<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Bhavnagar News: તણસા ગામ પાસે માર્ગ અકસ્માત, ટ્રેલરે બાઇકચાલક યુવકને અડફેટે લેતા મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/bhavnagar/tansa-village-road-accident-trailer-bike-collision</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/bhavnagar/tansa-village-road-accident-trailer-bike-collision</guid><pubDate>Wed, 05 Aug 2026 13:59:08 +05:30</pubDate><description><![CDATA[<p>ભાવનગર જિલ્લામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ભાવનગર જિલ્લાના તણસા ગામ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રેલરે બાઇકચાલકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે, બાઇકચાલક યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જેના કારણે સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.</p><h2><b>તળાજાના ઊંચડી ગામનો યુવક ભોગ બન્યો</b></h2><p>પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક યુવક તળાજા તાલુકાના ઊંચડી ગામ ખાતે રહેતો હતો અને પોતાના બાઇક પર જઈ રહ્યો હતો. તે દરમિયાન તણસા ગામ પાસેથી પસાર થતી વેળાએ પાછળથી કે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રેલરના ચાલકે તેને પોતાની અડફેટે લીધો હતો. ટ્રેલરની ટક્કરથી બાઇકચાલક યુવક રોડ પર પટકાયો હતો અને તેને ગંભીર ઇજાઓ થવાથી તેનું સ્થળ પર જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું.</p><p><br></p><h2><b>હાઇવે ટ્રાફિક પોલીસે સંભાળ્યો મોરચો</b></h2><p>અકસ્માતની આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને તંત્રને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ હાઇવે ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતના કારણે હાઇવે પર સર્જાયેલા ટ્રાફિકજામને દૂર કરીને પોલીસે રસ્તો ક્લિયર કરાવ્યો હતો અને ટ્રેલર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/lion-terror-in-palitana-parishad-of-bhavnagar-lion-attacked-a-cattle-farmer-in-todi-village" target="_blank">Bhavnagarના પાલીતાણા પંથકમાં સિંહનો આતંક, ટોડી ગામે પશુપાલક પર કર્યો હુમલો...</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/Py8Brd4WceYvlqqYhsLbxIxptMV9j2zmvB8PyL3p.webp'/></item><item><title><![CDATA[Nitin Gadkari E20 Fuel: નિતિન ગડકરીને બોમ્બે હાઈકોર્ટથી મોટી રાહત, Deepfake અને AI કન્ટેન્ટ હટાવવાનો આદેશ ]]></title><link>https://sandesh.com/india/news/nitin-gadkari-e20-fuel-big-relief-for-nitin-gadkari-from-bombay-high-court-order-to-remove-deepfake-and-ai-content</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/nitin-gadkari-e20-fuel-big-relief-for-nitin-gadkari-from-bombay-high-court-order-to-remove-deepfake-and-ai-content</guid><pubDate>Wed, 05 Aug 2026 13:34:31 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">HCએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને અન્ય ડિજિટલ મધ્યસ્થીઓને વાંધાજનક પોસ્ટ, વીડિયો દૂર કરવા આદેશ આપ્યો છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">બોમ્બે હાઈકોર્ટના કડક આદેશ&nbsp;</h2><p style="text-align: justify; ">બોમ્બે હાઈકોર્ટે સરકારના E20 ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ સાથે સંબંધિત નિતિન ગડકરી અને તેમના પરિવાર સામે બદનક્ષીભરી અને ડીપફેક કન્ટેન્ટના પ્રસાર પર વચગાળાનો સ્ટે આપ્યો છે. જસ્ટિસ આરિફ ડોક્ટરની આગેવાની હેઠળની સિંગલ બેન્ચે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ડિજિટલ મધ્યસ્થીઓને આવી ખોટી અને ભ્રામક પોસ્ટ અને વીડિયો તાત્કાલિક દૂર કરવાનો કડક આદેશ આપ્યો છે.</p><h3 style="text-align: justify; ">ન્યાયાધીશ આરિફ ડોક્ટરની આગેવાની</h3><p style="text-align: justify; ">સુનાવણી દરમિયાન, ન્યાયાધીશ આરિફ ડોક્ટરની આગેવાની હેઠળની સિંગલ બેન્ચે ગડકરી સામે શેર કરવામાં આવી રહેલી કથિત બદનક્ષીભરી અને અપમાનજનક કન્ટેન્ટને તાત્કાલિક દૂર કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ એક અરજી પર જારી કરવામાં આવ્યો હતો જેમાં ગડકરીએ દાવો કર્યો હતો કે ડીપફેક અને બનાવટી સામગ્રી દ્વારા તેમની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.