<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Rajkot: ભક્તિનગરમાં જલારામ ચોક પાસે ઘનશ્યામ વાઘેલાની છરીના ઘા ઝીંકી હત્યા, આરોપી ધર્મેન્દ્રસિંહ ફરાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/bhaktinagar-jalaram-chowk-ghanshyam-vaghela-killed-in-knife-attack</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/bhaktinagar-jalaram-chowk-ghanshyam-vaghela-killed-in-knife-attack</guid><pubDate>Sun, 02 Aug 2026 17:54:47 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ શહેરના ગીચ અને ધમધમતા ભક્તિનગર વિસ્તારમાં મોડી રાત્રે લોહિયાળ ડ્રામા સર્જાયો હતો. ભક્તિનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગીતા મંદિર રોડ પર સ્થિત જલારામ ચોક નજીક અચાનક બોલાચાલી બાદ લોહિયાળ ખેલ ખેલાયો હતો. તીક્ષ્ણ હથિયાર સાથે આવેલા ધર્મેન્દ્રસિંહ નામના શખ્સે ત્યાં ઊભેલા ઘનશ્યામ વાઘેલા પર કાળજાળ રીતે છરી વડે તૂટી પડીને શરીરના ભાગો પર પ્રાણઘાતક ઘા ઝીંકી દીધા હતા.</p><h2><b>ભક્તિનગર વિસ્તારમાં મોડી રાત્રે લોહિયાળ ડ્રામા</b></h2><p>છરીના ઘા વાગતાં જ ઘનશ્યામ વાઘેલા લોહીલુહાણ થઈને ઢળી પડ્યા હતા. રાત્રિના સમયે સરાજાહેર હુમલો થતાં આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. સ્થાનિક લોકો એકઠા થઈ જતાં હુમલાખોર ધર્મેન્દ્રસિંહ તકનો લાભ ઉઠાવીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત ઘનશ્યામ વાઘેલાને લોહીલુહાણ હાલતમાં તુરંત જ સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોની ટીમે તેમને બચાવવા માટે ભગીરથ પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ શરીર પરથી વધુ પડતું લોહી વહી જવાના કારણે અને ઊંડા ઘાના પરિણામે ઘનશ્યામ વાઘેલાનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું.</p><h3><b>પોલીસની કામગીરી અને સ્થિતિ</b></h3><p>બનાવ અંગેની જાણ થતાં જ ભક્તિનગર પોલીસ સ્ટેશનનો કાફલો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને બનાવ સ્થળનું પંચનામું કર્યું હતું. અંગત મન દુઃખ કે ક્યા કારણોસર ધર્મેન્દ્રસિંહે ઘનશ્યામ વાઘેલા પર હુમલો કર્યો તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ફરાર થઈ ગયેલા હુમલાખોર આરોપી ધર્મેન્દ્રસિંહને ઝડપી લેવા માટે ભક્તિનગર પોલીસની અલગ-અલગ ટીમો બનાવી તેના શક્ય તમામ આશ્રયસ્થાનો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/rajkot/new-ring-road-kalipat-car-truck-accident-jaydeep-vekariya-dies" target="_blank">આ પણ વાંચો: Rajkot: નવા રિંગરોડ પર સ્વિફ્ટનો ભૂકો બોલી ગયો,  કાર-ટ્રક વચ્ચે અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળે જ મોત</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/02/2Cr56R21Glpji4YDcPMtMThObKz7babQF06IGLTz.webp'/></item><item><title><![CDATA[Mehsana News : વિસનગરમાં મસમોટો ભૂવો પડ્યો, ST બસ ફસાતાં ચક્કાજામની સ્થિતિ સર્જાઈ... ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/mehsana/a-massive-landslide-occurred-in-visnagar-mehsana-trapping-an-st-bus-creating-a-traffic-jam</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/mehsana/a-massive-landslide-occurred-in-visnagar-mehsana-trapping-an-st-bus-creating-a-traffic-jam</guid><pubDate>Sun, 02 Aug 2026 17:49:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મહેસાણાના વિસનગરમાંથી માર્ગ વ્યવસ્થાની પોલ ખોલતી ઘટના સામે આવી છે, જ્યાં ડૉક્ટર હાઉસ ડાયવર્ઝન રોડ પર અચાનક મસમોટો ભૂવો પડી ગયો હતો. આ ભૂવો એટલો ઊંડો હતો કે ત્યાંથી પસાર થઈ રહેલી એક એસટી બસ તેમાં ખાબકીને ફસાઈ ગઈ હતી. બસ અચાનક રોડ પર ફસાઈ જતાં મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જોકે સદનસીબે કોઈ મોટી જાનહાનિ થવા પામી ન હતી.