<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Independence Day 2026 : દેશમાં સૌથી પહેલા આ સ્થળે 14 ઓગસ્ટની મધ્યરાત્રિએ 12:01 વાગ્યે લહેરાવવામાં આવે છે રાષ્ટ્રધ્વજ.. ]]></title><link>https://sandesh.com/india/news/independence-day/independence-day-14-purnia-jhanda-chowk-midnight-flag-hoisting-tradition-history</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/independence-day/independence-day-14-purnia-jhanda-chowk-midnight-flag-hoisting-tradition-history</guid><pubDate>Sat, 15 Aug 2026 09:59:51 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સમગ્ર દેશ દર વર્ષે 15 ઓગસ્ટે ખૂબ જ ધામધૂમથી સ્વતંત્રતા દિવસ ઉજવે છે. દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશના વડાપ્રધાન દ્વારા ત્રિરંગો લહેરાવવાની તસવીરો અને દ્રશ્યો આખા વિશ્વમાં જોવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે બિહારના પૂર્ણિયામાં એક એવું ઐતિહાસિક સ્થાન આવેલું છે, જ્યાં 15 ઓગસ્ટનો સૂરજ ઊગે તે પહેલાં જ, એટલે કે 14 ઓગસ્ટની મધ્યરાત્રિ પછી તરત જ 12 વાગીને 1 મિનિટે તિરંગો લહેરાવવાની પરંપરા ચાલી આવે છે?</p><h2 style="text-align: justify; "><b>‘ઝંડા ચોક’ ખાતે આઝાદીની પહેલી રાતથી  ચાલતી પરંપરા</b></h2><p style="text-align: justify; ">છેલ્લા 80 વર્ષોથી સતત ચાલી આવતી આ અનોખી અને રાષ્ટ્રપ્રેમથી સભર પરંપરા આ વર્ષે પણ પૂરા જોશ અને ઉત્સાહ સાથે નિભાવવામાં આવી હતી. પૂર્ણિયા શહેરના ‘ઝંડા ચોક’ ખાતે આઝાદીની પહેલી રાતથી શરૂ થયેલી દેશભક્તિની આ જ્યોત આજે પણ એ જ ઉત્સાહ અને જુનૂન સાથે પ્રજ્વલિત છે.</p><h3 style="text-align: justify; "><b>મધ્યરાત્રિએ લહેરાય છે તિરંગો: આખો ચોક દેશભક્તિના રંગમાં રંગાય છે</b></h3><p style="text-align: justify; ">14 ઓગસ્ટની સવારથી જ પૂર્ણિયાના ઐતિહાસિક ઝંડા ચોક પર એક અલગ જ ઉત્સવનો માહોલ જોવા મળે છે. ચોક પર રાષ્ટ્રગીત અને દેશભક્તિના ગીતો ગુંજવા લાગે છે. સાંજ પડતાં જ અહીં મહિલાઓ, પુરુષો, બાળકો અને યુવાનોની ભ ભારે ભીડ એકઠી થવા લાગે છે. સાંજે આશરે છ વાગ્યા પછી આખો ઝંડા ચોક ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઊઠે છે. યુવાનોની ટોળીઓ મોડી રાત સુધી દેશભક્તિના નારા અને ગીતો સાથે ત્રિરંગાના સન્માનમાં લીન રહે છે. ત્યારબાદ, જેવી ઘડિયાળના કાંટા 14 ઓગસ્ટની રાત્રે 12 વાગીને 1 મિનિટ (12:01 AM) પર પહોંચે છે, તરત જ શાનથી રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે છે. જન ગન મન ગાન અને ‘ભારત માતા કી જય’ના નારાઓ સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના જઝબાથી ગુંજી ઊઠે છે.</p><h4 style="text-align: justify; "><b>આઝાદીની પહેલી રાત (1947) સાથે જોડાયેલો છે આ રોચક ઇતિહાસ</b></h4><p style="text-align: justify; ">સ્થાનિક રહીશ જણાવે છે કે, ઝંડા ચોકનો ઇતિહાસ દેશની આઝાદી સાથે સીધો જોડાયેલો છે. જે સમયે દેશ પર બ્રિટિશ હુકૂમતનું શાસન હતું, ત્યારે રામરતન સાહ પોતાના મિત્રો—રામેશ્વર પ્રસાદ સિંહ, કમલ દેવ નારાયણ સિન્હા અને ગણેશ ચંદ્ર દાસ સાથે વર્તમાન ઝંડા ચોક ખાતે આવેલી ‘મિત્રા રેડિયો’ની દુકાનમાં બેસીને આઝાદીના સમાચારની રાહ જોઈ રહ્યા હતા. રાત ખૂબ વીતી ચૂકી હતી, પરંતુ આઝાદીની સત્તાવાર જાહેરાત અંગે કોઈ ચોક્કસ સમાચાર મળ્યા નહોતા. આઝાદીના આ દીવાનાઓ મોડી રાત સુધી રેડિયો સાથે ચોંટેલા રહ્યા. આખરે જ્યારે રેડિયો પર ભારતની સ્વતંત્રતાની ઐતિહાસિક જાહેરાત થઈ, ત્યારે ત્યાં હાજર લોકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું.</p><h4 style="text-align: justify; "><b>ઐતિહાસિક ઘટના</b></h4><p style="text-align: justify; ">આઝાદીની આહત સાંભળતાં જ સ્વતંત્રતા સેનાની રામેશ્વર પ્રસાદ સિંહે પોતાના સાથીઓ સાથે મળીને તે જ રાત્રે વાંસના બલ્લી (લાટી)ના સહારાથી ત્રિરંગો લહેરાવી દીધો હતો. આ ઐતિહાસિક ઘટના બાદ જ આ સ્થાન ધીમે-ધીમે "ઝંડા ચોક" તરીકે સમગ્ર વિસ્તારમાં પ્રસિદ્ધ થઈ ગયું. ત્યારબાદથી સ્વતંત્રતા સેનાની પરિવારના સભ્યો અને સ્થાનિક લોકો દ્વારા દર વર્ષે મધ્યરાત્રિએ અહીં ધ્વજવંદન કરવાની પરંપરા આગળ વધતી રહી છે. આ જ કારણ છે કે પૂર્ણિયાનો ઝંડા ચોક માત્ર એક સાધારણ ચોક નથી, પરંતુ આઝાદીની એ પહેલી રાતની એક જીવંત યાદગીરી છે.