<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Gujarat News: વલસાડ અને નવસારીના વેપારીઓને અમદાવાદની જેમ સહાય ચૂકવાશે: મંત્રી જીતુ વાઘાણી ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/valsad/valsad-and-navsari-traders-to-get-relief-like-ahmedabad-says-jitu-vaghani</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/valsad/valsad-and-navsari-traders-to-get-relief-like-ahmedabad-says-jitu-vaghani</guid><pubDate>Thu, 30 Jul 2026 20:37:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આવતીકાલે 31મી જુલાઈના રોજ વરસાદ સંલગ્ન રેડ એલર્ટને ધ્યાને લઈને નવસારી જિલ્લા વહીવટીતંત્રનું આગોતરૂ આયોજન; જલાલપોરના ગામોના ઝીંગા તળાવો ખાતે રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નવસારી જિલ્લાની નગરપાલિકાઓ, ગ્રામ્ય વિસ્તારોમાં વહીવટીતંત્ર ટીમો દ્વારા મુલાકાત લઈને જરૂરી જણાય ત્યાં હોર્ડિંગ્સ, બેનરોને દૂર કરવામાં આવ્યા; ઉપરાંત, જલાલપોરના પનાર, દેલવાડા અને મચ્છાડ ગામો તથા ચીજ, દાંતી સહિતના અન્ય ગામોના ઝીંગા તળાવો ખાતે રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>વલસાડ અને નવસારીના વેપારીઓ સહાય ચૂકવવામાં આવશે</b></h2><p style="text-align: justify; ">બીજી તરફ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ વલસાડ ખાતેથી જાહેરાત કરતાં કહ્યું હતું કે, વલસાડ અને નવસારી જિલ્લાના અસરગ્રસ્ત વેપારીઓ, લારી-ગલ્લા ધારકો, દુકાનદારો માટે પણ આર્થિક પુનઃવસન સહાય ચૂકવવામાં આવશે. અમદાવાદ અને સુરતની જેમ જ વેપારીઓને સરકાર સહાય આપશે ખેતીવાડી -બાગાયત પાકોને થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે હાથ ધરવા મુખ્યમંત્રીએ સૂચના આપી છે. સર્વે પૂર્ણ થયા બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારના ધારા-ધોરણો મુજબ ખેડૂતોને સહાય અપાશે. સર્વે પૂર્ણ થયા બાદ સહાયની વિગતવાર જાહેરાત કરવામાં આવશે. વિકટ પરિસ્થિતિમાં  દરેક તબક્કે નાગરિકોને સહાય પૂરી પાડવામાં આવશે. આગામી બે દિવસ હજુ રેડ અને ઓરેન્જ એલર્ટ હોવાથી વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા નાગરિકોને અનુરોધ કર્યો હતો.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>વલસાડ અને નવસારીમાં વરસાદની આગાહી</b></h3><p style="text-align: justify; ">વલસાડમાં ભારે વરસાદની આગાહીને પગલે નાગરિકોની સુરક્ષા માટે વહીવટી તંત્ર પૂર્ણ રીતે એલર્ટ થઈ ગયું છે, જેમાં નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોના સ્થળાંતરની પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે, વાહનો દ્વારા જનતાને સતર્ક રહેવા સૂચના અપાઈ રહી છે તેમજ આર્મી, NDRF અને કોસ્ટ ગાર્ડની ટીમોને પણ તૈનાત અને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે; બીજી તરફ નવસારી જિલ્લામાં પણ વરસાદના રેડ એલર્ટને પગલે કલેક્ટરે ટ્વિટ કરીને આપેલી સૂચના મુજબ આવતીકાલે તમામ શાળા-કોલેજો, ITI તથા આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/bhavnagar/government-action-at-sir-t-hospital-disciplinary-action-against-4-senior-doctors" target="_blank">આ પણ વાંચોઃ Bhavnagar News: ભાવનગરની સર ટી.હોસ્પિટલમાં સરકારની એક્શન, 4 વરિષ્ઠ તબીબો સામે શિસ્તભંગના પગલાં</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/WEkcqgTM92qHzJ2Mthhe5S618LiqSx6MATkqVOG3.webp'/></item><item><title><![CDATA[Jharkhand : પ્રસિદ્ધ બાબા વૈદ્યનાથ ધામમાં VIP દર્શન પર પ્રતિબંધ, સામાન્ય ભક્તોને મળશે પ્રાથમિકતા ]]></title><link>https://sandesh.com/india/news/jharkhand-baba-baidyanath-dham-vip-darshan-ban-shravan-devotees-priority</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/jharkhand-baba-baidyanath-dham-vip-darshan-ban-shravan-devotees-priority</guid><pubDate>Thu, 30 Jul 2026 20:12:21 +05:30</pubDate><description><![CDATA[<p>ઝારખંડના પ્રસિદ્ધ બાબા વૈદ્યનાથ ધામ અને બાસુકીનાથ મંદિરમાં આ વર્ષે શ્રાવણ મહિનામાં VIP દર્શન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સામાન્ય શ્રદ્ધાળુઓની સુવિધા અને સરળ દર્શન વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ઝારખંડ સરકારે આ નિર્ણય લીધો છે. 30 જુલાઈથી શરૂ થયેલા શ્રાવણ માસ સાથે જ આ નવી વ્યવસ્થા અમલમાં આવી ગઈ છે, જે સમગ્ર શ્રાવણી મેળા દરમિયાન લાગુ રહેશે.