</p><h2 style="text-align: justify; "><b>ભ્રષ્ટાચારના કારણે રોડ બેસી ગયાનો આક્ષેપ</b></h2><p style="text-align: justify; ">ચોમાસાની શરૂઆતમાં કે સામાન્ય વરસાદમાં જ આ રીતે માર્ગ પર મસમોટો ભૂવો પડી જતાં સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો આક્ષેપ કરી રહ્યા છે કે રોડ બનાવવાની કામગીરીમાં લોટ પાણી ને લાકડા જેવો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. હલકી ગુણવત્તાવાળા કામના કારણે જ રોડ અચાનક નીચે બેસી ગયો છે અને તંત્રના ભ્રષ્ટાચારનો ભોગ સામાન્ય જનતા બની રહી છે.</p><h2 style="text-align: justify; "><b>વ્યસ્ત માર્ગ પર બસ અટવાતાં ટ્રાફિક જામ</b></h2><p style="text-align: justify; ">ડૉક્ટર હાઉસ ડાયવર્ઝન રોડ અત્યંત વ્યસ્ત માર્ગ હોવાથી ત્યાં બસ ફસાઈ જવાના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. માર્ગની બંને બાજુએ વાહનોની લાંબી કતારો લાગી જતાં ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને તંત્રનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને ક્રેનની મદદથી બસને બહાર કાઢવા તેમજ ટ્રાફિક હળવો કરવાની કવાયત હાથ ધરી હતી.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/navsari/cauvery-river-floods-in-navsari-huge-high-tension-line-tower-collapses-as-banks-wash-away" target="_blank">Navsariમાં કાવેરી નદીના પૂરનું તાંડવ, કાંઠો ધોવાતાં હાઇટેન્શન લાઇનનો મહાકાય ટાવર ધરાશાયી...</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/02/vHrRSBczrW2iaGFRsqLvB9NOrr6GcRFL9FnZIhJv.webp'/></item><item><title><![CDATA[Delhi : મુખ્યપ્રધાન રેખા ગુપ્તાની મહત્વપૂર્ણ યોજના, કસ્ટડી ડેથ પર પરિવારજનોને મળશે વળતર ]]></title><link>https://sandesh.com/india/news/delhi-cm-rekha-gupta-custody-death-compensation-scheme-prisoners-family</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/delhi-cm-rekha-gupta-custody-death-compensation-scheme-prisoners-family</guid><pubDate>Sun, 02 Aug 2026 17:47:34 +05:30</pubDate><description><![CDATA[<p>દિલ્હી સરકારે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રની જેલોમાં કસ્ટડી દરમિયાન થતી અપ્રાકૃતિક મૃત્યુની ઘટનાઓમાં મૃતક કેદીઓના નજીકના પરિવારજનો અથવા કાયદેસર વારસદારોને વળતર આપવાની નવી યોજના જાહેર કરી છે. આ યોજના હેઠળ પરિસ્થિતિ અનુસાર પરિવારને ₹5 લાખથી ₹7.5 લાખ સુધીની સહાય આપવામાં આવશે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/CMODelhi/status/2083875963746865349"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>આત્મહત્યાના કેસમાં ₹5 લાખની સહાય&nbsp;</b></h2><p>દિલ્હી સરકારના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલી આ યોજના ‘દિલ્હી જેલોમાં કેદીઓના મૃત્યુ માટે વળતર ચુકવણી યોજના, 2025’ તરીકે અમલમાં આવશે. આ યોજના માત્ર સૂચના જાહેર થયાની તારીખ અથવા ત્યારબાદ દિલ્હીની જેલોમાં થયેલા અપ્રાકૃતિક મૃત્યુના કેસોમાં લાગુ પડશે. યોજના મુજબ, કેદીઓ વચ્ચેના ઝઘડા અથવા જેલ કર્મચારીઓ દ્વારા કથિત મારપીટ કે યાતનાને કારણે થયેલા મૃત્યુના કેસમાં પરિવારને ₹7.5 લાખનું વળતર આપવામાં આવશે. જ્યારે જેલ અધિકારીઓની બેદરકારી, તબીબી બેદરકારી અથવા કેદી દ્વારા આત્મહત્યાના કેસમાં ₹5 લાખની સહાય નક્કી કરવામાં આવી છે.</p><h3><b>દુર્ઘટનામાં થયેલા મૃત્યુ આ યોજનામાં સામેલ નહીં થાય</b></h3><p>જોકે, કુદરતી કારણોસર અથવા બીમારીના કારણે થયેલા મૃત્યુ, જેલમાંથી ભાગતી વખતે થયેલા મૃત્યુ તેમજ આપત્તિ કે દુર્ઘટનામાં થયેલા મૃત્યુ આ યોજનામાં સામેલ નહીં થાય. દરેક કેસમાં જેલ અધિક્ષકને મેજિસ્ટ્રિયલ તપાસ રિપોર્ટ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ, મૃત્યુનું કારણ, કેદીનો તબીબી ઇતિહાસ અને સારવારની વિગતો જેલ મહાનિર્દેશકને મોકલવાની રહેશે.