<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Dahod News: દાહોદ લીમખેડા હાઈવે પર ખાનગી ટ્રાવેલ્સ અને રિક્ષા વચ્ચે અકસ્માત, એકનું મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dahod/fatal-accident-between-private-travel-bus-and-auto-rickshaw-on-dahod</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dahod/fatal-accident-between-private-travel-bus-and-auto-rickshaw-on-dahod</guid><pubDate>Mon, 03 Aug 2026 23:02:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દાહોદ-લીમખેડા હાઇવે પર આવેલા વાકોલ બ્રિજ નજીક એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. એક પુરઝડપે આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ બસ અને રિક્ષા વચ્ચે સામસામે ધડાકાભેર અકસ્માત થતાં સમગ્ર વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો હતો.અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રાવેલ્સની ટક્કર વાગતા જ રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને રિક્ષાના ચિથરેચિથરા ઊડી ગયા હતા.</p><h2 style="text-align: justify; "><b>એક મુસાફર પણ ગંભીર રીતે ઘાયલ થયો</b></h2><p style="text-align: justify; ">અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.આ કરૂણ બનાવમાં રિક્ષા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ નિપજ્યું હતું. જ્યારે રિક્ષામાં સવાર અન્ય એક મુસાફર પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>પોલીસની ટીમ ત્વરિત ઘટનાસ્થળે આવી પહોંચી</b></h3><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસની ટીમ ત્વરિત ઘટનાસ્થળે આવી પહોંચી હતી. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-approves-subhash-bridge-work" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: AMC રોડ કમિટીએ સુભાષબ્રિજના કામને મંજૂરી આપી, કુલ ખર્ચમાં 7થી 10 કરોડનો ફાયદો થશે</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/Zf9HnHHlW6liPGtolEo1DpNMGcSguIN1P6baCWHO.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: સરકારી કોલેજના વિઝિટિંગ લેક્ચરર્સનું માસિક વેતન 15000થી વધારીને 45000 કરાયું ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/visiting-lecturers-rsquo--monthly-pay-hiked-from--15-000-to--45-000</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/visiting-lecturers-rsquo--monthly-pay-hiked-from--15-000-to--45-000</guid><pubDate>Mon, 03 Aug 2026 22:55:25 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા સરકારી કોલેજોમાં ફરજ બજાવતા વિઝિટિંગ લેક્ચરર્સ (અધ્યાપકો)ના હિતમાં એક અત્યંત મહત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલી રજૂઆતો અને માંગણીઓને ધ્યાનમાં રાખીને સરકારે તેમના મહેનતાણામાં નોંધપાત્ર વધારો કરવાનો આ મહત્વકાંક્ષી નિર્ણય લીધો છે.</p><h2 style="text-align: justify; "><b>અધ્યાપકોને કલાક દીઠ ₹500 ચૂકવવામાં આવશે</b></h2><p style="text-align: justify; ">નવા સુધારેલા દરો મુજબ હવેથી સ્નાતક કક્ષાના વર્ગો લેતા વિઝિટિંગ અધ્યાપકોને કલાક દીઠ ₹500 ચૂકવવામાં આવશે.જ્યારે અનુસ્નાતક કક્ષાના વર્ગો માટે પ્રતિ કલાકનું મહેનતાણું ₹600 નક્કી કરવામાં આવ્યું છે.આ ફેરફારના પરિણામે લેક્ચરર્સ માટેનું મહત્તમ માસિક વેતન ₹15000 થી વધીને સીધું ₹45000 થઈ જશે.</p><h3 style="text-align: justify; "><b>ઉચ્ચ શિક્ષણ વિભાગે આદેશમાં સ્પષ્ટતા કરી</b></h3><p style="text-align: justify; ">ઉચ્ચ શિક્ષણ વિભાગે આદેશમાં સ્પષ્ટતા કરી છે કે સુધારેલા મહેનતાણાના આ નવા દરો ઠરાવ બહાર પડ્યાની તારીખથી જ તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યા છે. સરકારના આ નિર્ણયથી રાજ્યની સરકારી કોલેજોમાં સેવા આપતા હજારો વિઝિટિંગ લેક્ચરર્સને આર્થિક રાહત મળશે અને શિક્ષણનું સ્તર પણ વધુ સુધરશે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-approves-subhash-bridge-work" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: AMC રોડ કમિટીએ સુભાષબ્રિજના કામને મંજૂરી આપી, કુલ ખર્ચમાં 7થી 10 કરોડનો ફાયદો થશે</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/VlwRVqvmeB7RB85B9qh7aDmzQqqlTh7zz36FFvpA.webp'/></item><item><title><![CDATA[Surat News: નાસિરનગરના મકાન માલિકોને હાઈકોર્ટ તરફથી આંશિક રાહત, નોટીસ વિના ડિમોલિશન નહીં કરવા આદેશ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/high-court-relief-for-nasirnagar-residents</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/high-court-relief-for-nasirnagar-residents</guid><pubDate>Mon, 03 Aug 2026 22:47:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતના નાસીરનગરમાં ડિમોલિશન મામલે મકાન માલિકોને હાઇકોર્ટ તરફથી મોટી આંશિક રાહત મળી છે.