<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabad: સાબરમતીથી દોડશે દેશની પ્રથમ LNG-ડીઝલ DEMU ટ્રેન, 4 સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રારંભ કરાવશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/indias-first-lng-diesel-demu-train-sabarmati-ahmedabad-railway</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/indias-first-lng-diesel-demu-train-sabarmati-ahmedabad-railway</guid><pubDate>Sat, 29 Aug 2026 19:07:41 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય રેલવેએ પર્યાવરણની જાળવણી અને આર્થિક રીતે કિફાયતી સંચાલન તરફ એક મોટી સિદ્ધિ હાસિલ કરી છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ આવેલ ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડિપો (ICD) સાબરમતી ખાતેથી દેશની સૌપ્રથમ લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) અને ડીઝલ આધારિત ડ્યુઅલ ફ્યુઅલ DEMU ટ્રેન તૈયાર કરવામાં આવી છે.</p><h2><b>ભારતીય રેલવેની ઐતિહાસિક સિદ્ધિ</b></h2><p>અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક (DRM) શ્રી વેદ પ્રકાશે સ્ટાફ અને એન્જિનિયરો સાથે આ ખાસ ટ્રેનનું જાતે નિરીક્ષણ કર્યું હતું. આ ટેક્નોલોજી અંતર્ગત 1400 એચપી ધરાવતા બે DEMU ડ્રાઇવિંગ પાવર કાર (DPC)ને ડ્યુઅલ ફ્યુઅલ પ્રણાલીમાં બદલવામાં આવ્યા છે. જેમાં ડીઝલનો ૪૦ ટકા વપરાશ ઘટાડીને તેની જગ્યાએ સસ્તા અને સ્વચ્છ ઈંધણ એવા LNGનો ઉપયોગ કરવામાં આવશે. 2000 કિલોમીટરથી વધુ સમય સુધીના કડક ફિલ્ડ ટ્રાયલ સફળ રહ્યા બાદ આ ટ્રેનને મુસાફર સેવામાં મૂકવાની મંજૂરી આપવામાં આવી છે.</p><h3><b>દેશની પ્રથમ LNG-ડીઝલ DEMU ટ્રેન</b></h3><p>આ નવતર પ્રયોગના કારણે રેલવેને બેવડો ફાયદો થવા જઈ રહ્યો છે. એક તરફ એન્જિનમાંથી નીકળતા હાનિકારક વાયુઓ જેવા કે કાર્બન ડાયોક્સાઇડ (CO₂), નાઇટ્રોજન ઑક્સાઇડ (NOx) અને પાર્ટિક્યુલેટ મેટર (PM) ના ઉત્સર્જનમાં મોટો ઘટાડો થશે, જેનાથી ટ્રેકના રૂટ આસપાસની હવા સ્વચ્છ રહેશે. તો બીજી તરફ, નાણાકીય દ્રષ્ટિએ પણ આ ટેક્નોલોજી અત્યંત ફાયદાકારક સાબિત થઈ છે. એક DPC માંથી વર્ષે ₹11.9 લાખ અને આખા 8 કોચના DEMU રેકમાંથી પ્રતિ વર્ષ આશરે ₹23.9 (આશરે ₹24) લાખના ઈંધણ ખર્ચની બચત થશે.</p><h4><b>4 સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરાવશે પ્રસ્થાન</b></h4><p>DPC માં 600 થી 2200 લીટર ક્ષમતાની વિશિષ્ટ ટેન્ક મૂકવામાં આવી છે, જે 222 કિમીના દૈનિક સંચાલન માટે પુરતી છે.એન્જિનની શક્તિ અને કાર્યક્ષમતામાં ઘટાડો કર્યા વિના જરૂર પડે ડ્યુઅલ સિસ્ટમમાંથી ડીઝલ પર સ્વિચ થઈ શકાય છે.RDSO દ્વારા ઉત્સર્જન પરીક્ષણ બાદ આગામી સમયમાં વધુ 8 DEMU DPC ને પણ આ સિસ્ટમમાં કન્વર્ટ કરવામાં આવશે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/sidhpur/siddhpur-highway-hotel-car-accident-cctv-one-dead" target="_blank"><sup>આ પણ વાંચો: Sidhpur: સિદ્ધપુર હાઈવે પર હોટલમાં કાર ઘૂસી જતાં એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત, સીસીટીવી આવ્યા સામે</sup></a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/rF2yHPzN65s9LiTZDFEczPeQIrmmf0nMHtmCPKaz.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: BRTS બસે બાઇકચાલકને અડફેટે લીધો, Video ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-news-brts-bus-hits-biker-video</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-news-brts-bus-hits-biker-video</guid><pubDate>Sat, 29 Aug 2026 18:56:28 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરમાં BRTS બસની બેફામ સ્પીડ અને અકસ્માતોનો સિલસિલો થમવાનું નામ નથી લઈ રહ્યો. શહેરના નવાવાડજ વિસ્તારમાં આવેલા વ્યાસવાડી ચાર રસ્તા પાસે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. જંકશન પરથી પસાર થઈ રહેલી પુરઝડપ BRTS બસે એક બાઇકચાલકને જોરદાર અડફેટે લીધો હતો. અકસ્માત એટલો સખત હતો કે બાઇકચાલક જમીન પર પટકાતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.</p><h2><b>ઇજાગ્રસ્ત બાઇકચાલકને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયો</b></h2><p>અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકોના ટોળાં ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. બનાવ અંગે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતાં જ ઈમરજન્સી ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા બાઇકચાલકને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.