<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Rajkot: રિંગરોડ પર બ્રિજના કામમાં ગેરરીતિ બદલ મ્યુનિસિપલની મોટી કાર્યવાહી;2 ઇજનેર સસ્પેન્ડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/rmc-commissioner-tushar-sumera-suspends-two-engineers-ring-road-bridge-work</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/rmc-commissioner-tushar-sumera-suspends-two-engineers-ring-road-bridge-work</guid><pubDate>Wed, 09 Sep 2026 16:18:17 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે હાથ ધરાતા વિકાસકામોમાં લોલમલોલ અને બેદરકારી દાખવનારા અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરો સામે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ લાલ આંખ કરી છે. શહેરના નવા રિંગરોડ પર કટારીયા ચોકડી નજીક અંદાજે રૂ. 40 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા ત્રણ નાના બ્રિજના કામમાં ગંભીર ગેરરીતિ અને એલાઇનમેન્ટની ખામીઓ સામે આવતાં કમિશનરે સપાટો બોલાવ્યો છે.</p><h2><b>રાજકોટમાં 40 કરોડના બ્રિજના કામમાં ક્ષતિઓ ખુલ્લી</b></h2><p>મનપા કમિશનરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પ્રજાના નાણાંથી બનતા બ્રિજના કામમાં કોઈ પણ પ્રકારની નાની બેદરકારી કે ક્ષતિ ચલાવી લેવામાં આવશે નહીં. તંત્ર દ્વારા બ્રિજના નિર્માણકાર્યમાં ક્ષતિઓ જણાતાં તાત્કાલિક ધોરણે જવાબદાર અધિકારીઓ સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા છે.આ મામલે ત્વરિત કાર્યવાહી કરતાં કમિશનર તુષાર સુમેરાએ નાયબ ઈજનેર વિજય કારીયા અને આસિસ્ટન્ટ ઈજનેર વિશાલ વાગડીયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત સુપરવિઝનમાં બેદરકારી બદલ ડેપ્યુટી કમિશ્નર ચેતન નંદાણી અને સિટી ઈજનેર કુંતેશ મહેતાને કારણદર્શક (શોકોઝ) નોટિસ ફટકારવામાં આવી છે, જેનાથી મનપા બેડામાં ભારે ફાફડાટ વ્યાપી ગયો છે.</p><h4><b>વિજિલન્સ વિભાગ દ્વારા થશે ખાતાકીય તપાસ</b></h4><p>બ્રિજનું નિર્માણકાર્ય ‘બેકબોન કન્સ્ટ્રક્શન’ નામના કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું હતું. હવે સસ્પેન્ડ કરાયેલા ઇજનેરો સામે વિજિલન્સ વિભાગ દ્વારા ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવશે, જ્યારે કામમાં લોલમલોલ કરનાર કોન્ટ્રાક્ટર એજન્સી સામે પણ કડક કાયદાકીય અને દંડકીય કાર્યવાહી કરવાની દિશામાં મનપા તંત્ર આગળ વધી રહ્યું છે. બ્રિજ નિર્માણમાં ક્ષતિ અને ખામીઓ મામલે મનપા કમિશનર તુષાર સુમેરાની કડક કાર્યવાહી.2 ઇજનેર સસ્પેન્ડ, ડેપ્યુટી કમિશનર અને સિટી ઇજનેરને શોકોઝ નોટિસ. કોન્ટ્રાક્ટર બેકબોન કન્સ્ટ્રક્શન અને સસ્પેન્ડેડ અધિકારીઓ સામે વિજિલન્સ તપાસ.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/patan/bagwada-darwaja-st-bus-stuck-in-10-feet-deep-cave-in" target="_blank">આ પણ વાંચો: Patan: બગવાડા દરવાજા પાસે 10 ફૂટ ઊંડા ભુવામાં એસટી બસ ફસાઈ; મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/U4EYDjo5LB1HaairmcOCkbEcmH3YOmXokvEzyge4.webp'/></item><item><title><![CDATA[KBC 18 : તમને મારો કુર્તો આપવો પડયો...બિગ બીને યાદ કરાવ્યો અક્ષય કુમારે એ રમૂજી કિસ્સો ]]></title><link>https://sandesh.com/entertainment/news/amitabh-bachchan-and-akshay-kumar-kbc-episode</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/amitabh-bachchan-and-akshay-kumar-kbc-episode</guid><pubDate>Wed, 09 Sep 2026 16:17:50 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલિવૂડના 'ખિલાડી' અક્ષય કુમારે તાજેતરમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે જોડાયેલી એક અત્યંત અવિસ્મરણીય અને રમુજી ઘટના યાદ કરી હતી. ક્વિઝ શો 'કૌન બનેગા કરોડપતિ' (KBC) દરમિયાન પોતાના 'હૈવાન' ફિલ્મના સહ-કલાકાર સૈફ અલી ખાન અને દર્શકોની હાજરીમાં અક્ષયે આ રસપ્રદ કિસ્સો શેર કર્યો હતો. આ ઘટના તે સમયની છે જ્યારે અક્ષય કુમાર મુંબઈના લોખંડવાલા વિસ્તારમાં રહેતા હતા અને બિગ બી તેમના ઘરે પહોંચ્યા હતા.</p><p style="text-align: justify; "><b>બિગ બીને જોઈને સ્તબ્ધ થઈ ગયો હતો ઘરનો નોકર</b></p><p style="text-align: justify; ">અક્ષય કુમારે કૌન બનેગા કરોડપતિના સ્ટેજ પર અમિતાભ બચ્ચન સામે જૂની યાદો તાજી કરતા પૂછ્યું હતું કે, "સર, તમને યાદ છે જ્યારે તમે લોખંડવાલા સ્થિત મારા ઘરે આવ્યા હતા?" ત્યારબાદ અક્ષયે આગળ જણાવ્યું કે, "મારા ઘરે કામ કરતા એક છોકરાને સાહેબને પાણી પીરસવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તે છોકરો અલ્હાબાદનો રહેવાસી હતો અને તેણે ટ્રેમાં ચાર કાચના ગ્લાસમાં પાણી લીધું હતું."