<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[PM મોદીના બાળપણના મિત્રને જમીન વિવાદમાં રાહત, ભાજપ ધારાસભ્યએ કબજો છોડવાની કરી જાહેરાત ]]></title><link>https://sandesh.com/india/news/pm-modis-childhood-friend-gets-relief-in-land-dispute-bjp-mla-announces-to-relinquish-possession</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/pm-modis-childhood-friend-gets-relief-in-land-dispute-bjp-mla-announces-to-relinquish-possession</guid><pubDate>Wed, 16 Sep 2026 11:16:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મુંબઈના ભાયંદર વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલા જમીન વિવાદમાં 81 વર્ષીય અસગર અલી વોરાને તાજેતરમાં રાહત મળી છે. વોરા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડનગર સ્થિત બી.એન. સ્કૂલના પૂર્વ સહપાઠી છે. 8 સપ્ટેમ્બર, 2026ના રોજ તેમણે મુંબઈમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરીને ભાયંદર ઈસ્ટના નવઘર વિસ્તારમાં આવેલી પોતાની જમીન અંગેની ફરિયાદ રજૂ કરી હતી. ત્યારબાદ વિવાદિત જમીન અંગે સ્થાનિક સ્તરે ફરીથી કાર્યવાહી શરૂ થઈ હતી.</p><h2 style="text-align: justify; ">વોરાએ 1989માં લગભગ 2,810 ચોરસ મીટર જમીન રજિસ્ટર્ડ કરાર મારફતે ખરીદી હતી</h2><p style="text-align: justify; ">રિપોર્ટ અનુસાર, વોરાએ 1989માં લગભગ 2,810 ચોરસ મીટર જમીન રજિસ્ટર્ડ કરાર મારફતે ખરીદી હતી. તેમના જણાવ્યા મુજબ, તેમણે આ જમીન ક્યારેય વેચી કે અન્ય કોઈના નામે ટ્રાન્સફર કરી નહોતી. જોકે, વોરાનો આરોપ છે કે 2011માં જમીન પર અતિક્રમણ કરવામાં આવ્યું અને મિલકત સંબંધિત દસ્તાવેજોમાં કથિત રીતે ગેરરીતિ કરવામાં આવી. આ વિવાદમાં બે બાંધકામ કંપનીઓના નામ સામે આવ્યા હતા. તેમાંથી એક કંપનીને ભાજપના ધારાસભ્ય નરેન્દ્ર મહેતા સાથે જોડાયેલી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.</p><h3 style="text-align: justify; "><b>2015માં કથિત દસ્તાવેજી ગેરરીતિ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ</b></h3><p style="text-align: justify; ">વોરાએ વર્ષો દરમિયાન સ્થાનિક પોલીસ, મહેસૂલ વિભાગ અને મહાનગરપાલિકા સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હોવાનો દાવો કર્યો હતો. 2015માં કથિત દસ્તાવેજી ગેરરીતિ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. જોકે, લાંબા સમય સુધી વિવાદનું નિરાકરણ ન આવતાં તેમણે વડાપ્રધાન સમક્ષ આ મામલે હસ્તક્ષેપ કરવાની અને સમગ્ર કેસની કેન્દ્રીય તપાસ કરાવવાની માંગ કરી હતી.</p><p style="text-align: justify; ">વોરાની વડાપ્રધાન સાથેની મુલાકાત બાદ મામલાએ નવો વળાંક લીધો. 16 સપ્ટેમ્બરના રિપોર્ટ મુજબ, નરેન્દ્ર મહેતા સાથે જોડાયેલી સેવન ઈલેવન કન્સ્ટ્રક્શન્સે વિવાદિત પ્લોટનો કબજો છોડવાની અને આ જમીન માટે મળેલી બાંધકામ મંજૂરી મહાનગરપાલિકાને પરત કરવાની વાત કરી છે. સાથે જ વોરા વિરુદ્ધ અગાઉ કરવામાં આવેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચવાની પણ માહિતી સામે આવી છે. બંને પક્ષો વચ્ચે સમજૂતી થયાનો દાવો પણ કરવામાં આવ્યો છે.</p><p style="text-align: justify; ">અહીં નોંધવું જરૂરી છે કે જમીન પર કબજો અને દસ્તાવેજોમાં ગેરરીતિ અંગેના મૂળ આરોપો અસગર અલી વોરા તરફથી કરવામાં આવ્યા હતા અને આ આરોપો અંગેના તમામ કાનૂની પાસાંને અલગથી જોવાના રહેશે. અગાઉ આ મામલે સંબંધિત સત્તાધિકારીઓ સમક્ષ કાર્યવાહી ચાલી રહી હતી.</p><p style="text-align: justify; ">આ સમગ્ર ઘટનામાં સૌથી મહત્વની બાબત એ છે કે વર્ષોથી ચાલી રહેલા જમીન વિવાદમાં હવે બંને પક્ષો વચ્ચે સમજૂતી તરફ પગલું ભરાયું છે. નરેન્દ્ર મહેતાએ કબજો છોડવા અને બાંધકામ મંજૂરી પરત કરવાની જાહેરાત કર્યા બાદ વોરાને તેમની જમીન અંગે રાહત મળવાની સ્થિતિ ઊભી થઈ છે. જોકે, જમીનના માલિકી હક અને સંબંધિત દસ્તાવેજો અંગેની અંતિમ કાનૂની સ્થિતિ સત્તાવાર પ્રક્રિયા અને દસ્તાવેજોના આધારે જ સ્પષ્ટ થશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો: <a href="https://sandesh.com/business/news/new-upi-mdr-rules-what-will-change-for-those-investing-in-the-stock-market-and-mutual-funds" target="_blank">UPI MDRના નવા નિયમો: શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારાઓ માટે શું બદલાશે?