<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Vadodara: શહેરમાં શ્રીજીની મૂર્તિના વિસર્જન માટેના તળાવો 12માંથી ઘટી 11 થયાં ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-the-number-of-ponds-for-immersion-of-shrijis-idols-in-the-city-has-decreased-from-12-to-11</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-the-number-of-ponds-for-immersion-of-shrijis-idols-in-the-city-has-decreased-from-12-to-11</guid><pubDate>Tue, 15 Sep 2026 02:50:43 +05:30</pubDate><description><![CDATA[<p>શહેરમાં સોમવારે ચતૂર્થીએ ભગવાન શ્રીગણેશજીની મૂર્તિની સ્થાપના સાથે ગણશોત્સવનો પ્રારંભ થયો છે. આ વખતે 11 દિવસ આતિથ્ય માણ્યાં બાદ શ્રીજીની મૂર્તિનું વિવિધ તળાવોમાં વિસર્જન થવાનું છે, ત્યારે તંત્રએ કામગીરી શરૂ કરી દીધી છે. જોકે, આ વખતે 12 તળાવમાંથી 11 થઈ ગયા છે. જેથી ખાસ કરીને પૂર્વ વિસ્તારના ગણેશ મંડળોને તકલીફ પડે, તેવી શક્યતાઓ છે.</p><p>મળતી માહિતી મુજબ, શહેરમાં શ્રીજીની મૂર્તિના વિસર્જન માટેના કુલ 12 તળાવો હતા.જેમાં પૂર્વ ઝોનમાં ખોડિયારનગરથી પાંજરાપોળ તરફ જવાના રોડ પર ડિમાર્ટ પાસેના કૃત્રિમ તળાવનો પણ સમાવેશ થતો હતો. આ તળાવની જગ્યા થોડા વર્ષ પહેલાં ફાયર સ્ટેશન બનાવવા ફાળવી દેવાઈ હતી. હવે, વિસ્તારનો વ્યાપ થતાં તળાવની જગ્યાએ ફાયર સ્ટેશનનું કામ શરૂ કરાયું છે. જેથી પૂર્વ ઝોનમાં જે ત્રણ તળાવો હતા, તેમાંથી હવે બે થઈ ગયા છે.</p><p>એટલે, ખાસ કરીને ખોડિયારનગર અને તેની આસપાસના વિસ્તારના રહીશોને શ્રીજીની મૂર્તિનું વિસર્જન કરવા સરદાર એસ્ટેટ પાસે લેપ્રેસી ગ્રાઉન્ડ અને કિશનવાડી UPHC વાળા પ્લોટમાં બનાવાયેલા કૃત્રિમ તળાવ સુધી લાંબા થવું પડશે. આ બે તળાવો ઓછા પડશે, તેવું લાગતાં તંત્રએ હરણી ભીડભંજન હનુમાનજી મંદિર સામે આવેલા તળાવનો શ્રીજીની મૂર્તિના વિસર્જન માટે ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે.</p><p>આ તળાવમાં છેલ્લાં કેટલાકવર્ષથી માત્ર દશામાતાની મૂર્તિનું જ વિસર્જન થાય છે. આ માટે તળાવમાં દિવાલ ઊભી કરી અલાદયું નાનું તળાવ બનાવાયું છે. જેમાં પંપ મારફતે તળાવનું પાણી ભરવામાં આવે છે. આ તળાવમાં 10 ફૂટ સુધીની શ્રીજીની મૂર્તિનું વિસર્જન થાય, તેવી વ્યવસ્થા કરાશે.</p><p>આ સિવાય અન્ય કોઈ તળાવોમાં ફેરફાર કરાયા નથી. તંત્ર પાસે ગણીને 14 દિવસ બાકી રહ્યાં છે, કૃત્રિમ તળાવોની કામગીરી હાથ ધરી પાણી ભરવાનું શરૂ કરી દીધું છે. તેમજ વિસર્જન સવારીઓને લઈને આવતાં ગણેશ મંડળોને તકલીફ ન પડે તે માટે તળાવોની આસપાસ રોડ પર પેચવર્ક અને જરૂર જણાય છે, ત્યાં પેવર બ્લૉકલગાવાયા છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/Gh1DwkBee4bGgMW2xvuT28EuxBB3N4PRPuOouRLQ.webp'/></item><item><title><![CDATA[Vadodara: 8 કૅન્ટિનને શીડયુલ-4ની નોટિસ અપાઇ, 4 યુનિટ બંધ કરાવાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-8-canteens-given-schedule-4-notice-4-units-closed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-8-canteens-given-schedule-4-notice-4-units-closed</guid><pubDate>Tue, 15 Sep 2026 02:49:49 +05:30</pubDate><description><![CDATA[<p>તાજેતરમાં સુરતની એકહોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગ થતા 100 જેટલા વિદ્યાર્થીઓને અસર થઈ હતી, આ ઘટનાને લઈને રાજ્યના આરોગ્ય મંત્રી દ્વારા રાજ્યની દરેકસરકારી, અર્ધસરકારી કે ખાનગી હોસ્ટેલમાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ શરૂ કરાયું છે. જે અંતર્ગત વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરની 17 સરકારી, અર્ધસરકારી અને પ્રાઈવેટ હોસ્ટેલની કેન્ટિન યુનિટ પર ઈન્સ્પેક્શનની કામગીરી કરાઈ હતી, જેમાં 8 યુનિટને શિડયૂલ-4ની નોટીસ, 04 યુનિટ બંધ કારાયા અને 25 કિલો અખાદ્યપદાર્થોનો જથ્થો મળી આવતા સ્થળ પર જ નાશ કરાયો હતો.