<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Monsoon 2026 : 24 કલાકમાં 265 તાલુકામાં જળતાંડવ: સાંતલપુરમાં 15 અને રાધનપુરમાં 13.5 ઈંચ વરસાદ ]]></title><link>https://sandesh.com/weather/news/gujarat/vav-tharad/monsoon-2026-gujarat-heavy-rain-265-talukas-santalpur-radhanpur-rainfall-update</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/news/gujarat/vav-tharad/monsoon-2026-gujarat-heavy-rain-265-talukas-santalpur-radhanpur-rainfall-update</guid><pubDate>Sat, 25 Jul 2026 07:52:12 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં મેઘરાજાએ પ્રચંડ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના તમામ 265 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આકાશી આફત જેવી સ્થિતિ સર્જાઈ છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>સાંતલપુરમાં 15 ઈંચ&nbsp;</b></h2><p style="text-align: justify; ">સૌથી વધુ વિધ્વંસક સ્થિતિ પાટણ જિલ્લામાં જોવા મળી છે, જ્યાં સાંતલપુરમાં 15 ઈંચ અને રાધનપુરમાં 13.5 ઈંચ જેટલો અતિભારે વરસાદ ખાબકતા ચારેય તરફ જળબંબાકાર થયો છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>બનાસકાંઠા અને વાવ-થરાદ પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ&nbsp;</b></h3><p style="text-align: justify; ">આંકડા અનુસાર, બનાસકાંઠા અને વાવ-થરાદ પંથકમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. ભાભરમાં 11.5 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ, સુઈગામમાં 7 ઈંચ અને થરાદમાં 5.5 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય દાંતીવાડામાં 7 ઈંચ અને ઓગડમાં 6 ઈંચ વરસાદ વરસ્યો છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>નડિયાદમાં 24 કલાકમાં 11 ઈંચ વરસાદ</b></h3><p style="text-align: justify; ">મધ્ય ગુજરાતની વાત કરીએ તો, ખેડાના નડિયાદમાં 24 કલાકમાં 11 ઈંચ, મહેમદાવાદમાં 8.5 ઈંચ, વસો અને કઠલાલમાં 5-5 ઈંચ આકાશી પાણી પડ્યું છે. આણંદના સોજીત્રામાં પણ 5 ઈંચ વરસાદથી માર્ગો જળમગ્ન બન્યા છે.&nbsp;&nbsp;</p><h4 style="text-align: justify; "><b>દહેગામમાં 6 ઈંચ&nbsp;</b></h4><p style="text-align: justify; ">ગાંધીનગરના દહેગામમાં 6 ઈંચ અને કચ્છના રાપરમાં 5 ઈંચ વરસાદ ઝીંકાયો છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરના થાનગઢમાં 7 ઈંચ, મોરબીના વાંકાનેરમાં 7 ઈંચ અને જૂનાગઢના ભેસાણમાં 4.5 ઈંચ વરસાદ પડ્યો છે. આ સિવાય મહીસાગરના બાલાસિનોરમાં 4.5 ઈંચ અને રાજ્યના અન્ય 246 તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદથી નદી-નાળા છલકાયા છે. વિરામ વગર વરસેલા ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ બંધ થયા છે અને નીચાણવાળા ગામોમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp; :&nbsp; <a href="https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-ahmedabad-rain-waterlogging-cm-bhupendra-patel-reprimands-officials" target="_blank"><b>&nbsp; Monsoon 2026 : અમદાવાદમાં પૂરના પાણી ન ઓસરતાં મુખ્યમંત્રી લાલઘૂમ, અધિકારીઓનો ઉધડો લીધો, ‘શા માટે પાણી ભરાયા તેનો ખુલાસો કરો’</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/PEUKl9c83e7BCi22mshrmnAK9Nlsfg9fXS8GFhXv.webp'/></item><item><title><![CDATA[Himmatnagar: સાયબાપુરમાં સાબરમતી નદીના પૂરમાં ટ્રેક્ટર તણાયું, ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂર ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/himatnagar/sabarmati-river-flooded-tractor-swept-away-during-sand-mining</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/himatnagar/sabarmati-river-flooded-tractor-swept-away-during-sand-mining</guid><pubDate>Sat, 25 Jul 2026 07:44:51 +05:30</pubDate><description><![CDATA[<p>સાબરકાંઠા જિલ્લામાં તેમજ ઉપરવાસના પંથકોમાં વિતેલા 24 કલાક દરમિયાન પડેલા ભારેથી અતિભારે વરસાદના કારણે તમામ નદી-નાળાઓમાં ઘોડાપૂર આવ્યા છે. ખાસ કરીને હિંમતનગર પરથી પસાર થતી મુખ્ય સાબરમતી નદી ઉપરવાસના ભારે વરસાદને પગલે બે કાંઠે વહી રહી છે. નદીમાં ધસમસતા પૂરના પાણી આવી પહોંચતાં જળસ્તર ભયજનક રીતે વધી ગયું છે.