<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabad: બોપલમાં ફ્લોપ બાદ હવે C.G. રોડ પર AMC ની નવી ‘સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમ’ શરૂ, ડિજિટલ પેમેન્ટ જ માન્ય ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-launches-smart-flap-parking-system-on-cg-road</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-launches-smart-flap-parking-system-on-cg-road</guid><pubDate>Tue, 01 Sep 2026 18:21:12 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા અગાઉ શહેરના બોપલ વિસ્તારમાં આવેલ સોબો સેન્ટર ખાતે સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી, પરંતુ ત્યાં આ સિસ્ટમ ફ્લોપ સાબિત થઈ હોવાના આક્ષેપો ઉઠ્યા હતા. આમ છતાં, તંત્ર દ્વારા હવે શહેરના પોશ અને ધમધમતા વેપારી મથક સી. જી. રોડ પર ‘સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમ’ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.</p><h2><b>અમદાવાદ AMC નું નવું પાર્કિંગ આયોજન</b></h2><p>નવી નીતિ મુજબ, સી. જી. રોડ પર સ્ટેડિયમ ક્રોસ રોડથી લઈને પંચવટી ક્રોસ રોડ સુધીના માર્ગ પર કુલ 280 ફોર-વ્હીલર વાહનો પાર્ક થઈ શકે તેવી સ્માર્ટ બેરિયર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.આ નવી સિસ્ટમ સંપૂર્ણપણે કેશલેસ અને ઓટોમેટેડ રાખવામાં આવી છે. વાહન ચાલકે પાર્કિંગનો ઉપયોગ કરવા માટે અથવા વાહન બહાર કાઢતી વખતે સ્માર્ટ બોક્સ પર આપેલા QR કોડને સ્કેન કરીને UPI કે અન્ય ડિજિટલ માધ્યમથી પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે. પેમેન્ટ સફળ થયા બાદ જ ફ્લેપ બેરિયર ઓટોમેટિક નીચે નમશે અને વાહન બહાર નીકળી શકશે.</p><h3><b>નવી પાર્કિંગ સિસ્ટમની મુખ્ય શરતો અને સુવિધાઓ&nbsp;</b></h3><p>આ સ્માર્ટ પાર્કિંગમાં કોઈ પણ પ્રકારનું કેશ (રોકડ) પેમેન્ટ સ્વીકારવામાં આવશે નહીં.આ નક્કી કરાયેલા 280 સ્લોટ માત્ર ચાર-પૈડા વાહનો (Car) માટે જ ફાળવવામાં આવ્યા છે, જેમાં ટુ-વ્હીલર માટે 'નો એન્ટ્રી' રાખવામાં આવી છે. જો કોઈપણ વાહનચાલકને પાર્કિંગ સંબંધિત કોઈ સમસ્યા નડે અથવા ત્યાં તૈનાત કર્મચારીઓ દ્વારા રોકડ રકમની ગેરકાયદે માગણી કરવામાં આવે, તો તંત્ર દ્વારા તુરંત 70410 40111 નંબર પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવવા જણાવવામાં આવ્યું છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/airport-customs-seizes-hydroponic-marijuana-from-myanmar-national" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: વિયેતનામની ફ્લાઇટમાં આવેલી મ્યાનમારની મહિલા 6.07 કિલો હાઇડ્રોપોનિક ડ્રગ્સ સાથે પકડાઈ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/i62o0e3aJVuXfokEvqtuxIdIYr0ZxFVHAseXfDBu.webp'/></item><item><title><![CDATA[UPI Payments : UPI પેમેન્ટમાં જબરદસ્ત ઉછાળો, ઓગસ્ટમાં 24.51 અબજ ટ્રાન્ઝેક્શન થયા ]]></title><link>https://sandesh.com/business/news/upi-payments-august-2026-record-24-51-billion-transactions</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/upi-payments-august-2026-record-24-51-billion-transactions</guid><pubDate>Tue, 01 Sep 2026 18:19:56 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતમાં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ સતત વધી રહ્યો છે અને ઓગસ્ટ 2026માં UPIએ ટ્રાન્ઝેક્શનની સંખ્યાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ઓગસ્ટ દરમિયાન UPI મારફતે કુલ 24.51 અબજ એટલે કે 2451 કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા. આ ટ્રાન્ઝેક્શનનું કુલ મૂલ્ય રૂ.29.82 લાખ કરોડ રહ્યું હતું.</p><h2><b>UPI ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં 22 ટકાનો વધારો</b></h2><p>ઓગસ્ટમાં UPI ટ્રાન્ઝેક્શનની સંખ્યા જુલાઈના 23.66 અબજની સરખામણીએ નોંધપાત્ર રીતે વધી છે. જૂનમાં 22.72 અબજ અને મેમાં 23.20 અબજ ટ્રાન્ઝેક્શન નોંધાયા હતા. જ્યારે ગયા વર્ષે ઓગસ્ટમાં 19.63 અબજ ટ્રાન્ઝેક્શન થયા હતા. એટલે કે એક વર્ષમાં UPI ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં આશરે 22 ટકાનો વધારો થયો છે.