<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Surat News: રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનો ડીપફેક વીડિયો બનાવી ઠગાઈનું કારસ્તાન ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/deepfake-video-of-mp-govind-dholakia-used-in-old-coin-scam</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/deepfake-video-of-mp-govind-dholakia-used-in-old-coin-scam</guid><pubDate>Sun, 09 Aug 2026 09:56:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજ્યસભાના સાંસદ અને જાણીતી SRK ડાયમંડ કંપનીના ફાઉન્ડર-ચેરમેન ગોવિંદ ધોળકિયાના નામ, ચહેરા અને પ્રતિષ્ઠાનો દુરુપયોગ કરીને ડીપફેક વીડિયો બનાવી લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોકાવનારો ઘટસ્ફોટ થયો છે. Old Coin Company બનાવી RBIના નામે જૂમા સિક્કા ખરીદવાની જાળ બિછાવાઈ હતી.આ મામલે સાંસદના પસંનલ સેક્રેટરી દ્વારા મુરત સાયબર સેલમાં અજાણ્યા સાયબર ઠગો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઇ છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>સાંસદના ફોટા અને વીડિયોનો દુરુપયોગ</b></h2><p style="text-align: justify; ">મળતી વિગતો અનુસાર ફેસબુક સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી સાંસદ ગોવિંદ પોળકિયાના ફોટોગ્રાફ અને વીડિયોનો ઉપયોગ કરી Old Coin Companyના નામે ફેક પ્રોફાઈલો બનાવવામાં આવી હતી. આ પ્રોફાઈલો મારફતે ભારતીય રિઝર્વ બેંક (RBI) વતી જૂના ચલણી સિક્કાઓ મોંઘા ભાવે ખરીદવાની લાલચ આપી ભોળી જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી હતી.ભેજાબાજોએ સાંસદ ગોવિંદ ધોળકિયાના જૂના વીડિયો એડિટ કરીને એવા ડીપફેક વીડિયો તૈયાર કર્યા હતા કે જેથી લોકોને લાગે કે ખુદ સાંસદ આ સ્કીમ ચલાવી રહ્યા છે.લોકોને જૂના ચલણી સિક્કાના ફોટા વોટ્સએપ પર મોકલવા જણાવાતુ હતું અને ત્યારબાદ તેમના માણસો સિક્કાઓ ઘરે આવી કલેક્ટ કરી જશે તથા પેમેન્ટ પણ આપી જશે એવી ખાતરી અપાતી હતી.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>સુરત સાયબર ક્રાઈમે ગુનો નોંધી તપાસ હાથ ધરી</b></h3><p style="text-align: justify; ">આ સાયબર ફ્રોડ અંગે સાંસદ ગોવિંદ ધોળકિયા વતી તેમના પર્સનલ સેક્રેટરી ભાવેશ લાઠિયાએ સાયબર સેલમાં ફરિયાદ આપી હતી.પોલીસે શંકાસ્પદ મોબાઈલ નંબરોના આધારે તપાસ હાથ ધરી છે.કેસની વધુ તપાસ પીઆઈ નિકુલ પટેલ ચલાવી રહ્યા છે. ભેજાબાજો સાંસદના ડીપફેક વીડિયો થકી ગ્રાહકો પાસેથી જુના સિક્કા ક્લેક્ટ કરવાના બહાને RBIનો ચાર્જ-રજિસ્ટ્રેશન ફી પેટે રૂ.1500  ઓનલાઈન UPI મારફતે ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરવાનો પ્રયાસ કરાતો હતો.