<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Viramgam News: ઇનાયતપુરા ગામે રસ્તા અને પાણી ભરાવાના કારણે વૃદ્ધની અંતિમ યાત્રા ટ્રેક્ટરમાં કાઢવાની ફરજ પડી, Video ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/viramgam-inayatpura-village-funeral-procession-on-tractor</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/viramgam-inayatpura-village-funeral-procession-on-tractor</guid><pubDate>Sun, 02 Aug 2026 23:34:20 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતમાં સરકાર અને તંત્ર દ્વારા વિકાસના મોટા-મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ જમીની હકીકત કેટલી દયનીય છે, તેની સાક્ષી પૂરતી એક અત્યંત શરમજનક ઘટના વિરમગામ તાલુકામાંથી સામે આવી છે. ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે વિરમગામ તાલુકાના વણી ગ્રામ પંચાયત હસ્તક આવેલા ઇનાયતપુરા (નવાગામ) ગામની કફોડી હાલત સામે આવી છે, જ્યાં એક વૃદ્ધના અવસાન બાદ તેમની અંતિમ યાત્રા ગાડી કે પાલખીને બદલે ટ્રેક્ટરમાં કાઢવાની ફરજ પડી હતી.</p><p><b style="font-size: 1.75rem;">રસ્તાઓ પર પાણી ભરાતા અને કીચડના કારણે હાલાકી</b></p><p>પ્રાપ્ત વિગતો અનુસાર, ઇનાયતપુરા ગામે રહેતા એક વૃદ્ધને અચાનક હૃદયરોગનો હુમલો આવતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું હતું. ત્યારબાદ જ્યારે મૃતદેહને સ્મશાનગૃહ લઈ જવાનો સમય આવ્યો, ત્યારે ગામના રસ્તાઓ પર ભરાયેલા વરસાદી પાણી અને ભારે કીચડના કારણે એમ્બ્યુલન્સ કે અન્ય વાહનો જઈ શકે તેવી સ્થિતિ ન હતી. મજબૂર બનેલા પરિવારજનો અને ગ્રામજનોએ ભારે હૈયે મૃતકની અંતિમ યાત્રા ટ્રેક્ટરમાં કાઢવી પડી હતી.</p><p><img alt="Viramgam News: Poor Road Conditions Force Funeral Procession on Tractor in Inayatpura Village" src="https://epapercdn.sandesh.com/images/2026/08/02/9QghGI0E3aMyx2k94CcNctKcBCRxQMh1BH7J1ONF.webp"><br></p><h2><b>સ્મશાનમાં પાયાની સુવિધાઓનો અભાવ અને ગ્રામજનોનો આક્રોશ</b></h2><p>ગ્રામજનોના જણાવ્યા અનુસાર, વણી પંચાયત હસ્તક આવતા આ ગામમાં લાંબા સમયથી પાયાની પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. દર વર્ષે ચોમાસામાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જાય છે અને સ્મશાનગૃહમાં પણ સુવિધાઓના અભાવે ભારે મુશ્કેલી પડે છે. સ્મશાનમાં માટી પુરાણ ન થવાને કારણે અને છાપરી કે અન્ય વ્યવસ્થાઓ ન હોવાથી અંતિમક્રિયા કરવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. </p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2083968560876167297"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p>આ અતિ ગંભીર બાબતને લઈને ગ્રામજનોમાં વહીવટી તંત્ર અને સ્થાનિક પંચાયત સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. વહેલી તકે ગામમાં સારા રસ્તા બનાવવામાં આવે અને સ્મશાનમાં પાયાની સુવિધાઓ વિકસાવવામાં આવે તેવી ઉગ્ર માગ ઉઠી છે.</p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/india/news/gujarat/3-august-top-news-events-current-affairs-history-in-gujarati" target="_blank"> 3 August Top News: 3 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/02/urQU0mvLlTfVj1iCMTltugtmh7U5ABigqYLzHOVg.webp'/></item><item><title><![CDATA[Jharkhand : JPSC-JSSC ભરતી પરીક્ષાના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વિદ્યાર્થીઓના આંદોલનને CJPએ આપ્યો ટેકો ]]></title><link>https://sandesh.com/india/news/jharkhand-jpsc-jssc-exam-irregularities-student-protest-cjp-support</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/jharkhand-jpsc-jssc-exam-irregularities-student-protest-cjp-support</guid><pubDate>Sun, 02 Aug 2026 23:31:20 +05:30</pubDate><description><![CDATA[<p>ઝારખંડમાં JPSC, JSSC CGL અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓના મુદ્દે વિદ્યાર્થીઓનું આંદોલન સતત તેજ બની રહ્યું છે. રાંચીમાં વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા દિવસોથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા તેમજ જવાબદારી નક્કી કરવાની માગ કરી રહ્યા છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/abhijeet_dipke/status/2083939833047925161"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>CJPએ આંદોલનને સમર્થન જાહેર કર્યું</b></h2><p>આ દરમિયાન કોકરોચ જનતા પાર્ટી (CJP)એ પણ વિદ્યાર્થીઓના આંદોલનને સમર્થન જાહેર કર્યું છે. પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે તેમણે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી છે અને CJP ઝારખંડના તમામ વિદ્યાર્થીઓની માગણીઓને સમર્થન આપે છે. વિદ્યાર્થીઓએ રાજ્ય સરકારને અપીલ કરી છે કે તેમની સાથે સીધી ચર્ચા કરવામાં આવે અને JPSC, JSSC તેમજ બ્લેકલિસ્ટેડ ગણાતી TDL કંપની દ્વારા લેવાયેલી તમામ વિવાદાસ્પદ પરીક્ષાઓ રદ કરવામાં આવે.&nbsp;</p><h3><b>વિદ્યાર્થીઓએ મશાલ રેલી પણ યોજી</b></h3><p>તેઓએ પરીક્ષા પ્રણાલીમાં સંપૂર્ણ પારદર્શિતા લાવવા અને ગેરરીતિ માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની પણ માગ કરી છે. વિરોધના ભાગરૂપે વિદ્યાર્થીઓએ મશાલ રેલી પણ યોજી હતી. બીજી તરફ ભાજપના રાજ્ય મહાસચિવ અમર કુમાર બૌરીએ હેમંત સોરેન સરકાર પર ભરતી પ્રક્રિયામાં ગેરરીતિઓના ગંભીર આક્ષેપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે સરકાર સત્તામાં આવ્યા બાદ પેપર લીક અને સોલ્વર ગેંગ જેવી ઘટનાઓ વધી છે.&nbsp;</p><p>વિદ્યાર્થીઓ છેલ્લા આઠ દિવસથી વિરોધ કરી રહ્યા હોવા છતાં સરકાર તેમની માગણીઓ પર ધ્યાન આપી રહી નથી. ભાજપે સમગ્ર મામલે CBI તપાસની માગ કરી છે અને મુખ્યમંત્રી હેમંત સોરેને નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપવું જોઈએ તેવી માગ પણ ઉઠાવી છે. જોકે, રાજ્ય સરકાર તરફથી આ આરોપો અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.</p><p><b><a href="https://sandesh.com/india/news/manipur-security-forces-arms-recovery-9-militants-arrested-operation" target="_blank">આ પણ વાંચો : Manipur : સુરક્ષા દળોની મોટી કાર્યવાહી, 9 ઉગ્રવાદીઓની ધરપકડ બાદ મોટી માત્રામાં હથિયારનો જથ્થો મળ્યો</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/02/LlJ43pB3deSjBVJB1HAgse10svoeNrqWjI2r1Un3.webp'/></item><item><title><![CDATA[Ahmedabad સિવિલ હોસ્પિટલની મોટી સિદ્ધિ, અન્નનળી વગર જન્મેલા બાળકનું સફળ ઓપરેશન ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/civil-hospital-doctors-perform-gastric-pull-up-surgery</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/civil-hospital-doctors-perform-gastric-pull-up-surgery</guid><pubDate>Sun, 02 Aug 2026 23:17:47 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ સિવિલ હોસ્પિટલે તબીબી ક્ષેત્રે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ પોતાના નામે કરી છે. જન્મજાત અન્નનળી ન હોવાની અતિ જટિલ અને દુર્લભ ખામી - 'પ્યોર ઈસોફેજિયલ એટ્રેસિયા' ધરાવતા અઢી વર્ષના માસૂમ બાળક પર અત્યાધુનિક ‘ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરી’ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. આ સફળ ઓપરેશનના કારણે બાળકને નવું અને રોગમુક્ત જીવન મળ્યું છે.</p><h2><b>જન્મથી જ મોઢેથી ખોરાક લેવામાં અસમર્થ હતું બાળક</b></h2><p>સાણંદ તાલુકાના એગ્રો કંપનીના સુપરવાઇઝર શૈલેષભાઈ પટેલના પુત્ર મંતવ્યનો જન્મ 7 નવેમ્બર, 2023ના રોજ થયો હતો. મંતવ્ય એવી ગંભીર સ્થિતિ સાથે જન્મ્યો હતો જેમાં અન્નનળીના બંને છેડા એકબીજાથી અત્યંત દૂર હોવાથી તે પૂર્ણપણે વિકસિત થઈ શકી ન હતી. પરિણામે, બાળક મોઢેથી ખોરાક કે દૂધ ગળવામાં સંપૂર્ણપણે અસમર્થ હતું. બાળકના જન્મના બીજા જ દિવસે તેનું જીવન બચાવવા માટે પ્રાથમિક સર્જરીઓ કરીને નળી દ્વારા પ્રવાહી આહાર આપવામાં આવતો હતો.