<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Rajkot : સાંઢીયા પુલ પાસે બેરીકેટિંગ સામે પ્રજાનો હલ્લાબોલ, ટ્રાફિક પોલીસની મનમાનીથી કંટાળેલા લોકોએ જાતે જ બેરીકેટ હટાવ્યાં ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-sandhiya-bridge-barricading-railnagar-protest</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-sandhiya-bridge-barricading-railnagar-protest</guid><pubDate>Wed, 16 Sep 2026 23:09:25 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટના સાંઢીયા પુલ પાસે ટ્રાફિક વ્યવસ્થાના નામે કરવામાં આવેલા બેરીકેટિંગને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકમેળા દરમિયાન ટ્રાફિક નિયંત્રણ માટે લગાવવામાં આવેલા બેરીકેટ મેળો પૂર્ણ થયા બાદ પણ હટાવવામાં આવ્યા ન હતા. જેના કારણે રેલનગર વિસ્તારમાં રહેતા લોકોને રોજિંદી અવરજવર માટે લગભગ 1 કિલોમીટર સુધીનો વધારાનો ચક્કર લગાવવો પડતો હતો.</p><h2 style="text-align: justify; "><b>ટ્રાફિક પોલીસની કામગીરી સામે</b></h2><p style="text-align: justify; ">ટ્રાફિક પોલીસ સમક્ષ વારંવાર રજૂઆતો છતાં બેરીકેટિંગ દૂર ન થતાં આખરે સ્થાનિક લોકોએ જાતે જ રસ્તા પર ઉતરીને બેરીકેટ હટાવી દીધા હતા. આ ઘટનાથી ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.</p><h3 style="text-align: justify; "><b>લોકમેળો પૂર્ણ છતાં બેરીકેટ યથાવત્</b></h3><p style="text-align: justify; ">લોકમેળા દરમિયાન ટ્રાફિકનું સંચાલન સરળ બનાવવા માટે સાંઢીયા પુલ પાસે બેરીકેટ લગાવવામાં આવ્યા હતા. પરંતુ મેળો પૂર્ણ થયા પછી પણ બેરીકેટ દૂર કરવામાં આવ્યા ન હતા. પરિણામે સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને બિનજરૂરી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.</p><h4 style="text-align: justify; "><b>રેલનગરના લોકોને વધારાનો ચક્કર</b></h4><p style="text-align: justify; ">બેરીકેટિંગને કારણે રેલનગર વિસ્તારના લોકોને નજીકના રસ્તે જવા માટે પણ લાંબો રસ્તો લેવો પડતો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, રોજિંદી અવરજવર દરમિયાન લોકોને લગભગ 1 કિલોમીટર સુધી ફરવું પડતું હતું. આ સમસ્યાને કારણે લોકોમાં ભારે કંટાળો અને રોષ ફેલાયો હતો.</p><h4 style="text-align: justify; "><b>નેતાઓએ ન કર્યું તે પ્રજાએ કરી બતાવ્યું</b></h4><p style="text-align: justify; ">સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જવાબદાર તંત્ર અને નેતાઓ દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો ન હતો. અંતે કંટાળેલા રહેવાસીઓએ જાતે જ બેરીકેટ હટાવીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર મામલે હવે ટ્રાફિક પોલીસની જવાબદારી અને કામગીરી સામે ચર્ચા શરૂ થઈ છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">&nbsp;આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/india/ahmedabad/sandesh-digital-explainer-epf-salary-limit-increased-25000-take-home-salary-calculation" target="_blank"><b>Sandesh Digital Explainer : EPFમાં મોટો ફેરફાર, તમારી ટેક-હોમ સેલરીનું શું થશે? સમજો, નવું ગણિત</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/2Cpuka5R9YLVCUVxtBPstDQ64iNZ2UOc8fF3Gqnr.webp'/></item><item><title><![CDATA[Kaushambi : પ્રેમિકાને મળવા પહોંચેલા યુવકને પરિવારે મેથીપાક ચખાડ્યો અને પછી મંદિરમાં જઇ લગ્ન કરાવી દીધા ]]></title><link>https://sandesh.com/india/news/kaushambi-love-couple-temple-marriage-night-meeting-family-dispute</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/kaushambi-love-couple-temple-marriage-night-meeting-family-dispute</guid><pubDate>Wed, 16 Sep 2026 22:48:43 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાં પ્રેમસંબંધનો ચોંકાવનારો અંત સામે આવ્યો છે. પિપરિ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રેમિકાને મળવા રાત્રે પહોંચેલા યુવકને યુવતીના પરિવારજનોએ પકડી લીધો હતો. યુવક સાથે મારપીટ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી અને યુવકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો.</p><h2 style="text-align: justify; "><b>3 વર્ષથી ચાલતો હતો પ્રેમસંબંધ</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, જાટી ગામનો 20 વર્ષીય આકાશ દિવાકર શેરગઢ ગામમાં રહેતી 19 વર્ષીય સલોણી દિવાકરને મળવા પહોંચ્યો હતો. બંને વચ્ચે છેલ્લા આશરે 3 વર્ષથી પ્રેમસંબંધ હોવાની માહિતી સામે આવી છે. બંને પરિવારથી છુપાઈને એકબીજાને મળતા હોવાનું પણ જણાવાયું છે.</p><h3 style="text-align: justify; "><b>રાત્રે પકડાયા બાદ મારપીટનો આક્ષેપ</b></h3><p style="text-align: justify; ">આકાશ ગામમાં પહોંચ્યો હોવાની જાણ સલોણીના પરિવારજનોને થતાં બંનેને પકડી લેવામાં આવ્યા હતા. આ દરમિયાન યુવક સાથે મારપીટ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. બાદમાં પોલીસને જાણ કરાતા પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આકાશને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.</p><h3 style="text-align: justify; "><b>પોલીસ સ્ટેશનથી મંદિર સુધી પહોંચ્યો મામલો</b></h3><p style="text-align: justify; ">પોલીસ સ્ટેશનમાં બંને પરિવાર વચ્ચે ચર્ચા થયા બાદ લગ્ન માટે સહમતી બની હતી. પરિવારજનોની સંમતિથી તિલ્હાપુર મોર સ્થિત મંદિરમાં આકાશ અને સલોણીના લગ્ન કરાવવામાં આવ્યા હતા. આ રીતે રાત્રે શરૂ થયેલો વિવાદ અંતે લગ્નમાં ફેરવાઈ ગયો.</p><h4 style="text-align: justify; "><b>પોલીસે કાર્યવાહી ન કર્યાનો ખુલાસો</b></h4><p style="text-align: justify; ">પોલીસના જણાવ્યા મુજબ, બંને પરિવાર લગ્ન માટે રાજી હતા અને કોઈ કાર્યવાહી ઇચ્છતા ન હતા. પોલીસને માહિતી મળી છે કે બંનેએ મંદિરમાં લગ્ન કરી લીધા છે. પરિવારજનોની સહમતી બાદ કોઈ ફરિયાદ કે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી ન હોવાનું પોલીસે જણાવ્યું હતું.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; <a href="https://sandesh.com/explainer/news/india/ahmedabad/sandesh-digital-explainer-epf-salary-limit-increased-25000-take-home-salary-calculation" target="_blank"><b>&nbsp;Sandesh Digital Explainer : EPFમાં મોટો ફેરફાર, તમારી ટેક-હોમ સેલરીનું શું થશે? સમજો, નવું ગણિત</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/e3jyFcq0vsWn1Dvh0W2dtrasz7XuwZw6zKyAJHAI.webp'/></item><item><title><![CDATA[Karnataka : : રાત્રે બે યુવકો સાથે લોજમાં ચેક-ઇન કરનારી યુવતી સવારે મૃત મળી, મોત પાછળનું રહસ્ય ઘેરાયું ]]></title><link>https://sandesh.com/india/news/crime/karnataka-hassan-lodge-woman-death-two-men-absconding</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/crime/karnataka-hassan-lodge-woman-death-two-men-absconding</guid><pubDate>Wed, 16 Sep 2026 22:35:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કર્ણાટકના હાસન જિલ્લામાં ચકચારી ઘટના સામે આવી છે. સક્લેશપુરા તાલુકાના વલલાહલ્લી ટાઉન સ્થિત એક લોજના બાથરૂમમાંથી 23 વર્ષીય યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવતી સાથે લોજમાં ચેક-ઇન કરનારા 2 યુવકો ઘટના બાદ ફરાર થઈ ગયા છે. પોલીસે બંનેની શોધખોળ શરૂ કરી છે.