<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[ડભોઇ ખાતે ખાટુ શ્યામજી મંદિરે સુવર્ણ આભૂષણો અર્પણ કરાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/golden-ornaments-were-offered-at-khatu-shyamji-temple-in-dabhoi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/golden-ornaments-were-offered-at-khatu-shyamji-temple-in-dabhoi</guid><pubDate>Tue, 01 Sep 2026 05:41:27 +05:30</pubDate><description><![CDATA[<p>ડભોઈ ખાતે શ્રી શ્યામ ખાટું શ્યામ મંદિરે શ્રી ખાટું શ્યામજી ભગવાનને સોનાના ઢોળ ચડાવેલા (ગોલ્ડ પ્લેટેડ) વિશેષ આભૂષણો વાજતે-ગાજતે અર્પણ કરાયા હતા.</p><p>મુંબઈના જાણીતા દાતા મહેશ શાહ તથા દિલ્હીના ઉદ્યોગપતિ સંજય મિત્તલના વિશેષ આર્થિક સહયોગ અને સેવાભાવથી સંપન્ન થયું હતું. ગરબા અને ભજન-કીર્તન સાથે ભવ્ય ઉજવણી મંદિરમાં આભૂષણ અર્પણવિધિમાં સમગ્ર પરિસર હારે કા સહારા, બાબા શ્યામ હમારાના જયઘોષથી ગૂંજી ઊઠયું હતું. ભાવિક ભક્તો ઢોલ- નગારાના તાલે નાચતા-ગાતા અને ગરબા રમતા બાબાના શ્રુંગારના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યાં હતા.</p><p>જે પ્રસંગે દાતા મહેશ શાહનો સમગ્ર પરિવાર, તેમના વેવાઈ મિલન અને ભુપેન્દ્ર ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદ સોલંકી સહિત મંદિર સમિતિના અગ્રણી અને કાર્યકરો જોડાયા હતા. જેમાં મહેન્દ્ર રાઠોડ, દીપક સોલંકી, પ્રકાશ વસાવા, શૈલેષ શાહ, હરેશ પટેલ મહિલા મંડળ તથા સદસ્યા વિમળા પટેલ, રંજન પંચાલ, ગૌરી સોલંકી, દીના સોલંકી, શાંતાબેન રાઠોડ, સુમિત્રા પટેલ, વિજ્યા પટેલ મંદિર સમિતિના સભ્યોના પ્રયાસોથી સમગ્ર ઉત્સવ સુચારુ રૂપે સંપન્ન થયો. હતો</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/EWyNHIjm4JvEvE7c8dTfa5c7hC4SsXvyKp1cluWC.webp'/></item><item><title><![CDATA[છોટાઉદેપુર જનરલ હૉસ્પિટલમાં તબીબોની અનિયમિતતાથી પરેશાની ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/trouble-due-to-irregularity-of-doctors-at-chhota-udepur-general-hospital</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/trouble-due-to-irregularity-of-doctors-at-chhota-udepur-general-hospital</guid><pubDate>Tue, 01 Sep 2026 05:39:24 +05:30</pubDate><description><![CDATA[<p>છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની અનિયમિતતાથી દર્દીઓ બેહાલઃ દૂર-દૂરથી આવતા ગરીબ દર્દીઓને કલાકો સુધી હાલાકી, જવાબદાર કોણ? જ્યારે ડોક્ટર સમયે સર આવતા નથી તેવી ફરિયાદો પ્રજા કરી રહી છે.</p><p>અંતરિયાળ અને આદિવાસી વિસ્તાર ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાંથી એક ચિંતાજનક અને રોષ પેદા કરતા સમાચાર સામે આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી ગણાતી જનરલ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો સમયસર હાજર ન રહેતા હોવાના ગંભીર આક્ષેપો ઉઠયા છે. દૂર-દૂરના ગામડાઓમાંથી આશા સાથે ઈલાજ કરાવવા આવતા ગરીબ અને આદિવાસી દર્દીઓને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે.</p><p>તબીબોની ગેરહાજરીને કારણે સારવાર વિના જ પાછા ફરવાનો વારો આવે છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે, આરોગ્ય તંત્રની આ ઘોર બેદરકારી માટે આખરે જવાબદાર કોણ ? જિલ્લાની સૌથી મોટી જનરલ હોસ્પિટલમાં દરરોજ ગામે-ગામથી સેંકડો દર્દીઓ પોતાની બીમારીનો ઈલાજ કરાવવા આવે છે. પરંતુ અહીં આવ્યા પછી તેમને ઈલાજ પહેલાં તો માત્ર અને માત્ર રાહ જોવી પડે છે. જ્યારે ડોક્ટર વહેલા આવતા નથી. સ્થાનિક દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓનો આક્ષેપ છે કે, હોસ્પિટલમાં ડોક્ટરો નિયત સમયે