</p><p style="text-align: justify; "><b>બચ્ચનના કુર્તા પર ઢોળ્યું પાણી</b></p><p style="text-align: justify; ">પરંતુ પોતાની સામે હિંદી સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચનને જોઈને તે છોકરો એટલો બધો સ્તબ્ધ અને અવાક થઈ ગયો કે તેને આંખો પર વિશ્વાસ જ ન આવ્યો. અક્ષયના જણાવ્યા મુજબ, તે ઉત્સાહ અને ગભરાટમાં પાણી આપવા ગયો પરંતુ તેનું ધ્યાન જ ન રહ્યું અને તેણે ચારેય ગ્લાસ ભરીને પાણી અમિતાભ બચ્ચનના કુર્તા પર ઢોળી દીધું.</p><p style="text-align: justify; "><b>અક્ષય કુમારે આપવો પડ્યો પોતાનો કુર્તો</b></p><p style="text-align: justify; ">આ અણધારી ઘટના બનતા જ ત્યાં હાજર સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. બિગ બીનો આખો કુર્તો ભીંજાઈ ગયો હોવાથી એક નવી સમસ્યા ઊભી થઈ. અક્ષયે રમૂજી અંદાજમાં કહ્યું, "હું વિચારવા લાગ્યો કે હવે શું કરવું! સાહેબ (અમિતાભ બચ્ચન) ખૂબ જ ઊંચા છે, તેથી તેમને ફિટ આવે તે માટે મારે મારો પોતાનો કુર્તા તેમને પહેરવા માટે આપવો પડ્યો હતો." આ કિસ્સો સાંભળીને બિગ બી, સૈફ અલી ખાન અને સેટ પર હાજર ફિલ્મ નિર્માતા પ્રિયદર્શન ખડખડાટ હસી પડ્યા હતા.</p><p style="text-align: justify; "><b>પડદા પર પિતા-પુત્ર તરીકે જીતી ચૂક્યા છે દિલ</b></p><p style="text-align: justify; ">અમિતાભ બચ્ચન અને અક્ષય કુમારનું વ્યાવસાયિક જોડાણ પણ ખૂબ સુંદર રહ્યું છે. આ બંને દિગ્ગજ કલાકારોએ વર્ષ ૨૦૦૫માં આવેલી બ્લોકબસ્ટર ફેમિલી ડ્રામા ફિલ્મ 'વક્ત: ધ રેસ અગેઇન્સ્ટ ટાઇમ'માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં બંનેએ પિતા અને પુત્રની ભાવનાત્મક ભૂમિકા ભજવી હતી, જેને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/7lHGUXn5sT3ivy56vN9qgxWnxITSS54fBn0kvKoI.webp'/></item><item><title><![CDATA[Crude Oil:  ક્રૂડ ઓઇલના ભાવ 100 ડોલરને પાર, ભારત પર શું થશે અસર? ]]></title><link>https://sandesh.com/business/news/crude-oil-crude-oil-prices-cross-100-what-will-be-the-impact-on-india</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/crude-oil-crude-oil-prices-cross-100-what-will-be-the-impact-on-india</guid><pubDate>Wed, 09 Sep 2026 15:57:39 +05:30</pubDate><description><![CDATA[<p>Crude Oil: 9 સપ્ટેમ્બર 2026ના રોજ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો. મધ્ય પૂર્વમાં સૈન્ય સંઘર્ષ અચાનક વધી જતાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડોલર પ્રતિ બેરલના સ્તરને પાર કરી ગયો. જોર્ડનમાં અમેરિકાના સૈન્ય મથકો પર થયેલા હુમલા અને હોમુર્ઝની ખાડી જેવા મહત્વના દરિયાઈ માર્ગ પરથી તેલનો પુરવઠો ખોરવાઈ શકે તેવી આશંકાએ બજારમાં ચિંતા વધારી છે. દુનિયાના લગભગ 20 ટકા પેટ્રોલિયમનો પરિવહન આ માર્ગથી થાય છે. તેથી પુરવઠો અટકવાની આશંકાથી વૈશ્વિક શેરબજારો, સરકારી બોન્ડ અને કરન્સી માર્કેટમાં પણ તેની અસર જોવા મળી છે.</p><p><b>ભારત માટે મોંઘું ક્રૂડ મોટો આર્થિક પડકાર</b></p><p>ભારત જેવા મોટા એનર્જી આયાતકાર દેશ માટે 100 ડોલરથી ઉપરનું ક્રૂડ ઓઇલ ચિંતાનો વિષય છે. ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 90 ટકા કાચું તેલ વિદેશમાંથી આયાત કરે છે. ક્રૂડના ભાવમાં પ્રતિ બેરલ 10 ડોલરનો વધારો થાય તો ભારતનું વાર્ષિક આયાત બિલ લગભગ 13થી 15 અબજ ડોલર વધી શકે છે. જેના કારણે ચાલુ ખાતાની ખાધ (CAD) વધી શકે છે અને ડોલર સામે ભારતીય રૂપિયો દબાણમાં આવી શકે છે. મોંઘા આયાતી ઇંધણને કારણે છૂટક મોંઘવારી (CPI) વધવાનું જોખમ પણ છે. આવી સ્થિતિમાં RBI દ્વારા આગામી સમયમાં વ્યાજદરમાં ઘટાડો કરવાની શક્યતા પર પણ અસર પડી શકે છે.</p><p><b>બ્રેન્ટ ક્રૂડ 100 ડોલરને પાર</b></p><p>બુધવારે બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ઓઇલ ફ્યુચર્સનો ભાવ 100 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયો. 24 જુલાઈ બાદ પહેલીવાર બ્રેન્ટ ક્રૂડ આ સ્તરે પહોંચ્યું છે. મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે આ વિસ્તારમાંથી તેલના પુરવઠાને લઈને ચિંતા વધી છે. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 2.15 ડોલર એટલે કે 2.2 ટકા વધીને 100.07 ડોલર પ્રતિ બેરલ થયું. જ્યારે યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ 1.70 ડોલર એટલે કે 1.83 ટકા વધીને 94.73 ડોલર પ્રતિ બેરલ થયું. ગયા મહિનાની શરૂઆતથી બ્રેન્ટના ભાવમાં લગભગ એક ચતુર્થાંશનો વધારો થયો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા છ મહિનાથી ચાલી રહેલા તણાવનો કાયમી ઉકેલ આવે તેવી શક્યતા પણ ઓછી દેખાઈ રહી છે.