<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[17 September Top News: PM મોદીના જન્મદિને દેશભરમાં સેવા કાર્યોનો પ્રારંભ, ખેલ મંત્રી મનસુખ માંડવિયાની જાપાન મુલાકાત ]]></title><link>https://sandesh.com/gujarat/news/india/16-september-top-newspm-modi-birthday-semicon-india-2026-inauguration-seva-sankalp-abhiyan</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/india/16-september-top-newspm-modi-birthday-semicon-india-2026-inauguration-seva-sankalp-abhiyan</guid><pubDate>Wed, 16 Sep 2026 22:00:00 +05:30</pubDate><description><![CDATA[<p>પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે, ભાજપ પ્રમુખ નીતિન નવીન ભાજપ મુખ્યાલય ખાતે રક્તદાન શિબિરનું ઉદ્ઘાટન કરશે. ભાજપ પ્રમુખ નીતિન નવીન આવતીકાલથી ઉજ્જૈનની બે દિવસીય મુલાકાતે છે. તેઓ પીએમના જન્મદિવસ અને સેવા સંકલ્પ અભિયાનના ભાગ રૂપે સાંજે રામઘાટ (શિપ્રા કાંઠા) ખાતે આયોજિત દીપોત્સવ (આશીર્વાદનો દીપ) માં ભાગ લેશે. શિપ્રા કાંઠા પર 25 લાખ દીવા પ્રગટાવીને દીપોત્સવની તૈયારીઓ કરવામાં આવી છે.</p><h2><b>સંરક્ષણ પ્રધાન કાશી વિશ્વનાથ મંદિરમાં પ્રાર્થના કરશે</b></h2><p>સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આવતીકાલે વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં પીએમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરશે.</p><h3><b>વારાણસીમાં સેવા સંકલ્પ અભિયાન</b></h3><p>રાજનાથ સિંહ આવતીકાલે બપોરે 12 વાગ્યે વારાણસીમાં સેવા સંકલ્પ અભિયાનના ભાગ રૂપે સેવા યાત્રાને લીલી ઝંડી આપશે.</p><h4><b>SEMICON ઇન્ડિયા 2026નું ઉદ્ઘાટન</b></h4><p>વડાપ્રધાન મોદી 17 સપ્ટેમ્બરના રોજ સવારે 10 વાગ્યે નવી દિલ્હીમાં યશોભૂમિ (ઇન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર) ખાતે SEMICON ઇન્ડિયા 2026નું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ 17 થી 19 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ પાંચમી આવૃત્તિ છે, જેનું આયોજન ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM), ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY) અને વૈશ્વિક ઉદ્યોગ સંગઠન SEMI દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે. 40 દેશોની કંપનીઓ ભાગ લઈ રહી છે.</p><h5><b>ડૉ. મોહન ભાગવત 17 અને 18 સપ્ટેમ્બરના રોજ ઉજ્જૈન</b></h5><p>આરએસએસના વડા ડૉ. મોહન ભાગવત 17 અને 18 સપ્ટેમ્બરના રોજ ઉજ્જૈનમાં રહેશે. તેઓ 18 સપ્ટેમ્બરના રોજ 'યુવા ધર્મ સંસદ'માં સ્વયંસેવકોને સંબોધિત કરશે અને યુવાનો સાથે વાર્તાલાપ કરશે.</p><h5><b>પીએમની ભેટોનું હરાજી 17 સપ્ટેમ્બરથી શરૂ</b></h5><p>દિલ્હીમાં નેશનલ આર્ટ ગેલેરી ખાતે પીએમની ભેટોનું પ્રદર્શન યોજાઈ રહ્યું છે. હરાજી 17 સપ્ટેમ્બરથી શરૂ થશે. તે પીએમના જન્મદિવસથી 2 ઓક્ટોબર સુધી ચાલશે.</p><h6><b>પીએમ મોદીના જન્મદિવસ પર સ્વચ્છતા હી સેવા અભિયાન</b></h6><p>કેન્દ્ર સરકાર પીએમ મોદીના જન્મદિવસ પર 'સ્વચ્છતા હી સેવા' અભિયાન શરૂ કરી રહી છે. 27 સપ્ટેમ્બરે ઐતિહાસિક ઇમારતોની સફાઈ કરવામાં આવશે, 1 ઓક્ટોબરે દરરોજ એક કલાકનું સ્વૈચ્છિક કાર્ય કરવામાં આવશે અને 2 ઓક્ટોબરે સ્વચ્છતા દિવસ ઉજવવામાં આવશે.</p><p><b>મનસુખ માંડવિયા આવતીકાલે જાપાનની મુલાકાતે</b></p><p>રમતગમત મંત્રી મનસુખ માંડવિયા આવતીકાલે જાપાનની મુલાકાત લેશે. તેઓ એશિયન ગેમ્સમાં ભાગ લેનારા ખેલાડીઓને પ્રોત્સાહિત કરશે. એશિયન ગેમ્સ 9 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી ચાલશે. આ વખતે ભારત 34 રમતોમાં ભાગ લેશે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/india/anant-nag-wins-dada-saheb-phalke-award-2024-narendra-modi-birthday-jiram-ghati-naxal-attack-case-sandesh-digital-top-10-news-epf-update-rajkot-crime" target="_blank">આ પણ વાંચો: રાજકોટમાં 11 વર્ષથી ફરાર આરોપી પકડાયો, EPF નો નવો નિયમ અને MRP થી વધુ ભાવે પાણી વેચવા પર 7 લાખનો દંડ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/UNjrvoffyTZGOGTGgtP6czNLg3Aw5BeRvVTcaIll.