<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Suratના વેલંજામાં પૂર અસરગ્રસ્ત પરિવારોનું સુરક્ષિત સ્થળાંતર, પ્રાથમિક શાળામાં આશરો આપી ફૂડ પેકેટ અને રાહત સામગ્રીનું વિતરણ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/safe-evacuation-of-flood-affected-families-in-velanja-surat-sheltering-them-in-a-primary-school-and-distributing-food-packets-and-relief-materials</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/safe-evacuation-of-flood-affected-families-in-velanja-surat-sheltering-them-in-a-primary-school-and-distributing-food-packets-and-relief-materials</guid><pubDate>Fri, 24 Jul 2026 23:46:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">Suratના વેલંજામાં પૂર અસરગ્રસ્ત પરિવારોનું સુરક્ષિત સ્થળાંતર, પ્રાથમિક શાળામાં આશરો આપી ફૂડ પેકેટ અને રાહત સામગ્રીનું વિતરણ</p><p style="text-align: justify; ">સુરત શહેર અને જિલ્લામાં વરસેલા મુશળધાર વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદી પાણી ભરાઈ જવાના કારણે કામરેજ/સુરત ગ્રામ્ય વિસ્તારના વેલંજા પંથકના અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી હાથ ધરીને અસરગ્રસ્ત પરિવારોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>વેલંજા પ્રાથમિક શાળા બન્યું આશ્રયસ્થાન</b></h2><p style="text-align: justify; ">સ્થળાંતરિત કરવામાં આવેલા તમામ અસરગ્રસ્ત પરિવારોને વેલંજાની પ્રાથમિક શાળા ખાતે સુરક્ષિત આશરો આપવામાં આવ્યો છે. અહીં આશ્રય લઈ રહેલા લોકો માટે પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રહેવા તેમજ જમવાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આપત્તિના સમયમાં લોકોને કોઈ અગવડ ન પડે તે માટે તંત્ર સતત કાર્યરત જોવા મળી રહ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>ઉચ્ચ પોલીસ અધિકારીઓએ લીધી મુલાકાત</b></h3><p style="text-align: justify;">ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. ડીસીપી (DCP) લગધીરસિંહ ઝાલા, એસીપી (ACP) પાર્થ ચૌવટિયા, પીઆઈ ગૌસ્વામી અને પીએસઆઈ ડી. ડી. રાઠોડ સહિતના પોલીસ કાફલાએ વેલંજા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. અધિકારીઓએ આશ્રયસ્થાને પહોંચીને અસરગ્રસ્ત પરિવારો સાથે સીધી વાતચીત કરી તેમની સમસ્યાઓ જાણી હતી.</p><p style="text-align: justify;"><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/24/hYQxwpvWmrgvVEJ3VtNMvlpKHVRPThlKtkW04ySz.webp'/></item><item><title><![CDATA[Mehsanaના ખેરાલુમાં સાડા ચાર ઈંચથી વધુ વરસાદ, રૂપેણ નદીમાં નવા નીર આવતાં બાલાપીર-મુક્તિધામ રોડ પર પાણી ફરી વળ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/more-than-four-and-a-half-inches-of-rain-fell-in-kheralu-mehsana-new-water-entered-the-rupen-river-causing-water-to-flow-back-onto-the-balapir-muktidham-road</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/more-than-four-and-a-half-inches-of-rain-fell-in-kheralu-mehsana-new-water-entered-the-rupen-river-causing-water-to-flow-back-onto-the-balapir-muktidham-road</guid><pubDate>Fri, 24 Jul 2026 23:26:19 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મહેસાણા જિલ્લાના ખેરાલુમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં સાડા ચાર ઈંચથી વધુ ભારે વરસાદ નોંધાયો છે. મુશળધાર વરસાદના પગલે ખેરાલુમાંથી પસાર થતી રૂપેણ નદીમાં નવા નીરની સપાટીમાં મોટો વધારો થયો છે. રૂપેણ નદીમાં પાણીની ભારે આવક થતાં નદીના પાણી શહેરના નીચાણવાળા વિસ્તારો અને માર્ગો પર ફરી વળ્યા છે, જેના કારણે ખેરાલુ શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે.</p><h2 style="text-align: justify; "><b>બાલાપીરથી મુક્તિધામ રોડ પર પાણી ભરાતાં લોકો પરેશાન</b></h2><p style="text-align: justify; ">રૂપેણ નદીમાં આવેલા નવા નીરના કારણે શહેરના બાલાપીર વિસ્તારમાં આવેલા મુખ્ય રસ્તા પર નદીના પાણી ફરી વળ્યા છે. બાલાપીરથી મુક્તિધામ તરફ જતો આખો રોડ જળમગ્ન થઈ જતાં વાહનચાલકો અને સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. માર્ગ પર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે અને શ્રદ્ધાળુઓ તથા રાહદારીઓને પણ અવરજવર કરવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>નગરપાલિકાના અણઘડ વહીવટ સામે આક્રોશ</b></h3><p style="text-align: justify; ">આ સમસ્યા પાછળ સ્થાનિકો ખેરાલુ નગરપાલિકાની ઘોર બેદરકારી અને અણઘડ વહીવટને જવાબદાર ઠેરવી રહ્યા છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે નગરપાલિકા દ્વારા રૂપેણ નદી પર જે આરસીસી (RCC) રોડ બનાવવામાં આવ્યો છે, તેના નીચે અત્યંત નાના ગરનાળા મૂકવામાં આવ્યા છે. ગરનાળા નાના હોવાને કારણે પાણીનો યોગ્ય નિકાલ થઈ શકતો નથી અને પાણી રોડ પર ફરી વળે છે. સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે નગરપાલિકા દ્વારા આ બેદરકારી સુધારીને તાત્કાલિક ધોરણે રોડ નીચે મોટા ગરનાળા મૂકવામાં આવે જેથી કાયમી ધોરણે પાણીનો નિકાલ થઈ શકે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/24/fMg0A1BnP1JdMvALYa6zdtgBiSDYsFRDmi4v1QkE.webp'/></item><item><title><![CDATA[Rajkot News: ગેરકાયદે હથિયારોની બોલબાલા, ક્રાઇમ બ્રાન્ચે પિસ્તોલ સાથે વધુ એક આરોપીને દબોચ્યો ]]></title><link>https://sandesh.com/crime/news/rajkot/illegal-weapons-racket-crime-branch-arrests-one-with-pistol</link><guid isPermaLink="true">https://sandesh.com/crime/news/rajkot/illegal-weapons-racket-crime-branch-arrests-one-with-pistol</guid><pubDate>Fri, 24 Jul 2026 23:22:48 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો અને ગેરકાયદે હથિયારોનો ઉપદ્રવ વધી રહ્યો છે. આ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ એક મોટી સફળતા મેળવવામાં આવી છે. પોલીસે બાતમીના આધારે શહેરના ઘાંચીવાડ વિસ્તારમાં રેડ કરીને અરબાઝ દોઢિયા નામના શખ્સને ગેરકાયદે દેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કાર્ટિઝ સાથે રંગેહાથ ઝડપી પાડ્યો છે.</p><h2><b>છેલ્લા 10 દિવસમાં જ 43 ગેરકાયદે હથિયારો કબ્જે કરાયા</b></h2><p>રાજકોટ પોલીસ દ્વારા ગેરકાયદે હથિયારોનું ખરીદ-વેચાણ અને વપરાશ રોકવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તેના ભાગરૂપે આશ્ચર્યજનક આંકડા સામે આવ્યા છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની વિવિધ ટીમો દ્વારા માત્ર છેલ્લા 10 દિવસના ટૂંકા ગાળામાં જ અલગ-અલગ રેડ કરીને કુલ 43 જેટલા ગેરકાયદે હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે, રાજકોટ શહેરમાં હથિયારોનું નેટવર્ક કેટલું ઊંડું ઉતરી ગયું છે.</p><h2><b>હથિયાર ક્યાંથી લાવ્યો? પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ તપાસ તેજ કરી</b></h2><p>ઘાંચીવાડમાંથી પિસ્તોલ સાથે પકડાયેલા અરબાઝ દોઢિયા સામે પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની કાયદેસરની ધરપકડ કરી છે. આ પિસ્તોલ અને કાર્ટિઝ તેણે કોની પાસેથી ખરીદ્યા હતા? તે આ હથિયારનો ઉપયોગ કોઈ મોટો ગુનો આચરવા માટે કરવાનો હતો કે કેમ? તેમજ આ હથિયાર સપ્લાય કરનારી મુખ્ય ગેંગ કોણ છે? તે તમામ દિશામાં ક્રાઇમ બ્રાન્ચે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/india/news/gujarat/25-july-top-news-today-updates-historical-events-gujarati" target="_blank">25 જુલાઈના રોજ બનનારી મહત્વની ઘટનાઓ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/24/mypYFRdef6w3lp4ZBpwte3gXK5WkewcymgOiK7O7.webp'/></item><item><title><![CDATA[Gujarat Rain Update: 2 કલાકમાં 148 તાલુકામાં વરસાદ, બનાસકાંઠાના થરાદમાં સૌથી વધુ 2.6 ઇંચ ખાબક્યો ]]></title><link>https://sandesh.com/weather/monsoon-2026/news/gujarat/banaskantha/gujarat-rain-update-tharad-dhanera-heavy-rainfall</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/monsoon-2026/news/gujarat/banaskantha/gujarat-rain-update-tharad-dhanera-heavy-rainfall</guid><pubDate>Fri, 