<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Yudh Abhyas 2026: ભારત-અમેરિકા વચ્ચે ‘યુદ્ધ અભ્યાસ-2026’ શરૂ, પહાડી વિસ્તારોમાં યુદ્ધની ખાસ તાલીમ ]]></title><link>https://sandesh.com/india/news/yudh-abhyas-2026-war-exercise-2026-begins-between-india-and-america-special-training-for-warfare-in-mountainous-areas</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/yudh-abhyas-2026-war-exercise-2026-begins-between-india-and-america-special-training-for-warfare-in-mountainous-areas</guid><pubDate>Tue, 15 Sep 2026 18:15:58 +05:30</pubDate><description><![CDATA[<p>ભારત અને અમેરિકાની સેનાઓ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘યુદ્ધ અભ્યાસ-2026’નું 22મું સંસ્કરણ મંગળવારથી શરૂ થયું છે. ઉત્તરાખંડના ઔલી ફોરેન ટ્રેનિંગ નોડ ખાતે આ અભ્યાસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ સંયુક્ત કવાયતમાં ભારત અને અમેરિકાના લગભગ 600-600 સૈનિકો ભાગ લઈ રહ્યા છે.</p><p><b>બંને દેશોના સૈન્ય અધિકારીઓએ જવાનોને સંબોધ્યા</b></p><p>ભારતીય સેનાની તરફથી મેજર જનરલ અમરેશ ગુંજન, જી.ઓ.સી. 14 ઇન્ફન્ટ્રી ડિવિઝને જવાનોને સંબોધ્યા હતા. જ્યારે અમેરિકન સેનાની તરફથી 1st ઇન્ફન્ટ્રી બ્રિગેડ કોમ્બેટ ટીમ, 11th એરબોર્ન ડિવિઝનના કમાન્ડર કર્નલ બેન્જામિન જેકમેન હાજર રહ્યા હતા. આ સૈન્ય અભ્યાસ ઉત્તરાખંડના ઔલી અને રાજસ્થાનના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં એકસાથે યોજાઈ રહ્યો છે.</p><p><b>પહાડી વિસ્તારોમાં સૈન્ય ક્ષમતા વધારવા પર ભાર</b></p><p>‘યુદ્ધ અભ્યાસ’નો મુખ્ય હેતુ ભારત અને અમેરિકાની સેનાઓ વચ્ચે સંયુક્ત કામગીરીની ક્ષમતા અને પરસ્પર તાલમેલ વધુ મજબૂત કરવાનો છે. ખાસ કરીને પહાડી અને અર્ધ-પહાડી વિસ્તારોમાં ઇન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપ્સ (IBG)ના ઉપયોગ તથા ઇન્ફન્ટ્રી આધારિત ઓપરેશનની તાલીમ આપવામાં આવશે.</p><p><b>બંને સેનાઓ એકબીજાની રણનીતિ સમજશે</b></p><p>આ અભ્યાસ દરમિયાન ભારત અને અમેરિકાના સૈનિકો એકબીજાની રણનીતિ, ટેક્નોલોજી અને સૈન્ય કામગીરીની પ્રક્રિયાઓને સમજશે. આ ઉપરાંત સાથે મળીને આયોજન કરવાની અને સંયુક્ત રીતે સૈન્ય ઓપરેશન પાર પાડવાની ક્ષમતા પણ વધારવામાં આવશે. આ વખતના યુદ્ધ અભ્યાસમાં આધુનિક ટેક્નોલોજીનો પણ ખાસ ઉપયોગ કરવામાં આવશે. સૈનિકોને દેખરેખ અને જાસૂસી સંબંધિત મિશનમાં ડ્રોન તથા ઓટોનોમસ સિસ્ટમના ઉપયોગની તાલીમ આપવામાં આવશે.</p><p><b>મહાજન રેન્જમાં આધુનિક હથિયારોનું પ્રદર્શન</b></p><p>રાજસ્થાનની મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં આધુનિક હથિયાર પ્રણાલીઓનું પ્રદર્શન પણ કરવામાં આવશે. બંને દેશોના સૈન્ય નિષ્ણાતો નવી સૈન્ય ટેક્નોલોજી અને મલ્ટી-ડોમેન વોરફેર સાથે જોડાયેલા મુદ્દાઓ પર પોતાના અનુભવો એકબીજા સાથે શેર કરશે. આ અભ્યાસ દ્વારા ભારત અને અમેરિકાની સેનાઓ અલગ-અલગ ભૌગોલિક અને ઓપરેશનલ પરિસ્થિતિમાં સાથે મળીને કાર્યવાહી કરવાની ક્ષમતા વધુ મજબૂત કરશે. મુશ્કેલ અને બદલાતી પરિસ્થિતિમાં બંને દેશોની સેનાઓ વચ્ચે વધુ સારો તાલમેલ રહે તે દિશામાં પણ આ કવાયત મહત્વપૂર્ણ છે.</p><p><b>2014થી ચાલી રહ્યો છે યુદ્ધ અભ્યાસ</b></p><p>ભારત અને અમેરિકા વચ્ચે યોજાતા આ સંયુક્ત યુદ્ધાભ્યાસને સામાન્ય રીતે ‘યુદ્ધ અભ્યાસ’ તરીકે ઓળખવામાં આવે છે. તે બંને દેશોની સેનાઓ વચ્ચે યોજાતી વાર્ષિક દ્વિપક્ષીય સૈન્ય કવાયત છે. તેની શરૂઆત વર્ષ 2014માં થઈ હતી. ‘યુદ્ધ અભ્યાસ’નો મુખ્ય ઉદ્દેશ ભારત અને અમેરિકાની સેનાઓ વચ્ચે ઇન્ટરઓપરેબિલિટી એટલે કે સાથે મળીને સૈન્ય ઓપરેશન કરવાની ક્ષમતા વધારવાનો છે. આ દરમિયાન બંને દેશોના સૈનિકો એકબીજાની વ્યૂહરચના, હથિયાર પ્રણાલીઓ અને ઓપરેશનલ પ્રક્રિયાઓ વિશે જાણકારી મેળવે છે.