<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Gujarat Assembly: ચોમાસુ સત્રનો 11 સપ્ટેમ્બરે ત્રીજો અને અંતિમ દિવસ, દુષ્કાળ અંગે લેવાઈ શકે છે નિર્ણય ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-assembly-monsoon-session-final-day-schedule</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-assembly-monsoon-session-final-day-schedule</guid><pubDate>Thu, 10 Sep 2026 20:10:54 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો 11 સપ્ટેમ્બરના રોજ ત્રીજો અને અંતિમ દિવસ છે. 11 સપ્ટેમ્બરે સવારે 10:00 વાગે ગૃહની કામગીરીનો પ્રારંભ થશે. દિવસના પ્રથમ એક કલાક દરમિયાન પ્રશ્નોત્તરી કાળ યોજાશે, જેમાં નાણાં, શહેરી વિકાસ, કૃષિ, પશુપાલન, શ્રમ અને રોજગાર, સામાજિક ન્યાય તથા પુરવઠા વિભાગને લગતા વિવિધ પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરવામાં આવશે.</p><h2><b>નિયમ 116 હેઠળ દુષ્કાળની સ્થિતિ પર ચર્ચા</b></h2><p>રાજ્યમાં પ્રવર્તતી દુષ્કાળની સ્થિતિ અંગેનો ગંભીર મુદ્દો 11 સપ્ટેમ્બરે વિધાનસભા ગૃહમાં ગાજશે. કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરી દ્વારા નિયમ 116 હેઠળ આ મુદ્દો ઉઠાવવામાં આવશે. આ ચર્ચા દરમિયાન રાજ્ય સરકાર દ્વારા દુષ્કાળ રાહત અને પશુપાલકો-ખેડૂતો માટે કરવામાં આવેલા વિવિધ કામોનો સત્તાવાર જવાબ આપવામાં આવશે.</p><h2><b>ત્રણ મહત્વપૂર્ણ સરકારી વિધેયકો થશે રજૂ</b></h2><p>સત્રના આખરી દિવસે રાજ્ય સરકાર દ્વારા ત્રણ મહત્વના કાયદાકીય સુધારા વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવશે:</p><ul><li><b>ગુજરાત ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ વિધેયક:</b> રાજ્યમાં વેપાર અને ઉદ્યોગ સાહસિકતાને વધુ સુગમ બનાવવા માટે.</li><li><b>ગુજરાત ભાડા વિધેયક:</b> ભાડા કરાર અને મકાનમાલિક-ભાડૂતના નિયમોમાં સુધારા અર્થે.</li><li>ગુજરાત ખેતીની જમીન ટુકડા પડતા અટકાવવા અને એકત્રીકરણ કરવા અંગેનું સુધારા વિધેયક: જમીનના નાના ટુકડા થતા રોકવા અને કૃષિ ક્ષેત્રે સુધારા માટે.</li></ul><h2><b>અહેવાલોની રજૂઆત અને છેલ્લા દિવસનો પ્રસ્તાવ</b></h2><p>ગૃહની કામગીરી દરમિયાન અલગ-અલગ સરકારી બોર્ડ અને નિગમોના વાર્ષિક અહેવાલો ટેબલ કરવામાં આવશે. આ ઉપરાંત, સત્રના અંતિમ દિવસે ધારાસભ્ય મોહનભાઈ ઢોળીયા દ્વારા આદિવાસી સમાજના વિકાસ કામો પર વિશેષ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-assembly-passes-animal-feed-bill-speaker-shankar-chaudhary" target="_blank">Gujarat Assembly: પશુ આહાર બીલ સર્વાનુમતે પસાર, અધ્યક્ષ શંકર ચૌધરીએ રચ્યો ઇતિહાસ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/10/PmdtYDl6rnl3oLO5iGfRDnXa2cq0jqSJBF0Ytnkt.webp'/></item><item><title><![CDATA[Mehsana News: મહેસાણાના ડાભલામાં ખાણ-ખનીજ વિભાગનો સપાટો: ₹1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/mehsana/dabhla-illegal-soil-mining-mining-department-raid</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/mehsana/dabhla-illegal-soil-mining-mining-department-raid</guid><pubDate>Thu, 10 Sep 2026 19:59:49 +05:30</pubDate><description><![CDATA[<p>મહેસાણા જિલ્લાના ડાભલા ગામે ગેરકાયદે માટીનું ખોદકામ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે ખાણ-ખનીજ વિભાગ અને વસાઈ પોલીસે સંયુક્ત રીતે દરોડો પાડ્યો હતો. ખેડૂતના ખેતરમાં કોઈ પણ જાતની મંજૂરી વગર થઈ રહેલા બિનપરવાનગી માટી ખોદકામ સામે ટીમે ત્વરિત અને સખત કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.</p><h2><b>રૂ. 1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો</b></h2><p>આ દરોડા દરમિયાન પોલીસે ઘટના સ્થળેથી માટી ખોદકામ અને પરિવહન માટે ઉપયોગમાં લેવાતા વાહનો જપ્ત કર્યા હતા. જેમાં 2 હાઇવા ડમ્પર અને 1 JCB મશીન સહિત કુલ રૂ. 1.20 કરોડનો કિંમતી મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. આ કાર્યવાહીથી સમગ્ર વિસ્તારના માટી માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.</p><h2><b>કડાના નયનસિંહ ચાવડા સામે ફરિયાદ</b></h2><p>રોયલ્ટી ચોરી અને ગેરકાયદે ખોદકામના ગંભીર આક્ષેપો હેઠળ કડા ગામના નયનસિંહ ચાવડા સામે કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ખાણ-ખનીજ વિભાગ દ્વારા આ સમગ્ર નેટવર્ક કઈ રીતે ચાલતું હતું અને તેમાં અન્ય કોણ કોણ સામેલ છે તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.</p><p><img alt="Mehsana News: Illegal Soil Mining Seized Worth Rs 1.20 Crore in Dabhla" src="https://epapercdn.sandesh.com/images/2026/09/10/Uen4PHaFE43SfH4DPg13gSTijsO5UVEZfjRu69u3.webp" style="width: 100%;"><br></p><h2><b>ખેતર માલિકનું સોગંદનામું આવ્યું સામે</b></h2><p>બીજી તરફ આ સમગ્ર મામલે ખેતર માલિકનો પણ બચાવ સામે આવ્યો છે. ખેતર માલિકે આ મામલે સોગંદનામું રજૂ કરીને દાવો કર્યો છે કે, ખેતરમાં કોઈ ગેરકાયદેસર માટીનું વેચાણ કે ચોરી કરવામાં આવી રહી ન હતી, પરંતુ ખેતરના અંદરના ભાગે સમતળ કરવા અથવા સુધારા અર્થે જ માટીકામ કરવામાં આવી રહ્યું હતું. હાલમાં પોલીસ અને ખનીજ વિભાગ બંને પાસાઓને ધ્યાનમાં રાખીને આગળની કાયદેસરની તપાસ ચલાવી રહ્યા છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/water-released-from-bhimpur-varsang-lake-to-fill-29-lakes" target="_blank">Mehsana News: ભીમપુર વરસંગ તળાવમાંથી પાણી છોડાયું, સતલાસણા અને ખેરાલુના 29 તળાવ ભરાશે</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/10/Zi7KoEhJAvgSVYCd7DIHHfayXkITTIXBmMhZWLRT.webp'/></item><item><title><![CDATA[Mandi Kullu travel: મનાલી-લદ્દાખ જતા પ્રવાસીઓને મોટી રાહત, હિમાચલમાં બે ટનલ ખુલતાં લેહ-લદ્દાખનો પ્રવાસ બનશે વધુ સરળ ]]></title><link>https://sandesh.com/india/news/manali-ladakh-new-tunnel-traffic-jam-landslide-relief</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/manali-ladakh-new-tunnel-traffic-jam-landslide-relief</guid><pubDate>Thu, 10 Sep 2026 19:43:28 +05:30</pubDate><description><![CDATA[<p>Delhi-NCR સહિત દેશભરમાંથી હિમાચલ પ્રદેશ અને લદ્દાખ ફરવા જતા લોકો માટે સારા સમાચાર છે. હિમાચલ પ્રદેશમાં બે મહત્વની ટનલ 11 સપ્ટેમ્બરથી સામાન્ય લોકો માટે ખોલવામાં આવી રહી છે. આ ટનલ નેશનલ હાઈવે-3 (NH-03)ના પંડોહ-ટકોલી સેક્શનમાં બનાવવામાં આવી છે. ટનલ શરૂ થયા બાદ મંડી અને કુલ્લુ સહિત લેહ-લદ્દાખ સુધીનો પ્રવાસ વધુ સરળ બનશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આ અંગે જાહેરાત કરી છે.</p><p><b>મંડીથી કુલ્લુનું અંતર કાપવામાં લાગતો સમય અડધો થશે</b></p><p>હાલ હિમાચલ પ્રદેશના મંડીથી કુલ્લુ પહોંચવામાં લગભગ બે કલાક લાગે છે. નવી ટનલ શરૂ થયા બાદ આ પ્રવાસનો સમય ઘટીને લગભગ એક કલાક થઈ જશે. તેનાથી મુસાફરોને ટ્રાફિક જામ, સાંકડા વળાંકો અને લેન્ડસ્લાઈડવાળા વિસ્તારોમાંથી પસાર થવામાં મોટી રાહત મળશે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/nitin_gadkari/status/2097985759693467996"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b>11 સપ્ટેમ્બરે ટનલ ખોલવામાં આવશે</b></p><p>નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે NH-03ના પંડોહ-ટકોલી સેક્શનમાં કનેક્ટિવિટીમાં મોટો ફેરફાર થશે અને 11 સપ્ટેમ્બર 2026ના રોજ દેવોડ અને હનોગીની મોટી ટનલ ખોલવામાં આવશે.</p><p><b>6 કિલોમીટરનો મુશ્કેલ રસ્તો હવે 3.5 કિલોમીટરનો થશે</b></p><p>આ પ્રોજેક્ટ હેઠળ બે ટનલ બનાવવામાં આવી છે. આ ટનલ શરૂ થયા બાદ અગાઉનો લગભગ 6 કિલોમીટર લાંબો વળાંકવાળો અને જોખમી પહાડી રસ્તો ઘટીને માત્ર 3.5 કિલોમીટર જેટલો થઈ જશે.</p><ol><li>દેવોડ ટનલ (T4-01): 2.8 કિલોમીટર લાંબી</li><li>હનોગી ટનલ (T4-02): 650 મીટર લાંબી</li></ol><p><b>ટ્રાફિક જામથી મોટી રાહત મળવાની આશા</b></p><p>જોગણી માતા મંદિર, દેવોડ અને હનોગી વિસ્તાર લાંબા સમયથી ટ્રાફિક જામ માટે જાણીતા છે. ખાસ કરીને ટુરિસ્ટ સિઝનમાં અહીં વાહનો એકથી બે કલાક સુધી અટવાઈ જતા હતા. નવી ટનલ શરૂ થયા બાદ આ વિસ્તારોમાં થતા ટ્રાફિક જામથી કાયમી રાહત મળવાની આશા છે.</p><p><b>મનાલી અને લદ્દાખ જતા પ્રવાસીઓને પણ ફાયદો થશે</b></p><p>આ રસ્તો માત્ર હિમાચલના પર્યટન સ્થળો માટે જ મહત્વનો નથી, પરંતુ લેહ-લદ્દાખ જતા લોકો માટે પણ ખૂબ ઉપયોગી છે. ટનલ શરૂ થયા બાદ મનાલી જતા પ્રવાસીઓનો સમય બચશે. રોહતાંગ અને લાહૌલ-સ્પીતિનો પ્રવાસ પણ સરળ બનશે. આ ઉપરાંત લેહ-લદ્દાખ તરફ જતા સૈન્ય કાફલાઓને પણ ઝડપી અને વધુ સુરક્ષિત માર્ગ મળશે.</p><p><b>શિયાળામાં પણ કનેક્ટિવિટી સુધરશે</b></p><p>આ માર્ગ પર દરેક સિઝનમાં સારી કનેક્ટિવિટી જળવાઈ રહે તે દિશામાં પણ આ ટનલ મહત્વની છે. અત્યાર સુધી શિયાળાની સિઝનમાં ભારે બરફવર્ષા સહિતની સમસ્યાઓના કારણે આ રસ્તો ઘણીવાર બંધ થઈ જતો હતો. નવી ટનલથી મુસાફરોને વધુ સારી કનેક્ટિવિટી મળવાની આશા છે.</p><p><b>લેન્ડસ્લાઈડવાળા જોખમી વિસ્તારોને બાયપાસ કરાશે</b></p><p>પંડોહ અને હનોગી વિસ્તારમાં વારંવાર લેન્ડસ્લાઈડની ઘટનાઓ બને છે. દર વર્ષે અહીં પહાડ પરથી પથ્થરો અને ચટ્ટાનો પડવાની ઘટનાઓ સામે આવે છે. નવી ટનલના કારણે આવા સંવેદનશીલ વિસ્તારોને બાયપાસ કરી શકાશે. આથી અગાઉની સરખામણીએ મુસાફરી વધુ સુરક્ષિત બનશે. આ બંને ટનલ પંડોહ બાયપાસ-ટકોલી 4-લેન પ્રોજેક્ટનો ભાગ છે. આશરે 18.908 કિલોમીટર લાંબા આ પ્રોજેક્ટનું નિર્માણ હાઇબ્રિડ એન્યુટી મોડ (HAM) હેઠળ કરવામાં આવ્યું છે. સમગ્ર પ્રોજેક્ટનો કુલ ખર્ચ આશરે ₹4,465.94 કરોડ છે.</p><p><b><a href="https://sandesh.com/supplement/news/ardhasaptahik/palampur-the-green-capital-of-himachal-pradesh-and-the-land-of-tea-gardens" target="_blank">આ પણ વાંચો:&nbsp; હિમાચલ પ્રદેશનું ગ્રીન કેપિટલ અને ચાના બગીચાઓની ભૂમિ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/10/t3icDW2L8FkRycbkUfLUeyWi3CIw3GRIvKEihBl2.webp'/></item><item><title><![CDATA[Vadodara Bullet Train Station: શિક્ષણ, રોજગારી અને ગતિશીલતાનું નવું કેન્દ્ર ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/bullet-train-station-youth-education-connectivity</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/bullet-train-station-youth-education-connectivity</guid><pubDate>Thu, 10 Sep 2026 19:32:45 +05:30</pubDate><description><![CDATA[<p>વડોદરા વિદ્યાર્થીઓ, યુવા વ્યાવસાયિકો અને નવી તકોનું શહેર છે. મજબૂત શૈક્ષણિક માળખા અને વિકસતી આર્થિક તકો સાથે આ શહેર ગુજરાત તેમજ દેશના વિવિધ ભાગોમાંથી વિદ્યાર્થીઓ અને યુવા પ્રતિભાઓને આકર્ષે છે. બુલેટ ટ્રેન વડોદરાની આવનારી પેઢીના યુવાનોને પ્રાદેશિક સ્તરે ઉપલબ્ધ તકો સુધી ઝડપી અને સુગમ પહોંચ માટેનું નવું માધ્યમ પૂરું પાડવા જઈ રહી છે.