</p><h2 style="text-align: justify; "><b>બે યુવકો સાથે લોજમાં આવી હતી યુવતી</b></h2><p style="text-align: justify; ">પોલીસના જણાવ્યા મુજબ, બેંગલુરુના ચિક્કાબાનાવરા વિસ્તારમાં રહેતી વર્ષા નામની યુવતી બે યુવકો સાથે હાસન જિલ્લાના સક્લેશપુરા ગઈ હતી. ત્રણેયે વલલાહલ્લી સ્થિત શ્રીદેવુ લોજમાં ચેક-ઇન કર્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>સવારે બાથરૂમમાંથી મૃતદેહ મળ્યો</b></h2><p style="text-align: justify; ">સવારે યુવતી બાથરૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી. ઘટના સામે આવ્યા બાદ તેની સાથે આવેલા બંને યુવકો લોજમાંથી ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસને જાણ થતાં અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને તપાસ શરૂ કરી હતી.</p><h3 style="text-align: justify; "><b>યુવકોની ભૂમિકા અંગે તપાસ</b></h3><p style="text-align: justify; ">પોલીસ દ્વારા આ  યુવતીનું મોત કયા સંજોગોમાં થયું અને તેમાં ફરાર બંને યુવકોની કોઈ ભૂમિકા છે કે નહીં, તે અંગે તપાસ ચાલી રહી છે. પોલીસે જણાવ્યું છે કે તપાસ બાદ જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.</p><h4 style="text-align: justify; "><b>ફરાર યુવકોને શોધવા માટે પ્રયાસ&nbsp;</b></h4><p style="text-align: justify; ">હાલ સક્લેશપુરા ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં બનેલી આ ઘટનામાં ફરાર યુવકોને શોધવા માટે પોલીસની ટીમો કામે લાગી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસના આધારે યુવતીના મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :<a href="https://sandesh.com/explainer/news/india/ahmedabad/sandesh-digital-explainer-epf-salary-limit-increased-25000-take-home-salary-calculation" target="_blank"><b>&nbsp; Sandesh Digital Explainer : EPFમાં મોટો ફેરફાર, તમારી ટેક-હોમ સેલરીનું શું થશે? સમજો, નવું ગણિત</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/2bA6J5ms2NiseW7atq0qMbjG2OMNnsA1w0QbIvxL.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: નારોલમાં સ્કોર્પિયોમાંથી 1798 કફ સિરપ બોટલ ઝડપાઈ, 26.15 લાખનો મુદ્દામાલ કબજે ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/narol-police-seize-cough-syrup-worth-26-lakhs-scorpio</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/narol-police-seize-cough-syrup-worth-26-lakhs-scorpio</guid><pubDate>Wed, 16 Sep 2026 21:35:00 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરના નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે નશાકારક કફ સિરપના ગેરકાયદેસર કાળો કારોબાર સામે મોટી સફ્ળતા મેળવી છે. નારોલ પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને એક શંકાસ્પદ સ્કોર્પિયો ગાડીમાંથી કફ સિરપની બોટલોનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસ દરમિયાન વાહનમાંથી 1798 નંગ કફ સિરપની બોટલો મળી આવી હતી, જેનો ઉપયોગ ગેરકાયદે વેચાણ કે નશાના હેતુ માટે કરવામાં આવી રહ્યો હોવાની શંકા છે.</p><h2><b>&nbsp;નશાકારક કફ સિરપના ગેરકાયદેસર કાળો કારોબાર</b></h2><p>પોલીસે ઘટનાસ્થળેથી કફ સિરપનો જથ્થો અને સ્કોર્પિયો ગાડી સહિત કુલ રૂપિયા 26.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સાથે જ ગાડીમાં સવાર બે મુખ્ય આરોપીઓ નવાઝહુસેન શેખ અને સરવરખાન પઠાણની ઘટનાસ્થળેથી જ ધરપકડ કરીને જેલહવાલે કરવામાં આવ્યા છે.અમદાવાદ શહેરમાં નશાકારક પદાર્થો અને પ્રતિબંધિત દવાઓની ઘૂસણખોરી રોકવા માટે ચાલી રહેલા વિશેષ સઘન ચેકિંગ હેઠળ નારોલ પોલીસે આ કામગીરી પાર પાડી છે. પકડાયેલા બંને આરોપીઓ સામે પોલીસે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી તેજ કરી છે.