<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabadના વટવામાં પી.ડી. પંડ્યા કોલેજ પાસેના તળાવમાં 3 બાળકો ડૂબ્યા, ફાયર બ્રિગેડ દ્વારા સઘન શોધખોળ ચાલુ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/3-children-drowned-in-a-pond-near-pd-pandya-college-in-vatva-ahmedabad-intensive-search-underway-by-fire-brigade</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/3-children-drowned-in-a-pond-near-pd-pandya-college-in-vatva-ahmedabad-intensive-search-underway-by-fire-brigade</guid><pubDate>Tue, 21 Jul 2026 21:14:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં આવેલી જાણીતી પી.ડી. પંડ્યા કોલેજની બાજુમાં આવેલ તળાવ ખાતે એક અત્યંત અરેરાટીભરી દુર્ઘટના સામે આવી છે. સાંજના આશરે ૭:૦૦ વાગ્યાના સુમારે રમતાં-રમતાં કે અન્ય કોઈ કારણોસર ત્રણ માસૂમ બાળકો અચાનક તળાવના ઊંડા પાણીમાં ખાબક્યા હતા. સાંજના સમયે બનેલી આ ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભારે અફરાતફરી અને શોકનું મોજું ફરી વળ્યું હતું. ઘટના અંગે તુરંત જ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.</p><h2 style="text-align: justify; "><b>ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું</b></h2><p style="text-align: justify; ">બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસિસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરો અને ડાઇવર્સ (હરફનમૌલા તરવૈયાઓ) ની ખાસ ટુકડી દ્વારા તળાવના ઊંડા પાણીમાં બાળકોને શોધવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી. અંધારું થઈ ગયું હોવા છતાં ફાયર બ્રિગેડ દ્વારા સ્પેશિયલ લાઈટો અને હોડીઓની મદદથી તળાવમાં સઘન શોધખોળ અને રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>વટવા વિસ્તારમાં ચિંતા અને અરેરાટીનો માહોલ</b></h3><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં જ ડૂબેલા બાળકોના પરિવારજનો અને મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો તળાવ કિનારે એકઠા થઈ ગયા હતા. બાળકોના ભવિષ્યને લઈને પરિવારોમાં ભારે કક્રાંત અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક પોલીસ પણ બનાવ સ્થળે પહોંચી ગઈ છે અને ભીડને નિયંત્રિત કરી રેસ્ક્યૂ કામગીરી સરળતાથી ચાલે તે માટે કાયદો-વ્યવસ્થા જાળવી રહી છે. ફાયર વિભાગ દ્વારા બાળકોને સલામત રીતે બહાર કાઢવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/Z75lq0tP0l5DbYwIUlTuM0IZHelCpvGPFuKggy4a.webp'/></item><item><title><![CDATA[Tribunal Reforms Bill : સંસદના ચોમાસુ સત્રમાં નવું બિલ રજૂ થવાની શક્યતા ]]></title><link>https://sandesh.com/india/news/tribunal-reforms-bill-likely-to-be-introduced-in-monsoon-session</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/tribunal-reforms-bill-likely-to-be-introduced-in-monsoon-session</guid><pubDate>Tue, 21 Jul 2026 21:05:04 +05:30</pubDate><description><![CDATA[<p>દેશભરના ન્યાયાધિકરણો (ટ્રિબ્યુનલ)માં ખાલી પડેલી જગ્યાઓ અને તેમની કામગીરીને લઈને કેન્દ્ર સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટને મહત્વપૂર્ણ માહિતી આપી છે. કેન્દ્ર સરકારે જણાવ્યું કે ટ્રિબ્યુનલ સુધારા માટે નવા બિલનો ડ્રાફ્ટ તૈયાર કરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે અને તેને સંસદના આગામી ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે.</p><h2><b>મહત્વપૂર્ણ સંસ્થાઓને નિષ્ક્રિય થવા દેવામાં આવી શકે નહીં</b></h2><p>એટર્ની જનરલ આર. વેંકટરમણીએ મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેંચને આ માહિતી આપી હતી. સુપ્રીમ કોર્ટે અગાઉ કેન્દ્ર સરકારને દેશભરના ન્યાયાધિકરણોની કામગીરી માટે એક સમાન વ્યવસ્થા તૈયાર કરવા જણાવ્યું હતું. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે આ મહત્વપૂર્ણ સંસ્થાઓને નિષ્ક્રિય થવા દેવામાં આવી શકે નહીં. સુપ્રીમ કોર્ટે અગાઉના એક ચુકાદામાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે કોર્ટ દ્વારા રદ કરાયેલા કેટલાક નિયમોને થોડા ફેરફાર સાથે ફરીથી લાગુ કર્યા હતા. ત્યારબાદ કોર્ટે કેન્દ્રને ચાર મહિનાની અંદર રાષ્ટ્રીય ન્યાયાધિકરણ આયોગ (National Tribunal Commission) બનાવવા અંગે પણ નિર્દેશ આપ્યો હતો.</p><h3><b>નવું બિલ હજુ સુધી ચોમાસુ સત્રના એજન્ડામાં સામેલ નથી?</b></h3><p>સુનાવણી દરમિયાન જસ્ટિસ જૉયમાલ્યા બાગચીએ નોંધ્યું હતું કે નવું બિલ હજુ સુધી ચોમાસુ સત્રના એજન્ડામાં સામેલ નથી. તેના જવાબમાં એટર્ની જનરલે કહ્યું કે સરકાર આ દિશામાં પ્રયાસ કરશે. ઉલ્લેખનીય છે કે નવેમ્બર 2025માં તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ અને જસ્ટિસ વિનોદ ચંદ્રનની બેંચે ટ્રિબ્યુનલ રિફોર્મ્સ એક્ટ, 2021 હેઠળના કેટલાક નિયમોને રદ કર્યા હતા.&nbsp;</p><h4><b>મજબૂત માળખાકીય વ્યવસ્થા જરૂરી</b></h4><p>કોર્ટે કહ્યું હતું કે ન્યાયાધિકરણોની નિમણૂક, વહીવટ અને કાર્યપ્રણાલીમાં સ્વતંત્રતા, પારદર્શિતા અને એકરૂપતા લાવવા માટે મજબૂત માળખાકીય વ્યવસ્થા જરૂરી છે. હવે કેન્દ્ર સરકાર નવા કાયદા દ્વારા ન્યાયાધિકરણોની કામગીરીમાં મોટા ફેરફારો લાવવાની તૈયારી કરી રહી છે. આ પગલાથી દેશભરના ટ્રિબ્યુનલમાં ખાલી જગ્યાઓ, વહીવટી સમસ્યાઓ અને કાર્યક્ષમતાને સુધારવાનો પ્રયાસ કરવામાં આવશે.</p><p><a href="https://sandesh.com/india/news/sonam-wangchuk-discharged-safdarjung-hospital-shifted-to-medanta-hospital" target="_blank"><b>આ પણ વાંચો : Sonam Wangchuk સફદરજંગ હોસ્પિટલમાંથી થયા ડિસ્ચાર્જ, સારવાર માટે મેદાંતા હોસ્પિટલમાં થશે શિફ્ટ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/jY7xbHrnz266YVfIr6JRSXzvBwwHMwAfE6Xypzsw.webp'/></item><item><title><![CDATA[Surendranagar News: ઊંટડી ગામમાં ACBએ 5 લાખની લાંચ લેતા સરપંચ-પતિ અને ઉપસરપંચને રંગેહાથ પકડ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/surendranagar/surendranagar-news-in-untadi-village-acb-caught-sarpanch-husband-and-deputy-sarpanch-red-handed-while-taking-a-bribe-of-rs-5-lakh</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/surendranagar/surendranagar-news-in-untadi-village-acb-caught-sarpanch-husband-and-deputy-sarpanch-red-handed-while-taking-a-bribe-of-rs-5-lakh</guid><pubDate>Tue, 21 Jul 2026 20:53:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરેન્દ્રનગર જિલ્લાના ઊંટડી ગ્રામ પંચાયતમાં એન્ટી કરપ્શન બ્યૂરો (ACB) દ્વારા મોટો સપાટો બોલાવવામાં આવ્યો છે. વિસ્તારમાંથી રેતી કાઢવા દેવાના બદલામાં એક ટ્રક દીઠ રૂ. 1,000 લેખે સરપંચના પતિ સંજયભાઈ કમેજળીયા અને ઉપસરપંચ સુનીલભાઈ કટુડીયાએ ફરિયાદી પાસે કુલ રૂ.6.30 લાખની લાંચની માંગણી કરી હતી. જોકે, ફરિયાદી સાથે રકઝક અને વાટાઘાટો બાદ આખરે લાંચની રકમ રૂ.5 લાખ નક્કી કરવામાં આવી હતી. ભ્રષ્ટ પ્રતિનિધિઓને પાઠ ભણાવવા માટે ફરિયાદીએ આંગણેથી જ ACBનો સંપર્ક કર્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>લીંબડીના હોટેલ કમ્પાઉન્ડમાં ACBનું સફળ સેટઅપ</b></h2><p style="text-align: justify; ">ફરિયાદના આધારે ACBની ટીમે લીંબડી સ્થિત પ્રેમવતી ભોજનાલયના કમ્પાઉન્ડમાં લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ ટ્રેપ દરમિયાન સરપંચના પતિ સંજયભાઈ પ્રતાપભાઈ કમેજળીયા ફરિયાદી પાસેથી રૂ.5 લાખની રોકડ લાંચ સ્વીકારતા જ ACBના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા હતા. ત્યારબાદ સંજયભાઈએ મોબાઈલ પર કન્ફર્મેશન આપતાં સ્થળ પર જ હાજર ઉપસરપંચ સુનીલભાઈ સુભાષભાઈ કટુડીયાની પણ ACBની ટીમે તાત્કાલિક અટકાયત કરી લીધી હતી.</p><h3 style="text-align: justify; "><b>રૂ.5 લાખની રોકડ જપ્ત, કાયદેસરની કાર્યવાહી શરૂ</b></h3><p style="text-align: justify; ">ACBની ટીમે ઘટનાસ્થળેથી લાંચ પેટે લેવાયેલી રૂ.5 લાખની સમગ્ર રકમ જપ્ત કરી લીધી છે. ગ્રામ પંચાયત સાથે જોડાયેલા બંને આરોપીઓ સામે ગુનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્થાનિક પંચાયત શાસકો જ લાંચખોરીમાં લિપ્ત પકડાતાં સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના રાજકીય અને પ્રશાસનિક વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ACB હાલમાં બંને આરોપીઓની વધુ પૂછપરછ કરી અન્ય સંડોવણી અંગે તપાસ ચલાવી રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/iN9GyjP4TEdHzG0PJvU1wEr9mnH1A4XEfXCWTQum.webp'/></item><item><title><![CDATA[Ambaji ખાતે યોજાશે ભાદરવી મહાકુંભ, પાલનપુર કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ambaji/bhadarvi-mahakumbh-to-be-held-at-ambaji-organized-with-great-pomp-from-september-20-to-26</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ambaji/bhadarvi-mahakumbh-to-be-held-at-ambaji-organized-with-great-pomp-from-september-20-to-26</guid><pubDate>Tue, 21 Jul 2026 20:34:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વિશ્વ વિખ્યાત યાત્રાધામ અંબાજીમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યો વચ્ચે આગામી ભાદરવી કુંભ યોજાશે કે નહીં તેને લઈને લાખો શ્રદ્ધાળુઓ અને પદયાત્રીઓમાં ભારે ઉત્સુકતા હતી. જોકે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાદરવી મહાકુંભના આયોજનની જાહેરાત કરવામાં આવતાં જ માઈભક્તોની તમામ આતુરતાનો સુખદ અંત આવ્યો છે. જગતજનની અંબાના ધામ અંબાજી ખાતે આગામી 20 થી 26 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી મહાકુંભનું ધામધૂમથી આયોજન કરવામાં આવશે.</p><h2 style="text-align: justify; "><b>&nbsp;20થી 26 સપ્ટેમ્બર દરમિયાન ધામધૂમથી આયોજન</b></h2><p style="text-align: justify; ">મહાકુંભના સુચારુ અને ભવ્ય આયોજન સંદર્ભે આજે પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેક્ટર અને સંબંધિત વિભાગીય અધિકારીઓની ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં મહાકુંભ દરમિયાન હાથ ધરવાની તમામ વ્યવસ્થા અંગે ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થા, વાહન વ્યવહાર, આરોગ્ય સુવિધાઓ, પીવાનું ચોખ્ખું પાણી અને પ્રસાદ વિતરણ જેવી બાબતો પર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>લાખો ભક્તોની સુવિધા માટે તંત્ર સંપૂર્ણ સજ્જ</b></h3><p style="text-align: justify; ">ભાદરવી મહાકુંભ દરમિયાન ગુજરાત જ નહીં પરંતુ દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં માઈભક્તો પગપાળા અને વાહનો મારફતે માં અંબાના દર્શનાર્થે આવતા હોય છે. દર્શનાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડતા કે મુશ્કેલી ન પડે તે માટે બનાસકાંઠા જિલ્લા તંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ થઈ ગયું છે. યાત્રાળુઓની સુરક્ષા અને સુવિધાને પ્રાધાન્ય આપીને દરેક વિભાગને પૂર્વ તૈયારીઓ ઝડપથી પૂર્ણ કરવા માટે આદેશો આપી દેવામાં આવ્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/SdfUOGh7Gu4qaSpEUpRpUGRBfRBZjIu8uzfkYhqj.webp'/></item><item><title><![CDATA[Sonam Wangchuk સફદરજંગ હોસ્પિટલમાંથી થયા ડિસ્ચાર્જ, સારવાર માટે મેદાંતા હોસ્પિટલમાં થશે શિફ્ટ ]]></title><link>https://sandesh.com/india/news/sonam-wangchuk-discharged-safdarjung-hospital-shifted-to-medanta-hospital</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/sonam-wangchuk-discharged-safdarjung-hospital-shifted-to-medanta-hospital</guid><pubDate>Tue, 