24 Jul 2026 23:10:42 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતમાં ચોમાસાની સિઝન જામી છે, ત્યારે રાજ્યના વિવિધ વિસ્તારોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. છેલ્લા 2 કલાકના આંકડા મુજબ, રાજ્યના કુલ 148 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાંઠામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ બતાવી વ્યાપક પધરામણી કરી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.</p><h2><b>બનાસકાંઠા જિલ્લામાં આભ ફાટ્યું</b></h2><p>વરસાદી આંકડા પર નજર કરીએ તો બનાસકાંઠા જિલ્લો મેઘમહેરનું મુખ્ય કેન્દ્ર બન્યો છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં માત્ર 2 કલાકના ટૂંક સમયગાળામાં સૌથી વધુ 2.6 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત નજીકના ધાનેરા તાલુકામાં પણ મુશળધાર 2.4 ઇંચ વરસાદ નોંધાતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.</p><h2><b>દીયોદર, બરવાળા, વાવ અને ડીસામાં પણ ભારે વરસાદ</b></h2><p>બનાસકાંઠાના અન્ય તાલુકાઓ તેમજ અન્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.</p><ul><li>દીયોદર: 1.6 ઇંચ વરસાદ</li><li>બરવાળા: 1.5 ઇંચ વરસાદ</li><li>વાવ: 1.1 ઇંચ વરસાદ</li><li>ડીસા: 1.1 ઇંચ વરસાદ</li><li>ધરણીધર: 1.1 ઇંચ વરસાદ</li><li>કપરાડા: 1.1 ઇંચ વરસાદ</li></ul><h2><b>ખેડૂતોમાં હરખની હેલી, તંત્ર એલર્ટ મોડ પર</b></h2><p>મુશળધાર વરસાદના કારણે એકતરફ વાવણી લાયક અને જરૂરી પાણી મળી રહેતાં ખેડૂત આલમમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, તો બીજી તરફ ટૂંકા સમયમાં વધુ વરસાદ પડવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાને ધ્યાને રાખી વહીવટીતંત્ર પણ સ્ટેન્ડબાય મોડ પર આવી ગયું છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/india/news/gujarat/25-july-top-news-today-updates-historical-events-gujarati" target="_blank">25 July Top News: 25 જુલાઈના રોજ બનનારી મહત્વની ઘટનાઓ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/24/OssA2fgY4AravzvIgfXhMGjPTFeWuVK4Ub7hFUzs.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના માંડલમાં બે દિવસની તારાજી બાદ પાણી ઓસરવાનું શરૂ, 500 લોકોનું સ્થળાંતર અને નેટવર્ક ઠપ થતાં જનજીવન પ્રભાવિત ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/water-starts-receding-in-ahmedabads-mandal-after-two-days-of-devastation-500-people-evacuated-and-network-shutdown-affects-normal-life</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/water-starts-receding-in-ahmedabads-mandal-after-two-days-of-devastation-500-people-evacuated-and-network-shutdown-affects-normal-life</guid><pubDate>Fri, 24 Jul 2026 22:37:28 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ ગ્રામ્યના માંડલ પંથકમાં છેલ્લા બે દિવસથી વરસેલા મુશળધાર વરસાદે ભારે તારાજી સર્જી હતી. ગુરુવારે માંડલ ગામમાં ચારેકોર જળબંબાકારના ભયાનક દ્રશ્યો જોવા મળ્યા હતા. જોકે, શુક્રવારે વરસાદે વિરામ લેતાં જ રોડ-રસ્તા પર ભરાયેલા વરસાદી પાણી ધીમે-ધીમે ઓસરવાનું શરૂ થયું છે. પાણી ઉતરતા તંત્ર અને સ્થાનિક રહીશોએ થોડો રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ બે દિવસના સતત વરસાદે સમગ્ર વિસ્તારના જનજીવનને ભારે અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>એસ.ટી. બસ અને ખાનગી પરિવહન ઠપ</b></h2><p style="text-align: justify; ">ભારે જળબંબાકારના કારણે માંડલમાં એસ.ટી. બસ સેવાના તમામ રૂટ રદ કરી દેવામાં આવ્યા હતા તેમજ ખાનગી પરિવહન સેવાઓ પણ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી. પાણી ભરાવાને કારણે વિરમગામ અને દસાડાને જોડતા મુખ્ય માર્ગો બંધ થઈ જતાં અમદાવાદ સહિત અન્ય શહેરો તરફ જવા માગતા અસંખ્ય લોકો અને મુસાફરો વચ્ચે રસ્તે અટવાઈ પડ્યા હતા. આ ઉપરાંત, શુક્રવાર સવારથી જ સમગ્ર માંડલ ગામમાં ઇન્ટરનેટ અને મોબાઇલ કનેક્ટિવિટી પણ સંપૂર્ણપણે ખોરવાઈ જતાં લોકોનો સંપર્ક કપાઈ ગયો હતો.