<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Vadodara: માર્ગો વચ્ચે અડિંગો જમાવી બેસતા પશુઓથી અકસ્માતના બનાવો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</guid><pubDate>Thu, 06 Aug 2026 05:49:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વાઘોડિયા નગરમાં છેલ્લા ઘણા સમયથી રખડતી ગાયોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે, જે અંગે સત્તાધિશોનું વારંવાર ધ્યાન દોરવા છતાં પણ કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા અધિકારીઓને લોકોની ફરિયાદો સંભળાતી નથી. જ્યારે પશુપાલકો મનમાની કરી ઢોરોને રખડતા મૂકી દે છે, જેના કારણે નાના મોટા અકસ્માતો થતાં રહે છે. વાઘોડિયા નગરના મુખ્ય ચાર રસ્તા જય અંબે પાસે તેમજ રેલવે સ્ટેશન પાસે પણ સતત વાહન વ્યવહારથી ધમધમે છે. આ સ્થળો ઉપર રસ્તાની વચ્ચે ગાયોનું ટોળુ અડીંગો જમાવીને બેસી જાય છે, તેના કારણે અનેક અકસ્માતો થઈ ચૂક્યા છે. જેથી વાઘોડિયા નગરમાં કાયદાનો અમલ કરાવી રખડતાં પશુઓને પકડી પાંજરે પૂરવા નગરજનોની માગ કરાઈ રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/06/pfj6BJSRrVh4UuLM44nCOYfKjSWJAQjooWUwiWmr.webp'/></item><item><title><![CDATA[Vadodara: પાવીજેતપુર પોસ્ટ ઓફ્સિ પાસે લીમડાનું તોતિંગ વૃક્ષ ધરાશાયી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-a-towering-neem-tree-fell-near-pavijetpur-post-office</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-a-towering-neem-tree-fell-near-pavijetpur-post-office</guid><pubDate>Thu, 06 Aug 2026 05:48:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પાવીજેતપુર બસ સ્ટેન્ડ ખાતે પોસ્ટ ઓફ્સિની બાજુમાં ઊભેલું લીમડાનું તોતિંગ વૃક્ષ મોડી રાત્રે પવનના સુસવાટા સાથે વરસેલા વરસાદ દરમિયાન અચાનક જમીનદોસ્ત થયું હતું. વૃક્ષ નજીક એક કેબીનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જ્યારે અન્ય બે કેબીનોને પણ મોટુ નુકસાન પહોંચ્યું હતું.</p><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. જોકે ઘટના મોડી રાત્રે બનતાં સ્થળ પર કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી. જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વૃક્ષ ધરાશાયી થતાં વીજલાઈનો પર પણ અસર પહોંચી હતી. ઘટનાની જાણ થતાં એમ.જી.વી.સી.એલના કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. અને સતત વરસતા વરસાદ વચ્ચે જોખમની પરવા કર્યા વગર વીજ પુરવઠો સુરક્ષિત રીતે પુનઃસ્થાપિત કરવાની કામગીરી હાથ ધરી હતી. કર્મચારીઓની ઝડપી અને સરાહનીય કામગીરીને સ્થાનિકોએ બિરદાવી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/06/rtwAD1OyAa4dQZLWjiTD19UpjMSGSaytf9RwvgEz.webp'/></item><item><title><![CDATA[Chhotaudepur: બોડેલીની અલીપુરા ચોકડી પાસેથી ગૌવંશ ભરેલો ટેમ્પો ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-a-tempo-full-of-cattle-was-seized-near-alipura-intersection-in-bodeli</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-a-tempo-full-of-cattle-was-seized-near-alipura-intersection-in-bodeli</guid><pubDate>Thu, 06 Aug 2026 05:47:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોડેલીના અલીપુરા સર્કલ નજીકથી પસાર થતી એક શંકાસ્પદ ગાડીને જીવદયા પ્રેમીઓએ રોકાવી તપાસ કરતાં ગાડીમાં કુલ 8 નિર્દોષ વાછરડાં-વાછરડીને અત્યંત કરૂરતાપૂર્વક લઈ જવાતા હતા.