<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[IndiGo ફ્લાઈટનું જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ, મુસાફરની તબિયત બગડતા લેવાયો નિર્ણય ]]></title><link>https://sandesh.com/india/news/indigo-flight-emergency-landing-jaipur-passenger-falls-ill</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/indigo-flight-emergency-landing-jaipur-passenger-falls-ill</guid><pubDate>Wed, 19 Aug 2026 19:15:14 +05:30</pubDate><description><![CDATA[<p>રાજસ્થાનના જયપુરમાં ઈન્ડિગોની ફ્લાઈટનું મેડિકલ ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સુરતથી જયપુર જઈ રહેલી ફ્લાઈટમાં એક મુસાફરની અચાનક તબિયત બગડતાં પાઈલટે મેડિકલ ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.</p><h2><b>ફ્લાઈટમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી</b></h2><p>મળતી માહિતી મુજબ, આ ઘટના ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E-6852 સાથે બની હતી. ફ્લાઈટમાં મુસાફરની તબિયત ખરાબ થતાં કેબિન ક્રૂ અને અન્ય સ્ટાફ દ્વારા તેને વિમાનમાં જ પ્રાથમિક સારવાર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, સારવાર બાદ પણ મુસાફરની તબિયતમાં પૂરતો સુધારો ન થતાં સ્થિતિને ધ્યાનમાં રાખીને ફ્લાઈટને જયપુર એરપોર્ટ પર ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.</p><h3><b>5:36 વાગ્યે ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું</b></h3><p>બુધવારે સાંજે આશરે 5:36 વાગ્યે ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઈટ જયપુર એરપોર્ટ પર પહોંચ્યા બાદ એરપોર્ટ ઓથોરિટીએ મુસાફરને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની વ્યવસ્થા કરી હતી. હાલ મુસાફરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેની તબિયત અંગે વધુ વિગતવાર માહિતી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી.</p><p>મેડિકલ ઈમરજન્સીના કિસ્સામાં મુસાફરની સ્થિતિને ધ્યાનમાં રાખીને ફ્લાઈટને નજીકના યોગ્ય એરપોર્ટ પર ઉતારવાનો નિર્ણય લેવામાં આવે છે. આ કિસ્સામાં પણ મુસાફરની તબિયત વધુ ન બગડે અને તેને સમયસર તબીબી સારવાર મળી રહે તે માટે જયપુરમાં લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આકસ્મિક મેડિકલ ઈમરજન્સી છતાં ફ્લાઈટનું લેન્ડિંગ સુરક્ષિત રીતે કરવામાં આવ્યું હતું. મુસાફરને હોસ્પિટલ પહોંચાડ્યા બાદ જરૂરી તબીબી સારવાર શરૂ કરવામાં આવી છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/congress-cwc-meeting--kharge-on-modi-govt--says-youth-future-ruined-in-last-12-years" target="_blank">આ પણ વાંચો : Congress: શિક્ષા વ્યવસ્થા, રાષ્ટ્રીય સુરક્ષાથી લઈ યુવા સુધી... CWCની બેઠકમાં મલ્લિકાર્જુન ખડગેએ શું કહ્યું?</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/jkPiIk2cwe1ALLHLHFnVVYdU8HR28HHeYqr0G0pn.webp'/></item><item><title><![CDATA[Junagadh: કેશોદમાં પત્નીની હત્યા બાદ પતિએ ટ્રેન નીચે ઝંપલાવ્યું, ઘરકંકાસમાં દંપતીનો કરુણ અંત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/keshod/junagadh-domestic-dispute-husband-kills-wife-suicide-train</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/keshod/junagadh-domestic-dispute-husband-kills-wife-suicide-train</guid><pubDate>Wed, 19 Aug 2026 19:10:08 +05:30</pubDate><description><![CDATA[<p>કેશોદ શહેરમાંથી ઘરકંકાસના પરિણામે આખો પરિવાર વિખેરાઈ જવાની અત્યંત દુઃખદ અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. આશરે ચાર વર્ષ પૂર્વે પ્રેમલગ્નના પવિત્ર બંધનથી જોડાયેલા દંપતી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અવારનવાર નાની-મોટી બાબતોમાં ઘરકંકાસ અને ઝઘડાઓ ચાલતા હતા.</p><h2><b>ઘરકંકાસમાં પ્રેમલગ્ન કરનાર દંપતીનો આવ્યો કરુણ અંત</b></h2><p>દરમિયાન ગતરોજ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં પતિએ આવેશમાં આવીને પોતાની પત્નીને ગળે ટૂંપો આપી દીધો હતો. ગંભીર રીતે ગૂંગળામણને કારણે પત્નીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.