<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[BRICS Summit 2026: PM મોદીએ પુતિને શું ભેટ આપી? થઇ રહી છે ચારેકોર ચર્ચા ]]></title><link>https://sandesh.com/india/news/pm-modi-gifts-russian-thirukkural-to-putin-at-brics-summit-2026-bharat-mandapam</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/pm-modi-gifts-russian-thirukkural-to-putin-at-brics-summit-2026-bharat-mandapam</guid><pubDate>Fri, 11 Sep 2026 16:24:06 +05:30</pubDate><description><![CDATA[<p>BRICS Summit: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બ્રિક્સ (BRICS) સમિટ માટે ભારત મંડપમ પહોંચી ગયા છે જ્યારે ભારત મંડપમમાં પીએમ મોદીએ પુતિનનું ઉષ્માભર્યુ સ્વાગત કરી પુતિનને પુસ્તક ભેટમાં આપ્યુ હતુ. અને આ મુલાકાત દરમિયાન પીએમ મોદી અને પુતિન ગળે મળ્યા હતા.&nbsp;</p><p><br></p><h4><b>વડાપ્રધાન મોદીએ પુતિનને કઈ ભેટ આપી?</b></h4><p>મળતી માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને 'તિરુક્કુરલ' (Thirukkural)નો રશિયન અનુવાદ ભેટમાં આપ્યો; આ ભેટ આપતી વખતની તસવીર પણ સામે આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન મળ્યા અને તેમણે હાથ મિલાવીને એકબીજાને ગળે મળ્યા.</p><p><br></p><p>નોંધનીય છે કે, આજની મુલાકાતમાં પુતિન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને નેતાઓ વચ્ચેની દ્વિપક્ષીય વાતચીત દરમિયાન સુખોઈ-57 (Sukhoi-57) ફાઈટર જેટ અને અપગ્રેડેડ બ્રહ્મોસ (BrahMos) મિસાઈલ અંગેના સંભવિત સોદાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે. મોદી અને પુતિન વચ્ચેની વાતચીતમાં S-400 એર ડિફેન્સ સિસ્ટમનો મુદ્દો પણ આવરી લેવામાં આવી શકે છે; રશિયા દ્વારા વિકસિત S-400 સિસ્ટમ ભારતમાં પહેલેથી જ કાર્યરત છે, અને ભારત બાકીના જથ્થાના પુરવઠા તથા જાળવણી (મેન્ટેનન્સ) સંબંધિત બાબતો અંગે રશિયા સાથે વધુ વાતચીત કરી શકે છે.</p><p><br></p><p>મોદી-પુતિન મુલાકાત ઉપરાંત, બ્રિક્સના અન્ય સભ્ય દેશોના પ્રતિનિધિઓ પણ આજે દિલ્હી પહોંચશે. તેમને શહેરની વિવિધ હોટલોમાં ઉતારો આપવામાં આવશે. તમામ સભ્ય દેશોના પ્રતિનિધિઓ 12-13 સપ્ટેમ્બરના રોજ ભારત મંડપમ ખાતે યોજાનારી બ્રિક્સ સમિટમાં ચર્ચા-વિચારણા કરશે, જેના માટે દિલ્હીમાં સુરક્ષાની વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે.</p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/delhi-weather-today--imd-red-alert--rain-relief-during-brics-summit-2026" target="_blank"><b>BRICS Summit વચ્ચે આગામી થોડાક કલાક દિલ્હી માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/wJQGNpCZafY8ynJWswe80Vsl4j67e3xLHeIV8qSs.webp'/></item><item><title><![CDATA[Banking સેક્ટરમાં મોટો ફેરફાર, 6 મોટી બેંકોમાં CEO બદલાવની શક્યતા ]]></title><link>https://sandesh.com/business/news/indian-banking-ceo-changes-hdfc-kotak-icici-axis-sbi-2027</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/indian-banking-ceo-changes-hdfc-kotak-icici-axis-sbi-2027</guid><pubDate>Fri, 11 Sep 2026 16:11:10 +05:30</pubDate><description><![CDATA[<p>Indian Banking: ભારતીય બેંકિંગ સેક્ટરમાં આગામી લગભગ દોઢ વર્ષમાં નેતૃત્વ સ્તરે મોટા ફેરફાર જોવા મળી શકે છે. ઓછામાં ઓછા 6 મોટી ભારતીય બેંકોમાં 2027ના અંત સુધી CEO અને ટોચના નેતૃત્વને લઈને નિર્ણયો થવાના છે. આવી સ્થિતિમાં બેંકોના બોર્ડ સામે યોગ્ય ઉત્તરાધિકારી પસંદ કરવાનો સૌથી મોટો પડકાર રહેશે.</p><p><b>HDFC Bank અને Kotak Mahindra Bankમાં સૌથી પહેલા નિર્ણય</b></p><p>સૌથી પહેલા HDFC Bank અને Kotak Mahindra Bankમાં નેતૃત્વને લઈને નિર્ણય થવાનો છે. HDFC Bankના MD અને CEO શશિધર જગદીશનનો હાલનો ત્રણ વર્ષનો કાર્યકાળ 26 ઓક્ટોબર 2026ના રોજ પૂરો થશે. તેઓ પહેલેથી જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ આગામી કાર્યકાળ માટે અરજી નહીં કરે.</p><p><b>HDFC Bankમાં કૌઝાદ ભરુચા દાવેદાર</b></p><p>ધ ઇકોનોમિક્સ ટાઈમ્સના અહેવાલ મુજબ, HDFC Bankમાં ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર કૌઝાદ ભરુચાને મુખ્ય આંતરિક દાવેદાર માનવામાં આવી રહ્યા છે. જોકે, તેમના મામલે RBIનો 15 વર્ષના સતત કાર્યકાળનો નિયમ મહત્વનો રહેશે. ભરુચા જૂન 2014માં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બન્યા હતા અને 2029માં આ મર્યાદા સુધી પહોંચી જશે.