<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Tanishaa Mukerji Bold Statement: પરિણીત પુરુષો સાથે અફેર રાખનાર મહિલાઓ પર તનિષા મુખર્જીના બોલ્ડ નિવેદનથી સળગ્યો વિવાદ ]]></title><link>https://sandesh.com/entertainment/news/tanishaa-mukerji-bold-statement-on-women-who-having-affairs-with-married-men</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/tanishaa-mukerji-bold-statement-on-women-who-having-affairs-with-married-men</guid><pubDate>Wed, 16 Sep 2026 12:10:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડ એક્ટ્રેસ કાજોલની નાની બહેન અને અભિનેત્રી તનિષા મુખર્જી ૪૮ વર્ષની ઉંમરે પણ સિંગલ લાઈફ વિતાવી રહી છે. તેણે હજુ સુધી લગ્ન કર્યા નથી, પરંતુ તાજેતરમાં ડેટિંગ અને રિલેશનશિપ પર આપેલા તેના એક બોલ્ડ નિવેદને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે. તનિષાએ સ્પષ્ટપણે કહ્યું છે કે જે સ્ત્રીઓ પરિણીત પુરુષો સાથે સંબંધ રાખે છે, તેમને કોઈપણ સંજોગોમાં 'નારીવાદી' (Feminist) કહી શકાય નહીં.</p><h2 style="text-align: justify; "><b>પરિણીત પુરુષો સાથેના અફેર રાખતી સ્ત્રીઓ પર તનિષાના આકરા પ્રહારો</b></h2><p style="text-align: justify; ">સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર એક પોસ્ટ શેર કરતા તનિષાએ પોતાની ભડાસ કાઢી હતી. તેણે લખ્યું કે, "મારું માનવું છે કે જે સ્ત્રીઓ પરિણીત પુરુષો સાથે અફેર રાખે છે તે નારીવાદી નથી, પરંતુ તેઓ ખરેખર અન્ય સ્ત્રીઓની વિરુદ્ધમાં કામ કરે છે. કોઈના પતિ સાથે અફેર રાખવું એ તેની પત્નીનું ભારે અનાદર કરવા સમાન છે."</p><h3 style="text-align: justify; "><b>"આવા પુરુષો અને સ્ત્રીઓ આપણા બાળકો માટે રોલ મોડેલ ન હોઈ શકે"</b></h3><p style="text-align: justify; ">પોતાની વાતને આગળ વધારતા તનિષાએ પુરુષો અને સ્ત્રીઓ બંનેને આડે હાથ લીધા હતા. તેણે ઉમેર્યું કે, "આવા અફેરમાં સામેલ પુરુષો પણ એટલા જ દોષિત છે, તેમનું ચારિત્ર્ય ભ્રષ્ટ હોય છે. જ્યારે આવી સ્ત્રીઓ સંપૂર્ણપણે દુષ્ટ માનસિકતા ધરાવે છે. આવી વ્યક્તિઓ આપણા સમાજ કે બાળકો માટે ક્યારેય રોલ મોડેલ બની શકે નહીં."</p><h4 style="text-align: justify; "><b>સોશિયલ મીડિયા પર યુઝર્સના બે ફાટા: તનિષા થઈ ટ્રોલ</b></h4><p style="text-align: justify; ">તનિષાની આ પોસ્ટ વાયરલ થતાં જ નેટીઝન્સ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. તનિષાના સમર્થનમાં: કેટલાક લોકોએ તેના આ વિચારોને આવકારીને લગ્ન સંસ્થાના સન્માન માટે જરૂરી ગણાવ્યા હતા. એક યુઝરે તનિષાને અરીસો બતાવતા લખ્યું, "કુંવારી સ્ત્રીઓએ કોઈ વફાદારીના સમ ખાધા નથી હોતા, પરંતુ પરિણીત પુરુષોએ ખાધા હોય છે. તમારી ફરિયાદ એવા પરિણીત પુરુષોથી શરૂ કરો જેઓ પોતાની પત્ની અને બાળકોનો વિશ્વાસ તોડે છે. અન્ય એક યુઝરે બોલીવુડની સંસ્કૃતિ પર સવાલ ઉઠાવતા ટ્રોલ કરી કે, "આખી બોલીવુડ ઇન્ડસ્ટ્રી આવા કિસ્સાઓથી ભરેલી છે. લોકો તો તમારા પોતાના પરિવારના સભ્યોના નામ પણ વચ્ચે લાવી રહ્યા છે, પણ તમે કોઈના માટે જવાબદાર નથી."</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/tech/news/entertainment/hanuman-chalisa-learning-app-ncore-games-hanuman-ansh" target="_blank">આ પણ વાંચો : Hanuman Chalisa નથી આવડતા? હવે ગેમ રમતા રમતા શીખાશે, હનુમાન અંશ બાદ આવી રહી છે નવી શાનદાર ગેમ્સ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/sBmVSZGVtDzKdUhpr45dXpxfr2Jm9OzhyxlacrZb.webp'/></item><item><title><![CDATA[West Bengal: મુસ્લિમ વોટર્સ માટે પરીક્ષા છે કે.. પેટાચૂંટણી પહેલા બોલ્યા CM શુભેન્દુ અધિકારી ]]></title><link>https://sandesh.com/india/news/west-bengal-is-it-a-test-for-muslim-voters-cm-shubhendu-adhikari-said-before-the-by-elections</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/west-bengal-is-it-a-test-for-muslim-voters-cm-shubhendu-adhikari-said-before-the-by-elections</guid><pubDate>Wed, 16 Sep 2026 11:45:02 +05:30</pubDate><description><![CDATA[<p>પશ્ચિમ બંગાળની બે બેઠકો પર પેટાચૂંટણીઓ પહેલા, મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ મુસ્લિમ મતદારોને કહ્યું કે આ એક કસોટી છે અને તેમની પાસે રાજ્યમાં ભાજપ સરકાર સાથે રહેવાનો નિર્ણય લેવાની તક છે.