</p><p>શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ રવીશંકર મહારાજ ઉમા છાત્રાલય કેન્ટીન યુનિટ પર ચેકીંગ દરમિયાન યુનિટ પર લાયસન્સ /2 જીસ્ટ્રેશન ન હોવાથી યુનિટને બંધ કરાયું હતું, પ્રતાપગંજ વિસ્તારમાં આવેલ એમ.એસ.યુનિવર્સીટી ગર્લ્સ હોસ્ટેલમાં આવેલ 04-કેન્ટીનમાં ઇન્સપેક્શનની કામગીરી દરમિયાન અનહાઇજેનીકકંડીશન જણાઈ આવતા 04-કેન્ટીન યુનિટ પર શીડયુલ-4 ની નોટીસ આપી હતી. તથા નુડલ્સ, ભાત, ખરાબ બટાકા, બાંધેલો લોટ મળી કુલ 25 કિલો અખાદ્ય પદાર્થોનો જથ્થો મળી આવતા સ્થળ પરજ નાશ કર્યો હતો. પંડયાબ્રિજ ખાતે આવેલ *સમરસ ગર્લ્સ હોસ્ટેલની કેન્ટીન યુનિટ 52 ચેકીંગ દરમિયાન અનહાઇજેનીકકંડીશન જણાઈ આવતા શીડયુલ-4 ની નોટીસ આપી હતી.</p><p>દરજીપુરા વિસ્તારમાં આવેલ આદર્શ નીવાસી વીકસીત જાતી કન્યા છાત્રાલય અને આદર્શ નીવાસી (એસ.ટી) કન્યા શાળા 2-કેન્ટીન યુનિટ પર ચેકીંગ દરમિયાન લાયસન્સ / રજીસ્ટ્રેન ન હોવાથી તથા યુનિટ પર અનહાઇજેનીકકંડીશન જણાઈ આવતા યુનિટ બંધ કરાયું હતું. ઓલ્ડ પાદરા રોડ પર આવેલ નર્સિંગ કોલેજ(પટેલ ભોજનાલય) કેન્ટીન યુનિટ પર ઇન્સપેક્શન દરમિયાન અનહાઇજેનીકકંડીશન જણાઈ આવતા શીડયુલ-4 ની નોટીસ આપી હતી.</p><p>ગોત્રી રોડ પર આવેલ GMERS ગર્લ્સ હોસ્ટેલ (ગાયત્રી કેટરર્સ) અને GMERS બોય્સ હોસ્ટેલ (ગાત્રી કેટરર્સ)ની એમ કુલ 02-કેન્ટીન યુનિટ પર ચેકીંગ દરમિયાન 02-કેન્ટીન યુનિટ પર અનહાઇજેનીકકંડીશન જણાઈ આવતા 02-કેન્ટીન યુનિટ પર શીડયુલ-4 ની નોટીસ આપી હતી તેમજ ગોત્રી રોડ પર આવેલ GMERS ઇન્ટર્ન હોસ્ટેલ(વૈષ્ણવી કેટરર્સ) કેન્ટીન યુનિટ પર લાયસન્સ / રજીસ્ટ્રેશન ન હોવાથી યુનિટ બંધ કરાયું હતું.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/mQD17VJQiP0xCV291Vv2tEr2FwUDLXsaEu8jdsns.webp'/></item><item><title><![CDATA[Vadodara: અઢી ઈંચ વરસાદથી માર્ગોની હાલત કથળી, ઠેરઠેર ખાડાથી તંત્ર દોડતું થયું ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-two-and-a-half-inches-of-rain-worsened-the-condition-of-the-roads-causing-potholes-everywhere-and-making-the-system-difficult-to-navigate</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-two-and-a-half-inches-of-rain-worsened-the-condition-of-the-roads-causing-potholes-everywhere-and-making-the-system-difficult-to-navigate</guid><pubDate>Tue, 15 Sep 2026 02:49:01 +05:30</pubDate><description><![CDATA[<p>શહેરમાં આજે સોમવારથી ગણેશોત્સવનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે સવારે પડેલા ધોધમાર વરસાદને પગલે અનેકસ્થળોએ રસ્તાઓ પર પડેલા ખાડાઓ હવે ગણેશભક્તો માટે પડકાર બની રહ્યાં છે. ગણેશ વિસર્જન પહેલા તકેદારી રાખી રસ્તાઓનું પેચવર્ક અને ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.</p><p>શહેરના વિવિધ વિસ્તારોમાં ગણપતિની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. ગણેશ વિસર્જન દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો તથા ગણેશ મંડળોના વાહનો શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થવાના છે. આવી સ્થિતિમાં રસ્તા પરના ખાડાઓ જોખમ વધારી શકે છે. ખાસ કરીને જે માર્ગો પરથી ગણેશજીની વિસર્જન યાત્રાઓ પસાર થવાની છે, તે માર્ગોનું તાત્કાલિકનિરીક્ષણ કરી ખાડાઓ પૂરવામાં આવે તેવી માંગ ઊઠી છે. વરસાદને કારણે ખાડામાં પાણી ભરાઈ જતાં તેમની ઊંડાઈનો અંદાજ આવતો નથી, જેના કારણે ટુ-વ્હીલરચાલકો માટે જોખમ વધી જાય છે.</p><p>આ સિવાય ગણેશોત્સવ દરમિયાન રાત્રિના સમયે પણ મોટી સંખ્યામાં લોકો શ્રીજીના દર્શન કરવા નીકળતાં હોય છે, ત્યારે વરસાદી પાણીથી ભરાયેલા ખાડા અને રસ્તાની ખરાબ સ્થિતિના કારણે અકસ્માતની શક્યતાઓ વધી જાય છે. ખાસ કરીને સવારે અઢી ઈંચ જેટલો વરસાદ પડતાં અનેકસ્થળોએ રસ્તાઓની હાલત વધુ ખરાબ થઈ હતી અને અગાઉથી પડેલા ખાડાઓ પણ વધુ ઉઘાડા પડી ગયા હતા. તંત્રએ ખાડા પુરાણની કામગીરી હાથ ધરી હતી, પરંતુ દિવસ દરમિયાન થોડા સમયના અંતરે ઝરમર વરસાદ ચાલુ રહેતાં જોઈએ તેવી થઈ શકી ન હતી.