<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Porbandar : પોરબંદરમાં નિયમોનું પાલન ન કરનાર 5 બેકરીના ધંધાર્થીઓને રૂ 2500 નો દંડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/porbandar/porbandar-5-bakery-businessmen-fined-rs-2500-for-not-following-rules-in-porbandar</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/porbandar/porbandar-5-bakery-businessmen-fined-rs-2500-for-not-following-rules-in-porbandar</guid><pubDate>Thu, 17 Sep 2026 03:53:41 +05:30</pubDate><description><![CDATA[<p>પોરબંદર માં મનપા ની ફૂડ સેફ્ટી ટીમ દ્વારા બેકરીઓ માં ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં નિયમો નું પાલન ન કરનાર 5 બેકરી ના ધંધાર્થીઓને રૂ 2500 નો દંડ ફ્ટકારવામાં આવ્યો છે પોરબંદર મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી ટીમ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલી બેકરી પ્રોડક્ટ્સની ફરેન્ચાઇઝી, ઉત્પાદન તથા છૂટક વેચાણ કરતી દુકાનોમાં તપાસણી હાથ ધરવામાં આવી હતી. ઠક્કર પ્લોટ વિસ્તારમાં આવેલી બેકરી પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી પેઢીઓમાં તપાસ દરમિયાન ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન ન થતું હોવાનું જણાતા નૂરી બેકરી, નેશનલ બેકરી, ઈગલ બેકરી, અનમોલ બેકરી અને ઈટાલિયન બેકરી પાસેથી નિયમોનું પાલન ન કરવા બદલ વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. આ પાંચેય ધંધાર્થીઓ પાસેથી કુલ રૂ. 2500નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે.તપાસ દરમિયાન તમામ ધંધાર્થીઓને ફૂડ સેફ્ટી એક્ટના નિયમોનું પાલન કરવા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.ખાસ કરી ને વાસી ખાદ્ય પદાર્થોનું વેચાણ ન કરવું, ખાદ્ય પદાર્થોના સંગ્રહ તથા વેચાણ દરમિયાન સ્વચ્છતા જાળવવી, એક્સપાયરી ડેટ વાળા ખાદ્ય પદાર્થોનું વેચાણ ન કરવું તેમજ ખાદ્ય સુરક્ષા સંબંધિત નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અંગે ધંધાર્થીઓને સમજ આપવામાં આવી હતી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/MfcktWFqpxBqvoMpaTrG0e5c8lNciRJKieDXawGH.webp'/></item><item><title><![CDATA[Gir somnath : તાલાલા ગીરમાં સિંધી સમાજ દ્વારા 'ચાલીસા મહોત્સવ'ની ભવ્ય અને ભક્તિમય ઉજવણી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/gir-somnath/gir-somnath-grand-and-devotional-celebration-of-chalisa-mahotsav-by-sindhi-community-in-talala-gir</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/gir-somnath/gir-somnath-grand-and-devotional-celebration-of-chalisa-mahotsav-by-sindhi-community-in-talala-gir</guid><pubDate>Thu, 17 Sep 2026 03:52:20 +05:30</pubDate><description><![CDATA[<p>તાલાલા ગીરમાં સિંધી સમાજના ઇષ્ટદેવ ઝુલેલાલ સાહેબ નાં ચાલીસા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.સિંધી સમાજના શ્રધ્ધાળુ પરિવારોએ ચાલીસ દિવસ નાં કઠોર ઉપવાસ સાથે તમાંમ પરિવારોએ દરરોજ સત્સંગ કરી ઈષ્ટદેવ ઝુલેલાલની આરાધના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.</p><p>ચાલીસા પર્વની પૂર્ણાહુતિ પ્રસંગે ભજન,ભોજન અને ભક્તિના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા ત્યારબાદ સિંધી સમાજના પરિવારોએ એક જ પંગત ઉપર બેસી સમુહ ભોજન કર્યું હતું.ચાલીસા મહોત્સવના સમાપન પ્રસંગે સંત ઝુલેલાલનાં ભજનનો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં ઈષ્ટદેવનાં રજુ થયેલ અવનવા ભજનોથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.