<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Kalol: પ્રેમલગ્નની અદાવતમાં પિતા-પુત્રને કારમાં ઉપાડી લીધા, પોલીસે કારનો પીછો કરી MPના 9 આરોપીઓને ઝડપ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kalol/chhatral-love-marriage-kidnapping-gandhinagar-lcb-rescues-father-son-9-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kalol/chhatral-love-marriage-kidnapping-gandhinagar-lcb-rescues-father-son-9-arrested</guid><pubDate>Fri, 11 Sep 2026 17:32:10 +05:30</pubDate><description><![CDATA[<p>ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના છત્રાલ ગામે આવેલી શિવકુંજ સોસાયટીમાં રહેતા રમેશકુમાર ગોરેલાલ સાહુના પુત્ર શિવમે એક મહિના અગાઉ મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના મુહારી ગામની નંદની લોધી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ લગ્ન સામે યુવતીના પરિવારજનોને ભારે વાંધો હતો. સ્થાનિક પોલીસ મથકે હાજર થયા બાદ યુવક પોતાની પત્નીને લઈને છત્રાલ ખાતે પિતાના ઘરે આવી ગયો હતો અને પિતા સાથે નોકરીએ જતો હતો.</p><h2><b>છત્રાલમાં પ્રેમલગ્નની અદાવતમાં પિતા-પુત્રનું અપહરણ</b></h2><p>ગત સાંજના સુમારે શિવમ અને તેના પિતા રમેશકુમાર સાહુ નોકરી પર જવા નીકળ્યા ત્યારે મધ્યપ્રદેશથી કાર લઈને આવેલા યુવતીના પિતા હરિનિવાસ લોધી અને તેના માણસોએ બંને પિતા-પુત્રનું રસ્તામાંથી બળજબરીપૂર્વક અપહરણ કરી લીધું હતું. પિતા-પુત્રનું અપહરણ કર્યા બાદ આરોપીઓ રાત્રે ૧૧:૩૦ વાગ્યે શિવકુંજ સોસાયટીમાં યુવકના ઘરે પહોંચ્યા હતા. મકાનની પાછળની દીવાલ કૂદીને ઘરમાં ઘૂસેલા શખ્સોએ યુવતીનું બળજબરીથી અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, યુવતી છટકીને બહાર આવી જતાં અને બૂમાબૂમ કરતાં આસપાસના રહીશો એકઠા થઈ ગયા હતા. પરિસ્થિતિ વણસતાં અને સ્થાનિકોએ પોલીસને ફોન કરતાં તમામ અપહરણકર્તાઓ ત્યાંથી કાર લઈને ફરાર થઈ ગયા હતા.</p><h3><b>પોલીસે કારનો પીછો કરી પિતા-પુત્રને સલામત છોડાવ્યા!</b></h3><p>બનાવ અંગે યુવતીએ કલોલ પોલીસને માહિતગાર કરતાં ગાંધીનગર LCB અને કલોલ તાલુકા પોલીસની ટીમો તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી. પોલીસે અપહરણકર્તાઓની કારનો પીછો કરી નાકાબંધી કરીને પિતા-પુત્રને હેમખેમ છોડાવ્યા હતા. પોલીસે યુવતીના પિતા હરિનિવાસ લોધી સહિત મધ્યપ્રદેશથી આવેલા કુલ 9 આરોપીઓની ધરપકડ કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gondal/gondal-iconic-mela-murder-case-solved-main-accused-rahul-dodia-8-arrested" target="_blank">આ પણ વાંચો: Gondal: મેળાના મનોરંજન વચ્ચે છરીના ઘા ઝીંકી યુવકની હત્યા, મુખ્ય આરોપી રાહુલ ડોડિયા સહિત 8 ની અટકાયત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/4G48XuQBGHq8S0dgBcm0yaLd3cHRGbtszngN7mQd.webp'/></item><item><title><![CDATA[Halvadમાં ઉઠાવગીરો થયા સક્રિય, ધોળા દિવસે કારનો કાચ તોડી રૂ.1.10 લાખની ચોરી! ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/morbi/morbi-halvad-car-glass-broken-cash-theft-cctv</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/morbi/morbi-halvad-car-glass-broken-cash-theft-cctv</guid><pubDate>Fri, 11 Sep 2026 17:24:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મોરબી જિલ્લાના હળવદ શહેરમાં ચોર અને ઉઠાવગીરો બેફામ બન્યા હોય તેવો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હળવદમાં આવેલા ડો. બાબાસાહેબ આંબેડકર શોપિંગ સેન્ટર પાસે આજે બપોરના સમયે તસ્કરોએ એક પાર્ક કરેલી કારને નિશાન બનાવી હતી. અજાણ્યા શખ્સે કારનો કાચ તોડીને અંદર રાખેલી મોટી રોકડ રકમની સરેઆમ ચોરી કરી પલાયન થઈ ગયો હતો. દિવસના અજવાળામાં બનેલી આ ઘટનાથી સ્થાનિક વેપારીઓમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>દવાની એજન્સીનો વેપારી બન્યો શિકાર&nbsp;</b></h2><p style="text-align: justify; ">ચોરીનો ભોગ બનનાર વ્યક્તિ રાજકોટના જંતુનાશક દવાના વેપારી હોવાનું સામે આવ્યું છે. વેપારી હળવદ વિસ્તારમાં દવાની દુકાનો અને ગ્રાહકો પાસેથી ઓર્ડર લેવા માટે આવ્યા હતા. તેમણે પોતાની કાર શોપિંગ સેન્ટર પાસે પાર્ક કરી હતી અને પોતાના કામે ગયા હતા. આ દરમિયાન તકનો લાભ ઉઠાવીને તસ્કરે કારની બારીનો કાચ તોડી અંદર રાખેલા રૂ.1.10 લાખની રોકડ રકમ ભરેલી બેગ કે મત્તા ચોરી લીધી હતી અને ફરાર થઈ ગયો હતો.