<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[IIT બોમ્બેના ટોપર યોગેશ સાહુએ 'KBC 18' માં 1 કરોડના પ્રશ્ને રમત છોડી જીત્યા 50 લાખ ]]></title><link>https://sandesh.com/entertainment/news/iit-bombay-topper-yogesh-sahu-quits-kbc-18-after-1-crore-question</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/iit-bombay-topper-yogesh-sahu-quits-kbc-18-after-1-crore-question</guid><pubDate>Fri, 21 Aug 2026 09:16:17 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">'કૌન બનેગા કરોડપતિ ૧૮' ના ૧૯ ઓગસ્ટના એપિસોડમાં IIT બોમ્બેના ટોપર અને UPSC ની તૈયારી કરી રહેલા ઉમેદવાર યોગેશ સાહુએ ₹૧ કરોડના પ્રશ્ન પર જોખમ લેવાને બદલે રમત છોડવાનો નિર્ણય કર્યો હતો અને ₹૫૦ લાખ (₹૫ મિલિયન) ની રકમ જીતી હતી. રમત પૂરી થયા પછી યોગેશે જણાવ્યું હતું કે તેમણે સાચો જવાબ એલિમિનેટ કરી દીધો હતો, કારણ કે તેમને લાગ્યું કે જો જવાબ ઘોડી (mare) વિશે હોત, તો પ્રશ્નમાં "ઘોડા" ને બદલે અલગ શબ્દ વાપરવામાં આવ્યો હોત.</p><h2 style="text-align: justify; "><b>1 કરોડ રૂપિયાનો પ્રશ્ન અને મૂંઝવણ</b></h2><p style="text-align: justify; ">શોના હોસ્ટ અમિતાભ બચ્ચને યોગેશ સાહુને ૧૯૪૩માં બરોડાના મહારાજાની માલિકીના કયા ઘોડાએ મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે પ્રથમ ભારતીય ડર્બી જીતી હતી તે અંગે પ્રશ્ન પૂછ્યો હતો. આ પ્રશ્નમાં ચાર વિકલ્પો આપવામાં આવ્યા હતા: (A) પ્રિન્સેસ બ્યુટીફુલ, (B) રીગલ ડોમેન, (C) સ્ટાર ઓફ ગ્વાલિયર અને (D) પ્રિન્સ પ્રદીપ. જવાબ અંગે ખાતરી ન હોવાથી યોગેશે રમત છોડી દીધી હતી. રમ્યા વગર અનુમાન લગાવતી વખતે તેમણે "પ્રિન્સ પ્રદીપ" પસંદ કર્યો, પરંતુ સાચો જવાબ "પ્રિન્સેસ બ્યુટીફુલ" હતો. સાહુએ સ્પષ્ટ કર્યું કે તેઓ "પ્રિન્સેસ બ્યુટીફુલ" ને શરુઆતમાં જ નકારી રહ્યા હતા કારણ કે પ્રશ્નમાં ઘોડીના બદલે 'ઘોડા' શબ્દનો ઉપયોગ થયો હતો, તેથી તેમના મતે પ્રશ્ન ખોટી રીતે ઘડવામાં આવ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>યોગેશ સાહુની પ્રેરણાદાયી સફર</b></h3><p style="text-align: justify; ">IIT બોમ્બેમાં ટોપર રહી ચૂકેલા યોગેશ સાહુએ UPSC પાસ કરીને IAS અધિકારી બનવાના પોતાના સ્વપ્નને પૂરું કરવા માટે કેમ્પસ પ્લેસમેન્ટ દરમિયાન મળેલી વાર્ષિક ₹૧૮ લાખની નોકરીની ઓફર ઠુકરાવી દીધી હતી. સાહુના પિતા દર મહિને ₹૨૦,૦૦૦ કમાય છે અને આર્થિક મુશ્કેલીઓ હોવા છતાં, પરિવારે યોગેશના સપનાને પૂરું કરવા માટે તેને સંપૂર્ણ ટેકો આપ્યો હતો.</p><h4 style="text-align: justify; "><b>KBC શો વિશે</b></h4><p style="text-align: justify; ">અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરાતી 'કૌન બનેગા કરોડપતિ' સીઝન ૧૮ નું પ્રીમિયર ૧૦ ઓગસ્ટના રોજ થયું હતું. આ નવી સીઝનમાં કુલ ૧૬ પ્રશ્નો અને ₹૭ કરોડનું ટોચનું ઇનામ રાખવામાં આવ્યું છે, જેમાં સ્પર્ધકોને રમત દરમિયાન લાઇફલાઇનનો ઉપયોગ કરવાની સુવિધા મળે છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/govinda-sunita-ahuja-rift-reasons-behind-divorce-rumors" target="_blank">આ પણ વાંચો : Celebrity Divorce : ગોવિંદા અને સુનીતા આહૂજા વચ્ચે કેમ બગડ્યા સંબંધો? સામે આવી અંદરની વાત!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/4iFFQIDCkQQHFVbo7gZmuWEJOaudTrwYnMZBlrpy.webp'/></item><item><title><![CDATA[Sabarkantha : 1.50 લાખમાં માસૂમનો સોદો, કોલ્હાપુર સુધી પહોંચતી કડી, બાળ તસ્કરીનો કાળો ખેલ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/himatnagar/sabarkantha-child-trafficking-gang-kavita-jadav-sitaram-parmar</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/himatnagar/sabarkantha-child-trafficking-gang-kavita-jadav-sitaram-parmar</guid><pubDate>Fri, 21 Aug 2026 09:13:31 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સાબરકાંઠામાં બાળ તસ્કરી ગેંગ મામલે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. તપાસમાં ટ્રાફિકિંગ એજન્ટ તરીકે મહત્વની ભૂમિકા ભજવનાર કવિતા પ્રતાપ જાદવ અને સીતારામ પરમાર પોલીસના સકંજામાં આવ્યા છે. બંને આરોપીઓ હાલ પોલીસ રિમાન્ડ હેઠળ હોવાનું સામે આવ્યું છે અને આગામી દિવસોમાં આ સમગ્ર નેટવર્કને લઈને વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.</p><h2 style="text-align: justify; "><b>અંતરિયાળ વિસ્તારોમાંથી બાળકોની ખરીદી&nbsp;</b></h2><p style="text-align: justify; ">તપાસમાં સામે આવ્યું છે કે કવિતા જાદવ એજન્ટોના માધ્યમથી અંતરિયાળ વિસ્તારોમાંથી બાળકોની ખરીદી કરતી હતી. આ માટે સાબરકાંઠા, બનાસકાંઠા અને રાજસ્થાન સહિતના વિસ્તારોમાં એજન્ટોનું નેટવર્ક કાર્યરત હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>બાળકોને 1.50 લાખ સુધીની રકમમાં ખરીદવામાં આવતા&nbsp;</b></h3><p style="text-align: justify; ">આ ગેંગમાં સીતારામ પરમારની ભૂમિકા પણ મહત્વપૂર્ણ હોવાનું સામે આવ્યું છે. તે વિવિધ વિસ્તારોમાં કાર્યરત એજન્ટો પાસેથી બાળકોને ખરીદીને મુખ્ય એજન્ટ સુધી પહોંચાડતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. માસૂમ બાળકોને અંદાજે 1.25 લાખથી 1.50 લાખ સુધીની રકમમાં ખરીદવામાં આવતા હોવાનું પણ સામે આવ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>મહારાષ્ટ્રના નૂરી હારુન શેખનું નામ ખુલ્યું&nbsp;</b></h3><p style="text-align: justify; ">તપાસ દરમિયાન મહારાષ્ટ્રના નૂરી હારુન શેખ મારફતે મેરઠ તેમજ કોલ્હાપુર સુધી બાળકોના સોદાની કડીઓ જોડાતી હોવાનું બહાર આવ્યું છે. કોલ્હાપુરના મુન્નો સહિત અન્ય શખ્સો સાથે પણ આ નેટવર્કના સંપર્કોની તપાસ ચાલી રહી છે.</p><h4 style="text-align: justify; "><b>બાળ તસ્કરી નેટવર્ક અંગે વધુ માહિતી મેળવવાના પ્રયાસો&nbsp;</b></h4><p style="text-align: justify; ">પોલીસ રિમાન્ડ દરમિયાન કવિતા જાદવ અને સીતારામ પરમાર પાસેથી આ બાળ તસ્કરી નેટવર્ક અંગે વધુ માહિતી મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. બાળકો ક્યાંથી લાવવામાં આવતા હતા, કોને સોંપવામાં આવતા હતા અને આ સમગ્ર ગેરકાયદે કારોબારમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે દિશામાં તપાસ આગળ વધી રહી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/crime/gandhinagar/bhavnagar-fake-liquor-scam-methanol-parcel-from-ahmedabad-dholera-seizure" target="_blank"><b>Bhavnagar લઠ્ઠાકાંડની તપાસમાં સનસનાટીભર્યા ખુલાસા, આરોપીઓએ 3 વખત ઝેરી દારુ બનાવ્યો પણ.....