કેબિનમાં હાજર રહેતા નથી. સવારથી લાઈનમાં ઊભેલા દર્દીઓને કલાકો સુધી તબીબોની વાટ જોવી પડે છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/dLRcvXVpWEu1uj8x4z9PosDc2aAFdDKJu1vXng8O.webp'/></item><item><title><![CDATA[બૈડી ફ્ળિયા, તેજાવાવ, ચાપરગોટા સહિતના વિસ્તારમાં દીપડાનો ડર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/panchmahal/fear-of-leopards-in-areas-including-badi-fliya-tejavav-chapargota</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/panchmahal/fear-of-leopards-in-areas-including-badi-fliya-tejavav-chapargota</guid><pubDate>Tue, 01 Sep 2026 05:36:56 +05:30</pubDate><description><![CDATA[<p>બોડેલી તાલુકાના ચાપરગોટા પંથકમાં પખવાડિયામાં ત્રણ દીપડા પાંજરે પૂરાતા ગ્રામજનોએ રાહત અનુભવી છે. જબુગામ નજીકના બૈડી ફ્ળિયા, તેજાવાવ, ચાપરગોટા સહિતના વિસ્તારમાં 4 દીપડા એકસાથે ફરતા હોવાના વીડિયો સામે આવ્યો હતો.</p><p>તાલુકા વિસ્તારમા દીપડાની વધતી અવરજવરને પગલે વનવિભાગે અલગ-અલગ સ્થળે પાંજરા ગોઠવી કામગીરી શરૂ કરી હતી. જેમાં માત્ર 15 દિવસમાં ત્રણ દીપડા ઝડપાયા છે. જોકે, હજુ એક દીપડો આ વિસ્તારમાં હોવાની આશંકા હોવાથી વનવિભાગે તેની શોધખોળ શરૂ કરી વધુ એક પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરી છે. જંગલ નજીકના ગામોમાં જાગૃતિ શિબિરો યોજી ગ્રામજનોને દીપડો દેખાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા અપીલ કરાઇ છે. અગાઉ મોટા વાજપુર ગામે દીપડાના હુમલામાં બાળકીના મોતની ઘટના બની હતી.</p><p>પખવાડિયામાં ત્રણ દીપડા ઝડપાતા હાલ ચાપરગોટા સહિતના પંથકમાં રાહતનો માહોલ છે. પરંતુ બાકી રહેલા એક દીપડાને પાંજરે પૂરવા માટે વનવિભાગની કામગીરી યથાવત છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/DlN8nOd3up1EVey6t7iaM3ns3YIZENv2kzSxmkIn.webp'/></item><item><title><![CDATA[સંખેડા-બહાદરપુર વચ્ચે ઓરસંગ નદી કોરીકટ થતાં ખેડૂતો ચિંતિત ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/farmers-worried-as-orsang-river-is-cut-between-sankheda-bahadarpur</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/farmers-worried-as-orsang-river-is-cut-between-sankheda-bahadarpur</guid><pubDate>Tue, 01 Sep 2026 05:29:58 +05:30</pubDate><description><![CDATA[<p>સંખેડા</p><p>સંખેડા - બહાદરપુર વચ્ચેથી પસાર થતી લોકમાતા ઓરસંગ નદી ખેંચાયેલા વરસાદને લઈ ચોમાસામાં પણ કોરીકટ રહેતા ખેડૂતો, પશુપાલકો સહિત આમ નાગરિક ભારે ચિંતિત બન્યા છે.</p><p>ઓરસંગ નદી મધ્યપ્રદેશના ભાભરાના ડુંગરમાંથી નીકળી છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થઈ ચાંદોદ ખાતે નર્મદા નદીમાં ભળે છે. આ વર્ષે વરસાદની ખેંચને લઈ અત્યાર સુધી માત્ર એક જ વખત પાણીના પૂર આવ્યા બાદ હજુ સુધી પાણીના પુર આવ્યા ન હોવાથી જેને લઇ મૂંગા જાનવરો અત્યારથી જ પીવાના પાણી માટે આમતેમ ફંફં મારતા નજરે પડે છે. એટલું જ નહીં, ઓગસ્ટ માસ પૂર્ણ થયો છતાં પૂરતા પ્રમાણમાં વરસાદ ન વરસતા ધરતીપુત્રો, પશુપાલકો સહિત આમ પ્રજામાં વરસાદે ભારે ચિંતા ફેલાવી દીધી છે. હાલના તબક્કે ઝાપટારૂપે વરસતા વરસાદથી નદીના પટ અને કિનારા પરના ખાડા ખાબોચિયામાં ભરાયેલા પાણી પણ હવે તો દુર્ગંધ મારવા લાગ્યા છે. જ્યારે એકત્રિત થયેલ કચરો ભીનો થવાને લઈ દુર્ગંધ ફેલાવી રહેલ હોય લીલથી છવાયેલા ખાડા-ખાબોચિયા, ઉગી નીકળેલ વનસ્પતિ સાથે નદી કોરીકટ ભાંસે છે. ચોમાસામાં નદીમાં પુર આવવાથી સ્ટોરેજ થયેલ પાણી શિયાળા, ઉનાળા દરમ્યાન સિંચાઈના કામમાં આવતું હોય છે. પરંતુ આ વખતે વરસાદની ખેંચને લઈ ખેડૂતોને આર્થિક નુકસાનના એંધાણ વર્તાઈ રહ્યા