<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Vadodaraમાં સામાન્ય વરસાદે તંત્રની પોલ ખોલી, ગોત્રી અને અલકાપુરીમાં પાણી ભરાતા વાહનચાલકો બેહાલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/moderate-rains-in-vadodara-have-exposed-the-system-waterlogging-in-gotri-and-alkapuri-has-left-motorists-in-a-state-of-disarray</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/moderate-rains-in-vadodara-have-exposed-the-system-waterlogging-in-gotri-and-alkapuri-has-left-motorists-in-a-state-of-disarray</guid><pubDate>Tue, 21 Jul 2026 23:03:24 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સંસ્કારી નગરી અને સ્માર્ટ સિટી વડોદરામાં મેઘરાજાના સામાન્ય આગમન સાથે જ મહાનગરપાલિકાની પોકળ પ્રી-મોન્સૂન કામગીરીની પોલ છતી થઈ ગઈ છે. શહેરના પોશ ગણાતા ગોત્રી અને અલકાપુરી સહિતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ખાસ કરીને અલકાપુરી ગળનારા (અંડરપાસ) માં પાણી ભરાઈ જતાં વાહનચાલકો ભારે પરેશાન થઈ ગયા હતા. તંત્ર દ્વારા ચોમાસા પહેલાં લાખો-કરોડો રૂપિયાના ખર્ચે કરાતી કામગીરી ક્યાં ગઈ તેવા સવાલો હવે શહેરીજનો પૂછી રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>ટ્રાફિક જામ અને વાહનચાલકોને ભારે હાલાકી</b></h2><p style="text-align: justify; ">રસ્તાઓ પર અને ગળનારાઓમાં પાણી ભરાવાના કારણે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની ગતિ અત્યંત ધીમી પડી ગઈ હતી. અનેક વાહનચાલકોના વાહનો બંધ પડી જતાં લોકોને ધક્કા મારવાની નોબત આવી હતી. ખાસ કરીને નોકરિયાતો અને શાળા-કોલેજે જતાં વિદ્યાર્થીઓને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્માર્ટ સિટીના દાવાઓ કરતી પાલિકાની નિષ્ફળતાના કારણે માત્ર થોડા જ વરસાદમાં સમગ્ર શહેરની વાહન વ્યવહાર વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી.</p><h3 style="text-align: justify; "><b>ચોમાસાની શરૂઆતમાં જ આવી હાલત તો ભારે વરસાદમાં શું થશે?</b></h3><p style="text-align: justify; ">માત્ર સામાન્ય વરસાદી ઝાપટાંમાં જ જો સંસ્કારી નગરીની આવી બદહાલ સ્થિતિ સર્જાતી હોય, તો આગામી દિવસોમાં ચોમાસા દરમિયાન અનરાધાર કે ભારે વરસાદ પડશે ત્યારે સ્માર્ટ સિટી વડોદરાની હાલત કેવી થશે? તે વિચાર માત્રથી જ નાગરિકોમાં ભય અને આક્રોશનો માહોલ છે. વડોદરાવાસીઓ હવે માંગ કરી રહ્યા છે કે કોર્પોરેશન વહેલી તકે કાગળ પરની કામગીરી છોડીને ગ્રાઉન્ડ લેવલે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરે જેથી આગામી દિવસોમાં મોટા સંકટથી બચી શકાય.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/M29TPvvVRowjrIPwjSJlftEc6oDhvdwGWJ668DJd.webp'/></item><item><title><![CDATA[Surat News: ગોવા જતી ફ્લાઈટમાં મુસાફરે ઈમરજન્સી એક્ઝિટ ગેટ ખોલવાનો પ્રયાસ કર્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/passenger-tries-to-open-emergency-exit-on-goa</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/passenger-tries-to-open-emergency-exit-on-goa</guid><pubDate>Tue, 21 Jul 2026 22:57:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત એરપોર્ટ પર એક મોટી હોનારત ટળવાના અહેવાલ સામે આવ્યા છે.સુરતથી ગોવા જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E-419માં બોર્ડિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ અચાનક એક મુસાફરે ઈમરજન્સી એક્ઝિટ ગેટ ખોલવાનો પ્રયાસ કર્યો હતો.ફ્લાઈટ ઉપડવાની તૈયારીમાં હતી ત્યારે મુસાફરે અચાનક ગેટ ખોલવાનો પ્રયાસ કરતાં જ વિમાનમાં સવાર અન્ય મુસાફરોમાં ભારે અફરાતફરી અને અસુરક્ષાનો માહોલ સર્જાયો હતો.</p><h2 style="text-align: justify; "><b>સુરત એરપોર્ટ પર મોટી હોનારત ટળી</b></h2><p style="text-align: justify; ">આ ઘટના બનતાં જ એરલાઈનના સતર્ક સ્ટાફે ત્વરિત કાર્યવાહી કરીને હંગામો મચાવનાર મુસાફરોને કાબૂમાં લીધો હતો અને તેને તાત્કાલિક વિમાનમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યો હતો.