<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabad: વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા, કેન્ટીનમાં અખાદ્ય ભોજનનો આક્ષેપ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-health-of-students-compromised-in-vidyapeeth-allegations-of-inedible-food-in-canteen</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-health-of-students-compromised-in-vidyapeeth-allegations-of-inedible-food-in-canteen</guid><pubDate>Mon, 21 Sep 2026 02:05:03 +05:30</pubDate><description><![CDATA[<p>શહેરના આશ્રમરોડ પરવ આવેલી ગૂગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓના હેલ્થ સાથે રીતસરના ચેડા થઈ રહ્યાં હોવાની વિગતો સામે આવી છે. હોસ્ટેલ અને કેન્ટીનનું ભોજનમાં સડેલા શાકભાજી અને એક્સપાયર ડેટવાલી ચીજ વસ્તૂઓ વપરાતી હોવાનો આક્ષેપ થયો છે. એટલુ જ નહી, તાજેતરમાં થયેલા વરસાદમાં હોસ્ટેલના વિદ્યાર્થીઓ ગંદા વરસાદી પાણીથી રસોડામાં તળાવ જેવી સ્થિતિ વચ્ચે ઉભા-ઉભા ભોજન લેવા મજબુર બન્યાં હતા. વિદ્યાપીઠના આવી દયનિય સ્થિતિમાં વિદ્યાર્થીઓનો રોષ સામે આવ્યો છે. હોસ્ટેલમાં ગંદકી અને તૂટેલા બાથરૂમ તેમજ સ્વચ્છતાના નામે તૂત હોવાનો આક્ષેપ વિદ્યાર્થી સંગઠન ABVP દ્વારા કરવામાં આવ્યો હતો. **</p><p>ઐતિહાસિક ગૂગુજરાત વિદ્યાપીઠ આજે પોતાના જ ઉમદા આદર્શો સામે સવાલો ઉભા કરતી એક કરુણ વાસ્તવિકતા રજૂ કરી રહી છે. વિદ્યાપીઠની હોસ્ટેલનો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયો માત્ર એક સામાન્ય વરસાદી દ્રશ્ય નથી, પરંતુ શિક્ષણ જગતના નીરસ તંત્ર અને વહીવટી ઉદાસીનતાનું એક જીવંત અને નગ્ન સત્ય છે. જેના કારણે વિદ્યાર્થી સંગઠન ABVPના કાર્યકરો દ્વારા રસોડામાં અને કેન્ટીનમાં ચેકિંગ કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન એક્સપાયર ડેટવાળી ખાદ્ય સામગ્રી અને સડેલા શાકભાજી હાથમાં આવ્યાં હતા. એ સિવાય હોસ્ટેલમાં ગંદકી પણ હોવાના આક્ષેપ સંગઠને કર્યાં હતા. **</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/21/lOnJ3ME0xHPmrycQ2xq1dsPpbt0nM0XxDv613iP8.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: મેડિકલ-ડેન્ટલમાં 714 વિદ્યાર્થીઓની રૂ.71.40 લાખ ડિપોઝિટ જપ્ત કરાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-rs-7140-lakh-deposit-of-714-students-seized-in-medical-dental</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-rs-7140-lakh-deposit-of-714-students-seized-in-medical-dental</guid><pubDate>Mon, 21 Sep 2026 02:04:26 +05:30</pubDate><description><![CDATA[<p>મેડિકલ અને ડેન્ટલમાં 714 વિદ્યાર્થીઓની રૂ.71.40 લાખ ડિપોજીટ જપ્ત કરવામાં આવી છે. બીજા રાઉન્ડમાં કોલેજ એલોટ થયાં બાદ પણ પ્રવેશ લેવાનો ઈન્કાર કરનાર વિદ્યાર્થીઓ સામે દંડનિય કાર્યવાહી કરવામાં આવી છે. બેઠક ઠુકરાવનાર વિદ્યાર્થીની રૂ.10 હજાર ડિપોઝીટ જપ્ત કરવાની પ્રવેશ સમિતી દ્વારા જોગવાઈ કરવામાં આવેલી છે. કોલેજ એલોટ થયાં બાદ પ્રવેશ ન મેળવતા આ વિદ્યાર્થીઓને મેરીટમાથી પણ દુર કરવામાં આવ્યાં છે.</p><p>મેડિકલ અને ડેન્ટલની કુલ 8,452 બેઠકોમાં ગત તા.14 સપ્ટેમ્બરના રોજ બીજા રાઉન્ડના પ્રવેશ એલોટ કરવામાં આવ્યાં હતા. આ એલોટમેન્ટ દરમિયાન મેડિકલમાં 1,556 અને ડેન્ટલમાં 667 મળી 2,223 વિદ્યાર્થીઓના નવા એડમિશન થયાં હતા. એ સિવાય 1,473 વિદ્યાર્થીઓના પ્રવેશમાં ફેરફાર થયો હતો. આ બંન્ને મળી 3,696 વિદ્યાર્થીઓને 19 સપ્ટેમ્બર સુધીમાં પ્રવેશ કન્ફર્મ કરવાની મૂદત આપવામાં આવી હતી. આ દરમિયાન મેડિકલમાં 439 અને ડેન્ટલના 272 મળી કુલ 711 વિદ્યાર્થીઓએ પ્રવેશ લેવાનો ઈન્કાર કરતાં આ બેઠકો નોન-રિપોર્ટેડ રહી. એ સિવાય અગાઉ પ્રથમ રાઉન્ડમાં એમબીબીએસમાં પ્રવેશ કન્ફર્મ કરાવી દીધો હોય એવા ત્રણ વિદ્યાર્થીઓએ તેમનો પ્રવેશ રદ કરાવ્યો.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/21/0YpBi7RX9BjnhwXM3kjpSIjj1MmAiyIpZPqpFMzj.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: વડોદરામાં તૈયાર થનારા લશ્કરી વિમાનના પુરવઠા પર GST લાગશે, નોંધણી ફરજિયાત ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-gst-will-be-levied-on-the-supply-of-military-aircraft-to-be-manufactured-in-vadodara-registration-is-mandatory</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-gst-will-be-levied-on-the-supply-of-military-aircraft-to-be-manufactured-in-vadodara-registration-is-mandatory</guid><pubDate>Mon, 21 Sep 2026 02:03:49 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતના વડોદરામાં તૈયાર થનારા સી-295 લશ્કરી વિમાનના પ્રોજેક્ટને લઈને જીએસટી મામલે મહત્વનો ચુકાદો સામે આવ્યો છે. ગુજરાત અગ્રિમ ચુકાદા સત્તામંડળે એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ એસએની પરિયોજના કચેરીને સંરક્ષણ મંત્રાલયને પુરવઠો થનારા 40 સી-295 વિમાન પર ભારતમાં જીએસટી ચૂકવવાની જવાબદારી હોવાનું ઠરાવ્યું છે. સાથે જ આ પુરવઠા માટે ગુજરાતમાં જીએસટી નોંધણી લેવી પડશે તેવું પણ સ્પષ્ટ કર્યું છે.