<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Bharuchમાં મેઘરાજાની પધરામણી, વીજળીના કડાકા સાથે વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/bharuch-rain-after-long-break-lightning-heavy-showers-weather-cool</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/bharuch-rain-after-long-break-lightning-heavy-showers-weather-cool</guid><pubDate>Sat, 12 Sep 2026 20:50:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભરૂચ શહેરમાં છેલ્લા ઘણા સમયથી વરસાદે ખેંચાણ આપતાં વિરામ લીધો હતો. જોકે, આજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને કાળાડિબાંગ વાદળો ઘેરાતાં વરસાદી માહોલ જામ્યો હતો. લાંબા વિરામ બાદ પુનઃ મેઘરાજાની પધરામણી થતાં સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.</p><h2 style="text-align: justify; "><b>વીજળીના કડાકા સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ&nbsp;</b></h2><p style="text-align: justify; ">આજે વાતાવરણ બદલાતાં જ ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસવાનો શરૂ થયો હતો. શહેરના અગ્રણી માર્ગો અને સોસાયટી વિસ્તારોમાં વરસાદી છાંટા અને ધોધમાર વરસાદી ઝાપટાં પડતાં માર્ગો ભીના થઈ ગયા હતા.</p><h3 style="text-align: justify; "><b>ઉકળાટમાંથી મોટી રાહત, વાતાવરણમાં પ્રસરી આહલાદક ઠંડક&nbsp;</b></h3><p style="text-align: justify; ">છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને બફારાથી ત્રસ્ત બની ગયેલા ભરૂચવાસીઓને વરસાદ પડતાં મોટી રાહત સાંપડી છે. વીજળીના કડાકા સાથે વરસેલા આ વરસાદને કારણે ગરમીમાં ઘટાડો થયો છે અને સમગ્ર વિસ્તારના વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી જતાં લોકોએ હાશકારો અનુભવ્યો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/12/D0Rhsip1rlkyVJKIK8aWbsUXDqzd6qhaDm8nHNog.webp'/></item><item><title><![CDATA[Bhavnagar પોલીસ તંત્રમાં 8 અધિકારીઓની જવાબદારી બદલાઈ, જાણો કયા PIને ક્યાં મુકાયા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/bhavnagar-laththakand-8-pi-transfer-sp-nitesh-pandey</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/bhavnagar-laththakand-8-pi-transfer-sp-nitesh-pandey</guid><pubDate>Sat, 12 Sep 2026 20:43:29 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભાવનગર જિલ્લામાં ચર્ચાસપદ બનેલા લઠ્ઠાકાંડના બનાવ બાદ પોલીસ પ્રશાસન હરકતમાં આવ્યું છે. જિલ્લા પોલીસ વડા (SP) નિતેશ પાંડેય દ્વારા પોલીસ તંત્રને વધુ કાર્યક્ષમ બનાવવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ કરવા માટે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. એસ.પી. દ્વારા એક જ આદેશમાં જિલ્લાના કૂલ 8 પોલીસ ઈન્સ્પેક્ટર (PI) ની આંતરિક બદલીઓનો ગંજીપો ચીપવામાં આવ્યો છે, જેને પગલે પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>મહુવા, પાલીતાણા સહિત વિવિધ પોલીસ સ્ટેશનોના PI ની બદલી&nbsp;</b></h2><p style="text-align: justify; ">જાહેર કરાયેલા બદલીના આદેશ મુજબ મહુવાના PI એચ.કે. સોલંકીની વરતેજ ખાતે અને પાલીતાણાના PI બી.એમ. કરમટાની મહુવા ખાતે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત ગારીયાધારથી આર.ડી. રબારીને પાલીતાણા, સોનગઢથી જે.આર. દેસાઈને સિહોર અને સિહોરથી કે.એ. ગઢવીને બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે મુકવામાં આવ્યા છે. જ્યારે પાલીતાણા ટાઉનના SB મુસારની ગારીયાધાર ખાતે બદલી કરાઈ છે અને લીવ રિઝર્વમાં રહેલા J.R. ગોરને સોનગઢ પોલીસ સ્ટેશનની જવાબદારી સોંપાઈ છે.</p><h3 style="text-align: justify; "><b>એચ.બી. ચૌહાણને બોરતળાવથી LCB માં સ્થાન અપાયું&nbsp;</b></h3><p style="text-align: justify; ">આ મહત્ત્વપૂર્ણ બદલીઓમાં બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા PI એચ.