<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Lionel Messiની પિતાના અવસાન બાદ પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'મને ખબર નથી કે હવે...' ]]></title><link>https://sandesh.com/sports/news/lionel-messi-father-jorge-messi-death-emotional-post</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/lionel-messi-father-jorge-messi-death-emotional-post</guid><pubDate>Wed, 12 Aug 2026 23:40:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">લિયોનેલ મેસ્સીના પિતા જોર્જ મેસ્સીનું 8 ઓગસ્ટના રોજ 68 વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન થયું હતું. આ પછી લિયોનેલ મેસ્સીએ 12 ઓગસ્ટના રોજ તેમના પિતાના અવસાન પર પહેલીવાર મૌન તોડ્યું જેમાં તેને સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી જેમાં તેમણે ભવિષ્યમાં ફૂટબોલ રમવા અંગે શંકા વ્યક્ત કરી હતી.</p><p style="text-align: justify;">લિયોનેલ મેસ્સીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર તેમના પિતા જોર્જ સાથેનો એક ફોટો પોસ્ટ કર્યો અને એક નોટ પણ શેર કરી જેમાં તેને લખ્યું કે તેઓ આ મોટી ખોટ સ્વીકારી શકતા નથી અને તેને સમજાતું નથી કે તે તેના પિતા વિના જીવનમાં કેવી રીતે આગળ વધશે કારણ કે તેઓ મારા બેસ્ટ મિત્ર, માર્ગદર્શક અને એજન્ટ પણ હતા.</p><h2 style="text-align: justify;"><b>મને ખબર નથી કે આગળ કેવી રીતે આગળ વધવું</b></h2><p style="text-align: justify;">પિતાના અવસાન પછી લિયોનેલ મેસ્સીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી એક પોસ્ટમાં લખ્યું છે કે "મને ખબર નથી કે હું તમારા વિના શું કરીશ. મને ખબર નથી કે આગળ કેવી રીતે વધવું. હું ફક્ત ફૂટબોલ રમી રહ્યો હતો, પરંતુ હવે મારી પાસે ઘણા સવાલો છે કે શું હું ચાલુ રાખી શકીશ." મેસ્સીએ સમજાવ્યું કે તેના પિતાએ તેને દરેક બાબતમાં સપોર્ટ આપ્યો અને હંમેશા તેના નિર્ણયોમાં વિશ્વાસ રાખ્યો. "બધા માટે આભાર. હું તમને પ્રેમ કરું છું, પપ્પા."</p><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/Db8MYnQjYsC/?img_index=1" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/Db8MYnQjYsC/?img_index=1" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a><br></p><h3 style="text-align: justify;"><b>વર્લ્ડકપ શરૂ થવાના થોડા દિવસ પહેલા તે બીમાર પડ્યા&nbsp;</b></h3><p style="text-align: justify;">પોતાની પોસ્ટમાં લિયોનેલ મેસ્સીએ સમજાવ્યું કે વર્લ્ડકપ 2026 શરૂ થવાના થોડા દિવસો પહેલા તેના પિતાની તબિયત અચાનક બગડી ગઈ હતી, જેના કારણે જોર્જ પહેલી વાર કોઈ ટુર્નામેન્ટમાં હાજરી આપી શક્યા ન હતા. "હું દરેક મેચ પછી મારા પિતાના મેસેજની રાહ જોતો હતો. મને તમારી ખૂબ જ યાદ આવશે, પણ તમે હંમેશા સાથે રહેશો. ખાસ કરીને મારા બાળકોને ઉછેરવામાં, કારણ કે હું તેમને એ જ રીતે શીખવીશ અને ઉછેરીશ જે રીતે તમે મને ઉછેર્યો છે."</p><h4 style="text-align: justify;"><b>મેસ્સીને રોનાલ્ડોનો સપોર્ટ મળ્યો</b></h4><p style="text-align: justify;">મેસ્સીના પિતાના અવસાન પછી જ્યારે તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી, ત્યારે તેને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો સપોર્ટ મળ્યો, જેમાં રોનાલ્ડોએ તેની પોસ્ટ પર કોમેન્ટ કરી અને લખ્યું છે કે લીઓ, આ મુશ્કેલ સમયમાં તને અને તારા પરિવારને મારું મોટું હગ, તમને ઘણી શક્તિ મળે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/TGH56UwXwOH6bh1EQIGogFs2CidMiip8syDerxly.webp'/></item><item><title><![CDATA[India-SACU વેપાર સંબંધોને મળશે નવી ગતિ, પીયૂષ ગોયલે કહ્યું 'સંતુલિત અને ન્યાયી કરારથી બંને પક્ષને લાભ થશે' ]]></title><link>https://sandesh.com/india/news/world/india-sacu-pta-trade-talks-piyush-goyal-fair-trade-deal</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/world/india-sacu-pta-trade-talks-piyush-goyal-fair-trade-deal</guid><pubDate>Wed, 12 Aug 2026 23:36:09 +05:30</pubDate><description><![CDATA[<p>ભારત અને સધર્ન આફ્રિકન કસ્ટમ્સ યુનિયન (SACU) વચ્ચે Preferential Trade Agreement (PTA) માટેની વાટાઘાટો શરૂ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. બુધવારે નવી દિલ્હીના વાણિજ્ય ભવન ખાતે ભારત અને SACUના પ્રતિનિધિઓએ વાટાઘાટો માટે Terms of Reference (ToR) પર હસ્તાક્ષર કર્યા. આ કરારથી ભારત અને દક્ષિણ આફ્રિકાના SACU સભ્ય દેશો વચ્ચે વેપાર અને આર્થિક સંબંધોને વધુ મજબૂતી મળવાની અપેક્ષા છે.