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: નારોલમાં સ્કોર્પિયોમાંથી 1798 કફ સિરપ બોટલ ઝડપાઈ, 26.15 લાખનો મુદ્દામાલ કબજે ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/narol-police-seize-cough-syrup-worth-26-lakhs-scorpio</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/narol-police-seize-cough-syrup-worth-26-lakhs-scorpio</guid><pubDate>Wed, 16 Sep 2026 21:35:00 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરના નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે નશાકારક કફ સિરપના ગેરકાયદેસર કાળો કારોબાર સામે મોટી સફ્ળતા મેળવી છે. નારોલ પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને એક શંકાસ્પદ સ્કોર્પિયો ગાડીમાંથી કફ સિરપની બોટલોનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસ દરમિયાન વાહનમાંથી 1798 નંગ કફ સિરપની બોટલો મળી આવી હતી, જેનો ઉપયોગ ગેરકાયદે વેચાણ કે નશાના હેતુ માટે કરવામાં આવી રહ્યો હોવાની શંકા છે.</p><h2><b>&nbsp;નશાકારક કફ સિરપના ગેરકાયદેસર કાળો કારોબાર</b></h2><p>પોલીસે ઘટનાસ્થળેથી કફ સિરપનો જથ્થો અને સ્કોર્પિયો ગાડી સહિત કુલ રૂપિયા 26.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સાથે જ ગાડીમાં સવાર બે મુખ્ય આરોપીઓ નવાઝહુસેન શેખ અને સરવરખાન પઠાણની ઘટનાસ્થળેથી જ ધરપકડ કરીને જેલહવાલે કરવામાં આવ્યા છે.અમદાવાદ શહેરમાં નશાકારક પદાર્થો અને પ્રતિબંધિત દવાઓની ઘૂસણખોરી રોકવા માટે ચાલી રહેલા વિશેષ સઘન ચેકિંગ હેઠળ નારોલ પોલીસે આ કામગીરી પાર પાડી છે. પકડાયેલા બંને આરોપીઓ સામે પોલીસે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી તેજ કરી છે.</p><h3><b>સ્કોર્પિયો ગાડીમાંથી કફ સિરપની બોટલો ઝડપી&nbsp;</b></h3><p>નારોલ પોલીસ હવે એ વાતની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે કફ સિરપનો આટલો મોટો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, તેનો સપ્લાયર કોણ છે અને અમદાવાદ શહેરમાં તેને કોને ડિલિવરી કરવાની હતી. આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સાગરીતોની પણ ધરપકડ કરવા પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/lathi-ambaradi-electrocution-two-siblings-dead-pgvcl-line" target="_blank">આ પણ વાંચો: Amreli: લાઠીના આંબરડી ગામની વાડીમાં વીજકરંટથી 2 સગા ભાઈ-બહેનના કરુણ મોત, મજૂર પરિવારમાં અરેરાટી</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/8YgdaCzEr67WeF49o9VSJyJOmnVANThlXb06e2r8.webp'/></item><item><title><![CDATA[PM મોદીની સેમિકન્ડક્ટર કંપનીઓના CEO સાથે બેઠક, ચિપ સેક્ટર પર ચર્ચા ]]></title><link>https://sandesh.com/business/news/pm-modi-semiconductor-ceos-roundtable-meeting-india-chip-sector-growth</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/pm-modi-semiconductor-ceos-roundtable-meeting-india-chip-sector-growth</guid><pubDate>Wed, 16 Sep 2026 21:09:37 +05:30</pubDate><description><![CDATA[<p>PM નરેન્દ્ર મોદીએ દિગ્ગજ સેમિકન્ડક્ટર કંપનીઓના CEO સાથે રાઉન્ડટેબલ બેઠક કરી હતી. આ બેઠકમાં **ભારતના સેમિકન્ડક્ટર ક્ષેત્રના આગામી વિકાસ** અંગે ચર્ચા કરવામાં આવી હતી. PM મોદીએ કંપનીઓના CEOને ભારતના સેમિકન્ડક્ટર ક્ષેત્રના વિકાસમાં સક્રિય રીતે જોડાવા કહ્યું હતું.</p><p><b>નવી ટેક્નોલોજીમાં આગળ વધવાનું લક્ષ્ય</b></p><p>વડાપ્રધાને કહ્યું કે ભારતે નવી અને ઉભરતી ટેક્નોલોજીમાં શરૂઆતથી જ અગ્રણી દેશોમાં સામેલ થવાનું લક્ષ્ય રાખવું જોઈએ. PM મોદીએ ફરી કહ્યું કે સરકાર સ્થિર, વિશ્વસનીય અને ઉદ્યોગ માટે જવાબદાર નીતિ વાતાવરણ આપવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે ઉદ્યોગ જગત પાસેથી નીતિઓ અને વહીવટી વ્યવસ્થામાં સુધારા માટે સૂચનો પણ માંગ્યા હતા.