<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Dabhoi: ડભોઇ-વેગા ઓવરબ્રિજ પર ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય : અકસ્માતનો ભય ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dabhoi/dabhoi-bushes-and-bushes-dominate-the-dabhoi-vega-overbridge-fear-of-accidents</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dabhoi/dabhoi-bushes-and-bushes-dominate-the-dabhoi-vega-overbridge-fear-of-accidents</guid><pubDate>Sun, 26 Jul 2026 01:29:34 +05:30</pubDate><description><![CDATA[<p>ડભોઇ - બોડેલીને જોડતા મુખ્ય માર્ગ પર આવેલા વેગા ઓવરબ્રિજ પરથી નીચે ઉતરતા જ રેલિંગની આસપાસ મોટા પ્રમાણમાં ઝાડી - ઝાંખરાં ઉગી નીકળ્યા છે. જેના કારણે સામેથી આવતાં વાહનો સ્પષ્ટ દેખાતાં ન હોવાથી અકસ્માતનો ગંભીર ભય ઉભો થયો છે. તંત્રની બેદરકારીના કારણે હાલ અહીંથી પસાર થતા હજારો વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.</p><p>સ્ટેટ હાઈવે વિભાગની ઉદાસીનતા નિયમ મુજબ જે સફાઈ અને ઝાડી-ઝાંખરાં દૂર કરવાની કામગીરી ચોમાસા પહેલાં કે ઉનાળા દરમિયાન કરી દેવાની હોય છે, તે કામગીરી સ્ટેટ હાઈવે વિભાગ અધિકારીઓની આ લાપરવાહી અને આળસનું પરિણામ હવે સામાન્ય વાહનચાલકોએ ભોગવવું પડી રહ્યું છે. ડભોઇથી બોડેલી તરફ્ જતો આ એક અત્યંત મહત્વનો અને સતત ધમધમતો સ્ટેટ હાઈવે છે. અહીંથી રોજના હજારો નાના-મોટાં વાહનો, એસ.ટી. બસો અને ભારે વાહનો પસાર થાય છે. બ્રિજ પરથી ઉતરતી વખતે વળાંક અને રેલિંગ પાસે ઉગી નીકળેલાં ઝાડી-ઝાંખરાંને લીધે બ્લાઈન્ડ સ્પોટ ઉભો થયો છે, જેથી સામેથી કોઈ વાહન આવે છે કે નહીં તે દેખાતું જ નથી. તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જુએ છે?સ્થાનિકો અને વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ તો વાહનચાલકો એક જ માંગ કરી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે યુદ્ધના ધોરણે આ ઝાડી-ઝાંખરાંની સાફ્-સફાઈ કરવામાં આવે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/26/AxCnwPEY2Fk93BtVBf5UcyeQ8vY0A0RblBqFdxG2.webp'/></item><item><title><![CDATA[Sankheda: સંખેડા - બહાદરપુર વચ્ચે નવું બનાવેલું ડાયવર્ઝન ધોવાઈ ગયું ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/sankheda/sankheda-the-newly-constructed-diversion-between-sankheda-bahadarpur-was-washed-away</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/sankheda/sankheda-the-newly-constructed-diversion-between-sankheda-bahadarpur-was-washed-away</guid><pubDate>Sun, 26 Jul 2026 01:28:51 +05:30</pubDate><description><![CDATA[<p>હવામાન વિભાગના રેડ એલર્ટ વચ્ચે શુક્રવારની રાત્રીએ મેઘરાજાએ સંખેડા તાલુકામાં ધમધમાટી બોલાવતા 12 કલાકમાં 20 મિ.મી સાથે ચાલુ સિઝનમાં અત્યાર સુધી કુલ 10 ઈંચ વરસાદ ખાબકી જતાં ખેડૂતો ખુશાલ થઈ ગયા છે. છ મહિના પહેલા સંખેડા - બહાદરપુર વચ્ચે રૂા.એક કરોડથી પણ વધુ ખર્ચે બનાવેલ ડાયવર્ઝન ત્રણ દિવસ અગાઉ ઓરસંગ નદીના પ્રથમ પૂરમાં જ ધોવાઈ ગયા હતાં.