</p><h2><b>ગુણવત્તાયુક્ત દવાઓ પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે</b></h2><p>આ પ્રસંગે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ભારત અને SACU વચ્ચેનો પ્રસ્તાવિત વેપાર કરાર બંને પક્ષની ક્ષમતાઓનો લાભ લઈને સહિયારી સમૃદ્ધિ તરફ આગળ વધવામાં મદદ કરી શકે છે. તેમણે સંતુલિત, ન્યાયી અને બંને પક્ષ માટે લાભદાયી વેપાર કરાર પર ભાર મૂક્યો હતો. ગોયલે કહ્યું કે ભારત દક્ષિણ આફ્રિકાના SACU ક્ષેત્રમાં સસ્તી અને ગુણવત્તાયુક્ત દવાઓ પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ ઉપરાંત IT ક્ષેત્રમાં નવા કૌશલ્ય અને પ્રતિભાના વિકાસમાં પણ ભારત સહયોગ આપી શકે છે. તેમણે કહ્યું કે જ્યાં SACU દેશોની કંપનીઓ સ્પર્ધાત્મક છે, ત્યાં તેમને વૈશ્વિક સપ્લાય ચેઈન સાથે જોડવામાં ભારત મદદ કરી શકે છે.</p><h3><b>વેપારની સંભાવનાઓને વધુ વેગ મળી શકે</b></h3><p>પ્રસ્તાવિત PTA હેઠળ એન્જિનિયરિંગ અને મશીનરી, ઓટોમોબાઈલ, ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઈલ, કૃષિ અને એગ્રો-પ્રોસેસિંગ જેવા ક્ષેત્રોમાં વેપારની સંભાવનાઓને વધુ વેગ મળી શકે છે. ગોયલે જણાવ્યું કે ભારતના દક્ષિણ આફ્રિકા સાથેના સંબંધો માત્ર વેપાર પૂરતા મર્યાદિત નથી. તેમણે મહાત્મા ગાંધી અને રંગભેદ વિરોધી સંઘર્ષ દરમિયાન ભારતના સમર્થનનો ઉલ્લેખ કરતા કહ્યું કે બંને પક્ષો વચ્ચે લાંબા સમયથી મજબૂત ભાગીદારી છે.</p><p>તેમણે વાટાઘાટો ઝડપથી આગળ વધારીને PTAને વહેલી તકે અંતિમ સ્વરૂપ આપવાની અપીલ કરી. જોકે તેમણે સ્પષ્ટ કર્યું કે માત્ર ToR પર હસ્તાક્ષર કરવાથી ટેરિફમાં ઘટાડો નહીં થાય. અંતિમ વેપાર કરાર થયા બાદ જ તેનો વાસ્તવિક લાભ મળશે.</p><p><a href="https://sandesh.com/business/news/mp-cm-mohan-yadav-meets-arvind-limited-kulin-lalbhai-in-ahmedabad-1200-crore-investment-pm-mitra-park" target="_blank"><b>આ પણ વાંચો : Business News: ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનશે, એમપીના સીએમએ આપ્યું રોકાણનું આમંત્રણ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/3DAwFIezw4BD3W959cNWyHGiEgK5sQn9RseDq0XG.webp'/></item><item><title><![CDATA[Kachchh News: રાપરમાં તલાટી અલ્પા પટેલ હયાતીના હક્કની નોંધ પડાવવા એક હજારની લાંચ લેતા પકડાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/bhuj/rapar-talati-alpaben-patel-caught-taking--1-000-bribe</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/bhuj/rapar-talati-alpaben-patel-caught-taking--1-000-bribe</guid><pubDate>Wed, 12 Aug 2026 23:06:31 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કચ્છ જિલ્લામાં સરકારી બાબુઓ અને કર્મચારીઓ દ્વારા ચાલતા ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ લાલઆંખ કરી છે.રાપર તાલુકાના સેલારી ગામ ખાતે ફરજ બજાવતાં મહિલા તલાટી કમ મંત્રી અલ્પાબેન રમેશ પટેલ રૂ.1 હજારની લાંચ લેતાં પૂર્વ કચ્છ એસીબીની ટીમ દ્વારા ગોઠવવામાં આવેલા છટકામાં રંગેહાથ ઝડપાઈ જતાં મહેસૂલી આલમમાં અફરાતફરી મચી ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>5 હજાર સુધીની લાંચની માંગણી કરતી હતી</b></h2><p style="text-align: justify; ">ફરિયાદી પાસે હયાતીના હક્કની નોંધ પાડવાના કામ બદલ મહિલા તલાટી અલ્પાબેન પટેલે રૂ.1 હજારના ગેરકાયદેસર અવેજ એટલે કે લાંચની માગણી કરી હતી.આ ઉપરાંત,સ્થાનિક ગ્રામજનો અને અરજદારોમાં એવી પણ વ્યાપક ફરિયાદો ઉઠી હતી કે મહિલા તલાટી ગામમાં વિવિધ નોંધો પાડવા,વેરા ભરવા સહિતની મહેસૂલી કામગીરીઓ કરવા માટે પેટે ગેરકાયદેસર રીતે રૂ.200થી લઈને રૂ.5 હજાર સુધીની લાંચની માંગણી કરતી હતી.