<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Suratના સારોલીમાં ટેક્સટાઇલ માર્કેટના 6 કાપડ વેપારીઓ જુગાર રમતા રંગેહાથ ઝડપાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-saroli-textile-traders-gambling-raid</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-saroli-textile-traders-gambling-raid</guid><pubDate>Fri, 21 Aug 2026 12:25:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરના સારોલી વિસ્તારમાં આવેલા ટેક્સટાઇલ પાર્કમાં મોડી રાત્રે ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડો પાડીને મોટી સફળતા મેળવી છે. કૃષ્ણા પાર્ક ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં ધમધમતી જુગારની ક્લબ પર સારોલી પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન લક્ઝ્યુરિયસ લાઇફસ્ટાઇલ ધરાવતા અને કાપડના મોટા વેપાર સાથે સંકળાયેલા 6 કાપડ વેપારીઓ પાના પર હાર-જીતનો બાજી માંડીને જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.</p><h2 style="text-align: justify; "><b>કૃષ્ણા પાર્ક ઇન્ડસ્ટ્રીમાં રમાઈ રહ્યો હતો જુગાર</b></h2><p style="text-align: justify; ">પોલીસે સ્થળ પરથી દરોડા દરમિયાન જુગારના અડ્ડા પરથી રૂ.5 લાખની રોકડ રકમ કબ્જે કરી છે. આ ઉપરાંત વેપારીઓ પાસેથી મળેલા મોંઘાડાટ સ્માર્ટફોન અને વાહનો સહિત કુલ રૂપિયા 6.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે તમામ 6 વેપારીઓની સ્થળ પરથી જ ધરપકડ કરીને જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કાપડ બજારના જાણીતા વેપારીઓ જુગાર રમતા ઝડપાતાં સુરત ટેક્સટાઇલ માર્કેટના વેપારી આલમમાં ભારે ચર્ચા જાગી છે.</p><h3 style="text-align: justify; "><b>6 વેપારીઓને પોલીસે રંગે હાથે ઝડપ્યા&nbsp;</b></h3><p style="text-align: justify; ">સુરતમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને ગેરકાયદે જુગારધામો સામે પોલીસે હાથ ધરેલી ઝુંબેશના ભાગરૂપે આ દરોડો પાડવામાં આવ્યો હતો. ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટની શાંતિનો ગેરલાભ ઉઠાવીને વેપારની આડમાં બાજી મંડાઈ રહી હોવાની ચોક્કસ બાતમી મળતાં જ પોલીસે વોચ ગોઠવીને આ સફળ કામગીરી કરી હતી. પકડાયેલા તમામ આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની તપાસ સારોલી પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/j01v0u4ypVUa8jWSPKnYf5cgnXcXlQWEu0YzthvQ.webp'/></item><item><title><![CDATA[Bhavnagar લઠ્ઠાકાંડમાં ચોંકાવનારો ખુલાસો, પાળિયાદના અવાવરુ સ્થળે નાશ કરાયો હતો ડુપ્લિકેટ દારૂનો જથ્થો, ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/bhavnagar-hooch-tragedy-paliyad-duplicate-liquor-destruction-site</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/bhavnagar-hooch-tragedy-paliyad-duplicate-liquor-destruction-site</guid><pubDate>Fri, 21 Aug 2026 12:20:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક મહત્વપૂર્ણ કડી સામે આવી છે. ડુપ્લિકેટ દારૂ તૈયાર કરવાની પ્રક્રિયા દરમિયાન યોગ્ય રીતે દારૂ તૈયાર ન થતાં તેનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. હવે આ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો તે ભાલના પાળિયાદ ગામના સીમ વિસ્તારમાં આવેલા અવાવરુ સ્થળના દ્રશ્યો સામે આવ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>ગૌતમ સોલંકી, રઈસ અને અન્ય વ્યક્તિઓએ મળીને બનાવટી દારૂ તૈયાર કર્યો&nbsp;</b></h2><p style="text-align: justify; ">પ્રાપ્ત વિગતો મુજબ, પ્રથમ વખત ગૌતમ સોલંકી, રઈસ અને અન્ય વ્યક્તિઓએ મળીને બનાવટી દારૂ તૈયાર કર્યો હતો. જોકે આ દારૂ યોગ્ય રીતે તૈયાર ન થતાં તેનો ઉપયોગ કે વેચાણ કરવાને બદલે જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.</p><p style="text-align: justify; "><img alt="Bhavnagar Hooch Tragedy: Visuals Emerge From Site Where Duplicate Liquor Stock Was Destroyed" src="https://epapercdn.sandesh.com/images/2026/08/21/FBe9P5qJ2sFEwcPCitLENIainwoXYUsANY64FPzJ.webp" style="width: 100%;"><br></p><h3 style="text-align: justify; "><b>અવાવરુ સ્થળે કેમિકલ અને ડુપ્લિકેટ દારૂના જથ્થાનો નાશ&nbsp;</b></h3><p style="text-align: justify; ">પાળિયાદ ગામના સીમ વિસ્તારમાં આવેલા અવાવરુ સ્થળે કેમિકલ અને ડુપ્લિકેટ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ સ્થળ જતીનના ઘર સાથે જોડાયેલી કડી તરીકે પણ તપાસમાં મહત્વપૂર્ણ બન્યું છે. જ્યાં કેમિકલના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો, તે સ્થળના દ્રશ્યો હવે સામે આવતા લઠ્ઠાકાંડની તપાસને નવી દિશા મળી શકે છે.