<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabadના વિક્ટોરિયા ગાર્ડન પાસે રીક્ષા ચાલકની દાદાગીરી, TRB જવાન અને પોલીસકર્મી પર હુમલો ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/auto-rickshaw-driver-attacks-trb-jawan-victoria-garden</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/auto-rickshaw-driver-attacks-trb-jawan-victoria-garden</guid><pubDate>Tue, 25 Aug 2026 10:48:24 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન પાસે વાહનવ્યવહારના નિયમોના લીરા ઉડાવીને રીક્ષા ચાલકે દાદાગીરી આચરી હોવાનો સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. ટ્રાફિક સિગ્નલ બંધ હોવા છતાં એક રીક્ષા ચાલકે પુરઝડપે વાહન હંકારી મૂકતાં ત્યાં ફરજ પર તૈનાત TRB જવાને તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન રીક્ષા TRB જવાનના હાથ સાથે અથડાતાં રીક્ષાનો કાચ તૂટી ગયો હતો. જેથી ઉશ્કેરાયેલા રીક્ષા ચાલક જીગર સોલંકીએ ‘મને હાથ કેમ કર્યો’ કહીને બોલાચાલી કરી રીક્ષા રોડ પર જ ઊભી રાખી TRB જવાનને ઢોર માર માર્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>વચ્ચે પડેલા પોલીસકર્મીને ધક્કો મારી નીચે પાડ્યા&nbsp;</b></h2><p style="text-align: justify; ">આ ઝપાઝપી અને મામલો વણસતો જોઈને ત્યાં ફરજ પર હાજર પોલીસકર્મી મનોજભાઈ ત્વરિત વચ્ચે પડ્યા હતા. પરંતુ આક્રમક બનેલા રીક્ષા ચાલકે પોલીસકર્મી સાથે પણ ઝઘડો કરીને તેમને જોરદાર ધક્કો માર્યો હતો, જેના કારણે પોલીસકર્મી મનોજભાઈ નીચે પટકાઈ પડ્યા હતા. આ બનાવ બનતાં જ આસપાસથી અન્ય પોલીસકર્મીઓ દોડી આવ્યા હતા અને તેમણે ત્વરિત વચ્ચે પડીને હુમલાખોર રીક્ષા ચાલકની સ્થળ પર જ અટકાયત કરી લીધી હતી.</p><h3 style="text-align: justify; "><b>પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી&nbsp;</b></h3><p style="text-align: justify; ">પોલીસ ટીમે રીક્ષા ચાલકને તાત્કાલિક પોલીસ સ્ટેશન લઈ જઈ કડક પૂછપરછ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પકડાયેલા આરોપીની ઓળખ જીગર સોલંકી તરીકે થઈ છે, જે અમદાવાદના બહેરામપુરા વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ઈ-ટ્રાફિક પોલીસે સરકારી ફરજમાં અડચણ ઊભી કરવા તેમજ મારપીટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની સત્તાવાર ધરપકડ કરી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/25/ncgNw6WyFHCKFbfsAPnzaRTZoW1VXDSIEgxRbxg1.webp'/></item><item><title><![CDATA[Bhavnagar લઠ્ઠાકાંડમાં દિલ્હી સુધી SMCની 16 ટીમો તપાસમાં, 5થી વધુ ટીમોના વિવિધ રાજ્યોમાં દરોડા ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/bhavnagar-hooch-tragedy-smc-16-teams-investigation-five-states</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/bhavnagar-hooch-tragedy-smc-16-teams-investigation-five-states</guid><pubDate>Tue, 25 Aug 2026 10:46:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભાવનગર લઠ્ઠાકાંડને લઈને હવે તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે SMCએ 16 જેટલી ટીમોને તપાસમાં ઉતારી છે. ગુજરાતની અંદરથી લઈને અન્ય રાજ્યો સુધી તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે. અત્યાર સુધીની કાર્યવાહીમાં લઠ્ઠાકાંડ મામલે 27 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>8 જેટલી ટીમોની ભાવનગરમાં જ તપાસ&nbsp;</b></h2><p style="text-align: justify; ">SMCની 16 ટીમોમાંથી 8 જેટલી ટીમો હાલ ભાવનગરમાં જ સક્રિય રહીને તપાસ કરી રહી છે. આ ટીમો લઠ્ઠાકાંડ સાથે સંકળાયેલા આરોપીઓ, દારૂના સપ્લાય નેટવર્ક, કાચા માલ અને અન્ય મહત્વના પાસાઓની તપાસ આગળ ધપાવી રહી છે. ઘટનાના તાર ક્યાં સુધી જોડાયેલા છે અને સમગ્ર નેટવર્કમાં અન્ય કોણ કોણ સામેલ છે તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>SMCની 3 ટીમોની ગુજરાતના અન્ય વિસ્તારોમાં તપાસ&nbsp;</b></h3><p style="text-align: justify; ">ભાવનગર ઉપરાંત SMCની 3 જેટલી ટીમો ગુજરાતના અન્ય વિસ્તારોમાં તપાસ કરી રહી છે. જ્યારે 5થી વધુ ટીમોને રાજ્ય બહાર તપાસ માટે મોકલવામાં આવી હોવાનું સામે આવ્યું છે. દિલ્હી, હરિયાણા અને મધ્યપ્રદેશ સહિત કુલ 5 જેટલા રાજ્યોમાં તપાસનો વ્યાપ વિસ્તર્યો છે.