આ ફરિયાદોના આધારે પૂર્વ કચ્છ એસીબીની ટીમે સતર્કતા દાખવીને એક આયોજિત છટકું ગોઠવ્યું હતું.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>1000ની લાંચ સ્વીકારતા જ એસીબીની ટીમે ઝડપી</b></h3><p style="text-align: justify; ">આ ટ્રેપ દરમિયાન તલાટી અલ્પાબેન પટેલ ફરિયાદી પાસેથી 1000ની લાંચ સ્વીકારતા જ એસીબીની ટીમે તેઓને રંગેહાથ ઝડપી લીધા હતા.હજુ થોડા દિવસો અગાઉ જ ભુજ ખાતે પણ એક મહેસૂલ તલાટી રૂ.35 હજારની મોટી રકમની લાંચ લેતાં એસીબીના હાથે પકડાયો હતો.કચ્છ જિલ્લામાં સરકારી કચેરીઓમાં ચાલતી લાંચરુશ્વત અંગે લોકમુખે વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે એસીબી દ્વારા બેક-ટુ-બેક કરવામાં આવેલી આ સફળ કામગીરીથી ભ્રષ્ટ કર્મચારીઓ અને અધિકારીઓમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો છે.એસીબી દ્વારા મહિલા તલાટી સામે ગુનો નોંધીને આગળની ચાર્જશીટ અને કાયદેસરની તપાતી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/red-alert-issued-for-three-north-gujarat-districts" target="_blank">આ પણ વાંચોઃ Gujarat Weather News: ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/SV5mldp0SFtpeBxZpFIMLqO94ojuzzsmQeevJ1Lq.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે FIBA અંડર 18 એશિયા કપ યોજાશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/fiba-u18-asia-cup-to-be-held-at-veer-savarkar-sports-complex</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/fiba-u18-asia-cup-to-be-held-at-veer-savarkar-sports-complex</guid><pubDate>Wed, 12 Aug 2026 22:00:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રમતગમત ક્ષેત્રે અમદાવાદ શહેરના આંગણે વધુ એક આંતરરાષ્ટ્રીય સ્તરની ટૂર્નામેન્ટનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે.ભારતમાં લાંબા 22 વર્ષના વિરામ બાદ પ્રતિષ્ઠિત FIBA અંડર 18 એશિયા કપ યોજાવા જઈ રહ્યો છે.જેના તમામ મુકાબલાઓ અમદાવાદના અદ્યતન વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેલાશે.આ આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ સ્પર્ધાને લઈને રમતપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.આ ટૂર્નામેન્ટમાં એશિયા ખંડની શ્રેષ્ઠ 16 ટીમો ભાગ લઈ રહી છે જેમને 4 અલગ-અલગ ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ત્રીજી મેચ 18 ઓગસ્ટે કિર્ગિસ્તાન સામે ખેલાશે</b></h2><p style="text-align: justify; ">ટૂર્નામેન્ટની શરૂઆતની મેચમાં જ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ટીમ થાઈલેન્ડ સામે પોતાની તાકાત બતાવવા મેદાનમાં ઉતરશે.ભારતીય ચાહકોની નજર ખાસ કરીને યજમાન ટીમ ઈન્ડિયાના પ્રદર્શન પર રહેશે.ભારતને ગ્રુપ-Dમાં સ્થાન મળ્યું છે.ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 14 ઓગસ્ટે શક્તિશાળી જાપાન સામેની મેચથી કરશે.ત્યારબાદ ભારતનો બીજો મુકાબલો 16 ઓગસ્ટે કોરિયા સામે અને ત્રીજી મેચ 18 ઓગસ્ટે કિર્ગિસ્તાન સામે ખેલાશે.</p><h2 style="text-align: justify; "><b>ભારતીય ટીમ નોકઆઉટ સ્ટેજમાં પહોંચવા આતુર</b></h2><p style="text-align: justify; ">સ્થાનિક પ્રેક્ષકોની હાજરી અને હોમ ગ્રાઉન્ડનો લાભ મેળવીને ભારતીય ટીમ નોકઆઉટ સ્ટેજમાં પહોંચવા માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા આતુર છે.ટૂર્નામેન્ટના શિડ્યુલ મુજબ ગ્રુપ સ્ટેજની રોમાંચક મેચો પૂર્ણ થયા બાદ ક્વાર્ટર ફાઇનલનો તબક્કો 20 ઓગસ્ટથી શરૂ થશે.એશિયાના નવા બાસ્કેટબોલ ચેમ્પિયનનો નિર્ણય 23 ઓગસ્ટે રમાનારી ફાઇનલ મેચ દ્વારા થશે.અમદાવાદ જેવા સ્પોર્ટ્સ હબમાં આ પ્રકારની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન થવાથી સ્થાનિક અને દેશના ઉભરતા બાસ્કેટબોલ ખેલાડીઓને મોટું પ્રોત્સાહન મળશે.