<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Border 2નું એ ગીત જે આજે પણ છે અધૂરું, ભાઈ-બહેનની રાખડીવાળી લાઈનો તમને કરી દેશે ઈમોશનલ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/border-2-unfinished-rakhi-song-brother-sister</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/border-2-unfinished-rakhi-song-brother-sister</guid><pubDate>Thu, 13 Aug 2026 17:41:12 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સની દેઓલની ફિલ્મ બોર્ડર 2 આજે પણ ચર્ચામાં રહે છે. સ્વતંત્રતા દિવસ એટલે કે 15 ઓગસ્ટના અવસરે દરેક ભારતીય આ ફિલ્મ જોવાનું પસંદ કરશે. આ ફિલ્મના જાતે હુએ લમ્હોં, સંદેશે આતે હૈં અને મિટ્ટી કે બેટે જેવા ગીતો આજે પણ લોકોના દિલને સ્પર્શી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે ફિલ્મનું એક ગીત આજે પણ અધૂરું છે અને તેનો એક ભાગ ફિલ્મમાં બતાવવામાં આવ્યો નથી?&nbsp;</p><h2 style="text-align: justify; "><b>મનોજ મુન્તશિરે કર્યો ખુલાસો</b></h2><p style="text-align: justify; ">તાજેતરમાં શુભાંકર મિશ્રાના પોડકાસ્ટમાં મનોજ મુન્તશિરે ખુલાસો કર્યો હતો કે ફિલ્મ બોર્ડર 2નું ગીત 'મિટ્ટી કે બેટે' ફિલ્મમાં અધૂરું બતાવવામાં આવ્યું હતું અને તેની કેટલીક વધુ પંક્તિઓ પણ છે. મનોજ મુન્તશિરે કહ્યું કે તેઓ પહેલીવાર જાહેરમાં મિટ્ટી કે બેટે ગીતનો એ અંતરો જણાવી રહ્યા છે, જે બોર્ડર 2માં સામેલ કરવામાં આવ્યો નથી.</p><h3 style="text-align: justify; "><b>મનોજે ગીતની બાકી પંક્તિઓ જણાવી</b></h3><p style="text-align: justify; ">મનોજે જણાવ્યું કે ગીતની પંક્તિઓ છે કે ભૈયા તુઝકો તાને દેગી બહના, ઇસ ખુદગર્જી પે. ભૈયા તુઝકો તાને દેગી બહના, ઇસ ખુદગર્જી પે. મેરી ડોલી ઉઠી નહીં ઔર લેટ ગયા તુ અર્થિ પે. રોતે હૈં રાખી કે ધાગે. તોડ દિયે ક્યોં તુને વાદે. મેરી જાન કે બદલે મેરા ચાંદ સા ભાઈ લા દેના. હમ જબ રાખી બંધવાએંગે. હિચકી બનકે યાદ આયેંગે. વો મિટ્ટી કે બેટે, જો વાપસ ના લોટે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dbylt92zDr-/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dbylt92zDr-/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dbylt92zDr-/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dbylt92zDr-/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>ફિલ્મ બોર્ડર 2ની સ્ટારકાસ્ટ</b></h4><p style="text-align: justify; ">ફિલ્મ બોર્ડર 2માં સની દેઓલ, વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટી જોવા મળ્યા હતા. ફિલ્મમાં સની દેઓલની સામે મોના સિંહ, દિલજીત સાથે સોનમ બાજવા, અહાન શેટ્ટી સાથે આન્યા સિંહ અને વરુણ ધવન સાથે મેધા રાણા જોવા મળી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/sridevi-43-year-old-film-superstar-career" target="_blank">આ પણ વાંચો-43 વર્ષ જૂની આ ફિલ્મે શ્રીદેવીને રાતોરાત બનાવી સુપરસ્ટાર! છતાં કેમ આજીવન આ મૂવીને કોસતી રહી લેડી સુપરસ્ટાર?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/UlGNLrwyZJGqauSnEsXFbldxx4f2jP0ZvAOXr59f.webp'/></item><item><title><![CDATA['Chicken Neck'માં હવે ચોથી રેલવે લાઈનને મંજૂરી, પૂર્વોત્તર ભારત સાથે કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે ]]></title><link>https://sandesh.com/india/news/chicken-neck-fourth-railway-line-northeast-india-connectivity</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/chicken-neck-fourth-railway-line-northeast-india-connectivity</guid><pubDate>Thu, 13 Aug 2026 17:34:37 +05:30</pubDate><description><![CDATA[<p>ભારત માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા 'ચિકન નેક' એટલે કે સિલિગુડી કોરિડોરમાં ચોથી રેલવે લાઈન લગાવવાની મંજૂરી મળી છે. આ સંકરું ભૂમિ ક્ષેત્ર દેશના બાકીના ભાગોને પૂર્વોત્તર રાજ્યો સાથે જોડે છે. આ જ માર્ગે આસામ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ સહિત અન્ય પૂર્વોત્તર રાજ્યોમાં રેલ અને માર્ગ કનેક્ટિવિટી થાય છે.