</p><p><b>Kotak Bankમાં ત્રણ નામ ચર્ચામાં</b></p><p>Kotak Mahindra Bankના CEO અશોક વાસવાણીનો પ્રથમ ત્રણ વર્ષનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2026ના રોજ પૂરો થશે. બેંક પાસે ઘણા વરિષ્ઠ આંતરિક ઉમેદવારો છે. તેમાં અનૂપ સાહા, પારિતોષ કશ્યપ અને જયદીપ હંસરાજના નામ સામેલ છે. બેંક તરફથી બે નામ RBIની મંજૂરી માટે મોકલવામાં આવી ચૂક્યા છે.</p><p><b>ICICI Bankમાં પણ નેતૃત્વ બદલાવની શક્યતા</b></p><p>ICICI Bankમાં પણ નેતૃત્વ બદલાવની શક્યતા પર નજર રાખવામાં આવી રહી છે. હાલના CEO સંદીપ બક્ષીએ અગાઉની નિમણૂક સમયે ટૂંકા કાર્યકાળની પસંદગી કરી હતી. બેંક પાસે ઘણા અનુભવી વરિષ્ઠ અધિકારીઓ છે. તેથી ઉત્તરાધિકારી પસંદ કરવા માટે બોર્ડ સામે ઘણા વિકલ્પો હોઈ શકે છે.</p><p><b>Axis Bankમાં પણ નેતૃત્વ બદલાઈ શકે</b></p><p>Axis Bankના CEO અમિતાભ ચૌધરીનો હાલનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2027 સુધી છે. તેઓ બેંકના વડા તરીકે 9 વર્ષ પૂર્ણ કરશે. RBIના નિયમો હેઠળ તેમની ઉંમર અને કુલ કાર્યકાળને ધ્યાનમાં રાખીને તેમને આગળ પણ તક મળી શકે છે. બેંકમાં સુબ્રત મોહંતી, મુનીશ શારદા અને નીરજ ગંભીર જેવા વરિષ્ઠ અધિકારીઓ સંભવિત છે.</p><p><b>SBIમાં 2027માં નિર્ણય</b></p><p>દેશની સૌથી મોટી બેંક State Bank of Indiaના ચેરમેન સી.એસ. શેટ્ટીનો ત્રણ વર્ષનો કાર્યકાળ લગભગ ઓગસ્ટ 2027 સુધી રહેશે. SBIમાં ઉત્તરાધિકારી પસંદ કરવાની પ્રક્રિયા સામાન્ય રીતે વધુ વ્યવસ્થિત હોય છે. મેનેજિંગ ડિરેક્ટરોની ટીમમાંથી સંભવિત નામ સામે આવે છે.</p><p><b>IDBI, Ujjivan અને Finoમાં પણ બદલાવ</b></p><p>આ ઉપરાંત IDBI Bankના CEO રાકેશ શર્માનો કાર્યકાળ માર્ચ 2028માં પૂરો થશે. બીજી તરફ Ujjivan Small Finance Bank અને Fino Payments Bankમાં પણ CEO સ્તરે બદલાવની પ્રક્રિયા ચાલી રહી છે.</p><p><b>બેંકો સામે મોટો પડકાર</b></p><p>બેંકો માટે આ નેતૃત્વ બદલાવ સરળ નહીં હોય. NBFC અને ફિનટેક કંપનીઓ તરફથી વધી રહેલી સ્પર્ધા વચ્ચે અનુભવી બેંકિંગ અધિકારીઓની સંખ્યા મર્યાદિત છે. આવી સ્થિતિમાં ઘણી બેંકો એક જ વરિષ્ઠ અધિકારીને પોતાના નેતૃત્વ માટે પસંદ કરી શકે છે.</p><p><b>ઇન્ટરનલ કે બહારના ઉમેદવાર</b></p><p>નિષ્ણાતોના મતે, બેંક બોર્ડ સામે સૌથી મોટો પડકાર સ્થિરતા અને નવી વ્યૂહરચના વચ્ચે સંતુલન જાળવવાનો રહેશે. આંતરિક ઉમેદવારો બેંકની સંસ્કૃતિ અને સિસ્ટમને સારી રીતે જાણે છે, જ્યારે બહારથી આવનારા ઉમેદવારો નવી વિચારસરણી અને ક્ષમતાઓ લાવી શકે છે. જોકે, બહારની નિમણૂકમાં બદલાવ દરમિયાન જોખમ પણ વધારે હોઈ શકે છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/nationwide-bank-strike-for-5-day-work-week--75-000-employees-join-in-gujarat---15-000-cr-transactions-hit" target="_blank">આ પણ વાંચો: 5-ડે વર્કિંગ માટે બેન્ક કર્મચારીઓનો હલ્લાબોલ, ગુજરાતમાં રૂ.15,000 કરોડના વ્યવહારો થંભ્યા, ગ્રાહકો હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/6vELhfdmXTQlPzqm155nCZ924ODOw6YUkUcW8h3Y.webp'/></item><item><title><![CDATA[BRICS Summit વચ્ચે આગામી થોડાક કલાક દિલ્હી માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ ]]></title><link>https://sandesh.com/india/news/delhi-weather-today--imd-red-alert--rain-relief-during-brics-summit-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/delhi-weather-today--imd-red-alert--rain-relief-during-brics-summit-2026</guid><pubDate>Fri, 11 Sep 2026 16:06:37 +05:30</pubDate><description><![CDATA[<p>BRICS Summit: રાજધાની દિલ્હીના રહેવાસીઓને શુક્રવારે (11 સપ્ટેમ્બર) હળવાથી મધ્યમ વરસાદ બાદ રાહત મળી હતી. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે આગામી થોડા કલાકો માટે દિલ્હીમાં 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે. મધ્ય દિલ્હી સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો.</p><p><br></p><p>ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું છે કે આગામી કલાકોમાં અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. IMD એ તેના જિલ્લા-સ્તરના 'નાઉકાસ્ટ' (તાત્કાલિક હવામાનની આગાહી) ના ભાગરૂપે 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે. હવામાનશાસ્ત્રીઓએ સંકેત આપ્યો છે કે સાંજના સમયે રાષ્ટ્રીય રાજધાનીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે અને વરસાદનો આ દોર આગામી બે દિવસ એટલે કે રવિવાર સુધી ચાલુ રહેવાની શક્યતા છે.