<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Rajkot: મચ્છરોનો ઉપદ્રવ નાથવા મનપાએ શરૂ કર્યો ડ્રોનથી દવા છંટકાવ, મેયરે કરાવ્યો શુભારંભ ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/rmc-drone-technology-mosquito-spray-ramnath-mahadev-mayor</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/rmc-drone-technology-mosquito-spray-ramnath-mahadev-mayor</guid><pubDate>Mon, 24 Aug 2026 16:28:41 +05:30</pubDate><description><![CDATA[<p>ચોમાસા દરમિયાન શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગચાળાના જોખમને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકાએ પરંપરાગત રીતોની સાથે હવે આધુનિક ટેકનોલોજીનો સહારો લીધો છે. રાજકોટ મનપા દ્વારા મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા ડ્રોન મારફતે મચ્છરનાશક દવાઓનો છંટકાવ કરવાનો નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે.</p><h2><b>રાજકોટ મનપાએ અપનાવી હાઇટેક ટેકનોલોજી</b></h2><p>આ હાઇટેક અભિયાનની સત્તાવાર શરૂઆત રાજકોટના પવિત્ર રામનાથ મહાદેવ મંદિર પરિસર ખાતેથી મનપા મેયર અને આરોગ્ય સમિતિના અધિકારીઓની હાજરીમાં કરવામાં આવી હતી. આ યોજના હેઠળ 3 અલગ-અલગ વિશેષ ટીમો બનાવવામાં આવી છે, જે રાજકોટ શહેરના વિવિધ વોર્ડમાં ફરીને ડ્રોન વડે દવા છંટકાવની કામગીરીનું સંચાલન કરશે.રાજકોટ મનપા કમિશનર અને આરોગ્ય વિભાગના આયોજન મુજબ, અત્યાર સુધી નદી-નાળા અને વિશાળ ખુલ્લા વિસ્તારોમાં જ્યાં મનપાના કર્મચારીઓ ચાલીને કે ફોગિંગ મશીન લઈને પહોંચી શકતા નહોતા, ત્યાં મચ્છરના પોરા (લાર્વા) મોટી માત્રામાં પાંગરતા હતા. ડ્રોન ટેકનોલોજી આ સમસ્યાનો કાયમી અને સચોટ ઉકેલ બનશે.</p><h3><b>મચ્છરના ઉપદ્રવ સામે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ શરુ</b></h3><p>આજી નદીના પટ, મોટો જળસંચય ધરાવતા નાળાં અને ભરાયેલા પાણીના વિશાળ વિસ્તારોમાં ડ્રોન દ્વારા ઝડપી દવા છંટકાવ શક્ય બનશે. ડ્રોનથી ઓછા સમયમાં મોટા વિસ્તારમાં સચોટ રીતે એન્ટી-લાર્વલ કેમિકલ અને દવાનો છંટકાવ કરી શકાશે. જ્યાં મનુષ્યો માટે પહોંચવું અશક્ય કે જોખમી છે ત્યાં ડ્રોનની કામગીરી નિર્ણાયક સાબિત થશે, જેનાથી મચ્છરોનો ઉત્પત્તિ સ્થાન પર જ નાશ કરી શકાશે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/chokbazar-rajao-vara-illegal-encroachment-demolition-high-court-order" target="_blank">આ પણ વાંચો: Surat: હાઈકોર્ટના આદેશ બાદ ચોકબજાર રાજાઓવારા બહાર બુલડોઝર ફર્યું, ગેરકાયદે દબાણો જમીનદોસ્ત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/NkHudmQWl9Inz0VlOc6Hfl4xjdDODTboZjtFFjta.webp'/></item><item><title><![CDATA[CBI તપાસ કે કેન્સલ થશે JPSC પરીક્ષા? સુપ્રીમ કોર્ટે ઝારખંડ સરકારને મોકલી નોટિસ ]]></title><link>https://sandesh.com/india/news/supreme-court-notice-jharkhand-government-jpsc-2025-cbi-probe</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/supreme-court-notice-jharkhand-government-jpsc-2025-cbi-probe</guid><pubDate>Mon, 24 Aug 2026 16:25:19 +05:30</pubDate><description><![CDATA[<p>ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન (JPSC) દ્વારા 19 એપ્રિલ 2025ના રોજ યોજાયેલી સિવિલ સર્વિસ પ્રિલિમિનરી પરીક્ષામાં કથિત ગેરરીતિનો મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. પરીક્ષામાં મોટાપાયે અનિયમિતતાના આક્ષેપો વચ્ચે સમગ્ર મામલાની CBI તપાસની માગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે સંબંધિત પક્ષોને નોટિસ પાઠવી છે.</p><h2><b>કોણે દાખલ કરી અરજી?</b></h2><p>ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જૉયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે આ મામલે સંજ્ઞાન લેતા CBI, ઝારખંડ સરકાર અને રાજ્યના પોલીસ મહાનિર્દેશક સહિત અન્ય પક્ષકારો પાસેથી જવાબ માગ્યો છે. સામાજિક કાર્યકર હરિશરણ દેવગને આ અરજી દાખલ કરી છે. અરજીમાં 19 એપ્રિલે યોજાયેલી JPSC પ્રિલિમ્સની પારદર્શિતા અને નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. અરજદાર દ્વારા પરીક્ષા સંપૂર્ણપણે રદ કરીને નવેસરથી પરીક્ષા યોજવાની માગ કરવામાં આવી છે.