<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Bayad: બાયડના દિપેશ્વરી ધામમાં માતાજીના ભક્તોનો મહેરામણ : મહાપ્રસાદનું અન્નક્ષેત્ર ધમધમી ઊઠયું ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bayad/bayad-matajis-devotees-were-welcomed-at-bayads-dipeshwari-dham-mahaprasads-food-court-was-filled-with-enthusiasm</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bayad/bayad-matajis-devotees-were-welcomed-at-bayads-dipeshwari-dham-mahaprasads-food-court-was-filled-with-enthusiasm</guid><pubDate>Thu, 30 Jul 2026 01:23:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં બુધવારે ગુરૂપુર્ણીમાના પાવન અવસરે મંદિરો અને દેવાલયોમાં શ્રાદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી હતી. બીજી તરફ શિષ્યોએ પોતાના માનેલા ગુરૂજનોની ગુરૂવંદના કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા. અરવલ્લી જિલ્લાના બાયડના વિખ્યાત દિપેશ્વરી ધામ ખાતે માતાજીના ભક્તોનો માનવ મહેરામણ ઉમટી પડયો હતો. ગુરૂપૂર્ણિમાનું પર્વ હોય અને ગુરૂજનોના આશીર્વાદ મેળવ્યા ન હોય તેવો ભાગ્યે જ કોઇ શિષ્ય જોવા મળશે. આજે પાવન દિવસે શિષ્યો અને ભક્તજનો પોતાના માનેલા ગુરૂના આશીર્વાદ મેળવવા ઉપડી ગયા હતા. ગુરૂના આશીર્વાદ સાથે જીવનમાં સફળતાની ગુરૂચાવી પણ મેળવી હતી. બીજી તરફ બંન્ને જિલ્લામાં મંદિરો અને દેવાલયોમાં ભક્તોની ભારે ભીડ દર્શનાર્થે ઉમટી પડી હતી. અરવલ્લી જિલ્લાના વિખ્યાત બાયડ તાલુકાના જૂના ઉંટરડા ગામે ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે માં દિપેશ્વરીના મંદિરે હજારોની સંખ્યામાં ભક્તજનો દર્શન કરવા દિપેશ્વરી ધામ ખાતે ઉમટી પડયા હતા. ગત મંગળવારે રાત્રે 12 વાગ્યાથી મંગળા આરતીના દર્શન કરવા સવારે 4 વાગ્યા સુધી ભક્તોની ભીડ જોવા મળી હતી. માતાજીના દર્શનાર્થે આવતા પગપાળા શ્રાદ્ધાળુઓ માટે પાણી તેમજ ચા-નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. મંદિરના પૂજારી ગુણવંતભાઈ રાવલને ફૂલહાર પહેરાવી ભક્તોએ ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરી હતી. આજે સવારથી જ ઉંટરડા દિપેશ્વરી ધામ તરફ જતા રસ્તાઓ વાહનો અને ભક્તોથી જાણે ઉભરાયા હતા. ચારેકોર દર્શનાર્થીઓની ચિક્કાર ભીડ જોવા મળી હતી. દિવસ દરમિયાન માતાજીનું મહાપ્રસાદ અન્નક્ષેત્ર ધમધમ્યું હતું. મોટી સંખ્યામાં આવેલા માતાજીના ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. ઉંટરડા તરફ જતા રસ્તાઓ પર વાહનોનો ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો. આંબલિયારા પોલીસે સ્થળ પર પહોંચીને ટ્રાફિકને ખુલ્લો કરાવ્યો હતો. દિપેશ્વરી મંદિર ટ્રસ્ટ મંડળના નવીનભાઇ પંડયાના જણાવ્યા પ્રમાણે અરવલ્લી ઉપરાંત સાબરકાંઠા, મહેસાણા, ખેડા, ગાંધીનગર સહિતના જિલ્લાઓ તેમજ રાજ્યભરમાંથી દિવસ દરમિયાન અંદાજે એક લાખ કરતાં વધુ ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો. આ ઉપરાંત બંન્ને જિલ્લામાં દેવાલયો, મંદિરોમાં શ્રાદ્ધાળુઓ, ભાવિકોની ભારે ભીડ ભગવાનના દર્શનાર્થે ઉમટી પડી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/29/yAVlyfC5RBsqU9HrlPg1lSR2bQzDCTyrqxpWqrUr.webp'/></item><item><title><![CDATA[Himatnagar: શામળાજીમાં 1.5 લાખ ભક્તોએ કાળિયા ઠાકોરના દિવ્ય દર્શન કર્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/himatnagar/himatnagar-15-lakh-devotees-had-divine-darshan-of-kaliya-thakor-in-shamlaji</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/himatnagar/himatnagar-15-lakh-devotees-had-divine-darshan-of-kaliya-thakor-in-shamlaji</guid><pubDate>Thu, 30 Jul 2026 01:22:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">શામળાજીઃ પવિત્ર ગુરુપૂર્ણિમાના પર્વે પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આસ્થા અને ભક્તિનો અદ્દભુત માહોલ જોવા મળ્યો હતો. અષાઢ સુદ પૂર્ણિમાના આ પાવન અવસરે 1.5 લાખથી વધુ શ્રાદ્ધાળુઓએ કાળિયા ઠાકોરના ભવ્ય અને દિવ્ય સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આખો દિવસ મંદિર પરિસર 'જય શામળિયા' અને 'કૃષ્ણં વંદે જગતગુરુ'ના નાદથી ગુંજી ઉઠયું હતું.