</p><p><br></p><h4><b>દિલ્હીમાં હવામાનમાં ફેરફાર</b></h4><p>છેલ્લા બે દિવસમાં દિલ્હીના હવામાનમાં ફેરફાર જોવા મળ્યો છે. હવામાન વિભાગે સપ્ટેમ્બર મહિનામાં સતત વરસાદની આગાહી કરી હતી, પરંતુ છેલ્લા બે દિવસમાં જૂન અને જુલાઈ મહિના જેવો ભારે તડકો અને ભેજ જોવા મળ્યો હતો, જેના કારણે લોકોને અગવડતાનો સામનો કરવો પડ્યો હતો. જોકે, IMD હવે શુક્રવાર, શનિવાર અને રવિવારે દિલ્હી-NCRમાં વરસાદની આગાહી કરી રહ્યું છે; તેનાથી તાપમાનમાં ઘટાડો થવાની અને વધતા પ્રદૂષણના સ્તરમાં ઘટાડો થવાની અપેક્ષા છે.</p><p><br></p><p>હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 11 સપ્ટેમ્બરે દિલ્હીનું મહત્તમ તાપમાન 33°C અને લઘુત્તમ તાપમાન 26°C રહેવાની ધારણા છે. વરસાદની સાથે આકાશમાં ગાઢ વાદળો છવાયેલા રહેશે. વરસાદને કારણે હવાની ગુણવત્તા સૂચકાંક (AQI) માં પણ સુધારો થઈ રહ્યો છે.</p><p><br></p><h4><b>આગામી દિવસોમાં દિલ્હીનું હવામાન કેવું રહેશે?</b></h4><p>શનિવારે (12 સપ્ટેમ્બર) દિલ્હીમાં તાપમાનમાં થોડો ઘટાડો થવાની ધારણા છે, જેમાં મહત્તમ તાપમાન 31°C અને લઘુત્તમ તાપમાન 25°C રહેવાની શક્યતા છે. તે દિવસે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રવિવારે (13 સપ્ટેમ્બર) હળવા વરસાદની અપેક્ષા છે અને તાપમાન મહત્તમ 32°C થી લઘુત્તમ 26°C ની વચ્ચે રહેશે.</p><p><br></p><p>સોમવારે (14 સપ્ટેમ્બર) તાપમાન 31°C અને 25°C ની વચ્ચે રહેવાની ધારણા છે. મંગળવારે (15 સપ્ટેમ્બર) મહત્તમ તાપમાન ઘટીને 31 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. બુધવારે (16 સપ્ટેમ્બર) સામાન્ય રીતે વાદળછાયું આકાશ અને હળવા વરસાદની શક્યતા છે; મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/gauhati-hc-says-talaq-e-hasan-not-banned--registration-under-new-assam-law" target="_blank"><b>Talaq-e-Hasan: પતિએ 3 મહિનામાં ત્રણ વખત કહ્યું - તલાક, કોર્ટે કહ્યું કે 'ભારતમાં આ પદ્ધતિ પર કોઈ કાયદાકીય રોક નથી'</b></a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/q660Fmb1EQjSH5b450g9OtcBrHEmGXLfGRVBUkRa.webp'/></item><item><title><![CDATA[Mehsana: નંદાલી ગામની સીમમાં કોંગ્રેસ તાલુકા ઉપપ્રમુખ પર ફાયરિંગ, દેશી બંદૂકમાંથી છોડેલી ગોળી કમરમાંથી આરપાર નીકળી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/kheralu-nandali-firing-congress-leader-kanuji-parmar-injured-3-rounded-up</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/kheralu-nandali-firing-congress-leader-kanuji-parmar-injured-3-rounded-up</guid><pubDate>Fri, 11 Sep 2026 15:56:34 +05:30</pubDate><description><![CDATA[<p>મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા કરતી ગંભીર ઘટના સામે આવી છે. ખેરાલુ તાલુકાના નંદાલી ગામના વતની અને ખેરાલુ તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ કનુજી ઉદાજી પરમાર મોડી સાંજના સુમારે પોતાના ઘરેથી ખેતરમાં ચાલીને જઈ રહ્યા હતા. તે સમયે નંદાલી ગામની સીમમાં (મિયાસણ નજીક) અજાણ્યા શખ્સે તેમની સામે દેશી બંદૂકમાંથી ફાયરિંગ કર્યું હતું.</p><p><b>નંદાલી ગામની સીમમાં દેશી બંદૂકમાંથી ફાયરિંગ કર્યું</b></p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2098329940878102731"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>નંદાલી ગામની સીમમાં કોંગ્રેસ તાલુકા ઉપપ્રમુખ પર ફાયરિંગ</b></h2><p>ફાયરિંગ દરમિયાન ધાણીફૂટ ગોળી કનુજી પરમારની ડાબી બાજુ કમરના ભાગે વાગીને શરીરની આરપાર નીકળી ગઈ હતી. ઘટનાને પગલે લોહીલુહાણ હાલતમાં પડેલા કનુજીને તાત્કાલિક વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી તેમની ગંભીર હાલતને ધ્યાને રાખી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે.</p><h3><b>દેશી બંદૂકમાંથી છોડેલી ગોળી કમરમાંથી આરપાર નીકળી</b></h3><p>બનાવની જાણ થતાં જ ખેરાલુ પોલીસ સ્ટેશનનો કાફલો, મહેસાણા એલસીબી (LCB) અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ડોગ સ્ક્વોડની મદદથી સીમ વિસ્તારમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી દિશામાં નાકાબંધી કરવામાં આવી હતી.