<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabad : શીલજ કેનાલ રોડ અકસ્માતમાં નવપરિણીતાનું મોત, 4 દિવસ બાદ પણ આરોપી ફરાર, પતિનો આક્રંદભર્યો વીડિયો સામે આવ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-shela-canal-road-accident-nishi-death-accused-absconding</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-shela-canal-road-accident-nishi-death-accused-absconding</guid><pubDate>Mon, 14 Sep 2026 22:10:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના શીલજ કેનાલ રોડ પર થયેલા ગંભીર અકસ્માતમાં નવપરિણીત મહિલાનું કરૂણ મોત થયું હતું. અકસ્માતને ચાર દિવસ વીતી ગયા હોવા છતાં આરોપી ઝડપાયો નથી. જેના પગલે મૃતકના પતિ હાર્દિક દરજીએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને પત્નીને ન્યાય અપાવવા આજીજી કરી છે.</p><h2 style="text-align: justify; "><b>પતિનો આક્રંદભર્યો વીડિયો વાયરલ</b></h2><p style="text-align: justify; ">હાર્દિક દરજી વીડિયોમાં રડતા જોવા મળે છે. તેણે અકસ્માત માટે જવાબદાર વ્યક્તિને તાત્કાલિક પકડી કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પત્નીના મોત બાદ ન્યાય માટેની તેની અપીલથી પરિવારની વ્યથા સ્પષ્ટ જોવા મળી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>હચમચાવી દે તેવા CCTV સામે આવ્યા</b></h3><p style="text-align: justify; ">અકસ્માત બાદ ઘટનાના હચમચાવી દે તેવા CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. ફૂટેજના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે. જોકે, ચાર દિવસ બાદ પણ આરોપીની ધરપકડ ન થતાં પરિવારજનોમાં રોષ અને દુઃખ જોવા મળી રહ્યું છે.</p><h4 style="text-align: justify; "><b>આરોપીની શોધખોળ માટે પોલીસ રાજસ્થાન પહોંચી</b></h4><p style="text-align: justify; ">પ્રાથમિક માહિતી મુજબ અકસ્માત કરનાર વ્યક્તિ રાજસ્થાનનો ઘરઘાટી હોવાનું સામે આવ્યું છે. બોપલ પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે ટીમ રાજસ્થાન મોકલી છે. આરોપીની શોધખોળ સાથે અકસ્માતની સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.</p><h4 style="text-align: justify; "><b>પરિવારને ન્યાય ક્યારે મળશે?</b></h4><p style="text-align: justify; ">નવપરિણીત મહિલાના મોત બાદ પરિવાર ન્યાયની રાહ જોઈ રહ્યો છે. હવે પોલીસ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કડક કાર્યવાહી ક્યારે કરે છે, તેના પર સૌની નજર છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો :&nbsp;<a href="https://sandesh.com/india/news/crime/guwahati-wife-murder-accused-dies-police-vehicle-jump" target="_blank"><b> &nbsp;Guwahati : સનસનીખેજ બનાવ, પત્નીની હત્યા કરી માથું ફ્રિજમાં છુપાવનાર આરોપીનું પોલીસ વાહનમાંથી કૂદતાં મોત</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/pnVU3sc4J5MMZAKoofsg2JKwm1357oWZg4mkWu1z.webp'/></item><item><title><![CDATA[15 September Top News: યમુના બેસિન પ્રોજેક્ટ કરાર, ગાંધીનગરમાં WCEF 2026 નો પ્રારંભ અને ચારધામ હેલિકોપ્ટર સેવા શરૂ ]]></title><link>https://sandesh.com/gujarat/news/india/national-news-wrap-yamuna-basin-project-mou-wcef-2026-gandhinagar-chardham-heli-service</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/india/national-news-wrap-yamuna-basin-project-mou-wcef-2026-gandhinagar-chardham-heli-service</guid><pubDate>Mon, 14 Sep 2026 22:00:00 +05:30</pubDate><description><![CDATA[<p>ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં, યમુના બેસિનમાં પ્રસ્તાવિત 660 મેગાવોટ પ્રોજેક્ટ અંગે છ રાજ્યો વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ કરાર પર હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી અને રાજસ્થાન વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવશે. કરાર પર હસ્તાક્ષર સમારોહ બપોરે 12 થી 1 વાગ્યા સુધી કર્તવ્ય ભવન-03, જનપથ, નવી દિલ્હી ખાતે યોજાશે.