<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Spider-Manનો ભારતીય બોક્સ ઓફિસ પર ધમાકો, 'અવતાર 2'નો રેકોર્ડ તોડી રચ્યો નવો ઇતિહાસ ]]></title><link>https://sandesh.com/entertainment/news/spider-man-explodes-at-the-indian-box-office-breaks-the-record-of-avatar-2-and-creates-new-history</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/spider-man-explodes-at-the-indian-box-office-breaks-the-record-of-avatar-2-and-creates-new-history</guid><pubDate>Mon, 10 Aug 2026 09:40:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હોલીવુડ ફિલ્મોનો ભારતમાં ક્રેઝ હંમેશા રહ્યો છે, પરંતુ તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે' એ કમાણીના તમામ જૂના રેકોર્ડ ધ્વસ્ત કરી દીધા છે. ટોમ હોલેન્ડ સ્ટારર આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર એવો જાદુ ચલાવ્યો છે કે ચાહકો તેના દીવાના બન્યા છે.</p><h2 style="text-align: justify; "><b>સ્પાઈડર મેનની બોક્સ ઓફિસ પર કમાણીની સુનામી</b></h2><p style="text-align: justify; ">ફિલ્મે તેની રિલીઝના પ્રથમ વીકએન્ડમાં જ ₹200 કરોડનો આંકડો ખૂબ જ સહેલાઈથી પાર કરી લીધો હતો. વીકડેઝ દરમિયાન કમાણીમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ બીજા સપ્તાહના અંતે ફિલ્મે ફરી જોરદાર વાપસી કરી હતી. બીજા શનિવારે ધૂમ મચાવતા ફિલ્મે ₹31 કરોડનું કલેક્શન કર્યું, જેનાથી તેનું કુલ કલેક્શન ₹380 કરોડ પહોંચી ગયું હતું.</p><h3 style="text-align: justify; "><b>૧૧મા દિવસે રચાચો ઐતિહાસિક રેકોર્ડ</b></h3><p style="text-align: justify; ">રવિવારે એટલે કે રિલીઝના ૧૧મા દિવસે આ ફિલ્મે ભારતીય સિનેમાના ઇતિહાસમાં નવું પાનું ઉમેર્યું. 'સાકનિલ્ક' (Sacnilk) ના અહેવાલ મુજબ, ૧૧મા દિવસે સાંજ સુધીમાં ફિલ્મે ₹30.4 કરોડનું ઉત્કૃષ્ટ કલેક્શન કર્યું. આ સાથે જ ફિલ્મની કુલ કમાણી ₹411.15 કરોડ સુધી પહોંચી ગઈ છે. આ સાથે 'સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે' ભારતમાં ₹400 કરોડનો આંકડો પાર કરનારી સૌથી ઝડપી અને એકમાત્ર હોલીવુડ ફિલ્મ બની ગઈ છે.</p><h4 style="text-align: justify; "><b>જેમ્સ કેમેરોનની 'અવતાર 2' ને આપી ધોબીપછાડ</b></h4><p style="text-align: justify; ">આ પહેલા ભારતમાં સૌથી વધુ કમાણી કરવાનો તાજ જેમ્સ કેમેરોનની ફિલ્મ 'અવતાર 2' (2022) ના માથે હતો, જેણે લાઈફટાઈમ ₹390.6 કરોડનું નેટ કલેક્શન કર્યું હતું. 'અવતાર 2' ને આ સિદ્ધિ મેળવવામાં મહિનાઓ લાગ્યા હતા, જ્યારે ટોમ હોલેન્ડની 'સ્પાઇડર-મેન' એ માત્ર ૧૧ જ દિવસમાં આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.</p><h4 style="text-align: justify; "><b>શું ફિલ્મ ₹450 કરોડનો આંકડો સ્પર્શી શકશે?</b></h4><p style="text-align: justify; ">ફિલ્મ જે ઝડપે આગળ વધી રહી છે તે જોતાં ટૂંક સમયમાં જ આ ફિલ્મ ભારતમાં ₹450 કરોડનું નેટ કલેક્શન કરી લેશે તેવી પૂરી શક્યતા છે. જોકે, આગામી દિવસોમાં બોક્સ ઓફિસ પર 'પાર્ટીશન ૧૯૪૭' અને 'આવારાપન ૨' રિલીઝ થઈ રહી છે. જો આ ભારતીય ફિલ્મોને દર્શકોનો સારો પ્રતિસાદ મળશે તો સ્પાઇડર-મેનની કમાણીની રફતાર થોડી ધીમી પડી શકે છે. તેમ છતાં, હાલ તો ભારતીય બોક્સ ઓફિસ પર સ્પાઇડર-મેનનું જ રાજ ચાલી રહ્યું છે.<br><br><a href="https://sandesh.com/entertainment/news/aamir-khan-third-marriage-gauri-spratt-kbc-18" target="_blank">આ પણ વાંચો : Aamir Khan ચોથા લગ્ન ક્યારે કરશે? KBC 18ના પ્રોમો પર યુઝર્સે કરી આવી કોમેન્ટ્સ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/nhSs5Tg4ZvdOSzRkMXIUUsSyQWb2ihhb3vcTMOdP.webp'/></item><item><title><![CDATA[Narmadaના સાગબારામાં જંગલ જમીન મુદ્દે આદિવાસી ખેડૂતોના ધરણાંનો ત્રીજો દિવસ: પશુઓ સાથે વિરોધ યથાવત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/narmada/third-day-of-tribal-farmers-protest-over-forest-land-issue-in-narmadas-sagbara</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/narmada/third-day-of-tribal-farmers-protest-over-forest-land-issue-in-narmadas-sagbara</guid><pubDate>Mon, 