<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Chhota Udepur: નસવાડીના 49 સબ સેન્ટર અને 8 પ્રા.આ. કેન્દ્રોમાં મમતા દિવસની ઉજવણી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhota-udepur-mamata-diwas-celebrated-in-49-sub-centers-and-8-po-centers-of-naswadi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhota-udepur-mamata-diwas-celebrated-in-49-sub-centers-and-8-po-centers-of-naswadi</guid><pubDate>Thu, 03 Sep 2026 01:16:31 +05:30</pubDate><description><![CDATA[<p>નસવાડી તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા માતા અને બાળકના આરોગ્યને પ્રાથમિકતા આપી તા. 2ના રોજ તાલુકાના 49 સબ સેન્ટર તેમજ 8 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે મમતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મમતા દિવસ અંતર્ગત સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ તથા બાળકોના આરોગ્યની તપાસ, માર્ગદર્શન અને આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.</p><p>મમતા દિવસનો મુખ્ય હેતુ સગર્ભા માતા અને બાળકને સમયસર જરૂરી આરોગ્ય સેવાઓ મળી રહે, માતા-બાળ મૃત્યુદર ઘટાડવામાં મદદ મળે તથા કુપોષણ અને વિવિધ આરોગ્ય સમસ્યાઓ અંગે સમયસર જરૂરી પગલાં લઈ શકાય તે રહ્યો હતો. આ અંતર્ગત આરોગ્ય કર્મચારીઓ દ્વારા સગર્ભા માતાઓની નિયમિત આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.</p><p>મમતા દિવસ દરમિયાન સગર્ભા મહિલાઓની વજન, બ્લડ પ્રેશર સહિતની જરૂરી આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. સગર્ભાવસ્થા દરમિયાન પોષણયુક્ત આહાર, આયર્ન-ફોલિક એસિડની ગોળીઓનું સેવન, વ્યક્તિગત સ્વચ્છતા, સમયસર તપાસ અને પ્રસૂતિ પૂર્વેની કાળજી અંગે મહિલાઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/K3JCh7HcQ5GIBnXozViUTJLMTQFloOY22hiS6GAL.webp'/></item><item><title><![CDATA[Dabhoi: ડભોઇના નડા રેલવે સ્ટેશન નજીક અજગરનું રેસ્ક્યૂ કરાયું ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dabhoi/dabhoi-python-rescued-near-nada-railway-station-in-dabhoi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dabhoi/dabhoi-python-rescued-near-nada-railway-station-in-dabhoi</guid><pubDate>Thu, 03 Sep 2026 01:15:46 +05:30</pubDate><description><![CDATA[<p>ડભોઇ તાલુકાના નડા રેલવે સ્ટેશન નજીક મોટા હબીપુરા ગામ તરફ્ જવાના માર્ગ પર આવેલા ગરનાળામાં મંગળવારે રાત્રી ના સમયે મહાકાય અજગર દેખાતા ગ્રામજનોમાં ભારે ફ્ફ્ડાટ ફેલાયો હતો. ગરનાળામાં અજગર હોવાની જાણ થતાં આસપાસના લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. મહાકાય અજગરને જોવા માટે લોકોની ભીડ એકત્ર થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેને પગલે રાહદારીઓ અને વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. જે અંગે ડભોઇની નેચર સેવિંગ ફાઉન્ડેશન ને જાણ કરાતાં તેના કાર્યકરોએ ઘટના સ્થળે દોડી આવી અજગરનું રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત સ્થળે અજગરને છોડી દેવાયો હતો.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/GXWeTmiSlDISHLUXPUN4QPNUgdlpbH36sZPRjCGN.webp'/></item><item><title><![CDATA[Vadodara: વાઘોડિયા તાલુકાના ફલોડ ગામના નવી નગરીના રહીશો પ્રાથમિક સુવિધાથી વંચિત ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-residents-of-navi-nagari-in-phalod-village-of-vaghodia-taluka-are-deprived-of-basic-facilities</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-residents-of-navi-nagari-in-phalod-village-of-vaghodia-taluka-are-deprived-of-basic-facilities</guid><pubDate>Thu, 03 Sep 2026 01:15:02 +05:30</pubDate><description><![CDATA[<p>વાઘોડીયા તાલુકાના ફ્લોડ ગામના શનિદેવ મંદિરના પાછળના ભાગે આવેલ નવી નગરીમાં રહેતા લોકોને પાયાની પ્રાથમિક સુવિધાઓનો અભાવને લઈને વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી.</p><p>વાઘોડીયા તાલુકાના ફલોડ ગામના શનિદેવ મંદિરના પાછળના ભાગે આવેલ નવીનગરીમાં રહેતા રહીશોએ આજે એકત્રિત થઈ વાઘોડિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નારાયણભાઈ પટેલને સાથે રાખીને તાલુકા વિકાસ અધિકારીને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, લોકોને પ્રાથમિક સુવિધાઓની જો વાત કરીએ તો લાઈટ, પાણી, રોડ જેવી સુવિધાઓથી વંચિત છે. તેઓનું કહેવું છે કે પાણી ભરવા માટે નદીએ જઈએ તો મગરનો ડર રહે છે. કામકાજ માટે રાત્રે ઘરમાંથી બહાર નીકળવું હોય તો દીપડાનો ડર રહે છે. જેને લઈને પ્રાથમિક સુવિધાઓ વહેલી તકે મળી રહે તે માટે તમામ રહીશોએ એકત્રિત થઈ વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારી તપનભાઈ ત્રિવેદીને લેખિતમાં રજૂઆત કરી હતી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/DCUA4XZQVmchGQhY22zXnKfekgOHkFcAZQZ05p00.webp'/></item><item><title><![CDATA[Vadodara: સંત શ્રી નાયાજી મહારાજના જન્મ દિવસે બે દિવસીય મહોત્સવ યોજાશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-a-two-day-festival-will-be-held-on-the-birthday-of-sant-shri-nayaji-maharaj</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-a-two-day-festival-will-be-held-on-the-birthday-of-sant-shri-nayaji-maharaj</guid><pubDate>Thu, 03 Sep 2026 01:13:35 +05:30</pubDate><description><![CDATA[<p>શિનોર તાલુકાના કુકસ ગામે સંત શ્રી નાયાજી મહારાજના મંદિરે તેઓના જન્મદિવસ પ્રસંગે ભાદરવા બીજે બે દિવસનો ભવ્ય કાર્યક્રમો તા.13 અને 14ના શ્રીનાયાજી મહારાજ સમક્ષ 56 ભોગ ધરાવાશે અને પારણાંનું આયોજન કરેલ છે. સાથે વિશાળ મેળો ભરાનાર છે.</p><p>ગુજરાત ભરમાં પ્રખ્યાત ભાદર બીજ ના મેળા નામે ઓળખાતા શિનોર તાલુકાના કુકસ ગામે આવેલા શ્રી નાયાજી મહારાજ મંદિરમાં શ્રી નાયાજી મહારાજના જન્મદિવસ તથા મંદિરના જીર્ણોદ્ધારના પ્રથમ વાર્ષિક મહોત્સવને અતિ ભવ્ય રીતે ઉજવાનાર છે. સંત શ્રી નાયાજી મહારાજના નવીન મંદિરના જીર્ણોદ્ધાર પછીના પ્રથમ વાર્ષિક મોહોત્સવ શ્રી નાયાજી મહારાજના જન્મદિવસે 56 ભોગનો થાળ ધરાવાશે અને જન્મદિવસ નિમિત્તે તેમને પારણામાં ઝુલાવાશે. ભાદરવા સુદ બીજ અને ત્રીજના રોજ ભવ્ય મેળો યોજાશે, આ બે દિવસ આશરે એક લાખથી વધુ હરિભક્તો દર્શન કરવા આવશે, ત્રણ દિવસના અન્નક્ષેત્ર ભંડારો યોજાશે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/qFbwlNn0Tu6SmjSaNDjLrgBLk7zmX0q76Ta1Ihv6.webp'/></item><item><title><![CDATA[Vadodara: શ્રોષ્ઠ કામગીરી બદલ વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીનું સન્માન ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-vadodara-district-education-officer-honored-for-excellent-performance</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-vadodara-district-education-officer-honored-for-excellent-performance</guid><pubDate>Thu, 03 Sep 2026 01:12:55 +05:30</pubDate><description><![CDATA[<p>રાષ્ટ્રીય શિક્ષણ 2020 અંતર્ગત ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત સપ્તાહ મહોત્સવ યોજાયો હતો. જેમાં ગુજરાતના કુલ 34 જિલ્લાઓમાંથી 250થી વધુ મહાવિદ્યાલયોમાં સંસ્કૃત નોડેલ અધિકારીઓને આ આયોજન અંગેની કામગીરી સોંપાઈ હતી. જેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં સપ્તા દરમિયાન પ્રચાર- પ્રસાર કરી પ્રેરણાદાય સંદેશ અપાયો હતો. તથા રાજ્યના શ્રોષ્ઠ આયોજનમાં વડોદરા જિલ્લાને પુરસ્કૃત કરાયા હતા. જિલ્લા શિક્ષણાધિકારી મહેશભાઈ પાંડે, જિલ્લા નોડલ અધિકારી મીતાબેન જાદવ તથા વડોદરાના ડભોઇ, સાવલી, ડેસર, પાદરા, શિનોર, વાઘોડિયા સહિત કરજણ તાલુકાના નોડલ તરીકે ડી.