<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Valsad : છીપવાડમાં પૂરસહાય નહીં મળતા રોષ, મામલતદાર કચેરીએ મોરચો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/valsad/valsad-anger-over-not-getting-relief-in-chhipwad-mamlatdars-office-stages-protest</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/valsad/valsad-anger-over-not-getting-relief-in-chhipwad-mamlatdars-office-stages-protest</guid><pubDate>Sun, 20 Sep 2026 04:14:51 +05:30</pubDate><description><![CDATA[<p>વલસાડના પૂર અસરગ્રસ્ત પૈકીના છીપવાડ</p><p>વિસ્તારના અનેક અસરગ્રસ્ત લોકોને સરકારના ધારા ધોરણો મુજબ સહાય નહિ ચૂકવાતા અસરગ્રસ્તોમાં</p><p>ભારે રોષ ફેલાયો છે. સહાયથી વંચિત અસરગ્રસ્તોએ મામલતદારને લેખિત રજૂઆત કરી છે. વલસાડમાં ગત તા.23મી સપ્ટેમ્બર 2026ના રોજ પૂર આવતા શહેરના તમામ નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો પ્રકોપ</p><p>ફેલાયો હતો. રાજ્ય સરકાર દ્વારા</p><p>પૂર અસરગ્રસ્તોને સરકારી ધારા ધોરણો મુજબ સહાય ચૂકવવામાં આવી છે. પૂર અસરગ્રસ્ત વિસ્તાર પૈકીના છીપવાડ સહકારી સંઘ વિસ્તારમાં આશરે 30 થી 40 ટકા</p><p>જેટલા પૂર અસરગ્રસ્ત લોકોને સહાય નહિ મળતા, સહાયથી વંચિત સ્થાનિક રહીશોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. સહાયથી વંચિત પૂર અસરગ્રસ્ત રહીશોએ વલસાડ તાલુકાના સિટી વિસ્તારના નાયબ મામલતદારને</p><p>સહાય ચૂકવવા લેખિત રજૂઆત કરી હતી. રજૂઆતમાં જણાવાયું હતુ કે, રહીશો સહાય મેળવવા માટે કચેરીએ આંટાફેરા મારી રહ્યા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સહાયથી વંચિત રહીશોને તાત્કાલિક સહાય ચૂકવવાની માંગણી</p><p>કરી છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/9u4PG2YOgq8bK1Ho4UHLVlUiYO1gHZvbzCkgT0KC.webp'/></item><item><title><![CDATA[Valsad :ધમડાચી હાઇવે પર બનેલા ઓવરબ્રિજની હાલત ખખડધજ : સંકલન સમિતિની બેઠકમાં રજૂઆત ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/valsad/valsad-the-condition-of-the-overbridge-built-on-the-busy-highway-is-dire-presentation-in-the-coordination-committee-meeting</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/valsad/valsad-the-condition-of-the-overbridge-built-on-the-busy-highway-is-dire-presentation-in-the-coordination-committee-meeting</guid><pubDate>Sun, 20 Sep 2026 04:13:40 +05:30</pubDate><description><![CDATA[<p>વલસાડના ધમડાચી ગામે ખાતે ને.હા.નં.48 ઉપર નવા બનેલા ઓવરબ્રિજ પરના રસ્તાની હાલત અત્યંત ખરાબ થઇ ગઇ છે. આ ઉપરાંત વાપી-ધરમપુર ને.હા.નં.56 ઉપર પેચવર્ક વ્યવસ્થિત રીતે નહીં થવાથી વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. જે બાબતે કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીએ આજે યોજાયેલી જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠકમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો. વલસાડના ધારાસભ્ય ભરતભાઇ પટેલે વલસાડમાં જાહેર રસ્તા પરના દબાણો</p><p>દૂર કરવામાં આવે છે અને એક-બે દિવસમાં ફરી ત્યાં દબાણ કરી દેવામાં આવતા હોવાને લઇને તેમજ કાંઠા વિસ્તારના</p><p>ગામોમાં અગરિયાઓના મીઠાના પાકને ભારે વરસાદથી થયેલ નુકસાનીનો સર્વે કરી માનવતાના નાતે</p><p>સહાય અંગે રજૂઆતો કરી હતી.</p><p>વલસાડ જિલ્લા કલેકટર નીતિન સાંગવાનના</p><p>અધ્યક્ષસ્થાને યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીએ</p><p>કેટલાક મહત્વના પ્રશ્નો ઉઠાવ્યા હતાં. તેમણે કહ્યું હતુ કે, વાપી-ધરમપુર ને.હા.નં. 56 ઉપર પેચવર્ક વ્યવસ્થિત થયું નથી. અમદાવાદ-મુંબઇ ને.હા.નં.48 ઉપર ધમડાચી ગામે હાલમાં જ નવા બનેલા ઓવરબ્રિજનો રોડ સાવ જર્જરિત થઇ ગયો છે, ઠેકઠેકાણે મોટા ખાડા પડી ગયાં છે. આ ઉપરાંત વલસાડ હાઇવે પર આવેલી કાઠિયાવાડી હોટલની સામે પાંચ ફૂટની ઉંચી દિવાલને</p><p>કારણે વરસાદી પાણીનો ભરાવો થવાની સમસ્યા છે. કલેકટરે આ બાબતને ગંભીરતાથી લઇ ને.હા.