<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Godhra: 173 શિક્ષણ સહાયકોને પૂરા પગારના આદેશો એનાયત ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/godhra/godhra-full-salary-orders-issued-to-173-teaching-assistants</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/godhra/godhra-full-salary-orders-issued-to-173-teaching-assistants</guid><pubDate>Tue, 04 Aug 2026 06:21:02 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET) ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વર્ષ 2021માં કેન્દ્રીયકૃત ભરતી પ્રક્રિયાથી નીમણૂક પામેલા ઉચ્ચતર માધ્યમિક વિભાગના 173 શિક્ષણ સહાયકોને પૂરા પગારના આદેશોનું વિતરણ કરાયું હતું.</p><p style="text-align: justify; ">જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા હાથ ધરાયેલી કામગીરી અંતર્ગત કેમ્પ મોડમાં ઝડપી પ્રક્રિયા પૂર્ણ કરીને નિયમાનુસાર પૂરા પગારમાં પ્રવેશ પામેલા તમામ 173 શિક્ષણ સહાયકોને આદેશો સુપ્રત કરવામાં આવ્યા હતા. આદેશો પ્રાપ્ત થતાં જ તમામ શિક્ષણ સહાયકોએ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીની પારદર્શક અને ઝડપી કામગીરી બિરદાવી ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નિરવભાઈ પટેલ, સંચાલક મંડળના પ્રમુખ પી.ડી. સોલંકી, જિલ્લા શિક્ષણાધિકારી કિરીટ પટેલ તેમજ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આચાર્ય સંઘ, ઉચ્ચતર માધ્યમિક સંઘ સહિત વિવિધ કર્મચારી સંવર્ગના પ્રમુખ અને મંત્રીઓએ પણ હાજરી આપી નવીન શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/LrVMGVJGunDd5swZgnWbJksMYX2qcuMQKBO4EjB3.webp'/></item><item><title><![CDATA[Godhra: ગોધરા APMCના ચેરમેને સાદાઈથી જન્મદિન ઉજવ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/godhra/godhra-godhra-apmc-chairman-celebrated-his-birthday-in-a-simple-manner</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/godhra/godhra-godhra-apmc-chairman-celebrated-his-birthday-in-a-simple-manner</guid><pubDate>Tue, 04 Aug 2026 06:20:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગોધરા એ.પી.એમ.સી.ના ચેરમેન માલવદીપસિંહ રાઉલજીએ તેમનો જન્મદિવસ વ્યક્તિગત ઉજવણીને બદલે વિવિધ જનકલ્યાણ અને સેવાકીય કાર્યો સાથે સાદાઈથી યોજીને સેવાના પર્વ તરીકે મનાવ્યો હતો.</p><p style="text-align: justify; ">માલવદીપસિંહ રાઉલજીએ તેમના જન્મદિવસે ગૌસેવા, પર્યાવરણ સંરક્ષણ અને સંવેદનશીલતાના કાર્યક્રમોને સમર્પિત રહ્યો હતો. જેમાં પરવડી ગૌશાળા ખાતે ગૌમાતાઓને ઘાસ ખવડાવ્યું હતું અને ગૌ સેવા કરી હતી. શહેરના વિવિધ માર્ગો પર વૃક્ષારોપણ કર્યું હતું. સમાજના વિશેષ જરૂરિયાતવાળા બાળકો પ્રત્યે સંવેદનશીલતા દાખવતા, મૂક-બધિર બાળકો સાથે સમય વિતાવાયો હતો અને તેમના મનોરંજન માટે ખાસ ચલચિત્રનું પ્રસારણ કરાવ્યું હતું. માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતો, વેપારીઓ, નગરજનો તેમજ સામાજિક અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, અને તેમની સાથે મુલાકાત કરી શુભાશિષ આપ્યા હતાં.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/8KAHnwUfz2ljGbPQ8TTHxEnuM5IvXkRT30LaNnBr.