<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Gandhinagar: રાજ્યમાં ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી માટે 10 સપ્ટેમ્બરથી રજીસ્ટ્રેશનનો પ્રારંભ ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-farmers-kharif-crop-msp-online-registration-september-october-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-farmers-kharif-crop-msp-online-registration-september-october-2026</guid><pubDate>Wed, 09 Sep 2026 21:51:09 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતના ખેડૂતોને પોતાના કૃષિ ઉત્પાદનોના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. ગાંધીનગરથી કરવામાં આવેલી જાહેરાત મુજબ, રાજ્યમાં ખેડૂતો 10 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર 2026 સુધી ટેકાના ભાવે વેચાણ કરવા માટે પોતાની નોંધણી કરાવી શકશે.</p><h2><b>ગાંધીનગરથી ખેડૂતો માટે મોટા સમાચાર</b></h2><p>આ ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે ખેડૂતોને 30 દિવસનો પૂરતો સમય આપવામાં આવ્યો છે. સમયમર્યાદામાં નોંધણી કરાવનાર ખેડૂતો પાસેથી જ સરકાર નક્કી કરેલા ટેકાના ભાવે ખરીફ પાકની ખરીદી કરશે. આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા અંતર્ગત મુખ્યત્વે ચાર ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીન ની ખરીદી આવરી લેવામાં આવી છે.</p><h3><b>ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશનનો પ્રારંભ</b></h3><p> </p><p>ખેડૂતોએ પોતાની નોંધણી કરાવવા માટે નજીકની ગ્રામ પંચાયત કચેરી ખાતે ફરજ બજાવતા VCE નો સંપર્ક કરવાનો રહેશે.ખેડૂતોને નોંધણી દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી કાગળો જેવા કે 7/12, 8-અ ના ઉતારા, આધાર કાર્ડ અને બેંક પાસબુકની વિગતો સાથે રાખવાની સૂચના આપવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળવાની આશા બંધાઈ છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/chhota-udepur/chilarvant-gram-sevak-madhavbhai-dhandhaliya-caught-taking-bribe-acb" target="_blank">આ પણ વાંચો: Chhotaudepur: ચીલરવાંટનો ગ્રામસેવક 7 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો; વનબંધુ યોજનાની સબસિડી માટે માગ્યા પૈસા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/RDc62HbFNOU1YNKFHCyY8z8jtckPP7wTiTrN0Cgy.webp'/></item><item><title><![CDATA[Delhi : ‘માના પગે પડી માફી માંગો...’ મિલકતના કેસમાં સુપ્રીમ કોર્ટની પુત્રને ભાવુક કરી દેતી સલાહ ]]></title><link>https://sandesh.com/india/news/supreme-court-mother-son-property-dispute-apology</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/supreme-court-mother-son-property-dispute-apology</guid><pubDate>Wed, 09 Sep 2026 21:35:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">માતા-પુત્ર વચ્ચેનો સંપત્તિ વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો ત્યારે મામલો માત્ર મિલકતના હક પૂરતો રહ્યો નહીં. સુનાવણી દરમિયાન  સુપ્રીમ કોર્ટે પુત્રને કાયદાકીય દલીલો કરતાં સંબંધોની કિંમત સમજાવતી ભાવનાત્મક સલાહ આપી હતી. કોર્ટે અંતે પુત્રની અરજી ફગાવી દીધી હતી, પરંતુ સુનાવણી દરમિયાન કરવામાં આવેલી ટિપ્પણીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>જે માતાએ ઉછેર્યો, તેની સામે જ સંપત્તિનો કેસ કેમ પહોંચ્યો?</b></h2><p style="text-align: justify; ">મળતી વિગતો મુજબ માતા અને તેમના પતિ મિલકતના એકમાત્ર માલિક હતા. તેમણે પ્રેમ અને સ્નેહના કારણે પુત્ર તથા પુત્રવધૂને ઘરના પહેલા માળે રહેવાની મંજૂરી આપી હતી અને તેમની પાસેથી ભાડું પણ લેવામાં આવતું ન હતું.</p><h3 style="text-align: justify; "><b>સમય જતાં સંબંધોમાં તણાવ વધ્યો</b></h3><p style="text-align: justify; ">પરંતુ સમય જતાં સંબંધોમાં તણાવ વધ્યો હોવાનો માતા-પિતાનો આક્ષેપ હતો. તેમણે પુત્ર અને પુત્રવધૂ દ્વારા પરેશાન કરવામાં આવતા હોવાનો તેમજ મિલકત પોતાના નામે કરવાની માંગ કરવામાં આવી હોવાનો દાવો કર્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>પ્રેમથી આપેલું ઘર ક્યારે બની ગયું કોર્ટની લડાઈનું કારણ?</b></h3><p style="text-align: justify; ">માતા-પિતાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે પુત્રે કથિત રીતે કેટલાક દસ્તાવેજોના આધારે મિલકત પર પોતાનો હક દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ માતા-પિતાએ જાહેર નોટિસ દ્વારા પુત્ર અને પુત્રવધૂ સાથેના સંબંધો સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. પુત્ર સામે FIR પણ નોંધાવવામાં આવી હતી અને તેમને આપવામાં આવેલી રહેવાની મંજૂરી રદ કરીને મિલકત ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી.</p><h4 style="text-align: justify; "><b>કોર્ટમાં માતા-પિતાનો હક માન્ય થયો</b></h4><p style="text-align: justify; ">ટ્રાયલ કોર્ટે માતા-પિતાને મિલકતના એકમાત્ર માલિક ગણાવી હતી અને પુત્ર-પુત્રવધૂને માત્ર રહેવાની પરવાનગી આપવામાં આવી હોવાનું માન્યું હતું. પરવાનગી રદ થયા બાદ મિલકત પર તેમનો કબજો કાયદેસર ન હોવાનું જણાવી પ્રથમ માળ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ નિર્ણયને દિલ્હી હાઈકોર્ટે પણ 17 એપ્રિલે યથાવત રાખ્યો હતો. ત્યારબાદ પુત્ર સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો.</p><h4 style="text-align: justify; "><b>સુપ્રીમ કોર્ટની એક સલાહે સૌનું ધ્યાન ખેંચ્યું</b></h4><p style="text-align: justify; ">જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ એનકે સિંહની બેન્ચે પુત્રની અરજીમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરીને તેને ફગાવી દીધી હતી. જોકે સુનાવણી દરમિયાન જસ્ટિસ શર્માએ પુત્રને પોતાની માતા પાસે જઈને માફી માંગવાની અને તેમના આશીર્વાદ લેવાની સલાહ આપી હતી.