ઓથોરીટીના અધિકારીને તાત્કાલિક કાર્યવાહી કરવા અને ભવિષ્યમાં આવું ન થાય તે માટે</p><p>ચોક્કસ પ્લાન કરવા સૂચનાઓ આપી હતી.</p><p>ધારાસભ્યએ કપરાડાના મેઘવાળ</p><p>ગામે જ્યોતિગ્રામ યોજના હેઠળ નિયમિત વીજળી ન મળવા બાબતે રજૂઆત કરી હતી. આ અંગે દ.ગુ.વીજ કં.લી.ના અધિક્ષક ઇજનેરે જણાવ્યું કે, અચ્છારી ફીડરથી વીજળી આપવામાં આવે છે, જેની લંબાઇ 57 કિ.મી. જેટલી છે. જે પૈકી 33.5 કિ.મી. ઓવરહેડથી અંડરગ્રાઉન્ડ કામગીરી પૂર્ણ થઇ છે અને 19 કિ.મી. લાઇન એમવીસીસી કોટેડ કરી છે. બાકી કામ બે માસમાં પૂર્ણ થતા સમસ્યાનો કાયમી ઉકેલ આવી જશે.</p><p>વલસાડના ધારાસભ્ય ભરતભાઇ પટેલે વલસાડ</p><p>નગરપાલિકા વિસ્તારમાં આઝાદ ચોકથી મસ્જીદ થઇ કોસંબા રોડ ધોબીતળાવ, સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુની આગળ અને મહાત્મા ગાંધી રોડ, ધરમપુર રોડ સહિત અન્ય જાહેર રસ્તા પરના દબાણો દૂર કરવા રજૂઆત કરી હતી. નગરપાલિકાના અધિકારીએ દબાણકર્તાઓને નોટીસ ઉપરાંત કેટલાક દબાણો દૂર કરવામાં આવ્યા</p><p>હોવાનો ઉડાઉ જવાબ આપ્યો હતો. જેની સામે ધારાસભ્યએ દલીલ કરી હતી કે જે દબાણો દૂર કરવામાં આવે છે, એ એકાદ-બે દિવસમાં ફરી</p><p>એ જ સ્થળે ઉભા કરી દેવાય છે. જેને કારણે શહેરમાં ટ્રાફ્કિની સમસ્યા વકરી છે. ધારાસભ્યએ કાંઠા વિસ્તારના</p><p>દાંડી, ભગલ, કકવાડી, ધરાસણા ગામે અગરિયાઓના</p><p>મીઠાના પાકને ભારે વરસાદને કારણે નુકસાન થયું હોવાથી સર્વે અંગે રજૂઆત કરી હતી. જે બાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરે સ્થળ તપાસણી કરવામાં આવી હોવાનું જણાવ્યું</p><p>હતું. સાથે જ મીઠાના નુકસાન અંગે ભાગલ-દાંડી કરદીવા વિભાગ મીઠું ઉત્પાદક મંડળી ભાગળ, ધી છરવાડા વિભાગ સોલ્ટ પ્રોડયુસર્સ એન્ડ સેઇલ સોસાયટી, ધી ધરાસણા ગૃપ કો.ઓ. સોલ્ટ પ્રોડયુસર્સ એન્ડ સેઇલ સોસાયટી અને કકવાડી મીઠું ઉત્પાદક મંડળીએ અરજી કરી</p><p>હોય, નુકસાની અંગેની વિગતો, ફોટોગ્રાફ્સ, વીડિયો</p><p>સહિત ગ્રા.પં.નો દાખલો અને સાથે લીઝ રીન્યુઅલની વિગતો આપવામાં આવે તો વધુ કાર્યવાહી થઇ શકે તેમ</p><p>જણાવ્યું હતું.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/EJAmowSGjkBxYWpv96K9RpOon0cDu0oP4w7NPuQZ.webp'/></item><item><title><![CDATA[Surat : સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયાને રોડ સેફ્ટીવોરિયર્સ ગુજરાત એવોર્ડ એનાયત ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-surat-rural-police-superintendent-rajesh-gadhiya-awarded-road-safety-warriors-gujarat-award</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-surat-rural-police-superintendent-rajesh-gadhiya-awarded-road-safety-warriors-gujarat-award</guid><pubDate>Sun, 20 Sep 2026 04:12:16 +05:30</pubDate><description><![CDATA[<p>કીમ : ગાંધીનગર ખાતે ગુજરાત રોડ સેફ્ટી</p><p>તથા સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચર્સ દ્વારા 27મો સેફ એન્યુઅલ માર્ગ સલામતી</p><p>સેમિનાર યોજાયો હતો. આ રાજ્યકક્ષાના સેમિનારમાં રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ તથા વાહન વ્યવહાર મંત્રી પ્રવીણભાઇ માળીના હસ્તે સુરત ગ્રામ્ય વિસ્તારમાં</p><p>માર્ગ સલામતી સંબંધે પ્રશંસનીય અને નોંધપાત્ર કામગીરી કરવા બદલ સુરત ગ્રામ્ય પોલીસ</p><p>અધિક્ષક રાજેશ ગઢિયાને રોડ સેફ્ટી વોરિયર્સ ગુજરાત તરીકેનો ગૌરવપૂર્ણ એવોર્ડ એનાયત</p><p>કરવામાં આવ્યો હતો. આ અવસરે રોડ સેફ્ટી કમિશનર સતીષ પટેલ સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત</p><p>રહ્યા હતા.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/xpkhQ2yWlb9KpD4fK6wwyniuXjVDkX5ImRmpC5dY.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : મુસાફરો પાસેથી પૈસા પડાવતી ગેંગનો વીડિયો વાઈરલ,2 શખ્સોની ધરપકડ કરવામાં આવી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-video-of-gang-extorting-money-from-passengers-goes-viral-2-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-video-of-gang-extorting-money-from-passengers-goes-viral-2-arrested</guid><pubDate>Sun, 20 Sep 2026 04:04:41 +05:30</pubDate><description><![CDATA[<p>શહેરના ગીતા મંદિર વિસ્તારમાં આવેલા એસ.