છે. ચોમાસા બાદ ખેડૂતો શિયાળા પાકની વાવણીમાં મશગુલ બનતાં હોય છે. પરંતુ આ વખતે બરાબર ચોમાસું ન જામતા નદી, તળાવો ખાલીખમ રહેતા રવિ પાકો ન કરી શકવાની ચિંતા પણ ખેડૂતોને અત્યારથી જ સતાવા લાગી છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/fjdLzHK3Ot2pn5076ihO8vMVAnCtuMiIKqtwMzBt.webp'/></item><item><title><![CDATA[સાધલીમાં તળાવની પાળ અને દબાણના પંચક્યાસનો વિરોધ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/opposition-to-the-dam-and-pressure-panchkhyas-of-the-lake-in-sadhli</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/opposition-to-the-dam-and-pressure-panchkhyas-of-the-lake-in-sadhli</guid><pubDate>Tue, 01 Sep 2026 05:27:03 +05:30</pubDate><description><![CDATA[<p>શિનોર તાલુકાનાં સાધલી મુકામે તળાવની પાળ તોડી પાડવાનો તથા દબાણનો વિવાદ હોવાથી આજે પંચક્યાસ કરવાનો હતો. પરંતુ સક્ષમ અધિકારી ઉપસ્થિત ન હોવાથી અરજદારે વિરોધ નોંધાવ્યો હતો.</p><p>સાધલી ગામે પંચાયત દ્વારા રૂા. 25 લાખના ખર્ચે બનાવેલ જૂની તળાવની પાળ તોડી નાખીને તળાવમાં આશરે 300 બાય 50 મીટર વિશાળ દબાણ કરાયાની અરજી જિલ્લા કલેકટરને કરાઇ હતી. જિલ્લા વિકાસ અધિકારી વડોદરા, તાલુકા વિકાસ અધિકારી શિનોર અને મામલતદાર શિનોરને પણ પુરાવા સાથે અરજી કરાઇ હતી. તળાવની પાળ તોડી પાડવી કે, તેમાં દબાણ કરવા માટે જિલ્લા કલેકટરની પરવાનગી લેવાની હોય છે. જે પંચાયતે લીધી નહોતી. જેથી આજે આ તળાવનો પંચક્યાસ કરવાનો હોવાથી તલાટી કમ મંત્રી દ્વારા અરજદાર ભાવેશ દરજીને લેખિત જાણ કરી હતી. તા. 31 ઓગસ્ટે બપોરે 1 વાગે તળાવની પાળે ભેગા થયા હતા. પરંતુ પંચક્યાસ માટે સક્ષમ અધિકારી આજે હાજર નહોતા અને માત્ર બે તલાટી, ઈન્ચાર્જ સરપંચ, સભ્યો અને મીડિયા હાજર હતું. તળાવનો સંપૂર્ણ પંચક્યાસ કરવાના બદલે માત્ર કાગળ પર પંચક્યાસ થયો હોવાનું માલુમ પડતાં અરજદાર ભાવેશ દરજી દ્વારા સક્ષમ અધિકારીની રૂબરૂમાં પંચક્યાસ કરવા જણાવતાં એક તબક્કે ઇન્ચાર્જ સરપંચ આક્રોશમાં આવ્યા હતા. તલાટી જીગ્નેશ કિશોરી તથા સ્ટાફ્ના માણસો માપણી કરવાની મેજર ટેપ લાવ્યા વગર આવ્યા હતા. અને માપણી કર્યા વગર બેઠો પંચક્યાસ કરવાની નીતિરીતિ જાહેર થતી હતી. જેનો અરજદારે વિરોધ કર્યો હતો. અને તટસ્થ સક્ષમ અધિકારીની હાજરીમાં પંચક્યાસ કરવા જણાવ્યું હતું.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/EYVVpIrxDabcgqIiiSPV6NXWbc1pqHSL7LjoGvwr.webp'/></item><item><title><![CDATA[Anna Hazareની તબિયત બગડી, વાયરલ ઈન્ફેક્શન અને ડિહાઈડ્રેશન બાદ ICUમાં કરાયા દાખલ ]]></title><link>https://sandesh.com/india/news/anna-hazare-health-deteriorates-viral-infection-dehydration-icu-mumbai</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/anna-hazare-health-deteriorates-viral-infection-dehydration-icu-mumbai</guid><pubDate>Mon, 31 Aug 2026 23:43:01 +05:30</pubDate><description><![CDATA[<p>સામાજિક કાર્યકર અન્ના હજારેની તબિયત લથડતા તેમને મુંબઈની બોમ્બે હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. અગાઉ મહારાષ્ટ્રના રાલેગણ સિદ્ધિ નજીકની સ્થાનિક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. જોકે, તબિયતમાં વધુ ઘટાડો થતાં તેમને વધુ સારી સારવાર માટે મુંબઈ ખસેડવામાં આવ્યા હતા.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2094463797352358105"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>અન્ના હજારેને ગંભીર વાયરલ ઈન્ફેક્શન</b></h2><p>મળતી માહિતી મુજબ, 89 વર્ષીય અન્ના હજારે ગંભીર વાયરલ ઈન્ફેક્શન અને એક્યુટ ડિહાઈડ્રેશનથી પીડાઈ રહ્યા છે. બોમ્બે હોસ્પિટલમાં ડૉ. ગૌતમ ભણસાલીની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે. હાલ તબીબોની ટીમ તેમની તબિયત પર સતત નજર રાખી રહી છે. વિવિધ તપાસના રિપોર્ટના આધારે આગળની સારવાર અંગે નિર્ણય લેવામાં આવશે.