<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Kutch News : ગાંધીધામથી ભુજ તરફ 1,000 લોકોની પગપાળા કૂચ, 55 દિવસના આંદોલન બાદ રસ્તા પર ઉતર્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/kutch/kutch-news-1000-people-march-on-foot-from-gandhidham-to-bhuj-took-to-the-streets-after-55-days-of-agitation</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/kutch/kutch-news-1000-people-march-on-foot-from-gandhidham-to-bhuj-took-to-the-streets-after-55-days-of-agitation</guid><pubDate>Sat, 29 Aug 2026 20:45:03 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતેથી ઘરવિહોણા લોકોએ પોતાની આવાસ અને જમીન સંબંધિત માગણીઓ સાથે ભુજ તરફ પગપાળા હિજરત શરૂ કરી છે. બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુવાની આગેવાની હેઠળ આ કૂચનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 55 દિવસથી સતત આંદોલન ચલાવી રહેલા આ ઘરવિહોણા લોકોની માગણીઓ અંગે તંત્ર દ્વારા કોઈ યોગ્ય કે સાનુકૂળ નિર્ણય ન લેવાતાં આખરે આશરાવિહોણા પરિવારોએ રસ્તા પર ઉતરીને મોરચો માંડવાની ફરજ પડી છે.</p><h2 style="text-align: justify; "><b>તંત્રની ઉદાસીનતા સામે 1000થી વધુ લોકો રસ્તા પર</b></h2><p style="text-align: justify; ">ગાંધીધામથી શરૂ થયેલી આ કૂચમાં આશરે એક હજાર જેટલા ઘરવિહોણા પુરુષો, મહિલાઓ અને પરિવારો જોડાયા છે. છેલ્લા 55 દિવસથી શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવવા છતાં સ્થાનિક વહીવટી તંત્ર કે સત્તાધીશો દ્વારા આ શ્રમજીવી વર્ગની કોઈ સાંભળ લેવામાં આવી ન હતી. તંત્રના આ અણઘડ અને ઉદાસીન વલણ સામે લોકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે અને બહુજન આર્મીના નેજા હેઠળ તમામ લોકો એકજૂટ થઈને ન્યાયની માગ સાથે ભુજ તરફ આગળ વધી રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>ભુજ કલેક્ટર કચેરી ખાતે જઈ રોકાણ કરવા લોકો મક્કમ</b></h2><p style="text-align: justify; ">ગાંધીધામથી ઉપડેલી આ પદયાત્રા ભુજ પહોંચીને કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરશે. આંદોલનકારીઓએ સ્પષ્ટ અને મક્કમ વલણ અપનાવ્યું છે કે તેઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચીને ત્યાં જ મુકામ કરશે અને જ્યાં સુધી તેમની માંગણીઓનો ઉકેલ લાવવામાં નહીં આવે ત્યાં સુધી ત્યાંથી ખસશે નહીં. આશરે એક હજાર લોકોની ભુજ તરફની આ હિજરત અને લોકકૂચના પગલે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસનમાં ભારે દોડધામ મચી ગઈ છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/world/gandhinagar/gandhinagar-fsl-will-identify-victims-of-nepal-tragedy-10-forensic-officers-dispatched" target="_blank">Gandhinagar FSL કરશે નેપાળ દુર્ઘટનાના વિક્ટિમ્સની ઓળખ, 10 ફોરેન્સિક અધિકારીઓ રવાના</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/KznKkymmDmEOpqmUyGDX9OjPpT0QI18qcPewY6u3.webp'/></item><item><title><![CDATA[Gandhinagar FSL કરશે નેપાળ દુર્ઘટનાના વિક્ટિમ્સની ઓળખ, 10 ફોરેન્સિક અધિકારીઓ રવાના ]]></title><link>https://sandesh.com/gujarat/news/world/gandhinagar/gandhinagar-fsl-will-identify-victims-of-nepal-tragedy-10-forensic-officers-dispatched</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/world/gandhinagar/gandhinagar-fsl-will-identify-victims-of-nepal-tragedy-10-forensic-officers-dispatched</guid><pubDate>Sat, 29 Aug 2026 20:32:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નેપાળમાં સર્જાયેલી દુર્ઘટના  બાદ મૃતકો અને ગુમ થયેલા લોકોની આઈડેન્ટિફિકેશન પ્રક્રિયા માટે ગુજરાતનું ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) મહત્ત્વની જવાબદારી સંભાળશે. આ ખાસ કામગીરી માટે ગાંધીનગર FSL ના 10 કુશળ અને અનુભવી ફોરેન્સિક અધિકારીઓની એક વિશેષ ટીમ નેપાળ જવા માટે રવાના થઈ ચૂકી છે. આ ટીમ ત્યાં 'ડિઝાસ્ટર વિક્ટિમ આઇડેન્ટિફિકેશન' (DVI) ની અત્યંત જટિલ અને સંવેદનશીલ કામગીરી હાથ ધરશે, જેથી કરીને દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોની સચોટ સાયન્ટિફિક ઓળખ કરી શકાય.