<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ramayana : રિલીઝ પહેલાં જ રામાયણની થઈ ચાંદી! T-Series સાથે કરોડોમાં ફાઈનલ થઈ મ્યુઝિક રાઈટ્સની મોટી ડીલ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/ramayana-movie-music-rights-deal-tseries-ranbir-kapoor</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/ramayana-movie-music-rights-deal-tseries-ranbir-kapoor</guid><pubDate>Wed, 29 Jul 2026 12:54:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી અને રણબીર કપૂર અભિનિત રામાયણને લઈને દર્શકોમાં ઉત્સાહ સતત વધી રહ્યો છે. તાજેતરમાં સોની પિક્ચર્સે ભારતની બહાર આ ભવ્ય ફિલ્મના વૈશ્વિક વિતરણની જવાબદારી સંભાળ્યા બાદ ફિલ્મની ચર્ચા વધુ વધી છે. હવે એવા અહેવાલો છે કે રામાયણના મ્યુઝિક રાઇટ્સ માટે ટી-સિરીઝે મોટી રકમમાં ડીલ કરી છે.</p><h2 style="text-align: justify; "><b>ટી-સિરીઝે મોટી રકમમાં ખરીદ્યા રામાયણના મ્યુઝિક રાઇટ્સ</b></h2><p style="text-align: justify; ">બોલીવુડ હંગામાના અહેવાલ મુજબ, અનેક મોટી મ્યુઝિક કંપનીઓ રામાયણના ઓડિયો રાઇટ્સ મેળવવાની સ્પર્ધામાં હતી. જોકે, અંતે ટી-સિરીઝ પોતાની ઓફર સાથે આ ડીલ નક્કી કરવામાં સફળ રહી છે. અહેવાલ મુજબ ટી-સિરીઝ સાથે નજીકથી જોડાયેલા એક સૂત્રએ પુષ્ટિ કરી છે કે, ટી-સિરીઝે રામાયણના મ્યુઝિક રાઇટ્સ મેળવી લીધા છે. ભૂષણ કુમાર અને ટી-સિરીઝના વરિષ્ઠ નેતૃત્વને ફિલ્મના સાઉન્ડટ્રેકની સફળતા પર સંપૂર્ણ વિશ્વાસ છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DWnX5exDLX9/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DWnX5exDLX9/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DWnX5exDLX9/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DWnX5exDLX9/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h3 style="text-align: justify; "><b>કેટલા કરોડમાં થઈ ડીલ?</b></h3><p style="text-align: justify; ">અહેવાલ મુજબ, સૂત્રએ આગળ જણાવ્યું કે, આ ડીલ હેઠળ ટી-સિરીઝે મ્યુઝિક રાઇટ્સ માટે ₹75 કરોડની રકમ ચૂકવી છે. આ રકમમાં રામાયણના બંને ભાગોનું મ્યુઝિક સામેલ છે. અહેવાલ પ્રમાણે, સૂત્રએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે ₹75 કરોડની ચુકવણી પરત મળવાપાત્ર આગોતરી વ્યવસ્થાનો એક ભાગ છે. આ સાથે આ ડીલ કોઈ ભારતીય મ્યુઝિક કંપની દ્વારા કરવામાં આવેલી સૌથી મોટી મ્યુઝિક રાઇટ્સ ડીલમાંથી એક છે.</p><h3 style="text-align: justify; "><b>મોસ્ટ અવેટેડ ફિલ્મ રામાયણ</b></h3><p style="text-align: justify; ">રામાયણમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકામાં, સાઈ પલ્લવી સીતાની ભૂમિકામાં, યશ રાવણની ભૂમિકામાં, સની દેઓલ ભગવાન હનુમાનની ભૂમિકામાં અને રવિ દુબે લક્ષ્મણની ભૂમિકામાં જોવા મળશે. દંગલ (2016) માટે જાણીતા નિતેશ તિવારી તેનું નિર્દેશન કરી રહ્યા છે અને નમિત મલ્હોત્રા તેનું નિર્માણ કરી રહ્યા છે. ફિલ્મનું સંગીત એ. આર. રહમાન અને હાન્સ ઝિમરે તૈયાર કર્યું છે. આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થશે. તેનો પહેલો ભાગ દિવાળી 2026માં રિલીઝ થશે, જ્યારે બીજો ભાગ દિવાળી 2027માં મોટા પડદા પર આવશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/taarak-mehta-ka-ooltah-chashmah-18-years-celebration" target="_blank">આ પણ વાંચો-TMKOCના 18 વર્ષ પૂર્ણ, જશ્નમાં ડૂબી આખી ટીમ, બબિતા જી અને જેઠાલાલે લૂંટી મહેફિલ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/29/Ar2ErFAGuLyotNahSHZ3eaWbaHrlzNKT07XRBQbH.webp'/></item><item><title><![CDATA[Chhotaudepur: વાઘની મુવમેન્ટથી વન વિભાગ સતર્ક, 17 મહિનાથી 120 કિમી સુધી વાઘનો કાયમી વસવાટ ]]></title><link>https://sandesh.com/gujarat/news/chhota-udepur/tiger-movement-chhotaudepur-dahod-forest-gujarat</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/chhota-udepur/tiger-movement-chhotaudepur-dahod-forest-gujarat</guid><pubDate>Wed, 29 Jul 2026 12:44:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં વન્યજીવ પ્રેમીઓ માટે આનંદના અને સાથે જ વન વિભાગ માટે ભારે સાવચેતીના સમાચાર સામે આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના વિવિધ જંગલ વિસ્તારોમાં એક નર વાઘના આંટાફેરા મારતા ફોટોગ્રાફ્સ સામે આવ્યા બાદ વન