<br><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kheda/mgvcl-officials-missing-as-sonipura-residents-protest-power-issues" target="_blank">આ પણ વાંચોઃ Kheda News: MGVCL કચેરી પર લોકો હલ્લાબોલ કરવા આવતા હોવાની જાણ થતાં જ અધિકારીઓ ગાયબ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/RMA4EOK3qwGfbVMSnlsuSPUQWmnJqTgP23LljZwD.webp'/></item><item><title><![CDATA[Mumbaiમાં વરસાદનો કહેર, કુર્લામાં લેન્ડસ્લાઈડની દુર્ઘટનામાં મોતનો આંકડો વધીને 7 પર પહોંચ્યો, 7 લોકો ઘાયલ ]]></title><link>https://sandesh.com/india/news/mumbai-heavy-rain-kurla-landslide-7-dead-7-injured</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/mumbai-heavy-rain-kurla-landslide-7-dead-7-injured</guid><pubDate>Wed, 12 Aug 2026 21:39:59 +05:30</pubDate><description><![CDATA[<p>મુંબઈમાં સતત પડી રહેલા ભારે વરસાદ વચ્ચે બુધવારે વહેલી સવારે કુર્લા પશ્ચિમના ચિરાગ નગર વિસ્તારમાં મોટો અકસ્માત સર્જાયો હતો. ભૂસ્ખલન થતાં પહાડીનો એક ભાગ ધસી પડ્યો અને તેનો કાટમાળ આસપાસ આવેલા મકાનો પર પડ્યો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 7 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 7 લોકો ઘાયલ થયા છે.</p><h2><b>વરસાદને કારણે અચાનક ભૂસ્ખલન થયું&nbsp;</b></h2><p>મળતી માહિતી મુજબ, ઘટના બુધવારે વહેલી સવારે લગભગ 3 વાગ્યાથી 3:48 વાગ્યાની વચ્ચે બની હતી. ચિરાગ નગરના ગૌશિયા ચાલ અને અશોકનગર વિસ્તારમાં સતત વરસાદને કારણે અચાનક ભૂસ્ખલન થયું હતું. રાતનો સમય હોવાથી લોકો ઊંઘમાં હતા અને તેમને બચવાની તક પણ મળી નહોતી. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન કાટમાળમાંથી અત્યાર સુધીમાં 7 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. પોલીસ અને પ્રશાસનની ટીમો હજુ પણ કાટમાળ હટાવી રહી છે અને કોઈ અન્ય વ્યક્તિ ફસાઈ હોય તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને શોધખોળ ચાલુ છે.</p><h3><b>તમામ ઘાયલોની હાલત હાલમાં સ્થિર</b></h3><p>દુર્ઘટનામાં ઘાયલ થયેલા 7 લોકોને કુર્લાની ભાભા હોસ્પિટલ અને રાજાવાડી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર તમામ ઘાયલોની હાલત હાલમાં સ્થિર છે. ઘટનાની જાણ થતાં જ મુંબઈ ફાયર બ્રિગેડ, પોલીસ, બીએમસી, એનડીઆરએફ, 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક વોર્ડ સ્ટાફની ટીમો સ્થળ પર પહોંચી હતી. તમામ એજન્સીઓ સંયુક્ત રીતે બચાવ કામગીરી ચલાવી રહી છે.&nbsp;</p><p>મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સતત ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ પાણી ભરાવા અને ભૂસ્ખલનનું જોખમ વધ્યું છે. કુર્લાની આ ઘટનાએ ફરી એકવાર વરસાદ દરમિયાન જોખમી ઢાળ અને નબળા વિસ્તારોમાં રહેતા લોકોની સુરક્ષાને લઈને ચિંતા વધારી છે.</p><p><a href="https://sandesh.com/india/news/karnataka-cabinet-expansion-dk-shivakumar-ministers-portfolios-changes" target="_blank"><b>આ પણ વાંચો : Karnataka Cabinet Expansion: DK શિવકુમારે મંત્રીઓને સોંપ્યા વિભાગો, મુનિયપ્પા અને રામલિંગા રેડ્ડીના ખાતામાં ફેરફાર</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/hnYrx9llJxTfmoeDL9vM0UuibSM43VGlyMcGeDQu.webp'/></item><item><title><![CDATA[Dhoraji: સવારે કાકા-કાકીનો આપઘાત, સાંજે સ્મશાનમાં દોણી લઈને ગયેલા ભત્રીજાનું હાર્ટ એટેકથી મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dhoraji/tragic-incident-uncle-aunt-suicide-nephew-dies-of-heart-attack-at-crematorium</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dhoraji/tragic-incident-uncle-aunt-suicide-nephew-dies-of-heart-attack-at-crematorium</guid><pubDate>Wed, 12 Aug 2026 21:37:50 +05:30</pubDate><description><![CDATA[<p>ધોરાજી શહેરના જમનાવડ રોડ વિસ્તારમાં રહેતા રાવરાણી પરિવારમાં આજે સવારના સમયે જ એક ભારે કરુણાંતિકા સર્જાઈ હતી. ઘરમાં રહેતા જિતુભાઈ રાવરાણી અને તેમના ધર્મપત્ની મધુભાઈ જિતુભાઈ રાવરાણી નામના દંપતીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ગંભીર હાલતમાં દંપતીને સારવાર મળે તે પહેલાં જ બંનેના મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.