</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/6Tk7kRgs3m5OgLGrmPixfJ2OUQcpfJu5LpzaPCVd.webp'/></item><item><title><![CDATA[Maharashtra : મોડી રાત્રે મુંબઇના કુર્લામાં ઘર પડી મસમોટી ક્રેન, 10 લોકો ઘાયલ, Video ]]></title><link>https://sandesh.com/india/news/mumbai-kurla-mmrda-crane-collapse-accident</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/mumbai-kurla-mmrda-crane-collapse-accident</guid><pubDate>Fri, 21 Aug 2026 09:03:48 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">શુક્રવારે સવારે મુંબઈના કુર્લા વિસ્તારમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. કુર્લાના કુરેશી નગર વિસ્તારમાં મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) દ્વારા ચાલી રહેલા બાંધકામ અને શિફ્ટિંગ ઓપરેશન દરમિયાન એક વિશાળ ક્રેન અચાનક અનિયંત્રિત થઈને એક ઘર પર પડી હતી. આ ઘટનામાં ક્રેન દ્વારા ખસેડવામાં આવી રહેલું જેસીબી (JCB) પણ નીચે પટકાયું હતું.</p><h2 style="text-align: justify; "><b>MMRDAનું કામ કરતી ક્રેન ઘર પર પડી</b></h2><p style="text-align: justify; ">સેન્ટ્રલ રેલવેના જણાવ્યા અનુસાર, આ અકસ્માત શુક્રવારે વહેલી સવારે આશરે 2:40 વાગ્યે થયો હતો. નજીકના બાંધકામ સ્થળ પર કાર્યરત MMRDAની ક્રેન કુર્લા અને ટ્રોમ્બે વચ્ચેના ઓવરહેડ ઇલેક્ટ્રિક લાઇન તેમજ સિંગલ-લાઇન રેલવે ટ્રેક પર પડી હતી. જોકે, રાહતની વાત એ રહી કે આ રેલવે લાઇન મુખ્યત્વે માલગાડીઓ (ફ્રેટ ટ્રેનો) માટે ઉપયોગમાં લેવાય છે, જેના કારણે પેસેન્જર ટ્રેન સેવાઓ પર કોઈ નકારાત્મક અસર પડી ન હતી અને મોટો રેલવે અકસ્માત ટળી ગયો હતો.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2090627922805866854"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h3 style="text-align: justify; "><b>દુર્ઘટનામાં કોઇજાનહાનિ નહીં</b></h3><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં જ પોલીસ અને રેલવેના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં 8 થી 10 લોકો ઘાયલ થયા છે, જ્યારે રેલવે પ્રશાસને સત્તાવાર રીતે બે લોકોને ઈજા થઈ હોવાની પુષ્ટિ કરી છે. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. પ્રશાસન દ્વારા તાત્કાલિક ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને રેલવે ટ્રેક તેમજ ઘર પરથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ દુર્ઘટના માટે MMRDAની બેદરકારી જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે અને સત્તાવાળાઓ દ્વારા સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/world/news/imran-khan-returned-to-adiala-jail-medical-checkup" target="_blank">આ પણ વાંચોઃ Pakistan:  'બેક ટુ જેલ', મેડિકલ ચેકઅપ બાદ ઇમરાન ખાન ફરી પાછા જેલમાં મોકલાયા</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/td9hL26I5VCbMN1hSyzvkQEJKUPZhABG23FnYeBs.webp'/></item><item><title><![CDATA[Rajkot સિવિલ હોસ્પિટલ ફરી આવી વિવાદમાં: સિનિયર તબીબ અશ્વિન રામાણી સામે FIR નોંધાતાં જુનિયર ડોક્ટરોની હડતાળ સમેટાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-civil-hospital-doctor-fir-strike-called-off</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-civil-hospital-doctor-fir-strike-called-off</guid><pubDate>Fri, 21 Aug 2026 08:47:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના વંટોળમાં સપડાઈ છે. સિનિયર મેડિકલ ઓફિસર ડૉ. અશ્વિન રામાણી પર મહિલા રેસિડેન્ટ તબીબ સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા, ગાળો ભાંડવા તેમજ મારમારી કરવાનો ગંભીર આક્ષેપ થયો હતો. એક વૃદ્ધ માજીને ઈમરજન્સી વોર્ડમાં વેન્ટિલેટર પર રાખવા અંગે ડૉ. ક્રિશા શિંગાળાએ રજૂઆત કરી હતી.