</p><h4 style="text-align: justify; "><b>અલગ-અલગ કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો</b></h4><p style="text-align: justify; ">આ સમગ્ર કૌભાંડમાં શરૂઆતથી જ બનાવટી દારૂ તૈયાર કરવા માટે અલગ-અલગ કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. પ્રથમ તૈયાર કરાયેલ દારૂ યોગ્ય ન બનતાં તેનો નાશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ બીજી વખત ડુપ્લિકેટ દારૂ તૈયાર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.</p><p style="text-align: justify; "><img alt="Bhavnagar Hooch Tragedy: Visuals Emerge From Site Where Duplicate Liquor Stock Was Destroyed" src="https://epapercdn.sandesh.com/images/2026/08/21/J7N72ZMQWA8eLANYQFkGqd59SrBFD8s6x0mGex5z.webp" style="width: 100%;"><br></p><h4 style="text-align: justify; "><b>કેમિકલનો જથ્થો ક્યાંથી લવાયો તે સવાલ</b></h4><p style="text-align: justify; ">પાળિયાદના આ અવાવરુ સ્થળના દ્રશ્યો સામે આવ્યા બાદ હવે તપાસ એ દિશામાં પણ આગળ વધી શકે છે કે કેમિકલનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કેટલો જથ્થો નાશ કરવામાં આવ્યો અને બીજી વખત બનાવવામાં આવેલા ડુપ્લિકેટ દારૂનું નેટવર્ક ક્યાં સુધી પહોંચ્યું હતું.</p><h4 style="text-align: justify; "><b>અત્યાર સુધી 8 લોકોના મોત</b></h4><p style="text-align: justify; ">હાલ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 8 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને લઈને તપાસ સતત આગળ વધી રહી છે અને ડુપ્લિકેટ દારૂના ઉત્પાદનથી લઈને તેના નાશ અને સપ્લાય સુધીની તમામ કડીઓ જોડવાના પ્રયાસો ચાલી રહ્યા છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp;&nbsp;<a href="https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/bhavnagar-hooch-tragedy-61-affected-critical-patients-smc-investigation" target="_blank"><b> Live Bhavnagar લઠ્ઠાકાંડ : મૃતકના શરીરમાં 200 એમએલથી વધુ મિથેનોલ મળ્યું</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/tTtST89ygYEChzIkBXhEpWzz7GZE1J4kL7Z0joqd.webp'/></item><item><title><![CDATA[Rakhi Song : લતા મંગેશકરનું 67 વર્ષ જૂનું એ રક્ષાબંધન ગીત જેને ગાતી વખતે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા હતા સિંગર! ]]></title><link>https://sandesh.com/entertainment/news/lata-mangeshkar-raksha-bandhan-song-story</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/lata-mangeshkar-raksha-bandhan-song-story</guid><pubDate>Fri, 21 Aug 2026 12:04:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify;">રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે, પરંતુ તે પહેલાં જ બહેનો અને ભાઈઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ તહેવાર ભાઈ અને બહેનના જીવનમાં ખૂબ ખાસ મહત્વ ધરાવે છે. બંને ભલે એકબીજાથી કેટલા પણ દૂર હોય, પરંતુ બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધવાનું ભૂલતી નથી.</p><h2 style="text-align: justify;"><b>રક્ષાબંધન પર આજે પણ ગુંજે છે લતા મંગેશકરનું અમર ગીત</b></h2><p style="text-align: justify;">જ્યારે તહેવારોની વાત આવે છે ત્યારે બોલીવુડના ગીતો પણ યાદ આવે છે. રક્ષાબંધન પર અનેક ગીતો બન્યાં છે, પરંતુ આજે અમે તમને લતા મંગેશકરના એક એવા અમર ગીત વિશે જણાવી રહ્યા છીએ, જેને 67 વર્ષ પછી પણ ભાઈ-બહેનના સંબંધમાં કોઈ ગીત બદલી શક્યું નથી. નાની બહેન અને ભાઈના પ્રેમ સાથે જોડાયેલું આ એવું ગીત છે, જેને ગાતી વખતે લતા મંગેશકર પોતે રડી પડ્યા હતા.</p><h3 style="text-align: justify;"><b>67 વર્ષથી ભાઈ-બહેનના સંબંધનું પ્રતીક છે આ ગીત</b></h3><p style="text-align: justify;">રક્ષાબંધનના અવસરે આજે પણ જે ગીતની સૌથી વધુ માગ રહે છે, તે છે ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના. આ ગીત 1969માં આવેલી ફિલ્મ છોટી બહેનનું છે. આ ગીતને લતા મંગેશકરે પોતાનો અવાજ આપ્યો હતો અને તેને હંમેશા માટે અમર બનાવી દીધું હતું. જ્યારે પણ રક્ષાબંધનની ઉજવણી થાય છે, ત્યારે સૌથી પહેલાં દરેક બહેનની જીભ પર આ જ ગીત આવે છે.