</p><h3 style="text-align: justify; "><b>તસ્કરો કારમાંથી રોકડ લઈ થયા ફરાર&nbsp;</b></h3><p style="text-align: justify; ">વેપારી જ્યારે પરત ફર્યા ત્યારે કારનો કાચ તૂટેલો જોઈને દંગ રહી ગયા હતા અને તાત્કાલિક આ અંગે હળવદ પોલીસ મથકે જાણ કરી હતી. બનાવની માહિતી મળતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આસપાસના સીસીટીવી (CCTV) કેમેરા તપાસતાં ચોરી કરતો શખ્સ સ્પષ્ટપણે કેમેરામાં કેદ થયેલો જોવા મળ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ છતી કરી તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/jgl02FEIiM7FcvCqC97AwyMTRYZt0L1BFIaNuxTY.webp'/></item><item><title><![CDATA[PM Modi Putin Meeting: પીએમ મોદી અને પુતિન વચ્ચે 45 મિનિટ સુધી યોજાઇ બેઠક, વ્યૂહાત્મક ભાગીદારી પર ચર્ચા ]]></title><link>https://sandesh.com/india/news/political-news/pm-modi-putin-meeting-meeting-held-between-pm-modi-and-putin-for-45-minutes-discussion-on-strategic-partnership</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/political-news/pm-modi-putin-meeting-meeting-held-between-pm-modi-and-putin-for-45-minutes-discussion-on-strategic-partnership</guid><pubDate>Fri, 11 Sep 2026 17:24:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ભારત મંડપમ ખાતે પહોંચ્યા પછી, પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પુતિને એકબીજાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને ભેટી પડ્યા હતા.&nbsp;</p><h2 style="text-align: justify; ">દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા</h2><p style="text-align: justify; ">બેઠક દરમિયાન, વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને મહાન તમિલ કવિ તિરુવલ્લુવર દ્વારા લખાયેલ પ્રખ્યાત કૃતિ "તિરુક્કુરલ" નો રશિયન અનુવાદ પણ ભેટમાં આપ્યો. બંને નેતાઓ ભારત-રશિયા વ્યૂહાત્મક ભાગીદારી તેમજ ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ સહિત અનેક મુખ્ય વૈશ્વિક અને દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. INNOPROM જેવા પ્લેટફોર્મ દ્વારા ભારત અને રશિયા વચ્ચે ઔદ્યોગિક સહયોગને વિસ્તૃત કરવા માટે નવી તકોની શોધખોળ પર પણ ચર્ચા કરવામાં આવી. હતી.&nbsp;</p><h3 style="text-align: justify; ">B2B તકો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત&nbsp;</h3><p style="text-align: justify; ">બંને દેશો રેલ ક્ષેત્ર અને ટનલીંગમાં સહયોગ વધારવા, સ્ટીલ મૂલ્ય શૃંખલા વિકસાવવા અને વધુ B2B તકો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. ચર્ચામાં ભારતીય કંપનીઓ માટે રશિયન બજારમાં પ્રવેશ વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. બંને દેશો વચ્ચે નાગરિક પરમાણુ સહયોગને વધુ મજબૂત બનાવવા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આમાં ઇંધણ ચક્ર અને જીવન ચક્ર સપોર્ટ સંબંધિત સહયોગને આગળ વધારવાનો સમાવેશ થાય છે.</p><h4 style="text-align: justify; ">ભારત-રશિયા સંબંધો મજબૂત બનશે</h4><p style="text-align: justify; ">અગાઉ, વિદેશ મંત્રાલયે ભારત અને રશિયા વચ્ચે લાંબા સમયથી ચાલતા અને બહુપક્ષીય દ્વિપક્ષીય સંબંધો પર પ્રકાશ પાડ્યો હતો. રશિયન રાષ્ટ્રપતિ પુતિનના ભારતમાં આગમન બાદ, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર બંને દેશો વચ્ચેના સંબંધોને બહુપક્ષીય અને લાંબા સમયથી ચાલતા ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે ભારત અને રશિયા એક ખાસ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારી પર આધારિત બહુપક્ષીય અને લાંબા સમયથી ચાલતા સંબંધો ધરાવે છે.