<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Bharuch: જંબુસર ખાનપુર ભાગોળમાં ખૂલ્લી ગટરમાં ગાય ખાબકી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bharuch/bharuch-cow-drowns-in-open-drain-in-jambusar-khanpur-area</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bharuch/bharuch-cow-drowns-in-open-drain-in-jambusar-khanpur-area</guid><pubDate>Sat, 08 Aug 2026 05:39:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જંબુસર શહેરમાં ખુલ્લી ગટરોનો પ્રશ્ન દિવસેને દિવસે ગંભીર બનતો જઈ રહ્યો છે. શહેરના ખાનપુરી ભાગોળ વિસ્તારમાં વધુ એક ગાય ખુલ્લી ગટરમાં ખાબકતાં સ્થાનિકોમાં ચિંતા અને રોષની લાગણી જોવા મળી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ ગાયને સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી.સ્થાનિકોના જણાવ્યા મુજબ, જંબુસર શહેરમાં અનેક સ્થળોએ ગટરો ખુલ્લી હોવાના કારણે પશુઓ તેમજ રાહદારીઓ માટે સતત અકસ્માતનો ભય રહે છે. અગાઉ પણ અનેક વખત ગાય, શ્વાન સહિતના અબોલ પશુઓ ખુલ્લી ગટરમાં પડી જવાની ઘટનાઓ બની ચૂકી છે. તેમ છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં તંત્ર નિષ્ફ્ળ રહ્યું હોવાનું લોકોનું કહેવું છે.રહિશોનું કહેવું છે કે ખુલ્લી ગટરોને કારણે ખાસ કરીને રાત્રિના સમયે અને વરસાદી મોસમમાં અકસ્માતનું જોખમ વધુ વધી જાય છે. જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/tgvAxbgtwySJuHdr8YvvkHpsJt5NUctLtwsQwxCh.webp'/></item><item><title><![CDATA[Bharuch: ભાડભૂતમાં માછીમારો બીજા જૂવારમાં માછીમારી કરવા રવાના ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bharuch/bharuch-fishermen-in-bhadbhut-leave-for-fishing-in-the-second-monsoon</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bharuch/bharuch-fishermen-in-bhadbhut-leave-for-fishing-in-the-second-monsoon</guid><pubDate>Sat, 08 Aug 2026 05:39:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભરૂચ જિલ્લામાં હાલમાં માછીમારોની સિઝન આવી છે. ભરૂચ જિલ્લામાંથી પસાર નદી નર્મદા નદીના મીઠાં પાણીમાં ઈંડા મુકવા માટે દરિયામાંથી હિલ્સા મચ્છી આવતી હોય છે. ત્યારે માછીમારો આ સમયગાળામાં માછીમારી કરતાં હોય છે. ત્યારે ચોમાસાના ચાર મહિનામાં તેઓ દશમ કે અગિયારસથી પુનમ કે પડવા સુધી દરિયા અને નદીના સંગમ વિસ્તારમાં નાવડીમાં જ રહી ને મચ્છીમારી કરે છે. જે બાદ તેઓ કિનારે આવી 3-4 દિવસ સુધી સતત નદીમાં રહી ત્યાં જ નાવડીમાં ખાવાનું, ન્હાવા-ધોવાનું કરતાં હોય છે.ગત વખતનો જૂવાર સારો ગયો હોવાને કારણે આ હવેનો આ વખતનો વધુ સારો રહેશે તેવી આશા માછીમારોએ લગાવી છે.</p><p style="text-align: justify; ">કેટલાંક માછીમારોએ ગુરુવારે સાંજથી તો કેટલાંકે શુક્રવારે બીજા જૂવારની માછીમારી કરવા માટે ઉપડી ગયાં હતાં. ભાડભૂત ગામના સામાજિક આગેવાન કમલેશભાઈએ જણાયું હતું કે, આ વખતે સારો ફાલ આવે તેવી શક્યતાઓ છે.</p><p style="text-align: justify; ">આ ચાર મહિનાની માછીમારી કરીને માછીમારો તેમના પરિવારના ગુજરાનમાટે એક વર્ષ ચાલે તેટલું ધન અર્જિત કરવાનો પ્રયાસ કરતાં હોય છે.આ રૂપિયાથી તેઓ તેમના બાળકોના અભ્યાસ, લગ્ન સહિતના ખર્ચ પણ તેઓ આ જ ચાર મહિનામાં તેની કમાણી કરી લેતાં હોય છે.