<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Gandhinagar: વાઈબ્રન્ટ સમિટ- 27માં નોંધપાત્ર વૈશ્વિક મૂડીરોકાણ આવશેઃ CM ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/gandhinagar/gandhinagar-vibrant-summit-27-will-bring-significant-global-investment-cm</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/gandhinagar/gandhinagar-vibrant-summit-27-will-bring-significant-global-investment-cm</guid><pubDate>Fri, 28 Aug 2026 03:23:52 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતમાં નોંધપાત્ર વૈશ્વિક મૂડીરોકાણ આવશે. અમેરિકા-કેનેડાનો પ્રવાસ ફ્ળદાયી સાબિત થશે.* વાઇબ્રન્ટ સમિટ-2027 સંદર્ભે 10 દિવસના વિદેશ પ્રવાસથી ગુરુવારે પરત આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ડેટા સેન્ટર અને ગિફ્ટ સિટી સંદર્ભે યુએસ-કેનેડામાં થયેલી બેઠકોમાં ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો છે. એરપોર્ટ પર તેમનું સ્વાગત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું હતું. આગામી 50 દિવસમાં 8 ડેલિગેશન 12 દેશોનો પ્રવાસ કરશે. વિદેશથી પરત ફરી મુખ્યમંત્રીએ સુઝુકી મોટર્સના ડેલિગેશન સાથે બેઠક યોજી હતી, જેમાં સુઝુકીએ વધારાના રોકાણની ઇચ્છા દર્શાવી છે. દરમિયાન, ગુજરાતની મુલાકાતે આવેલા આસામના મુખ્યમંત્રી હેમંત બિશ્વશર્મા ગાંધીનગરમાં સીએમ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જોડાયા હતા. તેમણે ગુજરાતની શ્રોષ્ઠ પદ્ધતિઓ આસામમાં લાગુ કરવા અધિકારીઓ સાથે આવ્યા હોવાનું જણાવ્યું હતું.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/28/FSK2C1TISkqlexYgNYlwRVwfhDdghcSXj6OXVQ8B.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: મારાં માતા ગાંધીજીના અનુયાયી હતાં, મેં પોતે સૂતર કાંત્યું-ખાદી વણીઃ અમિત શાહ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-my-mother-was-a-follower-of-gandhiji-i-spun-yarn-and-wove-khadi-myself-amit-shah</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-my-mother-was-a-follower-of-gandhiji-i-spun-yarn-and-wove-khadi-myself-amit-shah</guid><pubDate>Fri, 28 Aug 2026 03:22:49 +05:30</pubDate><description><![CDATA[<p>ગૂગુજરાત વિદ્યાપીઠ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા વિદ્યાપીઠના કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ યોજાયો હતો. દીક્ષાંત સમારોહમાં 7 વિદ્યાશાખાના 18 વિભાગોના કુલ 900 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.</p><p>આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું હતું કે, 'મારાં માતા મહાત્મા ગાંધીજીના અનુયાયી હતાં અને તેમણે આજીવન ખાદી પહેરવાનું વ્રત લીધું હતું. મેં પોતે પણ સૂતર કાંત્યું છે અને ખાદી વણી છે. ગાંધીજીનો સંદેશ ગઈકાલે, આજે અને 100 વર્ષ પછી પણ એટલો જ મહત્ત્વનો રહેશે, કારણ કે દુનિયાના કલ્યાણનો સાચો માર્ગ ભારતીય જીવન પદ્ધતિ અને જ્ઞાન પરંપરામાં જ સમાયેલો છે.'</p><p>તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'આજે મારી સામે બેઠેલા 900 વિદ્યાર્થીઓ માટે આ એક અનમોલ દિવસ છે. મેં પોતે વિદ્યાપીઠની લાઈબ્રેરીના પુસ્તકોનો ગહન અભ્યાસ કર્યો છે, પરંતુ ક્યારેય કલ્પના નહોતી કરી કે હું અહીં મુખ્ય અતિથિ તરીકે ભાષણ આપીશ. આઝાદી પછી દેશની શિક્ષણ નીતિ કેવી હોવી જોઈએ, તેનું ઉત્કૃષ્ટ મોડલ આ વિદ્યાપીઠ બન્યું છે. જીવનમાં ઘણા ઉતાર-ચડાવ આવે છે, પરંતુ એક મોટી વ્યક્તિએ મને કહ્યું હતું કે 'કામ થશે કે નહીં એ વિચારવા કરતાં, કામ કરવું કે ન કરવું' એ નક્કી હોવું જોઈએ. તમારું લક્ષ્ય માત્ર પોતાના માટે નહીં, પણ દેશ અને પરિવાર માટે હોવું જોઈએ. મારા જીવનમાં પણ અનેક કઠણાઈઓ આવી અને મને નિરાશ કરવાના ઘણા પ્રયાસો થયા, છતાં મેં ક્યારેય હિંમત નથી હારી. મારું લક્ષ્ય સ્પષ્ટ હતું, એટલે જ હું દરેક મુશ્કેલીમાંથી હસતાં હસતાં બહાર નીકળી ગયો.'