<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Botadના રાણપુર-ધંધુકા હાઇવે પર ગમખ્વાર અકસ્માત: કાર અને આઇસર ટ્રક વચ્ચેની ટક્કરમાં 5 લોકો ઇજાગ્રસ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/botad/ranpur-dhandhuka-highway-car-eicher-truck-accident-five-injured</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/botad/ranpur-dhandhuka-highway-car-eicher-truck-accident-five-injured</guid><pubDate>Fri, 28 Aug 2026 13:07:43 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં આવેલા નાગનેશ ગામ નજીક રાણપુર-ધંધુકા હાઇવે પર મોડી રાત્રિના સમયે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. હાઇવે પરથી પસાર થઈ રહેલી એક કાર અને આઇસર ટ્રક વચ્ચે સામસામે ભયાનક ટક્કર થઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કારના આગળના ભાગનો બોનસ સહિતનો કુરચો બોલી ગયો હતો, જેના કારણે કારમાં સવાર મુસાફરો અંદર ફસાઈ ગયા હતા.</p><h2 style="text-align: justify; "><b>5 લોકોને ગંભીર ઇજા, 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા</b></h2><p style="text-align: justify; ">આ કરૂણ દુર્ઘટનામાં કારમાં સવાર 4 જેટલા મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થાનિકોની મદદથી 108 એમ્બ્યુલન્સ મારફતે કારના તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે વધુ સારવાર અર્થે બોટાદની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ, અકસ્માતમાં ઘવાયેલા આઇસર ટ્રકના ચાલકને પણ તાત્કાલિક સારવાર માટે રાણપુરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો, તપાસ શરૂ&nbsp;</b></h3><p style="text-align: justify; ">અકસ્માતની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાંથી લોકોના ટોળાં ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા અને વાહનવ્યવહાર ક્ષણભર માટે અટકી ગયો હતો. બનાવ અંગેની માહિતી મળતાં જ રાણપુર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ટ્રાફિક હળવો કરાવી અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડવાની કામગીરી હાથ ધરી હતી અને અકસ્માત અંગેનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/28/XgMyi8vKx9Wy3ErTzAdYk2WxjSDJE9AFmt2P42Fp.webp'/></item><item><title><![CDATA[Anupam Kherથી લઈને કંગના-જેનેલિયા સુધી, બોલીવુડ સેલેબ્સે આ અંદાજમાં ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર! ]]></title><link>https://sandesh.com/entertainment/news/bollywood-celebrities-raksha-bandhan-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/bollywood-celebrities-raksha-bandhan-2026</guid><pubDate>Fri, 28 Aug 2026 12:56:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આજે દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ભાઈ-બહેનના આ ખાસ સંબંધને લઈને દરેકમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બોલીવુડના કલાકારો પણ આ તહેવારના રંગમાં રંગાયેલા જોવા મળ્યા અને તેમણે સોશિયલ મીડિયા પર પોતાના ભાઈ-બહેનો સાથેની ખાસ તસવીરો શેર કરીને પ્રેમ વ્યક્ત કર્યો. માધુરી દીક્ષિતથી લઈને અનુપમ ખેર સુધીના કલાકારોએ ફેન્સને રક્ષાબંધનની શુભેચ્છાઓ આપી છે.</p><h2 style="text-align: justify; "><b>અનુપમ ખેરે આપી શુભેચ્છા</b></h2><p style="text-align: justify; ">અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ફેન્સને રક્ષાબંધનની શુભેચ્છા આપી છે. તેમણે કેપ્શનમાં લખ્યું, રક્ષાબંધન... એક દોરો અને તેની અંદર કેટલી બધી લાગણીઓ. બહેન પોતાના ભાઈની કાંડા પર રાખડી બાંધે છે અને ભાઈ તેની રક્ષા કરવાનું વચન આપે છે. પરંતુ આ રક્ષા માત્ર કોઈ મુશ્કેલીથી બચાવવાનું વચન નથી, પરંતુ તેની ખુશીઓ, તેના સન્માન અને તેના વિશ્વાસ સાથે હંમેશાં ઊભા રહેવાનો સંકલ્પ પણ છે.<br><img alt="Genelia, Bollywood celebrities Raksha Bandhan (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/28/MMPHubezDToYRlLZSFQjvXVWMouBznpeb4vHAHA7.webp"><br></p><p style="text-align: justify; ">તેમણે આગળ લખ્યું, રાખડીનો દોરો ખૂબ નાજુક હોય છે, પરંતુ તેમાં બંધાયેલું ભાઈનું વચન ખૂબ મજબૂત હોય છે. બહેનની પ્રાર્થના ભાઈની કાંડા પર અને ભાઈનું વચન બહેનની સાથે. આપ સૌને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.