<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[RSS પ્રમુખ મોહન ભાગવતનું ભારત-પાકિસ્તાન સંબંધો પર મોટું નિવેદન, કહ્યું- કાયમી દુશ્મની.... ]]></title><link>https://sandesh.com/india/news/mohan-bhagwat-india-pakistan-relations-permanent-hostility-dialogue</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/mohan-bhagwat-india-pakistan-relations-permanent-hostility-dialogue</guid><pubDate>Sat, 08 Aug 2026 20:04:48 +05:30</pubDate><description><![CDATA[<p>રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે ભારત-પાકિસ્તાન સંબંધો અને વૈશ્વિક સંઘર્ષોને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. મુંબઈમાં આયોજિત ‘ઈન્ડિયાઝ ઈન્ટરનેશનલ મૂવમેન્ટ ટુ યુનાઈટેડ નેશન્સ’ (IIMUN)ની 15મી વર્ષગાંઠના કાર્યક્રમમાં યુવાનો સાથે સંવાદ દરમિયાન તેમણે કહ્યું કે કોઈપણ વિવાદનો 'ભારતીય ઉકેલ' બીજા પર વિજય મેળવવો કે તેનો નાશ કરવો નહીં, પરંતુ સંવાદ અને સમન્વય સ્થાપિત કરવાનો છે.</p><h2><b>પાકિસ્તાનના લોકો સંપૂર્ણપણે ભારતીયોના દુશ્મન નથી</b></h2><p>મોહન ભાગવતે કહ્યું કે પાકિસ્તાનના લોકો સંપૂર્ણપણે ભારતીયોના દુશ્મન નથી. તેમના મતે કાયમી નફરત અને દુશ્મની કોઈ સમસ્યાનો ઉકેલ બની શકે નહીં. તેમણે ભારત અને પાકિસ્તાનના સામાન્ય લોકો વચ્ચેના સંબંધો પર ભાર મૂકતા કહ્યું કે બંને દેશો વચ્ચેનો તણાવ મુખ્યત્વે રાજકીય પરિસ્થિતિઓ સાથે જોડાયેલો છે.</p><h3><b>‘સંઘર્ષ દરમિયાન સરકાર અને સેનાની સાથે રહો’</b></h3><p>ચીન અને પાકિસ્તાન જેવા પડોશી દેશો સાથેના તણાવ અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં ભાગવતે કહ્યું કે દેશ યુદ્ધ અથવા સંઘર્ષની સ્થિતિમાં હોય ત્યારે દરેક નાગરિકે સરકાર અને સેનાના નિર્ણયોની સાથે મજબૂતીથી ઊભા રહેવું જોઈએ. સુરક્ષાને જોખમ ઊભું કરતા કેટલાક સંપર્કો આ સમયગાળા દરમિયાન અટકાવી શકાય છે. જોકે, તેમણે ઉમેર્યું કે સંઘર્ષના કારણે સંબંધો કાયમ માટે સમાપ્ત ન થવા જોઈએ. તેમણે કહ્યું કે ટકરાવ પૂર્ણ થયા બાદ જ્યાંથી સંબંધો અટક્યા હતા, ત્યાંથી ફરી શરૂઆત કરવી જોઈએ.&nbsp;</p><p><b><a href="https://sandesh.com/india/news/business/upi-payment-charges-phonepe-ceo-sameer-nigam-clarification" target="_blank">આ પણ વાંચો : UPI પેમેન્ટ કરવા પર યુઝર્સે ચુકવવો પડશે કોઈ ચાર્જ? ફોન પેના CEOએ કરી આ સ્પષ્ટતા</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/DiUt1DTWHis3CR2Pk5vJTmx1YkGMhJdygcQSG20x.webp'/></item><item><title><![CDATA[Lionel Messiના પિતાનું 68 વર્ષની વયે થયું અવસાન, લાંબા સમયથી હતા બીમાર ]]></title><link>https://sandesh.com/sports/news/lionel-messi-father-jorge-messi-passes-away</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/lionel-messi-father-jorge-messi-passes-away</guid><pubDate>Sat, 08 Aug 2026 19:54:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફૂટબોલની દુનિયાના મહાન ખેલાડીઓમાંના એક લિયોનેલ મેસ્સી એક મોટી દુર્ઘટનાનો સામનો કરી રહ્યા છે, તેના પિતા જોર્જ મેસ્સીનું 68 વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન થયું છે. જોર્જ મેસ્સી લાંબા સમયથી બીમાર હતા, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.