</p><h2><b>અતિભારે વરસાદના કારણે નદી-નાળાઓમાં ઘોડાપૂર&nbsp;</b></h2><p>આવી ગંભીર પૂરની કટોકટી વચ્ચે હિંમતનગર તાલુકાના સાયબાપુર ગામ નજીકથી એક ચોંકાવનારી અને બેદરકારીભરી ઘટના સામે આવી છે. સાબરમતી નદીમાં પૂરના ભયાનક વહેણ હોવા છતાં, કેટલાક ભૂમાફિયાઓ અને સ્થાનિકો જીવના જોખમે નદીના પટમાં ઉતરીને ટ્રેક્ટર મારફતે રેતીનું ખનન કરી રહ્યા હતા.</p><h3><b>અચાનક પાણીનો પ્રવાહ વધતાં ટ્રેક્ટર તણાયું</b></h3><p>સાયબાપુર પાસે જ્યારે નદીમાંથી ટ્રેક્ટરમાં રેતી ભરવામાં આવી રહી હતી, ત્યારે જ ઉપરવાસમાંથી અચાનક પૂરનું ભારે ધસમસતું વહેણ આવી પહોંચ્યું હતું. પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે ટ્રેક્ટર ચાલક કે અન્ય લોકોને કશું સમજાય તે પહેલાં જ રેતી ભરતું આખું ટ્રેક્ટર ટ્રોલી સહિત નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. જોતજોતામાં ટ્રેક્ટર પૂરના ધસમસતા પાણીમાં તણાઈ ગયું હતું.ઘટનાને પગલે કિનારે ઉભેલા લોકોમાં ભારે અફડાતફડી મચી ગઈ હતી. સદનસીબે સમયે જ ચાલક અને મજૂરોએ હિંમત દર્શાવી બહાર નીકળી જતાં મોટી જાનહાનિ ટળી હતી.&nbsp;</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/viramgam-maliya-state-highway-st-bus-overturns-in-flood-water-passengers-rescued" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: વિરમગામ-માળીયા સ્ટેટ હાઇવે પર પૂરના પાણીના પ્રહારમાં ST બસ પલટી, તમામ મુસાફરોનું રેસ્ક્યૂ</a></b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/UyF8gNJbuvHU7fBXbsWejpTlqTX7mIw9ACYeXZWf.webp'/></item><item><title><![CDATA[Surat: દ. ગુ.ના 16 તાલુકામાં 100 ટકાથી વધુ વરસાદ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-16-100-</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-16-100-</guid><pubDate>Sat, 25 Jul 2026 05:00:48 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જુલાઇના પહેલા સપ્તાહથી વરસાદની શરુઆત થઇ છે. જેથી હજુ ગણતરીના જ દિવસો થયા છે ત્યાં વરસાદે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. કારણ કે દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ કપરાડામાં 104.96 ઇંચ નોંધાયો છે. જ્યારે સુરત શહેરમાં સરેરાશ 45 ઇંચની આસપાસ વરસાદ નોંધાતો હોય છે. તેની સામે આજદિન સુધીમાં 52.56 ઇંચ વરસાદ પડી ગયો છે. જ્યારે ચાલુ વર્ષે તો ઓકટોબર માસ સુધી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે. જેથી આ આંકડો આગામી દિવસોમાં વધી શકે તેવી શકયતા નકારી શકાય તેમ નથી.</p><p style="text-align: justify; ">છેલ્લા 10 વર્ષમાં સુરતમાં સરેરાશ વરસાદની વાત કરીએ તો 45 ઇંચ વધુમાં વધુ વરસાદ પડતો હોય છે. તેવી જ રીતે જિલ્લામાં ઉમરપાડાને દક્ષિણ ગુજરાતનું ચેરાપુંજી કહેવામાં આવે છે. ત્યાં પણ 61.96 ઇંચ વરસાદ શુક્રવાર સુધીમાં વરસી ગયો છે. જ્યારે ત્યાં સરેરાશ વરસાદ 60થી 80 ઇંચ નોંધાતો હોય છે. જ્યારે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કપરાડા અને ધરમપુરમાં 100થી 140 ઇંચ પડતો હોય છે. તેની સામે કપરાડામાં 104.96 ઇંચ વરસાદ તો આજદિન સુધીમાં પડી ગયો છે. સાથે સાથે ડાંગના પહાડી વિસ્તારોમાં અને તેમાં પણ ખાસ કરીને આહવા અને વઘઇમાં 80થી 100 ઇંચ સરેરાશ વરસાદ પડતો હોય છે. તેની સામે વઘઇમાં 75.32 ઇંચ વરસાદ નોંધાયો છે. જેથી ચાલુ વર્ષે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદના તમામ રેકોર્ડ તોડી નાંખવામાં આવે તેવી