</p><h3 style="text-align: justify; "><b>જનેલિયાએ ભાઈ સાથેની પોસ્ટ શેર કરી</b></h3><p style="text-align: justify; ">અભિનેત્રી જનેલિયાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પોતાના ભાઈ નાઇજેલ ડિસૂઝાને રાખડી બાંધતી જોવા મળી હતી. તેમણે કેપ્શનમાં લખ્યું, દર વર્ષે થતી અમારી લડાઈ! હંમેશાં મોટી બહેને જ ભેટ આપવી અને લાડ કરવો પડે છે, ઉલટું ન થઈ શકે, તેની પરવાનગી નથી. પરંતુ આ વખતે નિગુ પિગુએ નાની ટોળકીની મદદ લઈ લીધી અને હું ખરાબ રીતે હારી ગઈ. હેપી રક્ષાબંધન નિગુ પિગુ! હું હંમેશાં હંમેશાં તારી સાથે ઊભી રહીશ.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DckjSjOI7P0/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DckjSjOI7P0/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DckjSjOI7P0/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DckjSjOI7P0/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>સુનીલ શેટ્ટીએ આપી રક્ષાબંધનની શુભેચ્છા</b></h4><p style="text-align: justify; ">અભિનેતા સુનીલ શેટ્ટીએ રક્ષાબંધનના અવસરે ઈન્સ્ટાગ્રામ પર એક જૂની તસવીર શેર કરી છે. તેમણે કેપ્શનમાં લખ્યું, કેટલાક સંબંધો ક્યારેય બદલાતા નથી. માત્ર તસવીરો બદલાય છે. આપણી આ નાનકડી દુનિયાથી લઈને જીવનમાં આપણને જે કંઈ મળ્યું છે ત્યાં સુધી... મારી બહેનો હંમેશાં મારી સાથે રહેતા આ ઘરનો એક ભાગ રહી છે. હેપી રક્ષાબંધન.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/Dckl8n0CgEM/?utm_source=ig_web_copy_link&amp;igsi=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/Dckl8n0CgEM/?utm_source=ig_web_copy_link&amp;igsi=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/Dckl8n0CgEM/?utm_source=ig_web_copy_link&amp;igsi=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/Dckl8n0CgEM/?utm_source=ig_web_copy_link&amp;igsi=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>કંગનાએ આ રીતે ઉજવી રક્ષાબંધન</b></h4><p style="text-align: justify; ">અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતે પણ સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તે પોતાના ભાઈને રાખડી બાંધતી જોવા મળી હતી. વાદળી રંગની સાડીમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેમણે દિલને સ્પર્શી જાય તેવી વાત લખી.</p><p style="text-align: justify; "><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DckixmZE4IP/?utm_source=ig_web_copy_link&amp;igsi=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DckixmZE4IP/?utm_source=ig_web_copy_link&amp;igsi=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DckixmZE4IP/?utm_source=ig_web_copy_link&amp;igsi=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DckixmZE4IP/?utm_source=ig_web_copy_link&amp;igsi=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><p style="text-align: justify; "> </p><p style="text-align: justify; ">અભિનેત્રીએ પોસ્ટ શેર કરીને લખ્યું, મારા પ્રિય ભાઈ. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તારી કાંડા પર બાંધેલો આ પ્રેમનો દોરો હંમેશાં તારી રક્ષા કરે. તું હંમેશાં આપણા માતા-પિતાની સેવા કર, પરિવારનું નામ રોશન કર, તારી પત્નીની સંભાળ રાખ, પોતાના બાળકોની રક્ષા કર અને હંમેશાં ખુશ અને સંતુષ્ટ રહે. તમામ ભાઈ-બહેનોને આ સુંદર તહેવાર રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/toxic-box-office-day-2-1000-crore-target" target="_blank">આ પણ વાંચો-Actor Yash : ટોક્સિકને બીજા જ દિવસે મોટો ઝટકો, કમાણીમાં ભારે ઘટાડો! 