</p><h4 style="text-align: justify; "><b>મોટો સામાજિક સંદેશ પણ આપ્યો</b></h4><p style="text-align: justify; ">કોર્ટે કાયદાકીય વિવાદનો અંત તો લાવ્યો, પરંતુ સાથે એક મોટો સામાજિક સંદેશ પણ આપ્યો—મિલકતનો વિવાદ કોર્ટમાં જીતી શકાય, પરંતુ માતા સાથે તૂટેલો સંબંધ પાછો મેળવવો એટલો સરળ નથી.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp;<a href="https://sandesh.com/gujarat/news/political-news/ahmedabad/statue-of-unity-gujarat-national-film-awards-ekta-nagar-uddhav-thackeray-political-row" target="_blank"><b> Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/2iVzAfrhbzsbKPTUEPBXukAcR4MYfSqYlzWmlbC1.webp'/></item><item><title><![CDATA[Chhotaudepur: ચીલરવાંટનો ગ્રામસેવક 7 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો; વનબંધુ યોજનાની સબસિડી માટે માગ્યા પૈસા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/chhota-udepur/chilarvant-gram-sevak-madhavbhai-dhandhaliya-caught-taking-bribe-acb</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/chhota-udepur/chilarvant-gram-sevak-madhavbhai-dhandhaliya-caught-taking-bribe-acb</guid><pubDate>Wed, 09 Sep 2026 21:30:31 +05:30</pubDate><description><![CDATA[<p>છોટાઉદેપુર જિલ્લામાં સરકારી યોજનાના લાભાર્થી પાસેથી લાંચ માગનાર ચીલરવાંટના ગ્રામસેવક સામે લાંચ રુશવત વિરોધી બ્યુરો (ACB) એ લાલ આંખ કરી છે. પ્રાપ્ય વિગતો અનુસાર, ચીલરવાંટ ગ્રામ પંચાયતમાં ગ્રામસેવક તરીકે ફરજ બજાવતા માધવભાઈ મનુશંકર ધાંધલિયાએ વનબંધુ કલ્યાણ યોજના હેઠળ મંજૂર થયેલી ટ્રેક્ટર યોજનાની રૂ. 1 લાખની સબસિડીનો ચેક અરજદારને આપવાના બદલામાં રૂ. 7 હજારની લાંચની કાયદેસરની માગણી કરી હતી.</p><h2><b>ગ્રામસેવક લાંચ લેતા ઝડપાયો</b></h2><p>અરજદાર લાંચની આ રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે તુરંત જ લાંચ રુશવત વિરોધી બ્યુરો (ACB) નો સંપર્ક કરી ગ્રામસેવક સામે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે છોટાઉદેપુર ACB ની ટીમે તાત્કાલિક એક્શનમાં આવીને લાંચનું છટકું ગોઠવ્યું હતું. યોજના મુજબ, બરોજ ગામ ખાતેથી ગ્રામસેવક માધવભાઈ ધાંધલિયા અરજદાર પાસેથી રૂ. 7,000 ની લાંચની રકમ સ્વીકારી રહ્યા હતા, બરાબર તે જ સમયે વોચમાં રહેલી એસીબીની ટીમે દરોડો પાડીને તેમને રંગેહાથ ઝડપી લીધા હતા.</p><h3><b>સ્થાનિક વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ</b></h3><p>ACB ની ટીમે સ્થળ પરથી લાંચની રકમ કબ્જે કરી ગ્રામસેવક માધવભાઈ ધાંધલિયા સામે ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધી આગળની કાયદાકીય તપાસ હાથ ધરી છે. સરકારી કર્મચારી એસીબીના હાથ ઝડપાઈ જતાં સ્થાનિક વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/surendranagar/limbdi-highway-lcb-seizes-english-liquor-worth-one-crore" target="_blank">આ પણ વાંચો: Surendranagar: લીંબડી હાઇવે પરથી કન્ટેનરમાંથી 1.26 કરોડનો દારૂ જપ્ત, રાજસ્થાનના ડ્રાઇવરની અટકાયત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/al60mcsnplTTNDmrxQ9GeCBWD2EsZpLcXlUedpvY.webp'/></item><item><title><![CDATA[10 September Top News: બ્રિક્સ સંમેલન, વેરાવળમાં વીજકાપથી લઈને સુપ્રીમ કોર્ટની મહત્વની સુનાવણીઓ સુધીના તમામ અપડેટ્સ ]]></title><link>https://sandesh.com/india/news/gujarat/ahmedabad/10-september-top-news-today-history-events</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/gujarat/ahmedabad/10-september-top-news-today-history-events</guid><pubDate>Wed, 09 Sep 2026 21:29:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">10 સપ્ટેમ્બરનો દિવસ રાજકીય, સામાજિક અને સ્થાનિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. 10 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના સત્ય નિકેતન કાંડ મામલે સુપ્રીમ કોર્ટમાં અગત્યની સુનાવણી થશે, જ્યારે ખેડૂત નેતાઓ 'સીડ એક્ટ' મુદ્દે કૃષિ મંત્રીને મળશે. આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રિક્સ સંમેલનની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે અને મુંબઈમાં નાણાકીય બેઠકનું સમાપન થશે. </p><p style="text-align: justify; ">10 September Top News:&nbsp; ગુજરાતમાં વેરાવળના અનેક વિસ્તારોમાં 11 કેવી અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરીને પગલે 5 કલાકનો વીજકાપ રહેશે, જ્યારે છોટાઉદેપુરના નસવાડી APMC ચૂંટણીની મતગણતરી પણ 10 સપ્ટેમ્બરના રોજ જ હાથ ધરાશે. આ ઉપરાંત 10 સપ્ટેમ્બરના રોજ વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ અને ઇન્ટરનેશનલ મેક-અપ ડે પણ ઉજવાઈ રહ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>દિલ્હી સત્ય નિકેતન દુર્ઘટના, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી</b></h2><p style="text-align: justify; ">દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં થયેલા ભયાનક અકસ્માત મામલે 10 સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટ દિલ્હી હાઈકોર્ટમાં ચાલી રહેલી આ કેસની કાર્યવાહી પોતાની પાસે ટ્રાન્સફર કરવા પર વિચાર કરી શકે છે. આ સાથે દિલ્હીના PG અને હોસ્ટેલની સુરક્ષા તેમજ ઓડિટ અંગે દેશવ્યાપી માર્ગદર્શિકા જાહેર કરવાની શક્યતા છે.</p><h2 style="text-align: justify; "><b>ખેડૂતો અને કૃષિમંત્રી વચ્ચે 'સીડ એક્ટ' અંગે બેઠક</b></h2><p style="text-align: justify; ">દેશભરના ખેડૂત નેતાઓ 10 સપ્ટેમ્બરના રોજ સાંજે 4 વાગ્યે કૃષિ મંત્રાલય ખાતે કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સાથે મુલાકાત કરશે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય બીજ માફિયાઓ પર લગામ કસવા માટે કડક 'સીડ એક્ટ' લાવવા અંગે ચર્ચા કરવાનો છે.