</p><p><b><a href="https://sandesh.com/gallery/indian-army-military-exercise-joint-training-armed-forces-defense-preparedness-security-drills-army-training-india-defense-military-readiness?2" target="_blank">આ પણ વાંચો: દુશ્મનોને પાઠ ભણાવવા માટે યુદ્ધ અભ્યાસની તૈયારી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/ybqUPFvBpf7hr9vhN6bDuJbHeY10JfgI5YNztqch.webp'/></item><item><title><![CDATA[Surat: રાંદેર વિસ્તારમાંથી 1.57 લાખથી વધુના MD ડ્રગ્સ સાથે એક ઇસમ ગિરફ્તાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/sog-seizes-md-drugs-worth-1-57-lakhs-in-rander-arrests-one</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/sog-seizes-md-drugs-worth-1-57-lakhs-in-rander-arrests-one</guid><pubDate>Tue, 15 Sep 2026 18:14:41 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત શહેરને ડ્રગ્સમુક્ત કરવાના અભિયાન હેઠળ સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. SOG ની ટીમે ચોક્કસ બાતમીના આધારે રાંદેર વિસ્તારમાં દરોડો પાડીને બાશીત રઝાક સૈયદ નામના ઇસમને ગેરકાયદેસર મેફેડ્રોન (MD) ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે.</p><h2><b>રાંદેર વિસ્તારમાંથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઇસમ ઝડપાયો</b></h2><p>પોલીસે આરોપી પાસેથી 52.360 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત રૂપિયા 1,57,080 થવા જાય છે.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી બાશીત સૈયદ અગાઉ કપડાં વેચવાનો વ્યવસાય કરતો હતો. પરંતુ કપડાંના ધંધામાં યોગ્ય કમાણી કે નફો ન થતાં તેણે રાતોરાત અમીર બનવા અને શોર્ટકટથી પૈસા કમાવાના ચક્કરમાં ડ્રગ્સ સપ્લાય કરવાનો માર્ગ પસંદ કર્યો હતો.</p><h3><b>શોર્ટકટથી પૈસા કમાવા અપનાવ્યો ડ્રગ્સનો કારોબાર</b></h3><p>આરોપીએ આ ડ્રગ્સનો જથ્થો એક વોન્ટેડ શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું કબૂલ્યું છે. સુરત SOG એ આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને મુખ્ય ડ્રગ્સ સપ્લાયરને ઝડપી પાડવા માટે આગળની તપાસ ચાલુ કરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-railway-gift-ashwini-vaishnaw-dedicates-4-gati-shakti-cargo-terminals" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: મીઠાના પરિવહનની મુશ્કેલીઓનો ઉકેલ, 4 નવા ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ દેશને સમર્પિત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/iAKZD0xC4hwauDBv9NIVTtSp0qUk1Xp31cbMM596.webp'/></item><item><title><![CDATA[Air India Immigration Lapse: ઇમિગ્રેશન તપાસ વગર જ વિદેશ ભાગી ગયા 3 ઇટાલિયન નાગરિક ]]></title><link>https://sandesh.com/india/news/air-india-immigration-lapse-3-italian-nationals-fled-abroad-without-immigration-check</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/air-india-immigration-lapse-3-italian-nationals-fled-abroad-without-immigration-check</guid><pubDate>Tue, 15 Sep 2026 18:04:03 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ બેઠકમાં એર ઇન્ડિયાના ઉલ્લંઘનો, ખાસ કરીને 'ડી' કેટેગરીના બોર્ડિંગ પાસ ધારકોના આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં પ્રવેશ અને દેખરેખના અભાવ અંગે ચર્ચા થશે.&nbsp;</p><h2 style="text-align: justify; ">શું છે આખો મામલો?</h2><p style="text-align: justify; ">આ સમગ્ર મામલો ત્રણ ઇટાલિયન નાગરિકોને લગતો છે. ત્રણેય 4 સપ્ટેમ્બરના રોજ અમૃતસરથી દિલ્હી પહોંચ્યા હતા અને કોઈપણ ઇમિગ્રેશન તપાસ કર્યા વિના સીધા દિલ્હી એરપોર્ટથી મ્યુનિક ગયા હતા. માહિતી અનુસાર, ત્રણેય મુસાફરો લગભગ 12:50 વાગ્યે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-1115 દ્વારા અમૃતસરથી દિલ્હી પહોંચ્યા હતા. 