<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Auto News: ભારતમાં રજૂ થઈ સૌથી મોંઘી અને આલીશાન SUV, જાણો કેટલી છે તેની કિંમત? ]]></title><link>https://sandesh.com/business/news/automobile/auto-news-the-most-expensive-and-luxurious-suv-launched-in-india-know-how-much-it-costs</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/auto-news-the-most-expensive-and-luxurious-suv-launched-in-india-know-how-much-it-costs</guid><pubDate>Fri, 07 Aug 2026 14:51:25 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બ્રિટિશ લક્ઝરી કાર નિર્માતા કંપની લેન્ડ રોવરે (Land Rover) ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં પોતાની નવી ફ્લેગશિપ SUV Range Rover SV Ultra સત્તાવાર રીતે લોન્ચ કરી દીધી છે. આ કાર માત્ર એક નવી SUV નથી, પરંતુ કંપની દ્વારા અત્યાર સુધી રજૂ કરવામાં આવેલી સૌથી પ્રીમિયમ અને આલીશાન કાર માનવામાં આવી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>ભારતમાં કિંમત અને પ્રીમિયમ સ્ટેટસ</b></h2><p style="text-align: justify; ">ભારતમાં આ અલ્ટ્રા-લક્ઝરી SUVની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત આશરે રૂ.3.80 કરોડ રાખવામાં આવી છે. આ કિંમત સાથે તે દેશમાં વેચાતી સૌથી મોંઘી અને એક્સક્લુસિવ SUVsની યાદીમાં મોખરે પહોંચી ગઈ છે. આ કાર ભારતના ઉચ્ચ વર્ગના ગ્રાહકોને ધ્યાનમાં રાખીને ખાસ ડિઝાઇન કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>શાર્પ અને એલિગન્ટ એક્સટીરિયર ડિઝાઇન</b></h2><p style="text-align: justify; ">નવી Range Rover SV Ultraની બહારની ડિઝાઇન પ્રથમ નજરે જ લોકોને આકર્ષિત કરે છે. કંપનીએ તેના એક્સટીરિયરને વધુ શાર્પ, એલિગન્ટ અને આકર્ષક બનાવ્યું છે. આ કારમાં ખાસ Titan Silver પેઇન્ટ ફિનિશ આપવામાં આવી છે, જે તેને અત્યંત રોયલ અને પ્રીમિયમ લુક આપે છે.</p><h3 style="text-align: justify; "><b>સેટિન પ્લેટિનમ ડિટેલિંગ અને દમદાર વ્હીલ્સ</b></h3><p style="text-align: justify; ">કારની ફ્રન્ટ ગ્રિલ, બોનેટ બેજ, સ્કિડ પ્લેટ અને વ્હીલ ઇન્સર્ટ્સ જેવા ભાગોમાં સેટિન પ્લેટિનમ અને સિલવર ક્રોમ ફિનિશનો ઉપયોગ થયો છે. તેમાં સ્ટાન્ડર્ડ તરીકે 22-ઇંચના મોટા એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે, જેના પર નવો Inverted 'R' લોગો છે. જ્યારે 23-ઇંચ વ્હીલ્સનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે.</p><h3 style="text-align: justify; "><b>શાહી અને આરામદાયક કેબિન</b></h3><p style="text-align: justify; ">નવી Range Rover SV Ultraની સૌથી મોટી ખાસિયત એનો આંતરિક ભાગ (ઇન્ટિરિયર) છે. કેબિનને અત્યંત આરામદાયક અને રોયલ બનાવવા માટે Orchid White અને Cinder Grey કલર કોમ્બિનેશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે કારની અંદર પ્રવેશતા જ એક આહલાદક અનુભવ પૂરો પાડે છે.</p><h4 style="text-align: justify; "><b>વિશ્વનું પ્રથમ ઇલેક્ટ્રોસ્ટેટિક સાઉન્ડ સિસ્ટમ</b></h4><p style="text-align: justify; ">સાઉન્ડ શોખીનો માટે આ SUVમાં વિશ્વનું પ્રથમ Electrostatic Sound System આપવામાં આવ્યું છે. જેમાં 21 થિન-ફિલ્મ સ્પીકર્સ લગાવાયેલા છે. આ સ્પીકર્સ માત્ર દરવાજા કે ડેશબોર્ડ સુધી મર્યાદિત નથી, પરંતુ હેડરેસ્ટ, સીટબેક અને હેડલાઇનર જેવા સ્થળો પર પણ સરસ રીતે વિતરિત કરવામાં આવ્યા છે.</p><h4 style="text-align: justify; "><b>મ્યુઝિક અનુભવવા માટે હેપ્ટિક ટેકનોલોજી</b></h4><p style="text-align: justify; ">આ કારમાં Body and Soul Seat અને Sensory Floor Haptic Technology પણ ઉમેરવામાં આવી છે. આ ટેકનોલોજીને લીધે સંગીત સાંભળતી વખતે માત્ર અવાજ જ નથી સંભળાતો, પરંતુ સીટ અને ફ્લોરમાં થતા હળવા વાઇબ્રેશનથી સંગીતની ધૂનને શારીરિક રીતે અનુભવી પણ શકાય છે.</p><h5 style="text-align: justify; "><b>દમદાર V8 એન્જિન અને સુપરસ્પીડ પરફોર્મન્સ</b></h5><p style="text-align: justify; ">પરફોર્મન્સની વાત કરીએ તો, આ SUVમાં 4.4-લીટર ટ્વિન-ટર્બો V8 પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 540hp પાવર ઉત્પન્ન કરે છે. આ એન્જિન માઇલ્ડ-હાઇબ્રિડ ટેકનોલોજી સાથે આવે છે. કાર માત્ર 4.9 સેકન્ડમાં 0થી 100 કિમી/કલાકની ઝડપ પકડી લે છે અને તેની ટોપ સ્પીડ 261 કિમી/કલાક છે.