21 Jul 2026 19:47:59 +05:30</pubDate><description><![CDATA[<p>સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ સફદરજંગ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હવે તેમને વધુ સારવાર માટે ગુરુગ્રામ સ્થિત મેદાંતા હોસ્પિટલની મેડિકલ ટીમને સોંપવામાં આવ્યા છે. હોસ્પિટલમાંથી રજા આપતી વખતે તેમની હાલત સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓને કારણે તેમની સતત દેખરેખ જરૂરી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2079565186500075769"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>શરીરમાં પોટેશિયમનું સ્તર ઓછું જોવા મળ્યું</b></h2><p>મળતી માહિતી મુજબ, સોનમ વાંગચુકના લોહી સંબંધિત કેટલાક પરિમાણોમાં અસંતુલન અને શરીરમાં પોટેશિયમનું સ્તર ઓછું જોવા મળ્યું છે. આ કારણોસર તબીબોએ તેમની નિયમિત તપાસ અને સારવાર ચાલુ રાખવાની સલાહ આપી છે. સોનમ વાંગચુક છેલ્લા કેટલાક દિવસોથી એક આંદોલનના સમર્થનમાં ભૂખ હડતાળ પર હતા. લાંબા સમય સુધી ઉપવાસને કારણે તેમની તબિયત બગડતા તેમને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને દિલ્હી હાઈકોર્ટે તેમને વધુ સારી સારવાર માટે મેદાંતા હોસ્પિટલમાં ખસેડવાનો આદેશ આપ્યો હતો.</p><h3><b>સ્વાસ્થ્યમાં સુધારો લાવવાના પ્રયાસ&nbsp;</b></h3><p>સોનમ વાંગચુક શિક્ષણ વ્યવસ્થા અને વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા મુદ્દાઓને લઈને ચાલી રહેલા વિરોધમાં સામેલ છે. તેમની ભૂખ હડતાળને લઈને દેશભરમાં ચર્ચા થઈ રહી છે અને અનેક લોકો તથા જાહેર હસ્તીઓએ તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી છે. હાલમાં મેદાંતા હોસ્પિટલની મેડિકલ ટીમ તેમની સ્થિતિ પર નજર રાખી રહી છે. તબીબો તેમની સારવાર અને જરૂરી તબીબી તપાસ દ્વારા સ્વાસ્થ્યમાં સુધારો લાવવાના પ્રયાસ કરી રહ્યા છે.</p><p><b><a href="https://sandesh.com/india/breakingnews/cjp-protest-2026-delhi-police-remove-rahul-gandhi-akhilesh-yadav-detained" target="_blank">આ પણ વાંચો : CJP Protest 2026 : રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ સહિત ઘણા નેતાઓની કરાઈ અટકાયત</a></b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/W3UhRUQiRyAZQejK1N1hV15vmEYISKRc05Qp3GcR.webp'/></item><item><title><![CDATA[CJP Protest : વિદ્યાર્થીઓના સમર્થનમાં આવી અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા, કહ્યું 'શિક્ષણ સુધારાની લડાઈમાં વિદ્યાર્થીઓની સાથે' ]]></title><link>https://sandesh.com/india/news/entertainment/preity-zinta-supports-sonam-wangchuk-neet-protest-students-government-dialogue</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/entertainment/preity-zinta-supports-sonam-wangchuk-neet-protest-students-government-dialogue</guid><pubDate>Tue, 21 Jul 2026 19:26:04 +05:30</pubDate><description><![CDATA[<p>સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક અને NEET પેપર લીક મુદ્દે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને સતત સમર્થન મળી રહ્યું છે. હવે બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ પણ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે. પ્રીતિ ઝિન્ટાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને સોનમ વાંગચુક અને વિદ્યાર્થીઓના આંદોલનને સમર્થન આપ્યું છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/realpreityzinta/status/2079505647159136439"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>સોનમ વાંગચુક દેશના યુવાનોના ભવિષ્ય માટે લડી રહ્યા છે&nbsp;</b></h2><p>પ્રીતિ ઝિન્ટાએ પોતાની પોસ્ટમાં સરકારને અપીલ કરી છે કે સોનમ વાંગચુક અને વિદ્યાર્થી સંગઠનો સાથે અર્થપૂર્ણ વાતચીત શરૂ કરવામાં આવે, જેથી તેમની તબિયત વધુ ખરાબ ન થાય. તેમણે સોનમ વાંગચુકને હડતાળ સમાપ્ત કરવાની વિનંતી કરતા કહ્યું કે તેમની તંદુરસ્તી પણ આ લડત જેટલી જ મહત્વપૂર્ણ છે. પ્રીતિએ જણાવ્યું કે સોનમ વાંગચુક અને વિદ્યાર્થીઓ દેશના યુવાનોના ભવિષ્ય માટે લડી રહ્યા છે.