</p><p>આ ઉપરાંત કથિત ગેરરીતિની તપાસ રાજ્યની કોઈ એજન્સીને બદલે CBI જેવી સ્વતંત્ર અને નિષ્પક્ષ એજન્સી પાસેથી કરાવવાની માગ છે. તપાસ માટે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અથવા ઝારખંડ બહારની હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં સ્વતંત્ર તપાસ સમિતિ રચવાની પણ માગણી કરવામાં આવી છે.</p><h3><b>ડિજિટલ રેકોર્ડ સુરક્ષિત રાખવાની માગ</b></h3><p>અરજીમાં ઉમેદવારોની OMR શીટની સ્કેનિંગ, કોડિંગ, ચકાસણી અને પરિણામ તૈયાર કરવાની સમગ્ર પ્રક્રિયાનું સ્વતંત્ર એજન્સી મારફતે ઓડિટ કરાવવા તેમજ પરીક્ષા અને પરિણામ સાથે જોડાયેલા તમામ દસ્તાવેજો તથા ડિજિટલ રેકોર્ડ સુરક્ષિત રાખવાની માગ પણ કરવામાં આવી છે. પરીક્ષા બાદથી જ ઉમેદવારો દ્વારા ગેરરીતિના આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા અને પરીક્ષા રદ કરવાની માગ સાથે વિરોધ પ્રદર્શન પણ થયા હતા. હવે સુપ્રીમ કોર્ટની નોટિસ બાદ આગામી સુનાવણી અને પક્ષકારોના જવાબ પર ઉમેદવારોની નજર છે.</p><p><a href="https://sandesh.com/india/news/delhi-to-patna-air-india-flight-ai1741-bird-hit-before-landing-at-patna-airport--164-passengers-safe-" target="_blank"><b>આ પણ વાંચો : Delhiથી પટના આવી રહેલી ફ્લાઇટમાં મોટો અકસ્માત ટળ્યો, તાળવે ચોટ્યા હતા 164 યાત્રીઓના જીવ !</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/RavXBwLvXMZcdlGxKG5aaU89vcAuBuUIQLJT0x8a.webp'/></item><item><title><![CDATA[Shubman Gillની બહેન શહનીલે રિયાલિટી શો ટ્રેટર્સ પર ઉઠાવ્યા ગંભીર સવાલો, પારુલ ગુલાટીએ કહ્યું- 'હું નિર્દોષ છું'! ]]></title><link>https://sandesh.com/entertainment/news/shahneel-gill-parul-gulati-the-traitors-2-controversy</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/shahneel-gill-parul-gulati-the-traitors-2-controversy</guid><pubDate>Mon, 24 Aug 2026 16:25:07 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કરણ જોહર હોસ્ટ કરતો રિયાલિટી શો ધ ટ્રેટર્સ 2 દર્શકોમાં સતત ચર્ચામાં છે. આ શોમાં શ્વેતા તિવારી, અભિષેક મલ્હાન, શાલિની પાસી અને પારુલ ગુલાટી સહિત અનેક જાણીતા સેલેબ્સે ભાગ લીધો છે, જેમાંથી ઘણા શોમાંથી બહાર પણ થઈ ચૂક્યા છે. ધ ટ્રેટર્સની બીજી સીઝનમાં કન્ટેસ્ટન્ટ્સ વચ્ચે ગુપ્ત ગઠબંધન, ચાલાકી અને છેતરપિંડીની જોરદાર રમત જોવા મળી રહી છે. આ દરમિયાન ક્રિકેટર શુભમન ગિલની બહેન શહનીલે તાજેતરમાં શોને લઈને કેટલાક એવા દાવા કર્યા છે, જેના પછી નવો વિવાદ ઊભો થયો છે. શહનીલે શો પર ફિક્સિંગનો આરોપ લગાવ્યો છે અને દાવો કર્યો છે કે કન્ટેસ્ટન્ટ્સે પ્રોડક્શન તરફથી મળેલા શેડોને પૈસા આપ્યા અને ટ્રેટર વિશે જાણીને ગેમમાં બેઈમાની કરી.</p><h2 style="text-align: justify; "><b>શહનીલે લગાવ્યો આરોપ</b></h2><p style="text-align: justify; ">શહનીલે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે કહે છે, ગટ પાસે સોર્સ હતો, ઈફ યુ નો યુ નો. વીડિયોમાં શહનીલે કોઈનું નામ લીધું નથી, પરંતુ તેણે જે પ્રકારના આરોપ લગાવ્યા છે અને જે વાતો કહી છે, તેને લઈને લોકોનું કહેવું છે કે તે પારુલ ગુલાટી વિશે વાત કરી રહી છે. શોમાં પારુલ ગુલાટીએ ઘણી વખત પોતાની ગટ ફીલિંગનો ઉલ્લેખ કરીને સાચું અનુમાન લગાવ્યું હતું. તેણે ક્રિસ્ટલ ડિસૂઝા અને હરમન સિંહને ટ્રેટર ગણાવતા કહ્યું હતું કે તેની ગટ ફીલિંગ કહે છે કે બંને ટ્રેટર છે. તે દરરોજ બ્રેકફાસ્ટ ટેબલ પર બંનેને ટ્રેટર ગણાવતી અને બાકીના ખેલાડીઓને પણ પોતાની વાત માનવા માટે સમજાવતી હતી.