<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Cyber Fraud: સાયબર છેતરપીંડિનો નવો કીમિયો, આવો મેસેજ આવે તો ગભરાશો નહીં ]]></title><link>https://sandesh.com/business/news/cyber-fraud-alert-account-block-in-2-hours-fake-kyc-sms-scam</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/cyber-fraud-alert-account-block-in-2-hours-fake-kyc-sms-scam</guid><pubDate>Sat, 25 Jul 2026 19:00:22 +05:30</pubDate><description><![CDATA[<p>દેશભરમાં અવારનવાર ડિજિટલ  છેતરપિંડીના કેસ સામે આવતા હોય છે. જેને લઈને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા અનેક આ છેતરપિંડીને રોકવા માટે અનેક ચેતવણીઓ આપવામાં આવે છે.  સાયબર ઠગો દ્વારા લોકો સાથે છેતરપિંડી કરવા માટે નવી નવી રીતો અપનાવવામાં આવી રહી છે. હાલના સમયમાં ઘણા લોકોને એવા મેસેજ મળી રહ્યા છે જેમાં લખવામાં આવે છે કે,'તમારું એકાઉન્ટ 2 કલાકમાં બ્લોક કરી દેવામાં આવશે'. આવા મેસેજમાં KYC અપડેટ કરવા માટે એક લિંક પણ આપવામાં આવે છે. પરંતુ આ પ્રકારના મેસેજ મોટાભાગે છેતરપિંડીનો ભાગ હોય છે.</p><p>નોંધનીય છે કે, સાયબર નિષ્ણાતો દ્વારા લોકોને ચેતવણી આપવામાં આવી છે કે આવા મેસેજથી ગભરાવાની જરૂર નથી. ઠગો ખોટી તાત્કાલિક પરિસ્થિતિ ઊભી કરીને લોકોને વિચાર્યા વિના લિંક પર ક્લિક કરવા માટે પ્રેરિત કરે છે. લિંક ખોલ્યા બાદ તેઓ વ્યક્તિની બેન્કિંગ માહિતી, OTP, PIN અથવા પાસવર્ડ મેળવીને નાણાકીય નુકસાન પહોંચાડી શકે છે.
</p><h4><b>ઉતાવળથી કોઈ નિર્ણય ન લો
</b></h4><p>સુરક્ષિત રહેવા માટે ત્રણ મહત્વના નિયમોનું પાલન કરવું જરૂરી છે. પ્રથમ કોઈપણ મેસેજમાં આપવામાં આવેલી ઉતાવળભરી ચેતવણીથી સાવધાન રહો અને તરત નિર્ણય ન લો. બીજું, યાદ રાખો કે બેન્કો સામાન્ય રીતે KYC અપડેટ માટે અજાણી લિંક મોકલીને માહિતી માંગતી નથી. ત્રીજું અજાણી લિંક પર ક્યારેય ક્લિક ન કરો અને બેન્કને લગતી માહિતી કોઈને આપશો નહીં જેમકે તમારો OTP, પિન કે પાસવર્ડ કોઈની સાથે શેર ન કરવો જોઈએ.
</p><p>જો કોઈ શંકાસ્પદ મેસેજ મળે તો તેની તપાસ કર્યા વગર કોઈ પગલું ન ભરો.. સાયબર સુરક્ષા માટે સાવચેતી જ સૌથી મોટું રક્ષણ છે. 'અજાણી લિંક એટલે અજાણ્યું જોખમ'ને ધ્યાનમાં રાખીને નાગરિકોએ સતર્ક રહેવું જરૂરી છે.
