<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Charkhi Dadri Gangwar : હરિયાણામાં ગેંગવોર, ગાડી પર કરાયું ફાયરિંગ, 7 લોકો ઘાયલ ]]></title><link>https://sandesh.com/india/news/crime/charkhi-dadri-gangwar-haryana-scorpio-firing-7-injured</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/crime/charkhi-dadri-gangwar-haryana-scorpio-firing-7-injured</guid><pubDate>Thu, 06 Aug 2026 18:10:10 +05:30</pubDate><description><![CDATA[<p>હરિયાણાના ચરખી દાદરી જિલ્લામાં કોર્ટમાં હાજરી આપવા જઈ રહેલા સ્કોર્પિયો ગાડીમાં સવાર લોકો પર અજાણ્યા હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કરતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટનામાં કુલ 7 લોકો ઘાયલ થયા છે, જેમાંથી બે લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.</p><h2><b>બપોરે 12 વાગ્યે હુમલો થયો&nbsp;</b></h2><p>મળતી માહિતી મુજબ, આ હુમલો બપોરે અંદાજે 12 વાગ્યાની આસપાસ થયો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ત્રણ હુમલાખોરો પગપાળા આવ્યા હતા અને તેમણે સ્કોર્પિયોમાં સવાર લોકો પર લગભગ 10થી 15 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. હુમલા બાદ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.</p><h3><b>કોણે લીધી હુમલાની જવાબદારી?</b></h3><p>ઘટના બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો અને એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. આ ઓડિયોમાં નવીન બોક્સર નામનો વ્યક્તિ હુમલાની જવાબદારી લેતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઓડિયોમાં તેણે જણાવ્યું હોવાનું કહેવાય છે કે આ હુમલો અનિલ ફતેહગઢી પર કરવામાં આવ્યો હતો. જોકે, આ દાવાની પોલીસ દ્વારા હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. વાયરલ ઓડિયોમાં ગેંગ દ્વારા આ ઘટનાની જવાબદારી લેવાનો દાવો કરવામાં આવ્યો છે અને હુમલામાં અનિલ ફતેહગઢીના બે સાથીઓના મોત થયાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને વાયરલ ઓડિયો તથા વીડિયોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.</p><h4><b>સીસીટીવીના આધારે તપાસ શરૂ&nbsp;</b></h4><p>પોલીસના જણાવ્યા મુજબ હુમલાનો ભોગ બનેલા સ્કોર્પિયો સવાર લોકોનો પણ જૂનો ગુનાહિત રેકોર્ડ હોવાનું સામે આવ્યું છે. ઘટનાના સમયે તેઓ એક કેસની કોર્ટમાં હાજરી માટે જઈ રહ્યા હતા. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ અને શોધખોળમાં લાગી છે. વાયરલ થયેલા સીસીટીવી વીડિયોમાં કેટલાક લોકો હથિયારો સાથે જોવા મળી રહ્યા છે. આ ઘટનાએ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા અંગે પણ સવાલો ઉભા કર્યા છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/indian-army-2715-logistics-drones-high-altitude-border-supply" target="_blank">આ પણ વાંચો : Indian Army ખરીદશે 2,715 લોજિસ્ટિક ડ્રોન, ઊંચાઈવાળા સરહદી વિસ્તારોમાં જવાનો સુધી સરળતાથી પહોંચશે સામગ્રી</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/06/lPkCnsXI2oHuUmZOq5fMQ6qDRKclnNtpmh1MQIXl.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : AMC નો મહત્વનો નિર્ણય, સીલ કરાયેલી સિઝનેબલ દુકાનોને ફરી ખોલવાની આપી મંજૂરી' ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-news-important-decision-of-amc-permission-given-to-reopen-sealed-seasonal-shops</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-news-important-decision-of-amc-permission-given-to-reopen-sealed-seasonal-shops</guid><pubDate>Thu, 06 Aug 2026 18:01:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અગાઉ વિવિધ નિયમોના ભંગ બદલ કે અન્ય કારણોસર સીલ કરવામાં આવેલી સિઝનેબલ દુકાનોના વેપારીઓને તહેવારોની સિઝનમાં મોટી રાહત આપવામાં આવી છે. તંત્ર દ્વારા આ સીલ કરાયેલી દુકાનોને ફરીથી ખોલવા માટે સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે, જેથી નાના વેપારીઓ પોતાનો રોજગાર ફરી શરૂ કરી શકે.