</p><h2 style="text-align: justify; "><b>ફોરેન્સિક્સ હેડના નેતૃત્વમાં થશે DNA સેમ્પલ મેચિંગ</b></h2><p style="text-align: justify; ">ગાંધીનગર FSLના DNA ફોરેન્સિક્સ વિભાગના હેડના સીધા નેતૃત્વ હેઠળ આ સમગ્ર આંતરરાષ્ટ્રીય ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. દુર્ઘટના  સ્થળેથી મળી આવેલા મૃતદેહો કે અવશેષોના DNA સેમ્પલ એકત્રિત કરીને તેને ગુમ થયેલા લોકોના સગા-સંબંધીઓના DNA સાથે મેચ કરવામાં આવશે. ફોરેન્સિક સાયન્સની આ આધુનિક ટેકનિકથી અજાણ્યા કે છિન્નભિન્ન થઈ ગયેલા મૃતદેહોની સાચી ઓળખ પ્રસ્થાપિત કરવામાં મદદ મળશે.</p><h2 style="text-align: justify; "><b>વિદેશ અને ગૃહ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ પરિવારોને મળશે સાચી માહિતી</b></h2><p style="text-align: justify; ">આ સમગ્ર મિશન ભારત સરકારના વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલયના પ્રત્યક્ષ માર્ગદર્શન અને દખલગીરી હેઠળ ચલાવવામાં આવી રહ્યું છે. DNA સેમ્પલ મેચિંગની સફળ પ્રક્રિયા બાદ, સ્વજનોની રાહ જોઈને બેઠેલા પિડિત પરિવારોને તેમના ગુમ થયેલા સભ્યો અંગેની સચોટ માહિતી આપવામાં આવશે. ગાંધીનગર FSL ના આ માનવતાવાદી પ્રયાસથી અનેક શોકગ્રસ્ત પરિવારોને પોતાના વહાલસોયા વિશે આખરી અને સત્તાવાર વિગતો પ્રાપ્ત થઈ શકશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/banaskantha/banaskantha-news-big-change-in-khemana-khimana-bypass-new-route-will-pass-through-13-villages-instead-of-26" target="_blank">Banaskantha News : ખેમાણાથી ખીમાણા બાયપાસમાં મોટો ફેરફાર, 26ને બદલે 13 ગામોમાંથી પસાર થશે નવો રૂટ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/WqGWqJ6Fv6nZYDLNOV5YorPudyYXHuCbj6UznTB2.webp'/></item><item><title><![CDATA[Panipat : ધ ગ્રેટ ખલીને નડ્યો અકસ્માત, પંજાબથી સોનીપત જઈ રહ્યા હતા ]]></title><link>https://sandesh.com/india/news/panipat-the-great-khali-accident-punjab-to-sonipat</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/panipat-the-great-khali-accident-punjab-to-sonipat</guid><pubDate>Sat, 29 Aug 2026 20:01:23 +05:30</pubDate><description><![CDATA[<p>મશહૂર રેસલર અને WWE સ્ટાર ધ ગ્રેટ ખલીની ગાડીનો શનિવારે પાણીપત ટોલ પ્લાઝા નજીક અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ, ખલી પંજાબથી સોનીપત તરફ પોતાની ગાડીમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની ગાડી અકસ્માતનો ભોગ બની હતી. જોકે રાહતની વાત એ છે કે ધ ગ્રેટ ખલીને કોઈ ગંભીર ઈજા થઈ હોવાની માહિતી સામે આવી નથી.</p><p>અકસ્મત બાદ ઘટનાસ્થળે લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. અકસ્માતમાં ખલીની ગાડીને નુકસાન થયું હતું. જોકે તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યા હતા. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. ગાડી અન્ય કોઈ વાહન સાથે અથડાઈ હતી કે રસ્તા પરની કોઈ પરિસ્થિતિને કારણે અકસ્માત સર્જાયો હતો, તેની માહિતી હજુ સામે આવી નથી.</p><h2><b>ક્ષતિગ્રસ્ત ગાડી સ્થળ પર જ છોડી</b></h2><p>અકસ્માત બાદ ધ ગ્રેટ ખલીએ પોતાની ક્ષતિગ્રસ્ત ગાડી ઘટનાસ્થળે જ છોડી દીધી હતી. ત્યારબાદ તેમણે અન્ય વાહનની વ્યવસ્થા કરી અને સોનીપત તરફ રવાના થયા હોવાનું જાણવા મળે છે. આ ઘટનાની જાણ થતાં જ ખલીના ફેન્સમાં ચિંતા ફેલાઈ હતી. સોશિયલ મીડિયા પર પણ તેમના અકસ્માતના સમાચાર ઝડપથી ફેલાયા હતા. જોકે ખલી સુરક્ષિત હોવાની માહિતી મળતાં ફેન્સે રાહત અનુભવી હતી.