</p><p><b>મધ્ય પૂર્વના તણાવથી તેલના ભાવ વધ્યા</b></p><p>અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું કે અમેરિકાના યુદ્ધ જહાજો પર હુમલાના પ્રયાસોના જવાબમાં વોશિંગ્ટન ઈરાનના ઓઇલ ટેન્કરોને નિશાન બનાવવાનું ચાલુ રાખશે. કોલંબિયાની મુલાકાત દરમિયાન પત્રકારો સાથે વાત કરતા રુબિયોએ કહ્યું કે ઈરાન સતત અમેરિકન નેવીના જહાજો પર હુમલાના પ્રયાસ કરી રહ્યું છે. તેમના જણાવ્યા મુજબ, જ્યારે પણ આવો હુમલો કરવામાં આવશે અથવા તેનો પ્રયાસ થશે ત્યારે ઈરાનને પોતાના ઓઇલ ટેન્કરો ગુમાવવા પડશે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે મંગળવારે જણાવ્યું હતું કે અમેરિકન યુદ્ધ જહાજ પર છેલ્લા બે દિવસમાં મિસાઇલ હુમલાના પ્રયાસો બાદ અમેરિકન સેનાએ 8 સપ્ટેમ્બરે ઈરાનના પાંચ ક્રૂડ ઓઇલ ટેન્કરો નષ્ટ કર્યા. જોર્ડનની સરકારી સમાચાર એજન્સીએ સેનાને ટાંકીને જણાવ્યું કે જોર્ડનના એર-ડિફેન્સ સિસ્ટમે ઈરાન તરફથી છોડવામાં આવેલી 20 બેલિસ્ટિક મિસાઇલમાંથી 18ને અટકાવી દીધી. બાકીની બે મિસાઇલ ખાલી વિસ્તારમાં પડી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.</p><p><b>શું ક્રૂડના ભાવ હજુ વધી શકે?</b></p><p>ગોલ્ડમેન સૅક્સે ચેતવણી આપી છે કે જો મધ્ય પૂર્વમાં શિપિંગ પર હુમલા વધુ વધી જશે તો ક્રૂડ ઓઇલના ભાવ 120 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. ફરી શરૂ થયેલા સંઘર્ષને કારણે ક્રૂડ ઓઇલના પુરવઠામાં વિક્ષેપ થવાની ચિંતા વધી છે. ગોલ્ડમેન સૅક્સમાં ગ્લોબલ કોમોડિટીઝ રિસર્ચના કો-હેડ ડાન સ્ટ્રુવને બ્લૂમબર્ગને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તાજેતરની ઘટનાઓ બતાવે છે કે શિપિંગમાં મોટો અને ગંભીર વિક્ષેપ થવાનું જોખમ હવે મહત્વની ચિંતા બની ગયું છે.</p><p><b>ગેસ અને ઇંધણના ભાવ પણ વધી શકે</b></p><p>સ્ટ્રુવને કહ્યું કે ગોલ્ડમેન સૅક્સને કાચા તેલના ભાવમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. તેમણે રોકાણકારોને નેચરલ ગેસ અને રિફાઇન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના ઊંચા ભાવ માટે તૈયાર રહેવાની સલાહ આપી છે. તેમના જણાવ્યા મુજબ, ગેસ અને ઇંધણના પુરવઠામાં આવતો ઝટકો ક્રૂડ ઓઇલ માર્કેટ કરતાં પણ મોટો હોઈ શકે છે.</p><p><b>લાંબો વિક્ષેપ એટલે વધુ મોંઘું તેલ</b></p><p>ઓઇલ માર્કેટ માટે પુરવઠામાં વિક્ષેપ કેટલો સમય ચાલે છે તે ખૂબ મહત્વનું રહેશે. JP મોર્ગનના અંદાજ પ્રમાણે વિક્ષેપનો દરેક વધારાનો મહિનો બ્રેન્ટના ભાવમાં લગભગ 7થી 8 ડોલર પ્રતિ બેરલનો વધારો કરી શકે છે. જો પુરવઠામાં વિક્ષેપ ત્રણ મહિના સુધી ચાલે તો બેંકના અંદાજ પ્રમાણે બ્રેન્ટનો સરેરાશ માસિક ભાવ લગભગ 114 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે.</p><p><b>અલગ-અલગ સંસ્થાઓએ પણ વધાર્યા ભાવના અંદાજ</b></p><p>સિટીએ ત્રીજા ક્વાર્ટર માટે બ્રેન્ટ ક્રૂડના સરેરાશ ભાવનો અંદાજ 80 ડોલરથી વધારીને 86 ડોલર પ્રતિ બેરલ કર્યો છે. ANZના વિશ્લેષકોએ પણ ટૂંકા ગાળાના બ્રેન્ટ ક્રૂડના ભાવનો અંદાજ વધારીને 95 ડોલર પ્રતિ બેરલ કર્યો છે. વિશ્લેષકોએ ચેતવણી આપી છે કે જો મધ્ય પૂર્વમાં સંઘર્ષ વધુ વધશે તો ક્રૂડ ઓઇલના ભાવમાં હજુ વધારો થઈ શકે છે.</p><p><b><a href="https://sandesh.com/world/news/donald-trump-oil-gas-prices-iran-war-claim" target="_blank">આ પણ વાંચો: ઓઇલ સાવ સસ્તું થઇ જશે! ડોનાલ્ડ ટ્રમ્પના આ દાવાએ લોકોને ચોંકાવી દીધા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/PnYq9JD7qE2lLuXE5jMVFPrx6pxCRRXefaCrCMlu.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : બાવળામાં દારૂનો મોટો ખેલ ઝડપાયો, 259 પેટી સાથે 3 ઝડપાયા, રૂ.24.46 લાખનો મુદ્દામાલ જપ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-bavla-liquor-raid-259-boxes-3-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-bavla-liquor-raid-259-boxes-3-arrested</guid><pubDate>Wed, 09 Sep 2026 15:48:46 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ ગ્રામ્ય LCBએ બાવળા વિસ્તારમાં દારૂના જથ્થા સામે મોટી કાર્યવાહી કરી છે. પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે રજોડા ગામની સીમમાં આવેલા હનુમાનજી માર્બલ એન્ડ આર્ટના ખુલ્લા કંપાઉન્ડમાં દરોડો પાડવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરની કુલ 259 પેટી મળી આવી હતી.