</p><h2><b>29 કિલોમીટરનો ડબલ અંડરગ્રાઉન્ડ રેલવે પ્રોજેક્ટ હાથ ધરાશે</b></h2><p>પૂર્વોત્તર સીમા રેલવેના મહાપ્રબંધક ચેતન કુમાર શ્રીવાસ્તવે કટિહાર રેલવે ડિવિઝન કચેરીમાં જણાવ્યું હતું કે માલદા-ન્યૂ જલપાઈગુડી રેલવે સેક્શન સમગ્ર પૂર્વોત્તરને દેશના અન્ય ભાગો સાથે જોડતો મહત્વપૂર્ણ રેલ કોરિડોર છે. અગાઉ આ માર્ગ માટે ત્રીજી રેલવે લાઈનનો પ્રસ્તાવ હતો, પરંતુ હવે ચોથી લાઈનને પણ મંજૂરી મળી છે. આ ઉપરાંત તિનમાઈ ઘાટથી બાગડોગરા વચ્ચે આશરે 29 કિલોમીટરની ડબલ અંડરગ્રાઉન્ડ રેલવે પ્રોજેક્ટ પણ હાથ ધરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા બાદ સમગ્ર રેલ કોરિડોરની ક્ષમતા વધશે અને મુસાફરો તથા માલ પરિવહનને મોટો લાભ મળશે.</p><h3><b>રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું સતત વિસ્તરણ&nbsp;</b></h3><p>બારસોઈ સેક્શનમાં રેલવે લાઈનના ડબલિંગનું કામ પણ ચાલી રહ્યું છે. વધતા મુસાફર અને માલ પરિવહનને ધ્યાનમાં રાખીને રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું સતત વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. ગયા વર્ષે વિવિધ રૂટ પર '42 નવી ટ્રેન સેવાઓ' શરૂ કરવામાં આવી હતી અને આશરે 250 નવા સ્ટોપેજ આપવામાં આવ્યા હતા.</p><h4><b>એપ્રિલ 2027 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક</b></h4><p>બીજી તરફ, ન્યૂ જલપાઈગુડી સ્ટેશનને વિશ્વસ્તરીય બનાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે અને તેને એપ્રિલ 2027 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. હલ્દીબાડી સ્ટેશન પર પણ કામ શરૂ થઈ ગયું છે. પૂર્વોત્તર સીમા રેલવેના સમગ્ર નેટવર્કનું 100 ટકા વિદ્યુતીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે ગુવાહાટીથી તિનસુકિયા અને અગરતલા સુધી વંદે ભારત સેવાઓના વિસ્તરણની યોજના પર પણ કામ થઈ રહ્યું છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/business/dabur-emami-trade-dress-dispute-stock-sale-september-30" target="_blank">આ પણ વાંચો : Emami સાથે ટ્રેડ ડ્રેસ વિવાદ વચ્ચે ડાબરને રાહત, હાજર સ્ટોકને 30 સપ્ટેમ્બર સુધી વેચી શકશે</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/xw5gbXxKogQ4xfMO6FBvJMWd1KSVb6k8jfGmpIQH.webp'/></item><item><title><![CDATA[Ahmedabadમાં સ્ટ્રીટલાઈટ મુદ્દે તંત્રને ટકોર, ‘ફરિયાદ આવે પછી નહીં, પહેલાંથી લાઈટો ચાલુ રાખો’ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-protest-against-the-administration-over-the-streetlight-issue-keep-the-lights-on-beforehand-not-after-receiving-complaints</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-protest-against-the-administration-over-the-streetlight-issue-keep-the-lights-on-beforehand-not-after-receiving-complaints</guid><pubDate>Thu, 13 Aug 2026 17:19:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટો બંધ રહેવાની નાગરિકોની ફરિયાદો સતત સામે આવી રહી છે. રસ્તાઓ પર અંધારપટ છવાઈ જવાને કારણે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બંધ સ્ટ્રીટલાઈટોના મુદ્દાને ગંભીરતાથી લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મટિરિયલ કમિટીના ચેરમેને તંત્રના જવાબદાર અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા કડક સૂચનાઓ આપી હતી.