<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[India-Uzbekistan સંબંધોને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ, જયશંકરે સહકાર વધારવા પર આપ્યો ભાર ]]></title><link>https://sandesh.com/india/news/world/india-uzbekistan-relations-jaishankar-strengthen-bilateral-cooperation-trade-security</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/world/india-uzbekistan-relations-jaishankar-strengthen-bilateral-cooperation-trade-security</guid><pubDate>Mon, 03 Aug 2026 19:45:22 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકરે ઉઝબેકિસ્તાનના વિદેશ મંત્રી બખ્તિયોર સાઈદોવ સાથેની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે ભારત ઉઝબેકિસ્તાનને પોતાના વિસ્તૃત પડોશનો મહત્વપૂર્ણ ભાગ માને છે અને બંને દેશો વચ્ચેના સંબંધોમાં સતત પ્રગતિ થઈ રહી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2084273964772434078"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો મજબૂત</b></h2><p>જયશંકરે જણાવ્યું કે ભારત અને ઉઝબેકિસ્તાનના નેતૃત્વ વચ્ચે સતત સંપર્ક જળવાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ માટે વિશેષ સન્માન ધરાવે છે. બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો હવે બાંધકામ, ડિજિટલ ટેક્નોલોજી, ઊર્જા, આરોગ્ય અને શિક્ષણ જેવા અનેક ક્ષેત્રોમાં વિસ્તરી ચૂક્યા છે.</p><h3><b>ભારત હવે ઉઝબેકિસ્તાન સાથે ખનન ક્ષેત્રમાં પણ સહકાર વધારશે</b></h3><p>વિદેશ મંત્રીએ જણાવ્યું કે ભારત હવે ઉઝબેકિસ્તાન સાથે ખનન ક્ષેત્રમાં પણ સહકાર વધારવા માગે છે. હાલમાં બંને દેશો વચ્ચેનો વેપાર લગભગ 1 અબજ ડોલરની નજીક છે અને તેને વધુ વધારવાની શક્યતાઓ છે. તેમણે ભારત-ઉઝબેકિસ્તાન સંપર્કોને મજબૂત બનાવવા માટે સંસદીય મિત્રતા જૂથની સ્થાપનાની માહિતી પણ આપી હતી.</p><h4><b>અનેક પડકારો સામે એક સાથે કામ કરી રહ્યા છીએ</b></h4><p>જયશંકરે વિદેશ નીતિ અને વૈશ્વિક મુદ્દાઓ પર બંને દેશોની સમાન વિચારધારા અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે વિકાસશીલ દેશો તરીકે ભારત અને ઉઝબેકિસ્તાન આતંકવાદ, ઉગ્રવાદ અને ડ્રગ્સની હેરાફેરી જેવા પડકારો સામે એકસાથે કામ કરી રહ્યા છે. બંને દેશો શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) સહિત વિવિધ દ્વિપક્ષીય અને બહુપક્ષીય મંચો પર સહયોગ કરી રહ્યા છે. જયશંકરે ઉઝબેકિસ્તાન સરકાર અને લોકો દ્વારા આતંકવાદ સામે અપનાવવામાં આવેલા કડક વલણની પ્રશંસા કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત અને ઉઝબેકિસ્તાન બંને સરહદ પારના આતંકવાદ અને આતંકવાદી આશ્રયસ્થાનો સામે ઝીરો ટોલરન્સની નીતિ ધરાવે છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/imd-weather-alert--heavy-rain-in-19-states-tomorrow--delhi-yellow-alert" target="_blank">આ પણ વાંચો : Weather Update: દિલ્હી-NCRમાં યલો એલર્ટ, યુપી-બિહારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/XUQxZaIzcuroyWmkGqkU2K3OjUcwJKRV3lR3rPHT.webp'/></item><item><title><![CDATA[Amreli: ધારીમાં જૂના છતડીયા ફાટક નજીક સિંહોની ટોળી ટ્રેક પર આવતાં પાઇલટે તાત્કાલિક ઇમરજન્સી બ્રેક મારી ટ્રેન થંભાવી દીધી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/dhari-amreli-5-lions-saved-on-railway-track-train-driver-applauded</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/dhari-amreli-5-lions-saved-on-railway-track-train-driver-applauded</guid><pubDate>Mon, 03 Aug 2026 19:29:51 +05:30</pubDate><description><![CDATA[<p>અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલી ગીર પૂર્વ વન વિભાગની સરસિયા રેન્જના છતડીયા બીટમાંથી પસાર થતી રેલવે લાઇન પર આજે એક મોટો અકસ્માત બનતાં રહી ગયો હતો. જૂના છતડીયા ફાટક નજીક અચાનક 5 એશિયાટીક સિંહોનો પરિવાર એકસાથે રેલવે ટ્રેક પર આવી પહોંચ્યો હતો.