</p><p>એક મહત્વપૂર્ણ શૈક્ષણિક અને જ્ઞાન કેન્દ્ર તરીકે વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU), ગતિ શક્તિ યુનિવર્સિટી (GSV), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IIIT) જેવી અગ્રણી સંસ્થાઓ આવેલી છે. આ ઉપરાંત નવરચના યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટી અને સુમનદીપ વિદ્યાપીઠ જેવી ખાનગી યુનિવર્સિટીઓ પણ શહેરની શૈક્ષણિક ઓળખને વધુ મજબૂત બનાવે છે.</p><p>શિક્ષણ ઉપરાંત, વડોદરામાં રોજગાર, ઉદ્યોગસાહસિકતા, સંશોધન, ટેક્નોલોજી અને વ્યાવસાયિક તકોનો પણ સતત વિસ્તરણ થઈ રહ્યો છે. એન્જિનિયરિંગ, ઉત્પાદન, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ તથા અન્ય ઉભરતા ક્ષેત્રોમાં શહેરનો મજબૂત ઔદ્યોગિક આધાર વિદ્યાર્થીઓ અને યુવા વ્યાવસાયિકોને કારકિર્દી ઘડવા, ઇન્ટર્નશિપ કરવા તેમજ ઉદ્યોગ જગતનો વ્યવહારુ અનુભવ મેળવવાની તકો પૂરી પાડે છે. શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગોની મજબૂત હાજરીએ વડોદરામાં એક સશક્ત ‘શિક્ષણથી રોજગાર સુધી’ ઇકોસિસ્ટમ વિકસાવ્યું છે.</p><p><img alt="Vadodara Bullet Train Station: A New Hub for Education &amp; Mobility" src="https://epapercdn.sandesh.com/images/2026/09/10/YxsvxGZgphum5HEaqdW0lqrQF04WCqueQJVhk2Dm.webp"><br></p><p>હજારો વિદ્યાર્થીઓ અને યુવા વ્યાવસાયિકો માટે ગતિશીલતા સીધી રીતે તકો સાથે જોડાયેલી છે—પછી ભલે તે ઉચ્ચ શિક્ષણ, ઇન્ટર્નશિપ, પરીક્ષાઓ, રોજગાર, સંશોધન, વ્યાવસાયિક પ્રવૃત્તિઓ અથવા ઉદ્યોગ જગત સાથે જોડાવા માટેની મુસાફરી હોય કે પરિવાર અને મિત્રો સાથે જોડાયેલા રહેવા માટે પોતાના ઘરે પરત ફરવાની મુસાફરી હોય.</p><p>વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશન શહેરના હાલના પરિવહન નેટવર્ક સાથે હાઈ-સ્પીડ રેલને જોડીને આ ગતિશીલતાને વધુ મજબૂત બનાવશે. અમદાવાદ, સુરત અને મુંબઈ જેવા મુખ્ય શહેરો સાથે ઝડપી અને સુગમ કનેક્ટિવિટીથી વડોદરાના યુવાનો માટે વ્યાપક શૈક્ષણિક અને કારકિર્દીની તકો સુધી પહોંચ વધુ સરળ બનશે. સાથે જ, વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો વધુ સુવિધા સાથે પોતાના ઘરે પરત ફરી શકશે.</p><p><img alt="Vadodara Bullet Train Station: A New Hub for Education &amp; Mobility" src="https://epapercdn.sandesh.com/images/2026/09/10/bbQKHrjb6516H2ytjBo1Cu68TIioupnObj8c0VK0.webp"><br></p><p>આ સ્ટેશન વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7ની ઉપર બનાવવામાં આવી રહ્યું છે, જેનાથી બુલેટ ટ્રેન અને ભારતીય રેલવે વચ્ચે સુગમ આવાગમન શક્ય બનશે. સ્ટેશનનું સ્થાન પશ્ચિમ રેલવે સ્ટેશન તેમજ શહેરના સિટી અને ઇન્ટરસ્ટેટ બસ ડેપો સાથે પણ વધુ સારા એકીકરણને સુનિશ્ચિત કરે છે.</p><p>આ એકીકરણ ખાસ કરીને યુવા મુસાફરો માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તેઓ પોતાની સમગ્ર મુસાફરી દરમિયાન પરિવહનના વિવિધ સાધનોને સરળતાથી એકબીજા સાથે જોડી શકશે અને વધુ સુવિધાજનક તથા સરળ મુસાફરીનો અનુભવ મેળવી શકશે.</p><p><img alt="Vadodara Bullet Train Station: A New Hub for Education &amp; Mobility" src="https://epapercdn.sandesh.com/images/2026/09/10/Razz1UGUgOiel9TvNnZkIWF64gk1XOmm87br03DT.webp"><br></p><p>ફોકસ માત્ર ઝડપ પર જ નહીં, પરંતુ મુસાફરીને સરળ, આરામદાયક અને સુગમ બનાવવા પર પણ છે. સ્ટેશન પર મુસાફરો માટે આરામદાયક વેઇટિંગ લાઉન્જ, શૌચાલય અને રિટેલ સુવિધાઓ, પિક-અપ અને ડ્રોપ-ઓફ વિસ્તાર, કાર, બસ અને ઓટો માટે અલગ-અલગ પાર્કિંગ સુવિધાઓ, આધુનિક સ્ટેશન પ્લાઝા, પેસેન્જર વેઇટિંગ એરિયા, લેન્ડસ્કેપિંગ તેમજ સ્પષ્ટ અને સુવિધાજનક વે-ફાઇન્ડિંગ વ્યવસ્થા જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.</p><p><img alt="Vadodara Bullet Train Station: A New Hub for Education &amp; Mobility" src="https://epapercdn.sandesh.com/images/2026/09/10/XdDLCymWB50ojzupXqyaBuzM35QkKaOMK7KzGMuJ.webp"><br></p><p><b style="font-size: 2rem;">બુલેટ ટ્રેન સ્ટેશનનું સ્થાન અને મલ્ટી-મોડલ કનેક્ટિવિટી</b></p><p>આ આધુનિક સ્ટેશન વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7 ની ઉપર તૈયાર કરવામાં આવી રહ્યું છે. તે પશ્ચિમ રેલવે સ્ટેશન તેમજ શહેરના સિટી અને ઇન્ટરસ્ટેટ બસ ડેપો (GSRTC) સાથે સીધું સંકલિત થશે. આ સુવિધાઓને કારણે વિદ્યાર્થીઓ અને દૈનિક મુસાફરો એકથી બીજા પરિવહન સાધનમાં સરળતાથી ટ્રાન્સફર થઈ શકશે.</p><h2><b>ત્રણ ફૂટ ઓવર બ્રિજ (FOB) દ્વારા સુગમ કનેક્ટિવિટી</b></h2><p>મુસાફરોની અવરજવરને અત્યંત સરળ બનાવવા માટે સ્ટેશનને ત્રણ વિશેષ FOB વડે જોડવામાં આવશે.</p><p><b>FOB 1 (534 મીટર):</b> બુલેટ ટ્રેન સ્ટેશનને વડોદરા રેલવે સ્ટેશન અને GSRTC બસ ડેપો સાથે જોડશે; જેમાં મુસાફરો માટે ટ્રાવેલેટરની સુવિધા હશે.</p><p><b>FOB 2 (90 મીટર):</b> રેલવે ટ્રેકની ઉપરથી પસાર થઈને સ્ટેશનને અલકાપુરી વિસ્તાર સાથે જોડશે.</p><p><b>FOB 3 (51 મીટર): </b>પાર્કિંગ અને સ્ટેશન પ્લાઝા સાથે જોડાણ આપશે, જેમાં લિફ્ટ અને એસ્કેલેટર ઉપલબ્ધ રહેશે.