</p><h2 style="text-align: justify; "><b>રાખડીઓ અને અન્ય સિઝનેબલ વસ્તુઓ વેચી શકાશે</b></h2><p style="text-align: justify; ">AMC ની મંજૂરી મળ્યા બાદ આ દુકાનદારો આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને રાખડીઓ અને અન્ય સંબંધિત વસ્તુઓનું વેચાણ કરી શકશે. જોકે, કોર્પોરેશન દ્વારા સ્પષ્ટ સૂચના અને તાકીદ કરવામાં આવી છે કે આ દુકાનો પરથી કોઈપણ સંજોગોમાં ફટાકડાનું વેચાણ કરી શકાશે નહીં. ફટાકડા સિવાયની અન્ય તમામ જીવનજરૂરી કે તહેવારલક્ષી વસ્તુઓ વેચવાની વેપારીઓને છૂટ આપવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>વેપારીઓએ AMC સમક્ષ બાંયધરી બોન્ડ રજૂ કરવો પડશે</b></h2><p style="text-align: justify; ">મહત્વનું છે કે, દુકાનો ફરીથી શરૂ કરતા પહેલા તમામ સંબંધિત વેપારીઓએ AMC સમક્ષ એક ખાસ બોન્ડ લખી આપવો પડશે. આ બોન્ડમાં વેપારીઓએ બાંયધરી આપવી પડશે કે તેઓ દુકાનમાં ફટાકડા નહીં વેચે અને તંત્ર દ્વારા નક્કી કરવામાં આવેલા તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરશે. નિયમોનો ભંગ થશે તો ફરીથી કડક કાર્યવાહી હાથ ધરાશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-polices-operation-night-watch-strict-action-against-stuntmen-and-drunkards" target="_blank">Ahmedabad પોલીસનું ઓપરેશન નાઈટ વોચ, સ્ટંટબાજો અને દારૂડિયાઓ સામે સખત કાર્યવાહી</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/06/Gq5Gy90Yil70aVeVcXRr1xKBw0zJiBWmQErF9BQJ.webp'/></item><item><title><![CDATA[Ahmedabad પોલીસનું ઓપરેશન નાઈટ વોચ, સ્ટંટબાજો અને દારૂડિયાઓ સામે સખત કાર્યવાહી ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-polices-operation-night-watch-strict-action-against-stuntmen-and-drunkards</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-polices-operation-night-watch-strict-action-against-stuntmen-and-drunkards</guid><pubDate>Thu, 06 Aug 2026 17:33:02 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા એક વિશેષ અને આક્રમક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. શહેરમાં અસામાજિક તત્વો અને ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા ગુંડા તત્વોને ડામી દેવા માટે પોલીસ પૂરી રીતે એક્શન મોડમાં આવી ગઈ છે, જેનાથી ગુનેગારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.</p><h3 style="text-align: justify; "><b>રાત્રે 12 થી 2 વાગ્યા સુધી 150 સંવેદનશીલ સ્થળો પર વિશેષ નાકાબંધી</b></h3><p style="text-align: justify; ">પોલીસના પ્લાન અનુસાર, મોડી રાત્રે અસામાજિક તત્વોના ટોળાં એકત્ર થતા હોય તેવી અમદાવાદ શહેરભરમાંથી કુલ 150 જેટલી સંવેદનશીલ જગ્યાઓ ચિહ્નિત કરવામાં આવી છે. આ તમામ નક્કી કરાયેલી જગ્યાઓ પર દરરોજ રાત્રે 12 થી 2 વાગ્યા સુધી ચુસ્ત નાકાબંધી અને સઘન પેટ્રોલિંગ કરવામાં આવશે, જેથી રાત્રિના સમયે અનિચ્છનીય બનાવો બનતા અટકાવી શકાય.</p><h2 style="text-align: justify; "><b>એસ.જી. હાઇવે સહિતના વિસ્તારોમાં સ્ટંટબાજો અને દારૂડિયાઓ પર સઘન ચેકિંગ</b></h2><p style="text-align: justify; ">આ વિશેષ અભિયાન દરમિયાન એસ.જી. હાઇવે સહિતના મુખ્ય માર્ગો અને પોશ વિસ્તારોમાં વાહનો લઈને નીકળતા રોડ સેફ્ટીના નિયમો તોડતા સ્ટંટબાજો અને નશાની હાલતમાં વાહન હંકારતા દારૂડિયા તત્વો પર પોલીસની ખાસ બાજ નજર રહેશે. આવા તત્વો સામે ટ્રાફિક અને ક્રાઈમ બંને નિયમો હેઠળ કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/rajkot/salary-dispute-turns-deadly-in-rajkot-action-taken-against-accused-after-employees-death" target="_blank">Rajkotમાં પગાર વિવાદ જીવલેણ બન્યો, કર્મચારીના મોત બાદ આરોપીઓ સામે કાર્યવાહી</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/06/5uvtKcv3RPjKFekeB82Cc1fMhd5G0p4ehxep9CkC.webp'/></item><item><title><![CDATA[Indian Army ખરીદશે 2,715 લોજિસ્ટિક ડ્રોન, ઊંચાઈવાળા સરહદી વિસ્તારોમાં જવાનો સુધી સરળતાથી પહોંચશે સામગ્રી ]]></title><link>https://sandesh.com/india/news/indian-army-2715-logistics-drones-high-altitude-border-supply</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/indian-army-2715-logistics-drones-high-altitude-border-supply</guid><pubDate>Thu, 06 Aug 2026 17:25:11 +05:30</pubDate><description><![CDATA[<p>ચીન અને પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદો પર પોતાની યુદ્ધ ક્ષમતા અને લોજિસ્ટિક્સ વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે ભારતીય સેના મોટું પગલું ભરી રહી છે. રક્ષા મંત્રાલયે સૈનિકો સુધી જરૂરી સામગ્રી પહોંચાડવા માટે 2,715 લોજિસ્ટિક્સ ડ્રોન ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ ભારતીય સેના માટે સપ્લાય મિશન માટેની અત્યાર સુધીની સૌથી મોટી પ્રસ્તાવિત ડ્રોન ખરીદી માનવામાં આવી રહી છે.