<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Godhra: રાજકોટ સિવિલના ડૉ. રામાણી આજે ઘોંઘબાના વાવકુંડલી ખાતે ચાર્જ લેશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/godhra/godhra-dr-ramani-of-rajkot-civil-will-take-charge-at-ghonghba-vavkundli-today</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/godhra/godhra-dr-ramani-of-rajkot-civil-will-take-charge-at-ghonghba-vavkundli-today</guid><pubDate>Mon, 24 Aug 2026 01:24:49 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટની PDU સિવિલ હોસ્પિટલના સિનિયર મેડિકલ ઓફ્સિર ડો.અશ્વિન રામાણી એ જુનિયર મહિલા રેસિડેન્ટ ડોક્ટરને દર્દીની સારવાર અને વોર્ડમાં ખસેડવા બાબતે થયેલી બોલાચાલી દરમિયાન અપશબ્દો કહી લાફો ઝીંકી દેવામાં આવ્યો હતો.અને રીતસરની મારામારી કરવામાં આવી હતી.</p><p>જેની પોલીસ ફરિયાદ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે ફોજદારી ફરિયાદ નોંધી તેઓની અટકાયત કરી હતી. આ ગંભીર શિસ્તભંગ અને વિવાદ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ સમક્ષ આવતા જ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે તુરંત જ ડો.અશ્વિન રામાણી ની બદલી પંચમહાલ જિલ્લાના ઘોંઘબા તાલુકાના વાવકુંડલી ગામના PHC ખાતે કરવામાં આવી છે.</p><p>આ અંગે વધુ વિગતો જાણવા માટે પંચમહાલ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ.વિપુલભાઈ ગામીત સાથે ટેલિફોનિક વાતચીત કરતાં તેઓએ જણાવ્યું હતું કે ડૉ.અશ્વિન રામાણી કે જેઓ સોમવારે તા.24.8.2026 ના રોજ પ્રથમ DDO સમક્ષ હાજર થયા બાદ અમારે ત્યાં મૂવમેન્ટઆદેશ લેવા આવશે. જેઓ પંચમહાલ જિલ્લાના ઘોંઘબા તાલુકાના વાવકુંડલી ગામના PHC ખાતે મેડિકલ ઓફ્સિરતરીકે ફરજ ઉપર હાજર થશે.</p><p>રાજકોટ જેવો બનાવ પંચમહાલમાં બનશે તો અને કોઈ ફરિયાદ નોંધાશે તો તે બાબતે પૂછતા ડો .વિપુલ ગામીતે જણાવ્યું હતું કે તેઓનો ભૂતકાળ કે વર્તમાન બાબતે અમને કઈ ખબર નથી. આવી ફરિયાદ બાબતે અમને ટીવી ન્યૂઝ ચેનલ અને અખબારોમાં સમાચારના માધ્યમથી જ જાણવા મળ્યું છે.પંચમહાલ જિલ્લામાં પરિસ્થિતિ મુજબ વર્તવું પડશે</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/q8GDcGWVhWdkEbBrJLe5o74Y5URY3qjkrTfMLLXo.webp'/></item><item><title><![CDATA[Mahisagar: પાનમ નદીના તટ પર બિરાજમાન સ્વયંભૂ તપેશ્વર મહાદેવ મંદિર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/mahisagar/mahisagar-swayambhu-tapeshwar-mahadev-temple-situated-on-the-banks-of-the-panam-river</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/mahisagar/mahisagar-swayambhu-tapeshwar-mahadev-temple-situated-on-the-banks-of-the-panam-river</guid><pubDate>Mon, 24 Aug 2026 01:24:04 +05:30</pubDate><description><![CDATA[<p>મહીસાગર જિલ્લાના લુણાવાડા નજીકના ચોપડા ગામથી માત્ર બે કિ.મી. દૂર, કુદરતના ખોળે અને પાનમ નદીના પવિત્ર તટે સ્વયંભૂ તપેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ઘટાદાર વૃક્ષો વચ્ચે વસેલું આ ધામ લાખો શ્રદ્ધાળુઓની ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતીક છે.</p><p>મંદિરના પૌરાણિક ઇતિહાસ અનુસાર, વર્ષો પહેલાં અહીં ઘેરા વૃક્ષોની ઝાડીઓ વચ્ચે એક મોટી પથ્થરની શીલા પર સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હતું. આ શિલાની એક વિશેષતા એ છે કે, તેના પર કોઈ પણ વસ્તુ પછાડવામાં આવે તો તેમાંથી ઘુમ... ઘુમ... જેવો ધ્વનિ સંભળાય છે. લોકમાન્યતા છે કે,પ્રાચીન કાળમાં અહીં અઘોરી સાધુઓએ ઘોર તપસ્યા કરી હતી. જેમના તપોબળથી જ આ ભૂમિ અત્યંત પાવન બની અને તેના પરથી તપેશ્વર મહાદેવ નામ પડયું. મોટાડોકવા ગામના ઠાકુર (સોલંકી) પરિવારના ગોકુળસિંહ બાપુ (જેઓ લુણાવાડા માડમાં રહી સમગ્ર ગામનો જમીન વહીવટ સંભાળતા હતા) તેમણે આ સ્વયંભૂ શિવલિંગના દર્શન કરી મંદિરનું નિર્માણ કરાવ્યું. ત્યારબાદ, જ્ઞાનાનંદ મહારાજ અહીં પધાર્યા અને આશરે 40 થી 45 વર્ષ સુધી અહીં રહી મહાદેવની સેવા-પૂજા કરી. તેમણે શ્રાવણ માસ દરમિયાન મંદિરમાં અખંડ દીવો પ્રગટાવવાની પરંપરા શરૂ કરી હતી, જે આજે પણ શ્રદ્ધાપૂર્વક ચાલુ છે. મંદિર આસપાસના 42 ગામોના લોકોની આસ્થાનું કેન્દ્ર છે. હાલમાં હર્ષદગીરી મહારાજ મંદિરની નિત્ય સેવા-પૂજા કરે છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/1uFpzWqB8hmTwQhkrrFFvV9NAdh7vN5keGar8USI.