એરબસને સંરક્ષણ મંત્રાલય સાથેના કરાર હેઠળ કુલ 56 સી-295 વિમાન પૂરા પાડવાના છે. તેમાંથી 16 વિમાન સ્પેનથી પૂરા પાડવાના છે, જ્યારે બાકીના 40 વિમાન ભારતમાં તૈયાર થવાના છે. આ 40 વિમાનના ઉત્પાદન માટે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડે વડોદરા, ગુજરાતમાં ઉત્પાદન સુવિધા ઊભી કરી છે. આ સુવિધા ઓક્ટોબર 2024થી સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગઇ છે. એરબસની પરિયોજના કચેરીએ ગુજરાત અગ્રિમ ચુકાદા સત્તામંડળ સમક્ષ બે પ્રશ્નો મૂક્યા હતા.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/21/ycRGBzfTawnew9ukNCvnr26Bj7ZMEpo5MsMOG5Cu.webp'/></item><item><title><![CDATA[Gandhinagar: પુલો, રસ્તા, સરકારી ઈન્ફ્રાની ટેન્ડર પ્રક્રિયાને 90 દિવસમાં પૂર્ણ કરાશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/gandhinagar/gandhinagar-tender-process-for-bridges-roads-government-infrastructure-will-be-completed-within-90-days</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/gandhinagar/gandhinagar-tender-process-for-bridges-roads-government-infrastructure-will-be-completed-within-90-days</guid><pubDate>Mon, 21 Sep 2026 02:00:21 +05:30</pubDate><description><![CDATA[<p>રાજ્યમાં રસ્તા, પુલો અને સરકારી મકાનોની બાંધકામની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના હસ્તકના માર્ગ-મકાન વિભાગમાં ટેન્ડરની પ્રક્રિયા માટે સમયમર્યાદા નિશ્ચિત કરી છે. હાલની વ્યવસ્થામાં ટેન્ડર પ્રક્રિયા 120 દિવસમાં પૂર્ણ થાય છે, જે ટેન્ડર વેલિડિટીનો સમયગાળો 120 દિવસથી ઘટાડીને 90 દિવસ કરવામાં આવી છે. પૂર્વ પાત્રતાની જોગવાઈ નથી એવા સિવાયના ટેન્ડરો માટે જ્યાં ફાઈનાન્સિયલ બીડ હોય ત્યાં ક્ષેત્રીય કચેરીથી સચિવાલય સુધી અને નાણા વિભાગ સુધી ટેન્ડરની પ્રક્રિયા હવે 51 દિવસમાં પૂર્ણ કરવાનું નક્કી કરાયું છે, જ્યારે ઈજારદારોની પૂર્વ પાત્રતાની જોગવાઈ ધરાવતા ટેન્ડરોમાં જ્યાં ટેકનિક્લ અને ફાઈનાન્સિયલ બીડ બન્ને હોય ત્યાં ટેન્ડર પ્રક્રિયા હવે 66 દિવસમાં પૂર્ણ કરવાનું નક્કી કરાયું છે. એવું નક્કી કરાયું છે કે જ્યાં એક થી વધુ ટેન્ડર મળ્યા હોય તેવા કિસ્સામાં વાટાઘાટો કરવાનું ટાળવામાં આળશે અને જો વાટાઘાટો અનિવાર્ય હોય તો એક જ સ્તરે સક્ષમ સત્તાધિકારી કક્ષાએ જ કરવાની રહેશે. જો નિર્ધારિત સમયમર્યાદામાં દરખાસ્તનો નિકાલ ના થાય તો સંબંધિત કક્ષાએ વિલંબના કારણોની નોંધ લઈ જે તે અધિકારીની જવાબદારી નિશ્ચિત કરવામાં આવશે. માર્ગ-મકાન વિભાગનું માનવું છે કે, ટેન્ડર પ્રક્રિયાના આ બધા નવા નિયમોને કારણે રાજ્યમાં રસ્તા, પુલો, સરકારી મકાનો સહિતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સની મંજૂરીની પ્રક્રિયા ઝડપી અને પારદર્શી બનશે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/21/BpTkPIzGE0Pt2ACq3I6ywkG0lQMfNGy7lTnPIvXK.webp'/></item><item><title><![CDATA[Porbandar: હડકાયા શ્વાનનો આતંક : જૂના ફુવારાથી બિરલા હોલ સુધીમાં 20 લોકોને કરડયું ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/porbandar/porbandar-terror-of-rabid-dogs-20-people-bitten-from-old-fountain-to-birla-hall</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/porbandar/porbandar-terror-of-rabid-dogs-20-people-bitten-from-old-fountain-to-birla-hall</guid><pubDate>Mon, 21 Sep 2026 01:27:30 +05:30</pubDate><description><![CDATA[<p>પોરબંદરમાં પાલતુ જર્મન શેર્ફ્ડ શ્વાન હડકાયો થતાં જુના ફુવારાથી લઈને બિરલા હોલ સુધીના વિસ્તારમાં 20 જેટલા લોકોને બચકાં ભરી લેતા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ હડકાયા શ્વાને ગઈકાલે રાત્રે એસ.ટી. ડેપો વિસ્તારમાં 3 લોકોને બચકાં ભર્યા હતા. ત્યારબાદ આજે સવારથી જુના ફુવારા, બિરલા હોલ અને સુરુચિ હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં તેણે રીતસરનો આતંક મચાવ્યો હતો. આ વિસ્તારોમાંથી પસાર થતા વધુ 17 લોકોને તેણે શિકાર બનાવ્યા હતા, જેમાં બે ખાનગી હોસ્પિટલના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. સામાજિક કાર્યકરે આ બનાવની જાણ કરતા મનપાની ટીમે ભારે જહેમત બાદ આ શ્વાનને પાંજરે પૂરવામાં સફ્ળતા મેળવી હતી. શ્વાનના ગળામાં બેલ્ટ હોવાથી તે કોઈનો પાલતુ હોવાનું સ્પષ્ટ થયું છે. તે હડકાયો થવાથી માલિકે તેને છૂટો મૂકી દીધો હશે અથવા તો તે પટ્ટો છોડાવીને ભાગી છૂટયો હોવાનું અનુમાન છે. મનપાની ટીમે હાલ શ્વાનના માલિકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/21/uaSBkN4IY6zhJ1I7HAsQAfPyaWkaLEXyPVhGUdPU.webp'/></item><item><title><![CDATA[India BRICS Export: ભારતનો મોટો ધમાકો, એપ્રિલ-ઓગસ્ટમાં નિકાસ 34% વધી, ચીન બન્યું સૌથી મોટું ખરીદદાર! ]]></title><link>https://sandesh.com/business/news/world/india-brics-export-indias-big-bang-exports-increased-by-34-in-april-august-china-became-the-largest-buyer</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/world/india-brics-export-indias-big-bang-exports-increased-by-34-in-april-august-china-became-the-largest-buyer</guid><pubDate>Sun, 20 Sep 2026 19:53:36 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">જાપાન, ઇટાલી અને દક્ષિણ કોરિયામાં નિકાસમાં પણ વધારો થયો છે. બ્રિક્સ દેશો સાથે ભારતની નિકાસ પહોંચ સતત વધી રહી છે.