&nbsp;</p><p style="text-align: justify; ">ફિફા વર્લ્ડકપ દરમિયાન મેસ્સી પણ તેના પિતાના સ્વાસ્થ્ય વિશે ખૂબ ચિંતિત જોવા મળ્યો હતો. તેના પિતા જોર્જ મેસ્સીને સફળ ફૂટબોલ ખેલાડી બનાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, તેમને લાંબા સમય સુધી પુત્રના એજન્ટ તરીકે પણ કામ કર્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>પિતાના સંઘર્ષને કારણે મેસ્સી એક સફળ ફૂટબોલર બન્યો</b></h2><p style="text-align: justify; ">પિતાનું મૃત્યુ લિયોનેલ મેસ્સી માટે એક મોટા આઘાતથી ઓછું નથી, કારણ કે તેના પિતા જોર્જ મેસ્સીએ તેને એક મહાન ફૂટબોલર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. મેસ્સી બાળપણમાં ગ્રોથ હોર્મોનની ઉણપથી પીડાતા હતા, જેને સારવારની જરૂર હતી. તેના પિતા જોર્જે તેમના પુત્રને જરૂરી સારવાર મળે તે સુનિશ્ચિત કરવા માટે કોઈ કસર છોડી ન હતી. બાળપણમાં મેસ્સી ન્યુવેલની ઓલ્ડ બોયઝ યુવા ટીમ માટે રમ્યો હતો.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/YKoluwaseun9/status/2086053507904196798"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p style="text-align: justify; ">ફિફા વર્લ્ડકપ 2026 દરમિયાન લિયોનેલ મેસ્સીએ ઉલ્લેખ કર્યો હતો કે તેનો પરિવાર મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, પરંતુ તેને તેમના પિતાની સ્થિતિ વિશે કોઈ ચોક્કસ વિગતો આપી ન હતી. આ પછી તેના પરિવાર દ્વારા જાહેર કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે જોર્જ મેસ્સી હાલમાં સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે અને ડોકટરોની દેખરેખ હેઠળ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>અલ્જીરિયા સામેની વર્લ્ડ કપ મેચ દરમિયાન મેસ્સી ભાવુક થયો હતો</b></h3><p style="text-align: justify; ">ફિફા વર્લ્ડકપ 2026માં લિયોનેલ મેસ્સીની કેપ્ટનશીપ હેઠળ આર્જેન્ટિનાની ટીમ ફાઈનલમાં પહોંચવામાં સફળ રહી, પરંતુ ટાઈટલ મેચમાં સ્પેન સામે 1-0થી હારી ગઈ. વર્લ્ડકપમાં અલ્જીરિયા સામે ગ્રુપ સ્ટેજ મેચમાં ગોલ કર્યા પછી લિયોનેલ મેસ્સી ખૂબ જ ભાવુક થઈ ગયો.</p><p style="text-align: justify; ">મેચ પછી રડવાનું કારણ પૂછવામાં આવતા મેસ્સીએ જવાબ આપ્યો કે મારા રડવાનો ફૂટબોલ સાથે કોઈ સંબંધ નથી, છેલ્લા કેટલાક દિવસો મારા માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. તમને જણાવી દઈએ કે ફિફા વર્લ્ડકપ 2026માં સૌથી વધુ ગોલ કરવાના મામલે તે બીજા સ્થાને હતો, જેમાં તે ફક્ત કાયલિયન એમબાપ્પેથી પાછળ હતો.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/7UsaohX88EglI5pYE3eXIJZMEmPzazR62F3vdzz4.webp'/></item><item><title><![CDATA[Suratના ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર કાર અને રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત, રિક્ષાચાલક ગંભીર રીતે ઘાયલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/an-accident-occurred-between-a-car-and-a-rickshaw-on-chandrashekhar-azad-bridge-in-surat-the-rickshaw-driver-was-seriously-injured</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/an-accident-occurred-between-a-car-and-a-rickshaw-on-chandrashekhar-azad-bridge-in-surat-the-rickshaw-driver-was-seriously-injured</guid><pubDate>Sat, 08 Aug 2026 19:52:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરમાં ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર આજે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.પુરપાટ ઝડપે આવી રહેલી કાર અને રિક્ષા વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.આ અકસ્માતમાં રિક્ષાચાલકને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.સદનસીબે આ ગંભીર ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી.</p><h5 style="text-align: justify; "><b>બ્રિજ પર ગંભીર ટક્કર અને કારની એરબેગ્સ ખુલી ગઈ</b></h5><p style="text-align: justify; ">અકસ્માતની વિગત મુજબ, ચંદ્રશેખર આઝાદ બ્રિજ પરથી પસાર થઈ રહેલી રિક્ષા અને કાર વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે કારની એરબેગ્સ પણ ખુલી ગઈ હતી. આ ભયાનક ધડાકા સાથે થયેલા અકસ્માતને પગલે રિક્ષાનો આગળનો ભાગ સાવ ચકનાચૂર થઈ ગયો હતો. ઘટના બનતા જ આસપાસથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત રિક્ષાચાલકને ત્વરિત બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.