</p><h4 style="text-align: justify; ">હાઈકોર્ટની પ્રતિક્રિયા&nbsp;</h4><p style="text-align: justify; ">જોકે, હાઈકોર્ટે તેના આદેશમાં એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, આ નિર્દેશ વાસ્તવિક અને તથ્ય આધારિત, વાજબી ટીકા પર લાગુ પડશે નહીં. આનો અર્થ એ છે કે સરકારી નીતિઓ અથવા ગડકરીના કાર્યની કાયદેસર અને જવાબદાર ટીકા ચાલુ રહી શકે છે, પરંતુ નકલી, ભ્રામક, ડીપફેક અથવા બદનક્ષીભરી સામગ્રીને સુરક્ષિત રાખવામાં આવશે નહીં. ગડકરીએ આ કેસ મેટા, એક્સ, ગૂગલ/યુટ્યુબ, કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય, ટેલિકોમ્યુનિકેશન વિભાગ અને "અશોક કુમાર/જોન ડો" તરીકે ઓળખાતા અજાણ્યા યુઝર્સ સામે દાખલ કર્યો હતો. બાર એન્ડ બેન્ચમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, કોર્ટે જણાવ્યું હતું કે, ગડકરીએ જે સામગ્રીને ચિહ્નિત કરી છે તે અભદ્ર અને અપમાનજનક હતી.</p><h5 style="text-align: justify; ">બોમ્બે હાઇકોર્ટનો વચગાળાનો આદેશ&nbsp;</h5><p style="text-align: justify; ">કોર્ટે પોતાના વચગાળાના આદેશમાં જણાવ્યું હતું કે, ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર પણ આવી જ એક ટ્રાન્સક્રિપ્ટ દેખાય છે. બીજી સામગ્રી પણ છે. વાદી જે સામગ્રી દૂર કરવા માંગે છે તે વિશે હું ફક્ત એટલું જ કહી શકું છું કે તે સંપૂર્ણપણે અભદ્ર અને અપમાનજનક છે. આવી સામગ્રીને યુવાનો સહિત દરેક માટે સુલભ જાહેર પ્લેટફોર્મ પર કોઈ સ્થાન હોવું જોઈએ નહીં. અરજદારે વચગાળાની રાહત માટે કેસ દાખલ કર્યો છે. મેટા અને ગુગલ હાજર થયા છે અને પ્રદર્શન Cમાં આપેલી સામગ્રી દૂર કરવા સંમત થયા છે. તેમનું નિવેદન સ્વીકારવામાં આવે છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/india/news/abhishek-banerjee-gets-a-setback-from-calcutta-high-court-not-allowed-to-go-abroad-order-for-investigation-in-sskm" target="_blank">Abhishek Banerjeeને કલકત્તા હાઈકોર્ટનો ઝટકો, વિદેશ જવાની મંજૂરી ન મળી, SSKMમાં તપાસનો આદેશ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/3yYbFCMq5D5h7NFU53ax5dCsvTnVrrmxUT39UllV.webp'/></item><item><title><![CDATA[હું બેડ પર જતા જ 8 સેકન્ડમાં જ સૂઈ જાઉં છું, લેટરહેડનો દુરુપયોગ ન કરવા PM મોદીની સાંસદોને ખાસ સલાહ ]]></title><link>https://sandesh.com/india/news/pm-modi-nda-mps-meeting-letterhead-discipline</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/pm-modi-nda-mps-meeting-letterhead-discipline</guid><pubDate>Wed, 05 Aug 2026 13:11:29 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં નાસ્તાની બેઠક દરમિયાન એનડીએના રાજ્યસભાના સાંસદો સાથે મુલાકાત કરી હતી અને તેમને સંસદીય કાર્ય, શિસ્ત તથા જીવનના મહત્વપૂર્ણ પાઠ શીખવ્યા હતા. ભાજપના વરિષ્ઠ નેતાઓ અને નવા ચૂંટાયેલા સાંસદોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પીએમ મોદીએ સાંસદોને સંસદ ગૃહમાં વધુમાં વધુ સમય વિતાવવા અને પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક અદા કરવા આહ્વાન કર્યું હતું. આ બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી, જેમાં રાજકારણથી લઈને વ્યક્તિગત દિનચર્યા સુધીના અનેક મુદ્દાઓ પર ખુલીને ચર્ચા થઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>બેઠકમાં પીએમ મોદીએ સાંસદોને આપી સલાહ</b></h2><p style="text-align: justify; ">બેઠક દરમિયાન પીએમ મોદીએ સાંસદોને સલાહ આપી હતી કે તેમણે ગૃહમાં અન્ય સભ્યોના ભાષણો અત્યંત ધ્યાનથી સાંભળવા જોઈએ, કારણ કે શીખવાની પ્રક્રિયા ક્યારેય અટકતી નથી. તેમણે શાસક પક્ષ અને વિપક્ષ બંનેના વિચારોને માન આપીને દરેક પાસેથી કંઈક નવું શીખવાની ભાવના કેળવવા પર ભાર મૂક્યો હતો. આ સાથે જ તેમણે સાંસદોને સંસદમાં ૧૦૦ ટકા હાજરી જાળવી રાખવા અને સાથે મળીને ટીમ ભાવનાથી કામ કરવા માટે ખાસ તાકીદ કરી હતી.</p><h3 style="text-align: justify; "><b>સમય સંચાલન અને શિસ્તના પાઠ ભણાવ્યા</b></h3><p style="text-align: justify; ">સાંસદો સાથે પોતાની દિનચર્યા શેર કરતા પીએમ મોદીએ એક રસપ્રદ વાત કહી કે તેઓ પથારીમાં પડ્યા પછી માત્ર 8 સેકન્ડની અંદર જ ગાઢ નિદ્રામાં સરી જાય છે અને તેઓ દૈનિક માત્ર ત્રણ કલાક જ ઊંઘે છે. સમય સંચાલન (Time Management) અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે તેઓ હંમેશાં 'વર્તમાનમાં જીવે છે' અને જે ક્ષણે જે વ્યક્તિ સાથે હોય, સંપૂર્ણ સમર્પણ સાથે તેની જ વાત સાંભળે છે. આજની યુવા પેઢી અથવા 'ઝેન ઝી' વિશે વાત કરતા તેમણે કહ્યું કે જો આપણે પહેલા તેમની વાત ધ્યાનથી સાંભળીશું, તો જ તેઓ આપણી વાત સ્વીકારશે.