&nbsp;</p><h4><b>કેવી રીતે મળશે વળતરની મંજૂરી?</b></h4><p>ત્યારબાદ મહાનિર્દેશકની અધ્યક્ષતાવાળી સમિતિ કેસની સમીક્ષા કરશે અને તેની ભલામણના આધારે વળતરની મંજૂરી આપવામાં આવશે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું કે સરકાર માનવ ગૌરવ, કાયદાના શાસન અને બંધારણીય મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ છે. આ યોજના જેલ વહીવટમાં પારદર્શિતા, જવાબદારી અને સંવેદનશીલતા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/jammu-kashmir-udhampur-nh44-boulder-removal-nhai-blasting" target="_blank">આ પણ વાંચો : Jammu Kashmir : ઉધમપુરમાં NH-44 પર વિશાળ પથ્થરોનો અવરોધ દૂર, NHAIએ હાઈ-પ્રિસિઝન બ્લાસ્ટિંગથી રસ્તો ખોલ્યો</a></b></p><p>&nbsp;</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/02/APCTlBPftTjYcd4YreDEijIjUeKtXM6LRz8XHv4M.webp'/></item><item><title><![CDATA[Rajkot: નવા રિંગરોડ પર સ્વિફ્ટનો ભૂકો બોલી ગયો, કાર-ટ્રક વચ્ચે અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળે જ મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/new-ring-road-kalipat-car-truck-accident-jaydeep-vekariya-dies</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/new-ring-road-kalipat-car-truck-accident-jaydeep-vekariya-dies</guid><pubDate>Sun, 02 Aug 2026 17:46:59 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ શહેરની આસપાસના રિંગરોડ પર અકસ્માતોનો સિલસિલો થમવાનું નામ નથી લઈ રહ્યો. રાજકોટના નવા રિંગરોડ પર આવેલા કાળીપાટ ગામ નજીક આજે એક રક્તરંજીત અકસ્માતની ઘટના સામે આવી છે. નવા રિંગરોડ પરથી પસાર થઈ રહેલી એક સ્વિફ્ટ કાર અને ભારે ટ્રક વચ્ચે કાળજાળ ધડાકા સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો.</p><h2><b>રિંગરોડ પર અકસ્માતોનો સિલસિલો</b></h2><p>અકસ્માત એટલો પ્રચંડ હતો કે સ્વિફ્ટ કાર ટ્રકની અડફેટે આવતાં જ આગળના ભાગનો કુરચો બોલી ગયો હતો. ધડાકાનો અવાજ સાંભળીને કાળીપાટ ગામના સ્થાનિક રહીશો અને માર્ગ પરથી પસાર થતાં અન્ય વાહનચાલકો તુરંત જ મદદ માટે અકસ્માત સ્થળે દોડી આવ્યા હતા.</p><h3><b>કટર વડે કારનું પતરું કાપીને મૃતદેહ બહાર કાઢ્યો</b></h3><p>અકસ્માતને પગલે સ્વિફ્ટ કારનો પતરાનો ભાગ ભયાનક રીતે ચગદાઈ જતાં કાર ચલાવી રહેલો 27 વર્ષીય યુવક જયદીપભાઈ વેકરિયા કારની અંદર જ ગંભીર રીતે ફસાઈ ગયો હતો. સ્થાનિક લોકોએ ભારે જહેમત ઉઠાવીને કટર અને સાધનો વડે કારનું પતરું ચીરીને જયદીપભાઈને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ગંભીર શારીરિક ઇજાઓ અને વધુ પડતું લોહી વહી જવાના કારણે 27 વર્ષીય જયદીપભાઈ વેકરિયાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.</p><h4><b>પરિવારમાં શોકનું મોજું અને પોલીસ તપાસ</b></h4><p>માત્ર 27 વર્ષની નાની વયે જયદીપભાઈ વેકરિયાનું અકાળે આકસ્મિક મોત નીપજતાં તેના પરિવારજનો પર અચાનક આભ તૂટી પડ્યું છે. ઘટનાની જાણ થતાં જ આજી ડેમ સ્થાનિક પોલીસ મથકની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે અકસ્માતનો ભોગ બનેલી કાર અને ટ્રકને રસ્તા પરથી બાજુ પર ખસેડી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ramol-police-arrests-chikhligar-gang-recovers-20-lakhs-stolen-valuables" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: રામોલ પોલીસે 600 CCTV ખંગાળી કુખ્યાત ચીખલીગર ગેંગના બે શાતિર તસ્કરોને દબોચી લીધા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/02/7WWGiwv7zYJixSJcWOLtLq0MDNX6TzefjX3C3aH8.