</p><h2><b>ગાંધીનગરમાં વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમનું આયોજન&nbsp;</b></h2><p>ભારત 15 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના ગાંધીનગરમાં વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ (WCEF) 2026 નું આયોજન કરશે. દક્ષિણ એશિયામાં પ્રથમ વખત આયોજિત આ ફોરમનું ઉદ્ઘાટન 15મી તારીખે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે.</p><h3><b>MTPએક્ટમાં સુધારાની માંગની અરજી પર સુનાવણી</b></h3><p>સુપ્રીમ કોર્ટ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી (MTP) એક્ટમાં સુધારાની માંગ કરતી જાહેર હિતની અરજી પર સુનાવણી કરશે. સગીરો અને અનિચ્છનીય ગર્ભાવસ્થાના કેસોમાં ગર્ભપાત કાયદામાં ફેરફારો જરૂરી છે કે નહીં તે અંગે કોર્ટ વિચારણા કરશે.</p><h4><b>ચારધામ હેલિકોપ્ટર સેવા 15 સપ્ટેમ્બરથી ફરી શરૂ&nbsp;</b></h4><p>ચારધામ હેલિકોપ્ટર સેવા 15 સપ્ટેમ્બરથી ફરી શરૂ થશે. ઉત્તરાખંડથી ચોમાસું રવાના થાય તે પહેલાં, ચારધામ યાત્રાનો બીજો તબક્કો 15 સપ્ટેમ્બરથી શરૂ થશે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર અસર પડી છે. સરકારે આરોગ્ય, જાહેર બાંધકામ અને નાગરિક ઉડ્ડયન સહિતના વિભાગોને સલામત અને સરળ યાત્રા માટે તૈયારીઓ ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો છે.</p><h6><b>દેશભરમાં જંતુનાશક વિક્રેતાઓ માટે ડિજિટલ લાઇસન્સિંગ ફરજિયાત</b></h6><p>દેશભરમાં જંતુનાશક ઉત્પાદકો, આયાતકારો અને વેચાણકર્તાઓ માટે ડિજિટલ લાઇસન્સિંગ અને રેકોર્ડ-કીપિંગ ફરજિયાત બનશે. નવી સિસ્ટમ દાયકાઓ જૂના કાગળકામને દૂર કરે છે, જેનાથી વ્યવસાયમાં પારદર્શિતા અને દેખરેખ વધે છે.</p><h2><b>સુપ્રીમ કોર્ટમાં કાશી જ્ઞાનવાપી અને MTP એક્ટ પર સુનાવણી</b></h2><p>મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર ભૂટાનની ત્રણ દિવસની મુલાકાતે છે. આવતીકાલે, જ્ઞાનેશ કુમાર પારોમાં જિગ્મે સિંગ્યે વાંગચુક લો સ્કૂલ ખાતે ભૂટાનના રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીમાં હાજરી આપશે, જ્યાં મુખ્ય ચૂંટણી કમિશનર મુખ્ય મહેમાન હશે.સુપ્રીમ કોર્ટ કાશી જ્ઞાનવાપી કેસની સુનાવણી કાલે કરશે. જ્ઞાનવાપી સંકુલને લગતા વિવિધ કાનૂની પાસાઓ પર કોર્ટમાં દલીલો રજૂ કરવામાં આવશે. હિન્દુ અને મુસ્લિમ પક્ષોનું પ્રતિનિધિત્વ કરતા વકીલો કોર્ટ સમક્ષ પોતાની દલીલો રજૂ કરશે.</p><h3><b>ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પશ્ચિમ બંગાળની બે દિવસીય મુલાકાતે</b></h3><p>ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન 15 સપ્ટેમ્બરના રોજ પશ્ચિમ બંગાળની બે દિવસીય મુલાકાતે રવાના થશે. રાજ્યમાં આગામી વિધાનસભા પેટાચૂંટણીઓ તેમજ કોલકાતા અને હાવડા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓની રણનીતિ બનાવવા અને તૈયારી કરવા માટે આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.</p><h4><b>પીજી બિલ્ડિંગ ધરાશાયી મામલે સુનાવણી</b></h4><p>સત્ય નિકેતન પીજી બિલ્ડિંગ ધરાશાયી થવાના સંદર્ભમાં બિલ્ડિંગ કાયદાના ઉલ્લંઘન અંગે સુપ્રીમ કોર્ટે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની રાજધાનીઓમાં મ્યુનિસિપલ સત્તાવાળાઓ પાસેથી અહેવાલો માંગ્યા છે. આવતીકાલે સુનાવણી.