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: કમીજલા ગામમાં વીજ કરંટથી યુવાનનું મૃત્યુ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-youth-dies-of-electrocution-in-kamijla-village</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-youth-dies-of-electrocution-in-kamijla-village</guid><pubDate>Tue, 04 Aug 2026 05:43:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વિરમગામઃ વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં આવેલા કમીજલા ગામમાં બળદેવ કમાભાઈ સેનવા નામના પાંત્રીસ આસપાસની ઉંમર ધરાવતા યુવાનનુ તેના ઘરમાં જ વીજ શોક લાગવાથી સોમવારે મૃત્યુ નિપજ્યુ હતુ.જેથી વિસ્તારમાં શોક વ્યાપી ગયો હતો.યુવાનને ઘરમાં વીજ સાધનને અડકતા વરસાદી ભેજ વાતાવરણ કારણે શોક લાગ્યો હોવાનુ પ્રાથમિક જાણવા મળ્યુ છે. બનાવની જાણ નળ સરોવર પોલીસને થતા પોહચી હતી અને તપાસ શરૂ કરી છે. યુવકના મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. નોંધનીય છે કે, ઘરમાં યુવકને વીજ કરંટ લાગ્યો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/BfvB5iAq0Cop2rZPw7lIJAuYBCr6VpjXdQjHWRG0.webp'/></item><item><title><![CDATA[Surat: કોસંબામાં પ્રોહિ.ના ગુનાનો વોન્ટેડ આરોપી ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-wanted-accused-of-rape-in-kosamba-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-wanted-accused-of-rape-in-kosamba-arrested</guid><pubDate>Tue, 04 Aug 2026 02:27:52 +05:30</pubDate><description><![CDATA[<p><b>એલસીબી પોલીસે પૂર્વ બાતમીના આધારે કોસંબા પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર કોસંબા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ ઉર્ફે ધમો ઠાકોર વસાવા (ઉં.વ. 33, ધંધો-ખેતી રહે. કઠવાડા ગામ, મંદિર ફળિયું, તા. માંગરોળ, જી. સુરત) હાલમાં કીમ ગામે આવેલા ઓવરબ્રિજ ઉતરતા સર્કલ પાસે ઊભેલ હોવાની એલસીબી પોલીસને બાતમી મળી હતી.</b></p><p><b>હરકતમાં આવેલી એલસીબી પોલીસે ઉપરોક્ત બાતમી મુજબ સ્થળ પર દોડી જઇ સૂચિત ગુનાના વોન્ટેડ આરોપીને દબોચી લીધો હતો. ત્યારે હાલ એલસીબી પોલીસે વોન્ટેડ આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ ઉર્ફે ધમો ઠાકોર વસાવાની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબજો કીમ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.</b></p><p><b><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/auh1EGIBJm31e0W525UEy40UKgAZgx4J0MRZ1avS.webp'/></item><item><title><![CDATA[Surat: કીમના પૂરગ્રસ્ત વિસ્તારોમાં બોટમાં ફરી કર્મીઓએ વીજ પુરવઠો પુનઃ કાર્યરત કર્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-workers-in-boats-restore-power-supply-in-flood-hit-areas-of-kim</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-workers-in-boats-restore-power-supply-in-flood-hit-areas-of-kim</guid><pubDate>Tue, 04 Aug 2026 02:27:00 +05:30</pubDate><description><![CDATA[<p><b>કીમ વિસ્તારમાં પૂરને કારણે વીજ અકસ્માતો અને જાનહાનિ રોકવા માટે વિવિધ સબસ્ટેશન તથા 11 કેવી ફીડરો તાત્કાલિક બંધ કરવાની ફરજ પડી હતી. પાણી ઓછું થતા ડીજીવીસીએલની ટીમોએ પેટ્રોલિંગ, ફોલ્ટ સમારકામ અને વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવાની કામગીરી હાથ ધરી હતી. જેમને એનડીઆરએફની ટીમોએ સહ્યોગ આપ્યો હતો. કીમ વિભાગની અનેક સોસાયટી અને 10 ગામોમાં પાણી ભરાઇ ગયા હતા. ત્યાં કીમના ડે. એન્જિનિયર પ્રજાપતિએ સાવચેતીના ભાગરૂપે વીજ પુરવઠો બંધ કરી દીધો હતો. તબક્કાવાર પાણી ઉતરતા જે તે વિસ્તારોમાં પોતાની ટીમ દોડાવી વીજળી ચાલુ કરાવી હતી. પાલોદ અને 66 કેવી મોટા બોરસરા સબસ્ટેશન ખાતે જેટકો અને ડીજીવીસીએલના અધિકારીઓએ પણ સમયસર વીજ વ્યવસ્થા પુનર્જીવિત કરી હતી. ત્યાં વૈકલ્પિક 11 કેવી ફીડરો મારફતે વીજ પુરવઠો પૂરો પાડવામાં આવ્યો હતો, જેનાથી નના નોગામા સહિત અનેક ગામોમાં સંપૂર્ણ સમારકામ થાય તે પહેલા જ વીજળી શરૂ થઇ શકી હતી.