<br><img alt="Lata Mangeshkar, Raksha Bandhan (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/21/Z8wgZJEBG8b3WafwAYhGtmtJZExukNA8025pKDm3.webp"><br></p><h3 style="text-align: justify;"><b>રક્ષાબંધનના આ ગીતે રચ્યો લોકપ્રિયતાનો રેકોર્ડ</b></h3><p style="text-align: justify;">નંદા અને બલરાજ સાહનીની ફિલ્મ છોટી બહેનમાં રજૂ થયેલા ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના ગીતનું સંગીત શંકર-જયકિશને આપ્યું હતું. તેના શબ્દો શૈલેન્દ્રએ લખ્યા હતા. રક્ષાબંધનના તહેવાર પર ફિલ્માવવામાં આવેલા આ ગીતની લોકપ્રિયતા એટલી છે કે 2020માં યુટ્યુબ પર મૂકવામાં આવેલા તેના વીડિયોને 1 કરોડથી વધુ વ્યૂઝ મળ્યા હતા.</p><h4 style="text-align: justify;"><b>છોટી બહેનનું ગીત ગાતી વખતે કેમ રડી પડ્યાં હતા લતા મંગેશકર?</b></h4><p style="text-align: justify;">આ ગીતના શબ્દોમાં નાની બહેનનો પોતાના ભાઈ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત થાય છે. કહેવાય છે કે જ્યારે લતા મંગેશકર આ ગીતનું રેકોર્ડિંગ કરી રહ્યાં હતાં, ત્યારે તેમની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. ગીતના શબ્દો સાંભળીને તેમને પોતાના નાના ભાઈ હૃદયનાથ મંગેશકરની યાદ આવી ગઈ હતી. લતા મંગેશકર પોતાના નાના ભાઈને ખૂબ પ્રેમ કરતા હતા.</p><h4 style="text-align: justify;"><b>લતા મંગેશકરની યાદોમાં આજે પણ જીવંત છે ભાઈ-બહેનનો પ્રેમ</b></h4><p style="text-align: justify;">હૃદયનાથ મંગેશકરે ગયા વર્ષે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે પિતાના નિધન બાદ લતા મંગેશકરે પોતાના તમામ ભાઈ-બહેનોને કેવી રીતે સંભાળ્યા હતા. તેમણે કહ્યું હતું કે આખા વિશ્વમાં લતા દીદી જેવી બીજી કોઈ નથી. લતા મંગેશકરના અવાજમાં ગવાયેલું આ ગીત આજે પણ સદાબહાર ગીતોમાં સામેલ છે.</p><p style="text-align: justify;"><a href="https://sandesh.com/entertainment/news/rishi-kapoor-first-song-lata-manna-dey" target="_blank">આ પણ વાંચો-Classics Songs : 71 વર્ષ પહેલાં આવ્યું હતું ઋષિ કપૂરનું પહેલું ગીત! લતા-મન્ના ડેના અવાજે બનાવ્યું કલ્ટ ક્લાસિક</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/XOPTCE8IkjLm0EHww6FcOwGm0flvV9i1YdGGH9eI.webp'/></item><item><title><![CDATA[JPSC EXAM: જો સરકાર વિશ્વાસઘાત કરશે તો... હાઇકોર્ટના ઓર્ડર પર દેવેન્દ્ર મહતોએ આ શું કહ્યું? ]]></title><link>https://sandesh.com/india/news/jpsc-exam-row--devendra-mahto-reacts-to-jharkhand-hc-order</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/jpsc-exam-row--devendra-mahto-reacts-to-jharkhand-hc-order</guid><pubDate>Fri, 21 Aug 2026 11:58:25 +05:30</pubDate><description><![CDATA[<p>JPSC EXAM: ઝારખંડ હાઈકોર્ટે ગુરુવાર (20 ઓગસ્ટ, 2026) ના રોજ રાજ્ય સરકારના 11મી થી 13મી JPSC પરીક્ષાઓ અને તેની સાથે સંકળાયેલી નિમણૂકો રદ કરવાના આદેશ પર સ્ટે આપ્યો હતો. વિદ્યાર્થી નેતા દેવેન્દ્ર નાથ મહતોએ હવે આ આદેશ અંગે એક નિવેદન બહાર પાડ્યું છે.</p><p>દેવેન્દ્ર મહતોએ કહ્યું, "હું હાઈકોર્ટના આદેશનું સન્માન કરું છું. મને વિશ્વાસ છે કે હાઈકોર્ટ અમે જે મુદ્દાઓનો વિરોધ કરી રહ્યા હતા. ખાસ કરીને ઝારખંડમાં પેપર લીક અને અનિયમિતતાઓ જે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યને બરબાદ કરી રહ્યા છે તેના સંદર્ભમાં ન્યાય આપશે."</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/AHindinews/status/2090477525520761133"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b style="font-size: 1.5rem;">'અમે વિશ્વાસઘાત સહન નહીં કરીએ'</b></p><p>તેમણે કહ્યું, "જ્યારે હાઈકોર્ટે સરકારને તક આપી હતી, ત્યારે એડવોકેટ જનરલ કોર્ટમાં કેમ હાજર ન થયા? સરકારનું પ્રતિનિધિત્વ કરતા વકીલ CID તપાસ રિપોર્ટ યોગ્ય રીતે રજૂ કરવામાં કેમ નિષ્ફળ ગયા? આ સૂચવે છે કે સરકાર આ મામલાને દબાવવા માંગે છે... જો સરકાર અમારી સાથે વિશ્વાસઘાત કરશે અથવા મુદ્દાને ઢાંકવાનો પ્રયાસ કરશે, તો વિદ્યાર્થીઓનો શાંતિપૂર્ણ વિરોધ ચાલુ રહેશે. અમે વિશ્વાસઘાત સહન નહીં કરીએ..."</p><p><b style="font-size: 1.5rem;">જયપાલ સિંહ સ્ટેડિયમ ખાતે વિરોધ પ્રદર્શન માટે પરવાનગી નહીં</b></p><p>નોંધનીય છે કે 18 ઓગસ્ટના રોજ, ઝારખંડ મુક્તિ મોરચા (JMM) ની આગેવાની હેઠળની સરકારે 2014 થી યોજાયેલી 22 પરીક્ષાઓ રદ કરી હતી અને 23 અન્ય પરીક્ષાઓની તપાસનો આદેશ આપ્યો હતો. ગુરુવારે, હાઈકોર્ટે સરકારના નિર્ણય પર સ્ટે આપ્યો હતો. સરકારે એક મોટો નિર્ણય લીધો છે: જયપાલ સિંહ સ્ટેડિયમ ખાતે હવે કોઈપણ પ્રકારના વિરોધ પ્રદર્શનને મંજૂરી આપવામાં આવશે નહીં. વહીવટીતંત્રે સ્થળ પર પ્રતિબંધાત્મક આદેશો (BNS કલમ 163 હેઠળ) લાગુ કર્યા છે.