1:45 વાગ્યે, તેઓ મ્યુનિક માટે લુફ્થાન્સાની ફ્લાઇટમાં ચઢ્યા હતા.&nbsp;</p><h3 style="text-align: justify; ">શું છે "હબ-એન્ડ-સ્પોક" સિસ્ટમ?</h3><p style="text-align: justify; ">"હબ-એન્ડ-સ્પોક" સિસ્ટમ હેઠળ, મુસાફરોને પહેલા નાના એરપોર્ટથી મોટા હબ એરપોર્ટ પર ટ્રાન્સફર કરવામાં આવે છે. આ ત્રણ મુસાફરો અમૃતસરથી દિલ્હી પહોંચ્યા હતા. અમૃતસરમાં, તેમને ડોમેસ્ટિક એર ઇન્ડિયા ફ્લાઇટ માટે ડી બોર્ડિંગ પાસ આપવામાં આવ્યા હતા. ત્યાંથી, તેઓ ડિપાર્ચર એરિયામાં ગયા અને ઇમિગ્રેશન ચેકપોઇન્ટમાંથી પસાર થયા વિના લુફ્થાન્સા ફ્લાઇટમાં ચઢી ગયા હતા. ત્રણેય મુસાફરોને અમૃતસરમાં આગળની લુફ્થાન્સા ફ્લાઇટ માટે બોર્ડિંગ પાસ પણ આપવામાં આવ્યા હતા, જે નિયમોનું ઉલ્લંઘન છે. આ પછી, ત્રણેય દિલ્હીથી લુફ્થાન્સા ફ્લાઇટમાં મ્યુનિક જવા રવાના થયા.</p><h4 style="text-align: justify; ">એર ઇન્ડિયાએ ક્યાં ભૂલો કરી?</h4><p style="text-align: justify; ">મંત્રાલય અનુસાર, નિયમો અનુસાર, મુસાફરોને ફક્ત 'ડી' (ડોમેસ્ટિક) અને 'આઈ' (આંતરરાષ્ટ્રીય) કેટેગરીના બોર્ડિંગ પાસ જારી કરવાના હતા. દિલ્હી પહોંચ્યા પછી, ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ મુસાફરોને અલગ કરવા જોઈતા હતા, પરંતુ આ કરવામાં આવ્યું ન હતું. 'I' કેટેગરીના બોર્ડિંગ પાસ ધરાવતા મુસાફરોને જ 'ઇન્ટરનેશનલ-ટુ-ઇન્ટરનેશનલ ટ્રાન્સફર ડેસ્ક'નો ઉપયોગ કરવો જોઈતો હતો, છતાં 'D' કેટેગરીના બોર્ડિંગ પાસ ધરાવતા મુસાફરો ત્યાં પહોંચ્યા.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/nyc-subway-track-accident-indian-origin-girl-and-her-friend-die-after-being-hit-by-subway-train" target="_blank">સબવે ટ્રેનની અડફેટે આવવાથી ભારતીય મૂળની યુવતી અને તેના મિત્રનું મોત</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/KqRA6PAxfi6mZVK1ux4h6K75Jko9ll7OnjPSTojJ.webp'/></item><item><title><![CDATA[Botad Rain Update: બરવાળા પંથકમાં સતત ચોથા દિવસે જામ્યો મેઘાવી માહોલ! ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/botad/botad-barwala-fourth-day-rain-after-14-hour-break</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/botad/botad-barwala-fourth-day-rain-after-14-hour-break</guid><pubDate>Tue, 15 Sep 2026 17:50:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોટાદ જિલ્લાના બરવાળા તાલુકા પંથકમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. ચોમાસાની ઋતુ વચ્ચે સતત ચોથા દિવસે પણ સમગ્ર પંથકના વાતાવરણમાં વરસાદી છાયા જોવા મળી રહી છે. ગત મોડી રાત્રિથી આશરે 14 કલાક જેટલા લાંબા વિરામ બાદ આજે બપોર પછી ફરી એકવાર આકાશમાં કાળાડિબંગ વાદળો ઘેરાયા હતા અને મેઘરાજાએ પંથકમાં પુનઃ પધરામણી કરી હતી.</p><h2 style="text-align: justify; "><b>બરવાળા શહેરના મુખ્ય વિસ્તારોમાં ઝરમર ઝાપટાં</b></h2><p style="text-align: justify; ">બરવાળા શહેરમાં બપોર બાદ ધીમી ધારે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં શરદપૂર્ણ આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. શહેરના ખારા વિસ્તાર, ખોડીયાર નગર, રોકડિયા હનુમાનજી, મહાદેવ પાર્ક, બસ સ્ટેન્ડ, વાગડીયા શેરી, છત્રી ચોક અને શાક માર્કેટ સહિતના તમામ મુખ્ય અને ધમધમતા શહેરી વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. વરસાદના પગલે માર્ગો પરથી પાણી વહેતા થયા હતા.