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/narendramodi/status/2100232138880946249"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b>સેમિકન્ડક્ટર વેલ્યૂ ચેન મજબૂત કરવા પર ભાર</b></p><p>CEOએ ભારતના સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે સરકારના પ્રયાસો અને PM મોદીના નેતૃત્વની પ્રશંસા કરી હતી. કંપનીઓના વડાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત સેમિકન્ડક્ટરની સંપૂર્ણ વેલ્યૂ ચેનમાં પોતાની ક્ષમતા વિકસાવી શકે છે. સરકારનું ધ્યાન માત્ર ચિપ બનાવવાના કામ સુધી મર્યાદિત નથી, પરંતુ ડિઝાઇનથી લઈને મેન્યુફેક્ચરિંગ અને સમગ્ર સેમિકન્ડક્ટર વેલ્યૂ ચેનને ભારતમાં મજબૂત બનાવવા પર છે.</p><p><b>આ કંપનીઓ બેઠકમાં સામેલ થઈ</b></p><p>આ બેઠકમાં સેમી (SEMI), માઇક્રોન (Micron), ઇન્ફિનિયન (Infineon), એપ્લાઇડ મટિરિયલ્સ (Applied Materials), ASML, મર્ક (Merck), ટોક્યો ઇલેક્ટ્રોન (Tokyo Electron), ફુજી ફિલ્મ (Fujifilm), AMD, ઇન્ટેલ (Intel), ટાટા ઇલેક્ટ્રોનિક્સ (Tata Electronics), લેમ રિસર્ચ (Lam Research), રેપિડસ (Rapidus), NXP, ફોક્સકોન (Foxconn), સેમિકન્ડક્ટર ડિવાઇસિસ (Semiconductor Devices), એડવાન્ટેસ્ટ (Advantest), સેલેસ્ટા કેપિટલ (Celesta Capital), CG પાવર (CG Power) અને IBM રિસર્ચ (IBM Research) સહિત અનેક કંપનીઓના CEO, વરિષ્ઠ અધિકારીઓ અને પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.</p><p><b><a href="https://sandesh.com/india/news/semicon-india-2026-pm-modi-will-inaugurate-more-than-600-companies-will-participate" target="_blank">આ પણ વાંચો: SEMICON India 2026: PM મોદી કરશે ઉદ્ઘાટન, 600થી વધુ કંપનીઓ લેશે ભાગ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/EFmQ6z6hgSK9hNuG6XxbrHP4XTZPyfXm8PtPO2Nh.webp'/></item><item><title><![CDATA[રાજકોટમાં 11 વર્ષથી ફરાર આરોપી પકડાયો, EPF નો નવો નિયમ અને MRP થી વધુ ભાવે પાણી વેચવા પર 7 લાખનો દંડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/india/anant-nag-wins-dada-saheb-phalke-award-2024-narendra-modi-birthday-jiram-ghati-naxal-attack-case-sandesh-digital-top-10-news-epf-update-rajkot-crime</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/india/anant-nag-wins-dada-saheb-phalke-award-2024-narendra-modi-birthday-jiram-ghati-naxal-attack-case-sandesh-digital-top-10-news-epf-update-rajkot-crime</guid><pubDate>Wed, 16 Sep 2026 21:00:00 +05:30</pubDate><description><![CDATA[<p>સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો</p><p><a href="https://sandesh.com/gujarat/news/crime/rajkot/crime-branch-arrests-nimesh-shah-in-bogus-document-case" target="_blank">1.Rajkot News: બોગસ દસ્તાવેજ કેસમાં છેલ્લા 11 વર્ષથી ફરાર નિમેશ શાહ મુંબઈથી ઝડપાયો</a></p><p><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-congress-rift-amit-chavda-cancels-gulabsinh-rajput-banaskantha-list" target="_blank">2.Ahmedabad: સુરજેવાલાના આગમન સાથે જ ગુજરાત કોંગ્રેસમાં ડખો! અમિત ચાવડા સામે શિંગડા ભિડાવનારા ગુલાબસિંહ રાજપૂત કોણ છે?</a></p><p><a href="https://sandesh.com/india/news/water-bottle-mrp-overcharging-andhra-pradesh-consumer-court-7-lakh-fine" target="_blank">3.MRP કરતાં વધુ કિંમતમાં પાણી વેચ્યું, ગ્રાહક આયોગે ફટકાર્યો ₹7 લાખનો દંડ</a></p><p><a href="https://sandesh.com/world/news/what-is-pns-hunain-know-the-features-of-pakistans-warship-1" target="_blank">4.PNS Hunain શું છે? જાણો પાકિસ્તાનના યુદ્ધજહાજની ખાસિયતો</a></p><p><a href="https://sandesh.com/explainer/news/india/ahmedabad/sandesh-digital-explainer-epf-salary-limit-increased-25000-take-home-salary-calculation" target="_blank">5.Sandesh Digital Explainer : EPFમાં મોટો ફેરફાર, તમારી ટેક-હોમ સેલરીનું શું થશે? સમજો, નવું ગણિત</a></p><p><a href="https://sandesh.com/gujarat/news/rajkot/odisha-laborer-dukhishyam-murdered-over-molestation-three-arrested" target="_blank">6.Rajkot: યુવતીની છેડતીની અદાવતમાં પરપ્રાંતીયો વચ્ચે ખેલાયો ખૂની ખેલ; ઓડિશાના યુવક દુખીશ્યામની હત્યા</a></p><p><a href="https://sandesh.com/world/news/los-angeles-nbc-news-helicopter-crash-3-dead-chatsworth-san-fernando-valley" target="_blank">7.