</p><p>તેમણે ઉમેર્યું હતું કે, મહાત્મા ગાંધી આ સંસ્થાના સ્થાપક કુલાધિપતિ રહ્યા છે અને અનેક મહાનુભાવોએ અહીં સેવા આપી છે. આજે લાંબા સમય બાદ રાજ્યપાલના કુલાધિપતિ પદ હેઠળ આ વિદ્યાપીઠ ફરી ગાંધીજીના વિચારો સાથે સક્રિયતાથી કામ કરી રહી છે. પદવી મેળવનારાઓમાં 441 વિદ્યાર્થિનીઓ અને 459 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જેમાં સ્નાતક કક્ષાના 184, અનુસ્નાતક કક્ષાના 400, સ્નાતકોત્તર અભ્યાસક્રમના 232, અનુસ્નાતક ડિપ્લોમાના 21 તથા એમ.ફ્લિ/પીએચ.ડી.ના 63 પદવીધારકો સામેલ છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/28/PJ5xG0Q7CKUi86yBB1iWSerB2HUo45q9XT5EIKNc.webp'/></item><item><title><![CDATA[Bodeli: ગુજરાતમાં પ્રથમ વખત વાઈ-ફાઈ સજ્જ બોડેલી બાર ઍસોસિએશન ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bodeli/bodeli-bodeli-bar-association-becomes-the-first-in-gujarat-to-be-equipped-with-wi-fi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bodeli/bodeli-bodeli-bar-association-becomes-the-first-in-gujarat-to-be-equipped-with-wi-fi</guid><pubDate>Fri, 28 Aug 2026 03:22:03 +05:30</pubDate><description><![CDATA[<p>પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે બોડેલી બાર એસોસિએશન દ્વારા ધાર્મિક આસ્થા, સામાજિક એકતા અને સંગઠનાત્મક પ્રવૃત્તિનો ત્રિવેણી સંગમ સમો કાર્યક્રમ આજે બોડેલી કોર્ટ ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં ભગવાન સત્યનારાયણની કથા, નવનિયુક્ત ફેમિલી જજનું સ્વાગત-સન્માન તેમજ વકીલ મંડળમાં નવી વાઈ-ફાઈ સુવિધાના લોકાર્પણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.</p><p>કાર્યક્રમની શરૂઆત બપોરે 12:30 કલાકે ભગવાન શ્રી સત્યનારાયણની પાવન કથાથી કરાઇ હતી. શ્રાવણ માસના પવિત્ર અવસરે કથામાં બાર એસોસિએશનના સિનિયર અને જુનિયર વકીલો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ બોડેલી કોર્ટના નવનિયુક્ત ફેમિલી જજ તિવારીનું બાર એસા. દ્વારા સ્વાગત અને અભિવાદન કરાયું હતું. યુ.ડી. જાંબુને એસ.ડી. તરીકે બઢતી મળવા બદલ સન્માન કરી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે બોડેલી બાર એસો.ના સહયોગથી વકીલ મંડળમાં શરૂ કરવામાં આવેલી વાઈ-ફાઈ સુવિધાનું લોકાર્પણ કરાયું હતું. નવી સુવિધાથી વકીલોને ન્યાયિક કામગીરી ઉપરાંત ઓનલાઈન સેવાઓનો ઉપયોગ વધુ સરળતા રહેશે. બાર એસોસિએશન દ્વારા વકીલો માટે ટેક્નોલોજી આધારિત સુવિધા ઉપલબ્ધ કરાવાતા વકીલોમાં પણ ખુશી જોવા મળી હતી.અંતે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. એડવોકેટ હિતેશભાઈ પટેલના ઘરે દીકરીના જન્મની ખુશીમાં તેમના દ્વારા મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. બોડેલી બાર એસોસિએશનના પ્રમુખ લલિતચંદ્ર રોહિતે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, સિનિયર વકીલોના અનુભવ અને માર્ગદર્શન તથા જુનિયર વકીલોની ઊર્જા અને નવી વિચારધારા બારની પ્રગતિની મહત્વપૂર્ણ તાકાત છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/28/RFKKv8g2W8UP4KIUrrIvmyO3rUXMXwpkw4qint5G.webp'/></item><item><title><![CDATA[Vadodara: કાનપુરમાં પ્લેન ક્રેશ : વડોદરાના પાઈલોટ સચીન ભાટિયાનું મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-plane-crash-in-kanpur-vadodara-pilot-sachin-bhatia-dies</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-plane-crash-in-kanpur-vadodara-pilot-sachin-bhatia-dies</guid><pubDate>Fri, 28 Aug 2026 03:09:58 +05:30</pubDate><description><![CDATA[<p>ઉત્તરપ્રદેશના કાનપુરમાં ગુરૂવારે ગંગા નદી કિનારે તાલીમ દરમિયાન ગર્ગ એવિએશનનું ટેક્નમ પ્લેન ક્રેશ થતાં વડોદરાના ફલાઈંગ ઈન્સ્ટ્રક્ટર-પાયલોટ સચિન ભાટિયા (ઉ.29) અને તાલીમાર્થી અભિષેક પૂજારી (ઉ.28)નું મોત થયું હતું. આ ઘટનાની જાણ વડોદરાના છાણી ખાતે રહેતાં સચીનના ઘરના સભ્યોને થતાં પરિવાર પર આભ તૂટી પડયું હોઈ તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.