<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Rajkotના પોપટપરા નાળા પાસે 12 લાખની લૂંટ ચલાવનાર 3 આરોપીઓ 14 વર્ષે ક્રાઇમ બ્રાન્ચના હથ્થે ચડ્યા! ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/3-accused-who-looted-rs-12-lakh-near-popatpara-nala-in-rajkot-were-arrested-by-the-crime-branch-after-14-years</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/3-accused-who-looted-rs-12-lakh-near-popatpara-nala-in-rajkot-were-arrested-by-the-crime-branch-after-14-years</guid><pubDate>Mon, 17 Aug 2026 15:29:41 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે વર્ષ 2012માં બનેલી 14 વર્ષ જૂની રૂ.12 લાખની સનસનાટીભરી લૂંટનો સફળતાપૂર્વક ભેદ ઉકેલી નાખ્યો છે. પોપટપરા નાળા પાસે ત્રણ શખ્સો દ્વારા આ લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. લાંબા સમયથી વણઉકેલાયેલા આ ગુનામાં લૂંટારૂઓ વચ્ચે લૂંટની રકમની ગેરવાજબી ભાગબટાઈને લઈને અંદરોઅંદર ઊભો થયેલો વિવાદ જ પોલીસ માટે ગુનાનો ભેદ ઉકેલવામાં મુખ્ય ચાવીરૂપ સાબિત થયો હતો.</p><h2 style="text-align: justify; "><b>અઢી લાખ વધુ લેવાની માથાકૂટ પડી મોંઘી</b></h2><p style="text-align: justify; ">તપાસ દરમિયાન સામે આવ્યું છે કે લૂંટની ઘટના બાદ આરોપી સદામ ઉર્ફે અફઝલે ભાગબટાઈ વખતે પોતાના સાગરીતો કરતાં રૂ. અઢી લાખ વધુ લઈ લીધા હતા. આ વધારાની રકમ બાબતે તેની તેના જ અન્ય બે સાથીદારો રાકેશ ચુડાસમા અને ઈકબાલ શેખ સાથે સતત માથાકૂટ અને તણાવ ચાલી રહ્યો હતો. લૂંટની રકમના ભાગ પાડવા મુદ્દે આરોપીઓ વચ્ચે ચાલતી આ જ આંતરિક અદાવત અને બોલાચાલીની વિગતો પોલીસ સુધી પહોંચી ગઈ હતી.</p><h3 style="text-align: justify; "><b>બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીઓને દબોચ્યા</b></h3><p style="text-align: justify; ">આંતરિક કલહ અંગે મળેલી ચોક્કસ અને સચોટ બાતમીના આધારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક દરોડો પાડીને લૂંટના આ ગુનામાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓ, સદામ ઉર્ફે અફઝલ, રાકેશ ચુડાસમા અને ઈકબાલ શેખની ધરપકડ કરી લીધી છે. વર્ષો જૂના આ કિસ્સામાં આરોપીઓની આખરે ધરપકડ થતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આગળની વધુ તપાસ શરૂ કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/17/e68LMPzqvPktpIxEG55w5tB9RolKEkQRl0gZMJhb.webp'/></item><item><title><![CDATA[Himanshi Khurana દબાણમાં ઈસ્લામ કબૂલવા તૈયાર હતી! આસિમ રિયાઝે પૂજા-પાઠ પર લગાવી હતી રોક! ]]></title><link>https://sandesh.com/entertainment/news/himanshi-khurana-asim-riaz-religion-controversy-bigg-boss</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/himanshi-khurana-asim-riaz-religion-controversy-bigg-boss</guid><pubDate>Mon, 17 Aug 2026 15:26:26 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બિગ બોસ 13માં જોવા મળેલી હિમાંશી ખુરાનાનું આસિમ રિયાઝ સાથે રિલેશન હતું. બંનેએ સાથે એક મ્યુઝિક વીડિયો પણ કર્યો હતો અને થોડા સમય સુધી એકબીજાને ડેટ કર્યા હતા. જોકે, બાદમાં બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. હવે ઘણા વર્ષો બાદ હિમાંશીએ આસિમ રિયાઝ સાથેના બ્રેકઅપ ઉપરાંત પોતાની આસ્થા અને ધર્મ વિશે વાત કરી છે. હિમાંશીએ ક્યાંય આસિમનું નામ લીધું નથી, પરંતુ કહ્યું કે અગાઉના સંબંધમાં તેમના પર એટલું દબાણ બનાવવામાં આવ્યું હતું કે તેઓ ઇસ્લામ સ્વીકારવા માટે તૈયાર થઈ ગયાં હતાં. સંબંધ દરમિયાન તેમની આસ્થા અને પૂજા-પાઠ સામે વાંધો ઉઠાવવામાં આવતો હતો અને તેમને રોકવામાં આવતા હતાં.</p><h3 style="text-align: justify; "><b>હિમાંશીએ પોડકાસ્ટમાં કર્યો મોટો ખુલાસો</b></h3><p style="text-align: justify; ">હિમાંશીએ આ વાત પારસ છાબડાના પોડકાસ્ટમાં કહી હતી. પારસ પણ તેમની સાથે બિગ બોસ 13માં જોવા મળ્યા હતા. હિમાંશી ખુરાનાએ કહ્યું કે એક રાતે ધર્મ અને આસ્થાને લઈને તેમના પર માનસિક દબાણ એટલું વધી ગયું હતું કે તેઓ પોતાને જ સવાલ કરવા લાગ્યા હતાં કે તેમને સળગાવવામાં આવશે કે દફનાવવામાં આવશે. તેમને એવું લાગવા લાગ્યું હતું કે હવે તેઓ વિદાય લેવાના છે અને આ તેમના જીવનનો છેલ્લો દિવસ છે. ત્યારે હિમાંશીએ નક્કી કર્યું હતું કે ધર્મ બદલતા પહેલાં તેમણે તમામ મંદિરો અને ચાર ધામનાં દર્શન કરી લેવા છે.