</p><h2><b>VIP અને આઉટ ઓફ ટર્ન દર્શનની સુવિધા બંધ</b></h2><p>શ્રાવણ મહિનામાં દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ અને કાંવડિયા દેવઘર પહોંચે છે અને બાબા વૈદ્યનાથને જળાભિષેક કરે છે. મોટી ભીડને ધ્યાનમાં રાખીને પ્રશાસને VIP અને આઉટ ઓફ ટર્ન દર્શનની સુવિધા બંધ કરી છે. તેનો ઉદ્દેશ દરેક ભક્તને સમાન તક આપવાનો અને લાંબી રાહ જોવાની સમસ્યા ઘટાડવાનો છે. ભક્તોની સુવિધા અને સુરક્ષિત જળાર્પણ માટે બાબા મંદિર ખાતે 'અર્ઘા સિસ્ટમ' શરૂ કરવામાં આવી છે. આ વ્યવસ્થા હેઠળ ભક્તો કતારમાં રહીને સરળતાથી ભગવાન શિવનો અભિષેક કરી શકશે.&nbsp;</p><p>શ્રાવણી મેળાના પ્રથમ દિવસે દેવઘરના અધિકારીઓની હાજરીમાં આ વ્યવસ્થાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શ્રાવણના પ્રથમ દિવસે જ બાબા વૈદ્યનાથ ધામમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. દેશના વિવિધ ભાગોમાંથી આવેલા શ્રદ્ધાળુઓ ‘બોલ બમ’ના જયઘોષ સાથે કતારમાં ઊભા રહીને જળાભિષેક કરી રહ્યા છે. પ્રશાસન સતત ભીડ નિયંત્રણ અને વ્યવસ્થાઓ પર નજર રાખી રહ્યું છે.</p><h3><b>ફેસ રિકગ્નિશન સિસ્ટમ અને ડ્રોન કેમેરાનો ઉપયોગ</b></h3><p>આ વખતે મેળાની સુરક્ષા વ્યવસ્થા વધુ આધુનિક બનાવવામાં આવી છે. સમગ્ર વિસ્તાર પર નજર રાખવા માટે AI આધારિત કેમેરા, ફેસ રિકગ્નિશન સિસ્ટમ અને ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. 24 કલાક કંટ્રોલ રૂમ દ્વારા દેખરેખ રાખવામાં આવશે. આ ઉપરાંત ભક્તોની ફરિયાદ અને સૂચનો માટે QR કોડ આધારિત સિસ્ટમ પણ શરૂ કરવામાં આવી છે. ભક્તો QR કોડ સ્કેન કરીને પોતાની સમસ્યા સીધી જિલ્લા પ્રશાસન સુધી પહોંચાડી શકશે. અધિકારીઓએ તમામ શ્રદ્ધાળુઓને નિયમોનું પાલન કરવા અને વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવા અપીલ કરી છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/one-nation-one-election-bill-not-introduced-monsoon-session-jpc-term-extended" target="_blank">આ પણ વાંચો : 'One Nation One Election' બિલ ચોમાસુ સત્રમાં નહીં થાય રજૂ, JPCનો કાર્યકાળ વધ્યો</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/EOGOiU4BmTtZUqex6yYd6NM3MlGN7Li9XbgyMdqv.webp'/></item><item><title><![CDATA[Lok Sabha Meeting: લોકસભામાં વિવાદ પછી Rahul Gandhi અને Kiren Rijijuની મુલાકાત બની ચર્ચાસ્પદ ]]></title><link>https://sandesh.com/india/news/political-news/lok-sabha-meeting-after-the-controversy-in-the-lok-sabha-the-meeting-between-rahul-gandhi-and-kiren-rijiju-became-a-topic-of-discussion</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/political-news/lok-sabha-meeting-after-the-controversy-in-the-lok-sabha-the-meeting-between-rahul-gandhi-and-kiren-rijiju-became-a-topic-of-discussion</guid><pubDate>Thu, 30 Jul 2026 20:05:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ ગૃહમંત્રી અમિત શાહ વિશે રાહુલ ગાંધીની ટિપ્પણીનો સખત વિરોધ કર્યો અને માફીની માંગ કરી હતી.&nbsp;</p><h2 style="text-align: justify; ">રિજિજુ અને રાહુલની મુલાકાત&nbsp;</h2><p style="text-align: justify; ">લોકસભાની કાર્યવાહી મુલતવી રાખ્યા પછી, રાહુલ ગાંધી અને કિરેન રિજિજુ સંસદ ભવનમાં મળ્યા. રાહુલ ગાંધીએ રિજિજુનો હાથ પકડીને પૂછ્યું કે શું તેઓ ક્યારેય સંસદમાં તેમના રૂમમાં ગયા છે. જ્યારે રિજિજુએ ના કહ્યું, ત્યારે રાહુલ હસીને કહ્યું, "આજે મારા રૂમમાં જઈએ." રિજિજુ અને રાહુલ લગભગ 5 મિનિટ સુધી મળ્યા હતા.&nbsp;</p><h3 style="text-align: justify; ">બંને નેતાઓએ સાથે ફોટોગ્રાફી કરાઇ&nbsp;</h3><p style="text-align: justify; ">રિજિજુએ રાહુલ ગાંધીના રૂમ, G-41માં લગભગ 5 મિનિટ વિતાવી. આ સમય દરમિયાન, બંને નેતાઓએ સાથે ફોટોગ્રાફી પણ કરી. રાહુલ ગાંધીના રૂમમાં કૈલાશ માનસરોવરનો ફોટો લટકાવવામાં આવ્યો છે. રાહુલે રિજિજુને કહ્યું, આવો, આ ચિત્રની સામે ફોટો પાડીએ. બંને નેતાઓએ સંસદીય ગતિરોધ કે કોઈ રાજકીય મુદ્દા પર ચર્ચા કરી ન હતી. આ મુલાકાત હળવા વાતાવરણમાં યોજાઈ હતી, જેમાં બંને અનૌપચારિક વાતચીતમાં વ્યસ્ત હતા. રસપ્રદ વાત એ છે કે, આના થોડા સમય પહેલા, રાહુલ ગાંધી અને કિરેન રિજિજુ વચ્ચે લોકસભામાં ગરમાગરમ ચર્ચા થઈ હતી જ્યારે રાહુલે ગૃહમંત્રી અમિત શાહ વિશે પ્રશ્નો ઉઠાવ્યા હતા.