</p><p style="text-align: justify; ">જોકે, આગામી દિવાસોમાં જો તેઓ પુરતાં પ્રમાણમાં માછીમારીનું વળતર મેળવી ન શકે તો પણ ભાડભૂત ખાતે આવતાં મોટા વેપારીઓ તેમને આર્થિક મદદ કરતાં હોય છે. ગઈ વખતનો ફાલ સારો આવ્યો હોવાને કારણે આ વખતનો ફાલ વધુ સારો આવે તેવી સંપૂર્ણ શક્યતાઓ હોવાનું માછીમારો માની રહ્યાં છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/qyuM9NPCaAArfk7XSCIuJykhlXrS8cAIJ3fna4MF.webp'/></item><item><title><![CDATA[Surat: માંગરોળનાં 53 પૈકી 45 ગામમાં 1 કરોડથી વધુ પૂર સહાય ચુકવાઇ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-more-than-1-crore-flood-aid-paid-to-45-out-of-53-villages-in-mangrol</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-more-than-1-crore-flood-aid-paid-to-45-out-of-53-villages-in-mangrol</guid><pubDate>Sat, 08 Aug 2026 03:51:31 +05:30</pubDate><description><![CDATA[<p><b>માંગરોળ તાલુકામાં ભારે વરસાદનાં પગલે કીમ નદીનાં પુરનાં પ્રકોપનાં પગલે 53 જેટલા ગામડાઓમાં પુરનાં પાણીએ વિનાશ વેર્યો હતો. માંગરોળનાધારાસભ્ય ગણપત વસાવાની સુચના બાદ હરકતમાં આવેલા તંત્ર દ્વારા 53 ગામો પૈકી 45 ગામડાઓમાં છેલ્લા બે દિવસ દરમ્યાન 1 કરોડથી વધુ સરકારી સહાય ચુકવવામાં આવી હતી. જ્યારે આગામી બે દિવસ દરમ્યાન વધુ એક કરોડ જેટલી રોકડ સહાય ચુકવવામાં આવશે. ધારાસભ્ય ગણપત વસાવાએ આજે કીમ નજીક મોટા બોરસરા, પાનસરા, પાલોદ, મોટી નરોલી, હથોડા જેવા ગામડાઓમાં કીમનાં સરપંચ પ્રવિણ પટેલ, પાલોદનાં સરપંચ દિનેશ આહીર સહિતનાં આગેવાનોની ઉપસ્થિતિમાં ગામડાઓમાં પહોંચી અનાજની કીટોનું વિતરણ કર્યુ હતું. માંગરોળ તાલુકામાં ભારે વરસાદનાં પગલે ઝંખવાવનાં મુકેશ ચૌધરી કોઝવે ઉપરથી રસ્તો ઓળંગતી વેળા પાણીમાં તણાઇ ગયા હતા. તેમના પરીવારજનોને 4 લાખનો સહાય ચેક આપવામાં આવ્યો હતો. સૂત્રો અનુસાર માંગરોળ તાલુકામાં 3 કરોડ રૂપિયા જેટલા નુકસાનનો અંદાજ છે.</b></p><p><b><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/i7A2hNAy5Nr0x9OJ1ZCGvwl1b9axAy9nS1t4piDm.webp'/></item><item><title><![CDATA[Surat: ભાંડુતના વિદ્યાર્થી કિર્તન પટેલે ગિનીસ બુક ઓફ્ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-bhandut-student-kirtan-patel-gets-a-place-in-the-guinness-book-of-world-records</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-bhandut-student-kirtan-patel-gets-a-place-in-the-guinness-book-of-world-records</guid><pubDate>Sat, 08 Aug 2026 03:50:00 +05:30</pubDate><description><![CDATA[<p><b>સાંધીએર :ઓલપાડના છેવાડાના ભાંડુત ગામના મૂળ વતની અને સુરતની લોકમાન્ય વિદ્યાલયમાં ધો.8 માં અભ્યાસ કરતા કિર્તન પટેલે બી.એ.પી.એસ.સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વડોદરામાં યોજાયેલા વિશિષ્ટ કાર્યક્રમમાં 315 સંસ્કૃત શ્લોકો કંઠસ્થ કરી રજુ કરતાં તેને ગ્રિનીશ બુક ઓફ્ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.</b></p><p><b>કિર્તનની આ સિદ્ધિથી સંતો અને ભક્તો મંત્રમુગ્ધ બન્યા હતાં. કિર્તન પટેલના પિતા ધર્મેન્દ્રભાઈ વ્યવસાયે શિક્ષક છે અને તેઓ હાલ ઓલપાડ તાલુકાની કોબા પ્રા.શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ધર્મેન્દ્ર પટેલે પણ સાયકલિસ્ટ, યોગા સહિત વિવિધ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી એવોર્ડ અને પ્રશંસાપત્રોથી સન્માન મેળવી ચુક્યા છે. આ ઉપરાંત તેમણે પ્લાસ્ટિક મુક્ત ભારત અંતર્ગત બુક ઓફ્ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આમ પિતા-પુત્ર જોડીએ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી ગામ અને તાલુકાનું નામરોશન કર્યું છે.