</p><p>પ્રાથમિક માહિતી મુજબ, આજે ગુરૂવારે સવારે 11.30 કલાકે કાનપુરના ચકેરી સિવિલ એરપોર્ટ પરથી પ્લેને નિયમિત ટ્રેનિગ સેશન માટે ઉડાન ભરી હતી. પ્લેન ટેકઓફ થયાના 20 મિનિટ બાદ એટલે કે, 11.50 કલાકે નથ્થુ પુરવા ગામ નજીક એક ખુલ્લા ખેતરમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ કરી લેવામાં આવી છે. જેમાં વડોદરાના છાણી ખાતે આવેલા તત્વ હાઈટ્સમાં રહેતાં સચીન ભાટિયા અને કર્ણાટકના અભિષેક પૂજારીનો સમાવેશ થાય છે. સચિન ભાટિયા છેલ્લા કેટલાક સમયથી ફ્લાઈટ ઈન્સ્ટ્રક્ટર તરીકે કાનપૂરની ગર્ગ એવિએશન લિ.માં ફરજ બજાવતા હતા. તેમને 3,000 કલાકથી વધુ ફ્લાઈંગનો અનુભવ હતો. જોકે, આજે પ્લને ક્રેશની ઘટનાનો ભોગ બની ગયા હતા. અકસ્માતનો ભોગ બનેલું પ્લેન ચાર સીટર ટ્વીન એન્જિન એરક્રાફ્ટ હતું.DGCA અને AAIB દ્વારા અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.</p><p>સચીન ભાટિયા આર.જે. તરીકે FM રેડિયામાં પણ કામ કર્યું હતું. ભાટિયા પરિવારનો હરણી - સંગમ રોડ પર રૂપમ સિનેમા સામે ભાટિયા પેટ્રોલપંપ આવેલો છે. આ અંગે મૃતક સચીનના ભાઈ તરૂણ ભાટિયાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, અમને ન્યુઝ મારફતે દુઃખદ ઘટનાની જાણ થઈ હતી. જે બાદથી માતાની તબિયત પણ બગડી છે. અમે આવતીકાલે કાનપુર જવાના છે. નોંધનીય છે કે, આ દુઃખદ ઘટના અંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ મૃતકના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/28/xPGUGiAL0h0f1iqmaerBY1Pwwva7SU6TTsKgm8PH.webp'/></item><item><title><![CDATA[Vadodara: યુવતી અને તેમના પતિ નેપાળના જળપ્રલયમાં સંપર્ક વિહોણા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-girl-and-her-husband-lost-contact-in-nepal-floods</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-girl-and-her-husband-lost-contact-in-nepal-floods</guid><pubDate>Fri, 28 Aug 2026 03:09:02 +05:30</pubDate><description><![CDATA[<p>કૈલાશ માન સરોવરની યાત્રાએ ગયેલું મૂળ અમદાવાદનુ દંપતી નેપાળમાં આવેલા ભયાવહ પૂરમાં ફસાઈ ગયું છે. વડોદરા ખાતે રહેતી યુવતીના લગ્ન અમદાવાદ ખાતે રહેતા વેપારી સાથે થયા હતાં. જેઓ પાછલા 25 વર્ષથી ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થયેલા છે. માન સરોવરની યાત્રાએ જવા માટે ન્યૂઝીલેન્ડથી સિંગાપોર થઈને કાઠમંડુ ખાતે પહોંચ્યા હતા. જ્યાં યાત્રાએ જતા પૂર્વે ઈમીગ્રેશન સેન્ટર ખાતે હતા ત્યારે પૂર આવતા દંપતી ફસાઈ ગયુ હતુ. ગઈકાલે મળસ્કે મળેલા છેલ્લા મેસેજ બાદ 36 કલાક કરતા પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ તેમનો કોઈ પત્તો લાગ્યો નથી. જેને લઈને વડોદરાના પીયર પક્ષ, અમદાવાદ ખાતેનુ સાસરીપક્ષ અને ન્યૂઝીલેન્ડ ખાતેના દંપતીના બન્ને સંતાનોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. મૂળ અમદાવાદના મણીનગર ખાતે આવેલા પૂજા ફ્લેટમાં રહેતા મિહિરભાઈ (હાલ ઉંમર 50)ના લગ્ન વડોદરા ખાતે રહેતી કિન્નરીબેન (હાલ ઉંમર 48) સાથે થયા હતાં. લગ્ન બાદ તેઓ ન્યૂઝીલેન્ડ ખાતે સ્થાયી થઈ ગયા હતાં અને છેલ્લા 25 વર્ષથી ન્યૂઝીલેન્ડમાં જ રહે છે. ત્યાં ડિપાર્ટમેન્ટલ સ્ટોર ધરાવતા મિહિરભાઈના સુખી લગ્ન જીવનમાં બે સંતાનો છે. કૈલાશ માન સરોવર યાત્રાને લઈને દંપતી ખૂબ ઍક્સાઈટ હતું. હજુ ત્રણ મહિના પૂર્વે જ તેમણે 15 દિવસની આ માન સરોવર યાત્રાનુ પ્લાનિંગ કર્યુ હતું.