<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Swine fluના કેસમાં ભયંકર વધારો, સ્વાસ્થ્ય મંત્રીએ બોલાવી હાઇ-લેવલ મીટિંગ ]]></title><link>https://sandesh.com/india/news/delhi-h1n1-swine-flu-cases-rise--2300-influenza-cases--health-minister-calls-meeting</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/delhi-h1n1-swine-flu-cases-rise--2300-influenza-cases--health-minister-calls-meeting</guid><pubDate>Mon, 24 Aug 2026 12:25:20 +05:30</pubDate><description><![CDATA[<p>Swine flu: રાજધાનીમાં H1N1 (સ્વાઇન ફ્લૂ)ના કેસોમાં વધારા વચ્ચે દિલ્હીના આરોગ્ય પ્રધાન ડૉ. પંકજ સિંહે સ્વાઇન ફ્લૂ અને વેક્ટર-જન્ય રોગોને સંબોધવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને નિવારણ અને નિયંત્રણના પગલાંની ચર્ચા કરવામાં આવશે. આ બેઠક આજે બપોરે આશરે 2:30 વાગ્યે યોજવામાં આવશે.</p><p>આ વર્ષે દિલ્હીમાં ઇન્ફ્લુએન્ઝા-A ના 2300 થી વધુ કેસ નોંધાયા છે, જેમાં શુક્રવાર સુધીમાં નોંધાયેલા H1N1 ના 1777 થી વધુ કેસનો સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગે અહેવાલ આપ્યો છે કે ગુરુવારે જ 114 H1N1 કેસ મળી આવ્યા હતા. શનિવારે, દિલ્હી સરકારે એક હેલ્થ એડવાઇઝરી જારી કરીને જનતાને શ્વસન સ્વચ્છતાનું પાલન કરવા, ભીડવાળી જગ્યાઓ ટાળવા અને સમયસર તબીબી સલાહ લેવા વિનંતી કરી છે.</p><p><b>જનતા માટે સલાહ</b></p><p>આરોગ્ય સલાહકાર લોકોને ખાંસી કે છીંક ખાતી વખતે મોં અને નાક ઢાંકવા અને નિયમિતપણે સાબુ અને પાણીથી હાથ ધોવા વિનંતી કરે છે. તે ભીડવાળા વિસ્તારોમાં માસ્ક પહેરવાની અને શ્વસન રોગોથી પીડિત વ્યક્તિઓ સાથે નજીકના સંપર્કને ટાળવાની સલાહ આપે છે.</p><p><br></p><p>લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ પોતાની આંખો અને નાકને સ્પર્શ ન કરે, જાહેર સ્થળોએ થૂંકવાનું ટાળે અને પૂરતા પ્રમાણમાં પ્રવાહીનું સેવન કરે. જો તાવ, ઉધરસ, ગળામાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, શરીરમાં દુખાવો અથવા માથાનો દુખાવો જેવા લક્ષણો દેખાય, તો સ્વ-દવા લેવાને બદલે તબીબી સલાહ લેવી જોઈએ.<br><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/odisha-ship-sinks--panama-cargo-mv-ocean-winner-sinks--22-crew-missing" target="_blank"><b>Odisha: દરિયામાં સમાયું પનામાનું કાર્ગો શિપ, 24 કલાક બાદ નથી મળ્યો કોઈ પુરાવો; 22 લોકો ગુમ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/yY1sxtRZ2DqGhRYkSW6wRzd4tm5oZG6CB0s2CJbh.webp'/></item><item><title><![CDATA[Priyanka Chopra : 'હેપ્પી હેવનલી બર્થડે પાપા', પિતાની બર્થ એનિવર્સરી પર ઈમોશનલ થઈ પ્રિયંકા ચોપરા! ]]></title><link>https://sandesh.com/entertainment/news/priyanka-chopra-ashok-chopra-birth-anniversary</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/priyanka-chopra-ashok-chopra-birth-anniversary</guid><pubDate>Mon, 24 Aug 2026 12:17:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા પોતાના દિવંગત પિતા અશોક ચોપરાની ખૂબ નજીક હતી. તાજેતરમાં પિતાની બર્થ એનિવર્સરી પર એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર એક ઇમોશનલ પોસ્ટ શેર કરી છે. આ સાથે એક્ટ્રેસે દિલને સ્પર્શી જાય તેવી નોટ પણ લખી છે.</p><h2 style="text-align: justify; "><b>પિતાની બર્થ એનિવર્સરી પર પ્રિયંકા ચોપરાની ઇમોશનલ પોસ્ટ</b></h2><p style="text-align: justify; ">ડો. અશોક ચોપરાનો જન્મ 23 ઓગસ્ટ 1950ના રોજ થયો હતો. તેમની 76મી બર્થ એનિવર્સરી પર પ્રિયંકા ચોપરા પોતાના પિતાને યાદ કરીને ઇમોશનલ થઈ ગઈ હતી. તેણે ઇન્સ્ટાગ્રામ પર પિતાની એક જૂની તસવીર શેર કરી. તસવીરમાં અશોક ચોપરા ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે. પ્રિયંકાએ ફોટો સાથે લખ્યું, હેપ્પી હેવનલી બર્થડે પાપા.