<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabadમાં નારોલ પોલીસે ડ્રગ્સ, ગાંજો અને નશાકારક ગોળીઓ સાથે એક આરોપીની ધકરકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-narol-police-arrest-drug-peddler</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-narol-police-arrest-drug-peddler</guid><pubDate>Fri, 21 Aug 2026 13:15:19 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરને નશા મુક્ત બનાવવા માટે હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ અંતર્ગત નારોલ પોલીસ સ્ટેશનની એનડીપીએસ (NDPS) સ્ક્વોડે મોટી સફળતા મેળવી છે. પોલીસે મળેલી ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને નશીલા પદાર્થોના કાળા કારોબાર સાથે સંકળાયેલા એક આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી નાશીરખાન ઉર્ફે સંજય ઉર્ફે માનસીક પઠાણના કબજા હેઠળના મકાનમાંથી પોલીસે ઘાતક એમડી ડ્રગ્સ, ગાંજો તેમજ મોટા પ્રમાણમાં નશાકારક ગોળીઓનો જથ્થો પકડી પાડ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>31 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ અને 128 ગ્રામ ગાંજો જપ્ત</b></h2><p style="text-align: justify; ">પોલીસે આરોપીના મકાનમાં હાથ ધરેલી સઘન તલાશી દરમિયાન રૂ.96,000ની અંદાજિત કિંમતનું 31 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ઉપરાંત, રૂ.6,400ની કિંમતનો 128 ગ્રામ ગાંજો પણ જપ્ત કરવામાં આવ્યો છે. મકાનમાંથી ડ્રગ્સ અને ગાંજા ઉપરાંત તબીબી પ્રિસ્ક્રિપ્શન વગર ગેરકાયદેસર રીતે વેચાતી Alprazolam 0.5 MGની 300 નશાકારક ગોળીઓ તથા Pregalab 300 ની 350 ટેબલેટનો જથ્થો પણ પોલીસે કબજે કર્યો છે.</p><h3 style="text-align: justify; "><b>રૂ.1.17 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કરાયો</b></h3><p style="text-align: justify; ">નારોલ પોલીસે સ્થળ પરથી નશીલા પદાર્થો, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા 4,17,520.80ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી સામે નારોલ પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ એક્ટ (NDPS) હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ નશાકારક પદાર્થોનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને શહેરમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/ZrDXiXaI6GP7Sl7HDOl0T208RH2iEA4G3NNmpDpi.webp'/></item><item><title><![CDATA[India Vs Bangladesh સિરીઝ પર આવ્યું મોટું અપડેટ, BCB પ્રમુખે આપી નવી માહિતી ]]></title><link>https://sandesh.com/cricket/news/sports/big-update-on-india-vs-bangladesh-series-bcb-president-gives-new-information</link><guid isPermaLink="true">https://sandesh.com/cricket/news/sports/big-update-on-india-vs-bangladesh-series-bcb-president-gives-new-information</guid><pubDate>Fri, 21 Aug 2026 13:07:48 +05:30</pubDate><description><![CDATA[<p>Indian ટીમે ગયા વર્ષે ઓગસ્ટમાં બાંગ્લાદેશના પ્રવાસે જવાનું હતું, પરંતુ રાજકીય તણાવના કારણે આ સિરીઝ સ્થગિત કરવામાં આવી હતી. લાંબો સમય બાદ પણ આ સિરીઝ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. જેને લઈને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના પ્રમુખ તમીમ ઇકબાલે આ મામલે નવું નિવેદન આપ્યું છે.</p><h2><b>BCCIએ અફઘાનિસ્તાન સામે ત્રણ T20 મેચની સિરીઝની કરી જાહેરાત&nbsp;</b></h2><p>માનવામાં આવી રહ્યું હતું કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની વ્હાઇટ બોલ સિરીઝ સપ્ટેમ્બર મહિનામાં રમાઈ શકે છે, પરંતુ BCCIએ તાજેતરમાં અફઘાનિસ્તાન સામે ત્રણ T20 મેચની સિરીઝની જાહેરાત કરી છે. આ સિરીઝ સપ્ટેમ્બરમાં રમાશે. ટીમ ઈન્ડિયાના શેડ્યૂલ પર નજર કરીએ તો ઓગસ્ટથી ડિસેમ્બર 2026 સુધી ભારતીય ટીમે અનેક મેચ રમવાની છે. બાંગ્લાદેશ પ્રવાસ પર ભારતીય ટીમે 3 વનડે અને 3 T20 મેચ રમવાની હતી, પરંતુ આ પ્રવાસને ઓગસ્ટ 2025થી સપ્ટેમ્બર 2026 સુધી સ્થગિત કરવામાં આવ્યો હતો. એક તરફ BCCIએ આ પ્રવાસ અંગે હજુ સુધી કંઈ સ્પષ્ટ કર્યું નથી, ત્યારે BCB પ્રમુખ તમીમ ઇકબાલનું કહેવું છે કે સિરીઝને લઈને બંને બોર્ડ વચ્ચે વાતચીત ચાલી રહી છે.