</b></p><p><b><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/1w3rpwvQvcY7eFQ0xmOSruuG2KpRNAyrPKfK5aS2.webp'/></item><item><title><![CDATA[Surat: કીમ-કઠોદરાના પુરગ્રસ્તોને ધારાસભ્ય મુકેશ પટેલ દ્વારા 1500થી વધુ કીટનું વિતરણ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-mla-mukesh-patel-distributes-more-than-1500-kits-to-flood-victims-of-keem-kathodara</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-mla-mukesh-patel-distributes-more-than-1500-kits-to-flood-victims-of-keem-kathodara</guid><pubDate>Sat, 08 Aug 2026 03:46:53 +05:30</pubDate><description><![CDATA[<p><b>કીમ : કીમ, કઠોદરા સહિત આવા અસરગ્રસ્ત ગામોમાં પૂરે ભારે વિનાશ વેર્યો હતો. ગુરુવારે ઓલપાડનાં ધારાસભ્ય મુકેશ પટલે અસરગ્રસ્ત ગામમાં જઈ 1 હજારથી વધુ પુરગ્રસ્ત પરીવારોન1500 જેટલી ઘંઉ, લોટ, તેલ સહિત અનાજની કીટોનું વિતરણ કર્યુ હતું. આ સમયે જિલ્લા પંચાયત સભ્ય અનુબેન દેસાઇ, કીમ સરપંચ પ્રવિણ પટેલ, સામાજીક અગ્રણી જયેશ દેસાઇ સહિતનાં આગેવાનો હાજર રહ્યા હતા. ધારાસભ્યએ અધિકારીઓને કોઇ પણ પુરગ્રસ્ત વ્યક્તિ સરકારી સહાયથી વંચીત ન રહે તેની ખાસ તાકીદ રાખવા જો તેમની પાસે પુરતા જરૂરી દસ્તાવેજ ન હોય તો રહેમરાહે અન્ય વૈકલ્પિક પુરાવાઓનાં આધારે સરકારી સહાય ચુકવવાની સુચના આપી હતી. છેલ્લા બે દિવસમાં કીમ અને કઠોદરામાં અંદાજીત 30 લાખથી વધુની સરકારી સહાય ચુકવવામાં આવી છે.</b></p><p><b><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/6pUzW2ZvTFepk06lbKMNEHlcounq5I8KvyuR11Zx.webp'/></item><item><title><![CDATA[Jharkhand Student Protest : વિદ્યાર્થીઓની સરકાર સાથેની પહેલી બેઠક સમાપ્ત, આંદોલન ચાલુ રહેશે ]]></title><link>https://sandesh.com/india/news/jharkhand-student-protest-first-meeting-of-students-with-government-ends-agitation-will-continue</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/jharkhand-student-protest-first-meeting-of-students-with-government-ends-agitation-will-continue</guid><pubDate>Fri, 07 Aug 2026 22:31:24 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સ્ટેટ ગેસ્ટ હાઉસ ખાતે JPSC-JSSC પરીક્ષા વિવાદનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અને ઝારખંડ સરકારના પ્રતિનિધિઓ વચ્ચે લગભગ દોઢ કલાક ચાલેલી વાટાઘાટો કોઈ નક્કર પરિણામ લાવી શકી નહીં. બેઠક બાદ વિદ્યાર્થી પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે તેઓ તેમની મુખ્ય માંગણીઓ પર સરકાર સાથે સંમત થયા નથી, અને તેથી, આંદોલન ચાલુ રહેશે.જોકે સરકારે વાટાઘાટોને સકારાત્મક ગણાવી હતી.મંત્રીઓએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની બધી માંગણીઓ અને સૂચનો પર ગંભીરતાથી વિચારણા કરવામાં આવી છે. સરકાર સમગ્ર મેમોરેન્ડમ અને દરખાસ્તોનો અભ્યાસ કર્યા પછી આગળની કાર્યવાહી અને નિર્ણયો લેશે.</p><h6 style="text-align: justify; "><b>બધી માંગણીઓ અને સૂચનો પર ગંભીરતાથી વિચારણા કરવાની ખાતરી</b></h6><p style="text-align: justify; ">સરકારે વિદ્યાર્થીઓને ખાતરી આપી હતી કે તેમની બધી માંગણીઓ અને સૂચનો પર ગંભીરતાથી વિચાર કરવામાં આવશે. પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે બેઠકમાં ઉઠાવવામાં આવેલા તમામ મુદ્દાઓ મુખ્યમંત્રી હેમંત સોરેન સમક્ષ મૂકવામાં આવશે અને ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. દરમિયાન, વિદ્યાર્થી પ્રતિનિધિઓએ દાવો કર્યો હતો કે વાતચીત સકારાત્મક વાતાવરણમાં થઈ હતી અને સરકારે તેમની વાત ગંભીરતાથી સાંભળી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમણે તેમની બધી માંગણીઓ, સહાયક તથ્યો અને પુરાવાઓ સાથે સરકાર સમક્ષ રજૂ કરી હતી. વિદ્યાર્થી પ્રતિનિધિઓના જણાવ્યા મુજબ, બેઠકમાં હાજર સમિતિના સભ્યો તેમની માંગણીઓ પર સંમત થયા હતા.