</p><h2 style="text-align: justify; "><b>પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ</b></h2><p style="text-align: justify; ">પરંતુ ડૉ. રામાણીએ તેમને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવાનું કહેતાં મામલો ઉગ્ર બન્યો હતો. આ ઘટનાના વિરોધમાં મોટી સંખ્યામાં જુનિયર અને રેસિડેન્ટ ડોક્ટરો ઈમરજન્સી વોર્ડ બહાર ધરણા પર બેસી ગયા હતા. સમગ્ર મામલે પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન ખાતે ડૉ. અશ્વિન રામાણી વિરુદ્ધ BNS ની કલમ 115(2), 352 અને 351(2) હેઠળ પોલીસ ફરિયાદ નોંધાતાં તબીબોએ હડતાળ સમેટી લીધી છે.</p><h3 style="text-align: justify; "><b>ડૉ. અશ્વિન રામાણીને સસ્પેન્ડ કરવા માંગ</b></h3><p style="text-align: justify; ">મહિલા તબીબ સાથે ઈમરજન્સી રૂમમાં જ થયેલા દુર્વ્યવહાર બાદ રેસિડેન્ટ ડોક્ટરોએ ડૉ. અશ્વિન રામાણીને તાત્કાલિક અસરથી ફરજ પરથી દૂર કરવાની આક્રમક માંગ કરી હતી. વારંવારની રજૂઆતો છતાં યોગ્ય ઉકેલ ન આવતાં તબીબો રોષે ભરાયા હતા. સ્થાનિક પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ દાખલ થતાં જ જુનિયર તબીબોએ પોતાનું આંદોલન સમેટીને ત્વરિત પોતાની દર્દી સેવા અને ફરજ પર પરત ફરવાનો નિર્ણય લીધો હતો, જેનાથી હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા અન્ય દર્દીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.</p><h4 style="text-align: justify; "><b>RMO અને ડીન જુનિયર તબીબો સાથે યોજશે બેઠક</b></h4><p style="text-align: justify; ">આ સમગ્ર વિવાદ અને હોસ્પિટલમાં સર્જાયેલી સ્થિતિને થાળે પાડવા માટે હોસ્પિટલ પ્રશાસન પણ એક્શનમાં આવ્યું છે. શુક્રવારના રોજ સવારે ૧૦ વાગ્યે સિવિલ હોસ્પિટલના RMO (આરએમઓ) તેમજ મેડિકલ કોલેજના ડીન સહિતના ઉચ્ચ અધિકારીઓ જુનિયર તબીબો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજશે. આ બેઠકમાં ભવિષ્યમાં આવા બનાવો ન બને અને તબીબોની સુરક્ષા જળવાઈ રહે તે અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/d6Jnfr4P1umkzikEAkoYsUdSRRyvDJjDRU5RG54F.webp'/></item><item><title><![CDATA[Panchmahal: બોડેલી ખાતે વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/panchmahal/panchmahal-guidance-seminar-held-for-students-at-bodeli</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/panchmahal/panchmahal-guidance-seminar-held-for-students-at-bodeli</guid><pubDate>Fri, 21 Aug 2026 06:22:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જાંબુઘોડા : છોટાઉદેપુર જિલ્લાના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ સહિત યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે યોગ્ય દિશા અને નિષ્ણાતોનું માર્ગદર્શન મળી રહે તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોડેલી સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે શિક્ષણશાસ્ત્ર્રી અને સ્પર્ધાત્મક પરીક્ષાના માર્ગદર્શક ડો. તનુ જૈનના અધ્યક્ષસ્થાને વિશેષ અને પ્રેરણાદાયક માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.