અત્યાર સુધીની ત્વરિત તપાસ દરમિયાન પોલીસે ૩ શંકાસ્પદ ઈસમોને રાઉન્ડઅપ કરી કસ્ટડીમાં લીધા છે. આ ફાયરિંગ પાછળનું કારણ અંગત મનદુઃખ, જૂની રંજિશ કે અન્ય કોઈ રાજકીય બાબત છે તે અંગે પોલીસ દ્વારા અટકાયત કરાયેલા શખ્સોની ઊંડાણપૂર્વક પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/saroli-textile-merchant-cheated-25-lakhs-howrah-trader" target="_blank">આ પણ વાંચો: Surat: શરૂઆતમાં સમયસર પેમેન્ટ આપી જીત્યો વિશ્વાસ; બાદમાં 25 લાખનો માલ લઈ ગાયબ</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/Y3YsB2bdhzAO1fG7R8uYERmLbdptGcHfTklEEMQ4.webp'/></item><item><title><![CDATA[Khuda Gawah : શ્રીદેવીને મનાવવા અમિતાભ બચ્ચને મોકલી હતી ફૂલો ભરેલી ટ્રક, બોલીવુડનો અજાણ્યો કિસ્સો! ]]></title><link>https://sandesh.com/entertainment/news/amitabh-bachchan-sridevi-truck-full-flowers-film-rejection</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/amitabh-bachchan-sridevi-truck-full-flowers-film-rejection</guid><pubDate>Fri, 11 Sep 2026 15:54:13 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મોટા પડદા પર આપણે ઘણી ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઓ જોઈએ છીએ, પરંતુ પડદા પાછળ પણ ઘણી મજેદાર અને સુંદર કહાણીઓ છુપાયેલી હોય છે. આવો જ એક કિસ્સો અમિતાભ બચ્ચન અને શ્રીદેવી સાથે જોડાયેલો છે.</p><h2 style="text-align: justify; "><b>શ્રીદેવીએ ફિલ્મ કરવાની ના પાડી હતી</b></h2><p style="text-align: justify; ">આ કિસ્સા મુજબ 1992માં રિલીઝ થયેલી ફિલ્મ ખુદા ગવાહમાં દિગ્દર્શક અમિતાભ બચ્ચન સાથે શ્રીદેવીને લેવા માગતા હતા, પરંતુ તે સમયે અભિનેત્રી માત્ર ગ્લેમરસ ભૂમિકા કરવા માગતી નહોતી. તેથી તેમણે આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી.</p><h3 style="text-align: justify; "><b>અમિતાભ બચ્ચને ફૂલોથી ભરેલો ટ્રક મોકલ્યો હતો</b></h3><p style="text-align: justify; ">શ્રીદેવી તે સમયની ટોચની અભિનેત્રીઓમાંની એક હતી. જ્યારે તેમણે ફિલ્મ કરવાની ના પાડી ત્યારે અમિતાભ બચ્ચને તેમને મનાવવા માટે એક ખાસ રીત અપનાવી. અમિતાભ બચ્ચને શૂટિંગ સેટ પર શ્રીદેવી માટે ગુલાબના ફૂલોથી ભરેલો આખો ટ્રક મોકલ્યો. આ જોઈને શ્રીદેવી આશ્ચર્યચકિત થઈ ગઈ હતી, પરંતુ સાથે ખુશ પણ થઈ હતી. બિગ બીની આ રીતે મનાવવાની રીત તેમને ખૂબ ગમી અને તેમણે ફિલ્મ માટે હા પાડી દીધી. કોરિયોગ્રાફર સરોજ ખાને એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ટ્રક આવ્યો હતો અને તેના બધા ગુલાબ શ્રીદેવી પર વરસાવવામાં આવ્યા હતા. એ પળ ખૂબ સુંદર લાગી રહી હતી.<br><img alt="Amitabh Bachchan Sridevi movie (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/11/aARadX7f0zvdJzWu6XYoGFqv3KF5CZyhHpRezQti.webp"><br></p><h3 style="text-align: justify; "><b>અભિનેત્રીએ એક શરત મૂકી હતી</b></h3><p style="text-align: justify; ">જોકે ફિલ્મ માટે હા પાડવાની સાથે જ અભિનેત્રીએ એક શરત પણ મૂકી હતી. તેમની શરત હતી કે તેઓ ફિલ્મમાં મા અને દીકરીની બેવડી ભૂમિકા ભજવશે. ખુદા ગવાહ 1992ની ભારતીય ક્રાઇમ-એક્શન ફિલ્મ છે, જેને મુકુલ એસ. આનંદે લખી અને દિગ્દર્શિત કરી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, શ્રીદેવી, નાગાર્જુન, શિલ્પા શિરોડકર, ડેની ડેન્ઝોંગપા અને કિરણ કુમારે મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. શ્રીદેવીએ ફિલ્મમાં બેવડી ભૂમિકા ભજવી હતી.</p><h3 style="text-align: justify; "><b>શું છે ફિલ્મની સ્ટોરી?</b></h3><p style="text-align: justify; ">ફિલ્મનું સંગીત લક્ષ્મીકાંત-પ્યારેલાલે આપ્યું હતું. ઇન્કલાબ 1984 અને આખરી રસ્તા 1986 પછી ખુદા ગવાહ શ્રીદેવી અને અમિતાભ બચ્ચનની સાથેની ત્રીજી ફિલ્મ હતી. અફઘાનિસ્તાન અને ભારતની પૃષ્ઠભૂમિ પર બનેલી આ ફિલ્મ બાદશાહ ખાનની કહાણી છે. તે એક અફઘાન યોદ્ધા છે, જે પોતાની પ્રેમિકા બેનઝીરના પિતાની હત્યાનો બદલો લેવા ભારત આવે છે. પોતાનું કામ પૂરું કર્યા પછી તેના પર બીજી હત્યાનો ખોટો આરોપ મૂકવામાં આવે છે અને તેને ભારતમાં જેલમાં મોકલી દેવામાં આવે છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/45-year-old-film-3-national-awards-actress-rekha" target="_blank">આ પણ વાંચો-Classic Cinema : 45 વર્ષ જૂની ફિલ્મ અને 3 નેશનલ એવોર્ડ! લીડ એક્ટ્રેસે શાનદાર એક્ટિંગથી રચ્યો હતો ઈતિહાસ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/RFi6N1Zp8eEpwGNtquf1vRqvbyU45mWSg4pbdqle.webp'/></item><item><title><![CDATA[Bharuch News: બેંક કર્મચારીઓની હડતાળ, કાળા કપડાં પહેરી 5-ડે બેંકિંગની માગ સાથે વિરોધ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/bank-employees-strike-black-clothes-protest-5-day-banking</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/bank-employees-strike-black-clothes-protest-5-day-banking</guid><pubDate>Fri, 11 Sep 2026 15:54:03 +05:30</pubDate><description><![CDATA[<p>ભરૂચ શહેરમાં આજે બેંક કર્મચારીઓ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને આક્રમક મોડમાં જોવા મળ્યા હતા. અખિલ ભારતીય સ્તરે અપાયેલા આહ્વાનના ભાગરૂપે ભરૂચના સ્ટેશન રોડ પર આવેલી બેંક ઓફ બરોડાની મુખ્ય શાખા ખાતે મોટી સંખ્યામાં બેંક કર્મચારીઓ એકઠા થયા હતા. વિરોધને વધુ અસરકારક બનાવવા માટે તમામ કર્મચારીઓ કાળા કપડાં પહેરીને આવ્યા હતા અને બેંકિંગ ક્ષેત્રના કર્મચારીઓના અધિકારો માટે અવાજ ઉઠાવ્યો હતો.