ટી સ્ટેન્ડની બહાર એક મુસાફરના ખિસ્સામાંથી એક ટોળકી પૈસા પડાવી લેતી હોવાનો વિડીયો</p><p>વાઈરલ થયો હતો જેમાં એક મુસાફર પાસેથી 3થી 4 લુખ્ખા તત્વો પૈસા પડાવતા હોવાનુ દેખાઈ</p><p>રહ્યું છે. એસટી બસ સ્ટેન્ડ</p><p>પર લુખ્ખાઓના આતંકને લઈને ડીસીપીએ તાત્કાલિક તપાસના આદેશ આપતા નીતીન ચુનારા અને ભાવેશ</p><p>ચુનારા નામના</p><p>2 શખ્સની ધરપકડ કરાઈ છે. ગીતામંદિર એસ.ટી બસ સ્ટેન્ડ વિસ્તાર આખો દિવસ ભીડભાડથી ભરેલો હોય છે અને દરરોજ હજારો મુસાફરોની</p><p>અવરજવર હોય છે. ત્યારે બસ સ્ટેન્ડની</p><p>બહાર એક ટોળકી દ્વારા એક વ્યક્તિના ખિસ્સામાંથી પૈસા કાઢી લેતો વિડીયો જાગૃત નાગરિક</p><p>દ્વારા વાયરલ કરાયો હતો જેના પગલે ઝોન 6 ડીસીપીએ તાત્કાલિક જ તપાસ શરુ કરીને વિડીયોના</p><p>આધારે એકની ઓળખ કરી ધરપકડ કરી લીધી હતી. આ ઘટના અંગે ડીસીપીએ જણાવ્યું હતું કે, ધ્યાને આવેલા વીડિયોમાં કેટલાક શખ્સો રાહદારીઓને રોકીને તપાસતા દેખાય છે. તે વીડિયોના આધારે એક યુવકની ઓળખ થઈ ગઈ છે. આ વીડિયો કઈ તારીખ અને સમયનો છે તેની ખરાઈ કરીને આગળની કડક કાયદેસરની કાર્યવાહી</p><p>કરવામાં આવી રહી છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/Hv64cV0ZyR60uw5ASnRD65F29CGq9gjcHkHoEsPA.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : કેદીઓને સંયમ અને સદાચારના માર્ગે ચાલવા મુખ્યમંત્રીની અપીલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-chief-minister-appeals-to-prisoners-to-follow-the-path-of-restraint-and-morality</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-chief-minister-appeals-to-prisoners-to-follow-the-path-of-restraint-and-morality</guid><pubDate>Sun, 20 Sep 2026 04:03:27 +05:30</pubDate><description><![CDATA[<p>વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવા, સાધના અને સુશાસનનાં 25 વર્ષ નિમિત્તે યોજાઈ રહેલા 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી મધ્યસ્થ જેલની મુલાકાત લીધી હતી. તેમણે કેદીઓ સાથે સહજ સંવાદ કરી વાતાવરણ હળવું બનાવ્યું હતું. કેદીઓ દ્વારા રજૂ કરાયેલા 'વૈષ્ણવજન તો તેને રે કહીએ' ભજનનું મુખ્યમંત્રીએ શ્રવણ કર્યું હતું અને ભજનના મૂલ્યોને જીવનમાં ઉતારી સાચા</p><p>અર્થમાં વૈષ્ણવજન બનવા અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, નાની ભૂલનું પરિણામ વ્યક્તિ ઉપરાંત સમગ્ર પરિવારને ભોગવવું પડી શકે છે, તેથી સૌએ સંયમના માર્ગે ચાલવું જોઈએ. તેમણે કેદીઓને 'સેવા સંકલ્પ અભિયાન'માં યોગદાન આપવા પ્રેરિત કર્યા હતા. મુખ્યમંત્રીએ કોમ્પ્યુટર, સુથારીકામ, વણાટકામ અને બુક</p><p>બાઇન્ડિંગ કેન્દ્રોની મુલાકાત લઈ કેદીઓ દ્વારા તૈયાર કરાયેલી વિવિધ વસ્તુઓની ખરીદી</p><p>કરી હતી. તેમણે સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન સરદાર પટેલ, ઝવેરચંદ મેઘાણી, અબ્બાસ તૈયબજી, રવિશંકર મહારાજ અને રસિકલાલ પરીખ જેવા મહાનુભાવોએ સાબરમતી મધ્યસ્થ જેલના જે ઓરડાઓમાં</p><p>નિવાસ કર્યો હતો, તેની મુલાકાત પણ લીધી હતી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/1D2QLVgSYA8hU6aS1KTWxJiJQ6B0mVH3NheEOEjy.webp'/></item><item><title><![CDATA[Disha Salian કેસમાં આદિત્ય ઠાકરેને 500 કરોડની માનહાનિ નોટિસ ]]></title><link>https://sandesh.com/india/breakingnews/entertainment/disha-salian-aaditya-thackeray-500-crore-notice</link><guid isPermaLink="true">https://sandesh.com/india/breakingnews/entertainment/disha-salian-aaditya-thackeray-500-crore-notice</guid><pubDate>Sun, 20 Sep 2026 01:13:32 +05:30</pubDate><description><![CDATA[<div style="text-align: justify;">દિશા સાલિયાનના પિતા સતીશ સાલિયાને આદિત્ય ઠાકરેને 500 કરોડ રૂપિયાની બદનક્ષીની નોટિસ મોકલી છે. નોટિસમાં 16 સપ્ટેમ્બર 2026 ના રોજ એક્સ પર મૂકવામાં આવેલી અંગ્રેજી અને મરાઠી પોસ્ટને ખોટી અને બદનક્ષીભરી ગણાવી છે. આરોપ છે કે તેમાં સતીશ પર રાજકીય સ્વાર્થ અને અંગત દુશ્મનાવટના આક્ષેપો કરવામાં આવ્યા હતા. વકીલ નિલેશ ઓઝાએ આદિત્યના ઘરની બહાર નોટિસ પહોંચાડી હતી અને માફી તેમજ 500 કરોડ રૂપિયાના ડિમાન્ડ ડ્રાફ્ટની માગણી કરી હતી.