&nbsp;</p><p style="text-align: justify; ">જેમાં વિદ્યાર્થીઓને યુપીએસસી (UPSC), જીપીએસસી (GPSC) સહિતની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની પદ્ધતિસરની તૈયારી, સમયનું આયોજન, સકારાત્મક અભિગમ અને માનસિક દ્રઢતા અંગે અત્યંત સરળ અને અસરકારક શૈલીમાં સચોટ માર્ગદર્શન પૂરું પાડયું હતું.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/mrP1qJBMXKM5oiNoM1vY7RTqDet7vMmLvXzPN0aK.webp'/></item><item><title><![CDATA[Vadodara: રૂા.37 લાખના ખર્ચે તૈયાર થયેલ ત્રણ આંગણવાડીનું લોકાર્પણ થયું ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-three-anganwadis-built-at-a-cost-of-rs-37-lakhs-inaugurated</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-three-anganwadis-built-at-a-cost-of-rs-37-lakhs-inaugurated</guid><pubDate>Fri, 21 Aug 2026 06:21:50 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કરજણ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં બાળ શિક્ષણ અને વિકાસને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી ગુજરાત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા કુલ રૂ. 37 લાખના ખર્ચે નવ નિર્મિત ત્રણ આંગણવાડી કેન્દ્રોના નવનિર્મિત મકાનોનું લોકાર્પણ કરજણ-શિનોરના ધારાસભ્ય અક્ષય પટેલના વરદ હસ્તે કરાયું હતું.&nbsp;</p><p style="text-align: justify; ">કરજણ તાલુકાના હાડોદ, ઓસલામ અને આલમપુરા ગામના ભૂલકાઓ હવે નવા અને સુવિધાસભર મકાનમાં પોતાના ભણતરની શરૂઆત કરશે. આંગણવાડીમાં બાળકોને પ્રાથમિક શિક્ષણ સાથે તેમના સર્વાંગી વિકાસ માટેની પ્રવૃત્તિઓ તેમજ રમતગમતની સુવિધાઓ પણ ઉપલબ્ધ બનશે. અંતરિયાળ ગામોના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના બાળકોને તેમના ગામમાં જ સારું વાતાવરણ અને સુવિધા મળી રહે તે દિશામાં આ નવનિર્મિત આંગણવાડી મકાનો મહત્વપૂર્ણ સાબિત થશે. બાળકોના પાયાના શિક્ષણ, પોષણ અને શારીરિક- માનસિક વિકાસને વેગ મળે તે માટે આ સુવિધાઓ ઉપયોગી બનશે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ જ્યોત્સનાબેન રબારી, તાલુકા પંચાયત પ્રમુખ રોશનીબેન રણા સહિત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, ઇનચાર્જ સી.ડી.પી.ઓ. તેમજ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.&nbsp;</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/I5Y8UJeUY15oFXQYZFlgG8UM6OjQKHMalEnTyPBs.webp'/></item><item><title><![CDATA[Vadodara: ડેસર PSIની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-farewell-ceremony-held-for-transfer-of-desar-psi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-farewell-ceremony-held-for-transfer-of-desar-psi</guid><pubDate>Fri, 21 Aug 2026 06:14:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ડેસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ પી.આર. ગઢવીની બદલી થતાં તાલુકાના અનેક ગામોમાં તેમના સન્માન અને વિદાય સમારંભો યોજાયા હતા. તાજેતરમાં ડેસરના પીએસઆઈ બી.ડી. મેરની કંટ્રોલ રૂમ ખાતે બદલી કરાઈ હત, તેમની જગ્યાએ લીવ રિઝર્વમાં ફરજ બજાવતા પીએસઆઈ આર.આર. ચુડાસમાની નિમણૂક કરાઈ છે. જ્યારે પીએસઆઈ પી.