</p><h5 style="text-align: justify; "><b>બ્રિજ પર કલાકો સુધી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા</b></h5><p style="text-align: justify; ">અકસ્માતની આ ઘટનાને પગલે ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. બ્રિજ પર વાહનવ્યવહાર પૂર્વવત કરાવવા માટે સ્થાનિક લોકો અને પોલીસે ભારે જહમત ઉઠાવવી પડી હતી. આ ઘટનામાં રિક્ષાને મોટું નુકસાન થયું હોવા છતાં મોટી જાનહાનિ ટળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.</p><h6 style="text-align: justify; "><b>ઓવરસ્પીડિંગ અને બ્રિજ પર સલામતી સામે સવાલો</b></h6><p style="text-align: justify; ">સુરતના બ્રિજો પર અવારનવાર સર્જાતા અકસ્માતોને પગલે સ્થાનિક નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રહેણાંક અને સિટી વિસ્તારોને જોડતા આવા મુખ્ય બ્રિજ પર બેફામ વાહન ચલાવતા ચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માગણી ઉઠી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે સ્થળ પર પહોંચીને ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને અકસ્માત અંગે કાનૂની તપાસ હાથ ધરી છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-news-the-state-is-in-a-state-of-turmoil-over-the-issue-of-analogue-paneer-cheese-and-butter-fdcas-investigation-continues-for-the-third-day" target="_blank">Ahmedabad News : રાજ્યમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર મુદ્દે તવાઈ, ત્રીજા દિવસે પણ FDCAની સતત તપાસ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/e5JiENX8UpmmmrBboQhsXkePRC8Mr1VocnfmIZiU.webp'/></item><item><title><![CDATA[Rajkot News: જેતપુરમાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની ભારે જેહમત બાદ આગ પર કાબૂ મેળવાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-news-massive-fire-breaks-out-in-plastic-factory-in-jetpur-fire-brought-under-control-after-heavy-efforts-of-fire-brigade</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-news-massive-fire-breaks-out-in-plastic-factory-in-jetpur-fire-brought-under-control-after-heavy-efforts-of-fire-brigade</guid><pubDate>Sat, 08 Aug 2026 19:36:46 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ જિલ્લાના જેતપુર સ્થિત ધારેશ્વર વિસ્તાર સામે આવેલી 'વિકાસ પેક નામની પ્લાસ્ટિકની ફેક્ટરીમાં અચાનક ભયાનક આગ ભુકી ઊઠી હતી.ફેક્ટરીમાં પ્લાસ્ટિકનો જથ્થો હોવાથી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું,જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.</p><h4><b>ફાયર વિભાગની કામગીરી સામે ઉઠયા સવાલ</b></h4><p>આગની ઘટના અંગે નગરપાલિકાના ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હોવા છતાં ફાયર ફાઇટર અડધો કલાક મોડું પહોંચ્યું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો.એટલું જ નહીં,ઘટનાસ્થળે પહોંચેલા પ્રથમ ફાયર ફાઇટરમાં પ્રેશર જ ન આવતા સ્થાનિકો અને કારખાનેદારોમાં ભારે નારાજગી વ્યાપી હતી. બાદમાં બીજું વાહન બોલાવવાની ફરજ પડી હતી.નગરપાલિકાના ફાયર વિભાગ પાસે માત્ર ત્રણ જ કર્મચારીઓનો સ્ટાફ હોવાથી ફાયર બ્રિગેડની કામગીરી અને સરકારી સજ્જતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.