<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[CJP Protest : દિલ્હી હિંસા મામલે પોલીસની કડકાઈ, 10 લોકો પર FIR દાખલ ]]></title><link>https://sandesh.com/india/news/cjp-protest-police-strictness-in-delhi-violence-case-fir-registered-against-10-people</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/cjp-protest-police-strictness-in-delhi-violence-case-fir-registered-against-10-people</guid><pubDate>Wed, 22 Jul 2026 11:04:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દિલ્હીમાં સોમવારે કોકરોચ જનતા પાર્ટી (CJP) ના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી ભારે હિંસા અને સંસદ કૂચ મામલે દિલ્હી પોલીસે સખત રૂખ અપનાવ્યો છે. સોમવારે પથ્થરમારો, લાઠીચાર્જ અને આંસુ ગેસના શેલ છોડવા છતાં આંદોલનકારીઓ પીછેહઠ નહોતી કરી. બીજા જ દિવસે વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓ બમણી ઉર્જા સાથે જંતર-મંતર પર પાછા ફર્યા હતા અને રાતોરાત સ્ટેજ ફરીથી ઊભું કરીને આંદોલનને ફરીથી જીવંત કરી દીધું છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે, પોલીસ કાર્યવાહી અને હિંસાના સંદર્ભમાં દિલ્હીના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અત્યાર સુધીમાં કુલ 10 FIR નોંધવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>10 લોકો પર એફઆઇઆર દાખલ કરવામાં આવી</b></h2><p style="text-align: justify; ">સંસદ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં ચાર, કનોટ પ્લેસમાં ત્રણ તેમજ મંદિર માર્ગ, બરખંભા રોડ અને કર્તવ્ય પથ પોલીસ સ્ટેશનમાં એક-એક FIR દાખલ કરવામાં આવી છે. આ દરમિયાન, દિલ્હી હાઈકોર્ટમાં જંતર-મંતર ખાતે કાર્યકર્તા સોનમ વાંગચુકની ભૂખ હડતાળ વખતે વિદ્યાર્થીઓ અને વિરોધીઓ સામે થયેલી કથિત પોલીસ કાર્યવાહીને પડકારતી જનહિત અરજી (PIL) પર સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. આ અરજીમાં ગત 18 જુલાઈના પોલીસ ઓપરેશનની સ્વતંત્ર તપાસ કરાવવાની, ઘટનાના પુરાવા જાળવી રાખવાની અને નાગરિકોના શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનના બંધારણીય અધિકારનું રક્ષણ કરવા માટે યોગ્ય માર્ગદર્શિકા નક્કી કરવાની માંગ કરવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>&nbsp;આશુતોષ રંકાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા</b></h3><p style="text-align: justify; ">આંદોલનને લઈને CJPના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રંકાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે ચેતવણી આપતા જણાવ્યું હતું કે આઝાદી પછીના ઇતિહાસનું આ સૌથી મોટું આંદોલન છે અને 20 તારીખે જે બન્યું તે તો માત્ર એક ટ્રેલર હતું. જો સરકાર વહેલી તકે યોગ્ય પગલાં નહીં ભરે, તો દેશભરમાંથી લાખો લોકો દિલ્હી તરફ કૂચ કરશે કારણ કે યુવાનો હવે ચૂપ બેસી રહેવાના નથી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમની કૂચ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ હતી, પરંતુ પોલીસ દ્વારા કરવામાં આવેલી ક્રૂરતા અને લાઠીચાર્જને કારણે સ્થિતિ વણસી હતી. યુવાનો છેલ્લા 31 દિવસથી ગાંધીજી અને ડૉ. આંબેડકરના માર્ગ પર ચાલીને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા છે, પરંતુ જો સરકારે જવાબદારી નહીં સમજી તો યુવાનો કડક પાઠ ભણાવશે. વહીવટીતંત્ર અને પ્રદર્શનકારીઓ વચ્ચે ચાલી રહેલા આ ઘમાસાણને કારણે દિલ્હીનું રાજકીય અને સુરક્ષા વાતાવરણ અત્યંત તણાવપૂર્ણ બન્યું છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/cjp-protest-now-bjp-is-also-in-the-fray-possibility-of-nationwide-protests-congress-will-surround-offices" target="_blank">આ પણ વાંચોઃ CJP Protest : હવે ભાજપ પણ મેદાને, દેશવ્યાપી પ્રદર્શન કરવાની શક્યતા, કોંગ્રેસ કાર્યાલયોનો કરશે ઘેરાવ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/22/X1iimOXAboOfTOhjUoOk7rqcn3byvFNd4Otixtxh.webp'/></item><item><title><![CDATA[TMKOC : 'હોટલના રૂમમાં એકલી બોલાવી હતી', તારક મહેતા ફેમ એક્ટ્રેસે કાસ્ટિંગ કાઉચ પર કર્યો ખુલાસો! ]]></title><link>https://sandesh.com/entertainment/news/taarak-mehta-actress-casting-couch-simple-kaul</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/taarak-mehta-actress-casting-couch-simple-kaul</guid><pubDate>Wed, 22 Jul 2026 11:03:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ટીવી અભિનેત્રી સિમ્પલ કૌલે લોકપ્રિય શો તારક મહેતામાં ગુલાબોની ભૂમિકા ભજવીને ખૂબ જ ચર્ચા મેળવી હતી. તેની ભૂમિકા આજે પણ લોકોને યાદ છે. હાલમાં જ અભિનેત્રીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે કાસ્ટિંગ કાઉચ અંગે વાત કરી.