<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Mehsana News: વિજાપુરના ફૂદેડામાં ગેરકાયદે ખનીજ ચોરી સામે કાર્યવાહી, 1.20 કરોડની કિંમતના વાહનો જપ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/illegal-sand-mining-busted-in-fudeda-vehicles-seized</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/illegal-sand-mining-busted-in-fudeda-vehicles-seized</guid><pubDate>Tue, 11 Aug 2026 21:04:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મહેસાણા જિલ્લામાં સાબરમતી નદીના પટમાંથી ચાલી રહેલા ગેરકાયદેસર ખનન અને રેતી ચોરીના કારોબાર સામે ખાણ ખનિજ વિભાગે લાલ આંખ કરી છે. જિલ્લાના વિજાપુર તાલુકાના ફૂદેડા ગામે સાબરમતી નદીના પટમાં ચાલતા ગેરકાયદેસર સાદી રેતીના ખાણકામ પર ખાણ ખનિજ વિભાગની ટીમે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરીને મોટી કાર્યવાહી કરી છે. આ દરોડા દરમિયાન વિભાગ દ્વારા 1.20 કરોડની કિંમતના વાહનો ઝડપી પાડવામાં આવ્યા છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ગેરકાયદેસર રીતે સાદી રેતીનું ખનન</b></h2><p style="text-align: justify; ">ફૂદેડા ગામની સીમમાં સાબરમતી નદીના પટમાં મોટા પાયે ગેરકાયદેસર રીતે સાદી રેતીનું ખનન થઈ રહ્યું હોવાની ચોક્કસ બાતમી ખાણ ખનિજ વિભાગને મળી હતી. આ બાતમીના આધારે રોયલ્ટી ઇન્સ્પેક્ટર દિલીપ રબારી અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો.તંત્રની અચાનક પડેલી ધાડથી ગેરકાયદેસર ખનન કરતા ભૂમાફિયાઓમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી.દરોડા દરમિયાન નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતી ઉત્ખનન માટે ઉપયોગમાં લેવાતા અંદાજિત રૂ. 1.20 કરોડની કિંમતના વાહનો ઝડપી પાડવામાં આવ્યા હતા.</p><h3 style="text-align: justify; "><b>દંડ ફટકારીને કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી</b></h3><p style="text-align: justify; ">વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં 1 એક્સકેવેટર મશીન, 1 લોડર મશીન અને ૨ ટ્રેક્ટરનો સમાવેશ થાય છે.ખાણ ખનિજ વિભાગે આ તમામ વાહનો અને મશીનરી સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી અર્થે લાડોલ પોલીસ સ્ટેશન અને વિજાપુર પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં સોંપી દીધા છે.ખાણ ખનિજ વિભાગની ટીમ દ્વારા હાલમાં ફૂદેડા ગામની સીમમાં સાબરમતી નદીના પટમાં અત્યાર સુધી કેટલા પ્રમાણમાં ગેરકાયદેસર ખનન કરવામાં આવ્યું છે તેની ચોક્કસ માપણી હાથ ધરવામાં આવી રહી છે. માપણી પૂર્ણ થયા બાદ આ કૌભાંડમાં સંકળાયેલા તત્વો સામે આકરો દંડ ફટકારીને કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/vadodara/fake-bills-used-to-sell-cough-syrup-3-pharma-firms-licenses-cancelled" target="_blank">આ પણ વાંચોઃ Vadodara News: બોગસ બિલો બનાવી નશાકારક કફ સીરપના વેચાણનો પર્દાફાશ, 3 ફાર્મા પેઢીના લાયસન્સ રદ્દ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/3H08hMz4cTedQGTyrBnjdtb382Ef6CKsw1XIwmle.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: અસલાલી પોલીસે બ્રેઝા કારમાંથી 2,976 દારૂની બોટલ પકડી, 11.35 લાખનો મુદ્દામાલ જપ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/aslali-police-seize-liquor-brezza-car-two-arrested-11-lakh-muddamal</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/aslali-police-seize-liquor-brezza-car-two-arrested-11-lakh-muddamal</guid><pubDate>Tue, 11 Aug 2026 21:02:58 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરમાં દારૂની ગેરકાયદેસર ઘૂસણખોરી અટકાવવા માટે પોલીસ કમિશનરની સૂચનાથી અસલાલી પોલીસ સ્ટેશનની ટીમ હાઇવે અને સરહદી વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે એક મારુતિ બ્રેઝા કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ક્વાર્ટર અને બોટલોનો જથ્થો ભરીને અમદાવાદ શહેર તરફ વહાવવામાં આવી રહ્યો છે.