</p><h4 style="text-align: justify; "><b>સીમાંચલની માટીમાં કંડારાયેલી છે આઝાદી અને વિભાજનની કથા</b></h4><p style="text-align: justify; ">પૂર્ણિયા અને સમગ્ર સીમાંચલ વિસ્તાર એ દોરની કેટલીય ઐતિહાસિક ઘટનાઓનો સાક્ષી રહ્યો છે. દેશના વિભાજન સમયે સીમાંચલથી થોડા જ અંતરે પૂર્વ પાકિસ્તાનની સીમા અને નકશો દોરવામાં આવ્યો હતો. દેશપ્રેમીઓ માટે એ એક અત્યંત ભાવુક ક્ષણ હતી—એક તરફ સદીઓની ગુલામીમાંથી મુક્તિની ખુશી હતી, તો બીજી તરફ દેશના વિભાજનનું ઊંડું દર્દ પણ હતું. ઝંડા ચોક ખાતે મધ્યરાત્રિએ થતું ધ્વજારોહણ એ જ યુગની સ્મૃતિઓને આજે પણ તાજી રાખે છે.</p><h4 style="text-align: justify; "><b>સ્થાનિક યુવાનોમાં ભારે ઉત્સાહ&nbsp;</b></h4><p style="text-align: justify; ">હાલના સમયમાં પણ આ પરંપરાને લઈને સ્થાનિક યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. યુવાનોનું કહેવું છે કે, આ માત્ર ઝંડા ફહરાવવાનો કાર્યક્રમ નથી પરંતુ એ મહાન સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપવાનો અવસર છે, જેમણે આઝાદીની પહેલી રાત્રે પોતાના જીવની પરવા કર્યા વગર તિરંગો લહેરાવ્યો હતો.</p><h4 style="text-align: justify; "><b>રાષ્ટ્રીય ઓળખ અને ‘રાજકીય દરજ્જો’ આપવાની પ્રબળ માંગ</b></h4><p style="text-align: justify; ">ઝંડા ચોકને ઐતિહાસિક અને રાષ્ટ્રીય ઓળખ અપાવવાની માંગ હવે માત્ર સ્થાનિક લોકો પૂરતી સીમિત નથી રહી, પરંતુ આ માંગના પડઘા સંસદ ભવનથી લઈને બિહાર વિધાનસભા સુધી સંભળાયા છે.  પૂર્ણિયાના પૂર્વ સાંસદ સંતોષ કુશવાહાએ સંસદમાં ઝંડા ચોકને રાજકીય (રાજ્ય સ્તરીય) દરજ્જો આપવાની માંગ ઉઠાવી હતી </p><p style="text-align: justify; ">તો ધારાસભ્ય વિજય ખેમકાએ પણ બિહાર વિધાનસભામાં આ ઐતિહાસિક સ્થળને યોગ્ય સન્માન અને રાષ્ટ્રીય ઓળખ અપાવવા મુદ્દો રજૂ કર્યો છે. સ્થાનિક લોકોનું માનવું છે કે, જો દેશની આઝાદીની પહેલી રાત સાથે જોડાયેલી આ અનોખી પરંપરાને સરકારી સંરક્ષણ અને રાષ્ટ્રીય સ્તરે ઓળખ મળે, તો આ પૂર્ણિયા જ નહીં પરંતુ સમગ્ર બિહાર માટે ગૌરવની વાત બનશે.</p><h4 style="text-align: justify; "><b>જાતિ અને ધર્મથી ઉપર ઊઠીને એકતાનું પ્રતીક</b></h4><p style="text-align: justify; ">આ અભિયાનની સૌથી સુંદર અને મહત્વની બાબત એ છે કે અહીં સમાજના તમામ વર્ગો, જાતિઓ અને ધર્મના લોકો એકસાથે મળીને આ ઉત્સવ મનાવે છે. લોકોનું કહેવું છે કે, રાષ્ટ્રધ્વજ તિરંગો કોઈ એક જાતિ કે સંપ્રદાયનો નથી, પરંતુ સમગ્ર ભારતની આન, બાન અને શાન છે. પૂર્ણિયાના નાગરિકો પોતાની જાતને ભાગ્યશાળી માને છે કે તેમના શહેરમાં આઝાદીની પહેલી રાત સાથે જોડાયેલો આવો ઐતિહાસિક વારસો આજે પણ ધબકે છે.</p><h4 style="text-align: justify; "><br><b>80 વર્ષ પછી પણ એ જ જુસ્સો&nbsp;</b></h4><p style="text-align: justify; ">આઝાદીના 80 વર્ષ પછી આજે ભારત દેશ ઝડપથી આધુનિકતા તરફ આગળ વધી રહ્યો છે. શહેરો બદલાયા છે, પેઢીઓ બદલાઈ છે અને ટેકનોલોજીમાં ક્રાંતિ આવી છે. પરંતુ પૂર્ણિયાના ઝંડા ચોક પર 14 ઓગસ્ટની મધ્યરાત્રિએ 12:01 વાગ્યે લહેરાતો ત્રિરંગો આજે પણ આપણને એ યુગમાં લઈ જાય છે, જ્યારે આઝાદીના દીવાનાઓ રેડિયો પર અંગ્રેજી શાસનના અંતની ખબર સાંભળવા માટે આખી રાત જાગીને રાહ જોતા હતા.  પૂર્ણિયાનો ઝંડા ચોક માત્ર ભૂતકાળનો ઇતિહાસ નથી—એ તો આઝાદીના ઇતિહાસને દર વર્ષે પુનઃ જીવંત કરતી અને આવનારી પેઢી સુધી રાષ્ટ્રભક્તિનો સંદેશ પહોંચાડતી એક જીવંત પરંપરા છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો :&nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/india/ahmedabad/sandesh-indepth-gen-z-radio-to-reels-freedom-struggle-1942-congress-radio" target="_blank"><b>Sandesh Indepth : Gen Z જરૂર જાણે: એક રેડિયોએ કેવી રીતે હલાવી દીધું હતું બ્રિટિશ સામ્રાજ્ય? રેડિયોથી રીલ્સ સુધીની રોચક