</p><h2><b>સૂત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું પરિસર, 5-ડે બેંકિંગ સહિતની માંગણીઓ દોહરાવાઈ</b></h2><p>એકત્ર થયેલા બેંક કર્મચારીઓએ પોતાની ન્યાયિક માંગણીઓના સમર્થનમાં જોરદાર સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનનું મુખ્ય પાસું બેંકિંગ સેક્ટરમાં સપ્તાહમાં 5-ડે બેંકિંગ (પાંચ દિવસનું કામકાજ) અમલી બનાવવાનું છે. આ ઉપરાંત વેતન સુધારો, પેન્શન યોજનામાં સુધારા અને અન્ય પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે કર્મચારીઓએ એકસૂરે તંત્ર પાસે માંગ કરી હતી.</p><h2><img alt="Bharuch News Bank employees strike protest wearing black clothes demanding 5-day banking" src="https://epapercdn.sandesh.com/images/2026/09/11/Q72D7r6ZD6FIhVmdp3SPmPHf4QrDjTcm8KWJt125.webp"><b><br></b></h2><h2><b>બેંકિંગ કામગીરી પર માઠી અસર, ગ્રાહકો હેરાન-પરેશાન</b></h2><p>કર્મચારીઓની આ હડતાળના કારણે ભરૂચ શહેરમાં બેંકિંગ સેવાઓ પર સીધી વિપરીત અસર જોવા મળી હતી. બેંકોમાં કેશ કાઉન્ટર, ચેક ક્લિયરિંગ અને અન્ય રોજિંદી કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ થઈ જતાં સામાન્ય નાગરિકો તેમજ વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. </p><p><img alt="Bharuch News Bank employees strike protest wearing black clothes demanding 5-day banking" src="https://epapercdn.sandesh.com/images/2026/09/11/D86pfCw3esiIylstXgUQAWHGkYXUXXYhvRPIqIh4.webp"><br></p><p>કર્મચારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો તેમની માંગણીઓ વહેલી તકે સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/crime-branch-raid-ankleshwar-kapodra-patiya-chemical-seized" target="_blank">Bharuch News: અંકલેશ્વરમાં 10.34 લાખનો શંકાસ્પદ કેમિકલનો જથ્થો ઝડપાયો, 2 ની ધરપકડ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/VYTlA5MU2EAXzDigUfnqikx8x4WcBSqzEHUqpw96.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : ખેડૂતોના હકનું યુરિયા ફેક્ટરીઓમાં ઠલવાતું હતું? વટવામાં 857 બોરીનો જથ્થો ઝડપાયો, એક આરોપીની ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-vatva-neem-coated-urea-scam-farmers-fertilizer-seized</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-vatva-neem-coated-urea-scam-farmers-fertilizer-seized</guid><pubDate>Fri, 11 Sep 2026 15:27:13 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના વટવા વિસ્તારમાં ખેડૂતોને મળવાપાત્ર નીમ કોટેડ યુરિયાનો ગેરકાયદે સંગ્રહ અને ઔદ્યોગિક એકમોમાં હેરફેર કરવાના કથિત કૌભાંડનો પર્દાફાશ થયો છે. વટવા GIDC પોલીસે શ્રદ્ધા એસ્ટેટમાં દરોડો પાડી 857 બોરી યુરિયા કબજે કર્યું છે. આ જથ્થાની કિંમત રૂ.2.29 લાખ હોવાનું સામે આવ્યું છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 4 આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>25 ઓગસ્ટની રેડમાં સામે આવ્યો મોટો જથ્થો</b></h2><p style="text-align: justify; ">25 ઓગસ્ટે વટવા GIDC પોલીસે શ્રદ્ધા એસ્ટેટમાં બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. ખેતી નિયામકની હાજરીમાં કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન ગેરકાયદે રીતે સંગ્રહ કરાયેલો નીમ કોટેડ યુરિયાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ત્યારબાદ FSL રિપોર્ટ મળ્યા બાદ પોલીસે કુલ 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>મણીધર પ્લાસ્ટોના ગોડાઉનમાં શું ચાલતું હતું?</b></h3><p style="text-align: justify; ">પોલીસ તપાસમાં સામે આવ્યું કે શ્રદ્ધા એસ્ટેટમાં ‘મણીધર પ્લાસ્ટો’ના નામે ગોડાઉન ભાડે લેવામાં આવ્યું હતું. આ ગોડાઉનમાં આરોપી રાયમલ ભરવાડ દ્વારા મોકલવામાં આવેલો નીમ કોટેડ યુરિયાનો જથ્થો રાખવામાં આવ્યો હતો. પોલીસે 857 બોરી કબજે કરી હોવાનું જણાવ્યું છે.