<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Surat News: ડિંડોલીની RJD પ્લાઝા હોટલમાં યુવકનું અચાનક મોત, લાઈવ ડેથના CCTV આવ્યા સામે ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-news-sudden-death-of-a-young-man-in-rjd-plaza-hotel-in-dindoli-cctv-footage-of-live-death-came-to-light</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-news-sudden-death-of-a-young-man-in-rjd-plaza-hotel-in-dindoli-cctv-footage-of-live-death-came-to-light</guid><pubDate>Mon, 17 Aug 2026 11:09:46 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા RJD પ્લાઝા હોટલમાં હૃદય કંપાવી દે તેવી એક ઘટના સામે આવી છે. હોટલના રિસેપ્શન કાઉન્ટર પર ઉભા રહીને વાતચીત કરી રહેલો એક યુવક અચાનક જ બેભાન થઈને જમીન પર ઢળી પડ્યો હતો. યુવક જમીન પર પતંગની જેમ ઢળી પડતાં હોટલ સ્ટાફ અને આસપાસ ઉભેલા લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. તુરંત જ તેને સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>લાઈવ મોતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા&nbsp;</b></h2><p style="text-align: justify; ">આ સમગ્ર કાળજું કંપાવનારી ઘટના હોટલના રિસેપ્શન વિસ્તારમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ હતી. CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે યુવક સામાન્ય રીતે વાત કરી રહ્યો હતો અને સેકન્ડોના જ ભાગમાં અચાનક જ તેને છાતીમાં કંઈક ઉપડ્યું હોય તેમ તે સીધો જમીન પર પટકાયો હતો. આ 'લાઈવ ડેથ'ના દ્રશ્યો સોશિયલ મીડિયા પર સામે આવતાં જ સમગ્ર સુરત શહેરમાં અરેરાટી સાથે ભારે સનસનાટી મચી ગઈ છે.</p><h3 style="text-align: justify; "><b>હાર્ટ એટેકની આશંકા: પોલીસે હાથ ધરી તપાસ&nbsp;</b></h3><p style="text-align: justify; ">યુવકના આ પ્રકારે અચાનક થયેલા મોત પાછળ સાયલન્ટ હાર્ટ એટેક (Cardiac Arrest) હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટના અંગે ડિંડોલી પોલીસને જાણ કરાતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે CCTV ફૂટેજ કબ્જે કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો છે. યુવકની ઓળખ મેળવવાની સાથે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ કયા ચોક્કસ કારણે મોત નીપજ્યું તે અંગેનું સાચું કારણ સ્પષ્ટ થશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/17/bZTdtjoo0WZlvmwyEteP1GkHdsmfriJoSA1YQ8DQ.webp'/></item><item><title><![CDATA[Dhurandhar2 થી કેમ 'ટોક્સિક'એ કરી પીછેહઠ, '100-200 કરોડના નુકસાનનો ડર નથી, પણ...'યશનો ખુલાસો ]]></title><link>https://sandesh.com/entertainment/news/why-did-toxic-back-out-of-dhurandhar-2-not-afraid-of-a-loss-of-100-200-crores-but-yash-reveals</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/why-did-toxic-back-out-of-dhurandhar-2-not-afraid-of-a-loss-of-100-200-crores-but-yash-reveals</guid><pubDate>Mon, 17 Aug 2026 10:58:37 +05:30</pubDate><description><![CDATA[<p>સાઉથ સુપરસ્ટાર યશ તેની બહુચર્ચિત ફિલ્મ "ટોક્સિક: અ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સ" (Toxic: A Fairy Tale for Grown-ups) ને લઈને સતત ચર્ચામાં છે. આ ફિલ્મની રિલીઝ તારીખ સતત લંબાવવામાં આવતા ફેન્સમાં ઉત્સુકતા વધવા પામી છે. બોક્સ ઓફિસ પર રણવીર સિંહની ફિલ્મ "ધુરંધર 2" (Dhurandhar: The Revenge) સાથે ટક્કર અને રિલીઝ પાછી ઠેલવાના નિર્ણય પર યશે હાલમાં જ 'આપ કી અદાલત' શોમાં ખુલ્લીને વાત કરી છે. યશે સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય બોક્સ ઓફિસના નુકસાનના ડરથી નહીં, પરંતુ દર્શકોને આપેલા વચન અને તેના આત્મસન્માન માટે લેવાયો હતો.