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DcYnZ_NPS9y/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DcYnZ_NPS9y/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DcYnZ_NPS9y/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DcYnZ_NPS9y/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h3 style="text-align: justify; "><b>પારુલ ગુલાટીએ આપ્યો જવાબ</b></h3><p style="text-align: justify; ">પારુલે શોમાં ઘણી વખત એટલા આત્મવિશ્વાસ સાથે દાવા કર્યા હતા કે દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. પારુલે તો ત્યાં સુધી કહી દીધું હતું કે તેણે જેને ટ્રેટર ગણાવ્યો છે, જો તે ટ્રેટર નહીં નીકળે તો તે પોતાની કંપની બંધ કરી દેશે. હવે શહનીલ અને ક્રિસ્ટલે તેના ગેમ પર સવાલ ઉઠાવ્યા છે. આ અંગે પારુલે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરીને પ્રતિક્રિયા આપી અને કહ્યું, દરેક જગ્યાએ તેની વિરુદ્ધ શકનું સર્કલ ચાલી રહ્યું છે. પરંતુ મોટી વાત એ છે કે આ વખતે પણ તે નિર્દોષ છે. જોકે, પારુલની આ પોસ્ટ પર અન્ય કોઈની પ્રતિક્રિયા સામે આવી નથી.<br><img alt="Shahneel Gill Shubman Gill sister The Traitors (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/24/4iyrsaNw9BCnTVgnQtTeYp4uj3BFxTX7jIly5JKH.webp"><br></p><h4 style="text-align: justify; "><b>અભિષેક મલ્હાન, રણવીર બ્રાર અને પારુલ ગુલાટી શોમાંથી બહાર</b></h4><p style="text-align: justify; ">કરણ જોહરના શો ધ ટ્રેટર્સ 2માંથી સૌથી પહેલાં મુનવ્વર ફારુકી બહાર થયો હતો. ત્યાર બાદ એક પછી એક અભિષેક મલ્હાન, પારુલ ગુલાટી અને રણવીર બ્રાર જેવા કન્ટેસ્ટન્ટ્સ પણ શોમાંથી બહાર થઈ ગયો. પારુલ ક્રિસ્ટલ પર બારીકાઈથી નજર રાખી રહી હતી અને વારંવાર સવાલો ઉઠાવી રહી હતી. પરંતુ અંતે તે પોતે જ સર્કલ ઓફ શકમાં આવી ગઈ અને કુલ્લુના વોટને કારણે પારુલ કોમ્પિટિશનમાંથી બહાર થઈ ગઈ.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/awarapan-2-cocktail-2-record-highest-romantic-grosser-2026" target="_blank">આ પણ વાંચો-Awarapan 2એ તોડ્યો કોકટેલ 2નો રેકોર્ડ! બની ગઈ 2026ની સૌથી વધુ કમાણી કરનારી હાઈએસ્ટ રોમેન્ટિક ગ્રોસર ફિલ્મ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/wH90XDPm1MBOX5kfrqToEQ0oNp7D1in8HyIbUGbu.webp'/></item><item><title><![CDATA[Malaysiaથી બમ્બીહા ગેંગના 3 વોન્ટેડ ગેંગસ્ટરોને ભારત ડિપોર્ટ કરાયા, પોલીસ કસ્ટડીમાં મોકલાયા ]]></title><link>https://sandesh.com/india/news/world/malaysia-bambiha-gang-wanted-gangsters-deported-to-india</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/world/malaysia-bambiha-gang-wanted-gangsters-deported-to-india</guid><pubDate>Mon, 24 Aug 2026 16:04:18 +05:30</pubDate><description><![CDATA[<p>મલેશિયામાંથી બમ્બીહા ગેંગ સાથે જોડાયેલા ત્રણ ફરાર ભારતીય ગેંગસ્ટરોને ભારતીય એજન્સીઓએ ઝડપી પાડ્યા બાદ ભારત પરત લાવી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. કેન્દ્રીય ગૃહમંત્રીના કાર્યાલયે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે જસપ્રીત સિંહ, અજય સિંહ અને પાવનદીપ સિંહને મલેશિયાથી ડિપોર્ટ કરવામાં આવ્યા છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2091821920836522100"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>ત્રણેય આરોપીઓ સામે અનેક ગંભીર ગુનાઓના આરોપો</b></h2><p>સરકારી માહિતી અનુસાર, ત્રણેય આરોપીઓ સામે અનેક ગંભીર ગુનાઓના આરોપો છે. તેમાં ખંડણી, વસૂલી, સરહદ પારથી હથિયારો અને નશીલા પદાર્થોની હેરાફેરી સહિતના કેસોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લુધિયાણામાં કરવામાં આવનાર એક ગ્રેનેડ હુમલાના નિષ્ફળ પ્રયાસ સાથે પણ તેમના કથિત જોડાણની તપાસ ચાલી રહી છે.