કહાની</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/15/AAnvzadAHSR0bZWa4dgtF1Ymjrb3P0gqQ6SBOJsp.webp'/></item><item><title><![CDATA[Independence Day 2026 : લાલ કિલ્લા પરથી PM મોદીએ રાષ્ટ્રને આપ્યું મોટું વિઝન, આપણી બ્રાન્ડ આપણી ઓળખ બને તેવું લક્ષ્ય ]]></title><link>https://sandesh.com/india/news/independence-day-2026-pm-modi-gave-a-big-vision-to-the-nation-from-the-red-fort-the-goal-is-to-make-our-brand-our-identity</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/independence-day-2026-pm-modi-gave-a-big-vision-to-the-nation-from-the-red-fort-the-goal-is-to-make-our-brand-our-identity</guid><pubDate>Sat, 15 Aug 2026 09:44:51 +05:30</pubDate><description><![CDATA[<p>ભારત દેશ આજે તેનો ૮૦મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ વર્ષે આ કાર્યક્રમ ખાસ છે કારણ કે રાષ્ટ્રીય ગીત, વંદે માતરમની ૧૫૦મી વર્ષગાંઠ પણ ઉજવવામાં આવી રહી છે.&nbsp; લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે "આગામી 10 વર્ષમાં ભારતની 50 કંપનીઓ ફોર્ચ્યુન 500માં હોવી જોઈએ." આ સાથે તેમણે દેશના લોકોને એક ટાર્ગેટ આપતા કહ્યું કે આગામી સમયમાં વિશ્વની ટોચની 5 બેંકો અને ફાર્મા કંપનીઓમાં ભારતનું પ્રભુત્વ હોવું જોઈએ.</p><p><b>પીએમ મોદીએ આગામી દાયકા માટે ફોર્ચ્યુન 500નો ટાર્ગેટ</b></p><p>દેશને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની ક્ષમતા અને રાષ્ટ્રશક્તિને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે એક મોટું અને પ્રેરણાદાયી આહ્વાન કર્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે દેશ માત્ર સરકારથી નથી બનતો, પરંતુ તેમાં દરેક નાગરિકનો સમાવેશ થાય છે. PM મોદીએ દેશને હચમચાવી મૂકે તેવા લક્ષ્યો નક્કી કરીને વૈશ્વિક સ્તરે ભારતનું નેતૃત્વ સ્થાપિત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાને દેશના આર્થિક ભવિષ્યનો રોડમેપ રજૂ કરતા પ્રશ્ન કર્યો હતો કે, "આપણે વૈશ્વિક સ્તરે ફોર્ચ્યુન 500 કંપનીઓ વિશે ઘણું સાંભળીએ છીએ. આગામી દાયકામાં આ 500માંથી ઓછામાં ઓછી 50 કંપનીઓ ભારતની કેમ ન હોઈ શકે? આ આપણું મુખ્ય લક્ષ્ય હોવું જ જોઈએ."</p><p><b>બેંકિંગ, ફાર્મા અને ગ્લોબલ લીડરશિપ</b></p><p>વૈશ્વિક બજારમાં ભારતના પ્રભુત્વ પર ભાર મુકતા PM મોદીએ કહ્યું કે: વૈશ્વિક બેંકિંગ: વિશ્વની ટોચની 5 બેંકોમાં ઓછામાં ઓછી એક ભારતીય બેંક સામેલ હોવી સમયની જરૂરિયાત છે. ફાર્મા ક્ષેત્રમાં ભારત અગ્રેસર બને તેવા પ્રયાસ કરવા જોઈએ. ભારતીય ફાર્માસ્યુટિકલ (દવા) કંપનીઓમાંથી એક કે બે કંપનીઓ વિશ્વની ટોચની 5 કંપનીઓમાં સ્થાન મેળવે તેવો સમય આવી ગયો છે.&nbsp; વૈશ્વિક નેતૃત્વ માટે ભારત પાસે અદભુત ક્ષમતા છે. ભારત સમૃદ્ધ ઇતિહાસ અને વિવિધ ભાષાઓ પર પકડ છે. હવે સમય આવી ગયો છે કે વૈશ્વિક નેતૃત્વની કમાન ભારતના હાથમાં હોય.</p><p><b>આપણી બ્રાન્ડ્સ વૈશ્વિક સ્તરે ઓળખ બનાવી જોઈએ</b></p><p>પીએમ મોદીએ ભારતીય બ્રાન્ડ્સને ગ્લોબલ લેવલ પર લઈ જવા માટે હાકલ કરી હતી. તેમણે કહ્યું કે આપણે એવી બ્રાન્ડ્સ વિકસાવવી પડશે જે સમગ્ર વિશ્વને આકર્ષિત કરે અને ભારતની ઓળખ બને. આ લક્ષ્યને હાંસલ કરવા માટે તેમણે કેન્દ્ર સરકાર, તમામ રાજ્ય સરકારો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને નીતિગત સુધારા (Refroms) ની ગતિ ઝડપી બનાવવાની વિનંતી કરી છે. તેમણે ઉમેર્યું કે હવે જૂની નીતિઓ અને નિયમો પર નિર્ભર રહી શકાય નહીં, ભવિષ્યની જરૂરિયાતો મુજબ તેમાં ફેરફાર કરવા જ પડશે.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/15/K56bEJqHM4ynYKp82vNdLrUlKLwAaev8QW6DV6W1.webp'/></item><item><title><![CDATA[Panchmahalમાં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી: રોશનીથી ઝળહળી ઉઠ્યું ગોધરા શહેર ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/panchmahal/independence-day-celebrated-in-panchmahal-godhra-city-lit-up-with-lights</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/panchmahal/independence-day-celebrated-in-panchmahal-godhra-city-lit-up-with-lights</guid><pubDate>Sat, 15 Aug 2026 08:45:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પંચમહાલના ગોધરા શહેરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ ઉજવણીનો પ્રારંભ થઈ ગયો છે. 