પ્રાથમિક તપાસમાં ઈમરજન્સી ગેટ ખોલવાનો પ્રયાસ કરનાર મુસાફર સુરતના પુનાગામ વિસ્તારનો રહેવાસી જિતેન્દ્ર મણિયા હોવાનું ખુલ્યું છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>સ્ટાફે મુસાફરને તાત્કાલિક કાબૂમાં લીધો</b></h3><p style="text-align: justify; ">ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને એરપોર્ટની સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક પ્રોટોકોલ મુજબ કાર્યવાહી હાથ ધરીને આરોપીને આગળની કાયદેસરની તપાસ માટે પોલીસને સોંપી દીધો હતો.સૂઝબૂઝ અને ઝડપી કાર્યવાહીના કારણે આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા પહોંચી ન હતી કે વિમાનને કોઈ નુકસાન થયું ન હતું. સુરક્ષા એજન્સીઓ દ્વારા વિમાનની સંપૂર્ણ તપાસ અને જરૂરી તમામ પ્રોટોકોલ સંતોષકારક રીતે પૂરા કર્યા બાદ ફ્લાઈટને સુરક્ષિત રીતે ગોવા જવા માટે રવાના કરવામાં આવી હતી.<br><br><a href="https://sandesh.com/india/breakingnews/cjp-protest-2026-delhi-police-remove-rahul-gandhi-akhilesh-yadav-detained" target="_blank">આ પણ વાંચોઃ CJP Protest 2026 : રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ સહિત ઘણા નેતાઓની કરાઈ અટકાયત</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/I7zXeU9BQoJENrey5ymQBKHeLkpQf1eahKvp6VFX.webp'/></item><item><title><![CDATA[CJP Protest : પ્રદર્શનકારી વિદ્યાર્થીઓના સમર્થનમાં આવ્યા રેપર હની સિંહ અને અભિનેત્રી સોનાક્ષી સિંહા, કહ્યું 'ભોલેનાથ શક્તિ આપે' ]]></title><link>https://sandesh.com/india/news/entertainment/cjp-protest-honey-singh-sonakshi-sinha-support-students</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/entertainment/cjp-protest-honey-singh-sonakshi-sinha-support-students</guid><pubDate>Tue, 21 Jul 2026 22:40:36 +05:30</pubDate><description><![CDATA[<p>દેશમાં NEET મુદ્દે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે બોલિવૂડના અનેક કલાકારો વિદ્યાર્થીઓના સમર્થનમાં આગળ આવ્યા છે. રેપર અને ગાયક યો યો હની સિંહે પોતાના નવા ગીત 'Moonlight'નું ટીઝર હાલ માટે મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. તેમણે જણાવ્યું કે દેશના યુવાનો અને વિદ્યાર્થીઓની લાગણીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.</p><h2><b>24 જુલાઈએ ગીત રિલિઝ થવાનું હતું&nbsp;</b></h2><p>હની સિંહે અગાઉ જાહેરાત કરી હતી કે તેમનું નવું ગીત 24 જુલાઈ, 2026ના રોજ રિલીઝ થશે અને તેનું ટીઝર 22 જુલાઈએ રજૂ થવાનું હતું. જોકે, તેમણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે દેશ અને યુવાનોની ભાવનાઓનો સન્માન કરતાં તેઓ ટીઝરનું લોન્ચિંગ થોડા દિવસ માટે સ્થગિત કરી રહ્યા છે. સાથે તેમણે ભગવાન ભોલેનાથને વિદ્યાર્થીઓને શક્તિ આપવાની પ્રાર્થના પણ કરી હતી.</p><h3><b>વિદ્યાર્થીઓ અને યુવાનો રસ્તા પર ઉતર્યા&nbsp;</b></h3><p>NEET પેપર લીક મુદ્દે થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવાનો રસ્તા પર ઉતર્યા હતા. કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી, જેના કારણે ઘટનાક્રમ ચર્ચામાં રહ્યો હતો. આ વિરોધ પ્રદર્શનને અનેક ફિલ્મી હસ્તીઓનું સમર્થન મળ્યું છે. અભિનેત્રી શબાના આઝમી અને અભિનેતા પ્રકાશ રાજ પણ પ્રદર્શનકારીઓ સાથે જોડાયા હતા. આ દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહીના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અનેક લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી.</p><p><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DbCqTXWgipb/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DbCqTXWgipb/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DbCqTXWgipb/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DbCqTXWgipb/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a></p><h4><b>અભિનેત્રી સોનાક્ષી થઈ ખુબ જ દુ:ખી&nbsp;</b></h4><p>અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ પણ સોશિયલ મીડિયા પર પ્રદર્શનની તસવીરો શેર કરીને વિદ્યાર્થીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું કે આ ઘટના માત્ર વિદ્યાર્થીઓને જ નહીં પરંતુ સમગ્ર દેશને દુઃખ પહોંચાડનારી છે. અગાઉ પણ સોનાક્ષીએ વિદ્યાર્થીઓના આંદોલન અને સોનમ વાંગચુકની ભૂખ હડતાળને સમર્થન આપ્યું હતું. બોલિવૂડના કલાકારોના આ સમર્થનને કારણે વિદ્યાર્થીઓના આંદોલનને વધુ ચર્ચા મળી રહી છે અને સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દો સતત ચર્ચાનો વિષય બન્યો છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/sonam-wangchuk-discharged-safdarjung-hospital-shifted-to-medanta-hospital" target="_blank">આ પણ વાંચો : Sonam Wangchuk સફદરજંગ હોસ્પિટલમાંથી થયા ડિસ્ચાર્જ, સારવાર માટે મેદાંતા હોસ્પિટલમાં થશે શિફ્ટ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/vJecDsogWAa4RROgfnES9QAdIAhzGL9bHZGzfi4t.webp'/></item><item><title><![CDATA[CJP Protest : પ્રદર્શનકારી વિદ્યાર્થીઓના સમર્થનમાં આવ્યા રેપર હની સિંહ અને અભિનેત્રી સોનાક્ષી સિંહા, કહ્યું 'ભોલેનાથ શક્તિ આપે' ]]></title><link>https://sandesh.com/india/news/entertainment/cjp-protest-honey-singh-sonakshi-sinha-support-students</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/entertainment/cjp-protest-honey-singh-sonakshi-sinha-support-students</guid><pubDate>Tue, 21 Jul 2026 22:40:36 +05:30</pubDate><description><![CDATA[<p>દેશમાં NEET મુદ્દે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે બોલિવૂડના અનેક કલાકારો વિદ્યાર્થીઓના સમર્થનમાં આગળ આવ્યા છે. રેપર અને ગાયક યો યો હની સિંહે પોતાના નવા ગીત 'Moonlight'નું ટીઝર હાલ માટે મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. તેમણે જણાવ્યું કે દેશના યુવાનો અને વિદ્યાર્થીઓની લાગણીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.</p><h2><b>24 જુલાઈએ ગીત રિલિઝ થવાનું હતું&nbsp;</b></h2><p>હની સિંહે અગાઉ જાહેરાત કરી હતી કે તેમનું નવું ગીત 24 જુલાઈ, 2026ના રોજ રિલીઝ થશે અને તેનું ટીઝર 22 જુલાઈએ રજૂ થવાનું હતું. જોકે, તેમણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે દેશ અને યુવાનોની ભાવનાઓનો સન્માન કરતાં તેઓ ટીઝરનું લોન્ચિંગ થોડા દિવસ માટે સ્થગિત કરી રહ્યા છે. સાથે તેમણે ભગવાન ભોલેનાથને વિદ્યાર્થીઓને શક્તિ આપવાની પ્રાર્થના પણ કરી હતી.</p><h3><b>વિદ્યાર્થીઓ અને યુવાનો રસ્તા પર ઉતર્યા&nbsp;</b></h3><p>NEET પેપર લીક મુદ્દે થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવાનો રસ્તા પર ઉતર્યા હતા. કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી, જેના કારણે ઘટનાક્રમ ચર્ચામાં રહ્યો હતો. આ વિરોધ પ્રદર્શનને અનેક ફિલ્મી હસ્તીઓનું સમર્થન મળ્યું છે. અભિનેત્રી શબાના આઝમી અને અભિનેતા પ્રકાશ રાજ પણ પ્રદર્શનકારીઓ સાથે જોડાયા હતા. આ દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહીના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અનેક લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી.</p><p><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DbCqTXWgipb/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DbCqTXWgipb/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DbCqTXWgipb/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DbCqTXWgipb/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a></p><h4><b>અભિનેત્રી સોનાક્ષી થઈ ખુબ જ દુ:ખી&nbsp;</b></h4><p>અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ પણ સોશિયલ મીડિયા પર પ્રદર્શનની તસવીરો શેર કરીને વિદ્યાર્થીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું કે આ ઘટના માત્ર વિદ્યાર્થીઓને જ નહીં પરંતુ સમગ્ર દેશને દુઃખ પહોંચાડનારી છે. અગાઉ પણ સોનાક્ષીએ વિદ્યાર્થીઓના આંદોલન અને સોનમ વાંગચુકની ભૂખ હડતાળને સમર્થન આપ્યું