</p><p style="text-align: justify; "><img alt="Priyanka Chopra Father (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/24/IEBf6rBj0hfEJdDZptzCARyM5pNtvr6yWJOhcmql.webp"><br></p><p style="text-align: justify; ">પ્રિયંકા ચોપરા ઘણીવાર પોતાના પિતાની યાદોને ઇમોશનલ પોસ્ટ અને જૂની તસવીરો દ્વારા જીવંત રાખે છે. પ્રિયંકા ઘણીવાર કહી ચૂકી છે કે તેમને પોતાના દિવંગત પિતા ડો. અશોક ચોપરાની ખૂબ યાદ આવે છે. તાજેતરમાં એક વીડિયોમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ પોતાની જિંદગીના કયા સમયગાળામાં ફરી જવા માગશે, ત્યારે તેમણે પિતા સાથે સમય વિતાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પ્રિયંકા ચોપરાએ Esquire India સાથે વાતચીતમાં કહ્યું, હું ફરીથી મારા પિતા સાથે સમય વિતાવવા માગીશ. મને તેમની ખૂબ યાદ આવે છે અને તેઓ ખૂબ જ મજાકિયા હતા. જો કોઈ ખાસ સમયગાળામાં પાછા જવાની તક મળે તો હું 2000ના દાયકાના મધ્યના સમયમાં જવા માગીશ, કારણ કે એ સમયે તેઓ સૌથી વધુ ખુશ હતા.</p><h3 style="text-align: justify; "><b>કોણ હતા અશોક ચોપરા?</b></h3><p style="text-align: justify; ">અશોક ચોપરા વ્યવસાયે ડોક્ટર અને સર્જન હતા. આ સાથે તેમણે ભારતીય સેનાની મેડિકલ કોર્પ્સમાં લેફ્ટનન્ટ કર્નલ તરીકે પણ સેવા આપી હતી. તેમણે ભારતીય સેનામાં 20 વર્ષથી વધુ સમય સુધી ડોક્ટર તરીકે કામ કર્યું હતું અને 1997માં લેફ્ટનન્ટ કર્નલના પદ પરથી નિવૃત્ત થયા હતા. અશોક ચોપરાનું 10 જૂન 2013ના રોજ કેન્સર સામે લાંબી લડાઈ બાદ નિધન થયું હતું.</p><h4 style="text-align: justify; "><b>પ્રિયંકા ચોપરાનું વર્કફ્રન્ટ</b></h4><p style="text-align: justify; ">વર્કફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા ચોપરા ટૂંક સમયમાં એસ.એસ. રાજામૌલીની ફિલ્મ વારાણસીથી તેલુગુ સિનેમામાં ડેબ્યૂ કરશે. ફિલ્મમાં તેઓ મહેશ બાબુ સાથે મંદાકિનીના પાત્રમાં જોવા મળશે. આ એક્શન-એડવેન્ચર ફિલ્મ 7 એપ્રિલ 2027ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. એક્ટ્રેસ લાંબા સમય બાદ હિન્દી સિનેમામાં વાપસી કરી રહી છે અને દર્શકો તેમને મોટા પડદા પર જોવા માટે આતુર છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/ranu-mondal-life-today-where-is-she-now" target="_blank">આ પણ વાંચો-Ranu Mondal : રાતોરાત મળ્યું સ્ટારડમ, હવે લાઈમલાઈટથી દૂર ક્યાં અને કેવા હાલમાં જીવી રહી છે રાનૂ મંડલ?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/y9mf6EuYJ7hCXMLOdRIhkvvO7oNXidp2gcrgjVDC.webp'/></item><item><title><![CDATA[South actor દેવેન ભાજપ છોડયા બાદ વિજયની TVKમાં જોડાશે ચર્ચા થઈ તેજ ]]></title><link>https://sandesh.com/india/news/after-south-actor-deven-quits-bjp-there-is-talk-of-vijay-joining-tvk</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/after-south-actor-deven-quits-bjp-there-is-talk-of-vijay-joining-tvk</guid><pubDate>Mon, 24 Aug 2026 12:10:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">તમિલનાડુમાં 'થલાપતિ' વિજયની પાર્ટી 'તમિલગા વેત્રી કઝગમ' (TVK) તરફ હવે અન્ય રાજ્યોના નેતાઓ અને કલાકારોનો ઝુકાવ વધી રહ્યો છે. આ જ ક્રમમાં મલયાલમ અભિનેતા અને કેરળ ભાજપના વરિષ્ઠ નેતા દેવને ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે અને તેઓ ટૂંક સમયમાં વિજયની પાર્ટી TVKમાં જોડાવવા જઈ રહ્યા છે. ભાજપ દક્ષિણ રાજ્યોમાં પગ પેસારો કરી રહ્યું છે ત્યાં વિજયની પાર્ટી તેમના માટે મોટો પડકાર બનશે. કારણ કે સાઉથમાં કોંગ્રેસ અને ભાજપના વિકલ્પ તરીકે લોકો TVKને જોઈ રહ્યા છે.</p><p style="text-align: justify; "><b>"ભાજપને ચૂંટણી જીતવામાં નહીં, પૈસા કમાવવામાં રસ છે" - દેવનના ગંભીર આક્ષેપો</b></p><p style="text-align: justify; ">રાજીનામું આપ્યા બાદ સોમવારે (૨૪ ઓગસ્ટ) સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા દેવને ભાજપ નેતૃત્વ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે, "હું ખૂબ જુસ્સાથી કામ કરી રહ્યો હતો, પણ ભાજપ મારા મિશનને સમજવામાં નિષ્ફળ રહી. તેમને ચૂંટણી જીતવામાં નહીં પણ પૈસા કમાવવામાં રસ છે, જેનો મેં વિરોધ કર્યો હતો." તેમણે ઉમેર્યું કે ભાજપ સાથે રહેવાથી તેમની રાજકીય મહત્વાકાંક્ષાઓ પૂર્ણ થઈ શકે તેમ નહોતી.