</p><h2 style="text-align: justify; "><b>સિમ્પલ કૌલે પોતાના સંઘર્ષના દિવસોને કર્યા યાદ&nbsp;</b></h2><p style="text-align: justify; ">ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં સિમ્પલ કૌલે પોતાના સંઘર્ષના દિવસોને યાદ કર્યા. તેણે જણાવ્યું કે મુંબઈમાં કારકિર્દીની શરૂઆતના સમયે તેણે હંમેશા પોતાની અંગત સીમાઓ સ્પષ્ટ રાખી. સિમ્પલે કહ્યું કે તેને ક્યારેય કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો નથી, કારણ કે તે હંમેશા એ વાતનું ધ્યાન રાખતી હતા કે ક્ષેત્રના લોકોને ક્યારે, ક્યાં અને કેવી રીતે મળવું.</p><h2 style="text-align: justify; "><b>'હોટેલના રૂમમાં એકલા બોલાવી હતી'</b></h2><p style="text-align: justify; ">સિમ્પલ કૌલે કહ્યું, હું શરૂઆતથી જ ખૂબ જ સમજદાર અને સ્પષ્ટવક્તા હતી. કોઈ મારી સાથે ખોટી વાત કરવાનો પ્રયાસ કરે, એ પહેલા જ હું તેને મારી વાતોથી જવાબ આપી દેતી હતી. એક ઘટનાને યાદ કરતા તેણે જણાવ્યું કે એક ફિલ્મ નિર્માતાએ તેને રાત્રે આશરે સાડા આઠ-નવ વાગ્યે હોટેલમાં મળવા માટે બોલાવી હતી.</p><h2 style="text-align: justify; "><b>સિમ્પલે સ્પષ્ટ શબ્દોમાં પાડી ના</b></h2><p style="text-align: justify; ">સિમ્પલે કહ્યું, મેં તેમને કહ્યું કે હું મારા મિત્રો સાથે આવીશ. પરંતુ જ્યારે એ વ્યક્તિએ કહ્યું કે તેઓ એકલા તેમના રૂમમાં આવે અને મિત્રો નીચે રાહ જોશે, તો તેમણે સાફ ના પાડી દીધી. સિમ્પલે આગળ કહ્યું, તેણે કહ્યું કે તમારા મિત્રો નીચે બેસી શકે છે અને તમે ઉપર આવી જાઓ. પરંતુ મેં સાફ કહી દીધું કે ના, જો મળવું હોય તો લોબીમાં મળો. મારા પોતાના કેટલાક નિયમો હતા અને હું તેની સાથે ક્યારેય સમાધાન નહોતી કરતી. તેણે કહ્યું કે તેઓ ક્યારેય કામ માટે પોતાની અનુકૂળતા કે સિદ્ધાંતો સાથે સમાધાન કરવા તૈયાર નહોતાં. મને કોઈ પણ કિંમતે ભૂમિકા જોઈતી નહોતી. જો હું ઉપર જાત પણ, તો મારી ટીમ સાથે જ જાત.</p><h3 style="text-align: justify; "><b>નવા કલાકારોને આપી સલાહ</b></h3><p style="text-align: justify; ">નવા કલાકારોને સલાહ આપતા સિમ્પલે કહ્યું, જો ક્યારેય તમને કોઈ વાતથી અસ્વસ્થતા અનુભવાય કે લાગે કે કંઈક ખોટું છે, તો તરત જ ત્યાંથી ખસી જાઓ. પોતાને કોઈ પણ અસ્વસ્થ પરિસ્થિતિમાં મૂકવાની જરૂર નથી.<br><img alt="Gulabo, TMKOC (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/07/22/cpLxj3Bl9ARj7oQIdbwP4ACfdrikznuTzb9aEM0l.webp"><br></p><p style="text-align: justify; ">તેણે આગળ કહ્યું, પોતાની પ્રતિભા પર ભરોસો રાખો, સતત ઓડિશન આપો, લોકો સાથે વ્યાવસાયિક રીતે મળો અને પોતાની કળા પર મહેનત કરો. સફળતા મેળવવા માટે પોતાના સિદ્ધાંતો સાથે સમાધાન કરવાની કોઈ જરૂર નથી. સિમ્પલ કૌલ સિવાય દિવ્યાંગકા ત્રિપાઠી, મદાલ્સા શર્મા અને કિશ્વર મર્ચન્ટ જેવી કેટલીય ટીવી અભિનેત્રીઓ કાસ્ટિંગ કાઉચનો શિકાર બની ચૂકી છે.</p><h4 style="text-align: justify; "><b>કોણ છે સિમ્પલ કૌલ?</b></h4><p style="text-align: justify; ">સિમ્પલ કૌલ અભિનેત્રી હોવાની સાથે સાથે એક વ્યવસાયી મહિલા પણ છે. તેમણે એકતા કપૂરના શો કુસુમથી 2002 માં અભિનયની શરૂઆત કરી હતી. તેમને શરારત અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેવા શોથી ઘરઘરમાં ઓળખ મળી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/jana-nayagan-day-1-advance-booking-box-office-record" target="_blank">આ પણ વાંચો-Jana Nayaganની ટિકિટો માટે પડાપડી, એડવાન્સ બુકિંગમાં કરોડોની કમાણી!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/22/j4diOgGxOqT3tadH73oICt3ulwt4aLn9z5zk95Pz.webp'/></item><item><title><![CDATA[Sonam Wangchuk Candle March: સોનમ વાંગચુકના સમર્થનમાં કેન્ડલ માર્ચ, NEET પેપર લીક અંગે રાષ્ટ્રપતિને આવેદનપત્ર ]]></title><link>https://sandesh.com/india/news/sonam-wangchuk-candle-march-candle-march-in-support-of-sonam-wangchuk-petition-to-the-president-regarding-neet-paper-leak</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/sonam-wangchuk-candle-march-candle-march-in-support-of-sonam-wangchuk-petition-to-the-president-regarding-neet-paper-leak</guid><pubDate>Wed, 22 Jul 2026 11:02:58 +05:30</pubDate><description><![CDATA[<p>CJP પાર્ટી દ્વારા દિલ્હીમાં જતંર મંતર પર