</p><h2><b>તબીબોની નિષ્ણાત ટીમ દ્વારા સફળ ઓપરેશન અને નિઃશુલ્ક સારવાર</b></h2><p>બાળકના વજન અને શારીરિક વિકાસમાં સુધારો થયા બાદ, ગત 3 જુલાઈ, 2026ના રોજ અન્નનળીના પુનઃનિર્માણ માટેની અત્યંત જટિલ સર્જરીનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક અને બાળ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોશી, પ્રોફેસર ડૉ. જયશ્રી રામજી તથા એનેસ્થેસિયા વિભાગના ડૉ. અદિતિ અને ડૉ. સોનલ ભાલવટની નિષ્ણાત ટીમે આ જટિલ સર્જરી સફળ બનાવી હતી. સર્જરીના 23મા દિવસે બાળકે પ્રથમ વખત મોઢેથી ખોરાક લેવાનું શરૂ કર્યું હતું અને હાલ તે સંપૂર્ણપણે સ્વસ્થ છે. ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયાનો ખર્ચ માંગતી આ અદ્યતન સર્જરી સિવિલમાં સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2083971226201108855"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>છેલ્લા એક વર્ષમાં 7 સફળ કેસો પાર પાડ્યા: ડૉ. રાકેશ જોશી</b></h2><p>આ વિશે વાત કરતા તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, આ પ્રકારની સર્જરી માટે અત્યંત તકનીકી કુશળતા અને અનુભવી ટીમની જરૂર પડે છે. ખાનગી હોસ્પિટલોમાં ખૂબ જ મોંઘી ગણાતી આ સારવાર સિવિલમાં નિઃશુલ્ક ઉપલબ્ધ છે, અને અમારી ટીમે છેલ્લા એક વર્ષમાં આવા 7 જટિલ કેસો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે.</p><h2><b>પરિવારજનોમાં છવાઈ ખુશીની લહેર</b></h2><p>પોતાના અઢી વર્ષના માસૂમ પુત્રને પ્રથમ વખત જાતે મોઢેથી ખોરાક લેતો જોઈને માતા-પિતાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. તેમણે સિવિલ હોસ્પિટલના તમામ તબીબો અને મેડિકલ સ્ટાફનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/india/news/gujarat/3-august-top-news-events-current-affairs-history-in-gujarati" target="_blank">3 August Top News: 3 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/02/ubNJ3SpF7ik8GYPgVcOsWH75tUiBQKCDjj7pkwtY.webp'/></item><item><title><![CDATA[Glasgow રેસ્ટોરન્ટમાં ભારતના નકશામાંથી નોર્થ-ઈસ્ટ ગાયબ, બોક્સર લવલીના બોર્ગોહેને ઉઠાવ્યો વાંધો ]]></title><link>https://sandesh.com/sports/news/lovlina-borgohain-india-map-glasgow-restaurant-cwg-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/lovlina-borgohain-india-map-glasgow-restaurant-cwg-2026</guid><pubDate>Sun, 02 Aug 2026 22:09:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતનો મેડલ જીતવો એક સેલિબ્રેશનનો પ્રસંગ હતો, ત્યારે ગ્લાસગોમાં એક ભારતીય રેસ્ટોરન્ટમાં થયેલી એક નાની ભૂલે ભારતીય બોક્સર લવલીના બોર્ગોહેનનું ધ્યાન ખેંચ્યું.&nbsp;</p><p style="text-align: justify; ">આસામની વતની લવલીનાએ જોયું કે રેસ્ટોરન્ટમાં વપરાતા ભારતના નકશામાં નોર્થ-ઈસ્ટ દર્શાવવામાં આવ્યું નથી. તેણે પોતાની નારાજગી વ્યક્ત કરી અને રેસ્ટોરન્ટ મેનેજમેન્ટને ભૂલ સુધારવા વિનંતી કરી.</p><h2 style="text-align: justify; "><b>લવલીનાએ રેસ્ટોરન્ટ મેનેજમેન્ટનું ધ્યાન દોર્યું&nbsp;</b></h2><p style="text-align: justify; ">કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય બોક્સરોએ 7 ગોલ્ડ અને 3 સિલ્વર સહિત 10 મેડલ જીત્યા બાદ આ ઘટના બની. આ સિદ્ધિની સેલિબ્રેશન કરવા માટે ભારતીય બોક્સિંગ ટીમ ગ્લાસગોના પ્રખ્યાત ભારતીય રેસ્ટોરન્ટ મિસ્ટર સિંહ ઈન્ડિયા ધ હોમ ઓફ કરી ગઈ હતી.&nbsp;</p><p style="text-align: justify; ">આ સમય દરમિયાન લવલીનાએ રેસ્ટોરન્ટની બહાર એક સાઈનબોર્ડ અને ટેબલ પર રૂમાલ પર છપાયેલ ભારતનો નકશો જોયો. તેણે જોયું કે નકશામાં ભારતનો નોર્થ-ઈસ્ટ ભાગ દેખાતો નથી. ત્યારબાદ તેણે શાંતિથી અને આદરપૂર્વક રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ સમક્ષ પોતાની ચિંતાઓ રજૂ કરી.</p><p style="text-align: justify; ">લવલીનાએ કહ્યું કે "કૃપા કરીને તેને જે કહ્યું તેનો ખોટો અર્થઘટન ન કરો. ભારતના નકશામાં આપણા નોર્થ-ઈસ્ટનો સમાવેશ થતો નથી તે જોઈને તેણે થોડી દુ:ખી થઈ. બહારના બોર્ડમાં પણ એ જ ભૂલ છે. તે નોર્થ-ઈસ્ટથી આવે છે, અને આ આપણા માટે ચિંતાજનક મુદ્દો છે. હું તમને આગલી વખતે આ વાત ધ્યાનમાં રાખવા કહેવા માગુ છું. આભાર."