શકયતા નકારી શકાય તેમ નથી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/ab9sk3etQiFnWq4EzDanHUp2E1b6m9UYLR0lFgMn.webp'/></item><item><title><![CDATA[Vadodara: ડભોઇ નગરમાં મદદનીશ ખેતી નિયામકની કચેરીના ખસ્તા હાલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-the-office-of-the-assistant-director-of-agriculture-in-dabhoi-nagar-is-in-a-state-of-disrepair</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-the-office-of-the-assistant-director-of-agriculture-in-dabhoi-nagar-is-in-a-state-of-disrepair</guid><pubDate>Sat, 25 Jul 2026 02:43:12 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ડભોઇ સરિતા ફટક પાસે આવેલી મદદનીશ ખેતી નિયામકની કચેરી બિસ્માર 5 વર્ષથી રજૂઆતો છતાં તંત્રની ઘોર બેદરકારીને લઇ 118 ગામના ખેડૂતો અને કર્મચારીના જીવ જોખમમાં ચોમાસામાં છત પરથી પાણી પડે છે. અને સ્લેબના પોપડા ખરે છે. ડભોઇની સરિતા ફટક પાસે મદદનીશ ખેતી નિયામકની કચેરી (તાલીમ યોજના પેટા વિભાગ, ડભોઈ) તંત્રની ઘોર બેદરકારીનો જીવતો-જાગતો પુરાવો બની છે. પાંચ વર્ષથી આ કચેરી અત્યંત જર્જરિત હાલતમાં છે. છતાં શાસકો અને અધિકારી આંખ આડા કાન કરે છે. 5 વર્ષથી લેખિત-મૌખિક રજૂઆતો, છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં કચેરીની દયનીય હાલત અંગે સ્થાનિક અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી અવારનવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો ઉચ્ચ કક્ષાએ કરાઇ છે. છતાં પણ વહીવટી તંત્રના પેટનું પાણી હલતું નથી. ચોમાસામાં કચેરીની છતમાંથી સતત પાણી ટપકે છે. અને છતના મોટા-મોટા પોપડા નીચે પડે છે. 118 ગામના ખેડૂતો અને અરજદારો પર તોળાતું જોખમ ડભોઇ તાલુકાના 118 ગામોના ખેડૂતો ખેતીવાડીને લગતા કામકાજ અને તાલીમ યોજના માટે રોજિંદા ધોરણે આ કચેરીની મુલાકાતે આવે છે. કચેરીની આવી ભયજનક સ્થિતિને કારણે અહીં આવતા અરજદારો, ખેડૂતો અને ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ માથે સતત અકસ્માતનો ભય તોળાઈ રહ્યો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/2MGV3CzC6lRKg9nEMFL8v4rMCLMpb6wmlh02FAOi.webp'/></item><item><title><![CDATA[Vadodara: ડેસર તાલુકામાં દોઢ મહિનાના લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-megharajas-explosive-batting-after-a-long-break-of-one-and-a-half-months-in-desar-taluka</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-megharajas-explosive-batting-after-a-long-break-of-one-and-a-half-months-in-desar-taluka</guid><pubDate>Sat, 25 Jul 2026 02:42:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દોઢ મહિનાના લાંબા વિરામ બાદ આખરે ડેસર તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં ખેડૂતો સહિત સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છવાયો છે. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. પરંતુ ડેસર પંથક લાંબા સમયથી વરસાદથી વંચિત રહ્યું હતું. જેના કારણે કપાસ, દિવેલા, ડાંગર સહિતના પાકો અંગે ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી.ગુરુવારે દિવસભર કાળા ડિબાંગ વાદળો છવાયેલા રહ્યાં છતાં વરસાદ વરસ્યો નહોતો. જોકે, રાત્રે લગભગ 10 વાગ્યાથી વહેલી સવારે 4:15 વાગ્યા સુધી ભારે પવન સાથે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં આશરે 65 મીમી વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં તાલુકામાં કુલ 67 મીમી વરસાદ નોંધાયો છે. આ વરસાદ વાવણીલાયક સાબિત થતાં ખેતરોમાં વાવેલા કપાસ, દિવેલા, ડાંગર સહિતના પાકોને જીવતદાન મળ્યું છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળે છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ગરમી તથા બફરાથી લોકોને પણ રાહત મળી છે. ડેસર તાલુકામાં ચાલુ ચોમાસા