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વને ભારે ઉત્સાહભેર વધાવવા માટે દેશભક્તિના અનેરા રંગે રંગાઈ ગયું છે. શહેરની તમામ મુખ્ય સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, જાહેર માર્ગો તેમજ અનેક નાની-મોટી ઈમારતો પર આકર્ષક એલઇડી લાઈટિંગ કરવામાં આવી છે. સંધ્યાકાળ થતાં જ તિરંગાના આ ત્રણેય રંગોની રોશનીથી શણગારેલી ભવ્ય ઈમારતો અને રસ્તાઓ ઝળહળી ઉઠતાં સમગ્ર વાતાવરણમાં એક અદભુત, નયનરમ્ય અને આહલાદક નજારો જોવા મળી રહ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>નગરજનોમાં ભારે ઉત્સાહનો માહોલ</b></h2><p style="text-align: justify; ">ગોધરામાં આ ભવ્ય રોશની અને સુંદર શણગાર સ્થાનિક નગરજનો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પોતાના હૃદયમાં રાષ્ટ્રભક્તિની અતૂટ ભાવના સાથે રહીશો આ સુંદર અને અદભુત દ્રશ્યો નિહાળવા માટે મોડી રાત સુધી શહેરના વિવિધ માર્ગો પર સહપરિવાર ફરતા જોવા મળ્યા હતા. આ તિરંગી રોશનીમાં નહાયેલી વિશાળ ઈમારતોનો આકર્ષક નજારો પ્રત્યક્ષ જોવા મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઉમટી પડ્યા હતા. લોકો આ ગૌરવપૂર્ણ ક્ષણોને અને રાષ્ટ્રીય પર્વની આ મનોહર રોશનીને ઉત્સાહભેર પોતાના મોબાઈલ કેમેરામાં કંડારીને દેશપ્રેમ વ્યક્ત કરી રહ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>સ્વાતંત્ર્ય પર્વને લઈને અનેરો માહોલ</b></h3><p style="text-align: justify; ">પંચમહાલના ગોધરામાં આ રાષ્ટ્રીય પર્વને લઈને લોકોમાં અપાર ખુશી અને અતૂટ રાષ્ટ્રપ્રેમ જોવા મળી રહ્યો છે. તિરંગી લાઈટિંગ અને રોશનીથી ઉજવણી કરવાની આ સુંદર પહેલે સમગ્ર શહેરમાં દેશભક્તિનો એક અનેરો અને અત્યંત સકારાત્મક માહોલ ઉભો કર્યો છે. સ્વાતંત્ર્ય દિનની સત્તાવાર ઉજવણી અને ધ્વજવંદનના ભવ્ય કાર્યક્રમો પૂર્વે જ આખું નગર રાષ્ટ્રપ્રેમના રંગે સંપૂર્ણપણે રંગાઈ ગયું છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી આ સુંદર વ્યવસ્થા અને નાગરિકોના ઉત્સાહના કારણે ગોધરામાં સાર્વત્રિક રીતે આનંદ અને રાષ્ટ્રીય ગૌરવનું વાતાવરણ સર્જાયું છે.</p><p style="text-align: justify;"><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/15/NKPf4cMFTCHfetjhGiaYOeeWJHjiGdPUtrW9yj1o.webp'/></item><item><title><![CDATA[Gir Somnathમાં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી: તિરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું વેરાવળ શહેર ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gir-somnath/independence-day-celebrated-grandly-in-gir-somnath-veraval-city-lit-up-with-tricolor-lights</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gir-somnath/independence-day-celebrated-grandly-in-gir-somnath-veraval-city-lit-up-with-tricolor-lights</guid><pubDate>Sat, 15 Aug 2026 08:22:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સ્વાતંત્ર્ય પર્વની દેશભરમાં ભવ્ય ઉજવણીના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લાનું મુખ્ય મથક વેરાવળ તિરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. 