કરાતું પ્રદર્શન વધુ ઉગ્ર બન્યું છે. આ પ્રદર્શનમાં બોલીવુડ કલાકારો અને કોંગ્રેસ પાર્ટીનો સાથ મળતા દેશભરમાં NEET પેપર લીક મામલો વધુ વેગ પકડી રહ્યો છે. હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકને સમર્થન આપવા અનેક વિસ્તારોમાં કેન્ડલ માર્ચનું આયોજન થયું. દુર્ગુકોંડલ અને પખંજોર વિસ્તારમાં યુવાનો તેમજ વિવિધ સામાજિક સંગઠનોએ દેશના વર્તમાન અને મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે અવાજ બુલંદ કર્યો છે. એક તરફ દુર્ગુકોંડલમાં પ્રખ્યાત પર્યાવરણવિદ અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના સમર્થનમાં યુવાનોએ શાંતિપૂર્ણ કેન્ડલ માર્ચ યોજી હતી, તો બીજી તરફ પખંજોરમાં દેશની શિક્ષણ વ્યવસ્થામાં સુધારા અને NEET પેપર લીક કૌભાંડની નિષ્પક્ષ તપાસ માટે રાષ્ટ્રપતિના નામે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.</p><h2><b>દુર્ગુકોંડલ: સોનમ વાંગચુકના સમર્થનમાં કેન્ડલ માર્ચ</b></h2><p>દુર્ગુકોંડલના 'જાગરૂક યુવા મંચ' દ્વારા સોમવારે રાત્રે મુખ્ય ચોક ખાતે સોનમ વાંગચુકના સમર્થનમાં વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. હાથમાં સળગતી મીણબત્તીઓ સાથે યુવાનોએ પર્યાવરણ સંરક્ષણ, બંધારણીય અધિકારો અને લોકશાહી મૂલ્યોની સુરક્ષાનો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. યુવાનોએ જણાવ્યું હતું કે, સોનમ વાંગચુક દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો માત્ર લદ્દાખ પૂરતા સીમિત નથી, પરંતુ તે દેશના કુદરતી સંસાધનો અને ભવિષ્યની પેઢી સાથે સીધા જોડાયેલા છે. મુખ્ય ચોક પર યોજાયેલા આ કાર્યક્રમમાં યુવાનોએ દેશમાં શાંતિ, જનકલ્યાણ અને પર્યાવરણીય જાગૃતિ ફેલાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.</p><h3><b>પખંજોરમાંNEET પેપર લીક વિરુદ્ધ રાષ્ટ્રપતિને આવેદન</b></h3><p>બીજી તરફ, પખંજોરમાં 'આદિવાસી છાત્ર યુવા સંગઠન' અને 'સર્વ આદિવાસી સમાજ (યુવા વિભાગ)' દ્વારા દેશમાં વારંવાર બનતી પેપર લીકની ઘટનાઓ અને NEET પરીક્ષાના કૌભાંડ સામે પેટા વિભાગીય અધિકારી (SDO) મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં સર્વ આદિવાસી સમાજના પ્રમુખ સિયારામ પુડો, વિદ્યાર્થી સંગઠનના પ્રમુખ રાજેશ નુરુતિ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક યુવાનો અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.</p><p><b>આવેદન પત્રમાં વિદ્યાર્થીઓની આ માગ</b></p><p>પખંજોરમાં 'આદિવાસી છાત્ર યુવા સંગઠન' દ્વારા રાષ્ટ્રપતિને આપવામાં આવેલ આવેદનપત્રમાં વિદ્યાર્થીઓએ પોતાની માગ રજૂ કરી. NEET પેપર લીકની નિષ્પક્ષ અને સમયબદ્ધ તપાસ થાય તેમજ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તાત્કાલિક ધોરણે રાજીનામું આપે. NEET વિવાદ અને માનસિક તણાવના કારણે આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને કેન્દ્ર સરકાર તરફથી ₹1 કરોડનું આર્થિક વળતર આપવામાં આવે. ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે પારદર્શક શિક્ષણ પ્રણાલી અને કડક સંસ્થાકીય કાયદા બનાવીને દોષિતો સામે સખત કાર્યવાહી કરવામાં આવે.</p><p><br></p><p><a href="https://sandesh.com/india/news/cjp-protest-police-strictness-in-delhi-violence-case-fir-registered-against-10-people" target="_blank">આ પણ વાંચો : CJP Protest : દિલ્હી હિંસા મામલે પોલીસની કડકાઈ, 10 લોકો પર FIR દાખલ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/22/VUPJiaJo1SBYA9uxPwEXlKkbcyzj0WFh6HGyjNXG.webp'/></item><item><title><![CDATA[Trump Tariff: ટ્રમ્પ આપવા જઈ રહ્યા છે 200% ટેરિફનો ફટકો, પરંતુ આમાં પણ ભારત માટે તક છે, જાણો કેવી રીતે ]]></title><link>https://sandesh.com/world/news/business/trump-tariff-trump-is-going-to-give-a-blow-of-200-tariff-but-this-also-has-an-opportunity-for-india-know-how</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/business/trump-tariff-trump-is-going-to-give-a-blow-of-200-tariff-but-this-also-has-an-opportunity-for-india-know-how</guid><pubDate>Wed, 22 Jul 2026 10:24:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી ટેરિફથી ડરાવવાનો સિલસિલો શરૂ કરી દીધો છે અને આ વખતે તેમના નિશાના પર જેનરિક દવાઓ છે, જેના પર તેમણે તબક્કાવાર રીતે 100% અને 200% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે.</p><p style="text-align: justify; ">ડોનાલ્ડ ટ્રમ્પે એકવાર ફરીથી ટેરિફ બોમ્બ ફોડવાનો સિલસિલો શરૂ કરી દીધો છે. કેનેડા પર 50% ટેરિફની જાહેરાત કર્યા પછી હવે અગ્રણી અમેરિકી પ્રમુખે તમામ જેનરિક દવાઓ પર 200% સુધીનો હાઈ ટેરિફ લાદવાની જાહેરાત કરી દીધી છે. મિડલ ઈસ્ટ યુદ્ધના કારણે ચરમસીમાએ પહોંચેલા ગ્લોબલ ટેન્શન વચ્ચે અમેરિકા તરફથી આ બીજો એક મોટો આંચકો લાગ્યો છે. આનાથી ભારતીય દવાની નિકાસ પર મોટી અસર પડી શકે છે.</p><p style="text-align: justify; ">જોકે, પોતાની જાહેરાતમાં તેમણે બે વર્ષ સુધી ઝીરો ટેરિફની વાત પણ કહી છે, જે ભારત માટે રાહતની વાત છે, કારણ કે અમેરિકામાં ભારતીય જેનરિક દવાઓનો મોટો કારોબાર છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિયેટિવ (GTRI)ના એક રિપોર્ટ અનુસાર, ભારતે 2025માં અમેરિકાને 9.7 અબજ ડોલર મૂલ્યની જેનરિક દવાઓ નિકાસ કરી હતી, જે દેશની કુલ વૈશ્વિક દવા નિકાસ 25.8 અબજ ડોલરના 38% હતી.</p><h2 style="text-align: justify; "><b>બે વર્ષ 0% પછી 100-200% ટેરિફ</b></h2><p style="text-align: justify; ">ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોતાના એકાઉન્ટ પરથી દુનિયાને ડરાવતી પોસ્ટી કરી. જેમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે અમેરિકામાં લાવવામાં આવી રહેલી તમામ જેનરિક દવાઓ પર આગામી 1 ઓગસ્ટથી શરૂ થતા બે વર્ષ સુધી 0% ટેરિફ લાગુ રહેશે.ટ્રમ્પે આ મુહલતની સાથે જ મોટો આંચકો આપ્યો અને કહ્યું કે આ બે વર્ષ પછી આગામી એક વર્ષ માટે આ જેનરિક મેડિસિન પર 100% અમેરિકી ટેરિફ લાદવામાં આવશે અને ત્યાર પછી તેને વધારીને 200% સુધી કરી દેવામાં આવશે.</p><h3 style="text-align: justify; "><b>ટ્રમ્પે જણાવ્યું- કેમ લગાવી રહ્યા છે ટેરિફ?</b></h3><p style="text-align: justify; ">રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાની ટ્રુથ સોશિયલ પોસ્ટમાં જેનરિક દવાઓ પર ટેરિફ લાદવા પાછળના મોટા કારણનો ખુલાસો પણ કર્યો. તેમણે આમાં કહ્યું, 'આ પગલું જેનરિક ફાર્મા પ્રોડક્શનને અમેરિકામાં પાછું લાવવા માટે ઉઠાવવામાં આવ્યું છે અને તે કંપનીઓ પર દંડ લાદવામાં આવશે, જે તેમને આપવામાં આવેલી ટાઈમલાઈન સરહદની અંદર પ્લાન્ટ અને ઉપકરણો સ્થાપિત કરતી નથી.'</p><h4 style="text-align: justify; "><b>USમાં 90% દવાઓ જેનરિક</b></h4><p style="text-align: justify; ">અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (FDA) મુજબ, USમાં વેચાતી 90% થી વધુ મેડિસિન જેનરિક દવાઓ છે. ટ્રમ્પે કહ્યું કે પેટન્ટ, બ્રાન્ડેડ કે ઈનોવેટિવ દવાઓથી સંબંધિત પોલિસીમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. રિપોર્ટ અનુસાર, દુનિયાની સૌથી મોટી દવા ઉત્પાદક કંપનીઓએ વિતેલા વર્ષે અમેરિકી સરકાર સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જે હેઠળ અબજો ડોલરની દવાઓને ટેરિફમાંથી છૂટ આપવામાં આવી હતી.</p><h5 style="text-align: justify; "><b>એપ્રિલમાં ટ્રમ્પે આપ્યા હતા સંકેત</b></h5><p style="text-align: justify; ">જણાવી દઈએ કે Donald Trump એ એપ્રિલમાં એક કારોબારી આદેશ પર સાઈન કર્યા હતા, જે હેઠળ અમેરિકામાં આયાત કરવામાં આવતી બ્રાન્ડેડ દવાઓ પર 100% ટેરિફ લાદવાનું સૂચવવામાં આવ્યું હતું, જ્યાં સુધી દવા ઉત્પાદકો સરકાર દ્વારા નિર્ધારિત દવા મૂલ્ય નિર્ધારણ કરારો પર સંમત ન થાય અથવા પોતાના ઉત્પાદનોનું સ્થાનિક સ્તરે નિર્માણ કરવા માટે પ્રતિબદ્ધ ન થાય. હવે ટ્રમ્પે 200 ટકા ટેરિફ સુધીની જાહેરાત કરી દીધી છે.</p><h6 style="text-align: justify; "><b>USમાં દર 5માંથી એક જેનરિક દવા ભારતની</b></h6><p style="text-align: justify; ">ભારતને ‘દુનિયાની ફાર્મસી’ કહેવામાં આવે છે, કારણ કે અમેરિકામાં ઉપયોગમાં લેવાતી દર પાંચ જેનરિક દવાઓમાંથી એક ભારતમાં જ બને છે. આ સસ્તી દવાઓ લાખો અમેરિકનો માટે હેલ્થકેરને પરવડે તેવી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ટ્રમ્પની નવી જાહેરાતની અસર જોઈએ તો, ભારતના અમેરિકામાં જેનરિક દવાઓના મોટા કારોબારમાં બે વર્ષ સુધી ટેન્શન ફ્રી નિકાસનો ફાયદો મળશે. ભારત વાર્ષિક આશરે 10 અબજ ડોલરથી વધુ મૂલ્યની જેનરિક દવાઓ અમેરિકાને નિકાસ કરે છે અને એક રીતે અમેરિકી હેલ્થકેર સિસ્ટમની કરોડરજ્જુ બનેલું છે.</p><p style="text-align: justify; ">હવે અમેરિકી રાષ્ટ્રપતિની જાહેરાત મુજબ, વાર્ષિક અબજો ડોલરની દવાઓ ભારત બે વર્ષ સુધી વિના રોકટોક નિકાસ કરતું રહેશે. જોકે, ત્યાર પછી 100 ટકા અને 200 ટકા ટેરિફની જાહેરાત ટ્રમ્પે કરી છે.