</div><h2 style="text-align: justify;"><b>દિશા કેસમાં કાયદાકીય જંગ</b></h2><div style="text-align: justify;">દિશા સાલિયાન મોતના કેસમાં હવે કાયદાકીય લડાઈ તેજ થઈ ગઈ છે. દિશાના પિતા સતીશ સાલિયાને શિવસેના યુબીટી નેતા આદિત્ય ઠાકરેને 500 કરોડ રૂપિયાની બદનક્ષીની નોટિસ મોકલી છે. નોટિસમાં માફી અને વળતરની માગ કરવામાં આવી છે. વકીલ નિલેશ ઓઝાએ કહ્યું કે ધમકીઓ આપવાથી કાયદાની લડાઈ અટકશે નહીં. આ પહેલાં સતીશે કહ્યું હતું કે તેઓ કોઈ રાજકીય વ્યક્તિ નથી અને સીબીઆઈએ યોગ્ય રીતે તપાસ કરી છે. ઉદ્ધવ ઠાકરેએ પણ કાયદાકીય પગલાં લેવાની ચેતવણી આપી હતી.</div><h3 style="text-align: justify;"><b>સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ</b></h3><div style="text-align: justify;">નોટિસ પ્રમાણે આદિત્ય ઠાકરેએ 16 સપ્ટેમ્બર 2026 ના રોજ પોતાના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર અંગ્રેજી અને મરાઠીમાં ખોટી, ખરાબ ઈરાદાવાળી અને બદનક્ષી કરતી પોસ્ટ મૂકી હતી. આરોપ છે કે તેમાં સતીશ સાલિયાન પર રાજકીય હેતુ અને અંગત અદાવતના આક્ષેપ લગાવવામાં આવ્યા હતા. આ બધું તેમની દીકરીના મોત સાથે જોડાયેલી કાર્યવાહી અને સીબીઆઈ તપાસના સંદર્ભમાં કહેવામાં આવ્યું હતું. નોટિસમાં નુકસાની અને વળતર તરીકે 500 કરોડ રૂપિયા માગવામાં આવ્યા છે.</div><h3 style="text-align: justify;"><b>ઘરની બહાર નોટિસ પહોંચાડી</b></h3><div style="text-align: justify;">નોટિસ આપવા માટે વકીલ નિલેશ ઓઝા આદિત્ય ઠાકરેના ઘરની બહાર પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે તેમના એક જુનિયર વકીલ તે જ સમયે નોટિસ આપી રહ્યા હતા. નોટિસમાં માફી અને 500 કરોડ રૂપિયાના ડિમાન્ડ ડ્રાફ્ટની માગ છે. ઓઝાએ કહ્યું કે બંધારણમાં બધા સરખા છે. તેમના જણાવ્યા મુજબ તેમને વકીલાત ન કરવા દેવાની ધમકી આપવામાં આવી હતી, તેથી તેઓ સીધા દરવાજે નોટિસ આપવા આવ્યા હતા. તેમણે કહ્યું કે જેટલા મન ફાવે તેટલા ગુંડા બોલાવી લે, જે કરવું હોય તે કરી લે.</div><h4 style="text-align: justify;"><b>સતીશ સાલિયાનનો આકરો સવાલ</b></h4><div style="text-align: justify;">સતીશ સાલિયાને આદિત્યની કમેન્ટ પર કહ્યું હતું કે તેઓ રાજકીય વ્યક્તિ નથી અને તેમની દીકરી પણ રાજકારણમાં નહોતી. તેમણે સવાલ કર્યો કે શું બળાત્કાર અને હત્યા કરનારાઓએ નેતાઓને પૂછીને આવું કર્યું હતું? સીબીઆઈએ માનપૂર્વક વાત કરી અને કોઈ હેરાનગતિ કરી નથી. પરિવાર સાથે 4 કલાક પૂછપરછ થઈ, જે સારી રીતે પતી ગઈ. તેમણે સ્વીકાર્યું કે આગળ હજુ વધુ મુશ્કેલીઓ આવશે. બીજી તરફ આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું કે તેઓ દિશાને ક્યારેય મળ્યા નથી અને પુરાવા વગર તેમના નામનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે.&nbsp;</div><h5 style="text-align: justify;"><b>દિશા સાલિયાન મોત કેસ</b></h5><div style="text-align: justify;">દિશા 28 વર્ષની હતી અને સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર હતી. 8 જૂન 2020 ના રોજ મલાડની બિલ્ડિંગ પરથી પડી જવાથી તેનું મોત થયું હતું. પોલીસે તેને આત્મહત્યા ગણાવી હતી. 2 સપ્ટેમ્બરે હાઈકોર્ટે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો. સીબીઆઈએ કોઈ પણ આરોપીનું નામ લીધા વગર કેસ દાખલ કર્યો છે.