</p><h4 style="text-align: justify; "><b>વિવિધ રાજ્યોમાં પણ ઉંડી તપાસ&nbsp;</b></h4><p style="text-align: justify; ">લઠ્ઠાકાંડના તાર રાજ્યની સરહદ બહાર સુધી પહોંચ્યા હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને વિવિધ રાજ્યોમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. દારૂ બનાવવા માટે વપરાતા પદાર્થો ક્યાંથી આવ્યા, સપ્લાય ચેઇન કેવી રીતે કાર્યરત હતી અને આ સમગ્ર ગેરકાયદે નેટવર્ક સાથે અન્ય કોઈ લોકો જોડાયેલા છે કે નહીં તે સહિતના મુદ્દાઓ તપાસના કેન્દ્રમાં છે.</p><h4 style="text-align: justify; "><b>વધુ મહત્વપૂર્ણ ખુલાસા થવાની શક્યતા&nbsp;</b></h4><p style="text-align: justify; ">એક તરફ ભાવનગરમાં SMCની 8 ટીમો મેદાનમાં ઉતરી તપાસ ચલાવી રહી છે, તો બીજી તરફ ગુજરાત અને અન્ય 5 રાજ્યોમાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. કુલ 16 ટીમો દ્વારા વિવિધ દિશામાં તપાસનો દોર શરૂ થતાં લઠ્ઠાકાંડ મામલે આગામી સમયમાં વધુ મહત્વપૂર્ણ ખુલાસા અને કાર્યવાહી સામે આવવાની શક્યતા છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/25/64qz33TENdfztFEbAMeM49X2FkZWbAhB6jyNjP10.webp'/></item><item><title><![CDATA[Indiaમાં સસ્તી EVની તૈયારી, Maruti, Hyundai અને Kia લાવશે નવી ઇલેક્ટ્રિક કાર ]]></title><link>https://sandesh.com/business/automobile/news/preparing-for-cheap-evs-in-india-maruti-hyundai-and-kia-will-bring-new-electric-cars</link><guid isPermaLink="true">https://sandesh.com/business/automobile/news/preparing-for-cheap-evs-in-india-maruti-hyundai-and-kia-will-bring-new-electric-cars</guid><pubDate>Tue, 25 Aug 2026 10:28:07 +05:30</pubDate><description><![CDATA[<p>Indiaમાં ઇલેક્ટ્રિક વાહનો (EV)નું માર્કેટ છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપથી બદલાયું છે. શરૂઆતના સમયમાં ઇલેક્ટ્રિક કારની કિંમત તેમના પેટ્રોલ-ડીઝલ મોડલની સરખામણીમાં ઘણી વધારે હતી. પરંતુ હવે વધતી માંગ, સ્થાનિક સ્તરે પાર્ટ્સનું ઉત્પાદન, સારી બેટરી ટેક્નોલોજી અને મોટા પાયે પ્રોડક્શનના કારણે EVની કિંમત ધીમે ધીમે ઘટી રહી છે. આ ઉપરાંત, Battery-as-a-Service (BaaS) જેવી યોજનાઓએ પણ ઇલેક્ટ્રિક કાર ખરીદવાની શરૂઆતની કિંમત ઘટાડવામાં મદદ કરી છે.&nbsp;</p><h2><b>Maruti Suzukiની નાની ઇલેક્ટ્રિક કાર</b></h2><p>Maruti Suzuki એક નવી કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક હેચબેક પર કામ કરી રહી છે, જેને નાણાકીય વર્ષ 2026-27માં ગ્લોબલ ડેબ્યૂ કરાવવામાં આવી શકે છે. કંપનીની Vision e-Sky સાથે જોડાયેલી તાજેતરની સ્પાય તસવીરોમાંથી આ આવનારી EVની ડિઝાઇન અને કદ અંગે ઘણી માહિતી સામે આવી છે. માનવામાં આવે છે કે તેનું પ્રોડક્શન મોડલ Maruti Suzukiના નવા K-EV પ્લેટફોર્મ પર તૈયાર થશે. તેની લંબાઈ લગભગ 3.39 મીટર હોઈ શકે છે, એટલે કે શહેરોમાં સરળતાથી ચલાવવા માટે તે ખૂબ જ કોમ્પેક્ટ હશે. તેમાં લગભગ 29kWhની બેટરી પેક મળવાની સંભાવના છે અને એક વખત ચાર્જ કર્યા બાદ લગભગ 270 કિલોમીટરની રેન્જ મળી શકે છે. કિંમતની દ્રષ્ટિએ પણ તેને કંપનીની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કારમાં સામેલ કરવામાં આવી શકે છે.</p><h3><b>Hyundaiની કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક SUV</b></h3><p>Hyundai Motor Indiaએ માર્ચ 2027 સુધીમાં એક કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક SUV લોન્ચ કરવાની યોજના અંગે જાહેરાત કરી છે. તેમાં 42kWh અને 49kWhના બેટરી વિકલ્પો આપવામાં આવી શકે છે. મોટી બેટરી સાથે તેની ડ્રાઇવિંગ રેન્જ 350 કિલોમીટરથી વધુ હોઈ શકે છે. ફીચર્સની વાત કરીએ તો તેમાં OTA અપડેટ, ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, કનેક્ટેડ-કાર ટેક્નોલોજી અને અનેક એરબેગ જેવા આધુનિક ફીચર્સ મળી શકે છે. આ મોડલ Hyundaiના EV પોર્ટફોલિયોમાં એક લાભદાયક વિકલ્પ બની શકે છે.