<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[NTA Controversy: NEET વિવાદ વચ્ચે ચોંકાવનારો અહેવાલ, NTA બન્યું ATM, 5 વર્ષમાં આવક બમણી થઈ 1100 કરોડને પાર ]]></title><link>https://sandesh.com/india/news/central-government-informed-parliament--nta-income-reached--1116-crore</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/central-government-informed-parliament--nta-income-reached--1116-crore</guid><pubDate>Sat, 25 Jul 2026 13:52:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી) દ્વારા આયોજિત NEET પરીક્ષાના પેપર લીકનો મુદ્દો દેશભરમાં ગાજી રહ્યો છે, ત્યારે જ એજન્સીની કમાણીને લઈને એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલા ડેટા અનુસાર, દેશની મુખ્ય પ્રવેશ પરીક્ષાઓ યોજતી NTAની આવક છેલ્લાં પાંચ વર્ષમાં બમણાથી પણ વધુ વધી ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>NTAની આવક બમણી સંસદમાં રજૂ કરાયા કમાણીના આંકડા</b></h2><p style="text-align: justify; ">કેન્દ્રીય રાજ્ય મંત્રી સુકાંત મજુમદારે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે: આવકમાં મોટો ઉછાળો થયો છે. નાણાકીય વર્ષ 2019-20માં NTAની કુલ આવક ₹504.16 કરોડ હતી, જે વધીને 2023-24માં ₹1,116.84 કરોડ થઈ ગઈ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં NTAમાં આવક વધી છે સાથે ખર્ચ પણ વધ્યો છે. આ જ સમયગાળા દરમિયાન એજન્સીનો ખર્ચ ₹440.20 કરોડથી વધીને ₹1,040.96 કરોડ પર પહોંચી ગયો છે. આ તમામ આંકડા NTAના સંચાલક મંડળ (Governing Body) દ્વારા મંજૂર કરાયેલા આવક-ખર્ચ ખાતા પર આધારિત છે.</p><h3 style="text-align: justify; "><b>કેવી રીતે વધી NTAની આવક?</b></h3><p style="text-align: justify; ">સંસદના ડેટા અનુસાર, 2019-20 થી 2021-22 સુધી એજન્સીની વાર્ષિક આવક સરેરાશ ₹500 કરોડની આસપાસ જ હતી. જોકે, વર્ષ 2022માં તેમાં મોટો ઉછાળો આવ્યો અને આવક ₹900.56 કરોડ થઈ હતી, જે 2023-24માં વધીને ₹1,116 કરોડને પાર પહોંચી ગઈ હતી. આ આંકડા બતાવે છે કે NTA પરીક્ષામાંથી જબરજસ્ત કમાણી કરી રહી છે.</p><p style="text-align: justify; ">નાણાકીય વર્ષ આવક (કરોડોમાં) ખર્ચ (કરોડોમાં)&nbsp;</p><p style="text-align: justify; ">૨૦૧૯-૨૦ રૂ. ૫૦૪.૧૬ કરોડ રૂ. ૪૪૦.૨૦ કરોડ</p><p style="text-align: justify; ">૨૦૨૦-૨૧ રૂ. ૫૧૫.૧૬ કરોડ રૂ. ૪૩૬.૨૫ કરોડ</p><p style="text-align: justify; ">૨૦૨૧-૨૨ રૂ. ૫૦૮.૪૭ કરોડ રૂ. ૪૨૬.૫૨ કરોડ</p><p style="text-align: justify; ">૨૦૨૨-૨૩ રૂ. ૯૦૦.૫૬ કરોડ રૂ. ૬૮૧.૫૨ કરોડ</p><p style="text-align: justify; ">૨૦૨૩-૨૪ રૂ. ૧૧૬.૮૪ કરોડ રૂ. ૧૦૪૦.૯૬ કરોડ</p><h4 style="text-align: justify; "><b>2018થી અત્યાર સુધી 270થી વધુ પરીક્ષાઓનું આયોજન</b></h4><p style="text-align: justify; ">સરકારે વધુમાં જણાવ્યું કે, વર્ષ 2018માં સ્થાપના થયા પછીથી NTA એ અત્યાર સુધી 270થી વધુ પરીક્ષાઓ યોજી છે, જેમાં કુલ 6.6 કરોડથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી છે. ફક્ત વર્ષ 2026માં જ એજન્સી દ્વારા 12 મોટી પરીક્ષાઓ યોજવામાં આવી હતી, જેમાં 65 લાખથી વધુ વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. NTAના મેનપાવર અંગે સરકારે સ્પષ્ટતા કરી કે, એજન્સી પાસે હાલ માત્ર 39 કાયમી જગ્યાઓ છે, જે તમામ ડેપ્યુટેશનથી ભરાયેલી છે. આ સિવાય કામગીરી સંભાળવા માટે 73 કોન્ટ્રાક્ટ અને 124 આઉટસોર્સ કર્મચારીઓ ટેકો આપે છે. એકતરફ NEET UG પરીક્ષામાં પેપર લીક અને ગડબડીના આક્ષેપોને