</p><h4 style="text-align: justify; "><b>&nbsp;સરકારી લેટરહેડનો દૂરૂપયોગ ન કરે</b></h4><p style="text-align: justify; ">આ બેઠકમાં સાંસદોને કેટલીક કડક ચેતવણીઓ પણ આપવામાં આવી હતી. પીએમ મોદીએ સાંસદોને સ્પષ્ટ સૂચના આપી હતી કે તેઓ પોતાના સરકારી લેટરહેડનો કોઈપણ સંજોગોમાં દુરુપયોગ ન કરે. આ ઉપરાંત, ફોન પર અસંસ્કારી કે અસભ્ય વર્તન ન કરવા અને વિરોધી પક્ષો પર પોતાના વિચારો જબરદસ્તી લાદવાથી દૂર રહેવાની પણ સલાહ આપી હતી. આ બેઠકથી સાંસદોને જનસેવા અને શિસ્તબદ્ધ જીવન જીવવાની અમૂલ્ય પ્રેરણા મળી છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/delhi-jantar-mantar-terror-plot-busted-isi" target="_blank">આ પણ વાંચોઃ Delhi:  શું જંતર મંતર પર થવાનો હતો મોટો હુમલો? ISI સમર્થિત 2 આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ, 9 આરોપીઓ ઝડપાયા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/6t1Cp0INs42ke69fhh1btf93k6AiHUiomYVMjjhr.webp'/></item><item><title><![CDATA[Kajol Birthday Special: માત્ર 17 વર્ષની ઉંમરે બોલીવુડમાં ડેબ્યુ, નેગેટિવ રોલ માટે એવોર્ડ જીતનાર પ્રથમ અભિનેત્રી ]]></title><link>https://sandesh.com/entertainment/news/kajol-birthday-special-debut-in-bollywood-at-just-17-years-of-age-won-an-award-for-a-negative-role</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/kajol-birthday-special-debut-in-bollywood-at-just-17-years-of-age-won-an-award-for-a-negative-role</guid><pubDate>Wed, 05 Aug 2026 13:08:48 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાં ગણાતી કાજોલે પોતાની અદ્ભુત અદાકારી અને દમદાર અભિનયથી સિનેમા જગતમાં એક ખાસ ઓળખ બનાવી છે. ૫ ઓગસ્ટ, ૧૯૭૪ના રોજ મુંબઈમાં જન્મેલી કાજોલને આ અભિનય કળા વારસામાં મળી છે. તે એક એવા પ્રતિષ્ઠિત ફિલ્મ પરિવારમાંથી આવે છે જેની પેઢીઓએ ભારતીય સિનેમા પર રાજ કર્યું છે.</p><h2 style="text-align: justify; "><b>કાજોલ, સિનેમા સાથે પેઢીઓ જૂનો સંબંધ</b></h2><p style="text-align: justify; ">કાજોલ પીઢ અભિનેત્રી તનુજા અને જાણીતા નિર્માતા-નિર્દેશક શોમુ મુખર્જીની પુત્રી છે. સુપ્રસિદ્ધ અભિનેત્રી નૂતન તેના માસી હતા, જ્યારે દાદી શોભના સમર્થ અને પરદાદી રતનબાઈ પણ પોતાના સમયના જાણીતા કલાકારો હતા. કાજોલના કાકા જોય મુખર્જી અને દેવ મુખર્જી અભિનેતા હતા, જ્યારે તેના દાદા શશધર મુખર્જી અને નાના કુમારસેન સમર્થ ફિલ્મ નિર્માતા હતા. આ સિવાય બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જી, મોહનીશ બહલ અને વારાણસી/બ્રહ્માસ્ત્રના નિર્દેશક અયાન મુખર્જી કાજોલના પિતરાઈ ભાઈ-બહેનો છે.</p><h3 style="text-align: justify; "><b>૧૭ વર્ષની ઉંમરે ફિલ્મી દુનિયામાં કદમ</b></h3><p style="text-align: justify; ">કાજોલે શાળામાં અભ્યાસ દરમિયાન જ ૧૯૯૨માં ફિલ્મ "બેખુદી" થી માત્ર ૧૭ વર્ષની ઉંમરે ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેની મુલાકાત ફિલ્મ 'બાઝીગર'ના સેટ પર શાહરૂખ ખાન સાથે થઈ હતી. શરૂઆતમાં કાજોલ સતત વાતો કરતી હોવાથી અને શાહરૂખ શાંતિથી ડાયલોગ યાદ કરી રહ્યો હોવાથી, શાહરૂખ તેનાથી ઘણો નારાજ થયો હતો. તેણે ગુસ્સામાં કાજોલને ચૂપ રહેવા કહ્યું હતું અને ભવિષ્યમાં તેની સાથે કામ ન કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, પાછળથી બંને વચ્ચે ગાઢ મિત્રતા થઈ અને આ જોડી ભારતીય સિનેમાની સૌથી આઇકોનિક ઓન-સ્ક્રીન જોડી બની ગઈ.</p><h4 style="text-align: justify; "><b>કાજોલ માટે ૧૯૯૫: કરિયરનો સુવર્ણ કાળ</b></h4><p style="text-align: justify; ">વર્ષ ૧૯૯૫ કાજોલના કરિયર માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું. આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ "દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે" (DDLJ) એ ઇતિહાસ રચ્યો અને કાજોલને તેનો પ્રથમ ફિલ્મફેર 'બેસ્ટ એક્ટ્રેસ' એવોર્ડ મળ્યો. આ જ વર્ષે સલમાન ખાન અને શાહરૂખ ખાન સાથેની તેની ફિલ્મ "કરણ અર્જુન" પણ બ્લોકબસ્ટર રહી હતી. આ સિવાય 'બાઝીગર', 'કુછ કુછ હોતા હૈ' અને 'કભી ખુશી કભી ગમ' જેવી ફિલ્મોએ કાજોલને સફળતાના શિખરે પહોંચાડી.</p><h4 style="text-align: justify; "><b>નેગેટિવ રોલ માટે એવોર્ડ જીતનાર પ્રથમ અભિનેત્રી</b></h4><p style="text-align: justify; ">૧૯૯૭માં આવેલી સસ્પેન્સ થ્રિલર ફિલ્મ "ગુપ્ત" માં કાજોલે નકારાત્મક (વિલન) ભૂમિકા ભજવી હતી. આ પડકારજનક રોલ માટે તેને ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો, અને નેગેટિવ રોલ માટે એવોર્ડ મેળવનાર તે બોલિવૂડની પ્રથમ અભિનેત્રી બની હતી. હિન્દી ઉપરાંત તેણે તમિલ ફિલ્મ "મિનસારા કન્નવુ" માં પણ કામ કર્યું હતું, જેમાં પ્રભુદેવા અને અરવિંદ સ્વામી સાથેની તેની કેમેસ્ટ્રી અને ડાન્સ સ્ટેપ્સ ખૂબ ચર્ચામાં રહ્યા હતા.