad</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/amazon-fined-selling-fake-ayodhya-ram-mandir-prasad</guid><pubDate>Wed, 19 Aug 2026 16:03:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન પર સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ ₹1 લાખનો દંડ ફટકાર્યો છે. એમેઝોનના પ્લેટફોર્મ પર સામાન્ય મીઠાઈઓને "શ્રી રામ મંદિર અયોધ્યા પ્રસાદ" તરીકે વેચવામાં આવી રહી હતી, જેની સામે ઓથોરિટીએ આ કડક પગલું ભર્યું છે.</p><h2 style="text-align: justify; "><b>એમેઝોન પર કરાયું હતુ ભ્રામક લિસ્ટિંગ</b></h2><p style="text-align: justify; ">તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પાસેથી આ નામ હેઠળ પ્રોડક્ટ્સ વેચવા માટે એમેઝોન કે સંબંધિત વિક્રેતાઓ પાસે કોઈ અધિકૃત પરવાનગી નહોતી. ઓથોરિટીના જણાવ્યા અનુસાર, 22 જાન્યુઆરી, 2024 ના રોજ અયોધ્યામાં યોજાયેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઐતિહાસિક પ્રસંગ પૂર્વે જ એમેઝોન પર આવી ભ્રામક લિસ્ટિંગ કરવામાં આવી હતી. આનાથી દેશભરના લાખો ગ્રાહકોની ધાર્મિક આસ્થા અને વિશ્વાસનો ખોટો દુરુપયોગ થયો હતો.</p><h3 style="text-align: justify; "><b>એમેઝોનને ₹1 લાખનો દંડ</b></h3><p style="text-align: justify; ">CCPA એ 19 જાન્યુઆરી, 2024 ના રોજ એમેઝોનને કારણ બતાવો નોટિસ જાહેર કરી હતી, જે બાદ પ્લેટફોર્મે તે લિસ્ટિંગ દૂર કરી દીધી હતી. જોકે, એમેઝોને પોતાને માત્ર એક 'મધ્યસ્થી' (Intermediary) ગણાવીને બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. ઓથોરિટીએ આ દલીલ નકારી કાઢી જણાવ્યું હતું કે એમેઝોન જેવું મોટું પ્લેટફોર્મ આવી ગેરમાર્ગે દોરનારી પ્રોડક્ટ્સને મંજૂરી આપીને ગ્રાહકોના મનમાં તેની વાસ્તવિકતા વિશે ખોટો વિશ્વાસ ઊભો કરે છે. આ લિસ્ટિંગમાંથી 'ચંદુ ટ્રેડિંગ કંપની' નામના વેચનારે ₹25 લાખથી વધુનું વેચાણ કર્યું હતું, જ્યારે એમેઝોને પણ તેમાંથી કમિશન મેળવ્યું હતું.</p><h4 style="text-align: justify; "><b>15 દિવસમાં ₹1 લાખની દંડની રકમ જમા કરવાનો આદેશ</b></h4><p style="text-align: justify; ">ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019 અને ઈ-કોમર્સ નિયમો, 2020 હેઠળ એમેઝોનને દોષિત ઠેરવતા ઓથોરિટીએ 15 દિવસમાં ₹૧ લાખની દંડની રકમ જમા કરાવવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત, ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે CCPA એ દેશના ૧૦ મુખ્ય ધાર્મિક સ્થળો જેમ કે શ્રી રામ જન્મભૂમિ મંદિર, તિરુપતિ બાલાજી, વૈષ્ણો દેવી, કાશી વિશ્વનાથ, જગન્નાથ પૂરી, સોમનાથ, બદ્રીનાથ, કેદારનાથ, દ્વારકાધીશ અને મહાકાલેશ્વરના નામે કોઈપણ પરવાનગી વગર પ્રસાદ કે ભોગનું વેચાણ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. એમેઝોનને વિક્રેતાઓ શ્રેષ્ઠ અને સ્પષ્ટ વિગતો પ્રદર્શિત કરે તેમજ કીવર્ડ-આધારિત કડક ફિલ્ટરિંગ સિસ્ટમ લાગુ કરે તે સુનિશ્ચિત કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/jharkhand-exam-controversy-students-protest-22-exams-cancelled" target="_blank">આ પણ વાંચોઃ Jharkhand : રાંચીમાં વિદ્યાર્થી આંદોલન 2 મહિના માટે સ્થગિત, સરકારને 60 દિવસનું અલ્ટીમેટમ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/dtD6aicHFgoQvQ4GvGTl3HFfECDDeOttAqEVC25G.webp'/></item></channel></rss>