હતું. બોલિવૂડના કલાકારોના આ સમર્થનને કારણે વિદ્યાર્થીઓના આંદોલનને વધુ ચર્ચા મળી રહી છે અને સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દો સતત ચર્ચાનો વિષય બન્યો છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/sonam-wangchuk-discharged-safdarjung-hospital-shifted-to-medanta-hospital" target="_blank">આ પણ વાંચો : Sonam Wangchuk સફદરજંગ હોસ્પિટલમાંથી થયા ડિસ્ચાર્જ, સારવાર માટે મેદાંતા હોસ્પિટલમાં થશે શિફ્ટ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/vJecDsogWAa4RROgfnES9QAdIAhzGL9bHZGzfi4t.webp'/></item><item><title><![CDATA[Auto News: સ્પાય શૉટ્સમાં કેદ થઈ આ કારની મોસ્ટ અવેટેડ ફ્યુચરિસ્ટિક ઇલેક્ટ્રિક SUV! ]]></title><link>https://sandesh.com/business/news/automobile/auto-news-this-cars-most-awaited-futuristic-electric-suv-captured-in-spy-shots</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/auto-news-this-cars-most-awaited-futuristic-electric-suv-captured-in-spy-shots</guid><pubDate>Tue, 21 Jul 2026 22:26:55 +05:30</pubDate><description><![CDATA[<p>ટાટા મોટર્સની બહુપ્રતિક્ષિત પ્રીમિયમ ઇલેક્ટ્રિક SUV Tata Avinya લૉન્ચ થાય તે પહેલાં પહેલીવાર ભારતીય રસ્તાઓ પર ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી છે. વર્ષ 2022માં જ્યારે ટાટાએ આ કારના કોન્સેપ્ટ લૂક પરથી પડદો ઊંચક્યો હતો, ત્યારથી જ તે ઓટોમોબાઈલ જગતમાં સતત ચર્ચામાં રહી છે. અત્યાર સુધી માત્ર પ્રદર્શનોમાં જ જોવા મળેલો આ કોન્સેપ્ટ હવે વાસ્તવિક ઉત્પાદન તરફ આગળ વધી રહ્યો છે, જેને કારણે ભારતીય માર્કેટમાં આ ઇલેક્ટ્રિક SUV માટે ઉત્સાહ બેવડાયો છે.</p><h2><b>2027માં 'Avinya X' નામે થશે વિધિવત ડેબ્યૂ</b></h2><p>ટેસ્ટિંગ દરમિયાન સ્પૉટ થયેલી આ કારને Avinya X તરીકે ઓળખવામાં આવશે અને તે વર્ષ 2027માં ભારતીય માર્કેટમાં વિધિવત રીતે ડેબ્યૂ કરશે. Gaadiwaadiના અહેવાલ મુજબ, ટેસ્ટિંગ વાહનને સુરક્ષાના કારણોસર સંપૂર્ણપણે કવર (Camouflage) કરવામાં આવ્યું હતું. જોકે, તેના એકંદર કદ અને કટ આઉટ પરથી સ્પષ્ટ થાય છે કે પ્રોડક્શન મોડેલમાં પણ મૂળ કોન્સેપ્ટનો સ્લીક, મોર્ડન અને ફ્યુચરિસ્ટિક અવતાર જાળવી રાખવામાં આવશે.</p><h3><b>સ્લીક ડિઝાઇન અને પ્રીમિયમ લૂક</b></h3><p>ડિઝાઇનના દ્રષ્ટિકોણથી જોઈએ તો, આ SUVમાં લાંબો વ્હીલબેઝ અને સ્પોર્ટી નીચી રૂફલાઇન જોવા મળે છે. સામાન્ય રીતે પ્રોડક્શન મોડેલ તૈયાર કરતી વખતે કાર ઉત્પાદકો કોન્સેપ્ટના કેટલાક અત્યંત ડ્રામેટિક અથવા જટિલ એલિમેન્ટ્સને થોડા સરળ બનાવતા હોય છે, પરંતુ તેમ છતાં પણ અવિન્યા ટાટાની હાલની તમામ EVs (જેવી કે Nexon EV કે Harrier EV) કરતાં ઘણી વધુ પ્રીમિયમ અને લક્ઝુરિયસ લૂક આપશે.</p><h4><b>નવું પ્લેટફોર્મ અને સ્થાનિક મેન્યુફેક્ચરિંગ</b></h4><p>Avinya X ટાટા મોટર્સની EV વ્યૂહરચનામાં એક મોટો યુ-ટર્ન દર્શાવે છે. પહેલાં એવું આયોજન હતું કે આ કાર JLRના EMA આર્કિટેક્ચર પર બનાવવામાં આવશે, પરંતુ નવા ડેવલપમેન્ટ મુજબ આવનારું આ મોડેલ Chery-JLR દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલા ફ્રીલેન્ડર (Freelander) પ્લેટફોર્મ પર આધારિત હશે. ભારતીય વાહનચાલકોની જરૂરિયાતો અને રસ્તાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ટાટા આ પ્લેટફોર્મના ઇલેક્ટ્રોનિક્સ અને સૉફ્ટવેર સિસ્ટમમાં સ્થાનિક સ્તરે જરૂરી ફેરફારો કરશે. આ કારનું ઉત્પાદન તમિલનાડુના પનપક્કમ ખાતે સ્થિત ટાટાના નવા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં કરવામાં આવશે.</p><h5><b>ક્ષમતા ધરાવતી દમદાર 95kWh સુધીની બેટરી</b></h5><p>જો બેટરી અને પાવરટ્રેન સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો, કંપનીએ હજુ સુધી સત્તાવાર આંકડા જાહેર કર્યા નથી. જોકે, કારની સાઈઝ અને પ્રીમિયમ સેગમેન્ટને જોતાં તેમાં 75kWh થી 95kWh ની ક્ષમતા ધરાવતી વિશાળ બેટરી પેક મળવાની પૂરેપૂરી શક્યતા છે, જે લાંબી સફર માટે શ્રેષ્ઠ સાબિત થશે.