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: વિરમગામના જુનાપાધર પાસે ખાનગી કંપનીનું પાપ, ખેતરોમાં ઝેરી કેમિકલયુક્ત પાણી છોડાતા પાક બરબાદ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/viramgam-junapadhar-rocket-india-company-chemical-water-crop-damage</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/viramgam-junapadhar-rocket-india-company-chemical-water-crop-damage</guid><pubDate>Sun, 23 Aug 2026 23:41:15 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ ગ્રામ્યના વિરમગામ-બેચરાજી હાઇવે પર આવેલી ખાનગી કંપની દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. વિરમગામના જુનાપાધર ગામ નજીક આવેલી 'રોકેટ ઇન્ડિયા' નામની ખાનગી કંપની દ્વારા કોઈપણ જાતની શુદ્ધિકરણ પ્રક્રિયા વગરનું ઝેરી અને દૂષિત કેમિકલયુક્ત પાણી સીધું જ આસપાસના વિસ્તારના ખેતરોમાં છોડી દેવામાં આવ્યું છે.</p><h2><b>દૂષિત પાણીના કારણે ખેતરોમાં ઉભો પાક બરબાદ</b></h2><p>કંપની દ્વારા છોડવામાં આવેલા આ કેમિકલયુક્ત ઝેરી પાણીને કારણે આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. જેના પરિણામે ખેડૂતોએ રાત-દિવસ મહેનત કરીને વાવેલો મોંઘોદાટ ઉભો પાક બળીને ખાખ થઈ રહ્યો છે. કેમિકલના ભારે પ્રદૂષણને કારણે જમીનની ફળદ્રુપતા પણ નાશ પામી રહી હોવાની ગંભીર ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.</p><p><img alt="Ahmedabad News: Chemical Water Released in Fields Destroys Crops in Viramgam" src="https://epapercdn.sandesh.com/images/2026/08/23/bmuUtXOoqZb0bH8SimhZNnEIfz5Znza1TbptWUsr.webp"><br></p><h2><b>લેખિત-મૌખિક રજૂઆતો છતાં તંત્ર મૌન સેવી રહ્યું છે</b></h2><p>આ દૂષિત પાણીની સમસ્યા અંગે સ્થાનિક ખેડૂતો દ્વારા સંબંધિત તંત્ર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ને અવારનવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. આમ છતાં, જવાબદાર અધિકારીઓ કે તંત્ર દ્વારા આ બાબતે કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જેને પગલે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે વિરોધ અને આક્રોશ વ્યાપી ગયો છે.</p><p><img alt="Ahmedabad News: Chemical Water Released in Fields Destroys Crops in Viramgam" src="https://epapercdn.sandesh.com/images/2026/08/23/21yRVlzntBq01cilMBiY5k7r2Bt2DDn4qdefY51y.webp"><br></p><h2><b>ખેડૂતો દ્વારા કડક પગલાં અને વળતરની માંગણી</b></h2><p>કેમિકલયુક્ત પાણીથી થયેલા ભારે આર્થિક નુકસાન બાદ હવે પીડિત ખેડૂતોએ આરપારની લડાઈના મૂડમાં આવી ગયા છે. ખેડૂતોની માંગ છે કે રોકેટ ઇન્ડિયા કંપની સામે ત્વરિત અને કડક કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવામાં આવે, ખેતરોમાં ઝેરી પાણી છોડવાનું તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે અને પાકને થયેલા નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-news-fatal-accident-on-gota-service-road-3-people-injured-car-driver-absconding" target="_blank">Ahmedabad News : ગોતા સર્વિસ રોડ પર ગમખ્વાર અકસ્માત, 3 લોકોને ઈજા પહોંચાડી કાર ચાલક ફરાર</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/23/0EtVYqzJLB7SdgpmQNNFvVxRurkmWsHgANcBvhDZ.webp'/></item><item><title><![CDATA[India News : બેંગલુરુમાં ગૌતમ અદાણી-ડી.