</p><h2><b>સિંહોનો પરિવાર રેલવે ટ્રેક પર આવી પહોંચ્યો</b></h2><p>એ જ સમયે ટ્રેક પરથી પસાર થઈ રહેલી ટ્રેનના ચતુર પાઇલટે (ડ્રાઇવર) દૂરથી જ ટ્રેક પર સિંહોની હાજરી જોઈ લીધી હતી. પાઇલટે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક ઇમરજન્સી બ્રેક મારીને ટ્રેનને સિંહોથી સુરક્ષિત અંતરે થંભાવી દીધી હતી. ડ્રાઇવરની આ ત્વરિત સમયસૂચકતાના કારણે વનરાજ પરિવાર પર તોળાતું મોટું જોખમ ટળ્યું હતું.ઘટનાની જાણ થતાં જ ગીર પૂર્વ વન વિભાગના RFO જયશ્રીબેન પટાટ ના સીધા માર્ગદર્શન હેઠળ વનવિભાગની રેસ્ક્યૂ ટીમ, વનમિત્ર અને રેલમિત્રની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ટ્રેન અડધા કલાક સુધી ટ્રેક પર જ થોભાવી દેવામાં આવી હતી.</p><h3><b>રેસ્ક્યૂ કામગીરીની સફળતા</b></h3><p>ટ્રેક પર હાજર વન કર્મચારીઓ અને રેલમિત્રની ટીમે ટ્રેકના બંને બાજુ કાળજીપૂર્વક સતત દેખરેખ રાખી હતી. સિંહોને કોઈપણ પ્રકારનો ત્રાસ કે ભય આપ્યા વિના ધીરજપૂર્વક અને સુરક્ષિત રીતે તેમને તેમના કુદરતી રહેઠાણ (જંગલ) તરફ દોરી જવામાં આવ્યા હતા.તમામ પાંચેય સિંહો જંગલ વિસ્તારમાં સુરક્ષિત પહોંચી ગયા બાદ રેલવે ટ્રાફિકને પુનઃ પૂર્વવત કરવામાં આવ્યો હતો. વનવિભાગ અને રેલવે વિભાગ વચ્ચેના ઉત્કૃષ્ટ સંકલન અને સતર્કતાના કારણે જ આ મોટો અકસ્માત અટકાવી શકાયો છે, જેની સ્થાનિક વન્યજીવ પ્રેમીઓ દ્વારા સરાહના થઈ રહી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/siddhapur/siddhpur-biliya-panchayat-vce-mehul-patel-caught-taking-bribe-by-acb" target="_blank">આ પણ વાંચો: Siddhpur: સિદ્ધપુરના બિલીયા ગામનો લાંચિયો VCE મેહુલ પટેલ રૂ.200 ની લાંચ લેતા ACB ની ટ્રેપમાં ફસાયો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/AhNatgzO92cPx6hGhpD9l9XgPr3b3XvptzhDdELY.webp'/></item><item><title><![CDATA[Assam Flood : પૂરગ્રસ્તોની મદદ માટે નીતા અંબાણીએ કરી 21 કરોડની સહાય, રિલાયન્સ ફાઉન્ડેશન મેદાનમાં ઉતર્યું ]]></title><link>https://sandesh.com/india/news/assam-flood-nita-ambani-reliance-foundation-21-crore-relief-fund</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/assam-flood-nita-ambani-reliance-foundation-21-crore-relief-fund</guid><pubDate>Mon, 03 Aug 2026 19:13:01 +05:30</pubDate><description><![CDATA[<p>રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષ નીતા અંબાણીએ આસામમાં આવેલા વિનાશક પૂરથી પ્રભાવિત પરિવારોની મદદ માટે આસામ મુખ્યમંત્રી રાહત ફંડમાં 21 કરોડ રૂપિયાનું યોગદાન આપવાની જાહેરાત કરી છે. આ સહાય રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા રાહત અને બચાવ અભિયાનનો એક ભાગ છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/RIL_Updates/status/2084246066808156194"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>અનેક પરિવારો પ્રભાવિત થયા</b></h2><p>આસામના ઉપરના વિસ્તારોમાં પૂરથી ભારે નુકસાન થયું છે, જેના કારણે અનેક પરિવારો પ્રભાવિત થયા છે. નીતા અંબાણીએ જણાવ્યું કે આસામના લોકો માટે તેમની સંવેદના અને એકતા હંમેશા રહેશે. તેમણે કહ્યું કે દરેક અસરગ્રસ્ત પરિવાર એકલો નથી અને રિલાયન્સ ફાઉન્ડેશન શક્ય તમામ સહાય માટે તેમની સાથે ઉભું છે. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ પણ નીતા અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનનો આભાર માન્યો છે. તેમણે જણાવ્યું કે મુશ્કેલીના સમયમાં રિલાયન્સ ફાઉન્ડેશને હંમેશા આસામના લોકોનો સાથ આપ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે પૂરગ્રસ્ત પરિવારો માટે ₹21 કરોડનું યોગદાન અને મેદાન પર ચાલી રહેલા રાહત કાર્યો પ્રશંસનીય છે.</p><h3><b>રિલાયન્સ ફાઉન્ડેશન અસરગ્રસ્ત પરિવારોની સાથે&nbsp;&nbsp;</b></h3><p>રિલાયન્સ ફાઉન્ડેશનની ટીમો અને વોલન્ટિયરો અસરગ્રસ્ત વિસ્તારોમાં ખોરાક, આરોગ્ય સેવાઓ, તાત્કાલિક આશ્રય અને પશુઓની સંભાળ જેવી જરૂરી મદદ પહોંચાડી રહ્યા છે. સંસ્થા ખાસ કરીને શિવસાગર અને ચરાઈદેવ જિલ્લામાં સૌથી વધુ અસરગ્રસ્ત પરિવારો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.