<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Surendranagar: માળોદમાં ખેતરના શેેઢે માટી નાંખતી મહિલા પર સોરીયા વડે હુમલો કરાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surendranagar/surendranagar--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surendranagar/surendranagar--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</guid><pubDate>Sat, 15 Aug 2026 05:45:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાના માળોદમાં રહેતા 56 વર્ષીય કંચનબેન લક્ષ્મણભાઈ પટેલ રહે છે. તેમનું લીમલીના મારગે ખેતર આવેલુ છે. દોઢ વર્ષ પહેલા તેમના ખેતર પડોશી જીતેન્દ્ર રામજીભાઈ પટેલે માપણી કરાવી હતી. જેમાં કંચનબેનના ખેતરની જમીન આવી જતા પરત આવી પડી હતી. આ બાબતે બન્ને વચ્ચે મનદુઃખ હતુ. તા. 9-8ના રોજ સવારે કંચનબેન તેમના પતિ સાથે ખેતરે ગયા હતા. જેમાં વરસાદને લીધે ખેતરના શેઢા પાસે બંધ તુટી જતા કંચનબેન તેમાં માટી નાંખતા હતા. આ સમયેજીતેન્દ્ર પટેલે સોરીયા વડે કંચનબેનને માર મારી દંપતીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવની જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી એસ.એમ.સુમેરા ચલાવી રહ્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/15/uUFpCvyM7IrMt7L0udYrIx2gLIUxFCYIT2Z78ScZ.webp'/></item><item><title><![CDATA[Vadodara: મેડિકલ ચેક-અપ કૅમ્પનો 100 દર્દીઓએ લાભ લીધો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-100-patients-benefited-from-medical-check-up-camp</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-100-patients-benefited-from-medical-check-up-camp</guid><pubDate>Sat, 15 Aug 2026 05:44:41 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">શહેરના પાણીગેટ સ્થિત આયુર્વેદિક હોસ્પિટલ તથા ઓમ સીનીયર સીટીઝન એસોસીયેશન, વડોદરાના સંયુક્ત ઉપક્રમે શ્રી ઉદય નારાયણ મહાદેવ મંદિર પરિસરમાં મેડિકલ ચેક - અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કેમ્પમાં ડૉ. ચૈતાલી શાહ અને તેમની ટીમે સેવાઓ આપી હતી. કેમ્પમાં વિનામૂલ્યે નિદાન કરી દવા આપવામાં આવી હતી. કેમ્પનો આશરે 100 દર્દીઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે મંડળના ઉપપ્રમુખ જગદીશભાઈ પંડયા, હોદ્દેદારો - સભ્યો અને જાહેર જનતા મોટી સંખ્યામાં હાજર રહી હતી. મંડળના રજનીભાઈ પટેલે કેમ્પ માટે ભારે જહેમત ઉઠાવી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/15/yH7tWDvdkSSlEEW7hEsG3bMUcBndIRV3yhuMf2ZZ.webp'/></item><item><title><![CDATA[Vadodara: પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ફુલસ્કેપ ચોપડા અને નોટબુકનું વિતરણ કરાયું ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-fullscape-books-and-notebooks-distributed-to-primary-school-students</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-fullscape-books-and-notebooks-distributed-to-primary-school-students</guid><pubDate>Sat, 15 Aug 2026 05:43:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારે વરસાદને કારણે નવનિર્માણ વિદ્યાલય ઢોળીયાવાડ, પ્રાથમિક શાળા મહિલા