10 Aug 2026 09:38:28 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નર્મદા જિલ્લાના સાગબારા વિસ્તારમાં જંગલ જમીનના અધિકારોને લઈને શરૂ થયેલું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. સાગબારાના 12 જેટલા ગામોના આદિવાસી ખેડૂતોના ધરણાંનો આજે ત્રીજો દિવસ છે. પોતાના હક અને ન્યાય માટે આદિવાસીઓ આખી રાત પોતાના પરિવાર અને મુગ્ગા પશુઓ સાથે ધરણાં સ્થળ પર જ રોકાયા હતા. ભીષણ ગરમી અને ચોમાસાના વાતાવરણ વચ્ચે પશુઓને પીવાનું પાણી પણ ન મળતાં તેમની હાલત કફોડી બની છે. ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જ્યાં સુધી જમીનનો યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન જારી રહેશે.</p><h2 style="text-align: justify; "><b>સાંસદે ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત</b></h2><p style="text-align: justify; ">બીજી તરફ, આ સળગતા પ્રશ્નનો ઉકેલ લાવવા માટે ભરૂચના સાંસદ મનસુખ વસાવા ગઈકાલે રાત્રે ગાંધીનગર પહોંચ્યા હતા. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ખાસ મુલાકાત કરીને સાગબારાના 12 ગામોના ખેડૂતો છેલ્લા 25 વર્ષથી કરી રહેલા જમીનના ખેડાણ અંગે વિગતવાર રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ આ મામલે રાજ્યના વન મંત્રી અને ફોરેસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપી છે. નોંધનીય છે કે આ વિસ્તારના ખેડૂતોના હક માટે ઉમરપાડા વનસમિતિ અને પંચાયતના દાખલાઓ મહત્વના પુરવાર થાય તેમ છે.</p><h3 style="text-align: justify; "><b>વહીવટી ઉકેલ ન આવતાં આંદોલનકારીઓમાં અસંતોષ</b></h3><p style="text-align: justify; ">મુખ્યમંત્રી અને સાંસદ વચ્ચેની ઉચ્ચ સ્તરીય મુલાકાત બાદ પણ સ્થળ પર કોઈ સત્તાવાર નિવારણ કે ખાતરી ન મળતાં ખેડૂતોમાં અસંતોષ યથાવત છે. જંગલ ખાતાની કથિત નીતિઓ સામે આદિવાસી સમાજ પોતાના અસ્તિત્વ અને જમીનના હક માટે અડગ રહ્યો છે. જ્યાં સુધી કાગળ પર નક્કર નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી પશુઓ સાથે આ જ રીતે વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાનો આદિવાસી ખેડૂતોએ મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/ZgQKHuB2n5lUVakwqwNVzXSveZLCNDwKIkkx3S6Z.webp'/></item><item><title><![CDATA[Ranchi Students Protest : ઝારખંડમાં વિધાનસભા માર્ચ પહેલા પ્રશાસન એલર્ટ, કલમ 163 લાગુ ]]></title><link>https://sandesh.com/india/news/ranchi-students-protest-administration-alert-before-assembly-march-in-jharkhand-section-163-applied</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ranchi-students-protest-administration-alert-before-assembly-march-in-jharkhand-section-163-applied</guid><pubDate>Mon, 10 Aug 2026 09:23:29 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રાંચીના જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમમાં ધરણા પર બેઠા છે. સરકાર સાથે ત્રણ તબક્કાની વાતચીત નિષ્ફળ ગયા બાદ હવે વિદ્યાર્થીઓએ ઝારખંડ વિધાનસભાનો ઘેરાવ કરવાનો નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓનો વિધાનસભા માર્ચ સવારે 10 વાગ્યે શરૂ થવાનો છે. આ માર્ચને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસને સુરક્ષાની કડક વ્યવસ્થા કરી છે. વિધાનસભાની આસપાસ અનેક સ્તરની સુરક્ષા ગોઠવવામાં આવી છે અને કાંટાળા તાર લગાવીને બેરિકેડિંગ કરવામાં આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>પ્રશાસન પણ એલર્ટ મોડમાં</b></h2><p style="text-align: justify; ">વિદ્યાર્થીઓએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તેમની તમામ માગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે. રવિવારની સવારથી જ ઝારખંડના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રાંચી પહોંચવા લાગ્યા હતા. જૂની વિધાનસભા પરિસર અને મોરહાબાદી મેદાન નજીક ઉમેદવારોની ભીડ એટલી વધી ગઈ હતી કે ત્યાં બનાવવામાં આવેલો પંડાલ પણ નાનો પડી ગયો હતો. વિદ્યાર્થીઓની વધતી સંખ્યાને કારણે પ્રશાસન પણ એલર્ટ મોડમાં છે.