<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Weather Update : સૌરાષ્ટ્રમાં આજે મેઘતાંડવની આગાહી, જામનગર, દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ જાહેર ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/saurashtra-heavy-rain-forecast--yellow-alert-issued-for-5-districts--fishermen-warned</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/saurashtra-heavy-rain-forecast--yellow-alert-issued-for-5-districts--fishermen-warned</guid><pubDate>Thu, 17 Sep 2026 14:09:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી તાજી અગમચેતી મુજબ આજે સૌરાષ્ટ્ર પંથકમાં ગાજવીજ અને પવનના સુસવાટા સાથે ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે. ખાસ કરીને દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે. સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે સૌરાષ્ટ્રના આ મુખ્ય જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરીને સ્થાનિક વહીવટી તંત્રને એલર્ટ રહેવા આદેશ આપ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય</b></h2><p style="text-align: justify; ">વાતાવરણમાં એકસાથે સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમ અને મોન્સૂન ટ્રફના કારણે સમગ્ર રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. દરિયામાં તીવ્ર પવન અને ઊંચા મોજાં ઉછળવાની શક્યતા હોવાથી માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવા માટે આકરી તાકીદ કરવામાં આવી છે. આ સિસ્ટમની અસર હેઠળ અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના વિવિધ ભાગોમાં પણ છૂટોછવાયો વરસાદ વરસવાની પૂરેપૂરી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>રાજ્યમાં હજુ 9 ટકા વરસાદની ઘટ</b></h2><p style="text-align: justify; ">નોંધનીય છે કે ચોમાસાની સિઝન આગળ વધી રહી હોવા છતાં રાજ્યમાં હજુ પણ સરેરાશ 9 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. આવા સમયે શરૂ થયેલા વરસાદના આ નવા રાઉન્ડથી ઘટ પૂરી થવાની અને ધરતીપુત્રોને ખેતી માટે મોટી રાહત મળવાની આશા જાગી છે. હવામાન નિષ્ણાતોના મતે આગામી 24થી 48 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘ મહેર યથાવત રહેશે, જેનાથી જળાશયોમાં પાણીની આવક વધશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : Ahmedabadમાં સાયબર ઠગોનો નવો કીમિયો, લગ્નની પત્રિકાના નામે APK ફાઈલ મોકલી રૂ.15.45 લાખ તારવી લીધા</b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/V0JnaTvW3bXWCEA9wSsnFjKWdHCGObOGfyuwth0b.webp'/></item><item><title><![CDATA[Iconic Movie : 48 વર્ષ પહેલા રિલીઝ થયેલી આ એક્શન ફિલ્મ પહેલા થઈ ફ્લોપ, પછી બની ઓલટાઇમ બ્લોકબસ્ટર! ]]></title><link>https://sandesh.com/entertainment/news/48-year-old-action-film-flop-to-blockbuster-remake</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/48-year-old-action-film-flop-to-blockbuster-remake</guid><pubDate>Thu, 17 Sep 2026 14:09:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હનુમાન અંશ હાલમાં સિનેમાઘરોમાં છવાયેલી છે. આ ફિલ્મ પહેલા 2 અઠવાડિયામાં ફ્લોપ રહી હતી, પરંતુ ત્રીજા અઠવાડિયામાં આ ફિલ્મે બોક્સ ઓફિસ પર એવું કમાલ કર્યું કે 2 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે 300 કરોડનું કલેક્શન કરી લીધું. આજે આપણે આવી જ એક ફિલ્મની વાત કરવા જઈ રહ્યા છીએ, જે 48 વર્ષ પહેલા રિલીઝ થઈ હતી. જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ હતી ત્યારે તે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. જોકે બાદમાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર બની હતી. ત્યાર બાદ આ ફિલ્મની રીમેક પણ બનાવવામાં આવી હતી, જેણે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>આઇકોનિક ફિલ્મનું નામ</b></h2><p style="text-align: justify; ">સિનેમાઘરોમાં શરૂઆતમાં ફ્લોપ રહેલી આ ફિલ્મનું નામ ડોન છે. 