</p><h2><b>'100 કે 200 કરોડ રૂપિયા ગુમાવવાનો ડર નથી'</b></h2><p>આપ કી અદાલતમાં રજત શર્મા સાથેની વાતચીતમાં યશે જણાવ્યું કે તે ક્યારેય પણ ઈરાદાપૂર્વક કોઈ ફિલ્મ સાથે ક્લેશ (અથડામણ) નથી કરતો. બોક્સ ઓફિસ પર કરોડોના નુકસાન વિશે વાત કરતા તેણે કહ્યું, "લોકોને લાગે છે કે 100 કે 200 કરોડ રૂપિયાનું નુકસાન થવાનો ડર હોય છે, પરંતુ મારી ખરી ચિંતા પૈસા નથી. મારી સૌથી મોટી ચિંતા એ છે કે શું આ ફિલ્મ દર્શકોની અપેક્ષાઓ પર ખરી ઉતરશે કે નહીં."</p><h3><b>'તે અહંકાર નહોતો, આત્મસન્માન હતું'</b></h3><p>ફિલ્મની રિલીઝ પાછી ઠેલવાના નિર્ણય વિશે વાત કરતા યશે ઉમેર્યું, "જો મેં માત્ર મારી ઈમેજ સુધારવા કે પબ્લિસિટી માટે તારીખ ફિક્સ કરી હોત, તો તે મારો અહંકાર હોત. પરંતુ ફિલ્મ માટે સાચો નિર્ણય લેવો એ મારા આત્મસન્માનની વાત છે. દર્શકોને આપેલું વચન પૂરું કરવું ખૂબ જરૂરી છે. જો ફિલ્મ લોકોની આશા પર ખરી ન ઉતરે તો તે મારા માટે સૌથી મોટું નુકસાન હશે."</p><h4><b>શા માટે વારંવાર બદલાઈ 'ટોક્સિક'ની રિલીઝ તારીખ?</b></h4><p>પ્રથમ તારીખ (19 માર્ચ, 2026): 'ટોક્સિક' મૂળ 19 માર્ચ, 2026 ના રોજ રિલીઝ થવાની હતી, જે દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2' પણ રિલીઝ થવાની હતી. દિગ્ગજ સ્ટાર્સની મોટી ફિલ્મોની કલેશ ટાળવા નિર્માતાઓએ ત્યારબાદ ફિલ્મની રિલીઝ માટે 4 જૂન, 2026 નક્કી કરી હતી. પરંતુ આ સમયમાં મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ વધુ ભયાનક હતી. ફિલ્મના નિર્માતાઓએ ટોક્સિકને વૈશ્વિક સ્તરે પણ સાથે જ રિલીઝ કરવા માગતા હતા. એટલે મધ્યપૂર્વની સ્થિતિના કારણે ફરી ટોક્સિકની રિલીઝ મુલતવી રખાઈ હતી. ત્યારબાદ હાલમાં આ ફિલ્મ ડેટ લંબાવવામાં આવી. આખરે 26 ઓગસ્ટના ફિલ્મ રિલીઝ કરવાનો નિર્ણય લેવાયો. આ સાથે જ KFG ફેમ યશને જોવા તેના ફેનની આતુરતાનો અંત આવ્યો છે.</p><h4><b>'ધુરંધર 2' એ બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ</b></h4><p>બીજી તરફ, 19 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી રણવીર સિંહ સ્ટારર ફિલ્મ 'ધુરંધર 2' એ બોક્સ ઓફિસ પર કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ફિલ્મે વિશ્વભરમાંથી ₹1,850 કરોડથી વધુનું વર્લ્ડવાઇડ કલેક્શન કરીને ઐતિહાસિક સફળતા મેળવી છે.</p><p><br></p><p><a href="https://sandesh.com/entertainment/news/yash-reveals-wife-radhikas-reaction-to-kiara-and-taras-intimate-scenes-in-toxic" target="_blank">આ પણ વાંચો : Toxic માં કિયારા-તારા સાથેના ઇન્ટિમેટ સીન્સ પર પત્ની રાધિકાનું કેવું છે રિએકશન, યશે કર્યો ખુલાસો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/17/Ja5uuuZQpfSLDXdPAO5bG4FhOhgB98clNSfwRZGH.webp'/></item><item><title><![CDATA[Baba Ramdev: હિન્દુ-મુસલમાન નહીં પણ દેશનું બાળપણ ખતરામાં... વિદ્યાર્થી પ્રદર્શન પર ભડક્યા બાબા રામદેવ ]]></title><link>https://sandesh.com/india/news/baba-ramdev--dont-use-children-in-protests--nations-future-at-risk</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/baba-ramdev--dont-use-children-in-protests--nations-future-at-risk</guid><pubDate>Mon, 17 Aug 2026 10:56:04 +05:30</pubDate><description><![CDATA[<p>Baba Ramdev: યોગ ગુરુ બાબા રામદેવે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે ટિપ્પણી કરી હતી કે આ દેશમાં હિન્દુ, મુસ્લિમ, શીખ કે ખ્રિસ્તી બંને ખતરામાં નથી; તેના બદલે, રાષ્ટ્રનું બાળપણ, યુવાની, વર્તમાન અને ભવિષ્ય - તેમજ તેની પ્રકૃતિ અને સંસ્કૃતિ જોખમમાં છે. કેટલાક લોકો આ વિરોધ પ્રદર્શનોમાં બાળકોનો ઉપયોગ કરી રહ્યા છે. નાના બાળકોને વિરોધ પ્રદર્શનોમાં ધકેલી દેવા જોઈએ નહીં; તેઓ ક્યારે અભ્યાસ કરશે? બાબા રામદેવે વિનંતી કરી હતી કે આવા આંદોલનોમાં બાળકોનો ઉપયોગ બંધ થવો જોઈએ અને ભાર મૂક્યો હતો કે વિરોધ પ્રદર્શન અસ્તવ્યસ્ત કે હિંસક ન બનવું જોઈએ.