</p><h3 style="text-align: justify; "><b>રાંચી જિલ્લા પ્રશાસનની વિદ્યાર્થીઓને અપીલ</b></h3><p style="text-align: justify; ">વિદ્યાર્થીઓના વિધાનસભા માર્ચને ધ્યાનમાં રાખીને રાંચી જિલ્લા પ્રશાસને આંદોલનકારીઓને શાંતિ જાળવવાની અપીલ કરી છે. પ્રશાસને વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારના ઉગ્ર પ્રદર્શનથી દૂર રહેવા જણાવ્યું છે. સાથે જ વિધાનસભા માર્ચ દરમિયાન હિંસા અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ થનારાઓ સામે કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.</p><p style="text-align: justify; ">રવિવારે મધરાતથી જમશેદપુરમાં પણ નિષેધાજ્ઞા એટલે કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 હેઠળ પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. બીજી તરફ આંદોલનકારી વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે કે ઝારખંડના વિવિધ વિસ્તારોમાંથી રાજધાની રાંચી આવી રહેલા સેંકડો વિદ્યાર્થીઓને પોલીસ બળજબરીથી રોકી રહી છે.</p><h4 style="text-align: justify; "><b>ત્રીજા તબક્કાની વાતચીતમાં પણ ઉકેલ નહીં</b></h4><p style="text-align: justify; ">આ પહેલા રવિવારે વિદ્યાર્થીઓ અને સરકારના પ્રતિનિધિઓ વચ્ચે ત્રીજા તબક્કાની બેઠક યોજાઈ હતી. આ બેઠક પાંચ કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. સરકાર દ્વારા વિદ્યાર્થીઓની કેટલીક મહત્વપૂર્ણ માગણીઓ સ્વીકારવાની તૈયારી દર્શાવવામાં આવી હતી અને આંદોલન સમાપ્ત કરાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી.</p><p style="text-align: justify; ">સરકાર 14મી JPSC પરીક્ષા રદ કરવા અને સમગ્ર મામલાની તપાસ કરાવવા માટે તૈયાર હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓની અન્ય કેટલીક માગણીઓ પર પણ સરકાર તરફથી સહમતિ દર્શાવવામાં આવી હતી. જોકે CBI તપાસ સહિતના કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સહમતિ બની શકી નહોતી. જેના કારણે વાતચીત કોઈ અંતિમ નિર્ણય સુધી પહોંચી શકી નથી.</p><h5 style="text-align: justify; "><b>પોલીસ પ્રશાસન એલર્ટ</b></h5><p style="text-align: justify; ">વિદ્યાર્થીઓના પ્રસ્તાવિત વિધાનસભા માર્ચને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસનને સંપૂર્ણપણે એલર્ટ કરવામાં આવ્યું છે. એડીજી હેડક્વાર્ટર મનોજ કૌશિકે જણાવ્યું કે માર્ચ દરમિયાન કોઈ પ્રકારની અશાંતિની શક્યતાને ધ્યાનમાં રાખીને જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.</p><p style="text-align: justify; ">તેમણે વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે માર્ચમાં જોડાવાની અપીલ કરી છે. એડીજીએ કહ્યું કે છેલ્લા બે અઠવાડિયાથી વધુ સમયથી ચાલી રહેલા આંદોલનમાં વિદ્યાર્થીઓએ અત્યાર સુધી શિસ્ત જાળવી છે. તેમણે વિદ્યાર્થીઓને અપીલ કરી કે તેઓ અસામાજિક તત્વો અને ઉપદ્રવ કરનારા લોકોને માર્ચમાં સામેલ થતા રોકે. હવે વિદ્યાર્થીઓનો વિધાનસભા માર્ચ અને સરકારની આગામી કાર્યવાહી પર સૌની નજર રહેશે.</p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/TgBvzgNOA9joULxHWOM9Ufsem0SRC3CpJEnsBHd9.webp'/></item><item><title><![CDATA[Rajkotના અણિયારા ગામેથી પ્રતિબંધિત એનાલોગ પનીર અને ચીઝના 550 કિલો અખાદ્ય જથ્થાનો SOG દ્વારા કરાયો નાશ ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/sog-destroys-550-kg-of-inedible-banned-analogue-paneer-and-cheese-from-aniyara-village-in-rajkot</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/sog-destroys-550-kg-of-inedible-banned-analogue-paneer-and-cheese-from-aniyara-village-in-rajkot</guid><pubDate>Mon, 10 Aug 2026 08:49:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ શહેરમાં પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતા નકલી અને