</p><h3><b>NEET પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓને આપ્યો હતો ટેકો</b></h3><p>અન્ના હજારે તાજેતરમાં NEET પેપર લીકના મુદ્દે જંતર-મંતર ખાતે થયેલા વિરોધ પ્રદર્શનના સમર્થનમાં આવ્યા હતા. 20 જુલાઈએ વિદ્યાર્થીઓ દ્વારા સંસદ તરફ માર્ચ દરમિયાન થયેલી કથિત પોલીસ કાર્યવાહી અને હિંસાની તેમણે નિંદા કરી હતી. આ અંગે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી તેમની સમસ્યાઓનું સમાધાન કરવાની અપીલ કરી હતી.</p><h4><b>તબીબોની ટીમ સતત નજર રાખી રહી છે</b></h4><p>પત્રમાં અન્ના હજારે જણાવ્યું હતું કે લોકશાહીમાં હિંસા, જાહેર સંપત્તિને નુકસાન અને બિનજરૂરી બળપ્રયોગ માટે કોઈ સ્થાન નથી. તેમણે પેપર લીક, ભરતી પ્રક્રિયામાં વિલંબ અને બેરોજગારી જેવા યુવાનોના મુદ્દાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે એકતા દર્શાવવા અન્ના હજારે 23 જુલાઈએ બે કલાકનું મૌન પ્રદર્શન પણ કર્યું હતું. તેઓ આશરે દોઢ દાયકા પહેલાં ‘ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન’ આંદોલન અને ભ્રષ્ટાચાર વિરુદ્ધના ઉપવાસને કારણે રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યા હતા. હાલમાં તેમના સ્વાસ્થ્ય પર તબીબોની ટીમ સતત નજર રાખી રહી છે.<br><br><a href="https://sandesh.com/india/news/tb-mukt-bharat-jp-nadda-reviews-tb-elimination-efforts-pm-pragati" target="_blank" style=""><b>આ પણ વાંચો : TB Mukt Bharat : જે.પી. નડ્ડાએ ટીબી નાબૂદી અભિયાનની પ્રગતિની કરી સમીક્ષા</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/31/fqN4OTxiVOwU9xJH8OQpxtcMkBOmt3tSKwtrB4F6.webp'/></item><item><title><![CDATA[Rajasthan : અલવરમાં 9 વર્ષનો બાળક બોરવેલમાં પડ્યો, 50 ફૂટ નીચે ફસાયો ]]></title><link>https://sandesh.com/india/news/rajasthan-alwar-9-year-old-boy-falls-into-borewell-rescue-operation</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/rajasthan-alwar-9-year-old-boy-falls-into-borewell-rescue-operation</guid><pubDate>Mon, 31 Aug 2026 22:42:00 +05:30</pubDate><description><![CDATA[<p>રાજસ્થાનના અલવર જિલ્લામાં સોમવારે સાંજે એક ગંભીર દુર્ઘટના બની. રામગઢ વિધાનસભા ક્ષેત્રના બુટોલી ગામમાં 9 વર્ષનું બાળક પતંગ લૂંટતી વખતે ખુલ્લા બોરવેલમાં પડી ગયું હતું. બોરવેલની કુલ ઊંડાઈ આશરે 400 ફૂટ હોવાનું જણાવાઈ રહ્યું છે, જ્યારે બાળક હાલમાં લગભગ 50થી 55 ફૂટની ઊંડાઈએ ફસાયેલું છે.</p><h2><b>ઘટના બાદ ગ્રામજનો તાત્કાલિક સ્થળે પહોંચ્યા</b></h2><p>મળતી માહિતી મુજબ, બુટોલી ગામનો ભાનુ સોમવારે સાંજે કપાયેલી પતંગ લૂંટવા ખેતર તરફ દોડી રહ્યો હતો. આ દરમિયાન તેનો પગ જૂના અને લાંબા સમયથી બંધ પડેલા બોરવેલ પર મૂકવામાં આવેલા પથ્થર પર પડ્યો હતો. પથ્થર પહેલેથી જ ખસી ગયો હતો અને બાળકનો પગ પડતાં તે વધુ ખસી જતા ભાનુ સીધો બોરવેલમાં પડી ગયો હતો. ઘટના બાદ ગ્રામજનો તાત્કાલિક સ્થળે પહોંચ્યા હતા. રાહતની વાત એ છે કે બોરવેલની અંદરથી બાળકનો અવાજ સંભળાઈ રહ્યો છે અને પ્રાથમિક માહિતી મુજબ તે સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.