</p><h2 style="text-align: justify; "><b>બ્રિક્સ સંમેલન 2026: સંયુક્ત નિવેદન પર અંતિમ મહોર</b></h2><p style="text-align: justify; ">આગામી 11 સપ્ટેમ્બરથી દિલ્હીમાં વિશ્વના નેતાઓનું આગમન શરૂ થશે તે પહેલાં, 10 સપ્ટેમ્બરના રોજ બ્રિક્સ (BRICS) દેશોનું સંયુક્ત નિવેદન તૈયાર કરી લેવામાં આવશે. ડેલિગેટ્સ અને વાટાઘાટકારો દિવસ-રાત જોયા વિના અંતિમ ડ્રાફ્ટ પર સહમતિ સાધવા પ્રયાસ કરી રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>ભાજપની ઉત્તરાખંડમાં 2027 ચૂંટણીની તૈયારીઓ</b></h2><p style="text-align: justify; ">ભાજપના નેતા નીતિન નવીનનો ઉત્તરાખંડ પ્રવાસ 10 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થશે. તેઓ હલ્દ્વાનીમાં પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત મહત્વની બેઠક કરશે અને પ્રદેશ કોર કમિટી સાથે 2027ની વિધાનસભા ચૂંટણીની રણનીતિ ઘડશે.</p><h2 style="text-align: justify; "><b>IRCTC કૌભાંડ: લાલુ પ્રસાદ સામે આરોપો નક્કી થઈ શકે છે</b></h2><p style="text-align: justify; ">બહુચર્ચિત IRCTC કૌભાંડ કેસમાં કોર્ટ 10 સપ્ટેમ્બરના રોજ પોતાનો નિર્ણય સંભળાવી શકે છે. આ મામલામાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ સહિત અન્ય દિગ્ગજો આરોપી છે. કોર્ટ 10 સપ્ટેમ્બરના રોજ તેમના પર આરોપો નક્કી કરે તેવી પ્રબળ સંભાવના છે.</p><h2 style="text-align: justify; "><b>રાજનાથ સિંહનો શ્રીલંકા પ્રવાસ સંપન્ન</b></h2><p style="text-align: justify; ">ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની ત્રણ દિવસીય શ્રીલંકા મુલાકાતનો 10 સપ્ટેમ્બરના રોજ અંતિમ દિવસ છે. આ પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ, સુરક્ષા અને દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા પર ચર્ચા થઈ, જે ભારત-શ્રીલંકા ભાગીદારીને નવી મજબૂતી આપશે.</p><h2 style="text-align: justify; "><b>મુંબઈમાં બ્રિક્સ નાણામંત્રીઓની બેઠકનું સમાપન</b></h2><p style="text-align: justify; ">મુંબઈમાં યોજાઈ રહેલી BRICS દેશોના નાણામંત્રીઓ અને કેન્દ્રીય બેંકના ગવર્નરોની બેઠકનો 10 સપ્ટેમ્બરના રોજ છેલ્લો દિવસ છે. આ બેઠકમાં ન્યૂ ડેવલપમેન્ટ બેંકની ભૂમિકા, સ્થાનિક ચલણમાં વેપાર અને આર્થિક સહયોગ જેવા ગંભીર મુદ્દાઓ પર અંતિમ ચર્ચા થશે.</p><h2 style="text-align: justify; "><b>દિલ્હીમાં વિજ્ઞાન અને ટેકનોલોજી સંમેલન-2026</b></h2><p style="text-align: justify; ">નવી દિલ્હીમાં 10 સપ્ટેમ્બરના રોજ 'ઉભરતા વિજ્ઞાન, પ્રોદ્યોગિકી અને નવાચાર સંમેલન-2026' નું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ આ કાર્યક્રમમાં મુખ્ય સંબોધન કરશે, જેમાં DSIR અને CSIR ના ટોચના વૈજ્ઞાનિક અધિકારીઓ ઉપસ્થિત રહેશે.</p><h2 style="text-align: justify; "><b>CEC જ્ઞાનેશ કુમાર ગુજરાતની બે દિવસીય મુલાકાતે</b></h2><p style="text-align: justify; ">ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર 10 અને 11 સપ્ટેમ્બરે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવશે. તેઓ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે તેમજ BLO અને ELC સભ્યો સાથે સંવાદ કરશે.</p><h2 style="text-align: justify; "><b>વેરાવળમાં 10 સપ્ટેમ્બરના રોજ 5 કલાકનો વીજકાપ</b></h2><p style="text-align: justify; ">વેરાવળ શહેરમાં 11 કેવી અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરીને લીધે 10 સપ્ટેમ્બરના રોજ સવારે 9 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી વીજ પુરવઠો ખોરવાયેલો રહેશે. PGVCL ની કામગીરીને કારણે 60 ફૂટ રોડ, વિવેકાનંદ સોસાયટી, જાગૃતિ સોસાયટી, ગોકુલ ધામ સોસાયટી સહિતના અનેક વિસ્તારોમાં વીજળી બંધ રહેશે.</p><h2 style="text-align: justify; "><b>નસવાડી APMC ચૂંટણી: 10 સપ્ટેમ્બરના રોજ પરિણામ</b></h2><p style="text-align: justify; ">છોટાઉદેપુર જિલ્લાની નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં 533 માંથી 516 ખેડૂતોએ રેકોર્ડબ્રેક મતદાન કર્યું હતું. 10 સપ્ટેમ્બરે મતગણતરી હાથ ધરાશે અને 20 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે.</p><h2 style="text-align: justify; "><b>વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ</b></h2><p style="text-align: justify; ">દર વર્ષે 10 સપ્ટેમ્બરને 'વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. 2003 થી શરૂ થયેલ આ અભિયાન IASP, WHO અને WFMH ના સંયુક્ત ઉપક્રમે ચલાવાય છે, જેનો ઉદ્દેશ્ય લોકોમાં જાગૃતિ લાવી આત્મહત્યાના બનાવો ઘટાડવાનો છે.</p><h2 style="text-align: justify; "><b>ઇન્ટરનેશનલ મેક-અપ ડે</b></h2><p style="text-align: justify; ">ફેશન અને કોસ્મેટિક્સ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો 'ઇન્ટરનેશનલ મેક-અપ ડે' 10 સપ્ટેમ્બરના રોજ દુનિયાભરમાં ઉજવવામાં આવી રહ્યો છે, જે સુંદરતા અને કોસ્મેટિક આર્ટિસ્ટના કસબને બિરદાવવાનો દિવસ છે.</p><p style="text-align: justify; ">10 September Top News</p><h2 style="text-align: justify; "><b>અબ્દુલ હમીદ શહીદ દિવસ</b></h2><ul><li style="text-align: justify; ">1965 - અબ્દુલ હમીદ: 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં અસલ ઉત્તરની લડાઈમાં અદમ્ય સાહસ બતાવી શહીદ થનારા ભારતીય સૈનિકની પૂણ્યતિથિ.</li><li style="text-align: justify;">10 સપ્ટેમ્બરની ઐતિહાસિક ઘટનાઓ&nbsp;</li><li style="text-align: justify;">1846 - સિલાઈ મશીનની પેટન્ટ: અમેરિકન શોધક એલિયાસ હોવને તેમના લોકસ્ટીચ ડિઝાઇનવાળા સિલાઈ મશીન માટે યુનાઇટેડ સ્ટેટ્સમાં સત્તાવાર પેટન્ટ મળી.</li><li style="text-align: justify;">1935 - દૂન સ્કૂલની સ્થાપના: ભારતની પ્રખ્યાત અને પ્રતિષ્ઠિત દૂન સ્કૂલની સ્થાપના કરવામાં આવી.</li><li style="text-align: justify;">1936 - મોટરસાઈકલ ચેમ્પિયનશિપ: લંડનના વેમ્બલી સ્ટેડિયમ ખાતે ફર્સ્ટ વર્લ્ડ ઈન્ડિવિઝ્યુઅલ મોટરસાઈકલ સ્પીડવે ચેમ્પિયનશિપ યોજાઈ.</li><li style="text-align: justify;">1966 - પંજાબનું વિભાજન: પંજાબ રાજ્યને ભાષાકીય ધોરણે પંજાબ અને હરિયાણા નામના બે અલગ રાજ્યોમાં વહેંચવામાં આવ્યું.</li><li style="text-align: justify;">1967 - જિબ્રાલ્ટર જનમત: જિબ્રાલ્ટરના લોકોએ સ્પેનનો ભાગ બનવાને બદલે બ્રિટિશ નિર્ભરતા જાળવી રાખવા માટે મતદાન કર્યું.