1978માં રિલીઝ થયેલી અમિતાભ બચ્ચનની આ એક્શન ફિલ્મ પહેલા અઠવાડિયામાં ખાસ કમાલ કરી શકી નહોતી, જેના બાદ આ ફિલ્મને ફ્લોપ જાહેર કરવામાં આવી હતી. પ્રોડ્યુસર નરીમન ઈરાની પણ કરજમાં ડૂબી ગયા હતા. ત્યાર બાદ ફિલ્મનું ગીત ખાઈ કે પાન બનારસ વાલા એટલું સુપરહિટ થયું કે લોકોની જીભ પર ચઢી ગયું. ફિલ્મના એક ગીતે જ આ ફિલ્મને સુપરહિટ બનાવી દીધી. એક ગીત હિટ થયા બાદ ફિલ્મની વાત લોકોમાં ફેલાઈ અને ત્યાર બાદ દર્શકો સિનેમાઘરોમાં ફિલ્મ જોવા પહોંચ્યા. આ રીતે ફિલ્મ ઓલ ટાઇમ બ્લોકબસ્ટર બની ગઈ.<br><img alt="Amitabh Bachchan Don movie (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/17/l4eCU46MROCRH0nQavNPvlb9PrdVc4AGkfZTtIEw.webp"><br></p><h3 style="text-align: justify; "><b>રીમેક પણ સુપરહિટ રહી</b></h3><p style="text-align: justify; ">અમિતાભ બચ્ચનની ડોન એટલી સુપરહિટ રહી કે 2006માં આ ફિલ્મની રીમેક બનાવવામાં આવી હતી. 2006માં રિલીઝ થયેલી ડોનમાં શાહરુખ ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. રિલીઝ થતાં જ ફિલ્મે ધૂમ મચાવી દીધી હતી. ફિલ્મમાં શાહરુખ ખાને ડોનનું પાત્ર ભજવીને દર્શકોનું દિલ જીતી લીધું હતું. 38 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે દુનિયાભરમાં 106 કરોડનું કલેક્શન કર્યું હતું. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપડા, કરીના કપૂર અને અર્જુન રામપાલ પણ મુખ્ય ભૂમિકામાં હતા.<br><img alt="Amitabh Bachchan Don movie (2)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/17/xrQ6LjseqbRNioORP1FVZh9UpzmqW2gqo9QhNUdS.webp"><br></p><h4 style="text-align: justify; "><b>રીમેકની સિક્વલ પણ બની</b></h4><p style="text-align: justify; ">શાહરુખ ખાનની ડોન બાદ નિર્માતાઓએ ડોન 2 પણ રિલીઝ કરી હતી. 2011માં રિલીઝ થયેલી આ ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. 45થી 75 કરોડ રૂપિયાની વચ્ચેના બજેટમાં બનેલી આ ફિલ્મે દુનિયાભરમાં 210 કરોડનું કલેક્શન કર્યું હતું. ફિલ્મની કહાણી પણ શાહરુખ ખાનના ફેન્સને ખૂબ પસંદ આવી હતી. ફિલ્મની સ્ટારકાસ્ટની વાત કરીએ તો તેમાં શાહરુખ ખાન સાથે પ્રિયંકા ચોપડા, લારા દત્તા, બોમન ઈરાની અને કુણાલ કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/preity-zinta-politics-entry-vibe-actress-answer" target="_blank">આ પણ વાંચો-Vibe Actress : રાજકારણમાં એન્ટ્રી કરશે પ્રીતિ ઝિન્ટા? પોલિટિક્સમાં જોડાવાની ચર્ચાઓ પર એક્ટ્રેસે આપ્યો આ જવાબ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/SYT39HYuK3l4rrZ49wbAOv2V8Z36IfUhgVLx3Ol8.webp'/></item><item><title><![CDATA[EPFO New Rule: જો તમારો પગાર 25,000 છે તો કેટલું પેન્શન મળશે? આ રહ્યુ આખું ગણિત ]]></title><link>https://sandesh.com/business/news/epfo-new-rule-pension-wage-limit-increased-25000</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/epfo-new-rule-pension-wage-limit-increased-25000</guid><pubDate>Thu, 17 Sep 2026 13:57:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બુધવારે કેન્દ્ર સરકારે ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતા કર્મચારીઓ માટે એક મોટી અને રાહતની જાહેરાત કરી છે. સરકાર દ્વારા પેન્શન કપાત માટેની ફરજિયાત પગાર મર્યાદા ₹15,000 થી વધારીને સીધી ₹25,000 કરી દેવામાં આવી છે. આ નવા નિયમથી અંદાજે 5.1 મિલિયન કર્મચારીઓ માટે પેન્શન કપાત ફરજિયાત બની જશે, જેના કારણે સરકારી તિજોરી પર અંદાજે ₹11,339 કરોડનો વાર્ષિક બોજ પડશે. આ ઐતિહાસિક નિર્ણયથી કર્મચારીઓની સામાજિક સુરક્ષામાં મોટો વધારો થશે.</p><h2 style="text-align: justify; "><b>માસિક પગારમાંથી નહીં કપાય&nbsp;</b></h2><p style="text-align: justify; ">આ નવો નિયમ આજથી એટલે કે 17 સપ્ટેમ્બર, 2026 થી અમલમાં આવી ગયો છે. ખાસ વાત એ છે કે આ પેન્શન ફાળો કર્મચારીના પોતાના હાથમાં આવતા માસિક પગારમાંથી કપાશે નહીં, પરંતુ નોકરીદાતા (Employer) ના હિસ્સામાંથી જમા કરવામાં આવશે. નિયમ મુજબ, નોકરીદાતા કર્મચારીના પગારમાંથી 8.33% હિસ્સો પેન્શન ફંડમાં આપશે અને બાકીની રકમ પીએફ (PF) ખાતામાં જમા કરશે. આનાથી કર્મચારીઓના ઇન-હેન્ડ પગાર પર કોઈ નકારાત્મક અસર નહીં પડે અને નિવૃત્તિ પછી સુરક્ષિત આર્થિક સહાય મળી રહેશે.