15મી ઓગસ્ટના પાવન પર્વ પૂર્વે જ સમગ્ર શહેરમાં દેશભક્તિનો અદભુત માહોલ જોવા મળી રહ્યો છે. શહેરની તમામ મુખ્ય સરકારી કચેરીઓ, ઐતિહાસિક સ્મારકો અને ભવનો પર કેસરિયા, સફેદ અને લીલા રંગની આકર્ષક એલઇડી લાઈટિંગ કરવામાં આવી છે. સંધ્યાકાળ થતાં જ તિરંગાના ત્રણેય રંગોની રોશનીથી શણગારેલી ઈમારતોનો મનોરમ્ય નજારો જોઈને સ્થાનિક રહીશો અને પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ અને રાષ્ટ્રપ્રેમની લાગણી છવાઈ ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>મુખ્ય સરકારી ભવનો અને માર્ગો શણગારાયા</b></h2><p style="text-align: justify; ">શહેરના સર્કિટ હાઉસથી લઈને રેલવે સ્ટેશન સુધીના સમગ્ર માર્ગ પર આવેલી ઈમારતો અને સર્કલોને વિશિષ્ટ રોશનીથી ઝળહળતા કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લા સેવા સદન, જિલ્લા પોલીસ ભવન અને જિલ્લા પંચાયત કચેરી જેવી મુખ્ય સરકારી ઈમારતો પર કરવામાં આવેલું આકર્ષક લાઈટિંગ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. રાત્રિના સમયે તિરંગી રોશનીમાં નહાયેલી આ વિશાળ ઈમારતોનો આકર્ષક નજારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર નીકળી રહ્યા છે અને આ મનોરમ્ય દ્રશ્યોને પોતાના મોબાઈલ કેમેરામાં કંડારી રહ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>વેરાવળમાં જામ્યો દેશભક્તિનો માહોલ</b></h3><p style="text-align: justify; ">15મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વને લાઈટિંગ અને રોશનીથી ઉજવવાની આ પહેલે સમગ્ર વેરાવળ શહેરમાં દેશભક્તિનો અનેરો ઉત્સાહ ભરી દીધો છે. સ્વાતંત્ર્ય દિનની સત્તાવાર ઉજવણી અને ધ્વજવંદન કાર્યક્રમો પૂર્વે જ આખું શહેર રાષ્ટ્રપ્રેમના રંગે રંગાઈ ગયું છે. સ્થાનિક પ્રશાસન દ્વારા કરવામાં આવેલી આ સુંદર રોશની વ્યવસ્થાના કારણે શહેરમાં સાર્વત્રિક રીતે આનંદ અને ગૌરવનો વાતાવરણ સર્જાયું છે. આગામી દિવસોમાં યોજાનારા વિવિધ સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય કાર્યક્રમોને લઈને પણ ગીર સોમનાથના નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/15/nKBgvMsVj6mPc8UrPDLnVfpuMzT01avv2zSVZUKO.webp'/></item><item><title><![CDATA[Vadodara: મેડિકલ ચેક-અપ કૅમ્પનો 100 દર્દીઓએ લાભ લીધો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-100-patients-benefited-from-medical-check-up-camp</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-100-patients-benefited-from-medical-check-up-camp</guid><pubDate>Sat, 15 Aug 2026 05:44:41 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">શહેરના પાણીગેટ સ્થિત આયુર્વેદિક હોસ્પિટલ તથા ઓમ સીનીયર સીટીઝન એસોસીયેશન, વડોદરાના સંયુક્ત ઉપક્રમે શ્રી ઉદય નારાયણ મહાદેવ મંદિર પરિસરમાં મેડિકલ ચેક - અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કેમ્પમાં ડૉ. ચૈતાલી શાહ અને તેમની ટીમે સેવાઓ આપી હતી. કેમ્પમાં વિનામૂલ્યે નિદાન કરી દવા આપવામાં આવી હતી. કેમ્પનો આશરે 100 દર્દીઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે મંડળના ઉપપ્રમુખ જગદીશભાઈ પંડયા, હોદ્દેદારો - સભ્યો અને જાહેર જનતા મોટી સંખ્યામાં હાજર રહી હતી. મંડળના રજનીભાઈ પટેલે કેમ્પ માટે ભારે જહેમત ઉઠાવી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/15/yH7tWDvdkSSlEEW7hEsG3bMUcBndIRV3yhuMf2ZZ.webp'/></item><item><title><![CDATA[Vadodara: પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ફુલસ્કેપ ચોપડા અને નોટબુકનું વિતરણ કરાયું ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-fullscape-books-and-notebooks-distributed-to-primary-school-students</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-fullscape-books-and-notebooks-distributed-to-primary-school-students</guid><pubDate>Sat, 15 Aug 2026 05:43:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારે વરસાદને કારણે નવનિર્માણ વિદ્યાલય ઢોળીયાવાડ, પ્રાથમિક શાળા મહિલા મુખ્ય પ્રાથમિક શાળા જીપપાડા વર્ગ શાળા તેમજ નવી વસાહત વર્ગ શાળાના વિદ્યાર્થીઓના નોટબુક અને પુસ્તકોને ભારે નુકસાન થયું હતું. જેના પગલે ધોરણ 1થી 12ના અંદાજે 600 જેટલા વિદ્યાર્થીઓને શ્રી રંગ સિવાય તીર્થ ફઉન્ડેશન તેમજ આરટીઓના સ્ટાફ્ના સહયોગથી ચોપડા અને નોટબુકનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાંડો. કનુભાઈ લીંબાચા તેમજ રાજેન્દ્રસિંહ ચૌહાણ તથા પીબી લાઠીયા સહિત અન્ય ઉપસ્થિત રહ્યા હતા</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/15/RYj8DzqOTM8qg2XEICRe4ZIkpdIPpJ8KxLBh8Uj3.webp'/></item><item><title><![CDATA[Vadodara: સરદાર એસ્ટેટની શાળામાં યોગાસન કાર્યક્રમનું આયોજન ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</guid><pubDate>Sat, 15 Aug 2026 05:42:46 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,ગાંધીનગર, આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, વડોદરા શહેર, સંચાલિત માંડવી ઝોન કક્ષા,અનુસૂચિત જનજાતિ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર -2026 કાર્યક્રમ અંતર્ગત સરદાર એસ્ટેટ સ્થિત કે.