</p><h3><b>શિક્ષણ વ્યવસ્થામાં સુધારો જરૂરી&nbsp;</b></h3><p>અભિનેત્રીએ આગળ લખ્યું કે દેશની શિક્ષણ વ્યવસ્થામાં સુધારા માટે ચાલી રહેલી આ લડતમાં દરેક વિદ્યાર્થી અને સોનમ વાંગચુકને તેમનું સંપૂર્ણ સમર્થન છે. તેમણે તમામ પ્રદર્શનકારીઓને હિંમત અને શક્તિ મળવાની શુભેચ્છા પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે સોનમ વાંગચુકે 28 જૂનથી આંદોલનના સમર્થનમાં અનશન શરૂ કર્યું હતું. લાંબા સમય સુધી ઉપવાસને કારણે તેમની તબિયત ખરાબ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.&nbsp;</p><h4><b>સોનમ વાંગચુકને મેદાંતા હોસ્પિટલમાં શિફ્ટ કરાયા</b></h4><p>જોકે, તેમણે પોતાના ઉપવાસ ચાલુ રાખ્યા છે. હવે દિલ્હી હાઈકોર્ટે તેમને સફદરજંગ હોસ્પિટલમાંથી મેદાંતા હોસ્પિટલમાં શિફ્ટ કરવાનો આદેશ આપ્યો છે. આ દરમિયાન પ્રીતિ ઝિન્ટાની ફિલ્મી કારકિર્દીની વાત કરીએ તો તે લાંબા સમય બાદ મોટા પડદા પર વાપસી કરવા જઈ રહી છે. તેમની આગામી ફિલ્મ ‘બંટવારા 1947’ 14 ઓગસ્ટે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં સની દેઓલ મુખ્ય ભૂમિકામાં છે અને તેનું નિર્દેશન રાજકુમાર સંતોષીએ કર્યું છે.</p><p><b><a href="https://sandesh.com/india/breakingnews/cjp-protest-2026-delhi-police-remove-rahul-gandhi-akhilesh-yadav-detained" target="_blank">આ પણ વાંચો: CJP Protest 2026 : રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ સહિત ઘણા નેતાઓની કરાઈ અટકાયત</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/eOBY1PWCYPh59RCdJzhobBunTfVmlDnjYtCvHpvr.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: શહેરમાં કોકરોચ જનતા પાર્ટીના સમર્થકો એકઠા થવાની ભીતિને લઈ પોલીસ ખડકાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/police-on-alert-over-possible-gathering-of-cjp-supporters-amid-neet-protest</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/police-on-alert-over-possible-gathering-of-cjp-supporters-amid-neet-protest</guid><pubDate>Tue, 21 Jul 2026 19:23:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદમાં દિલ્હીના જંતરમંતર પર થઈ રહેલા NEET પેપર લીક અંગે આંદોલનકારીઓ એકત્રિત થવાની ભીતિ અને બાતમીને પગલે અમદાવાદ પોલીસ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગઈ છે.આંદોલનકારીઓ મોટી સંખ્યામાં ભેગા થવાના હોવાની ચોક્કસ માહિતી મળતાં જ ગુજરાત યુનિવર્સિટી, વિજય ચાર રસ્તા અને કોમર્સ છ રસ્તા જેવા મુખ્ય વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.કોઈ પણ અપ્રિય ઘટના કે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન વણસે તે માટે ઝોન 1 DCP, ACP, PI સહિત ઇન્ટેલિજન્સ બ્યુરોના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે હાજર રહીને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કડક વોચ&nbsp;</b></h2><p style="text-align: justify; ">CJPના વિરોધ પ્રદર્શનના અહેવાલોને પગલે સમગ્ર રાજ્યમાં ભારે સતર્કતા વર્તવામાં આવી રહી છે.વિરોધ આંદોલનની કોઈ નકારાત્મક અસર ગુજરાતમાં ન પડે તે માટે ગૃહ વિભાગ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કડક વોચ રાખવામાં આવી રહી છે. આ અંગે રાજ્યના તમામ જિલ્લા પોલીસ વડાઓને તાકીદની સૂચનાઓ જારી કરી દેવામાં આવી છે અને એલર્ટ રહેવા આદેશ અપાયા છે. તકેદારીના ભાગરૂપે રાજ્યના સંવેદનશીલ વિસ્તારો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે તેમજ ભીડભાડવાળા જાહેર સ્થળો અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવાયું છે.