<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Petrol Diesel Price Today: 31 જુલાઇએ પેટ્રોલ ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો લેટેસ્ટ રેટ ]]></title><link>https://sandesh.com/business/news/petrol-diesel-price-today-petrol-and-diesel-prices-changed-on-july-31-know-the-latest-rate</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/petrol-diesel-price-today-petrol-and-diesel-prices-changed-on-july-31-know-the-latest-rate</guid><pubDate>Fri, 31 Jul 2026 09:05:44 +05:30</pubDate><description><![CDATA[<p>ઈરાન-અમેરિકા તણાવ વચ્ચે, આજે, 31 જુલાઈના રોજ&nbsp; પેટ્રોલ-ડીઝલના ભાવ અપડેટ કરવામાં આવ્યા છે.રોજિંદા દિનચર્યા મુજબ, રાજ્યની માલિકીની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે ​​સવારે 6:00 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.&nbsp;</p><h2><b>આજે ક્રૂડ ઓઇલનો ભાવ&nbsp;</b></h2><p>ક્રૂડ ઓઈલ હાલમાં પ્રતિ બેરલ $90 ની નીચે છે. આજે&nbsp; શુક્રવાર, 31 જુલાઈ - બ્રેન્ટ ક્રૂડ અને WTI ના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો છે. આજે સવારે 6:00 વાગ્યાની આસપાસ, બ્રેન્ટ ક્રૂડ 61 સેન્ટના વધારા સાથે $89.64 પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું હતું, જ્યારે WTI 39 સેન્ટના વધારા સાથે $84.98 પ્રતિ બેરલ પર હતું.</p><h2><b>આજના પેટ્રોલ અને ડીઝલના ભાવ</b></h2><table class="table table-bordered"><tbody><tr><td>શહેર</td><td>&nbsp;પેટ્રોલનો ભાવ (રૂ./લિટર)&nbsp;</td><td>ડીઝલનો ભાવ (રૂ./લિટર)&nbsp;</td></tr><tr><td>દિલ્હી&nbsp;</td><td>102.12&nbsp;</td><td>95.20</td></tr><tr><td>કોલકાતા</td><td>&nbsp;113.51&nbsp;</td><td>99.82</td></tr><tr><td>મુંબઈ</td><td>&nbsp;111.21&nbsp;</td><td>97.83</td></tr><tr><td>ચેન્નાઈ&nbsp;</td><td>107.77</td><td>&nbsp;99.55</td></tr><tr><td>લખનૌ</td><td>&nbsp;101.89&nbsp;</td><td>95.36</td></tr></tbody></table><p><b style="font-size: 1.75rem;">ગુજરાતના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ</b></p><table class="table table-bordered"><tbody><tr><td>શહેર&nbsp;</td><td>પેટ્રોલ&nbsp;</td><td>ડીઝલ</td></tr><tr><td>અમદાવાદ&nbsp;</td><td>₹102.15&nbsp;</td><td>₹97.92</td></tr><tr><td>ગાંધીનગર&nbsp;</td><td>₹102.96</td><td>&nbsp;₹98.08</td></tr><tr><td>રાજકોટ</td><td>&nbsp;₹101.56&nbsp;</td><td>₹97.69</td></tr><tr><td>સુરત&nbsp;</td><td>₹102.06&nbsp;</td><td>₹98.19</td></tr><tr><td>વડોદરા&nbsp;</td><td>₹101.84</td><td>&nbsp;₹97.96</td></tr></tbody></table><h4><b>પેટ્રોલ અને ડીઝલના ભાવ કેવી રીતે તપાસવા</b></h4><p><br></p><p>દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે. તમે SMS દ્વારા પેટ્રોલ અને ડીઝલના દૈનિક ભાવ મેળવી શકો છો. ઇન્ડિયન ઓઇલના ગ્રાહકો RSP લખીને, પછી સ્પેસ અને તેમના શહેરનો કોડ લખીને 9224992249 પર મોકલીને માહિતી મેળવી શકે છે અને BPCLના ગ્રાહકો RSP લખીને, પછી સ્પેસ અને તેમના શહેરનો કોડ લખીને 9223112222 પર મોકલીને માહિતી મેળવી શકે છે. HPCLના ગ્રાહકો HPPRICE લખીને, પછી સ્પેસ અને તેમના શહેરનો કોડ લખીને 9222201122 પર મોકલીને કિંમત મેળવી શકે છે.&nbsp;</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2025/10/22/7VZB5LstxIkdTwnHqJShXYneKWmnUj8BpFOX6J44.webp'/></item><item><title><![CDATA[Assam Floods: આસામમાં પૂરગ્રસ્તોને મોટી રાહત: લોનની EMI પર 6 મહિનાની છૂટ ]]></title><link>https://sandesh.com/india/news/assam-floods-big-relief-for-flood-victims-in-assam-6-months-waiver-on-loan-emi</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/assam-floods-big-relief-for-flood-victims-in-assam-6-months-waiver-on-loan-emi</guid><pubDate>Fri, 31 Jul 2026 09:01:36 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે પૂરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા અને વિવિધ પ્રકારની લોન લીધેલા લોકોને આગામી છ મહિનાં સુધી લોનની EMI ચૂકવવામાંથી રાહત આપવામાં આવશે. આ નિર્ણય રાજ્ય સ્તરીય બેંકર્સ કમિટીની બેઠકમાં લેવામાં આવ્યો હતો. બીજી તરફ, છેલ્લા 24 કલાક દરમિયાન વધુ બે લોકોના મોત થતાં આ વર્ષે આસામમાં પૂરથી મૃત્યુઆંક વધીને 80 થયો છે, જ્યારે કુલ અસરગ્રસ્ત લોકોની સંખ્યા 2.12 લાખને વટાવી ગઈ છે.