બી. પરીખ હાઈસ્કૂલમાં યોગા ટ્રેનર નિશાબેન તથા યેશાબેન રાજપૂતે શાળાના 40 વિદ્યાર્થીઓને યોગાસનની માહિતી આપી પ્રેકટિકલ અને તેના લાભ સાથે સમજૂતી તેમજ માર્ગદર્શન આપ્યુ હતુ</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/15/46ooTHx7Kw3cUfRTJU9b4qiQhDde0PKQs1ACLcrd.webp'/></item><item><title><![CDATA[Hockey World Cup 2026 : ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે હાઈ વોલ્ટેજ મેચ, જાણો  સંપૂર્ણ શેડ્યૂલ ]]></title><link>https://sandesh.com/sports/news/hockey-world-cup-2026-high-voltage-match-to-be-played-between-india-and-pakistan-know-the-complete-schedule</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/hockey-world-cup-2026-high-voltage-match-to-be-played-between-india-and-pakistan-know-the-complete-schedule</guid><pubDate>Fri, 14 Aug 2026 18:41:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">FIH હોકી વર્લ્ડ કપ 2026 15 ઓગસ્ટથી શરૂ થવાનો છે.આ મોટી ટુર્નામેન્ટ નેધરલેન્ડ અને બેલ્જિયમમાં યોજાઈ રહી છે.ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ જીતવા માટે મજબૂત દાવેદાર માનવામાં આવે છે,પરંતુ તેમને આ ટુર્નામેન્ટમાં ઈંગ્લેન્ડ,ચીન,પાકિસ્તાન અને બેલ્જિયમને હરાવવા પડશે. હરમનપ્રીત સિંહની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમ 1975 પછીનો પોતાનો પહેલો વર્લ્ડ કપ જીતવાનું લક્ષ્ય રાખશે. ચાલો ટીમ ઈન્ડિયાના શેડ્યૂલ પર એક નજર કરીએ.</p><h5 style="text-align: justify;"><b>ટીમ ઈન્ડિયા કયા ગ્રુપમાં છે?</b></h5><p style="text-align: justify; ">હોકી વર્લ્ડ કપ 2026 માં કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે. ટીમ ઈન્ડિયા પૂલ D નો ભાગ છે, જેમાં ઈંગ્લેન્ડ, વેલ્સ અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. ભારતીય ટીમે FIH પ્રો લીગમાં ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનનો પણ સામનો કર્યો હતો. હવે, ભારત વર્લ્ડ કપમાં પણ આ બે ટીમોનો સામનો કરશે.</p><h4 style="text-align: justify;"><b>ટીમ ઈન્ડિયાનો હોકી વર્લ્ડ કપ 2026 શેડ્યૂલ</b></h4><p style="text-align: justify;">ભારતીય ટીમ 2026 FIH હોકી વર્લ્ડ કપના ગ્રુપ તબક્કામાં કુલ ત્રણ મેચ રમશે. ટીમ ઈન્ડિયાનો પહેલો મુકાબલો સ્વતંત્રતા દિવસે વેલ્સ સામે હશે. ટીમ ઈન્ડિયાનો ગ્રુપ સ્ટેજ શેડ્યૂલ નીચે મુજબ છે:</p><p style="text-align: justify;">ભારત vs વેલ્સ (15 ઓગસ્ટ - સાંજે 4:30 વાગ્યા)</p><p style="text-align: justify;">ભારત vs ઈંગ્લેન્ડ (17 ઓગસ્ટ - સાંજે 6:30 વાગ્યા)</p><p style="text-align: justify;">ભારત vs પાકિસ્તાન (19 ઓગસ્ટ - સાંજે 6:30 વાગ્યા)</p><h4 style="text-align: justify;"><b>એફઆઈએચ હોકી વર્લ્ડ કપ માટે ભારતની ટીમ</b></h4><ul><li style="text-align: justify;">ગોલકીપર્સ: સૂરજ કરકેરા, મોહિત એચએસ.</li><li style="text-align: justify;">ફોરવર્ડ્સ: સુખજીત સિંહ, મનદીપ સિંહ, દિલપ્રીત સિંહ, શિલાનંદ લાકરા, અભિષેક.</li><li style="text-align: justify;">ડિફેન્ડર્સ: હરમનપ્રીત સિંહ (કેપ્ટન), અમિત રોહિદાસ, જર્મનપ્રીત સિંહ, જુગરાજ સિંહ, સંજય, યશદીપ સિવાચ, સુમિત.</li><li style="text-align: justify;">મિડફિલ્ડર્સ: આદિત્ય અર્જુન લાલગે, હાર્દિક સિંહ, રાજિન્દર સિંહ, વિવેક સાગર પ્રસાદ, મનપ્રીત સિંહ, નીલકંઠ શર્મા.</li></ul><h5 style="text-align: justify;"><b>હોકી વર્લ્ડ કપ 2026ની મેચ ક્યાં જોઈ શકો છો?