</p><h3 style="text-align: justify; "><b>મને કહેવામાં આવ્યું કે હવે તમે આ બધું નહીં કરી શકો</b></h3><p style="text-align: justify; ">પારસ છાબડાએ જ્યારે હિમાંશીને પૂછ્યું કે સાંભળવા મળ્યું છે કે તમારું ધર્મ પરિવર્તન પણ થવાનું હતું, ત્યારે હિમાંશીએ કહ્યું, છોડો યાર, શું કહેવું છે. એક રાતે એવી ઘટના બની કે મને કહેવામાં આવ્યું કે આ વસ્તુ તમે ત્યાર પછી નહીં કરી શકો. કસમથી મેં મારા મોઢેથી કહ્યું હતું કે તે પહેલાં મારે ચાર ધામ અને તમામ મંદિરોનાં દર્શન પૂરા કરવા છે, કારણ કે ત્યાર પછી હું ક્યારેય મળી નહીં શકું... જાણે હું વિદાય લઈ રહી હોઉં. ત્યાર પછી મારા મનમાં વિચિત્ર વિચારો આવવા લાગ્યા. હું ખૂબ વિચારું છું. હું એવું વિચારવા લાગી કે હું તમારી પ્રાર્થના વાંચીશ તો તમને કેવી રીતે ખબર પડશે કે મારા મનમાંથી ૐ નમઃ શિવાય નથી નીકળી રહ્યું.<br><img alt="Himanshi Khurana Asim Riaz controversy (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/17/SoXFSyrVDBh2C9jzD3ky2EUWey221r4iHuPSdQ8L.webp"><br></p><h3 style="text-align: justify; "><b>મને સવાલ થયો કે મને દફનાવવામાં આવશે કે સળગાવવામાં આવશે?</b></h3><p style="text-align: justify; ">હિમાંશી એ આગળ કહ્યું, મેં કહ્યું કે જ્યારે હું તમારા ભગવાન સામે પણ માથું નમાવીશ ત્યારે આપમેળે મારા મોઢામાંથી વાહેગુરુ જ નીકળશે. આ પણ દગો થયો. હું તેમની સારી વાતો સાંભળતી હતી અને તેમને કહેતી પણ હતી કે હા, આ સારી વાત છે. જ્યારે મેં કહ્યું કે જો હું તમારી દુઆ બોલીશ તો મારા મનમાંથી તો મારી પોતાની જ પ્રાર્થના નીકળશે, ત્યારે મારા મનમાં સવાલ આવ્યો કે મને દફનાવવામાં આવશે કે સળગાવવામાં આવશે. આ સવાલ મારું અંતરમન મને પૂછી રહ્યું હતું. એ મારો ટર્નિંગ પોઇન્ટ હતો.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DcBbXoxsBwr/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DcBbXoxsBwr/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DcBbXoxsBwr/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DcBbXoxsBwr/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h5 style="text-align: justify; "><b>ધર્મ બદલવા માટે તૈયાર થઈ ગઈ હતી હિમાંશી&nbsp;</b></h5><p style="text-align: justify; ">હિમાંશીના જણાવ્યા પ્રમાણે, તેમને કહેવામાં આવ્યું હતું કે હવે પૂજા-પાઠ અને આ બધું નહીં ચાલે. તેમના પર એટલું માનસિક દબાણ બનાવવામાં આવ્યું હતું કે તેઓ ધર્મ બદલવા માટે તૈયાર થઈ ગયાં હતાં. હિમાંશી એ કહ્યું કે કોઈપણ સંબંધમાં ધર્મ બદલવા માટે દબાણ ન બનાવવું જોઈએ. દરેક વ્યક્તિને પોતાની ધાર્મિક ઓળખ અને માન્યતાઓ સાથે જીવવાની આઝાદી હોવી જોઈએ.</p><h5 style="text-align: justify; "><b>હિમાંશી અને આસિમની લવ સ્ટોરી</b></h5><p style="text-align: justify; ">હિમાંશી ખુરાના અને આસિમ રિયાઝ પહેલીવાર બિગ બોસ 13માં મળ્યા હતા. શો દરમિયાન જ બંને એકબીજાને પસંદ કરવા લાગ્યાં હતાં. તેમની નિકટતાની ઘણી ચર્ચા થઈ હતી. ત્યારબાદ શોમાંથી બહાર આવ્યા પછી હિમાંશી અને આસિમે પોતાના સંબંધને જાહેર કર્યો અને એકબીજાને ડેટ કરવા લાગ્યા. જોકે, 2023માં બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. હિમાંશી અને આસિમે તેના કારણ તરીકે અલગ-અલગ ધર્મ અને ધાર્મિક માન્યતાઓને જવાબદાર ગણાવ્યાં હતાં. હિમાંશીએ આસિમ રિયાઝ સાથેની પોતાની ચેટ પણ શેર કરી હતી, જેમાં ધર્મને લઈને બંને વચ્ચે વાતચીત થઈ હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/govinda-viral-video-dancing-thailand-club-sunita-ahuja" target="_blank">આ પણ વાંચો-Govinda : પત્ની લાઇમલાઇટમાં, ગોવિંદાના સિતારા ગર્દિશમાં! થાઈલેન્ડના ક્લબમાં કર્યો ડાન્સ, યુઝર્સે પૂછ્યું- આવી શું મજબૂરી?