બી. ચૌહાણને ત્યાંથી ખસેડીને જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) ખાતે મૂકવામાં આવ્યા છે. લઠ્ઠાકાંડની ગંભીર ઘટના બાદ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને થાળે પાડવા તેમજ આંતરિક શિસ્ત જાળવવાના ભાગરૂપે આ સામુહિક બદલીઓ કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/12/JoVQIJ676vI7BDztsgRBsn0eZssy7sPNWjqOBAYa.webp'/></item><item><title><![CDATA[BRICS Summit 2026: “મતભેદો વિવાદ ન બનવા જોઈએ”, મોદી-શી જિનપિંગની મુલાકાતમાં PMનો મોટો સંદેશ ]]></title><link>https://sandesh.com/india/news/brics-summit-2026-india-brics-summit-modi-xi-jinping-meeting-border-trade-relations</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/brics-summit-2026-india-brics-summit-modi-xi-jinping-meeting-border-trade-relations</guid><pubDate>Sat, 12 Sep 2026 20:37:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">12 સપ્ટેમ્બર 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલા બ્રિક્સ શિખર સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ ઓગસ્ટ 2025માં તિયાનજિનમાં થયેલી છેલ્લી મુલાકાત બાદ ભારત-ચીન દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી સતત પ્રગતિનું સ્વાગત કર્યું.</p><h2 style="text-align: justify; "><b>મતભેદો વિવાદમાં ન બદલાય તેવો ભાર</b></h2><p style="text-align: justify; ">મોદી અને શી જિનપિંગે બંને દેશોના સંબંધોને વ્યૂહાત્મક અને લાંબા ગાળાના દૃષ્ટિકોણથી જોવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. વડાપ્રધાને પરસ્પર સન્માન, પરસ્પર સંવેદનશીલતા અને પરસ્પર હિતના ત્રણ સિદ્ધાંતોનું પાલન કરવાની વાત કરી હતી.</p><h3 style="text-align: justify; "><b>સરહદે શાંતિ અને સ્થિરતા જરૂરી</b></h3><p style="text-align: justify;">વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા ભારત-ચીન સંબંધોના સતત વિકાસ માટે મહત્વપૂર્ણ આધાર છે. બંને પક્ષોએ સરહદ સંબંધિત હાલના કરારો અને સમજૂતીઓનું પાલન કરવાની જરૂરિયાત વ્યક્ત કરી. સાથે જ સરહદ વિવાદના નિષ્પક્ષ, યોગ્ય અને પરસ્પર સ્વીકાર્ય ઉકેલ માટે પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરવામાં આવી.</p><h4 style="text-align: justify; "><b>વેપાર અસંતુલન અને સપ્લાય ચેન પર ચર્ચા</b></h4><p style="text-align: justify; ">બંને નેતાઓએ સાંસ્કૃતિક આદાન-પ્રદાન, વ્યાપારી સંબંધો અને લોકોની અવરજવર વધારવા પર ભાર મૂક્યો. આર્થિક અને વેપારી સંબંધોમાં રહેલા માળખાકીય અસંતુલન, સપ્લાય ચેન તથા બજાર સુધીની સરળ અને અનુમાનિત પહોંચ જેવા મુદ્દાઓ ઉકેલવાની જરૂરિયાત પર પણ ચર્ચા થઈ.</p><h4 style="text-align: justify; "><b>બ્રિક્સમાં ભારતની ભૂમિકાની પ્રશંસા</b></h4><p style="text-align: justify;">વડાપ્રધાન મોદીએ ભારતની બ્રિક્સ અધ્યક્ષતાને ચીનના સમર્થન અને 2026ના બ્રિક્સ શિખર સંમેલનની સફળતામાં તેના યોગદાનની પ્રશંસા કરી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારતની અધ્યક્ષતા દરમિયાન 8 મહિનામાં 350થી વધુ બેઠકો યોજાઈ હતી.</p><h4 style="text-align: justify; "><b>ન્યૂ દિલ્હી ડિક્લેરેશનને મંજૂરી</b></h4><p style="text-align: justify;">બ્રિક્સ બેઠક દરમિયાન ભારત દ્વારા રજૂ કરાયેલા ન્યૂ દિલ્હી ડિક્લેરેશનને તમામ સભ્ય દેશોએ સ્વીકાર્યું હોવાનું જણાવાયું છે. તેને ભારતની મોટી કૂટનિતીક સફળતા તરીકે જોવામાં આવી રહી છે. નેતાઓએ સંયુક્ત રાષ્ટ્રમાં વ્યાપક સુધારા, વિકાસશીલ દેશોની વધુ ભાગીદારી અને આંતરરાષ્ટ્રીય નાણાકીય માળખામાં સુધારાનું સમર્થન પુનરાવર્તિત કર્યું.