ગુજરાત હાઇકોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે યોગ્ય અને કાયદેસરની નોટિસ આપ્યા વિના વિસ્તારમાં કોઈપણ પ્રકારનું ડિમોલિશન કરવામાં આવશે નહીં.તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી શકાશે.</p><h2 style="text-align: justify; "><b>પક્ષ સાંભળ્યા વગર એકતરફી કાર્યવાહી કરી શકાય નહીં</b></h2><p style="text-align: justify; ">હાઇકોર્ટે સુરત મહાનગરપાલિકાને આકરી ટકોર કરતાં જણાવ્યું છે કે કોઈપણ મિલકત સામે આકરાં પગલાં લેતાં પહેલાં તમામ સ્થાનિક મિલકતધારકોને પોતાની રજૂઆત કરવાનો પૂરતો મોકો આપવો અનિવાર્ય છે. નાગરિકોનો પક્ષ સાંભળ્યા વગર એકતરફી કાર્યવાહી કરી શકાય નહીં.</p><h3 style="text-align: justify; "><b>રહેવાસીઓએ હાલ પૂરતો રાહતનો શ્વાસ લીધો</b></h3><p style="text-align: justify; ">આ ઉપરાંત, કોર્ટે કડક નિર્દેશ આપ્યા છે કે ડિમોલિશનની આખી પ્રક્રિયા દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલા તમામ નિયમો અને માર્ગદર્શિકાઓનું અક્ષરશઃ પાલન કરવાનું રહેશે. હાઇકોર્ટના આ હુકમથી નાસીરનગરના રહેવાસીઓએ હાલ પૂરતો રાહતનો શ્વાસ લીધો છે.<br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/vastral-sports-complex-swimming-pool-video-viral" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સ્વિમિંગ પુલનો વીડિયો વાયરલ, લાઇબ્રેરીના વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/vFrlMZeqdX19aaPBaIKOeAqR6rNDCVRQDy72o1cm.webp'/></item><item><title><![CDATA[Kanwar Yatra 2026 : કાવડ યાત્રા બનશે વધુ ભવ્ય, ઉત્તરપ્રદેશના 7 જિલ્લાઓમાં હેલિકોપ્ટરથી થશે પુષ્પવર્ષા ]]></title><link>https://sandesh.com/india/news/kanwar-yatra-2026-up-helicopter-flower-shower-7-districts</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/kanwar-yatra-2026-up-helicopter-flower-shower-7-districts</guid><pubDate>Mon, 03 Aug 2026 22:43:01 +05:30</pubDate><description><![CDATA[<p>ઉત્તર પ્રદેશ સરકાર આ વર્ષે કાવડ યાત્રાને વધુ ભવ્ય અને શ્રદ્ધાપૂર્ણ બનાવવા માટે વિશેષ આયોજન કરી રહી છે. શિવભક્ત કાવડિયાઓના સન્માનમાં 9 અને 10 ઓગસ્ટના રોજ પશ્ચિમ ઉત્તર પ્રદેશના સાત જિલ્લાઓમાં હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવશે. સરકારનો ઉદ્દેશ કાવડ યાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓનું સ્વાગત કરવો અને તેમને વિશેષ સન્માન આપવાનો છે.</p><h2><b>અલગ અલગ જિલ્લામાં થશે પુષ્પવર્ષા&nbsp;</b></h2><p>આ વિશેષ અભિયાન હેઠળ હેલિકોપ્ટર દ્વારા કુલ લગભગ 10 કલાક સુધી કાવડ યાત્રા માર્ગો પર ફૂલો વરસાવવામાં આવશે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ 9 ઓગસ્ટના રોજ હેલિકોપ્ટર સવારે લખનઉથી બાગપત માટે રવાના થશે. બાગપતમાં સવારે 10:30થી 11:15 વાગ્યા સુધી કાવડિયાઓ પર પુષ્પવર્ષા કરવામાં આવશે. ત્યારબાદ હેલિકોપ્ટર સહારનપુર પહોંચશે, જ્યાં સવારે 11:45થી બપોરે 12:45 વાગ્યા સુધી શિવભક્તોનું ફૂલોથી સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ મુઝફ્ફરનગરમાં બપોરે 1:30થી 2:15 વાગ્યા સુધી અને મેરઠમાં સાંજે 3:45થી 4:30 વાગ્યા સુધી પુષ્પવર્ષા કરવામાં આવશે.</p><h3><b>લાખો શિવભક્તોમાં ઉત્સાહ વધશે</b></h3><p>10 ઓગસ્ટના રોજ બીજા તબક્કામાં મેરઠથી હેલિકોપ્ટર ઉડાન ભરશે અને સૌથી પહેલા ગાઝિયાબાદ પહોંચશે. અહીં સવારે 8:30થી 9:15 વાગ્યા સુધી કાવડિયાઓ પર ફૂલો વરસાવવામાં આવશે. ત્યારબાદ હાપુડમાં સવારે 9:45થી 10:30 વાગ્યા સુધી અને બુલંદશહરમાં સવારે 11:15થી બપોરે 12 વાગ્યા સુધી આ કાર્યક્રમ યોજાશે.