</p><h2 style="text-align: justify; ">સૌથી મજબૂત ગતિ</h2><p style="text-align: justify; ">ચાલુ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ પાંચ મહિના દરમિયાન, ચીન, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને રશિયામાં ભારતની નિકાસ 34 ટકા વધીને $19.9 બિલિયન થઈ. આ વૃદ્ધિ મુખ્યત્વે ચીનમાં મોકલવામાં આવતા માલમાં 39 ટકાના વધારાને કારણે થઈ હતી. આ ભારતના નિકાસ વિસ્તરણ માટે બ્રિક્સ જૂથના વધતા મહત્વને દર્શાવે છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે જેમ જેમ ભારત બ્રિક્સ જૂથ સાથે તેના જોડાણને ગાઢ બનાવી રહ્યું છે, તેમ તેમ તેના સ્થાપક સભ્યો - ચીન, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને રશિયા તરફથી સૌથી મજબૂત ગતિ આવી રહી છે.</p><h3 style="text-align: justify; ">બ્રિક્સ ભાગીદાર દેશો બન્યા</h3><p style="text-align: justify; ">મૂળ બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થતો હતો. બ્રિક્સનો 2024 માં વિસ્તાર કરવામાં આવ્યો હતો. જેમાં ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સંયુક્ત આરબ અમીરાત અને સાઉદી અરેબિયાનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં 2025 માં ઇન્ડોનેશિયા જોડાયું હતું. વધુમાં, બેલારુસ, બોલિવિયા, કઝાકિસ્તાન, ક્યુબા, મલેશિયા, નાઇજીરીયા, થાઇલેન્ડ, યુગાન્ડા, ઉઝબેકિસ્તાન અને વિયેતનામ ગયા વર્ષે બ્રિક્સ ભાગીદાર દેશો બન્યા છે.&nbsp;</p><h4 style="text-align: justify; ">સરકારે નિકાસ ડેટા જાહેર કર્યો</h4><p style="text-align: justify; ">વાણિજ્ય મંત્રાલયના ડેટા અનુસાર, આ ચાર મુખ્ય બ્રિક્સ અર્થતંત્રોમાં નિકાસ 34 ટકા વધીને એપ્રિલ-ઓગસ્ટ 2025-26 માં $14.9 બિલિયનથી એપ્રિલ-ઓગસ્ટ 2026-27 માં $19.9 બિલિયન થઈ ગઈ છે. ભારતની કુલ નિકાસમાં આ ચાર દેશોનો હિસ્સો ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં વધીને 9.2 ટકા થયો છે, જે 2025-26 ના સમાન સમયગાળામાં 8.1 ટકા હતો. મુખ્ય બ્રિક્સ દેશોમાં, ચીન સૌથી મોટો ફાળો આપનાર તરીકે ઉભરી આવ્યું છે. 2026-27 નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં ચીનમાં ભારતીય નિકાસ 39 ટકા વધીને $9.6 બિલિયન થઈ છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/pakistan-saudi-defense-pact-pakistan-got-trapped-by-signing-a-defense-agreement-with-saudi-arabia-mecca-pact-became-a-bone-in-its-throat" target="_blank">સાઉદી સાથે સંરક્ષણ સમજૂતી કરી ફસાયું પાકિસ્તાન, 'મક્કા પેક્ટ' બન્યું ગળાનું હાડકું</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/AwMj7XegwnCuG2MatK0vrffZlDuOxgrTlnf0dNk6.webp'/></item><item><title><![CDATA[Rahul Gandhi પર ફડણવીસનો કટાક્ષ, કહ્યું- પાર્ટી છોડીને સ્ટેન્ડ-અપ કોમેડિયન બની જાઓ ]]></title><link>https://sandesh.com/india/news/political-news/fadnavis-takes-a-dig-at-rahul-gandhi-says-leave-the-party-and-become-a-stand-up-comedian</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/political-news/fadnavis-takes-a-dig-at-rahul-gandhi-says-leave-the-party-and-become-a-stand-up-comedian</guid><pubDate>Sun, 20 Sep 2026 19:17:47 +05:30</pubDate><description><![CDATA[<p>મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રવિવારે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે કોંગ્રેસ નેતા પાર્ટી છોડીને ‘સ્ટેન્ડ-અપ કોમેડિયન’ બની જાય. ઇન્દોરમાં યોજાયેલા ‘છાત્રોં કી ગૂંજ’ કાર્યક્રમમાં રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કથિત મિમિક્રીને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં ફડણવીસે આ ટિપ્પણી કરી હતી. </p><p><b>રાહુલ ગાંધીને લઈને ફડણવીસે શું કહ્યું?</b></p><p>ફડણવીસે કહ્યું કે રાહુલ ગાંધી જે રીતે મિમિક્રી કરી રહ્યા છે, તે જોતા તેમને પાર્ટી છોડીને ‘સ્ટેન્ડ-અપ કોમેડિયન’ બની જવું જોઈએ. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે રાહુલ ગાંધીના કારણે કોંગ્રેસ ‘બેરોજગાર’ થઈ ગઈ છે, તેથી જો તેઓ કોમેડિયન બનવાનો વિકલ્પ પસંદ કરે તો ઓછામાં ઓછું તેમને કામ તો મળી જશે.