</p><p>ગત મધરાત્રીથી શરૂ થયેલા વરસાદે શનિવારના દિવસે પણ વરસવાનું ચાલુ રાખતા સંખેડા નગર સહિત તાલુકાના ગામોમાં પાણી પાણી થઈ જતા ખેડૂતોમાં ખુશાલી જોવા મળી રહી છે અને આ વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. સર્જાયેલા વરસાદી માહોલને પગલે ખેડૂતો દ્વારા કરાયેલ વાવેતરમાં નવા પ્રાણ ફૂંકાયા છે. ચોમાસાની ઋતુ શરૂ થવા છતાં છેલ્લા ઘણા દિવસોથી વાતાવરણમાં ઉકળાટ અને બફારો અનુભવાઈ રહવાના સાથે વરસાદના કોઈ આસાર નહીં જણાતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ હતી, પરંતુ હવે મોડે મોડે પણ મેઘરાજા મહેરબાન થતા ખેડૂતોમાં ભારે ખુશાલી સાથે તેઓના ચહેરા ઉપર ચમક આવી જવા પામી છે. બીજી તરફ્ નદી, નાળા, તળાવો પણ સુકાવા લાગતા પશુ પાલકો સહિત ખેડૂતોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જોકે છેલ્લા ચાર દિવસથી વરસેલા વરસાદને પગલે નદી, નાળા, તળાવમાં નવા પાણીની આવક થતાં આહલાદક સૌંદર્ય જોવા મળી રહ્યું છે. છ મહિના પહેલા સંખેડા - બહાદરપુર વચ્ચે રૂા.એક કરોડથી પણ વધુ ખર્ચે બનાવેલ ડાયવર્ઝન ત્રણ દિવસ અગાઉ ઓરસંગ નદીના પ્રથમ પૂરમાં જ ધોવાઈ ગયા હતાં. નદીના નવા નિરને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતાં.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/26/OjjBY8JzKRUOn0WRDLiYFx3fY7yjJFo0abAlVSqo.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: આલુ-અખરોટ-અંજીર સસ્તા : ગ્રીન પિસ્તા મોંઘા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-plums-walnuts-figs-cheap-green-pistachios-expensive</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-plums-walnuts-figs-cheap-green-pistachios-expensive</guid><pubDate>Sun, 26 Jul 2026 01:13:06 +05:30</pubDate><description><![CDATA[<p>સોમવારથી ગૌરીવ્રતનો પ્રારંભ થશે. પાંચ દિવસ કુંવારિકાઓ મનના માણીગરને પામવા દેવાધિદેવ મહાદેવની શ્રદ્ધાભેર પૂજા-અર્ચન-ભક્તિ કરવા સાથે અલૂણા વ્રત કરશે. એ પૂર્વે સૂકામેવા, ફળફળાદિ, પૂજાપાના ભાવમાં ઉથલ-પાથલ સર્જાઇ છે.</p><p>શહેરના હાથીખાનામાં સૂકામેવાના હોલસેલર સહિત શહેરભરમાં 41 કરતા વધુ વેપારીઓએ ગૌરીવ્રતને અનુલક્ષીને રૂ.10 કરોડના સૂકામેવા મગાવ્યા છે. આ વર્ષે પાક વધુ ઊતરતા આલુ-અખરોટ-અંજીરના ભાવમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. પરંતુ સોલ્ટેડ અને ગ્રીન પિસ્તાના ભાવમાં વધારો નોંધાયો છે. હાથીખાનાના હોલસેલર પ્રવિણ મહેશ્વરી(પરમેશ્વર)એ ઉલ્લેખ્યું હતું કે અફઘાનિસ્તાનથી આયાત કરાતા અંજીરનો 1 કિલોનો ભાવ રૂ.1200 હતો જે ઘટીને આ વર્ષે રૂ.900 થયો છે. આ મુજબ આલુ રૂ.600થી ઘટીને રૂ.450, જમ્મુ-કાશ્મિર અને અમેરિકાના ચિલીથી આવતા અખરોટનો ભાવ રૂ.800થી રૂ.700, કાજુનો ભાવ રૂ.900 થી 850 થયો છે. જ્યારે, બદામનો ભાવ રૂ.750થી રૂ.950 થવા પાછળ પાક ઓછો ઊતરતા શોર્ટેજ સર્જાતા ભાવ વધવા પામ્યો છે. ઇરાનથી આવતા સોલ્ટેડ પિસ્તા રૂ.1200થી વધીને રૂ.1500 તેમજ ગ્રીન પિસ્તા રૂ.2000થી રૂ.2600 થયા છે. કેરાલાથી આવતા કોપરાનો ક્રોપ ઓછો ઊતરતા ભાવ રૂ.300થી વધીને રૂ.450 થયો છે. મહારાષ્ટ્રના સાંગલીથી આવતી સૂકી દ્રાક્ષનો ભાવ રૂ.450 થયો છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/26/jbAeMF60X9pGE1L7Fv1yiYuAVHGOY5pED28rljcj.webp'/></item><item><title><![CDATA[Vadodara: કામનાથ મહાદેવ મંદિર ખાતે સાંજે 6 કલાકે 108 દીવડા થકી મહાઆરતી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-maha-aarti-with-108-lamps-at-6-pm-at-kamnath-mahadev-temple</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-maha-aarti-with-108-lamps-at-6-pm-at-kamnath-mahadev-temple</guid><pubDate>Sun, 