</p><h2><b>ધોરાજીમાં રાવરાણી પરિવાર પર તૂટી પડ્યો દુઃખનો પહાડ</b></h2><p>એકસાથે પતિ-પત્નીના આત્મહત્યાના બનાવથી રાવરાણી પરિવાર અને સગાં-સંબંધિઓ પર આઘાતનો વજ્રાઘાત થયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને સ્થાનિકો પરિવારની વહારે દોડી આવ્યા હતા. કાકા જિતુભાઈ અને કાકી મધુભાઈના અચાનક નિધન બાદ સાંજના સમયે તેમની અંતિમયાત્રા (સ્મશાનયાત્રા) કાઢવામાં આવી હતી. આ અંતિમયાત્રામાં મૃતક દંપતીનો ભત્રીજો દીપકભાઈ કિરીટભાઈ રાવરાણી (ઉંમર વર્ષ 41) વિધિ મુજબ કાકા-કાકીની અગ્નિદાહ માટેની દોણી હાથમાં લઈને સ્મશાનગૃહ સુધી પહોંચ્યો હતો.</p><h3><b>સ્મશાનગૃહમાં જ કરુણ અંત</b></h3><p>સ્વજનોને ગુમાવવાના ભારે આઘાત અને શોક વચ્ચે સ્મશાનગૃહમાં અંતિમ વિધિ ચાલી રહી હતી તે જ સમયે ભત્રીજા દીપકભાઈ રાવરાણીને છાતીમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો અને તેઓ સ્મશાનગૃહમાં જ ઢળી પડ્યા હતા. ઉપસ્થિત લોકો કંઈ સમજે કે તબીબી સારવાર મળે તે પહેલાં જ તેમને સીવિયર હાર્ટ એટેક આવી જતાં તેમનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેડું ઊડી ગયું હતું. સવારે કાકા-કાકી અને સાંજે ભત્રીજાના મોતથી ધોરાજીમાં રાવરાણી પરિવાર પર કાળનો એવો પંજો વાગ્યો છે કે આખી આસપાસની જનતાના કાળજાં કંપી ગયાં છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/vadodara/tarsali-danteshwar-vuda-awas-mehul-darbar-murdered-on-birthday" target="_blank">આ પણ વાંચો: Vadodara: તરસાલીમાં જન્મદિવસ જ બન્યો કાળ, સમાધાનના બહાને બોલાવી યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/dSDmfkto41MhlnT0YwRe28rPJhuGTuHzgc0xgZjU.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: અપ્રમાણસર મિલકતના કેસમાં સસ્પેન્ડેડ GAS અધિકારી કેતકી વ્યાસની ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/suspended-gas-officer-ketki-vyas-arrested-by-crime-branch</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/suspended-gas-officer-ketki-vyas-arrested-by-crime-branch</guid><pubDate>Wed, 12 Aug 2026 20:56:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">લાંચ અને ભ્રષ્ટાચારના ચર્ચિત કેસમાં આરોપી અને સસ્પેન્ડેડ જીએએસ અધિકારી તથા પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસ સામે કાયદાનો સકંજો વધુ મજબૂત બન્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા એક ખાસ ઓપરેશન દરમિયાન શેલા વિસ્તારમાંથીકેતકી વ્યાસની ધરપકડ કરવામાં આવી છે.આ હાઇપ્રોફાઇલ ધરપકડ બાદ રાજ્યના સરકારી અને વહીવટી વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>સસ્પેન્ડેડ GAS અધિકારી કેતકી વ્યાસની ધરપકડ</b></h2><p style="text-align: justify; ">પ્રાપ્ત વિગતો અનુસાર સસ્પેન્ડેડ અધિકારી કેતકી વ્યાસ સામે લાંચ લેવા અને હોદ્દાનો દુરુપયોગ કરીને ભ્રષ્ટાચાર આચરવાના ગંભીર આરોપો હેઠળ ગુનો નોંધાયેલો હતો. લાંબા સમયથી ચાલી રહેલી તપાસ વચ્ચે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે તેઓ શેલા વિસ્તારમાં ઉપસ્થિત છે.આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ત્વરિત કાર્યવાહી કરીને તેમની અટકાયત કરી હતી.પ્રાથમિક કાયદેસરની કાગળજી કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કેતકી વ્યાસની કસ્ટડી અને આગળની તપાસ  એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ને સોંપી દીધી છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>પ્રાથમિક કાર્યવાહી બાદ કેતકી વ્યાસને ACBને સોંપી&nbsp;</b></h3><p style="text-align: justify; ">એસીબી દ્વારા કસ્ટડી મેળવ્યા બાદ હવે ભ્રષ્ટાચાર અને લાંચ રૂશ્વત કેસના મૂળ સુધી પહોંચવા માટે તેમની ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરવામાં આવી છે.એસીબીના સૂત્રોના જણાવ્યા અનુસાર કેસની વધુ અને તટસ્થ તપાસ માટે, બેનામી મિલકતો તેમજ આ કૌભાંડમાં સામેલ અન્ય સંડોવાયેલા નામોની વિગતો બહાર લાવવા માટે આરોપી અધિકારી કેતકી વ્યાસને ટૂંક સમયમાં જ સંબંધિત કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.