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/top-10-news-headlines-14-september-important-news-updates" target="_blank">આ પણ વાંચો: ટ્રમ્પનો મોટો દાવો, રાજ્યમાં વરસાદ, ધમકીભર્યા ઈ-મેઈલ</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/VgS3ktH0uKMteTsJSuG9MOCQcaSnpRAheAuBYJik.webp'/></item><item><title><![CDATA[Gandhinagar: ગુજરાત પોલીસમાં 7 PI ની બદલી, 6 પીઆઈને ATSમાં અને વાય. જી. ગુર્જરની અમદાવાદ ગ્રામ્યમાં મુકાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-police-pi-transfer-6-pi-appointed-in-ats-y-g-gurjar-transferred-to-ahmedabad-rural</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-police-pi-transfer-6-pi-appointed-in-ats-y-g-gurjar-transferred-to-ahmedabad-rural</guid><pubDate>Mon, 14 Sep 2026 21:10:08 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાત પોલીસ તંત્રમાં વહીવટી સરળતા, આંતરિક સુરક્ષા અને તપાસ કામગીરીને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે ગાંધીનગર ખાતેથી 7 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ની બદલી અને નિમણૂકના સત્તાવાર આદેશો છૂટા કરવામાં આવ્યા છે.</p><h2><b>ગુજરાત પોલીસ તંત્રમાં વહીવટી બદલી&nbsp;</b></h2><p>આ બદલીમાં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) માં અનુભવી અધિકારીઓનો કાફલો મજબૂત કરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. રાજ્ય ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલ યાદી મુજબ, કુલ 6 પીઆઈને આતંકવાદ વિરોધી દળ (ATS) મા મુકવામાં આવ્યા છે.</p><p><img alt="WhatsApp Image 2026-09-14 at 20.53.19" src="https://epapercdn.sandesh.com/images/2026/09/14/11fyY8O0HCn44WJs6JXFQiQZdGBPdlQW3x0Xt9gG.webp" style="width: 50%;"><br></p><h3><b>6 પીઆઈને ATS મા મૂકવામાં આવ્યા</b></h3><p>બદલીના આદેશ અનુસાર, અત્યાર સુધી ATS માં ફરજ બજાવતા પીઆઈ વાય. જી. ગુર્જરની બદલી કરીને તેમને અમદાવાદ ગ્રામ્ય ખાતે મૂકવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ, રાજ્યના વિવિધ વિસ્તારોમાં ફરજ બજાવતા 6 પીઆઈ - એચ. પી. ઝાલા, ડી. બી. બારડ, ટી. એન. મોરડિયા, એચ. એમ. વ્યાસ, કે. વી. ડિંડોર અને વી. એલ. ગાગિયાને ATS મા મૂકવામાં આવ્યા છે.</p><h5><b>અનુભવી અધિકારીઓની ATS ખાતેની નિમણૂક</b></h5><p>રાજ્યમાં વધી રહેલા સાયબર ક્રાઇમ, આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય ગુનાહિત નેટવર્ક તેમજ સંવેદનશીલ કેસોની તપાસમાં આ અનુભવી અધિકારીઓની ATS ખાતેની નિમણૂક અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/mumbai-richest-bjp-mla-parag-shah-disguised-as-beggar-viral-video-jain-guru" target="_blank">આ પણ વાંચો: India: મહારાષ્ટ્રના સૌથી શ્રીમંત MLA પરાગ શાહ બન્યા 'ભિખારી'; રસ્તા પર ફરવા છતાં લોકો ઓળખી ન શક્યા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/B255rIaQnfWmPfXf5cDBkgF4MHhjaz9ToxZBOnxA.webp'/></item><item><title><![CDATA[Gujarat Rain : સાચવજો, રાત્રે 10 વાગ્યા સુધી આ 12 જિલ્લામાં રેડ એલર્ટ, હવામાન વિભાગની ગંભીર ચેતવણી ]]></title><link>https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/gujarat-12-districts-red-alert-heavy-rain-weather-warning</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/gujarat-12-districts-red-alert-heavy-rain-weather-warning</guid><pubDate>Mon, 14 Sep 2026 20:50:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે રાજ્યના 12 જિલ્લાઓ માટે રાત્રે 10 વાગ્યા સુધી રેડ એલર્ટ જાહેર કર્યું છે. લોકોને સાવચેત રહેવા અને જરૂરી ન હોય ત્યાં સુધી બહાર ન નીકળવા ચેતવણી આપવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>12 જિલ્લામાં રેડ એલર્ટ</b></h2><p style="text-align: justify; ">હવામાન વિભાગે કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, જામનગર, રાજકોટ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.</p><h3 style="text-align: justify; "><b>ભારે વરસાદની સાથે અતિભારે વરસાદની આગાહી</b></h3><p style="text-align: justify; ">આ જિલ્લાઓમાં ભારે વરસાદની સાથે અતિભારે વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને સ્થાનિક સ્તરે જનજીવન પ્રભાવિત થવાની શક્યતા છે.