<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Gandhinagar: સેક્ટર-૩ડીમાં રહેતી મહિલા પોલીસ કર્મીએ ઘરમાં પંખે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાધો,આપઘાતનું કારણ હાલ અકબંધ ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/sector-3d-female-police-constable-commits-suicide-in-rented-house</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/sector-3d-female-police-constable-commits-suicide-in-rented-house</guid><pubDate>Tue, 15 Sep 2026 16:56:26 +05:30</pubDate><description><![CDATA[<p>ગાંધીનગરના સેક્ટર-૩ડી વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અહીં ભાડાના મકાનમાં એકલી રહેતી અમદાવાદ પોલીસની મહિલા કોન્સ્ટેબલે પોતાના ઘરમાં પંખે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. મકાનમાંથી તીવ્ર દુર્ગંધ આવવા લાગતાં આસપાસના સ્થાનિક રહીશોએ શંકાના આધારે તપાસ કરી હતી અને પોલીસને જાણ કરી હતી.</p><h2><b>સેક્ટર-૩ડીમાં મહિલા પોલીસ કર્મીનો આપઘાત</b></h2><p>બનાવની જાણ થતાં જ ગાંધીનગર સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મકાનનો દરવાજો ખોલી તપાસ કરતા મહિલા પોલીસ કર્મીનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો.પ્રાથમિક માહિતી અનુસાર, આપઘાત કરનાર યુવતી ડિવોર્સી હતા અને તેઓ અમદાવાદના શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે પોતાની ફરજ બજાવતા હતા. તેઓ ગાંધીનગર સેક્ટર-૩ડી ખાતે ભાડાનું મકાન રાખીને રહેતા હતા.</p><h3><b>ઘરમાંથી મૃતદેહ મળતા તપાસ શરૂ</b></h3><p>યુવતીએ કયા માનસિક તણાવ કે કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગેનું કારણ હાલ અકબંધ છે. પોલીસે ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકઠા કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. સમગ્ર મામલે ગાંધીનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/rajkot/water-cut-announced-from-16-to-21-september-narmada-pipeline-maintenance" target="_blank">આ પણ વાંચો: Rajkot: શહેરમાં 16 થી 21 સપ્ટેમ્બર સુધી 6 દિવસ પાણીકાપ; નર્મદા પાઇપલાઇનમાં મેન્ટેનન્સની કામગીરી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/mxXhcnrRibEVGZCiu3jnSAOHNIic6o9uLZ0pnkP2.webp'/></item><item><title><![CDATA[Suratના વરાછામાં મહાદેવ મંદિરમાં ગટરના પાણી ફરી વળ્યાં: શિવલિંગ સુધી ગંદકી પહોંચતાં દર્શન બંધ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-varachha-temple-drainage-overflow-devotees-angry</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-varachha-temple-drainage-overflow-devotees-angry</guid><pubDate>Tue, 15 Sep 2026 16:51:35 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતના વરાછા વિસ્તારમાંથી એક અત્યંત શરમજનક અને સ્થાનિક તંત્રની બેદરકારી છતી કરતી ઘટના સામે આવી છે. વરાછા ખાતે આવેલા પ્રસિદ્ધ જગદીશ્વર મહાદેવ મંદિર પરિસરમાં અચાનક ડ્રેનેજ લાઇન ઓવરફ્લો થતાં ગટરના દુર્ગંધયુક્ત ગંદા પાણી ભરાઈ ગયા છે. આ ગંદુ પાણી છેક મહાદેવના ગર્ભમાં આવેલા શિવલિંગ સુધી પહોંચી જતાં મંદિરના પૂજારી અને ટ્રસ્ટીઓ દ્વારા શ્રદ્ધાળુઓ માટે દર્શન સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી છે.