</p><h2 style="text-align: justify; "><b>ધાર્મિક તહેવારોમાં લાઈટો બંધ ન રહેવી જોઈએ: અધિકારીઓને તાકીદ</b></h2><p style="text-align: justify; ">આગામી ધાર્મિક તહેવારોને ધ્યાનમાં રાખીને મટિરિયલ કમિટીના ચેરમેને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે તહેવારો દરમિયાન શહેરમાં ક્યાંય પણ લાઈટો બંધ હોવાની ફરિયાદ મળવી જોઈએ નહીં. તેમણે અધિકારીઓને ટાંકતા જણાવ્યું હતું કે, "કોઈ નાગરિક ફરિયાદ કરે અને પછી લાઈટો ચાલુ કરીએ એવું વલણ ચલાવી લેવાશે નહીં." ફરિયાદ આવ્યા વગર જ તમામ સ્ટ્રીટલાઈટો પૂર્વવત ચાલુ રહે તે માટે અગાઉથી જ જરૂરી વ્યવસ્થા ગોઠવી દેવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવા કર્મચારીઓને આદેશ</b></h2><p style="text-align: justify; ">શહેરમાં કોઈ પણ સ્થળે લાઈટો બંધ ન રહે તે સુનિશ્ચિત કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને ટેકનિકલ કર્મચારીઓને 24 કલાક (રાઉન્ડ ધ ક્લોક) સતર્ક રહીને કામગીરી કરવાના સૂચનો આપવામાં આવ્યા છે. લાઈટ બંધ થવાના કિસ્સામાં ત્વરિત રિપેરિંગ થાય અને નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે તંત્રને રાઉન્ડ ધ ક્લોક એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/amreli/amreli-news-rain-in-rural-areas-including-savarkundla-benefiting-cotton-groundnut-crops" target="_blank">Amreli News : સાવરકુંડલા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, કપાસ-મગફળીના પાકને ફાયદો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/ApIbptqHQ9aA0kP8iNyAcSgo6Ik5IFuBOACwRlGP.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: રાજ્યના શ્રમિક પરિવારોને મળશે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં અમર્યાદિત ખર્ચે સારવાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/esic-workers-to-get-unlimited-cost-super-specialty-treatment-in-gujarat</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/esic-workers-to-get-unlimited-cost-super-specialty-treatment-in-gujarat</guid><pubDate>Thu, 13 Aug 2026 17:11:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજ્યના શ્રમિક પરિવારોને વધુ સારી ગુણવત્તાસભર અને સમયસર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી શ્રમ અને રોજગાર વિભાગ તથા કર્મચારી રાજ્ય વીમા નિગમ ગુજરાતે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે.ESIC હેઠળ નોંધાયેલા વીમાધારક શ્રમિકો તથા તેમના આશ્રિત લાભાર્થીઓને ટર્સરી કેર અને સુપર સ્પેશિયાલિટી સારવાર ઉપલબ્ધ કરાવવા શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની પ્રેરક ઉપસ્થિતિમાં 6 અગ્રણી આરોગ્ય સંસ્થાઓ સાથે સમજૂતી કરાર કરાયા છે.</p><h2 style="text-align: justify; "><b>સુરક્ષા કવચ તેમજ મોટી આર્થિક રાહતનું માધ્યમ બનશે</b></h2><p style="text-align: justify; ">ગાંધીનગર ખાતે યોજાયેલા આ MoU એક્સચેન્જ બાદ શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, સ્વસ્થ શ્રમિક જ મજબૂત અર્થતંત્ર અને રાષ્ટ્રનિર્માણનો આધાર છે.શ્રમિકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવતી આ પહેલ લાખો શ્રમિક પરિવારો માટે મજબૂત આરોગ્ય સુરક્ષા કવચ તેમજ મોટી આર્થિક રાહતનું માધ્યમ બનશે.આ પહેલથી હવે રાજ્યમાં ESIC હેઠળ નોંધાયેલા શ્રમિકો અને તેમના પરિવારને જરૂરિયાત મુજબ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં અમર્યાદિત ખર્ચે સારવાર ઉપલબ્ધ થશે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>શ્રેષ્ઠ તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવે</b></h3><p style="text-align: justify; ">મંત્રીએ ઉપસ્થિત તબીબી સંચાલકો, તબીબો, પેથોલોજિસ્ટ્સ અને અધિકારીઓને શ્રમિકોના આરોગ્ય તથા કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા પર વિશેષ ભાર મૂક્યો હતો.તેમણે હોસ્પિટલ સંચાલકોને અપીલ કરી હતી કે સારવાર માટે આવતા દરેક શ્રમિક પ્રત્યે પરિવારના સભ્ય જેવી સંવેદનશીલતા અને કાળજી દાખવીને તેમને શ્રેષ્ઠ તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવે.ESIC અંતર્ગત ઉપલબ્ધ સરકારી ભંડોળનો ઉપયોગ માત્ર શ્રમિકોના હિત અને કલ્યાણ માટે યોગ્ય રીતે થાય અને યોજનાનો કોઈપણ સ્તરે દુરુપયોગ ન થાય તેની પણ ખાસ તકેદારી રાખવા તાકીદ કરી હતી.