</p><h2><b>રસ્તા અને હવામાન બંને પડકારરૂપ હોય ત્યાં ડ્રોનનો ઉપયોગ થશે</b></h2><p>રક્ષા મંત્રાલયે આ માટે ઉદ્યોગો પાસેથી માહિતી મેળવવા રિક્વેસ્ટ ફોર ઈન્ફોર્મેશન (RFI) જાહેર કરી છે. આ ડ્રોનની મદદથી દૂરના અને મુશ્કેલ સરહદી વિસ્તારોમાં તૈનાત જવાનો સુધી રાશન, દારૂગોળો, દવાઓ અને અન્ય જરૂરી સામગ્રી પહોંચાડી શકાશે. પ્રસ્તાવિત ડ્રોન સિસ્ટમને ત્રણ ઊંચાઈ કેટેગરીમાં ઉપયોગ માટે તૈયાર કરવામાં આવશે. તેમાં 6000 ફૂટ સુધી, 6000થી 12000 ફૂટ અને 12000થી 20000 ફૂટ સુધીના વિસ્તારોનો સમાવેશ થાય છે. આ ડ્રોન ખાસ કરીને હિમાલયના ઊંચાઈવાળા વિસ્તારોમાં, જ્યાં રસ્તા અને હવામાન બંને પડકારરૂપ હોય છે, ત્યાં ઉપયોગી સાબિત થશે.</p><h3><b>સુરક્ષિત સપ્લાય માટે ડ્રોન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે</b></h3><p>2020ની ગલવાન ઘટના બાદ ભારતીય સેના વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર મોટી સંખ્યામાં જવાનોની તૈનાતી જાળવી રહી છે. આવા વિસ્તારોમાં ઝડપી અને સુરક્ષિત સપ્લાય માટે ડ્રોન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ડ્રોન આધારિત સપ્લાયથી જવાનો, પોર્ટર અને ખચ્ચરો પરની નિર્ભરતા ઘટશે. RFI મુજબ, દરેક ડ્રોન સિસ્ટમમાં ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન, કેમેરા, GPS, નેવિગેશન સિસ્ટમ અને અવરોધ ટાળવાની ટેક્નોલોજી જેવી સુવિધાઓ સામેલ હશે. આ ડ્રોન માઈનસ 30 ડિગ્રીથી લઈને 50 ડિગ્રી સુધીના તાપમાનમાં કામ કરી શકે તેવી ક્ષમતા ધરાવશે.</p><p>સેના એન્ટી-જેમિંગ અને એન્ટી-સ્પૂફિંગ જેવી સુરક્ષા સુવિધાઓ પણ ઈચ્છે છે, જેથી યુદ્ધ જેવી પરિસ્થિતિમાં આ ડ્રોન અસરકારક રીતે કાર્ય કરી શકે. 2,715 ડ્રોનની આ યોજના ભારતીય સેનાની આધુનિક અને ઝડપી લોજિસ્ટિક્સ વ્યવસ્થા તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે.</p><p><a href="https://sandesh.com/india/news/jpsc-protest-jharkhand-student-delegation-government-talks" target="_blank"><b>આ પણ વાંચો : JPSC Protest : ઝારખંડ સરકાર સાથે વાત કરશે 8 વિદ્યાર્થીઓનું ડેલિગેશન, વકીલ અને નિષ્ણાતોનો કરાયો સમાવેશ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/06/VFRM4ZiyK5mHwizO9DVlAdWVW7xbJttyopfqUCZ1.webp'/></item><item><title><![CDATA[Ramayana Vs Godzilla : બોક્સ ઓફિસ પર ગોડઝિલા અને રામાયણ વચ્ચે થશે જબરદસ્ત ટક્કર! ]]></title><link>https://sandesh.com/entertainment/news/ramayana-vs-godzilla-diwali-box-office-clash</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/ramayana-vs-godzilla-diwali-box-office-clash</guid><pubDate>Thu, 06 Aug 2026 17:21:31 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દિવાળીના અવસર પર બોક્સ ઓફિસ પર ફિલ્મોનો ધમાકો અને ક્લેશ ન થાય એવું બની જ ન શકે. દિવાળીની રજાનો ફાયદો ઉઠાવવામાં મેકર્સ પણ પાછળ રહેતા નથી. આ દિવાળી 2026માં સિનેમાઘરોમાં રામ આવી રહ્યા છે એટલે નિતેશ તિવારીની ફિલ્મ રામાયણ રિલીઝ થવાની છે. ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર થઈ ગઈ છે, પરંતુ બોક્સ ઓફિસ પર તેનો ક્લેશ પણ નક્કી છે. હોલીવુડ ફિલ્મ ગોડઝિલા માઈનસ ઝીરો સાથે તેની ટક્કર થશે.</p><h2 style="text-align: justify; "><b>રામાયણ અને ગોડઝિલા કયા દિવસે રિલીઝ થશે?</b></h2><p style="text-align: justify; ">નિતેશ તિવારીની ફિલ્મ રામાયણ આ વર્ષે 2026ની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે. દર્શકો તેની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને હવે આ રાહ પણ પૂરી થઈ ગઈ છે. ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી દેવામાં આવી છે. ફિલ્મનું ટ્રેલર પહેલેથી જ રિલીઝ થઈ ગયું હતું, જેને લોકોએ ઘણું પસંદ કર્યું હતું. રણબીર કપૂર અને સાઈ પલ્લવી અભિનિત આ ફિલ્મ 6 નવેમ્બર, 2026ના રોજ રિલીઝ થશે.</p><h2 style="text-align: justify; "><b>દિવાળીએ થશે બોક્સ ઓફિસ ક્લેશ</b></h2><p style="text-align: justify; ">આ સાથે જ જાપાનની જાણીતી ફ્રેન્ચાઈઝીની ફિલ્મ ગોડઝિલા માઈનસ ઝીરો પણ રિલીઝ થશે. ફિલ્મના મેકર્સે પણ તેની રિલીઝ ડેટ 6 નવેમ્બર, 2026 જ નક્કી કરી છે. બંને ફિલ્મો વિશ્વભરમાં એક જ દિવસે રિલીઝ થઈ રહી છે, જેના કારણે એક વાત સ્પષ્ટ છે કે બંને ફિલ્મો વચ્ચે બોક્સ ઓફિસ પર ક્લેશ નક્કી છે. બંને ફિલ્મોના મેકર્સની નજર IMAX સ્ક્રીન્સ અને અન્ય પ્રીમિયમ ફોર્મેટ્સ પર છે.