કે. શિવકુમારની મુલાકાતથી રાજકારણ ગરમાયું, BJPના સવાલોથી ખળભળાટ ]]></title><link>https://sandesh.com/india/news/india-news-politics-heated-up-in-bengaluru-after-gautam-adani-dk-shivakumar-meet-bjps-questions-create-a-stir</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/india-news-politics-heated-up-in-bengaluru-after-gautam-adani-dk-shivakumar-meet-bjps-questions-create-a-stir</guid><pubDate>Sun, 23 Aug 2026 23:27:25 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ બેંગલુરુના સદાશિવનગર સ્થિત કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારના નિવાસસ્થાને તેમની સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. કનકપુરા રોડ સ્થિત આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટરની મુલાકાત બાદ એરપોર્ટ જતી વખતે આ બેઠક યોજાઈ હતી. આ મુલાકાત અંગે સ્પષ્ટતા આપતા શિવકુમારે જણાવ્યું હતું કે, આ માત્ર એક શિષ્ટાચાર મુલાકાત (Courtesy Call) હતી અને તેમાં કોઈ વ્યાપારી કે પ્રોજેક્ટ સંબંધિત મુદ્દા પર ચર્ચા થઈ નથી. તેમણે ઉમેર્યું હતું કે અદાણી ગ્રુપ લાંબા સમયથી એપોઇન્ટમેન્ટ માંગી રહ્યું હતું અને તેઓ કર્ણાટકમાં અગાઉથી જ રિન્યુએબલ એનર્જી, સિમેન્ટ ઉત્પાદન, થર્મલ પાવર પ્લાન્ટ અને મંગલુરુ એરપોર્ટ જેવા વિવિધ ક્ષેત્રોમાં મોટું રોકાણ ધરાવે છે.</p><h2 style="text-align: justify; "><b>ભાજપના પ્રહારો અને કોંગ્રેસનું રાજકીય 'બેવડું વલણ'</b></h2><p style="text-align: justify; ">આ મુલાકાત સામે આવતા જ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને કર્ણાટક વિધાનસભાના વિરોધ પક્ષના નેતા આર. અશોકે કોંગ્રેસ પર તીખા પ્રહારો કર્યા છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે શું કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શિવકુમારને ગૌતમ અદાણીને મળવાની પરવાનગી આપી હતી? કોંગ્રેસ દિલ્હીમાં અદાણી ગ્રુપનો સતત વિરોધ કરે છે અને કર્ણાટકમાં તેમના માટે 'રેડ કાર્પેટ' પાથરે છે, જે તેમનું સ્પષ્ટ બેવડું વલણ દર્શાવે છે. આ સાથે જ, સૂચિત ટનલ રોડ પ્રોજેક્ટ સામે ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ પણ સખત વિરોધ નોંધાવ્યો છે અને આ યોજના સામે કર્ણાટક હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/ians_india/status/2091385912559378656?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2 style="text-align: justify; "><b>બેંગલુરુ ટનલ રોડ પ્રોજેક્ટ અને અદાણી ગ્રુપની બિડ</b></h2><p style="text-align: justify; ">આ ચર્ચાસ્પદ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝીસ લિમિટેડ (AEL) સેન્ટ્રલ સિલ્ક બોર્ડથી હેબ્બાલ વચ્ચેના 16.75 કિલોમીટર લાંબા ટનલ રોડ પ્રોજેક્ટ માટે સૌથી ઓછી બોલી લગાવનાર (L1) કંપની તરીકે સામે આવી છે. રાજ્ય સરકારે આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 17,698 કરોડ નક્કી કર્યો હતો, જ્યારે અદાણી ગ્રુપે રૂ. 22,267 કરોડની બોલી લગાવી છે, જે મૂળ અંદાજ કરતાં આશરે રૂ. 4,600 કરોડ વધુ હોવાથી કેબિનેટ મંજૂરી જરૂરી બની છે. મોડિફાઈડ BOOT (બિલ્ડ, ઓન, ઓપરેટ એન્ડ ટ્રાન્સફર) મોડેલ હેઠળ બનનારા આ પ્રોજેક્ટમાં 40 ટકા ફંડિંગ સરકાર આપશે, જ્યારે બાકીનો ખર્ચ અદાણી ગ્રુપ 30 વર્ષના ગાળામાં વસૂલશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/india/news/delhi-national-security-strategy-conference-august-24-25-2026-amit-shah" target="_blank">Delhiમાં 24-25 ઓગસ્ટે નેશનલ સિક્યુરિટી સ્ટ્રેટેજી કોન્ફરન્સ યોજાશે, અમિત શાહ રહેશે ઉપસ્થિત</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/23/SDYAxJF8fr7wKMjsqap0m4fA7ZXtpGDW9djCP6d2.