</p><h4><b>કારીગરોના સહયોગથી આખરે આગ કાબૂમાં લેવાઈ</b></h4><p>આગને વધુ ફેલાતી અટકાવવા માટે ફેક્ટરીના આશરે 50 જેટલા કારીગરો પોતે આગ બુઝાવવાની કામગીરીમાં જોડાયા હતા. આખરે 3 ફાયર ફાઇટર અને 15 જેટલા ફાયર એક્સટિંગ્યુશરના ઉપયોગ બાદ કલાકોની કડાકૂટ પછી આગ પર કાબૂ મેળવી શકાયો હતો. જોકે, ફાયર વિભાગની બેદરકારી અને મોડી કામગીરીને કારણે આગ વધુ પ પ્રસરી હોવાના આક્ષેપ સાથે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/surat/surat-news-high-court-accepts-lawyers-demands-happy-end-to-two-day-strike" target="_blank">Surat News : હાઇકોર્ટે વકીલોની માંગણીઓ સ્વીકારી, બે દિવસથી ચાલી રહેલી હડતાલનો સુખદ અંત</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/br1dpGiU8XEgHaL0KypNixss8eoVShwxOQAnbGwQ.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : રાજ્યમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર મુદ્દે તવાઈ, ત્રીજા દિવસે પણ FDCAની સતત તપાસ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-news-the-state-is-in-a-state-of-turmoil-over-the-issue-of-analogue-paneer-cheese-and-butter-fdcas-investigation-continues-for-the-third-day</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-news-the-state-is-in-a-state-of-turmoil-over-the-issue-of-analogue-paneer-cheese-and-butter-fdcas-investigation-continues-for-the-third-day</guid><pubDate>Sat, 08 Aug 2026 19:18:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાત રાજ્યભરમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા નકલી તેમજ એનાલોગ પનીર, ચીઝ અને બટરના વેચાણ સામે ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA) દ્વારા લાલઆંખ કરવામાં આવી છે. તંત્ર દ્વારા શરૂ કરાયેલી આ ઝુંબેશના ત્રીજા દિવસે પણ ફૂડ વિભાગની ટીમોએ સતત તપાસનો ધમધમાટ ચાલુ રાખ્યો હતો. મિલાવટખોરોમાં ફાફડાટ ફેલાવતા આ ઓપરેશન દરમિયાન અધિકારીઓએ જુદા જુદા શહેરો અને વિસ્તારોમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી.</p><h2 style="text-align: justify; "><b>રાજ્યભરમાં ફૂડ વિભાગે 255 પેઢીઓમાં પાડ્યા દરોડા</b></h2><p style="text-align: justify; ">તપાસની આ ઝુંબેશ દરમિયાન ફૂડ વિભાગની ટીમોએ રાજ્યભરમાંથી ડેરી પ્રોડક્ટ્સનું વેચાણ અને ઉત્પાદન કરતી કુલ 255 જેટલી પેઢીઓની ઝીણવટભરી તપાસ કરી હતી. આ દરોડા દરમિયાન ગુણવત્તા વગરના અને ભે ભેળસેળયુક્ત જણાતા 13 જેટલા શંકાસ્પદ ડેરી પ્રોડક્ટ્સના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ તમામ નમૂનાઓને વધુ પૃથ્થકરણ (લેબોરેટરી ટેસ્ટ) માટે સરકારી પ્રોટોકોલ મુજબ મોકલી આપવામાં આવ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>108.25 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો કરાયો નાશ</b></h2><p style="text-align: justify; ">કાર્યવાહી દરમિયાન અધિકારીઓને આરોગ્ય માટે હાનિકારક અને માનકો પર ખરા ન ઊતરતા પનીરનો જથ્થો મળી આવ્યો હતો. ફૂડ વિભાગે સ્થળ પર જ આશરે 108.25 કિલોગ્રામ જેટલા શંકાસ્પદ પનીરના જથ્થાને જપ્ત કરીને તેનો વિધિવત નાશ કર્યો હતો. નાશ કરવામાં આવેલા આ અખાદ્ય પનીરના જથ્થાની અંદાજિત કિંમત રૂ. 31,043 જેટલી થાય છે. તંત્રે સ્પષ્ટ ચીમકી આપી છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરનારાઓ સામે આગામી દિવસોમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/patan/patan-news-congress-internal-dispute-heats-up-district-president-gamerbhai-desai-denies-all-allegations" target="_blank">Patan News : કોંગ્રેસના આંતરિક વિવાદમાં ગરમાવો, જિલ્લા પ્રમુખ ગેમરભાઈ દેસાઈએ તમામ આક્ષેપો ફગાવ્યા</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/RiWFo3GGcoGDPlCGEH5Vtih5K9JA0sM1vB2gLKZ6.webp'/></item><item><title><![CDATA[UPI પેમેન્ટ કરવા પર યુઝર્સે ચુકવવો પડશે કોઈ ચાર્જ? ફોન પેના CEOએ કરી આ સ્પષ્ટતા ]]></title><link>https://sandesh.com/india/news/business/upi-payment-charges-phonepe-ceo-sameer-nigam-clarification</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/upi-payment-charges-phonepe-ceo-sameer-nigam-clarification</guid><pubDate>Sat, 08 Aug 2026 19:16:18 +05:30</pubDate><description><![CDATA[<p>UPI પેમેન્ટને લઈને ગ્રાહકોમાં ચાર્જ લાગવાની ચર્ચા વચ્ચે PhonePeના CEO સમીર નિગમે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ભારતીય ગ્રાહકો પાસેથી UPI દ્વારા પેમેન્ટ કરવા માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ પણ જણાવ્યું છે કે ગ્રાહકો અને નાના વેપારીઓ માટે UPIનો ઉપયોગ હાલની જેમ મફત રહેશે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/_sameernigam/status/2085983802778583313"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>CEO સમીર નિગમે કહ્યું UPI ભારતીય ગ્રાહકો માટે....</b></h2><p>PhonePeના સ્થાપક અને CEO સમીર નિગમે UPI ચાર્જ અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે UPI ભારતીય ગ્રાહકો માટે મફત છે અને આગળ પણ મફત રહેશે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે UPI સહિતના ડિજિટલ પેમેન્ટ માધ્યમો પર ભવિષ્યમાં ચાર્જ લગાવવાની શક્યતા અંગે ચર્ચા ચાલી રહી છે.</p><h3><b>નવા કાયદા બાદ કેમ થઈ ચર્ચા?</b></h3><p>લોકસભાએ Payment and Settlement Systems Act, 2007માં સુધારા સાથે જોડાયેલું બિલ પસાર કર્યું છે. આ સુધારા હેઠળ સરકારને બેન્કો અને અન્ય પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સને UPI તથા સૂચિત ઇલેક્ટ્રોનિક પેમેન્ટ માધ્યમો પર ચાર્જ લગાવવાની મંજૂરી આપવાની સત્તા મળી શકે છે. આ જ કારણોસર UPI પર ચાર્જ લાગવાની ચર્ચા તેજ બની હતી. જોકે, પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ સ્પષ્ટ કર્યું છે કે હાલ ગ્રાહકો અને નાના વેપારીઓ માટે UPI સેવાઓ મફત રહેશે.</p><h4><b>નાના વેપારીઓને પણ રાહત</b></h4><p>પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના જણાવ્યા મુજબ, કરિયાણાની દુકાનો સહિતના નાના વેપારીઓને પણ UPI પેમેન્ટ સ્વીકારવા માટે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ચૂકવવો નહીં પડે. સંસ્થાએ કહ્યું કે હાલની ચર્ચા UPIના માળખાને લાંબા ગાળે આર્થિક રીતે ટકાઉ બનાવવાના મોડલ પર કેન્દ્રિત છે. આથી હાલમાં UPI વપરાશકર્તાઓને પેમેન્ટ પર સીધો ચાર્જ ચૂકવવાનો નથી. સરકાર અને સંબંધિત સંસ્થાઓનું ધ્યાન ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને સુરક્ષિત અને ટકાઉ બનાવવાની દિશામાં છે.</p><p><a href="https://sandesh.com/business/news/big-change-in-epfo-new-rules-of-epf-eps-and-edli-implemented-know-8-major-changes" target="_blank"><b>આ પણ વાંચો : EPFO માં મોટો બદલાવ: EPF, EPS અને EDLI ના નવા નિયમો લાગુ, જાણો 8 મુખ્ય ફેરફારો</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/8W3L0Zar3vnDI9AsGCljcemsoGSdV9U8npTGLLzS.webp'/></item><item><title><![CDATA[UPI પેમેન્ટ કરવા પર યુઝર્સે ચુકવવો પડશે કોઈ ચાર્જ? ફોન પેના CEOએ કરી આ સ્પષ્ટતા ]]></title><link>https://sandesh.com/india/news/business/upi-payment-charges-phonepe-ceo-sameer-nigam-clarification</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/upi-payment-charges-phonepe-ceo-sameer-nigam-clarification</guid><pubDate>Sat, 08 Aug 2026 19:16:18 +05:30</pubDate><description><![CDATA[<p>UPI પેમેન્ટને લઈને ગ્રાહકોમાં ચાર્જ લાગવાની ચર્ચા વચ્ચે PhonePeના CEO સમીર નિગમે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ભારતીય ગ્રાહકો પાસેથી UPI દ્વારા પેમેન્ટ કરવા માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ પણ જણાવ્યું છે કે ગ્રાહકો અને નાના વેપારીઓ માટે UPIનો ઉપયોગ હાલની જેમ મફત રહેશે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/_sameernigam/status/2085983802778583313"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>CEO સમીર નિગમે કહ્યું UPI ભારતીય ગ્રાહકો માટે....