</div><div style="text-align: justify;"><a href="https://sandesh.com/entertainment/news/kbc-18-kapila-taneja-story-amitabh-bachchan-emotional" target="_blank">આ પણ વાંચો-Big B : 'મને કેરોસીન છાંટી સળગાવી...' KBC 18ના મંચ પર મહિલાનું દર્દ છલકાતાં ભાવુક થયા બિગ બી, આપ્યું મોટું નિવેદન</a></div> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/w033t41ZJzGTwMYv0tzpU4DU381NYHhKeQ41xmCi.webp'/></item><item><title><![CDATA[Disha Salian કેસમાં આદિત્ય ઠાકરેને 500 કરોડની માનહાનિ નોટિસ ]]></title><link>https://sandesh.com/india/breakingnews/entertainment/disha-salian-aaditya-thackeray-500-crore-notice</link><guid isPermaLink="true">https://sandesh.com/india/breakingnews/entertainment/disha-salian-aaditya-thackeray-500-crore-notice</guid><pubDate>Sun, 20 Sep 2026 01:13:32 +05:30</pubDate><description><![CDATA[<div style="text-align: justify;">દિશા સાલિયાનના પિતા સતીશ સાલિયાને આદિત્ય ઠાકરેને 500 કરોડ રૂપિયાની બદનક્ષીની નોટિસ મોકલી છે. નોટિસમાં 16 સપ્ટેમ્બર 2026 ના રોજ એક્સ પર મૂકવામાં આવેલી અંગ્રેજી અને મરાઠી પોસ્ટને ખોટી અને બદનક્ષીભરી ગણાવી છે. આરોપ છે કે તેમાં સતીશ પર રાજકીય સ્વાર્થ અને અંગત દુશ્મનાવટના આક્ષેપો કરવામાં આવ્યા હતા. વકીલ નિલેશ ઓઝાએ આદિત્યના ઘરની બહાર નોટિસ પહોંચાડી હતી અને માફી તેમજ 500 કરોડ રૂપિયાના ડિમાન્ડ ડ્રાફ્ટની માગણી કરી હતી.</div><h2 style="text-align: justify;"><b>દિશા કેસમાં કાયદાકીય જંગ</b></h2><div style="text-align: justify;">દિશા સાલિયાન મોતના કેસમાં હવે કાયદાકીય લડાઈ તેજ થઈ ગઈ છે. દિશાના પિતા સતીશ સાલિયાને શિવસેના યુબીટી નેતા આદિત્ય ઠાકરેને 500 કરોડ રૂપિયાની બદનક્ષીની નોટિસ મોકલી છે. નોટિસમાં માફી અને વળતરની માગ કરવામાં આવી છે. વકીલ નિલેશ ઓઝાએ કહ્યું કે ધમકીઓ આપવાથી કાયદાની લડાઈ અટકશે નહીં. આ પહેલાં સતીશે કહ્યું હતું કે તેઓ કોઈ રાજકીય વ્યક્તિ નથી અને સીબીઆઈએ યોગ્ય રીતે તપાસ કરી છે. ઉદ્ધવ ઠાકરેએ પણ કાયદાકીય પગલાં લેવાની ચેતવણી આપી હતી.</div><h3 style="text-align: justify;"><b>સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ</b></h3><div style="text-align: justify;">નોટિસ પ્રમાણે આદિત્ય ઠાકરેએ 16 સપ્ટેમ્બર 2026 ના રોજ પોતાના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર અંગ્રેજી અને મરાઠીમાં ખોટી, ખરાબ ઈરાદાવાળી અને બદનક્ષી કરતી પોસ્ટ મૂકી હતી. આરોપ છે કે તેમાં સતીશ સાલિયાન પર રાજકીય હેતુ અને અંગત અદાવતના આક્ષેપ લગાવવામાં આવ્યા હતા. આ બધું તેમની દીકરીના મોત સાથે જોડાયેલી કાર્યવાહી અને સીબીઆઈ તપાસના સંદર્ભમાં કહેવામાં આવ્યું હતું. નોટિસમાં નુકસાની અને વળતર તરીકે 500 કરોડ રૂપિયા માગવામાં આવ્યા છે.</div><h3 style="text-align: justify;"><b>ઘરની બહાર નોટિસ પહોંચાડી</b></h3><div style="text-align: justify;">નોટિસ આપવા માટે વકીલ નિલેશ ઓઝા આદિત્ય ઠાકરેના ઘરની બહાર પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે તેમના એક જુનિયર વકીલ તે જ સમયે નોટિસ આપી રહ્યા હતા. નોટિસમાં માફી અને 500 કરોડ રૂપિયાના ડિમાન્ડ ડ્રાફ્ટની માગ છે. ઓઝાએ કહ્યું કે બંધારણમાં બધા સરખા છે. તેમના જણાવ્યા મુજબ તેમને વકીલાત ન કરવા દેવાની ધમકી આપવામાં આવી હતી, તેથી તેઓ સીધા દરવાજે નોટિસ આપવા આવ્યા હતા. તેમણે કહ્યું કે જેટલા મન ફાવે તેટલા ગુંડા બોલાવી લે, જે કરવું હોય તે કરી લે.</div><h4 style="text-align: justify;"><b>સતીશ સાલિયાનનો આકરો સવાલ</b></h4><div style="text-align: justify;">સતીશ સાલિયાને આદિત્યની કમેન્ટ પર કહ્યું હતું કે તેઓ રાજકીય વ્યક્તિ નથી અને તેમની દીકરી પણ રાજકારણમાં નહોતી. તેમણે સવાલ કર્યો કે શું બળાત્કાર અને હત્યા કરનારાઓએ નેતાઓને પૂછીને આવું કર્યું હતું? સીબીઆઈએ માનપૂર્વક વાત કરી અને કોઈ હેરાનગતિ કરી નથી. પરિવાર સાથે 4 કલાક પૂછપરછ થઈ, જે સારી રીતે પતી ગઈ. તેમણે સ્વીકાર્યું કે આગળ હજુ વધુ મુશ્કેલીઓ આવશે. બીજી તરફ આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું કે તેઓ દિશાને ક્યારેય મળ્યા નથી અને પુરાવા વગર તેમના નામનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે.&nbsp;</div><h5 style="text-align: justify;"><b>દિશા સાલિયાન મોત કેસ</b></h5><div style="text-align: justify;">દિશા 28 વર્ષની હતી અને સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર હતી. 