કારણે દેશભરના વિદ્યાર્થીઓ રોડ પર ઉતરીને પારદર્શિતા અને જવાબદારીની માંગ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ કમાણીના આ આંકડાઓએ એજન્સીની કામગીરી પર વધુ સવાલો ઊભા કર્યા છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/UFycBlTB8wKx06DwX2tXBVapB7r9PK9E43hsW6Hr.webp'/></item><item><title><![CDATA[CWG 2026 Medals Tally : ઓસ્ટ્રેલિયા નંબર-1, ઝાંડુ કુમારના બ્રોન્ઝ મેડલ બાદ ભારત કયા સ્થાને? ]]></title><link>https://sandesh.com/sports/news/cwg-2026-medals-tally-australia-no-1-where-is-india-after-jhandu-kumars-bronze-medal</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/cwg-2026-medals-tally-australia-no-1-where-is-india-after-jhandu-kumars-bronze-medal</guid><pubDate>Sat, 25 Jul 2026 13:32:11 +05:30</pubDate><description><![CDATA[<p>ગ્લાસગોમાં 2026 કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ ટેલી સ્પર્ધાના બીજા દિવસ પછી સ્પષ્ટ થવા લાગી છે.ઓસ્ટ્રેલિયાએ શાનદાર પ્રદર્શન કર્યું છે,જેમાં પાંચ ગોલ્ડ,બે સિલ્વર અને પાંચ બ્રોન્ઝ સહિત કુલ 13 મેડલ જીત્યા છે.નાઇજીરીયા ત્રણ ગોલ્ડ અને ત્રણ સિલ્વર સહિત છ મેડલ સાથે બીજા સ્થાને છે.તેના ખેલાડીઓએ પેરા-પાવરલિફ્ટિંગમાં પણ અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે,જેમાં અનેક મેડલ જીત્યા છે.યજમાન સ્કોટલેન્ડ બે ગોલ્ડ અને બે સિલ્વર સાથે ત્રીજા સ્થાને છે.જાણો ભારત કયા સ્થાને છે.&nbsp;</p><p><b style="font-size: 1.75rem;">ઇંગ્લેન્ડ ચોથા સ્થાન પર છે</b></p><p>ઇંગ્લેન્ડ કુલ આઠ મેડલ ધરાવે છે, જે સ્કોટલેન્ડ કરતા વધુ છે. જો કે, તેની પાસે ફક્ત એક ગોલ્ડ મેડલ, ચાર સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ છે, જેના કારણે તે ચોથા સ્થાને છે. કોમનવેલ્થ ગેમ્સના મેડલ ટેબલમાં રેન્કિંગ મુખ્યત્વે ગોલ્ડ મેડલની સંખ્યા દ્વારા નક્કી કરવામાં આવે છે. કેનેડા, દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ અને વેલ્સમાં પણ શરૂઆતના દિવસોમાં મેડલ જીત્યા હતા.</p><h4><b>કોમનવેલ્થ ગેમ્સમાં ટોપ 10 ટીમ&nbsp;&nbsp;</b></h4><table class="table table-bordered"><tbody><tr><td>રેન્ક</td><td>દેશ</td><td><span style="background-color: rgb(255, 255, 255);"><b>ગોલ્ડ મેડલ</b></span></td><td><b>સિલ્વર મેડલ</b></td><td>&nbsp;<b>બ્રોન્ઝ મેડલ</b></td><td>કુલ મેડલ</td></tr><tr><td>1&nbsp;</td><td>ઓસ્ટ્રેલિયા</td><td>6</td><td>2&nbsp;</td><td>5&nbsp;</td><td>13</td></tr><tr><td>2&nbsp;</td><td>નાઇજીરિયા</td><td>3&nbsp;</td><td>3&nbsp;</td><td>0&nbsp;</td><td>6&nbsp;</td></tr><tr><td>3&nbsp;</td><td>સ્કોટલેન્ડ</td><td>2</td><td>2</td><td>0</td><td>4&nbsp;</td></tr><tr><td>4&nbsp;</td><td>ઇંગ્લેન્ડ</td><td>1</td><td>4</td><td>3</td><td>8&nbsp;</td></tr><tr><td>5&nbsp;</td><td>કેનેડા</td><td>1</td><td>0</td><td>2</td><td>3&nbsp;</td></tr><tr><td>6&nbsp;</td><td>દ. આફ્રિકા</td><td>1</td><td>0</td><td>2</td><td>3&nbsp;</td></tr><tr><td>7&nbsp;</td><td>ન્યુઝીલેન્ડ</td><td>0</td><td>2</td><td>0</td><td>2&nbsp;</td></tr><tr><td>8&nbsp;</td><td>વેલ્સ</td><td>0</td><td>1</td><td>0</td><td>1&nbsp;</td></tr><tr><td>9&nbsp;</td><td><p>ભારત</p></td><td>0</td><td>0</td><td>1</td><td>1</td></tr></tbody></table><h4><b>ઝંડુ કુમારે ભારતનું ખાતું ખોલ્યું</b></h4><p>પેરા-પાવરલિફ્ટર ઝંડુ કુમારે અત્યાર સુધી ભારતનો એકમાત્ર મેડલ જીત્યો છે. તેમણે ગ્લાસગો ગેમ્સમાં પુરુષોની હેવીવેઇટ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતની મેડલ ટેલી ખોલી. આ સિદ્ધિ સાથે, ભારત અને મલેશિયા નવમા સ્થાને છે. ભારતીય ટુકડી આગામી દિવસોમાં બોક્સિંગ, સ્વિમિંગ, જિમ્નેસ્ટિક્સ અને અન્ય ઇવેન્ટ્સમાં મેડલની આશા રાખશે.