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: વિરમગામમાં સરકારી FCI ગોડાઉનમાં ઘૂસ્યા પૂરના પાણી, ઘઉં-ચોખાનો મસમોટો જથ્થો પલળતા નુકસાનની ભીતિ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/ahmedabad/viramgam-fci-godown-flooded-wheat-rice-stock-damage-risk</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/ahmedabad/viramgam-fci-godown-flooded-wheat-rice-stock-damage-risk</guid><pubDate>Sun, 02 Aug 2026 17:37:25 +05:30</pubDate><description><![CDATA[<p>વિરમગામ શહેરમાં ભલે હાલ વરસાદે વિરામ લીધો હોય, પરંતુ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે પંથકમાં જળતાંડવની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. વિરમગામ-અમદાવાદ બાયપાસ અને રામપુરા રોડ પર ઉપરવાસના વરસાદી પાણી ફરી વળ્યા છે, જેના કારણે જનજીવન અને સરકારી સંપત્તિને ભારે અસર પહોંચી છે.</p><h2><b>સરકારી FCI ગોડાઉનમાં ઘૂસ્યા પૂરના પાણી</b></h2><p>રામપુરા રોડ પર આવેલા ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) ના સરકારી ગોડાઉનમાં અને તેની આજુબાજુના વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. ગોડાઉનની અંદર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ગોડાઉનમાં રાખવામાં આવેલા કિંમતી અનાજના જથ્થા પર હવે ખતરો મંડરાઈ રહ્યો છે.</p><p><br><img alt="Ahmedabad News Rainwater Floods FCI Godown in viramgam, Massive Wheat and Rice Stock at Risk (2)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/02/EhktqoS2u6FvEoHD9vc5XuiNkc9Dg2MN9M2WElJp.webp" style="width: 100%;"></p><h2><b>ઘઉં અને ચોખાના જથ્થાને મોટું નુકસાન થવાની ભીતિ</b></h2><p>આ સરકારી ગોડાઉનમાં સરકાર દ્વારા મોટા પ્રમાણમાં ઘઉં અને ચોખાનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. ગોડાઉનમાં પાણી ભરાઈ જવાના કારણે સંગ્રહિત અનાજના નીચેના થરમાં રહેલા કોથળાઓમાં ભેજ અને પાણી લાગી ગયું છે. આ પરિસ્થિતિને જોતા અનાજ બગડી જવાની અને મોટું નુકસાન થવાની પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે.</p><p><img alt="Ahmedabad News Rainwater Floods FCI Godown in viramgam, Massive Wheat and Rice Stock at Risk (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/02/pFiVuIP1KtiqlRgqxVFJPlmCQ5OkGe0SQUfQR0AV.webp" style="width: 100%;"><br></p><h2><b>ટ્રેક્ટરની મદદથી શ્રમિકોને બોલાવી અનાજ બચાવવાની તજવીજ</b></h2><p>પાણી ભરાવાની ગંભીરતાને પારખીને FCIના અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ગોડાઉનમાં ફસાયેલા અનાજના જથ્થાને અન્ય સુરક્ષિત જગ્યાએ ખસેડવાની કવાયત શરૂ કરવામાં આવી છે. આ માટે ખાસ ટ્રેક્ટરની મદદથી શ્રમિકો અને કર્મચારીઓને ગોડાઉનની અંદર લઈ જવામાં આવ્યા છે. જોકે, આ ગંભીર બાબતે કોઈપણ અધિકારીએ મીડિયા સમક્ષ કંઈપણ બોલવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ghatlodia-lake-in-ahmedabad-is-filled-with-sewage-causing-unbearable-stench-and-anger-among-locals" target="_blank">Ahmedabadના ઘાટલોડિયા તળાવમાં ડ્રેનેજના ગંદા પાણીનું સામ્રાજ્ય, અસહ્ય દુર્ગંધથી સ્થાનિકોમાં ભારે રોષ...</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/02/kJhSQlAnhPW6qoRdsXV5TwrrFIyaViIJAByNGlgO.webp'/></item><item><title><![CDATA[The Paradiseમાંથી રાઘવ જુયાલનો ફર્સ્ટ લુક આઉટ, વિક્રમ મલિક બનીને મચાવશે તબાહી! ]]></title><link>https://sandesh.com/entertainment/news/the-paradise-raghav-juyal-first-look-vikram-malik</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/the-paradise-raghav-juyal-first-look-vikram-malik</guid><pubDate>Sun, 02 Aug 2026 17:35:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify;">શ્રીકાંત ઓડેલાની દ પેરાડાઇઝ સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંથી એક છે. ફિલ્મ સાથે જોડાયેલી દરેક નવી અપડેટ પછી ફેન્સમાં ઉત્સાહ સતત વધી રહ્યો છે. હવે નાનીની ફિલ્મ 'દ પેરાડાઇઝ'માંથી રાઘવ જુયાલનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ પહેલાં કદાચ જ લોકોએ તેને આટલા પાવરફુલ અવતારમાં જોયા હશે. 