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/7Fu0T9dL2LyexB5mZnR9HVS8eIfr0g6FeBU0tZE8.webp'/></item><item><title><![CDATA[Bigg Boss 20 : 'અહીં જ પછાડી દઈશ' કહી સ્કાઉટે અરિશ્ફા ખાનને આપી ધમકી, કેપ્ટન્સી ટાસ્કમાં ભારે હોબાળો! ]]></title><link>https://sandesh.com/entertainment/news/bigg-boss-20-arishfa-khan-scout-captaincy-task-fight</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/bigg-boss-20-arishfa-khan-scout-captaincy-task-fight</guid><pubDate>Wed, 16 Sep 2026 11:11:08 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બિગ બોસ 20 શરૂ થયાને હજુ થોડા જ દિવસ થયા છે અને ઘરમાં ઝઘડાનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી ઘણા કન્ટેસ્ટન્ટ્સ એકબીજા સાથે ઝઘડી ચૂક્યા છે. જેમ જેમ શો આગળ વધી રહ્યો છે, તેમ તેમ ઘરના સભ્યો વચ્ચેની સ્પર્ધા પણ વધી રહી છે. હવે કેપ્ટન્સી ટાસ્ક દરમિયાન કંઈક એવું જોવા મળ્યું, જેના કારણે ઘરમાં વાતાવરણ ગરમ થઈ ગયું. ટાસ્ક દરમિયાન અરિશ્ફા ખાન અને સ્કાઉટ વચ્ચે વાત એટલી વધી ગઈ કે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ.</p><h2 style="text-align: justify; "><b>અરિશ્ફા અને સ્કાઉટ વચ્ચે થયો વિવાદ</b></h2><p style="text-align: justify; ">કેપ્ટન્સીની રેસમાં આગળ વધવાનો પ્રયાસ કરી રહેલા કન્ટેસ્ટન્ટ્સ વચ્ચે જોરદાર ચર્ચા થઈ. જોકે, અરિશ્ફા અને સ્કાઉટ વચ્ચે સૌથી વધુ બોલાચાલી જોવા મળી. આ દરમિયાન સ્કાઉટ ઉર્ફે તન્મયે અરિશ્ફાને ધમકી પણ આપી દીધી, જેના પછી અન્ય કન્ટેસ્ટન્ટ્સે પણ તન્મયને ખોટો ગણાવ્યો.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>સ્કાઉટે અરિશ્ફાને આપી ધમકી</b></h3><p style="text-align: justify; ">બિગ બોસના આગામી એપિસોડનો એક પ્રોમો સામે આવ્યો છે. તેમાં સ્કાઉટ અને અરિશ્ફા વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી રહી છે. પ્રોમોમાં જોવા મળે છે કે બિગ બોસે ઘરના સભ્યોને કેપ્ટન્સી ટાસ્ક આપ્યો છે, જેમાં છોકરીઓએ છોકરાઓને રંગ લગાવવાનો છે. આ ટાસ્ક દરમિયાન અરિશ્ફા અને સ્કાઉટ વચ્ચે ટકરાવ જોવા મળે છે. શરૂઆતમાં બંને એકબીજાને ઘણી વાતો સંભળાવે છે. આ દરમિયાન સ્કાઉટ અરિશ્ફાને કહે છે કે, અહીં જ પછાડીને બાજુમાં ફેંકી દઈશ. એટલું જ નહીં, સ્કાઉટ અરિશ્ફાને ઉશ્કેરવા માટે તેને બાળકી પણ કહે છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DdTki07jgHj/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DdTki07jgHj/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DdTki07jgHj/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DdTki07jgHj/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><p style="text-align: justify; ">અરિશ્ફા પણ શાંત રહેતી નથી અને સ્કાઉટ પર અંગત ટિપ્પણી કરતા કહે છે કે, તમને ગેમિંગ સિવાય કંઈ આવડતું નથી. આ ઝઘડો એટલો વધી ગયો હતો કે સ્કાઉટ રડતો પણ જોવા મળ્યો છે. હવે આજે એટલે કે 15 સપ્ટેમ્બરના રોજ આવનારા એપિસોડમાં જોવાનું રહેશે કે આ મામલો ક્યાં સુધી પહોંચે છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/mithun-chakraborty-1-5-acre-farmhouse-property" target="_blank">આ પણ વાંચો-Celebrity Life : 41 વર્ષ જૂની પ્રોપર્ટી અને રોયલ અંદાજ! મિથુન દાનું 1.5 એકરનું ભવ્ય ફાર્મહાઉસ છે શાનદાર!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/oc51DuvsKgqUhUVCvRnAO0zNdUxfzx44hMOgpJIp.webp'/></item><item><title><![CDATA[Aadhaar Address Updateમાં આ 5 ભૂલો કરશો તો અરજી થશે Reject! જાણો સાચી રીત ]]></title><link>https://sandesh.com/business/news/aadhaar-address-update-rejection-reasons</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/aadhaar-address-update-rejection-reasons</guid><pubDate>Wed, 16 Sep 2026 11:05:57 +05:30</pubDate><description><![CDATA[<p>આજના ડિજિટલ સમયમાં આધાર કાર્ડમાં ઘરનું સરનામું બદલવું ખૂબ સરળ બની ગયું છે. ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ એટલે કે UIDAIના સત્તાવાર પોર્ટલ દ્વારા લોકો કોઈ કેન્દ્ર પર ગયા વગર ઘરે બેઠા પોતાનું સરનામું અપડેટ કરી શકે છે. પરંતુ ઘણી વખત નાની-નાની ભૂલો અને બેદરકારીને કારણે અરજી નામંજૂર થઈ જાય છે, જેના કારણે લોકોને મુશ્કેલી પડી શકે છે.</p><p>જો તમે પણ તમારા આધાર કાર્ડમાં ઓનલાઈન સરનામું બદલવા જઈ રહ્યા છો, તો કેટલીક મહત્વની બાબતો અને નિયમોની જાણકારી હોવી ખૂબ જરૂરી છે, જેથી તમારી અરજી પહેલી જ વખતમાં મંજૂર થઈ જાય.</p><h2><b>માન્ય સરનામાના પુરાવાનો જ ઉપયોગ કરો</b></h2><p>ઓનલાઈન સરનામું બદલતી વખતે સૌથી પહેલાં માન્ય સરનામાના પુરાવાનું ધ્યાન રાખવું જરૂરી છે. UIDAI દ્વારા માન્ય દસ્તાવેજોની યાદીમાં સામેલ વીજળીનું બિલ, પાસપોર્ટ, બેંક પાસબુક અથવા રેશન કાર્ડ જેવા દસ્તાવેજ જ અપલોડ કરો.</p><p>તમે જે દસ્તાવેજ આપી રહ્યા છો તેના પર તમારું નામ અને નવું સરનામું સ્પષ્ટ રીતે લખાયેલું હોવું જોઈએ.</p><h2><b>નામ અને સરનામાની સ્પેલિંગમાં ભૂલ ન કરો</b></h2><p>અરજી નામંજૂર થવાનું એક મોટું કારણ નવા સરનામા અને અપલોડ કરેલા દસ્તાવેજમાં રહેલા નામ અથવા સરનામા વચ્ચેનો તફાવત છે. ઓનલાઈન ફોર્મમાં તમે જે સરનામું લખી રહ્યા છો તેની સ્પેલિંગ તમારા સરનામાના પુરાવા સાથે સંપૂર્ણપણે મળતી હોવી જોઈએ. ફોર્મ ભરતી વખતે મકાન નંબર, શેરી, પિન કોડ અને લેન્ડમાર્ક જેવી માહિતીમાં નાની ભૂલ પણ અરજી નામંજૂર કરાવી શકે છે.</p><h2><b>સ્પષ્ટ અને અસલ દસ્તાવેજ જ અપલોડ કરો</b></h2><p>દસ્તાવેજનો ફોટો લેતી વખતે અથવા તેને સ્કેન કરતી વખતે તેની ગુણવત્તાનું ખાસ ધ્યાન રાખો. કોઈપણ દસ્તાવેજની ફોટોકોપી અપલોડ કરવાને બદલે હંમેશા અસલ દસ્તાવેજને જ રંગીન રીતે સ્કેન કરીને અપલોડ કરો. જો અપલોડ કરેલી ફાઇલ ઝાંખી, કપાયેલી અથવા વાંચી ન શકાય તેવી હશે, તો UIDAIની ચકાસણી દરમિયાન તમારી અરજી સીધી નામંજૂર થઈ શકે છે.</p><h2><b>અરજીનું સ્ટેટસ ચેક કરો અને યોગ્ય રીત અપનાવો</b></h2><p>ફોર્મ ભર્યા બાદ અને નક્કી કરેલી ફી ભર્યા પછી તમને અપડેટ રિક્વેસ્ટ નંબર મળે છે. આ નંબરની મદદથી સમયાંતરે તમારી અરજીનું સ્ટેટસ ચોક્કસ ચેક કરતા રહો. જો તમારી અરજી કોઈ કારણસર નામંજૂર થઈ જાય તો તેમાં આપેલું કારણ સમજો અને યોગ્ય દસ્તાવેજો સાથે ફરીથી અરજી કરો, જેથી તમારું નવું સરનામું સરળતાથી અપડેટ થઈ શકે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/CpYGuGDrNc6G6F9GVWLJK05gN7O1QQPrbfXbcQtN.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : નકલી પાસપોર્ટના આધારે વિદેશ પ્રવાસ કરનાર આરોપીની ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/accused-arrested-for-travelling-abroad-on-fake-passport</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/accused-arrested-for-travelling-abroad-on-fake-passport</guid><pubDate>Wed, 16 Sep 2026 10:41:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં બનાવટી દસ્તાવેજો બનાવીને કાયદાની આંખમાં ધૂળ નાખવાના વધુ એક ગંભીર કેસમાં ગુજરાત એટીએસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મની લોન્ડરિંગના ગંભીર ગુનામાં સંડોવાયેલા હરિકેશ પ્રણવ પટેલ નામના આરોપીએ પોતાનો અસલી પાસપોર્ટ જમા હોવા છતાં બનાવટી પાસપોર્ટ તૈયાર કરાવ્યો હતો અને તેના આધારે વિદેશ પ્રવાસ ખેડ્યો હોવાનું બહાર આવ્યું છે. આ મામલે ગુજરાત એટીએસે સઘન તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>કોર્ટમાં આરોપી સામે કાનૂની ટ્રાયલ પણ ચાલુ છે.</b></h2><p style="text-align: justify; ">પ્રાપ્ત વિગતો અનુસાર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોએ વર્ષ 2022-23 દરમિયાન આરોપી હરિકેશ પ્રણવ પટેલ વિરુદ્ધ મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ એક ગુનો દાખલ કર્યો હતો. આ કૌભાંડ અને ગુના સંબંધિત તપાસ હજુ ચાલી રહી છે અને કોર્ટમાં આરોપી સામે કાનૂની ટ્રાયલ પણ ચાલુ છે. સામાન્ય રીતે કાયદાકીય પ્રક્રિયા હેઠળ જ્યારે કોઈ આરોપી સામે ગંભીર ગુનો નોંધાય અને તપાસ ચાલુ હોય, ત્યારે તેનો અસલી પાસપોર્ટ જમા કરાવી લેવામાં આવતો હોય છે જેથી તે દેશ છોડીને ભાગી ન શકે. આ કેસમાં પણ આરોપી હરિકેશ પટેલનો પાસપોર્ટ અગાઉથી જ જમા હોવાની વિગતો સામે આવી હતી.