&nbsp;</p><p><b>UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જને લઈને પણ વાત</b></p><p>ફડણવીસે કહ્યું કે કેટલાક લોકો ચોક્કસ UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લગાવવાના મુદ્દે ખોટી માહિતી ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મુંબઈમાં પેટ્રોલ પંપ સંચાલકોએ કથિત રીતે કહ્યું છે કે જો સરકાર સુધારેલા ‘મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ’ (MDR)ને પાછો નહીં ખેંચે તો તેઓ 15 ઓક્ટોબરથી ₹2,000થી વધુના UPI પેમેન્ટ સ્વીકારવાનું બંધ કરી દેશે.&nbsp;</p><p><b>UPIથી વેપાર વધ્યો: ફડણવીસ</b></p><p>પેટ્રોલ પંપ સંચાલકોની આ માંગ અંગે ફડણવીસે કહ્યું કે આવું વલણ યોગ્ય નથી, કારણ કે UPIથી તેમના વેપારમાં વધારો થયો છે. તેમણે કહ્યું કે પેટ્રોલ પંપના ટ્રાન્ઝેક્શન હવે વધુ પારદર્શક બન્યા છે અને લોકો પણ મોટા પ્રમાણમાં UPIનો ઉપયોગ કરી રહ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે, આ માટે ખૂબ જ મામૂલી ચાર્જ લગાવવામાં આવ્યો છે.&nbsp;</p><p><b>MDRની ભલામણ અંગે કોંગ્રેસનો પણ ઉલ્લેખ</b></p><p>ફડણવીસે કહ્યું કે MDR લગાવવાની ભલામણ કરનારી સંસદીય સમિતિમાં પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમ અને કોંગ્રેસના અન્ય ત્રણ વરિષ્ઠ નેતાઓ સામેલ હતા. તેમણે કહ્યું કે સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ ચાર્જ દરેક ટ્રાન્ઝેક્શન પર લાગુ નહીં થાય, પરંતુ માત્ર નક્કી કરાયેલા ચોક્કસ ટ્રાન્ઝેક્શન પર લાગુ થશે.  ફડણવીસે કહ્યું કે વેપારને પ્રોત્સાહન આપવા અને ભ્રષ્ટાચાર ઘટાડવામાં UPI તથા ડિજિટલ ટ્રાન્ઝેક્શનની મહત્વની ભૂમિકા રહી છે. તેમણે કહ્યું કે ખર્ચની ભરપાઈ માટે મામૂલી ચાર્જ લગાવવો યોગ્ય છે અને પેટ્રોલ પંપ માલિકો તથા વેપારીઓએ તેનો વિરોધ ન કરવો જોઈએ.</p><p><b><a href="https://sandesh.com/india/news/pm-modi-mimicry-video-row-bjp-slams-congress-rahul-gandhi" target="_blank">આ પણ વાંચો: Rahul Gandhiના મિમિક્રી વીડિયો પર BJP લાલઘૂમ, વૃદ્ધ માતાની મજાક... !</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/36hlkNQ9am2TvT1LEXPKkgbhiUaWV769XxXRX2Nk.webp'/></item><item><title><![CDATA[India Weather Update: કચ્છ-રાજસ્થાનથી મોન્સૂનની વિદાય, બંગાળની ખાડીમાં ભયાનક વાવાઝોડાનું સંકટ ]]></title><link>https://sandesh.com/india/news/monsoon-2026/india-weather-update-monsoon-leaves-kutch-rajasthan-threat-of-severe-cyclone-in-bay-of-bengal-1</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/monsoon-2026/india-weather-update-monsoon-leaves-kutch-rajasthan-threat-of-severe-cyclone-in-bay-of-bengal-1</guid><pubDate>Sun, 20 Sep 2026 19:17:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આગામી ત્રણથી ચાર દિવસમાં, વરસાદ રાજસ્થાન, પંજાબ અને કચ્છમાં પોતાનું રોદ્ર સ્વરૂપ દર્શાવશે.</p><h2 style="text-align: justify; ">વરસાદનું નવુ સ્વરૂપ&nbsp;</h2><p style="text-align: justify; ">ચોમાસું હવે વિદાય લેવા જઈ રહ્યું છે. આ વખતે દ્રશ્ય ખૂબ જ નાટકીય છે, કારણ કે ચોમાસું રાજસ્થાનના રામગઢ, મોહગઢ, ફલોદી અને ખજુવાલા જેવા વિસ્તારોમાંથી ભરાઈ ગયું છે. આ વિસ્તારો સંપૂર્ણપણે ઉજ્જડ અને વરસાદથી વંચિત બનવાના છે. તીવ્ર, સળગતા સૂર્યના ફ્લેશબેક પાછા આવશે, જાણે ચોમાસુ આપણા જીવનમાં ક્યારેય આવ્યું જ ન હોય. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી ત્રણથી ચાર દિવસમાં રાજસ્થાન, પંજાબ અને કચ્છ-સૌરાષ્ટ્રના કેટલાક અન્ય વિસ્તારોમાં ચોમાસાના પાછા ફરવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે.</p><h3 style="text-align: justify; ">મોટા રોમાંચક ફેરફારની આશા&nbsp;</h3><p style="text-align: justify; ">બંગાળની ખાડીમાં વિકસિત થતી નવી હવામાન પ્રણાલી હવે એક મોટા ખતરાના સંકેત આપી રહી છે. આંદામાન સમુદ્રમાંથી ઉદ્ભવતો આ નીચા દબાણનો વિસ્તાર ધીમે ધીમે તીવ્ર બની રહ્યો છે અને ડિપ્રેશન અને ઊંડા ડિપ્રેશનમાં ફેરવાઈ રહ્યો છે. આ ખતરનાક ચક્રવાતી પ્રવૃત્તિ મુખ્યત્વે ઓડિશા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા દરિયાકાંઠાના રાજ્યોને અસર કરે તેવી અપેક્ષા છે, જ્યાં આગામી થોડા દિવસોમાં ભારે વરસાદ પડી શકે છે. ભયાનક મોજા અને જોરદાર પવન એ સ્પષ્ટ સંકેત છે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં શાંતિનો આ સમયગાળો ટૂંક સમયમાં એક મોટા રોમાંચકમાં ફેરવાવાનો છે.</p><h4 style="text-align: justify; ">દિલ્હીમાં બદલાયુ હવામાન&nbsp;</h4><p style="text-align: justify; ">દિલ્હી-એનસીઆરમાં આ દિવસોમાં હવામાન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે, લોકો તેજસ્વી સૂર્યપ્રકાશ અને સુસ્ત ચોમાસા વચ્ચે ઉચ્ચ ભેજને કારણે ભેજવાળી, ચીકણી ગરમીથી પીડાઈ રહ્યા છે. આવતીકાલે, દિલ્હી અને ફરીદાબાદ જેવા શહેરોમાં મોટાભાગે સ્વચ્છ આકાશ અને તીવ્ર સૂર્યપ્રકાશનો અનુભવ થશે, તાપમાન 34°C સુધી પહોંચવાની અને હળવા પવનો આવવાની ધારણા છે. ગુરુગ્રામ અને નોઈડામાં પણ ભેજનું પ્રમાણ વધુ રહેશે.