</p><p><img alt="Vadodara Bullet Train Station: A New Hub for Education &amp; Mobility" src="https://epapercdn.sandesh.com/images/2026/09/10/bnW6puZOjjcBPaJMDKvPvJRpVQhL9cpYWpwSEs5M.webp"><br></p><h2><b>આધુનિક સુવિધાઓ અને 'વડ' ના વૃક્ષથી પ્રેરિત ડિઝાઇન</b></h2><p>સ્ટેશનની સ્થાપત્ય રચના વડના વૃક્ષથી પ્રેરિત છે, જે વડોદરાની ઓળખ અને ‘વડ’ વૃક્ષ સાથે શહેરના ઐતિહાસિક જોડાણને પ્રતિબિંબિત કરે છે. સ્ટેશનના પેસેન્જર વિસ્તારોને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે અહીં પૂરતી માત્રામાં કુદરતી પ્રકાશ ઉપલબ્ધ રહે અને મુસાફરોને બહારના આકાશનાં દૃશ્યો પણ જોવા મળે. તેનાથી સ્ટેશનની અંદર ખુલ્લું, પ્રકાશમય અને આરામદાયક વાતાવરણ ઊભું થશે.</p><p><img alt="Vadodara Bullet Train Station: A New Hub for Education &amp; Mobility" src="https://epapercdn.sandesh.com/images/2026/09/10/pFyyQylGiZmBFDFDowfmzjxz066PJqBJIF2ugHVd.webp"></p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-indigo-flight-bomb-threat-emergency-landing-airport-checking-1" target="_blank">Ahmedabad : બોમ્બની ધમકીથી ફ્લાઈટમાં ખળભળાટ, લખનૌથી દમામ જતી ઈન્ડિગો ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/10/2AhnDX6MZqoWVIMubQ5gZUfl6tVYvG14zgdanXFz.webp'/></item><item><title><![CDATA[Auto News: કારમાં CNG કિટ લગાવતાં પહેલાં જાણો આ 5 બાબતો, વોરંટીથી ઈન્શ્યોરન્સ સુધી પડશે અસર ]]></title><link>https://sandesh.com/business/automobile/news/aftermarket-cng-kit-car-warranty-insurance-rto-rules</link><guid isPermaLink="true">https://sandesh.com/business/automobile/news/aftermarket-cng-kit-car-warranty-insurance-rto-rules</guid><pubDate>Thu, 10 Sep 2026 19:18:58 +05:30</pubDate><description><![CDATA[<p>પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અને E20ને લઈને લોકોની ચિંતાઓ વચ્ચે કારને CNGમાં કન્વર્ટ કરાવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. બજારમાં ઘણી એવી કાર છે, જેમાં કંપની તરફથી CNGનો વિકલ્પ આપવામાં આવતો નથી. આવી સ્થિતિમાં લોકો ખર્ચ ઘટાડવા માટે આફ્ટરમાર્કેટ CNG કિટ લગાવી રહ્યા છે. જોકે, કારમાં CNG કિટ લગાવતા પહેલાં તેના કારણે ઈન્શ્યોરન્સ અને વોરંટી પર શું અસર થશે તે સમજવું જરૂરી છે.</p><p><b>આફ્ટરમાર્કેટ CNG કિટનો સૌથી મોટો ફાયદો</b></p><p>આફ્ટરમાર્કેટ CNG કિટનો સૌથી મોટો ફાયદો એ છે કે જે કારમાં કંપની તરફથી CNGનો વિકલ્પ નથી, તેને પણ CNGમાં બદલી શકાય છે. સામાન્ય રીતે આફ્ટરમાર્કેટ CNG કિટ લગાવવાનો ખર્ચ કંપનીની ફેક્ટરી-ફિટેડ CNG કારના પેટ્રોલ મોડલની સરખામણીએ મળતા વધારાના પ્રીમિયમ કરતાં 25થી 30 ટકા ઓછો હોઈ શકે છે. જૂની પેટ્રોલ કારમાં પણ માઈલેજનો ખર્ચ ઘટાડવા માટે લોકો CNG કન્વર્ઝન કરાવે છે.</p><p><b>દરેક કારને CNGમાં કન્વર્ટ કરી શકાતી નથી</b></p><p>ધારો કે કોઈ SUVનું CNG મોડલ કંપની વેચતી નથી, તો તેનો માલિક આફ્ટરમાર્કેટ કિટ લગાવી શકે છે. આ ઉપરાંત જૂની અથવા સેકન્ડ હેન્ડ પેટ્રોલ કારને પણ CNGમાં કન્વર્ટ કરીને રોજનો ઈંધણ ખર્ચ ઘટાડી શકાય છે. જોકે, દરેક કાર CNG કન્વર્ઝન માટે યોગ્ય હોતી નથી. સામાન્ય રીતે માત્ર પેટ્રોલ કારને જ CNGમાં કન્વર્ટ કરી શકાય છે.</p><p><b>CNG કિટ લગાવવાથી કંપનીની વોરંટી પર અસર</b></p><p>CNG કિટ લગાવતા પહેલાં કારની કંપની વોરંટી અંગે માહિતી મેળવવી સૌથી જરૂરી છે. કિટ સરકાર દ્વારા મંજૂર હોય અને અધિકૃત ઇન્સ્ટોલર પાસેથી લગાવવામાં આવી હોય તો પણ આફ્ટરમાર્કેટ CNG કિટના કારણે કંપનીની પાવરટ્રેન વોરંટી સમાપ્ત થઈ શકે છે. કેટલીક કંપનીઓ એન્જિન સિવાયના ભાગો પર વોરંટી ચાલુ રાખી શકે છે, પરંતુ તે કંપનીના નિયમો પર આધાર રાખે છે.</p><p><b>કેટલાક ઇન્સ્ટોલર અલગથી વોરંટી આપે છે</b></p><p>કેટલાક CNG કિટ ઇન્સ્ટોલર પોતાની તરફથી થર્ડ પાર્ટી વોરંટી પણ આપે છે. જોકે, તેના માટે અલગથી વધુ પૈસા ચૂકવવા પડી શકે છે. સામાન્ય રીતે આફ્ટરમાર્કેટ CNG કિટ પર 1થી 2 વર્ષની વોરંટી આપવામાં આવે છે. તેથી કિટ લગાવતા પહેલાં વોરંટીની શરતો સારી રીતે તપાસવી જરૂરી છે.</p><p><b>CNG ટાંકીથી ડિક્કીની જગ્યા ઘટી શકે છે</b></p><p>આફ્ટરમાર્કેટ CNG કિટની બીજી મોટી સમસ્યા કારની ડિક્કીની જગ્યા છે. ફેક્ટરી-ફિટેડ CNG કારમાં કંપનીઓ અંડરબોડી અથવા ડ્યુઅલ-ટેન્ક જેવા વિકલ્પ આપે છે, જેથી ડિક્કીમાં વધુ જગ્યા રહે. પરંતુ આફ્ટરમાર્કેટ કિટમાં સામાન્ય રીતે મોટી સિંગલ CNG ટાંકી લગાવવામાં આવે છે. તેના કારણે ડિક્કીની ઘણી જગ્યા રોકાઈ જાય છે.</p><p><b>આફ્ટરમાર્કેટ CNGની ઈન્શ્યોરન્સ પર પણ અસર</b></p><p>કારમાં બહારથી CNG કિટ લગાવ્યા બાદ તેના ઈન્શ્યોરન્સ પર પણ અસર થઈ શકે છે. CNG કિટ લગાવ્યા બાદ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ થોડું વધી શકે છે. આ ઉપરાંત તમારી ઈન્શ્યોરન્સ કંપનીને CNG કિટ વિશે જાણ કરીને પોલિસીમાં જરૂરી ફેરફાર કરાવવો પડે છે. CNG કિટ લગાવ્યા બાદ કારની કુલ ઈન્શ્યોર્ડ વેલ્યુ એટલે કે IDVમાં ફેરફાર થઈ શકે છે. બહારથી લગાવવામાં આવેલી CNG કિટની કિંમતને પણ કારની કુલ કિંમતમાં જોડવામાં આવે છે. ત્યારબાદ ઈન્શ્યોરન્સ કંપની પોલિસીમાં CNG કિટ અને તેની કિંમતની માહિતી અપડેટ કરે છે.