</p><h3 style="text-align: justify;"><b>પાસપોર્ટમાં તેણે પોતાનું સરનામું પણ બદલી નાખ્યું</b></h3><p style="text-align: justify;">આરોપીએ માત્ર પાસપોર્ટ બનાવવો જ નહીં, પરંતુ તે બનાવટી પાસપોર્ટમાં તેણે પોતાનું સરનામું પણ બદલી નાખ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ નકલી સરનામા તથા બનાવટી પાસપોર્ટના સહારે આરોપીએ કોઈપણ અડચણ વગર વિદેશ પ્રવાસ પણ કરી લીધો હતો. જ્યારે આ બાબતની ગુપ્ત માહિતી ગુજરાત એટીએસની ટીમને મળી, ત્યારે આ મામલે ઊંડાણપૂર્વક ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન એ સ્પષ્ટ થઈ ગયું કે જે સમયે આરોપી સામે દેશમાં મની લોન્ડ્રિંગનો ગુનો નોંધાયેલો હતો અને કોર્ટમાં ટ્રાયલ ચાલી રહી હતી, તે જ અરસામાં તેણે બનાવટી પાસપોર્ટનો ઉપયોગ કરીને વિદેશ મુસાફરી કરી હતી. ગુજરાત એટીએસ દ્વારા આ ગંભીર ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ત્વરિત પગલાં લેવામાં આવ્યા છે અને નકલી પાસપોર્ટના આધારે વિદેશ પ્રવાસ કરનાર આરોપી હરિકેશ પ્રણવ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/surat/surat--pp-savani-school-fined--1-lakh-over-hostel-food-poisoning--smc-to-audit-canteens" target="_blank">આ પણ વાંચોઃ Surat News : રસોડાના કર્મચારીઓ પાસે જ નહોતા મેડિકલ સર્ટિફિકેટ! મનપાએ પીપી સવાણી સ્કૂલ સામે કરી મોટી કાર્યવાહી</a></p><p style="text-align: justify;"><br></p><p style="text-align: justify;"><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/xpHOKju9I7mlOpZHS78aqwpRCyPM4czqlEYEAfmd.webp'/></item><item><title><![CDATA[Narmada ડેમ છલકાવાની તૈયારીમાં! 95%થી વધુ ભરાયો, મહત્તમ સપાટીથી માત્ર 1.20 મીટર દૂર ]]></title><link>https://sandesh.com/gujarat/news/narmada/narmada--sardar-sarovar-dam-crosses-95--capacity--water-level-touches-137-48m</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/narmada/narmada--sardar-sarovar-dam-crosses-95--capacity--water-level-touches-137-48m</guid><pubDate>Wed, 16 Sep 2026 10:41:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં જળરાશિનો વિપુલ જથ્થો જમા થતાં ડેમ 95 ટકાથી વધુ ભરાઈ ગયો છે. ડેમની મહત્તમ જળ ક્ષમતા 138.68 મીટર છે, જેની સામે હાલની જળ સપાટી 137.48 મીટરે પહોંચી ચૂકી છે. ડેમમાં હાલ 5,379.80 MCM (મિલિયન ક્યુબિક મીટર) જેટલો જીવંત જળજથ્થો (લાઈવ સ્ટોરેજ) ઉપલબ્ધ થતાં સમગ્ર ગુજરાત માટે પીવાના પાણી અને સિંચાઈની સુરક્ષા મજબૂત બની છે.</p><h2 style="text-align: justify; "><b>ઉપરવાસમાંથી 54,952 ક્યુસેક પાણીની આવક, પાવરહાઉસ કાર્યાન્વિત</b></h2><p style="text-align: justify; ">ઉપરવાસમાં થઈ રહેલી આવકના કારણે નર્મદા ડેમમાં સતત 54,952 ક્યુસેક પાણી આવી રહ્યું છે. પાણીની આ ભારે આવકને પગલે જળ સપાટી નિયંત્રિત રાખવા માટે રિવર બેડ પાવરહાઉસ મારફતે નર્મદા નદીમાં 40,947 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાવરહાઉસ મારફતે પાણી વહાવવામાં આવતાં જળ વિદ્યુતનું પણ મોટા પાયે ઉત્પાદન થઈ રહ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>કેનાલમાં 13,500 ક્યુસેક જાવક, કુલ જાવક 54,447 ક્યુસેક નોંધાઈ</b></h2><p style="text-align: justify; ">નદી ઉપરાંત રાજ્યના વિવિધ વિસ્તારોમાં સિંચાઈ અને પીવાના પાણીની જરૂરિયાતો પૂરી કરવા માટે મુખ્ય કેનાલ મારફતે 13,500 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આમ, નદી અને કેનાલ મળીને ડેમમાંથી કુલ 54,447 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. ડેમ 95% થી વધુ ભરાઈ જતાં નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા જળ સપાટી પર ચોવીસે કલાક કડક મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/surat/surat--pp-savani-school-fined--1-lakh-over-hostel-food-poisoning--smc-to-audit-canteens" target="_blank">Surat