<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Panchmahal News: GBS રોગના 3 શંકાસ્પદ કેસ નોંધાતા ખળભળાટ, બાળકો વડોદરા હોસ્પિટલમાં સારવાર હેઠળ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/panchmahal/panchmahal-gbs-guillain-barre-syndrome-suspected-cases-godhra-morva-hadaf</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/panchmahal/panchmahal-gbs-guillain-barre-syndrome-suspected-cases-godhra-morva-hadaf</guid><pubDate>Fri, 21 Aug 2026 23:17:05 +05:30</pubDate><description><![CDATA[<p>પંચમહાલ જિલ્લામાં એક દુર્લભ અને ગંભીર ગણાતા જીબીએસ (Guillain-Barre Syndrome - GBS) રોગના શંકાસ્પદ કેસ સામે આવતાં આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. જિલ્લામાંથી એકસાથે 3 જેટલા નાના બાળકોમાં જીબીએસ જેવા શંકાસ્પદ લક્ષણો જોવા મળતાં સ્થાનિકો અને આરોગ્ય તંત્રમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.</p><h2><b>ગોધરા અને મોરવા હડફ તાલુકાના ગામોમાં સામે આવ્યા કેસ</b></h2><p>મળી રહેલી વિગતો અનુસાર, ગોધરા તાલુકાના ગદૂકપુર ગામેથી 1 કેસ તેમજ મોરવા હડફ તાલુકાના મેત્રાણ અને મેરપ ગામેથી 2 કેસ મળી આવ્યા છે. અસરગ્રસ્ત બાળકોની ઉંમર 15 વર્ષ, 4 વર્ષ અને 2 વર્ષ છે, જેમાં બે બાળકો અને એક બાળકીનો સમાવેશ થાય છે.</p><h2><b>વડોદરામાં સારવાર શરૂ, રિપોર્ટની રાહ</b></h2><p>શંકાસ્પદ જીબીએસના લક્ષણો ધરાવતા આ ત્રણેય બાળકોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેમને વધુ અને વધુ સચોટ સારવાર માટે વડોદરા ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ વડોદરા ખાતે ત્રણેય બાળકોની સારવાર ચાલી રહી છે. આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ તમામ શંકાસ્પદ કેસ છે અને તેમના જરૂરી સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ રોગની અધિકૃત પુષ્ટિ થશે.</p><h2><b>જિલ્લાનું આરોગ્ય વિભાગ સતર્ક</b></h2><p>એકસાથે 3 શંકાસ્પદ કેસ પ્રકાશમાં આવતાં પંચમહાલ જિલ્લાનું આરોગ્ય તંત્ર તાત્કાલિક અસરથી સતર્ક બન્યું છે. સંબંધિત ગામોમાં આરોગ્ય ટીમો દ્વારા સર્વેલન્સ અને તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે, જેથી અન્ય કોઈ બાળકમાં આવા લક્ષણો હોય તો તેને સમયસર તબીબી સારવાર પૂરી પાડી શકાય.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/india/news/gujarat/22-august-top-news-gujarat-national-history-updates" target="_blank">22 August Top News: 22 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/zox95m2e1tpbuvMjtglYrxsXQrMv6R6ZajXjAnog.webp'/></item><item><title><![CDATA[Diuના વણાંકબારા દરિયામાં બોટ ડૂબી, ટંડેલ સહિત 6 માછીમારોનો આબાદ બચાવ ]]></title><link>https://sandesh.com/gujarat/news/valsad/boat-capsizes-in-dius-wanakbara-sea-6-fishermen-including-tandel-rescued-safely</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/valsad/boat-capsizes-in-dius-wanakbara-sea-6-fishermen-including-tandel-rescued-safely</guid><pubDate>Fri, 21 Aug 2026 23:09:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વણાંકબારા સ્થિત ગોમતી માતા બીચ સામે દરિયામાં માછીમારી અર્થે ગયેલી એક બોટ ડૂબી જવાની ગંભીર ઘટના સામે આવી છે. સાઉદવાડીના રહીશ અને બોટ માલિક શ્રીમતિ રામીબેન નાનજી સોલંકીની 'શિવ ચંદન' (IND-DD-02 - MM198) નામની ફિશિંગ બોટ દરિયામાં અચાનક જળસમાધિ લઈ લેતાં બોટ માલિકને લાખો રૂપિયાનું મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>ટંડેલ સહિત 6 માછીમારોનો આબાદ બચાવ</b></h2><p style="text-align: justify; ">બોટ ડૂબવાની આ દર્દનાક હોનારત સમયે બોટમાં એક ટંડેલ (કેપ્ટન) અને પાંચ ખલાસીઓ સવાર હતા. સદનસીબે, સમયસૂચકતા અને અન્ય માછીમારોના સહયોગથી હાથ ધરાયેલી કામગીરીના કારણે બોટમાં રહેલા તમામ છ માછીમારોનો આબાદ બચાવ થયો છે. તમામ ટંડેલ અને ખલાસીઓ સંપૂર્ણપણે હેમખેમ હોવાના સમાચાર મળતાં માછીમાર સમાજ અને પરિવારજનોએ મોટી રાહત અનુભવી છે.