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: રખડતા ઢોરનો આતંક, ધોળકા GIDCમાં આખલાએ હુમલો કરતા એકનું મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/dholka-gidc-stray-cattle-bull-attack-death-municipality</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/dholka-gidc-stray-cattle-bull-attack-death-municipality</guid><pubDate>Sun, 23 Aug 2026 23:22:20 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ ગ્રામ્યના ધોળકા શહેરમાં રખડતા ઢોરનો આતંક ફરી એકવાર અત્યંત જીવલેણ સાબિત થયો છે. ધોળકાના GIDC વિસ્તારમાં રસ્તેથી પસાર થઈ રહેલા એક નિર્દોષ વ્યક્તિ પર રખડતા આખલાએ શિંગડા વડે હિંસક હુમલો કરી દીધો હતો. આ હુમલામાં લોહીલુહાણ થયેલા ઈસમ ત્વરિત યોગ્ય સારવાર મળે તે પહેલાં જ સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું હતું. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે.</p><h2><b>નગરપાલિકા તંત્રની કામગીરી અને દાવાઓ સામે ગંભીર પ્રશ્નાર્થ</b></h2><p>આ કરૂણ ઘટનાને પગલે ધોળકા નગરપાલિકાના તંત્ર અને તેની કામગીરી સામે સ્થાનિક રહીશોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. ઉલ્લેખનીય છે કે, ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસરે જ્યારે પોતાનો હોદ્દો સંભાળ્યો હતો, ત્યારે શહેરમાંથી રખડતા ઢોરને નિયંત્રણમાં લાવવા અને ટૂંકા સમયમાં સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની મોટી વાતો કરવામાં આવી હતી. જોકે, આ દાવાઓ છતાં પરિસ્થિતિ જસની તસ રહી છે, જેના પાપે આજે એક નિર્દોષે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.</p><h2><b>અગાઉ પણ અનેક અકસ્માતો, સ્થાનિકોમાં ભારે આક્રોશ</b></h2><p>ધોળકા શહેરના મુખ્ય માર્ગો પર રખડતા પશુઓના કારણે અગાઉ પણ અનેક નાના-મોટા અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે અને અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ચૂક્યા છે. સ્થાનિક નાગરિકોના આક્ષેપ મુજબ, વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા દ્વારા આ ગંભીર સમસ્યા પ્રત્યે કોઈ નક્કર અને કાયમી પગલાં લેવામાં આવ્યા નથી. ઢોર પકડવાની કામગીરી માત્ર કાગળ પર જ રહેતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.</p><p><img alt="Ahmedabad News" src="https://epapercdn.sandesh.com/images/2026/08/23/N35KlKtZ4s3oeTKcpZWPrVOrna2NM00NfpKzVXEZ.webp" style="width: 100%;"><br></p><h2><b>જોખમી આખલાઓને તાત્કાલિક પકડવા વેપારીઓ અને નાગરિકોની ઉગ્ર માગ</b></h2><p>એક વ્યક્તિનો જીવ ગયા બાદ હવે સ્થાનિકો અને વેપારી મંડળોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, તંત્ર હજુ કેટલા લોકોના બલિદાનની રાહ જોઈ રહ્યું છે? સ્થાનિક નાગરિકોએ માગ કરી છે કે, શહેરમાંથી અને ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તાર GIDCમાંથી જોખમી આખલાઓને તાત્કાલિક પકડીને પાંજરે પૂરવામાં આવે અને ભવિષ્યમાં આવી દિલધડક કે જીવલેણ દુર્ઘટનાઓ ના બને તે માટે નક્કર આયોજન કરવામાં આવે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-news-fatal-accident-on-gota-service-road-3-people-injured-car-driver-absconding" target="_blank">Ahmedabad News : ગોતા સર્વિસ રોડ પર ગમખ્વાર અકસ્માત, 3 લોકોને ઈજા પહોંચાડી કાર ચાલક ફરાર</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/23/Xn7U08CHWcGD6GXyoa1KSoVzvdwzkEKDfiHhAn1R.webp'/></item><item><title><![CDATA[Surat કીમમાં 11 તોલા સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો, માસીના ઘરે જ ચોરી કરનાર ભત્રીજો ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/theft-of-11-tola-gold-in-surat-solved-nephew-caught-stealing-from-aunts-house</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/theft-of-11-tola-gold-in-surat-solved-nephew-caught-stealing-from-aunts-house</guid><pubDate>Sun, 23 Aug 2026 23:13:39 