</p><h2 style="text-align: justify; ">આસામના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી</h2><p style="text-align: justify; ">આસામના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને નુકસાનનું નિરીક્ષણ કર્યું અને રાહત તથા બચાવ કામગીરીની સમીક્ષા કરી. તેમણે અધિકારીઓને અસરગ્રસ્ત લોકોને ઝડપથી મદદ પહોંચાડવા અને પુનર્વસન કાર્યમાં કોઈ કસર ન રાખવા સૂચના આપી.</p><h3 style="text-align: justify; ">હિમંત બિસ્વા સરમાએ જણાવ્યું કે રાજ્ય સરકારે રાહત પેકેજની માગ કરી</h3><p style="text-align: justify; ">મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ જણાવ્યું કે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે પૂરથી થયેલા વ્યાપક નુકસાનને ધ્યાનમાં રાખીને વિશેષ રાહત પેકેજની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI), નાબાર્ડ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) તેમજ અન્ય તમામ કોમર્શિયલ બેંકોના પ્રતિનિધિઓ સાથે રાજ્ય સ્તરીય બેંકર્સ કમિટીની વિશેષ બેઠક યોજાઈ હતી.</p><h4 style="text-align: justify; ">શિવસાગર, ચરાઈદેવ, જોરહાટ અને ગોલાઘાટ જિલ્લાઓના લોનધારકો માટે ખાસ રાહત યોજના પર નિર્ણય</h4><p style="text-align: justify; ">મુખ્યમંત્રીએ જણાવ્યું કે બેઠકમાં શિવસાગર, ચરાઈદેવ, જોરહાટ અને ગોલાઘાટ જિલ્લાઓના લોનધારકો માટે ખાસ રાહત યોજના પર નિર્ણય લેવાયો છે. આ ચાર જિલ્લાઓમાં પૂરથી અસરગ્રસ્ત ગ્રાહકોને છ મહિનાનો મોરેટોરિયમ આપવામાં આવશે, એટલે કે આ સમયગાળા દરમિયાન તેમને EMI ચૂકવવાની ફરજ નહીં રહે.</p><h4 style="text-align: justify; ">બેંકો દરેક ગ્રાહકની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરશે</h4><p style="text-align: justify; ">તેમણે સ્પષ્ટ કર્યું કે આ સુવિધાનો લાભ માત્ર વાસ્તવમાં પૂરથી અસરગ્રસ્ત લોકો જ મેળવી શકશે. બેંકો દરેક ગ્રાહકની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરશે અને જે લોકો પૂરથી પ્રભાવિત નથી તેમને નિયમિત રીતે EMI ચૂકવવાની અપીલ કરવામાં આવી છે.</p><h4 style="text-align: justify; ">પૂરગ્રસ્ત લોકોની લોનની મુદત લોનના પ્રકાર અનુસાર એક વર્ષથી લઈને સાત વર્ષ સુધી વધારી શકાય</h4><p style="text-align: justify; ">મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે પૂરગ્રસ્ત લોકોની લોનની મુદત લોનના પ્રકાર અનુસાર એક વર્ષથી લઈને સાત વર્ષ સુધી વધારી શકાય છે. નાના વેપારીઓ અને રિટેલ દુકાનદારો, જેમની દુકાનો પૂરમાં સંપૂર્ણપણે નાશ પામી છે, તેમને વધારાના ગીરવે અથવા કોલેટરલ વિના તેમના લોન ખાતામાં 10,000 રૂપિયાની વધારાની સહાય પણ આપવામાં આવશે.</p><p style="text-align: justify; ">રાજ્ય સરકારે શિવસાગર અને ચરાઈદેવ જિલ્લાઓમાં આવેલા વૈષ્ણવ સંપ્રદાયના ધાર્મિક સ્થળો 'નામઘર'ના પુનઃનિર્માણ માટે પણ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. દરેક નામઘરને પુનઃનિર્માણ માટે એકમુષ્ટ 1.5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.</p><p style="text-align: justify; ">આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના બુલેટિન મુજબ, છેલ્લા 24 કલાકમાં શિવસાગર જિલ્લામાં બે લોકોના ડૂબી જવાથી મોત થયા છે, જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. આ સાથે આ વર્ષે પૂરને કારણે મૃત્યુઆંક વધીને 80 થયો છે.