</p><h4 style="text-align: justify; "><b>એક આરોપી ઝડપાયો, 4 હજુ ફરાર</b></h4><p style="text-align: justify; ">આ કેસમાં અર્જુન સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે રાયમલ ભરવાડ, હિમાંશુ પટેલ, અંકિત પટેલ અને વિપુલ પટેલ ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ અને કાર્યવાહી તેજ કરી છે.</p><h4 style="text-align: justify; "><b>ખેડૂતોને બાયોમેટ્રિકથી મળતું ખાતર ફેક્ટરી સુધી કેવી રીતે પહોંચ્યું?</b></h4><p style="text-align: justify; ">નીમ કોટેડ યુરિયા સામાન્ય રીતે સરકાર માન્ય એગ્રો સેન્ટર અથવા સરકારી મંડળી મારફતે ખેડૂતોને આપવામાં આવે છે. ખાતર મેળવવા માટે ખેડૂતોનું આધાર કાર્ડ અને બાયોમેટ્રિક પ્રક્રિયા પણ થાય છે. તેમ છતાં ખેડૂતો માટેના ખાતરનો જથ્થો ઔદ્યોગિક એકમો સુધી પહોંચતો હોવાના આક્ષેપોએ ગંભીર સવાલો ઉભા કર્યા છે.</p><h4 style="text-align: justify; "><b>કૌભાંડ પાછળ હજુ કેટલા નામ બહાર આવશે?</b></h4><p style="text-align: justify; ">પોલીસની તપાસ હવે માત્ર 857 બોરીના જથ્થા સુધી સીમિત નથી. આ જથ્થો ક્યાંથી આવ્યો, કોના કહેવાથી મંગાવવામાં આવ્યો અને તેને કયા ઔદ્યોગિક એકમોમાં પહોંચાડવાનો હતો તે સૌથી મોટો સવાલ છે. ફરાર આરોપીઓ ઝડપાયા બાદ ખેડૂતોના હકના યુરિયાની કથિત ગેરકાયદે હેરફેરનું આખું નેટવર્ક બહાર આવે છે કે કેમ તે જોવું મહત્વનું રહેશે.&nbsp; &nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">&nbsp;આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; &nbsp;<a href="https://sandesh.com/world/news/sports/malaysia-football-legend-abdul-alif-marriage-72-year-old-20-year-old-wife#google_vignette" target="_blank"><b> Malaysia : 72 વર્ષના ફૂટબોલ દિગ્ગજે 20 વર્ષની યુવતી સાથે કર્યા લગ્ન, તસવીરો વાયરલ થતાં પરિવારે કરી પુષ્ટિ</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/OAWos7yvFgiRgZ6Ce7ULlcrmjgkPvXwMs4qZPiez.webp'/></item><item><title><![CDATA[Surat: કોસાડ આવાસમાં મેગા ડિમોલિશન, સરકારી જમીન પરના દબાણો પર ચાલ્યું જેસીબી ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/kosad-awas-mega-demolition-smc-police-bulldozer-action-amroli</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/kosad-awas-mega-demolition-smc-police-bulldozer-action-amroli</guid><pubDate>Fri, 11 Sep 2026 15:24:02 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાત સરકાર દ્વારા અસામાજિક તત્વો અને ગેરકાયદે બાંધકામો સામે શરૂ કરવામાં આવેલી આકરી ઝુંબેશના ભાગરૂપે સુરત શહેરમાં પણ 'દાદાનું બુલડોઝર' ફરી વળ્યું છે. સુરતના અમરોલી પોલીસ સ્ટેશન સીમા હેઠળ આવેલા કોસાડ આવાસ H-૨ વિસ્તારમાં SMC (સુરત મહાનગરપાલિકા) અને પોલીસ વિભાગ દ્વારા મોટા પાયે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.</p><h2><b>સુરતમાં અસામાજિક તત્વો સામે 'દાદાનું બુલડોઝર' ચાલ્યું</b></h2><p>કોસાડ આવાસની બહાર આવેલા સરકારી પ્લોટ અને રોડ-રસ્તાઓ પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર કબ્જો કરીને દબાણો ખડકી દેવામાં આવ્યા હતા. આ અંગે અવારનવાર ફરિયાદો મળતાં તંત્ર દ્વારા જેસીબી અને બુલડોઝરની મદદથી તમામ ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડીને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હતા. આ સમગ્ર મેગા ઓપરેશન નાયબ પોલીસ કમિશનર (DCP) લખધીરસિંહ ઝાલાની સીધી હાજરી અને સુપરવિઝનમાં પાર પાડવામાં આવ્યું હતું. જે વિસ્તારમાં ડિમોલિશન હાથ ધરાયું હતું ત્યાં અગાઉ અસામાજિક તત્વો અને ભૂમાફિયાઓનો ભારે ત્રાસ હોવાના અહેવાલો હતા. જેથી ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત અને અભેદ્ય પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.</p><h3><b>કોસાડ આવાસ H-2 માં ડિમોલિશન</b></h3><p>વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે સુરત શહેરમાં શાંતિ અને કાયદાનું શાસન જાળવવા માટે આવા ભૂમાફિયાઓ અને ગેરકાયદે દબાણકારો સામે લાલ આંખ ચાલુ જ રહેશે. કાયદાનું ઉલ્લંઘન કરનાર કોઈપણ તત્વ કે અસામાજિક ઈસમને ભવિષ્યમાં પણ બક્ષવામાં આવશે નહીં.</p><p><a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad---8-63-lakh-pmay-housing-scam-exposed-via-rti--case-booked-against-pankaj-prajapati" target="_blank">&nbsp;</a><b><a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad---8-63-lakh-pmay-housing-scam-exposed-via-rti--case-booked-against-pankaj-prajapati" target="_blank">આ પણ વાંચો: Ahmedabadમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે મોટું કૌભાંડ, 65 ગરીબો પાસેથી રૂ.8.63 લાખ પડાવાયા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/r1A8q9AYVUR9gHxPMncozFjbP4wibG6nC9x9BECO.