આ રીતે લોકોને છેતર્યા હોવાનું પોલીસનું અનુમાન છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/surendranagar/fatal-accident-in-limbdi-surendranagar-one-dead-3-seriously-injured" target="_blank">આ પણ વાંચોઃ Surendranagarના લીંબડીમાં ગમખ્વાર અકસ્માત, એકનું મોત, 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/KosvOCYoLLUKonymtecOKKl0Naf5UyDS5UwDHLuF.webp'/></item><item><title><![CDATA[Credit Card : હવે આ બેંકો નહીં આપી શકે ક્રેડિટ કાર્ડ, તમારી પાસે તો નથી ને જોઈ લેજો ]]></title><link>https://sandesh.com/business/news/credit-card-now-these-banks-will-not-be-able-to-give-credit-cards-if-you-dont-have-one-check-it-out</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/credit-card-now-these-banks-will-not-be-able-to-give-credit-cards-if-you-dont-have-one-check-it-out</guid><pubDate>Sun, 09 Aug 2026 09:41:07 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય રિઝર્વ બેંક (RBI) એ લોન સંબંધિત નિયમો કડક કર્યા છે. RBI એ નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFCs) દ્વારા ઓફર કરવામાં આવતા ક્રેડિટ કાર્ડ અને ‘ફ્લેક્સી-લોન’પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો છે.આનો અર્થ એ થાય કે બજાજ ફાઇનાન્સ અને Bajaj Finserv જેવી કંપનીઓ દ્વારા પૂરી પાડવામાં આવતી ક્રેડિટ કાર્ડ સેવાઓ બંધ કરવામાં આવશે અથવા સંપૂર્ણપણે ફરીથી ડિઝાઇન કરવાની જરૂર પડી શકે છે.</p><h5 style="text-align: justify; "><b>NBFCs પર કોઈ અસર થશે નહીં</b></h5><p style="text-align: justify; ">જોકે, આ પગલાથી NBFCs પર કોઈ અસર થશે નહીં જેમને ક્રેડિટ કાર્ડ જાહેર કરવા માટે RBI અધિકૃતતા મળી ગઈ છે. આ દરખાસ્તની જાહેરાત પછી, બજાજ ફાઇનાન્સના શેર શુક્રવારે 5.84% ઘટીને ₹1,078 થઈ ગયા. દરમિયાન, L&amp;T ફાઇનાન્સના શેરમાં પણ 2.73% નો ઘટાડો નોંધાયો હતો.</p><h5 style="text-align: justify; "><b>કઈ લોન પર પ્રતિબંધ મૂકવામાં આવશે?</b></h5><p style="text-align: justify; ">RBI એ ખાસ કરીને ‘રિવોલ્વિંગ ક્રેડિટ’ પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ શ્રેણી એવી લોનને આવરી લે છે જે એક નિર્ધારિત ક્રેડિટ મર્યાદામાં કાર્યરત હોય છે, જેનાથી ઉધાર લેનારાઓ વારંવાર ભંડોળ ઉપાડી શકે છે, તેમને ચૂકવી શકે છે અને ફરીથી ઉધાર લઈ શકે છે. મર્યાદામાં વધારો પણ કરી શકે છે. ક્રેડિટ કાર્ડ સેવાઓ આ શ્રેણી હેઠળ આવે છે.</p><h5 style="text-align: justify; "><b>ટર્મ લોન જાહેર કરવાની પરવાનગી</b></h5><p style="text-align: justify; ">આગળ વધતાં, NBFCs ફક્ત ‘ટર્મ લોન’ ઓફર કરી શકશે – નિશ્ચિત મુદતવાળા લોન જ્યાં ચોક્કસ રકમનું વિતરણ કરવામાં આવે છે અને નિર્ધારિત EMI શેડ્યૂલ અથવા ચુકવણી યોજના અનુસાર ચુકવણી કરવામાં આવે છે. એકવાર મંજૂર થયા પછી, લોન મર્યાદા વધારી શકાતી નથી. આ પ્રતિબંધ NBFCs પર લાગુ થશે નહીં જેમની પાસે પહેલાથી જ RBI ક્રેડિટ કાર્ડ જારી કરવા માટે અધિકૃતતા ધરાવે છે.</p><h5 style="text-align: justify; "><b>આ નિયમની અસર શું છે?</b></h5><p style="text-align: justify; ">બજાજ ફાઇનાન્સ અને ડિજિટલ ધિરાણ એપ્લિકેશન્સ જેવી મુખ્ય NBFCs જે ‘ફ્લેક્સી લોન’ અથવા ‘ક્રેડિટ લાઇન્સ’ જેવી સેવાઓ પ્રદાન કરે છે તેમને તેમના ઉત્પાદનોને સંપૂર્ણપણે ફરીથી ડિઝાઇન કરવા પડશે. ગ્રાહકોને વારંવાર ફરીથી વાપરી શકાય તેવી ક્રેડિટ ઍક્સેસ કરવાની મંજૂરી આપતી સુવિધા હવે પ્રતિબંધિત કરવામાં આવશે. ફ્લેક્સી-ક્રેડિટનો લાભ લેવાને બદલે, ગ્રાહકોએ દર વખતે નવી ટર્મ લોન લેવી પડશે અથવા બેંકો અથવા અધિકૃત NBFCs દ્વારા જારી કરાયેલ ક્રેડિટ કાર્ડ પર આધાર રાખવો પડશે.