</p><h4 style="text-align: justify; "><b>ગ્લોબલ ઓળખ અને OTT ડેબ્યૂ</b></h4><p style="text-align: justify; ">કાજોલની લોકપ્રિયતા માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ફેલાયેલી છે. સિંગાપોરના પ્રખ્યાત 'મેડમ તુસાદ મ્યુઝિયમ'માં તેનું વેક્સ સ્ટેચ્યુ (મીણનું પૂતળું) સ્થાપિત કરવામાં આવ્યું છે. મોટા પડદા પર ધૂમ મચાવ્યા બાદ, કાજોલે ૨૦૨૧માં ફિલ્મ "ત્રિભંગા" થી OTT પ્લેટફોર્મ પર પદાર્પણ કર્યું. ત્યારબાદ તે 'લસ્ટ સ્ટોરીઝ ૨', 'ધ ટ્રાયલ', 'દો પટ્ટી' અને 'સરઝમીન' જેવા અનેક ડિજિટલ પ્રોજેક્ટ્સમાં પોતાના દમદાર અભિનયની છાપ છોડી ચૂકી છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/w3DMlUFFOoEMsOAfxlcIXyaheSDkY76MYen4YP1o.webp'/></item><item><title><![CDATA[Gujarat Weather News: અલનીનોની અસરથી રાજ્યમાં વરસાદ ખેંચાયો, ઓગસ્ટના અંતમાં મેઘમહેરની શક્યતા ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/el-nino-impact-delays-rain-fresh-spell-expected-by-late-august</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/el-nino-impact-delays-rain-fresh-spell-expected-by-late-august</guid><pubDate>Wed, 05 Aug 2026 12:56:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજ્યમાં ચોમાસાની પ્રગતિ પર બ્રેક વાગતાં ખેડૂતો અને નાગરિકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ,ચોમાસા પર અલનીનોનું ગ્રહણ લાગવાના કારણે હાલ વરસાદી સિસ્ટમમાં યોગ્ય પ્રેશર સક્રિય થઈ રહ્યું નથી.જેને પગલે હવે ભારે વરસાદ માટે રાહ જોવી પડશે.હવામાન નિષ્ણાતોના મતે ઓગસ્ટ મહિનાના અંતમાં વરસાદનો નવું રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા છે.જ્યારે સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદ થાય તેવી સંભાવનાઓ ખૂબ જ નહિવત જણાઈ રહી છે.</p><h2 style="text-align: justify; "><b>ભારે પવન ફૂંકાવાની શક્યતા</b></h2><p style="text-align: justify; ">બીજી તરફ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.આ સિસ્ટમની અસર હેઠળ સમગ્ર રાજ્યમાં 40થી 50 કિમી પ્રતિકલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.ઉત્તર ગુજરાતમાં ગાજવીજ અને પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.જ્યારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જળવાઈ રહેશે.</p><h3 style="text-align: justify; "><b>પવન સાથે વરસાદી ઝાપટાં પડવાની આગાહી</b></h3><p style="text-align: justify; ">હવામાન વિભાગે કરેલી જિલ્લાવાર આગાહી મુજબ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને દ્વારકામાં સામાન્ય વરસાદ પડી શકે છે.જ્યારે જામનગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ જિલ્લાઓમાં પણ મેઘમહેર થવાની સંભાવના છે. આ ઉપરાંત, અમદાવાદ શહેરમાં પણ દિવસ દરમિયાન પવન સાથે વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/sola-civil-hospital-records-over-13600-daily-opd-visits-amid-rising-monsoon-diseases" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: સોલા સિવિલમાં રોજ 13 હજારથી વધુ OPD, 1253 દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/QSr8PMeVDx8jnXN3eG4aLfkiqEIPO0Kj86XUnqAY.webp'/></item><item><title><![CDATA[Surat News: મહિલા નગરસેવક અને તેના પતિ પર ધારાસભ્યની ઓફિસમાં હુમલો, ટીપી ચેરમેન સામે લાગ્યા ગંભીર આક્ષેપ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/bjp-corporator-couple-attacked-mla-office-controversy</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/bjp-corporator-couple-attacked-mla-office-controversy</guid><pubDate>Wed, 05 Aug 2026 12:54:15 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત શહેરમાં ભારતીય જનતા પાર્ટીની આંતરિક જૂથબંધી હવે રસ્તા પર અને પોલીસ મથક સુધી પહોંચી ગઈ છે. સુરતમાં ભાજપના જ એક મહિલા નગરસેવક અને તેમના પતિ ઉપર જીવલેણ હુમલો થવાની ચકચારી ઘટના સામે આવી છે. આ ઘટનાને કારણે રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ ઘટના ધારાસભ્યની ઓફિસમાં બનતા સુરત શહેરના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.