</p><h3 style="text-align: justify; "><b>અમદાવાદ-ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ</b></h3><p style="text-align: justify; ">અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય દક્ષિણ ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બંને શહેરોમાં ભારે વરસાદની શક્યતા વચ્ચે નાગરિકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.</p><p style="text-align: justify; "><img alt="Gujarat Red Alert in 12 Districts Until 10 PM" src="https://epapercdn.sandesh.com/images/2026/09/14/Wro4rkSp3TSJkLjBAsrJw87RbxBvHR0RKp5X3nKm.webp" style="width: 100%;"><br></p><h4 style="text-align: justify; "><b>લોકોને સાવચેતી રાખવા અપીલ</b></h4><p style="text-align: justify; ">હવામાન વિભાગે લોકોને નદી, નાળા, તળાવ અને પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવા અપીલ કરી છે. તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અને અફવાઓથી દૂર રહેવા પણ જણાવાયું છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો :&nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/crime/surat/surat-utran-wife-swapping-pressure-katargam-police-case" target="_blank"><b>Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’</b></a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/Yuf5YXFCBsIPLXJ2CkJThsAqtTG48VgqNqhJ7LUS.webp'/></item><item><title><![CDATA[Dahodમાં SRP ગ્રુપ પાવડી દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે ઈકો-ફ્રેન્ડલી શ્રીજીની ભવ્ય સ્થાપના ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dahod/dahod-ganeshotsav-srp-group-eco-friendly-shri-ganesh</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dahod/dahod-ganeshotsav-srp-group-eco-friendly-shri-ganesh</guid><pubDate>Mon, 14 Sep 2026 20:43:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દાહોદ સ્થિત એસઆરપી (SRP) ગ્રુપ પાવડી ખાતે ગણેશોત્સવની ખૂબ જ અનોખી અને ભવ્ય શૈલીમાં ઉજવણી કરવામાં આવી હતી. શ્રીજીની પ્રતિમાના આગમન પ્રસંગે એસઆરપીના જવાનો દ્વારા ભગવાન ગણેશને સલામી આપીને ગાર્ડ ઓફ ઓનર (Guard of Honour) આપવામાં આવ્યું હતું. એસઆરપીના જવાનોએ પૂરા માન-સન્માન અને આન, બાન તથા શાન સાથે વિઘ્નહર્તા દેવનું સ્વાગત કરીને ગણેશ સ્થાપના કરી હતી.</p><h2 style="text-align: justify; "><b>ગોદી રોડથી ભવ્ય શોભાયાત્રા અને ભક્તિમય માહોલ</b></h2><p style="text-align: justify; ">ભગવાન ગણેશની પ્રતિમાને દાહોદના ગોદી રોડ ખાતેથી અત્યંત ધામધૂમપૂર્વક અને વાજતે-ગાજતે લવાઈ હતી. આ પ્રસંગે ડીવાયએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, એસઆરપીના જવાનો તેમજ મોટી સંખ્યામાં કર્મચારીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. ભક્તિમય માહોલ વચ્ચે 'ગણપતિ બાપ્પા મોરિયા'ના ગગનભેદી જયઘોષથી સમગ્ર એસઆરપી કેમ્પસ અને આસપાસનો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>પર્યાવરણ જતન માટે ઈકો-ફ્રેન્ડલી પ્રતિમાની સ્થાપના</b></h3><p style="text-align: justify; ">પ્રકૃતિનું જતન થાય અને ગણેશોત્સવ દરમિયાન પર્યાવરણને કોઈ નુકસાન ન પહોંચે તેવો ઉમદા સંદેશ આપતાં એસઆરપી ગ્રુપ દ્વારા ખાસ ઈકો-ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. શોભાયાત્રા બાદ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા-અર્ચના કરી ગણેશોત્સવનો શુભારંભ કરાયો હતો. પોલીસ પરિવારના આ સુંદર અને પર્યાવરણપ્રેમી આયોજનની સ્થાનિકોમાં ભારે પ્રશંસા થઈ રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/CTH1SFXp4pC30KCI7Og3QCfjIJxME30V6wzOrhZE.webp'/></item><item><title><![CDATA[India: મહારાષ્ટ્રના સૌથી શ્રીમંત MLA પરાગ શાહ બન્યા 'ભિખારી'; રસ્તા પર ફરવા છતાં લોકો ઓળખી ન શક્યા ]]></title><link>https://sandesh.com/india/news/mumbai-richest-bjp-mla-parag-shah-disguised-as-beggar-viral-video-jain-guru</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/mumbai-richest-bjp-mla-parag-shah-disguised-as-beggar-viral-video-jain-guru</guid><pubDate>Mon, 14 Sep 2026 20:42:51 +05:30</pubDate><description><![CDATA[<p>મહારાષ્ટ્રના સૌથી ધનિક ધારાસભ્યોમાં સ્થાન ધરાવતા અને જાણીતા રિયલ એસ્ટેટ ડેવલપર તેમજ મુંબઈના ઘાટકોપર પૂર્વ બેઠકના ભાજપના ધારાસભ્ય પરાગ શાહનો એક આશ્ચર્યજનક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આશરે 3,300 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા ધારાસભ્ય મુંબઈની શેરીઓમાં સામાન્ય ભિખારીના વેશમાં ફરતા જોવા મળી રહ્યા છે.</p><h2><b>મુંબઈના અબજોપતિ MLA પરાગ શાહ</b></h2><p>મળતી વિગતો અનુસાર, પરાગ શાહે આ અનોખો પ્રયોગ પોતાના જૈન ગુરુ (ધાર્મિક નેતા) ની સલાહ પર કર્યો હતો. ગુરુએ તેમને અહંકાર ઓગાળવા, જીવનની કડવી વાસ્તવિકતાઓને નજીકથી સમજવા અને મનમાં નમ્રતાનો અનુભવ કરવા માટે પોતાનું પાત્ર બદલીને એક દિવસ ભિખારીના રૂપે શેરીઓમાં વિતાવવાની શિખામણ આપી હતી.</p><h3><b>અબજોપતિ MLA બન્યા ભિખારી!</b></h3><p>આખો દિવસ મુંબઈના રસ્તાઓ પર સાધારણ કપડાં અને વેશભૂષામાં ફરવા છતાં મોટાભાગના નાગરિકો દેશના આ અબજોપતિ નેતાને ઓળખી શક્યા નહોતા. પરાગ શાહે સામાન્ય ભિક્ષુકની જેમ સમય વિતાવીને લોકોનો વ્યવહાર અને તેમની પ્રતિક્રિયાઓને ખૂબ નજીકથી નિહાળી હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો સામે આવ્યા બાદ યુઝર્સ તેને આત્મનિરીક્ષણ અને સરળતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગણાવી રહ્યા છે.</p><h4><b>રસ્તા પર ફરવા છતાં લોકો ઓળખી ન શક્યા</b></h4><p>ઉલ્લેખનીય છે કે, પરાગ શાહે 2017માં BMC ચૂંટણીમાં કૌન્સિલર તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. ત્યારબાદ 2019 અને 2024ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ઘાટકોપર પૂર્વથી મોટા માર્જિનથી જીત મેળવી હતી. 2024ના સોગંદનામા મુજબ તેમની અને પત્નીની કુલ સંપત્તિ 3,383 કરોડ રૂપિયાથી વધુ છે, જે તેમને દેશના સૌથી ધનિક ધારાસભ્યોમાંના એક બનાવે છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/navsari/vansda-angadia-robbery-mastermind-rajaram-chaudhary-arrested-mount-abu-ashram" target="_blank">આ પણ વાંચો: Navsari: વાંસદામાં 12.50 લાખની આંગડિયા લૂંટ ચલાવી આશ્રમમાં મહંતનો શિષ્ય બન્યો, પોલીસથી બચવા સતત લોકેશન બદલ્યા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/09vGcfzaWhuQNr9uwpCzhofTTYnsRj6535K3hmcH.webp'/></item><item><title><![CDATA[Viramgam Rain Update: વિરમગામ અને નળકાંઠા પંથકમાં મેઘમહેર, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/viramgam-rain-update-nal-kantha-monsoon</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/viramgam-rain-update-nal-kantha-monsoon</guid><pubDate>Mon, 14 Sep 2026 20:27:29 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદી માહોલ છવાયેલો રહ્યો છે. આકાશમાં કાળાડિબાંગ વાદળોના ઘેરાવા વચ્ચે વિરમગામ શહેર અને તેની આસપાસના સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદ વરસી પડ્યો છે. અસહ્ય ઉકળાટ બાદ શરૂ થયેલા આ વરસાદના કારણે સમગ્ર વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે.</p><h2><b>વિરમગામ અને નળકાંઠામાં 1 ઇંચથી વધુ વરસાદ</b></h2><p>વિરમગામ શહેર ઉપરાંત નળકાંઠાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. ટૂંક જ સમયમાં પંથકમાં 1 ઈંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સાર્વત્રિક વરસેલા આ ધોધમાર વરસાદના કારણે ગ્રામીણ રસ્તાઓ અને ખેતરો પાણી-પાણી થઈ ગયાં છે.</p><h2><b>નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં</b></h2><p>વિરમગામ શહેરમાં ટૂંક સમયમાં ખાબકેલા ભારે વરસાદના કારણે વિરમગામ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. શહેરના ભરવાડી દરવાજા, નાના-મોટા પરકોટા, કસ્ટમ રોડ સહિતના મુખ્ય માર્ગો અને સોસાયટીઓમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો તેમજ સ્થાનિક રહીશોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.