</p><h3 style="text-align: justify; "><b>રેસ્ટોરન્ટે પોતાની ભૂલ સ્વીકારી</b></h3><p style="text-align: justify; ">બોક્સિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અજય સિંહે પણ સ્પષ્ટતા કરી હતી કે આ મામલે કોઈ વિવાદ કે ચર્ચા નથી. તેમને કહ્યું કે તેમને અને લવલીનાએ આ ભૂલ રેસ્ટોરન્ટ મેનેજમેન્ટના ધ્યાન પર લાવી હતી, જેને તરત જ પોતાની ભૂલ સ્વીકારી હતી અને ટૂંક સમયમાં તેને સુધારવાનું વચન આપ્યું હતું.</p><p style="text-align: justify; ">અજય સિંહે પીટીઆઈને જણાવ્યું હતું કે તે કોઈ મુકાબલો ન હતો. અમે ફક્ત તેમની ભૂલ તરફ ધ્યાન દોર્યું. તેમણે પોતાની ભૂલ સ્વીકારી અને અમને ખાતરી આપી કે તે સુધારી લેવામાં આવશે. ગ્લાસગોનું આ રેસ્ટોરન્ટ તેના ભારતીય ભોજન માટે જાણીતું છે અને અગાઉ ઘણી ટીમો અને ખાસ મહેમાનોનું આયોજન કરી ચૂક્યું છે. આ ઘટના બાદ રેસ્ટોરન્ટ મેનેજમેન્ટે ભારતના સાચા નકશાનો ઉપયોગ કરવાનું વચન આપ્યું છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/ind-vs-sl-test-series-warm-up-match-updated-schedule" target="_blank">Team Indiaનું શ્રીલંકા પ્રવાસ માટે બદલાયું શેડ્યૂલ, આ મેચ ફક્ત 3 દિવસની રહેશે</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/02/23ihqU2YRAXI04Orp0yKv2Hn4cFXz2XpurA6Ec7S.webp'/></item><item><title><![CDATA[Bharuch News: વરસાદી પાણી જોવા ગયેલો યુવક પાણીના પ્રવાહમાં તણાઈ જતા મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/bharuch/jambusar-madafar-village-youth-drowns-floodwater-tragic-news</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/bharuch/jambusar-madafar-village-youth-drowns-floodwater-tragic-news</guid><pubDate>Sun, 02 Aug 2026 21:54:32 +05:30</pubDate><description><![CDATA[<p>ભારે વરસાદ અને જળબંબાકારની સ્થિતિ વચ્ચે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. જંબુસરના મદાફર ગામે વરસાદી પાણી જોવા ગયેલા એક યુવકનું પાણીના પ્રવાહમાં તણાઈ જવાથી કરુણ મોત નીપજ્યું છે, જેને લઈને સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.</p><h2><b>કાંસમાં વરસાદી પાણી જોવા જતી વેળાએ સર્જાયો અકસ્માત</b></h2><p>પ્રાપ્ત માહિતી અનુસાર, મદાફર ગામના રહેવાસી 25 વર્ષીય નઈમ ઇકબાલ રાણા નામના યુવક ગામ નજીક આવેલી કાંસમાં વહી રહેલા વરસાદી પાણી અને વહેણ જોવા ગયા હતા. તે દરમિયાન અચાનક પાણીના પ્રવાહનો અંદાજ ન રહેતા અથવા પગ લપસી જવાથી તે પાણીના તેજ વહેણમાં તણાઈ ગયા હતા અને લાપતા બન્યા હતા.</p><p><img alt="Bharuch News: Youth Tragically Drowns While Watching Rainwater Flow in Madafar Village in Jambusar" src="https://epapercdn.sandesh.com/images/2026/08/02/JDzXCQNt9KGZArVCvKGEG6JZfQSLHVL4P6VLVvbS.webp" style="width: 100%;"><br></p><h2><b>ગ્રામજનોએ ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો</b></h2><p>યુવક પાણીમાં તણાઈ ગયાની જાણ થતા જ આસપાસના ગ્રામજનો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને કાંસ તથા આસપાસના પાણીના પ્રવાહમાં યુવકની શોધખોળ શરૂ કરી હતી. ગ્રામજનોની ભારે જહેમત બાદ લાપતા બનેલા નઈમ ઈકબાલ રાણાનો મૃતદેહ પાણીમાંથી શોધી કાઢવામાં આવ્યો હતો.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2083968861490307581"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>તંત્ર ઘટના સ્થળે દોડી ગયું, પોસ્ટ મોર્ટમ અર્થ હોસ્પિટલ ખસેડાયા</b></h2><p>ઘટનાની જાણ થતાં જ જંબુસર મામલતદાર સહિતનું વહીવટી તંત્ર અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની વધુ તપાસ શરૂ કરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/india/news/gujarat/3-august-top-news-events-current-affairs-history-in-gujarati" target="_blank">3 August Top News: 3 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/02/ZuEm2zZVpp624sW7aT5sCFuGDFlS2GYEenf7biXv.webp'/></item><item><title><![CDATA[Patan: તલપુરના ઉનરોટમાં ANTF ની રેડ, 865 ગ્રામ અફીણ સાથે રામા જોષી ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/patan/antf-raid-santalpur-unrot-village-opium-seized-ramabhai-joshi-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/patan/antf-raid-santalpur-unrot-village-opium-seized-ramabhai-joshi-arrested</guid><pubDate>Sun, 02 Aug 2026 21:13:15 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાત રાજ્યને નશા મુક્ત કરવા અને સીમાવર્તી જિલ્લાઓમાં નાર્કોટીક્સનું નેટવર્ક બુધ કરવા માટે કાર્યરત સ્ટેટ એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સ (ANTF) ની બોર્ડર ઝોન ટીમને પાટણના સરહદી વિસ્તાર સાંતલપુરમાં મોટી સફળતા મળી છે. ANTF ની ટીમને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે સાંતલપુર તાલુકાના ઉનરોટ (ડાભી) ગામે રહેતો રામાભાઈ ભાણજીભાઈ જોષી પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે આર્કોટીક્સ પદાર્થનો સંગ્રહ કરીને તેનું વેચાણ કરી રહ્યો છે.</p><h2><b>સાંતલપુરમાં અફીણનો જથ્થો મળી આવ્યો&nbsp;</b></h2><p>બાતમીના આધારે ANTF ની બોર્ડર ઝોન ટીમે ઉનરોટ ગામે રામાભાઈ જોષીના મકાન પર અચાનક દરોડો પાડ્યો હતો. ઘરની સઘન ઝડતી લેતાં મકાનમાંથી ગેરકાયદેસર રીતે રખાયેલો 865 ગ્રામ ઓપીયમ આલ્કલોઈડ (અફીણ) નો જથ્થો મળી આવ્યો હતો. દરોડા દરમિયાન જપ્ત કરવામાં આવેલા 865 ગ્રામ અફીણની બજાર કિંમત અંદાજે રૂ. 4.32 લાખથી વધુ આંકવામાં આવી છે. પોલીસે અફીણના જથ્થા ઉપરાંત અન્ય સાધન-સામગ્રી મળીને કુલ રૂ. 4.35 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે. ANTF દ્વારા સ્થળ પરથી જ ગેરકાયદેસર અફીણ રાખનાર આરોપી રામાભાઈ ભાણજીભાઈ જોષી ની અટકાયત કરવામાં આવી હતી.</p><h3><b>કાનૂની કાર્યવાહી અને તપાસનો ધમધમાટ</b></h3><p>આ સંદર્ભે વારાહી પોલીસ સ્ટેશન ખાતે આરોપી રામાભાઈ જોષી વિરુદ્ધ નાર્કોટીક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ વિધિવત ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.આ નાર્કોટીક્સ કનેક્શનના મૂળ સુધી પહોંચવા અને આરોપી આ અફીણનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો તથા કોને સપ્લાય કરવાનો હતો તે અંગેની વધુ તપાસ રાધનપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે. રાધનપુર પોલીસ હવે આરોપીના રિમાન્ડ મેળવીને સરહદી વિસ્તારના સમગ્ર ડ્રગ્સ નેટવર્કને ઊઘાડું પાડવા તજવીજ હાથ ધરશે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/cm-bhupendra-patel-inaugurates-saurashtra-university-auditorium-rajkot-rmc-projects" target="_blank">આ પણ વાંચો: Rajkot: દરેક વખતે બોલવું જરૂરી નથી, કામ જ બોલે છે", CMનો વડાપ્રધાનના મોડેલ પર ભાર અને મેયરને ટકોર</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/02/86UbJQnpv3aiWrym1mL0zDMjyCQiJq03fg2VwIB7.webp'/></item><item><title><![CDATA[Suratમાં વેપારી આપઘાત કેસમાં પોલીસને મોટી સફળતા, 3 આરોપીઓની કરી ધરપકડ... ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/police-make-big-success-in-businessman-suicide-case-in-surat-sarthana-police-arrest-3-accused</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/police-make-big-success-in-businessman-suicide-case-in-surat-sarthana-police-arrest-3-accused</guid><pubDate>Sun, 02 Aug 2026 21:02:12 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતમાં ચકચાર મચાવનારા વેપારી આપઘાત કેસમાં સરથાણા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાના ગુનામાં સામેલ 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. મૃતક રાજેશે પોતાના જ વેપારી મિત્રોના ત્રાસ અને સતત મળતી ધમકીઓથી કંટાળીને ઝેરી દવા પીને પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી, જે બાદ પોલીસે ત્વરિત પગલાં ભરી આરોપીઓને જેલહવાલે કર્યા છે.</p><h2 style="text-align: justify; "><b>17.32 લાખની ઉઘરાણીમાં ધમકી આપી હતી</b></h2><p style="text-align: justify; ">પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ મૃતક રાજેશ પાસે રૂ. 