<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Junagadh :સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું આગમનઃ મૂરઝાતા પાકને જીવતદાન મળ્યું ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/junagadh/junagadh-arrival-of-megharaja-in-saurashtra-dying-crops-get-life-saving-treatment</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/junagadh/junagadh-arrival-of-megharaja-in-saurashtra-dying-crops-get-life-saving-treatment</guid><pubDate>Tue, 15 Sep 2026 04:20:50 +05:30</pubDate><description><![CDATA[<p>સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું આગમન થતા મુરઝાતી મોલાતને જીવતદાન પ્રાપ્ત થયું છે. સારા વરસાદથી લોકોમાં પણ આનંદની લાગણી છવાઈ છે. બાબરા પંથકમાં લાંબા સમયની રાહ જોયા બાદ વરસેલા આ વરસાદથી ખેતીનું પાક ચિત્ર બદલાયું છે. સુકાતા પાકોને નવું જીવતદાન મળતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. માળિયા હાટીના, લાઠોદરા, કડાયા, ભંડુરી અને ગાળોદર સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ વરસવાનું શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સાવરકુંડલા તાલુકામાં ધીમીધારે વરસાદ વરસતા અંદાજે બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે. અમરેલીના વડિયામાં 33મીમી વરસાદથી આનંદની લાગણી ફેલાઈ છે. ધોરાજી શહેર ઉપરાંત નાની પરબડી, જમનાવડ, વેગડી, તોરણીયા, ફેરણી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો. વરસાદથી મગફ્ળી, એરંડા, સોયાબીન, તુવેર સહિતના ચોમાસુ પાકને ફાયદો થવાની આશા ખેડૂતોમાં જાગી છે.લાંબા સમયના વિરામ બાદ મેંદરડા પંથકમાં મેઘરાજાએ ફરીપધરામણી કરી હતી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/kbNVlzQdi8p40Lx6Xr8JBi4w4S6qTXTFtwCaVAva.webp'/></item><item><title><![CDATA[Mandvi: પાલિકા શાસકોની બેદરકારી લાખોના ખર્ચે બનેલા શૌચાલયો ખંડેર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/mandvi/mandvi-negligence-of-municipal-officials-leaves-toilets-built-at-a-cost-of-lakhs-in-ruins</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/mandvi/mandvi-negligence-of-municipal-officials-leaves-toilets-built-at-a-cost-of-lakhs-in-ruins</guid><pubDate>Tue, 15 Sep 2026 04:19:48 +05:30</pubDate><description><![CDATA[<p>માંડવી નગરપાલિકા દ્વારા નાગરિકોની સુવિધા માટે બનાવાયેલા જાહેર શૌચાલયો યોગ્ય જાળવણીના અભાવે સંપૂર્ણપણે બિનઉપયોગી બની ગયા છે. પ્રજાના કરવેરાના કરોડો રૂપિયાના ખર્ચે ઊભી કરાયેલી આ સુવિધાઓ સફાઈ અને પાણી વિના ધૂળ ફાંકી રહી છે.</p><p>માંડવીના મુખ્ય વિસ્તારો પૈકી ધોબણીનાકા અને મહિલા શોપિંગ સેન્ટર પાસે આવેલા શૌચાલયોની હાલત અત્યંત જર્જરિત છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી આ શૌચાલયો માવજત વિના ખંડેર બની ગયા છે. પાણીની ટાંકીઓ ખાલી છે અને પાછળના ભાગે જામેલા ગંદકીના સામ્રાજ્યને કારણે આસપાસના વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઊભી થઈ છે. બૌધાનિયા દરવાજા તેમજ શહેરના અન્ય વોર્ડ વિસ્તારોમાં પણ શૌચાલયોની સ્થિતિ સમાન છે. તંત્ર વિકાસની મોટી વાતો કરે છે, પરંતુ જમીની હકીકત સાવ વિપરીત છે. નાગરિકો અને સામાજિક આગેવાનોની વારંવારની રજૂઆતો છતાં નગરપાલિકા તંત્ર કોઈ જ નક્કર પગલાં ભરી રહ્યું નથી.</p><p>સ્થાનિક નાગરિકોમાં એવી ઉગ્ર ચર્ચા જાગી છે કે પાલિકાના સત્તાધીશોને જૂની સુવિધાઓની જાળવણી કે મરામત પાછળ નાણાં ફાળવવામાં કોઈ આર્થિક રસ નથી. જો તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય સર્વે કરીને આ શૌચાલયોની સફાઈ, મરામત અને પાણીની કાયમી વ્યવસ્થા કરવામાં નહીં આવે તો ગંભીર બીમારીઓ ફેલાવાની શકયતા છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/H0AiYgjoH9tmtdPFjr3jKEy3RK7iJ33vQ4J8DYEm.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : મેઘરાજાની તોફાની બેટિંગ, વાહનચાલકો અટવાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-megharajas-wild-batting-drivers-stuck</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-megharajas-wild-batting-drivers-stuck</guid><pubDate>Tue, 15 Sep 2026 04:13:07 +05:30</pubDate><description><![CDATA[<p>શહેરમાં ભારે વરસાદને કારણે સમગ્ર શહેર થંભી ગયું હતું માત્ર બે કલાકમાં જ તૂટી પડેલા ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ નદીમાં ફેરવાઈ જતાં વહેલી સવારથી જ ટ્રાફ્કિ જામના દ્રશ્યો સર્જાયા હતા.પાણી ભરાવાને કારણે અનેક કાર, બાઇક અને ઓટોરિક્ષા જેવા વાહનોના એન્જિનમાં પાણી ઘૂસી જતાં વાહનો બંધ પડી ગયા હતા.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/JNjYj9zNK9GM5aQyUeVwFWTge1ZFVfvN8oPLJ5Bx.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : લાલ દરવાજા AMTSબસ સ્ટેન્ડ ખાતે ડિજિટલ ટાઇમ ટેબલ બોર્ડ શોભાના ગાંઠિયા સમાન બન્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-digital-time-table-boards-at-lal-darwaza-amts-bus-stand-have-become-a-jewel-of-beauty</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-digital-time-table-boards-at-lal-darwaza-amts-bus-stand-have-become-a-jewel-of-beauty</guid><pubDate>Tue, 15 Sep 2026 04:10:15 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરના હૃદયસમા અને સૌથી વ્યસ્ત ગણાતા લાલ દરવાજા AMTSબસ ટર્મિનસ ખાતે મુસાફરોની સુવિધા માટે મૂકવામાં આવેલા આધુનિક ડિજિટલ સમય સારણી) બોર્ડ માત્ર શોભાના ગાંઠિયા સમાન બનીને રહી ગયા છે. નવા લાલ દરવાજા બસ સ્ટેન્ડનું નિર્માણ કરીને તેને મુસાફરો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું ત્યારથી લઈને આજદિન સુધી આ ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ બંધ હાલતમાં જ લટકી રહ્યા છે, જેના કારણે રોજના હજારો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.</p><p>મહત્વનું છે કે લાલ દરવાજા ટર્મિનસ પરથી શહેરના ખૂણે-ખૂણે જવા માટે દરરોજ હજારો નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને મહિલાઓ બસ પકડે છે. મુસાફરોને કઈ બસ કેટલા વાગે આવશે અને કયા પ્લેટફોર્મ પરથી મળશે તેની સરળ માહિતી મળી રહે તે હેતુથી લાખોના ખર્ચે આ ડિજિટલ બોર્ડ લગાવાયા હતા. જોકે, આ બોર્ડ શરૂ જ ન કરાતા મુસાફરોને બસ સમયસર મળશે કે કેમ તેની માહિતી માટે પૂછપરછ કેબિન અથવા અન્ય લોકો પર નિર્ભર રહેવું પડે છે.</p><p>મુસાફરોનું કહેવું છે કે નવું બસ સ્ટેન્ડ બન્યું ત્યારે ડિજિટલ સિસ્ટમથી મોટી રાહત મળશે તેવી આશા હતી, પરંતુ તંત્રની આળસ અને યોગ્ય જાળવણીના અભાવે આ સુવિધા કાગળ પર જ રહી ગઈ છે. બસ સ્ટેન્ડમાં પ્લેટફોર્મ પર લટકાવેલા બ્લેન્ક ડિસ્પ્લે બોર્ડ તંત્રની ઘોર બેદરકારીની ચાડી ખાઈ રહ્યા છે.