</p><p><img alt="Viramgam Rain Update: Heavy Rainfall in Ahmedabad Rural, Over 1 Inch Recorded" src="https://epapercdn.sandesh.com/images/2026/09/14/sF6516jDTe97izo2pEiDVGSSFhcnxEu3f5gGWe1w.webp"><br></p><h2><b>ખેતી પાકોને નવજીવન, ખેડૂતોમાં ખુશીની લહેર</b></h2><p>બીજી તરફ, આ વરસાદ અમદાવાદ ગ્રામ્યના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. સતત વરસાઈ રહેલા વરસાદી પાણીના કારણે સુકાવાની આરે પહોંચેલા ઊભા ખેતી પાકોને સંજીવની સમાન નવું જીવનદાન મળ્યું છે. જમીનમાં પૂરતો ભેજ મળતાં હવે પાકનો વિકાસ ઝડપી બનશે, જેને પગલે પંથકના જગતના તાતમાં ખુશીની લહેર દોડી ગઈ છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/viramgam-ahmedabad-district-lcb-team-arrests-3-habitual-criminals-from-vanswa-riots" target="_blank">Viramgam: વાંસવા દંગામાંથી અમદાવાદ જિલ્લા LCB ટીમે 3 રીઢા ગુનેગારને દબોચ્યા</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/ZhdPzztWRnMrc2EUEsIEFOThiXkHJhCmqOTfIs72.webp'/></item><item><title><![CDATA[Mujhe Neend Na Aaye Song: 'મુઝે નીંદ ના આયે, ચેન ના આયે..' શબ્દો સાંભળતા જ ભડક્યા હતા ઇન્દ્રકુમાર, ગીત થયું હતું રિજેક્ટ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/aamir-madhuri-mujhe-neend-na-aaye-cult-song</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/aamir-madhuri-mujhe-neend-na-aaye-cult-song</guid><pubDate>Mon, 14 Sep 2026 19:51:03 +05:30</pubDate><description><![CDATA[<p>1990ના દાયકામાં આમિર ખાન અને માધુરી દીક્ષિતની એક એવી ફિલ્મના કલ્ટ ગીત વિશે ચર્ચા થઇ રહી છે, જે આજે પણ પ્રેમીઓના દિલ પર રાજ કરે છે. આ ગીતને પહેલાં દિગ્દર્શકે નકારી કાઢ્યું હતું, પરંતુ પછી તે કલ્ટ બની ગયું.</p><p>1990ના દાયકામાં માત્ર ફિલ્મો જ નહીં, ઘણી ફ્લોપ અને હિટ ફિલ્મોનાં ગીતો પણ કલ્ટ ક્લાસિક બન્યાં હતાં, જે આજે પણ વર્ષો બાદ લોકોના દિલમાં વસેલા છે. ખાસ કરીને રોમેન્ટિક ગીતો આજે પણ પ્રેમીઓનાં મનપસંદ ગીતો છે. આજે આમિર ખાન અને માધુરી દીક્ષિતના એવા જ એક રોમેન્ટિક ગીત વિશે વાત કરી રહ્યા છીએ, જે 36 વર્ષ પહેલાં રિલીઝ થયું હતું અને પછી કલ્ટ બન્યું હતું. જોકે, દિગ્દર્શક આ ગીતને પોતાની ફિલ્મમાં લેવા માંગતા ન હતા, કારણ કે તેમને લાગતું હતું કે ગીતની શરૂઆતની લાઇન ઘણી જૂની છે. ચાલો, આ કિસ્સો જાણીએ...</p><p>આમિર ખાન અને માધુરી દીક્ષિતનું જે રોમેન્ટિક ગીત છે, તે 1990માં આવેલી ફિલ્મ ‘દિલ’નું છે. ગીતની શરૂઆત ‘મુઝે નીંદ ના આયે, ચેન ના આયે...’થી થાય છે. ગીતકાર સમીર અંજાને આ ગીત વિશો ઘણી વાતો શેર કરી હતી.&nbsp;</p><h2><b>‘દિલ’નું કલ્ટ ગીત કેવી રીતે તૈયાર થયું?</b></h2><p>સમીરે જણાવ્યું, ‘ઈન્દ્ર કુમાર એક ફિલ્મ બનાવી રહ્યા હતા, જેનું નામ ‘દિલ’ હતું. તેના મ્યુઝિક ડિરેક્ટર નદીમ-શ્રવણ હતા. આમિર ખાને તેમને મહબૂબ સ્ટુડિયોમાં બોલાવ્યા હતા. ત્યાં તેઓ કોઈ શૂટિંગ કરી રહ્યા હતા. ઈન્દ્ર કુમાર ત્યાં પહોંચ્યા ત્યારે તેમણે કહ્યું કે હું નદીમને ઓળખતો નથી. મારી ફિલ્મનું સંગીત એ જ આપશે, જેણે ‘કયામત સે કયામત તક’નું સંગીત આપ્યું હતું. સંગીત આનંદ-મિલિંદનું હશે. જો તમારે ફિલ્મ બનાવવી હોય તો આનંદ-મિલિંદને લો. હવે અભિનેતાએ આ વાત કહી દીધી હોવાથી તેમણે આ વાત માનવી પડી.’</p><p>સમીર અંજાને જણાવ્યું, ‘સંગીત આપવાની વાત નક્કી થઈ ગઈ. ત્યારબાદ ગીતકાર કોને રાખવા તે નક્કી કરવાનું હતું. ઈન્દ્ર કુમારે બક્ષી સાહેબનું નામ સૂચવ્યું. ત્યારે આનંદે કહ્યું કે કોઈને પણ રાખી લો. આ સમીરજી છે અને મેં તેમની સાથે ઘણું કામ કર્યું છે. તમે ઘરે આવો, અમે તમને કેટલાક ગીતો સંભળાવીએ. તેઓ એ જ સમયે આવ્યા અને તેમણે પહેલું જ ગીત સંભળાવ્યું, ‘ખંભે જૈસી ખડી હૈ, લગતા હૈ જૈસે છડી હૈ.’ તેમને આ ગીત ગમ્યું. તેમણે કહ્યું કે ગીત સારું છે, પરંતુ પછી કરીશું. અત્યારે એક રોમેન્ટિક ગીત કરવાનું છે, તેના પર કામ કરો.’</p><h2><b>આ રીતે કલ્ટ બન્યું ‘મુઝે નીંદ ના આયે...’</b></h2><p>‘મુઝે નીંદ ના આયે’ ગીત વિશે સમીર અંજાને કહ્યું, ‘પછી અમને રોમેન્ટિક ગીત માટેની સ્થિતિ આપવામાં આવી અને અમે ગીત લખ્યું, ‘મુઝે નીંદ ના આયે, ચેન ના આયે...’ અમે આ ગીત ખૂબ જ ઉત્સાહથી ઈન્દ્ર કુમારને સંભળાવ્યું. પરંતુ તેઓ અટકી ગયા. તેમણે કહ્યું કે ‘મુઝે નીંદ ના આયે’ આ લાઇન હું 500 ગીતોમાં સાંભળી ચૂક્યો છું. તેને બદલી નાખો. મેં કહ્યું કે તમારી વાત સાચી છે, પરંતુ તેને બદલીશું કેવી રીતે, કારણ કે ગીતની શરૂઆત જ આ લાઇન સાથે જોડાયેલી છે. મેં ઘણી કોશિશ કરી, પરંતુ તેનાથી સારી લાઇન મળી નહીં. વાત એટલી વધી ગઈ કે ઝઘડો પણ થયો. મેં કહ્યું કે જો સમજાતું નથી તો ગીત રેકોર્ડ કરી લઈએ. જો નહીં ચાલે તો તેને કાઢી નાખીશું. આ રીતે ગીત રેકોર્ડ થયું અને ફિલ્મ રિલીઝ થયા પછી તે કલ્ટ બની ગયું.’</p><h2><b>1990ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં ‘દિલ’ સામેલ હતી</b></h2><p>આમિર ખાનની ફિલ્મ ‘દિલ’ 1990માં રિલીઝ થઈ હતી અને તે વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં સામેલ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર નંબર 1 સ્થાન મેળવ્યું હતું.&nbsp; 2 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં 17 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે વિદેશમાં 5 કરોડ રૂપિયા અને ભારતમાં 7 કરોડ રૂપિયાની નેટ કમાણી કરી હતી. આ ફિલ્મ બાદ આમિર ખાન અને માધુરી દીક્ષિત સુપરસ્ટાર બની ગયા હતા.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/GU7RQOGzE5mVimVUwy5npiHpwT5c8TTCteBjfkPJ.webp'/></item><item><title><![CDATA[Highest Salary City in India: ભારતમાં સૌથી વધુ પગાર કયા શહેરમાં મળે છે? મુંબઇ, દિલ્હી નહીં આ શહેર ટોપ પર! ]]></title><link>https://sandesh.com/business/news/highest-salary-city-india-dehradun-average-earnings</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/highest-salary-city-india-dehradun-average-earnings</guid><pubDate>Mon, 14 Sep 2026 19:23:12 +05:30</pubDate><description><![CDATA[<p>એક સામાન્ય વ્યક્તિ સવારે કામ પર જાય છે અને આખો દિવસ મહેનત કરીને સાંજે ઘરે પરત ફરે છે. મહિનો પૂરો થયા બાદ જ્યારે હાથમાં પગાર આવે અને પગાર સારો હોય, ત્યારે દરેક વ્યક્તિ પોતાની સાથે પરિવારની જરૂરિયાતો પણ ખુશીથી પૂરી કરે છે. પરંતુ જો મહેનતની સરખામણીએ પગાર ઘણો ઓછો હોય, તો તેમાં ઘર ચલાવવું મુશ્કેલ બની જાય છે.</p><p>આ દરમિયાન દેશમાં અલગ-અલગ જિલ્લાઓમાં કર્મચારીઓની કમાણી અંગે સરકારી આંકડા સામે આવ્યા છે, જેમાં દેહરાદૂનનું નામ સૌથી ઉપર છે. અહીં કર્મચારીઓની સરેરાશ વાર્ષિક કમાણી 4 લાખથી વધુ નોંધાઈ છે.</p><h2><b>કેટલો છે પગાર?</b></h2><p>અહીં બિન-કોર્પોરેટ વ્યવસાયોમાં કામ કરતા કર્મચારીઓના સરેરાશ વાર્ષિક પગારના આંકડા સામે આવ્યા છે, જેને જાણીને ઘણા લોકોને આશ્ચર્ય થઈ શકે છે. અહીં કામદારોની સરેરાશ કમાણી 4.6 લાખ રૂપિયા છે. પગારના મામલે દેહરાદૂન નંબર 1 પર છે, પરંતુ આ સિવાય પણ ઘણા જિલ્લા એવા છે, જ્યાં વાર્ષિક કમાણી 2.5 લાખથી 3.5 લાખ રૂપિયા વચ્ચે રહી છે.</p><p>દેહરાદૂન સિવાય કયા જિલ્લા સામેલ છે?</p><p>બીજા નંબરે દક્ષિણ કન્નડ, કર્ણાટક છે.</p><p>ત્રીજા નંબરે અજમેર, રાજસ્થાન છે.</p><p>ત્યારબાદ ચોથા નંબરે ઈન્દોર, મધ્ય પ્રદેશ છે.</p><p>પાંચમા નંબરે કન્નુર, કેરળ છે.</p><p>આ જિલ્લાઓમાં કર્મચારીઓની સરેરાશ વાર્ષિક કમાણી લગભગ 2.5 લાખથી 3.5 લાખ રૂપિયા વચ્ચે રહી છે.