'દસરા'ની બ્લોકબસ્ટર સફળતા બાદ નાની અને ડિરેક્ટર શ્રીકાંત ઓડેલાની આ જોડી ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.</p><h2 style="text-align: justify;"><b>'દ પેરાડાઇઝ'માંથી રાઘવ જુયાલનો ફર્સ્ટ લુક વાયરલ</b></h2><p style="text-align: justify;">'દ પેરાડાઇઝ'માંથી રાઘવ જુયાલનો ફર્સ્ટ લુક સામે આવતા જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે અને ફિલ્મને લઈને લોકોમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેકર્સે 19 જૂન 2026ના રોજ એક વીડિયો શેર કર્યો હતો, જેમાં વિક્રમ મલિકનો ધમાકેદાર લુક જોવા મળ્યો હતો. સાથે જ દાવો કરવામાં આવ્યો હતો કે રાઘવ જુયાલનો આ અત્યાર સુધીનો સૌથી અલગ અવતાર હશે. તેઓ પાવરફુલ, ગુસ્સાથી ભરેલા અને પ્રભાવશાળી વિક્રમ મલિક તરીકે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા તૈયાર છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DZxH-6BI7fo/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DZxH-6BI7fo/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DZxH-6BI7fo/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DZxH-6BI7fo/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h3 style="text-align: justify;"><b>વિક્રમ મલિક બનશે ફિલ્મનું સૌથી પાવરફુલ પાત્ર</b></h3><p style="text-align: justify;">'દ પેરાડાઇઝ'ના મેકર્સે વિક્રમ મલિકના પાત્રમાં રાઘવ જુયાલનો લુક જાહેર કરીને ફેન્સનું મોટું સરપ્રાઇઝ આપ્યું છે. આ અવતારમાં રાઘવ ખૂબ જ પાવરફુલ અને ગ્રાન્ડ અંદાજમાં જોવા મળે છે. વીડિયોમાં તેની એન્ટ્રી તોફાન જેવી લાગે છે. તેની સ્ટાઇલ, એનર્જી અને જબરદસ્ત સ્ક્રીન પ્રેઝન્સે લોકોને પ્રભાવિત કર્યા છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક આ સીનને વધુ અસરકારક બનાવે છે. જ્યારે તેઓ નાની સાથે સ્ક્રીન શેર કરે છે ત્યારે તેની એન્ટ્રી વધુ જોરદાર લાગે છે.</p><h4 style="text-align: justify;"><b>'દ પેરાડાઇઝ' ક્યારે થશે રિલીઝ?</b></h4><p style="text-align: justify;">'SLV સિનેમાઝ' દ્વારા બનાવવામાં આવેલી 'દ પેરાડાઇઝ' 21 ઓગસ્ટ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મ હિન્દી, તેલુગુ, તમિલ, અંગ્રેજી, સ્પેનિશ, બંગાળી, કન્નડ અને મલયાલમ સહિત કુલ 8 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે.</p><p style="text-align: justify;"><a href="https://sandesh.com/entertainment/news/sooraj-pancholis-emotional-statement-on-jiah-khan-case-said-14-years-of-my-life-were-taken-away" target="_blank">આ પણ વાંચો-Jiah Khan કેસ પર સૂરજ પંચોલીનું નિવેદન, કહ્યું- 'મારી જિંદગીના 14 વર્ષ છીનવાઈ...'</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/02/PILV1zoS2RaXRgiJCj8O3YRrTTkjp23bwxBAiO8a.webp'/></item><item><title><![CDATA[Kerala Floods 2026: કેરળમાં પૂર-ભૂસ્ખલનથી ભારે તબાહી, 8 લોકોના મોત, અનેક લાપતા, 200થી વધુ ઘર જમીનદોસ્ત ]]></title><link>https://sandesh.com/india/news/monsoon-2026/kerala-floods-2026-floods-and-landslides-cause-widespread-destruction-in-kerala-8-people-dead-many-missing-more-than-200-houses-razed-to-the-ground</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/monsoon-2026/kerala-floods-2026-floods-and-landslides-cause-widespread-destruction-in-kerala-8-people-dead-many-missing-more-than-200-houses-razed-to-the-ground</guid><pubDate>Sun, 02 Aug 2026 17:23:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ભૂસ્ખલન અને અચાનક પૂરને કારણે અત્યાર સુધીમાં આઠ લોકોના મોત થયા છે. મુખ્યમંત્રીએ પરિસ્થિતિની સમીક્ષા કરી છે.