</p><p>ગણેશ મંડળના આયોજકે જણાવ્યું હતું કે, શહેરમાં ગણેશોત્સવનો માહોલ શરૂ થઈ ગયો છે, ત્યારે વિઘ્નહર્તાની વિસર્જન યાત્રા દરમિયાન રસ્તાના ખાડા કોઈ વિઘ્ન ન બને, તે માટે તંત્રએ હવે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવી જરૂરી બની છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/YZk8i7yMm5ykx4xEP3WtP2CwR53fPlSXXIsYPaM9.webp'/></item><item><title><![CDATA[Ankleshwar: ઈશ્વરસિંહ પટેલ સતત 11મી વખત પંડવાઈ શુગરના ચેરમેન બન્યાં ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ankleshwar/ankleshwar-ishwar-singh-patel-becomes-chairman-of-pandavai-sugar-for-the-11th-consecutive-time</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ankleshwar/ankleshwar-ishwar-singh-patel-becomes-chairman-of-pandavai-sugar-for-the-11th-consecutive-time</guid><pubDate>Tue, 15 Sep 2026 02:48:14 +05:30</pubDate><description><![CDATA[<p>અંકલેશ્વર : હાંસોટ ખાતે આવેલી પંડવાઈ સુગર ફેક્ટરીના ચેરમેન તરીકે રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલની સતત 11મી વખત વરણી કરવામાં આવી છે. જ્યારે વાઇસ ચેરમેન તરીકે અનિલ પટેલની બિનહરીફ્ વરણી થઈ છે. સુગર ફેક્ટરીની ચૂંટણીમાં ઈશ્વરસિંહ પટેલની સહકાર પેનલે તમામ 16 બેઠકો પર વિજય મેળવ્યા બાદ હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ હતી. તમામ 16 બેઠકો પર સહકાર પેનલનો વિજય થયો હતો પંડવાઈ સુગર ફેક્ટરીની ચૂંટણીમાં સહકાર પેનલનો દબદબો જોવા મળ્યો હતો. પેનલે તમામ 16 બેઠકો પર વિજય મેળવી સત્તા જાળવી રાખી હતી. ત્યારબાદ પ્રાંત અધિકારી રવિરાજ જાડેજાની અધ્યક્ષતામાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ઈશ્વરસિંહ પટેલની સતત 11મી વખત ચેરમેન તરીકે પસંદગી કરવામાં આવી હતી.</p><p>અનિલ પટેલની વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ્ વરણી ચેરમેન પદે ઈશ્વરસિંહ પટેલની વરણી સાથે અનિલ પટેલને વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા છે. હોદ્દેદારોની પસંદગી બાદ નવનિયુક્ત ચેરમેન, વાઇસ ચેરમેન અને ડિરેક્ટરોને શુભેચ્છકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા ચેરમેન તરીકે વરણી થયા બાદ ઈશ્વરસિંહ પટેલ અને સુગર ફેક્ટરીના ડિરેક્ટરોએ પાંડુકેશ્વર મહાદેવ મંદિરે પહોંચીને પૂજન-અર્ચન કર્યું હતું.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/NGXPBQnFrpqS0XgDgHQbGtii6ATGWbeEay9qfr5m.webp'/></item><item><title><![CDATA[Narmada: દેશમાં 35 લાખ સહકારી સંસ્થાઓ જનહિતલક્ષી પ્રવૃત્તિઓ કરે છે ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/narmada/narmada-35-lakh-cooperatives-in-the-country-carry-out-public-interest-activities</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/narmada/narmada-35-lakh-cooperatives-in-the-country-carry-out-public-interest-activities</guid><pubDate>Tue, 15 Sep 2026 02:47:16 +05:30</pubDate><description><![CDATA[<p>ભારત સરકારના ગ્રાહકબાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા નર્મદા જિલ્લાની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. તેમના પ્રવાસના બીજા દિવસે એકતાનગર સ્થિત સહકાર ભવન ખાતે ગુજરાત ગવર્મેન્ટ એમ્પલોઈઝ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ (GECOCSL)ના દશાબ્દી મહોત્સવ નિમિત્તે આયોજિત ચિંતન શિબિરમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા.</p><p>કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ પ્રસંગોચિત ઉબ્દોધનમાં જણાવ્યું હતું કે, શિક્ષકહંમેશા લોકોને રોજિંદા જીવનની મુશ્કેલીઓમાંથી બહાર લાવવાનો પુરુષાર્થ કરે છે. સતત પ્રયાસોથી જ એકસંસ્થા સમય જતાં વટવૃક્ષ બને છે. દેશમાં 35 લાખ જેટલી સહકારી સંસ્થાઓ કાર્યરત છે અને વિવિધ ક્ષેત્રોમાં 150થી વધુ જનહિતલક્ષી પ્રવૃત્તિઓ સાથે જોડાઈને લોકોના જીવનમાં સકારાત્મકપરિવર્તન લાવી રહી છે.</p><p>આ પ્રસંગે ગુજરાત સરકારના સહકારી મંડળીઓ (ઔદ્યોગિક)ના સંયુક્ત રજિસ્ટ્રાર આર.ડી. ત્રિવેદી, નિયામકખાંડ સહકારી મંડળીઓ સુનિલકુમાર ચૌધરીએ પણ પ્રસંગોચિત ઉબ્દોધન કર્યું હતું.આ કાર્યક્રમમાં ડૉ. રામસિંહ રાજપૂત (પૂર્વ રજિસ્ટ્રાર), સંસ્થાના સ્થાપકપ્રમુખ શ્રી હરિભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી દિપકકુમાર જાદવ, મંત્રી ડૉ. પ્રકાશ રાજપૂત સહિત સંસ્થાના રોકાણકારો, સભાસદો અને સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/CZEDc3t2cneGHtUGcV02kHpEYCj9bVWXeVjjKbR4.webp'/></item><item><title><![CDATA[15 September Top News: યમુના બેસિન પ્રોજેક્ટ કરાર, ગાંધીનગરમાં WCEF 2026 નો પ્રારંભ અને ચારધામ હેલિકોપ્ટર સેવા શરૂ ]]></title><link>https://sandesh.com/gujarat/news/india/national-news-wrap-yamuna-basin-project-mou-wcef-2026-gandhinagar-chardham-heli-service</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/india/national-news-wrap-yamuna-basin-project-mou-wcef-2026-gandhinagar-chardham-heli-service</guid><pubDate>Mon, 14 Sep 2026 22:00:00 +05:30</pubDate><description><![CDATA[<p>ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં, યમુના બેસિનમાં પ્રસ્તાવિત 660 મેગાવોટ પ્રોજેક્ટ અંગે છ રાજ્યો વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ કરાર પર હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી અને રાજસ્થાન વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવશે. કરાર પર હસ્તાક્ષર સમારોહ બપોરે 12 થી 1 વાગ્યા સુધી કર્તવ્ય ભવન-03, જનપથ, નવી દિલ્હી ખાતે યોજાશે.</p><h2><b>ગાંધીનગરમાં વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમનું આયોજન&nbsp;</b></h2><p>ભારત 15 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના ગાંધીનગરમાં વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ (WCEF) 2026 નું આયોજન કરશે. દક્ષિણ એશિયામાં પ્રથમ વખત આયોજિત આ ફોરમનું ઉદ્ઘાટન 15મી તારીખે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે.</p><h3><b>MTPએક્ટમાં સુધારાની માંગની અરજી પર સુનાવણી</b></h3><p>સુપ્રીમ કોર્ટ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી (MTP) એક્ટમાં સુધારાની માંગ કરતી જાહેર હિતની અરજી પર સુનાવણી કરશે. સગીરો અને અનિચ્છનીય ગર્ભાવસ્થાના કેસોમાં ગર્ભપાત કાયદામાં ફેરફારો જરૂરી છે કે નહીં તે અંગે કોર્ટ વિચારણા કરશે.</p><h4><b>ચારધામ હેલિકોપ્ટર સેવા 15 સપ્ટેમ્બરથી ફરી શરૂ&nbsp;</b></h4><p>ચારધામ હેલિકોપ્ટર સેવા 15 સપ્ટેમ્બરથી ફરી શરૂ થશે. ઉત્તરાખંડથી ચોમાસું રવાના થાય તે પહેલાં, ચારધામ યાત્રાનો બીજો તબક્કો 15 સપ્ટેમ્બરથી શરૂ થશે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર અસર પડી છે. સરકારે આરોગ્ય, જાહેર બાંધકામ અને નાગરિક ઉડ્ડયન સહિતના વિભાગોને સલામત અને સરળ યાત્રા માટે તૈયારીઓ ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો છે.</p><h6><b>દેશભરમાં જંતુનાશક વિક્રેતાઓ માટે ડિજિટલ લાઇસન્સિંગ ફરજિયાત</b></h6><p>દેશભરમાં જંતુનાશક ઉત્પાદકો, આયાતકારો અને વેચાણકર્તાઓ માટે ડિજિટલ લાઇસન્સિંગ અને રેકોર્ડ-કીપિંગ ફરજિયાત બનશે. નવી સિસ્ટમ દાયકાઓ જૂના કાગળકામને દૂર કરે છે, જેનાથી વ્યવસાયમાં પારદર્શિતા અને દેખરેખ વધે છે.