</p><p style="text-align: justify; "><img alt="Cloudy weather for the fourth consecutive day in Barwala, Botad" src="https://epapercdn.sandesh.com/images/2026/09/15/JAABKFshrxnur2UsT3imuJwKFyJlBFYp8iqPpCZg.webp"><br></p><h3 style="text-align: justify; "><b>ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતોમાં આનંદ</b></h3><p style="text-align: justify; ">કેવળ બરવાળા શહેર જ નહીં પરંતુ તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો છે. ખમીદાણા, રોજીદ, રામપરા અને કુંડળ સહિતના ગામોમાં હળવાથી મધ્યમ ઝાપટાં પડતાં ખેતરોમાં ઊભેલા પાકને નવું જીવન મળ્યું છે. સતત ચોથા દિવસે પણ મેઘમહેર જળવાઈ રહેતાં સ્થાનિક રહીશો અને ખાસ કરીને ખેડૂત આલમમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/L7rS0Z2apweyNoYGWi5UCiKJwIUHHVnZuaUrF9xq.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: મીઠાના પરિવહનની મુશ્કેલીઓનો ઉકેલ, 4 નવા ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ દેશને સમર્પિત ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-railway-gift-ashwini-vaishnaw-dedicates-4-gati-shakti-cargo-terminals</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-railway-gift-ashwini-vaishnaw-dedicates-4-gati-shakti-cargo-terminals</guid><pubDate>Tue, 15 Sep 2026 17:47:10 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતને આજે રેલવે અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે ખૂબ મોટી સોગાદ મળી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યમાં વેપાર અને માલ પરિવહનને વેગ આપવા માટે અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો છે. રાજ્યના શિવલખા, ભીમાસર, દેવળીયા અને ચંડીસર ખાતે ચાર નવા ‘ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ’ દેશને સમર્પિત કરવામાં આવ્યા છે.</p><h2><b>ચાર નવા ‘ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ’ દેશને સમર્પિત</b></h2><p>આ ઉપરાંત મહેસાણાના લીંચ ખાતે નવા કાર્ગો ટર્મિનલનો ખાતમુહૂર્ત/શિલાન્યાસ સમારોહ યોજાયો હતો તેમજ ગોપાલપુર રેલવે સ્ટેશનનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ નવા પ્રોજેક્ટ્સના કારણે ગુજરાતમાં માલસામાનના ઝડપી પરિવહન સાથે સ્થાનિક વેપાર, ઉદ્યોગ અને રોજગારીની નવી તકો ઊભી થશે.</p><h3><b>પ્રશ્નોના કાયમી ઉકેલ માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો</b></h3><p>ગુજરાતમાં મીઠાના રેલવે પરિવહન દરમિયાન અનુભવાતી પ્રશ્નોના કાયમી ઉકેલ માટે રેલવે મંત્રાલય દ્વારા નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અગાઉ મીઠા કરતાં તેને લઈ જતા કન્ટેનર અને વેગનનું વજન વધુ થઈ જતું હતું. જેના ઉકેલરૂપે ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલમાં વજનમાં હલકા અને ગુણવત્તાયુક્ત સ્ટેનલેસ સ્ટીલના વિશેષ કન્ટેનર તૈયાર કરાયા છે.</p><h4><b>&nbsp;નવી સમસ્યાઓના ઉકેલ માટે ઇનોવેશન</b></h4><p>આ ઇનોવેશનથી મીઠાનું લોડિંગ અને અનલોડિંગ અત્યંત સરળ, સલામત અને ઝડપી બનશે. આ પ્રસંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ભારતીય રેલવેનું માઇન્ડસેટ હવે પરંપરાગત રીતોથી આગળ વધીને નવી સમસ્યાઓના ઉકેલ માટે ઇનોવેશન તરફ આગળ વધી રહ્યું છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/sector-3d-female-police-constable-commits-suicide-in-rented-house" target="_blank">આ પણ વાંચો: Gandhinagar: સેક્ટર-૩ડીમાં રહેતી મહિલા પોલીસ કર્મીએ ઘરમાં પંખે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાધો,આપઘાતનું કારણ હાલ અકબંધ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/0llg9RueX3pCLziSIm19lnVwGUY5CgMamoLm1ANh.