મુખ્ય પ્રાથમિક શાળા જીપપાડા વર્ગ શાળા તેમજ નવી વસાહત વર્ગ શાળાના વિદ્યાર્થીઓના નોટબુક અને પુસ્તકોને ભારે નુકસાન થયું હતું. જેના પગલે ધોરણ 1થી 12ના અંદાજે 600 જેટલા વિદ્યાર્થીઓને શ્રી રંગ સિવાય તીર્થ ફઉન્ડેશન તેમજ આરટીઓના સ્ટાફ્ના સહયોગથી ચોપડા અને નોટબુકનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાંડો. કનુભાઈ લીંબાચા તેમજ રાજેન્દ્રસિંહ ચૌહાણ તથા પીબી લાઠીયા સહિત અન્ય ઉપસ્થિત રહ્યા હતા</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/15/RYj8DzqOTM8qg2XEICRe4ZIkpdIPpJ8KxLBh8Uj3.webp'/></item><item><title><![CDATA[Vadodara: સરદાર એસ્ટેટની શાળામાં યોગાસન કાર્યક્રમનું આયોજન ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</guid><pubDate>Sat, 15 Aug 2026 05:42:46 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,ગાંધીનગર, આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, વડોદરા શહેર, સંચાલિત માંડવી ઝોન કક્ષા,અનુસૂચિત જનજાતિ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર -2026 કાર્યક્રમ અંતર્ગત સરદાર એસ્ટેટ સ્થિત કે.બી. પરીખ હાઈસ્કૂલમાં યોગા ટ્રેનર નિશાબેન તથા યેશાબેન રાજપૂતે શાળાના 40 વિદ્યાર્થીઓને યોગાસનની માહિતી આપી પ્રેકટિકલ અને તેના લાભ સાથે સમજૂતી તેમજ માર્ગદર્શન આપ્યુ હતુ</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/15/46ooTHx7Kw3cUfRTJU9b4qiQhDde0PKQs1ACLcrd.webp'/></item><item><title><![CDATA[Panchmahal: ઘોઘંબાના ફરોડ ગામની શ્રી કામનાથ હાઈસ્કૂલમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/panchmahal/panchmahal-independence-day-celebration-at-shri-kamnath-high-school-in-farod-village-of-ghoghamba</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/panchmahal/panchmahal-independence-day-celebration-at-shri-kamnath-high-school-in-farod-village-of-ghoghamba</guid><pubDate>Sat, 15 Aug 2026 05:38:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઘોઘંબા : ઘોઘંબા તાલુકાના ફરોડ ગામની શ્રી કામનાથ હાઈસ્કૂલ ખાતે સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગરૂપે વિવિધ આંતર-શાળા સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં ચિત્ર, નિબંધ, વકતૃત્વ તેમજ દેશભક્તિ ગીત સ્પર્ધા યોજાઈ હતી. ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ મારો ભારત દેશ અને સ્વાતંત્ર્ય સંગ્રામના અમર શહીદો જેવા વિષયો પર રંગબેરંગી ચિત્રો દોરીને દેશપ્રેમ વ્યક્ત કર્યો હતો. નિબંધ સ્પર્ધામાં આઝાદીનું મહત્વ વિષય પર વિદ્યાર્થીઓએ વિચારો રજૂ કર્યા હતા. વકતૃત્વ સ્પર્ધામાં શહીદોના બલિદાન વિષય પર પ્રભાવશાળી વક્તવ્ય આપી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. દેશભક્તિ ગીત સ્પર્ધામાં એકલ અને સમૂહ ગાન દ્વારા દેશભક્તિના સૂર રેલાવ્યા હતાં.