</p><h3><b>બે JCBથી ખોદકામ શરૂ</b></h3><p>માહિતી મળતાં પોલીસ અને વહીવટી તંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. બાળકને સુરક્ષિત બહાર કાઢવા માટે બોરવેલની આસપાસથી ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે. બે JCB મશીનની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. જરૂરી રેસ્ક્યૂ સાધનો પણ ઘટનાસ્થળે પહોંચાડવામાં આવી રહ્યા છે. રામગઢના ધારાસભ્ય સુખવંત સિંહ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને અધિકારીઓ પાસેથી રેસ્ક્યૂ કામગીરીની માહિતી મેળવી હતી. SDM મનીષા રેશમ, DSP નરેન્દ્ર કુમાર સહિત પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. SDRF અને NDRFની ટીમોને પણ રવાના કરવામાં આવી છે.</p><p><a href="https://sandesh.com/india/news/tb-mukt-bharat-jp-nadda-reviews-tb-elimination-efforts-pm-pragati" target="_blank"><b>આ પણ વાંચો : TB Mukt Bharat : જે.પી. નડ્ડાએ ટીબી નાબૂદી અભિયાનની પ્રગતિની કરી સમીક્ષા</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/31/u7T8WhRX6yKJihGBW8Oy9Nlq3rd9dNLpNoJ0QMFK.webp'/></item><item><title><![CDATA[Lionel Messiએ 39 વર્ષની ઉંમરે સંન્યાસની કરી જાહેરાત, ઈન્ટરનેશનલ ફૂટબોલને કહ્યું અલવિદા ]]></title><link>https://sandesh.com/sports/news/lionel-messi-international-retirement-argentina</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/lionel-messi-international-retirement-argentina</guid><pubDate>Mon, 31 Aug 2026 21:17:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફૂટબોલની દુનિયામાં એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે. આર્જેન્ટિનાના દિગ્ગજ સ્ટાર લિયોનેલ મેસીએ ઈન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. આર્જેન્ટિનાની જર્સીમાં 2 દાયકાથી વધુ સમય સુધી મેદાન પર જાદુ ચલાવનાર મેસ્સી હવે નેશનલ ટીમ માટે રમતા જોવા મળશે નહીં.&nbsp;</p><p style="text-align: justify; ">લિયોનેલ મેસ્સીની કેપ્ટનશીપમાં આર્જેન્ટિનાએ 2022નો ફિફા વર્લ્ડકપ જીત્યો હતો. 2026માં ટીમે મેસ્સીની કેપ્ટનશીપમાં ફાઈનલ પણ રમી હતી, પરંતુ સ્પેન સામે હારી ગઈ હતી, જેના કારણે તે સતત બીજી વખત ટાઈટલ મેળવવાથી ચૂકી ગઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>લિયોનેલ મેસ્સીની ઈમોશનલ પોસ્ટ</b></h2><p style="text-align: justify; ">પોતાના ઈમોશનલ વિદાય મેસેજમાં લિયોનેલ મેસ્સીએ સમજાવ્યું કે આ નિર્ણય તેમના માટે ખૂબ જ મુશ્કેલ હતો. તેને લખ્યું કે તેને પોતાના દેશ માટે બધું જ આપી દીધું છે અને હવે તેને લાગ્યું કે તેની પાસે આપવા માટે કંઈ વધ્યું નથી. મેસ્સીના મતે આ નિર્ણય ખૂબ જ ઈમોશનલ હતો, પરંતુ તેને લાગ્યું કે હવે યોગ્ય સમય છે.&nbsp;</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DctWzhYxElg/" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DctWzhYxElg/" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a><br></p><p style="text-align: justify; ">મેસ્સીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે "ફાઈનલ પછી, કાળજીપૂર્વક વિચાર કર્યા પછી, તેને રાષ્ટ્રીય ટીમમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. આ એક એવો નિર્ણય હતો જેણે તેને ખૂબ દુઃખ આપ્યું હતું, પરંતુ તેને ખ્યાલ છે કે આ યોગ્ય સમય છે. તેને હંમેશા પોતાનું સર્વસ્વ આપ્યું છે, ફક્ત તાજેતરના વર્ષોમાં જ નહીં જ્યારે આપણે બધું જીતીએ છીએ, પરંતુ તે પહેલાં પણ. તેને હંમેશા આ જર્સી માટે સખત મહેનત કરી છે અને પોતાનું સર્વસ્વ આપ્યું છે, જેથી તમને આનંદ મળે અને ફૂટબોલ દ્વારા તમને આર્જેન્ટિનાના રહેવાસી હોવાનો ગર્વ થાય."</p><h3><b>લિયોનેલ મેસ્સીની આર્જેન્ટિના સાથેની સફર ઉતાર-ચઢાવથી ભરપૂર</b></h3><div>લિયોનેલ મેસ્સીની આર્જેન્ટિના સાથેની સફર ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે અને ઐતિહાસિક રહી છે. પોતાના કરિયર દરમિયાન તેને પોતાના દેશને ઘણી યાદગાર જીત અપાવી અને વિશ્વ ફૂટબોલમાં આર્જેન્ટિનાની પ્રતિષ્ઠા વધારી.