</p><h2 style="text-align: justify; "><b>કંપાઉન્ડમાં એવું શું મળ્યું કે પોલીસ પણ ચોંકી ગઈ?</b></h2><p style="text-align: justify; ">તપાસ દરમિયાન વિદેશી દારૂની કુલ 5,496 બોટલ-ટીન મળી આવ્યા હતા. ઝડપાયેલા દારૂના જથ્થાની કિંમત રૂ.13,31,400 હોવાનું સામે આવ્યું છે. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત અન્ય મુદ્દામાલ પણ કબજે કરી કુલ રૂ.24,46,400નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.</p><h3 style="text-align: justify; "><b>ટ્રકથી સ્કૂટર સુધી બધું જ પોલીસના કબજામાં</b></h3><p style="text-align: justify; ">કાર્યવાહી દરમિયાન દારૂના જથ્થા સાથે ઉપયોગમાં લેવાતી આઇસર ટ્રક અને TVS જ્યુપીટર સ્કૂટર પણ પોલીસે જપ્ત કર્યા છે. આ ઉપરાંત 3 મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યા છે. સમગ્ર મુદ્દામાલની તપાસ હવે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.</p><h4 style="text-align: justify; "><b>રાજસ્થાન કનેક્શન સામે આવ્યું, હવે તપાસ ક્યાં પહોંચશે?</b></h4><p style="text-align: justify; ">આ કેસમાં ચિંતનસિંહ ઉર્ફે ચિન્ટુ દિલીપસિંહ રાઠોડ, રમેશચંદ્ર ઉર્ફે રમેશ નકુડા લખુમ્બરા અને કિશન રામેન્દ્ર ગુર્જરની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય આરોપીઓમાં કેટલાકના મૂળ વતન રાજસ્થાન હોવાનું સામે આવ્યું છે.</p><h4 style="text-align: justify; "><b>પોલીસ તપાસ શરુ</b></h4><p style="text-align: justify; ">પોલીસે દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો અને સમગ્ર નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં તપાસ શરૂ કરી છે. અમદાવાદ ગ્રામ્ય LCBએ ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; &nbsp;<a href="https://sandesh.com/world/news/sports/malaysia-football-legend-abdul-alif-marriage-72-year-old-20-year-old-wife" target="_blank"><b> Malaysia : 72 વર્ષના ફૂટબોલ દિગ્ગજે 20 વર્ષની યુવતી સાથે કર્યા લગ્ન, તસવીરો વાયરલ થતાં પરિવારે કરી પુષ્ટિ</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/Ts4BOoAbW3d9AxglnJNQDdpTPF3cSV7f8IR5QKNp.webp'/></item><item><title><![CDATA[Kanpur: લો બોલો... પૂર પીડિતોને આપી એક્સપાયર્ડ સિરપ, પીતા જ બાળકો પડ્યા બિમાર; મોં બંધ રાખવા આપ્યા 100 રૂપિયા ]]></title><link>https://sandesh.com/india/news/kanpur-expired-syrup-distributed-to-flood-victims-in-bara-mayapuram-children-fall-ill</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/kanpur-expired-syrup-distributed-to-flood-victims-in-bara-mayapuram-children-fall-ill</guid><pubDate>Wed, 09 Sep 2026 15:47:28 +05:30</pubDate><description><![CDATA[<p>Kanpur: યુપીના કાનપુરના બારા માયાપુરમના રહેવાસીઓ પહેલાથી જ પાંડુ નદીના વધતા પાણીના સ્તરને કારણે થયેલા વિનાશનો સામનો કરી રહ્યા છે. ઘરોમાં પાણી ઘૂસવાના ભય અને રોગના જોખમ વચ્ચે, રાહતની આશા રાખનારાઓને મોટો આઘાત લાગ્યો જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા વિતરણ કરવામાં આવતી દવાઓમાં એક્સપાયર્ડ સિપપ આપવાની વાત સામે આવી. એવો આરોપ છે કે જુલાઈ 2026 માં મર્યાદા પૂરી થઈ ગયેલી સિરપ પીધા પછી ઘણા બાળકો બીમાર પડ્યા હતા.</p><p><br></p><p>જ્યારે બાળકોને ઉલટી થવા લાગી, ત્યારે તેમના પરિવારજનો તેમને ખાનગી ડૉક્ટર પાસે લઈ ગયા અને સારવાર બાદ તેમની સ્થિતિમાં સુધારો થયો. આરોગ્ય વિભાગની એક ટીમે સોમવારે બપોરે માયાપુરમ વિસ્તારની મુલાકાત લીધી હતી જેથી આશરે 20 પરિવારોને દવાઓનું વિતરણ કરી શકાય. પૂરગ્રસ્ત રહેવાસીઓને બીમારીથી બચાવવા માટે વિતરિત કરવામાં આવેલી દવાઓમાં સિરપ પણ સામેલ હતી. આરોપ છે કે, આ સિરપની એક્સપાયર્ડ ડેટ જુલાઇ 2026માં પૂરી થઈ ગઈ હતી.&nbsp;</p><p><br></p><p>બારા માયાપુરમના રહેવાસી જયપાલ અને મીનાના ચાર વર્ષના પુત્રને સિરપ પીધા પછી ઉલટી થવા લાગી. બાળકની હાલત બગડતા તેનો પરિવાર તેને ખાનગી ડૉક્ટર પાસે લઈ ગયો. સારવાર બાદ ઋષભની ​​હાલતમાં સુધારો થયો. તેવી જ રીતે, એવું પણ જાણવા મળ્યું હતું કે રૂદ્ર (સોનમ અને રિંકુનો ત્રણ વર્ષનો પુત્ર) અને આયુષ (અંકિતા અને અજયનો ત્રણ વર્ષનો પુત્ર) ની તબિયત પણ દવા અને સિરપ લીધા પછી વધુ ખરાબ થઈ ગઈ હતી.