</p><h3><b>આરોપીઓને કાયદાની પહોંચમાં લાવવા માટેની કાર્યવાહી વધુ તેજ</b></h3><p>ભારતીય એજન્સીઓએ વિદેશમાં છુપાયેલા આરોપીઓને શોધી કાઢવા અને તેમને કાયદાની પહોંચમાં લાવવા માટેની કાર્યવાહી વધુ તેજ કરી છે. તાજેતરની કાર્યવાહી પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ગુનાહિત નેટવર્ક સામે ભારતના વધતા સહકાર અને સંકલિત પ્રયાસનો ભાગ માનવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રીના કાર્યાલયે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરક્ષિત અને સશક્ત ભારતના વિઝન હેઠળ સુરક્ષા એજન્સીઓ સંગઠિત ગુનાખોરી અને ફરાર ગુનેગારો સામે સતત કાર્યવાહી કરી રહી છે.&nbsp;</p><h4><b>વર્ષ 2026માં 51 ગુનેગારોને વિદેશમાંથી ભારત લવાયા&nbsp;</b></h4><p>સરકારી દાવા અનુસાર, વર્ષ 2026માં અત્યાર સુધીમાં ભારતીય એજન્સીઓએ કુલ 51 કઠોર ગુનેગારોને વિદેશમાંથી ભારત પરત લાવવામાં મદદ કરી છે. મલેશિયાથી ત્રણેય આરોપીઓને પરત લાવવાની કાર્યવાહી બાદ હવે ભારતીય પોલીસ અને તપાસ એજન્સીઓ તેમની સામે નોંધાયેલા કેસોમાં આગળની તપાસ કરશે. ખાસ કરીને ખંડણી, ડ્રગ્સ અને હથિયારોની હેરાફેરી તથા લુધિયાણા ગ્રેનેડ હુમલાના કથિત કનેક્શન અંગે તપાસ આગળ વધવાની શક્યતા છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/business/japan-capital-india-manufacturing-partnership-piyush-goyal" target="_blank">આ પણ વાંચો : Japanની મૂડી અને ભારતનું મેન્યુફેક્ચરિંગ બનશે નવી ભાગીદારીની શક્તિ : પીયૂષ ગોયલ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/jYIz03l3DtIrwyfByGB6NrzZcBWNN8IGJOApsWcR.webp'/></item><item><title><![CDATA[Dang News: સુબીર ખાતે 77મા વન મહોત્સવની ઉજવણી, ધારાસભ્ય વિજયભાઈ પટેલ રહ્યા ઉપસ્થિત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ahwa/77th-van-mahotsav-celebrated-in-subir-of-dang</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ahwa/77th-van-mahotsav-celebrated-in-subir-of-dang</guid><pubDate>Mon, 24 Aug 2026 16:01:02 +05:30</pubDate><description><![CDATA[<p>ડાંગ જિલ્લામાં ‘હરિયાળા ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવાના ભાગરૂપે સુબીર ખાતે આવેલી નવજ્યોત હાઈસ્કૂલના પ્રાંગણમાં જિલ્લા કક્ષાના 77મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિશાળ સંખ્યામાં પદાધિકારીઓ, વન વિભાગના અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.</p><h2><b>‘એક પેડ મા કે નામ 3.0’ અંતર્ગત વૃક્ષારોપણનો સંદેશ</b></h2><p>વન મહોત્સવ દરમિયાન ‘એક પેડ મા કે નામ 3.0’ અભિયાન અંતર્ગત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય વિજયભાઈ પટેલે નાગરિકોને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગરૂક બનવા હાકલ કરી હતી અને દરેક વ્યક્તિ પોતાના જન્મદિવસ અથવા અન્ય શુભ પ્રસંગોએ ઓછામાં ઓછું 1 વૃક્ષ વાવી તેનું જતન કરવાનો સંકલ્પ લે તેવી અપીલ કરી હતી.</p><h2><b>ડાંગ જિલ્લામાં 6 લાખથી વધુ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક</b></h2><p>પોતાના પ્રાસંગિક પ્રવચનમાં વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાત રાજ્યમાં 11 કરોડ વૃક્ષો વાવવાનો મહત્વાકાંક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. આ રાજ્યવ્યાપી ઝુંબેશના ભાગરૂપે માત્ર ડાંગ જિલ્લામાં જ 6 લાખથી વધુ વૃક્ષોનું સફળતાપૂર્વક વાવેતર કરવામાં આવ્યું છે, જે ડાંગના પ્રાકૃતિક સૌંદર્યમાં ઉમેરો કરશે.</p><p><img alt="Dang News: 77th Van Mahotsav Celebrated in Subir; MLA Vijay Patel Attends Event" src="https://epapercdn.sandesh.com/images/2026/08/24/PPTTQzLrMd2wBUiG5H3TucnyZAGwlwKQrljf5CV4.webp" style="width: 100%;"><br></p><h2><b>વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયના ચેક અર્પણ</b></h2><p>કાર્યક્રમ દરમિયાન વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ લાભાર્થીઓને આર્થિક સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.</p><ul><li>માલિકી યોજના: 6 લાભાર્થીઓને કુલ 45.18 લાખ રૂપિયાના સહાયના ચેક અપાયા.</li><li>એગ્રોફોરેસ્ટ્રી યોજના: 2 લાભાર્થીઓને 1.20 લાખ રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવી.</li><li>લખપતિ દીદી યોજના: 2 સખી મંડળોને 24 લાખ રૂપિયાના ચેક એનાયત કરવામાં આવ્યા.</li></ul><h2><b>ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વનકર્મીઓનું સન્માન</b></h2><p>વૃક્ષારોપણ અને નાણાકીય સહાય વિતરણની સાથે સાથે વન વિભાગમાં ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરનાર વનકર્મીઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ડાંગના કુદરતી વારસાને જાળવી રાખવા અને સમગ્ર જિલ્લાને વધુ હરિયાળો બનાવવા માટે વૃક્ષ વાવવાની સાથે તેના જતન અને સંવર્ધનનો મક્કમ સંદેશ આપવામા આવ્યો હતો.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/crime/valsad/police-crackdown-on-liquor-smuggling-in-dang-4-accused-arrested-goods-worth-rs-944-lakh-seized" target="_blank">Dangમાં દારૂના જથ્થા પર પોલીસનો સપાટો! 4 આરોપી ઝડપાયા, રૂ.9.44 લાખનો મુદ્દામાલ જપ્ત</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/2uVLtxVq0c4d81h6euon0l75R0wzH3UfA2H8KRPg.webp'/></item><item><title><![CDATA[Stock Market Closing: શેર બજાર લાલ નિશાને, સેન્સેક્સ 77,369 અંકે ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-closing-stock-market-closed-in-the-red-sensex-closed-at-77369-points</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-closing-stock-market-closed-in-the-red-sensex-closed-at-77369-points</guid><pubDate>Mon, 24 Aug 2026 15:49:48 +05:30</pubDate><description><![CDATA[<p>સોમવારે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો. બેંકિંગ અને નાણાકીય સેવા કંપનીઓના શેરમાં નબળાઈએ મુખ્ય સૂચકાંકો પર ભાર મૂક્યો. બપોરે 2:00 વાગ્યા સુધીમાં, સેન્સેક્સ 278.37 પોઈન્ટ (0.36%) ઘટીને 77,262.46 ના સ્તરે પહોંચ્યો હતો. દરમિયાન, નિફ્ટી50 24,163.40 પર ટ્રેડ કરી રહ્યો હતો, જે 88.60 પોઈન્ટ (0.37%) ઘટીને હતો.</p><h2><b>શેરબજાર લાલ નિશાને&nbsp;</b></h2><p>બપોરે 3.30 કલાકે સેન્સેક્સ લાલ નિશાનમાં સરકી ગયો. સેન્સેક્સ 171.72 પોઇન્ટના ઘટાડા સાથે 77,369 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 32.95 પોઇન્ટના ઘટાડા સાથે&nbsp; 24,219.05 અંકે બંધ થયો.&nbsp;</p><p><b style="font-size: 1.75rem;">SBI, BEL અને અદાણી પોર્ટ્સમાં ઘટાડો</b></p><p>સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), ભારત ઇલેક્ટ્રોનિક્સ (BEL), અને અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન નિફ્ટી50 પર ટોચના ઘટાડામાં સામેલ હતા. બેંકિંગ અને નાણાકીય સેવા શેરોમાં વેચવાલીનું દબાણ બજારના સેન્ટિમેન્ટ પર સતત અસર કરતું રહ્યું.</p><p><b style="font-size: 1.75rem;">મિડકેપમાં સીમાંત વધારો; સ્મોલકેપ નબળો</b></p><p>વ્યાપક બજારમાં, નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ લગભગ સ્થિર રહ્યો, જેમાં 0.01% નો સીમાંત વધારો થયો. બીજી તરફ, નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સમાં 0.31% નો ઘટાડો નોંધાયો.</p><p><b style="font-size: 1.75rem;">મેટલ સેક્ટર આઉટપર્ફોર્મ્સ</b></p><p>ક્ષેત્રીય સૂચકાંકોમાં, નિફ્ટી મેટલ ટોચનું પ્રદર્શન કરનારું ક્ષેત્ર હતું. તેનાથી વિપરીત, નિફ્ટી પીએસયુ બેંક સૌથી નબળું ક્ષેત્ર હતું; બેંકિંગ શેરો પરના દબાણથી ઇન્ડેક્સ નોંધપાત્ર રીતે પ્રભાવિત થયો હતો.</p><h4><b>ઈરાન પર યુએસ પ્રતિબંધોની જાહેરાત</b></h4><p>યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ સોમવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઈરાન પર લાદવામાં આવનાર આર્થિક પ્રતિબંધો અંગે વિગતો શેર કરે તેવી અપેક્ષા છે. દરમિયાન, ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે યુએસના આર્થિક અલગતાના ભયને ફગાવી દીધો છે.પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે રોકાણકારો આ વિકાસ પર નજીકથી નજર રાખી રહ્યા છે.