&nbsp;</div><div>એક સમય એવો હતો જ્યારે મોટી ટુર્નામેન્ટમાં સતત હાર બાદ મેસ્સીની ઈન્ટરનેશનલ કરિયર પર પ્રશ્નાર્થ ઊભો થયો હતો. પરંતુ તેને પાછા ફરીને પોતાની ટીમને એવી ઊંચાઈઓ પર પહોંચાડી જેની લાખો આર્જેન્ટિનાના ફેન્સ રાહ જોઈ રહ્યા હતા.</div><h4><b>2022માં સપનું પૂર્ણ થયું</b></h4><div>મેસ્સીના ઈન્ટરનેશનલ કરિયરની સૌથી યાદગાર ક્ષણ 2022માં આવી, જ્યારે તેને કતારમાં આર્જેન્ટિનાને વર્લ્ડકપ ટાઈટલ અપાવ્યું. 1986 પછી આ આર્જેન્ટિનાનું પહેલું વર્લ્ડ કપ ટાઈટલ હતું. મેસ્સીએ તે ટુર્નામેન્ટમાં 7 ગોલ કર્યા અને ટીમની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી.</div><div><br></div><div>વધુમાં મેસ્સીની કેપ્ટનશીપ હેઠળ આર્જેન્ટિનાએ 2021 અને 2024માં સતત 2 વાર કોપા અમેરિકા જીત્યું. તેને 2026ના વર્લ્ડકપની ફાઈનલમાં પણ ટીમનું નેતૃત્વ કર્યું હતું, પરંતુ ફાઈનલમાં સ્પેન સામે હાર્યા બાદ આર્જેન્ટિના ખાલી હાથે પરત ફર્યું. આ મેસ્સીનો છઠ્ઠો વર્લ્ડકપ હતો. તે પુરુષોના વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી વધુ વખત રમનારા ખેલાડીઓમાંથી એક છે. તેને પોતાના કરિયરમાં 3 વર્લ્ડકપ ફાઈનલ રમી હતી. 2014 માં આર્જેન્ટિના જર્મની સામે હારી ગઈ. 2022માં ટીમ ચેમ્પિયન બની અને 2026માં તેને રનર-અપ રહીને સંતોષ માનવો પડ્યો. મેસ્સીએ તેના છેલ્લા વર્લ્ડકપમાં 8 ગોલ કર્યા અને 4 ગોલમાં આસિસ્ટ કર્યા.</div><h4><b>પિતાના અવસાન પછી તેના કરિયર પર ઉભા થયા સવાલો</b></h4><div>આ મહિનાની શરૂઆતમાં મેસ્સીએ તેમના પિતા જોર્જ મેસ્સીના મૃત્યુ પછી, તેના લાંબા ગાળાના રમત કરિયર અંગે શંકા વ્યક્ત કરી હતી, જેમનું 8 ઓગસ્ટના રોજ 68 વર્ષની વયે અવસાન થયું હતું. ઈન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃત્તિ લેવા છતાં મેસ્સી ક્લબ સ્તરે રમવાનું ચાલુ રાખશે. તે હાલમાં અમેરિકન મેજર લીગ સોકર ક્લબ ઈન્ટર મિયામીનો ભાગ છે. તેમનો વર્તમાન કરાર 2028 MLS સીઝન સુધી ચાલશે.</div><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/31/5vhvXAndeS2YSXjUPOu2WgffErw6XQfqAddL8B8C.webp'/></item><item><title><![CDATA[NHAI FASTag Rules and Refund: કાર વેચી દીધા બાદ તાત્કાલિક FASTag ડિએક્ટિવેટ કરો, જાણો પ્રોસેસ ]]></title><link>https://sandesh.com/business/news/sold-car-deactivate-fastag</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/sold-car-deactivate-fastag</guid><pubDate>Mon, 31 Aug 2026 19:20:19 +05:30</pubDate><description><![CDATA[<p>સોશિયલ મીડિયાના યુગમાં પોતાની જૂની કાર વેચવી ખૂબ સરળ બની ગઈ છે. ઓનલાઈન પ્લેટફોર્મના કારણે આ કામ ઘણું સરળ બન્યું છે અને ઘર બેઠા પણ કાર સારા ભાવે વેચી શકાય છે. પરંતુ આજના વ્યસ્ત સમયમાં લોકો કાર વેચતી વખતે કેટલીક ભૂલો કરી બેસે છે, જેના કારણે બાદમાં તેમને મોટું નુકસાન થઈ શકે છે. ઘણા લોકો કાર વેચતી વખતે ચાવી, RC અને ઈન્શ્યોરન્સના દસ્તાવેજો તો નવા માલિકને સોંપી દે છે, પરંતુ વિન્ડસ્ક્રીન પર લાગેલું FASTag હટાવવાનું અથવા તેને ડિએક્ટિવેટ કરવાનું ભૂલી જાય છે. જો તમે પણ તમારી કાર વેચી દીધી છે અને FASTag એમ જ ચાલુ રાખ્યું છે, તો આ બેદરકારી તમને મોંઘી પડી શકે છે.</p><p>મહત્વની વાત એ છે FASTag સીધું તમારા બેંક એકાઉન્ટ, Paytm વૉલેટ અથવા ક્રેડિટ કાર્ડ સાથે લિંક હોય છે. જ્યાં સુધી તે ટેગ એક્ટિવ રહેશે અને તમારી કાર પર લાગેલું રહેશે, ત્યાં સુધી તે કાર પરથી થતો દરેક ટોલ ટેક્સ તમારા જ એકાઉન્ટમાંથી કપાતો રહેશે. એટલે જૂની કારનું FASTag બંધ કરાવી શકો છો.