17.32 લાખની ઉઘરાણી માટે સતત માનસિક ત્રાસ આપતા હતા અને અવારનવાર જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા. આર્થિક સંકટ અને ધમકીઓના કારણે માનસિક તણાવમાં આવેલા વેપારી પાસે આત્મહત્યા કરવા સિવાય અન્ય કોઈ માર્ગ રહ્યો ન હતો.</p><p style="text-align: justify; "><b style="font-size: 2rem;">સુસાઇડ નોટના આધારે કાયદેસરની કાર્યવાહી</b></p><p style="text-align: justify; ">આપઘાતની આ ઘટના બાદ પોલીસને સ્થળ પરથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. સરથાણા પોલીસે આ સુસાઇડ નોટના આધારે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરીને ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની અટકાયત કરી છે. હાલમાં પોલીસે આ મામલે આગળની કાયદેસરની તપાસ અને આગળની કાર્યવાહી તેજ બનાવી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dwarka/the-movement-to-save-land-in-jam-khambhaliya-dwarka-is-gaining-momentum-farmers-are-protesting-in-their-fields-against-the-tyranny-of-gspl" target="_blank">Dwarkaના જામ ખંભાળીયામાં જમીન બચાવો આંદોલન તેજ, GSPL ની દાદાગીરી સામે ખેડૂતોનો ખેતરોમાં અડિંગો...</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/02/jQZhyXYeXeNpaIzodMdTVO2yrMwxgc8xAFy2DDYs.webp'/></item><item><title><![CDATA[2 ઓગસ્ટના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર ]]></title><link>https://sandesh.com/gujarat/news/india/top-10-news-headlines-august-2-latest-breaking-news-updates</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/india/top-10-news-headlines-august-2-latest-breaking-news-updates</guid><pubDate>Sun, 02 Aug 2026 21:00:00 +05:30</pubDate><description><![CDATA[<p><b>સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો</b></p><p><a href="https://sandesh.com/gujarat/news/vadodara/vaghodia-dankheda-dev-irrigation-canal-breach-farmer-crop-loss-corruption" target="_blank"><b>1. Vadodara: વાઘોડિયાના દંખેડામાં દેવ સિંચાઈ કેનાલ તૂટી, ખેડૂતોનો વાવેતર કરેલો પાક સંપૂર્ણ નાશ પામ્યો</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/bharuch/monsoon-2026-heart-wrenching-rescue-by-police-in-hansot-bharuch-youth-saved-from-the-raging-flood-of-keem-river" target="_blank"><b>2. Monsoon 2026 : ભરૂચના હાંસોટમાં પોલીસનું દિલધડક રેસ્ક્યૂ, કીમ નદીના ધસમસતા પૂરમાંથી યુવકનો આબાદ બચાવ'</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gir-somnath/gir-gadhada-wadi-area-lion-family-cctv-footage-viral" target="_blank"><b>3. Gir Somnath: ગીર ગઢડાના વાડી વિસ્તારમાં 7 સિંહોના પરિવારની દસ્તક, CCTVમાં રમણીય દૃશ્યો કેદ</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/surat/olpad-kim-river-flood-kadrama-village-submerged-highway-closed" target="_blank"><b>4. Surat: ઓલપાડમાં કીમ નદીનું પૂર, કદરામા ગામના 90 ઘરો પાણીમાં ગરકાવ, 200 લોકોને સુરક્ષિત આશ્રયસ્થાને ખસેડાયા</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/mehsana/a-massive-landslide-occurred-in-visnagar-mehsana-trapping-an-st-bus-creating-a-traffic-jam" target="_blank"><b>5. Mehsana News : વિસનગરમાં મસમોટો ભૂવો પડ્યો, ST બસ ફસાતાં ચક્કાજામની સ્થિતિ સર્જાઈ...