</p><h2 style="text-align: justify; "><b>તંત્ર અને સ્થાનિક કોર્પોરેટરની ઘોર ઉપેક્ષા</b></h2><p style="text-align: justify; ">આ પવિત્ર સ્થળે સર્જાયેલી દયનીય સ્થિતિ અંગે સ્થાનિક રહિશો અને મંદિર સત્તાવાળાઓ દ્વારા વરાછા વિસ્તારના કોર્પોરેટર તેમજ સુરત મહાનગરપાલિકા (SMC) ના ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક ધોરણે રજૂઆતો કરવામાં આવી હતી. આમ છતાં, પાલિકાના બેદરકાર તંત્રના કાને જૂ પણ સરકી નથી અને પરિસ્થિતિ જસની તસ રહી છે. તંત્ર દ્વારા તાત્કાલિક કોઈ સકારાત્મક પગલાં ન લેવાતાં પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.</p><p style="text-align: justify; "><img alt="Surat: Sewer line overflows at Varachha temple!" src="https://epapercdn.sandesh.com/images/2026/09/15/fN57RS7jHtfzTQkGL0mj7qAOoLtiix2ufjwAJnRC.webp"><br></p><h3 style="text-align: justify; "><b>આસ્થા સાથે રમતથી શ્રદ્ધાળુઓમાં ભયંકર આક્રોશ</b></h3><p style="text-align: justify; ">બારમાસી ઉત્સવો અને પવિત્ર દિવસોમાં શિવભક્તોની આસ્થા સાથે થઈ રહેલી આ ખુલ્લી મજાકથી સમગ્ર વરાછા વિસ્તારના લોકોમાં ભારે ગુસ્સો અને આક્રોશ વ્યાપી ગયો છે. વારંવારની રજૂઆતો છતાં નિરાકરણ ન આવતાં ભક્તોએ SMC સામે ભારે વિરોધ નોંધાવ્યો છે અને વહેલી તકે મંદિર પરિસરની સફાઈ કરી ગટરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે ઉગ્ર માંગ કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/R1aiNM0sevrZ2YpzYWbRsXVaum8UiekcdDHP1vA7.webp'/></item><item><title><![CDATA[AAPના ધારાસભ્ય મેહરાજ મલિકની મુશ્કેલી વધી, પોલીસે કસ્ટડીમાં લીધા ]]></title><link>https://sandesh.com/india/news/political-news/aap-mla-mehraj-maliks-troubles-increase-police-take-him-into-custody</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/political-news/aap-mla-mehraj-maliks-troubles-increase-police-take-him-into-custody</guid><pubDate>Tue, 15 Sep 2026 16:37:12 +05:30</pubDate><description><![CDATA[<p>Jammu and Kashmir Politics: જમ્મુ-કાશ્મીરના ડોડાથી આમ આદમી પાર્ટી (AAP)ના એકમાત્ર ધારાસભ્ય મેહરાજ મલિકની મુશ્કેલીઓ વધી છે. ડોડા જિલ્લા કોર્ટે એક જૂના કેસમાં સુનાવણી દરમિયાન હાજર ન રહેવા બદલ તેમના વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ (NBW) જારી કર્યું હતું. કોર્ટના આદેશ બાદ પોલીસે મંગળવારે મેહરાજ મલિકને કસ્ટડીમાં લીધા અને ડોડા જિલ્લા કોર્ટમાં રજૂ કર્યા.</p><p><b>જૂના કેસમાં આરોપ નક્કી</b></p><p>ડોડાની મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ (CGM) કોર્ટે AAP નેતા મેહરાજ મલિક વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. કેસની સુનાવણી દરમિયાન કોર્ટે જૂના કેસમાં મેહરાજ મલિક વિરુદ્ધ આરોપ નક્કી કર્યા છે. હવે આ કેસમાં આગળની કાયદાકીય કાર્યવાહી ચાલુ રહેશે. મેહરાજ મલિકે 2024ની જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં ડોડા બેઠક પરથી જીત મેળવી હતી.</p><p><b>કોર્ટના આદેશ બાદ પોલીસે કસ્ટડીમાં લીધા</b></p><p>ડોડાના AAP ધારાસભ્ય મેહરાજ મલિકને પોલીસે પોતાની તરફથી કોઈ નવા કેસમાં કાર્યવાહી કરીને કસ્ટડીમાં લીધા નથી. તેમને કોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા બિનજામીનપાત્ર વોરંટના આધારે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.</p><p><b>એપ્રિલમાં PSA કેસમાં મળી હતી રાહત</b></p><p>આ પહેલા એપ્રિલ 2026માં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટે AAP નેતા મેહરાજ મલિકને મોટી રાહત આપી હતી. કોર્ટે તેમના વિરુદ્ધ લગાવવામાં આવેલા પબ્લિક સેફ્ટી એક્ટ (PSA)ને રદ કર્યો હતો. કોર્ટે તેમની અટકાયતને ગેરકાયદેસર ગણાવીને તેને રદ કરી હતી. AAP નેતા અને ડોડાના ધારાસભ્ય તરીકે આ મામલો તે સમયે પણ ચર્ચામાં રહ્યો હતો.