</p><h2><b>પશ્ચિમબંગાળમાં છે પેટા ચૂંટણી&nbsp;</b></h2><p>સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર મુખ્યમંત્રીએ કહ્યું કે નંદીગ્રામ અને રેજીનગર વિધાનસભા મતવિસ્તારના મતદારોએ નક્કી કરવાનું રહેશે કે તેઓ આ કસોટીમાં સફળ થાય છે કે નિષ્ફળ.</p><p><b style="font-size: 2rem;">ફક્ત ભાજપ જ વિકાસ લાવશે - મુખ્યમંત્રી</b></p><p>સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા તેમણે કહ્યું કે લઘુમતીઓએ જાણકાર નિર્ણયો લેવા જોઈએ. તેઓ વિકાસ સાથે ઉભા રહેશે, ધર્મના આધારે ભાજપનો વિરોધ નહીં કરે. તેઓ વિરોધ કરી શકે છે, પરંતુ ભાજપ જીતશે. તેમની પાસે વિકાસ સાથે જોડાવાની તક છે. નંદીગ્રામમાં 30 ટકા લઘુમતી છે અને રેજીનગરમાં 70 ટકા લઘુમતી છે. મેં દરેકને અપીલ કરી છે. ભાજપ સત્તામાં છે અને તે વિકાસ લાવશે.</p><p>મંગળવારે પૂર્વ મેદિનીપુરના હલ્દિયામાં સબ-ડિવિઝનલ ઓફિસરની ઓફિસમાં નંદીગ્રામ વિધાનસભા પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવાર હસિરાની રથના નામાંકન દરમિયાન શુભેન્દુ અધિકારીએ જનસભાને સંબોધિત કરી.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2100075447354839369"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p><b style="font-size: 1.75rem;">ભાજપ મોટા માર્જિનથી જીતશે - મુખ્યમંત્રી</b></p><p>તેમણે પીટીઆઈને કહ્યું કે આ બહુમતી કે લઘુમતીનો પ્રશ્ન નથી. આપણે વિકાસ દ્વારા સમાજના તમામ વર્ગોનો ટેકો મેળવવાનો છે. શુભેન્દુ અધિકારીએ રાજીનામું આપ્યા બાદ નંદીગ્રામ બેઠક ખાલી પડી હતી. તેમણે ભવાનીપુર પસંદ કર્યું છે. દરમિયાન, આમ જનતા ઉન્નય પાર્ટી (AJUP) ના વડા હુમાયુ કબીરે રેજીનગર અને નાઓડા બંને જીત્યા બાદ રેજીનગર છોડી દીધું. ત્યાં ચૂંટણીઓ યોજાઈ રહી છે.</p><p>અધિકારીએ દાવો કર્યો હતો કે નંદીગ્રામમાં ભાજપ મોટા માર્જિનથી જીતશે. તેમણે કહ્યું, "હું 10,000 મતોથી જીત્યો. પરંતુ વર્તમાન વાતાવરણ દર્શાવે છે કે જનતા પીએમ મોદીના કાર્યને સમર્થન આપે છે. અમે 50,000 થી વધુ મતોથી જીતીશું."</p><p><a href="https://sandesh.com/india/news/west-bengal-inshallah-and-assalamualaikum-in-ipss-speechwhy-not-jai-hind-or-vande-mataram-action-taken" target="_blank">આ પણ વાંચો: West Bengal: IPSની સ્પીચમાં ઇન્શાલ્લાહ અને અસ્સલામુઅલૈકુમ..જય હિંદ કે વંદેમાતરમ કેમ નહીં ? એક્શન લેવાયા&nbsp;</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/hGTWgXcDPmhOjFtt58C0Ud7uQNYAB1WUqzQzxX3q.webp'/></item><item><title><![CDATA[Gir Somnath News : LCBએ બાલાજી નગરમાં કરેલી રેડ અને FIRની વિગતોમાં તફાવત હોવાનો આક્ષેપ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/gir-somnath/alleged-discrepancies-between-lcb-raid-and-fir-details-in-balaji-nagar</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/gir-somnath/alleged-discrepancies-between-lcb-raid-and-fir-details-in-balaji-nagar</guid><pubDate>Wed, 16 Sep 2026 11:26:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગીર સોમનાથ જિલ્લામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચની કામગીરી હવે ગંભીર સવાલો અને શંકાના ઘેરામાં આવી ગઈ છે. પ્રભાસ પાટણના બાલાજી નગર વિસ્તારમાં એલસીબી દ્વારા કરવામાં આવેલી જુગારની એક રેડને લઈને સ્થાનિક સ્તરે અનેક વિવાદો સામે આવ્યા છે. રેડની વાસ્તવિક સ્થિતિ અને પોલીસ ચોપડે નોંધાયેલી એફઆઈઆરની વિગતો વચ્ચે જમીન-આસમાનનો તફાવત હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જેના કારણે પોલીસ તંત્રની પારદર્શકતા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો સર્જાયા છે.</p><h2 style="text-align: justify; "><b>તફાવતને લઈને હવે અનેક તર્ક-વતર્ક શરૂ થઈ ગયા</b></h2><p style="text-align: justify; ">પ્રાપ્ત વિગતો અનુસાર, બાલાજી નગર ખાતે થયેલી આ રેડમાં સ્થળ પરથી ચાર પુરુષો અને ચાર મહિલાઓ મળીને કુલ આઠ વ્યક્તિઓ ઝડપાયા હોવાની ચર્ચાઓ વ્યાપકપણે ફેલાઈ હતી. જો કે, આશ્ચર્યની વાત એ છે કે પોલીસ દ્વારા નોંધવામાં આવેલી સત્તાવાર એફઆઈઆરમાં માત્ર ત્રણ જ પુરુષોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ તફાવતને લઈને હવે અનેક તર્ક-વતર્ક શરૂ થઈ ગયા છે અને સવાલ એ ઉઠી રહ્યો છે કે જો સ્થળ પર મહિલાઓ પણ હાજર હતી અને પકડાઈ હતી તો પછી ફરિયાદમાંથી મહિલાઓના નામ કેમ ગાયબ કરી દેવામાં આવ્યા? મહિલાઓ સામે કોઈ જ કાયદેસરની કાર્યવાહી કેમ કરવામાં આવી નહીં? તેવો સવાલ ફરિયાદ સામે ઉઠાવવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>એફઆઈઆરમાં