<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabadમાં સાબરમતી નદીમાંથી મૃત ભ્રૂણ મળી આવ્યું: નેહરુ બ્રિજ નજીક ભ્રૂણ તણાઈ આવતાં ચકચાર! ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-sabarmati-riverfront-dead-foetus-found</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-sabarmati-riverfront-dead-foetus-found</guid><pubDate>Tue, 11 Aug 2026 13:05:27 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરના હૃદયસમા સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાંથી એક અત્યંત કાળજુ કંપાવી દેનારો અને શરમજનક કિસ્સો સામે આવ્યો છે. સાબરમતી નદીના પટમાંથી, નેહરુ બ્રિજ નજીક ખાનપુર તરફથી એક મૃત ભ્રૂણ મળી આવતાં વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. રિવરફ્રન્ટ પરથી પસાર થઈ રહેલી એક સ્થાનિક મહિલાની નજર નદીમાં વહેતા આ ભ્રૂણ પર પડતાં તેણે તુરંત જ આ અંગે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી.</p><h2 style="text-align: justify; "><b>ફાયર બ્રિગેડની મદદથી ભ્રૂણ બહાર કાઢ્યું</b></h2><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં જ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ મથકની ટીમ અને ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ નદીમાં તરતા મૃત ભ્રૂણને બહાર કાઢ્યું હતું. પ્રાથમિક તપાસ અને તબીબી અંદાજ મુજબ આ મૃત ભ્રૂણ અંદાજે 2થી 4 મહિનાનું હોવાનું સામે આવ્યું છે. કોઈ અજાણી મહિલા કે વ્યક્તિએ પોતાનું પાપ છુપાવવા માટે આ નિર્દોષ ભ્રૂણને નદીમાં વહેતું મૂકી દીધું હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે.</p><h3 style="text-align: justify; "><b>પ્રાથમિક તપાસમાં 2થી 4 મહિનાનું હોવાનો ખુલાસો</b></h3><p style="text-align: justify;">આ શરમજનક ઘટના અંગે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે અજાણી મહિલા કે સંબંધિત વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ભ્રૂણ નદીમાં કોણ અને કયા સમયે મૂકીને ફરાર થઈ ગયું તે જાણવા માટે પોલીસે રિવરફ્રન્ટ વોક-વે, નેહરુ બ્રિજ તેમજ આસપાસના વિસ્તારોમાં લગાવેલા તમામ સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજ ચકાસવાની કવાયત હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/4eecg8KhJP8RCRvZdSB8KpLPLHdaV0HNoiuNE8kk.webp'/></item><item><title><![CDATA[Supriya Suleની પુત્રીના રિસેપ્શનમાં રાજકીય દિગ્ગજોનો મહાકુંભ, પીએમ મોદી, અમિત શાહ અને રાહુલ ગાંધીએ હાજરી આપી નવદંપતીને આપ્યા આશીર્વાદ ]]></title><link>https://sandesh.com/india/news/supriya-sules-daughters-reception-was-a-grand-gathering-of-political-figures-pm-modi-amit-shah-and-rahul-gandhi-attended-and-blessed-the-newlyweds</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/supriya-sules-daughters-reception-was-a-grand-gathering-of-political-figures-pm-modi-amit-shah-and-rahul-gandhi-attended-and-blessed-the-newlyweds</guid><pubDate>Tue, 11 Aug 2026 12:48:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">NCPના નેતા અને સાંસદ સુપ્રિયા સુલેની પુત્રી રેવતી સુલેના લગ્ન તાજેતરમાં મુંબઈમાં સંપન્ન થયા. સોમવારે દિલ્હીમાં સુપ્રિયા સુલેની પુત્રીના ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ પ્રસંગે પક્ષ-વિપક્ષના ભેદભાવ ભૂલીને દેશના તમામ મોટા રાજકીય પક્ષોના નેતાઓ એક જ મંચ પર જોવા મળ્યા હતા. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત દેશભરના દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી.</p><h2 style="text-align: justify; "><b>પીએમ મોદીએ શરદ પવારના સ્વાસ્થ્ય અંગે પૂછપરછ કરી</b></h2><p style="text-align: justify; ">સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વરિષ્ઠ નેતા શરદ પવાર સાથે બેસીને પરિવાર સાથે મૈત્રીપૂર્ણ વાતાવરણમાં વાતચીત કરતા જોવા મળે છે. વડાપ્રધાને સુપ્રિયા સુલે સાથે વાત કરતા શરદ પવારના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તેમની રાજકીય સફર તથા કાર્યનિષ્ઠાની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, "શરદ પવાર તેમના કાર્યમાં જે ઊર્જા અને ઉત્સાહ દર્શાવે છે, તે રાજકારણમાં દરેક માટે એક ઉત્તમ ઉદાહરણ છે."