</li><li style="text-align: justify;">1976 - વિમાન હાઇજેક: દિલ્હીથી જયપુર જઈ રહેલા ઇન્ડિયન એરલાઇન્સના બોઇંગ 737 વિમાનને હાઇજેક કરી લાહોર લઈ જવામાં આવ્યું, બાદમાં તમામ મુસાફરોને સુરક્ષિત છોડાવાયા.</li><li style="text-align: justify;">2002 - સ્વિટ્ઝર્લેન્ડ UNનું સભ્ય: વર્ષો સુધી તટસ્થ રહેનારો દેશ સ્વિટ્ઝર્લેન્ડ સત્તાવાર રીતે સંયુક્ત રાષ્ટ્ર (UN) નો 191મો પૂર્ણ સભ્ય દેશ બન્યો.</li><li style="text-align: justify;">2008 - લાર્જ હેડ્રોન કોલાઈડર: જિનીવા ખાતે CERN સંસ્થા દ્વારા બ્રહ્માંડની ઉત્પત્તિના રહસ્યો શોધવા વિશ્વની સૌથી મોટી પાર્ટિકલ એક્સિલરેટર મશીન પ્રાયોગિક ધોરણે શરૂ કરાઈ.</li></ul><h2 style="text-align: justify; "><b>10 સપ્ટેમ્બરના દિવસે જન્મેલી પ્રખ્યાત હસ્તીઓ</b></h2><ul><li style="text-align: justify; ">1872 - જામ રણજી: ભારતના નવાનગર રજવાડાના મહારાજા જામ સાહેબ અને વિશ્વવિખ્યાત ટેસ્ટ ક્રિકેટ ખેલાડીનો જન્મ.</li><li style="text-align: justify;">1887 - પંડિત ગોવિંદ વલ્લભ પંત: પ્રખ્યાત સ્વતંત્રતા સેનાની, ઉત્તર પ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી અને ભારતના પૂર્વ ગૃહમંત્રીનો જન્મ (ભારત રત્ન વિજેતા).</li><li style="text-align: justify;">1915 - સ્વામી સચ્ચિદાનંદ: ગુજરાતના જાણીતા સાહિત્યકાર, વિચારક, સમાજ સુધારક અને રાષ્ટ્રીય સંતનો જન્મ મહેસાણા જિલ્લાના મુજપુર ગામે થયો.</li></ul><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-sg-highway-bridge-delay-commuters-deadline-extension" target="_blank">Ahmedabad : ઇસ્કોન એલિવેટેડ કોરિડોરનો કરોડોનો બ્રિજ હજું પણ અધૂરો, જનતા પરેશાન, લાપરવાહીની રમાતી રમત</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/l1pb6w3n9XhxYjd56QPE6mAccurwdYScQ2XiXTot.webp'/></item><item><title><![CDATA[10 September Top News: બ્રિક્સ સંમેલન, વેરાવળમાં વીજકાપથી લઈને સુપ્રીમ કોર્ટની મહત્વની સુનાવણીઓ સુધીના તમામ અપડેટ્સ ]]></title><link>https://sandesh.com/india/news/gujarat/ahmedabad/10-september-top-news-today-history-events</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/gujarat/ahmedabad/10-september-top-news-today-history-events</guid><pubDate>Wed, 09 Sep 2026 21:29:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">10 સપ્ટેમ્બરનો દિવસ રાજકીય, સામાજિક અને સ્થાનિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. 10 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના સત્ય નિકેતન કાંડ મામલે સુપ્રીમ કોર્ટમાં અગત્યની સુનાવણી થશે, જ્યારે ખેડૂત નેતાઓ 'સીડ એક્ટ' મુદ્દે કૃષિ મંત્રીને મળશે. આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રિક્સ સંમેલનની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે અને મુંબઈમાં નાણાકીય બેઠકનું સમાપન થશે. </p><p style="text-align: justify; ">10 September Top News:&nbsp; ગુજરાતમાં વેરાવળના અનેક વિસ્તારોમાં 11 કેવી અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરીને પગલે 5 કલાકનો વીજકાપ રહેશે, જ્યારે છોટાઉદેપુરના નસવાડી APMC ચૂંટણીની મતગણતરી પણ 10 સપ્ટેમ્બરના રોજ જ હાથ ધરાશે. આ ઉપરાંત 10 સપ્ટેમ્બરના રોજ વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ અને ઇન્ટરનેશનલ મેક-અપ ડે પણ ઉજવાઈ રહ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>દિલ્હી સત્ય નિકેતન દુર્ઘટના, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી</b></h2><p style="text-align: justify; ">દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં થયેલા ભયાનક અકસ્માત મામલે 10 સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટ દિલ્હી હાઈકોર્ટમાં ચાલી રહેલી આ કેસની કાર્યવાહી પોતાની પાસે ટ્રાન્સફર કરવા પર વિચાર કરી શકે છે. આ સાથે દિલ્હીના PG અને હોસ્ટેલની સુરક્ષા તેમજ ઓડિટ અંગે દેશવ્યાપી માર્ગદર્શિકા જાહેર કરવાની શક્યતા છે.</p><h2 style="text-align: justify; "><b>ખેડૂતો અને કૃષિમંત્રી વચ્ચે 'સીડ એક્ટ' અંગે બેઠક</b></h2><p style="text-align: justify; ">દેશભરના ખેડૂત નેતાઓ 10 સપ્ટેમ્બરના રોજ સાંજે 4 વાગ્યે કૃષિ મંત્રાલય ખાતે કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સાથે મુલાકાત કરશે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય બીજ માફિયાઓ પર લગામ કસવા માટે કડક 'સીડ એક્ટ' લાવવા અંગે ચર્ચા કરવાનો છે.</p><h2 style="text-align: justify; "><b>બ્રિક્સ સંમેલન 2026: સંયુક્ત નિવેદન પર અંતિમ મહોર</b></h2><p style="text-align: justify; ">આગામી 11 સપ્ટેમ્બરથી દિલ્હીમાં વિશ્વના નેતાઓનું આગમન શરૂ થશે તે પહેલાં, 10 સપ્ટેમ્બરના રોજ બ્રિક્સ (BRICS) દેશોનું સંયુક્ત નિવેદન તૈયાર કરી લેવામાં આવશે. ડેલિગેટ્સ અને વાટાઘાટકારો દિવસ-રાત જોયા વિના અંતિમ ડ્રાફ્ટ પર સહમતિ સાધવા પ્રયાસ કરી રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>ભાજપની ઉત્તરાખંડમાં 2027 ચૂંટણીની તૈયારીઓ</b></h2><p style="text-align: justify; ">ભાજપના નેતા નીતિન નવીનનો ઉત્તરાખંડ પ્રવાસ 10 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થશે. તેઓ હલ્દ્વાનીમાં પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત મહત્વની બેઠક કરશે અને પ્રદેશ કોર કમિટી સાથે 2027ની વિધાનસભા ચૂંટણીની રણનીતિ ઘડશે.</p><h2 style="text-align: justify; "><b>IRCTC કૌભાંડ: લાલુ પ્રસાદ સામે આરોપો નક્કી થઈ શકે છે</b></h2><p style="text-align: justify; ">બહુચર્ચિત IRCTC કૌભાંડ કેસમાં કોર્ટ 10 સપ્ટેમ્બરના રોજ પોતાનો નિર્ણય સંભળાવી શકે છે. આ મામલામાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ સહિત અન્ય દિગ્ગજો આરોપી છે. કોર્ટ 10 સપ્ટેમ્બરના રોજ તેમના પર આરોપો નક્કી કરે તેવી પ્રબળ સંભાવના છે.