</p><h2><b>અમદાવાદમાં વિદેશી દારૂ સાથે 2 બુટલેગર ઝડપાયા</b></h2><p>બાતમી મળતાં જ અસલાલી પોલીસની ટીમે વોચ ગોઠવીને શંકાસ્પદ બ્રેઝા કારને અટકાવી હતી. કારની તલાશી લેતાં અંદરથી મોટા પ્રમાણમાં દારૂના બોક્સ મળી આવ્યા હતા. પોલીસે કારમાંથી 2,976 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો, જેની બજાર કિંમત રૂ. 4.32 લાખથી વધુ અંકાય છે.પોલીસે સ્થળ પરથી દારૂની હેરાફેરી કરી રહેલા બે શખ્સો તેજારામ પ્રજાપતી અને રમેશકુમાર જાટની અટકાયત કરી લીધી હતી. બન્ને આરોપીઓ પાસેથી દારૂ સિવાય રોકડ રકમ, મોબાઈલ ફોન અને લક્ઝુરિયસ બ્રેઝા કાર મળીને કુલ રૂ. 11,35,000 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.</p><h3><b>રાજુરામ બિશ્નોઈને પોલીસે ચોપડે વોન્ટેડ</b></h3><p>આરોપીઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે દારૂનો આ મોટો જથ્થો રાજુરામ બિશ્નોઈ નામના બુટલેગરે ભરી આપ્યો હતો. આથી પોલીસે રાજુરામ બિશ્નોઈને ચોપડે વોન્ટેડ જાહેર કરીને તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. અસલાલી પોલીસે તમામ આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી, આ દારૂ અમદાવાદમાં ક્યાં અને કોને ડિલિવરી કરવાનો હતો તે અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/rajpipla/rajpipla-heavy-rainfall-second-round-monsoon-heat-relief" target="_blank">આ પણ વાંચો: Narmada: રાજપીપળામાં લાંબા વિરામ બાદ મોડી સાંજે ધોધમાર વરસાદ, ગરમીથી લોકોને મળી રાહત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/de6c9nEuVmTeQismu61jlniOhZCv5kM2XyYk9P4F.webp'/></item><item><title><![CDATA[Vadodara News: બોગસ બિલો બનાવી નશાકારક કફ સીરપના વેચાણનો પર્દાફાશ, 3  ફાર્મા પેઢીના લાયસન્સ રદ્દ ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/fake-bills-used-to-sell-cough-syrup-3-pharma-firms-licenses-cancelled</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/fake-bills-used-to-sell-cough-syrup-3-pharma-firms-licenses-cancelled</guid><pubDate>Tue, 11 Aug 2026 20:53:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા શહેર અને અમદાવાદમાં બોગસ બિલોના આધારે નશાકારક કફ સીરપનું ગેરકાયદેસર વેચાણ કરતી ફાર્મા પેઢીઓ સામે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લાલ આંખ કરી છે.વિભાગની ટીમે દરોડા પાડીને આ કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે અને ગંભીર બેદરકારી તથા કાયદાના ઉલ્લંઘન બદલ વડોદરા અને અમદાવાદની ત્રણ જાણીતી ફાર્મા પેઢીઓના પરવાના તાત્કાલિક અસરથી રદ્દ કરી દીધા છે.</p><h2 style="text-align: justify; "><b>મોટા પાયે બોગસ બિલો બનાવવામાં આવ્યા&nbsp;</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને મળેલી ચોક્કસ બાતમીના આધારે વડોદરાના સન ફાર્મા રોડ પર આવેલી SD ફાર્મા ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો.તપાસ દરમિયાન આ પેઢીએ ઉત્તરપ્રદેશથી આશરે 9 હજાર બોટલ જેટલો મોટો કોડીન કફ સીરપનો જથ્થો ખરીદ્યો હતો.આ નશાકારક સીરપના જથ્થાને કાગળ પર છુપાવવા અને બ્લેક માર્કેટમાં વેચવા માટે મોટા પાયે બોગસ બિલો બનાવવામાં આવ્યા હતા.</p><h3 style="text-align: justify; "><b>ત્રણેય પેઢીઓના પરવાના રદ્દ કરી દીધા</b></h3><p style="text-align: justify; ">SD ફાર્મા દ્વારા આ કફ સીરપનો જથ્થો વડોદરાની હરણી વિસ્તારમાં આવેલી 'AJ એન્ટરપ્રાઇઝ' તથા અમદાવાદની 'પ્રાન્સી એન્ટરપ્રાઇઝ'ને સપ્લાય કરવામાં આવ્યો હતો.