<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Dabhoi: ઇદના જુલૂસમાં નિયમભંગ બદલ ચાર ડીજે સંચાલક પર તવાઇ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dabhoi/dabhoi-four-dj-operators-slammed-for-violating-rules-during-eid-procession</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dabhoi/dabhoi-four-dj-operators-slammed-for-violating-rules-during-eid-procession</guid><pubDate>Fri, 11 Sep 2026 04:37:20 +05:30</pubDate><description><![CDATA[<p>ડભોઇ શહેરમાં ગત 26-8-26ના રોજ ઈદેમિલાદના જુલૂસમા કેટલાક ડી.જે. એ સૂર રેલાવ્યા હતા. જેની સામે ડભોઇ પોલીસે વાતાવરણ પ્રદુષિત કરવાની કલમોથી ફરિયાદ નોંધીને ડી.જે જપ્ત કરવામાં આવતા નાનકડા શહેરમાં ચકચાર મચી છે.</p><p>ડભોઇ ખાતે ઈદેમિલાદના જુલૂસમા વૈભવ ડી.જે. સાઉન્ડના ઓપરેટર અજય અરવિંદ ઓડ (રે. બોડેલી), પાટીલ ડી.જે. સાઉન્ડના ઓપરેટર હિમાંશુ યોગેશ પવાર (રે.તરસાલી વડોદરા), સ્નાઈપર ડી.જે. સાઉન્ડના ઓપરેટર મિત અશોક માછી (રે. નવા માંડવા ચાંદોદ) અને જે.આર.ડી. કિંગ ડી.જે. સાઉન્ડના ઓપરેટર સાહિલ સુરેશ બારીયા (નારણપુરા તા.ડભોઇ)એ ગત તા.26-8-26ના રોજ ઈદેમિલાદના જુલૂસમા ડી.જે. વગાડયું હતું. જેમાં ના. કલેકટર અને સબડીવીઝનલ મેજીસ્ટ્રેટની પરવાનગી હતી. છતાં ડી.જે. સિસ્ટમના સંચાલકો દ્વારા પોતાની અને અન્ય વ્યક્તિઓની જિંદગી જોખમ મા મૂકાય તેમ ડી.જે.સિસ્ટમ ઉપર કેટલાક વ્યક્તિને બેસાડયાં હતા. અને પોતાના વાહનોને મોડીફાઈડ કરી વધારે પડતી સિસ્ટમ ગોઠવી નામદાર સુપ્રીમ કોર્ટના વખતો વખતના ચુકાદાના નિર્દેશો અને ગુજરાત પોલ્યુશન બોર્ડ પર્યાવરણ 51252 14-5-2010થી ધોંધાટ ઉત્પન્ન કરતાં અને નિપજાવતા સ્ત્રોતના નિયંત્રણ અને નિયમન માટે અને ભારત સરકારના વન પર્યાવરણ અધિનિયમ 1986ની કલમ 6 તથા 25 હેઠળ ધ્વનિ પ્રદુષણ 2000નું 14 ફેબ્રુઆરી 2000નું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું. જેમાં 1-1-2010ના સુધારા મુજબ સાઉન્ડ લીમીટર સિસ્ટમ વગર ડી.જે સિસ્ટમ વગાડવી અને ટ્રાફ્કિ અડચણ અને આજુબાજુ રહેતા લોકોને ત્રાસદાયક કૃત્ય કરી જિલ્લા મેજીસ્ટ્રેટ વડોદરાના ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163 અને ગુજરાત પોલીસ એકટ કલમ 33 (1) , 37 (1) (એફ્) અન્વયે બહાર પાડેલ જાહેરનામા મુજબ 281, 292, 223 અને 184,194 A મુજબ ફરિયાદ દાખલ થતાં ચકચાર મચી છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/gWOtQ8nue0jhE7jqOXi6wZEBHIDLdf6IwzBkQ8ug.webp'/></item><item><title><![CDATA[Dabhoi: હીરાભાગોળ ખાતે કાયમી કૃત્રિમ તળાવનું નિર્માણ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dabhoi/dabhoi-construction-of-a-permanent-artificial-lake-at-hirabhagool</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dabhoi/dabhoi-construction-of-a-permanent-artificial-lake-at-hirabhagool</guid><pubDate>Fri, 11 Sep 2026 04:36:36 +05:30</pubDate><description><![CDATA[<p>આગામી ગણેશોત્સવ પર્વને ધ્યાનમાં રાખીને ડભોઇ નગરપાલિકા દ્વારા પર્યાવરણની જાળવણી અને ભક્તોની સુવિધા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરાઇ છે. ડભોઇ નગરમાં દર વર્ષે ગણેશ વિસર્જન દરમિયાન સર્જાતી અગવડતાનો કાયમી ઉકેલ લાવવા હીરા ભાગોળ બહાર કાયમી ધોરણે કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરીનો વિધિવત પ્રારંભ કરાયો છે. જેનું ખાતમુહૂર્ત નગરપાલિકા પ્રમુખ પુષ્પાબેન સતિષભાઈ રાવલ દ્વારા કરાયું હતું.</p><p>આ કૃત્રિમ તળાવનું કદ આશરે 20 બાય 40 ફૂટ રખાયું છે. તળાવ તૈયાર થવાથી વિસર્જન પ્રક્રિયા ઝડપી, સલામત અને સુવ્યવસ્થિત બનશે. જેથી ટ્રાફ્કિ અને ભીડ નિયંત્રણમાં પણ રાહત મળશે. દર વર્ષે અસ્થાયી ખાડા ખોદવાને બદલે પાલિકા દ્વારા કાયમી માળખું ઊભું કરાઇ રહ્યું છે. જે આગામી વર્ષોમાં પણ ઉપયોગી નીવડશે. ખાતમુહૂર્ત પ્રસંગે નગરપાલિકાના હોદ્દેદારો તેમજ સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડભોઇ નગરપાલિકાના ઉપપ્રમુખ નૂર મહંમદ મહુડાવાળા, કારોબારી ચેરમેન અફ્ઝલ હુશેન કબાવાળા, નગરસેવકો સુનિલ વસાવા અજય રાઠવા, પ્રકાશ વસાવા, સલીમ ઘાંચી અન્ય પાલિકાના ઇજનેરો તેમજ વહીવટી સ્ટાફ્ ઉપસ્થિત રહ્યો હતો. દર વર્ષે ગણેશ મહોત્સવ પૂર્ણ થયા બાદ વિસર્જનની મુશ્કેલી થતી હતી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/6W3yLev6k9ISKMmNdoLqpkNZGudMvzhAo016R2wz.webp'/></item><item><title><![CDATA[Vadodara: જિમમાં હાઈટ માપવાના બહાને સગીર ટ્રેનરના સગીરા સાથે અડપલાં ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-underage-trainers-minor-girl-molested-on-pretext-of-measuring-height-in-gym</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-underage-trainers-minor-girl-molested-on-pretext-of-measuring-height-in-gym</guid><pubDate>Fri, 11 Sep 2026 04:28:04 +05:30</pubDate><description><![CDATA[<p>શહેરના વાસણા રોડના જિમમાં ફિટનેસ માટે જતી 15 વર્ષીય સગીરાને હાઈટ માપવાના બહાને કેબિનમાં લઈ જઈ સગીર ટ્રેનરે શારીરિક અડપલાં કર્યા હતા. ઘટના બાદ ફ્ફ્ડી ઊઠેલી સગીરાએ પરિવારજનોને આપવીતી જણાવતાં ગુરૂવારે સાંજે અકોટા પોલીસ મથકે સગીર વિરુદ્ધ છેડતી અને પોક્સોનો ગુનો નોંધાયો હતો.</p><p>વાસણા રોડ સ્થિત મનીષા ચોકડી વિસ્તારમાં એક જિમમાં 15 વર્ષીય સગીરા છેલ્લાં બે મહિનાથી નિયમિત વર્કઆઉટ માટે જતી હતી. ગત 4 તારીખે સાંજના 4થી 5 વાગ્યાના સુમારે સગીરા જ્યારે જિમમાં હતી, ત્યારે ત્યાં ટ્રેનર તરીકે ફરજ બજાવતા 16 વર્ષીય કિશોરે તેણીને નિશાન બનાવી હતી. ટ્રેનરે સગીરાને તારી હાઈટ માપવી છે તેમ કહીં કેબિન તરફ્ લઈ ગયો હતો. જ્યાં સીસીટીવી કેમેરા ન હોવાનો ગેરલાભ ઉઠાવી ટે્રનરે સગીરાનો હાથ પકડી શારીરિક છેડછાડ કરી ગાલ પર અણછાજતી હરકત કરી હતી. આ બનાવથી સગીરા ભારે દહેશતમાં આવી તેણે જિમ જવાનું બંધ કરી દીધું હતું. સગીરા અચાનક ડરી ગયેલી જણાતાં તેના પિતાએ જિમ કેમ જતી નથી ? તેમ પૂછપરછ કરી હતી. જેથી સગીરાએ જિમમાં સગીર ટ્રેનરે તેની સાથે આચરેલી ગંદી હરકતોની સમગ્ર વિગત પિતા સમક્ષ વર્ણવી હતી. દીકરી સાથે બનેલી શરમજનક ઘટના જાણી પિતા સ્તબ્ધ થઈ ગયા અને તાત્કાલિક અકોટા પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી હતી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/OOVLhwvR5O9aDnqidY8QXN1RN9k3zxUOMPvG391L.webp'/></item><item><title><![CDATA[Vadodara: MSU આર્ટ્સ ફેકલ્ટીમાં યુવક-યુવતીઓના રોમાન્સના બે વીડિયો વાઇરલ થતાં વિવાદ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-controversy-as-two-videos-of-young-men-and-women-romancing-in-msu-arts-faculty-go-viral</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-controversy-as-two-videos-of-young-men-and-women-romancing-in-msu-arts-faculty-go-viral</guid><pubDate>Fri, 11 Sep 2026 04:27:03 +05:30</pubDate><description><![CDATA[<p>સંસ્કારી નગરીની ઓળખ સમાન મહારાજા સયાજીરાવ યુનિ. ફરી એકવાર શિક્ષણ જગતને કલંકિત કરતી શરમ જનક ઘટનાને પગલે વિવાદના વમળમાં ફ્સાઈ છે. ઐતિહાસિક આર્ટસ ફેકલ્ટીના રૂમ નંબર 31માં બે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ બેફામ બની ખુલ્લેઆમ અશ્લીલ હરકતો કરી રહ્યાં હોવાના બે અલગ-અલગ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે. સરસ્વતીના ધામને રોમાન્સનું અડ્ડો બનાવનારા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવાને બદલે તંત્રએ માત્ર તપાસ સમિતિ રચીને ઔપચારિકતા દાખવી છે.MSUની આર્ટસ ફેકલ્ટીના પ્રથમ માળે આવેલા રૂમ નંબર31માં લેક્ચર પૂર્ણ થયા બાદ કે ખાલી સમયગાળા દરમિયાન બે વિદ્યાર્થીઓ અને બે વિદ્યાર્થિનીઓ વિવિધ બેન્ચ પર બેસી નિર્લજ્જ હરકતો કરી રહ્યાં હતા. આ હરકતો મોબાઈલ કેમેરામાં કેદ કરી લેવાઈ હતી. આશરે 27 સેકન્ડ અને 2 મિનિટની બે ક્લિપ્સ વાયરલ થતાં જ યુનિ.ની સુરક્ષા વ્યવસ્થાની પોલ છતી થઈ ગઈ છે. કેમ્પસમાં સિક્યોરિટી પાછળ લાખો રૂપિયા ફૂંકી મારવામાં આવતા હોવાછતાં તેમજ CCTVની નજર હેઠળ વર્ગખંડોમાં આવી વિકૃત પ્રવૃત્તિઓ ચાલતી રહે તે સત્તાધીશોની ઘોર નિષ્કાળજી છતી કરે છે. બીજી તરફ, આર્ટસ ફેકલ્ટીના ડીને તપાસ કમિટીની રચના કરી છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/bQ4rbVtOoDzo0HY8vgNnIhqYVT00mKUZmyeQokD6.