</p><h4 style="text-align: justify; ">બન્ને વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતચીત&nbsp;</h4><p style="text-align: justify; ">જોકે, આ પહેલીવાર નથી જ્યારે રાહુલ ગાંધી અને કિરેન રિજિજુ વચ્ચે આટલી સૌહાર્દપૂર્ણ વાતચીત જોવા મળી હોય. ગયા વર્ષે, શિયાળુ સત્ર દરમિયાન, બંને નેતાઓએ સંસદ હુમલાની વર્ષગાંઠ પર આયોજિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પણ હળવાશભરી વાતચીત કરી હતી. તે સમયે, કડકડતી ઠંડી છતાં, રાહુલ ગાંધીએ ટી-શર્ટ પહેરી હતી, જેના પર રિજિજુએ મજાકમાં તેમની ફિટનેસની ચર્ચા કરી હતી.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/us-iran-war-2026-pentagon-on-the-backfoot-in-the-us-iran-war-concern-in-the-us-defense-system-as-the-number-of-missiles-decreases" target="_blank">અમેરિકા-ઈરાન જંગમાં પેન્ટાગોન બેકફૂટ પર, મિસાઇલનો જથ્થો ઘટતા અમેરિકી સંરક્ષણ તંત્રમાં ચિંતા</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/wWzboufwptow4a7t6cEcBJXNvTtp0oyxth3GfCg1.webp'/></item><item><title><![CDATA[Narmadaમાં ભારે વરસાદની આગાહીને પગલે તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર, કલેક્ટર ગંગા સિંહનો નિર્ણય ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/narmada/holiday-declared-in-all-schools-and-colleges-due-to-heavy-rain-forecast-in-narmada-collector-ganga-singhs-decision</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/narmada/holiday-declared-in-all-schools-and-colleges-due-to-heavy-rain-forecast-in-narmada-collector-ganga-singhs-decision</guid><pubDate>Thu, 30 Jul 2026 19:44:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નર્મદા જિલ્લામાં આવતીકાલે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ચોમાસાની સિસ્ટમ સક્રિય થવાના કારણે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં અનરાધાર વરસાદ પડવાની શક્યતા સેવાઈ રહી છે. વરસાદના કારણે વિદ્યાર્થીઓને શાળા-કોલેજે જવામાં ભારે મુશ્કેલી ન પડે અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પ્રશાસન દ્વારા આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>જિલ્લા કલેક્ટર ગંગા સિંહનો સાવચેતીનો નિર્ણય</b></h2><p style="text-align: justify; ">ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંહે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે સાવચેતીના પગલાં રૂપે જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં આવતીકાલે શૈક્ષણિક કાર્ય બંધ રાખીને રજા જાહેર કરી છે. કલેક્ટરના આ નિર્ણયથી વિદ્યાર્થીઓ અને વાલીઓને મોટી રાહત મળી છે.</p><h3 style="text-align: justify; "><b>સુરક્ષાના ભાગરૂપે પ્રશાસન એલર્ટ મોડ પર</b></h3><p style="text-align: justify;">જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય માત્ર બાળકો અને યુવાનોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે સમગ્ર જિલ્લાનું સરકારી તંત્ર એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારો અને નદી-નાળા કાંઠે રહેતા લોકોને પણ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.</p><p style="text-align: justify;"><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/00iueAybJ3GDMYCx70zpUqpsu04aOXOMhKtlbTFD.webp'/></item><item><title><![CDATA[Surat News: શહેરમાં મીની વાવાઝોડા સાથે અતિભારે વરસાદની સંભાવના, મનપાનું તંત્ર એલર્ટ મોડમાં ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/surat/mini-storm-and-extremely-heavy-rain-alert-smc-on-high-alert</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/surat/mini-storm-and-extremely-heavy-rain-alert-smc-on-high-alert</guid><pubDate>Thu, 30 Jul 2026 19:29:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે,જેના પગલે આગામી ત્રણ દિવસ સુરત માટે ભારે સાબિત થઈ શકે છે.બંગાળની ખાડીમાં સર્જાયેલી ડીપ ડિપ્રેશન સિસ્ટમ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.હવામાન વિભાગની આગાહી મુજબ સુરતમાં મિની વાવાઝોડા અને ભારે પવન સાથે અતિભારે વરસાદની સંભાવના છે.આજે શહેરમાં ઓરેન્જ એલર્ટ જ્યારે ૩૧ જુલાઈના રોજ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા તંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ થઈ ગયું છે અને તકેદારીના તમામ જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>100થી વધુ જોખમી વીજપોલ હટાવી લેવામાં આવ્યા</b></h2><p style="text-align: justify; ">સ્થિતિની સમીક્ષા કરતાં સુરત મનપા કમિશ્નર એમ.