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/17/eXqPJJjU5gjdfgis4b5zfHVGCvsg8Kqaf7moEFxP.webp'/></item><item><title><![CDATA[Supreme Courtનો આમ આદમી પાર્ટીને આપી રાહત, આપ ગુજરાતના ફેસબુક-ઇન્સ્ટાગ્રામ પેજ બહાલ કરવા મેટાને આદેશ ]]></title><link>https://sandesh.com/india/news/gujarat/sc-directs-meta-restore-aap-gujarat-facebook-instagram-accounts</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/gujarat/sc-directs-meta-restore-aap-gujarat-facebook-instagram-accounts</guid><pubDate>Mon, 17 Aug 2026 15:24:05 +05:30</pubDate><description><![CDATA[<p>આમ આદમી પાર્ટીની ગુજરાત વિંગ માટે દેશની સર્વોચ્ચ અદાલતમાંથી ખૂબ જ મહત્વના અને રાહતરૂપ સમાચાર આવ્યા છે. સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા કંપની મેટાને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, તેઓ 'આપ' ગુજરાતના અધિકૃત ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને તાત્કાલિક સક્રિય કરે. રાજકીય પક્ષોની સોશિયલ મીડિયા પરની ઉપસ્થિતિ અને ડિજિટલ અધિકારો સાથે જોડાયેલા વિવાદમાં આ નિર્ણયને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.</p><h2><b>આપત્તિજનક પોસ્ટ હટાવવાની શરતે મળી વચગાળાની રાહત</b></h2><p>સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી કરતી વખતે આમ આદમી પાર્ટીને વચગાળાની રાહત આપી છે. જોકે, અદાલતે એક શરત પણ મૂકી છે કે, આમ આદમી પાર્ટીએ પોતાના એકાઉન્ટ્સમાંથી તમામ આપત્તિજનક પોસ્ટ હટાવવી પડશે. આપત્તિજનક કન્ટેન્ટ દૂર કરવાની શરત સાથે જ મેટાએ આ બંને સોશિયલ મીડિયા પેજને તાત્કાલિક ધોરણે ફરીથી કાર્યરત કરવાના રહેશે.</p><h2><b>નોટિસ વગર એકાઉન્ટ બ્લોક કરવાનો 'આપ'નો આક્ષેપ</b></h2><p>આ અગાઉ આમ આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને મેટાની કાર્યવાહીને પડકારી હતી. અરજીમાં પાર્ટીએ રજૂઆત કરી હતી કે, મેટાએ ગુજરાત યુનિટના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ કોઈપણ પૂર્વ નોટિસ કે ચેતવણી આપ્યા વિના જ સીધા બ્લોક કરી દીધા હતા. આમ આદમી પાર્ટીએ તેને ભારતીય બંધારણ દ્વારા આપવામાં આવેલા અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકારનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવ્યું હતું.</p><h2><b>અન્ય કેસો સાથે જોડાઈને આગળ પણ સુનાવણી ચાલુ રહેશે</b></h2><p>આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે આ અરજીને સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોકિંગ સંબંધિત અન્ય કેસો સાથે જોડી દીધી છે. કોર્ટે મેટાને પેજ તાત્કાલિક સક્રિય કરવાનો નિર્દેશ આપ્યો છે, જ્યારે આ વિષય સાથે જોડાયેલા કાનૂની મુદ્દાઓ પર મુખ્ય કેસની સાથે આગળ પણ સુનાવણી હાથ ધરવામાં આવશે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/5-rain-systems-active-in-gujarat-heavy-to-very-heavy-rains-forecast-for-next-two-days" target="_blank">Gujaratમાં 5 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/17/IONBpZVDd4k0SqITc0cJzb4LgCPSDSDXNsPM6Ysx.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: HCમાં 19 ન્યાયાધીશોની ઘટથી કેસોનું ભારણ વધ્યું, દૂરના જિલ્લાના અસીલો હેરાન થતાં વકીલ મંડળે યોજી બેઠક ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-high-court-judges-shortage-19-vacancies-yatin-ojha-ghaa-demand</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-high-court-judges-shortage-19-vacancies-yatin-ojha-ghaa-demand</guid><pubDate>Mon, 17 Aug 2026 15:23:32 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયાધીશોની ઉપલબ્ધ સંખ્યા સામે ખાલી પડેલી જગ્યાઓને કારણે અદાલતી કામગીરી પર ભારે વિપરીત અસર પડી રહી છે. આ ગંભીર પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિએશન (GHAA) ની એક મહત્વપૂર્ણ બેઠક અમદાવાદ ખાતે યોજાઈ હતી. બેઠકમાં વકીલ મંડળના આગેવાનોએ હાઇકોર્ટમાં ન્યાયાધીશોની ઘટ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.</p><h2><b>હાઇકોર્ટમાં ન્યાયાધીશોની ઘટ અંગે ચિંતા</b></h2><p>GHAA ના પ્રમુખ અને સિનિયર એડવોકેટ યતીન ઓઝાએ જણાવ્યું હતું કે, હાલ હાઇકોર્ટની દરેક કોર્ટમાં દરરોજ 500 થી 600 કેસો લિસ્ટ કરવામાં આવે છે. જજની સંખ્યા ઓછી હોવાને કારણે આટલી મોટી સંખ્યામાં કેસોનું બોર્ડ પર આવવું અને તેના પર સુનાવણી થવી વ્યવહારિક રીતે શક્ય બનતી નથી.