</p><p>રિલાયન્સ ફાઉન્ડેશનનો લક્ષ્યાંક આશરે 50 હજાર જરૂરિયાતમંદ લોકોને રાહત અને પુનર્વસન સહાય પહોંચાડવાનો છે. આ અંતર્ગત શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા માટે પાણી પુરવઠા વ્યવસ્થાની પુનઃસ્થાપના, સમુદાય રસોડા દ્વારા ભોજન વિતરણ, આરોગ્ય કેન્દ્રોની સફાઈ અને પશુ ચિકિત્સા સેવાઓ સહિતના કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. રિલાયન્સ ફાઉન્ડેશને જણાવ્યું છે કે 'વી કેર' ભાવના સાથે અસરગ્રસ્ત ગામોમાં જીવન સામાન્ય બનાવવા માટે સ્થાનિક સમુદાયો અને સરકાર સાથે મળીને સતત કામગીરી ચાલુ રાખવામાં આવશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/political-news/by-poll-election-result-2026-datia-bankipur-assembly-seat-bjp-defeat" target="_blank">આ પણ વાંચો : By Poll Election Result : 3 વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામ જાહેર, 2 સીટ પર ભાજપની હાર</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/3atm4JyTXjRPqoeurWuGWVziHEZV5Gf3vrnDkDZW.webp'/></item><item><title><![CDATA[Siddhpur: સિદ્ધપુરના બિલીયા ગામનો લાંચિયો VCE મેહુલ પટેલ રૂ.200 ની લાંચ લેતા ACB ની ટ્રેપમાં ફસાયો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/siddhapur/siddhpur-biliya-panchayat-vce-mehul-patel-caught-taking-bribe-by-acb</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/siddhapur/siddhpur-biliya-panchayat-vce-mehul-patel-caught-taking-bribe-by-acb</guid><pubDate>Mon, 03 Aug 2026 18:50:42 +05:30</pubDate><description><![CDATA[<p>પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં આવેલા બિલીયા ગ્રામ પંચાયતમાં ગ્રામજનો અને અરજદારો પાસેથી દાખલા તથા સરકારી જમીનના કાગળો કાઢી આપવાના નામે લાંચ લેવાતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી હતી. બિલીયા ગ્રામ પંચાયતમાં VCE (વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રાઇઝ) તરીકે ફરજ બજાવતો 37 વર્ષીય મેહુલ પટેલ નાગરિકો પાસેથી સરકારી નિયમ મુજબની 20 રૂપિયાની ફી ઉપરાંત વધારાના રૂ. 50 થી લઈને રૂ. 1000 સુધીની રકમ બળજબરીપૂર્વક વસૂલતો હતો.</p><h2><b>બિલીયા પંચાયતમાં ACB ના દરોડા</b></h2><p>અરજદારો જ્યારે આવકનો દાખલો, મકાન/જમીનની આકારણી કે 7/12 અને 8-અ ના ઉતારા મેળવવા આવતા ત્યારે તેમની પાસેથી ગેરકાયદે નાણાંની માંગણી કરવામાં આવતી હતી.આ લાંચિયા કર્મચારીની નીતિ-રીતિથી કંટાળેલા એક જાગૃત અરજદારે આ અંગે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની રજૂઆતના આધારે એસીબીની ટીમે બિલીયા ગ્રામ પંચાયતમાં સફળ છટકું ગોઠવ્યું હતું.</p><h3><b>ટ્રેપ અને ધડપકડની વિગતો</b></h3><p>આકારણી પત્રક કાઢી આપવાના બદલામાં જ્યારે VCE મેહુલ પટેલે અરજદાર પાસેથી રૂ. 200 ની લાંચની માંગણી કરી અને રકમ સ્વીકારી, ત્યારે જ પહેલેથી જ ગોઠવાયેલી એસીબીની ટીમે તેને લાંચની રકમ સાથે સ્થળ પર જ રંગેહાથ ઝડપી લીધો હતો.એસીબીએ આરોપી મેહુલ પટેલ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અટકાયત ધારા હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી છે. પંચાયત કચેરીમાં થયેલી આ કાર્યવાહીથી સિદ્ધપુર તાલુકાના સરકારી અને પંચાયત વર્તુળોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-wins-3-national-awards-16th-indian-organ-donation-day-ikdrc-civil-hospitals" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: 16મો ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે, ગુજરાતની 3 સરકારી હોસ્પિટલોને મળ્યા રાષ્ટ્રીય એવોર્ડ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/ZLdYePFf4KfF3je51t0AShOdavJMvUfPPbhxtbVq.webp'/></item><item><title><![CDATA[CWG 2026માં બ્રોન્ઝ જીત્યા બાદ યશવીર સિંહે કર્યો ખુલાસો, નીરજ ચોપરાએ આપી સલાહ ]]></title><link>https://sandesh.com/sports/news/yashveer-singh-neeraj-chopra-cwg-2026-bronze</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/yashveer-singh-neeraj-chopra-cwg-2026-bronze</guid><pubDate>Mon, 03 Aug 2026 18:29:03 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ભાલા ફેંકનાર યશવીર સિંહે સિદ્ધિ હાંસલ કરી. ફાઈનલ રાઉન્ડ પહેલા યશવીર 81.33 મીટરના થ્રો સાથે સાતમા સ્થાને હતો અને મેડલની દોડમાંથી લગભગ બહાર થઈ ગયો હતો. તે જ ક્ષણે ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાએ તેને એક સરળ પણ અસરકારક સલાહ આપી.