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલા કીમ વિસ્તારના શિવાજી નગરમાં તાજેતરમાં 11 તોલા સોનાના દાગીના અને મોટી રોકડ રકમની ચોરીની ઘટના સામે આવી હતી. આ ગંભીર ચોરીના મામલે કીમ પોલીસે ત્વરિત અને સઘન તપાસ હાથ ધરીને ગણતરીના દિવસોમાં જ સમગ્ર ચોરીનો સફળતાપૂર્વક ભેદ ઉકેલી નાખ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>સગા ભત્રીજાએ જ માસીના ઘરમાં આચરી હતી ચોરી</b></h2><p style="text-align: justify; ">પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો હતો, જેમાં પીડિત મહિલાના સગા ભત્રીજા દીપક મહાજન જ માસીના ઘરે સોનાના દાગીના અને રોકડની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. ગુનો આચર્યા બાદ આરોપી મહારાષ્ટ્ર ભાગી ગયો હતો. કીમ પોલીસે લોકેશન અને બાતમીના આધારે આરોપી ભત્રીજા દીપક મહાજનને મહારાષ્ટ્રના જલગાંવથી ઝડપી પાડી તેની પાસેથી રૂ.5 લાખની રોકડ રકમ રિકવર કરી છે.</p><h2 style="text-align: justify; "><b>સોનાના વેપારીની પણ ધરપકડ અને 4 દિવસના રિમાન્ડ</b></h2><p style="text-align: justify; ">તપાસ દરમિયાન ચોરી કરેલું 11 તોલા સોનું મહારાષ્ટ્રના ધરણગાંવ ખાતે આવેલા રુદ્ર જ્વેલર્સના સોનીને વેચવામાં આવ્યું હોવાની વિગત ખૂલતાં પોલીસે સોનું ખરીદનાર વેપારીની પણ ધરપકડ કરી છે. કીમ પોલીસે મુખ્ય આરોપી ભત્રીજા અને સોનાના વેપારી બંનેને ઓલપાડ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરી હતી, જેને ગ્રાહ્ય રાખી કોર્ટે બંને આરોપીઓના 4 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-news-fatal-accident-on-gota-service-road-3-people-injured-car-driver-absconding" target="_blank">Ahmedabad News : ગોતા સર્વિસ રોડ પર ગમખ્વાર અકસ્માત, 3 લોકોને ઈજા પહોંચાડી કાર ચાલક ફરાર</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/23/fT9B4gnzpyYupUTPi3WVm8jN8q6Ey4z35XLmTPb9.webp'/></item><item><title><![CDATA[Srinagar સેન્ટ્રલ જેલમાંથી POCSOના બે કેદી ફરાર, પોલીસમાં ખળભળાટ ]]></title><link>https://sandesh.com/india/news/srinagar-central-jail-two-pocso-accused-escape-police-search</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/srinagar-central-jail-two-pocso-accused-escape-police-search</guid><pubDate>Sun, 23 Aug 2026 22:47:28 +05:30</pubDate><description><![CDATA[<p>જમ્મુ-કાશ્મીરની શ્રીનગર સેન્ટ્રલ જેલમાંથી POCSOના અલગ-અલગ કેસમાં બંધ બે કેદીઓ ફરાર થઈ જતાં પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે બંનેને ઝડપી પાડવા માટે લુકઆઉટ નોટિસ જાહેર કરી છે. સાથે જ મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2091541912000012673"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>POCSO કેસની FIRમાં વોન્ટેડ છે આરોપી</b></h2><p>શ્રીનગર પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું કે, બંને આરોપીઓ POCSOના અલગ-અલગ કેસમાં જેલમાં બંધ હતા. તેમના ફરાર થયા બાદ કાશ્મીરથી બહાર જવાના તમામ માર્ગો પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સુરક્ષા દળો દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કાશ્મીર ઝોન પોલીસે સોશિયલ મીડિયા પર શેર કરેલી માહિતી અનુસાર ફરાર આરોપીઓમાં અનંતનાગના સાંગલન ચિત્તરગુલ વિસ્તારના રહેવાસી મુખ્તાર અહમદ ગુજ્જરનો સમાવેશ થાય છે. તે સૌરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા POCSO કેસની FIRમાં વોન્ટેડ છે.</p><h3><b>પોલીસે જનતાને કરી અપીલ</b></h3><p>બીજો ફરાર આરોપી ફરમાન ખાન છે, જે સદનપોરા રણ વિસ્તારનો રહેવાસી હોવાનું જણાવાયું છે. તે લાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક FIR કેસમાં વોન્ટેડ છે. પોલીસે બંને આરોપીઓના ફોટા અને વિગતો જાહેર કરીને લોકોને પણ સહકાર આપવા અપીલ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, બંનેના ઠેકાણા અથવા તેમની હિલચાલ અંગે કોઈ માહિતી મળે તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અથવા 112 નંબર પર જાણ કરવી.