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/15/HUI4ZcUfFZyMRTQ9eMpduxt93pPM7viF5Bu0A7ux.webp'/></item><item><title><![CDATA[80th Independence Day: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 78 ગેલન્ટ્રી એવોર્ડને આપી મંજૂરી ]]></title><link>https://sandesh.com/india/news/80th-independence-day-president-approves-78-gallantry-awards</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/80th-independence-day-president-approves-78-gallantry-awards</guid><pubDate>Fri, 14 Aug 2026 22:35:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ ગેલન્ટ્રી એવોર્ડ વિજેતાઓની યાદી સામે આવી ગઈ છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 78 વીરતા પુરસ્કારો અને 89 મેન્શન ઈન ડિસ્પેચને મંજૂરી આપી દીધી છે.રાષ્ટ્રપતિ ભવને સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ શુક્રવારની સાંજે વીરતા પુરસ્કારોની યાદી જારી કરી દીધી છે.જે 78 જવાનોને ગેલન્ટ્રી એવોર્ડ આપવામાં આવી રહ્યા છે, તેમાંથી 13 જવાનોને મરણોત્તર આ સન્માન આપવામાં આવી રહ્યું છે. આ પુરસ્કારોમાં ભારતીય ભૂમિસેનાની સાથે જ નૌકાદળ, વાયુસેના અને ગૃહ મંત્રાલય હેઠળ કામ કરતા સુરક્ષા દળોના જવાનોને અસાધારણ સાહસ અને વીરતા માટે આપવામાં આવતા કેટલાક સર્વોચ્ચ સન્માન પણ સામેલ છે જે શાંતિકાળ અને આતંકવાદ વિરોધી અભિયાનો માટે આપવામાં આવે છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>રાષ્ટ્રપતિએ વિવિધ એવોર્ડને મંજૂરી આપી</b></h2><p style="text-align: justify; ">રાષ્ટ્રપતિએ નવ કીર્તિ ચક્ર, એક શૌર્ય ચક્ર બાર, 19 શૌર્ય ચક્ર, વીરતા માટે સેના મેડલના પાંચ બાર, વીરતા માટે 36 સેના મેડલ, વીરતા માટે ત્રણ નૌકાદળ મેડલ અને પાંચ વાયુસેના મેડલને પણ મંજૂરી આપી છે. કીર્તિ ચક્ર એ શાંતિકાળમાં આપવામાં આવતો બીજો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર છે. આ વખતે આ સન્માન સેનાના લેફ્ટનન્ટ કર્નલ માનેઓ ફ્રાન્સિસ, મેજર જિતેન્દ્ર રાઠી અને હવલદાર ગજેન્દ્ર સિંહની સાથે ગૃહ મંત્રાલય હેઠળ આવતા દળોમાંથી હેડ કોન્સ્ટેબલ જગબીર સિંહ, કોન્સ્ટેબલ જસવંત સિંહ, કોન્સ્ટેબલ બલવિંદર સિંહ, કોન્સ્ટેબલ તારિક હુસૈન, હેડ કોન્સ્ટેબલ બશીર અહમદ અને એસટીએફના ઈન્સ્પેક્ટર સુનીલ કુમારને આપવામાં આવશે. ગજેન્દ્ર સિંહને આ સન્માન મરણોત્તર આપવામાં આવી રહ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>અસામ રાઈફલ્સના મેજરને શૌર્ય ચક્ર બાર</b></h3><p style="text-align: justify; ">અસામ રાઈફલ્સના મેજર આદિત્ય પ્રતાપ સિંહને 'શૌર્ય ચક્ર બાર'થી સન્માનિત કરવામાં આવશે. મેજર આદિત્ય પ્રતાપ સિંહને અગાઉ પણ શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે, આ જ કારણ છે કે આ વખતે તેમને 'બાર'થી સન્માનિત કરવામાં આવશે. વાસ્તવમાં, જો કોઈ વ્યક્તિને અગાઉથી જ વીરતા પુરસ્કાર મળી ચૂક્યો હોય અને એ જ પુરસ્કાર તેને બીજી વાર આપવામાં આવે છે, તો તેવા કિસ્સામાં ફરીથી મેડલ આપવાને બદલે રીબન પર એક 'બાર' ઉમેરી દેવામાં આવે છે.