</p><p><br></p><p>એક સાથે અનેક બાળકો બીમાર પડતાં સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. રહેવાસીઓએ કથિત રીતે એક્સપાયર્ડ થયેલી સિરપ અને અન્ય દવાઓ ફેંકી દીધી હતી. મંગળવારે જ્યારે આરોગ્ય વિભાગની ટીમ દવાઓ લઈને માયાપુરમ પરત ફર્યા, ત્યારે પૂર પીડિતોએ તેમને સ્વીકારવાનો ઇનકાર કર્યો. તેમણે કહ્યું કે રાહત તરીકે આપવામાં આવતી દવાઓની તપાસ ચાલી રહી હતી ત્યારે તેઓ તેમના બાળકોના જીવ જોખમમાં મૂકી શકતા નથી.</p><p><br></p><h4><b>સારવાર માટે 100 રૂપિયા ઓફર કરવામાં આવ્યા</b></h4><p>મંગળવારે સમાપ્ત થયેલી સિરપ અંગે પૂછપરછ કરવામાં આવી ત્યારે આરોગ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. વિસ્તારના રહેવાસી મીનાએ જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગની ટીમે ભૂલથી સિરપ પીવડાવી હોવાની કબૂલાત કરી હતી અને બાળકની સારવાર માટે ₹100 ઓફર કરી હતી.</p><p>આ પણ વાંચો:<a href="https://sandesh.com/business/news/vijay-mallya-breaks-silence-on-fugitive-tag-claims-ed-recovered-double-than-loan-amount" target="_blank"><b> Vijay Mallyaએ ઉપરાછાપરી કરી પોસ્ટ, કહ્યું- 'ભાગેડું નથી... 6 હજાર કરોડ લીધા ઉધાર, પણ વસૂલ્યા 14 હજાર કરોડ!'</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/NCuYxWJLpsLxaQfGPG0YnnK8dT2YGDeSgTB6Af5D.webp'/></item><item><title><![CDATA[Patan: બગવાડા દરવાજા પાસે 10 ફૂટ ઊંડા ભુવામાં એસટી બસ ફસાઈ; મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/patan/bagwada-darwaja-st-bus-stuck-in-10-feet-deep-cave-in</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/patan/bagwada-darwaja-st-bus-stuck-in-10-feet-deep-cave-in</guid><pubDate>Wed, 09 Sep 2026 15:46:16 +05:30</pubDate><description><![CDATA[<p>પાટણ શહેરના હાર્દસમા બગવાડા દરવાજા નજીક મુખ્ય બજારના જાહેર માર્ગ પર આજે એક મોટી હોનારત ટળી હતી. ચાણસ્મા તરફથી મુસાફરોને લઈને પાટણ આવી રહેલી એસટી બસ બગવાડા દરવાજા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક રોડ બેસી ગયો હતો. રસ્તો બેસી જતાં જ અંદાજે 10 ફૂટ ઊંડા ભુવામાં બસનું એક તરફનું ટાયર ઘૂસી ગયું હતું અને બસ એકતરફ નમી ગઈ હતી.</p><h2><b>બસનું ટાયર ભુવામાં ઘૂસી જતાં બસ નમી ગઈ</b></h2><p>બસ અચાનક નમી જતાં જ તેમાં સવાર મુસાફરોના જીવ તાળવે બંધાયા હતા અને ચીસાચીસ મચી ગઈ હતી. જોકે, બસ ચાલકની ત્વરિત સૂઝબૂઝ અને સદનસીબે બસ પલટી ન જતાં તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જાહેર માર્ગ પર બસ ભુવામાં ફસાતાં જ આસપાસના વેપારીઓ અને સ્થાનિક લોકોના મોટા ટોળાં સ્થળ પર ઉમટી પડ્યા હતા. ઘટના બાદ તરત જ ક્રેન બોલાવીને ભુવામાં ફસાયેલી એસટી બસને કાળજીપૂર્વક બહાર કાઢવામાં આવી હતી.</p><h3><b>મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા</b></h3><p>મુખ્ય બજાર જેવા ગીચ વિસ્તારમાં બસ ભુવામાં ફસાવાની ઘટનાને પગલે નિદ્રાધીન પાલિકા તંત્ર સફાળું જાગ્યું હતું. બનાવની જાણ થતાં જ પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર સહિતનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ભૂગર્ભ ડ્રેનેજ લાઇનના લીકેજ અથવા ખામીના કારણે રસ્તો અંદરથી ધોવાઈ જતાં આ મોટો ભુવો પડ્યો હોવાનું સામે આવ્યું છે.પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ભુવાવાળી જગ્યા પર બેરિકેટિંગ કરીને મુખ્ય બજારનો એક સાઇડનો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. પાલિકા અધિકારીઓએ જણાવ્યું હતું કે ભુવાનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે અને આગામી બે દિવસમાં આ કામગીરી પૂર્ણ કરીને રસ્તો પૂર્વવત કરી દેવામાં આવશે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/sola-civil-hospital-health-alert-dengue-swine-flu-opd-cases-rise" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: બદલાતા હવામાને વધાર્યો રોગચાળો; સોલા સિવિલમાં 13 હજારથી વધુ OPD, 1571 દર્દી હોસ્પિટલ ભેગા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/pga8iJea3V8xxVF7A18Hktrge9vHheRGx3DgUaze.webp'/></item><item><title><![CDATA[Hanuman Ansh Team Meets CM Yogi: ‘હનુમાન અંશ’ની ટીમ પહોંચી CM યોગીના દરબારમાં! ]]></title><link>https://sandesh.com/entertainment/news/india/hanuman-ansh-team-meets-cm-yogi-170-crore-box-office</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/india/hanuman-ansh-team-meets-cm-yogi-170-crore-box-office</guid><pubDate>Wed, 09 Sep 2026 15:43:40 +05:30</pubDate><description><![CDATA[<p>બોક્સ ઓફિસ પર સફળતા મેળવી રહેલી ફિલ્મ ‘હનુમાન અંશ’ (Hanuman Ansh)ની ચર્ચા અટકવાનું નામ નથી લઈ રહી. બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ બનાવવાની સાથે ફિલ્મની સ્ટારકાસ્ટ અને મેકર્સ માટે એક ખાસ તક સામે આવી છે. રિલીઝના 33 દિવસ પૂર્ણ થયા બાદ ફિલ્મની સમગ્ર ટીમ લખનઉ (Lucknow) પહોંચી હતી. અહીં તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) સાથે તેમના સત્તાવાર નિવાસસ્થાને મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન ફિલ્મ ‘હનુમાન અંશ’ની સફળતા અને તેના આધ્યાત્મિક પાસાઓ સાથે જોડાયેલી અનેક મહત્વની વાતો કરવામાં આવી.