</p><h3 style="text-align: justify; "><b>નિવૃત્તિ પછી તમને કેટલું પેન્શન મળશે?&nbsp;</b></h3><p style="text-align: justify; ">હવે મોટો સવાલ એ છે કે જો તમારો મૂળભૂત પગાર અને મોંઘવારી ભથ્થું (DA) મળીને કુલ રકમ ₹25,000 ની શ્રેણીમાં આવે છે, તો નિવૃત્તિ પછી તમને કેટલું પેન્શન મળશે? કર્મચારી પેન્શન યોજના (EPS) ના નિયમો અનુસાર, માસિક પેન્શન ગણવા માટેનું સૂત્ર છે: (પેન્શનપાત્ર પગાર × પેન્શનપાત્ર સેવાના વર્ષો) ભાગ્યા 70. આ ઉપરાંત, જો કોઈ કર્મચારીની સેવા 20 વર્ષ કે તેથી વધુ હોય, તો તેને 2 વર્ષનું વધારાનું સેવા વજન (બોનસ) પણ આપવામાં આવે છે.</p><h4 style="text-align: justify; "><b>આ રહ્યુ આખું ગણિત</b></h4><p style="text-align: justify; ">ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારી 25 વર્ષની ઉંમરે નોકરી શરૂ કરે અને તેની નિવૃત્તિ 58 વર્ષની વયે થાય, તો તેની પેન્શનપાત્ર સેવા 33 વર્ષ ગણવામાં આવશે. જેમાં 2 વર્ષનું બોનસ ઉમેરતા કુલ 35 વર્ષ ગણાય. આ ગણિત મુજબ, જો તમારો બેઝિક પગાર ₹25,000 હોય, તો તમને દર મહિને અંદાજે ₹12,500 પેન્શન મળશે. તેવી જ રીતે, જો કોઈ વ્યક્તિ 30 વર્ષની ઉંમરે આ શ્રેણીમાં આવે છે, તો તેને 28 વર્ષની સેવા અને બોનસ સાથે દર મહિને અંદાજે ₹10,714 પેન્શન મળવાપાત્ર બનશે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/world/news/india-response-us-100-percent-tariff-bill-energy-security" target="_blank">આ પણ વાંચોઃ Greenland અને એન્ટાર્કટિકામાંથી 1.2 ટ્રિલિયન ટન બરફ અચાનક ગાયબ, શું આવી રહ્યો છે ગંભીર ખતરો?</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/nr4NzUg15ZPSCZMSXdRIh1dnP5dabeLJ3pdqxGwx.webp'/></item><item><title><![CDATA[Ahmedabadમાં સાયબર ઠગોનો નવો કીમિયો, લગ્નની પત્રિકાના નામે APK ફાઈલ મોકલી રૂ.15.45 લાખ તારવી લીધા ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad--cyber-fraud-via-malicious-wedding-invite-apk-file---15-45-lakh-stolen</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad--cyber-fraud-via-malicious-wedding-invite-apk-file---15-45-lakh-stolen</guid><pubDate>Thu, 17 Sep 2026 13:51:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં સાયબર ક્રાઈમની એક અત્યંત ચોંકાવનારી અને નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. સાયબર ઠગોએ એક નાગરિકને લગ્નનું આમંત્રણ આપવાના બહાને મોબાઈલ પર એક એપીકે (APK) ફાઈલ મોકલી હતી. ફરિયાદીએ આ ફાઈલને લગ્નની ડિજિટલ કંકુતરી સમજીને પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી લીધી હતી, જેના પરિણામે તેઓ સાયબર ફ્રોડનો ભોગ બન્યા હતા.</p><h3 style="text-align: justify; "><b>બેંક એકાઉન્ટમાંથી રૂ.15.45 લાખ ગાયબ, મોબાઈલ થયો હેક</b></h3><p style="text-align: justify; ">જેવી જ ફરિયાદીએ પોતાના ફોનમાં એપીકે ફાઈલ ઈન્સ્ટોલ કરી કે તુરંત જ સાયબર ઠગોએ તેમના મોબાઈલનો તમામ એક્સેસ મેળવી લીધો હતો. ત્યારબાદ ફરિયાદી કઈ સમજે તે પહેલા જ તેમના બેંક એકાઉન્ટમાંથી તબક્કાવાર રીતે કુલ રૂ. 15 લાખ 45 હજારની રકમ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી લેવામાં આવી હતી. બેંકમાંથી નાણાં ઉપડી ગયાના મેસેજ આવતાં જ ફરિયાદીના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>સાયબર ક્રાઈમે ગુનો નોંધી તપાસ હાથ ધરી, સાવચેત રહેવા અપીલ</b></h2><p style="text-align: justify; ">આ સમગ્ર મામલે ભોગ બનનાર નાગરિકે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં વિધિવત રીતે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને જે બેંક ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર થયા છે તેને બ્લોક કરવાની તજવીજ સાથે આ ટેકનિકલ ફ્રોડ કરનાર ગેંગને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે. આ સાથે જ સાયબર પોલીસે નાગરિકોને અજાણ્યા નંબર પરથી આવતી કોઈ પણ APK ફાઈલ ડાઉનલોડ ન કરવા કડક ચેતવણી