</p><h3 style="text-align: justify; "><b>19 જવાનોને શૌર્ય ચક્ર</b></h3><p style="text-align: justify; ">આ વખતે 19 જવાનોને શૌર્ય ચક્ર આપવાની જાહેરાત થઈ છે. જેમાં મેજર પરમવીર, મેજર તરુણ વાસુદેવન, નાયબ સુબેદાર શંકર રામ, હવલદાર જગતાર સિંહ, લાન્સ નાયક નરેન્દ્ર સિંધુના નામ સામેલ છે. લાન્સ નાયક નરેન્દ્ર સિંધુને આ સન્માન મરણોત્તર આપવામાં આવી રહ્યું છે. નૌકાદળના લેફ્ટનન્ટ કમાન્ડર શિવમ કુમાર અને વાયુસેનાના સ્ક્વોડ્રન લીડર સુધીર કુમારને પણ શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવી રહ્યું છે. ડીએસપી ધીરજ સિંહ કટોચ અને ઈન્સ્પેક્ટર અજય સિંહ ચિબ સહિત ગૃહ મંત્રાલયના છ કર્મચારીઓને પણ શૌર્ય ચક્ર વિજેતાઓની યાદીમાં સ્થાન મળ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>36 જવાનોને સેના મેડલ</b></h2><p style="text-align: justify; ">મેજર ડીએસ પાઓશો અને મેજર કૃષ્ણકાંત સહિત પાંચ અધિકારીઓને સેના મેડલના 'બાર'થી સન્માનિત કરવાના છે. તો બીજી તરફ, 36 સેના મેડલને પણ રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે.જેમાં કર્નલ પુષ્કર વિજય ચૌધરી, મેજર મોહિત પોડિયા, કેપ્ટન કરણ સિંહ ચીમા, કેપ્ટન અંશુમાન સિંહ, સુબેદાર પવન કુમારના નામ પણ સેના મેડલ મેળવનારાઓની યાદીમાં છે. સુબેદાર પ્રભાત ગૌર, લાન્સ હવલદાર પલાશ ઘોષ અને સિપાહી હરમિંન્દર સિંહ સહિત પાંચ જવાનોને મરણોત્તર સેના મેડલ આપવામાં આવ્યા છે. નૌકાદળમાંથી કમાન્ડર વિનીત શર્મા,કમાન્ડર યુવરાજ કુમાર, અવિનાશ અન્નાસોની સાથે જ વાયુસેનામાંથી ગ્રુપ કેપ્ટન રાહુલ જગોટા, ગ્રુપ કેપ્ટન રાહુલ રાવત, વિંગ કમાન્ડર આશિષ રાજપૂત,ફ્લાઈટ લેફ્ટનન્ટ યશ અને પેરાશૂટ જમ્પ ઈન્સ્ટ્રક્ટર એમડબલ્યુઓ રવિંદરજીત સિંહને પણ સેના મેડલ એનાયત કરવામાં આવનાર છે. રાષ્ટ્રપતિએ વિશિષ્ટ સેવા માટે 89 'મેન્શન ઈન ડિસ્પેચ'ને પણ મંજૂરી આપી છે. જેમાં સેનાના 75, નૌકાદળના ચાર અને વાયુસેનાના 10 કર્મચારીઓ સામેલ છે.<br><br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/piyush-jethva-sentenced-to-20-years-in-rape-case" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: દુષ્કર્મ કેસમાં દોષિત પિયુષ જેઠવાને કોર્ટે 20 વર્ષની કેદની સજા ફટકારી</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/Ovs6VCa2lIoXE4UUFSVJ95uqFxxF9Bupo1FBIrID.webp'/></item><item><title><![CDATA[India: રાહુલ ગાંધીને લોકસભા વિશેષાધિકાર સમિતિની નોટિસ, અનુરાગ ઠાકુરની ફરિયાદ પર જવાબ માંગ્યો ]]></title><link>https://sandesh.com/india/news/rahul-gandhi-gets-lok-sabha-privilege-notice-over-anurag-thakur-complaint-reply-by-august-28</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/rahul-gandhi-gets-lok-sabha-privilege-notice-over-anurag-thakur-complaint-reply-by-august-28</guid><pubDate>Fri, 14 Aug 2026 22:26:04 +05:30</pubDate><description><![CDATA[<p>સંસદના ચોમાસા સત્ર દરમિયાન પેપર લીક વિરોધી બિલ પર યોજાયેલી ચર્ચા દરમિયાન વિપક્ષી નેતા રાહુલ ગાંધીના ભાષણ પર ભારે વિવાદ સર્જાયો હતો. ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે 30 જુલાઈ, 2026 ના રોજ લોકસભા સ્પીકર ઓમ બિરલાને રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની સત્તાવાર નોટિસ સોંપી હતી. આ ઉપરાંત ૨૯ જુલાઈ, 2026 ના રોજ ભાજપના અન્ય એક સાંસદ ડૉ. સંજય જયસ્વાલે પણ કાર્યપદ્ધતિ સંબંધિત નિયમો હેઠળ યોગ્ય કાર્યવાહી કરવાની વિનંતી સાથે ફરિયાદ દાખલ કરી હતી.