માત્ર 9400 રૂપિયા જ દર્શાવવામાં આવ્યા</b></h2><p style="text-align: justify; ">આ ઉપરાંત રેડના સ્થળને લઈને આક્ષેપ કરવામાં આવ્યો છે કે વાસ્તવિક રેડ એક રહેણાંક મકાનની અંદર પાડવામાં આવી હતી. પરંતુ પોલીસની એફઆઈઆરમાં આ જુગારની પ્રવૃત્તિ કોઈ બંધ મકાનને બદલે ખુલ્લા જાહેર રોડ પર ચાલતી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. સ્થળ અને કાર્યવાહીની આ વિસંગતતા સમગ્ર રેડની સચ્ચાઈ પર શંકા ઉપજાવે છે. બીજી તરફ રેડ દરમિયાન સ્થળ પરથી મોટી રકમની રોકડ રકમ મળી આવી હોવાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી હતી. પરંતુ જ્યારે સત્તાવાર મુદ્દામાલની વાત આવી ત્યારે એફઆઈઆરમાં માત્ર 9400 રૂપિયા જ દર્શાવવામાં આવ્યા છે. આટલી મોટી રકમ ક્યાં ગાયબ થઈ અથવા તો હકીકતમાં શું મળ્યું હતું તે અંગે પણ તપાસની માંગ થઈ રહી છે.</p><h2 style="text-align: justify; "><b>મુખ્યમંત્રી સુધી પત્ર લખીને તપાસની માગ કરાઈ</b></h2><p style="text-align: justify; ">નિયમ મુજબ આવી રેડ વખતે થતી ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી આ કેસમાં કરવામાં આવી ન હોવાનું સામે આવ્યું છે. આ અંગે કેટલાક ટેકનિકલ કારણો આગળ ધરવામાં આવ્યા છે, જેની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ ઉઠી છે. સમગ્ર મામલાની સત્યતા બહાર લાવવા માટે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ તાત્કાલિક સુરક્ષિત કરીને તેની ઝીણવટભરી તપાસ કરવાની માંગ કરાઈ છે. સ્ટેશન ડાયરી, પંચનામું, જીડી એન્ટ્રી અને મુદ્દામાલના રેકોર્ડની પણ કડક ચકાસણી કરવામાં આવે તેવી રજૂઆત થઈ છે. આ ગંભીર અનિયમિતતાઓને ધ્યાનમાં રાખીને સ્થાનિક અગ્રણી પ્રકાશ વાયલું દ્વારા રાજ્યના પોલીસ વડા (DGP), રેન્જ આઈજી (DIGP), ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને લેખિતમાં સત્તાવાર ફરિયાદ કરવામાં આવી છે.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/surat/surat--pp-savani-school-fined--1-lakh-over-hostel-food-poisoning--smc-to-audit-canteens" target="_blank">આ પણ વાંચોઃ Surat News : રસોડાના કર્મચારીઓ પાસે જ નહોતા મેડિકલ સર્ટિફિકેટ! મનપાએ પીપી સવાણી સ્કૂલ સામે કરી મોટી કાર્યવાહી</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/PyM7UglSuelROCZu7gSD52LY3R7DnwpeOZGRO60f.webp'/></item><item><title><![CDATA[PM મોદીના બાળપણના મિત્રને જમીન વિવાદમાં રાહત, ભાજપ ધારાસભ્યએ કબજો છોડવાની કરી જાહેરાત ]]></title><link>https://sandesh.com/india/news/pm-modis-childhood-friend-gets-relief-in-land-dispute-bjp-mla-announces-to-relinquish-possession</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/pm-modis-childhood-friend-gets-relief-in-land-dispute-bjp-mla-announces-to-relinquish-possession</guid><pubDate>Wed, 16 Sep 2026 11:16:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મુંબઈના ભાયંદર વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલા જમીન વિવાદમાં 81 વર્ષીય અસગર અલી વોરાને તાજેતરમાં રાહત મળી છે. વોરા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડનગર સ્થિત બી.એન. સ્કૂલના પૂર્વ સહપાઠી છે. 8 સપ્ટેમ્બર, 2026ના રોજ તેમણે મુંબઈમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરીને ભાયંદર ઈસ્ટના નવઘર વિસ્તારમાં આવેલી પોતાની જમીન અંગેની ફરિયાદ રજૂ કરી હતી. ત્યારબાદ વિવાદિત જમીન અંગે સ્થાનિક સ્તરે ફરીથી કાર્યવાહી શરૂ થઈ હતી.</p><h2 style="text-align: justify; ">વોરાએ 1989માં લગભગ 2,810 ચોરસ મીટર જમીન રજિસ્ટર્ડ કરાર મારફતે ખરીદી હતી</h2><p style="text-align: justify; ">રિપોર્ટ અનુસાર, વોરાએ 1989માં લગભગ 2,810 ચોરસ મીટર જમીન રજિસ્ટર્ડ કરાર મારફતે ખરીદી હતી. તેમના જણાવ્યા મુજબ, તેમણે આ જમીન ક્યારેય વેચી કે અન્ય કોઈના નામે ટ્રાન્સફર કરી નહોતી. જોકે, વોરાનો આરોપ છે કે 2011માં જમીન પર અતિક્રમણ કરવામાં આવ્યું અને મિલકત સંબંધિત દસ્તાવેજોમાં કથિત રીતે ગેરરીતિ કરવામાં આવી. આ વિવાદમાં બે બાંધકામ કંપનીઓના નામ સામે આવ્યા હતા. તેમાંથી એક કંપનીને ભાજપના ધારાસભ્ય નરેન્દ્ર મહેતા સાથે જોડાયેલી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.</p><h3 style="text-align: justify; "><b>2015માં કથિત દસ્તાવેજી ગેરરીતિ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ</b></h3><p style="text-align: justify; ">વોરાએ વર્ષો દરમિયાન સ્થાનિક પોલીસ, મહેસૂલ વિભાગ અને મહાનગરપાલિકા સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હોવાનો દાવો કર્યો હતો. 