1000 કરોડનું સપનું હવે મુશ્કેલ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/28/kKqKFIKJMy9foR6SvU61Jlr4soi3fBLNFbgF0c1k.webp'/></item><item><title><![CDATA[Suratના અલથાણમાં 8 JCB સાથે કાંકરા ખાડી પહોળી કરવાનું શરૂ, ખાડી પૂર નિવારણ સમિતિની સોમવારે નિર્ણાયક બેઠક ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/khadi-flood-kankra-khadi-widening-althan-meeting</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/khadi-flood-kankra-khadi-widening-althan-meeting</guid><pubDate>Fri, 28 Aug 2026 12:48:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતમાં 25 દિવસમાં ત્રણ-ત્રણ વખત ખાડી પૂરનો સામનો કરનારા અસરગ્રસ્ત નાગરિકોના ઉગ્ર વિરોધના પ્રેશર બાદ આખરે તંત્ર હરકતમાં આવ્યું છે. તંત્ર દ્વારા અલથાણ પાસે આવેલી કાંકરા ખાડી ખાતે એકસાથે 8 JCB મશીન ઉતારીને ખાડીનું ખોદાણ કરી તેને પહોળી કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. છેલ્લા 10 વર્ષમાં પહેલીવાર માત્ર 17 દિવસના ટૂંકા ગાળામાં જ 19,000 ક્યુબિક મીટર માટી ઉલેચી લેવામાં આવી છે. આ સફાઈ અને ખોદાણની કામગીરી અલથાણથી શરૂ કરીને સચિન સુધી લંબાવવામાં આવશે.</p><h2 style="text-align: justify; "><b>ખાડી પૂર નિવારણ માટે પમ્પિંગ સ્ટેશનનું આયોજન&nbsp;</b></h2><p style="text-align: justify; ">ખાડી પૂરની કાયમી સમસ્યાના ઉકેલ માટે તંત્ર દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત મીઠી ખાડી, કાંકરા ખાડી અને ભેદવાડ ખાડીનો પટ ભૌતિક રીતે પહોળો કરવામાં આવશે. આ ઉપરાંત ખાડીઓમાં પાણીના કુદરતી વહેણને અટકાવતા બોટલનેક અને ડ્રેનેજ ક્રોસિંગ દૂર કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે. પૂરના સમયે પાછળથી આવતા બેક વોટરને અટકાવવા માટે ખાસ ફ્લડ ગેટ્સ અને હાઈ-કેપેસિટી પમ્પિંગ સ્ટેશનો ઊભા કરવામાં આવશે, તેમજ સર્વેના આધારે કાયમી પાળા બનાવવા અને ડિસિલ્ટિંગ (ગાડ કાઢવા) માટેનું અલગ બજેટ ફાળવવામાં આવશે.</p><h3 style="text-align: justify; "><b>સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં સરકારને સોંપાશે રિપોર્ટ</b></h3><p style="text-align: justify; ">ખાડી પૂરની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને સોમવારે 'ખાડીપૂર નિવારણ સમિતિ'ની એક અત્યંત મહત્વપૂર્ણ અને નિર્ણાયક બેઠક યોજાવા જઈ રહી છે. સપ્ટેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં ખાડી પૂરની કામગીરી અને કાયમી ઉકેલ અંગેનો વિસ્તૃત રિપોર્ટ રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવશે. સોમવારની બેઠકમાં લેવાનારા નિર્ણયો સુરતવાસીઓને ભવિષ્યમાં ખાડી પૂરની હોનારતમાંથી મુક્તિ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/28/YoyTTsfKUMuXod5rca5INuOFkAtMOXLTFTtijAZg.webp'/></item><item><title><![CDATA[Nepal પૂરથી હાહાકાર, દિલ્હી-કાઠમંડુ બસ સેવા પર લાગી બ્રેક; જાણો ક્યારથી થશે શરૂ ]]></title><link>https://sandesh.com/india/news/nepal-flood--delhi-suspends-india-nepal-friendship-bus-service-for-2-days-safety</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/nepal-flood--delhi-suspends-india-nepal-friendship-bus-service-for-2-days-safety</guid><pubDate>Fri, 28 Aug 2026 12:41:57 +05:30</pubDate><description><![CDATA[<p>Nepal: નેપાળમાં આવેલા ભયંકર પૂરની અસર હવે ભારત અને નેપાળ વચ્ચેના રોડ કનેક્ટિવિટી પર પડી રહી છે. સાવચેતીના પગલા તરીકે દિલ્હી સરકારે ભારત-નેપાળ ફ્રેન્ડશીપ બસ સર્વિસને બે દિવસ માટે અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે. દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (DTC) દ્વારા જારી કરાયેલા એક નોટિફિકેશન અનુસાર, 28 ઓગસ્ટ, 2026 ના રોજ દિલ્હી-કાઠમંડુ અને કાઠમંડુ-દિલ્હી રૂટ માટે નિર્ધારિત DTC બસ ટ્રીપ્સને સ્થગિત કરવામાં આવી છે. વધુમાં, 29 ઓગસ્ટના રોજ દિલ્હીથી કાઠમંડુ જતી નેપાળી બસની ટ્રીપ મુલતવી રાખવામાં આવી છે. નેપાળમાં આવેલા વિનાશક પૂરને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.</p><p><br></p><h4><b>બસ સેવા શા માટે સ્થગિત કરવામાં આવી હતી?</b></h4><p>અચાનક પૂરને કારણે નેપાળ વ્યાપક વિનાશનો સામનો કરી રહ્યું છે. મૃત્યુઆંક 392 પર પહોંચી ગયો છે. 290 ભારતીય નાગરિકો સહિત સેંકડો ગુમ થયેલા લોકોને શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે. દિલ્હી અને કાઠમંડુને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર રોડ ટ્રાન્સપોર્ટ હાલમાં સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે બસ કામગીરી સ્થગિત કરવી જરૂરી માનવામાં આવી હતી.