આ કાર્યક્રમમાં સમાજના તમાંમ પરિવારનાં ભાઈ બહેનો ધંધા-રોજગાર બંધ રાખી જોડાતાં શ્રધ્ધા સાથે એકતાની ભાવના પ્રજ્વલિત થઇ હતી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/EJ6phYSNgFHgCk22kfCECMUW5Eud1lyand69xX2K.webp'/></item><item><title><![CDATA[Surat : પાંડેસરામાં બોગસ તબીબોનો રાફડો, આઠ ઝડપાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-raid-of-bogus-doctors-in-pandesara-eight-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-raid-of-bogus-doctors-in-pandesara-eight-arrested</guid><pubDate>Thu, 17 Sep 2026 03:50:48 +05:30</pubDate><description><![CDATA[<p>પાંડેસરામાં થોડાક સમય પહેલાં જ નકલી ડોક્ટર્સના ભાંડા ફોડ વચ્ચે એસ.ઓ.જી.એ આરોગ્ય અધિકારીની ત્રણ ટીમને સાથે રાખી હાથ ધરેલા ઓપરેશનમાં ગોવાલક રોડ, બમરોલી રોડ, કૈલાસ ચોકડી વિસ્તારમાંથી આઠ બોગસ ડિગ્રીધારી ઊંટવૈદ્યોને ઝડપી 92,825 રૂપિયાની મતા કબજે કરી હતી. આરોપીઓને પકડવા પોલીસે ડમી પેશન્ટ્સની મદદ લીધી હતી.</p><p>સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપના ડી.સી.પી. રાજદીપ નકુમે જણાવ્યું હતું કે, આજે સાગમટે ઓપરેશન નકલી હાથ ધરવામાં આવ્યું હતું. પાંડેસરા વિસ્તારમાં રહેતા ગરીબો ખાસ કરીને બાળકોની જિંદગી સાથે ડિગ્રી વિનાના શખ્સો ડૉક્ટર બની ચેડાં કરી રહ્યા છે. નવ આવા નકલી તબીબોની માહિતી પોલીસને મળી હતી. આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલને જાણ કરતાં તેમની ત્રણ ટીમો પોલીસ સાથે જોડાઇ હતી અને સાગમટે દરોડા પાડવામાં આવ્યા હતા. અહીંથી આઠ તબીબોને ઝડપી લઇ તેમની પાસેથી એલોપેથીમાં વપરાતી દવા અને ઇંજેક્શન સહિતનો 98,825 રૂપિયાની કિંમતનો જથ્થો કબજે લઇ તેમની વિરુદ્ધ ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/qeFcoBfF8tpb3FkLuCtquRm6VNZJcumrsgOs6eXS.webp'/></item><item><title><![CDATA[Surat : કામરેજનાં યુવા અગ્રણી વર્લ્ડ યૂથ ફેસ્ટિવલમાં જવાની તક છોડી વડનગર-કાશી બાઇક રેલીમાં જોડાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-young-leaders-of-kamrej-gave-up-the-opportunity-to-attend-the-world-youth-festival-and-joined-the-vadnagar-kashi-bike-rally</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-young-leaders-of-kamrej-gave-up-the-opportunity-to-attend-the-world-youth-festival-and-joined-the-vadnagar-kashi-bike-rally</guid><pubDate>Thu, 17 Sep 2026 03:39:32 +05:30</pubDate><description><![CDATA[<p>કામરેજ લાલચુડા સમાજનાં યુવા ભાજપનાં પ્રમુખ અને સ્માર્ટ વિલેજ ઉંભેળનાં ઉપસરપંચ દર્શન પટેલની રશિયા ખાતે યોજાનારા આંતરરાષ્ટ્રીય સ્તરનાં વર્લ્ડ યુથ ફેસ્ટિવલ 2026માં ભારત અને ગુજરાતનાં પ્રતિનિધિ તરીકે તેમની પસંદગી કરવામાં આવી હતી. તેણે વૈશ્વિક મંચ પર દેશનું પ્રતિનિધિત્ત્વ કરવાની તક જતી કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં 25 વર્ષનાં સફળ નેતૃત્ત્વ અને સુશાસન પર્વ નિમિતે ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશ દ્વારા વડનગરથી કાશી સેવા સંકલ્પ બાઇક રેલીમાં જોડાયા હતા. તેઓ ઉંભેળ વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળીનાં ઉપપ્રમુખ, 39 ગામોની દૂધ અને શાકભાજી ઉત્પાદક મંડળીનાં ડિરેક્ટર, 90 ગામોનાં કડવા પાટીદાર કેળવણી મંડળનાં ટ્રસ્ટી તેમજ નવરાત્રી સમિતિનાં કન્વીનર તરીકે શિક્ષણ, ગ્રામીણ અર્થતંત્ર અને સંસ્કૃતિનાં જતન માટે સતત કાર્યરત છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/DikGLzw7duJCEz4oYZ976Bna84VrrUAYftgOqYBy.webp'/></item><item><title><![CDATA[Surat : અમિષ પટેલના શંકાસ્પદ મોત મામલે લોકોનો ઓલપાડ પોલીસમાં