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/ANI/status/2085758898422833629?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; "><br></p><h5 style="text-align: justify; "><b>નિર્ણય ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.</b></h5><p style="text-align: justify; ">જોકે, વિદ્યાર્થીઓએ સ્પષ્ટ કર્યું હતું કે તેમની માંગણીઓ પર કોઈ નક્કર નિર્ણય ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. તેમણે જણાવ્યું હતું કે જો સરકાર સકારાત્મક નિર્ણય નહીં લે, તો આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે. વિદ્યાર્થીઓએ આશા વ્યક્ત કરી હતી કે 10 ઓગસ્ટના રોજ આયોજિત વિધાનસભા ઘેરાબંધી પહેલાં સરકાર ઉકેલ શોધી કાઢશે. હાલમાં, બંને પક્ષો વચ્ચેની વાતચીતને સકારાત્મક માનવામાં આવી રહી છે, અને હવે બધાની નજર સરકારના આગામી નિર્ણય પર છે.</p><h5 style="text-align: justify; "><b>આંદોલનના ૧૪મા દિવસે સરકાર અને વિદ્યાર્થીઓ આમને-સામને</b></h5><p style="text-align: justify; ">JPSC-JSSC પરીક્ષા વિવાદ પર ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલનના14મા દિવસે, સરકાર અને વિદ્યાર્થી પ્રતિનિધિઓ વચ્ચે મહત્વપૂર્ણ વાટાઘાટો થઈ. શુક્રવારે સાંજે 7 વાગ્યે સ્ટેટ ગેસ્ટ હાઉસ ખાતે શરૂ થયેલી આ બેઠકમાં મંત્રીઓ દીપિકા પાંડે સિંહ, સુદિબ્ય કુમાર સોનુ, ચામરા લિન્ડા, સંજય યાદવ અને અધિક મુખ્ય સચિવ અજય કુમાર સિંહ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓ વતી, રવિન્દ્ર પાસવાન, પીયૂષ કુમાર, રાજેશ પ્રસાદ, નીતુ કુજુર, અંકિત રાજ, કાર્તિક સોરેન, શાલુ કુમારી, રવિન્દ્ર કુમાર રવિ, આનંદ કુમાર અને અંકિત કુમાર સહિત 10 સભ્યોના પ્રતિનિધિમંડળે સરકાર સમક્ષ તેમની માંગણીઓ અને વાંધાઓ વિગતવાર રજૂ કર્યા.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/india/news/gujarat/8-august-top-news-and-historical-events-current-affairs" target="_blank"> 8 August Top News: 8 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/KQlkfae9GlhnH7y8mIOQ3OvWVodvarAX67ZFutmE.webp'/></item><item><title><![CDATA[Sugar Price Hike: એક જ મહિનામાં ખાંડ 15% મોંઘી થઈ!, તહેવારો પહેલા કેમ વધ્યા ભાવ, જાણો શુ છે કારણો? ]]></title><link>https://sandesh.com/business/news/india/sugar-price-hike-sugar-became-15-more-expensive-in-a-single-month-why-did-the-prices-increase-before-the-festivals-know-what-are-the-reasons</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/sugar-price-hike-sugar-became-15-more-expensive-in-a-single-month-why-did-the-prices-increase-before-the-festivals-know-what-are-the-reasons</guid><pubDate>Fri, 07 Aug 2026 19:49:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">વધતા ભાવોને કાબુમાં લેવા માટે, મિલો હવે 15 દિવસ વહેલા શેરડીનું પિલાણ શરૂ કરી રહી છે.</p><h2 style="text-align: justify; ">ખાંડના ભાવમાં સરેરાશ 8%નો વધારો&nbsp;</h2><p style="text-align: justify; ">આગામી તહેવારોની મોસમમાં ફુગાવાનો માર સામાન્ય માણસના ખિસ્સા પર પડવાની શક્યતા છે. સરકારના પ્રયાસો છતાં, સ્થાનિક બજારમાં ખાંડના ભાવ સતત વધી રહ્યા છે. ગયા મહિનાના આંકડાઓના આધારે, ખાંડના ભાવમાં સરેરાશ 8%નો વધારો થયો છે, જ્યારે કેટલાક રાજ્યોમાં આ વધારો 15% સુધી પહોંચી ગયો છે. એવી આશંકા છે કે આ વર્ષે દિવાળી, દશેરા અને અન્ય તહેવારો દરમિયાન મીઠાઈનો આનંદ માણવો જનતા માટે મોંઘો સાબિત થઈ શકે છે.