</p><p><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/business/news/epfo-8-25-percentage-interest-credited-for-fy-2025-26--how-to-check-pf-balance" target="_blank"><b>હજુ પણ નથી મળ્યું PFનું વ્યાજ? આ 3 રીતથી મિનિટોમાં કરો ચેક</b></a></p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/SbM08rrUTsTgqXf4OIIBcHvIklzJEyW209hDQmK2.webp'/></item><item><title><![CDATA[Dharmendra Pradhanના રાજીનામા બાદ ગીતાંજલિ વાંગચુકનું નિવેદન, કહ્યું 'Gen-Z છે અસલી વિશ્વ ગુરૂ' ]]></title><link>https://sandesh.com/india/news/dharmendra-pradhan-resignation-geetanjali-wangchuk-gen-z-vishwaguru</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/dharmendra-pradhan-resignation-geetanjali-wangchuk-gen-z-vishwaguru</guid><pubDate>Sat, 25 Jul 2026 18:32:22 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચાલી રહેલા પરીક્ષા પેપર લીક વિવાદ અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન વચ્ચે રાજકીય માહોલ ગરમાયો છે. સતત વધી રહેલા દબાણ બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ઘટનાક્રમ બાદ સામાજિક કાર્યકર અને શિક્ષણવિદ્ ગીતાંજલિ આંગમોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરીને દેશના યુવાનોની પ્રશંસા કરી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/GitanjaliAngmo/status/2080964364530856123"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>Gen-Zએ દેશભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું</b></h2><p>ગીતાંજલિ આંગમો, જે સામાજિક કાર્યકર સોનમ વાંગચુકની પત્ની છે, તેમણે પોતાની પોસ્ટમાં જંતર-મંતર પર એક મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે લખ્યું કે ભારતીય યુવાનોએ દુનિયાને બતાવ્યું છે કે સાચા અર્થમાં ‘વિશ્વગુરુ’ હોવાનો અર્થ શું છે. તેમણે કહ્યું કે આજના યુવાનોને પોતાની વાત રજૂ કરવા માટે હિંસા કે નફરતનો સહારો લેવાની જરૂર પડી નથી. તેમણે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરીને હિંમત અને દેશભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગીતાંજલિએ Gen-Zની પ્રશંસા કરતા જણાવ્યું કે આ પેઢીએ માત્ર વિચારોનો પ્રચાર કર્યો નથી, પરંતુ તેને પોતાના આચરણમાં ઉતારીને બતાવ્યું છે.</p><h3><b>સરકાર પર પણ આકરો પ્રહાર કર્યો</b></h3><p>ગીતાંજલિ આંગમોએ પોતાના નિવેદનમાં સરકાર પર પણ આકરો પ્રહાર કર્યો હતો. તેમણે ભાજપને યુવાનો પાસેથી હિંદુ ધર્મ, રાષ્ટ્રવાદ અને ‘વિશ્વગુરુ’ના સાચા અર્થને સમજવાની સલાહ આપી હતી. તેમના આ નિવેદનને કેન્દ્ર સરકાર અને ભાજપ પર સીધા રાજકીય કટાક્ષ તરીકે જોવામાં આવી રહ્યું છે.</p><p>તેમણે અન્ય દેશોમાં થયેલા હિંસક વિદ્યાર્થી આંદોલનોનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભારતીય વિદ્યાર્થીઓએ સાબિત કર્યું છે કે દેશને નુકસાન પહોંચાડ્યા વિના પણ અન્યાય સામે મજબૂતીથી અવાજ ઉઠાવી શકાય છે. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને ગીતાંજલિ આંગમોના નિવેદન બાદ પેપર લીકનો મુદ્દો ફરી એકવાર રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર પણ આ મામલે પક્ષ અને વિરોધ પક્ષના સમર્થકો વચ્ચે ચર્ચા તેજ બની છે.<br><br><b><a href="https://sandesh.com/india/breakingnews/cjp-protest-ends-government-accepts-demands-announcement" target="_blank">આ પણ વાંચો : CJP Protest : સરકારે માગો સ્વીકારી છે, આંદોલનનો આખરે અંત, CJPએ કરી જાહેરાત</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/jtFjH2lP5a4eMYJ994PW0hSrnZ0hxMo3dh4H8LER.webp'/></item><item><title><![CDATA[Porbandar News: ભાદર નદીના પાણીથી મંડેર-બગસરા રોડ બંધ, કડછ-અમીપુર કોઝવે જળમગ્ન ]]></title><link>https://sandesh.com/weather/monsoon-2026/news/maru-saher-maru-gaam/porbandar/bhadar-river-water-released-roads-closed-causeway-flooded</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/monsoon-2026/news/maru-saher-maru-gaam/porbandar/bhadar-river-water-released-roads-closed-causeway-flooded</guid><pubDate>Sat, 25 Jul 2026 18:09:47 +05:30</pubDate><description><![CDATA[<p>પોરબંદર તાલુકા અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે ભાદર નદીમાં ઉપરવાસમાંથી મોટો જથ્થો પાણીનો છોડવામાં આવ્યો છે. ભાદર નદીમાં પાણી છોડાવાના કારણે નીચાણવાળા વિસ્તારો અને નદી કિનારે આવેલા માર્ગો પર પૂર જેવા પાણી ફરી વળ્યા છે. પાણીના ધસમસતા પ્રવાહને કારણે સ્થાનિક વાહનવ્યવહાર પર માઠી અસર પડી છે.</p><h2><b>મંડેરથી બગસરા અને ભડથી ચિકાસ જતો રોડ બંધ</b></h2><p>નદીના પાણી ફરી વળવાના કારણે અને રસ્તાની સ્થિતિ અત્યંત ખરાબ હોવાથી સુરક્ષાના ભાગરૂપે માર્ગ અને મકાન વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોરબંદર તાલુકાના મંડેરથી બગસરા તરફ જતો મુખ્ય માર્ગ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, ભડથી ચિકાસ તરફ જતો રોડ પણ સલામતીના કારણોસર બંધ કરાતાં અનેક ગામડાઓનો સંપર્ક પ્રભાવિત થયો છે.</p><h2><b>કડછથી અમીપુર કોઝવે સંપૂર્ણપણે જળમગ્ન</b></h2><p>ભાદર નદીના પાણીનો પ્રવાહ એટલો તીવ્ર હતો કે, કડછથી અમીપુર તરફ જતો કોઝવે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. કોઝવે પરથી ભારે માત્રામાં પાણી વહી રહ્યું હોવાના કારણે વાહનચાલકો માટે ત્યાંથી પસાર થવું જોખમી બન્યું હતું. જેને પગલે આ માર્ગ પરનો વાહનવ્યવહાર પણ ઠપ્પ કરી દેવામાં આવ્યો છે.</p><p><img alt="Porbandar News: Water Released from Bhadar River, Major Roads Closed and Causeway Flooded" src="https://epapercdn.sandesh.com/images/2026/07/25/qfb6558mfFxlxYg3zAWey6UbTj7ia9AQUao6ZatL.webp" style="width: 100%;"><br></p><h2><b>તંત્ર દ્વારા સ્થાનિકો અને વાહનચાલકોને સાવચેત રહેવા અપીલ</b></h2><p>માર્ગો બંધ થવાના કારણે સ્થાનિક ગ્રામજનોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર તેમજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા લોકોને બંધ કરાયેલા રસ્તાઓ પર કે પાણી ભરાયેલા કોઝવે પરથી પસાર ન થવા અને બિનજરૂરી જોખમ ન લેવા ખાસ અપીલ કરવામાં આવી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/porbandar/porbandar-art-festival-celebration-held-at-mk-gandhi-school" target="_blank">Porbandar: એમ.કે. ગાંધી સ્કુલ ખાતે કલા ઉત્સવ-ઉમંગ યોજાયો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/7QmV4THXTVswL9Bql1RVEt8NPog50QAjUeBpshWS.webp'/></item><item><title><![CDATA[Patanમાં ભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમ તૈનાત, આધુનિક સંસાધનો અને 4 બોટ સાથે 30 જવાનો સજ્જ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/patan/ndrf-team-deployed-in-patan-following-heavy-rain-forecast-30-personnel-equipped-with-modern-resources-and-4-boats</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/patan/ndrf-team-deployed-in-patan-following-heavy-rain-forecast-30-personnel-equipped-with-modern-resources-and-4-boats</guid><pubDate>Sat, 25 Jul 2026 18:04:36 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે પાટણ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. કોઈપણ ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે વડોદરા સ્થિત 6 NDRFની 30 સભ્યોની સુસજ્જ રેસ્ક્યુ ટીમ પાટણ ખાતે તૈનાત કરી દેવામાં આવી છે. આ ટીમ NDRFના કમાન્ડન્ટ સુરેન્દ્ર સિંહના ખાસ નિર્દેશાનુસાર પાટણ ખાતે મોકલવામાં આવી છે, જેથી પૂર કે અન્ય આપત્તિના સમયે તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરી શકાય.