</p><h2 style="text-align: justify; ">કુદરતનો ભારે પ્રકોપ&nbsp;</h2><p style="text-align: justify; ">કેરળમાં 31 જુલાઈની રાતથી 1 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડ્યો હતો. આ મુશળધાર વરસાદને લગતી ઘટનાઓમાં આઠ લોકોના મોત થયા છે. ભારે વરસાદને કારણે રાજ્યભરમાં ભૂસ્ખલન, અચાનક પૂર અને વ્યાપક વિનાશ સર્જાયો હતો, ખાસ કરીને પહાડી વિસ્તારોમાં. આ ઘટના વાયનાડમાં એક ટનલ બાંધકામ સ્થળ પર બનેલી ઘટનાના એક મહિના પછી જ બની છે. રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ ચાલુ છે અને ભૂસ્ખલન ફેલાવાની ધમકી સાથે, મુખ્યમંત્રી વી.ડી. સતીસને મહેસૂલ મંત્રી, મુખ્ય સચિવ અને જિલ્લા કલેક્ટરોનો સંપર્ક કર્યો છે.</p><h3 style="text-align: justify; ">આઠ લોકોના મોતની પુષ્ટિ</h3><p style="text-align: justify; ">કેરળના મુખ્યમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે, આઠ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે આઠ હજુ પણ ગુમ છે. 13 લોકો ઘાયલ થયા છે. રાજ્યભરમાં કુલ 5792 લોકોને 209 રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. 27 ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે અને 196 લોકોને આંશિક રીતે નુકસાન થયું છે. સરકાર જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પરિવારોને તેમજ જેમણે પોતાના ઘર અને નોકરી ગુમાવી છે તેમને સહાય પૂરી પાડશે.</p><h4 style="text-align: justify; ">મુખ્યમંત્રી વી.ડી. સતીસનની પ્રતિક્રિયા&nbsp;</h4><p style="text-align: justify; ">મુખ્યમંત્રી વી.ડી. સતીસને જણાવ્યું હતું કે રાજ્ય કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે તૈયાર છે અને આપત્તિ વ્યવસ્થાપન નેટવર્ક કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. સરકારે તેની આપત્તિ તૈયારીઓને વધુ તીવ્ર બનાવી છે. મંત્રીઓને સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં કેમ્પ કરવા અને રાહત અને બચાવ કામગીરી પર વ્યક્તિગત રીતે નજર રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ મંત્રીઓ અને જિલ્લા કલેક્ટરો સાથે બદલાતી વરસાદની પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/what-is-hamburg-pride-parade-day-3-lakh-people-held-a-historic-march-amidst-tight-security" target="_blank">શું છે Hamburg Pride Parade Day?, ચુસ્ત સુરક્ષા વચ્ચે 3 લાખ લોકોએ યોજી ઐતિહાસિક માર્ચ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/02/JgIGtqXweaZZU799fceUPzeya01YMKzj2m8XcUxf.webp'/></item><item><title><![CDATA[Navsariમાં કાવેરી નદીના પૂરનું તાંડવ, કાંઠો ધોવાતાં હાઇટેન્શન લાઇનનો મહાકાય ટાવર ધરાશાયી... ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/navsari/cauvery-river-floods-in-navsari-huge-high-tension-line-tower-collapses-as-banks-wash-away</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/navsari/cauvery-river-floods-in-navsari-huge-high-tension-line-tower-collapses-as-banks-wash-away</guid><pubDate>Sun, 02 Aug 2026 17:22:29 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નવસારી જિલ્લામાં કાવેરી નદીમાં આવેલા ભારે પૂરના કારણે ઊંડાચ ગામ નજીક મોટો અકસ્માત સર્જાયો છે. નદીના ધસમસતા પ્રવાહમાં કાંઠાનું ભારે ધોવાણ થતાં ત્યાંથી પસાર થતી હાઇટેન્શન લાઇનનો મહાકાય ટાવર એકતરફ નમી જઈને ધરાશાયી થયો હતો. નદીના પાણીના જોરદાર વહેણને કારણે ટાવરનો પાયો નબળો પડી જતાં આ કુદરતી આફત સર્જાઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો</b></h2><p style="text-align: justify; ">મહાકાય વીજ ટાવર ધરાશાયી થવાના કારણે તેની