</p><p style="text-align: justify; ">સરળ ભાષામાં સમજીએ તો ટ્રમ્પની આ જાહેરાતથી ભારતીય જેનરિક દવા નિકાસ પર તાત્કાલિક કોઈ અસર નથી પડવાની, કારણ કે આ બે વર્ષોમાં જ્યાં ભારતને બે વર્ષ સુધી 0% ટેરિફ (Zero Tariff)નો લાભ મળશે, તો બીજી તરફ જેનરિક દવા કંપનીઓને બે વર્ષ પછી પ્રસ્તાવિત ટ્રમ્પ ટેરિફથી નિપટવા માટે પોતાની સ્ટ્રેટેજી (વ્યૂહરચના) બદલવાનો સમય પણ મળશે. આ દરમિયાન ભારતીય જેનરિક દવા કંપનીઓ અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ વધારવા, ત્યાંની સ્થાનિક કંપનીઓ સાથે ભાગીદારી જેવા પગલાં ભરી શકશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/world/news/-political-news/nawaz-sharif-wants-to-become-pm-but-not-of-pakistan-know-where-he-expressed-his-desire-to-become" target="_blank">આ પણ વાંચો: Nawaz Sharif PM બનવા માંગે છે, પણ પાકિસ્તાનના નહીં! જાણો ક્યાંના બનવાની વ્યક્ત કરી ઈચ્છા</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/22/NB0Pqt5OzJbyQkpRbhR0rj9yNtqPgg1lo9vLzU2M.webp'/></item><item><title><![CDATA[Commonwealth Games 2026 : ભારતીય બોક્સિંગ ટીમનો સામાન એરપોર્ટ પરથી થયો ગુમ, ખેલાડીઓ મુશ્કેલીમાં ]]></title><link>https://sandesh.com/sports/news/commonwealth-games-2026-indian-boxing-teams-luggage-goes-missing-from-airport-players-in-trouble</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/commonwealth-games-2026-indian-boxing-teams-luggage-goes-missing-from-airport-players-in-trouble</guid><pubDate>Wed, 22 Jul 2026 10:23:39 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">2026 કોમનવેલ્થ ગેમ્સ સ્કોટલેન્ડના ગ્લાસગોમાં 23 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન યોજાશે.ગ્લાસગોએ અગાઉ 2014માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું હતું.આ વર્ષે 74 દેશોના આશરે 3,000 રમતવીરો 11 દિવસીય રમતોમાં ભાગ લેશે,જેમાં ભારતના 126 રમતવીરો મેડલ માટે સ્પર્ધા કરશે.જોકે 2026 ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ શરૂ થાય તે પહેલાં,ભારતીય બોક્સિંગ ટીમને મોટી કટોકટીનો સામનો કરવો પડ્યો છે.બેલફાસ્ટમાં તાલીમ શિબિર પૂર્ણ કરીને ગ્લાસગો પહોંચેલી 22 સભ્યોની ભારતીય બોક્સિંગ ટીમનો લગભગ અડધો સામાન બેલફાસ્ટ એરપોર્ટ પર છોડી દેવામાં આવ્યો છે.</p><h4 style="text-align: justify; "><b>ભારતીય બોક્સિંગ ટીમનો સામાન થયો ગયો</b></h4><p style="text-align: justify; ">ગુમ થયેલ બેગમાં ખેલાડીઓની તાલીમ કીટ, તેમજ ગુરુવારના ઉદ્ઘાટન સમારોહ માટે સત્તાવાર અને ઔપચારિક ગણવેશનો સમાવેશ થાય છે.ભારતીય ટુકડીના સભ્યોના જણાવ્યા અનુસાર,બેલફાસ્ટથી ગ્લાસગો જતું વિમાન ખૂબ નાનું હતું,જેના કારણે બધો સામાન એકસાથે લોડ થઈ શક્યો નહીં.જે ખેલાડીઓનો સામાન પાછળ રહી ગયો હતો તેમાં વિશ્વ ચેમ્પિયન જાસ્મીન લંબોરિયા,સાક્ષી ચૌધરી,પરવીન હુડા,જદુમણી સિંહ,કપિલ પોખરિયા અને પુરુષોના મુખ્ય કોચ સી.કુટ્ટપ્પાનો સમાવેશ થાય છે.</p><h5 style="text-align: justify; "><b>આવી બેદરકારીનો બીજો બનાવ</b></h5><p style="text-align: justify; ">આશ્ચર્યજનક રીતે, ભારતીય બોક્સિંગ ટીમ સાથે સંકળાયેલી આવી બેદરકારીનો આ બીજો બનાવ છે. આ મહિનાની શરૂઆતમાં જ્યારે ટીમ દોહાથી બેલફાસ્ટ માટે રવાના થઈ ત્યારે એરલાઇન્સ દ્વારા પણ આવી જ બેદરકારીની જાણ કરવામાં આવી હતી. વધુમાં, ટીમ મેનેજમેન્ટે બીજી ખામી અંગે ચિંતા વ્યક્ત કરી છે. મહિલા બોક્સિંગ કોચ મંદાકિની ચાનુને અન્ય બોક્સરોની જેમ જ હોટલમાં રૂમ ફાળવવામાં આવ્યો નથી, જેના કારણે કોચ અને રમતવીરો વચ્ચે સંકલન કરવામાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે.</p><h5 style="text-align: justify; "><b>શુક્રવારથી સ્પર્ધાઓ શરૂ થશે</b></h5><p style="text-align: justify; ">કોમનવેલ્થ ગેમ્સમાં બોક્સિંગ સ્પર્ધાઓ શુક્રવારથી શરૂ થવાની છે. આવી સ્થિતિમાં, ભારતીય ટીમને આશા છે કે પ્રેક્ટિસ અને તૈયારીઓ ગતિ પકડે તે પહેલાં તેમનો બચેલો સામાન ગ્લાસગો સુરક્ષિત રીતે પહોંચી જશે, જેથી ખેલાડીઓ કોઈપણ માનસિક તાણ વિના તેમનું અભિયાન શરૂ કરી શકે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/indian-team-announced-for-hockey-world-cup-know-who-got-a-place" target="_blank">Hockey વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત,જાણો કોને મળ્યું સ્થાન</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/22/YQPXvFamnJwcGZTldVKBqO4PxxnNncOALqdZNWfa.