</p><h3><b>ભારત-બાંગ્લાદેશ સિરીઝ પર નવું અપડેટ</b></h3><p>ઢાકામાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં BCB પ્રમુખ તમીમ ઇકબાલે કહ્યું,"સિરીઝને લઈને બંને દેશોના બોર્ડ વચ્ચે વાતચીત ચાલી રહી છે. તારીખોમાં ફેરફાર શક્ય છે" ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની સિરીઝને લઈને અનિશ્ચિતતા એટલા માટે પણ વધી ગઈ છે, કારણ કે BCBએ તાજેતરમાં ગેમ ડેવલપમેન્ટ ટ્રોફીની જાહેરાત કરી હતી. આ સ્પર્ધાનું આયોજન 28 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી થવાનું છે. આ તારીખો ભારત-બાંગ્લાદેશ સિરીઝના સંભવિત શેડ્યૂલ સાથે ટકરાઈ શકે છે. તેથી આંતરરાષ્ટ્રીય સિરીઝ અંગે હજુ પણ સવાલો યથાવત છે.</p><h4><b>સિરીઝ નક્કી થશે તો ટૂર્નામેન્ટનું સ્થળ બદલાશે</b></h4><p>તમીમ ઇકબાલે સ્પષ્ટ કર્યું કે આ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ મીરપુરમાં રમાવાની છે, પરંતુ જો ભારત સાથેની સિરીઝ પર મહોર લાગી જાય તો આ સ્પર્ધાને મીરપુરથી બસુંધરા શિફ્ટ કરવામાં આવશે. BCCIએ અત્યાર સુધી આ પ્રવાસ માટે ન તો સંમતિ આપી છે કે ન તો ઇનકાર કર્યો છે. તેથી BCB આશાવાદી બનીને સિરીઝને લઈને પ્રયાસો કરી રહ્યું છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ હાલમાં ફેરફારના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. બોર્ડે બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL)ને સસ્પેન્ડ કરવાનો કઠિન નિર્ણય પણ લીધો છે, કારણ કે છેલ્લા બે વર્ષથી BPLના કારણે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને નુકસાન થઈ રહ્યું હતું. હવે લીગના માળખાને મૂળભૂત રીતે વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવશે.</p><p><b><a href="https://sandesh.com/d\" target="_blank">વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ&nbsp;</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/VXfPHjm1k9aSYp5PeOtKpiu6ktudPoKA4QBnyHPU.webp'/></item><item><title><![CDATA[Deepika Spirit Movie Controversey: દીપિકા પાદુકોણ કેમ 'સ્પિરિટ'માંથી બહાર થઈ? આખરે સાચું કારણ આવ્યું સામે ]]></title><link>https://sandesh.com/entertainment/news/deepika-padukone-out-of-spirit-movie-makers-big-comment</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/deepika-padukone-out-of-spirit-movie-makers-big-comment</guid><pubDate>Fri, 21 Aug 2026 13:07:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને પ્રભાસની આગામી ફિલ્મ 'સ્પિરિટ'ને લઈને થયેલો વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. અગાઉ એવી અફવાઓ હતી કે તાજેતરમાં માતા બનેલી દીપિકાએ ૮ કલાકની શિફ્ટની માંગણી કરી હોવાથી તેને ફિલ્મમાંથી દૂર કરવામાં આવી હતી. જોકે, હવે આ મામલે ફિલ્મના દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગાના ભાઈ અને નિર્માતા પ્રણય રેડ્ડી વાંગાએ નવા દાવા કરીને સાચું કારણ જાહેર કર્યું છે.</p><h2 style="text-align: justify; "><b>સ્પિરિટ નિર્માતાના ભાઈનો ચોંકાવનારો ખુલાસો</b></h2><p style="text-align: justify; ">પ્રણય રેડ્ડી વાંગાએ એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે દીપિકાને ફિલ્મમાંથી બહાર કરવાનું મુખ્ય કારણ તેની આર્થિક શરતો હતી. દીપિકાએ ફિલ્મની ઊંચી ફી ઉપરાંત નફામાંથી ૧૦ ટકા હિસ્સાની માંગણી કરી હતી. પ્રોડક્શન ટીમના બજેટ અને હિસાબ સાથે આ શરતો સુસંગત ન બેસતા, ટીમે અન્ય વિકલ્પો શોધવાનું શરૂ કર્યું હતું. પ્રણયના જણાવ્યા અનુસાર, સંદીપ રેડ્ડી વાંગા લગભગ દોઢ વર્ષથી દીપિકાના સંપર્કમાં હતા અને ફિલ્મની વાર્તા તેમજ તેના પાત્ર અંગે સતત ચર્ચા ચાલી રહી હતી. પરંતુ જ્યારે ટીમે બીજા વિકલ્પો પર કામ કરવાનું શરૂ કર્યું, ત્યારે ફિલ્મ અને પાત્ર સંબંધિત આંતરિક વિગતો લીક થવા લાગી હતી, જે ન થવું જોઈતું હતું.