</p><h2 style="text-align: justify; "><b>4 બોટ, OBM અને આધુનિક રેસ્ક્યુ સંસાધનોથી સજ્જ ટીમ</b></h2><p style="text-align: justify; ">પાટણ આવેલી NDRFની ટીમ પૂર અને જળબંબાકાર જેવી સ્થિતિમાં લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે સંપૂર્ણ તૈયારીઓ સાથે પહોંચી છે. ટીમ પાસે બચાવ કાર્ય માટે 4 રબર બોટ, 4 OBM (આઉટબોર્ડ મોટર) તેમજ પૂર રાહત માટેના તમામ આધુનિક સંસાધનો ઉપલબ્ધ છે. માત્ર પૂર જ નહીં, પરંતુ ભારે વરસાદના કારણે બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટનાઓ કે CBRN (કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ, ન્યુક્લિયર) જેવી કોઈપણ પ્રકારની કટોકટી કે આપત્તિને પહોંચી વળવા માટે આ ટીમ સંપૂર્ણપણે સક્ષમ છે.</p><h3 style="text-align: justify; "><b>ડેપ્યુટી કલેક્ટર સાથે બેઠક કરી સ્થિતિની સમીક્ષા કરી</b></h3><p style="text-align: justify; ">પાટણ પહોંચ્યા બાદ NDRFની ટીમે સ્થાનિક ડેપ્યુટી કલેક્ટર તેમજ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લાના નીચાણવાળા વિસ્તારો, સંભવિત પૂરગ્રસ્ત ગામો અને નદી કાંઠાના વિસ્તારો વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. વહીવટી તંત્ર અને NDRF વચ્ચે પરસ્પર સંકલન સાધીને કોઈ પણ કટોકટી સમયે ઝડપી કામગીરી હાથ ધરી શકાય તે માટેની સંપૂર્ણ રણનીતિ તૈયાર કરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/E2upZpUtUQf5yI4JkFn9QoHeMb2c6bsbmevl4dg6.webp'/></item><item><title><![CDATA[Chenab River Flood: વરસાદના પાણીથી પાકિસ્તાનમાં હાહાકાર, ચેનાબમાં પાણીનું સ્તર વધ્યું; પંજાબમાં પૂર જેવા હાલત ]]></title><link>https://sandesh.com/india/news/chenab-river-flood-in-pakistan--bund-breach-in-punjab--19-crore-cusec-water</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/chenab-river-flood-in-pakistan--bund-breach-in-punjab--19-crore-cusec-water</guid><pubDate>Sat, 25 Jul 2026 17:52:59 +05:30</pubDate><description><![CDATA[<p>
</p><div>પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ચેનાબ નદીમાં પાણીનું સ્તર વધવાથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. લિયાકતપુરના બેટ પરારા વિસ્તારમાં ભારે વરસાદથી ચેનાબ નદીનો રક્ષણાત્મક બંધ તૂટી ગયો છે, જેના કારણે આસપાસના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.</div><div>મળતી માહિતી અનુસાર, છેલ્લા છ દિવસમાં ભારતમાંથી ચેનાબ નદી દ્વારા પાકિસ્તાનમાં આશરે 19 કરોડ ક્યુસેક પાણી વહી ગયું છે. ભારતમાં સતત ભારે વરસાદ અને ઉપરના કેચમેન્ટ વિસ્તારોમાં પાણીના સ્તરમાં વધારો થવાને કારણે ડેમ અને બેરેજમાંથી વધારાનું પાણી છોડવામાં આવ્યું, જેની અસર પાકિસ્તાનના નીચે તરફના વિસ્તારો પર પણ પડી.
</div><h4><b>સિંધુ જળ સંધિ સ્થગિત
</b></h4><div>નોંધનીય છે કે પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી હતી. અગાઉ, સંધિ હેઠળ ભારતને પશ્ચિમી નદીઓ, ખાસ કરીને ચેનાબ નદીમાં પાણી છોડતા પહેલા પાકિસ્તાનને અગાઉથી સૂચના આપવાની જરૂર હતી, જેથી પાકિસ્તાન સંભવિત પૂર માટે તૈયારી કરી શકે.
</div><div>જોકે, ભારતે સ્પષ્ટતા કરી છે કે પાકિસ્તાનમાં હાલની પૂર જેવી પરિસ્થિતિ પાછળ કોઈ ઇરાદાપૂર્વકની કાર્યવાહી નથી. ભારતનો દાવો છે કે દેશમાં સતત ભારે વરસાદને કારણે જળાશયો અને બેરેજમાંથી વધારાનું પાણી છોડવાની જરૂર પડી હતી અને તે ફક્ત કુદરતી પરિસ્થિતિઓને કારણે હતું. ભારતે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, સિંધુ જળ સંધિ સ્થગિત થયા પછી તે પાકિસ્તાનને પાણી છોડવા અંગે અગાઉથી માહિતી આપવા માટે બંધાયેલ નથી.
</div><h4><b>ભારતનું વલણ શું છે?