2015માં કથિત દસ્તાવેજી ગેરરીતિ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. જોકે, લાંબા સમય સુધી વિવાદનું નિરાકરણ ન આવતાં તેમણે વડાપ્રધાન સમક્ષ આ મામલે હસ્તક્ષેપ કરવાની અને સમગ્ર કેસની કેન્દ્રીય તપાસ કરાવવાની માંગ કરી હતી.</p><p style="text-align: justify; ">વોરાની વડાપ્રધાન સાથેની મુલાકાત બાદ મામલાએ નવો વળાંક લીધો. 16 સપ્ટેમ્બરના રિપોર્ટ મુજબ, નરેન્દ્ર મહેતા સાથે જોડાયેલી સેવન ઈલેવન કન્સ્ટ્રક્શન્સે વિવાદિત પ્લોટનો કબજો છોડવાની અને આ જમીન માટે મળેલી બાંધકામ મંજૂરી મહાનગરપાલિકાને પરત કરવાની વાત કરી છે. સાથે જ વોરા વિરુદ્ધ અગાઉ કરવામાં આવેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચવાની પણ માહિતી સામે આવી છે. બંને પક્ષો વચ્ચે સમજૂતી થયાનો દાવો પણ કરવામાં આવ્યો છે.</p><p style="text-align: justify; ">અહીં નોંધવું જરૂરી છે કે જમીન પર કબજો અને દસ્તાવેજોમાં ગેરરીતિ અંગેના મૂળ આરોપો અસગર અલી વોરા તરફથી કરવામાં આવ્યા હતા અને આ આરોપો અંગેના તમામ કાનૂની પાસાંને અલગથી જોવાના રહેશે. અગાઉ આ મામલે સંબંધિત સત્તાધિકારીઓ સમક્ષ કાર્યવાહી ચાલી રહી હતી.</p><p style="text-align: justify; ">આ સમગ્ર ઘટનામાં સૌથી મહત્વની બાબત એ છે કે વર્ષોથી ચાલી રહેલા જમીન વિવાદમાં હવે બંને પક્ષો વચ્ચે સમજૂતી તરફ પગલું ભરાયું છે. નરેન્દ્ર મહેતાએ કબજો છોડવા અને બાંધકામ મંજૂરી પરત કરવાની જાહેરાત કર્યા બાદ વોરાને તેમની જમીન અંગે રાહત મળવાની સ્થિતિ ઊભી થઈ છે. જોકે, જમીનના માલિકી હક અને સંબંધિત દસ્તાવેજો અંગેની અંતિમ કાનૂની સ્થિતિ સત્તાવાર પ્રક્રિયા અને દસ્તાવેજોના આધારે જ સ્પષ્ટ થશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો: <a href="https://sandesh.com/business/news/new-upi-mdr-rules-what-will-change-for-those-investing-in-the-stock-market-and-mutual-funds" target="_blank">UPI MDRના નવા નિયમો: શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારાઓ માટે શું બદલાશે?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/7Fu0T9dL2LyexB5mZnR9HVS8eIfr0g6FeBU0tZE8.webp'/></item><item><title><![CDATA[Gold Silver Price Today: 16 સપ્ટેમ્બરે સોનું ઘટ્યુ, ચાંદી ચમકી, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ ]]></title><link>https://sandesh.com/business/news/gold-silver-price-today-gold-fell-on-september-16-silver-shone-know-the-latest-rate-of-10-grams</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/gold-silver-price-today-gold-fell-on-september-16-silver-shone-know-the-latest-rate-of-10-grams</guid><pubDate>Wed, 16 Sep 2026 11:13:05 +05:30</pubDate><description><![CDATA[<p>સોના અને ચાંદીના ભાવમાં વધઘટ થઈ રહી છે. ભારતમાં તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે. તેથી, સોનાના ભાવમાં ઘટાડો સામાન્ય લોકો માટે નોંધપાત્ર રાહત છે. જોકે, આજે, બુધવાર, 16 સપ્ટેમ્બર, 2026 ના રોજ, પીળી અને સફેદ બંને ધાતુઓના ભાવમાં વધઘટ થઈ રહી છે</p><h2><b>આજે સોના ચાંદીનો ભાવ&nbsp;</b></h2><p>આજે બુધવાર 16 સપ્ટેમ્બર, નબળા વૈશ્વિક સેન્ટિમેન્ટ અને મજબૂત ડોલર વચ્ચે બુલિયન બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થયો. સોનાના ભાવ 1,000 રૂપિયા ઘટીને 1,54,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયા. આ એક મહિનાનું સૌથી નીચું સ્તર છે. અગાઉ 7 ઓગસ્ટે સોનું આ દરે હતું. હવે ચાંદી થોડી રાહત આપી રહી છે. આજે, ચાંદીનો ભાવ સતત બીજા દિવસે 2,34,600 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર સ્થિર રહ્યો છે. આનો અર્થ એ છે કે તમારે ચાંદી પર વધુ પૈસા ખર્ચવા પડશે નહીં. </p><p>જ્યારે આંતરરાષ્ટ્રીય કોમોડિટી બજાર, COMEX પર સોનાના ભાવમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. ચાંદીના ભાવમાં પણ થોડો વધારો નોંધાઈ રહ્યો છે. ગઈકાલે MCX પર સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલરી એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ₹15,090 છે.&nbsp;</p><p><b style="font-size: 1.75rem;">સોનાના ભાવમાં ઘટાડા પાછળના મુખ્ય કારણો શું છે?