</p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/commonwealth-games-2026-south-africas-chad-le-clos-breaks-commonwealth-games-all-time-record-with-19-medals" target="_blank"> Commonwealth Games 2026: દક્ષિણ આફ્રિકાના Chad le Closએ 19 મેડલ સાથે કોમનવેલ્થ ગેમ્સનો ઓલ ટાઈમ રેકોર્ડ તોડ્યો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/XascSCc5rwBAIM7sYNcAMkOOH4DWOUxRumsJafAl.webp'/></item><item><title><![CDATA[CJPને વિરોધ પ્રદર્શનમાં મળ્યું વિદેશી ફંડિગ? વિદેશ મંત્રાલયે કર્યો ખુલાસો ]]></title><link>https://sandesh.com/india/news/mea-says-no-info-on-foreign-funding-in-cjp-protests--delhi-hc-rejects-nia-plea</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/mea-says-no-info-on-foreign-funding-in-cjp-protests--delhi-hc-rejects-nia-plea</guid><pubDate>Sat, 25 Jul 2026 13:28:35 +05:30</pubDate><description><![CDATA[<p>CJP વિરોધ પ્રદર્શનો વચ્ચે વિદેશી ભંડોળની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. દિલ્હી વિરોધ પ્રદર્શનો પાછળ વિદેશી ભંડોળ, પાકિસ્તાન/ખાડી દેશોના સોશિયલ મીડિયા નેટવર્ક અને ટૂલકીટ કાવતરાના આરોપો છે. વિદેશ મંત્રાલયે વિરોધ પ્રદર્શનોમાં વિદેશી ભંડોળના આરોપોનો જવાબ આપ્યો છે. વિરોધ પ્રદર્શનોમાં વિદેશી ભંડોળના આરોપો અંગે વિદેશ મંત્રાલય (MEA) એ જણાવ્યું હતું કે તેમની પાસે આ સંદર્ભમાં શેર કરવા માટે કોઈ માહિતી નથી.</p><p>શુક્રવારે એક પ્રેસ બ્રીફિંગમાં આ વિશે પૂછવામાં આવતા, MEA ના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે મંત્રાલય પાસે વિદેશી ભંડોળ અથવા CJP વિરોધ પ્રદર્શનોમાં પાકિસ્તાનની ભૂમિકા અંગે કોઈ નક્કર માહિતી નથી.
</p><h4><b>દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ
</b></h4><p>CJP વિરોધ પ્રદર્શનોના વિદેશી ભંડોળની તપાસની માંગ કરતી દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. અખિલ ભારતીય હિન્દુ મહાસભાના ભૂતપૂર્વ ઉપપ્રમુખ સતીશ કુમાર અગ્રવાલે આરોપ લગાવ્યો હતો કે આંદોલનને વિદેશી સંગઠનો અને રાષ્ટ્ર વિરોધી તત્વો તરફથી ભંડોળ મળી રહ્યું છે. તેમણે NIA તપાસની માંગ કરી હતી. અરજીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે વિદ્યાર્થીઓના નામે શરૂ થયેલું આ આંદોલન હવે સંપૂર્ણપણે રાજકીય બની ગયું છે અને સંસદ ભવનને ઘેરવાના મોટા કાવતરાનો ભાગ છે.
</p><p>શુક્રવારે, દિલ્હી હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ ડી.કે. ઉપાધ્યાય અને ન્યાયાધીશ તેજસ કારિયાની ડિવિઝન બેન્ચ સમક્ષ આ અરજી પર મુખ્ય સુનાવણી લગભગ એક કલાક ચાલી હતી, ત્યારબાદ કોર્ટે તેના પર કોઈ આદેશ આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. મુખ્ય ન્યાયાધીશ ડી.કે. ઉપાધ્યાય અને ન્યાયાધીશ તેજસ કારિયાની બેન્ચે NIA દ્વારા તપાસની માંગ કરતી અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે ગેરકાયદેસર સભા, પોલીસ કર્મચારીઓ પર હુમલો અથવા જાહેર સંપત્તિને નુકસાનના કેસોમાં અનુસરવાની પ્રક્રિયા અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયો પહેલાથી જ અસ્તિત્વમાં છે.