<br><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/ex-army-chief-naravane-says-china-is-india-rsquo-s-long-term-rival" target="_blank"><b>'શાંતિ જોઈએ છે તો યુદ્ધ માટે તૈયાર રહો', EX આર્મી ચીફ નરવણેનું મોટું નિવેદન</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/7avtjpvfo3KXadglM3ZvryJStCGMbj4ywF5fAq1m.webp'/></item><item><title><![CDATA[H1N1 Case: દિલ્હીમાં વધ્યો સ્વાઇનફ્લુનો ખતરો, ડોક્ટર સહિત 1349 લોકો ચપેટમાં ]]></title><link>https://sandesh.com/india/news/h1n1-case-swine-flu-threat-increases-in-delhi-1349-people-including-doctors-infected</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/h1n1-case-swine-flu-threat-increases-in-delhi-1349-people-including-doctors-infected</guid><pubDate>Fri, 21 Aug 2026 11:56:39 +05:30</pubDate><description><![CDATA[<p>દિલ્હી-એનસીઆરમાં બદલાતા અને ભેજવાળા હવામાન વચ્ચે, H1N1 એટલે કે સ્વાઇન ફ્લૂના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં દિલ્હીમાં 1,349 કેસ નોંધાયા છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન 229 કેસ હતા.</p><p><b style="font-size: 2rem;">દિલ્હીમાં 6 ઘણા વધ્યા સ્વાઇન ફ્લુના કેસ&nbsp;</b></p><p>દિલ્હીમાં આ વર્ષે અત્યાર સુધીમાં H1N1 ના 1,349 કેસ નોંધાયા છે, જ્યારે ગયા વર્ષે સમાન સમયગાળા દરમિયાન ફક્ત 229 કેસ નોંધાયા હતા જે લગભગ 6 ગણો વધારો દર્શાવે છે. આ ઉપરાંત અન્ય શ્વસન ચેપથી પીડાતા દર્દીઓ પણ હોસ્પિટલોમાં જઈ રહ્યા છે. અહેવાલો દર્શાવે છે કે દિલ્હીની એક સરકારી હોસ્પિટલના વડા સહિત ઘણા ડોકટરોનો H1N1 માટેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ડોકટરોના મતે, ચોમાસુ અને ભેજવાળા હવામાન એવી પરિસ્થિતિઓ બનાવે છે જ્યાં ફ્લૂ અને શ્વસન ચેપ ઝડપથી ફેલાઈ શકે છે.</p><p><b style="font-size: 1.75rem;">H1N1 (સ્વાઇન ફ્લૂ) ના લક્ષણો શું છે?</b></p><p>H1N1 ના લક્ષણોમાં અચાનક ઉંચો તાવ, સૂકી ઉધરસ, શરીરમાં દુખાવો, માથાનો દુખાવો, ગળામાં દુખાવો, શરદી અને થાકનો સમાવેશ થઈ શકે છે. કેટલાક દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ અને ઓક્સિજનના સ્તરમાં ઘટાડો પણ થઈ શકે છે. જો કોઈને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, સતત ઉંચો તાવ, મૂંઝવણ, વાદળી હોઠ, અથવા લક્ષણો વધુ ખરાબ થતા રહે તો ડૉક્ટરો તાત્કાલિક તબીબી સહાય લેવાની સલાહ આપે છે.</p><p><b style="font-size: 1.75rem;">H1N1 થી કોને જોખમ છે?</b></p><p>વૃદ્ધો, નાના બાળકો અને સગર્ભા સ્ત્રીઓને H1N1 થી ગંભીર બીમારી થવાનું જોખમ વધારે છે. ડાયાબિટીસ, ક્રોનિક હૃદય અથવા ફેફસાના રોગો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતી વ્યક્તિઓને પણ ખાસ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે.</p><p>સારવાર અંગે, ડૉક્ટરો ઉચ્ચ જોખમ ધરાવતા અને ગંભીર રીતે બીમાર દર્દીઓ માટે એન્ટિવાયરલ દવા ઓસેલ્ટામિવીર લખી શકે છે. બીમારીની શરૂઆતના 48 કલાકની અંદર શરૂ કરવામાં આવે ત્યારે તે સૌથી અસરકારક માનવામાં આવે છે. જ્યાં સુધી બેક્ટેરિયલ ચેપ ન હોય ત્યાં સુધી H1N1 માટે સામાન્ય રીતે એન્ટિબાયોટિક્સ જરૂરી નથી.</p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/cxdOfELFzKT5ccYrQYjvGZAdVE7qxob5IgP9phS8.webp'/></item><item><title><![CDATA[Anand : 22ના મોત બાદ એક વર્ષમાં નવો ગંભીરા બ્રિજ તૈયાર,ઓગસ્ટના અંત સુધી લોકાર્પણની શક્યતા ]]></title><link>https://sandesh.com/gujarat/news/anand/new-gambhira-bridge-ready-after-22-deaths-tragedy</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/anand/new-gambhira-bridge-ready-after-22-deaths-tragedy</guid><pubDate>Fri, 21 Aug 2026 11:47:36 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">22 લોકોના જીવ લેનારી ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે નવો બ્રિજ તૈયાર થઈ ગયો છે. દુર્ઘટના બાદ વહીવટી તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા હતા અને સરકાર પણ ભારે ટીકાનો સામનો કરી રહી હતી. જોકે ઘટનાના માત્ર 1 વર્ષમાં જ નવા ગંભીરા બ્રિજનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે અને ઓગસ્ટના અંત સુધીમાં તેના લોકાર્પણની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>અંદાજે રૂ.212 કરોડના ખર્ચે  નવો બ્રિજ&nbsp;</b></h2><p style="text-align: justify; ">નવા ગંભીરા બ્રિજનું નિર્માણ અંદાજે રૂ.212 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. બ્રિજની કુલ લંબાઈ 868.75 મીટર છે અને તેમાં કુલ 23 સ્પાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક સ્પાનની લંબાઈ 37.75 મીટર રાખવામાં આવી છે.