<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Navsari: નવસારીના જ્વેલર્સને છેતરતો મહાઠગ ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/navsari/navsari-a-big-fraudster-was-caught-cheating-jewelers-in-navsari</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/navsari/navsari-a-big-fraudster-was-caught-cheating-jewelers-in-navsari</guid><pubDate>Sat, 01 Aug 2026 01:51:03 +05:30</pubDate><description><![CDATA[<p>નવસારી શહેરના કંસારવાડના નાકે આવેલ જ્વેલર્સના માલિકને ફાઇનાન્સ કંપનીમાં ગીરવે મુકેલ દાગીના છોડાવ્યા બાદ તેમને વેચાણ કરવામાં આવશે તેમ કહી રૂા. 1 લાખ, 35 હજારની રોકડ લઈ ફરાર થઈ ગયેલા આરોપીને નવસારી એલસીબી પોલીસે શહેરના ભેસતખાડા વિસ્તારમાંથી ઝડપી પાડી તેની પાસેથી રૂા. 1. 69 લાખ રોકડ અને બાઈક અને મોબાઈલ ફોન મળી રૂા. 2.24 લાખની મત્તા કબજે કરવાની સાથે છ છેતરપિંડીના ભેદ ઉકેલી નાખ્યો હતો.</p><p>ગત 14 મી જુલાઈના રોજ નવસારી શહેરના કંસારવાડના નાકે આવેલ ફૈઝ જ્વેલર્સ નામની સોના ચાંદીના દાગીનાની દુકાન ધરાવતા મોહમદ ફુઝૈન રજાક હારૂન મેમણ ઉવ.20ને એક યુવકે આવીને જણાવ્યું હતું કે, નવસારી ગ્રીડ રોડ ઉપર મુકેલ ખાનગી ફાઈનાન્સ કંપનીમાં સોનાના દાગીના ગીરવે મુકલા છે. તે છોડાવવા માટે રૂપિયા આપો તો છોડાવેલા દાગીના તમારી દુકાને વેચાણ કરવામાં આવશે તેમ કહી હુસેન નામધારી યુવકે ફુઝૈન મેમણને બાઇક ઉપર બેસાડી પ્રથમ ફુવારા સર્કલ પાસે આવેલ એસબીઆઇના ATMમાં રૂા. 1.35 લાખ જમા કરાવ્યા બાદ તેને ગ્રીડ રોડ ઉપર લઇ આવ્યો હતો. જોકે આ સમયે આરોપીએ જ્વેલર્સ ફુઝૈનને દાગીના છોડાવવા માટે મમ્મીના સહીની જરૂર પડશે તેમ કહી રોડ ઉપર ઉભો રાખી પલાયન થઇ ગયો હતો.</p><p>આ ગુનામાં નવસારી એલસીબી ના પીઆઈ વી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે હુસેન નામનો યુવક ભેંસતખાડા વિસ્તારમાં હોવાની મળેલી બાતમીના આધારે એલસીબી ની ટીમે વોચ ગોઠવી આરોપી હુસૈન યુસુફ્ તૈયબઅલી પારડીવાલા (દાઉદી વ્હોરા) રહે. 3556, ફતેમી હાઉસ, પટેલ કાછીયા સ્ટ્રીટ, દમણી ઝાપા રોડ, કિલ્લા પારડી, તા. પારડી, જિ. વલસાડ. ને ઝડપી પાડી તેની પાસેથી રૂા. 1,69,325 રોકડા તથા મોટરસાયકલ અને મોબાઈલ ફોન મળી કુલ રૂા.2,24,325ની મત્તા કબ્જે કરી હતી આ અંગે વધુ તપાસ ટાઉન પોલીસ કરી રહી છે.</p><p>ઉલ્લેખનીય છે કે, નવસારીના જ્વેલર્સ ખાતે છેતરપિંડી કરવાના ગુનામાં ઝડપાયેલ આરોપી હુસૈન પારડીવાલાએ BBA સુધીનો અભ્યાસ કરેલ છે અને તેને શેરમાર્કેટની લત લાગી હતી. શેરમાર્કેટમાં વારંવાર આર્થિક નુકસાન વેઠવાને કારણે તે વધુ નાણાં મેળવવા માટે સોના-ચાંદીના વેપારીઓને વિશ્વાસમાં લેતો હતો</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/01/e1fcSDkm3wHmBSnc5TvYD22VQaD1pLccJ0OS4F1W.webp'/></item><item><title><![CDATA[Vapi: મધુબન ડેમમાંથી 1.5 લાખ ક્યુસેક પાણી છોડાયું, દરિયો તોફાની બન્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vapi/vapi-15-lakh-cusecs-of-water-released-from-madhuban-dam-sea-becomes-turbulent</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vapi/vapi-15-lakh-cusecs-of-water-released-from-madhuban-dam-sea-becomes-turbulent</guid><pubDate>Sat, 01 Aug 2026 01:46:55 +05:30</pubDate><description><![CDATA[<p>વાપી : સંઘપ્રદેશ દમણમાં હાલ હવામાન વિભાગ દ્વારા શુક્રવારે ભારે વરસાદ અને ખરાબ હવામાનને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતુ. દમણના પ્રખ્યાત નમો પથ અને ભૈયા જેટી વિસ્તારમાં રેડ એલર્ટની સ્થિતિ વચ્ચે પણ મોટી સંખ્યામાં લોકો દરિયાકિનારે ફરવા અને મસ્તી કરવા માટે ઉમટી પડયા હતા. લોકો જીવના જોખમે દરિયાના તોફાની મોજાં વચ્ચે સેલ્ફી લેતા નજરે પડયા હતા. પરિસ્થિતિ એટલી હદે વણસી હતી કે પોલીસ વિભાગને સાયરન વગાડીને લોકોને બળજબરીપૂર્વક દરિયાકિનારેથી ભગાડવાની ફરજ પડી હતી. બીજી તરફ મધુબન ડેમમાંથી અંદાજે દોઢ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે નદીની સપાટી વધી અને દરિયાઈ વિસ્તારમાં પાણીનું સ્તર પણ વધ્યું હતુ. દરિયામાં હાઈ ટાઈડ (ભરતી) હોવાના કારણે દરિયાના તોફાની મોજાં કિનારાને વટાવીને બહાર રસ્તાઓ સુધી આવી રહ્યા હતી. પ્રશાસન દ્વારા દરિયાકિનારે જવાના રસ્તાઓ પર માત્ર સામાન્ય દોરડાં બાંધી સંતોષ માન્યો હતો.