હોબાળો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-people-create-ruckus-at-olpad-police-station-over-suspicious-death-of-amish-patel</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-people-create-ruckus-at-olpad-police-station-over-suspicious-death-of-amish-patel</guid><pubDate>Thu, 17 Sep 2026 03:38:07 +05:30</pubDate><description><![CDATA[<p>ઓલપાડ તાલુકાના સરોલી ગામના 46 વર્ષીય અમિષ ગણપતભાઈ પટેલના અરીયાણા ગામના બસ સ્ટોપ પાસે થયેલા શંકાસ્પદ મોત મામલે પરિવારજનોએ અમિષ પટેલનું મોત અકસ્માતથી નથી થયું પણ તેની હત્યા કરવામાં આવી છે તેવા આક્ષેપો કર્યા છે. આ સાથે ઓલપાડ પોલીસને સીસી.ટીવી.કેમેરાની ફૂટેજ અને પાંચ શકમંદોના નામની અરજી આપ્યા પછી પણ પોલીસે બનાવના પાંચ દિવસ પછી હત્યાનો ગુનો નહીં નોંધતા બુધવારે પરિવારજનો સાથે 200થી વધુ લોકોએ ઓલપાડ પોલીસ મથકનો ઘેરાવો કરી હત્યાની એફ્.આર.આઇ. નોંધવા સહિત ઓલપાડ પોલીસની હાય...હાય...ના નારા લગાવી પીઆઈ સી.આર.જાદવની બદલી કરવાની માંગ કરી હતી.- ધારાસભ્ય મુકેશ પટેલની રજુઆતના પગલે આ ગુનાની તપાસ જિલ્લા એસ.ઓ.જી.પોલીસને સોંપાઇ છે. આ ચકચારી બનાવની વિગત મુજબ ઓલપાડ તાલુકાના સરોલી ગામના અમિષ પટેલનું ગત શનિવાર, તા.12ના રોજ તાલુકાના અરીયાણા ગામે કાર અકસ્માતમાં મોત થયું હતું. આ મોતની ઘટનામાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો, પરંતુ મૃતકના પરિવારજનોને અમિષ પટેલના અકસ્માત મોત પહેલા મળેલ મોબાઇલ ઓડિયો ક્લીપ માં મને આ લોકો મારી નાંખવાનાનું મોબાઇલ રેર્કોડીંગ અને સીસી.ટીવી.કેમેરાની ફૂટેજ મળી આવતા પરિવારે તેમની હત્યા થઇ હોવાની પોલીસ સમક્ષ આશંકા વ્યક્ત કરી હતી. પરિવાર અને કોળીસેનાના અગ્રણીઓએે આ શંકાસ્પદ મોતમાં દિહેણ ગામે શ્રી ગણેશજીના આગમન સમયે રોડ પરથી પસાર થતા 25થી વધુ લોકોના ટોળા સાથે પાંચ શકમંદ ઇસમો જવાબદાર હોવાથી તેઓ સામે હત્યાનો ગુનો નોંધવા પોલીસ અરજી આપી હતી.જો કે ત્યારપછી પણ ઓલપાડ પોલીસે કોઇ નક્કર કાર્યવાહી ન કરતા સરોલી ગ્રામજનો અને તળપદો કોળી પટેલ સમાજના લોકો વિર્ફ્યા હતા અને બુધવારે ઓલપાડ પોલીસ મથકે ઘસી આવ્યા હતા. આ મામલે મૃતકના નાનાભાઇ નલીન પટેલ અને.અમિષ પટેલની દિકરી ધ્રુવી પણ પિતાને ન્યાય અપાવવા પોલીસ મથકે પહોંચી હતી જ્યાં રણચંદી બનેલ મહિલાઓ અને કોળી સમાજના અગ્રણીઓએ ત્યાં ઉપસ્થિત ઓલપાડ તા.પં.ના પ્રમુખ પિયુષ પટેલેને આડે હાથે લીધા હતા અને કહ્યું કે અત્યારે જ હત્યાની એફ્.આર.આઇ.નોંધાવો અને અમોને નકલ અપાવો .જ્યારે સરોલીના માજી સરપંચ મુકેશ પટેલે પિયુષ પટેલ ઉપર આરોપ લગાવ્યો હતો કે, તમે પોલીસે અટકાયત કરેલ શકમંદ આરોપીઓને તમે મોડી રાત્રે કારમાં પોલીસ લઈ ગયા હતા અને સવારે ફરીથી પોલીસ મથકે લાવ્યા હતા.જેથી પોલીસે પિયુષ પટેલની ભૂમિકાની પણ તપાસ કરવા અને તેમના રાજીનામાંની માંગ પરિવારજનો સાથે કરી હતી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/PHV1kKs2UqAwchJe9M6neWO2YedMeLXalKSUP7o1.webp'/></item><item><title><![CDATA[PM મોદીના જન્મદિવસે દિલ્હીમાં 4 મોટા કાર્યક્રમો, કર્તવ્ય પથ પર પ્રગટાવાશે 1 લાખ દીવા ]]></title><link>https://sandesh.com/india/news/pm-modi-birthday-delhi-1-lakh-diyas-blood-donation-camp-4-programmes</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/pm-modi-birthday-delhi-1-lakh-diyas-blood-donation-camp-4-programmes</guid><pubDate>Wed, 16 Sep 2026 23:38:50 +05:30</pubDate><description><![CDATA[<p>PM નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દિલ્હીની સરકારે ગુરુવારે સેવા, સમર્પણ અને જનભાગીદારીની ભાવના સાથે ચાર મોટા કાર્યક્રમો યોજશે. તેમાં કર્તવ્ય પથ પર સવા લાખ દીવા પ્રગટાવવાનો કાર્યક્રમ, ત્યાગરાજ સ્ટેડિયમમાં મેગા રક્તદાન શિબિર, ખાટૂ શ્યામ દિલ્હી ધામમાં 108 કુંડીય યજ્ઞ અને શ્રમિકો માટે શ્રમિક સેવા કેન્દ્રની શરૂઆતનો સમાવેશ થાય છે.