</p><p style="text-align: justify; "><b>૧૦ સપ્ટેમ્બરે વિજય સાથે યોજાશે ખાસ મુલાકાત</b></p><p style="text-align: justify; ">દેવને ખુલાસો કર્યો કે રાજીનામા બાદ વિજયે તેમના પ્રતિનિધિઓને તેમની પાસે મોકલ્યા હતા. ત્યારબાદ ચેન્નાઈમાં TVKના વરિષ્ઠ નેતાઓ સાથે ઓનલાઈન મીટિંગ યોજાઈ હતી, જેમાં તેઓ સૈદ્ધાંતિક રીતે પાર્ટીમાં જોડાવા સંમત થયા છે. દેવને વિજય સાથે વ્યક્તિગત મુલાકાતની ઈચ્છા વ્યક્ત કરતા તેમને ૧૦ સપ્ટેમ્બરની તારીખ મળી છે, જે મુલાકાતની તેઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/don-3-ranveer-singh-warns-imppa-of-legal-action-know-what-the-whole-controversy-is-about" target="_blank">આ પણ વાંચો : Don 3: રણવીર સિંહે IMPPAને આપી કાનૂની કાર્યવાહીની ચેતવણી, જાણો શું છે આખો વિવાદ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/KNQkNQd7CYdWw0JivWxlhmTBshkcj9m127dSCqGQ.webp'/></item><item><title><![CDATA[onion prices: ડુંગળીના ભાવમાં ઉછાળો, કેન્દ્ર સરકાર ‘કાંદા એક્સપ્રેસ’થી બફર સ્ટોક બજારમાં ઉતારશે ]]></title><link>https://sandesh.com/business/news/onion-prices-onion-prices-soar-central-government-to-release-buffer-stock-in-the-market-through-kanda-express</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/onion-prices-onion-prices-soar-central-government-to-release-buffer-stock-in-the-market-through-kanda-express</guid><pubDate>Mon, 24 Aug 2026 11:30:16 +05:30</pubDate><description><![CDATA[<p>Onion stock:&nbsp; દેશભરમાં વધતી કિંમતોને કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકાર સોમવારથી ડુંગળીનો પોતાનો બફર સ્ટોક બજારમાં ઉતારવાનું શરૂ કરશે. મીડિયા રિપોર્ટ અનુસાર ‘કાંદા એક્સપ્રેસ’ નામની ડુંગળી લઈ જતી ટ્રેનો નાસિકથી દિલ્હી, ચેન્નઈ, કોચી અને ગુવાહાટી જેવા શહેરો માટે દોડાવવામાં આવશે, જ્યાં ડુંગળીના છૂટક ભાવ રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે છે.&nbsp;</p><h2><b>મેટ્રો શહેરોમાં ડુંગળીના ભાવ વધારે</b></h2><p>શનિવારે ડુંગળીનો સરેરાશ છૂટક ભાવ 42 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો, જે એક વર્ષ અગાઉની સરખામણીએ 45 ટકા અને ગયા મહિનાની સરખામણીએ 19 ટકા વધારે છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે મોટા શહેરોમાં ડુંગળી અને ખાંડ બંનેના ભાવ વધી રહ્યા છે. ઉપભોક્તા બાબતોના વિભાગના આંકડા અનુસાર, શનિવારે દિલ્હીમાં ડુંગળી 65 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ હતી, જ્યારે એક વર્ષ પહેલાં તેનો ભાવ 35 રૂપિયા પ્રતિ કિલો હતો. ચેન્નઈમાં ડુંગળીનો ભાવ 58 રૂપિયા પ્રતિ કિલો રહ્યો, જ્યારે ગયા વર્ષે તે 33 રૂપિયા પ્રતિ કિલો હતો. કેરળ અને આસામના કેટલાક વિસ્તારોમાં પણ ડુંગળીના ભાવ વધેલા છે.</p><h3><b>સ્ટોકની કોઈ અછત નથી</b></h3><p>ખાંડના છૂટક ભાવ પણ સતત વધી રહ્યા છે. શનિવારે ખુલ્લી ખાંડ 62.5 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ, જે એક વર્ષ પહેલાંની સરખામણીએ 34 ટકા અને એક મહિના પહેલાંના ભાવ (46 રૂપિયા પ્રતિ કિલો) કરતાં 28.5 ટકા વધારે છે. દિલ્હીમાં ખાંડ 65 રૂપિયા પ્રતિ કિલો અને મુંબઈમાં 69 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ હતી. અધિકારીઓએ કહ્યું કે કેટલાક વેપારીઓ કૃત્રિમ રીતે ભાવ વધારી શકે છે, તેથી ડુંગળીને ઓછી કિંમતે વ્યવસ્થિત રીતે બજારમાં ઉતારવામાં આવશે. તેમણે કહ્યું કે આગામી મહિનાઓમાં માંગ પૂરી કરવા માટે સરકાર અને ખેડૂતો પાસે પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. ખાદ્ય મંત્રાલયે પણ કહ્યું છે કે ખાંડનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. સરકારે અગાઉ ઓક્ટોબર 2024માં કિંમતોને નિયંત્રણમાં લેવા માટે નાસિકથી દિલ્હી અને દેશના અન્ય વિસ્તારો માટે ‘કાંદા એક્સપ્રેસ’ ટ્રેનો ચલાવી હતી.