વિભાગે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત મોનિટરિંગ શરૂ કર્યું છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>દાહોદથી લઈને છોટાઉદેપુર સુધીના અંદાજે 120 કિમીની મુસાફરી</b></h2><p style="text-align: justify; ">વન વિભાગની તાજી માહિતી અનુસાર, આ નર વાઘ છેલ્લા 17 મહિનાથી દાહોદથી લઈને છોટાઉદેપુર સુધીના અંદાજે 120 કિલોમીટરના જંગલ વિસ્તારમાં સતત વસવાટ કરી રહ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>રતનમહાલ અભયારણ્ય વિસ્તારમાં વાઘ પ્રથમવાર નજરે પડ્યો</b></h3><p style="text-align: justify; ">જંગલ ખાતા દ્વારા કરવામાં આવી રહેલા ટ્રેકિંગમાં સામે આવ્યું છે કે આ વાઘ ઝોઝ, રતનમહાલ અભયારણ્ય, કેવડી અને કુંડલ સહિતના ગીચ જંગલ વિસ્તારોમાં મુક્તપણે વિચરતો જોવા મળ્યો છે. અગાઉ ૨૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ રતનમહાલ અભયારણ્ય વિસ્તારમાં વાઘ પ્રથમવાર નજરે પડ્યો હતો. ત્યારબાદ પણ સમયાંતરે મળેલા તેના પગમાર્ક અને કૅમેરા ટ્રેપના પુરાવાઓના આધારે વન વિભાગ તેની સક્રિય હાજરી પર સતત નજર રાખી રહ્યું છે.</p><p style="text-align: justify; "><img alt="Tiger Movement in Chhotaudepur: Male Tiger Resident in Gujarat Forests for 17 Months" src="https://epapercdn.sandesh.com/images/2026/07/29/MoMi3KUvhIZfhNZylZ3wh4cQF6Zs3KLw4OHVWcBh.webp"><br></p><h4 style="text-align: justify; "><b>જંગલ નજીકના ગામોમાં ખાસ એલર્ટ જારી</b></h4><p style="text-align: justify; ">વાઘની હાજરીને પગલે વન વિભાગ દ્વારા સરહદી અને જંગલ નજીકના ગામોમાં ખાસ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સ્થાનિક લોકોને જંગલ વિસ્તારમાં બિનજરૂરી અવરજવર ન કરવા તેમજ સુરક્ષાની દ્રષ્ટિએ કેવડી અને આસપાસના રસ્તાઓ પરથી પસાર થતાં વાહનચાલકોને પોતાના વાહનોની સ્પીડ મર્યાદિત રાખવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે. વન વિભાગની ટીમ વાઘ અને સ્થાનિક ગ્રામજનો બંનેની સુરક્ષા સુનિશ્ચિત કરવા રાત-દિવસ સર્વેલન્સ કરી રહી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp;&nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-indepth-gujarat-heavy-rain-reason-el-nino-fail-negative-pdo-impact" target="_blank"><b>Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/29/Leo4zXJbsB2T8YwF0Nh67XRTKu0mYGIklfDTuc3B.webp'/></item><item><title><![CDATA[Valsad : ઈતિહાસમાં પહેલીવાર લાગ્યો 'ગુજસીટોક', નીલ્યા ઘોડા સહિત 6 દારૂ માફિયા સામે કસાયો સકંજો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/valsad/valsad-first-gujctoc-case-bootlegger-nilya-ghoda-daman-surat</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/valsad/valsad-first-gujctoc-case-bootlegger-nilya-ghoda-daman-surat</guid><pubDate>Wed, 29 Jul 2026 12:27:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગાંધીના ગુજરાતમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા બુટલેગરો અને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સિન્ડિકેટ સામે વલસાડ જિલ્લા પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી અને કડક કાર્યવાહી કરી છે. વલસાડ જિલ્લાના ઈતિહાસમાં સર્વપ્રથમ વખત ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ નેટવર્ક ચલાવતા કુખ્યાત 6 બુટલેગરો સામે કડક 'ગુજસીટોક'  કાયદા હેઠળ ગુનો નોંધીને ગુનેગારોમાં ભારે ફફડાટ મચાવી દીધો છે.</p><h2 style="text-align: justify; "><b>આ ગેંગ  દમણથી ગુજરાતમાં ગેરકાયદેસર દારૂ ઠાલવતી&nbsp;</b></h2><p style="text-align: justify; ">પોલીસ તપાસમાં દમણથી ગુજરાતમાં ગેરકાયદેસર દારૂ ઠાલવતી અને કરોડોના હવાલા તથા નાણાકીય વ્યવહારો કરતી એક મોટો સિન્ડિકેટ ખુલ્લી પડી છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>દારૂનું સપ્લાય નેટવર્ક ચલાવતા હતા</b></h3><p style="text-align: justify; ">આ નેટવર્કમાં દમણના લિસ્ટેડ અને કુખ્યાત બુટલેગર નિલેશ ઉર્ફે નીલ્યો ઘોડો, કિરણ ઉર્ફે છનીયો અને ભાવેશ ઉર્ફે ભાવેશ દલવાડા સામેલ છે. જ્યારે તેઓની સાથે મિલીભગત રચીને દારૂનું સપ્લાય નેટવર્ક ચલાવતા સુરત ગ્રામ્યના સોહન ઉર્ફે સની, કેયુર રોહિત ભંડારી અને પિન્ટુ પરસોતમ પટેલને સિન્ડિકેટ મેમ્બર તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે.</p><h4 style="text-align: justify; "><b>નીલ્યા ઘોડા અને કિરણને જેલભેગા કરાયા</b></h4><p style="text-align: justify; ">આ 6 આરોપીઓ એકબીજાના સંપર્કમાં રહીને દમણથી ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં મોટા પાયે ગેરકાયદેસર દારૂનો જથ્થો ઘુસાડવા, અંદરોઅંદર પૈસાની આપ-લે કરવા અને કાળા નાણાંના વ્યવહારો ચલાવવામાં સક્રિય હતા. પોલીસે આ ચોંકાવનારા નેટવર્કનો પર્દાફાશ કરીને મુખ્ય સૂત્રધાર નીલ્યા ઘોડા અને કિરણને જેલભેગા કરી દીધા છે, જ્યારે અન્ય 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. કેસની ગંભીરતાને ધ્યાને રાખીને DYSP કક્ષાના ઉચ્ચ અધિકારી દ્વારા સમગ્ર ગેરકાયદે દારૂ અને નાણાકીય વ્યવહારોની ઊંડી તપાસ ચલાવવામાં આવી રહી છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-indepth-gujarat-heavy-rain-reason-el-nino-fail-negative-pdo-impact" target="_blank"><b>Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/29/KXLfRDTy3zOngwHwVImagVztefcSaVaKFtB2nip5.webp'/></item><item><title><![CDATA[Monsoon 2026 : સુરતની પેટર્ન પર અમદાવાદમાં પણ સહાય, લારી-ગલ્લા ધારકો સહિત તમામને મળશે મદદ, સર્વેની કામગીરી શરૂ! ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/monsoon-2026-assistance-will-be-provided-in-ahmedabad-on-the-pattern-of-surat-everyone-including-lorry-and-truck-owners-will-get-assistance-survey-work-has-started</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/monsoon-2026-assistance-will-be-provided-in-ahmedabad-on-the-pattern-of-surat-everyone-including-lorry-and-truck-owners-will-get-assistance-survey-work-has-started</guid><pubDate>Wed, 29 Jul 2026 12:21:27 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં કુદરતી હોનારત કે પૂરની સ્થિતિ બાદ પ્રભાવિત થયેલા સ્થાનિકો માટે એક અત્યંત રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હવે અસરગ્રસ્તોની મદદ માટે આગળ આવ્યું છે. મેયર હિતેશ બારોટે મહત્વનું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, સરકારે ગઈકાલે જાહેર કરેલી સહાય બદલ તેઓ રાજ્ય સરકારનો આભાર માને છે. સુરત શહેરની પેટર્ન મુજબ અમદાવાદમાં પણ લારી-ગલ્લા ધારકોથી લઈને તમામ નાના-મોટા વેપારીઓ અને સ્થાનિકોને સહાય આવરી લેવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>હાલ સર્વેની કામગીરી ચાલુ</b></h2><p style="text-align: justify; ">અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનીનો સાચો આંકડો મેળવવા માટે તંત્ર દ્વારા હાલમાં જોરશોરથી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સર્વે પૂર્ણ થયા બાદ તમામ પાત્રતા ધરાવતા લોકોને સહાય ચૂકવવામાં આવશે. મહત્વની વાત એ છે કે, રાજ્ય સરકાર તરફથી મળનારી આર્થિક સહાય ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પણ પોતાની તિજોરીમાંથી અસરગ્રસ્તોને અલગથી વધારાની સહાય ચૂકવવાની યોજના બનાવી રહ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં સહાય અંગે થશે આખરી ચર્ચા</b></h3><p style="text-align: justify; ">અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવનારી આ અલગ સહાયના મુદ્દાને આખરી ઓપ આપવા માટે કવાયત શરૂ કરી દેવાઈ છે. મેયર હિતેશ બારોટે સ્પષ્ટ કર્યું છે કે, આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં AMC દ્વારા આપવામાં આવનાર વળતરના પ્રસ્તાવ અંગે ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવશે. ત્યારબાદ કોર્પોરેશન દ્વારા આપવામાં આવનારા રાહત પેકેજની વિધિવત જાહેરાત કરવામાં આવશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/patan/patan-news-megharajas-black-magic-in-radhanpur-farmers-of-more-than-15-villages-devastated-amid-flood-situation" target="_blank">Patan News : રાધનપુરમાં મેઘરાજાનો કાળો કેર, પૂરની સ્થિતિ વચ્ચે 15 થી વધુ ગામોના ખેડૂતો પાયમાલ!