&nbsp;</p><p style="text-align: justify;">નીરજ ચોપરાએ યશવીર સિંહને ભાલા ફેંકતી વખતે સીધી રેખામાં રાખવા કહ્યું. યશવીરએ આ સલાહનું પાલન કર્યું અને તેના અંતિમ પ્રયાસમાં 85.41 મીટરનો શાનદાર થ્રો ફેંકીને બ્રોન્ઝ મેડલ જીત્યો .</p><h2 style="text-align: justify;"><b>નીરજ ચોપરાએ યશવીર સિંહને તેના છેલ્લા થ્રો પહેલા સલાહ આપી</b></h2><p style="text-align: justify;">ભાલા ફેંકતી વખતે તેને યોગ્ય દિશામાં અને સીધું રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આનાથી ભાલા ફેંકનાર વધુ દૂર જઈ શકે છે અને ફેંકનારના ખભા અથવા હાથ પરનો ભાર ઓછો થાય છે. મીડિયા સાથે વાત કરતાં યશવીરે સમજાવ્યું કે નીરજ ચોપરાની સલાહને ફોલો કરીને તેને ભાલા ફેંકનારને કાન પાસે યોગ્ય રીતે પકડ્યો, તેના ખભા સીધા રાખ્યા, તેના હાથને પાછળ ખેંચ્યો અને ઉપરથી ભાલો ફેંક્યો. નીરજની આ સરળ સલાહથી યશવીરના ફેંકમાં નોંધપાત્ર ફેરફાર થયો અને અંતે તેને મેડલ જીત્યો.</p><h3 style="text-align: justify;"><b>આ કોમનવેલ્થ ગેમ્સમાં મારા પર કોઈ દબાણ નહોતું - યશવીર સિંહ</b></h3><p style="text-align: justify;">દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સમાંથી પરત ફર્યા બાદ યશવીર સિંહે કહ્યું કે આ મોટી ટુર્નામેન્ટમાં તેમને કોઈ દબાણનો અનુભવ થયો નથી. ફેન્સ અને મીડિયાનું ધ્યાન નીરજ ચોપરા, અરશદ નદીમ, રૂમેશ પાથિરાજ અને એન્ડરસન પીટર્સ જેવા મોટા નામો પર કેન્દ્રિત હતું. આનો ફાયદો ઉઠાવીને યશવીર કોઈપણ માનસિક તાણ વિના ફક્ત પોતાની રમત પર ધ્યાન કેન્દ્રિત કરતો રહ્યો. તે સતત પોતાને કહેતો રહ્યો કે તે પોતાનું 100 ટકા આપે અને વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન કરે.</p><h4 style="text-align: justify;"><b>આ વખતે ભાલા ફેંકમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો?</b></h4><p style="text-align: justify;">શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર અને એથ્લીટ રોમેશ થરંગા પથિરાજે 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભાલા ફેંકમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં તેને 89.75 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજ ચોપરાએ 85.83 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. આ દરમિયાન 2024 પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર અરશદ નદીમ ત્રીજા રાઉન્ડ પછી બહાર થઈ ગયો હતો. અરશદ નદીમે બીજા રાઉન્ડમાં મેડલ ઈવેન્ટમાં 77.41 મીટરનો પોતાનો બેસ્ટ થ્રો ફેંક્યો હતો, પરંતુ તેમ છતાં તે ટોપ-8માં સ્થાન મેળવી શક્યો ન હતો.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/tgMnWqMFjRRc8ZUv317bnL6mhXCAPWzz7EVUdYy7.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: 16મો ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે, ગુજરાતની 3 સરકારી હોસ્પિટલોને મળ્યા રાષ્ટ્રીય એવોર્ડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-wins-3-national-awards-16th-indian-organ-donation-day-ikdrc-civil-hospitals</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-wins-3-national-awards-16th-indian-organ-donation-day-ikdrc-civil-hospitals</guid><pubDate>Mon, 03 Aug 2026 18:16:39 +05:30</pubDate><description><![CDATA[<p>નવી દિલ્હી ખાતે આયોજિત 16મા 'ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે' સમારોહમાં ગુજરાતની આરોગ્ય સેવાનો સાર્વત્રિક જોશ જોવા મળ્યો હતો. દેશભરમાંથી અંગદાન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સમાન સેવાની કામગીરી કરતી સંસ્થાઓમાં ગુજરાતની સરકારી હોસ્પિટલોએ સિંહફાળો આપ્યો છે.