</p><h3 style="text-align: justify; "><b>રાજકીય અટકળો પર વિરામ</b></h3><p style="text-align: justify; ">છેલ્લા કેટલાક સમયથી શરદ પવાર અને સુપ્રિયા સુલેની પીએમ મોદી તથા અમિત શાહ સાથેની બેઠકોને કારણે એનસીપીના બંને જૂથો વચ્ચે પુનઃમિલનની અટકળો વહેતી થઈ હતી. જોકે, પવાર પરિવારે સ્પષ્ટ કર્યું હતું કે આ મુલાકાતો માત્ર લગ્નના રિસેપ્શનનું નિમંત્રણ આપવા માટે જ હતી અને તેમણે રાજકીય અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું હતું.</p><h4 style="text-align: justify; "><b>એક જ મંચ પર દેખાયા અમિત શાહ અને રાહુલ ગાંધી</b></h4><p style="text-align: justify; ">તાજેતરમાં સંસદ સત્ર અને અન્ય મુદ્દાઓને લઈને એકબીજા પર આકરા પ્રહારો કરનાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વિપક્ષી નેતા રાહુલ ગાંધી આ સમારોહમાં એક જ સ્થળે જોવા મળ્યા હતા. નવદંપતીને આશીર્વાદ આપવા માટે સ્ટેજ તરફ જતી વખતે બંને નેતાઓ એકસાથે ઉભા જોવા મળ્યા હતા, જેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે.</p><h4 style="text-align: justify; "><b>રોહિત પવાર સાથે પીએમ મોદીની મૈત્રીપૂર્ણ વાતચીત</b></h4><p style="text-align: justify; ">ભાજપ સરકારની આકરી ટીકા માટે જાણીતા ધારાસભ્ય રોહિત પવાર પણ આ કાર્યક્રમમાં વડાપ્રધાન સાથે ખૂબ જ સહજતાથી વાત કરતા નજરે પડ્યા હતા. સુપ્રિયા સુલેએ પરિવારના સભ્યો, જેમાં યુગેન્દ્ર પવાર અને તેમના પત્નીનો સમાવેશ થાય છે, તેમનો પરિચય વડાપ્રધાન મોદી સાથે કરાવ્યો હતો.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/india/news/parliament-monsoon-session-rahul-gandhi-amit-shah-bjp-mps-protest-over-lathi-charge-issue-in-ranchi-jpsc-jssc-exam-row" target="_blank">આ પણ વાંચો : Parliament Monsoon Session: રાહુલ ગાંધી ભાગો નહી.. રાંચીમાં લાઠીચાર્જ મુદ્દે બીજેપી સાંસદોનું પ્રદર્શન</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/XLMIrHIwqT7eUgImk90wbi5vdniJuc7MZPrudUO2.webp'/></item><item><title><![CDATA[West Bengal: SIR મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી,  આ ગતિએ તો આગામી ચૂંટણી આવી જશે ]]></title><link>https://sandesh.com/india/news/west-bengal-supreme-courts-comment-on-sir-case-at-this-rate-the-next-elections-will-come</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/west-bengal-supreme-courts-comment-on-sir-case-at-this-rate-the-next-elections-will-come</guid><pubDate>Tue, 11 Aug 2026 12:32:56 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુનાવણી દરમિયાન કોર્ટે ટ્રિબ્યુનલની કામગીરી અંગે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે તેના આદેશથી રચાયેલા ટ્રિબ્યુનલની કામગીરી પર હવે નજર રાખવાનો સમય આવી ગયો છે.</p><p style="text-align: justify; ">સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો આ ટ્રિબ્યુનલનું પ્રદર્શન અપેક્ષા મુજબ ન હોય તો તેમની કાર્યપ્રણાલીમાં ફેરફાર કરવામાં આવી શકે છે. કોર્ટે ચૂંટણી પંચ પાસેથી ટ્રિબ્યુનલની કામગીરી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી અને આંકડા માંગ્યા છે. આ મામલે હવે આગામી સુનાવણી 25 ઓગસ્ટે થશે.</p><h2 style="text-align: justify; "><b>આ ગતિએ તો આગામી ચૂંટણી આવી જશે</b></h2><p style="text-align: justify; ">સુનાવણીની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલે ઘણો સમય પસાર થઈ ગયો છે. તેથી અત્યાર સુધી કેટલા કેસોનો નિકાલ થયો છે અને ટ્રિબ્યુનલમાં કામ કઈ ગતિએ ચાલી રહ્યું છે, તે જાણવું જરૂરી છે.&nbsp;</p><p style="text-align: justify; ">મુખ્ય ન્યાયાધીશે પણ ટ્રિબ્યુનલમાં કેસોના નિકાલની ધીમી ગતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ટિપ્પણી કરી હતી કે જો કામ આ જ ગતિએ ચાલતું રહેશે તો તમામ અપીલોની સુનાવણી પૂર્ણ થાય ત્યાં સુધીમાં આગામી ચૂંટણી આવી જશે. કોર્ટની આ ટિપ્પણી બાદ પશ્ચિમ બંગાળ સરકાર તરફથી હાજર વકીલે જણાવ્યું હતું કે ટ્રિબ્યુનલની કામગીરી સાથે જોડાયેલો સંપૂર્ણ ડેટા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.