</p><h3 style="text-align: justify; "><b>નીચાણવાળા વિસ્તારોમાંથી 500 લોકોનું સલામત સ્થળાંતર</b></h3><p style="text-align: justify; ">માંડલના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી હતી. સ્થિતિની ગંભીરતા જોઈને વહીવટી તંત્ર દ્વારા ત્વરિત રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મુશ્કેલીમાં મુકાયેલા અને જળબંબાકારમાં ફસાયેલા આશરે 500 જેટલા લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા આ અસરગ્રસ્તો માટે આશ્રય અને પ્રાથમિક સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં પાણી ઓસરી રહ્યા હોવાથી તંત્ર દ્વારા સફાઈ અને માર્ગો પૂર્વવત કરવાની કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/24/ixi7It2Hp7hYdDv1uhvgzrF76AB27u8ZTp5djiU3.webp'/></item><item><title><![CDATA[Delhi News: NEET વિરોધ પ્રદર્શન દરમિયાન છાત્રો પર પેલેટ ગન ચલાવાઈ? તપાસના આદેશ ]]></title><link>https://sandesh.com/india/news/neet-protest-probe-ordered-over-pellet-gun-use-allegations</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/neet-protest-probe-ordered-over-pellet-gun-use-allegations</guid><pubDate>Fri, 24 Jul 2026 22:26:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">NEET પેપર લીકને લઈને દિલ્હીના જંતર-મંતર પર પણ આ મુદ્દે સતત વિરોધ પ્રદર્શન ચાલુ છે. 20 જુલાઈના રોજ કોકરોચ જનતા પાર્ટી દ્વારા ચલો સંસદ માર્ચનું એલાન કરવામાં આવ્યું હતું.આ દરમિયાન પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે હિંસક ઝડપ થઈ હતી.પ્રદર્શન દરમિયાન પેલેટ ગનનો ઉપયોગ કરાયો હોવાના ગંભીર આરોપો લાગ્યા હતા.હવે આ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. રેપિડ એક્શન ફોર્સ દ્વારા પોતાના જવાનો પર લાગેલા બળપ્રયોગ અને પેલેટ ગનના કથિત ઉપયોગના આરોપોની તપાસ માટે વેરિફિકેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>પેલેટ ગનના ઉપયોગના તમામ આરોપોને નકારી કાઢ્યા</b></h2><p style="text-align: justify; ">અહેવાલો મુજબ દિલ્હીમાં વિદ્યાર્થીઓના પ્રદર્શન દરમિયાન RAFના જવાનો દ્વારા જરૂરિયાતથી વધુ બળપ્રયોગ કરવા અને પેલેટ ગન ચલાવવાના આરોપોની તપાસ શરૂ કરી દેવાઈ છે.મીડિયા રિપોર્ટ્સમાં ઈજાગ્રસ્તોની જુબાની અને મેડિકલ રેકોર્ડના આધારે દાવો કરાયો હતો કે 20 જુલાઈની માર્ચ દરમિયાન અનેક પ્રદર્શનકારીઓને પેલેટ ગનના કારણે ઈજાઓ પહોંચી હતી. મીડિયા રિપોર્ટ્સમાં દેશની રાજધાની દિલ્હીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પેલેટ ગનના ઉપયોગની આ એક દુર્લભ ઘટના ગણાવાઈ રહી છે.દિલ્હી પોલીસે પેલેટ ગનના ઉપયોગના તમામ આરોપોને નકારી કાઢ્યા છે.પોલીસનું કહેવું છે કે તેઓ ભીડને કાબૂમાં લેવા માટે પેલેટ ગન રાખતા પણ નથી અને તેનો ઉપયોગ પણ કરતા નથી.</p><h3 style="text-align: justify; "><b>કોર્ટ ઓફ ઈન્ક્વાયરીના આદેશ આપવામાં આવ્યા નથી</b></h3><p style="text-align: justify; ">અધિકારીઓના જણાવ્યા અનુસાર, રેપિડ એક્શન ફોર્સ જે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ હેઠળ કામ કરે છે.તેણે RAFના ઈન્સ્પેક્ટર જનરલને 20 જુલાઈના ઓપરેશન દરમિયાન બનેલી ઘટનાઓનો આખો ક્રમ ફરીથી તપાસવા સૂચના આપી છે.આ વેરિફિકેશન દરમિયાન બંને પક્ષોની ઘટનાઓની નિષ્પક્ષ તપાસ થશે.જેમાં પ્રદર્શનકારીઓને કાબૂમાં લેવા માટે કરાયેલી કાર્યવાહી તેમજ RAFના જવાનો પર થયેલા કથિત હુમલા બંને પાસાં આવરી લેવાશે.CRPFના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે હજુ સુધી કોઈ ઔપચારિક કોર્ટ ઓફ ઈન્ક્વાયરીના આદેશ આપવામાં આવ્યા નથી.</p><h2 style="text-align: justify; "><b>વીડિયો અને તસવીરોની પણ થશે ગહન તપાસ</b></h2><p style="text-align: justify; ">અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ માત્ર વેરિફિકેશન દ્વારા ઘટનાના સાચા તથ્યો મેળવવામાં આવી રહ્યા છે.