</p><h5 style="text-align: justify; "><b>RBI એ આ નિર્ણય શા માટે લીધો?</b></h5><p style="text-align: justify; ">RBI ના આ નવા પ્રસ્તાવ પાછળ એક ચોક્કસ કારણ છે. કેન્દ્રીય બેંકનો હેતુ રિટેલ ક્ષેત્રમાં વધુ પડતા અને અનિયંત્રિત ઉધાર સાથે સંકળાયેલા જોખમોને રોકવાનો છે. વધુમાં, તે ધિરાણ પ્રણાલીમાં વધુ પારદર્શિતા અને મજબૂતાઈ લાવવાનો પ્રયાસ કરે છે, તેથી જ તેણે આ પ્રકારની લોન પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/india/news/business/upi-payment-charges-phonepe-ceo-sameer-nigam-clarification" target="_blank"> UPI પેમેન્ટ કરવા પર યુઝર્સે ચુકવવો પડશે કોઈ ચાર્જ? ફોન પેના CEOએ કરી આ સ્પષ્ટતા</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/sTmtD07RGT5OUkbAhJcSMaKpEzqncrxz3y17smfu.webp'/></item><item><title><![CDATA[Junagadh News: ગિરનાર પર્વતની સીડીના પગથિયા પાસે મગર દેખાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/junagadh/crocodile-spotted-near-girnar-steps</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/junagadh/crocodile-spotted-near-girnar-steps</guid><pubDate>Sun, 09 Aug 2026 09:29:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગિરનાર પર્વતની સીડીઓ પર વન વિભાગે સતર્કતા વધારી છે અને પેટ્રોલિંગ શરૂ કર્યું છે.ગત 11 જુલાઈની વહેલી સવારે ગિરનારના 50મા પગથિયા પર એક નર સિંહે 11 વર્ષના બાળકનો શિકાર કરીને ફાડી ખાધાની ઘટના જ્યાં બનેલી તે જ સ્થળે ગતરાતે ત્રણ સિંહોના આંટાફેરા પછી વનવિભાગે પર્વતની સીડીઓ પર સતર્કતા વધારી છે.આ ઘટના પછી વન્ય પ્રાણીઓથી યાત્રાળુઓની સુરક્ષા માટે વ્યાપક પગલાં લેવામાં આવી રહ્યાં છે.વન વિભાગ માટે હવે એક નવો પડકાર સામે આવ્યો છે. ગિરનાર પર્વત પર સિંહ બાદ હવે મગર દેખાતા યાત્રિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.&nbsp;&nbsp;</p><h2 style="text-align: justify; "><b>સ્થાનિકોમાં ભારે ભય અને અફરાતફરીનો માહોલ</b></h2><p style="text-align: justify; ">જૂનાગઢના પ્રખ્યાત યાત્રાધામ ગિરનાર પર્વત પર અવારનવાર વન્યજીવોના આગમનના સમાચાર આવતા હોય છે, પરંતુ આ વખતે એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગિરનાર પર્વત પર સિંહના ભ્રમણ બાદ હવે મગરનો ખતરો જોવા મળ્યો છે. પર્વત પર આવેલા 400મા પગથિયાં નજીક અચાનક એક મગર દેખાતાં જ ત્યાંથી પસાર થઈ રહેલા યાત્રિકો અને સ્થાનિકોમાં ભારે ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ મગર સીડી પરથી પસાર થઈને ધીમે-ધીમે જંગલ તરફ જતી કેમેરામાં અને પ્રત્યક્ષદર્શીઓની નજરે ઝડપાઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>ગિરનારના જંગલ વિસ્તારમાં સિંહનો ડર રહેતો હોય છે</b></h2><p style="text-align: justify; ">દરિયાઈ કે ઊંડા પાણીના વિસ્તારોમાં જોવા મળતી મગર ગિરનાર પર્વતની આટલી ઊંચાઈ સુધી કેવી રીતે પહોંચી શકે તે વાતને લઈને સ્થાનિક વનવિભાગ અને લોકોમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે.સામાન્ય રીતે ગિરનારના જંગલ વિસ્તારમાં સિંહ અને દીપડાનો ડર રહેતો હોય છે, પરંતુ હવે સીડીઓ પર જ મગર દેખાવાના કારણે યાત્રિકોની સુરક્ષા સામે મોટા પ્રશ્નો ઊભા થયા છે. આ ઘટના બાદ વનવિભાગ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે અને શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ જળવાયેલો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/two-court-commissioners-appointed-to-count-karnamukteshwar-mahadev-temple-donations" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: કર્ણમુક્તેશ્વર મહાદેવની દાનપેટી ખોલી ગણતરી કરવા બે કોર્ટ કમિશનર નિમાયા</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/bRnhnL4wreZs7n4rvEMVoIOAC5qh49GlpFm5Bn5f.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: A 4 સાઈઝ પેપર સહિત વિશિષ્ટ ફોન્ટ અને પ્રિ પ્રિન્ટેડ અરજીના નિયમોમાં વકીલોને મોટી રાહત ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/high-court-gives-relief-to-lawyers-on-a4-paper</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/high-court-gives-relief-to-lawyers-on-a4-paper</guid><pubDate>Sun, 09 Aug 2026 09:07:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજ્યની તમામ જિલ્લા અદાલતો-કોર્ટોમાં તમામ પ્રકારની પિટિશન,અપીલ,એફિડેવિટ,એપ્લિકેશન,ઓર્ડર,જજમેન્ટ વગેરે A-4 સાઇઝના પેપર પર જ દાખલ કરવાની અને ચોક્કસ પ્રકારના ગુજરાતી-અંગ્રેજી ફોન્ટ્સ સહિતની નવી પદ્ધતિ 1લી ઓગસ્ટથી અમલી બનતાં રાજ્યભરના વકીલોમાં ઉગ્ર રોષ અને નારાજગીની લાગણી ફેલાઈ હતી. જેના વિરોધમાં સુરત સહિતના કેટલાક મથકો પર તો કોર્ટોને તાળાબંધી સહિતના આંદોલનાત્મક કાર્યક્રમો યોજાયા હતા અને સોમવારે અમદાવાદમાં પણ પ્રતીક હડતાળનું વકીલ આલમનું આયોજન હતું.</p><h2 style="text-align: justify; "><b>રાજ્યના વકીલ આલમમાં ભારે આનંદની લાગણી</b></h2><p style="text-align: justify; ">તે પહેલાં ગુજરાત હાઇકોર્ટે વકીલોની મુશ્કેલી અને હાલાકી ધ્યાનમાં લઈ A-4 સાઈઝની નવી સિસ્ટમના ફોન્ટ્સ, લેખિત કે પ્રિ-પ્રિન્ટ અરજી સહિતની બાબતોમાં નિયમોમાં વ્યવહારુ અભિગમ અપનાવી છૂટછાટ આપી છે.વકીલોની માંગણી સંતોષાતાં રાજ્યના વકીલ આલમમાં ભારે આનંદની લાગણી ફેલાવા પામી છે.હાઈકોર્ટ દ્વારા જારી કરાયેલા મહત્ત્વના નવા નિર્દેશોમાં કોન્ટ્સ અને લેખિત અરજીઓ કે, પ્રિ-ટાઈપ કે પ્રિ-પ્રિન્ટેડ અરજીઓને સ્વીકારવા અથવા ગ્રાહ્ય રાખતી છૂટછાટો આપી છે.જેમાં વકીલો કે અસીલો દ્વારા હાથથી લખેલી, પ્રિ-પ્રિન્ટેડ કે પ્રિ-ટાઈ૫ અરજીઓ,બેલ બોન્ડ સહિતની અરજીઓ કે જે ઘણીવાર છેલ્લી ઘડીએ જાણ થતાં તે હવે એ-4 સાઇઝમાં ટાઈપ કે પ્રિન્ટ કરવાને બદલે હાથથી લખેલી કે પ્રિ-પ્રિન્ટેડ ફોર્મેટમાં આપી શકાશે અને નીચલી કોર્ટોએ તે ગ્રાહ્ય રાખવી પડશે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>બીજા સમાન ગુજરાતી ફોન્ટ ઉપયોગમાં લઈ શકશે</b></h3><p style="text-align: justify; ">આ જ પ્રકારે પ્રિન્ટિંગમાં ગુજરાતી ફોન્ટ લોહિત ગુજરાતી, નોટો સન્સ ગુજરાતી, નોટો સેરીફ ગુજરાતી વાપરવાનો જે નિર્દેશ અપાયો છે તે હવે મરજિયાત કરી દેવાયો છે. તેમાં વકીલો કે અસીલો હવે આ ફોન્ટ જેવા બીજા સમાન ગુજરાતી ફોન્ટ ઉપયોગમાં લઈ શકશે.