</p><p style="text-align: justify; ">હાલમાં ચરાઈદેવ, ગોલાઘાટ, જોરહાટ અને શિવસાગર જિલ્લાઓમાં કુલ 2,12,400થી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે. તેમાં ચરાઈદેવ જિલ્લો સૌથી વધુ અસરગ્રસ્ત છે, જ્યાં આશરે 80 હજાર લોકો અસરગ્રસ્ત થયા છે. ત્યારબાદ શિવસાગરમાં લગભગ 71 હજાર અને જોરહાટમાં 40 હજારથી વધુ લોકો પૂરની અસર હેઠળ છે. રાજ્ય સરકાર અને બચાવ એજન્સીઓ સતત રાહત અને પુનર્વસનની કામગીરીમાં વ્યસ્ત છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/31/dlskkRhO8XvUocbI3u6fBBUJWpu8PxGZ1YoYu1Mz.webp'/></item><item><title><![CDATA[CWG 2026માં ભારતે જીત્યા વધુ 2 મેડલ, લવપ્રીત સિંહે જીત્યો સિલ્વર, સીમા કાલીરામણને મળ્યો બ્રોન્ઝ મેડલ ]]></title><link>https://sandesh.com/sports/news/india-won-2-more-medals-in-cwg-2026-lovepreet-singh-won-silver-seema-kaliraman-got-bronze-medal</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india-won-2-more-medals-in-cwg-2026-lovepreet-singh-won-silver-seema-kaliraman-got-bronze-medal</guid><pubDate>Fri, 31 Jul 2026 08:34:35 +05:30</pubDate><description><![CDATA[<p>સ્કોટલેન્ડના ગ્લાસગોમાં રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓનું પ્રભાવશાળી પ્રદર્શન સતત જારી છે. ભારતના સ્ટાર વેઇટલિફ્ટર લવપ્રીત સિંહે પુરુષોના +110 કિગ્રા વર્ગમાં દેશ માટે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. બીજી તરફ, સીમા કાલીરામણે મહિલા ડિસ્કસ થ્રોમાં બ્રોન્ઝ મેડલ મેળવીને સફળતા મેળવી છે. આ બે નવા મેડલ સાથે ભારતે સ્પર્ધામાં અત્યાર સુધીમાં કુલ 16 મેડલ (3 ગોલ્ડ, 10 સિલ્વર અને 3 બ્રોન્ઝ) પોતાના નામે કરી લીધા છે.</p><h2><b>લવપ્રીત સિંહ ગોલ્ડ ચૂકયો મળ્યો સિલ્વર</b></h2><p>વેઇટલિફ્ટિંગની +110 કિગ્રા ફાઇનમાં લવપ્રીત સિંહે કુલ 388 કિલોગ્રામ (સ્નેચમાં 176 કિગ્રા + ક્લીન એન્ડ જર્કમાં 212 કિગ્રા) વજન ઉપાડીને બીજું સ્થાન મેળવ્યું. રોમાંચક ફિનિશ કરી. સ્નેચ રાઉન્ડ પછી ન્યુઝીલેન્ડનો ડેવિડ લિટ્ટી લવપ્રીત કરતાં 10 કિગ્રા પાછળ હતો. પરંતુ ક્લીન એન્ડ જર્કના બીજા રાઉન્ડમાં ડેવિડે 223 કિગ્રા વજન ઉપાડીને કોમનવેલ્થ ગેમ્સનો નવો રેકોર્ડ બનાવ્યો. આખરી પરિણામ જોઈએ તો ડેવિડે કુલ 389 કિગ્રા વજન સાથે લવપ્રીત કરતાં માત્ર 1 કિલોગ્રામ વધુ વજન ઉપાડીને ગોલ્ડ મેડલ જીતી લીધો.</p><h3><b>"ગોલ્ડ ગુમાવવાનું દુઃખ છે, ભવિષ્યમાં વધુ સારું કરીશ"</b></h3><p>માત્ર 1 કિગ્રાના અંતરથી ગોલ્ડ ચૂકી ગયા બાદ નિરાશા વ્યક્ત કરતા લવપ્રીત સિંહે ANI ને જણાવ્યું: "જ્યારે તમે ગોલ્ડ ચૂકી જાઓ છો ત્યારે સ્વાભાવિક રીતે દુઃખ થાય છે. પરંતુ હું એશિયન ગેમ્સ જેવી આગામી સ્પર્ધાઓમાં વધુ સારું પ્રદર્શન કરીશ."&nbsp; તેમણે ઉમેર્યું કે તેઓ આ મેડલ તેમના કોચ વિજય શર્મા, ભારતીય વેઇટલિફ્ટિંગ ફેડરેશનના સહદેવ સર, ભારત સરકાર અને ભારતીય નૌકાદળના કેપ્ટન વિજય કુમારને સમર્પિત કરે છે.</p><h3><b>સીમા કાલીરામણ: એથ્લેટિક્સમાં ભારતનું ખાતું ખોલાવ્યું</b></h3><p>ટ્રેક એન્ડ ફિલ્ડ ક્ષેત્રે પણ ભારત માટે સારા સમાચાર આવ્યા છે. સીમા કાલીરામણે મહિલા ડિસ્કસ થ્રો ફાઇનલમાં 58.65 મીટરના શાનદાર થ્રો સાથે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. સીમાના આ પ્રદર્શન સાથે જ ચાલુ કોમનવેલ્થ ગેમ્સમાં એથ્લેટિક્સ ક્ષેત્રે ભારતની મેડલ ટેલી પણ ખુલી ગઈ છે. હરિયાણાના ભિવાનીની રહેવાસી સીમાની આ સફળતા પાછળ તેના પતિ અને કોચ રવિન્દરનો મોટો ફાળો છે. રવિન્દર પોતે પણ જુનિયર અને સબ-જુનિયર લેવલે નેશનલ ચેમ્પિયન રહી ચૂક્યા છે, પરંતુ ઈજાના કારણે તેમની રમતગમતની કારકિર્દી અટકી ગઈ હતી.</p><p>ગ્લાસગો ખાતે ગુરુવારે (30 જુલાઈ) આખો દિવસ ભારતીય ચાહકો મેડલની રાહ જોતા રહ્યા હતા. દિવસના અંતે વેઈટલિફ્ટિંગમાં લવપ્રીત સિંહે સિલ્વર મેડલ જીતીને રાહત આપી હતી. ત્યારબાદ યોજાયેલી મહિલા ડિસ્કસ થ્રોની ફાઇનલમાં સીમાએ 58.65 મીટરના થ્રો સાથે બ્રોન્ઝ મેડલ જીતી લીધો.