</p><p><b>BJP ઉમેદવારને 4,538 મતથી હરાવ્યા</b></p><p>મેહરાજ મલિકનો તેમના વિધાનસભા વિસ્તારમાં સારો પ્રભાવ છે અને તેઓ ડોડામાં ખાસા લોકપ્રિય પણ છે. આ જ કારણસર તેમણે 2024ની જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં ડોડા બેઠક પરથી મોટી જીત મેળવી હતી. મેહરાજ મલિકે ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ગજય સિંહ રાણાને લગભગ 4,538 મતના અંતરથી હરાવ્યા હતા. મેહરાજ મલિકને 23,228 મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવારને 18,690 મત મળ્યા હતા.</p><p><b>AAPનું જમ્મુ-કાશ્મીરમાં ખુલ્યું ખાતું</b></p><p>જમ્મુ-કાશ્મીરની સત્તારૂઢ પાર્ટી નેશનલ કોન્ફરન્સ ચૂંટણીમાં ત્રીજા સ્થાને રહી હતી. મેહરાજ મલિકની જીત સાથે જ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યું હતું. જોકે, હવે જૂના કેસમાં બિનજામીનપાત્ર વોરંટ બાદ AAP ધારાસભ્ય ફરી એકવાર મુશ્કેલીમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/political-news/west-bengal-politics-will-17-tmc-mps-join-bjp-bjp-clarifies" target="_blank">આ પણ વાંચો: TMCના 17 સાંસદો ભાજપમાં જોડાશે?, ભાજપે કરી સ્પષ્ટતા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/569p7QVk03gAdGXNCWF4iFDYdtynhmhQO1bLdcTX.webp'/></item><item><title><![CDATA[Major Rishabh Singh Sambyal: મેજર ઋષભ સિંહ સંબ્યાલને કેટલુ મળશે પેન્શન ? 30ની ઉંમરે લીધુ રિટાર્યમેન્ટ ]]></title><link>https://sandesh.com/india/news/major-rishabh-singh-sambyal-how-much-pension-will-major-rishabh-singh-sambyal-get-he-retired-at-the-age-of-30</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/major-rishabh-singh-sambyal-how-much-pension-will-major-rishabh-singh-sambyal-get-he-retired-at-the-age-of-30</guid><pubDate>Tue, 15 Sep 2026 16:20:29 +05:30</pubDate><description><![CDATA[<p>મેજર રિષભ સિંહ સંબ્યાલ કે જેઓ અગાઉ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ADC (એઇડ-ડી-કેમ્પ) હતા અને સોશિયલ મીડિયા પર નેશનલ ક્રશ બન્યા હતા. તેમણે માત્ર 30 વર્ષની વયે ભારતીય સેનામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે. </p><h2><b>મેજર રિષભને કેટલુ મળે પેન્શન ?&nbsp;</b></h2><p>મેજર રિષભ સિંહ સંબ્યાલ તેમની લગભગ 12 વર્ષની સેવા દરમિયાન, તેઓ લદ્દાખ જેવા પડકારજનક વિસ્તારોમાં તૈનાત હતા, 4 પેરા સ્પેશિયલ ફોર્સીસ સાથે સેવા આપી હતી અને અંતે રાષ્ટ્રપતિ ભવનમાં ADC તરીકેની પ્રતિષ્ઠિત ભૂમિકા ભજવી હતી. તેમનો નિર્ણય ઘણાને આશ્ચર્યચકિત કરનારો હતો, પરંતુ હવે પ્રશ્નો ઉઠી રહ્યા છે કે માત્ર 12 વર્ષના ટૂંકા કાર્યકાળ પછી તેમને કયા પેન્શન લાભો મળી શકે છે.</p><p><b style="font-size: 1.75rem;">આર્મી પેન્શન માટે લઘુત્તમ સેવા કેટલી જરૂરી છે?</b></p><p>આર્મી પેન્શનના નિયમો અનુસાર નિવૃત્તિ પેન્શન માટે પાત્ર બનવા માટે અધિકારીએ ઓછામાં ઓછા ૨૦ વર્ષની લાયક સેવા પૂર્ણ કરવી આવશ્યક છે. જો કે, જો કોઈ અધિકારી ૨૦ વર્ષ પૂર્ણ કરતા પહેલા નિર્ધારિત વય મર્યાદા સુધી પહોંચવાને કારણે ફરજિયાત નિવૃત્તિ લે છે—પરંતુ તેમણે ઓછામાં ઓછા ૧૫ વર્ષની સેવા પૂર્ણ કરી હોય—તો તેમને "મોડા જોડાયેલા" (late entrant) ગણીને પાંચ વર્ષની છૂટછાટ સાથે પેન્શન માટે પાત્ર માનવામાં આવે છે. ટૂંકમાં, સામાન્ય સંજોગોમાં, પેન્શન મેળવવા માટે ૧૫ થી ૨૦ વર્ષની સેવા પૂર્ણ કરવી એ ફરજિયાત શરત છે.