</p><p><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/business/news/epfo-8-25-percentage-interest-credited-for-fy-2025-26--how-to-check-pf-balance" target="_blank"><b>હજુ પણ નથી મળ્યું PFનું વ્યાજ? આ 3 રીતથી મિનિટોમાં કરો ચેક</b></a>
</p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/3nZd36fchlcZFwQEoBTg0sXPxAa8YCByJpcgWETV.webp'/></item><item><title><![CDATA[Monsoon 2026 : અતિભારે વરસાદથી હાલાકી: જળબંબાકાર વચ્ચે સનાથલ-બગોદરા હાઈવે બંધ કરાયો, પાણીમાં અનેક વાહનો ડુબ્યા, Video ]]></title><link>https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-ahmedabad-rural-rain-sanathal-bagodara-highway-closed-waterlogging-update</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-ahmedabad-rural-rain-sanathal-bagodara-highway-closed-waterlogging-update</guid><pubDate>Sat, 25 Jul 2026 13:03:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">છેલ્લા બે દિવસથી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પડી રહેલા સતત અનરાધાર વરસાદના કારણે સર્વત્ર જળબંબાકારની વિકટ સ્થિતિ સર્જાઈ છે. અવિરત વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારના અનેક ગામડાઓમાં કમર સુધી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ગામડાઓમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સ્થિતિ વધુ ચિંતાજનક બની છે.</p><h2 style="text-align: justify; "><b>સનાથલથી લઈને બગોદરા સુધીનો મુખ્ય હાઈવે બંધ કરાયો</b></h2><p style="text-align: justify; ">પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે સનાથલથી લઈને બગોદરા સુધીનો મુખ્ય હાઈવે વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે.&nbsp;</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2080913383247970356"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a>&nbsp;</p><p style="text-align: justify; "><br></p><h3 style="text-align: justify; "><b>હાઈવે  જળબંબાકાર</b></h3><p style="text-align: justify; ">હાઈવે અને નીચાણવાળા માર્ગો પર અતિશય પ્રમાણમાં પાણી ભરાઈ જવાને કારણે વાહનો ચલાવવા અત્યંત જોખમી બન્યા છે. હાઈવે પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા ડાયવર્ઝન આપીને રસ્તો બ્લોક કરવામાં આવ્યો છે.</p><p style="text-align: justify; "><img alt="Ahmedabad Rural Rain Update: Sanathal to Bagodara Highway Closed Due to Waterlogging" src="https://epapercdn.sandesh.com/images/2026/07/25/KbWBHOKJgxNBUqz73gfh4UtqN1FKiXZ7PK6vuBjk.webp"><br></p><h4 style="text-align: justify; "><b>અનેક વાહનો ડૂબી ગયા</b></h4><p style="text-align: justify; ">હાઇવે પર પાણીનો ભરાવો એટલે વધી ગયો છે કે અનેક વાહનો ડૂબી ગયા છે જેના કારણે સ્થિતી વિકટ બની છે. જિલ્લા પોલીસ પણ તુરત સ્થળ પર પહોંચી હતી અને લોકોને સનાથલ હાઇવેનો ઉપયોગ ના કરવા અપીલ કરી છે. પોલીસે ફસાયેલા મુસાફરોને પણ સલામત સ્થળે ખસેડ્યા હતા</p><h4 style="text-align: justify; "><b>સનાથલ-બગોદરા હાઈવેનો ઉપયોગ કરવાનું ટાળો</b></h4><p style="text-align: justify; ">હાઈવે બંધ થતાં વાહનવ્યવહારને ભારે અસર પહોંચી છે. આથી વહીવટી તંત્ર અને સ્થાનિક પોલીસ દ્વારા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે તેઓ હાલ પૂરતો સનાથલ-બગોદરા હાઈવેનો ઉપયોગ કરવાનું ટાળે અને વૈકલ્પિક માર્ગો પસંદ કરે. ઈમરજન્સી સેવાઓ અને વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે તથા ભરાયેલા પાણી ઓસાડવા માટે જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp;<a href="https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/sandesh-indepth-gujarat-heavy-rain-reason-el-nino-fail-negative-pdo-impact" target="_blank"><b>Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/9CmNBxhFEX8SxDLjCmBtUzqDCeMyvhVHtZk0rctM.webp'/></item><item><title><![CDATA[Monsoon 2026 : ઉમરગામમાં 45 ઇંચ વરસાદથી તબાહી, વારોલી નદીના પ્રવાહમાં હુમરણ ગામનો બ્રિજ તૂટ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/valsad/monsoon-2026-45-inches-of-rain-wreaks-havoc-in-umargam-bridge-in-humran-village-breaks-in-the-flow-of-waroli-river</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/valsad/monsoon-2026-45-inches-of-rain-wreaks-havoc-in-umargam-bridge-in-humran-village-breaks-in-the-flow-of-waroli-river</guid><pubDate>Sat, 25 Jul 2026 12:59:50 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં મેઘરાજાએ અત્યાર સુધીનું સૌથી આક્રમક સ્વરૂપ ધારણ કરી ભારે તબાહી મચાવી છે. ઉમરગામમાં મોસમનો કુલ 45 ઇંચ જેટલો જંગી વરસાદ નોંધાતા સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તાલુકાના કુલ 52 ગામો પૈકી 8 ગામો સૌથી વધુ પ્રભાવિત થયા છે, જેના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.