</p><p style="text-align: justify; ">પ્રાપ્ત માહિતી મુજબ શ્રી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ (પાણીબાર)ના પ્રમુખ અને જીવદયાપ્રેમી વિષ્ણુભાઈ રાઠવાને અલીપુરા સર્કલ નજીકથી પસાર થતી ગાડી પર શંકા જતાં તેમણે ગાડી રોકાવી હતી. તપાસ દરમિયાન ગાડીમાં 7 વાછરડાં અને 1 વાછરડીને ખીચોખીચ બાંધીને લઈ જવાતા હોવાનું માલૂમ પડયું હતું. આ અંગે ત્વરિત જીવદયા પ્રેમીઓએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને હેરફેરમાં વપરાયેલી ગાડી અને ગૌવંશ કબ્જે કર્યા હતા. સાથોસાથ ગાડીના ચાલક ઠાકોર ગણપતભાઈ પાટણવાડીયા અને ગૌવંશના માલિક ભલસિંગ ભગડીયાભાઈ કટારાને ઝડપી પાડયા હતા.તપાસ દરમિયાન આરોપીઓ પાસે ગૌવંશની હેરફેર માટે જરૂરી પાસ-પરમિટ કે પશુ ચિકિત્સકનું (વેટરનરી) પ્રમાણપત્ર મળી આવ્યું ન હતું. જેથી બોડેલી પોલીસે પશુઓ પ્રત્યે કરૂરતા પ્રતિબંધ અધિનિયમહેઠળ ગુનો નોંધ્યો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/06/B0ri6LhQG5BnnbmOeXWkHdJgIoQj5v08bexSNyqX.webp'/></item><item><title><![CDATA[Chhotaudepur: છોટાઉદેપુર જિલ્લાની શાળાઓમાંથી વીજ તાર અને થાંભલા દૂર કરાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-electric-wires-and-poles-removed-from-schools-in-chhotaudepur-district</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-electric-wires-and-poles-removed-from-schools-in-chhotaudepur-district</guid><pubDate>Thu, 06 Aug 2026 05:46:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">છોટાઉદેપુર જિલ્લામાં આવેલી પ્રાથમિક શાળાના પરિસરમાં લગાવવામાં આવેલા વીજ થાંભલાઓ અને તેના ઉપરથી પસાર થતાં વીજ વાયરો ચોમાસાની સિઝનમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે જોખમી હોવાથી આ મામલે શિક્ષક સંઘે કરેલી રજૂઆતના પગલે વીજ કંપનીએ થાંભલાઓ અને વાયરો હટાવ્યા હતા.</p><p style="text-align: justify; ">બોડેલી તાલુકા સહિત છોટાઉદેપુર જિલ્લાની કેટલીક સરકારી પ્રાથમિક શાળાના પરિસરમાંથી જીવતા વીજ વાયરો પસાર થતા હતા અને વીજ થાંભલાઓ પણ ઊભા હતા. જેના કારણે શાળામાં અભ્યાસ કરતા નિર્દોષ વિદ્યાર્થીઓ માટે સતત ભયનો માહોલ જોવા મળતો હતો. હાલમાં ચોમાસાની ઋતુ દરમિયાન અને પવનના કારણે આ વાયર તૂટી પડવાનો કે વીજ પ્રવાહ ચાલુ થઈ જવાનો મોટો ખતરો તોળાતો હોય છે ત્યારે આ બાબતની ગંભીરતા સમજીને છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા એમજીવીસીએલના નાયબ કાર્યપાલકને આવી શાળાઓમાંથી વીજ વાયરો અને વીજ થાંભલા હટાવવા માટેની રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાને લઇને એમજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા શાળા પરિસરમાં આવેલ જોખમી વીજ થાંભલાઓ અને લટકતા જીવંત વીજ તારો હટાવી લઇ અન્ય સલામત સ્થળે શિફ્ટ કરવા સૂચના આપતા એમજીવીસીએલની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી કરી આવા વીજ થાંભલા અને વીજ તારો હટાવી અન્ય સ્થળે સીફ્ટ કરી દેવાતા હતા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/06/s2drrxOmIUg5jztVXM36Tr910bkmbeI7fwBAwcGO.webp'/></item><item><title><![CDATA[Vadodara: પાદરા વકીલ મંડળ દ્વારા અનિશ્ચિત મુદ્દતની હડતાળનો પ્રારંભ કરાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-padra-vakil-mandal-launches-indefinite-strike</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-padra-vakil-mandal-launches-indefinite-strike</guid><pubDate>Thu, 06 Aug 2026 05:45:26 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાત હાઇકોર્ટ દ્વારા અમલમાં મુકાયેલા નવા નિયમોના વિરોધમાં પાદરા વકીલ મંડળ દ્વારા બુધવારે તાકીદની બેઠક યોજી સર્વાનુમતે ઠરાવ પસાર કરી અનિશ્વિત મુદ્દતની હડતાળની જાહેરાત કરાઈ હતી.</p><p style="text-align: justify; ">પાદરા વકીલ મંડળના પ્રમુખ દીપક પ્રજાપતિના અધ્યક્ષસ્થાને સિવિલ કોર્ટ ખાતે મળેલી બાર એસોસિએશનની બેઠકમાં હાઇકોર્ટ દ્વારા તમામ અરજીઓ A-4 સાઇઝના કાગળ પર આગળ-પાછળ પ્રિન્ટ કરીને તેમજ માત્ર નિર્ધારિત ફેન્ટમાં કોમ્પ્યુટરાઇઝ સ્વરૂપે જ રજૂ કરવાની ફરજિયાત જોગવાઈ સામે વકીલોએ ભારે અસંતોષ વ્યક્ત કર્યો હતો. વકીલોનું કહેવું હતું કે રોજિંદા કોર્ટના કામકાજ દરમિયાન આરોપીની ગેરહાજરીની અરજી, મુદત અરજી સહિતની અનેક અરજીઓ તાત્કાલિક રજૂ કરવાની જરૂર પડતી હોય છે. આવી સ્થિતિમાં દરેક અરજી કોમ્પ્યુટર પર ટાઇપ કરીને, નિર્ધારિત ફેન્ટમાં તૈયાર કરીને રજૂ કરવી વ્યવહારિક રીતે અશક્ય બની રહે છે.</p><p style="text-align: justify; ">વકીલોએ રજૂઆત કરી હતી કે અગાઉ પ્રિન્ટેડ ફેર્મેટની અરજીઓમાં કોર્ટનું નામ, કેસ નંબર, પક્ષકારોની વિગતો તથા જરૂરી કારણો હાથેથી ભરીને તાત્કાલિક કોર્ટમાં રજૂ કરવામાં આવતી હતી, જેના કારણે કોર્ટના કામકાજમાં સરળતા રહેતી હતી. બેઠકમાં પસાર કરાયેલા ઠરાવની નકલ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ, વડોદરા યુનિટ જજ, વડોદરાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ, પાદરાના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ તેમજ ગુજરાત બાર કાઉન્સિલને મોકલવામાં આવી છે. હાઇકોર્ટ આ પરિપત્ર પરત નહીં ખેંચે ત્યાં સુધી તા. 5 ઓગસ્ટથી અનિશ્ચિત મુદતની હડતાળ શરૂ કરાઈ છે. આ દરમિયાન જામીન અરજીઓ સિવાયની સમગ્ર કોર્ટ કાર્યવાહિથી પાદરા વકીલ મંડળના તમામ સભ્યો અલિપ્ત રહેશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/06/at0WFLHtGL7t5AFL4lRbcBpEEwBkSufCzNTaoG8B.webp'/></item><item><title><![CDATA[CJP વિદ્યાર્થીઓના મુદ્દાઓ માટે રાષ્ટ્રીય નેટવર્ક બનાવશે, શિક્ષણ સુધારણા અને પારદર્શિતા પર રહેશે ફોકસ ]]></title><link>https://sandesh.com/india/news/cjp-national-student-network-education-reforms-exam-transparency-focus</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/cjp-national-student-network-education-reforms-exam-transparency-focus</guid><pubDate>Wed, 05 Aug 2026 23:41:29 +05:30</pubDate><description><![CDATA[<p>છત્રપતિ સંભાજીનગરમાં યોજાયેલી વ્યૂહરચના બેઠક બાદ કૉકરોચ જનતા પાર્ટી (CJP)એ દેશભરમાં સંગઠન વિસ્તાર કરવાની યોજના બનાવી છે. એન્ટી પેપર લીક પ્રોટેસ્ટ બાદ હવે સંગઠનનું ધ્યાન વિવિધ રાજ્યોના વિદ્યાર્થી સંગઠનો સાથે જોડાણ મજબૂત કરવા પર રહેશે. જોકે, CJPએ સ્પષ્ટ કર્યું છે કે તે ચૂંટણી રાજનીતિમાં પ્રવેશ કરશે નહીં અને માત્ર શિક્ષણ સંબંધિત મુદ્દાઓ પર જ આંદોલન ચાલુ રાખશે.