</p><p>ગત તા.21 ઓગસ્ટે ન્યૂઝીલેન્ડથી સિંગાપોર થઈને તેઓ તા.23મી ઓગસ્ટે કાઠમંડુ ખાતે પહોંચ્યા હતાં. તા.25મી ઓગસ્ટે મિહિરભાઈએ અમદાવાદ ખાતે રહેતા ભાઈ ઉત્પલભાઈ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેઓ ગઈકાલે તા.26મીએ માન સરોવર યાત્રાએ જવા માટે નીકળ્યાં હતા. જે માટે તેઓ તિમુરે ખાતે ઈમિગ્રેશન એરિયામાં હતાં. તે દરમિયાન જ પૂર આવ્યું હતું.</p><p>ગઈકાલે મળસ્કે 4-51 કલાકે મિહિરભાઈએ વોટ્સ એપ મેસેજ થકી બહેનને આ બાબતે જાણ કરી હતી. એ પછી તેમનો કોઈ સંપર્ક જ થઈ શક્યો ન હતો. આ વાતને 36 કલાક ઉપરાંતનો સમય વીતી ગયો છે, પરંતુ મિહિરભાઈ અને કિન્નરીબેન હજુ પણ સંપર્ક વિહોણા છે. જેમની શોધખોળ હજુ જારી છે. દંપતી લાપતા થતા ન્યૂઝીલેન્ડ, અમદાવાદ અને વડોદરા ખાતે રહેતા પરિવારજનો-સગાસંબંધીઓ ચિંતાતૂર થઈ ગયા છે. વડોદરા ખાતે રહેતા કિન્નરીબેનના પરિવારજનોએ આ બાબતે જિલ્લા કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર વિભાગનો સંપર્ક કરીને મિસીંગ બાબતે માહિતી પુરી પાડી હતી અને દંપતી હેમખેમ પરત ફરે તેવી પરિવારજનો ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/28/ZrDfn19XdbA6VFQ9P1nsZopnY2KiuOpeZd92QmJi.webp'/></item><item><title><![CDATA[Delhi-Meerut એક્સપ્રેસ વે પર ભયંકર ટ્રાફિકજામ, વાહનોની લાગી લાંબી લાઈનો ]]></title><link>https://sandesh.com/india/news/delhi-meerut-expressway-heavy-traffic-jam-raksha-bandhan</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/delhi-meerut-expressway-heavy-traffic-jam-raksha-bandhan</guid><pubDate>Thu, 27 Aug 2026 23:39:36 +05:30</pubDate><description><![CDATA[<p>રક્ષાબંધનના તહેવારને કારણે ગુરુવારે સાંજે દિલ્હી-NCRના રસ્તાઓ પર અચાનક વાહનોનું ભારણ વધી ગયું હતું. ગાઝિયાબાદથી લઈને નોઇડા અને ગ્રેટર નોઈડા સુધીના અનેક મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે પર વાહનોની ગતિ ધીમી પડી હતી અને અનેક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.</p><p>તહેવારની રજા હોવાથી મોટી સંખ્યામાં લોકો પરિવાર અને સંબંધીઓના ઘરે જવા માટે નીકળ્યા હતા. ઉપરાંત રક્ષાબંધનની ખરીદી માટે બજારોમાં પણ ભીડ વધતા રસ્તાઓ પર વાહનોનો દબાણ વધી ગયો હતો.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/Gzbtrafficpol/status/2093013947486232781"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>સાંજે 4 વાગ્યાથી ટ્રાફિક જામ</b></h2><p>સાંજે લગભગ 4 વાગ્યાથી દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે પર વાહનોનું દબાણ વધવાનું શરૂ થયું હતું. ત્યારબાદ ધીમે ધીમે ટ્રાફિકની ગતિ ઘટતી ગઈ. આઠ લેનના એક્સપ્રેસવે પર પણ વાહનોની લાંબી કતારો લાગી હતી. લાલકુઆથી ડાસના વચ્ચે અનેક સ્થળોએ વાહનો ધીમી ગતિએ આગળ વધતા જોવા મળ્યા હતા. જામની અસર એક્સપ્રેસવે સાથે જોડાયેલા અન્ય રસ્તાઓ પર પણ જોવા મળી હતી. ગાઝિયાબાદથી નોઇડા તરફ જતા ટ્રાફિકના વધેલા દબાણને કારણે ગ્રેટર નોઈડા વેસ્ટના ચાર મૂર્તિ, એક મૂર્તિ, ક્રોસિંગ રિપબ્લિક અને શાહબેરી સહિતના વિસ્તારોમાં વાહનવ્યવહાર ધીમો રહ્યો હતો.</p><h3><b>ટ્રાફિક પોલીસે સંભાળી સ્થિતિ</b></h3><p>તિલપતા માર્ગ, દાદરી અને GT રોડ (NH-91) પર પણ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. અનેક સ્થળોએ ટ્રાફિક પોલીસની ટીમો તૈનાત કરવામાં આવી હતી. વાહનોનું દબાણ ઘટાડવા માટે કેટલાક માર્ગો પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. લાંબા સમય સુધી જામમાં ફસાયેલા વાહનચાલકો અને મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને પરેશાની થઈ હતી. પોલીસે લોકોને તહેવારો દરમિયાન ઘરેથી નીકળતા પહેલાં ટ્રાફિકની સ્થિતિ તપાસવા અને શક્ય હોય ત્યાં વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી.</p><p><b><a href="https://sandesh.com/india/news/bihar-bpsc-tre-4-teacher-recruitment-exam-single-phase" target="_blank">આ પણ વાંચો : BPSC TRE-4 હવે એક જ તબક્કામાં લેવાશે, બિહાર સરકારે વિદ્યાર્થીઓની માગ સ્વીકારી</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/6sfUmVVAVOHgKvM2pEjnIaCMGNlAsoG8GzRt49ZJ.webp'/></item><item><title><![CDATA[BPSC TRE-4 હવે એક જ તબક્કામાં લેવાશે, બિહાર સરકારે વિદ્યાર્થીઓની માગ સ્વીકારી ]]></title><link>https://sandesh.com/india/news/bihar-bpsc-tre-4-teacher-recruitment-exam-single-phase</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/bihar-bpsc-tre-4-teacher-recruitment-exam-single-phase</guid><pubDate>Thu, 27 Aug 2026 22:32:32 +05:30</pubDate><description><![CDATA[<p>બિહાર સરકારે શિક્ષક ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારોની મહત્વપૂર્ણ માગ સ્વીકારી છે. BPSC શિક્ષક ભરતી પરીક્ષા TRE-4 હવે પ્રારંભિક અને મુખ્ય પરીક્ષાના અલગ-અલગ તબક્કાને બદલે એક જ તબક્કામાં યોજાશે. મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ આ નિર્ણયની જાહેરાત કરી છે. સરકારના આ નિર્ણયથી PT અને મેઈન્સની અલગ પરીક્ષા પદ્ધતિનો વિરોધ કરી રહેલા ઉમેદવારોને મોટી રાહત મળી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/samrat4bjp/status/2092965285716533565"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>સરકાર વિદ્યાર્થીઓની માગણીઓ અંગે ગંભીર&nbsp;</b></h2><p>મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ જણાવ્યું કે સરકાર શરૂઆતથી જ વિદ્યાર્થીઓની માગણીઓ અંગે ગંભીર રહી છે. ઉમેદવારોની માગને ધ્યાનમાં રાખીને આ વર્ષે TRE-4 પરીક્ષા એક જ તબક્કામાં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત પરીક્ષા અને ભરતી પ્રક્રિયામાં સુધારા માટે અન્ય મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. સરકારે વિવિધ પરીક્ષાઓમાં સુધારા માટે સૂચનો આપવા પરીક્ષા સુધારણા અંગે વિશેષ નિષ્ણાત સમિતિની રચના કરી છે. પટણા હાઈકોર્ટના જજની અધ્યક્ષતાવાળી આ સમિતિ વિદ્યાર્થીઓની પરીક્ષાઓ સંબંધિત ફરિયાદો પણ સાંભળશે.</p><h3><b>આગામી તબક્કો નિષ્ણાત સમિતિનો રિપોર્ટ આવ્યા બાદ શરૂ થશે</b></h3><p>વિદ્યાર્થીઓની સમસ્યાઓના ઝડપી ઉકેલ માટે 'વિદ્યાર્થી સહાય પોર્ટલ' અને 'વિદ્યાર્થી સહાય કેમ્પ' શરૂ કરવામાં આવ્યા છે. સરકારનો દાવો છે કે આ માધ્યમથી વિદ્યાર્થીઓની ફરિયાદોનો ઉકેલ 30 દિવસની અંદર લાવવામાં આવશે. સરકારના જણાવ્યા અનુસાર, 1,799 જગ્યાઓની સબ-ઈન્સ્પેક્ટર ભરતી પરીક્ષાનો આગામી તબક્કો નિષ્ણાત સમિતિનો રિપોર્ટ આવ્યા બાદ શરૂ થશે. BSSC ટૂંક સમયમાં પરીક્ષા કેલેન્ડર જાહેર કરશે.</p><p>આ ઉપરાંત ખાલી જગ્યાઓ સામે લાઈબ્રેરિયન ભરતી શરૂ કરવા, કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે અલગ કોટાની શક્યતા તપાસવા, મહત્તમ ડોમિસાઇલ નીતિ, ભરતીમાં મહત્તમ વયમર્યાદા અંગે વિચારણા અને ભરતી કેલેન્ડરનું કડક પાલન જેવા નિર્ણયો પણ લેવાયા છે.  ભરતી પરીક્ષામાં પ્રશ્નપત્ર, OMR શીટ અને ઉત્તરવહીઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે પણ સમિતિ સમક્ષ પ્રસ્તાવ મૂકવામાં આવશે. સાથે જ કથિત પેપર લીકના કેસોની EOU દ્વારા નિયમ મુજબ તપાસ કરવામાં આવી રહી છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/pm-modi-uzbekistan-kyrgyzstan-visit-august-29-sco-summit" target="_blank">આ પણ વાંચો : PM મોદી 29 ઓગસ્ટથી ઉઝબેકિસ્તાન-કિર્ગિઝસ્તાનની ચાર દિવસની મુલાકાતે જશે</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/9SvpD4t0hotiGI66iWTaWJzelRZZ9ami3753P7i3.webp'/></item><item><title><![CDATA[EPFOએ 800 કંપનીઓને આપી