</p><h3 style="text-align: justify; ">તહેવારોની મીઠાશ પર નજર&nbsp;</h3><p style="text-align: justify; ">તહેવારોની મોસમ દરમિયાન ખાંડનો વપરાશ ટોચ પર હોય છે, પરંતુ આ સમયે આ તીવ્ર ભાવ વધારો ઘરના બજેટને ખોરવી નાખવાનો ભય છે. ખાંડ મિલોએ હવે વધતી કિંમતોને કાબુમાં લેવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. છેલ્લા એક મહિનામાં જથ્થાબંધ બજારમાં ખાંડના ભાવ પ્રતિ ક્વિન્ટલ ₹400 સુધી વધ્યા છે. આ બગડતી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, ખાંડ મિલોએ આ વર્ષે ખાંડની પિલાણ પ્રક્રિયા 10 થી 15 દિવસ વહેલા શરૂ કરવાનો નિર્ણય લીધો છે જેથી બજારમાં તાજી ખાંડનો પુરવઠો શક્ય તેટલી ઝડપથી વધે.</p><h4 style="text-align: justify; ">ભાવ શા માટે આસમાને પહોંચ્યા ?</h4><p style="text-align: justify; ">ખાંડના ભાવમાં અચાનક વધારો થવા પાછળનું સૌથી મોટું કારણ ઉત્પાદનમાં ઘટાડો છે. શરૂઆતમાં, અંદાજ મુજબ આ વર્ષે 29.3 મિલિયન ટન ખાંડનું ઉત્પાદન થવાની આગાહી કરવામાં આવી હતી, પરંતુ વાસ્તવિક આંકડો ફક્ત 28 મિલિયન ટન હતો, જે પાછલા વર્ષ કરતા લગભગ 5 મિલિયન ટન ઓછો છે. જો કે, એકમાત્ર બચત એ છે કે ગયા વર્ષનો આશરે 5 મિલિયન ટન સ્ટોક હજુ પણ ઉપલબ્ધ છે. જો કે, પડકાર એ છે કે દેશનો કુલ વાર્ષિક ખાંડનો વપરાશ ફક્ત 28 મિલિયન ટન જેટલો છે, અને આ વર્ષે 8 લાખ ટન ખાંડની નિકાસ થઈ ચૂકી છે. વધુમાં, અલ નીનોની અસર અને આવતા વર્ષે ઉત્પાદનમાં ઘટાડાની શક્યતાએ બજારમાં ગભરાટ પેદા કર્યો છે, જેનાથી ભાવમાં વધુ વધારો થયો છે.</p><h5 style="text-align: justify; ">મેટ્રો શહેરોમાં ખાંડના નવા ભાવ</h5><p style="text-align: justify; ">સરકારી માહિતી અનુસાર, દેશના લગભગ દરેક મોટા શહેરોમાં છૂટક ખાંડના ભાવમાં વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં એક મહિના પહેલા 45 રૂપિયા પ્રતિ કિલો વેચાતી ખાંડ હવે 49 રૂપિયા પર પહોંચી ગઈ છે. પશ્ચિમ બંગાળમાં તેની અસર ખાસ કરીને સ્પષ્ટ છે, જ્યાં 49 રૂપિયા પ્રતિ કિલો વેચાતી ખાંડ હવે 55 રૂપિયામાં વેચાઈ રહી છે. તેવી જ રીતે, ચેન્નાઈમાં ભાવ 46 રૂપિયાથી વધીને 53 રૂપિયા, મુંબઈમાં 46 રૂપિયાથી વધીને 52 રૂપિયા અને ઝારખંડની રાજધાની રાંચીમાં 47 રૂપિયાથી વધીને 51 રૂપિયા થઈ ગયા છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/india/news/jantar-mantar-protest-why-is-the-entire-city-held-hostage-during-the-protest-at-jantar-mantar-delhi-hc-questions-the-government-and-police" target="_blank">પ્રદર્શન જંતર-મંતર પર તો આખા શહેરને કેમ બંધક બનાવાય?, Delhi HCના સરકાર-પોલીસને સવાલ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/o0MmWdWvS5GxHKh1PkDZuNnvj4Ezsxh5Wk1E9WVZ.webp'/></item><item><title><![CDATA[Sugar Price Hike: એક જ મહિનામાં ખાંડ 15% મોંઘી થઈ!, તહેવારો પહેલા કેમ વધ્યા ભાવ, જાણો શુ છે કારણો? ]]></title><link>https://sandesh.com/business/news/india/sugar-price-hike-sugar-became-15-more-expensive-in-a-single-month-why-did-the-prices-increase-before-the-festivals-know-what-are-the-reasons</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/sugar-price-hike-sugar-became-15-more-expensive-in-a-single-month-why-did-the-prices-increase-before-the-festivals-know-what-are-the-reasons</guid><pubDate>Fri, 07 Aug 2026 19:49:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">વધતા ભાવોને કાબુમાં લેવા માટે, મિલો હવે 15 દિવસ વહેલા શેરડીનું પિલાણ શરૂ કરી રહી છે.