એસીબી કોર્ટ પાસે તેમના રિમાન્ડ મેળવવાની મજબૂત પ્રક્રિયા હાથ ધરશે,જેથી પૂછપરછ દરમિયાન અનેક મોટા ખુલાસાઓ થવાની સંભાવના સેવાઈ રહી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/amit-shah-launches-gramin-gyan-setu-app-to-digitally-connect-village-libraries" target="_blank">આ પણ વાંચોઃ Gandhinagar News: મારા સંસદીય વિસ્તારના ગામોની લાયબ્રેરીને ડિજિટલી જોડવામાં આવી છે : ગૃહમંત્રી અમિત શાહ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/jK6whQaL5L22JsmPhCHE8EafxqKy69i7sTHi9gjN.webp'/></item><item><title><![CDATA[World Organ Donor Day 2026: ઓર્ગન ડોનેશન ક્ષેત્રે ગુજરાતનો દેશભરમાં ડંકો, 3 સરકારી હોસ્પિટલોને મળ્યા રાષ્ટ્રીય એવોર્ડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/world-organ-donor-day-2026-govt-hospitals-win-3-national-organ-donation-awards</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/world-organ-donor-day-2026-govt-hospitals-win-3-national-organ-donation-awards</guid><pubDate>Wed, 12 Aug 2026 20:42:42 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતે અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટેશન ક્ષેત્રે સમગ્ર દેશમાં એક અનોખી મિશાલ કાયમ કરીને ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. 3 ઓગસ્ટ, 2026ના રોજ ‘નેશનલ ઓર્ગન ડોનેશન ડે’ નિમિત્તે નવી દિલ્હી ખાતે યોજાયેલા ‘16મા ઇન્ડિયન નેશનલ ઓર્ગન ડોનેશન ડે’ સમારોહમાં ગુજરાતને ત્રણ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે.</p><h2><b>ગુજરાતની આ 3 સરકારી હોસ્પિટલોને મળ્યા રાષ્ટ્રીય પુરસ્કાર</b></h2><p>અંગદાન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્યની અલગ-અલગ ત્રણ સરકારી હોસ્પિટલોને રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ્સ એનાયત કરાયા છે.</p><ul><li><b>IKDRC અમદાવાદ: </b>અંગ પ્રત્યારોપણ ક્ષેત્રે અગ્રેસર રહેવા બદલ "Excellence in Leading Government Hospital in Organ Transplantation" નો એવોર્ડ પ્રાપ્ત થયો.</li><li><b>અમદાવાદ સિવિલ હોસ્પિટલ: </b>મૃત દાતાઓમાંથી સફળતાપૂર્વક અંગોના રીટ્રીવલ (ઓર્ગન કલેક્શન) માટે "Best Non-Transplant Organ Retrieval Centre (NTORC)" નો એવોર્ડ મળ્યો.</li><li><b>નવી સિવિલ હોસ્પિટલ, સુરત: </b>બ્રેઇન સ્ટેમ ડેથની સમયસર ઓળખ, સ્વજનોનું સંવેદનશીલ કાઉન્સેલિંગ અને વૈજ્ઞાનિક પ્રક્રિયા માટે "Best Brain Stem Death Team" નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.</li></ul><p><img alt="World Organ Donor Day 2026: Gujarat Govt Hospitals Win 3 National Organ Donation Awards 2026" src="https://epapercdn.sandesh.com/images/2026/08/12/hpi0wR6zC8sZ9nn0KtVcT7leXkDNHYmgnxIDYDH7.webp"><br></p><h2><b>કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી અને મંત્રીમંડળે પાઠવ્યા અભિનંદન</b></h2><p>ગુજરાતના આરોગ્ય વિભાગને પ્રાપ્ત થયેલી આ અભૂતપૂર્વ ગૌરવસિદ્ધિના એવોર્ડ્સ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં સન્માનપૂર્વક પ્રસ્તુત કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સમગ્ર કેબિનેટ મંત્રીમંડળે ગુજરાતના આરોગ્ય વિભાગની આ સરાહનીય કામગીરીને બિરદાવીને હોસ્પિટલના તમામ તબીબો, સ્ટાફ અને સંબંધિત ટીમોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.</p><p><img alt="World Organ Donor Day 2026: Gujarat Govt Hospitals Win 3 National Organ Donation Awards 2026" src="https://epapercdn.sandesh.com/images/2026/08/12/PnrziV07sko5MTpi7ahTVEONl5vRk1OHQkxOVohn.webp"><br></p><h2><b>વિશ્વ અંગદાન દિવસ 2026</b></h2><p>વિશ્વ અંગદાન દિવસ દર વર્ષે 13 ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ લોકોમાં અંગદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો અને મૃત્યુ પછી અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન આપવા માટે પ્રેરિત કરવાનો છે.</p><h2><b>અંગદાનનું મહત્વ</b></h2><ul><li>એક વ્યક્તિનું અંગદાન અનેક લોકોના જીવન બચાવી શકે છે.</li><li>કિડની, લીવર, હૃદય, ફેફસાં અને આંખો જેવા મહત્વપૂર્ણ અંગોનું પ્રત્યારોપણ કરી શકાય છે.