</p><h4><b>Kiaની નવી કોમ્પેક્ટ EV</b></h4><p>Kia પણ ભારતીય ઇલેક્ટ્રિક કાર માર્કેટમાં પોતાની હાજરી મજબૂત કરવાની તૈયારી કરી રહી છે. કંપનીએ ભારતમાં ચાર નવા ઇલેક્ટ્રિફાઇડ મોડલ લાવવાની યોજના અંગે માહિતી આપી છે, જેમાં ત્રણ હાઇબ્રિડ મોડલ અને એક કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક SUV સામેલ હશે. Kiaની આવનારી ઇલેક્ટ્રિક SUVને ભારતમાં જ ડેવલપ કરીને સ્થાનિક સ્તરે તૈયાર કરવામાં આવે તેવી શક્યતા છે. તેનું કદ લગભગ 4.2 મીટર લાંબું હોઈ શકે છે.&nbsp;</p><p><b><a href="https://sandesh.com/" target="_blank">વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/25/LkQq9FXaUpntfoZwkAIV8BCMopCxJVxP70F3TKEX.webp'/></item><item><title><![CDATA[Morbiમાં એસઓજી પોલીસે દરોડો પાડી ગેરકાયદે પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે શખ્સની કરી ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/morbi/sog-police-arrests-man-with-illegal-pistol-ravapar-road</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/morbi/sog-police-arrests-man-with-illegal-pistol-ravapar-road</guid><pubDate>Tue, 25 Aug 2026 10:03:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મોરબી શહેરમાં ગેરકાયદેસર હથિયારોની હેરફેર અને સંગ્રહ સામે મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. એસઓજી પોલીસે ચોક્કસ બાતમીના આધારે શહેરના પોશ વિસ્તાર ગણાતા રવાપર રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટ પાસેથી પરિમલ વાઘેલા નામના શખ્સની ધાકધમકી કે અન્ય કોઈ ગુનાહિત ઈરાદે ઘૂમી રહ્યો હતો ત્યારે ઝડપી લીધો હતો.</p><h2 style="text-align: justify; "><b>ગેરકાયદે પિસ્તોલ અને કારતૂસ જપ્ત&nbsp;</b></h2><p style="text-align: justify; ">પોલીસ ટીમે આરોપી પરિમલ વાઘેલાની અટકાયત કરીને તેની તલાશી લેતાં તેની પાસેથી એક ગેરકાયદેસર દેશી પિસ્તોલ તેમજ ૨ નંગ જીવતા કાર્ટીસ (કારતૂસ) મળી આવ્યા હતા. પોલીસે ત્વરિત ધોરણે આ ગેરકાયદે હથિયાર અને કારતૂસનો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપી આ હથિયાર ક્યાંથી લાવ્યો હતો અને તેનો શો ઉપયોગ કરવાનો હતો તે અંગે પોલીસે તપાસ આદરી છે.</p><h3 style="text-align: justify; "><b>સીટી એ ડિવિઝનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો&nbsp;</b></h3><p style="text-align: justify; ">આ મામલે મોરબી એસઓજી પોલીસ દ્વારા આરોપી પરિમલ વાઘેલા વિરુદ્ધ આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે સત્તાવાર ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. હથિયાર સપ્લાય કરનાર મુખ્ય સૂત્રધાર અને આરોપીના ગુનાહિત ઇતિહાસ અંગે સીટી એ ડિવિઝન પોલીસે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/25/0nn6sbq13V1l8x1Q4GhDIoZuRVMlVFFM2y1F8Fbc.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : સરકાર-સંઘ વચ્ચે સંકલનનું મંથન, આજથી RSSની 2 દિવસીય સમન્વય બેઠક ]]></title><link>https://sandesh.com/gujarat/news/political-news/ahmedabad/rss-two-day-coordination-meeting-ahmedabad-maninagar</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/political-news/ahmedabad/rss-two-day-coordination-meeting-ahmedabad-maninagar</guid><pubDate>Tue, 25 Aug 2026 09:51:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદમાં આજથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSSની મહત્વપૂર્ણ 2 દિવસીય સમન્વય બેઠક શરૂ થઈ છે. મણિનગર વિસ્તારમાં આવેલા હેડગેવાર ભવન ખાતે યોજાનારી આ બેઠકમાં RSS, તેની વિવિધ ભગિની સંસ્થાઓ, રાજ્ય સરકાર અને ભાજપના મુખ્ય આગેવાનો એકસાથે જોડાશે. વર્ષમાં માત્ર એક જ વખત યોજાતી આ બેઠકને સંગઠનાત્મક અને રાજકીય દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>સંઘ અને વિવિધ ભગિની સંસ્થાઓના