</p><p><b>એક મહિનો ચાલશે સેવા સંકલ્પ અભિયાન</b></p><p>મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે દિલ્હી સરકાર એક મહિના સુધી સેવા સંકલ્પ અભિયાન ચલાવશે. આ દરમિયાન પરિવહન, રસ્તા, સીવેરેજ, જળ શુદ્ધિકરણ, શિક્ષણ, વીજળી, જાહેર સુવિધાઓ અને શહેરી સૌંદર્યીકરણ સાથે જોડાયેલી વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવશે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/gupta_rekha/status/2100266437147549984"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b>કર્તવ્ય પથ પર દીવડાઓથી રોશની</b></p><p>PM મોદીના જન્મદિવસે ‘આશીર્વાદ કા દીયા’ અભિયાન હેઠળ વિશેષ દીપ પ્રજ્વલન કાર્યક્રમ યોજાશે. ગુરુવારે સાંજે 7 વાગ્યે કર્તવ્ય પથ પર સરકારી યોજનાઓના લાભાર્થીઓ સહિત લોકો દ્વારા એક લાખ દીવા પ્રગટાવવામાં આવશે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાની આગેવાનીમાં યોજાનાર આ કાર્યક્રમ પ્રધાનમંત્રીના જાહેર જીવનના 25 વર્ષ અને સેવા, સમર્પણ તથા રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને સમર્પિત રહેશે.</p><p><b>&nbsp;જનભાગીદારી અને રાષ્ટ્રસેવાનો સંદેશ</b></p><p>‘જન સેવા સે દેશ સેવા’ના મૂળ મંત્રથી પ્રેરિત આ કાર્યક્રમમાં જનભાગીદારી અને સેવા ભાવનાનો સંદેશ આપવામાં આવશે. એક સાથે પ્રગટાવવામાં આવનારા એક લાખ દીવા નાગરિકોની શુભેચ્છા, આશીર્વાદ, ભાગીદારી અને રાષ્ટ્રસેવાના સંકલ્પનું પ્રતીક બનશે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ દિલ્હીના લોકોને ગુરુવારે સાંજે 6થી 7 વાગ્યા દરમિયાન પોતાના ઘર અને આંગણામાં પ્રધાનમંત્રી માટે ‘આશીર્વાદ કા દીયા’ પ્રગટાવવાની અપીલ કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે આ દીવો પ્રધાનમંત્રીના સ્વસ્થ જીવન, દીર્ઘાયુ અને સતત રાષ્ટ્રસેવા માટે નાગરિકોની પ્રાર્થના અને શુભેચ્છાનું પ્રતીક રહેશે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/gupta_rekha/status/2100242214454747564"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b>ત્યાગરાજ સ્ટેડિયમમાં મેગા રક્તદાન શિબિર</b></p><p>સેવા સંકલ્પ અભિયાન હેઠળ ગુરુવારે સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ત્યાગરાજ સ્ટેડિયમમાં મેગા રક્તદાન શિબિર યોજાશે. આ શિબિરમાં 2,500 યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. દિલ્હી સરકારના 11 હોસ્પિટલોના બ્લડ બેંક, આર્મી હોસ્પિટલ, લેડી હાર્ડિંગ કોલેજ, સફદરજંગ હોસ્પિટલ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી આ અભિયાનમાં ભાગ લેશે.</p><p><b>અનેક વિભાગો અને સંસ્થાઓ લેશે ભાગ</b></p><p>આ રક્તદાન શિબિરમાં આરોગ્ય વિભાગ, દિલ્હી પોલીસ, હોમ ગાર્ડ અને સિવિલ ડિફેન્સ, DTC, મહેસૂલ વિભાગ, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન, NDMC, દિલ્હી ફાયર સર્વિસ, શિક્ષણ વિભાગ, રેડ ક્રોસ, NGO, RWA અને કોર્પોરેટ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો પણ રક્તદાન કરશે. મુખ્યમંત્રીએ દિલ્હીના લોકોને આ અભિયાનમાં જોડાવાની અપીલ કરી છે. અલીપુરના GT કરનાલ રોડ પર આવેલા ખાટૂ શ્યામ દિલ્હી ધામમાં પ્રધાનમંત્રીના જન્મદિવસે 108 કુંડીય યજ્ઞનું આયોજન કરવામાં આવશે. યજ્ઞ દ્વારા પ્રધાનમંત્રીના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને સતત રાષ્ટ્રસેવા માટે પ્રાર્થના તથા શુભેચ્છા આપવામાં આવશે.