</p><h2 style="text-align: justify; "><b>ડ્રેજિંગના અભાવે અકસ્માતોની હારમાળા, તાકીદે કામગીરીની માગ</b></h2><p style="text-align: justify; ">સ્થાનિક માછીમારોના જણાવ્યા મુજબ, વણાંકબારા ખાતે લાંબા સમયથી બારાનું ડ્રેજિંગ (દરિયાઈ ગાળ કાઢવાનું કામ) ન થવાને કારણે અવારનવાર બોટ ડૂબી જવાની ઘટનાઓ બનતી રહે છે. દર વર્ષે ડ્રેજિંગના અભાવે માછીમારોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન સહન કરવું પડે છે. માછીમાર સમુદાયે વહીવટી તંત્ર સમક્ષ આક્રોશ સાથે માગ કરી છે કે અટકેલા ડ્રેજિંગ પ્રોજેક્ટને તાત્કાલિક ધોરણે અમલમાં મૂકવામાં આવે જેથી ભવિષ્યમાં આવી હોનારતો અટકી શકે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/gandhinagar-news-preparations-to-celebrate-25-years-of-pm-modis-public-life-top-leaders-of-gujarat-bjp-will-go-to-delhi" target="_blank">Gandhinagar News : PM મોદીના જાહેર જીવનના 25 વર્ષની ઉજવણીની તૈયારી, ગુજરાત ભાજપના ટોચના નેતાઓ દિલ્હી જશે</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/OvbujznbrYrUk9eeryo7R5jCw1h3zvH3donVghgL.webp'/></item><item><title><![CDATA[India News : શું ઇથેનોલના કારણે ખાંડ મોંઘી થઈ? જાણો સરકારે શું કરી સ્પષ્ટતા ]]></title><link>https://sandesh.com/india/news/is-ethanol-responsible-for-rising-sugar-prices--government-clarifies</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/is-ethanol-responsible-for-rising-sugar-prices--government-clarifies</guid><pubDate>Fri, 21 Aug 2026 22:58:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">છેલ્લા સપ્તાહમાં દેશમાં ખાંડના ભાવમાં વધારો નોંધાયો છે. 20 જુલાઈ 2026ના રોજ ખાંડનો ભાવ ₹48.18 પ્રતિ કિલો હતો, જે 20 ઓગસ્ટ સુધીમાં વધીને ₹55.70 પ્રતિ કિલો થયો છે. આમ એક જ મહિનામાં પ્રતિ કિલો ₹7.52નો વધારો જોવા મળ્યો છે. ભાવ વધારાને ડામવા સરકારે જરૂરી પગલાં લેવાની શરૂઆત કરી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે ખાંડના ભાવ વધારા માટે ઇથેનોલ ઉત્પાદન જવાબદાર નથી.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>આંતરરાષ્ટ્રીય બજારમાં બે મહિનામાં ભાવ 16%થી વધુ વધ્યા</b></h2><p style="text-align: justify; ">આંકડા અનુસાર, ઇથેનોલ માટે ડાયવર્ટ કરવામાં આવતી ખાંડનો હિસ્સો 2022-23માં 12% હતો જે ઘટીને 2025-26માં આશરે 9% થયો છે. ઉપરાંત, દેશમાં બનતું લગભગ પોણા ભાગનું ઇથેનોલ હવે અનાજ, ખાસ કરીને મકાઈમાંથી તૈયાર થાય છે. ચાલુ સિઝનમાં દેશમાં ખાંડનું ઉત્પાદન 306 લાખ ટન રહેવાનો અંદાજ છે. શેરડીના પાકને રોગ અને ભારે વરસાદથી નુકસાન થયું હોવા છતાં, ઓક્ટોબરમાં નવી સિઝન શરૂ થાય ત્યાં સુધી દેશમાં પર્યાપ્ત સ્ટોક ઉપલબ્ધ છે. વિશ્વભરમાં પણ ખાંડનો પુરવઠો ઘટવાની ચિંતા વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં બે મહિનામાં ભાવ 16%થી વધુ વધ્યા છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>વેપારીઓ પર 400 ટનની સ્ટોક લિમિટ લાગુ કરી</b></h3><p style="text-align: justify; ">ખાંડની સંગ્રહખોરી રોકવા