અખાદ્ય ખાદ્યપદાર્થોના વેપારીઓ સામે રાજકોટ એસઓજી (Special Operations Group) પોલીસે લાલ આંખ કરી છે. એસઓજીની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે કુવાડવા નજીક આવેલા અણિયારા ગામે ધમધમતી 'ગોવાલિયા ફૂડ' નામની પેઢી પર અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન આ સ્થળેથી આરોગ્ય માટે અત્યંત હાનિકારક એવું પ્રતિબંધિત એનાલોગ પનીર અને ચીઝ બનાવવાનું અને વેચવાનું કારસ્તાન ઝડપી પાડવામાં આવ્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>400 કિલો ચીઝ અને 150 કિલો પનીર સહિતનો જથ્થો જપ્ત</b></h2><p style="text-align: justify; ">પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમે સંયુક્ત રીતે હાથ ધરેલી તપાસમાં ગોવાલિયા ફૂડ પેઢીમાંથી 400 કિલોગ્રામ પ્રતિબંધિત એનાલોગ ચીઝ અને 150 કિલોગ્રામ એનાલોગ પનીર મળી આવ્યું હતું. આ રીતે કુલ 550 કિલોગ્રામ જેટલો મોટા પ્રમાણમાં અખાદ્ય જથ્થો સ્થળ પરથી સીઝ કરવામાં આવ્યો હતો. માનવ શરીર માટે નુકસાનકારક આ કેમિકલયુક્ત અને બનાવટી જથ્થાના નમૂના પૃથક્કરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપીને તમામ 550 કિલો અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>ભેળસેળિયા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો</b></h3><p style="text-align: justify; ">પ્રતિબંધિત એનાલોગ પનીર અને ચીઝ ઓછી કિંમતે બનાવીને બજારમાં હોટલો, ડેરીઓમાં પધરાવવામાં આવતું હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. રાજકોટ એસઓજીના આ મોટા સપાટા બાદ નકલી અને ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોનો કાળો કારોબાર કરતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે આ મામલે કાયદેસરની ગુનાહિત કાર્યવાહી હાથ ધરીને આ ભેળસેળનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તે દિશામાં વધુ તપાસ તેજ કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/h4a3DLkB5fqRpZkcS2k2g3FROXNZJD66EHZf4Uwb.webp'/></item><item><title><![CDATA[Vadodara: ચર્ચિત તમન્ના સૈયદ અને તેના પતિની ધરપકડ: વ્યાજખોરી અને ધમકીનો આરોપ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/vadodara/vadodara-tamanna-sayyed-arrested-case</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/vadodara/vadodara-tamanna-sayyed-arrested-case</guid><pubDate>Mon, 10 Aug 2026 08:29:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર અને પોલીસ તંત્ર સામે આક્ષેપબાજી કરીને ચર્ચામાં રહેલી તમન્ના સૈયદ આખરે પોલીસ પકડમાં આવી છે. વડોદરા પોલીસે તમન્ના સૈયદ અને તેના પતિ સોહેલ સૈયદની વ્યાજખોરી અને મારી નાખવાની ધમકી આપવાના ગંભીર ગુનામાં ધરપકડ કરી છે. આ કાર્યવાહી બાદ સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે.</p><h2 style="text-align: justify; "><b>આરીફ નામના એક વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી&nbsp;</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, આ મામલે આરીફ નામના એક વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીના જણાવ્યા અનુસાર, તમન્ના સૈયદ અને તેનો પતિ સોહેલ તેમની પાસેથી વ્યાજખોરી કરતા હતા અને સતત મારી નાખવાની ધમકીઓ આપીને માનસિક ત્રાસ આપતા હતા. એટલું જ નહીં, તમન્ના સૈયદ પર ગંભીર આરોપ છે કે તે ફરિયાદીને ડ્રગ્સ વેચતો હોવાનો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી બ્લેકમેલિંગ કરતી હતી.</p><h3 style="text-align: justify; "><b>પોલીસ વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉઠાવતી હતી</b></h3><p style="text-align: justify; ">નોંધનીય છે કે તમન્ના સૈયદ શહેરમાં દારૂ અને ડ્રગ્સના વેચાણ અંગે પોલીસ વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉઠાવતી હતી અને વીડિયો વાયરલ કરી પોલીસ પર આક્ષેપો કરતી હતી. હવે જ્યારે તે પોતે જ કાયદાના સકંજામાં આવી છે ત્યારે લોકોમાં અનેક ચર્ચાઓ જાગી છે. જે.