</p><h2 style="text-align: justify; "><b>હુમરણ ગામનો બ્રિજ વારોલી નદીના પ્રવાહમાં તૂટ્યો</b></h2><p style="text-align: justify; ">ભારે વરસાદ અને જળપ્રલયના કારણે વારોલી નદીમાં આવેલા ઘોડાપૂર વચ્ચે હુમરણ ગામનો મહત્વનો બ્રિજ તણાઈને તૂટી ગયો છે. પુલ ધરાશાયી થવાના કારણે અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે તેમજ સતત વરસાદના પગલે અનેક મુખ્ય તથા આંતરિક રસ્તાઓની હાલત અત્યંત દયનીય અને જોખમી બની ગઈ છે, જેનાથી વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે.</p><h3 style="text-align: justify; "><b>સ્વચ્છતા કામગીરીને લઈને લોકોમાં આક્રોશ</b></h3><p style="text-align: justify; ">આ વિકટ પરિસ્થિતિ વચ્ચે તંત્રની કામગીરી સામે લોકોનો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિક નાગરિકોના આક્ષેપ મુજબ, આપત્તિના આ સમયે મુશ્કેલીમાં મુકાયેલા લોકોની મદદે આવવાને બદલે નેતાઓ માત્ર ફોટા પડાવવામાં જ વ્યસ્ત છે. આ ઉપરાંત પૂર બાદ ગંદકી અને રોગચાળાના જોખમ વચ્ચે સ્વચ્છતાની કામગીરી ન થતાં લોકોમાં સરકાર અને પ્રશાસન સામે તીવ્ર રોષ ફેલાયો છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/monsoon-2026-municipalitys-negligence-exposed-in-thaltej-traffic-at-risk-due-to-subsidence-of-palladium-road" target="_blank">Monsoon 2026 : થલતેજમાં પાલિકાની બેદરકારી ઉજાગર, પેલેડિયમ રોડ બેસી જવાથી વાહનવ્યવહાર જોખમમાં</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/bI7IV4BEAb5UlgNw4ORmBuywnSpvKR6MV1anVfpR.webp'/></item><item><title><![CDATA[Valsad: ધારણમાળ ગામે ભારે વરસાદથી ડુંગર ફાટ્યો, અંદાજે 5 કિલોમીટર સુધીનો પહાડી વિસ્તાર પ્રભાવિત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/valsad/kaprada-dharanmal-heavy-rain-landslide-5km-mountain-area-affected</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/valsad/kaprada-dharanmal-heavy-rain-landslide-5km-mountain-area-affected</guid><pubDate>Sat, 25 Jul 2026 12:51:11 +05:30</pubDate><description><![CDATA[<p>વલસાડ જિલ્લામાં મેઘરાજા સતત કાળો કેર વર્તાવી રહ્યા છે. ડુંગરાળ અને આદિવાસી વસ્તી ધરાવતા કપરાડા તાલુકામાં અવિરત વરસી રહેલા આકાશી પૂરના કારણે પહાડી વિસ્તારોમાં જમીન ખસવાની અને ભૂસ્ખલનની ગંભીર ઘટનાઓ સામે આવી રહી છે. કપરાડાના ધારણમાળ ગામ નજીક ભારે વરસાદના અતિશય દબાણના લીધે આખો ડુંગર ફાટવાની (માટી અને પથ્થરો ધસી પડવાની) ભયાનક ઘટના બની છે.</p><h2><b>વરસાદને કારણે પહાડોની માટી પોચી પડી&nbsp;</b></h2><p>મળતી માહિતી અનુસાર, ધારણમાળ ગામની આસપાસ આવેલો અંદાજે ૫ કિલોમીટર લાંબો ડુંગરાળ વિસ્તાર ચોમાસાના તોફાની સ્પેલથી ગંભીર રીતે પ્રભાવિત થયો છે. ગઈકાલે રાત્રિથી જ વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે પહાડોની માટી પોચી પડી ગઈ હતી, જેના લીધે અચાનક ડુંગરનો વિશાળ હિસ્સો કડડભૂસ થઈને નીચે ધસી પડ્યો હતો.</p><h3><b>મોટી હોનારતમાં સદનસીબે જાનહાનિ ટળી</b></h3><p>ડુંગર ફાટવાની સાથે જ પહાડ પરથી મોટા મોટા પથ્થરો, વૃક્ષો અને કાદવ-માટીનો તોતિંગ જથ્થો નીચે વહી આવ્યો હતો. જેના કારણે આસપાસના ખેતરો અને માર્ગો પર ભારે નુકસાન સર્જાયું છે. જોકે, ઘટના બની તે સમયે નીચેના ભાગે કોઈ વાહન કે સ્થાનિક લોકોની અવરજવર ન હોવાથી સદનસીબે મોટી જાનહાનિ ટળી છે, જેથી સ્થાનિક વહીવટી તંત્ર અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/godadara-road-flooded-1km-stretch-underwater-mla-sandip-desai-faces-public-anger" target="_blank">આ પણ વાંચો: Surat: ગોડાદરામાં પૂરની ભયાનક સ્થિતિ! 1 કિમી સુધીનો આખો રોડ 4 દિવસથી પાણીમાં ગરકાવ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/tSyCockAsvidCYT8IgpaqOn7fq9PwbeD4s427rYR.webp'/></item><item><title><![CDATA[હજુ પણ નથી મળ્યું PFનું વ્યાજ? આ 3 રીતથી મિનિટોમાં કરો ચેક ]]></title><link>https://sandesh.com/business/news/epfo-8-25-percentage-interest-credited-for-fy-2025-26--how-to-check-pf-balance</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/epfo-8-25-percentage-interest-credited-for-fy-2025-26--how-to-check-pf-balance</guid><pubDate>Sat, 25 Jul 2026 12:50:01 +05:30</pubDate><description><![CDATA[<p>
</p><div>કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ નાણાકીય વર્ષ 2025-26 માટે 8.25% વ્યાજ EPF ખાતાઓમાં જમા કરવાનું શરૂ કર્યું છે. ઘણા સભ્યોને વ્યાજ જમા કરાવવાની પુષ્ટિ કરતા SMS મળવા લાગ્યા છે. જો તમને હજુ સુધી EPFO ​​તરફથી કોઈ મેસેજ મળ્યો નથી, તો ગભરાવાની જરૂર નથી. વ્યાજ બધા ખાતાઓમાં તબક્કાવાર જમા થાય છે, એકસાથે નહીં. તેથી તમારા ખાતામાં વ્યાજ જોવામાં થોડો સમય લાગી શકે છે.</div><div>SMS ની રાહ જોવાને બદલે, તમે સરળતાથી ચકાસી શકો છો કે વ્યાજ તમારા PF ખાતામાં જમા થયું છે કે નહીં. EPFO ​​એ આ હેતુ માટે ઘણી સત્તાવાર સેવાઓ પૂરી પાડી છે.