</p><h2 style="text-align: justify; "><b>રાજનાથ સિંહનો શ્રીલંકા પ્રવાસ સંપન્ન</b></h2><p style="text-align: justify; ">ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની ત્રણ દિવસીય શ્રીલંકા મુલાકાતનો 10 સપ્ટેમ્બરના રોજ અંતિમ દિવસ છે. આ પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ, સુરક્ષા અને દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા પર ચર્ચા થઈ, જે ભારત-શ્રીલંકા ભાગીદારીને નવી મજબૂતી આપશે.</p><h2 style="text-align: justify; "><b>મુંબઈમાં બ્રિક્સ નાણામંત્રીઓની બેઠકનું સમાપન</b></h2><p style="text-align: justify; ">મુંબઈમાં યોજાઈ રહેલી BRICS દેશોના નાણામંત્રીઓ અને કેન્દ્રીય બેંકના ગવર્નરોની બેઠકનો 10 સપ્ટેમ્બરના રોજ છેલ્લો દિવસ છે. આ બેઠકમાં ન્યૂ ડેવલપમેન્ટ બેંકની ભૂમિકા, સ્થાનિક ચલણમાં વેપાર અને આર્થિક સહયોગ જેવા ગંભીર મુદ્દાઓ પર અંતિમ ચર્ચા થશે.</p><h2 style="text-align: justify; "><b>દિલ્હીમાં વિજ્ઞાન અને ટેકનોલોજી સંમેલન-2026</b></h2><p style="text-align: justify; ">નવી દિલ્હીમાં 10 સપ્ટેમ્બરના રોજ 'ઉભરતા વિજ્ઞાન, પ્રોદ્યોગિકી અને નવાચાર સંમેલન-2026' નું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ આ કાર્યક્રમમાં મુખ્ય સંબોધન કરશે, જેમાં DSIR અને CSIR ના ટોચના વૈજ્ઞાનિક અધિકારીઓ ઉપસ્થિત રહેશે.</p><h2 style="text-align: justify; "><b>CEC જ્ઞાનેશ કુમાર ગુજરાતની બે દિવસીય મુલાકાતે</b></h2><p style="text-align: justify; ">ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર 10 અને 11 સપ્ટેમ્બરે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવશે. તેઓ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે તેમજ BLO અને ELC સભ્યો સાથે સંવાદ કરશે.</p><h2 style="text-align: justify; "><b>વેરાવળમાં 10 સપ્ટેમ્બરના રોજ 5 કલાકનો વીજકાપ</b></h2><p style="text-align: justify; ">વેરાવળ શહેરમાં 11 કેવી અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરીને લીધે 10 સપ્ટેમ્બરના રોજ સવારે 9 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી વીજ પુરવઠો ખોરવાયેલો રહેશે. PGVCL ની કામગીરીને કારણે 60 ફૂટ રોડ, વિવેકાનંદ સોસાયટી, જાગૃતિ સોસાયટી, ગોકુલ ધામ સોસાયટી સહિતના અનેક વિસ્તારોમાં વીજળી બંધ રહેશે.</p><h2 style="text-align: justify; "><b>નસવાડી APMC ચૂંટણી: 10 સપ્ટેમ્બરના રોજ પરિણામ</b></h2><p style="text-align: justify; ">છોટાઉદેપુર જિલ્લાની નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં 533 માંથી 516 ખેડૂતોએ રેકોર્ડબ્રેક મતદાન કર્યું હતું. 10 સપ્ટેમ્બરે મતગણતરી હાથ ધરાશે અને 20 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે.</p><h2 style="text-align: justify; "><b>વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ</b></h2><p style="text-align: justify; ">દર વર્ષે 10 સપ્ટેમ્બરને 'વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. 2003 થી શરૂ થયેલ આ અભિયાન IASP, WHO અને WFMH ના સંયુક્ત ઉપક્રમે ચલાવાય છે, જેનો ઉદ્દેશ્ય લોકોમાં જાગૃતિ લાવી આત્મહત્યાના બનાવો ઘટાડવાનો છે.</p><h2 style="text-align: justify; "><b>ઇન્ટરનેશનલ મેક-અપ ડે</b></h2><p style="text-align: justify; ">ફેશન અને કોસ્મેટિક્સ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો 'ઇન્ટરનેશનલ મેક-અપ ડે' 10 સપ્ટેમ્બરના રોજ દુનિયાભરમાં ઉજવવામાં આવી રહ્યો છે, જે સુંદરતા અને કોસ્મેટિક આર્ટિસ્ટના કસબને બિરદાવવાનો દિવસ છે.</p><p style="text-align: justify; ">10 September Top News</p><h2 style="text-align: justify; "><b>અબ્દુલ હમીદ શહીદ દિવસ</b></h2><ul><li style="text-align: justify; ">1965 - અબ્દુલ હમીદ: 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં અસલ ઉત્તરની લડાઈમાં અદમ્ય સાહસ બતાવી શહીદ થનારા ભારતીય સૈનિકની પૂણ્યતિથિ.</li><li style="text-align: justify;">10 સપ્ટેમ્બરની ઐતિહાસિક ઘટનાઓ&nbsp;</li><li style="text-align: justify;">1846 - સિલાઈ મશીનની પેટન્ટ: અમેરિકન શોધક એલિયાસ હોવને તેમના લોકસ્ટીચ ડિઝાઇનવાળા સિલાઈ મશીન માટે યુનાઇટેડ સ્ટેટ્સમાં સત્તાવાર પેટન્ટ મળી.</li><li style="text-align: justify;">1935 - દૂન સ્કૂલની સ્થાપના: ભારતની પ્રખ્યાત અને પ્રતિષ્ઠિત દૂન સ્કૂલની સ્થાપના કરવામાં આવી.</li><li style="text-align: justify;">1936 - મોટરસાઈકલ ચેમ્પિયનશિપ: લંડનના વેમ્બલી સ્ટેડિયમ ખાતે ફર્સ્ટ વર્લ્ડ ઈન્ડિવિઝ્યુઅલ મોટરસાઈકલ સ્પીડવે ચેમ્પિયનશિપ યોજાઈ.</li><li style="text-align: justify;">1966 - પંજાબનું વિભાજન: પંજાબ રાજ્યને ભાષાકીય ધોરણે પંજાબ અને હરિયાણા નામના બે અલગ રાજ્યોમાં વહેંચવામાં આવ્યું.</li><li style="text-align: justify;">1967 - જિબ્રાલ્ટર જનમત: જિબ્રાલ્ટરના લોકોએ સ્પેનનો ભાગ બનવાને બદલે બ્રિટિશ નિર્ભરતા જાળવી રાખવા માટે મતદાન કર્યું.</li><li style="text-align: justify;">1976 - વિમાન હાઇજેક: દિલ્હીથી જયપુર જઈ રહેલા ઇન્ડિયન એરલાઇન્સના બોઇંગ 737 વિમાનને હાઇજેક કરી લાહોર લઈ જવામાં આવ્યું, બાદમાં તમામ મુસાફરોને સુરક્ષિત છોડાવાયા.</li><li style="text-align: justify;">2002 - સ્વિટ્ઝર્લેન્ડ UNનું સભ્ય: વર્ષો સુધી તટસ્થ રહેનારો દેશ સ્વિટ્ઝર્લેન્ડ સત્તાવાર રીતે સંયુક્ત રાષ્ટ્ર (UN) નો 191મો પૂર્ણ સભ્ય દેશ બન્યો.</li><li style="text-align: justify;">2008 - લાર્જ હેડ્રોન કોલાઈડર: જિનીવા ખાતે CERN સંસ્થા દ્વારા બ્રહ્માંડની ઉત્પત્તિના રહસ્યો શોધવા વિશ્વની સૌથી મોટી પાર્ટિકલ એક્સિલરેટર મશીન પ્રાયોગિક ધોરણે શરૂ કરાઈ.</li></ul><h2 style="text-align: justify; "><b>10 સપ્ટેમ્બરના દિવસે જન્મેલી પ્રખ્યાત હસ્તીઓ</b></h2><ul><li style="text-align: justify; ">1872 - જામ રણજી: ભારતના નવાનગર રજવાડાના મહારાજા જામ સાહેબ અને વિશ્વવિખ્યાત ટેસ્ટ ક્રિકેટ ખેલાડીનો જન્મ.</li><li style="text-align: justify;">1887 - પંડિત ગોવિંદ વલ્લભ પંત: પ્રખ્યાત સ્વતંત્રતા સેનાની, ઉત્તર પ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી અને ભારતના પૂર્વ ગૃહમંત્રીનો જન્મ (ભારત રત્ન વિજેતા).