News : રસોડાના કર્મચારીઓ પાસે જ નહોતા મેડિકલ સર્ટિફિકેટ! મનપાએ પીપી સવાણી સ્કૂલ સામે કરી મોટી કાર્યવાહી</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/xxT1XlRiw5m6oNptUMSaqbz8vpzK8TCnCnLO1FWF.webp'/></item><item><title><![CDATA[Surat News: નર્મદાના પોલીસ કોન્સ્ટેબલ વિજ્ઞેશ વસાવા વિરુદ્ધ કાપોદ્રામાં બળાત્કારનો ગુનો દાખલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/case-filed-against-narmada-police-constable-in-kapodra</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/case-filed-against-narmada-police-constable-in-kapodra</guid><pubDate>Wed, 16 Sep 2026 10:36:24 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નર્મદા જિલ્લામાં આર્મ્સ પોલીસ કોન્સ્ટેબલ વિજ્ઞેશ વસાવાએ સુરતના કાપોદ્રા વિસ્તારની ખાનગી હોસ્પિટલની નર્સ પર દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. સુરત ગ્રામ્ય વિસ્તારની વતની અને હાલ કાપોદ્રાની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી આ યુવતીએ નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના અલમાવાડી ગામના વતની અને નર્મદામાં આર્મ્સ પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા વિજ્ઞેશ રાવજી વસાવા વિરુદ્ધ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, તેની સંબંધી આ યુવકના વતનમાં પરણી હોઈ ત્યાં જતી આવતી હોઈ આ સંબંધીએ જ વિજ્ઞેશ સાથે પરિચય કરાવ્યો હતો.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>સામાજિક રીતે આઠ લાખનું વળતર લઈ છૂટા પડ્યા</b></h2><p style="text-align: justify; ">બંનેની જ્ઞાતિ એક જ હોઈ બંને વચ્ચે પરિચય વધુ ગાઢ બન્યો હતો અને તે દૈહિક આકર્ષણમાં પરિણમ્યો હતો. સગાઈ અને લગ્નનું વચન આપી આ કોન્સ્ટેબલે તેની સાથે સંબંધો વધાર્યા હતા, પરંતુ થોડાક સમયથી બંને વચ્ચે તણાવ સર્જાયો હતો.બંને વચ્ચે સંબંધોમાં તણાવ ઊભો થતાં લગ્ન શક્ય બન્યા ન હતા. જેને લઈ મામલો સમાજના આગેવાનો પાસે પહોંચ્યો હતો. સમાજની બેઠકમાં આ કોન્સ્ટેબલ વળતર તરીકે આઠ લાખ ચૂકવે તેવું નક્કી થયું હતું. પહેલાં પાંચ લાખ રોકડા અને બાકીની રકમ દર મહિને હપ્તા પેટે બાંહેધરી આપવામાં આવી હતી. સમાજના લેવાયેલા નિર્ણય પ્રમાણે આ કોન્સ્ટેબલે નાણાં આપવાનું ઠેરવ્યું હતું અને ફરી ક્યારેય સંપર્ક નહિ કરવાનો પણ આદેશ કરાયો હતો.</p><h3 style="text-align: justify;"><b>સુરતમાં બંદોબસ્તમાં આવ્યો ત્યારે ધમકાવી બળાત્કાર</b></h3><p style="text-align: justify;">સુરતમાં બંદોબસ્તમાં આવ્યો ત્યારે ધમકાવી બળાત્કારસામાજિક રીતે નિર્ણય લઈ છૂટા થયા બાદ પણ ગત મે મહિનામાં આ કોન્સ્ટેબલ સુરત શહેરમાં બંદોબસ્ત માટે આવ્યો હતો. તે વખતે આ યુવતીને હોસ્પિટલમાં આવી તોફાન કરવાની ધમકી આપી લાલ દરવાજા સ્થિત આલકાર ગેસ્ટ હાઉસમાં બોલાવી હતી. અહીં જૂના સંબંધો વેળા લેવાયેલી તસવીરો વાયરલ કરવાની ધમકી આપી બળાત્કાર કર્યાના આક્ષેપ સાથે યુવતીએ કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઇન્સ્પેક્ટર એમ.આર. સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/gujarat-rain-report-season-rainfall-reaches-84-38-deficit-up-to-95-in-42-talukas" target="_blank">આ પણ વાંચોઃ Gujarat Rain Report: રાજ્યમાં સિઝનનો 84 ટકા વરસાદ ખાબક્યો, આ વિસ્તારોમાં હજી 95 ટકા સુધીની ઘટ</a></p><p style="text-align: justify;"><br></p><p style="text-align: justify;"><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/bWnBODuuPH5egiHzBt7yFwTg2egPYaDLbXLhJLRU.webp'/></item><item><title><![CDATA[Surat News : રસોડાના કર્મચારીઓ પાસે જ નહોતા મેડિકલ સર્ટિફિકેટ! મનપાએ પીપી સવાણી સ્કૂલ સામે કરી મોટી કાર્યવાહી ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat--pp-savani-school-fined--1-lakh-over-hostel-food-poisoning--smc-to-audit-canteens</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat--pp-savani-school-fined--1-lakh-over-hostel-food-poisoning--smc-to-audit-canteens</guid><pubDate>Wed, 16 Sep 2026 10:21:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતની જાણીતી પીપી સવાણી સ્કૂલની હોસ્ટેલમાં ભોજન લીધા બાદ અંદાજે 100 જેટલા વિદ્યાર્થીઓને ખોરાકી ઝેર (ફૂડ પોઈઝનિંગ) ની અસર થતાં ભારે હડકંપ મચી ગયો છે. ઘટનાની ગંભીરતા હોવા છતાં શાળા સંચાલકો દ્વારા સુરત મહાનગરપાલિકા (SMC) ને સમયસર જાણ કરવામાં આવી નહોતી. તંત્રને મોડી માહિતી આપવાની આ ગંભીર અણઘડતા અને બેદરકારી બદલ મનપાએ લાલ આંખ કરીને સ્કૂલ સંચાલકોને રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો છે.