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/israel-negev-desert-how-28-donkeys-changed-the-barren-israel-in-44-years-find-out" target="_blank">44 વર્ષમાં 28 ગદર્ભે ઉજ્જડ ઇઝરાયલને કેવી રીતે બદલ્યુ?, જાણો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/gk5pZ150rQwxjhS8s6QCkR2qi0oACsuDgXbC67PT.webp'/></item><item><title><![CDATA[Famous Cricketer : બોલીવુડ હીરો બનનાર પહેલો ભારતીય ક્રિકેટર! દર્શકોની ફરમાઇશ પર ફટકારતો સિક્સર! ]]></title><link>https://sandesh.com/entertainment/news/cricket/first-cricketer-bollywood-lead-role-sixes-salim-durani</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/cricket/first-cricketer-bollywood-lead-role-sixes-salim-durani</guid><pubDate>Fri, 11 Sep 2026 17:22:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ક્રિકેટ અને ગ્લેમરનો સંબંધ ઘણો જૂનો છે. ભારતમાં બંનેની લોકપ્રિયતા પણ ઘણી વધારે છે. ઘણા એવા કલાકારો છે, જેમને ક્રિકેટમાં ઊંડો રસ છે અને તેઓ લીગમાં રમતા પણ જોવા મળે છે. બીજી તરફ ઘણા એવા ક્રિકેટરો પણ છે, જેમણે ફિલ્મોમાં કામ કરવાનો પ્રયાસ કર્યો છે અથવા ટીવીની દુનિયાનો ભાગ રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>રોહિત શર્મા બાદ સેહવાગની પણ શોમાં એન્ટ્રી</b></h2><p style="text-align: justify; "> તાજેતરમાં રોહિત શર્માનો શો ફેમિલી ફુલ હાઉસ વિથ રોહિત શર્મા ઘણી ચર્ચામાં રહ્યો હતો. સૌરવ ગાંગુલી પણ ઘણા શોનો ભાગ રહી ચૂક્યા છે. એટલું જ નહીં, તેમના જીવન પર આધારિત ફિલ્મ પણ આવી રહી છે, જેમાં રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. હવે નવા સમાચાર આવ્યા છે કે ભારતના પૂર્વ ધમાકેદાર બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ પણ નવા શો સાથે આવવાના છે. તેઓ રાઇઝ એન્ડ ફોલની બીજી સીઝનમાં હોસ્ટની ભૂમિકામાં જોવા મળશે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>સલીમ દુર્રાનીની ક્રિકેટ કારકિર્દી</b></h3><p style="text-align: justify; ">સલીમ દુર્રાની અફઘાનિસ્તાનમાં જન્મેલા ભારતીય ક્રિકેટર હતા. તેઓ ઓલરાઉન્ડર તરીકેના પ્રદર્શન માટે જાણીતા હતા. સલીમે 29 ટેસ્ટ મેચમાં 1200થી વધુ રન બનાવ્યા હતા અને 70થી વધુ વિકેટ પણ લીધી હતી. સલીમની રમવાની શૈલી ખૂબ અલગ હતી અને કહેવાય છે કે તેઓ દર્શકોની માગ પર છગ્ગા ફટકારવા માટે જાણીતા હતા. સલીમ પોતાની ફિટનેસ અને આકર્ષક વ્યક્તિત્વ માટે પણ ખૂબ જાણીતા હતા. અહીંથી જ તેમની ફિલ્મી કારકિર્દીને પણ વેગ મળ્યો અને તેમણે કેટલીક ફિલ્મોમાં કામ કર્યું.<br><img alt="Salim Durani, Bollywood (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/11/V8W6NuSPerdPZz3fqf2aQvZDySRZoVRYAxdjOn1i.webp"><br></p><h4 style="text-align: justify; "><b>સલીમ દુર્રાનીની ફિલ્મી કારકિર્દી</b></h4><p style="text-align: justify; ">સલીમ દુર્રાનીને ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર પણ માનવામાં આવે છે. ત્યાર બાદ આ યાદી ઘણી લાંબી થઈ ગઈ. સલીમે 1969માં એક માસૂમ ફિલ્મથી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાર બાદ 1973માં તેઓ પરવીન બાબી સાથે ચરિત્ર નામની ફિલ્મમાં કામ કરતા જોવા મળ્યા હતા. તેમની બોલીવુડ કારકિર્દી લાંબી ચાલી નહોતી, પરંતુ તેમના ફિલ્મોમાં કામ કર્યા બાદ ક્રિકેટરો માટે ગ્લેમર વર્લ્ડના નવા દરવાજા ખુલ્યા અને ઘણા ક્રિકેટરોએ ફિલ્મી દુનિયામાં પગ મૂક્યો. 2 એપ્રિલ 2023ના રોજ 88 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/40-year-old-doordarshan-serial-railway-station-title-song" target="_blank">આ પણ વાંચો-Retro TV : 40 વર્ષ પહેલાં આવેલી દૂરદર્શનની એ હિટ સિરિયલ જેના નામ પર છે રેલવે સ્ટેશન!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/WWENIY2kxYWY5hF6xAXp3whRnE9xEPuZ0DgqxNN5.webp'/></item><item><title><![CDATA[BRICS Summit 2026: ભારત કરાવી શકે છે રશિયા-યુક્રેન વચ્ચે સમજૂતી, રશિયાથી આવ્યું મોટું નિવેદન ]]></title><link>https://sandesh.com/world/news/india/india-role-ukraine-russia-war-peace-deal-brics-summit-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/india/india-role-ukraine-russia-war-peace-deal-brics-summit-2026</guid><pubDate>Fri, 11 Sep 2026 17:17:09 +05:30</pubDate><description><![CDATA[<p>BRICS Summit 2026: દિલ્હીમાં ચાલી રહેલી BRICS બેઠક વચ્ચે દુનિયાની નજર ભારતની કૂટનીતિક શક્તિ પર છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સહિત ઘણા મોટા વૈશ્વિક નેતાઓ દિલ્હીમાં એકઠા થયા છે. આ દરમિયાન યુક્રેન યુદ્ધનો મુદ્દો પણ ચર્ચાના કેન્દ્રમાં છે. આ જ માહોલ વચ્ચે રશિયા તરફથી એક એવું નિવેદન આવ્યું છે, જેના કારણે યુદ્ધમાં ભારતની સંભવિત ભૂમિકાને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે. રશિયામાં ભારતીય મૂળના ધારાસભ્ય અભય કુમાર સિંહે કહ્યું છે કે રશિયા અને યુક્રેન વચ્ચે સમજૂતી કરાવવામાં ભારત મોટી ભૂમિકા ભજવી શકે છે.