</p><h5 style="text-align: justify; "><b>સ્થાનિક કરન્સીમાં વેપાર સેટલમેન્ટ પર ભાર</b></h5><p style="text-align: justify;">બ્રિક્સમાં સ્થાનિક ચલણમાં વેપાર સેટલમેન્ટ અંગેની ચર્ચા નવી નથી. વિદેશ મંત્રાલય મુજબ, સ્થાનિક કરન્સી સેટલમેન્ટથી ટ્રાન્ઝેક્શન ખર્ચ ઘટાડવામાં મદદ મળી શકે છે અને તે વૈશ્વિક પેમેન્ટ તથા સેટલમેન્ટ સિસ્ટમના પૂરક તરીકે ઉપયોગી બની શકે છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify;"><br></p><p style="text-align: justify;">આ પણ વાંચો&nbsp;:&nbsp;<a href="https://sandesh.com/gujarat/news/crime/surat/surat-utran-wife-swapping-pressure-katargam-police-case" target="_blank"><b> Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/12/pgfGZKp7E0Z8NF4JbfGh5aDTpzlSDDTvVS6FbqpT.webp'/></item><item><title><![CDATA[BRICS Summit 2026: પેઝેશ્કિયાનની રાષ્ટ્રપતિ મુર્મુ સાથે મુલાકાત, ભારત-ઈરાન મિત્રતા પર થઈ ચર્ચા ]]></title><link>https://sandesh.com/world/news/india/brics-summit-2026-pezeshkian-meets-president-murmu-discusses-india-iran-friendship</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/india/brics-summit-2026-pezeshkian-meets-president-murmu-discusses-india-iran-friendship</guid><pubDate>Sat, 12 Sep 2026 20:36:21 +05:30</pubDate><description><![CDATA[<p>BRICS Summit 2026: પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને શનિવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને નેતાઓએ ઈરાન અને ભારત વચ્ચેની મિત્રતાના જૂના સંબંધો પર ચર્ચા કરી. તેમાં બંને દેશો વચ્ચેના મજબૂત સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના પરસ્પર સંબંધોનો પણ સમાવેશ થાય છે.</p><p><b>ઈરાન અને ભારત વચ્ચેના જૂના સંબંધો પર ચર્ચા</b></p><p>BRICS શિખર સંમેલન દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુને મળનારા તેઓ એકમાત્ર નેતા રહ્યા. આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુએ ક્ષેત્રમાં કાયમી શાંતિના પ્રયાસો પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા ફરી વ્યક્ત કરી અને કહ્યું કે સંઘર્ષોનો ઉકેલ વાતચીત અને કૂટનીતિ દ્વારા જ લાવવો જોઈએ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે પશ્ચિમ એશિયામાં તણાવ સતત વધી રહ્યો છે. ભારતની પોતાની પ્રથમ મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાનનું સ્વાગત કરતાં રાષ્ટ્રપતિ મુર્મુએ ભારતની BRICS અધ્યક્ષતા દરમિયાન ઈરાન તરફથી મળેલા સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/rashtrapatibhvn/status/2098699546255913016"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b>પીએમ મોદીની પેઝેશ્કિયાન સાથે મુલાકાત</b></p><p>વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે ભારત અને ઈરાને બંને દેશોના હિતમાં લાંબા ગાળાની વ્યૂહરચના સાથે આગળ વધવું જોઈએ. નવી દિલ્હીમાં 18મા BRICS શિખર સંમેલન દરમિયાન પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે મુલાકાત બાદ આ વાત કહી હતી. પીએમ મોદીએ કહ્યું કે પેઝેશ્કિયાનની ભારત મુલાકાત ખાસ છે, કારણ કે તેઓ પહેલીવાર ભારત આવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ આ મુલાકાત અંગે ખુશી વ્યક્ત કરી હતી</p><p><b>પશ્ચિમ એશિયાની સ્થિતિ પર ચર્ચા</b></p><p>બંને નેતાઓએ ભારત-ઈરાન મિત્રતા અને પશ્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે ભારત કાયમી શાંતિ માટે પોતાની પ્રતિબદ્ધતા પર અડગ છે. વાતચીત દરમિયાન પીએમ મોદીએ દરિયાઈ અવરજવર અને વેપારની સ્વતંત્રતા જાળવવા પર ભાર મૂક્યો હતો. તેમણે દરિયામાં કામ કરતા નાવિકોની સુરક્ષા અને તેમના કલ્યાણની પણ વાત કરી હતી.</p><p><b>ભારત-ઈરાન સંબંધો પર ચર્ચા</b></p><p>પીએમ મોદીએ કહ્યું કે, ભારત અને ઈરાનની મિત્રતાને વધુ મજબૂત બનાવવા બંને દેશોએ લાંબા ગાળાની અને બંને માટે ફાયદાકારક વ્યૂહરચના સાથે આગળ વધવું જોઈએ. બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની સ્થિતિ પર પણ ચર્ચા કરી હતી. પીએમ મોદીએ દરિયાઈ અવરજવર અને વેપારની સ્વતંત્રતા જાળવવા તેમજ નાવિકોની સુરક્ષા પર ભાર મૂક્યો. બે અઠવાડિયાથી ઓછા સમયમાં બંને નેતાઓની આ બીજી મુલાકાત હતી. આ દરમિયાન પીએમ મોદીએ પડકારજનક સ્થિતિ વચ્ચે BRICSની બેઠકોમાં સતત અને ઉચ્ચ સ્તરીય ભાગીદારી બદલ ઈરાનનો આભાર પણ માન્યો.