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : બોપલમાં દીપડા જેવું જંગલી જાનવર દેખાતા હડકંપ: કાર નીચે સંતાયા બાદ ભાગતો વીડિયો સામે આવ્યો, Video ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/leopard-like-wild-animal-spotted-in-bopal-ahmedabad-video-viral</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/leopard-like-wild-animal-spotted-in-bopal-ahmedabad-video-viral</guid><pubDate>Wed, 22 Jul 2026 09:13:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરના પોશ વિસ્તાર ગણાતા બોપલમાં ફરી એકવાર દીપડા જેવા જંગલી જાનવરે દેખા દેતાં સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને હડકંપ વ્યાપી ગયો છે. શહેરમાં અગાઉ પણ ઘુમા અને ચાંદખેડા વિસ્તારોમાં અગાઉ પણ દીપડો દેખાયા બાદ, હવે બોપલ જેવા ગીચ વિસ્તારમાં દીપડા જેવું જાનવર જોવા મળતા લોકોમાં ભયનો માહોલ છે.</p><h2 style="text-align: justify; "><b>બોપલ વિસ્તારમાં પાર્ક કરેલી એક કાર નીચે સંતાયેલો જોવા મળ્યો</b></h2><p style="text-align: justify; ">લેટેસ્ટ ઘટનામાં, બોપલ વિસ્તારમાં પાર્ક કરેલી એક કાર નીચે આ જંગલી જાનવર સંતાયેલું જોવા મળ્યું હતું. કાર નીચેથી અચાનક બહાર નીકળીને ભાગી જતા આ દીપડા જેવા જાનવરનો વીડિયો કેમેરામાં કેદ થયો છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ આસપાસના રહીશો પોતાના ઘરની બહાર નીકળવામાં પણ ડર અનુભવી રહ્યા છે.</p><p style="text-align: justify; "><img alt="Leopard-like Animal Spotted in Bopal Ahmedabad: Car Hiding Video Viral" src="https://epapercdn.sandesh.com/images/2026/07/22/TSYVWvBhNHg6NAHTEuHwcLZFpk4TY8unoQCM4AjS.webp"><br></p><h3 style="text-align: justify; "><b>વન વિભાગને તાત્કાલિક જાણ કરાઇ&nbsp;</b></h3><p style="text-align: justify; ">ઘટના અંગે વન વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી છે. વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચીને વીડિયોના આધારે તપાસ ચલાવી રહી છે તેમજ જાનવરના પગના નિશાન અને વિસ્તારની ઘેરાબંધી કરીને તેને પાંજરે પૂરવા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. વન વિભાગે બોપલના રહીશોને રાત્રિના સમયે ખાસ સાવચેતી રાખવા અપીલ કરી છે. આ ખરેખર દીપડો જ છે કે તેમ તે વિશે હજું વન વિભાગ પણ તપાસ કરી રહ્યું છે.&nbsp;</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbFJ4I3j35G/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbFJ4I3j35G/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a>&nbsp;</p><p style="text-align: justify; ">&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b><br></b><b>વન વિભાગનો ખુલાસો</b></h4><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">જો કે અમદાવાદના બોપલ વિસ્તારમાં ફરી એકવાર દીપડો દેખાયો હોવાના નામે વાયરલ થયેલા વીડિયો અંગે વન વિભાગ દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. કાર નીચેથી નીકળતું એક વન્ય પ્રાણી કેમેરામાં કેદ થતાં જ સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને આ વીડિયો દીપડાનો હોવાના દવા સાથે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. જોકે, આ વાયરલ વીડિયોના આધારે વન વિભાગે તાત્કાલિક સ્થળ પર પહોંચીને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. વન વિભાગની વિગતવાર તપાસ બાદ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ પ્રાણી દીપડો નથી, પરંતુ અન્ય કોઈ નાનું વન્ય પ્રાણી જ છે. આ ખુલાસાથી સ્થાનિક રહીશોએ ભારે રાહત અનુભવી છે.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; &nbsp;<a href="https://sandesh.com/weather/news/gujarat/valsad/monsoon-2026-south-gujarat-heavy-rain-kaprada-valsad-vapi-floods-schools-closed-mandvi-beach" target="_blank"><b>Monsoon 2026 : દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: કપરાડામાં 16 ઈંચ વરસાદ, શાળા-કોલેજો બંધ, કચ્છના દરિયાકાંઠે 'ઓરેન્જ એલર્ટ' જાહેર</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/22/wo7QSAKHUOoYbVEGKgxLU4rGgBwfk2LpJkuash8a.webp'/></item><item><title><![CDATA[Junagadh : સરકારી ફરજમાં અડચણ ઊભી કરવાના કેસમાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ દોષિત જાહેર ]]></title><link>https://sandesh.com/gujarat/news/junagadh/junagadh-court-verdict-bjp-president-kirit-patel-convicted-pgvcl-case</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/junagadh/junagadh-court-verdict-bjp-president-kirit-patel-convicted-pgvcl-case</guid><pubDate>Wed, 22 Jul 2026 08:33:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જુનાગઢની