લાખો રૂપિયાના ખર્ચે મુકાયેલી આ ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ થાય અને મુસાફરોને ડિજિટલ બોર્ડ દ્વારા બસના સમયની સાચી માહિતી ત્વરિત મળે તે માટે AMTS અને મ્યુનિસિપલ કોર્પોરેશન વહેલી તકે આ બોર્ડ કાર્યરત કરે તેવી લોક માંગ ઉઠી છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/DZ5Sxd0A14u9ewbHg0Hw39uTkaPDdZyJHxLvcMap.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : વિરાટનગરમાં સરદાર મોલથી કોઠિયા હોસ્પિટલ સુધીનો માર્ગ બિસ્માર બન્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-the-road-from-sardar-mall-to-kothia-hospital-in-viratnagar-has-become-dilapidated</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-the-road-from-sardar-mall-to-kothia-hospital-in-viratnagar-has-become-dilapidated</guid><pubDate>Tue, 15 Sep 2026 04:08:58 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ પૂર્વના વિરાટનગર વોર્ડમાં આવેલા નિકોલ ગામ રોડ પર સરદાર મોલથી કોઠિયા હોસ્પિટલ સુધીનો રસ્તો ભારે બિસ્માર હાલતમાં ફેરવાઈ જતાં સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે.</p><p>એક વર્ષ અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ રોડ પર ઉત્તર દિશામાં રોડ લાઈનના અમલીકરણ માટે દબાણો હટાવવામાં આવ્યા હતા. જોકે, દબાણ હટાવ્યાને એક આખું વર્ષ વિતી જવા છતાં આ જગ્યા પર નવો રસ્તો બનાવવામાં આવ્યો નથી. પરિણામે જૂના અને અડધા બનેલા રસ્તાની ધાર બરાબર રોડની વચ્ચે આવી ગઈ છે. રસ્તા વચ્ચે આવેલી આ ધારના કારણે અવારનવાર વાહનો સ્લિપ થઈ રહ્યા છે.</p><p>ખાસ કરીને ચોમાસા દરમિયાન રોડ પર પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકોને આ ધાર દેખાતી નથી, જેના લીધે ટુ-વ્હીલર ચાલકો દરરોજ નાના-મોટા અકસ્માતનો ભોગ બની રહ્યા છે. અકસ્માતો ઉપરાંત, ઉડતી ધૂળ અને ટ્રાફ્કિની સમસ્યાથી રોડની બંને બાજુ આવેલી આશરે 100થી વધુ દુકાનોના વેપારીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠયા છે.</p><p>સ્થાનિકોનું કહેવું છે નિકોલ અનેવિરાટનગરની પ્રજા મ્યુનિસિપલ કોર્પોરેશનની આળસનું પરિણામ ભોગવી રહી છે. વિરાટનગર, નિકોલ અને કઠવાડાના હજારો નાગરિકો તથા વાહનચાલકોના હિતમાં સરદાર મોલથી કોઠિયા હોસ્પિટલ થઈને વેરા સુધીનો આખો રોડ તાત્કાલિક અસરથી નવો બનાવવામાંઆવે તેવી લોકમાંગણી છે.</p><p><a href="http://https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/UjikJPDXr4HGrR90y3PO5Q4afXoW3vd06D6TmxVy.webp'/></item><item><title><![CDATA[15 September Top News: યમુના બેસિન પ્રોજેક્ટ કરાર, ગાંધીનગરમાં WCEF 2026 નો પ્રારંભ અને ચારધામ હેલિકોપ્ટર સેવા શરૂ ]]></title><link>https://sandesh.com/gujarat/news/india/national-news-wrap-yamuna-basin-project-mou-wcef-2026-gandhinagar-chardham-heli-service</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/india/national-news-wrap-yamuna-basin-project-mou-wcef-2026-gandhinagar-chardham-heli-service</guid><pubDate>Mon, 14 Sep 2026 22:00:00 +05:30</pubDate><description><![CDATA[<p>ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં, યમુના બેસિનમાં પ્રસ્તાવિત 660 મેગાવોટ પ્રોજેક્ટ અંગે છ રાજ્યો વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ કરાર પર હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી અને રાજસ્થાન વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવશે. કરાર પર હસ્તાક્ષર સમારોહ બપોરે 12 થી 1 વાગ્યા સુધી કર્તવ્ય ભવન-03, જનપથ, નવી દિલ્હી ખાતે યોજાશે.</p><h2><b>ગાંધીનગરમાં વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમનું આયોજન&nbsp;</b></h2><p>ભારત 15 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના ગાંધીનગરમાં વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ (WCEF) 2026 નું આયોજન કરશે. દક્ષિણ એશિયામાં પ્રથમ વખત આયોજિત આ ફોરમનું ઉદ્ઘાટન 15મી તારીખે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે.</p><h3><b>MTPએક્ટમાં સુધારાની માંગની અરજી પર સુનાવણી</b></h3><p>સુપ્રીમ કોર્ટ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી (MTP) એક્ટમાં સુધારાની માંગ કરતી જાહેર હિતની અરજી પર સુનાવણી કરશે. સગીરો અને અનિચ્છનીય ગર્ભાવસ્થાના કેસોમાં ગર્ભપાત કાયદામાં ફેરફારો જરૂરી છે કે નહીં તે અંગે કોર્ટ વિચારણા કરશે.</p><h4><b>ચારધામ હેલિકોપ્ટર સેવા 15 સપ્ટેમ્બરથી ફરી શરૂ&nbsp;</b></h4><p>ચારધામ હેલિકોપ્ટર સેવા 15 સપ્ટેમ્બરથી ફરી શરૂ થશે. ઉત્તરાખંડથી ચોમાસું રવાના થાય તે પહેલાં, ચારધામ યાત્રાનો બીજો તબક્કો 15 સપ્ટેમ્બરથી શરૂ થશે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર અસર પડી છે. સરકારે આરોગ્ય, જાહેર બાંધકામ અને નાગરિક ઉડ્ડયન સહિતના વિભાગોને સલામત અને સરળ યાત્રા માટે તૈયારીઓ ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો છે.</p><h6><b>દેશભરમાં જંતુનાશક વિક્રેતાઓ માટે ડિજિટલ લાઇસન્સિંગ ફરજિયાત</b></h6><p>દેશભરમાં જંતુનાશક ઉત્પાદકો, આયાતકારો અને વેચાણકર્તાઓ માટે ડિજિટલ લાઇસન્સિંગ અને રેકોર્ડ-કીપિંગ ફરજિયાત બનશે. નવી સિસ્ટમ દાયકાઓ જૂના કાગળકામને દૂર કરે છે, જેનાથી વ્યવસાયમાં પારદર્શિતા અને દેખરેખ વધે છે.</p><h2><b>સુપ્રીમ કોર્ટમાં કાશી જ્ઞાનવાપી અને MTP એક્ટ પર સુનાવણી</b></h2><p>મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર ભૂટાનની ત્રણ દિવસની મુલાકાતે છે. આવતીકાલે, જ્ઞાનેશ કુમાર પારોમાં જિગ્મે સિંગ્યે વાંગચુક લો સ્કૂલ ખાતે ભૂટાનના રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીમાં હાજરી આપશે, જ્યાં મુખ્ય ચૂંટણી કમિશનર મુખ્ય મહેમાન હશે.સુપ્રીમ કોર્ટ કાશી જ્ઞાનવાપી કેસની સુનાવણી કાલે કરશે. જ્ઞાનવાપી સંકુલને લગતા વિવિધ કાનૂની પાસાઓ પર કોર્ટમાં દલીલો રજૂ કરવામાં આવશે. હિન્દુ અને મુસ્લિમ પક્ષોનું પ્રતિનિધિત્વ કરતા વકીલો કોર્ટ સમક્ષ પોતાની દલીલો રજૂ કરશે.</p><h3><b>ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પશ્ચિમ બંગાળની બે દિવસીય મુલાકાતે</b></h3><p>ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન 15 સપ્ટેમ્બરના રોજ પશ્ચિમ બંગાળની બે દિવસીય મુલાકાતે રવાના થશે. રાજ્યમાં આગામી વિધાનસભા પેટાચૂંટણીઓ તેમજ કોલકાતા અને હાવડા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓની રણનીતિ બનાવવા અને તૈયારી કરવા માટે આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.</p><h4><b>પીજી બિલ્ડિંગ ધરાશાયી મામલે સુનાવણી</b></h4><p>સત્ય નિકેતન પીજી બિલ્ડિંગ ધરાશાયી થવાના સંદર્ભમાં બિલ્ડિંગ કાયદાના ઉલ્લંઘન અંગે સુપ્રીમ કોર્ટે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની રાજધાનીઓમાં મ્યુનિસિપલ સત્તાવાળાઓ પાસેથી અહેવાલો માંગ્યા છે. આવતીકાલે સુનાવણી.