આપી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad--businessman-duped-of--21-79-lakh-in-religious-donation-fraud" target="_blank">Ahmedabad News : પાલડી ઉપાશ્રયના નામે ખોટી ઓળખ આપી વેપારી સાથે 21.79 લાખની ઠગાઈ, તેજસ શાહ સામે ફરિયાદ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/RkKdhlTrl6wgfAHPlxgXyEuZAUccydWkTLa6zwPK.webp'/></item><item><title><![CDATA[Surendranagarના વઢવાણની હદમાં SMC ના દરોડા, લીંબડી-રાજકોટ હાઇવે પરથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/surendranagar/wadhwan-smc-liquor-seized-4-wanted-2-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/surendranagar/wadhwan-smc-liquor-seized-4-wanted-2-arrested</guid><pubDate>Thu, 17 Sep 2026 13:42:28 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) ની ટીમે મોટો દરોડો પાડીને વિદેશી દારૂના મોટા કારોબારનો પર્દાફાશ કર્યો છે. SMC ની ટીમે બાતમીના આધારે લીંબડી-રાજકોટ હાઇવે પર આવેલા બલદાણા ગામ નજીક 'જય દ્વારકાધીશ ટી સ્ટોલ' સામેના જાહેર રોડ પર દરોડો પાડ્યો હતો. આ કામગીરી દરમિયાન હાઇવે પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) નો વિશાળ જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે.</p><p style="text-align: justify; "><img alt="SMC conducts major raid in Wadhwan, Surendranagar" src="https://epapercdn.sandesh.com/images/2026/09/17/B5VNlycY8ydNm5pZqrVXEfbg9HmWdfbFY5NiR2Jo.webp"><br></p><h2 style="text-align: justify; "><b>20,976 બોટલો અને રૂ.1.25 કરોડનો મુદ્દામાલ જપ્ત</b></h2><p style="text-align: justify; "><img alt="SMC conducts major raid in Wadhwan, Surendranagar" src="https://epapercdn.sandesh.com/images/2026/09/17/6ar0FGULtHZp9R48XQdrdolNzzacTHKdaxfRh66w.webp"></p><p style="text-align: justify; "><br></p><h3 style="text-align: justify; "><b>2 આરોપીઓની ધરપકડ અને 4 વોન્ટેડ</b></h3><p style="text-align: justify; ">આ સમગ્ર મામલે વઢવાણ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ કુલ 6 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. રેડ દરમિયાન સ્થળ પરથી હરિયાણાના જોગાસિંહ સુંદરસિંહ ભગીયાના અને નરેશ મદનલાલ શર્માની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે રમેશકુમાર જાટ, દારૂનો જથ્થો મંગાવનાર સ્થાનિક આકાઓ અને ટ્રક માલિક સહિત અન્ય 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. સ્ટેટ મોનીટરીંગ સેલે ફરાર આરોપીઓ અને સપ્લાયરોને ઝડપી પાડવા માટે આગળની સઘન તપાસ હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/hkMIgIi0m2mRo5EE1cHjLdLxtq581Xl8hYYm6IwR.webp'/></item><item><title><![CDATA[UPI ચાર્જ પર મોદી સરકારના સમર્થનમાં ઉમર અબ્દુલ્લા, કહ્યું- કેમ યોગ્ય છે નિર્ણય ]]></title><link>https://sandesh.com/india/news/omar-abdullah-supports-upi-transaction-charges-centre-says-infrastructure-not-cheap</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/omar-abdullah-supports-upi-transaction-charges-centre-says-infrastructure-not-cheap</guid><pubDate>Thu, 17 Sep 2026 13:31:48 +05:30</pubDate><description><![CDATA[<p>જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ UPI વ્યવહારો પરના ચાર્જ મુદ્દે કેન્દ્ર સરકારનું સમર્થન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ડિજિટલ પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી અને સંચાલન ખર્ચાળ છે, પરંતુ સાથે જ તેમણે સરકારને સામાન્ય ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખવાની સલાહ પણ આપી હતી.</p><p><br></p><p>મીડિયા સાથે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું, "આ ચાર્જ દરેક પર લાદવામાં આવી રહ્યા નથી. સૌ પ્રથમ તો વ્યક્તિ-થી-વ્યક્તિ (person-to-person) નાણાં ટ્રાન્સફર કરવા માટે કોઈ શુલ્ક નથી. વધુમાં, જ્યાં સુધી સામાન્ય ગ્રાહકોના વ્યવહારો ચોક્કસ મર્યાદાથી વધુ ન થાય ત્યાં સુધી તેમની પાસેથી કોઈ શુલ્ક લેવામાં આવશે નહીં."