દરમિયાન અત્યાર સુધી કુલ 257 મીમી વરસાદ નોંધાયો હોવાનું સત્તાવાર માહિતીમાં જણાવાયું છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/jnEs179NK9fbC3El9FRF2LLTWKaTPHJyp2PX1Gzl.webp'/></item><item><title><![CDATA[India News: PM મોદીએ વધુ એક વીડિયો શેર કર્યો, કહ્યું મારા વીડિયો પર હકારાત્મક સૂચન માટે ધન્યવાદ, જુઓ Video ]]></title><link>https://sandesh.com/india/news/pm-modi-shares-another-video-thanks-citizens-for-their-feedback</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/pm-modi-shares-another-video-thanks-citizens-for-their-feedback</guid><pubDate>Fri, 24 Jul 2026 23:32:25 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડાપ્રધાન મોદીએ ગઈકાલે રાત્રે એક વીડિયો જાહેર કર્યો હતો. માત્ર બે મિનિટના વીડિયોમાં તેમણે પેપર લીક મામલે કડક કાર્યવાહી કરવાનું વચન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, પેપર લીક એક ગંભીર બાબત છે અને તેના ગુનેગારો પકડાઈ ગયા છે. સરકાર આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહી છે અને આગામી સમયમાં આરોપીઓ સામે કઠોર પગલાં લેવામાં આવશે.&nbsp;<br></p><p style="text-align: justify; "><b>જુઓ વડાપ્રધાને નવા વીડિયોમાં શું કહ્યું?</b></p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbL0B8qiZwH/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA%3D%3D" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbL0B8qiZwH/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA%3D%3D" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><h2 style="text-align: justify; "><b>મારા વીડિયો પર હકારાત્મક પ્રતીભાવ મળ્યો : PM મોદી</b></h2><p style="text-align: justify; ">વડાપ્રધાને આજે ફરીવાર માત્ર 40 સેકન્ડનો એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં તેમણે કહ્યું હતું કે, ગઈકાલે મોડી રાત્રે તમને મળવાનો મોકો મળ્યો હતો. મારા વીડિયો પર દેશની જનતાનો હકારાત્મક પ્રતિભાવ મળ્યો હતો. તમારા દ્વારા મળેલા હકારાત્મક સૂચન માટે હું ધન્યવાદ આપું છું. આપણે સૌ એકબીજા સાથે સક્રિયતા સાથે જોડાયેલા રહીશું.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>ગુનેગારોને પકડીને જેલના સળિયા પાછળ ધકેલ્યા</b></h3><p style="text-align: justify; ">વડાપ્રધાન મોદીએ ગઈકાલે જાહેર કરેલા વીડિયોમાં સ્પષ્ટ કર્યું હતું કે, સરકારની સૌથી મોટી પ્રાથમિકતા વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડતુ હતું તેને અટકાવવાની હતી. છેલ્લે મુશ્કેલીઓ હોવા છતાં સરકારે અંદાજે 22 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષાઓ સફળતા પૂર્વક પૂર્ણ કરાવી અને તેના પરિણામો પણ જાહેર કર્યા છે. પરીક્ષામાં ગેરરીતિ આચરનારા અગાઉના આરોપીઓને જેલમાં ધકેલી દેવાયા છે.&nbsp;<br><br><a href="https://sandesh.com/india/news/amarnath-yatra-to-resume-from-saturday" target="_blank">આ પણ વાંચોઃ Amarnath Yatra : આવતીકાલ શનિવારથી ફરી શરૂ થશે અમરનાથ યાત્રા, 5 હજાર શ્રદ્ધાળુઓ થશે રવાના</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/24/P7Lmnk7aZ11i1ytZ8NxEKArR5ygJJskr8kTCRe6O.webp'/></item><item><title><![CDATA[Amarnath Yatra : આવતીકાલ શનિવારથી ફરી શરૂ થશે અમરનાથ યાત્રા, 5 હજાર શ્રદ્ધાળુઓ થશે રવાના ]]></title><link>https://sandesh.com/india/news/amarnath-yatra-to-resume-from-saturday</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/amarnath-yatra-to-resume-from-saturday</guid><pubDate>Fri, 24 Jul 2026 23:15:48 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ખરાબ હવામાન અને સતત ભારે વરસાદના કારણે છેલ્લા છ દિવસથી સ્થગિત રાખવામાં આવેલી અમરનાથ યાત્રા હવે ફરી શરૂ થવા જઈ રહી