ચેતવણી, કહ્યું '31 ઓક્ટોબર સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવાની આપી સલાહ' ]]></title><link>https://sandesh.com/business/news/epfo-warning-800-noida-companies-pf-enrolment-october-31</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/epfo-warning-800-noida-companies-pf-enrolment-october-31</guid><pubDate>Thu, 27 Aug 2026 19:20:28 +05:30</pubDate><description><![CDATA[<p>કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાં આશરે 800 કંપનીઓની ઓળખ કરી છે, જ્યાં કામ કરતા કર્મચારીઓની PF હેઠળ હજુ સુધી રજિસ્ટ્રેશન કર્યું નથી. EPFOએ આ કંપનીઓને નોટિસ પાઠવીને કર્મચારીઓનું PF રજિસ્ટ્રેશન 31 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવા સૂચના આપી છે.</p><h2><b>સંગઠને કર્મચારીઓને કરી આ અપીલ&nbsp;</b></h2><p>EPFOના જણાવ્યા મુજબ, આ યાદીમાં રેસ્ટોરન્ટ, શ્રમ સપ્લાય એજન્સીઓ, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર્સ, ટ્રાન્સપોર્ટ કંપનીઓ સહિત અન્ય સંસ્થાઓનો સમાવેશ થાય છે. સંગઠને કર્મચારીઓને પણ પોતાના PF કવરેજ અને નોંધણીની સ્થિતિ તપાસવા અપીલ કરી છે. EPFOએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે નિર્ધારિત સમયમર્યાદામાં નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો સંબંધિત કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે. સંગઠનનું કહેવું છે કે કર્મચારીઓને PF વ્યવસ્થામાં સામેલ કરવાની જવાબદારી મુખ્યત્વે નોકરીદાતાની છે.</p><h3><b>EPFO ચલાવી રહ્યું છે જાગૃતિ અભિયાન</b></h3><p>પ્રાદેશિક ભવિષ્ય નિધિ કમિશનરે જણાવ્યું કે EPFO કંપનીઓ અને કર્મચારીઓને PFના નિયમો તથા તેમના અધિકારો અંગે માહિતી આપવા માટે વિશેષ અભિયાન ચલાવી રહ્યું છે. પ્રથમ તબક્કામાં કંપનીઓને નિયમોની જાણકારી આપી પાલન સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.</p><h4><b>ડેડલાઈન બાદ થશે તપાસ</b></h4><p>31 ઓક્ટોબર બાદ EPFO દ્વારા ઓળખાયેલી કંપનીઓએ નિયમોનું પાલન કર્યું છે કે નહીં તેની સમીક્ષા કરવામાં આવશે. જો કંપનીઓ દ્વારા PF નોંધણી પૂર્ણ નહીં કરવામાં આવે તો કાર્યવાહી શરૂ થઈ શકે છે. PF વ્યવસ્થા કર્મચારીઓને ભવિષ્યની નાણાકીય સુરક્ષા ઉપરાંત પેન્શન, વીમા અને અન્ય સામાજિક સુરક્ષા લાભ મેળવવામાં મદદ કરે છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/madhya-pradesh-jabalpur-defence-manufacturing-hub-new-project" target="_blank">આ પણ વાંચો : Madhya Pradesh : જબલપુરને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની મોટી તૈયારી, સંરક્ષણ ક્ષેત્રના નવા પ્રોજેક્ટનો કરાયો શુભારંભ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/LhLAKeLDp0HW4Bmhd6bb4CX7vjqJaSNApNWAuRP0.webp'/></item><item><title><![CDATA[Manoj Bajpayeeની 'Last Man In Tower'નું ટીઝર આઉટ, લોકોએ કહ્યું 'આને ભૂલથી ય થિયેટરમાં ન લાવતા!' ]]></title><link>https://sandesh.com/entertainment/news/manoj-bajpayee-last-man-in-tower-teaser-ott-release</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/manoj-bajpayee-last-man-in-tower-teaser-ott-release</guid><pubDate>Thu, 27 Aug 2026 18:58:23 +05:30</pubDate><description><![CDATA[<p>મનોજ બાજપેયીની આગામી ફિલ્મ 'લાસ્ટ મેન ઇન ટાવર'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ થોડા જ દિવસોમાં થિયેટરમાં રિલીઝ થવાની છે. બેન રેખીના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મને રાણા દગ્ગુબાતીની 'સ્પિરિટ મીડિયા'એ પ્રોડ્યુસ કરી છે. જો કે સોશિયલ મીડિયા પર આ ફિલ્મને અલગ અલગ પ્રતિભાવો મળી રહ્યા છે.&nbsp;</p><p>ટીઝરની શરૂઆતનું દ્રશ્ય મનોજ બાજપેયીથી શરૂ થાય છે જે એક નિવૃત્ત શિક્ષક છે. જે પોતાના સમુદાયના લોકોની વિરુદ્ધ જતા તેમને કોઇ પસંદ નથી કરી રહ્યું.