</p><h3 style="text-align: justify; "><b>બજેટ અને નાણાકીય વ્યવસ્થા પર અસંમતિ</b></h3><p style="text-align: justify; ">પ્રણય રેડ્ડી વાંગાએ સ્પષ્ટ કર્યું કે વિવાદ માત્ર ૫-૬ કરોડ રૂપિયા વધારે આપવાનો નહોતો, પરંતુ સમગ્ર નાણાકીય વ્યવસ્થા અને બજેટનો હતો. અભિનેત્રી પોતાની માંગણી કરવા સ્વતંત્ર છે, પરંતુ જ્યારે તે પ્રોજેક્ટના એકંદર બજેટ સાથે બંધબેસતી ન લાગી, ત્યારે સંદીપ રેડ્ડી વાંગાએ આખરે દીપિકાને ફિલ્મમાંથી અલગ કરવાનો નિર્ણય લીધો હતો. ઉલ્લેખનીય છે કે દક્ષિણ સ્ટાર પ્રભાસની " સ્પિરિટ " ફિલ્મ આવતા વર્ષે ઈદ પર રિલીઝ થશે. આ જ દિવસે સલમાનની ફિલ્મ "SVC63" ની રિલીઝ થવાના અહેવાલ છે. જેથી પ્રભાસ અને સલમાનની ફિલ્મો વચ્ચે સંભવિત ટક્કર થવાની અટકળો છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો :&nbsp;</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/AE8ghGEhrkj4RECNADnpK10Nuqfj77pKnrPBVIoq.webp'/></item><item><title><![CDATA[Bhavnagarમાં પીધો ઝેરી દારૂ, સુરત પહોંચ્યા બાદ યુવક બ્રેઇન ડેડ જાહેર ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/bhavnagar-hooch-tragedy-surat-youth-brain-dead</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/bhavnagar-hooch-tragedy-surat-youth-brain-dead</guid><pubDate>Fri, 21 Aug 2026 12:59:26 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતને હચમચાવી મૂકનારા ભાવનગરના નકલી લઠ્ઠાકાંડની ગંભીર અસર હવે સુરત સુધી પહોંચી છે. ભાવનગરમાં ઝેરી દારૂ પીધા બાદ સુરત આવેલા મૂળ ભાવનગરના યુવક સંજયસિંહ ડોડીયાની તબિયત અત્યંત નાજુક બનતાં તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>સંજયસિંહ ડોડીયાએ ભાવનગરમાં નકલી દારૂ પીધો</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ સંજયસિંહ ડોડીયાએ ભાવનગરમાં નકલી દારૂ પીધો હતો. ત્યારબાદ તેઓ સુરત પહોંચ્યા હતા., જ્યાં તેમની તબિયત લથડી હતી. ઝેરી દારૂની ગંભીર અસરને કારણે તેમનું મગજ ડેમેજ થયું હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 3 દિવસથી યુવક હોસ્પિટલમાં વેન્ટિલેટર પર સારવાર હેઠળ હતો.</p><h3 style="text-align: justify; "><b>યુવક ICUમાં દાખલ હતો</b></h3><p style="text-align: justify; ">તબિયત વધુ ગંભીર બનતાં તેને સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. છેલ્લા 3 દિવસથી યુવક ICUમાં જીવન અને મરણ વચ્ચે ઝઝૂમી રહ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>હવે તેને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યો&nbsp;</b></h3><p style="text-align: justify; ">સારવાર દરમિયાન તેમની સ્થિતિ સતત નાજુક રહેતાં હવે તેને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ ભાવનગરના લઠ્ઠાકાંડની ગંભીરતા વધુ સ્પષ્ટ કરી છે. ઝેરી દારૂ પીધા બાદ તેની અસર માત્ર ઘટનાસ્થળ પૂરતી સીમિત રહી નથી, પરંતુ અન્ય શહેરોમાં સારવાર લઈ રહેલા અસરગ્રસ્તોની સ્થિતિ પણ ચિંતાજનક બની રહી છે.</p><h4 style="text-align: justify; "><b>અત્યાર સુધી 9 લોકોના મોત થયા&nbsp;</b></h4><p style="text-align: justify; ">ભાવનગરના નકલી લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 9 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ, સુરતમાં સારવાર લઈ રહેલા મૂળ ભાવનગરના યુવકને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવતા આ દુર્ઘટનાની માનવીય કરુણતા વધુ ઘેરી બની છે.</p><h4 style="text-align: justify; "><b>અન્ય લોકોની સ્થિતિ અને તેમની સારવારને લઈને પણ ચિંતા&nbsp;</b></h4><p style="text-align: justify; ">હવે ઝેરી દારૂ પીધેલા અન્ય લોકોની સ્થિતિ અને તેમની સારવારને લઈને પણ ચિંતા વધી રહી છે. આ સમગ્ર કેસમાં નકલી દારૂના ઉત્પાદન, સપ્લાય અને વેચાણના નેટવર્કની તપાસ સાથે અસરગ્રસ્તોની સારવાર પર પણ તંત્રની નજર કેન્દ્રિત છે.&nbsp; &nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp;&nbsp;<a href="https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/bhavnagar-hooch-tragedy-61-affected-critical-patients-smc-investigation" target="_blank"><b> Live Bhavnagar લઠ્ઠાકાંડ : મૃતકના શરીરમાં 200 એમએલથી વધુ મિથેનોલ મળ્યું</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/lLzqdroQvqvGBQb2YlDXZKdADtoVhjZ7Tbmm2hKJ.webp'/></item><item><title><![CDATA[Jaipur CJP Team Attacked: કાર્યકર્તાઓએ જાતે જ ગાડીના કાચ તોડ્યા..આશુતોષ રાંકાના આરોપોને ગ્રામજનોએ જુઠ્ઠા ગણાવ્યા ]]></title><link>https://sandesh.com/india/news/jaipur-cjp-team-attacked-they-themselves-broke-the-car-windows-villagers-called-ashutosh-rankas-allegations-false</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/jaipur-cjp-team-attacked-they-themselves-broke-the-car-windows-villagers-called-ashutosh-rankas-allegations-false</guid><pubDate>Fri, 21 Aug 2026 12:46:01 +05:30</pubDate><description><![CDATA[<p>જયપુરમાં સીજેપી કાર્યકર્તાઓ એક ગામમાં સ્કૂલનું નિરીક્ષણ કરવા પહોંચ્યા તે દરમિયાન ગ્રામજનોએ તેમને આમ કરવાથી રોકતા હોબાળો મચ્યો હતો.