</p><p>આ સમગ્ર આયોજનમાં બાગપત, સહારનપુર, મુઝફ્ફરનગર, મેરઠ, ગાઝિયાબાદ, હાપુડ અને બુલંદશહર એમ કુલ સાત જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા હેલિકોપ્ટરની ઉડાન, સમય અને સ્થળનો સંપૂર્ણ કાર્યક્રમ અગાઉથી તૈયાર કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ સરકારનું માનવું છે કે આ આયોજનથી કાવડ યાત્રામાં જોડાયેલા લાખો શિવભક્તોમાં ઉત્સાહ વધશે અને યાત્રાને વધુ ભવ્ય સ્વરૂપ મળશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/supreme-court-order-ensure-space-for-pedestrians-on-every-road-in-the-country" target="_blank">આ પણ વાંચો : Supreme Court Order: દેશના દરેક રોડ પર પગપાળા મુસાફરો માટે જગ્યા સુનિશ્ચિત કરો</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/9HJ7O3SV8v3tSbZJp1kqY6n0Bm6I6BdLIZArFjsD.webp'/></item><item><title><![CDATA[LIC OFS : LICમાં સરકાર વેચશે 6.5 ટકા હિસ્સો, રોકાણકારોને 11 ટકા ડિસ્કાઉન્ટમાં મળશે શેર ]]></title><link>https://sandesh.com/business/news/lic-ofs-government-sells-6-5-percent-stake-11-percent-discount-share-offer</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/lic-ofs-government-sells-6-5-percent-stake-11-percent-discount-share-offer</guid><pubDate>Mon, 03 Aug 2026 21:49:58 +05:30</pubDate><description><![CDATA[<p>કેન્દ્ર સરકારે લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)માં પોતાની 6.5 ટકા સુધીની હિસ્સેદારી ઓફર ફોર સેલ (OFS) મારફતે વેચવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ પ્રક્રિયા સરકારના ડિસઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમનો ભાગ છે. સરકારે OFS માટે પ્રતિ શેર ₹382નો ફ્લોર પ્રાઈસ નક્કી કર્યો છે, જે સોમવારે LICના બંધ ભાવ ₹424.35 કરતાં અંદાજે 11 ટકા ઓછો છે.</p><h2><b>8 ઓગસ્ટ સુધી ટ્રેડિંગ વિન્ડો બંધ રહેશે</b></h2><p>ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM)ના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કામાં 2.5 ટકા હિસ્સો વેચવામાં આવશે. જો રોકાણકારો તરફથી વધુ માગ આવશે તો 4 ટકાનો ગ્રીનશૂ વિકલ્પ પણ અમલમાં મૂકવામાં આવશે. આ રીતે કુલ 6.5 ટકા સુધીની હિસ્સેદારી વેચી શકાય છે. OFS 4 ઓગસ્ટે બિન-રિટેલ (Non-Retail) રોકાણકારો માટે ખુલશે, જ્યારે રિટેલ રોકાણકારો 5 ઓગસ્ટે તેમાં ભાગ લઈ શકશે. LICએ આ દરમિયાન કંપનીની ટ્રેડિંગ વિન્ડો 8 ઓગસ્ટ, 2026 સુધી બંધ રાખવાની માહિતી પણ આપી છે.</p><h3><b>કેટલી છે સરકારની ભાગીદારી?</b></h3><p>હાલમાં LICમાં ભારત સરકારની 96.5 ટકા હિસ્સેદારી છે. OFS પૂર્ણ થયા બાદ સરકારનો હિસ્સો ઘટીને આશરે 90 ટકા રહેશે. DIPAMના સચિવ અરુણિશ ચાવલાએ જણાવ્યું હતું કે આ હિસ્સેદારી વેચાણથી સરકાર ન્યૂનતમ જાહેર શેરહોલ્ડિંગનું લક્ષ્ય નિર્ધારિત સમય પહેલાં જ હાંસલ કરી શકશે.</p><p>નોંધનીય છે કે સેબીએ (SEBI) LICને મે 2027 સુધી સરકારની હિસ્સેદારી 90 ટકા સુધી ઘટાડવા માટે સમય આપ્યો હતો. જાહેર શેરહોલ્ડિંગના નિયમો અનુસાર સૂચિબદ્ધ કંપનીઓએ નિર્ધારિત સમયમર્યાદામાં જાહેર રોકાણકારોનો હિસ્સો વધારવો જરૂરી હોય છે. આ OFS તે જ દિશામાં સરકારનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.<br><br><b><a href="https://sandesh.com/business/news/coal-india-production-growth-july-2026-share-price-update" target="_blank">આ પણ વાંચો : Coal India Production: સરકારી કંપનીનું કોલસાનું પ્રોડક્શન 8 ટકા વધ્યું, શેરના ભાવ પર રહેશે નજર</a></b></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/f8onXJnZozwFXQWkEAn5pakGz1LRpujX14vpDrNS.webp'/></item><item><title><![CDATA[Sandesh Digital Explainer: ગ્લાસ્ગોમાં દેખાયું અમદાવાદનું વિઝન, જાણો 2030માં કોમનવેલ્થ ગેમ્સ માટે શું છે તૈયારીઓ? ]]></title><link>https://sandesh.com/explainer/news/ahmedabad/ahmedabad-vision-at-glasgow-how-gujarat-is-preparing-for-2030-commonwealth-games</link><guid isPermaLink="true">https://sandesh.com/explainer/news/ahmedabad/ahmedabad-vision-at-glasgow-how-gujarat-is-preparing-for-2030-commonwealth-games</guid><pubDate>Mon, 03 Aug 2026 21:26:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026નો રંગારંગ સમાપન સમારોહ ભારત માટે એક નવા અધ્યાયની શરૂઆત બની ગયો.11 દિવસ સુધી ગ્લાસગોમાં ધમાકેદાર આયોજન બાદ સ્કોટલેન્ડે સત્તાવાર રીતે કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને બેટન ભારતને સુપ્રત કર્યા.હવે સમગ્ર વિશ્વની નજર 2030ના શતાબ્દી સંસ્કરણ પર રહેશે.જેની યજમાની અમદાવાદ કરશે.આ યજમાની સાથે ભારત એક નવો ઇતિહાસ પણ રચશે.ઓસ્ટ્રેલિયા પછી ભારત એવો બીજો દેશ બનશે જે એક કરતાં વધુ વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરશે.ગ્લાસ્ગોમાં ક્લોઝિંગ સેરેમનીમાં ભારતે પોતાની સાંસ્કૃતિક વિરાસત, આધુનિક વિચાર અને પરંપરાઓની એવી અદ્ભુત ઝાંખી રજૂ કરી હતી.