</p><h2 style="text-align: justify; "><b>રસોઈયાઓના મેડિકલ સર્ટિફિકેટ ગાયબ</b></h2><p style="text-align: justify; ">મનપાના ફૂડ વિભાગ દ્વારા હોસ્ટેલના રસોડા (કિચન) માં તપાસ હાથ ધરવામાં આવતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. રસોડામાં ખોરાક બનાવતા અને પીરસતા કેટલાક ફૂડહેન્ડલર્સ પાસે જરૂરી મેડિકલ સર્ટિફિકેટ પણ નહોતા. વિદ્યાર્થીઓ માટે અપાતા ભોજનની ગુણવત્તા અને રસોડામાં અસ્વચ્છતા અંગે ગંભીર ખામીઓ ખુલ્લી પડતાં વાલીઓ અને સ્થાનિકોમાં સ્કૂલ પ્રશાસન સામે ભારે રોષ વ્યાપી ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>તમામ સ્કૂલ કેન્ટીનોની તપાસ માટે DEO ને લખાશે પત્ર</b></h2><p style="text-align: justify; ">આ ઘટના બાદ સુરત મનપા તંત્ર કડક એક્શન મોડમાં આવ્યું છે. ભવિષ્યમાં કોઈ શાળામાં વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે આવા ખેલ ન થાય તે માટે મનપા દ્વારા હવે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) ને સત્તાવાર પત્ર લખવાનો નિર્ણય લેવાયો છે. પત્ર દ્વારા સુરત શહેરની تمام શાળા-કોલેજોની કેન્ટીનો અને રસોડામાં પીરસાતા ખોરાકની ગુણવત્તા ચકાસવા તેમજ મેડિકલ ફિટનેસનું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવા માટે રજૂઆત કરવામાં આવશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad--incomplete-speed-breakers-on-iskcon-bridge-create-danger-at-diversion" target="_blank">Ahmedabad News : ડબલ અકસ્માત બાદ પણ ઘોર બેદરકારી, ઇસ્કોન બ્રિજ પર અધૂરા સ્પીડ બ્રેકર બન્યા વાહનચાલકો માટે કાળ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/jLCsUrmPP2aIxga4nvyTJMZKqkMcepPwb8GCIooS.webp'/></item><item><title><![CDATA[100% US Tariff on India: થાય તે કરી લે અમેરિકા, ભારત.... ઝૂકશે નહી, 100 ટકા ટેરિફ લૉ અંગે ભારતની પ્રતિક્રિયા ]]></title><link>https://sandesh.com/india/news/100-us-tariff-on-india-america-does-whatever-it-takes-india-will-not-bow-down-indias-reaction-to-the-100-percent-tariff-law</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/100-us-tariff-on-india-america-does-whatever-it-takes-india-will-not-bow-down-indias-reaction-to-the-100-percent-tariff-law</guid><pubDate>Wed, 16 Sep 2026 10:14:39 +05:30</pubDate><description><![CDATA[<p>અમેરિકાએ રશિયા પાસેથી વધુ પડતું ક્રૂડ ઓઇલ ખરીદનારા દેશો પર 100% ટેરિફ લાદવાનો કાયદો બનાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. યુએસ સેનેટની મંજૂરી મળ્યા બાદ, આ બિલ હવે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં રજૂ કરવામાં આવી રહ્યું છે. અહેવાલો અનુસાર, યુએસ કોંગ્રેસના નીચલા ગૃહમાં ગુરુવારે (17 સપ્ટેમ્બર) આ બિલ પર મતદાન થશે.</p><h2><b>ભારત રશિયા પાસેથી તેલ ખરીદશે જ- MEA</b></h2><p>જો યુએસ બિલ પસાર થાય છે, તો ભારતને 100% ટેરિફનો સામનો કરવો પડી શકે છે.&nbsp; આ દરમિયાન નવી દિલ્હીએ સ્પષ્ટ કર્યું છે કે વોશિંગ્ટન ગમે તે કરે, ભારત રશિયા પાસેથી તેલ ખરીદતું રહેશે અને કોઈપણ દબાણ સામે ઝૂકશે નહીં. મંગળવારે એક નિવેદનમાં, ભારતે કહ્યું કે જો અમેરિકા ટેરિફ લાદે તો પણ ભારત દબાણને વશ નહીં થાય અને રશિયા પાસેથી તેલ ખરીદતું રહેશે.</p><h3><b>'ભારત પોતાની નીતિમાં ફેરફાર નહી કરે'</b></h3><p>વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારતે હંમેશા તેના 1.4 અબજ નાગરિકોના હિતોને ધ્યાનમાં રાખીને તેની ઉર્જા જરૂરિયાતો અંગે નિર્ણયો લીધા છે અને ભવિષ્યમાં પણ તે ચાલુ રાખશે. અમેરિકામાં, આ બિલને લિન્ડસે ગ્રેહામ સેન્ક્શનિંગ રશિયા અને ઈરાન બિલ નામ આપવામાં આવ્યું છે.