</p><h3><b>સ્કોર્પિયો ગાડીમાંથી કફ સિરપની બોટલો ઝડપી&nbsp;</b></h3><p>નારોલ પોલીસ હવે એ વાતની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે કફ સિરપનો આટલો મોટો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, તેનો સપ્લાયર કોણ છે અને અમદાવાદ શહેરમાં તેને કોને ડિલિવરી કરવાની હતી. આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સાગરીતોની પણ ધરપકડ કરવા પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/lathi-ambaradi-electrocution-two-siblings-dead-pgvcl-line" target="_blank">આ પણ વાંચો: Amreli: લાઠીના આંબરડી ગામની વાડીમાં વીજકરંટથી 2 સગા ભાઈ-બહેનના કરુણ મોત, મજૂર પરિવારમાં અરેરાટી</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/8YgdaCzEr67WeF49o9VSJyJOmnVANThlXb06e2r8.webp'/></item><item><title><![CDATA[Surat : દર્દીઓના જીવ સાથે રમત? પાંડેસરામાં 8 નકલી ડોક્ટરોનો પર્દાફાશ, દવા-ઇન્જેક્શન જપ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/surat-pandesara-eight-fake-doctors-sog-action</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/surat-pandesara-eight-fake-doctors-sog-action</guid><pubDate>Wed, 16 Sep 2026 21:34:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતના પાંડેસરા વિસ્તારમાં ડિગ્રી વિના ક્લિનિક ચલાવી દર્દીઓની સારવાર કરતા હોવાના આક્ષેપસર સુરત SOG પોલીસે 8 બોગસ તબીબોને ઝડપી પાડ્યા છે. પોલીસે વિવિધ સ્થળોએ કાર્યવાહી કરી દવાઓ, ઇન્જેક્શન અને સિરપ સહિત કુલ રૂ.98,825નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.</p><h2 style="text-align: justify; "><b>ડિગ્રી વિના ક્લિનિક ચલાવતા હોવાનો આક્ષેપ</b></h2><p style="text-align: justify; ">પોલીસના જણાવ્યા મુજબ, ઝડપાયેલા તમામ શખ્સો જરૂરી તબીબી ડિગ્રી અને લાયકાત વિના ક્લિનિક ચલાવી દર્દીઓની સારવાર કરતા હતા. આ મામલે SOG પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.</p><h3 style="text-align: justify; "><b>દવા-ઇન્જેક્શન સહિતનો મુદ્દામાલ જપ્ત</b></h3><p style="text-align: justify; ">દરોડા દરમિયાન પોલીસને વિવિધ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન અને સિરપ મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ.98,825નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ કેટલા સમયથી ગેરકાયદેસર રીતે સારવાર કરતા હતા અને કેટલા દર્દીઓની સારવાર કરી હતી તે અંગે તપાસ ચાલી રહી છે.</p><h4 style="text-align: justify; "><b>એક આરોપી સામે અગાઉ પણ ગંભીર આક્ષેપ</b></h4><p style="text-align: justify; ">આ કેસમાં ઝડપાયેલા પાર્થ કાલીભદ્ર દેવનાથ અગાઉ ‘સ્વસ્તિક ક્લિનિક’ના નામે દવાખાનું ચલાવતો હોવાનું સામે આવ્યું છે. આશરે એક મહિના પહેલા પાંડેસરા વિસ્તારમાં અભિષેક બલરામ સિંહ નામના દર્દીની સારવાર કરવામાં આવી હતી. સારવાર દરમિયાન બેદરકારીના કારણે દર્દીનું મોત થયું હોવાના પરિવારજનોના આક્ષેપ બાદ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતની નોંધ કરવામાં આવી હતી.</p><h4 style="text-align: justify; "><b>પોલીસ તપાસ યથાવત</b></h4><p style="text-align: justify; ">હાલ આ મોતના મામલે પણ પોલીસ તપાસ કરી રહી છે. બોગસ તબીબો સામેની કાર્યવાહી અને અગાઉના દર્દીના મોત વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં તે તપાસ બાદ સ્પષ્ટ થશે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/explainer/news/india/ahmedabad/sandesh-digital-explainer-epf-salary-limit-increased-25000-take-home-salary-calculation" target="_blank"><b>Sandesh Digital Explainer : EPFમાં મોટો ફેરફાર, તમારી ટેક-હોમ સેલરીનું શું થશે? સમજો, નવું ગણિત</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/OwHFHile2fMZG3StZzhMAZFFIzlsCOo9V6U54e5j.webp'/></item><item><title><![CDATA[PM મોદીની સેમિકન્ડક્ટર કંપનીઓના CEO સાથે બેઠક, ચિપ સેક્ટર પર ચર્ચા ]]></title><link>https://sandesh.com/business/news/pm-modi-semiconductor-ceos-roundtable-meeting-india-chip-sector-growth</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/pm-modi-semiconductor-ceos-roundtable-meeting-india-chip-sector-growth</guid><pubDate>Wed, 16 Sep 2026 21:09:37 +05:30</pubDate><description><![CDATA[<p>PM નરેન્દ્ર મોદીએ દિગ્ગજ સેમિકન્ડક્ટર કંપનીઓના CEO સાથે રાઉન્ડટેબલ બેઠક કરી હતી. આ બેઠકમાં **ભારતના સેમિકન્ડક્ટર ક્ષેત્રના આગામી વિકાસ** અંગે ચર્ચા કરવામાં આવી હતી. PM મોદીએ કંપનીઓના CEOને ભારતના સેમિકન્ડક્ટર ક્ષેત્રના વિકાસમાં સક્રિય રીતે જોડાવા કહ્યું હતું.