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/31/xxyAcMjriflm0LJZXFCVRHi6q0bVl20LWY35UZ5c.webp'/></item><item><title><![CDATA[Monsoon 2026 : ગુજરાતમાં  ભારે વરસાદની આગાહી વચ્ચે  18 NDRFની ટીમો તૈનાત, અમદાવાદ-સુરત-વડોદરામાં હાઈએલર્ટ! Video ]]></title><link>https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-gujarat-heavy-rain-forecast-18-ndrf-teams-deployed-ahmedabad-gandhinagar-alert</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-gujarat-heavy-rain-forecast-18-ndrf-teams-deployed-ahmedabad-gandhinagar-alert</guid><pubDate>Fri, 31 Jul 2026 08:34:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજ્યમાં આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદની ગંભીર આગાહીને પગલે સમગ્ર વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. કોઈપણ ઈમરજન્સી કે પૂર જેવી સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યભરમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની કુલ 18 ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. સંવેદનશીલ સ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરામાં 3 ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જ્યારે અન્ય અસરગ્રસ્ત જિલ્લાઓમાં એક-એક ટીમ તૈનાત કરી દેવાઈ છે.</p><h2 style="text-align: justify; "><b>સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં NDRFની ટીમો પહોંચી</b></h2><p style="text-align: justify; ">હવામાન વિભાગની ચેતવણી બાદ અમદાવાદ, નવસારી, વાવ-થરાદ, કચ્છ, અમરેલી, દ્વારકા, વલસાડ, સુરત, ભાવનગર, દમણ, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, અરવલ્લી અને ભરૂચ જિલ્લાઓમાં NDRFની ટીમોએ મોરચો સંભાળી લીધો છે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2083005412127994056"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a>&nbsp; &nbsp;</p><p style="text-align: justify; "><br></p><h3 style="text-align: justify; "><b>તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ&nbsp;</b></h3><p style="text-align: justify; ">ગાંધીનગરમાં ભારે વરસાદની આશંકા વચ્ચે તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. સમગ્ર પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવા માટે વર્ગ-૧ અને વર્ગ-૨ ના ઉચ્ચ અધિકારીઓને નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરાયા છે. તમામ અધિકારીઓને પોતાનું હેડક્વાર્ટર ન છોડવાના આદેશ અપાયા છે. આ ઉપરાંત ફાયર શાખાની તમામ ટીમો અને આરોગ્ય વિભાગને કોઈપણ સ્થિતિમાં એલર્ટ રહેવા આદેશ જારી કરાયા છે.</p><h4 style="text-align: justify; "><b>અમદાવાદ, વડોદરા અને સુરતનું  ફાયર બ્રિગેડ સજ્જ</b></h4><p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં અતિ ભારે વરસાદની સંભાવનાને પગલે ફાયર બ્રિગેડ પણ સજ્જ બન્યું છે. શહેરમાં પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં ફાયરની ટીમોને 6 બોટ સાથે તૈનાત રખાઈ છે. કોઈપણ રેસ્ક્યુ કામગીરી, વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ કે બચાવ કાર્ય માટે સાધનોની ચકાસણી કરીને ટીમોને હાઈએલર્ટ મોડ પર મૂકવામાં આવી છે. સુરત અને વડોદરા ફાયર બ્રિેગડમાં પણ એલર્ટ જાહેર કરાયું છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp; :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-indepth-gujarat-heavy-rain-reason-el-nino-fail-negative-pdo-impact" target="_blank"><b>&nbsp;Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/31/YnSOI4AqvupWOevTpF4e8xycn7LqbrTqHKwUQgQX.webp'/></item><item><title><![CDATA[Rajkot: બસ પોર્ટ પાછળ મોડી રાત્રે કાર ચાલકે સર્જ્યો અકસ્માત, બેકાબૂ કારની હડફેટે આવતાં 2 લોકોને ઈજા ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/bus-port-behind-car-accident-two-injured-driver-flees</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/bus-port-behind-car-accident-two-injured-driver-flees</guid><pubDate>Fri, 