</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ramol-police-arrests-chikhligar-gang-recovers-20-lakhs-stolen-valuables" target="_blank"><b>6. Ahmedabad: રામોલ પોલીસે 600 CCTV ખંગાળી કુખ્યાત ચીખલીગર ગેંગના બે શાતિર તસ્કરોને દબોચી લીધા</b></a></p><p><a href="https://sandesh.com/india/news/crime/rajasthan-bikaner-narco-arms-syndicate-heroin-weapons-seized" target="_blank"><b>7. Rajasthan : નાર્કો-આર્મ્સ સિન્ડિકેટ પર મોટો પ્રહાર, 50 કરોડની હેરોઈન અને 11 અત્યાધુનિક હથિયારો જપ્ત</b></a></p><p><a href="https://sandesh.com/india/news/parliament-monsoon-session-august-3-government-two-bills-opposition-strategy" target="_blank"><b>8. Parliament Monsoon Session : 3 ઓગસ્ટે બે મોટા બિલ લાવવાની તૈયારીમાં સરકાર, વિપક્ષની સરકારને ઘેરવાની રણનીતિ</b></a></p><p><a href="https://sandesh.com/india/news/monsoon-2026/kerala-floods-2026-floods-and-landslides-cause-widespread-destruction-in-kerala-8-people-dead-many-missing-more-than-200-houses-razed-to-the-ground" target="_blank"><b>9. Kerala Floods 2026: કેરળમાં પૂર-ભૂસ્ખલનથી ભારે તબાહી, 8 લોકોના મોત, અનેક લાપતા, 200થી વધુ ઘર જમીનદોસ્ત</b></a></p><p><a href="https://sandesh.com/india/news/uproar-over-cjps-rs-1-crore-fund-rti-activist-from-surat-files-complaint-with-eci-and-cbic" target="_blank"><b>10. CJPના 1 કરોડના ભંડોળ પર હોબાળો, સુરતના RTI કાર્યકર્તાએ ECI અને CBICમાં નોંધાવી ફરિયાદ</b></a></p><p><b><br></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/02/kvFvPJXTcu9gaRvKlRXPk0Nk0pNwJYWnBezzUIfy.webp'/></item><item><title><![CDATA[Coal India Production: સરકારી કંપનીનું કોલસાનું પ્રોડક્શન 8 ટકા વધ્યું, શેરના ભાવ પર રહેશે નજર ]]></title><link>https://sandesh.com/business/news/coal-india-production-growth-july-2026-share-price-update</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/coal-india-production-growth-july-2026-share-price-update</guid><pubDate>Sun, 02 Aug 2026 19:54:30 +05:30</pubDate><description><![CDATA[<p>સરકારી કોલસા કંપની કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL)એ જુલાઈ 2026ના પ્રારંભિક ઉત્પાદન અને સપ્લાયના આંકડા જાહેર કર્યા છે. કંપનીએ જણાવ્યું કે જુલાઈ મહિનામાં કોલસાનું ઉત્પાદન 8.4 ટકા વધીને 5.04 કરોડ ટન પર પહોંચ્યું છે. ગયા વર્ષે જુલાઈમાં ઉત્પાદન 4.64 કરોડ ટન હતું.</p><h2><b>ગ્રાહકોને કોલસાની સપ્લાયમાં પણ નોંધપાત્ર વધારો</b></h2><p>કંપનીનો ઓફટેક એટલે કે ગ્રાહકોને કોલસાની સપ્લાયમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જુલાઈમાં ઓફટેક 17.4 ટકા વધીને 6.37 કરોડ ટન રહ્યો, જે ગયા વર્ષે આ જ સમયગાળામાં 5.42 કરોડ ટન હતો. જોકે, એપ્રિલથી જુલાઈ 2026 દરમિયાન કુલ ઉત્પાદન 4.3 ટકા ઘટીને 22 કરોડ ટન થયું છે. ગયા વર્ષે આ સમયગાળામાં ઉત્પાદન 22.98 કરોડ ટન હતું. તેમ છતાં ચાર મહિનામાં ઓફટેક 6.8 ટકા વધીને 26.19 કરોડ ટન રહ્યો છે.</p><h3><b>સહાયક કંપનીઓનું પ્રદર્શન કેવું રહ્યું?</b></h3><p>કોલ ઈન્ડિયાની સહાયક કંપનીઓના પ્રદર્શન પર નજર કરીએ તો સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડ (CCL)એ સૌથી સારું પ્રદર્શન કર્યું છે. જુલાઈમાં તેનું ઉત્પાદન 56.9 ટકા વધીને 59 લાખ ટન થયું છે, જ્યારે ઓફટેક 66.1 ટકા વધીને 74 લાખ ટન રહ્યો છે. સાઉથ ઈસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ (SECL)નું ઉત્પાદન 17.5 ટકા વધીને 1.15 કરોડ ટન અને ઓફટેક 11.1 ટકા વધીને 1.44 કરોડ ટન થયું છે. વેસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ (WCL)ના ઉત્પાદનમાં પણ 15.5 ટકાનો વધારો નોંધાયો છે.</p><h4><b>કંપનીએ એક વર્ષમાં 10.60 ટકાનું વળતર આપ્યું&nbsp;</b></h4><p>બીજી તરફ મહાનદી કોલફિલ્ડ્સ લિમિટેડ (MCL)નું જુલાઈ ઉત્પાદન 10.7 ટકા ઘટ્યું છે, જોકે તેની સપ્લાયમાં વધારો થયો છે. ભારત કોકિંગ કોલ લિમિટેડ (BCCL)નું ઉત્પાદન થોડું વધ્યું, પરંતુ ચાર મહિનાના ઓફટેકમાં ઘટાડો નોંધાયો છે. કોલ ઈન્ડિયાનો શેર શુક્રવારે 0.67 ટકા ઘટીને ₹414.40 પર બંધ થયો હતો. તેમ છતાં વર્ષ 2026માં અત્યાર સુધીમાં શેરે 3.48 ટકા અને એક વર્ષમાં 10.60 ટકાનું વળતર આપ્યું છે. કોલ ઈન્ડિયા ભારતની સૌથી મોટી સરકારી કોલસા ખનન કંપની છે અને દેશના ઉર્જા ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.