</p><p style="text-align: justify; "><img alt="New Gambhira Bridge Ready Within One Year After Tragedy That Claimed 22 Lives" src="https://epapercdn.sandesh.com/images/2026/08/21/TdOyVMedU42nQnHuQpS2Qpe4ASPot2WN3HqWd1k5.webp" style="width: 100%;"><br></p><h3 style="text-align: justify; "><b>હેવી લોડિંગ સ્ટેટિક ટેસ્ટિંગ પણ પૂર્ણ</b></h3><p style="text-align: justify; ">બ્રિજ શરૂ કરતા પહેલા તેની મજબૂતાઈ અને ક્ષમતાની ચકાસણી માટે હેવી લોડિંગ સ્ટેટિક ટેસ્ટિંગ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ ટેસ્ટિંગ બાદ હવે બ્રિજને વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવાની તૈયારીઓ તેજ થઈ રહી છે.</p><p style="text-align: justify; "><img alt="New Gambhira Bridge Ready Within One Year After Tragedy That Claimed 22 Lives" src="https://epapercdn.sandesh.com/images/2026/08/21/cfzrOQ33xQCJYR1hfljpuYdppmAHJAhrcYNCQGFE.webp"><br></p><h4 style="text-align: justify; "><b>10 મીટર પહોળો કેરેજ-વે તૈયાર કરવામાં આવ્યો</b></h4><p style="text-align: justify; ">નવા બ્રિજમાં વાહન વ્યવહારને વધુ સુગમ બનાવવા માટે 10 મીટર પહોળો કેરેજ-વે તૈયાર કરવામાં આવ્યો છે. સાથે જ પદયાત્રીઓની સુરક્ષા અને અવરજવર માટે 1.5 મીટર પહોળો ફૂટપાથ પણ બનાવવામાં આવ્યો છે.</p><h4 style="text-align: justify; "><b>બ્રિજ દુર્ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે આક્રોશ જગાવ્યો હતો</b></h4><p style="text-align: justify; ">ગંભીરા બ્રિજ દુર્ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે આક્રોશ જગાવ્યો હતો. 22 લોકોના મોત બાદ બ્રિજની જાળવણી, નિરીક્ષણ અને જવાબદાર તંત્રની કામગીરીને લઈને ગંભીર સવાલો ઊભા થયા હતા. હવે નવા બ્રિજનું નિર્માણ પૂર્ણ થતાં લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.</p><p style="text-align: justify; "><img alt="New Gambhira Bridge Ready Within One Year After Tragedy That Claimed 22 Lives" src="https://epapercdn.sandesh.com/images/2026/08/21/vGjtPLw6gUzx89bnNVXQOykTWIPaHtiQ6dw2IQAt.webp" style="width: 100%;"><br></p><h5 style="text-align: justify; "><b>ઓગસ્ટના અંત સુધીમાં નવા ગંભીરા બ્રિજનું લોકાર્પણ થઈ શકે</b></h5><p style="text-align: justify; ">જો તમામ પ્રક્રિયા સમયસર પૂર્ણ થશે તો ઓગસ્ટના અંત સુધીમાં નવા ગંભીરા બ્રિજનું લોકાર્પણ થઈ શકે છે. એક દુર્ઘટના બાદ ઊભા થયેલા પ્રશ્નો વચ્ચે માત્ર 1 વર્ષમાં નવો બ્રિજ તૈયાર થવો હવે વહીવટી તંત્ર માટે મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે જોવામાં આવી રહ્યો છે..&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp;&nbsp;<a href="https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/bhavnagar-hooch-tragedy-61-affected-critical-patients-smc-investigation" target="_blank"><b>Live Bhavnagar લઠ્ઠાકાંડ : મૃતકના શરીરમાં 200 એમએલથી વધુ મિથેનોલ મળ્યું</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/XtkvgZHuy2MNjrAlmBMVnEFKXvbCK8NOONJGnf3E.webp'/></item><item><title><![CDATA[Dollar ના વર્ચસ્વને રૂપિયાનો પડકાર, ઇન્ટરનેશનલ બિઝનેસમાં ભારતીય ચલણમાં ચુકવણી સ્વીકારાશે ]]></title><link>https://sandesh.com/business/news/world/rupee-settlement-international-trade-challenge-dollar</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/world/rupee-settlement-international-trade-challenge-dollar</guid><pubDate>Fri, 21 Aug 2026 11:42:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આંતરરાષ્ટ્રીય વેપારમાં ભારતીય રૂપિયાના ઉપયોગને વધુ વ્યાપક બનાવવા માટે સરકારે એક મોટો નિયમનકારી અવરોધ દૂર કર્યો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલી સૂચના અનુસાર, વિદેશી વેપાર નીતિ 2023 માં તાત્કાલિક અસરથી મહત્વપૂર્ણ સંશોધન કરવામાં આવ્યા છે. આ નવા નિયમ હેઠળ, નિકાસકારો હવે દેશની વિદેશી વેપાર નીતિ હેઠળ મળતા પ્રોત્સાહનો અને લાભો જાળવી રાખીને, ભારતીય ચલણમાં ચુકવણી સ્વીકારી શકે છે. આ પગલું પરંપરાગત મુક્તપણે રૂપાંતરિત ચલણો પર આધારિત હાલની સિસ્ટમની બહારની એક વધારાની સુરક્ષિત ચુકવણી પદ્ધતિ પૂરી પાડે છે.