&nbsp; સીજેપી પ્રવક્તા આશુતોષ રાંકાએ કારના કાચ તોડી નાખ્યા અને પથ્થરમારો કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે આ મામલે ગ્રામજનોની પ્રતિક્રિયા આવી છે.&nbsp;</p><h2><b>ગાડીના કાચ તોડી નાંખ્યા- સીજેપી&nbsp;</b></h2><p>સીજેપી દ્વારા રાજસ્થાનના જયપુરમાં એક સરકારી શાળામાં જઈ રહી હતી ત્યારે હુમલો કરવામાં આવ્યો હતો. ગ્રામજનો પર હુમલો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જોકે, CJP એ કહ્યું છે કે હુમલાખોરો સામાન્ય ગ્રામજનો નહોતા પરંતુ BJP સમર્થકો હતા જેમણે પૂર્વયોજિત રીતે તેમના પર હુમલો કર્યો હતો.&nbsp; ગ્રામજનોએ પણ હવે આ આરોપોનો જવાબ આપ્યો છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2090672481304785195"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>200-250 લોકો હથિયાર લઇને આવ્યા હતા- ગ્રામજનો</b>&nbsp;&nbsp;</h2><p>ગ્રામજનોનો દાવો છે કે CJP ના કાર્યકરો હથિયારો લઇને આવ્યા હતા. તેઓ રાષ્ટ્ર વિરોધી નારા લગાવી રહ્યા હતા.&nbsp; તેમનો વધુમાં આરોપ છે કે CJP ના સભ્યોએ તેમના પોતાના વાહનોની બારીઓ તોડી નાખી હતી.&nbsp; ગામલોક જુગલ કિશોર શર્માએ કહ્યુ કે અમે કંઈ કર્યું નથી. તેઓ 200-250 લોકોને પોતાની સાથે લાવ્યા હતા. અમે તેમને માર્યા ન હતા. અમે તેમની સાથે શાંતિથી વાત કરી હતી, પરંતુ તેમણે પોતાની કાર તોડી નાખી હતી. તેઓ કહે છે કે તેઓ શાળાનું સમારકામ કરવા આવ્યા હતા. પરંતુ આ અમારા ધારાસભ્ય કરશે, તેના માટે 12 લાખ રૂપિયા ફાળવાયા છે.&nbsp; અમે વિરોધ કર્યો કારણ કે અમે ભાજપ કે કોંગ્રેસ સિવાય કોઈ પણ પક્ષને અહીં આવવા દઈશું નહીં. મારી પત્ની એટલી ડરી ગઈ છે કે તે ઘરની બહાર નીકળી નથી."</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2090674871395324186"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p><br></p><h3><b>ગ્રામજનોનો દાવો છે કે CJP સભ્યોએ અસંસ્કારી વર્તન કર્યું હતું</b></h3><p>ગામના એક રહેવાસીએ જણાવ્યું હતું કે CJP સભ્યો અગાઉ મુલાકાતે આવ્યા હતા, અને ગ્રામજનોએ તેમની સાથે નમ્રતાપૂર્વક દલીલ કરી હતી અને તેમને પાછા મોકલી દીધા હતા; ગ્રામજનો પણ સ્થળ છોડી ગયા હતા. જોકે, 50-60 લોકોનું એક જૂથ પાછળથી પરત ફર્યું, તેમની સાથે મહિલાઓ પણ હતી. તેમના વાહનોમાં હથિયારો હતા. જ્યારે ગ્રામજનોએ ફરીથી તેમને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે મહિલાઓ અસંસ્કારી વર્તન કરવા લાગી. તમે જાણો છો કે જ્યારે ગ્રામજનો સાથે અસંસ્કારી વર્તન કરવામાં આવે છે, ત્યારે તેઓ પણ યોગ્ય રીતે જવાબ આપે છે. રાષ્ટ્રવિરોધી નારા લગાવનારા કોઈપણને અમે છોડશું નહીં.</p><p>ગ્રામજનો લાલ ચંદ શર્માનો દાવો છે કે CJP સભ્યોએ પોતે ગ્રામજનોને ફસાવવાના પ્રયાસમાં લાકડીઓ ચલાવી હતી. "અમે દિલ્હીમાં પણ તેમનો વિરોધ જોયો છે; તેઓ ત્યાં પણ રાષ્ટ્રવિરોધી નારા લગાવતા હતા. તે હજુ પણ અમારા પર ગુસ્સો કરે છે. અમે તેમને ગામમાં પ્રવેશવા નહીં દઈએ."</p><p><br></p><h3><b>'સીજેપી પોતાની રાજનીતિને પ્રોત્સાહન આપવા આવ્યા, , શાળાઓ સુધારવા માટે નહીં' - ગ્રામજનો</b></h3><p>જ્યારે બીજા એક ગ્રામજનોને પૂછવામાં આવ્યું કે સ્થાનિકોએ સીજેપી સભ્યોનો વિરોધ કેમ કર્યો.&nbsp; જેઓ શાળા સુધારવા માટે આવ્યા હતા . ત્યારે તેમણે જવાબ આપ્યો, "હું સ્પષ્ટ કરવા માંગુ છું કે સીજેપી શાળાને સુધારવા માટે નહીં પરંતુ પગપેસારો કરવા અને તેના રાજકીય એજન્ડાને પ્રોત્સાહન આપવા માટે આવી રહ્યા છે. તેમનો બીજો કોઈ ઉદ્દેશ્ય નથી. અમારી શાળા માટે ભંડોળ પહેલેથી જ બહાર પાડવામાં આવ્યું છે, અને થોડા દિવસોમાં જમીન પર કામ શરૂ થશે."</p><p>ગ્રામજનોનો દાવો છે કે તેઓએ સીજેપીનો વિરોધ કર્યો કારણ કે તે એક રાષ્ટ્રવિરોધી પક્ષ છે, અને તેઓ આવી પાર્ટીને તેમના ગામમાં પ્રવેશવા દેશે નહીં. સીજેપીને વિદેશી ભંડોળ મળે છે, અને ગામલોકો ક્યારેય દેશ સાથે દગો કરનારાઓને ટેકો આપશે નહીં.&nbsp;</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/pjl6Hod0XFLvGWdYgV81C0mo3Lc7cY2bzv9V49eb.webp'/></item><item><title><![CDATA[Lucknow Triple Murder:...તો લખનૌમાં ન થતી 3 હત્યા, શું છે દિવ્યા મિશ્રાનું પૂર્ણગિરિ કનેક્શન! ]]></title><link>https://sandesh.com/india/news/crime/lucknow-triple-murder--divya-mishra-sister-rsquo-s-emotional-post</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/crime/lucknow-triple-murder--divya-mishra-sister-rsquo-s-emotional-post</guid><pubDate>Fri, 21 Aug 2026 12:35:07 +05:30</pubDate><description><![CDATA[<p>Lucknow Triple Murder: લખનૌના ગોમતી નગરમાં દિવ્યા મિશ્રાની હત્યા અંગે નવા ખુલાસા થઈ રહ્યા છે. દિવ્યાની બહેન, યુટ્યુબર પ્રજ્ઞા મિશ્રાએ સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી; તેની બહેનને યાદ કરતાં તેણે લખ્યું, "કાશ દિવ્યા આટલી ભોળી ન હોત. કાશ આપણે આજે પૂર્ણગિરિના દર્શન કરવા ગયા હોત." તેની રહસ્યમય પોસ્ટે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.</p><p><br></p><h4><b>શું પૂર્ણગિરિના દર્શન કરવાનો કોઈ પ્લાન હતો?</b></h4><p>દિવ્યાની બહેન પ્રજ્ઞાની પોસ્ટ અનુસાર ખરેખર પૂર્ણગિરિ મંદિરની મુલાકાત લેવાનો કોઈ પ્લાન હતો. જો કે, આ પ્લાન કદાચ રદ કરવામાં આવ્યો હતો અને દિવ્યા બેંકમાં કામ પર ગઈ હતી. તે જ જગ્યાએ જ્યાં તેના પતિ માનસ વાજપેયીએ ભયાનક ગુનો કર્યો હતો. ત્યારબાદ તેણે તેની બહેનને પણ ગોળી મારી અને પછી આત્મહત્યા કરી. આ ટ્રિપલ મર્ડર કેસ માત્ર લખનૌ જ નહીં, પરંતુ સમગ્ર દેશને હચમચાવી નાખે છે.</p><p><img alt="Lucknow Triple Murder (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/21/78vKLNyhMI8wLLwLcLl0nBAEYVnQviEGLLgVR6vy.webp"><br></p><h4><b>પ્રજ્ઞા મિશ્રાની ભાવુક પોસ્ટ વાયરલ</b></h4><p>- પ્રજ્ઞા મિશ્રાના જણાવ્યા મુજબ, તેની બહેન દિવ્યા મિશ્રા લખનૌના ગોમતી નગરમાં ICICI બેંકમાં ડેપ્યુટી મેનેજર તરીકે કામ કરતી હતી. કે, તે તેના પતિના માનસિક વર્તન અને તેની બહેનની માનસિક બીમારીને કારણે અલગ રહેતી હતી. હંમેશાની - જેમ, તે સવારે 9 વાગ્યે ઓફિસ પહોંચી, પોતાનું કામ સંભાળી અને પછી કોઈ પાસેથી ચેક લેવા માટે એક સાથીદાર સાથે બહાર નીકળી.</p><p>- આ દરમિયાન તેનો માનસિક રોગી પતિ માનસ વાજપેયી, બે રિવોલ્વર લઈને ઓટો-રિક્ષામાં વિસ્તારની રેકી કરી રહ્યો હતો.</p><p>- જ્યારે તે બેંકમાં પાછી ફરી, ત્યારે તેના પતિએ પ્રવેશદ્વાર પર જ રિવોલ્વરથી ગોળીબાર કર્યો અને પછી બંદૂકથી તેના ચહેરા અને માથા પર વારંવાર પ્રહાર કર્યા.</p><p>- જોઈ રહેલા લોકો પોતાનો જીવ બચાવવા માટે ગભરાઈને ભાગી ગયા. પછી માનસે બીજી રિવોલ્વર કાઢી અને દિવ્યાના કપાળમાં ગોળી મારી દીધી.</p><p>- એ માનવું મુશ્કેલ છે કે તું હવે અમારી સાથે નથી, દિવ્યા... તું મમ્મીનો દીકરો હતી... મમ્મી ફોન કરતી રહે છે... મારામાં હિંમત નથી કે હું તેને કહી શકું કે તું ગઈ છે." દિવ્યા, જો તું આટલી બધી સીધી ન હોત... કાશ આજે આપણે પૂર્ણગિરિ ફરવા જતા રહ્યા હોત...</p><p><br></p><h4><b>દિવ્યા મિશ્રા હત્યા કેસમાં ચાલી રહી છે તપાસ&nbsp;</b></h4><p>પોલીસ ગોમતી નગરમાં દિવ્યા મિશ્રાની હત્યાની તપાસ કરી રહી છે. કેસના વિવિધ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે, જેમાં ઘટનાઓનો ક્રમ, આરોપીઓની હિલચાલ અને ચાલુ કૌટુંબિક વિવાદનો સમાવેશ થાય છે. પ્રજ્ઞા મિશ્રાની એક ભાવનાત્મક પોસ્ટે પૂર્ણગિરિના આયોજિત પ્રવાસ, દિવ્યાના અલગ રહેવા અને વિસ્તારની અગાઉથી રેકી કરવાના આરોપો અંગે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.<br><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/crime/lucknow-divya-mishra-murder-case-1-crore-alimony-twist-manash-bajpai" target="_blank">Lucknow મર્ડર કેસમાં નવો વળાંક... દિવ્યાએ કરી 1 કરોડની માંગણી, બહેન તુલિકા અને પત્નીને થતા ઝઘડા</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/hG2pOcy8MD5aTR2v0De9B7wQQhrJzwlazVq95rDP.webp'/></item><item><title><![CDATA[Suratના સારોલીમાં ટેક્સટાઇલ માર્કેટના 6 કાપડ વેપારીઓ જુગાર રમતા રંગેહાથ ઝડપાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-saroli-textile-traders-gambling-raid</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-saroli-textile-traders-gambling-raid</guid><pubDate>Fri, 21 Aug 2026 12:25:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરના સારોલી વિસ્તારમાં આવેલા ટેક્સટાઇલ પાર્કમાં મોડી રાત્રે ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડો પાડીને મોટી સફળતા મેળવી છે. કૃષ્ણા પાર્ક ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં ધમધમતી જુગારની ક્લબ પર સારોલી પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન લક્ઝ્યુરિયસ લાઇફસ્ટાઇલ ધરાવતા અને કાપડના મોટા વેપાર સાથે સંકળાયેલા 6 કાપડ વેપારીઓ પાના પર હાર-જીતનો બાજી માંડીને જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.