ન્યાયાધીશોની અછતના કારણે સૌથી વધુ માાઠી અસર દૂર-દૂરના જિલ્લાઓમાંથી ન્યાયની આશાએ આવતા અસીલો (અરજદારો) પર પડી રહી છે. કચ્છ, વલસાડ, ડાંગ અને સૌરાષ્ટ્ર જેવા અંતરિયાળ વિસ્તારોમાંથી ભાડાં ખર્ચીને અમદાવાદ હાઇકોર્ટ આવતા નાગરિકોના કેસોનો વારો ન આવતાં તેમને તારીખ પે તારીખ મેળવીને પરત ફરવું પડે છે.</p><h3><b>ન્યાયાધીશોની 19 જગ્યાઓ ખાલી</b></h3><p>હાલ ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયાધીશોની મંજૂર થયેલી સંખ્યામાંથી 19 જગ્યાઓ ખાલી છે, જેને તત્કાળ અસરથી ભરવામાં આવે. સમયસર સુનાવણી ન થવાને કારણે અસીલોનો સમય અને આર્થિક સંસાધનો વેડફાઈ રહ્યા છે.સુપ્રીમ કોર્ટ કોલેજિયમ અને કેન્દ્રીય કાયદા મંત્રાલય દ્વારા તાત્કાલિક નવા જજની નિમણૂક પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તેવી માગ કરાઈ છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/5-rain-systems-active-in-gujarat-heavy-to-very-heavy-rains-forecast-for-next-two-days" target="_blank">આ પણ વાંચો: Gujaratમાં 5 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/17/NvnQV2a4N29mZTtArl5J1AUJt4EKcgwie80oW76Q.webp'/></item><item><title><![CDATA[UPI:  નાના દુકાનદારો છે યુપીઆઈના અસલી હીરો, ડિજિટલ પેમેન્ટ પર આવ્યો સરકારનો રિપોર્ટ! ]]></title><link>https://sandesh.com/business/news/94-percentage-of-small-shopkeepers-in-india-now-use-upi--govt-report</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/94-percentage-of-small-shopkeepers-in-india-now-use-upi--govt-report</guid><pubDate>Mon, 17 Aug 2026 15:22:05 +05:30</pubDate><description><![CDATA[<p>UPI: આજે ભલે તમે ₹૧૦ કપ ચા પી રહ્યા હોવ, ₹૫૦ ની કિંમતની શાકભાજી ખરીદી રહ્યા હોવ, કે સ્થાનિક દુકાનમાંથી કરિયાણાની ખરીદી કરી રહ્યા હોવ, રોકડ ઉપાડવાની જરૂર નથી. તમારે ફક્ત દુકાનની બહાર લગાવેલો એક નાનો QR કોડ સ્કેન કરવો પડશે અને ચુકવણી કરવામાં આવશે. નાના દુકાનદારો, શેરી વિક્રેતાઓ, ચા વેચનારાઓ અને કરિયાણાના વેપારીઓએ દેશભરમાં ડિજિટલ ચુકવણીની આ આદતને પ્રોત્સાહન આપવામાં મોટા મોલ અને કોર્પોરેશનો કરતાં વધુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. એક સરકારી અભ્યાસમાં હવે આ વલણની પુષ્ટિ કરતો ડેટા બહાર આવ્યો છે. અહેવાલ મુજબ, સર્વે કરાયેલા 94 ટકા નાના દુકાનદારોએ UPI અપનાવ્યું છે.</p><h4><b>કેટલા દુકાનદારોએ UPI અપનાવ્યું છે?</b></h4><p>નાણા મંત્રાલય હેઠળના નાણાકીય સેવાઓ વિભાગે આ વર્ષના ફેબ્રુઆરીમાં આ અહેવાલ બહાર પાડ્યો હતો. RuPay ડેબિટ કાર્ડ અને ઓછા મૂલ્યના BHIM-UPI વ્યક્તિ-થી-વેપારી વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ સરકારી પ્રોત્સાહન યોજનાની અસરનું મૂલ્યાંકન કરવા માટે આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. તેમાં 15 રાજ્યોમાં 10378 વ્યક્તિઓને આવરી લેવામાં આવ્યા હતા, જેમાં 6167 વપરાશકર્તાઓ, 2199 વેપારીઓ અને 2012 સેવા પ્રદાતાઓનો સમાવેશ થાય છે.</p><p><br></p><p>અહેવાલ દર્શાવે છે કે સર્વે કરાયેલા 94 ટકા નાના વ્યવસાય માલિકોએ UPI અપનાવ્યું છે. આ દર્શાવે છે કે UPI હવે શહેરોમાં દુકાનદારો સુધી મર્યાદિત નથી; નાના ચાના સ્ટોલ માલિકોથી લઈને રસ્તાની બાજુમાં શાકભાજી વેચનારાઓ સુધી દરેક વ્યક્તિ તેનો ઉપયોગ કરી રહ્યા છે.</p><h4><b>શું ફાયદા છે?</b></h4><p>સરકારી અભ્યાસ મુજબ, ડિજિટલ ચુકવણી અપનાવનારા 72 ટકા દુકાનદારો ખૂબ સંતુષ્ટ છે. તેમણે ઝડપી વ્યવહારો, રેકોર્ડ રાખવાની સરળતા અને તેમના વ્યવસાય ચલાવવામાં વધુ સુવિધાને મુખ્ય ફાયદા ગણાવ્યા. 57  ટકા દુકાનદારોએ ડિજિટલ ચુકવણી અપનાવ્યા પછી વેચાણમાં વધારો નોંધાવ્યો હતો. જોકે, અહેવાલમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે વેચાણમાં આ વધારો ફક્ત UPIને આભારી નથી. નાના વ્યવસાય માલિકો દ્વારા કરવામાં આવતા દરેક વ્યવહાર માટે ડિજિટલ રેકોર્ડ બનાવવામાં આવે છે. ગ્રાહક પાસે રોકડનો અભાવ હોય તો પણ વેચાણ અટકતું નથી અને દુકાનદારોને નાના પૈસાની ઉપલબ્ધતા અંગે ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.