</b></p><p><b><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/09HHRW2SyhbiXnhnTL75kcshCTFpniAvWLERApMW.webp'/></item><item><title><![CDATA[Kanwar Yatra 2026 : કાવડ યાત્રા બનશે વધુ ભવ્ય, ઉત્તરપ્રદેશના 7 જિલ્લાઓમાં હેલિકોપ્ટરથી થશે પુષ્પવર્ષા ]]></title><link>https://sandesh.com/india/news/kanwar-yatra-2026-up-helicopter-flower-shower-7-districts</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/kanwar-yatra-2026-up-helicopter-flower-shower-7-districts</guid><pubDate>Mon, 03 Aug 2026 22:43:01 +05:30</pubDate><description><![CDATA[<p>ઉત્તર પ્રદેશ સરકાર આ વર્ષે કાવડ યાત્રાને વધુ ભવ્ય અને શ્રદ્ધાપૂર્ણ બનાવવા માટે વિશેષ આયોજન કરી રહી છે. શિવભક્ત કાવડિયાઓના સન્માનમાં 9 અને 10 ઓગસ્ટના રોજ પશ્ચિમ ઉત્તર પ્રદેશના સાત જિલ્લાઓમાં હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવશે. સરકારનો ઉદ્દેશ કાવડ યાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓનું સ્વાગત કરવો અને તેમને વિશેષ સન્માન આપવાનો છે.</p><h2><b>અલગ અલગ જિલ્લામાં થશે પુષ્પવર્ષા&nbsp;</b></h2><p>આ વિશેષ અભિયાન હેઠળ હેલિકોપ્ટર દ્વારા કુલ લગભગ 10 કલાક સુધી કાવડ યાત્રા માર્ગો પર ફૂલો વરસાવવામાં આવશે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ 9 ઓગસ્ટના રોજ હેલિકોપ્ટર સવારે લખનઉથી બાગપત માટે રવાના થશે. બાગપતમાં સવારે 10:30થી 11:15 વાગ્યા સુધી કાવડિયાઓ પર પુષ્પવર્ષા કરવામાં આવશે. ત્યારબાદ હેલિકોપ્ટર સહારનપુર પહોંચશે, જ્યાં સવારે 11:45થી બપોરે 12:45 વાગ્યા સુધી શિવભક્તોનું ફૂલોથી સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ મુઝફ્ફરનગરમાં બપોરે 1:30થી 2:15 વાગ્યા સુધી અને મેરઠમાં સાંજે 3:45થી 4:30 વાગ્યા સુધી પુષ્પવર્ષા કરવામાં આવશે.</p><h3><b>લાખો શિવભક્તોમાં ઉત્સાહ વધશે</b></h3><p>10 ઓગસ્ટના રોજ બીજા તબક્કામાં મેરઠથી હેલિકોપ્ટર ઉડાન ભરશે અને સૌથી પહેલા ગાઝિયાબાદ પહોંચશે. અહીં સવારે 8:30થી 9:15 વાગ્યા સુધી કાવડિયાઓ પર ફૂલો વરસાવવામાં આવશે. ત્યારબાદ હાપુડમાં સવારે 9:45થી 10:30 વાગ્યા સુધી અને બુલંદશહરમાં સવારે 11:15થી બપોરે 12 વાગ્યા સુધી આ કાર્યક્રમ યોજાશે.</p><p>આ સમગ્ર આયોજનમાં બાગપત, સહારનપુર, મુઝફ્ફરનગર, મેરઠ, ગાઝિયાબાદ, હાપુડ અને બુલંદશહર એમ કુલ સાત જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા હેલિકોપ્ટરની ઉડાન, સમય અને સ્થળનો સંપૂર્ણ કાર્યક્રમ અગાઉથી તૈયાર કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ સરકારનું માનવું છે કે આ આયોજનથી કાવડ યાત્રામાં જોડાયેલા લાખો શિવભક્તોમાં ઉત્સાહ વધશે અને યાત્રાને વધુ ભવ્ય સ્વરૂપ મળશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/supreme-court-order-ensure-space-for-pedestrians-on-every-road-in-the-country" target="_blank">આ પણ વાંચો : Supreme Court Order: દેશના દરેક રોડ પર પગપાળા મુસાફરો માટે જગ્યા સુનિશ્ચિત