</p><p>તે યુએસ સેનેટમાં 86.11 ના ભારે મતથી પસાર થયું હતું. તેમાં રશિયા પાસેથી સૌથી વધુ તેલ ખરીદતા પાંચ દેશો પર 100% ટેરિફ લાદવાની જોગવાઈ છે, જેમાં ભારત અને ચીનનો સીધો સમાવેશ થાય છે. ભારત સરકારના નજીકના સૂત્રોએ જણાવ્યું છે કે તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે, પરંતુ એ સ્પષ્ટ છે કે ભારત સરકાર આ બાબતે તેની નીતિમાં ફેરફાર કરશે નહીં અને રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2099817866451448041"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p><b style="font-size: 1.75rem;">ભારતનું નામ સામેલ કરવાની માંગ</b></p><p>અગાઉ એવા અહેવાલ હતા કે કેટલાક યુએસ કાયદા ઘડનારાઓએ બિલમાં કેટલાક ફેરફારોની ભલામણ કરી હતી જેમાં ભારતને પ્રતિબંધોને આધિન દેશોમાં સીધો સમાવેશ કરવાની માંગ કરવામાં આવી હતી. અગાઉ, બિલમાં ફક્ત "રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો"નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ અન્ય કોઈ દેશનું નામ લેવામાં આવ્યું ન હતું. હવે, ભારતનું નામ અલગથી સામેલ કરવાની માંગ કરવામાં આવી રહી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2099813365078016158"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p>યુએસ કાયદા ઘડનારાઓ પણ ઇચ્છે છે કે બિલમાં રશિયા પાસેથી સૌથી વધુ તેલ ખરીદતા 10 દેશોના સ્પષ્ટ નામ આપવામાં આવે અને તેમના પર 100% ટેરિફ લાદવામાં આવે. ભારત અને ચીન ઉપરાંત, આ દેશોમાં તુર્કી, અઝરબૈજાન, હંગેરી, સ્લોવાક રિપબ્લિક, યુએઈ, સિંગાપોર, કઝાકિસ્તાન અને કિર્ગિસ્તાનનો પણ સમાવેશ થાય છે.</p><p><br></p><p><a href="https://sandesh.com/india/news/west-bengal-inshallah-and-assalamualaikum-in-ipss-speechwhy-not-jai-hind-or-vande-mataram-action-taken" target="_blank">આ પણ વાંચો: West Bengal: IPSની સ્પીચમાં ઇન્શાલ્લાહ અને અસ્સલામુઅલૈકુમ..જય હિંદ કે વંદેમાતરમ કેમ નહીં ? એક્શન લેવાયા&nbsp;</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/aj4syTmgqigzgl8TIDjpcTkg2ods1KASc3OqB547.webp'/></item><item><title><![CDATA[Patan: સિદ્ધપુરની મસ્કન ટાઉનશીપમાં ત્રણ ઘરોના તાળાં તૂટયા : લાખોની ચોરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/patan/patan-locks-of-three-houses-broken-in-maskan-township-of-siddhpur-lakhs-stolen</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/patan/patan-locks-of-three-houses-broken-in-maskan-township-of-siddhpur-lakhs-stolen</guid><pubDate>Wed, 16 Sep 2026 05:37:49 +05:30</pubDate><description><![CDATA[<p><br></p><p>રોકડ અને ઘરેણા સહિત કુલ 5.67 લાખની તસ્કરી : સ્થાનિક પોલીસે અને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ડૉગ સ્કવોર્ડ સહિતની મદદ લઈ ચોરોનું પગેરૂ મેળવવા તપાસ આરંભીસિદ્ધપુર શહેરમાં તાવડીયા રોડ પરની મસ્કાન ટાઉનશિપ સોસાયટીમાં તસ્કરોએ ત્રણ મકાનોને નિશાન બનાવીને ચોરીને અંજામ આપ્યો હતો.</p><p>જેમાં એક મકાનમાંથી તસ્કરોએ રૂ.2.60 લાખની રોકડ રકમ સહિત સોનાના અને ચાંદીના ઘરેણા મળીને કુલ 5.67 લાખની ચોરી કરી હતી. તદ્પરાંત અન્ય પાડોશમાં આવેલા બે મકાનોમાં પણ ચોરી થતાં સિદ્ધપુર પોલીસે તાત્કાલિક અસરથી સોસાયટીમાં પહોંચી તપાસ હાથ ધરી છે. ચોરી કરવા માટે આવેલ તસ્કર ટોળકી સીસીટીવી કેમેરાના કેમેરામાં દેખાતાં પોલીસે તેની મદદથી પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હોવાનું જાણવા મળ્યું છે. સિદ્ધપુરની તાવડીયા રોડ પર આવેલ મસ્કાન ટાઉનશિપમાં રહેતાં સાયરાબાનુ તેમની દિકરીના ઘરે ગયા હતા તે દરમિયાન પડોશીએ તેમના મકાનનું તાળુ તુટેલું હોવાથી જાણ કરતાં જ દિકરી સાથે દોડી આવ્યા હતા અને તપાસ કરતાં સોસાયટીમાં અન્ય બે મકાનોમાં ચોરી થઈ હોવાનું સામે આવતાં પોલીસે જાણ કરતાં જ સિદ્ધપુર પીઆઈ એમ.