</p><h2><b>રાહુલ ગાંધીને લોકસભા વિશેષાધિકાર સમિતિની નોટિસ</b></h2><p>ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે રાહુલ ગાંધીએ ગૃહમાં સંસદીય મર્યાદાઓનું ઉલ્લંઘન કરીને અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો અને લોકસભાના નિયમ 353 નો ભંગ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી વિરુદ્ધ પૂરતી પૂર્વ સૂચના આપ્યા વિના ગંભીર અને આધારવિહીન આરોપો લગાવ્યા હતા. આ સમગ્ર વિવાદ ચોમાસા સત્રમાં રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન શરૂ થયો હતો. તેમણે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે તેઓ યુવાન વિદ્યાર્થીઓ સાથેની વાતચીતના આધારે પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કરી રહ્યા છે.&nbsp;</p><h3><b>રાહુલ ગાંધીની સ્પષ્ટતા</b></h3><p>શાસક પક્ષના સાંસદોએ આ શબ્દો સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો અને ગૃહમાં મોટો હોબાળો થયો હતો. તે સમયે રાહુલ ગાંધીએ ગૃહમાં સ્પષ્ટતા કરી હતી કે તેઓ શાસક પક્ષના કે અન્ય કોઈ સભ્યને વ્યક્તિગત રીતે આ શબ્દો કહી રહ્યા નથી, પરંતુ માત્ર વિદ્યાર્થી સાથે થયેલી વાતચીતનો સંદર્ભ આપી રહ્યા હતા. જોકે, વિશેષાધિકાર સમિતિએ આ મામલે કડક વલણ અપનાવી તેમને 28 ઓગસ્ટ સુધીમાં લેખિત સફાઈ રજૂ કરવા આદેશ કર્યો છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/tapi/ukai-dam-illuminated-in-tricolor-lighting-on-80th-independence-day" target="_blank">આ પણ વાંચો: Tapi: 80મા સ્વાતંત્ર્ય દિને ઉકાઈ ડેમ તિરંગાના રંગે રંગાયો, રાત્રિના સમયે સર્જાયો મનમોહક નજારો</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/vDyPHdvu0HQ883Pa1259DrNvoc6xkdqe49H0x6F0.webp'/></item><item><title><![CDATA[Hockey World Cup 2026 : ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે હાઈ વોલ્ટેજ મેચ, જાણો  સંપૂર્ણ શેડ્યૂલ ]]></title><link>https://sandesh.com/sports/news/hockey-world-cup-2026-high-voltage-match-to-be-played-between-india-and-pakistan-know-the-complete-schedule</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/hockey-world-cup-2026-high-voltage-match-to-be-played-between-india-and-pakistan-know-the-complete-schedule</guid><pubDate>Fri, 14 Aug 2026 18:41:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">FIH હોકી વર્લ્ડ કપ 2026 15 ઓગસ્ટથી શરૂ થવાનો છે.આ મોટી ટુર્નામેન્ટ નેધરલેન્ડ અને બેલ્જિયમમાં યોજાઈ રહી છે.ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ જીતવા માટે મજબૂત દાવેદાર માનવામાં આવે છે,પરંતુ તેમને આ ટુર્નામેન્ટમાં ઈંગ્લેન્ડ,ચીન,પાકિસ્તાન અને બેલ્જિયમને હરાવવા પડશે. હરમનપ્રીત સિંહની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમ 1975 પછીનો પોતાનો પહેલો વર્લ્ડ કપ જીતવાનું લક્ષ્ય રાખશે. ચાલો ટીમ ઈન્ડિયાના શેડ્યૂલ પર એક નજર કરીએ.</p><h5 style="text-align: justify;"><b>ટીમ ઈન્ડિયા કયા ગ્રુપમાં છે?</b></h5><p style="text-align: justify; ">હોકી વર્લ્ડ કપ 2026 માં કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે. ટીમ ઈન્ડિયા પૂલ D નો ભાગ છે, જેમાં ઈંગ્લેન્ડ, વેલ્સ અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. ભારતીય ટીમે FIH પ્રો લીગમાં ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનનો પણ સામનો કર્યો હતો. હવે, ભારત વર્લ્ડ કપમાં પણ આ બે ટીમોનો સામનો કરશે.