</p><p>ટ્રાન્ઝેક્શનના મૂલ્યની વાત કરીએ તો ઓગસ્ટમાં રૂ.29.82 લાખ કરોડના UPI પેમેન્ટ થયા હતા. જોકે આ આંકડો મે અને જુલાઈ 2026માં નોંધાયેલા રૂ.29.9 લાખ કરોડના રેકોર્ડ કરતાં થોડો ઓછો છે. તેમ છતાં ગયા વર્ષે ઓગસ્ટમાં નોંધાયેલા રૂ.24.85 લાખ કરોડની સરખામણીએ આ વર્ષે ટ્રાન્ઝેક્શન વેલ્યુમાં આશરે 20 ટકાનો વધારો થયો છે.</p><h3><b>તહેવારોની સિઝનની દેખાઈ અસર</b></h3><p>UPI ટ્રાન્ઝેક્શનમાં વધારા પાછળ તહેવારોની સિઝન પણ એક મહત્વનું કારણ માનવામાં આવી રહ્યું છે. રક્ષાબંધન જેવા તહેવારો દરમિયાન લોકો વચ્ચે પૈસાની લેવડદેવડ, ગિફ્ટ ખરીદી અને નાના-મોટા વેપારીઓને ડિજિટલ પેમેન્ટમાં વધારો જોવા મળ્યો હતો. આગામી તહેવારોની સિઝનમાં UPIના ઉપયોગમાં હજુ વધુ વધારો થવાની શક્યતા છે.</p><h4><b>11 દેશો UPIને સ્વીકારવા લાગ્યા</b></h4><p>UPIની પહોંચ હવે ભારત પૂરતી મર્યાદિત રહી નથી. આ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિસ્તરી રહી છે. હાલમાં 11 દેશોમાં UPI સ્વીકારવામાં આવે છે. તેમાં સિંગાપોર, UAE, ફ્રાન્સ, મોરિશિયસ, નેપાળ, ભૂટાન, કતાર, શ્રીલંકા, કંબોડિયા અને ગ્રીસ ઉપરાંત ઉઝબેકિસ્તાનનો પણ સમાવેશ થાય છે. ઓગસ્ટના આંકડા દર્શાવે છે કે UPI હવે લોકોના રોજિંદા જીવનમાં ડિજિટલ પેમેન્ટનું મહત્વનું માધ્યમ બની ગયું છે. ખાસ કરીને વ્યક્તિગત ટ્રાન્સફર, દુકાનોમાં ચુકવણી અને અન્ય નાના-મોટા વ્યવહારો માટે લોકો UPI પર વધુ નિર્ભર બની રહ્યા છે.<br><br><b><a href="https://sandesh.com/business/news/phonepe-upi-123pay-feature-phone-payments-without-internet" target="_blank">આ પણ વાંચો : UPI Payment: ઇન્ટરનેટ વગર પૈસા મોકલવાની સુવિધા; જાણો 123PAY સર્વિસ કેવી રીતે કામ કરે છે</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/MzB9e6b5sKpRxrHCBWlQkclukvmVlA3QoWM8OzPu.webp'/></item><item><title><![CDATA[Surat : સાયણ સુગર મીલમાં ‘મેન્ડેટ’ સામે ખેડૂતોનો બળવો, 4 સપ્ટેમ્બરે વિરોધની ચેતવણી ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-sayan-sugar-mill-election-political-mandate-farmers-protest</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-sayan-sugar-mill-election-political-mandate-farmers-protest</guid><pubDate>Tue, 01 Sep 2026 18:11:03 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત જિલ્લાના સાયણ સુગર મીલમાં પ્રમુખ અને ઉપપ્રમુખની આગામી ચૂંટણીને લઈને વિવાદ ગરમાયો છે. ચૂંટણીમાં રાજકીય મેન્ડેટ પ્રથાનો વિરોધ કરતા ખેડૂત સભાસદો મેદાને ઉતર્યા છે. આજે સાયણ સુગર મીલના કંપાઉન્ડમાં ખેડૂતો અને સભાસદોની બેઠક મળી હતી, જેમાં “સુગર મીલ બચાવો, મેન્ડેટ ભગાવો”ના નારા ગુંજી ઉઠ્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>4 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે</b></h2><p style="text-align: justify; ">ઓલપાડ પ્રાંત દ્વારા આગામી 4 સપ્ટેમ્બરે સાયણ સુગર મીલના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે ખેડૂત સભાસદોએ આ ચૂંટણી ભાજપના મેન્ડેટના આધારે નહીં, પરંતુ સહકારી ધોરણે યોજવાની માંગ કરી છે.</p><p style="text-align: justify; "><img alt="Surat farmers oppose political mandate in Sayan Sugar Mill president election and warn of protest during the September 4 poll" src="https://epapercdn.sandesh.com/images/2026/09/01/pf5tl1aL0o7EXOzIlxPK1RskLZ2TMcsa0eWv4CQt.webp" style="width: 100%;"><br></p><h3 style="text-align: justify; "><b>મેન્ડેટ નહીં, સહકારી ધોરણે ચૂંટણીની માંગ</b></h3><p style="text-align: justify; ">ખેડૂત સભાસદોનું કહેવું છે કે સુગર મીલ એક સહકારી સંસ્થા હોવાથી તેની ચૂંટણી પણ સહકારી સિદ્ધાંતો અને નિયમો અનુસાર થવી જોઈએ. રાજકીય પક્ષના મેન્ડેટના આધારે ચૂંટણી યોજવાથી સંસ્થાની સ્વતંત્રતા અને લોકશાહી પ્રક્રિયા પર અસર થઈ શકે છે.