કરો</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/9HJ7O3SV8v3tSbZJp1kqY6n0Bm6I6BdLIZArFjsD.webp'/></item><item><title><![CDATA[04 August Top News: 04 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ ]]></title><link>https://sandesh.com/india/news/gujarat/04-august-top-news-important-events-to-happen-on-04-august</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/gujarat/04-august-top-news-important-events-to-happen-on-04-august</guid><pubDate>Mon, 03 Aug 2026 21:52:26 +05:30</pubDate><description><![CDATA[<p><b>દેશ અને દુનિયામાં 04 ઓગસ્ટનો દિવસ અનેક મહત્વપૂર્ણ રાજકીય, સામાજિક અને રમતગમતની ઘટનાઓથી ભરેલો રહેશે. આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, ભાજપની બેઠક, રાજ્યોમાં વરસાદની ચેતવણી, યોગી સરકારનું બજેટ, અરવિંદ કેજરીવાલની માર્ચ સહિતની ઘટનાઓ બનશે</b></p><h2><b>નિપુણ ગુજરાત અભિયાનની શરૂઆત</b></h2><p>નિપુણ ગુજરાત અભિયાનની આવતી કાલથી ગુજરાતમાં શરૂઆત થઈ રહી છે.આ અભિયાન અંતર્ગત બાલવાટિકાથી ધોરણ ૫ સુધીના સરકારી શાળામાં ભણતાં તમામ બાળકોનો બેઝ લાઈન સર્વે હાથ ધરવામાં આવશે.&nbsp;</p><h3><b>વરસાદી વિરામ વચ્ચે વેધર વોચ ગ્રુપની બેઠક&nbsp;</b></h3><p>રાજ્યમાં ત્રણથી ચાર દિવસ સુધી વરસાદનો વિરામ હોવાની હવામાન વિભાગની આગાહી છે. આ વચ્ચે રાજ્યમાં વેધર વોચ ગ્રુપની હાઇ લેવલ બેઠક સાંજે 4 વાગ્યે યોજાશે જેમાં વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. રાજ્યની પરિસ્થિતિ તથા બચાવ કામગીરી સહિતની બાબતો પર ચર્ચા આ બેઠકમાં થશે.</p><h2><b>રાજ્ય સરકાર હાઈકોર્ટમાં જવાબ રજૂ કરશે</b></h2><p>અમદાવાદ શહેરમાં રોડ રસ્તા ટ્રાફિક અને રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી સુઓમોટો અરજી પર રાજ્ય સરકાર દ્વારા કોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવશે&nbsp;</p><h3><b>બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી</b></h3><p>બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની આવતીકાલે ચૂંટણી યોજાશે.ભાજપ દ્વારા મેન્ડેટ મોકલવામાં આવશે. જો અગાઉ ભાજપે મોકલેલ મેન્ડેટ નો વિરોધ થયો હતો તેમ ન થાય તો સર્વ સંમતિ થી ચેરમેન અને વાઇસ ચેરમેન ચૂંટાશે નહિ તો 13 ડિરેકટરો આંતરિક મત આપી નક્કી કરશે જેનાથી વિવાદ થવાની શક્યતા</p><h2><b>તમામ કેન્દ્રીય વિદ્યાલયનો કલા ઉત્સવ યોજાશે</b></h2><p>સાબરકાંઠાના હિંમતનગરમાં આવતીકાલે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યની તમામ કેન્દ્રીય વિદ્યાલયનો કલા ઉત્સવ યોજાશે તેમજ વિવિધ રમતોનું આયોજન પણ કરવામાં આવ્યું છે જેમાંથી પ્રથમ ક્રમાંકિત રમતવીરો સહિત અન્ય કલા સંગીત માં નંબર મેળવનાર રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે.</p><h2><b>આવતીકાલે NDAના સંસદીય દળની બેઠક</b></h2><p>આવતીકાલે NDAના સંસદીય દળની બેઠક યોજાશે જેને વડાપ્રધાન સંબોધિત કરશે. આ બેઠક સવારે 9.30 વાગ્યે સંસદના બાલયોગી ભવન ખાતે યોજાશે.</p><h2><b>E20ના મુદ્દાને લઈને અરવિંદ કેજરીવાલની માર્ચ</b></h2><p>આવતીકાલે E20ના મુદ્દાને લઈને અરવિંદ કેજરીવાલની માર્ચ. કેજરીવાલ બપોરે 12 વાગ્યે વડાપ્રધાન આવાસ પર જઈને પોતાનો વિરોધ નોંધાવશે.આ માર્ચમાં 100 લોકોનું પ્રતિનિધિમંડળ સામેલ થશે.</p><h2><b>આસારામની વચગાળાની જામીન અરજી પર સુનાવણી</b></h2><p>સુપ્રીમ કોર્ટ 4 ઓગસ્ટે જાતીય સતામણીના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામની વચગાળાની જામીન અરજી પર સુનાવણી કરશે.