</p><h6><b>700 KMની રેન્જ અને ઓલ-વ્હીલ-ડ્રાઇવ ઓપ્શન</b></h6><p>પરફોર્મન્સના મામલે આ SUV ખૂબ જ દમદાર હશે. અંદાજ મુજબ, એકવાર ફુલ ચાર્જ કરવા પર આ કાર 600 થી 700 કિલોમીટર સુધીની ઉત્તમ ડ્રાઇવિંગ રેન્જ આપી શકશે. આ ઉપરાંત, કારના ટોપ અથવા હાયર વેરિઅન્ટ્સમાં વધુ પાવર અને બહેતર ગ્રીપ માટે ડ્યુઅલ-મોટર ઓલ-વ્હીલ-ડ્રાઇવ (AWD) સેટઅપ પણ આપવામાં આવે તેવી અપેક્ષા છે.</p><p><a href="https://sandesh.com/automobile" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/VF7wZLXx36NBumo8i4OWdtInbhACV9olFWs63o4x.webp'/></item><item><title><![CDATA[Gandhinagr News: ગાંધીનગર અને સાબરકાંઠામાં 815 કરોડના વિકાસ કામોના ઇ લોકાર્પણ ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/amit-shah-inaugurates-and-lays-foundation-for--815-crore-development-projects</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/amit-shah-inaugurates-and-lays-foundation-for--815-crore-development-projects</guid><pubDate>Tue, 21 Jul 2026 21:51:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 815 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ હતું.તેમણે જણાવ્યું હતું કે,આજે માણસા અને પ્રાંતિજ મતક્ષેત્રના વિકાસ માટે લગભગ 815 કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 89 કરોડના ખર્ચે નિર્માણ પામેલા અલુવા- સાદરા બ્રિજથી જક્ષિણી માતાજીના મંદિર આસપાસના વિસ્તારમાં પર્યટનને વેગ મળશે અને સ્થાનિકો, વિદ્યાર્થીઓ તથા શ્રદ્ધાળુઓ માટે યાતાયાત સુગમ બનશે. સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રથી આસપાસના લગભગ 1 લાખથી વધુ ગરીબ અને સામાન્ય નાગરિકોને 24 કલાક ડાયાલિસિસ,ઓપરેશન થિયેટર, NICU અને અદ્યતન તબીબી સુવિધાઓ ઉપલબ્ધ થશે.</p><h2 style="text-align: justify; "><b>પર્યટન અને વન્યજીવ સંરક્ષણને પણ બળ મળશે</b></h2><p style="text-align: justify; ">તેમણે ઉમેર્યું હતું કે,માણસાના રાણીયાપુરરા ખાતે કમ્યુનિટી હોલ,અલકાપુરી ખાતે ESR વોટર ટાંકી અને બાપુપુરા ગામ ખાતે સંસ્કાર ભવન ટ્રસ્ટના સુસજ્જ બિલ્ડિંગનું લોકાર્પણ કરતા નાગરિક સુખાકારીમાં ઉમેરો થશે. આ બેરેજના નિર્માણથી ચરાડા, માણસા, રિદ્રોલ સહિતના વિસ્તારોમાં સાબરમતી નદીનું પાણી 8 મહિના સુધી સંગ્રહિત રહેશે.પરિણામે વિસ્તારમાં ઝડપથી નીચે જઈ રહેલા ભૂગર્ભ જળસ્તરમાં 5 થી 10 ફૂટ સુધીનો વધારો થશે. ખેડૂતો અને પશુપાલકોની સમૃદ્ધિ વધશે તેમજ પર્યટન અને વન્યજીવ સંરક્ષણને પણ બળ મળશે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>સ્વાસ્થ્ય કેન્દ્રો સંકલિત થઈને શ્રેષ્ઠ મેડિકલ સારવાર&nbsp;</b></h3><p style="text-align: justify; ">માણસા પંથકના લોકોને સ્વાસ્થ્ય સેવાઓ માટે ગાંધીનગર જવું ન પડે તે માટે અદ્યતન સિવિલ હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે, જેની સાથે આસપાસના સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રો સંકલિત થઈને શ્રેષ્ઠ મેડિકલ સારવાર આપશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે 'વિકસિત ગુજરાત'ના માધ્યમથી જ વડાપ્રધાનશ્રીનું 2047 સુધીમાં 'વિકસિત ભારત' બનાવવાનું સ્વપ્ન સાકાર થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, અલુવા અને સાદરાને જોડતા બ્રિજનું ઇ-લોકાર્પણ થયું છે તે લોકોના વિશ્વાસનો સેતુ બનશે.અલુવા, સાદરા સહિત આસપાસના ગામોના હજારો પરિવારોને સરળ, ઝડપી અને સુરક્ષિત મુસાફરીની સુવિધા મળશે.&nbsp;<br><br>આ પણ વાંચોઃ&nbsp;</p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/0XfAdqw5XARmThRfrRksxiHIpyPs02HzwFziNs0R.webp'/></item><item><title><![CDATA[Tribunal Reforms Bill : સંસદના ચોમાસુ સત્રમાં નવું બિલ રજૂ થવાની શક્યતા ]]></title><link>https://sandesh.com/india/news/tribunal-reforms-bill-likely-to-be-introduced-in-monsoon-session</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/tribunal-reforms-bill-likely-to-be-introduced-in-monsoon-session</guid><pubDate>Tue, 21 Jul 2026 21:05:04 +05:30</pubDate><description><![CDATA[<p>દેશભરના ન્યાયાધિકરણો (ટ્રિબ્યુનલ)માં ખાલી પડેલી જગ્યાઓ અને તેમની કામગીરીને લઈને કેન્દ્ર સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટને મહત્વપૂર્ણ માહિતી આપી છે. કેન્દ્ર સરકારે જણાવ્યું કે ટ્રિબ્યુનલ સુધારા માટે નવા બિલનો ડ્રાફ્ટ તૈયાર કરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે અને તેને સંસદના આગામી ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે.</p><h2><b>મહત્વપૂર્ણ સંસ્થાઓને નિષ્ક્રિય થવા દેવામાં આવી શકે નહીં</b></h2><p>એટર્ની જનરલ આર. વેંકટરમણીએ મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેંચને આ માહિતી આપી હતી. સુપ્રીમ કોર્ટે અગાઉ કેન્દ્ર સરકારને દેશભરના ન્યાયાધિકરણોની કામગીરી માટે એક સમાન વ્યવસ્થા તૈયાર કરવા જણાવ્યું હતું. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે આ મહત્વપૂર્ણ સંસ્થાઓને નિષ્ક્રિય થવા દેવામાં આવી શકે નહીં. સુપ્રીમ કોર્ટે અગાઉના એક ચુકાદામાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે કોર્ટ દ્વારા રદ કરાયેલા કેટલાક નિયમોને થોડા ફેરફાર સાથે ફરીથી લાગુ કર્યા હતા. ત્યારબાદ કોર્ટે કેન્દ્રને ચાર મહિનાની અંદર રાષ્ટ્રીય ન્યાયાધિકરણ આયોગ (National Tribunal Commission) બનાવવા અંગે પણ નિર્દેશ આપ્યો હતો.</p><h3><b>નવું બિલ હજુ સુધી ચોમાસુ સત્રના એજન્ડામાં સામેલ નથી?</b></h3><p>સુનાવણી દરમિયાન જસ્ટિસ જૉયમાલ્યા બાગચીએ નોંધ્યું હતું કે નવું બિલ હજુ સુધી ચોમાસુ સત્રના એજન્ડામાં સામેલ નથી. તેના જવાબમાં એટર્ની જનરલે કહ્યું કે સરકાર આ દિશામાં પ્રયાસ કરશે. ઉલ્લેખનીય છે કે નવેમ્બર 2025માં તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ અને જસ્ટિસ વિનોદ ચંદ્રનની બેંચે ટ્રિબ્યુનલ રિફોર્મ્સ એક્ટ, 2021 હેઠળના કેટલાક નિયમોને રદ કર્યા હતા.&nbsp;</p><h4><b>મજબૂત માળખાકીય વ્યવસ્થા જરૂરી</b></h4><p>કોર્ટે કહ્યું હતું કે ન્યાયાધિકરણોની નિમણૂક, વહીવટ અને કાર્યપ્રણાલીમાં સ્વતંત્રતા, પારદર્શિતા અને એકરૂપતા લાવવા માટે મજબૂત માળખાકીય વ્યવસ્થા જરૂરી છે. હવે કેન્દ્ર સરકાર નવા કાયદા દ્વારા ન્યાયાધિકરણોની કામગીરીમાં મોટા ફેરફારો લાવવાની તૈયારી કરી રહી છે. આ પગલાથી દેશભરના ટ્રિબ્યુનલમાં ખાલી જગ્યાઓ, વહીવટી સમસ્યાઓ અને કાર્યક્ષમતાને સુધારવાનો પ્રયાસ કરવામાં આવશે.</p><p><a href="https://sandesh.com/india/news/sonam-wangchuk-discharged-safdarjung-hospital-shifted-to-medanta-hospital" target="_blank"><b>આ પણ વાંચો : Sonam Wangchuk સફદરજંગ હોસ્પિટલમાંથી થયા ડિસ્ચાર્જ, સારવાર માટે મેદાંતા હોસ્પિટલમાં થશે શિફ્ટ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/jY7xbHrnz266YVfIr6JRSXzvBwwHMwAfE6Xypzsw.webp'/></item><item><title><![CDATA[Surendranagar News: ઊંટડી ગામમાં ACBએ 5 લાખની લાંચ લેતા સરપંચ-પતિ અને ઉપસરપંચને રંગેહાથ પકડ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/surendranagar/surendranagar-news-in-untadi-village-acb-caught-sarpanch-husband-and-deputy-sarpanch-red-handed-while-taking-a-bribe-of-rs-5-lakh</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/surendranagar/surendranagar-news-in-untadi-village-acb-caught-sarpanch-husband-and-deputy-sarpanch-red-handed-while-taking-a-bribe-of-rs-5-lakh</guid><pubDate>Tue, 21 Jul 2026 20:53:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરેન્દ્રનગર જિલ્લાના ઊંટડી ગ્રામ પંચાયતમાં એન્ટી કરપ્શન બ્યૂરો (ACB) દ્વારા મોટો સપાટો બોલાવવામાં આવ્યો છે. વિસ્તારમાંથી રેતી કાઢવા દેવાના બદલામાં એક ટ્રક દીઠ રૂ. 