કોમનવેલ્થ ગેમ્સનો કાફલો હવે ભારત તરફ આગળ વધશે જ્યાં 2030માં CWG ગેમ્સના 100 વર્ષ પૂર્ણ થવાનો ઐતિહાસિક જશ્ન મનાવવામાં આવશે.</p><h2 style="text-align: justify; "><b>ગ્લાસગોમાં દેખાયું અમદાવાદનું વિઝન</b></h2><p style="text-align: justify; ">ગ્લાસ્ગો ખાતે ગુજરાત સરકાર દ્વારા ચાર ઝોનમાં વહેંચાયેલા અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટરની શરૂઆત કરવામાં આવી હતી.જેમાં શહેરનું સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ખાણીપીણી, પ્રવાસન અને સંસ્કૃતિને પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે ગ્લાસગોમાં રહીને આ મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટના આયોજનની બારીકાઈઓનો અભ્યાસ કર્યો હતો.સમાપન સમારોહમાં શંકર મહાદેવન અને રશ્મિકા મંદાના જેવા કલાકારોની સાથે સાથે ભારત-સ્કોટલેન્ડની સંયુક્ત સાંસ્કૃતિક પ્રસ્તુતિઓએ ભવિષ્યના યજમાન તરીકે ભારતની મજબૂત છાપ છોડી છે.</p><p style="text-align: justify; "><img alt="અમદાવાદનું સ્પોર્ટ્સ ઈન્ફાસ્ટ્રક્ચર" src="https://epapercdn.sandesh.com/images/2026/08/03/PRQm6FZIGZrA4eQXmDIrYYCegxV66GClRIGfLeal.webp" style="width: 100%;"><br></p><h3 style="text-align: justify; "><b>શહેરમાં સ્પોર્ટ્સ ઈન્ફાસ્ટ્રક્ચર ઝડપથી વિકસી રહ્યું છે</b></h3><p style="text-align: justify; "><b>આ અંગે પૂર્વ સિવિલ એન્જિનિયર વાસુદેવ પટેલે સંદેશ ડિજિટલને કહ્યું હતું કે,</b> ગ્લાસ્ગોમાં વર્ષ 2026ની કોમનવેલ્થનું સમાપન થયું છે અને હવે 2030માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થશે. આ માટે સરકારે કેટલાક સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન આપ્યું છે. અમદાવાદમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મહાત્મા મંદિર, કરાઈ પોલીસ એકેડેમી વગેરે જેવા સ્થળો પર સ્પોર્ટ્સ માટેનું ઈન્ફાસ્ટ્રક્ચર વિકસી રહ્યું છે. કોમનવેલ્થમાં મોટાભાગે 56 દેશોના ખેલાડીઓ ભાગ લેતા હોય છે.જેમાં વધારેમાં વધારે 15 રમતો હોય છે. જે યજમાન ઈચ્છે તો તેમાં બે રમતોનો ઉમેરો કરી શકે છે. અમદાવાદમાં આ પ્રથમ વખત છે. જેથી રમતવીરોને રહેવા માટે જે ઝોનમાં રમતનું આયોજન થાય છે તેની આસપાસ રહેલી હોટેલોનું તમામ બુકિંગ કરી લેવામાં આવે છે. તેમના પરિવહન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. શહેરમાં જે ઝોનમાં રમતો યોજાય ત્યાં રોડ ઈન્ફાસ્ટ્રક્ચર વિકસશે અને સ્લમ ફ્રી એરિયા કરી દેવામાં આવશે. જેના કારણે શહેરની આખી સિકલ બદલાઈ જશે.&nbsp;&nbsp;</p><h2 style="text-align: justify; "><b>અમદાવાદ માટે કેમ મહત્વપૂર્ણ છે આ આયોજન?</b></h2><p style="text-align: justify; ">કોમનવેલ્થ ગેમ્સ 2030માં 100 વર્ષ પૂર્ણ થશે અને આ શતાબ્દી ઉજવણીનું આયોજન અમદાવાદમાં થવાનું છે.તેથી આ ગેમ્સ સામાન્ય સ્પોર્ટ્સ ઇવેન્ટ નહીં રહે પરંતુ સમગ્ર કોમનવેલ્થ માટે ઐતિહાસિક ઉજવણી બની રહેશે.અમદાવાદ માટે પણ આ ગૌરવની ક્ષણ છે.શહેર માત્ર યજમાન તરીકે નહીં પરંતુ ભારતની સંસ્કૃતિ, પરંપરા, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આયોજન ક્ષમતાનું વૈશ્વિક પ્રદર્શન કરશે.અમદાવાદમાં 2030ની કોમનવેલ્થ ગેમ્સ માત્ર રમતગમત પૂરતી મર્યાદિત નહીં રહે પણ તેના આયોજનથી આ શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટ, હોટેલ ઉદ્યોગ, પર્યટન, રોજગારી અને વૈશ્વિક રોકાણને પણ મોટો ફાયદો થવાની શક્યતા છે.&nbsp;</p><p style="text-align: justify; "><img alt="અમદાવાદ ગેમ્સ" src="https://epapercdn.sandesh.com/images/2026/08/03/lVeip84ZyIh4PK6wLpvPQ9ubJ1tZcxTWGOMBGX6f.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>અમદાવાદમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી માટેની સુવિધા</b></h2><p style="text-align: justify; ">અમદાવાદમાં મલ્ટી-સ્પોર્ટ વિકાસ પ્રકલ્પોમાનું એક સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ ગેમ્સના મુખ્ય કેન્દ્ર તરીકે કાર્ય કરશે.ગુજરાત પોલીસ એકેડેમી અને નારણપુરા ખાતેનું વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવા અત્યાધુનિક સપોર્ટસ સંકુલો આ વ્યવસ્થામા સહાયકની ભૂમિકા ભજવી મજબૂતાઈ પૂરી પાડશે.આ સ્પોર્ટ્સ સંકુલોની આસપાસમાં પરિવહનના સંકલિત નેટવર્ક્સ, રહેણાંકની અદ્યતન સુવિધાઓ, ડીજીટલ માળખું અમદાવાદની સજ્જતાને સિદ્ધ કરે છે.આ રમતોત્સવ સાથે પેરા-સ્પોર્ટ્સને પણ આવરી લેવામાં આવશે તથા સૌની સુગમતા સુનિશ્ચિત કરવાની સાથે નવીનીકરણીય ઊર્જા-આધારિત સ્થળો,ઓછા ઉત્સર્જનવાળા પરિવહન સંસાધનો અને શૂન્ય-કચરાનાં સંચાલન દ્વારા ટકાઉપણામાં નવા ધોરણો પ્રસ્થાપિત કરવામાં આવશે.