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/01/CymIWFQ6yUiGmNBFuqbx6wDoss5qJ9Ax6FldKYbA.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: પેરામેડિકલમાં વેરિફ્કિેશનનો આજે છેલ્લો દિવસ, 37,267 ફોર્મ ભરાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-today-is-the-last-day-of-verification-in-paramedical-37267-forms-were-filled</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-today-is-the-last-day-of-verification-in-paramedical-37267-forms-were-filled</guid><pubDate>Sat, 01 Aug 2026 01:46:10 +05:30</pubDate><description><![CDATA[<p>બીએસસી નર્સિંગ સહિતના વિવિધ પેરામેડિકલ કોર્સીસમાં પ્રવેશ માટે જાહેર કરેલા નવા કાર્યક્રમમાં રજિસ્ટ્રેશનની મુદત આજે પૂર્ણ થઈ છે. ડોક્યુમેન્ટ્સ વેરિફ્કિેશનની મુદત આવતીકાલે શનિવારે પૂર્ણ થશે. ચાલુ વર્ષે કુલ 1,165 કોલેજની 56,754 બેઠકોમાં પ્રવેશ માટે 37,267 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ફાઈનલ ડોક્યુમેન્ટ્સ વેરિફ્કિેશન 35,441 વિદ્યાર્થીઓનું થયું છે. નવા કાર્યક્રમમાં રજિસ્ટ્રેશન કરાવનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં 1 હજાર જેટલો અને વેરિફ્કિેશનમાં 789 જેટલો વધારો થયો છે. હવે ટૂંક સમયમાં વિદ્યાર્થીઓના એડમિશન ફાળવવા સંબંધિત કામગીરીનો પ્રારંભ થશે. એડમિશન કમિટી દ્વારા પ્રવેશનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. તેને લગતી પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/01/5KrX4EQRoSkx2VryFlU8ip7zTBpLiqSIFLgKwyXR.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: સાયન્સ સિટી પાસે હીટ એન્ડ રન, યુવકને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-hit-and-run-near-science-city-youth-hit-and-killed-by-unknown-driver</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-hit-and-run-near-science-city-youth-hit-and-killed-by-unknown-driver</guid><pubDate>Sat, 01 Aug 2026 01:45:28 +05:30</pubDate><description><![CDATA[<p>સાયન્સ સિટી નજીક આવેલ ભાડજ બ્રિજ પાસે હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. જેમાં રોડ ક્રોસ કરી રહેલ યુવકને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. અકસ્માત બાદ વાહનચાલક ફરાર થઇ ગયો હતો. આ અંગે ટ્રાફ્કિ પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. મુળ ઉત્તરપ્રદેશનો 23 વર્ષીય રાહુલકુમારસિંઘ યાદવ હેબતપુર ગામ પાસે એક પ્લાન્ટમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. ગત 27જુલાઇએ તે નોકરીએ ન પહોંચતા તેના સાથીદાર સહિતના લોકોએ તેની શોધખોળ હાથ ધરી હતી. બાદમાં તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં રાહુલનું અકસ્માતમાં મોત થયુ હોવાની જાણકારી મળી હતી.પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં ખુલ્યુ કે રાહુલ યાદવ ભાડજ બ્રીજ પાસેથી રોડ ક્રોસ કરતો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને અડફેટે લેતા તેને ગંભીર ઇજાઓ પહોચી હતી. અકસ્માત બાદ વાહનચાલક ફરાર થઇ ગયો હતો. જ્યારે ઇજાગ્રસ્ત રાહુલને સારવારઅર્થે હોસ્પિટલ ખસેડયો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યુ હતુ. આ અંગે એન ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે ફરાર અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધીને ઘટના સ્થળની આસપાસથી સીસીટીવી ફુટજ મેળવવાનું શરૂ કર્યું છે. ઘટનાના 24 કલાક બાદ પણ અજાણ્યું વાહન કયું હતું તે હજું સધી ટ્રાફીક પોલીસને જાણવા મળ્યું નથી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/01/bc485dZh6e0IjfGe53MlvE8KN56LEUcOPkUQYJpM.webp'/></item><item><title><![CDATA[Surat: આભે ગ્રહોની જળસભા, ધરતી પર મેઘરાજાનો પ્રહાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-aabha-is-the-meeting-of-the-planets-megharaja-attacks-the-earth</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-aabha-is-the-meeting-of-the-planets-megharaja-attacks-the-earth</guid><pubDate>Sat, 01 Aug 2026 01:44:43 +05:30</pubDate><description><![CDATA[<p>સમગ્ર વર્ષ દરમિયાન લોકો ડરતા રહ્યા કે અલનીનોની અસરથી આ વખતે ચોમાસું નબળું જશે અને એ મોડું તો પડયું પરંતુ જામ્યું ત્યારે લોકો બૂમો પાડતાં થઈ ગયા કે આવું તો ક્યારેય જોયું ન હતું. સુરત અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના ઘણાંખરાં પ્રદેશોમાં છેલ્લા કેટલાક દિવસોથી આકાશ જાણે વરસાદ નહીં પણ જળનો કોપ વરસાવી રહ્યું છે. ક્યાંક રસ્તાઓ નદી બન્યાં તો ક્યાંક ગામો પાણીથી ઘેરાયા અને જોતજોતામાં મેઘરાજાએ ધરતીનું સ્વરૂપ બદલી નાખ્યું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. ત્યારે એ પ્રશ્ન સ્વભાવિક છે કે, આ વરસાદ ચોમાસાની હવામાનશાસ્ત્રીય ઘટના છે કે, આકાશની ગ્રહસભામાં છૂપાયેલો કોઈ અસામાન્ય સંકેત.</p><p>જ્યોતિષશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, 2026માં સૌથી ધ્યાન ખેંચે છે જળતત્વની રાશિ કર્કમાં ગુરૂનું અતિચારી ભ્રમણ. ગુરૂની આ સ્થિતિને મેદિની જ્યોતિષની ભાષામાં જોવામાં આવે ત્યારે જળતત્ત્વની પ્રચુરતા, નદીઓમાં જળવૃદ્ધિ અને વરસાદી પ્રવૃત્તિના વિસ્તાર સાથે તેનો સંબંધ સ્થપાય છે. આકાશની વાત 2026માં માત્ર અહીં પૂર્ણ નથી થતી. શનિ પણ જળતત્વની રાશિ છે અને શનિનું મીન રાશિમાં ભ્રમણ પણ ચોમાસા માટે રસપ્રદ છે. જ્યોતિષનો સિદ્ધાંત છે કે જ્યારે જળતત્વ બળવાન બને અને તેને વિસ્તરણ આપતા ગ્રહ શક્તિશાળી હોય ત્યારે આકાશ માત્ર વરસતું જ નથી તેની સીમા પણ ક્યારેક ભૂલી જાય છે.</p><p>ઉચાટભર્યા આ સમય બાદ હવે આગળ ચોમાસું કેવું જશે, એ સવાલ પણ આ સંજોગોમાં ઊભો થાય છે. તો ગ્રહોનો સંદેશ એ જ છે કે, મેઘ હજી મૌન નહીં રહે, કારણ કે આ વખતે શ્રાવણના આકાશે માત્ર વાદળોની ચાદર નથી ઓઢી સાથે ગ્રહોએ જ જળના દ્વાર ખોલી દીધા છે. નિરયણ ગ્રહસ્થિતિ, નક્ષત્ર, ગ્રહદ્રષ્ટિ, અસ્ત-વક્રી અવસ્થા અને મેદિની જ્યોતિષના જળવૃષ્ટિ સંકેતો સાથે વરસાદનું અલગ જ ચિત્ર ઊભું થાય છે. મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે 31જુલાઈએ સવારે ચંદ્રનો કુંભ રાશિમાં પ્રવેશ જ્યોતિષની દ્રષ્ટિએ હવામાન માટે ધ્યાન ખેંચે તેવી ઘટના છે. કુંભમાં પહેલેથી રાહુનો પ્રભાવ છે અને ચંદ્ર પણ એ જ રાશિમાં પ્રવેશ કરતાં શુક્રવારે સવારથી જ વરસાદ અસમાન અને તીવ્ર દેખાવા લાગ્યો. 31મી જુલાઈએ સાંજે 7:30 પછી ચંદ્રએ શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કર્યો. એ નક્ષત્ર પણ રાહુનું છે. આ કારણે 31 જુલાઈની રાતથી 1 ઓગસ્ટનો સમય વાતાવરણમાં અચાનક ફેરફાર અને તીવ્રતા વધારવાનો સંકેત આપે છે. ત્યારબાદ ચંદ્ર મીન રાશિમાં પ્રવેશ કરશે એ પણ પૂર્ણ જળતત્વની રાશિ છે. એ જ મીન રાશિમાં શનિ વક્ર ગતિથી ગોચર કરી રહ્યો છે. આથી આકાશમાં એક રસપ્રદ ત્રિકોણીય જળચિત્ર રચાશે. આ સ્થિતિ વચ્ચે વચ્ચે ભારે વરસાદનો રાઉન્ડ આપી શકે તેવા સંકેત આપે છે.</p><p>જ્યોતિષ ગોચરની દ્રષ્ટિે આ સમય સંવેદનશીલ છે. ત્યારબાદ 2 અને 3 ઓગસ્ટે પણ ગ્રહચિત્ર વરસાદ સંપૂર્ણ બંધ થઈને રાહત આપે તેવા સંકેત નથી એટલે કે મેઘરાજા વિદાય નહીં લેશે પરંતુ તેમનો રૌદ્ર મિજાજ બદલાવાની ચોક્કસ શરૂઆત થશે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/01/XlNvk2QCEi3aMXJFPJEfEg04vIT3NJuyh4xYXvVa.webp'/></item><item><title><![CDATA[CWG 2026 Medal Tally: ઓસ્ટ્રેલિયાનો દબદબો યથાવત, મેડલ ટેલીમાં ભારત ક્યાં નંબરે? ]]></title><link>https://sandesh.com/sports/news/cwg-2026-medal-tally-australias-dominance-continues-where-is-india-in-the-medal-tally</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/cwg-2026-medal-tally-australias-dominance-continues-where-is-india-in-the-medal-tally</guid><pubDate>Fri, 31 Jul 2026 23:18:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગ્લાસગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026નો 9મો દિવસ ભારત માટે સફળતાઓ અને યાદગાર પ્રદર્શનથી ભરેલો રહ્યો. ભારતીય એથ્લેટ્સના શાનદાર પ્રદર્શનના બળે ભારતની કુલ મેડલની સંખ્યા 19 પર પહોંચી ગઈ છે. જોકે, અન્ય દેશોના બહતર પ્રદર્શનને કારણે મેડલ ટેલીમાં ભારતને બે સ્થાનનું નુકસાન વેઠવું પડ્યું છે. 