</p><h2><b>ધારાસભ્ય કાંતિ બલરની ઓફિસમાં જ મારામારી</b></h2><p>પ્રાપ્ત વિગતો અનુસાર, વોર્ડ નંબર 5 ના મહિલા નગરસેવક જયશ્રીબેન વોરા અને તેમના પતિ મનહર વોરા પર સુરત ઉત્તરના ધારાસભ્ય કાંતિ બલરની ઓફિસમાં જ હુમલો કરવામાં આવ્યો હતો. ભાતની વાડીના સોસાયટીના કોઈ પ્રશ્નને લઈને એક જ વોર્ડના નગરસેવકો વચ્ચે બોલાચાલી થઈ હતી, જેનું પરિણામ ગંભીર મારામારી સુધી પહોંચ્યું હતું. આ હુમલામાં જયશ્રીબેનને હાથમાં ઇજા થઈ છે, જ્યારે તેમના પતિ મનહર વીરાના ડાબા હાથના અંગૂઠામાં ફેક્ચર થયું છે.</p><h2><b>પીડિત દંપતીના ધારાસભ્ય અને ટીપી ચેરમેન સામે ગંભીર આક્ષેપો</b></h2><p>ઇજાગ્રસ્ત દંપતીએ આક્ષેપ કર્યો છે કે, વોર્ડ નંબર 5 ના જ નગરસેવક અને ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, જ્યારે આ હુમલો થઈ રહ્યો હતો, ત્યારે ધારાસભ્ય કાંતિ બલર મૂકપ્રેક્ષક બનીને તમસો જોઈ રહ્યા હતા અને વચ્ચે પડીને તેમને છોડાવ્યા ન હતા. દંપતીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, ધારાસભ્યએ પોતાની ઓફિસ અને પક્ષની બદનામીના ડરે પોલીસમાં ફરિયાદ ન કરવા દબાણ કર્યું હતું અને પોલીસને ફોન પણ કરવા દીધો ન હતો. આ મામલે તેમણે પ્રદેશ ભાજપ અધ્યક્ષ, પ્રશાંત કોરાટ અને શહેર પ્રમુખ પરેશ પટેલને લેખિત તથા મૌખિક ફરિયાદ કરી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2084884892253557027"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>ધારાસભ્ય કાંતિ બલરે તમામ આરોપો ફગાવ્યા</b></h2><p>આ સમગ્ર વિવાદ અંગે ધારાસભ્ય કાંતિ બલરે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, તેમની ઉપર લગાવવામાં આવેલા તમામ આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા અને ખોટા છે. તેમણે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે, મારી ઓફિસમાં મારામારી થાય અને હું ચૂપ બેસું તે વાત બિલકુલ ખોટી છે. મેં જ બંને પક્ષોને છોડાવ્યા હતા અને કોઈ પણ મહિલા પર હુમલો થયો નથી. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, પોલીસને ફોન ન કરવા દીધાની વાત પણ તદ્દન ખોટી છે. માત્ર સોસાયટીના પ્રશ્ને બોલાચાલી થઈ હતી, જેને રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/crime/surat/duplicate-ghee-bust-ved-road-jay-yogeshwar-dairy" target="_blank">Surat News: ક્યાંક તમે તો નથી ખાતાને આ નકલી ઘી? વેડ રોડ પરની જય યોગેશ્વર ડેરીમાંથી નકલી ઘી ઝડપાયું</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/e2ww0eeQPKl1T1AqxBTSyXLUecPYtKPbntJvkiGv.webp'/></item><item><title><![CDATA[Surendranagar News : પોલીસ કર્મીના ઘરે ચાલતા જુગારધામનો પર્દાફાશ, 23 આરોપીઓ સામે ગુનો દાખલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surendranagar/police-employees-house-used-as-gambling-den-23-accused-booked</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surendranagar/police-employees-house-used-as-gambling-den-23-accused-booked</guid><pubDate>Wed, 05 Aug 2026 11:43:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરેન્દ્રનગર શહેરમાં રાજકોટ રેન્જ આઈજીની ટીમે દરોડો પાડતાં પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચાવી દીધો છે. જોરાવરનગર પાછળના વિસ્તારમાં આવેલા એક પોલીસ કર્મચારીના જ રહેણાંક મકાન પર દરોડો પાડીને શેરબજારમાં રોજેરોજ પ્રકાશિત થતા શેરોના ભાવના આધારે ચાલતા હાઈટેક જુગારના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.પોલીસ કર્મચારી જ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંમેલિત હોવાનું ખુલતાં પોલીસ તંત્રની છબી સામે મોટા સવાલો ઊભા થયા છે.</p><h2 style="text-align: justify; "><b>કુલ રૂપિયા 3,07,000નો મુદ્દામાલ જપ્ત કર્યો</b></h2><p style="text-align: justify; ">રાજકોટ રેન્જની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે જોરાવરનગર વિસ્તારમાં આવેલા પોલીસ કર્મચારી સંજયસિંહ નાથુભાઈ રાઠોડના ઘરમાંથી શેરબજારના ભાવ પર આધારિત જુગારધામ ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે દરોડો પાડતાં માલૂમ પડ્યું હતું કે, પોલીસ કર્મચારી સંજયસિંહ પોતે જ આ આખું નેટવર્ક ચલાવી રહ્યો હતો. અહીં ગ્રાહકો પાસેથી જુગારના સોદાઓ મેળવીને અલગ-અલગ 16 જેટલા બ્રોકરો પાસેથી તે સોદાઓની કપાત કરાવવામાં આવતી હતી. દરોડા દરમિયાન રાજકોટ રેન્જની ટીમે સ્થળ પરથી આ જુગારધામ ચલાવવા માટે વપરાતા 10 લેપટોપ, 29 મોબાઈલ ફોન, 4 પેન ડ્રાઈવ, હિસાબી નોટબુકો, વાઈફાઈ ચાર્જર અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા 3,07,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.