અગ્રણી આગેવાનો હાજર</b></h2><p style="text-align: justify; ">બેઠકમાં RSSના સહ સરકાર્યવાહ અરુણ કુમાર ઉપસ્થિત છે. તેમની હાજરીમાં સંઘ અને વિવિધ ભગિની સંસ્થાઓના અગ્રણી આગેવાનો વચ્ચે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા અને સંકલન કરવામાં આવશે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b style="">6 વિભાગોના મંત્રીઓ પણ બેઠકમાં હાજરી આપશે</b></h3><p style="text-align: justify; ">આ બેઠકમાં રાજ્ય સરકારના વિવિધ 6 વિભાગોના મંત્રીઓ પણ બેઠકમાં હાજરી આપશે, જેના કારણે સરકાર અને સંઘ સાથે સંકળાયેલી સંસ્થાઓ વચ્ચેના પ્રશ્નો અને મુદ્દાઓ પર સીધી ચર્ચા થવાની શક્યતા છે.</p><h4 style="text-align: justify; "><b>વિવિધ મુદ્દાઓના ઉકેલ અંગે ચર્ચા&nbsp;</b></h4><p style="text-align: justify; ">આ બેઠકમાં સરકાર, સંઘ અને વિવિધ ભગિની સંસ્થાઓ વચ્ચે વધુ મજબૂત સંકલન સ્થાપિત કરવા પર ભાર મૂકવામાં આવશે. ભગિની સંસ્થાઓને સરકાર સાથે જોડાયેલા વિવિધ પ્રશ્નો, માંગણીઓ અને મુદ્દાઓ રજૂ કરવાની પણ તક મળશે. સંબંધિત વિભાગોના મંત્રીઓ સાથે સીધા સંવાદ દ્વારા વિવિધ મુદ્દાઓના ઉકેલ અંગે ચર્ચા કરવામાં આવશે.</p><h4 style="text-align: justify; "><b>ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ આ મહત્વપૂર્ણ બેઠકમાં હાજર&nbsp;</b></h4><p style="text-align: justify; ">પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ આ મહત્વપૂર્ણ બેઠકમાં હાજર છે.. RSS અને તેની વિવિધ સંસ્થાઓના અગ્રણી, રાજ્ય સરકારના મંત્રીઓ તેમજ ભાજપના નેતાઓ એક મંચ પર આવતા આગામી સમયની સંગઠનાત્મક અને સંકલનાત્મક દિશા અંગે પણ ચર્ચા થવાની શક્યતા છે.</p><h5 style="text-align: justify; "><b>આ બેઠક વર્ષમાં એક જ વખત યોજાય છે.</b></h5><p style="text-align: justify; ">2 દિવસ સુધી ચાલનારી આ બેઠક વર્ષમાં એક જ વખત યોજાય છે. તેથી સંઘ અને ભગિની સંસ્થાઓ માટે વર્ષ દરમિયાન સામે આવેલા મુદ્દાઓની સમીક્ષા, સરકાર સાથેના સંકલન અને આગામી આયોજન માટે આ બેઠક મહત્વપૂર્ણ બની રહેશે. અમદાવાદના મણિનગર હેડગેવાર ભવન ખાતે યોજાનારી આ બેઠક પર રાજકીય અને સંગઠનાત્મક વર્તુળોની નજર રહેશે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp; :&nbsp;&nbsp;<a href="https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-gujarat-monsoon-el-nino-impact-rainfall-deficit-september-forecast#google_vignette" target="_blank"><b>&nbsp;Monsoon 2026 : અલ નીનોનો પ્રભાવ વધ્યો, ગુજરાતમાં ચોમાસું નબળું પડવાની આશંકા</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/25/UUGfKP5EwZmnxzKwMHY6kyRPKBw4s2tM0uurWhr8.webp'/></item><item><title><![CDATA[Gandhari Movie Controversey: તાપસી પન્નુની ફિલ્મ 'ગાંધારી'ની વાર્તા ચોરી કરાઈ હોવાનો રાઈટરનો આરોપ ]]></title><link>https://sandesh.com/entertainment/news/gandhari-movie-controversy-writer-alleges-that-the-story-of-taapsee-pannus-film-gandhari-was-plagiarized</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/gandhari-movie-controversy-writer-alleges-that-the-story-of-taapsee-pannus-film-gandhari-was-plagiarized</guid><pubDate>Tue, 25 Aug 2026 09:37:12 +05:30</pubDate><description><![CDATA[<p>બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુની આગામી ફિલ્મ "ગાંધારી" રિલીઝ થાય તે પહેલાં જ કોપીરાઈટ વિવાદમાં ફસાઈ ગઈ છે. લેખક કલ્યાણ બંદીનો દાવો છે કે આ ફિલ્મની વાર્તા તેમણે વર્ષ ૨૦૧૯માં લખેલી સ્ક્રિપ્ટ જેવી જ છે. જોકે, ફિલ્મના લેખિકા અને નિર્માતા કનિકા ઢિલ્લોનના પ્રોડક્શન હાઉસે આ આરોપોને સખત શબ્દોમાં ફગાવી દેતાં વાર્તાને સંપૂર્ણપણે મૌલિક ગણાવી છે.</p><p><b>તાપસીની ફિલ્મ ગાંધારીની વાર્તા ચોરીનો આરોપ</b></p><p>ફિલ્મ "ગાંધારી" માં તાપસી પન્નુ એક એવી માતાની ભૂમિકા ભજવી રહી છે જે પોતાની અપહૃત પુત્રીને શોધવા માટે તમામ સીમાઓ પાર કરી દે છે. બીજી તરફ, લેખક કલ્યાણ બંદીનો દાવો છે કે તેમણે ૨૦૧૯માં "ગાંધારી" નામે જ એક વાર્તા રજીસ્ટર કરાવી હતી, જેમાં બાળ તસ્કરીના રેકેટમાં ફસાયેલી પુત્રીને બચાવવા માટે માતાના સંઘર્ષ અને તેનામાં આવતા પરિવર્તનને દર્શાવવામાં આવ્યું હતું.