</b></p><p>સોનાના ભાવમાં ઘટાડા માટેના બે મુખ્ય કારણો ક્રૂડ ઓઇલ અને ટ્રેઝરી યીલ્ડ છે. હુમલાઓ બાદ સાઉદી અરેબિયા દ્વારા તેની પૂર્વ-પશ્ચિમ પાઇપલાઇન બંધ કરવાથી દરરોજ લાખો બેરલ પુરવઠાનું જોખમ ઊભું થયું છે. આનાથી ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે. આ એવા સમયે થયું છે જ્યારે વૈશ્વિક પુરવઠો પહેલાથી જ દબાણ હેઠળ છે. તેલના ભાવમાં વધારો ફુગાવાના ભયને પણ વેગ આપી રહ્યો છે.</p><p><b style="font-size: 1.75rem;">આંતરરાષ્ટ્રીય બજારમાં શું સ્થિતિ છે?</b></p><p>નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે આજે સોનાના ભાવ ઘટ્યા. સોનું પ્રતિ ઔંસ $4,300 ની નીચે સરકી ગયું છે અને એક મહિનાના નીચલા સ્તરની નજીક ટ્રેડ કરી રહ્યું છે. આ ઘટાડો મજબૂત યુએસ ડોલર અને વધતા બોન્ડ યીલ્ડને કારણે હોવાનું કહેવાય છે, કારણ કે ક્રૂડ ઓઇલના ઊંચા ભાવે ફુગાવાની ચિંતા વધારી છે. વિદેશી બજારોમાં, સોનાના ભાવ $22.28 અથવા 0.52 ટકા ઘટીને $4,276.52 પ્રતિ ઔંસ થયા, જ્યારે ચાંદીના ભાવ નજીવા ઘટીને $63.07 પ્રતિ ઔંસ થયા.</p><h3><b>દેશના કેટલાક મોટા શહેરોમાં સોનાના ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)</b></h3><table class="table table-bordered"><tbody><tr><td>શહેર</td><td>&nbsp;24 કેરેટ સોનાની કિંમત&nbsp;</td><td>22 કેરેટ સોનાની કિંમત</td></tr><tr><td>દિલ્હી&nbsp;</td><td>1,53,590</td><td>&nbsp;1,40,650&nbsp;</td></tr><tr><td>મુંબઈ&nbsp;</td><td>1,53,440&nbsp;</td><td>1,40,650</td></tr><tr><td>કોલકાતા</td><td>&nbsp;1,53,440&nbsp;</td><td>1,40,650</td></tr><tr><td>ચેન્નઈ&nbsp;</td><td>1,53,440&nbsp;</td><td>1,42,550</td></tr><tr><td>અમદાવાદ&nbsp;</td><td>1,53,490</td><td>&nbsp;1,40,700</td></tr><tr><td>રાજકોટ&nbsp;</td><td>1,53,490</td><td>&nbsp;1,40,700</td></tr></tbody></table><h4><b>સોનું અને ચાંદી ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું?</b></h4><p><br></p><p>જો તમે સોનું ખરીદી રહ્યા હોવ તો હંમેશા હોલમાર્ક તપાસો અને 6 અંકનો HUID કોડ જોઈને જ ખરીદી કરો. ચાંદી માટે પણ BIS હોલમાર્ક હોય છે અને તેમાં 925 સ્ટર્લિંગ સિલ્વરને સૌથી સારી ગુણવત્તાનું માનવામાં આવે છે. ઉપરાંત, ખરીદી પહેલાં સોના અને ચાંદીની શુદ્ધતાની તપાસ પણ જરૂર કરાવો.</p><p><a href="https://sandesh.com/india/news/west-bengal-inshallah-and-assalamualaikum-in-ipss-speechwhy-not-jai-hind-or-vande-mataram-action-taken" target="_blank">આ પણ વાંચો: West Bengal: IPSની સ્પીચમાં ઇન્શાલ્લાહ અને અસ્સલામુઅલૈકુમ..જય હિંદ કે વંદેમાતરમ કેમ નહીં ? એક્શન લેવાયા&nbsp;</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/NVn0uE7cVRUzLr5meM1EJP6nqAR7YjdnuVLd7xHj.webp'/></item><item><title><![CDATA[Khedaમાં દર્દનાક માર્ગ અકસ્માત, નડિયાદ-ઉત્તરસંડા રોડ પર ST બસ નીચે બાઈક આવી જતાં યુવકનું કરૂણ મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/kheda/kheda--motorcyclist-killed-in-st-bus-accident-near-nadiad--driver-and-conductor-flee</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/kheda/kheda--motorcyclist-killed-in-st-bus-accident-near-nadiad--driver-and-conductor-flee</guid><pubDate>Wed, 16 Sep 2026 10:59:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ખેડા જિલ્લાના નડિયાદ-ઉત્તરસંડા રોડ પર આવેલા કોંકરણ મંદિર પાસે એક હૃદયકંપાવનારો માર્ગ અકસ્માત સર્જાયો છે. નડિયાદથી ચકલાસી થઈ વિદ્યાનગર તરફ જઈ રહેલી એક ST બસની અડફેટે બાઈક આવી જતાં બાઈક સવાર યુવકનું ઘટનાસ્થળે જ અત્યંત કરૂણ મોત નીપજ્યું હતું. માથાના ભાગે ગંભીર અને ભયાનક ઈજાઓ પહોંચવાને કારણે યુવકે સ્થળ પર જ દમ તોડી દીધો હતો.</p><h2 style="text-align: justify; "><b>નોકરી પર જતાં મારૂતિ સુઝુકીના કર્મચારીનું કરૂણ મોત</b></h2><p style="text-align: justify; ">અકસ્માતનો ભોગ બનેલા યુવકની ઓળખ નડિયાદના રહેવાસી હેમીલ પંડ્યા તરીકે થઈ છે. હેમીલ પંડ્યા નડિયાદમાં આવેલા મારૂતિ સુઝુકીના સર્વિસ સેન્ટરમાં બોડી શોપ એડવાઈઝર તરીકે ફરજ બજાવતા હતા. રોજિંદા ક્રમ મુજબ તેઓ પોતાના બાઈક પર સવાર થઈને નોકરી પર જઈ રહ્યા હતા તે દરમિયાન જ આ કાળમુખી ઘટના ઘટી હતી. ઘટનાને પગલે ઘટનાસ્થળે લોકોના મોટા ટોળાં એકત્ર થઈ ગયા હતા.