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: ખારીકટ કેનાલમાં પ્રદૂષિત પાણીના નિકાલ મુદ્દે તંત્રને આખરે ફુરસદ મળી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-the-administration-finally-got-a-break-on-the-issue-of-discharging-polluted-water-in-kharikat-canal</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-the-administration-finally-got-a-break-on-the-issue-of-discharging-polluted-water-in-kharikat-canal</guid><pubDate>Fri, 11 Sep 2026 03:35:37 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકામાંથી પસાર થતી ખારીકટ કેનાલમાં કેમિકલયુક્ત અને પ્રદૂષિત પાણી છોડાતા હોવાના આક્ષેપો વચ્ચે અસલાલી, જેતલપુર, નાઝ અને ગીરમથા સહિતના ગામોના ખેડૂતોની ચિંતા વધી છે. મામલે ધારાસભ્યની સૂચનાથી રોપડા કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટ ખાતે તાત્કાલિક બેઠક યોજાઈ હતી.</p><p>દસ્ક્રોઈ તાલુકામાથી પસાર થતી ખારીકટ કેનાલમાં વારંવાર કેમિકલયુક્ત પાણી છોડવા બાબતે આજે દસ્ક્રોઈ ના રોપડા ખાતે યોજાયેલી બેઠકમાં કેનાલમાં પ્રદૂષિત પાણી છોડવાના મુદ્દે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા કરી તાત્કાલિક પગલાં ભરવા સૂચના અપાઈ હતી. અગાઉ પણ અસલાલી પાછળ નાઝ તરફ્ રાત્રિના સમયે કેનાલમાં કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાના આક્ષેપો સામે આવ્યા હતા. જેના કારણે કેનાલના પાણીનો ઉપયોગ કરતા ખેડૂતોના પાક અને ખેતીની જમીન પર પ્રતિકૂળ અસર થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. તાજેતરમાં કેનાલમાં પ્રદૂષણને કારણે માછલીઓ મરી જવાની ફરિયાદો પણ સામે આવી હતી. બેઠકમાં પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB), અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈસ્ટ અને સાઉથ ઝોન સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેનાલમાં પ્રદૂષિત પાણી છોડવાના સ્ત્ર્રોત શોધી યોગ્ય કાર્યવાહી કરવા તેમજ ખેડૂતોને સિંચાઈ માટે સ્વચ્છ પાણી મળે તે સુનિશ્ચિત કરવા તંત્રને ધારાસભ્ય દ્વારા સૂચના અપાઈ હતી. ખેડૂતોએ પણ પ્રદૂષણ પર કાયમી નિયંત્રણ માટે અસરકારક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/qtqKwqoGZNdJdPP1h7h8fnMTWyWyzcnpWAdNcfYF.webp'/></item><item><title><![CDATA[Dalai Lamaના જીવન પર પુસ્તકનું વિમોચન, ડૉ. કરણ સિંહે ગણાવ્યા શાંતિના અવાજ ]]></title><link>https://sandesh.com/india/news/book-launch-on-dalai-lamas-life-dr-karan-singh-calls-him-a-voice-of-peace</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/book-launch-on-dalai-lamas-life-dr-karan-singh-calls-him-a-voice-of-peace</guid><pubDate>Thu, 10 Sep 2026 23:38:23 +05:30</pubDate><description><![CDATA[<p>Tibetના આધ્યાત્મિક ગુરુ દલાઈ લામાના જીવન અને વારસા પર આધારિત પુસ્તક ‘ઇટરનલ લાઇટ: ધ લાઇફ એન્ડ લેગસી ઓફ ધ 14th દલાઈ લામા’નું ગુરુવારે દિલ્હીમાં વિમોચન કરવામાં આવ્યું. આ પુસ્તક વરિષ્ઠ પત્રકાર અને લેખક અરવિંદ યાદવે લખ્યું છે, જ્યારે તેનું પ્રકાશન વેસ્ટલેન્ડ બુક્સ દ્વારા કરવામાં આવ્યું છે.</p><p><b>દલાઈ લામાના જીવન અને આધ્યાત્મિક સફરનો ઉલ્લેખ</b></p><p>પુસ્તકમાં દલાઈ લામાના જીવન, તેમની આધ્યાત્મિક સફર અને તેમની વિરાસત વિશે જણાવવામાં આવ્યું છે. કાર્યક્રમમાં ગેશે ચોપા તેનઝિન લ્હાડ્રોનના નેતૃત્વમાં લૉન્ગ-લાઇફ પ્રેયર કરવામાં આવી હતી. ત્યારબાદ પદ્મશ્રી પ્રો. નગાવાંગ સામતેન અને ડૉ. અરવિંદ યાદવે દલાઈ લામાના જીવન અને તેમની વિરાસત પર પોતાના વિચારો રજૂ કર્યા.</p><p><b>ડૉ. કરણ સિંહની હાજરીમાં પુસ્તકનું વિમોચન</b></p><p>પદ્મ વિભૂષણ ડૉ. કરણ સિંહની હાજરીમાં પુસ્તકનું ઔપચારિક વિમોચન કરવામાં આવ્યું. તેમણે કાર્યક્રમમાં પોતાના વિચારો પણ રજૂ કર્યા. આ દરમિયાન દલાઈ લામાના અસાધારણ જીવન, તેમના આધ્યાત્મિક સંદેશ અને દુનિયાભરમાં તેમના પ્રભાવને યાદ કરવામાં આવ્યા.</p><p><b>લેખક અરવિંદ યાદવે શું કહ્યું?