</p><h3 style="text-align: justify; "><b>ટ્રિબ્યુનલની કામગીરી અંગે માહિતી માગવામાં આવી</b></h3><p style="text-align: justify; ">જસ્ટિસ બાગચીએ પણ સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે માત્ર અપીલ દાખલ કરી દેવાથી કોઈ વ્યક્તિને રાહત મળતી નથી. જે સત્તાધિકારીઓએ આ ટ્રિબ્યુનલની રચના કરી છે, તેમણે એ પણ જોવું પડશે કે તેનો વાસ્તવિક પરિણામ શું આવી રહ્યું છે.</p><p style="text-align: justify; ">કોર્ટે જાણવા માંગ્યું કે હાલમાં કુલ કેટલા ટ્રિબ્યુનલ કાર્યરત છે, દરરોજ કેટલા કેસોની સુનાવણી થઈ રહી છે અને તેમાંથી કેટલા કેસોનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. આ વિગતોના આધારે ટ્રિબ્યુનલની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવશે.</p><h4 style="text-align: justify; "><b>અરજદારના વકીલે રજૂ કરી પોતાની સમસ્યા</b></h4><p style="text-align: justify; ">અરજદાર તરફથી હાજર વકીલે કોર્ટને જણાવ્યું કે કેસોના નિકાલની ગતિ પર પણ ધ્યાન આપવાની જરૂર છે. તેમણે સંબંધિત દસ્તાવેજો રજૂ કરીને જણાવ્યું કે તેમની અપીલ હજુ પણ પેન્ડિંગ છે. અપીલનો નિકાલ ન થવાને કારણે તેમને રેશન સિસ્ટમ હેઠળ મળતું રેશન પણ મળી રહ્યું નથી.</p><p style="text-align: justify; ">આ મુદ્દે જસ્ટિસ બાગચીએ કહ્યું કે માત્ર મતદાર યાદીમાંથી નામ હટાવવામાં આવ્યું હોવાના આધારે રાજ્ય સરકાર કોઈ વ્યક્તિને રેશન આપવાનો ઇનકાર કરી શકે છે કે નહીં, તે એક અલગ કાનૂની પ્રશ્ન છે. આ મુદ્દાને હાઈકોર્ટ સમક્ષ મોકલવામાં આવશે.</p><p style="text-align: justify; ">સુપ્રીમ કોર્ટે સાથે જ સ્પષ્ટ કર્યું કે તે માત્ર ટ્રિબ્યુનલની રચના અને કામગીરી સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવતા પરિણામો અને કેસોના નિકાલની સ્થિતિ પર પણ નજર રાખશે. આગામી સુનાવણીમાં ચૂંટણી પંચ અને સંબંધિત પક્ષો તરફથી ટ્રિબ્યુનલની કામગીરીનો વિગતવાર ડેટા રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/9k1sB2AQIQMfF1CYbyVInZ2DkpFraOxIdEtXyk6P.webp'/></item><item><title><![CDATA[Suratના ઉન પાટીયા પાસે હિટ એન્ડ રનની ઘટના: કારની ટક્કરે વૃદ્ધા નિર્મલાબેનનું નિપજ્યું કરુણ મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-un-patiya-hit-and-run-nirmalaben-death</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-un-patiya-hit-and-run-nirmalaben-death</guid><pubDate>Tue, 11 Aug 2026 12:16:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરના ઉન પાટીયા સનાબીલ વિસ્તાર પાસે એક ગંભીર અને કાળજુ કંપાવી દેનારો હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. રસ્તા પરથી પસાર થઈ રહેલા નિર્મલાબેન નામના વૃદ્ધ મહિલાને પુરપાટ ઝડપે આવી રહેલી ટાટા કંપનીની શિએરા કારના ચાલકે જોરદાર અડફેટે લીધા હતા. ટક્કર એટલી પ્રચંડ હતી કે વૃદ્ધા રોડ પર પટકાતાં ગંભીર રીતે લોહીલુહાણ થઈ ગયા હતા. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક માનવતા નેવે મૂકીને કાર લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>હોસ્પિટલમાં તબીબોએ વૃદ્ધાને મૃત જાહેર કર્યા</b></h2><p style="text-align: justify; ">અકસ્માતને પગલે આસપાસના સ્થાનિક લોકો ત્વરિત મદદ અર્થે દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા નિર્મલાબેનને તાત્કાલિક અસરથી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલ પહોંચતાં જ ફરજ પરના તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. વૃદ્ધાના કરૂણ મોતથી તેમના પરિવારજનોમાં અરેરાટી અને ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.</p><h3 style="text-align: justify; "><b>પોલીસે ગુનો નોંધી કારચાલકની શોધખોળ હાથ ધરી</b></h3><p style="text-align: justify; ">હિટ એન્ડ રનની આ જીવલેણ ઘટના અંગે જાણ થતાં જ ભેસ્તાન પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે અને સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવીને ફરાર ટાટા શિએરા કારના ચાલકની ઓળખ કરી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ઉન પાટીયા વિસ્તારમાં સર્જાયેલા આ અકસ્માતે ફરી એકવાર શહેરના રસ્તાઓ પર વાહનચાલકોની બેદરકારી અને ટ્રાફિક સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/NyeSGPeGEiecV6MgIxbBDluls0cTnOWo8TD5Ok6N.webp'/></item><item><title><![CDATA[વાંચો સવારે 08થી બપોરે 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/today-top-breaking-news-bulletin-gujarat-india-read-important-news-from-08-am-to-12-pm-11-august-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/today-top-breaking-news-bulletin-gujarat-india-read-important-news-from-08-am-to-12-pm-11-august-2026</guid><pubDate>Tue, 11 Aug 2026 12:00:00 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર&nbsp; &nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/world/news/colombia-earthquake-magnitude-7-4-casualties-2026" target="_blank">1.