</p><h4><b>એશિયન બજારોમાં મિશ્ર વેપાર</b></h4><p>સોમવારે એશિયા-પેસિફિક ક્ષેત્રમાં શેર બજારોમાં મિશ્ર વેપાર જોવા મળ્યો. આ અઠવાડિયે Nvidia અને Marvell Technology ના ત્રિમાસિક પરિણામો આવવાના હોવાથી, રોકાણકારોનું ધ્યાન ખાસ કરીને AI-સંબંધિત કંપનીઓના શેર પર કેન્દ્રિત છે. જાપાનનો Nikkei 225 લગભગ 0.63 ટકા ઊંચો ટ્રેડિંગ કરી રહ્યો હતો, જ્યારે દક્ષિણ કોરિયાનો Kospi 2.28 ટકા નીચે હતો.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2024/12/16/nssx0nFMCWEFJi9091P88E6iSf9biI9lascMugJJ.jpg'/></item><item><title><![CDATA[Surat: હાઈકોર્ટના આદેશ બાદ ચોકબજાર રાજાઓવારા બહાર બુલડોઝર ફર્યું, ગેરકાયદે દબાણો જમીનદોસ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/chokbazar-rajao-vara-illegal-encroachment-demolition-high-court-order</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/chokbazar-rajao-vara-illegal-encroachment-demolition-high-court-order</guid><pubDate>Mon, 24 Aug 2026 15:38:25 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત શહેરના મધ્યમાં આવેલા ચોકબજાર રાજાઓવારા વિસ્તારમાં જાહેર માર્ગ પર ગેરકાયદેસર રીતે વકફ ઊભું કરીને મોટું દબાણ કરવામાં આવ્યું હોવાની બાબત સામે આવી હતી. આ ગેરકાયદે દબાણોને કારણે વાહનવ્યવહાર અવરોધાતો હતો અને ટ્રાફિકની વિકટ સમસ્યા સર્જાતી હતી.</p><h2><b>ગેરકાયદે દબાણો પર ફર્યું મનપાનું બુલડોઝર</b></h2><p>આ મામલે જાગૃત નાગરિકો અને સ્થાનિકો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટે તમામ પક્ષોને સાંભળ્યા બાદ કડક વલણ અપનાવીને જાહેર માર્ગ પરના તમામ ગેરકાયદે દબાણો ત્વરિત હટાવીને આ તમામ જગ્યાનો કબજો સુરત મહાનગરપાલિકાને સોંપવાનો સ્પષ્ટ આદેશ કર્યો હતો.હાઈકોર્ટના આદેશનું પાલન કરતા સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનની દબાણ હટાવ શાખાની ટીમ આજે સવારે કાફલા સાથે ચોકબજાર ખાતે પહોંચી ગઈ હતી. મનપાની ટીમે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખીને બુલડોઝરની મદદથી રસ્તા પર ઊભી કરાયેલી ગેરકાયદે પાનની કેબિનો તેમજ અન્ય પાકા દબાણોને જમીનદોસ્ત કરી દીધા હતા.</p><h3><b>પાનની કેબિનો અને પાકા માળખા તોડી પાડ્યા</b></h3><p>મનપાએ બુલડોઝર ફેરવીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો અને આખી જગ્યા પોતાના સત્તાવાર કબજા હેઠળ લઈ લીધી છે. દબાણ દૂર કરતી વખતે કોઈ અસામાજિક તત્વો અવરોધ ઊભો ન કરે તે માટે ચોકબજાર પોલીસ દ્વારા જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મનપાના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે હાઈકોર્ટના નિર્દેશો મુજબ ચોકબજાર અને અન્ય સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં બાકી રહેલા તમામ ગેરકાયદે દબાણો સામે પણ આગામી દિવસોમાં આવી જ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/nanpura-fish-market-narendra-modi-board-controversy-smc-action" target="_blank">આ પણ વાંચો: Surat: નાનપુરા ફિશ માર્કેટના નામકરણ મામલે વિવાદ; ઠરાવ વિના જ લગાવી દેવાયું 'નરેન્દ્ર મોદી ફિશ માર્કેટ'નું બોર્ડ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/1Y96MWRDylmsDsCnf0bGahK88NZueOmAz7ankbjW.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: શહેરમાં ગુનાહિત ઇતિહાસ ધરાવનારા આરોપીઓ સામે કડક કાર્યવાહીનો તખ્તો તૈયાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/police-action-against-criminals-pasa-crackdown-on-repeat-offenders</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/police-action-against-criminals-pasa-crackdown-on-repeat-offenders</guid><pubDate>Mon, 24 Aug 2026 15:26:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.