</p><h2><b>સુપ્રીમ કોર્ટમાં કાશી જ્ઞાનવાપી અને MTP એક્ટ પર સુનાવણી</b></h2><p>મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર ભૂટાનની ત્રણ દિવસની મુલાકાતે છે. આવતીકાલે, જ્ઞાનેશ કુમાર પારોમાં જિગ્મે સિંગ્યે વાંગચુક લો સ્કૂલ ખાતે ભૂટાનના રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીમાં હાજરી આપશે, જ્યાં મુખ્ય ચૂંટણી કમિશનર મુખ્ય મહેમાન હશે.સુપ્રીમ કોર્ટ કાશી જ્ઞાનવાપી કેસની સુનાવણી કાલે કરશે. જ્ઞાનવાપી સંકુલને લગતા વિવિધ કાનૂની પાસાઓ પર કોર્ટમાં દલીલો રજૂ કરવામાં આવશે. હિન્દુ અને મુસ્લિમ પક્ષોનું પ્રતિનિધિત્વ કરતા વકીલો કોર્ટ સમક્ષ પોતાની દલીલો રજૂ કરશે.</p><h3><b>ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પશ્ચિમ બંગાળની બે દિવસીય મુલાકાતે</b></h3><p>ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન 15 સપ્ટેમ્બરના રોજ પશ્ચિમ બંગાળની બે દિવસીય મુલાકાતે રવાના થશે. રાજ્યમાં આગામી વિધાનસભા પેટાચૂંટણીઓ તેમજ કોલકાતા અને હાવડા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓની રણનીતિ બનાવવા અને તૈયારી કરવા માટે આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.</p><h4><b>પીજી બિલ્ડિંગ ધરાશાયી મામલે સુનાવણી</b></h4><p>સત્ય નિકેતન પીજી બિલ્ડિંગ ધરાશાયી થવાના સંદર્ભમાં બિલ્ડિંગ કાયદાના ઉલ્લંઘન અંગે સુપ્રીમ કોર્ટે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની રાજધાનીઓમાં મ્યુનિસિપલ સત્તાવાળાઓ પાસેથી અહેવાલો માંગ્યા છે. આવતીકાલે સુનાવણી.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/top-10-news-headlines-14-september-important-news-updates" target="_blank">આ પણ વાંચો: ટ્રમ્પનો મોટો દાવો, રાજ્યમાં વરસાદ, ધમકીભર્યા ઈ-મેઈલ</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/VgS3ktH0uKMteTsJSuG9MOCQcaSnpRAheAuBYJik.webp'/></item><item><title><![CDATA[India: મહારાષ્ટ્રના સૌથી શ્રીમંત MLA પરાગ શાહ બન્યા 'ભિખારી'; રસ્તા પર ફરવા છતાં લોકો ઓળખી ન શક્યા ]]></title><link>https://sandesh.com/india/news/mumbai-richest-bjp-mla-parag-shah-disguised-as-beggar-viral-video-jain-guru</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/mumbai-richest-bjp-mla-parag-shah-disguised-as-beggar-viral-video-jain-guru</guid><pubDate>Mon, 14 Sep 2026 20:42:51 +05:30</pubDate><description><![CDATA[<p>મહારાષ્ટ્રના સૌથી ધનિક ધારાસભ્યોમાં સ્થાન ધરાવતા અને જાણીતા રિયલ એસ્ટેટ ડેવલપર તેમજ મુંબઈના ઘાટકોપર પૂર્વ બેઠકના ભાજપના ધારાસભ્ય પરાગ શાહનો એક આશ્ચર્યજનક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આશરે 3,300 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા ધારાસભ્ય મુંબઈની શેરીઓમાં સામાન્ય ભિખારીના વેશમાં ફરતા જોવા મળી રહ્યા છે.</p><h2><b>મુંબઈના અબજોપતિ MLA પરાગ શાહ</b></h2><p>મળતી વિગતો અનુસાર, પરાગ શાહે આ અનોખો પ્રયોગ પોતાના જૈન ગુરુ (ધાર્મિક નેતા) ની સલાહ પર કર્યો હતો. ગુરુએ તેમને અહંકાર ઓગાળવા, જીવનની કડવી વાસ્તવિકતાઓને નજીકથી સમજવા અને મનમાં નમ્રતાનો અનુભવ કરવા માટે પોતાનું પાત્ર બદલીને એક દિવસ ભિખારીના રૂપે શેરીઓમાં વિતાવવાની શિખામણ આપી હતી.</p><h3><b>અબજોપતિ MLA બન્યા ભિખારી!</b></h3><p>આખો દિવસ મુંબઈના રસ્તાઓ પર સાધારણ કપડાં અને વેશભૂષામાં ફરવા છતાં મોટાભાગના નાગરિકો દેશના આ અબજોપતિ નેતાને ઓળખી શક્યા નહોતા. પરાગ શાહે સામાન્ય ભિક્ષુકની જેમ સમય વિતાવીને લોકોનો વ્યવહાર અને તેમની પ્રતિક્રિયાઓને ખૂબ નજીકથી નિહાળી હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો સામે આવ્યા બાદ યુઝર્સ તેને આત્મનિરીક્ષણ અને સરળતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગણાવી રહ્યા છે.