&nbsp; &nbsp;Colombia Earthquake : ભયાનક ભૂકંપથી ધ્રૂજી ઉઠ્યું, અત્યાર સુધીમાં 132 લોકોના મોત 570 ઘાયલ&nbsp;</a>&nbsp; &nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/parliament-monsoon-session-rahul-gandhi-amit-shah-bjp-mps-protest-over-lathi-charge-issue-in-ranchi-jpsc-jssc-exam-row" target="_blank">2. Parliament Monsoon Session: રાહુલ ગાંધી ભાગો નહી.. રાંચીમાં લાઠીચાર્જ મુદ્દે બીજેપી સાંસદોનું પ્રદર્શન</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/cricket/news/cricket-news-i-got-a-call-from-sachin-paji-and-was-stunned-rahanes-big-statement-after-retirement" target="_blank">3. Cricket News : સચિન પાજીનો ફોન આવ્યો ને હું સ્તબ્ધ થઈ ગયો..." નિવૃત્તિ બાદ રહાણેનું મોટું નિવેદન</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-gujarat-rain-nowcast-alert-orange-yellow-alert-weather-update" target="_blank">4. Monsoon 2026 : આગામી 3 કલાક માટે રાજ્યના 10 જિલ્લામાં તોફાની વરસાદનું ઓરેન્જ એલર્ટ, 40-60 KMની ઝડપે પવન ફૂંકાશે</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/independence-day-2026-delhi-on-high-alert-for-august-15-photos-of-19-terrorists-released" target="_blank">5. Independence Day 2026: 15મી ઓગષ્ટને લઇને દિલ્હી હાઇ એલર્ટ, 19 આતંકીઓના ફોટા કર્યા જાહેર</a>&nbsp; &nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/entertainment/news/ajay-devgns-first-tv-debut-with-the-popular-tv-show-crime-patrol" target="_blank">6. Amitabh, સલમાન અને અક્ષયની રાહ પર અજય દેગગણ, લોકપ્રિય શોથી ટીવીમાં કરશે ડેબ્યુ</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-jangleshwar-demolition-bill-scam-travel-expense-investigation" target="_blank">7. Rajkot : જંગલેશ્વર ડિમોલેશન બિલ વિવાદ: 10 કિમીની આવન-જાવન માટે લાખો રૂપિયાનું આંધણ, તપાસ સમિતિ પણ દિશાહીન</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gandhinagar/one-and-a-half-inches-of-water-fell-in-2-hours-in-dahegam--causing-major-roads-to-be-submerged" target="_blank">8. Gandhinagarના દહેગામમાં 2 કલાકમાં દોઢ ઇંચ પાણી ખાબકતાં વેપારી સંકુલો અને મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ</a>&nbsp; &nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-ahmedabad-city-rain-update-thaltej-sola-sg-highway" target="_blank">9. Ahmedabad Rain : અમદાવાદમાં સવારથી વરસાદ, વાસણા બેરેજના ત્રણ દરવાજા ખોલાયા</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/surat-new-civil-dr-harsh-pandya-suicide-case-will-suspension-alone-bring-justice" target="_blank">10. Surat નવી સિવિલના ડો. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં માત્ર સસ્પેન્શનથી ન્યાય મળશે?</a></b></p><p><b><br></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/mSjhqzRJ8kIFuSCBAQQF5zT89XcszLgVQWc80jWI.webp'/></item><item><title><![CDATA[Gold- Silver Price Today: સોના ચાંદીએ તો પકડી રફતાર, ચાંદી 2.40 લાખને નજીક, જાણો લેટેસ્ટ રેટ ]]></title><link>https://sandesh.com/business/news/gold-silver-price-today--11-august-2026-gold-and-silver-have-picked-up-speed-silver-is-close-to-240-lakhs-know-the-latest-rate</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/gold-silver-price-today--11-august-2026-gold-and-silver-have-picked-up-speed-silver-is-close-to-240-lakhs-know-the-latest-rate</guid><pubDate>Tue, 11 Aug 2026 11:58:37 +05:30</pubDate><description><![CDATA[<p><b>Gold- Silver Price Today 11 August 2026:&nbsp; &nbsp;</b>આજે 11&nbsp; ઓગસ્ટ, 2026 ના રોજ સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. 