</p><h5 style="text-align: justify; ">મહારાષ્ટ્રમાં ચોમાસું યથાવત્&nbsp;</h5><p style="text-align: justify; ">મહારાષ્ટ્રમાં ચોમાસાને સંપૂર્ણ સમર્થન આપવામાં આવ્યું છે અને ચોમાસાના પ્રવાહને કારણે કોંકણ કિનારે અને મુંબઈની આસપાસ ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. દરમિયાન, વિદર્ભ અને મરાઠવાડાના કેટલાક વિસ્તારોમાં તેજસ્વી સૂર્યપ્રકાશ અને ભેજ વચ્ચે અચાનક વાવાઝોડા સાથે મુશળધાર વરસાદ પડી રહ્યો છે. આ હવામાન વિક્ષેપ વચ્ચે, ચોમાસાના પ્રવાહના પ્રભાવને કારણે આવતીકાલે મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની ધારણા છે, જેના કારણે પાણી ભરાઈ શકે છે. પુણે વાદળછાયું રહેશે અને શહેરના ઘાટ વિસ્તારોમાં ભારે વરસાદની અપેક્ષા છે.&nbsp;</p><h6 style="text-align: justify; ">બિહારમાં ચોમાસાની પ્રવૃત્તિ ધીમી&nbsp;</h6><p style="text-align: justify; ">બિહારના મોટાભાગના જિલ્લાઓમાં ચોમાસાની પ્રવૃત્તિ થોડી ધીમી પડી ગઈ છે, જેના કારણે વાદળછાયા વાતાવરણ વચ્ચે તીવ્ર સૂર્યપ્રકાશ જોવા મળી રહ્યો છે. સૂર્યપ્રકાશના કારણે ભારે ભેજનું પ્રમાણ સર્જાયું છે, જેના કારણે લોકો ગરમીથી પીડાઈ રહ્યા છે. જોકે, સાંજે વાવાઝોડા સાથે હળવો વરસાદ રાજ્યના કેટલાક ભાગોમાં રાહત આપી રહ્યો છે. તેવી જ રીતે, પટણામાં આવતીકાલે તેજસ્વી સૂર્યપ્રકાશ સાથે સ્વચ્છ આકાશ રહેશે, ઉચ્ચ ભેજને કારણે બપોરે ભેજવાળી, ભેજવાળી ગરમી પડશે.&nbsp;</p><h2 style="text-align: justify; ">ઉત્તર પ્રદેશમાં વરસાદ થયો ધીમો</h2><p style="text-align: justify; ">ચોમાસાની ખાડી દક્ષિણ તરફ જવાને કારણે ઉત્તર પ્રદેશમાં વરસાદ ધીમો પડી ગયો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં દિવસ દરમિયાન તેજસ્વી સૂર્યપ્રકાશનો અનુભવ થઈ રહ્યો છે, અને ઉચ્ચ ભેજને કારણે ભેજમાં નોંધપાત્ર વધારો થયો છે. લોકો આગામી સક્રિય ચોમાસાની પ્રવૃત્તિ અને થોડી રાહતના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સંદર્ભમાં, લખનૌમાં આવતીકાલે મોટાભાગે સ્વચ્છ આકાશ રહેશે, તેજસ્વી સૂર્યપ્રકાશ સાથે, અને ઉચ્ચ ભેજ ભેજવાળી ગરમીનું મોજું લાવશે. કાનપુરમાં દિવસ દરમિયાન તીવ્ર સૂર્યપ્રકાશ અનુભવાશે, તાપમાન સામાન્ય કરતા થોડું વધારે રહેવાની ધારણા છે, જેના કારણે ગરમીનો અનુભવ થશે.&nbsp;</p><h3 style="text-align: justify; ">ઉત્તરીય ભાગોમાં ચોમાસાની વિદાય&nbsp;</h3><p style="text-align: justify; ">રાજસ્થાનના પશ્ચિમ અને ઉત્તરીય ભાગોમાં ચોમાસાની વિદાય પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આકાશ સ્વચ્છ થઈ રહ્યું છે, જેના કારણે રણ પ્રદેશમાં તીવ્ર સૂર્યપ્રકાશ આવી રહ્યો છે. દિવસ દરમિયાન તીવ્ર સૂર્યપ્રકાશ અને ગરમીની અસરો સ્પષ્ટપણે અનુભવી શકાય છે, જ્યારે રાત્રે હળવા ઠંડા પવનો હવામાનમાં ફેરફાર કરી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે, આવતીકાલે, જયપુરમાં સ્વચ્છ આકાશ, તેજસ્વી સૂર્યપ્રકાશ અને દિવસ દરમિયાન હળવી ગરમી અને ભેજનો અનુભવ થશે. રણના પ્રભાવને કારણે જોધપુરમાં તીવ્ર સૂર્યપ્રકાશનો અનુભવ થશે, જોકે રાત્રિ પડતાં ઠંડી પવનો રાહત લાવશે.&nbsp;</p><h4 style="text-align: justify; ">અમુક વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ&nbsp;</h4><p style="text-align: justify; ">મધ્યપ્રદેશ ઉપરથી પસાર થતી ચોમાસાની ખાઈ રાજ્યના ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ ધરાવે છે. પૂર્વી અને દક્ષિણ મધ્યપ્રદેશના જિલ્લાઓમાં ભારે વરસાદ ચાલુ છે, જેના કારણે ભેજવાળી ગરમીમાં નોંધપાત્ર રાહત મળી રહી છે, અને નદીઓ અને નાળાઓમાં પાણી ભરાઈ રહ્યા છે. આ પ્રભાવ હેઠળ, ભોપાલ આવતીકાલે વાદળછાયું રહેશે, જેમાં થોડા થોડા સમયે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ઇન્દોરમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે, સાંજે થોડા તડકાની શક્યતા છે.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ&nbsp;</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/IfiXR1K5o0ZjHD64nN7zLWrDkjmtFk2fEPSPohh8.webp'/></item><item><title><![CDATA[Sachin Tendulkar Fan: સચિનનું મંદિર બનાવનાર ગુજરાતનો આ ચાહક કોણ?, તેંડુલકરે પણ લખી છે ચિઠ્ઠી ]]></title><link>https://sandesh.com/gujarat/news/sports/dahegam/sachin-tendulkar-temple-kadjodra-gujarat-superfan-arvindsinh-zala</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/sports/dahegam/sachin-tendulkar-temple-kadjodra-gujarat-superfan-arvindsinh-zala</guid><pubDate>Sun, 20 Sep 2026 18:48:51 +05:30</pubDate><description><![CDATA[<p>Sachin Tendulkar Fan: ક્રિકેટની દુનિયામાં અનેક ખેલાડીઓના કરોડો ચાહકો છે, પરંતુ કેટલાક ચાહકોની દીવાનગી અને લાગણી તેમને અન્ય લોકોથી અલગ બનાવે છે. આવા જ એક ચાહક છે ગાંધીનગર જિલ્લાના કડજોદરાના વતની અરવિંદસિંહ ઝાલા જેમની ભક્તિ માત્ર ક્રિકેટ સુધી સીમિત નથી. અરવિંદસિંહ ઝાલા સચિન તેંડુલકરને ભગવાન સમાન માને છે અને તેમના માટે મંદિર બનાવી સવાર-સાંજ પૂજા કરે છે. તેમના ઘર, દુકાન અને વાહનોમાં સચિન તેંડુલકરની તસવીરો જોવા મળે છે.