</p><h2 style="text-align: justify; "><b>અગાઉ 26  MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે</b></h2><p style="text-align: justify; ">ESICના પ્રાદેશિક નિયામક  હેમંતકુમાર પાંડેએ કહ્યું હતું કે, ESIC ગુજરાત દ્વારા સમગ્ર રાજ્યમાં ટર્સરી તથા સુપર સ્પેશિયાલિટી આરોગ્ય સેવાઓનું નેટવર્ક વધુ મજબૂત કરવાની દિશામાં સતત કામગીરી કરવામાં આવી રહી છે. તાજેતરના આ 6 MoU સહિત અગાઉ 26  MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે,જેમાં 13 સરકારી હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓનો સમાવેશ થાય છે.આ નેટવર્કમાં રાજ્યની અગ્રણી તબીબી સંસ્થાઓ જેવી કે યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર, જીએમઇઆરએસ હોસ્પિટલ્સ, ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (જીસીઆરઆઈ), ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર અને એઇમ્સ રાજકોટ જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં વધુ 45 હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓ સાથે MoUની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/crime/gandhinagar/3-cyber-fraudsters-arrested-for-126-fake-websites-targeting-21985-people" target="_blank">આ પણ વાંચોઃ Gandhinagar News : 126 બોગસ વેબસાઇટ બનાવી દેશના 21 હજારથી વધુ લોકોને ઠગનારા 3 આરોપીઓ ઝડપાયા</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/wCbgm0mJ16nnNe1Ywe3tehD1UrOxOKfpcgKwJlgO.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News : 126 બોગસ વેબસાઇટ બનાવી દેશના 21 હજારથી વધુ લોકોને ઠગનારા 3 આરોપીઓ ઝડપાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/gandhinagar/3-cyber-fraudsters-arrested-for-126-fake-websites-targeting-21985-people</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/gandhinagar/3-cyber-fraudsters-arrested-for-126-fake-websites-targeting-21985-people</guid><pubDate>Thu, 13 Aug 2026 16:51:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દેશભરમાં ઓનલાઈન આઈડેન્ટિટિ થેફ્ટ ડેટા પાસવર્ડની ચોરી અને બોગસ દસ્તાવેજોના આધારે આર્થિક ષડયંત્ર રચતી ગેંગ સામે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે લાલ આંખ કરીને મોટો સપાટો બોલાવ્યો છે.સાયબર પોલીસે અલગ-અલગ બે ગુનામાં કુલ 3 સાયબર ઠગોની ધરપકડ કરી છે.આ આરોપીઓ પાસેથી મોટી માત્રામાં ડિજિટલ પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે.પ્રથમ ગુનામાં સાયબર પોલીસે ખોટી ઓળખ ઊભી કરી ધાર્મિક સ્થળોના નામે છેતરપિંડી આચરતા બે મુખ્ય સાયબર ઠગોની ધરપકડ કરી છે.આ શાતિર ઠગોએ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દેશના વિવિધ પ્રખ્યાત ધર્મસ્થળોની ૧૨૬ જેટલી ફેક વેબસાઇટ્સ બનાવી હતી.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>70 વધુ સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ ચૂકી છે</b></h2><p style="text-align: justify; ">આ બોગસ પોર્ટલના માધ્યમથી આરોપીઓએ દેશના 21985 નિર્દોષ નાગરિકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી છે.આ ગેંગ સામે દેશભરમાં અત્યાર સુધીમાં 70 વધુ સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ ચૂકી છે.આ કૌભાંડમાં સૌથી વધુ ભોગ ગુજરાતના શ્રદ્ધાળુઓ બન્યા છે કારણ કે 126 વેબસાઇટ્સમાંથી 40 વેબસાઇટ ગુજરાતના યાત્રાધામોની હતી.જેમાં સાળંગપુરની 8,જ્યારે સોમનાથ, દ્વારકા, પાલીતાણા, જૂનાગઢ અને ગાંધીનગર જેવા ધાર્મિક સ્થળોની નકલી વેબસાઇટનો સમાવેશ થાય છે. ઝડપાયેલા આરોપીઓમાં કૌભાંડનો મુખ્ય સૂત્રધાર વિકી ગુપ્તા છે જેણે કોમ્પ્યુટર સાયન્સમાં B.Tech કરેલું છે. તે દિલ્હી સ્થિત પોતાના ઘરેથી જ આ તમામ વેબસાઇટોનું સંચાલન કરતો હતો.