24 કેરેટ અને 22 કેરેટ સોના બંનેના ભાવમાં વધારો થયો છે, અને ચાંદીના ભાવમાં પણ તીવ્ર વધારો જોવા મળ્યો છે. જો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આજના નવા ભાવ જાણવા જરૂરી છે.</p><h2><b>11 ઓગષ્ટે સોના ચાંદીના ભાવ&nbsp;</b></h2><p>વૈશ્વિક બજાર કોમેક્સ પર સોનું $4,450 પ્રતિ ઔંસની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે જ્યારે ચાંદી $66 પ્રતિ ઔંસની આસપાસ ટ્રેડ થઈ રહી છે. સ્થાનિક વાયદા બજાર એમસીએક્સ પર લખાય છે ત્યારે સોનાના વાયદાના ભાવ રૂ. 1,55,100ની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે ચાંદીના ભાવ રૂ. 2,39,150ની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે.</p><h3><b style="font-size: 1.75rem;">આજે સોનાના ભાવ વધ્યા</b></h3><p>સોનાના વાયદાના ભાવ વધારા સાથે શરૂ થયા હતા. MCX પર સોનાનો બેન્ચમાર્ક ઓક્ટોબર કોન્ટ્રાક્ટ રૂ.1,600ના વધારા સાથે રૂ. 1,54,699 પર ખૂલ્યો હતો. અગાઉની બંધ કિંમત રૂ. 1,53,099 હતી. લખાય છે ત્યારે, આ કોન્ટ્રેક્ટ રૂ. 2001 ના વધારા સાથે રૂ. 1,55,100 પર ટ્રેડ કરી રહ્યો હતો. આ સમયે તે દિવસની ટોચે રૂ. 1,55,437 અને દિવસની નીચી સપાટી રૂ. 1,54,699 પર પહોંચ્યો હતો. સોનાના વાયદાની કિંમત આ વર્ષની સર્વોચ્ચ સપાટી રૂ. 1,80,779 પર પહોંચી ગઈ હતી.</p><h3><b style="font-size: 1.5rem;">આજે ચાંદી પણ ચમકી</b></h3><p>ચાંદીના વાયદાની શરૂઆત તેજી સાથે થઈ હતી. MCX પર ચાંદીનો બેન્ચમાર્ક સપ્ટેમ્બર કોન્ટ્રાક્ટ રૂ. 3,132ના ઉછાળા સાથે રૂ. 2,39,999 પર ખૂલ્યો હતો. અગાઉનો બંધ ભાવ રૂ. 2,36,867 હતો. લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટ રૂ. 2,287ના ઉછાળા સાથે રૂ. 2,39,154 પર ટ્રેડ કરી રહ્યો હતો. આ સમયે તે દિવસની ટોચે રૂ. 2,41,999 અને દિવસની નીચી સપાટી રૂ. 2,37,881 પર પહોંચ્યો હતો. ચાંદીના વાયદાના ભાવ આ વર્ષની સર્વોચ્ચ સપાટીએ રૂ. 4,20,048 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયા હતા.</p><p><br></p><h3><b>દેશના કેટલાક મોટા શહેરોમાં સોનાના ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)</b></h3><p><br></p><table class="table table-bordered"><tbody><tr><td>શહેર&nbsp;</td><td>24 કેરેટ સોનાની કિંમત&nbsp;</td><td>22 કેરેટ સોનાની કિંમત</td></tr><tr><td>દિલ્હી&nbsp;<br><br><br></td><td>1,55,280&nbsp;</td><td>1,42,350</td></tr><tr><td>મુંબઈ&nbsp;</td><td>1,55,130&nbsp;</td><td>1,42,200</td></tr><tr><td>કોલકાતા</td><td>&nbsp;1,55,130&nbsp;</td><td>1,42,200</td></tr><tr><td>ચેન્નઈ&nbsp;</td><td>1,55,460&nbsp;</td><td>1,42,500</td></tr><tr><td>અમદાવાદ</td><td>&nbsp;1,55,180</td><td>&nbsp;1,42,250</td></tr><tr><td>સુરત&nbsp;<br></td><td>1,55,180&nbsp;</td><td>1,42,250</td></tr></tbody></table><p><b style="font-size: 1.5rem;">સોના અને ચાંદીના ભાવ કેમ વધી રહ્યા છે?</b></p><p><b>ડોલર અને તેલના ભાવમાં નરમાઈની અસર: </b>ડોલર ઇન્ડેક્સમાં ઘટાડાને કારણે અન્ય ચલણોનો ઉપયોગ કરતા ખરીદદારો માટે ડોલર-મૂળભૂત સોના અને ચાંદી સસ્તા થયા છે. દરમિયાન, યુએસ અને ઈરાન વચ્ચે સંભવિત કરાર અંગે ચાલી રહેલી અનિશ્ચિતતાને કારણે ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $88 ની આસપાસ રહ્યા છે.</p><p>એવી આશા હતી કે આ કરારથી હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલશે. જોકે, ઈરાને સ્પષ્ટતા કરી છે કે જ્યાં સુધી યુએસ તેની કાર્યવાહી બંધ ન કરે અને નુકસાન માટે વળતર ન આપે ત્યાં સુધી સ્ટ્રેટ બંધ રહેશે.</p><p><b>ફુગાવાના ડેટા પર નજર કરો</b>: બજારનું ધ્યાન હવે બુધવારે આવનારા યુએસ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) ડેટા અને ગુરુવારે આવનારા પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ (PPI) ડેટા પર કેન્દ્રિત છે. આ આંકડા યુએસ ફેડરલ રિઝર્વની ભાવિ નીતિ દિશા અંગે સંકેતો પ્રદાન કરશે.