સી. ચાવડા ગર્લ્સ હાઇસ્કુલના આચાર્ય મીનલબેન શાહને નોડલ તરીકેની કામગીરી સોંપાઈ હતી. સંસ્કૃત ગૌરવ યાત્રા, સંભાષણ દિન અને પ્રદર્શનમાં કરજણ તાલુકા કેળવણી મંડળની શાહ એન.બી. પ્રાથમિક શાળા, એન.બી શાળા ઉપરાંત સરસ્વતી હાઈસ્કૂલ અને તાલુકાના મિયાગામ, બોડકા, દેથાણ, હાઇસ્કુલ ના વિદ્યાર્થી ઓએ ભાગ લીધો હતો. વડોદરા જિલ્લાને શ્રોષ્ઠ પુરસ્કાર કરાતા કરજણ તાલુકા કેળવણી મંડળ અને શિક્ષકગણે અભિનંદન પાઠવ્યા હતાં.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/CzF9wr2Ry8kChXTI0Dl469BDjmAhUW9Mn03CA9QS.webp'/></item><item><title><![CDATA[S Jaishankar યુક્રેન-પોલેન્ડની મુલાકાતે, રશિયા-યુક્રેન યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલ પર રહેશે ભાર ]]></title><link>https://sandesh.com/india/news/world/s-jaishankar-ukraine-poland-visit-russia-ukraine-peace-talks</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/world/s-jaishankar-ukraine-poland-visit-russia-ukraine-peace-talks</guid><pubDate>Wed, 02 Sep 2026 23:27:30 +05:30</pubDate><description><![CDATA[<p>રશિયા અને યુક્રેન વચ્ચે વધતા તણાવ વચ્ચે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર 3થી 5 સપ્ટેમ્બર દરમિયાન યુક્રેન અને પોલેન્ડની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે જશે. આ દરમિયાન તેઓ બંને દેશો સાથેના દ્વિપક્ષીય સંબંધો ઉપરાંત પ્રાદેશિક સ્થિતિ અને પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે મુલાકાત દરમિયાન જયશંકર યુક્રેનના વિદેશ મંત્રી એન્ડ્રી સિબિહા અને પોલેન્ડના નાયબ વડાપ્રધાન તથા વિદેશ મંત્રી રાડોસ્લાવ સિકોર્સ્કી સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે.</p><h2><b>ભારતના વલણને વધુ એક વખત સ્પષ્ટ કરશે</b></h2><p>જયશંકરની કીવ મુલાકાતનું ખાસ મહત્વ છે, કારણ કે ભારત સતત રશિયા-યુક્રેન સંઘર્ષનો ઉકેલ વાતચીત અને કૂટનીતિના માધ્યમથી લાવવાની અપીલ કરી રહ્યું છે. એવી શક્યતા છે કે યુક્રેનમાં જયશંકર શાંતિપૂર્ણ ઉકેલ માટે ભારતના વલણને વધુ એક વખત સ્પષ્ટ કરશે. અગાઉ ઓગસ્ટ 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનની રાજધાની કીવની મુલાકાત લીધી હતી. તે સમયે તેમણે રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી અને સંઘર્ષનો અંત લાવવા માટે સંવાદ તથા કૂટનીતિનો માર્ગ અપનાવવાની અપીલ કરી હતી.</p><h3><b>યુદ્ધના ઉકેલ માટે વાતચીત અને કૂટનીતિ પર ભાર</b></h3><p>તાજેતરમાં બિશ્કેકમાં યોજાયેલી SCO સમિટ દરમિયાન પણ વડાપ્રધાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતમાં યુદ્ધના ઉકેલ માટે વાતચીત અને કૂટનીતિ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે યુદ્ધનો દરેક દિવસ માનવતાને પાછળ ધકેલે છે, જ્યારે શાંતિ તરફ લેવાયેલું દરેક પગલું નવી આશા જન્માવે છે. જયશંકરની યુક્રેન મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે આ સપ્તાહે રશિયન હુમલા બાદ યુક્રેનની રાજધાની કીવમાં એક ભારતીય નાગરિકના મોતને લઈને ભારતમાં ચિંતા વધી છે.&nbsp;</p><p>આ મુદ્દો પણ મુલાકાત દરમિયાન મહત્વનો બની શકે છે. પોલેન્ડ પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો, વેપાર, પ્રાદેશિક સુરક્ષા અને અન્ય પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. ભારતની આ મુલાકાત રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ માટેના તેના રાજદ્વારી પ્રયાસોને વધુ મજબૂત બનાવવાના સંદર્ભમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.