</p><p><b><a href="https://sandesh.com/business/news/fii-investment-july-foreign-investors-invested-40031-crore-india" target="_blank">આ પણ વાંચો : FIIની વેચવાલી અટકી, જુલાઈ મહિનામાં વિદેશી રોકાણકારોએ કૂલ 40,031 કરોડ રૂપિયાનું કર્યું રોકાણ</a></b></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/02/Mlpq28ak5oFW1L6YYrAQA345dnboT2kdopsZHRuV.webp'/></item><item><title><![CDATA[The Paradiseમાંથી રાઘવ જુયાલનો ફર્સ્ટ લુક આઉટ, વિક્રમ મલિક બનીને મચાવશે તબાહી! ]]></title><link>https://sandesh.com/entertainment/news/the-paradise-raghav-juyal-first-look-vikram-malik</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/the-paradise-raghav-juyal-first-look-vikram-malik</guid><pubDate>Sun, 02 Aug 2026 17:35:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify;">શ્રીકાંત ઓડેલાની દ પેરાડાઇઝ સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંથી એક છે. ફિલ્મ સાથે જોડાયેલી દરેક નવી અપડેટ પછી ફેન્સમાં ઉત્સાહ સતત વધી રહ્યો છે. હવે નાનીની ફિલ્મ 'દ પેરાડાઇઝ'માંથી રાઘવ જુયાલનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ પહેલાં કદાચ જ લોકોએ તેને આટલા પાવરફુલ અવતારમાં જોયા હશે. 'દસરા'ની બ્લોકબસ્ટર સફળતા બાદ નાની અને ડિરેક્ટર શ્રીકાંત ઓડેલાની આ જોડી ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.</p><h2 style="text-align: justify;"><b>'દ પેરાડાઇઝ'માંથી રાઘવ જુયાલનો ફર્સ્ટ લુક વાયરલ</b></h2><p style="text-align: justify;">'દ પેરાડાઇઝ'માંથી રાઘવ જુયાલનો ફર્સ્ટ લુક સામે આવતા જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે અને ફિલ્મને લઈને લોકોમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેકર્સે 19 જૂન 2026ના રોજ એક વીડિયો શેર કર્યો હતો, જેમાં વિક્રમ મલિકનો ધમાકેદાર લુક જોવા મળ્યો હતો. સાથે જ દાવો કરવામાં આવ્યો હતો કે રાઘવ જુયાલનો આ અત્યાર સુધીનો સૌથી અલગ અવતાર હશે. તેઓ પાવરફુલ, ગુસ્સાથી ભરેલા અને પ્રભાવશાળી વિક્રમ મલિક તરીકે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા તૈયાર છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DZxH-6BI7fo/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DZxH-6BI7fo/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DZxH-6BI7fo/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DZxH-6BI7fo/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h3 style="text-align: justify;"><b>વિક્રમ મલિક બનશે ફિલ્મનું સૌથી પાવરફુલ પાત્ર</b></h3><p style="text-align: justify;">'દ પેરાડાઇઝ'ના મેકર્સે વિક્રમ મલિકના પાત્રમાં રાઘવ જુયાલનો લુક જાહેર કરીને ફેન્સનું મોટું સરપ્રાઇઝ આપ્યું છે. આ અવતારમાં રાઘવ ખૂબ જ પાવરફુલ અને ગ્રાન્ડ અંદાજમાં જોવા મળે છે. વીડિયોમાં તેની એન્ટ્રી તોફાન જેવી લાગે છે. તેની સ્ટાઇલ, એનર્જી અને જબરદસ્ત સ્ક્રીન પ્રેઝન્સે લોકોને પ્રભાવિત કર્યા છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક આ સીનને વધુ અસરકારક બનાવે છે. જ્યારે તેઓ નાની સાથે સ્ક્રીન શેર કરે છે ત્યારે તેની એન્ટ્રી વધુ જોરદાર લાગે છે.</p><h4 style="text-align: justify;"><b>'દ પેરાડાઇઝ' ક્યારે થશે રિલીઝ?</b></h4><p style="text-align: justify;">'SLV સિનેમાઝ' દ્વારા બનાવવામાં આવેલી 'દ પેરાડાઇઝ' 21 ઓગસ્ટ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મ હિન્દી, તેલુગુ, તમિલ, અંગ્રેજી, સ્પેનિશ, બંગાળી, કન્નડ અને મલયાલમ સહિત કુલ 8 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે.</p><p style="text-align: justify;"><a href="https://sandesh.com/entertainment/news/sooraj-pancholis-emotional-statement-on-jiah-khan-case-said-14-years-of-my-life-were-taken-away" target="_blank">આ પણ વાંચો-Jiah Khan કેસ પર સૂરજ પંચોલીનું નિવેદન, કહ્યું- 'મારી જિંદગીના 14 વર્ષ છીનવાઈ...'</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/02/PILV1zoS2RaXRgiJCj8O3YRrTTkjp23bwxBAiO8a.webp'/></item></channel></rss>