આ પહેલાં અદાલતે AIIMS ને મેડિકલ બોર્ડની રચના કરીને આસારામની આરોગ્ય તપાસ કરી રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.</p><h2><b>યોગી સરકાર બજેટ રજૂ કરશે</b></h2><p>યોગી સરકાર 4 ઓગસ્ટે આ વર્ષનું પ્રથમ અતિરિક્ત (સપ્લીમેન્ટરી) બજેટ રજૂ કરશે, જેમાં લોકપ્રિય યોજનાઓ અને પ્રોજેક્ટો તથા નવા એક્સપ્રેસ-વેને વેગ આપવા પર ભાર મૂકવામાં આવશે.</p><h2><b>સુપ્રીમ કોર્ટમાં ગેરકાયદેસર ઇમારતો પર કાર્યવાહીને લઈને સુનાવણી</b></h2><p>આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં ગેરકાયદેસર અને અસુરક્ષિત ઇમારતો પર કાર્યવાહીને લઈને સુનાવણી હાથ ધરાશે.પૂર્વ સુનાવણીમાં કોર્ટે દિલ્હી, ગુરુગ્રામ, લખનૌ, પટના અને તમિળનાડુના મહાનગરપાલિકાના અધિકારીઓને કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા.</p><h2><b>ઐતિહાસિક ઘટનાઓ&nbsp;</b></h2><p>1914 (પ્રથમ વિશ્વયુદ્ધ): પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટને જર્મની સામે યુદ્ધની ઘોષણા કરી હતી અને યુનાઇટેડ સ્ટેટ્સે (USA) તટસ્થ રહેવાની જાહેરાત કરી હતી.</p><p>1947(પરમાણુ ઉર્જા): ભારતના પ્રથમ પરમાણુ રિએક્ટર 'અપ્સરા'એ કામ કરવાનું શરૂ કર્યું હતું.</p><p>1944 (બીજું વિશ્વયુદ્ધ): બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પ્રખ્યાત ડાયરી લેખિકા એના ફ્રેન્ક અને તેના પરિવારને નાઝી ગુપ્ત પોલીસે એમ્સ્ટરડમથી પકડી પાડ્યા હતા.</p><p>2007 (અંતરીક્ષ મિશન): નાસાએ મંગળ ગ્રહના રહસ્યો શોધવા માટે પોતાનું સ્પેસક્રાફ્ટ 'ફિનિક્સ' (Phoenix) લોન્ચ કર્યું હતું.</p><h2><b>હસ્તીઓનો જન્મ અને મૃત્યુ</b></h2><p>1792: પ્રખ્યાત અંગ્રેજી કવિ પર્સી બાઇશી શેલી (Percy Bysshe Shelley) નો જન્મ થયો હતો.</p><p>1929: ભારતીય સિનેમાના મહાન ગાયક, અભિનેતા અને સંગીતકાર કિશોર કુમાર નો જન્મ થયો હતો.</p><p>1961: યુનાઇટેડ સ્ટેટ્સના ૪૪મા રાષ્ટ્રપતિ અને નોબેલ પુરસ્કાર વિજેતા બરાક ઓબામા નો જન્મ થયો હતો.</p><p>1875: બાળકોની પ્રખ્યાત વાર્તાઓના લેખક હેન્સ ક્રિશ્ચિયન એન્ડરસન (Hans Christian Andersen) નું નિધન થયું હતું.</p><p>2006: ભારતીય સિનેમાના પ્રખ્યાત નૃત્ય નિર્દેશક (કોરિયોગ્રાફર) નંદીપાલ સિંહ (જીવણ) નું અવસાન થયું હતું.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/RbvEn8r8RKCj5hxkSwBJOd7NkjUfkUxB3F3SRIVK.webp'/></item><item><title><![CDATA[LIC OFS : LICમાં સરકાર વેચશે 6.5 ટકા હિસ્સો, રોકાણકારોને 11 ટકા ડિસ્કાઉન્ટમાં મળશે શેર ]]></title><link>https://sandesh.com/business/news/lic-ofs-government-sells-6-5-percent-stake-11-percent-discount-share-offer</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/lic-ofs-government-sells-6-5-percent-stake-11-percent-discount-share-offer</guid><pubDate>Mon, 03 Aug 2026 21:49:58 +05:30</pubDate><description><![CDATA[<p>કેન્દ્ર સરકારે લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)માં પોતાની 6.5 ટકા સુધીની હિસ્સેદારી ઓફર ફોર સેલ (OFS) મારફતે વેચવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ પ્રક્રિયા સરકારના ડિસઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમનો ભાગ છે. સરકારે OFS માટે પ્રતિ શેર ₹382નો ફ્લોર પ્રાઈસ નક્કી કર્યો છે, જે સોમવારે LICના બંધ ભાવ ₹424.35 કરતાં અંદાજે 11 ટકા ઓછો છે.