</p><h3><b>મેજર રિષભની સેવા આ શ્રેણીમાં આવતી નથી</b></h3><p>મેજર રિષભ સિંહ સંબ્યાલે સેનામાં લગભગ 12 વર્ષ સેવા આપી હતી, જે પેન્શન માટે જરૂરી લઘુત્તમ 15 થી 20 વર્ષની મર્યાદા કરતાં ઘણી ઓછી છે. પરિણામે, નિયમો મુજબ, તેઓ નિયમિત માસિક પેન્શન માટે પાત્ર નથી. જો કે, આનો અર્થ એ નથી કે નિવૃત્તિ પર તેમને કંઈ જ નહીં મળે.&nbsp; જે અધિકારીઓ પ્રમાણભૂત સેવા કાર્યકાળ પૂર્ણ કરતા પહેલા નિવૃત્ત થાય છે તેમના માટે ચોક્કસ લાભો અને હકોની જોગવાઈ છે.</p><p><b style="font-size: 1.5rem;">પેન્શનને બદલે મળતા લાભો</b></p><p>ટૂંકા કાર્યકાળ પછી નિવૃત્ત થતા અધિકારીઓને સામાન્ય રીતે એકવાર મળતા લાભોજેમ કે નિવૃત્તિ અથવા સેવા ગ્રેચ્યુઇટીમળે છે, જે માસિક પેન્શનથી અલગ હોય છે. આ ઉપરાંત, તેઓ તેમની સેવા દરમિયાન જમા થયેલ પ્રોવિડન્ટ ફંડની રકમ, ન વપરાયેલી રજાના બદલામાં ચૂકવણી અને અન્ય નિવૃત્તિ-સંબંધિત લાભો મેળવી શકે છે. જો કે, નિયમિત માસિક પેન્શનની તુલનામાં, આ તમામ લાભો એકમુક રકમ (lump sum) તરીકે આપવામાં આવે છે અને તે મર્યાદિત સ્વરૂપના હોય છે.</p><h4><b>સમય પહેલાં નિવૃત્તિ અંગેના નિયમો</b></h4><p>આર્મી અધિકારીઓ માટે, સમય પહેલાં નિવૃત્તિની જોગવાઈ 'આર્મી રૂલ્સ, 1954' હેઠળ આવે છે અને તેના માટે કેન્દ્ર સરકારની મંજૂરી જરૂરી છે. આ નિયમ અધિકારીઓને વ્યક્તિગત અથવા પારિવારિક કારણોસર તેમનો નિર્ધારિત કાર્યકાળ પૂર્ણ કર્યા પહેલાં જ સેના છોડવાની મંજૂરી આપે છે; જોકે, આમાં એક વિશિષ્ટ પ્રક્રિયા અને શરતોનો સમાવેશ થાય છે જે સામાન્ય નિવૃત્તિને લાગુ પડતી પ્રક્રિયા અને શરતો કરતાં અલગ હોય છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/EYBkhKhPvTB2H0edvj8K5QFj2gQyfRzrdIGO19XF.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના સેલામાં બાંધકામ સાઇટના 14મા માળેથી પટકાતાં શ્રમિકનું કમકમાટીભર્યું મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/worker-dies-after-falling-from-14th-floor-of-construction-site-in-ahmedabads-sela</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/worker-dies-after-falling-from-14th-floor-of-construction-site-in-ahmedabads-sela</guid><pubDate>Tue, 15 Sep 2026 16:14:02 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના સેલા વિસ્તારમાં આવેલી એક બાંધકામ સાઇટ પર શ્રમિકના મોતની ગંભીર ઘટના સામે આવી છે. સેલા ઓડિટોરિયમ નજીક આવેલી 'મારવેલા' બાંધકામ સાઇટ પર આજે બપોરે કામગીરી ચાલી રહી હતી ત્યારે એક મજૂર 14મા માળેથી સીધો નીચે પટકાયો હતો. ઊંચાઈ પરથી નીચે પટકાવાના કારણે શ્રમિકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>મૃતકની ઓળખ અને સાઇટ સંચાલકોનો દાવો</b></h2><p style="text-align: justify; ">મૃતક શ્રમિકની ઓળખ 28 વર્ષીય કેસરીલાલ મીણા તરીકે થઈ છે, જે મૂળ રાજસ્થાનનો રહેવાસી હતો અને રોજગારી અર્થે અમદાવાદ આવ્યો હતો. આ દુર્ઘટના અંગે સાઇટના સંચાલકોએ એવો દાવો કર્યો છે કે તે સમયે 14મા માળે ફ્લોરિંગની કામગીરી ચાલી રહી હતી. જોકે, શ્રમિક કયા સંજોગોમાં અને કેવી રીતે નીચે પટકાયો તે અંગે તેમણે સંપૂર્ણ અજ્ઞાનતા દર્શાવી હતી.