</p><h4><b>મહારાષ્ટ્રમાં ખરીફ ડુંગળીના ઉત્પાદનમાં 5 ટકાથી 7 ટકાનો ઘટાડો&nbsp;</b></h4><p>બજારના જાણકારોનું કહેવું છે કે સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન કરતા રાજ્ય મહારાષ્ટ્રમાં ખરીફ ડુંગળીના ઉત્પાદનમાં 5 ટકાથી 7 ટકાનો ઘટાડો થવાના અહેવાલોએ કિંમતોમાં વધારામાં યોગદાન આપ્યું છે. ખેડૂતોની સહકારી સંસ્થાઓ NAFED અને નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન (NCCF)એ ચાલુ નાણાકીય વર્ષ માટે બફર સ્ટોક તરીકે આશરે 1.2 લાખ ટન ડુંગળીની ખરીદી કરી છે. મે મહિનામાં બંને એજન્સીઓએ ડુંગળી ખરીદીનો ભાવ 1,270 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કર્યો હતો. ગયા અઠવાડિયે ખરીદીની ગતિ વધારવા માટે આ ભાવ બદલીને 2,645 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યો હતો. કૃષિ મંત્રાલયના બીજા આગોતરા અંદાજ અનુસાર, 2025-26 પાક વર્ષ (જુલાઈથી જૂન સુધી)માં ડુંગળીનું ઉત્પાદન 307 લાખ ટન રહેવાનો અંદાજ છે. આ 2024-25 પાક વર્ષમાં નોંધાયેલા ઉત્પાદન જેટલું જ છે.</p><p><b><a href="https://sandesh.com/" target="_blank">વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/K4NMKozSLtmWOBwrMBBeIm9Uc14T6YB48MSJ57pZ.webp'/></item><item><title><![CDATA[Indiaની દિવ્યાંગ ક્રિકેટ ટીમને મળ્યા અમિત શાહ, લોર્ડ્સની ઐતિહાસિક જીતની કરી પ્રશંસા ]]></title><link>https://sandesh.com/sports/news/india/amit-shah-meets-indias-disabled-cricket-team-praises-historic-win-at-lords</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india/amit-shah-meets-indias-disabled-cricket-team-praises-historic-win-at-lords</guid><pubDate>Mon, 24 Aug 2026 11:08:58 +05:30</pubDate><description><![CDATA[<p>Indiaની દિવ્યાંગ ક્રિકેટ ટીમ તાજેતરમાં ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટી20 સિરીઝ રમીને પરત ફરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમામ ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત કરી અને તેમના જુસ્સા તથા દૃઢશક્તિની પ્રશંસા કરી. ભારતીય ખેલાડીઓનો એક વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં તેમણે સૌરવ ગાંગુલીની સ્ટાઇલમાં લોર્ડ્સની બાલ્કની પર શર્ટ ઉતારીને લહેરાવ્યું હતું.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/AmitShah/status/2091540039704699368"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b style="font-size: 2rem;">અમિત શાહે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે મુલાકાત કરી</b></p><p> આ યાદગાર જીત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. અમિત શાહે સોશિયલ મીડિયા દ્વારા કહ્યું- નવી દિલ્હીમાં ભારતની દિવ્યાંગ ક્રિકેટ ટીમને મળીને ખુશી થઈ. ભારતની આ ટીમ ઇંગ્લેન્ડ પ્રવાસથી પરત ફરી છે, જ્યાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મેન્સ મિક્સ્ડ ડિસેબિલિટી ટી20 સિરીઝ રમાઈ હતી. દેશનું સન્માન વધારવા માટે તેમનો પ્રયાસ અને તેમનો દૃઢ સંકલ્પ ભારતના યુવાનોને પ્રેરણા આપે છે. ભવિષ્યના પ્રયાસો માટે તેમને શુભકામનાઓ.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/LucknowIPL/status/2090409941769261489"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b style="font-size: 1.75rem;">ભારત માટે હિલાલ અહમદ વાણીએ 4 વિકેટ ઝડપી&nbsp;</b></p><p>ટીમ ઈન્ડિયા ભલે સિરીઝ હારી ગઈ, પરંતુ સિરીઝનો અંત તેણે યાદગાર અંદાજમાં કર્યો. અંતિમ ટી20 મુકાબલામાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારિત 20 ઓવરમાં સ્કોરબોર્ડ પર 206 રન નોંધાવ્યા હતા. સૌથી વધુ પ્રભાવિત માજિદ મેકગ્રેની 331.58ના સ્ટ્રાઇક રેટથી રમાયેલી ઇનિંગ્સે કર્યા હતા. તેમણે માત્ર 19 બોલમાં 68 રન ફટકાર્યા હતા, જેમાં 3 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ હતા. ઇંગ્લેન્ડની આખી ટીમ માત્ર 88 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતે 118 રનથી મેચ જીતી લીધી હતી. ભારત માટે હિલાલ અહમદ વાણીએ 4 વિકેટ ઝડપી હતી, જ્યારે જયેશ પરમારે માત્ર 2 ઓવર બોલિંગ કરીને 3 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. આ ધમાકેદાર જીત બાદ ભારતીય ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે પણ લોર્ડ્સની બાલ્કની પર શર્ટ લહેરાવ્યો હતો.