</p><p><b>યુક્રેન યુદ્ધમાં ભારતની ભૂમિકા પર ચર્ચા</b></p><p>રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવાના પ્રયાસો વચ્ચે ભારતની ભૂમિકાને લઈને ફરી એકવાર મોટી ચર્ચા શરૂ થઈ છે. અભય કુમાર સિંહને જ્યારે પૂછવામાં આવ્યું કે શું રાષ્ટ્રપતિ પુતિનને આશા છે કે ભારત બંને દેશોને સમજૂતીની નજીક લાવવા માટે વધુ સક્રિય ભૂમિકા ભજવશે, ત્યારે તેમણે ભારતની કૂટનીતિક ક્ષમતા પર વિશ્વાસ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, “ભારત આ સમજૂતીમાં મોટી ભૂમિકા ભજવી શકે છે.”</p><p><b>સારી શરતો રજૂ કરે તો ભારત મદદ કરી શકે</b></p><p>અભય કુમાર સિંહે કહ્યું કે જો ઇતિહાસમાં જોવામાં આવે તો દરેક યુદ્ધનો અંત આવ્યો છે અને લોકો સમજૂતી પર હસ્તાક્ષર કરે છે. તેથી આ યુદ્ધ અંગે પણ એવી જ રીતે સમજૂતી થઈ શકે છે. જો ભારત બંને પક્ષો માટે સારી શરતો રજૂ કરે તો ભારત મોટી ભૂમિકા ભજવી શકે છે. અભય કુમાર સિંહની ઓળખ પણ આ સમગ્ર મામલાને ખાસ બનાવે છે. તેઓ રશિયાના કુર્સ્ક વિસ્તારમાં રાજકારણમાં સક્રિય છે અને ત્યાંની વિધાનસભામાં પ્રતિનિધિ તરીકે કામ કરી રહ્યા છે.</p><p><b>ભારત-રશિયા સંબંધો પર પણ વાત કરી</b></p><p>રશિયાના રાજકીય માહોલ સાથે જોડાયેલા તેમના નિવેદનને ભારત-રશિયા સંબંધો અને યુક્રેન સંકટના સંદર્ભમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. અભય કુમાર સિંહે ભારત અને રશિયાના સંબંધો વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે ભારત અને રશિયાની મિત્રતા માત્ર બે દેશોના સંબંધો સુધી સીમિત નથી, પરંતુ તે ઘણી પેઢીઓથી ચાલી આવી છે. અભય કુમાર સિંહે આશા વ્યક્ત કરી કે બંને દેશોના નેતાઓની મુલાકાતથી અર્થતંત્ર, વેપાર અને અન્ય ક્ષેત્રોમાં ભારત-રશિયાના સંબંધો વધુ મજબૂત થશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/pm-modi-gifts-russian-thirukkural-to-putin-at-brics-summit-2026-bharat-mandapam" target="_blank">આ પણ વાંચો: PM મોદીએ પુતિને શું ભેટ આપી? થઇ રહી છે ચારેકોર ચર્ચા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/pFRoHhv7k7NgXjBRomfSdA7lLfxlsh9yZkM6XWiM.webp'/></item><item><title><![CDATA[Bhavnagarના ઘોઘા જકાતનાકા પાસે કપડાંના વેપારી પાસે ખંડણી માંગી તોડફોડ કરનાર 2 શખ્સોની ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/bhavnagar-ghogha-jakatnaka-extortion-shop-vandalism-arrests</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/bhavnagar-ghogha-jakatnaka-extortion-shop-vandalism-arrests</guid><pubDate>Fri, 11 Sep 2026 17:08:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભાવનગર શહેરમાં અસામાજિક તત્વો અને ગુંડાઓ બેફામ બન્યા હોય તેમ વેપારીઓ પાસે ખંડણી માગવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. શહેરના ઘોઘા જકાતનાકા પાસે આવેલી 'જય ભોલે એન્ટરપ્રાઇઝ' નામની રેડીમેઇડ કપડાંની દુકાને પહોંચી અસામાજિક તત્વોએ વેપારી પાસે દુકાન ચલાવવા બદલ મિહિનાના રૂ.5,000ની ખંડણીની માંગણી કરી હતી. વેપારીએ શરૂઆતમાં રકમ આપવાની ના પાડતાં આ તત્વોએ દાદાગીરી કરીને બળજબરીપૂર્વક રૂ.2,000 પડાવી લીધા હતા, જે બાબતનો વિગતવાર ઉલ્લેખ પાછળથી પોલીસ ફરિયાદમાં પણ કરવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>નાણાં ન મળતા દુકાનમાં તોડફોડ અને પથ્થરમારો</b></h2><p style="text-align: justify; ">પ્રાથમિક ઘટના બાદ ગોપાલ ચાવડા અને માધવ બારડ નામના બંને ઈસમો ફરીથી વેપારીની દુકાને ધસી આવ્યા હતા અને જો અહીં વેપાર કરવો હોય તો પૂરા રૂ.5,000 આપવા જ પડશે તેવી ખુલ્લેઆમ ધમકી આપી હતી. વેપારીએ રોકડ રકમ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દેતાં આવેશમાં આવેલા બંને શખ્સોએ દુકાનની અંદર તોડફોડ મચાવી હતી. એટલું જ નહીં, પુરાવા નાશ કરવાના ઈરાદે કે પોતાની દાદાગીરી છુપાવવા માટે દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા પર પથ્થરમારો કરીને આશરે રૂ.35,000નું ભારે આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું.</p><h3 style="text-align: justify; "><b>પોલીસે બંને માથાભારે ઈસમોને દબોચી લીધા&nbsp;</b></h3><p style="text-align: justify; ">ભાવનગરમાં દિવસદહાડે બનેલી આ ઘટનાથી સ્થાનિક વેપારી આલમમાં રોષ અને ભયનો માહોલ વ્યાપી ગયો હતો. ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતાં જ ભાવનગર પોલીસે તુરંત હરકતમાં આવીને ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે વિસ્તારમાં ચક્રો ગતિમાન કરીને વેપારીને ધમકાવનાર અને તોડફોડ કરનાર ગોપાલ ચાવડા તથા માધવ બારડ બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમની સામે કાયદેસરના કડક પગલાં ભરવાની તજવીજ હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/vEFqYEYRa4peNjn3oCIsEe3QA21utzfYTG0bBFBm.webp'/></item><item><title><![CDATA[Suratમાં બેંક કર્મચારીઓના વિરોધથી ભારે ટ્રાફિકજામ, 300-400 વાહનો પાર્ક કરી કર્યો ચક્કાજામ! ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-bank-employees-protest-traffic-jam-police-e-memo</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-bank-employees-protest-traffic-jam-police-e-memo</guid><pubDate>Fri, 11 Sep 2026 17:01:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરમાં બેંક કર્મચારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા અનોખા વિરોધ પ્રદર્શનના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. વિરોધ કરી રહેલા કર્મચારીઓએ રસ્તા પર જ આડેધડ 300થી 400 જેટલાં વાહનો પાર્ક કરી દીધા હતા. આટલી મોટી સંખ્યામાં દ્વિચક્રી અને ચારચક્રી વાહનો રસ્તા વચ્ચે પાર્ક થઈ જવાથી અડધો રસ્તો સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો હતો અને માર્ગ પર ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.</p><h2 style="text-align: justify; "><b>સુરત ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી&nbsp;</b></h2><p style="text-align: justify; ">રસ્તા પર ચક્કાજામ થવાની અને વાહનચાલકો અટકાયા હોવાની જાણ થતાં જ સુરત ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ટ્રાફિક પોલીસે રસ્તા પર અવરોધરૂપ બનેલા અને નો-પાર્કિંગ ઝોનમાં મૂકવામાં આવેલા તમામ વાહનો સામે કડક કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે સ્થળ પર જ તમામ વાહનોના નંબર નોંધીને ઈ-મેમો (E-Memo) જનરેટ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી.</p><h3 style="text-align: justify; "><b>દંડના ભયથી ગણતરીની મિનિટોમાં વિરોધ સંકેલાયો</b></h3><p style="text-align: justify; ">પોલીસ દ્વારા કાયદેસરની આકરી કાર્યવાહી કરીને નો-પાર્કિંગના ઈ-મેમો ફટકારવાનું શરૂ કરાતાં જ બેંક કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. દંડ અને ઈ-મેમો જનરેટ થતાં જ કર્મચારીઓએ તાત્કાલિક ધોરણે રસ્તા પરથી પોતપોતાના વાહનો હટાવવાનું શરૂ કરી દીધું હતું. ગણતરીની મિનિટોમાં જ રસ્તા પરથી તમામ વાહનો દૂર થઈ જતાં બેંક કર્મચારીઓનો વિરોધ આટોપાઈ ગયો હતો અને ટ્રાફિક પોલીસે વાહન વ્યવહાર પૂર્વવત કરીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/rac1swsPIlu1B5hL1dRWnBY0LmP2I25JEvPwJ3HN.webp'/></item><item><title><![CDATA[Surat News : એક જ પરિવારના બે-બે સભ્યોના નામે કેમ ફાળવાયા સરકારી મકાનો? SMC ના પત્રથી મચ્યો હડકંપ! ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-smc-cracks-down-on-pmay-housing-irregularities--zone-wise-audit-demanded</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-smc-cracks-down-on-pmay-housing-irregularities--zone-wise-audit-demanded</guid><pubDate>Fri, 11 Sep 2026 16:38:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અંતર્ગત ફાળવવામાં આવેલા સરકારી મકાનોમાં ચાલી રહેલી ગંભીર અનિયમિતતાઓ અને ગેરરીતિઓ સામે તંત્રએ આકરું વલણ અપનાવ્યું છે. અગાઉ આવાસ મેળવીને તેને ગેરકાયદેસર રીતે ભાડે આપી દેનારા ભાડૂતો અને મૂળ લાભાર્થીઓ સામે કાર્યવાહી શરૂ કર્યા બાદ, હવે તંત્ર દ્વારા ખોટી રીતે મકાન મેળવનારા મૂળ માલિકો પર