શાંતિ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>વિદ્યાર્થી આંદોલનની અસર ગુજરાત સુધી પહોંચી</b></h3><p style="text-align: justify; ">દિલ્હીના જંતર-મંતર પર શરૂ થયેલા વિદ્યાર્થી આંદોલનની અસર ગુજરાત સુધી પહોંચી છે.અમદાવાદ,રાજકોટ અને સુરત સહિતના શહેરોમાં યુવાનો વિરોધ માટે રસ્તા પર ઉતર્યા છે.વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમની સાથે અન્યાય થયો છે અને તેની જવાબદારી સરકારની છે.તેઓ પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા અને જવાબદારીની માંગ કરી રહ્યા છે. યુવાનોનું માનવું છે કે પ્રશ્ન માત્ર એક પરીક્ષાનો નથી,પરંતુ સમગ્ર ભરતી અને પરીક્ષા વ્યવસ્થામાં વિશ્વાસ જળવાઈ રહે તે જરૂરી છે.સરકાર ભૂલ સ્વીકારીને સિસ્ટમમાં સુધારા કરે તેવી માંગ ઉઠી રહી છે.<br><br><a href="https://sandesh.com/india/news/delhi-statement-in-the-house-resignation-and-know-what-congress-demanded-during-the-sit-in-protest" target="_blank">આ પણ વાંચોઃ Delhi: સદનમાં નિવેદન, રાજીનામુ અને.. ધરણા પ્રદર્શન દરમિયાન જાણો કોંગ્રેસે શું કરી માગ ?</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/NpMt4Yr3d7w70DGpUqaxUkQlUKvBYY66ggdSVpvy.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: ચાંદખેડામાં ફ્લેટ વેચવાના નામે ACBના DIG સાથે 70 લાખથી વધુની ઠગાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/acb-dig-alleges--70-25-lakh-flat-and-plot-fraud-by-builder-couple</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/acb-dig-alleges--70-25-lakh-flat-and-plot-fraud-by-builder-couple</guid><pubDate>Tue, 21 Jul 2026 19:04:46 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ACB ગુજરાતમાં અધિક નિયામક તરીકે ફરજ બજાવતા પ્રવિણસિંહ લક્ષ્મણસિંહ માલે એક બિલ્ડર દંપતી સામે રૂ.70.25 લાખની ઠગાઈ અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદ મુજબ આરોપી અમિત નટવરલાલ જાની અને તેની પત્ની જીજ્ઞાશાબેન અમિતભાઈ જાનીએ વર્ષ 2014થી ફરિયાદી સાથે મિત્રતા અને પારિવારિક સંબંધો કેળવીને વિશ્વાસ સંપાદન કર્યો હતો.ત્યારબાદ ગોદરેજ ગાર્ડન સિટી સ્થિત બેલ્વેડરનો ફ્લેટ વેચાણ દસ્તાવેજથી અપાવવાના બહાને 2014થી 2019 દરમિયાન 61.15 લાખ એડવાન્સ મેળવી લીધા હતા.સંપૂર્ણ રકમ વસૂલી લીધા હોવા છતાં આજદિન સુધી ફ્લેટનો વેચાણ દસ્તાવેજ કરી આપવામાં આવ્યો ન હતો.</p><h2 style="text-align: justify; "><b>70.25 લાખની મસમોટી ઠગાઈ આચરી&nbsp;</b></h2><p style="text-align: justify; ">આરોપી બિલ્ડર દંપતીએ વર્ષ 2020થી 2024 દરમિયાન ગ્રીનવુડ સ્કીમના બે પ્લોટ બતાવીને ફરિયાદી પાસેથી વધુ રૂ.9.10 લાખ પણ પડાવી લીધા હતા.સમય જતાં પ્લોટ પણ ન આપતાં અને લીધેલી રકમ પણ પરત ન કરતાં ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.ફરિયાદીએ પોતાની લાલ ડાયરીમાં કોડવર્ડમાં કરાયેલી ચુકવણીની નોંધ સહિતના દસ્તાવેજી પુરાવાઓનો પણ ફરિયાદમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે.દંપતીએ યોજનાપૂર્વક ફરિયાદી સાથે કુલ રૂ. 70.25 લાખની મસમોટી ઠગાઈ આચરી હતી.</p><h2 style="text-align: justify; "><b>એટ્રોસિટી અંગેનો ગંભીર આક્ષેપ</b></h2><p style="text-align: justify; ">ફરિયાદમાં એટ્રોસિટી અંગેનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.ફરિયાદી ST સમાજના હોવાની જાણ હોવા છતાં આરોપીઓ દ્વારા તેમની પત્ની અને દીકરી સામે જાતિવાચક અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી અને આદિવાસી ભીલડાઓને મફતમાં ફ્લેટ જોઈએ છે.જેવા અશોભનીય શબ્દો ઉચ્ચારવામાં આવ્યા હતા.