</p><h5 style="text-align: justify; "><b>એડવાન્સ્ડ ડ્રાઇવિંગ ડાયનેમિક્સ અને સસ્પેન્શન</b></h5><p style="text-align: justify; ">દમદાર પાવરની સાથે આ કાર શ્રેષ્ઠ ડ્રાઇવિંગ અનુભવ પૂરો પાડે છે. આ માટે તેમાં એડેપ્ટિવ એર સસ્પેન્શન, ઓલ-વ્હીલ સ્ટીયરીંગ (AWD), વિવિધ ડ્રાઇવ મોડ્સ અને ટેરેન રિસ્પોન્સ મોડ્સ આપવામાં આવ્યા છે, જે રસ્તાની સ્થિતિ મુજબ ઓટોમેટિક એડજસ્ટ થઈ જાય છે.</p><h6 style="text-align: justify; "><b>અત્યાધુનિક સેફ્ટી અને સ્માર્ટ ટેકનોલોજી</b></h6><p style="text-align: justify; ">સુરક્ષા માટે કારમાં મલ્ટીપલ એરબેગ્સ, 360-ડિગ્રી કેમેરા, પાર્કિંગ આસિસ્ટ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કન્ટ્રોલ અને ADAS જેવી સિસ્ટમ્સ છે. ઉપરાંત, મોટું ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે, વાયરલેસ કનેક્ટિવિટી અને પ્રીમિયમ ક્લાઇમેટ કન્ટ્રોલ જેવા લેટેસ્ટ ફીચર્સ શામેલ છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/automobile" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/KpA7i2QTgCZ0MX99E4ZBP0G78vCswZZMzdYfzORW.webp'/></item><item><title><![CDATA[Jharkhand : રાંચીમાં વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, AISA અધ્યક્ષ નેહા બોરા પર ફેંકાઇ શાહી ]]></title><link>https://sandesh.com/india/news/jharkhand-ranchi-student-protest-aisa-neha-bora-ink-attack</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/jharkhand-ranchi-student-protest-aisa-neha-bora-ink-attack</guid><pubDate>Fri, 07 Aug 2026 14:42:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઝારખંડમાં JPSC અને JSSC પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ અને પેપર લીક સામે વિદ્યાર્થીઓનો વિરોધ હવે વધુ ઉગ્ર બની ગયો છે. શુક્રવારે આંદોલનના ૧૪મા દિવસે રાંચીમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓના સમર્થનમાં રાંચી પહોંચેલા AISA ના રાષ્ટ્રીય પ્રમુખ નેહા બોરા પર વિધાનસભા કૂચ દરમિયાન શાહી ફેંકવામાં આવી હોવાની ઘટના સામે આવી છે, જેના કારણે રાજકીય અને વિદ્યાર્થીમાં ભારે ઉત્તેજના ફેલાઈ ગઈ છે. જો કે, આ હુમલો કોણે અને શા માટે કર્યો તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PTI_News/status/2085653018779746567"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; "><h3><b>JPSC-JSSC વિવાદને લઈને  હોબાળો</b></h3></p><p style="text-align: justify; ">આ પ્રદર્શન પહેલા નેહા બોરાએ જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમની મુલાકાત લીધી હતી, જ્યાં છેલ્લા બે અઠવાડિયાથી વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર બેઠા છે. વિદ્યાર્થીઓનો મુખ્ય આક્ષેપ છે કે રાજ્યની ભરતી પરીક્ષાઓમાં પારદર્શિતા જાળવવામાં આવી નથી અને તેઓ આ મામલાની નિષ્પક્ષ તથા સ્વતંત્ર તપાસની માંગ કરી રહ્યા છે. AISA દ્વારા આ જ માંગણીઓને લઈને ઝારખંડ વિધાનસભા તરફ કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન અશાંતિ અને અંધાધૂંધીનું વાતાવરણ સર્જાયું હતું.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PTI_News/status/2085614784674922816"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h3 style="text-align: justify; "><b>વિરોધ પ્રદર્શનની ગૂંજ વિધાનસભા સુધી</b></h3><p style="text-align: justify; ">આ વિરોધ પ્રદર્શનની અસર માત્ર રસ્તાઓ પર જ નહીં, પરંતુ વિધાનસભાની અંદર પણ જોવા મળી હતી. JPSC-JSSC ના મુદ્દાને લઈને શુક્રવારે વિધાનસભા ગૃહમાં પણ ભારે હોબાળો થયો હતો, જેના કારણે પ્રશ્નકાળની कार्यवाही પણ ખોરવાઈ ગઈ હતી. આંદોલનકારી વિદ્યાર્થીઓની તબિયત પણ ચિંતાનો વિષય બની છે, કારણ કે ભૂખ હડતાળ પર બેઠેલા એક વિદ્યાર્થીની તબિયત અચાનક બગડતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.