આ પ્રક્રિયા પૂરી થયા બાદ જ નિર્ણય લેવાશે કે મામલે સત્તાવાર તપાસની જરૂર છે કે નહીં.RAFએ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા અનેક વીડિયો અને તસવીરોની પણ નોંધ લીધી છે.જેમાં બ્લુ કૅમોફ્લાજ વર્દીમાં સજ્જ જવાનો ભીડને નિયંત્રિત કરવા માટે લાઠી અને શસ્ત્રો સાથે દેખાઈ રહ્યા છે.આ સિવાય કેટલાક વીડિયોમાં RAFના જવાનો પ્રદર્શનકારીઓથી ઘેરાયેલા અને તેમના પર હુમલો થતો પણ જોવા મળે છે.આ તમામ વીડિયો અને તસવીરોની ખરાઈ તપાસ દરમિયાન કરવામાં આવશે.<br><br><a href="https://sandesh.com/india/news/neet-paper-leak-governments-big-decision-in-the-paper-leak-case-47-officials-dismissed-from-nta" target="_blank">આ પણ વાંચોઃ NEET Paper Leak: પેપર લીક મામલે સરકારનો મોટો નિર્ણય, NTAમાંથી 47 અધિકારીઓને કરાયા બરતરફ</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/24/FR9ZAEYa7FjjwlxCsAajzQHVfT4NzpsxmteyzuKq.webp'/></item><item><title><![CDATA[Delhi News: કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી રવનીતસિંહ બિટ્ટુએ રાજીનામું આપ્યું, રાષ્ટ્રપતિએ મંજૂર કર્યું ]]></title><link>https://sandesh.com/india/news/ravneet-singh-bittu-resigns-as-union-minister-of-state-for-railways</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ravneet-singh-bittu-resigns-as-union-minister-of-state-for-railways</guid><pubDate>Fri, 24 Jul 2026 21:23:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની કેબિનેટમાંથી રેલ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ રાજીનામું આપી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ભારતીય બંધારણના આર્ટિકલ 75(2) હેઠળ કેન્દ્રીય મંત્રી પરિષદમાંથી રવનીત સિંહનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારી લીધું છે.રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર આ રાજીનામું તાત્કાલિક ધોરણે અમલી બનશે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>રવનીત સિંહ બિટ્ટુની રાજકીય સફર</b></h2><p style="text-align: justify; ">રવનીત સિંહ બિટ્ટુની રાજ્યસભાની મુદત 21 જૂનના રોજ પૂર્ણ થઈ ગઈ હતી.18  જૂને યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા તેમને ફરીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા ન હતા. તેમ છતાં અત્યાર સુધી તેમની પાસેથી રાજીનામું માગવામાં આવ્યું ન હતું. પરંતુ શુક્રવારે તેમનું રાજીનામું મંજૂર કરી દેવામાં આવ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>2024ના રોજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા</b></h3><p style="text-align: justify; ">રવનીત સિંહ બિટ્ટુ 24 માર્ચ 2024ના રોજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને 2024માં પીએમ નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળમાં કેન્દ્રીય મંત્રી બન્યા હતા.તેઓ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં લુધિયાણાથી તથા 2009માં આનંદપુર સાહેબ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>કોંગ્રેસ પક્ષના નેતા તરીકે સેવા આપી ચૂક્યા છે</b></h2><p style="text-align: justify; ">તેઓ 11 માર્ચ 2021થી 18 જુલાઈ 2021 સુધી લોકસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે સેવા આપી ચૂક્યા છે.પશ્ચિમ બંગાળ ચૂંટણી દરમિયાન અધિર રંજન ચૌધરી વ્યસ્ત હોવાથી તેમને આ જવાબદારી સોંપાઈ હતી.ઉપરાંત તેઓ લોકસભામાં પક્ષના વ્હિપ પણ રહ્યા હતા.રવનીત સિંહ બિટ્ટુ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બેઅંત સિંહના પૌત્ર છે.જાન્યુઆરી 2021માં જન સંસદ કાર્યક્રમ દરમિયાન સિંઘુ બોર્ડર પર તેમના પર હુમલો પણ થયો હતો.