</p><p><b>RTO અને ઈન્શ્યોરન્સ કંપનીને માહિતી આપવી જરૂરી</b></p><p>જો તમે કારમાં CNG કિટ લગાવી છે, તો તેની માહિતી ઈન્શ્યોરન્સ કંપનીને આપવી જરૂરી છે. સાથે જ RTOના RCમાં પણ CNGની માહિતી અપડેટ કરાવવી જોઈએ. જો આ પ્રક્રિયા કરવામાં ન આવે તો ભવિષ્યમાં ઈન્શ્યોરન્સ ક્લેમ કરવામાં મુશ્કેલી થઈ શકે છે.</p><p><b>માહિતી છુપાવવાથી ક્લેમ રિજેક્ટ થઈ શકે છે</b></p><p>જો CNG કિટ લગાવવાની માહિતી ઈન્શ્યોરન્સ કંપનીને આપવામાં આવી નથી અને RCમાં પણ CNGની માહિતી અપડેટ કરવામાં આવી નથી, તો ભવિષ્યમાં ક્લેમ નામંજૂર થવાનું જોખમ રહે છે. ખાસ કરીને અકસ્માત અથવા આગથી કારને નુકસાન થયું હોય ત્યારે આ બાબત મહત્વની બની શકે છે. તેથી CNG કિટ લગાવતા પહેલાં વોરંટી, ઈન્શ્યોરન્સ અને RTOની તમામ જરૂરી પ્રક્રિયા જાણી લેવી જોઈએ.&nbsp;</p><p><b><a href="https://sandesh.com/business/news/automobile/e20-petrol-impact-ev-cng-car-demand" target="_blank">આ પણ વાંચો: E-20 Petrolની ફરિયાદોને પગલે EV-CNG ગાડીઓની ફુલ ડિમાન્ડ! 6 મહિના સુધી વેઇટિંગ વધ્યું!</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/10/VbPRmARffQWv5TiqyZJhH1Kuq3XgPwnV5JGsNdBG.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : મંજૂરી વગર ઝાડ કાપવાનો ખેલ ભારે પડ્યો, ચિત્રા એડ એજન્સી સામે સરખેજ પોલીસમાં ફરિયાદ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-chitra-ad-agency-tree-cutting-amc-police-complaint</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-chitra-ad-agency-tree-cutting-amc-police-complaint</guid><pubDate>Thu, 10 Sep 2026 19:10:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદમાં ચિત્રા એડ એજન્સી સામે અમદાવાદ મહાનગરપાલિકાએ કાર્યવાહી શરૂ કરી છે. YMCAથી યોગા સર્કલ રોડ પર મંજૂરી વગર ઝાડ કાપવામાં આવ્યા  હોવાના મામલે મનપાએ એજન્સીને નોટિસ પાઠવી હતી. નોટિસનો જવાબ ન આપતાં હવે સરખેજ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>ઝાડ કાપવાની મંજૂરી કોણે આપી? મનપાની નોટિસ છતાં ખુલાસો નહીં</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, YMCAથી યોગા સર્કલ તરફ જતા રોડ પર ચિત્રા એડ એજન્સી દ્વારા મંજૂરી વગર ઝાડ કાપવામાં આવ્યા હતા. મામલો ધ્યાન પર આવતા મનપાએ એજન્સીને નોટિસ પાઠવી 3 દિવસમાં ખુલાસો રજૂ કરવા જણાવ્યું હતું. પરંતુ નિર્ધારિત સમયમર્યાદામાં એજન્સી દ્વારા કોઈ ખુલાસો ન કરવામાં આવતા મનપાએ હવે સરખેજ પોલીસને જાણ કરી છે.</p><p style="text-align: justify; "><img alt="Ahmedabad Chitra Ad Agency Tree Cutting Complaint" src="https://epapercdn.sandesh.com/images/2026/09/10/f6NpE5e5JszzGlYvHoe091PZzpsVN9rZSKZa2MgZ.webp" style="width: 100%;"><br></p><h3 style="text-align: justify; "><b>અગાઉ પણ ઝાડ કાપ્યા હતા, ત્યારે રૂ.10 લાખનો દંડ</b></h3><p style="text-align: justify; ">ચિત્રા એડ એજન્સી સામે આ પહેલી કાર્યવાહી નથી. અગાઉ પણ એજન્સી દ્વારા મંજૂરી વગર ઝાડ કાપવામાં આવ્યા હોવાનો મામલો સામે આવ્યો હતો. તે સમયે મનપાએ કાર્યવાહી કરીને એજન્સીને રૂ.10 લાખનો દંડ ફટકાર્યો હતો.</p><p style="text-align: justify; "><img alt="Ahmedabad Chitra Ad Agency Tree Cutting Complaint" src="https://epapercdn.sandesh.com/images/2026/09/10/IRSsTuhjvoMbt79aCArM382YRV71Gui1xibEiG33.webp" style="width: 100%;"><br></p><h4 style="text-align: justify; "><b>એક પછી એક વિવાદ, હવે પોલીસ સુધી પહોંચ્યો મામલો</b></h4><p style="text-align: justify; ">અગાઉ ઝાડ કાપવાના મામલે દંડ અને હવે મંજૂરી વગર ઝાડ કાપવાના મામલે નોટિસ બાદ પોલીસમાં જાણવાજોગ ફરિયાદ થતાં ચિત્રા એડ એજન્સી સામે મનપાનું વલણ વધુ કડક બન્યું છે. હવે પોલીસ અને મનપાની આગળની કાર્યવાહી બાદ રોડ કાપવાની કામગીરી કયા હેતુથી અને કોની મંજૂરી વિના કરવામાં આવી હતી તે અંગે વધુ વિગતો સામે આવી શકે છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; : <a href="https://sandesh.com/gujarat/news/political-news/ahmedabad/statue-of-unity-gujarat-national-film-awards-ekta-nagar-uddhav-thackeray-political-row" target="_blank"><b>Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/10/TnxoAIFf5e5iq9WY9mp8yGO4BRjucnAoGjk87qUr.webp'/></item><item><title><![CDATA[Fact Check: 2026નો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ ગુજરાતમાં યોજાશે કે નહીં? થયો હવે મસમોટો ખુલાસો ]]></title><link>https://sandesh.com/india/news/72nd-national-film-awards-2026-in-gujarat-is-first-time-outside-delhi-is-misleading</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/72nd-national-film-awards-2026-in-gujarat-is-first-time-outside-delhi-is-misleading</guid><pubDate>Thu, 10 Sep 2026 18:34:04 +05:30</pubDate><description><![CDATA[<p>2026નો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દિલ્હીને બદલે ગુજરાતમાં યોજાશે. રાજધાનીની બહાર આ કાર્યક્રમ યોજાઈ રહ્યો હોય તેવી ઘટના 72 વર્ષમાં આ પહેલીવાર નથી બની; અગાઉ 1971માં ચેન્નાઈ ખાતે સમારોહ યોજીને આ પરંપરા તોડવામાં આવી હતી. 2026નો કાર્યક્રમ ગુજરાતના કેવડિયા ખાતે યોજાવાનું નક્કી કરવામાં આવ્યું છે, જોકે, હવે આ મામલે PIBના ફેક્ટ ચેકમાં આ દાવાને ભ્રામક ગણાવ્યો છે.&nbsp;</p><p><br></p><p>17મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ 1971માં ચેન્નાઈ ખાતે યોજાયો હતો. પરંતુ આ તમામ ખબરો હવે ભ્રામક સાબિત થઈ છે. નોંધનીય છે કે, માહિતી અને પ્રસારણ મંત્રાલયે દેશના અન્ય ભાગોમાં પણ આ સમારોહ યોજવાનો નિર્ણય લીધો છે. પરંતુ ગુજરાતમાં યોજાવવાની વાત અંગે PIB એ સ્પષ્ટતા કરી કે આ દાવો તથ્યોથી વિપરીત છે.</p><p><img alt="pib" src="https://epapercdn.sandesh.com/images/2026/09/10/WdwUuYRrVCA9g3Ff8rfoc9tRJDgl4UtaZc0SeeRh.webp"><br></p><h4><b>રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતાઓની યાદી</b></h4><p>મળતી માહિતી અનુસાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની 72મી આવૃત્તિ જેના વિજેતાઓની જાહેરાત જુલાઈમાં કરવામાં આવી હતી.  ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતાઓની યાદી પહેલેથી જ જાહેર કરવામાં આવી છે. 'આર્ટિકલ 370' (Article 370) ફિલ્મને શ્રેષ્ઠ ફીચર ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી છે, જ્યારે તેની મુખ્ય અભિનેત્રી યામી ગૌતમને શ્રેષ્ઠ અભિનેત્રીના પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી છે. મલયાલમ સુપરસ્ટાર મમ્મૂટી અને બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન અનુક્રમે 'બ્રહ્મયુગમ' (Bramayugam) અને 'ચંદુ ચેમ્પિયન' (Chandu Champion) માં તેમની ભૂમિકાઓ માટે સંયુક્ત રીતે શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મેળવશે.</p><p><br></p><p>આ સિવાય વિનાયક દામોદર સાવરકરના જીવન પર આધારિત ફિલ્મ 'સ્વતંત્ર્ય વીર સાવરકર' (Swatantrya Veer Savarkar) માટે અભિનેતા-ફિલ્મ નિર્માતા રણદીપ હુડ્ડાની શ્રેષ્ઠ ડેબ્યૂ ડિરેક્ટર (પ્રથમ વખત દિગ્દર્શન કરનાર શ્રેષ્ઠ દિગ્દર્શક) તરીકે પસંદગી કરવામાં આવી છે. તેલુગુ ફિલ્મ 'કલ્કી 2898 એડી' (Kalki 2898 AD) ને સંપૂર્ણ મનોરંજન પૂરું પાડતી શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મનો પુરસ્કાર મળશે. વધુમાં, અરુણ મથેશ્વરન દ્વારા નિર્દેશિત અને ધનુષ અભિનીત તમિલ ફિલ્મ 'કેપ્ટન મિલર' (Captain Miller) ને રાષ્ટ્રીય, સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી શ્રેષ્ઠ ફીચર ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી છે.</p><p><br>આ પણ વાંચો:<a href="https://sandesh.com/gallery/news/lifestyle/wheatgrass-juice-benefits--boost-immunity--digestion-and-weight-loss" target="_blank"><b> પેટને અંદરથી ઠંડુ રાખવામાં કરે છે મદદ, પીઓ આ એક રસ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/10/JFtPApqBbUMBQCboq1wO1UF5ToKoppncRk5kRev6.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : એકા ક્લબના રૂ.20 કરોડના ટેક્સથી લઈને રોડ કોન્ટ્રાક્ટર સુધી, મનપાની સ્ટેન્ડિંગ કમિટીના 5 મોટા નિર્ણયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-amc-standing-committee-eka-club-tax-road-contractors-decisions</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-amc-standing-committee-eka-club-tax-road-contractors-decisions</guid><pubDate>Thu, 10 Sep 2026 18:04:41 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એકા ક્લબના બાકી ટેક્સથી લઈને રોડની કામગીરી, ફટાકડા વેચાણ, AMTSના ભાડા અને રોડ પર ઉભા રહેતા શાકભાજીના ફેરિયાઓને લઈને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. ખાસ કરીને રૂ.20 કરોડના ટેક્સ વિવાદમાં મનપાની લીગલ ટીમની બેદરકારી સામે સવાલો ઉઠ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>એકા ક્લબના રૂ.20 કરોડના ટેક્સ મામલે મનપા ભીંસમાં</b></h2><p style="text-align: justify; ">એકા ક્લબને શૈક્ષણિકના બદલે કોમર્શિયલ ટેક્સ ભરવા અંગે મનપાએ વર્ષ 2019માં નોટિસ આપી હતી. જોકે, કોર્ટની કાર્યવાહી દરમિયાન મનપા જરૂરી દસ્તાવેજો રજૂ કરી શક્યું નહોતું. કોર્ટ દ્વારા નોટિસની નકલ માંગવામાં આવી હતી, પરંતુ મનપા તે પણ રજૂ કરી શક્યું ન હતું. આ સ્થિતિને કારણે કોર્ટ દ્વારા કાર્યવાહી પર સ્ટે આપવામાં આવ્યો હતો. હવે મનપાએ તમામ જરૂરી દસ્તાવેજી પુરાવા એકત્ર કર્યા છે અને આગામી મુદતમાં કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ મામલે લીગલ ટીમના અધિકારીઓની બેદરકારીને કારણે મનપાને નુકસાન થયું હોવાના સવાલો ઉઠ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>ફટાકડા વેચનારને દિવાળી પહેલાં મોટી રાહત</b></h3><p style="text-align: justify; ">દિવાળી દરમિયાન ખુલ્લા પ્લોટમાં ફટાકડા વેચનારા વેપારીઓ માટે પણ મહત્વનો નિર્ણય લેવાયો છે. ખુલ્લા પ્લોટમાં ફટાકડા વેચાણ માટે BU પરમિશનની જરૂરિયાત નહીં રહે, પરંતુ ફાયર NOC ફરજિયાત રહેશે. આ અંગે ફાયર વિભાગ અને મ્યુનિસિપલ કમિશનરને જાણ કરવામાં આવી છે.</p><h4 style="text-align: justify; "><b>5 રોડ અધૂરા છોડ્યા, હવે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા સૂચના</b></h4><p style="text-align: justify; ">શ્રીજી ઇન્ફ્રાને મનપાએ અલગ-અલગ સ્થળે 5 રોડના કામ સોંપ્યા હતા. પરંતુ કામ અધૂરું છોડવામાં આવ્યું હોવાના આક્ષેપો છે. અગાઉ નોટિસ આપવામાં આવી હોવા છતાં જવાબ ન મળતા હવે કંપનીને બ્લેકલિસ્ટ કરવા સૂચના આપવામાં આવી છે.