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/top-10-news-headlines-14-september-important-news-updates" target="_blank">આ પણ વાંચો: ટ્રમ્પનો મોટો દાવો, રાજ્યમાં વરસાદ, ધમકીભર્યા ઈ-મેઈલ</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/VgS3ktH0uKMteTsJSuG9MOCQcaSnpRAheAuBYJik.webp'/></item><item><title><![CDATA[India: મહારાષ્ટ્રના સૌથી શ્રીમંત MLA પરાગ શાહ બન્યા 'ભિખારી'; રસ્તા પર ફરવા છતાં લોકો ઓળખી ન શક્યા ]]></title><link>https://sandesh.com/india/news/mumbai-richest-bjp-mla-parag-shah-disguised-as-beggar-viral-video-jain-guru</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/mumbai-richest-bjp-mla-parag-shah-disguised-as-beggar-viral-video-jain-guru</guid><pubDate>Mon, 14 Sep 2026 20:42:51 +05:30</pubDate><description><![CDATA[<p>મહારાષ્ટ્રના સૌથી ધનિક ધારાસભ્યોમાં સ્થાન ધરાવતા અને જાણીતા રિયલ એસ્ટેટ ડેવલપર તેમજ મુંબઈના ઘાટકોપર પૂર્વ બેઠકના ભાજપના ધારાસભ્ય પરાગ શાહનો એક આશ્ચર્યજનક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આશરે 3,300 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા ધારાસભ્ય મુંબઈની શેરીઓમાં સામાન્ય ભિખારીના વેશમાં ફરતા જોવા મળી રહ્યા છે.</p><h2><b>મુંબઈના અબજોપતિ MLA પરાગ શાહ</b></h2><p>મળતી વિગતો અનુસાર, પરાગ શાહે આ અનોખો પ્રયોગ પોતાના જૈન ગુરુ (ધાર્મિક નેતા) ની સલાહ પર કર્યો હતો. ગુરુએ તેમને અહંકાર ઓગાળવા, જીવનની કડવી વાસ્તવિકતાઓને નજીકથી સમજવા અને મનમાં નમ્રતાનો અનુભવ કરવા માટે પોતાનું પાત્ર બદલીને એક દિવસ ભિખારીના રૂપે શેરીઓમાં વિતાવવાની શિખામણ આપી હતી.</p><h3><b>અબજોપતિ MLA બન્યા ભિખારી!</b></h3><p>આખો દિવસ મુંબઈના રસ્તાઓ પર સાધારણ કપડાં અને વેશભૂષામાં ફરવા છતાં મોટાભાગના નાગરિકો દેશના આ અબજોપતિ નેતાને ઓળખી શક્યા નહોતા. પરાગ શાહે સામાન્ય ભિક્ષુકની જેમ સમય વિતાવીને લોકોનો વ્યવહાર અને તેમની પ્રતિક્રિયાઓને ખૂબ નજીકથી નિહાળી હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો સામે આવ્યા બાદ યુઝર્સ તેને આત્મનિરીક્ષણ અને સરળતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગણાવી રહ્યા છે.</p><h4><b>રસ્તા પર ફરવા છતાં લોકો ઓળખી ન શક્યા</b></h4><p>ઉલ્લેખનીય છે કે, પરાગ શાહે 2017માં BMC ચૂંટણીમાં કૌન્સિલર તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. ત્યારબાદ 2019 અને 2024ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ઘાટકોપર પૂર્વથી મોટા માર્જિનથી જીત મેળવી હતી. 2024ના સોગંદનામા મુજબ તેમની અને પત્નીની કુલ સંપત્તિ 3,383 કરોડ રૂપિયાથી વધુ છે, જે તેમને દેશના સૌથી ધનિક ધારાસભ્યોમાંના એક બનાવે છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/navsari/vansda-angadia-robbery-mastermind-rajaram-chaudhary-arrested-mount-abu-ashram" target="_blank">આ પણ વાંચો: Navsari: વાંસદામાં 12.50 લાખની આંગડિયા લૂંટ ચલાવી આશ્રમમાં મહંતનો શિષ્ય બન્યો, પોલીસથી બચવા સતત લોકેશન બદલ્યા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/09vGcfzaWhuQNr9uwpCzhofTTYnsRj6535K3hmcH.webp'/></item><item><title><![CDATA[Mujhe Neend Na Aaye Song: 'મુઝે નીંદ ના આયે, ચેન ના આયે..' શબ્દો સાંભળતા જ ભડક્યા હતા ઇન્દ્રકુમાર, ગીત થયું હતું રિજેક્ટ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/aamir-madhuri-mujhe-neend-na-aaye-cult-song</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/aamir-madhuri-mujhe-neend-na-aaye-cult-song</guid><pubDate>Mon, 14 Sep 2026 19:51:03 +05:30</pubDate><description><![CDATA[<p>1990ના દાયકામાં આમિર ખાન અને માધુરી દીક્ષિતની એક એવી ફિલ્મના કલ્ટ ગીત વિશે ચર્ચા થઇ રહી છે, જે આજે પણ પ્રેમીઓના દિલ પર રાજ કરે છે. આ ગીતને પહેલાં દિગ્દર્શકે નકારી કાઢ્યું હતું, પરંતુ પછી તે કલ્ટ બની ગયું.