ગુરુપૂર્ણિમા નિમિત્તે વહેલી સવારની મંગળા આરતીથી જ કાળિયા ઠાકોરના દર્શનાર્થે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. વિશેષ દિવસે ભગવાન શામળિયાને સોના, ચાંદી અને હીરા જડિત ઝરીના વાઘા અને વિશેષ આભૂષણોનો મનોહર શણગાર કરવામાં આવ્યો હતો, જેનાથી ભગવાનનું સ્વરૂપ અત્યંત આકર્ષક અને અલૌકિક લાગી રહ્યું હતું. ભક્તોએ ભાવપૂર્વક ભગવાનને ગુરુ દક્ષિણા અર્પણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.દર્શનની સાથે-સાથે મોટી સંખ્યામાં ભક્તો મંદિરના પ્રસાદરૂપી મગજના લાડુ પણ શ્રાદ્ધાપૂર્વક પોતાના ઘરે લઈ ગયા હતા. માત્ર શામળાજી મંદિર જ નહીં, પરંતુ શામળાજી સ્થિત પ્રખ્યાત ખાખચોક અખાડા ખાતે પણ ગુરુપૂર્ણિમાનો વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીં મંડલેશ્વર હરકિશોર મહારાજના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે પણ ભક્તો અને સેવકોની ભારે ભીડ જામી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/29/5G3846f39wB6AEal00kRjuhv8tKCqKqpo6PPlARg.webp'/></item><item><title><![CDATA[CWG 2026: નીરજ ચોપરા એક્શનમાં મળશે જોવા, 8મા દિવસનું સંપૂર્ણ શેડ્યૂલ ]]></title><link>https://sandesh.com/sports/news/commonwealth-games-2026-day-8-india-neeraj-chopra</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/commonwealth-games-2026-day-8-india-neeraj-chopra</guid><pubDate>Wed, 29 Jul 2026 23:32:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">30 જુલાઈના રોજ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સના 8મા દિવસે ટોક્યો ઓલિમ્પિક્સના ગોલ્ડન બોય નીરજ ચોપરા એક્શનમાં જોવા મળશે. ગુરુવારે વેઈટલિફ્ટિંગમાં 2 સહિત કુલ 5 મેડલ દાવ પર લાગશે. એથ્લેટિક્સમાં પણ તજિન્દરપાલ સિંહ તૂર અને સમરદીપ સિંહ ગિલ (શોટ પુટ) ફાઈનલમાં હશે.</p><p style="text-align: justify; ">પારુલ ચૌધરી 5000 મીટર દોડની ફાઈનલમાં જોવા મળશે. આ ઉપરાંત, બધાની નજર મહિલા ડિસ્કસ થ્રો ફાઈનલમાં સીમા કાલીરામણા અને નિધિ રાની પર રહેશે.</p><p style="text-align: justify; ">ભારત માટે અત્યાર સુધીનો સાતમો દિવસ (આ સમાચાર લખાઈ ત્યાં સુધી) ખૂબ જ સારો રહ્યો છે. બુધવારે, પાંચ બોક્સરોએ સેમીફાઈનલમાં પ્રવેશ કરીને ઓછામાં ઓછા 5 બ્રોન્ઝ મેડલ પાક્કા કર્યા છે. આનાથી ભારતના બોક્સિંગ મેડલની કુલ સંખ્યા 9 થઈ જશે . જાસ્મિન લેમ્બોરિયાની મેચ સાતમા દિવસે મોડી રાત્રે યોજાવાનો છે, અને તે પણ સેમીફાઈનલમાં પ્રવેશ કરીને મેડલ મેળવી શકે છે.</p><h2 style="text-align: justify; "><b>કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતનું આઠમા દિવસનું શેડ્યૂલ&nbsp;</b></h2><p style="text-align: justify; "><img alt="CWG 2026" src="https://epapercdn.sandesh.com/images/2026/07/29/RDY2ZdrVbZFaVMmbM7g3bejvQmIgZZmOp1RRAMkC.webp"><br></p><h3 style="text-align: justify; "><b>ભારતીય બોક્સરોએ પોતાનું મજબૂત પ્રદર્શન ચાલુ રાખ્યું</b></h3><p style="text-align: justify; ">ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય બોક્સરોએ પોતાનું મજબૂત પ્રદર્શન ચાલુ રાખ્યું છે. 29 જુલાઈના રોજ ભારતીય બોક્સિંગ ટીમે ફરી એકવાર શાનદાર પ્રદર્શન કર્યું. સાક્ષી ચૌધરી અને અરુંધતી ચૌધરીએ પોતપોતાની ક્વાર્ટર ફાઈનલ મેચ જીતીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો.&nbsp;</p><p style="text-align: justify; ">આ સાથે બંનેએ ભારત માટે ઓછામાં ઓછો બ્રોન્ઝ મેડલ નિશ્ચિત કર્યો છે. ભારતીય બોક્સરોના પ્રભાવશાળી પ્રદર્શન સાથે બોક્સિંગમાં મેડલની સંખ્યા વધુ વધવાની અપેક્ષા છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/ishan-kishan-run-out-abhishek-sharma-stump-mic-video" target="_blank">Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/29/IGu5ARAlVgf9Wij0b7iM64fYyExX8miFEOm2EIxt.webp'/></item><item><title><![CDATA[Raja Raghuvanshi Murder Case : પતિની હત્યારી સોનમ રઘુવંશીએ કર્યું સરન્ડર, SCની ટિપ્પણી બાદ ફરી પહોંચી જેલ ]]></title><link>https://sandesh.com/india/news/raja-raghuvanshi-murder-case-sonam-raghuvanshi-surrenders-sc-bail-cancelled</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/raja-raghuvanshi-murder-case-sonam-raghuvanshi-surrenders-sc-bail-cancelled</guid><pubDate>Wed, 29 Jul 2026 21:56:29 +05:30</pubDate><description><![CDATA[<p>મેઘાલયના ચર્ચિત હનીમૂન મર્ડર કેસમાં મુખ્ય આરોપી સોનમ રઘુવંશીએ 28 જુલાઈએ સરેન્ડર કર્યું છે. આ પહેલાં સુપ્રીમ કોર્ટે તેના જામીન રદ કરીને ત્રણ અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે પ્રથમ દૃષ્ટિએ સોનમ જામીન મેળવવા પાત્ર નહોતી.