</p><p>બંને આરોપીઓને પકડવામાં મદદરૂપ માહિતી આપનાર વ્યક્તિને યોગ્ય ઈનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. હાલમાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સંભવિત ઠેકાણાઓ પર તપાસ ચાલી રહી છે. બંને કેદીઓ જેલમાંથી કેવી રીતે ફરાર થયા અને તેમાં કોઈની બેદરકારી કે મદદ હતી કે કેમ તે અંગે પણ તપાસ થવાની શક્યતા છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/crime/uttar-pradesh-mathura-drug-smuggling-250-kg-cannabis-5-arrested" target="_blank">આ પણ વાંચો : Uttar Pradesh : મથુરામાં ડ્રગ્સ તસ્કરીનો પર્દાફાશ, રૂપિયા 1.25 કરોડના 250 કિલો ગાંજા સાથે 5 આરોપી ઝડપાયા</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/23/8EPtcTNxr7SI12SQtHkuDPoB8rnZaHQ2w1dvk4zW.webp'/></item><item><title><![CDATA[YouTubeમાંથી કમાણી કરનારા 31 ઓગસ્ટ સુધી કરો આ કામ, નહીંતર દંડ ભરવા રહેજો તૈયાર ]]></title><link>https://sandesh.com/business/news/income-tax-deadline-for-youtubers-and-instagram-creators-is-31-aug-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/income-tax-deadline-for-youtubers-and-instagram-creators-is-31-aug-2026</guid><pubDate>Sun, 23 Aug 2026 18:00:34 +05:30</pubDate><description><![CDATA[<p>YouTube: કન્ટેન્ટ ક્રિએટર્સની કમાણી માત્ર એક જગ્યાએથી નથી થતી. યુટ્યુબર એડસેન્સ દ્વારા પૈસા કમાઈ શકે છે, જ્યારે બ્રાન્ડ ડીલ્સ ઇન્સ્ટાગ્રામ ક્રિએટર્સ માટે આવકનો મુખ્ય પ્રવાહ છે. વધુમાં, કમાણી એફિલિએટ કમિશન, સભ્યપદ, સુપર ચેટ્સ, પ્લેટફોર્મ ચૂકવણી અને મર્ચેન્ડાઇઝ વેચાણમાંથી પણ આવી શકે છે. આવકવેરા વિભાગ ડિજિટલ અર્થતંત્રમાં થતી આ કમાણી પર નજીકથી નજર રાખે છે.</p><p><br></p><p>જો તમે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અથવા ફેસબુકથી નોંધપાત્ર આવક મેળવતા ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર્સ છો, તો 31 ઓગસ્ટ, 2026 ની ડેડલાઈન તમારા માટે મહત્વપૂર્ણ છે. નાણાકીય વર્ષ 2025-26 માટે આ 31 ઓગસ્ટની ડેડલાઈન એવા કરદાતાઓ  (ટેક્સપેયર્સ) માટે લાગુ પડે છે જેમના બિઝનેસ અથવા પ્રોફેશનલ આવક હોય છે જેમના ખાતાઓને ફરજિયાત ઓડિટની જરૂર નથી. આ તારીખ સુધીમાં તેમના ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં નિષ્ફળતા ક્રિએટર્સને ભારે દંડ અને કાયદાકીય નોટિસનો સામનો કરવો પડી શકે છે.</p><h4><b>કન્ટેન્ટ ક્રિએટર્સને આ 5 પ્રકારની કમાણી પર લાગે છે ટેક્સ</b></h4><p>આવકવેરા વિભાગના નિયમો અનુસાર, આ સ્ત્રોતોમાંથી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દ્વારા જનરેટ થતી આવક  'Profits and Gains from Business or Profession' (PGBP) અથવા ''Income from Other Sources' ની ટેક્સ હેઠળ આવે છે:</p><p>એડ રેવેન્યુ: YouTube મોનિટાઇઝેશન અને વીડિયો પર પ્રદર્શિત જાહેરાતોમાંથી સીધી કમાણી.</p><p>સ્પોન્સર્ડ પોસ્ટ્સ: બ્રાન્ડ, ઉત્પાદન અથવા સેવાને પ્રમોટ કરવાના બદલામાં મળનારા પૈસા.</p><p>મર્ચેડાઇઝ અને પેડ સબ્સ્ક્રિપ્શન્સ: વ્યક્તિગત માલ વેચવાથી અથવા YouTube 'જોઈન' બટન અને ફેન્સ સપોર્ટ જેવી સુવિધાઓ દ્વારા થતી આવક.</p><p>એફિલિએટ માર્કેટિંગ: તમારા બાયો અથવા વીડિયો વર્ણનમાં આપેલી લિંક્સ દ્વારા કરવામાં આવેલા ઉત્પાદન વેચાણના બદલામાં મળતું કમિશન.</p><p>ફ્રી પ્રોડક્ટ્સ અને ગિફ્ટ: ટેક્સ નિયમો હેઠળ જો કોઈ કંપની અથવા બ્રાન્ડ પ્રમોશનલ હેતુઓ માટે મોબાઇલ ફોન, કાર અથવા લેપટોપ જેવી વસ્તુઓ મફતમાં આપે છે અથવા વિદેશ પ્રવાસ કરાવે છે તો TDS (સ્રોત પર કર કપાત) 10% ના દરે લાગુ પડે છે.&nbsp;</p><h4><b>31 ઓગસ્ટની ડેડલાઇન ચૂકી જવાના પરિણામો</b></h4><p>જો તમે 31 ઓગસ્ટ પછી રિટર્ન ફાઇલ કરો છો, તો તમારે પહેલા ₹1000 થી ₹5000 સુધીની લેટ ફી ચૂકવવી પડશે. વધુમાં, તમારે તમારી કર જવાબદારી પર દર મહિને 1% ના દરે વધારાનું વ્યાજ ચૂકવવું પડશે. કરચોરી અથવા વિદેશી આવક (જેમ કે YouTube માંથી ડોલરમાં કમાણી) છુપાવવા બદલ તમને આવકવેરા વિભાગ તરફથી કડક નોટિસ પણ મળી શકે છે.<br><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/lifestyle/news/health-fitness/desi-ghee-benefits--5-reasons-why-pure-ghee-is-good-for-health?1" target="_blank"><b>સ્વાસ્થ્ય માટે વરદાન સમાન છે દેશી ઘી, જાણો તેના ફાયદા</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/23/nBseFdPazwxXqeImbTrgkuoI3pgiGEbG3EJSiVxA.webp'/></item><item><title><![CDATA[South Cinema : રાજામૌલીની જબરદસ્ત પ્લાનિંગ, વારાણસી 50 ભાષામાં થશે ડબ, લેવાશે 1500 વોઇસ સેમ્પલ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/varanasi-50-languages-1500-voice-samples-rajamouli</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/varanasi-50-languages-1500-voice-samples-rajamouli</guid><pubDate>Sun, 23 Aug 2026 17:21:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">2027માં સિનેમાઘરોમાં ઘણી ધમાલ જોવા મળવાની છે. ઘણી મોટી ફિલ્મો પર મહિનાઓથી તૈયારી ચાલી રહી છે. તેમાંથી એક છે એસ.એસ. રાજામૌલીની વારાણસી. ફિલ્મનું અત્યાર સુધીમાં 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. સાથે જ મહેશ બાબુ, પ્રિયંકા ચોપરા અને પૃથ્વીરાજ સુકુમારન પોતાના-પોતાના ભાગનું કામ પૂર્ણ કરી રહ્યા છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>1300 કરોડના બજેટની વારાણસી 50 ભાષામાં થશે ડબ</b></h2><p style="text-align: justify; ">આ ફિલ્મને લઈને ચર્ચા છે કે તેને 1200-1300 કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવી છે. જોકે, રાજામૌલી પહેલેથી જ જણાવી ચૂક્યા છે કે જેમ જેમ ફિલ્મનું કામ આગળ વધે છે, તેમ તેઓ તેને એડિટિંગ માટે મોકલતા જાય છે. હવે ફિલ્મને લઈને વધુ એક જબરદસ્ત અપડેટ સામે આવ્યું છે. તાજેતરમાં જાણવા મળ્યું છે કે રાજામૌલી ફિલ્મને લગભગ 50 ભાષાઓમાં ડબ કરીને 120 દેશોમાં રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ માટે AIથી બનાવવામાં આવેલા અથવા સિન્થેટિક અવાજને બદલે અસલી કલાકારોના અવાજનો ઉપયોગ કરવામાં આવશે.</p><h3 style="text-align: justify; "><b>વારાણસી 120 દેશોમાં થશે રિલીઝ</b></h3><p style="text-align: justify; ">હવે જ્યારે વારાણસીને વૈશ્વિક સ્તરે બનાવવામાં આવી રહી છે, ત્યારે અવાજ પણ ખૂબ મહત્વનો છે. સાથે જ રાજામૌલી વારાણસીને સ્થાનિક રંગ આપવા માટે મોટા સ્તરે કામ કરી રહ્યા છે. તાજેતરમાં એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં જાણવા મળ્યું છે કે એસ.એસ. રાજામૌલીની યોજના ફિલ્મને લગભગ 50 ભાષાઓમાં ડબ કરવાની છે. સાથે જ ફિલ્મને 120 દેશોમાં રિલીઝ કરવામાં આવશે. આ માટે તેમણે AIથી બનાવવામાં આવેલા અથવા સિન્થેટિક અવાજનો ઉપયોગ ન કરવાનો નિર્ણય લીધો છે.</p><h4 style="text-align: justify; "><b>રાજામૌલીએ આ મોટો નિર્ણય શા માટે લીધો?</b></h4><p style="text-align: justify; ">વારાણસીના ડબિંગ અને રિલીઝ પ્લાન વિશે વાત કરતાં જણાવવામાં આવ્યું છે કે રાજામૌલી નથી ઇચ્છતા કે જ્યારે ફિલ્મ એક ભાષામાંથી બીજી ભાષામાં જાય ત્યારે અભિનયની અસર ઓછી થઈ જાય. તેમના માટે ડબિંગનો અર્થ માત્ર સંવાદનું ભાષાંતર અને લિપ્સિંગ કરવું નથી. અવાજમાં પાત્રની લાગણી, વ્યક્તિત્વ અને ઇરાદો પણ દેખાવા જોઈએ. રાજામૌલી ઇચ્છે છે કે દરેક માર્કેટમાં દર્શકોને અભિનયનો અનુભવ થાય, માત્ર સંવાદ સમજાય એટલું જ નહીં.