</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/29/K51ZTumWE7hWkE6E33DSEpOygFluy9vF9y1tfFBB.webp'/></item><item><title><![CDATA[CJP: ફરી આંદોલનની ધમકી કેમ આપી રહી છે કોકરોચ જનતા પાર્ટી? પોલીસ હેરાન કરશે તો.... ]]></title><link>https://sandesh.com/india/news/cjp-threatens-once-again-protest-over-student-harassment</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/cjp-threatens-once-again-protest-over-student-harassment</guid><pubDate>Wed, 29 Jul 2026 12:14:14 +05:30</pubDate><description><![CDATA[<p><b>CJP</b>: કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શનને થોડા દિવસ જ થયા છે, પરંતુ આંદોલન ફરી શરૂ કરવાની ધમકી આપવામાં આવી છે. કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે સરકારને ચેતવણી આપી છે કે જો પોલીસ આ રીતે વિદ્યાર્થીઓને હેરાન કરવાનું ચાલુ રાખશે, તો કોકરોચ જનતા પાર્ટી ફરી એકવાર શાંતિપૂર્ણ વિરોધ શરૂ કરશે.</p><h3><b>CJPએ સરકારને શું અપીલ કરી?</b></h3><p>તેમણે સરકારને વિનંતી કરી કે કોઈપણ કિંમતે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને નિશાન ન બનાવે. તેમનો ત્રાસ તાત્કાલિક બંધ થવો જોઈએ. નોંધનીય છે કે કોકરોચ જનતા પાર્ટી અને સરકાર વચ્ચે ત્રીજા રાઉન્ડની વાતચીત દરમિયાન એવું કહેવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકાર લેખિત ખાતરી આપશે કે વિરોધીઓ સામે કોઈ કેસ દાખલ કરવામાં આવશે નહીં અને ભવિષ્યમાં તેમને હેરાન કરવામાં આવશે નહીં. જો કે, સીજેપીનો દાવો છે કે તેમને કોઈ લેખિત ખાતરી મળી નથી અને આ માટેની સમયમર્યાદા પહેલાથી જ સમાપ્ત થઈ ગઈ છે. પરિણામે, જો સરકાર તેમની માંગણીઓ પૂર્ણ નહીં કરે, તો તેઓ ફરી એકવાર આંદોલન ફરી શરૂ કરી શકે છે.</p><h4><b>શું કોઈ વચન ભંગ થયો હતો?</b></h4><p>CJPના પ્રવક્તા આશુતોષે પણ આ મુદ્દા પર ખુલ્લેઆમ વાત કરી છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે સમયસર પોતાના બધા વચનો પૂરા કરવા જોઈએ. સરકારે ખાતરી કરવી જોઈએ કે ભવિષ્યમાં કોઈપણ પ્રદર્શનકારીઓ સામે કોઈ કાર્યવાહી ન થાય. તેમણે ચેતવણી આપી હતી કે જો સરકાર તાત્કાલિક પગલાં નહીં લે, તો દેશના રસ્તાઓ ફરી એકવાર વિરોધ પ્રદર્શનોથી ભરાઈ જશે.</p><p>CJPના સૌરવ દાસે પણ ભાર મૂક્યો હતો કે સરકાર સુપ્રીમ કોર્ટના નિર્ણયને ટાંકીને વિરોધીઓ સામે કાર્યવાહી કરવાનું ચાલુ રાખી શકે છે. જો આવું થાય, તો તે સરકારના આશ્વાસનો વિરુદ્ધ હશે.</p><h4><b>સુપ્રીમ કોર્ટમાં શું થયું?</b></h4><p>નવેસરથી વિરોધ પ્રદર્શનની ચેતવણીઓ વચ્ચે, સુપ્રીમ કોર્ટે મંગળવારે 18 વર્ષથી ઓછી ઉંમરના વિરોધીઓ સામે કોઈપણ દંડાત્મક કાર્યવાહી પર રોક લગાવવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે 18 વર્ષથી ઓછી ઉંમરના એવા લોકોને તાત્કાલિક મુક્ત કરવાનો પણ આદેશ આપ્યો હતો જેમનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી બાદ, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં ઘણા લોકો સામે દાખલ કરાયેલી એફઆઈઆર પણ પાછી ખેંચી લેવામાં આવી હતી.</p><p><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/delhi-police-writes-to-x-over-defamatory-posts-against-pm-modi" target="_blank"><b>Delhi પોલીસે 'X' ને લખ્યો પત્ર, PM વિરુદ્ધ અપમાનજનક પોસ્ટ તાત્કાલિક ડિલીટ કરવા આદેશ</b></a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/29/Ie5R3ATzqv53oSObAXSxY2syYOBriJS3XR2KNVRb.webp'/></item><item><title><![CDATA[CJP Protest બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શનનો વંટોળ ફૂંકાયો, મધ્યપ્રદેશથી મણિપુર સુધી આંદોલન ]]></title><link>https://sandesh.com/india/news/after-the-cjp-protest-a-wave-of-protests-erupted-across-the-country-agitations-from-madhya-pradesh-to-manipur</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/after-the-cjp-protest-a-wave-of-protests-erupted-across-the-country-agitations-from-madhya-pradesh-to-manipur</guid><pubDate>Wed, 29 Jul 2026 12:07:14 +05:30</pubDate><description><![CDATA[<p>દિલ્હીમાં CJPનું ૩૬ દિવસ લાંબુ NEET વિરોધી આંદોલન ભલે સમાપ્ત થઈ ગયું હોય, પરંતુ તેની ઘેરી અસર હવે સમગ્ર દેશમાં જોવા મળી રહી છે. CJPની સફળતાએ દેશભરના યુવાનો, ખેડૂતો અને વિવિધ સમુદાયોને એકજૂથ થઈને સરકાર સામે અવાજ ઉઠાવવાની પ્રેરણા આપી છે. પરિણામે, દેશના અલગ-અલગ રાજ્યોમાં પોતાની પડતર માંગણીઓને લઈને આંદોલનની આગ ભડકી ઉઠી છે. ચાલો જાણીએ કયા રાજ્યમાં કયા મુદ્દા પર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે:</p><h2><b>&nbsp;CJP પ્રોટેસ્ટ બાદ દેશભરમાં આંદોલનની આગ</b></h2><p><b>૧. મધ્યપ્રદેશ: મગની સરકારી ખરીદી માટે ખેડૂતોનો હલ્લાબોલ</b></p><p>ભોપાલના નર્મદાપુરમ રોડ પર આશરે ૨,૦૦૦થી વધુ ખેડૂતોએ પડાવ નાખ્યો છે. ખેડૂતોની મુખ્ય માંગણી ૧૦૦% મગની સરકારી ખરીદી અને ખાતર વિતરણની વ્યવસ્થા સુધારવાની છે. વહીવટીતંત્ર સાથે મોડી રાત્રે યોજાયેલી બેઠક નિષ્ફળ જતાં ખેડૂતોએ આંદોલન વધુ તેજ બનાવવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી નિવાસસ્થાનનો ઘેરાવ કરાયો. ઈ-ટોકન સિસ્ટમ રદ કરવાની માંગ સાથે ખેડૂતોએ મુખ્યમંત્રી આવાસને ઘેરવાની ચેતવણી આપી છે. વિરોધ પ્રદર્શનના કારણે નર્મદાપુરમ રોડ, એઈમ્સ અને કટારા હિલ્સ વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો છે તથા કેટલીક શાળાઓ પણ બંધ રાખવાની ફરજ પડી છે.