</p><p><b>નવી ટેક્નોલોજીમાં આગળ વધવાનું લક્ષ્ય</b></p><p>વડાપ્રધાને કહ્યું કે ભારતે નવી અને ઉભરતી ટેક્નોલોજીમાં શરૂઆતથી જ અગ્રણી દેશોમાં સામેલ થવાનું લક્ષ્ય રાખવું જોઈએ. PM મોદીએ ફરી કહ્યું કે સરકાર સ્થિર, વિશ્વસનીય અને ઉદ્યોગ માટે જવાબદાર નીતિ વાતાવરણ આપવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે ઉદ્યોગ જગત પાસેથી નીતિઓ અને વહીવટી વ્યવસ્થામાં સુધારા માટે સૂચનો પણ માંગ્યા હતા.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/narendramodi/status/2100232138880946249"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b>સેમિકન્ડક્ટર વેલ્યૂ ચેન મજબૂત કરવા પર ભાર</b></p><p>CEOએ ભારતના સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે સરકારના પ્રયાસો અને PM મોદીના નેતૃત્વની પ્રશંસા કરી હતી. કંપનીઓના વડાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત સેમિકન્ડક્ટરની સંપૂર્ણ વેલ્યૂ ચેનમાં પોતાની ક્ષમતા વિકસાવી શકે છે. સરકારનું ધ્યાન માત્ર ચિપ બનાવવાના કામ સુધી મર્યાદિત નથી, પરંતુ ડિઝાઇનથી લઈને મેન્યુફેક્ચરિંગ અને સમગ્ર સેમિકન્ડક્ટર વેલ્યૂ ચેનને ભારતમાં મજબૂત બનાવવા પર છે.</p><p><b>આ કંપનીઓ બેઠકમાં સામેલ થઈ</b></p><p>આ બેઠકમાં સેમી (SEMI), માઇક્રોન (Micron), ઇન્ફિનિયન (Infineon), એપ્લાઇડ મટિરિયલ્સ (Applied Materials), ASML, મર્ક (Merck), ટોક્યો ઇલેક્ટ્રોન (Tokyo Electron), ફુજી ફિલ્મ (Fujifilm), AMD, ઇન્ટેલ (Intel), ટાટા ઇલેક્ટ્રોનિક્સ (Tata Electronics), લેમ રિસર્ચ (Lam Research), રેપિડસ (Rapidus), NXP, ફોક્સકોન (Foxconn), સેમિકન્ડક્ટર ડિવાઇસિસ (Semiconductor Devices), એડવાન્ટેસ્ટ (Advantest), સેલેસ્ટા કેપિટલ (Celesta Capital), CG પાવર (CG Power) અને IBM રિસર્ચ (IBM Research) સહિત અનેક કંપનીઓના CEO, વરિષ્ઠ અધિકારીઓ અને પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.</p><p><b><a href="https://sandesh.com/india/news/semicon-india-2026-pm-modi-will-inaugurate-more-than-600-companies-will-participate" target="_blank">આ પણ વાંચો: SEMICON India 2026: PM મોદી કરશે ઉદ્ઘાટન, 600થી વધુ કંપનીઓ લેશે ભાગ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/EFmQ6z6hgSK9hNuG6XxbrHP4XTZPyfXm8PtPO2Nh.webp'/></item><item><title><![CDATA[Amreli: લાઠીના આંબરડી ગામની વાડીમાં વીજકરંટથી 2 સગા ભાઈ-બહેનના કરુણ મોત, મજૂર પરિવારમાં અરેરાટી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/lathi-ambaradi-electrocution-two-siblings-dead-pgvcl-line</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/lathi-ambaradi-electrocution-two-siblings-dead-pgvcl-line</guid><pubDate>Wed, 16 Sep 2026 20:52:27 +05:30</pubDate><description><![CDATA[<p>અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આંબરડી ગામના વાડી વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક અને કરુણ ઘટના સામે આવી છે. વાડીમાં મજૂરી કામ કરતા શ્રમિક પરિવારના બે સગા ભાઈ-બહેન વીજકરંટની ઝપેટમાં આવી જતાં બંનેના સ્થળ પર જ મોત નીપજ્યા છે. આ ગોઝારી ઘટનાના પગલે સમગ્ર પંથકમાં અને મજૂર પરિવારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.