</p><h2 style="text-align: justify; "><b>કૃષ્ણા પાર્ક ઇન્ડસ્ટ્રીમાં રમાઈ રહ્યો હતો જુગાર</b></h2><p style="text-align: justify; ">પોલીસે સ્થળ પરથી દરોડા દરમિયાન જુગારના અડ્ડા પરથી રૂ.5 લાખની રોકડ રકમ કબ્જે કરી છે. આ ઉપરાંત વેપારીઓ પાસેથી મળેલા મોંઘાડાટ સ્માર્ટફોન અને વાહનો સહિત કુલ રૂપિયા 6.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે તમામ 6 વેપારીઓની સ્થળ પરથી જ ધરપકડ કરીને જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કાપડ બજારના જાણીતા વેપારીઓ જુગાર રમતા ઝડપાતાં સુરત ટેક્સટાઇલ માર્કેટના વેપારી આલમમાં ભારે ચર્ચા જાગી છે.</p><h3 style="text-align: justify; "><b>6 વેપારીઓને પોલીસે રંગે હાથે ઝડપ્યા&nbsp;</b></h3><p style="text-align: justify; ">સુરતમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને ગેરકાયદે જુગારધામો સામે પોલીસે હાથ ધરેલી ઝુંબેશના ભાગરૂપે આ દરોડો પાડવામાં આવ્યો હતો. ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટની શાંતિનો ગેરલાભ ઉઠાવીને વેપારની આડમાં બાજી મંડાઈ રહી હોવાની ચોક્કસ બાતમી મળતાં જ પોલીસે વોચ ગોઠવીને આ સફળ કામગીરી કરી હતી. પકડાયેલા તમામ આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની તપાસ સારોલી પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/j01v0u4ypVUa8jWSPKnYf5cgnXcXlQWEu0YzthvQ.webp'/></item><item><title><![CDATA[Anand : 22ના મોત બાદ એક વર્ષમાં નવો ગંભીરા બ્રિજ તૈયાર,ઓગસ્ટના અંત સુધી લોકાર્પણની શક્યતા ]]></title><link>https://sandesh.com/gujarat/news/anand/new-gambhira-bridge-ready-after-22-deaths-tragedy</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/anand/new-gambhira-bridge-ready-after-22-deaths-tragedy</guid><pubDate>Fri, 21 Aug 2026 11:47:36 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">22 લોકોના જીવ લેનારી ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે નવો બ્રિજ તૈયાર થઈ ગયો છે. દુર્ઘટના બાદ વહીવટી તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા હતા અને સરકાર પણ ભારે ટીકાનો સામનો કરી રહી હતી. જોકે ઘટનાના માત્ર 1 વર્ષમાં જ નવા ગંભીરા બ્રિજનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે અને ઓગસ્ટના અંત સુધીમાં તેના લોકાર્પણની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>અંદાજે રૂ.212 કરોડના ખર્ચે  નવો બ્રિજ&nbsp;</b></h2><p style="text-align: justify; ">નવા ગંભીરા બ્રિજનું નિર્માણ અંદાજે રૂ.212 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. બ્રિજની કુલ લંબાઈ 868.75 મીટર છે અને તેમાં કુલ 23 સ્પાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક સ્પાનની લંબાઈ 37.75 મીટર રાખવામાં આવી છે.</p><p style="text-align: justify; "><img alt="New Gambhira Bridge Ready Within One Year After Tragedy That Claimed 22 Lives" src="https://epapercdn.sandesh.com/images/2026/08/21/TdOyVMedU42nQnHuQpS2Qpe4ASPot2WN3HqWd1k5.webp" style="width: 100%;"><br></p><h3 style="text-align: justify; "><b>હેવી લોડિંગ સ્ટેટિક ટેસ્ટિંગ પણ પૂર્ણ</b></h3><p style="text-align: justify; ">બ્રિજ શરૂ કરતા પહેલા તેની મજબૂતાઈ અને ક્ષમતાની ચકાસણી માટે હેવી લોડિંગ સ્ટેટિક ટેસ્ટિંગ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ ટેસ્ટિંગ બાદ હવે બ્રિજને વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવાની તૈયારીઓ તેજ થઈ રહી છે.</p><p style="text-align: justify; "><img alt="New Gambhira Bridge Ready Within One Year After Tragedy That Claimed 22 Lives" src="https://epapercdn.sandesh.com/images/2026/08/21/cfzrOQ33xQCJYR1hfljpuYdppmAHJAhrcYNCQGFE.webp"><br></p><h4 style="text-align: justify; "><b>10 મીટર પહોળો કેરેજ-વે તૈયાર કરવામાં આવ્યો</b></h4><p style="text-align: justify; ">નવા બ્રિજમાં વાહન વ્યવહારને વધુ સુગમ બનાવવા માટે 10 મીટર પહોળો કેરેજ-વે તૈયાર કરવામાં આવ્યો છે. સાથે જ પદયાત્રીઓની સુરક્ષા અને અવરજવર માટે 1.5 મીટર પહોળો ફૂટપાથ પણ બનાવવામાં આવ્યો છે.