</p><p style="text-align: justify; "><img alt="Accident at construction site in Ahmedabad" src="https://epapercdn.sandesh.com/images/2026/09/15/eDJKU8lIk79KMaJCTLHsu7F4yC39xVyjt8IYUmc5.webp"><br></p><h3 style="text-align: justify; "><b>સંચાલકોનો ઇનકાર અને સેફ્ટી સામે પ્રશ્નાર્થ</b></h3><p style="text-align: justify; ">ઘટના બન્યા બાદ જ્યારે સત્ય હકીકત જાણવા પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે સાઇટ સંચાલકોએ કોઈને પણ ઘટનાસ્થળ પર જવાની સ્પષ્ટ મનાઈ ફરમાવી દીધી હતી. સાઇટ સંચાલકોના આ વલણના કારણે ઘટનાસ્થળે સેફ્ટી સાધનો (જેમ કે નેટ કે સેફ્ટી બેલ્ટ) હતા કે નહીં તે અંગે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. હાલ આ મામલે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરીને આગળની કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/ZCE1A3g1Zo6Qetmpmoor8g5iqtEXhgAkzMhuxQZp.webp'/></item><item><title><![CDATA[Gandhinagarની એમ એસ બિલ્ડિંગના છઠ્ઠા માળે મોડી રાત્રે લાગી આગ ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gandhinagar-ms-building-sixth-floor-fire-ac-short-circuit</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gandhinagar-ms-building-sixth-floor-fire-ac-short-circuit</guid><pubDate>Tue, 15 Sep 2026 16:00:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પાટનગર ગાંધીનગરમાં આવેલી સરકારી કચેરીઓની મહત્વની એમ એસ બિલ્ડિંગમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. બિલ્ડિંગના છઠ્ઠા માળે આવેલી સરકારી કચેરીમાં અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળતા જ આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સરકારી મિલકતમાં લાગેલી આ આગને પગલે સુરક્ષા કર્મચારીઓ અને સ્થાનિક તંત્રમાં તાત્કાલિક દોડધામ મચી ગઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરી અને સ્થિતિ પર કાબૂ</b></h2><p style="text-align: justify; ">ઘટના અંગેની જાણ થતાં જ ગાંધીનગર ફાયર વિભાગનો કાફલો લાઈવ બંબા અને ફાયર ફાઈટરો સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરોએ વિના વિલંબે છઠ્ઠા માળ સુધી પહોંચીને પાણીનો સતત મારો ચલાવ્યો હતો. ફાયર ટીમોની ઝડપી અને સુઝબુઝ ભરેલી કામગીરીના કારણે આગ સમયસર કાબૂમાં આવી ગઈ હતી અને બિલ્ડિંગના અન્ય માળ સુધી પ્રસરતી અટકી હતી.</p><h3 style="text-align: justify; "><b>રજાના કારણે મોટી હોનારત ટળી અને પ્રાથમિક કારણ</b></h3><p style="text-align: justify; ">પ્રાથમિક તપાસ અને મળતી માહિતી અનુસાર, આ આગ કચેરીમાં મૂકેલા એર કન્ડીશનર (AC) માં શોર્ટ સર્કિટ થવાના કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. રાહતની વાત એ રહી કે ઘટના બની તે દિવસે કચેરીઓમાં રજાનો દિવસ હોવાથી અધિકારીઓ કે કર્મચારીઓની હાજરી ન હતી, જેના કારણે એક મોટી જાનહાનિ ટળી ગઈ હતી અને તંત્રએ ભારે રાહતનો શ્વાસ લીધો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/efPWumK9e1UmXd0uI1fX5iesVR7ddeKOOu7SrEfh.webp'/></item><item><title><![CDATA[Disha Salian Case: FIR બાદ ભડક્યા Sanjay Raut, CBI તપાસને લઈને ઉઠાવ્યા સવાલ ]]></title><link>https://sandesh.com/india/news/entertainment/disha-salian-case-sanjay-raut-cbi-fir-political-conspiracy</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/entertainment/disha-salian-case-sanjay-raut-cbi-fir-political-conspiracy</guid><pubDate>Tue, 15 Sep 2026 15:48:47 +05:30</pubDate><description><![CDATA[<p>દિશા સાલિયાન કેસમાં CBIની FIRને લઈને શિવસેના UBTના નેતા સંજય રાઉતની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે હાઈકોર્ટનો સીધો આદેશ છે કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ સામે સીધો આરોપ સાબિત ન થાય ત્યાં સુધી તેને આરોપી માનવામાં આવતો નથી અને FIRમાં તેનું નામ પણ આવતું નથી. તેમણે કહ્યું કે આ FIR અજાણ્યા લોકો સામે નોંધવામાં આવી છે.