</p><p>1990ના દાયકામાં માત્ર ફિલ્મો જ નહીં, ઘણી ફ્લોપ અને હિટ ફિલ્મોનાં ગીતો પણ કલ્ટ ક્લાસિક બન્યાં હતાં, જે આજે પણ વર્ષો બાદ લોકોના દિલમાં વસેલા છે. ખાસ કરીને રોમેન્ટિક ગીતો આજે પણ પ્રેમીઓનાં મનપસંદ ગીતો છે. આજે આમિર ખાન અને માધુરી દીક્ષિતના એવા જ એક રોમેન્ટિક ગીત વિશે વાત કરી રહ્યા છીએ, જે 36 વર્ષ પહેલાં રિલીઝ થયું હતું અને પછી કલ્ટ બન્યું હતું. જોકે, દિગ્દર્શક આ ગીતને પોતાની ફિલ્મમાં લેવા માંગતા ન હતા, કારણ કે તેમને લાગતું હતું કે ગીતની શરૂઆતની લાઇન ઘણી જૂની છે. ચાલો, આ કિસ્સો જાણીએ...</p><p>આમિર ખાન અને માધુરી દીક્ષિતનું જે રોમેન્ટિક ગીત છે, તે 1990માં આવેલી ફિલ્મ ‘દિલ’નું છે. ગીતની શરૂઆત ‘મુઝે નીંદ ના આયે, ચેન ના આયે...’થી થાય છે. ગીતકાર સમીર અંજાને આ ગીત વિશો ઘણી વાતો શેર કરી હતી.&nbsp;</p><h2><b>‘દિલ’નું કલ્ટ ગીત કેવી રીતે તૈયાર થયું?</b></h2><p>સમીરે જણાવ્યું, ‘ઈન્દ્ર કુમાર એક ફિલ્મ બનાવી રહ્યા હતા, જેનું નામ ‘દિલ’ હતું. તેના મ્યુઝિક ડિરેક્ટર નદીમ-શ્રવણ હતા. આમિર ખાને તેમને મહબૂબ સ્ટુડિયોમાં બોલાવ્યા હતા. ત્યાં તેઓ કોઈ શૂટિંગ કરી રહ્યા હતા. ઈન્દ્ર કુમાર ત્યાં પહોંચ્યા ત્યારે તેમણે કહ્યું કે હું નદીમને ઓળખતો નથી. મારી ફિલ્મનું સંગીત એ જ આપશે, જેણે ‘કયામત સે કયામત તક’નું સંગીત આપ્યું હતું. સંગીત આનંદ-મિલિંદનું હશે. જો તમારે ફિલ્મ બનાવવી હોય તો આનંદ-મિલિંદને લો. હવે અભિનેતાએ આ વાત કહી દીધી હોવાથી તેમણે આ વાત માનવી પડી.’</p><p>સમીર અંજાને જણાવ્યું, ‘સંગીત આપવાની વાત નક્કી થઈ ગઈ. ત્યારબાદ ગીતકાર કોને રાખવા તે નક્કી કરવાનું હતું. ઈન્દ્ર કુમારે બક્ષી સાહેબનું નામ સૂચવ્યું. ત્યારે આનંદે કહ્યું કે કોઈને પણ રાખી લો. આ સમીરજી છે અને મેં તેમની સાથે ઘણું કામ કર્યું છે. તમે ઘરે આવો, અમે તમને કેટલાક ગીતો સંભળાવીએ. તેઓ એ જ સમયે આવ્યા અને તેમણે પહેલું જ ગીત સંભળાવ્યું, ‘ખંભે જૈસી ખડી હૈ, લગતા હૈ જૈસે છડી હૈ.’ તેમને આ ગીત ગમ્યું. તેમણે કહ્યું કે ગીત સારું છે, પરંતુ પછી કરીશું. અત્યારે એક રોમેન્ટિક ગીત કરવાનું છે, તેના પર કામ કરો.’</p><h2><b>આ રીતે કલ્ટ બન્યું ‘મુઝે નીંદ ના આયે...’</b></h2><p>‘મુઝે નીંદ ના આયે’ ગીત વિશે સમીર અંજાને કહ્યું, ‘પછી અમને રોમેન્ટિક ગીત માટેની સ્થિતિ આપવામાં આવી અને અમે ગીત લખ્યું, ‘મુઝે નીંદ ના આયે, ચેન ના આયે...’ અમે આ ગીત ખૂબ જ ઉત્સાહથી ઈન્દ્ર કુમારને સંભળાવ્યું. પરંતુ તેઓ અટકી ગયા. તેમણે કહ્યું કે ‘મુઝે નીંદ ના આયે’ આ લાઇન હું 500 ગીતોમાં સાંભળી ચૂક્યો છું. તેને બદલી નાખો. મેં કહ્યું કે તમારી વાત સાચી છે, પરંતુ તેને બદલીશું કેવી રીતે, કારણ કે ગીતની શરૂઆત જ આ લાઇન સાથે જોડાયેલી છે. મેં ઘણી કોશિશ કરી, પરંતુ તેનાથી સારી લાઇન મળી નહીં. વાત એટલી વધી ગઈ કે ઝઘડો પણ થયો. મેં કહ્યું કે જો સમજાતું નથી તો ગીત રેકોર્ડ કરી લઈએ. જો નહીં ચાલે તો તેને કાઢી નાખીશું. આ રીતે ગીત રેકોર્ડ થયું અને ફિલ્મ રિલીઝ થયા પછી તે કલ્ટ બની ગયું.’