</p><h2><b>સની સુનાવણી હાલમાં મહત્વપૂર્ણ તબક્કામાં&nbsp;</b></h2><p>જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ પ્રસન્ના બી. વરાલેની બેન્ચે જણાવ્યું કે આરોપીની ધરપકડ સમયે તેને ધરપકડના કારણોની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. કોર્ટે વધુમાં સ્પષ્ટ કર્યું કે ધરપકડ મેમોમાં ટાઈપિંગની કોઈ ભૂલ હોય તો પણ તેને જામીન આપવાનો આધાર બનાવી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે કેસની સુનાવણી હાલમાં મહત્વપૂર્ણ તબક્કામાં છે, તેથી આરોપીને જામીન આપવું યોગ્ય નથી. જોકે કોર્ટે એ પણ જણાવ્યું કે જો આગામી છ મહિનામાં ટ્રાયલ પૂર્ણ નહીં થાય તો આરોપી કાયદા મુજબ ફરીથી જામીન માટે અરજી કરી શકશે.</p><h3><b>તમામ દોષિતોને કડક સજા મળશે</b></h3><p>આ દરમિયાન મૃતક રાજા રઘુવંશીના ભાઈ વિપિન રઘુવંશીએ સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે તેમને શરૂઆતથી જ ન્યાયતંત્ર પર સંપૂર્ણ વિશ્વાસ હતો અને તેમને ખાતરી હતી કે અંતે ન્યાય મળશે. તેમણે મેઘાલય સરકાર તેમજ તપાસ એજન્સીઓની કામગીરીની પણ પ્રશંસા કરી હતી. વિપિન રઘુવંશીએ જણાવ્યું કે તપાસ એજન્સીઓની અસરકારક કામગીરીના કારણે તેમના ભાઈની હત્યાની મુખ્ય આરોપી ફરી જેલમાં પહોંચી છે. તેમણે આશા વ્યક્ત કરી કે કેસનો ટ્રાયલ ઝડપથી પૂર્ણ થશે અને તમામ દોષિતોને કડક સજા મળશે. આ કેસ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો અને હવે તેની કાનૂની કાર્યવાહી પર સૌની નજર ટકેલી છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/vande-mataram-insult-criminal-offence-bill-passed-rajya-sabha" target="_blank">આ પણ વાંચો : 'Vande Mataram'નું અપમાન હવે ગણાશે ગુનો, રાજ્યસભામાં પાસ થયું બિલ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/29/QCR90KkZDMMknwWmlyRRPHYAezk5ONrOlfI6ACoG.webp'/></item><item><title><![CDATA['Vande Mataram'નું અપમાન હવે ગણાશે ગુનો, રાજ્યસભામાં પાસ થયું બિલ ]]></title><link>https://sandesh.com/india/news/vande-mataram-insult-criminal-offence-bill-passed-rajya-sabha</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/vande-mataram-insult-criminal-offence-bill-passed-rajya-sabha</guid><pubDate>Wed, 29 Jul 2026 21:26:11 +05:30</pubDate><description><![CDATA[<p>લોકસભામાં એન્ટી પેપર લીક બિલ પસાર થયા બાદ હવે રાજ્યસભાએ પણ 'વંદે માતરમ'ના અપમાનને દંડનીય ગુનો બનાવતું રાષ્ટ્રીય સન્માનના અપમાનની રોકથામ (સંશોધન) વિધેયક, 2026 ધ્વનિમતથી પસાર કર્યું છે. બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો અને બાદમાં વોકઆઉટ પણ કર્યું હતું. તેમ છતાં સરકાર બિલ પસાર કરવામાં સફળ રહી.</p><h2><b>બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે 1875માં આ ગીતની રચના કરી હતી</b></h2><p>બિલ પર ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કોંગ્રેસ પર તીખો પ્રહાર કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ તુષ્ટિકરણની રાજનીતિના કારણે 'વંદે માતરમ' જેવા રાષ્ટ્રીય ગૌરવના પ્રતિકનો વિરોધ કરી રહી છે. તેમના જણાવ્યા મુજબ, ‘વંદે માતરમ’નો વિરોધ કરવો એ દેશવિરોધી તત્વોનું મનોબળ વધારવા સમાન છે. નિત્યાનંદ રાયે જણાવ્યું કે ‘વંદે માતરમ’ માત્ર એક ગીત નથી, પરંતુ ભારતની આત્મા, રાષ્ટ્રીય ચેતના અને સાંસ્કૃતિક વારસાનું પ્રતિક છે. તેમણે યાદ અપાવ્યું કે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે 1875માં આ ગીતની રચના કરી હતી અને સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન અનેક ક્રાંતિકારીઓએ પોતાના અંતિમ શ્વાસ સુધી ‘વંદે માતરમ’નો જયઘોષ કર્યો હતો.