</p><h4 style="text-align: justify; "><b>બ્રિજ દુર્ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે આક્રોશ જગાવ્યો હતો</b></h4><p style="text-align: justify; ">ગંભીરા બ્રિજ દુર્ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે આક્રોશ જગાવ્યો હતો. 22 લોકોના મોત બાદ બ્રિજની જાળવણી, નિરીક્ષણ અને જવાબદાર તંત્રની કામગીરીને લઈને ગંભીર સવાલો ઊભા થયા હતા. હવે નવા બ્રિજનું નિર્માણ પૂર્ણ થતાં લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.</p><p style="text-align: justify; "><img alt="New Gambhira Bridge Ready Within One Year After Tragedy That Claimed 22 Lives" src="https://epapercdn.sandesh.com/images/2026/08/21/vGjtPLw6gUzx89bnNVXQOykTWIPaHtiQ6dw2IQAt.webp" style="width: 100%;"><br></p><h5 style="text-align: justify; "><b>ઓગસ્ટના અંત સુધીમાં નવા ગંભીરા બ્રિજનું લોકાર્પણ થઈ શકે</b></h5><p style="text-align: justify; ">જો તમામ પ્રક્રિયા સમયસર પૂર્ણ થશે તો ઓગસ્ટના અંત સુધીમાં નવા ગંભીરા બ્રિજનું લોકાર્પણ થઈ શકે છે. એક દુર્ઘટના બાદ ઊભા થયેલા પ્રશ્નો વચ્ચે માત્ર 1 વર્ષમાં નવો બ્રિજ તૈયાર થવો હવે વહીવટી તંત્ર માટે મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે જોવામાં આવી રહ્યો છે..&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp;&nbsp;<a href="https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/bhavnagar-hooch-tragedy-61-affected-critical-patients-smc-investigation" target="_blank"><b>Live Bhavnagar લઠ્ઠાકાંડ : મૃતકના શરીરમાં 200 એમએલથી વધુ મિથેનોલ મળ્યું</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/XtkvgZHuy2MNjrAlmBMVnEFKXvbCK8NOONJGnf3E.webp'/></item><item><title><![CDATA[Dollar ના વર્ચસ્વને રૂપિયાનો પડકાર, ઇન્ટરનેશનલ બિઝનેસમાં ભારતીય ચલણમાં ચુકવણી સ્વીકારાશે ]]></title><link>https://sandesh.com/business/news/world/rupee-settlement-international-trade-challenge-dollar</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/world/rupee-settlement-international-trade-challenge-dollar</guid><pubDate>Fri, 21 Aug 2026 11:42:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આંતરરાષ્ટ્રીય વેપારમાં ભારતીય રૂપિયાના ઉપયોગને વધુ વ્યાપક બનાવવા માટે સરકારે એક મોટો નિયમનકારી અવરોધ દૂર કર્યો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલી સૂચના અનુસાર, વિદેશી વેપાર નીતિ 2023 માં તાત્કાલિક અસરથી મહત્વપૂર્ણ સંશોધન કરવામાં આવ્યા છે. આ નવા નિયમ હેઠળ, નિકાસકારો હવે દેશની વિદેશી વેપાર નીતિ હેઠળ મળતા પ્રોત્સાહનો અને લાભો જાળવી રાખીને, ભારતીય ચલણમાં ચુકવણી સ્વીકારી શકે છે. આ પગલું પરંપરાગત મુક્તપણે રૂપાંતરિત ચલણો પર આધારિત હાલની સિસ્ટમની બહારની એક વધારાની સુરક્ષિત ચુકવણી પદ્ધતિ પૂરી પાડે છે.</p><h2 style="text-align: justify; "><b>નવા નિયમોની મુખ્ય વિશેષતાઓ</b></h2><p style="text-align: justify; ">નવા વિદેશી વેપાર નીતિ નિયમો હેઠળ, એશિયન ક્લિયરિંગ યુનિયન (ACU) પ્રાદેશિક ચુકવણી પ્રણાલીની બહારના દેશોમાં નિકાસકારો હવે ભારતીય રૂપિયામાં કરાર અને ઇન્વોઇસ સેટલ કરી શકે છે. નેપાળ અને ભૂટાન સિવાય કોઈપણ દેશમાં કરવામાં આવતી નિકાસ, જે માન્ય બેંકિંગ ચેનલો દ્વારા રૂપિયામાં ચૂકવવામાં આવે છે, તે તમામ FTP લાભો માટે પાત્ર રહેશે. ઈરાનના કિસ્સામાં, સૂચના રૂપિયામાં વેપાર માટે હાલના રક્ષણાત્મક પગલાં જાળવી રાખે છે અને ભારતની આંતરરાષ્ટ્રીય પરમાણુ અપ્રસાર પ્રતિબદ્ધતાઓ સંબંધિત સંવેદનશીલ માલ અને તકનીકો પર લાગુ પડે છે.</p><h3 style="text-align: justify; "><b>નિકાસકારો માટે ભારતીય ચલણની નવી છૂટ</b></h3><p style="text-align: justify; ">આ ફેરફાર જુલાઈ 2022 માં શરૂ થયેલી નિયમનકારી પ્રક્રિયાને પૂર્ણ કરે છે, જ્યારે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ સ્પેશિયલ રૂપી વોસ્ટ્રો એકાઉન્ટ્સ (SRVA) દ્વારા રૂપિયામાં આંતરરાષ્ટ્રીય વેપારના સેટલમેન્ટની સિસ્ટમ રજૂ કરી હતી. અગાઉ, FTP નિયમોમાં સ્પષ્ટતાના અભાવે નિકાસકારોમાં અનિશ્ચિતતા હતી કે આવી રસીદો પ્રોત્સાહનો માટે પાત્ર બનશે કે નહીં. DGFT ના આ નવા સુધારાથી આ તમામ અસમંજસતા દૂર થઈ ગઈ છે.