</p><h4 style="text-align: justify; "><b>સરકાર સમક્ષ વિદ્યાર્થીઓની માંગણી કરાશે રજૂ</b></h4><p style="text-align: justify; ">દરમિયાન, પરિસ્થિતિને થાળે પાડવા માટે 'ઉમેદવાર ન્યાય મંચ' દ્વારા મુખ્યમંત્રી સાથે વાતચીત કરવા માટે સાત સભ્યોના પ્રતિનિધિમંડળની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રતિનિધિમંડળમાં રામાવતાર મહતો, દીનબંધુ મંડલ, ચંદન કુમાર, રવિ શંકર, પ્રેમ કુમાર, અમિત કુમાર અને વિમલ કુમારનો સમાવેશ થાય છે, જેઓ સરકાર સમક્ષ વિદ્યાર્થીઓની માંગણીઓ રજૂ કરશે. હવે સમગ્ર રાજ્યની નજર સરકાર અને વિદ્યાર્થીઓની પ્રસ્તાવિત વાટાઘાટો તેમજ આંદોલનની આગામી દિશા પર કેન્દ્રિત છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/india/news/indian-railways-ac-coach-rac-passengers-bedroll-kit" target="_blank">આ પણ વાંચોઃ Indian Railwayનો મોટો નિર્ણય, હવે AC કોચમાં RAC મુસાફરોને મળશે સંપૂર્ણ બેડરોલ કીટ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/OZrM4kZnspxw7dMleshXzNNbnZzlIGyZVB6H4srs.webp'/></item><item><title><![CDATA[Trailer Record : રામાયણના ટ્રેલરે તોડ્યા તમામ રેકોર્ડ, 100 કરોડથી વધુ વ્યૂઝ સાથે રચ્યો ઇતિહાસ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/ramayana-trailer-100-crore-views-record-ranbir-kapoor</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/ramayana-trailer-100-crore-views-record-ranbir-kapoor</guid><pubDate>Fri, 07 Aug 2026 14:38:13 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રામાયણ દુનિયાભરમાં ભારતીય સિનેમાને એક અલગ અને ખાસ ઓળખ અપાવતી ફિલ્મ સાબિત થઈ શકે છે. આ ફિલ્મ પાછળ ખૂબ મોટો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ફિલ્મને ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે બનાવવામાં આવી રહી છે. મેકર્સ આ ફિલ્મને દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ કરવા જઈ રહ્યા છે. ફિલ્મની રિલીઝ પહેલાંથી જ તે સતત નવા રેકોર્ડ બનાવી રહી છે અને હવે તેના ટ્રેલરે પણ ઈતિહાસ રચી દીધો છે.</p><h2 style="text-align: justify; "><b>રામાયણના ટ્રેલરને મળ્યા 100 કરોડ વ્યૂઝ</b></h2><p style="text-align: justify; ">રામાયણના ટ્રેલરે એવું કરી બતાવ્યું છે, જે ભારતીય સિનેમાના ઈતિહાસમાં આજ સુધી થયું નથી. સેકનિલ્કના અહેવાલ અનુસાર, એક અઠવાડિયા પહેલાં રિલીઝ થયેલા રામાયણના ટ્રેલરને તમામ ડિજિટલ પ્લેટફોર્મ પર તમામ ભાષાઓમાં 1 બિલિયન એટલે કે 100 કરોડથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ પોતાનામાં જ એક મોટો અને ગૌરવ લેવા જેવો આંકડો છે.</p><h3 style="text-align: justify; "><b>તમામ ભાષાઓમાં રેકોર્ડબ્રેક વ્યૂઝ મળ્યા</b></h3><p style="text-align: justify; ">રામાયણનું ટ્રેલર માત્ર હિન્દીમાં જ નહીં, પરંતુ અન્ય ઘણી ભારતીય ભાષાઓમાં પણ રિલીઝ કરવામાં આવ્યું હતું અને તમામ ભાષાઓમાં તેને રેકોર્ડબ્રેક વ્યૂઝ મળ્યા છે. યુટ્યુબથી લઈને ઇન્સ્ટાગ્રામ અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પર હિન્દી ટ્રેલરને 617 મિલિયન એટલે કે 61 કરોડથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. તેલુગુ ભાષામાં પણ દર્શકોએ ટ્રેલરને ખૂબ પસંદ કર્યું છે. માત્ર ઇન્સ્ટાગ્રામ પર જ તેલુગુ ટ્રેલરને 53 મિલિયન એટલે કે 5.3 કરોડથી વધુ વ્યૂઝ મળ્યા છે. જ્યારે તમિલ ટ્રેલરને 32.7 મિલિયન એટલે કે 3.2 કરોડ અને મલયાલમ ટ્રેલરને 37 મિલિયન એટલે કે 3.7 કરોડ વ્યૂઝ લખાણ તૈયાર થયું ત્યાં સુધી ઇન્સ્ટાગ્રામ પર મળી ચૂક્યા હતા. જ્યારે કન્નડ ભાષામાં રામાયણના ટ્રેલરને યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર મળીને કુલ 25.7 મિલિયન એટલે કે 2.5 કરોડથી વધુ વ્યૂઝ મળ્યા છે.</p><h4 style="text-align: justify; "><b>દિવાળીએ ધમાકો કરશે રામાયણ</b></h4><p style="text-align: justify; ">મેકર્સે 30 જુલાઈએ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું હતું અને તાજેતરમાં તેની રિલીઝ ડેટની પણ સત્તાવાર જાહેરાત કરી છે. 2 ભાગમાં બની રહેલી આ ફિલ્મનો પહેલો ભાગ 6 નવેમ્બર 2026ના રોજ દિવાળીના અવસર પર રિલીઝ કરવામાં આવશે. રણબીર કપૂર ભગવાન શ્રીરામ અને સાઈ પલ્લવી માતા સીતાના પાત્રમાં જોવા મળશે. જ્યારે લંકાપતિ રાવણનું પાત્ર યશ ભજવી રહ્યા છે. ફિલ્મનું દિગ્દર્શન નિતેશ તિવારીએ કર્યું છે અને નિર્માતા નમિત મલ્હોત્રા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/spider-man-brand-new-day-box-office-400-crore-8-days" target="_blank">આ પણ વાંચો-Massive Hit : 400 કરોડ પાર! સ્પાઈડર મેનની સુનામીમાં ઉડી બોલીવુડની ફિલ્મો, 10 મોટી મુવીઝના રેકોર્ડ્સ ચકનાચૂર!