</p><p><b>બે અઠવાડિયામાં બીજી મુલાકાત</b></p><p>પીએમ મોદી અને પેઝેશ્કિયાનની બે અઠવાડિયાથી પણ ઓછા સમયમાં આ બીજી મુલાકાત હતી. આ પહેલા બંને નેતાઓ 31 ઓગસ્ટે બિશ્કેકમાં યોજાયેલા SCO શિખર સંમેલન દરમિયાન મળ્યા હતા. બંને નેતાઓએ ભારત-ઈરાન સંબંધોના વિવિધ મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ પડકારજનક પરિસ્થિતિ વચ્ચે BRICS સાથે જોડાયેલી બેઠકોમાં સતત અને ઉચ્ચ સ્તરીય ભાગીદારી બદલ ઈરાનનો આભાર માન્યો હતો.</p><p><b><a href="https://sandesh.com/world/news/iran-president-pezeshkian-brics-nuclear-sites-attacks-security" target="_blank">આ પણ વાંચો: BRICS સમિટમાં ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાનનું મોટું નિવેદન, પરમાણુ હુમલા સામે કરી મોટી માંગ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/12/5hOXICOPsLfzuLmWjZQ1qpv6SMxc02NqBeFxmwMA.webp'/></item><item><title><![CDATA[Bhavnagar : લઠ્ઠાકાંડ બાદ પોલીસમાં મોટો ફેરફાર, 8 પી.આઈ.ની બદલીથી તંત્રમાં ખળભળાટ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/bhavnagar-police-transfers--8-inspectors-shifted-after-liquor-case</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/bhavnagar-police-transfers--8-inspectors-shifted-after-liquor-case</guid><pubDate>Sat, 12 Sep 2026 20:23:56 +05:30</pubDate><description><![CDATA[<p>ભાવનગર જિલ્લામાં લઠ્ઠાકાંડના બનાવ બાદ પોલીસ વિભાગમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડા એસ.પી. નીતેશ પાંડેય દ્વારા 8 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. બદલીઓમાં મહુવા, પાલીતાણા, ગારીયાધાર, સોનગઢ, સિહોર અને બોરતળાવ સહિતના પોલીસ મથકોનો સમાવેશ થાય છે.</p><h2><b>કયા પોલીસ ઇન્સ્પેક્ટરની ક્યાં બદલી?</b></h2><p><b>મહુવા પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.કે. સોલંકીની વરતેજ ખાતે બદલી કરવામાં આવી છે.</b></p><p><b>પાલીતાણા પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એમ. કરમટાની મહુવા ખાતે બદલી કરવામાં આવી છે.</b></p><p><b>ગારીયાધાર ખાતે ફરજ બજાવતા આર.ડી. રબારીની પાલીતાણા ખાતે બદલી કરવામાં આવી છે.</b></p><p><b>સોનગઢ પોલીસ સ્ટેશનના જે.આર. દેસાઈની સિહોર પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે.</b></p><p><b>સિહોર પોલીસ સ્ટેશનના કે.એ. ગઢવીની બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે.</b></p><p><b>પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનના એસ.બી. મુસારની ગારીયાધાર પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે.</b></p><p><b>લીવ રિઝર્વમાંથી જે.આર. ગોરની સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે નિમણૂક કરવામાં આવી છે.</b></p><p><b>બોરતળાવ પોલીસ સ્ટેશનના એચ.બી. ચૌહાણની LCB ખાતે બદલી કરવામાં આવી છે.</b></p><h3><b>લઠ્ઠાકાંડ બાદ બદલીઓથી ચર્ચા તેજ</b></h3><p>લઠ્ઠાકાંડ બાદ કરવામાં આવેલી આ બદલીઓને પગલે ભાવનગર જિલ્લા પોલીસ તંત્રમાં ચર્ચા તેજ બની છે. જોકે, બદલીઓ વહીવટી પ્રક્રિયાનો ભાગ છે કે લઠ્ઠાકાંડ બાદની જવાબદારી નક્કી કરવાની કાર્યવાહી સાથે તેનો કોઈ સંબંધ છે કે નહીં, તે અંગે સત્તાવાર રીતે વધુ સ્પષ્ટતા સામે આવી નથી.&nbsp;</p><p><br></p><p>આ પણ વાંચો :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/crime/surat/surat-utran-wife-swapping-pressure-katargam-police-case#google_vignette" target="_blank"><b>Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/12/geJIMhgYvepxxnUQ6pGTEQblJErx6y2wtDHktY8G.webp'/></item><item><title><![CDATA[Anandના ઉમરેઠ પંથકમાં ગજવીજ સાથે વરસાદ, પાકને પાણી મળતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/anand/anand-umreth-heavy-rain-after-break-paddy-crop-farmers-relief</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/anand/anand-umreth-heavy-rain-after-break-paddy-crop-farmers-relief</guid><pubDate>Sat, 12 Sep 2026 20:13:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આણંદ જિલ્લાના ઉમરેઠ પંથકમાં અચાનક વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક સમયથી વરસાદે ખેંચાણ આપતાં વિરામ લીધો હતો, તેવામાં આજે અચાનક આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા. વાતાવરણ બદલાતાં જ ધસમસતા પવન અને કાનફાડ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થયો હતો.