</p><p><b>'નેટફ્લિક્સના અધિકારીઓને સંભળાવી હતી વાર્તા'</b></p><p>સેન્ટ્રલ જીએસટી વિભાગમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા કલ્યાણ બાંદીએ ખુલાસો કર્યો હતો કે ૨૦૧૯માં તેમણે નેટફ્લિક્સના વર્તમાન વાઇસ પ્રેસિડેન્ટ મોનિકા શેરગિલને આ વાર્તાનો ૮ પાનાનો ડ્રાફ્ટ અને સારાંશ શેર કર્યો હતો. તે સમયે આ પ્રોજેક્ટ રિજેક્ટ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેમણે સ્ક્રિપ્ટ રાઇટર્સ યુનિયનમાં પોતાની વાર્તા નોંધાવી લીધી હતી.</p><p><b>લીગલ નોટિસ અને પ્રોડક્શન હાઉસનો જવાબ</b></p><p>વર્ષ ૨૦૨૫માં જ્યારે નેટફ્લિક્સ દ્વારા "ગાંધારી" ની જાહેરાત કરવામાં આવી, ત્યારે વાર્તાની સમાનતા જોઈને લેખકે સપ્ટેમ્બર ૨૦૨૫માં મેકર્સને લીગલ નોટિસ મોકલીને ક્રેડિટ અને નાણાકીય વળતરની માંગ કરી હતી. પરંતુ કનિકા ઢિલ્લોનના પ્રોડક્શન હાઉસે આ તમામ દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા છે.</p><p><br></p><p><a href="https://sandesh.com/entertainment/news/yash-toxic-ticket-price-3600-advance-booking#google_vignette" target="_blank">આ પણ વાંચો : Rocking Star Yashની ટોક્સિકનો જબરદસ્ત ક્રેઝ! ટિકિટના ભાવ પહોંચ્યા 3600 સુધી, ફેન્સમાં જોરદાર ઉત્સાહ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/25/hpI44PKhLg8c8ok1Zmdz39pceTUako2ZPgJHrKxw.webp'/></item><item><title><![CDATA[Dahod : ઇન્દોર-અમદાવાદ હાઇવે પર 2 અકસ્માતથી ટ્રાફિક ઠપ્પ, 2થી 3 કિલોમીટર લાંબી વાહનોની લાઇન ]]></title><link>https://sandesh.com/gujarat/news/dahod/dahod-indore-ahmedabad-highway-two-accidents-traffic-jam</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/dahod/dahod-indore-ahmedabad-highway-two-accidents-traffic-jam</guid><pubDate>Tue, 25 Aug 2026 09:26:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દાહોદ નજીક ઇન્દોર-અમદાવાદ હાઇવે પર 2 અલગ અલગ અકસ્માત સર્જાતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. બંને અકસ્માત રસ્તા વચ્ચે સર્જાતા હાઇવેના બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી. અકસ્માતના કારણે કેટલાક સમય માટે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>જાલત ગામ પાસે ઇન્દોર-અમદાવાદ હાઇવે પર પહેલો અકસ્માત</b></h2><p style="text-align: justify; ">પ્રથમ અકસ્માત દાહોદ નજીક જાલત ગામ પાસે ઇન્દોર-અમદાવાદ હાઇવે પર સર્જાયો હતો. મધ્યપ્રદેશથી અમદાવાદ તરફ જઈ રહેલી એક આઇસર ગાડી અને ટ્રાલા વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત બાદ રસ્તા પર વાહનો અટવાઈ જતા વાહન વ્યવહારને નજીકના રસ્તા પરથી ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.</p><p style="text-align: justify; "><img alt="Dahod Highway Accidents: Two Crashes Cause Traffic Jam as Four Vehicles Damaged" src="https://epapercdn.sandesh.com/images/2026/08/25/SWM1YficiWM6LYtCTfs8uDjmNptQ0Pw72iXv16sO.webp" style="width: 100%;"><br></p><h3 style="text-align: justify; "><b>ડાયવર્ઝન બાદ આ જ માર્ગ પર વધુ એક અકસ્માત સર્જાયો&nbsp;</b></h3><p style="text-align: justify; ">આ અકસ્માતના કારણે દાહોદથી મધ્યપ્રદેશ તરફ જતા માર્ગ પર પણ ટ્રાફિકનું દબાણ વધ્યું હતું. ડાયવર્ઝન બાદ આ જ માર્ગ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. બીજા બનાવમાં આઇસર અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. આમ, બંને તરફ અકસ્માત સર્જાતા ઇન્દોર-અમદાવાદ હાઇવે પર વાહન વ્યવહાર પર ગંભીર અસર પહોંચી હતી.