</p><p><b>૨. ઉત્તરાખંડ: શિવાલિક ક્ષેત્રમાં પુનર્જીવિત થયું 'ચિપકો આંદોલન'</b></p><p>ઉત્તરાખંડના ભાનિયાવાલા-ઋષિકેશ પટ પર રસ્તા પહોળા કરવાના પ્રોજેક્ટ સામે સ્થાનિકો અને પર્યાવરણ પ્રેમીઓએ મોરચો માંડ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ હાથી કોરિડોરના ૪,૩૬૯ વૃક્ષો કાપવા અને ૭૫૪ વૃક્ષોનું પ્રત્યારોપણ કરવાનો પ્રસ્તાવ છે. ૧૯૭૩ના ઐતિહાસિક 'ચિપકો આંદોલન'ની તર્જ પર અહીં પણ વિદ્યાર્થીઓ, યુવાનો અને ગ્રામજનો વૃક્ષોને બાથ ભરીને વિરોધ નોંધાવી રહ્યા છે. જોકે, પોલીસ સુરક્ષા વચ્ચે પ્રોજેક્ટનું કામ ચાલુ રાખવામાં આવ્યું છે.</p><p><b>૩. ગુજરાત: મોરબીમાં જમીન વળતર મુદ્દે ખેડૂતોની ભૂખ હડતાળ</b></p><p>મોરબી જિલ્લામાં કચ્છના ખાવડા રિન્યુએબલ એનર્જી ઝોનમાંથી પસાર થતી હાઈ-વોલ્ટેજ વીજ લાઈન અને ટાવર માટે સંપાદિત કરાયેલી જમીનના વળતર મુદ્દે ખેડૂતો ભૂખ હડતાળ પર ઉતર્યા છે. મહિલાઓ અને સ્થાનિકોનો સહયોગ: ૪૦ ડિગ્રી ગરમીમાં ૫૦ થી વધુ મહિલાઓ સહિત ૧૦૦ જેટલા પ્રદર્શનકારીઓ છાવણી નાખીને બેઠા છે. સરકારે વળતરમાં વધારો કર્યો હોવા છતાં, પાટીદાર સમુદાયના ખેડૂતો બજાર ભાવ મુજબ પૂરેપૂરું વળતર મેળવવાની માંગ પર અડગ છે. આ આંદોલનને ૩૫ પંચાયતોના સરપંચોનું પણ સમર્થન મળ્યું છે.</p><p><b>૪. પંજાબ અને પશ્ચિમ યુપી: વેપાર કરાર અને MSP સામે વિરોધ</b></p><p>પંજાબમાં ખેડૂત સંગઠનો ભારત-અમેરિકા વેપાર કરાર અને કાનૂની MSP (લઘુત્તમ ટેકાના ભાવ) ની ગેરંટી માટે રોડ પર ઉતર્યા છે. ભારતીય કિસાન યુનિયન અને સંયુક્ત કિસાન મોરચા દ્વારા પંજાબના ૪૩ ટોલ પ્લાઝા પર પ્રદર્શન કરવામાં આવ્યું છે. બુલંદશહેર, મેરઠ અને બરેલી સહિતના વિસ્તારોમાં ૮,૦૦૦થી વધુ ખેડૂતોએ શેરડીના બાકી લેણાં અને DAP ખાતરના કાળાબજાર રોકવા ૧૫-મુદ્દાનું આવેદનપત્ર આપ્યું છે.</p><p><b>૫. મણિપુર: વિસ્ફોટ બાદ તણાવ, કર્ફ્યુ અને ઇન્ટરનેટ સેવાઓ ઠપ</b></p><p>મણિપુરના વિષ્ણુપુર જિલ્લાના ટ્રોંગલાઓબી ગામમાં થયેલા શંકાસ્પદ વિસ્ફોટમાં બે બાળકોના મોત થતાં સમગ્ર રાજ્યમાં આક્રોશ ફેલાયો છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ઈમ્ફાલ ખીણના અનેક વિસ્તારોમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે અને ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવાઈ છે. વર્ષ ૨૦૨૩થી ચાલી રહેલા વંશીય તણાવ વચ્ચે આ નવી ઘટનાથી સ્થિતિ વધુ નાજુક બની છે. આ ઉપરાંત, મધ્યપ્રદેશના છતરપુરમાં રૂ. ૪૫,૦૦૦ કરોડના કેન-બેટવા લિંક પ્રોજેક્ટ સામે પણ વિસ્થાપિત થનારા ગ્રામજનોએ વિરોધનો અવાજ ઉઠાવ્યો છે.</p><p><b>CJP આંદોલનની દેશમાં તીવ્ર અસર</b></p><p>દિલ્હીના CJP આંદોલને દેશભરમાં એક નવી ક્રાંતિની ચેતના જગાડી છે. ખેડૂતો, પર્યાવરણવાદીઓ અને આમ જનતા હવે પોતાના અધિકારો માટે એકજૂથ થઈને અવાજ ઉઠાવી રહ્યા છે. હવે જોવું એ રહે છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો આ વ્યાપક જનઆક્રોશ સામે શું વલણ અપનાવે છે. દેશભરમાં અત્યારે આંદોલનને લઈને ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે. એક બાજુ સંસદમાં નીટ પેપર લીક બીલ પર ચર્ચા થઈ રહી છે. ત્યારે બીજી બાજુ દેશમાં ચાલતા આ આંદોલનોના કારણે લોકોના રોજિંદા કામ પર પણ અસર પડશે.