</p><p><br></p><p>ખરેખર, જંતર-મંતર પરના વિરોધ પ્રદર્શન બાદ, રાંચીમાં એક વિદ્યાર્થી આંદોલન ચાલી રહ્યું છે. વધુમાં, બાળકો અન્ય ઘણા રાજ્યોમાં વિરોધ પ્રદર્શનોમાં મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે. તેમના અભ્યાસને અવગણીને, આ બાળકો આ આંદોલનોમાં પોતાનો સમય વિતાવી રહ્યા છે. આને સંબોધતા બાબા રામદેવે પૂછ્યું: જો આ બાળકો વિરોધ પ્રદર્શનોમાં અને અધિકારીઓની કચેરીઓને ઘેરવામાં વ્યસ્ત રહે છે, તો તેઓ ખરેખર ક્યારે અભ્યાસ કરશે?</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/PTI_News/status/2089027683535790277"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b>રાંચીમાં વિદ્યાર્થી વિરોધ 24મા દિવસમાં પ્રવેશ્યો</b></p><p>બાબા રામદેવે વિદ્યાર્થીઓને આવી પ્રવૃત્તિઓથી દૂર રહેવાની સલાહ આપી. બંધારણીય અને શાંતિપૂર્ણ આંદોલનો દ્વારા સ્વતંત્રતા પ્રાપ્ત થઈ હોવાનું નોંધીને, તેમણે પુનરોચ્ચાર કર્યો કે વિરોધ પ્રદર્શનો અસ્તવ્યસ્ત કે હિંસક ન હોવા જોઈએ. દિલ્હીના જંતર-મંતર પર 'કોકરોચ જનતા પાર્ટી'ના વિરોધ બાદ રાંચીમાં ઘણા દિવસોથી વિદ્યાર્થી આંદોલન ચાલી રહ્યું છે; આજે તેનો 24મો દિવસ છે. વિદ્યાર્થીઓ CBI તપાસ અને JSSC-CGL પરીક્ષા રદ કરવાની તેમની માંગણીઓ પર અડગ છે. સરકાર અને વિદ્યાર્થીઓ વચ્ચે આજે બપોરે 2 વાગ્યે વાતચીત થવાની છે; હેમંત સોરેન સરકારે વિદ્યાર્થીઓ અને તેમના સલાહકારોને ચર્ચા માટે આમંત્રણ આપ્યું છે.</p><p><br></p><p>સરકાર અને વિદ્યાર્થીઓ વચ્ચે અગાઉની વાતચીત 9 ઓગસ્ટના રોજ થઈ હતી પરંતુ તે અનિર્ણિત રહી હતી. તાજેતરમાં, રાંચી વહીવટીતંત્રે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો, જેમાં પાણીના તોપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ વિધાનસભા તરફ કૂચ પણ કરી હતી.<br><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/junagadh-news--ropeway-service-suspended-due-to-strong-winds-at-girnar" target="_blank"><b>Junagadh News: ગિરનાર પર ભારે પવનને કારણે રોપવે સેવા સ્થગિત, યાત્રિકોની સલામતીને ધ્યાને લઈ લેવાયો નિર્ણય</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/17/SAkQFpVkgX8ucWMGkd2ik2syIWuZWvtF52a2h6M6.webp'/></item><item><title><![CDATA[Amreliના ચીતલમાં વંદે ભારતને સ્ટોપ મળતાં વધામણાં, લાઠીને અન્યાય થતાં સ્થાનિકોમાં આક્રોશ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/congratulations-on-getting-a-stop-for-vande-bharat-in-amrelis-chital-locals-outraged-over-injustice-with-lathi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/congratulations-on-getting-a-stop-for-vande-bharat-in-amrelis-chital-locals-outraged-over-injustice-with-lathi</guid><pubDate>Mon, 17 Aug 2026 10:48:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમરેલી જિલ્લાના ચીતલ ગામે વંદે ભારત ટ્રેનને સત્તાવાર સ્ટોપેજ મંજૂર થતાં આજે ગ્રામજનો દ્વારા હર્ષોલ્લાસ સાથે ટ્રેનના વધામણા કરવામાં આવ્યા હતા. જોકે, બીજી તરફ લાઠી શહેરને આ આધુનિક ટ્રેનનો સ્ટોપ ન મળતાં સ્થાનિક રહીશોમાં ભારે નારાજગી અને રોષની લાગણી જન્મી છે. ચીતલમાં ટ્રેનના એરાઇવલ વખતે ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો, પરંતુ બાજુમાં જ આવેલા ઐતિહાસિક અને મહત્વના લાઠી શહેરને બાદ કરી દેવામાં આવતાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે.</p><h2 style="text-align: justify; "><b>દિગ્ગજ નેતાઓ લાઠીના હોવા છતાં ઉપેક્ષા&nbsp;</b></h2><p style="text-align: justify; ">સ્થાનિક લોકોમાં આક્રોશનું મુખ્ય કારણ એ છે કે અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા, રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા તેમજ સ્થાનિક ધારાસભ્ય જનકભાઈ તળાવિયા પોતે પણ લાઠી તાલુકા સાથે જ સંબંધ ધરાવે છે. આટલા પ્રભાવશાળી રાજકીય નેતાઓ હોવા છતાં લાઠી શહેરને વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ અપાવી શકાયું નથી. નેતાઓની નિષ્ક્રિયતા સામે પ્રજામાં ભારે ગણગણાટ અને અસંતોષ જોવા મળી રહ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>આગેવાનોના 'અભરખા' સામે જનરોષ&nbsp;</b></h3><p style="text-align: justify; ">એક તરફ લાઠીને સ્ટોપેજ ન મળવાને કારણે સમગ્ર વિસ્તારની જનતામાં ઉગ્ર નારાજગી પ્રસરી છે, ત્યારે બીજી તરફ લાઠી ભાજપના આગેવાનો ત્યાંથી પસાર થતી ચાલતી ટ્રેન પર ફૂલ ઉછાળીને વધામણા કરવા ઉત્સુક દેખાતાં લોકોમાં ભારે હાસ્યાસ્પદ સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક રહીશો અને વેપારીઓનું કહેવું છે કે સ્ટોપ વગર માત્ર ટ્રેનને વધાવવાના તાયફા કરવાના બદલે નેતાઓએ રેલવે મંત્રાલયમાં રજૂઆત કરીને લાઠીને કાયમી સ્ટોપેજ અપાવવું જોઈએ.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/17/HPyargP9QKVGxtzChrUlPd92H2p4V7fQ08SYqqex.webp'/></item><item><title><![CDATA[Junagadh News: ગિરનાર પર ભારે પવનને કારણે રોપવે સેવા સ્થગિત, યાત્રિકોની સલામતીને ધ્યાને લઈ લેવાયો નિર્ણય ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/junagadh-news--ropeway-service-suspended-due-to-strong-winds-at-girnar</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/junagadh-news--ropeway-service-suspended-due-to-strong-winds-at-girnar</guid><pubDate>Mon, 17 Aug 2026 10:35:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જૂનાગઢ સ્થિત પ્રસિદ્ધ યાત્રાધામ ગિરનાર પર સતત પવનનું જોર વધતાં ગિરનાર રોપવે સેવા યાત્રિકો માટે બંધ કરી દેવામાં આવી છે. ગિરનાર પર્વત પર 80 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હોવાથી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ઓપરેટિંગ ટીમ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રોપવે કેબિનમાં સવાર શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સુરક્ષા તથા સલામતીને પ્રાથમિકતા આપીને સેવાઓ અટકાવી દેવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>છેલ્લા ચાર દિવસથી ગિરનાર પર વાતાવરણ ખરાબ&nbsp;</b></h2><p style="text-align: justify; ">ગિરનાર પર્વત અને આસપાસના વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી હવામાનમાં ભારે પલટો આવ્યો છે. વાદળછાયા અને ખરાબ વાતાવરણ વચ્ચે પર્વત પર સતત તેજ પવનો ફૂંકાઈ રહ્યા છે. ઉંચાઈ પર પવનની ઝડપ ખુબ જ વધારે હોવાથી રોપવેનું સંચાલન કરવું જોખમી સાબિત થઈ શકે તેમ હતું. આથી, તંત્ર અને રોપવે સંચાલકોએ સંયુક્ત રીતે નિર્ણય લઈને રોપવેનું સંચાલન અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધું છે.</p><h3 style="text-align: justify; "><b>હવામાન સામાન્ય થતાં રોપવે પુનઃ શરૂ કરાશે&nbsp;</b></h3><p style="text-align: justify; ">રોપવે બંધ થતાં ગિરનાર દર્શનાર્થે આવેલા દૂર-દૂરના યાત્રિકોને થોડી અગવડતાનો સામનો કરવો પડ્યો છે અને તેઓએ પદયાત્રા કરવાનો કે નીચે રોકાવાનો વારો આવ્યો છે. સંચાલકો દ્વારા જણાવાયું છે કે પવનની ગતિ નિયંત્રણમાં આવ્યા બાદ અને વાતાવરણ સામાન્ય થતાં જ યાત્રિકો માટે રોપવે સેવા ફરીથી પૂર્વવત શરૂ કરી દેવામાં આવશે. હાલમાં રોપવે સાઈટ પર ટેકનિકલ ટીમ દ્વારા સતત પવનની ગતિ પર નજર રાખવામાં આવી રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/17/B1WKxk1fQqSOFJAaLmS8QvGxmIgZzzcBwsZjEV3O.webp'/></item><item><title><![CDATA[Dimagi Naxal: લો બોલો, આવી ગઇ દિમાગી નક્સલી જનતા પાર્ટી, જાણો કેટલા છે ફોલોઅર્સ? ]]></title><link>https://sandesh.com/india/news/dimagi-naxal-come-on-dimagi-naxal-janata-party-has-arrived-know-how-many-followers-it-has</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/dimagi-naxal-come-on-dimagi-naxal-janata-party-has-arrived-know-how-many-followers-it-has</guid><pubDate>Mon, 17 Aug 2026 10:20:15 +05:30</pubDate><description><![CDATA[<p>લાલ કિલ્લા પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના "દિમાગી નક્સલી" નિવેદનને લઈને રાજકીય વિવાદ વધી ગયો છે. હવે આ મુદ્દે સોશિયલ મીડિયા એકાઉન્ટ સામે આવ્યું છે. આ એકાઉન્ટનું નામ " દિમાગી નક્સલ જનતા પાર્ટી" છે. તે હાલમાં ઇન્સ્ટાગ્રામ પર 17 એકાઉન્ટ્સને ફોલો કરે છે, જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, AAP નેતા અરવિંદ કેજરીવાલ, યુટ્યુબર ધ્રુવ રાઠી, હાસ્ય કલાકાર કુણાલ કામરા, અભિનેતા પ્રકાશ રાજ અને ફેક્ટ-ચેકર મોહમ્મદ ઝુબૈરનો સમાવેશ થાય છે. </p><h2><b>એક લાખથી વધારે ફોલોઅર્સ&nbsp;</b></h2><p>એકાઉન્ટના વર્ણનમાં તેના સ્થાપકને "એક દિમાગી ઇન્ડિયન" અને તેના સહ-સ્થાપકને "56 ઇંચ" તરીકે વર્ણવવામાં આવ્યા છે. આ એકાઉન્ટ રાજકીય સામગ્રી નિર્માતા અર્પિત શર્મા, યુટ્યુબર શ્યામ મીરા સિંહ, રાજકીય વિવેચક તરુણ ગૌતમ, ડૉ. નેમો યાદવ 2.0, પેરોડી એકાઉન્ટ્સ રોફલ ગાંધી 2.0 અને કોકરોચ જનતા પાર્ટીને પણ ફોલો કરે છે. આ એકાઉન્ટે ઇન્સ્ટાગ્રામ પર 100,000 થી વધુ ફોલોઅર્સ એકઠા કર્યા છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/DNJP_India/status/2088961111001571468"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3><b>પ્રકાશ રાજની કઈ પોસ્ટ રીટ્વીટ કરવામાં આવી હતી?</b></h3><p>આ એકાઉન્ટે અભિનેતા પ્રકાશ રાજની એક પોસ્ટને પણ રીટ્વીટ કરી. તેમાં, તેમણે લોકોને અપીલ કરી હતી કે તેઓ જે કંઈ સાંભળે છે તેને આંધળા થઈને સ્વીકારવાને બદલે તેના પર પ્રશ્ન ઉઠાવે. પ્રકાશે પોસ્ટમાં લખ્યું, "બુદ્ધિશાળી બનો... મૂર્ખ નહીં... ગુલામ નહીં." વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના ભાષણમાં "દિમાગી નક્સલ" વિચાર ધરાવતા લોકોનો ઉલ્લેખ કર્યા પછી " દિમાગી નક્સલ જનતા પાર્ટી" એકાઉન્ટ સક્રિય થયું. ઘણા નેતાઓએ પણ તેમની ટિપ્પણીનો જવાબ આપ્યો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે કહ્યું કે તેમને "દિમાગી નક્સલ" હોવાનો ગર્વ છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/BJP4India/status/2088999335149387987"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b style="font-size: 1.75rem;">"માઇન્ડફુલ નક્સલ" વિશે રિજિજુએ શું કહ્યું?</b></p><p>કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ કરીને વિપક્ષી નેતાઓને 'માઇન્ડલેસ નક્સલ' કહ્યા નથી. રિજિજુએ કહ્યું કે આ શબ્દનો ઉપયોગ માઓવાદીઓને ટેકો આપનારાઓ માટે કરવામાં આવ્યો હતો. તે એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ ભારતીય બંધારણમાં માનતા નથી, અલગતાવાદીઓને ટેકો આપતા નથી, કલમ 370 ને ટેકો આપતા નથી, અથવા ઉત્તરપૂર્વને બાકીના ભારત સાથે જોડતી ચિકન નેક કાપવાની વાત કરે છે." રિજિજુએ ચિકન નેક વિશે શર્જીલ ઇમામની ટિપ્પણીનો એક વીડિયો પણ શેર કર્યો અને કહ્યું કે આવી વિચારસરણી ધરાવતા લોકોને 'મૂર્ખ નક્સલી' કહેવામાં આવી રહ્યા છે.&nbsp;</p><p><br></p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/KirenRijiju/status/2088973393815384558"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/17/pZdF6Hm4aPsLtGewiilb78rk0kGEdOrb0eneZ2Px.webp'/></item><item><title><![CDATA[Surat News : ડુમસમાં ઝડપાઇ હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી : મહેફિલ માણતા 6 ધનાઢ્ય વેપારીઓ ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/surat-dumas-beliza-flat-highprofile-liquor-party-busted-6-businessmen-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/surat-dumas-beliza-flat-highprofile-liquor-party-busted-6-businessmen-arrested</guid><pubDate>Mon, 17 Aug 2026 09:56:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરના પોશ ગણાતા ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સતત બીજા દિવસે પણ દારૂની હાઈપ્રોફાઈલ મહેફિલ ઝડપાતાં ભારે ચકચાર મચી ગઈ છે. ડુમસ પોલીસની ટીમે બાતમીના આધારે રાજહંસ બેલિઝાના B