</p><h2><b>ગુજરાતની આરોગ્ય સેવાનો સાર્વત્રિક જોશ જોવા મળ્યો</b></h2><p>આ સમારોહમાં અમદાવાદની જાણીતી IKDRC (ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડીસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર) ને "Excellence in Organ Transplantation" એવોર્ડથી નવાજવામાં આવી હતી. જ્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલને "Best Non-Transplant Organ Retrieval Centre" અને સુરતની નવી સિવિલ હોસ્પિટલને "Best Brain Stem Death Team" નો રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી અંગદાન અંગે જાગૃતિનો મોટો પવન ફૂંકાયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલે 48 બ્રેઈનડેડ મૃતદાતાઓના પરિજનોને પ્રોત્સાહિત કરીને 171 જેટલા મહા મૂલ્યવાન અંગોનું સફળ રીટ્રીવલ કર્યું હતું, જેનાથી દેશભરના દર્દીઓને નવું જીવન મળ્યું છે.</p><h3><b>PM-JAY યોજના હેઠળ વિનામૂલ્યે સારવાર</b></h3><p>IKDRC માં વર્ષ ૨૦૨૫ માં કુલ 597 સફળ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા. આશ્ચર્યજનક અને ગર્વ લેવા જેવી બાબત એ છે કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) હેઠળ 380 ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ની સુવિધા પૂરી પાડવામાં આવી છે. ગુજરાતના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ ટીમ તેમજ અંગદાતાઓના પરિવારોને બિરદાવતા કહ્યું હતું કે, સમાજ અને તબીબોના સહિયારા પ્રયાસોથી આજે ગુજરાત ઓર્ગન ડોનેશન ક્ષેત્રે દેશભરમાં એક મજબૂત અને પ્રેરણાદાયી રોલ મોડેલ બનીને ઉભરી આવ્યું છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/crime/rajkot/bhaktinagar-murder-case-ghanshyamsinh-vaghela-dharmendrasinh-arrested" target="_blank">આ પણ વાંચો: Rajkot: અનૈતિક સંબંધની શંકા અને 2 વર્ષ જૂની અદાવતમાં હત્યા, સમાધાન ન થતાં ખેલાયો ખૂની ખેલ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/fH22J5rZF3zeTL48GRKpGYBHjGQyGu6gWcDWrio0.webp'/></item><item><title><![CDATA[વાંચો બપોરે 03થી સાંજે 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-03-pm-to-06-pm-3-august-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-03-pm-to-06-pm-3-august-2026</guid><pubDate>Mon, 03 Aug 2026 17:59:41 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર</b></p><p><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-approves-subhash-bridge-work" target="_blank"><b>1. Ahmedabad News: AMC રોડ કમિટીએ સુભાષબ્રિજના કામને મંજૂરી આપી, કુલ ખર્ચમાં 7થી 10 કરોડનો ફાયદો થશે</b></a></p><p><a href="https://sandesh.com/india/news/political-news/bankipur-by-election-result-prashant-kishor-wins-bjp-defeat" target="_blank"><b>2. Bankipur By Election Result : પ્રશાંત કિશોરની મોટી લીડ સાથે જીત, ભાજપે હાર સ્વીકારી લીધી</b></a></p><p><a href="https://sandesh.com/india/news/mohan-bhagwat-to-address-gen-z--gen-alpha-in-mumbai-on-aug-6" target="_blank"><b>3. RSSના સંઘ પ્રમુખ મોહન ભાગવત Gen-Z સાથે કરશે સંવાદ, 100થી વધુ શહેરના વિદ્યાર્થીઓ થશે સામેલ</b></a></p><p><a href="https://sandesh.com/cricket/news/moeen-ali-praises-ashish-nehra-cricket-brain" target="_blank"><b>4. Cricketમાં સૌથી તેજ મગજ ધરાવતો ખેલાડી કોણ છે? મોઈન અલીએ કર્યો મોટો ખુલાસો</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/tat-s-2026-mains-exam-date-announced-seb-hall-ticket-september-7" target="_blank"><b>5. Gandhinagar: TAT-S 2026 મુખ્ય પરીક્ષાની તારીખો જાહેર, 20 સપ્ટેમ્બરે મુખ્ય પરીક્ષા, 7 સપ્ટેમ્બરથી ડાઉનલોડ થશે હોલ ટિકિટ</b></a></p><p><a href="https://sandesh.com/cricket/news/shubman-gill-3000-wtc-runs-milestone" target="_blank"><b>6. WTCમાં ઈતિહાસ રચવાથી માત્ર 157 રન દૂર કેપ્ટન શુભમન ગિલ, પહેલો ભારતીય બેટર બનશે</b></a></p><p><a href="https://sandesh.com/india/news/why-did-brij-bhushan-singh-get-relief-even-after-a-1000-page-charge-sheet-and-statements-from-108-people" target="_blank"><b>7. Brij Bhushan Singh વિરુદ્ધ 1000 પાનાની ચાર્જશીટ, 108 લોકોના નિવેદન; છતાં કેમ મળી રાહત?