</p><p><b><a href="https://sandesh.com/" target="_blank">વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/qYWhXb0m9OoaytEVlC2JMmyKpLlTHffb0heAKSvt.webp'/></item><item><title><![CDATA[Morbi : મંત્રીના ભાઈ રાકેશ અમૃતિયાના તીખા સવાલ, 400 ગણું વળતર નહીં તો થાંભલા નહીં નાંખવા દેવાય, Video ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/morbi/rakesh-amrutiya-farmer-protest-400-times-compensation-halvad</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/morbi/rakesh-amrutiya-farmer-protest-400-times-compensation-halvad</guid><pubDate>Mon, 24 Aug 2026 10:59:03 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મોરબી જિલ્લાના હળવદ તાલુકાના જુના દેવળિયા ગામે યોજાયેલી ખેડૂત જાગૃતિ સભામાં મંત્રી કાંતિલાલ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયાએ સરકાર સામે ગંભીર આક્ષેપો કરીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. ખેડૂત આંદોલનને સમર્થન આપ્યા બાદ પોતાના ત્યાં 6 વખત રેડ પડી હોવાનો ગંભીર આક્ષેપ તેમણે કર્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>ખેડૂતોને યોગ્ય વળતર મળવું જરૂરી છે</b></h2><p style="text-align: justify; ">ખેડૂત જાગૃતિ સભા દરમિયાન રાકેશ અમૃતિયાએ સરકારની નીતિઓ અને મંત્રી કાંતિલાલ અમૃતિયાના નિવેદન સામે પણ તીખી પ્રતિક્રિયા આપી હતી. ખેડૂતોની જમીનમાં થાંભલા નાખવા અને તેના વળતરના મુદ્દે તેમણે સ્પષ્ટ શબ્દોમાં સરકારને પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું કે ખેડૂતોને યોગ્ય વળતર મળવું જરૂરી છે અને માત્ર સરકારી કાર્યવાહીથી ખેડૂતોની જમીન પર કબજો ચલાવી લેવામાં નહીં આવે.</p><h2 style="text-align: justify; "><b style="font-size: 1.5rem;">માત્ર મંજીરા વગાડવાથી સરકાર કોઈને કંઈ આપવા તૈયાર નથી</b></h2><p style="text-align: justify; ">તેમણે સરકારની કામગીરી પર પણ કટાક્ષ કરતાં કહ્યું કે માત્ર મંજીરા વગાડવાથી સરકાર કોઈને કંઈ આપવા તૈયાર નથી.  ખેડૂતોના હિત સાથે સમાધાન કરવામાં નહીં આવે તેવો સંકેત પણ તેમણે આપ્યો હતો. તેમણે થાંભલા કાઢવાની કાર્યવાહી ચાલુ રાખવાની વાત કરતાં ખેડૂત આંદોલનને વધુ આક્રમક દિશામાં લઈ જવાનો પણ ઈશારો કર્યો હતો.&nbsp;</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2091765822335422527"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a>&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><b style="font-size: 1.75rem;">ખેડૂતોને જમીનનું 400 ગણું વળતર આપવામાં આવે&nbsp;</b></p><p style="text-align: justify; ">રાકેશ અમૃતિયાએ આક્રમક અંદાજમાં કહ્યું કે ખેડૂતોને જમીનનું 400 ગણું વળતર આપવામાં નહીં આવે તો થાંભલા નાખવા દેવામાં આવશે નહીં. તેમણે આક્ષેપ કર્યો કે થાંભલા ઊભા થયા બાદ જમીનની કિંમત ઘટી જાય છે અને ખેડૂતોને તેના કારણે નુકશાન થશે</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો :&nbsp;&nbsp;<a href="https://sandesh.com/explainer/news/india/ahmedabad/sandesh-digital-explainer-sugar-price-hike-40-percent-festive-season-shortage-reasons" target="_blank"><b>Sandesh Digital Explainer : તહેવારો પહેલાં ખાંડ બની કડવી..! 40% સુધીના ભાવવધારા પાછળ શું છે મહત્વના કારણ?</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/aKHl5dMmV1VKzaevjxHMTjSmSONLwLDizU3OpYFe.webp'/></item><item><title><![CDATA[Surat : રામચોકમાં ગણેશ આગમનમાં ભીડમાં ભારે ધક્કામૂકી થતાં અફરાતફરીનો માહોલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/surat-ganesh-arrival-ram-chowk-crowd-chaos-pushing-incident</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/surat-ganesh-arrival-ram-chowk-crowd-chaos-pushing-incident</guid><pubDate>Mon, 24 Aug 2026 10:27:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતમાં ગણેશ આગમનના ઉત્સાહ વચ્ચે ભીડ બેકાબૂ બનતાં ધક્કામૂકીની સ્થિતિ સર્જાઈ હતી. ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલા રામચોક ખાતે “સરકાર” ગ્રુપના ગણેશ આગમનને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ભીડ ક્ષમતા કરતાં વધુ વધી જતાં વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી અને લોકો વચ્ચે ધક્કામૂકી શરૂ થઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>લોકોને ભારે ભીડના કારણે ગભરામણ થવા લાગી&nbsp;</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ ગણેશ આગમનનો કાર્યક્રમ જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. ભીડ વધુ થવાના કારણે મહિલાઓ પણ લોકોની વચ્ચે દબાઈ ગઈ હોવાની સ્થિતિ સર્જાઈ હતી. કેટલાક લોકોને ભારે ભીડના કારણે ગભરામણ થવા લાગી હતી, જેના કારણે સ્થળ પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>પોલીસ અને આયોજકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો</b></h3><p style="text-align: justify; ">ભીડને નિયંત્રણમાં લેવા માટે પોલીસ અને આયોજકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભીડ વધતાં પરિસ્થિતિને કાબૂમાં રાખવામાં વ્યવસ્થા નબળી પડી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ધક્કામૂકી બાદ રસ્તા પર અનેક લોકોની ચપ્પલોના ઢગલા જોવા મળ્યા હતા, જે ઘટનાની ગંભીરતાનો અંદાજ આપે છે.</p><h4 style="text-align: justify; "><b>ભીડ વ્યવસ્થાપન અને સુરક્ષાને લઈને સવાલો&nbsp;</b></h4><p style="text-align: justify; ">આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ગણેશ આગમન દરમિયાન ભીડ વ્યવસ્થાપન અને સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે. મોટી સંખ્યામાં લોકો ઉમટે તેવા ધાર્મિક અને જાહેર કાર્યક્રમોમાં યોગ્ય આયોજન, પ્રવેશ-બહાર ની વ્યવસ્થા અને ભીડ નિયંત્રણ માટે પૂરતી તૈયારીઓ જરૂરી હોવાનું ફરી એકવાર સામે આવ્યું છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/india/ahmedabad/sandesh-digital-explainer-sugar-price-hike-40-percent-festive-season-shortage-reasons" target="_blank"><b> Sandesh Digital Explainer : તહેવારો પહેલાં ખાંડ બની કડવી..! 40% સુધીના ભાવવધારા પાછળ શું છે મહત્વના કારણ?</b></a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/MR4ozdZv0cTdlJXDcbQEwrEM8vuBUDlIghnMzCUU.webp'/></item><item><title><![CDATA[Bhavnagarમાં હોસ્ટેલમાં રેગિંગનો કાળો ખેલ,  ધોરણ 9ના વિદ્યાર્થીને માર મારી માલિશ કરાવાઈ હોવાના સનસનીખેજ આરોપ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/bhavnagar-madhav-boys-hostel-ragging-case-class-9-student-cctv-footage</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/bhavnagar-madhav-boys-hostel-ragging-case-class-9-student-cctv-footage</guid><pubDate>Mon, 24 Aug 2026 10:14:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભાવનગર શહેરની કાળીયાબીડ વિસ્તારમાં આવેલી માધવ બોયઝ હોસ્ટેલમાં રેગિંગ જેવી ગંભીર ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. હોસ્ટેલમાં રહેતા ધોરણ 9ના સગીર વિદ્યાર્થીને તેના સિનિયરો દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે.</p><h2 style="text-align: justify; "><b>વિદ્યાર્થીઓ અને હોસ્ટેલના રેક્ટર દ્વારા સગીર વિદ્યાર્થીને ત્રાસ</b></h2><p style="text-align: justify; ">ફરિયાદ મુજબ ધોરણ 12 સાયન્સના કેટલાક NEETની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અને હોસ્ટેલના રેક્ટર દ્વારા સગીર વિદ્યાર્થીને ત્રાસ આપવામાં આવતો હતો. વિદ્યાર્થી સાથે વારંવાર મારામારી કરવામાં આવી હોવાના આરોપો સામે આવ્યા છે. CCTV ફૂટેજમાં પણ સગીર વિદ્યાર્થીને માર મારવામાં આવતો હોવાનું દેખાતું હોવાની વિગતો સામે આવી છે.