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના જમાલપુરમાં AMC નું મોટું ડિમોલેશન, પરવાનગી વિના ચાલતું ગેરકાયદે બાંધકામ કરાયું જમીનદોસ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad--amc-demolishes-illegal-building-in-jamalpur-after-seal-violation</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad--amc-demolishes-illegal-building-in-jamalpur-after-seal-violation</guid><pubDate>Fri, 11 Sep 2026 15:16:13 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના એસ્ટેટ અને ટીડીઓ વિભાગ દ્વારા ગેરકાયદે બાંધકામો સામે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. કોઈપણ પ્રકારની રજા-ચિઠ્ઠી કે મંજૂરી વગર ઉભા કરી દેવાયેલા બિલ્ડિંગ પર મનપાના બુલડોઝર ફરી વળ્યા હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી આ સ્થળે ગેરકાયદેસર રીતે બાંધકામ ધમધમી રહ્યું હતું, જેને લઈને મનપામાં પણ ફરિયાદો ઉઠી હતી.</p><h2 style="text-align: justify; "><b>નોટિસ અને સીલ છતાં ચાલુ રાખ્યું બાંધકામ</b></h2><p style="text-align: justify; ">મનપાના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ગેરકાયદે બાંધકામ સંદર્ભે અગાઉ મનપા દ્વારા કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિસ આપ્યા બાદ પણ બાંધકામ બંધ ન થતાં AMC ની ટીમે આ બિલ્ડિંગને સીલ કરી દીધું હતું. જોકે, બિલ્ડર કે નિર્માણકર્તાએ મનપાના સીલની પણ કોઈ પરવા કર્યા વગર સીલ મારેલી બિલ્ડિંગમાં જઈને છૂપી રીતે બાંધકામ ચાલુ જ રાખ્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>કાયદાનો અનાદર કરનારા સામે આકરી કાર્યવાહી</b></h2><p style="text-align: justify; ">સીલનો અનાદર કરીને ફરીથી બાંધકામ ચાલુ રાખવામાં આવ્યું હોવાની જાણ થતાં જ AMC ની ટીમ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને ડિમોલેશનની કામગીરી શરૂ કરી દીધી હતી. મનપાએ કડક વલણ અપનાવીને આખું ગેરકાયદે માળખું તોડી પાડ્યું હતું. AMC ની આ સપાટાબંધ કાર્યવાહીથી શહેરમાં પરવાના વગર ગેરકાયદે બાંધકામ કરનારા તત્વો અને બિલ્ડરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad---8-63-lakh-pmay-housing-scam-exposed-via-rti--case-booked-against-pankaj-prajapati" target="_blank">Ahmedabadમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે મોટું કૌભાંડ, 65 ગરીબો પાસેથી રૂ.8.63 લાખ પડાવાયા</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/Ng2L8q2PsbYL5aXV9wclAuRZaIoHbrlRgfW00JDA.webp'/></item><item><title><![CDATA[Delhi High Court : વિનેશ ફોગાટને મોટો ઝટકો, વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલમાંથી બહાર ]]></title><link>https://sandesh.com/sports/news/vinesh-phogat-world-championship-trials-delhi-high-court</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/vinesh-phogat-world-championship-trials-delhi-high-court</guid><pubDate>Fri, 11 Sep 2026 09:21:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને આંતરરાષ્ટ્રીય કુસ્તીમાં વાપસીના પ્રયાસ વચ્ચે મોટો ઝટકો લાગ્યો છે.દિલ્હી હાઈકોર્ટે 2026 સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપની પસંદગી માટે યોજાનારી ટ્રાયલમાં વિનેશને ભાગ લેવાની વચગાળાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે.આ નિર્ણય બાદ વિનેશ માટે 14 સપ્ટેમ્બરે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં યોજાનારી પસંદગી ટ્રાયલમાં ઉતરવાનો રસ્તો બંધ થઈ ગયો છે.જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ ગુરુવારે મોડી રાત્રે વિનેશ ફોગાટની વચગાળાની રાહતની માગ કરતી અરજી ફગાવી દીધી હતી.</p><h4 style="text-align: justify; "><b>દિલ્હી હાઈકોર્ટે શું કહ્યું</b></h4><p style="text-align: justify; ">અદાલતે કહ્યું કે ભારતીય કુસ્તી મહાસંઘ દ્વારા નક્કી કરવામાં આવેલી પાત્રતાની શરતો કોઈ એક ખેલાડી માટે અલગ રીતે લાગુ કરી શકાય નહીં.અદાલતે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું કે 7 સપ્ટેમ્બર 2026ના પરિપત્રમાં નક્કી કરાયેલા માપદંડ તમામ ખેલાડીઓ માટે સમાન છે.જો કોઈ કુસ્તીબાજે નક્કી કરાયેલી સ્પર્ધામાં ભાગ લીધો નથી,તો તે વર્તમાન નિયમો હેઠળ ટ્રાયલ માટે પાત્ર ગણાતો નથી.