</b></a></p><p><a href="https://sandesh.com/world/news/bangladesh-high-alert-103-bombs-found-from-dhaka-to-chittagong-fear-of-attack-on-police" target="_blank"><b>8. Bangladesh High Alert: ઢાકાથી ચટગાંવ સુધી 103 બોમ્બ મળતા પોલીસ પર હુમલાની આશંકા</b></a></p><p><a href="https://sandesh.com/entertainment/news/bigg-boss-winner-gaurav-khanna-injured-in-khatro-ke-khiladi-15-shares-painful-experience" target="_blank"><b>9. Bigg Boss Winner : ખતરો કે ખિલાડી 15માં ઘાયલ થયો ગૌરવ ખન્ના, શેર કર્યો દર્દનાક અનુભવ!</b></a></p><p><a href="https://sandesh.com/india/news/delhi-bomb-threat--schools--red-fort--mayor-office-targeted--police-probe" target="_blank"><b>10. Delhiની શાળા બાદ હવે લાલ કિલ્લાને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ એક્શન મોડમાં...</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/05/30/ci0PwfUyHcao4H4ziwpdhMLnO6QMfKyI3jwCPvfh.webp'/></item><item><title><![CDATA[Rajkot: અનૈતિક સંબંધની શંકા અને 2 વર્ષ જૂની અદાવતમાં હત્યા, સમાધાન ન થતાં ખેલાયો ખૂની ખેલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/rajkot/bhaktinagar-murder-case-ghanshyamsinh-vaghela-dharmendrasinh-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/rajkot/bhaktinagar-murder-case-ghanshyamsinh-vaghela-dharmendrasinh-arrested</guid><pubDate>Mon, 03 Aug 2026 17:56:08 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ શહેરના જલારામ ચોકથી ભક્તિનગર સર્કલ તરફ જતા માર્ગ પર આવેલા ધર્મજીવન એપાર્ટમેન્ટ નીચે શનિવારે સાંજે સાડા છ વાગ્યાના સુમારે સરેરાહ સનસનાટી મચી ગઈ હતી. ઓઇલ એન્જિનના વ્યવસાય સાથે સંકળાયેલા 42 વર્ષીય ઘનશ્યામસિંહ વાઘેલા પોતાના મિત્ર પ્રહલાદસિંહ જાડેજા અને સંદીપસિંહ સાથે કારમાં બેઠા હતા. આ દરમિયાન કાળા કપડાં પહેરેલો એક અજાણ્યો શખ્સ આવ્યો હતો અને ઘનશ્યામસિંહને બહાર આવવા કહ્યું હતું.</p><h2><b>ભક્તિનગર સર્કલ પાસે લોહિયાળ ખેલ!</b></h2><p>ઘનશ્યામસિંહ કારમાંથી નીચે ઉતરતાં જ પાછળથી ધસી આવેલા કૌટુંબિક ભાઈ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ તેમની છાતી, હાથ, ખભા, વાસા અને પડખાના ભાગે છરીના 6 થી 7 જેટલા ઊંડા ઘા ઝીંકી દીધા હતા. સાથે રહેલા મિત્રોએ વચ્ચે પડી બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા ઘનશ્યામસિંહને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. ભક્તિનગર પોલીસે બનાવ અંગે BNS ની કલમ 103(1) (હત્યા) નો ઉમેરો કરીને કાનૂની કાર્યવાહી કરી છે.</p><h3><b>કથિત અનૈતિક સંબંધોની શંકાએ ઝઘડો થયો</b></h3><p>બે વર્ષ અગાઉ નવરાત્રિમાં ધોરાજીના ભાડેર ગામે મૃતક ઘનશ્યામસિંહ અને આરોપીના મોટાભાઈની પત્ની (ભાભી) વચ્ચેના કથિત અનૈતિક સંબંધોની શંકાએ ઝઘડો થયો હતો. ત્યારે ધર્મેન્દ્રસિંહે મૃતક અને તેમના પિતા પર હુમલો કર્યો હતો, જેનો કેસ પાટણવાવ પોલીસ મથકે નોંધાયો હતો અને હાલ ધોરાજી કોર્ટમાં ચાલુ છે. આ વિવાદ બાદ ધર્મેન્દ્રસિંહના મોટાભાઈએ પત્ની સાથે છૂટાછેડા લીધા હતા. આરોપી પક્ષ કેસમાં સમાધાન માટે દબાણ કરતો હતો પરંતુ મૃતકનો પરિવાર તૈયાર નહોતો.</p><h5><b>આરોપીની પોલીસે અટકાયત કરી</b></h5><p>1 ઓગસ્ટના રોજ હુમલો કરનાર ધર્મેન્દ્રસિંહે અઠવાડિયા અગાઉ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી કે ઘનશ્યામસિંહ તેને ફોન પર ધમકીઓ આપી પરિવારને નુકસાન પહોંચાડી શકે છે, જેથી ડરના માર્યા તેણે ઘર પણ બદલ્યું હતું.