31 Jul 2026 08:28:33 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ શહેરના મધ્યમાં આવેલા સેન્ટ્રલ બસ પોર્ટ વિસ્તારમાં મોડી રાત્રે એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બસ પોર્ટના પાછળના ભાગે આવેલા માર્ગ પર એક પૂરઝડપે આવી રહેલી કારના ચાલકે સ્ટીઅરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર બેકાબૂ બની હતી અને રસ્તા પરથી પસાર થઈ રહેલા બે નિર્દોષ લોકોને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો અચાનક સર્જાયો હતો કે આસપાસના લોકોને સંભાળવાનો મોકો જ મળ્યો નહોતો. કારની ટક્કર વાગતાં જ બંને વ્યક્તિઓ રોડ પર પટકાયા હતા.</p><h2><b>મોટી જાનહાનિ થતા ટળી&nbsp;&nbsp;</b></h2><p>કારની જોરદાર ટક્કર હોવા છતાં, સદનસીબે ઈજાગ્રસ્ત બંને લોકોને માત્ર સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિકો અને બસ પોર્ટના મુસાફરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને ત્વરિત પ્રાથમિક સારવાર અપાવવાની વ્યવસ્થા કરી હતી.</p><h3><b>ચાલક કાર મૂકીને ભાગી છૂટ્યો</b></h3><p>અકસ્માત સર્જાયા બાદ સ્થાનિક લોકો ભેગા થઈ જતાં પકડાઈ જવાના ડરે કાર ચાલક પોતાની કાર ઘટનાસ્થળે જ બિનવારસી હાલતમાં મૂકીને અંધારાનો લાભ ઉઠાવીને નાસી છૂટ્યો હતો.બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ મથકની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે અકસ્માત સર્જનાર કારને પોતાના કબ્જે લઈ લીધી છે. કાર ચાલકની ઓળખ કરીને તેને ઝડપી પાડવા માટે પોલીસે કાયદેસરની તજવીજ હાથ ધરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/chhota-udepur/naswadi-ashwin-river-flash-flood-heavy-rain-youth-trapped-eidgah" target="_blank">આ પણ વાંચો: Chhotaudepur: નસવાડીમાં 2 કલાકમાં ધોધમાર 2 ઇંચ વરસાદ, અશ્વિન નદીના પૂરમાં યુવક ફસાયો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/31/tiTPlqLsgssafKtVGObDkwEuVyc5Vy7deXt0ZpC7.webp'/></item><item><title><![CDATA[Maharashtraના ભિવંડીમાં ચાર માળની ઇમારતનો એક ભાગ ધરાશાયી, એકનું મોત ]]></title><link>https://sandesh.com/india/news/part-of-a-four-storey-building-collapses-in-bhiwandi-maharashtra-one-dead</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/part-of-a-four-storey-building-collapses-in-bhiwandi-maharashtra-one-dead</guid><pubDate>Fri, 31 Jul 2026 08:23:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મહારાષ્ટ્રના ભિવંડી શહેરમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. પાવરલૂમ ઉદ્યોગ માટે જાણીતા ભિવંડીના બાલાજી નગર વિસ્તારમાં આવેલી કોહિનૂર બિલ્ડિંગનો એક મોટો ભાગ ગુરુવારે રાત્રે અંદાજે 11:30 વાગ્યે અચાનક ધરાશાયી થઈ ગયો. ચાર માળની આ જૂની ઇમારતનો મોટો હિસ્સો તૂટી પડતાં ભારે અકસ્માત સર્જાયો અને વિસ્તારમાં ભય તથા અફરાતફરીનું વાતાવરણ ફેલાઈ ગયું.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2083005972105363761"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; "><span style="font-size: 2rem;">અકસ્માત સમયે ઇમારતમાં કેટલાક મજૂરો કામ કરી રહ્યા હતા</span></p><p style="text-align: justify; ">પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માત સમયે ઇમારતમાં કેટલાક મજૂરો કામ કરી રહ્યા હતા, જ્યારે એક પરિવાર પણ ત્યાં હાજર હતો. ઇમારતનો ભાગ તૂટી પડતાં તેઓ કાટમાળ નીચે દટાઈ ગયા. અત્યાર સુધીમાં એક વ્યક્તિના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે હજુ પણ 7થી 8 લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.</p><h3 style="text-align: justify; ">NDRFએ રેસ્ક્યુ હાથ ધર્યુ</h3><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગની ટીમો તરત જ સ્થળ પર પહોંચી ગઈ હતી. ત્યારબાદ રાષ્ટ્રીય આપત્તિ પ્રતિસાદ દળ (NDRF)ને પણ તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવ્યું. બચાવ ટીમોએ યુદ્ધસ્તરે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું અને ભારે મશીનો તેમજ વિશેષ સાધનોની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી.</p><h4 style="text-align: justify; ">એક મહિલાને જીવિત અને સુરક્ષિત બહાર કાઢી&nbsp;</h4><p style="text-align: justify; ">રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન NDRFની ટીમે કાટમાળમાંથી એક મહિલાને જીવિત અને સુરક્ષિત બહાર કાઢી હતી. મહિલાને તરત જ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. બચાવ ટીમો હજુ પણ કાટમાળમાં ફસાયેલા અન્ય લોકોને શોધવાનો પ્રયાસ કરી રહી છે. બચાવ કામગીરી દરમિયાન દરેક હલચલ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે જેથી કોઈપણ જીવિત વ્યક્તિને સુરક્ષિત બહાર કાઢી શકાય.</p><h5 style="text-align: justify; ">&nbsp;બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ કરવામાં આવશે</h5><p style="text-align: justify; ">સ્થાનિક લોકો પણ બચાવ કામગીરીમાં પ્રશાસનને સહયોગ આપી રહ્યા છે. ઘટનાસ્થળની આસપાસ સુરક્ષા માટે વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે જેથી બચાવ કામગીરીમાં કોઈ અવરોધ ન આવે. ઇમારત જૂની હોવાના કારણે તેના માળખાકીય સુરક્ષાને લઈને પણ સવાલો ઉભા થયા છે. પ્રાથમિક અનુમાન મુજબ, ઇમારતની જર્જરિત સ્થિતિને કારણે તેનો ભાગ તૂટી પડ્યો હોઈ શકે છે, જોકે અકસ્માતનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.</p><h5 style="text-align: justify; ">સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવાની અપીલ&nbsp;</h5><p style="text-align: justify; ">પ્રશાસને જણાવ્યું છે કે બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ કરવામાં આવશે. જો ઇમારતની જાળવણીમાં બેદરકારી અથવા નિયમોના ઉલ્લંઘન સામે આવશે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ તમામનું ધ્યાન કાટમાળમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા અને તેમને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવવા પર કેન્દ્રિત છે. સ્થાનિક પ્રશાસને લોકોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવાની અપીલ કરી છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/31/3O3RO2iJVGfdrkHGFosJ0GZFodHg9ZaGdpFVCbEl.webp'/></item><item><title><![CDATA[Panchmahal: નસવાડીની સરકારી કૉલેજમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઇ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/panchmahal/panchmahal-guru-purnima-celebrated-at-naswadi-government-college</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/panchmahal/panchmahal-guru-purnima-celebrated-at-naswadi-government-college</guid><pubDate>Fri, 31 Jul 2026 05:48:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નસવાડી : નસવાડીની સરકારી બી.એડ. કોલેજ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઇ હતી. જેમાં કોલેજના આચાર્ય, અધ્યાપકગણ અને તાલીમાર્થીઓની ઉપસ્થિતિમાં ગુરુ-શિષ્ય પરંપરાના મહત્ત્વને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેનો પ્રારંભ દીપ પ્રાગટય અને ગુરુવંદનાથી કરાયો હતો. ત્યારબાદ તાલીમાર્થીઓએ ગુરુ મહિમા દર્શાવતા ભક્તિપદો, પ્રાસંગિક વક્તવ્યો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોની સુંદર રજૂઆત કરી હતી. કોલેજના આચાર્યએ જણાવ્યું હતું કે, આધુનિક અને ટેકનોલોજીના યુગમાં પણ ગુરુનું સ્થાન અદ્વિતીય છે. ગુરુ માત્ર જ્ઞાન આપનાર નથી, તેમ જણાવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; ">&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/31/XCE9luC9SGea6r9MmKx0KOAnYvxUHKZT4NNEQSA6.webp'/></item><item><title><![CDATA[Dabhoi: ડભોઇ ઢાલનગર વસાહતમાં બિસમાર રોડને પગલે ગ્રામજનો હેરાન પરેશાન ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dabhoi/dabhoi-villagers-are-disturbed-due-to-the-dilapidated-road-in-dabhoi-dhalnagar-settlement</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dabhoi/dabhoi-villagers-are-disturbed-due-to-the-dilapidated-road-in-dabhoi-dhalnagar-settlement</guid><pubDate>Fri, 31 Jul 2026 05:47:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ડભોઇ પાસે નર્મદા વિસ્થાપિતોની ઢાલનગર વસાહત ખાતે કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે સ્થાનિકો માટે નરક સમાન પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગટર લાઈનની કામગીરી કરવા આવેલા કોન્ટ્રાક્ટરોએ રસ્તાની આબેહૂબ વચ્ચેવચ્ચે જ ખોદકામ કરી ગટર લાઈન નાખતા આશરે 1 કિ.મી જેટલો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે બિસ્માર અને ખલાસ થયો છે. આ મામલે આજે આક્રોશિત ગ્રામજનોએ ભેગા મળીને તંત્ર અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ઉગ્ર રોષ સાથે વિરોધ દર્શાવ્યો હતો.</p><p style="text-align: justify; ">સ્થાનિકોના જણાવ્યા અનુસાર, રસ્તાની હાલત એટલી વણસી છે કે રોજીંદા કામકાજ માટે બહાર નીકળવું પણ જોખમી બન્યું છે. 108 એમ્બ્યુલન્સ પણ આવતી નથી. કટોકટીના સમયે 108 એમ્બ્યુલન્સ ગામમાં આવવા ના પાડે છે. જેથી બીમાર વ્યક્તિઓ કે સગર્ભા મહિલાઓને હોસ્પિટલ પહોંચાડવામાં મોટો જીવનું જોખમ ઊભું થાય છે. શાળાના બાળકો અને શિક્ષકો હેરાન શાળાએ જતા નાના બાળકો તથા શિક્ષકો પોતાના વાહનો દૂર મૂકીને પગપાળા ચાલવા મજબૂર બન્યા છે.</p><p style="text-align: justify; ">સરકાર નર્મદા વિસ્થાપિતોને પ્રાથમિક સુવિધા આપવા દાવા કરે છે. પરંતુ વાસ્તવિકતા અલગ છે. હાલ ચોમાસુ હોવાથી આ બિસ્માર રસ્તા પર ચારે તરફ કાદવ-કીચડનું સામ્રાજ્ય છે. જેનાથી અકસ્માતોની હારમાળા સર્જાય છે. પૂરતી સુવિધાના અભાવે વિસ્થાપિતો ભારે હેરાન-પરેશાન થઈ રહ્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/31/wpyxr6E6IAaV6aOSKBghtK2y14x6vXj74fU10umD.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: તરણ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી નેશનલ માટે પસંદગી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</guid><pubDate>Fri, 31 Jul 2026 01:16:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નેત્રામલી : અમદાવાદ સ્થિત CBSE અપોલો ઈન્ટરનેશનલ સ્કૂલ (ત્રાગડ)માં અભ્યાસ કરતી અને જાદર નિવાસી ચિ. જેલીના વિક્રાંતકુમાર લીંબચીયાએ તરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરી ઈડર 42 લીંબચિયા સમાજ તેમજ સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. તાજેતરમાં મધ્યપ્રદેશના ભોપાલ ખાતે યોજાયેલી સ્ટેટ લેવલની 200 મીટર તરણ સ્પર્ધામાં જેલીનાએ શાનદાર પ્રદર્શન કરી પ્રથમ નંબરે આવીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. આ અદ્દભુત સિદ્ધિના આધારે તેની આગામી નેશનલ લેવલની સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી છે. આ ગૌરવવંતી સિદ્ધિ બદલ ઈડર 42 લીંબચિયા સમાજના શ્રોષ્ઠીઓ, પરિવારજનો, શાળા પરિવાર અને સ્નેહીજનો દ્વારા તેને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. નેશનલ લેવલની સ્પર્ધામાં પણ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી વિજયી બને તેવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/LsIOBgRajBFhaESRRva7y5zFrQDGQlrbl7gKrA6E.webp'/></item><item><title><![CDATA[Mahira Sharmaના રાણા જી 2.0 પર મમતા કુલકર્ણીની પ્રતિક્રિયા, કહ્યું- 'ઓરિજિનલની વાત જ અલગ છે' ]]></title><link>https://sandesh.com/entertainment/news/mahira-sharma-rana-ji-2-mamta-kulkarni-reaction</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/mahira-sharma-rana-ji-2-mamta-kulkarni-reaction</guid><pubDate>Thu, 30 Jul 2026 18:04:27 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ટીવી અભિનેત્રી માહિરા શર્મા હાલમાં ચર્ચામાં છે અને તેનું કારણ છે તેમનું નવું ગીત. તાજેતરમાં માહિરા શર્માનો નવો મ્યુઝિક વીડિયો રાણાજી 2.0 રિલીઝ થયો છે, જે સતત સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. આ ગીત 90ના દાયકાના સુપરહિટ ગીત રાણાજી માફ કરનાનું રિમેક છે. લોકોના મનમાં સવાલ હતો કે આ ગીતની મૂળ અભિનેત્રી મમતા કુલકર્ણી રિમેક&nbsp; વિશે શું વિચારે છે. હવે પોતે મમતાએ તેના પર પોતાની પ્રતિક્રિયા આપી છે.