8 જૂન 2020 ના રોજ મલાડની બિલ્ડિંગ પરથી પડી જવાથી તેનું મોત થયું હતું. પોલીસે તેને આત્મહત્યા ગણાવી હતી. 2 સપ્ટેમ્બરે હાઈકોર્ટે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો. સીબીઆઈએ કોઈ પણ આરોપીનું નામ લીધા વગર કેસ દાખલ કર્યો છે.</div><div style="text-align: justify;"><a href="https://sandesh.com/entertainment/news/kbc-18-kapila-taneja-story-amitabh-bachchan-emotional" target="_blank">આ પણ વાંચો-Big B : 'મને કેરોસીન છાંટી સળગાવી...' KBC 18ના મંચ પર મહિલાનું દર્દ છલકાતાં ભાવુક થયા બિગ બી, આપ્યું મોટું નિવેદન</a></div> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/w033t41ZJzGTwMYv0tzpU4DU381NYHhKeQ41xmCi.webp'/></item><item><title><![CDATA[Asian Games 2026: PM મોદીએ ભારતીય ખેલાડીઓને પાઠવી શુભેચ્છા, કહ્યું- દરેક ભારતીય એથ્લેટ પર ગર્વ છે ]]></title><link>https://sandesh.com/sports/news/asian-games-2026-pm-modi-congratulates-indian-athletes-says-proud-of-every-indian-athlete</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/asian-games-2026-pm-modi-congratulates-indian-athletes-says-proud-of-every-indian-athlete</guid><pubDate>Sat, 19 Sep 2026 23:45:32 +05:30</pubDate><description><![CDATA[<p>Asian Games 2026: નાગોયાના મિઝુહો પાર્ક એથ્લેટિક સ્ટેડિયમમાં શનિવારે એશિયન ગેમ્સ 2026ની શરૂઆત ભવ્ય ઉદ્ઘાટન સમારોહ સાથે થઈ. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય દળને શુભકામનાઓ આપતા તેમની પાસેથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની આશા વ્યક્ત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે સારું રમો અને દેશનું નામ રોશન કરો.</p><p><b>પીએમ મોદીએ આપી શુભકામનાઓ</b></p><p>વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, 'આઇચી-નાગોયામાં એશિયન ગેમ્સની શરૂઆત સાથે જ, હું ભારતીય દળને મારી શુભકામનાઓ આપું છું. દરેક ખેલાડીએ ખૂબ મહેનત કરી છે અને અદ્ભુત લગન તથા દૃઢ સંકલ્પ દર્શાવ્યો છે. ભારતને તેમના પર ગર્વ છે. તેઓ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે, સારું રમે અને શાનદાર સફળતા મેળવે.'</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/narendramodi/status/2101293318315630710"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b>મનુ ભાકર અને પવન સેહરાવતે લહેરાવ્યો તિરંગો</b></p><p>ઉદ્ઘાટન સમારોહમાં ઓલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકર અને કબડ્ડી સ્ટાર પવન સેહરાવતે ભારતીય દળની આગેવાની કરી. આ એશિયાની સૌથી મોટી રમત સ્પર્ધા છે, જે દર ચાર વર્ષે એક વખત યોજાય છે. તેનું આયોજન ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા (OCA) દ્વારા કરવામાં આવે છે, જેમાં 45 દેશો ભાગ લે છે.</p><p><b>એશિયન ગેમ્સનું 20મું સંસ્કરણ</b></p><p>એશિયન ગેમ્સ પહેલીવાર વર્ષ 1951માં નવી દિલ્હીમાં યોજાઈ હતી, જેમાં 11 દેશોના 489 એથ્લેટ્સે ભાગ લીધો હતો. ત્યારથી અત્યાર સુધી આ રમતો કુલ 19 વખત યોજાઈ ચૂકી છે. એશિયન ગેમ્સ 2026માં 45 દેશો અને વિસ્તારોના એથ્લેટ્સ 43 રમતોમાં સ્પર્ધા કરશે. આ રમતોનું આ 20મું સંસ્કરણ હશે. ટોક્યો 1958 અને હિરોશિમા 1994 બાદ ત્રીજી વખત જાપાન આ મહાદ્વીપીય સ્પર્ધાની યજમાની કરશે.</p><p><b>ભારતે 2023માં રચ્યો હતો ઈતિહાસ</b></p><p>ભારતે એશિયન ગેમ્સ 2023માં ઐતિહાસિક પ્રદર્શન કરતા 107 મેડલ પોતાના નામે કર્યા હતા, જેમાં 28 ગોલ્ડ મેડલ સામેલ હતા. ભારતીય દળ આ વખતે પોતાના પ્રદર્શનમાં વધુ સુધારો કરવા માંગશે. ભારત પુરુષ અને મહિલા ક્રિકેટ તથા કબડ્ડી બંનેમાં વર્તમાન ચેમ્પિયન છે. જ્યારે પુરુષ હોકી ટીમ પણ વર્તમાન ચેમ્પિયન તરીકે આ સ્પર્ધામાં ભાગ લઈ રહી છે.