માટે કેન્દ્ર સરકારે વેપારીઓ પર 400 ટનની સ્ટોક લિમિટ લાગુ કરી છે, જે 1 ઓગસ્ટથી 30 નવેમ્બર 2026 સુધી અમલમાં રહેશે. જ્યારે 1 સપ્ટેમ્બરથી મોટા ખરીદદારો 15 દિવસથી વધુનો સ્ટોક રાખી શકશે નહીં. ઘરેલું પુરવઠો સુધારવા માટે 10 લાખ ટન કાચી ખાંડની કરમુકત (ડ્યુટી ફ્રી) આયાતને મંજૂરી આપવામાં આવી છે. સરકારે શુગર મિલોને 15 ઓક્ટોબરથી જ પિલાણ શરૂ કરવા સલાહ આપી છે. સરકારે ઉમેર્યું હતું કે 20 ઓગસ્ટ 2026 સુધીમાં 2025-26 સિઝનના 97% શેરડીના બિલની ચૂકવણી ખેડૂતોને કરી દેવામાં આવી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/income-tax-officer-jarnail-b--singh-sentenced-to-3-years-in-bribery-case" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: લાંચ લેવાના કેસમાં આવકવેરા અધિકારી જરનૈલ બી. સિંહને 3 વર્ષની કેદની સજા</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/3KtQ0tE0m9jBLohIjesxRhey18ZHmcV2ke2ZGd3o.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: ઓનલાઈન ગેમિંગ ફ્રોડ મામલે EDનું 12 સ્થળોએ સર્ચ ઓપરેશન, કરોડોની મિલકતો જપ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ed-conducts-searches-at-12-locations-in-online-gaming-fraud-case--assets-seized</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ed-conducts-searches-at-12-locations-in-online-gaming-fraud-case--assets-seized</guid><pubDate>Fri, 21 Aug 2026 21:51:07 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઓનલાઈન ગેમિંગના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવાના મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ એજન્સીએ અમદાવાદ, નાગપુર અને ગોંદિયામાં કુલ 12 જેટલા સ્થળોએ સામૂહિક દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ કાર્યવાહી મુખ્ય આરોપી અનંત નવરત્ન જૈન ઉર્ફે 'સોન્ટુ જૈન' અને તેના સાથીદારો સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કરવામાં આવી છે. આ સમગ્ર મામલાની શરૂઆત નાગપુર સિટી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક એફઆઈઆર (FIR)થી થઈ હતી.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>શેર ટ્રેડિંગ એકાઉન્ટ્સને પણ ફ્રીઝ કરી દીધા</b></h2><p style="text-align: justify; ">આરોપીઓએ ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ દ્વારા રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપીને જાળમાં ફસાવ્યા હતા અને રૂ. 58.42 કરોડની ભયાનક છેતરપિંડી આચરી હોવાનો ખુલાસો થયો હતો. નાણાકીય ગોટાળાના આ ગંભીર કેસમાં મની લોન્ડરિંગનો એન્ગલ સામે આવતા ઈડીએ તપાસનો દોર સંભાળ્યો હતો.દરોડા દરમિયાન ઈડીને સ્થળ પરથી રૂ. 30.30 લાખની બિનહિસાબી રોકડ મળી આવી હતી, જેને જપ્ત કરી લેવામાં આવી છે. આ ઉપરાંત એજન્સીએ ફ્રોડ સાથે જોડાયેલા 100થી વધુ બેંક ખાતાઓ, મ્યુચ્યુઅલ ફંડ્સ અને શેર ટ્રેડિંગ એકાઉન્ટ્સને પણ ફ્રીઝ કરી દીધા છે, જેની કુલ કિંમત આશરે રૂ. 5 કરોડ થાય છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા</b></h3><p style="text-align: justify; ">તપાસ દરમિયાન 2 બેંક લોકર અને રૂ. 1.70 કરોડની કિંમતના 3 લક્ઝરી વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. સર્ચ ઓપરેશનમાં ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો અને ડિજિટલ પુરાવા ધરાવતા 11 મોબાઈલ ફોન તથા 1 લેપટોપ કબ્જે કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, આરોપીઓ દ્વારા વસાવવામાં આવેલી રૂ. 