</b></h4><div>ભારતે પાકિસ્તાનના આરોપને ફગાવી દીધો છે કે તેણે જાણી જોઈને ચિનાબ નદીમાં પૂર લાવ્યું છે. ભારતનો દાવો છે કે પાણીના સ્તરમાં વધારો જમ્મુ અને આસપાસના વિસ્તારોમાં ભારે ચોમાસાના વરસાદનું પરિણામ છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે પાકિસ્તાનની પોતાની પૂર ચેતવણીઓ આને સમર્થન આપે છે અને ઇસ્લામાબાદના દાવાઓને તથ્યપૂર્ણ રીતે પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે. ભારતે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પાર આતંકવાદને ટેકો આપવાનું બંધ ન કરે ત્યાં સુધી સિંધુ જળ સંધિ લાગુ કરવામાં આવશે નહીં.<br><br><a href="https://sandesh.com/india/news/samba-kathua-drone-sighting--bsf-launches-search-operation-at-india-pakistan-border" target="_blank"><b>આ પણ વાંચો: Pakistanની નાપાક હરકત... જમ્મુના કઠુઆ અને સાંબામાં જોવા મળ્યા શંકાસ્પદ ડ્રોન, સર્ચ ઓપરેશન શરૂ</b></a></div><div><br></div><div>
</div><div>
</div><div>
</div><div>
</div><div>
</div> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/SahSu5AfGu8mJGUiyvF4v9RgwSU2EHY5afLgPgCK.webp'/></item><item><title><![CDATA[Ahmedabadમાં વરસાદે વિરામ લીધો છતાં સમસ્યા યથાવત, ગોદરેજ ગાર્ડન સિટીના ચાર રસ્તા પર જળબંબાકારથી સ્થાનિકો પરેશાન ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/even-though-the-rains-have-stopped-in-ahmedabad-the-problem-persists-locals-are-troubled-by-waterlogging-at-four-roads-of-godrej-garden-city</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/even-though-the-rains-have-stopped-in-ahmedabad-the-problem-persists-locals-are-troubled-by-waterlogging-at-four-roads-of-godrej-garden-city</guid><pubDate>Sat, 25 Jul 2026 17:15:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં મેઘરાજાએ વિરામ લીધો હોવા છતાં અનેક વિસ્તારોમાં રહીશો માટે સમસ્યાઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. શહેરના પોશ ગણાતા જગતપુર નજીકના ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં વરસાદ બંધ થયાના કલાકો પછી પણ ઠેર-ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે મુખ્ય માર્ગો તળાવમાં ફેરવાઈ જતાં સ્થાનિક રહીશો તંત્રના અણઘડ વહીવટ સામે ભારે અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>મુખ્ય ચાર રસ્તાની ચારેય તરફ પાણી જ પાણી</b></h2><p style="text-align: justify; ">ગોદરેજ ગાર્ડન સિટીના મુખ્ય ચાર રસ્તા પર ચારેય તરફ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. આ ચાર રસ્તાની એક તરફ વિશાળ રહેણાંક સોસાયટીઓ આવેલી છે જ્યારે બીજી તરફ શાળા આવેલી છે. રસ્તાઓ પર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ રહેવાના કારણે શાળાએ જતા નાનાં બાળકો, વાલીઓ તેમજ નોકરી-ધંધે જતાં સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીના કારણે વાહનો બંધ પડી જવાના અને પગપાળા જતાં રાહદારીઓ લપસી પડવાના બનાવો પણ બની રહ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>તંત્ર વહેલી તકે પાણીનો નિકાલ કરે તેવી સ્થાનિકોની માંગ</b></h3><p style="text-align: justify; ">વરસાદ અટક્યા બાદ પણ કલાકો સુધી પાણી ન ઓસરતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. રહીશોનો આક્ષેપ છે કે દર વર્ષે આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. ગોદરેજ ગાર્ડન સિટીના રહીશોએ માંગ કરી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક પંપિંગ મૂકીને ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં આવે અને ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે ડ્રેનેજ લાઈનની સુધારો કરવામાં આવે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/2d42V9a2y6zkeqNDp9OvO2OLvWwVONWnBClaN9jp.