</p><h2><b>CMના નિવાસસ્થાને થઈ મુલાકાત</b></h2><p>ફિલ્મના ડાયરેક્ટર વિશાલ ચતુર્વેદી, પ્રોડ્યુસર અને મુખ્ય કલાકારોની ટીમ CM યોગી આદિત્યનાથને મળવા પહોંચી હતી. મુલાકાત દરમિયાન મેકર્સે ફિલ્મના નિર્માણ અને શૂટિંગ દરમિયાનના પોતાના અનુભવો મુખ્યમંત્રી સાથે શેર કર્યા. મુખ્યમંત્રી કાર્યાલય (CM Office UP) ના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર પણ આ મુલાકાતની તસવીરો શેર કરવામાં આવી છે. તસવીરોમાં ટીમના સભ્યો ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. આ દરમિયાન CM યોગી આદિત્યનાથે પણ ફિલ્મના પ્રયાસોની પ્રશંસા કરી અને ટીમને મોટી સફળતા બદલ અભિનંદન આપ્યા.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/CMOfficeUP/status/2097341164408238277"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>નાથ સંપ્રદાય અને બાબાના ચમત્કારો પર ચર્ચા</b></h2><p>આ મુલાકાતનો મહત્વનો વિષય ફિલ્મમાં દર્શાવવામાં આવેલા આધ્યાત્મિક અને પૌરાણિક પ્રસંગો રહ્યા. મુખ્યમંત્રીએ ફિલ્મના કેટલાક દૃશ્યોમાં ખાસ રસ દાખવ્યો, જેમાં ગોરક્ષનાથ અને નાથ સંપ્રદાયની મહાન પરંપરાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.</p><p>ચર્ચા દરમિયાન નીમ કરૌલી બાબા (Neem Karoli Baba) અને નાથ પરંપરાના સંતો વચ્ચેના ઐતિહાસિક અને ધાર્મિક સંબંધો અંગે પણ વિગતવાર વાતચીત થઈ. આ મુલાકાતથી ફિલ્મના વિષયને નવી ઊંડાઈ અને માન્યતા મળી છે.</p><h2><b>કલેક્શનના મામલે ₹170 કરોડની નજીક પહોંચી ફિલ્મ</b></h2><p>આધ્યાત્મિક પૃષ્ઠભૂમિ ધરાવતી ફિલ્મ ‘હનુમાન અંશ’એ બોક્સ ઓફિસ પર પણ નવો રેકોર્ડ બનાવ્યો છે. ભારતીય સિનેમાઘરોમાં 33 દિવસ પૂર્ણ કર્યા બાદ ફિલ્મ ₹150 કરોડના નેટ કલેક્શનની ખૂબ નજીક પહોંચી ગઈ છે. જ્યારે વિશ્વભરમાં તેની કુલ કમાણીની વાત કરીએ તો આ આંકડો હવે ₹170 કરોડના આંકડાને સ્પર્શવાની નજીક છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/Mz8lSOluV6KQPpJlC0bAJnnpQff2VgAlyAlgVfbd.webp'/></item><item><title><![CDATA[Gujarat : વંદે માતરમ પર મહાભારત, ઇમરાન બોલ્યા ‘માફી નહીં માંગુ ’, ભાજપે પૂછ્યું—‘શું એ ભારતના નાગરિક નથી?’, Video ]]></title><link>https://sandesh.com/gujarat/news/political-news/gandhinagar/gujarat-vande-mataram-controversy-imran-khedawala-bjp-congress</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/political-news/gandhinagar/gujarat-vande-mataram-controversy-imran-khedawala-bjp-congress</guid><pubDate>Wed, 09 Sep 2026 15:31:36 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન વંદે માતરમ ગાન સમયે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ઊભા ન રહેવાના મુદ્દે રાજકીય વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. એક તરફ ખેડાવાલાએ સ્પષ્ટ કર્યું છે કે તેમણે કોઈ ખોટું કર્યું નથી અને આ મામલે માફી માંગવાનો પણ ઇનકાર કર્યો છે, તો બીજી તરફ ભાજપે આ ઘટનાને દેશભક્તિ અને વિધાનસભાની પરંપરા સાથે જોડીને કોંગ્રેસ સામે આક્રમક વલણ અપનાવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>ઇમરાન ખેડાવાલાએ શું કહ્યું</b></h2><p style="text-align: justify; ">ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું કે ભાજપ પાસે બીજો કોઈ મુદ્દો નથી અને આ મુદ્દાને ચગાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે તેમની પોતાની વિચારધારા છે અને તેનો કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથે કોઈ લેવાદેવા નથી. સાથે જ તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ આ મામલે કોઈ માફી માંગવાના નથી. ખેડાવાલાએ એવો પણ દાવો કર્યો કે તેઓ અત્યાર સુધી જે રીતે વંદે માતરમ ગાતા આવ્યા છે, તે રીતે તેમણે ગાયું જ છે અને આ સમગ્ર મામલે તેમણે કંઈ ખોટું કર્યું નથી.