નાગરાજને જણાવ્યું હતું કે,વરસાદ અને પવનની તીવ્રતાને જોતાં શહેરના સુરક્ષા માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે.તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 155 જોખમી હોર્ડિંગ્સ, 102 જેટલા જોખમી વૃક્ષો અને 100થી વધુ જોખમી વીજપોલ હટાવી લેવામાં આવ્યા છે.આ ઉપરાંત પ્રવાસીઓની સુરક્ષા માટે ડુમસ સી ફેઝ પણ બંધ કરી દેવાયો છે.જો શહેરમાં પાણી ભરાય તો તાત્કાલિક રાહત કામગીરી માટે વધારાના ડી-વોટરિંગ પંપ અને JCB મશીનો મંગાવવામાં આવ્યા છે તેમજ વેપારીઓ સાથે સંકલન સાધીને લોકોને આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે તેવું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>મનપા તંત્ર સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ સાથે સતત સંપર્કમાં</b></h3><p style="text-align: justify; ">કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે મનપા તંત્ર સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ સાથે સતત સંપર્કમાં છે.નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવા માટે ટીમો સજ્જ કરવામાં આવી છે,જ્યારે NDRF અને SDRFની ટીમોને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. મનપા કમિશ્નરે લોકોને માનસિક રીતે તૈયાર રહેવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે. વરસાદના આધારે સ્થિતિનો આંકલન કરીને તંત્ર દ્વારા તમામ રાહત અને બચાવ કામગીરી માટે પૂરતી તૈયારીઓ કરી લેવામાં આવી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/patan/patan-district-collector-orders-instructs-all-government-officials-not-to-leave-headquarters-amid-fear-of-rain" target="_blank">આ પણ વાંચોઃ Patan જિલ્લા કલેક્ટરનો આદેશ, વરસાદની ભીતિ વચ્ચે તમામ સરકારી અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા સૂચના</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/vSPUTaVKoEIHAkQ1HGJXLklf740ta2kQKcyCl4f7.webp'/></item><item><title><![CDATA[Rajkot News: જેતપુરમાં ભાદર નદીના ચેકડેમમાં ન્હાવા પડેલા 2 યુવાનોના ડૂબી જવાથી મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/rajkot/jetpur-bhadar-river-checkdam-drowning-incident</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/rajkot/jetpur-bhadar-river-checkdam-drowning-incident</guid><pubDate>Thu, 30 Jul 2026 19:11:21 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં એક અત્યંત હૃદયકાંપક દુર્ઘટના સામે આવી છે. જેતપુરના ખીરસરા રોડ પર આવેલી ભાદર નદીના નાર પાટ ચેકડેમમાં ન્હાવા પડેલા 2 યુવાનોના પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અને મૃતકોના પરિવારજનોમાં ભારે અરેરાટી અને શોકની કાળી ડિબંગ છવાઈ ગઈ છે.</p><h2><b>5 થી 6 મિત્રો સાથે ન્હાવા પડેલા યુવાનો સાથે ઘટી ઘટના</b></h2><p>મળતી માહિતી અનુસાર, 5 થી 6 મિત્રોનું જૂથ ખીરસરા રોડ પર આવેલા નાર પાટ ચેકડેમ ખાતે ન્હાવા માટે આવ્યું હતું. તમામ મિત્રો પાણીમાં ઉતરીને ન્હાવાની મજા માણી રહ્યા હતા, તે દરમિયાન અચાનક 2 યુવાનો પાણીના ઊંડાણમાં ગરકાવ થઈ ગયા હતા. પાણીનો અંદાજ ન રહેતા બંને યુવાનો ડૂબવા લાગ્યા હતા, જેના કારણે સાથે આવેલા અન્ય મિત્રોમાં ચીસાચીસ મચી ગઈ હતી.</p><h2><b>મૃતકોની ઓળખ થઈ</b></h2><p>પાણીમાં ડૂબી જવાથી જીવ ગુમાવનારા બંને યુવાનોની ઓળખ થઈ ગઈ છે. જેમાં એક 20 વર્ષીય યુવાન વસીમ પરમાર અને અન્ય એક 17 વર્ષીય સગીર કાદિર ડોઢિયાનો સમાવેશ થાય છે. નાની વયના આ બંને યુવાનોના અકાળે થયેલા અવસાનથી તેમના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.</p><p><br><img alt="Rajkot News: Tragic Drowning in Jetpur: 2 Youths Die in Bhadar River Check Dam" src="https://epapercdn.sandesh.com/images/2026/07/30/KKMwht7F4XFjyM6j0yvfRw6I64aZu8181tqaHa2o.webp"></p><h2><b>ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓએ મૃતદેહો બહાર કાઢ્યા</b></h2><p>ઘટના અંગે તાત્કાલિક જાણ કરવામાં આવતા જેતપુર નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગના જવાનો અને સ્થાનિક અનુભવી તરવૈયાઓની મદદથી ચેકડેમના ઊંડા પાણીમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. કલાકોની જહેમત બાદ વસીમ પરમાર અને કાદિર ડોઢિયા બંનેના મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.