</li><li style="text-align: justify;">1915 - સ્વામી સચ્ચિદાનંદ: ગુજરાતના જાણીતા સાહિત્યકાર, વિચારક, સમાજ સુધારક અને રાષ્ટ્રીય સંતનો જન્મ મહેસાણા જિલ્લાના મુજપુર ગામે થયો.</li></ul><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-sg-highway-bridge-delay-commuters-deadline-extension" target="_blank">Ahmedabad : ઇસ્કોન એલિવેટેડ કોરિડોરનો કરોડોનો બ્રિજ હજું પણ અધૂરો, જનતા પરેશાન, લાપરવાહીની રમાતી રમત</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/l1pb6w3n9XhxYjd56QPE6mAccurwdYScQ2XiXTot.webp'/></item><item><title><![CDATA[Jio IPO: નવેમ્બરમાં આવી શકે Jio Platformsનો IPO, વિદેશી રોકાણકારો પર કંપનીની નજર ]]></title><link>https://sandesh.com/business/news/jio-platforms-ipo-november-2026-foreign-investors-reliance-fundraising</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/jio-platforms-ipo-november-2026-foreign-investors-reliance-fundraising</guid><pubDate>Wed, 09 Sep 2026 20:19:04 +05:30</pubDate><description><![CDATA[<p>Reliance ઇન્ડસ્ટ્રીઝની ડિજિટલ અને ટેલિકોમ કંપની જિઓ પ્લેટફોર્મ્સના પ્રસ્તાવિત IPOને લઈને તૈયારીઓ હવે વધુ ઝડપી બની રહી છે. કંપની IPO પહેલાં દેશ-વિદેશના મોટા રોકાણકારો સુધી પહોંચવાની તૈયારીમાં હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટ અનુસાર, અમેરિકા, સિંગાપોર, હોંગકોંગ, લંડન અને મિડલ ઈસ્ટમાં સંભવિત રોકાણકારો સાથે બેઠકો યોજાઈ શકે છે.</p><p><b>SEBIની મંજૂરી બાદ આગળનું પગલું</b></p><p>જિઓ પ્લેટફોર્મ્સે 19 જૂન 2026ના રોજ IPO માટે SEBI સમક્ષ ડ્રાફ્ટ દસ્તાવેજો રજૂ કર્યા હતા. ત્યારબાદ 28 ઓગસ્ટે કંપનીને IPO માટે મંજૂરી મળી હતી. પ્રસ્તાવિત ઈશ્યૂ હેઠળ 27 કરોડ સુધીના નવા શેર જારી કરવાની યોજના છે, જે કંપનીની કુલ ઈક્વિટીમાં લગભગ 2.9 ટકાના ડાયલ્યુશન જેટલું થશે.</p><p><b>નવેમ્બરમાં IPO આવવાની શક્યતા</b></p><p>હાલ કંપનીના IPOની ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી. જોકે, રિપોર્ટ મુજબ જો તમામ પ્રક્રિયા યોજના પ્રમાણે આગળ વધશે તો જિઓ પ્લેટફોર્મ્સનો IPO નવેમ્બર 2026માં બજારમાં આવી શકે છે.</p><p><b>વિદેશી રોકાણકારો સાથે બેઠકો</b></p><p>IPO પહેલાં જિઓ પ્લેટફોર્મ્સની ટીમ વૈશ્વિક રોકાણકારો સાથે સીધી ચર્ચા કરી શકે છે. અમેરિકા સહિત સિંગાપોર, હોંગકોંગ, લંડન અને મિડલ ઈસ્ટમાં યોજાનારી બેઠકો દરમિયાન કંપનીનો બિઝનેસ મોડલ, અત્યાર સુધીની વૃદ્ધિ અને ભવિષ્યની સંભાવનાઓ અંગે પ્રેઝન્ટેશન આપવામાં આવી શકે છે.</p><p><b>IPOનું વેલ્યુએશન હજુ નક્કી નથી</b></p><p>જિઓ પ્લેટફોર્મ્સના IPOની અંતિમ વિગતો હજુ સામે આવી નથી. રિપોર્ટ અનુસાર, કંપની અને તેના સલાહકારો વચ્ચે ઈશ્યૂના કદ, કંપનીના વેલ્યુએશન અને IPOના સમયને લઈને ચર્ચા ચાલી રહી છે. એટલે અંતિમ ઓફર સાઈઝ અને વેલ્યુએશનમાં ફેરફાર થવાની શક્યતા પણ છે.</p><p><b>રિલાયન્સ પણ ₹12,500 કરોડ ઊભા કરશે</b></p><p>બીજી તરફ, જિઓના IPOની તૈયારીઓ વચ્ચે તેની પેરન્ટ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પણ ફંડ એકત્ર કરવાની દિશામાં આગળ વધી રહી છે. રિપોર્ટ અનુસાર, રિલાયન્સ સ્થાનિક કરન્સી બોન્ડ દ્વારા આગામી સપ્તાહની શરૂઆતમાં ₹12,500 કરોડ સુધીની રકમ મેળવવાની યોજના બનાવી રહી છે.</p><p><b>બોન્ડ ઈશ્યૂની બેઝ સાઈઝ ₹10,000 કરોડ</b></p><p>રિપોર્ટ પ્રમાણે રિલાયન્સના પ્રસ્તાવિત બોન્ડ ઈશ્યૂની મૂળ સાઈઝ ₹10,000 કરોડ રહેશે. આ ઉપરાંત કંપની પાસે ગ્રીનશૂ ઓપ્શન હેઠળ વધુ ₹2,500 કરોડ એકત્ર કરવાની સંભાવના રહેશે. આ રીતે કુલ ફંડ રેઝિંગ ₹12,500 કરોડ સુધી પહોંચી શકે છે.</p><p><b><a href="https://sandesh.com/business/news/nse-ipo-will-nses-ipo-create-history-know-every-detail-from-price-band-to-listing" target="_blank">આ પણ વાંચો:&nbsp; NSEનો IPO રચશે ઇતિહાસ? જાણો પ્રાઇઝ બેન્ડથી લઇને લિસ્ટિંગ સુધીની દરેક ડિટેલ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/rkIKR0o0X3LcLWkjlrmgiFUBPUNKH1hNWcyV6gjr.webp'/></item><item><title><![CDATA[Vadodara News: GSFC ગેસ ગળતર કેસમાં મોટો નિર્ણય, મૃતક ઘનશ્યામ ગોહિલના પરિવારને 18.51 લાખનું વળતર અને નોકરીની જાહેરાત ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/gsfc-gas-leak-death-compensation-job-announced</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/gsfc-gas-leak-death-compensation-job-announced</guid><pubDate>Wed, 09 Sep 2026 18:56:56 +05:30</pubDate><description><![CDATA[<p>વડોદરા સ્થિત ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ (GSFC) કંપનીમાં બનેલી ગેસ ગળતરની દુર્ઘટનામાં ઘનશ્યામ ગોહિલ નામના કર્મચારીનું કમનસીબે મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે મૃતકના પરિવારજનો અને સ્થાનિકોમાં ભારે શોક અને આક્રોશ વ્યાપી ગયો હતો.</p><h2><b>કંપની દ્વારા 18.51 લાખની નાણાકીય સહાય જાહેર</b></h2><p>ઘટના બાદ વળતર અને ન્યાયની માગ સાથે ચાલી રહેલા વિરોધ વચ્ચે કંપની મેનેજમેન્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મૃતક ઘનશ્યામ ગોહિલના આશ્રિત પરિવારજનોને આર્થિક સહારા માટે રૂ. 18,51,000 ની સહાય રકમ આપવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.</p><h2><b>પરિવારના એક સભ્યને કંપનીમાં નોકરી આપવામાં આવશે</b></h2><p>માત્ર આર્થિક સહાય જ નહીં, પરંતુ પરિવારના ભવિષ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કંપની તંત્ર દ્વારા મૃતકના પરિવારના એક સભ્યને નોકરી આપવાની પણ બાંહેધરી આપવામાં આવી છે. આ નિર્ણયથી પીડિત પરિવારને મોટી સાંત્વના મળી છે.