</li><li>બ્રેઈનડેડ દર્દીના અંગો પરિવારની સંમતિથી દાનમાં આપી શકાય છે.</li></ul><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/explainer/news/world/sandesh-digital-explainer-why-is-public-outrage-against-social-media-flaring-up-in-america-a-warning-bell-for-india-too" target="_blank">Sandesh Digital Explainer: અમેરિકામાં સોશિયલ મીડિયા સામે કેમ ભડકી રહ્યો છે જનઆક્રોશ? ભારત માટે પણ ખતરાની ઘંટી</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/KGwTVjWImq2Rus7yNL9h4I6cn9hkNV6KjTxGMZU7.webp'/></item><item><title><![CDATA[Reels Effect On Gen-Z: રીલ્સના ચક્કરમાં કેવી રીતે બરબાદ થઈ રહ્યો છે યુવાનોનો કિંમતી સમય?, જાણો ]]></title><link>https://sandesh.com/entertainment/news/india/reels-effect-on-gen-z-how-is-the-precious-time-of-the-youth-being-wasted-in-the-hustle-and-bustle-of-reels-find-out</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/india/reels-effect-on-gen-z-how-is-the-precious-time-of-the-youth-being-wasted-in-the-hustle-and-bustle-of-reels-find-out</guid><pubDate>Wed, 12 Aug 2026 20:25:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">પરંતુ હવે, મોટાભાગના Gen-Z સ્માર્ટફોન પર એક નજર નાખો અને તમને કલા, શિક્ષણ, મહેનત અથવા બુદ્ધિનો કોઈ પત્તો નહીં મળે.&nbsp;</p><h2 style="text-align: justify; ">રીલની દુનિયામાં ખોવાયેલો Gen-Z</h2><p style="text-align: justify; ">આજની દુનિયામાં, જો તમે લાખો ફોલોઅર્સ ઇચ્છતા હોવ, તો તમારે ડિગ્રી, રીતભાત કે ઊંડી સમજણની જરૂર નથી. ઘણા સર્જકો છે જે સામગ્રીના નામે, તેમની રીલ્સ પર કંઈપણ પીરસતા હોય છે, અને તેને લાખો વ્યૂઝ મળી રહ્યા છે. ઉદાહરણ તરીકે, "ડેની પંડિત" ના વાયરલ વિડીયોને લો, જ્યાં તે લાંબા વિગ અને છોકરીઓના કપડાં પહેરીને વાહિયાત રીતે નૃત્ય કરે છે, અને આ રીલ, કોઈપણ છંદ કે પ્રતિભા વિના, 84.2 મિલિયન વ્યૂઝ ધરાવે છે.&nbsp;</p><h3 style="text-align: justify; ">કેવી થાય છે માનસિક અસર ?&nbsp;</h3><p style="text-align: justify; ">બીજી બાજુ, એક રેન્ડમ રીલ જ્યાં એક મહિલા તેના રૂમમાં સાડી પહેરીને ડાન્સ કરે છે તેને સરળતાથી 14.8 મિલિયન વ્યૂઝ મળે છે. આ ફક્ત થોડા ઉદાહરણો છે કે કેવી રીતે રીલ્સ યુવાનોનો સમય બગાડી રહી છે. ઇન્સ્ટા રીલ્સની દુનિયામાં, લાખો આવી રીલ્સ છે, જેના પર યુવાનો પોતાનો કિંમતી સમય બગાડી રહ્યા છે તે જાણ્યા વિના પણ. માનસિક દ્રષ્ટિકોણથી, આ કોઈ સંયોગ નથી, પરંતુ ધીમું ઝેર છે. રીલ્સ અને શોર્ટ્સના ફોર્મેટ તમારા મગજમાં તરત જ ડોપામાઇન મુક્ત કરવા માટે રચાયેલ છે.&nbsp;</p><h4 style="text-align: justify; ">ચર્ચાનો નવો વિષય&nbsp;</h4><p style="text-align: justify; ">દરેક સ્ક્રોલ સાથે, યુવાનોને એક નવો આંચકો અથવા ચર્ચાનો નવો વિષય મળે છે. આ તેમના ધ્યાનના સમયગાળા પર સીધી અસર કરી રહ્યું છે. આ જ કારણ છે કે આજે મોટાભાગના યુવાનો 2 મિનિટનો ગંભીર વિડિઓ અથવા પુસ્તકનું એક પૃષ્ઠ શાંતિથી વાંચી શકતા નથી. તેમને દર 10 સેકન્ડે કંઈક ઉત્તેજક જોઈએ છે. પરિણામ શું છે? શિક્ષણનું મહત્વ ઘટી રહ્યું છે, ડિગ્રીઓ ફક્ત કાગળના ટુકડા બની રહી છે, અને સર્જનાત્મકતાના નામે, બીજા લોકોના ગીતો સાથે લિપ-સિંકિંગ એક કૌશલ્ય માનવામાં આવે છે.</p><h5 style="text-align: justify; ">આજની પેઢી માટે સૌથી ખતરનાક</h5><p style="text-align: justify; ">આજની પેઢી માટે સૌથી ખતરનાક ઉદાહરણ એ છે કે "વિવાદ એ સફળતાની ચાવી છે." સાચા અને ખોટા વચ્ચેનો ભેદ અદૃશ્ય થઈ ગયો છે. કેટલાક રસ્તા પર પસાર થતા લોકોને હેરાન કરીને રીલ્સ બનાવી રહ્યા છે, જ્યારે કેટલાક તેમનો દુરુપયોગ કરી રહ્યા છે. જ્યાં સુધી મામલો પોલીસ સ્ટેશન સુધી ન પહોંચે અથવા વિવાદ તરફ ન જાય ત્યાં સુધી સામગ્રીને પૂર્ણ માનવામાં આવતી નથી. જનરલ-ઝેડ આંધળાપણે આ જુસ્સાને અનુસરી રહ્યા છે. તેઓ માને છે કે એકવાર રીલ્સ વાયરલ થઈ જાય, પછી જીવન સેટ થઈ જાય છે.