પત્નીનું મોત નીપજ્યા બાદ અચાનક ભાનમાં આવેલા પતિને પોતાના આ ભયાનક કૃત્ય બદલ ભારે અફસોસ અને પશ્ચાતાપ થયો હતો. કાયદાના શિકંજા અને માનસિક આઘાતમાં આવી ગયેલા પતિએ ઘરમાંથી નીકળીને નજીકના રેલવે ટ્રેક પર જઈ સામેથી આવતી ટ્રેન નીચે ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.</p><h3><b>4 વર્ષ અગાઉ બંનેએ કર્યા હતા પ્રેમલગ્ન</b></h3><p>બનાવની જાણ થતાં જ કેશોદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને રેલવે ટ્રેક પર પહોંચી ગયો હતો. પોલીસે પત્ની અને પતિ બંનેના મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ (PM) પ્રક્રિયા અર્થે કેશોદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે.કેશોદ પોલીસે હત્યા અને અકસ્માતે મોતનો ગુનો નોંધીને દંપતીના પરિવારજનો અને આસપાસના લોકોના નિવેદનો નોંધવાની કવાયત હાથ ધરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/bjp-leader-mukesh-gujarati-yatin-oza-controversy-contempt-application" target="_blank">આ પણ વાંચો: Surat: ભાજપ નેતા મુકેશ ગુજરાતીની વરિષ્ઠ એડવોકેટ યતીન ઓઝા સામે બેફામ ટિપ્પણી, ફેસબુક પર આપત્તિજનક પોસ્ટથી વિવાદ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/Izm0SQKkNby7kKRtj386WTxVx3fDvmTlTxxUsdBB.webp'/></item><item><title><![CDATA[Patan News: સિદ્ધપુર GIDCમાં LCB અને ફૂડ વિભાગની રેડ, ગામી એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાંથી 13,800 કિલો શંકાસ્પદ ખાદ્યતેલ સીઝ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/patan/food-and-drug-department-raid-siddhpur-gidic-edible-oil</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/patan/food-and-drug-department-raid-siddhpur-gidic-edible-oil</guid><pubDate>Wed, 19 Aug 2026 19:09:56 +05:30</pubDate><description><![CDATA[<p>પાટણ જિલ્લામાં ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોનું વેચાણ રોકવા માટે તંત્ર દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે પાટણ એલસીબી પોલીસ અને ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે ગુપ્ત બાતમીના આધારે સિદ્ધપુર GIDC વિસ્તારમાં એક મોટી સંયુક્ત રેડ કરી છે. તંત્રની આ અચાનક કાર્યવાહીથી ભેળસેળિયા વેપારીઓ અને સ્થાનિક ઉદ્યોગકારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.</p><h2><b>13,800 કિલો શંકાસ્પદ તેલ અને 40 ડબ્બા સીઝ કરાયા</b></h2><p>પોલીસ અને ખોરાક વિભાગની ટીમે સિદ્ધપુર GIDC માં આવેલા પ્લોટ નંબર 23 સ્થિત 'ગામી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ' નામની ફેક્ટરીમાં રેડ કરી હતી. આ તપાસ દરમિયાન ફેક્ટરીમાં રાખવામાં આવેલી 2 મોટી ટેન્કોમાંથી અંદાજે 13,800 કિલો જેટલો શંકાસ્પદ ખાદ્યતેલનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત સ્થળ પરથી તેલના 40 ભરેલા ડબ્બા પણ મળી આવ્યા હતા. તંત્ર દ્વારા લાખો રૂપિયાની કિંમતનો આ સમગ્ર શંકાસ્પદ જથ્થો સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.</p><p><br><img alt="Patan News: LCB &amp; Food Dept Raid in Siddhpur GIDC: 13,800 kg Suspected Oil Seized" src="https://epapercdn.sandesh.com/images/2026/08/19/HCVQhtnvEV67lTEiBNzQgPRCGgZJLApvbZErImQt.webp"></p><h2><b>શ્રી ગંગા, ગામી અને ગોવર્ધન બ્રાન્ડના સેમ્પલ લેવાયા</b></h2><p>ઓપરેશન દરમિયાન અધિકારીઓ દ્વારા ફેક્ટરીમાં પેક કરવામાં આવતી 3 જાણીતી બ્રાન્ડ - શ્રી ગંગા, ગામી અને ગોવર્ધન તેલના શંકાસ્પદ નમુના લેવાની કામગીરી કરવામાં આવી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા આ નમુનાઓને પૃથ્થકરણ અને લેબોરેટરી ટેસ્ટિંગ અર્થે લેબમાં મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.