</p><h4 style="text-align: justify; "><b>લગ્ન માટે AMTS ભાડે લેવાનું હવે સસ્તું બનશે?</b></h4><p style="text-align: justify; ">લગ્ન સહિતના પ્રસંગો માટે AMTS બસ ભાડે લેવા માટે હાલ આવવા-જવા માટે રૂ.8,000 સુધીનો ખર્ચ થતો હોવાના કારણે લોકોને પૂરતો લાભ મળતો ન હતો. હવે ગરીબ અને મધ્યમવર્ગના લોકો પણ તેનો લાભ લઈ શકે તે માટે ભાડામાં ઘટાડો કરવાની તૈયારી છે. નવી પોલિસી બનાવી નવા ભાડા નક્કી કરવામાં આવશે.</p><h4 style="text-align: justify; "><b>રોડ પરના શાકભાજીના ફેરિયાઓ માટે પણ મોટો નિર્ણય</b></h4><p style="text-align: justify; ">શાક માર્કેટ બનાવવામાં આવ્યા બાદ થડા ફાળવવામાં આવ્યા હોવા છતાં કેટલાક ફેરિયાઓ રોડ પર જ ઊભા રહેતા હોવાના મુદ્દે મનપાએ કડક નિર્ણય લીધો છે. હવે થડા ધરાવતા શાકભાજી વેચનારને ફરજિયાત શાક માર્કેટમાં ખસેડવામાં આવશે અને રોડ પરના ગેરકાયદે ફેરિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. એક તરફ ટેક્સ વસૂલાતમાં થયેલી બેદરકારી સામે મનપા દસ્તાવેજો સાથે કોર્ટમાં જવાની તૈયારી કરી રહી છે, તો બીજી તરફ શહેરના રોડ, ટ્રાફિક અને વેપાર વ્યવસ્થાને લઈને પણ કડક વલણ અપનાવવામાં આવ્યું છે.&nbsp; &nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/political-news/ahmedabad/statue-of-unity-gujarat-national-film-awards-ekta-nagar-uddhav-thackeray-political-row" target="_blank"><b>Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/10/O8QHSpUcbwhGwK7v2nqIO3Monh0sZtoXsKNUV9Z3.webp'/></item><item><title><![CDATA[Kala Hiran Film Controversy: 'કાલા હિરન'ની રિલીઝ અટકશે? મેકર્સે કહ્યું સલમાનના જીવન પર નથી ]]></title><link>https://sandesh.com/entertainment/news/kala-hiran-film-controversy-salman-khan</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/kala-hiran-film-controversy-salman-khan</guid><pubDate>Thu, 10 Sep 2026 17:53:49 +05:30</pubDate><description><![CDATA[<p>'કાલા હિરન' (Kala Hiran Film) ફિલ્મ રિલીઝ પહેલાં જ વિવાદમાં સપડાઈ છે. આરોપ છે કે આ ફિલ્મ સલમાન ખાન (Salman Khan)ના કાળા હરણ (Kala Hiran Case) કેસથી પ્રેરિત છે. આ કારણે ફિલ્મની રિલીઝ (Kala Hiran Movie) પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે. આ મામલે દિલ્હી હાઈકોર્ટ (Delhi Highcourt) માં કેસ ચાલી રહ્યો છે.&nbsp;</p><h2><b>કોર્ટમાં મેકર્સે શું કહ્યું?</b></h2><p>ગુરુવારે દિલ્હી હાઈકોર્ટમાં ફિલ્મના મેકર્સે કહ્યું કે 'કાલા હિરન' હજુ રિલીઝ માટે તૈયાર નથી, કારણ કે તેને સેન્સર બોર્ડ (Censor Board) તરફથી સર્ટિફિકેશન મળ્યું નથી. જસ્ટિસ જ્યોતિ સિંહ સમક્ષ આ વાત કહેવામાં આવી હતી. તેઓ બોલિવૂડ અભિનેતા સલમાન ખાન (Salman Khan)ની એ અરજી પર સુનાવણી કરી રહ્યાં હતાં, જેમાં ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે.</p><h2><b>કોર્ટે શું કહ્યું?</b></h2><p>કોર્ટે ફિલ્મના નિર્દેશકને સલમાન ખાનની અરજી પર 2 અઠવાડિયામાં જવાબ દાખલ કરવા કહ્યું છે. આ કેસની આગામી સુનાવણી 30 સપ્ટેમ્બરે થશે. ફિલ્મની રિલીઝ તારીખ અંગે પણ જવાબ માંગ્યો. કોર્ટે નિર્માતા અમિત જાનીના વકીલને 14 સપ્ટેમ્બરે ફિલ્મની સૂચિત રિલીઝ તારીખ અંગે માહિતી આપવા કહ્યું છે. કોર્ટે ત્યાં સુધી ફિલ્મ રિલીઝ નહીં કરવાની વાત પણ કહી છે.</p><h2><b>સલમાનના વકીલે શું દલીલ કરી?</b></h2><p>સલમાન ખાનના વકીલે કહ્યું કે મેકર્સ પોતે કહી રહ્યા છે કે ફિલ્મ સપ્ટેમ્બરમાં રિલીઝ થવાની છે. જો ફિલ્મ રિલીઝ થશે તો તેનાથી સલમાન ખાનને મોટું નુકસાન થઈ શકે છે. </p><h2><b>ફિલ્મને હજુ સર્ટિફિકેટ મળ્યું નથી</b></h2><p>નિર્માતાના વકીલે કહ્યું કે ફિલ્મ હાલ રિલીઝની સ્થિતિમાં નથી અને તેને હજુ સર્ટિફિકેશન માટે સેન્સર બોર્ડ પાસે મોકલવાની બાકી છે. ફિલ્મનું ટ્રેલર પણ હજુ રિલીઝ કરવામાં આવ્યું નથી. સલમાન ખાનની આ અરજી તેમના પર્સનાલિટી રાઇટ્સની સુરક્ષા સાથે જોડાયેલી છે.</p><h2><b>કોર્ટે અગાઉ શું આદેશ આપ્યો હતો?</b></h2><p>આ પહેલાં જુલાઈમાં સલમાન ખાનની વાંધાની અરજી બાદ હાઈકોર્ટે ફિલ્મના ટીઝર અને તેની સાથે જોડાયેલી અન્ય પોસ્ટને ઓનલાઈન પ્લેટફોર્મ પરથી હટાવવાનો વચગાળાનો આદેશ આપ્યો હતો. </p><h2><b>મેકર્સે કહ્યું, સલમાનની બાયોપિક નથી ફિલ્મ</b></h2><p>મેકર્સે સ્પષ્ટ કર્યું છે કે આ ફિલ્મ સલમાન ખાનની બાયોપિક નથી. તેમનું કહેવું છે કે બ્લેકબક વિવાદ સાથે જોડાયેલી જાહેર ઘટનાઓને હટાવવા માટે પોતાના પર્સનાલિટી રાઇટ્સનો ઉપયોગ કરી શકે નહીં.</p><h2><b>સલમાનના વકીલે જવાબ આપ્યો</b></h2><p>સલમાન ખાનના વકીલે કહ્યું કે આ ઘટના પર જાહેરમાં ચર્ચા થાય તેનો વાંધો નથી, પરંતુ આ ફિલ્મ દ્વારા તેમની છબી ખરડાઇ શકે છે. સલમાનની ઓળખ સાથે જોડાયેલી વસ્તુઓ, જેમ કે તેઓ કાંડા પર જે બ્રેસલેટ પહેરે છે તે અને કાનની બુટ્ટી એ વસ્તુઓ તેમની ઓળખ સમાન છે, જેનો પરવાનગી વગર વ્યાવસાયિક ઉપયોગ ન કરી શકાય.</p><p>આ પહેલાં અભિનેતાએ કહ્યું હતું કે 29 મેના રોજ જાહેર કરવામાં આવેલા ફિલ્મના પોસ્ટરમાં તેમની તરફ સ્પષ્ટ સંકેત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફિલ્મનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું. અરજીમાં કહેવામાં આવ્યું છે કે રાજસ્થાનની એક કોર્ટે સલમાન ખાનને આર્મ્સ એક્ટ હેઠળના ગુનામાંથી નિર્દોષ જાહેર કર્યા હતા. તેમ છતાં પોસ્ટરમાં મુખ્ય પાત્રના હાથમાં બંદૂક બતાવવામાં આવી છે, જેને માનહાનિકારક ગણાવવામાં આવ્યું છે.