26 Jul 2026 01:11:13 +05:30</pubDate><description><![CDATA[<p>ગુરુપૂર્ણિમાનો પાવન પર્વ વડોદરા માટે એક ઐતિહાસિક ક્ષણ બને એ માટે નવનાથ મહાદેવ પૈકી કમાટીબાગ પાછળ કામનાથ મહાદેવ ખાતે પ્રથમ વખત વિશ્વામિત્રી નદીની મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વડોદરાવાસીઓ માટે ગુરુ અને નદીની વંદના કરવાના ભાવ સાથે કાર્યક્રમ યોજવામાં આવશે. શહેરના પ્રતિષ્ઠિત પંડિતો-બ્રાહ્મણો દ્વારા પવિત્ર મંત્રો અને શ્લોકોનું ઉચ્ચારણ કરાશે. ત્યારબાદ 108 દીવડાથી વિશ્વામિત્રીની મહાઆરતી કરવામાં આવશે. શિવ ભક્ત અને પૂર્વ કોર્પોરેટર રૂપલબેન મહેતાએ વધુમાં ઉલ્લેખ્યું હતું કે જેમ ગંગા, યમુના અને નર્મદાની મહાઆરતી કરાય છે. એમ, વડોદરાની જીવાદોરી સમાન વિશ્વામિત્રી નદીની પૂજાનો પ્રારંભ કરાશે. મહાઆરતી દરમિયાન નદીને સ્વચ્છ રાખવાનો અને તેનું જતન કરવાનો સંદેશ પણ આપવામાં આવશે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/26/VH470AvFp4YCSvE3P1mCfbEnyl8IM21EWyeegZJD.webp'/></item><item><title><![CDATA[Vadodara: ભક્તો ભિંજાવા સાથે ભક્તિરસમાં તલ્લીન થયા : ઠેર-ઠેર સ્વાગત કરાયું ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-devotees-immersed-themselves-in-devotion-with-enthusiasm-welcomed-everywhere</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-devotees-immersed-themselves-in-devotion-with-enthusiasm-welcomed-everywhere</guid><pubDate>Sun, 26 Jul 2026 01:10:25 +05:30</pubDate><description><![CDATA[<p>માંડવી ટાવરથી ભગવાન શ્રીવિઠ્ઠલનાથજીનો 433મો વરઘોડો ધાર્મિક-શાસ્ત્રોક્ત પરંપરા મુજબ પ્રસ્થાન કરાવાયો હતો. વરઘોડાના રૂટ પર વરસાદનું વિઘ્ન જારી રહેતા ભગવાનના રથ અને લાકડાના અશ્વોને પારદર્શક પ્લાસ્ટિકથી ઢાંકવા પડયા હતા. સમીસાંજે વરઘોડો નિજ મંદિરે પરત ફરતા આરતી સહિતની વિધિ નિભાવવામાં આવી હતી.</p><p>શનિવારે સવારે 9.30 કલાકે ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો વરઘોડો પ્રસ્થાન કરાવતા પૂર્વે રાજમાતા શુભાંગિનીદેવી ગાયકવાડે પૂજન-અર્ચન-આરતી કરી હતી. જે સાથે વિઠ્ઠલ-વિઠ્ઠલ-વિઠ્ઠલા, હરિઓમ વિઠ્ઠલાના ભજન-કીર્તન સાથે ભક્તો ભાવવિભોર બન્યા હતા. વરઘોડાના પ્રારંભથી કીર્તિમંદિર-કેદારેશ્વર મહાદેવ સુધી વરસાદનું વિઘ્ન જારી રહ્યું હતું. જેને પગલે ભગવાનનો રથ અને લાકડાના શણગારેલા અશ્વોને પારદર્શક પ્લાસ્ટિકના આવરણથી ઢાંકવા પડયા હતા. ભગવાનના રથને 80 કરતા વધુ ભક્તો દોરડા વડે ખેંચી આગળ ધપાવતા હતા. માંડવી-શામળબેચરની પોળ, ઘડિયાળી પોળ-અંબાજી મંદિર, એમ.જી.રોડ- રાજરાજેશ્વર મહાદેવ, પ્રતાપમડધાની પોળ, ન્યાયમંદિર, જ્યુબિલીબાગ-વેંકટેશબાલાજી મંદિર, અમદાવાદીપોળ- પંચમુખી મહાદેવ સહિત સમગ્ર રૂટ પર ભગવાનના વરઘોડાનું સ્વાગત કરાયું હતું. કીર્તિમંદિરના પ્રાંગણમાં કેદારેશ્વર મહાદેવ ખાતે હરિહરનું મિલન થયું હતું. જે સાથે ભગવાનનું પૂજન-અર્ચન-આરતી કરી ભોગ ધરાવવામાં આવ્યો હતો. બપોરે ભગવાનના વરઘોડાએ નિજ મંદિરે જવા પ્રસ્થાન કર્યું હતું. જે સાંજે પાંચ કલાકે નિજ મંદિરે પરત આવતા ધાર્મિક પરંપરા નિભાવવામાં આવી હતી. તદુપરાંત ભક્તો-સ્વયંસેવકોનું ખેસ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. રાતે વારકરી સમાજે મંદિરમાં અભંગ-કીર્તનની રમઝટ બોલાવી હતી. ઉલ્લેખનીય છે કે ભગવાનના દર્શન કરવા સાંસદ ડો.