</p><p><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dcn_15gkh49/?utm_source=ig_web_copy_link&amp;igsi=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dcn_15gkh49/?utm_source=ig_web_copy_link&amp;igsi=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dcn_15gkh49/?utm_source=ig_web_copy_link&amp;igsi=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dcn_15gkh49/?utm_source=ig_web_copy_link&amp;igsi=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h2><b>સમગ્ર અકસ્માતના દ્રશ્યો CCTV કેમેરામાં કેદ</b></h2><p>આ સમગ્ર ભયાનક અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે BRTS બસ કેવી રીતે બાઇકચાલકને અડફેટે લે છે. આ ઘટના બાદ સ્થાનિકોમાં BRTS બસના ડ્રાઇવરોની બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે બનાવ અંગે તપાસ શરૂ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-traffic-police-next-gen-e-challan-system" target="_blank">Ahmedabad News: હવે ખોટા ઈ-ચલણને બે વખત પડકારી શકાશે, જાણો ક્યારથી થશે અમલ?</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/qgjrnNSg0HGH0mTELAVi2kLH9kblq4VauRZLw8fA.webp'/></item><item><title><![CDATA[Surendranagar News: લખતરના વડેખણ ખાતે 1.18 કરોડના ખર્ચે શાળાનું ખાતમૂહૂર્ત અને આંગણવાડીનું લોકાર્પણ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/surendranagar/lakhtar-modekhan-vadekhan-school-angandwadi-inauguration-dhs-1-18-crore</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/surendranagar/lakhtar-modekhan-vadekhan-school-angandwadi-inauguration-dhs-1-18-crore</guid><pubDate>Sat, 29 Aug 2026 18:53:08 +05:30</pubDate><description><![CDATA[<p>સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વડેખણ ગામ ખાતે શિક્ષણ અને બાલમંદિર સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લખતર-દસાડા વિસ્તારના ધારાસભ્યના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ગામમાં નવીન પ્રાથમિક શાળાનું ખાતમૂહૂર્ત તથા નવનિર્મિત આંગણવાડીનું લોકાર્પણ સંપન્ન થયું હતું.</p><h2><b>આધુનિક સુવિધાઓથી સજ્જ બનશે વડેખણની નવી પ્રાથમિક શાળા</b></h2><p>વડેખણ ગામે રૂ. 1.18 કરોડના મસમોટા ખર્ચે નવી પ્રાથમિક શાળા આકાર લેવા જઈ રહી છે. આ આધુનિક શાળામાં વિદ્યાર્થીઓ માટે 5 સુસજ્જ વર્ગખંડો, ફરતે સુરક્ષા માટે કમ્પાઉન્ડ વોલ તેમજ મધ્યાહ્ન ભોજન યોજના માટે અલગથી સ્પેશિયલ રૂમનું નિર્માણ કરવામાં આવશે. આ શાળાને તમામ પ્રકારની આધુનિક શૈક્ષણિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે, જેથી ગ્રામીણ વિસ્તારના બાળકોને ઉત્કૃષ્ટ શિક્ષણ મળી રહે.</p><p><br><img alt="Surendranagar News: School Foundation Laying &amp; Anganwadi Inauguration Worth 1.18 Crore in Modekhan of Lakhtar" src="https://epapercdn.sandesh.com/images/2026/08/29/AzxK3hyBjDcYpVJJ4lvnydfWDuCRMHvf1kFyhigl.webp"></p><h2><b>ભાજપના અગ્રણીઓ, પદાધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા</b></h2><p>આ લોકાર્પણ અને ખાતમૂહૂર્તના પ્રસંગે જિલ્લા અને તાલુકાના વિવિધ રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન અજયસિંહ રાણા, જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ દશરથસિંહ રાણા, પૂર્વ મહામંત્રી જયેશભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ ક્રિપાલસિંહ રાણા, કારોબારી ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા ભાજપ મંત્રી પ્રભુભાઈ મકવાણા અને તાલુકા ભાજપ મહામંત્રી મહેશભાઈ હાજર રહ્યા હતા. આ ઉપરાંત સ્થાનિક સરપંચ, અન્ય આગેવાનો, શિક્ષકો, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ હાજરી આપી ઉત્સવ મનાવ્યો હતો.