આર. ગઢવીની વલણ પોલીસ સ્ટેશન ખાતે બદલી થતાં તેમની જગ્યાએ મંજુસર પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.ડી. ડામોરની નિમણૂક કરાઈ છે. પીએસઆઈ પી.આર. ગઢવીએ શરૂઆતના બે મહિના દરમિયાન ગામે ગામ ફ્રીને વ્યસનમુક્તિ અભિયાન ચલાવ્યું હતું. તેમનો વિદાય સમારંભ એમ.કે. હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. અને તેમને ફૂલહાર પહેરાવી સન્માનિત કર્યા હતા.**</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/WKOWzcVNVgMS4EixEZP7QKHqn6xvw0F3j6TuFF0x.webp'/></item><item><title><![CDATA[PM મોદીની સચિવો સાથે ઉચ્ચસ્તરીય બેઠક, દેશના ભવિષ્ય માટે લાંબા ગાળાની વિચારસરણી પર ભાર ]]></title><link>https://sandesh.com/india/news/pm-modi-high-level-meeting-secretaries-long-term-planning-india-growth</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/pm-modi-high-level-meeting-secretaries-long-term-planning-india-growth</guid><pubDate>Thu, 20 Aug 2026 23:36:39 +05:30</pubDate><description><![CDATA[<p>વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત સરકારના સચિવો સાથે ત્રીજી ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. બેઠક દરમિયાન તેમણે દેશના ભવિષ્યને આકાર આપવા માટે લાંબા ગાળાની વિચારસરણી સાથે કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. વડાપ્રધાને અધિકારીઓને વર્તમાન પડકારોની સાથે આગામી વર્ષોમાં દેશની જરૂરિયાતો અને તકોને ધ્યાનમાં રાખીને નીતિઓ ઘડવા સૂચન કર્યું.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2090475755172175964"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p>PM મોદીએ ડેટાને રાષ્ટ્રીય સંપત્તિ અને ભવિષ્ય માટે મહત્વપૂર્ણ સંસાધન ગણાવ્યું હતું. તેમણે વિવિધ સરકારી વિભાગો વચ્ચે ડેટાની વધુ સારી ઈન્ટરઓપરેબિલિટી અને તેનો અસરકારક ઉપયોગ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો. તેમના જણાવ્યા મુજબ, ડેટાનો યોગ્ય ઉપયોગ નીતિ નિર્માણ અને સરકારી યોજનાઓના અમલીકરણને વધુ અસરકારક બનાવી શકે છે.</p><h2><b>ટીમ સ્પિરિટ વધારવાના મહત્વ પર પણ ચર્ચા થઈ</b></h2><p>વડાપ્રધાને સરકારી વિભાગોમાં રહેલા ‘સિલોઝ’ એટલે કે અલગ-અલગ રીતે કામ કરવાની વૃત્તિને માત્ર સંગઠનાત્મક સમસ્યા નહીં, પરંતુ માનસિકતાની સમસ્યા ગણાવી હતી. તેમણે અધિકારીઓને ટીમ ભાવના અને એકબીજા પ્રત્યેની જવાબદારીની ભાવના સાથે કામ કરવા અપીલ કરી. બેઠકમાં અધિકારીઓ વચ્ચે અનૌપચારિક સંવાદ અને ટીમ સ્પિરિટ વધારવાના મહત્વ પર પણ ચર્ચા થઈ. PM મોદીએ સરકારના વિભાગો, યુનિવર્સિટીઓ અને યુવાનો વચ્ચે વધુ સંવાદ વધારવાની જરૂરિયાત દર્શાવી, જેથી નીતિ નિર્માણમાં નવા વિચારો અને તાજા દૃષ્ટિકોણનો સમાવેશ થઈ શકે.</p><h3><b>નિર્ણય ક્ષમતાને મહત્વ આપવાની જરૂરિયાત</b></h3><p>આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના અસરકારક ઉપયોગ પર પણ વડાપ્રધાને ભાર મૂક્યો હતો. જોકે, AIનો ઉપયોગ કરતી વખતે માનવીય હસ્તક્ષેપ અને નિર્ણય ક્ષમતાને મહત્વ આપવાની જરૂરિયાત તેમણે સ્પષ્ટ કરી. PM મોદીએ ભારતના ડિફેન્સ ઉદ્યોગને વધુ મજબૂત અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. બેઠક દરમિયાન સચિવોએ વિવિધ મહત્વપૂર્ણ પ્રાથમિકતાઓ અને નીતિઓના અમલીકરણમાં આવતા પડકારો અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.