</p><p><b>દૃષ્ટિહીન બાળકો કરશે હનુમાન ચાલીસાનું પઠન</b></p><p>આ પ્રસંગે દૃષ્ટિહીન બાળકો દ્વારા સસ્વર હનુમાન ચાલીસાનું પઠન પણ કરવામાં આવશે. દિલ્હી સરકાર શ્રમિકો માટે શ્રમિક સેવા કેન્દ્ર શરૂ કરશે. આ કેન્દ્રો પર શ્રમિકોને નોંધણી અને નવીનીકરણમાં મદદ, દસ્તાવેજોની ચકાસણી, અરજીની સ્થિતિની માહિતી, વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી તેમજ દાવા અને અન્ય સેવાઓ માટે માર્ગદર્શન એક જ સ્થળે મળશે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું કે સરકારનો હેતુ એ છે કે શ્રમિકોને સરકારી સેવાઓ મેળવવા માટે અલગ-અલગ કચેરીઓના ધક્કા ન ખાવા પડે. જરૂરી સેવાઓ તેમને નજીકના સ્થળે જ મળી રહે તે માટે આ કેન્દ્રો શરૂ કરવામાં આવશે.</p><p><b>PM મોદીના 25 વર્ષના જાહેર જીવનનો ઉલ્લેખ</b></p><p>મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા કહ્યું કે એક સામાન્ય પરિવારમાંથી નીકળીને તેમણે પોતાના પરિશ્રમ, દેશપ્રેમ અને સમર્પણના આધારે દેશના પ્રધાનમંત્રી પદ સુધીની સફર કરી છે. ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને દેશના પ્રધાનમંત્રી સુધીના જાહેર જીવનના 25 વર્ષ દરમિયાન તેમણે રાષ્ટ્રસેવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રીના જન્મદિવસે નાગરિકોની શુભેચ્છા, પ્રાર્થના અને સેવા કરવાનો સંકલ્પ તેમના માટે સૌથી મોટો ઉપહાર છે. તેમણે પ્રધાનમંત્રીના સ્વસ્થ જીવન અને સતત રાષ્ટ્રસેવા માટે ઈશ્વર પાસે આશીર્વાદની કામના કરી.</p><p><b><a href="https://sandesh.com/india/news/political-news/pm-modi-birthday-shatrughan-sinha-wishes-pm-modi-an-advance-birthday-shares-old-pictures" target="_blank">આ પણ વાંચો: શત્રુઘ્ન સિંહાએ PM મોદીને એડવાન્સ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી, શેર કરી જૂની તસવીરો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/EXfr9lsvjrKaWHXQbDdwrvoy3e13RA3RZnWpI8Lv.webp'/></item><item><title><![CDATA[Kaushambi : પ્રેમિકાને મળવા પહોંચેલા યુવકને પરિવારે મેથીપાક ચખાડ્યો અને પછી મંદિરમાં જઇ લગ્ન કરાવી દીધા ]]></title><link>https://sandesh.com/india/news/kaushambi-love-couple-temple-marriage-night-meeting-family-dispute</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/kaushambi-love-couple-temple-marriage-night-meeting-family-dispute</guid><pubDate>Wed, 16 Sep 2026 22:48:43 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાં પ્રેમસંબંધનો ચોંકાવનારો અંત સામે આવ્યો છે. પિપરિ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રેમિકાને મળવા રાત્રે પહોંચેલા યુવકને યુવતીના પરિવારજનોએ પકડી લીધો હતો. યુવક સાથે મારપીટ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી અને યુવકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો.</p><h2 style="text-align: justify; "><b>3 વર્ષથી ચાલતો હતો પ્રેમસંબંધ</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, જાટી ગામનો 20 વર્ષીય આકાશ દિવાકર શેરગઢ ગામમાં રહેતી 19 વર્ષીય સલોણી દિવાકરને મળવા પહોંચ્યો હતો. બંને વચ્ચે છેલ્લા આશરે 3 વર્ષથી પ્રેમસંબંધ હોવાની માહિતી સામે આવી છે. બંને પરિવારથી છુપાઈને એકબીજાને મળતા હોવાનું પણ જણાવાયું છે.</p><h3 style="text-align: justify; "><b>રાત્રે પકડાયા બાદ મારપીટનો આક્ષેપ</b></h3><p style="text-align: justify; ">આકાશ ગામમાં પહોંચ્યો હોવાની જાણ સલોણીના પરિવારજનોને થતાં બંનેને પકડી લેવામાં આવ્યા હતા. આ દરમિયાન યુવક સાથે મારપીટ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. બાદમાં પોલીસને જાણ કરાતા પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આકાશને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.