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>ગેંગ પકડાવાના ડરથી અવારનવાર ડોમેઇન નેમ બદલી નાખતી&nbsp;</b></h3><p style="text-align: justify; ">છેલ્લા 8 મહિનાથી સક્રિય આ ગેંગ પકડાવાના ડરથી અવારનવાર ડોમેઇન નેમ બદલી નાખતી હતી.પોલીસે ભરતપુર (રાજસ્થાન) ખાતેથી તેના સાગરીત શૈલેષ સૈનીની પણ ધરપકડ કરી છે.આ 126 વેબસાઇટો કોણે ખરીદી અને કોના હાથમાં ઓપરેટ થતી હતી તે દિશામાં તપાસ માટે ગુજરાત પોલીસની બે ખાસ ટીમો રાજ્ય બહાર રવાના કરવામાં આવી છે.અન્ય એક કિસ્સામાં ફેબ્રુઆરી 2026માં સોમનાથમાં રોકાણ અને રૂમ બુકિંગ માટે ખોટી વેબસાઇટ બનાવવા અંગે દાખલ થયેલા ગુનામાં પોલીસે વધુ 1 આરોપીની અટકાયત કરી છે.આ કેસમાં અગાઉ 6 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે.પોલીસને તપાસ દરમિયાન મળી આવેલા 6 સીમકાર્ડ અને 18 જેટલાં મ્યુલ બેંક એકાઉન્ટ્સ અંગે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/navsari/flood-damage-14-villages-protest-at-collector-office" target="_blank">આ પણ વાંચોઃ Navsari News: વરસાદી પૂરને કારણે થયેલી તારાજીથી ભારે નુકસાન, 14 ગામોના લોકોએ કલેક્ટર કચેરીએ મોરચો માંડ્યો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/NrrbYNagUgWiN2GxNxv1XrTov5IIReKjNkt9DBX0.webp'/></item><item><title><![CDATA[Emami સાથે ટ્રેડ ડ્રેસ વિવાદ વચ્ચે ડાબરને રાહત, હાજર સ્ટોકને 30 સપ્ટેમ્બર સુધી વેચી શકશે ]]></title><link>https://sandesh.com/india/news/business/dabur-emami-trade-dress-dispute-stock-sale-september-30</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/dabur-emami-trade-dress-dispute-stock-sale-september-30</guid><pubDate>Thu, 13 Aug 2026 16:49:41 +05:30</pubDate><description><![CDATA[<p>દિલ્હી હાઈકોર્ટે ડાબર ઈન્ડિયાને 'કૂલ કિંગ ઠંડા તેલ'ના હાલના સ્ટોકનું વેચાણ 30 સપ્ટેમ્બર સુધી કરવાની મંજૂરી આપી છે. ડાબર અને ઈમામી લિમિટેડ વચ્ચે ચાલી રહેલા ટ્રેડ ડ્રેસ વિવાદમાં બંને પક્ષો વચ્ચે સહમતિ બન્યા બાદ કોર્ટે આ નિર્દેશ આપ્યો છે.</p><h2><b>હાલના સ્ટોકને 30 સપ્ટેમ્બર સુધી વેચી શકાશે</b></h2><p>કોર્ટના આદેશ અનુસાર, ડાબર પાસે રહેલા 9,020 કાર્ટનના હાલના સ્ટોકને 30 સપ્ટેમ્બર સુધી વેચી શકાશે. જોકે, આ માટે કેટલીક શરતો પણ નક્કી કરવામાં આવી છે. 30 સપ્ટેમ્બર બાદ બચેલો સ્ટોક પરત ખેંચવો પડશે. ઉપરાંત, ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર આ સ્ટોકનું વેચાણ બંધ કરવું પડશે અને ત્યારબાદ મંજૂર કરાયેલ સ્ટોક માત્ર ભૌતિક દુકાનો મારફતે જ વેચી શકાશે. જો 30 સપ્ટેમ્બર બાદ બચેલો સ્ટોક પરત ખેંચવામાં મુશ્કેલી પડે તો ડાબરને અલગ પેકેજિંગનો ઉપયોગ કરવો પડશે.</p><h2><b>ટ્રેડમાર્કનું ઉલ્લંઘન કરવાનો આરોપ</b></h2><p>આ સમગ્ર મામલો ડાબરના 'કૂલ કિંગ ઠંડા તેલ' અને ઈમામીના 'નવરત્ન આયુર્વેદિક ઓઈલ' વચ્ચેના પેકેજિંગ અને ટ્રેડ ડ્રેસને લઈને ચાલી રહેલા વિવાદ સાથે જોડાયેલો છે. ઈમામીએ ડાબર પર તેના પ્રોડક્ટની પેકેજિંગની નકલ કરવાનો, ટ્રેડમાર્કનું ઉલ્લંઘન કરવાનો અને અનફેર ટ્રેડ પ્રેક્ટિસ કરવાનો આરોપ લગાવ્યો હતો.</p><h4><b>આ શરતને આધીન મળી મંજૂરી</b></h4><p>આ વિવાદમાં જાન્યુઆરીમાં દિલ્હી હાઈકોર્ટે ડાબરને વિવાદિત પેકેજિંગ સાથે પ્રોડક્ટનું વેચાણ કરવા પર રોક લગાવી હતી. ત્યારબાદ બંને કંપનીઓ વચ્ચે ચર્ચા અને સહમતિ બાદ હાલના સ્ટોકના વેચાણ માટે કોર્ટ સમક્ષ મંજૂરી માગવામાં આવી હતી. જસ્ટિસ વી. કામેશ્વર રાવ અને જસ્ટિસ મનમીત પ્રીતમ સિંહ અરોરાની ખંડપીઠે 10 ઓગસ્ટે આ મામલે આદેશ આપ્યો હતો. ઈમામીની સંમતિને ધ્યાનમાં રાખીને ડાબરને મર્યાદિત સમય માટે હાલનો સ્ટોક વેચવાની મંજૂરી આપવામાં આવી છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/air-india-orders-mandatory-drug-test-for-all-pilots-after-ganja-kand-flight-ai2379" target="_blank">આ પણ વાંચો : Air Indiaના દરેક પાઇલટ્સનું થશે ડ્રગ ટેસ્ટિંગ... ગાંજા કાંડ બાદ લેવોયો મોટો નિર્ણય</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/Mkh4mF4SUTrEP6U6s5Cj2o40PCakoxDfRKPHqgr2.webp'/></item><item><title><![CDATA[Emami સાથે ટ્રેડ ડ્રેસ વિવાદ વચ્ચે ડાબરને રાહત, હાજર સ્ટોકને 30 સપ્ટેમ્બર સુધી વેચી શકશે ]]></title><link>https://sandesh.com/india/news/business/dabur-emami-trade-dress-dispute-stock-sale-september-30</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/dabur-emami-trade-dress-dispute-stock-sale-september-30</guid><pubDate>Thu, 13 Aug 2026 16:49:41 +05:30</pubDate><description><![CDATA[<p>દિલ્હી હાઈકોર્ટે ડાબર ઈન્ડિયાને 'કૂલ કિંગ ઠંડા તેલ'ના હાલના સ્ટોકનું વેચાણ 30 સપ્ટેમ્બર સુધી કરવાની મંજૂરી આપી છે. ડાબર અને ઈમામી લિમિટેડ વચ્ચે ચાલી રહેલા ટ્રેડ ડ્રેસ વિવાદમાં બંને પક્ષો વચ્ચે સહમતિ બન્યા બાદ કોર્ટે આ નિર્દેશ આપ્યો છે.</p><h2><b>હાલના સ્ટોકને 30 સપ્ટેમ્બર સુધી વેચી શકાશે</b></h2><p>કોર્ટના આદેશ અનુસાર, ડાબર પાસે રહેલા 9,020 કાર્ટનના હાલના સ્ટોકને 30 સપ્ટેમ્બર સુધી વેચી શકાશે. જોકે, આ માટે કેટલીક શરતો પણ નક્કી કરવામાં આવી છે. 30 સપ્ટેમ્બર બાદ બચેલો સ્ટોક પરત ખેંચવો પડશે. ઉપરાંત, ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર આ સ્ટોકનું વેચાણ બંધ કરવું પડશે અને ત્યારબાદ મંજૂર કરાયેલ સ્ટોક માત્ર ભૌતિક દુકાનો મારફતે જ વેચી શકાશે. જો 30 સપ્ટેમ્બર બાદ બચેલો સ્ટોક પરત ખેંચવામાં મુશ્કેલી પડે તો ડાબરને અલગ પેકેજિંગનો ઉપયોગ કરવો પડશે.</p><h2><b>ટ્રેડમાર્કનું ઉલ્લંઘન કરવાનો આરોપ</b></h2><p>આ સમગ્ર મામલો ડાબરના 'કૂલ કિંગ ઠંડા તેલ' અને ઈમામીના 'નવરત્ન આયુર્વેદિક ઓઈલ' વચ્ચેના પેકેજિંગ અને ટ્રેડ ડ્રેસને લઈને ચાલી રહેલા વિવાદ સાથે જોડાયેલો છે. ઈમામીએ ડાબર પર તેના પ્રોડક્ટની પેકેજિંગની નકલ કરવાનો, ટ્રેડમાર્કનું ઉલ્લંઘન કરવાનો અને અનફેર ટ્રેડ પ્રેક્ટિસ કરવાનો આરોપ લગાવ્યો હતો.</p><h4><b>આ શરતને આધીન મળી મંજૂરી</b></h4><p>આ વિવાદમાં જાન્યુઆરીમાં દિલ્હી હાઈકોર્ટે ડાબરને વિવાદિત પેકેજિંગ સાથે પ્રોડક્ટનું વેચાણ કરવા પર રોક લગાવી હતી. ત્યારબાદ બંને કંપનીઓ વચ્ચે ચર્ચા અને સહમતિ બાદ હાલના સ્ટોકના વેચાણ માટે કોર્ટ સમક્ષ મંજૂરી માગવામાં આવી હતી. જસ્ટિસ વી. કામેશ્વર રાવ અને જસ્ટિસ મનમીત પ્રીતમ સિંહ અરોરાની ખંડપીઠે 10 ઓગસ્ટે આ મામલે આદેશ આપ્યો હતો. ઈમામીની સંમતિને ધ્યાનમાં રાખીને ડાબરને મર્યાદિત સમય માટે હાલનો સ્ટોક વેચવાની મંજૂરી આપવામાં આવી છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/air-india-orders-mandatory-drug-test-for-all-pilots-after-ganja-kand-flight-ai2379" target="_blank">આ પણ વાંચો : Air Indiaના દરેક પાઇલટ્સનું થશે ડ્રગ ટેસ્ટિંગ... ગાંજા કાંડ બાદ લેવોયો મોટો નિર્ણય</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/Mkh4mF4SUTrEP6U6s5Cj2o40PCakoxDfRKPHqgr2.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના નારોલમાં 17 વર્ષની સગીરાના આપઘાત કેસમાં પતિ સામે ગુનો, વીડિયો બન્યો મહત્વનો પુરાવો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/crime-against-husband-in-suicide-case-of-17-year-old-girl-in-narol-ahmedabad-video-becomes-important-evidence</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/crime-against-husband-in-suicide-case-of-17-year-old-girl-in-narol-ahmedabad-video-becomes-important-evidence</guid><pubDate>Thu, 13 Aug 2026 15:52:02 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરાએ ગત 10 ઓગસ્ટે સાબરમતી નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ હવે મૃતક સગીરાનો આપઘાત પહેલાનો એક વિડીયો સામે આવ્યો છે. નાની ઉંમરે લગ્ન થયા બાદ લગ્નજીવનમાં સર્જાયેલા અણબનાવને કારણે પતિએ તેને ઘરમાંથી કાઢી મૂકી હોવાનો આક્ષેપ કરાયો છે. ત્યારથી સગીરા પિતાના ઘરે પરત આવીને સતત માનસિક દુઃખ અને તણાવમાં રહેતી હતી.