</p><h2><b>'સૌથી લોકપ્રિય રાજકીય પરિવારને બદનામ કરવાનું ષડયંત્ર'</b></h2><p>આગળ તેમણે કહ્યું, "2 દિવસ પહેલાં દેશના ગૃહમંત્રી મહારાષ્ટ્ર આવ્યા હતા. તેમની સાથે અન્ય એક નેતા 1 કલાક સુધી બેઠા હતા. બંને એક જ કારમાં ગયા હતા. ત્યારબાદ FIRમાં નામ ઉમેરવામાં આવ્યા છે. આ એક રાજકીય ષડયંત્ર છે. મહારાષ્ટ્રના સૌથી લોકપ્રિય રાજકીય પરિવારને બદનામ કરવાનો પ્રયાસ છે. અમે લડીશું અને અમારી લડાઈ ચાલુ રહેશે. અમે બતાવીશું કે મહારાષ્ટ્ર અને અમારી વિરુદ્ધ કેવા પ્રકારનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે."</p><h2><b>'કેન્દ્રીય એજન્સીઓનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે'</b></h2><p>આ મામલે રાજકારણ થઈ રહ્યું છે કે કેમ, એવા સવાલના જવાબમાં સંજય રાઉતે કહ્યું, "ચોક્કસ રાજકારણ થઈ રહ્યું છે. આ દબાણ છે અને અનૈતિક દબાણ છે. કેન્દ્રીય એજન્સીઓનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે."</p><h2><b>'CBI તપાસનો ઉપયોગ આદિત્ય ઠાકરેને નિશાન બનાવવા માટે થઈ રહ્યો છે'</b></h2><p>સંજય રાઉતે કહ્યું, "જે રીતે આ મામલો કોર્ટમાં લઈ જવામાં આવ્યો અને કોર્ટે કેસ CBIને સોંપવાનો આદેશ આપ્યો, તે આખું એક ષડયંત્ર છે. કોર્ટે સ્પષ્ટપણે CBI તપાસ કરાવવાનું કહ્યું છે, પરંતુ કોઈનું નામ ન લેવાનો નિર્દેશ આપ્યો છે. તેમ છતાં મીડિયામાં નામ લેવામાં આવી રહ્યાં છે."</p><p>તેમણે દાવો કર્યો કે CBI તપાસનો ઉપયોગ આદિત્ય ઠાકરેને નિશાન બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. આદિત્ય ઠાકરે વિવિધ જનમુદ્દાઓને લઈને દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર સરકાર પર સતત સવાલ ઉઠાવી રહ્યા છે.</p><p>આ સાથે જ તેમણે આરોપ લગાવ્યો કે તેનો હેતુ મરાઠા અનામત માટે આંદોલન કરી રહેલા કાર્યકર મનોજ જરાંગેના આંદોલન પરથી લોકોનું ધ્યાન હટાવવાનો અથવા સંસદમાં સીમાંકન બિલના સમર્થન માટે શિવસેના UBT પર દબાણ બનાવવાનો પણ હોઈ શકે છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/nesAIKStkzbsfWUx25yVSvNaMQlqeQO3dhS35Hhj.webp'/></item><item><title><![CDATA[Rajkot: શહેરમાં 16 થી 21 સપ્ટેમ્બર સુધી 6 દિવસ પાણીકાપ; નર્મદા પાઇપલાઇનમાં મેન્ટેનન્સની કામગીરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/water-cut-announced-from-16-to-21-september-narmada-pipeline-maintenance</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/water-cut-announced-from-16-to-21-september-narmada-pipeline-maintenance</guid><pubDate>Tue, 15 Sep 2026 15:44:02 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ શહેરમાં ભરચોમાસે નાગરિકો માટે પાણીના કાપના સમાચાર સામે આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં તારીખ 16 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી સતત છ દિવસ સુધી તબક્કાવાર પાણીકાપની જાહેરાત કરવામાં આવી છે.</p><h2><b>રાજકોટ શહેરમાં પાણીના કાપના સમાચાર</b></h2><p>સૂત્રોના જણાવ્યા મુજબ, શહેરને પાણી પૂરું પાડતી નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં જરૂરી રિપેરિંગ અને મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવાની હોવાથી આ નિર્ણય લેવાયો છે.શરૂઆતમાં 16 અને 17 સપ્ટેમ્બરે સામાકાંઠા વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહેશે, જેમાં 16 તારીખે ઇસ્ટ ઝોનના વોર્ડ નંબર 5 અને 17 તારીખે વોર્ડ નંબર 4 માં પાણીકાપ રહેશે.