</p><p><br></p><h4><b>'UPI ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી અને સંચાલન સસ્તું નથી'</b></h4><p>મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે UPI ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી અને સંચાલન એ ઓછી કિંમતની બાબત નથી. તેમણે ધ્યાન દોર્યું કે પેમેન્ટ સિસ્ટમ ચલાવવામાં મોટો ખર્ચ સામેલ હોય છે. તેમણે ટિપ્પણી કરી, "વાસ્તવિકતા એ છે કે જ્યારે કોઈ વસ્તુ સંપૂર્ણપણે મફતમાં ઉપલબ્ધ હોય છે, ત્યારે આપણે ઘણીવાર તેનું સાચું મૂલ્ય સમજી શકતા નથી. તેમ છતાં ભારત સરકારે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે આ શુલ્કનો બોજ સામાન્ય નાગરિકો પર ન પડે. જો કંપનીઓ પર ચાર્જ લાદવામાં આવે તો મને કોઈ વાંધો નથી, કારણ કે તેઓ પહેલેથી જ UPI દ્વારા નોંધપાત્ર નફો કમાય છે."</p><p><br></p><p>આગામી વિધાનસભા સત્ર અંગેના પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રીએ કહ્યું કે સરકારની પ્રાથમિકતા ગૃહનું કામકાજ સુચારુ રીતે ચાલે અને ધારાસભ્યોને સંતોષકારક જવાબો મળે તે સુનિશ્ચિત કરવાની રહેશે. તેમણે કહ્યું, "વિધાનસભા સત્રમાં બે પ્રકારના એજન્ડા હોય છે. એક સરકારનું પોતાનું કાયદાકીય કામકાજ છે. જોકે કેન્દ્રશાસિત પ્રદેશમાં પૂર્ણ-કક્ષાના રાજ્યની સરખામણીએ તે સ્વાભાવિક રીતે ઓછું વ્યાપક હોય છે, તેમ છતાં એવા કાયદાકીય મુદ્દાઓ હોય છે જે સરકાર ગૃહ સમક્ષ રજૂ કરે છે. આની સાથે સાથે, માનનીય ધારાસભ્યોને પછી ભલે તેઓ સત્તાધારી પક્ષના હોય કે વિરોધ પક્ષના તેમના મતવિસ્તારો અને લોકોને અસર કરતા મુદ્દાઓ ઉઠાવવાની તક મળે છે. ખરડા અને ઠરાવો પણ રજૂ કરવામાં આવે છે."</p><p><br></p><p>આ પણ વાંચો:<a href="https://sandesh.com/world/news/pm-modi-76th-birthday-russia-vladimir-putin-sends-special-message" target="_blank"><b> PM મોદીના જન્મ દિવસ પર મિત્ર પુતિને પાઠવી શુભેચ્છા, જાણો શું કહ્યું</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/fVwVTvhAyItJIAYl5WWSCQcRh37XrPmqoQJqudtJ.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના અત્યંત વ્યસ્ત એસ.જી. હાઇવે પર રખડતાં પશુઓનો ત્રાસ યથાવત! ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-sg-highway-stray-cattle-adalaj-traffic-safety-risk</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-sg-highway-stray-cattle-adalaj-traffic-safety-risk</guid><pubDate>Thu, 17 Sep 2026 13:31:25 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેર અને આસપાસના મુખ્ય માર્ગો પર રખડતાં પશુઓનો ગંભીર ત્રાસ સતત વધી રહ્યો છે. શહેરના અત્યંત વ્યસ્ત અને ધમધમતા એસ.જી. હાઇવે પર અડાલજ નજીક રખડતાં પશુઓનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે. હાઇવેના મુખ્ય માર્ગ પર જ પશુઓએ અડિંગો જમાવી લેતાં આંતરરાજ્ય અને સ્થાનિક વાહનવ્યવહાર પર તેની સીધી અસર પડી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>વાહનચાલકોની સુરક્ષા સામે જોખમ અને ટ્રાફિક જામ</b></h2><p style="text-align: justify; ">મુખ્ય માર્ગો પર વચોવચ પશુઓ બેસી રહેવાના કારણે ખાસ કરીને રાત્રિના સમયે અને ઝડપથી આવતા વાહનો માટે ભારે અકસ્માત સર્જાવાનો ભય ઊભો થયો છે. અનેકવાર અચાનક પશુઓ સામે આવી જતાં વાહનચાલકોએ અચાનક બ્રેક મારવી પડે છે, જેનાથી નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. હાઇવે પરથી પસાર થતાં હજારો વાહનચાલકોને રોજના ક્રમે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.</p><p style="text-align: justify; "><img alt="Traffic disruption on Ahmedabad SG Highway" src="https://epapercdn.sandesh.com/images/2026/09/17/WaofmVkJzjVD5JzH59qL4wnlTupMbSQOxm46cjsP.webp"><br></p><h3 style="text-align: justify; "><b>તંત્રની કામગીરી સામે ઉઠતા સવાલો</b></h3><p style="text-align: justify; ">તંત્ર દ્વારા રખડતાં પશુઓને પકડવા અને માલિકો સામે કડક કાર્યવાહી કરવાના મોટા-મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક ચિત્ર કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે. હાઇવે જેવા અત્યંત ઝડપી માર્ગો પર પણ પશુઓનો આ રીતે અડિંગો હોવા છતાં જવાબદારો દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતાં નથી. સ્થાનિક નાગરિકો અને વાહનચાલકો ઉગ્ર માંગ કરી રહ્યા છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ પશુઓને હટાવીને માર્ગ સુરક્ષિત બનાવવામાં આવે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/erorZC9cKPqdY6wPYztNwS73bakZnrw0YoGpQKah.webp'/></item><item><title><![CDATA[Gandhinagar Municipal Corporation Election 2026: કોંગ્રેસે જાહેર કર્યો મેનિફેસ્ટો, જાણો શું કરી જાહેરાતો? ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gandhinagar-municipal-corporation-election-2026-congress-manifesto</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gandhinagar-municipal-corporation-election-2026-congress-manifesto</guid><pubDate>Thu, 17 Sep 2026 13:09:21 +05:30</pubDate><description><![CDATA[<p>ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણીની તૈયારીઓ માટે કમર કસી લેવામાં આવી છે અને "બદલાવની લહેર, વિકાસની લહેર" ના નારા સાથે પક્ષ જનતાની વચ્ચે જઈ રહ્યો છે. પક્ષ દ્વારા દરેક વોર્ડમાં 2 થી 3 પેનલ તૈયાર કરવામાં આવી છે અને પક્ષ પલ્ટો ન કરે તેવા મજબૂત ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની રણનીતિ બનાવવામાં આવી છે.</p><h2><b>ભાઈ-ભત્રીજાવાદ અને કોન્ટ્રાક્ટ પ્રથા પર પૂર્ણ વિરામ</b></h2><p>કોંગ્રેસ પક્ષે પોતાના મેનિફેસ્ટોમાં સ્પષ્ટ જાહેરાત કરી છે કે, ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ભાઈ-ભત્રીજાવાદને કોઈ સ્થાન આપવામાં આવશે નહીં. પક્ષના કોઈપણ કાઉન્સિલર કે હોદ્દેદાર કોઈ કોન્ટ્રાક્ટ કે પેટા કોન્ટ્રાક્ટ લેશે નહીં. આ ઉપરાંત, ચેક્સના નાણાંથી જાહેર કાર્યક્રમો ન યોજવાનો પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી વહીવટમાં પારદર્શિતા આવશે.</p><h2><b>કર રાહતો અને જનહિતની મોટી જાહેરાતો</b></h2><p>જનતાને મોંઘવારીમાંથી રાહત આપવા માટે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં મિલકત વેરા અને વાણિજ્ય વેરા સંદર્ભે મોટી જાહેરાતો કરાઈ છે. ઘર વેરામાં 25 ટકા તેમજ વાણિજ્ય વેરામાં 10 ટકા સુધીની રાહત આપવાનું વચન આપવામાં આવ્યું છે. આનાથી સામાન્ય નાગરિકો અને વેપારીઓને મોટો આર્થિક ફાયદો થશે.</p><p><img alt="Gandhinagar Municipal Corporation Election 2026: Congress Manifesto &amp; Updates  " src="https://epapercdn.sandesh.com/images/2026/09/17/G3AlDqqGsQiXCgpVF8tR3D9fcF0UbPI6atavEYvs.webp" style="width: 100%;"><br></p><h2><b>પાયાની સુવિધાઓ અને સફાઈ-આરોગ્ય માળખું</b></h2><p>શહેરમાં નાગરિકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે પાણી અને ગટર વ્યવસ્થાના પ્રશ્નોને અગ્રતા આપીને કાયમી ધોરણે ઉકેલવામાં આવશે. આ સાથે જ સફાઈ, મજબૂત આરોગ્ય માળખું તથા સાર્વજનિક પરિવહન જેવી અત્યાઆવશ્યક બાબતોને પણ મેનિફેસ્ટોમાં વિશેષરૂપે આવરી લેવામાં આવી છે, જેથી ગાંધીનગરનો સર્વાંગી વિકાસ થઈ શકે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/breakingnews/gandhinagar/gandhinagar-municipal-corporation-gmc-election-dates-declared-october" target="_blank">Gandhinagar: ગાંધીનગર મનપા અને 3 નગરપાલિકાની ચૂંટણી જાહેર; 11 ઓક્ટોબરે મતદાન અને 13 ઓક્ટોબરે મતગણતરી</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/vXXXBWhDNrFbRe8t0htQjF0kZK0G8OumSM69fXED.webp'/></item><item><title><![CDATA[ભારતીય વિદ્યાર્થીઓને લઈને Australiaમાં કડક નિયમો! પત્ની-બાળકોને સાથે લાવવા પર પ્રતિબંધ ]]></title><link>https://sandesh.com/india/news/australia-bans-family-on-student-visa-spouse-children-not-allowed-new-migration-rules-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/australia-bans-family-on-student-visa-spouse-children-not-allowed-new-migration-rules-2026</guid><pubDate>Thu, 17 Sep 2026 12:43:03 +05:30</pubDate><description><![CDATA[<p>વિદેશમાં અભ્યાસ કરવો એ ઘણા લોકોનું સ્વપ્ન હોય