જ તવાઈ બોલાવવાની પૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>ખોટા દસ્તાવેજોથી એકથી વધુ આવાસ મેળવ્યાનો પર્દાફાશ</b></h2><p style="text-align: justify; ">એક તરફ સુરત શહેરમાં હજારો ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો પોતાના ઘરનું સ્વપ્ન પૂરું કરવા માટે વર્ષોથી પ્રતીક્ષા યાદી (વેટિંગ લિસ્ટ) માં રાહ જોઈને બેઠા છે, ત્યારે બીજી તરફ કેટલાક ચાલાક લોકોએ ખોટા દસ્તાવેજો રજૂ કરીને એકથી વધુ આવાસ પચાવી પાડ્યા હોવાની વિગતો સામે આવી છે. તપાસ દરમિયાન પતિ અને પત્ની બંનેના નામે અલગ-અલગ આવાસ મેળવી લીધા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવતાં વિવાદ વધુ ઘેરો બન્યો છે.</p><h2 style="text-align: justify; "><b>સ્લમ ઈમ્પ્રુવમેન્ટ કમિટી ચેરમેને મ્યુનિસિપલ કમિશનરને લખ્યો પત્ર</b></h2><p style="text-align: justify; ">આ ગંભીર બાબત ધ્યાને આવતાં જ સ્લમ ઈમ્પ્રુવમેન્ટ સમિતિના ચેરમેન દિગ્વિજયસિંહ બારડ તાત્કાલિક એક્શન મોડમાં આવ્યા છે. તેમણે સુરત મ્યુનિસિપલ કમિશનરને એક સત્તાવાર લેખિત પત્ર પાઠવીને સુરત શહેરમાં આવાસ મેળવનારા તમામ લાભાર્થીઓની ઝીણવટભરી અને ઝોનવાર (Zone-wise) સઘન ચકાસણી કરવાની કડક માંગણી કરી છે. SMC ના આ આકરા પગલાંથી ખોટા દસ્તાવેજો બનાવી આવાસ હડપ કરનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad--amc-demolishes-illegal-building-in-jamalpur-after-seal-violation" target="_blank">Ahmedabadના જમાલપુરમાં AMC નું મોટું ડિમોલેશન, પરવાનગી વિના ચાલતું ગેરકાયદે બાંધકામ કરાયું જમીનદોસ્ત</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/8TeSgltfHCV6Zcxoc8qKoVeyQB272TjQBT1A6KG7.webp'/></item><item><title><![CDATA[Banking સેક્ટરમાં મોટો ફેરફાર, 6 મોટી બેંકોમાં CEO બદલાવની શક્યતા ]]></title><link>https://sandesh.com/business/news/indian-banking-ceo-changes-hdfc-kotak-icici-axis-sbi-2027</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/indian-banking-ceo-changes-hdfc-kotak-icici-axis-sbi-2027</guid><pubDate>Fri, 11 Sep 2026 16:11:10 +05:30</pubDate><description><![CDATA[<p>Indian Banking: ભારતીય બેંકિંગ સેક્ટરમાં આગામી લગભગ દોઢ વર્ષમાં નેતૃત્વ સ્તરે મોટા ફેરફાર જોવા મળી શકે છે. ઓછામાં ઓછા 6 મોટી ભારતીય બેંકોમાં 2027ના અંત સુધી CEO અને ટોચના નેતૃત્વને લઈને નિર્ણયો થવાના છે. આવી સ્થિતિમાં બેંકોના બોર્ડ સામે યોગ્ય ઉત્તરાધિકારી પસંદ કરવાનો સૌથી મોટો પડકાર રહેશે.</p><p><b>HDFC Bank અને Kotak Mahindra Bankમાં સૌથી પહેલા નિર્ણય</b></p><p>સૌથી પહેલા HDFC Bank અને Kotak Mahindra Bankમાં નેતૃત્વને લઈને નિર્ણય થવાનો છે. HDFC Bankના MD અને CEO શશિધર જગદીશનનો હાલનો ત્રણ વર્ષનો કાર્યકાળ 26 ઓક્ટોબર 2026ના રોજ પૂરો થશે. તેઓ પહેલેથી જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ આગામી કાર્યકાળ માટે અરજી નહીં કરે.</p><p><b>HDFC Bankમાં કૌઝાદ ભરુચા દાવેદાર</b></p><p>ધ ઇકોનોમિક્સ ટાઈમ્સના અહેવાલ મુજબ, HDFC Bankમાં ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર કૌઝાદ ભરુચાને મુખ્ય આંતરિક દાવેદાર માનવામાં આવી રહ્યા છે. જોકે, તેમના મામલે RBIનો 15 વર્ષના સતત કાર્યકાળનો નિયમ મહત્વનો રહેશે. ભરુચા જૂન 2014માં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બન્યા હતા અને 2029માં આ મર્યાદા સુધી પહોંચી જશે.</p><p><b>Kotak Bankમાં ત્રણ નામ ચર્ચામાં</b></p><p>Kotak Mahindra Bankના CEO અશોક વાસવાણીનો પ્રથમ ત્રણ વર્ષનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2026ના રોજ પૂરો થશે. બેંક પાસે ઘણા વરિષ્ઠ આંતરિક ઉમેદવારો છે. તેમાં અનૂપ સાહા, પારિતોષ કશ્યપ અને જયદીપ હંસરાજના નામ સામેલ છે. બેંક તરફથી બે નામ RBIની મંજૂરી માટે મોકલવામાં આવી ચૂક્યા છે.</p><p><b>ICICI Bankમાં પણ નેતૃત્વ બદલાવની શક્યતા</b></p><p>ICICI Bankમાં પણ નેતૃત્વ બદલાવની શક્યતા પર નજર રાખવામાં આવી રહી છે. હાલના CEO સંદીપ બક્ષીએ અગાઉની નિમણૂક સમયે ટૂંકા કાર્યકાળની પસંદગી કરી હતી. બેંક પાસે ઘણા અનુભવી વરિષ્ઠ અધિકારીઓ છે. તેથી ઉત્તરાધિકારી પસંદ કરવા માટે બોર્ડ સામે ઘણા વિકલ્પો હોઈ શકે છે.