</p><p><b style="font-size: 1.5rem;">જો તમે ઘરેણાં ખરીદવાનું આયોજન કરી રહ્યા છો, તો આ ધ્યાનમાં રાખો</b></p><p>જો તમે આજે સોનાના ઘરેણાં ખરીદવા જઈ રહ્યા છો, તો ફક્ત ઉપર જણાવેલ સોનાના દરોના આધારે તમારા ખર્ચની ગણતરી ન કરો. મેકિંગ ચાર્જ અને GST જેવા ખર્ચ પણ ઘરેણાંના બિલમાં ઉમેરવામાં આવે છે. વધુમાં, બનાવવાનો ચાર્જ એક ઝવેરીથી બીજા ઝવેરી સુધી બદલાઈ શકે છે. તેથી, ઘરેણાં ખરીદતા પહેલા, સોનાની શુદ્ધતા, પ્રતિ ગ્રામ દર, બનાવવાનો ચાર્જ અને બિલનું સંપૂર્ણ વિશ્લેષણ તપાસો.</p><p><b><a href="https://sandesh.com/astrology/news/bhakti/shani-transit-shani-dev-will-have-a-great-move-luck-will-shine-for-4-zodiac-signs-from-august-20" target="_blank">આ પણ વાંચો: Shani Transit: શનિ દેવ ચાલશે ગજબની ચાલ, 20 ઑગષ્ટથી 4 રાશિનું ચમકશે નસીબ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/7le7hsej5BWQsRf1Aiv0tBTwiONkSX6eFuYWVPmd.webp'/></item><item><title><![CDATA[Partition 1947માં મહિલાઓના ચિત્રણ વિવાદ પર ટિકાકારો અને વિરોધ કરનારાઓને પ્રિતી ઝિન્ટાનો રોકડો જવાબ ]]></title><link>https://sandesh.com/entertainment/news/controversy-over-portrayal-of-women-in-partition-1947-it-is-unfair-to-reach-final-conclusions-without-understanding-preity-zintas-blunt-response</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/controversy-over-portrayal-of-women-in-partition-1947-it-is-unfair-to-reach-final-conclusions-without-understanding-preity-zintas-blunt-response</guid><pubDate>Tue, 11 Aug 2026 11:48:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા આશરે આઠ વર્ષના લાંબા વિરામ બાદ પીરિયડ ડ્રામા ફિલ્મ "પાર્ટીશન 1947" દ્વારા મોટા પડદા પર કમબેક કરી રહી છે. તાજેતરમાં જ ૧૯૪૭ના યુગની મહિલાઓના ચિત્રણ બાબતે થયેલી ટીકાઓ પર પ્રીતિ ઝિન્ટાએ પોતાનું મૌન તોડ્યું છે. તેણે સ્પષ્ટ કર્યું છે કે તેના નિવેદનને સંપૂર્ણપણે સંદર્ભ બહાર લેવામાં આવ્યું છે અને તેણે લોકોને ફિલ્મ જોયા વગર કોઈ અભિપ્રાય ન બનાવવાની વિનંતી કરી છે.</p><h2 style="text-align: justify;"><b>"પાર્ટીશન 1947"&nbsp; શું હતો આખો વિવાદ?</b></h2><p style="text-align: justify;">આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે પ્રીતિ ઝિન્ટાએ એક ઈન્ટરવ્યુમાં પીરિયડ ફિલ્મમાં કામ કરવાના પોતાના અનુભવ વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે સેટ પર ડિરેક્ટર રાજકુમાર સંતોષી તેને મોટાભાગના દ્રશ્યોમાં રસોઈ બનાવવી, ઘરની સફાઈ કરવી કે સીવણ કામ જેવાં રોજીંદા ઘરકામ કરવાની જ સૂચના આપતા હતા. જ્યારે પ્રીતિએ આ અંગે પૂછપરછ કરી, ત્યારે ડિરેક્ટરે તેને સમજાવ્યું હતું કે ૧૯૪૭ના સમયગાળામાં મહિલાઓ પાસે સ્વતંત્રતા સેનાની બનવા સિવાય અન્ય કોઈ વ્યાવસાયિક કારકિર્દી વિકલ્પ નહોતો; તેમનો પરિવાર, પતિ, બાળકો અને ઘર જ એમની મુખ્ય કારકિર્દી હતા.</p><h3 style="text-align: justify;"><b>પ્રીતિ ઝીન્ટાએ ધ પ્રિન્ટ મીડિયા હાઉસ પર કર્યા પ્રહાર</b></h3><p style="text-align: justify;">પ્રીતિના આ નિવેદન બાદ 'ધ પ્રિન્ટ' મીડિયા હાઉસમાં એક અભિપ્રાય લેખ પ્રકાશિત થયો હતો, જેમાં સંતોષી અને પ્રીતિના આ દ્રષ્ટિકોણની ટીકા કરવામાં આવી હતી. આ લેખનો કડક જવાબ આપતાં પ્રીતિ ઝિન્ટાએ લખ્યું, "મારા શૂટિંગ અનુભવ પર આપેલા અભિપ્રાયને તદ્દન સંદર્ભની બહાર જઈને રજૂ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ એક ચોક્કસ પરિવારની વાર્તા પર આધારિત છે, તે સમગ્ર સમાજ પર કોઈ એક સામાન્ય અભિપ્રાય લાદતી નથી." તેણે વધુમાં ઉમેર્યું કે ફિલ્મ અથવા દિગ્દર્શકની વિચારસરણીને સમજ્યા વિના જ આવા અંતિમ નિષ્કર્ષ પર પહોંચવું અન્યાયી છે અને પત્રકારત્વ વધુ જવાબદાર તથા નિષ્પક્ષ હોવું જોઈએ.</p><h4 style="text-align: justify;"><b>ક્યારે રિલીઝ થશે 'પાર્ટીશન 1947'?</b></h4><p style="text-align: justify; ">રાજકુમાર સંતોષીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ "પાર્ટીશન 1947" માં પ્રીતિ ઝિન્ટા ફરી એકવાર સની દેઓલ સાથે મુખ્ય ભૂમિકામાં દેખાશે. આ ફિલ્મમાં શબાના આઝમી પણ મહત્વના રોલમાં છે. આ પીરિયડ ડ્રામાનું નિર્માણ આમિર ખાન કરી રહ્યા છે, જેમણે અગાઉ "દિલ ચાહતા હૈ" ફિલ્મમાં પ્રીતિ સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ ૧૪ ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/samay-raina-roasts-badshah-for-mentioning-yo-yo-honey-singhs-song-in-the-bonus-episode-of-indias-got-talent-2" target="_blank">આ પણ વાંચો : Samay Raina 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ 2'ના બોનસ એપિસોડમાં યો યો હની સિંહના ગીતનો ઉલ્લેખ કરી બાદશાહને કર્યો રોસ્ટ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/B2wSOwGZL6cLR882rBCJV1gVIQkRPkV2ppGOg5nn.webp'/></item><item><title><![CDATA[Narmadaના સાગબારામાં જંગલ જમીન વિવાદ: ચાલુ વરસાદે પણ આદિવાસીઓનું અહિંસક આંદોલન યથાવત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/narmada/forest-land-dispute-in-sagbara-of-narmada-tribals-non-violent-agitation-continues-despite-ongoing-rains</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/narmada/forest-land-dispute-in-sagbara-of-narmada-tribals-non-violent-agitation-continues-despite-ongoing-rains</guid><pubDate>Tue, 11 Aug 2026 10:35:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીનના ખેડાણ અને અધિકારોને લઈને શરૂ થયેલો વિવાદ વધુ ઘેરો બન્યો છે. ધોધમાર ચાલુ વરસાદ હોવા છતાં આદિવાસી ખેડૂતો અને સ્થાનિક ગ્રામજનો પોતાના હક માટે ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આંદોલન પર અડગ ઊભા છે. ચોમાસાની ઋતુમાં ખુલ્લામાં ધરણાં કરી રહેલા આદિવાસીઓએ જણાવ્યું હતું કે આસપાસના જંગલ વિસ્તારમાંથી દીપડા અને ઝેરી વીંછી જેવા હિંસક વન્યજીવો પણ દેખાઈ રહ્યા છે. આમ છતાં, જીવના જોખમે પણ લોકો પોતાના અધિકાર માટે આંદોલન સ્થળ પરથી હટવા તૈયાર નથી.</p><h2 style="text-align: justify; "><b>વિવિધ આદિવાસી આગેવાનોનું સમર્થન</b></h2><p style="text-align: justify; ">જંગલ જમીન પરના પરંપરાગત ખેડાણના અધિકારોનો આ પ્રશ્ન આદિવાસી સમાજની રોજીરોટી સાથે સીધો જોડાયેલો છે. આ લડતમાં હવે વિવિધ સામાજિક અને રાજકીય આદિવાસી આગેવાનોનું પણ પૂર્ણ સમર્થન સાંપડી રહ્યું છે. ગ્રામજનોનું કહેવું છે કે જંગલ જમીન જ તેમની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત છે. એક તરફ આદિવાસીઓ ભારે મુશ્કેલીઓ વચ્ચે આંદોલન કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ સરકાર દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટ ઉકેલ કે વલણ દાખવવામાં ન આવતાં સમગ્ર આદિવાસી વિસ્તારના લોકોમાં ભારે ચિંતા અને અસંતોષ વ્યાપ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>રોજીરોટીનો પ્રશ્ન બનેલી જમીનનો અંતે શું નિવેડો આવશે?</b></h3><p style="text-align: justify; ">સાગબારાના 12થી વધુ ગામોના હજારો આદિવાસી પરિવારો વર્ષોથી જે જમીન પર ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, તે જમીનના કાયદેસરના હક ન મળતાં તેમનું ભવિષ્ય અંધકારમય બન્યું છે. ગાંધીવાદી પદ્ધતિથી ચાલી રહેલા આ આંદોલનને વહીવટી તંત્ર કે સરકાર ક્યારે સાંભળશે અને આટલા દિવસોથી ચાલી રહેલા સળગતા પ્રશ્નનો આખરે શું આદરણીય અને કાયમી નિવેડો આવશે તે એક મોટો પ્રશ્નાર્થ બનીને ઊભો રહ્યો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/RJEtU55k8gZauO2cdAZdJT49gXknwWMi4ykpGllE.webp'/></item><item><title><![CDATA[Gandhinagarના દહેગામમાં 2 કલાકમાં દોઢ ઇંચ પાણી ખાબકતાં વેપારી સંકુલો અને મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gandhinagar/one-and-a-half-inches-of-water-fell-in-2-hours-in-dahegam--causing-major-roads-to-be-submerged</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gandhinagar/one-and-a-half-inches-of-water-fell-in-2-hours-in-dahegam--causing-major-roads-to-be-submerged</guid><pubDate>Tue, 11 Aug 2026 09:50:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ ધોધમાર વરસાદ ખાબક્યો છે. માત્ર 2 કલાકના ટૂંકા સમયગાળામાં જ દોઢ ઇંચ જેટલો મુશળધાર વરસાદ નોંધાતાં સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ટૂંકા સમયમાં પડેલા ભારે વરસાદના કારણે મનપા અને સ્થાનિક તંત્રના પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ પાણીમાં ધોવાઈ ગયા હોય તેમ માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.</p><h2 style="text-align: justify; ">નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી</h2><p style="text-align: justify; ">ધોધમાર વરસાદના પગલે દહેગામ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો તેમજ મુખ્ય વેપારી મથકોમાં પાણી ભરાઈ જવાથી સ્થાનિક રહીશો અને વેપારીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. શહેરના જાણીતા વૈભવ કોમ્પ્લેક્સ તેમજ એમ.