<br><br><b><a href="https://sandesh.com/world/news/india/100-year-old-hindu-temple-demolished-in-pakistan-india-expresses-anger" target="_blank">આ પણ વાંચો : Pakistanમાં 100 વર્ષ જૂનું હિન્દુ મંદિર તોડાયું, ભારતે વ્યક્ત કર્યો રોષ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/LSsrzWTcRyzFmKDGFxiZqmtJkXVgkBZ12BjydqNl.webp'/></item><item><title><![CDATA[Pakistanમાં 100 વર્ષ જૂનું હિન્દુ મંદિર તોડાયું, ભારતે વ્યક્ત કર્યો રોષ ]]></title><link>https://sandesh.com/world/news/india/100-year-old-hindu-temple-demolished-in-pakistan-india-expresses-anger</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/india/100-year-old-hindu-temple-demolished-in-pakistan-india-expresses-anger</guid><pubDate>Wed, 02 Sep 2026 22:39:52 +05:30</pubDate><description><![CDATA[<p>Pakistanમાં લગભગ 100 વર્ષ જૂના હિન્દુ મંદિરને તોડી પાડવામાં આવ્યાના મામલે ભારતે કડક પ્રતિક્રિયા આપી છે. ભારતના વિદેશ મંત્રાલયે આ ઘટનાની નિંદા કરી છે અને પાકિસ્તાન સરકારને સમગ્ર મામલાની તાત્કાલિક અને પારદર્શક તપાસ કરાવવાની માંગ કરી છે.</p><h2><b>વિદેશ મંત્રાલયે શું કહ્યું?</b></h2><p>વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસવાલે પાકિસ્તાનના નરોવાલ જિલ્લાના સિરાજ ગામમાં આવેલા ઐતિહાસિક હિન્દુ મંદિરને નષ્ટ કરવાના અહેવાલો અંગે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું હતું. રણધીર જયસવાલે કહ્યું કે, સદી જૂના લઘુમતી સમુદાયના પૂજા સ્થળ સામે કરવામાં આવેલી તોડફોડની આ નિંદનીય ઘટનાની ભારત સ્પષ્ટપણે નિંદા કરે છે. તેમણે કહ્યું કે આ ઘટનાને લઈને ભારતે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.</p><h3><b>પાકિસ્તાનના અધિકારીઓ સામે પણ સવાલ</b></h3><p>ભારતે મંદિરની સુરક્ષા કરવામાં પાકિસ્તાનના અધિકારીઓની કથિત નિષ્ફળતા સામે પણ સવાલ ઉઠાવ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે સદી જૂના મંદિરની સુરક્ષા કરવામાં અધિકારીઓની ઉદાસીનતા અને નિષ્ફળતા ચિંતાજનક છે. ભારતે કહ્યું કે આવી ઘટનાઓ પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયોની સુરક્ષા અને તેમની ધાર્મિક સ્વતંત્રતા અંગે ગંભીર સવાલો ઉભા કરે છે. સાથે જ તેમના પૂજા સ્થળોની સુરક્ષા અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે.</p><h4><b>ભારતે પાકિસ્તાન પાસે શું માંગ્યું?</b></h4><p>ભારતે પાકિસ્તાન સરકારને આ ઘટનાની તાત્કાલિક અને પારદર્શક તપાસ કરાવવાની માંગ કરી છે. આ ઉપરાંત મંદિર તોડવા માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરી તેમની જવાબદારી નક્કી કરવા પણ ભારતે કહ્યું છે. વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને નુકસાન પામેલા મંદિરને ફરીથી યોગ્ય રીતે બહાલ કરવા માટે તાત્કાલિક પગલાં લેવા પણ અપીલ કરી છે. ભારતે સ્પષ્ટ કહ્યું છે કે પાકિસ્તાન સરકારની પોતાની તમામ લઘુમતી નાગરિકોની સુરક્ષા અને કલ્યાણ સુનિશ્ચિત કરવાની જવાબદારી છે. ભારતે માત્ર લઘુમતી નાગરિકોની જ નહીં, પરંતુ તેમની ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાની પણ સુરક્ષા કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.</p><h4><b>શું છે સમગ્ર મામલો?</b></h4><p>ભારતની આ પ્રતિક્રિયા પાકિસ્તાનના નરોવાલ જિલ્લામાં આવેલા સિરાજ ગામમાં લગભગ 100 વર્ષ જૂના ઐતિહાસિક હિન્દુ મંદિરને કથિત રીતે નષ્ટ કરવામાં આવ્યાના અહેવાલો બાદ આવી છે. ભારતે આ ઘટનાને ગંભીર ગણાવીને પાકિસ્તાન સરકાર પાસે તાત્કાલિક તપાસ, જવાબદારો સામે કાર્યવાહી અને મંદિરની પુનઃસ્થાપનાની માંગ કરી છે.