</p><h2 style="text-align: justify; "><b>અકસ્માત સર્જી ડ્રાઈવર-કંડક્ટર ફરાર</b></h2><p style="text-align: justify; ">અકસ્માત સર્જાયા બાદ તુરંત જ ST બસના ડ્રાઈવર અને કંડક્ટર સ્થળ પર જ બસ મૂકીને ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસની ટુકડી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતકના મૃતદેહને પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે મૃતક યુવકના પરિવારમાં અરેરાટી સાથે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/narmada/narmada--sardar-sarovar-dam-crosses-95--capacity--water-level-touches-137-48m" target="_blank">Narmada ડેમ છલકાવાની તૈયારીમાં! 95%થી વધુ ભરાયો, મહત્તમ સપાટીથી માત્ર 1.20 મીટર દૂર</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/Z1nWFIDLypWxLSBlHYWyLZyesFShHyLgutO8K2ke.webp'/></item><item><title><![CDATA[Suratમાં વધુ એક કરુણાંતિકા: વરીયાવ બ્રિજ પાસે તાપી નદી કિનારે પરિણીત પ્રેમીયુગલે કર્યો આપઘાત ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/surat--married-couple-dies-by-suicide-near-tapi-river--singanpor-police-probe-incident</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/surat--married-couple-dies-by-suicide-near-tapi-river--singanpor-police-probe-incident</guid><pubDate>Wed, 16 Sep 2026 10:58:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરમાં વધુ એક સામૂહિક આપઘાતની હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. શહેરના વરીયાવ બ્રિજ નીચે તાપી નદીના પાળે એક પરિણીત પ્રેમીયુગલે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ ઘટનાની જાણ થતાં જ બંનેને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન પહેલાં પ્રેમી અને બાદમાં પ્રેમિકાનું પણ કરુણ મોત નીપજતાં પરિવારજનોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>બંને પરિણીત અને સંતાનવાળા હતા</b></h2><p style="text-align: justify; ">મૃતકોની ઓળખ ઉત્રાણ ખાતે રહેતા પરેશ ચૌહાણ અને વરાછા વિસ્તારની 29 વર્ષીય પરિણીતા તરીકે થઈ છે. પ્રાથમિક વિગતો મુજબ, બંને એક જ જગ્યાએ સાથે કામ કરતાં હોવાના કારણે તેમની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. બંને પરિણીત હતા અને તેમને સંતાનો પણ છે. ઘટનાના દિવસે મહિલા મોડી રાત સુધી ઘરે ન પહોંચતાં પતિએ તેના ફોન પર સંપર્ક કર્યો હતો. ત્યારે કોઈ અજાણ્યા શખ્સે ફોન ઉપાડીને બંને વરીયાવ બ્રિજ પાસે બેભાન હાલતમાં પડ્યા હોવાની વિગતો આપી હતી.</p><h2 style="text-align: justify; "><b>મનદુઃખના કારણે પગલું ભર્યાની આશંકા</b></h2><p style="text-align: justify; ">આ ઘટના અંગે જાણ થતાં જ સિંગણપોર પોલીસ મથકની ટુકડી ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી હતી. પ્રાથમિક આશંકા મુજબ, પ્રેમીયુગલ વચ્ચે કોઈ બાબતે મનદુઃખ અથવા અણબનાવ થતાં તેમણે આ આકરું અંતિમ પગલું ભરી લીધું હતું. સિંગણપોર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/kheda/kheda--motorcyclist-killed-in-st-bus-accident-near-nadiad--driver-and-conductor-flee" target="_blank">Khedaમાં દર્દનાક માર્ગ અકસ્માત, નડિયાદ-ઉત્તરસંડા રોડ પર ST બસ નીચે બાઈક આવી જતાં યુવકનું કરૂણ મોત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/skQaRFdT4D2XKSUOgGOuwfVfQ4jgKi69Th5X3i9B.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : નકલી પાસપોર્ટના આધારે વિદેશ પ્રવાસ કરનાર આરોપીની ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/accused-arrested-for-travelling-abroad-on-fake-passport</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/accused-arrested-for-travelling-abroad-on-fake-passport</guid><pubDate>Wed, 16 Sep 2026 10:41:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં બનાવટી દસ્તાવેજો બનાવીને કાયદાની આંખમાં ધૂળ નાખવાના વધુ એક ગંભીર કેસમાં ગુજરાત એટીએસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મની લોન્ડરિંગના ગંભીર ગુનામાં સંડોવાયેલા હરિકેશ પ્રણવ પટેલ નામના આરોપીએ પોતાનો અસલી પાસપોર્ટ જમા હોવા છતાં બનાવટી પાસપોર્ટ તૈયાર કરાવ્યો હતો અને તેના આધારે વિદેશ પ્રવાસ ખેડ્યો હોવાનું બહાર આવ્યું છે. આ મામલે ગુજરાત એટીએસે સઘન તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>કોર્ટમાં આરોપી સામે કાનૂની ટ્રાયલ પણ ચાલુ છે.