</p><p><br></p><h4><b>કઈ યોજનાએ સહાય પૂરી પાડી?&nbsp;</b></h4><p>નાના દુકાનદારો સુધી UPI પહોંચાડવામાં ફક્ત QR કોડની સુવિધા જ મદદ કરી નથી. સરકારે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે નાણાકીય વર્ષ 2021-22 માં એક પ્રોત્સાહન યોજના શરૂ કરી હતી. જેનો સમયગાળો નાણાકીય વર્ષ 2024-25 સુધી લંબાવવામાં આવ્યો હતો. સરકારી અહેવાલ મુજબ, આવા પ્રોત્સાહનોએ ચુકવણી ઇકોસિસ્ટમમાં દુકાનદારો અને બેંકો માટે ખર્ચ અવરોધો ઘટાડવામાં મદદ કરી, નવા વેપારીઓને ઓનબોર્ડ કરવામાં મદદ કરી અને ડિજિટલ પેમેન્ટમાં વિશ્વાસ વધાર્યો.</p><p><br></p><h4><b>કેટલા મિલિયન QR કોડ?</b></h4><p>જેમ જેમ UPI ની પહોંચ વિસ્તરી છે, તેમ તેમ તેનું માળખાગત સુવિધા ઝડપથી વિકસ્યું છે. સરકારી અહેવાલો દર્શાવે છે કે પ્રોત્સાહન યોજના દરમિયાન, UPI QR કોડની સંખ્યા 93 મિલિયનથી વધીને આશરે 658 મિલિયન થઈ ગઈ છે. UPI નેટવર્ક પર કાર્યરત બેંકોની સંખ્યા માર્ચ 2021 માં 216 થી વધીને માર્ચ 2025 સુધીમાં 661 થઈ ગઈ. તૃતીય-પક્ષ એપ્લિકેશન પ્રદાતાઓની સંખ્યા પણ 16 થી વધીને 38 થઈ ગઈ.</p><p><br></p><h4><b>70 મિલિયન વેપારીઓ માટે ડિજિટલ ચુકવણી</b></h4><p>UPIના વધતા અપનાવણનો અંદાજ આંકડાઓના બીજા સમૂહ પરથી પણ લગાવી શકાય છે. NPCI અને બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપના એક અહેવાલમાં જણાવાયું છે કે સાઉન્ડબોક્સ અને ઇન્ટરઓપરેબલ QR કોડ્સે આશરે 65 થી 70 મિલિયન વેપારીઓને ડિજિટલ ચુકવણી ક્ષેત્રમાં લાવવામાં મદદ કરી છે. આમાંની નોંધપાત્ર સંખ્યામાં રસ્તાની બાજુના વિક્રેતાઓ, ચાની દુકાનો અને પડોશની કરિયાણાની દુકાનોનો સમાવેશ થાય છે. એટલે કે UPI ની કહાણી ફક્ત PhonePe, Google Pay અથવા Paytm જેવી એપ્લિકેશનો સુધી મર્યાદિત નથી. તે નાના દુકાનદારને પણ આવરી લે છે જેમણે તેમની દુકાન પર QR કોડ પ્રદર્શિત કર્યો હતો, જેનાથી ડિજિટલ ચુકવણી રોજિંદા વ્યવહારોનો એક ભાગ બની ગઈ છે.</p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/twisha-sharma-death--cbi-says-suicide-in-636-page-chargesheet--fir-against-husband--mother-in-law" target="_blank"><b>Twisha Sharmaના મોત પરથી ઉઠ્યા પડદો! હત્યા કે આત્મહત્યા... CBIની ચાર્જશીટમાં મોટો ખુલાસો</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/17/AdhIWyo43IR8flfIl7UBBIPuDSH8iGpgF8FZmcBB.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના નરોડામાં SMCની ટીમે દરોડો પાડી રૂ.10.97 લાખનો દારૂનો જથ્થો કર્યો જપ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/smc-team-raids-naroda-ahmedabad-seizes-liquor-worth-rs-10-97-lakh</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/smc-team-raids-naroda-ahmedabad-seizes-liquor-worth-rs-10-97-lakh</guid><pubDate>Mon, 17 Aug 2026 15:13:02 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરના નરોડા GIDC ફેસ-1 વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) ની ટીમે ચોક્કસ બાતમીના આધારે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. SMCની ટીમે અમી એન્ટરપ્રાઈઝ સામે આવેલી એક અવાવરૂ જગ્યા પર અચાનક દરોડો પાડ્યો હતો. આ સફળ રેડ દરમિયાન સ્થળ પરથી સંતાડવામાં આવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) અને બીયરનો મોટો જથ્થો ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે.</p><h2 style="text-align: justify; "><b>71 પેટીઓમાંથી 2,628 બોટલ દારૂ-બીયર જપ્ત</b></h2><p style="text-align: justify; ">પોલીસના દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી કુલ 71 જેટલી પેટીઓ મળી આવી હતી, જેમાં તપાસ કરતા 2,628 બોટલ દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો. SMC દ્વારા ઝડપાયેલા દારૂની કિંમત આશરે રૂ.10.97 લાખ અંકાયા છે. આ ઉપરાંત, ગુનામાં વપરાયેલા અન્ય સાધનો અને વાહનો મળીને પોલીસે કુલ રૂ.32.57 લાખનો મત્તાનો મુદ્દામાલ સ્થળ પરથી સીઝ કરીને જપ્ત કર્યો છે.