</p><h2 style="text-align: justify; "><b>નવા નિયમોની મુખ્ય વિશેષતાઓ</b></h2><p style="text-align: justify; ">નવા વિદેશી વેપાર નીતિ નિયમો હેઠળ, એશિયન ક્લિયરિંગ યુનિયન (ACU) પ્રાદેશિક ચુકવણી પ્રણાલીની બહારના દેશોમાં નિકાસકારો હવે ભારતીય રૂપિયામાં કરાર અને ઇન્વોઇસ સેટલ કરી શકે છે. નેપાળ અને ભૂટાન સિવાય કોઈપણ દેશમાં કરવામાં આવતી નિકાસ, જે માન્ય બેંકિંગ ચેનલો દ્વારા રૂપિયામાં ચૂકવવામાં આવે છે, તે તમામ FTP લાભો માટે પાત્ર રહેશે. ઈરાનના કિસ્સામાં, સૂચના રૂપિયામાં વેપાર માટે હાલના રક્ષણાત્મક પગલાં જાળવી રાખે છે અને ભારતની આંતરરાષ્ટ્રીય પરમાણુ અપ્રસાર પ્રતિબદ્ધતાઓ સંબંધિત સંવેદનશીલ માલ અને તકનીકો પર લાગુ પડે છે.</p><h3 style="text-align: justify; "><b>નિકાસકારો માટે ભારતીય ચલણની નવી છૂટ</b></h3><p style="text-align: justify; ">આ ફેરફાર જુલાઈ 2022 માં શરૂ થયેલી નિયમનકારી પ્રક્રિયાને પૂર્ણ કરે છે, જ્યારે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ સ્પેશિયલ રૂપી વોસ્ટ્રો એકાઉન્ટ્સ (SRVA) દ્વારા રૂપિયામાં આંતરરાષ્ટ્રીય વેપારના સેટલમેન્ટની સિસ્ટમ રજૂ કરી હતી. અગાઉ, FTP નિયમોમાં સ્પષ્ટતાના અભાવે નિકાસકારોમાં અનિશ્ચિતતા હતી કે આવી રસીદો પ્રોત્સાહનો માટે પાત્ર બનશે કે નહીં. DGFT ના આ નવા સુધારાથી આ તમામ અસમંજસતા દૂર થઈ ગઈ છે.</p><h4 style="text-align: justify; "><b>વૈશ્વિક આર્થિક પરિપ્રેક્ષ્ય અને ફાયદા</b></h4><p style="text-align: justify; ">આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે વૈશ્વિક સ્તરે ચલણના વર્ચસ્વને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. ભારત સ્પષ્ટ કરી ચૂક્યું છે કે રૂપિયાનું આંતરરાષ્ટ્રીયકરણ વૈશ્વિક વેપારમાં સ્થાનિક ચલણનો ઉપયોગ વધારવા માટે છે, ન કે હાલની વિદેશી ચલણ પ્રણાલીને સંપૂર્ણપણે બદલવા માટે. ડોલર-આધારિત આંતરરાષ્ટ્રીય પ્રણાલી ઘણીવાર દેશોને પશ્ચિમી પ્રતિબંધો સામે સંવેદનશીલ બનાવે છે, જેમાંથી બચવા માટે સ્થાનિક ચલણમાં વેપાર ફાયદાકારક સાબિત થાય છે.</p><h5 style="text-align: justify; "><b>વેપારીઓને મળશે નવો વિકલ્પ</b></h5><p style="text-align: justify; ">આ ફેરફાર ખાસ કરીને એવા દેશો માટે અત્યંત ઉપયોગી છે જે યુએસ ડોલરની અછતનો સામનો કરી રહ્યા છે અથવા સ્થાપિત આંતરરાષ્ટ્રીય ચુકવણી પ્રણાલીઓનો ઉપયોગ કરવામાં મુશ્કેલી અનુભવે છે. રૂપિયામાં સેટલમેન્ટ કરવાથી ચલણ રૂપાંતરનો ખર્ચ ઘટે છે અને વેપારીઓને નવો વિકલ્પ મળે છે. નિષ્ણાતોના મતે, આ વ્યવસ્થાથી ભવિષ્યમાં ભારતની મોટી વિદેશી વિનિમય અનામત જાળવવાની જરૂરિયાત પણ ઓછી થઈ શકે છે અને ચાલુ ખાતાની ખાધ નિયંત્રણમાં મદદ મળી શકે છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/gallery/news/-do-animals-experience-love-and-sadness-emotions" target="_blank">આ પણ વાંચોઃ પ્રાણીઓ વચ્ચે કેવી રીતે પ્રેમ થાય છે? તેઓ પણ દુખી થાય છે ખરી?</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/jiJq1EJw3SYEi3LZv42T1J2oJwEzG8H1sBXbEdCx.webp'/></item><item><title><![CDATA[INDIAએ એશિયન ઓપન શોર્ટ ટ્રેક સ્પીડ સ્કેટિંગ ટ્રોફી 2026માં જીત્યા 44 મેડલ ]]></title><link>https://sandesh.com/sports/news/india/india-wins-44-medals-at-asian-open-short-track-speed-skating-trophy-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india/india-wins-44-medals-at-asian-open-short-track-speed-skating-trophy-2026</guid><pubDate>Fri, 21 Aug 2026 11:20:37 +05:30</pubDate><description><![CDATA[<p>Dehradunના મહારાણા પ્રતાપ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્થિત હિમાદ્રિ આઈસ રિંકમાં ચાર દિવસ સુધી ચાલેલી રમત ઓપન શોર્ટ ટ્રેક સ્પીડ સ્કેટિંગ ટ્રોફી 2026નું રોમાંચક સમાપન થયું. એશિયાના 14 દેશોના ટોચના ખેલાડીઓ વચ્ચે યોજાયેલી આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતે શાનદાર પ્રદર્શન કરતાં કુલ 44 મેડલ જીત્યા. જેમાં 13 ગોલ્ડ, 13 સિલ્વર અને 18 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.</p><h2><b>ફાઈનલ ડે પર પણ ભારતનો દબદબો</b></h2><p>ગોલ્ડ મેડલની સંખ્યાના આધારે ભારત બીજા સ્થાને, જ્યારે થાઈલેન્ડે 16 ગોલ્ડ સાથે ચેમ્પિયનશિપન મેડલમાં પ્રથમ સ્થાને રહ્યું. ચીને 12 ગોલ્ડ, 11 સિલ્વર અને 8 બ્રોન્ઝ સહિત કુલ 31 મેડલ સાથે ત્રીજા સ્થાને રહ્યું હતું. સ્પર્ધાના અંતિમ દિવસે પણ ભારતીય ખેલાડીઓએ શાનદાર દેખાવ કર્યો. જુનિયર A બોયઝ 500 મીટરમાં  ભારતના પ્રણવ માધવ સુરપાનેનીએ બ્રોન્ઝ મેડલ જીત્યો. તેણે 44.13 સેકન્ડના સમય સાથે પોડિયમ પર સ્થાન મેળવ્યું. ઈન્ડોનેશિયાના કાયશાન અજરી પુત્રા ફિરદૌસે ગોલ્ડ અને થાઈલેન્ડના કૃત્સનાપોન ફૌત્રાકુલે સિલ્વર મેડલ જીત્યો.