</p><p><a href="https://youtu.be/Wcjegb6kcAE?si=ptwfu_UMPlyqCtpV" target="_blank">https://youtu.be/Wcjegb6kcAE?si=ptwfu_UMPlyqCtpV</a></p><p><b>1991થી સચિન તેંડુલકર પ્રત્યે ચાહના</b></p><p>અરવિંદસિંહ ઝાલા જણાવે છે કે તેઓ વર્ષ 1991થી સચિન તેંડુલકરના ચાહક છે. વર્ષ 2001થી તેમણે સચિન તેંડુલકરને ભગવાન તરીકે માનવાનું શરૂ કર્યું. આજે પણ તેમના ઘર અને દુકાનમાં સચિન તેંડુલકરની તસવીરો લગાવેલી છે. તેઓ દરરોજ સચિન તેંડુલકરની પૂજા-અર્ચના કરે છે. તેમના પરિવારના સભ્યો પણ તેમની આ શ્રદ્ધાને સહકાર આપે છે. અરવિંદસિંહ માટે સચિન તેંડુલકર માત્ર ક્રિકેટર નહીં, પરંતુ ભગવાન સમાન છે.</p><p><b>16 વર્ષની ઉંમરે સચિન તેંડુલકરે દિલમાં જગ્યા બનાવી</b></p><p>અરવિંદસિંહ ઝાલા કહે છે કે જ્યારે તેઓ 16 વર્ષના હતા ત્યારે તેમના ગામમાં ટીવી નહોતું. તેથી તેઓ શહેરમાં રહેતા સગા-સંબંધીઓના ઘરે ક્રિકેટ મેચ જોવા જતા હતા. તે સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચે પેશાવરમાં રમાયેલી મેચ દરમિયાન સચિન તેંડુલકરની બેટિંગે તેમના દિલમાં ખાસ જગ્યા બનાવી હતી. ત્યારથી સચિન તેંડુલકર પ્રત્યે તેમની ચાહના સતત વધતી ગઈ અને તેઓ સચિન તેંડુલકરના મોટા ચાહક બની ગયા.</p><p><img alt="Sachin tendulkar " src="https://epapercdn.sandesh.com/images/2026/09/20/K6kd565m5zsGIGvjXShDAuulv9l5mdmn5h9IeEfD.webp"><br></p><p><b>ઘર અને દુકાનમાં સચિન તેંડુલકરનું મંદિર</b></p><p>અરવિંદસિંહ ઝાલાના જણાવ્યા પ્રમાણે, તેમના ઘર અને દુકાન બંને જગ્યાએ સચિન તેંડુલકરનું મંદિર છે. તેઓ સવાર અને સાંજે અગરબત્તી અને દીવો કરીને સચિન તેંડુલકરની ભગવાનની જેમ પૂજા કરે છે. તેઓ કહે છે કે કોઈપણ તહેવાર હોય ત્યારે પણ સચિન તેંડુલકરના નામે સેવાકીય કાર્યો કરવાની તેમની પરંપરા છે. સચિન તેંડુલકરની પ્રેરણાથી જ તેઓ જીવનમાં આગળ આવ્યા હોવાનું પણ તેઓ માને છે.</p><p><img alt="Sachin tendulkar " src="https://epapercdn.sandesh.com/images/2026/09/20/MtTgopyJ5zgNqFJ7Mmq25qMUAn2u7znFpoqm8nx7.webp"><br></p><p><b>લોકો મજાક કરતા તો શ્રદ્ધા વધુ વધી</b></p><p>સચિન તેંડુલકરની પૂજા શરૂ કરી ત્યારે કેટલાક લોકો અને સગા-સંબંધીઓ તેમની મજાક ઉડાવતા હતા. લોકો કહેતા કે સચિન તેંડુલકર ભગવાન નથી, તેઓ તો ક્રિકેટર છે. અરવિંદસિંહ ઝાલા કહે છે કે તેઓ લોકોને જવાબ આપતા કે મનુષ્યમાં પણ દેવત્વ હોઈ શકે છે. જેમ લોકો પથ્થરની મૂર્તિની પૂજા કરે છે, તેમ તેમના માટે સચિન તેંડુલકર મનુષ્યરૂપે ભગવાન સમાન છે. તેમના જણાવ્યા પ્રમાણે, લોકોની ટીકાથી તેમની શ્રદ્ધા ઓછી થવાને બદલે સચિન તેંડુલકર પ્રત્યેનું માન-સન્માન વધુ વધ્યું.</p><p><b>દુકાનમાં પણ સચિન તેંડુલકરની પૂજા/અગરબતી&nbsp;</b></p><p>અરવિંદસિંહ ઝાલા પોતાની દુકાનમાં પણ સચિન તેંડુલકરની પૂજા કરે છે. અહીં આવતા કેટલાક લોકો તેમની મજાક કરતા હોવાનું તેઓ જણાવે છે. જોકે સચિન તેંડુલકર વિશે સારું બોલનારા ગ્રાહકો પ્રત્યે તેઓ ખાસ લાગણી ધરાવે છે. અરવિંદસિંહ જણાવે છે કે તેઓ આવા લોકોને ઘણી વખત મફતમાં નાસ્તો પણ કરાવે છે. તેમના પરિવારના તમામ સભ્યો પણ સચિન તેંડુલકરને ભગવાન તરીકે માનવાની આ પરંપરામાં તેમને સહકાર આપે છે.</p><p><img alt="Sachin tendulkar " src="https://epapercdn.sandesh.com/images/2026/09/20/qP9VcY2XcXlPDgQD1Gn5rBROzIXTwA1YHZghlFHA.webp"><br></p><p><b>ઘરના દરેક રૂમમાં સચિન તેંડુલકરની તસવીરો</b></p><p>અરવિંદસિંહ ઝાલાના ઘરના દરેક રૂમ અને ઓસરીમાં સચિન તેંડુલકરની તસવીરો લગાવવામાં આવી છે. સચિન તેંડુલકરે સદી ફટકારી હોય અથવા વર્લ્ડ કપ જીત્યો હોય તેવી અનેક યાદગાર તસવીરો તેમણે સાચવી રાખી છે. તેમની પાસે સચિન તેંડુલકરની તસવીરોના આલ્બમ, ડાયરી અને તસવીરવાળી ઘડિયાળો પણ છે. તેમના ટુ-વ્હીલર અને કારમાં પણ સચિન તેંડુલકરની તસવીરો છે. નાસ્તાની દુકાનની અંદર અને બહાર પણ સચિન તેંડુલકરના ફોટા અને પોસ્ટરો લગાવેલા છે.</p><p><img alt="Sachin tendulkar " src="https://epapercdn.sandesh.com/images/2026/09/20/ZmXtugGvFupNS680P58nb61aBcJtAreQDhfeC5s3.webp"><br></p><p><b>અખબારી કટિંગથી લઈને સચિન તેંડુલકરના નામવાળું ટી-શર્ટ</b></p><p>અરવિંદસિંહ ઝાલાએ સચિન તેંડુલકરની મેચોના અખબારમાં આવેલા કટિંગ પણ સાચવીને ફાઇલ બનાવી છે. મેચ જોવા ગયા ત્યારે ખરીદેલું સચિન તેંડુલકરના નામવાળું ટી-શર્ટ પણ તેમણે આજે સુધી સાચવી રાખ્યું છે. સચિન તેંડુલકરની તસવીરોનો અલગ આલ્બમ પણ તેમણે તૈયાર કર્યો છે. તેમના માટે આ તમામ વસ્તુઓ માત્ર સંગ્રહ નથી, પરંતુ સચિન તેંડુલકર સાથે જોડાયેલી લાગણીઓ અને યાદો છે.