</p><p><b>Axis Bankમાં પણ નેતૃત્વ બદલાઈ શકે</b></p><p>Axis Bankના CEO અમિતાભ ચૌધરીનો હાલનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2027 સુધી છે. તેઓ બેંકના વડા તરીકે 9 વર્ષ પૂર્ણ કરશે. RBIના નિયમો હેઠળ તેમની ઉંમર અને કુલ કાર્યકાળને ધ્યાનમાં રાખીને તેમને આગળ પણ તક મળી શકે છે. બેંકમાં સુબ્રત મોહંતી, મુનીશ શારદા અને નીરજ ગંભીર જેવા વરિષ્ઠ અધિકારીઓ સંભવિત છે.</p><p><b>SBIમાં 2027માં નિર્ણય</b></p><p>દેશની સૌથી મોટી બેંક State Bank of Indiaના ચેરમેન સી.એસ. શેટ્ટીનો ત્રણ વર્ષનો કાર્યકાળ લગભગ ઓગસ્ટ 2027 સુધી રહેશે. SBIમાં ઉત્તરાધિકારી પસંદ કરવાની પ્રક્રિયા સામાન્ય રીતે વધુ વ્યવસ્થિત હોય છે. મેનેજિંગ ડિરેક્ટરોની ટીમમાંથી સંભવિત નામ સામે આવે છે.</p><p><b>IDBI, Ujjivan અને Finoમાં પણ બદલાવ</b></p><p>આ ઉપરાંત IDBI Bankના CEO રાકેશ શર્માનો કાર્યકાળ માર્ચ 2028માં પૂરો થશે. બીજી તરફ Ujjivan Small Finance Bank અને Fino Payments Bankમાં પણ CEO સ્તરે બદલાવની પ્રક્રિયા ચાલી રહી છે.</p><p><b>બેંકો સામે મોટો પડકાર</b></p><p>બેંકો માટે આ નેતૃત્વ બદલાવ સરળ નહીં હોય. NBFC અને ફિનટેક કંપનીઓ તરફથી વધી રહેલી સ્પર્ધા વચ્ચે અનુભવી બેંકિંગ અધિકારીઓની સંખ્યા મર્યાદિત છે. આવી સ્થિતિમાં ઘણી બેંકો એક જ વરિષ્ઠ અધિકારીને પોતાના નેતૃત્વ માટે પસંદ કરી શકે છે.</p><p><b>ઇન્ટરનલ કે બહારના ઉમેદવાર</b></p><p>નિષ્ણાતોના મતે, બેંક બોર્ડ સામે સૌથી મોટો પડકાર સ્થિરતા અને નવી વ્યૂહરચના વચ્ચે સંતુલન જાળવવાનો રહેશે. આંતરિક ઉમેદવારો બેંકની સંસ્કૃતિ અને સિસ્ટમને સારી રીતે જાણે છે, જ્યારે બહારથી આવનારા ઉમેદવારો નવી વિચારસરણી અને ક્ષમતાઓ લાવી શકે છે. જોકે, બહારની નિમણૂકમાં બદલાવ દરમિયાન જોખમ પણ વધારે હોઈ શકે છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/nationwide-bank-strike-for-5-day-work-week--75-000-employees-join-in-gujarat---15-000-cr-transactions-hit" target="_blank">આ પણ વાંચો: 5-ડે વર્કિંગ માટે બેન્ક કર્મચારીઓનો હલ્લાબોલ, ગુજરાતમાં રૂ.15,000 કરોડના વ્યવહારો થંભ્યા, ગ્રાહકો હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/6vELhfdmXTQlPzqm155nCZ924ODOw6YUkUcW8h3Y.webp'/></item><item><title><![CDATA[Delhi High Court : વિનેશ ફોગાટને મોટો ઝટકો, વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલમાંથી બહાર ]]></title><link>https://sandesh.com/sports/news/vinesh-phogat-world-championship-trials-delhi-high-court</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/vinesh-phogat-world-championship-trials-delhi-high-court</guid><pubDate>Fri, 11 Sep 2026 09:21:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને આંતરરાષ્ટ્રીય કુસ્તીમાં વાપસીના પ્રયાસ વચ્ચે મોટો ઝટકો લાગ્યો છે.દિલ્હી હાઈકોર્ટે 2026 સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપની પસંદગી માટે યોજાનારી ટ્રાયલમાં વિનેશને ભાગ લેવાની વચગાળાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે.આ નિર્ણય બાદ વિનેશ માટે 14 સપ્ટેમ્બરે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં યોજાનારી પસંદગી ટ્રાયલમાં ઉતરવાનો રસ્તો બંધ થઈ ગયો છે.જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ ગુરુવારે મોડી રાત્રે વિનેશ ફોગાટની વચગાળાની રાહતની માગ કરતી અરજી ફગાવી દીધી હતી.</p><h4 style="text-align: justify; "><b>દિલ્હી હાઈકોર્ટે શું કહ્યું</b></h4><p style="text-align: justify; ">અદાલતે કહ્યું કે ભારતીય કુસ્તી મહાસંઘ દ્વારા નક્કી કરવામાં આવેલી પાત્રતાની શરતો કોઈ એક ખેલાડી માટે અલગ રીતે લાગુ કરી શકાય નહીં.અદાલતે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું કે 7 સપ્ટેમ્બર 2026ના પરિપત્રમાં નક્કી કરાયેલા માપદંડ તમામ ખેલાડીઓ માટે સમાન છે.જો કોઈ કુસ્તીબાજે નક્કી કરાયેલી સ્પર્ધામાં ભાગ લીધો નથી,તો તે વર્તમાન નિયમો હેઠળ ટ્રાયલ માટે પાત્ર ગણાતો નથી.</p><h5 style="text-align: justify; "><b>વિનેશ ફોગાટે અદાલતનો દરવાજો કેમ ખખડાવ્યો?