</p><h3 style="text-align: justify; "><b>મેનેજિંગ ડિરેક્ટરને લેખિત રજૂઆત&nbsp;</b></h3><p style="text-align: justify; ">ખેડૂતો દ્વારા ચૂંટણી અધિકારી અને સાયણ સુગર મીલના મેનેજિંગ ડિરેક્ટરને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે. ખેડૂતોના હિત અને સંસ્થાના સારા વહીવટ માટે નિયમ મુજબ ચૂંટણી યોજવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><img alt="Surat farmers oppose political mandate in Sayan Sugar Mill president election and warn of protest during the September 4 poll" src="https://epapercdn.sandesh.com/images/2026/09/01/qwfNbihWMbz1Sh7qYlmcq3l2Iva4XlD5iMD0LMBg.webp" style="width: 100%;"><br></p><h4 style="text-align: justify; "><b>પારદર્શક અને લોકશાહી ચૂંટણીની માંગ</b></h4><p style="text-align: justify; ">ખેડૂત સભાસદોએ મેન્ડેટ પ્રથા વિના પારદર્શક અને લોકશાહી પદ્ધતિથી ચૂંટણી યોજવાની રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું છે કે સંસ્થાના પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી સભાસદોના મત અને સહકારી ધોરણોના આધારે થવી જોઈએ.</p><h4 style="text-align: justify; "><b>4 સપ્ટેમ્બરે વિરોધની ચેતવણી</b></h4><p style="text-align: justify; ">ખેડૂતોએ આગામી 4 સપ્ટેમ્બરે મેન્ડેટ લાવનારાઓનો વિરોધ કરવાની ચેતવણી આપી છે. વિરોધ કરી રહેલા ખેડૂત સભાસદોએ એકસુરે જણાવ્યું છે કે મેન્ડેટ પ્રથાનો વિરોધ કરવામાં આવશે અને જરૂર પડશે તો સુગર મીલમાં પ્રવેશ સામે પણ વિરોધ નોંધાવવામાં આવશે.</p><p><br></p><p>&nbsp; આ પણ વાંચો :&nbsp; <a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-gujarat-august-rainfall-deficit-devbhumi-dwarka-87-percent-monsoon" target="_blank"><b>&nbsp;Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ</b></a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/BGtUuYERRQdTSYM1OZIxhdSEVHjKh62ZMnvwsnTW.webp'/></item><item><title><![CDATA[ISRO 4 સપ્ટેમ્બરે લોન્ચ કરશે GSLV-F17, ચીન-પાકિસ્તાન બોર્ડર પર રહેશે નજર ]]></title><link>https://sandesh.com/india/news/isro-gslv-f17-launch-september-4-eos-05-border-monitoring</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/isro-gslv-f17-launch-september-4-eos-05-border-monitoring</guid><pubDate>Tue, 01 Sep 2026 17:35:54 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO) 4 સપ્ટેમ્બરે EOS-05 સેટેલાઈટનું લોન્ચિંગ કરવા જઈ રહી છે. આ સેટેલાઈટને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી સવારે 2:55 વાગ્યે GSLV-F17 રોકેટની મદદથી લોન્ચ કરવામાં આવશે. EOS-05ને પૃથ્વીથી આશરે 36,000 કિલોમીટર ઉપરની કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. આ સેટેલાઈટની ખાસિયત એ છે કે તે ભારતના મોટા વિસ્તાર પર સતત નજર રાખવાની સાથે એક જ વિસ્તારની તસવીરો વારંવાર મેળવી શકશે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/isro/status/2094462935888437737"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>ભારતનો મહત્વપૂર્ણ સેટેલાઈટ બનશે</b></h2><p>EOS-05 ભારતનો એવો મહત્વપૂર્ણ સેટેલાઈટ બનશે, જે ચક્રવાત, પૂર, વાદળ ફાટવા અને જંગલોમાં લાગતી આગ જેવી કુદરતી આફતો પર નજર રાખવામાં મદદ કરશે. સેટેલાઈટથી મળતી તસવીરોના આધારે પૂર કેટલા વિસ્તારમાં ફેલાયું છે અથવા ચક્રવાતથી કયા વિસ્તારો પ્રભાવિત થયા છે તેની માહિતી ઝડપથી મેળવી શકાશે. જંગલમાં આગ લાગવાના કિસ્સામાં પણ અસરગ્રસ્ત વિસ્તાર અંગે માહિતી મેળવવામાં મદદ મળશે.</p><h3><b>ભૌગોલિક ફેરફારો પર નજર રહેશે</b></h3><p>સેટેલાઈટથી મળતી માહિતીનો ઉપયોગ હવામાન વિભાગ, આપત્તિ વ્યવસ્થાપન સાથે જોડાયેલી ટીમો અને અન્ય સરકારી એજન્સીઓ કરી શકશે. આ ઉપરાંત ખેતી, જમીનના ઉપયોગ અને મોટા વિસ્તારોમાં થતા ભૌગોલિક ફેરફારો પર નજર રાખવામાં પણ EOS-05 ઉપયોગી સાબિત થઈ શકે છે. સરહદી વિસ્તારોમાં થતી ગતિવિધિઓ પર નજર રાખવામાં પણ આ સેટેલાઇટની ક્ષમતાનો ઉપયોગ થઈ શકે છે.</p><p>EOS-05ને એવી કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે જ્યાં તે પૃથ્વીની ગતિ સાથે સુમેળમાં પરિભ્રમણ કરશે. સામાન્ય રીતે પૃથ્વીની નજીકની કક્ષામાં ફરતા સેટેલાઈટ કોઈ ચોક્કસ વિસ્તાર ઉપરથી પસાર થયા બાદ થોડા સમય પછી ફરી ત્યાં પહોંચે છે. જોકે EOS-05ની કક્ષા તેને ભારતના મોટા ભાગ પર વારંવાર નજર રાખવાની ક્ષમતા આપશે.