16.50 કરોડની અચલ મિલકતો સંબંધિત મહત્વના દસ્તાવેજો પણ ઈડીના હાથે લાગ્યા છે. ઈડીને આ કૌભાંડમાં મોટા પ્રમાણમાં નાણાકીય અને ડિજિટલ પુરાવા હાથ લાગ્યા હોવાથી આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની અને કૌભાંડીઓની ધરપકડ થવાની શક્યતા છે. હાલ સમગ્ર મામલે ઈડી દ્વારા ઊંડાણપૂર્વકની વધુ તપાસ ચાલી રહી છે.<br><br><a href="https://sandesh.com/india/news/kbc-5-crore-winner-sushil-kumars-real-story" target="_blank">આ પણ વાંચોઃ India News : લોકોએ ઠગ્યા ને દારૂની લત લાગી, જાણો શું છે KBCમાં 5 કરોડ જીતનાર સુશિલ કુમારની અસલી કહાની?</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/dyV2dhC7F20l4H6DhUVkpBeNOjZ9dDW7UluTvZBy.webp'/></item><item><title><![CDATA[Rajkot સિવિલમાં મહિલા ડોક્ટર સાથે ગેરવર્તન મામલે કાર્યવાહી, ડોક્ટર અશ્વિન રામાણીની બદલી ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/rajkot/action-taken-in-case-of-misconduct-with-female-doctor-in-rajkot-civil-dr-ashwin-ramani-transferred</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/rajkot/action-taken-in-case-of-misconduct-with-female-doctor-in-rajkot-civil-dr-ashwin-ramani-transferred</guid><pubDate>Fri, 21 Aug 2026 21:39:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટની સરકારી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા ડોક્ટર સાથે ગેરવર્તન કરવાનો ગંભીર મામલો સામે આવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટર અશ્વિન રામાણી સામે મહિલા તબીબે અયોગ્ય વર્તન અને પજવણી અંગેના ગંભીર આક્ષેપો કર્યા હતા. સરકારી હોસ્પિટલ પરિસરમાં મહિલા કર્મચારીઓ અને તબીબોની સુરક્ષા અને ગરિમા જળવાઈ રહે તે બાબતને ધ્યાનમાં રાખીને આ ઘટનાને આરોગ્ય વિભાગ અને સિવિલ તંત્ર દ્વારા અત્યંત ગંભીરતાથી લેવામાં આવી હતી.</p><h2 style="text-align: justify; "><b>આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી અને પંચમહાલ બદલી</b></h2><p style="text-align: justify; ">મહિલા ડોક્ટર સાથે થયેલા ગેરવર્તનના મામલે વ્યાપક વિરોધ અને રજૂઆતો બાદ આરોગ્ય વિભાગે તાત્કાલિક ધોરણે શિસ્તભંગના પગલાં ભરવાનું શરૂ કર્યું હતું. સમગ્ર ઘટના અંગે તપાસના આદેશ આપવાની સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા ડોક્ટર અશ્વિન રામાણીની રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી સજાત્મક બદલી (ટ્રાન્સફર) કરી દેવામાં આવી છે. આ કાર્યવાહીના ભાગરૂપે ડો. રામાણીને રાજકોટથી દૂર પંચમહાલ જિલ્લામાં મોકલી આપવામાં આવ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>વાવકુંડલી પીએચસી ખાતે મૂકાયા, તબીબી આલમમાં ચર્ચા</b></h2><p style="text-align: justify; ">આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા આદેશ અનુસાર, ડો. અશ્વિન રામાણીને પંચમહાલ જિલ્લાના વાવકુંડલી ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે મૂકવામાં આવ્યા છે. મહિલા કર્મચારી સાથે અશોભનીય આચરણ કરનાર તબીબ સામે લેવાયેલા આ કડક નિર્ણયથી હોસ્પિટલ તંત્ર અને તબીબી આલમમાં ભારે ચર્ચા જાગી છે. આ કડક પગલાં દ્વારા વિભાગે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે મહિલા કર્મચારીઓની સુરક્ષા અને મર્યાદા સાથે ખિલવાડ કરનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/porbandar/after-the-bhavnagar-liquor-scandal-porbandar-police-took-action-a-country-made-liquor-factory-was-caught-in-barda-dungar" target="_blank">Bhavnagar દારૂકાંડ બાદ પોરબંદર પોલીસ એક્શનમાં, બરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/mLMwM9M2JnJcedXGhxi1YFA72gzt40lIi8BApPfc.webp'/></item><item><title><![CDATA[India News : લોકોએ ઠગ્યા ને દારૂની લત લાગી, જાણો શું છે KBCમાં 5 કરોડ જીતનાર સુશિલ કુમારની અસલી કહાની? ]]></title><link>https://sandesh.com/india/news/kbc-5-crore-winner-sushil-kumars-real-story</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/kbc-5-crore-winner-sushil-kumars-real-story</guid><pubDate>Fri, 21 Aug 2026 21:11:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો લોકપ્રિય રિયાલિટી શો કોન બનેગા કરોડપતિ (KBC) દરેક ઉંમરના લોકોને પસંદ આવે છે. અનેક લોકોનું સપનું હોય છે કે આ શોમાં જઈને કરોડો રૂપિયા જીતીને પોતાની જિંદગી બદલી નાખે. શોમાંથી અત્યાર સુધી ઘણા લોકો કરોડપતિ બની ચૂક્યા છે. પરંતુ આજે એક એવા વિજેતાની વાર્તા સામે આવી છે જેમણે 5 કરોડ રૂપિયાની મોટી રકમ જીતી હોવા છતાં પાછળથી પાયમાલ થવાનો વારો આવ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>15 દિવસ વિવિધ કાર્યક્રમોમાં જવામાં વિતાવતા</b></h2><p style="text-align: justify; ">આ કહાની છે બિહારના રહેવાસી સુશીલ કુમારની. વર્ષ 2011માં કેબીસી સીઝન 5માં 5 કરોડ રૂપિયા જીતનારા તેઓ પ્રથમ સ્પર્ધક બન્યા હતા.આ જંગી રકમ જીતીને તેઓ રાતોરાત દેશભરમાં જાણીતા થઈ ગયા હતા. પરંતુ સમયનો ખેલ એવો રહ્યો કે ખોટી આદતો અને નશાની લતે તેમની આખી જિંદગી બરબાદ કરી નાખી અને તેઓ સંપૂર્ણપણે કંગાળ થઈ ગયા. વર્ષ 2020માં સુશીલ કુમારે ફેસબુક પર પોતાની આપવીતી શેર કરતાં જણાવ્યું હતું કે, કેબીસી જીત્યા બાદ તેઓ લોકલ સેલિબ્રિટી બની ગયા હતા અને દર મહિને 10થી 15 દિવસ વિવિધ કાર્યક્રમોમાં જવામાં વિતાવતા હતા.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>તેમને દાન કરવાની આદત પડી ગઈ</b></h2><p style="text-align: justify; ">આ દરમિયાન તેમને અંધાધૂંધ દાન કરવાની આદત પડી ગઈ હતી જેના લીધે દર મહિને 50 હજારથી વધુ રૂપિયા વપરાઈ જતા હતા. આ સમયગાળા દરમિયાન કેટલાક ચાલાક લોકોએ તેમની સાથે મોટી ઠગાઈ પણ કરી હતી. આ સિવાય તેમને શરાબ અને સિગરેટનો ભારે વ્યસન થઈ ગયું હતું. આ જ કારણોસર તેમની પત્ની સાથે પણ સતત ઝઘડા થતા હતા. એક દિવસ પત્ની સાથે બોલાચાલી થયા બાદ જ્યારે એક પત્રકારનો ફોન આવ્યો ત્યારે ગુસ્સામાં આવીને સુશીલે કહી દીધું હતું કે તેમના બધા જ પૈસા ખતમ થઈ ગયા છે અને તેઓ બે ગાયોનું દૂધ વેચીને ગુજારા કરી રહ્યા છે. આ સમાચાર વાયરલ થતાં જ તેમની આસપાસ રહેતા સ્વાર્થી લોકો દૂર થઈ ગયા જેનાથી તેમને પોતાની ભૂલો સમજીને જિંદગીમાં આગળ શું કરવું તે વિચારવાનો સમય મળ્યો હતો.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/income-tax-officer-jarnail-b--singh-sentenced-to-3-years-in-bribery-case" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: લાંચ લેવાના કેસમાં આવકવેરા અધિકારી જરનૈલ બી. સિંહને 3 વર્ષની કેદની સજા</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/uRNDu8ZHCes7rAqUxWYmc2hjRD7DlrUDMcswytWO.webp'/></item><item><title><![CDATA[Ahmedabad Bhagalpur amrit bharat express train: ગુજરાત અને બિહાર વચ્ચે શરૂ થશે નવી ટ્રેન, જાણો અમૃત ભારત ટ્રેનનું બુકિંગ, ભાડાં સહિતની વિગતો.. ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-bhagalpur-amrit-bharat-express-train-fare-stoppages-schedule</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-bhagalpur-amrit-bharat-express-train-fare-stoppages-schedule</guid><pubDate>Fri, 21 Aug 2026 20:54:29 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાત અને બિહાર વચ્ચે નિયમિત મુસાફરી કરનાર પ્રવાસીઓ માટે સારા સમાચાર છે. ભારતીય રેલવે દ્વારા અમદાવાદ અને બિહારના ભાગલપુર વચ્ચે એક નવી ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. આ ટ્રેનનું 21 ઓગસ્ટથી બુકિંગ શરૂ થઇ ગયું છે. પ્રવાસીઓ PRS કાઉન્ટર અને IRCTC દ્વારા ટિકિટ બુક કરી શકશે.</p><h2><b>અમૃત ભારત એક્સપ્રેસ નામ અપાયું&nbsp;</b></h2><p>ટ્રેન નંબર 19423 અમદાવાદ-ભાગલપુર અમૃત ભારત એક્સપ્રેસ આગામી 26 ઓગસ્ટથી દર બુધવારે દોડશે. બુધવારે સાંજે 6-30 કલાકે અમદાવાદથી ટ્રેન રવાના થશે અને શુક્રવારે સવારે 6-40 કલાકે આ ટ્રેન ભાગલપુર આવી પહોંચશે. અમદાવાદથી ભાગલપુરની આ યાત્રા લગભગ 36 કલાકની રહેશે. ભાગલપુરથી અમદાવાદ પરત આવવા માટે ટ્રેન નંબર 19424 દર શુક્રવારે ભાગલપુરથી સાંજે 4-45 કલાકે ઉપડશે અને રવિવારે સવારે 5-45 કલાક સુધીમાં અમદાવાદ પહોંચાડશે.&nbsp;</p><h2><b>કયા કયા સ્ટોપેજ મળશે</b></h2><p>અમદાવાદથી ઉપડ્યા બાદ આ ટ્રેન આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, ભવાની મંડી, રામગંજ મંડી અને કોટામાં રોકાશે. એ પછી આ ટ્રેન સવાઇ માધોપુર, ગંગાપુર સિટી, હિંડોન સિટી, બયાના, ઇદગાહ આગ્રા, ટુંડલા, ગોવિંદપુરી, સુબેદારગંજ થઇને બિહાર આવી પહોંચશે. બિહારના સ્ટોપેજમાં બક્સર, આરા, દાનાપુર, પટના, મોકામા, કિઉલ, અભયપુર, જમાલપુર અને સુલતાનગંજ જેવા સ્ટોપેજ આપવામાં આવ્યા છે.</p><h2><b>કોચ સુવિધા અને ટિકિટની કિંમત</b></h2><p>અમૃત ભારત એક્સપ્રેસમાં જનરલ અને સ્લીપર ક્લાસના કોચ હશે જેમાં ભાડું સામાન્ય વર્ગને પરવડે તેવું રાખવામાં આવ્યું છે. અઠવાડિયે એક જ વખત આ ટ્રેનમાં પ્રવાસ કરી શકાશે. સ્લીપર ક્લાસનું ભાડું 925 રૂપિયા રાખવામાં આવ્યું છે. અમદાવાદમાં વસતા અને તહેવારો પર અવારનવાર વતન જતા પરપ્રાંતિયો માટે આ ટ્રેન એક સારી સુવિધા સાબિત થશે.</p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/income-tax-officer-jarnail-b--singh-sentenced-to-3-years-in-bribery-case" target="_blank"> Ahmedabad News: લાંચ લેવાના કેસમાં આવકવેરા અધિકારી જરનૈલ બી. સિંહને 3 વર્ષની કેદની સજા</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/UOYe7TRt7dT2RwTV5XIPver94CqHMQu49GCb9NyL.webp'/></item><item><title><![CDATA[Arjun Rampal Wedding: TITLE- વધુ એક બોલીવુડ સેલિબ્રિટીએ ચોંકાવ્યા! અભિનેતાએ 15 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે શરૂ કર્યો સંસાર ]]></title><link>https://sandesh.com/entertainment/news/arjun-rampal-wedding-gabriella-demetriades-registered-marriage-goa</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/arjun-rampal-wedding-gabriella-demetriades-registered-marriage-goa</guid><pubDate>Fri, 21 Aug 2026 20:39:24 +05:30</pubDate><description><![CDATA[<p>અર્જુન રામપાલ અને ગેબ્રિએલા ડિમિટ્રીએડ્સએ પોતાના નજીકના લોકોની હાજરીમાં ઉત્તર ગોવાના માપુસામાં સબ રજીસ્ટ્રાર ઓફિસમાં જઇ લગ્ન રજીસ્ટર કરાવ્યા હતા. એક અહેવાલ મુજબ યુનિફોર્મ સિવિલ કોડ મુજબ આ લગ્નને સબ રજીસ્ટ્રાર સુરજ વર્નેકરે રજીસ્ટર કર્યા હતા. અર્જુન અને ગેબ્રિએલા કેઝ્યુઅલ ડ્રેસમાં સાંજે 4 વાગ્યાની આસપાસ સબ રજીસ્ટ્રાર ઓફિસમાં પહોંચ્યા હતા. અર્જુનની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા દક્ષિણ આફ્રિકાની છે. છેલ્લા 7 વર્ષથી લીવ ઇનમાં રહીને ડેટિંગ કર્યા બાદ બંને શુક્રવારે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી પતિ પત્ની બન્યા હતા.