</p><h3 style="text-align: justify; "><b>દિવાળીના લોંગ વીકએન્ડનો ફાયદો કોણ ઉઠાવશે?</b></h3><p style="text-align: justify; ">6 નવેમ્બર, 2026થી દિવાળીના લોંગ વીકએન્ડની શરૂઆત થઈ રહી છે. રામાયણને લઈને અગાઉ ચર્ચા હતી કે તેને 30 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવશે, પરંતુ દિવાળીના લોંગ વીકએન્ડને ધ્યાનમાં રાખીને મેકર્સે તેની રિલીઝ ડેટ 6 નવેમ્બર એટલે કે ધનતેરસના દિવસે નક્કી કરી છે. આ લોંગ વીકએન્ડમાં ગોવર્ધન પૂજા અને ભાઈબીજ જેવા તહેવારો પણ આવશે, જેનો ફાયદો ફિલ્મોને બોક્સ ઓફિસ પર મળી શકે છે. હવે જોવાનું રહેશે કે 2026ની દિવાળી કોની મનાય છે.</p><h3 style="text-align: justify; "><b>ભારતમાં હિટ છે ગોડઝિલા ફ્રેન્ચાઈઝી</b></h3><p style="text-align: justify; ">બીજી તરફ, જાપાનની જાણીતી ફ્રેન્ચાઈઝી ગોડઝિલાનો પણ ભારતમાં ક્રેઝ ઓછો નથી. આ પહેલાં ભારતમાં આ ફ્રેન્ચાઈઝીની 4 ફિલ્મો રિલીઝ થઈ ચૂકી છે, જેને બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ મળ્યો હતો અને તમામ ફિલ્મોએ સારી કમાણી કરી હતી.&nbsp;</p><ul><li style="text-align: justify;">ગોડઝિલા 2014 - 34-35 કરોડ</li><li style="text-align: justify;">ગોડઝિલા: કિંગ ઓફ મોન્સ્ટર્સ 2019 - 25.30 કરોડ</li><li style="text-align: justify;">ગોડઝિલા વર્સિસ કોંગ 2021 - 48.58 કરોડ</li><li style="text-align: justify;">ગોડઝિલા x કોંગ 2024 - 112.54 કરોડ</li></ul><h4 style="text-align: justify; "><b>રામાયણની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે</b></h4><p style="text-align: justify; ">ભારતમાં રામાયણનો અલગ જ ક્રેઝ છે. લોકોને રામાયણ જોવું પસંદ છે. રામાનંદ સાગરની રામાયણ આજે પણ લોકોને પસંદ છે. બીજી તરફ, દિવાળી અને દશેરા સાથે જ આવે છે, જેમાં રામાયણને સ્ટેજ શો દ્વારા રજૂ કરવામાં આવે છે. હવે નિતેશ તિવારી 4000 કરોડના બજેટમાં રામાયણ લઈને આવી રહ્યા છે, જેના કારણે લોકોમાં તેનો અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં રણબીર કપૂર, સાઈ પલ્લવી, સની દેઓલ, યશ અને રવિ દુબે સાથે રકુલ પ્રીત સિંહ જેવા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/bigg-boss-20-four-big-twists-salman-khan-show" target="_blank">આ પણ વાંચો-Bigg Boss 20 : શું હશે ખાસ? 4 મોટા ટ્વિસ્ટ સાથે સલમાન ખાનનો શો મચાવશે જબરદસ્ત ધમાકો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/06/RmMC9zeILFbrCMl35xzDs99sT6YgY4PsMJ0ISKWs.webp'/></item><item><title><![CDATA[Panchmahal News: કલોલ-હાલોલ રોડ પરથી 6.307 કિલો ગાંજા સાથે 3 પકડાયા ]]></title><link>https://sandesh.com/crime/news/panchmahal/antf-raid-kalol-halol-road-ganja-seized</link><guid isPermaLink="true">https://sandesh.com/crime/news/panchmahal/antf-raid-kalol-halol-road-ganja-seized</guid><pubDate>Thu, 06 Aug 2026 17:05:42 +05:30</pubDate><description><![CDATA[<p>પંચમહાલ જિલ્લામાં નશીલા પદાર્થોની ગેરકાયદે હેરાફેરી સામે A.N.T.F. (એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ) વડોદરા ઝોન દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગુપ્ત ખાનગી બાતમીના આધારે ANTF ની ટીમ દ્વારા કલોલ-હાલોલ રોડ પર આયોજનબદ્ધ રીતે એક સફળ ટ્રેપ ગોઠવવામાં આવી હતી. આ ઓપરેશન દરમિયાન માદક પદાર્થોની તસ્કરી કરી રહેલા તત્વોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.</p><h2><b>રૂ. 16.44 લાખનો મુદ્દામાલ જપ્ત, 6.307 કિલો ગાંજો ઝડપાયો</b></h2><p>પોલીસે સ્થળ પરથી 6.307 કિલો જેટલો સુકો ગાંજો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત અંદાજે રૂ. 3.15 લાખ થાય છે. આ ઉપરાંત તસ્કરીમાં ઉપયોગમાં લેવાયેલી કાર, મોબાઈલ ફોન, રોકડ રકમ અને અન્ય મહત્વના દસ્તાવેજો પણ પોલીસે કબજે લીધા છે. આ સમગ્ર કાર્યવાહીમાં પોલીસે કુલ રૂ. 16.44 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી છે.</p><p><img alt="Panchmahal News: ANTF Raid: 6.307 kg Ganja Worth Rs 16.44 Lakh Seized" src="https://epapercdn.sandesh.com/images/2026/08/06/GYimnZzYKBR5W5ePIdrPR4JvkqkrlINRwzDwJ3Or.webp"><br></p><h2><b>3 આરોપીઓની ધરપકડ, 1 આરોપી હજુ પણ ફરાર</b></h2><p>આ નશીલા પદાર્થની હેરાફેરીના મામલે પોલીસે 3 આરોપીઓની સ્થળ પરથી ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક સહ-આરોપી સતીષ નિનામા હાલ પોલીસ પકડથી દૂર રહીને ફરાર થઈ ગયો છે. આ મામલે કલોલ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગંભીર ગુનો નોંધવામાં આવ્યો છે, અને ફરાર આરોપી સતીષ નિનામાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.