</p><p><br></p><p><a href="https://sandesh.com/india/news/iit-kanpur-student-hacks-website-after-b-tech-rejection--gets-internship" target="_blank">આ પણ વાંચો : IIT Kanpur: વિદ્યાર્થીએ કર્યું ન કરવાનું કામ... ગણવા પડતા જેલના સળિયા પણ હવે મળી ઈન્ટર્નશિપની ઓફર</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/29/zHtvKYkVsE3LHSElKxr0reH9Ri61b7xaMSFhN3Au.webp'/></item><item><title><![CDATA[વાંચો સવારે 08થી બપોરે 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/today-top-breaking-news-bulletin-gujarat-india-read-important-news-from-08-am-to-12-pm-29-july-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/today-top-breaking-news-bulletin-gujarat-india-read-important-news-from-08-am-to-12-pm-29-july-2026</guid><pubDate>Wed, 29 Jul 2026 12:02:11 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/live-parliament-monsoon-session-anti-paper-leak-bil-cjp-protest-rahul-gandhi-speech-pm-modi--pralhad-joshi-kiren-rijiju-rajya-sabha-today-loksabha-today-neet-nta" target="_blank">1. Live Parliament Monsoon Session: રાજ્યસભામાં વિપક્ષનો હોબાળો, લોકસભામાં બોલશે રાહુલ ગાંધી</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/crime/surat/diamond-scam-worth-crores-in-surats-katargam-kerala-trio-disappears-with-diamonds-worth-rs-153-crore" target="_blank">2. Surat ના કતારગામમાં કરોડોનું હીરા કૌભાંડ, કેરળની ત્રિપુટી રૂ. 1.53 કરોડના હીરા લઈ ગાયબ!</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/weather/breakingnews/gujarat/ahmedabad/monsoon-2026-gujarat-weather-bulletin-imd-rain-thunderstorm-alert-today" target="_blank">3. Monsoon 2026 : 19 જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસાદની આગાહી</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/sports/news/commonwealth-games-2026-indias-fastest-runner-out-of-the-semifinals-know-the-reason" target="_blank">4. Commonwealth Games 2026: ભારતનો સૌથી ઝડપી દોડવીર સેમિફાઈનલમાંથી બહાર! જાણો કારણ</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/mehsana/mehsana-news-chandipura-virus-wreaks-havoc-in-bahucharaji-4-year-old-girl-from-delwada-dies" target="_blank">5. Mehsana News : બહુચરાજીમાં ચાંદીપુરા વાયરસનો કહેર, દેલવાડાની 4 વર્ષની બાળકીનું મોત</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/entertainment/news/jana-nayagan-day-6-box-office-collection-drop" target="_blank">6. Thalapathy Vijay : 246 કરોડની ધમાકેદાર કમાણી બાદ જન નાયકનને મોટો ઝટકો! છઠ્ઠા દિવસે થયું કરોડોનું નુકસાન!</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/breakingnews/banaskantha/fatal-accident-in-banaskantha-3-killed-in-collision-between-bus-and-rickshaw" target="_blank">7. Banaskantha માં ગમખ્વાર અકસ્માત, બસ અને રીક્ષા વચ્ચેની ટક્કરમાં 3 ના મોત...</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/world/news/us-tariff-on-india-penalty-for-buying-oil-from-russia-threat-of-100-tariff-on-5-countries-including-india" target="_blank">8. US Tarrif On India : રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ દંડ, ભારત સહિત 5 દેશો પર 100% ટેરિફ લાગવાનો ખતરો</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/business/news/petrol-diesel-price-today-will-there-be-relief-in-petrol-diesel-5-percent-reduction-in-crude-oil" target="_blank">9. Petrol Diesel Price Today: પેટ્રોલ ડીઝલમાં મળશે રાહત? ક્રૂડ ઓઇલમાં 5 ટકાનો ઘટાડો</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/entertainment/news/entertainment-i-worked-for-free-but-never-got-respect-shehnaaz-gills-big-revelation" target="_blank">10. Entertainment : મેં મફતમાં કામ કર્યું પરંતુ ક્યારેય સન્માન ન મળ્યું, શહેનાઝ ગિલનો મોટો ખુલાસો</a>&nbsp;</b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/29/Y7D5hZrJqUUsu2PRkW0vBlvytkE5g5o4tnqiK3pJ.webp'/></item><item><title><![CDATA[Surat ના કતારગામમાં કરોડોનું હીરા કૌભાંડ, કેરળની ત્રિપુટી રૂ. 1.53 કરોડના હીરા લઈ ગાયબ! ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/diamond-scam-worth-crores-in-surats-katargam-kerala-trio-disappears-with-diamonds-worth-rs-153-crore</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/diamond-scam-worth-crores-in-surats-katargam-kerala-trio-disappears-with-diamonds-worth-rs-153-crore</guid><pubDate>Wed, 29 Jul 2026 11:21:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હીરાનગરી સુરતના કતારગામ વિસ્તારમાં વેપારી સાથે કરોડો રૂપિયાની વિશ્વાસઘાત અને ઠગાઈની ઘટના સામે આવી છે. કતારગામ ખાતે આવેલી જાણીતી 'જે.