</p><h2 style="text-align: justify; "><b>મૂળ ગીતમાં મમતા કુલકર્ણીની અદાઓએ જીતી લીધા હતા દિલ</b></h2><p style="text-align: justify; ">1995માં આવેલી સલમાન ખાન, શાહરુખ ખાન અને કાજોલની ફિલ્મ કરણ અર્જુનનું ગીત રાણાજી માફ કરના ખૂબ લોકપ્રિય થયું હતું. આ ગીતમાં મમતા કુલકર્ણીની અદાઓ અને તેમનો ડાન્સ આજે પણ લોકોમાં ખૂબ લોકપ્રિય છે. હવે આ જ ગીતને નવા અંદાજમાં રાણાજી 2.0 નામથી રજૂ કરવામાં આવ્યું છે, જેમાં માહિરા શર્મા જોવા મળી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>મમતા કુલકર્ણીએ આપ્યું પોતાનું મંતવ્ય</b></h3><p style="text-align: justify; ">માહિરા શર્માનું ગીત રાણા જી 2.0 સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે અને તેને મિશ્ર પ્રતિક્રિયાઓ મળી રહી છે. જોકે, મોટાભાગના લોકો તેની ટીકા કરતા જોવા મળ્યા અને કહ્યું કે ફરી એક લોકપ્રિય ગીતને બગાડી નાખવામાં આવ્યું છે. હવે આ રિમેક વિશે વાત કરતાં મમતા કુલકર્ણીએ કહ્યું, તેણે સારું કામ કર્યું છે. વાત એ છે કે તમે એક એવું ગીત જોઈ રહ્યા છો, જે ઘાઘરા-ચોળી અને ભારતીય નૃત્યની મુદ્રાઓ સાથે હતું, જેને હવે પશ્ચિમી સ્વરૂપ અને પશ્ચિમી પોશાકમાં બનાવવામાં આવ્યું છે. તેથી તે અલગ દેખાય છે. પરંતુ જૂનું ગીત લોકોના મનમાં વસેલું છે, એટલે તે તરત યાદ આવી જાય છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbXWAB6t45J/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbXWAB6t45J/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbXWAB6t45J/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbXWAB6t45J/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>આ રીતે થયું હતું મૂળ ગીતનું શૂટિંગ</b></h4><p style="text-align: justify; ">મૂળ ગીતના શૂટિંગને યાદ કરતાં મમતા કુલકર્ણીએ કહ્યું, રાણાજી ગીતના નૃત્ય દિગ્દર્શક ચિન્ની પ્રકાશ માસ્ટરજી હતા. રિહર્સલ 2-3 દિવસ માટે નક્કી કરવામાં આવી હતી. પરંતુ મેં પહેલા જ દિવસે ડાન્સના સ્ટેપ્સ યોગ્ય રીતે શીખી લીધા હતા. જ્યારે હું સેટ પર પહોંચી ત્યારે સ્ટેપ્સ બદલી દેવામાં આવ્યા હતા. મેં તેમને પૂછ્યું કે તેમણે સ્ટેપ્સ કેમ બદલ્યા. મને સમજાતું નહોતું કે પછી રિહર્સલનો અર્થ શું હતો, પરંતુ ચિન્ની પ્રકાશ માસ્ટરજી ખૂબ સારા હતા અને અમે સમયસર ગીતનું શૂટિંગ પૂરું કરી લીધું.</p><h5 style="text-align: justify; "><b>તે સમયે હું યુવાન અને નાદાન હતી</b></h5><p style="text-align: justify; ">બોલીવુડમાં પોતાની સફર વિશે વાત કરતાં મમતા કુલકર્ણીએ કહ્યું, મને અભિનયની ઓફર મળી રહી છે. જો મને એવી કોઈ પટકથા મળે, જેને લઈને હું ખરેખર ઉત્સાહિત હોઉં, તો હું તેમાં કામ કરવા માટે તૈયાર છું. જોકે, આજે હું મુઝકો રાણાજી માફ કરના જેવા ગીતને તેના શબ્દો સાથે કરી શકીશ નહીં. હવે હું આધ્યાત્મિક રીતે વધુ જાગૃત બની ગઈ છું. તેથી કેટલાક ગીતો મારા માટે યોગ્ય નથી. હવે ડાન્સ કરતાં ગીતોના શબ્દો પર વધુ ધ્યાન આપવું પડે છે. અગાઉ હું ગીતના શબ્દો વિશે ક્યારેય વિચારતી નહોતી, કારણ કે મારું વધુ ધ્યાન ડાન્સના સ્ટેપ્સને વધુ સારા બનાવવા પર રહેતું હતું. તે સમયે હું યુવાન અને નાદાન હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/tmkoc-sundarlal-highest-paid-actor" target="_blank">આ પણ વાંચો-TMKOC : જેઠાલાલ નહીં, સુંદરલાલ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સૌથી મોંઘા એક્ટર!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/W9Oeu0jw3pcLr2BYlTbYBRixAAwdeJ8MscsHuc3q.webp'/></item></channel></rss>