</p><p><img alt="Rajkot News: Tragic Drowning in Jetpur: 2 Youths Die in Bhadar River Check Dam" src="https://epapercdn.sandesh.com/images/2026/07/30/TspmRrxkJFlqULMvmRNwbcLv4dehdkf7AVRFPnYp.webp"><br></p><h2><b>ઘટના સ્થળે પોલીસ કાફલો દોડી આવ્યો</b></h2><p>ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સ્થાનિક પોલીસનો કાફલો પણ તુરંત સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોનો કબ્જો મેળવી આગળની કાનૂની અને પંચનામાની કામગીરી હાથ ધરી છે. આ કરૂણ દુર્ઘટનાની જાણ આસપાસના વિસ્તારમાં વાયુવેગે ફેલાતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/weather/monsoon-2026/news/gujarat/rajkot/rhishikesh-society-road-controversy-corporator-sanjaysinh-rana-statement" target="_blank">Rajkot News: ઋષિકેશ સોસાયટીમાં નવો વિવાદ, કોર્પોરેટરે કહ્યું- 'પાણી ભરાય છે, એમાં સ્થાનિકોનો જ વાંક છે'</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/S9czhSoPstqu3wJiW4YmoYurXzS4siR6FeRInCtO.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: શહેરમાં ભારે વરસાદ સાથે ફ્લેશ ફ્લડ અને વાવાઝોડાની શક્યતા, મનપાના તમામ અધિકારીઓની રજાઓ રદ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/flash-flood-and-storm-alert-amc-cancels-all-staff-leaves</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/flash-flood-and-storm-alert-amc-cancels-all-staff-leaves</guid><pubDate>Thu, 30 Jul 2026 18:38:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને પગલે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.શહેરમાં ફ્લેશ ફ્લડ અને તીવ્ર વાવાઝોડાની આશંકાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે.સાવચેતી અને વિદ્યાર્થીઓની સુરક્ષાના ભાગરૂપે શહેરની તમામ શાળાઓ, કોલેજો અને આંગણવાડીઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને જરૂર વગર બહાર ન નીકળવા, શક્ય હોય ત્યાં સુધી ઘરેથી જ કામ કરવા અને સંપૂર્ણ સાવચેતી વર્તવા માટે અપીલ કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>શહેરમાં પાણીના નિકાલ માટે તંત્ર સજ્જ</b></h2><p style="text-align: justify; ">શહેરમાં જળબંબાકારની સ્થિતિને પહોંચી વળવા માટે AMC દ્વારા પૂરજોશમાં તૈયારીઓ કરી લેવાઈ છે. નદીના પાણીનું સ્તર ઘટાડવા માટે વાસણા બેરેજના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.શહેરના નીચાણવાળા અને પાણી ભરાતા વિસ્તારોમાંથી તાત્કાલિક નિકાલ માટે 245 સ્ટ્રોમ વોટર પંપ અને ડ્રેનેજ લાઇનના 345 પંપ સતત કાર્યરત કરી દેવાયા છે.આ સાથે જ કોઈપણ આકસ્મિક કટોકટી, બચાવ કે રાહત કામગીરી માટે ફાયર બ્રિગેડની ટીમોને પણ હાઈએલર્ટ મોડ પર તૈનાત રાખવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>મેયરે નાગરિકોને અપીલ કરી</b></h3><p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં આગામી 48 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહીને પગલે મેયર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા ખાસ અપીલ કરવામાં આવી છે.મનપા દ્વારા નીચાણવાળા અને પૂરની સંભાવના ધરાવતા વિસ્તારોમાં રહેતા લોકો માટે વિવિધ કોમ્યુનિટી હોલ ખાતે રહેવા અને જમવાની વ્યવસ્થા સજ્જ કરી દેવામાં આવી છે. મેયરે ખાતરી આપતા જણાવ્યું હતું કે નાગરિકોની સેવા અને સુરક્ષા માટે મહાનગરપાલિકાનું તંત્ર સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે અને કોઈપણ મુશ્કેલીના સમયે મદદ માટે 24 કલાક હાજર રહેશે તેથી નાગરિકોએ ગભરાવાની જરૂર નથી.<br><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/patan/patan-district-collector-orders-instructs-all-government-officials-not-to-leave-headquarters-amid-fear-of-rain" target="_blank">આ પણ વાંચોઃ Patan જિલ્લા કલેક્ટરનો આદેશ, વરસાદની ભીતિ વચ્ચે તમામ સરકારી અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા સૂચના</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/I9RwmlfgbMck4TA4dkjNiRdXFfNaU05uPCk76I32.webp'/></item><item><title><![CDATA[Personal Loanના EMI ન ચૂકવવા પર શું જવું પડે છે જેલ? આ છે RBIના નિયમ ]]></title><link>https://sandesh.com/business/news/personal-loan-emi-missed--will-police-come-or-jail-happen--know-truth</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/personal-loan-emi-missed--will-police-come-or-jail-happen--know-truth</guid><pubDate>Thu, 30 Jul 2026 18:26:06 +05:30</pubDate><description><![CDATA[<p>આજકાલ મોબાઇલ એપ અથવા બેંક દ્વારા પર્સનલ લોન મેળવવામાં થોડી જ મિનિટો લાગે છે અને પૈસા તરત જ તમારા ખાતામાં જમા થઈ જાય છે. જોકે, વાસ્તવિક ચિંતા ત્યારે થાય છે જ્યારે તમે તમારી નોકરી ગુમાવો છો તમારો વ્યવસાય નિષ્ફળ જાય છે અથવા તમારે અન્ય અનિવાર્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવી પરિસ્થિતિઓમાં  EMI બાઉન્સ થવા લાગે છે. જેમ જેમ પરિસ્થિતિ વધુ વણસે છે, તેમ તેમ એક સામાન્ય ભય ઊભો થાય છે: જો હું લોન ચૂકવીશ નહીં તો શું પોલીસ મારા ઘરે આવશે? શું મારે જેલમાં જવું પડશે? સ્પષ્ટ અને સીધો જવાબ છે ના. ફક્ત લોન ચૂકવવામાં અસમર્થ રહેવું એ કાયદા હેઠળ ગુનો નથી. જો તમારા ઇરાદા પ્રામાણિક હોય પરંતુ તમે પ્રતિકૂળ પરિસ્થિતિઓને કારણે તમારો EMI ચૂકવી શકતા નથી, તો તમને ફક્ત એટલા માટે જેલમાં મોકલી શકાય નહીં.</p><p><b>જ્યારે EMI ચૂકી જાવ તો બેંક શું કરે છે?</b></p><p>જો તમે સતત તમારા EMI ચૂકવવામાં નિષ્ફળ જાઓ છો, તો બેંક તાત્કાલિક કડક પગલાં લેતી નથી. શરૂઆતમાં, તમને કોલ અને સંદેશાઓ દ્વારા ચુકવણી કરવાનું યાદ અપાવવામાં આવે છે. ત્યારબાદ, કાયદાકીય નોટિસ મોકલવામાં આવે છે. જો ચુકવણી લાંબા સમય સુધી બાકી રહે છે. તો બેંક તમારા લોન ખાતાને NPA' (નોન-પર્ફોર્મિંગ એસેટ) તરીકે વર્ગીકૃત કરે છે. સૌથી નોંધપાત્ર પ્રતિકૂળ અસર તમારા CIBIL સ્કોર પર પડે છે. નબળા CIBIL સ્કોરનો અર્થ એ છે કે ભવિષ્યમાં તમને નવી લોન અથવા ક્રેડિટ કાર્ડ મેળવવામાં મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે. આ પછી, બેંક કોર્ટ દ્વારા બાકી રકમ વસૂલવા માટે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી શકે છે. જો તમે લોન સામે કોઈ કોલેટરલ આપ્યું હોય, તો તે સંપત્તિ અંગે પણ કાર્યવાહી કરી શકાય છે.</p><p><b>કયા કિસ્સાઓમાં જેલનું જોખમ છે?</b></p><p>જેમ અગાઉ ઉલ્લેખ કર્યો છે,  મુશ્કેલીને કારણે EMI ચૂકવવામાં નિષ્ફળતા ગુનો નથી. જેલનું જોખમ ફક્ત છેતરપિંડીના કિસ્સાઓમાં જ થાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈએ બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને લોન મેળવી હોય, તેમના રોજગાર અથવા આવક વિશે બેંકને ખોટું બોલ્યું હોય, અથવા જાણી જોઈને પૈસા લઈને ફરાર થઈ જાય. આવા કિસ્સાઓમાં બેંક FIR દાખલ કરવા માટે સીધી પોલીસનો સંપર્ક કરી શકે છે, જેનાથી ફોજદારી કેસ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો બેંક સાથે ઇરાદાપૂર્વક છેતરપિંડી કરવી અને અનિવાર્ય સંજોગોને કારણે લોન ચૂકવવામાં અસમર્થ રહેવું એ બે સંપૂર્ણપણે અલગ બાબતો છે.</p><p><b>રિકવરી એજન્ટો તરફથી ધમકીઓનો તમે કેવી રીતે સામનો કરી શકો છો?</b></p><p>લોન ચૂકવવામાં ડિફોલ્ટ કરનારા દેવાદારો ઘણીવાર રિકવરી એજન્ટોથી સૌથી વધુ ડરતા હોય છે. જોકે, રિઝર્વ બેંક (RBI) એડવાઈઝરી આ ​​સંદર્ભમાં સામાન્ય વ્યક્તિને સશક્ત બનાવે છે. જ્યારે રિકવરી એજન્ટો તમને ફોન કરી શકે છે અથવા તમારા ઘરે અથવા ઓફિસમાં લેણાં વસૂલવા માટે જઈ શકે છે, ત્યારે તેમને અસભ્ય વર્તન કરવાનો અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાનો અથવા તમને ધમકી આપવાનો કોઈ અધિકાર નથી. તેઓ રાત્રે ફોન કરીને તમને હેરાન કરી શકતા નથી. જો કોઈ એજન્ટ મર્યાદા ઓળંગે છે અથવા તમને અપમાનિત કરવાનો પ્રયાસ કરે છે, તો તમારે પોલીસ અથવા RBIમાં ફરિયાદ નોંધાવવામાં અચકાવું જોઈએ નહીં. આવી બાબતોમાં કાયદો તમને સંપૂર્ણ ટેકો આપે છે.</p><p><b>જો તમને નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડે તો તમારે શું કરવું જોઈએ?</b></p><p>લોકો ઘણીવાર ડરના કારણે બેંકના કોલનો જવાબ આપવાનું બંધ કરી દે છે. આ એક મોટી ભૂલ છે; આમ કરવાથી સમસ્યાનો ઉકેલ આવવાને બદલે તે વધુ ખરાબ થાય છે. જો તમને લાગે કે તમારા EMI ચૂકવવાનું હવે તમારા હાથમાં નથી, તો સીધા બેંકની મુલાકાત લો અને અધિકારીઓને ખુલ્લેઆમ તમારી પરિસ્થિતિ સમજાવો. બેંકો ઘણીવાર આવા કિસ્સાઓમાં સહાય પૂરી પાડે છે. જો જરૂરી હોય તો તેઓ તમારા EMI ઘટાડી શકે છે. લોન ચુકવણીનો સમયગાળો લંબાવી શકે છે અથવા થોડા મહિનાનો ગ્રેસ પીરિયડ આપી શકે છે. ક્યારેક 'વન-ટાઇમ સેટલમેન્ટ' વિકલ્પ પણ શોધી શકાય છે, જે કાયદાકીયમુશ્કેલીઓનો કાયમી ઉકેલ લાવી શકે છે અને તમારા માનસિક તણાવને દૂર કરી શકે છે.