</b></h2><p>PhonePeના સ્થાપક અને CEO સમીર નિગમે UPI ચાર્જ અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે UPI ભારતીય ગ્રાહકો માટે મફત છે અને આગળ પણ મફત રહેશે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે UPI સહિતના ડિજિટલ પેમેન્ટ માધ્યમો પર ભવિષ્યમાં ચાર્જ લગાવવાની શક્યતા અંગે ચર્ચા ચાલી રહી છે.</p><h3><b>નવા કાયદા બાદ કેમ થઈ ચર્ચા?</b></h3><p>લોકસભાએ Payment and Settlement Systems Act, 2007માં સુધારા સાથે જોડાયેલું બિલ પસાર કર્યું છે. આ સુધારા હેઠળ સરકારને બેન્કો અને અન્ય પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સને UPI તથા સૂચિત ઇલેક્ટ્રોનિક પેમેન્ટ માધ્યમો પર ચાર્જ લગાવવાની મંજૂરી આપવાની સત્તા મળી શકે છે. આ જ કારણોસર UPI પર ચાર્જ લાગવાની ચર્ચા તેજ બની હતી. જોકે, પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ સ્પષ્ટ કર્યું છે કે હાલ ગ્રાહકો અને નાના વેપારીઓ માટે UPI સેવાઓ મફત રહેશે.</p><h4><b>નાના વેપારીઓને પણ રાહત</b></h4><p>પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના જણાવ્યા મુજબ, કરિયાણાની દુકાનો સહિતના નાના વેપારીઓને પણ UPI પેમેન્ટ સ્વીકારવા માટે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ચૂકવવો નહીં પડે. સંસ્થાએ કહ્યું કે હાલની ચર્ચા UPIના માળખાને લાંબા ગાળે આર્થિક રીતે ટકાઉ બનાવવાના મોડલ પર કેન્દ્રિત છે. આથી હાલમાં UPI વપરાશકર્તાઓને પેમેન્ટ પર સીધો ચાર્જ ચૂકવવાનો નથી. સરકાર અને સંબંધિત સંસ્થાઓનું ધ્યાન ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને સુરક્ષિત અને ટકાઉ બનાવવાની દિશામાં છે.</p><p><a href="https://sandesh.com/business/news/big-change-in-epfo-new-rules-of-epf-eps-and-edli-implemented-know-8-major-changes" target="_blank"><b>આ પણ વાંચો : EPFO માં મોટો બદલાવ: EPF, EPS અને EDLI ના નવા નિયમો લાગુ, જાણો 8 મુખ્ય ફેરફારો</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/8W3L0Zar3vnDI9AsGCljcemsoGSdV9U8npTGLLzS.webp'/></item><item><title><![CDATA[Patan News : કોંગ્રેસના આંતરિક વિવાદમાં ગરમાવો, જિલ્લા પ્રમુખ ગેમરભાઈ દેસાઈએ તમામ આક્ષેપો ફગાવ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/patan/patan-news-congress-internal-dispute-heats-up-district-president-gamerbhai-desai-denies-all-allegations</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/patan/patan-news-congress-internal-dispute-heats-up-district-president-gamerbhai-desai-denies-all-allegations</guid><pubDate>Sat, 08 Aug 2026 18:31:43 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પાટણ જિલ્લા કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક વિવાદે ભારે રાજકીય ગરમાવો લાવી દીધો છે. પક્ષમાં ઉદ્ભવેલા મતભેદો અને થઈ રહેલી ચર્ચાઓ વચ્ચે પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈએ મૌન તોડીને પોતાની સામે લાગેલા તમામ આક્ષેપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું હતું કે પક્ષને નુકસાન પહોંચાડવા અને વાતાવરણ ડહોળવા માટે પાયાવિહોણી બાબતો ફેલાવવામાં આવી રહી છે, જેમાં કોઈ સત્યતા નથી.