શહેરમાં શાંતિનો ભંગ કરતા અને સતત ગુનાહિત પ્રવૃત્તિઓમાં લિપ્ત રહેતા અસામાજિક તત્વો સામે હવે પોલીસ તંત્ર દ્વારા  એક્શન લેવાની તૈયારીઓ કરવામાં આવી છે. શહેરના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં સક્રિય અને ભૂતકાળમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા રીઢા ગુનેગારોનું એક વિસ્તૃત લિસ્ટ પોલીસ કમિશનરની સૂચનાથી તૈયાર કરવામાં આવ્યું છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ગુનેગારો સામે પાસા હેઠળ ધરપકડની તૈયારીઓ</b></h2><p style="text-align: justify; ">આ લિસ્ટના આધારે ટૂંક સમયમાં જ મોટા પાયે ગુનેગારો સામે પાસા હેઠળ ધરપકડ કરી તેઓને પાંજરે પૂરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર,આ વખતે પોલીસનું મુખ્ય નિશાન સામાન્ય જનતાને હેરાન-પરેશાન કરતા વિવિધ પ્રકારના આરોપીઓ છે.કડક કાર્યવાહીના દાયરામાં ગુનાઓમાં સામેલ તત્વોને આવરી લેવાશે. ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે નાણાં ધીરીને સામાન્ય અને ગરીબ નાગરિકોને માનસિક તથા શારીરિક ત્રાસ આપતા વ્યાજ માફિયાઓ, હત્યા, હત્યાનો પ્રયાસ, ગંભીર મારપીટ, ગુંડાધામી અને વિસ્તારમાં ભયનું વાતાવરણ ઊભું કરતા તત્વો, મહિલાઓ અને યુવતીઓની છેડતી, રોમિયોગિરી કે મહિલા સતામણીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ, અડ્ડા ચલાવતા, મિલકત પચાવી પાડવાનો પ્રયાસ કરતા અને વિસ્તારમાં દાદાગીરી કરતા સ્થાનિક અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવશે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>પોલીસ કમિશ્નરે પોલીસ અધિકારીઓને આપ્યો આદેશ</b></h3><p style="text-align: justify; ">પોલીસ કમિશનરે આ અંગે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે અમદાવાદ શહેરમાં કાયદાનું શાસન સર્વોપરી છે અને નાગરિકોની શાંતિ હણનારા કોઈપણ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં.જે આરોપીઓ સામે ભૂતકાળમાં એકથી વધુ ગુનાઓ નોંધાયેલા છે તેવા તમામ ઈસમો સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી સંબંધિત જેલોમાં ધકેલવાની કાર્યવાહી ઝડપી બનાવી દેવામાં આવી છે.શહેરના તમામ પોલીસ અધિકારીઓને પોતપોતાના વિસ્તારના લિસ્ટેડ ગુનેગારો પર સતત નજર રાખવા અને રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ વધારવાના આદેશ અપાયા છે.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/valsad/liquor-is-like-god-in-gujarat-everywhere-but-invisible-to-police-says-tushar-chaudhary" target="_blank">આ પણ વાંચોઃ Valsad News: ગુજરાતમાં દારુ ભગવાન જેવો થઈ ગયો છે, જે બધે હાજર છે પણ પોલીસને દેખાતો નથી : તુષાર ચૌધરી</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/KIUrvI602nqHstsxO8lh4qJHQISTeostzJ3tjXYv.webp'/></item><item><title><![CDATA[Kheda News: વડતાલ પોલીસે 7 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો, બે સામે ગુનો નોંધાયો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/kheda/vadtal-police-seized-foreign-liquor-two-accused-absconding</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/kheda/vadtal-police-seized-foreign-liquor-two-accused-absconding</guid><pubDate>Mon, 24 Aug 2026 14:11:18 +05:30</pubDate><description><![CDATA[<p>ખેડા જિલ્લામાં દારૂબંધીના કડક અમલવારીના ભાગરૂપે વડતાલ પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને ગેરકાયદે રાખવામાં આવેલો રૂ. 7 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો મોટો જથ્થો કબ્જે કર્યો છે. પોલીસની આ ત્વરિત કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.</p><h2><b>1522 બોટલો સહિત 7.02 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે</b></h2><p>પોલીસ દરોડા દરમિયાન રોયલ સ્ટેગ બ્રાન્ડની 266 બોટલો સહિત કુલ 1522 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી કુલ 702096 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.</p><h2><b>મુખ્ય બે આરોપીઓ પોલીસ પકડથી દૂર, તપાસ તેજ</b></h2><p>આ સમગ્ર મામલે દારૂનો જથ્થો મંગાવનાર ધર્મેન્દ્ર ઉર્ફે ચકામામા મગનભાઈ પરમાર (રહે. ધોળીકુઈ, વડતાલ) અને દારૂનો પુરવઠો પૂરો પાડનાર કમલેશ હસમુખભાઈ પરમાર (રહે. ઉત્તરસંડા) નામના બંને આરોપીઓ હાલ પોલીસ પકડથી ફરાર થઈ ગયા છે. વડતાલ પોલીસે બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ માટે ચક્ર ગતિમાન કર્યા છે.