</p><p><b><a href="https://sandesh.com/india/news/business/duty-free-sugar-import-government-approves-10-lakh-mt-trq" target="_blank">આ પણ વાંચો : Duty Free Sugar : કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ખાંડની ડ્યુટી ફ્રી આયાતને આપી મંજૂરી</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/DZFbBkotuiyLfaKPEVdjUNcO3uRjIjXz5Y0cMtGV.webp'/></item><item><title><![CDATA[Lionel Messiનું બ્લોકબસ્ટર કમબેક, જાદુઈ ગોલ કરીને પિતાને આપી શ્રદ્ધાંજલિ, જુઓ VIDEO ]]></title><link>https://sandesh.com/sports/news/lionel-messi-emotional-comeback-inter-miami-goal</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/lionel-messi-emotional-comeback-inter-miami-goal</guid><pubDate>Thu, 20 Aug 2026 23:26:17 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">લિયોનેલ મેસ્સીએ ફૂટબોલના મેદાનમાં શાનદાર વાપસી કરી છે. છેલ્લા કેટલાક અઠવાડિયા તેના માટે મુશ્કેલ રહ્યા હતા. તેના પિતાનું અવસાન થયું, જેના કારણે તે નિરાશ થઈ ગયો. તેને મેદાનથી પણ દૂરી બનાવી દીધી.&nbsp;</p><p style="text-align: justify; ">લિયોનેલ મેસ્સીએ પોતે કહ્યું હતું કે તે ક્યારે પાછો ફરશે તે જાણતો નથી. ફેન્સે તેને રમતમાં જોવા માટે વધુ રાહ જોવી પડી નથી. લિયોનેલ મેસ્સીએ ફરીથી મેદાન પર પોતાની છાપ છોડી દીધી છે.</p><h2 style="text-align: justify; "><b>લિયોનેલ મેસ્સીનું જોરદાર કમબેક</b></h2><p style="text-align: justify; ">ઈન્ટર મિયામી અને ફિલાડેલ્ફિયા યુનિયન વચ્ચેની મેચમાં લિયોનેલ મેસ્સીનો ક્લાસ જોવા મળ્યો. મેચ ડ્રોમાં સમાપ્ત થઈ, પરંતુ લિયોનેલ મેસ્સીએ ફરી એકવાર પ્રભુત્વ મેળવ્યું. તેને 26મી મિનિટે ગોલ કર્યો. તેને એક આસિસ્ટ પણ આપ્યો. તેને 21મી મિનિટે એક શાનદાર ક્રોસ પહોંચાડ્યો, જેને લુઈસ સુઆરેઝે હેડ કરીને ગોલ કર્યો. ત્યારબાદ ડેનિયલ પિન્ટારએ એક અદભુત ગોલ કર્યો.</p><h3 style="text-align: justify; "><b>પિતાના મૃત્યુ પછી મેસ્સીએ પોતાનો પહેલો ગોલ કર્યો</b></h3><p style="text-align: justify; ">લિયોનેલ મેસ્સીના પિતા જોર્જ મેસ્સીનું 7 ઓગસ્ટના રોજ અવસાન થયું. લિયોનેલ મેસ્સીએ 8 ઓગસ્ટના રોજ મોન્ટેરી સામેની મેચમાં ભાગ લીધો ન હતો. તેને તેના પિતાના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી. 12 ઓગસ્ટના રોજ લિયોનેલ મેસ્સીએ લિયોન સામેની મેચમાં 45 મિનિટ મેદાનમાં વિતાવી હતી.&nbsp;</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/MLS/status/2090230393970520575"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p style="text-align: justify; ">આ વખતે લિયોનેલ મેસ્સીએ શાનદાર શોટ વડે પોતાના મનપસંદ લેફ્ટ પગનો ઉપયોગ કરીને ગોલ કર્યો. લિયોનેલ મેસ્સીએ આ સિઝનમાં અત્યાર સુધી મેજર લીગ સોકરમાં પોતાના પ્રદર્શન માટે વ્યાપક પ્રશંસા મેળવી છે. તેને 17 મેચમાં 13 ગોલ કર્યા છે.