</p><h3 style="text-align: justify; "><b>કુલ 6 શખ્સોને રંગેહાથ ઝડપી લીધા</b></h3><p style="text-align: justify; ">&nbsp;પોલીસે ઘટનાસ્થળેથી સંજયસિંહ સહિત કુલ 6 શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા. તપાસમાં સામે આવ્યું છે કે, પોલીસ કર્મચારી હોવાના નાતે પોતાના રહેણાંક મકાનને જ સુરક્ષિત અડ્ડો બનાવીને સમગ્ર નેટવર્ક ઓપરેટ કરવામાં આવી રહ્યું હતું. સુરેન્દ્રનગરમાં રાજકોટ રેન્જની ટીમનો આ અત્યાર સુધીનો સૌથી મોટો દરોડો માનવામાં આવી રહ્યો છે. આ મામલે જોરાવરનગર પોલીસ મથકે મુખ્ય સૂત્રધાર પોલીસ કર્મચારી સંજયસિંહ રાઠોડ, સ્થળ પરથી પકડાયેલા શખ્સો તથા કપાત લેનારા 16 બ્રોકરો મળીને કુલ 23 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/vadodara/passenger-suffers-chest-pain-on-train-dies-during-treatment-in-karjan" target="_blank">આ પણ વાંચોઃ Vadodara News: ભરૂચ જઈ રહેલી ટ્રેન મુસાફરને છાતીમાં દુઃખાવો ઉપડતાં ટ્રેન રોકવામાં આવી, સારવાર દરમિયાન મોત</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/5zljbbldwr4GHLWZ3Qrgl5zgWoI6oeUtcV1L3hmw.webp'/></item><item><title><![CDATA[UPI Paymemts: રૂ.2,000 થી વધુના UPI પેમેન્ટ પર લાગી શકે છે ચાર્જ, સરકાર કરી રહી છે તૈયારી ? ]]></title><link>https://sandesh.com/business/news/upi-payments-charges-may-be-levied-on-upi-payments-of-more-than-rs-2000-is-the-government-making-preparations</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/upi-payments-charges-may-be-levied-on-upi-payments-of-more-than-rs-2000-is-the-government-making-preparations</guid><pubDate>Wed, 05 Aug 2026 11:34:07 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતની ફ્રી UPI ચુકવણી પ્રણાલીને આંચકો લાગી શકે છે.સરકારે સંસદમાં ચુકવણી અને સમાધાન પ્રણાલી કાયદામાં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો છે. જેના કારણે ભવિષ્યમાં ચોક્કસ UPI વ્યવહારો પર વેપારી શુલ્ક લાગી શકે છે. જ્યારે હજુ સુધી કોઈ ફી મંજૂર કરવામાં આવી નથી. પ્રસ્તાવિત કાનૂની ફેરફાર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ ના અમલીકરણ માટે માર્ગ મોકળો કરે છે. ચુકવણી ઉદ્યોગ લાંબા સમયથી ડિજિટલ ચુકવણી ઇકોસિસ્ટમને વધારવા માટે આ માંગ કરી રહ્યો છે.</p><h4 style="text-align: justify; "><b>ફી કેવી રીતે લાગુ કરી શકાય તેની ચર્ચા છે ચાલું</b></h4><p style="text-align: justify; ">નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલ આ ફેરફાર, તાત્કાલિક કોઈ શુલ્ક લાદશે નહીં. તેના બદલે તે એક કાનૂની માળખું બનાવે છે જે સરકારને પછીથી MDR લાગુ કરવાનો નિર્ણય લેવાની મંજૂરી આપી શકે છે. રોઇટર્સના અહેવાલ મુજબ, અધિકારીઓ હજુ પણ આ ફી કેવી રીતે લાગુ કરી શકાય તેની ચર્ચા કરી રહ્યા છે અને દર અથવા તે કયા વ્યવહારો પર લાગુ થશે તે અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી</p><h4 style="text-align: justify; "><b>શું 1.5 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા વેપારીઓ પર લાગશે ચાર્જ?</b></h4><p style="text-align: justify; ">ચર્ચા હેઠળના એક પ્રસ્તાવ મુજબ ₹2,000થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર 0.3%થી 0.5% સુધી MDR લાગુ થઈ શકે છે. પરંતુ આ ચાર્જ માત્ર એવા વેપારીઓ પર લાગુ થઈ શકે છે જેમનો વાર્ષિક ટર્નઓવર ₹1.5 કરોડથી વધુ હોય. એટલે સામાન્ય ગ્રાહકોને વધારાનો ખર્ચ સહન કરવો ન પડે તેવી શક્યતા છે . જ્યારે નાના વેપારીઓ માટે UPI પેમેન્ટ પહેલાની જેમ ફ્રી રહી શકે છે. સરકાર ટ્રાન્ઝેક્શનની રકમના આધારે નહીં પરંતુ વેપારીના વાર્ષિક ટર્નઓવરના આધારે ફી નક્કી કરવાની સંભાવનાઓ પર પણ વિચાર કરી રહી છે. પોલિસી નિર્માતાઓનો પ્રયાસ છે કે જો MDR લાગુ કરવામાં આવે તો તેનો ભાર મુખ્યત્વે મોટા વેપારીઓ પર પડે અને નાના દુકાનદારો તથા રિટેલર્સ પર તેની અસર ન થાય.</p><h4 style="text-align: justify; "><b>MDR ફી શું છે?</b></h4><p style="text-align: justify; ">મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) એ એવી ફી છે જે વેપારીઓ ડિજિટલ પેમેન્ટ પ્રોસેસ કરવા માટે બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સને ચૂકવે છે. UPIથી અલગ વેપારીઓ હાલમાં પણ ક્રેડિટ કાર્ડ પેમેન્ટ પર પ્રોસેસિંગ ફી ચૂકવે છે. સામાન્ય રીતે ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર લગભગ 1.5% ચાર્જ લાગે છે. જ્યારે ડેબિટ કાર્ડ પર બેંક અને પેમેન્ટ નેટવર્ક મુજબ ઓછી ફી વસૂલવામાં આવે છે. UPI અત્યાર સુધી આવા ચાર્જથી સંપૂર્ણપણે મુક્ત હોવાથી વેપારીઓ અને ગ્રાહકો બંને માટે સૌથી લોકપ્રિય પેમેન્ટ વિકલ્પ બન્યો છે.