7મા દિવસના અંતે 8મા ક્રમે રહેલું ભારત હવે 3 ગોલ્ડ, 10 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ સાથે 10મા સ્થાને આવી ગયું છે.આ ખેલાડીઓએ બોક્સિંગ અને જુડોમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું. ભારતે અત્યાર સુધીમાં 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ત્રણ ગોલ્ડ, દસ સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ જીત્યા છે. હવે, ભારત માટે વધુ ચાર મેડલ નિશ્ચિત થયા છે.</p><h4 style="text-align: justify;"><b>સિલ્વર મેડલની સંખ્યામાં ઈંગ્લેન્ડ તમામ દેશોમાં સૌથી આગળ</b></h4><p style="text-align: justify;">યજમાન ઈંગ્લેન્ડ બીજા સ્થાને છે, તેમને 15 ગોલ્ડ, 30 સિલ્વર અને 21 બ્રોન્ઝ સહિત કુલ 66 મેડલ જીત્યા છે. ઓસ્ટ્રેલિયા કરતા ઓછા ગોલ્ડ મેડલ હોવા છતાં ઈંગ્લેન્ડે તેના સિલ્વર મેડલને કારણે તેનું બીજું સ્થાન જાળવી રાખ્યું છે. કેનેડાએ પણ સારું પ્રદર્શન કર્યું છે, તેને 15 ગોલ્ડ, 13 સિલ્વર અને 18 બ્રોન્ઝ સહિત કુલ 46 મેડલ જીત્યા છે. સિલ્વર મેડલની સંખ્યામાં ઈંગ્લેન્ડ તમામ દેશોમાં સૌથી આગળ છે.</p><h3 style="text-align: justify;"><b>&nbsp;કોમનવેલ્થ ગેમ્સ 2026 મેડલ ટેલી</b></h3><p style="text-align: justify;"><img alt="CWG 2026 Medal Tally Table" src="https://epapercdn.sandesh.com/images/2026/07/31/qHUG9KzR6g5PIxvtuTU8yMD4bzo4HZgLB1fkZsgg.webp" style="width: 100%;"><br></p><h4 style="text-align: justify;"><b>ભારતે જુડોમાં પણ પોતાની છાપ છોડી</b></h4><p style="text-align: justify;">હર્ષ સિંહે જુડોમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું. તેણે પુરુષોની 60 કિગ્રા વજન શ્રેણીની ક્વાર્ટર ફાઇનલમાં શાનદાર જીત મેળવી. IPPON હાંસલ કરીને, હર્ષે તેના પ્રતિસ્પર્ધીને હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું. જો તે સેમિફાઇનલ હારી જાય તો પણ તેને બ્રોન્ઝ મેડલ મળવાની ખાતરી છે. આ દરમિયાન, અસ્મિતા ડેએ પણ મહિલા 48 કિગ્રા જુડો સેમિફાઇનલમાં મજબૂત એન્ટ્રી કરી, તેના પ્રતિસ્પર્ધીને હરાવ્યો. તે સેમિફાઇનલમાં પહોંચનારી બીજી ખેલાડી બની, આમ તેનો મેડલ સુનિશ્ચિત થયો.</p><h5 style="text-align: justify;"><b>આ બે બોક્સરોએ મેડલ મેળવ્યા</b></h5><p style="text-align: justify;">વિશ્વની ત્રીજા ક્રમાંકની બોક્સર પ્રીતિ પવારે મહિલા 54 કિગ્રા વર્ગના ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. તેણીએ સેમિફાઇનલમાં ઝામ્બિયાની કેથરિન મ્વાપેને સર્વસંમતિથી 5-0થી હરાવી હતી. હવે, સ્કારલેટનો મુકાબલો ગોલ્ડ મેડલ મેચમાં કેનેડાની સવાન્ના ડેલગાડો સામે થશે. ભારતના ઉભરતા યુવાન બોક્સર અંકુશ પંઘાલે પણ શાનદાર પ્રદર્શન કર્યું, પુરુષોની 80 કિગ્રા ઇવેન્ટના ફાઇનલમાં 5-0ના સ્કોર સાથે સ્થાન મેળવ્યું. ફાઇનલમાં પણ તે ગોલ્ડ મેડલ જીતે તેવી અપેક્ષા છે.</p><p style="text-align: justify;">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/commonwealth-games-2026-big-news-4-medals-confirmed-for-india" target="_blank">Commonwealth Games 2026 મોટા સમાચાર, ભારત માટે 4 મેડલ કન્ફર્મ થયા</a></p><p style="text-align: justify;"><br></p><p style="text-align: justify;"><br></p><p style="text-align: justify;"><br></p><p style="text-align: justify;"><br></p><p style="text-align: justify;"><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/31/6iTtHlXo2TKU3jWke2DNIenb67FUcX81qOYwhN7M.webp'/></item><item><title><![CDATA[Auto News: ચોમાસામાં કાર પાણીમાં બંધ થઈ જાય તો ગભરાશો નહીં; આ સ્માર્ટ ટિપ્સ બચાવશે તમારું એન્જિન અને ખિસ્સું! ]]></title><link>https://sandesh.com/business/news/automobile/auto-news-dont-panic-if-your-car-gets-stuck-in-water-during-the-monsoon-these-smart-tips-will-save-your-engine-and-your-pocket</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/auto-news-dont-panic-if-your-car-gets-stuck-in-water-during-the-monsoon-these-smart-tips-will-save-your-engine-and-your-pocket</guid><pubDate>Fri, 31 Jul 2026 22:43:12 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ચોમાસાની ઋતુમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવું સામાન્ય વાત છે, પરંતુ આવી સ્થિતિમાં અચાનક કાર બંધ પડી જાય ત્યારે મોટી મુશ્કેલી ઊભી થાય છે. ઘણીવાર લોકો ગભરાટમાં એવી ભૂલો કરી બેસે છે, જેનાથી કારના એન્જિન અને અન્ય સ્પેરપાર્ટ્સને ભારે નુકસાન પહોંચે છે. જો તમારી કાર પણ પાણીમાં ફસાઈને બંધ થઈ જાય, તો આ મહત્વપૂર્ણ વાતોનું ખાસ ધ્યાન રાખો.</p><h2 style="text-align: justify; "><b>કારને વારંવાર સ્ટાર્ટ કરવાનો પ્રયાસ ન કરો</b></h2><p style="text-align: justify; ">જો પાણીમાં ગયા પછી કાર બંધ થઈ જાય, તો તેને ફરીથી સેલ્ફ મારીને સ્ટાર્ટ કરવાની ભૂલ ક્યારેય ન કરવી. આમ કરવાથી એર ફિલ્ટર અથવા એક્ઝોસ્ટ (સાયલેન્સર)ના રસ્તે પાણી એન્જિનની અંદર પહોંચી શકે છે. આનાથી એન્જિન લોક થઈ શકે છે, જેને હાઈડ્રોલોક (Hydrolock) કહેવામાં આવે છે. આ સ્થિતિમાં એન્જિન રિપેર કરવાનો ખર્ચ ખૂબ જ વધારે આવે છે.</p><h3 style="text-align: justify; "><b>તુરંત ઇગ્નિશન બંધ કરી દો</b></h3><p style="text-align: justify; ">કાર બંધ થતાં જ સૌથી પહેલા ઇગ્નિશન ઓફ કરી દો અને ચાવી બહાર કાઢી લો. આનાથી કારની ઇલેક્ટ્રિકલ સિસ્ટમ, સેન્સર્સ અને અન્ય મહત્વપૂર્ણ પાર્ટ્સને શોર્ટ સરકિટથી બચાવી શકાય છે. જો પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું હોય, તો સમયસર બારીઓના કાચ ખોલી લો જેથી જરૂર પડે ત્યારે બહાર નીકળવું સરળ રહે.</p><h4 style="text-align: justify; "><b>પાણી વધે તો તરત જ બહાર નીકળો</b></h4><p style="text-align: justify; ">જો કારની આસપાસ પાણી સતત વધી રહ્યું હોય, તો અંદર બેસી રહેવાનું જોખમ ન લો. વહેલી તકે સુરક્ષિત જગ્યાએ પહોંચવાનો પ્રયાસ કરો. ઘણીવાર પાણીના દબાણને કારણે કારના દરવાજા ખુલતા નથી, આવી સ્થિતિમાં બારીમાંથી બહાર નીકળીને કોઈ ઊંચી અને સુરક્ષિત જગ્યાએ જતા રહો.</p><h5 style="text-align: justify; "><b>કારને સુરક્ષિત જગ્યાએ ખસેડો</b></h5><p style="text-align: justify; ">જો પાણીનો પ્રવાહ તેજ ન હોય અને પરિસ્થિતિ સુરક્ષિત લાગે, તો કારને ન્યૂટ્રલ ગિયરમાં મૂકીદો અને ધીમે-ધીમે ધક્કો મારીને ઓછા પાણીવાળી જગ્યાએ લઈ જઈ શકો છો. ત્યારબાદ કોઈ વિશ્વસનીય મિકેનિકનો સંપર્ક કરો અને ગાડી ચેક કરાવો.</p><h6 style="text-align: justify; "><b>ટોઇંગ અને ઇન્શ્યોરન્સની મદદ લો</b></h6><p style="text-align: justify; ">જો કાર પાણીમાંથી બહાર નીકળી શકે તેમ ન હોય, તો તેને બળજબરીથી ચલાવવાનો પ્રયાસ ન કરો. આવી સ્થિતિમાં ક્રેન અથવા ટો ટ્રકની મદદ લો. સાથે જ, તમારી ઇન્શ્યોરન્સ કંપનીને આ ઘટનાની જાણ કરો. મિકેનિક પાસે કારનું પૂરતું ચેકિંગ કરાવ્યા વિના એન્જિન ચાલુ ન કરો.</p><h6 style="text-align: justify; "><b>એન્જિનમાં પાણી ગયું છે કે નહીં તે ઓળખો</b></h6><p style="text-align: justify; ">જો ડિપસ્ટિક (Dipstick) બહાર કાઢતી વખતે એન્જિન ઓઇલમાં પાણીના ટીપાં કે સફેદ ફીણ દેખાય, તો તે સંકેત છે કે એન્જિનમાં પાણી પહોંચી ગયું છે. આવા સમયે પહેલા મિકેનિક પાસે સ્પાર્ક પ્લગ અથવા ઇન્જેક્ટરની તપાસ કરાવો અને પાણી પૂરેપૂરું નીકળી જાય તે પછી જ કારને ફરીથી સ્ટાર્ટ કરો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/automobile" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/31/U6IPOHAmT7I7PAdelDlmPS5pl7dNHQz2bXFZZ3zO.webp'/></item><item><title><![CDATA[MEA