</b></h5><p style="text-align: justify;">હોકી વર્લ્ડ કપ 2026 15 ઓગસ્ટથી 30 ઓગસ્ટ દરમિયાન યોજાવાનો છે. આ મુખ્ય ટુર્નામેન્ટની બધી મેચો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક ચેનલો પર પ્રસારિત કરવામાં આવશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/jamshedpur-fc-football-club-sold-for-just-rs-100-tata-steels-shocking-decision" target="_blank">Jamshedpur FC : માત્ર 100 રૂપિયામાં વેચાઈ ફૂટબોલ ક્લબ,ટાટા સ્ટીલનો ચોંકાવનારો નિર્ણય</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/NrE0OQVsKqPshLxwD8fxfWnGNOw2UegWLcMwZKQ1.webp'/></item><item><title><![CDATA[Govinda : 'દીકરીની ઉંમરની છોકરીને લઈને ફરે...', કથિત ગર્લફ્રેન્ડ સાથે ગોવિંદાને જોઈ પત્ની સુનિતાએ કર્યો કટાક્ષ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/govinda-girlfriend-wife-comment-viral-photo</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/govinda-girlfriend-wife-comment-viral-photo</guid><pubDate>Fri, 14 Aug 2026 17:43:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડના હીરો નંબર 1 તરીકે ઓળખાતા અભિનેતા ગોવિંદા છેલ્લા ઘણા સમયથી પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. પત્ની સુનીતા આહુજા સતત તેમના પર અફેરના આરોપ લગાવતી રહી છે. એટલું જ નહીં, તેમણે એવું પણ કહ્યું હતું કે બંને ઘણા વર્ષોથી અલગ રહે છે. ત્યારબાદ તેમના છૂટાછેડાના સમાચાર પણ મીડિયામાં ખૂબ ચર્ચામાં રહ્યા હતા. ગોવિંદા પર લગ્નબહારના સંબંધોના આરોપ પણ લાગ્યા હતા. કોમલ નામની યુવતી સાથે તેમનું નામ સતત જોડાતું રહ્યું છે. હવે ફરી એકવાર સુનીતા આહુજાએ તેમના પર ગુસ્સો વ્યક્ત કર્યો છે.</p><h2 style="text-align: justify; "><b>કોમલ અને ગોવિંદા ફરી સાથે જોવા મળ્યા</b></h2><p style="text-align: justify; ">ગોવિંદા ફિલ્મ રૂપાની જાહેરાત બાદ અભિનેત્રી કોમલ રાની સાથે કામ કરવાને લઈને ચર્ચામાં છે. બંનેના અફેરના સમાચાર પણ ખૂબ ચર્ચામાં છે. થોડા દિવસ પહેલાં જ બંને કલાકારોને સાથે એરપોર્ટ પર જોવા મળ્યા હતા, જેને લઈને સુનીતાએ ગુસ્સો વ્યક્ત કર્યો હતો. હવે ફરી એકવાર ગોવિંદા અને કોમલ સાથે જોવા મળ્યા છે. ત્યારબાદ સુનીતાએ પ્રતિક્રિયા આપતાં પોતાના અભિનેતા પતિ માટે કહ્યું કે થોડું તો સ્ટાન્ડર્ડ હોવું જોઈએ.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DcA7HUqkx5S/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DcA7HUqkx5S/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DcA7HUqkx5S/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DcA7HUqkx5S/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h3 style="text-align: justify; "><b>ગોવિંદા અને કોમલ પર સુનીતા આહુજા ગુસ્સે થઈ</b></h3><p style="text-align: justify; ">ગોવિંદા અને કોમલ ફરી એકવાર સાથે જોવા મળ્યા બાદ પેપ્સે સુનીતા આહુજાને તેમની પ્રતિક્રિયા પૂછી હતી. તેના પર તેમણે કહ્યું, ફિલ્મ બનવી પણ તો જોઈએ ને? પ્રમોશન ફિલ્મ બન્યા પછી થાય છે. શું બોલવું... દીકરીની ઉંમરની છોકરીને લઈને ફરી રહ્યા છો, થોડી તો શરમ આવવી જોઈએ. થોડું તો સ્ટાન્ડર્ડ હોવું જોઈએ. તમારો શુગર ડેડી આટલો અમીર છે તો ઓછામાં ઓછા કપડાં તો યોગ્ય પહેરો. અમને જુઓ, અમે કેવી સ્ટાઇલથી ફરીએ છીએ. ખૂબ ખરાબ છે, મગજ ખરાબ થઈ ગયું છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DcA3-vszs8J/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DcA3-vszs8J/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DcA3-vszs8J/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DcA3-vszs8J/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, કોમલ અને ગોવિંદા કથિત રીતે સંબંધમાં છે અને છેલ્લા 4 વર્ષથી રિલેશનશિપમાં છે. જોકે, ગોવિંદાએ આ સંબંધની વાત સ્વીકારી નથી. સાથે જ હજુ સુધી એ પણ સ્પષ્ટ થયું નથી કે ગોવિંદા સાથે જે યુવતીનું નામ જોડવામાં આવી રહ્યું છે, તે આ જ કોમલ છે કે કોઈ બીજી વ્યક્તિ.