અમેરિકામાં કવરેજ દરમિયાન NBC ચેનલનું હેલિકોપ્ટર ક્રેશ, પત્રકાર-પાઇલટ સહિત 3 લોકોના મોત</a></p><p><a href="https://sandesh.com/world/news/china-ct-scanner-china-has-built-the-worlds-smallest-6-kg-ct-scanner-know-its-features" target="_blank">8.China CT Scanner: ચીને બનાવ્યું દુનિયાનું સૌથી નાનું 6 કિલોનું CT સ્કેનર, જાણો તેની ખાસિયતો</a></p><p><a href="https://sandesh.com/india/news/jeeram-ghati-naxal-attack-case-10-convicts-death-sentence" target="_blank">9.Naxal Attack Case: જાણો શું હતો ઝીરમ ઘાટી હત્યાકાંડ?</a></p><p><a href="10.Morbi: શેરબજારના નામે 86.25 લાખ ચાઉં કરનાર 3 ઠગ ગણતરીના દિવસોમાં ઝડપાયા, 61 લાખ જપ્તhttps://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/morbi/cyber-police-arrests-three-in-86-lakh-stock-market-scam-recovers-61-lakh" target="_blank">10.Morbi: શેરબજારના નામે 86.25 લાખ ચાઉં કરનાર 3 ઠગ ગણતરીના દિવસોમાં ઝડપાયા, 61 લાખ જપ્ત</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/ddh2RvIaTItE7BhRI8knvzo0UDolBiSYY4BBwGCu.webp'/></item><item><title><![CDATA[Amreli: લાઠીના આંબરડી ગામની વાડીમાં વીજકરંટથી 2 સગા ભાઈ-બહેનના કરુણ મોત, મજૂર પરિવારમાં અરેરાટી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/lathi-ambaradi-electrocution-two-siblings-dead-pgvcl-line</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/lathi-ambaradi-electrocution-two-siblings-dead-pgvcl-line</guid><pubDate>Wed, 16 Sep 2026 20:52:27 +05:30</pubDate><description><![CDATA[<p>અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આંબરડી ગામના વાડી વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક અને કરુણ ઘટના સામે આવી છે. વાડીમાં મજૂરી કામ કરતા શ્રમિક પરિવારના બે સગા ભાઈ-બહેન વીજકરંટની ઝપેટમાં આવી જતાં બંનેના સ્થળ પર જ મોત નીપજ્યા છે. આ ગોઝારી ઘટનાના પગલે સમગ્ર પંથકમાં અને મજૂર પરિવારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.</p><h2><b>અમરેલીના આંબરડીમાં હૃદયદ્રાવક ઘટના</b></h2><p>મળતી વિગતો અનુસાર, વાડી વિસ્તારમાં પાકના રક્ષણ માટે મુકવામાં આવેલી ઝટકા લાઈન સાથે અકસ્માતે PGVCLની મુખ્ય સર્વિસ લાઈનનો વાયર અડી ગયો હતો. જેના કારણે ઝટકા વાયરમાં સામાન્ય કરંટના બદલે હાઇવોલ્ટેજ પાવર ચાલુ થઈ ગયો હતો. ખેતરમાં રમી રહેલા અથવા કામ કરી રહેલા ભાઈ-બહેન અજાણતાં આ વાયરના સંપર્કમાં આવી જતાં તેઓ જોરદાર કરંટ લાગવાથી જીવતા ભૂંજાયા હતા.</p><h3><b>વીજકરંટ લાગતાં 2 સગા ભાઈ-બહેનના કરુણ મોત</b></h3><p>મૃતક ભાઈ-બહેન મૂળ દાહોદ જિલ્લાના વતની ખેતમજૂર પરિવારના પુત્ર અને પુત્રી હોવાનું બહાર આવ્યું છે. પેટનો ખાડો પૂરવા રોજીરોટી અર્થે અમરેલીના આંબરડી ગામે આવેલા પરિવાર પર કુદરતનો કાળીયો કોપ ઉતરતાં અને બે-બે વહાલસોયા સંતાનો ગુમાવતાં પરિવારજનોના કરુણ આક્રંદથી વાડી વિસ્તાર ગૂંજી ઊઠ્યો હતો.ઘટના અંગે સ્થાનિકો દ્વારા જાણ કરાતાં જ દામનગર પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આ મામલે પ્રાથમિક ધોરણે જાણવાજોગ (A.D.) નોંધ કરી તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત PGVCLની ઘોર બેદરકારી છે કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા તપાસની દિશા લંબાવવામાં આવી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-congress-rift-amit-chavda-cancels-gulabsinh-rajput-banaskantha-list" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: સુરજેવાલાના આગમન સાથે જ ગુજરાત કોંગ્રેસમાં ડખો! અમિત ચાવડા સામે શિંગડા ભિડાવનારા ગુલાબસિંહ રાજપૂત કોણ છે?