</p><h2><b>કેમ થઈ શકે છે મોટું નુકસાન?</b></h2><p>જો તમે કાર વેચ્યા બાદ FASTag ડિએક્ટિવેટ નથી કર્યું તો નવો માલિક કોઈ રોકટોક વગર તમારા બેલેન્સનો ઉપયોગ કરી લેશે. ઘણી વખત લોકોના ફોન પર ટોલ કપાવાનો મેસેજ આવે ત્યાં સુધી તેમને ખબર પણ પડતી નથી કે તેમણે વેચેલી કાર કોઈ દૂરના હાઈવે પર ચાલી રહી છે અને પૈસા તેમના એકાઉન્ટમાંથી કપાઈ રહ્યા છે.</p><p>આ ઉપરાંત જો નવો માલિક કોઈ ટ્રાફિક નિયમ તોડે અથવા ટોલ પ્લાઝા પર કોઈ ગેરરીતિ કરે તો FASTag તમારા નામ અને બેંકની વિગતો સાથે જોડાયેલો હોવાથી શરૂઆતની તપાસ દરમિયાન તમારું નામ પણ સામે આવી શકે છે અને તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.</p><h2><b>નવા માલિકને પણ થશે મુશ્કેલી</b></h2><p>એક કારના ચેસિસ નંબર અને રજિસ્ટ્રેશન નંબર પર એક સમયે માત્ર 1 જ એક્ટિવ FASTag હોઈ શકે છે. જો તમે તમારું જૂનું FASTag ડિએક્ટિવેટ અથવા બંધ નહીં કરો ત્યાં સુધી કારનો નવો માલિક તેના નામે નવું FASTag મેળવી શકશે નહીં. આ કારણે તમારી જૂની કારના નવા માલિકને ટોલ પ્લાઝા પર મુશ્કેલી થઈ શકે છે અને તે તમને વારંવાર સંપર્ક કરી શકે છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના નિયમો અનુસાર પણ કાર ટ્રાન્સફર થયા બાદ જૂનું FASTag બંધ કરવું જરૂરી છે.</p><h2><b>તાત્કાલિક ડિએક્ટિવેટ કરો</b></h2><p>જો તમે તમારું FASTag કાયમ માટે ડિએક્ટિવેટ કરાવવા માંગતા હો તો NHAIની અધિકૃત હેલ્પલાઈન 1033 પર ફોન કરીને ફરિયાદ નોંધાવી શકો છો અને ટેગને તરત બ્લોક કરવાની વિનંતી કરી શકો છો. આ ઉપરાંત તમે જે બેંક અથવા વૉલેટ કંપની પાસેથી FASTag મેળવ્યું હતું, જેમ કે ICICI, HDFC, SBI, Paytm અથવા Airtel Payments Bank, તેના કસ્ટમર કેર નંબર પર ફોન કરીને અથવા તેમની મોબાઈલ એપમાં જઈને મેનેજ FASTag વિભાગમાંથી એકાઉન્ટ બંધ કરવાનો વિકલ્પ પસંદ કરી શકો છો. ત્યારબાદ તમારું FASTag એકાઉન્ટ કાયમ માટે બંધ થઈ જશે.</p><h2><b>વિન્ડસ્ક્રીન પરથી પણ ટેગ હટાવો</b></h2><p>કસ્ટમર કેર દ્વારા એકાઉન્ટ બંધ કરાવ્યા બાદ કારની આગળની વિન્ડસ્ક્રીન પર લાગેલું FASTag સ્ટિકર પણ કાઢી નાખો અને તેને નષ્ટ કરી દો. અધૂરું અથવા જૂનું FASTag ક્યારેય કાર પર લાગેલું ન છોડો.જો તમે બેંક અથવા વૉલેટમાં સિક્યોરિટી ડિપોઝિટ તરીકે કોઈ રકમ જમા કરાવી હતી તો FASTag એકાઉન્ટ બંધ થયા બાદ તે રકમ થોડા દિવસોમાં તમારા મૂળ બેંક એકાઉન્ટમાં પરત કરવામાં આવે છે. કાર વેચવાની પ્રક્રિયા ત્યારે જ સંપૂર્ણ માનવામાં આવે છે જ્યારે તેની સાથે જોડાયેલા તમામ ડિજિટલ એકાઉન્ટ સંપૂર્ણપણે અલગ કરી દેવામાં આવે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/31/4OkQnFcFi9uENymCEV317ClBy3x4wAWzPkm7lmTO.webp'/></item><item><title><![CDATA[Hit Film : ન કોઈ સુપરસ્ટાર, ન મોટું બજેટ! જાણો તે 5 મોટા કારણો જેનાથી ગેમ ચેન્જર સાબિત થઈ ફિલ્મ હનુમાન અંશ ]]></title><link>https://sandesh.com/entertainment/news/hanuman-ansh-game-changer-5-reasons-success</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/hanuman-ansh-game-changer-5-reasons-success</guid><pubDate>Mon, 31 Aug 2026 17:35:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સિનેમા જગતમાં છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહ્યું છે કે નાના બજેટની ફિલ્મો આવી રહી છે અને બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. જો ફિલ્મમાં નવો ચહેરો હોય તો તે પણ ઘણી કમાણી કરી રહી છે. ગયા વર્ષે આવેલી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ સૈયારા તેનું ઉદાહરણ છે. હવે આ વર્ષે કોઈ મોટા સ્ટાર કે મોટા બજેટ વગર આવેલી ફિલ્મ હનુમાન અંશ શાનદાર કમાણી કરી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>ફ્રેશ કન્ટેન્ટ</b></h2><p style="text-align: justify; ">ફિલ્મ હનુમાન અંશમાં એકદમ નવું કન્ટેન્ટ છે. દર્શકો ઘણીવાર ફ્રેશ કન્ટેન્ટ તરફ વધુ આકર્ષાય છે. હનુમાન અંશમાં બાબા નીમ કરોલીના જીવન પર આધારિત સ્ટોરી બતાવવામાં આવી છે, જેના પર અત્યાર સુધી કોઈ ફિલ્મ બની નથી.