</p><p style="text-align: justify; "><img alt="Dahod Highway Accidents: Two Crashes Cause Traffic Jam as Four Vehicles Damaged" src="https://epapercdn.sandesh.com/images/2026/08/25/AXm1bwHrEeqlap2p4QjqI0tpjs6yL19pwTetEvIW.webp" style="width: 100%;"><br></p><h4 style="text-align: justify; "><b>2થી 3 કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઇનો લાગી ગઈ</b></h4><p style="text-align: justify; ">બંને રસ્તાઓ પર અંદાજે 2થી 3 કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઇનો લાગી ગઈ હતી. અકસ્માતમાં કુલ 4 વાહનોને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. જ્યારે એક વ્યક્તિને ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.</p><p style="text-align: justify; "><img alt="Dahod Highway Accidents: Two Crashes Cause Traffic Jam as Four Vehicles Damaged" src="https://epapercdn.sandesh.com/images/2026/08/25/F0rVFY9JMj4NxHFpSFiksdAhurAsjmYVWBWkaXUC.webp" style="width: 100%;"><br></p><h4 style="text-align: justify; "><b>વાહન વ્યવહાર ફરીથી શરૂ કરવાની કામગીરી&nbsp;</b></h4><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં પોલીસ અને હાઇવે ઓથોરિટીના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ક્રેન અને જેસીબીની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાથે સાથે ટ્રાફિકને નિયંત્રિત કરી હાઇવે પર વાહન વ્યવહાર ફરીથી શરૂ કરવાની કામગીરી પણ કરવામાં આવી હતી. 2 અલગ અલગ અકસ્માતના કારણે હાઇવે પર સર્જાયેલી ટ્રાફિકની સ્થિતિએ વાહનચાલકોને ભારે મુશ્કેલીમાં મૂકી દીધા હતા. પોલીસે બંને અકસ્માત અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;</p><p style="text-align: justify; "><b><br></b></p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; &nbsp; <a href="https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-gujarat-monsoon-el-nino-impact-rainfall-deficit-september-forecast#google_vignette" target="_blank">&nbsp;Monsoon 2026 : અલ નીનોનો પ્રભાવ વધ્યો, ગુજરાતમાં ચોમાસું નબળું પડવાની આશંકા</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/25/nm4cZkN7iwnSEb2YwIUkyNf8apjcNQZ2DdtNOb4E.webp'/></item><item><title><![CDATA[Ram Rahim Parole:  દુષ્કર્મના આરોપી રામ રહીમને ફરી મળ્યા 21 દિવસના પેરોલ ]]></title><link>https://sandesh.com/india/news/ram-rahim-parole-21-days-sirsa-ashram</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ram-rahim-parole-21-days-sirsa-ashram</guid><pubDate>Tue, 25 Aug 2026 09:20:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હરિયાણા સરકારે દુષ્કર્મના આરોપી રામ રહીમને ફરી એક વખત પેરોલ આપ્યા છે, રક્ષાબંધનને લઇને તેને ફરી એકવાર 21 દિવસની પેરોલ મળી છે. આ પેરોલ મંજૂર થયા બાદ રામ રહીમ સવારે 6.5 વાગ્યે રોહતકની સુનારિયા જેલમાંથી પોતાના કાફલા સાથે સિરસા સ્થિત ડેરા સચ્ચા સૌદા આશ્રમ તરફ જવા માટે રવાના થયા હતા. નોંધનીય છે કે આ સતત ત્રીજી વખત છે જ્યારે તેમને સિરસા આશ્રમની મુલાકાત લેવાની પરવાનગી આપવામાં આવી છે&nbsp;</p><h2 style="text-align: justify; "><b>બર્નાવાની જગ્યાએ સિરસા આશ્રમમાં</b></h2><p style="text-align: justify; ">અગાઉની પેરોલ કે ફર્લો દરમિયાન તેમને ઉત્તર પ્રદેશના બાગપત સ્થિત બર્નાવા આશ્રમમાં મોકલવામાં આવતા હતા, પરંતુ આ વખતે તેઓ સીધા સિરસાના મુખ્ય આશ્રમમાં જઈ રહ્યા છે. આ સાથે જ રેકોર્ડ મુજબ રામ રહીમ અત્યાર સુધીમાં કુલ 17 વખત જેલમાંથી મુક્ત થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુરમીત રામ રહીમને વર્ષ 2017માં બે સાધ્વીઓ પર બળાત્કાર કરવા અને ડેરાના ભૂતપૂર્વ મેનેજર રણજીત સિંહની હત્યાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને પત્રકાર રામ ચંદ્ર છત્રપતિની હત્યા કેસમાં પણ દોષિત ઠેરવવામાં આવ્યા છે</p><h3 style="text-align: justify; "><b>દુષ્કર્મનો આરોપી રામ રહીમને 20 વર્ષની સજા</b></h3><p style="text-align: justify; ">આ ગંભીર અપરાધો માટે તેમને 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી અને તેઓ છેલ્લા 10 વર્ષથી જેલમાં સજા ભોગવી રહ્યા છે. જો કે, આ સમયગાળા દરમિયાન પણ તેમને વારંવાર કામચલાઉ મુક્તિ મળતી રહી છે અને આ ૧૦ વર્ષમાં તેઓ ૧૬ વખત જેલ બહાર આવી ચૂક્યા છે. તાજેતરમાં જ મે મહિનામાં પણ તેમને ૩૦ દિવસ માટે પેરોલ આપવામાં આવ્યા હતા.