</p><p><br></p><p>આ સેવા દિલ્હી ગેટ પર ડૉ. આંબેડકર સ્ટેડિયમ ટર્મિનલથી કાર્યરત છે. આ બસ સવારે 10:00 વાગ્યે દિલ્હીથી ઉપડે છે, ઉત્તર પ્રદેશમાંથી પસાર થાય છે અને ગોરખપુર નજીક સોનાલી સરહદ ચોકી દ્વારા નેપાળમાં પ્રવેશ કરે છે. દિલ્હી-કાઠમંડુ-દિલ્હી આંતરરાષ્ટ્રીય બસ સેવા ૨૦૧૪ માં શરૂ કરવામાં આવી હતી.</p><p><br></p><h4><b>પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી બસ સેવા ફરી શરૂ થશે</b></h4><p>26 ઓગસ્ટના રોજ નેપાળના રાસુવા ક્ષેત્રમાં આવેલા વિનાશક પૂરમાં જાનમાલનું ભારે નુકસાન થયું હતું. પૂર અને ગ્લેશિયર સંબંધિત કાટમાળના પ્રવાહથી રસ્તાઓ, પુલો અને અન્ય માળખાકીય સુવિધાઓને નુકસાન થયું હતું, જેના કારણે ઘણા વિસ્તારોમાં અવરજવર મુશ્કેલ બની હતી. નેપાળમાં રોડ કનેક્ટિવિટી પુનઃસ્થાપિત થયા પછી અને પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી બસ સેવા ક્યારે સામાન્ય થશે તે અંગે નિર્ણય લેવામાં આવશે. વર્તમાન પરિસ્થિતિઓમાં, બસ સેવા થોડા વધુ દિવસો માટે સ્થગિત રહેશે.</p><p><br></p><h4><b>ભારતે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો</b></h4><p>નેપાળમાં આ આફત અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના વડા પ્રધાન શાહ સાથે ફોન પર વાત કરી. પરિસ્થિતિનો સામનો કરવામાં મદદ કરવા માટે શક્ય તમામ માનવતાવાદી સહાયની ખાતરી આપવામાં આવી હતી. વધુમાં, ભારતથી બચાવ ટીમ રવાના કરવામાં આવી છે. નવી દિલ્હીએ પાડોશી દેશને રાહત પુરવઠાનો પહેલો જથ્થો મોકલ્યો છે. કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને મદદ કરવા અને માહિતી પૂરી પાડવા માટે હેલ્પલાઇન નંબરો જારી કર્યા છે. X પરની એક પોસ્ટમાં, ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે લોકો +977 985 131 6807 અથવા +977 970 910 7500 પર સંપર્ક કરી શકે છે.</p><p><br></p><p><b>નેપાળના હોટલાઇન નંબરો દ્વારા પણ સંપર્ક કરી શકાય છે</b></p><p>નેપાળ પ્રવાસન બોર્ડે સહાય માટે ટોલ-ફ્રી ઇમરજન્સી નંબર (1234), હોટલાઇન (1144) અને પ્રવાસી પોલીસ નંબર (9851289445) પણ જારી કર્યા છે. બેઇજિંગ સ્થિત ભારતીય દૂતાવાસે એક હેલ્પલાઇન નંબર, 0086 185 1428 4905 પણ જારી કર્યો છે, જેનો WhatsApp દ્વારા પણ સંપર્ક કરી શકાય છે.</p><p><br></p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/jammu-kashmir-rajouri--pakistani-drone-forced-back--intruder-spotted-in-nowshera-search-on" target="_blank">Jammu Kashmir: નૌશેરા સેક્ટરમાં જોવા મળ્યા અનેક પાકિસ્તાની ડ્રોન, ભારતીય સેના એલર્ટ પર</a></p><p><br></p><p><br></p><p><br></p><p><br></p><p><br></p><p><br></p><p><br></p><p><br></p><p><br></p><p><br></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/28/4XuRiPOKQcx1NV516F1n2dXEnjaPlKHgvH6n7BuV.webp'/></item><item><title><![CDATA[Rajkotમાં કેટરર્સમાં કામ કરતી 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનારની ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/minor-girl-rape-case-amrut-belam-arrested-pocso</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/minor-girl-rape-case-amrut-belam-arrested-pocso</guid><pubDate>Fri, 28 Aug 2026 12:35:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ શહેરમાંથી સગીરાની સુરક્ષા પર સવાલ ઉભા કરતી એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. કેટરિંગ ક્ષેત્રે કામ કરતી ૧૫ વર્ષની એક અલ્પવયસ્ક સગીરાને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આરોપીએ સગીરાને લલચાવી-ફોસલાવીને પોતાની ઓફિસ ખાતે લઈ જઈને તેની સાથે ચાર-ચાર વખત દુષ્કર્મ આચર્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>પાંચ મહિના અગાઉ થયો હતો પરિચય&nbsp;</b></h2><p style="text-align: justify; ">તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે, રાજકોટના ભોમેશ્વર વિસ્તારમાં રહેતા અમૃત બેલમ નામના શખ્સ સાથે સગીરાનો પરિચય આશરે પાંચ મહિના અગાઉ થયો હતો. આ પરિચયનો ગેરફાયદો ઉઠાવીને આરોપીએ ગત જૂન મહિનામાં સગીરાને પોતાની ઓફિસે લઈ જઈને હવસનો શિકાર બનાવી હતી.