સીધી અસર આસપાસના ગ્રામ્ય વિસ્તારો પર પડી છે. આ અકસ્માતને પગલે ઊંડાચ અને તેની આસપાસના અનેક ગામડાઓમાં વીજળી ગુલ થઈ ગઈ છે. અચાનક વીજ પુરવઠો ખોરવાઈ જતાં સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>DGVCL દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ</b></h2><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં જ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL)નો કાફલો અને ટેકનિકલ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. વીજ કંપની દ્વારા સ્થિતિને કાબૂમાં લેવા અને અન્ય વિકલ્પ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી તકે વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે યુદ્ધના ધોરણે રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ghatlodia-lake-in-ahmedabad-is-filled-with-sewage-causing-unbearable-stench-and-anger-among-locals" target="_blank">Ahmedabadના ઘાટલોડિયા તળાવમાં ડ્રેનેજના ગંદા પાણીનું સામ્રાજ્ય, અસહ્ય દુર્ગંધથી સ્થાનિકોમાં ભારે રોષ...</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/02/9OixnogS6rXPA1zMsJbxzJKUHqVmfx6ZGNg78v1l.webp'/></item><item><title><![CDATA[Share Market : સેન્સેક્સની ટોપ-10માંથી 9 કંપનીઓના માર્કેટ કેપમાં ₹2.51 લાખ કરોડનો વધારો, બજાજ ફાઈનાન્સ ટોચના સ્થાને ]]></title><link>https://sandesh.com/business/news/share-market-sensex-top-10-market-cap-gains-bajaj-finance-leads</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/share-market-sensex-top-10-market-cap-gains-bajaj-finance-leads</guid><pubDate>Sun, 02 Aug 2026 16:49:42 +05:30</pubDate><description><![CDATA[<p>ગત સપ્તાહ દરમિયાન ભારતીય શેરબજારમાં નોંધપાત્ર તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 2,034.87 અંક અથવા 2.67 ટકા વધ્યો હતો, જ્યારે નિફ્ટીમાં 616.15 અંક એટલે કે 2.59 ટકાનો ઉછાળો નોંધાયો હતો. આ તેજીના કારણે સેન્સેક્સની ટોપ-10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી 9 કંપનીઓના કુલ માર્કેટ કેપમાં ₹2,51,228.75 કરોડનો વધારો થયો હતો. જોકે, હિંદુસ્તાન યુનિલિવર એકમાત્ર એવી કંપની રહી જેના માર્કેટ કેપમાં ઘટાડો નોંધાયો.</p><h2><b>LICના માર્કેટ કેપમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ</b></h2><p>બજાજ ફાઈનાન્સને સૌથી વધુ લાભ મળ્યો હતો. કંપનીના માર્કેટ કેપમાં ₹80,345.97 કરોડનો વધારો થતાં તે ₹7,10,817.51 કરોડ પર પહોંચ્યો હતો. ભારતી એરટેલના માર્કેટ કેપમાં ₹44,959.50 કરોડનો વધારો થયો હતો. ઉપરાંત ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, લાર્સન એન્ડ ટુબ્રો (L&amp;T), સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI), HDFC બેન્ક, ICICI બેન્ક અને LICના માર્કેટ કેપમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ હતી.</p><h2><b>રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રથમ ક્રમે</b></h2><p>બીજી તરફ હિંદુસ્તાન યુનિલિવરના માર્કેટ કેપમાં ₹10,326.46 કરોડનો ઘટાડો થતાં તે ₹4,93,602.13 કરોડ પર આવી ગયો હતો. માર્કેટ કેપના આધારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દેશની સૌથી મૂલ્યવાન કંપની તરીકે પ્રથમ સ્થાને યથાવત રહી હતી. તેના પછી ભારતી એરટેલ, HDFC બેન્ક, ICICI બેન્ક, SBI, TCS, બજાજ ફાઈનાન્સ, L&amp;T, LIC અને હિંદુસ્તાન યુનિલિવરનો ક્રમ રહ્યો હતો.</p><p>આગામી સપ્તાહે પ્રાથમિક બજાર પણ સક્રિય રહેશે. 