</div><h4><b>વ્યાજ જમા કરાવવાની શરૂઆત 15 જુલાઈથી થઈ
</b></h4><div>EPFO એ નાણાકીય વર્ષ 2025-26 માટે 8.25% વ્યાજ 15 જુલાઈ, 2026 થી ખાતાઓમાં જમા કરવાનું શરૂ કર્યું છે. આ પ્રક્રિયા અલગ-અલગ બેચમાં ચાલી રહી છે. તેથી જો બેલેન્સ અપડેટ હવે દેખાતું નથી, તો તે થોડા સમય પછી તમારા ખાતામાં દેખાશે.
</div><h5><b>1. EPFO ​​પોર્ટલ પર તમારી પાસબુક તપાસો
</b></h5><div>સૌથી સરળ રસ્તો એ છે કે EPFO ​​ના યુનિફાઇડ મેમ્બર પોર્ટલમાં લોગ ઇન કરો.
</div><div>‘Member Passbook’ વિભાગમાં જાઓ.
</div><div>તમારો UAN અને પાસવર્ડ દાખલ કરીને લોગ ઇન કરો.
</div><div>અહીં તમને ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ, કર્મચારી અને નોકરીદાતાના યોગદાન, PF ટ્રાન્સફર અને વ્યાજ વિશે સંપૂર્ણ માહિતી દેખાશે.
</div><div>જો વ્યાજ જમા થયું હોય, તો તે પાસબુકમાં પ્રતિબિંબિત થશે.
</div><h5><b>2. મિસ્ડ કોલ આપીને તમારું PF બેલેન્સ તપાસો
</b></h5><div>જો તમારો મોબાઇલ નંબર UAN સાથે નોંધાયેલ છે, તો તમે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી 011-22901406 પર મિસ્ડ કોલ આપીને તમારું PF બેલેન્સ ચકાસી શકો છો. આ માટે તમારા આધાર, PAN અને બેંક એકાઉન્ટ UAN સાથે જોડાયેલા હોવા જરૂરી છે. આ સેવા સંપૂર્ણપણે મફત છે.
</div><h5><b>૩. SMS મોકલીને તમારું બેલેન્સ ચેક કરો
</b></h5><div>તમે 7738299899 પર SMS મોકલીને તમારા PF બેલેન્સ અને છેલ્લા યોગદાનની પણ તપાસ કરી શકો છો.
</div><div>આ કરવા માટે, સંદેશ લખો: EPFOHO UAN ENG
</div><div>જો તમને કોઈ અલગ ભાષામાં માહિતીની જરૂર હોય, તો ENG ને તે ભાષાના પહેલા ત્રણ અક્ષરોથી બદલો. ઉદાહરણ તરીકે, મરાઠી માટે MAR લખો. યાદ રાખો, તમારું UAN તમારા આધાર, PAN અને બેંક ખાતા સાથે લિંક થયેલ હોવું જોઈએ.
</div><h5><b>જો વ્યાજ મોડું જમા થાય તો શું કોઈ નુકસાન થશે?
</b></h5><div>ના. જો વ્યાજ તમારા ખાતામાં મોડું જમા થાય તો પણ તમને કોઈ નુકસાન થશે નહીં. EPF યોજના, 1952 ના ફકરા 60 મુજબ, વ્યાજની ગણતરી માસિક ચાલી રહેલા બેલેન્સના આધારે કરવામાં આવે છે, ભલે તે નાણાકીય વર્ષના અંતે ખાતામાં જમા થાય. આનો અર્થ એ છે કે EPFO ​​માસિક બેલેન્સમાં વ્યાજ ઉમેરે છે અને વર્ષના અંતે તેને ખાતામાં જમા કરે છે. તેથી જો વ્યાજ જમા થવામાં વિલંબ થાય તો પણ સભ્યને જાહેર કરાયેલ દર મુજબ સંપૂર્ણ વ્યાજ મળે છે.