</p><h3 style="text-align: justify; "><b>મુખ્ય સાગરીતો સહિત 6 આરોપીઓ વોન્ટેડ જાહેર</b></h3><p style="text-align: justify; ">દરોડા દરમિયાન મુખ્ય આરોપી મો. હારૂન જબ્બરભાઈ શેખ (રહે. પંડીતજીની ચાલી, નરોડા પાટીયા) ને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ સિવાય અન્ય એક નામી આરોપી મુકેશ ઉર્ફે મુકો શુટર રમેશજી વાઘેલા પણ આ ગુનામાં વોન્ટેડ જાહેર થયો છે. દરોડા સમયે સ્થળ પરથી અન્ય 4 આરોપીઓ ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. આ સમગ્ર મામલે કુલ 6 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી નરોડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/17/xLxw7jd1zVDgOEfBjDz3LvT1yoVpTU6pkWixLO37.webp'/></item><item><title><![CDATA[Mumbai: ચર્ચગેટ પાસેની ઇન્કમ ટેક્સ ઓફિસમાં આગ, ફાયર બ્રિગેડની 12 ગાડીઓ હાજર ]]></title><link>https://sandesh.com/india/news/mumbai-fire-breaks-out-at-churchgate-income-tax-office-12-fire-brigade-vehicles-present</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/mumbai-fire-breaks-out-at-churchgate-income-tax-office-12-fire-brigade-vehicles-present</guid><pubDate>Mon, 17 Aug 2026 15:06:04 +05:30</pubDate><description><![CDATA[<p>મુંબઇમાં&nbsp; ચર્ચગેટ રેલ્વે સ્ટેશનની સામે આવેલી આવકવેરા વિભાગની ઓફિસમાં ભીષણ આગ લાગી છે. આગ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર લાગી હતી. જેના કારણે આસપાસના વિસ્તારમાં ગાઢ ધુમાડો ફેલાઈ ગયો હતો. ઘટનાના સમાચાર મળતાં જ 12 ફાયર ટેન્ડર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગને કાબુમાં લેવાના પ્રયાસો ઝડપથી ચાલુ છે.</p><h2><b>ચર્ચગેટ પાસે ઇન્કમ ટેક્સ ઓફિસમાં આગ લાગી&nbsp;</b></h2><p>મુંબઈમાં ચર્ચગેટ રેલ્વે સ્ટેશનની સામે આવેલી આવકવેરા વિભાગની ઓફિસમાં સોમવારે ભીષણ આગ લાગી હતી. આગ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરથી શરૂ થઈ હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગાઢ ધુમાડો ફેલાઈ ગયો હતો. આગની સૂચના મળતા જ આઠ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે દોડી ગયા હતા અને હાલમાં આગને કાબુમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે. </p><h3><b>કર્મચારીઓને ધાબે જવાની સૂચના આપી&nbsp;</b></h3><p>આગ ફાટી નીકળ્યા બાદ, બિલ્ડિંગમાં ફસાયેલા કર્મચારીઓને બહાર કાઢવા માટે મોટા પાયે કામગીરી શરૂ કરવામાં આવી હતી; અત્યાર સુધી, ફાયર વિભાગે બે કર્મચારીઓને સફળતાપૂર્વક બચાવી લીધા છે. બાકીના કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે, અને ફાયર બ્રિગેડે અંદર ફસાયેલા લોકોને છત પર જવા સૂચના આપી છે.</p><p><br></p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ians_india/status/2089280362350518529"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/17/11AeihxZeY9RMaOQCSbOmEh2dB1x01BbjYS5pZ7p.webp'/></item><item><title><![CDATA[Botadના હિરા બજારમાંથી રૂ.5 કરોડના ડાયમંડની ચોરી મામલે પોલીસે 3 આરોપીઓની કરી ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/botad/diamonds-worth-rs-5-crore-stolen-from-botads-diamond-market-accused-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/botad/diamonds-worth-rs-5-crore-stolen-from-botads-diamond-market-accused-arrested</guid><pubDate>Mon, 17 Aug 2026 14:03:41 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોટાદના નામચીન હિરા બજારમાં એક ડાયમંડ ચોરીનો મામલો સામે આવ્યો છે. હિરા બજારમાં રૂ.5 કરોડના હિરાની ચોરીનો બનાવ બન્યો છે. બાવળા પોલીસ અને એલસીબીની ચાંપતી નજરથી આ હિરા ચોરીને અંજામ આપનાર આરોપીઓને દબોચી લેવાયા છે. </p><p style="text-align: justify; ">બોટાદના હિરા બજારમાં એક બે નહિં પરંતુ રૂ.5 કરોડના હિરાની ચોરીને અંજામ આપ્યો હતો. પરંતુ ખાખી વર્દીની બાજ નજર સામે ચોરોની ચાલાકી ન ચાલી. આ ચોરીના બનાવથી બનેલી આ ચકચારી ઘટના સામે પોલીસ તથા એલસીબીએ લાલ આંખ કરી કડક કાર્યવાહી કરી.