છે અને હાલમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ વિવિધ દેશોમાં શિક્ષણ મેળવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા એવું જ એક સ્થળ છે જ્યાં ભારતીય વિદ્યાર્થીઓની નોંધપાત્ર વસ્તી છે. જોકે, ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતા અથવા ત્યાં જવાની ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીઓ માટે હવે એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયન સરકાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વિઝાના નિયમો કડક બનાવવા જઈ રહી છે. નવા નિયમો હેઠળ, વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ દરમિયાન તેમના જીવનસાથી અને બાળકોને પોતાની સાથે ઓસ્ટ્રેલિયા લાવવા પર પ્રતિબંધ મૂકવાની યોજના છે.</p><p><br></p><p>આ ફેરફાર એવા સમયે ઓસ્ટ્રેલિયામાં વિદ્યાર્થીઓને અસર કરી રહ્યો છે જ્યારે સરકાર સ્થળાંતરના વધતા સ્તરને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે. અગાઉ, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તેમના જીવનસાથી અને બાળકોને સાથે લાવવા માટે ચોક્કસ વિઝા વિકલ્પોનો ઉપયોગ કરી શકતા હતા. જોકે, સૂચિત ફેરફારો આ શક્યતાને ગંભીર રીતે મર્યાદિત કરશે.</p><p><br></p><h4><b>ઓસ્ટ્રેલિયામાં સ્થળાંતરમાં ઝડપી વધારો</b></h4><p>ઓસ્ટ્રેલિયન સરકારે સંકેત આપ્યો છે કે પેસિફિક ટાપુ દેશો અને અમુક દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોના વિદ્યાર્થીઓને આ નિયમમાંથી કેટલીક છૂટછાટ મળી શકે છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં પ્રવેશતા લોકોની સંખ્યા ઘટાડવાનો છે. રોઇટર્સના જણાવ્યા અનુસાર, સરકારનો લક્ષ્યાંક 2028 સુધીમાં વાર્ષિક ચોખ્ખા સ્થળાંતર (net migration) ને વર્તમાન આશરે 3 લાખના સ્તરથી ઘટાડીને લગભગ 2,25,000 કરવાનો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઓસ્ટ્રેલિયામાં સ્થળાંતરમાં ઝડપી વધારો થયો હતો.</p><p><br></p><h4><b>કયા દેશોમાંથી સૌથી વધુ વિદ્યાર્થીઓ આવે છે?</b></h4><p>2023માં ચોખ્ખું સ્થળાંતર આશરે 5,18,000 સુધી પહોંચ્યું હતું, અને જૂન 2025 સુધીમાં આ આંકડો ઘટીને લગભગ 3,06,000 થવાનો અંદાજ છે. આ આંકડાઓમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ચીન, ભારત, નેપાળ, વિયેતનામ અને બાંગ્લાદેશ એ ઓસ્ટ્રેલિયામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટેના ટોચના પાંચ સ્ત્રોત દેશો છે. અહેવાલો સૂચવે છે કે આ પાંચ દેશોના વિદ્યાર્થીઓ દેશની કુલ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની વસ્તીના અડધા હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે. જેમાં ચીનનો હિસ્સો સૌથી મોટો છે.</p><p><br></p><p>અહેવાલો અનુસાર, મે 2026 સુધીમાં ઓસ્ટ્રેલિયામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની કુલ સંખ્યા ૬,૮૦,૫૮૨ સુધી પહોંચી હતી. ચીનના વિદ્યાર્થીઓ સૌથી મોટું જૂથ બનાવે છે, જે કુલ સંખ્યાના આશરે 23 ટકા હિસ્સો ધરાવે છે. ચીન પછી, ભારત 16 ટકા, નેપાળ 9 ટકા, વિયેતનામ ૫ ટકા અને બાંગ્લાદેશ 4 ટકા હિસ્સો ધરાવે છે. ખાસ કરીને ચીન અને ભારત આ આંકડાઓમાં નોંધપાત્ર યોગદાન આપે છે. ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા કરવામાં આવેલા ફેરફારો માત્ર વિદ્યાર્થીઓ પૂરતા સીમિત નથી; સરકારે 'વર્કિંગ હોલિડે વિઝા' માટે બેલેટ સિસ્ટમ અને અમુક પ્રકારના વિઝિટર વિઝા ધરાવતા લોકો દેશમાં રહીને અન્ય વિઝા શ્રેણીઓમાં સ્વિચ (બદલાવ) ન કરી શકે તેવા નિયંત્રણો જેવા પગલાંની પણ જાહેરાત કરી છે.</p><p><br></p><h4><b>સ્ટુડન્ટ વિઝા ફીમાં વધારો</b></h4><p>વિદ્યાર્થીઓને તેમના પરિવારને સાથે લાવવા પર પ્રતિબંધ મૂકવા ઉપરાંત, ઓસ્ટ્રેલિયા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે અન્ય ઘણા નિયમો પણ કડક બનાવી રહ્યું છે. આ પગલાંઓમાં અંગ્રેજી ભાષાની નિપુણતા અને આર્થિક ક્ષમતા અંગેની કડક જરૂરિયાતો તેમજ સ્ટુડન્ટ વિઝા ફીમાં નોંધપાત્ર વધારાનો સમાવેશ થાય છે. અહેવાલો સૂચવે છે કે છેલ્લા ચાર વર્ષમાં સ્ટુડન્ટ વિઝા ફીમાં લગભગ 300 ટકાનો વધારો થયો છે. જોકે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા માટે આવકનો મુખ્ય સ્ત્રોત છે, તેમ છતાં સરકાર તેમની વધતી જતી સંખ્યાને સ્થળાંતર નિયંત્રણના દ્રષ્ટિકોણથી પણ જોઈ રહી છે. આ જ કારણ છે કે સરકાર સ્ટુડન્ટ વિઝા અને પરિવારના સભ્યોને સાથે લાવવાની સુવિધા અંગેના નિયમો કડક બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.