</div><div><br>આ પણ વાંચો:<a href="https://sandesh.com/india/news/uttarkashi-landslide--gangotri--yamunotri-highway-blocked-due-to-heavy-rain" target="_blank"><b> ચારધામ યાત્રા પર વરસાદનો કહેરા, ગંગોત્રી-યમનોત્રી હાઈવે પર ભૂસ્ખલનથી રસ્તાઓ બંધ</b></a>
</div><div><br></div><div>
</div><div>
</div><div>
</div><div>
</div><div>
</div><div>
</div><div>
</div><div>
</div><div>
</div><div>
</div><div>
</div><div>
</div><div>
</div><div>
</div><div>
</div><div>
</div><div>
</div><div>
</div><div>
</div><div>
</div><div>
</div><div>
</div><div>
</div><div>
</div><div>
</div> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/e5WMMq9kpG7S2q9hslkOGf6zIrt2YriX5GiPrOiU.webp'/></item><item><title><![CDATA[Monsoon 2026 : અમદાવાદના ઘુમામાં ગળાડૂબ પાણી ભરાતાં લોકો બોટમાં બેસવા મજબૂર,સ્માર્ટ સિટીનો પરપોટો ફૂટ્યો, Video ]]></title><link>https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-ahmedabad-ghuma-heavy-rain-waterlogging-boats-deployed-amc-fail</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-ahmedabad-ghuma-heavy-rain-waterlogging-boats-deployed-amc-fail</guid><pubDate>Sat, 25 Jul 2026 12:43:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના સ્માર્ટ સિટી અને 'પ્રી-મોન્સૂન પ્લાન'ના મોટા મોટા દાવાઓની પોલ ફરી એકવાર ખુલ્લી પડી ગઈ છે. શહેરના ઘુમા વિસ્તારમાં અનરાધાર વરસાદ બાદ કમરથી ગળાડૂબ પાણી ભરાઈ જતાં રસ્તાઓ નદી અને દરિયામાં ફેરવાઈ ગયા છે. આકાશી આફત વચ્ચે સ્થિતિ એટલી વિકટ બની છે કે સ્થાનિકોને અવરજવર માટે સામાન્ય વાહનો છોડીને બોટનો સહારો લેવો પડી રહ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>જળબંબાકારના કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ઠપ</b></h2><p style="text-align: justify; ">ઘુમા વિસ્તારમાં જળબંબાકારના કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે. સોસાયટીઓ અને મુખ્ય માર્ગો પર વહેતા પાણીના પ્રવાહને કારણે લોકો ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે.&nbsp;</p><p style="text-align: justify; "><img alt="Smart City Ahmedabad Flood: Boats Deployed in Ghuma as Roads Submerge" src="https://epapercdn.sandesh.com/images/2026/07/25/lXITgjB8z7mfPtRjvmgm4Pc1jdPKd3W2rMvdQFan.webp"><br></p><h3 style="text-align: justify; "><b>વિકાસના દાવા વચ્ચે બોટની સફર</b></h3><p style="text-align: justify; ">વરસાદી પાણીના યોગ્ય નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે તંત્રની ઘોર બેદરકારી સામે સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. "વિકાસના દાવા વચ્ચે બોટની સફર" કરવા મજબૂર બનેલા લોકો હવે પ્રશાસનને સીધો સવાલ કરી રહ્યા છે કે દર વર્ષે કરોડોના ખર્ચે થતી કામગીરી ક્યાં ગઈ?&nbsp;</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbNSbSRlLXN/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbNSbSRlLXN/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a>&nbsp; &nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>લોકોને ભારે આર્થિક નુકસાન&nbsp;</b></h4><p style="text-align: justify; ">દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસી જવાથી લોકોને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે મોટા પંપ મૂકીને પાણી ઓસાડવાની કામગીરી શરૂ કરવામાં આવે તેવી ઘુમાવાસીઓ બે હાથ જોડીને ઉગ્ર માંગ કરી રહ્યા છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; &nbsp;<a href="https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/sandesh-indepth-gujarat-heavy-rain-reason-el-nino-fail-negative-pdo-impact" target="_blank"><b> Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/R3BwMCRiIA3nBv62E1L769liSmSAIlaI4dgchJKs.webp'/></item><item><title><![CDATA[Monsoon 2026 : થલતેજમાં પાલિકાની બેદરકારી ઉજાગર, પેલેડિયમ રોડ બેસી જવાથી વાહનવ્યવહાર જોખમમાં ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/monsoon-2026-municipalitys-negligence-exposed-in-thaltej-traffic-at-risk-due-to-subsidence-of-palladium-road</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/monsoon-2026-municipalitys-negligence-exposed-in-thaltej-traffic-at-risk-due-to-subsidence-of-palladium-road</guid><pubDate>Sat, 25 Jul 2026 12:25:21 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ તેની સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રિ-મોન્સૂન કામગીરી અને વિકાસના દાવાઓની પોલ ખુલી ગઈ છે. થલતેજ વિસ્તારમાં આવેલા પેલેડિયમ રોડ પર અચાનક મોટો ભુવો પડ્યો હોય તેમ અડધો કિલોમીટર જેટલો લાંબો રસ્તો બેસી ગયો છે. રસ્તો બેસી જવાના કારણે આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો માટે મોટો ખતરો પેદા થયો છે.