</p><h3 style="text-align: justify; "><b>અમદાવાદમાં અનેક મોટા પ્રોજેક્ટ્સ ડેવલપ થશે</b></h3><p style="text-align: justify; ">કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરી રહેલા અમદાવાદને દેશની રમતગમત રાજધાની બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.જ્યારે મોટી સંખ્યામાં અન્ય સ્ટેડિયમ અને સંકુલનું બાંધકામ 2029 ના અંત સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.સરદાર વલ્લભભાઈ એન્ક્લેવનું બાંધકામ 2029ના બીજા કે ત્રીજા ક્વાર્ટર સુધીમાં પૂર્ણ થશે. ટેનિસ સેન્ટરમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ટેનિસ શો કોર્ટ હશે. ગજરાત પોલીસ એકેડેમીમાં એથ્લેટિક્સ સ્ટેડિયમની ક્ષમતા 50 હજાર હશે.શહેર ૨૦૩૬ ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવાનો દાવેદાર પણ છે.2028 સુધીમાં રાષ્ટ્રીય રમતોનું આયોજન કરનાર સંકુલમાં એથ્લેટિક્સ, બોક્સિંગ અને કુસ્તી માટેની સુવિધાઓ વિકસાવવામાં આવશે. આઇઆઇટી ગાંધીનગરમાં હોકી માટે બે એસ્ટ્રોટર્ફ નાખવાની યોજના છે.</p><p style="text-align: justify; "><img alt="Amd cwg" src="https://epapercdn.sandesh.com/images/2026/08/03/i6TIWGkeYJoCVCn8PVo6qivxpNwNpGpXy58W66rl.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>2029માં ગુજરાતમાં વર્લ્ડ પોલિસ એન્ડ ફાયર ગેમ્સનું આયોજન</b></h2><p style="text-align: justify; ">અમદાવાદમાં ભારતે વર્લ્ડ પોલિસ એન્ડ ફાયર ગેમ્સ 2029નું આયોજન કરવાનું સન્માન મેળવ્યું છે અને આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર અને એકતા નગરમાં યોજાશે.તાજેતરમાં જ 2030 કૉમનવેલ્થ ગેમ્સ માટે ભારતની દાવેદારી મંજૂર કરવામાં આવી છે અને આ ઇવેન્ટ માટે યજમાન શહેર તરીકે અમદાવાદની પસંદગી કરવામાં આવી છે.આ તમામ ઇવેન્ટ્સ રાજ્યને મલ્ટીસ્પોર્ટ હાઇપર્ફોર્મન્સ સ્થળ તરીકે સ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.</p><h3 style="text-align: justify; "><b>આ આયોજનથી ગુજરાતને શું મળશે</b></h3><p style="text-align: justify; ">વર્ષ-2030ના કોમનવેલ્થ ગેમ્સની યજમાની ‘વિકસિત ભારત 2047 અને વિકસિત ગુજરાતની સંકલ્પનાઓને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે.આ ગેમ્સના આયોજનથી ગુજરાત ઝડપભેર દેશના સ્પોર્ટીંગ કેપિટલમાં રૂપાંતરિત થશે. જેના લીધે શહેરી વિકાસ અને નવીનીકરણને પ્રોત્સાહન મળવાની સાથે રાજ્યમાં રોજગારીનું સર્જન થશે. રાજ્યમાં પ્રવાસનમાં નોંધપાત્ર વૃદ્ધિ થવાથી નાગરિકોની જીવનશૈલીમાં પણ આમૂલ પરિવર્તન આવશે.</p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/SoX8kLpI4vNxgpV1GNxTOiOg1yQRhuc2IRKtzUmE.webp'/></item><item><title><![CDATA[Gyaneshwari Yadavને મળશે 30 લાખ રૂપિયાનું ઈનામ અને પ્રમોશન, છત્તીસગઢના સીએમ વિષ્ણુ દેવ સાંઈએ કરી મોટી જાહેરાત ]]></title><link>https://sandesh.com/sports/news/gyaneshwari-yadav-commonwealth-games-silver-dsp-reward</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/gyaneshwari-yadav-commonwealth-games-silver-dsp-reward</guid><pubDate>Mon, 03 Aug 2026 21:07:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈએ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં સિલ્વર મેડલ જીતનાર રાજ્ય વેઈટલિફ્ટર જ્ઞાનેશ્વરી યાદવનું સ્વાગત કર્યું. જ્ઞાનેશ્વરીને તેમના નિવાસસ્થાને અભિનંદન આપતા મુખ્યમંત્રીએ 30 લાખ રૂપિયાનું ઈનામ અને પોલીસ વિભાગમાં DSP પદ પર પ્રમોશનની જાહેરાત કરી. જ્ઞાનેશ્વરી હાલમાં રાજનાંદગાંવ જિલ્લા પોલીસ વિભાગમાં સહાયક સબ-ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>વિષ્ણુ દેવ સાંઈએ જ્ઞાનેશ્વરી યાદવને અભિનંદન પાઠવ્યા</b></h2><p style="text-align: justify; ">છત્તીસગઢની જ્ઞાનેશ્વરીએ 53 કિલોગ્રામ વેઈટલિફ્ટિંગ સ્પર્ધામાં કુલ 199 કિલોગ્રામ વજન ઉપાડીને સિલ્વર મેડલ જીત્યો . મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈએ તેને તેના પ્રભાવશાળી વિજય બદલ અભિનંદન આપ્યા અને કહ્યું કે જ્ઞાનેશ્વરીએ બતાવ્યું છે કે દૃઢ નિશ્ચય અને સખત મહેનતથી કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે.</p><p style="text-align: justify; ">તેમને એમ પણ કહ્યું કે તેની સફળતા છત્તીસગઢના રમતગમત ઈતિહાસમાં એક યાદગાર ક્ષણ છે અને રાજ્યના યુવાનો, ખાસ કરીને છોકરીઓને આગળ વધવા માટે પ્રેરણા આપશે. મુખ્યમંત્રીએ કહ્યું કે છત્તીસગઢ સરકાર રમતવીરોને સપોર્ટ આપવા માટે સતત કામ કરી રહી છે. સરકાર તેમને સારું કોચિંગ, ઉત્તમ સુવિધાઓ અને જરૂરી સાધનો પૂરા પાડી રહી છે જેથી તેઓ ઓલિમ્પિક અને એશિયન ગેમ્સ જેવી મોટી ઈવેન્ટ્સમાં દેશ અને રાજ્યનું ગૌરવ વધારી શકે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/vishnudsai/status/2084255157525856593"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3 style="text-align: justify; "><b>જ્ઞાનેશ્વરી એશિયન ગેમ્સમાં મેડલ જીતવા માગે છે</b></h3><p style="text-align: justify; ">પોતાની સફળતા વિશે વાત કરતાં જ્ઞાનેશ્વરીએ તેના પિતાને યાદ કર્યા. તેણે સમજાવ્યું કે તેના પિતા પોતે બોડીબિલ્ડિંગનો અભ્યાસ કરતા હતા અને દરરોજ તેને સાયકલ પર જીમમાં લઈ જતા હતા. તેના પિતાનું સ્વપ્ન હતું કે તેની પુત્રી તે પ્રાપ્ત કરે જે તે પોતે પ્રાપ્ત કરી શક્યા નહીં અને દેશને ગૌરવ અપાવે.</p><p style="text-align: justify; ">જ્ઞાનેશ્વરીએ સમજાવ્યું કે સ્પર્ધાના દિવસે તેનો પીરિયડ્સનો પહેલો દિવસ હતો અને તે ખૂબ પીડા અનુભવી રહી હતી. આમ છતાં તેણે હિંમત હારી નહીં અને એક પછી એક તેને બધી લિફ્ટ્સ યોગ્ય રીતે પૂર્ણ કરી. જ્ઞાનેશ્વરી ડીએસપી બનવાના સમાચારથી ખૂબ જ ખુશ છે. તેણે કહ્યું કે હવે તેનું સંપૂર્ણ ધ્યાન એશિયન ગેમ્સ પર છે, જે એક મહિના પછી યોજાશે, જેના માટે તેણે પહેલેથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/Tx0pUshrkgztKi7d4Qp48C4NxFCfpSYhdyDpdTX9.webp'/></item><item><title><![CDATA[3 ઓગસ્ટના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર ]]></title><link>https://sandesh.com/gujarat/news/india/top-10-important-news-headlines-3-august-2026-latest-updates</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/india/top-10-important-news-headlines-3-august-2026-latest-updates</guid><pubDate>Mon, 03 Aug 2026 21:00:00 +05:30</pubDate><description><![CDATA[<p><b>સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો</b></p><p><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/chandipura-virus-claims-22-childrens-lives" target="_blank"><b>1. Gandinagar News: રાજ્યમાં વાયરસથી 22 માસૂમ બાળકોના મોત, અત્યાર સુધી 184 શંકાસ્પદ કેસ નોંધાયા</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/jamnagar/food-safety-raid-38-establishments-stale-food-destroyed-ice-factory-samples" target="_blank"><b>2. Jamnagar: ફૂડ વિભાગ દ્વારા શહેરની હોટલ, રેસ્ટોરન્ટ અને લારીઓ સહિત 38 પેઢીઓમાં કડક ચેકિંગ</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/tat-s-2026-mains-exam-date-announced-seb-hall-ticket-september-7" target="_blank"><b>3. Gandhinagar: TAT-S 2026 મુખ્ય પરીક્ષાની તારીખો જાહેર, 20 સપ્ટેમ્બરે મુખ્ય પરીક્ષા, 7 સપ્ટેમ્બરથી ડાઉનલોડ થશે હોલ ટિકિટ</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/vastral-sports-complex-swimming-pool-video-viral" target="_blank"><b>4. Ahmedabad News: વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સ્વિમિંગ પુલનો વીડિયો વાયરલ, લાઇબ્રેરીના વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/jetpur/jetpur-usurer-jayesh-bhut-arrested-sp-vijaysinh-gurjar-press-conference" target="_blank"><b>5. Jetpur: વ્યાજખોર જયેશ ભૂતની ધરપકડ, 24 લાખ સામે 41 લાખ પડાવ્યા છતાં પઠાણી ઉઘરાણી ચાલુ રાખી</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/political-news/vadodara/manjalpur-assembly-bypoll-result-vadodara-bjp-satish-patel-wins" target="_blank"><b>6. Manjalpur Bypoll Result: વડોદરાની માંજલપુર બેઠક પર ભાજપનો ભવ્ય વિજય: સતીષ પટેલ 30,499 મતોની લીડથી વિજેતા</b></a></p><p><a href="https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-gujarat-rain-forecast-weather-department-scattered-rainfall-7-days" target="_blank"><b>7. Monsoon 2026 : ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: 7 દિવસ સામાન્ય છૂટોછવાયો વરસાદ રહેવાની હવામાન વિભાગની આગાહી</b></a></p><p><a href="https://sandesh.com/india/news/political-news/by-poll-election-result-2026-datia-bankipur-assembly-seat-bjp-defeat" target="_blank"><b>8. By Poll Election Result : 3 વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામ જાહેર, 2 સીટ પર ભાજપની હાર</b></a></p><p><a href="https://sandesh.com/india/news/mohan-bhagwat-to-address-gen-z--gen-alpha-in-mumbai-on-aug-6" target="_blank"><b>9. RSSના સંઘ પ્રમુખ મોહન ભાગવત Gen-Z સાથે કરશે સંવાદ, 100થી વધુ શહેરના વિદ્યાર્થીઓ થશે સામેલ</b></a></p><p><a href="https://sandesh.com/india/news/why-did-brij-bhushan-singh-get-relief-even-after-a-1000-page-charge-sheet-and-statements-from-108-people" target="_blank"><b>10. Brij Bhushan Singh વિરુદ્ધ 1000 પાનાની ચાર્જશીટ, 108 લોકોના નિવેદન; છતાં કેમ મળી રાહત?