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/ft3dW9266EhucZKAcdTR351swsQO4Q4MLYXh3d3X.webp'/></item><item><title><![CDATA[Indian Railwayનો મોટો નિર્ણય, હવે AC કોચમાં RAC મુસાફરોને મળશે સંપૂર્ણ બેડરોલ કીટ ]]></title><link>https://sandesh.com/india/news/indian-railways-ac-coach-rac-passengers-bedroll-kit</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/indian-railways-ac-coach-rac-passengers-bedroll-kit</guid><pubDate>Fri, 07 Aug 2026 14:15:25 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય રેલવેમાં દરરોજ લાખો મુસાફરો મુસાફરી કરે છે, અને તેની ગુણવત્તા તથા સાફ-સફાઈ સુધારવા માટે રેલવે તંત્ર સતત પ્રયાસશીલ છે. ટ્રેનોમાં અને સ્ટેશનો પર નિયમિત સફાઈ માટે ખાસ સ્ટાફની નિમણૂક કરવામાં આવે છે તેમજ 'ઓન-બોર્ડ હાઉસકીપિંગ' સેવા દ્વારા મુસાફરી દરમિયાન પણ સફાઈ જાળવવામાં આવે છે.</p><p style="text-align: justify; ">ગુણવત્તાની વાત કરીએ તો, મુસાફરોની સગવડ માટે આધુનિક વંદે ભારત અને એસી એક્સપ્રેસ જેવી ટ્રેનો શરૂ કરવામાં આવી છે, જેમાં ભોજનની ગુણવત્તા, સમયપાલન અને સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. જો કે, ભારે ભીડને કારણે હજુ પણ કેટલીક જગ્યાએ સુધારણાની અવકાશ રહે છે, પરંતુ પ્રવાસીઓનો અનુભવ વધુ સારો બનાવવા રેલવે સતત પ્રગતિ કરી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>RAC ટિકિટ પર પણ સંપૂર્ણ બેડરોલ કીટ અપાશે</b></h2><p style="text-align: justify; ">ભારતીય રેલ્વેએ લાખો મુસાફરોની સગવડતામાં વધારો કરતો અને લાંબા સમયથી ચાલી આવતી એક મોટી સમસ્યાનો ઉકેલ લાવતો એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી, AC કોચમાં રિઝર્વેશન અગેન્સ્ટ કેન્સલેશન (RAC) ટિકિટ પર મુસાફરી કરતા મુસાફરોને પણ સંપૂર્ણ બેડરોલ કીટ આપવામાં આવશે. રેલવે બોર્ડે 4 ઓગસ્ટ, 2026 ના રોજ આ અંગેની સત્તાવાર સૂચના જારી કરીને તમામ ઝોનલ રેલ્વેને તાત્કાલિક અસરથી આ નિયમનો અમલ કરવાનો આદેશ આપ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>મુસાફરોની ફરિયાદને આધારે લેવાયો નિર્ણય</b></h3><p style="text-align: justify; ">અગાઉના નિયમો મુજબ, AC કોચમાં માત્ર કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોને જ સંપૂર્ણ બેડરોલ કીટ આપવામાં આવતી હતી. RAC સીટ ધરાવતા મુસાફરોને અગવડતાનો સામનો કરવો પડતો હતો, કારણ કે તેમને માત્ર બેડશીટ અને ઓશીકું જ અપાતું હતું અને ધાબળો આપવામાં આવતો ન હતો. ઘણી વાર તો એવી પરિસ્થિતિ સર્જાતી કે બે RAC મુસાફરોએ એક જ બેડરોલ કીટ શેર કરવી પડતી હતી. આ કારણે શિયાળામાં અથવા રાત્રિની મુસાફરી દરમિયાન મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી.પરંતુ હવે મુસાફરોને મુશ્કેલી નહી પડે. </p><p style="text-align: justify; ">નવા આદેશ મુજબ, એસી ચેર કાર (AC Chair Car) સિવાયના તમામ એસી કોચમાં મુસાફરી કરતા દરેક RAC મુસાફરને અલગથી એક સંપૂર્ણ બેડરોલ કીટ પૂરી પાડવામાં આવશે, જેમાં ચાદર, ધાબળો અને ઓશીકાનો સમાવેશ થશે. પ્રયાગરાજમાંથી પસાર થતી તમામ એસી ટ્રેનો સહિત દેશભરની તમામ ટ્રેનોમાં આ નિયમ ફરજિયાતપણે લાગુ કરવામાં આવશે.</p><h4 style="text-align: justify; "><b>ટ્રેનની મુસાફરી વધુ આરામદાયક બનશે</b></h4><p style="text-align: justify; ">રેલ્વે બોર્ડે તમામ ઝોનલ રેલ્વે, IRCTC અને સંબંધિત વિભાગોને આ આદેશની કડક અમલવારી સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે. આ નિર્ણયથી ટ્રેનની મુસાફરી વધુ આરામદાયક બનશે અને દેશભરમાં દૈનિક ધોરણે RAC ટિકિટ પર AC કોચમાં મુસાફરી કરતા લાખો મુસાફરોને મોટી રાહત મળશે. રેલવેનો આ પ્રવાસીલક્ષી અભિગમ મુસાફરોના અનુભવને વધુ બહેતર બનાવવાના તેમના સતત પ્રયાસોનો જ એક ભાગ છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/tech/news/whatsapp-security-risk-ai-agents-cyber-threats" target="_blank">આ પણ વાંચોઃ WhatsApp પર AI એજન્ટોનું જોખમ, સાયબર સુરક્ષા સંશોધકોએ આપી ચેતવણી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/KgcxguIS23xSDIeQCitC0pdPea9MB9eoQiiapb6n.webp'/></item><item><title><![CDATA[Mehsana-અમદાવાદ હાઇવે પર મોતના ગાબડાં: 15 દિવસમાં 13 બાઇકચાલકો પટકાયા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં! ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/death-toll-on-mehsana-ahmedabad-highway-13-bikers-hit-in-15-days-but-the-system-is-in-deep-slumber</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/death-toll-on-mehsana-ahmedabad-highway-13-bikers-hit-in-15-days-but-the-system-is-in-deep-slumber</guid><pubDate>Fri, 07 Aug 2026 13:52:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મહેસાણા-અમદાવાદ હાઇવે વરસાદ બાદ અત્યંત બિસ્માર બની જતાં વાહનચાલકો માટે ભારે જોખમ ઊભું થયું છે. ખાસ કરીને મહેસાણા મેવડ ચાર રસ્તા, શિવાલા સર્કલથી મેવડ ટોલ પ્લાઝા વચ્ચેના માત્ર દોઢ કિલોમીટરના પટ્ટામાં 15થી વધુ મોટા અને ઊંડા ગાબડાં પડી જતાં રોડ પરથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે. આ કમરતોડ ખાડાઓના કારણે છેલ્લા 15 દિવસમાં જ 13 જેટલા બાઇકચાલકો ટ્રેક પરથી પટકાઈ ચૂક્યા છે, જ્યારે 5 કાર અને 2 ભારે વાહનોને પણ મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>વારંવારની રજૂઆતો છતાં તંત્ર ઘોર નિંદ્રામાં</b></h2><p style="text-align: justify; ">સ્થાનિક રહીશો અને દરરોજ અવરજવર કરતા વાહનચાલકો દ્વારા છેલ્લા બે અઠવાડિયાથી માર્ગ અને મકાન વિભાગ તેમજ સંબંધિત તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. આમ છતાં, જવાબદાર અધિકારીઓ દ્વારા પેચવર્ક કે કામચલાઉ સમારકામ કરવાની પણ તસ્દી લેવામાં આવી નથી. તંત્રની આ ઘોર બેદરકારીના કારણે વાહનચાલકોના જીવ અધ્ધર થઈ ગયા છે અને અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>સ્થાનિકોએ તાત્કાલિક સમારકામ કરવા કરી માગ</b></h3><p style="text-align: justify; ">હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે હાઇવે પરના આ ગાબડાં વધુ ઊંડા અને પહોળા થઈને કોઈનો બળિ લે તેવી ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકો અને વાહનચાલકો ઉગ્ર માગ કરી રહ્યા છે કે કોઈ ગંભીર અકસ્માત કે જાનહાનિ સર્જાય તે પહેલાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય સમારકામ હાથ ધરવામાં આવે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/mGJfoHsutsgAlZAVuCoQlh2wKEciMpOvZk3tT6MM.webp'/></item><item><title><![CDATA[Vadodara News : શહેરમાં 24 કલાકમાં 471 કિલો એનાલોગ પનીર ઝડપાયુ, ફેટ સ્પ્રેડ બટરનું વેચાણ થતું હોવાનો ખુલાસો ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/471-kg-analogue-paneer-seized-in-24-hours</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/471-kg-analogue-paneer-seized-in-24-hours</guid><pubDate>Fri, 07 Aug 2026 13:03:25 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાત સરકારે લોકોના આરોગ્યને ધ્યાનમાં લઈને એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે. અનેક રાજ્યોમાં હોટેલો અને રેસ્ટોરાં સહિત ખાણીપીણીની દુકાનોમાં અસલ દૂધમાંથી બનાવેલા પનીરની જગ્યાએ એનાલોગ પનીર પીસરવામાં આવી રહ્યું હોવાનું સરકારના ધ્યાને આવ્યું હતું. ત્યાર બાદ તેના પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવાયો છે. આરોગ્ય મંત્રીના જણાવ્યા પ્રમાણે ગઈ કાલે એક જ દિવસમાં 74 જગ્યાએ દરોડા પાડીને એક હજાર કિલો પનીર સહિતની ચીજોને નષ્ટ કરી દેવામાં આવી છે. આજે પણ રાજ્યમાં આ અભિયાન ચલાવવામાં આવ્યું છે. જેમાં વડોદરામાં પણ એક જ દિવસમાં 471  કિલો જેટલું એનાલોગ પનીર ઝડપી પાડવામાં આવ્યું છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>471 કિલો જેટલું એનાલોગ પનીર ઝડપી પાડવામાં આવ્યું</b></h2><p style="text-align: justify; ">એનાલોગ પનીર, બટર અને ચીઝ સામે શરૂ થયેલી ઝુંબેશ અંતર્ગત વડોદરામાં બીજા દિવસે આરોગ્ય વિભાગ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મનપાની આરોગ્ય શાખાની ટીમે છાણી વિસ્તારમાં આવેલી જાણીતી સીતારામ સુપર માર્કેટ સહિત પનીર, ચીઝ અને બટરના ડિસ્ટ્રિબ્યુટર્સને ત્યાં દરોડા પાડીને તપાસ હાથ ધરી હતી. વડોદરામાં છેલ્લા 24 કલાકમાં કુલ 471 કિલો જેટલું એનાલોગ પનીર ઝડપી પાડવામાં આવ્યું છે. આ કામગીરી અંગે ફૂડ ઇન્સ્પેક્ટર પી. એમ. ભાવસારે જણાવ્યું હતું કે, FSSAIના નિયમો મુજબ કાર્યવાહી કરવા માટે સરકાર તરફથી સ્પષ્ટ સૂચનાઓ આપેલી છે. જેને પગલે આવનારા દિવસોમાં પણ શહેરમાં આ પ્રકારનું સઘન ચેકિંગ સતત યથાવત્ રાખવામાં આવશે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>વેપારીઓ અસલી બટરના નામે ફેટ સ્પ્રેડ વેચી રહ્યા છે</b></h3><p style="text-align: justify; ">ફૂડ ઇન્સ્પેક્ટરે ખુલાસો કર્યો હતો કે, દરોડા દરમિયાન બ્રાન્ડેડ પનીરનો જથ્થો મળી આવ્યો છે પરંતુ સાથે જ બજારમાં વેચાતા બટર અંગે એક મોટો ખુલાસો થયો છે. કેટલાક વેપારીઓ અસલી બટરના નામે ફેટ સ્પ્રેડ વેચી રહ્યા છે, જે મૂળભૂત રીતે વનસ્પતિ તેલમાંથી બનાવવામાં આવે છે. તેમણે નાગરિકોને ખાસ અપીલ કરી હતી કે સામાન્ય લોકોએ ફેટ સ્પ્રેડને અસલી બટર સમજીને આરોગવું જોઈએ નહીં. તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે ભેળસેળયુક્ત ખાદ્યચીજો કે એનાલોગ પ્રોડક્ટ્સ વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે રમતો રમનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/amreli/74-raids-conducted-1000-kg-paneer-and-adulterated-products-destroyed" target="_blank">આ પણ વાંચોઃ Amreli News: રાજ્યમાં ગઈકાલે 74 જગ્યાએ દરોડા પાડી 1 હજાર કિલો પનીર સહિતની ચીજો નષ્ટ કરાઈ : આરોગ્ય મંત્રી</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/s8ekX7AAjOKepGhGQwidPacKnA1hKcMvrduSCpYK.webp'/></item><item><title><![CDATA[Rajkotમાં લગ્ન માટે દબાણ કરતી 45 વર્ષીય પ્રેમિકાને ટ્રેન સામે ધકેલી દેનાર પ્રેમીની પોલીસે કરી ધરપકડ! ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/police-arrest-lover-who-pushed-45-year-old-girlfriend-in-front-of-train-while-pressuring-her-to-marry-him-in-rajkot</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/police-arrest-lover-who-pushed-45-year-old-girlfriend-in-front-of-train-while-pressuring-her-to-marry-him-in-rajkot</guid><pubDate>Fri, 07 Aug 2026 12:56:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટમાં પતિથી અલગ થઈને છેલ્લા ત્રણ વર્ષથી એકલવાયું જીવન જીવતાં 45 વર્ષીય મંજુબેન બારૈયા નામના મહિલાને પોતાનાથી અડધી ઉંમરના 25 વર્ષીય પ્રકાશ સોલંકી નામના યુવક સાથે પ્રેમ પ્રકરણ ચાલતું હતું. છેલ્લા બે-ત્રણ વર્ષથી ચાલી રહેલા આ સંબંધોમાં મંજુબેન અવારનવાર પ્રકાશ પર લગ્ન કરવા માટે દબાણ કરતા હતા. જોકે, પ્રકાશના પરિવારે આ લગ્ન માટે સ્પષ્ટ ના પાડી દીધી હતી. લગ્નના સતત દબાણ અને ઝઘડાથી કંટાળી ગયેલા 25 વર્ષીય પ્રેમી પ્રકાશે મહિલાનો કાંટો કાઢી નાખવા માટે ખોફનાક પ્લાન ઘડી કાઢ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>બહાને બોલાવી રેલવે ટ્રેક પર માર્યો ધક્કો&nbsp;</b></h2><p style="text-align: justify; ">આરોપી પ્રેમી પ્રકાશે મંજુબેનને જૂનાગઢ લગ્ન કરવા જવાનું બહાનું બતાવીને ગોંડલ સ્ટેશન નજીક બોલાવ્યા હતા. ત્યારબાદ તે મહિલાને ગોંડલના ગુંદાળા ફાટક પાસે આવેલા રેલવે ટ્રેક પર લઈ ગયો હતો. ત્યાં સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રેન જોઈને પ્રકાશે મંજુબેનને ટ્રેન સામે ધક્કો મારી દીધો હતો. ટ્રેન સાથે પ્રચંડ અથડામણ થતાં મંજુબેનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.</p><h3 style="text-align: justify; "><b>પોલીસની ગુનો દાખલ કરી તપાસ શરૂ</b></h3><p style="text-align: justify; ">ગુંદાળા ફાટક પાસેથી મહિલાનો ક્ષત-વિક્ષત મૃતદેહ મળી આવતાં જ પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે રેલવે સ્ટેશન અને આસપાસના વિસ્તારોના સીસીટીવી (CCTV) ફૂટેજ ખંખોળતાં મંજુબેન સાથે યુવક નજરે પડ્યો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીના આધારે ગોંડલ પોલીસે ગણતરીના સમયમાં જ હત્યારા પ્રેમી પ્રકાશ સોલંકીને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી સામે હત્યા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/H5lZqjOZgSFyFEGWllIi8wuYz4WTbcASfMIOua8V.webp'/></item><item><title><![CDATA[Ahmedabadની સોલા હાઇકોર્ટ પોલીસે ગણતરીના કલાકોમાં ગુમ થયેલા બાળકને શોધી માતા-પિતા સાથે કરાવ્યું મિલન ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabads-sola-high-court-police-found-the-missing-child-and-reunited-him-with-his-parents-within-hours</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabads-sola-high-court-police-found-the-missing-child-and-reunited-him-with-his-parents-within-hours</guid><pubDate>Fri, 07 Aug 2026 12:26:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરના સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક સગીર બાળક અચાનક ગુમ થઈ જવાની ઘટના સામે આવી હતી. બાળક ગુમ થતાં જ ચિંતિત માતા-પિતા તાત્કાલિક સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સમગ્ર બનાવ અંગે પોલીસ સ્ટેશનમાં હાજર હેડ કોન્સ્ટેબલ અમિત કુમારને જાણ કરી હતી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સોલા હાઇકોર્ટ પોલીસે ત્વરિત એક્શન મોડમાં આવીને બાળકને શોધી કાઢવા માટે અલગ-અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>સીસીટીવી અને બાતમીદારોની મદદથી મળી સફળતા</b></h2><p style="text-align: justify; ">બાળકને ઝડપથી અને સુરક્ષિત રીતે શોધવા માટે પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસવાના શરૂ કર્યા હતા. આ સાથે જ પોલીસે પોકેટ બીટના કર્મચારીઓ અને હ્યુમન ઇન્ટેલિજન્સ (બાતમીદારો) ની મદદ લીધી હતી. સીસીટીવી કેમેરાના સર્વેલન્સ અને ટેકનિકલ સપોર્ટ તેમજ બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ ગુમ થયેલા બાળકનું લોકેશન મેળવી તેને હેમખેમ શોધી કાઢવામાં મોટી સફળતા મેળવી હતી.