હેમાંગ જોષી, બાળુ શુક્લ, જે.પી.સોની, મેયર ગીતાબેન મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, કોર્પોરેટરો સહિત વિવિધક્ષેત્રના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/26/joC1ZxOtNNIWGycHRhU4QRjsK9fpJw6cfljRJ8gT.webp'/></item><item><title><![CDATA[Paper Leak મામલે કેન્દ્ર સરકાર કડક, 27 જુલાઈએ લોકસભામાં રજૂ થશે એન્ટી-પેપર લીક બિલ ]]></title><link>https://sandesh.com/india/news/anti-paper-leak-bill-lok-sabha-july-27-fast-track-courts</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/anti-paper-leak-bill-lok-sabha-july-27-fast-track-courts</guid><pubDate>Sat, 25 Jul 2026 23:41:35 +05:30</pubDate><description><![CDATA[<p>દેશભરમાં પરીક્ષાઓમાં પેપર લીક અને ગેરરીતિઓને રોકવા માટે કેન્દ્ર સરકાર કડક પગલાં લેવા જઈ રહી છે. સરકાર સોમવારે લોકસભામાં જાહેર પરીક્ષા સુધારા વિધેયક-2026 રજૂ કરશે. નવા વિધેયક હેઠળ દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં પેપર લીકના કેસોની ઝડપી સુનાવણી માટે વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટની રચનાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે.</p><h2><b>ઓછામાં ઓછી 7 વર્ષની જેલની સજાની જોગવાઈ</b></h2><p>બિલ મુજબ પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિ સંબંધિત તપાસ બે મહિનામાં પૂર્ણ કરવાની રહેશે. ચાર્જશીટ દાખલ થયા બાદ ત્રણ મહિનાની અંદર કેસનો ટ્રાયલ પૂર્ણ કરવાનો રહેશે અને કોર્ટમાં દરરોજ સુનાવણી કરવામાં આવશે. નવા કાયદા હેઠળ દોષિત વ્યક્તિને ઓછામાં ઓછી 5 વર્ષની અને વધુમાં વધુ 10 વર્ષની જેલની સજા તેમજ ₹50 લાખ સુધીનો દંડ થઈ શકશે. જો સંગઠિત રીતે પેપર લીક અથવા પરીક્ષામાં ગેરરીતિ કરનાર ગેંગ સામેલ હશે તો તેમને ઓછામાં ઓછી 7 વર્ષની જેલ અને ₹10 કરોડ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.</p><h3><b>પરીક્ષા પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવાશે</b></h3><p>કેન્દ્ર સરકારને જરૂરિયાત મુજબ આવા કેસોની તપાસ માટે વિશેષ ટાસ્ક ફોર્સ (STF) બનાવવાનો અધિકાર પણ મળશે. આ ઉપરાંત પરીક્ષા પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે નવા માર્ગદર્શકો પણ નક્કી કરવામાં આવ્યા છે. તેમાં પરીક્ષા કેન્દ્રોનું પ્રી-ઓડિટ, ઉમેદવારોની બાયોમેટ્રિક ચકાસણી, સુરક્ષા વ્યવસ્થા, પ્રશ્નપત્ર તૈયાર કરવાની પ્રક્રિયા, પરીક્ષા દરમિયાન દેખરેખ અને દિવ્યાંગ ઉમેદવારો માટે સ્ક્રાઇબની સુવિધા જેવા નિયમોનો સમાવેશ થાય છે.</p><h4><b>15 પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓને સ્પષ્ટપણે ગુનો જાહેર કરવામાં આવ્યો</b></h4><p>બિલમાં પેપર લીક, OMR શીટ સાથે ચેડાં, નકલી વેબસાઈટ બનાવવી, નકલી એડમિટ કાર્ડ ઈશ્યુ કરવું સહિત કુલ 15 પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓને સ્પષ્ટપણે ગુનો જાહેર કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે આ સુધારા કાયદાનો મુખ્ય હેતુ દેશની જાહેર પરીક્ષાઓને વધુ પારદર્શક, નિષ્પક્ષ અને વિશ્વસનીય બનાવવાનો છે. હવે આ બિલ પર લોકસભામાં ચર્ચા બાદ તેને મંજૂરી મળે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/-political-news/tej-pratap-yadav-invites-abhijeet-dipke-bihar-mass-movement" target="_blank">આ પણ વાંચો : 'Biharને જનઆંદોલનની જરૂર', તેજ પ્રતાપે અભિજીત દિપકેને રાજ્યમાં આવવાનું આપ્યું આમંત્રણ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/zZGLB8M8SXE2k2KiqBh7ZljHuMKZQQVOqc0URbyF.webp'/></item><item><title><![CDATA['Biharને જનઆંદોલનની જરૂર', તેજ પ્રતાપે અભિજીત દિપકેને રાજ્યમાં આવવાનું આપ્યું આમંત્રણ ]]></title><link>https://sandesh.com/india/news/-political-news/tej-pratap-yadav-invites-abhijeet-dipke-bihar-mass-movement</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/-political-news/tej-pratap-yadav-invites-abhijeet-dipke-bihar-mass-movement</guid><pubDate>Sat, 25 Jul 2026 22:42:11 +05:30</pubDate><description><![CDATA[<p>કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ બિહારની રાજનીતિમાં પણ હલચલ તેજ બની છે. જનશક્તિ જનતા દળ (JJD)ના અધ્યક્ષ તેજ પ્રતાપ યાદવે CJPના નેતા અભિજીત દિપકને બિહારમાં આવી જનઆંદોલન શરૂ કરવાની અપીલ કરી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/TejYadav14/status/2080972989907272151"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>રાજ્યની જનતા હાલની સરકારથી પરેશાન : તેજ પ્રતાપ યાદવ&nbsp;</b></h2><p>તેજ પ્રતાપ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે બિહારને હવે એક મોટા જનઆંદોલનની જરૂર છે. તેમના જણાવ્યા અનુસાર રાજ્યની જનતા હાલની સરકારથી પરેશાન છે અને લોકોના પ્રશ્નોને લઈને મજબૂત જનચળવળ ઉભી કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે અભિજીત દિપક બિહારમાં આવી લોકોનો અવાજ બને અને રાજ્યમાં જનઆંદોલન શરૂ કરે.</p><p>તેજ પ્રતાપે વધુમાં કહ્યું કે તેઓ અને તેમની પાર્ટી CJPને સંપૂર્ણ સમર્થન આપશે અને બિહારના સારા ભવિષ્ય માટે સાથે મળીને કામ કરશે. ઉલ્લેખનીય છે કે જંતર-મંતર પર ચાલી રહેલા વિરોધ દરમિયાન એક યુવતીએ ભાવુક અપીલ કરતાં અભિજીત દિપકને બિહારમાં આવવા વિનંતી કરી હતી. તેના જવાબમાં અભિજીત દિપકે કહ્યું હતું કે દિલ્હીનું આંદોલન પૂર્ણ થયા બાદ CJPનો આગામી કાર્યક્રમ બિહારમાં યોજાશે.</p><h3><b>તેજ પ્રતાપ યાદવની પોલીસે અટકાયત પણ કરી&nbsp;</b></h3><p>આ દરમિયાન બિહારના પટણા, ઔરંગાબાદ, છપરા અને ભાગલપુર સહિત અનેક શહેરોમાં NEET પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. કેટલાક સ્થળોએ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ પણ થઈ હતી. પટણામાં વિદ્યાર્થીઓને સમર્થન આપવા પહોંચેલા તેજ પ્રતાપ યાદવને પોલીસે અટકાયત પણ કરી હતી.</p><p>જોકે, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ CJPએ પ્રેસ કોન્ફરન્સ કરીને હાલનું આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. હવે અભિજીત દિપકના બિહાર પ્રવાસ અને ત્યાં સંભવિત જનઆંદોલનને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.