</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/U1P41iXmlHs67cxzdIuilcwxVo5HO124ErHmvKcR.webp'/></item><item><title><![CDATA[Bhavnagar : મા-દીકરી પાસેથી રૂ.5 લાખની ખંડણીની માંગનો આક્ષેપ, પૈસા નહીં આપો તો જાનથી મારી નાખવાની અને બદનામ કરવાની ધમકી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/bhavnagar/bhavnagar-mother-daughter-extortion-threat-police-complaint</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/bhavnagar/bhavnagar-mother-daughter-extortion-threat-police-complaint</guid><pubDate>Wed, 16 Sep 2026 20:50:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભાવનગરમાં મા-દીકરીને છેલ્લા એક વર્ષથી સતત હેરાનગતિ અને માનસિક ત્રાસ આપવાની ગંભીર ફરિયાદ સામે આવી છે. મહિલાના જણાવ્યા મુજબ કેટલાક શખ્સોએ તેની પાસેથી રૂ.5 લાખની ખંડણી માંગી હતી. પૈસા નહીં આપે તો તેને અને તેની 16 વર્ષની દીકરીને જાનથી મારી નાખવાની તેમજ સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ છે.</p><h2 style="text-align: justify; "><b>ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી</b></h2><p style="text-align: justify; ">મહિલાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરીને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેની સગીર દીકરીને પણ સોશિયલ મીડિયા પર બદનામ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે મહિલાએ કેટલાક શખ્સોના નામ પણ પોલીસ સમક્ષ રજૂ કર્યા હોવાનું જણાવ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>મોડી રાત્રે પથ્થરમારો કર્યાનો આક્ષેપ</b></h3><p style="text-align: justify; ">મહિલાના જણાવ્યા મુજબ મોડી રાત્રે તેના ઘર પર પથ્થરો અને ઈંટો ફેંકીને પરિવારને ધમકાવવામાં આવ્યો હતો. સતત મળતી ધમકીઓના કારણે મા-દીકરીના જીવને જોખમ હોવાનો દાવો મહિલાએ કર્યો છે. ઘટનાને લગતા કેટલાક વીડિયો પણ સામે આવ્યા હોવાનું જણાવાયું છે.</p><h4 style="text-align: justify; "><b>પોલીસ કાર્યવાહી સામે સવાલ</b></h4><p style="text-align: justify; ">મહિલાનો આક્ષેપ છે કે તેણે ઘોઘા રોડ પોલીસ સ્ટેશન સહિત પોલીસ અધિક્ષકની કચેરીમાં અનેક અરજીઓ કરી હોવા છતાં હજુ સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. મહિલાએ તાત્કાલિક ફરિયાદની તપાસ કરી આરોપીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ જ ખંડણીની માંગ, ધમકી, સોશિયલ મીડિયા પર બદનામી અને પથ્થરમારાની ફરિયાદમાં કેટલું સત્ય છે તે સ્પષ્ટ થશે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; &nbsp; <a href="https://sandesh.com/explainer/news/india/ahmedabad/sandesh-digital-explainer-epf-salary-limit-increased-25000-take-home-salary-calculation" target="_blank"><b>Sandesh Digital Explainer : EPFમાં મોટો ફેરફાર, તમારી ટેક-હોમ સેલરીનું શું થશે? સમજો, નવું ગણિત</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/Ws5KNiMNhgNlIJypSK2mYPpqDE5Gkwvu7j8qR2ig.webp'/></item><item><title><![CDATA[Rajkot News: બોગસ દસ્તાવેજ કેસમાં છેલ્લા 11 વર્ષથી ફરાર નિમેશ શાહ મુંબઈથી ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/rajkot/crime-branch-arrests-nimesh-shah-in-bogus-document-case</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/rajkot/crime-branch-arrests-nimesh-shah-in-bogus-document-case</guid><pubDate>Wed, 16 Sep 2026 20:16:42 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ શહેર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બનાવવા માટે લાંબા સમયથી ફરાર હોય તેવા વોન્ટેડ આરોપીઓ સામે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ જ ક્રમમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે. બનાવટી દસ્તાવેજો તૈયાર કરવાના અને આચરવાના એક ગંભીર ગુનામાં છેલ્લા 11 વર્ષથી લાંબા સમયથી કાયદાની પકડથી દૂર ભાગતા ફરાર આરોપીને પોલીસે મુંબઈથી દબોચી લીધો છે.