</p><p><br>આ પણ વાંચો:<a href="https://sandesh.com/india/news/weather-update-31-july--imd-issues-red-alert-for-19-states--heavy-rain" target="_blank"><b> Weather Update: હવામાન વિભાગે કરી ભયંકર આગાહી, ભારે વરસાદને લઈને આપ્યું અહીં રેડ એલર્ટ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/zbXJMElr3tC6rkr8kmW279uBHzrnuwqnKZiox49M.webp'/></item><item><title><![CDATA[Mahira Sharmaના રાણા જી 2.0 પર મમતા કુલકર્ણીની પ્રતિક્રિયા, કહ્યું- 'ઓરિજિનલની વાત જ અલગ છે' ]]></title><link>https://sandesh.com/entertainment/news/mahira-sharma-rana-ji-2-mamta-kulkarni-reaction</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/mahira-sharma-rana-ji-2-mamta-kulkarni-reaction</guid><pubDate>Thu, 30 Jul 2026 18:04:27 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ટીવી અભિનેત્રી માહિરા શર્મા હાલમાં ચર્ચામાં છે અને તેનું કારણ છે તેમનું નવું ગીત. તાજેતરમાં માહિરા શર્માનો નવો મ્યુઝિક વીડિયો રાણાજી 2.0 રિલીઝ થયો છે, જે સતત સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. આ ગીત 90ના દાયકાના સુપરહિટ ગીત રાણાજી માફ કરનાનું રિમેક છે. લોકોના મનમાં સવાલ હતો કે આ ગીતની મૂળ અભિનેત્રી મમતા કુલકર્ણી રિમેક&nbsp; વિશે શું વિચારે છે. હવે પોતે મમતાએ તેના પર પોતાની પ્રતિક્રિયા આપી છે.</p><h2 style="text-align: justify; "><b>મૂળ ગીતમાં મમતા કુલકર્ણીની અદાઓએ જીતી લીધા હતા દિલ</b></h2><p style="text-align: justify; ">1995માં આવેલી સલમાન ખાન, શાહરુખ ખાન અને કાજોલની ફિલ્મ કરણ અર્જુનનું ગીત રાણાજી માફ કરના ખૂબ લોકપ્રિય થયું હતું. આ ગીતમાં મમતા કુલકર્ણીની અદાઓ અને તેમનો ડાન્સ આજે પણ લોકોમાં ખૂબ લોકપ્રિય છે. હવે આ જ ગીતને નવા અંદાજમાં રાણાજી 2.0 નામથી રજૂ કરવામાં આવ્યું છે, જેમાં માહિરા શર્મા જોવા મળી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>મમતા કુલકર્ણીએ આપ્યું પોતાનું મંતવ્ય</b></h3><p style="text-align: justify; ">માહિરા શર્માનું ગીત રાણા જી 2.0 સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે અને તેને મિશ્ર પ્રતિક્રિયાઓ મળી રહી છે. જોકે, મોટાભાગના લોકો તેની ટીકા કરતા જોવા મળ્યા અને કહ્યું કે ફરી એક લોકપ્રિય ગીતને બગાડી નાખવામાં આવ્યું છે. હવે આ રિમેક વિશે વાત કરતાં મમતા કુલકર્ણીએ કહ્યું, તેણે સારું કામ કર્યું છે. વાત એ છે કે તમે એક એવું ગીત જોઈ રહ્યા છો, જે ઘાઘરા-ચોળી અને ભારતીય નૃત્યની મુદ્રાઓ સાથે હતું, જેને હવે પશ્ચિમી સ્વરૂપ અને પશ્ચિમી પોશાકમાં બનાવવામાં આવ્યું છે. તેથી તે અલગ દેખાય છે. પરંતુ જૂનું ગીત લોકોના મનમાં વસેલું છે, એટલે તે તરત યાદ આવી જાય છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbXWAB6t45J/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbXWAB6t45J/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbXWAB6t45J/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbXWAB6t45J/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>આ રીતે થયું હતું મૂળ ગીતનું શૂટિંગ</b></h4><p style="text-align: justify; ">મૂળ ગીતના શૂટિંગને યાદ કરતાં મમતા કુલકર્ણીએ કહ્યું, રાણાજી ગીતના નૃત્ય દિગ્દર્શક ચિન્ની પ્રકાશ માસ્ટરજી હતા. રિહર્સલ 2-3 દિવસ માટે નક્કી કરવામાં આવી હતી. પરંતુ મેં પહેલા જ દિવસે ડાન્સના સ્ટેપ્સ યોગ્ય રીતે શીખી લીધા હતા. જ્યારે હું સેટ પર પહોંચી ત્યારે સ્ટેપ્સ બદલી દેવામાં આવ્યા હતા. મેં તેમને પૂછ્યું કે તેમણે સ્ટેપ્સ કેમ બદલ્યા. મને સમજાતું નહોતું કે પછી રિહર્સલનો અર્થ શું હતો, પરંતુ ચિન્ની પ્રકાશ માસ્ટરજી ખૂબ સારા હતા અને અમે સમયસર ગીતનું શૂટિંગ પૂરું કરી લીધું.</p><h5 style="text-align: justify; "><b>તે સમયે હું યુવાન અને નાદાન હતી</b></h5><p style="text-align: justify; ">બોલીવુડમાં પોતાની સફર વિશે વાત કરતાં મમતા કુલકર્ણીએ કહ્યું, મને અભિનયની ઓફર મળી રહી છે. જો મને એવી કોઈ પટકથા મળે, જેને લઈને હું ખરેખર ઉત્સાહિત હોઉં, તો હું તેમાં કામ કરવા માટે તૈયાર છું. જોકે, આજે હું મુઝકો રાણાજી માફ કરના જેવા ગીતને તેના શબ્દો સાથે કરી શકીશ નહીં. હવે હું આધ્યાત્મિક રીતે વધુ જાગૃત બની ગઈ છું. તેથી કેટલાક ગીતો મારા માટે યોગ્ય નથી. હવે ડાન્સ કરતાં ગીતોના શબ્દો પર વધુ ધ્યાન આપવું પડે છે. અગાઉ હું ગીતના શબ્દો વિશે ક્યારેય વિચારતી નહોતી, કારણ કે મારું વધુ ધ્યાન ડાન્સના સ્ટેપ્સને વધુ સારા બનાવવા પર રહેતું હતું. તે સમયે હું યુવાન અને નાદાન હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/tmkoc-sundarlal-highest-paid-actor" target="_blank">આ પણ વાંચો-TMKOC : જેઠાલાલ નહીં, સુંદરલાલ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સૌથી મોંઘા એક્ટર!