</p><p><img alt="Panchmahal News: ANTF Raid: 6.307 kg Ganja Worth Rs 16.44 Lakh Seized" src="https://epapercdn.sandesh.com/images/2026/08/06/th9MXUXouEduxkMa2lkUWATLnTY2O0UGl04YLAXx.webp"><br></p><h2><b>સપ્લાય ચેઇન અને નેટવર્ક અંગે ઊંડાણપૂર્વક તપાસ</b></h2><p>નશીલા પદાર્થનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આગળ કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ સિવાય આ મિશન પાછળ કામ કરતી આખી સપ્લાય ચેઇન અને ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે ANTF અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે ઊંડાણપૂર્વક પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.</p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/panchmahal/panchmahal-threat-of-fierce-agitation-if-pending-demands-are-not-met" target="_blank"> Panchmahal: પડતર માગણીઓ ના સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/06/qiaZ8JYSQ8e8JSmmlFFkQgjw5Q8AyIz8yX2J84Hq.webp'/></item><item><title><![CDATA[Anand News: કરમસદમાં LCBની રેડ, ચુલા, રસોડા અને બાથરૂમના ગુપ્તખાનામાંથી 485 બોટલ વિદેશી દારૂ જપ્ત ]]></title><link>https://sandesh.com/crime/news/anand/karamsad-lcb-raid-liquor-secret-compartments</link><guid isPermaLink="true">https://sandesh.com/crime/news/anand/karamsad-lcb-raid-liquor-secret-compartments</guid><pubDate>Thu, 06 Aug 2026 17:02:05 +05:30</pubDate><description><![CDATA[<p>આણંદ જિલ્લાના કરમસદ સ્થિત પંચવટી વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક મોટી અને સફળ કામગીરી પાર પાડવામાં આવી છે. ગુપ્ત બાતમીના આધારે LCBની ટીમ દ્વારા વિદ્યાનગર પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા દારૂના અડ્ડા પર અચાનક રેડ કરવામાં આવી હતી. પોલીસના આ રેડથી દારૂના ગેરકાયદે વેપાર સાથે સંકળાયેલા તત્વોમાં સનસનાટી મચી ગઈ હતી.</p><h2><b>રસોડાના ચુલા અને બાથરૂમની દીવાલોમાં બનાવ્યા ગુપ્તખાના</b></h2><p>રેડ દરમિયાન પોલીસ અધિકારીઓ પણ ઘરની અંદરની બનાવટ જોઈને દંગ રહી ગયા હતા. આરોપીઓએ પોલીસથી બચવા માટે ઘરમાં અત્યંત શાતિર દિમાગ વાપરીને ગુપ્તખાના બનાવ્યા હતા. રસોડાના ચુલામાં, રસોડાની દીવાલોમાં અને બાથરૂમમાં વિશેષ ગુપ્તખાના તૈયાર કરીને તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડવામાં આવ્યો હતો. પોલીસે તમામ ગુપ્તખાનાઓમાંથી દારૂનો જથ્થો શોધી કાઢ્યો હતો.</p><h2><b>485 બોટલ દારૂ સાથે રૂ. 1.43 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત</b></h2><p>LCBની આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી 485 બોટલ વિદેશી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને કુલ રૂ. 1.43 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં પોલીસે 1 આરોપીની સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય 1 આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થઈ જવામાં સફળ રહ્યો છે.</p><p><img alt="Anand News: Karamsad LCB Raid, Foreign Liquor Found in Secret Wall Compartments" src="https://epapercdn.sandesh.com/images/2026/08/06/eDM5MmBu9viWAtkljBLFOFvXYpHEM96h1CuknlFM.webp" style="width: 100%;"><br></p><h2><b>વિદ્યાનગર પોલીસની ભૂમિકા સામે ઉઠ્યા ગંભીર સવાલો</b></h2><p>વિદ્યાનગર પોલીસ સ્ટેશનની નાક નીચે અને હદ વિસ્તારમાં આટલા મોટા પાયે ગુપ્તખાના બનાવીને દારૂનો અડ્ડો ચાલતો હોવા છતાં સ્થાનિક પોલીસને જાણ કેમ ન થઈ તે બાબતે અનેક સવાલો ઉભા થયા છે. LCB ની રેડ બાદ વિદ્યાનગર પોલીસની કામગીરી અને સતર્કતા સામે ગંભીર પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયું છે. હાલ પોલીસે ફરાર આરોપીને ઝડપી લેવા અને આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/anand/karmsad-zol-road-dangerous-pothole-accident-risk" target="_blank"> Anand News: અડધા રોડ પર જોખમી ખાડો પડતા વાહનચાલકોમાં ભયનો માહોલ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/06/fgcAsZvZVUv9rA5vKFiRD54lkKFHH8moc0cgzZay.webp'/></item><item><title><![CDATA[Rajkotમાં