ગેરકાયદેસર રીતે નશાકારક દવાઓનો જથ્થો સપ્લાય કરવાનો કાળો કારોબાર પકડાતાં તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. આ સમગ્ર રેકેટ બહાર આવતાં જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે SD ફાર્મા, AJ એન્ટરપ્રાઇઝ અને પ્રાન્સી એન્ટરપ્રાઇઝ  આ ત્રણેય પેઢીઓના પરવાના રદ્દ કરી દીધા છે.તંત્ર દ્વારા આ કેસમાં સંકળાયેલા તમામ સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/sog-inspects-security-agencies-after-security-guard-crime-incident" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad: સિક્યુરિટી કર્મચારીના કુકર્મ બાદ SOG એક્શનમાં, ખાનગી એજન્સીઓમાં ચેકિંગ શરૂ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/RRKhYrTmgCkURaR8XjTeYKVj4PhiScwiXscx7LPP.webp'/></item><item><title><![CDATA[Olympic મેડલિસ્ટ સુશીલ કુમારને મોટો ઝટકો, કોર્ટે જામીન અરજી ફગાવી ]]></title><link>https://sandesh.com/sports/news/sushil-kumar-bail-denied-sagar-dhankhar-case</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/sushil-kumar-bail-denied-sagar-dhankhar-case</guid><pubDate>Tue, 11 Aug 2026 20:15:25 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દિલ્હી હાઈકોર્ટે ભૂતપૂર્વ જુનિયર રાષ્ટ્રીય કુસ્તી ચેમ્પિયન સાગર ધનખરની હત્યા કેસમાં ઓલિમ્પિક ચંદ્રક વિજેતા સુશીલ કુમારને જામીન આપવાની ના પાડી છે.&nbsp;</p><p style="text-align: justify; ">ન્યાયાધીશ પુરુષેન્દ્ર કુમારે 6 ઓગસ્ટના રોજ જામીન અરજી ફગાવી દીધી હતી, જેમાં સુપ્રીમ કોર્ટે ઉઠાવેલી ચિંતાઓ, સાક્ષીઓને પ્રભાવિત કરવાની તેમની ક્ષમતા, ધરપકડ પહેલાંના તેમના વર્તન, ગુનાની ગંભીરતા અને ચાલુ ટ્રાયલના પરિણામને પ્રભાવિત કરવાની તેમની ક્ષમતા અંગે પહેલવાનના અગાઉના જામીન રદ્દ કરવા જેવા અનેક કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.&nbsp;</p><p style="text-align: justify; ">ન્યાયાધીશે નોંધ્યું કે સામાન્ય રીતે જામીન એ નિયમ છે અને જેલ એ અપવાદ છે, પરંતુ આ કિસ્સામાં ગુનો પૂર્વયોજિત હતો અને હુમલો ક્રૂર હતો, જેના પરિણામે મૃત્યુ થયું.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>દિલ્હી પોલીસ અને ધનખરના પિતાએ જામીન અરજીનો વિરોધ કર્યો</b></h2><p style="text-align: justify; ">ટ્રાયલ દરમિયાન હથિયાર, વીડિયો પુરાવા અને અન્ય પુરાવાઓની તપાસ બાકી છે જેનાથી આ વાતની પુષ્ટિ થાય છે. દિલ્હી પોલીસ અને ધનખરના પિતાએ જામીન અરજીનો વિરોધ કર્યો હતો.&nbsp;</p><p style="text-align: justify; ">કોર્ટે કહ્યું કે સુપ્રીમ કોર્ટે અગાઉના જામીન રદ્દ કરતી વખતે, તેનો કેસ એ હકીકત પર આધારિત હતો કે સુશીલનો સમાજમાં નોંધપાત્ર દરજ્જો અને પ્રભાવ હતો, અને જ્યારે પણ તેને થોડા સમય માટે મુક્તિ આપવામાં આવતી હતી, ત્યારે સાક્ષીઓ વિરોધી બની જતા હતા.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>સુશીલ કુમારની મે 2021માં કરવામાં આવી હતી ધરપકડ</b></h3><p style="text-align: justify; ">સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી મુક્તિ હેઠળ પરિસ્થિતિઓમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થયો છે, અથવા તેમને અલગ નિયમિત જામીન મળવા જોઈએ તે સાબિત કરવા માટે અરજદારે કોઈ કેસ રજૂ કર્યો નથી.</p><p style="text-align: justify; ">સુશીલ કુમારની મે 2021માં ધરપકડ કરવામાં આવી હતી અને 19 જુલાઈ, 2023ના રોજ સેશન્સ કોર્ટે તેમને ઘૂંટણની સર્જરી માટે એક અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા હતા.</p><p style="text-align: justify; ">13 ઓગસ્ટ, 2025 ના રોજ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને રદ્દ કરીને આ કેસમાં સુશીલ કુમારના જામીન રદ્દ કર્યા. કોર્ટે જણાવ્યું હતું કે તેમના "સાક્ષીઓને પ્રભાવિત" કરવાની અથવા ટ્રાયલ વિલંબિત કરવાની શક્યતા નકારી શકાય નહીં. હાઈકોર્ટે 4 માર્ચ, 2025ના રોજ તેમને જામીન આપ્યા.