</p><p><img alt="Surendranagar News: School Foundation Laying &amp; Anganwadi Inauguration Worth 1.18 Crore in Modekhan of Lakhtar" src="https://epapercdn.sandesh.com/images/2026/08/29/70cbTgD3vrr0heBK9qjsYLUmUx5TcfDWiJeutlOX.webp"><br></p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/surendranagar/temple-theft-accused-arrested-in-dhrangadhra--rs-1-30-lakh-stolen-property-recovered" target="_blank">Surendranagar News: ધ્રાંગધ્રાના મંદિરમાં ચોરી કરનાર ચોરને પોલીસે ઝડપી પાડ્યો, 1.30 લાખનો મુદ્દામાલ જપ્ત</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/zOKv2VVKQn34NQj3SvZRUrjvMvatFq4R9dvjH6T3.webp'/></item><item><title><![CDATA[Samay Raina Controversy: કાશ્મીરી પંડિતો અને બિહારીઓ પર ટિપ્પણી બદલ સમય રૈના ફસાયા વિવાદમાં, BJP MLAએ કર્યો વિરોધ ]]></title><link>https://sandesh.com/entertainment/news/india/samay-raina-controversy-samay-raina-gets-embroiled-in-controversy-for-his-comments-on-kashmiri-pandits-and-biharis-bjp-mla-protests</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/india/samay-raina-controversy-samay-raina-gets-embroiled-in-controversy-for-his-comments-on-kashmiri-pandits-and-biharis-bjp-mla-protests</guid><pubDate>Sat, 29 Aug 2026 18:49:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ વખતે, આ મુદ્દો કાશ્મીરી પંડિતો અને બિહારીઓ વિશે શોમાં કરવામાં આવેલી ટિપ્પણીઓ સાથે સંબંધિત છે.</p><h2 style="text-align: justify; ">ફરી વિવાદનું વંટોળ&nbsp;</h2><p style="text-align: justify; ">હાસ્ય કલાકાર સમય રૈના ફરી એકવાર વિવાદમાં ફસાયા છે. તેમના શો 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ 2' ના નવીનતમ એપિસોડમાં કાશ્મીરી પંડિતો અને બિહારીઓ વિશે કરવામાં આવેલી કથિત મજાકથી વિવાદ થયો છે. ભાજપના ધારાસભ્ય રામ કદમે સમય રૈનાના નિવેદનની સખત નિંદા કરી, તેને કાશ્મીરી પંડિત સમુદાયનું અપમાન ગણાવ્યું. તેમણે કહ્યું કે કાશ્મીરી પંડિતો સામે અપમાનજનક ભાષાનો ઉપયોગ અસ્વીકાર્ય છે.</p><h3 style="text-align: justify; ">ભાજપ ધારાસભ્યની પ્રતિક્રિયા&nbsp;</h3><p style="text-align: justify; ">રામ કદમે કહ્યું, કાશ્મીરી પંડિતો આ દેશનો અભિન્ન ભાગ છે. આતંકવાદીઓ અને પાકિસ્તાન-આઈએસઆઈના કાવતરાને કારણે તેમને ઘર છોડીને વિસ્થાપિત થવાની ફરજ પડી હતી. એક સભ્ય સમાજમાં આટલી પીડા અને અત્યાચાર સહન કરનારા સમુદાય વિરુદ્ધ આવી અપમાનજનક ભાષાનો ઉપયોગ સ્વીકાર્ય નથી. તે સંપૂર્ણપણે નિંદનીય અને અપમાનજનક છે. આવી ટિપ્પણી કરનાર વ્યક્તિએ દેશની માફી માંગવી જોઈએ.</p><h4 style="text-align: justify; ">પ્રચાર માટે નિશાન સાધવું: રામ કદમ</h4><p style="text-align: justify; ">રામ કદમે એમ પણ કહ્યું, અમે કલાકારોની પ્રતિભાનું સન્માન કરીએ છીએ. પરંતુ ચોક્કસ મર્યાદાઓ, સીમાઓ હોય છે. જો કોઈ કોઈની શ્રદ્ધા, લાગણીઓ અથવા માન્યતાઓને ઠેસ પહોંચાડે છે, તો આવી કલાને કલા કહી શકાય નહીં. પછી ભલે તે સમય રૈના હોય કે અન્ય કોઈ કલાકાર. આપણે ભૂતકાળમાં જોયું છે અને વર્તમાનમાં જોઈ રહ્યા છીએ કે તેઓ પ્રસિદ્ધિ મેળવવા માટે ષડયંત્રના ભાગ રૂપે જાણી જોઈને કોઈને નિશાન બનાવે છે. તમે કાશ્મીરી પંડિતોની મજાક ઉડાવશો તેનું કારણ શું છે? શું તમે આપણા બિહારી ભાઈઓની મજાક ઉડાવશો? આ ઇરાદાપૂર્વકનો પબ્લિસિટી સ્ટંટ છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/india/news/bombay-high-court-slams-fda-orders-reopening-of-restaurants-in-mca-complex" target="_blank"> Bombay High Courtએ FDAને લગાવી ફટકાર, MCA કોમ્પ્લેક્સમાં રેસ્ટોરન્ટ્સ ફરી શરૂ કરવાનો આપ્યો આદેશ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/IEcckcNOFR8IUAfxDCrI5Gim6HZh723d2rHSjWMk.webp'/></item><item><title><![CDATA[Samay Raina Controversy: કાશ્મીરી પંડિતો અને બિહારીઓ પર ટિપ્પણી બદલ સમય રૈના ફસાયા વિવાદમાં, BJP MLAએ કર્યો વિરોધ ]]></title><link>https://sandesh.com/entertainment/news/india/samay-raina-controversy-samay-raina-gets-embroiled-in-controversy-for-his-comments-on-kashmiri-pandits-and-biharis-bjp-mla-protests</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/india/samay-raina-controversy-samay-raina-gets-embroiled-in-controversy-for-his-comments-on-kashmiri-pandits-and-biharis-bjp-mla-protests</guid><pubDate>Sat, 29 Aug 2026 18:49:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ વખતે, આ મુદ્દો કાશ્મીરી પંડિતો અને બિહારીઓ વિશે શોમાં કરવામાં આવેલી ટિપ્પણીઓ સાથે સંબંધિત છે.</p><h2 style="text-align: justify; ">ફરી વિવાદનું વંટોળ&nbsp;</h2><p style="text-align: justify; ">હાસ્ય કલાકાર સમય રૈના ફરી એકવાર વિવાદમાં ફસાયા છે. તેમના શો 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ 2' ના નવીનતમ એપિસોડમાં કાશ્મીરી પંડિતો અને બિહારીઓ વિશે કરવામાં આવેલી કથિત મજાકથી વિવાદ થયો છે. ભાજપના ધારાસભ્ય રામ કદમે સમય રૈનાના નિવેદનની સખત નિંદા કરી, તેને કાશ્મીરી પંડિત સમુદાયનું અપમાન ગણાવ્યું. તેમણે કહ્યું કે કાશ્મીરી પંડિતો સામે અપમાનજનક ભાષાનો ઉપયોગ અસ્વીકાર્ય છે.