</p><h5 style="text-align: justify; "><b>MDRથી ડિજિટલ પેમેન્ટ ઈકોસિસ્ટમને મળી શકે છે મદદ</b></h5><p style="text-align: justify; ">પેમેન્ટ ઇન્ડસ્ટ્રીના અધિકારીઓનું માનવું છે કે કોઈપણ મર્ચન્ટ ફી વગર UPI સેવા આપવી લાંબા ગાળે ટકાઉ બિઝનેસ મોડેલ નથી. તેમના જણાવ્યા પ્રમાણે UPI ટ્રાન્ઝેક્શનમાંથી સીધી આવક ન મળવાને કારણે નવી ટેક્નોલોજીમાં રોકાણ, પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવું અને સેવાઓનો વિસ્તાર કરવો મુશ્કેલ બની રહ્યો છે. દાવો છે કે ઊંચી કિંમતના ટ્રાન્ઝેક્શન પર મર્યાદિત MDR લાગુ કરવાથી ભારતના ડિજિટલ પેમેન્ટ ઈકોસિસ્ટમના લાંબા ગાળાના વિકાસમાં મદદ મળી શકે છે. જોકે ₹2,000 થી વધુના વ્યવહારો કુલ વેપારી UPI ચુકવણીઓનો એક નાનો ભાગ રજૂ કરે છે, તેઓ કુલ વ્યવહાર મૂલ્યમાં નોંધપાત્ર ફાળો આપે છે. હાલમાં આ માત્ર એક કાનૂની પ્રસ્તાવ છે. સરકારે હજુ સુધી MDR લાગુ કરવાનો અંતિમ નિર્ણય કર્યો નથી. તેમજ તેનો દર કેટલો રહેશે અને તે ક્યારેથી અમલમાં આવશે તેની પણ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. અંતિમ નિર્ણય ન થાય ત્યાં સુધી હાલની જેમ UPI પેમેન્ટ સંપૂર્ણપણે ફ્રી રહેશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/business/news/rbi-mpc-meeting-2026-big-relief-from-rbi-repo-rate-kept-unchanged-at-525-percent" target="_blank"> RBI MPC Meeting 2026: RBIની મોટી રાહત, રેપો રેટ 5.25 ટકા યથાવત રાખ્યો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/6UKfYXSnWEDVV8oGzQ7g9QKb3jfyxt6pspAKJLfi.webp'/></item><item><title><![CDATA[Gir Somnath News: રાત્રિના સમયે ગેરકાયદે સિંહ દર્શન કરાવનારા યુવકોનો આતંક, વન વિભાગના ગાર્ડ સાથે મારામારી કરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/gir-somnath/illegal-night-lion-shows-spark-clash-forest-guard-assaulted</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/gir-somnath/illegal-night-lion-shows-spark-clash-forest-guard-assaulted</guid><pubDate>Wed, 05 Aug 2026 10:55:39 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા વિસ્તારમાં ગેરકાયદે સિંહ દર્શન કરાવતી પ્રવૃત્તિ સામે વનવિભાગ કડક વલણ અપનાવી રહ્યું છે. ત્યારે એક ગંભીર ઘટના સામે આવી છે.સુત્રાપાડા નજીક આવેલી સિદ્ધિ સિમેન્ટ ફેક્ટરી પાસે મોડી રાત્રે ગેરકાયદે સિંહ દર્શન કરાવવા અને કરવા બાબતે ભારે બબાલ થઈ હતી.આ ઘટનામાં ગેરકાયદે સિંહ દર્શન કરાવી રહેલા યુવકોએ ફરજ પરના વનકર્મી સાથે બોલાચાલી કરી મારપીટ કરતા ચકચાર મચી જવા પામી છે.</p><h2 style="text-align: justify; "><b>વન વિભાગના ગાર્ડ સાથે મારામારી કરી</b></h2><p style="text-align: justify; ">સિદ્ધિ સિમેન્ટ ફેક્ટરી નજીક અને પ્રશનાવડા તરફ જતા રસ્તા પર રાત્રિના અંદાજે 12 વાગ્યાના સુમારે 5 થી 6 જેટલા યુવકો ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરવાની તથા કરાવવાની પેરવી કરી રહ્યા હતા.આ બાબતની જાણ થતાં જ સ્થળ પર તૈનાત બીટ ગાર્ડે યુવકોને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ ન કરવા સમજાવ્યા હતા.પરંતુ ઉશ્કેરાયેલા યુવકોએ બીટ ગાર્ડ સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી દીધી હતી.મામલો આટલેથી ન અટકતાં યુવકોએ વનકર્મી સાથે મારપીટ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેના કારણે વાતાવરણ અત્યંત તંગ બની ગયું હતું.</p><h3 style="text-align: justify; "><b>&nbsp;કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરાઈ</b></h3><p style="text-align: justify; ">ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક વનવિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી.RFO કલસરિયા સહિતનો વનવિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.વનવિભાગની ટીમે સ્થળ પર પહોંચીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.સરકારી ફરજમાં રુકાવટ ઊભી કરનાર અને વનકર્મી પર હુમલો કરનાર અસામાજિક તત્વો સામે કડકમાં કડક ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.