</p><h3><b>રાષ્ટ્રીય પ્રતીકોનું સન્માન રાજકારણથી ઉપર હોવું જોઈએ</b></h3><p>કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે રાષ્ટ્રીય પ્રતીકોનું સન્માન રાજકારણથી ઉપર હોવું જોઈએ. તેમણે દાવો કર્યો કે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પને સાકાર કરવા માટે ‘વંદે માતરમ’નું સન્માન જરૂરી છે. તેમના જણાવ્યા અનુસાર દેશના યુવાનો સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છે અને રાષ્ટ્રીય ગૌરવ સાથે જોડાયેલા મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરશે. બિલ પસાર થયા બાદ હવે ‘વંદે માતરમ’ના અપમાન સામે કાનૂની કાર્યવાહી માટે વધુ સ્પષ્ટ જોગવાઈઓ અમલમાં આવશે, જ્યારે આ મુદ્દે સરકાર અને વિપક્ષ વચ્ચે રાજકીય મતભેદ વધુ ઘેરા બન્યા છે.</p><p><b><a href="https://sandesh.com/knowledge/news/india/cause-of-death-certificate-why-is-a-medical-certificate-required-for-every-death-in-india-know-how-mccd-can-save-millions-of-lives" target="_blank">આ પણ વાંચો : Cause of Death Certificate: ભારતમાં દરેક મૃત્યુનું મેડિકલ સર્ટિફિકેટ કેમ જરૂરી, જાણો MCCD કેવી રીતે બચાવી શકે છે લાખો જીવ?</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/29/rR7jccvmZSSUzhiTqO9p5kefUBDPlnEAvd4Sc0pB.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : અતિભારે વરસાદ બાદ NDRFનું મેગા રેસ્ક્યૂ ઓપરેશન, 245 લોકોના જીવ બચાવ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ndrf-rescues-245-people-in-mega-flood-operation-across-south-gujarat</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ndrf-rescues-245-people-in-mega-flood-operation-across-south-gujarat</guid><pubDate>Wed, 29 Jul 2026 21:23:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં ચોમાસા દરમિયાન સર્જાયેલી અતિભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ વચ્ચે 06 બટાલિયન NDRFની ટીમો ગત 22 જુલાઈથી સતત બચાવ અને રાહત કામગીરીમાં તૈનાત છે. ખાસ કરીને સુરત, નવસારી અને વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે આફત વચ્ચે NDRF દ્વારા મેગા રેસ્ક્યૂ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ સિવાય અમદાવાદ શહેરમાં સર્જાયેલી શહેરી પૂરની સ્થિતિમાં પણ NDRFની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી.</p><h2 style="text-align: justify; "><b>પૂર બચાવ અને સ્થળાંતરના સફળ ઓપરેશન</b></h2><p style="text-align: justify; ">આ સમગ્ર આપત્તિ દરમિયાન NDRF દ્વારા કુલ 26 જેટલા પૂર બચાવ અને સ્થળાંતરના સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યા હતા. પૂરના ધસમસતા પાણીમાં ફસાયેલા 245 લોકોને મોતના મુખમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે જોખમી વિસ્તારોમાંથી 852 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. વલસાડના કોપરી વિસ્તારમાં પૂરના પાણીમાં ફસાયેલી એક બસમાંથી 1 શિશુ, 7 બાળકો અને 21 મહિલાઓ સહિત તમામ ૫૨ મુસાફરોને સાહસપૂર્વક રેસ્ક્યૂ કરી ઉગારી લેવાયા હતા.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>NDRF સંપૂર્ણપણે સજ્જ અને હાઈ એલર્ટ પર</b></h3><p style="text-align: justify; ">આ ઉપરાંત NDRFએ 6 મૃતદેહો શોધી કાઢ્યા હતા અને 9 પશુધનને પણ બચાવી લીધું હતું. માનવજીવન બચાવવાની સાથે સાથે રાહત સામગ્રી પહોંચાડવામાં પણ NDRFએ મહત્વની ભૂમિકા ભજવી છે, જેમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકો સુધી 290 જેટલા ફૂડ પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું છે. હાલમાં પણ ચોમાસાની સિઝનમાં ઊભી થનારી કોઈપણ આકસ્મિક કે કટોકટીની સ્થિતિનો સામનો કરવા માટે NDRF સંપૂર્ણપણે સજ્જ અને હાઈ એલર્ટ પર છે.  જેથી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.