પગારની માથાકૂટમાં નેપાળી આધેડ પર શેઠનો અમાનુષી અત્યાચાર: સારવાર દરમિયાન ગુમાનસિંહનું મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/inhuman-atrocities-committed-by-a-sheikh-on-a-nepali-middle-aged-man-in-a-salary-dispute-in-rajkot-guman-singh-dies-during-treatment</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/inhuman-atrocities-committed-by-a-sheikh-on-a-nepali-middle-aged-man-in-a-salary-dispute-in-rajkot-guman-singh-dies-during-treatment</guid><pubDate>Thu, 06 Aug 2026 16:57:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટની આજી ડેમ ચોકડી પાસે આવેલી રોનક રેસ્ટોરન્ટમાં કામ કરતા નેપાળી પરિવારના 51 વર્ષીય આધેડ ગુમાનસિંહ ઠાકુરને પગાર બાબતે શેઠ સાથે તીવ્ર માથાકૂટ થઈ હતી. આ બોલાચાલી બાદ ગુમાનસિંહને ઢોરમાર મારવામાં આવ્યો હતો, જેમાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું હતું. માથાકૂટનો આ બનાવ ગુમાનસિંહના અવસાન બાદ હત્યામાં પલટાતા સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>શેઠ સાથે માથાકૂટ થઈ હતી માથાકૂટ</b></h2><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં જ મૃતકના પરિવારજનો અને નેપાળી સમાજના લોકો મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે ઉમટી પડ્યા હતા. પરિજનોએ મૃતકને ન્યાય અપાવવાની આક્રંદ સાથે ઉગ્ર માંગણી કરી છે. આ હિંસક બનાવમાં સંડોવાયેલા બે આરોપીઓ કરણ અને દીપકની પોલીસે અટકાયત કરી લીધી છે. જોકે, હજુ પણ ફરાર રહેલા પ્રકાશ ખડાકા અને લાલ બહાદુર બુધા નામના અન્ય બે આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી માંગ પરિવારજનો કરી રહ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી</b></h3><p style="text-align: justify; ">આધેડનું સારવાર દરમિયાન મોત થતાં જ સ્થાનિક પોલીસે ગુનામાં હત્યાની કલમો ઉમેરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ગણેશપુરા અને આસપાસના વિસ્તારોમાં તપાસ લંબાવીને ફરાર આરોપી પ્રકાશ અને લાલ બહાદુરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને રેસ્ટોરન્ટના અન્ય કર્મચારીઓ તેમજ પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો નોંધવાની તજવીજ શરૂ કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/06/niuSCqPkgkPHxQlENpfd6TTrsd5fZHxIgW5kFJnL.webp'/></item><item><title><![CDATA[નિયમિત સ્કોર તપાસવો: એ મફત આદત જે તમારી નાણાકીય સ્થિતિ સાચવે છે ]]></title><link>https://sandesh.com/business/news/regular-credit-score-check-financial-health</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/regular-credit-score-check-financial-health</guid><pubDate>Thu, 06 Aug 2026 16:04:59 +05:30</pubDate><description><![CDATA[<p>મોટા ભાગના લોકો પોતાના ક્રેડિટ સ્કોર વિશે ત્યારે જ વિચારે છે જ્યારે તેમને કંઈક જોઈતું હોય. હોમ લોન, કાર લોન, કે ક્રેડિટ કાર્ડની અરજી. આ જ સમસ્યા છે, કારણ કે જ્યાં સુધીમાં તમે બેંક અધિકારીની સામે બેઠા હો, ત્યાં સુધીમાં તમારો સ્કોર નીચે ખેંચી રહેલી કોઈ પણ બાબત સુધારવાનો સમય વીતી ચૂક્યો હોય છે. ક્રેડિટ સ્કોર નિયમિત તપાસવો એ એવી નાની આદતોમાંની એક છે જેમાં ખર્ચ કંઈ થતો નથી, પણ ફાયદો એટલો મોટો હોય છે કે તેને ઓછો આંકવો મુશ્કેલ છે.</p><h2><b>તમારો ક્રેડિટ સ્કોર તમે ધારો છો તેના કરતાં વધુ કેમ મહત્ત્વનો છે</b></h2><p>તમારો ક્રેડિટ સ્કોર એ ત્રણ આંકડાનો નંબર છે, જે ભારતમાં સામાન્ય રીતે 300થી 900 વચ્ચે હોય છે, અને ધિરાણકર્તાઓને જણાવે છે કે તમને પૈસા આપવામાં કેટલું જોખમ છે. નંબર જેટલો ઊંચો, એટલું સારું. 750થી ઉપરનો સ્કોર સામાન્ય રીતે સારો ગણાય છે. 650થી નીચે જાઓ એટલે મુશ્કેલીઓ શરૂ થવા લાગે છે.</p><p>પણ મોટા ભાગના લોકો જે ચૂકી જાય છે તે આ છે: તમારો ક્રેડિટ સ્કોર માત્ર લોન મંજૂરી પૂરતો મર્યાદિત નથી. તે તમને મળનારા વ્યાજદરને પણ અસર કરે છે. હોમ લોન પર 750 અને 680 સ્કોર વચ્ચેનો તફાવત લોનની સમગ્ર મુદત દરમિયાન લાખો રૂપિયાના વધારાના વ્યાજ સમાન બની શકે છે. એ સાચા પૈસા છે, જે ખરાબ નસીબને કારણે નહીં પણ બેધ્યાનપણાને કારણે ગુમાવાય છે.</p><p>તમે ક્રેડિટ કાર્ડ માટે અરજી કરો, અમુક કિસ્સાઓમાં ફ્લેટ ભાડે લો, કે અમુક નોકરીદાતાઓ બેકગ્રાઉન્ડ ચેક કરે — ત્યારે પણ તમારો સ્કોર મહત્ત્વનો બને છે. એ શાંત રહેતો આંકડો છે, જેની અસર ખૂબ મોટી હોય છે.