</b></h2><p style="text-align: justify; ">પ્રાપ્ત વિગતો અનુસાર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોએ વર્ષ 2022-23 દરમિયાન આરોપી હરિકેશ પ્રણવ પટેલ વિરુદ્ધ મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ એક ગુનો દાખલ કર્યો હતો. આ કૌભાંડ અને ગુના સંબંધિત તપાસ હજુ ચાલી રહી છે અને કોર્ટમાં આરોપી સામે કાનૂની ટ્રાયલ પણ ચાલુ છે. સામાન્ય રીતે કાયદાકીય પ્રક્રિયા હેઠળ જ્યારે કોઈ આરોપી સામે ગંભીર ગુનો નોંધાય અને તપાસ ચાલુ હોય, ત્યારે તેનો અસલી પાસપોર્ટ જમા કરાવી લેવામાં આવતો હોય છે જેથી તે દેશ છોડીને ભાગી ન શકે. આ કેસમાં પણ આરોપી હરિકેશ પટેલનો પાસપોર્ટ અગાઉથી જ જમા હોવાની વિગતો સામે આવી હતી.</p><h3 style="text-align: justify;"><b>પાસપોર્ટમાં તેણે પોતાનું સરનામું પણ બદલી નાખ્યું</b></h3><p style="text-align: justify;">આરોપીએ માત્ર પાસપોર્ટ બનાવવો જ નહીં, પરંતુ તે બનાવટી પાસપોર્ટમાં તેણે પોતાનું સરનામું પણ બદલી નાખ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ નકલી સરનામા તથા બનાવટી પાસપોર્ટના સહારે આરોપીએ કોઈપણ અડચણ વગર વિદેશ પ્રવાસ પણ કરી લીધો હતો. જ્યારે આ બાબતની ગુપ્ત માહિતી ગુજરાત એટીએસની ટીમને મળી, ત્યારે આ મામલે ઊંડાણપૂર્વક ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન એ સ્પષ્ટ થઈ ગયું કે જે સમયે આરોપી સામે દેશમાં મની લોન્ડ્રિંગનો ગુનો નોંધાયેલો હતો અને કોર્ટમાં ટ્રાયલ ચાલી રહી હતી, તે જ અરસામાં તેણે બનાવટી પાસપોર્ટનો ઉપયોગ કરીને વિદેશ મુસાફરી કરી હતી. ગુજરાત એટીએસ દ્વારા આ ગંભીર ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ત્વરિત પગલાં લેવામાં આવ્યા છે અને નકલી પાસપોર્ટના આધારે વિદેશ પ્રવાસ કરનાર આરોપી હરિકેશ પ્રણવ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/surat/surat--pp-savani-school-fined--1-lakh-over-hostel-food-poisoning--smc-to-audit-canteens" target="_blank">આ પણ વાંચોઃ Surat News : રસોડાના કર્મચારીઓ પાસે જ નહોતા મેડિકલ સર્ટિફિકેટ! મનપાએ પીપી સવાણી સ્કૂલ સામે કરી મોટી કાર્યવાહી</a></p><p style="text-align: justify;"><br></p><p style="text-align: justify;"><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/xpHOKju9I7mlOpZHS78aqwpRCyPM4czqlEYEAfmd.webp'/></item><item><title><![CDATA[Surat News: નર્મદાના પોલીસ કોન્સ્ટેબલ વિજ્ઞેશ વસાવા વિરુદ્ધ કાપોદ્રામાં બળાત્કારનો ગુનો દાખલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/case-filed-against-narmada-police-constable-in-kapodra</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/case-filed-against-narmada-police-constable-in-kapodra</guid><pubDate>Wed, 16 Sep 2026 10:36:24 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નર્મદા જિલ્લામાં આર્મ્સ પોલીસ કોન્સ્ટેબલ વિજ્ઞેશ વસાવાએ સુરતના કાપોદ્રા વિસ્તારની ખાનગી હોસ્પિટલની નર્સ પર દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. સુરત ગ્રામ્ય વિસ્તારની વતની અને હાલ કાપોદ્રાની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી આ યુવતીએ નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના અલમાવાડી ગામના વતની અને નર્મદામાં આર્મ્સ પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા વિજ્ઞેશ રાવજી વસાવા વિરુદ્ધ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, તેની સંબંધી આ યુવકના વતનમાં પરણી હોઈ ત્યાં જતી આવતી હોઈ આ સંબંધીએ જ વિજ્ઞેશ સાથે પરિચય કરાવ્યો હતો.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>સામાજિક રીતે આઠ લાખનું વળતર લઈ છૂટા પડ્યા</b></h2><p style="text-align: justify; ">બંનેની જ્ઞાતિ એક જ હોઈ બંને વચ્ચે પરિચય વધુ ગાઢ બન્યો હતો અને તે દૈહિક આકર્ષણમાં પરિણમ્યો હતો. સગાઈ અને લગ્નનું વચન આપી આ કોન્સ્ટેબલે તેની સાથે સંબંધો વધાર્યા હતા, પરંતુ થોડાક સમયથી બંને વચ્ચે તણાવ સર્જાયો હતો.બંને વચ્ચે સંબંધોમાં તણાવ ઊભો થતાં લગ્ન શક્ય બન્યા ન હતા. જેને લઈ મામલો સમાજના આગેવાનો પાસે પહોંચ્યો હતો. સમાજની બેઠકમાં આ કોન્સ્ટેબલ વળતર તરીકે આઠ લાખ ચૂકવે તેવું નક્કી થયું હતું. પહેલાં પાંચ લાખ રોકડા અને બાકીની રકમ દર મહિને હપ્તા પેટે બાંહેધરી આપવામાં આવી હતી. સમાજના લેવાયેલા નિર્ણય પ્રમાણે આ કોન્સ્ટેબલે નાણાં આપવાનું ઠેરવ્યું હતું અને ફરી ક્યારેય સંપર્ક નહિ કરવાનો પણ આદેશ કરાયો હતો.