આથી બંને આરોપીઓ સામે ઠગાઈ,કાવતરું અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે. હાલ પોલીસે ફરિયાદના આધારે સાક્ષીઓ અને દસ્તાવેજો ચકાસી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mahisagar/mahisagar-news-shock-as-middle-aged-mans-body-found-in-varadhara-virpur-murder-revealed-in-pm-report" target="_blank">આ પણ વાંચોઃ Mahisagar News: વીરપુરના વરધરામાં આધેડનો મૃતદેહ મળતાં ચકચાર, પીએમ રિપોર્ટમાં હત્યાનો ખુલાસો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/p58mKR3VurNbvOWitUJF91ez3TQ6t81xORAfuAd0.webp'/></item><item><title><![CDATA[Adani Energy Solutionsનું ધમાકેદાર ત્રિમાસિક પરિણામ, નફામાં થયો 124 ટકાનો વધારો ]]></title><link>https://sandesh.com/business/news/adani-energy-solutions-qtr-results-profit-up-124-percent-revenue-up-42-percent</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/adani-energy-solutions-qtr-results-profit-up-124-percent-revenue-up-42-percent</guid><pubDate>Tue, 21 Jul 2026 18:36:18 +05:30</pubDate><description><![CDATA[<p>અદાણી ગ્રુપની કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સે નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક (એપ્રિલ-જૂન)ના શાનદાર પરિણામો જાહેર કર્યા છે. કંપનીના નેટ પ્રોફિટમાં ગયા વર્ષની સરખામણીએ 124 ટકાનો મોટો ઉછાળો નોંધાયો છે. કંપનીનો નફો વધીને રૂ. 1,149 કરોડ થયો છે, જ્યારે ગયા વર્ષે સમાન સમયગાળામાં કંપનીનો નફો રૂ. 513 કરોડ હતો.</p><h2><b>કંપનીની આવક 42 ટકા વધીને 9,711 કરોડ રહી</b></h2><p>ત્રિમાસિક પરિણામ જાહેર થયા બાદ અદાણી એનર્જી સોલ્યુશન્સના શેરમાં તેજી જોવા મળી. NSE પર બપોરના ટ્રેડિંગ દરમિયાન શેરનો ભાવ લગભગ 3 ટકા વધીને રૂ. 1,781.20 સુધી પહોંચ્યો હતો. કંપનીની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. એપ્રિલથી જૂન ત્રિમાસિક દરમિયાન ઓપરેશનમાંથી મળતી આવક 42 ટકા વધીને રૂ. 9,711 કરોડ રહી છે, જે ગયા વર્ષે રૂ. 6,819 કરોડ હતી. અગાઉની ત્રિમાસિકની સરખામણીએ પણ આવકમાં વધારો નોંધાયો છે. જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકમાં કંપનીની આવક રૂ. 7,443 કરોડ હતી.</p><p>કંપનીનું EBITDA 30 ટકા વધીને રૂ. 3,008 કરોડ થયું છે, જે ગયા વર્ષે રૂ. 2,314.5 કરોડ હતું. જોકે EBITDA માર્જિન 33.9 ટકાથી ઘટીને 31 ટકા રહ્યું છે. આ ત્રિમાસિકમાં કંપનીએ રૂ. 29 કરોડની રેગ્યુલેટરી ડિફરલ આવક નોંધાવી છે. કંપનીના કુલ ખર્ચમાં પણ વધારો થયો છે અને તે રૂ. 8,440 કરોડ સુધી પહોંચ્યો છે. વીજ ખરીદીનો ખર્ચ રૂ. 1,724 કરોડથી વધીને રૂ. 3,561 કરોડ થયો છે, જ્યારે બાંધકામ સંબંધિત ખર્ચ રૂ. 2,138 કરોડ રહ્યો છે.</p><h3><b>સ્માર્ટ મીટર બિઝનેસમાં સૌથી ઝડપી વૃદ્ધિ નોંધાઈ</b></h3><p>કારોબાર મુજબ ટ્રાન્સમિશન સેગમેન્ટની આવક 52.4 ટકા વધીને રૂ. 3,335.3 કરોડ થઈ છે. ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસની આવક 5 ટકા વધીને રૂ. 3,520.4 કરોડ રહી છે. સ્માર્ટ મીટર બિઝનેસમાં સૌથી ઝડપી વૃદ્ધિ નોંધાઈ છે, જેમાં આવક રૂ. 112 કરોડથી વધીને રૂ. 346.9 કરોડ થઈ છે. એનર્જી સોલ્યુશન્સ પ્લેટફોર્મની આવક પણ 9 ગણાથી વધુ વધીને રૂ. 1,906.8 કરોડ થઈ છે.<br><br><b><a href="https://sandesh.com/business/news/millworks-technologies-ipo-investors-money-doubled-on-listing" target="_blank">આ પણ વાંચો : Millworks Technologies IPO : કંપની શેરબજારમાં લિસ્ટ થતાં જ રોકાણકારોના પૈસા થઈ ગયા ડબલ</a></b></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/E6HD8XUvO1hdh3rXR2qmwc44tYHOCNfqEkZ1Ifxn.webp'/></item><item><title><![CDATA[Hockey વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત,જાણો કોને મળ્યું સ્થાન ]]></title><link>https://sandesh.com/sports/news/indian-team-announced-for-hockey-world-cup-know-who-got-a-place</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/indian-team-announced-for-hockey-world-cup-know-who-got-a-place</guid><pubDate>Tue, 21 Jul 2026 13:26:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હોકી ઇન્ડિયાએ આગામી FIH મેન્સ હોકી વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે.ટીમમાં કુલ 20 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.હોકી વર્લ્ડ કપ 15 થી 30 ઓગસ્ટ, 2026 દરમિયાન બેલ્જિયમ અને નેધરલેન્ડ્સમાં રમાશે.મુખ્ય કોચ ક્રેગ ફુલ્ટનને વિશ્વાસ છે કે પસંદ કરાયેલી ટીમ પાસે ભારતીય હોકી ઇતિહાસમાં પોતાનો અધ્યાય લખવાની સારી તક છે.</p><h4 style="text-align: justify; "><b>હરમનપ્રીત સિંહ ટીમનું નેતૃત્વ કરશે</b></h4><p style="text-align: justify; ">એશિયાના ટોચના ડિફેન્ડર અને ડ્રેગ-ફ્લિકર હરમનપ્રીત સિંહ ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે ભારતના સૌથી વધુ કેપ્ડ મિડફિલ્ડર મનપ્રીત સિંહ પણ ટીમનો ભાગ હશે, જે અનુભવી ખેલાડીઓ અને ઉત્તેજક યુવા પ્રતિભાઓની સંતુલિત ટીમમાં અનુભવનો ભંડાર લાવશે. મુખ્ય કોચ ફુલ્ટને ટીમ વિશે કહ્યું, આ એક સારી રીતે સંતુલિત ટીમ છે. ટુર્નામેન્ટના અનુભવ અને ફોર્મમાં રહેલા યુવાનોનું યોગ્ય મિશ્રણ છે. ખેલાડીઓએ પ્રતિષ્ઠા નહીં પણ પ્રદર્શન દ્વારા પોતાનું સ્થાન મેળવ્યું છે."</p><h4 style="text-align: justify; "><b>ગોલકીપિંગમાં મોહિત અને સૂરજનો સમાવેશ</b></h4><p style="text-align: justify; ">ગોલકીપિંગ વિભાગમાં મોહિત એચએસ અને સૂરજ કરકેરાનો સમાવેશ થાય છે, જ્યારે ડિફેન્સિવ યુનિટમાં જર્મનપ્રીત સિંહ, કેપ્ટન હરમનપ્રીત, અમિત રોહિદાસ, જુગરાજ સિંહ, સંજય, સુમિત અને યશદીપ સિવાચનો સમાવેશ થાય છે. મિડફિલ્ડનું નેતૃત્વ મનપ્રીત, હાર્દિક સિંહ અને વિવેક સાગર પ્રસાદ, નીલકંઠ શર્મા અને આશાસ્પદ યુવા ખેલાડીઓ રાજિન્દર સિંહ અને આદિત્ય અર્જુન લાલગે કરશે. આક્રમણની જવાબદારી મનદીપ સિંહ, દિલપ્રીત સિંહ, અભિષેક, સુખજીત સિંહ અને શિલાનંદ લાકરા સંભાળશે.</p><p style="text-align: justify; "><a href="https://x.com/TheHockeyIndia/status/2079454470547947669?s=20" target="_blank">https://x.com/TheHockeyIndia/status/2079454470547947669?s=20</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ઇંગ્લેન્ડ, પાકિસ્તાન અને વેલ્સની સાથે પૂલ ડીમાં સ્થાન મેળવનાર ભારત, નેધરલેન્ડ્સના એમ્સ્ટલવીનમાં તેની બધી પૂલ-સ્ટેજ મેચ રમશે. મુખ્ય કોચ ફુલ્ટને કહ્યું, પ્રેસ, કાઉન્ટર, પર્ફોર્મન્સ એ ફક્ત અમારી વ્યૂહાત્મક ઓળખ નથી; તે આ જૂથ દરરોજ કેવી રીતે તાલીમ આપે છે અને વિચારે છે તેના વિશે પણ છે. આપણે આપણી જાતથી આગળ નથી વધી રહ્યા&nbsp; એક સમયે એક રમત, બધું જ લાઇન પર મૂકી રહ્યા છીએ, તે માનસિકતા છે જે આપણે દરેક મેચમાં અપનાવી રહ્યા છીએ.</p><h5 style="text-align: justify; "><b>ભારત 15 ઓગસ્ટે અભિયાન શરૂ કરશે</b></h5><p style="text-align: justify; ">ભારત 15 ઓગસ્ટે વેલ્સ સામે પોતાનું અભિયાન શરૂ કરશે, ત્યારબાદ 17 ઓગસ્ટે ઈંગ્લેન્ડ અને 19 ઓગસ્ટે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રમશે, જે પૂલ સ્ટેજની સૌથી અપેક્ષિત મેચ છે. 1975 વર્લ્ડ કપ જીતના પચાસ વર્ષ પછી આ જૂથ પાસે ભારતીય હોકી ઇતિહાસમાં પોતાનો અધ્યાય લખવાની તક છે, અને અમે તેના માટે ખૂબ જ ઉત્સાહિત છીએ.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/lionel-messi-heartbreak-messi-broke-his-silence-after-losing-in-the-final-saying-this-big-thing" target="_blank"> Lionel Messi heartbreak : ફાઇનલમાં હાર બાદ મેસ્સીએ મૌન તોડ્યું, કહી આ મોટી વાત</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/AlUe6i2EaTqLxWn7wy7869U96l54gE2UbiMlcrnf.webp'/></item></channel></rss>