</p><h2><b>આગામી રણનીતિ પર ચર્ચા કરવામાં આવી</b></h2><p>CJPના સ્થાપક અભિજીત દિપકેના નિવાસસ્થાને બે દિવસ સુધી ચાલેલી બેઠકમાં સંગઠનની આગામી રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં આશુતોષ રાંકા, સૌરભ દાસ સહિત સંગઠનના મુખ્ય સભ્યો હાજર રહ્યા હતા. લગભગ 7 કલાક ચાલેલી બેઠકમાં મહારાષ્ટ્રની બહાર સંગઠનનો વિસ્તાર કેવી રીતે કરવો અને દેશના અન્ય રાજ્યોમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલનોને કેવી રીતે સમર્થન આપવું તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.</p><p>અભિજીત દિપકેના જણાવ્યા અનુસાર, બેઠકનો મુખ્ય હેતુ દેશભરમાં વિદ્યાર્થીઓ સાથે જોડાવા માટેની યોજના તૈયાર કરવાનો હતો. જ્યાં પણ વિદ્યાર્થીઓ પોતાની સમસ્યાઓને લઈને આંદોલન કરી રહ્યા છે, ત્યાં CJP તેમનો સાથ આપશે. આ માટે ટૂંક સમયમાં સ્પષ્ટ યોજના તૈયાર કરવામાં આવશે. બેઠકમાં અલગ-અલગ રાજ્યોના વિદ્યાર્થી સંગઠનોને જોડીને એક મોટું રાષ્ટ્રીય નેટવર્ક બનાવવાનો વિચાર પણ રજૂ થયો હતો. યોજના મુજબ, દરેક સંગઠન પોતાની ઓળખ જાળવી રાખીને પણ મોટા શૈક્ષણિક મુદ્દાઓ પર સાથે મળીને અવાજ ઉઠાવશે.</p><h3><b>રાજકીય પક્ષ બનવાની અટકળો અંગે CJPએ સ્પષ્ટતા કરી</b></h3><p>મીડિયામાં ચાલી રહેલી રાજકીય પક્ષ બનવાની અટકળો અંગે CJPએ સ્પષ્ટતા કરી છે કે તે કોઈ રાજકીય પાર્ટી નહીં બને. સંગઠન પ્રેશર ગ્રુપ તરીકે કાર્ય કરશે અને ચૂંટણી લડવાનો તેનો કોઈ હેતુ નથી. શિક્ષણમાં સુધારા, પરીક્ષામાં પારદર્શિતા, જવાબદારી અને વિદ્યાર્થીઓના અધિકારો જેવા મુદ્દાઓ પર જ તેનું ધ્યાન રહેશે. CJPએ જણાવ્યું કે ભવિષ્યના તમામ આંદોલનો મહાત્મા ગાંધી અને ડૉ. બી.આર. આંબેડકરના વિચારો મુજબ શાંતિપૂર્ણ અને લોકશાહી રીતે ચલાવવામાં આવશે. હવે સંગઠન રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના માળખાની જાહેરાત કરવાની તૈયારીમાં છે અને તેના સભ્યો વિવિધ રાજ્યોમાં જઈને વિદ્યાર્થી સંગઠનો સાથે સંપર્ક સ્થાપિત કરશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/50-ott-platforms-blocked-in-india-it-act-violations-obscene-content-action" target="_blank">આ પણ વાંચો : 2 વર્ષમાં 50 OTT પ્લેટફોર્મ ભારતમાં બ્લોક, અશ્લીલતા અને IT એક્ટનું ઉલ્લંઘન કરવા મામલે કરાઈ કાર્યવાહી</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/ZI4DRM5OZ3LLDKpCwixvbL8uH18YSBZw8ms0MgDV.webp'/></item><item><title><![CDATA[Lock Upp 2ની વિનર બની શ્રેયા કાલરા, જાણો પ્રથમ રનર-અપ કોણ રહ્યું? ]]></title><link>https://sandesh.com/entertainment/news/lock-upp-2-winner-shreya-kalra-finale</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/lock-upp-2-winner-shreya-kalra-finale</guid><pubDate>Wed, 05 Aug 2026 23:22:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નેટફ્લિક્સના શો "લોક અપ 2" ને આ સીઝન માટે વિનર મળી ગઈ છે. શ્રેયા કાલરા વિનર બની છે. નેટફ્લિક્સે તેના OTT પ્લેટફોર્મ પર રાત્રે 8 વાગ્યે શોનો લેટેસ્ટ એપિસોડ રિલીઝ કર્યો. આ એપિસોડનું ટાઈટલ "રિડેમ્પશન ડે" છે. એપિસોડના અંતે શ્રેયા કાલરાને વિજેતા તરીકે જાહેર કરવામાં આવી હતી.