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના ન્યુ રાણીપમાં મહિલાની સોનાની ચેઇન ઝૂંટવનારા 2 રીઢા ચોરોની ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-new-ranip-chain-snatching-120-cctv-two-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-new-ranip-chain-snatching-120-cctv-two-arrested</guid><pubDate>Tue, 15 Sep 2026 17:38:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં બનેલી ચેઇન સ્નેચિંગની ગંભીર ઘટનાનો LCB ઝોન-2 ની ટીમે સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે. ગત 11 સપ્ટેમ્બરની વહેલી સવારે ન્યુ રાણીપ આર્યવીલા ફ્લેટ ચાર રસ્તા પાસેથી પસાર થતી મહિલાના ગળામાંથી બાઇક પર આવેલા બે શખ્સો સોનાની ચેઇન ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા. આ મામલે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ LCB ની ટીમે ત્વરિત તપાસ હાથ ધરી હતી.</p><h2 style="text-align: justify; "><b>120 થી વધુ CCTV અને ટેકનિકલ સોર્સથી આરોપીઓની ઓળખ</b></h2><p style="text-align: justify; ">ગુનાનો ઉકેલ લાવવા માટે LCB ની ટીમે ઘટનાસ્થળથી લઈને કુબેરનગર સુધીના માર્ગો પરના 120 થી વધુ CCTV કેમેરાના ફૂટેજ ઝીણવટપૂર્વક તપાસ્યા હતા. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસની ચોક્કસ બાતમીના આધારે પોલીસે મયુર દિનેશ બજરંગે અને દિપક ભીખા ઇન્દ્રેકર નામના બે રીઢા આરોપીઓને ઝડપી લીધા હતા. પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ ચેઇન સ્નેચિંગની કબૂલાત કરી હતી.</p><p style="text-align: justify; "><img alt="Chain snatching case solved in Ahmedabad" src="https://epapercdn.sandesh.com/images/2026/09/15/sOkd1UghCF45A4bb1HxY2mYRep6fuOZ42gkS3g0l.webp"><br></p><h3 style="text-align: justify; "><b>રૂ. 1 લાખનો મુદ્દામાલ રિકવર અને ગુનાહિત ઇતિહાસ</b></h3><p style="text-align: justify; ">પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 50 હજારની કિંમતની સોનાની ચેઇન અને ગુનામાં વપરાયેલી હોન્ડા યુનિકોન બાઇક (રૂ. 50 હજાર) મળી કુલ રૂ. 1 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. પકડાયેલા મયુર બજરંગે વિરુદ્ધ અગાઉ ચોરી, જુગાર અને દારૂના 7 ગુના તથા દિપક ઇન્દ્રેકર વિરુદ્ધ 3 ગુના નોંધાયેલા છે. LCB ઝોન-2 ની ટીમે આગળની કાર્યવાહી અને વધુ તપાસ અર્થે બંને આરોપીઓને સાબરમતી પોલીસને સોંપ્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/IXT6v7TTpF7TbMWQhk4yFCZ9f0eup7ZFpBuUC48A.webp'/></item><item><title><![CDATA[Highway Toll: ટોલ પ્લાઝા થશે બેરિયર-ફ્રી, કેમેરાથી નંબર પ્લેટ સ્કેન કરી કપાશે પૈસા ]]></title><link>https://sandesh.com/business/automobile/news/highway-toll-toll-plazas-will-be-barrier-free-money-will-be-deducted-by-scanning-the-number-plate-with-a-camera</link><guid isPermaLink="true">https://sandesh.com/business/automobile/news/highway-toll-toll-plazas-will-be-barrier-free-money-will-be-deducted-by-scanning-the-number-plate-with-a-camera</guid><pubDate>Tue, 15 Sep 2026 17:30:06 +05:30</pubDate><description><![CDATA[<p>Highway Toll System: લાંબી મુસાફરી દરમિયાન ટોલ પ્લાઝા પર લાગતી લાંબી લાઈનો ઘણીવાર મુસાફરીની મજા બગાડી દે છે. પરંતુ હવે ટૂંક સમયમાં આ સમસ્યા દૂર થઈ શકે છે. સરકાર એવી સિસ્ટમ લાવવાની તૈયારી કરી રહી છે, જેમાં ટોલ ચૂકવવા માટે ગાડીની સ્પીડ ઘટાડવાની જરૂર નહીં પડે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે આવનારા સમયમાં FASTag સાથે Automatic Number Plate Recognition (ANPR) ટેક્નોલોજીનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવશે.</p><p><b>નવું સિસ્ટમ ક્યારે લાગુ થશે?