</p><h2><b>અમરેલીના આંબરડીમાં હૃદયદ્રાવક ઘટના</b></h2><p>મળતી વિગતો અનુસાર, વાડી વિસ્તારમાં પાકના રક્ષણ માટે મુકવામાં આવેલી ઝટકા લાઈન સાથે અકસ્માતે PGVCLની મુખ્ય સર્વિસ લાઈનનો વાયર અડી ગયો હતો. જેના કારણે ઝટકા વાયરમાં સામાન્ય કરંટના બદલે હાઇવોલ્ટેજ પાવર ચાલુ થઈ ગયો હતો. ખેતરમાં રમી રહેલા અથવા કામ કરી રહેલા ભાઈ-બહેન અજાણતાં આ વાયરના સંપર્કમાં આવી જતાં તેઓ જોરદાર કરંટ લાગવાથી જીવતા ભૂંજાયા હતા.</p><h3><b>વીજકરંટ લાગતાં 2 સગા ભાઈ-બહેનના કરુણ મોત</b></h3><p>મૃતક ભાઈ-બહેન મૂળ દાહોદ જિલ્લાના વતની ખેતમજૂર પરિવારના પુત્ર અને પુત્રી હોવાનું બહાર આવ્યું છે. પેટનો ખાડો પૂરવા રોજીરોટી અર્થે અમરેલીના આંબરડી ગામે આવેલા પરિવાર પર કુદરતનો કાળીયો કોપ ઉતરતાં અને બે-બે વહાલસોયા સંતાનો ગુમાવતાં પરિવારજનોના કરુણ આક્રંદથી વાડી વિસ્તાર ગૂંજી ઊઠ્યો હતો.ઘટના અંગે સ્થાનિકો દ્વારા જાણ કરાતાં જ દામનગર પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આ મામલે પ્રાથમિક ધોરણે જાણવાજોગ (A.D.) નોંધ કરી તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત PGVCLની ઘોર બેદરકારી છે કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા તપાસની દિશા લંબાવવામાં આવી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-congress-rift-amit-chavda-cancels-gulabsinh-rajput-banaskantha-list" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: સુરજેવાલાના આગમન સાથે જ ગુજરાત કોંગ્રેસમાં ડખો! અમિત ચાવડા સામે શિંગડા ભિડાવનારા ગુલાબસિંહ રાજપૂત કોણ છે?</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/U1P41iXmlHs67cxzdIuilcwxVo5HO124ErHmvKcR.webp'/></item><item><title><![CDATA[Tarnetar Fair 2026: ફૂડ વિભાગનું ચેકિંગ, 150 સ્ટોલ પર તપાસ, 120 કિલો વાસી ખોરાક નાશ કરાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/surendranagar/tarnetar-fair-2026-food-and-drugs-department-raid</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surendranagar/tarnetar-fair-2026-food-and-drugs-department-raid</guid><pubDate>Wed, 16 Sep 2026 20:10:03 +05:30</pubDate><description><![CDATA[<p>સુરેન્દ્રનગર જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ તરણેતરના મેળામાં લાખો શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓ ઉમટી પડતા હોય છે. મેળા દરમિયાન લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય તે માટે તંત્ર સંપૂર્ણપણે સતર્ક બન્યું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મેળાના પરિસરમાં આવેલા ખાણીપીણીના સ્ટોલ્સ પર અચાનક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેના કારણે અનિયમિતતા આચરતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો.</p><h2><b>150થી વધુ સ્ટોલ્સનું થયું ઝીણવટભર્યું ચેકિંગ</b></h2><p>ફૂડ વિભાગની ટીમે મેળામાં ધમધમતા પાણીપુરી, પાઉંભાજી, બરફના ગોલા, ઢોકળા અને ફાસ્ટ ફૂડ સહિતની વિવિધ ખાણી-પીણીની ચીજવસ્તુઓનું વેચાણ કરતા અંદાજે 150 જેટલા સ્ટોલ્સમાં રૂબરૂ જઈને તપાસ કરી હતી. આ દરમિયાન અનેક સ્ટોલ્સ પર સ્વચ્છતાના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા અને અખાદ્ય સામગ્રીનો ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું હતું.</p><p><img alt="Tarnetar Fair 2026: Food Department Raids 150 Stalls, Destroys 120 kg of Unhygienic Food" src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/7y1UeNhLlfvtjgDZwdjKMPqJCLvxupyBL2JJ1h78.webp"><br></p><h2><b>120 કિલો વાસી અને હાનિકારક ખોરાકનો નાશ</b></h2><p>તપાસ દરમિયાન સ્ટોલ્સમાંથી નુકસાનકારક અને વાસી ખાદ્ય સામગ્રી મળી આવી હતી. પોલીસે અને ફૂડ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરીને લસણ-મરચાની ચટણી, બફાયેલા બટેકા, વાસી પાઉં તથા અન્ય બગડેલી ચીજવસ્તુઓ સહિત કુલ 120 કિલો જેટલા વાસી અને અખાદ્ય ખોરાકનો સ્થળ પર જ નાશ કર્યો હતો.