</p><p><b><a href="https://sandesh.com/sports/news/asian-games-2026-opening-ceremony-india" target="_blank">આ પણ વાંચો: જાપાનના આઇચી-નાગોયામાં ભવ્ય ઓપનિંગ સેરેમની, ભારતની ભવ્ય એન્ટ્રી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/LoA6KtoIKxzMIUHlX0ZYsjGc9OOShWjQBEZs5Dwi.webp'/></item><item><title><![CDATA[Bihar Flood: બિહારમાં પૂરનો કહેર, CM સમ્રાટ ચૌધરીએ રાહત ફંડમાં આપ્યો એક મહિનાનો પગાર ]]></title><link>https://sandesh.com/india/news/bihar-flood-flood-havoc-in-bihar-cm-samrat-chaudhary-donated-one-months-salary-to-the-relief-fund</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/bihar-flood-flood-havoc-in-bihar-cm-samrat-chaudhary-donated-one-months-salary-to-the-relief-fund</guid><pubDate>Sat, 19 Sep 2026 22:56:14 +05:30</pubDate><description><![CDATA[<p>Bihar Flood: બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ પોતાના લગભગ એક મહિનાનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં આપી દીધો છે. સીએમએ મુખ્યમંત્રી રાહત ફંડમાં 2 લાખ 70 હજાર રૂપિયાનું દાન કર્યું. તેમણે લોક સેવક આવાસ સ્થિત ‘સંકલ્પ સભાગાર’માં ચેક સોંપ્યો.  સીએમ સમ્રાટ ચૌધરીએ રાજ્યના લોકોને પણ મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન કરવાની અપીલ કરી, જેથી આપત્તિની સ્થિતિમાં અસરગ્રસ્ત લોકો સુધી મદદ પહોંચાડી શકાય. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી રાહત ફંડ જરૂરિયાતમંદોની મદદનું એક મહત્વપૂર્ણ સાધન છે. સમાજના સક્ષમ લોકોની ભાગીદારીથી રાહત અને મદદના પ્રયાસોને વધુ અસરકારક બનાવી શકાય છે.</p><p><b>નિતિન નવીને પણ આપ્યું દાન</b></p><p>આ પહેલાં શુક્રવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીને બિહારમાં આવેલી ભીષણ પૂર પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી, કેન્દ્ર દ્વારા આપવામાં આવેલા સમર્થન અને પોતાના વ્યક્તિગત યોગદાન વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે અસરગ્રસ્ત પરિવારોને આર્થિક મદદ, રાહત શિબિરો અને પાકના નુકસાનના આકલન દ્વારા શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે. આ સંકટ દરમિયાન સમગ્ર સરકાર જનતા સાથે મજબૂતીથી ઊભી છે.</p><p><b>બિહારમાં પૂર પર સતત નજર</b></p><p>નિતિન નવીને કહ્યું કે બિહારમાં પૂર જેવી સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. સરકાર અસરગ્રસ્ત લોકો સુધી સમયસર રાહત અને જરૂરી મદદ પહોંચાડવા માટે સંપૂર્ણ તૈયારી સાથે કામ કરી રહી છે. એક નિવેદન અનુસાર, સંકટની આ ઘડીમાં પોતાની જવાબદારી નિભાવતા નિતિન નવીને રાજ્યસભા Bihar Flood: સાંસદ તરીકે પોતાના ત્રણ મહિનાના પગાર જેટલા 6,35,000 રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન કર્યા છે. નિતિન નવીને એ પણ જણાવ્યું કે રાજ્ય સરકાર પૂરથી અસરગ્રસ્ત પરિવારોને 7,000 રૂપિયા પ્રતિ પરિવારના દરે 550 કરોડ રૂપિયાથી વધુની આર્થિક સહાય આપી ચૂકી છે.</p><p><b>NDRF અને SDRFની ટીમો તૈનાત</b></p><p>ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે જણાવ્યું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત શિબિરો, સામુદાયિક રસોડા, તબીબી સુવિધાઓ અને પશુઓ માટે ઘાસચારાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ટીમો બચાવ કામગીરી માટે સંપૂર્ણ તૈયારી સાથે તૈનાત છે. જ્યારે પાકને થયેલા નુકસાનનું આકલન કરવા અને ખેડૂતોને જરૂરી મદદ આપવાની પ્રક્રિયા પણ ચાલુ છે.</p><p><b>કેન્દ્ર સરકારની મદદનો ઉલ્લેખ</b></p><p>કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી મદદનો ઉલ્લેખ કરતા નિતિન નવીને જણાવ્યું કે કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે પીડિતોને મળીને રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. બાદમાં તેમણે આશ્વાસન આપ્યું હતું કે તેઓ બિહારના તમામ પૂરથી અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે.</p><p><b>બિહારના 15 જિલ્લા પૂરથી અસરગ્રસ્ત</b></p><p>આપદા વ્યવસ્થાપન વિભાગ અનુસાર, બિહારના 15 જિલ્લાઓમાં પૂરથી 49.67 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. આ અસરગ્રસ્ત જિલ્લાઓમાં પટના, ભોજપુર, સારણ, વૈશાલી, ભાગલપુર, બેગુસરાય, બક્સર, સમસ્તીપુર, મુંગેર, કટિહાર, લખીસરાય, ખગડિયા, પૂર્ણિયા, મધેપુરા અને અરરિયા સામેલ છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/bihar-flood-peoples-anger-erupted-due-to-lack-of-relief-go-back-slogans-surrounded-the-minister-mla" target="_blank">આ પણ વાંચો: રાહત ન મળતાં લોકોનો રોષ ફાટ્યો, મંત્રી-ધારાસભ્યને ઘેરી લગાવ્યા ‘Go Back’ના નારા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/uZMqbJBHvhe74Hc55i1XkK7lpCvKdJ6aga43dXml.webp'/></item><item><title><![CDATA[World's Billionaires List: 18 વર્ષ સુધી નંબર-1 અમીર રહ્યા બિલ ગેટ્સ, જાણો બિલ ગેટ્સની સંપત્તિ ]]></title><link>https://sandesh.com/business/news/world-richest-person-longest-time-bill-gates-record</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/world-richest-person-longest-time-bill-gates-record</guid><pubDate>Sat, 19 Sep 2026 19:14:39 +05:30</pubDate><description><![CDATA[<p>world richest person: ટેસ્લા અને સ્પેસએક્સ સહિત ઘણી કંપનીઓ ચલાવી રહેલા એલન મસ્ક દુનિયાના અમીરોની યાદીમાં પહેલા નંબર પર યથાવત છે. દૂર-દૂર સુધી કોઈ તેમની ટક્કરમાં નથી. ફોર્બ્સની રિયલ ટાઇમ બિલિયોનેર લિસ્ટ મુજબ મસ્કની નેટવર્થ 946.5 અબજ ડોલર છે. આ જ વર્ષે તેમને દુનિયાના પહેલા ટ્રિલિયોનેર બનવાની તક પણ મળી હતી. શું તમે જાણો છો કે દુનિયામાં સૌથી લાંબા સમય સુધી નંબર 1 અમીરની ખુરશી પર રહેવાનો રેકોર્ડ કોના નામે છે?</p><p><b>બિલ ગેટ્સના નામે રેકોર્ડ</b></p><p>1995માં બિલ ગેટ્સ પહેલીવાર ફોર્બ્સની વિશ્વના અબજોપતિઓની યાદીમાં નંબર-1 પર પહોંચ્યા હતા. જોકે, તેમના પહેલાં આ સ્થાન પર જાપાનના યોશિયાકી સુત્સુમીનું નામ હતું. તેઓ 1987થી 1990 સુધી વિશ્વના સૌથી અમીર વ્યક્તિ રહ્યા હતા. ત્યારબાદ 1991 અને 1992માં જાપાનના તાઇકિચિરો મોરી વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બન્યા હતા. 1993માં યોશિયાકી સુત્સુમી ફરી નંબર-1 પર આવ્યા અને 1994માં પણ આ સ્થાન જાળવી રાખ્યું. ત્યારબાદ 1995માં બિલ ગેટ્સે પ્રથમ વખત વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બનવાનું ગૌરવ મેળવ્યું હતું.</p><p><b>બિલ ગેટ્સનું વર્ચસ્વ</b></p><p>બિલ ગેટ્સ 1995થી 2007 સુધી દુનિયાના સૌથી મોટા અમીર રહ્યા. 2008માં વૉરેન બફેટે તેમને પાછળ છોડી દીધા, પરંતુ 2009માં ગેટ્સે ફરી વાપસી કરી. 2010માં મેક્સિકોના કાર્લોસ સ્લિમ એન્ડ ફેમિલીએ આ સીટ પર કબજો કર્યો અને 2013 સુધી રહ્યા. 2014માં બિલ ગેટ્સે ફરી વાપસી કરી અને 2017 સુધી આ સીટ પોતાની પાસે રાખી.</p><p><b>જેફ બેઝોસે ગેટ્સને પાછળ છોડ્યા</b></p><p>2018માં એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસે ગેટ્સને પાછળ છોડીને દુનિયાના સૌથી મોટા અમીરની ખુરશી પર કબજો કરી લીધો. તેઓ 2021 સુધી દુનિયાના નંબર 1 અમીર રહ્યા. 2022માં એલન મસ્કે તેમની ખુરશી છીનવી લીધી. પરંતુ ત્યાર પછીના વર્ષે એટલે કે 2023માં ફ્રેન્ચ બિઝનેસમેન બર્નાર્ડ આરનૉલ્ટ એન્ડ ફેમિલી આગળ નીકળી ગઈ. 2024માં પણ તેમણે પોતાની બાદશાહત જાળવી રાખી. છેલ્લા બે વર્ષથી મસ્ક આ ગાદી પર બિરાજમાન છે.</p><p><b>અત્યારે શું છે પોઝિશન?</b></p><p>18 વર્ષ સુધી દુનિયાના સૌથી મોટા અમીર રહેલા બિલ ગેટ્સની નેટવર્થ આજે 114.3 અબજ ડોલર છે અને તેઓ દુનિયાના અમીરોની યાદીમાં 18મા નંબર પર ખસી ગયા છે. બેઝોસ 373.1 અબજ ડોલર સાથે બીજા, વૉરેન બફે 144.6 અબજ ડોલર સાથે 10મા, આરનૉલ્ટ એન્ડ ફેમિલી 125.2 અબજ ડોલર સાથે 14મા અને કાર્લોસ સ્લિમ 119.1 અબજ ડોલર સાથે 15મા નંબર પર છે.</p><p><b><a href="https://sandesh.com/world/news/business/elon-musk-net-worth-drop-spacex-share-crash-tesla-results-impact" target="_blank">આ પણ વાંચો: સ્પેસએક્સના શેર ક્રેશ અને ટેસ્લાના નબળા પરિણામોની મોટી અસર, મસ્કની સંપત્તિ થઈ ગઈ અડધી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/wYQnMT7gLxpnUgfGlFV4BuUx8IfGcfPz6RVXTunn.webp'/></item></channel></rss>