</p><h4><b>GSLV Mk II રોકેટનો ઉપયોગ કરવામાં આવશે</b></h4><p>GSLV-F17ની આ 19મી ઉડાન હશે. તેમાં GSLV Mk II રોકેટનો ઉપયોગ કરવામાં આવશે. આ રોકેટ આશરે 51.7 મીટર લાંબું અને લોન્ચ સમયે લગભગ 420.5 ટન વજનનું હશે. રોકેટ ત્રણ તબક્કામાં કામ કરીને પહેલા સેટેલાઈટને પ્રારંભિક કક્ષામાં પહોંચાડશે અને ત્યારબાદ તેને નિર્ધારિત કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે.</p><p>આ મિશનનું જોડાણ 2021ના EOS-03 મિશન સાથે પણ છે. 12 ઓગસ્ટ 2021ના રોજ GSLV-F10થી EOS-03નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ રોકેટના અંતિમ તબક્કામાં ટેક્નિકલ ખામી સર્જાતા સેટેલાઈટ નિર્ધારિત કક્ષામાં પહોંચી શક્યો નહોતો. હવે EOS-05 મિશન દ્વારા ISRO આ પ્રકારની સેટેલાઈટ સેવા ફરી શરૂ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રયાસ કરી રહ્યું છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/political-news/penguins-u-turn-on-sonia-gandhis-book-belonging-what-was-the-explanation-behind-not-publishing-it-know" target="_blank">આ પણ વાંચો : Sonia Gandhiના પુસ્તક Belonging પર પેંગ્વિનનો યુ-ટર્ન, પ્રકાશન ન કરવા પાછળ શું હતો ખુલાસો?, જાણો</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/7EcMilwXzr3KWztkl6ljUBrvsxSdlh1aYFMoeSVD.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: વિયેતનામની ફ્લાઇટમાં આવેલી મ્યાનમારની મહિલા 6.07 કિલો હાઇડ્રોપોનિક ડ્રગ્સ સાથે પકડાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/airport-customs-seizes-hydroponic-marijuana-from-myanmar-national</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/airport-customs-seizes-hydroponic-marijuana-from-myanmar-national</guid><pubDate>Tue, 01 Sep 2026 17:29:46 +05:30</pubDate><description><![CDATA[<p>અંકુશિત અને ગેરકાયદે માદક પદાર્થોની તસ્કરી સામે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) ને મોટી સફળતા મળી છે. ગત 31 ઓગસ્ટના રોજ વિયેતનામના હો ચી મિન્હ સિટીથી ફ્લાઇટ નંબર VJ-1805 માં અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયેલી એક વિદેશી મહિલા મુસાફર શંકાસ્પદ જણાતાં કસ્ટમ્સ ટીમે તેને રોકી હતી.</p><h2><b>મ્યાનમારની મહિલા પાસેથી હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત</b></h2><p>પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે કસ્ટમ્સ અધિકારીઓએ મહિલાના સામાનનું એક્સ-રે (X-Ray) સ્કેનિંગ કર્યું હતું. આ દરમિયાન કસ્ટમ્સના સ્નિફર ડોગે પણ મહિલાની ટ્રોલી બેગ તરફ શંકાસ્પદ સિગ્નલ આપ્યા હતા, જેથી અધિકારીઓએ બેગની કાળજીપૂર્વક ભૌતિક તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન ટ્રોલી બેગના તળિયાના ભાગે ખાસ પ્રકારનું ફોલ્સ લેયર અને ગુપ્ત કેવિટી બનાવેલી હોવાનું ખુલ્લું પડ્યું હતું. કસ્ટમ્સ ટીમે જ્યારે આ કપ્તાન કેવિટી તોડી ત્યારે તેમાંથી લીલા રંગના પદાર્થ ધરાવતા ૫ જેટલા એર-ટાઇટ વેક્યૂમ પેકેટો મળી આવ્યા હતા.&nbsp;</p><h3><b>ટ્રોલી બેગની કેવિટીમાંથી પકડાયા 5 વેક્યૂમ પેકેટ</b></h3><p>કસ્ટમ્સની પ્રાથમિક કેમિકલ ટેસ્ટિંગ કિટ દ્વારા ચકાસણી કરવામાં આવતાં આ પદાર્થ ઉચ્ચ ક્વોલિટીનો 'હાઇડ્રોપોનિક ગાંજો' (મારિજુઆના) હોવાનું પુરવાર થયું હતું. જપ્ત કરવામાં આવેલા 5 પેકેટોનું કુલ વજન 6073.7 ગ્રામ (6.073 કિલો) નોંધાયું છે.મ્યાનમાર દેશની મૂળ નિવાસી એવી આ વિદેશી મહિલા સામે એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધીને તેની અટકાયત કરવામાં આવી છે. આ મોંઘોડેટ ડ્રગ્સનો જથ્થો ગુજરાત કે ભારતમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં કસ્ટમ્સ એજન્સીએ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/himatnagar/sabarkantha-cyber-crime-busted-nine-arrested-14-crore-mule-account-transactions" target="_blank">આ પણ વાંચો: Sabarkantha: 4 મ્યુલ એકાઉન્ટમાંથી 14 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન અને 14 લાખથી વધુની સાયબર ઠગાઈ સામે આવી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/YcduDGP1YYzCNYjVe0TiYay5rlAcUSw4E7SHKMHR.webp'/></item><item><title><![CDATA[West Bengal: મમતા બેનર્જીની ભત્રીજીએ ગળે ફાંસો ખાધો, પતિ સાથે છૂટાછેડાનો ચાલતો હતો કેસ ]]></title><link>https://sandesh.com/india/news/west-bengal-mamata-banerjees-niece-hanged-herself-divorce-case-was-going-on-with-her-husband</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/west-bengal-mamata-banerjees-niece-hanged-herself-divorce-case-was-going-on-with-her-husband</guid><pubDate>Tue, 01 Sep 2026 17:11:52 +05:30</pubDate><description><![CDATA[<p>પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીની ભત્રીજી&nbsp; બૃષ્ટિ મુખર્જીએ આત્મહત્યા કરી છે. તેનો મૃતદેહ મંગળવારે બપોરે રામપુરહાટમાં તેમના ઘરે લટકતો મળી આવ્યો હતો. પરિવારનું કહેવું છે કે તેણે આત્મહત્યા કરી લીધી. અહેવાલો અનુસાર, વૃષ્ટિ છેલ્લા 4-5 વર્ષથી ડિપ્રેશનથી પીડાતી હતી અને સારવાર લઈ રહી હતી.</p><h2><b>વૃષ્ટિ મમતાના મામાના પિતરાઈ ભાઈની પુત્રી હતી&nbsp;</b></h2><p>પશ્ચિમ બંગાળ શાળા ભરતી કૌભાંડમાં તેનું નામ આવ્યા બાદ તેણીએ સરકારી નોકરી ગુમાવી દીધી હતી. તાજેતરમાં છૂટાછેડાની કાર્યવાહીને કારણે તેણી તણાવમાં પણ હતી.&nbsp; બૃષ્ટિ મમતા બેનર્જીના મામાના પિતરાઈ ભાઈ નિહાર મુખર્જીની પુત્રી હતી. નિહાર અગાઉ રામપુરહાટમાં તૃણમૂલ કોંગ્રેસના બ્લોક પ્રમુખ તરીકે સેવા આપી ચૂકી હતી. પરિવારનું મામાનું પૈતૃક ઘર રામપુરહાટના કુસુમ્બા ગામમાં છે. તે સ્થાનિક શાળામાં ગ્રુપ-સી કર્મચારી તરીકે કામ કરતી હતી.</p><p>ભરતી કૌભાંડમાં કેન્દ્રીય એજન્સીઓ દ્વારા કરવામાં આવેલી તપાસમાં આશરે 90 ટકા OMR શીટ્સમાં ગેરરીતિઓ બહાર આવી. તપાસમાં અનેક ઉમેદવારો જેમાં વૃષ્ટિનો પણ સમાવેશ થાય છે તે તમામ ઓળખાયા હતા જેમણે કથિત રીતે આ ગેરરીતિઓનો લાભ લીધો હતો. ત્યારબાદ કાનૂની કાર્યવાહી કરવામાં આવી, જેના પરિણામે તેણીની નોકરી ગુમાવવી પડી.</p><h3><b>મૃત્યુનું ચોક્કસ કારણ અસ્પષ્ટ</b></h3><p>પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વૃષ્ટિ  મુખર્જી પોતાના અંગત જીવનમાં ભારે તણાવમાંથી પસાર થઈ રહી હતી. તેણી તેના પતિ સાથે છૂટાછેડાની કાર્યવાહીમાં સામેલ હતી. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ ઘરેલું ઝઘડાને કારણે આ પગલું ભર્યુ છે કે પછી કોઇએ પ્રેરિત કરી કે પછી કોઈ અન્ય કારણ છે.</p><p>મંગળવારે બપોરે, કુસુમ્બા ગામમાં તેના ઘરની બીજા માળની બાલ્કનીમાંથી તેનો મૃતદેહ&nbsp; લટકતો મળી આવ્યો. માહિતી મળતાં, રામપુરહાટ પોલીસ ઘટનાસ્થળે પહોંચી. મૃતદેહને નીચે ઉતારીને તપાસ માટે રામપુરહાટ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો. પોલીસને શરૂઆતમાં આત્મહત્યાની શંકા છે. જોકે, મૃત્યુનું ચોક્કસ કારણ અસ્પષ્ટ છે. રામપુરહાટ પોલીસ તેના મૃત્યુની આસપાસના સંજોગોની તપાસ કરી રહી છે. દરમિયાન, પરિવારના સભ્યોનું કહેવું છે કે વૃષ્ટિ છેલ્લા ચારથી પાંચ વર્ષથી ડિપ્રેશન સામે ઝુકતી હતી અને સારવાર લઈ રહી હતી.</p><p><br></p><p>આ પણ વાંચો-&nbsp;&nbsp;<a href="https://sandesh.com/business/news/petrol-diesel-price-today-lpg-prices-increased-from-today-know-what-is-the-situation-in-petrol-and-diesel-prices" target="_blank" style="background-color: rgb(255, 255, 255);">Petrol Diesel Price Today: 1 સપ્ટેમ્બરે વધ્યા LPG, CNG અને PNGના ભાવ.. તો શું પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ થયો ફેરફાર ?&nbsp;</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/RTpIea6jokqx7jpUwFf6bAftMTwiFEGCG8PVVF7a.webp'/></item><item><title><![CDATA[Sabarkantha: 4 મ્યુલ એકાઉન્ટમાંથી 14 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન અને 14 લાખથી વધુની સાયબર ઠગાઈ સામે આવી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/himatnagar/sabarkantha-cyber-crime-busted-nine-arrested-14-crore-mule-account-transactions</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/himatnagar/sabarkantha-cyber-crime-busted-nine-arrested-14-crore-mule-account-transactions</guid><pubDate>Tue, 01 Sep 2026 17:03:03 +05:30</pubDate><description><![CDATA[<p>સાબરકાંઠા જિલ્લા સાયબર ક્રાઇમ સેલને કાયદાકીય અને ટેકનિકલ તપાસ દરમિયાન એક મોટું સાયબર રેકેટ પકડી પાડવામાં સફળતા મળી છે. સાઇબર શાખાની ટીમે 4 જેટલા શંકાસ્પદ બેંક એકાઉન્ટ્સની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતાં સામે આવ્યું હતું કે, આ તમામ 'મ્યુલ બેંક એકાઉન્ટ્સ' (બીજાના નામે ખોલાવેલા કે ભાડે રાખેલા ખાતાઓ) નો ઉપયોગ કરોડો રૂપિયાના અરાષ્ટ્રીય અને ગેરકાયદેસર વ્યવહારો માટે કરવામાં આવી રહ્યો હતો.