</p><h2 style="text-align: justify; "><b>બાતમીના આધારે પોલીસે કરી કાર્યવાહી</b></h2><p style="text-align: justify; ">તેમજ બાતમીના આધારે પોલીસે આ રૂ.5 કરોડોના હિરાની ચોરી કરનાર 3 આરોપીઓને રંગેહાથ પકડવાની એક યોજના બનાવી. જેમાં પોલીસ કામયાબ રહી અને ચોરોની અટકાયત કરી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી તેમને જેલ ભેગા કરવામાં આવ્યા છે. </p><p style="text-align: justify; ">બાવળા પોલીસ અને એલસીબીએ 5 કરોડના હિરા સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે. હાલ આ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.તેમજ આરોપીઓની ધરપકડ કરી આગળની તપસા હાથ ધરહી છે. પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે કે આ ચોરીની ઘટનામાં હજુ કોણ સંડોવાયેલુ છે. તથા આગળ કઈ ઘટનાને અંજામ આપવાના હતા.</p><h3 style="text-align: justify; "><b>5 કરોડના હિરાની ચોરીનો ભેદ ઉકેલાયો</b></h3><p style="text-align: justify; ">જોકે, આ 5 કરોડના ચોરી કરેલા હિરાને કઈ જગ્યાએ વેંચવાના હતા કે શું તેની આગળ તપાસ કરી રહી છે. આગળ કેટલી ગુનાખોરીને અંજામ આપી ચૂક્યા છે અને આપવાના હતા તેની પણ તપાસ કરી રહી છે.હાલ બાવળા પોલીસ અને એલસીબી સતર્કતાથી 5 કરોડના હિરા સાથે 3 આરોપીઓની ધરપકડ કરી તેઓને જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank" style="background-color: rgb(255, 255, 255);">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/17/CDUQFG2peMXUkSghHEb8qdKNczUFrxmVfIrISKUy.webp'/></item><item><title><![CDATA[Mehsana News : GSRTC ની NOC વગર જ દોડી રહી છે 25 સિટી બસો, GSRTC અને મનપા સામસામે ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/mehsana-corporation-city-bus-service-running-without-gsrtc-noc</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/mehsana-corporation-city-bus-service-running-without-gsrtc-noc</guid><pubDate>Mon, 17 Aug 2026 13:06:08 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મહેસાણા મહાનગરપાલિકાની એક અત્યંત ગંભીર અને ચોંકાવનારી બેદરકારી સામે આવી છે, જેના કારણે શહેરના લાખો મુસાફરોના જીવ જોખમમાં મુકાયા છે. મહેસાણામાં ચાલતી સિટી બસ સેવા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) પાસેથી જરૂરી એનઓસી (NOC) લીધા વગર જ બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું હોવાનો ખુલાસો થતાં ભારે વિવાદ સર્જાયો છે. આ મુદ્દે હવે મનપા અને એસટી વિભાગ સામસામે આવી ગયા છે.</p><h2 style="text-align: justify; "><b>ઓગસ્ટ 2021થી શહેરમાં સિટી બસ સેવા શરૂ કરવામાં આવી</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, ઓગસ્ટ 2021થી શહેરમાં સિટી બસ સેવા શરૂ કરવામાં આવી હતી. અગાઉ જ્યારે નગરપાલિકા હતી ત્યારે માત્ર 8 રૂટ માટે જ NOC મેળવવામાં આવી હતી.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>15 રૂટ પર 25 જેટલી સિટી બસોની એનઓસી નથી</b></h3><p style="text-align: justify; ">જોકે, નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ સીમાડા વધતાં મનપાએ સિટી બસના રૂટ વધારીને 15 કરી દીધા હતા. નિયમ મુજબ રૂટ વધારતા પહેલાં એસટી વિભાગ અને RTO ની પૂર્વ મંજૂરી કે NOC લેવી ફરજિયાત હોય છે, પરંતુ મનપા દ્વારા કોઈ જ મંજૂરી લેવામાં આવી નથી. હાલમાં 15 રૂટ પર 25 જેટલી સિટી બસો બિનઅધિકૃત રીતે દોડી રહી છે.</p><h4 style="text-align: justify; "><b>મનપાને પત્ર લખીને ખુલાસો માંગવામાં આવ્યો&nbsp;</b></h4><p style="text-align: justify; ">આ અંગે GSRTC ના અધિકારી હેતલ પટેલે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, એસટી નિગમના ધ્યાને આ બાબત આવતાં જ મનપાને લેખિતમાં પત્ર લખીને ખુલાસો માંગવામાં આવ્યો હતો અને વારંવાર રજૂઆતો પણ કરાઈ હતી. તેમ છતાં મનપાએ વધારાના રૂટ માટે કોઈ NOC લીધું નથી. વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતાને મુશ્કેલી ન પડે તે માટે હાલ પૂરતી સેવા ચાલુ રખાઈ છે, પરંતુ સમય જતાં આ બસ સેવા બંધ કરવાની ફરજ પડી શકે છે.