છે. પ્રશાસને જાહેરાત કરી છે કે શનિવાર, 25 જુલાઈથી યાત્રા આંશિક રીતે પુનઃશરૂ કરવામાં આવશે. સૌથી પહેલા જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી લગભગ 5 હજાર શ્રદ્ધાળુઓનો પ્રથમ જથ્થો બાલટાલ બેઝ કેમ્પ માટે રવાના થશે. હવામાનમાં સુધારો થતાં અને રસ્તાઓની સમારકામ કામગીરી પૂર્ણ થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>યાત્રા માટે લીલી ઝંડી આપી દીધી</b></h2><p style="text-align: justify; ">પ્રશાસનના જણાવ્યા અનુસાર, હાલમાં આ યાત્રા બાલટાલ રૂટ પરથી જ શરૂ કરવામાં આવશે. યાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે મજબૂત કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ, અર્ધલશ્કરી દળો અને વહીવટી ટીમો સમગ્ર માર્ગ પર તૈનાત રહેશે. અધિકારીઓનું કહેવું છે કે યાત્રાને તબક્કાવાર આગળ વધારવામાં આવશે, જેથી કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે. સતત વરસાદના કારણે અમરનાથ યાત્રાના બંને મુખ્ય માર્ગો - પહલગામ અને બાલટાલ પર અનેક સ્થળે રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી પ્રશાસન અને બચાવ એજન્સીઓ સતત સમારકામમાં જોડાયેલી હતી. હવે બંને માર્ગો પર જરૂરી રિપેરિંગ કામ પૂર્ણ કરી લેવાયું છે. સુરક્ષા એજન્સીઓએ પણ માર્ગોનું નિરીક્ષણ કરીને યાત્રા માટે લીલી ઝંડી આપી દીધી છે.</p><h3 style="text-align: justify; "><b>પ્રશાસને શ્રદ્ધાળુઓને કરી અપીલ</b></h3><p style="text-align: justify; ">અધિકારીઓએ તમામ શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે તેઓ માત્ર પોતાના નિર્ધારિત રજીસ્ટ્રેશન અને નક્કી કરેલી તારીખ મુજબ જ યાત્રા કરે. પરવાનગી વગર કે નક્કી કરેલા શિડ્યુલ પહેલાં યાત્રા શરૂ કરવાનો પ્રયાસ ન કરે. પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓ દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. પ્રશાસને જણાવ્યું છે કે પહાડી વિસ્તારોમાં હવામાન ગમે ત્યારે બદલાઈ શકે છે. તેથી બેઝ કેમ્પથી રવાના થતાં પહેલાં હવામાનની તાજી માહિતી ચોક્કસ મેળવી લેવી. જો હવામાન ખરાબ થવાની ચેતવણી જારી કરવામાં આવે તો પ્રશાસનના નિર્દેશોનું પાલન કરવું અને બિનજરૂરી જોખમ ન લેવું.</p><h2 style="text-align: justify; "><b>જરૂરી દવાઓ અને ટોર્ચ સાથે રાખવાની સલાહ</b></h2><p style="text-align: justify; ">યાત્રા પર જતાં શ્રદ્ધાળુઓને ગરમ કપડાં, રેનકોટ, વોટરપ્રૂફ ટ્રેકિંગ શૂઝ, જરૂરી દવાઓ અને ટોર્ચ પોતાની સાથે રાખવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે પૂરતું પાણી અને હળવો ખોરાક પણ સાથે રાખવા જણાવાયું છે, જેથી પ્રવાસ દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે. પ્રશાસને ઉમેર્યું છે કે યાત્રા દરમિયાન જો કોઈ શ્રદ્ધાળુની તબિયત બગડે કે અન્ય કોઈ સમસ્યા ઊભી થાય તો તેણે તાત્કાલિક નજીકના મેડિકલ કેમ્પ, સુરક્ષા દળો કે વહીવટી અધિકારીઓનો સંપર્ક કરવો. યાત્રા માર્ગ પર તબીબી સુવિધાઓ અને ઇમરજન્સી સહાયની પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રા દરમિયાન સુરક્ષા અને હવામાન સંબંધિત તમામ નિર્દેશોનું પાલન કરવું દરેક શ્રદ્ધાળુ માટે ફરજિયાત રહેશે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/rain-update-red-alert-lifted-and-orange-alert-issued-in-ahmedabad" target="_blank">આ પણ વાંચોઃ Gujarat Weather: અમદાવાદીઓ માટે રાહતના સમાચાર, શહેર અને જિલ્લા પરથી વરસાદનું રેડ એલર્ટ હટ્યું</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/24/d71XCi59dpUPrrqPMBrRyMZvqZRE7PI0I6FbxfIx.webp'/></item><item><title><![CDATA[US Tariff Impact: અમેરિકાએ Forced Laborના નામે ભારત પર લગાવ્યો 10%નો વધારાનો ટેરિફ, ભારતીય ઉદ્યોગો પર શું પડશે અસર? ]]></title><link>https://sandesh.com/world/news/business/usa/us-tariff-impact-america-imposed-an-additional-10-tariff-on-india-in-the-name-of-forced-labor-what-will-be-the-impact-on-indian-industries</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/business/usa/us-tariff-impact-america-imposed-an-additional-10-tariff-on-india-in-the-name-of-forced-labor-what-will-be-the-impact-on-indian-industries</guid><pubDate>Fri, 24 Jul 2026 19:59:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ કાર્યવાહી બળજબરીથી મજૂરી સંબંધિત ચિંતાઓના આધારે કરવામાં આવી હતી.