</p><p><a href="https://sandesh.com/india/news/-political-news/dharmendra-pradhans-resignation-cjps-agitation-how-the-power-of-instagram-was-seen" target="_blank">આ પણ વાંચો : Dharmendra Pradhanનું રાજીનામું, CJPનું આંદોલન... કેવી રીતે જોવા મળી ઇન્સ્ટાગ્રામની તાકાત</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/ARO45yjySempRBfT1B80hmqFU4tiwSzVZzC1n41A.webp'/></item><item><title><![CDATA['Gen-Zની જીત' ગણાવતાં સેલિબ્રિટીઓએ વિદ્યાર્થીઓના આંદોલનને બિરદાવ્યું, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અભિનંદન પાઠવ્યા ]]></title><link>https://sandesh.com/entertainment/news/celebrities-reaction-genz-victory-protest-social-media</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/celebrities-reaction-genz-victory-protest-social-media</guid><pubDate>Sat, 25 Jul 2026 21:26:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ સોશિયલ મીડિયા પર વિવિધ એક્ટર અને એક્ટ્રેસ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે. પરીક્ષા પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓના લાંબા સમયથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શન બાદ થયેલા આ રાજકીય ઘટનાક્રમને અનેક સેલિબ્રિટીઓએ યુવાનોની જીત ગણાવી છે.</p><h2 style="text-align: justify; "><b>પ્રકાર રાજ અને અરમાન મલિકે કરી પોસ્ટ&nbsp;</b></h2><p style="text-align: justify; ">એક્ટર પ્રકાશ રાજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને વિદ્યાર્થીઓ અને આંદોલન સાથે જોડાયેલા લોકોની પ્રશંસા કરી હતી. તેમને લખ્યું કે યુવાનોએ એકતા અને સંઘર્ષના બળથી સરકારને નિર્ણય લેવા માટે મજબૂર કરી છે.</p><p style="text-align: justify; ">સિંગર અરમાન મલિકે પણ "Power of the Youth" લખીને યુવાનોની શક્તિને બિરદાવી હતી. એક્ટ્રેસ સંભાવના સેઠે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને છેલ્લા કેટલાક દિવસોમાં વિદ્યાર્થીઓએ દર્શાવેલી હિંમત, ધીરજ અને સંઘર્ષને સલામ કરી હતી.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/prakashraaj/status/2080951840124829901"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3 style="text-align: justify; "><b>અદિતિ રાવ હૈદરીએ વિદ્યાર્થીઓને પાઠવ્યા અભિનંદન&nbsp;</b></h3><p style="text-align: justify; ">એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ પણ સોશિયલ મીડિયા પર લખ્યું કે દેશવ્યાપી વિદ્યાર્થીઓના વિરોધ અને સોનમ વાંગચુકના ઉપવાસ બાદ આંદોલનને સફળતા મળી છે. એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરીએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા લખ્યું કે સત્ય અને અહિંસાની લડાઈની જીત થઈ છે. તેમને આશા વ્યક્ત કરી કે ઈમાનદારી, જવાબદારી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા વધુ મજબૂત બનશે.</p><p style="text-align: justify; "><img alt="Priyanka Chopra Post" src="https://epapercdn.sandesh.com/images/2026/07/25/GcflnWMXh5nVJINRrm1zxmgHrbbsKvyJxKVTZYe2.webp"><br></p><h4 style="text-align: justify; "><b>વાણી કપૂરે કહ્યું 'વિદ્યાર્થીઓ માટે આ ક્ષણ ખાસ'</b></h4><p style="text-align: justify; ">એક્ટ્રેસ દિયા મિર્ઝાએ આ ઘટનાને યુવાનોની મોટી જીત ગણાવી હતી, જ્યારે વાણી કપૂરે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતાં કહ્યું કે સતત પ્રશ્નો પૂછનારા અને આશા જાળવનારા વિદ્યાર્થીઓ માટે આ ક્ષણ ખાસ છે. એક્ટર વિજય વર્માએ પણ પ્રતિક્રિયા આપી હતી. દિવ્યેન્દુ શર્માએ લખ્યું કે અવાજ ઉઠાવવાથી ફેર પડે છે, જ્યારે એક્ટર સોનુ સૂદે પણ સોશિયલ મીડિયા પર Gen-Zની પ્રશંસા કરતી પોસ્ટ શેર કરી હતી.