</p><h3><b>WWEથી બનાવી અલગ ઓળખ</b></h3><p>ધ ગ્રેટ ખલીનું અસલી નામ દલીપ સિંહ રાણા છે અને તેઓ હિમાચલ પ્રદેશના વતની છે. WWEમાં પ્રવેશ કર્યા બાદ તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની આગવી ઓળખ બનાવી હતી. તેમની ઊંચાઈ, શક્તિ અને રિંગમાં અલગ અંદાજને કારણે તેઓ વિશ્વભરમાં લોકપ્રિય બન્યા હતા. ખલીએ WWEમાં અનેક જાણીતા રેસલર્સ સામે મુકાબલા કર્યા છે. ભારતમાં પણ તેમના મોટી સંખ્યામાં ફેન્સ છે. રેસલિંગ સાથે તેઓ યુવાનોને આ ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરતા રહ્યા છે. હાલ પાણીપત નજીક થયેલા અકસ્માતને લઈને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/indian-railways-7-busy-routes-four-track-expansion-11000-km" target="_blank">આ પણ વાંચો : Indian Railwayના 7 વ્યસ્ત રૂટ બનશે ફોર-લેન, 11,000 કિલોમીટરના ટ્રેકનું થશે વિસ્તરણ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/4xhWL82sLqSxjRVRUQNFB0isSVClBEJJzhlfgWcW.webp'/></item><item><title><![CDATA[Greater Noida : બાળકીની હત્યા કરનારો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર ]]></title><link>https://sandesh.com/india/news/crime/greater-noida--accused-who-killed-a-girl-shot-dead-in-an-encounter</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/crime/greater-noida--accused-who-killed-a-girl-shot-dead-in-an-encounter</guid><pubDate>Sat, 29 Aug 2026 19:37:54 +05:30</pubDate><description><![CDATA[<p>ગ્રેટર નોઈડાના ઈકોટૅક-3 પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હલ્દૌની ગામમાં 7 વર્ષની માસૂમ બાળકીની ગળું દબાવીને હત્યા કરવાના મામલામાં પોલીસે આરોપીને એન્કાઉન્ટરમાં ઠાર કર્યો છે. પોલીસ આરોપી બલરાજને ઘટનાસ્થળે લઈ ગઈ હતી ત્યારે તે અચાનક પોલીસ કસ્ટડીમાંથી ભાગવા લાગ્યો હતો. પોલીસે તેને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીએ એક સબ-ઇન્સ્પેક્ટરની પિસ્તોલ છીનવી લઈને પોલીસ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો.&nbsp;</p><h2><b>ગોળી આરોપીને વાગતાં તે ગંભીર રીતે ઘાયલ થયો</b></h2><p>પોલીસે જવાબી કાર્યવાહી કરતાં ગોળીબાર કર્યો, જેમાં પોલીસની એક ગોળી આરોપીને વાગતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસ ટીમ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગઈ હતી, પરંતુ હોસ્પિટલ પહોંચતા જ ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. મળતી માહિતી મુજબ, મામલો ગ્રેટર નોઈડાના હલ્દૌની ગામનો છે. 28 ઓગસ્ટની સાંજે બાળકીના પરિવારજનોએ પોલીસને બાળકી ગુમ થયાની જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસે બાળકીની શોધ માટે પાંચ ટીમો બનાવી હતી. તપાસ દરમિયાન આસપાસના વિસ્તારોમાં લાગેલા CCTV કેમેરાની ફૂટેજ તપાસવામાં આવી હતી.</p><p>ગ્રેટર નોઈડા સેન્ટ્રલ ઝોનના એડિશનલ DCPએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ માસૂમ બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરી હતી. હત્યા કર્યા પછી બાળકીના મૃતદેહને બોરીમાં ભરીને ઠેકાણે લગાવવાનો પ્રયાસ કર્યો હતો.</p><h3><b>ઘટનાસ્થળેથી ભાગતી વખતે વાગી ગોળી</b></h3><p>પોલીસ આરોપીને પકડવા માટે સતત દરોડા પાડી રહી હતી. તેના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડીને તેની શોધખોળ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. એડિશનલ DCPએ જણાવ્યું કે જ્યારે આરોપીને ઘટનાસ્થળે લઈ જવામાં આવ્યો, ત્યારે તેણે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેણે એક દરોગાની પિસ્તોલ છીનવી લઈને પોલીસ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું.</p><h4><b>હોસ્પિટલ લઈ જતી વખતે મોત</b></h4><p>પોલીસની જવાબી કાર્યવાહીમાં ગોળી વાગવાથી આરોપી ઘાયલ થયો હતો. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક બાળકીના પરિવારજનો સતત આરોપીને ફાંસીની સજા આપવાની માગ કરી રહ્યા હતા. માસૂમ બાળકીના હત્યારાના મોતના સમાચાર મળતા પરિવારજનોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.<br><br><b><a href="https://sandesh.com/india/news/uttarakhand-rudrapur-maulana-mujeeb-arrested-inflammatory-speech" target="_blank">આ પણ વાંચો : Uttrakhand : રુદ્રપુરમાં ભડકાઉ ભાષણ બદલ મૌલાનાની ધરપકડ, CM ધામીએ આપ્યો કડક સંદેશ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/gmTJ2QCEIxftlnXZVxu0E5PHsPdJY2HgjgKTE0Pp.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: સાબરમતીથી દોડશે દેશની પ્રથમ LNG-ડીઝલ DEMU ટ્રેન, 4 સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રારંભ કરાવશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/indias-first-lng-diesel-demu-train-sabarmati-ahmedabad-railway</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/indias-first-lng-diesel-demu-train-sabarmati-ahmedabad-railway</guid><pubDate>Sat, 29 Aug 2026 19:07:41 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય રેલવેએ પર્યાવરણની જાળવણી અને આર્થિક રીતે કિફાયતી સંચાલન તરફ એક મોટી સિદ્ધિ હાસિલ કરી છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ આવેલ ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડિપો (ICD) સાબરમતી ખાતેથી દેશની સૌપ્રથમ લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) અને ડીઝલ આધારિત ડ્યુઅલ ફ્યુઅલ DEMU ટ્રેન તૈયાર કરવામાં આવી છે.</p><h2><b>ભારતીય રેલવેની ઐતિહાસિક સિદ્ધિ</b></h2><p>અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક (DRM) શ્રી વેદ પ્રકાશે સ્ટાફ અને એન્જિનિયરો સાથે આ ખાસ ટ્રેનનું જાતે નિરીક્ષણ કર્યું હતું. આ ટેક્નોલોજી અંતર્ગત 1400 એચપી ધરાવતા બે DEMU ડ્રાઇવિંગ પાવર કાર (DPC)ને ડ્યુઅલ ફ્યુઅલ પ્રણાલીમાં બદલવામાં આવ્યા છે. જેમાં ડીઝલનો ૪૦ ટકા વપરાશ ઘટાડીને તેની જગ્યાએ સસ્તા અને સ્વચ્છ ઈંધણ એવા LNGનો ઉપયોગ કરવામાં આવશે. 2000 કિલોમીટરથી વધુ સમય સુધીના કડક ફિલ્ડ ટ્રાયલ સફળ રહ્યા બાદ આ ટ્રેનને મુસાફર સેવામાં મૂકવાની મંજૂરી આપવામાં આવી છે.</p><h3><b>દેશની પ્રથમ LNG-ડીઝલ DEMU ટ્રેન</b></h3><p>આ નવતર પ્રયોગના કારણે રેલવેને બેવડો ફાયદો થવા જઈ રહ્યો છે. એક તરફ એન્જિનમાંથી નીકળતા હાનિકારક વાયુઓ જેવા કે કાર્બન ડાયોક્સાઇડ (CO₂), નાઇટ્રોજન ઑક્સાઇડ (NOx) અને પાર્ટિક્યુલેટ મેટર (PM) ના ઉત્સર્જનમાં મોટો ઘટાડો થશે, જેનાથી ટ્રેકના રૂટ આસપાસની હવા સ્વચ્છ રહેશે. તો બીજી તરફ, નાણાકીય દ્રષ્ટિએ પણ આ ટેક્નોલોજી અત્યંત ફાયદાકારક સાબિત થઈ છે. એક DPC માંથી વર્ષે ₹11.9 લાખ અને આખા 8 કોચના DEMU રેકમાંથી પ્રતિ વર્ષ આશરે ₹23.9 (આશરે ₹24) લાખના ઈંધણ ખર્ચની બચત થશે.</p><h4><b>4 સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરાવશે પ્રસ્થાન</b></h4><p>DPC માં 600 થી 2200 લીટર ક્ષમતાની વિશિષ્ટ ટેન્ક મૂકવામાં આવી છે, જે 222 કિમીના દૈનિક સંચાલન માટે પુરતી છે.