&nbsp;</p><h2 style="text-align: justify; ">બળજબરીથી મજૂરી એટલે શું ?</h2><p style="text-align: justify; ">બળજબરીથી મજૂરીનો અર્થ વ્યક્તિને તેની ઇચ્છા વિરુદ્ધ કામ કરવા માટે દબાણ કરવાનો છે. જો કોઈ કામદાર પોતાની નોકરી છોડવા માંગે છે પરંતુ તેને મંજૂરી નથી, તો તે બળજબરીથી મજૂરી બની શકે છે. જો વ્યક્તિને ધમકી હેઠળ કામ કરવાની ફરજ પાડવામાં આવે તો પણ, મામલો ગંભીર હોઈ શકે છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન બળજબરીથી મજૂરીને માનવ અધિકારોનું ઉલ્લંઘન માને છે. વ્યક્તિની સંમતિ ખરેખર મુક્ત નથી. તેઓ દબાણ હેઠળ કામ કરી રહ્યા છે.</p><h3 style="text-align: justify; ">મુખ્ય વ્યાખ્યા શુ ?&nbsp;</h3><p style="text-align: justify; ">દરેક ઓછા વેતનવાળી નોકરીને બળજબરીથી મજૂરી ગણી શકાય નહીં. ઘણા દેશોમાં, કામદારોને ઓછું વેતન મળે છે. કામના કલાકો પણ લાંબા હોઈ શકે છે. આ શ્રમ અધિકારોનો મુદ્દો હોઈ શકે છે. પરંતુ બળજબરીથી મજૂરી સાબિત કરવા માટે, દબાણ અથવા નિયંત્રણના નક્કર સંકેતો જરૂરી છે. ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિ તેમની ઇચ્છા વિરુદ્ધ ઓછા વેતન માટે કામ કરી રહી છે અને ગમે ત્યારે કામ છોડી શકે છે. આવી પરિસ્થિતિ હંમેશા બળજબરીથી મજૂરીની કાનૂની વ્યાખ્યામાં આવતી નથી. જો કે, જો તેમને ચૂકવણી ન કરવાની, પોલીસ કાર્યવાહી, હિંસા, દેવું અથવા પાસપોર્ટ જપ્ત કરવાની ધમકી આપવામાં આવે છે, તો મામલો અલગ થઈ જાય છે.</p><h4 style="text-align: justify; ">બળજબરીથી મજૂરીના મુખ્ય સંકેતો&nbsp;</h4><p style="text-align: justify; ">બળજબરીથી મજૂરીને અનેક સંકેતો દ્વારા ઓળખવામાં આવે છે. આમાં નોકરી છોડવાની સ્વતંત્રતાનો ઇનકાર, હુમલો અથવા હિંસાની ધમકીઓ, પાસપોર્ટ, ઓળખ કાર્ડ અથવા અન્ય દસ્તાવેજો જપ્ત કરવા, વેતન રોકવું, કામદારોને વધુ પડતા દેવાથી બાંધવા, કામદારોની હિલચાલ પર પ્રતિબંધ મૂકવો, ભરતીના નામે ઊંચી ફી વસૂલવી, બાળકોને ખતરનાક અથવા બળજબરીથી મજૂરી કરવા માટે દબાણ કરવું, કામદારોને અલગ કરવા અને નિયંત્રિત કરવા વગેરેનો સમાવેશ થાય છે. આ સૂચકાંકોમાંથી એક અથવા વધુ શંકા પેદા કરી શકે છે.</p><h5 style="text-align: justify; ">દેવું-આધારિત મજૂર જાળ</h5><p style="text-align: justify; ">જબરદસ્તી મજૂરીના એક સામાન્ય સ્વરૂપમાં દેવું શામેલ છે, જેને બંધુઆ મજૂર તરીકે પણ ઓળખવામાં આવે છે. ધારો કે કોઈ ભરતી એજન્ટ કોઈ કામદારને વિદેશમાં નોકરી મેળવવાના નામે મોટી લોન આપે છે. બાદમાં, કામદારને કહેવામાં આવે છે કે તેઓ લોન ચૂકવ્યા વિના છોડી શકતા નથી. તેમના વેતનમાં પણ કાપ મૂકવામાં આવે છે. આ પરિસ્થિતિમાં, કામદાર નાણાકીય જાળમાં ફસાઈ જાય છે. ક્યારેક દેવું એટલું મોટું હોય છે કે કામદાર વર્ષો સુધી તેને ચૂકવી શકતો નથી. આ પરિસ્થિતિ આંતરરાષ્ટ્રીય વેપારમાં ગંભીર ચિંતાનો વિષય છે.</p><h5 style="text-align: justify; ">આંતરરાષ્ટ્રીય વેપારમાં આ મુદ્દો મહત્વપૂર્ણ&nbsp;</h5><p style="text-align: justify; ">આજે, એક ઉત્પાદન બહુવિધ દેશોમાં બનાવવામાં આવે છે. એક દેશમાં ઉગાડવામાં આવતા કપાસમાંથી કાપડ બનાવી શકાય છે, બીજા દેશમાં યાર્નનું ઉત્પાદન કરી શકાય છે, અને કપડાને ત્રીજા દેશમાં સીવી શકાય છે. પછી અંતિમ ઉત્પાદન ચોથા દેશમાંથી યુનાઇટેડ સ્ટેટ્સ અથવા યુરોપમાં મોકલી શકાય છે. આને વૈશ્વિક પુરવઠા શૃંખલા કહેવામાં આવે છે. આ સિસ્ટમમાં, કોઈપણ એક તબક્કે બળજબરીથી મજૂરીનો આરોપ સમગ્ર ઉત્પાદનને વિવાદાસ્પદ બનાવી શકે છે. ખરીદનાર દેશો ઉત્પાદનના ઉત્પાદનમાં કામદારોના અધિકારોનું સન્માન કરવામાં આવ્યું હતું કે કેમ તે અંગે પ્રશ્નો ઉભા કરે છે.