</p><h3><b>ભારતના કીર્તિ રાજ સિંહે બ્રોન્ઝ મેડલ મેળવ્યો</b></h3><p>જુનિયર C બોયઝ 777 મીટરમાં ભારતના સિદ્ધાંત માંજરેએ ગોલ્ડ મેડલ જીતીને શાનદાર પ્રદર્શન કર્યું. સિદ્ધાંતે 1 મિનિટ 13.50 સેકન્ડના સમય સાથે પ્રથમ સ્થાન મેળવ્યું. હોંગકોંગના કાર્લ મેનને સિલ્વર અને ઉઝબેકિસ્તાનના મખમુદોવ અલીશેરે બ્રોન્ઝ મેડલ જીત્યો.જુનિયર B બોયઝ 1000 મીટરમાં ભારતના બે ખેલાડીઓએ પોડિયમ પર સ્થાન મેળવ્યું. થાઈલેન્ડના કોસ્ટિવાનિચ ઔન્નીપિતે ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે ભારતના આરવ અનિરુદ્ધ પટવર્ધને 1 મિનિટ 29.68 સેકન્ડના સમય સાથે સિલ્વર અને ભારતના જ અદ્વૈત કોઠારીએ 1 મિનિટ 29.78 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો. જુનિયર A બોયઝ 1000 મીટરમાં ભારતને સિલ્વર મેડલ, દક્ષિણ કોરિયાના હ્વાંગ સેઓજિને ગોલ્ડ, ભારતના પ્રણવ માધવ સુરપાનેનીએ 1 મિનિટ 33.93 સેકન્ડ સાથે સિલ્વર અને ઈન્ડોનેશિયાના કાયશાન અજરી પુત્રા ફિરદૌસે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.</p><h4><b>રિલેમાં પણ ભારતે જીત્યા બે બ્રોન્ઝ</b></h4><p>ફાઈનલ ડે પર રિલે સ્પર્ધાઓમાં પણ ભારતે પોડિયમ પર સ્થાન મેળવ્યું. મહિલા 3000 મીટર રિલેમાં થાઈલેન્ડે ગોલ્ડ, ચાઈનીઝ તાઈપેઈએ સિલ્વર અને ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો. જ્યારે પુરુષ 3000 મીટર રિલેમાં હોંગકોંગે ગોલ્ડ, થાઈલેન્ડે સિલ્વર અને ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો. સ્પર્ધાની અંતિમ મેડલ ટેલીમાં થાઈલેન્ડ 16 ગોલ્ડ, 6 સિલ્વર અને 3 બ્રોન્ઝ સહિત કુલ 25 મેડલ સાથે પ્રથમ સ્થાને રહ્યું. ભારતે 13 ગોલ્ડ, 13 સિલ્વર અને 18 બ્રોન્ઝ સાથે કુલ 44 મેડલ મેળવીને બીજું સ્થાન મેળવ્યું. ચીન 12 ગોલ્ડ, 11 સિલ્વર અને 8 બ્રોન્ઝ સાથે કુલ 31 મેડલ મેળવી ત્રીજા સ્થાને રહ્યું.</p><h4><b>ભારત માટે ભવિષ્યમાં નવી આશાઓ જગાવી</b></h4><p> </p><p>ભારત ગોલ્ડ મેડલની સંખ્યામાં થાઈલેન્ડથી પાછળ રહીને બીજા સ્થાને રહ્યું, પરંતુ 44 મેડલ સાથે કુલ મેડલની સંખ્યામાં તેનો દેખાવ ખૂબ જ મજબૂત રહ્યો.હવે આ સ્પર્ધામાંથી મળેલા અનુભવ અને ક્વોલિફિકેશન બાદ ભારતીય ખેલાડીઓની નજર વર્લ્ડ કપ અને આગામી ઓલિમ્પિક્સ પર રહેશે. દેહરાદૂનની બરફ પર ચાર દિવસ ચાલેલી આ રમતમાં ભારતીય શોર્ટ ટ્રેક સ્પીડ સ્કેટિંગના ભવિષ્ય માટે નવી આશાઓ ઉભી થઈ છે.</p><p><a href="https://sandesh.com/" target="_blank" style="background-color: rgb(255, 255, 255);">વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ&nbsp;</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/Bous7Kt2ImsBV1z9khFeHs12xByxSpQvCM07CONy.webp'/></item><item><title><![CDATA[Jamnagar LCBએ લાલપુર હાઇવે પર ટેમ્પોના ચોરખાનામાંથી 2065 વિદેશી દારૂના ચપલા કર્યા જપ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/jamnagar/jamnagar-lcb-liquor-seized-lalpur-highway</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/jamnagar/jamnagar-lcb-liquor-seized-lalpur-highway</guid><pubDate>Fri, 21 Aug 2026 10:54:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જામનગર એલસીબી (LCB) પોલીસે દારૂની હેરાફેરી સામે મોટો પ્રહાર કર્યો છે. જામનગર-લાલપુર હાઇવે પરથી પસાર થઈ રહેલા એક શંકાસ્પદ પેસેન્જર ટેમ્પોને આંતરીને પોલીસે તલાશી લીધી હતી. આ તલાશી દરમિયાન વાહનની અંદર બનાવવામાં આવેલા ગુપ્ત ચોરખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના 2,065 અડધિયા(ચપલા)નો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂ અને ટેમ્પો કાર સહિત કુલ રૂપિયા 10 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને દરેડ ગામના રહેવાસી વિજયસિંહ બહાદુરસિંહ જાડેજા નામના શખ્સને સ્થળ પરથી જ દબોચી લીધો હતો.</p><h2 style="text-align: justify; "><b>પેસેન્જર વાહનમાં ચાલતું હતું ગેરકાયદે નેટવર્ક</b></h2><p style="text-align: justify; ">બુટલેગરો દ્વારા પોલીસને ચકમો આપવા માટે પેસેન્જર વાહનની આડમાં દારૂની હેરાફેરી કરવાનો નવો કીમિયો અપનાવવામાં આવ્યો હતો. વાહનમાં એવી રીતે ખાસ ચોરખાનું બનાવવામાં આવ્યું હતું કે પ્રથમ નજરે કોઈને પણ દારૂનો જથ્થો હોવાની આશંકા ન જાય. પરંતુ જામનગર એલસીબીની ટીમે ઝીણવટભરી તપાસ કરીને આ ગુપ્ત ખાનામાંથી દારૂનો વિશાળ જથ્થો શોધી કાઢ્યો હતો. પોલીસે દારૂની બોટલો અને વાહન જપ્ત કરીને આરોપી સામે દારૂબંધી ધારા (પ્રોહિબિશન એક્ટ) મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.