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના ફતેવાડીમાં જૂની અદાવતમાં પિસ્તોલથી ધાણીફૂટ ફાયરિંગ, એક વ્યક્તિ ગંભીર રીતે ઘવાયી ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/in-ahmedabads-fatehwadi-a-man-was-seriously-injured-in-a-gunfight-over-an-old-enmity</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/in-ahmedabads-fatehwadi-a-man-was-seriously-injured-in-a-gunfight-over-an-old-enmity</guid><pubDate>Sat, 25 Jul 2026 16:02:18 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરના વેજલપુર-સરખેજ વિસ્તાર નજીક આવેલા ફતેવાડી પંથકમાં ફાયરિંગની સનસનાટીભરી ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. જૂની અદાવત અને ફરિયાદીની પત્ની સાથેના પ્રેમ સંબંધની તકરારમાં પિસ્તોલ જેવા ઘાતક હથિયારથી યુવક પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ હુમલામાં જાવેદ પઠાણ નામના વ્યક્તિને ગોળી વાગતાં તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં ભારે ભાગદોડ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.</p><h2><b>ઈજાગ્રસ્ત જાવેદ પઠાણ હોસ્પિટલમાં સારવાર હેઠળ</b></h2><p>ગોળી વાગવાથી ગંભીર રીતે ઘવાયેલા જાવેદ પઠાણને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ નાજુક હોવાનું કહેવાઈ રહ્યું છે. ફાયરિંગની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને વિસ્તારને કોર્ડન કરીને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.</p><h3><b>ત્રણ સામે હત્યાના પ્રયાસનો ગુનો, એક આરોપીની અટકાયત</b></h3><p>પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી મુખ્ય આરોપીઓ મુસાહિદ ઉર્ફે બાબુ કાલીયા, સહેજાન ઉર્ફે ભૂરો અને ડેમો નામના ત્રણ શખ્સો વિરુદ્ધ હત્યાના પ્રયાસ (IPC/BNS) તેમજ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આ ઘટનામાં સંડોવાયેલા એક આરોપીની અટકાયત કરી લીધી છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવી આગળની કાયદેસરની તપાસ તેજ કરી છે.</p><p><a href="http://ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/yxSiKUnepXsFtdbnOwmEbA9atQ5XawMvKzXN7ckF.webp'/></item><item><title><![CDATA[Sports News : ભારતમાં મેચ રમવા આવશે બ્રાઝિલની ટીમ, ક્યાં અને ક્યારે થશે ટક્કર ]]></title><link>https://sandesh.com/sports/news/sports-news-brazilian-team-will-come-to-india-to-play-a-match-where-and-when-will-the-match-take-place</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/sports-news-brazilian-team-will-come-to-india-to-play-a-match-where-and-when-will-the-match-take-place</guid><pubDate>Sat, 25 Jul 2026 15:46:30 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય ફૂટબોલ ચાહકો માટે એક સારા સમાચાર છે.વિશ્વની સૌથી લોકપ્રિય અને પાંચ વખતની વિશ્વ ચેમ્પિયન બ્રાઝિલિયન ફૂટબોલ ટીમ ઓક્ટોબરમાં ભારતનો પ્રવાસ કરે તેવી શક્યતા છે. મીડિયા રિપોર્ટ અનુસાર બ્રાઝિલિયન ફૂટબોલ એસોસિએશન (CBF) ઓક્ટોબરની શરૂઆતમાં ભારતમાં એક મૈત્રીપૂર્ણ મેચ રમવા માટે આયોજકો સાથે વાતચીત કરી રહ્યું છે.</p><h5><b>કોલકાતા એક ઐતિહાસિક મેચનું સાક્ષી બની શકે છે</b></h5><p>ફૂટબોલના મક્કા તરીકે ઓળખાતું કોલકાતા આ પ્રસ્તાવિત મેચનું આયોજન કરે તેવી શક્યતા છે. મીડિયા રિપોર્ટ અનુસાર CBF અને આયોજકો વચ્ચે આ મેચ અંગે પ્રારંભિક ચર્ચાઓ 2026 માં યુનાઇટેડ સ્ટેટ્સમાં યોજાયેલા FIFA વર્લ્ડ કપ દરમિયાન શરૂ થઈ હતી. જોકે, હજુ સુધી સ્પષ્ટ નથી કે પાંચ વખતની વિશ્વ ચેમ્પિયન ટીમ ભારતીય રાષ્ટ્રીય ટીમનો સામનો કરશે કે અન્ય આંતરરાષ્ટ્રીય ટીમનો.</p><h4><b>બ્રાઝિલનો 3-મેચનો આંતરરાષ્ટ્રીય વિન્ડો પ્લાન</b></h4><p>FIFAનો આંતરરાષ્ટ્રીય વિન્ડો 21 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર સુધી ચાલવાનો છે. આ સમયગાળા દરમિયાન, બ્રાઝિલિયન ટીમ કુલ ત્રણ મેચ રમવાની યોજના ધરાવે છે: બે ઓસ્ટ્રેલિયામાં અને એક ભારતમાં.