કે.સ્ટાર જ્વેલ્સ' નામની પેઢીના હીરા વેપારીને કેરળની ત્રિપુટીએ પોતાની જાળમાં ફસાવી રૂ. 1.53 કરોડની માતબર રકમનો ચૂનો ચોંટાડ્યો છે. આ મોટી ઠગાઈની ઘટના બહાર આવતાં જ સુરતના હીરા બજાર અને વેપારી આલમમાં અરેરાટી અને ભારે સનસનાટી મચી ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>વિશ્વાસ જીતી 60 દિવસની ઉધારી પર હીરા મેળવ્યા</b></h2><p style="text-align: justify; ">ઠગબાજ ત્રિપુટીએ સુઆયોજિત કાવતરાના ભાગરૂપે શરૂઆતમાં વેપારી સાથે સારા સંબંધો બાંધી તેમનો સંપૂર્ણ વિશ્વાસ જીતી લીધો હતો. ત્યારબાદ, 60 દિવસની ઉધારી સમયમર્યાદા (ક્રેડિટ) પર રૂ. 1.53 કરોડની કિંમતના હીરા મેળવ્યા હતા. જોકે, પેમેન્ટની મુદત પૂરી થતાં જ આરોપીઓ વેપારીને નાણાં ચૂકવવાને બદલે હીરા લઈને રાતોરાત ફરાર થઈ ગયા હતા. વેપારીએ સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં આખી ઠગાઈનો પર્દાફાશ થયો હતો.</p><h3 style="text-align: justify; "><b>ઇકો સેલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ</b></h3><p style="text-align: justify; ">વિશ્વાસઘાતનો ભોગ બનેલા હીરા વેપારીએ આંગણડિયા કે પેમેન્ટ અંગે કોઈ સંતોષકારક જવાબ ન મળતાં આખરે પોલીસના શરણે જવાનું નક્કી કર્યું હતું. ઘટના અંગે સુરત પોલીસના ઇકોનોમિક ઓફન્સ વિંગ (ઇકો સેલ) પોલીસ સ્ટેશનમાં આરોપી ત્રિપુટી વિરુદ્ધ ગુનાહિત કાવતરું અને ઠગાઈની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધીને કેરળની આ ઠગ ત્રિપુટીને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ ધમધમાટ શરૂ કરી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/29/MGHLRklevbLjxIqeZfXV4zlmS4MuxV86Oa5paBOQ.webp'/></item><item><title><![CDATA[Commonwealth Games 2026: ભારતનો સૌથી ઝડપી દોડવીર સેમિફાઈનલમાંથી બહાર! જાણો કારણ ]]></title><link>https://sandesh.com/sports/news/commonwealth-games-2026-indias-fastest-runner-out-of-the-semifinals-know-the-reason</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/commonwealth-games-2026-indias-fastest-runner-out-of-the-semifinals-know-the-reason</guid><pubDate>Wed, 29 Jul 2026 10:50:03 +05:30</pubDate><description><![CDATA[<p>2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના સૌથી ઝડપી દોડવીર ગુરિન્દરવીર સિંહ પાસેથી ઘણી અપેક્ષાઓ રાખવામાં આવી હતી. પરંતુ આ વર્ષની શરૂઆતમાં નવો નેશનલ રેકોર્ડ બનાવનાર પંજાબનો 25 વર્ષીય દોડવીર પુરુષોની 100 મીટર દોડની હીટ્સમાં બહાર થઈ ગયો હતો. ચાહકો મૂંઝવણમાં છે કે ગુરિન્દરવીર તેની હીટમાં બીજા સ્થાને રહેવા છતાં સેમિફાઇનલ માટે ક્વોલિફાય કેમ ન થઈ શક્યો. આ પાછળનું કારણ કોમનવેલ્થ ગેમ્સનો એક નિયમ છે જેના વિશે બહુ ઓછા ચાહકો જાણતા હશે.</p><h4><b>ગુરિન્દરવીરને સેમિફાઇનલની ટિકિટ કેમ ન મળી?</b></h4><p>ગુરિન્દરવીરનો સમય 10.39 સેકન્ડ હતો અને તેણે બીજું સ્થાન મેળવ્યું હતું. જોકે, 10.39 સેકન્ડના સમયને કારણે તે 73 દોડવીરોમાં 28 મા સ્થાને રહ્યો હતો, જ્યારે સેમિફાઇનલમાં ક્વોલિફાય થવા માટે ઓછામાં ઓછો 10.24 સેકન્ડનો સમય જરૂરી હતો. પરિણામે, તેની હીટમાં બીજા સ્થાને રહેવા છતાં તે ટોચ-17 માં સ્થાન જ મેળવી શક્યો નહીં અને બહાર થઈ ગયો.</p><h5><b>કોચે હેમસ્ટ્રિંગની ઈજાનો ખુલાસો કર્યો</b></h5><p>રેસ પછી ગુરિન્દરવીરના કોચ જેમ્સ હિલિયરે તેના નિરાશાજનક સમય પાછળનું કારણ જાહેર કર્યું. કોચે સમજાવ્યું કે ગુરિન્દરવીર છેલ્લા મહિનાથી હેમસ્ટ્રિંગની ઇજાથી પીડાઈ રહ્યો હતો, જેને ટીમે જાણી જોઈને મીડિયા અને લોકોથી છુપાવી રાખ્યું હતું.</p><h5><b>ગુરિન્દરવીર દેશનો સૌથી ઝડપી દોડવીર</b></h5><p>મે 2026 માં રાંચીમાં આયોજિત ફેડરેશન કપ દરમિયાન ગુરિન્દરવીર સિંહે ઇતિહાસ રચ્યો હતો. તેણે માત્ર 10.09 સેકન્ડમાં રેસ પૂર્ણ કરીને દેશના સૌથી ઝડપી દોડવીર બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. તે 10.10 સેકન્ડથી ઓછા સમયમાં રેસ પૂરી કરનાર પ્રથમ ભારતીય રનર પણ બન્યો હતો. જોકે, તે કોમનવેલ્થ ગેમ્સમાં આ સિદ્ધિનું પુનરાવર્તન કરવામાં નિષ્ફળ રહ્યો હતો.