</p><h4><b>રસ્તા પર ફરવા છતાં લોકો ઓળખી ન શક્યા</b></h4><p>ઉલ્લેખનીય છે કે, પરાગ શાહે 2017માં BMC ચૂંટણીમાં કૌન્સિલર તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. ત્યારબાદ 2019 અને 2024ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ઘાટકોપર પૂર્વથી મોટા માર્જિનથી જીત મેળવી હતી. 2024ના સોગંદનામા મુજબ તેમની અને પત્નીની કુલ સંપત્તિ 3,383 કરોડ રૂપિયાથી વધુ છે, જે તેમને દેશના સૌથી ધનિક ધારાસભ્યોમાંના એક બનાવે છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/navsari/vansda-angadia-robbery-mastermind-rajaram-chaudhary-arrested-mount-abu-ashram" target="_blank">આ પણ વાંચો: Navsari: વાંસદામાં 12.50 લાખની આંગડિયા લૂંટ ચલાવી આશ્રમમાં મહંતનો શિષ્ય બન્યો, પોલીસથી બચવા સતત લોકેશન બદલ્યા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/09vGcfzaWhuQNr9uwpCzhofTTYnsRj6535K3hmcH.webp'/></item><item><title><![CDATA[Mujhe Neend Na Aaye Song: 'મુઝે નીંદ ના આયે, ચેન ના આયે..' શબ્દો સાંભળતા જ ભડક્યા હતા ઇન્દ્રકુમાર, ગીત થયું હતું રિજેક્ટ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/aamir-madhuri-mujhe-neend-na-aaye-cult-song</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/aamir-madhuri-mujhe-neend-na-aaye-cult-song</guid><pubDate>Mon, 14 Sep 2026 19:51:03 +05:30</pubDate><description><![CDATA[<p>1990ના દાયકામાં આમિર ખાન અને માધુરી દીક્ષિતની એક એવી ફિલ્મના કલ્ટ ગીત વિશે ચર્ચા થઇ રહી છે, જે આજે પણ પ્રેમીઓના દિલ પર રાજ કરે છે. આ ગીતને પહેલાં દિગ્દર્શકે નકારી કાઢ્યું હતું, પરંતુ પછી તે કલ્ટ બની ગયું.</p><p>1990ના દાયકામાં માત્ર ફિલ્મો જ નહીં, ઘણી ફ્લોપ અને હિટ ફિલ્મોનાં ગીતો પણ કલ્ટ ક્લાસિક બન્યાં હતાં, જે આજે પણ વર્ષો બાદ લોકોના દિલમાં વસેલા છે. ખાસ કરીને રોમેન્ટિક ગીતો આજે પણ પ્રેમીઓનાં મનપસંદ ગીતો છે. આજે આમિર ખાન અને માધુરી દીક્ષિતના એવા જ એક રોમેન્ટિક ગીત વિશે વાત કરી રહ્યા છીએ, જે 36 વર્ષ પહેલાં રિલીઝ થયું હતું અને પછી કલ્ટ બન્યું હતું. જોકે, દિગ્દર્શક આ ગીતને પોતાની ફિલ્મમાં લેવા માંગતા ન હતા, કારણ કે તેમને લાગતું હતું કે ગીતની શરૂઆતની લાઇન ઘણી જૂની છે. ચાલો, આ કિસ્સો જાણીએ...</p><p>આમિર ખાન અને માધુરી દીક્ષિતનું જે રોમેન્ટિક ગીત છે, તે 1990માં આવેલી ફિલ્મ ‘દિલ’નું છે. ગીતની શરૂઆત ‘મુઝે નીંદ ના આયે, ચેન ના આયે...’થી થાય છે. ગીતકાર સમીર અંજાને આ ગીત વિશો ઘણી વાતો શેર કરી હતી.&nbsp;</p><h2><b>‘દિલ’નું કલ્ટ ગીત કેવી રીતે તૈયાર થયું?</b></h2><p>સમીરે જણાવ્યું, ‘ઈન્દ્ર કુમાર એક ફિલ્મ બનાવી રહ્યા હતા, જેનું નામ ‘દિલ’ હતું. તેના મ્યુઝિક ડિરેક્ટર નદીમ-શ્રવણ હતા. આમિર ખાને તેમને મહબૂબ સ્ટુડિયોમાં બોલાવ્યા હતા. ત્યાં તેઓ કોઈ શૂટિંગ કરી રહ્યા હતા. ઈન્દ્ર કુમાર ત્યાં પહોંચ્યા ત્યારે તેમણે કહ્યું કે હું નદીમને ઓળખતો નથી. મારી ફિલ્મનું સંગીત એ જ આપશે, જેણે ‘કયામત સે કયામત તક’નું સંગીત આપ્યું હતું. સંગીત આનંદ-મિલિંદનું હશે. જો તમારે ફિલ્મ બનાવવી હોય તો આનંદ-મિલિંદને લો. હવે અભિનેતાએ આ વાત કહી દીધી હોવાથી તેમણે આ વાત માનવી પડી.’</p><p>સમીર અંજાને જણાવ્યું, ‘સંગીત આપવાની વાત નક્કી થઈ ગઈ. ત્યારબાદ ગીતકાર કોને રાખવા તે નક્કી કરવાનું હતું. ઈન્દ્ર કુમારે બક્ષી સાહેબનું નામ સૂચવ્યું. ત્યારે આનંદે કહ્યું કે કોઈને પણ રાખી લો. આ સમીરજી છે અને મેં તેમની સાથે ઘણું કામ કર્યું છે. તમે ઘરે આવો, અમે તમને કેટલાક ગીતો સંભળાવીએ. તેઓ એ જ સમયે આવ્યા અને તેમણે પહેલું જ ગીત સંભળાવ્યું, ‘ખંભે જૈસી ખડી હૈ, લગતા હૈ જૈસે છડી હૈ.’ તેમને આ ગીત ગમ્યું. તેમણે કહ્યું કે ગીત સારું છે, પરંતુ પછી કરીશું. અત્યારે એક રોમેન્ટિક ગીત કરવાનું છે, તેના પર કામ કરો.’</p><h2><b>આ રીતે કલ્ટ બન્યું ‘મુઝે નીંદ ના આયે...’