<br><br><a href="https://sandesh.com/gujarat/news/surat/municipal-corporation-starts-drone-mapping-to-find-permanent-solution" target="_blank">આ પણ વાંચોઃ Surat News: મનપા દ્વારા ખાડીપૂર મામલે ડ્રોનથી સરવે શરૂ કરાયો, એક સપ્તાહમાં કમિશ્નરને રિપોર્ટ સોંપાશે</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/29/bb30rsbM0Mj242G8vaNd2Mb3WrSYrocfGx13hKUu.webp'/></item><item><title><![CDATA[સહ-અસ્તિત્વની પુનર્વ્યાખ્યા: નેતૃત્વ, વ્યવહારુ અભિગમ અને હીરાના સર્ટિફિકેશનનું વિચલન ]]></title><link>https://sandesh.com/business/news/coexistence-leadership-diamond-certification-industry-analysis</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/coexistence-leadership-diamond-certification-industry-analysis</guid><pubDate>Wed, 29 Jul 2026 21:01:31 +05:30</pubDate><description><![CDATA[<p>વૈશ્વિક હીરા ઉદ્યોગ લાંબા સમયથી સ્પષ્ટ અને અદ્રશ્ય લાગતી સીમાઓ દોરવાનો શોખીન રહ્યો છે. વર્ષોથી, કુદરતી હીરા સામે લેબ-ગ્રોન (પ્રયોગશાળામાં તૈયાર કરાયેલા) વિકલ્પોને ઊભા કરતા નિવેદનોને સમીક્ષકો દ્વારા એક અસ્તિત્વગત, શૂન્ય-સરવાળાના યુદ્ધ (zero-sum war) તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. જો કે, વૈશ્વિક હીરા શાસનના સર્વોચ્ચ સ્તર પરનો એક સૂક્ષ્મ દૃષ્ટિકોણ દર્શાવે છે કે આ વિચારધારાત્મક ખાઈઓ હવે ઝડપથી વ્યાપારી વાસ્તવિકતાને માર્ગ આપી રહી છે. આધુનિક બજાર હવે જડ અસ્વીકારને પ્રોત્સાહિત કરતું નથી; તેના બદલે, તે એક બુદ્ધિપૂર્વકની બેવડી રણનીતિની માંગ કરે છે જે બજારની વાસ્તવિકતાઓ સાથે વ્યાપારી હિમાયતનો સમન્વય કરે છે.</p><p>આ વિચારધારાત્મક પરિવર્તન આપણા વૈશ્વિક સંસ્થાકીય માળખાના સર્વોચ્ચ શિખર પર સંપૂર્ણ રીતે મૂર્તિમંત થાય છે. મે 2026 માં, વર્લ્ડ ડાયમંડ કાઉન્સિલ (WDC) એ રોની વાન્ડરલિંડેનની પ્રમુખ તરીકે અને અનૂપ મહેતાની ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરીને તેના નવા નેતૃત્વનો પ્રારંભ કર્યો. બંને નિઃશંકપણે કુદરતી હીરા ક્ષેત્રના અગ્રણી દિગ્ગજો છે, છતાં, આ નેતૃત્વની જોડીને આપણા વર્તમાન યુગની ઊંડી સૂચક બનાવે છે તે એ છે કે બંનેમાંથી કોઈ પણ વ્યક્તિ લેબ-ગ્રોન ડાયમંડ (LGD) ક્ષેત્રને શત્રુતાની દ્રષ્ટિથી જોતી નથી. તેના બદલે, તેમના સંબંધિત વ્યાપારી અને સંસ્થાકીય પોર્ટફોલિયો આ શ્રેણી સાથે અત્યંત વ્યવહારુ જોડાણ દર્શાવે છે, જે સાબિત કરે છે કે કુદરતી હીરા વ્યાપારની હિમાયત કૃત્રિમ ક્ષેત્રમાં સક્રિય હાજરી સાથે પણ સરળતાથી સહ-અસ્તિત્વ ધરાવી શકે છે.</p><p>વાન્ડરલિંડેનનું જ ઉદાહરણ લો. 1977 માં હીરા કાપનાર (sawyer) તરીકે વેપારમાં પ્રવેશ કરનાર આ અનુભવી અગ્રણી, ન્યૂ યોર્કના કુદરતી હીરા ઉત્પાદક 'ડાયમેક્સ' (Diamex) અને 'પિન્ટુરા લેબ ગ્રોન ડાયમંડ્સ' ના પ્રમુખ તરીકે સેવા આપે છે. આ માત્ર એક નિષ્ક્રિય સંસ્થાકીય જોડાણ નથી, પરંતુ એક પ્રત્યક્ષ વ્યાપારી હિસ્સેદારી છે. વાન્ડરલિંડેનનું વલણ બજારની આવશ્યક વ્યવહારુતાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે જાહેર રીતે લેબ-ગ્રોન હીરાને કુદરતી હીરા માટે અસ્તિત્વના ખતરા તરીકે નહીં, પરંતુ એક એવા પ્રવેશદ્વાર તરીકે રજૂ કર્યા છે જે આખરે વ્યાપક ઝવેરાત અર્થતંત્રને વિસ્તૃત કરી શકે છે. તેમણે પ્રખ્યાત રીતે નોંધ્યું છે કે જો ગ્રાહકની યાત્રા માનવસર્જિત હીરાથી શરૂ થાય છે અને કુદરતી હીરા ખરીદવામાં પરિણમે છે, તો તે દરેક માટે વિન-વિન (સૌનો વિજય) સ્થિતિ દર્શાવે છે. આનો અર્થ એ નથી કે તેઓ ગેરમાર્ગે દોરતા માર્કેટિંગ અથવા શંકાસ્પદ પર્યાવરણીય દાવાઓને માન્ય કરે છે - તેમના નેતૃત્વ હેઠળ, ઉદ્યોગ મંડળોએ કાર્બન-ફૂટપ્રિન્ટના ગેરમાર્ગે દોરતા દાવાઓને યોગ્ય રીતે પડકાર્યા છે, છતાં, તેઓ બજારમાં આ ઉત્પાદનની હાજરીની કાયદેસરતાનો દ્રઢતાથી સ્વીકાર કરે છે.</p><p>WDC માં તેમના સમકક્ષ, અનૂપ મહેતા, ભારત ડાયમંડ બુર્સ (Bharat Diamond Bourse) ના પ્રમુખ અને મોહિત ડાયમંડ્સના મેનેજિંગ ડિરેક્ટર તરીકે અડધી સદીથી વધુનો વારસો ધરાવે છે. જોકે મોહિત ડાયમંડ્સ સીધી રીતે લેબ-ગ્રોન હીરાનો વેપાર કરતી નથી, મહેતાએ સંપૂર્ણપણે પારદર્શક રીતે જણાવ્યું છે કે તેમની કંપની એવા ગ્રાહકોને સેવા આપે છે જેઓ રફ લેબ-ગ્રોન હીરાનું ઉત્પાદન કરવા માંગે છે, અને નોંધ્યું છે કે આ શ્રેણીએ તેના ઐતિહાસિક કલંકને દૂર કર્યું છે. તેઓ આ ગતિશીલતાની સરખામણી પરંપરાગત યાંત્રિક ઘડિયાળો સાથે સ્માર્ટવોચના સહ-અસ્તિત્વ સાથે ખૂબ જ ચતુરાઈથી કરે છે. વધુ સ્પષ્ટ બાબત એ છે કે, જૂન 2025 માં, મહેતાની આઈજીઆઈ (ઇન્ટરનેશનલ જેમલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ) ના ચેરમેન અને સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી, જે લેબ-ગ્રોન હીરાનું ગ્રેડિંગ કરતી વિશ્વની અગ્રણી સંસ્થા છે.