</p><h3 style="text-align: justify; "><b>પરિવારજનોની ફરિયાદ બાદ આરોપી જેલહવાલે&nbsp;</b></h3><p style="text-align: justify; ">સમગ્ર બનાવની જાણ સગીરાના પરિવારજનોને થતાં જ તેમણે તાત્કાલિક સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આરોપી અમૃત બેલમ વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી હતી. પરિવારજનોની કડક ફરિયાદના આધારે રાજકોટ પોલીસે પોક્સો (POCSO) અને દુષ્કર્મની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને આરોપી અમૃત બેલમની ધરપકડ કરી લીધી છે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/28/msOkFUaVl58AmUE4T9HqhO4A9NvlMG8XgnWllBeG.webp'/></item><item><title><![CDATA[Cockroach Janata Partyને કેટલા લોકો આપશે વોટ? 'મૂડ ઑફ ધ નેશન' સર્વેમાં સામે આવ્યો ચોંકાવનારો આંકડો ]]></title><link>https://sandesh.com/india/news/how-many-people-will-vote-for-cockroach-janata-party-mood-of-the-nation-survey-reveals-shocking-figure</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/how-many-people-will-vote-for-cockroach-janata-party-mood-of-the-nation-survey-reveals-shocking-figure</guid><pubDate>Fri, 28 Aug 2026 12:32:54 +05:30</pubDate><description><![CDATA[<p>NEET પેપર લીકને લઈને દિલ્હીના જંતર-મંતર પર 'જેન ઝી'ના વિરોધ-પ્રદર્શનથી ચર્ચામાં આવેલી કોકરોચ જનતા પાર્ટીએ ભલે નામના  મેળવી હોય, પરંતુ તાજેતરના 'મૂડ ઑફ ધ નેશન' સર્વેમાં જણાવાયું છે કે જો તે આજે કોઈ રાજકીય પાર્ટી બનાવે, તો તેને વોટમાં ફેરવવાનું ખૂબ જ મુશ્કેલ કામ રહેશે. સર્વે અનુસાર, 43% લોકોએ કહ્યું કે જો કોકરોચ જનતા પાર્ટી રાજકીય પાર્ટી બનાવે છે તો તેઓ તેને વોટ નહીં આપે. જ્યારે 33% લોકોએ કહ્યું કે તેઓ તેને વોટ આપશે. બીજી તરફ, 24% લોકો આ બાબતે ચોક્કસ કંઈ કહી શક્યા નહીં કે તેઓ પાર્ટીને સમર્થન કરશે કે નહીં.</p><h2><b>કેવી રીતે ચર્ચામાં આવી કોકરોચ જનતા પાર્ટી?</b></h2><p>ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતના એક નિવેદનના વિરોધમાં 'કોકરોચ જનતા પાર્ટી' નામથી એક ઓનલાઈન એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. જોતજોતામાં તેના ફોલોઅર્સમાં ભારે વધારો થયો. ત્યારબાદ આ જ સંગઠને જંતર-મંતર પર NEET પેપર લીકને લઈને આંદોલન શરૂ કર્યું. તેના કારણે ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ મંત્રીના પદ પરથી રાજીનામું આપવું પડ્યું. </p><h3>&nbsp;<b>5 સપ્ટેમ્બરે દિલ્હીમાં માર્ચ કાઢવાની જાહેરાત</b></h3><p>જંતર-મંતર પર થયેલા વિરોધ પ્રદર્શન બાદ કોકરોચ જનતા પાર્ટી હવે પોતાના 'સ્કૂલ ઠીક કરો' કાર્યક્રમનું નેતૃત્વ કરી રહી છે. તેનો હેતુ દેશભરની શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધારવાનો છે. બીજી તરફ, CJPએ બુધવારે 5 સપ્ટેમ્બરે દિલ્હીમાં માર્ચ કાઢવાની પોતાની યોજના ફરીથી જણાવી અને કહ્યું કે 25 જુલાઈએ પોતાનું વિરોધ પ્રદર્શન રદ કરવા માટે મજબૂર કરનારી ચાર માંગણીઓમાંથી ત્રણ હજુ પણ પેન્ડિંગ છે.</p><h4><b>ચાર માંગણીઓમાંથી ત્રણ હજુ પણ પેન્ડિંગ&nbsp;</b></h4><p>એક્સ પર કરેલી એક પોસ્ટમાં પાર્ટીએ કહ્યું કે, તમામ ચાર માંગણીઓ પૂરી કરવાનું આશ્વાસન મળ્યા બાદ તેણે એક મહિના પહેલાં વિરોધ પ્રદર્શન પાછું ખેંચ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે પેન્ડિંગ માંગણીઓમાં વિદ્યાર્થીઓના પરિવારો માટે વળતર, FIR પાછી ખેંચવી અને વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ સામે કોઈ કાર્યવાહી ન કરવી તથા RAF અને દિલ્હી પોલીસ તરફથી માફી માંગવી એમ ચાર માંગણીઓ હતી.</p><p><b><a href="https://sandesh.com/" target="_blank">વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/28/lbJBM1gev8L56hEkygX1C6TzAJzfiws4IyyBpbNk.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના IIM કેમ્પસમાં ડિલિવરી બોયની અશ્લીલ હરકત: વિદ્યાર્થિનીની ફરિયાદ બાદ આરોપીની વાડજથી ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/iim-student-molestation-swiggy-delivery-boy-arrested-vastrapur</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/iim-student-molestation-swiggy-delivery-boy-arrested-vastrapur</guid><pubDate>Fri, 28 Aug 2026 12:11:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના પોશ ગણાતા વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત આઈઆઈએમ (IIM) કેમ્પસમાં એમબીએ (MBA) ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી 28 વર્ષીય વિદ્યાર્થિની સાથે છેડતીનો બનાવ બન્યો હતો. વિદ્યાર્થિનીએ 15 ઓગસ્ટની રાત્રે સ્વિગી (Swiggy) એપ મારફતે ફૂડ ઓર્ડર કર્યું હતું. ઓર્ડર લઈને પહોંચેલા ડિલિવરી બોય નિપમ ઠક્કરે ઓર્ડર આપતી વખતે વિદ્યાર્થિનીને "તમે સુંદર અને એન્જલ જેવાં દેખાવ છો" કહીને અશ્લીલ ચેનચાળા અને ઈશારા કર્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>કોલેજ સમિતિમાં રજૂઆત બાદ વસ્ત્રાપુર પોલીસમાં ફરિયાદ&nbsp;</b></h2><p style="text-align: justify; ">ડિલિવરી બોયના આ પ્રકારના વર્તન બાદ વિદ્યાર્થિનીએ તુરંત પોતાની રૂમમેટ બહેનપણીઓને જાણ કરી હતી અને કોલેજની ઇન્ટરનલ કમ્પ્લેન્ટ કમિટી સમક્ષ સત્તાવાર અરજી કરી હતી. ત્યારબાદ વિદ્યાર્થિનીએ હિમ્મત દાખવીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં સ્વિગીના ડિલિવરી બોય વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી હતી.</p><h3 style="text-align: justify; "><b>પોલીસે લોકેશન ટ્રેસ કરીને આરોપીને વાડજથી પકડ્યો&nbsp;</b></h3><p style="text-align: justify; ">વિદ્યાર્થિનીની ફરિયાદ મળતાં જ વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને ટેકનિકલ સર્વેલન્સ અને લોકેશન ટ્રેસિંગના આધારે તપાસ શરૂ કરી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી ડિલિવરી બોય નિપમ ઠક્કરને વાડજ વિસ્તારમાંથી ઝડપી લીધો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/28/dJMsh5NlsyPuWQHplEnqMmVeY8Xf3cwmFZUqxjXr.webp'/></item><item><title><![CDATA[Gold Price Today: સોનાના ભાવ ઘટ્યા, ચાંદી પણ સસ્તી, રક્ષાબંધન પર ચેક કરો લેટેસ્ટ રેટ ]]></title><link>https://sandesh.com/business/news/gold-price-today-gold-prices-fell-silver-also-became-cheaper-check-the-latest-rate-on-raksha-bandhan</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/gold-price-today-gold-prices-fell-silver-also-became-cheaper-check-the-latest-rate-on-raksha-bandhan</guid><pubDate>Fri, 28 Aug 2026 11:37:49 +05:30</pubDate><description><![CDATA[<p>આજે 28 ઓગસ્ટ રક્ષાબંધન નિમિત્તે તમે તમારી બહેનોને સોનાની વીંટી, પેન્ડન્ટ અથવા ચાંદીના દાગીના ભેટ આપવાનું વિચારી શકો છો, કારણ કે બંને કિંમતી ધાતુઓના ભાવ હાલમાં ઘટી રહ્યા છે. ભારતમાં આજે 24-કેરેટ શુદ્ધ સોનાનો સરેરાશ ભાવ પ્રતિ ગ્રામ ₹16,297 (અથવા ₹1,62,970 પ્રતિ 10 ગ્રામ) છે. જ્યારે 22-કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ₹14,93 નોંધાયો છે.</p><h2><b>સોનાનો ભાવ શું ?&nbsp;</b></h2><p>સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, નબળા હાજર માંગ વચ્ચે ગુરુવારે ફ્યુચર્સ ટ્રેડિંગમાં સોનાના ભાવ ₹1,59,650 પ્રતિ 10 ગ્રામ પર લગભગ સ્થિર રહ્યા. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર, ઓક્ટોબર ડિલિવરી કોન્ટ્રાક્ટનો ભાવ ₹13 (અથવા 0.01%) ઘટીને ₹1,59,650 પ્રતિ 10 ગ્રામ થયો, જે મોટાભાગે યથાવત રહ્યો; કુલ 9,291 લોટનું ટ્રેડિંગ થયું.</p><p>સત્રની શરૂઆતમાં, સોનાના વાયદાના ભાવ ₹1,59,663 ના પાછલા બંધ ભાવથી ₹2,971 ઘટીને ₹1,56,692 પ્રતિ 10 ગ્રામના નીચા સ્તરે પહોંચ્યા. બજાર વિશ્લેષકોએ હાજર બજારમાં નબળા વલણને સોનાના વાયદામાં ઘટાડાનું કારણ આપ્યું છે. વૈશ્વિક સ્તરે, ન્યૂ યોર્કમાં સોનાના ભાવ 0.23% વધીને $4,601.64 પ્રતિ ઔંસ પર પહોંચ્યા.</p><p><b style="font-size: 1.75rem;">આજે ચાંદીનો ભાવ</b></p><p>રક્ષા બંધન (28 ઓગસ્ટ, 2026) ના શુભ પ્રસંગે, ભારતીય બુલિયન બજારમાં ચાંદીનો સરેરાશ ભાવ ₹2,60,000 થી ₹2,65,000 પ્રતિ કિલોગ્રામની રેન્જમાં છે. ગુડરિટર્ન્સના અહેવાલ મુજબ, આજે 1 ગ્રામ ચાંદીનો ભાવ ₹259.90 છે, જ્યારે ગઈકાલે તે ₹260 હતો. તેના આધારે, 10 ગ્રામ ચાંદીની કિંમત ₹2,599, 100 ગ્રામની કિંમત ₹25,990 અને 1 કિલોગ્રામની કિંમત ₹2,59,900 થાય છે.