પી. રોડ પોલીસે આ સમગ્ર મામલે કાર્યવાહી કરીને બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. હાલ આ સંવેદનશીલ કેસની વધુ તપાસ જે.પી. રોડ પોલીસે ક્રાઈમ બ્રાન્ચને સોંપી છે, જેથી આ કેસની ઊંડાણપૂર્વક તપાસ થઈ શકે અને સત્ય બહાર આવી શકે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/india/ahmedabad/sandesh-digital-explainer-12-august-2026-total-solar-eclipse-perseid-meteor-shower-facts-rumors" target="_blank"><b>Sandesh Digital Explainer : 12 ઓગસ્ટે આકાશમાં શું થશે? સોશિયલ મીડિયામાં ચાલતી વાતો ખરેખર સાચી છે ? જાણો રસપ્રદ વાતો</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/wkREISxSVD1lZQrzNavkKi9fD3HiyUrGKE39vgF1.webp'/></item><item><title><![CDATA[Surat : બોગસ કબજા રસીદો બનાવી 14.10 લાખની ઠગાઈ કરનાર ઝડપાયો, તેનું કારસ્તાન જાણી ચોંકી જશો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/surat-fraud-accused-pyare-mohan-mishra-arrested-up</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/surat-fraud-accused-pyare-mohan-mishra-arrested-up</guid><pubDate>Mon, 10 Aug 2026 08:16:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરમાં બોગસ દસ્તાવેજો અને કબજા રસીદો ઊભી કરીને લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર એક ઇસમ પોલીસના સકંજામાં આવી ગયો છે. સચિન જીઆડીસી પોલીસ સ્ટેશનની ટીમે ગુનાને અંજામ આપીને ફરાર થયેલા આરોપીને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે.</p><h2 style="text-align: justify; "><b>બોગસ કબજા રસીદો ઊભી કરીને લાખો રૂપિયા પડાવ્યા&nbsp;</b></h2><p style="text-align: justify; ">સચિન જીઆડીસી વિસ્તારના પાલી ગામમાં બોગસ કબજા રસીદો ઊભી કરીને લાખો રૂપિયા પડાવવાનો ગંભીર મામલો સામે આવ્યો હતો. આરોપી પ્યારે મોહન મિશ્રાએ ફરિયાદી અને સાહેદ સાથે મળીને ખોટા અને બોગસ દસ્તાવેજોના આધારે કુલ  14.10 રૂપિયાની છેતરપિંડી આચરી હતી અને ત્યારબાદ તે નાસતો ફરતો હતો.</p><h3 style="text-align: justify; "><b>યુપીના જૈનપુરમાંથી ઝડપાયો&nbsp;</b></h3><p style="text-align: justify; ">આ સમગ્ર પ્રકરણ અંગે સચિન જીઆડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે વોન્ટેડ આરોપી ઉત્તર પ્રદેશમાં છુપાયો છે. જેના આધારે સચિન જીઆડીસી પોલીસની એક ટીમ યુપીના જૈનપુર ખાતે પહોંચી હતી અને આરોપી પ્યારે મોહન મિશ્રાને દબોચી લીધો હતો.</p><h4 style="text-align: justify; "><b>સુરત લાવી વધૂ પૂછપરછ</b></h4><p style="text-align: justify; ">હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને સુરત લાવવાની સાથે કાયદેસરની સઘન પૂછપરછ અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. આ બોગસ રેકેટમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/explainer/news/india/ahmedabad/sandesh-digital-explainer-12-august-2026-total-solar-eclipse-perseid-meteor-shower-facts-rumors" target="_blank"><b>Sandesh Digital Explainer : 12 ઓગસ્ટે આકાશમાં શું થશે? સોશિયલ મીડિયામાં ચાલતી વાતો ખરેખર સાચી છે ? જાણો રસપ્રદ વાતો&nbsp; &nbsp;</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/d5NBxkQszeRdORwUZvcc27nx0o4wwRrHUog9gZ9C.webp'/></item><item><title><![CDATA[Surendranagar: મુંજપર ગામના વાડામાંથી ઘાસચારા નીચે છુપાવેલો દારૂ-બિયર પકડાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surendranagar/surendranagar-liquor-and-beer-hidden-under-fodder-were-seized-from-the-fence-of-munjpar-village-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surendranagar/surendranagar-liquor-and-beer-hidden-under-fodder-were-seized-from-the-fence-of-munjpar-village-1</guid><pubDate>Mon, 10 Aug 2026 06:00:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ તાલુકાના મુંજપર ગામે આવેલ વાડામાં દારૂ હોવાની બાતમી મળતા જોરાવરનગર પોલીસે રેડ કરી હતી. જેમાં ઘાસચારા નીચે છુપાવેલ દેશી-વિદેશી દારૂ, બીયર સહિત રૂપીયા 69,250ની કિંમતનો મુદ્દામાલ કબજે કરાયો છે. બીજી તરફ સુરેન્દ્રનગર અને ચોટીલા ગ્રામ્યમાં પણ દારૂના દરોડામાં ર પકડાયા છે.