</p><h3 style="text-align: justify;"><b>સુરતમાં બંદોબસ્તમાં આવ્યો ત્યારે ધમકાવી બળાત્કાર</b></h3><p style="text-align: justify;">સુરતમાં બંદોબસ્તમાં આવ્યો ત્યારે ધમકાવી બળાત્કારસામાજિક રીતે નિર્ણય લઈ છૂટા થયા બાદ પણ ગત મે મહિનામાં આ કોન્સ્ટેબલ સુરત શહેરમાં બંદોબસ્ત માટે આવ્યો હતો. તે વખતે આ યુવતીને હોસ્પિટલમાં આવી તોફાન કરવાની ધમકી આપી લાલ દરવાજા સ્થિત આલકાર ગેસ્ટ હાઉસમાં બોલાવી હતી. અહીં જૂના સંબંધો વેળા લેવાયેલી તસવીરો વાયરલ કરવાની ધમકી આપી બળાત્કાર કર્યાના આક્ષેપ સાથે યુવતીએ કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઇન્સ્પેક્ટર એમ.આર. સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/gujarat-rain-report-season-rainfall-reaches-84-38-deficit-up-to-95-in-42-talukas" target="_blank">આ પણ વાંચોઃ Gujarat Rain Report: રાજ્યમાં સિઝનનો 84 ટકા વરસાદ ખાબક્યો, આ વિસ્તારોમાં હજી 95 ટકા સુધીની ઘટ</a></p><p style="text-align: justify;"><br></p><p style="text-align: justify;"><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/bWnBODuuPH5egiHzBt7yFwTg2egPYaDLbXLhJLRU.webp'/></item><item><title><![CDATA[પાકિસ્તાનની ટીમ ભારત આવશે! એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં જામશે ભારત-પાક જંગ ]]></title><link>https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</guid><pubDate>Mon, 14 Sep 2026 15:47:21 +05:30</pubDate><description><![CDATA[<p>આવતા મહિને પાકિસ્તાનની હોકી ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે. 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન પંજાબમાં યોજાનારી AHF મેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026માં પાકિસ્તાન સહિત કુલ છ ટીમો ભાગ લેશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પાકિસ્તાનની ભાગીદારી અંગેની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, મલ્ટી-નેશનલ ઇવેન્ટ્સ અંગે કેન્દ્ર સરકારની નીતિ હેઠળ બંને દેશોની ટીમો આમને-સામને રમશે.</p><h2><b>ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જાલંધરમાં રમાશે</b></h2><p>એશિયન મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન થશે. આ ટૂર્નામેન્ટમાં યજમાન ભારત અને પાકિસ્તાન ઉપરાંત ચીન, જાપાન, મલેશિયા અને કોરિયાની પણ ભાગ લેશે. લીગ સ્ટેજના મુકાબલા જાલંધરમાં યોજાશે, જ્યારે સેમિફાઇનલ અને ફાઇનલ મેચ મોહાલીના હોકી સ્ટેડિયમમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 1 નવેમ્બરે જાલંધરમાં રમાશે. કોઈ ટીમ છેલ્લી ઘડીએ ખસી જાય તો તે સ્થિતિ માટે ઓમાન અને બાંગ્લાદેશને રિઝર્વ ટીમન તરીકે રાખવામી આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PTI_News/status/2099416960278868155"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમવામાં કોઈ મુશ્કેલી નથી</b></h2><p>પાકિસ્તાનની ભાગીદારી અને જરૂરી મંજૂરીઓ અંગે પંજાબના મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં બંને દેશો વચ્ચે રમવામાં કોઈ મુશ્કેલી નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝનું આયોજન અલગ બાબત છે, કારણ કે કેન્દ્ર સરકારની વર્તમાન નીતિ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય રમત-ગમતના આયોજનની મંજૂરી આપતી નથી. પરંતુ મલ્ટી-નેશનલ ટૂર્નામેન્ટમાં બંને દેશોના ખેલાડીઓને એકબીજા સામે રમવાની પરવાનગી છે, જેથી પાકિસ્તાની ટીમ ભારત આવી શકશે.</p><h2><b>ભારત વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે</b></h2><p>ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. ભારતે 2023માં ચેન્નાઈ અને 2024માં ચીનના હુલુનબુઈરમાં યોજાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ગત વર્ષે આ સ્પર્ધા યોજાઈ શકી નહોતી. હવે પંજાબ પ્રથમ વખત આ ટૂર્નામેન્ટની મેજબાની કરવા જઈ રહ્યું છે.</p><h2><b>અગાઉ પાકિસ્તાની ટીમે ના કહી હતી&nbsp;</b></h2><p>પાકિસ્તાનની આ વખતની ભાગીદારી એટલા માટે પણ ખાસ છે, કારણ કે ગત વર્ષે તેણે તમિલનાડુમાં આયોજિત જૂનિયર હોકી વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તે સમયે બંને દેશો વચ્ચેના તણાવને તેનું કારણ ગણાવવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે અને પાકિસ્તાની ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે પૂરી રીતે તૈયાર છે.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/V6jwdiIr9RTCvR6EyBaGsP2qfZvYLq2JfkL7pytm.webp'/></item></channel></rss>