</b></h2><p>‘મુઝે નીંદ ના આયે’ ગીત વિશે સમીર અંજાને કહ્યું, ‘પછી અમને રોમેન્ટિક ગીત માટેની સ્થિતિ આપવામાં આવી અને અમે ગીત લખ્યું, ‘મુઝે નીંદ ના આયે, ચેન ના આયે...’ અમે આ ગીત ખૂબ જ ઉત્સાહથી ઈન્દ્ર કુમારને સંભળાવ્યું. પરંતુ તેઓ અટકી ગયા. તેમણે કહ્યું કે ‘મુઝે નીંદ ના આયે’ આ લાઇન હું 500 ગીતોમાં સાંભળી ચૂક્યો છું. તેને બદલી નાખો. મેં કહ્યું કે તમારી વાત સાચી છે, પરંતુ તેને બદલીશું કેવી રીતે, કારણ કે ગીતની શરૂઆત જ આ લાઇન સાથે જોડાયેલી છે. મેં ઘણી કોશિશ કરી, પરંતુ તેનાથી સારી લાઇન મળી નહીં. વાત એટલી વધી ગઈ કે ઝઘડો પણ થયો. મેં કહ્યું કે જો સમજાતું નથી તો ગીત રેકોર્ડ કરી લઈએ. જો નહીં ચાલે તો તેને કાઢી નાખીશું. આ રીતે ગીત રેકોર્ડ થયું અને ફિલ્મ રિલીઝ થયા પછી તે કલ્ટ બની ગયું.’</p><h2><b>1990ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં ‘દિલ’ સામેલ હતી</b></h2><p>આમિર ખાનની ફિલ્મ ‘દિલ’ 1990માં રિલીઝ થઈ હતી અને તે વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં સામેલ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર નંબર 1 સ્થાન મેળવ્યું હતું.&nbsp; 2 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં 17 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે વિદેશમાં 5 કરોડ રૂપિયા અને ભારતમાં 7 કરોડ રૂપિયાની નેટ કમાણી કરી હતી. આ ફિલ્મ બાદ આમિર ખાન અને માધુરી દીક્ષિત સુપરસ્ટાર બની ગયા હતા.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/GU7RQOGzE5mVimVUwy5npiHpwT5c8TTCteBjfkPJ.webp'/></item><item><title><![CDATA[Highest Salary City in India: ભારતમાં સૌથી વધુ પગાર કયા શહેરમાં મળે છે? મુંબઇ, દિલ્હી નહીં આ શહેર ટોપ પર! ]]></title><link>https://sandesh.com/business/news/highest-salary-city-india-dehradun-average-earnings</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/highest-salary-city-india-dehradun-average-earnings</guid><pubDate>Mon, 14 Sep 2026 19:23:12 +05:30</pubDate><description><![CDATA[<p>એક સામાન્ય વ્યક્તિ સવારે કામ પર જાય છે અને આખો દિવસ મહેનત કરીને સાંજે ઘરે પરત ફરે છે. મહિનો પૂરો થયા બાદ જ્યારે હાથમાં પગાર આવે અને પગાર સારો હોય, ત્યારે દરેક વ્યક્તિ પોતાની સાથે પરિવારની જરૂરિયાતો પણ ખુશીથી પૂરી કરે છે. પરંતુ જો મહેનતની સરખામણીએ પગાર ઘણો ઓછો હોય, તો તેમાં ઘર ચલાવવું મુશ્કેલ બની જાય છે.</p><p>આ દરમિયાન દેશમાં અલગ-અલગ જિલ્લાઓમાં કર્મચારીઓની કમાણી અંગે સરકારી આંકડા સામે આવ્યા છે, જેમાં દેહરાદૂનનું નામ સૌથી ઉપર છે. અહીં કર્મચારીઓની સરેરાશ વાર્ષિક કમાણી 4 લાખથી વધુ નોંધાઈ છે.</p><h2><b>કેટલો છે પગાર?</b></h2><p>અહીં બિન-કોર્પોરેટ વ્યવસાયોમાં કામ કરતા કર્મચારીઓના સરેરાશ વાર્ષિક પગારના આંકડા સામે આવ્યા છે, જેને જાણીને ઘણા લોકોને આશ્ચર્ય થઈ શકે છે. અહીં કામદારોની સરેરાશ કમાણી 4.6 લાખ રૂપિયા છે. પગારના મામલે દેહરાદૂન નંબર 1 પર છે, પરંતુ આ સિવાય પણ ઘણા જિલ્લા એવા છે, જ્યાં વાર્ષિક કમાણી 2.5 લાખથી 3.5 લાખ રૂપિયા વચ્ચે રહી છે.</p><p>દેહરાદૂન સિવાય કયા જિલ્લા સામેલ છે?</p><p>બીજા નંબરે દક્ષિણ કન્નડ, કર્ણાટક છે.</p><p>ત્રીજા નંબરે અજમેર, રાજસ્થાન છે.</p><p>ત્યારબાદ ચોથા નંબરે ઈન્દોર, મધ્ય પ્રદેશ છે.</p><p>પાંચમા નંબરે કન્નુર, કેરળ છે.</p><p>આ જિલ્લાઓમાં કર્મચારીઓની સરેરાશ વાર્ષિક કમાણી લગભગ 2.5 લાખથી 3.5 લાખ રૂપિયા વચ્ચે રહી છે.</p><h2><b>નોકરી શોધનારાઓ માટે આ આંકડા મહત્વના</b></h2><p>મોંઘવારીના સમયમાં નોકરી કરવી ખૂબ જરૂરી છે, કારણ કે દરેક વ્યક્તિ પોતાનો વ્યવસાય કરી શકે નહીં. જો તમે પણ નોકરીની શોધમાં બીજા શહેરમાં જવાનું વિચારી રહ્યા છો, તો આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે દેહરાદૂનમાં કર્મચારીઓની સરેરાશ કમાણી સૌથી વધુ છે. એટલે કે અહીં બિન-કોર્પોરેટ વ્યવસાયોમાં કામ કરતા લોકોનો પગાર સારો છે.