</p><p>આ બાબત આપણને આજે આપણા વૈશ્વિક વ્યાપારી ક્ષેત્ર સામેના મુખ્ય માળખાકીય વિભાજન પર લાવે છે: સર્ટિફિકેશનનો પ્રશ્ન. મહેતાની શાસન દેખરેખ હેઠળ, આઈજીઆઈ (IGI) — એક સૂચિબદ્ધ, બ્લેકસ્ટોન-સમર્થિત વૈશ્વિક સંસ્થા જે બેલ્જિયમ મૂળ ધરાવે છે અને જેના Q1 FY2026 ના પરિણામો દર્શાવે છે કે કટ લેબ-ગ્રોન હીરા તેની કામગીરીના 54 ટકા હિસ્સો ધરાવે છે — તેણે એક ચોક્કસ ઓપરેશનલ વલણ અપનાવ્યું છે. જ્યારે વિવેચકો કૃત્રિમ હીરાના ગ્રેડિંગનું મૂલ્ય ઘટાડવાનો પ્રયાસ કરે છે, ત્યારે આઈજીઆઈએ લેબ-ગ્રોન હીરા પર સંપૂર્ણ, પરંપરાગત 4Cs સ્કેલ (કટ, કલર, ક્લેરિટી અને કેરેટ) લાગુ કરવાની તેની નીતિનો મજબૂત બચાવ કર્યો છે, અને ભારપૂર્વક જણાવ્યું છે કે ગ્રાહકનો વિશ્વાસ સંપૂર્ણપણે સચોટ પારદર્શિતા અને ઉત્પત્તિના ખુલાસા પર આધારિત છે.</p><p>આ વલણ મુખ્ય જેમલોજિકલ સંસ્થાઓ વચ્ચે એક સ્પષ્ટ અને રસપ્રદ વિચલન દર્શાવે છે. જ્યારે આઈજીઆઈ કડક 4Cs રિપોર્ટિંગ માળખું જાળવી રાખે છે, ત્યારે જીઆઈએ (GIA) એ લેબ-ગ્રોન માટે પરંપરાગત શબ્દભંડોળ નાબૂદ કરવાનો નિર્ણય લીધો, અને યોગ્ય હીરાને વ્યાપક "પ્રીમિયમ" અને "સ્ટેન્ડર્ડ" શ્રેણીઓમાં વર્ગીકૃત કર્યા. તેની સાથે જ, એચઆરડી એન્ટવર્પ (HRD Antwerp) એ કુદરતી અને લેબ-ગ્રોન હીરાની દુનિયા વચ્ચે કડક સીમા દોરવાના પ્રયાસરૂપે, કટ લેબ-ગ્રોન હીરા માટેના પ્રમાણપત્રો સંપૂર્ણપણે બંધ કરીને વધુ એક પગલું પાછળ ભર્યું.</p><p>આ સંસ્થાકીય વિચલન અને WDC નેતૃત્વ માળખું જે દર્શાવે છે તે એ છે કે સાચો વિવાદ હવે એ બાબતે નથી કે લેબ-ગ્રોન હીરા અસ્તિત્વ ધરાવવાનો અધિકાર ધરાવે છે કે નહીં, પરંતુ તે કેવી રીતે સંચાલિત થાય છે, પ્રગટ થાય છે અને એકીકૃત થાય છે. બેવડી ભાગીદારી એ સંઘર્ષનો સંકેત નથી, પરંતુ વિકસતા, બહુ-સ્તરીય બજારનું કુદરતી પરિણામ છે.</p><p>જેમ જેમ આપણે કોમોડિટીઝ વેપારના આગામી દાયકાનું આયોજન કરીએ છીએ, વૈશ્વિક ઉદ્યોગે અસ્વીકારની ભાષા છોડીને, ગ્રેડિંગમાં સંપૂર્ણ પારદર્શિતા સ્વીકારીને અને વિવિધ ગ્રાહક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે એક જ સ્ફટિકના વિવિધ સ્વરૂપોને સુમેળથી જાળવી શકાય છે તે બાબતનો સ્વીકાર કરીને પોતાના સૌથી અનુભવી અગ્રણીઓના માર્ગદર્શનનું પાલન કરવું જોઈએ.&nbsp; &nbsp;</p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/29/gQl9X4ABI7v3Q8sNgbQf311auIojmMh4HPD0NxKE.webp'/></item><item><title><![CDATA[Surat News : નક્ષત્ર સેફ વોલ્ટ કૌભાંડમાં સોનું ખરીદનાર 2 સોની ઝડપાયા, ચોરીનો કુલ આંકડો 3.49 કરોડે પહોંચ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/nakshatra-safe-vault-scam-two-gold-traders-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/nakshatra-safe-vault-scam-two-gold-traders-arrested</guid><pubDate>Wed, 29 Jul 2026 19:56:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતના બહુચર્ચિત 'નક્ષત્ર સેફ વોલ્ટ' કૌભાંડમાં દિન-પ્રતિદિન નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. તપાસ દરમિયાન વધુ ત્રણ વ્યક્તિઓના કિંમતી સોના-ચાંદીના દાગીના ચોરી થયા હોવાની હકીકત સામે આવી છે. પીડિત ગ્રાહકોના આક્ષેપ મુજબ, વોલ્ટમાંથી અંદાજે રૂ. 78 લાખની મત્તાના દાગીના ગાયબ કરી દેવામાં આવ્યા છે. આ નવા ખુલાસાને પગલે સેફ વોલ્ટમાં વિશ્વાસ રાખીને કિંમતી સામાન મુકનાર અન્ય ગ્રાહકોમાં પણ ભારે અફરાતફરી અને ચિંતાનો માહોલ સર્જાયો છે.