એન્જિનની શક્તિ અને કાર્યક્ષમતામાં ઘટાડો કર્યા વિના જરૂર પડે ડ્યુઅલ સિસ્ટમમાંથી ડીઝલ પર સ્વિચ થઈ શકાય છે.RDSO દ્વારા ઉત્સર્જન પરીક્ષણ બાદ આગામી સમયમાં વધુ 8 DEMU DPC ને પણ આ સિસ્ટમમાં કન્વર્ટ કરવામાં આવશે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/sidhpur/siddhpur-highway-hotel-car-accident-cctv-one-dead" target="_blank"><sup>આ પણ વાંચો: Sidhpur: સિદ્ધપુર હાઈવે પર હોટલમાં કાર ઘૂસી જતાં એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત, સીસીટીવી આવ્યા સામે</sup></a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/rF2yHPzN65s9LiTZDFEczPeQIrmmf0nMHtmCPKaz.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: BRTS બસે બાઇકચાલકને અડફેટે લીધો, Video ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-news-brts-bus-hits-biker-video</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-news-brts-bus-hits-biker-video</guid><pubDate>Sat, 29 Aug 2026 18:56:28 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરમાં BRTS બસની બેફામ સ્પીડ અને અકસ્માતોનો સિલસિલો થમવાનું નામ નથી લઈ રહ્યો. શહેરના નવાવાડજ વિસ્તારમાં આવેલા વ્યાસવાડી ચાર રસ્તા પાસે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. જંકશન પરથી પસાર થઈ રહેલી પુરઝડપ BRTS બસે એક બાઇકચાલકને જોરદાર અડફેટે લીધો હતો. અકસ્માત એટલો સખત હતો કે બાઇકચાલક જમીન પર પટકાતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.</p><h2><b>ઇજાગ્રસ્ત બાઇકચાલકને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયો</b></h2><p>અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકોના ટોળાં ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. બનાવ અંગે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતાં જ ઈમરજન્સી ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા બાઇકચાલકને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.</p><p><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dcn_15gkh49/?utm_source=ig_web_copy_link&amp;igsi=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dcn_15gkh49/?utm_source=ig_web_copy_link&amp;igsi=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dcn_15gkh49/?utm_source=ig_web_copy_link&amp;igsi=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dcn_15gkh49/?utm_source=ig_web_copy_link&amp;igsi=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h2><b>સમગ્ર અકસ્માતના દ્રશ્યો CCTV કેમેરામાં કેદ</b></h2><p>આ સમગ્ર ભયાનક અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે BRTS બસ કેવી રીતે બાઇકચાલકને અડફેટે લે છે. આ ઘટના બાદ સ્થાનિકોમાં BRTS બસના ડ્રાઇવરોની બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે બનાવ અંગે તપાસ શરૂ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-traffic-police-next-gen-e-challan-system" target="_blank">Ahmedabad News: હવે ખોટા ઈ-ચલણને બે વખત પડકારી શકાશે, જાણો ક્યારથી થશે અમલ?</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/qgjrnNSg0HGH0mTELAVi2kLH9kblq4VauRZLw8fA.webp'/></item><item><title><![CDATA[Samay Raina Controversy: કાશ્મીરી પંડિતો અને બિહારીઓ પર ટિપ્પણી બદલ સમય રૈના ફસાયા વિવાદમાં, BJP MLAએ કર્યો વિરોધ ]]></title><link>https://sandesh.com/entertainment/news/india/samay-raina-controversy-samay-raina-gets-embroiled-in-controversy-for-his-comments-on-kashmiri-pandits-and-biharis-bjp-mla-protests</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/india/samay-raina-controversy-samay-raina-gets-embroiled-in-controversy-for-his-comments-on-kashmiri-pandits-and-biharis-bjp-mla-protests</guid><pubDate>Sat, 29 Aug 2026 18:49:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ વખતે, આ મુદ્દો કાશ્મીરી પંડિતો અને બિહારીઓ વિશે શોમાં કરવામાં આવેલી ટિપ્પણીઓ સાથે સંબંધિત છે.