</p><h5 style="text-align: justify; "><b>1500થી વધુ કલાકારોના વોઇસ સેમ્પલ લેવામાં આવશે, AI અવાજનો નહીં થાય ઉપયોગ</b></h5><p style="text-align: justify; ">રાજામૌલીએ એ વાતોને નકારી કાઢી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ફિલ્મની ઝલક તૈયાર કરવા માટે AIનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાથે જ તેમણે જણાવ્યું હતું કે અવાજ પણ અભિનયનો એક ભાગ છે, તેથી તેઓ ઇચ્છે છે કે અલગ-અલગ ભાષાની આવૃત્તિ માટે અસલી કલાકારોનો અવાજ લેવામાં આવે. ફાઇનલ કટ માટે અવાજ પસંદ કરતા પહેલા 1500થી વધુ કલાકારોના વોઇસ સેમ્પલ લેવામાં આવશે. હવે જોવાનું રહેશે કે વારાણસીને લઈને નિર્માતાઓ આગામી અપડેટ ક્યારે શેર કરે છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/ranu-mondal-life-today-where-is-she-now" target="_blank">આ પણ વાંચો-Ranu Mondal : રાતોરાત મળ્યું સ્ટારડમ, હવે લાઈમલાઈટથી દૂર ક્યાં અને કેવા હાલમાં જીવી રહી છે રાનૂ મંડલ?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/23/1DiXHkX84eoiZg17xBnKh5OtAk9ugBsVXougk7ct.webp'/></item><item><title><![CDATA[Jannik Sinner યુએસ ઓપનમાંથી બહાર, જાણો શા માટે લીધો આ મોટો નિર્ણય ]]></title><link>https://sandesh.com/sports/news/jannik-sinner-out-of-us-open-know-why-he-took-this-big-decision</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/jannik-sinner-out-of-us-open-know-why-he-took-this-big-decision</guid><pubDate>Sun, 23 Aug 2026 16:17:36 +05:30</pubDate><description><![CDATA[<p>વિશ્વનો નંબર 1 ટેનિસ ખેલાડી યાનિક સિનર જમણા ઘૂંટણની ઈજાને કારણે આગામી યુએસ ઓપનમાં રમશે નહીં.તેની ટીમે 21 ઓગસ્ટે આ જાહેરાત કરી હતી.તે અગાઉ સિનસિનાટી ઓપન ચૂકી ગયો હતો.સિનરનું વર્ષ શાનદાર રહ્યું હતું, પરંતુ ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી ખસી જવાનો તેનો નિર્ણય તેની ઉત્તમ સિઝન માટે મોટો આંચકો માનવામાં આવે છે.</p><h5><b>સિનર 2019 પછી પહેલી વાર કોઈ મોટી ટુર્નામેન્ટ ચૂકી ગયો છે.</b></h5><p>2019 માં ગ્રાન્ડ સ્લેમ ડેબ્યૂ કર્યા પછી આ પહેલી વાર છે કે તે કોઈ મોટી ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ ચૂકી જશે. અગાઉ, સિનર 2024 માં યુએસ ઓપન જીત્યો હતો અને ગયા વર્ષે ફાઇનલમાં પહોંચ્યો હતો. જોકે, તે ફાઇનલમાં કાર્લોસ અલ્કારાઝ સામે ચાર સેટની મેચમાં હારી ગયો હતો, જેનાથી ટાઇટલ જીતવાનું તેનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું હતું.</p><h5><b>સિનર પાંચ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા</b></h5><p>25 વર્ષીય ખેલાડી માટે 2026 એક નોંધપાત્ર વર્ષ રહ્યું છે. આ વર્ષની શરૂઆતમાં, તેણે સતત પાંચ ATP માસ્ટર્સ 1000 ટુર્નામેન્ટ જીતી હતી - ઇન્ડિયન વેલ્સ, મિયામી, મોન્ટે કાર્લો, મેડ્રિડ અને રોમ. આ સિઝનમાં તેણે કુલ છ ટાઇટલ જીત્યા છે, જેમાં 44-3નો જીત-હારનો રેકોર્ડ છે. તેણે વિમ્બલ્ડન પણ જીત્યું, જે તેના કારકિર્દીનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ હતું.</p><h5><b>સિનરનો વિમ્બલ્ડનમાં છેલ્લો મુકાબલો</b></h5><p>સિનરનો વિમ્બલ્ડનમાં છેલ્લો મુકાબલો હતો, જ્યાં તેણે શાનદાર વિજય સાથે ટ્રોફી જીતી હતી. ફાઇનલમાં, તેણે રોલેન્ડ ગેરોસ ચેમ્પિયન એલેક્ઝાન્ડર ઝ્વેરેવને ચાર સેટની મુશ્કેલ મેચમાં હરાવ્યો હતો. જો કે, તે મેચ પછી, તેના જમણા ઘૂંટણની ઇજાને સાજા થવામાં અપેક્ષા કરતાં વધુ સમય લાગ્યો છે. સિનરની ટીમના જણાવ્યા અનુસાર, તે યુરોપમાં રહેશે અને ડોકટરો અને તેની પ્રદર્શન ટીમની દેખરેખ હેઠળ પુનર્વસન પર ધ્યાન કેન્દ્રિત કરશે.</p><p>આ પણ વાંચો- <a href="https://sandesh.com/sports/news/two-legendary-cricketers-rahul-dravid-and-steve-vaughan-enjoyed-the-match-in-the-hockey-world-cup" target="_blank">Hockey World Cupમાં બે દિગ્ગજ ક્રિકેટર રાહુલ દ્રવિડ અને સ્ટીવ વોને મેચનો આનંદ માણ્યો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/23/nHMjKD7YH96qeNRHiQMAUSMqJL7PuCjsjSQTQdZc.webp'/></item></channel></rss>