</p><h2><b>1990ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં ‘દિલ’ સામેલ હતી</b></h2><p>આમિર ખાનની ફિલ્મ ‘દિલ’ 1990માં રિલીઝ થઈ હતી અને તે વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં સામેલ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર નંબર 1 સ્થાન મેળવ્યું હતું.&nbsp; 2 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં 17 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે વિદેશમાં 5 કરોડ રૂપિયા અને ભારતમાં 7 કરોડ રૂપિયાની નેટ કમાણી કરી હતી. આ ફિલ્મ બાદ આમિર ખાન અને માધુરી દીક્ષિત સુપરસ્ટાર બની ગયા હતા.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/GU7RQOGzE5mVimVUwy5npiHpwT5c8TTCteBjfkPJ.webp'/></item><item><title><![CDATA[Highest Salary City in India: ભારતમાં સૌથી વધુ પગાર કયા શહેરમાં મળે છે? મુંબઇ, દિલ્હી નહીં આ શહેર ટોપ પર! ]]></title><link>https://sandesh.com/business/news/highest-salary-city-india-dehradun-average-earnings</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/highest-salary-city-india-dehradun-average-earnings</guid><pubDate>Mon, 14 Sep 2026 19:23:12 +05:30</pubDate><description><![CDATA[<p>એક સામાન્ય વ્યક્તિ સવારે કામ પર જાય છે અને આખો દિવસ મહેનત કરીને સાંજે ઘરે પરત ફરે છે. મહિનો પૂરો થયા બાદ જ્યારે હાથમાં પગાર આવે અને પગાર સારો હોય, ત્યારે દરેક વ્યક્તિ પોતાની સાથે પરિવારની જરૂરિયાતો પણ ખુશીથી પૂરી કરે છે. પરંતુ જો મહેનતની સરખામણીએ પગાર ઘણો ઓછો હોય, તો તેમાં ઘર ચલાવવું મુશ્કેલ બની જાય છે.</p><p>આ દરમિયાન દેશમાં અલગ-અલગ જિલ્લાઓમાં કર્મચારીઓની કમાણી અંગે સરકારી આંકડા સામે આવ્યા છે, જેમાં દેહરાદૂનનું નામ સૌથી ઉપર છે. અહીં કર્મચારીઓની સરેરાશ વાર્ષિક કમાણી 4 લાખથી વધુ નોંધાઈ છે.</p><h2><b>કેટલો છે પગાર?</b></h2><p>અહીં બિન-કોર્પોરેટ વ્યવસાયોમાં કામ કરતા કર્મચારીઓના સરેરાશ વાર્ષિક પગારના આંકડા સામે આવ્યા છે, જેને જાણીને ઘણા લોકોને આશ્ચર્ય થઈ શકે છે. અહીં કામદારોની સરેરાશ કમાણી 4.6 લાખ રૂપિયા છે. પગારના મામલે દેહરાદૂન નંબર 1 પર છે, પરંતુ આ સિવાય પણ ઘણા જિલ્લા એવા છે, જ્યાં વાર્ષિક કમાણી 2.5 લાખથી 3.5 લાખ રૂપિયા વચ્ચે રહી છે.</p><p>દેહરાદૂન સિવાય કયા જિલ્લા સામેલ છે?</p><p>બીજા નંબરે દક્ષિણ કન્નડ, કર્ણાટક છે.</p><p>ત્રીજા નંબરે અજમેર, રાજસ્થાન છે.</p><p>ત્યારબાદ ચોથા નંબરે ઈન્દોર, મધ્ય પ્રદેશ છે.</p><p>પાંચમા નંબરે કન્નુર, કેરળ છે.</p><p>આ જિલ્લાઓમાં કર્મચારીઓની સરેરાશ વાર્ષિક કમાણી લગભગ 2.5 લાખથી 3.5 લાખ રૂપિયા વચ્ચે રહી છે.</p><h2><b>નોકરી શોધનારાઓ માટે આ આંકડા મહત્વના</b></h2><p>મોંઘવારીના સમયમાં નોકરી કરવી ખૂબ જરૂરી છે, કારણ કે દરેક વ્યક્તિ પોતાનો વ્યવસાય કરી શકે નહીં. જો તમે પણ નોકરીની શોધમાં બીજા શહેરમાં જવાનું વિચારી રહ્યા છો, તો આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે દેહરાદૂનમાં કર્મચારીઓની સરેરાશ કમાણી સૌથી વધુ છે. એટલે કે અહીં બિન-કોર્પોરેટ વ્યવસાયોમાં કામ કરતા લોકોનો પગાર સારો છે.