</p><p>માત્ર પગારમાં જ નહીં, કામના મામલે પણ આગળ</p><p>દેહરાદૂનમાં કર્મચારીઓની સરેરાશ કમાણી વધુ છે એ તો સ્પષ્ટ છે, પરંતુ તેની સાથે કામ દરમિયાન વધુ સેવાઓ અને કામ તૈયાર કરવામાં પણ દેહરાદૂન આગળ છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/RGpCkunii0TFaKbPBSLyOrwDlfSzEjyfoSOXBpmM.webp'/></item><item><title><![CDATA[પાકિસ્તાનની ટીમ ભારત આવશે! એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં જામશે ભારત-પાક જંગ ]]></title><link>https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</guid><pubDate>Mon, 14 Sep 2026 15:47:21 +05:30</pubDate><description><![CDATA[<p>આવતા મહિને પાકિસ્તાનની હોકી ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે. 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન પંજાબમાં યોજાનારી AHF મેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026માં પાકિસ્તાન સહિત કુલ છ ટીમો ભાગ લેશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પાકિસ્તાનની ભાગીદારી અંગેની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, મલ્ટી-નેશનલ ઇવેન્ટ્સ અંગે કેન્દ્ર સરકારની નીતિ હેઠળ બંને દેશોની ટીમો આમને-સામને રમશે.</p><h2><b>ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જાલંધરમાં રમાશે</b></h2><p>એશિયન મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન થશે. આ ટૂર્નામેન્ટમાં યજમાન ભારત અને પાકિસ્તાન ઉપરાંત ચીન, જાપાન, મલેશિયા અને કોરિયાની પણ ભાગ લેશે. લીગ સ્ટેજના મુકાબલા જાલંધરમાં યોજાશે, જ્યારે સેમિફાઇનલ અને ફાઇનલ મેચ મોહાલીના હોકી સ્ટેડિયમમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 1 નવેમ્બરે જાલંધરમાં રમાશે. કોઈ ટીમ છેલ્લી ઘડીએ ખસી જાય તો તે સ્થિતિ માટે ઓમાન અને બાંગ્લાદેશને રિઝર્વ ટીમન તરીકે રાખવામી આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PTI_News/status/2099416960278868155"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમવામાં કોઈ મુશ્કેલી નથી</b></h2><p>પાકિસ્તાનની ભાગીદારી અને જરૂરી મંજૂરીઓ અંગે પંજાબના મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં બંને દેશો વચ્ચે રમવામાં કોઈ મુશ્કેલી નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝનું આયોજન અલગ બાબત છે, કારણ કે કેન્દ્ર સરકારની વર્તમાન નીતિ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય રમત-ગમતના આયોજનની મંજૂરી આપતી નથી. પરંતુ મલ્ટી-નેશનલ ટૂર્નામેન્ટમાં બંને દેશોના ખેલાડીઓને એકબીજા સામે રમવાની પરવાનગી છે, જેથી પાકિસ્તાની ટીમ ભારત આવી શકશે.</p><h2><b>ભારત વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે</b></h2><p>ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. ભારતે 2023માં ચેન્નાઈ અને 2024માં ચીનના હુલુનબુઈરમાં યોજાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ગત વર્ષે આ સ્પર્ધા યોજાઈ શકી નહોતી. હવે પંજાબ પ્રથમ વખત આ ટૂર્નામેન્ટની મેજબાની કરવા જઈ રહ્યું છે.</p><h2><b>અગાઉ પાકિસ્તાની ટીમે ના કહી હતી&nbsp;</b></h2><p>પાકિસ્તાનની આ વખતની ભાગીદારી એટલા માટે પણ ખાસ છે, કારણ કે ગત વર્ષે તેણે તમિલનાડુમાં આયોજિત જૂનિયર હોકી વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તે સમયે બંને દેશો વચ્ચેના તણાવને તેનું કારણ ગણાવવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે અને પાકિસ્તાની ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે પૂરી રીતે તૈયાર છે.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/V6jwdiIr9RTCvR6EyBaGsP2qfZvYLq2JfkL7pytm.webp'/></item></channel></rss>