</p><h3 style="text-align: justify; "><b>સમગ્ર મામલે પોલીસ તપાસ તેજ</b></h3><p style="text-align: justify; ">આરોપીની અટકાયત કર્યા બાદ પોલીસે આ ગેરકાયદેસર નેટવર્કનું મુળ સુધી પહોંચવા સઘન પૂછપરછ શરૂ કરી છે. દારૂનો આટલો મોટો જથ્થો ક્યાંથી સપ્લાય કરવામાં આવ્યો હતો અને જામનગરમાં આ જથ્થો કોણે મંગાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ પ્રકરણમાં અન્ય કયા મોટા બુટલેગરોના નામ ખુલશે તે તરફ સૌની નજર મંડાયેલી છે. એલસીબીની આ સફળ કામગીરીથી અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/Zej9STiEpumEuRkA0JvqKWHk2qXw1hxNNSlLp0Td.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : નિકોલમાં નકલી દારૂ ફેક્ટરીનો પર્દાફાશ, સસ્તા દારુની બોટલમાં કેમિકલવાળો માલ બનાવવાનો ખેલ ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-nikol-fake-liquor-premium-brand-label-racket</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-nikol-fake-liquor-premium-brand-label-racket</guid><pubDate>Fri, 21 Aug 2026 10:38:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના નિકોલ વિસ્તારમાં નકલી વિદેશી દારૂ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સસ્તી બ્રાન્ડના દારૂમાં અલગ-અલગ કેમિકલ અને ફ્લેવર ભેળવી તેને મોંઘી બ્રાન્ડના નામે વેચવાની તૈયારી ચાલી રહી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે 3 લોકો સામે ગુનો નોંધી 1 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>વાહનની ડેકીમાંથી દારૂની એક બોટલ મળી આવી</b></h2><p style="text-align: justify; ">નિકોલ પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલને મળેલી બાતમીના આધારે અટલ આવાસ યોજનાના ગેટ પાસે દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં જ્યુપિટર વાહન સાથે ઉભેલા સુનિલ ઉર્ફે સોનુ રમેશભાઈ માખીજાને ઝડપી લેવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન વાહનની ડેકીમાંથી દારૂની એક બોટલ મળી આવી હતી.</p><h3 style="text-align: justify; "><b>દિનેશ જંડાવાલાના ઘરેથી શંકાસ્પદ પ્રવાહી ભરેલી 4 બોટલો મળી&nbsp;</b></h3><p style="text-align: justify; ">આરોપી પાસેથી અંદાજે રૂ.5,000ની કિંમતનો એન્ડ્રોઇડ મોબાઇલ પણ કબજે કરવામાં આવ્યો હતો. પૂછપરછના આધારે તપાસ આગળ વધારતાં કુબેરનગર વિસ્તારમાં દિનેશ જંડાવાલાના ઘરેથી શંકાસ્પદ પ્રવાહી ભરેલી 4 બોટલો મળી આવી હતી. ઉપરાંત પ્લાસ્ટિકની 4 બોટલો અને અન્ય સામગ્રી પણ કબજે કરવામાં આવી હતી. પોલીસે કુલ રૂ.9,500નો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું સામે આવ્યું છે.</p><h4 style="text-align: justify; "><b>સસ્તી બ્રાન્ડના દારૂમાં કેમિકલ અને ફ્લેવર ભેળવતા</b></h4><p style="text-align: justify; ">તપાસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો કે સસ્તી બ્રાન્ડના દારૂમાં વિવિધ કેમિકલ અને ફ્લેવર ભેળવી તેનો સ્વાદ અને દેખાવ બદલવામાં આવતો હતો. ત્યારબાદ ખાલી બોટલોમાં આ દારૂ ભરી મોંઘી બ્રાન્ડના બનાવટી સ્ટીકર અને સીલ લગાવી તેને વેચાણ માટે તૈયાર કરવામાં આવતો હતો.</p><h4 style="text-align: justify; "><b>ભંગારની દુકાનમાંથી ખાલી બોટલો, બ્રાન્ડેડ સ્ટીકર લાવતા</b></h4><p style="text-align: justify; ">તપાસમાં એવી વિગતો પણ સામે આવી છે કે દિનેશ જંડાવાલા ચામુંડા બ્રિજ પાસે આવેલી ભંગારની દુકાનમાંથી ખાલી બોટલો, બ્રાન્ડેડ સ્ટીકર અને સીલ લાવતો હતો. એટલે કે નકલી દારૂને અસલી અને મોંઘી બ્રાન્ડનો દેખાવ આપવા માટે આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.</p><h4 style="text-align: justify; "><b>સુનિલ માખીજાની ધરપકડ</b></h4><p style="text-align: justify; ">પોલીસે સુનિલ ઉર્ફે સોનુ માખીજા અને દિનેશ જંડાવાલા સહિત 3 લોકો સામે ગુનો નોંધ્યો છે. હાલ સુનિલ માખીજાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ફરાર દિનેશ જંડાવાલા સહિત અન્ય આરોપીઓ સુધી પહોંચવા તપાસ તેજ કરવામાં આવી છે.&nbsp; &nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો :&nbsp; &nbsp;&nbsp;<a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/bhavnagar-fake-english-liquor-methanol-network-9-deaths" target="_blank"><b>Bhavnagar નકલી દારૂકાંડમાં બોગસ કંપનીથી બની ‘મોતની બ્રાન્ડ’, સરકારી તંત્રનું 'ટોપ ટુ બોટમ' ફેઈલ્યોર</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/aFevrfuSZipPwfAQ6d1knrS7yG9NAdXfM4vfRBuN.webp'/></item></channel></rss>