</p><h2 style="text-align: justify; "><b>6 આરોપીઓની સત્તાવાર રીતે ધરપકડ</b></h2><p style="text-align: justify; ">નક્ષત્ર સેફ હાઉસ ચોરી પ્રકરણમાં પોલીસે મોટી સફળતા મેળવતા ચોરીનું સોનું ખરીદનાર બે સોની વેપારી કૌશલ સુપેડા અને મિતેશ પારેખની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેમના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ બે સોનીઓની અટકાયત સાથે જ આ ચર્ચાસ્પદ કેસમાં અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓની સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવી છે. જેનાથી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થઈ રહ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>આ ઘટના બાદ વધુ 3 ગ્રાહકો પણ સામે આવ્યા</b></h3><p style="text-align: justify; ">બીજી તરફ, ચોરીની આ ઘટના બાદ વધુ 3 ગ્રાહકો પણ સામે આવ્યા છે અને તેમણે પોતાના દાગીના ચોરાયા હોવાની નવી ફરિયાદો નોંધાવી છે. વધુ ફરિયાદો ઉમેરાતા સેફ હાઉસમાંથી થયેલી ચોરીનો કુલ આંકડો હવે રૂ. 3.49  કરોડની ટોચ પર પહોંચી ગયો છે. પોલીસ દ્વારા સોનાની રિકવરી અને કૌભાંડમાં સામેલ અન્ય શખ્સોની સંડોવણી અંગે આગળની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/news/crime/surat/surat-news-new-revelation-in-nakshatra-safe-vault-scam-3-more-peoples-jewelry-stolen" target="_blank">આ પણ વાંચોઃ Surat News : નક્ષત્ર સેફ વોલ્ટ કૌભાંડમાં નવો ખુલાસો, વધુ 3 લોકોના દાગીનાની ચોરી...</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/29/aV0y7mqAP2jVrkYszNHnTcppIrMjijYhbq3xrocH.webp'/></item><item><title><![CDATA[Surat News:  મનપા દ્વારા ખાડીપૂર મામલે ડ્રોનથી સરવે શરૂ કરાયો, એક સપ્તાહમાં કમિશ્નરને રિપોર્ટ સોંપાશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/municipal-corporation-starts-drone-mapping-to-find-permanent-solution</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/municipal-corporation-starts-drone-mapping-to-find-permanent-solution</guid><pubDate>Wed, 29 Jul 2026 19:43:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરમાં દર ચોમાસામાં ખાડીપૂરનો કહેર વર્તાય છે. શહેરમાં ખાડીના પૂરથી કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. ત્યારે ખાડીપુરને કારણે આ વખતે પણ કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ટેક્સટાઈલ અને ડાયમંડ માર્કેટમાં વરસાદી પાણીને કારણે માલ ખરાબ થઈ જવાની પણ ઘટનાઓ સામે આવી ચૂકી છે. પૂરના પાણીને કારણે અનેક વાહનો પણ ખરાબ થઈ ગયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. ત્યારે હવે મનપા દ્વારા પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે સરવેની કામગીરી શરૂ કરવામાં આવી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>મોટા પાયે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી</b></h2><p style="text-align: justify; ">સુરત શહેરમાં ખાડીપુરની સમસ્યા વધુ ગંભીર બનતાં સુરત મહાનગરપાલિકા દ્વારા સ્થિતિને પહોંચી વળવા માટે મોટા પાયે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સર્વે માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડ્રોન મારફતે આખા વિસ્તારનું વિહંગાવલોકન કરવામાં આવી રહ્યું છે. ડ્રોનથી હાઈક્વોલિટી વિડિયોગ્રાફી કરીને ખાડી વિસ્તારની સચોટ વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે, જેમાં ખાડીની વાસ્તવિક લંબાઈ અને પહોળાઈનું ચોકસાઈપૂર્વક માપન કરવામાં આવી રહ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>ખાડી વિસ્તારનું એક ડિજિટલ મોડેલ તૈયાર કરાશે</b></h3><p style="text-align: justify; ">આ એકત્રિત કરાયેલા તમામ ડેટા અને વિગતોને ખાસ સોફ્ટવેરમાં અપડેટ કરીને ખાડી વિસ્તારનું એક ડિજિટલ મોડેલ તૈયાર કરવામાં આવશે, જેથી પૂરના પાણીના નિકાલ અને ભવિષ્યની યોજનાઓ માટે ચોક્કસ આયોજન કરી શકાય. આ તમામ કામગીરી પૂર્ણ કરીને આગામી ૭ દિવસની અંદર તૈયાર કરાયેલો વિગતવાર રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનરને સોંપવામાં આવશે. તંત્રના આ પગલાથી ખાડીપૂરની કાયમી સમસ્યા ઉકેલવા માટે નક્કર દિશા મળશે તેવી આશા સેવવામાં આવી રહી છે.