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2097613840150364256"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a>&nbsp;</p><p style="text-align: justify; "><br></p><h3 style="text-align: justify; "><b>ભાજપે પરંપરાનો મુદ્દો આગળ ધરી કોંગ્રેસને ઘેર્યું</b></h3><p style="text-align: justify; ">સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે ઘટનાને ચોમાસુ સત્રમાં ન બનવા જેવી ઘટના ગણાવી. તેમના જણાવ્યા મુજબ વિધાનસભાની શરૂઆતથી વંદે માતરમ ગાન સાથે સત્રની શરૂઆત કરવાની પરંપરા રહી છે. તેમણે આ મુદ્દે વિધાનસભા અધ્યક્ષ સમક્ષ રજૂઆત કરવાની વાત પણ કરી. પટેલે કહ્યું કે આવી ઘટનાથી રાજ્યમાં ખોટો સંદેશ જાય છે અને હવે કોંગ્રેસે પોતાનું સ્ટેન્ડ નક્કી કરવું પડશે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2097619853905715475"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a>&nbsp;</p><p style="text-align: justify; "><br></p><h3 style="text-align: justify; "><b>“વંદે માતરમ રાજનીતિનો મુદ્દો નથી” — જીતુ વાઘાણી</b></h3><p style="text-align: justify; ">ભાજપ પ્રવક્તા અને મંત્રી જીતુ વાઘાણીએ પણ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે વંદે માતરમ કોઈ રાજકીય મુદ્દો નથી અને આ દેશનું અપમાન છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યનું વ્યક્તિગત સ્ટેન્ડ કેવી રીતે હોઈ શકે?&nbsp; તેમણે કહ્યું કે આ દેશનો નાગરિક કેવી રીતે કહી શકે માફી નહી માગું, કોંગ્રેસના ચૂંટાયેલા સભ્ય છે વ્યક્તિગત સ્ટેન્ડ કેવીરીતે હોય. તેમણે કહ્યું કે સોનિયા ગાંધી રાહુલ ગાંધી ખડગેજી એ ષડયંત્ર કર્યું છે અને ઠરાવ કર્યા છે. આ મહાન દેશભકતો અને શહીદો નું ગાન છે . ભારતીય તરીકે દરેકને લાગુ પડે છે. શું એ ભારતના નાગરિક નથી? તેમણે કહ્યું કે ઇમરાન ખેડાવાળા ને પૂછું છું ગત સત્રમાં કેમ તમને કોઈ વાંધો નહતો. આ કોંગ્રેસના ષડયંત્રનો ભાગ છે&nbsp;</p><h4 style="text-align: justify; "><b>કોંગ્રેસના વલણ પર નજર</b></h4><p style="text-align: justify; ">વાઘાણીએ કોંગ્રેસ પર લઘુમતી તુષ્ટિકરણનો આરોપ લગાવી સમગ્ર ઘટનાને રાજકીય ષડયંત્રનો ભાગ ગણાવ્યો. હવે ઇમરાન ખેડાવાલાના નિવેદન બાદ કોંગ્રેસ આ મુદ્દે સત્તાવાર રીતે શું વલણ અપનાવે છે, તેના પર સૌની નજર છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/world/news/sports/malaysia-football-legend-abdul-alif-marriage-72-year-old-20-year-old-wife#google_vignette" target="_blank"><b>Malaysia : 72 વર્ષના ફૂટબોલ દિગ્ગજે 20 વર્ષની યુવતી સાથે કર્યા લગ્ન, તસવીરો વાયરલ થતાં પરિવારે કરી પુષ્ટિ</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/dgaP1pHA17oAWsgTyn8eo7OlBo6CKxTu0LgcsCSZ.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: AMTS બસમાં ‘ડેશ કેમ’ સિસ્ટમ શરૂ, કંટ્રોલ રૂમથી ડ્રાઇવર પર રખાશે સીધી નજર ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/amts-installs-dash-cams-in-buses-driver-monitoring-pilot-project</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/amts-installs-dash-cams-in-buses-driver-monitoring-pilot-project</guid><pubDate>Wed, 09 Sep 2026 15:23:43 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરમાં AMTS બસોના વધતા જતા અકસ્માતોને રોકવા અને મુસાફરોની મુસાફરી વધુ સુરક્ષિત બનાવવા માટે તંત્ર દ્વારા એક અનોખો અને ટેકનોલોજી આધારિત પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પહેલ હેઠળ બસમાં ડ્રાઇવરની કેબિન અને કેબિનની સામે ખાસ ‘ડેશ કેમ’ (Dash Cam) સેટ કરવામાં આવ્યા છે.</p><h2><b>AMTS બસોમાં મુસાફરોની સુરક્ષા માટે મોટો નિર્ણય</b></h2><p>આ ડેશ કેમમાં ખાસ પ્રકારની 3 મુખ્ય એલર્ટ સિસ્ટમ ગોઠવવામાં આવી છે. જો બસ ચલાવતી વખતે ડ્રાઇવર સ્મોકિંગ (ધૂમ્રપાન) કરશે, વાહન ચલાવતી વખતે ઝોકાં ખાશે (ઊંઘશે) કે પછી ફોન પર વાતચીત કરવાની ગંભીર બેદરકારી દાખવશે, તો તરત જ AMTS ના સેન્ટ્રલ કંટ્રોલ રૂમ પર એલર્ટ મેસેજ જનરેટ થઈ જશે. કંટ્રોલ રૂમમાં એલર્ટ મળતાં જ ત્યાંથી ડ્રાઇવરને તરત જ વાયરલેસ કે કોલ મારફતે જરૂરી સૂચના અને ચેતવણી આપવામાં આવશે. આ સિવાય જો ડ્રાઇવર બસને નિયત ગતિ મર્યાદા કરતાં વધુ સ્પીડમાં (ઓવર સ્પીડ) દોડાવશે, તો પણ કંટ્રોલ રૂમને તેનું એલર્ટ મળી જશે.