1,000 લેખે સરપંચના પતિ સંજયભાઈ કમેજળીયા અને ઉપસરપંચ સુનીલભાઈ કટુડીયાએ ફરિયાદી પાસે કુલ રૂ.6.30 લાખની લાંચની માંગણી કરી હતી. જોકે, ફરિયાદી સાથે રકઝક અને વાટાઘાટો બાદ આખરે લાંચની રકમ રૂ.5 લાખ નક્કી કરવામાં આવી હતી. ભ્રષ્ટ પ્રતિનિધિઓને પાઠ ભણાવવા માટે ફરિયાદીએ આંગણેથી જ ACBનો સંપર્ક કર્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>લીંબડીના હોટેલ કમ્પાઉન્ડમાં ACBનું સફળ સેટઅપ</b></h2><p style="text-align: justify; ">ફરિયાદના આધારે ACBની ટીમે લીંબડી સ્થિત પ્રેમવતી ભોજનાલયના કમ્પાઉન્ડમાં લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ ટ્રેપ દરમિયાન સરપંચના પતિ સંજયભાઈ પ્રતાપભાઈ કમેજળીયા ફરિયાદી પાસેથી રૂ.5 લાખની રોકડ લાંચ સ્વીકારતા જ ACBના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા હતા. ત્યારબાદ સંજયભાઈએ મોબાઈલ પર કન્ફર્મેશન આપતાં સ્થળ પર જ હાજર ઉપસરપંચ સુનીલભાઈ સુભાષભાઈ કટુડીયાની પણ ACBની ટીમે તાત્કાલિક અટકાયત કરી લીધી હતી.</p><h3 style="text-align: justify; "><b>રૂ.5 લાખની રોકડ જપ્ત, કાયદેસરની કાર્યવાહી શરૂ</b></h3><p style="text-align: justify; ">ACBની ટીમે ઘટનાસ્થળેથી લાંચ પેટે લેવાયેલી રૂ.5 લાખની સમગ્ર રકમ જપ્ત કરી લીધી છે. ગ્રામ પંચાયત સાથે જોડાયેલા બંને આરોપીઓ સામે ગુનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્થાનિક પંચાયત શાસકો જ લાંચખોરીમાં લિપ્ત પકડાતાં સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના રાજકીય અને પ્રશાસનિક વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ACB હાલમાં બંને આરોપીઓની વધુ પૂછપરછ કરી અન્ય સંડોવણી અંગે તપાસ ચલાવી રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/iN9GyjP4TEdHzG0PJvU1wEr9mnH1A4XEfXCWTQum.webp'/></item><item><title><![CDATA[Surat News: શહેરમાં મુશળધાર વરસાદે હાલત ખરાબ કરી, ખાડીઓના જળસ્તરમાં વધારો થયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/surat/bhedwad-creek-overflows-after-heavy-rain</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/surat/bhedwad-creek-overflows-after-heavy-rain</guid><pubDate>Tue, 21 Jul 2026 20:47:12 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરમાં ખાબકેલા ભારે વરસાદના પરિણામે ભેદવાડ ખાડી ભયજનક સપાટી વટાવીને ઓવરફ્લો થઈ ગઈ છે. ખાડીના પાણીનું સ્તર ૭.૩૦ મીટરની સપાટીને વટાવી જતાં, આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. આ અચાનક આવેલી આફતથી સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે અને તેમના ઘરવખરીના સામાનને પણ નુકસાન પહોંચ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>ખેતરો અને કોમર્શિયલ કોમ્પ્લેક્ષોમાં પાણી ફરી વળ્યા</b></h2><p style="text-align: justify; ">ભેદવાડ ખાડીના પાણી માત્ર ઘરોમાં જ નહીં, પરંતુ નજીકના ખેતરો અને કોમર્શિયલ કોમ્પ્લેક્ષોમાં પણ ફરી વળ્યા છે, જેના કારણે મોટાપાયે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખેતરો પાણીમાં ગરકાવ થતાં પાકને નુકસાન થવાની ભીતિ છે, જ્યારે કોમ્પ્લેક્ષોમાં પાણી ભરાવાથી વેપાર-ધંધા પણ પ્રભાવિત થયા છે. ખાડીના પૂરના કારણે લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે અને તેમનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.</p><p style="text-align: justify; "><img alt="સુરત ખાડી" src="https://epapercdn.sandesh.com/images/2026/07/21/4mVZkROwts7O1RhpihAtxRZslRuF6Jm7GsxlVYEw.webp" style="width: 100%;"><br></p><h3 style="text-align: justify; "><b>ખાડીઓના જળસ્તરમાં પણ નોંધપાત્ર વધારો</b></h3><p style="text-align: justify; ">ભેદવાડ ખાડી ઉપરાંત શહેરની અન્ય ખાડીઓના જળસ્તરમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. કાકરા ખાડી ૫.૪૦ મીટર, મીઠી ખાડી ૭.૩૦ મીટર, ભાઠેના ખાડી ૬.