</b></p><p>નીતિન ગડકરીએ Global Fintech Fest 2026માં જણાવ્યું કે, સરકાર નેશનલ હાઈવેના તમામ ટોલ બૂથને બેરિયર-ફ્રી બનાવવાની યોજના પર ઝડપથી કામ કરી રહી છે. આ વર્ષના ડિસેમ્બર અંત સુધીમાં 70 ટકાથી વધુ ટોલ બૂથ બેરિયર-ફ્રી થઈ જશે. જ્યારે માર્ચ 2027 સુધીમાં આ લક્ષ્યને 100 ટકા સુધી પહોંચાડવાની યોજના છે. ભારતમાં FASTagની સંખ્યા 13 કરોડને પાર પહોંચી ગઈ છે. નેશનલ હાઈવે પર FASTagની પહોંચ પણ 98 ટકાથી વધુ થઈ ગઈ છે.</p><p><b>ગાડી રોક્યા વગર કેવી રીતે કપાશે ટોલ?</b></p><p>મલ્ટી-લેન ફ્રી-ફ્લો (MLFF) ટોલિંગ સિસ્ટમ, આ ટેક્નોલોજીનું ટેસ્ટિંગ 11 મે 2026ના રોજ મુંબઈના એક ટોલ પ્લાઝા પર કરવામાં આવ્યું હતું. નવી સિસ્ટમમાં ટોલ પ્લાઝા પર જૂના પ્રકારનો બેરિયર નહીં હોય. ગાડી ટોલ ઝોનમાંથી પસાર થશે ત્યારે હાઈ-ટેક કેમેરા તેની નંબર પ્લેટ સ્કેન કરશે. ત્યારબાદ લિંક કરેલા એકાઉન્ટમાંથી સીધા ટોલના પૈસા કપાઈ જશે. આથી ટોલ પ્લાઝા પર લાગતા લાંબા ટ્રાફિક જામથી રાહત મળી શકે છે.</p><p><b>લોકોને શું સીધો ફાયદો થશે?</b></p><p>નવી સિસ્ટમનો સૌથી મોટો ફાયદો સામાન્ય લોકોને થશે. ગડકરીના જણાવ્યા અનુસાર, અગાઉ ટોલ પ્લાઝા પર એક ગાડીને સરેરાશ 12 મિનિટ સુધી રોકાવું પડતું હતું. નવી સિસ્ટમ લાગુ થયા બાદ આ સમય લગભગ સમાપ્ત થઈ જશે. તેનાથી લોકોનો સમય બચશે અને વાહનોનું ઈંધણ પણ ઓછું વપરાશે. એક સ્ટડીનો હવાલો આપતા તેમણે જણાવ્યું કે ટોલ પર વાહનો નહીં રોકાય તો દર વર્ષે લગભગ ₹5,250 કરોડના ઈંધણની બચત થઈ શકે છે.</p><p><b>સરકારને પણ થશે મોટો ફાયદો</b></p><p>નવી ટેક્નોલોજી સરકાર માટે પણ ફાયદાકારક સાબિત થઈ રહી છે. FASTagના ઉપયોગથી ટોલ કલેક્શનમાં અત્યાર સુધીમાં 10 ટકાનો વધારો થયો છે. તેનાથી સરકારને લગભગ ₹7,000 કરોડની વધારાની આવક મળી છે. દેશની કુલ ટોલ આવક હવે ₹82,000 કરોડને પાર પહોંચી ગઈ છે. ગડકરીના જણાવ્યા અનુસાર, નવી સિસ્ટમ સંપૂર્ણ રીતે લાગુ થયા બાદ સરકારને દર વર્ષે ₹20,000થી ₹25,000 કરોડનો સીધો ફાયદો થઈ શકે છે. ટોલ બૂથ ચલાવવાનો ખર્ચ પણ 12 ટકાથી ઘટીને માત્ર 2-3 ટકા સુધી આવી ગયો છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/rajkot/rajkot-two-kilometers-of-traffic-jam-every-day-due-to-toll-road-construction-on-ahmedabad-national-highway-near-rajkot" target="_blank">આ પણ વાંચો: રાજકોટ પાસે અમદાવાદ નેશનલ હાઈ-વે પર બનતા ટોલનાકાને કારણે રોજ બે કિલોમીટરનો ટ્રાફિક જામ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/I91IbnafwZpXebLPcVzrp6AXzS7nCIV2bbKW2TdW.webp'/></item><item><title><![CDATA[Gandhinagar: સેક્ટર-૩ડીમાં રહેતી મહિલા પોલીસ કર્મીએ ઘરમાં પંખે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાધો,આપઘાતનું કારણ હાલ અકબંધ ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/sector-3d-female-police-constable-commits-suicide-in-rented-house</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/sector-3d-female-police-constable-commits-suicide-in-rented-house</guid><pubDate>Tue, 15 Sep 2026 16:56:26 +05:30</pubDate><description><![CDATA[<p>ગાંધીનગરના સેક્ટર-૩ડી વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અહીં ભાડાના મકાનમાં એકલી રહેતી અમદાવાદ પોલીસની મહિલા કોન્સ્ટેબલે પોતાના ઘરમાં પંખે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. મકાનમાંથી તીવ્ર દુર્ગંધ આવવા લાગતાં આસપાસના સ્થાનિક રહીશોએ શંકાના આધારે તપાસ કરી હતી અને પોલીસને જાણ કરી હતી.</p><h2><b>સેક્ટર-૩ડીમાં મહિલા પોલીસ કર્મીનો આપઘાત</b></h2><p>બનાવની જાણ થતાં જ ગાંધીનગર સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મકાનનો દરવાજો ખોલી તપાસ કરતા મહિલા પોલીસ કર્મીનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો.પ્રાથમિક માહિતી અનુસાર, આપઘાત કરનાર યુવતી ડિવોર્સી હતા અને તેઓ અમદાવાદના શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે પોતાની ફરજ બજાવતા હતા. તેઓ ગાંધીનગર સેક્ટર-૩ડી ખાતે ભાડાનું મકાન રાખીને રહેતા હતા.</p><h3><b>ઘરમાંથી મૃતદેહ મળતા તપાસ શરૂ</b></h3><p>યુવતીએ કયા માનસિક તણાવ કે કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગેનું કારણ હાલ અકબંધ છે. પોલીસે ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકઠા કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. સમગ્ર મામલે ગાંધીનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/rajkot/water-cut-announced-from-16-to-21-september-narmada-pipeline-maintenance" target="_blank">આ પણ વાંચો: Rajkot: શહેરમાં 16 થી 21 સપ્ટેમ્બર સુધી 6 દિવસ પાણીકાપ; નર્મદા પાઇપલાઇનમાં મેન્ટેનન્સની કામગીરી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/mxXhcnrRibEVGZCiu3jnSAOHNIic6o9uLZ0pnkP2.webp'/></item><item><title><![CDATA[Disha Salian Case: FIR બાદ ભડક્યા Sanjay Raut, CBI તપાસને લઈને ઉઠાવ્યા સવાલ ]]></title><link>https://sandesh.com/india/news/entertainment/disha-salian-case-sanjay-raut-cbi-fir-political-conspiracy</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/entertainment/disha-salian-case-sanjay-raut-cbi-fir-political-conspiracy</guid><pubDate>Tue, 15 Sep 2026 15:48:47 +05:30</pubDate><description><![CDATA[<p>દિશા સાલિયાન કેસમાં CBIની FIRને લઈને શિવસેના UBTના નેતા સંજય રાઉતની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે હાઈકોર્ટનો સીધો આદેશ છે કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ સામે સીધો આરોપ સાબિત ન થાય ત્યાં સુધી તેને આરોપી માનવામાં આવતો નથી અને FIRમાં તેનું નામ પણ આવતું નથી. તેમણે કહ્યું કે આ FIR અજાણ્યા લોકો સામે નોંધવામાં આવી છે.</p><h2><b>'સૌથી લોકપ્રિય રાજકીય પરિવારને બદનામ કરવાનું ષડયંત્ર'</b></h2><p>આગળ તેમણે કહ્યું, "2 દિવસ પહેલાં દેશના ગૃહમંત્રી મહારાષ્ટ્ર આવ્યા હતા. તેમની સાથે અન્ય એક નેતા 1 કલાક સુધી બેઠા હતા. બંને એક જ કારમાં ગયા હતા. ત્યારબાદ FIRમાં નામ ઉમેરવામાં આવ્યા છે. આ એક રાજકીય ષડયંત્ર છે. મહારાષ્ટ્રના સૌથી લોકપ્રિય રાજકીય પરિવારને બદનામ કરવાનો પ્રયાસ છે. અમે લડીશું અને અમારી લડાઈ ચાલુ રહેશે. અમે બતાવીશું કે મહારાષ્ટ્ર અને અમારી વિરુદ્ધ કેવા પ્રકારનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે."</p><h2><b>'કેન્દ્રીય એજન્સીઓનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે'</b></h2><p>આ મામલે રાજકારણ થઈ રહ્યું છે કે કેમ, એવા સવાલના જવાબમાં સંજય રાઉતે કહ્યું, "ચોક્કસ રાજકારણ થઈ રહ્યું છે. આ દબાણ છે અને અનૈતિક દબાણ છે. કેન્દ્રીય એજન્સીઓનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે."</p><h2><b>'CBI તપાસનો ઉપયોગ આદિત્ય ઠાકરેને નિશાન બનાવવા માટે થઈ રહ્યો છે'</b></h2><p>સંજય રાઉતે કહ્યું, "જે રીતે આ મામલો કોર્ટમાં લઈ જવામાં આવ્યો અને કોર્ટે કેસ CBIને સોંપવાનો આદેશ આપ્યો, તે આખું એક ષડયંત્ર છે. કોર્ટે સ્પષ્ટપણે CBI તપાસ કરાવવાનું કહ્યું છે, પરંતુ કોઈનું નામ ન લેવાનો નિર્દેશ આપ્યો છે. તેમ છતાં મીડિયામાં નામ લેવામાં આવી રહ્યાં છે."</p><p>તેમણે દાવો કર્યો કે CBI તપાસનો ઉપયોગ આદિત્ય ઠાકરેને નિશાન બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. આદિત્ય ઠાકરે વિવિધ જનમુદ્દાઓને લઈને દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર સરકાર પર સતત સવાલ ઉઠાવી રહ્યા છે.