India PoJK: PoJKમાં પાકિસ્તાનની બર્બરતા પર ભારત લાલઘૂમ, જમ્મુ-કાશ્મીર અંગે આપ્યો બેટૂક જવાબ! ]]></title><link>https://sandesh.com/india/news/political-news/mea-india-pojk-india-reacts-to-pakistans-barbarity-in-pojk-gives-blunt-reply-on-jammu-and-kashmir</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/political-news/mea-india-pojk-india-reacts-to-pakistans-barbarity-in-pojk-gives-blunt-reply-on-jammu-and-kashmir</guid><pubDate>Fri, 31 Jul 2026 19:56:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપી છે. જેમાં જમ્મુ અને કાશ્મીરને ભારતનો અભિન્ન ભાગ ગણાવ્યો છે.</p><h2 style="text-align: justify; ">પાકિસ્તાની કાર્યવાહી ક્રૂર દમનઃ વિદેશ મંત્રાલય&nbsp;</h2><p style="text-align: justify; ">ભારતે પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં કાર્યવાહીનો સખત વિરોધ કર્યો હતો. વિદેશ મંત્રાલયે આ અંગે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. મંત્રાલયે પાકિસ્તાનને સખત ઠપકો આપ્યો હતો અને કડક ચેતવણીઓ આપી હતી. મંત્રાલયે પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાની કાર્યવાહીને ક્રૂર દમન ગણાવ્યું હતું અને તાજેતરની ચૂંટણીઓને નકારી કાઢી હતી.</p><h3 style="text-align: justify; ">નિર્દોષ લોકો પ્રત્યે તંત્રની બેદરકારી: વિદેશ મંત્રાલય</h3><p style="text-align: justify; ">તેમણે કહ્યું કે, પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરના નિર્દોષ લોકો પ્રત્યે તંત્રની સંપૂર્ણ બેદરકારી સ્પષ્ટ થઈ ગઈ છે. સંરક્ષણ પ્રધાને વિરોધ કરી રહેલા નાગરિકોને દુશ્મન ગણાવ્યા હતા. તમે તે ટિપ્પણીઓ જોઈ હશે. રાજકીય બાબતો માટેના વડા પ્રધાનના વિશેષ સહાયકે ખુલ્લેઆમ સ્વીકાર્યું કે પાકિસ્તાની તંત્ર દ્વારા તાલીમ પામેલા, ભંડોળ પૂરું પાડનારા, સશસ્ત્ર અને ભારતમાં મોકલવામાં આવેલા મુજાહિદ્દીનોએ હવે પોતાની બંદૂકો પોતાના દેશ તરફ ફેરવી દીધી છે. તેમણે સરકાર સામે હથિયાર ઉપાડ્યા છે.</p><h4 style="text-align: justify; ">જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ: વિદેશ મંત્રાલય</h4><p style="text-align: justify; ">તેમણે કહ્યું, "અમારું વલણ સંપૂર્ણપણે સ્પષ્ટ છે કે જમ્મુ અને કાશ્મીરનો સમગ્ર વિસ્તાર, એટલે કે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશો, ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે. આ અમારું વલણ છે. આ વિસ્તારો ભારતનો ભાગ હતા, છે અને હંમેશા રહેશે. અમે અમારા તમામ સાથીઓ અને સંબંધિત પક્ષોને આ વિસ્તાર માટે યોગ્ય નામનો ઉપયોગ કરવા વિનંતી કરીશું, જેને અમે ઓળખીએ છીએ. જમ્મુ અને કાશ્મીર માટે યોગ્ય નામનો ઉપયોગ કરો." જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/pojk-balochistan-protest-pakistani-army-threatens-as-situation-gets-out-of-control-says-no-more-talks-surrender-or-fight" target="_blank">પરિસ્થિતિ નિયંત્રણ બહાર થતા પાકિસ્તાની આર્મીની ધમકી, કહ્યુ હવે કોઈ વાતચીત નહીં, શરણે આવો અથવા લડો!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/31/59GvdgWN7NhCbeMpCkV3MG1LOqFM5qnTBxHf7Vqe.webp'/></item><item><title><![CDATA[Shehnaaz Gill: 'મુંબઈમાં મારો એક જ સહારો છે...', રાઘવ જુયાલને લઈને શહેનાઝે આ શું કહી દીધું? ]]></title><link>https://sandesh.com/entertainment/news/shehnaaz-gill-calls-raghav-juyal-her-only-support-system-in-mumbai</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/shehnaaz-gill-calls-raghav-juyal-her-only-support-system-in-mumbai</guid><pubDate>Fri, 31 Jul 2026 18:58:36 +05:30</pubDate><description><![CDATA[<p>શહેનાઝ ગિલ અને રાઘવ જુયાલ વચ્ચેના સંબંધો અંગેની અટકળો ઘણા સમયથી  ફરતી થઈ રહી છે. થોડા દિવસો પહેલા જ્યારે શહેનાઝ રાઘવના જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપી ત્યારે આ અફવાઓએ વધુ વેગ પકડ્યો; ભીડ વચ્ચે, રાઘવ શહેનાઝનું રક્ષણ કરતો જોવા મળ્યો અને બંને હાથ પકડીને જોવા મળ્યા. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં શહેનાઝ ગિલે ખુલ્લેઆમ આ ડેટિંગ અફવાઓનો ઉલ્લેખ કર્યો અને અભિનેતા રાઘવની પ્રશંસા પણ કરી.</p><p>પંજાબી અભિનેત્રી શહેનાઝ ગિલ બિગ બોસ 13થી પ્રખ્યાત થઈ અને ત્યારથી તેણે સલમાન ખાન સાથે ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનમાં બોલિવૂડમાં પ્રવેશ કર્યો. રાઘવ જુયાલે પણ આ જ ફિલ્મમાં અભિનય કર્યો. સલમાન ખાને ટિપ્પણી કર્યા પછી બંને વચ્ચેના સંબંધ અંગેની અટકળો શરૂ થઈ, "મેં સેટ પર બે લોકો વચ્ચે કેમિસ્ટ્રી વિકસતી જોઈ. પરંતુ કંઈ થયું નહીં - ઓછામાં ઓછું એક બાજુથી નહીં. બીજી વ્યક્તિ ખૂબ ઉત્સાહિત હતી."</p><p><b>મુંબઈમાં રાઘવ એકમાત્ર સપોર્ટ સિસ્ટમ છે...</b></p><p>એક ઇન્ટરવ્યુમાં બોલતા, શહેનાઝ ગિલે કહ્યું, "મુંબઈમાં મારા કોઈ નજીકના મિત્રો નથી. રાઘવ મારો એકમાત્ર સપોર્ટ સિસ્ટમ છે. જ્યારે પણ મને જીવનમાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, ત્યારે હું સૌથી પહેલા તેને ફોન કરું છું. જો હું બીમાર પડીશ, તો મુંબઈમાં બીજું કોઈ નથી જેને હું ફોન કરી શકું; રાઘવ જ મને હોસ્પિટલ લઈ જશે - નહીં તો, હું ઘરે જ પડી રહીશ."</p><p>અભિનેત્રીએ વધુમાં કહ્યું કે, "રાઘવ હંમેશા મારું રક્ષણ કરે છે અને ઘણી બાબતોમાં માર્ગદર્શન આપે છે. તે જ વ્યક્તિ છે જેણે મને અભિનય કરવા માટે સૌથી વધુ પ્રેરણા આપી છે. બસ જુઓ - એક દિવસ, તે વ્યક્તિ આગામી શાહરૂખ ખાન બનશે."</p><p>અગાઉ, રાઘવ જુયાલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે શહેનાઝ ગિલ તેના માટે પરિવાર જેવી છે, તેને ખૂબ જ નજીકના મિત્ર તરીકે ગણાવી હતી. શહેનાઝે પણ અગાઉ રાઘવને એક સારા મિત્ર તરીકે ઓળખાવી હતી અને લોકોને તેની ફિલ્મ ભાઈ તેરા સ્ટાર હૈ ને સમર્થન આપવા વિનંતી કરી હતી.&nbsp;</p><p>રાઘવ જુયાલની મુખ્ય ભૂમિકામાં પહેલી ફિલ્મ, ‘ભાઈ તેરા સ્ટાર હૈ’ હવે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે; તે એક કોમેડી-ડ્રામા છે જે એક સંઘર્ષશીલ અભિનેતાની વાર્તા કહે છે. આ ફિલ્મમાં અભિનેતા સંજય કપૂર પણ છે. વધુમાં, નિક્કી વાલિયા, બરખા સિંહ, નિહારિકા એનએમ, વિકલ્પ મહેતા, ટીના દેસાઈ, ચંદન રોય સાન્યાલ અને દેવ અગ્રવાલ જેવા સ્ટાર્સ મુખ્ય ભૂમિકાઓ ભજવે છે. આ ફિલ્મનું દિગ્દર્શન અને નિર્માણ વિવેક બી. અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/lifestyle/news/fashion-beauty/beauty-tips-dark-knees-home-remedies--2-easy-ways-to-remove-blackness" target="_blank"><b>Beauty Tips: ઘૂંટણ થઈ ગયા છે કાળા, તો દેશી ઉપાયથી દૂર કરો કાળાશ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/31/2sqwkH7pXLQaIHwjiQcs8h6KEaLtexdPqwNrkWGt.webp'/></item><item><title><![CDATA[Himachalમાં તબાહી! કિન્નૌરમાં NH-05 બંધ, ચંબામાં નાળામાં તણાઈ જવાથી મહિલાનું મોત ]]></title><link>https://sandesh.com/india/news/himachal-monsoon-havoc--landslide-blocks-nh-05--1-dead-in-chamba--red-alert-issued</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/himachal-monsoon-havoc--landslide-blocks-nh-05--1-dead-in-chamba--red-alert-issued</guid><pubDate>Fri, 31 Jul 2026 18:26:46 +05:30</pubDate><description><![CDATA[<p>હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર ચોમાસું તબાહી મચાવી રહ્યું છે. ગુરુવાર સાંજથી શુક્રવાર સવાર સુધી ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. કિન્નૌરમાં ભૂસ્ખલનને કારણે NH-05 બંધ થઈ ગયો છે, જ્યારે ચંબામાં એક 19 વર્ષીય મહિલાનું નાળામાં તણાઈ જવાથી મૃત્યુ થયું છે. મનાલી અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદને કારણે કાટમાળ રસ્તાઓ પર વહી ગયો છે, જેના કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન થવાની સંભાવના છે. હવામાન વિભાગે ઓગસ્ટના શરૂઆતના દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.