</p><h2><b>મુંબઈ સેન્ટ્રલ ખાતેથી ઝડપાયો નિમેશ શાહ</b></h2><p>પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ પ્રકરણમાં મુખ્ય આરોપી નિમેશ શાહ લાંબા સમયથી પોતાનું સરનામું બદલીને અલગ-અલગ જગ્યાએ છુપાઈને રહેતો હતો. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમને આ આરોપી વિશે ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી મુંબઈ સેન્ટ્રલ વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસે બાતમીના આધારે રેડ કરીને ફરાર આરોપી નિમેશ શાહની આખરે ધરપકડ કરી લીધી છે.</p><p><img alt="Rajkot News: Crime Branch Arrests Accused Nimesh Shah After 11 Years in bogus Document Case" src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/hIjVcoUfmKvTIbexOyuVGocOnvIdKwhrffACSpxK.webp"><br></p><h2><b>આગળની સઘન તપાસ શરૂ</b></h2><p>વર્ષો જૂના આ બનાવટી દસ્તાવેજ કૌભાંડમાં આ આરોપી સિવાય અન્ય કયા-કયા લોકો સંડોવાયેલા છે અને તેણે આ 11 વર્ષ દરમિયાન ક્યાં-ક્યાં આશરો લીધો હતો તે અંગે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઊંડાણપૂર્વકની પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસની આ સરાહનીય કામગીરીથી વોન્ટેડ આરોપીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/news/rajkot/odisha-laborer-dukhishyam-murdered-over-molestation-three-arrested" target="_blank">Rajkot: યુવતીની છેડતીની અદાવતમાં પરપ્રાંતીયો વચ્ચે ખેલાયો ખૂની ખેલ; ઓડિશાના યુવક દુખીશ્યામની હત્યા</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/4z0diUNyt3WHXSPd02gqIV2Nh8bRZdM5ZJ5f0GVI.webp'/></item><item><title><![CDATA[Tarnetar Fair 2026: ફૂડ વિભાગનું ચેકિંગ, 150 સ્ટોલ પર તપાસ, 120 કિલો વાસી ખોરાક નાશ કરાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/surendranagar/tarnetar-fair-2026-food-and-drugs-department-raid</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surendranagar/tarnetar-fair-2026-food-and-drugs-department-raid</guid><pubDate>Wed, 16 Sep 2026 20:10:03 +05:30</pubDate><description><![CDATA[<p>સુરેન્દ્રનગર જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ તરણેતરના મેળામાં લાખો શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓ ઉમટી પડતા હોય છે. મેળા દરમિયાન લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય તે માટે તંત્ર સંપૂર્ણપણે સતર્ક બન્યું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મેળાના પરિસરમાં આવેલા ખાણીપીણીના સ્ટોલ્સ પર અચાનક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેના કારણે અનિયમિતતા આચરતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો.</p><h2><b>150થી વધુ સ્ટોલ્સનું થયું ઝીણવટભર્યું ચેકિંગ</b></h2><p>ફૂડ વિભાગની ટીમે મેળામાં ધમધમતા પાણીપુરી, પાઉંભાજી, બરફના ગોલા, ઢોકળા અને ફાસ્ટ ફૂડ સહિતની વિવિધ ખાણી-પીણીની ચીજવસ્તુઓનું વેચાણ કરતા અંદાજે 150 જેટલા સ્ટોલ્સમાં રૂબરૂ જઈને તપાસ કરી હતી. આ દરમિયાન અનેક સ્ટોલ્સ પર સ્વચ્છતાના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા અને અખાદ્ય સામગ્રીનો ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું હતું.</p><p><img alt="Tarnetar Fair 2026: Food Department Raids 150 Stalls, Destroys 120 kg of Unhygienic Food" src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/7y1UeNhLlfvtjgDZwdjKMPqJCLvxupyBL2JJ1h78.webp"><br></p><h2><b>120 કિલો વાસી અને હાનિકારક ખોરાકનો નાશ</b></h2><p>તપાસ દરમિયાન સ્ટોલ્સમાંથી નુકસાનકારક અને વાસી ખાદ્ય સામગ્રી મળી આવી હતી. પોલીસે અને ફૂડ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરીને લસણ-મરચાની ચટણી, બફાયેલા બટેકા, વાસી પાઉં તથા અન્ય બગડેલી ચીજવસ્તુઓ સહિત કુલ 120 કિલો જેટલા વાસી અને અખાદ્ય ખોરાકનો સ્થળ પર જ નાશ કર્યો હતો.