ભક્તિનગર પોલીસ હાલ પકડાયેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાની સઘન પૂછપરછ કરી રહી છે. તેમજ હુમલા વખતે તેની સાથે રહેલો આશરે ૩૦ વર્ષનો અજાણ્યો શખ્સ કોણ હતો અને તેની શું ભૂમિકા હતી તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhuj/bhuj-ambulance-catches-fire-near-district-panchayat-gate-fire-brigade-controls" target="_blank">આ પણ વાંચો: Bhuj: જિલ્લા પંચાયત ગેટ પાસે જ એમ્બ્યુલન્સમાં અચાનક ભીષણ આગ, ફાયર વિભાગની ટીમે આગ પર મેળવ્યો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/mDro7pDqYsE5N9oTfEb1HPsHIT5yaSsmDaxBrxJU.webp'/></item><item><title><![CDATA[Celebrity Home  : 1 કરોડનું ઈન્ટીરીયર, 5 કરોડનું ઘર... મનીષા રાનીએ બતાવ્યું પોતાનું ડ્રીમ હોમ આંગન ]]></title><link>https://sandesh.com/entertainment/news/bigg-boss-ott-manisha-rani-new-house-1</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/bigg-boss-ott-manisha-rani-new-house-1</guid><pubDate>Mon, 03 Aug 2026 17:47:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">28 વર્ષની ઉંમરે મનીષા રાની એ એવી સિદ્ધિ મેળવી છે, જે મેળવવામાં ઘણા લોકોને વર્ષો લાગી જાય છે. બિહારના મુંગેરની રહેવાસી મનીષાએ મુંબઈના પોશ વિસ્તારમાં પોતાનું ઘર ખરીદીને તેને એક લક્ઝરી હોમમાં ફેરવી દીધું છે. બિગ બોસ OTT ફેમ અને ઇન્ફ્લુએન્સર મનીષા રાની એ આખરે મુંબઈના ગોરેગાંવમાં આવેલા પોતાના ભવ્ય ઘરની ઝલક બતાવી છે. લગભગ 5 કરોડ રૂપિયાની કિંમત ધરાવતા આ ઘરમાં રહેવા જતાં પહેલાં તેણે તેના રિનોવેશનમાં 1 વર્ષથી વધુ સમય આપ્યો હતો. મનીષાએ પોતાના ઘરને આંગન નામ આપ્યું છે. ઘરના મુખ્ય દરવાજા પર પિત્તળના હેન્ડલ સાથે સંપૂર્ણ સફેદ દરવાજો લગાવવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>ઘરનું રિનોવેશન પૂર્ણ કરવામાં 1 વર્ષ લાગ્યું</b></h2><p style="text-align: justify; ">મનીષા રાનીને પોતાના સપનાના ઘરનું રિનોવેશન પૂર્ણ કરવામાં 1 વર્ષ લાગ્યું હતું અને તેણે કસ્ટમાઇઝ્ડ ઇન્ટિરિયર ડિઝાઇન પર લગભગ 1 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. મનીષાનું આ 3-BHK એપાર્ટમેન્ટ લગભગ 5 કરોડ રૂપિયાનું છે. તેનું ઘર મુંબઈની એક સોસાયટીના 17મા માળે આવેલું છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dbke0ITudtV/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dbke0ITudtV/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dbke0ITudtV/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dbke0ITudtV/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h2 style="text-align: justify; "><b>મનીષા રાનીનું લક્ઝરી ઘર</b></h2><p style="text-align: justify; ">મનીષા રાનીએ પોતાના યુટ્યુબ ચેનલ પર હોમ ટૂર વીડિયો શેર કરીને પોતાના સપનાના ઘરની ઝલક બતાવી હતી. તેણે જણાવ્યું કે ઘરના દરેક ખૂણાને તેની પસંદ પ્રમાણે ડિઝાઇન કરવામાં આવ્યો છે. માત્ર ઇન્ટિરિયર પર જ લગભગ 1 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે, જેથી ઘર બરાબર એવું જ બને જેવું તેણે હંમેશા સપનું જોયું હતું. ઘરના પ્રવેશદ્વારથી લઈને લિવિંગ એરિયા સુધી દરેક જગ્યાએ મોડર્ન અને એલિગન્ટ ઇન્ટિરિયર જોવા મળે છે. મનીષાએ જણાવ્યું કે તેમણે પોતાના ઘરને આંગન નામ આપ્યું છે, કારણ કે તેઓ ઇચ્છતા હતા કે આ માત્ર ઘર નહીં, પરંતુ પરિવાર અને પોતાના લોકોની યાદો સાથે જોડાયેલી ખાસ જગ્યા બને.</p><h3 style="text-align: justify; "><b>મનીષા રાનીના ઘરનું પ્રવેશદ્વાર</b></h3><p style="text-align: justify; ">મનીષાના ઘરમાં પ્રવેશ કરતાં જ સૌથી પહેલાં એક નાનું મંદિર જોવા મળે છે. અહીં તેણે ભગવાન હનુમાન, માતા લક્ષ્મી, ભગવાન શિવ અને ભગવાન ગણેશની મૂર્તિઓ સ્થાપિત કરી છે. તેણે જણાવ્યું, પૂજારીએ વાસ્તુ મુજબ મંદિર અહીં રાખવાની સલાહ આપી હતી. મંદિરની બાજુમાં એક નાનો રબર પ્લાન્ટ પણ રાખવામાં આવ્યો છે. મનીષાના જણાવ્યા મુજબ વાસ્તુમાં રબર પ્લાન્ટને આર્થિક સમૃદ્ધિ માટે શુભ માનવામાં આવે છે.<br><img alt="Manisha Rani (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/03/glfTl7G1pDqL5zNLYj1hYoXM1SNyCGhLx0sj2KnS.webp"><br></p><p style="text-align: justify; ">હોમ ટૂર દરમિયાન મનીષાએ પોતાનો લિવિંગ રૂમ, ડાઇનિંગ એરિયા, મોડ્યુલર કિચન, બેડરૂમ, ડ્રેસિંગ એરિયા અને બાલ્કની પણ બતાવી હતી. ઘરમાં મોટી બાલ્કની, ડાઇનિંગ ટેબલ વગરનો વિશાળ ઓપન-પ્લાન લિવિંગ રૂમ અને કસ્ટમ વોક-ઇન વોર્ડરોબ સાથેનો ડ્રેસિંગ રૂમ છે. મનીષા રાનીના નવા ઘરમાં દરેક રૂમ માટે અલગ કલર થીમ રાખવામાં આવી છે અને કિચનમાં માર્બલ ફિનિશવાળી ખાસ કેબિનેટ્સ બનાવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે ઘરના દરેક ભાગનું પ્લાનિંગ તેમણે જાતે કર્યું છે અને દરેક નાની-મોટી બાબતમાં તેમની પસંદ સામેલ છે.