કે. ઝાલાની ટીમે તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન મકાનમાંથી અજાણ્યા તસ્કરો દ્વારા રૂ.2.60 લાખ રોકડ રકમ સહિત સોનાનો સેટ, સોનાની વીંટી, સોનાની ચેઈનો, સોનાની નાકની ચુની, સોનાનું પેંડલ, સોનાની બુટ્ટી, ચાંદીની પાયલ, ચાંદીની ઝાંઝર તથા ચાંદીની લક્કી અને ચાંદીની વીંટીની ચોરી થવા પામી હોવાનું સામે આવતાં અજાણ્યા તસ્કરો સામે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફુંટેજના આધારે અજાણ્યા તસ્કરો સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. તદ્પરાંત શહેરમાં આવેલ ગોકુલધામ સોસાયટીમાં પણ તસ્કરો દ્વારા ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ નિષ્ફ્ળ નિવડયો હોવાનું જાણવા મળ્યું છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/znbkrkqUEAaEypgeQMlZWszUZvrJUMhqjBPkY8OA.webp'/></item><item><title><![CDATA[પાકિસ્તાનની ટીમ ભારત આવશે! એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં જામશે ભારત-પાક જંગ ]]></title><link>https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</guid><pubDate>Mon, 14 Sep 2026 15:47:21 +05:30</pubDate><description><![CDATA[<p>આવતા મહિને પાકિસ્તાનની હોકી ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે. 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન પંજાબમાં યોજાનારી AHF મેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026માં પાકિસ્તાન સહિત કુલ છ ટીમો ભાગ લેશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પાકિસ્તાનની ભાગીદારી અંગેની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, મલ્ટી-નેશનલ ઇવેન્ટ્સ અંગે કેન્દ્ર સરકારની નીતિ હેઠળ બંને દેશોની ટીમો આમને-સામને રમશે.</p><h2><b>ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જાલંધરમાં રમાશે</b></h2><p>એશિયન મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન થશે. આ ટૂર્નામેન્ટમાં યજમાન ભારત અને પાકિસ્તાન ઉપરાંત ચીન, જાપાન, મલેશિયા અને કોરિયાની પણ ભાગ લેશે. લીગ સ્ટેજના મુકાબલા જાલંધરમાં યોજાશે, જ્યારે સેમિફાઇનલ અને ફાઇનલ મેચ મોહાલીના હોકી સ્ટેડિયમમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 1 નવેમ્બરે જાલંધરમાં રમાશે. કોઈ ટીમ છેલ્લી ઘડીએ ખસી જાય તો તે સ્થિતિ માટે ઓમાન અને બાંગ્લાદેશને રિઝર્વ ટીમન તરીકે રાખવામી આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PTI_News/status/2099416960278868155"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમવામાં કોઈ મુશ્કેલી નથી</b></h2><p>પાકિસ્તાનની ભાગીદારી અને જરૂરી મંજૂરીઓ અંગે પંજાબના મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં બંને દેશો વચ્ચે રમવામાં કોઈ મુશ્કેલી નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝનું આયોજન અલગ બાબત છે, કારણ કે કેન્દ્ર સરકારની વર્તમાન નીતિ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય રમત-ગમતના આયોજનની મંજૂરી આપતી નથી. પરંતુ મલ્ટી-નેશનલ ટૂર્નામેન્ટમાં બંને દેશોના ખેલાડીઓને એકબીજા સામે રમવાની પરવાનગી છે, જેથી પાકિસ્તાની ટીમ ભારત આવી શકશે.</p><h2><b>ભારત વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે</b></h2><p>ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. ભારતે 2023માં ચેન્નાઈ અને 2024માં ચીનના હુલુનબુઈરમાં યોજાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ગત વર્ષે આ સ્પર્ધા યોજાઈ શકી નહોતી. હવે પંજાબ પ્રથમ વખત આ ટૂર્નામેન્ટની મેજબાની કરવા જઈ રહ્યું છે.</p><h2><b>અગાઉ પાકિસ્તાની ટીમે ના કહી હતી&nbsp;</b></h2><p>પાકિસ્તાનની આ વખતની ભાગીદારી એટલા માટે પણ ખાસ છે, કારણ કે ગત વર્ષે તેણે તમિલનાડુમાં આયોજિત જૂનિયર હોકી વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તે સમયે બંને દેશો વચ્ચેના તણાવને તેનું કારણ ગણાવવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે અને પાકિસ્તાની ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે પૂરી રીતે તૈયાર છે.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/V6jwdiIr9RTCvR6EyBaGsP2qfZvYLq2JfkL7pytm.webp'/></item></channel></rss>