</b></p><p>પુસ્તકના લેખક અરવિંદ યાદવે કહ્યું કે આ બાયોગ્રાફી દરેક વ્યક્તિએ વાંચવી જોઈએ. તેમણે પુસ્તકના કેટલાક અંશો વાંચીને પણ સંભળાવ્યા. તેમણે તિબેટના રિવાજો, પ્રાર્થનાઓ અને ત્યાંના જીવન વિશે વાત કરી. અરવિંદ યાદવે કહ્યું કે દલાઈ લામાએ સત્ય અને કરુણા માટે લડાઈ લડી છે. તેમના વિચારોની લોકો પર ઊંડી અસર થઈ છે. દુનિયામાં જ્યાં પણ તિબેટના લોકો વસ્યા છે, ત્યાં તેમણે એક નાનું તિબેટ બનાવી લીધું છે.</p><p><b>તિબેટની સંસ્કૃતિનો પણ ઉલ્લેખ</b></p><p>તેમણે કહ્યું કે તિબેટની કલા, મંત્ર-તંત્ર માત્ર પુસ્તકો સુધી સીમિત બાબતો નથી, પરંતુ તે ત્યાંની વાસ્તવિક સંસ્કૃતિનો ભાગ છે. અરવિંદ યાદવે કહ્યું કે દલાઈ લામાએ દુનિયાને અહિંસાના માર્ગે જીવન જીવવાનું શીખવ્યું. તેઓ રાજનેતા નથી, પરંતુ તેમણે દુનિયાને માર્ગ બતાવવાનું કામ કર્યું છે. તેમણે જીવનમાં ક્યારેય આશા ગુમાવી નથી અને નેતૃત્વની નવી વ્યાખ્યા આપી છે. લેખકે કહ્યું કે, દલાઈ લામા એક મહાન વ્યક્તિ છે. તેમણે દુનિયાને ખુશીનો માર્ગ બતાવ્યો છે અને તેમના જીવનથી અનેક પેઢીઓ પ્રભાવિત થઈ છે.</p><p><b>‘દલાઈ લામા પર ફિલ્મ બનવી જોઈએ’</b></p><p>પુસ્તકની પ્રકાશક મીનાક્ષી ઠાકુરે કહ્યું કે દલાઈ લામા પર અનેક બાયોગ્રાફી હોવા છતાં આ પુસ્તક પ્રકાશિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, કારણ કે આ પુસ્તકને દલાઈ લામાના આશીર્વાદ પ્રાપ્ત છે. તેમણે કહ્યું કે દલાઈ લામાના જીવનથી દરેક પેઢી પ્રભાવિત થઈ છે. તેમની યાત્રા કરુણા શીખવે છે અને તેમનું જીવન સમય સાથે બદલાતું અને વિકસતું રહ્યું છે. પવન વર્માએ કહ્યું કે આ પુસ્તક વાંચ્યા બાદ તેમને દલાઈ લામાની હિંમત વિશે જાણવા મળ્યું. તેમણે એવા નિર્ણયો લીધા જેમાં મોટું જોખમ હતું, છતાં તેઓ પાછળ હટ્યા નહીં. તેમણે કહ્યું કે દલાઈ લામા અને મહાત્મા ગાંધી બંનેએ સંવાદ અને અહિંસાની વાત કરી છે. દલાઈ લામાએ હંમેશા વાતચીતનો માર્ગ અપનાવવાની વાત કરી છે, પછી મુદ્દો ચીનનો હોય કે તિબેટનો. તેમણે કહ્યું કે તિબેટ ભલે ચીનનો ભાગ હોય, પરંતુ તિબેટના લોકોની લાગણી કોઈ એક રાષ્ટ્ર પૂરતી સીમિત નથી. દલાઈ લામા પર એક ફિલ્મ બનવી જોઈએ.</p><p><b>ડૉ. કરણ સિંહે દલાઈ લામાને શાંતિનો અવાજ ગણાવ્યા</b></p><p>ડૉ. કરણ સિંહે પોતાના સંબોધનમાં કહ્યું કે દલાઈ લામા કરુણા, શાંતિ અને પ્રેમનો સંદેશ દુનિયા સુધી લઈ ગયા છે. તેમણે દલાઈ લામાને બૌદ્ધ ધર્મની સાથે સમગ્ર વિશ્વ માટે શાંતિ અને કરુણાના અવાજ તરીકે રજૂ કર્યા.</p><p><a href="https://sandesh.com/opinion/news/opinion-dalai-lama-90-why-is-china-so-upset-with-the-tibetan-spiritual-leader" target="_blank">આ પણ વાંચો:&nbsp; તિબેટીયન ધર્મગુરુથી ચીન કેમ ફફડે છે?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/10/kHpyZdKo8Q9DDHBFA0z50Y7WRy1aqYEsk301Syhg.webp'/></item><item><title><![CDATA[Kanpur : કરોડપતિ દવા વેપારી હત્યાકાંડમાં નવો વળાંક, વહુ શાલૂને ‘માસ્ટરમાઇન્ડ’ ગણાવતી પોલીસ થિયરી સામે પતિ-પરિજનો મેદાને ]]></title><link>https://sandesh.com/india/news/crime/kanpur-vineet-minocha-murder-case-shalu-family-support</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/crime/kanpur-vineet-minocha-murder-case-shalu-family-support</guid><pubDate>Thu, 10 Sep 2026 22:30:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઉત્તર પ્રદેશના ઔદ્યોગિક શહેર કાનપુરમાં ચર્ચિત કરોડપતિ દવા વેપારી વિનિત મિનોચા હત્યાકાંડની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ મામલો વધુ પેચીદો બની રહ્યો છે. પોલીસે મૃતકની વહુ શાલૂને મુખ્ય આરોપી બનાવી જેલ મોકલી છે અને ઝડપાયેલા હત્યારાઓએ પણ તેને કથિત રીતે કાવતરાની માસ્ટરમાઇન્ડ ગણાવી હોવાનું સામે આવ્યું છે. જોકે હવે શાલૂના પરિજનો અને તેના પતિએ પોલીસની થિયરી સામે સવાલો ઉઠાવ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>‘શાલૂ સામેના આરોપો પાયાવિહોણા’</b></h2><p style="text-align: justify; ">શાલૂના ભાઈ ધીરજ અરોરા, બહેન અને પરિવાર તરફથી કેસની કાનૂની પેરવી કરી રહેલા વરિષ્ઠ વકીલ શિવકાંત દીક્ષિતે મીડિયા સમક્ષ શાલૂનો બચાવ કર્યો છે. પરિજનોનો દાવો છે કે શાલૂ પર લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે અને મીડિયા દ્વારા તેને એકતરફી રીતે નકારાત્મક રીતે રજૂ કરવામાં આવી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>પરિવારમાં કોઈ વિવાદ નહોતો?