</p><p><b><a href="https://sandesh.com/astrology/news/bhakti/maa-dat-kali-temple-no-vehicle-enters-dehradun-without-worshiping-here-may-goddess-kali-constantly-protect-her" target="_blank">આ પણ વાંચો: અહી પૂજા વગર દહેરાદૂનમા પ્રવેશતી નથી ગાડી, માતા કાળી સતત રક્ષા કરે</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/uujAhpomtSwW7NsHZ20HlMoxuZugyKiH1l5pA5L9.webp'/></item><item><title><![CDATA[RBIની સ્કીમે કમાલ કરી, NRI પાસેથી ભારતમાં આવ્યા $127 અબજ ]]></title><link>https://sandesh.com/business/news/rbi-fcnr-b-dollar-rupee-swap-nri-deposits-127-billion</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/rbi-fcnr-b-dollar-rupee-swap-nri-deposits-127-billion</guid><pubDate>Wed, 02 Sep 2026 20:26:52 +05:30</pubDate><description><![CDATA[<p>Reserve Bank of India (RBI)ની ખાસ ડોલર-રૂપિયા ફોરેન કરન્સી સ્વેપ સુવિધા હેઠળ ભારતે 127.23 અબજ ડોલરની વિદેશી ચલણની FCNR-B ડિપોઝિટ મેળવી છે. NRI એટલે કે વિદેશમાં રહેતા ભારતીયોએ આ યોજનામાં ખૂબ રસ દાખવ્યો હતો. જેના કારણે આ યોજના નક્કી કરેલા સમય કરતાં એક મહિના પહેલા જ 31 ઓગસ્ટે બંધ કરી દેવામાં આવી હતી. RBIએ 8 જૂન, 2026ના રોજ FCNR(B) ડિપોઝિટ, વિદેશમાંથી વિદેશી ચલણમાં લેવાતી લોન અને એક્સટર્નલ કોમર્શિયલ બોરોઇંગ (ECB) માટે આ ખાસ ડોલર-રૂપિયા સ્વેપ સુવિધા શરૂ કરી હતી. વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા વચ્ચે દેશની બાહ્ય આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા અને દેશમાં પૂરતી વિદેશી ચલણની ઉપલબ્ધતા જાળવી રાખવા માટે આ પગલાં લેવામાં આવ્યા હતા.</p><h2><b>FCNR(B) ડિપોઝિટમાંથી જ આવ્યા $127.226 અબજ</b></h2><p>RBIના આંકડા પ્રમાણે, આ તમામ પગલાંના કારણે દેશમાં વિદેશી ચલણનો પ્રવાહ ઝડપથી વધ્યો હતો. 31 ઓગસ્ટ સુધીમાં કુલ 136.377 અબજ ડોલરથી વધુ વિદેશી ચલણનો પ્રવાહ દેશમાં આવ્યો હતો. તેમાંથી માત્ર FCNR(B) ડિપોઝિટ દ્વારા 127.226 અબજ ડોલરથી વધુ રકમ આવી હતી. આ આંકડો અસ્થાયી છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે વિદેશમાં રહેતા ભારતીયોએ આ યોજનાને સારો પ્રતિસાદ આપ્યો હતો. FCNR(B) યોજના હેઠળ બેંકોએ વિદેશી ચલણમાં ડિપોઝિટ મેળવવા માટે આકર્ષક વ્યાજ દરોની ઓફર કરી હતી. જેના કારણે NRI તરફથી આ યોજનામાં સારો પ્રતિસાદ મળ્યો. યોજનાને અપેક્ષા કરતાં વધુ સારો પ્રતિસાદ મળતાં RBIએ તેને 30 સપ્ટેમ્બરના બદલે 31 ઓગસ્ટ, 2026ના રોજ જ બંધ કરી દીધી હતી. RBIએ જણાવ્યું કે યોજનાએ નક્કી કરેલા સમય કરતાં વહેલા જ પોતાનો હેતુ પૂર્ણ કરી લીધો હતો.</p><h2><b>શું છે FCNR(B) ડિપોઝિટ?</b></h2><p>FCNR(B) એટલે Foreign Currency Non-Resident (Bank) Deposit. આ વિદેશી ચલણમાં રાખવામાં આવતી એક પ્રકારની ફિક્સ્ડ ડિપોઝિટ છે. આ ડિપોઝિટમાં જે ચલણમાં પૈસા જમા કરવામાં આવે છે, તે જ વિદેશી ચલણમાં મૂળ રકમ અને વ્યાજ બંને ચૂકવવામાં આવે છે. એટલે કે ડિપોઝિટ ડોલરમાં હોય તો તેનું પેમેન્ટ પણ ડોલરમાં જ થાય છે. આ યોજનાના અન્ય ભાગોમાં પણ વિદેશી ચલણનો સારો પ્રવાહ જોવા મળ્યો હતો. વિદેશમાંથી વિદેશી ચલણમાં લેવાયેલી લોન દ્વારા 5.26 અબજ ડોલર, જ્યારે એક્સટર્નલ કોમર્શિયલ બોરોઇંગ (ECB) દ્વારા 3.891 અબજ ડોલરનો પ્રવાહ આવ્યો હતો.  આ સુવિધા અગાઉ નક્કી કરાયેલા સમય મુજબ 31 ડિસેમ્બર, 2026 સુધી ઉપલબ્ધ રહેશે.</p><p><b><a href="https://sandesh.com/business/news/rbi-rules-dont-panic-if-money-is-suddenly-deducted-from-your-account-get-it-back-this-way" target="_blank">આ પણ વાંચો:&nbsp; ખાતામાંથી અચાનક પૈસા કપાયા તો ગભરાશો નહીં, આ રીતે મેળવો પરત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/cxfg2nIAf80SOiZttnbuNxeNmYrwFUiOSjTxXeHS.webp'/></item><item><title><![CDATA[Samay Rainaના IGLથી રાતોરાત સ્ટાર બનેલી બિહારની શેરોન વર્મા કોણ છે? કન્ટેસ્ટન્ટથી જજ સુધીની સફર ]]></title><link>https://sandesh.com/entertainment/news/who-is-sharon-verma-samay-raina-igl</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/who-is-sharon-verma-samay-raina-igl</guid><pubDate>Wed, 02 Sep 2026 17:44:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં કન્ટેસ્ટન્ટ તરીકે આવેલી શેરોન વર્મા હવે સીઝન 2માં જજ તરીકે જોવા મળી છે. તેના તીખા જવાબો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. જાણીએ બિહારની આ સ્ટેન્ડ-અપ કોમેડિયન વિશે, જેણે કન્ટેસ્ટન્ટથી જજ સુધીની સફર કરી છે.