</p><h3 style="text-align: justify; "><b>વિદ્યાર્થીને સિગારેટ પીવડાવી હોવાનો આરોપ</b></h3><p style="text-align: justify; ">આરોપ છે કે વિદ્યાર્થીનું માથું દબાવવામાં આવ્યું, તેની પાસે માલિશ કરાવવામાં આવી અને ચપ્પલથી માર મારવામાં આવ્યો હતો. એટલું જ નહીં, વિદ્યાર્થીને સિગારેટ પીવડાવવામાં આવતી હોવાના પણ ગંભીર આક્ષેપો ફરિયાદમાં કરવામાં આવ્યા છે. આ તમામ આક્ષેપોને કારણે હોસ્ટેલની વ્યવસ્થા અને જવાબદારોની ભૂમિકા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.</p><h4 style="text-align: justify; "><b>નીલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધાયો&nbsp;</b></h4><p style="text-align: justify; ">આ મામલે 6  વ્યક્તિઓ સામે નીલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદ અને CCTV ફૂટેજના આધારે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. રેગિંગના નામે સગીર વિદ્યાર્થી સાથે ખરેખર કેટલો અને કેવો ત્રાસ થયો હતો તેની તપાસ બાદ વધુ વિગતો સામે આવશે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો :&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/india/ahmedabad/sandesh-digital-explainer-sugar-price-hike-40-percent-festive-season-shortage-reasons" target="_blank"><b>Sandesh Digital Explainer : તહેવારો પહેલાં ખાંડ બની કડવી..! 40% સુધીના ભાવવધારા પાછળ શું છે મહત્વના કારણ?</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/XAZct0oIcuF3GD7kIDoyasN7ivFImMyMwSuJqXl7.webp'/></item><item><title><![CDATA[Nitin Patelનું મોટું નિવેદન, દારૂબંધી હટાવાથી સરકારને હજારો કરોડની આવક થાય પણ..., Video ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/gir-somnath/nitin-patel-somnath-visit-gujarat-liquor-ban-gen-z-protest-statement</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/gir-somnath/nitin-patel-somnath-visit-gujarat-liquor-ban-gen-z-protest-statement</guid><pubDate>Mon, 24 Aug 2026 09:45:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહપરિવાર ગીર સોમનાથ પહોંચ્યા હતા અને સોમનાથ મહાદેવના દર્શન કરી શીશ ઝુકાવ્યું હતું. આ દરમિયાન તેમણે રાજ્યમાં સારો વરસાદ થાય અને લોકોનું જીવન સુખમય બને તે માટે મહાદેવને પ્રાર્થના કરી હતી. સોમનાથના સાનિધ્યમાં નીતિન પટેલે રાજ્યના વિવિધ મુદ્દાઓ પર પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી.</p><h2 style="text-align: justify; "><b>કાયદો અને વ્યવસ્થા મજબૂત રહેવામાં દારૂબંધીની પણ મહત્વની ભૂમિકા</b></h2><p style="text-align: justify; ">ગુજરાતમાં દારૂબંધીના મુદ્દે નીતિન પટેલે સૂચક નિવેદન આપતાં કહ્યું કે, જો દારૂબંધી હટાવવામાં આવે તો રાજ્ય સરકારને હજારો કરોડ રૂપિયાની આવક થઈ શકે છે. પરંતુ ગુજરાતમાં કાયદો વ્યવસ્થા દારૂબંધી ને કારણે જ મજબૂત છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત રહેવામાં દારૂબંધીની પણ મહત્વની ભૂમિકા છે. તેમના મતે રાજ્યના મોટાભાગના લોકો પણ દારૂબંધીના સમર્થનમાં છે.</p><h3 style="text-align: justify; "><b>રાજ્યમાં દારૂબંધી માત્ર આવકનો પ્રશ્ન નથી</b></h3><p style="text-align: justify; ">દારૂબંધી હટાવવા અંગેના શંકરસિંહ વાઘેલાના નિવેદન પર નીતિન પટેલે તેને તેમનો વ્યક્તિગત અભિપ્રાય ગણાવ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે રાજ્યમાં દારૂબંધી માત્ર આવકનો પ્રશ્ન નથી, પરંતુ તેની સામાજિક અને કાયદો-વ્યવસ્થા સાથે પણ સીધી અસર જોડાયેલી છે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2091767869340295238"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a>&nbsp;</p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>તેઓ પોતે પણ યુવા અવસ્થામાં આંદોલન સાથે જોડાયા</b></h4><p style="text-align: justify; ">ઝેન જી આંદોલન અંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે આંદોલનો કોઈ નવી બાબત નથી. આઝાદીના સમયથી લઈને આઝાદી બાદ પણ દેશમાં વિવિધ આંદોલનો થતા રહ્યા છે. ગુજરાતના નવનિર્માણ આંદોલન દરમિયાન તેઓ પોતે પણ યુવા અવસ્થામાં આંદોલન સાથે જોડાયા હતા. “ઝેન જી” શબ્દ ભલે નવો હોય, પરંતુ યુવાનો પોતાના વિચારો, પ્રેરણા અને મુદ્દાઓને લઈને હંમેશા આંદોલન કરતા આવ્યા છે.