</p><p>આ પણ વાંચો-&nbsp; <a href="https://sandesh.com/sports/news/cwg-2026-day-7-it-will-rain-medals-today-india-will-enter-the-field-for-7-golds-with-a-bang-in-boxing-see-the-schedule" target="_blank">CWG 2026 Day 7 : આજે મેડલનો થશે વરસાદ ! બોક્સિંગમાં ધમાકા સાથે 7 ગોલ્ડ માટે ભારત ઉતરશે મેદાનમાં, જુઓ શેડ્યૂલ</a></p><p><br></p><p><br></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/29/xZbsLgDu4orpOhTbO9bHtg8NJvBxZdg4AjQkgGsV.webp'/></item><item><title><![CDATA[Stock Market Today: રોકાણકારોને બલ્લે બલ્લે, મિનિટોમાં કમાયા 3.90 લાખ કરોડ ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-today-investors-were-shocked-rs-390-lakh-crores-were-earned-in-minutes</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-today-investors-were-shocked-rs-390-lakh-crores-were-earned-in-minutes</guid><pubDate>Wed, 29 Jul 2026 10:10:30 +05:30</pubDate><description><![CDATA[<p>શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો. BSEનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ, સેન્સેક્સ, 793.56 પોઈન્ટ વધીને 77,559.48 પર પહોંચ્યો. સવારે 9:35 વાગ્યે, સેન્સેક્સ 730 પોઈન્ટ વધીને 77,496.43 પર ટ્રેડ કરી રહ્યો હતો, જે 77,423.77 પર ખુલ્યો હતો. આ દરમિયાન, નિફ્ટીએ પણ 24,000 પોઈન્ટનો આંકડો પાર કર્યો.</p><h2><b>શેરબજારમાં તેજી&nbsp;</b></h2><p>શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. ડેટા દર્શાવે છે કે BSE સેન્સેક્સ 790 પોઈન્ટથી વધુના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 24,200 ની નજીક હતો. આ ઉછાળાને કારણે શેરબજારના રોકાણકારોને થોડીવારમાં જ ₹3.90 લાખ કરોડનો ફાયદો થયો. વિશ્લેષકોએ નોંધ્યું છે કે મંગળવારે IT સેક્ટરમાં એકંદર બજારમાં નોંધપાત્ર વધારો થયા વિના સુધારો જોવા મળ્યો હતો, પરંતુ બુધવારે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને મધ્ય પૂર્વમાં તણાવ વધવા છતાં મજબૂત તેજી જોવા મળી રહી છે. ચાલો સેન્સેક્સ અને નિફ્ટીના આંકડાઓ પર એક નજર કરીએ...</p><p><b style="font-size: 1.75rem;">શેરબજારમાં ઉછાળો</b></p><p>શેરબજારમાં ભારે ઉછાળો જોવા મળ્યો. BSEનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ, સેન્સેક્સ, 793.56 પોઈન્ટ વધીને 77,559.48 પર પહોંચ્યો. સવારે 9:35 વાગ્યે, સેન્સેક્સ 730 પોઈન્ટ વધીને 77,496.43 પર ટ્રેડ કરી રહ્યો હતો, જે 77,423.77 પર ખુલ્યો હતો. દરમિયાન, નિફ્ટીએ પણ 24,000 પોઈન્ટના આંકને પાર કર્યો. ડેટા અનુસાર, ટ્રેડિંગ સત્ર દરમિયાન નિફ્ટી 24,203.20 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો, જે 215 પોઈન્ટથી વધુનો વધારો દર્શાવે છે. સવારે 9.35&nbsp; વાગ્યે, નિફ્ટી 24191 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો, જે 207 પોઈન્ટ વધીને&nbsp; 24176.65 પોઈન્ટ પર ખુલ્યો હતો.</p><p><b style="font-size: 1.5rem;">આઈટી શેરોમાં ઉછાળો</b></p><p>ચોક્કસ શેરોની વાત કરીએ તો, આઈટી ક્ષેત્રમાં તેજી જોવા મળી રહી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર, આઈટી કંપની ઈન્ફોસિસના શેર 3.50 % થી વધુના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. ટીસીએસના શેરમાં 2.50 % થી વધુનો વધારો જોવા મળ્યો હતો, જ્યારે ટેક મહિન્દ્રા અને એચસીએલ ટેકના શેરમાં 1.50 % થી વધુનો વધારો જોવા મળ્યો હતો. એલ એન્ડ ટીના શેરમાં 3% થી વધુનો વધારો જોવા મળ્યો હતો, અને એચયુએલના શેરમાં 3.11 % નો વધારો જોવા મળ્યો હતો. એચડીએફસી બેંકના શેરમાં પણ 1.50 % થી વધુનો વધારો જોવા મળ્યો હતો. આઈશર મોટર્સ, ભારતી એરટેલ અને આઈટીસીના શેર પણ લગભગ 1.50 % ના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. સમગ્ર આઈટી ક્ષેત્રમાં આશરે 3% નો વધારો જોવા મળ્યો હતો, જે અગાઉના દિવસે 3% થી વધુના વધારા સાથે બંધ થયો હતો.</p><p><br></p><h4><b>રોકાણકારોને લાભ&nbsp;</b></h4><p><br></p><p>શેરબજારમાં આ તેજીથી રોકાણકારોને નોંધપાત્ર ફાયદો થયો છે. રોકાણકારોનો લાભ BSE માર્કેટ કેપિટલાઈઝેશન દ્વારા નક્કી થાય છે; જ્યારે તે વધે છે, ત્યારે રોકાણકારોને નફો થાય છે. ડેટા દર્શાવે છે કે મંગળવારે બજાર બંધ થયું ત્યારે BSE માર્કેટ કેપિટલાઈઝેશન ₹4,79,16,995.57 કરોડ હતું, જે બુધવારના ટ્રેડિંગ સત્ર દરમિયાન વધીને ₹4,83,07,433.75 કરોડ થયું. આ BSE માર્કેટ કેપિટલાઈઝેશનમાં ₹3.90 લાખ કરોડનો વધારો દર્શાવે છે. આ રોકાણકારો માટે ફાયદો છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2025/05/12/QfSk4hozLljBa48eQYBqzqc52FIP6AqxoTJXAy2T.jpg'/></item></channel></rss>