જી. અમીન કોમ્પ્લેક્સ જેવા વાણિજ્યિક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા હતા. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે વેપાર-રોજગાર પર પણ તેની સીધી અસર જોવા મળી હતી.</p><h3 style="text-align: justify; "><b>મોડાસા રોડ, પૂર્ણિમા ઢાળ અને નેહરુ ચોકડી પાણીમાં ગરકાવ</b></h3><p style="text-align: justify; ">વરસાદી પાણીના બેફામ પ્રવાહના કારણે દહેગામના મુખ્ય માર્ગો તળાવમાં ફેરવાઈ ગયા હતા. શહેરના મુખ્ય મોડાસા રોડ, પૂર્ણિમા ઢાળ અને નેહરુ ચોકડી જેવા અત્યંત ધમધમતા વિસ્તારો સંપુર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. રસ્તાઓ પર દોઢથી બે ફૂટ જેટલા પાણી ભરાઈ જતાં વાહનચાલકોના વાહનો બંધ પડી ગયા હતા, જેના કારણે ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. સ્થાનિક લોકો દ્વારા વહેલી તકે વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/UstNI1jqYKI75gPIjmr8ttCOf1prBgn4z1F3FZN7.webp'/></item><item><title><![CDATA[PM મોદી સામે બોક્સર નરેન્દ્રએ સંભળાવ્યો પાકિસ્તાની બોક્સરનો કિસ્સો, વાત સાંભળીને હસી પડ્યા વડાપ્રધાન ]]></title><link>https://sandesh.com/sports/news/pm-modi-boxer-narender-pakistani-opponent-funny-story</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pm-modi-boxer-narender-pakistani-opponent-funny-story</guid><pubDate>Mon, 10 Aug 2026 20:09:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગ્લાસગો ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતે કુલ 39 મેડલ સાથે મેડલ ટેબલમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. ગેમ્સ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પોતાના નિવાસસ્થાને ભારતીય મેડલ વિજેતા ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ખેલાડીઓએ PM મોદી સાથે ખુલ્લા દિલે વાતચીત કરી હતી અને પોતાના અનુભવો પણ શેર કર્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>નરેન્દ્રએ સિલ્વર મેડલ જીત્યો</b></h2><p style="text-align: justify; ">આ મુલાકાત દરમિયાન ભારતીય હેવીવેઈટ બોક્સર નરેન્દ્ર બેરવાલે PM મોદીને એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો હતો. નરેન્દ્રે કોમનવેલ્થ ગેમ્સમાં 90+ કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેમને જણાવ્યું કે વર્ષ 2015માં મિલિટરી ગેમ્સ દરમિયાન તેમની પ્રથમ બાઉટ પાકિસ્તાની બોક્સર સામે હતી. તેમને મિલિટરી તરફથી ફોન કરીને પાકિસ્તાન સામે ન હારવાની વાત કહેવામાં આવી હતી.</p><h3 style="text-align: justify; "><b>મને નરેન્દ્ર નામથી નફરત થઈ ગઈ છે</b></h3><p style="text-align: justify; ">નરેન્દ્રે જણાવ્યું કે તેમણે પ્રથમ બાઉટ 4-1થી અને બીજી બાઉટ 3-2થી જીતી હતી. આ દરમિયાન બંને બોક્સરના માથા પણ અથડાયા હતા અને બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2086683661504843813"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p style="text-align: justify; "> </p><p style="text-align: justify; ">નરેન્દ્રે આગળ જણાવ્યું કે તેમના કોચનું નામ પણ નરેન્દ્ર રાણા હતું અને તે સમયે ભારતના વડાપ્રધાનનું નામ પણ નરેન્દ્ર હતું. આ સંયોગને લઈને પાકિસ્તાની બોક્સરે તેમને કહ્યું હતું કે, “તમારું નામ નરેન્દ્ર છે, તમારા કોચનું નામ પણ નરેન્દ્ર છે અને તમારા PMનું નામ પણ નરેન્દ્ર છે. હવે મને નરેન્દ્ર નામથી નફરત થઈ ગઈ છે.” આ વાત સાંભળીને PM મોદી હસતા જોવા મળ્યા હતા.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>ભારતે બોક્સિંગમાં 10 મેડલ જીત્યા&nbsp;</b></h4><p style="text-align: justify; ">કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય બોક્સિંગ ટીમનું પ્રદર્શન પણ નોંધપાત્ર રહ્યું હતું. ભારતે બોક્સિંગમાં 10 મેડલ જીત્યા હતા, જ્યારે નરેન્દ્ર બેરવાલે 90+ કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. ફાઇનલમાં તેમને ઇંગ્લેન્ડના ડામાર થોમસ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/oMWNn5CGUFi7LAuIfgHkI21UFhgy68SNnoD190zK.webp'/></item></channel></rss>