</b></h3><p style="text-align: justify; ">પરિજનોનું કહેવું છે કે શાલૂ અને પરિવાર વચ્ચે કોઈ પ્રકારનો પારિવારિક વિવાદ કે મનદુઃખ નહોતું. વકીલ શિવકાંત દીક્ષિતે જણાવ્યું કે પોલીસ પોતાની કાયદેસરની તપાસ કરી રહી છે અને પરિવારને પોલીસની નિષ્પક્ષ તપાસ પર વિશ્વાસ છે, પરંતુ સંપૂર્ણ સત્ય સામે આવ્યા પહેલાં શાલૂને વિલન તરીકે રજૂ કરવી યોગ્ય નથી.</p><h4 style="text-align: justify; "><b>પતિએ પત્ની પર વિશ્વાસ વ્યક્ત કર્યો</b></h4><p style="text-align: justify; ">હત્યાકાંડમાં સૌથી મોટો વળાંક એ છે કે મૃતક વિનિત મિનોચાના પુત્ર અને શાલૂના પતિએ પણ પોતાની પત્નીનો ખુલ્લેઆમ બચાવ કર્યો છે. પતિનું કહેવું છે કે શાલૂ આ પ્રકારની જઘન્ય ઘટનાનો વિચાર પણ કરી શકે નહીં.</p><h4 style="text-align: justify; "><b>‘સાચા આરોપી કોણ?’ હવે તપાસ પર નજર</b></h4><p style="text-align: justify; ">પરિવારના સભ્યોનું કહેવું છે કે વિનિત મિનોચાના માતા-પિતા આ ઘટનાથી માનસિક રીતે સંપૂર્ણપણે તૂટી ગયા છે અને મીડિયા સામે આવવાની સ્થિતિમાં નથી. બીજી તરફ ભાઈ ધીરજ અને બહેને ન્યાયતંત્ર તથા પોલીસની નિષ્પક્ષ તપાસ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હવે તપાસ આગળ વધે તેમ પોલીસની થિયરી અને પરિજનોના દાવા વચ્ચેનું સત્ય શું છે અને હત્યાના કાવતરાના પાછળના અસલી ચહેરા કોણ છે તે બહાર આવે છે કે નહીં તેના પર સૌની નજર છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/political-news/ahmedabad/statue-of-unity-gujarat-national-film-awards-ekta-nagar-uddhav-thackeray-political-row" target="_blank"><b> Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/10/lJQbzxP6fu4t5zRVUOndcDIDBuIGKIKECvOIMvEN.webp'/></item><item><title><![CDATA[Auto News: 33 KM માઇલેજ અને સનરૂફ! માત્ર રૂ.6.31 લાખની આ ગાડી બની દેશની પહેલી પસંદ ]]></title><link>https://sandesh.com/business/news/automobile/maruti-suzuki-dzire-highest-selling-sedan-car-sales-august-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/maruti-suzuki-dzire-highest-selling-sedan-car-sales-august-2026</guid><pubDate>Thu, 10 Sep 2026 20:30:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં સેડાન કારનો ક્રેઝ ફરી એકવાર વધતો જોવા મળી રહ્યો છે. ઓગસ્ટ 2026ના સેલ્સ રિપોર્ટ અનુસાર, દેશના સેડાન સેગમેન્ટમાં વાર્ષિક ધોરણે 15.7%નો મજબૂત ગ્રોથ નોંધાયો છે. આ બજારમાં મારુતિ સુઝુકી ડિઝાયરનો એકહથ્થુ દબદબો જોવા મળ્યો છે, જેણે એકલા હાથે સેડાન માર્કેટના લગભગ 56% હિસ્સા પર કબજો જમાવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>સેડાન સેગમેન્ટમાં 15.7% નો જંગી ઉછાળો</b></h2><p style="text-align: justify; ">ઓગસ્ટ 2026માં ભારતીય બજારમાં કુલ 32,913 યુનિટ સેડાન કારનું વેચાણ થયું છે. ગયા વર્ષે ઓગસ્ટ 2025માં આ આંકડો 28,451 યુનિટ હતો. પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો અને ઇલેક્ટ્રિક વાહનો વચ્ચે પણ એન્ટ્રી-લેવલ સેડાન કારોએ મિડલ ક્લાસ પરિવારો વચ્ચે પોતાનું સ્થાન મજબૂત રાખ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>મારુતિ સુઝુકી ડિઝાયર</b></h3><p style="text-align: justify; ">મારુતિ ડિઝાયરે ઓગસ્ટ 2026માં 18,418 યુનિટ્સના વેચાણ સાથે પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. ગયા વર્ષના ઓગસ્ટ મહિનાના 16,509 યુનિટ્સ કરતાં આ વેચાણ 11.6% વધુ છે. આ કાર પોતાના પરવડે તેવા ભાવ, શાનદાર સ્પેસ અને માઇલેજના કારણે મિડલ ક્લાસ ફેમિલીની પહેલી પસંદ બની ગઈ છે.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>નંબર-1 પર એકચક્રી શાસન</b></h4><p style="text-align: justify; ">દિલ્હીમાં આ કારની એક્સ-શોરૂમ કિંમત અંદાજે રૂ.6.31 લાખથી શરૂ થાય છે. તેમાં LED હેડલેમ્પ, 9-ઇંચ ટચસ્ક્રીન, સનરૂફ, 360° કેમેરા અને 5-સ્ટાર BNCAP સેફ્ટી રેટિંગ જેવા પ્રીમિયમ ફીચર્સ મળે છે. 