&nbsp;</p><h2><b>લીવ ઇનમાં રહીને માતાપિતા પણ બન્યા અર્જુન અને ગેબ્રિએલા</b></h2><p>અર્જુન રામપાલ અને ગેબ્રિએલા ડિમિટ્રીએડ્સ વર્ષ 2019થી ડેટિંગ કરી રહ્યા હતા. લાંબા સમય સુધી લીવ ઇનમાં રહ્યા બાદ તેઓ આરિક અને આરિવ બંને પુત્રોના માતાપિતા પણ બન્યા હતા. ગેબ્રિએલા અર્જુનથી 15 વર્ષ નાની છે. બંનેએ વર્ષ 2025માં સગાઇ પણ કરી હતી. બોલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તીના પોડકાસ્ટમાં અર્જુને ગેબ્રિએલા સાથેની સગાઇ કરી લીધી હોવાની જાહેરાત કરી હતી. અને સંબંધને ઔપચારિક સ્વરૂપ આપવાનું નક્કી કર્યું હતું.</p><h2><b>2018માં અર્જુને પહેલી પત્નીને આપ્યા હતા છુટાછેડા</b></h2><p>અર્જુન રામપાલના લગ્ન અગાઉ મોડલ મેહર જેસિયા સાથે થયા હતા. પહેલા લગ્નથી અર્જુનને માહિરા અને માહિકા એમ 2 દીકરીઓ પણ છે. વર્ષ 2018માં તેણે પત્નીને છુટાછેડા આપી દીધા હતા.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/entertainment/news/preity-zintas-new-film-vibe-teaser-released-will-go-on-a-spy-mission-with-kunal-khemu" target="_blank">Preity Zintaની નવી ફિલ્મ ‘વાઇબ’નું ધમાકેદાર ટીઝર રિલીઝ, કુણાલ ખેમૂ સાથે સ્પાય મિશન પર નીકળશે</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/G1CNzOJyhLXs8JhTmlEXHqb55YcMQ4hm0xcqYv8O.webp'/></item><item><title><![CDATA[Mobile મેન્યુફેક્ચરિંગ સ્કીમ-2 લોન્ચ, મોબાઇલ ઉત્પાદન બમણું થશે ]]></title><link>https://sandesh.com/business/news/mobile-manufacturing-scheme-2-launched-production-will-double</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/mobile-manufacturing-scheme-2-launched-production-will-double</guid><pubDate>Fri, 21 Aug 2026 18:57:04 +05:30</pubDate><description><![CDATA[<p>Union Minister of Electronics and IT અશ્વિની વૈષ્ણવે શુક્રવારે મોબાઇલ ફોન મેન્યુફેક્ચરિંગ સ્કીમ-2ને સત્તાવાર રીતે લોન્ચ કરી. સરકારનો ઉદ્દેશ આ યોજના દ્વારા દેશમાં મોબાઇલ ફોનનું ઉત્પાદન વધારવાનો અને તેને બમણું કરવાનો છે. </p><h2><b>મોબાઇલ ફોન મેન્યુફેક્ચરિંગ સ્કીમ-2 લોન્ચ</b></h2><p>આ સ્કીમ લોન્ચ કરતી વખતે અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સરકાર ભારતીય કંપનીઓને મોબાઇલ મેન્યુફેક્ચરિંગના અલગ-અલગ સ્તરે જરૂરી સહયોગ આપશે. તેનો હેતુ દેશમાં મોબાઇલ ફોનની સાથે તેના પાર્ટ્સ અને કમ્પોનન્ટ્સનું મજબૂત ઇકોસિસ્ટમ તૈયાર કરવાનો છે. મોબાઇલ ફોનની કિંમતોમાં વધારા અંગે પણ અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, હાલમાં મેમરી ચિપના ભાવ વધી રહ્યા છે, જેના કારણે મોબાઇલ ફોનની કિંમતો પર પણ અસર પડી રહી છે. સરકાર દેશમાં મેમરી ચિપનું ઉત્પાદન વધારવા પર ધ્યાન આપી રહી છે. આ માટે દેશમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ સ્થાપિત કરવા પર પણ કામ કરવામાં આવશે. તેનાથી આવનારા સમયમાં ભારતની આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળી શકે છે.</p><h4><b>એક મોબાઇલમાં લગભગ 1,000 પાર્ટ્સ</b></h4><p>અશ્વિની વૈષ્ણવે કહ્યું કે એક મોબાઇલ ફોનમાં લગભગ 1,000 અલગ-અલગ પાર્ટ્સ હોય છે. ભારતમાં આ પાર્ટ્સનું ઇકોસિસ્ટમ ઝડપથી વિકસ્યું છે અને તેમાં મોટી સંખ્યામાં MSME કંપનીઓ સામેલ છે. પહેલાં ભારતમાં મોબાઇલ મેન્યુફેક્ચરિંગનું ધ્યાન મુખ્યત્વે પ્રોડક્શન પર હતું. હવે સરકાર ભારતમાં ડિઝાઇન અને ભારતમાં જ ઉત્પાદનને પણ પ્રોત્સાહન આપવા માંગે છે.