</p><h2 style="text-align: justify; "><b>પટનાથી દિલ્હીની સફર</b></h2><p style="text-align: justify; ">પટનામાં જન્મેલી અને મોટી થયેલી શેરોન 16-17 વર્ષની ઉંમરે 11મા ધોરણના અભ્યાસ માટે દિલ્હી શિફ્ટ થઈ ગઈ હતી. નવા શહેરમાં ભાષા અને બિહારી એક્સેન્ટ તેના માટે મોટો પડકાર હતો. વાતચીતના અંતે વારંવાર ઠીક છે કહેવાની તેની આદતની લોકો મજાક ઉડાવતા. દિલ્હીમાં પોતાને ઢાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોતાની ઓળખ અને બિહારી મૂળ હંમેશાં તેની સાથે રહ્યા. બાદમાં તેણે આ જ અનુભવને પોતાની કોમેડીનો મહત્વનો હિસ્સો બનાવી લીધો.</p><h3 style="text-align: justify; "><b>પહેલો ઓપન માઈક રહ્યો ફ્લોપ</b></h3><p style="text-align: justify; ">કોલેજમાં બાળકોને થિયેટર શીખવતી શેરોને 2019માં પહેલો ઓપન માઈક કર્યો હતો. 5 મિનિટના આ સેટમાં માત્ર 2 લોકો હસ્યા, પરંતુ સ્ટેજનો આ અનુભવ તેના માટે ખાસ હતો. ત્યારબાદ કોવિડ અને પોતાના સ્વભાવને કારણે તેઓ 4 વર્ષ સુધી સ્ટેજથી દૂર રહ્યા. મુંબઈના એક ઓપન માઈક બાદ એક વ્યક્તિએ ઈન્સ્ટાગ્રામ પર તેને અપશબ્દો કહ્યા હતા, જેના કારણે તે ખૂબ દુઃખી થઈ ગઈ હતી. તેની માતાએ હિંમત આપતાં ફરી સ્ટેજ પર પાછા ફરવા માટે પ્રોત્સાહિત કરી હતી.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DcszsGampC6/?utm_source=ig_web_copy_link&amp;igsi=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DcszsGampC6/?utm_source=ig_web_copy_link&amp;igsi=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DcszsGampC6/?utm_source=ig_web_copy_link&amp;igsi=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DcszsGampC6/?utm_source=ig_web_copy_link&amp;igsi=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>નામને લઈને શેરોનનો મજેદાર જોક</b></h4><p style="text-align: justify; ">શેરોન વર્માની કોમેડીની ખાસિયત તેમનો દેશી અને ઓબ્ઝર્વેશનલ હ્યુમર છે. પોતાના નામને લઈને તેમનો એક જોક સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. તેણે કહ્યું હતું કે આખા બિહારમાં તેનું નામ માત્ર 3 લોકો જ સાચું બોલી શકે છે, એક પોતે અને બીજા તેમના મમ્મી-પપ્પા. બાકીના લોકો તેને અલગ-અલગ નામથી બોલાવે છે.</p><h4 style="text-align: justify; "><b>વીક ઈન્ડિપેન્ડન્ટ વુમનથી ચર્ચામાં</b></h4><p style="text-align: justify; ">ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટની પહેલી સીઝનમાં શેરોને ફોર્મમાં પોતાને વીક ઈન્ડિપેન્ડન્ટ વુમન લખ્યું હતું. સમય રૈનાએ કારણ પૂછ્યું ત્યારે તેણે કહ્યું હતું કે તેની પાસે પૈતૃક સંપત્તિ નહોતી, તેથી મજબૂરીમાં ઈન્ડિપેન્ડન્ટ બનવું પડ્યું. હવે તેઓ એવી સ્થિતિમાં છે કે કોઈના પર ડિપેન્ડન્ટ પણ થઈ શકે છે. તેની આ હાજરજવાબીથી સમય રૈના પણ પ્રભાવિત થયા હતા.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DAGRF61KDmu/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DAGRF61KDmu/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DAGRF61KDmu/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DAGRF61KDmu/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>કોર્પોરેટ નોકરીથી કોમેડી સુધી</b></h4><p style="text-align: justify; ">સ્ટેન્ડ-અપ કોમેડીમાં આવતાં પહેલાં શેરોનનો કોર્પોરેટ કરિયર હતો. તેણે Disney+ Hotstar અને The Rabbit Holeમાં સિનિયર ક્રિએટિવ એક્ઝિક્યુટિવ તરીકે કામ કર્યું છે. આ ઉપરાંત HashTag Orange અને મેન્સ ગ્રૂમિંગ બ્રાન્ડ Ustraa સાથે સિનિયર કોપીરાઈટર તરીકે પણ કામ કર્યું છે. કોર્પોરેટ વર્ક કલ્ચર અને રાઈટિંગના અનુભવથી તેની કોમેડીને અલગ ઓળખ મળી.