<br><br><a href="https://sandesh.com/india/news/neet-paper-leak-governments-big-decision-in-the-paper-leak-case-47-officials-dismissed-from-nta" target="_blank">આ પણ વાંચોઃ NEET Paper Leak: પેપર લીક મામલે સરકારનો મોટો નિર્ણય, NTAમાંથી 47 અધિકારીઓને કરાયા બરતરફ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/24/YlNg0cAPvmPafmaBNqrf6A1I6E1LH5r236IipT6t.webp'/></item><item><title><![CDATA[US Tariff Impact: અમેરિકાએ Forced Laborના નામે ભારત પર લગાવ્યો 10%નો વધારાનો ટેરિફ, ભારતીય ઉદ્યોગો પર શું પડશે અસર? ]]></title><link>https://sandesh.com/world/news/business/usa/us-tariff-impact-america-imposed-an-additional-10-tariff-on-india-in-the-name-of-forced-labor-what-will-be-the-impact-on-indian-industries</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/business/usa/us-tariff-impact-america-imposed-an-additional-10-tariff-on-india-in-the-name-of-forced-labor-what-will-be-the-impact-on-indian-industries</guid><pubDate>Fri, 24 Jul 2026 19:59:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ કાર્યવાહી બળજબરીથી મજૂરી સંબંધિત ચિંતાઓના આધારે કરવામાં આવી હતી.&nbsp;</p><h2 style="text-align: justify; ">બળજબરીથી મજૂરી એટલે શું ?</h2><p style="text-align: justify; ">બળજબરીથી મજૂરીનો અર્થ વ્યક્તિને તેની ઇચ્છા વિરુદ્ધ કામ કરવા માટે દબાણ કરવાનો છે. જો કોઈ કામદાર પોતાની નોકરી છોડવા માંગે છે પરંતુ તેને મંજૂરી નથી, તો તે બળજબરીથી મજૂરી બની શકે છે. જો વ્યક્તિને ધમકી હેઠળ કામ કરવાની ફરજ પાડવામાં આવે તો પણ, મામલો ગંભીર હોઈ શકે છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન બળજબરીથી મજૂરીને માનવ અધિકારોનું ઉલ્લંઘન માને છે. વ્યક્તિની સંમતિ ખરેખર મુક્ત નથી. તેઓ દબાણ હેઠળ કામ કરી રહ્યા છે.</p><h3 style="text-align: justify; ">મુખ્ય વ્યાખ્યા શુ ?&nbsp;</h3><p style="text-align: justify; ">દરેક ઓછા વેતનવાળી નોકરીને બળજબરીથી મજૂરી ગણી શકાય નહીં. ઘણા દેશોમાં, કામદારોને ઓછું વેતન મળે છે. કામના કલાકો પણ લાંબા હોઈ શકે છે. આ શ્રમ અધિકારોનો મુદ્દો હોઈ શકે છે. પરંતુ બળજબરીથી મજૂરી સાબિત કરવા માટે, દબાણ અથવા નિયંત્રણના નક્કર સંકેતો જરૂરી છે. ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિ તેમની ઇચ્છા વિરુદ્ધ ઓછા વેતન માટે કામ કરી રહી છે અને ગમે ત્યારે કામ છોડી શકે છે. આવી પરિસ્થિતિ હંમેશા બળજબરીથી મજૂરીની કાનૂની વ્યાખ્યામાં આવતી નથી. જો કે, જો તેમને ચૂકવણી ન કરવાની, પોલીસ કાર્યવાહી, હિંસા, દેવું અથવા પાસપોર્ટ જપ્ત કરવાની ધમકી આપવામાં આવે છે, તો મામલો અલગ થઈ જાય છે.</p><h4 style="text-align: justify; ">બળજબરીથી મજૂરીના મુખ્ય સંકેતો&nbsp;</h4><p style="text-align: justify; ">બળજબરીથી મજૂરીને અનેક સંકેતો દ્વારા ઓળખવામાં આવે છે. આમાં નોકરી છોડવાની સ્વતંત્રતાનો ઇનકાર, હુમલો અથવા હિંસાની ધમકીઓ, પાસપોર્ટ, ઓળખ કાર્ડ અથવા અન્ય દસ્તાવેજો જપ્ત કરવા, વેતન રોકવું, કામદારોને વધુ પડતા દેવાથી બાંધવા, કામદારોની હિલચાલ પર પ્રતિબંધ મૂકવો, ભરતીના નામે ઊંચી ફી વસૂલવી, બાળકોને ખતરનાક અથવા બળજબરીથી મજૂરી કરવા માટે દબાણ કરવું, કામદારોને અલગ કરવા અને નિયંત્રિત કરવા વગેરેનો સમાવેશ થાય છે. આ સૂચકાંકોમાંથી એક અથવા વધુ શંકા પેદા કરી શકે છે.</p><h5 style="text-align: justify; ">દેવું-આધારિત મજૂર જાળ</h5><p style="text-align: justify; ">જબરદસ્તી મજૂરીના એક સામાન્ય સ્વરૂપમાં દેવું શામેલ છે, જેને બંધુઆ મજૂર તરીકે પણ ઓળખવામાં આવે છે. ધારો કે કોઈ ભરતી એજન્ટ કોઈ કામદારને વિદેશમાં નોકરી મેળવવાના નામે મોટી લોન આપે છે. બાદમાં, કામદારને કહેવામાં આવે છે કે તેઓ લોન ચૂકવ્યા વિના છોડી શકતા નથી. તેમના વેતનમાં પણ કાપ મૂકવામાં આવે છે. આ પરિસ્થિતિમાં, કામદાર નાણાકીય જાળમાં ફસાઈ જાય છે. ક્યારેક દેવું એટલું મોટું હોય છે કે કામદાર વર્ષો સુધી તેને ચૂકવી શકતો નથી. આ પરિસ્થિતિ આંતરરાષ્ટ્રીય વેપારમાં ગંભીર ચિંતાનો વિષય છે.