</p><h4 style="text-align: justify; "><b>વૈશ્વિક આર્થિક પરિપ્રેક્ષ્ય અને ફાયદા</b></h4><p style="text-align: justify; ">આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે વૈશ્વિક સ્તરે ચલણના વર્ચસ્વને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. ભારત સ્પષ્ટ કરી ચૂક્યું છે કે રૂપિયાનું આંતરરાષ્ટ્રીયકરણ વૈશ્વિક વેપારમાં સ્થાનિક ચલણનો ઉપયોગ વધારવા માટે છે, ન કે હાલની વિદેશી ચલણ પ્રણાલીને સંપૂર્ણપણે બદલવા માટે. ડોલર-આધારિત આંતરરાષ્ટ્રીય પ્રણાલી ઘણીવાર દેશોને પશ્ચિમી પ્રતિબંધો સામે સંવેદનશીલ બનાવે છે, જેમાંથી બચવા માટે સ્થાનિક ચલણમાં વેપાર ફાયદાકારક સાબિત થાય છે.</p><h5 style="text-align: justify; "><b>વેપારીઓને મળશે નવો વિકલ્પ</b></h5><p style="text-align: justify; ">આ ફેરફાર ખાસ કરીને એવા દેશો માટે અત્યંત ઉપયોગી છે જે યુએસ ડોલરની અછતનો સામનો કરી રહ્યા છે અથવા સ્થાપિત આંતરરાષ્ટ્રીય ચુકવણી પ્રણાલીઓનો ઉપયોગ કરવામાં મુશ્કેલી અનુભવે છે. રૂપિયામાં સેટલમેન્ટ કરવાથી ચલણ રૂપાંતરનો ખર્ચ ઘટે છે અને વેપારીઓને નવો વિકલ્પ મળે છે. નિષ્ણાતોના મતે, આ વ્યવસ્થાથી ભવિષ્યમાં ભારતની મોટી વિદેશી વિનિમય અનામત જાળવવાની જરૂરિયાત પણ ઓછી થઈ શકે છે અને ચાલુ ખાતાની ખાધ નિયંત્રણમાં મદદ મળી શકે છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/gallery/news/-do-animals-experience-love-and-sadness-emotions" target="_blank">આ પણ વાંચોઃ પ્રાણીઓ વચ્ચે કેવી રીતે પ્રેમ થાય છે? તેઓ પણ દુખી થાય છે ખરી?</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/jiJq1EJw3SYEi3LZv42T1J2oJwEzG8H1sBXbEdCx.webp'/></item><item><title><![CDATA[Jamnagar LCBએ લાલપુર હાઇવે પર ટેમ્પોના ચોરખાનામાંથી 2065 વિદેશી દારૂના ચપલા કર્યા જપ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/jamnagar/jamnagar-lcb-liquor-seized-lalpur-highway</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/jamnagar/jamnagar-lcb-liquor-seized-lalpur-highway</guid><pubDate>Fri, 21 Aug 2026 10:54:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જામનગર એલસીબી (LCB) પોલીસે દારૂની હેરાફેરી સામે મોટો પ્રહાર કર્યો છે. જામનગર-લાલપુર હાઇવે પરથી પસાર થઈ રહેલા એક શંકાસ્પદ પેસેન્જર ટેમ્પોને આંતરીને પોલીસે તલાશી લીધી હતી. આ તલાશી દરમિયાન વાહનની અંદર બનાવવામાં આવેલા ગુપ્ત ચોરખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના 2,065 અડધિયા(ચપલા)નો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂ અને ટેમ્પો કાર સહિત કુલ રૂપિયા 10 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને દરેડ ગામના રહેવાસી વિજયસિંહ બહાદુરસિંહ જાડેજા નામના શખ્સને સ્થળ પરથી જ દબોચી લીધો હતો.</p><h2 style="text-align: justify; "><b>પેસેન્જર વાહનમાં ચાલતું હતું ગેરકાયદે નેટવર્ક</b></h2><p style="text-align: justify; ">બુટલેગરો દ્વારા પોલીસને ચકમો આપવા માટે પેસેન્જર વાહનની આડમાં દારૂની હેરાફેરી કરવાનો નવો કીમિયો અપનાવવામાં આવ્યો હતો. વાહનમાં એવી રીતે ખાસ ચોરખાનું બનાવવામાં આવ્યું હતું કે પ્રથમ નજરે કોઈને પણ દારૂનો જથ્થો હોવાની આશંકા ન જાય. પરંતુ જામનગર એલસીબીની ટીમે ઝીણવટભરી તપાસ કરીને આ ગુપ્ત ખાનામાંથી દારૂનો વિશાળ જથ્થો શોધી કાઢ્યો હતો. પોલીસે દારૂની બોટલો અને વાહન જપ્ત કરીને આરોપી સામે દારૂબંધી ધારા (પ્રોહિબિશન એક્ટ) મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.</p><h3 style="text-align: justify; "><b>સમગ્ર મામલે પોલીસ તપાસ તેજ</b></h3><p style="text-align: justify; ">આરોપીની અટકાયત કર્યા બાદ પોલીસે આ ગેરકાયદેસર નેટવર્કનું મુળ સુધી પહોંચવા સઘન પૂછપરછ શરૂ કરી છે. દારૂનો આટલો મોટો જથ્થો ક્યાંથી સપ્લાય કરવામાં આવ્યો હતો અને જામનગરમાં આ જથ્થો કોણે મંગાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ પ્રકરણમાં અન્ય કયા મોટા બુટલેગરોના નામ ખુલશે તે તરફ સૌની નજર મંડાયેલી છે. એલસીબીની આ સફળ કામગીરીથી અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/Zej9STiEpumEuRkA0JvqKWHk2qXw1hxNNSlLp0Td.webp'/></item></channel></rss>