</p><h2 style="text-align: justify; "><b>વિડીયોમાં પતિ સામે ગંભીર આક્ષેપો</b></h2><p style="text-align: justify; ">આપઘાત જેવું અંતિમ પગલું ભરતા પહેલા સગીરાએ પોતાના પતિને ઉદ્દેશીને એક વિડીયો રેકોર્ડ કર્યો હતો. આ વિડીયોમાં તેણે પતિ સામે અત્યાચાર અને નકામા સંબંધો અંગેના ગંભીર આક્ષેપો કર્યા હતા. ઘટના બાદ સાબરમતી નદીમાંથી સગીરાનો મૃતદેહ મળી આવતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>પોલીસે પતિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી</b></h2><p style="text-align: justify; ">મૃતક સગીરાના પિતાની ફરિયાદના આધારે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં પતિ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આપઘાત પહેલાં બનાવેલા વિડીયો અને અન્ય મહત્વના પુરાવાઓ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પતિની પૂછપરછ અને ઘટનાના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/bhavnagar/bhavnagar-news-uproar-over-insects-in-samaras-hostel-food-students-angry" target="_blank">Bhavnagar News : સમરસ હોસ્ટેલના ભોજનમાં જીવાતો નીકળતા હોબાળો, વિદ્યાર્થીઓમાં રોષ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/i6EV26unsXgY7lLv8QYYOBZ587oYx6Y1mGp35EsQ.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: AMC 9 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ ઑપરેશન સેન્ટર અને ઈન્ટિગ્રેટેડ ડૅશબોર્ડ તૈયાર કરશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-to-build-sports-operation-centre-and-integrated-dashboard-at-rs-9-crore</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-to-build-sports-operation-centre-and-integrated-dashboard-at-rs-9-crore</guid><pubDate>Thu, 13 Aug 2026 15:50:36 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આગામી સમયમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સના સુચારુ અને ભવ્ય આયોજનને અનુલક્ષીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અત્યારથી જ વહીવટી અને ટેકનિકલ કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.ખેલમહાકુંભ અને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓના તકેદારીપૂર્વકના સંચાલન માટે મ્યુનિસિપલ કોર્પોરેશન એક અત્યાધુનિક સિસ્ટમ ઊભી કરવા જઈ રહ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>સ્પોર્ટ્સ ઑપરેશન સેન્ટર અને ઈન્ટિગ્રેટેડ ડૅશબોર્ડ</b></h2><p style="text-align: justify; ">AMCની તમામ કામગીરી અને સેવાઓના રીઅલ-ટાઈમ મૉનિટરિંગ માટે રૂ.9 કરોડના અંદાજિત ખર્ચે સ્પોર્ટ્સ ઑપરેશન સેન્ટર તૈયાર કરવામાં આવશે.આ સેન્ટર હેઠળ એક ખાસ ઈન્ટિગ્રેટેડ ડૅશબોર્ડ બનાવવામાં આવશે.જેના પરથી તમામ વિભાગોની કામગીરીનું એક જ જગ્યાએથી વિગતવાર આયોજન અને સંચાલન શક્ય બનશે.આ પ્રોજેક્ટની કામગીરી GNFCને સોંપવામાં આવી છે એમ મટીરીયલ વિભાગના ચેરમેન હિતેન્દ્ર પરમારે જણાવ્યું હતું.</p><h3 style="text-align: justify; "><b>8 જેટલી સેવાઓ અને વોલેન્ટિયર મેનેજમેન્ટ</b></h3><p style="text-align: justify; ">આ ડૅશબોર્ડ અને ઑપરેશન સેન્ટર હેઠળ મુખ્યત્વે અલગ-અલગ 8 જેટલી મહત્વપૂર્ણ સેવાઓને આવરી લેવામાં આવશે.જેથી ઈવેન્ટ દરમિયાન ટ્રાફિક, સિક્યોરિટી, વિઝિટર મેનેજમેન્ટ,લાઈવ અપડેટ્સ અને ઈમરજન્સી રિસ્પોન્સ જેવી સેવાઓ પર સીધી નજર રાખી શકાય. આંતરરાષ્ટ્રીય કક્ષાના આ આયોજનમાં ભાગ લેનાર રમતવીરોના સંચાલન માટે એક વિશેષ વોલેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમ પણ ઊભી કરવામાં આવશે.