</p><h2 style="text-align: justify; ">ખાંડના ભાવમાં સરેરાશ 8%નો વધારો&nbsp;</h2><p style="text-align: justify; ">આગામી તહેવારોની મોસમમાં ફુગાવાનો માર સામાન્ય માણસના ખિસ્સા પર પડવાની શક્યતા છે. સરકારના પ્રયાસો છતાં, સ્થાનિક બજારમાં ખાંડના ભાવ સતત વધી રહ્યા છે. ગયા મહિનાના આંકડાઓના આધારે, ખાંડના ભાવમાં સરેરાશ 8%નો વધારો થયો છે, જ્યારે કેટલાક રાજ્યોમાં આ વધારો 15% સુધી પહોંચી ગયો છે. એવી આશંકા છે કે આ વર્ષે દિવાળી, દશેરા અને અન્ય તહેવારો દરમિયાન મીઠાઈનો આનંદ માણવો જનતા માટે મોંઘો સાબિત થઈ શકે છે.</p><h3 style="text-align: justify; ">તહેવારોની મીઠાશ પર નજર&nbsp;</h3><p style="text-align: justify; ">તહેવારોની મોસમ દરમિયાન ખાંડનો વપરાશ ટોચ પર હોય છે, પરંતુ આ સમયે આ તીવ્ર ભાવ વધારો ઘરના બજેટને ખોરવી નાખવાનો ભય છે. ખાંડ મિલોએ હવે વધતી કિંમતોને કાબુમાં લેવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. છેલ્લા એક મહિનામાં જથ્થાબંધ બજારમાં ખાંડના ભાવ પ્રતિ ક્વિન્ટલ ₹400 સુધી વધ્યા છે. આ બગડતી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, ખાંડ મિલોએ આ વર્ષે ખાંડની પિલાણ પ્રક્રિયા 10 થી 15 દિવસ વહેલા શરૂ કરવાનો નિર્ણય લીધો છે જેથી બજારમાં તાજી ખાંડનો પુરવઠો શક્ય તેટલી ઝડપથી વધે.</p><h4 style="text-align: justify; ">ભાવ શા માટે આસમાને પહોંચ્યા ?</h4><p style="text-align: justify; ">ખાંડના ભાવમાં અચાનક વધારો થવા પાછળનું સૌથી મોટું કારણ ઉત્પાદનમાં ઘટાડો છે. શરૂઆતમાં, અંદાજ મુજબ આ વર્ષે 29.3 મિલિયન ટન ખાંડનું ઉત્પાદન થવાની આગાહી કરવામાં આવી હતી, પરંતુ વાસ્તવિક આંકડો ફક્ત 28 મિલિયન ટન હતો, જે પાછલા વર્ષ કરતા લગભગ 5 મિલિયન ટન ઓછો છે. જો કે, એકમાત્ર બચત એ છે કે ગયા વર્ષનો આશરે 5 મિલિયન ટન સ્ટોક હજુ પણ ઉપલબ્ધ છે. જો કે, પડકાર એ છે કે દેશનો કુલ વાર્ષિક ખાંડનો વપરાશ ફક્ત 28 મિલિયન ટન જેટલો છે, અને આ વર્ષે 8 લાખ ટન ખાંડની નિકાસ થઈ ચૂકી છે. વધુમાં, અલ નીનોની અસર અને આવતા વર્ષે ઉત્પાદનમાં ઘટાડાની શક્યતાએ બજારમાં ગભરાટ પેદા કર્યો છે, જેનાથી ભાવમાં વધુ વધારો થયો છે.</p><h5 style="text-align: justify; ">મેટ્રો શહેરોમાં ખાંડના નવા ભાવ</h5><p style="text-align: justify; ">સરકારી માહિતી અનુસાર, દેશના લગભગ દરેક મોટા શહેરોમાં છૂટક ખાંડના ભાવમાં વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં એક મહિના પહેલા 45 રૂપિયા પ્રતિ કિલો વેચાતી ખાંડ હવે 49 રૂપિયા પર પહોંચી ગઈ છે. પશ્ચિમ બંગાળમાં તેની અસર ખાસ કરીને સ્પષ્ટ છે, જ્યાં 49 રૂપિયા પ્રતિ કિલો વેચાતી ખાંડ હવે 55 રૂપિયામાં વેચાઈ રહી છે. તેવી જ રીતે, ચેન્નાઈમાં ભાવ 46 રૂપિયાથી વધીને 53 રૂપિયા, મુંબઈમાં 46 રૂપિયાથી વધીને 52 રૂપિયા અને ઝારખંડની રાજધાની રાંચીમાં 47 રૂપિયાથી વધીને 51 રૂપિયા થઈ ગયા છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/india/news/jantar-mantar-protest-why-is-the-entire-city-held-hostage-during-the-protest-at-jantar-mantar-delhi-hc-questions-the-government-and-police" target="_blank">પ્રદર્શન જંતર-મંતર પર તો આખા શહેરને કેમ બંધક બનાવાય?, Delhi HCના સરકાર-પોલીસને સવાલ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/o0MmWdWvS5GxHKh1PkDZuNnvj4Ezsxh5Wk1E9WVZ.webp'/></item><item><title><![CDATA[Evergreen