&nbsp;</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/tWfjHAD3vev3RPiRvN2Ox6Ao7iIbHkz1IvHxMIyN.webp'/></item><item><title><![CDATA[India News : ‘તૃષાને ડેપ્યુટી CM ક્યારે બનાવશો?’ AIADMK નેતાના નિવેદનથી ખળભળાટ ]]></title><link>https://sandesh.com/india/news/india-news-when-will-you-make-trisha-the-deputy-cm-aiadmk-leaders-statement-creates-uproar</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/india-news-when-will-you-make-trisha-the-deputy-cm-aiadmk-leaders-statement-creates-uproar</guid><pubDate>Tue, 11 Aug 2026 20:10:24 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અભિનેતા થલપતિ વિજય તામિલનાડુના CM બન્યા બાદ અભિનેત્રી તૃષા વિપક્ષી પક્ષોના નિશાના પર આવી ગઈ છે. DMKના ઉદયનિધિ સ્ટાલિન બાદ હવે AIADMKના સિનિયર નેતા આર.બી. ઉદયકુમારે વિવાદાસ્પદ નિવેદન આપતાં પૂછ્યું છે કે, વિજયની 'લાડકી' તૃષાને તામિલનાડુના ડેપ્યુટી CM ક્યારે બનાવવામાં આવશે. 8 ઓગસ્ટે થૂથુકુડીમાં યોજાયેલી એક બેઠક દરમિયાન તેમણે વિજયની પાર્ટી 'તમિલગા વેત્રી કઝગમ' (TVK) દ્વારા ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોની નિમણૂકો અંગે આ રાજકીય પ્રહાર કર્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>તૃષાના ફેન્સનો વિરોધ અને પોસ્ટર વોર</b></h2><p style="text-align: justify; ">AIADMK નેતા ઉદયકુમારની આ ટિપ્પણી બાદ તૃષાના ચાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 'તૃષા ફેન્સ એસોસિએશન' દ્વારા મદુરાઈમાં વિવિધ જગ્યાએ પોસ્ટરો લગાવીને નેતાના નિવેદનની આકરા શબ્દોમાં નિંદા કરવામાં આવી છે. વિજય અને તૃષા વચ્ચેના સબંધોની અફવાઓ સામે આવ્યા બાદથી ફિલ્મ અને રાજકારણ ક્ષેત્રના નેતાઓ અવારનવાર અભિનેત્રી પર અંગત અને આપત્તિજનક ટિપ્પણીઓ કરતા જોવા મળી રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>અગાઉ DMK અને BJP નેતાઓ પણ કરી ચૂક્યા છે ટિપ્પણી</b></h2><p style="text-align: justify; ">આ અગાઉ ગૃહ રાજ્યમંત્રી અને DMK નેતા ઉદયનિધિ સ્ટાલિને કાવેરી મુદ્દે યોજાયેલી રેલીમાં તૃષા પર દ્વિઅર્થી (ડબલ મિનિંગ) ટિપ્પણી કરી હતી, જે અંગે TVKની મહિલા પાંખે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. આ સિવાય ચાલુ વર્ષની શરૂઆતમાં તામિલનાડુ ભાજપના નેતા નૈનાર નાગેન્દ્રને પણ કહ્યું હતું કે રાજકારણમાં પ્રવેશતા પહેલા વિજયે 'તૃષાના ઘરમાંથી બહાર નીકળવું જોઈએ'. આમ, તામિલનાડુના રાજકારણમાં હાલ તૃષાના નામે રાજકીય ખેંચતાણ ચાલુ છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/india/news/weather/weather-today-heavy-rain-in-thane-water-enters-houses-in-mp-know-the-rainfall-situation-from-up-to-rajasthan" target="_blank">Weather Update Today: થાણેમાં ધોધમાર, MPમાં ઘરોમાં ઘુસ્યા પાણી..જાણો UPથી લઇને રાજસ્થાન સુધી વરસાદની સ્થિતિ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/Te96FMURzB7ruO2qO7sFUU4R8vGp5z3O4VsAMryb.webp'/></item><item><title><![CDATA[Surat: છાતીમાં ઘૂસેલી છરી સાથે લાવેલા મહારાષ્ટ્રના યુવકની 3 કલાક જટિલ સર્જરી કરી જીવ બચાવ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/new-civil-hospital-doctors-save-man-with-knife-stuck-in-chest-3-hour-surgery</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/new-civil-hospital-doctors-save-man-with-knife-stuck-in-chest-3-hour-surgery</guid><pubDate>Tue, 11 Aug 2026 20:05:36 +05:30</pubDate><description><![CDATA[<p>મહારાષ્ટ્રના રહેવાસી 40 વર્ષીય નિતેશભાઈ ગાવિત કોઈ અકસ્માત કે હુમલાની ઘટનામાં છાતીના ભાગે ગંભીર રીતે ઘવાયેલા હતા. તીક્ષ્ણ છરીનો અડધો ભાગ તેમની છાતીમાં જ ઊંડે સુધી ઘૂસી ગયેલી ગંભીર હાલતમાં તેમને વધુ સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.