</p><h2 style="text-align: justify; ">ફરી વિવાદનું વંટોળ&nbsp;</h2><p style="text-align: justify; ">હાસ્ય કલાકાર સમય રૈના ફરી એકવાર વિવાદમાં ફસાયા છે. તેમના શો 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ 2' ના નવીનતમ એપિસોડમાં કાશ્મીરી પંડિતો અને બિહારીઓ વિશે કરવામાં આવેલી કથિત મજાકથી વિવાદ થયો છે. ભાજપના ધારાસભ્ય રામ કદમે સમય રૈનાના નિવેદનની સખત નિંદા કરી, તેને કાશ્મીરી પંડિત સમુદાયનું અપમાન ગણાવ્યું. તેમણે કહ્યું કે કાશ્મીરી પંડિતો સામે અપમાનજનક ભાષાનો ઉપયોગ અસ્વીકાર્ય છે.</p><h3 style="text-align: justify; ">ભાજપ ધારાસભ્યની પ્રતિક્રિયા&nbsp;</h3><p style="text-align: justify; ">રામ કદમે કહ્યું, કાશ્મીરી પંડિતો આ દેશનો અભિન્ન ભાગ છે. આતંકવાદીઓ અને પાકિસ્તાન-આઈએસઆઈના કાવતરાને કારણે તેમને ઘર છોડીને વિસ્થાપિત થવાની ફરજ પડી હતી. એક સભ્ય સમાજમાં આટલી પીડા અને અત્યાચાર સહન કરનારા સમુદાય વિરુદ્ધ આવી અપમાનજનક ભાષાનો ઉપયોગ સ્વીકાર્ય નથી. તે સંપૂર્ણપણે નિંદનીય અને અપમાનજનક છે. આવી ટિપ્પણી કરનાર વ્યક્તિએ દેશની માફી માંગવી જોઈએ.</p><h4 style="text-align: justify; ">પ્રચાર માટે નિશાન સાધવું: રામ કદમ</h4><p style="text-align: justify; ">રામ કદમે એમ પણ કહ્યું, અમે કલાકારોની પ્રતિભાનું સન્માન કરીએ છીએ. પરંતુ ચોક્કસ મર્યાદાઓ, સીમાઓ હોય છે. જો કોઈ કોઈની શ્રદ્ધા, લાગણીઓ અથવા માન્યતાઓને ઠેસ પહોંચાડે છે, તો આવી કલાને કલા કહી શકાય નહીં. પછી ભલે તે સમય રૈના હોય કે અન્ય કોઈ કલાકાર. આપણે ભૂતકાળમાં જોયું છે અને વર્તમાનમાં જોઈ રહ્યા છીએ કે તેઓ પ્રસિદ્ધિ મેળવવા માટે ષડયંત્રના ભાગ રૂપે જાણી જોઈને કોઈને નિશાન બનાવે છે. તમે કાશ્મીરી પંડિતોની મજાક ઉડાવશો તેનું કારણ શું છે? શું તમે આપણા બિહારી ભાઈઓની મજાક ઉડાવશો? આ ઇરાદાપૂર્વકનો પબ્લિસિટી સ્ટંટ છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/india/news/bombay-high-court-slams-fda-orders-reopening-of-restaurants-in-mca-complex" target="_blank"> Bombay High Courtએ FDAને લગાવી ફટકાર, MCA કોમ્પ્લેક્સમાં રેસ્ટોરન્ટ્સ ફરી શરૂ કરવાનો આપ્યો આદેશ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/IEcckcNOFR8IUAfxDCrI5Gim6HZh723d2rHSjWMk.webp'/></item><item><title><![CDATA[Credit Card Limit: એકસાથે કેટલા ક્રેડિટ કાર્ડ રાખવા કાયદેસર છે? RBIનો નિયમ જાણો ]]></title><link>https://sandesh.com/business/news/how-many-credit-cards-can-one-person-have-rbi-rules</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/how-many-credit-cards-can-one-person-have-rbi-rules</guid><pubDate>Sat, 29 Aug 2026 18:38:25 +05:30</pubDate><description><![CDATA[<p>આજકાલ લોકો ખર્ચ પૂરા કરવાની સાથે આવતીકાલ માટે બચત પણ કરતા હોય છે. અત્યારના સમયમાં લોકોમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ઝડપથી વધ્યો છે. ખાસ કરીને નોકરી કરતા લોકો અનેક ક્રેડિટ કાર્ડ કઢાવી રહ્યા છે. તે પણ એક જ બેંકના નહીં, પરંતુ અલગ-અલગ બેંકોના અલગ અલગ ક્રેડિટ કાર્ડ. પરંતુ શું તમને ખબર છે કે એક વ્યક્તિ કેટલા ક્રેડિટ કાર્ડ કઢાવી શકે?</p><h2><b>ક્રેડિટ કાર્ડ કઢાવવાના ફાયદા શું છે?</b></h2><p>ક્રેડિટ કાર્ડનો યોગ્ય ઉપયોગ કરવાથી ક્રેડિટ સ્કોર સારો થઈ શકે છે, જેના કારણે મોટી લોન મેળવવામાં સરળતા રહે છે. ઇમરજન્સીમાં પણ ક્રેડિટ કાર્ડ મદદરૂપ થઈ શકે છે. પૈસા ન હોય ત્યારે પણ તમે જરૂરી ખર્ચ કરી શકો છો અને પછી તેને EMI દ્વારા ચૂકવી શકો છો. આ ઉપરાંત ડિસ્કાઉન્ટ, કૅશબૅક જેવી સુવિધાઓ પણ મળી શકે છે.</p><h2><b>ક્રેડિટ કાર્ડના નુકસાન શું છે?