</p><h5 style="text-align: justify; "><b>વિનેશ ફોગાટે અદાલતનો દરવાજો કેમ ખખડાવ્યો?</b></h5><p style="text-align: justify; ">વિનેશ ફોગાટે ભારતીય કુસ્તી મહાસંઘના નવા પસંદગી નિયમોને પડકાર્યા હતા.7 સપ્ટેમ્બરે જાહેર કરાયેલા પરિપત્રમાં 2026 સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ માટેના ટ્રાયલમાં ભાગ લેવા માટે છ ઓલિમ્પિક વજન વર્ગો માટે પાત્રતાના નિયમો નક્કી કરવામાં આવ્યા છે.આ નિયમો હેઠળ કેટલીક નિર્ધારિત સ્પર્ધાઓના ચંદ્રક વિજેતા, રાષ્ટ્રીય તાલીમ શિબિરમાં સામેલ કુસ્તીબાજો અને 2026 અંડર-20 વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પસંદ થયેલા ખેલાડીઓ પાત્ર બને છે.વિનેશનું કહેવું હતું કે માતૃત્વના કારણે તે કેટલીક મહત્વની પસંદગી સ્પર્ધાઓમાં ભાગ લઈ શકી નહોતી.તેથી હાલના નિયમો તેમના માટે વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ સુધી પહોંચવાનો માર્ગ બંધ કરે છે.વિનેશે સીધી રીતે વર્લ્ડ ચેમ્પિયનશિપની ટીમમાં પસંદગીની માગ કરી નહોતી. તેમની માગ માત્ર એટલી હતી કે તેમને ટ્રાયલમાં ભાગ લેવાની તક આપવામાં આવે અને ત્યારબાદ તેમના પ્રદર્શનના આધારે ટીમમાં પસંદગી કરવામાં આવે.</p><h4 style="text-align: justify; "><b>એશિયન ગેમ્સના ટ્રાયલનો પણ આપ્યો હતો હવાલો</b></h4><p style="text-align: justify; ">વિનેશે પોતાની દલીલમાં 30 મેના એશિયન ગેમ્સના પસંદગી ટ્રાયલનો પણ ઉલ્લેખ કર્યો હતો.તેમણે 53 કિલોગ્રામ વજન વર્ગમાં ભાગ લીધો હતો અને ક્વાર્ટર ફાઇનલ જીતીને સેમિફાઇનલ સુધી પહોંચ્યા હતા.વિનેશે અદાલતને જણાવ્યું હતું કે માતા બન્યા બાદ તેમણે ફરી તાલીમ શરૂ કરી છે અને સ્પર્ધાત્મક કુસ્તીમાં વાપસી માટે પ્રયાસ કરી રહ્યા છે. તેઓ જુલાઈ 2025માં માતા બન્યા હતા.</p><h4 style="text-align: justify; "><b>માતૃત્વ નીતિ અંગે મોટી લડાઈ હજુ ચાલુ</b></h4><p style="text-align: justify; ">દિલ્હી હાઈકોર્ટે હાલ વિનેશની અરજીમાં ઉઠાવવામાં આવેલા મોટા કાયદાકીય પ્રશ્નો અંગે અંતિમ નિર્ણય આપ્યો નથી.અદાલતે એ પણ નોંધ્યું કે ગર્ભાવસ્થા, બાળકના જન્મ અને ત્યારબાદની શારીરિક પુનઃપ્રાપ્તિ જેવી પરિસ્થિતિઓને મહિલા ખેલાડીઓ માટેની પસંદગી નીતિની કાયદેસરતા અંગે વિચાર કરતી વખતે ધ્યાનમાં લેવાની જરૂર પડી શકે છે.જોકે, આ કારણોસર વિનેશને તાત્કાલિક વચગાળાની છૂટ આપી શકાય નહીં. અદાલતની એક મહત્વની ચિંતા એ પણ હતી કે માત્ર વિનેશને નિયમોમાં છૂટ આપવામાં આવે તો આવી જ સ્થિતિમાં રહેલા અન્ય ખેલાડીઓ સાથે સમાનતાનો પ્રશ્ન ઊભો થઈ શકે છે.વિનેશની કાનૂની લડાઈ માત્ર વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ પૂરતી મર્યાદિત નથી. તેઓ માતૃત્વ બાદ મહિલા ખેલાડીઓ માટે પારદર્શક અને વ્યવસ્થિત પસંદગી વ્યવસ્થા બનાવવાની માગ પણ કરી રહ્યા છે.</p><p style="text-align: justify; "><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/NalinisKitchen/status/2098245458540027916?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>WFIની શિસ્તભંગની કાર્યવાહી પણ પડકારાઈ</b></h4><p style="text-align: justify; ">વિનેશે ભારતીય કુસ્તી મહાસંઘ દ્વારા શરૂ કરવામાં આવેલી શિસ્તભંગની કાર્યવાહી સામે પણ અદાલતનો સંપર્ક કર્યો છે. તેમણે મે અને જૂનમાં આપવામાં આવેલી 2 કારણદર્શક નોટિસ રદ કરવાની માગ કરી છે.બીજી તરફ,કુસ્તી મહાસંઘનું કહેવું છે કે વિનેશને શિસ્ત સમિતિ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક આપવામાં આવી હતી.</p><h5 style="text-align: justify; "><b>ક્યારે યોજાશે વર્લ્ડ ચેમ્પિયનશિપ?</b></h5><p style="text-align: justify; ">2026 સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં 24 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન યોજાવાની છે. દિલ્હી હાઈકોર્ટના હાલના નિર્ણય બાદ વિનેશ ફોગાટ 14 સપ્ટેમ્બરે યોજાનારી ભારતીય પસંદગી ટ્રાયલમાં ભાગ લઈ શકશે નહીં.જોકે, માતૃત્વ બાદ મહિલા ખેલાડીઓને રમતગમતમાં વાપસી માટે કઈ રીતે તક મળવી જોઈએ અને પસંદગી પ્રક્રિયામાં તેમના માટે કેવી વ્યવસ્થા હોવી જોઈએ, તે અંગે વિનેશની મોટી કાનૂની લડાઈ હજુ ચાલુ છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો <a href="https://sandesh.com/cricket/news/shree-charani-breaks-radha-yadav-record-50-t20i-wickets" target="_blank">- Shree Charaniએ નોંધાવી ઐતિહાસિક સિદ્ધિ, રાધા યાદવનો મોટો રેકોર્ડ તોડી રચ્યો ઇતિહાસ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/kFL2T3ixL0obDmcYy4934aTdupVad2PjvKVjk8Ms.webp'/></item></channel></rss>