એડિશનલ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ચર્ચિત કેસમાં આકરો ચુકાદો આપતાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલને દોષિત જાહેર કર્યા છે. સરકારી અધિકારીની ફરજમાં અડચણ ઊભી કરવા બદલ નોંધાયેલી ફરિયાદના સંદર્ભમાં કોર્ટે પુરાવા ધ્યાને લઈને આ ચુકાદો સંભળાવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>સરકારી કામકાજમાં દખલગીરી કરવાની ફરિયાદ&nbsp;</b></h2><p style="text-align: justify; ">આ સમગ્ર મામલે PGVCL ના અધિકારી હસમુખ સાવલિયા દ્વારા કિરીટ પટેલ સામે સરકારી કામકાજમાં દખલગીરી કરવા અને ફરજમાં રુકાવટ ઊભી કરવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કેસની સુનાવણી દરમિયાન કોર્ટ સમક્ષ ભરોસાપાત્ર દસ્તાવેજી પુરાવાઓની સાથે ઘટના સંબંધિત ચોક્કસ CCTV ફૂટેજ પણ રજૂ કરવામાં આવ્યા હતા.</p><h3 style="text-align: justify; "><b>એડિશનલ કોર્ટે કિરીટ પટેલને કસૂરવાર ઠેરવતો ચૂકાદો</b></h3><p style="text-align: justify; ">અદાલતે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અને રજૂ કરાયેલા દસ્તાવેજો તથા CCTV પુરાવાઓને મજબૂત આધાર ગણીને એડિશનલ કોર્ટે કિરીટ પટેલને કસૂરવાર ઠેરવતો કડક નિર્ણય સંભળાવ્યો છે. રાજકીય ક્ષેત્રે વજન ધરાવતા નેતા સામે કોર્ટના આ નિર્ણયને પગલે જુનાગઢ સહિત સમગ્ર રાજ્યના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે...</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp; :&nbsp; &nbsp;<a href="https://sandesh.com/weather/news/gujarat/valsad/monsoon-2026-south-gujarat-heavy-rain-kaprada-valsad-vapi-floods-schools-closed-mandvi-beach" target="_blank"><b> Monsoon 2026 : દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: કપરાડામાં 16 ઈંચ વરસાદ, શાળા-કોલેજો બંધ, કચ્છના દરિયાકાંઠે 'ઓરેન્જ એલર્ટ' જાહેર</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/22/r0VFlLTM08gvbOHmEzfaXFSrYtmzE09BkhRJyIxr.webp'/></item><item><title><![CDATA[Ankleshwar : MD ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ: દિલ્હી અને સુરત DRIના દરોડા, 40 લાખનો જથ્થો ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ankleshwar/ankleshwar-md-drugs-factory-busted-dri-raid-bharuch</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ankleshwar/ankleshwar-md-drugs-factory-busted-dri-raid-bharuch</guid><pubDate>Wed, 22 Jul 2026 08:24:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી ડ્રગ્સનું નેટવર્ક ચલાવતા કારોબારીઓ સામે દિલ્હી અને સુરત DRI ની ટીમે મોટો પર્દાફાશ કર્યો છે. ગડખોલ વિસ્તારમાં આવેલી ઉમિયા ફાર્મ સોસાયટીમાં એક મકાન ભાડે રાખીને ગુપ્ત રીતે ચલાવવામાં આવતી ડ્રગ્સ ફેક્ટરી પર સંયુક્ત દરોડા પાડીને કરોડોના કાળા કારોબારનો ખુલાસો કરવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>મેફેડ્રોન ડ્રગ્સનો મોટો જથ્થો  મળ્યો&nbsp;</b></h2><p style="text-align: justify; ">સહિયારી કામગીરી દરમિયાન અધિકારીઓને ઘટનાસ્થળેથી મેફેડ્રોન ડ્રગ્સનો મોટો જથ્થો તેમજ તેને બનાવવા માટે ઉપયોગમાં લેવાતું રૉ મટીરિયલ મળી આવ્યું છે. DRI દ્વારા સ્થળ પરથી આશરે ₹૪૦ લાખની કિંમતનું MD ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.  ડ્રગ્સના આ ગેરકાયદેસર કારોબારમાં સંકળાયેલા 3 શંકાસ્પદ ઈસમોની ઘટનાસ્થળેથી જ અટકાયત કરી લેવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>ઉંડી તપાસ શરુ</b></h3><p style="text-align: justify; ">દરોડા બાદ ટીમે સમગ્ર મકાનને સીલ કરી દીધું છે અને ડ્રગ્સ બનાવવા માટેનું કાચું મટીરિયલ ક્યાંથી લાવવામાં આવતું હતું તેમજ આ ડ્રગ્સનો સપ્લાય ક્યાં થવાનો હતો તે દિશામાં ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. અંકલેશ્વર જેવા ઔદ્યોગિક વિસ્તારમાં રહેણાંક સોસાયટીમાંથી ડ્રગ્સ ફેક્ટરી ઝડપાતાં સમગ્ર વિસ્તારમાં ભારે સસનાટી મચી ગઈ છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp;<a href="https://sandesh.com/weather/news/gujarat/valsad/monsoon-2026-south-gujarat-heavy-rain-kaprada-valsad-vapi-floods-schools-closed-mandvi-beach" target="_blank"><b> Monsoon 2026 : દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: કપરાડામાં 16 ઈંચ વરસાદ, શાળા-કોલેજો બંધ, કચ્છના દરિયાકાંઠે 'ઓરેન્જ એલર્ટ' જાહેર</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/22/QSYjOPkMffIUuBIWgucgJ8fLULukzIGjlHrvHuqP.webp'/></item><item><title><![CDATA[Monsoon 