</p><h3><b>નિયમિત દેખરેખ શા માટે જરૂરી છે</b></h3><p>ઘણા લોકો માની લે છે કે તેમનો ક્રેડિટ સ્કોર બરાબર જ હશે, કારણ કે તેઓ સમયસર બિલ ભરે છે. આ ધારણા વાજબી છે, પણ હંમેશાં સાચી હોતી નથી. ક્રેડિટ રિપોર્ટમાં ભૂલો તમે ધારો છો તેના કરતાં ઘણી વધુ સામાન્ય છે. બંધ કરેલું ખાતું હજી ચાલુ દેખાતું હોય. સમયસર ભરેલી ચુકવણી મોડી તરીકે નોંધાયેલી હોય. તમે ક્યારેય લીધી ન હોય એવી લોન ડેટા એન્ટ્રીની ભૂલને કારણે — અથવા તેનાથી પણ ખરાબ, ઓળખની ચોરીને કારણે — તમારા નામે દેખાતી હોય.</p><p>જો તમે તપાસશો નહીં, તો તમને ખબર નહીં પડે. અને જો ખબર જ ન પડે, તો તમે વાંધો પણ ઉઠાવી શકતા નથી. poonawalla cibil check જેવી સેવાનો ઉપયોગ કરીને તમે કોઈ ફી ચૂકવ્યા વિના જોઈ શકો છો કે તમારા ક્રેડિટ રિપોર્ટમાં ખરેખર શું છે, એટલે ન જોવાનું કોઈ કારણ જ રહેતું નથી.</p><p>ભારતીય રિઝર્વ બેંકે ફરજિયાત કર્યું છે કે દરેક વ્યક્તિ દર વર્ષે દરેક ક્રેડિટ બ્યુરો પાસેથી એક મફત ક્રેડિટ રિપોર્ટ મેળવવાની હકદાર છે. કેટલાંક ફિનટેક પ્લેટફોર્મ અને બેંકો હવે તેનાથી પણ વધુ વાર મફત સ્કોર ચેક આપે છે. તમે એક પણ રૂપિયો ખર્ચ્યા વિના દર મહિને તપાસી શકો છો.</p><h4><b>સોફ્ટ ચેકથી તમારા સ્કોરને નુકસાન થતું નથી</b></h4><p>ક્રેડિટ સ્કોર વિશેની સૌથી જીદ્દી ગેરસમજોમાંની એક એ છે કે પોતાનો સ્કોર જાતે તપાસવાથી તે ઘટી જાય છે. આ ખોટું છે. જ્યારે તમે તમારો પોતાનો ક્રેડિટ સ્કોર તપાસો છો, ત્યારે તે "સોફ્ટ ઇન્ક્વાયરી" તરીકે નોંધાય છે. સોફ્ટ ઇન્ક્વાયરીની તમારા સ્કોર પર કોઈ અસર થતી નથી. જે અસર કરે છે તે છે "હાર્ડ ઇન્ક્વાયરી", જે ત્યારે થાય છે જ્યારે તમે ધિરાણ માટે અરજી કરી હોવાથી કોઈ ધિરાણકર્તા તમારો રિપોર્ટ કઢાવે છે. એટલે જો તમે એમ માનીને સ્કોર તપાસવાનું ટાળતા હો કે તેનાથી નુકસાન થશે, તો ચિંતા છોડી દો. તપાસો. વારંવાર તપાસો.</p><h4><b>તપાસો ત્યારે શું જોવું</b></h4><p>સ્કોર કાઢી લેવો એ તો અડધું જ કામ છે. બાકીનું અડધું કામ છે રિપોર્ટ ખરેખર વાંચવો. અહીં એ બાબતો છે જેના પર ધ્યાન આપવું જોઈએ.</p><p>પહેલું, ખાતાંની ચોકસાઈ જુઓ. યાદીમાં દેખાતી દરેક લોન અને ક્રેડિટ કાર્ડ એવાં હોવાં જોઈએ જે તમે ખરેખર ખોલાવ્યાં હોય. જો કંઈક અજાણ્યું લાગે, તો એ લાલ બત્તી છે અને તરત તપાસ કરવા જેવી બાબત છે.</p><p>બીજું, તમારો ચુકવણીનો ઇતિહાસ તપાસો. ક્રેડિટ સ્કોરની ગણતરીમાં આ સૌથી મોટું પરિબળ છે. જો કોઈ ચુકવણી ખોટી રીતે મોડી કે ડિફોલ્ટ તરીકે નોંધાયેલી હોય, તો ક્રેડિટ બ્યુરોમાં ફરિયાદ નોંધાવો. તેમને તપાસ કરવી ફરજિયાત છે.</p><p>ત્રીજું, તમારો ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો જુઓ. આ એ ટકાવારી છે કે તમારી ઉપલબ્ધ ક્રેડિટમાંથી તમે અત્યારે કેટલી વાપરી રહ્યા છો. જો તમારા ક્રેડિટ કાર્ડની મર્યાદા એક લાખ હોય અને બાકી રકમ સિત્તેર હજાર હોય, તો તમારું યુટિલાઇઝેશન 70% છે. એ ઘણું વધારે છે. તંદુરસ્ત સ્કોર જાળવવા માટે તેને 30%થી નીચે રાખવો એ સામાન્ય નિયમ છે.</p><h5><b>મોટા નાણાકીય નિર્ણયોની તૈયારી</b></h5><p>જો તમે આવતા છથી બાર મહિનામાં હોમ લોન કે પર્સનલ લોન માટે અરજી કરવાનું વિચારી રહ્યા હો, તો સ્કોર પર નજર રાખવાનું અત્યારથી જ શરૂ કરો. ભૂલો સુધારવામાં, બાકી રકમ ઘટાડવામાં અને તમારી સ્થિતિ મજબૂત કરવામાં સમય લાગે છે. લોન અરજી માટે મજબૂત cibil score for loan એ રાતોરાત બનતી વસ્તુ નથી. એ મહિનાઓ અને વર્ષોની સાતત્યપૂર્ણ આદતોનું પરિણામ છે.</p><p>તમે ક્યાં ઊભા છો એ જાણવાથી તમને વાટાઘાટની તાકાત મળે છે. જ્યારે તમે 780ના સ્કોર સાથે બેંકમાં જાઓ છો, ત્યારે તમે મંજૂરીની આશા રાખતા નથી. તમે શરતો પર વાટાઘાટ કરો છો. એ સાવ અલગ પ્રકારની વાતચીત હોય છે, અને ઘણી વધુ આરામદાયક પણ.</p><h5><b>આ આદત કેળવવી</b></h5><p>આને ટકાવી રાખવાનો સૌથી સહેલો રસ્તો છે તેને એવી કોઈ બાબત સાથે જોડી દેવો જે તમે પહેલેથી કરો છો. દર મહિનાની પહેલી તારીખે, જે દિવસે તમે બેંક સ્ટેટમેન્ટ જુઓ છો કે ભાડું ભરો છો, તે જ દિવસે સ્કોર તપાસો. તેમાં પાંચ મિનિટ લાગે છે. જરૂર પડે તો કેલેન્ડરમાં રિમાઇન્ડર મૂકી દો.</p><p>સમય જતાં તમને સહજ સમજ કેળવાઈ જશે કે કઈ બાબત તમારો સ્કોર ઉપર લઈ જાય છે અને કઈ નીચે ખેંચે છે. તમને ધ્યાનમાં આવશે કે તમારું સૌથી જૂનું ક્રેડિટ કાર્ડ બંધ કરવાથી સ્કોર ઘટ્યો, કારણ કે તેનાથી તમારો ક્રેડિટ ઇતિહાસ ટૂંકો થઈ ગયો. તમે એ પણ પકડી પાડશો કે સરનામું બદલવાનું ભૂલી જવાને કારણે ટેલિકોમનું બિલ કલેક્શનમાં ચાલ્યું ગયું હતું.