</p><p><img alt="Tarnetar Fair 2026: Food Department Raids 150 Stalls, Destroys 120 kg of Unhygienic Food" src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/t2IXXw12Q0rdVGzgslBHwP9Kabw8mT6LX97BTFev.webp"><br></p><h2><b>ગંદકી ફેલાવનારા સંચાલકો સામે લાલ આંખ</b></h2><p>મેળાના પવિત્ર અને ઉત્સવના માહોલ વચ્ચે ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરી ગંદકી ફેલાવનાર સ્ટોલ ધારકો સામે ફૂડ વિભાગ દ્વારા કડક કાર્યવાહીના ભાગરૂપે દંડ અને નોટિસ આપવામાં આવી છે. તંત્રની આ લાભદાયક અને આક્રમક કાર્યવાહીથી આરોગ્ય પ્રત્યે બેદરકાર રહેતા વેપારીઓમાં મોટો ડર જોવા મળી રહ્યો છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/thangadh/tarnetar-mela-ride-collapse-than-gadh-surendranagar-permission-questioned" target="_blank">Thangadh: તરણેતરના મેળામાં 'મોતનો કૂવો' તૂટી પડતા ભાગદોડ, વઢવાણની ઘટના બાદ રાઇડ તૂટવાનો બીજો કિસ્સો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/vKQtTDwnNIRgovRYNkHclRw8LVhq1f1hNcqYwbnL.webp'/></item><item><title><![CDATA[હું તેને ઓળખતો પણ નથી... દિશા સાલિયન કેસમાં આદિત્ય ઠાકરેનું પહેલું નિવેદન ]]></title><link>https://sandesh.com/india/news/entertainment/disha-salian-case-aaditya-thackeray-first-reaction-cbi-fir-bombay-high-court</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/entertainment/disha-salian-case-aaditya-thackeray-first-reaction-cbi-fir-bombay-high-court</guid><pubDate>Wed, 16 Sep 2026 18:50:13 +05:30</pubDate><description><![CDATA[<p>દિશા સાલિયન કેસે મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે. બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ CBI દ્વારા FIR નોંધવામાં આવી ત્યારથી આ મામલો સતત ચર્ચામાં રહ્યો છે. આ કેસના સંદર્ભમાં આદિત્ય ઠાકરેનું નામ વારંવાર સામે આવ્યું છે અને હવે તેમણે પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપતા સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેઓ દિશા સાલિયનને ઓળખતા નથી.</p><p><br></p><p>"હું દિશા સાલિયનને ક્યારેય મળ્યો નથી કે તેમની સાથે મારો કોઈ પરિચય પણ નહોતો. છેલ્લા છ વર્ષોથી, રાજકીય ઈરાદાઓ, અંગત અદાવત અને મારી છબી ખરડવાના (ચરિત્ર હત્યાના) પ્રયાસોને કારણે અમુક લોકો જાણીજોઈને આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના સાથે મારું નામ જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે આ બાબતે કોઈ પણ પુરાવા કે જોડાણ અસ્તિત્વમાં નથી. સત્ય કે હકીકત વિના ચલાવવામાં આવતું આ ખોટું અભિયાન દુર્ભાગ્યપૂર્ણ છે."</p><p><br></p><h4><b>"નવી તપાસ થવી જોઈએ"</b></h4><p>આદિત્ય ઠાકરેએ વધુમાં કહ્યું, "ટીવી ચેનલો પર થતી સનસનીખેજ ચર્ચાઓ અને મીડિયા ટ્રાયલ સત્યને બદલી શકતા નથી. સત્તાવાર એજન્સીઓને અવરોધ, રાજકીય દખલગીરી કે ચરિત્ર હત્યાના પ્રયાસોથી મુક્ત રહીને આ મામલાની નિષ્પક્ષ અને નવી તપાસ કરવાની છૂટ મળવી જોઈએ. હું ફરીથી કહેવા માંગુ છું કે જો કોઈને એમ લાગતું હોય કે તેઓ આવી ચરિત્ર હત્યા અને ખોટા પ્રચાર દ્વારા અમને ચૂપ કરાવી શકે છે, તો તેઓ ભૂલ કરે છે. દેશની જનતાની સાથે રહીને સત્ય માટે અને અન્યાય વિરુદ્ધનો અમારો સંઘર્ષ ચાલુ રહેશે."</p><p><br></p><h4>આ સમગ્ર મામલો શું છે?</h4><p>સુશાંત સિંહ રાજપૂતના ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયનનું 8 જૂન, 2020ના રોજ મુંબઈના મલાડ વિસ્તારમાં આવેલી એક ઈમારતના 14મા માળેથી પડી જવાથી મૃત્યુ થયું હતું. શરૂઆતમાં, મુંબઈ પોલીસે આ ઘટનાને આત્મહત્યા ગણીને 'આકસ્મિક મૃત્યુનો અહેવાલ' (Accidental Death Report) નોંધ્યો હતો. જોકે, બાદમાં બોમ્બે હાઈકોર્ટે CBIને FIR નોંધીને આ કેસની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારથી આ મામલો સતત ચર્ચાના કેન્દ્રમાં રહ્યો છે અને તેમાં ઉદ્ધવ તથા આદિત્ય ઠાકરે સહિતના અનેક દિગ્ગજ નેતાઓના નામ જોડવામાં આવ્યા છે.