&nbsp;</p><h2><b>મનોજ બાજપેયીનો ધ્રૂજતો અવાજ</b></h2><p>ટીઝરની શરૂઆતમાં ધ્રૂજારી સાથે મનોજ બાજપેયી કહેતા જોવા મળે છે કે કોઇ વ્યક્તિ તેના સમાજ કે તેની આસપાસના લોકો પૂરતો મર્યાદિત તો ન હોઇ શકે ને! ત્યારબાદ વધુ એક અવાજ સંભળાય છે, "સંબંધોને તો સન્માન મળી જ જાય છે, પરંતુ શું તે આ સન્માનને લાયક પણ છે?" ત્યારબાદ મનોજ બાજપેયીના પાત્ર વિશે કોઈ કહે છે, "મને તો નથી લાગતું કે તેણે જેને ભણાવેલો હોય તે ક્યારેય પાસ પણ થયો હોય." બીજી તરફ મહિલાઓ તેમની વચ્ચે વાત કરતી જોવા મળે છે. તેઓ કહે છે, "બહાર તો ગાંધીજી બનીને ફરે છે, પરંતુ ઘરમાં તો બિલકુલ સરમુખત્યાર છે." અંતમાં મનોજ બાજપેયી આ અવાજોથી ડરીને ભાગીને પોતાના ફ્લેટમાં પ્રવેશતા જોવા મળે છે. તેમના ફ્લેટ પર 'લાસ્ટ મેન ઇન ટાવર' લખેલું જોવા મળે છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/INOXMovies/status/2092888255461249124"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>'આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ ન કરો, OTT પર લાવો'</b></h2><p>ટીઝર જોયા બાદ લોકોએ કહ્યું કે આ ફિલ્મને સિનેમામાં રિલીઝ ન કરો, તેને OTT પર રિલીઝ કરો. અન્ય એક વ્યક્તિએ પણ OTT પર રિલીઝ કરવાની વાત કહી. એક અન્ય વ્યક્તિએ કહ્યું કે આશા છે કે આ ફિલ્મ 'ધ વાઇટ ટાઇગર' જેવી ગડબડ નહીં કરે.</p><h2><b>અરવિંદ અડિગાની આ જ નામની નવલકથા પરથી બની છે ફિલ્મ</b></h2><p>આ ફિલ્મ ભારતીય મૂળના લેખક અને બુકાર પ્રાઇઝ વિજેતા પત્રકાર અરવિંદ અડિગાની આ જ નામની નવલકથા પરથી બની છે. આ ફિલ્મ દ્વારા પહેલીવાર મનોજ બાજપેયી અને બોમન ઈરાની સાથે કામ કરતા જોવા મળશે.</p><h2><b>'લાસ્ટ મેન ઇન ટાવર' ક્યારે રિલીઝ થશે?</b></h2><p>ફિલ્મની સ્ક્રીનપ્લે સોની તારાપોરવાલાએ લખી છે અને જુહી ચતુર્વેદીએ હિન્દી ડાયલોગ લખ્યા છે. ફિલ્મમાં દિવ્યા દત્તા અને સુકાંત ગોયત પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 11 સપ્ટેમ્બર 2026ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/AhvFSK5h0VbmloV7cu9psM2LS2zX5qZBNJtxWts0.webp'/></item><item><title><![CDATA[Gujarat Super League Season 3: 1 સપ્ટેમ્બરથી થશે ધમાકેદાર પ્રારંભ, અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે ટ્રોફી-જર્સી અનાવરણ સાથે નવી ડિજિટલ એપ લોન્ચ ]]></title><link>https://sandesh.com/sports/news/gujarat/ahmedabad/gujarat-super-league-season-3-schedule-transstadia-ahmedabad-gsfa-app-launch</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/gujarat/ahmedabad/gujarat-super-league-season-3-schedule-transstadia-ahmedabad-gsfa-app-launch</guid><pubDate>Thu, 27 Aug 2026 17:08:43 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતમાં ફૂટબોલની રમતે પકડાવેલા મજબૂત વાતાવરણ વચ્ચે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશને ગુજરાત સુપર લીગની ત્રીજી સીઝનની જાહેરાત કરી છે. GSL સીઝન-3 નો પ્રારંભ 1 સપ્ટેમ્બર, 2026 ના રોજ સાંજે 4:00 વાગ્યે અમદાવાદના વિશ્વકક્ષાના સ્ટેડિયમ ટ્રાન્સસ્ટેડિયા એરેના ખાતે થશે. આ લીગ રાજ્યમાં ઉચ્ચ સ્તરની ફૂટબોલ પ્રતિભાઓ તૈયાર કરવામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે.</p><h2><b>GSL-3 ની જર્સી અને ટ્રોફીનું ભવ્ય અનાવરણ</b></h2><p>અગ્રણી હોદ્દેદારો અને ટીમ માલિકોની વિશેષ ઉપસ્થિતિમાં GSFA ના ઉપપ્રમુખ પ્રદિપસિંહ વાઘેલા દ્વારા GSL સીઝન-3 ની સત્તાવાર ટ્રોફી અને ટીમ જર્સીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ જર્સી ગુજરાતના ફૂટબોલ ક્ષેત્રની આધુનિક ઊર્જાનું પ્રતિબિંબ પાડે છે, જ્યારે ટ્રોફી આ આખી સીઝન દરમિયાન સર્વોચ્ચ એવોર્ડ માટે ટીમો વચ્ચે ખેલાનાર રોમાંચક જંગનું પ્રતીક બનશે.