</p><p style="text-align: justify; ">જોરાવરનગર પોલીસ મથકના જયરાજસિંહ ઝાલા સહિતનાઓને વિસ્તારમાં પેટ્રોલિંગ દરમીયાન વઢવાણ તાલુકાના મુંજપર ગામે રહેતો રામદેવસિંહ વિક્રમસિંહ પરમાર તેના રહેણાક મકાનથી આગળ આવેલ કાચા રસ્તા પર તેના કબજા ભોગવટાના વાડામાં વિદેશી દારૂ રાખી વેચતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. જયારે વાડામાં ઘાસચારા નીચેથી દારૂના 75 ચપલા, બીયરના 145 ટીન, 20 લીટર દેશી દારૂ, બાઈક સહિત રૂપીયા 69,250નો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ અંગે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધી આરોપી રામદેવસિંહ પરમારને ઝડપી લેવા વધુ તપાસ જોરાવરનગર પોલીસ ચલાવી રહી છે.</p><p style="text-align: justify; ">જયારે સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકના અજયવીરસિંહ સહિતનાઓને સોનાપુરી રોડ પર રહેતો અનીકેત નરેન્દ્રભાઈ વાઘેલા સોનાપુરી રોડ પર ખુલ્લા પ્લોટમાં વિદેશી દારૂ સંતાડી વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં અનીકેત વાઘેલા વિદેશી દારૂના 6 ચપલા અને મોબાઈલ સહિત રૂપીયા 6200ની મત્તા સાથે પકડાયો છે. આ દારૂ તેને રતનપરનો મનોજ વાઘેલા આપી ગયો હોવાનું ખુલતા બન્ને સામે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી મનોજને ઝડપી લેવા વધુ તપાસ એએસઆઈ વી.પી.રાઠોડ ચલાવી રહ્યા છે.</p><p style="text-align: justify; ">બીજી તરફ ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામે રહેતો મહેશગીરી બાબુગીરી ગોસ્વામી દારૂની 58 બોટલો કિંમત રૂપીયા 21,750 સાથે આણંદપુર પોલીસના હાથે પકડાયો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/sfw2sYHYNESDVLNVpJFhSRBjWXxcOXxsDlLCUGiU.webp'/></item><item><title><![CDATA[Global South ભાગીદારને ભારતની મદદ, બોલિવિયા માટે જરૂરી અને જીવનરક્ષક દવાઓની મોટી ખેપ રવાના ]]></title><link>https://sandesh.com/india/news/world/india-sends-8-mt-life-saving-medicines-to-bolivia-global-south</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/world/india-sends-8-mt-life-saving-medicines-to-bolivia-global-south</guid><pubDate>Sun, 09 Aug 2026 23:42:10 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતે ગ્લોબલ સાઉથના ભાગીદાર દેશ બોલિવિયાની જાહેર આરોગ્ય વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે 8 મેટ્રિક ટન (MT) જીવનરક્ષક અને આવશ્યક દવાઓની ખેપ મોકલી છે. આ સહાય ભારત અને બોલિવિયા વચ્ચેના સહકાર તથા પરસ્પર એકતાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/MEAIndia/status/2086499367847178542"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>કોરોના મહામારીમાં પણ ભારતે મદદ પૂરી પાડી હતી&nbsp;</b></h2><p>ભારત તરફથી મોકલવામાં આવેલી આ દવાઓનો ઉપયોગ બોલિવિયાની જાહેર આરોગ્ય વ્યવસ્થામાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે કરવામાં આવશે. આ સહાયનો મુખ્ય ઉદ્દેશ દેશની હેલ્થકેર ક્ષમતાને મજબૂત બનાવવાનો અને જરૂરી દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં મદદ કરવાનો છે. ભારત લાંબા સમયથી ગ્લોબલ સાઉથના દેશો સાથે આરોગ્ય, વિકાસ, ટેક્નોલોજી અને માનવતાવાદી સહાય સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા પર ભાર મૂકી રહ્યું છે. કોવિડ-19 મહામારી દરમિયાન પણ ભારતે અનેક દેશોને દવાઓ અને અન્ય જરૂરી તબીબી સામગ્રી પૂરી પાડી હતી.</p><h3><b>ભારત સહકાર અને સંયુક્ત પ્રગતિ માટે હંમેશા તૈયાર</b></h3><p>બોલિવિયા માટે મોકલવામાં આવેલી 8 MT દવાઓની આ ખેપ પણ ભારતની ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. ભારતનું માનવું છે કે વિકાસ અને પ્રગતિનો લાભ માત્ર એક દેશ પૂરતો મર્યાદિત ન રહે, પરંતુ સહકાર અને એકતાના માધ્યમથી અન્ય દેશો સુધી પણ પહોંચે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે ગ્લોબલ સાઉથના ભાગીદાર દેશો સાથે સહકાર અને સંયુક્ત પ્રગતિ માટે હંમેશા તૈયાર છે. દવાઓની આ સહાયથી બોલિવિયાની જાહેર આરોગ્ય સેવાઓને જરૂરી સપોર્ટ મળવાની સાથે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં પણ વધુ મજબૂતી આવવાની અપેક્ષા છે.