</p><p><img alt="Vadodara News: GSFC Gas Leak: Rs 18.51 Lakh Compensation to Deceased's Family" src="https://epapercdn.sandesh.com/images/2026/09/09/qFypuesQztZGRyc81BKd0kqVHNjRFfglfUBxiKCW.webp"><br></p><h2><b>વળતરની જાહેરાત બાદ મામલો થાળે પડ્યો, પત્નીએ આભાર માન્યો</b></h2><p>કંપની તરફથી યોગ્ય વળતર અને નોકરીની માંગણીઓનો સ્વીકાર કરાતાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો વિવાદ આખરે થાળે પડ્યો છે. તમામ ક્ષેત્રે મળેલી મદદ અને સહકાર બદલ મૃતક ઘનશ્યામ ગોહિલની પત્નીએ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.</p><p><br></p><p>આ પણ વાંચો:<a href="https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-gsfc-gas-leakage-urea-plant-contractor-worker-death" target="_blank"> Vadodara News: વડોદરા GSFC પ્લાન્ટમાં ગેસ ગળતર, સાથી કર્મચારીને બચાવવા જતાં કોન્ટ્રાક્ટ કર્મચારીનું મોત</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/29VOodJCROuKSFeefkNdPwxo4SK8SMRWA9ItfUHV.webp'/></item><item><title><![CDATA[Surat : 17 કલાક બાદ પણ શ્યામ સંગિની માર્કેટની આગ બેકાબૂ, કુલિંગ વચ્ચે ફરી ભડકો, વધુ 3 દુકાનો ઝપેટમાં ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/surat-shyam-sangini-market-fire-17-hours-more-shops</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/surat-shyam-sangini-market-fire-17-hours-more-shops</guid><pubDate>Wed, 09 Sep 2026 18:23:28 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતના શ્યામ સંગિની માર્કેટમાં લાગેલી આગને 17 કલાક વીતી ગયા હોવા છતાં સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નથી. આગ પર કાબૂ મેળવ્યા બાદ કુલિંગની કામગીરી ચાલી રહી હતી ત્યારે ફરી આગ ભભૂકી ઉઠતા સ્થિતિ વધુ ગંભીર બની છે. આગ સતત ફેલાતી હોવાના કારણે આસપાસના વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>17 કલાક પછી પણ આગ ફરી કેમ ભડકી?</b></h2><p style="text-align: justify; ">આગ પર કાબૂ મેળવવા માટે સતત કામગીરી ચાલી રહી હતી. જોકે કુલિંગ દરમિયાન ફરી આગ લાગતાં ફાયર વિભાગની મુશ્કેલી વધી છે. આગના કેટલાક હિસ્સામાં હજુ પણ ધુમાડો અને ગરમી હોવાના કારણે આગ ફરી ભડકવાની સ્થિતિ સર્જાઈ હોવાનું સામે આવ્યું છે.</p><p style="text-align: justify; "><img alt="Surat Shyam Sangini Market Fire Remains Uncontrolled After 17 Hours" src="https://epapercdn.sandesh.com/images/2026/09/09/BVR6QYhrbBiHeF5FMZj93e5KqOzawWvuAsiR9Dc1.webp" style="width: 100%;"><br></p><h3 style="text-align: justify; "><b>એક પછી એક દુકાનો આગની ઝપેટમાં</b></h3><p style="text-align: justify; ">આગ વધુ ફેલાતા આસપાસની વધુ 3 દુકાનો પણ તેની ઝપેટમાં આવી હોવાની માહિતી સામે આવી છે. લાંબા સમયથી ચાલી રહેલી આગને કારણે માર્કેટમાં નુકસાનનો વ્યાપ વધવાની ચિંતા ઊભી થઈ છે. આગ કયા ભાગમાં વધુ ફેલાઈ રહી છે તેના પર સતત નજર રાખવામાં આવી રહી છે.</p><p style="text-align: justify; "><img alt="Surat Shyam Sangini Market Fire Remains Uncontrolled After 17 Hours" src="https://epapercdn.sandesh.com/images/2026/09/09/oCVQWErhJ1sIAcnXtmcIagJQgyCa8btBmWmTVRbY.webp" style="width: 100%;"><br></p><h3 style="text-align: justify; "><b>વેપારીઓમાં ચિંતા, કરોડોના માલનો ભય</b></h3><p style="text-align: justify; ">માર્કેટમાં આગ સતત ફેલાતી હોવાના કારણે વેપારીઓની ચિંતા વધી છે. દુકાનોમાં રહેલો માલ આગની ઝપેટમાં આવવાની શક્યતા હોવાથી વેપારીઓમાં ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી આગ સંપૂર્ણપણે કાબૂમાં ન આવતાં નુકસાન અંગે પણ ચિંતા વધી રહી છે.</p><h4 style="text-align: justify; "><b>હવે આગ સંપૂર્ણ કાબૂમાં ક્યારે આવશે?</b></h4><p style="text-align: justify; ">આગ પર કાબૂ મેળવ્યા બાદ ફરી ભડકો થતાં ફાયર વિભાગ માટે પડકાર વધ્યો છે. આસપાસની દુકાનો સુધી આગ વધુ ન ફેલાય અને સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં આવે તે માટે કામગીરી ચાલુ છે. 17 કલાક બાદ પણ આગ બેકાબૂ રહેતાં હવે સૌથી મોટો સવાલ એ છે કે શ્યામ સંગિની માર્કેટમાં આગનું તાંડવ આખરે ક્યારે સંપૂર્ણપણે અટકશે?&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો :&nbsp; <a href="https://sandesh.com/gujarat/news/political-news/ahmedabad/statue-of-unity-gujarat-national-film-awards-ekta-nagar-uddhav-thackeray-political-row" target="_blank"><b>&nbsp;Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/SzuzJpIS3rOiMJxq4nIuU08uvMrq40ufmb4lIg0u.webp'/></item><item><title><![CDATA[Hanuman Ansh International Release:  'હનુમાન અંશ' 11 સપ્ટેમ્બરે વિદેશમાં રિલીઝ થશે, KGFના મેકર્સ દુનિયાભરમાં પહોંચાડશે ફિલ્મ ]]></title><link>https://sandesh.com/entertainment/news/hanuman-ansh-global-release-170-crore-box-office</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/hanuman-ansh-global-release-170-crore-box-office</guid><pubDate>Wed, 09 Sep 2026 17:41:42 +05:30</pubDate><description><![CDATA[<p>નીમ કરોલી બાબા (neem karoli baba)ના જીવનસંદેશ પર બનેલી ફિલ્મ&nbsp; 'હનુમાન અંશ' (Hanuman Ansh)ની ધુંઆધાર સફળતાની ચારેકોર ચર્ચા થઇ રહી છે. ફક્ત 2 કરોડના બજેટમાં બનેલી લો બજેટની ફિલ્મ કે જે એક સંતના જીવન પર આધારિત છે, જ્યારે રિલીઝ થઇ તે વખતનો સમય અને હાલ આ ફિલ્મ જે તબક્કામાંથી પસાર થઇ રહી છે તેમાં જમીન આસમાનનો ફરક છે. શરૂઆતમાં જેને થિયેટરમાં પૂરતા શો મેળવવા માટે પણ સંઘર્ષ કરવો પડ્યો હતો, એ ‘હનુમાન અંશ’ ભારત (Hanuman Ansh India Collection)માં 170 કરોડની કમાણીની નજીક પહોંચી છે, અને હવે 11 સપ્ટેમ્બરથી આ ફિલ્મ આંતરરાષ્ટ્રીય થિયેટરોમાં પણ જોવા મળશે. ખાસ વાત એ છે કે વિદેશમાં ફિલ્મની રિલીઝની જવાબદારી KGF જેવી મોટી ફિલ્મો આપનારી હોમબાલે ફિલ્મ્સે (Hombale films) સંભાળી છે.