</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/hyaBsqPmvvYcpULFRevG1W9YL3ia3xJJINgNd7Jt.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: 16મો ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે, ગુજરાતની 3 સરકારી હોસ્પિટલોને મળ્યા રાષ્ટ્રીય એવોર્ડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-wins-3-national-awards-16th-indian-organ-donation-day-ikdrc-civil-hospitals</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-wins-3-national-awards-16th-indian-organ-donation-day-ikdrc-civil-hospitals</guid><pubDate>Mon, 03 Aug 2026 18:16:39 +05:30</pubDate><description><![CDATA[<p>નવી દિલ્હી ખાતે આયોજિત 16મા 'ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે' સમારોહમાં ગુજરાતની આરોગ્ય સેવાનો સાર્વત્રિક જોશ જોવા મળ્યો હતો. દેશભરમાંથી અંગદાન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સમાન સેવાની કામગીરી કરતી સંસ્થાઓમાં ગુજરાતની સરકારી હોસ્પિટલોએ સિંહફાળો આપ્યો છે.</p><h2><b>ગુજરાતની આરોગ્ય સેવાનો સાર્વત્રિક જોશ જોવા મળ્યો</b></h2><p>આ સમારોહમાં અમદાવાદની જાણીતી IKDRC (ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડીસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર) ને "Excellence in Organ Transplantation" એવોર્ડથી નવાજવામાં આવી હતી. જ્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલને "Best Non-Transplant Organ Retrieval Centre" અને સુરતની નવી સિવિલ હોસ્પિટલને "Best Brain Stem Death Team" નો રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી અંગદાન અંગે જાગૃતિનો મોટો પવન ફૂંકાયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલે 48 બ્રેઈનડેડ મૃતદાતાઓના પરિજનોને પ્રોત્સાહિત કરીને 171 જેટલા મહા મૂલ્યવાન અંગોનું સફળ રીટ્રીવલ કર્યું હતું, જેનાથી દેશભરના દર્દીઓને નવું જીવન મળ્યું છે.</p><h3><b>PM-JAY યોજના હેઠળ વિનામૂલ્યે સારવાર</b></h3><p>IKDRC માં વર્ષ ૨૦૨૫ માં કુલ 597 સફળ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા. આશ્ચર્યજનક અને ગર્વ લેવા જેવી બાબત એ છે કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) હેઠળ 380 ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ની સુવિધા પૂરી પાડવામાં આવી છે. ગુજરાતના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ ટીમ તેમજ અંગદાતાઓના પરિવારોને બિરદાવતા કહ્યું હતું કે, સમાજ અને તબીબોના સહિયારા પ્રયાસોથી આજે ગુજરાત ઓર્ગન ડોનેશન ક્ષેત્રે દેશભરમાં એક મજબૂત અને પ્રેરણાદાયી રોલ મોડેલ બનીને ઉભરી આવ્યું છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/crime/rajkot/bhaktinagar-murder-case-ghanshyamsinh-vaghela-dharmendrasinh-arrested" target="_blank">આ પણ વાંચો: Rajkot: અનૈતિક સંબંધની શંકા અને 2 વર્ષ જૂની અદાવતમાં હત્યા, સમાધાન ન થતાં ખેલાયો ખૂની ખેલ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/fH22J5rZF3zeTL48GRKpGYBHjGQyGu6gWcDWrio0.webp'/></item><item><title><![CDATA[Celebrity Home  : 1 કરોડનું ઈન્ટીરીયર, 5 કરોડનું ઘર... મનીષા રાનીએ બતાવ્યું પોતાનું ડ્રીમ હોમ આંગન ]]></title><link>https://sandesh.com/entertainment/news/bigg-boss-ott-manisha-rani-new-house-1</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/bigg-boss-ott-manisha-rani-new-house-1</guid><pubDate>Mon, 03 Aug 2026 17:47:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">28 વર્ષની ઉંમરે મનીષા રાની એ એવી સિદ્ધિ મેળવી છે, જે મેળવવામાં ઘણા લોકોને વર્ષો લાગી જાય છે. બિહારના મુંગેરની રહેવાસી મનીષાએ મુંબઈના પોશ વિસ્તારમાં પોતાનું ઘર ખરીદીને તેને એક લક્ઝરી હોમમાં ફેરવી દીધું છે. બિગ બોસ OTT ફેમ અને ઇન્ફ્લુએન્સર મનીષા રાની એ આખરે મુંબઈના ગોરેગાંવમાં આવેલા પોતાના ભવ્ય ઘરની ઝલક બતાવી છે. લગભગ 5 કરોડ રૂપિયાની કિંમત ધરાવતા આ ઘરમાં રહેવા જતાં પહેલાં તેણે તેના રિનોવેશનમાં 1 વર્ષથી વધુ સમય આપ્યો હતો. મનીષાએ પોતાના ઘરને આંગન નામ આપ્યું છે. ઘરના મુખ્ય દરવાજા પર પિત્તળના હેન્ડલ સાથે સંપૂર્ણ સફેદ દરવાજો લગાવવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>ઘરનું રિનોવેશન પૂર્ણ કરવામાં 1 વર્ષ લાગ્યું</b></h2><p style="text-align: justify; ">મનીષા રાનીને પોતાના સપનાના ઘરનું રિનોવેશન પૂર્ણ કરવામાં 1 વર્ષ લાગ્યું હતું અને તેણે કસ્ટમાઇઝ્ડ ઇન્ટિરિયર ડિઝાઇન પર લગભગ 1 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. મનીષાનું આ 3-BHK એપાર્ટમેન્ટ લગભગ 5 કરોડ રૂપિયાનું છે. તેનું ઘર મુંબઈની એક સોસાયટીના 17મા માળે આવેલું છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dbke0ITudtV/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dbke0ITudtV/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dbke0ITudtV/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dbke0ITudtV/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h2 style="text-align: justify; "><b>મનીષા રાનીનું લક્ઝરી ઘર</b></h2><p style="text-align: justify; ">મનીષા રાનીએ પોતાના યુટ્યુબ ચેનલ પર હોમ ટૂર વીડિયો શેર કરીને પોતાના સપનાના ઘરની ઝલક બતાવી હતી. તેણે જણાવ્યું કે ઘરના દરેક ખૂણાને તેની પસંદ પ્રમાણે ડિઝાઇન કરવામાં આવ્યો છે. માત્ર ઇન્ટિરિયર પર જ લગભગ 1 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે, જેથી ઘર બરાબર એવું જ બને જેવું તેણે હંમેશા સપનું જોયું હતું. ઘરના પ્રવેશદ્વારથી લઈને લિવિંગ એરિયા સુધી દરેક જગ્યાએ મોડર્ન અને એલિગન્ટ ઇન્ટિરિયર જોવા મળે છે. મનીષાએ જણાવ્યું કે તેમણે પોતાના ઘરને આંગન નામ આપ્યું છે, કારણ કે તેઓ ઇચ્છતા હતા કે આ માત્ર ઘર નહીં, પરંતુ પરિવાર અને પોતાના લોકોની યાદો સાથે જોડાયેલી ખાસ જગ્યા બને.</p><h3 style="text-align: justify; "><b>મનીષા રાનીના ઘરનું પ્રવેશદ્વાર</b></h3><p style="text-align: justify; ">મનીષાના ઘરમાં પ્રવેશ કરતાં જ સૌથી પહેલાં એક નાનું મંદિર જોવા મળે છે. અહીં તેણે ભગવાન હનુમાન, માતા લક્ષ્મી, ભગવાન શિવ અને ભગવાન ગણેશની મૂર્તિઓ સ્થાપિત કરી છે. તેણે જણાવ્યું, પૂજારીએ વાસ્તુ મુજબ મંદિર અહીં રાખવાની સલાહ આપી હતી. મંદિરની બાજુમાં એક નાનો રબર પ્લાન્ટ પણ રાખવામાં આવ્યો છે. મનીષાના જણાવ્યા મુજબ વાસ્તુમાં રબર પ્લાન્ટને આર્થિક સમૃદ્ધિ માટે શુભ માનવામાં આવે છે.<br><img alt="Manisha Rani (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/03/glfTl7G1pDqL5zNLYj1hYoXM1SNyCGhLx0sj2KnS.webp"><br></p><p style="text-align: justify; ">હોમ ટૂર દરમિયાન મનીષાએ પોતાનો લિવિંગ રૂમ, ડાઇનિંગ એરિયા, મોડ્યુલર કિચન, બેડરૂમ, ડ્રેસિંગ એરિયા અને બાલ્કની પણ બતાવી હતી. ઘરમાં મોટી બાલ્કની, ડાઇનિંગ ટેબલ વગરનો વિશાળ ઓપન-પ્લાન લિવિંગ રૂમ અને કસ્ટમ વોક-ઇન વોર્ડરોબ સાથેનો ડ્રેસિંગ રૂમ છે. મનીષા રાનીના નવા ઘરમાં દરેક રૂમ માટે અલગ કલર થીમ રાખવામાં આવી છે અને કિચનમાં માર્બલ ફિનિશવાળી ખાસ કેબિનેટ્સ બનાવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે ઘરના દરેક ભાગનું પ્લાનિંગ તેમણે જાતે કર્યું છે અને દરેક નાની-મોટી બાબતમાં તેમની પસંદ સામેલ છે.</p><h4 style="text-align: justify; "><b>મનીષા રાનીની સફર</b></h4><p style="text-align: justify; ">ઘર બતાવતાં-બતાવતાં મનીષા ઘણી વખત ભાવુક પણ થઈ ગઈ હતી. તેણે કહ્યું કે એક સમય એવો હતો જ્યારે તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે મુંબઈ જેવા શહેરમાં તેનું પોતાનું આટલું સુંદર ઘર હશે. આજે તેનું આ સપનું સાકાર થયું છે અને તેના માટે તેઓ પોતાના ફેન્સનો દિલથી આભાર માને છે. મનીષા રાનીની સફર પણ પ્રેરણાદાયક છે. બિહારના એક નાના શહેરમાંથી બહાર આવી તેમણે સોશિયલ મીડિયા દ્વારા પોતાની ઓળખ બનાવી. ત્યારબાદ 'બિગ બોસ OTT 2', 'ઝલક દિખલા જા 11' અને અનેક મ્યુઝિક વીડિયોઝે તેમને ઘર-ઘરમાં લોકપ્રિય બનાવી દીધા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/highest-paid-bollywood-actresses-fees-top-5" target="_blank">આ પણ વાંચો-Highest Paid Actress : એક ફિલ્મ માટે કરોડો રૂપિયા વસૂલે છે બોલીવુડની આ અભિનેત્રીઓ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/G0uqDpZf2ORCUaVW9xDCXyGHMmRDWrvQ78godrbk.webp'/></item></channel></rss>