</p><ul><li>25 સપ્ટેમ્બર: ઓસ્ટ્રેલિયાના ટાઉન્સવિલેમાં મેચ.</li><li>29 સપ્ટેમ્બર: ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં બીજી મેચ.</li><li>ઓક્ટોબરની શરૂઆતમાં: ભારતમાં ત્રીજી મૈત્રીપૂર્ણ મેચ.</li></ul><h5><b>સિંગાપોર સાથે પણ વાટાઘાટો થઈ હતી</b></h5><p>બ્રાઝિલિયન ફૂટબોલ એસોસિએશને આ સમયગાળા દરમિયાન બાંગ્લાદેશમાં ચોથી મેચ રમવાનું પણ વિચાર્યું હતું, પરંતુ ખેલાડીઓનો થાક, મુસાફરીનો સમય અને તૈયારીને ધ્યાનમાં રાખીને, યોજના મુલતવી રાખવામાં આવી છે. સિંગાપોર સાથે પણ વાટાઘાટો થઈ હતી, પરંતુ કોઈ કરાર થઈ શક્યો ન હતો, જેના કારણે કોલકાતાની બોલી સૌથી મજબૂત રહી.</p><h5><b>કોલકાતાનો બ્રાઝિલ સાથે લાંબા ગાળાનો સંબંધ</b></h5><p>કોલકાતાનો બ્રાઝિલિયન ફૂટબોલ સાથે લાંબા સમયથી સંબંધ છે. દિગ્ગજ ફૂટબોલ દિગ્ગજ પેલેએ 1977માં ન્યૂ યોર્ક કોસ્મોસ માટે રમતી વખતે ઇડન ગાર્ડન્સ ખાતે મોહન બાગાન સામે ઐતિહાસિક મેચ રમી હતી. ત્યારબાદ તેમણે 2015માં કોલકાતાની મુલાકાત લીધી હતી. જો આ પ્રવાસ નિર્ધારિત સમય મુજબ ચાલે છે, તો કોલકાતાના ચાહકોને વિનિસિયસ જુનિયર જેવા ફૂટબોલ દિગ્ગજોને વ્યક્તિગત રીતે રમતા જોવાની સુવર્ણ તક મળી શકે છે.</p><p>આ પણ&nbsp; વાંચો <a href="https://sandesh.com/sports/news/cwg-2026-medals-tally-australia-no-1-where-is-india-after-jhandu-kumars-bronze-medal" target="_blank">- CWG 2026 Medals Tally : ઓસ્ટ્રેલિયા નંબર-1, ઝાંડુ કુમારના બ્રોન્ઝ મેડલ બાદ ભારત કયા સ્થાને?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/WGQCJbtFOvCHvaDTTKLtlr0kve93CEqEqB8sKmod.webp'/></item><item><title><![CDATA[Monsoon 2026 : અમદાવાદ-બાવળા હાઈવે પાણીમાં ગરકાવ, ગેલોપ્સ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં ફસાયેલા 900 પૈકી 400નું સફળ રેસ્ક્યૂ ]]></title><link>https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-ahmedabad-bavla-highway-flooded-gallops-industrial-park-rescue-update</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-ahmedabad-bavla-highway-flooded-gallops-industrial-park-rescue-update</guid><pubDate>Sat, 25 Jul 2026 15:34:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અવિરત વરસેલા અતિભારે વરસાદને કારણે અમદાવાદ-બાવળા હાઈવે પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. બાવળા નજીક આવેલા ગેલોપ્સ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં ચોમેર કમરટોળ પાણી ભરાઈ જતાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે. આ પરિસરમાં અંદાજિત 900 જેટલા લોકો ફસાઈ ગયા હતા, જેમને બહાર કાઢવા માટે છેલ્લા બે દિવસથી રાત-દિવસ મોટા પાયે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>સંયુક્ત ટીમો રેસ્ક્યૂ કામગીરીમાં જોડાઈ&nbsp;</b></h2><p style="text-align: justify; ">સ્થિતિની નાજુકતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ ઉપરાંત એનડીઆરએફ, એસડીઆરએફ , ભારતીય આર્મી અને કોસ્ટગાર્ડની સંયુક્ત ટીમો રેસ્ક્યૂ કામગીરીમાં જોડાઈ છે. ઘટનાસ્થળે પહોંચેલા રેન્જ આઈજી  તેમજ જિલ્લા એસપી એ પોતે ટ્રેક્ટરમાં બેસીને પાણીમાં ગરકાવ વિસ્તારોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું અને રાહત કામગીરીને વધુ ઝડપી બનાવવા સૂચનાઓ આપી હતી.