</p><h2><b>2 કરોડની ફિલ્મ, 170 કરોડની નજીક પહોંચી કમાણી</b></h2><p>‘હનુમાન અંશ’ની કહાની માત્ર તેની કમાણીની નથી. આ ફિલ્મે જે સફળતા મેળવી છે, તેની શરૂઆતમાં કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. લગભગ 2 કરોડ રૂપિયાના બજેટ (Hanuman Ansh)માં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ (Box Office) પર એવી ઝડપ પકડી કે મોટા બજેટની ફિલ્મોને પણ પાછળ છોડી દીધી. 33 દિવસમાં ફિલ્મે ભારતમાં 143.13 કરોડ રૂપિયા નેટ અને લગભગ 169.20 કરોડ રૂપિયા ગ્રોસ કમાણી કરી છે. એટલે કે 170 કરોડનો આંકડો હવે બહુ નજીક છે. ખાસ વાત એ છે કે સમય જતાં ફિલ્મની કમાણીની ઝડપ ઘટવાને બદલે કેટલીક વખત વધુ વધી છે. પાંચમા અઠવાડિયામાં પણ ફિલ્મના શો અને કમાણીએ ફિલ્મ સાથે જોડાયેલા લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે.</p><h2><b>હવે વિદેશમાં પણ જોવા મળશે ‘હનુમાન અંશ’</b></h2><p>ભારતમાં દર્શકો તરફથી મળેલા સારા પ્રતિસાદ બાદ હવે આ ફિલ્મ 11 સપ્ટેમ્બર 2026ના રોજ વિદેશમાં રિલીઝ થશે. વિદેશમાં ફિલ્મની રિલીઝની જવાબદારી હોમબાલે ફિલ્મ્સને મળવી એ ફિલ્મ માટે મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.</p><p>નીમ કરોલી બાબાના ચાહકો માત્ર ભારતમાં જ નથી. દુનિયાભરમાં તેમના અનુયાયીઓ છે. સોશિયલ મીડિયા પર પણ વિદેશમાં રહેતા ઘણા લોકો ફિલ્મ ક્યાં અને કેવી રીતે જોઈ શકાય તે અંગે સવાલ કરતા જોવા મળ્યા છે. આવી સ્થિતિમાં નિર્માતાઓને આશા છે કે થિયેટરમાં રિલીઝ થયા બાદ ફિલ્મ એવા દર્શકો સુધી પણ પહોંચશે, જેઓ અત્યાર સુધી તેને જોવાની રાહ જોઈ રહ્યા હતા.</p><h2><b>બોલિવૂડમાંથી મદદ ન મળી, હવે દુનિયાભરના દર્શકો સુધી પહોંચશે&nbsp;</b></h2><p>ફિલ્મના દિગ્દર્શક વિશાલ ચતુર્વેદી (Vishal Chaturvedi) બોલિવૂડ તરફથી પૂરતો સહકાર ન મળવા અંગે પોતાની નારાજગી પહેલાથી જ વ્યક્ત કરી ચૂક્યા છે. શરૂઆતમાં ફિલ્મને બહુ ઓછા શો મળ્યા હતા, પરંતુ દર્શકોના પ્રેમથી ફિલ્મની સ્થિતિ બદલાઈ ગઈ.</p><p>હવે આ ફિલ્મની કહાની એક નવા તબક્કામાં પહોંચી છે. જે ફિલ્મને બોલીવુડ જેવી મોટી ઇન્ડસ્ટ્રીમાં કોઇ મહત્વ મળ્યું નહોતું, તેને KGF જેવી ફિલ્મો બનાવનારી હોમબાલે ફિલ્મ્સ હવે દુનિયાભરના દર્શકો સુધી પહોંચાડી રહી છે. હવે જોવાનું રહેશે કે ભારતમાં 170 કરોડની નજીક પહોંચેલી ‘હનુમાન અંશ’ વિદેશમાં કેટલી કમાણી કરે છે. </p><p>હવે ‘હનુમાન અંશ’ ક્યારે જોઈ શકાશે, કેવી રીતે અને ક્યાં જોઈ શકાશે, તે જાણવા માગતા નીમ કરોલી બાબાના ચાહકોને તેમના સવાલનો જવાબ મળી ગયો છે. હવે જોવાનું રહેશે કે વિદેશમાં આ ફિલ્મને દર્શકો તરફથી કેવો પ્રતિસાદ મળે છે અને તે કેટલી કમાણી કરે છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/CWUMYb2PhlSjKp5dK8Tx9MUOfuggZg1noWAGd4Ce.webp'/></item><item><title><![CDATA[Malaysia : 72 વર્ષના ફૂટબોલ દિગ્ગજે 20 વર્ષની યુવતી સાથે કર્યા લગ્ન, તસવીરો વાયરલ થતાં પરિવારે કરી પુષ્ટિ ]]></title><link>https://sandesh.com/world/news/sports/malaysia-football-legend-abdul-alif-marriage-72-year-old-20-year-old-wife</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/sports/malaysia-football-legend-abdul-alif-marriage-72-year-old-20-year-old-wife</guid><pubDate>Mon, 07 Sep 2026 23:00:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મલેશિયન ફૂટબોલના દિગ્ગજ અને પૂર્વ હરિમાઉ મલાયા સ્ટાર દાતુક અબ્દુલ અલિફે 72 વર્ષની ઉંમરે પોતાના જીવનનો નવો અધ્યાય શરૂ કર્યો છે. સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો વાયરલ થયા બાદ તેમના પરિવારે લગ્નની સત્તાવાર પુષ્ટિ કરી છે. અહેવાલ મુજબ 27 ઓગસ્ટે યોજાયેલા ખાનગી સમારંભમાં અબ્દુલ અલિફે પોતાની જીવનસંગિની સાથે નિકાહ કર્યા હતા. તેમની પત્નીની ઉંમર 20 વર્ષ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>લગ્નની ખબર કોણે કરી કન્ફર્મ?</b></h2><p style="text-align: justify; ">અબ્દુલ અલિફના નાના ભાઈ અને પૂર્વ ખેલાડી તથા કોચ દાતુક યુનુસ અલિફે લગ્નની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે 27 ઓગસ્ટે બંનેના લગ્ન થયા હતા અને બંને પરિવારોની સંમતિ તથા આશીર્વાદ સાથે આ સંબંધ બંધાયો છે. પરિવાર દ્વારા નવદંપતીના સુખી દાંપત્ય જીવન માટે શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>ફોન નહીં ઉઠાવતા ભાઈએ શું કહ્યું?</b></h3><p style="text-align: justify; ">લગ્ન બાદ અબ્દુલ અલિફ મીડિયા સંપર્કમાં ન આવતા તેમના ભાઈ યુનુસ અલિફે જણાવ્યું હતું કે તેઓ સંભવતઃ હનીમૂન પર હોવાથી ફોનનો જવાબ આપી શકતા નથી.જોકે પરિવારે સ્પષ્ટ કર્યું છે કે બંનેના નિકાહ થઈ ચૂક્યા છે અને પરિવાર તરફથી બંનેને શુભકામનાઓ આપવામાં આવી છે.</p><h4 style="text-align: justify; "><b>મલેશિયન ફૂટબોલના દિગ્ગજ રહ્યા છે અબ્દુલ અલિફ</b></h4><p style="text-align: justify; ">અબ્દુલ અલિફ મલેશિયન ફૂટબોલ ઇતિહાસના જાણીતાં ખેલાડીઓમાં સામેલ રહ્યા છે. 1970ના અંતિમ વર્ષો અને 1980ના શરૂઆતના સમયમાં મલેશિયન ફૂટબોલના સફળ સમયગાળામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.તેઓ તે મલેશિયન ટીમના સભ્ય હતા જેણે ક્વોલિફાઇંગ મેચમાં દક્ષિણ કોરિયાને 2-1થી હરાવી 1980ના મોસ્કો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું.</p><h4 style="text-align: justify; "><b>ઓલિમ્પિક રમવાનું સપનું કેમ અધૂરું રહ્યું?</b></h4><p style="text-align: justify; ">મલેશિયાએ સોવિયેત સંઘના અફઘાનિસ્તાન પરના આક્રમણના વિરોધમાં 1980ના મોસ્કો ઓલિમ્પિકનો બહિષ્કાર કર્યો હતો. જેના કારણે અબ્દુલ અલિફ સહિત અનેક ખેલાડીઓનું ઓલિમ્પિકમાં રમવાનું સપનું અધૂરું રહી ગયું હતું. લાંબા સમય સુધી વ્યાવસાયિક ફૂટબોલ અને મીડિયા લાઇમલાઇટથી દૂર રહ્યા બાદ આ દિગ્ગજ ખેલાડી હવે પોતાના અંગત જીવનના નવા નિર્ણયને કારણે ફરી ચર્ચામાં આવ્યા છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">&nbsp; આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-gujarat-drowning-deaths-1999-river-lake-check-dam-water-safety" target="_blank"><b>Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/oQuxxQEBdhQdWmZFxk2LOPbwDJRpf6zDEmwi2pJ3.webp'/></item></channel></rss>