</p><h5 style="text-align: justify; ">આંતરરાષ્ટ્રીય વેપારમાં આ મુદ્દો મહત્વપૂર્ણ&nbsp;</h5><p style="text-align: justify; ">આજે, એક ઉત્પાદન બહુવિધ દેશોમાં બનાવવામાં આવે છે. એક દેશમાં ઉગાડવામાં આવતા કપાસમાંથી કાપડ બનાવી શકાય છે, બીજા દેશમાં યાર્નનું ઉત્પાદન કરી શકાય છે, અને કપડાને ત્રીજા દેશમાં સીવી શકાય છે. પછી અંતિમ ઉત્પાદન ચોથા દેશમાંથી યુનાઇટેડ સ્ટેટ્સ અથવા યુરોપમાં મોકલી શકાય છે. આને વૈશ્વિક પુરવઠા શૃંખલા કહેવામાં આવે છે. આ સિસ્ટમમાં, કોઈપણ એક તબક્કે બળજબરીથી મજૂરીનો આરોપ સમગ્ર ઉત્પાદનને વિવાદાસ્પદ બનાવી શકે છે. ખરીદનાર દેશો ઉત્પાદનના ઉત્પાદનમાં કામદારોના અધિકારોનું સન્માન કરવામાં આવ્યું હતું કે કેમ તે અંગે પ્રશ્નો ઉભા કરે છે.</p><h6 style="text-align: justify; ">ભારત પર 10 ટકા ટેરિફનો સંદર્ભ</h6><p style="text-align: justify; ">યુનાઇટેડ સ્ટેટ્સે ભારતને એવા દેશોના જૂથમાં સામેલ કર્યું છે જેમની આયાત પર વધારાના 10 ટકા ટેરિફ લાદવામાં આવે છે. યુનાઇટેડ સ્ટેટ્સે એવા દેશો સામે વધુ કડક પગલાં લેવાની વિનંતી કરી છે જેઓ બળજબરીથી મજૂરી કરાવતી વસ્તુઓની આયાતને રોકવા માટે પૂરતા પગલાં લેવામાં નિષ્ફળ ગયા છે. એવું કહેવું યોગ્ય રહેશે નહીં કે ભારતમાં દરેક ઉત્પાદન અથવા દરેક ઉદ્યોગ પર બળજબરીથી મજૂરી કરવાનો આરોપ છે. વ્યાપક નીતિ સ્તરે, આ ટેરિફ દબાણનું સાધન છે. તેનો હેતુ પુરવઠા શૃંખલાની ચકાસણી, પારદર્શિતા અને શ્રમ ધોરણોનું પાલન વધારવાનો હોવાનું જણાવાયું છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/india/news/saharanpur-news-4-killed-in-blast-at-firecracker-factory-in-saharanpur-two-bodies-found" target="_blank"> સહારનપુરમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 4ના મોત, બે મૃતદેહ મળ્યા</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/24/2qEnFvwnpy6B9PGargJ2Pl13icuxxk3WFID6Ozoa.webp'/></item><item><title><![CDATA['કરણે મને લાફો માર્યો, મારા મમ્મી-પપ્પાને પણ અપશબ્દો...', અભિનેત્રીના ચોંકાવનારા ખુલાસાથી મચ્યો ખળભળાટ ]]></title><link>https://sandesh.com/entertainment/news/sanvi-talwar-alleges-karan-kundrra-slapped-her-on-yeh-kahan-aa-gaye-hum-set</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/sanvi-talwar-alleges-karan-kundrra-slapped-her-on-yeh-kahan-aa-gaye-hum-set</guid><pubDate>Fri, 24 Jul 2026 17:49:34 +05:30</pubDate><description><![CDATA[<p>ટીવી અભિનેતા કરણ કુન્દ્રા આજકાલ ચર્ચામાં છે. જોકે, આ વખતે તે કોઈ શો નથી, પરંતુ ભૂતકાળનો વિવાદ છે. 2015 માં કરણ કુન્દ્રા અને અભિનેત્રી સાનવી તલવાર ટીવી સીરિયલ "યે કહાં આ ગયે હમ" માં સાથે દેખાયા હતા. તેમની ઓન-સ્ક્રીન જોડી દર્શકોને ખૂબ ગમતી હતી, પરંતુ તેઓ સ્ક્રીનની બહાર ઝઘડતા હતા. આ દરમિયાન સાનવી તલવારે કરણ સાથેના તેના વિવાદ વિશે ખુલ્લેઆમ વાત કરી અને ઘણા ખુલાસા કર્યા જે ખૂબ જ ચોંકાવનારા છે.</p><p><h4><b>મેં કરણને લાફો માર્યો</b></h4>તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કરતા અભિનેત્રી સાનવીએ કહ્યું, "મેં કરણ સાથે સેટ પર વાત નહોતી કરી કારણ કે મને તે પસંદ નહોતો. પરંતુ કરણ અને દિગ્દર્શકને મારા ન બોલવાથી સમસ્યા હતી. ઘણી વાર મને ખબર પડી કે તે મને રિપ્લેસ કરશે." કિસિંગ સીન અંગે, સાનવીએ ખુલાસો કર્યો, "નિર્દેશક બોલે તે પહેલાં કરણે મને કિસ કરી, પરંતુ કોઈએ તેને કંઈ કહ્યું નહીં." મેં ગુસ્સામાં કરણને થપ્પડ મારી, અને તે ચાલ્યો ગયો.</p><h4><b>કરણે સાનવી સાથે દુર્વ્યવહાર કર્યો
</b></h4><p>સાનવીએ આગળ કહ્યું, "લગભગ 10-15 મિનિટ પછી, કરણ આવ્યો અને તેને એટલી જોરથી થપ્પડ મારી કે તે જમીન પર પડી ગઈ. તેણે મને અને મારા માતા-પિતાને પણ અપશબ્દો કહ્યા. તેના આવા વ્યવહાર પછી પણ કોઈએ મને સપોર્ટ કર્યો નહીં. પછી હું મારી કાર લઈને ચાલી ગઈ. મેં નક્કી કર્યું હતું કે હું ફરી ક્યારેય ત્યાં કામ નહીં કરું, પરંતુ એકતા કપૂરે માફી માંગી અને મને શોમાં પાછા ફરવાનું કહ્યું."
</p><h4><b>શો ટૂંક સમયમાં જ બંધ થઈ ગયો