</p><h2 style="text-align: justify; "><b>ડાંગરના પાક માટે અમૃત સમાન વરસાદ</b></h2><p style="text-align: justify; ">ઉમરેઠ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલો આ વરસાદ ખાસ કરીને ડાંગરની ખેતી કરતા ખેડૂતો માટે અત્યંત આશીર્વાદરૂપ સાબિત થયો છે. સિંચાઈના પાણીની તાતી જરૂરિયાત સમયે જ પડેલો આ વરસાદ ડાંગરના પાક માટે કુદરતી ખાતર સમાન સાબિત થતાં ધરતીપુત્રોમાં ભારે હરખ અને આનંદની લાગણી છવાઈ ગઈ છે.</p><h3 style="text-align: justify; "><b>ગરમી અને બફારામાંથી મોટી રાહત</b></h3><p style="text-align: justify; ">લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની મહેરબાની થતાં જ સમગ્ર ઉમરેઠ પંથકના વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ગરમી અને બફારાથી ત્રસ્ત બની ગયેલા સ્થાનિક નાગરિકોએ વરસાદી માહોલ સર્જાતાં મોટી રાહત મેળવી હાશકારો અનુભવ્યો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/12/oeOCsRtkqjpWppuVnPVhnAl2US0mAaRQfZp4I2LD.webp'/></item><item><title><![CDATA[Vadodara જિલ્લાના શિનોર, વાઘોડિયા અને ડેસરમાં મેઘરાજાની મહેર, અસહ્ય બફારા બાદ ધોધમાર વરસાદ... ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-shinor-waghodia-deser-heavy-rain-farmers-relief</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-shinor-waghodia-deser-heavy-rain-farmers-relief</guid><pubDate>Sat, 12 Sep 2026 19:35:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. શિનોર પંથકના સાધલી, માલસર અને દામાપુરા સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે, જ્યાં સિઝનનો કૂલ 29.5 ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ તરફ વાઘોડિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું છે. બીજી તરફ ડેસર તાલુકાના છાલીયેર, સિહોરા, સાઢાસાલ, વાલાવાવ, વેજપુર, પાંડુ મેવાસ, વરસડા અને ઉદલપુર સહિતના ગામોમાં પવન સાથે વરસાદ ખાબકતાં માર્ગો પર પાણી વહેતા થયા છે.</p><p style="text-align: justify; "><img alt="Meghmeher in Vadodara district" src="https://epapercdn.sandesh.com/images/2026/09/12/opfz4YmT5BgLNixRd6jficPbeOcG2m4TnFPv2RyB.webp"><br></p><h2 style="text-align: justify; "><b>સુકાતા પાકને પાણી મળતાં ધરતીપુત્રોના જીવમાં જીવ આવ્યો&nbsp;</b></h2><p style="text-align: justify; ">છેલ્લા કેટલાક દિવસોથી વડોદરા જિલ્લામાં પડી રહેલી ગરમી અને અસહ્ય ઉકળાટથી હેરાન-પરેશાન થઈ ગયેલા સ્થાનિક નાગરિકોને વરસાદી છાંટા અને પવનના કારણે મોટી રાહત મળી છે અને સમગ્ર વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની પુનઃ પધરામણી થતાં સુકાવાની આરે પહોંચેલા ખેતીના પાકોને નવું જીવતદાન મળ્યું છે. મેઘમહેર થતાં જ જિલ્લાના ધરતીપુત્રોમાં ભારે હરખ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.</p><p style="text-align: justify; "><img alt="Meghmeher in Vadodara district" src="https://epapercdn.sandesh.com/images/2026/09/12/BMafemEBjsDlLSI1qQ0ruVOnhqMillBVO7MRWm9x.webp"><br></p><h3 style="text-align: justify; "><b>વાઘોડિયાના માળોધર રોડ પર પાણી ભરાતાં વાહનચાલકો પરેશાન</b></h3><p style="text-align: justify; ">એક તરફ વરસાદથી ખુશીનો માહોલ છે ત્યારે બીજી તરફ વાઘોડિયામાં પ્રશાસનની બેદરકારી પણ સામે આવી છે. વાઘોડિયા સ્થિત ડોક્ટર એન.