</p><h2><b>સુરત નવી સિવિલના તબીબોની કમાલ</b></h2><p>સિવિલના ઈમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યા ત્યારે છરીની ધારદાર અણી નિતેશભાઈના ફેફસામાં વાગી જવાથી મોટો કટ પડ્યો હતો. આ છરી હૃદયના અત્યંત સંવેદનશીલ આવરણની નજીક પહોંચી ગઈ હતી, જેના કારણે ભારે પ્રમાણમાં રક્તસ્ત્રાવ થઈ રહ્યો હતો અને યુવક જીવન અને મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો હતો.</p><h3><b>તબીબોની ટીમે સફળતાપૂર્વક છરી બહાર કાઢી</b></h3><p>ઘટનાની ગંભીરતાને જોઈને સુરત સિવિલ હોસ્પિટલના સર્જરી અને ટ્રોમા વિભાગના નિષ્ણાત તબીબોની ટીમે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર યુવકને ઓપરેશન થિયેટરમાં લીધો હતો. હૃદય અને ફેફસાં જેવા મહત્વના અંગોને વધુ નુકસાન પહોંચાડ્યા વિના છરી બહાર કાઢવી એ તબીબો માટે મોટો પડકાર હતો.</p><h4><b>3 કલાક સુધી ચાલી જટિલ સર્જરી</b></h4><p>સિવિલના તબીબોની ટીમે સતત 3 કલાક સુધી અત્યંત જટિલ સર્જરી કરી છરીને સફળતાપૂર્વક બહાર કાઢી હતી અને ફેફસાના કટનું ક્ષતિપૂર્તિ સમારકામ કરી રક્તસ્ત્રાવ અટકાવ્યો હતો. સર્જરી બાદ તબીબોની આકરી મહેનત રંગ લાવી હતી. નિતેશભાઈ ગાવિત હવે સંપૂર્ણપણે ભયમુક્ત અને સ્વસ્થ થતાં તબીબોએ તેમને આઈસીયુ (ICU) માંથી જનરલ વોર્ડમાં શિફ્ટ કર્યા છે. તબીબોની આ ભગીરથ કામગીરીને દર્દીના પરિવારે બિરદાવી આભાર માન્યો હતો.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/vadodara/shinora-taluka-rainfall-sadhli-avakhal-28-93-inches-total-rain" target="_blank">આ પણ વાંચો: Vadodara: શિનોર પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની મહેર; સાધલી, ઉતરાજ અને અવાખલમાં વરસ્યો વરસાદ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/YReHmOSfWcaW27xbZB0p78QcXSzcjfYNugjmWxpF.webp'/></item><item><title><![CDATA[Cancerને 'નોટિફાયેબલ ડિસીઝ' જાહેર કરો, સુપ્રીમ કોર્ટે 19 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને આપ્યો નિર્દેશ ]]></title><link>https://sandesh.com/india/news/supreme-court-19-states-uts-cancer-notifiable-disease</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/supreme-court-19-states-uts-cancer-notifiable-disease</guid><pubDate>Tue, 11 Aug 2026 20:04:22 +05:30</pubDate><description><![CDATA[<p>દેશમાં કેન્સરના કેસોની સમયસર ઓળખ, યોગ્ય મોનિટરિંગ અને દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે. મંગળવારે કોર્ટે બાકીના 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્સરને 'નોટિફાયેબલ ડિસીઝ' એટલે કે અધિસૂચિત રોગ જાહેર કરવા અંગે વિચારણા કરવા જણાવ્યું છે.</p><p>ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે કેન્દ્ર સરકારને પણ પૂછ્યું કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એકસમાન નીતિ સુનિશ્ચિત કરવા માટે ફરજિયાત માર્ગદર્શિકા કેમ બહાર પાડી શકાય નહીં.</p><h2><b>યોગ્ય નિર્ણય લઈ સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો</b></h2><p>સુનાવણી દરમિયાન કેન્દ્ર તરફથી હાજર એડિશનલ સોલિસિટર જનરલ અનિલ કૌશિકે જણાવ્યું કે આરોગ્ય રાજ્યનો વિષય છે. તેમણે કોર્ટને માહિતી આપી કે દેશના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 17 પહેલેથી જ કેન્સરને નોટિફાયેબલ ડિસીઝ જાહેર કરી ચૂક્યા છે. ત્યારબાદ કોર્ટે બાકીના 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સંસદીય સ્થાયી સમિતિની ભલામણો પર વિચાર કરીને યોગ્ય નિર્ણય લેવા તથા પાલન અંગેનું સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો.&nbsp;</p><h3><b>શું છે સમગ્ર મામલો?