</p><h4 style="text-align: justify; "><b>&nbsp;યુવાનોની વાતને પ્રેમ અને સમજદારીથી સાંભળવી જોઈએ</b></h4><p style="text-align: justify; ">તેમણે વધુમાં કહ્યું કે કોઈપણ સરકાર કે રાજકીય નેતૃત્વે યુવાનોની વાતને પ્રેમ અને સમજદારીથી સાંભળવી જોઈએ અને સંવાદ દ્વારા આંદોલનનો ઉકેલ લાવવો જોઈએ. સરકાર અને યુવાનો વચ્ચેનો સંવાદ જ આવા મુદ્દાઓનો સુખદ ઉકેલ લાવી શકે છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/explainer/news/india/ahmedabad/sandesh-digital-explainer-sugar-price-hike-40-percent-festive-season-shortage-reasons" target="_blank"><b>Sandesh Digital Explainer : તહેવારો પહેલાં ખાંડ બની કડવી..! 40% સુધીના ભાવવધારા પાછળ શું છે મહત્વના કારણ?</b></a></p><p><br></p><p><br></p><p><br></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/teuNcx7XuAEqNQpbFjHkefMfcT2Jblb329ihJGgy.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : પ્રોપર્ટીના વિવાદે લીધો ઉગ્ર વળાંક, બહેરામપુરામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-behrampura-property-dispute-stone-pelting-danilimda-police</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-behrampura-property-dispute-stone-pelting-danilimda-police</guid><pubDate>Mon, 24 Aug 2026 09:07:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં પ્રોપર્ટીના વિવાદને લઈને એક જ સમુદાયના બે જૂથ આમને-સામને આવી જતા તંગદિલીનો માહોલ સર્જાયો હતો. બહેરામપુરા પોલીસ ચોકી નજીક બંને પક્ષો વચ્ચે પહેલા ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ મામલાએ અચાનક ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં પથ્થરમારો શરૂ થયો હતો. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ જોવા મળ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>પ્રોપર્ટીના મુદ્દે બંને જૂથ વચ્ચે લાંબા સમયથી વિવાદ</b></h2><p style="text-align: justify; ">પ્રાથમિક માહિતી મુજબ પ્રોપર્ટીના મુદ્દે બંને જૂથ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદને લઈને બંને પક્ષો વચ્ચે બોલાચાલી થતાં મામલો બગડ્યો હતો અને ત્યારબાદ બંને તરફથી પથ્થરમારો થયો હોવાનું સામે આવ્યું છે. પથ્થરમારાની ઘટનાથી આસપાસના લોકોમાં પણ દોડધામ મચી ગઈ હતી.</p><h3 style="text-align: justify; "><b>અનેક વાહનોને નુકસાન પહોંચ્યું&nbsp;</b></h3><p style="text-align: justify; ">આ અથડામણ દરમિયાન રસ્તા પર અને આસપાસ પાર્ક કરવામાં આવેલા અનેક વાહનોને નુકસાન પહોંચ્યું હતું. પથ્થરમારાના કારણે વાહનોના કાચ અને અન્ય ભાગોને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.</p><h4 style="text-align: justify; "><b>ઘટનાના પગલે પોલીસ સ્થળ પર પહોંચી</b></h4><p style="text-align: justify; ">ઘટના બાદ બંને પક્ષો પોતાની ફરિયાદ નોંધાવવા માટે દાણીલીમડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે બંને પક્ષોની રજૂઆત સાંભળી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પ્રોપર્ટી વિવાદમાં પથ્થરમારો કરનાર કોણ હતા અને કેટલા લોકો આ ઘટનામાં સામેલ હતા તે દિશામાં તપાસ આગળ વધારવામાં આવી રહી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; <a href="https://sandesh.com/explainer/news/india/ahmedabad/sandesh-digital-explainer-sugar-price-hike-40-percent-festive-season-shortage-reasons" target="_blank"><b>&nbsp;Sandesh Digital Explainer : તહેવારો પહેલાં ખાંડ બની કડવી..! 40% સુધીના ભાવવધારા પાછળ શું છે મહત્વના કારણ?</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/fvSBPPWJ5u41U3u0wrF32IYej7aaBAXeWLqbQplo.webp'/></item></channel></rss>