</p><h3 style="text-align: justify; ">ભાજપ ધારાસભ્યની પ્રતિક્રિયા&nbsp;</h3><p style="text-align: justify; ">રામ કદમે કહ્યું, કાશ્મીરી પંડિતો આ દેશનો અભિન્ન ભાગ છે. આતંકવાદીઓ અને પાકિસ્તાન-આઈએસઆઈના કાવતરાને કારણે તેમને ઘર છોડીને વિસ્થાપિત થવાની ફરજ પડી હતી. એક સભ્ય સમાજમાં આટલી પીડા અને અત્યાચાર સહન કરનારા સમુદાય વિરુદ્ધ આવી અપમાનજનક ભાષાનો ઉપયોગ સ્વીકાર્ય નથી. તે સંપૂર્ણપણે નિંદનીય અને અપમાનજનક છે. આવી ટિપ્પણી કરનાર વ્યક્તિએ દેશની માફી માંગવી જોઈએ.</p><h4 style="text-align: justify; ">પ્રચાર માટે નિશાન સાધવું: રામ કદમ</h4><p style="text-align: justify; ">રામ કદમે એમ પણ કહ્યું, અમે કલાકારોની પ્રતિભાનું સન્માન કરીએ છીએ. પરંતુ ચોક્કસ મર્યાદાઓ, સીમાઓ હોય છે. જો કોઈ કોઈની શ્રદ્ધા, લાગણીઓ અથવા માન્યતાઓને ઠેસ પહોંચાડે છે, તો આવી કલાને કલા કહી શકાય નહીં. પછી ભલે તે સમય રૈના હોય કે અન્ય કોઈ કલાકાર. આપણે ભૂતકાળમાં જોયું છે અને વર્તમાનમાં જોઈ રહ્યા છીએ કે તેઓ પ્રસિદ્ધિ મેળવવા માટે ષડયંત્રના ભાગ રૂપે જાણી જોઈને કોઈને નિશાન બનાવે છે. તમે કાશ્મીરી પંડિતોની મજાક ઉડાવશો તેનું કારણ શું છે? શું તમે આપણા બિહારી ભાઈઓની મજાક ઉડાવશો? આ ઇરાદાપૂર્વકનો પબ્લિસિટી સ્ટંટ છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/india/news/bombay-high-court-slams-fda-orders-reopening-of-restaurants-in-mca-complex" target="_blank"> Bombay High Courtએ FDAને લગાવી ફટકાર, MCA કોમ્પ્લેક્સમાં રેસ્ટોરન્ટ્સ ફરી શરૂ કરવાનો આપ્યો આદેશ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/IEcckcNOFR8IUAfxDCrI5Gim6HZh723d2rHSjWMk.webp'/></item><item><title><![CDATA[Indian Railwayના 7 વ્યસ્ત રૂટ બનશે ફોર-લેન, 11,000 કિલોમીટરના ટ્રેકનું થશે વિસ્તરણ ]]></title><link>https://sandesh.com/india/news/indian-railways-7-busy-routes-four-track-expansion-11000-km</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/indian-railways-7-busy-routes-four-track-expansion-11000-km</guid><pubDate>Sat, 29 Aug 2026 18:48:52 +05:30</pubDate><description><![CDATA[<p>રોડની જેમ હવે ભારતીય રેલવે પણ દેશના સૌથી વ્યસ્ત 7 રેલવે રૂટને ફોર-લેન બનાવવાની તૈયારી કરી રહ્યું છે. આ યોજના હેઠળ આશરે 11,000 કિલોમીટર લાંબા રેલ કોરિડોરમાં ચાર રેલવે લાઈનની ક્ષમતા વિકસાવવામાં આવશે. તેનો મુખ્ય હેતુ વધતા મુસાફરો અને માલવાહક ટ્રેનો માટે વધુ ક્ષમતા ઊભી કરવાનો છે.</p><p>આ સાત કોરિડોર દેશના કુલ રેલવે ટ્રાફિકના લગભગ 41 ટકા હિસ્સાને આવરી લે છે, જ્યારે સમગ્ર રેલવે નેટવર્કમાં તેમનો હિસ્સો માત્ર 16 ટકા છે. આ રૂટ દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, હાવડા અને ગુવાહાટી જેવા મહત્વપૂર્ણ શહેરોને જોડે છે.</p><h2><b>આ 7 રૂટનો થશે સમાવેશ</b></h2><ul><li>દિલ્હી-હાવડા</li><li>હાવડા-ચેન્નાઈ</li><li>ચેન્નાઈ-મુંબઈ</li><li>મુંબઈ-દિલ્હી</li><li>દિલ્હી-ચેન્નાઈ</li><li>મુંબઈ-હાવડા</li><li>દિલ્હી-ગુવાહાટી</li></ul><p>રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે આ રૂટ પર ચાર રેલવે લાઈન માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવી રહ્યું છે. વધારાની ક્ષમતા ઊભી કરીને ભવિષ્યમાં મુસાફર અને માલવાહક ટ્રાફિકમાં થનારા વધારાને પહોંચી વળવાનો પ્રયાસ કરવામાં આવશે. રેલ પરિવહનથી પરિવહન ખર્ચ ઘટાડવા ઉપરાંત વધુ સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ પરિવહન વ્યવસ્થાને પણ પ્રોત્સાહન મળશે.</p><h3><b>દિલ્હી-હાવડા અને દિલ્હી-મુંબઈ સૌથી વ્યસ્ત</b></h3><p>દિલ્હી-હાવડા અને દિલ્હી-મુંબઈ દેશના સૌથી વ્યસ્ત રેલ કોરિડોરમાં સામેલ છે. દિલ્હી-હાવડા રૂટ પર દરરોજ 120થી વધુ પેસેન્જર ટ્રેનો અને લગભગ 100 માલગાડીઓ દોડે છે. આ રૂટ આશરે 1,400 કિમી લાંબો છે. જ્યારે દિલ્હી-મુંબઈ રૂટની લંબાઈ લગભગ 1,500 કિમી છે અને તેના પર દરરોજ 90થી વધુ પેસેન્જર ટ્રેનો તથા 80થી 85 માલગાડીઓ દોડે છે. હાવડા-ચેન્નાઈ રૂટ આશરે 1,653 કિમી અને દિલ્હી-ચેન્નાઈ રૂટ લગભગ 2,174 કિમી લાંબો છે. સમગ્ર ભારતીય રેલવે નેટવર્ક પર દરરોજ લગભગ 25,000 ટ્રેનો દોડે છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/bombay-high-court-slams-fda-orders-reopening-of-restaurants-in-mca-complex" target="_blank">આ પણ વાંચો : Bombay High Courtએ FDAને લગાવી ફટકાર, MCA કોમ્પ્લેક્સમાં રેસ્ટોરન્ટ્સ ફરી શરૂ કરવાનો આપ્યો આદેશ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/Ao6Pds17gysw5vMT8ggICwzpGev8QpXS0rps6Btx.webp'/></item><item><title><![CDATA[Credit Card Limit: એકસાથે કેટલા ક્રેડિટ કાર્ડ રાખવા કાયદેસર છે? RBIનો નિયમ જાણો ]]></title><link>https://sandesh.com/business/news/how-many-credit-cards-can-one-person-have-rbi-rules</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/how-many-credit-cards-can-one-person-have-rbi-rules</guid><pubDate>Sat, 29 Aug 2026 18:38:25 +05:30</pubDate><description><![CDATA[<p>આજકાલ લોકો ખર્ચ પૂરા કરવાની સાથે આવતીકાલ માટે બચત પણ કરતા હોય છે. અત્યારના સમયમાં લોકોમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ઝડપથી વધ્યો છે. ખાસ કરીને નોકરી કરતા લોકો અનેક ક્રેડિટ કાર્ડ કઢાવી રહ્યા છે. તે પણ એક જ બેંકના નહીં, પરંતુ અલગ-અલગ બેંકોના અલગ અલગ ક્રેડિટ કાર્ડ. પરંતુ શું તમને ખબર છે કે એક વ્યક્તિ કેટલા ક્રેડિટ કાર્ડ કઢાવી શકે?</p><h2><b>ક્રેડિટ કાર્ડ કઢાવવાના ફાયદા શું છે?</b></h2><p>ક્રેડિટ કાર્ડનો યોગ્ય ઉપયોગ કરવાથી ક્રેડિટ સ્કોર સારો થઈ શકે છે, જેના કારણે મોટી લોન મેળવવામાં સરળતા રહે છે. ઇમરજન્સીમાં પણ ક્રેડિટ કાર્ડ મદદરૂપ થઈ શકે છે. પૈસા ન હોય ત્યારે પણ તમે જરૂરી ખર્ચ કરી શકો છો અને પછી તેને EMI દ્વારા ચૂકવી શકો છો. આ ઉપરાંત ડિસ્કાઉન્ટ, કૅશબૅક જેવી સુવિધાઓ પણ મળી શકે છે.</p><h2><b>ક્રેડિટ કાર્ડના નુકસાન શું છે?</b></h2><p>ક્રેડિટ કાર્ડના કારણે જરૂર ન હોય તેવા ખર્ચ કરવાની આદત પડી શકે છે. જો સમયસર બિલની રકમ ચૂકવવામાં ન આવે તો CIBIL સ્કોર ખરાબ થઈ શકે છે. તેના કારણે ભવિષ્યમાં લોન મેળવવામાં મુશ્કેલી આવી શકે છે.</p><h2><b>એક વ્યક્તિ કેટલા ક્રેડિટ કાર્ડ કઢાવી શકે?</b></h2><p>ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBIએ એક વ્યક્તિ કેટલા ક્રેડિટ કાર્ડ રાખી શકે તેની કોઈ મર્યાદા નક્કી કરી નથી. એટલે એક વ્યક્તિ પોતાની જરૂરિયાત અને યોગ્યતા પ્રમાણે જેટલી બેંકોમાંથી ક્રેડિટ કાર્ડ મેળવવા પાત્ર હોય તેટલા ક્રેડિટ કાર્ડ લઈ શકે છે. જોકે, ક્રેડિટ કાર્ડના બિલની ચુકવણીને લઈને નિયમો ચોક્કસપણે મહત્વના છે. તમે ગમે તેટલી બેંકોમાંથી ક્રેડિટ કાર્ડ લઈ શકો છો, પરંતુ તમામ કાર્ડના બિલની સમયસર ચુકવણી કરવી જરૂરી છે.</p><p>જો તમે બિલ ચૂકવી ન શકો, તો તમારી ક્રેડિટ હિસ્ટ્રી પર ખરાબ અસર પડી શકે છે અને લાંબા સમય સુધી ચુકવણી ન થાય તો લોન ડિફોલ્ટર તરીકે નોંધાઈ શકો છો. તેથી ક્રેડિટ કાર્ડ જેટલા લેવા હોય તેટલા લો, પરંતુ દરેક કાર્ડની સમયસર ચુકવણી કરવાનું ખાસ ધ્યાન રાખો.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/XnV4kFmRaJI8SUkiAov74GVtvBo19IO9EluqNjfh.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના અમરાઈવાડીમાં રક્ષાબંધને જ રક્તપાત, પત્નીને મનાવવા ગયેલા બનેવીની સાળાઓએ કરી હત્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/bloodshed-on-raksha-bandhan-in-amraiwadi-ahmedabad-brother-in-law-killed-by-his-brothers-in-law-who-went-to-convince-his-wife</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/bloodshed-on-raksha-bandhan-in-amraiwadi-ahmedabad-brother-in-law-killed-by-his-brothers-in-law-who-went-to-convince-his-wife</guid><pubDate>Sat, 29 Aug 2026 18:22:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે જ એક કરૂણ અને ચકચારી ઘટના સામે આવી છે. પત્ની સ્વાતિ રિસાઈને પિયર જતી રહી હોવાથી, તેને મનાવવા અને સમાધાન કરવા માટે બનેવી રણજીત તેના પરિવારજનો સાથે સાસરે ગયો હતો. સાસરિયામાં અગાઉ નક્કી થયેલી સગાઈ તોડવા બાબતે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિવાદ વધતાં રણજીત અને તેના ભાઈઓ ત્યાંથી નીકળી ગયા હતા, પરંતુ તક જોઈને સાસરિયાના લોકોએ મેટ્રો પિલર પાસે તેમનો રસ્તો રોકીને હુમલો કર્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>મેટ્રો પિલર પાસે રસ્તો રોકી ચપ્પુના ઘા ઝીંક્યા</b></h2><p style="text-align: justify; ">આરોપીઓએ રસ્તો રોકીને જાનથી મારી નાખવાની ધમકી આપી રણજીત પર ચપ્પુ વડે તીક્ષ્ણ હુમલો કર્યો હતો. આ દરમિયાન ભાઈ રણજીતને બચાવવા માટે વચ્ચે પડેલા કરણ અને