</b></h3><p>આ મામલો AIIMS નવી દિલ્હીના સર્જિકલ ડિસિપ્લિન વિભાગના પૂર્વ વડા અને જાણીતા તબીબ ડૉ. અનુરાગ શ્રીવાસ્તવ દ્વારા દાખલ કરવામાં આવેલી જનહિત અરજી સાથે જોડાયેલો છે. અરજીમાં સમગ્ર દેશમાં કેન્સરના કેસોની ફરજિયાત અને એકસમાન રિપોર્ટિંગ માટે તેને નોટિફાયેબલ ડિસીઝ જાહેર કરવાની માગ કરવામાં આવી છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે અલગ-અલગ રાજ્યોમાં અલગ રિપોર્ટિંગ વ્યવસ્થાના કારણે કેન્સરના આંકડા વિખરાયેલા છે. તેના કારણે રોગની દેખરેખ અને વાસ્તવિક સ્થિતિનું મૂલ્યાંકન મુશ્કેલ બને છે.</p><p>અરજીમાં કોવિડ-19 દરમિયાનના CoWIN પ્લેટફોર્મની જેમ રિયલ-ટાઈમ ડિજિટલ નેશનલ કેન્સર રજિસ્ટ્રી બનાવવાની પણ માગ કરવામાં આવી છે. આવી એકસમાન વ્યવસ્થાથી કેન્સરની વહેલી ઓળખ, સમયસર સારવાર અને દર્દીઓના પરિણામોમાં સુધારો લાવવામાં મદદ મળી શકે છે.&nbsp;</p><p><b><a href="https://sandesh.com/india/news/india-news-insulting-vande-mataram-will-now-become-a-crime-law-comes-into-effect-after-presidents-approval" target="_blank">આ પણ વાંચો : India News : ‘વંદે માતરમ‌’નું અપમાન હવે બનશે ગુનો, રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કાયદો થશે લાગુ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/qPz9b3t6g5lsyE7SmHi8Gjo4P8w4o0ErPqUiQlR4.webp'/></item><item><title><![CDATA[Banaskantha News: અમીરગઢના ઈકબાલગઢ પાસે ઈનોવા કારે રિક્ષાને ટક્કર મારતા યુવકનું મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/amirgadh-iqbalgadh-road-accident</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/amirgadh-iqbalgadh-road-accident</guid><pubDate>Tue, 11 Aug 2026 19:32:15 +05:30</pubDate><description><![CDATA[<p>બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલા ઈકબાલગઢ નજીક એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી અનુસાર, અમીરગઢના ચેખલા ગામે રહેતા જેસાભાઈ મકવાણા પોતાની રિક્ષા લઈને પત્ની સાથે ઘર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ઈકબાલગઢના ચેખલાના પાટિયા પાસેથી પસાર થતાં સમયે પૂરપાટ ઝડપે આવી રહેલી એક ઈનોવા કારના ચાલકે રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી.</p><h2><b>પતિનું ઘટના સ્થળે જ નીપજ્યું મોત</b></h2><p>ઈનોવા કારની ધડાકાભેર ટક્કરથી રિક્ષાનો કુરચેકુરચો ઊડી ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં રિક્ષા ચલાવી રહેલા ચેખલા ગામના જેસાભાઈ મકવાણાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું. જ્યારે રિક્ષામાં સવાર તેમની પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. અકસ્માત બાદ સ્થાનિકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત મહિલાને વધુ સારવાર અર્થે ઈકબાલગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.</p><p><img alt="Banaskantha News: Fatal Collision Between Innova and Auto Rickshaw Near Amirgadh; 1 Dead, 1 Injured" src="https://epapercdn.sandesh.com/images/2026/08/11/D6f6JeCrFYAJX5TT8bSUuMkQLk6beNCYMZ01syC2.webp" style="width: 100%;"><br></p><h2><b>અકસ્માત સર્જી ફરાર થયેલો ઈનોવા ચાલક ખેમોણા ટોલ પ્લાઝા પાસેથી ઝડપાયો</b></h2><p>અકસ્માત સર્જાયા બાદ પકડાઈ જવાના ડરે ઈનોવા કારનો ડ્રાઈવર વાહન લઈને ઘટના સ્થળેથી પૂરપાટ ઝડપે ફરાર થઈ ગયો હતો. ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા જ અમીરગઢ પોલીસ ત્વરિત એક્શનમાં આવી હતી. પોલીસે નાકાબંધી કરીને નાસી છૂટેલા ઈનોવા ચાલકને ખેમોણા ટોલ પ્લાઝા પાસેથી ઝડપી લીધો હતો અને કાર કબ્જે લીધી હતી.