જી. શાહ સાર્વજનિક હાઈસ્કૂલ પાસે અને મુખ્ય માળોધર રોડ પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. વરસાદે પાણીના નિકાલની પ્રી-મોન્સૂન કામગીરી માટે પૂરતો સમય આપ્યો હોવા છતાં તંત્ર ઊંઘતું રહ્યું હોવાના આક્ષેપ સાથે સ્થાનિક લોકોમાં તંત્રની નબળી કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/12/OKuK1rCZ5M6K0weyS2FacmqjBPpn7z8jGni9zLMw.webp'/></item><item><title><![CDATA[Zomatoનો નવો નિર્ણય, હવે COD ઓર્ડર પર પણ લાગશે અલગ ‘Pay on Delivery’ ફી ]]></title><link>https://sandesh.com/business/news/zomato-cash-on-delivery-pay-on-delivery-fee</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/zomato-cash-on-delivery-pay-on-delivery-fee</guid><pubDate>Sat, 12 Sep 2026 18:29:43 +05:30</pubDate><description><![CDATA[<p>Zomato: ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ Zomatoએ કેશ-ઓન-ડિલિવરી (COD) ઓર્ડર પર અલગ ફી શરૂ કરી છે. શનિવારે કંપનીની એપ પર જોવા મળ્યું કે આ ચાર્જ અલગ-અલગ યુઝર્સ અને ઓર્ડરની કિંમત પ્રમાણે અલગ હોઈ શકે છે. ઓર્ડર બિલમાં “Pay on Delivery Fee” તરીકે દેખાતો આ નવો ચાર્જ ત્યારે લાગુ થાય છે, જ્યારે ગ્રાહક ડિલિવરી સમયે પોતાના ફૂડ ઓર્ડરની ચુકવણી કેશમાં કરવાનો વિકલ્પ પસંદ કરે છે. આ રકમ તમામ ઓર્ડર માટે એકસરખી નથી. અલગ-અલગ ટ્રાન્ઝેક્શન વેલ્યુ માટે અલગ ચાર્જ જોવા મળે છે.</p><p><b>ફી નક્કી કરવાનો આધાર હજુ સ્પષ્ટ નથી</b></p><p>આ ફી નક્કી કરવાનો ચોક્કસ આધાર શું છે અને શું તે ઓર્ડરની કિંમત, લોકેશન અથવા અન્ય કોઈ પેરામીટર જેવા ફેક્ટર સાથે જોડાયેલો છે, તે અંગે તરત માહિતી મળી શકી નથી. આ મામલે Zomato તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. તેની હરીફ કંપની Swiggy હાલમાં કેશ-ઓન-ડિલિવરી ઓર્ડર પર કોઈ અલગ ફી લેતી નથી. આ ઘટનાક્રમ એવા સમયે થયો છે જ્યારે ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સતત અલગ-અલગ ફી સ્ટ્રક્ચર અને મોનેટાઈઝેશન મોડલ સાથે પ્રયોગ કરી રહ્યા છે. કેશ-ઓન-ડિલિવરી ઓર્ડર પર નવી ફી ઉપરાંત Zomato પહેલાથી જ ફૂડ ઓર્ડર પર પ્લેટફોર્મ ફી લે છે. આ સાથે ઓર્ડર પ્રમાણે ડિલિવરી, પેકેજિંગ અને અન્ય ચાર્જ પણ લાગુ થાય છે.</p><p><b>નાની ફીથી મોટી કમાણી</b></p><p>Zomato માટે આવા ચાર્જનું મહત્વ કોઈ એક ઓર્ડર પર લેવામાં આવતી રકમ કરતાં કંપનીના મોટા પાયે કામકાજ પર વધુ આધાર રાખે છે. મનીકન્ટ્રોલના રિપોર્ટ અનુસાર Zomato દરરોજ લગભગ 23-25 લાખ (2.3-2.5 મિલિયન) ફૂડ ઓર્ડર પ્રોસેસ કરે છે. આ પાયે જો દરેક ઓર્ડર પર 5 રૂપિયાનો ચાર્જ લેવામાં આવે તો સૈદ્ધાંતિક રીતે દરરોજ 1.15-1.25 કરોડ રૂપિયા અથવા વાર્ષિક લગભગ 420-456 કરોડ રૂપિયાની વધારાની કમાણી થઈ શકે છે. આ માત્ર એક સૈદ્ધાંતિક મહત્તમ અંદાજ છે, કારણ કે કેશ-ઓન-ડિલિવરી ઓર્ડર Zomatoના કુલ ઓર્ડરનો નાનો હિસ્સો છે. પરંતુ તેનાથી ખબર પડે છે કે મોટા પાયે કામ કરતી કંપની માટે નાના ચાર્જ પણ કમાણીનો મહત્વનો સ્ત્રોત બની શકે છે.</p><p><b>2023માં શરૂ થઈ હતી પ્લેટફોર્મ ફી</b></p><p>મનીકન્ટ્રોલે સૌથી પહેલા એપ્રિલ 2023માં રિપોર્ટ કર્યું હતું કે ફૂડ ડિલિવરી પ્લેટફોર્મે પ્લેટફોર્મ ફી શરૂ કરી હતી, જેમાં Swiggyએ 2 રૂપિયાનો ચાર્જ અજમાવ્યો હતો. ત્યારબાદ Zomatoએ પણ પોતાની પ્લેટફોર્મ ફી શરૂ કરી હતી. શરૂઆતમાં જે એક સામાન્ય ચાર્જ હતો, તે હવે ઘણો વધી ગયો છે. આ વર્ષની શરૂઆતમાં Zomatoની પ્લેટફોર્મ ફી 12.5 રૂપિયાથી વધારીને 14.99 રૂપિયા પ્રતિ ઓર્ડર કરવામાં આવી હતી, જેના પર GST અલગથી લાગે છે. કંપનીના હાલના ઓર્ડર વોલ્યુમને જોતા ફીમાં થોડી વધારાની રકમ પણ વાર્ષિક કરોડો રૂપિયાની કમાણીમાં બદલાઈ શકે છે.</p><p><b>&nbsp;4000 કરોડ રૂપિયા સુધીની કમાણી થઈ શકે</b></p><p>મનીકન્ટ્રોલના ગયા વર્ષે સપ્ટેમ્બરના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ઈ-કોમર્સ અને ફૂડ ડિલિવરી કંપનીઓ પ્લેટફોર્મ ફીથી વાર્ષિક કુલ 3,500-4,000 કરોડ રૂપિયા સુધીની કમાણી કરી શકે છે. પ્લેટફોર્મ માટે તેનો ફાયદો સ્પષ્ટ છે. ખાવાની વસ્તુ અથવા ડિલિવરીની મુખ્ય કિંમત વધારવાને બદલે, તેઓ ચેકઆઉટ સમયે નાના ચાર્જ ઉમેરી શકે છે અને લાખો ટ્રાન્ઝેક્શનથી કમાણી કરી શકે છે. COD ફી આ વ્યૂહરચનાને વધુ એક પગલું આગળ લઈ જાય છે, જેમાં પેમેન્ટની રીતથી જ કમાણી કરવામાં આવે છે. જે ગ્રાહકો કેશમાં પેમેન્ટ કરવાનું પસંદ કરે છે, તેમને હવે પોતાના ઓર્ડર પર લાગતી અન્ય ફી ઉપરાંત એક વધારાનો ચાર્જ પણ ચૂકવવો પડશે. પરિણામે ફૂડ ડિલિવરીનું બિલ વધુ ડિટેલવાળું બનશે, જેમાં ખાવાની કિંમત ઉપરાંત પ્લેટફોર્મ, પેકેજિંગ, ડિલિવરી, પેમેન્ટ અને ટેક્સના ચાર્જ પણ જોડાયેલા જોવા મળશે.