</p><h6 style="text-align: justify; ">ભારત પર 10 ટકા ટેરિફનો સંદર્ભ</h6><p style="text-align: justify; ">યુનાઇટેડ સ્ટેટ્સે ભારતને એવા દેશોના જૂથમાં સામેલ કર્યું છે જેમની આયાત પર વધારાના 10 ટકા ટેરિફ લાદવામાં આવે છે. યુનાઇટેડ સ્ટેટ્સે એવા દેશો સામે વધુ કડક પગલાં લેવાની વિનંતી કરી છે જેઓ બળજબરીથી મજૂરી કરાવતી વસ્તુઓની આયાતને રોકવા માટે પૂરતા પગલાં લેવામાં નિષ્ફળ ગયા છે. એવું કહેવું યોગ્ય રહેશે નહીં કે ભારતમાં દરેક ઉત્પાદન અથવા દરેક ઉદ્યોગ પર બળજબરીથી મજૂરી કરવાનો આરોપ છે. વ્યાપક નીતિ સ્તરે, આ ટેરિફ દબાણનું સાધન છે. તેનો હેતુ પુરવઠા શૃંખલાની ચકાસણી, પારદર્શિતા અને શ્રમ ધોરણોનું પાલન વધારવાનો હોવાનું જણાવાયું છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/india/news/saharanpur-news-4-killed-in-blast-at-firecracker-factory-in-saharanpur-two-bodies-found" target="_blank"> સહારનપુરમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 4ના મોત, બે મૃતદેહ મળ્યા</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/24/2qEnFvwnpy6B9PGargJ2Pl13icuxxk3WFID6Ozoa.webp'/></item><item><title><![CDATA['કરણે મને લાફો માર્યો, મારા મમ્મી-પપ્પાને પણ અપશબ્દો...', અભિનેત્રીના ચોંકાવનારા ખુલાસાથી મચ્યો ખળભળાટ ]]></title><link>https://sandesh.com/entertainment/news/sanvi-talwar-alleges-karan-kundrra-slapped-her-on-yeh-kahan-aa-gaye-hum-set</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/sanvi-talwar-alleges-karan-kundrra-slapped-her-on-yeh-kahan-aa-gaye-hum-set</guid><pubDate>Fri, 24 Jul 2026 17:49:34 +05:30</pubDate><description><![CDATA[<p>ટીવી અભિનેતા કરણ કુન્દ્રા આજકાલ ચર્ચામાં છે. જોકે, આ વખતે તે કોઈ શો નથી, પરંતુ ભૂતકાળનો વિવાદ છે. 2015 માં કરણ કુન્દ્રા અને અભિનેત્રી સાનવી તલવાર ટીવી સીરિયલ "યે કહાં આ ગયે હમ" માં સાથે દેખાયા હતા. તેમની ઓન-સ્ક્રીન જોડી દર્શકોને ખૂબ ગમતી હતી, પરંતુ તેઓ સ્ક્રીનની બહાર ઝઘડતા હતા. આ દરમિયાન સાનવી તલવારે કરણ સાથેના તેના વિવાદ વિશે ખુલ્લેઆમ વાત કરી અને ઘણા ખુલાસા કર્યા જે ખૂબ જ ચોંકાવનારા છે.</p><p><h4><b>મેં કરણને લાફો માર્યો</b></h4>તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કરતા અભિનેત્રી સાનવીએ કહ્યું, "મેં કરણ સાથે સેટ પર વાત નહોતી કરી કારણ કે મને તે પસંદ નહોતો. પરંતુ કરણ અને દિગ્દર્શકને મારા ન બોલવાથી સમસ્યા હતી. ઘણી વાર મને ખબર પડી કે તે મને રિપ્લેસ કરશે." કિસિંગ સીન અંગે, સાનવીએ ખુલાસો કર્યો, "નિર્દેશક બોલે તે પહેલાં કરણે મને કિસ કરી, પરંતુ કોઈએ તેને કંઈ કહ્યું નહીં." મેં ગુસ્સામાં કરણને થપ્પડ મારી, અને તે ચાલ્યો ગયો.</p><h4><b>કરણે સાનવી સાથે દુર્વ્યવહાર કર્યો
</b></h4><p>સાનવીએ આગળ કહ્યું, "લગભગ 10-15 મિનિટ પછી, કરણ આવ્યો અને તેને એટલી જોરથી થપ્પડ મારી કે તે જમીન પર પડી ગઈ. તેણે મને અને મારા માતા-પિતાને પણ અપશબ્દો કહ્યા. તેના આવા વ્યવહાર પછી પણ કોઈએ મને સપોર્ટ કર્યો નહીં. પછી હું મારી કાર લઈને ચાલી ગઈ. મેં નક્કી કર્યું હતું કે હું ફરી ક્યારેય ત્યાં કામ નહીં કરું, પરંતુ એકતા કપૂરે માફી માંગી અને મને શોમાં પાછા ફરવાનું કહ્યું."
</p><h4><b>શો ટૂંક સમયમાં જ બંધ થઈ ગયો
</b></h4><p>નોંધનીય છે કો સિરિયલ "યે કહાં આ ગયે હમ" એક મ્યુઝિકલ ડ્રામા હતી. આ સિરીઝમાં કરણે રાહુલ સભરવાલ નામના રોકસ્ટારની ભૂમિકા ભજવી હતી અને સાનવી જેને માનવી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક ગાયિકા હતી. બાલાજી ફિલ્મ્સની આ સિરિયલની વાર્તા તે સમયે દર્શકોનું ધ્યાન ખેંચવામાં નિષ્ફળ ગઈ. આ શો 26 ઓક્ટોબર 2015 ના રોજ શરૂ થયો હતો, પરંતુ 24 ઓગસ્ટ 2016 ના રોજ બંધ થઈ ગયો.