</p><p><img alt="Patan News: LCB &amp; Food Dept Raid in Siddhpur GIDC: 13,800 kg Suspected Oil Seized" src="https://epapercdn.sandesh.com/images/2026/08/19/LQ8Oqk3DZ0Tb4k0Ilcn5aqiqdXAxnBZGfpcqdpRn.webp"><br></p><h2><b>લેબોરેટરી રિપોર્ટ બાદ કાયદેસરની દંડનીય કાર્યવાહી થશે</b></h2><p>હાલમાં પાટણ LCB અને ફૂડ વિભાગ દ્વારા લાખો રૂપિયાના શંકાસ્પદ તેલના જથ્થાને સીઝ કરીને ફેક્ટરીમાં આગળની કાયદેસરની તપાસ ચાલુ રાખવામાં આવી છે. ખોરાક વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, લેબોરેટરીમાંથી સેમ્પલનો તપાસ રિપોર્ટ આવ્યા બાદ જો આ તેલ આરોગ્ય માટે હાનિકારક કે ભેળસેળયુક્ત માલૂમ પડશે તો ફેક્ટરીના સંચાલકો સામે અન્ન સુરક્ષા ધારા હેઠળ ગુનો નોંધીને કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/patan/food-and-drugs-department-raids-tanna-traders-seizes-678kg-suspicious-chutney" target="_blank">Patan: જૂના ગંજ બજારમાં તન્ના ટ્રેડર્સ પર ફૂડ વિભાગના દરોડા, 678 કિલો શંકાસ્પદ ચટણી સીઝ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/ZWJdRkPCHPphJWgqoA5DB0zlTse8NPt3T6tHhDwW.webp'/></item><item><title><![CDATA[VBYLD 2027માં યુવાનોને મળશે મોટી તક, 22 ભાષામાં ક્વિઝની તૈયારી, 1500 યુવાનો થશે સામેલ ]]></title><link>https://sandesh.com/india/news/vbyld-2027-youth-opportunities-22-language-quiz-1500-participants</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/vbyld-2027-youth-opportunities-22-language-quiz-1500-participants</guid><pubDate>Wed, 19 Aug 2026 18:40:02 +05:30</pubDate><description><![CDATA[<p>કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ (VBYLD) 2027ને વધુ વ્યાપક અને સમાવેશી બનાવવામાં આવ્યો છે. તેનો હેતુ દેશના યુવાનોને માત્ર ભવિષ્યના નેતા તરીકે નહીં, પરંતુ સક્ષમ 'રાષ્ટ્ર નિર્માતા' તરીકે તૈયાર કરવાનો છે. VBYLDના બે સફળ સંસ્કરણ બાદ હવે ત્રીજા સંસ્કરણની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/mansukhmandviya/status/2090037247294967930"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>કાર્યક્રમમાં અનેક નવા ફેરફાર કરવામાં આવ્યા</b></h2><p>VBYLD 2027નું આયોજન 10થી 12 જાન્યુઆરી 2027 દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે થશે. આ વખતે કાર્યક્રમમાં અનેક નવા ફેરફાર કરવામાં આવ્યા છે. યુવાનોની વધુમાં વધુ ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે ક્વિઝનું આયોજન દેશની 22 ભાષાઓમાં કરવામાં આવશે.</p><p>આ ઉપરાંત પ્રથમ વખત 'યુથ એન્ટરપ્રેન્યોરશિપ ચેલેન્જ'ને કાર્યક્રમના મુખ્ય ટ્રેકમાં સામેલ કરવામાં આવ્યું છે. યુથ પાર્લામેન્ટના નેશનલ ફાઇનલિસ્ટ્સને પણ VBYLDના નેશનલ ઇવેન્ટ સાથે જોડવામાં આવશે. દરેક રાજ્ય પોતાની પ્રાદેશિક જરૂરિયાતો અને પ્રાથમિકતાઓને ધ્યાનમાં રાખીને 'સ્ટેટ VBYLD'નું આયોજન કરશે.</p><h3><b>કેવી રીતે થશે પસંદગી?</b></h3><p>'વિકસિત ભારત ચેલેન્જ'ની શરૂઆત 15 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધી ચાલનારી ડિજિટલ ક્વિઝથી થશે. ત્યારબાદ 5થી 19 ઓક્ટોબર સુધી એશે રાઉન્ડ, 10થી 16 નવેમ્બર દરમિયાન જિલ્લા ચેમ્પિયનશિપ PPT રાઉન્ડ અને 17 નવેમ્બરથી 7 ડિસેમ્બર સુધી સ્ટેટ VBYLD રાઉન્ડ યોજાશે. અંતે 10થી 12 જાન્યુઆરીએ નેશનલ રાઉન્ડ યોજાશે.</p><h4><b>કેન્દ્રશાસિત પ્રદેશમાંથી 30 યુવાનો સામેલ થશે</b></h4><p>રાષ્ટ્રીય કાર્યક્રમ માટે કુલ 1,500 યુવાનોની પસંદગી કરવામાં આવશે. તેમાં દરેક રાજ્યમાંથી 45 અને દરેક કેન્દ્રશાસિત પ્રદેશમાંથી 30 યુવાનો સામેલ થશે. પસંદ થયેલા યુવાનો ગવર્નન્સ, ક્લાઈમેટ સિક્યુરિટી, હ્યુમન કેપિટલ, સસ્ટેનેબિલિટી, એન્ટરપ્રેન્યોરશિપ, ટેક્નોલોજી, બ્લૂ ઇકોનોમી અને ગ્લોબલ કોમ્પિટિટિવનેસ જેવા વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. યુવાનોને MY Bharat Portal પર રજીસ્ટર કરીને વિકસિત ભારત ક્વિઝમાં ભાગ લેવા અપીલ કરવામાં આવી છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/tmc-mp-mahua-moitra-arrest-warrant-issued-by-krishnanagar-court" target="_blank">આ પણ વાંચો : TMC સાંસદ મહુઆ મોઇત્રા વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી, ભારતીય સેના વિશે વિવાદાસ્પદ કોમેન્ટ કરવાનો આરોપ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/8E5tnN8ZypcM9q13HtkLVPJN8kM3oKa6kqlXl8hb.webp'/></item><item><title><![CDATA[Surat RTOની ધીમી કામગીરીથી 700થી 800 ડીલરો પરેશાન! એક મહિનાથી સોફ્ટવેર બંધ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/700-to-800-dealers-troubled-by-slow-functioning-of-surat-rto-software-down-for-a-month</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/700-to-800-dealers-troubled-by-slow-functioning-of-surat-rto-software-down-for-a-month</guid><pubDate>Wed, 19 Aug 2026 18:34:35 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત આરટીઓ (RTO) ની અત્યંત ધીમી કામગીરી અને કથળેલી વ્યવસ્થાના કારણે શહેરના 700 થી 800 જેટલા વાહન ડીલરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા એક મહિના કરતા પણ વધુ સમયથી આરટીઓનું સોફ્ટવેર વારંવાર બંધ રહેતું હોવાથી દૈનિક કામગીરી સંપૂર્ણપણે અટવાઈ ગઈ છે. સોફ્ટવેરની ટેકનિકલ ખામીઓના કારણે ડીલરોના રોજીંદા વ્યવહારો પર માઠી અસર પડી છે અને તેમનો વેપાર-ધંધો ચોપટ થઈ ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>ફેસલેસ કામગીરી અટવાઈ, ગાડી અને લોન ટ્રાન્સફરમાં ભારે વિલંબ</b></h2><p style="text-align: justify; ">સરકાર દ્વારા દાવાઓ કરવામાં આવતી ફેસલેસ (Faceless) સેવાઓ સુરતમાં સાવ નિષ્ફળ નીવડી રહી છે. સામાન્ય રીતે જે કામગીરી માત્ર 7 દિવસમાં પૂર્ણ થઈ જવી જોઈએ, તે કામગીરી છેલ્લા એક મહિનાથી પણ વધુ સમય વીતી જવા છતાં પૂર્ણ થઈ રહી નથી. ખાસ કરીને જૂના વાહનોની ગાડી ટ્રાન્સફર, લોન ટ્રાન્સફર તથા લોન કેન્સલેશન (HPC) જેવી મહત્વની કામગીરી અટકી પડી છે, જેના કારણે ડીલરોની સાથે સાથે સામાન્ય નાગરિકો અને અરજદારો પણ ચક્કર કાપીને હેરાન-પરેશાન થઈ રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>આરટીઓ તંત્રના બિનસંતોષકારક જવાબોથી રોષ</b></h2><p style="text-align: justify; ">ડીલરો દ્વારા આ અંગે આરટીઓ કચેરીના અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, તંત્ર તરફથી કોઈ જ સંતોષપૂર્વક કે સકારાત્મક જવાબ આપવામાં આવતો નથી તેવા ગંભીર આક્ષેપો કરાયા છે. અધિકારીઓની આવી બેદરકારી અને નકારાત્મક વલણથી ડીલરોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે. આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આવનારા દિવસોમાં ડીલર એસોસિએશન દ્વારા નાયબ મુખ્યમંત્રી તેમજ રાજ્યના પરિવહન મંત્રીને રૂબરૂ મળીને આકરા પાણીએ રજૂઆત કરવાની આક્રમક ચીમકી આપવામાં આવી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/ahmedabad-news-even-after-a-month-of-rain-viramgams-fields-are-submerged-more-than-350-bighas-of-land-are-under-water" target="_blank">Ahmedabad News : વરસાદને મહિનો થયો છતાં વિરમગામના ખેતરો જળમગ્ન! 350થી વધુ વીઘા જમીન પાણીમાં</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/mzmmRSlEaMYyDGEmuF71iyWOMAVmV61Ufd4eeP0C.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: સરખેજ-સાણંદ હાઇવે પર ઈન્ડિયા એસ્ટેટમાં ટાયરના ગોડાઉનમાં આગ, ફાયરની 8 ગાડીઓ સ્થળ પર ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/sarkhej-sanand-highway-fire-india-estate-tyre-godown-evacuated</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/sarkhej-sanand-highway-fire-india-estate-tyre-godown-evacuated</guid><pubDate>Wed, 19 Aug 2026 18:24:28 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદના સરખેજ-સાણંદ હાઇવે પર આવેલી સરખેજ-સાણંદ ચોકડી નજીક ઈન્ડિયા એસ્ટેટમાં આજે આગની એક ગંભીર ઘટના સામે આવી છે. એસ્ટેટમાં આવેલા એક ટાયરના ગોડાઉનમાં કોઈ અગમ્ય કારણોસર અચાનક આગ લાગી હતી. ગોડાઉનમાં મોટા પ્રમાણમાં રબર અને ટાયરનો જથ્થો હોવાના કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને કાળા ડિબાંગ ધુમાડાના ગોટા આકાશમાં દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા.</p><h2><b>ટાયરના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ</b></h2><p>આગના કારણે આસપાસના વિસ્તારમાં ક્ષણભર માટે ભાગદોડ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના અંગે અમદાવાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં જ સૌપ્રથમ 6 ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. પરંતુ આગની ગંભીરતા અને ટાયરના લીધે વધી રહેલા જ્વાળામુખી જેવા બળતરાને જોતાં વધુ 2 ગાડીઓ સહિત કુલ 8 ફાયર ફાઇટરો અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો.</p><h3><b>ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે&nbsp;</b></h3><p>આગ આસપાસની ઓફિસો અને દુકાનોમાં ન ફેલાય તે માટે સાવચેતીના પગલે ઈન્ડિયા એસ્ટેટની તમામ ઓફિસો અને દુકાનો તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવી છે.ફાયર ફાઇટરો દ્વારા ફોમ અને પાણીનો મારો ચલાવીને આગને અન્ય ગોડાઉનોમાં પ્રસરતી અટકાવવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/vadodara/godhra-railway-police-constable-sanjay-chudasama-arrested-bootlegging" target="_blank">આ પણ વાંચો:&nbsp; Vadodara: ગોધરા રેલવે પોલીસનો કોન્સ્ટેબલ માંદગીની રજા મૂકીને દારૂની ખેપ મારતો, બૂટલેગર સાથે 50 ટકાની રાખી ભાગીદારી</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/vqaIh9Usn7Wv8t4baqGnjBIpX4OZEJChqucJzUKu.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : વરસાદને મહિનો થયો છતાં વિરમગામના ખેતરો જળમગ્ન! 350થી વધુ વીઘા જમીન પાણીમાં ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/ahmedabad-news-even-after-a-month-of-rain-viramgams-fields-are-submerged-more-than-350-bighas-of-land-are-under-water</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/ahmedabad-news-even-after-a-month-of-rain-viramgams-fields-are-submerged-more-than-350-bighas-of-land-are-under-water</guid><pubDate>Wed, 19 Aug 2026 18:12:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ ગ્રામ્યના વિરમગામ વિસ્તારમાં આફતરૂપ સાબિત થયેલા ભારે વરસાદને એક મહિનો જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં, હજુ સુધી વરસાદી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. વિરમગામ-અમદાવાદ બાયપાસ રોડ પર આવેલા ખેતરો હજુ પણ સંપૂર્ણપણે જળમગ્ન સ્થિતિમાં છે. ખાસ કરીને બાયપાસ પર આવેલા એફસીઆઈ (FCI) ગોડાઉન પાસેની 350 વીઘાથી પણ વધુ જમીન પાણીમાં ગરકાવ થયેલી છે. ખેતરોમાં બેથી ત્રણ ફૂટ સુધી પાણી ભરાયેલા રહેતા તળાવ જેવા દ્રશ્યો સર્જાયા છે, જેના કારણે સ્થાનિક ખેડૂતો ભારે આર્થિક સંકટમાં મુકાયા છે.</p><h2 style="text-align: justify; "><b>રેલવે ઓવરબ્રિજના કામકાજમાં ગરનાળું પુરાતાં પાણીનો નિકાલ અટવાયો</b></h2><p style="text-align: justify; ">ખેતરોમાંથી પાણી ન ઓસરવા પાછળ તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે. વિરમગામ બાયપાસ રોડ પર બાજુમાં ચાલી રહેલા રેલવે ઓવરબ્રિજના કામકાજ દરમિયાન પાણીના નિકાલ માટેનું ગરનાળું બુરાઈ ગયું છે. કાયમી ગરનાળું બંધ થઈ જવાના કારણે વરસાદી પાણીનો કુદરતી નિકાલ બિલકુલ અટકી ગયો છે. પરિણામે, ખેતરોમાંથી પાણી બહાર જઈ શકતા નથી અને પાણીનો ભરાવો સતત વધી રહ્યો છે, જેણે આજુબાજુના તમામ ખેડૂતોની ચિંતામાં મોટો વધારો કર્યો છે.</p><h2 style="text-align: justify; "><b>ડાંગરનો ઉભો પાક નષ્ટ, ખેડૂતોએ કરી યોગ્ય વળતર અને પાણી નિકાલની માંગ</b></h2><p style="text-align: justify; ">ખેતરોમાં સતત એક મહિનાથી પાણી ભરાયેલા રહેવાના કારણે ખેડૂતોએ વાવેલો ડાંગર સહિતનો તમામ ઉભો પાક સંપૂર્ણપણે સડી જતાં ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ચોમાસાની આ આખી સીઝન જ ફેઈલ ગઈ છે અને ખેતરોમાંથી પાણી સુકાતા ન હોવાથી હાલ નવી ખેતી કે વાવણી કરી શકાય તેવી પણ સ્થિતિ રહી નથી. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને પીડિત ખેડૂતોએ તંત્ર પાસે તાત્કાલિક ધોરણે પંપિંગ કે અન્ય વિકલ્પ દ્વારા પાણીનો યોગ્ય નિકાલ કરાવવાની અને થયેલા પાક નુકસાનીનું યોગ્ય વળતર ચૂકવવાની આક્રમક માંગ કરી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/junagadh/junagadh-news-no-compromise-with-the-sanctity-of-girnar-saints-take-to-the-streets-against-the-adulteration-of-liquor-demand-a-police-investigation" target="_blank">Junagadh News : ગિરનારની પવિત્રતા સાથે બાંધછોડ નહીં! દારૂના દૂષણ સામે સંતો મેદાને, પોલીસ તપાસની માંગ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/dVaDcznFNoKF1y2ztTomwjs3TssU7R3g7vBRuMlK.webp'/></item><item><title><![CDATA[Govinda Divorce : ગોવિંદાથી છૂટાછેડા નહીં લે સુનીતા આહૂજા! સામે આવ્યું ફેમિલી કોર્ટ પહોંચવાનું સાચું કારણ ]]></title><link>https://sandesh.com/entertainment/news/govinda-sunita-ahuja-family-court-divorce-reason</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/govinda-sunita-ahuja-family-court-divorce-reason</guid><pubDate>Wed, 19 Aug 2026 17:57:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અભિનેતા ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહૂજા લાંબા સમયથી પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. બંને વચ્ચેનો અણબનાવ હવે જાહેરમાં પણ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ગોવિંદા અને સુનીતાના છૂટાછેડાને લઈને સમાચાર આવ્યા હતા. એવા અહેવાલ હતા કે સુનીતાએ છૂટાછેડા માટે કેસ કર્યો છે. બુધવારે સુનીતા ફેમિલી કોર્ટની બહાર પણ જોવા મળી હતી. ત્યારથી બંનેના છૂટાછેડાના સમાચારને વધુ વેગ મળ્યો હતો. જોકે, હવે સુનીતા ફેમિલી કોર્ટમાં શા માટે ગઈ હતી તેનું કારણ સામે આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>છૂટાછેડાનો કેસ પાછો લેવા કોર્ટ પહોંચી હતી સુનીતા</b></h2><p style="text-align: justify; ">સુનીતા ફેમિલી કોર્ટમાં છૂટાછેડાનો કેસ પાછો લેવા માટે ગઈ હતી. મીડિયા રિપોર્ટ મુજબ, સુનીતાએ છૂટાછેડાનો કેસ કર્યો હતો અને એ જ કેસ પાછો ખેંચવા માટે તે ફેમિલી કોર્ટ પહોંચી હતી.</p><h3 style="text-align: justify; "><b>ગોવિંદાના મેનેજરે પણ કરી પુષ્ટિ</b></h3><p style="text-align: justify; ">ગોવિંદાના મેનેજર શશી સિંહાએ પણ આ સમાચારની પુષ્ટિ કરી છે. તેણે કહ્યું, એકવાર તે કોર્ટ પહોંચી ગઈ તો આખી દુનિયાને ખબર પડી ગઈ. શું દુનિયાને આ જાણવાની જરૂર હતી? તેની કોઈ જરૂર નથી. પરિવારની વાતો પરિવાર સુધી જ રહેવી જોઈએ. બેસીને વાત કરવાથી ઘણી બાબતો ઠીક થઈ જાય છે. જો આજે કેસ પાછો જ લેવો હતો, તો કેસ કર્યો જ શા માટે હતો? આ વાતનું મને દુઃખ થાય છે. આપણે તમાશો શા માટે બનીએ? બધું ખૂબ અચાનક થયું. ગોવિંદાની કોઈ પ્રતિક્રિયા નથી. ભગવાન સૌને સદબુદ્ધિ આપે. સૌ સમજદારીથી કામ કરે. મેં હંમેશા ગોવિંદા, સુનીતા અને તેમના બાળકો માટે સારું જ કહ્યું છે.</p><h4 style="text-align: justify; "><b>આ ફિલ્મથી ગોવિંદા કમબેક કરી રહ્યા છે</b></h4><p style="text-align: justify; ">ગોવિંદા અને સુનીતા વચ્ચે લાંબા સમયથી અણબનાવ જોવા મળી રહ્યો છે. સુનીતા ગોવિંદા પર અનેક આરોપો પણ લગાવી ચૂકી છે. તેણે ગોવિંદાને સુગર ડેડી પણ કહ્યા હતા. ગોવિંદા રાની સ્વર્ણકાર સાથે એક ફિલ્મમાં કામ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મનું નામ રૂપા છે અને ગોવિંદાએ તેની સત્તાવાર જાહેરાત પણ કરી છે. ગોવિંદા અને રાનીને ઘણી વખત સાથે જોવા મળ્યા છે. તાજેતરમાં બંને એરપોર્ટ પર પણ જોવા મળ્યા હતા.</p><h4 style="text-align: justify; "><b>સુનીતા અને ગોવિંદા વચ્ચે શરૂ થઈ શાબ્દિક જંગ</b></h4><p style="text-align: justify; ">ગોવિંદા અને રાનીને લઈને સુનીતાએ જાહેરમાં પ્રતિક્રિયા આપી હતી. સુનીતાએ કહ્યું હતું કે ફિલ્મનું પ્રમોશન થઈ રહ્યું છે, પરંતુ પ્રમોશન માટે પહેલાં ફિલ્મ તો બને. ફિલ્મ બન્યા પહેલાં જ પ્રમોશન થઈ રહ્યું છે. તેમણે ગોવિંદા પર પોતાની દીકરીની ઉંમરની યુવતી સાથે ફરવાનો આરોપ પણ લગાવ્યો હતો. રાની વિશે વાત કરતાં સુનીતાએ કહ્યું હતું કે જો આટલા પૈસાવાળો માણસ સાથે છે તો કપડાં તો યોગ્ય રીતે પહેરવા જોઈએ.