</p><h2><b>નોકરી શોધનારાઓ માટે આ આંકડા મહત્વના</b></h2><p>મોંઘવારીના સમયમાં નોકરી કરવી ખૂબ જરૂરી છે, કારણ કે દરેક વ્યક્તિ પોતાનો વ્યવસાય કરી શકે નહીં. જો તમે પણ નોકરીની શોધમાં બીજા શહેરમાં જવાનું વિચારી રહ્યા છો, તો આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે દેહરાદૂનમાં કર્મચારીઓની સરેરાશ કમાણી સૌથી વધુ છે. એટલે કે અહીં બિન-કોર્પોરેટ વ્યવસાયોમાં કામ કરતા લોકોનો પગાર સારો છે.</p><p>માત્ર પગારમાં જ નહીં, કામના મામલે પણ આગળ</p><p>દેહરાદૂનમાં કર્મચારીઓની સરેરાશ કમાણી વધુ છે એ તો સ્પષ્ટ છે, પરંતુ તેની સાથે કામ દરમિયાન વધુ સેવાઓ અને કામ તૈયાર કરવામાં પણ દેહરાદૂન આગળ છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/RGpCkunii0TFaKbPBSLyOrwDlfSzEjyfoSOXBpmM.webp'/></item><item><title><![CDATA[પાકિસ્તાનની ટીમ ભારત આવશે! એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં જામશે ભારત-પાક જંગ ]]></title><link>https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</guid><pubDate>Mon, 14 Sep 2026 15:47:21 +05:30</pubDate><description><![CDATA[<p>આવતા મહિને પાકિસ્તાનની હોકી ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે. 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન પંજાબમાં યોજાનારી AHF મેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026માં પાકિસ્તાન સહિત કુલ છ ટીમો ભાગ લેશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પાકિસ્તાનની ભાગીદારી અંગેની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, મલ્ટી-નેશનલ ઇવેન્ટ્સ અંગે કેન્દ્ર સરકારની નીતિ હેઠળ બંને દેશોની ટીમો આમને-સામને રમશે.</p><h2><b>ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જાલંધરમાં રમાશે</b></h2><p>એશિયન મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન થશે. આ ટૂર્નામેન્ટમાં યજમાન ભારત અને પાકિસ્તાન ઉપરાંત ચીન, જાપાન, મલેશિયા અને કોરિયાની પણ ભાગ લેશે. લીગ સ્ટેજના મુકાબલા જાલંધરમાં યોજાશે, જ્યારે સેમિફાઇનલ અને ફાઇનલ મેચ મોહાલીના હોકી સ્ટેડિયમમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 1 નવેમ્બરે જાલંધરમાં રમાશે. કોઈ ટીમ છેલ્લી ઘડીએ ખસી જાય તો તે સ્થિતિ માટે ઓમાન અને બાંગ્લાદેશને રિઝર્વ ટીમન તરીકે રાખવામી આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PTI_News/status/2099416960278868155"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમવામાં કોઈ મુશ્કેલી નથી</b></h2><p>પાકિસ્તાનની ભાગીદારી અને જરૂરી મંજૂરીઓ અંગે પંજાબના મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં બંને દેશો વચ્ચે રમવામાં કોઈ મુશ્કેલી નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝનું આયોજન અલગ બાબત છે, કારણ કે કેન્દ્ર સરકારની વર્તમાન નીતિ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય રમત-ગમતના આયોજનની મંજૂરી આપતી નથી. પરંતુ મલ્ટી-નેશનલ ટૂર્નામેન્ટમાં બંને દેશોના ખેલાડીઓને એકબીજા સામે રમવાની પરવાનગી છે, જેથી પાકિસ્તાની ટીમ ભારત આવી શકશે.</p><h2><b>ભારત વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે</b></h2><p>ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. ભારતે 2023માં ચેન્નાઈ અને 2024માં ચીનના હુલુનબુઈરમાં યોજાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ગત વર્ષે આ સ્પર્ધા યોજાઈ શકી નહોતી. હવે પંજાબ પ્રથમ વખત આ ટૂર્નામેન્ટની મેજબાની કરવા જઈ રહ્યું છે.</p><h2><b>અગાઉ પાકિસ્તાની ટીમે ના કહી હતી&nbsp;</b></h2><p>પાકિસ્તાનની આ વખતની ભાગીદારી એટલા માટે પણ ખાસ છે, કારણ કે ગત વર્ષે તેણે તમિલનાડુમાં આયોજિત જૂનિયર હોકી વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તે સમયે બંને દેશો વચ્ચેના તણાવને તેનું કારણ ગણાવવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે અને પાકિસ્તાની ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે પૂરી રીતે તૈયાર છે.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/V6jwdiIr9RTCvR6EyBaGsP2qfZvYLq2JfkL7pytm.webp'/></item></channel></rss>