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><img alt="Sensitive work of Ahmedabad Sola High Court Police" src="https://epapercdn.sandesh.com/images/2026/08/07/53YEfsKLCeObknE0D9Bre0szoxBjzpK55prcFtpC.webp"><br></p><p style="text-align: justify; "><br></p><h3 style="text-align: justify; "><b>પરિવારે પોલીસનો હૃદયપૂર્વક આભાર માન્યો</b></h3><p style="text-align: justify; ">પોલીસે બાળકને સલામત રીતે કબ્જે કર્યા બાદ તેને સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશને લાવી તેના ચિંતાતુર માતા-પિતાને સુપ્રત કર્યું હતું. ગણતરીના કલાકોમાં જ પોતાના વહાલસોયા બાળકને સહીસલામત સામે જોતાં માતા-પિતાની આંખોમાં હરખના આંસુ આવી ગયા હતા. બાળકના પરિવારે ગુજરાત પોલીસ અને સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટાફની ત્વરિત કામગીરી અને સંવેદનશીલતા માટે હૃદયપૂર્વક આભાર માન્યો હતો.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbtOkN7E3Wi/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbtOkN7E3Wi/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbtOkN7E3Wi/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbtOkN7E3Wi/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/14gnjuR5Iyud0afsUwFRwfIddw4sgAEMbVbtSH2u.webp'/></item><item><title><![CDATA[Amreli News: રાજ્યમાં ગઈકાલે 74 જગ્યાએ દરોડા પાડી 1 હજાર કિલો પનીર સહિતની ચીજો નષ્ટ કરાઈ : આરોગ્ય મંત્રી ]]></title><link>https://sandesh.com/gujarat/news/amreli/74-raids-conducted-1000-kg-paneer-and-adulterated-products-destroyed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/amreli/74-raids-conducted-1000-kg-paneer-and-adulterated-products-destroyed</guid><pubDate>Fri, 07 Aug 2026 11:47:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાત સરકારે લોકોના આરોગ્યને ધ્યાનમાં લઈને એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે. અનેક રાજ્યોમાં હોટેલો અને રેસ્ટોરાં સહિત ખાણીપીણીની દુકાનોમાં અસલ દૂધમાંથી બનાવેલા પનીરની જગ્યાએ એનાલોગ પનીર પીસરવામાં આવી રહ્યું હોવાનું સરકારના ધ્યાને આવ્યું હતું. ત્યાર બાદ તેના પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવાયો છે. આરોગ્ય મંત્રીના જણાવ્યા પ્રમાણે ગઈ કાલે એક જ દિવસમાં 74 જગ્યાએ દરોડા પાડીને એક હજાર કિલો પનીર સહિતની ચીજોને નષ્ટ કરી દેવામાં આવી છે.&nbsp;&nbsp;</p><h2 style="text-align: justify; "><b>આરોગ્ય વિભાગની ઝીરો ટોલરન્સની નીતિ સાથે ઝુંબેશ</b></h2><p style="text-align: justify; ">અમરેલીની મુલાકાતે પધારેલા રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ એનાલોગ પનીર, ચીઝ અને બટર પર મુકેલા પ્રતિબંધ બાદ ભેળસેળિયા માફિયાઓ સામે કડક સંદેશ આપ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું કે, ભેળસેળયુક્ત એનાલોગ પ્રોડક્ટ્સ વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા તત્વોને સહેજ પણ સાંખી લેવામાં નહીં આવે. સરકારે ગઈકાલે જ આ અંગેનું ગેઝેટ પ્રસિદ્ધ કરી દીધું છે તેથી હવે એક પણ ભેળસેળિયાને બક્ષવામાં નહીં આવે અને તેમણે જેલ તેમજ સજા ભોગવવા તૈયાર રહેવું પડશે. છેલ્લા ચાર મહિનાથી આરોગ્ય વિભાગ ઝીરો ટોલરન્સની નીતિ સાથે ઝુંબેશ ચલાવી રહ્યું છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>1 હજાર કિલો પનીર સહિતની ચીજો નષ્ટ કરાઈ</b></h3><p style="text-align: justify; ">આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનસેરિયાએ કહ્યું હતું કે, ગઈકાલે પણ રાજ્યમાં 74 જેટલી જગ્યાઓએ દરોડા પાડીને આશરે 1,000 કિલો જેટલું ભેળસેળયુક્ત પનીર અને અન્ય બનાવટી ચીજવસ્તુઓનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. મંત્રીએ ભેળસેળિયાઓની કમર