</p><p><b>સચિન તેંડુલકરને રૂબરૂ મળ્યા નથી, બે પત્ર મળ્યા</b></p><p>અરવિંદસિંહ ઝાલા હજુ સુધી સચિન તેંડુલકરને રૂબરૂ મળ્યા નથી. જોકે તેમના જણાવ્યા પ્રમાણે સચિન તેંડુલકરે તેમને વર્ષ 2019 અને 2022માં બે પત્ર લખ્યા હતા. આ પત્રોમાં સચિન તેંડુલકરે તેમને શુભકામનાઓ પાઠવી હતી. અરવિંદસિંહના જણાવ્યા પ્રમાણે, સચિન તેંડુલકરે નિવૃત્તિ બાદ અન્ય કામોમાં વ્યસ્ત હોવાના કારણે હાલમાં મળી શકાય તેમ ન હોવાનું જણાવ્યું હતું અને સમય મળશે ત્યારે ચોક્કસ મળવાની વાત કરી હતી.</p><p><img alt="WhatsApp Image 2026-09-20 at 6.14.12 PM" src="https://epapercdn.sandesh.com/images/2026/09/20/V05M2sniEy875S7G5pt7WAcILfW4a9eVc6ee4qgH.webp"><br></p><p><b>સચિન તેંડુલકરના બંગલા પર 3-4 વખત ગયા</b></p><p>સચિન તેંડુલકરને મળવાની ઈચ્છા સાથે અરવિંદસિંહ ઝાલા ત્રણથી ચાર વખત મુંબઈમાં તેમના બંગલા પર ગયા છે. તેમણે સિક્યુરિટીને લેખિતમાં રજૂઆત કરીને સચિન તેંડુલકરને મળવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. અરવિંદસિંહ કહે છે કે સચિન તેંડુલકર ઘરે હાજર ન હોય તો પણ તેઓ નિરાશ થતા નથી. તેમના માટે સચિન તેંડુલકરનું ઘર પણ મંદિર સમાન છે. તેથી તેઓ ત્યાં દર્શન કરીને પરત આવે છે.</p><p><b>સચિન તેંડુલકરના જન્મદિવસે સેવાકીય કાર્યો</b></p><p>સચિન તેંડુલકરના જન્મદિવસની ઉજવણી પણ અરવિંદસિંહ ઝાલા અલગ રીતે કરે છે. તેઓ જન્મદિવસે સેવાકીય કાર્યો કરે છે. ગામના યુવા ક્રિકેટરોની ટીમને બેટનું વિતરણ કરીને પણ સચિન તેંડુલકરનો જન્મદિવસ ઉજવે છે. અરવિંદસિંહના જણાવ્યા પ્રમાણે, સચિન તેંડુલકરના 50મા જન્મદિવસની ઉજવણી દરમિયાન ગામની 350 વિધવા મહિલાઓને સચિન તેંડુલકરની તસવીરવાળી ઘડિયાળ અને સાડી આપવામાં આવી હતી. જન્મદિવસની ઉજવણીમાં તેમના ધારાસભ્ય પણ ઉપસ્થિત રહેતા હોવાનું તેઓ જણાવે છે.</p><p><img alt="WhatsApp Image 2026-09-20 at 6.15.51 PM (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/20/qfcG6hAozsOfkXfZJZVL7glXlLRv5ls7tq7aMU1m.webp"><br></p><p><b>સચિન તેંડુલકરને લખેલા પત્રમાં શું કહ્યું?</b></p><p>અરવિંદસિંહ ઝાલાએ સચિન તેંડુલકરને લખેલા પત્રમાં પોતાની અને પરિવારની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું હતું કે તેઓ અને તેમનો પરિવાર સચિન તેંડુલકરને ભગવાન તરીકે માને છે અને તેમના પ્રત્યક્ષ દર્શન કરવા માંગે છે. અરવિંદસિંહ કહે છે કે સચિન તેંડુલકર તેમને માત્ર 2થી 5 મિનિટનો સમય આપે અને તેમની સાથે મુલાકાત કરે તો પણ તે તેમના જીવનનું મોટું અહોભાગ્ય હશે.</p><p><b>'જય ભારત, જય સચિન' સાથે 34 હજારથી વધુ રન લખ્યા</b></p><p>અરવિંદસિંહ ઝાલા સચિન તેંડુલકરની ક્રિકેટ કારકિર્દી સાથે જોડાયેલી એક અનોખી વસ્તુ પણ કરે છે. તેમના જણાવ્યા પ્રમાણે, સચિન તેંડુલકરે ટેસ્ટ અને વન-ડે ક્રિકેટમાં બનાવેલા 34 હજારથી વધુ રનને 'જય ભારત, જય સચિન' સાથે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં લખ્યા છે. તેઓ આજે પણ આ લખાણ પોતાની મંત્ર બુકમાં લખે છે.</p><p><img alt="Sachin tendulkar " src="https://epapercdn.sandesh.com/images/2026/09/20/1OAHH6olDmsk35jZKwPeDzInpSBUN1DaiegViAGE.webp"><br></p><p><b>2011નો વર્લ્ડ કપ આજે પણ યાદ છે</b></p><p>2011નો વર્લ્ડ કપ અરવિંદસિંહ ઝાલા માટે સચિન તેંડુલકર સાથે જોડાયેલી સૌથી લાગણીસભર યાદોમાંથી એક છે. ભારતે વર્લ્ડ કપ જીત્યો ત્યારે તેમની આંખોમાં હરખના આંસુ આવી ગયા હતા. તેમણે તે સમયે સચિન તેંડુલકર સાથે જોડાયેલા લગભગ 3 હજાર પોસ્ટર પણ છપાવ્યા હતા. સચિન તેંડુલકરે 2013માં નિવૃત્તિ લીધી ત્યારે શંકરસિંહ વાઘેલાના હસ્તે નિવૃત્તિ કાર્યક્રમ યોજાયો હોવાનું પણ તેઓ જણાવે છે.</p><p><b>સચિન તેંડુલકરની 200મી સદી સાથે જોડાયેલો સિલ્વર કૉઇન</b></p><p>અરવિંદસિંહ ઝાલા જણાવે છે કે સચિન તેંડુલકર જે ક્રિસોટલ ઓઇલની જાહેરાતમાં જોવા મળ્યા હતા, ત્યાંના માલિકે તેમને સચિન તેંડુલકરની 200મી સદી સાથે જોડાયેલો સિલ્વર કૉઇન ભેટમાં આપ્યો હતો. આ સિક્કો તેમના માટે ખાસ છે. તેઓ દરરોજ તેના દર્શન કરીને પોતાના કામે જતા હોવાનું જણાવે છે.</p><p><img alt="Sachin tendulkar " src="https://epapercdn.sandesh.com/images/2026/09/20/aDBQ6Jpft6QN6lyLA3AFdKhNOdnTOcjpvWSp9Uey.webp"><br></p><p><b>સચિન તેંડુલકરની પ્રેરણાથી લોકોને મદદ કરવાનો સંકલ્પ</b></p><p>અરવિંદસિંહ ઝાલા માને છે કે સચિન તેંડુલકરની પ્રેરણાથી તેઓ જીવનમાં આગળ આવ્યા છે. સચિન તેંડુલકરને ભગવાન તરીકે માનતા હોવાથી કોઈ ખોટું કામ ન કરવું અને લોકોને મદદરૂપ થવું તેવો તેમનો સંકલ્પ છે. ગામમાં કોઈ યુવાન ક્રિકેટર બનવા માગતો હોય તો તેને પણ મદદ કરવાની તેઓ વાત કરે છે.</p><p><b>ભવિષ્યમાં સચિન તેંડુલકરનું મ્યુઝિયમ બનાવવાનું સપનું</b></p><p>અરવિંદસિંહ ઝાલાનું ભવિષ્યનું એક મોટું સપનું પોતાના ઘરમાં સચિન તેંડુલકર માટે અલગ મ્યુઝિયમ બનાવવાનું છે. મકાનના રિનોવેશન દરમિયાન એક અલગ જગ્યા બનાવી તેમાં સચિન તેંડુલકર સાથે જોડાયેલી તસવીરો, પોસ્ટર, અખબારી કટિંગ અને અન્ય વસ્તુઓ સાચવવાની તેમની ઈચ્છા છે. તેઓ ઈચ્છે છે કે આ મ્યુઝિયમના માધ્યમથી લોકો સચિન તેંડુલકરની ક્રિકેટ કારકિર્દી અને તેમના જીવન વિશે જાણી શકે.