સુત્રાપાડાની આ ઘટના બાદ વનવિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ગીરના ડાલામથ્થા સિંહોની સુરક્ષા સાથે ચેડાં કરનાર કે વનકર્મીઓ પર હુમલો કરનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં અને તેમની સામે કાયદાનો કડક કોરડો વીંઝવામાં આવશે.</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/cyclonic-circulation-western-disturbance-active-rain-forecast" target="_blank">આ પણ વાંચોઃ Gujarat Weather News: સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/fsI0N47bWI3GN6XpbcJ8PKZOPyQ606QolHQAlKnT.webp'/></item><item><title><![CDATA[Neeraj Chopra ડાયમંડ લીગમાં મળશે જોવા, અરશદ નદીમ અને રૂમેશ પથિરાગેનો કરશે સામનો ]]></title><link>https://sandesh.com/sports/news/neeraj-chopra-lausanne-diamond-league-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/neeraj-chopra-lausanne-diamond-league-2026</guid><pubDate>Tue, 04 Aug 2026 20:58:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતના દિગ્ગજ ભાલા ફેંકનાર અને ઓલિમ્પિક ગોલ્ડ ચંદ્રક વિજેતા નીરજ ચોપરા 21 ઓગસ્ટના રોજ યોજાનારી લૌઝેન ડાયમંડ લીગ સ્પર્ધામાં ભાગ લેશે. આયોજકોએ 3 ઓગસ્ટના રોજ આ વાતની પુષ્ટિ કરી.</p><p style="text-align: justify; ">નીરજ એથલેટિસિમા તરીકે ઓળખાતી સ્પર્ધામાં ચોથી વખત ભાગ લેશે. તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સમાં 85.83 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યા બાદ નીરજ આ ટુર્નામેન્ટ દ્વારા પોતાના ભૂતપૂર્વ ફોર્મમાં પરત ફરવાનો પ્રયાસ કરશે.</p><h2 style="text-align: justify; "><b>નીરજ ચોપરાનો સામનો શ્રીલંકાના રૂમેશ પથિરાગે સામે થશે</b></h2><p style="text-align: justify; ">28 વર્ષના નીરજ ચોપરાએ 2022માં 89.08 મીટરના બેસ્ટ થ્રો સાથે આ ઈવેન્ટ જીતી હતી અને પછીના વર્ષે 87.66 મીટરના ભાલા ફેંકીને પોતાની જીતનો સિલસિલો ચાલુ રાખ્યો હતો. ત્યારબાદ 89.49 મીટરના શાનદાર પ્રદર્શન છતાં તે 2024 લુઝેન ડાયમંડ લીગ ઈવેન્ટમાં બીજા સ્થાને રહ્યો.</p><p style="text-align: justify; ">2026ની ઈવેન્ટ ખૂબ જ રોમાંચક હોવાની અપેક્ષા છે, કારણ કે તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર શ્રીલંકાના રૂમેશ પથિરાગે પણ ભાગ લઈ રહ્યો છે. તેને 89.75 મીટરના બેસ્ટ થ્રો સાથે CWG 2026માં પ્રથમ સ્થાન મેળવ્યું અને ગોલ્ડ મેડલ જીત્યો.</p><h3 style="text-align: justify; "><b>ઘણા અનુભવી ખેલાડીઓ લૌઝેન ડાયમંડ લીગમાં ભાગ લેશે</b></h3><p style="text-align: justify; ">પાકિસ્તાનનો ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમ પણ આ સ્પર્ધામાં ભાગ લેશે, જે ફેન્સ માટે બીજી એક રોમાંચક સ્પર્ધા બનશે. તેના સિવાય બે વખતના વિશ્વ ચેમ્પિયન એન્ડરસન પીટર્સ, જર્મનીના થોમસ રોહલર અને ત્રિનિદાદ અને ટોબેગોના કેશોર્ન વોલકોટ પણ ભાલા ફેંકમાં પોતાની શક્તિનું પ્રદર્શન કરતા જોવા મળશે.</p><h4 style="text-align: justify; "><b>દોહા ડાયમંડ લીગમાં નીરજ ચોપરા ચોથા નંબરે રહ્યો</b></h4><p style="text-align: justify; ">લૌઝેન ડાયમંડ લીગ નીરજ ચોપરાની વર્ષની ત્રીજી મોટી સ્પર્ધા હશે. તે અગાઉ જૂનમાં દોહા ડાયમંડ લીગમાં ચોથા નંબરે રહ્યો હતો અને પછી કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો. ગંભીર ઈજા અને ટોક્યોમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ પછી બ્રેકને કારણે લાંબી ગેરહાજરી બાદ નીરજ આ વર્ષે મેદાનમાં પરત ફર્યો છે. આખી સીઝનમાં તેનું બેસ્ટ પ્રદર્શન ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં રહ્યું.</p><h5 style="text-align: justify; "><b>લૌઝેન ડાયમંડ લીગ 2026 જેવેલિન થ્રો એન્ટ્રી લિસ્ટ</b></h5><p style="text-align: justify; ">એન્ડરસન પીટર્સ (ગ્રેનાડા)</p><p style="text-align: justify; ">અરશદ નદીમ (પાકિસ્તાન)</p><p style="text-align: justify; ">કર્ટિસ થોમ્પસન (યુએસએ)</p><p style="text-align: justify; ">જાકુબ વાડલેચ (ચેકિયા)</p><p style="text-align: justify; ">જુલિયન વેબર (જર્મની)</p><p style="text-align: justify; ">કેશોર્ન વોલકોટ (ત્રિનિદાદ અને ટોબેગો)</p><p style="text-align: justify; ">નીરજ ચોપરા (ભારત)</p><p style="text-align: justify; ">રુમેશ પાથિરાગે (શ્રીલંકા)</p><p style="text-align: justify; ">સાઈમન વીલેન્ડ (સ્વિટ્ઝર્લૅન્ડ)</p><p style="text-align: justify; ">થોમસ રોહલર (જર્મની)</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/ZQYBy8LBmgXlHyY1AXRQwO7F2gQ5xJMQHAaQK1oS.webp'/></item></channel></rss>