1.2-લીટર Z-સિરીઝ એન્જિન સાથે આ કાર પેટ્રોલમાં 24.79-25.71 kmpl અને CNG મોડેલમાં 33.73 km/kg સુધીની જબરદસ્ત માઇલેજ આપે છે.</p><h5 style="text-align: justify; "><b>હ્યુન્ડાઇ ઓરા: બીજા સ્થાને મજબૂત પકડ</b></h5><p style="text-align: justify; ">હ્યુન્ડાઇ ઓરા 6,685 યુનિટ્સના વેચાણ સાથે સેડાન સેગમેન્ટમાં બીજા ક્રમે રહી છે. ગયા વર્ષે ઓગસ્ટમાં વેચાયેલા 5,336 યુનિટ્સની સરખામણીએ ઓરાએ 25.3% ની મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. તેના આકર્ષક લુક, સુપ્રીમ સેફ્ટી ફીચર્સ અને કંપનીના વિશાળ ડીલર નેટવર્કના લીધે યુવા ખરીદદારો આ કાર તરફ વધુ આકર્ષાયા છે.</p><h6 style="text-align: justify; "><b>હોન્ડા અમેઝ: વેચાણમાં 100% નો બમણો ઉછાળો</b></h6><p style="text-align: justify; ">હોન્ડા અમેઝે વેચાણના મામલે સૌથી ચોંકાવનારો ગ્રોથ દર્શાવ્યો છે. ઓગસ્ટ 2026માં આ આંકડો 3,512 યુનિટ્સ પર પહોંચી ગયો છે, જે ઓગસ્ટ 2025ના 1,753 યુનિટ્સ કરતાં 100.3% વધુ છે. અમેઝના નવા વર્ઝન અને અપગ્રેડેડ ફીચર્સે ગ્રાહકોને ખૂબ લુભાવ્યા છે, જેના કારણે આ કાર ત્રીજા સ્થાને રહી છે.</p><p style="text-align: justify; "><img alt="Sedan car boom in the Indian market" src="https://epapercdn.sandesh.com/images/2026/09/10/e3tKILIOnKnVnlAtrShvOckJQ0OzPnYvpwdIy8vm.webp"><br></p><p style="text-align: justify; "><b>ફોક્સવેગન વર્ટસ: વેચાણમાં 22.3%નો ઘટાડો</b></p><p style="text-align: justify; ">પ્રીમિયમ સેડાન સેગમેન્ટની જાણીતી કાર ફોક્સવેગન વર્ટસના વેચાણમાં આ વખતે ઘટાડો જોવા મળ્યો છે. ઓગસ્ટ 2026માં વર્ટસના 1,301 યુનિટ્સ વેચાયા છે, જે ગયા વર્ષના 1,674 યુનિટ્સ કરતાં 22.3% ઓછા છે. કિંમતમાં સ્પર્ધા અને માર્કેટ સેન્ટિમેન્ટના કારણે વર્ટસના વેચાણ પર અસર પડી છે, જોકે બિલ્ડ ક્વોલિટીમાં તે હજુ પણ લોકપ્રિય છે.</p><p style="text-align: justify; "><b>સ્કોડા સ્લાવિયા: માગમાં 11%નો ઘટાડો</b></p><p style="text-align: justify; ">પાંચમા સ્થાને રહેલી સ્કોડા સ્લાવિયાના વેચાણમાં પણ 11% નો ઘટાડો નોંધાયો છે. ઓગસ્ટ 2026માં સ્લાવિયાના 897 યુનિટ્સ વેચાયા હતા, જે ગયા વર્ષે ઓગસ્ટમાં 1,008 યુનિટ્સ હતા. સ્કોડા સ્લાવિયા તેના પ્રીમિયમ ફીચર્સ અને કેબિન સ્પેસ માટે જાણીતી છે, પરંતુ વધતી કોમ્પિટિશનના કારણે તેની માગ થોડી ધીમી પડી છે.</p><p style="text-align: justify; "><b>અન્ય સેડાન કારોનું પ્રદર્શન</b></p><p style="text-align: justify; ">ટોપ-5 કાર સિવાય અન્ય મોડેલોની વાત કરીએ તો, ટાટા ટિગોરે (Tata Tigor) 862 યુનિટ્સના વેચાણ સાથે 7.1% નો ગ્રોથ મેળવ્યો છે. હ્યુન્ડાઇ વર્નાનું વેચાણ 31.4% ઘટીને 529 યુનિટ્સ રહ્યું હતું. હોન્ડા સિટીએ 514 યુનિટ્સ વેચીને 17.6% નો સુધારો દર્શાવ્યો છે, જ્યારે પ્રીમિયમ સેગમેન્ટમાં ટોયોટા કેમરી (Toyota Camry) 195 યુનિટ્સના વેચાણ સાથે 23.4% નો સકારાત્મક ગ્રોથ મેળવવામાં સફળ રહી છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે ભારતમાં એન્ટ્રી-લેવલ અને બજેટ સેડાન કારોનો દબદબો યથાવત છે અને મિડલ ક્લાસ ગ્રાહકો માઇલેજ અને કિંમતને પ્રાધાન્ય આપી રહ્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/automobile" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/10/z61n3R5dPziSkCEU6F76c4XDjb9mz4PVhTnPVJBA.webp'/></item><item><title><![CDATA[Kala Hiran Film Controversy: 'કાલા હિરન'ની રિલીઝ અટકશે? મેકર્સે કહ્યું સલમાનના જીવન પર નથી ]]></title><link>https://sandesh.com/entertainment/news/kala-hiran-film-controversy-salman-khan</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/kala-hiran-film-controversy-salman-khan</guid><pubDate>Thu, 10 Sep 2026 17:53:49 +05:30</pubDate><description><![CDATA[<p>'કાલા હિરન' (Kala Hiran Film) ફિલ્મ રિલીઝ પહેલાં જ વિવાદમાં સપડાઈ છે. આરોપ છે કે આ ફિલ્મ સલમાન ખાન (Salman Khan)ના કાળા હરણ (Kala Hiran Case) કેસથી પ્રેરિત છે. આ કારણે ફિલ્મની રિલીઝ (Kala Hiran Movie) પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે. આ મામલે દિલ્હી હાઈકોર્ટ (Delhi Highcourt) માં કેસ ચાલી રહ્યો છે.