</p><h3 style="text-align: justify; "><b>400 લોકોને બચાવાયા</b></h3><p style="text-align: justify; ">તંત્ર દ્વારા હાથ ધરાયેલા આ દિલધડક ઓપરેશનમાં અત્યાર સુધીમાં અંદાજિત 400 લોકોને બોટ અને હેલિકોપ્ટરની મદદથી સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>હજું પણ 500 લોકો ફસાયેલા છે</b></h4><p style="text-align: justify; ">જોકે, હજુ પણ ઈન્ડસ્ટ્રીયલ પાર્કની અંદર 500 જેટલા લોકો ફસાયેલા હોવાનું સામે આવ્યું છે. તમામ ફસાયેલા લોકોને વહેલી તકે સુરક્ષિત સ્થળે ખસેડવા માટે બચાવ ટુકડીઓ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ રાખવામાં આવી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp; :&nbsp; &nbsp;<a href="https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/sandesh-indepth-gujarat-heavy-rain-reason-el-nino-fail-negative-pdo-impact" target="_blank"><b> Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/2Yg0mXUTeqypASnsHMTqDClTvOKx2VPKeEOKROqV.webp'/></item><item><title><![CDATA[Shehnaaz Gill મસ્જિદમાં માથું ટેકવતી નજરે પડી, શું રાઘવ જુયાલ સાથે કરશે લગ્ન? ]]></title><link>https://sandesh.com/entertainment/news/india/shehnaaz-gill-seen-bowing-her-head-in-the-mosque-will-raghav-marry-juyal</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/india/shehnaaz-gill-seen-bowing-her-head-in-the-mosque-will-raghav-marry-juyal</guid><pubDate>Sat, 25 Jul 2026 12:11:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બિગ બોસ ફેમ અને બોલિવૂડ અભિનેત્રી શહેનાઝ ગિલ અવારનવાર પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર શહેનાઝ ગિલનો એક નવો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક મસ્જિદમાં જઈને શ્રદ્ધાપૂર્વક માથું ટેકવતી જોવા મળી રહી છે. આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ અને યુઝર્સ વચ્ચે ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>સોશિયલ મીડિયા પર સવાલો</b></h2><p style="text-align: justify; ">વાયરલ થઈ રહેલી આ ઝલકમાં શહેનાઝ ખૂબ જ સાદગીપૂર્ણ અંદાજમાં મસ્જિદમાં પ્રવેશતી અને નમન કરતી નજરે પડે છે. આ દ્રશ્ય જોયા બાદ નેટીઝન્સ વિવિધ પ્રકારની અટકળો લગાવી રહ્યા છે. કેટલાક યુઝર્સ સવાલ ઉઠાવી રહ્યા છે કે શું શહેનાઝ ગિલ પોતાના જીવનમાં કોઈ મોટો નિર્ણય લેવા જઈ રહી છે? શું તે બીજા ધર્મમાં લગ્ન કરવાની યોજના બનાવી રહી છે? આવા અનેક પ્રશ્નો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ટ્રેન્ડ કરવા લાગ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>રાઘવ જુયાલ સાથે જોડાતું નામ</b></h3><p style="text-align: justify; ">આ વીડિયો વાયરલ થતાંની સાથે જ શહેનાઝ ગિલ અને જાણીતા ડાન્સર-એક્ટર રાઘવ જુયાલના અફેરની અફવાઓને ફરી એકવાર હવા મળી છે. અગાઉ પણ બંનેના ડેટિંગ અને ખાસ બોન્ડિંગને લઈને મીડિયામાં અહેવાલો વહેતા થયા હતા. જોકે, ભૂતકાળમાં શહેનાઝ અને રાઘવ બંને સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે તેઓ માત્ર ખૂબ સારા મિત્રો છે અને એકબીજાને સપોર્ટ કરે છે. તેમ છતાં, મસ્જિદની આ મુલાકાત બાદ યુઝર્સ ફરીથી બંનેના સંબંધો અને અલગ ધર્મમાં લગ્નની શક્યતાઓને જોડીને ચર્ચા કરી રહ્યા છે.</p><h4 style="text-align: justify; "><b>ફેન્સની પ્રતિક્રિયા</b></h4><p style="text-align: justify; ">એકતરફ જ્યાં કેટલાક લોકો આ બાબતે જાતજાતના તર્કો લગાવી રહ્યા છે, તો બીજી તરફ શહેનાઝના પ્રશંસકો તેને સર્વધર્મ સંભાવના ઉદાહરણ ગણાવી રહ્યા છે. ફેન્સનું માનવું છે કે દરેક ધર્મસ્થળ પ્રત્યે આદર દાખવવો એ સરાહનીય બાબત છે અને તેને લગ્ન કે અફેર સાથે જોડવું યોગ્ય નથી. શહેનાઝ તરફથી હજુ સુધી આ વાયરલ વીડિયો અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/thalapathy-vijays-last-film-jana-nayakkan-released-in-cinemas-earned-a-whopping-rs-50-crore-on-the-first-day" target="_blank">આ પણ વાંચો: Thalapathy Vijayની છેલ્લી ફિલ્મ "જન નાયકન" સિનેમાઘરોમાં રિલીઝ, ફર્સ્ટ ડે 50 કરોડની ધૂમ કમાણી કરી</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/zokbrfVToEjH7QXf8QFadATHaQXjmhwVLavlpNy0.webp'/></item></channel></rss>