&nbsp;</p><h6 style="text-align: justify; ">મનોરંજનના નામે અશ્લીલતા&nbsp;</h6><p style="text-align: justify; ">મનોરંજન ખોટું નથી, પરંતુ જ્યારે મનોરંજનના નામે અશ્લીલતાને "આઇકન" માનવામાં આવે છે, અને નવી પેઢી તેમના શિક્ષણને છોડી દે છે અને રસ્તા પરની રીલ્સને તેમના કારકિર્દીનો માર્ગ બનાવવાનું વિચારે છે, ત્યારે ભયની ઘંટડીઓ વાગી જાય છે. જનરલ-ઝેડને સમજવું જોઈએ કે 15-સેકન્ડની રીલ્સ ક્યારેય તમારા વાસ્તવિક જીવનનું સત્ય હોઈ શકે નહીં. જો આપણે સમયસર તમારા ફોન ડેટા બંધ નહીં કરીએ અને તમારા મગજનો ડેટા ચાલુ નહીં કરીએ, તો આવતીકાલ રીલ્સની દુનિયામાં ડૂબી જશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/business/news/india/online-vs-offline-shopping-why-do-companies-sell-different-products-online-and-offline-know-what-is-the-reason" target="_blank">ઓનલાઇન અને ઓફલાઇન કેમ અલગ પ્રોડક્ટ વેચે છે કંપનીઓ, જાણો શુ છે કારણ?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/BDWcBPwWEdeVAB3elqDkqbWBLDjhzEiFJfCL7cBo.webp'/></item><item><title><![CDATA[Online vs Offline Shopping: ઓનલાઇન અને ઓફલાઇન કેમ અલગ પ્રોડક્ટ વેચે છે કંપનીઓ, જાણો શુ છે કારણ? ]]></title><link>https://sandesh.com/business/news/india/online-vs-offline-shopping-why-do-companies-sell-different-products-online-and-offline-know-what-is-the-reason</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/online-vs-offline-shopping-why-do-companies-sell-different-products-online-and-offline-know-what-is-the-reason</guid><pubDate>Wed, 12 Aug 2026 20:10:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સ કંપનીઓ હવે ઓનલાઈન અને ઓફલાઈન ગ્રાહકો માટે અલગ અલગ મોડેલ અને ફીચર્સ ઓફર કરી રહી છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">ઓનલાઈન અને ઓફલાઈન વચ્ચે તફાવત</h2><p style="text-align: justify; ">દેશની સૌથી મોટી ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓમાંની એક, LG, ઓનલાઈન ખરીદીની તુલનામાં સ્ટોરમાં ખરીદેલા કેટલાક ટીવી પર એક થી બે વર્ષની વધારાની વોરંટી આપે છે. કંપની વેચાણ ચેનલના આધારે કેટલાક ઉપકરણો પર સુવિધાઓ પણ તૈયાર કરે છે. તેવી જ રીતે, Haier ઓનલાઈન અને ઓફલાઈન બજારો માટે અલગ અલગ વ્યૂહરચના અપનાવી રહી છે. ઓનલાઈન ગ્રાહકોને વોટર ડિસ્પેન્સર સાથે પ્રીમિયમ રેફ્રિજરેટર મળે છે, જ્યારે સ્ટોરમાં વેચાતા કેટલાક મોડેલો કાચના દરવાજા અથવા મિરર ફિનિશ સાથે આવે છે.&nbsp;</p><h3 style="text-align: justify; ">કંપનીઓ કેમ કરે છે આવું ?</h3><p style="text-align: justify; ">કંપનીઓ અનુસાર, ઈ-કોમર્સ ગ્રાહકો સુધી પહોંચવાનો ઝડપી માર્ગ છે, પરંતુ કંપની પાસે 35,000 થી વધુ સ્ટોર્સનું મોટું ડીલર નેટવર્ક પણ છે. તેથી, બંને ચેનલો વિવિધ સુવિધાઓ અને વોરંટી કવરેજ ધરાવતા મોડેલો સાથે સહઅસ્તિત્વ ધરાવે છે. અલગ મોડેલો રાખવાથી ઓનલાઈન અને ઓફલાઈન ચેનલો વચ્ચેના સંઘર્ષો ઘટાડવામાં મદદ મળે છે. જો કે, આ માટે કંપનીઓને વધારાના સંશોધન અને વિકાસ ખર્ચનો પણ ભોગવવો પડે છે. આ પરિવર્તન એવા સમયે આવ્યું છે જ્યારે ઓનલાઈન ખરીદી સતત વધી રહી છે.&nbsp;</p><h4 style="text-align: justify; ">ગ્રાહકો પર આની શું અસર પડશે?</h4><p style="text-align: justify; ">આ પરિવર્તન ગ્રાહકો પર સીધી અસર કરી શકે છે. ફક્ત કિંમતના આધારે ઓનલાઈન અને ઓફલાઈન મોડેલની સરખામણી કરવી હવે પૂરતી રહેશે નહીં. ખરીદી કરતા પહેલા, મોડેલ નંબર, સુવિધાઓ, વોરંટી, ક્ષમતા અને ઉર્જા રેટિંગ તપાસવું મહત્વપૂર્ણ છે. કેટલીકવાર, થોડી વધારે કિંમત ધરાવતું ઓફલાઈન મોડેલ વધારાની વોરંટી અથવા વધુ સારી સુવિધાઓ આપી શકે છે. દરમિયાન, ઓનલાઈન મોડેલ ઓછી કિંમતે તમને જોઈતી સુવિધાઓ પ્રદાન કરી શકે છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/imran-khans-death-in-jail-claim-did-asim-munir-take-revenge-on-his-old-self-know-what-is-the-truth" target="_blank">Imran Khanના જેલમાં મોતનો દાવો? શું Asim Munirએ પોતાનો જૂનો બદલો લીધો, જાણો શુ છે હકીકત?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/SrZx5msagdbDLwZq6qk8PKZbZmqXGRkiAsC1vp2K.webp'/></item></channel></rss>