</p><h4 style="text-align: justify; "><b>અવારનવાર મળી રહ્યા છે પેરોલ</b></h4><p style="text-align: justify; ">સામાન્ય રીતે જેલની સજા ભોગવી રહેલા કેદીઓને ફક્ત ચોક્કસ અને મર્યાદિત સંજોગોમાં જ પેરોલ આપવામાં આવતી હોય છે. પરંતુ રામ રહીમને વારંવાર મળતી આ કામચલાઉ મુક્તિ અને પેરોલને લઈને અવારનવાર રાજકીય અને જાહેર સ્તરે ગંભીર પ્રશ્નો ઉભા થતા આવ્યા છે. આ પ્રક્રિયાએ હાઇ-પ્રોફાઇલ કેદીઓ માટેની પેરોલ નીતિ સામે પણ અનેક સવાલો ખડા કર્યા છે.</p><h5 style="text-align: justify; "><b>2017માં બળાત્કાર કેસમાં દોષિત ઠેરાયા</b></h5><p style="text-align: justify; ">ડેરા સચ્ચા સૌદાના અનુયાયીઓ હરિયાણા અને પંજાબ ઉપરાંત દેશના અન્ય ઘણા રાજ્યોમાં પણ મોટી સંખ્યામાં ફેલાયેલા છે. ઓગસ્ટ 2017 માં જ્યારે રામ રહીમને બળાત્કારના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા, ત્યારે હરિયાણા અને પંજાબના કેટલાક વિસ્તારોમાં વ્યાપક પ્રમાણમાં હિંસા ફાટી નીકળી હતી, જેના કારણે સુરક્ષાની દ્રષ્ટિએ આ મામલો અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/world/news/strait-of-hormuz-iran-toll-plan-dollar-challenge" target="_blank">આ પણ વાંચોઃ Hormuz માંથી પસાર થતા જહાજો પસાર કરવા આપવો પડશે ટોલ! ઇરાનનો ડોલરને પડકાર</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/25/lMVQfbjm4iMRwJi9MVGVpjmP4avkxf3i8Lrb1Pzg.webp'/></item><item><title><![CDATA[Nagalandથી બિહાર હથિયારોની તસ્કરીનું કાવતરું, NIAએ વધુ એક આરોપીની કરી ધરપકડ ]]></title><link>https://sandesh.com/india/news/nia-arrests-karamullah-ak47-arms-smuggling-nagaland-bihar</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/nia-arrests-karamullah-ak47-arms-smuggling-nagaland-bihar</guid><pubDate>Mon, 24 Aug 2026 23:46:28 +05:30</pubDate><description><![CDATA[<p>નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ બિહાર STF સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરી AK-47 રાઈફલ અને જીવંત કારતૂસની જપ્તી સાથે જોડાયેલા કેસમાં વધુ એક ફરાર આરોપીની ધરપકડ કરી છે. NIA દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, આરોપીનું નામ કરમુલ્લાહ છે અને તે લાંબા સમયથી તપાસ એજન્સીની પકડથી દૂર હતો.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2091933127715524857"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>આધુનિક હથિયારોની ગેરકાયદેસર હેરાફેરીનું કાવતરું ઘડ્યું</b></h2><p>તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, કરમુલ્લાહે અન્ય સહઆરોપીઓ સાથે મળીને નાગાલેન્ડથી બિહારમાં પ્રતિબંધિત બોરના આધુનિક હથિયારોની ગેરકાયદેસર હેરાફેરીનું કાવતરું ઘડ્યું હતું. આ હથિયારોનો ઉપયોગ જાહેર શાંતિ અને સુરક્ષાને ખોરવવા તેમજ રાષ્ટ્રીય સુરક્ષા સામે ખતરો ઊભો કરવાના હેતુથી થવાનો આરોપ છે.</p><h3><b>NIA અને બિહાર STFએ આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું&nbsp;</b></h3><p>આ કેસમાં અગાઉની તપાસ દરમિયાન AK-47 રાઈફલ અને જીવંત દારૂગોળો મળી આવ્યા હતા. ત્યારબાદ NIAએ હથિયારોની સપ્લાય ચેઈન અને તેમાં સંડોવાયેલા લોકોની ઓળખ કરવા માટે તપાસ આગળ ધપાવી હતી. તપાસ દરમિયાન કરમુલ્લાહનું નામ પણ સામે આવ્યું હતું. જોકે, તે તપાસથી બચવા માટે ફરાર હતો. NIA અને બિહાર STFએ સંયુક્ત રીતે માહિતી એકત્રિત કરીને આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું અને ત્યારબાદ તેને ઝડપી પાડ્યો હતો. તેની ધરપકડ બાદ હવે એજન્સી તેની પૂછપરછ કરીને હથિયારોની તસ્કરીના સમગ્ર નેટવર્ક અંગે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરશે.</p><p>તપાસ એજન્સીઓ ખાસ કરીને નાગાલેન્ડથી બિહાર સુધી હથિયારો પહોંચાડવામાં કયા લોકો અને નેટવર્કની ભૂમિકા હતી, તેમજ અન્ય સહઆરોપીઓ સાથે કરમુલ્લાહના કથિત સંબંધો અંગે તપાસ કરી રહી છે. NIAએ સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલા આવા કેસોમાં ફરાર આરોપીઓને કાયદાની પહોંચમાં લાવવા માટે કાર્યવાહી સતત ચાલુ રહેશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/world/xi-jinping-india-visit-after-seven-years-brics-summit" target="_blank">આ પણ વાંચો : Chinaના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 7 વર્ષ બાદ ભારત આવી શકે, BRICS સમિટમાં લેશે ભાગ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/bn3RvPOaJhPmJTNDX16ctxMijksEmpCZu5IvV1U6.webp'/></item><item><title><![CDATA[Team India વર્લ્ડકપમાંથી થઈ ગઈ બહાર, આર્જેન્ટિનાએ મેચ 5-3 ના માર્જિનથી જીતી ]]></title><link>https://sandesh.com/sports/news/india-out-2026-hockey-world-cup-argentina</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india-out-2026-hockey-world-cup-argentina</guid><pubDate>Mon, 24 Aug 2026 21:35:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">2026ના પુરુષ હોકી વર્લ્ડકપમાં ભારતીય હોકી ટીમની સફરનો અંત આવી ગયો છે. બીજા રાઉન્ડના મહત્વપૂર્ણ મેચમાં આર્જેન્ટિનાએ ભારતને 5-3 થી હરાવ્યું. આ હારથી ભારતીય ટીમ વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ છે, જેનાથી ફરી એકવાર વિશ્વ ચેમ્પિયન બનવાનું તેમનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું છે. આ પહેલા ટીમ ઈન્ડિયાને નેધરલેન્ડ્સ સામે પણ હારનો સામનો કરવો પડ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>આર્જેન્ટિના સામેની મેચમાં ભારતની શરૂઆત ખરાબ રહી&nbsp;</b></h2><p style="text-align: justify; ">ભારત માટે મેચની શરૂઆત ખરાબ રહી. રમત શરૂ થયાના 40 સેકન્ડમાં જ આર્જેન્ટિનાના ટોસ્કાનીએ ફિલ્ડ ગોલ કરીને ભારત પર દબાણ બનાવ્યું. થોડી જ વારમાં 7મી મિનિટે, નિકોલસ ડેલા ટોરીએ પેનલ્ટી કોર્નરને ગોલ કરીને આર્જેન્ટિનાને 2-0ની લીડ અપાવી.</p><p style="text-align: justify; ">સુખજીત સિંહે 10મી મિનિટે શાનદાર ફિલ્ડ ગોલ કરીને ભારત માટે વાપસીનો દરવાજો ખોલ્યો, પરંતુ ટીમ ગતિ જાળવી રાખવામાં અસમર્થ રહી. સમગ્ર મેચ દરમિયાન ભારતીય ટીમનો ડિફેન્સ ખરાબ જોવા મળ્યો હતો. બીજા અને ત્રીજા ક્વાર્ટરમાં ભારતીય ખેલાડીઓએ કબજો જાળવી રાખ્યો પરંતુ કોઈ પણ ગોલમાં રૂપાંતરિત કરવામાં નિષ્ફળ રહ્યા.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/TheHockeyIndia/status/2091897544658043073"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3 style="text-align: justify; "><b>ભારતને 4 પેનલ્ટી કોર્નર મળ્યા</b></h3><p style="text-align: justify; ">પરંતુ 34મી મિનિટે ભારતને સતત 4 પેનલ્ટી કોર્નર મળ્યા, અને કેપ્ટન હરમનપ્રીત સિંહ પાસે ગોલ કરવાની સુવર્ણ તક હતી. આર્જેન્ટિનાના મજબૂત ડિફેન્સ અને જુગરાજની ગેરહાજરીએ ભારતીય ટીમને કોઈપણ તકનો લાભ ઉઠાવવાથી રોકી. આર્જેન્ટિનાના ખેલાડી ડોમેન મેચના ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં પ્રભુત્વ ધરાવતો હતો, જ્યારે ભારતીય ગોલકીપર મોહિતે કેટલાક શાનદાર બચાવ કર્યા. યશદીપના ફાઉલથી આર્જેન્ટિનાને પેનલ્ટી સ્ટ્રોક મળ્યો, જેને ડોમેન સરળતાથી કન્વર્ટ કરી શક્યો. ભારતે અંતિમ ક્વાર્ટરમાં 2 ગોલ કર્યા, પરંતુ તે ખૂબ મોડું થયું હતું, અને તેઓ આખરે મેચ 5-3થી હારી ગયા.</p><h4 style="text-align: justify; "><b>ટીમ ઈન્ડિયા નેધરલેન્ડ્સ સામે 3-1થી હારી ગઈ</b></h4><p style="text-align: justify; ">આ હોકી વર્લ્ડકપનો બીજો રાઉન્ડ ભારતીય ટીમ માટે નિરાશાજનક રહ્યો. ટીમને નેધરલેન્ડ્સ સામે 3-1થી હારનો સામનો કરવો પડ્યો. વધુમાં ભારત પ્રથમ રાઉન્ડમાં ઈંગ્લેન્ડ સામે હારી ગયું, જેના કારણે તેમને પ્લેઓફ માટે કોઈ પોઈન્ટ મળ્યા નહીં. પરિણામે, બીજા રાઉન્ડમાં એક પણ પોઈન્ટ મેળવવામાં નિષ્ફળ જતાં ભારતીય ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/nsG2MC907d63vELFo1bIBVbS5CztflSAwMjiy4XY.webp'/></item></channel></rss>