</p><p>કિન્નૌર જિલ્લાના ચૌરા નજીક થયેલા મોટા ભૂસ્ખલનને કારણે NH-05 પર મોટા પથ્થરો અને કાટમાળ પડ્યા હતા, જેના કારણે હાઇવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. આનાથી જિલ્લાનો રાજ્યના બાકીના ભાગો સાથેનો રોડ સંપર્ક તૂટી ગયો હતો. વહીવટીતંત્ર અને રાહત ટીમો શક્ય તેટલી ઝડપથી રસ્તો પુનઃસ્થાપિત કરવા માટે મશીનરીનો ઉપયોગ કરીને કાટમાળ સાફ કરવાનું કામ કરી રહી છે. અધિકારીઓએ લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા વિનંતી કરી છે.</p><h4><b>મનાલીમાં રસ્તાઓ પર કાટમાળ અને વાહનો ફસાયા</b></h4><p>મનાલી અને તેની આસપાસના વિસ્તારોમાં ગુરુવાર સાંજથી સતત ભારે વરસાદ પડી રહ્યો હતો. ભારે વરસાદને કારણે ધુંધી, પાલચન, અંજની મહાદેવ, શનાગ અને સોલાંગ ખીણમાં રસ્તાઓ પર કાટમાળ જમા થઈ ગયો હતો. સોલાંગની પેલે પાર 'ફર્સ્ટ સ્નો ગેલેરી' પાસે એક સ્કોર્પિયો વાહન રસ્તામાં અધવચ્ચે ફસાઈ ગયું હતું, કારણ કે કાટમાળ અચાનક રસ્તા પર સરકી ગયો હતો; જોકે, તેમાં સવાર લોકો સમયસર બહાર નીકળીને સલામત સ્થળે પહોંચી શક્યા હતા. પાલચન બ્રિજ નજીક એક નાનો ભૂસ્ખલન પણ થયો હતો, જેના કારણે રસ્તા પર માટી અને પથ્થરોના ઢગલા થઈ ગયા હતા.</p><p>પાણીના જોરદાર પ્રવાહને કારણે મનાલી ટાઉન બાયપાસ પર રસ્તાની બાજુમાં ધોવાણ શરૂ થયું છે. બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO) એ ઘણી જગ્યાએથી કાટમાળ સાફ કરવા માટે તાત્કાલિક મશીનરી તૈનાત કરી હતી. હાલમાં, થોડા અસરગ્રસ્ત સ્થળોને બાદ કરતાં, રસ્તાઓ ટ્રાફિક માટે ખુલ્લા છે. જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.</p><h4><b>ચંબામાં નાળામાં વહી જવાથી મહિલાનું મોત</b></h4><p>ચંબા જિલ્લાના સલોની સબડિવિઝનમાં વરસાદ વચ્ચે એક દુ:ખદ ઘટના બની હતી. સંઘાણી પંચાયતના પ્રેધ ગામની રહેવાસી શબનમ (૧૯) ગુરુવારે સાંજે જંગલમાં ઘેટાં-બકરાં ચરાવીને ઘરે પરત ફરી રહી હતી. આ દરમિયાન તે લપસી ગઈ અને ઝડપથી વહેતા નાળામાં પડી ગઈ. ઘટનાની જાણ થતાં, પોલીસ, વહીવટીતંત્ર અને ગ્રામજનોએ આખી રાત તેની શોધખોળ કરી પરંતુ કોઈ સફળતા મળી નહીં. શુક્રવારે સવારે જલાડી નજીક સિઉલ નદીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.</p><h4><b>પંડોહ ડેમમાંથી 12 હજાર ક્યુસેક પાણી છોડાયું</b></h4><p>વરસાદને ધ્યાનમાં રાખીને, મંડી જિલ્લા વહીવટીતંત્રે પાંડોહ ડેમમાંથી 12 હજાર ક્યુસેક પાણી છોડવાની જાહેરાત કરી છે. શુક્રવારે સવારે ૭:૧૫ વાગ્યે પાણી છોડવાનું શરૂ થયું. વહીવટીતંત્રે બિયાસ નદીના કિનારે રહેતા પ્રવાસીઓ અને રહેવાસીઓને અત્યંત સાવધાની રાખવા અને નદીની નજીક જવાનું ટાળવા અપીલ કરી છે.</p><h4><b>હેલ્પલાઇન નંબરો જાહેર</b></h4><p>સંભવિત કટોકટીની અપેક્ષા રાખીને, જિલ્લા વહીવટીતંત્રે જનતા માટે હેલ્પલાઇન નંબરો જારી કર્યા છે. કોઈપણ મુશ્કેલીના કિસ્સામાં, લોકો મંડી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળનો હેલ્પલાઇન નંબર 01905-226201, 01905-226202, 01905-226203 અને 01905-226204 પર સંપર્ક કરી શકે છે. વધુમાં, ટોલ-ફ્રી ઇમરજન્સી હેલ્પલાઇન નંબર, 1077 ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.</p><h4><b>હવામાન વિભાગની ચેતવણી</b></h4><p>હવામાન વિભાગે ચેતવણી આપી છે કે ઓગસ્ટના શરૂઆતના દિવસોમાં હિમાચલ પ્રદેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. પરિણામે, ભૂસ્ખલન, અચાનક પૂર અને રસ્તા બંધ થવા જેવી ઘટનાઓનું જોખમ છે. વહીવટીતંત્રે સ્થાનિકો અને પ્રવાસીઓને મુસાફરી કરતા પહેલા નવીનતમ હવામાન અપડેટ્સ તપાસવાની અને નદીઓ અને નાળાઓ નજીક જવાનું ટાળવાની સલાહ આપી છે.</p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/harsha-richhariya-video--sadhvi-harshanand-giri-slams-saints-over-lifestyle-criticism" target="_blank">Harsha Richhariya Video: 'સંત મારી સાસુ બની...', સાધ્વી હર્ષા રિછારિયાના આકરા પ્રહારો, આખરે વાત પર ભડક્યા હર્ષાનંદ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/31/W9PrgAtywmkzkUWe5DHYuWjJRsWlqDdhNb3jaZkF.webp'/></item></channel></rss>