5 ઓગસ્ટે મણિપાલ હેલ્થ એન્ટરપ્રાઈઝિસના શેર NSE અને BSE પર લિસ્ટ થવાની શક્યતા છે, જ્યારે 6 ઓગસ્ટે જુનિપર ગ્રીન એનર્જી અને MV ઈલેક્ટ્રોસિસ્ટમ્સના શેર પણ બજારમાં લિસ્ટ થવાની અપેક્ષા છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/business/rbis-big-decision-all-bank-fds-will-get-the-same-interest-rate-from-october-1" target="_blank">આ પણ વાંચો : RBIનો મોટો નિર્ણય, 1 ઓક્ટોબરથી તમામ બેંક FD પર મળશે સમાન વ્યાજ દર</a></b></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/02/CaAY2FUXbtNsFaGtRb58r8LRIkEpFUB44z0bTAfb.webp'/></item><item><title><![CDATA[CWG 2026: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભારતીય બોક્સરોને મળ્યા મેડલ એનાયત કરાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/sports/cwg-2026-indian-boxers-were-awarded-medals-by-harsh-sanghvi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/sports/cwg-2026-indian-boxers-were-awarded-medals-by-harsh-sanghvi</guid><pubDate>Sun, 02 Aug 2026 15:33:57 +05:30</pubDate><description><![CDATA[<p>સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે યોજાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારત અને ખાસ કરીને ગુજરાત માટે એક અત્યંત ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. આંતરરાષ્ટ્રીય સ્તરની આ પ્રતિષ્ઠિત રમતગમત સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓએ બોક્સિંગમાં અદભુત દેખાવ કરીને અનેક મેડલો જીતી દેશનું નામ વિશ્વભરમાં રોશન કર્યું છે. એક ઓગસ્ટનો દિવસ ભારતીય રમતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગયો છે.</p><h2><b>નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વિજેતા રમતવીરોનું મેડલ એનાયત કરી સન્માન</b></h2><p>આ વૈશ્વિક ગૌરવશાળી અવસરે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વૈશ્વિક મંચ પરથી બોક્સિંગ સ્પર્ધામાં વિજેતા બનેલા ભારતીય રમતવીરોને સ્વહસ્તે મેડલ પ્રદાન કરી સન્માનિત કર્યા હતા. ગ્લાસગો ખાતે યોજાયેલી આ ભવ્ય મેડલ સેરેમની દરમિયાન જ્યારે ભારતીય ખેલાડીઓના ગળામાં મેડલ પહેરાવવામાં આવ્યા, ત્યારે સમગ્ર સ્ટેડિયમ "ભારત માતા કી જય" ના ગુંજતા નારાઓથી ગૂંજી ઊઠ્યું હતું.</p><h2><b>"રાષ્ટ્રધ્વજને ઊંચો લહેરાતો જોવો એ અત્યંત રોમાંચક ક્ષણ": હર્ષ સંઘવી</b></h2><p>આ ઐતિહાસિક પ્રસંગે આનંદ અને લાગણી વ્યક્ત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય મંચ પર આપણા ખેલાડીઓને મેડલ પહેરાવવાની અને આપણા રાષ્ટ્રધ્વજ તિરંગાને સૌથી ઊંચો લહેરાતો જોવાની ક્ષણ અત્યંત ગૌરવપૂર્ણ અને રોમાંચક છે. આપણા ખેલાડીઓની આ સિદ્ધિ માત્ર એક મેડલ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે દેશના કરોડો યુવાનોની અથાક મહેનત, સમર્પણ અને વિજયી જુસ્સાનું જીવંત પ્રતીક છે.</p><p><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbiB2rjj5Nt/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbiB2rjj5Nt/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbiB2rjj5Nt/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbiB2rjj5Nt/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h2><b>બોક્સિંગમાં ભારતીય રમતવીરોની સિદ્ધિથી દેશભરમાં ઉત્સાહનો સંચાર</b></h2><p>બોક્સિંગ ક્ષેત્રે ભારતીય ખેલાડીઓના આ શાનદાર પ્રદર્શન અને ઐતિહાસિક સિદ્ધિને કારણે દેશના ખૂણે-ખૂણેથી અને ખાસ કરીને ગુજરાતના રમતગમત પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતીય બોક્સરોના આ જોરદાર પંચે સાબિત કરી દીધું છે કે, વૈશ્વિક રમતોમાં હવે ભારતનો દબદબો સતત વધી રહ્યો છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/cwg-2026-live-india-eyes-strong-finish-hopes-for-medals-in-wrestling-and-cycling" target="_blank">CWG 2026 Live : ભારતના ઈશ્વર નારંગની જુડોમાં વિજય સાથે શરૂઆત, ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/02/QfzFnnaSeN8iiPXLoC0IZ9FVHa7rOgxl08N03tRq.webp'/></item></channel></rss>