</p><h4 style="text-align: justify; "><b>ગોલ કર્યા પછી ભાવુક</b></h4><p style="text-align: justify; ">ગોલ કર્યા પછી લિયોનેલ મેસ્સી ભાવુક થઈ ગયો. બોલને નેટમાં નાખ્યા પછી તેને પોતાના પિતાને શ્રદ્ધાંજલિ આપવા માટે આકાશ તરફ આંગળી ઉંચી કરી. લિયોનેલ મેસ્સીનું આ સેલિબ્રેશન દરેક ફેન માટે ઈમોશનલ મોમેન્ટ હતી. ફેન્સે પણ લિયોનેલ મેસ્સીને તાળીઓ પાડી. લિયોનેલ મેસ્સીએ હવે પોતાનું ફોર્મ પાછું મેળવી લીધું છે. તે પોતાની ટીમ ઈન્ટર મિયામીને વિજય તરફ દોરી શકે છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/UUTJhQ50yGU8eX6bf7mD3cS0uzkwhVTrYVUqsmdc.webp'/></item><item><title><![CDATA[Duty Free Sugar : કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ખાંડની ડ્યુટી ફ્રી આયાતને આપી મંજૂરી ]]></title><link>https://sandesh.com/india/news/business/duty-free-sugar-import-government-approves-10-lakh-mt-trq</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/duty-free-sugar-import-government-approves-10-lakh-mt-trq</guid><pubDate>Thu, 20 Aug 2026 22:33:34 +05:30</pubDate><description><![CDATA[<p>કેન્દ્ર સરકારે ખાંડ ક્ષેત્રને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, Tariff Rate Quota (TRQ) યોજના હેઠળ 10 લાખ મેટ્રિક ટન સુધી કાચી ખાંડની ડ્યુટી ફ્રી આયાતને મંજૂરી આપવામાં આવી છે. આ સુવિધા 31 ઓક્ટોબર 2026 સુધી લાગુ રહેશે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2090451788600381728"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>ખાંડની આયાત નીતિમાં સુધારો કર્યો</b></h2><p>સરકારે કાચી ખાંડની આયાત નીતિમાં સુધારો કર્યો છે. નોટિફિકેશન અનુસાર, 10 લાખ મેટ્રિક ટન સુધીની આયાત નિર્ધારિત TRQ દર હેઠળ ડ્યુટી ફ્રી કરવામાં આવી છે. આ નિર્ણયથી ખાંડના સ્થાનિક બજારમાં સપ્લાય વધારવામાં અને ઉપલબ્ધતા જાળવી રાખવામાં મદદ મળી શકે છે. નોટિફિકેશનમાં Advance Authorisations હેઠળ અગાઉથી જારી થયેલા કેટલાક SION E52 સંબંધિત કેસો માટે પણ મહત્વપૂર્ણ જોગવાઈ કરવામાં આવી છે. આવા કિસ્સાઓમાં ખાંડની આયાત માટે આપવામાં આવેલી Advance Authorisationને TRQ યોજના હેઠળ કન્વર્ઝન કરવાની એક વખતની સુવિધા આપવામાં આવશે. જોકે, આ માટે નિર્ધારિત શરતોનું પાલન કરવું પડશે.</p><h3><b>GST પર શું લીધો નિર્ણય?</b></h3><p>આ ઉપરાંત, આયાત કરવામાં આવેલી કાચી ખાંડને દેશમાં રિફાઈન કરીને તૈયાર કરવામાં આવે ત્યારે લાગુ પડતી GST સંબંધિત જોગવાઈઓનું પણ પાલન કરવું પડશે. નોટિફિકેશનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આયાત સમયે કાચી ખાંડ પર લાગુ GST અને બાદમાં તૈયાર ખાંડની નિકાસ સંબંધિત નિયમો મુજબ પ્રક્રિયા હાથ ધરાશે.</p><h4><b>કાચા માલની ઉપલબ્ધતા વધવાની શક્યતા</b></h4><p>DGFTને TRQ અને Advance Authorisationના કન્વર્ઝન માટેની પ્રક્રિયા નક્કી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ માટે જરૂરી પ્રક્રિયા જાહેર નોટિસ મારફતે નક્કી કરવામાં આવશે. સરકારના આ નિર્ણયથી ખાંડ ઉદ્યોગમાં કાચા માલની ઉપલબ્ધતા વધવાની શક્યતા છે. સાથે જ, સ્થાનિક બજારમાં ખાંડના ભાવ અને પુરવઠાને સ્થિર રાખવામાં પણ આ પગલું મહત્વપૂર્ણ બની શકે છે. આ નોટિફિકેશન વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીની મંજૂરી બાદ જારી કરવામાં આવ્યું છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/world/india-mauritius-fuel-deal-petrol-diesel-atf-supply" target="_blank">આ પણ વાંચો : India-Mauritius વચ્ચે મોટી ફ્યુઅલ ડીલ, પેટ્રોલ-ડીઝલ-ATF સપ્લાય કરશે દેશ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/ZgTobXU0Aaae3K0oMohQfFAc6Gqhq3alEyY9Aohw.webp'/></item></channel></rss>