<br></p><h3 style="text-align: justify; "><b>કોઈ આડંબર વગરની સાચી સ્ટોરી&nbsp;</b></h3><p style="text-align: justify; ">સિનેમામાં ઘણીવાર જોવા મળે છે કે ફિલ્મને મોટા સ્તર સુધી પહોંચાડવા માટે નિર્માતાઓ પાણીની જેમ પૈસા ખર્ચે છે. તેમાં સત્ય ઘટના પર આધારિત ફિલ્મો પણ સામેલ હોય છે. મોટા સ્તર પર ફિલ્મ બનાવવાના પ્રયાસમાં ઘણીવાર કન્ટેન્ટ પાછળ રહી જાય છે અથવા તેમાં કોઈને કોઈ ખામી રહી જાય છે, જેના કારણે ફિલ્મને ટીકા પણ સહન કરવી પડે છે. પરંતુ હનુમાન અંશ કોઈ આડંબર વગર બનાવવામાં આવી છે, જેમાં નીમ કરોલી બાબાની સ્ટોરીને ખૂબ જ ગંભીરતાથી પડદા પર રજૂ કરવામાં આવી છે.<br><img alt="Hanuman Ansh Movie (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/31/FkuEt2SwZvrQaAcHXyPbq84bmNnP7WDVa6gg13Im.webp"><br></p><h4 style="text-align: justify; "><b>માસ ઓડિયન્સ સાથે સીધો કનેક્શન</b></h4><p style="text-align: justify; ">ફિલ્મ હનુમાન અંશની સ્ટોરી માસ ઓડિયન્સ સાથે સીધી રીતે જોડાય છે. નીમ કરોલી બાબાના જીવન પર અગાઉ કોઈ ફિલ્મ બની નથી. જોકે યુટ્યુબ પર ડોક્યુમેન્ટરી ઉપલબ્ધ છે, પરંતુ મોટા પડદા પર પહેલીવાર નીમ કરોલી બાબાની સ્ટોરી આ ફિલ્મ દ્વારા બતાવવામાં આવી છે. આ પણ એક કારણ છે કે ફિલ્મની સ્ટોરી માસ ઓડિયન્સ સાથે સીધી રીતે કનેક્ટ થાય છે.</p><h4 style="text-align: justify; "><b>ભક્તિ સાથે ભરપૂર ઈમોશન</b></h4><p style="text-align: justify; ">હનુમાન અંશની બીજી ખાસ વાત એ છે કે ફિલ્મમાં ભક્તિની સાથે ભરપૂર ઈમોશન પણ જોવા મળે છે. કોઈપણ સ્ટોરી સાથે દર્શકો ત્યારે સરળતાથી જોડાઈ શકે છે, જ્યારે તેમાં ઈમોશનનું ખાસ ધ્યાન રાખવામાં આવે. ભક્તિ ભારતીય લોકોના જીવન સાથે પહેલેથી જ જોડાયેલી છે અને તેમાં ઈમોશન ઉમેરાતા ફિલ્મ વધુ ખાસ બની ગઈ છે. નીમ કરોલી બાબાની સ્ટોરી સાથે લોકો ઈમોશનના કારણે જોડાઈ શક્યા છે.</p><h5 style="text-align: justify; "><b>આજના સમયથી અલગ ફિલ્મ</b></h5><p style="text-align: justify; ">સિનેમા જગતમાં આજના સમયમાં જોવા મળી રહ્યું છે કે નિર્માતાઓ મોટા બજેટની ફિલ્મો બનાવી રહ્યા છે અને તેમાં ભરપૂર એક્શન, થ્રિલર અને સસ્પેન્સ ઉમેરવામાં આવે છે. લોહિયાળ દૃશ્યોથી ભરેલી ફિલ્મો લોકો પરિવાર સાથે જોઈ શકતા નથી. તાજેતરમાં આવેલી ટોક્સિકમાં પણ લોહિયાળ દૃશ્યોની સાથે ઈન્ટિમેટ સીન છે, જેને પરિવાર અને બાળકો સાથે જોઈ શકાય તેમ નથી. પરંતુ લોકો પરિવાર સાથે ફિલ્મો જોવા માગે છે. હનુમાન અંશને તેનો ફાયદો મળ્યો અને આ ફિલ્મ એક ફેમિલી એન્ટરટેનર બની રહી. ફિલ્મ હનુમાન અંશ'એ બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી છે. તરણ આદર્શની પોસ્ટ અનુસાર, ફિલ્મે 4 અઠવાડિયામાં 39.83 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જ્યારે ફિલ્મે 10 લાખ રૂપિયાની ઓપનિંગ કરી હતી. ફિલ્મનું બજેટ 2 કરોડ રૂપિયા છે અને તેણે બોક્સ ઓફિસ પર 1891.5%નો નફો કર્યો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/govinda-family-tina-ahuja-krushna-abhishek-raksha-bandhan" target="_blank">આ પણ વાંચો-Govinda પરિવારનો ઝઘડો થયો ખતમ? સુનીતા આહુજાની દીકરીએ કૃષ્ણા અભિષેકને બાંધી રાખડી</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/31/uUTlWZKSW1Jmr9XYRKOmqBGvB3JghzSUAGmCm6Xo.webp'/></item></channel></rss>