</p><h2><b>મ્યુલ બેંક એકાઉન્ટ મારફતે ગેરકાયદે વ્યવહારો</b></h2><p>આ ગેંગ દ્વારા સામાન્ય અને આર્થિક રીતે નબળા લોકોને રૂ. 1,000 થી લઈને રૂ. 10,000 સુધીની કમિશન કે ભાડાની લાલચ આપવામાં આવતી હતી. આ લાલચમાં આવીને લોકો પોતાના પાસબુક, ચેકબુક, એટીએમ કાર્ડ અને બેંક એકાઉન્ટની વિગતો આ સાયબર ઠગોને સોંપી દેતા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ૪ બેંક ખાતાઓ મારફતે અત્યાર સુધીમાં રૂ. 14 કરોડથી વધુના શંકાસ્પદ નાણાકીય ટ્રાન્ઝેક્શન્સ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, સાઇબર ફ્રોડ દ્વારા લોકો સાથે આચરાયેલી રૂ. 14 લાખથી વધુની સીધી છેતરપિંડીનો પણ પોલીસે પર્દાફાશ કર્યો છે. આ ખાતાઓનો મુખ્ય ઉપયોગ શેરબજારના ગેરકાયદેસર રમત ગણાતા 'ડબ્બા ટ્રેડિંગ' તેમજ સાઇબર ગુનાના નાણાંની હેરફેર માટે થતો હતો.</p><h3><b>સાયબર ગેંગના 9 આરોપીઓ ઝડપાયા</b></h3><p>સાબરકાંઠા પોલીસે આ ગુનાહિત નેટવર્ક સાથે સંકળાયેલા 9 મુખ્ય આરોપીઓની એકસાથે અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, લાલચમાં આવીને પોતાનું બેંક એકાઉન્ટ કોઈને ભાડે આપનાર કે વેચનાર વ્યક્તિ પણ આ ગુનામાં ભાગીદાર ગણાશે અને તેની સામે પણ કાયદેસરની સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.પોલીસે જિલ્લાના તમામ નાગરિકોને અજાણ્યા વ્યક્તિઓને બેંક વિગતો, ઓટીપી કે ખાતાનો ઉપયોગ કરવા ન દેવા અપીલ કરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/vadodara/president-droupadi-murmu-to-visit-vadodara-on-september-23-for-msu-convocation" target="_blank">આ પણ વાંચો:Vadodara: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 23 સપ્ટેમ્બરે આવશે વડોદરા, MSU ના પદવીદાન સમારંભમાં આપશે હાજરી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/9Ki0lT4YjEQyUn7MJMkVkCBc33FgCfOW6VNpMWcP.webp'/></item><item><title><![CDATA[Surendranagar: ભવાનીગઢમાં દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી પર રાજકોટ રેન્જ ટીમનો દરોડો, 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/muli/muli-bhavanigarh-liquor-raid-rajkot-range-team-seizes-goods</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/muli/muli-bhavanigarh-liquor-raid-rajkot-range-team-seizes-goods</guid><pubDate>Tue, 01 Sep 2026 15:49:27 +05:30</pubDate><description><![CDATA[<p>સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે રાજકોટ રેન્જના ડીઆઈજી નિર્લિપ્ત રાય દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત મળેલી ચોક્કસ અને સચોટ બાતમીના આધારે રાજકોટ રેન્જ સ્ક્વોડની ટીમે મૂળી તાલુકાના ભવાનીગઢ ગામની સીમમાં દરોડો પાડ્યો હતો. ભવાનીગઢની સીમમાં અવાવરૂ જગ્યાએ મોટા પાયે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ધમધમી રહી હોવાની માહિતી પોલીસને મળી હતી.</p><h2><b>&nbsp;ભવાનીગઢમાં દેશી દારૂની ભઠ્ઠી પર રેન્જ ટીમનો દરોડો</b></h2><p>પોલીસે અચાનક પાડેલા દરોડા દરમિયાન સ્થળ પરથી મોટા પ્રમાણમાં દેશી દારૂ અને તે બનાવવાનો કાચો માલ-સામાન મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી 620 લીટર તૈયાર દેશી દારૂ તેમજ દેશી દારૂ બનાવવામાં વપરાતો 4,000 લીટર ઠંડો આથો કબ્જે કર્યો હતો. આ ઉપરાંત દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા વાસણો અને સાધન-સામગ્રી સહિત કુલ રૂ. 2,08,100 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.