<br><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/cough-syrup-sale-new-rules-cctv-mandatory-licensed-shops-drugs-rules-1945-amendment" target="_blank"><b>હવે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નહીં મળે કફ સિરપ, દવા સંબંધિત નિયમોમાં થયા મસમોટા ફેરફાર</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/JjhMihaQF3A8dRSOwrbd5rew4ZjGwpjS8NC1wMUz.webp'/></item><item><title><![CDATA[પાકિસ્તાનની ટીમ ભારત આવશે! એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં જામશે ભારત-પાક જંગ ]]></title><link>https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</guid><pubDate>Mon, 14 Sep 2026 15:47:21 +05:30</pubDate><description><![CDATA[<p>આવતા મહિને પાકિસ્તાનની હોકી ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે. 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન પંજાબમાં યોજાનારી AHF મેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026માં પાકિસ્તાન સહિત કુલ છ ટીમો ભાગ લેશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પાકિસ્તાનની ભાગીદારી અંગેની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, મલ્ટી-નેશનલ ઇવેન્ટ્સ અંગે કેન્દ્ર સરકારની નીતિ હેઠળ બંને દેશોની ટીમો આમને-સામને રમશે.</p><h2><b>ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જાલંધરમાં રમાશે</b></h2><p>એશિયન મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન થશે. આ ટૂર્નામેન્ટમાં યજમાન ભારત અને પાકિસ્તાન ઉપરાંત ચીન, જાપાન, મલેશિયા અને કોરિયાની પણ ભાગ લેશે. લીગ સ્ટેજના મુકાબલા જાલંધરમાં યોજાશે, જ્યારે સેમિફાઇનલ અને ફાઇનલ મેચ મોહાલીના હોકી સ્ટેડિયમમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 1 નવેમ્બરે જાલંધરમાં રમાશે. કોઈ ટીમ છેલ્લી ઘડીએ ખસી જાય તો તે સ્થિતિ માટે ઓમાન અને બાંગ્લાદેશને રિઝર્વ ટીમન તરીકે રાખવામી આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PTI_News/status/2099416960278868155"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમવામાં કોઈ મુશ્કેલી નથી</b></h2><p>પાકિસ્તાનની ભાગીદારી અને જરૂરી મંજૂરીઓ અંગે પંજાબના મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં બંને દેશો વચ્ચે રમવામાં કોઈ મુશ્કેલી નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝનું આયોજન અલગ બાબત છે, કારણ કે કેન્દ્ર સરકારની વર્તમાન નીતિ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય રમત-ગમતના આયોજનની મંજૂરી આપતી નથી. પરંતુ મલ્ટી-નેશનલ ટૂર્નામેન્ટમાં બંને દેશોના ખેલાડીઓને એકબીજા સામે રમવાની પરવાનગી છે, જેથી પાકિસ્તાની ટીમ ભારત આવી શકશે.</p><h2><b>ભારત વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે</b></h2><p>ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. ભારતે 2023માં ચેન્નાઈ અને 2024માં ચીનના હુલુનબુઈરમાં યોજાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ગત વર્ષે આ સ્પર્ધા યોજાઈ શકી નહોતી. હવે પંજાબ પ્રથમ વખત આ ટૂર્નામેન્ટની મેજબાની કરવા જઈ રહ્યું છે.</p><h2><b>અગાઉ પાકિસ્તાની ટીમે ના કહી હતી&nbsp;</b></h2><p>પાકિસ્તાનની આ વખતની ભાગીદારી એટલા માટે પણ ખાસ છે, કારણ કે ગત વર્ષે તેણે તમિલનાડુમાં આયોજિત જૂનિયર હોકી વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તે સમયે બંને દેશો વચ્ચેના તણાવને તેનું કારણ ગણાવવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે અને પાકિસ્તાની ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે પૂરી રીતે તૈયાર છે.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/V6jwdiIr9RTCvR6EyBaGsP2qfZvYLq2JfkL7pytm.webp'/></item></channel></rss>