</p><h2><b>8 ઓગસ્ટ સુધી ટ્રેડિંગ વિન્ડો બંધ રહેશે</b></h2><p>ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM)ના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કામાં 2.5 ટકા હિસ્સો વેચવામાં આવશે. જો રોકાણકારો તરફથી વધુ માગ આવશે તો 4 ટકાનો ગ્રીનશૂ વિકલ્પ પણ અમલમાં મૂકવામાં આવશે. આ રીતે કુલ 6.5 ટકા સુધીની હિસ્સેદારી વેચી શકાય છે. OFS 4 ઓગસ્ટે બિન-રિટેલ (Non-Retail) રોકાણકારો માટે ખુલશે, જ્યારે રિટેલ રોકાણકારો 5 ઓગસ્ટે તેમાં ભાગ લઈ શકશે. LICએ આ દરમિયાન કંપનીની ટ્રેડિંગ વિન્ડો 8 ઓગસ્ટ, 2026 સુધી બંધ રાખવાની માહિતી પણ આપી છે.</p><h3><b>કેટલી છે સરકારની ભાગીદારી?</b></h3><p>હાલમાં LICમાં ભારત સરકારની 96.5 ટકા હિસ્સેદારી છે. OFS પૂર્ણ થયા બાદ સરકારનો હિસ્સો ઘટીને આશરે 90 ટકા રહેશે. DIPAMના સચિવ અરુણિશ ચાવલાએ જણાવ્યું હતું કે આ હિસ્સેદારી વેચાણથી સરકાર ન્યૂનતમ જાહેર શેરહોલ્ડિંગનું લક્ષ્ય નિર્ધારિત સમય પહેલાં જ હાંસલ કરી શકશે.</p><p>નોંધનીય છે કે સેબીએ (SEBI) LICને મે 2027 સુધી સરકારની હિસ્સેદારી 90 ટકા સુધી ઘટાડવા માટે સમય આપ્યો હતો. જાહેર શેરહોલ્ડિંગના નિયમો અનુસાર સૂચિબદ્ધ કંપનીઓએ નિર્ધારિત સમયમર્યાદામાં જાહેર રોકાણકારોનો હિસ્સો વધારવો જરૂરી હોય છે. આ OFS તે જ દિશામાં સરકારનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.<br><br><b><a href="https://sandesh.com/business/news/coal-india-production-growth-july-2026-share-price-update" target="_blank">આ પણ વાંચો : Coal India Production: સરકારી કંપનીનું કોલસાનું પ્રોડક્શન 8 ટકા વધ્યું, શેરના ભાવ પર રહેશે નજર</a></b></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/f8onXJnZozwFXQWkEAn5pakGz1LRpujX14vpDrNS.webp'/></item><item><title><![CDATA[Gyaneshwari Yadavને મળશે 30 લાખ રૂપિયાનું ઈનામ અને પ્રમોશન, છત્તીસગઢના સીએમ વિષ્ણુ દેવ સાંઈએ કરી મોટી જાહેરાત ]]></title><link>https://sandesh.com/sports/news/gyaneshwari-yadav-commonwealth-games-silver-dsp-reward</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/gyaneshwari-yadav-commonwealth-games-silver-dsp-reward</guid><pubDate>Mon, 03 Aug 2026 21:07:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈએ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં સિલ્વર મેડલ જીતનાર રાજ્ય વેઈટલિફ્ટર જ્ઞાનેશ્વરી યાદવનું સ્વાગત કર્યું. જ્ઞાનેશ્વરીને તેમના નિવાસસ્થાને અભિનંદન આપતા મુખ્યમંત્રીએ 30 લાખ રૂપિયાનું ઈનામ અને પોલીસ વિભાગમાં DSP પદ પર પ્રમોશનની જાહેરાત કરી. જ્ઞાનેશ્વરી હાલમાં રાજનાંદગાંવ જિલ્લા પોલીસ વિભાગમાં સહાયક સબ-ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>વિષ્ણુ દેવ સાંઈએ જ્ઞાનેશ્વરી યાદવને અભિનંદન પાઠવ્યા</b></h2><p style="text-align: justify; ">છત્તીસગઢની જ્ઞાનેશ્વરીએ 53 કિલોગ્રામ વેઈટલિફ્ટિંગ સ્પર્ધામાં કુલ 199 કિલોગ્રામ વજન ઉપાડીને સિલ્વર મેડલ જીત્યો . મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈએ તેને તેના પ્રભાવશાળી વિજય બદલ અભિનંદન આપ્યા અને કહ્યું કે જ્ઞાનેશ્વરીએ બતાવ્યું છે કે દૃઢ નિશ્ચય અને સખત મહેનતથી કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે.</p><p style="text-align: justify; ">તેમને એમ પણ કહ્યું કે તેની સફળતા છત્તીસગઢના રમતગમત ઈતિહાસમાં એક યાદગાર ક્ષણ છે અને રાજ્યના યુવાનો, ખાસ કરીને છોકરીઓને આગળ વધવા માટે પ્રેરણા આપશે. મુખ્યમંત્રીએ કહ્યું કે છત્તીસગઢ સરકાર રમતવીરોને સપોર્ટ આપવા માટે સતત કામ કરી રહી છે. સરકાર તેમને સારું કોચિંગ, ઉત્તમ સુવિધાઓ અને જરૂરી સાધનો પૂરા પાડી રહી છે જેથી તેઓ ઓલિમ્પિક અને એશિયન ગેમ્સ જેવી મોટી ઈવેન્ટ્સમાં દેશ અને રાજ્યનું ગૌરવ વધારી શકે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/vishnudsai/status/2084255157525856593"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3 style="text-align: justify; "><b>જ્ઞાનેશ્વરી એશિયન ગેમ્સમાં મેડલ જીતવા માગે છે</b></h3><p style="text-align: justify; ">પોતાની સફળતા વિશે વાત કરતાં જ્ઞાનેશ્વરીએ તેના પિતાને યાદ કર્યા. તેણે સમજાવ્યું કે તેના પિતા પોતે બોડીબિલ્ડિંગનો અભ્યાસ કરતા હતા અને દરરોજ તેને સાયકલ પર જીમમાં લઈ જતા હતા. તેના પિતાનું સ્વપ્ન હતું કે તેની પુત્રી તે પ્રાપ્ત કરે જે તે પોતે પ્રાપ્ત કરી શક્યા નહીં અને દેશને ગૌરવ અપાવે.</p><p style="text-align: justify; ">જ્ઞાનેશ્વરીએ સમજાવ્યું કે સ્પર્ધાના દિવસે તેનો પીરિયડ્સનો પહેલો દિવસ હતો અને તે ખૂબ પીડા અનુભવી રહી હતી. આમ છતાં તેણે હિંમત હારી નહીં અને એક પછી એક તેને બધી લિફ્ટ્સ યોગ્ય રીતે પૂર્ણ કરી. જ્ઞાનેશ્વરી ડીએસપી બનવાના સમાચારથી ખૂબ જ ખુશ છે. તેણે કહ્યું કે હવે તેનું સંપૂર્ણ ધ્યાન એશિયન ગેમ્સ પર છે, જે એક મહિના પછી યોજાશે, જેના માટે તેણે પહેલેથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/Tx0pUshrkgztKi7d4Qp48C4NxFCfpSYhdyDpdTX9.webp'/></item><item><title><![CDATA[Celebrity Home  : 1 કરોડનું ઈન્ટીરીયર, 5 કરોડનું ઘર... મનીષા રાનીએ બતાવ્યું પોતાનું ડ્રીમ હોમ આંગન ]]></title><link>https://sandesh.com/entertainment/news/bigg-boss-ott-manisha-rani-new-house-1</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/bigg-boss-ott-manisha-rani-new-house-1</guid><pubDate>Mon, 03 Aug 2026 17:47:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">28 વર્ષની ઉંમરે મનીષા રાની એ એવી સિદ્ધિ મેળવી છે, જે મેળવવામાં ઘણા લોકોને વર્ષો લાગી જાય છે. બિહારના મુંગેરની રહેવાસી મનીષાએ મુંબઈના પોશ વિસ્તારમાં પોતાનું ઘર ખરીદીને તેને એક લક્ઝરી હોમમાં ફેરવી દીધું છે. બિગ બોસ OTT ફેમ અને ઇન્ફ્લુએન્સર મનીષા રાની એ આખરે મુંબઈના ગોરેગાંવમાં આવેલા પોતાના ભવ્ય ઘરની ઝલક બતાવી છે. લગભગ 5 કરોડ રૂપિયાની કિંમત ધરાવતા આ ઘરમાં રહેવા જતાં પહેલાં તેણે તેના રિનોવેશનમાં 1 વર્ષથી વધુ સમય આપ્યો હતો. મનીષાએ પોતાના ઘરને આંગન નામ આપ્યું છે. ઘરના મુખ્ય દરવાજા પર પિત્તળના હેન્ડલ સાથે સંપૂર્ણ સફેદ દરવાજો લગાવવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>ઘરનું રિનોવેશન પૂર્ણ કરવામાં 1 વર્ષ લાગ્યું</b></h2><p style="text-align: justify; ">મનીષા રાનીને પોતાના સપનાના ઘરનું રિનોવેશન પૂર્ણ કરવામાં 1 વર્ષ લાગ્યું હતું અને તેણે કસ્ટમાઇઝ્ડ ઇન્ટિરિયર ડિઝાઇન પર લગભગ 1 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. મનીષાનું આ 3-BHK એપાર્ટમેન્ટ લગભગ 5 કરોડ રૂપિયાનું છે. તેનું ઘર મુંબઈની એક સોસાયટીના 17મા માળે આવેલું છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dbke0ITudtV/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dbke0ITudtV/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dbke0ITudtV/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dbke0ITudtV/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h2 