</p><p style="text-align: justify; ">ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ સોશિયલ મીડિયા પર સેલિબ્રિટીઓની આ પ્રતિક્રિયાઓ ઝડપથી વાયરલ થઈ રહી છે અને વિદ્યાર્થીઓના આંદોલન અંગે ચર્ચા વધુ તેજ બની છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/entertainment/kriti-sanon-ziva-dhoni-lords-india-england-odi" target="_blank">MS Dhoniની પુત્રી સાથે કૃતિ સેનને કરી મસ્તી, મેચ દરમિયાન જોવા મળ્યો ક્યૂટ બોન્ડિંગ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/F7iHcGmGoAL3UfIetXpunDc3SxhrLt5W5mg65UYw.webp'/></item><item><title><![CDATA[IDFC ફર્સ્ટ બેન્કનું જોરદાર પ્રદર્શન, જૂન ત્રિમાસિકમાં નફો બમણો થઈ રૂપિયા 1,075 કરોડ પર પહોંચ્યો ]]></title><link>https://sandesh.com/business/news/idfc-first-bank-q1-profit-doubles-1075-crore-nii-growth</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/idfc-first-bank-q1-profit-doubles-1075-crore-nii-growth</guid><pubDate>Sat, 25 Jul 2026 19:06:08 +05:30</pubDate><description><![CDATA[<p>IDFC ફર્સ્ટ બેન્કે 25 જુલાઈએ જૂન ત્રિમાસિકના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. બેન્કના પરિણામો મુજબ જૂન ક્વાર્ટરમાં તેનો નેટ પ્રોફિટ બમણાથી વધુ વધીને ₹1,075 કરોડ થયો છે. ગયા વર્ષના સમાન સમયગાળામાં બેન્કનો નફો ₹465 કરોડ હતો.</p><h2><b>બેન્કની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ 21 ટકા વધી&nbsp;</b></h2><p>જૂન ત્રિમાસિક દરમિયાન બેન્કની આવકમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. બેન્કની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ (NII) 21 ટકા વધીને ₹5,972.3 કરોડ થઈ છે. એક વર્ષ અગાઉ આ આંકડો ₹4,933 કરોડ હતો. વ્યાજની આવકમાં થયેલા વધારાને કારણે બેન્કના પ્રદર્શનને મજબૂતી મળી છે. આ ઉપરાંત બેન્કની એસેટ ક્વોલિટીમાં પણ સુધારો નોંધાયો છે. ગ્રોસ નોન-પરફોર્મિંગ એસેટ (GNPA) ત્રિમાસિક આધાર પર 1.61 ટકાથી ઘટીને 1.51 ટકા થયો છે. જ્યારે નેટ NPA પણ 0.48 ટકાથી ઘટીને 0.44 ટકા પર આવી ગયો છે.</p><h3><b>કંપનીના શેર પર જોવા મળી અસર&nbsp;</b></h3><p>જૂન ત્રિમાસિકમાં બેન્કને NCGTC તરફથી CGFMU યોજના હેઠળ ₹514.82 કરોડ પ્રાપ્ત થયા છે. IDFC ફર્સ્ટ બેન્ક એક ખાનગી ક્ષેત્રની બેન્ક છે. 24 જુલાઈના રોજ બેન્કનો શેર 1.3 ટકા વધીને ₹80.95ના સ્તરે બંધ થયો હતો. જોકે, આ વર્ષે અત્યાર સુધીમાં શેરમાં 5.4 ટકાનો ઘટાડો નોંધાયો છે.</p><p>બીજી તરફ, 24 જુલાઈએ ભારતીય શેરબજારમાં સતત પાંચમા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે, જેની અસર બજારના સેન્ટિમેન્ટ પર પડી રહી છે. હવે IDFC ફર્સ્ટ બેન્કના સારા પરિણામોની અસર આગામી ટ્રેડિંગ સેશનમાં શેરના ભાવ પર કેવી પડે છે તેના પર રોકાણકારોની નજર રહેશે.<br><br><a href="https://sandesh.com/business/news/india/senior-citizen-fd-where-will-you-get-the-highest-interest-on-a-5-year-fd-for-senior-citizens" target="_blank"><b>આ પણ વાંચો : Senior Citizen FD: સિનિયર સિટીઝન્સ માટે 5 વર્ષની FD પર ક્યાં મળશે સૌથી વધુ વ્યાજ</b></a></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/UVaxbiIHWdAVOyessWpmBJ9I0GV0NJ4oEbiOmmkO.webp'/></item><item><title><![CDATA[Sports News : ભારતમાં મેચ રમવા આવશે બ્રાઝિલની ટીમ, ક્યાં