</p><h2><b>U-20 ખેલાડીઓને મળશ જર્મનીમાં રમવાની મોટી તક</b></h2><p>આ વખતની સીઝનની સૌથી મોટી વિશેષતા યુવા ખેલાડીઓ માટેનું આંતરરાષ્ટ્રીય એક્સપોઝર છે. GSL-3 માંથી શાનદાર પ્રદર્શન કરનાર બે U-20 ફૂટબોલરોની પસંદગી જર્મનીમાં ટાયર-3 અને ટાયર-4 ડોમેસ્ટિક ટુર્નામેન્ટ્સના ટ્રાયલ માટે કરવામાં આવશે. જર્મન સાયકોલોજીસ્ટ પ્રોફેસર જેન માયર અને બોસ ટેકનોલોજી દ્વારા સ્પોર્ટ્સ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ખેલાડીઓની બારીકાઈથી પસંદગી કરવામાં આવશે.</p><p><img alt="Gujarat Super League Season 3 To Begin From Sept 1 at TransStadia Ahmedabad, GSFA Launches App" src="https://epapercdn.sandesh.com/images/2026/08/27/mYRThsdOn1CgdPjaTuzNRHqZvSGmvsSZoUzvPkAY.webp"><br></p><h2><b>ઇજાગ્રસ્ત યુવા ખેલાડી રાહુલ ભાટીયાને મદદની જાહેરાત</b></h2><p>GSFA દ્વારા માત્ર રમત જ નહીં, પરંતુ ખેલાડીઓની સુવિધા અને કલ્યાણ પર પણ પૂરો ભાર મૂકવામાં આવ્યો છે. કાર્યક્રમ દરમિયાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા રાજ્યના યુવા ફૂટબોલર રાહુલ ભાટીયાને રૂ. 2,00,000 ની એક્સ-ગ્રેશિયા રકમ ચૂકવવાની વિશેષ જાહેરાત પણ કરવામાં આવી હતી.</p><h2><b>જીએસએફએ પ્રમુખ પરિમલ નથવાણીનું નિવેદન</b></h2><p>લીગ અંગે વાત કરતાં GSFA ના પ્રમુખ પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, GSLની ત્રીજી સીઝન એ માત્ર એક રમત સ્પર્ધા નથી, પરંતુ ગુજરાતમાં ફૂટબોલના સર્વાંગી વિકાસ માટેની અમારી દ્રષ્ટિનો અગત્યનો ભાગ છે. અમારો મુખ્ય હેતુ રાજ્યના યુવાનોને એક ઉચ્ચ કક્ષાનું પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે, જેથી ગુજરાતમાં ફૂટબોલ લોકોની પહેલી પસંદગીની રમત બની શકે.</p><p><img alt="Gujarat Super League Season 3 To Begin From Sept 1 at TransStadia Ahmedabad, GSFA Launches App" src="https://epapercdn.sandesh.com/images/2026/08/27/SBrNO0oV6iNaXOUq1rCpkn9q7oOHLeld8K7pLy69.webp"><br></p><h2><b>ચાહકો માટે વન-સ્ટોપ 'જીએસએફએ ડિજિટલ એપ' લોન્ચ</b></h2><p>ફૂટબોલ ચાહકોને ટુર્નામેન્ટ સાથે સીધા જોડવા માટે એક વિશેષ સમર્પિત ડિજિટલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે. GSFA ના માનદ સચિવ મુલરાજસિંહ ચૂડાસમાએ પ્રેઝન્ટેશન દ્વારા એપની મુખ્ય વિશેષતાઓ સમજાવી હતી. આ વન-સ્ટોપ એપ મારફતે ચાહકો ઘરબેઠા મેચ ફિક્સ્ચર્સ, લાઇવ પરિણામો, શેડ્યૂલ, ટીમોની વિગત, પોઈન્ટ્સ ટેબલ અને ખેલાડીઓની પ્રોફાઈલ સરળતાથી જોઈ શકશે.</p><p><img alt="Gujarat Super League Season 3 To Begin From Sept 1 at TransStadia Ahmedabad, GSFA Launches App" src="https://epapercdn.sandesh.com/images/2026/08/27/FcXj2DbleZ7RFC3kgwv6f0oCEzmf0v5MfaQ7OuOz.webp"><br></p><h2><b>તમામ મેચોનું શેડ્યૂલ ઓનલાઈન ઉપલબ્ધ</b></h2><p>સમારોહ દરમિયાન GSL સીઝન-3 ના સંપૂર્ણ ફિક્સ્ચર્સ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. તમામ તારીખો, સમય અને ટીમોના મુકાબલાની માહિતી નવી લોન્ચ થયેલી એપ્લિકેશન અને GSFA ના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ઉપલબ્ધ રહેશે. આ ભવ્ય આયોજનમાં સહભાગી થઈ રાજ્યમાં ફૂટબોલનો ઉત્સાહ વધારવા તમામ રમતપ્રેમીઓને હાકલ કરવામાં આવી છે.</p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/gujarat/news/vadodara/fake-doctor-arrested-for-performing-hemorrhoid-surgeries-without-anesthesia" target="_blank"> Vadodara News: ધોરણ 10 ફેલ બોગસ ડોક્ટર ગરમ ચીપીયાથી દર્દીને બેભાન કર્યા વિના હરસ મસાના ઓપરેશન કરતો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/68mJxpU52aqMVN04T7Z4tD4Mb7lQhwAZysqg6G6O.webp'/></item></channel></rss>