</p><h4 style="text-align: justify; "><b>મનીષા રાનીની સફર</b></h4><p style="text-align: justify; ">ઘર બતાવતાં-બતાવતાં મનીષા ઘણી વખત ભાવુક પણ થઈ ગઈ હતી. તેણે કહ્યું કે એક સમય એવો હતો જ્યારે તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે મુંબઈ જેવા શહેરમાં તેનું પોતાનું આટલું સુંદર ઘર હશે. આજે તેનું આ સપનું સાકાર થયું છે અને તેના માટે તેઓ પોતાના ફેન્સનો દિલથી આભાર માને છે. મનીષા રાનીની સફર પણ પ્રેરણાદાયક છે. બિહારના એક નાના શહેરમાંથી બહાર આવી તેમણે સોશિયલ મીડિયા દ્વારા પોતાની ઓળખ બનાવી. ત્યારબાદ 'બિગ બોસ OTT 2', 'ઝલક દિખલા જા 11' અને અનેક મ્યુઝિક વીડિયોઝે તેમને ઘર-ઘરમાં લોકપ્રિય બનાવી દીધા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/highest-paid-bollywood-actresses-fees-top-5" target="_blank">આ પણ વાંચો-Highest Paid Actress : એક ફિલ્મ માટે કરોડો રૂપિયા વસૂલે છે બોલીવુડની આ અભિનેત્રીઓ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/G0uqDpZf2ORCUaVW9xDCXyGHMmRDWrvQ78godrbk.webp'/></item><item><title><![CDATA[Stock Market Close: : સોમવારે બજારમાં તેજીનો બુલ રન!, સેન્સેક્સ અને નિફ્ટી તેજી સાથે બંધ ]]></title><link>https://sandesh.com/business/news/stockmarket/https-sandesh-com-business-news-stock-market-opening-stock-market-starts-flat-sensex-opens-at-77929-points</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stockmarket/https-sandesh-com-business-news-stock-market-opening-stock-market-starts-flat-sensex-opens-at-77929-points</guid><pubDate>Mon, 03 Aug 2026 15:29:02 +05:30</pubDate><description><![CDATA[<p>સવારે શેરબજારમાં સારી શરૂઆત જોવા મળી હતી. જયારે બપોરે બજાર તેજી સાથે બંધ થયું. બપોરે 3.30 વાગ્યે બજાર BSE SENSEX +582.49 (0.75%) પોઈન્ટ વધી  78,677.13 ના સ્તર પર બંધ થયો. આ જ સમયે નિફ્ટી +189.75 (0.78%) પોઈન્ટ વધી 24,573.35ના સ્તર પર બંધ થયો.</p><h2><b>સોમવારે બજાર તેજી સાથે બંધ</b></h2><p>યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે તેહરાન સાથે વાતચીત શરૂ થશે તેવું કહ્યું ત્યારબાદ નિફ્ટી 50 અને સેન્સેક્સ વધ્યા અને તેલના ભાવ ઘટ્યા. બપોરે 12:00 વાગ્યા સુધીમાં, નિફ્ટી 50, 210 પોઈન્ટ અથવા 0.86 ટકા વધીને 24,593.10 પર અને સેન્સેક્સ 628 પોઈન્ટ અથવા 0.8 ટકા વધીને 78,722.36 પર બંધ રહ્યો હતો. આજે સપ્તાહના પ્રથમ દિવસે બજારના આરંભે સેન્સેક્સ 586 પોઈન્ટ અને નિફ્ટી 161 પોઈન્ટ વધીને ખુલ્યા હતા. સપ્તાહના પ્રથમ દિવસે બજારની સકારાત્મક શરૂઆતથી&nbsp;</p><h3><b>આ શેરમાં આજે રોકેટ જેવી તેજી</b></h3><p>સોમવારે GACM ટેક્નોલોજીસના શેરમાં તીવ્ર વધારો જોવા મળ્યો. આ લેખ લખતી વખતે, NSE પર શેર ₹0.75 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે 8.70% વધારે છે. બજારમાં આજે GACM ટેક્નોલોજીસના શેરનું સારું પ્રદર્શન જોવા મળ્યું. છેલ્લા અઠવાડિયા અને મહિનામાં શેરમાં આશરે 53%નો વધારો થયો છે. અત્યાર સુધીમાં, 2026 માં તેમાં આશરે 36%નો વધારો થયો છે, જ્યારે પાછલા વર્ષમાં શેરમાં આશરે 44% વળતર મળ્યું છે. જોકે, લાંબા ગાળે ચિત્ર થોડું અલગ છે. છેલ્લા ત્રણ વર્ષમાં શેરમાં આશરે 28% ઘટાડો થયો છે, પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં, તેણે રોકાણકારોને આશરે 23% વળતર આપ્યું છે.</p><p><br></p><p><br></p><p><a href="https://sandesh.com/business/news/coal-india-production-growth-july-2026-share-price-update" target="_blank">આ પણ વાંચો : Coal India Production: સરકારી કંપનીનું કોલસાનું પ્રોડક્શન 8 ટકા વધ્યું, શેરના ભાવ પર રહેશે નજર</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/Nr5BUsoyN9zYTincSLWYTw4m7j1dA8wyW2fbtdfY.webp'/></item></channel></rss>