</b></h5><p style="text-align: justify; ">વિનેશ ફોગાટે ભારતીય કુસ્તી મહાસંઘના નવા પસંદગી નિયમોને પડકાર્યા હતા.7 સપ્ટેમ્બરે જાહેર કરાયેલા પરિપત્રમાં 2026 સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ માટેના ટ્રાયલમાં ભાગ લેવા માટે છ ઓલિમ્પિક વજન વર્ગો માટે પાત્રતાના નિયમો નક્કી કરવામાં આવ્યા છે.આ નિયમો હેઠળ કેટલીક નિર્ધારિત સ્પર્ધાઓના ચંદ્રક વિજેતા, રાષ્ટ્રીય તાલીમ શિબિરમાં સામેલ કુસ્તીબાજો અને 2026 અંડર-20 વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પસંદ થયેલા ખેલાડીઓ પાત્ર બને છે.વિનેશનું કહેવું હતું કે માતૃત્વના કારણે તે કેટલીક મહત્વની પસંદગી સ્પર્ધાઓમાં ભાગ લઈ શકી નહોતી.તેથી હાલના નિયમો તેમના માટે વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ સુધી પહોંચવાનો માર્ગ બંધ કરે છે.વિનેશે સીધી રીતે વર્લ્ડ ચેમ્પિયનશિપની ટીમમાં પસંદગીની માગ કરી નહોતી. તેમની માગ માત્ર એટલી હતી કે તેમને ટ્રાયલમાં ભાગ લેવાની તક આપવામાં આવે અને ત્યારબાદ તેમના પ્રદર્શનના આધારે ટીમમાં પસંદગી કરવામાં આવે.</p><h4 style="text-align: justify; "><b>એશિયન ગેમ્સના ટ્રાયલનો પણ આપ્યો હતો હવાલો</b></h4><p style="text-align: justify; ">વિનેશે પોતાની દલીલમાં 30 મેના એશિયન ગેમ્સના પસંદગી ટ્રાયલનો પણ ઉલ્લેખ કર્યો હતો.તેમણે 53 કિલોગ્રામ વજન વર્ગમાં ભાગ લીધો હતો અને ક્વાર્ટર ફાઇનલ જીતીને સેમિફાઇનલ સુધી પહોંચ્યા હતા.વિનેશે અદાલતને જણાવ્યું હતું કે માતા બન્યા બાદ તેમણે ફરી તાલીમ શરૂ કરી છે અને સ્પર્ધાત્મક કુસ્તીમાં વાપસી માટે પ્રયાસ કરી રહ્યા છે. તેઓ જુલાઈ 2025માં માતા બન્યા હતા.</p><h4 style="text-align: justify; "><b>માતૃત્વ નીતિ અંગે મોટી લડાઈ હજુ ચાલુ</b></h4><p style="text-align: justify; ">દિલ્હી હાઈકોર્ટે હાલ વિનેશની અરજીમાં ઉઠાવવામાં આવેલા મોટા કાયદાકીય પ્રશ્નો અંગે અંતિમ નિર્ણય આપ્યો નથી.અદાલતે એ પણ નોંધ્યું કે ગર્ભાવસ્થા, બાળકના જન્મ અને ત્યારબાદની શારીરિક પુનઃપ્રાપ્તિ જેવી પરિસ્થિતિઓને મહિલા ખેલાડીઓ માટેની પસંદગી નીતિની કાયદેસરતા અંગે વિચાર કરતી વખતે ધ્યાનમાં લેવાની જરૂર પડી શકે છે.જોકે, આ કારણોસર વિનેશને તાત્કાલિક વચગાળાની છૂટ આપી શકાય નહીં. અદાલતની એક મહત્વની ચિંતા એ પણ હતી કે માત્ર વિનેશને નિયમોમાં છૂટ આપવામાં આવે તો આવી જ સ્થિતિમાં રહેલા અન્ય ખેલાડીઓ સાથે સમાનતાનો પ્રશ્ન ઊભો થઈ શકે છે.વિનેશની કાનૂની લડાઈ માત્ર વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ પૂરતી મર્યાદિત નથી. તેઓ માતૃત્વ બાદ મહિલા ખેલાડીઓ માટે પારદર્શક અને વ્યવસ્થિત પસંદગી વ્યવસ્થા બનાવવાની માગ પણ કરી રહ્યા છે.</p><p style="text-align: justify; "><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/NalinisKitchen/status/2098245458540027916?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>WFIની શિસ્તભંગની કાર્યવાહી પણ પડકારાઈ</b></h4><p style="text-align: justify; ">વિનેશે ભારતીય કુસ્તી મહાસંઘ દ્વારા શરૂ કરવામાં આવેલી શિસ્તભંગની કાર્યવાહી સામે પણ અદાલતનો સંપર્ક કર્યો છે. તેમણે મે અને જૂનમાં આપવામાં આવેલી 2 કારણદર્શક નોટિસ રદ કરવાની માગ કરી છે.બીજી તરફ,કુસ્તી મહાસંઘનું કહેવું છે કે વિનેશને શિસ્ત સમિતિ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક આપવામાં આવી હતી.</p><h5 style="text-align: justify; "><b>ક્યારે યોજાશે વર્લ્ડ ચેમ્પિયનશિપ?</b></h5><p style="text-align: justify; ">2026 સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં 24 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન યોજાવાની છે. દિલ્હી હાઈકોર્ટના હાલના નિર્ણય બાદ વિનેશ ફોગાટ 14 સપ્ટેમ્બરે યોજાનારી ભારતીય પસંદગી ટ્રાયલમાં ભાગ લઈ શકશે નહીં.જોકે, માતૃત્વ બાદ મહિલા ખેલાડીઓને રમતગમતમાં વાપસી માટે કઈ રીતે તક મળવી જોઈએ અને પસંદગી પ્રક્રિયામાં તેમના માટે કેવી વ્યવસ્થા હોવી જોઈએ, તે અંગે વિનેશની મોટી કાનૂની લડાઈ હજુ ચાલુ છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો <a href="https://sandesh.com/cricket/news/shree-charani-breaks-radha-yadav-record-50-t20i-wickets" target="_blank">- Shree Charaniએ નોંધાવી ઐતિહાસિક સિદ્ધિ, રાધા યાદવનો મોટો રેકોર્ડ તોડી રચ્યો ઇતિહાસ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/kFL2T3ixL0obDmcYy4934aTdupVad2PjvKVjk8Ms.webp'/></item></channel></rss>