</p><p><img alt="Tarnetar Fair 2026: Food Department Raids 150 Stalls, Destroys 120 kg of Unhygienic Food" src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/t2IXXw12Q0rdVGzgslBHwP9Kabw8mT6LX97BTFev.webp"><br></p><h2><b>ગંદકી ફેલાવનારા સંચાલકો સામે લાલ આંખ</b></h2><p>મેળાના પવિત્ર અને ઉત્સવના માહોલ વચ્ચે ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરી ગંદકી ફેલાવનાર સ્ટોલ ધારકો સામે ફૂડ વિભાગ દ્વારા કડક કાર્યવાહીના ભાગરૂપે દંડ અને નોટિસ આપવામાં આવી છે. તંત્રની આ લાભદાયક અને આક્રમક કાર્યવાહીથી આરોગ્ય પ્રત્યે બેદરકાર રહેતા વેપારીઓમાં મોટો ડર જોવા મળી રહ્યો છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/thangadh/tarnetar-mela-ride-collapse-than-gadh-surendranagar-permission-questioned" target="_blank">Thangadh: તરણેતરના મેળામાં 'મોતનો કૂવો' તૂટી પડતા ભાગદોડ, વઢવાણની ઘટના બાદ રાઇડ તૂટવાનો બીજો કિસ્સો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/vKQtTDwnNIRgovRYNkHclRw8LVhq1f1hNcqYwbnL.webp'/></item><item><title><![CDATA[હું તેને ઓળખતો પણ નથી... દિશા સાલિયન કેસમાં આદિત્ય ઠાકરેનું પહેલું નિવેદન ]]></title><link>https://sandesh.com/india/news/entertainment/disha-salian-case-aaditya-thackeray-first-reaction-cbi-fir-bombay-high-court</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/entertainment/disha-salian-case-aaditya-thackeray-first-reaction-cbi-fir-bombay-high-court</guid><pubDate>Wed, 16 Sep 2026 18:50:13 +05:30</pubDate><description><![CDATA[<p>દિશા સાલિયન કેસે મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે. બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ CBI દ્વારા FIR નોંધવામાં આવી ત્યારથી આ મામલો સતત ચર્ચામાં રહ્યો છે. આ કેસના સંદર્ભમાં આદિત્ય ઠાકરેનું નામ વારંવાર સામે આવ્યું છે અને હવે તેમણે પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપતા સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેઓ દિશા સાલિયનને ઓળખતા નથી.</p><p><br></p><p>"હું દિશા સાલિયનને ક્યારેય મળ્યો નથી કે તેમની સાથે મારો કોઈ પરિચય પણ નહોતો. છેલ્લા છ વર્ષોથી, રાજકીય ઈરાદાઓ, અંગત અદાવત અને મારી છબી ખરડવાના (ચરિત્ર હત્યાના) પ્રયાસોને કારણે અમુક લોકો જાણીજોઈને આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના સાથે મારું નામ જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે આ બાબતે કોઈ પણ પુરાવા કે જોડાણ અસ્તિત્વમાં નથી. સત્ય કે હકીકત વિના ચલાવવામાં આવતું આ ખોટું અભિયાન દુર્ભાગ્યપૂર્ણ છે."</p><p><br></p><h4><b>"નવી તપાસ થવી જોઈએ"</b></h4><p>આદિત્ય ઠાકરેએ વધુમાં કહ્યું, "ટીવી ચેનલો પર થતી સનસનીખેજ ચર્ચાઓ અને મીડિયા ટ્રાયલ સત્યને બદલી શકતા નથી. સત્તાવાર એજન્સીઓને અવરોધ, રાજકીય દખલગીરી કે ચરિત્ર હત્યાના પ્રયાસોથી મુક્ત રહીને આ મામલાની નિષ્પક્ષ અને નવી તપાસ કરવાની છૂટ મળવી જોઈએ. હું ફરીથી કહેવા માંગુ છું કે જો કોઈને એમ લાગતું હોય કે તેઓ આવી ચરિત્ર હત્યા અને ખોટા પ્રચાર દ્વારા અમને ચૂપ કરાવી શકે છે, તો તેઓ ભૂલ કરે છે. દેશની જનતાની સાથે રહીને સત્ય માટે અને અન્યાય વિરુદ્ધનો અમારો સંઘર્ષ ચાલુ રહેશે."</p><p><br></p><h4>આ સમગ્ર મામલો શું છે?</h4><p>સુશાંત સિંહ રાજપૂતના ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયનનું 8 જૂન, 2020ના રોજ મુંબઈના મલાડ વિસ્તારમાં આવેલી એક ઈમારતના 14મા માળેથી પડી જવાથી મૃત્યુ થયું હતું. શરૂઆતમાં, મુંબઈ પોલીસે આ ઘટનાને આત્મહત્યા ગણીને 'આકસ્મિક મૃત્યુનો અહેવાલ' (Accidental Death Report) નોંધ્યો હતો. જોકે, બાદમાં બોમ્બે હાઈકોર્ટે CBIને FIR નોંધીને આ કેસની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારથી આ મામલો સતત ચર્ચાના કેન્દ્રમાં રહ્યો છે અને તેમાં ઉદ્ધવ તથા આદિત્ય ઠાકરે સહિતના અનેક દિગ્ગજ નેતાઓના નામ જોડવામાં આવ્યા છે.