</p><h2><b>વાહન ચાલકોના મનપા પર ગંભીર આક્ષેપ</b></h2><p>ઘટનાને પગલે રોડ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ, થોડા સમય પહેલા જ આ રોડ પર અંડરગ્રાઉન્ડ કામગીરી કરવામાં આવી હતી, પરંતુ તેમાં યોગ્ય માટી કે કાંકરીનું પુરાણ કરવામાં આવ્યું નહોતું. જેના કારણે થોડા જ સમયમાં રસ્તાની આ અત્યંત ખરાબ અને જોખમી દશા થઈ ગઈ છે.</p><h3><b>અકસ્માત થવાનો મોટો ભય</b></h3><p>બહારથી આ વિસ્તારમાં આવતા નવા વાહનચાલકો અને અજાણ્યા લોકોને અકસ્માત થવાનો મોટો ભય સતાવી રહ્યો છે. સ્થાનિક નાગરિકોએ સરકાર અને તંત્ર સામે રોષ વ્યક્ત કરતા માંગ કરી છે કે આ અંગે તાત્કાલિક કડક ધ્યાન આપવામાં આવે અને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરી વહેલી તકે રસ્તો પૂર્વવત કરવામાં આવે.</p><p><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/monsoon-news-the-dust-of-the-systems-claims-in-ghuma-is-exposed-water-is-not-drained-despite-40-hours" target="_blank">Monsoon News : ઘુમામાં તંત્રના દાવાઓની પોલ ખુલ્લી, 40 કલાક વીતવા છતાં પાણીનો નિકાલ નહીં</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/ceUfZLfa3BGqr9M3dy6kkkdbdNkPYICAlFYcQ8sc.webp'/></item><item><title><![CDATA[Shehnaaz Gill મસ્જિદમાં માથું ટેકવતી નજરે પડી, શું રાઘવ જુયાલ સાથે કરશે લગ્ન? ]]></title><link>https://sandesh.com/entertainment/news/india/shehnaaz-gill-seen-bowing-her-head-in-the-mosque-will-raghav-marry-juyal</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/india/shehnaaz-gill-seen-bowing-her-head-in-the-mosque-will-raghav-marry-juyal</guid><pubDate>Sat, 25 Jul 2026 12:11:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બિગ બોસ ફેમ અને બોલિવૂડ અભિનેત્રી શહેનાઝ ગિલ અવારનવાર પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર શહેનાઝ ગિલનો એક નવો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક મસ્જિદમાં જઈને શ્રદ્ધાપૂર્વક માથું ટેકવતી જોવા મળી રહી છે. આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ અને યુઝર્સ વચ્ચે ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>સોશિયલ મીડિયા પર સવાલો</b></h2><p style="text-align: justify; ">વાયરલ થઈ રહેલી આ ઝલકમાં શહેનાઝ ખૂબ જ સાદગીપૂર્ણ અંદાજમાં મસ્જિદમાં પ્રવેશતી અને નમન કરતી નજરે પડે છે. આ દ્રશ્ય જોયા બાદ નેટીઝન્સ વિવિધ પ્રકારની અટકળો લગાવી રહ્યા છે. કેટલાક યુઝર્સ સવાલ ઉઠાવી રહ્યા છે કે શું શહેનાઝ ગિલ પોતાના જીવનમાં કોઈ મોટો નિર્ણય લેવા જઈ રહી છે? શું તે બીજા ધર્મમાં લગ્ન કરવાની યોજના બનાવી રહી છે? આવા અનેક પ્રશ્નો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ટ્રેન્ડ કરવા લાગ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>રાઘવ જુયાલ સાથે જોડાતું નામ</b></h3><p style="text-align: justify; ">આ વીડિયો વાયરલ થતાંની સાથે જ શહેનાઝ ગિલ અને જાણીતા ડાન્સર-એક્ટર રાઘવ જુયાલના અફેરની અફવાઓને ફરી એકવાર હવા મળી છે. અગાઉ પણ બંનેના ડેટિંગ અને ખાસ બોન્ડિંગને લઈને મીડિયામાં અહેવાલો વહેતા થયા હતા. જોકે, ભૂતકાળમાં શહેનાઝ અને રાઘવ બંને સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે તેઓ માત્ર ખૂબ સારા મિત્રો છે અને એકબીજાને સપોર્ટ કરે છે. તેમ છતાં, મસ્જિદની આ મુલાકાત બાદ યુઝર્સ ફરીથી બંનેના સંબંધો અને અલગ ધર્મમાં લગ્નની શક્યતાઓને જોડીને ચર્ચા કરી રહ્યા છે.</p><h4 style="text-align: justify; "><b>ફેન્સની પ્રતિક્રિયા</b></h4><p style="text-align: justify; ">એકતરફ જ્યાં કેટલાક લોકો આ બાબતે જાતજાતના તર્કો લગાવી રહ્યા છે, તો બીજી તરફ શહેનાઝના પ્રશંસકો તેને સર્વધર્મ સંભાવના ઉદાહરણ ગણાવી રહ્યા છે. ફેન્સનું માનવું છે કે દરેક ધર્મસ્થળ પ્રત્યે આદર દાખવવો એ સરાહનીય બાબત છે અને તેને લગ્ન કે અફેર સાથે જોડવું યોગ્ય નથી. શહેનાઝ તરફથી હજુ સુધી આ વાયરલ વીડિયો અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/thalapathy-vijays-last-film-jana-nayakkan-released-in-cinemas-earned-a-whopping-rs-50-crore-on-the-first-day" target="_blank">આ પણ વાંચો: Thalapathy Vijayની છેલ્લી ફિલ્મ "જન નાયકન" સિનેમાઘરોમાં રિલીઝ, ફર્સ્ટ ડે 50 કરોડની ધૂમ કમાણી કરી</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/zokbrfVToEjH7QXf8QFadATHaQXjmhwVLavlpNy0.webp'/></item></channel></rss>