અને ક્યારે થશે ટક્કર ]]></title><link>https://sandesh.com/sports/news/sports-news-brazilian-team-will-come-to-india-to-play-a-match-where-and-when-will-the-match-take-place</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/sports-news-brazilian-team-will-come-to-india-to-play-a-match-where-and-when-will-the-match-take-place</guid><pubDate>Sat, 25 Jul 2026 15:46:30 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય ફૂટબોલ ચાહકો માટે એક સારા સમાચાર છે.વિશ્વની સૌથી લોકપ્રિય અને પાંચ વખતની વિશ્વ ચેમ્પિયન બ્રાઝિલિયન ફૂટબોલ ટીમ ઓક્ટોબરમાં ભારતનો પ્રવાસ કરે તેવી શક્યતા છે. મીડિયા રિપોર્ટ અનુસાર બ્રાઝિલિયન ફૂટબોલ એસોસિએશન (CBF) ઓક્ટોબરની શરૂઆતમાં ભારતમાં એક મૈત્રીપૂર્ણ મેચ રમવા માટે આયોજકો સાથે વાતચીત કરી રહ્યું છે.</p><h5><b>કોલકાતા એક ઐતિહાસિક મેચનું સાક્ષી બની શકે છે</b></h5><p>ફૂટબોલના મક્કા તરીકે ઓળખાતું કોલકાતા આ પ્રસ્તાવિત મેચનું આયોજન કરે તેવી શક્યતા છે. મીડિયા રિપોર્ટ અનુસાર CBF અને આયોજકો વચ્ચે આ મેચ અંગે પ્રારંભિક ચર્ચાઓ 2026 માં યુનાઇટેડ સ્ટેટ્સમાં યોજાયેલા FIFA વર્લ્ડ કપ દરમિયાન શરૂ થઈ હતી. જોકે, હજુ સુધી સ્પષ્ટ નથી કે પાંચ વખતની વિશ્વ ચેમ્પિયન ટીમ ભારતીય રાષ્ટ્રીય ટીમનો સામનો કરશે કે અન્ય આંતરરાષ્ટ્રીય ટીમનો.</p><h4><b>બ્રાઝિલનો 3-મેચનો આંતરરાષ્ટ્રીય વિન્ડો પ્લાન</b></h4><p>FIFAનો આંતરરાષ્ટ્રીય વિન્ડો 21 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર સુધી ચાલવાનો છે. આ સમયગાળા દરમિયાન, બ્રાઝિલિયન ટીમ કુલ ત્રણ મેચ રમવાની યોજના ધરાવે છે: બે ઓસ્ટ્રેલિયામાં અને એક ભારતમાં.</p><ul><li>25 સપ્ટેમ્બર: ઓસ્ટ્રેલિયાના ટાઉન્સવિલેમાં મેચ.</li><li>29 સપ્ટેમ્બર: ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં બીજી મેચ.</li><li>ઓક્ટોબરની શરૂઆતમાં: ભારતમાં ત્રીજી મૈત્રીપૂર્ણ મેચ.</li></ul><h5><b>સિંગાપોર સાથે પણ વાટાઘાટો થઈ હતી</b></h5><p>બ્રાઝિલિયન ફૂટબોલ એસોસિએશને આ સમયગાળા દરમિયાન બાંગ્લાદેશમાં ચોથી મેચ રમવાનું પણ વિચાર્યું હતું, પરંતુ ખેલાડીઓનો થાક, મુસાફરીનો સમય અને તૈયારીને ધ્યાનમાં રાખીને, યોજના મુલતવી રાખવામાં આવી છે. સિંગાપોર સાથે પણ વાટાઘાટો થઈ હતી, પરંતુ કોઈ કરાર થઈ શક્યો ન હતો, જેના કારણે કોલકાતાની બોલી સૌથી મજબૂત રહી.</p><h5><b>કોલકાતાનો બ્રાઝિલ સાથે લાંબા ગાળાનો સંબંધ</b></h5><p>કોલકાતાનો બ્રાઝિલિયન ફૂટબોલ સાથે લાંબા સમયથી સંબંધ છે. દિગ્ગજ ફૂટબોલ દિગ્ગજ પેલેએ 1977માં ન્યૂ યોર્ક કોસ્મોસ માટે રમતી વખતે ઇડન ગાર્ડન્સ ખાતે મોહન બાગાન સામે ઐતિહાસિક મેચ રમી હતી. ત્યારબાદ તેમણે 2015માં કોલકાતાની મુલાકાત લીધી હતી. જો આ પ્રવાસ નિર્ધારિત સમય મુજબ ચાલે છે, તો કોલકાતાના ચાહકોને વિનિસિયસ જુનિયર જેવા ફૂટબોલ દિગ્ગજોને વ્યક્તિગત રીતે રમતા જોવાની સુવર્ણ તક મળી શકે છે.</p><p>આ પણ&nbsp; વાંચો <a href="https://sandesh.com/sports/news/cwg-2026-medals-tally-australia-no-1-where-is-india-after-jhandu-kumars-bronze-medal" target="_blank">- CWG 2026 Medals Tally : ઓસ્ટ્રેલિયા નંબર-1, ઝાંડુ કુમારના બ્રોન્ઝ મેડલ બાદ ભારત કયા સ્થાને?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/WGQCJbtFOvCHvaDTTKLtlr0kve93CEqEqB8sKmod.webp'/></item></channel></rss>