</b></h2><p>ક્રેડિટ કાર્ડના કારણે જરૂર ન હોય તેવા ખર્ચ કરવાની આદત પડી શકે છે. જો સમયસર બિલની રકમ ચૂકવવામાં ન આવે તો CIBIL સ્કોર ખરાબ થઈ શકે છે. તેના કારણે ભવિષ્યમાં લોન મેળવવામાં મુશ્કેલી આવી શકે છે.</p><h2><b>એક વ્યક્તિ કેટલા ક્રેડિટ કાર્ડ કઢાવી શકે?</b></h2><p>ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBIએ એક વ્યક્તિ કેટલા ક્રેડિટ કાર્ડ રાખી શકે તેની કોઈ મર્યાદા નક્કી કરી નથી. એટલે એક વ્યક્તિ પોતાની જરૂરિયાત અને યોગ્યતા પ્રમાણે જેટલી બેંકોમાંથી ક્રેડિટ કાર્ડ મેળવવા પાત્ર હોય તેટલા ક્રેડિટ કાર્ડ લઈ શકે છે. જોકે, ક્રેડિટ કાર્ડના બિલની ચુકવણીને લઈને નિયમો ચોક્કસપણે મહત્વના છે. તમે ગમે તેટલી બેંકોમાંથી ક્રેડિટ કાર્ડ લઈ શકો છો, પરંતુ તમામ કાર્ડના બિલની સમયસર ચુકવણી કરવી જરૂરી છે.</p><p>જો તમે બિલ ચૂકવી ન શકો, તો તમારી ક્રેડિટ હિસ્ટ્રી પર ખરાબ અસર પડી શકે છે અને લાંબા સમય સુધી ચુકવણી ન થાય તો લોન ડિફોલ્ટર તરીકે નોંધાઈ શકો છો. તેથી ક્રેડિટ કાર્ડ જેટલા લેવા હોય તેટલા લો, પરંતુ દરેક કાર્ડની સમયસર ચુકવણી કરવાનું ખાસ ધ્યાન રાખો.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/XnV4kFmRaJI8SUkiAov74GVtvBo19IO9EluqNjfh.webp'/></item><item><title><![CDATA[Vadodara News: શિનોરની શિવશક્તિ ડેરીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ધામા ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/shinor-food-and-drug-department-raid-shivshakti-dairy</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/shinor-food-and-drug-department-raid-shivshakti-dairy</guid><pubDate>Sat, 29 Aug 2026 18:23:59 +05:30</pubDate><description><![CDATA[<p>વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં સંદેશ ન્યૂઝના નિડર અને સચોટ અહેવાલની ગંભીર અને સીધી અસર જોવા મળી છે. સંદેશ ન્યૂઝના સંવાદદાતાએ હાથ ધરેલા સ્ટિંગ ઓપરેશનમાં શિનોર ખાતે આવેલી શિવશક્તિ ડેરીમાં ગેરકાયદે એનાલોગ પનીર રૂ. 500 પ્રતિ કિલોના ભાવે ખુલ્લેઆમ વેચાતું હોવાનો પર્દાફાશ થયો હતો. આ અહેવાલ પ્રસારિત થતાંની સાથે જ માત્ર 24 કલાકના ટૂંકા ગાળામાં વડોદરા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હરકતમાં આવ્યું હતું અને ડેરી પર સરપ્રાઈઝ દરોડો પાડ્યો હતો.</p><h2><b>ડીપ ફ્રિઝરમાંથી એનાલોગ પનીર અને મિઠાઈનો જથ્થો પકડાયો</b></h2><p>ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે શિનોર સ્થિત શિવશક્તિ ડેરી પર ધામા નાખીને સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ડેરીના ડીપ ફ્રિઝરમાંથી 2 કિલો 500 ગ્રામ જેટલું શંકાસ્પદ એનાલોગ પનીર મળી આવ્યું હતું, જેને પોલીસે સીઝ કર્યું છે. આ ઉપરાંત ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં થવાની આશંકાને પગલે ડેરીમાંથી વેચાતા મથુરા પેડા અને એલચી મઠાના પણ શંકાસ્પદ સેમ્પલ લેવામાં આવ્યા છે.</p><h2><b>ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમ તપાસમાં જોડાઈ</b></h2><p>આ દરોડા અને ચેકિંગ કામગીરીમાં વડોદરા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ ઓફિસર રમાકાંત સહિત કુલ 3 જેટલા જવાબદાર કર્મચારીઓ અને અધિકારીઓ સીધા જોડાયા હતા. અધિકારીઓએ ડેરીમાંથી મળી આવેલા તમામ ખાદ્યપદાર્થોના સેમ્પલ લઈને તેને આગળની લેબોરેટરી ટેસ્ટિંગ પ્રક્રિયા માટે મોકલી આપ્યા છે.</p><h2><b>કડક કાર્યવાહી અને લેબ રિપોર્ટ પર સૌની નજર</b></h2><p>લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી બનાવટી ખાદ્યસામગ્રી પકડાતાં સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે એ જોવું મહત્વનું રહેશે કે, શંકાસ્પદ એનાલોગ પનીરનું ગેરકાયદે વેચાણ કરતી શિવશક્તિ ડેરી સામે તંત્ર દ્વારા કયા પ્રકારના કડક કાનૂની પગલાં ભરવામાં આવે છે. તેમજ લેબોરેટરીમાંથી મથુરા પેડા અને એલચી મઠાના સેમ્પલના રિઝલ્ટ આવ્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કેવા આકરા આદેશો આપે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/vadodara/shinor-shivshakti-dairy-analog-paneer-selling" target="_blank">Vadodara News: શિનોરમાં ‘એનાલોગ પનીર’નો કાળો ખેલ, સંદેશ ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમાં થયો પર્દાફાશ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/M3Gk2egv3zt2LeRipkq8TVeeVNSvTui0S2NP6KQP.webp'/></item><item><title><![CDATA[Neeraj Chopra એશિયન ગેમ્સમાંથી બહાર, ઈજાને કારણે બાકીની સીઝનમાં લેશે નહીં ભાગ ]]></title><link>https://sandesh.com/sports/news/neeraj-chopra-withdraws-asian-games-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/neeraj-chopra-withdraws-asian-games-2026</guid><pubDate>Sat, 29 Aug 2026 15:38:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતના સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરાએ ઈજાને કારણે આ વર્ષે બાકીની બધી સ્પર્ધાઓમાંથી નામ પાછું ખેંચી લીધું છે. તે આવતા મહિને યોજાનારી ડાયમંડ લીગ ફાઈનલ્સ અને એશિયન ગેમ્સમાં ભાગ લઈ શકશે નહીં.&nbsp;</p><p style="text-align: justify;">એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવવાની આશાઓ ઘણી વધારે હતી, તેથી તેનું નામ પાછું ખેંચવું ભારતીય રમત ફેન્સ માટે મોટો ઝટકો છે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા આ સમાચારની જાહેરાત કરી.</p><h2 style="text-align: justify;"><b>નીરજ ચોપરાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં શું લખ્યું?</b></h2><p style="text-align: justify;">નીરજે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને એશિયન ગેમ્સમાંથી ખસી જવાની જાહેરાત કરી. નીરજ ચોપરાએ પુષ્ટિ આપી કે તને અને તેની ટીમને ઈજાને કારણે તેમની સીઝનનો અંત કરવો પડ્યો. તેને લખ્યું છે કે "દુર્ભાગ્યવશ, આના થોડા સમય પછી, ટ્રેનિંગ દરમિયાન મારા પગની ઘૂંટીમાં લિગામેન્ટ ફાટી ગયું. મારા ડોક્ટર અને ટીમ સાથે વાત કર્યા પછી અમે નિર્ણય લીધો છે કે હું આ સીઝનમાં બાકીની ઈવેન્ટ્સમાં ભાગ લઈશ નહીં."</p><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/Neeraj_chopra1/status/2093618631561396553"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3 style="text-align: justify;"><b>નીરજ ડાયમંડ લીગની ફાઈનલમાં પહોંચ્યો હતો</b></h3><p style="text-align: justify;">શુક્રવારે નીરજ ચોપરાએ શાનદાર પ્રદર્શન સાથે ડાયમંડ લીગ ફાઈનલ્સમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું , જેનાથી તેને "Q" માર્ક મળ્યો. ઝુરિચ મીટ ચૂકી જવા છતાં તે ફાઈનલની રેસમાં રહ્યો. પરંતુ ફાઈનલમાં સ્થાન મેળવ્યાના બીજા દિવસે તેને બાકીની બધી ટુર્નામેન્ટમાંથી ખસી જવાનો નિર્ણય લીધો. આ નિર્ણય ફેન્સ માટે આશ્ચર્યજનક હતો.</p><h4 style="text-align: justify;"><b>નીરજ ચોપરાએ ડાયમંડ લીગમાં 12 પોઈન્ટ બનાવ્યા હતા</b></h4><p style="text-align: justify;">આ વર્ષે નીરજ ચોપરાએ ડાયમંડ લીગના દોહા અને લુસાન ઈવેન્ટમાં ભાગ લઈને કુલ 12 પોઈન્ટ મેળવ્યા. સ્વિટ્ઝર્લેન્ડના લુસાનમાં આયોજિત ઈવેન્ટમાં તેને સિઝનનો તેનો શ્રેષ્ઠ થ્રો 88.05 મીટર ફેંક્યો, છતાં તે ફક્ત 9 સેન્ટિમીટરથી પ્રથમ સ્થાન ચૂકી ગયો અને બીજા સ્થાને રહ્યો. અગાઉ 2026માં તેણે દોહા ડાયમંડ લીગ (ચોથું સ્થાન) અને કોમનવેલ્થ ગેમ્સ (બીજું સ્થાન) માં ભાગ લીધો હતો. બંને ટુર્નામેન્ટમાં તે 86 મીટરનું અંતર પણ કાપી શક્યો ન હતો.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/6KB4Tu66cBrAXpIjdIUWte0rSTAXc1SxRevOggAa.webp'/></item></channel></rss>