</p><h3><b>અલગ અલગ વિસ્તારોમાં 6 દિવસ પાણીકાપની જાહેરાત</b></h3><p>ત્યારબાદ 18 સપ્ટેમ્બરે વોર્ડ 1, 2, 3, 7, 9, 10, 11, 12 માં રૈયાધાર, જ્યુબેલી, જંકશન પ્લોટ, ગાંધીગ્રામ અને મવડી વિસ્તારો પ્રભાવિત થશે. 19 સપ્ટેમ્બરે વોર્ડ 2, 4, 8, 9, 10, 11, 13, 15, 16 અને 18 ના 150 ફૂટ રિંગ રોડ, ચંદ્રેશનગર અને બેડીપરામાં પાણી નહીં આવે. 20 અને 21 સપ્ટેમ્બરે પણ શહેરના અન્ય તમામ ઝોનના વોર્ડ વિસ્તારોમાં તબક્કાવાર પાણીકાપ રહેશે. મનપા દ્વારા નાગરિકોને પાણીનો સંગ્રહ કરવા અને વિવેકપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/shaherkotda-police-station-youth-commits-suicide-in-electric-room" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: શહેરકોટડા પો.સ્ટેશનમાં યુવકે ગળેફાંસો ખાધો; સાથે રહેલ મિત્રનો ફોન સ્વિચ ઓફ આવતા તપાસ શરૂ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/ukbrbQ6sZ20RLNrdmsiwH8EKAJjPLqg5Opxz85jn.webp'/></item><item><title><![CDATA[Stock Market Closing: 777 પોઇન્ટ તૂટ્યો સેન્સેક્સ, નિફ્ટી 23,118 અંકે બંધ ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-closing-sensex-falls-777-points-nifty-closes-at-23118-points</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-closing-sensex-falls-777-points-nifty-closes-at-23118-points</guid><pubDate>Tue, 15 Sep 2026 15:41:32 +05:30</pubDate><description><![CDATA[<p>મંગળવારના ટ્રેડિંગ સત્ર દરમિયાન સ્થાનિક શેરબજારોએ શરૂઆતી લાભ ગુમાવ્યા હતા. ક્રૂડ ઓઈલના ઊંચા ભાવને કારણે રોકાણકારોની જોખમ લેવાની વૃત્તિ પર અસર પડી હતી, જેનાથી બેન્ચમાર્ક સૂચકાંકો દબાણ હેઠળ આવ્યા હતા. જોકે, IT શેરોમાં આવેલા ઉછાળાએ બજારના ઘટાડાને અમુક અંશે મર્યાદિત કરવામાં મદદ કરી હતી.</p><h2><b>શેરબજાર લાલ નિશાને બંધ&nbsp;</b></h2><p>બપોરે 3:00 વાગ્યા સુધીમાં, સેન્સેક્સ 592.96 પોઈન્ટ (0.79%) ઘટીને 74,188.80 પર પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી50 217.50 પોઈન્ટ (0.93%) ઘટીને 23,180.60 પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે બપોરે 3.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયા. સેન્સેક્સ 777.94 પોઇન્ટના ઘટાડા સાથે 74,003 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 279.50 પોઇન્ટના ઘટાડા સાથે 23,118 અંકે બંધ થયો.&nbsp;</p><h3><b>સૌથી વધુ ઘટાડો નોંધાવનાર શેરો</b></h3><p>નિફ્ટી ઇન્ડેક્સ પર સૌથી વધુ ઘટાડો નોંધાવનારા શેરોમાં ભારત ઇલેક્ટ્રોનિક્સ (BEL), શ્રીરામ ફાઇનાન્સ અને અદાણી એન્ટરપ્રાઇઝિસનો સમાવેશ થતો હતો. વ્યાપક બજારમાં પણ વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું; નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 1.67% અને નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સ 2.07% નીચે ટ્રેડ કરી રહ્યા હતા.</p><h3><b>IT શેરોનો બજારને ટેકો</b></h3><p>સેક્ટોરલ સૂચકાંકોની વાત કરીએ તો, નિફ્ટી ITમાં લગભગ 5%નો ઉછાળો જોવા મળ્યો હતો અને તે તમામ સેક્ટોરલ સૂચકાંકોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સૂચકાંક બન્યો હતો. તેની સામે, નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો.</p><h4><b>India VIXમાં 10%થી વધુનો ઉછાળો</b></h4><p>બજારમાં વધતી જતી અનિશ્ચિતતાની અસર India VIX પર પણ જોવા મળી હતી. નિફ્ટી ઇન્ડિયા વોલેટિલિટી ઇન્ડેક્સ (India VIX) 10.33% વધીને 13.57 પર પહોંચ્યો હતો.