</b></h4><p>નોંધનીય છે કો સિરિયલ "યે કહાં આ ગયે હમ" એક મ્યુઝિકલ ડ્રામા હતી. આ સિરીઝમાં કરણે રાહુલ સભરવાલ નામના રોકસ્ટારની ભૂમિકા ભજવી હતી અને સાનવી જેને માનવી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક ગાયિકા હતી. બાલાજી ફિલ્મ્સની આ સિરિયલની વાર્તા તે સમયે દર્શકોનું ધ્યાન ખેંચવામાં નિષ્ફળ ગઈ. આ શો 26 ઓક્ટોબર 2015 ના રોજ શરૂ થયો હતો, પરંતુ 24 ઓગસ્ટ 2016 ના રોજ બંધ થઈ ગયો.
</p><p><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/entertainment/news/akanksha-puri-claim--money-offered-to-celebs-for-neet-protest" target="_blank"><b>આ ગંદકીમાં નથી પડવું... વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા માટે ઓફર થઈ રહ્યા છે પૈસા, અભિનેત્રીનો મોટો દાવો</b></a></p><p><br><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/24/xdJvrJTsWTNVeKizkjpYbKp2OfZ45yJyfJ4HXTT0.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup ફાઈનલમાં હાર્યા બાદ આર્જેન્ટિનાના દિગ્ગજે લીધો સંન્યાસ, જાણો શાનદાર રેકોર્ડ ]]></title><link>https://sandesh.com/sports/news/argentina-legend-retires-after-losing-in-fifa-world-cup-final-know-his-amazing-record</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/argentina-legend-retires-after-losing-in-fifa-world-cup-final-know-his-amazing-record</guid><pubDate>Fri, 24 Jul 2026 17:38:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સ્પેને ફિફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં આર્જેન્ટિનાને 1-0 થી હરાવ્યું.સ્પેને 16 વર્ષ પછી ટ્રોફી જીતી.આર્જેન્ટિનાને સતત બીજી ટ્રોફી જીતવાની તક મળી હતી,પરંતુ તે નિષ્ફળ ગયો.આ લિયોનેલ મેસ્સીનો છેલ્લો વર્લ્ડ કપ હોવાનું માનવામાં આવતું હતું.મેસીએ હજુ સુધી નિવૃત્તિની જાહેરાત કરી નથી,અને અહેવાલો અનુસાર તે થોડા મહિનાઓ સુધી આંતરરાષ્ટ્રીય ફૂટબોલ રમશે. હવે, તેના સાથી ખેલાડીએ નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે.</p><h4 style="text-align: justify; "><b>આર્જેન્ટિનાના ડિફેન્ડરે નિવૃત્ત જાહેર કરી</b></h4><p style="text-align: justify; ">આર્જેન્ટિનાના ડિફેન્ડર નિકોલસ ઓટામેન્ડીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે, જેનાથી તેની 17 વર્ષની કારકિર્દીનો અંત આવ્યો છે. 38 વર્ષીય ડિફેન્ડરને આર્જેન્ટિનાના સૌથી સફળ ડિફેન્ડરોમાંના એક માનવામાં આવે છે. તેણે ફિફા વર્લ્ડ કપ 2026 માં સ્પેન સામે આર્જેન્ટિના માટે તેની છેલ્લી મેચ રમી હતી. નિવૃત્તિ પર, તેણે કહ્યું, આજે હું મારી કારકિર્દીના સૌથી મુશ્કેલ શબ્દો લખવા જઈ રહ્યો છું. હું ભાગ્યશાળી છું કે મારી છેલ્લી મેચ વર્લ્ડ કપ ફાઇનલ હતી." ભલે પરિણામ અમારા પક્ષમાં ન હતું, હું માથું ઉંચુ કરીને વિદાય આપી રહ્યો છું. વર્લ્ડ કપ જીતવાનું મારું સ્વપ્ન પૂરું કરવા બદલ આર્જેન્ટિનાનો આભાર.</p><p style="text-align: justify; "><a href="https://x.com/argfootballafa/status/2080262132634132692?s=20" target="_blank">https://x.com/argfootballafa/status/2080262132634132692?s=20</a></p><p style="text-align: justify; "><br></p><h5 style="text-align: justify; "><b>આર્જેન્ટિના માટે કેટલી મેચ રમી?</b></h5><p style="text-align: justify; ">નિકોલસ ઓટામેન્ડીએ આર્જેન્ટિના માટે 139મેચ રમી અને વર્ષોથી ટીમની સફળતામાં મુખ્ય પરિબળ રહ્યા. ઓટામેન્ડી માત્ર આર્જેન્ટિનામાં જ નહીં પરંતુ ફૂટબોલ લીગમાં પણ પોતાનું નામ બનાવવામાં સફળ રહ્યા. તેઓ પોર્ટો, વેલેન્સિયા, માન્ચેસ્ટર સિટી અને બેનફિકા માટે રમ્યા છે. તેમણે ચાર વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેઓ એક વારસો છોડીને ગયા છે અને ભવિષ્યના ઘણા ડિફેન્ડરોને પ્રેરણા આપશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/ferran-torres-love-story-he-made-the-coachs-daughter-his-girlfriend-then-this-is-why-they-broke-up" target="_blank">Ferran Torres Love Story: કોચની દીકરીને બનાવી ગર્લફ્રેન્ડ, પછી આ કારણે થયું બ્રેકઅપ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/24/uZjDSQITA43mVbUUCCRYfsXVySD3aBpao7mMJPH1.webp'/></item></channel></rss>