આ સિસ્ટમના માધ્યમથી વોલેન્ટિયર્સની નોંધણી, ફરજોની ફાળવણી અને સુપરવિઝન સરળતાથી થઈ શકશે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/suspended-gas-officer-ketki-vyas-arrested-crime-branch-acb-remand" target="_blank">આ પણ વાંચોઃ ACB : પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસ પાસે 3.56 કરોડની અપ્રમાણસર મિલકત, પરિવારના 24 એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/MZ0iCl4sxPEG98Ah9LaX0Gz22ksDdX5IBcwqiWMA.webp'/></item><item><title><![CDATA[Lionel Messiની પિતાના અવસાન બાદ પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'મને ખબર નથી કે હવે...' ]]></title><link>https://sandesh.com/sports/news/lionel-messi-father-jorge-messi-death-emotional-post</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/lionel-messi-father-jorge-messi-death-emotional-post</guid><pubDate>Wed, 12 Aug 2026 23:40:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">લિયોનેલ મેસ્સીના પિતા જોર્જ મેસ્સીનું 8 ઓગસ્ટના રોજ 68 વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન થયું હતું. આ પછી લિયોનેલ મેસ્સીએ 12 ઓગસ્ટના રોજ તેમના પિતાના અવસાન પર પહેલીવાર મૌન તોડ્યું જેમાં તેને સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી જેમાં તેમણે ભવિષ્યમાં ફૂટબોલ રમવા અંગે શંકા વ્યક્ત કરી હતી.</p><p style="text-align: justify;">લિયોનેલ મેસ્સીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર તેમના પિતા જોર્જ સાથેનો એક ફોટો પોસ્ટ કર્યો અને એક નોટ પણ શેર કરી જેમાં તેને લખ્યું કે તેઓ આ મોટી ખોટ સ્વીકારી શકતા નથી અને તેને સમજાતું નથી કે તે તેના પિતા વિના જીવનમાં કેવી રીતે આગળ વધશે કારણ કે તેઓ મારા બેસ્ટ મિત્ર, માર્ગદર્શક અને એજન્ટ પણ હતા.</p><h2 style="text-align: justify;"><b>મને ખબર નથી કે આગળ કેવી રીતે આગળ વધવું</b></h2><p style="text-align: justify;">પિતાના અવસાન પછી લિયોનેલ મેસ્સીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી એક પોસ્ટમાં લખ્યું છે કે "મને ખબર નથી કે હું તમારા વિના શું કરીશ. મને ખબર નથી કે આગળ કેવી રીતે વધવું. હું ફક્ત ફૂટબોલ રમી રહ્યો હતો, પરંતુ હવે મારી પાસે ઘણા સવાલો છે કે શું હું ચાલુ રાખી શકીશ." મેસ્સીએ સમજાવ્યું કે તેના પિતાએ તેને દરેક બાબતમાં સપોર્ટ આપ્યો અને હંમેશા તેના નિર્ણયોમાં વિશ્વાસ રાખ્યો. "બધા માટે આભાર. હું તમને પ્રેમ કરું છું, પપ્પા."</p><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/Db8MYnQjYsC/?img_index=1" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/Db8MYnQjYsC/?img_index=1" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a><br></p><h3 style="text-align: justify;"><b>વર્લ્ડકપ શરૂ થવાના થોડા દિવસ પહેલા તે બીમાર પડ્યા&nbsp;</b></h3><p style="text-align: justify;">પોતાની પોસ્ટમાં લિયોનેલ મેસ્સીએ સમજાવ્યું કે વર્લ્ડકપ 2026 શરૂ થવાના થોડા દિવસો પહેલા તેના પિતાની તબિયત અચાનક બગડી ગઈ હતી, જેના કારણે જોર્જ પહેલી વાર કોઈ ટુર્નામેન્ટમાં હાજરી આપી શક્યા ન હતા. "હું દરેક મેચ પછી મારા પિતાના મેસેજની રાહ જોતો હતો. મને તમારી ખૂબ જ યાદ આવશે, પણ તમે હંમેશા સાથે રહેશો. ખાસ કરીને મારા બાળકોને ઉછેરવામાં, કારણ કે હું તેમને એ જ રીતે શીખવીશ અને ઉછેરીશ જે રીતે તમે મને ઉછેર્યો છે."</p><h4 style="text-align: justify;"><b>મેસ્સીને રોનાલ્ડોનો સપોર્ટ મળ્યો</b></h4><p style="text-align: justify;">મેસ્સીના પિતાના અવસાન પછી જ્યારે તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી, ત્યારે તેને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો સપોર્ટ મળ્યો, જેમાં રોનાલ્ડોએ તેની પોસ્ટ પર કોમેન્ટ કરી અને લખ્યું છે કે લીઓ, આ મુશ્કેલ સમયમાં તને અને તારા પરિવારને મારું મોટું હગ, તમને ઘણી શક્તિ મળે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/TGH56UwXwOH6bh1EQIGogFs2CidMiip8syDerxly.webp'/></item></channel></rss>