</p><h4 style="text-align: justify; "><b>સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા</b></h4><p style="text-align: justify; ">ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટની ક્લિપ્સ વાયરલ થયા બાદ શેરોનના સોશિયલ મીડિયા ફોલોઅર્સ ઝડપથી વધ્યા. આજે ઈન્સ્ટાગ્રામ પર તેના 19 લાખથી વધુ ફોલોઅર્સ છે. તેના Sensitivity અને Pressure જેવા સ્ટેન્ડ-અપ વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા છે. ડેટિંગ, કોર્પોરેટ લાઈફ અને બિહારથી મેટ્રો સિટી સુધીની સફર જેવા વિષયો પર તેની કોમેડી યુવાનો સાથે સીધી કનેક્ટ થાય છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DVyBXelCHWS/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DVyBXelCHWS/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DVyBXelCHWS/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DVyBXelCHWS/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>ફ્રી પેલેસ્ટાઈન જોકથી વિવાદ</b></h4><p style="text-align: justify; ">શેરોન પોતાના કોમેડી કરિયરમાં વિવાદોમાં પણ રહી ચૂકી છે. એક લાઈવ સ્ટેન્ડ-અપ શોની ક્લિપમાં તેણે ફ્રી પેલેસ્ટાઈન અને ઓનલાઈન એક્ટિવિઝમને લઈને કોમેન્ટ કરી હતી. આ ક્લિપ વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે તેની ટીકા કરી હતી અને ગંભીર માનવીય દુર્ઘટનાની મજાક કરવાનો આરોપ લગાવ્યો હતો. જોકે ટ્રોલિંગ વચ્ચે પણ શેરોને પોતાના કામ પર ધ્યાન જાળવી રાખ્યું.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dcl57YdykCe/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dcl57YdykCe/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dcl57YdykCe/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dcl57YdykCe/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h5 style="text-align: justify; "><b>કન્ટેસ્ટન્ટથી જજ સુધીની સફર</b></h5><p style="text-align: justify; ">ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ 2માં જજ તરીકે શેરોનની એન્ટ્રી તેમની વધતી લોકપ્રિયતાનો પુરાવો છે. શોમાં સમય રૈનાએ તેના બિહારી બેકગ્રાઉન્ડ પર મજાક કરી ત્યારે શેરોને પણ તીખા જવાબથી પલટવાર કર્યો. તેના સચોટ જવાબે સમયને પણ નિરુત્તર કરી દીધા. એક સામાન્ય કન્ટેસ્ટન્ટથી લોકપ્રિય કોમેડી શોની જજ બનવા સુધીની શેરોનની સફર બતાવે છે કે પોતાની ઓળખને આત્મવિશ્વાસ સાથે રજૂ કરવાની કળા હોય તો કોઈપણ સ્ટેજ પર પોતાની જગ્યા બનાવી શકાય છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/world/news/knowledge/baba-vanga-september-2026-dangerous-predictions" target="_blank">આ પણ વાંચો-Future : સપ્ટેમ્બર 2026માં સાચી પડશે બાબા વેંગાની આ ડરામણી ભવિષ્યવાણી! સાંભળીને જ રૂંવાડા ઊભા થઈ જશે!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/mnew1DmufUOn4Z7gCoDHabZTA8jppSHK5baQZQ4s.webp'/></item><item><title><![CDATA[Commonwealth Q Sports Championship અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાશે, 45 દેશોના ખેલાડીઓ ભાગ લેશે ]]></title><link>https://sandesh.com/sports/news/commonwealth-q-sports-championship-to-be-held-at-veer-savarkar-sports-complex-in-ahmedabad-players-from-45-countries-will-participate</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/commonwealth-q-sports-championship-to-be-held-at-veer-savarkar-sports-complex-in-ahmedabad-players-from-45-countries-will-participate</guid><pubDate>Wed, 02 Sep 2026 15:08:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ આંતરરાષ્ટ્રીય રમતગમતના નકશા પર પોતાની ઓળખ વધુ મજબૂત કરવા માટે તૈયાર છે. અમદાવાદ શહેરમાં 7 થી 10 ઓક્ટોબર 2026 દરમિયાન કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ યોજાવાની છે.આ સ્પર્ધામાં કોમનવેલ્થના વિવિધ દેશોના અગ્રણી ક્યૂ સ્પોર્ટ્સ ખેલાડીઓ ભાગ લેશે.કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપની આ બીજી સીઝન અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાશે. આ સ્પર્ધામાં અંદાજે 45 દેશોના ખેલાડીઓ ભાગ લે તેવી આશા રાખવામાં આવી રહી છે. ખેલાડીઓ 5 અલગ-અલગ ક્યૂ સ્પોર્ટ્સ શાખામાં કુલ 10 મેડલ ઇવેન્ટ્સ માટે સ્પર્ધા કરશે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ ચેમ્પિયનશિપમાં સ્નૂકર, ઇંગ્લિશ બિલિયર્ડ્સ, બ્લેકબોલ, હેબોલ અને 10-બોલ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્પર્ધાનું આયોજન વર્લ્ડ કન્ફેડરેશન ઓફ બિલિયર્ડ્સ સ્પોર્ટ્સ અને બિલિયર્ડ્સ એન્ડ સ્નૂકર ફેડરેશન ઓફ ઇન્ડિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે. એપેક્સ સ્પોર્ટ્સ પ્રમોશન આ સમગ્ર આયોજનની જવાબદારી સંભાળશે.</p><h5 style="text-align: justify; "><b>ભારતમાં પ્રથમ વખત યોજાશે ચેમ્પિયનશિપ</b></h5><p style="text-align: justify; ">કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપની પ્રથમ સીઝન વર્ષ 2025માં મોરેશિયસમાં યોજાઈ હતી. હવે બીજી સીઝનનું આયોજન ભારતમાં પ્રથમ વખત થઈ રહ્યું છે. આ સ્પર્ધાને કોમનવેલ્થ સ્પોર્ટ દ્વારા પણ સમર્થન મળ્યું છે. આ વખતે સ્પર્ધાના કાર્યક્રમમાં એક મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રથમ સીઝનમાં 4 શાખાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જ્યારે અમદાવાદમાં યોજાનારી ચેમ્પિયનશિપમાં ઇંગ્લિશ બિલિયર્ડ્સનો ઉમેરો કરવામાં આવ્યો છે. તમામ 5 શાખામાં પુરુષો અને મહિલાઓ માટે અલગ મેડલ ઇવેન્ટ્સ યોજાશે. દરેક શાખામાં પુરુષો અને મહિલાઓના 16-16 ખેલાડીઓ ભાગ લેશે. જોકે ઇંગ્લિશ બિલિયર્ડ્સમાં બંને વર્ગમાં 8-8 ખેલાડીઓને તક આપવામાં આવશે.</p><h5 style="text-align: justify; "><b>2030 કોમનવેલ્થ ગેમ્સ પહેલાં મોટું આયોજન</b></h5><p style="text-align: justify; ">અમદાવાદમાં આ આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપનું આયોજન એવા સમયે થઈ રહ્યું છે, જ્યારે શહેર 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે પણ તૈયારી કરી રહ્યું છે. તેથી આ સ્પર્ધાને શહેરના રમતગમત ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. વર્લ્ડ પૂલ એસોસિએશનના પ્રમુખ ઈશૌન સિંહે જણાવ્યું કે, અમદાવાદ આંતરરાષ્ટ્રીય રમતગમતના નકશા પર ઝડપથી મહત્વનું સ્થાન બનાવી રહ્યું છે. તેમના મતે ભારતમાં ક્યૂ સ્પોર્ટ્સનો સમૃદ્ધ ઇતિહાસ છે, અને દેશ ભવિષ્યમાં વિશ્વના અગ્રણી ક્યૂ સ્પોર્ટ્સ રાષ્ટ્રોમાં સ્થાન મેળવી શકે છે.</p><h5 style="text-align: justify; "><b>ભારતીય ખેલાડીઓને ઘરઆંગણે મોટી તક</b></h5><p style="text-align: justify; ">બિલિયર્ડ્સ એન્ડ સ્નૂકર ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ એસ. બાલાસુબ્રમણિયમે કહ્યું કે, અમદાવાદમાં આ ચેમ્પિયનશિપનું આયોજન ભારતીય ક્યૂ સ્પોર્ટ્સ માટે ગૌરવની વાત છે. 45 દેશોના ખેલાડીઓની હાજરીથી ભારતીય ખેલાડીઓને ઘરઆંગણે ઉચ્ચ સ્તરની સ્પર્ધાનો અનુભવ મળશે. આ ચેમ્પિયનશિપથી ભારતમાં ક્યૂ સ્પોર્ટ્સને વધુ લોકપ્રિયતા મળવાની સાથે ખેલાડીઓ, રમતગમતના સાધનો બનાવતી કંપનીઓ,આયોજકો અને અન્ય ક્ષેત્રોને પણ નવી તકો મળી શકે છે. ખાસ કરીને હેબોલ અને અન્ય પૂલ શાખાઓમાં ભારતમાં વધી રહેલા રસને આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાથી વધુ વેગ મળવાની આશા છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/china-masters-2026-kidambi-srikanth-wins-in-the-first-round-enters-the-pre-quarterfinals" target="_blank"> China Masters 2026 Badminton : કિદામ્બી શ્રીકાંતનો જલવો, પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં મેળવી એન્ટ્રી!</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/3HUPkVY0qs6E1baoKVkT1q1B5Ynm6uHl68vNWsq6.webp'/></item></channel></rss>