ટાવરમાં આવેલા ફ્લેટ નંબર 1317માં દરોડો પાડીને દારૂ પાર્ટી કરી રહેલા શહેરના 6 જાણીતા વેપારીઓને રંગેહાથ પકડી પાડ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>ફ્લેટ વેપારી અનુપમ પાંપાળીયાનો જ હતો</b></h2><p style="text-align: justify; ">પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, 16 ઓગસ્ટની મોડી રાત્રે ડુમસ પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે જે ફ્લેટમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી તે ફ્લેટ વેપારી અનુપમ પાંપાળીયાનો જ હતો. આ તમામ વેપારીઓ પોતાની લક્ઝુરિયસ કારમાં દારૂની બોટલો શોધીને ફ્લેટ પર લાવ્યા હતા અને મહેફિલ માણી રહ્યા હતા.</p><h3 style="text-align: justify; "><b>14 આખી ભરેલી બોટલો તેમજ 2 ખાલી બોટલો મળી</b></h3><p style="text-align: justify; ">દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી દારૂની 14 આખી ભરેલી બોટલો તેમજ 2 ખાલી બોટલો મળી કુલ 16 બોટલ, 8 સ્માર્ટફોન અને 1 લક્ઝરી કાર સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા તમામ 6 વેપારીઓ વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને તેમની અટકાયત કરવામાં આવી છે અને આગળની કાયદેસરની તપાસ અર્થે મેડિકલ પરીક્ષણ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.</p><h4 style="text-align: justify; "><b>આ વેપારીઓ ઝડપાયા&nbsp;</b></h4><p style="text-align: justify; ">પકડાયેલા આરોપી વેપારીઓમાં ઘોડદોડ રોડના અનુપમ પુરૂષોત્તમભાઈ પાંપાળીયા (ઉં.વ. 34) અને ગોપાલ ઓમપ્રકાશ રાઠી (ઉં.વ. 34), ભટારના ધીરજ જગદીશભાઈ પાંપાળીયા (ઉં.વ. 27), ઉમરાના આનંદ ભાગીરથ પાંપાળીયા (ઉં.વ. 30), અડાજણ પાટીયાના મુદસીર નાઝીર માંકડા (ઉં.વ. 34) અને ચોર્યાસી વિસ્તારના ગગન સંતોષકુમાર ચાંડક (ઉં.વ. 24) નો સમાવેશ થાય છે. ડુમસ પોલીસે આ મામલે કડક વલણ અપનાવી વધુ તપાસ હાથ ધરી છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/patan/patan-radhanpur-folk-singer-kinjal-rabari-marriage-mukesh-rabari" target="_blank"><b>Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/17/MRgdNsyrFBAqmagZcvBVFcxxZMuxLfABuCZY1wK8.webp'/></item><item><title><![CDATA[Stock Market Opening: શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સ 312.67 પોઇન્ટ તૂટ્યો ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-opening-stock-market-declines-sensex-falls-31267-points</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-opening-stock-market-declines-sensex-falls-31267-points</guid><pubDate>Mon, 17 Aug 2026 09:42:31 +05:30</pubDate><description><![CDATA[<p>સોમવારે સવારે ભારતીય શેરબજાર નબળું ખુલ્યું. વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેતો વચ્ચે, રોકાણકારોએ પશ્ચિમ એશિયામાં વધતા તણાવના નવા સંકેતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ અસર સ્થાનિક બજારના ઉદઘાટન પર પણ દેખાઈ.</p><p><b style="font-size: 2rem;">લીલા નિશાનમાં ખૂલ્યુ શેરબજાર&nbsp;</b></p><p>સવારે 9:20 વાગ્યે, સેન્સેક્સ 286.59 પોઈન્ટ અથવા 0.37 ટકા ઘટીને 77,722.66 પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી50 61.30 પોઈન્ટ અથવા 0.25 ટકા ઘટીને 24,304.70 પર ટ્રેડ કરી રહ્યો હતો. સવારે 9.38 કલાકે સેન્સેક્સ 312.67 પોઇન્ટના ઘટાડા સાથે 77,696.58 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 65.25 પોઇન્ટના ઘટાડા સાથે 24,300.75 અંકે બંધ થયો.&nbsp;</p><p>નિફ્ટી50માં JSW સ્ટીલ, ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ અને જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ સૌથી મોટા ઘટાડામાં સામેલ હતા.