2026 : દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, સુરત- વલસાડમાં NDRF-SDRFની ટીમો તૈનાત, Video ]]></title><link>https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-south-gujarat-heavy-rain-red-alert-ndrf-sdrf-teams-deployed-surat-valsad</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-south-gujarat-heavy-rain-red-alert-ndrf-sdrf-teams-deployed-surat-valsad</guid><pubDate>Wed, 22 Jul 2026 07:30:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 48  કલાકથી આફતનો વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સમગ્ર પંથક જળબંબાકાર થયો છે. અતિભારે વરસાદની ગંભીર સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર દ્વારા સુરત અને વલસાડમાં NDRF અને SDRF ની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. સ્થિતિની નાજુકતાને ધ્યાને રાખીને રાહત અને બચાવ કામગીરી માટે SDRF ની વધુ ત્રણ પ્લાટુન પણ રવાના કરવામાં આવી છે.&nbsp;&nbsp;</p><h2 style="text-align: justify; "><b>આજે પણ ભારે વરસાદની આગાહી&nbsp;</b></h2><p style="text-align: justify; ">હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને દાદરા નગર હવેલી માટે વરસાદનું 'રેડ એલર્ટ' જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભરૂચ, નર્મદા, બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે. સમગ્ર રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2079755425919156482"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a>&nbsp; &nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><h3 style="text-align: justify; "><b>દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ&nbsp;</b></h3><p style="text-align: justify; ">પડોશી રાજ્ય મહારાષ્ટ્ર, મુંબઈ તેમજ બોઈસર અને વિરાર પટ્ટામાં પડી રહેલા મુસળધાર વરસાદની સીધી અસર દક્ષિણ ગુજરાત પર જોવા મળી રહી છે. મરોલી, વાપી, વલસાડ, બીલીમોરા, ચીખલી, નવસારી અને પલસાણામાં મેઘરાજાની ધડબડાટી બોલી રહી છે.</p><h4 style="text-align: justify; "><b>સૌરાષ્ટ્રમાં પણ વરસાદ</b></h4><p style="text-align: justify; ">&nbsp;બીજી તરફ, સૌરાષ્ટ્રના જેતપુર, જૂનાગઢ, અમરેલી, ઊના, કોડીનાર, વેરાવળ, જામનગર અને માળિયા પંથકમાં પણ ભારે વરસાદની પૂરેપૂરી સંભાવના છે. પાણી ભરાવાની સ્થિતિ વચ્ચે લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">&nbsp; આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/weather/news/gujarat/surat/surat-heavy-rain-waterlogging-udhna-navsari-road-farmers-happy#google_vignette" target="_blank"><b>Monsoon 2026 : સુરત ફરી જળબંબાકાર, અનેક જગ્યાએ ઘૂંટણસમા પાણી ભરાયા, તંત્રની ફરી પોલ ખુલી, Video</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/22/TvGfvZOHVedbm2SRGEsqTC1MVEQOjiTY6n9LbWU0.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: બગોદરા હાઈવે પર ખાડાનું સામ્રાજ્ય ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-pothole-empire-on-bagodra-highway</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-pothole-empire-on-bagodra-highway</guid><pubDate>Wed, 22 Jul 2026 01:10:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બગોદરા : બાવળા તાલુકાના બગોદરા હાઇવે પર ચોમાસાના આરંભે થોડા ઘણાં જ વરસાદમાં જ ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય જોવા મળે છે. જેના પગલે વાહન ચાલકો માટે જોખમી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. આ ઉપરાંત સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે હાઈવે પર ખાડાઓના લીધે રોજબરોજ નાના મોટા અકસ્માતો થાય છે. આ સમસ્યા અંગે અવારનવાર તંત્રવાહકો સમક્ષ રજૂઆતો કરવા છતાંય સ્થિતિ જૈસે થેની રહેવા પામી છે. એટલું જ નહીં કેટલીક જગ્યાએ ખાડાના સમારકામના નામે માત્ર કપચી નાંખી દેવાય છે. તે પણ વાહનોની અવરજવરથી થોડા જ દિવસોમાં ગાયબ થઈ જતી હોય છે. એથી સ્થિતિ જૈસે થેની થઈ જતી હોય છે. ત્યારે થોડો વરસાદ થતા જ ખાડા વરસાદી પાણીથી ભરાઈ જાય છે. જેના પગલે ટ્રાફ્કિજામના દશ્યો પણ સર્જાય છે. ત્યારે સદર સમસ્યાનું વહેલી તકે કાયમી નિરાકરણ લાવવામાં આવે તેમ સ્થાનિકો ઈચ્છી રહ્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/DUGutDfTqNe7hzndOkdEcxeYay4KQEYlQ2UwZmmB.webp'/></item></channel></rss>