</p><h2><b>પહેલાં પણ સલમાને કોર્ટનો સંપર્ક કર્યો હતો</b></h2><p>સલમાન ખાને અગાઉ પણ પોતાના નામ, તસવીરો, વ્યક્તિત્વ અને દેખાવનો પરવાનગી વગર ઉપયોગ રોકવા તથા પોતાના પર્સનાલિટી રાઇટ્સની સુરક્ષા માટે અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ઈ-કોમર્સ વેબસાઇટ્સ સામે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. હાઈકોર્ટે 11 ડિસેમ્બર 2025ના રોજ તેમના પક્ષમાં વચગાળાનો આદેશ આપ્યો હતો.</p><h2><b>'કાલા હિરન' ફિલ્મ વિશે જાણો</b></h2><p>ફિલ્મ 'કાલા હિરન'નું દિગ્દર્શન ભરત એસ. શ્રીનેતે કર્યું છે. અમિત જાની તેના લેખક અને નિર્માતા છે. ફિલ્મમાં નિકુંજ અગ્રવાલ, ઋષભ અરોરા અને રાજેશ દહિયા જેવા કલાકારો જોવા મળશે. મીડિયા અહેવાલો મુજબ ફિલ્મ 14 સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી, પરંતુ તેની સત્તાવાર રિલીઝ તારીખની જાહેરાત હજુ કરવામાં આવી નથી.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/10/ZLUdbrKclO49EdLT0pBtsibjI4QsTtqmR2vaqPng.webp'/></item><item><title><![CDATA[Hockey Asia Cup: ભારતની દીકરીઓ સામે પાકિસ્તાન ઘૂંટણિયે, 19-0ના જંગી સ્કોર સાથે સેમિફાઇનલમાં એન્ટ્રી ]]></title><link>https://sandesh.com/sports/news/hockey-asia-cup-pakistan-kneels-against-indias-daughters-enters-semi-finals-with-a-huge-score-of-19-0</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/hockey-asia-cup-pakistan-kneels-against-indias-daughters-enters-semi-finals-with-a-huge-score-of-19-0</guid><pubDate>Thu, 10 Sep 2026 17:26:39 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય મહિલા ખેલાડીઓએ ક્રિકેટના મેદાન બાદ હવે હોકીના મેદાનમાં પણ પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી છે. મોંગોલિયા ખાતે રમાઈ રહેલા વિમેન્સ જુનિયર એશિયા કપમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 19-0 જંગી સ્કોરથી પરાજય આપ્યો હતો. 10 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા આ મહત્વપૂર્ણ ક્વાર્ટર ફાઇનલ મેચમાં ઈન્ડિયાએ આક્રમણથી લઈને ડિફેન્સ સુધીની દરેક બાબતમાં શાનદાર પ્રદર્શન કરીને પાકિસ્તાનને મેદાનમાં ચારેય ખાને ચિત્ત કરી દીધું હતું.</p><h2><b>પાકિસ્તાની ડિફેન્સ ધ્વસ્ત&nbsp;</b></h2><p>ભારતીય ટીમે મેચની શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવતાં પ્રથમ ક્વાર્ટરમાં જ પાંચ ગોલ કરી દીધા હતા, જ્યારે બીજા ક્વાર્ટરમાં પણ આ જ લય જાળવી રાખીને વધુ પાંચ ગોલ કર્યા હતા. આ ધમાકેદાર આક્રમણના જોરે ભારતે હાફ ટાઇમ સુધીમાં જ 10-0ની વિશાળ સરસાઈ મેળવી લીધી હતી. ટીમ ઈન્ડિયાનો આ એકતરફી દબદબો બીજા હાફમાં પણ યથાવત જોવા મળ્યો હતો, જ્યાં ત્રીજા ક્વાર્ટરમાં 3 ગોલ અને ચોથા અને નિર્ણાયક ક્વાર્ટરમાં વધુ 6 ગોલ કરીને પાકિસ્તાની ડિફેન્સને સંપૂર્ણપણે ધ્વસ્ત કરી નાખ્યું હતું. આમ, સમગ્ર મેચ દરમિયાન પોતાનું વર્ચસ્વ જાળવી રાખીને ભારતીય ટીમે પાકિસ્તાનને 19-0ના જંગી સ્કોરથી પરાજય આપ્યો હતો, જે મહિલા જુનિયર એશિયા કપના ઇતિહાસની સૌથી મોટી અને યાદગાર જીતમાં સામેલ થઈ ગઈ છે.</p><h2><b>પૂજા મલિકે ગોલ ની હેટ્રીક લગાવી&nbsp;</b></h2><p>આ ઐતિહાસિક મેચમાં ભારતે  કરેલા 19 ગોલમાંથી 11 ફિલ્ડ ગોલ હતા, જે દર્શાવે છે કે સમગ્ર મેચ દરમિયાન બોલ પર ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ નિયંત્રણ રહ્યું હતું. આ ઉપરાંત ટીમને 7 ગોલ પેનલ્ટી કોર્નર અને મેચની 13મી મિનિટે પેનલ્ટી શૂટઆઉટ મળ્યું હતું જેને પણ ભારતીય ખેલાડીએ સચોટ રીતે ગોલમાં ફેરવી નાખ્યો હતો.સૌથી રસપ્રદ બાબત એ રહી કે ભારતીય ટીમના કુલ 13 અલગ-અલગ ખેલાડીઓએ સ્કોરબોર્ડ પર પોતાનું નામ નોંધાવ્યું હતું. આ આક્રમણમાં પૂજા મલિક મોખરે રહી હતી, જેણે 27મી, 49મી તેમજ 51મી મિનિટે શાનદાર ગોલ ફટકારીને હેટ્રિક પૂરી કરી હતી. પૂજા સિવાય રોશની, સનિકા માને, મધુ સિદાર અને સુપ્રિયાએ પણ ઉત્કૃષ્ટ લય દર્શાવતા 2-2 ગોલ ટીમ માટે નોંધાવ્યા હતા.</p><h2><b>ભારત સામે પાકિસ્તાની ટીમ લાચાર&nbsp;</b></h2><p>પાકિસ્તાની ટીમ સમગ્ર મેચ દરમિયાન એટલી હદે લાચાર સાબિત થઈ હતી કે તે પોતાનું ખાતું પણ ખોલાવી શકી નહોતી. એક પણ ગોલ નોંધાવવો તો દૂરની વાત, સમગ્ર મેચમાં તેઓ એકમાત્ર પેનલ્ટી કોર્નર કે પેનલ્ટી સ્ટ્રોક મેળવવા પણ સફળ રહ્યા ન હતા.</p><h2><b>જીતની હેટ્રીક માટે ભારતીય ટીમ તૈયાર&nbsp;</b></h2><p>વિમેન્સ જુનિયર એશિયા કપના સેમિફાઇનલ તબક્કામાં હવે ભારતીય ટીમનો મુકાબલો મલેશિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે રમાનારી ચોથી ક્વાર્ટર ફાઇનલ મેચના વિજેતા સામે થશે. આ ટૂર્નામેન્ટનો ગોલ્ડ મેડલ (ફાઇનલ) મુકાબલો 13 સપ્ટેમ્બરના રોજ યોજાશે. ભારતીય મહિલા ટીમ આ સ્પર્ધામાં સતત બે વખત ચેમ્પિયન બની ચૂકી છે, જેથી હવે 2026નું ટાઇટલ પણ પોતાના નામે કરીને ટાઇટલ જીતવાની ઐતિહાસિક હેટ્રિક પૂરી કરવાના દ્રઢ ઇરાદા સાથે ટીમ ઈન્ડિયા આગળ વધશે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/10/8eeQqaMrvJiGSuxRk1UfrLVIgSkTx3ztZcm7tMPY.webp'/></item></channel></rss>