</p><h4 style="text-align: justify;"><b>ટીમ ઈન્ડિયાનો હોકી વર્લ્ડ કપ 2026 શેડ્યૂલ</b></h4><p style="text-align: justify;">ભારતીય ટીમ 2026 FIH હોકી વર્લ્ડ કપના ગ્રુપ તબક્કામાં કુલ ત્રણ મેચ રમશે. ટીમ ઈન્ડિયાનો પહેલો મુકાબલો સ્વતંત્રતા દિવસે વેલ્સ સામે હશે. ટીમ ઈન્ડિયાનો ગ્રુપ સ્ટેજ શેડ્યૂલ નીચે મુજબ છે:</p><p style="text-align: justify;">ભારત vs વેલ્સ (15 ઓગસ્ટ - સાંજે 4:30 વાગ્યા)</p><p style="text-align: justify;">ભારત vs ઈંગ્લેન્ડ (17 ઓગસ્ટ - સાંજે 6:30 વાગ્યા)</p><p style="text-align: justify;">ભારત vs પાકિસ્તાન (19 ઓગસ્ટ - સાંજે 6:30 વાગ્યા)</p><h4 style="text-align: justify;"><b>એફઆઈએચ હોકી વર્લ્ડ કપ માટે ભારતની ટીમ</b></h4><ul><li style="text-align: justify;">ગોલકીપર્સ: સૂરજ કરકેરા, મોહિત એચએસ.</li><li style="text-align: justify;">ફોરવર્ડ્સ: સુખજીત સિંહ, મનદીપ સિંહ, દિલપ્રીત સિંહ, શિલાનંદ લાકરા, અભિષેક.</li><li style="text-align: justify;">ડિફેન્ડર્સ: હરમનપ્રીત સિંહ (કેપ્ટન), અમિત રોહિદાસ, જર્મનપ્રીત સિંહ, જુગરાજ સિંહ, સંજય, યશદીપ સિવાચ, સુમિત.</li><li style="text-align: justify;">મિડફિલ્ડર્સ: આદિત્ય અર્જુન લાલગે, હાર્દિક સિંહ, રાજિન્દર સિંહ, વિવેક સાગર પ્રસાદ, મનપ્રીત સિંહ, નીલકંઠ શર્મા.</li></ul><h5 style="text-align: justify;"><b>હોકી વર્લ્ડ કપ 2026ની મેચ ક્યાં જોઈ શકો છો?</b></h5><p style="text-align: justify;">હોકી વર્લ્ડ કપ 2026 15 ઓગસ્ટથી 30 ઓગસ્ટ દરમિયાન યોજાવાનો છે. આ મુખ્ય ટુર્નામેન્ટની બધી મેચો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક ચેનલો પર પ્રસારિત કરવામાં આવશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/jamshedpur-fc-football-club-sold-for-just-rs-100-tata-steels-shocking-decision" target="_blank">Jamshedpur FC : માત્ર 100 રૂપિયામાં વેચાઈ ફૂટબોલ ક્લબ,ટાટા સ્ટીલનો ચોંકાવનારો નિર્ણય</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/NrE0OQVsKqPshLxwD8fxfWnGNOw2UegWLcMwZKQ1.webp'/></item><item><title><![CDATA[Govinda : 'દીકરીની ઉંમરની છોકરીને લઈને ફરે...', કથિત ગર્લફ્રેન્ડ સાથે ગોવિંદાને જોઈ પત્ની સુનિતાએ કર્યો કટાક્ષ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/govinda-girlfriend-wife-comment-viral-photo</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/govinda-girlfriend-wife-comment-viral-photo</guid><pubDate>Fri, 14 Aug 2026 17:43:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડના હીરો નંબર 1 તરીકે ઓળખાતા અભિનેતા ગોવિંદા છેલ્લા ઘણા સમયથી પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. પત્ની સુનીતા આહુજા સતત તેમના પર અફેરના આરોપ લગાવતી રહી છે. એટલું જ નહીં, તેમણે એવું પણ કહ્યું હતું કે બંને ઘણા વર્ષોથી અલગ રહે છે. ત્યારબાદ તેમના છૂટાછેડાના સમાચાર પણ મીડિયામાં ખૂબ ચર્ચામાં રહ્યા હતા. ગોવિંદા પર લગ્નબહારના સંબંધોના આરોપ પણ લાગ્યા હતા. કોમલ નામની યુવતી સાથે તેમનું નામ સતત જોડાતું રહ્યું છે. હવે ફરી એકવાર સુનીતા આહુજાએ તેમના પર ગુસ્સો વ્યક્ત કર્યો છે.</p><h2 style="text-align: justify; "><b>કોમલ અને ગોવિંદા ફરી સાથે જોવા મળ્યા</b></h2><p style="text-align: justify; ">ગોવિંદા ફિલ્મ રૂપાની જાહેરાત બાદ અભિનેત્રી કોમલ રાની સાથે કામ કરવાને લઈને ચર્ચામાં છે. બંનેના અફેરના સમાચાર પણ ખૂબ ચર્ચામાં છે. થોડા દિવસ પહેલાં જ બંને કલાકારોને સાથે એરપોર્ટ પર જોવા મળ્યા હતા, જેને લઈને સુનીતાએ ગુસ્સો વ્યક્ત કર્યો હતો. હવે ફરી એકવાર ગોવિંદા અને કોમલ સાથે જોવા મળ્યા છે. ત્યારબાદ સુનીતાએ પ્રતિક્રિયા આપતાં પોતાના અભિનેતા પતિ માટે કહ્યું કે થોડું તો સ્ટાન્ડર્ડ હોવું જોઈએ.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DcA7HUqkx5S/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DcA7HUqkx5S/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DcA7HUqkx5S/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DcA7HUqkx5S/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h3 style="text-align: justify; "><b>ગોવિંદા અને કોમલ પર સુનીતા આહુજા ગુસ્સે થઈ</b></h3><p style="text-align: justify; ">ગોવિંદા અને કોમલ ફરી એકવાર સાથે જોવા મળ્યા બાદ પેપ્સે સુનીતા આહુજાને તેમની પ્રતિક્રિયા પૂછી હતી. તેના પર તેમણે કહ્યું, ફિલ્મ બનવી પણ તો જોઈએ ને? પ્રમોશન ફિલ્મ બન્યા પછી થાય છે. શું બોલવું... દીકરીની ઉંમરની છોકરીને લઈને ફરી રહ્યા છો, થોડી તો શરમ આવવી જોઈએ. થોડું તો સ્ટાન્ડર્ડ હોવું જોઈએ. તમારો શુગર ડેડી આટલો અમીર છે તો ઓછામાં ઓછા કપડાં તો યોગ્ય પહેરો. અમને જુઓ, અમે કેવી સ્ટાઇલથી ફરીએ છીએ. ખૂબ ખરાબ છે, મગજ ખરાબ થઈ ગયું છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DcA3-vszs8J/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DcA3-vszs8J/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DcA3-vszs8J/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DcA3-vszs8J/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, કોમલ અને ગોવિંદા કથિત રીતે સંબંધમાં છે અને છેલ્લા 4 વર્ષથી રિલેશનશિપમાં છે. જોકે, ગોવિંદાએ આ સંબંધની વાત સ્વીકારી નથી. સાથે જ હજુ સુધી એ પણ સ્પષ્ટ થયું નથી કે ગોવિંદા સાથે જે યુવતીનું નામ જોડવામાં આવી રહ્યું છે, તે આ જ કોમલ છે કે કોઈ બીજી વ્યક્તિ.</p><h4 style="text-align: justify; "><b>ગોવિંદાએ આપ્યું હતું મીઠાઈની દુકાનવાળું નિવેદન</b></h4><p style="text-align: justify; ">ગોવિંદાનું તાજેતરમાં મીઠાઈની દુકાનવાળું નિવેદન વાયરલ થયું હતું. તેમણે સમાચાર એજન્સી ANI સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન અભિનેતાએ કહ્યું હતું, મીઠાઈની દુકાનમાં રહીને ભૂખ્યા નીકળ્યા તો શું દુઃખ છે. તેમના આ નિવેદનને લગ્નબહારના સંબંધો સાથે જોડવામાં આવ્યું હતું. લોકોનું માનવું હતું કે અભિનેતાએ પોતાના અફેરના સમાચારની પુષ્ટિ કરી છે. જોકે, ગોવિંદાએ અફેર વિશે ખુલ્લેઆમ કોઈ વાત કરી નથી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/pooja-bedi-maneck-contractor-8-year-engagement" target="_blank">આ પણ વાંચો-Bollywood : 8 વર્ષની સગાઈ છતાં લગ્ન નહીં! માનેક