</p><h3><b>આરોપી હસમુખ દેકાવાડીયા સામે ગુનો દાખલ</b></h3><p>દરોડા દરમિયાન દારૂની ભઠ્ઠી ચલાવનાર આરોપી હસમુખભાઈ મધુભાઈ દેકાવાડીયા સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો. રાજકોટ રેન્જ ટીમ દ્વારા આ મામલે મૂળી પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે. મૂળી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપી હસમુખ દેકાવાડીયાને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/dindoli-cctv-assault-six-anti-social-elements-arrested-by-police" target="_blank">આ પણ વાંચો: Surat: ડીંડોલીમાં જાહેરમાં હથિયારોથી આતંક મચાવનાર 6 રીઢા ગુનેગારો CCTV ના આધારે ઝડપાયા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/11NNvRsApRSblsY7LzqmFHu6VgCHEeBBUCvyPZPG.webp'/></item><item><title><![CDATA[Samay Raina વિવાદ, કાનૂની મુશ્કેલીઓ, ટ્રોલ થયેલા 'સમય'ને આખરે મળ્યું સન્માન ]]></title><link>https://sandesh.com/entertainment/news/samay-raina-controversy-legal-troubles-trolled-samay-finally-gets-respect</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/samay-raina-controversy-legal-troubles-trolled-samay-finally-gets-respect</guid><pubDate>Tue, 01 Sep 2026 14:39:17 +05:30</pubDate><description><![CDATA[<p>સમયનો સૌથી મોટો ગુણ એ છે કે તે ક્યારેય એક સરખો રહેતો નથી. તાજેતરમાં સુધી વિવાદોની વચ્ચે ઘેરાયેલા સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈના માટે પરિસ્થિતિઓ ખૂબ જ મુશ્કેલ બની ગઈ હતી. તેમનો અત્યંત લોકપ્રિય શો "ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ" સોશિયલ મીડિયાના ટ્રોલિંગથી લઈને પોલીસ સ્ટેશન અને કોર્ટની કાનૂની લડાઈ સુધી પહોંચી ગયો હતો. શો દરમિયાન રણવીર અલ્હાબાદિયાની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ થયેલા વિરોધને કારણે રૈના સામે અનેક ફરિયાદો નોંધાઈ હતી અને પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે તેમણે પોતાનો શો હટાવવો પડ્યો હતો.</p><h2><b>સમય રૈના, મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માની પ્રશંસા</b></h2><p>વિવાદો અને કાનૂની મુશ્કેલીઓ વચ્ચે પણ સમય રૈનાએ હાર ન માની. તેમણે શાંત રહીને પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પુનરાગમન કરતી વખતે તેમણે આસામમાં આવેલા વિનાશક પૂર દરમિયાન મુખ્યમંત્રી રાહત ભંડોળમાં ₹10 લાખનું યોગદાન આપ્યું. રસપ્રદ વાત એ હતી કે, અગાઉ જે આસામ પોલીસે રૈના સામે એફઆઈઆર (FIR) નોંધીને પુણે સ્થિત તેમના ઘરે નોટિસ મોકલી હતી, તે જ રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ સોશિયલ મીડિયા પર જાહેરમાં રૈનાની આ ઉદારતા અને મદદરૂપ વર્તનની ખુલ્લેઆમ પ્રશંસા કરી.</p><p><img alt="samay raina" src="https://epapercdn.sandesh.com/images/2026/09/01/RkVmmKuyWaUfEVZ8UJgsu7TePT5QUpzWbrMgRr7Y.webp"><br></p><h4><b>દેવેન્દ્ર ફડણવીસે સાથે સ્ટેજ શેર કરી મેળવ્યું સન્માન</b></h4><p>રૈનાની આ સફરનો સૌથી યાદગાર વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા સ્ટેજ પર સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમ દરમિયાન સમય રૈનાએ પોતાની ખાસ અને બિંદાસ શૈલી જાળવી રાખી હતી. મુખ્યમંત્રીની હાજરીમાં જ તેમણે પોલીસ તપાસ પર ચપટી લેતા કહ્યું, "પહેલી વાર કોઈ સાયબર સેલ અધિકારી કોઈ હાસ્ય કલાકારના ઘરે ગયો છે..." રૈનાના આ રમુજી કટાક્ષથી આખો હોલ હાસ્યથી ગૂંજી ઊઠ્યો હતો. જે કાનૂની વિવાદો એક સમયે તેમની કારકિર્દી માટે જોખમરૂપ બન્યા હતા, તેને જ તેમણે પોતાની કોમેડીનો ભાગ બનાવી દીધો.</p><h4><b>"હું હજી પણ અહીં છું" - સમય રૈનાનો સણસણતો જવાબ</b></h4><p>પોતાની આગવી શૈલી કે ઓળખ બદલ્યા વિના સમય રૈનાએ સ્ટેજ પર પરત ફરીને ભાવુક થઈને કહ્યું, "હું હજી પણ અહીં છું." ગઈકાલે જે કલાકારની કારકિર્દીના ભવિષ્ય પર પ્રશ્નો ઉઠાવવામાં આવતા હતા, આજે તે જ સમય રૈના સન્માન સાથે હેડલાઇન્સમાં છે. વિવાદના તોફાનનો સામનો કરીને સમયનું ચક્ર પોતાના પક્ષમાં ફેરવનાર રૈનાની આ વાર્તા સાબિત કરે છે કે મુશ્કેલ સમય કાયમી નથી હોતો, બસ સમયની રાહ જોવી પડે છે.</p><p><br></p><p><a href="https://sandesh.com/entertainment/news/555th-film71-year-old-actor-anupam-khers-insta-post-increases-fans-curiosity" target="_blank">આ પણ વાંચો : My Landmark 555th ફિલ્મ..71 વર્ષના અભિનેતા અનુપમ ખેરની ઇન્સ્ટા પોસ્ટે વધારી ફેન્સની ઉત્સુકતા</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/yh0dEOP2W1jAuzlYX1sJYXoPTRxgNCvmZwiQLOn2.webp'/></item><item><title><![CDATA[India Footbal ટીમની જાહેરાત, 26 ખેલાડીઓની પસંદગી કરાઇ ]]></title><link>https://sandesh.com/sports/news/india-football-team-announced-26-players-selected</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india-football-team-announced-26-players-selected</guid><pubDate>Tue, 01 Sep 2026 09:31:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય ફૂટબોલ ટીમ માટે આગામી આંતરરાષ્ટ્રીય વિન્ડો ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાની છે. મુખ્ય કોચ ખાલિદ જમીલે 26 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. ભારતીય ટીમ આગામી દિવસોમાં પનામા, બ્રાઝિલ અને ઉરુગ્વે જેવી મજબૂત ટીમો સામે 3 આંતરરાષ્ટ્રીય મૈત્રી મેચ રમશે. ખાસ કરીને બ્રાઝિલ અને ઉરુગ્વે સામેની મેચ ભારતીય ખેલાડીઓ માટે પોતાની ક્ષમતા સાબિત કરવાની મોટી તક બની રહેશે.</p><h5 style="text-align: justify; "><b>ભારતીય ટીમ અભિયાનની શરૂઆત 26 સપ્ટેમ્બરે કરશે</b></h5><p style="text-align: justify; ">ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 26 સપ્ટેમ્બરે કરશે. બેંગલુરુના શ્રી કાંતિરવા સ્ટેડિયમમાં ભારતનો મુકાબલો પનામા સામે થશે. ત્યારબાદ ભારતીય ટીમ કોલકાતા જશે, જ્યાં 3 ઓક્ટોબરે 5 વખતની વિશ્વ ચેમ્પિયન બ્રાઝિલ અને 6 ઓક્ટોબરે 2 વખતની વિશ્વ ચેમ્પિયન ઉરુગ્વે સામે મેદાનમાં ઉતરશે.આ ત્રણેય ટીમો આ વર્ષે યોજાયેલા FIFA વિશ્વ કપમાં ભાગ લઈ ચૂકી છે. આવી સ્થિતિમાં ભારતીય ખેલાડીઓ માટે વિશ્વસ્તરીય ટીમો સામે રમવાનો અનુભવ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. મુખ્ય કોચ ખાલિદ જમીલ પણ આ મેચો દ્વારા ટીમની તાકાત અને નબળાઈઓ સમજવાનો પ્રયાસ કરશે.</p><h5 style="text-align: justify; "><b>14 સપ્ટેમ્બરથી રાષ્ટ્રીય શિબિર</b></h5><p style="text-align: justify; ">ભારતીય રાષ્ટ્રીય ટીમની શિબિર 14 સપ્ટેમ્બરથી બેંગલુરુમાં શરૂ થશે. પનામા સામેની મેચ બાદ ભારતીય ટીમ 28 સપ્ટેમ્બરે કોલકાતા માટે રવાના થશે. ત્યારબાદ માત્ર થોડા દિવસના અંતરે ભારત બ્રાઝિલ અને ઉરુગ્વે જેવી મજબૂત ટીમો સામે મેચ રમશે.આ ત્રણેય મુકાબલા ભારતીય ટીમ માટે એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે આગામી સમયમાં ટીમને અનેક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ નિભાવવાની છે. ખાસ કરીને બ્રાઝિલ અને ઉરુગ્વે સામે રમવાથી ભારતીય ખેલાડીઓને મોટા મંચ પર પોતાની રમતનું મૂલ્યાંકન કરવાની તક મળશે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/IndianFootball/status/2094461120929034687?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; "><br></p><h5 style="text-align: justify; "><b>ભારતની 26 સભ્યોની ટીમ</b></h5><p style="text-align: justify; ">ગોલકીપર:એલ્બિનો ગોમ્સ, ગુરપ્રીત સિંહ સંધુ, પ્રભસુખન સિંહ ગિલ અને સોમ કુમાર.</p><p style="text-align: justify; ">ડિફેન્ડર:અભિષેક સિંહ ટેકચામ, આકાશ મિશ્રા, અનવર અલી, બિજોય વર્ગીઝ, હમિંગથનમાવિયા રાલ્ટે, જય ગુપ્તા, પ્રમવીર અને રિકી મીતેઈ હાઓબામ.</p><p style="text-align: justify; ">મિડફિલ્ડર:અનિરુદ્ધ થાપા, આશિક કુરુનિયન, ફારુખ ચૌધરી, લાલેંગમાવિયા રાલ્ટે, મેકાર્ટન નિક્સન, મોહમ્મદ સનાન, રિકી શાબોંગ અને સહલ અબ્દુલ સમદ.</p><p style="text-align: justify; ">ફોરવર્ડ:એડમન્ડ લાલરિન્દિકા, ઇરફાન યાડવાડ, મનવીર સિંહ, રહીમ અલી, રેયાન વિલિયમ્સ અને વિક્રમ પ્રતાપ સિંહ.</p><h5 style="text-align: justify; "><b>ભારતનો સંપૂર્ણ કાર્યક્રમ</b></h5><p style="text-align: justify; ">26 સપ્ટેમ્બર:ભારત વિરુદ્ધ પનામા — શ્રી કાંતિરવા સ્ટેડિયમ,બેંગલુરુ</p><p style="text-align: justify; ">3 ઓક્ટોબર:ભારત વિરુદ્ધ બ્રાઝિલ — વિવેકાનંદ યુવા ભારતી ક્રીડાંગણ, કોલકાતા</p><p style="text-align: justify; ">6 ઓક્ટોબર:ભારત વિરુદ્ધ ઉરુગ્વે — વિવેકાનંદ યુવા ભારતી ક્રીડાંગણ, કોલકાતા</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/cricket/news/australia-a-squad-announced-for-the-india-a-series-two-players-of-indian-origin-included-in-the" target="_blank">Australia-A squad : ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયા A ટીમ જાહેર,ભારતીય મૂળના 2 ખેલાડીઓને મળ્યું સ્થાન</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/SPbBPwGbv7y83nxfQ8iZc8DhAECHb1obcZUy0Nan.webp'/></item></channel></rss>