</p><h4 style="text-align: justify; "><b>ગોવિંદાએ આપ્યું હતું મીઠાઈની દુકાનવાળું નિવેદન</b></h4><p style="text-align: justify; ">ગોવિંદાનું તાજેતરમાં મીઠાઈની દુકાનવાળું નિવેદન વાયરલ થયું હતું. તેમણે સમાચાર એજન્સી ANI સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન અભિનેતાએ કહ્યું હતું, મીઠાઈની દુકાનમાં રહીને ભૂખ્યા નીકળ્યા તો શું દુઃખ છે. તેમના આ નિવેદનને લગ્નબહારના સંબંધો સાથે જોડવામાં આવ્યું હતું. લોકોનું માનવું હતું કે અભિનેતાએ પોતાના અફેરના સમાચારની પુષ્ટિ કરી છે. જોકે, ગોવિંદાએ અફેર વિશે ખુલ્લેઆમ કોઈ વાત કરી નથી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/pooja-bedi-maneck-contractor-8-year-engagement" target="_blank">આ પણ વાંચો-Bollywood : 8 વર્ષની સગાઈ છતાં લગ્ન નહીં! માનેક કોન્ટ્રાક્ટર સાથે અનોખો સંબંધ નિભાવી રહી છે પૂજા બેદી</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/4s7eB1Yws0ASr4trAYoPUbZl0X1qdu0opOliTAWt.webp'/></item><item><title><![CDATA[Stock Market Closing: લાલ નિશાનમાં માર્કેટ બંધ, સેન્સેક્સ 78,009 અંકે ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-closing-market-closes-in-red-sensex-closes-at-78009-points</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-closing-market-closes-in-red-sensex-closes-at-78009-points</guid><pubDate>Fri, 14 Aug 2026 15:45:25 +05:30</pubDate><description><![CDATA[<p>શુક્રવાર, 14 ઓગસ્ટના રોજ ભારતીય શેરબજારમાં શરૂઆતના ઘટાડા પછી થોડી રિકવરી જોવા મળી. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ખરીદીને કારણે નિફ્ટી50 અને સેન્સેક્સ બંને તેમના ઇન્ટ્રાડે નીચા સ્તરથી પાછા ફર્યા, જેને ટેકો મળ્યો.</p><h2><b>શેરબજાર લાલ નિશાનમાં બંધ&nbsp;</b></h2><p>બપોરે 2:00 વાગ્યા સુધીમાં, સેન્સેક્સ 81.62 પોઈન્ટ (0.10%) ઘટીને 77,998.34 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે નિફ્ટી50 11.60 પોઈન્ટ (0.05%) ઘટીને 24,383.10 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બપોરે 3.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયુ. સેન્સેક્સ 78,009 અંકે 70.71 પોઇન્ટના ઘટાડા સાથે બંધ થયો. જ્યારે નિફ્ટી 29.85 પોઇન્ટના ઘટાડા સાથે 24,366.00 અંકે બંધ થયું.&nbsp;</p><h3><b>ટોચના નિફ્ટી50 લુઝર્સ</b></h3><p>ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ, મેક્સ હેલ્થકેર ઇન્સ્ટિટ્યૂટ અને હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ નિફ્ટી50 પર ટોચના ઘટાડામાં સામેલ હતા.</p><p><b style="font-size: 1.75rem;">મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો દબાણ હેઠળ</b></p><p>વ્યાપક બજારમાં પણ નબળાઈ ચાલુ રહી; નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 0.45% નીચામાં ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સ 0.55% નીચે હતો.</p><h3><b>મેટલ સ્ટોક્સ નબળા; કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં ખરીદી</b></h3><p>ક્ષેત્રની દ્રષ્ટિએ, નિફ્ટી મેટલ સૌથી ખરાબ પ્રદર્શન કરનારા ક્ષેત્રોમાંનો એક હતો. તેનાથી વિપરીત, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સે સારું પ્રદર્શન કર્યું, તેના ઘટક શેરોમાં ખરીદી પ્રવૃત્તિ જોવા મળી.</p><h4><b>એશિયન બજારોમાં મિશ્ર વેપાર</b></h4><p>પ્રારંભિક વધારા પછી, એશિયા-પેસિફિક બજારો મિશ્ર વલણ સાથે વેપાર કરી રહ્યા હતા. નબળા યુએસ પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ (PPI) ડેટાએ આશા જગાવી છે કે વ્યાજ દરમાં વધારાની શક્યતા ઘટી શકે છે, જેની અસર ટેકનોલોજી શેરોમાં પણ જોવા મળી હતી.</p><p>જાપાનનો નિક્કી 225 લગભગ 0.7% વધુ ટ્રેડ કરી રહ્યો હતો, અને દક્ષિણ કોરિયાનો કોસ્પી લગભગ 0.9% ઉપર હતો. દરમિયાન, હોંગકોંગનો હેંગ સેંગ લગભગ 0.51% નીચે હતો.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/04/22/ImEoH8XVKSpwKohsEtbZTWR6IaJ4XBQ4dmVVsfy6.webp'/></item></channel></rss>