</p><h3 style="text-align: justify; "><b>પોલીસ સ્ટેશનથી મંદિર સુધી પહોંચ્યો મામલો</b></h3><p style="text-align: justify; ">પોલીસ સ્ટેશનમાં બંને પરિવાર વચ્ચે ચર્ચા થયા બાદ લગ્ન માટે સહમતી બની હતી. પરિવારજનોની સંમતિથી તિલ્હાપુર મોર સ્થિત મંદિરમાં આકાશ અને સલોણીના લગ્ન કરાવવામાં આવ્યા હતા. આ રીતે રાત્રે શરૂ થયેલો વિવાદ અંતે લગ્નમાં ફેરવાઈ ગયો.</p><h4 style="text-align: justify; "><b>પોલીસે કાર્યવાહી ન કર્યાનો ખુલાસો</b></h4><p style="text-align: justify; ">પોલીસના જણાવ્યા મુજબ, બંને પરિવાર લગ્ન માટે રાજી હતા અને કોઈ કાર્યવાહી ઇચ્છતા ન હતા. પોલીસને માહિતી મળી છે કે બંનેએ મંદિરમાં લગ્ન કરી લીધા છે. પરિવારજનોની સહમતી બાદ કોઈ ફરિયાદ કે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી ન હોવાનું પોલીસે જણાવ્યું હતું.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; <a href="https://sandesh.com/explainer/news/india/ahmedabad/sandesh-digital-explainer-epf-salary-limit-increased-25000-take-home-salary-calculation" target="_blank"><b>&nbsp;Sandesh Digital Explainer : EPFમાં મોટો ફેરફાર, તમારી ટેક-હોમ સેલરીનું શું થશે? સમજો, નવું ગણિત</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/e3jyFcq0vsWn1Dvh0W2dtrasz7XuwZw6zKyAJHAI.webp'/></item><item><title><![CDATA[PM મોદીની સેમિકન્ડક્ટર કંપનીઓના CEO સાથે બેઠક, ચિપ સેક્ટર પર ચર્ચા ]]></title><link>https://sandesh.com/business/news/pm-modi-semiconductor-ceos-roundtable-meeting-india-chip-sector-growth</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/pm-modi-semiconductor-ceos-roundtable-meeting-india-chip-sector-growth</guid><pubDate>Wed, 16 Sep 2026 21:09:37 +05:30</pubDate><description><![CDATA[<p>PM નરેન્દ્ર મોદીએ દિગ્ગજ સેમિકન્ડક્ટર કંપનીઓના CEO સાથે રાઉન્ડટેબલ બેઠક કરી હતી. આ બેઠકમાં **ભારતના સેમિકન્ડક્ટર ક્ષેત્રના આગામી વિકાસ** અંગે ચર્ચા કરવામાં આવી હતી. PM મોદીએ કંપનીઓના CEOને ભારતના સેમિકન્ડક્ટર ક્ષેત્રના વિકાસમાં સક્રિય રીતે જોડાવા કહ્યું હતું.</p><p><b>નવી ટેક્નોલોજીમાં આગળ વધવાનું લક્ષ્ય</b></p><p>વડાપ્રધાને કહ્યું કે ભારતે નવી અને ઉભરતી ટેક્નોલોજીમાં શરૂઆતથી જ અગ્રણી દેશોમાં સામેલ થવાનું લક્ષ્ય રાખવું જોઈએ. PM મોદીએ ફરી કહ્યું કે સરકાર સ્થિર, વિશ્વસનીય અને ઉદ્યોગ માટે જવાબદાર નીતિ વાતાવરણ આપવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે ઉદ્યોગ જગત પાસેથી નીતિઓ અને વહીવટી વ્યવસ્થામાં સુધારા માટે સૂચનો પણ માંગ્યા હતા.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/narendramodi/status/2100232138880946249"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b>સેમિકન્ડક્ટર વેલ્યૂ ચેન મજબૂત કરવા પર ભાર</b></p><p>CEOએ ભારતના સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે સરકારના પ્રયાસો અને PM મોદીના નેતૃત્વની પ્રશંસા કરી હતી. કંપનીઓના વડાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત સેમિકન્ડક્ટરની સંપૂર્ણ વેલ્યૂ ચેનમાં પોતાની ક્ષમતા વિકસાવી શકે છે. સરકારનું ધ્યાન માત્ર ચિપ બનાવવાના કામ સુધી મર્યાદિત નથી, પરંતુ ડિઝાઇનથી લઈને મેન્યુફેક્ચરિંગ અને સમગ્ર સેમિકન્ડક્ટર વેલ્યૂ ચેનને ભારતમાં મજબૂત બનાવવા પર છે.</p><p><b>આ કંપનીઓ બેઠકમાં સામેલ થઈ</b></p><p>આ બેઠકમાં સેમી (SEMI), માઇક્રોન (Micron), ઇન્ફિનિયન (Infineon), એપ્લાઇડ મટિરિયલ્સ (Applied Materials), ASML, મર્ક (Merck), ટોક્યો ઇલેક્ટ્રોન (Tokyo Electron), ફુજી ફિલ્મ (Fujifilm), AMD, ઇન્ટેલ (Intel), ટાટા ઇલેક્ટ્રોનિક્સ (Tata Electronics), લેમ રિસર્ચ (Lam Research), રેપિડસ (Rapidus), NXP, ફોક્સકોન (Foxconn), સેમિકન્ડક્ટર ડિવાઇસિસ (Semiconductor Devices), એડવાન્ટેસ્ટ (Advantest), સેલેસ્ટા કેપિટલ (Celesta Capital), CG પાવર (CG Power) અને IBM રિસર્ચ (IBM Research) સહિત અનેક કંપનીઓના CEO, વરિષ્ઠ અધિકારીઓ અને પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.