</p><p><b><a href="https://sandesh.com/d\" target="_blank">વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ&nbsp;</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/Wk0IjsnBTkrdOz5AHAk27zrrvyZGqoGDZKUmGDYT.webp'/></item><item><title><![CDATA[Hockey World Cup 2026: સેમિફાઇનલમાં પહોંચવા માટે ભારતે કરવો પડશે આ 'ચમત્કાર', જાણો શું છે સમીકરણ ]]></title><link>https://sandesh.com/sports/news/hockey-world-cup-2026-india-will-have-to-do-this-miracle-to-reach-the-semi-finals-know-what-the-equation-is</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/hockey-world-cup-2026-india-will-have-to-do-this-miracle-to-reach-the-semi-finals-know-what-the-equation-is</guid><pubDate>Fri, 21 Aug 2026 17:58:05 +05:30</pubDate><description><![CDATA[<p>ટીમ ઈન્ડિયા પાકિસ્તાનને હરાવીને બીજા રાઉન્ડમાં પહોંચી ગઈ છે,પરંતુ સેમિફાઈનલમાં પહોંચવાનો રસ્તો અત્યંત મુશ્કેલ છે.બીજા રાઉન્ડમાં ટીમ ઈન્ડિયાનો સામનો વર્તમાન ઓલિમ્પિક ચેમ્પિયન નેધરલેન્ડ્સ સામે થશે.આ મેચ શનિવારે એમ્સ્ટલવીનમાં રમાશે.આ મેચમાં એક ભૂલ ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપમાંથી લગભગ બહાર કરી શકે છે.ભારતની સૌથી મોટી ચિંતા એ છે કે ટીમ મજબૂત શરૂઆત પછી નિયંત્રણ ગુમાવે છે.પાકિસ્તાન સામે 3-0 અને 4-1ની લીડ બનાવવા છતાં,ટીમ ઈન્ડિયાએ તેમના વિરોધીઓને વાપસી કરવાની મંજૂરી આપી અને અંતે 5-3થી જીત મેળવી.પહેલા હાફમાં ઈંગ્લેન્ડ સામે 2-1ની લીડ લેવા છતાં,ટીમ ઈન્ડિયા મેચ 2-4થી હારી ગઈ.</p><h5><b>નેધરલેન્ડ્સ અજેય છે</b></h5><p>નેધરલેન્ડ્સ વર્તમાન વર્લ્ડ કપમાં અજેય છે. તેઓએ તેમની ત્રણેય ગ્રુપ મેચ જીતી હતી. ડચ ટીમે પહેલા ન્યુઝીલેન્ડને 5-1, પછી આર્જેન્ટિનાને 3-1 અને અંતે જાપાનને 4-1થી હરાવ્યું. તે સ્પષ્ટ છે કે ટીમ ઈન્ડિયાએ આ ટીમને હરાવવા માટે ચમત્કારિક પ્રદર્શન કરવું પડશે. જો આ ટીમને તક આપવામાં આવે તો હાર નિશ્ચિત છે.</p><h5><b>આ મેદાન નેધરલેન્ડ્સ માટે ખાસ છે</b></h5><p>આ મેદાન નેધરલેન્ડ્સ માટે ખાસ છે, જે પૂલ A માં ટોચ પર હતું. ટીમે 1973 માં ભારતને આ જ મેદાન પર હરાવીને પોતાનો પહેલો વર્લ્ડ કપ જીત્યો હતો, અને 1990 અને 1998 માં ટ્રોફી પણ જીતી હતી. જોકે, ટીમ ઈન્ડિયાએ નેધરલેન્ડ્સને એક મોટો ફટકો આપ્યો છે. જૂનમાં રોટરડેમમાં રમાયેલી FIH પ્રો લીગની અંતિમ મેચમાં ભારતે નેધરલેન્ડ્સને 3-2 થી હરાવ્યું હતું. તે જીતમાં જુગરાજ સિંહ, અભિષેક અને રાજિન્દર સિંહે ગોલ કર્યા હતા, જે ત્રણેય ભારતીય વર્લ્ડ કપ ટીમનો ભાગ છે.</p><h5><b>ફોર્મમાં ભારતીય ખેલાડીઓ</b></h5><p>અભિષેક આ વર્લ્ડ કપમાં પણ ફોર્મમાં છે. તેણે પાકિસ્તાન સામે બે શાનદાર ગોલ કર્યા હતા. કેપ્ટન હરમનપ્રીત સિંહ ઉત્તમ ફોર્મમાં છે, અત્યાર સુધી પાંચ ગોલ સાથે ટુર્નામેન્ટનું નેતૃત્વ કરી રહ્યો છે. જોકે, ભારતીય કેપ્ટન જાણે છે કે જો ટીમ નેધરલેન્ડ્સને આગળ વધારવા અને રોકવા માંગતી હોય, તો તેણે તેના ડિફેન્સને મજબૂત બનાવવાની અને સુધારો કરવાની જરૂર પડશે. પાકિસ્તાન સામેની જીત બાદ, હરમનપ્રીતે સ્વીકાર્યું કે ટીમે તે મેચમાં મૂર્ખ ભૂલ કરી હતી. નેધરલેન્ડ્સ સામે, ભારતે તમામ મોરચે સારું પ્રદર્શન કરવાની જરૂર પડશે, કારણ કે ડચ ટીમને તક આપવાથી હાર નિશ્ચિત છે.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/bwf-world-championships-trisha-jolly-and-gayatri-gopichand-create-history-defeat-chinese-pair-to-secure-medal" target="_blank">BWF world championships: ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદે રચ્યો ઇતિહાસ, ચીની જોડીને હરાવીને મેડલ નિશ્ચિત કર્યો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/DLWwHYskGJYKUAEsxE6HcpomaK38rnCDgii2tsoB.webp'/></item></channel></rss>