</p><p><b><a href="https://sandesh.com/business/news/zepto-ipo-quick-commerce-issue-size-zomato-swiggy-india" target="_blank">આ પણ વાંચો:&nbsp; ઝોમેટો-સ્વિગી બાદ હવે આવી રહ્યો છે ઝેપ્ટોનો આઈપીઓ, કેટલો હશે ઈશ્યુ સાઈઝ?</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/12/qKBf0LzgnkQeKvVjFf8iJzMxCwR0yPng221SS1b4.webp'/></item><item><title><![CDATA[Web Series : 5 સીઝન, 59 એપિસોડ અને 43 દેશો! Netflixની આ વોર સીરિઝે વિશ્વભરમાં મચાવી ધૂમ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/netflix-war-series-5-seasons-59-episodes-83-imdb</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/netflix-war-series-5-seasons-59-episodes-83-imdb</guid><pubDate>Sat, 12 Sep 2026 17:21:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હાલ નેટફ્લિક્સ પર એક સિરીઝ દુનિયાભરમાં ખૂબ ચર્ચામાં છે. આ સિરીઝ 1-2 નહીં પરંતુ 43 દેશોમાં ટોપ 10માં ટ્રેન્ડ કરી રહી છે. ખાસ વાત એ છે કે આ સિરીઝની પાંચમી સીઝન હાલમાં જ રિલીઝ થઈ છે અને આવતાની સાથે જ તેણે ટોપ 10માં સ્થાન બનાવી લીધું છે. આ વોર સિરીઝની પહેલી 4 સીઝનને પણ જોરદાર સફળતા મળી હતી. હવે પાંચમી સીઝનને પણ દુનિયાભરના દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને IMDb પર તેને 8.3ની જોરદાર રેટિંગ મળી છે.</p><h2 style="text-align: justify; "><b>5 સીઝન, 59 એપિસોડ અને 43 દેશ</b></h2><p style="text-align: justify; ">નેટફ્લિક્સ પર આ વોર સિરીઝ 8 સપ્ટેમ્બરે રિલીઝ થઈ હતી, જેનું નામ ફૌદા છે. આ વોર સિરીઝની 5 સીઝન આવી ચૂકી છે, જેમાં કુલ 59 એપિસોડ છે. પાંચમી સીઝન રિલીઝ થતાં જ તે દુનિયાના 43 દેશોમાં ટોપ 10માં ટ્રેન્ડ કરી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>શું છે સિરીઝની સ્ટોરી?</b></h3><p style="text-align: justify; ">ફૌદાનો અર્થ અરાજકતા અથવા અશાંતિ થાય છે. આ ઈઝરાયલી ટેલિવિઝન સિરીઝ લિયોર રાજ અને એવિ ઈસ્સાચારોફે ઈઝરાયલી ડિફેન્સ ફોર્સિસમાં પોતાના અનુભવના આધારે બનાવી છે. આ સિરીઝ મિસ્તા અરવિમ યુનિટના કમાન્ડર ડોરોન અને તેમની ટીમની સ્ટોરી છે.<br><img alt="Netflix Fauda Season (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/12/bpE6ZPgB636BL4inCBNlZ2ZsRTh5ZKkY1hxPU7xJ.webp"><br></p><p style="text-align: justify; ">સિરીઝની પહેલી સીઝન 2014ના ગાઝા યુદ્ધ દરમિયાન કાફ્ર કાસિમમાં શૂટ કરવામાં આવી હતી અને 15 ફેબ્રુઆરી 2015ના રોજ રિલીઝ થઈ હતી. બીજી સીઝન 31 ડિસેમ્બર 2017ના રોજ રિલીઝ થઈ હતી. ત્રીજી સીઝન ગાઝા પટ્ટી પર આધારિત હતી અને 2019 તથા 2020માં પ્રસારિત થઈ હતી. ચોથી સીઝન 2023ની શરૂઆતમાં પ્રસારિત થઈ હતી, જેમાં ફૌદાની સ્ટોરી બ્રસેલ્સ, સીરિયા અને લેબનોન સુધી પહોંચી હતી. હવે 2026માં તેની 5મી સીઝન રિલીઝ થઈ છે.</p><h4 style="text-align: justify; "><b>સ્ટોરી છે દમદાર...</b></h4><p style="text-align: justify; ">સિરીઝની પહેલી સીઝન ડોરોન પર કેન્દ્રિત છે, જે પૂર્વ મિસ્તા રેવ છે. તેને અરબ લોકોનો વેશ ધારણ કરીને ગુપ્ત માહિતી મેળવવા માટે ખાસ તાલીમ આપવામાં આવી હતી. તેને ખબર પડે છે કે તૌફીક હામેદ જેને અબુ અહમદ તરીકે પણ ઓળખવામાં આવે છે, હમાસનો એ પૂર્વ આતંકવાદી જેને ડોરોન અને તેની ટીમે મારી નાખ્યો હોવાનું માન્યું હતું, તે જીવતો છે અને આતંકી હુમલાનું કાવતરું ઘડી રહ્યો છે. હામેદને શોધીને તેનો અંત લાવવા માટે ડોરોન પોતાની જૂની ટીમમાં ફરી જોડાય છે. ત્યારબાદ ઘટનાઓની એક અશાંત કડી શરૂ થાય છે. પહેલી સીઝનનો છેલ્લો એપિસોડ એ ઘટના સાથે પૂરો થાય છે જેમાં તૌફીકનો સાથી વલીદ પોતાના જ માર્ગદર્શકની હત્યા કરી નાખે છે.</p><h4 style="text-align: justify; "><b>પાંચમી સીઝનમાં શું છે?