વ્યાપક બજારમાં, નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 0.36 ટકા ઘટ્યો હતો, અને નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સ 0.17 ટકા ઘટ્યો હતો. ક્ષેત્રીય રીતે, નિફ્ટી PSU બેંક સૌથી મોટો ઘટાડો દર્શાવે છે. બીજી તરફ, નિફ્ટી ઓટો શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ક્ષેત્ર હતું.</p><p><br></p><h3><b>એશિયન બજારોમાં વધારો</b></h3><p>સોમવારે સવારે એશિયા-પેસિફિકના મોટાભાગના બજારો ઊંચા ખુલ્યા. યુએસ વ્યાજ દરમાં વધારાની અપેક્ષાઓ નબળી પડતાં રોકાણકારો બજાર તરફ વળ્યા. દક્ષિણ કોરિયાનો કોસ્પી 2.42 ટકા અને હોંગકોંગનો હેંગ સેંગ 1.4 ટકા ઉપર ટ્રેડ કરી રહ્યો હતો.</p><p>શુક્રવારે શરૂઆતમાં, યુએસ બજારોમાં થોડો ઘટાડો જોવા મળ્યો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.2 ટકા નીચે બંધ થયો, અને S&amp;P 500 0.17 ટકા નીચે હતો. નાસ્ડેક કમ્પોઝિટ 0.28 ટકા ઘટ્યો.</p><p><br></p><h4><b>ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો</b></h4><p>પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે. ઇઝરાયલે લેબનોનમાં ફરીથી હુમલાઓ શરૂ કર્યા પછી ભૂરાજકીય તણાવ અંગે ચિંતા વધી છે. ઇન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેન્જ પર ઓક્ટોબરમાં બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ $88.81 પ્રતિ બેરલ પર પહોંચી ગયા. સોના અને ચાંદીના ફ્યુચર્સ પણ વધ્યા. સોનું 0.55 ટકા અને ચાંદી 1.07 ટકા ઉપર ટ્રેડ કરી રહ્યું હતું.&nbsp;</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2024/12/16/nssx0nFMCWEFJi9091P88E6iSf9biI9lascMugJJ.jpg'/></item><item><title><![CDATA[Suratના પાલમાં નિવૃત્ત પોલીસકર્મીની દાદાગીરી: કાર પાર્કિંગ પ્રશ્ને તકરાર અને મારામારી ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/retired-policemans-bullying-in-surats-pal-argument-and-fight-over-car-parking-issue</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/retired-policemans-bullying-in-surats-pal-argument-and-fight-over-car-parking-issue</guid><pubDate>Mon, 17 Aug 2026 09:38:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરના પાલ વિસ્તારમાં આવેલી ગાર્ડનિયા રો હાઉસ સોસાયટીમાં પોલીસ પરિવારની દાદાગીરીનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. સોસાયટીમાં રહેતા અને ગુનાહિત માનસિકતા ધરાવતા નરેશ ગઢવી (ઉર્ફે કુલચા) નામના વ્યક્તિએ કાર પાર્કિંગ અને સોસાયટીના મેન્ટેનન્સ બાબતે સામાન્ય વાતમાં ઉશ્કેરાઈને ભારે હોબાળો મચાવ્યો હતો. આ તકરાર દરમિયાન નરેશ ગઢવીએ સોસાયટીમાં જ રહેતા 77 વર્ષીય વયોવૃદ્ધ રહીશ અને તેમના પુત્ર પર જાનલેવા હુમલો કરી ઢોર માર માર્યો હતો, જેના પગલે વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>આરોપી નરેશ ગઢવીનો અગાઉ પણ વિવાદાસ્પદ ઇતિહાસ&nbsp;</b></h2><p style="text-align: justify; ">સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ આરોપી નરેશ ગઢવી અગાઉ પણ અનેકવાર સોસાયટીના નાના-મોટા પ્રશ્નોમાં રહસ્યમય રીતે ધાક-ધમકી આપીને ધમાલ મચાવી ચૂક્યો છે. પોલીસ તંત્ર સાથેના જોડાણ કે ખાખી વર્ધીના રોફ તળે તે અવારનવાર સોસાયટીના રહીશોને હેરાન-પરેશાન કરતો હતો. વયોવૃદ્ધ નાગરિક પર થયેલા આ માનવતાહીન હુમલા બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આરોપીના અસમાજિક વર્તનને કારણે સોસાયટીના અન્ય પરિવારજનો પણ સતત ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે.</p><h3 style="text-align: justify; "><b>સ્થાનિકોમાં આક્રોશ: પોલીસ ફરિયાદ નોંધવા માગ&nbsp;</b></h3><p style="text-align: justify; ">ઘટના બાદ રોષે ભરાયેલા સ્થાનિક રહીશોએ એકઠા થઈને પાલ પોલીસ મથકે આરોપી નરેશ ગઢવી સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવા અને તાત્કાલિક ધોરણે એફ.આઈ.