૧૫ મીટર અને સીમાડા ખાડી ૩ મીટરની સપાટી પર વહી રહી છે. સતત વરસી રહેલા વરસાદ અને ખાડીઓની વધતી જળસપાટીને ધ્યાનમાં રાખીને, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/banaskantha/ambaji-bhadarvi-mahakumbh-to-be-held-from-september-20-to-26" target="_blank">આ પણ વાંચોઃ Banaskantha News: અંબાજી ખાતે આગામી 20થી 26 સપ્ટેમ્બર દરમ્યાન યોજાશે માં અંબાનો ભાદરવી મહાકુંભ</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/JtzwonHZcklCjKj9Sh9tLQHa0yGTz6TiflPDbAfI.webp'/></item><item><title><![CDATA[Hockey વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત,જાણો કોને મળ્યું સ્થાન ]]></title><link>https://sandesh.com/sports/news/indian-team-announced-for-hockey-world-cup-know-who-got-a-place</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/indian-team-announced-for-hockey-world-cup-know-who-got-a-place</guid><pubDate>Tue, 21 Jul 2026 13:26:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હોકી ઇન્ડિયાએ આગામી FIH મેન્સ હોકી વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે.ટીમમાં કુલ 20 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.હોકી વર્લ્ડ કપ 15 થી 30 ઓગસ્ટ, 2026 દરમિયાન બેલ્જિયમ અને નેધરલેન્ડ્સમાં રમાશે.મુખ્ય કોચ ક્રેગ ફુલ્ટનને વિશ્વાસ છે કે પસંદ કરાયેલી ટીમ પાસે ભારતીય હોકી ઇતિહાસમાં પોતાનો અધ્યાય લખવાની સારી તક છે.</p><h4 style="text-align: justify; "><b>હરમનપ્રીત સિંહ ટીમનું નેતૃત્વ કરશે</b></h4><p style="text-align: justify; ">એશિયાના ટોચના ડિફેન્ડર અને ડ્રેગ-ફ્લિકર હરમનપ્રીત સિંહ ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે ભારતના સૌથી વધુ કેપ્ડ મિડફિલ્ડર મનપ્રીત સિંહ પણ ટીમનો ભાગ હશે, જે અનુભવી ખેલાડીઓ અને ઉત્તેજક યુવા પ્રતિભાઓની સંતુલિત ટીમમાં અનુભવનો ભંડાર લાવશે. મુખ્ય કોચ ફુલ્ટને ટીમ વિશે કહ્યું, આ એક સારી રીતે સંતુલિત ટીમ છે. ટુર્નામેન્ટના અનુભવ અને ફોર્મમાં રહેલા યુવાનોનું યોગ્ય મિશ્રણ છે. ખેલાડીઓએ પ્રતિષ્ઠા નહીં પણ પ્રદર્શન દ્વારા પોતાનું સ્થાન મેળવ્યું છે."</p><h4 style="text-align: justify; "><b>ગોલકીપિંગમાં મોહિત અને સૂરજનો સમાવેશ</b></h4><p style="text-align: justify; ">ગોલકીપિંગ વિભાગમાં મોહિત એચએસ અને સૂરજ કરકેરાનો સમાવેશ થાય છે, જ્યારે ડિફેન્સિવ યુનિટમાં જર્મનપ્રીત સિંહ, કેપ્ટન હરમનપ્રીત, અમિત રોહિદાસ, જુગરાજ સિંહ, સંજય, સુમિત અને યશદીપ સિવાચનો સમાવેશ થાય છે. મિડફિલ્ડનું નેતૃત્વ મનપ્રીત, હાર્દિક સિંહ અને વિવેક સાગર પ્રસાદ, નીલકંઠ શર્મા અને આશાસ્પદ યુવા ખેલાડીઓ રાજિન્દર સિંહ અને આદિત્ય અર્જુન લાલગે કરશે. આક્રમણની જવાબદારી મનદીપ સિંહ, દિલપ્રીત સિંહ, અભિષેક, સુખજીત સિંહ અને શિલાનંદ લાકરા સંભાળશે.</p><p style="text-align: justify; "><a href="https://x.com/TheHockeyIndia/status/2079454470547947669?s=20" target="_blank">https://x.com/TheHockeyIndia/status/2079454470547947669?s=20</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ઇંગ્લેન્ડ, પાકિસ્તાન અને વેલ્સની સાથે પૂલ ડીમાં સ્થાન મેળવનાર ભારત, નેધરલેન્ડ્સના એમ્સ્ટલવીનમાં તેની બધી પૂલ-સ્ટેજ મેચ રમશે. મુખ્ય કોચ ફુલ્ટને કહ્યું, પ્રેસ, કાઉન્ટર, પર્ફોર્મન્સ એ ફક્ત અમારી વ્યૂહાત્મક ઓળખ નથી; તે આ જૂથ દરરોજ કેવી રીતે તાલીમ આપે છે અને વિચારે છે તેના વિશે પણ છે. આપણે આપણી જાતથી આગળ નથી વધી રહ્યા&nbsp; એક સમયે એક રમત, બધું જ લાઇન પર મૂકી રહ્યા છીએ, તે માનસિકતા છે જે આપણે દરેક મેચમાં અપનાવી રહ્યા છીએ.</p><h5 style="text-align: justify; "><b>ભારત 15 ઓગસ્ટે અભિયાન શરૂ કરશે</b></h5><p style="text-align: justify; ">ભારત 15 ઓગસ્ટે વેલ્સ સામે પોતાનું અભિયાન શરૂ કરશે, ત્યારબાદ 17 ઓગસ્ટે ઈંગ્લેન્ડ અને 19 ઓગસ્ટે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રમશે, જે પૂલ સ્ટેજની સૌથી અપેક્ષિત મેચ છે. 1975 વર્લ્ડ કપ જીતના પચાસ વર્ષ પછી આ જૂથ પાસે ભારતીય હોકી ઇતિહાસમાં પોતાનો અધ્યાય લખવાની તક છે, અને અમે તેના માટે ખૂબ જ ઉત્સાહિત છીએ.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/lionel-messi-heartbreak-messi-broke-his-silence-after-losing-in-the-final-saying-this-big-thing" target="_blank"> Lionel Messi heartbreak : ફાઇનલમાં હાર બાદ મેસ્સીએ મૌન તોડ્યું, કહી આ મોટી વાત</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/AlUe6i2EaTqLxWn7wy7869U96l54gE2UbiMlcrnf.webp'/></item></channel></rss>