</p><h2 style="text-align: justify;"><b>શ્રેયા કાલરા બની વિનર</b></h2><p style="text-align: justify;">"લોક અપ 2" ના આ એપિસોડમાં 35મો નંબર છે, જેનું ટાઈટસ "રિડેમ્પશન ડે" છે. આ 1 કલાક 20 મિનિટ અને 1 સેકન્ડના એપિસોડમાં ઘણા ટ્વિસ્ટ અને ટર્ન છે, જેના પરિણામે શ્રેયા કાલરા શોની વિજેતા બની છે. શ્રેયા કાલરાએ રિયાલિટી શોની ટ્રોફી ઘરે લઈ લીધી છે.</p><h3 style="text-align: justify;"><b>શિવાંગી જોશી રનર-અપ રહી</b></h3><p style="text-align: justify;">શ્રેયા કાલરાએ ફરાહ ખાન અને રિતેશ દેશમુખના રિયાલિટી શો "લોકઅપ 2" માટે ટ્રોફી જીતી છે. તેણે 1 કરોડ રૂપિયાની ઈનામી રકમ પણ જીતી હતી. શિવાંગી જોશી પ્રથમ રનર-અપ હતી, એટલે કે શ્રેયા પ્રથમ સ્થાને રહી અને શિવાંગી બીજા સ્થાને રહી. આ નેટફ્લિક્સ શોએ ઘણો વિવાદ ઉભો કર્યો.</p><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DbqhLhOHTvP/?hl=en" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DbqhLhOHTvP/?hl=en" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a><br></p><h4 style="text-align: justify;"><b>શિવાંગી જોશી અને શ્રેયા કાલરા વચ્ચે ઝઘડો</b></h4><p style="text-align: justify;">તમને જણાવી દઈએ કે શ્રેયા કાલરાએ શિવાંગી જોશીને હરાવી હતી. શો દરમિયાન તેમના સંબંધોની વાત કરીએ તો શરૂઆતમાં તેઓ મિત્રો હતા, પરંતુ જેમ જેમ શો આગળ વધતો ગયો તેમ તેમ શિવાંગી જોશી અને શ્રેયા કાલરા વચ્ચે ઝઘડો થયો, અને શોના અંત સુધી તેમના સંબંધો તણાવપૂર્ણ રહ્યા.</p><h5 style="text-align: justify;"><b>ટોપ 3 માં કોણ કોણ છે?</b></h5><p style="text-align: justify;">આ દરમિયાન શોના ટોચના 5 સ્પર્ધકોની વાત કરીએ તો, શિવાંગી જોશી, રામ કપૂર, શ્રેયા કાલરા, શિલ્પા શિંદે અને યોગેશ રાવત ટોપ 5માં રહ્યા. આ પછી એક પછી એક સ્પર્ધકો બહાર થઈ ગયા અને ફક્ત શ્રેયા કાલરા, શિવાંગી જોશી અને યોગેશ રાવત જ ટોપ 3માં પહોંચ્યા.</p><h5 style="text-align: justify;"><b>આ શો 27 જૂને શરૂ થયો</b></h5><p style="text-align: justify;">"લોકઅપ 2" 27 જૂનના રોજ નેટફ્લિક્સ પર પ્રીમિયર થયું હતું. આ શોમાં સુફી મોતીવાલા, રામ કપૂર, શિલ્પા શિંદે (વાઈલ્ડ કાર્ડ), આકાંક્ષા ચમોલા, વરુણ યાદવ, શિવાંગી જોશી, શ્રેયા કાલરા, માધુરી જૈન, પામેલા, ધીરજ ધૂપર, આકાંક્ષા ચૌધરી, યોગેશ રાવત, હર્ષદ ચોપરા, શ્રેષ્ઠા ઐયર, રિયાઝ અલી અને સુનીતા આહુજા જેવા સેલેબ્સ જોવા મળ્યા હતા.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/entertainment/brett-lee-breaks-silence-preity-zinta-dating-rumours" target="_blank">આ પણ વાંચો: Brett Lee પ્રીતિ ઝિન્ટાના પ્રેમમાં...! 16 વર્ષ પછી ક્રિકેટરે તોડ્યું મૌન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/dGYNTH8CSeQH8tcSpEbdyDXXY5WEMDVgr87xwYkx.webp'/></item><item><title><![CDATA[2 વર્ષમાં 50 OTT પ્લેટફોર્મ ભારતમાં બ્લોક, અશ્લીલતા અને IT એક્ટનું ઉલ્લંઘન કરવા મામલે કરાઈ કાર્યવાહી ]]></title><link>https://sandesh.com/india/news/50-ott-platforms-blocked-in-india-it-act-violations-obscene-content-action</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/50-ott-platforms-blocked-in-india-it-act-violations-obscene-content-action</guid><pubDate>Wed, 05 Aug 2026 22:39:53 +05:30</pubDate><description><![CDATA[<p>ડિજિટલ મીડિયા અને OTT પ્લેટફોર્મ પર વધતા વાંધાજનક કન્ટેન્ટને લઈને કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. લોકસભામાં સરકારે ડિજિટલ પ્લેટફોર્મ્સને નિયંત્રિત કરવા માટે લેવામાં આવેલા પગલાં અંગે માહિતી આપી હતી. માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગને જણાવ્યું કે IT નિયમો, 2021 હેઠળ ડિજિટલ સ્પેસને સુરક્ષિત અને જવાબદાર બનાવવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.