</p><p><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/entertainment/news/akanksha-puri-claim--money-offered-to-celebs-for-neet-protest" target="_blank"><b>આ ગંદકીમાં નથી પડવું... વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા માટે ઓફર થઈ રહ્યા છે પૈસા, અભિનેત્રીનો મોટો દાવો</b></a></p><p><br><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/24/xdJvrJTsWTNVeKizkjpYbKp2OfZ45yJyfJ4HXTT0.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup ફાઈનલમાં હાર્યા બાદ આર્જેન્ટિનાના દિગ્ગજે લીધો સંન્યાસ, જાણો શાનદાર રેકોર્ડ ]]></title><link>https://sandesh.com/sports/news/argentina-legend-retires-after-losing-in-fifa-world-cup-final-know-his-amazing-record</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/argentina-legend-retires-after-losing-in-fifa-world-cup-final-know-his-amazing-record</guid><pubDate>Fri, 24 Jul 2026 17:38:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સ્પેને ફિફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં આર્જેન્ટિનાને 1-0 થી હરાવ્યું.સ્પેને 16 વર્ષ પછી ટ્રોફી જીતી.આર્જેન્ટિનાને સતત બીજી ટ્રોફી જીતવાની તક મળી હતી,પરંતુ તે નિષ્ફળ ગયો.આ લિયોનેલ મેસ્સીનો છેલ્લો વર્લ્ડ કપ હોવાનું માનવામાં આવતું હતું.મેસીએ હજુ સુધી નિવૃત્તિની જાહેરાત કરી નથી,અને અહેવાલો અનુસાર તે થોડા મહિનાઓ સુધી આંતરરાષ્ટ્રીય ફૂટબોલ રમશે. હવે, તેના સાથી ખેલાડીએ નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે.</p><h4 style="text-align: justify; "><b>આર્જેન્ટિનાના ડિફેન્ડરે નિવૃત્ત જાહેર કરી</b></h4><p style="text-align: justify; ">આર્જેન્ટિનાના ડિફેન્ડર નિકોલસ ઓટામેન્ડીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે, જેનાથી તેની 17 વર્ષની કારકિર્દીનો અંત આવ્યો છે. 38 વર્ષીય ડિફેન્ડરને આર્જેન્ટિનાના સૌથી સફળ ડિફેન્ડરોમાંના એક માનવામાં આવે છે. તેણે ફિફા વર્લ્ડ કપ 2026 માં સ્પેન સામે આર્જેન્ટિના માટે તેની છેલ્લી મેચ રમી હતી. નિવૃત્તિ પર, તેણે કહ્યું, આજે હું મારી કારકિર્દીના સૌથી મુશ્કેલ શબ્દો લખવા જઈ રહ્યો છું. હું ભાગ્યશાળી છું કે મારી છેલ્લી મેચ વર્લ્ડ કપ ફાઇનલ હતી." ભલે પરિણામ અમારા પક્ષમાં ન હતું, હું માથું ઉંચુ કરીને વિદાય આપી રહ્યો છું. વર્લ્ડ કપ જીતવાનું મારું સ્વપ્ન પૂરું કરવા બદલ આર્જેન્ટિનાનો આભાર.</p><p style="text-align: justify; "><a href="https://x.com/argfootballafa/status/2080262132634132692?s=20" target="_blank">https://x.com/argfootballafa/status/2080262132634132692?s=20</a></p><p style="text-align: justify; "><br></p><h5 style="text-align: justify; "><b>આર્જેન્ટિના માટે કેટલી મેચ રમી?</b></h5><p style="text-align: justify; ">નિકોલસ ઓટામેન્ડીએ આર્જેન્ટિના માટે 139મેચ રમી અને વર્ષોથી ટીમની સફળતામાં મુખ્ય પરિબળ રહ્યા. ઓટામેન્ડી માત્ર આર્જેન્ટિનામાં જ નહીં પરંતુ ફૂટબોલ લીગમાં પણ પોતાનું નામ બનાવવામાં સફળ રહ્યા. તેઓ પોર્ટો, વેલેન્સિયા, માન્ચેસ્ટર સિટી અને બેનફિકા માટે રમ્યા છે. તેમણે ચાર વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેઓ એક વારસો છોડીને ગયા છે અને ભવિષ્યના ઘણા ડિફેન્ડરોને પ્રેરણા આપશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/ferran-torres-love-story-he-made-the-coachs-daughter-his-girlfriend-then-this-is-why-they-broke-up" target="_blank">Ferran Torres Love Story: કોચની દીકરીને બનાવી ગર્લફ્રેન્ડ, પછી આ કારણે થયું બ્રેકઅપ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/24/uZjDSQITA43mVbUUCCRYfsXVySD3aBpao7mMJPH1.webp'/></item></channel></rss>