<br><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/business/upi-payments-charge-above-rs-2000-supreme-court-plea-mdr-framework" target="_blank"><b>UPI ચાર્જને લઈને ઘમાસાણ! સુપ્રીમ કોર્ટ પહોંચ્યો મામલો, 2000થી વધુના મર્ચન્ટ પેમેન્ટ્સ વિરુદ્ધ અરજી દાખલ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/tjX7ComUj3HJXnZAOA5SJoYoU7exP6T5ybdTJPBM.webp'/></item><item><title><![CDATA[પાકિસ્તાનની ટીમ ભારત આવશે! એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં જામશે ભારત-પાક જંગ ]]></title><link>https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</guid><pubDate>Mon, 14 Sep 2026 15:47:21 +05:30</pubDate><description><![CDATA[<p>આવતા મહિને પાકિસ્તાનની હોકી ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે. 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન પંજાબમાં યોજાનારી AHF મેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026માં પાકિસ્તાન સહિત કુલ છ ટીમો ભાગ લેશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પાકિસ્તાનની ભાગીદારી અંગેની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, મલ્ટી-નેશનલ ઇવેન્ટ્સ અંગે કેન્દ્ર સરકારની નીતિ હેઠળ બંને દેશોની ટીમો આમને-સામને રમશે.</p><h2><b>ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જાલંધરમાં રમાશે</b></h2><p>એશિયન મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન થશે. આ ટૂર્નામેન્ટમાં યજમાન ભારત અને પાકિસ્તાન ઉપરાંત ચીન, જાપાન, મલેશિયા અને કોરિયાની પણ ભાગ લેશે. લીગ સ્ટેજના મુકાબલા જાલંધરમાં યોજાશે, જ્યારે સેમિફાઇનલ અને ફાઇનલ મેચ મોહાલીના હોકી સ્ટેડિયમમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 1 નવેમ્બરે જાલંધરમાં રમાશે. કોઈ ટીમ છેલ્લી ઘડીએ ખસી જાય તો તે સ્થિતિ માટે ઓમાન અને બાંગ્લાદેશને રિઝર્વ ટીમન તરીકે રાખવામી આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PTI_News/status/2099416960278868155"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમવામાં કોઈ મુશ્કેલી નથી</b></h2><p>પાકિસ્તાનની ભાગીદારી અને જરૂરી મંજૂરીઓ અંગે પંજાબના મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં બંને દેશો વચ્ચે રમવામાં કોઈ મુશ્કેલી નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝનું આયોજન અલગ બાબત છે, કારણ કે કેન્દ્ર સરકારની વર્તમાન નીતિ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય રમત-ગમતના આયોજનની મંજૂરી આપતી નથી. પરંતુ મલ્ટી-નેશનલ ટૂર્નામેન્ટમાં બંને દેશોના ખેલાડીઓને એકબીજા સામે રમવાની પરવાનગી છે, જેથી પાકિસ્તાની ટીમ ભારત આવી શકશે.</p><h2><b>ભારત વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે</b></h2><p>ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. ભારતે 2023માં ચેન્નાઈ અને 2024માં ચીનના હુલુનબુઈરમાં યોજાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ગત વર્ષે આ સ્પર્ધા યોજાઈ શકી નહોતી. હવે પંજાબ પ્રથમ વખત આ ટૂર્નામેન્ટની મેજબાની કરવા જઈ રહ્યું છે.</p><h2><b>અગાઉ પાકિસ્તાની ટીમે ના કહી હતી&nbsp;</b></h2><p>પાકિસ્તાનની આ વખતની ભાગીદારી એટલા માટે પણ ખાસ છે, કારણ કે ગત વર્ષે તેણે તમિલનાડુમાં આયોજિત જૂનિયર હોકી વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તે સમયે બંને દેશો વચ્ચેના તણાવને તેનું કારણ ગણાવવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે અને પાકિસ્તાની ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે પૂરી રીતે તૈયાર છે.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/V6jwdiIr9RTCvR6EyBaGsP2qfZvYLq2JfkL7pytm.webp'/></item></channel></rss>