</p><h2 style="text-align: justify; "><b>દિલ્હી પ્રવાસ શુભેચ્છા મુલાકાત હતી</b></h2><p style="text-align: justify; ">પોતાના તાજેતરના દિલ્હી પ્રવાસ અંગે ખુલાસો કરતા ગેમરભાઈ દેસાઈએ સ્પષ્ટતા કરી હતી કે તેમનો દિલ્હી પ્રવાસ માત્ર એક શુભેચ્છા મુલાકાત હતો. આ મુલાકાત દરમિયાન પ્રદેશ કોંગ્રેસના નેતા અમિત ચાવડા કે અન્ય કોઈ આંતરિક ખેંચતાણ અંગે કોઈ જ ચર્ચા કરવામાં આવી ન હતી. રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી વાતો માત્ર અફવાઓ છે અને પક્ષના નેતૃત્વ સામે કોઈ નારાજગી કે વિરોધ નથી.</p><h2 style="text-align: justify; "><b>‘ભ્રષ્ટાચાર કે સાઠગાંઠ સાબિત થાય તો જાહેર જીવન છોડી દઈશ’</b></h2><p style="text-align: justify; ">વિરોધીઓ દ્વારા મુકવામાં આવેલા ગંભીર આરોપો સામે કડક વલણ અપનાવતા ગેમરભાઈ દેસાઈએ ખુલ્લો પડકાર ફેંક્યો હતો. તેમણે ઉમેર્યું કે, સ્થાનિક ધારાસભ્ય સર્વ સમાજને સાથે લઈને ચાલી રહ્યા છે અને પક્ષનું કામ મજબૂતીથી કરી રહ્યા છે. જો મારી સામે ભ્રષ્ટાચાર કે ભાજપ અથવા અન્ય કોઈ સાથે સાઠગાંઠનો એક પણ આરોપ સાબિત થઈ જાય, તો હું તે જ ક્ષણે જાહેર જીવન છોડી દઈશ.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/surat/strange-incident-at-surat-brts-stand-young-man-breaks-mobile-phone-of-female-home-guard-who-threatened-him-by-recording-video" target="_blank">Surat BRTS સ્ટેન્ડ પર વિચિત્ર કિસ્સો, વીડિયો ઉતારી ધમકી આપનાર મહિલા હોમગાર્ડનો યુવકે મોબાઈલ તોડી નાખ્યો</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/SJ04sId0wvHpafX8BTvVsLFG5cjrhRVcYkaTOW08.webp'/></item><item><title><![CDATA[Patanના સિદ્ધપુર પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત, કારની અડફેટે બાઈક સવાર બે ખેડૂતોનાં કરૂણ મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/patan/a-horrific-accident-occurred-near-siddhpur-patan-two-farmers-riding-a-bike-died-tragically-after-being-hit-by-a-car</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/patan/a-horrific-accident-occurred-near-siddhpur-patan-two-farmers-riding-a-bike-died-tragically-after-being-hit-by-a-car</guid><pubDate>Sat, 08 Aug 2026 18:17:36 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પાટણ જિલ્લાના સિદ્ધપુર નજીક આવેલા બિલિયા ગામ પાસે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગતરોજ ખેતરેથી પોતાના ઘરે પરત ફરી રહેલા બે પડોશી ખેડૂતોને એક બેકાબૂ કાર ચાલકે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે બંને બાઈક સવાર ખેડૂતોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ ચાલક પોતાની ગાડી ઘટના સ્થળે જ મૂકીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>સારવાર દરમિયાન બંને આધેડ ખેડૂતોએ દમ તોડ્યો</b></h2><p style="text-align: justify; ">ગંભીર રીતે ઘાયલ થયેલા બંને ખેડૂતોને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન બંને આધેડોએ પોતાના પ્રાણ છોડી દીધા હતા. એક જ મહોલ્લામાં રહેતા અને સાથે ખેતીકામ કરતા બે વડીલ ખેડૂતોના આકસ્મિક અને કરૂણ મૃત્યુના સમાચાર મળતા જ બિલિયા ગામમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. પરિવારજનો અને ગ્રામજનોમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>સિદ્ધપુર પોલીસ મથકે ગુનો દાખલ કરી કાર ચાલકની શોધખોળ શરૂ</b></h3><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતકોના મૃત્તદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને સિદ્ધપુર પોલીસ મથકે ફરાર કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની ગુનાહિત ફરિયાદ નોંધી છે. ઘટના સ્થળે છોડી ગયેલી કારના આધારે પોલીસે નંબર પ્લેટ અને માલિકની વિગતો મેળવીને અકસ્માત સર્જીને નાસી છૂટેલા ચાલકને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/8m5WnoCQWlY7rIdPRmE3uhEFtlmzWNCjaJ6zm23J.webp'/></item><item><title><![CDATA[Bollywood : એક ડાયરેક્ટરે બનાવ્યો ઇમરાન હાશ્મીને સ્ટાર, બોક્સ ઓફિસ પર મચાવી દીધી હતી ધૂમ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/emraan-hashmi-lucky-director-5-films</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/emraan-hashmi-lucky-director-5-films</guid><pubDate>Sat, 08 Aug 2026 17:32:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડ એક્ટર ઈમરાન હાશ્મીએ છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાની કરિયરમાં મોટા બદલાવ કર્યા છે. આ દરમિયાન એક્ટરે વધુ કન્ટેન્ટ ઓરિએન્ટેડ ફિલ્મોમાં કામ કર્યું છે. જ્યારે કેટલીક ફિલ્મોમાં તેમણે પોતાના નેગેટિવ રોલથી લોકોને ચોંકાવ્યા પણ છે. હવે ઈમરાન હાશ્મીની આવારાપન 2 આવી રહી છે. આ ફિલ્મની ખાસ વાત એ છે કે તેમાં તેઓ ફરી એકવાર 2000ના દાયકાવાળા અંદાજમાં જોવા મળવાના છે. ફિલ્મનું ટ્રેલર જોયા બાદ લોકો પણ આવી જ વાતો કરતા જોવા મળી રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>મોહિત સૂરી અને ઈમરાન હાશ્મીએ સાથે કઈ ફિલ્મો કરી?</b></h2><p style="text-align: justify; ">મોહિત સૂરીએ 2000ના દાયકામાં ઈમરાન હાશ્મી સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ સફરની શરૂઆત વર્ષ 2005માં આવેલી ઝહેર ફિલ્મથી થઈ હતી. રિપોર્ટ્સ મુજબ આ ફિલ્મનું બજેટ 5 કરોડ રૂપિયા હતું અને ફિલ્મે 13 કરોડ રૂપિયાના કલેક્શન સાથે હિટનો દરજ્જો મેળવ્યો હતો. ત્યારબાદ આ જોડી કલયુગ ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મનું બજેટ 4 કરોડ રૂપિયા હતું અને તેની સરખામણીએ ફિલ્મે 10 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને હિટ રહી હતી.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dbr9TN0s561/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dbr9TN0s561/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dbr9TN0s561/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dbr9TN0s561/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><p style="text-align: justify; ">ત્યારબાદ આવારાપન ફિલ્મનો નંબર આવે છે. આ ફિલ્મ વર્ષ 2007માં આવી હતી. રિપોર્ટ્સ મુજબ 18 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મ માત્ર 12 કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકી હતી. ફિલ્મ ફ્લોપ રહી હતી, પરંતુ બાદમાં તેને કલ્ટ ક્લાસિકનો દરજ્જો મળ્યો હતો. ત્યારબાદ રાજ ફિલ્મ આવી હતી. તેનું બજેટ 18 કરોડ રૂપિયા હતું અને રિપોર્ટ્સ મુજબ ફિલ્મે 38 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મ સુપરહિટ રહી હતી.</p><h3 style="text-align: justify; "><b>છેલ્લી ફિલ્મ બની બ્લોકબસ્ટર</b></h3><p style="text-align: justify; ">ત્યારબાદ બંનેએ સાથે મળીને ક્રૂક ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ રહી હતી. જ્યારે મર્ડર 2ની વાત કરીએ તો આ બંનેની સાથે આવેલી છેલ્લી ફિલ્મ હતી. રિપોર્ટ્સ મુજબ 13 કરોડ રૂપિયાના બજેટ સામે આ ફિલ્મ 65 કરોડ રૂપિયાથી વધુ કમાવવામાં સફળ રહી હતી અને બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. ત્યારબાદ બંનેએ સાથે કોઈ ફિલ્મ બનાવી નથી. હવે ઈમરાન હાશ્મી આવારાપન 2 લઈને આવી રહ્યા છે. આ ફિલ્મ 14 ઓગસ્ટ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/pradeep-rawat-prayer-meet-son-vikram-emotional" target="_blank">આ પણ વાંચો-Pradeep Rawatની પ્રેયર મીટમાં પુત્ર વિક્રમ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો, પિતાને યાદ કરીને હાથ-પગ ધ્રૂજવા લાગ્યા</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/n41UCduQoBdRApGtRDgIGRg7WTzhUglPDZUtRfx4.webp'/></item></channel></rss>