</p><h2><b>અશ્લીલ અને વાંધાજનક કન્ટેન્ટ પ્રસારિત કરવાનો આરોપ</b></h2><p>સરકારે છેલ્લા બે વર્ષમાં 50 OTT પ્લેટફોર્મ્સને ભારતમાં જાહેર ઍક્સેસ માટે બ્લોક કર્યા છે. આ પ્લેટફોર્મ્સ પર અશ્લીલ અને વાંધાજનક કન્ટેન્ટ પ્રસારિત કરવાનો આરોપ હતો. સરકારના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી IT એક્ટ, ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 294 અને મહિલાઓના અશ્લીલ પ્રતિનિધિત્વ (નિષેધ) અધિનિયમ, 1986 હેઠળ કરવામાં આવી છે.</p><h3><b>ત્રણ સ્તરીય ફરિયાદ નિવારણ વ્યવસ્થા પણ લાગુ</b></h3><p>સરકારે ડિજિટલ કન્ટેન્ટ અંગે ફરિયાદો માટે ત્રણ સ્તરીય ફરિયાદ નિવારણ વ્યવસ્થા પણ લાગુ કરી છે. પ્રથમ તબક્કામાં ફરિયાદ સીધી કન્ટેન્ટ પબ્લિશર પાસે પહોંચશે. જો ત્યાં ઉકેલ ન મળે તો બીજા તબક્કામાં પબ્લિશર્સની સ્વ-નિયમનકારી સંસ્થા મામલો જોશે. ત્યારબાદ પણ ઉકેલ ન આવે તો કેન્દ્ર સરકારની દેખરેખ વ્યવસ્થા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ફેક ન્યૂઝ રોકવા માટે સરકારે ફેક્ટ ચેક યુનિટ (FCU)ની રચના કરી છે. આ યુનિટ સરકારી યોજનાઓ અને નિર્ણયો સંબંધિત માહિતીની ચકાસણી કરીને સાચી માહિતી લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે.</p><h4><b>આ નિયમોનો હેતુ અભિવ્યક્તિની સ્વતંત્રતા પર રોક લગાવવાનો નથી</b></h4><p>સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ નિયમોનો હેતુ અભિવ્યક્તિની સ્વતંત્રતા પર રોક લગાવવાનો નથી, પરંતુ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર જવાબદારી સુનિશ્ચિત કરવાનો છે. IT નિયમો, 2021 હેઠળ ડિજિટલ ન્યૂઝ અને OTT પબ્લિશર્સ માટે આચાર સંહિતા પણ બનાવવામાં આવી છે, જેથી કાયદાની મર્યાદામાં રહીને સ્વતંત્ર અભિવ્યક્તિને પ્રોત્સાહન મળી શકે.</p><p><b><a href="https://sandesh.com/india/news/monsoon-2026/indian-monsoon-el-nino-may-last-till-february-2027-jitendra-singh-warns-in-lok-sabha" target="_blank">આ પણ વાંચો : Indian Monsoon: ફેબ્રુઆરી 2027 સુધી રહી શકે છે El Nino, Jitendra Singhએ લોકસભામાં આપી ચેતવણી</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/swkF01CUi7udqutjV6iVw6UuUNGNv49pv1rS3hzx.webp'/></item><item><title><![CDATA[Air Indiaની કમાન સંભાળશે ટિવોલ્ડે ગેબ્રેમેરિયમ, કંપનીએ CEO અને MD તરીકે નિયુક્ત કર્યા ]]></title><link>https://sandesh.com/india/news/business/air-india-appoints-tewolde-gebremariam-as-ceo-and-md</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/air-india-appoints-tewolde-gebremariam-as-ceo-and-md</guid><pubDate>Wed, 05 Aug 2026 18:49:15 +05:30</pubDate><description><![CDATA[<p>ટાટા ગ્રુપની માલિકીની એર ઈન્ડિયાએ બુધવારે પૂર્વ ઈથોપિયન એરલાઈન્સના પ્રમુખ ટિવોલ્ડે ગેબ્રેમેરિયમને કંપનીના નવા મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) અને મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકે નિયુક્ત કર્યા છે. એરલાઈન્સ એવા સમયે નવા નેતૃત્વ હેઠળ જઈ રહી છે, જ્યારે કંપની સતત નાણાકીય નુકસાન, નિયમનકારી પડકારો અને ઓપરેશનલ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે.</p><h2><b>એર ઈન્ડિયાની કમાન હવે ટિવોલ્ડે ગેબ્રેમેરિયમના હાથમાં</b></h2><p>ટિવોલ્ડે ગેબ્રેમેરિયમ એર ઈન્ડિયાના પૂર્વ CEO કેમ્પબેલ વિલ્સનની જગ્યા લેશે. વિલ્સન, જે અગાઉ સિંગાપોર એરલાઈન્સ સાથે જોડાયેલા હતા, તેમને વર્ષ 2022માં એર ઈન્ડિયાના પુનર્ગઠન અને સુધારણા માટે જવાબદારી સોંપવામાં આવી હતી. એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે કેમ્પબેલ વિલ્સને 2024માં કંપનીના ચેરમેન એન. ચંદ્રશેખરને આ વર્ષે પદ છોડવાની પોતાની યોજના અંગે જાણ કરી હતી.</p><h3><b>પૂર્વ ઈથોપિયન એરલાઈન્સના હતા ચીફ</b></h3><p>ટિવોલ્ડે ગેબ્રેમેરિયમને વૈશ્વિક ઉડ્ડયન ક્ષેત્રનો લાંબો અનુભવ છે. ઈથોપિયન એરલાઈન્સના CEO તરીકે તેમણે કંપનીના વિસ્તરણ અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેની ઓળખ મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે એર ઈન્ડિયાની કામગીરી સુધારવા અને તેને વધુ સ્પર્ધાત્મક બનાવવા માટે તેમના અનુભવનો ઉપયોગ કરવામાં આવશે.</p><h4><b>એર ઈન્ડિયાની સ્થિતિ મજબૂત કરવાની મોટી જવાબદારી&nbsp;</b></h4><p>એર ઈન્ડિયા હાલ અનેક પડકારોનો સામનો કરી રહી છે. ગયા વર્ષે થયેલા વિમાન અકસ્માત બાદ કંપની પર નિયમનકારી દેખરેખ વધી છે. આ અકસ્માતમાં 260 લોકોના મોત થયા હતા, જેના કારણે સુરક્ષા અને કામગીરી અંગે અનેક સવાલો ઊભા થયા હતા. આ ઉપરાંત મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે ફ્લાઈટ ઓપરેશન પર અસર પડી છે. વધેલા ખર્ચ અને પાકિસ્તાનના એરસ્પેસ પ્રતિબંધ જેવા પરિબળોએ પણ એર ઈન્ડિયાની મુશ્કેલીઓ વધારી છે. હવે નવા CEO ટિવોલ્ડે ગેબ્રેમેરિયમ સામે કંપનીને નફાકારક બનાવવા, મુસાફરોનો વિશ્વાસ વધારવા અને વૈશ્વિક સ્તરે એર ઈન્ડિયાની સ્થિતિ મજબૂત કરવાની મોટી જવાબદારી રહેશે.</p><p><a href="https://sandesh.com/knowledge/news/business/uae-trade-hub-1-port-150-countries-11-thousand-companies-why-is-jebel-ali-port-so-important" target="_blank" style=""><b>આ પણ વાંચો : UAE Trade Hub: 1 પોર્ટ, 150 દેશો, 11 હજાર કંપનીઓ, કેમ આટલું મહત્વનું છે Jebel Ali Port?</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/chfhU9bmnbHWiyHUyM0siP57VFdX3aqwohYKVW2d.webp'/></item><item><title><![CDATA[India અને પાકિસ્તાનની થશે ટક્કર, વર્લ્ડકપ માટે ટીમની કરવામાં આવી જાહેરાત ]]></title><link>https://sandesh.com/sports/news/pakistan-hockey-world-cup-2026-squad</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pakistan-hockey-world-cup-2026-squad</guid><pubDate>Wed, 05 Aug 2026 18:45:48 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પાકિસ્તાન હોકી ફેડરેશને 5 ઓગસ્ટના રોજ FIH મેન્સ હોકી વર્લ્ડકપ 2026 માટે 20 સભ્યોની ટીમ અને મેનેજમેન્ટની જાહેરાત કરી હતી. આ ટુર્નામેન્ટ 15 થી 30 ઓગસ્ટ દરમિયાન એમ્સ્ટલવીન, નેધરલેન્ડ અને બેલ્જિયમમાં રમાશે.