&nbsp;</p><h2><b>કોર્ટમાં મેકર્સે શું કહ્યું?</b></h2><p>ગુરુવારે દિલ્હી હાઈકોર્ટમાં ફિલ્મના મેકર્સે કહ્યું કે 'કાલા હિરન' હજુ રિલીઝ માટે તૈયાર નથી, કારણ કે તેને સેન્સર બોર્ડ (Censor Board) તરફથી સર્ટિફિકેશન મળ્યું નથી. જસ્ટિસ જ્યોતિ સિંહ સમક્ષ આ વાત કહેવામાં આવી હતી. તેઓ બોલિવૂડ અભિનેતા સલમાન ખાન (Salman Khan)ની એ અરજી પર સુનાવણી કરી રહ્યાં હતાં, જેમાં ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે.</p><h2><b>કોર્ટે શું કહ્યું?</b></h2><p>કોર્ટે ફિલ્મના નિર્દેશકને સલમાન ખાનની અરજી પર 2 અઠવાડિયામાં જવાબ દાખલ કરવા કહ્યું છે. આ કેસની આગામી સુનાવણી 30 સપ્ટેમ્બરે થશે. ફિલ્મની રિલીઝ તારીખ અંગે પણ જવાબ માંગ્યો. કોર્ટે નિર્માતા અમિત જાનીના વકીલને 14 સપ્ટેમ્બરે ફિલ્મની સૂચિત રિલીઝ તારીખ અંગે માહિતી આપવા કહ્યું છે. કોર્ટે ત્યાં સુધી ફિલ્મ રિલીઝ નહીં કરવાની વાત પણ કહી છે.</p><h2><b>સલમાનના વકીલે શું દલીલ કરી?</b></h2><p>સલમાન ખાનના વકીલે કહ્યું કે મેકર્સ પોતે કહી રહ્યા છે કે ફિલ્મ સપ્ટેમ્બરમાં રિલીઝ થવાની છે. જો ફિલ્મ રિલીઝ થશે તો તેનાથી સલમાન ખાનને મોટું નુકસાન થઈ શકે છે. </p><h2><b>ફિલ્મને હજુ સર્ટિફિકેટ મળ્યું નથી</b></h2><p>નિર્માતાના વકીલે કહ્યું કે ફિલ્મ હાલ રિલીઝની સ્થિતિમાં નથી અને તેને હજુ સર્ટિફિકેશન માટે સેન્સર બોર્ડ પાસે મોકલવાની બાકી છે. ફિલ્મનું ટ્રેલર પણ હજુ રિલીઝ કરવામાં આવ્યું નથી. સલમાન ખાનની આ અરજી તેમના પર્સનાલિટી રાઇટ્સની સુરક્ષા સાથે જોડાયેલી છે.</p><h2><b>કોર્ટે અગાઉ શું આદેશ આપ્યો હતો?</b></h2><p>આ પહેલાં જુલાઈમાં સલમાન ખાનની વાંધાની અરજી બાદ હાઈકોર્ટે ફિલ્મના ટીઝર અને તેની સાથે જોડાયેલી અન્ય પોસ્ટને ઓનલાઈન પ્લેટફોર્મ પરથી હટાવવાનો વચગાળાનો આદેશ આપ્યો હતો. </p><h2><b>મેકર્સે કહ્યું, સલમાનની બાયોપિક નથી ફિલ્મ</b></h2><p>મેકર્સે સ્પષ્ટ કર્યું છે કે આ ફિલ્મ સલમાન ખાનની બાયોપિક નથી. તેમનું કહેવું છે કે બ્લેકબક વિવાદ સાથે જોડાયેલી જાહેર ઘટનાઓને હટાવવા માટે પોતાના પર્સનાલિટી રાઇટ્સનો ઉપયોગ કરી શકે નહીં.</p><h2><b>સલમાનના વકીલે જવાબ આપ્યો</b></h2><p>સલમાન ખાનના વકીલે કહ્યું કે આ ઘટના પર જાહેરમાં ચર્ચા થાય તેનો વાંધો નથી, પરંતુ આ ફિલ્મ દ્વારા તેમની છબી ખરડાઇ શકે છે. સલમાનની ઓળખ સાથે જોડાયેલી વસ્તુઓ, જેમ કે તેઓ કાંડા પર જે બ્રેસલેટ પહેરે છે તે અને કાનની બુટ્ટી એ વસ્તુઓ તેમની ઓળખ સમાન છે, જેનો પરવાનગી વગર વ્યાવસાયિક ઉપયોગ ન કરી શકાય.</p><p>આ પહેલાં અભિનેતાએ કહ્યું હતું કે 29 મેના રોજ જાહેર કરવામાં આવેલા ફિલ્મના પોસ્ટરમાં તેમની તરફ સ્પષ્ટ સંકેત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફિલ્મનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું. અરજીમાં કહેવામાં આવ્યું છે કે રાજસ્થાનની એક કોર્ટે સલમાન ખાનને આર્મ્સ એક્ટ હેઠળના ગુનામાંથી નિર્દોષ જાહેર કર્યા હતા. તેમ છતાં પોસ્ટરમાં મુખ્ય પાત્રના હાથમાં બંદૂક બતાવવામાં આવી છે, જેને માનહાનિકારક ગણાવવામાં આવ્યું છે.</p><h2><b>પહેલાં પણ સલમાને કોર્ટનો સંપર્ક કર્યો હતો</b></h2><p>સલમાન ખાને અગાઉ પણ પોતાના નામ, તસવીરો, વ્યક્તિત્વ અને દેખાવનો પરવાનગી વગર ઉપયોગ રોકવા તથા પોતાના પર્સનાલિટી રાઇટ્સની સુરક્ષા માટે અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ઈ-કોમર્સ વેબસાઇટ્સ સામે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. હાઈકોર્ટે 11 ડિસેમ્બર 2025ના રોજ તેમના પક્ષમાં વચગાળાનો આદેશ આપ્યો હતો.</p><h2><b>'કાલા હિરન' ફિલ્મ વિશે જાણો</b></h2><p>ફિલ્મ 'કાલા હિરન'નું દિગ્દર્શન ભરત એસ. શ્રીનેતે કર્યું છે. અમિત જાની તેના લેખક અને નિર્માતા છે. ફિલ્મમાં નિકુંજ અગ્રવાલ, ઋષભ અરોરા અને રાજેશ દહિયા જેવા કલાકારો જોવા મળશે. મીડિયા અહેવાલો મુજબ ફિલ્મ 14 સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી, પરંતુ તેની સત્તાવાર રિલીઝ તારીખની જાહેરાત હજુ કરવામાં આવી નથી.