style="text-align: justify; "><b>મનીષા રાનીનું લક્ઝરી ઘર</b></h2><p style="text-align: justify; ">મનીષા રાનીએ પોતાના યુટ્યુબ ચેનલ પર હોમ ટૂર વીડિયો શેર કરીને પોતાના સપનાના ઘરની ઝલક બતાવી હતી. તેણે જણાવ્યું કે ઘરના દરેક ખૂણાને તેની પસંદ પ્રમાણે ડિઝાઇન કરવામાં આવ્યો છે. માત્ર ઇન્ટિરિયર પર જ લગભગ 1 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે, જેથી ઘર બરાબર એવું જ બને જેવું તેણે હંમેશા સપનું જોયું હતું. ઘરના પ્રવેશદ્વારથી લઈને લિવિંગ એરિયા સુધી દરેક જગ્યાએ મોડર્ન અને એલિગન્ટ ઇન્ટિરિયર જોવા મળે છે. મનીષાએ જણાવ્યું કે તેમણે પોતાના ઘરને આંગન નામ આપ્યું છે, કારણ કે તેઓ ઇચ્છતા હતા કે આ માત્ર ઘર નહીં, પરંતુ પરિવાર અને પોતાના લોકોની યાદો સાથે જોડાયેલી ખાસ જગ્યા બને.</p><h3 style="text-align: justify; "><b>મનીષા રાનીના ઘરનું પ્રવેશદ્વાર</b></h3><p style="text-align: justify; ">મનીષાના ઘરમાં પ્રવેશ કરતાં જ સૌથી પહેલાં એક નાનું મંદિર જોવા મળે છે. અહીં તેણે ભગવાન હનુમાન, માતા લક્ષ્મી, ભગવાન શિવ અને ભગવાન ગણેશની મૂર્તિઓ સ્થાપિત કરી છે. તેણે જણાવ્યું, પૂજારીએ વાસ્તુ મુજબ મંદિર અહીં રાખવાની સલાહ આપી હતી. મંદિરની બાજુમાં એક નાનો રબર પ્લાન્ટ પણ રાખવામાં આવ્યો છે. મનીષાના જણાવ્યા મુજબ વાસ્તુમાં રબર પ્લાન્ટને આર્થિક સમૃદ્ધિ માટે શુભ માનવામાં આવે છે.<br><img alt="Manisha Rani (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/03/glfTl7G1pDqL5zNLYj1hYoXM1SNyCGhLx0sj2KnS.webp"><br></p><p style="text-align: justify; ">હોમ ટૂર દરમિયાન મનીષાએ પોતાનો લિવિંગ રૂમ, ડાઇનિંગ એરિયા, મોડ્યુલર કિચન, બેડરૂમ, ડ્રેસિંગ એરિયા અને બાલ્કની પણ બતાવી હતી. ઘરમાં મોટી બાલ્કની, ડાઇનિંગ ટેબલ વગરનો વિશાળ ઓપન-પ્લાન લિવિંગ રૂમ અને કસ્ટમ વોક-ઇન વોર્ડરોબ સાથેનો ડ્રેસિંગ રૂમ છે. મનીષા રાનીના નવા ઘરમાં દરેક રૂમ માટે અલગ કલર થીમ રાખવામાં આવી છે અને કિચનમાં માર્બલ ફિનિશવાળી ખાસ કેબિનેટ્સ બનાવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે ઘરના દરેક ભાગનું પ્લાનિંગ તેમણે જાતે કર્યું છે અને દરેક નાની-મોટી બાબતમાં તેમની પસંદ સામેલ છે.</p><h4 style="text-align: justify; "><b>મનીષા રાનીની સફર</b></h4><p style="text-align: justify; ">ઘર બતાવતાં-બતાવતાં મનીષા ઘણી વખત ભાવુક પણ થઈ ગઈ હતી. તેણે કહ્યું કે એક સમય એવો હતો જ્યારે તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે મુંબઈ જેવા શહેરમાં તેનું પોતાનું આટલું સુંદર ઘર હશે. આજે તેનું આ સપનું સાકાર થયું છે અને તેના માટે તેઓ પોતાના ફેન્સનો દિલથી આભાર માને છે. મનીષા રાનીની સફર પણ પ્રેરણાદાયક છે. બિહારના એક નાના શહેરમાંથી બહાર આવી તેમણે સોશિયલ મીડિયા દ્વારા પોતાની ઓળખ બનાવી. ત્યારબાદ 'બિગ બોસ OTT 2', 'ઝલક દિખલા જા 11' અને અનેક મ્યુઝિક વીડિયોઝે તેમને ઘર-ઘરમાં લોકપ્રિય બનાવી દીધા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/highest-paid-bollywood-actresses-fees-top-5" target="_blank">આ પણ વાંચો-Highest Paid Actress : એક ફિલ્મ માટે કરોડો રૂપિયા વસૂલે છે બોલીવુડની આ અભિનેત્રીઓ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/G0uqDpZf2ORCUaVW9xDCXyGHMmRDWrvQ78godrbk.webp'/></item></channel></rss>