&nbsp;</p><p style="text-align: justify;">આ મોટી ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થયા પછી પાકિસ્તાન ટીમ હવે વિશ્વના આ સૌથી મોટા હોકી પ્લેટફોર્મ પર સ્પર્ધા કરવા માટે તૈયાર છે. હોકી વર્લ્ડકપ માટે પાકિસ્તાનની ટીમમાં અનુભવી ઈન્ટરનેશનલ ખેલાડીઓ અને યુવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. ભારત અને પાકિસ્તાન 19 ઓગસ્ટના રોજ આ વર્લ્ડકપમાં એકબીજાનો સામનો કરશે.</p><h2 style="text-align: justify;"><b>અમ્માદ બટ્ટને કેપ્ટનશીપ પરથી હટાવવામાં આવ્યો</b></h2><p style="text-align: justify;">હોકી વર્લ્ડકપ માટે પાકિસ્તાન ટીમની જાહેરાત અનુભવી મિડફિલ્ડર અમ્માદ બટ્ટને કેપ્ટન પદેથી હટાવ્યાના લગભગ એક અઠવાડિયા પછી કરવામાં આવી છે. તે છેલ્લા 14 વર્ષથી ટીમની નેતૃત્વ કરી રહ્યો હતો. 29 જુલાઈના રોજ જાહેર કરાયેલા એક નિવેદનમાં PHFએ જણાવ્યું હતું કે તેની વ્યાવસાયિક વિકાસ સમિતિની સલાહ પર તેને અબુ બકરને પાકિસ્તાન રાષ્ટ્રીય હોકી ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે.</p><p style="text-align: justify;">તે સમયે PHFએ અમ્માદ બટ્ટના રાષ્ટ્રીય ટીમ પ્રત્યેના યોગદાન અને સમર્પણની પ્રશંસા કરી હતી. ફેડરેશને એમ પણ કહ્યું હતું કે તે એક સિનિયર ખેલાડી તરીકે પાકિસ્તાન ટીમનો ભાગ રહેશે. ફેડરેશને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અબુ બકરની કેપ્ટનશીપ હેઠળ ટીમ, સિનિયર ખેલાડીઓ અને યુવા સભ્યોના અનુભવ સાથે એક મજબૂત અને સ્પર્ધાત્મક ટીમમાં વિકાસ કરશે.</p><h3 style="text-align: justify;"><b>હોકી વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમ અને સપોર્ટ સ્ટાફ</b></h3><h4 style="text-align: justify;"><b>હોકી વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની 20 સભ્યોની ટીમ</b></h4><p style="text-align: justify;">વકાર, મુહમ્મદ અબ્દુલ્લા, મુહમ્મદ સુફિયાન ખાન, મોઈન શકીલ, અબ્દુલ વહિદ અશરફ રાણા, અબ્દુલ હનાન શાહિદ, ઝકારિયા હયાત, અરશદ લિયાકત, આદિલ લતીફ, અહેમદ નદીમ, ગઝનફર અલી, ઈમાદ શકીલ બટ્ટ, મોહમ્મદ હમદુદ્દીન અંજુમ, રહેમાન અબ્દુલ, અફરાઝ, ઉમર મુસ્તફા, અબુ બકર મહમૂદ, અલી રઝા, અબ્દુલ મટન અને મુહમ્મદ ઈમાદનો સમાવેશ થાય છે.</p><p style="text-align: justify;">ગોલકીપર : વકાર અને અલી રાજા</p><p style="text-align: justify;">ટીમ મેનેજમેન્ટમાં ટીમ મેનેજર મુહમ્મદ ઓવૈસ કરની, હેડ કોચ બોબ જોહાન વેલ્ધોફ (નેધરલેન્ડ), આસિસ્ટન્ટ કોચ ક્રિસ્ટોફર જોન બોવેન (ગ્રેટ બ્રિટન), આસિસ્ટન્ટ કોચ અદનાન ઝાકીર અને વીડિયો ટેકનિશિયન અશરફ સુલતાન સામેલ છે.</p><h5 style="text-align: justify;"><b>પાકિસ્તાન 15 ઓગસ્ટે પોતાની પહેલી મેચ રમશે</b></h5><p style="text-align: justify;">આ હોકી વર્લ્ડકપમાં પાકિસ્તાન ટીમ 15 ઓગસ્ટે એમ્સ્ટલવીનમાં ઈંગ્લેન્ડ સામે પોતાની પહેલી મેચ રમશે. ટીમની બીજી મેચ 17 ઓગસ્ટે વેલ્સ સામે થશે. પાકિસ્તાન 19 ઓગસ્ટે ભારત સામે ટકરાશે. આ વર્લ્ડકપ માટે, ભારત અને પાકિસ્તાનને પૂલ Dમાં એકસાથે રાખવામાં આવ્યા છે. આ બે ટીમો ઉપરાંત ટીમમાં ઈંગ્લેન્ડ અને વેલ્સનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં એશિયન લિજેન્ડ્સ લીગમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક મેચ રમાઈ હતી.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/BSGFdjBYRdYyrIr1nai9fAg4ZuA06DUq1m8Sv97p.webp'/></item></channel></rss>