અમરજીત પર પણ આરોપીઓએ હુમલો કરી ઈજા પહોંચાડી હતી. ગંભીર રીતે ઘવાયેલા રણજીતને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. રક્ષાબંધનના તહેવાર પર જ સાળા-બનેવીના સંબંધનો આ રીતે દર્દનાક અંત આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>પોલીસે 4 સામે ગુનો નોંધી બે આરોપીની અટકાયત કરી</b></h2><p style="text-align: justify; ">આ ચકચારી કેસમાં અમરાઈવાડી પોલીસે રજત ઉર્ફે અજ્જુ, કરણ, ચંદન અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોર સહિત ચાર લોકો સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને કરણ અને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને રાઉન્ડઅપ કરી લીધા છે. જ્યારે ફરાર થઈ ગયેલા અન્ય આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે કાયદેસરની તપાસ તેજ કરી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/gandhinagar-news-upper-caste-communitys-cry-before-gujarat-elections-important-meeting-of-leaders-of-unreserved-classes" target="_blank">Gandhinagar News : ગુજરાત ચૂંટણી પહેલા સવર્ણ સમાજનો હૂંકાર, બિન અનામત વર્ગના આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/rnmYCTnyTwCBDJv5lyKkrRAdSWst7VsnE4pSqf71.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News : ગુજરાત ચૂંટણી પહેલા સવર્ણ સમાજનો હૂંકાર, બિન અનામત વર્ગના આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gandhinagar-news-upper-caste-communitys-cry-before-gujarat-elections-important-meeting-of-leaders-of-unreserved-classes</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gandhinagar-news-upper-caste-communitys-cry-before-gujarat-elections-important-meeting-of-leaders-of-unreserved-classes</guid><pubDate>Sat, 29 Aug 2026 18:08:43 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓ પૂર્વે રાજ્યના રાજકારણમાં મોટા ગરમાવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. બિન અનામત વર્ગના તમામ મુખ્ય આગેવાનો અને પ્રતિનિધિઓ ફરી એકવાર એક જ મંચ પર ઉપસ્થિત થવા જઈ રહ્યા છે. 'સવર્ણ એકતા મંચ' ના નેજા હેઠળ રવિવારે ગાંધીનગર ખાતે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં રાજ્યભરમાંથી બિન અનામત સમાજના આગેવાનો, અગ્રણીઓ અને પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં એકઠા થઈને પોતાની પડતર માગણીઓ અને સમાજના ભવિષ્ય અંગે વિસ્તૃત વિચાર-વિમર્શ કરશે.</p><h2 style="text-align: justify; "><b>અનામત રિફોર્મ્સ, UGC અને કાયદાકીય મુદ્દાઓ પર ગહન ચર્ચા</b></h2><p style="text-align: justify; ">ગાંધીનગરમાં યોજાનારી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં વર્તમાન અનામત કાયદાઓ, અનામત આંદોલનની સ્થિતિ તેમજ યુજીસી (UGC) સાથે જોડાયેલા નીતિ વિષયક પ્રશ્નો પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત, હાલમાં ચાલી રહેલા અનામત રિફોર્મ્સ (સુધારા) આંદોલનને પણ સવર્ણ સમાજ તરફથી મજબૂત ટેકો જાહેર કરવાનો નિર્ણય લેવાયો છે. સમાજના હિતોનું રક્ષણ કરવા માટે કાયદાકીય અને સામાજિક પાસાઓને ધ્યાનમાં રાખીને તમામ મુદ્દાઓનો તાર્કિક ઉકેલ લાવવા પર ખાસ ભાર મૂકવામાં આવશે.</p><h2 style="text-align: justify; "><b>બેઠક બાદ આગામી રણનીતિ થશે જાહેર</b></h2><p style="text-align: justify; ">રવિવારે યોજાનારી આ બેઠક માત્ર ચર્ચા પૂરતી સીમિત ન રહેતા, આગામી દિવસો માટેની નક્કર રણનીતિ ઘડવા માટે નિર્ણાયક સાબિત થશે. બિન અનામત વર્ગના તમામ આગેવાનો મંથન કર્યા બાદ ભવિષ્યના આંદોલનાત્મક અને સામાજિક કાર્યક્રમો અંગે આખરી નિર્ણય લેશે. ચૂંટણીની પૂર્વસંધ્યાએ સવર્ણ સમાજની આ એકજૂટતા અને રાજકીય દબાણથી આવનારા સમયમાં રાજ્યના રાજકીય સમીકરણો પર મોટી અસર પડે તેવા સંકેતો મળી રહ્યા છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-news-investigation-into-corruption-allegations-against-neerja-gupta-intensified-committee-formed-under-the-chairmanship-of-retired-judge" target="_blank">Ahmedabad News : નીરજા ગુપ્તા સામેના ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ તેજ, નિવૃત જજની અધ્યક્ષતામાં કમિટી રચાઈ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/bVGpTUJv6BC7hCIHE4lUkV1LXuTOujhZA1PqH66H.webp'/></item><item><title><![CDATA[National Sports Day 2026: મેજર ધ્યાનચંદના જીવનના 4 પ્રેરણાદાયી