&nbsp;</p><p><b style="font-size: 1.75rem;">દેશના કેટલાક મોટા શહેરોમાં સોનાનો ભાવ</b></p><p><br></p><table class="table table-bordered"><tbody><tr><td>શહેર&nbsp;</td><td>24 કેરેટ સોનાની કિંમત</td><td>&nbsp;22 કેરેટ સોનાની કિંમત&nbsp;&nbsp;</td></tr><tr><td>દિલ્હી</td><td>&nbsp;1,59,820</td><td>&nbsp;1,46,500</td></tr><tr><td>મુંબઈ&nbsp;</td><td>1,59,820</td><td>&nbsp;1,46,500</td></tr><tr><td>કોલકાતા&nbsp;</td><td>1,59,820&nbsp;<br></td><td>1,46,500&nbsp;</td></tr><tr><td>ચેન્નઈ&nbsp;</td><td>1,62,980&nbsp;</td><td>1,49,400</td></tr><tr><td>અમદાવાદ&nbsp;</td><td>1,59,820&nbsp;</td><td>1,46,500</td></tr><tr><td>રાજકોટ</td><td>&nbsp;1,59,820&nbsp;</td><td>1,46,500</td></tr></tbody></table><h4><b>સોનું અને ચાંદી ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું?</b></h4><p>જો તમે સોનું ખરીદી રહ્યા હોવ તો હંમેશા હોલમાર્ક તપાસો અને 6 અંકનો HUID કોડ જોઈને જ ખરીદી કરો. ચાંદી માટે પણ BIS હોલમાર્ક હોય છે અને તેમાં 925 સ્ટર્લિંગ સિલ્વરને સૌથી સારી ગુણવત્તાનું માનવામાં આવે છે. ઉપરાંત, ખરીદી પહેલાં સોના અને ચાંદીની શુદ્ધતાની તપાસ પણ જરૂર કરાવો.<br><br><b>Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.</b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/04/25/kfakem3zZG3ngqwbQvXLloBMDMR58NoafXXQOrKU.webp'/></item><item><title><![CDATA[Gandhinagar : નર્મદા કેનાલમાં મા-દીકરીએ ઝંપલાવ્યું, 17 વર્ષીય દીકરીનું મોત, માતાનો જીવ બચ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/gandhinagar/gandhinagar-ambapur-narmada-canal-mother-daughter-rescue-17-year-old-dies</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/gandhinagar/gandhinagar-ambapur-narmada-canal-mother-daughter-rescue-17-year-old-dies</guid><pubDate>Fri, 28 Aug 2026 10:34:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગાંધીનગર નજીક અંબાપુર નર્મદા મુખ્ય કેનાલમાં મા અને દીકરીએ ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. ઘટનામાં 17 વર્ષીય દીકરી રોશનીનું ડૂબી જવાથી મોત થયું છે, જ્યારે ફાયર બ્રિગેડની સમયસરની કામગીરીથી માતાનો જીવ બચાવવામાં આવ્યો છે. જોકે, મા-દીકરીએ આ અંતિમ પગલું શા માટે ભર્યું તેનું કારણ હજુ સુધી અકબંધ છે.</p><h2 style="text-align: justify; "><b>ઘરેથી નીકળ્યા બાદ લાંબા સમય સુધી પરત ન ફર્યા</b></h2><p style="text-align: justify; ">પ્રાથમિક માહિતી મુજબ, બંને બાપુનગર વિસ્તારમાં રહેતા ભાઈના ઘરેથી સવારે નીકળ્યા હતા. લાંબા સમય સુધી ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન બંને અંબાપુર નજીક નર્મદા મુખ્ય કેનાલમાં હોવાનું સામે આવતા ઘટનાની જાણ પોલીસ સુધી પહોંચી હતી.</p><h3 style="text-align: justify; "><b>પોલીસ કોન્સ્ટેબલની જાણ બાદ ફાયર ટીમે રેસ્ક્યૂ શરૂ કર્યું</b></h3><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં પોલીસ કોન્સ્ટેબલ દ્વારા ફાયર બ્રિગેડને માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને નર્મદા કેનાલમાં રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે પ્રયાસો બાદ માતાને જીવિત હાલતમાં કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2093212628860747967"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a>&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>CPR આપતાં માતાનો શ્વાસ પરત આવ્યો</b></h4><p style="text-align: justify; ">કેનાલમાંથી બહાર કાઢવામાં આવેલી માતાની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું હતું. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક CPR આપતાં તેનો શ્વાસ પરત આવ્યો હતો. ત્યારબાદ સારવાર માટે પ્રથમ અડાલજ PHC ખાતે ખસેડવામાં આવી હતી અને વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવી હતી.</p><h4 style="text-align: justify; "><b>17 વર્ષીય દીકરીનું ડૂબી જવાથી મોત</b></h4><p style="text-align: justify; ">રેસ્ક્યૂ દરમિયાન 17 વર્ષીય રોશનીને પણ કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી, પરંતુ તેનું ડૂબી જવાથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું છે.