</p><p><br></p><p>આ પણ વાંચો - A<a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/chandkheda-police-register-fraud-case-against-virag-patel-battery-scam" target="_blank">hmedabad: ચાંદખેડામાં 226 ઇન્વર્ટર બેટરી ખરીદી 22.93 લાખની છેતરપિંડી, ગોડાઉન બંધ કરી આરોપી થયો ફરાર</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/MCKY3moz0HWCPYnceWAhYyGrU9QNAqWJs0tCXVQA.webp'/></item><item><title><![CDATA[Indiaની દિવ્યાંગ ક્રિકેટ ટીમને મળ્યા અમિત શાહ, લોર્ડ્સની ઐતિહાસિક જીતની કરી પ્રશંસા ]]></title><link>https://sandesh.com/sports/news/india/amit-shah-meets-indias-disabled-cricket-team-praises-historic-win-at-lords</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india/amit-shah-meets-indias-disabled-cricket-team-praises-historic-win-at-lords</guid><pubDate>Mon, 24 Aug 2026 11:08:58 +05:30</pubDate><description><![CDATA[<p>Indiaની દિવ્યાંગ ક્રિકેટ ટીમ તાજેતરમાં ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટી20 સિરીઝ રમીને પરત ફરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમામ ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત કરી અને તેમના જુસ્સા તથા દૃઢશક્તિની પ્રશંસા કરી. ભારતીય ખેલાડીઓનો એક વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં તેમણે સૌરવ ગાંગુલીની સ્ટાઇલમાં લોર્ડ્સની બાલ્કની પર શર્ટ ઉતારીને લહેરાવ્યું હતું.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/AmitShah/status/2091540039704699368"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b style="font-size: 2rem;">અમિત શાહે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે મુલાકાત કરી</b></p><p> આ યાદગાર જીત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. અમિત શાહે સોશિયલ મીડિયા દ્વારા કહ્યું- નવી દિલ્હીમાં ભારતની દિવ્યાંગ ક્રિકેટ ટીમને મળીને ખુશી થઈ. ભારતની આ ટીમ ઇંગ્લેન્ડ પ્રવાસથી પરત ફરી છે, જ્યાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મેન્સ મિક્સ્ડ ડિસેબિલિટી ટી20 સિરીઝ રમાઈ હતી. દેશનું સન્માન વધારવા માટે તેમનો પ્રયાસ અને તેમનો દૃઢ સંકલ્પ ભારતના યુવાનોને પ્રેરણા આપે છે. ભવિષ્યના પ્રયાસો માટે તેમને શુભકામનાઓ.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/LucknowIPL/status/2090409941769261489"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b style="font-size: 1.75rem;">ભારત માટે હિલાલ અહમદ વાણીએ 4 વિકેટ ઝડપી&nbsp;</b></p><p>ટીમ ઈન્ડિયા ભલે સિરીઝ હારી ગઈ, પરંતુ સિરીઝનો અંત તેણે યાદગાર અંદાજમાં કર્યો. અંતિમ ટી20 મુકાબલામાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારિત 20 ઓવરમાં સ્કોરબોર્ડ પર 206 રન નોંધાવ્યા હતા. સૌથી વધુ પ્રભાવિત માજિદ મેકગ્રેની 331.58ના સ્ટ્રાઇક રેટથી રમાયેલી ઇનિંગ્સે કર્યા હતા. તેમણે માત્ર 19 બોલમાં 68 રન ફટકાર્યા હતા, જેમાં 3 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ હતા. ઇંગ્લેન્ડની આખી ટીમ માત્ર 88 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતે 118 રનથી મેચ જીતી લીધી હતી. ભારત માટે હિલાલ અહમદ વાણીએ 4 વિકેટ ઝડપી હતી, જ્યારે જયેશ પરમારે માત્ર 2 ઓવર બોલિંગ કરીને 3 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. આ ધમાકેદાર જીત બાદ ભારતીય ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે પણ લોર્ડ્સની બાલ્કની પર શર્ટ લહેરાવ્યો હતો.</p><p><b><a href="https://sandesh.com/" target="_blank">વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/qYWhXb0m9OoaytEVlC2JMmyKpLlTHffb0heAKSvt.webp'/></item></channel></rss>