</p><h4 style="text-align: justify; "><b>મર્યાદામાં રહેવું જોઈએ: ગોવિંદા</b></h4><p style="text-align: justify; ">ત્યારબાદ ગોવિંદાએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. ગોવિંદાએ કહ્યું હતું કે સુનીતાએ પોતાની મર્યાદામાં રહેવું જોઈએ. તેમણે કહ્યું હતું કે સુનીતા તેમનું નામ ખરાબ કરવાની કોઈ કસર છોડી રહી નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે ઘણા મોટા કલાકારોએ પોતાના કરતાં નાની ઉંમરની અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે, પરંતુ સુનીતા તેમને બદનામ કરી રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/bigg-boss-contestant-salman-khan-evicted" target="_blank">આ પણ વાંચો-Reality Show : બિગ બોસની એ હસીના જેણે વટાવી હતી બધી હદો, સલમાન ખાને બતાવ્યો હતો ઘરની બહારનો રસ્તો!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/IBsWy1LkI5sHMOcRNZobjP2AsCw8CM4z7PpLYKHz.webp'/></item><item><title><![CDATA[Amazon ને ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા બદલ  ફટકાર્યો 1 લાખનો દંડ, ભગવાનના પ્રસાદના નામે વેચતા હતા મિઠાઇ ]]></title><link>https://sandesh.com/business/news/amazon-fined-selling-fake-ayodhya-ram-mandir-prasad</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/amazon-fined-selling-fake-ayodhya-ram-mandir-prasad</guid><pubDate>Wed, 19 Aug 2026 16:03:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન પર સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ ₹1 લાખનો દંડ ફટકાર્યો છે. એમેઝોનના પ્લેટફોર્મ પર સામાન્ય મીઠાઈઓને "શ્રી રામ મંદિર અયોધ્યા પ્રસાદ" તરીકે વેચવામાં આવી રહી હતી, જેની સામે ઓથોરિટીએ આ કડક પગલું ભર્યું છે.</p><h2 style="text-align: justify; "><b>એમેઝોન પર કરાયું હતુ ભ્રામક લિસ્ટિંગ</b></h2><p style="text-align: justify; ">તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પાસેથી આ નામ હેઠળ પ્રોડક્ટ્સ વેચવા માટે એમેઝોન કે સંબંધિત વિક્રેતાઓ પાસે કોઈ અધિકૃત પરવાનગી નહોતી. ઓથોરિટીના જણાવ્યા અનુસાર, 22 જાન્યુઆરી, 2024 ના રોજ અયોધ્યામાં યોજાયેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઐતિહાસિક પ્રસંગ પૂર્વે જ એમેઝોન પર આવી ભ્રામક લિસ્ટિંગ કરવામાં આવી હતી. આનાથી દેશભરના લાખો ગ્રાહકોની ધાર્મિક આસ્થા અને વિશ્વાસનો ખોટો દુરુપયોગ થયો હતો.</p><h3 style="text-align: justify; "><b>એમેઝોનને ₹1 લાખનો દંડ</b></h3><p style="text-align: justify; ">CCPA એ 19 જાન્યુઆરી, 2024 ના રોજ એમેઝોનને કારણ બતાવો નોટિસ જાહેર કરી હતી, જે બાદ પ્લેટફોર્મે તે લિસ્ટિંગ દૂર કરી દીધી હતી. જોકે, એમેઝોને પોતાને માત્ર એક 'મધ્યસ્થી' (Intermediary) ગણાવીને બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. ઓથોરિટીએ આ દલીલ નકારી કાઢી જણાવ્યું હતું કે એમેઝોન જેવું મોટું પ્લેટફોર્મ આવી ગેરમાર્ગે દોરનારી પ્રોડક્ટ્સને મંજૂરી આપીને ગ્રાહકોના મનમાં તેની વાસ્તવિકતા વિશે ખોટો વિશ્વાસ ઊભો કરે છે. આ લિસ્ટિંગમાંથી 'ચંદુ ટ્રેડિંગ કંપની' નામના વેચનારે ₹25 લાખથી વધુનું વેચાણ કર્યું હતું, જ્યારે એમેઝોને પણ તેમાંથી કમિશન મેળવ્યું હતું.</p><h4 style="text-align: justify; "><b>15 દિવસમાં ₹1 લાખની દંડની રકમ જમા કરવાનો આદેશ</b></h4><p style="text-align: justify; ">ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019 અને ઈ-કોમર્સ નિયમો, 2020 હેઠળ એમેઝોનને દોષિત ઠેરવતા ઓથોરિટીએ 15 દિવસમાં ₹૧ લાખની દંડની રકમ જમા કરાવવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત, ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે CCPA એ દેશના ૧૦ મુખ્ય ધાર્મિક સ્થળો જેમ કે શ્રી રામ જન્મભૂમિ મંદિર, તિરુપતિ બાલાજી, વૈષ્ણો દેવી, કાશી વિશ્વનાથ, જગન્નાથ પૂરી, સોમનાથ, બદ્રીનાથ, કેદારનાથ, દ્વારકાધીશ અને