</p><p>આ સાથે જ તેમણે આરોપ લગાવ્યો કે તેનો હેતુ મરાઠા અનામત માટે આંદોલન કરી રહેલા કાર્યકર મનોજ જરાંગેના આંદોલન પરથી લોકોનું ધ્યાન હટાવવાનો અથવા સંસદમાં સીમાંકન બિલના સમર્થન માટે શિવસેના UBT પર દબાણ બનાવવાનો પણ હોઈ શકે છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/nesAIKStkzbsfWUx25yVSvNaMQlqeQO3dhS35Hhj.webp'/></item><item><title><![CDATA[પાકિસ્તાનની ટીમ ભારત આવશે! એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં જામશે ભારત-પાક જંગ ]]></title><link>https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</guid><pubDate>Mon, 14 Sep 2026 15:47:21 +05:30</pubDate><description><![CDATA[<p>આવતા મહિને પાકિસ્તાનની હોકી ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે. 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન પંજાબમાં યોજાનારી AHF મેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026માં પાકિસ્તાન સહિત કુલ છ ટીમો ભાગ લેશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પાકિસ્તાનની ભાગીદારી અંગેની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, મલ્ટી-નેશનલ ઇવેન્ટ્સ અંગે કેન્દ્ર સરકારની નીતિ હેઠળ બંને દેશોની ટીમો આમને-સામને રમશે.</p><h2><b>ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જાલંધરમાં રમાશે</b></h2><p>એશિયન મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન થશે. આ ટૂર્નામેન્ટમાં યજમાન ભારત અને પાકિસ્તાન ઉપરાંત ચીન, જાપાન, મલેશિયા અને કોરિયાની પણ ભાગ લેશે. લીગ સ્ટેજના મુકાબલા જાલંધરમાં યોજાશે, જ્યારે સેમિફાઇનલ અને ફાઇનલ મેચ મોહાલીના હોકી સ્ટેડિયમમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 1 નવેમ્બરે જાલંધરમાં રમાશે. કોઈ ટીમ છેલ્લી ઘડીએ ખસી જાય તો તે સ્થિતિ માટે ઓમાન અને બાંગ્લાદેશને રિઝર્વ ટીમન તરીકે રાખવામી આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PTI_News/status/2099416960278868155"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમવામાં કોઈ મુશ્કેલી નથી</b></h2><p>પાકિસ્તાનની ભાગીદારી અને જરૂરી મંજૂરીઓ અંગે પંજાબના મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં બંને દેશો વચ્ચે રમવામાં કોઈ મુશ્કેલી નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝનું આયોજન અલગ બાબત છે, કારણ કે કેન્દ્ર સરકારની વર્તમાન નીતિ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય રમત-ગમતના આયોજનની મંજૂરી આપતી નથી. પરંતુ મલ્ટી-નેશનલ ટૂર્નામેન્ટમાં બંને દેશોના ખેલાડીઓને એકબીજા સામે રમવાની પરવાનગી છે, જેથી પાકિસ્તાની ટીમ ભારત આવી શકશે.</p><h2><b>ભારત વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે</b></h2><p>ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. ભારતે 2023માં ચેન્નાઈ અને 2024માં ચીનના હુલુનબુઈરમાં યોજાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ગત વર્ષે આ સ્પર્ધા યોજાઈ શકી નહોતી. હવે પંજાબ પ્રથમ વખત આ ટૂર્નામેન્ટની મેજબાની કરવા જઈ રહ્યું છે.</p><h2><b>અગાઉ પાકિસ્તાની ટીમે ના કહી હતી&nbsp;</b></h2><p>પાકિસ્તાનની આ વખતની ભાગીદારી એટલા માટે પણ ખાસ છે, કારણ કે ગત વર્ષે તેણે તમિલનાડુમાં આયોજિત જૂનિયર હોકી વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તે સમયે બંને દેશો વચ્ચેના તણાવને તેનું કારણ ગણાવવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે અને પાકિસ્તાની ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે પૂરી રીતે તૈયાર છે.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/V6jwdiIr9RTCvR6EyBaGsP2qfZvYLq2JfkL7pytm.webp'/></item></channel></rss>