કોન્ટ્રાક્ટર સાથે અનોખો સંબંધ નિભાવી રહી છે પૂજા બેદી</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/4s7eB1Yws0ASr4trAYoPUbZl0X1qdu0opOliTAWt.webp'/></item><item><title><![CDATA[Stock Market Closing: લાલ નિશાનમાં માર્કેટ બંધ, સેન્સેક્સ 78,009 અંકે ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-closing-market-closes-in-red-sensex-closes-at-78009-points</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-closing-market-closes-in-red-sensex-closes-at-78009-points</guid><pubDate>Fri, 14 Aug 2026 15:45:25 +05:30</pubDate><description><![CDATA[<p>શુક્રવાર, 14 ઓગસ્ટના રોજ ભારતીય શેરબજારમાં શરૂઆતના ઘટાડા પછી થોડી રિકવરી જોવા મળી. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ખરીદીને કારણે નિફ્ટી50 અને સેન્સેક્સ બંને તેમના ઇન્ટ્રાડે નીચા સ્તરથી પાછા ફર્યા, જેને ટેકો મળ્યો.</p><h2><b>શેરબજાર લાલ નિશાનમાં બંધ&nbsp;</b></h2><p>બપોરે 2:00 વાગ્યા સુધીમાં, સેન્સેક્સ 81.62 પોઈન્ટ (0.10%) ઘટીને 77,998.34 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે નિફ્ટી50 11.60 પોઈન્ટ (0.05%) ઘટીને 24,383.10 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બપોરે 3.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયુ. સેન્સેક્સ 78,009 અંકે 70.71 પોઇન્ટના ઘટાડા સાથે બંધ થયો. જ્યારે નિફ્ટી 29.85 પોઇન્ટના ઘટાડા સાથે 24,366.00 અંકે બંધ થયું.&nbsp;</p><h3><b>ટોચના નિફ્ટી50 લુઝર્સ</b></h3><p>ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ, મેક્સ હેલ્થકેર ઇન્સ્ટિટ્યૂટ અને હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ નિફ્ટી50 પર ટોચના ઘટાડામાં સામેલ હતા.</p><p><b style="font-size: 1.75rem;">મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો દબાણ હેઠળ</b></p><p>વ્યાપક બજારમાં પણ નબળાઈ ચાલુ રહી; નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 0.45% નીચામાં ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સ 0.55% નીચે હતો.</p><h3><b>મેટલ સ્ટોક્સ નબળા; કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં ખરીદી</b></h3><p>ક્ષેત્રની દ્રષ્ટિએ, નિફ્ટી મેટલ સૌથી ખરાબ પ્રદર્શન કરનારા ક્ષેત્રોમાંનો એક હતો. તેનાથી વિપરીત, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સે સારું પ્રદર્શન કર્યું, તેના ઘટક શેરોમાં ખરીદી પ્રવૃત્તિ જોવા મળી.</p><h4><b>એશિયન બજારોમાં મિશ્ર વેપાર</b></h4><p>પ્રારંભિક વધારા પછી, એશિયા-પેસિફિક બજારો મિશ્ર વલણ સાથે વેપાર કરી રહ્યા હતા. નબળા યુએસ પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ (PPI) ડેટાએ આશા જગાવી છે કે વ્યાજ દરમાં વધારાની શક્યતા ઘટી શકે છે, જેની અસર ટેકનોલોજી શેરોમાં પણ જોવા મળી હતી.</p><p>જાપાનનો નિક્કી 225 લગભગ 0.7% વધુ ટ્રેડ કરી રહ્યો હતો, અને દક્ષિણ કોરિયાનો કોસ્પી લગભગ 0.9% ઉપર હતો. દરમિયાન, હોંગકોંગનો હેંગ સેંગ લગભગ 0.51% નીચે હતો.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/04/22/ImEoH8XVKSpwKohsEtbZTWR6IaJ4XBQ4dmVVsfy6.webp'/></item></channel></rss>