મહાકાલેશ્વરના નામે કોઈપણ પરવાનગી વગર પ્રસાદ કે ભોગનું વેચાણ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. એમેઝોનને વિક્રેતાઓ શ્રેષ્ઠ અને સ્પષ્ટ વિગતો પ્રદર્શિત કરે તેમજ કીવર્ડ-આધારિત કડક ફિલ્ટરિંગ સિસ્ટમ લાગુ કરે તે સુનિશ્ચિત કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/jharkhand-exam-controversy-students-protest-22-exams-cancelled" target="_blank">આ પણ વાંચોઃ Jharkhand : રાંચીમાં વિદ્યાર્થી આંદોલન 2 મહિના માટે સ્થગિત, સરકારને 60 દિવસનું અલ્ટીમેટમ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/dtD6aicHFgoQvQ4GvGTl3HFfECDDeOttAqEVC25G.webp'/></item><item><title><![CDATA[Hockey World Cup ના ઇતિહાસમાં ભારતની ઐતિહાસિક જીત, છતાં ખેલાડીઓ અને મેનેજમેન્ટમાં ચિંતાનું મોજું ]]></title><link>https://sandesh.com/sports/news/indias-historic-win-yet-the-end-indian-player-ishika-chaudhary-seriously-injured</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/indias-historic-win-yet-the-end-indian-player-ishika-chaudhary-seriously-injured</guid><pubDate>Wed, 19 Aug 2026 15:14:56 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નેધરલેન્ડ્સના એમ્સ્ટલવીનમાં રમાયેલી મહિલા હોકી વર્લ્ડ કપની મેચમાં ભારતીય મહિલા હોકી ટીમે દક્ષિણ આફ્રિકાને 6-1થી હરાવીને વર્લ્ડ કપના ઇતિહાસમાં પોતાની સૌથી મોટી જીત નોંધાવી છે. આ વિજય સાથે ભારતે નોકઆઉટ રાઉન્ડમાં પહોંચવાની આશાઓ મજબૂત કરી લીધી છે. જોકે, મેચ પૂરી થવાની માત્ર ૧૫ સેકન્ડ પહેલાં જ બનેલી એક દુર્ઘટનાને કારણે ભારતીય ફેન્સ અને ટીમ મેનેજમેન્ટમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.</p><h2 style="text-align: justify;"><b>છેલ્લી ૧૫ સેકન્ડમાં મોટો અકસ્માત, ઈશિકા ઇજાગ્રસ્ત</b></h2><p style="text-align: justify;">મેચ પૂરી થવાને આરે હતી ત્યારે બોલને ડિફેન્ડ કરતી વખતે ભારતીય ડિફેન્ડર ઈશિકા ચૌધરીના કપાળ પર દક્ષિણ આફ્રિકાના ખેલાડીની હોકી સ્ટીક જોરથી વાગી ગઈ હતી. આ વાગવાની અસર એટલી તીવ્ર હતી કે ઈશિકાના કપાળમાં તરત જ ફ્રેક્ચર થઈ ગયું હતું. તેના ચહેરા પરથી સતત લોહી વહેવા લાગ્યું હતું. રક્તસ્ત્રાવ રોકવા મેડિકલ ટીમ મેદાનમાં દોડી આવી. </p><h3 style="text-align: justify;"><b>મેદાન પર ઢળી પડી ઇશિકા ચૌધરી</b></h3><p style="text-align: justify; ">હોકી સ્ટીક વાગતાં જ ઈશિકા પીડાથી કણસતી જમીન પર ઢળી પડી હતી. મેડિકલ ટીમ અને ફિઝિયોએ તાત્કાલિક મેદાન પર પહોંચીને ટીશ્યુ અને કપડા વડે લોહી રોકવાનો પ્રયાસ કર્યો હતો. ઈશિકા કપાળ પર રૂમાલ દબાવીને મેદાન બહાર ગઈ ત્યારે તેના ચહેરા પરથી સતત રક્તસ્ત્રાવ થઈ રહ્યો હતો. આ દ્રશ્ય જોઈને મેદાન પર હાજર તમામ ખેલાડીઓ પણ ગભરાઈ ગયા હતા. તેઓ ઇશિકા જલ્દી સાજી થાય તેની પ્રાર્થના કરવા લાગ્યા.</p><h4 style="text-align: justify;"><b>વર્લ્ડ કપમાં ભારતનો ઐતિહાસિક વિજય</b></h4><p style="text-align: justify;">ઈજાની આ દુઃખદ ઘટના સિવાય, આખી મેચમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન અદ્ભુત રહ્યું હતું. ગોલ કરનાર ભારતીય ખેલાડીઓ: સુનલિતા ટોપો (૧૧મી મિનિટ), નવનીત કૌર (૧૭મી મિનિટ), સુશીલા ચાનુ (૨૪મી મિનિટ), દીપિકા (૩૮મી મિનિટ), લાલરેમસિયામી (૪૩મી મિનિટ) અને સાક્ષી રાણા. દક્ષિણ આફ્રિકા મેચની ૫૬મી મિનિટે માત્ર એક જ ગોલ કરી શક્યું હતું. હવે ભારતીય ટીમ પોતાની અંતિમ ગ્રુપ મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે.</p><p style="text-align: justify;"><br></p><p style="text-align: justify;"><a href="https://sandesh.com/sports/news/national-sports-awards-2025-announced-tejaswin-shankar-and-17-other-players-to-receive-arjuna-award" target="_blank">આ પણ વાંચો : National Sports Awards 2025 announced : તેજસ્વિન શંકર અને અન્ય 17 ખેલાડીઓને મળશે અર્જુન પુરસ્કાર</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/6rES0xjvGJGcaYBb7exq4g68VD5KSlWddq8au6rK.webp'/></item></channel></rss>