</p><h5 style="text-align: justify; "><b>ડ્રાઇવરો તાલીમબદ્ધ છે કે નહીં તે સામે પણ સવાલો&nbsp;</b></h5><p style="text-align: justify; ">NOC વગર દોડતી આ બસોના ડ્રાઇવરો તાલીમબદ્ધ છે કે નહીં તે સામે પણ સવાલો ઊભા થયા છે. ભવિષ્યમાં જો કોઈ મોટી અકસ્માત કે હોનારત સર્જાશે તો તેની જવાબદારી કોની રહેશે તે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">&nbsp;આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/patan/patan-radhanpur-folk-singer-kinjal-rabari-marriage-mukesh-rabari" target="_blank"> <b>Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન</b></a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/17/0EDoTgr7DH631gNo790ONHReXyNPT13mSjJssk7H.webp'/></item><item><title><![CDATA[Hockey World Cupમાં ભારતીય વિમેન્સ ટીમની મજબૂત શરૂઆત, ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા ચીનને 2-2થી ડ્રો પર રોક્યું ]]></title><link>https://sandesh.com/sports/news/india-women-vs-china-hockey-world-cup-draw</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india-women-vs-china-hockey-world-cup-draw</guid><pubDate>Sun, 16 Aug 2026 22:19:07 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હોકી વર્લ્ડકપમાં પહેલી જ મેચમાં ભારતીય મહિલા ટીમે દર્શાવ્યું કે આ વખતે તેમનું ધ્યાન ફક્ત ભાગ લેવા પર નહીં, પરંતુ મોટી ટીમોને પડકારવા પર છે. કેપ્ટન સલીમા ટેટેના નેતૃત્વમાં ભારતીય ટીમે 16 ઓગસ્ટના રોજ એમ્સ્ટલવીનના વેગનર હોકી સ્ટેડિયમ ખાતે ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા ચીનને 2-2 થી ડ્રો કરીને ટુર્નામેન્ટમાં મજબૂત શરૂઆત કરી.&nbsp;</p><p style="text-align: justify;">ભારત માટે નવનીત અને દીપિકાએ ગોલ કર્યા. ભારતીય ટીમે 2 વાર લીડ લીધી, પરંતુ ચીને દરેક વખતે સ્કોર બરાબર કરવા માટે વળતો પ્રહાર કર્યો. અંતિમ ક્વાર્ટરમાં બંને ટીમોએ નિર્ણાયક ગોલ કરવાનો બેસ્ટ પ્રયાસ કર્યો, પરંતુ કોઈ પણ સફળ થયું નહીં, અને મેચ ડ્રોમાં સમાપ્ત થઈ. અગાઉ ભારતીય પુરુષ ટીમે વેલ્સને હરાવીને તેમના ટુર્નામેન્ટ અભિયાનની શરૂઆત જીત સાથે કરી હતી.</p><h2 style="text-align: justify;"><b>નવનીતે શરૂઆતની લીડ લીધી</b></h2><p style="text-align: justify;">ભારતે મેચની શરૂઆત આક્રમક રીતે કરી. પાંચમી મિનિટમાં લાલરેમસિયામીએ ભારત માટે પેનલ્ટી કોર્નર મેળવ્યો. નવનીતે શોટ લીધો, પરંતુ ચીનના ડિફેન્સે તેને રોકી દીધો. પરંતુ 3 મિનિટ પછી ભારતે પોતાનો ગોલ નોંધાવ્યો. આઠમી મિનિટમાં, નવનીતે નેહાના શાનદાર પાસ પર ગોલ કરીને ભારતને 1-0ની લીડ અપાવી. ભારતની લીડ લાંબો સમય ટકી ન શકી. શિલ્પી દહિયાને સર્કલની અંદર ફાઉલ કરવામાં આવી, જેના કારણે ચીનને પેનલ્ટી સ્ટ્રોક મળ્યો. ઝાંગ યિંગે તકનો લાભ લઈને સ્કોર 1-1 કર્યો.</p><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/TheHockeyIndia/status/2088970225396158718"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3 style="text-align: justify;"><b>ભારતીય ટીમે હાફ ટાઈમ સુધી લીડ મેળવી લીધી</b></h3><p style="text-align: justify;">બીજા ક્વાર્ટરમાં ભારતે ફરીથી દબાણ બનાવવાનું શરૂ કર્યું. 21મી મિનિટે ભારતે પેનલ્ટી કોર્નર મેળવ્યો, પરંતુ તેને કન્વર્ટ કરવામાં નિષ્ફળ ગઈ. 4 મિનિટ પછી દીપિકાએ જમણી બાજુથી એક શાનદાર મૂવ કર્યો, જેનાથી ભારતને બીજો પેનલ્ટી કોર્નર મળ્યો. આ વખતે દીપિકાએ કોઈ ભૂલ કરી નહીં, ડ્રેગ-ફ્લિકથી બોલને નેટમાં મોકલ્યો. પરંતુ બોલ ચીની ડિફેન્ડરને વાગ્યો હતો અને નેટમાં ગયો હતો, તેથી વીડિયો એમ્પાયરે તેને ચેક કર્યો. ગોલ માન્ય જાહેર કરવામાં આવ્યો, અને ભારત 2-1થી આગળ રહ્યું. હાફટાઈમ સુધી સ્કોર યથાવત રહ્યો.</p><h4 style="text-align: justify;"><b>ત્રીજા ક્વાર્ટરમાં ચીને જોરદાર વાપસી કરી</b></h4><p style="text-align: justify;">બીજા હાફમાં ચીને પોતાની ગતિ વધારી. ત્રીજા ક્વાર્ટરમાં ભારતીય ડિફેન્સ પર સતત દબાણ રહ્યું. ચીનના પ્રયાસો આખરે 39મી મિનિટે બરાબરી કરી, જ્યારે મા નિંગે પેનલ્ટી કોર્નરને ગોલ કરીને સ્કોર 2-2ની બરાબરી પર લાવી દીધો. ત્યારબાદ ચીને ઘણા એટેક શરૂ કર્યા, પરંતુ ભારતીય ડિફેન્સે સંયમ જાળવી રાખ્યો અને ત્રીજા ક્વાર્ટરના બાકીના સમય માટે બીજો ગોલ અટકાવ્યો.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/U40HlMQclc0GyUPsH4USiiAd1q02JPtS2DXLB6KW.webp'/></item></channel></rss>