</p><p>માત્ર પગારમાં જ નહીં, કામના મામલે પણ આગળ</p><p>દેહરાદૂનમાં કર્મચારીઓની સરેરાશ કમાણી વધુ છે એ તો સ્પષ્ટ છે, પરંતુ તેની સાથે કામ દરમિયાન વધુ સેવાઓ અને કામ તૈયાર કરવામાં પણ દેહરાદૂન આગળ છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/RGpCkunii0TFaKbPBSLyOrwDlfSzEjyfoSOXBpmM.webp'/></item><item><title><![CDATA[પાકિસ્તાનની ટીમ ભારત આવશે! એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં જામશે ભારત-પાક જંગ ]]></title><link>https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</guid><pubDate>Mon, 14 Sep 2026 15:47:21 +05:30</pubDate><description><![CDATA[<p>આવતા મહિને પાકિસ્તાનની હોકી ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે. 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન પંજાબમાં યોજાનારી AHF મેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026માં પાકિસ્તાન સહિત કુલ છ ટીમો ભાગ લેશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પાકિસ્તાનની ભાગીદારી અંગેની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, મલ્ટી-નેશનલ ઇવેન્ટ્સ અંગે કેન્દ્ર સરકારની નીતિ હેઠળ બંને દેશોની ટીમો આમને-સામને રમશે.</p><h2><b>ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જાલંધરમાં રમાશે</b></h2><p>એશિયન મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન થશે. આ ટૂર્નામેન્ટમાં યજમાન ભારત અને પાકિસ્તાન ઉપરાંત ચીન, જાપાન, મલેશિયા અને કોરિયાની પણ ભાગ લેશે. લીગ સ્ટેજના મુકાબલા જાલંધરમાં યોજાશે, જ્યારે સેમિફાઇનલ અને ફાઇનલ મેચ મોહાલીના હોકી સ્ટેડિયમમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 1 નવેમ્બરે જાલંધરમાં રમાશે. કોઈ ટીમ છેલ્લી ઘડીએ ખસી જાય તો તે સ્થિતિ માટે ઓમાન અને બાંગ્લાદેશને રિઝર્વ ટીમન તરીકે રાખવામી આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PTI_News/status/2099416960278868155"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમવામાં કોઈ મુશ્કેલી નથી</b></h2><p>પાકિસ્તાનની ભાગીદારી અને જરૂરી મંજૂરીઓ અંગે પંજાબના મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં બંને દેશો વચ્ચે રમવામાં કોઈ મુશ્કેલી નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝનું આયોજન અલગ બાબત છે, કારણ કે કેન્દ્ર સરકારની વર્તમાન નીતિ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય રમત-ગમતના આયોજનની મંજૂરી આપતી નથી. પરંતુ મલ્ટી-નેશનલ ટૂર્નામેન્ટમાં બંને દેશોના ખેલાડીઓને એકબીજા સામે રમવાની પરવાનગી છે, જેથી પાકિસ્તાની ટીમ ભારત આવી શકશે.</p><h2><b>ભારત વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે</b></h2><p>ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. ભારતે 2023માં ચેન્નાઈ અને 2024માં ચીનના હુલુનબુઈરમાં યોજાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ગત વર્ષે આ સ્પર્ધા યોજાઈ શકી નહોતી. હવે પંજાબ પ્રથમ વખત આ ટૂર્નામેન્ટની મેજબાની કરવા જઈ રહ્યું છે.</p><h2><b>અગાઉ પાકિસ્તાની ટીમે ના કહી હતી&nbsp;</b></h2><p>પાકિસ્તાનની આ વખતની ભાગીદારી એટલા માટે પણ ખાસ છે, કારણ કે ગત વર્ષે તેણે તમિલનાડુમાં આયોજિત જૂનિયર હોકી વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તે સમયે બંને દેશો વચ્ચેના તણાવને તેનું કારણ ગણાવવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે અને પાકિસ્તાની ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે પૂરી રીતે તૈયાર છે.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/V6jwdiIr9RTCvR6EyBaGsP2qfZvYLq2JfkL7pytm.webp'/></item></channel></rss>