</p><h4 style="text-align: justify; "><b>કારણ અકબંધ, પોલીસ તપાસ શરૂ</b></h4><p style="text-align: justify; ">અડાલજ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સૌથી મોટો સવાલ એ છે કે મા-દીકરીએ એકસાથે નર્મદા કેનાલમાં ઝંપલાવી આટલું ગંભીર પગલું શા માટે ભર્યું? પોલીસ હવે પરિવારજનો અને અન્ય વિગતોના આધારે ઘટનાનું ચોક્કસ કારણ જાણવા તપાસ આગળ વધારી રહી છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-sweets-price-hike-kaju-katli-rs-1200-dry-fruit-cost" target="_blank"><b>Sandesh Indepth : હવે ડ્રાયફૂટ અને મીઠાઇમાં ભાવ વધારો, કાજુ કતરી 800થી સીધી 1200 રુપિયા સુધી પહોંચી</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/28/32fHUiJtCZxxnV2JgAZ40PcGneDOV8dkhThgPlfj.webp'/></item><item><title><![CDATA[Neeraj Chopraએ ડાયમંડ લીગની ફાઇનલમાં મારી એન્ટ્રી ]]></title><link>https://sandesh.com/sports/news/neeraj-chopra-made-his-entry-into-the-diamond-league-finals</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/neeraj-chopra-made-his-entry-into-the-diamond-league-finals</guid><pubDate>Fri, 28 Aug 2026 10:00:25 +05:30</pubDate><description><![CDATA[<p>બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરા ડાયમંડ લીગ ફાઇનલ માટે ક્વોલિફાય થયા છે.નીરજ સિઝનની પાંચ મેચોમાંથી ફક્ત બેમાં ભાગ લીધો હતો,છતાં તે છ ખેલાડીઓની ફાઇનલમાં સ્થાન મેળવી શક્યો.ઝુરિચ ડાયમંડ લીગ ચૂકી ગયા હોવા છતાં,તેના 12 પોઈન્ટ્સે તેને ક્વોલિફિકેશનમાં છઠ્ઠા સ્થાને રાખ્યો.ડાયમંડ લીગ ફાઇનલ 4 અને 5 સપ્ટેમ્બરના રોજ બ્રસેલ્સમાં યોજાશે.ટાઇટલ મેચ નીરજ માટે એશિયન ગેમ્સ પહેલા પોતાને ચકાસવાની એક મહત્વપૂર્ણ તક હશે.</p><h5><b>નીરજ ક્વોલિફિકેશનમાં છઠ્ઠા સ્થાને રહ્યો</b></h5><p>દરેક ડાયમંડ લીગ મીટિંગમાં, પુરુષોની ભાલા ફેંક ઇવેન્ટમાં ટોચના આઠ ખેલાડીઓને પોઈન્ટ આપવામાં આવે છે. વિજેતાને આઠ પોઈન્ટ મળે છે, જ્યારે આઠમા સ્થાને રહેલા ફિનિશરને એક પોઈન્ટ મળે છે. ક્વોલિફિકેશન શ્રેણી પૂર્ણ થયા પછી, સૌથી વધુ પોઈન્ટ ધરાવતા છ એથ્લેટ ફાઇનલ માટે ક્વોલિફાય થાય છે.નીરજ ચોપરા આ સિઝનમાં બે મીટિંગમાં ભાગ લીધો હતો. તે દોહા ડાયમંડ લીગમાં 85.69 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે ચોથા સ્થાને રહ્યો હતો. લૌઝેનમાં તેનું પ્રદર્શન વધુ સારું હતું, જ્યાં નીરજ 88.05 મીટરના સિઝન-શ્રેષ્ઠ થ્રો સાથે બીજા સ્થાને રહ્યો હતો.</p><h5><b>ક્વોલિફિકેશન ટેબલમાં પ્રથમ સ્થાને રહ્યો</b></h5><p>ઝુરિચમાં, રોમેશ પાથિરાજે તેના બીજા પ્રયાસમાં 88.23 મીટર, ત્રીજા પ્રયાસમાં 89.90 મીટર અને અંતિમ પ્રયાસમાં 92.07 મીટર ફેંક્યો. આ પ્રભાવશાળી પ્રદર્શન સાથે, તે 39 પોઈન્ટ સાથે ક્વોલિફિકેશન ટેબલમાં પ્રથમ સ્થાને રહ્યો. એન્ડરસન પીટર્સ 86.93 મીટરના સિઝન-શ્રેષ્ઠ થ્રો સાથે ઝુરિચમાં બીજા સ્થાને રહ્યો, જ્યારે પોલેન્ડનો ડેવિડ વેગનર 85.16 મીટર સાથે ત્રીજા સ્થાને રહ્યો.</p><h5><b>ફાઇનલ માટે ક્વોલિફાય થનારા ભાલા ફેંકનારાઓ</b></h5><p>રૂમેશ થરંગા પાથિરાજ (શ્રીલંકા) - 39 પોઈન્ટ</p><p>એન્ડરસન પીટર્સ (ગ્રેનાડા) - 35 પોઈન્ટ</p><p>કેશોર્ન વોલકોટ (ત્રિનિદાદ અને ટોબેગો) - 23 પોઈન્ટ</p><p>કર્ટિસ થોમ્પસન (યુએસએ) - 20 પોઈન્ટ</p><p>જુલિયસ યેગો (કેન્યા) - 13 પોઈન્ટ</p><p>નીરજ ચોપરા (ભારત) - 12 પોઈન્ટ</p><h5><b>રૂમેશ પાથિરાજે 2026 માં શાનદાર પ્રદર્શન કર્યું&nbsp;</b></h5><p>રૂમેશ પાથિરાજે 2026 માં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે આ સિઝનમાં પાંચ ડાયમંડ લીગ મીટિંગમાં ભાગ લીધો હતો, જેમાં ચાર જીતી હતી. તે ફક્ત રબાતમાં બીજા સ્થાને રહ્યો હતો. આ વર્ષે તેણે 90 મીટરથી વધુના બે થ્રો અને 88 મીટરથી વધુના સાત થ્રો કર્યા છે. 23 વર્ષીય શ્રીલંકન ખેલાડીની સાતત્યતા તેને બ્રસેલ્સ ફાઇનલ માટે મજબૂત દાવેદાર બનાવે છે. દરમિયાન, ભારતના રોહિત યાદવે ભુવનેશ્વરમાં કોન્ટિનેન્ટલ ટૂર સિલ્વર મીટમાં 87.68 મીટરનો કારકિર્દીનો શ્રેષ્ઠ થ્રો હાંસલ કર્યો હતો. આ વર્ષે તેણે કોઈ ડાયમંડ લીગ મીટિંગમાં ભાગ લીધો ન હતો, પરંતુ તેની પાસેથી એશિયન ગેમ્સમાં સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે.</p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/womens-hockey-world-cup-2026-india-creates-history-defeats-germany-breaks-52-year-old-record" target="_blank"> Women's Hockey World Cup 2026: ભારતે જર્મનીને હરાવી રચ્યો ઈતિહાસ, 52 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/28/TOw8WD3qk0G9CgjRK0nZZZTp74Z3ThPPGXUTlb9V.webp'/></item></channel></rss>