તોડી નાખવાની અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કાયમ માટે ઠપ્પ કરી દેવાની કટિબદ્ધતા વ્યક્ત કરવાની સાથે સામાન્ય જનતાને પણ ખાસ અપીલ કરી છે. તેમણે નાગરિકોને સસ્તી તેમજ બ્રાન્ડ વગરની વસ્તુઓ વેચનારા વેપારીઓ પાસેથી આવી પ્રોડક્ટ્સ ન ખરીદવા અને માત્ર માન્ય તેમજ સ્ટાન્ડર્ડ ડેરી પ્રોડક્ટ્સનો જ ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે. લોકોના સ્વાસ્થ્ય બાબતે વ્યાપક જાગૃતિ લાવવા અને રાજ્યભરમાં ગુણવત્તાયુક્ત ખાદ્યચીજો જ ઉપલબ્ધ થાય તે માટે સરકાર આ ઝુંબેશને વધુ ગતિ આપશે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/paramedical-admission-2026-provisional-merit-list-released" target="_blank">આ પણ વાંચોઃ Gujarat News: પેરા મેડિકલ કોર્સના પ્રોવિઝનલ મેરિટમાં 34741 વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/kQXUV5hstkXpdCFRutRE9RPMFAeqodWE4ZhCqW6V.webp'/></item><item><title><![CDATA[Arsenalનો મોટો દાવ, રીઅલ મેડ્રિડના વિનિસિયસ જુનિયર માટે રજૂ કરી આકર્ષક ડીલ ]]></title><link>https://sandesh.com/sports/news/arsenals-big-bet-real-madrids-attractive-deal-for-vinicius-junior</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/arsenals-big-bet-real-madrids-attractive-deal-for-vinicius-junior</guid><pubDate>Fri, 07 Aug 2026 09:46:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઇંગ્લિશ પ્રીમિયર લીગ (EPL) ની જાણીતી ક્લબ આર્સેનલ રીઅલ મેડ્રિડના સ્ટાર બ્રાઝિલિયન ફોરવર્ડ વિનિસિયસ જુનિયરને પોતાની ટીમમાં સામેલ કરવા માટે મોટો દાવ ખેલી રહી છે. મિકેલ આર્ટેટાના નેતૃત્વ હેઠળ છેલ્લા કેટલાક સમયથી સતત મજબૂત પ્રદર્શન કરી રહેલી આર્સેનલ વિનિસિયસને માત્ર સામાન્ય ફોરવર્ડ તરીકે નહીં, પરંતુ પોતાના મુખ્ય 'માર્કી સાઇનિંગ' (મુખ્ય ખેલાડી) તરીકે જોઈ રહી છે.</p><h2 style="text-align: justify; "><b>કરારનો વિવાદ અને આર્સેનલની ઓફર</b></h2><p style="text-align: justify; ">વિનિસિયસ જુનિયરનો રીઅલ મેડ્રિડ સાથેનો વર્તમાન કરાર જૂન 2027માં પૂર્ણ થઈ રહ્યો છે. બંને વચ્ચે નવા કરાર માટે વાટાઘાટો ચાલી રહી છે, પરંતુ પગાર અને ઇમેજ રાઇટ્સ (Image Rights) મુદ્દે અંતર જોવા મળી રહ્યું છે.&nbsp; વિનિસિયસની માંગ છે કે તેને વાર્ષિક આશરે 30 મિલિયન યુરો (આશરે ₹329 કરોડ). ક્લબ પોતાની ઓફર 20 મિલિયન યુરોથી વધારીને 22 મિલિયન યુરો કરવા તૈયાર છે, છતાં પણ માંગ અને ઓફર વચ્ચે 8 મિલિયન યુરોનું અંતર છે. UOL એસ્પોર્ટના અહેવાલ મુજબ, આર્સેનલ વિનિસિયસને વાર્ષિક 24 મિલિયન યુરો (આશરે €263 કરોડ) નો પગાર આપવા તૈયાર છે. જોકે આ રકમ વિનિસિયસની માંગ કરતા ઓછી છે, પરંતુ આર્સેનલ તેને ઇમેજ રાઇટ્સ પર 100% અધિકાર આપવા સંમત થઈ છે. આ જ શરત આ સોદાને વિનિસિયસ માટે ખૂબ આકર્ષક બનાવી શકે છે.</p><h3 style="text-align: justify; "><b>લાંબા ગાળાની રણનીતિ અને રીઅલ મેડ્રિડ પર દબાણ</b></h3><p style="text-align: justify; ">આર્સેનલની યોજના માત્ર વર્તમાન ટ્રાન્સફર વિન્ડો સુધી મર્યાદિત નથી. જો આ ઉનાળામાં કરાર શક્ય ન બને, તો ક્લબ 2027 સુધી રાહ જોવા પણ તૈયાર છે. જો વિનિસિયસ 2027 સુધી નવો કરાર ન કરે, તો આર્સેનલ તેને ફ્રી ટ્રાન્સફર (કોઈપણ ટ્રાન્સફર ફી વગર) દ્વારા ટીમમાં સામેલ કરી શકે છે. આ પરિસ્થિતિ રીઅલ મેડ્રિડ પર ભારે દબાણ ઊભું કરે છે.</p><h4 style="text-align: justify; "><b>રીઅલ મેડ્રિડનું વલણ</b></h4><p style="text-align: justify; ">જોકે, રીઅલ મેડ્રિડ પોતાના આ સ્ટાર ખેલાડીને સરળતાથી જવા દેવા માંગતું નથી. મીડિયા અહેવાલ મુજબ, ખેલાડીના પ્રતિનિધિઓ અને રીઅલ મેડ્રિડ વચ્ચે તાજેતરમાં થયેલી વાટાઘાટો સકારાત્મક રહી છે. રીઅલ મેડ્રિડે પોતાની ઓફરમાં સુધારો કર્યો છે, જેના કારણે વિનિસિયસનો કેમ્પ નવો કરાર થવાની બાબતે આશાવાદી છે. જો આર્સેનલ વિનિસિયસને પોતાની સાથે જોડવામાં સફળ રહે છે, તો આ ટ્રાન્સફર યુરોપિયન ફૂટબોલના ઇતિહાસમાં સૌથી મોટા અને ચર્ચિત સોદાઓમાંથી એક સાબિત થશે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/sports/news/neeraj-chopra-lausanne-diamond-league-2026#google_vignette" target="_blank">આ પણ વાંચો : Neeraj Chopra ડાયમંડ લીગમાં મળશે જોવા, અરશદ નદીમ અને રૂમેશ પથિરાગેનો કરશે સામનો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/pKnOjOgsrGuKOWiYPkzHgMYSiUcrcOp5CQQ9aqLZ.webp'/></item></channel></rss>