</p><p><img alt="Banaskantha News: Fatal Collision Between Innova and Auto Rickshaw Near Amirgadh; 1 Dead, 1 Injured" src="https://epapercdn.sandesh.com/images/2026/08/11/pHMEQJgYiAtPZSmLxYTnL8D7j0D36MSYBgw7tDf9.webp" style="width: 100%;"><br></p><h2><b>અમીરગઢ પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી કાનૂની કાર્યવાહી હાથ ધરી</b></h2><p>ઘટનાની જાણ થતાં જ અમીરગઢ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતક જેસાભાઈ મકવાણાના મૃતદેહનો કબ્જો મેળવીને પોસ્ટ મોર્ટમ અર્થે અમીરગઢ સરકારી દવાખાને ખસેડ્યો હતો. અમીરગઢ પોલીસે ગુનો નોંધીને પકડાયેલા ઈનોવા કાર ચાલક સામે અકસ્માત અને હિટ એન્ડ રન હેઠળ વધુ કાનૂની તપાસ હાથ ધરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/deodar-lavana-goga-maharaj-temple-theft-solved-banaskantha-lcb-arrests-3" target="_blank"> Banaskantha: દિયોદરના લવાણા ગોગા મહારાજ મંદિર ચોરીનો પર્દાફાશ, LCB એ રાજસ્થાનના 3 આરોપીઓને ઝડપ્યા</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/XvDORqp1XHoAKiidhsdPqRYpmv3BXJHHrF2IOP3H.webp'/></item><item><title><![CDATA[FSSAIના નવા નિયમો લાગુ, પાન મસાલાના પ્લાસ્ટિક પેકેજિંગ પર પ્રતિબંધ ]]></title><link>https://sandesh.com/business/news/india/fssai-new-rules-pan-masala-plastic-packaging-ban-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/fssai-new-rules-pan-masala-plastic-packaging-ban-2026</guid><pubDate>Tue, 11 Aug 2026 17:58:15 +05:30</pubDate><description><![CDATA[<p>પાન મસાલા ખરીદનારા ગ્રાહકોને આગામી દિવસોમાં તેના પેકેટમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધોરણ પ્રાધિકરણ (FSSAI)એ પાન મસાલાના પેકેજિંગને લઈને નવા નિયમો લાગુ કર્યા છે. આ નિયમો 10 ઓગસ્ટ 2026થી અમલમાં આવ્યા છે. નવા નિયમો હેઠળ પાન મસાલાના પેકિંગમાં ચોક્કસ પ્રકારના પ્લાસ્ટિક અને સિન્થેટિક સામગ્રીના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.</p><h2><b>પેકેજિંગ વ્યવસ્થામાં મોટા ફેરફાર થશે</b></h2><p>નવા નિયમો મુજબ પાન મસાલાના પેકેજિંગમાં પોલિએથિલીન, પોલિપ્રોપિલીન, પોલિએસ્ટર, PVC સહિતના સિન્થેટિક પોલિમર અને કો-પોલિમરનો ઉપયોગ કરી શકાશે નહીં. આ ઉપરાંત લેમિનેટ, એલ્યુમિનિયમ ફોઈલ અને મેટલાઈઝ્ડ લેયર ધરાવતા પેકેજિંગ પર પણ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. પરિણામે પાન મસાલા બનાવતી કંપનીઓએ તેમની હાલની પેકેજિંગ વ્યવસ્થામાં મોટા ફેરફાર કરવા પડી શકે છે.</p><h3><b>હવે કઈ સામગ્રીમાં પેક થશે પાન મસાલા?</b></h3><p>નવા નિયમો હેઠળ પાન મસાલાના પેકેજિંગ માટે કાગળ, પેપર બોર્ડ, સેલ્યુલોઝ અને કુદરતી સ્ત્રોતોમાંથી મેળવેલી અન્ય સામગ્રીના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત ટિન અથવા કાચના કન્ટેનરમાં પણ પાન મસાલાનું પેકિંગ કરી શકાશે. પેકેજિંગ બદલવાથી કંપનીઓના ઉત્પાદન ખર્ચમાં વધારો થવાની શક્યતા છે. નવા કાચા માલની વ્યવસ્થા ઉપરાંત પેકેજિંગ મશીનરી અને ઉત્પાદન પ્રક્રિયામાં પણ ફેરફાર કરવાની જરૂર પડી શકે છે. કાગળ, ટિન અને કાચ જેવી વૈકલ્પિક સામગ્રી મોંઘી પડતી હોય તો તેનો થોડો બોજ ગ્રાહકો પર પણ પડી શકે છે.</p><h4><b>કેવા પડકારો ઊભા થઈ શકે?</b></h4><p>પ્લાસ્ટિક આધારિત પેકેજિંગની જગ્યાએ અન્ય સામગ્રીના ઉપયોગથી પાન મસાલાની શેલ્ફ લાઇફ, ભેજથી સુરક્ષા અને પરિવહન દરમિયાન ગુણવત્તા જાળવવા જેવા પડકારો ઊભા થઈ શકે છે. નવા પેકેટના સંગ્રહ અને વેચાણને લઈને જથ્થાબંધ વેપારીઓ તથા દુકાનદારોને પણ પોતાની વ્યવસ્થામાં ફેરફાર કરવો પડી શકે છે.