</p><p><b><a href="https://sandesh.com/india/news/semicon-india-2026-pm-modi-will-inaugurate-more-than-600-companies-will-participate" target="_blank">આ પણ વાંચો: SEMICON India 2026: PM મોદી કરશે ઉદ્ઘાટન, 600થી વધુ કંપનીઓ લેશે ભાગ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/EFmQ6z6hgSK9hNuG6XxbrHP4XTZPyfXm8PtPO2Nh.webp'/></item><item><title><![CDATA[હું તેને ઓળખતો પણ નથી... દિશા સાલિયન કેસમાં આદિત્ય ઠાકરેનું પહેલું નિવેદન ]]></title><link>https://sandesh.com/india/news/entertainment/disha-salian-case-aaditya-thackeray-first-reaction-cbi-fir-bombay-high-court</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/entertainment/disha-salian-case-aaditya-thackeray-first-reaction-cbi-fir-bombay-high-court</guid><pubDate>Wed, 16 Sep 2026 18:50:13 +05:30</pubDate><description><![CDATA[<p>દિશા સાલિયન કેસે મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે. બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ CBI દ્વારા FIR નોંધવામાં આવી ત્યારથી આ મામલો સતત ચર્ચામાં રહ્યો છે. આ કેસના સંદર્ભમાં આદિત્ય ઠાકરેનું નામ વારંવાર સામે આવ્યું છે અને હવે તેમણે પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપતા સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેઓ દિશા સાલિયનને ઓળખતા નથી.</p><p><br></p><p>"હું દિશા સાલિયનને ક્યારેય મળ્યો નથી કે તેમની સાથે મારો કોઈ પરિચય પણ નહોતો. છેલ્લા છ વર્ષોથી, રાજકીય ઈરાદાઓ, અંગત અદાવત અને મારી છબી ખરડવાના (ચરિત્ર હત્યાના) પ્રયાસોને કારણે અમુક લોકો જાણીજોઈને આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના સાથે મારું નામ જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે આ બાબતે કોઈ પણ પુરાવા કે જોડાણ અસ્તિત્વમાં નથી. સત્ય કે હકીકત વિના ચલાવવામાં આવતું આ ખોટું અભિયાન દુર્ભાગ્યપૂર્ણ છે."</p><p><br></p><h4><b>"નવી તપાસ થવી જોઈએ"</b></h4><p>આદિત્ય ઠાકરેએ વધુમાં કહ્યું, "ટીવી ચેનલો પર થતી સનસનીખેજ ચર્ચાઓ અને મીડિયા ટ્રાયલ સત્યને બદલી શકતા નથી. સત્તાવાર એજન્સીઓને અવરોધ, રાજકીય દખલગીરી કે ચરિત્ર હત્યાના પ્રયાસોથી મુક્ત રહીને આ મામલાની નિષ્પક્ષ અને નવી તપાસ કરવાની છૂટ મળવી જોઈએ. હું ફરીથી કહેવા માંગુ છું કે જો કોઈને એમ લાગતું હોય કે તેઓ આવી ચરિત્ર હત્યા અને ખોટા પ્રચાર દ્વારા અમને ચૂપ કરાવી શકે છે, તો તેઓ ભૂલ કરે છે. દેશની જનતાની સાથે રહીને સત્ય માટે અને અન્યાય વિરુદ્ધનો અમારો સંઘર્ષ ચાલુ રહેશે."</p><p><br></p><h4>આ સમગ્ર મામલો શું છે?</h4><p>સુશાંત સિંહ રાજપૂતના ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયનનું 8 જૂન, 2020ના રોજ મુંબઈના મલાડ વિસ્તારમાં આવેલી એક ઈમારતના 14મા માળેથી પડી જવાથી મૃત્યુ થયું હતું. શરૂઆતમાં, મુંબઈ પોલીસે આ ઘટનાને આત્મહત્યા ગણીને 'આકસ્મિક મૃત્યુનો અહેવાલ' (Accidental Death Report) નોંધ્યો હતો. જોકે, બાદમાં બોમ્બે હાઈકોર્ટે CBIને FIR નોંધીને આ કેસની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારથી આ મામલો સતત ચર્ચાના કેન્દ્રમાં રહ્યો છે અને તેમાં ઉદ્ધવ તથા આદિત્ય ઠાકરે સહિતના અનેક દિગ્ગજ નેતાઓના નામ જોડવામાં આવ્યા છે.