<br><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/business/upi-payments-charge-above-rs-2000-supreme-court-plea-mdr-framework" target="_blank"><b>UPI ચાર્જને લઈને ઘમાસાણ! સુપ્રીમ કોર્ટ પહોંચ્યો મામલો, 2000થી વધુના મર્ચન્ટ પેમેન્ટ્સ વિરુદ્ધ અરજી દાખલ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/tjX7ComUj3HJXnZAOA5SJoYoU7exP6T5ybdTJPBM.webp'/></item><item><title><![CDATA[પાકિસ્તાનની ટીમ ભારત આવશે! એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં જામશે ભારત-પાક જંગ ]]></title><link>https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</guid><pubDate>Mon, 14 Sep 2026 15:47:21 +05:30</pubDate><description><![CDATA[<p>આવતા મહિને પાકિસ્તાનની હોકી ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે. 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન પંજાબમાં યોજાનારી AHF મેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026માં પાકિસ્તાન સહિત કુલ છ ટીમો ભાગ લેશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પાકિસ્તાનની ભાગીદારી અંગેની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, મલ્ટી-નેશનલ ઇવેન્ટ્સ અંગે કેન્દ્ર સરકારની નીતિ હેઠળ બંને દેશોની ટીમો આમને-સામને રમશે.</p><h2><b>ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જાલંધરમાં રમાશે</b></h2><p>એશિયન મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન થશે. આ ટૂર્નામેન્ટમાં યજમાન ભારત અને પાકિસ્તાન ઉપરાંત ચીન, જાપાન, મલેશિયા અને કોરિયાની પણ ભાગ લેશે. લીગ સ્ટેજના મુકાબલા જાલંધરમાં યોજાશે, જ્યારે સેમિફાઇનલ અને ફાઇનલ મેચ મોહાલીના હોકી સ્ટેડિયમમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 1 નવેમ્બરે જાલંધરમાં રમાશે. કોઈ ટીમ છેલ્લી ઘડીએ ખસી જાય તો તે સ્થિતિ માટે ઓમાન અને બાંગ્લાદેશને રિઝર્વ ટીમન તરીકે રાખવામી આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PTI_News/status/2099416960278868155"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમવામાં કોઈ મુશ્કેલી નથી</b></h2><p>પાકિસ્તાનની ભાગીદારી અને જરૂરી મંજૂરીઓ અંગે પંજાબના મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં બંને દેશો વચ્ચે રમવામાં કોઈ મુશ્કેલી નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝનું આયોજન અલગ બાબત છે, કારણ કે કેન્દ્ર સરકારની વર્તમાન નીતિ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય રમત-ગમતના આયોજનની મંજૂરી આપતી નથી. પરંતુ મલ્ટી-નેશનલ ટૂર્નામેન્ટમાં બંને દેશોના ખેલાડીઓને એકબીજા સામે રમવાની પરવાનગી છે, જેથી પાકિસ્તાની ટીમ ભારત આવી શકશે.</p><h2><b>ભારત વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે</b></h2><p>ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. ભારતે 2023માં ચેન્નાઈ અને 2024માં ચીનના હુલુનબુઈરમાં યોજાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ગત વર્ષે આ સ્પર્ધા યોજાઈ શકી નહોતી. હવે પંજાબ પ્રથમ વખત આ ટૂર્નામેન્ટની મેજબાની કરવા જઈ રહ્યું છે.</p><h2><b>અગાઉ પાકિસ્તાની ટીમે ના કહી હતી&nbsp;</b></h2><p>પાકિસ્તાનની આ વખતની ભાગીદારી એટલા માટે પણ ખાસ છે, કારણ કે ગત વર્ષે તેણે તમિલનાડુમાં આયોજિત જૂનિયર હોકી વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તે સમયે બંને દેશો વચ્ચેના તણાવને તેનું કારણ ગણાવવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે અને પાકિસ્તાની ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે પૂરી રીતે તૈયાર છે.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/V6jwdiIr9RTCvR6EyBaGsP2qfZvYLq2JfkL7pytm.webp'/></item></channel></rss>