Song : કિશોર કુમારના અવાજે અમર બનેલું 68 વર્ષ જૂનું ગીત, Sixteen Tons સાથે છે ખાસ કનેક્શન! ]]></title><link>https://sandesh.com/entertainment/news/kishore-kumar-rain-song-sixteen-tons-merle-travis</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/kishore-kumar-rain-song-sixteen-tons-merle-travis</guid><pubDate>Fri, 07 Aug 2026 17:26:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વરસાદની ઋતુ હોય અને બોલીવુડનું ગીત ન હોય એવું બની શકે નહીં. તમે વરસાદની ઋતુમાં પ્યાર હુઆ ઇકરાર હુઆ, યે રાત ભીગી ભીગી અને રિમઝિમ ગિરે સાવન જેવા ગીતો તો સાંભળ્યા જ હશે. પરંતુ શું તમે કિશોર કુમારના એ 68 વર્ષ જૂના ગીત વિશે સાંભળ્યું છે, જે મર્લે ટ્રેવિસના સિક્સટીન ટન્સ પર આધારિત હતું? ખાસ વાત એ હતી કે આ ફિલ્મના હીરો પોતે કિશોર કુમાર હતા અને તેમણે જ ફિલ્મનું નિર્માણ પણ કર્યું હતું. ફિલ્મમાં તેમના ઉપરાંત અશોક કુમાર, મધુબાલા અને અનૂપ કુમાર મહત્વના પાત્રોમાં જોવા મળ્યા હતા. ફિલ્મનું દિગ્દર્શન સત્યેન બોઝે કર્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>કિશોર કુમારનું 68 વર્ષ જૂનું ગીત</b></h2><p style="text-align: justify; ">અમે 68 વર્ષ પહેલાં રિલીઝ થયેલી ફિલ્મ ચલતી કા નામ ગાડીની વાત કરી રહ્યા છીએ. આ ફિલ્મનું ગીત એક લડકી ભીગી ભાગી સી આજે પણ ખૂબ લોકપ્રિય છે. આ ગીતનું સંગીત એસ.ડી. બર્મને આપ્યું હતું. તેમના પુત્ર આર.ડી. બર્મન અને જયદેવ સહાયક સંગીતકાર હતા. ગીતના શબ્દો મજરૂહ સુલ્તાનપુરીએ લખ્યા હતા. જ્યારે વરસાદનું આ ગીત મર્લે ટ્રેવિસના સિક્સટીન ટન્સ પર આધારિત હતું.</p><h3 style="text-align: justify; "><b>ગીતના લિરીક્સ છે શાનદાર...</b></h3><p style="text-align: justify; ">એક લડકી ભીગી ભાગી સી</p><p style="text-align: justify; ">સોતી રાતોં મેં જાગી સી</p><p style="text-align: justify; ">મિલી એક અજનબી સે કોઈ આગે ના પીછે</p><p style="text-align: justify; ">તુમ હી કહો યે કોઈ બાત હૈ</p><p style="text-align: justify; ">હમ્મ્મ...એક લડકી ભીગી ભાગી સી</p><p style="text-align: justify; ">સોતી રાતોં મેં જાગી સી</p><p style="text-align: justify; ">મિલી એક અજનબી સે કોઈ આગે ના પીછે</p><p style="text-align: justify; ">તુમ હી કહો યે કોઈ બાત હૈ હમ્મ્મ</p><p style="text-align: justify; ">ખાસ વાત એ છે કે આ ગીતને ખૂબ લોકપ્રિયતા મળી હતી. ફિલ્મ કમ્પેનિયનની ટોપ 100 બોલીવુડ આલ્બમની યાદીમાં આ ગીત 51મા ક્રમે સામેલ છે. જ્યારે રેડિફ અનુસાર બોલિવૂડના ટોપ 25 ગીતોની યાદીમાં પણ 'એક લડકી ભીગી ભાગી સી' સામેલ છે.</p><h4 style="text-align: justify; "><b>કિશોર કુમાર ફિલ્મ ફ્લોપ થાય એવું ઈચ્છતા હતા</b></h4><p style="text-align: justify; ">આઈએમડીબી અનુસાર, એવું કહેવાય છે કે કિશોર કુમારે ચલતી કા નામ ગાડી ફિલ્મ એ આશા સાથે બનાવી હતી કે તે કમર્શિયલી ફ્લોપ થશે. તેનું કારણ એ હતું કે તેઓ પોતાની આવકમાં નુકસાન બતાવવા માગતા હતા, જેથી અધિકારીઓને વધારે ઇન્કમ ટેક્સ ન ચૂકવવો પડે. તેથી તેમણે 2 ફિલ્મો બનાવી હતી, લુકોચુરી અને ચલતી કા નામ ગાડી, અને ફિલ્મ ફ્લોપ થાય તેની રાહ જોઈ હતી. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. તેના કારણે કિશોર કુમાર એટલા નિરાશ થયા કે તેમણે ચલતી કા નામ ગાડી અને તેના તમામ અધિકારો પોતાના સેક્રેટરી અનૂપ શર્માને આપી દીધા હતા અને કૉપિરાઇટ પોતાની પાસે રાખ્યો હતો.&nbsp;</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/ameesha-patel-51-unmarried-why-not-married" target="_blank" style="background-color: rgb(255, 255, 255);">આ પણ વાંચો-Actress Love Life : 51ની ઉંમરે પણ અમીષા પટેલે કેમ નથી કર્યા લગ્ન? એક્ટ્રેસે પોતે કર્યો ખુલાસો!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/0uToJSPsPuplAppnsYUbDj72VHfJyOEMgVBzQxqC.webp'/></item><item><title><![CDATA[Sports News : ફૂટબોલ મેચ દરમિયાન ખેલાડી પર પડી વીજળી, Videoમાં કેદ થઈ ઘટના ]]></title><link>https://sandesh.com/sports/news/sports-news-lightning-strikes-player-during-football-match-incident-captured-on-video</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/sports-news-lightning-strikes-player-during-football-match-incident-captured-on-video</guid><pubDate>Fri, 07 Aug 2026 16:01:27 +05:30</pubDate><description><![CDATA[<p>થાઈલેન્ડમાં એક દુ:ખદ અને આઘાતજનક ઘટના બની છે,જ્યાં ફૂટબોલ મેચ દરમિયાન મેદાન પર વીજળી પડી હતી.આ ભયાનક દુર્ઘટનામાં 24 વર્ષીય ફૂટબોલર સફવાન અવેનું દુઃખદ મૃત્યુ થયું હતું,જ્યારે 12 અન્ય ખેલાડીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા.વરસાદ અને તોફાની વાતાવરણ વચ્ચે મેચ રમાઈ રહી હતી, જ્યારે ખેલાડીઓ ધોધમાર વરસાદ છતાં મેદાન પર જ રહ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.</p><h4><b>ભયાનક દ્રશ્ય કેમેરામાં કેદ</b></h4><p>સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં, જોઈ શકાય છે કે ખેલાડીઓ જ્યાં દોડી રહ્યા હતા તે વિસ્તારની નજીક, અચાનક વીજળી એક તેજસ્વી ફ્લેશ સાથે જમીન પર પડી. વીજળી પડતાં ધુમાડાના ગોટેગોટા અને આગની જ્વાળાઓ ઉંચી થતી જોવા મળી હતી. વીજળી પડતાં ફૂટબોલર સફવાન અવે મેદાન પર પડી ગયો. ત્યાં હાજર ચાહકો અને સાથી ખેલાડીઓ તાત્કાલિક મેદાનમાં દોડી ગયા અને તેને જીવિત કરવાનો પ્રયાસ કર્યો.</p><h5><b>સ્થાનિક પોલીસે શું કહ્યું</b></h5><p>ત્યારબાદ સફવાનને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. પરંતુ તેને બચાવી શકાયો નહીં. સ્થાનિક પોલીસે બાદમાં સત્તાવાર રીતે સફવાનના મૃત્યુની પુષ્ટિ કરી. પોલીસે એ પણ જાહેર કર્યું કે વીજળી પડવાથી 12 અન્ય લોકો પણ ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોમાં 22 વર્ષીય મલેશિયન ફૂટબોલર અલિફ અઝાન ઝુલ્કિફલીનો પણ સમાવેશ થાય છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/praylaughlift/status/2085332343762337981?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><br></p><h5><b>સમગ્ર રમતગમત જગતમાં શોકની લહેર&nbsp;</b></h5><p>24 વર્ષીય સફવાન અવેએ તાજેતરમાં થાઈ લીગ 3 સધર્ન રિજનમાં રમતા ફૂટબોલ ક્લબ એફસી યાલા સાથે કરાર કર્યો હતો. તેમના યુવા ખેલાડીના અવસાનથી આઘાત પામેલા ક્લબે સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરીને લખ્યું, "ચોક્કસ, આપણે અલ્લાહના છીએ, અને આપણે તેની પાસે પાછા ફરવું જોઈએ." આ દુ:ખદ ઘટનાએ સમગ્ર રમતગમત જગતમાં શોકની લહેર ફેલાવી દીધી છે.</p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/cricket/news/ind-vs-sl-warm-up-match-kl-rahul-did-something-like-this-in-kuldeep-yadavs-over-video-goes-viral" target="_blank"> IND Vs SL Warm-Up Match : કુલદીપ યાદવની ઓવરમાં કેએલ રાહુલે કર્યું કંઈક એવું, વીડિયો થયો વાયરલ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/ENpFTthkyKp0r7kOAPIIfaXsl0yjFZjGKEx3dOCI.webp'/></item></channel></rss>