</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/railway-sabarmati-electric-loco-shed-upgradation-wag12" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: રેલવે મંડળનો માસ્ટરપ્લાન, સાબરમતી ખાતે 113.63 કરોડના ખર્ચે બનશે હાઇટેક ઇલેક્ટ્રિક લોકો શેડ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/29/qGWrFSbwa7DtBJ0XGskCM3APQ1OWAtvCRdlVqc6c.webp'/></item><item><title><![CDATA[Rajesh Khannaના બંગલાને 'શાપિત' કે 'ભૂતિયા' કહેવું પડશે ભારે, Bombay High Courtએ આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો ]]></title><link>https://sandesh.com/entertainment/news/india/it-would-be-too-much-to-call-rajesh-khannas-bungalow-cursed-or-haunted-bombay-high-court-gives-important-verdict</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/india/it-would-be-too-much-to-call-rajesh-khannas-bungalow-cursed-or-haunted-bombay-high-court-gives-important-verdict</guid><pubDate>Wed, 29 Jul 2026 19:28:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">કોર્ટે મીડિયા આઉટલેટ્સ અને યુટ્યુબ ચેનલોને એવી સામગ્રી પ્રકાશિત કરવા પર પ્રતિબંધ મૂક્યો છે જે મિલકતને "ભૂતિયા," "શાપિત" અથવા "અશુભ" તરીકે વર્ણવે છે.</p><h2 style="text-align: justify; ">રાજેશ ખન્નાનો બંગલો ચર્ચામાં&nbsp;&nbsp;</h2><p style="text-align: justify; ">બોલીવુડના પહેલા સુપરસ્ટાર તરીકે જાણીતા રાજેશ ખન્નાનો પ્રખ્યાત બંગલો "આશીર્વાદ" ફરી એકવાર ચર્ચામાં છે. પરંતુ આ વખતે, કારણ કોઈ ફિલ્મ, વાર્તા કે સ્ટાર સાથે સંબંધિત કોઈ યાદ નથી, પરંતુ બોમ્બે હાઈકોર્ટનો એક મહત્વપૂર્ણ આદેશ છે. કોર્ટે મીડિયા આઉટલેટ્સ અને કેટલીક યુટ્યુબ ચેનલોને બંગલા વિશેના વિડિઓ પ્રકાશિત કરવા અથવા બનાવવા પર પ્રતિબંધ મૂક્યો છે જે તેને "ભૂતિયા," "શાપિત," "અશુભ" અથવા "અશુભ" તરીકે વર્ણવે છે.</p><h3 style="text-align: justify; ">કોણે આરોપ લગાવ્યા ?</h3><p style="text-align: justify; ">આ કેસ ત્યારે શરૂ થયો જ્યારે ઉદ્યોગપતિ શશી કિરણ શેટ્ટી, જે હવે મિલકતના માલિક છે, તેમણે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો. તેમણે જૂનું માળખું તોડીને એક નવું બનાવ્યું, પરંતુ તેઓ હજુ પણ આ સ્થળનું નામ "આશીર્વાદ" રાખે છે. શશી કિરણે આરોપ લગાવ્યો કે કેટલાક મીડિયા રિપોર્ટ્સ અને યુટ્યુબ વીડિયો બંગલા વિશે ખોટા દાવા કરી રહ્યા છે જેનો કોઈ નક્કર આધાર નથી. તેમણે સમજાવ્યું કે કેટલીક જગ્યાએ દાવો કરવામાં આવે છે કે "આશીર્વાદ" શાપિત છે કારણ કે તેણે ત્રણ સુપરસ્ટારની કારકિર્દીનો અંત લાવ્યો હતો.</p><h4 style="text-align: justify; ">પાયાવિહોણી અફવાઓ ફેલાઈ&nbsp;</h4><p style="text-align: justify; ">તેમણે દલીલ કરી હતી કે આવી અફવાઓ તેમની છબી અને તેમની મિલકતની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી રહી છે. કેસની સુનાવણી કરતા, બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ આરિફ ડોક્ટરે કહ્યું કે પ્રથમ નજરમાં, અરજદારની દલીલો મજબૂત લાગે છે. કોર્ટે સ્વીકાર્યું કે "ભૂતિયા" અથવા "શાપિત" તરીકે મિલકતના અપ્રમાણિત દાવાઓ માલિકના અધિકારોને અસર કરી શકે છે. કોર્ટે એમ પણ કહ્યું કે આવા દાવાઓ ફક્ત સનસનાટીભર્યા વાતાવરણ પેદા કરે છે.</p><h5 style="text-align: justify; ">21 ઓગસ્ટે સુનાવણી યોજાશે</h5><p style="text-align: justify; ">કોર્ટના મતે, વ્યક્તિને પોતાની મિલકતમાં ગૌરવ અને શાંતિથી રહેવાનો અધિકાર છે. જોકે, જે મીડિયા સંગઠનો અને ચેનલો પર આરોપ મૂકવામાં આવ્યો છે તેઓ પોતાનો પક્ષ રજૂ કરવા માટે આગળ આવ્યા નથી. રાજેશ ખન્નાનો "આશીર્વાદ" બંગલો તેમના સ્ટારડમનું પ્રતીક રહ્યો છે. કોર્ટના આ આદેશ બાદ, મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ્સે આ મિલકત પર રિપોર્ટિંગ કરતી વખતે સાવધાની રાખવી પડશે. આ કેસની આગામી સુનાવણી 21 ઓગસ્ટે થશે.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/india/news/bhojshala-dispute-dispute-over-alternative-prayer-place-escalates-again-sc-will-hear-muslim-partys-plea-tomorrow" target="_blank">વૈકલ્પિક નમાઝ સ્થળ પર વિવાદ ફરી વધ્યો, SC આવતીકાલે મુસ્લિમ પક્ષની અરજી પર કરશે સુનાવણી</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/29/Z5bXo3KCSEx1jxA9Gh3LuK3TfxkP2Qrgp7BgvZHj.webp'/></item></channel></rss>