આર. (FIR) નોંધવા માંગ કરી છે. પીડિત પરિવાર અને સોસાયટીના લોકોનું કહેવું છે કે પોલીસ પોતાના જ ખાતાના કે સંબંધિત વ્યક્તિને બચાવવાનો પ્રયાસ કર્યા વિના નિષ્પક્ષ તપાસ કરે. હાલ પાલ પોલીસે આ મામલે સ્થાનિકોની રજૂઆતના આધારે ગુનો નોંધવાની અને આગળની કાયદાકીય તપાસ હાથ ધરવાની તજવીજ શરૂ કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/17/FzP1EJFMVBtTtOeuU0cce6WdkUTCmZ1Eq1n73j4Z.webp'/></item><item><title><![CDATA[Hockey World Cupમાં ભારતીય વિમેન્સ ટીમની મજબૂત શરૂઆત, ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા ચીનને 2-2થી ડ્રો પર રોક્યું ]]></title><link>https://sandesh.com/sports/news/india-women-vs-china-hockey-world-cup-draw</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india-women-vs-china-hockey-world-cup-draw</guid><pubDate>Sun, 16 Aug 2026 22:19:07 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હોકી વર્લ્ડકપમાં પહેલી જ મેચમાં ભારતીય મહિલા ટીમે દર્શાવ્યું કે આ વખતે તેમનું ધ્યાન ફક્ત ભાગ લેવા પર નહીં, પરંતુ મોટી ટીમોને પડકારવા પર છે. કેપ્ટન સલીમા ટેટેના નેતૃત્વમાં ભારતીય ટીમે 16 ઓગસ્ટના રોજ એમ્સ્ટલવીનના વેગનર હોકી સ્ટેડિયમ ખાતે ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા ચીનને 2-2 થી ડ્રો કરીને ટુર્નામેન્ટમાં મજબૂત શરૂઆત કરી.&nbsp;</p><p style="text-align: justify;">ભારત માટે નવનીત અને દીપિકાએ ગોલ કર્યા. ભારતીય ટીમે 2 વાર લીડ લીધી, પરંતુ ચીને દરેક વખતે સ્કોર બરાબર કરવા માટે વળતો પ્રહાર કર્યો. અંતિમ ક્વાર્ટરમાં બંને ટીમોએ નિર્ણાયક ગોલ કરવાનો બેસ્ટ પ્રયાસ કર્યો, પરંતુ કોઈ પણ સફળ થયું નહીં, અને મેચ ડ્રોમાં સમાપ્ત થઈ. અગાઉ ભારતીય પુરુષ ટીમે વેલ્સને હરાવીને તેમના ટુર્નામેન્ટ અભિયાનની શરૂઆત જીત સાથે કરી હતી.</p><h2 style="text-align: justify;"><b>નવનીતે શરૂઆતની લીડ લીધી</b></h2><p style="text-align: justify;">ભારતે મેચની શરૂઆત આક્રમક રીતે કરી. પાંચમી મિનિટમાં લાલરેમસિયામીએ ભારત માટે પેનલ્ટી કોર્નર મેળવ્યો. નવનીતે શોટ લીધો, પરંતુ ચીનના ડિફેન્સે તેને રોકી દીધો. પરંતુ 3 મિનિટ પછી ભારતે પોતાનો ગોલ નોંધાવ્યો. આઠમી મિનિટમાં, નવનીતે નેહાના શાનદાર પાસ પર ગોલ કરીને ભારતને 1-0ની લીડ અપાવી. ભારતની લીડ લાંબો સમય ટકી ન શકી. શિલ્પી દહિયાને સર્કલની અંદર ફાઉલ કરવામાં આવી, જેના કારણે ચીનને પેનલ્ટી સ્ટ્રોક મળ્યો. ઝાંગ યિંગે તકનો લાભ લઈને સ્કોર 1-1 કર્યો.</p><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/TheHockeyIndia/status/2088970225396158718"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3 style="text-align: justify;"><b>ભારતીય ટીમે હાફ ટાઈમ સુધી લીડ મેળવી લીધી</b></h3><p style="text-align: justify;">બીજા ક્વાર્ટરમાં ભારતે ફરીથી દબાણ બનાવવાનું શરૂ કર્યું. 21મી મિનિટે ભારતે પેનલ્ટી કોર્નર મેળવ્યો, પરંતુ તેને કન્વર્ટ કરવામાં નિષ્ફળ ગઈ. 4 મિનિટ પછી દીપિકાએ જમણી બાજુથી એક શાનદાર મૂવ કર્યો, જેનાથી ભારતને બીજો પેનલ્ટી કોર્નર મળ્યો. આ વખતે દીપિકાએ કોઈ ભૂલ કરી નહીં, ડ્રેગ-ફ્લિકથી બોલને નેટમાં મોકલ્યો. પરંતુ બોલ ચીની ડિફેન્ડરને વાગ્યો હતો અને નેટમાં ગયો હતો, તેથી વીડિયો એમ્પાયરે તેને ચેક કર્યો. ગોલ માન્ય જાહેર કરવામાં આવ્યો, અને ભારત 2-1થી આગળ રહ્યું. હાફટાઈમ સુધી સ્કોર યથાવત રહ્યો.</p><h4 style="text-align: justify;"><b>ત્રીજા ક્વાર્ટરમાં ચીને જોરદાર વાપસી કરી</b></h4><p style="text-align: justify;">બીજા હાફમાં ચીને પોતાની ગતિ વધારી. ત્રીજા ક્વાર્ટરમાં ભારતીય ડિફેન્સ પર સતત દબાણ રહ્યું. ચીનના પ્રયાસો આખરે 39મી મિનિટે બરાબરી કરી, જ્યારે મા નિંગે પેનલ્ટી કોર્નરને ગોલ કરીને સ્કોર 2-2ની બરાબરી પર લાવી દીધો. ત્યારબાદ ચીને ઘણા એટેક શરૂ કર્યા, પરંતુ ભારતીય ડિફેન્સે સંયમ જાળવી રાખ્યો અને ત્રીજા ક્વાર્ટરના બાકીના સમય માટે બીજો ગોલ અટકાવ્યો.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/U40HlMQclc0GyUPsH4USiiAd1q02JPtS2DXLB6KW.webp'/></item></channel></rss>