</p><p>આ પહેલ ભારતની માનવતાવાદી સહાય અને વૈશ્વિક સ્તરે જવાબદાર ભાગીદાર તરીકેની ભૂમિકાને વધુ ઉજાગર કરે છે. આવનારા સમયમાં પણ ભારત અને બોલિવિયા વચ્ચે આરોગ્ય તથા અન્ય વિકાસલક્ષી ક્ષેત્રોમાં સહકાર વધવાની શક્યતા છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/iaf-60-modernisation-projects-defence-technology-india" target="_blank">આ પણ વાંચો : IAFની તાકાતમાં થશે વધારો, 60 આધુનિકીકરણ પ્રોજેક્ટ્સ પર ચાલી રહ્યું છે કામ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/vQyU7iJTeE1s9pUniU9iY2yt3rg2zZZZTCo2TcEu.webp'/></item><item><title><![CDATA[US Tariff India Opportunity: અમેરિકા 100% ટેરિફ લગાવે તો પણ ભારતને ડર નથી, જાણો કેમ? ]]></title><link>https://sandesh.com/business/news/world/us-tariff-india-opportunity-even-if-america-imposes-100-tariff-india-is-not-afraid-know-why</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/world/us-tariff-india-opportunity-even-if-america-imposes-100-tariff-india-is-not-afraid-know-why</guid><pubDate>Sun, 09 Aug 2026 20:16:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ટેરિફનો ડર તેને સતાવવા લાગ્યો. જોકે, અર્થશાસ્ત્રી માને છે કે જો અમેરિકા 100% ટેરિફ લાદે તો પણ ભારત પાસે 15 અન્ય વિકલ્પો છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">આયાત-નિકાસ માટે સરળતા&nbsp;</h2><p style="text-align: justify; ">અર્થશાસ્ત્રી માને છે કે જો અમેરિકા ભારત પર 100% ટેરિફ લાદે તો પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ભારતે પહેલાથી જ 15 નવા બજારો બનાવ્યા છે. જ્યાં તે તેના તમામ માલની નિકાસ કરી શકે છે અને નોંધપાત્ર નફો કમાઈ શકે છે. આ 15 અન્ય બજારો છે જ્યાં તે તેના ઉત્પાદનો નિકાસ કરી શકે છે જે તે અમેરિકામાં નિકાસ કરવા માટે ઉપયોગમાં લેતો હતો. ભારત આ બજારોમાંથી 200 અબજ ડોલર કાઢી શકે છે.</p><h3 style="text-align: justify; ">ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત વેપાર&nbsp;</h3><p style="text-align: justify; ">ભારત પાસે ઘણા અન્ય નિકાસ વિકલ્પો છે અને તે યુએસ બજાર પર વધુ પડતું નિર્ભર નથી. જો કે, ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત વેપાર અને આર્થિક સંબંધો છે. તેમણે કહ્યું, આપણી પાસે 15 બજારો છે જ્યાં આપણે હાલમાં જે ઉત્પાદનો અમેરિકામાં મોકલીએ છીએ તે જ ઉત્પાદનો નિકાસ કરી શકીએ છીએ. જો અમેરિકામાં આપણી માલસામાન નિકાસ લગભગ $87-88 બિલિયન છે, તો 15 અન્ય દેશોમાં આ જ ઉત્પાદનો માટે લગભગ $200 બિલિયનનું વિશાળ બજાર છે.</p><h4 style="text-align: justify; ">નવા બજારો ક્યાં બનાવાયા ?</h4><p style="text-align: justify; ">નેધરલેન્ડ્સ, ફ્રાન્સ, યુકે, લેટિન અમેરિકન દેશો, સાઉદી અરેબિયા, યુએઈ અને નેપાળ જેવા બજારોનો ઉલ્લેખ કર્યો હતો જ્યાં ભારતીય નિકાસકારો પોતાનો વ્યવસાય વિસ્તારી શકે છે. તેમના મતે, અમેરિકા ઉપરાંત ભારતમાં ઘણા બજારો છે જ્યાં ભારતીય ઉત્પાદનોની માંગ વધી રહી છે. તેમણે જણાવ્યું હતું કે 2025-26માં અમેરિકામાં ભારતની નિકાસ $87.3 બિલિયન હતી, જે 2024-25માં $86.5 બિલિયન હતી. ટેરિફ અંગે અનિશ્ચિતતા અને વૈશ્વિક સ્તરે અસંખ્ય પડકારો હોવા છતાં, ભારતીય નિકાસકારોએ તેમના પ્રદર્શનમાં સુધારો કર્યો છે. શર્માએ કહ્યું કે અમેરિકામાં ભારતીય ઉત્પાદનોની મજબૂત માંગ છે અને ભારત સ્પર્ધાત્મક ભાવે શ્રમ-સઘન ઉત્પાદનો પ્રદાન કરી રહ્યું છે.