</p><p><img alt="Sachin tendulkar " src="https://epapercdn.sandesh.com/images/2026/09/20/NaTtDQBhJ6QQDwmXEaLkSzU2OpGeRplCv57K5rKL.webp"><br></p><p><b>સચિન તેંડુલકર જ મારા ભગવાન છે</b></p><p>અરવિંદસિંહ ઝાલા કહે છે કે સચિન તેંડુલકર પ્રત્યેની તેમની શ્રદ્ધા જીવનભર રહેશે. તેઓ સચિન તેંડુલકરની પૂજા કરતા રહેશે અને તેમની પ્રેરણાથી લોકોની મદદ કરતા રહેવાનો સંકલ્પ ધરાવે છે. તેમના શબ્દોમાં, "સચિન તેંડુલકર જ મારા ભગવાન છે. Sachin Is My God. અમે કાયમ માટે સચિન તેંડુલકરની પૂજા કરતા રહીશું."</p><p><b><a href="https://sandesh.com/cricket/news/despite-being-away-from-the-field-sachin-tendulkars-magic-remains-intact-in-the-market-brand-value-crosses-rs-1200-crore" target="_blank">આ પણ વાંચો: મેદાનથી દૂર છતાં માર્કેટમાં સચિન તેંડુલકરનો જાદુ અકબંધ, 1200 કરોડને પાર પહોંચી બ્રાન્ડ વેલ્યુ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/rh9apfGLsGO8yzf8j6QHGxvmJjI3RiamAzhbU4T7.webp'/></item><item><title><![CDATA[Shah Rukh Khanની કિંગમાં થઈ હનુમાન અંશ એક્ટરની એન્ટ્રી, ક્યારેક દૂરદર્શનની સીરિયલ્સમાં કરતો હતો કામ ]]></title><link>https://sandesh.com/entertainment/news/shah-rukh-khan-king-hanuman-ansh-actor</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/shah-rukh-khan-king-hanuman-ansh-actor</guid><pubDate>Sun, 20 Sep 2026 17:15:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુપરસ્ટાર શાહરૂખ ખાનની આગામી ફિલ્મ કિંગમાં તમને હનુમાન અંશનો એક એક્ટર પણ જોવા મળશે. અત્યારે થિયેટરોમાં ફિલ્મ હનુમાન અંશ દર્શકોનું ભરપૂર મનોરંજન કરી રહી છે. નીમ કરોલી બાબાની બાયોપિક આ ફિલ્મની સ્ટોરી અને કાસ્ટની કમાલની એક્ટિંગના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે. હવે સમાચાર આવી રહ્યા છે કે હનુમાન અંશના એક એક્ટરને શાહરૂખ ખાનની આગામી ફિલ્મ કિંગ મળી ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>હનુમાન અંશના કલાકારની કિંગમાં એન્ટ્રી</b></h2><p style="text-align: justify; ">જાણો કે હનુમાન અંશનો તે કયો કલાકાર છે જે આવનારા સમયમાં શાહરૂખની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ કિંગમાં પોતાના દમદાર અભિનયની છાપ છોડતો જોવા મળશે. લાંબા સમયથી શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ કિંગની ચર્ચા ચાલી રહી છે. પઠાન અને વોર જેવી સફળ ફિલ્મો બનાવનાર ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદના ડિરેક્શનમાં બનેલી કિંગની કાસ્ટને લઈને હવે લેટેસ્ટ અપડેટ સામે આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>ચંદન આનંદે પોતે કરી પુષ્ટિ</b></h2><p style="text-align: justify; ">હનુમાન અંશ ફિલ્મમાં ડોક્ટર રામ નંદન ભોસલેનું પાત્ર ભજવનાર એક્ટર ચંદન કે. આનંદે હાલમાં જ દૈનિક જાગરણ સાથેની વાતચીતમાં આ વાતની પુષ્ટિ કરી છે કે તે કિંગ ફિલ્મનો હિસ્સો બની ગયો છે. ચંદને જણાવ્યું કે હનુમાન અંશ ફિલ્મ પછી મને ઘણા મોટા પ્રોજેક્ટ મળ્યા છે, જેમાં સુપરસ્ટાર શાહરૂખ ખાનની ચર્ચિત ફિલ્મ કિંગનું નામ પણ સામેલ છે. આ ફિલ્મમાં તમે મને એક મહત્વના પાત્રમાં જોશો.<br><img alt="Shah Rukh Khan King movie cast (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/20/SKhkzVq1VBtZvKOVwp5nKzf7SRCoxQfJ0PX9Ppyv.webp"><br></p><h4 style="text-align: justify; "><b>મોટા સુપરસ્ટાર્સ સાથે ચમકી કિસ્મત</b></h4><p style="text-align: justify; ">ચંદન કે. આનંદના આ નિવેદન પછી સ્પષ્ટ થઈ ગયું છે કે હનુમાન અંશની સફળતાથી તેનું નસીબ ચમકી ગયું છે અને એક્ટર તરીકે આવનારા સમયમાં તે શાહરૂખ જેવા મોટા સુપરસ્ટાર્સ સાથે કામ કરતો જોવા મળશે. આ પહેલાં ચંદન સુપરસ્ટાર રિતિક રોશન અને અનિલ કપૂર સાથે ફાઈટર ફિલ્મમાં સ્ક્રીન શેર કરી ચૂક્યો છે. આટલું જ નહીં, એક્ટર તરીકે ચંદન આનંદે 1 દાયકા સુધી દુરદર્શન ટીવી ચેનલના જબ જબ બહાર આયે અને ધર્મક્ષેત્ર જેવા ઘણા ટીવી સિરિયલ્સમાં કામ કર્યું છે.</p><h5 style="text-align: justify; "><b>કિંગ ફિલ્મની સ્ટાર કાસ્ટ અને રિલીઝ</b></h5><p style="text-align: justify; ">શાહરૂખ ખાનની આગામી ફિલ્મ કિંગની કાસ્ટની વાત કરીએ તો ચંદન આનંદ સિવાય આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, સુહાના ખાન, રાઘવ જુયાલ, અનિલ કપૂર, જેકી શ્રોફ, જયદીપ અહલાવત અને સૌરભ શુક્લા જેવા કલાકારો મહત્વના રોલમાં જોવા મળશે. કિંગ ફિલ્મ 24 ડિસેમ્બર 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/toxic-highest-grossing-south-film-2026" target="_blank">આ પણ વાંચો-KGF Star Yash : ફ્લોપ થવા છતાં ટોક્સિકનો રેકોર્ડ, બની 2026ની હાઇએસ્ટ ગ્રોસિંગ સાઉથ ફિલ્મ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/RPolsmEeQmA6SFidx99e4npdBKrhXpxg9OezV8yT.webp'/></item></channel></rss>