</p><p>નાણાકીય જાગૃતિ એટલે દરેક રૂપિયા પાછળ ચિંતામાં ડૂબી જવું એવો અર્થ નથી. તેનો અર્થ છે અચાનક આવતા આંચકાનું તત્વ દૂર કરવું. જ્યારે તમને તમારો ક્રેડિટ સ્કોર ખબર હોય, ત્યારે તમે તમારી નાણાકીય તંદુરસ્તી વિશે અંદાજ લગાવતા નથી. તમે તેને માપો છો.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/06/B7t7cRKMHyBAFdHZlSpddKzgTHFSyYAoKe4uhJnD.webp'/></item><item><title><![CDATA[Gautam Gambhirએ ટીમમાં કરી 3 નવા ચહેરાની એન્ટ્રી, અને આપી દીધી મોટી ચેતવણી; કહ્યું- બધા જાણે છે કે... ]]></title><link>https://sandesh.com/sports/news/india-vs-sri-lanka-test--gautam-gambhir-welcomes-3-new-team-members</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india-vs-sri-lanka-test--gautam-gambhir-welcomes-3-new-team-members</guid><pubDate>Thu, 06 Aug 2026 15:17:50 +05:30</pubDate><description><![CDATA[<p>Gautam Gambhir: ટીમ ઈન્ડિયા 15 ઓગસ્ટથી શ્રીલંકા સામે બે મેચની ટેસ્ટ સીરીઝ રમવા માટે તૈયાર છે અને આવતીકાલે 7 ઓગસ્ટથી પ્રેક્ટિસ મેચો શરૂ થશે. જોકે, ટીમ શ્રીલંકા પહોંચી ગઈ છે અને જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. જ્યારે મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ટીમમાં ત્રણ નવા સભ્યોનું સ્વાગત કર્યું છે - બે ખેલાડીઓ અને એક સપોર્ટ સ્ટાફ સભ્ય. તેમના સમાવેશ પર ગંભીરે ચેતવણી આપતા કહ્યું કે ટીમે આગળ અનેક પડકારોનો સામનો કરવો પડશે અને તે પડકારોમાં પાર નીકળવું પડશે.&nbsp;</p><p>નોંધનીય છે કે, વોશિંગ્ટન સુંદરની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવેલા સ્પિનર સારાંશ જૈન અને જસપ્રીત બુમરાહની જગ્યાએ આકિબ નબી ડાર સિવાય ફિલ્ડીંગ કોચ સુભાદીપ ધોષનું સ્વાગત પણ ગૌતમ ગંભીરે કર્યું છે. ગંભીરે બન્ને ટીમને મહેનત કરવા માટે શુભેચ્છા પાઠવી છે. જેના કારણે અહીં સુધી પહોંચ્યા છે. પરંતુ સાથે જ તેમણે યાદ અપાવ્યું કે આતો બસ શરૂઆત છે. વધુમાં ફિલ્ડિંગ કોચ અંગે તેમણે કહ્યું કે, તેમણે ઘણી ટીમો સાથે મહેનત કરી છે અને હવે અમે ટારગેટને હાંસલ કરવાનો છે.&nbsp;</p><p><b>સારાંશ, નબી અને ઘોષનું સ્વાગત</b></p><p>BCCI દ્વારા બહાર પાડવામાં આવેલા એક વિડીયોમાં ગૌતમ ગંભીરે ટીમને સંબોધતા કહ્યું, "સૌનું સ્વાગત છે. અમારી સાથે કેટલાક નવા ચહેરાઓ છે. સારાંશ અભિનંદન. તમે અહીં પહોંચવા માટે ખૂબ જ મહેનત કરી છે. ખાતરી કરો કે જ્યારે પણ તમને તક મળે, ત્યારે તમે તમારા પરિવાર અને દેશને ગૌરવ અપાવશો."</p><p>ગંભીરે પછી આકિબ નબીની પ્રશંસા કરતા કહ્યું, "બીજું, હું આકિબને અભિનંદન આપવા માંગુ છું. તમારી પાસે શાનદાર સિઝન રહી અને તમે J&amp;K ને રણજી ટ્રોફી જીતવામાં મદદ કરી, જે એક મોટી સિદ્ધિ છે. ફરી એકવાર અભિનંદન." મુખ્ય કોચે નવા સપોર્ટ સ્ટાફ સભ્યનું પણ સ્વાગત કર્યું; શુભદીપ ઘોષને નવા ફિલ્ડિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેમણે ટી. દિલીપ પાસેથી પદ સંભાળ્યું છે.&nbsp;</p><p><b>ફિલ્ડિંગ કોચનું સ્વાગત</b></p><p>ફિલ્ડિંગ કોચ વિશે વાત કરતા, ગંભીરે કહ્યું, "હું જોયનું પણ સ્વાગત કરવા માંગુ છું. તેમણે વર્ષોથી ઘણી ટીમો સાથે કામ કર્યું છે. મને વિશ્વાસ છે કે તેમનો જુસ્સો અને પ્રતિબદ્ધતા આ ટીમને આગળ ધપાવશે અને તેમની એનર્જી લેવલ દરેકને તે ટારગેટ હાંસલ કરવામાં મદદ કરશે જે આપણે હાંસલ કરવા માગીએ છીએ.&nbsp;</p><p><br></p><p>અંતે, ગંભીરે બધાને આગળના પડકારોની યાદ અપાવતા કહ્યું, "અંતે, મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણી સામે શું છે. આપણે જાણીએ છીએ કે આપણે કોના માટે રમી રહ્યા છીએ. આપણે સખત મહેનત કરી શકીએ છીએ, આપણી મર્યાદાઓને આગળ ધપાવી શકીએ છીએ અને બધા યોગ્ય ક્ષેત્રો પાર કરી શકીએ છીએ. 15મી તારીખની સવારે આવો - ભલે આપણે પહેલા બેટિંગ કરી રહ્યા હોઈએ કે બોલિંગ કરી રહ્યા હોઈએ. ચાલો આપણે આપણા માર્ગમાં આવનારા દરેક પડકારનો જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર રહીએ."</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/entertainment/news/rajpal-yadav-property-auction--bank-seizes-assets-over-rs-16-cr-loan" target="_blank"><b>Rajpal Yadavની મુશ્કેલીમાં થયો વધારો, શું હવે થશે અભિનેતાની મિલકતની હરાજી!</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/06/jyH1XVZDI32I7JuXYnqXpqfRXrvWPJRGdn7htgVE.webp'/></item></channel></rss>