કિસ્સા, જાણો કેવી રીતે બન્યા હોકીના જાદુગર ]]></title><link>https://sandesh.com/sports/news/national-sports-day-2026-4-inspiring-stories-from-the-life-of-major-dhyan-chand-know-how-he-became-a-hockey-magician</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/national-sports-day-2026-4-inspiring-stories-from-the-life-of-major-dhyan-chand-know-how-he-became-a-hockey-magician</guid><pubDate>Sat, 29 Aug 2026 11:42:24 +05:30</pubDate><description><![CDATA[<p>Indiaમાં રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણીની શરૂઆત વર્ષ 2012માં થઈ. સરકારે આ ખાસ દિવસને હોકીના જાદુગર તરીકે ઓળખાતા પ્રસિદ્ધ ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતીના દિવસે ઉજવવાનો નિર્ણય કર્યો. મેજર ધ્યાનચંદનું હોકીમાં ખૂબ મોટું યોગદાન છે. તેઓ 1928, 1932 અને 1936ના ઓલિમ્પિકમાં શાનદાર રમત માટે જાણીતા છે. સતત ત્રણેય વખત ભારતના ખાતામાં સુવર્ણ ચંદ્રક આવ્યો હતો અને તેનો શ્રેય મેજરના નામે નોંધાયેલો છે.</p><h2><b>સેનાની નોકરી સાથે તેમણે હોકીને સાધના તરીકે અપનાવી.</b></h2><p>ભારતીય હોકીના ઇતિહાસમાં મેજર ધ્યાનચંદનું નામ સૌથી ચમકતા તારાની જેમ નોંધાયેલું છે. તેમની હોકીમાં ઝડપ હતી. બોલ પર અદ્ભુત નિયંત્રણ હતું. ગોલ કરવાની કળા એવી હતી કે દર્શકો ઘણીવાર પોતાની આંખો પર વિશ્વાસ કરી શકતા નહોતા. ધ્યાનચંદનો જન્મ 29 ઓગસ્ટ 1905ના રોજ પ્રયાગરાજમાં થયો હતો. તે સમયે તેમનું નામ ધ્યાન સિંહ હતું. બાદમાં હોકી તેમના જીવનનો સૌથી મોટો હિસ્સો બની ગઈ. તેઓ ભારતીય સેનામાં ભરતી થયા. સેનાની નોકરી સાથે તેમણે હોકીને સાધના તરીકે અપનાવી.</p><h3><b>હોકીની પ્રેક્ટિસ માટે સમય રાત્રે જ મળતો હતો</b></h3><p>ધ્યાનચંદના નામ સાથે સૌથી લોકપ્રિય કિસ્સો તેમની પ્રેક્ટિસ સાથે જોડાયેલો છે. કહેવાય છે કે તેઓ રાત્રે હોકીની પ્રેક્ટિસ કરતા હતા. તે સમયે મેદાનોમાં આજની જેમ લાઇટિંગની વ્યવસ્થા નહોતી. ધ્યાન સિંહ દિવસ દરમિયાન સેનાની ડ્યૂટી કરતા હતા. કામ બાદ તેમને હોકીની પ્રેક્ટિસ માટે સમય રાત્રે જ મળતો હતો. તેઓ ચાંદની રાત્રે મેદાનમાં ઉતરતા હતા. હોકી સ્ટિક અને બોલ સાથે લાંબા સમય સુધી પ્રેક્ટિસ કરતા હતા. આ કારણે તેમના સાથીઓ તેમને ચંદ કહેવા લાગ્યા. તેનો અર્થ ચાંદ સાથે જોડાયેલો છે. ધીમે-ધીમે તેમનું નામ ધ્યાન સિંહમાંથી ધ્યાનચંદ થઈ ગયું. આ કિસ્સો માત્ર નામ બદલાવાની કહાની નથી. આ તેમની લગનની કહાની પણ છે. તેઓ સુવિધાઓની રાહ જોતા નહોતા. તેમની પાસે ન તો આધુનિક મેદાન હતું. ન તો મોંઘી ટ્રેનિંગ. ન તો વિશેષ સાધનો. તેમની પાસે માત્ર એક હોકી સ્ટિક હતી. તેઓ માનતા હતા કે પ્રેક્ટિસથી જ રમતમાં નિખાર આવે છે.</p><h4><b>બોલ તેમની સ્ટિક સાથે ચોંટેલો હોય તેવું લાગતું હતું</b></h4><p>ધ્યાનચંદની હોકીનું સૌથી મોટું આકર્ષણ બોલ પર તેમનું નિયંત્રણ હતું. તેઓ બોલને સ્ટિકથી એવી રીતે સંભાળતા હતા કે એવું લાગતું હતું, જાણે બોલ તેમની સ્ટિક સાથે ચોંટી ગયો હોય. તેઓ દોડતી વખતે બોલને ખૂબ નજીક રાખતા હતા. વિરોધી ખેલાડીઓ તેમને રોકવાનો પ્રયાસ કરતા હતા. પરંતુ બોલ તેમના નિયંત્રણની બહાર જતો નહોતો. ઘણી મેચોમાં દર્શકોને લાગતું હતું કે ધ્યાનચંદ કોઈ જાદુનો ઉપયોગ કરી રહ્યા છે. કેટલાક લોકો તો એવું પણ માનવા લાગ્યા હતા કે તેમની સ્ટિકમાં કોઈ ખાસ વસ્તુ લગાવવામાં આવી છે. એક મેચ દરમિયાન અધિકારીઓએ તેમની હોકી સ્ટિકની તપાસ કરાવી. વિરોધી ટીમને શંકા હતી કે સ્ટિકમાં ચુંબક લગાવવામાં આવ્યું છે. તપાસ બાદ એવું કોઈ રહસ્ય મળ્યું નહોતું. આ કિસ્સો ભલે રમત જગતની ચર્ચાઓનો ભાગ બની ગયો હોય, પરંતુ અસલી સત્ય તેમની ટેકનિક હતી. બોલ પર તેમનું નિયંત્રણ વર્ષોની પ્રેક્ટિસનું પરિણામ હતું.</p><h5><b>  તેમનો આ વીડિયો ઘણી વખત વાયરલ થયો</b></h5><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/OlympicKhel/status/2093541651486544136"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h6><b>પહેલો મોટો મોકો સેનાના મેદાનમાંથી મળ્યો</b></h6><p>ધ્યાનચંદની હોકી કારકિર્દીની શરૂઆત કોઈ મોટી ક્લબ અથવા ચમકતા સ્ટેડિયમથી થઈ નહોતી. તેમને પહેલો મોટો મોકો સેનાના મેદાનોમાં મળ્યો. સેનામાં ભરતી થયા બાદ તેમણે હોકી રમવાનું શરૂ કર્યું. ત્યાં શિસ્ત ખૂબ કડક હતી. દિનચર્યા નક્કી હતી. ડ્યૂટી પણ કરવાની હતી. તેમ છતાં ધ્યાનચંદ પ્રેક્ટિસ માટે સમય કાઢી લેતા હતા. તેમના શરૂઆતના દિવસોનો એક કિસ્સો ઘણીવાર સાંભળવા મળે છે. કહેવાય છે કે તેઓ મેદાનના ખરાબ ભાગોમાં પણ પ્રેક્ટિસ કરતા હતા. મેદાન સમતલ નહોતું. ઘણી જગ્યાએ માટી ઊંચી-નીચી હતી. ક્યારેક બોલ અચાનક ઉછળી જતો હતો. પરંતુ ધ્યાનચંદે આવી જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાનું નિયંત્રણ વધુ સારું બનાવ્યું. તેઓ બોલને અલગ-અલગ ઝડપે ચલાવતા હતા. રોકાતા. વળતા. ઝડપથી દિશા બદલતા. તેનાથી તેમને મેચમાં વિરોધીઓને છકાવવામાં મદદ મળી. સેના સાથે તેમને દેશના અનેક ભાગોમાં રમવાની તક મળી. અલગ-અલગ મેદાનો પર રમવાથી તેમનો અનુભવ વધ્યો. તેમણે સમજ્યું કે દરેક મેદાનનો પોતાનો પડકાર હોય છે. </p><h6><b>મેજર ધ્યાનચંદે સંભળાવ્યા હતા કિસ્સાઓ</b></h6><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/RajatJain/status/2093538302976758242"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h6><b>ઓલિમ્પિકમાં ભારતની શાન બની ગયા</b></h6><p>ધ્યાનચંદને આંતરરાષ્ટ્રીય ઓળખ ઓલિમ્પિક રમતોમાંથી મળી. તેમણે 1928ના એમ્સ્ટરડેમ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. ટીમે સુવર્ણ ચંદ્રક જીત્યો. આ સફળતા બાદ ધ્યાનચંદનું નામ દુનિયાભરમાં ચર્ચામાં આવી ગયું. તેમની ગોલ કરવાની ક્ષમતાએ વિદેશી દર્શકોને પણ પ્રભાવિત કર્યા. 1932ના લોસ એન્જલસ ઓલિમ્પિકમાં પણ ભારતીય ટીમે સુવર્ણ ચંદ્રક જીત્યો. તે સમયગાળામાં ભારતની હોકી ટીમ ખૂબ જ મજબૂત માનવામાં આવતી હતી. ધ્યાનચંદ આ ટીમના સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓમાં સામેલ હતા. 1936ના બર્લિન ઓલિમ્પિકમાં તેમને ભારતીય ટીમની કેપ્ટનશિપ મળી. ફાઇનલમાં ભારતનો મુકાબલો જર્મની સામે હતો. વરસાદને કારણે મેદાન ભીનું હતું. આવી સ્થિતિમાં બોલ પર નિયંત્રણ રાખવું મુશ્કેલ હોય છે. પરંતુ ધ્યાનચંદે ટીમનું નેતૃત્વ સંભાળ્યું.</p><p><b>ભારતીય ટીમે જર્મનીને હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો</b></p><p>ભારતીય ટીમે જર્મનીને હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો. આ મેચ સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો છે. કહેવાય છે કે ધ્યાનચંદે મેચ દરમિયાન જૂતા ઉતારી દીધા હતા. ત્યારબાદ તેમણે ઉઘાડા પગે રમવાનું શરૂ કર્યું. ભીના મેદાન પર તેમને બોલ પર વધુ સારું નિયંત્રણ અનુભવાયું. દર્શકોએ જોયું કે એક ખેલાડી જૂતા વગર પણ આખા મેદાનમાં છવાઈ શકે છે. ધ્યાનચંદે આ મેચમાં માત્ર ગોલ જ કર્યા નહોતા. તેમણે સમગ્ર ટીમને સંભાળી હતી. સાથી ખેલાડીઓને પાસ આપ્યા. રમતની દિશા બદલી. કેપ્ટન તરીકે તેમણે ધીરજ જાળવી રાખી.</p><h6><b>પીએમ મોદીએ યાદ કર્યા</b></h6><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/narendramodi/status/2093545214652846299"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><a  target="_blank"></a></p><h6><b>દેશ માટે રમવું એ પદ અને સન્માન કરતાં વધુ મહત્વનું છે</b></h6><p>ધ્યાનચંદે સેનામાં સેવા આપી હતી. તેમણે પોતાની નોકરી અને રમતગમતની જવાબદારીઓ બંનેમાં ફેરફાર કરવો પડ્યો હતો. તેમણે મેદાન પર દેશનું પ્રતિનિધિત્વ કર્યું અને મેદાનની બહાર સૈનિકની ભૂમિકા ભજવી. તેમની રમત લોકપ્રિયતામાં વધારો થયો, જેના કારણે વિદેશમાં પણ તેમને માન મળ્યું. પરંતુ તેમણે ક્યારેય પોતાની સફળતાને ગૌરવનો સ્ત્રોત બનવા દીધી નહીં. એવું કહેવાય છે કે તેઓ પ્રેક્ટિસ દરમિયાન ખૂબ જ ગંભીર હતા. મેદાન પર આવતાની સાથે જ તેમનું સંપૂર્ણ ધ્યાન રમત પર કેન્દ્રિત થઈ ગયું. તેમણે યુવા ખેલાડીઓમાં શિસ્ત અને ટીમ ભાવનાનું મહત્વ પણ સિંચ્યું. ધ્યાનચંદ વ્યક્તિગત રેકોર્ડ પાછળ ન દોડતા. તેઓ ટીમની જીતને વધુ મહત્વપૂર્ણ માનતા હતા. તેઓ બોલને સારી સ્થિતિમાં રહેલા સાથી ખેલાડીને પાસ કરતા. તેમને ગોલ કરવાની તક ગુમાવવી મુશ્કેલ ન લાગી. આ આદત તેમને અન્ય લોકોથી અલગ પાડે છે. તેઓ જાણતા હતા કે હોકી એકલા જીતી શકાતી નથી; તેમાં સમગ્ર ટીમના યોગદાનની જરૂર હોય છે.</p><h6><b>ધ્યાનચંદનો સૌથી મોટો પાઠ</b></h6><p>મેજર ધ્યાનચંદની વાર્તાઓ ફક્ત રોમાંચક વાર્તાઓ નથી. તેઓ સખત મહેનતની શક્તિ, શિસ્તનું મહત્વ, ટીમવર્ક અને દેશભક્તિની ભાવનાને મૂર્તિમંત કરે છે. તેમની હોકીમાં ચોક્કસપણે જાદુ હતો. પરંતુ તે જાદુ કોઈ રહસ્યમય લાકડીમાં નહોતો. તે સખત મહેનતમાં, વ્યવહારમાં, રમતની સમજમાં હતો. મેજર ધ્યાનચંદે સાબિત કર્યું કે સાચી પ્રતિભા અવાજ કરતી નથી; તે મેદાન પર અસર કરે છે. તેથી જ તેમને આજે પણ હોકીના જાદુગર કહેવામાં આવે છે.</p><p><b><a href="https://sandesh.com/" target="_blank">વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/pwL9vy6dS3kb8hQhArQfGEo82EPh5NOqqwEjjuxu.webp'/></item></channel></rss>