<br><br><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/04/22/ImEoH8XVKSpwKohsEtbZTWR6IaJ4XBQ4dmVVsfy6.webp'/></item><item><title><![CDATA[પાકિસ્તાનની ટીમ ભારત આવશે! એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં જામશે ભારત-પાક જંગ ]]></title><link>https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</guid><pubDate>Mon, 14 Sep 2026 15:47:21 +05:30</pubDate><description><![CDATA[<p>આવતા મહિને પાકિસ્તાનની હોકી ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે. 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન પંજાબમાં યોજાનારી AHF મેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026માં પાકિસ્તાન સહિત કુલ છ ટીમો ભાગ લેશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પાકિસ્તાનની ભાગીદારી અંગેની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, મલ્ટી-નેશનલ ઇવેન્ટ્સ અંગે કેન્દ્ર સરકારની નીતિ હેઠળ બંને દેશોની ટીમો આમને-સામને રમશે.</p><h2><b>ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જાલંધરમાં રમાશે</b></h2><p>એશિયન મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન થશે. આ ટૂર્નામેન્ટમાં યજમાન ભારત અને પાકિસ્તાન ઉપરાંત ચીન, જાપાન, મલેશિયા અને કોરિયાની પણ ભાગ લેશે. લીગ સ્ટેજના મુકાબલા જાલંધરમાં યોજાશે, જ્યારે સેમિફાઇનલ અને ફાઇનલ મેચ મોહાલીના હોકી સ્ટેડિયમમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 1 નવેમ્બરે જાલંધરમાં રમાશે. કોઈ ટીમ છેલ્લી ઘડીએ ખસી જાય તો તે સ્થિતિ માટે ઓમાન અને બાંગ્લાદેશને રિઝર્વ ટીમન તરીકે રાખવામી આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PTI_News/status/2099416960278868155"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમવામાં કોઈ મુશ્કેલી નથી</b></h2><p>પાકિસ્તાનની ભાગીદારી અને જરૂરી મંજૂરીઓ અંગે પંજાબના મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં બંને દેશો વચ્ચે રમવામાં કોઈ મુશ્કેલી નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝનું આયોજન અલગ બાબત છે, કારણ કે કેન્દ્ર સરકારની વર્તમાન નીતિ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય રમત-ગમતના આયોજનની મંજૂરી આપતી નથી. પરંતુ મલ્ટી-નેશનલ ટૂર્નામેન્ટમાં બંને દેશોના ખેલાડીઓને એકબીજા સામે રમવાની પરવાનગી છે, જેથી પાકિસ્તાની ટીમ ભારત આવી શકશે.</p><h2><b>ભારત વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે</b></h2><p>ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. ભારતે 2023માં ચેન્નાઈ અને 2024માં ચીનના હુલુનબુઈરમાં યોજાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ગત વર્ષે આ સ્પર્ધા યોજાઈ શકી નહોતી. હવે પંજાબ પ્રથમ વખત આ ટૂર્નામેન્ટની મેજબાની કરવા જઈ રહ્યું છે.</p><h2><b>અગાઉ પાકિસ્તાની ટીમે ના કહી હતી&nbsp;</b></h2><p>પાકિસ્તાનની આ વખતની ભાગીદારી એટલા માટે પણ ખાસ છે, કારણ કે ગત વર્ષે તેણે તમિલનાડુમાં આયોજિત જૂનિયર હોકી વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તે સમયે બંને દેશો વચ્ચેના તણાવને તેનું કારણ ગણાવવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે અને પાકિસ્તાની ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે પૂરી રીતે તૈયાર છે.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/V6jwdiIr9RTCvR6EyBaGsP2qfZvYLq2JfkL7pytm.webp'/></item></channel></rss>