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/10/ZLUdbrKclO49EdLT0pBtsibjI4QsTtqmR2vaqPng.webp'/></item><item><title><![CDATA[Hockey Asia Cup: ભારતની દીકરીઓ સામે પાકિસ્તાન ઘૂંટણિયે, 19-0ના જંગી સ્કોર સાથે સેમિફાઇનલમાં એન્ટ્રી ]]></title><link>https://sandesh.com/sports/news/hockey-asia-cup-pakistan-kneels-against-indias-daughters-enters-semi-finals-with-a-huge-score-of-19-0</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/hockey-asia-cup-pakistan-kneels-against-indias-daughters-enters-semi-finals-with-a-huge-score-of-19-0</guid><pubDate>Thu, 10 Sep 2026 17:26:39 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય મહિલા ખેલાડીઓએ ક્રિકેટના મેદાન બાદ હવે હોકીના મેદાનમાં પણ પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી છે. મોંગોલિયા ખાતે રમાઈ રહેલા વિમેન્સ જુનિયર એશિયા કપમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 19-0 જંગી સ્કોરથી પરાજય આપ્યો હતો. 10 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા આ મહત્વપૂર્ણ ક્વાર્ટર ફાઇનલ મેચમાં ઈન્ડિયાએ આક્રમણથી લઈને ડિફેન્સ સુધીની દરેક બાબતમાં શાનદાર પ્રદર્શન કરીને પાકિસ્તાનને મેદાનમાં ચારેય ખાને ચિત્ત કરી દીધું હતું.</p><h2><b>પાકિસ્તાની ડિફેન્સ ધ્વસ્ત&nbsp;</b></h2><p>ભારતીય ટીમે મેચની શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવતાં પ્રથમ ક્વાર્ટરમાં જ પાંચ ગોલ કરી દીધા હતા, જ્યારે બીજા ક્વાર્ટરમાં પણ આ જ લય જાળવી રાખીને વધુ પાંચ ગોલ કર્યા હતા. આ ધમાકેદાર આક્રમણના જોરે ભારતે હાફ ટાઇમ સુધીમાં જ 10-0ની વિશાળ સરસાઈ મેળવી લીધી હતી. ટીમ ઈન્ડિયાનો આ એકતરફી દબદબો બીજા હાફમાં પણ યથાવત જોવા મળ્યો હતો, જ્યાં ત્રીજા ક્વાર્ટરમાં 3 ગોલ અને ચોથા અને નિર્ણાયક ક્વાર્ટરમાં વધુ 6 ગોલ કરીને પાકિસ્તાની ડિફેન્સને સંપૂર્ણપણે ધ્વસ્ત કરી નાખ્યું હતું. આમ, સમગ્ર મેચ દરમિયાન પોતાનું વર્ચસ્વ જાળવી રાખીને ભારતીય ટીમે પાકિસ્તાનને 19-0ના જંગી સ્કોરથી પરાજય આપ્યો હતો, જે મહિલા જુનિયર એશિયા કપના ઇતિહાસની સૌથી મોટી અને યાદગાર જીતમાં સામેલ થઈ ગઈ છે.</p><h2><b>પૂજા મલિકે ગોલ ની હેટ્રીક લગાવી&nbsp;</b></h2><p>આ ઐતિહાસિક મેચમાં ભારતે  કરેલા 19 ગોલમાંથી 11 ફિલ્ડ ગોલ હતા, જે દર્શાવે છે કે સમગ્ર મેચ દરમિયાન બોલ પર ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ નિયંત્રણ રહ્યું હતું. આ ઉપરાંત ટીમને 7 ગોલ પેનલ્ટી કોર્નર અને મેચની 13મી મિનિટે પેનલ્ટી શૂટઆઉટ મળ્યું હતું જેને પણ ભારતીય ખેલાડીએ સચોટ રીતે ગોલમાં ફેરવી નાખ્યો હતો.સૌથી રસપ્રદ બાબત એ રહી કે ભારતીય ટીમના કુલ 13 અલગ-અલગ ખેલાડીઓએ સ્કોરબોર્ડ પર પોતાનું નામ નોંધાવ્યું હતું. આ આક્રમણમાં પૂજા મલિક મોખરે રહી હતી, જેણે 27મી, 49મી તેમજ 51મી મિનિટે શાનદાર ગોલ ફટકારીને હેટ્રિક પૂરી કરી હતી. પૂજા સિવાય રોશની, સનિકા માને, મધુ સિદાર અને સુપ્રિયાએ પણ ઉત્કૃષ્ટ લય દર્શાવતા 2-2 ગોલ ટીમ માટે નોંધાવ્યા હતા.</p><h2><b>ભારત સામે પાકિસ્તાની ટીમ લાચાર&nbsp;</b></h2><p>પાકિસ્તાની ટીમ સમગ્ર મેચ દરમિયાન એટલી હદે લાચાર સાબિત થઈ હતી કે તે પોતાનું ખાતું પણ ખોલાવી શકી નહોતી. એક પણ ગોલ નોંધાવવો તો દૂરની વાત, સમગ્ર મેચમાં તેઓ એકમાત્ર પેનલ્ટી કોર્નર કે પેનલ્ટી સ્ટ્રોક મેળવવા પણ સફળ રહ્યા ન હતા.</p><h2><b>જીતની હેટ્રીક માટે ભારતીય ટીમ તૈયાર&nbsp;</b></h2><p>વિમેન્સ જુનિયર એશિયા કપના સેમિફાઇનલ તબક્કામાં હવે ભારતીય ટીમનો મુકાબલો મલેશિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે રમાનારી ચોથી ક્વાર્ટર ફાઇનલ મેચના વિજેતા સામે થશે. આ ટૂર્નામેન્ટનો ગોલ્ડ મેડલ (ફાઇનલ) મુકાબલો 13 સપ્ટેમ્બરના રોજ યોજાશે. ભારતીય મહિલા ટીમ આ સ્પર્ધામાં સતત બે વખત ચેમ્પિયન બની ચૂકી છે, જેથી હવે 2026નું ટાઇટલ પણ પોતાના નામે કરીને ટાઇટલ જીતવાની ઐતિહાસિક હેટ્રિક પૂરી કરવાના દ્રઢ ઇરાદા સાથે ટીમ ઈન્ડિયા આગળ વધશે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/10/8eeQqaMrvJiGSuxRk1UfrLVIgSkTx3ztZcm7tMPY.webp'/></item></channel></rss>