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/W9Oeu0jw3pcLr2BYlTbYBRixAAwdeJ8MscsHuc3q.webp'/></item><item><title><![CDATA[CWG 2026માં નીરજ ચોપરાએ મચાવી ધૂમ, પાકિસ્તાનના અરશદ નદીમને હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું ]]></title><link>https://sandesh.com/sports/news/neeraj-chopra-cwg-2026-javelin-final-qualification</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/neeraj-chopra-cwg-2026-javelin-final-qualification</guid><pubDate>Thu, 30 Jul 2026 16:56:15 +05:30</pubDate><description><![CDATA[<p>કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભાલા ફેંકમાં ભારત માટે એક મોટા સમાચાર છે. લાંબા સમય પછી કોમનવેલ્થ ગેમ્સમાં વાપસી કરી રહેલા સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરાએ પુરુષોની ભાલા ફેંકની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ખાસ વાત એ છે કે માત્ર નીરજ જ નહીં, પરંતુ ભારતના ત્રણેય ભાલા ફેંકનારાઓ ક્વોલિફિકેશન પડકારને પાર કરવામાં સફળ રહ્યા હતા.&nbsp;</p><p>રોહિત યાદવ અને યશવીર સિંહે પણ જોરદાર પ્રદર્શન કરીને ફાઈનલમાં ટિકિટ મેળવી લીધી. પાકિસ્તાનનો ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમ પણ આગળના રાઉન્ડમાં પહોંચી ગયો છે. ખાસ વાત એ છે કે ક્વોલિફિકેશન રાઉન્ડમાં નીરજ અરશદ નદીમ કરતા વધુ દૂર ભાલા ફેંકવામાં સફળ રહ્યો હતો.</p><h2><b>નીરજે 79 મીટરનો આંકડો પાર કર્યો</b></h2><p>ગ્લાસગોમાં યોજાયેલા ક્વોલિફિકેશન રાઉન્ડમાં નીરજ ચોપરાએ 79.61 મીટરના બેસ્ટ પ્રયાસ સાથે ભાલા ફેંક્યો. તે 84.00 મીટરના ઓટોમેટિક ક્વોલિફિકેશન માર્કથી ઓછો રહ્યો, પરંતુ બંને ક્વોલિફિકેશન ગ્રુપના એકંદર પ્રદર્શનના આધારે તે પાંચમા નંબરે રહ્યો અને 12-મેન ફાઈનલ માટે ક્વોલિફાય થયો. આ સ્પર્ધામાં રમતવીરો માટે હવામાન એક મોટો પડકાર હતો.&nbsp;</p><p>ગ્લાસગોમાં ઠંડી અને વાદળછાયું વાતાવરણને કારણે કોઈ પણ ખેલાડી 84 મીટરના ઓટોમેટિક ક્વોલિફિકેશન માર્ક સુધી પહોંચી શક્યો નહીં. તેથી બંને ગ્રુપના બેસ્ટ પ્રદર્શનના આધારે ફાઈનલિસ્ટનો નિર્ણય લેવામાં આવ્યો.</p><h3><b>ત્રણેય ભારતીય ખેલાડીઓ ફાઈનલમાં પહોંચ્યા</b></h3><p>ભારત માટે સૌથી મોટી ખુશી એ હતી કે તેના ત્રણેય ખેલાડીઓ ફાઈનલમાં પહોંચ્યા . રોહિત યાદવે 78.37 મીટરના બેસ્ટ થ્રો સાથે નવમા નંબરે ક્વોલિફાય કર્યું, જ્યારે યશવીર સિંહ 78.36 મીટરના પ્રયાસ સાથે 10મા નંબરે રહીને ફાઈનલમાં પહોંચ્યો. આનાથી ભારતને ત્રણ મજબૂત મેડલ દાવેદાર મળ્યા.</p><h4><b>રુમેશ થરંગા ટોપ પર</b></h4><p>ક્વોલિફિકેશન રાઉન્ડમાં શ્રીલંકાના રુમેશ થરંગા પથિરાજે 82.84 મીટરના થ્રો સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ દરમિયાન પાકિસ્તાનના અરશદ નદીમે શરૂઆતના પ્રયાસ પછી પણ પોતાનું અંતર સુધાર્યું ન હતું, પરંતુ 78.63 મીટરના થ્રો સાથે સાતમા નંબરે રહીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. હવે બધાની નજર ફાઈનલ પર રહેશે, જ્યાં નીરજ ચોપરા ફરી એકવાર મોટા મંચ પર ગોલ્ડ મેડલ જીતવાનું લક્ષ્ય રાખશે. ત્રણ ભારતીય ખેલાડીઓ ફાઈનલમાં પહોંચતા દેશની મેડલની આશાઓ પણ નોંધપાત્ર રીતે વધી ગઈ છે.</p><h5><b>ટોપ 12 ખેલાડીઓ ફાઈનલમાં પહોંચ્યા</b></h5><p>રમેશ પથિરાજ (SRI) - 82.84m</p><p>એન્ડરસન પીટર્સ (GRE) - 81.29m</p><p>ડાઉ સ્મિથ (RSA) - 80.64m</p><p>બેન ઈસ્ટ (ENG) - 80.38m</p><p>નીરજ ચોપરા (IND) - 79.61m</p><p>કેમેરોન મેકઈન્ટાયર (AUS) - 78.91m</p><p>અરશદ નદીમ (PAK) - 78.63m</p><p>કીશોન સ્ટ્રેચન (BAH) - 78.60m</p><p>રોહિત યાદવ (IND) - 78.37m</p><p>યશવીર સિંહ (IND) - 78.36m</p><p>કેશોર્ન વોલકોટ (TTO) - 78.26m</p><p>ચિનેચેરેમ નનમડી (NIG) - 75.27m</p><p><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/ishan-kishan-run-out-abhishek-sharma-stump-mic-video" target="_blank">Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/jjZA8np5mdIXWymcC1wyulE70MoGb1vYPfsb8oF3.webp'/></item></channel></rss>