<br><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/business/upi-payments-charge-above-rs-2000-supreme-court-plea-mdr-framework" target="_blank"><b>UPI ચાર્જને લઈને ઘમાસાણ! સુપ્રીમ કોર્ટ પહોંચ્યો મામલો, 2000થી વધુના મર્ચન્ટ પેમેન્ટ્સ વિરુદ્ધ અરજી દાખલ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/tjX7ComUj3HJXnZAOA5SJoYoU7exP6T5ybdTJPBM.webp'/></item><item><title><![CDATA[પાકિસ્તાનની ટીમ ભારત આવશે! એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં જામશે ભારત-પાક જંગ ]]></title><link>https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</guid><pubDate>Mon, 14 Sep 2026 15:47:21 +05:30</pubDate><description><![CDATA[<p>આવતા મહિને પાકિસ્તાનની હોકી ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે. 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન પંજાબમાં યોજાનારી AHF મેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026માં પાકિસ્તાન સહિત કુલ છ ટીમો ભાગ લેશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પાકિસ્તાનની ભાગીદારી અંગેની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, મલ્ટી-નેશનલ ઇવેન્ટ્સ અંગે કેન્દ્ર સરકારની નીતિ હેઠળ બંને દેશોની ટીમો આમને-સામને રમશે.</p><h2><b>ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જાલંધરમાં રમાશે</b></h2><p>એશિયન મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન થશે. આ ટૂર્નામેન્ટમાં યજમાન ભારત અને પાકિસ્તાન ઉપરાંત ચીન, જાપાન, મલેશિયા અને કોરિયાની પણ ભાગ લેશે. લીગ સ્ટેજના મુકાબલા જાલંધરમાં યોજાશે, જ્યારે સેમિફાઇનલ અને ફાઇનલ મેચ મોહાલીના હોકી સ્ટેડિયમમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 1 નવેમ્બરે જાલંધરમાં રમાશે. કોઈ ટીમ છેલ્લી ઘડીએ ખસી જાય તો તે સ્થિતિ માટે ઓમાન અને બાંગ્લાદેશને રિઝર્વ ટીમન તરીકે રાખવામી આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PTI_News/status/2099416960278868155"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમવામાં કોઈ મુશ્કેલી નથી</b></h2><p>પાકિસ્તાનની ભાગીદારી અને જરૂરી મંજૂરીઓ અંગે પંજાબના મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં બંને દેશો વચ્ચે રમવામાં કોઈ મુશ્કેલી નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝનું આયોજન અલગ બાબત છે, કારણ કે કેન્દ્ર સરકારની વર્તમાન નીતિ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય રમત-ગમતના આયોજનની મંજૂરી આપતી નથી. પરંતુ મલ્ટી-નેશનલ ટૂર્નામેન્ટમાં બંને દેશોના ખેલાડીઓને એકબીજા સામે રમવાની પરવાનગી છે, જેથી પાકિસ્તાની ટીમ ભારત આવી શકશે.</p><h2><b>ભારત વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે</b></h2><p>ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. ભારતે 2023માં ચેન્નાઈ અને 2024માં ચીનના હુલુનબુઈરમાં યોજાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ગત વર્ષે આ સ્પર્ધા યોજાઈ શકી નહોતી. હવે પંજાબ પ્રથમ વખત આ ટૂર્નામેન્ટની મેજબાની કરવા જઈ રહ્યું છે.</p><h2><b>અગાઉ પાકિસ્તાની ટીમે ના કહી હતી&nbsp;</b></h2><p>પાકિસ્તાનની આ વખતની ભાગીદારી એટલા માટે પણ ખાસ છે, કારણ કે ગત વર્ષે તેણે તમિલનાડુમાં આયોજિત જૂનિયર હોકી વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તે સમયે બંને દેશો વચ્ચેના તણાવને તેનું કારણ ગણાવવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે અને પાકિસ્તાની ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે પૂરી રીતે તૈયાર છે.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/V6jwdiIr9RTCvR6EyBaGsP2qfZvYLq2JfkL7pytm.webp'/></item></channel></rss>