</p><h5 style="text-align: justify; ">અન્ય દેશોમાં નિકાસ ઝડપથી વધી&nbsp;</h5><p style="text-align: justify; ">ભારતની અમેરિકા કરતાં અન્ય કેટલાક બજારોમાં નિકાસ ઝડપથી વધી રહી છે. તેમણે કહ્યું, "જ્યારે અમેરિકામાં આપણી નિકાસ 10-15 ટકાના દરે વધી રહી છે, ત્યારે અન્ય બજારો સાથે નિકાસ વૃદ્ધિ દર 20-25 ટકાની વચ્ચે છે." તેમનું માનવું છે કે ભારત પાસે વિકલ્પો છે અને તે અમેરિકન અર્થતંત્ર પર વધુ પડતો નિર્ભર નથી. શર્માએ એમ પણ કહ્યું કે ભારત અને અમેરિકા મજબૂત આર્થિક સંબંધો ધરાવે છે અને દ્વિપક્ષીય વેપાર કરાર પર વાટાઘાટો કરી રહ્યા છે. તેમનું માનવું છે કે વેપાર વધારવો બંને દેશો માટે વધુ ફાયદાકારક રહેશે. જોકે, રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પર 100% સુધીનો ટેરિફ લાદવો અમેરિકા અને ભારત બંને માટે હાનિકારક હોઈ શકે છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/lifestyle/news/health-fitness/sleepy-after-eating-why-do-you-feel-sleepy-and-drowsy-after-eating-know-the-causes-and-remedies" target="_blank"> જમ્યા પછી કેમ આવે છે સુસ્તી અને ઊંઘ? જાણો કારણો અને ઉપાયો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/J51EHWEo029EvqF4TzNsQJ8u9cBXWEIhELO8ySkY.webp'/></item><item><title><![CDATA[Commonwealth Gamesના મેડલ વિજેતાઓને મળ્યા પીએમ મોદી, ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો VIDEO ]]></title><link>https://sandesh.com/sports/news/india/pm-modi-meets-india-commonwealth-games-medal-winners</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india/pm-modi-meets-india-commonwealth-games-medal-winners</guid><pubDate>Sun, 09 Aug 2026 19:37:43 +05:30</pubDate><description><![CDATA[<p>સ્કોટલેન્ડના ગ્લાસગોમાં 2026માં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં કુલ 39 મેડલ જીત્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નિવાસસ્થાને તમામ મેડલ વિજેતાઓને મળ્યા હતા, તેમને તેમના મેડલ જીતવા બદલ અભિનંદન આપ્યા હતા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક રીલ શેર કરી હતી, જેમાં લખ્યું હતું, "જો ખેલેગા વો ખિલેગા."</p><h2><b>દેશને હંમેશા પ્રોત્સાહિત કરો</b></h2><p>કોમનવેલ્થ ગેમ્સ 2026માં મેડલ જીતનારા ખેલાડીઓને મળ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર શેર કરેલી રીલમાં તેમને કહ્યું હતું કે "જો ખેલેગા વો ખિલેગા." હંમેશા દેશને પ્રોત્સાહિત કરો. આ પછી પીએમ મોદીએ ભારત માતા કી જયનો નારા લગાવ્યો, જે તેમની સાથે હાજર તમામ ખેલાડીઓએ વારંવાર બોલ્યો.&nbsp;</p><p>આ રીલમાં કોમનવેલ્થ ગેમ્સ 2026માં ગોલ્ડ મેડલ જીતનાર મહિલા બોક્સિંગ ખેલાડી સાક્ષી ચૌધરીએ વીડિયો હોસ્ટ કર્યો અને આ મુલાકાત માટે પીએમ મોદીનો આભાર માન્યો. વીડિયોમાં સાક્ષી ચૌધરીએ કહ્યું કે નમસ્તે મિત્રો, આજે પીએમ સાહેબે કોમનવેલ્થ ગેમ્સના મેડલ વિજેતાઓને બોલાવ્યા છે અને અમે બધા ખૂબ ગર્વ અનુભવી રહ્યા છીએ.</p><p><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reels/Db0hIieTgy8/" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reels/Db0hIieTgy8/" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a><br></p><h3><b>આ વખતે બોક્સિંગમાં 10 મેડલ જીત્યા</b></h3><p>કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતે બોક્સિંગના વિવિધ વજન કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું જેમાં તે 7 ગોલ્ડ અને 3 સિલ્વર સહિત કુલ 10 મેડલ જીતવામાં સફળ રહ્યું હતું. ભારતે એથ્લેટિક્સમાં કુલ 10 મેડલ મેળવ્યા હતા જેમાં ગુલવીર સિંહે 2 અલગ અલગ ઈવેન્ટમાં મેડલ જીત્યા હતા. વેઈટલિફ્ટિંગમાં 8 મેડલ, પેરા એથ્લેટિક્સમાં 6, જુડોમાં 4 અને પેરા પાવરલિફ્ટિંગમાં 1 મેડલ જીત્યો હતો. પહેલીવાર કોમનવેલ્થ ગેમ્સમાં ભારત જુડો ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યું હતું. હવે બધાની નજર જાપાનમાં યોજાવનારી આગામી એશિયન ગેમ્સ પર છે જ્યાં ભારતીય ખેલાડીઓ પાસેથી શાનદાર પ્રદર્શનની અપેક્ષા છે.</p><p><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/0fyqm4BfEeu88Gm4DZle9uesUw8R5L6FcuQSOLfe.webp'/></item></channel></rss>