</p><p><a href="https://sandesh.com/business/news/wipro-exits-nifty-50-bse-entry-691-million-investment" target="_blank"><b>આ પણ વાંચો : Nifty 50માંથી વિપ્રોની વિદાય, આ કંપનીની થશે એન્ટ્રી, ઈન્ડેક્સ ફેરફારથી કરોડો ડૉલરના રોકાણની શક્યતા</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/Hgde3MVAN8LbtdlNjAzIT9oQHf66ASHPnX0u83eF.webp'/></item><item><title><![CDATA[Suniel Shetty Birthday: 90ના દાયકાના એક્શન સ્ટાર 'અન્ના'નો જન્મદિવસ, પુત્ર અહાન અને જેકી શ્રોફે પાઠવી ખાસ શુભેચ્છા ]]></title><link>https://sandesh.com/entertainment/news/suniel-shetty-birthday-90s-action-star-anna-celebrates-his-birthday-son-ahan-and-jackie-shroff-send-special-wishes</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/suniel-shetty-birthday-90s-action-star-anna-celebrates-his-birthday-son-ahan-and-jackie-shroff-send-special-wishes</guid><pubDate>Tue, 11 Aug 2026 14:52:31 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડના લોકપ્રિય અભિનેતા સુનીલ શેટ્ટી આજે ૧૧ ઓગસ્ટના રોજ તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ પ્રસંગે સોશિયલ મીડિયા પર ચાહકો, બોલીવુડ સેલિબ્રિટીઝ અને તેમના નજીકના મિત્રો તરફથી શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. અભિનેતાના પુત્ર અહાન શેટ્ટીએ પિતા સાથેની એક સુંદર તસવીર શેર કરીને લખ્યું, "હેપ્પી બર્થડે, પપ્પા." બીજી તરફ, તેમના ખાસ મિત્ર અને દિગ્ગજ અભિનેતા જેકી શ્રોફે પણ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફોટો શેર કરતા લખ્યું, "ધ રીઅલ ભીડુ... હેપ્પી બર્થડે."</p><h2 style="text-align: justify; "><b>અન્નાની જેકી શ્રોફ સાથેની ખાસ કેમિસ્ટ્રી</b></h2><p style="text-align: justify; ">જેકી શ્રોફ અને સુનીલ શેટ્ટી વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા છે. બંને કલાકારોએ 'બોર્ડર' (૧૯૯૭), 'બાઝ: અ બર્ડ ઇન ડેન્જર', 'હલચલ' અને 'અપના સપના મની મની' જેવી અનેક યાદગાર ફિલ્મોમાં સાથે કામ કરીને પ્રેક્ષકોનું મનોરંજન કર્યું છે. તાજેતરમાં આવેલી બોર્ડર 2 ફિલ્મમાં સુનીલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટીએ કામ કર્યું. અગાઉની ફિલ્મમાં એરફોર્સ પાયલટ તરીકેનો રોલ હતો તે બોર્ડર-2માં અહાને કર્યો હતો. અન્ના અને જેકીશ્રોફના સંબંધો હંમેશા સારા રહ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>સુનીલ શેટ્ટીની ૩ દાયકા લાંબી કારકિર્દી અને ૧૦૦થી વધુ ફિલ્મો</b></h3><p style="text-align: justify;">સુનીલ શેટ્ટીએ પોતાની ત્રણ દાયકાથી વધુ લાંબી ફિલ્મી સફરમાં ૧૦૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે વર્ષ ૧૯૯૨માં રિલીઝ થયેલી એક્શન ફિલ્મ 'બલવાન'થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ 'મોહરા', 'દિલવાલે', 'ગોપી કિશન' અને 'સપૂત' જેવી સુપરહિત ફિલ્મો આપીને તેઓ ૯૦ના દાયકાના સૌથી સફળ અને વ્યસ્ત એક્શન સ્ટાર તરીકે સ્થાપિત થયા હતા.</p><h4 style="text-align: justify; "><b>'હેરાફેરી' અને 'ધડકન'થી બદલાયેલી ઈમેજ</b></h4><p style="text-align: justify; ">વર્ષ ૨૦૦૦માં આવેલી કોમેડી ક્લાસિક ફિલ્મ 'હેરા ફેરી'માં 'શ્યામ'નું પાત્ર ભજવીને સુનીલ શેટ્ટીએ પોતાની એક્શન હીરોની છબી બદલી નાખી હતી. આ ઉપરાંત, 'ધડકન' (૨૦૦૦) અને 'મૈં હૂં ના' (૨૦૦૪) જેવી ફિલ્મોમાં નકારાત્મક ભૂમિકા ભજવીને તેમણે પોતાની એક્ટિંગની વિવિધતા સાબિત કરી. 'ધડકન' ફિલ્મમાં તેમના શાનદાર અભિનય માટે તેમને બેસ્ટ વિલનનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. અભિનય ઉપરાંત, તેમણે પોતાના પ્રોડક્શન હાઉસ 'પોપકોર્ન એન્ટરટેઈનમેન્ટ' હેઠળ 'ખેલ', 'રક્ત' અને 'ભાગમ ભાગ' જેવી સફળ ફિલ્મોનું નિર્માણ પણ કર્યું છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/controversy-over-portrayal-of-women-in-partition-1947-it-is-unfair-to-reach-final-conclusions-without-understanding-preity-zintas-blunt-response" target="_blank">આ પણ વાંચો : Partition 1947માં મહિલાઓના ચિત્રણ વિવાદ પર ટિકાકારો અને વિરોધ કરનારાઓને પ્રિતી ઝિન્ટાનો રોકડો જવાબ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/GKjEqdrVAMv4uzXKAO7cv0SAwkB7pFXCZIyzGQbJ.webp'/></item></channel></rss>