</b></h4><p style="text-align: justify; ">પાંચમી સીઝનની સ્ટોરી 7 ઓક્ટોબરના હુમલાની ઘટનાઓના 2 વર્ષ પછીની છે. એલી અને સેલેમ નામનો એક બેદુઈન ટ્રેકર પોતાના સંબંધીઓની હત્યા કરનાર હમાસના એક ઓપરેટિવને પકડવા માટે માર્સેઈ જાય છે. ડોરોન અને સ્ટીવનને તેમના સિનિયર આ બળવાખોર એજન્ટોને રોકવા માટે મોકલે છે, પરંતુ તેઓ એ જ સિસ્ટમ સામેની લડાઈમાં ફસાઈ જાય છે, જેનો તેઓ એક સમયે ભાગ હતા. આ સીઝનમાં હમાસના હુમલાની એવી ઘટનાઓ જોવા મળશે, જે આપણે વાસ્તવિક દુનિયામાં બનતી જોઈ છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/kbc-18-amitabh-bachchan-unfulfilled-dream-regret" target="_blank">આ પણ વાંચો-KBCમાં અમિતાભ બચ્ચને જણાવી પોતાની અધૂરી ઈચ્છા! બોલ્યા- 'મને આજે પણ અફસોસ છે...'</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/12/g8xJV5yooMXXVKtHyKl4xuofcAs3FNlJyY27gXLt.webp'/></item><item><title><![CDATA[US Open 2026: Zverevએ ફાઇનલમાં મારી એન્ટ્રી, હવે Ben Shelton સામે ખિતાબી જંગ ]]></title><link>https://sandesh.com/sports/news/us-open-2026-zverev-enters-final-now-title-fight-against-ben-shelton</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/us-open-2026-zverev-enters-final-now-title-fight-against-ben-shelton</guid><pubDate>Sat, 12 Sep 2026 16:03:46 +05:30</pubDate><description><![CDATA[<p>યુએસ ઓપન 2026ના મેન્સ સિંગલ્સ ફાઇનલ મેચનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. આગામી 14 સપ્ટેમ્બરની સવારે ખિતાબી મુકાબલામાં જર્મનીના અલેક્ઝેન્ડર ઝવેરેવનો સામનો અમેરિકન ખેલાડી બેન શેલ્ટન સામે થશે. ઝવેરેવ પોતાની ટેનિસ કારકિર્દીમાં બીજી વખત યુએસ ઓપનના ફાઇનલમાં પહોચ્યો છે, જ્યારે અગાઉ તે ફાઇનલ મેચ હારી ચૂક્યા છે. સેમિફાઇનલ મેચમાં ઝવેરેવનો મુકાબલો રશિયાના કારેન ખાચાનોવ સામે થયો હતો, જેમાં તેણે શાનદાર પ્રદર્શન કરતા 3-0થી વિજય મેળવ્યો હતો. બીજી તરફ, બેન શેલ્ટને સેમિફાઇનલ મુકાબલામાં પોતાના જ દેશના ટેનિસ ખેલાડી ફ્રાન્સિસ ટિયાફોને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.</p><h2><b>કાંટાની ટક્કરમાં મેળવ્યો વિજય&nbsp;</b></h2><p>સેમિફાઇનલ મેચની શરૂઆતથી જ અલેક્ઝેન્ડર ઝવેરેવે રશિયન ખેલાડી કારેન ખાચાનોવ સામે પોતાનું વર્ચસ્વ જમાવી લીધું હતું. પહેલા જ સેટમાં ખાચાનોવ 6-3થી પરાજિત થયા બાદ બીજા સેટમાં બંને ખેલાડીઓ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. આ સેટ ટાઈ-બ્રેકર સુધી પહોંચ્યો હતો, જેમાં ઝવેરેવે 7-6થી જીત મેળવીને મેચમાં 2-0ની સરસાઈ મેળવી લીધી હતી. ત્રીજા સેટમાં પણ બંને વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી અને તે પણ ટાઈ-બ્રેકરમાં જતાં ઝવેરેવે 7-6થી પોતાના નામે કર્યો હતો. નોંધનીય છે કે ઝવેરેવ આ વર્ષે સતત ત્રીજી વખત કોઈ ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યો છે, જેમાં તેણે ફ્રેન્ચ ઓપનમાં વિજય મળ્યો હતો, જ્યારે વિમ્બલ્ડનમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/usopen/status/2098537057668706743"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>ફાઇનલ મેચ ઝવેરેવ માટે પડકારજનક</b></h2><p>અમેરિકન યુવા ખેલાડી બેન શેલ્ટને પોતાની કારકિર્દીમાં પ્રથમ વખત કોઈ ગ્રાન્ડ સ્લેમની ફાઇનલની ટિકિટ મેળવી છે. યુએસ ઓપન 2026માં શેલ્ટનનું પ્રદર્શન અત્યંત પ્રભાવશાળી રહ્યું છે, ખાસ કરીને ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં તેણે દિગ્ગજ ખેલાડી કાર્લોસ અલ્કારાઝને હરાવીને મોટો ઉલટફેર કર્યો હતો. સેમિફાઇનલમાં તેણે ટિયાફો સામે ચાર સેટ સુધી ચાલેલી સંઘર્ષપૂર્ણ મેચ 3-1થી જીતી લીધી હતી. શરૂઆતી સેટમાં 6-4થી હાર્યા બાદ શેલ્ટને શાનદાર વાપસી કરી હતી અને પછીના ત્રણેય સેટ અનુક્રમે 6-3, 6-3 અને 7-5થી જીતી લીધા હતા. જો કે, ફાઇનલની મેચ તેના માટે સરળ નહીં રહે, કારણ કે ઝવેરેવ સામે અત્યાર સુધી રમાયેલી પાંચેય મેચમાં શેલ્ટનને હારનો સામનો કરવો પડ્યો છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/12/XV2KQkIz8FgBDb8osojDfZg3fNOv9pDqBEiRC5tA.webp'/></item></channel></rss>