</p><h3><b>બસમાં ‘ડેશ કેમ’ લગાવી ડ્રાઇવરો પર રખાશે સીધી નજર</b></h3><p>AMTS દ્વારા હાલમાં 2 બસોમાં આ ડેશ કેમ લગાવીને પાયલોટ પ્રોજેક્ટનું પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રયોગનો મુખ્ય આશય ડ્રાઇવરોની માનવીય ભૂલો સુધારવાનો અને બસના અકસ્માતોનું પ્રમાણ ઘટાડવાનો છે. જો આ પાયલોટ પ્રોજેક્ટ સફળ રહેશે તો આગામી સમયમાં અમદાવાદ શહેરની તમામ AMTS બસોમાં આ સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે, જેથી રોડ અકસ્માતોની ચોક્કસ માહિતી મેળવી શકાશે અને મુસાફરોની સુવિધાઓ સાથે સુરક્ષામાં પણ મોટો વધારો થશે.ડેશ કેમ મારફતે ડ્રાઇવરની દરેક હરકતનું રીયલ ટાઇમ મોનિટરિંગ.ઓવર સ્પીડ અને બેદરકારી પર કંટ્રોલ રૂમથી સીધો સંપર્ક.પાયલોટ પ્રોજેક્ટ સફળ રહ્યા બાદ તમામ બસોને આવરી લેવાશે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/godadra-two-brothers-amish-ali-sadir-ali-arrested-minor-rape-case" target="_blank">આ પણ વાંચો: Surat: ગોડાદરામાં બે સગા ભાઈઓએ સગીરા પર આચર્યું દુષ્કર્મ; બંને આરોપી ઝબ્બે</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/vfy4HTDtOdIHQZt2ClTaYVwGJnHwzI1QaOWfoGUs.webp'/></item><item><title><![CDATA[Malaysia : 72 વર્ષના ફૂટબોલ દિગ્ગજે 20 વર્ષની યુવતી સાથે કર્યા લગ્ન, તસવીરો વાયરલ થતાં પરિવારે કરી પુષ્ટિ ]]></title><link>https://sandesh.com/world/news/sports/malaysia-football-legend-abdul-alif-marriage-72-year-old-20-year-old-wife</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/sports/malaysia-football-legend-abdul-alif-marriage-72-year-old-20-year-old-wife</guid><pubDate>Mon, 07 Sep 2026 23:00:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મલેશિયન ફૂટબોલના દિગ્ગજ અને પૂર્વ હરિમાઉ મલાયા સ્ટાર દાતુક અબ્દુલ અલિફે 72 વર્ષની ઉંમરે પોતાના જીવનનો નવો અધ્યાય શરૂ કર્યો છે. સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો વાયરલ થયા બાદ તેમના પરિવારે લગ્નની સત્તાવાર પુષ્ટિ કરી છે. અહેવાલ મુજબ 27 ઓગસ્ટે યોજાયેલા ખાનગી સમારંભમાં અબ્દુલ અલિફે પોતાની જીવનસંગિની સાથે નિકાહ કર્યા હતા. તેમની પત્નીની ઉંમર 20 વર્ષ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>લગ્નની ખબર કોણે કરી કન્ફર્મ?</b></h2><p style="text-align: justify; ">અબ્દુલ અલિફના નાના ભાઈ અને પૂર્વ ખેલાડી તથા કોચ દાતુક યુનુસ અલિફે લગ્નની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે 27 ઓગસ્ટે બંનેના લગ્ન થયા હતા અને બંને પરિવારોની સંમતિ તથા આશીર્વાદ સાથે આ સંબંધ બંધાયો છે. પરિવાર દ્વારા નવદંપતીના સુખી દાંપત્ય જીવન માટે શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>ફોન નહીં ઉઠાવતા ભાઈએ શું કહ્યું?</b></h3><p style="text-align: justify; ">લગ્ન બાદ અબ્દુલ અલિફ મીડિયા સંપર્કમાં ન આવતા તેમના ભાઈ યુનુસ અલિફે જણાવ્યું હતું કે તેઓ સંભવતઃ હનીમૂન પર હોવાથી ફોનનો જવાબ આપી શકતા નથી.જોકે પરિવારે સ્પષ્ટ કર્યું છે કે બંનેના નિકાહ થઈ ચૂક્યા છે અને પરિવાર તરફથી બંનેને શુભકામનાઓ આપવામાં આવી છે.</p><h4 style="text-align: justify; "><b>મલેશિયન ફૂટબોલના દિગ્ગજ રહ્યા છે અબ્દુલ અલિફ</b></h4><p style="text-align: justify; ">અબ્દુલ અલિફ મલેશિયન ફૂટબોલ ઇતિહાસના જાણીતાં ખેલાડીઓમાં સામેલ રહ્યા છે. 1970ના અંતિમ વર્ષો અને 1980ના શરૂઆતના સમયમાં મલેશિયન ફૂટબોલના સફળ સમયગાળામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.તેઓ તે મલેશિયન ટીમના સભ્ય હતા જેણે ક્વોલિફાઇંગ મેચમાં દક્ષિણ કોરિયાને 2-1થી હરાવી 1980ના મોસ્કો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું.</p><h4 style="text-align: justify; "><b>ઓલિમ્પિક રમવાનું સપનું કેમ અધૂરું રહ્યું?</b></h4><p style="text-align: justify; ">મલેશિયાએ સોવિયેત સંઘના અફઘાનિસ્તાન પરના આક્રમણના વિરોધમાં 1980ના મોસ્કો ઓલિમ્પિકનો બહિષ્કાર કર્યો હતો. જેના કારણે અબ્દુલ અલિફ સહિત અનેક ખેલાડીઓનું ઓલિમ્પિકમાં રમવાનું સપનું અધૂરું રહી ગયું હતું. લાંબા સમય સુધી વ્યાવસાયિક ફૂટબોલ અને મીડિયા લાઇમલાઇટથી દૂર રહ્યા બાદ આ દિગ્ગજ ખેલાડી હવે પોતાના અંગત જીવનના નવા નિર્ણયને કારણે ફરી ચર્ચામાં આવ્યા છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">&nbsp; આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-gujarat-drowning-deaths-1999-river-lake-check-dam-water-safety" target="_blank"><b>Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/oQuxxQEBdhQdWmZFxk2LOPbwDJRpf6zDEmwi2pJ3.webp'/></item></channel></rss>