આ સિવાય પોલીસ પેપર્સ, ચાર્જશીટ, પોલીસ રિપોટર્સ, એફએસએલ રિપોર્ટ, અન્ય સંસ્થાઓ અને સત્તાધિકારીઓના અહેવાલો, વકાલતનામું,  મૂળ દસ્તાવેજો એટલે કે, પ્લાન, નકશા સહિતની નકલો વગેરેમાં A-4 સાઈઝ કાગળની પદ્ધતિ લાગુ પડશે નહીં.</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/news/surendranagar/fatal-accident-in-limbdi-surendranagar-one-dead-3-seriously-injured" target="_blank">આ પણ વાંચોઃ Surendranagarના લીંબડીમાં ગમખ્વાર અકસ્માત, એકનું મોત, 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/wCJsnSe0Lr4UgnuC3o6Taav1BfKeNdyCItZSKcPH.webp'/></item><item><title><![CDATA[Surat મનપા ફૂડ વિભાગનું સતત ત્રીજા દિવસે સઘન ચેકિંગ, 333 કિલો નકલી ચીઝ-પનીરનો કર્યો નાશ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-municipal-corporation-food-department-conducts-intensive-checking-for-third-consecutive-day-destroys-333-kg-of-fake-cheese</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-municipal-corporation-food-department-conducts-intensive-checking-for-third-consecutive-day-destroys-333-kg-of-fake-cheese</guid><pubDate>Sun, 09 Aug 2026 09:01:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયા વેપારીઓ સામે સતત ત્રીજા દિવસે પણ કડક ઝુંબેશ ચાલુ રાખવામાં આવી છે. મનપાની અલગ-અલગ ટીમો દ્વારા શહેરના તમામ 9 ઝોન વિસ્તારમાં આવેલી 98 જેટલી ડેરીઓ, હોટેલો અને રેસ્ટોરન્ટ્સમાં અચાનક દરોડા પાડીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન સ્થળ પરથી 30 કિલો જેટલો વાસી અને અખાદ્ય ખાદ્યપદાર્થોનો જથ્થો જપ્ત કરી તેનો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>3 દિવસમાં 412 સંસ્થાઓ સામે દંડાત્મક પગલાં</b></h2><p style="text-align: justify; ">મનપા ફૂડ વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહેલી આ વિશેષ ઝુંબેશ અંતર્ગત છેલ્લા ત્રણ દિવસમાં જ કુલ 412 જેટલી સંસ્થાઓ અને વેપારીઓ સામે આકરાં પગલાં ભરવામાં આવ્યા છે. આરોગ્યપ્રદ ધોરણો ન જાળવનાર અને ગુણવત્તા વગરનો સામાન વેચનારા એકમો સામે દંડકીય કાર્યવાહી કરવા સાથે નોટિસ પણ પાઠવવામાં આવી છે. તંત્ર દ્વારા હાથ ધરાયેલી આ સતત અને આક્રમક કામગીરીના કારણે અસુરક્ષિત ખાદ્યપદાર્થો વેચતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.</p><h3 style="text-align: justify; "><b>333 કિલો એનાલોગ ચીઝ-પનીર-બટરનો નાશ કરાયો</b></h3><p style="text-align: justify; ">ફૂડ વિભાગની ટીમો દ્વારા છેલ્લા ત્રણ દિવસની બલિષ્ઠ કામગીરી દરમિયાન ભેળસેળયુક્ત તેમજ માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા કુલ 333 કિલો એનાલોગ ચીઝ, નકલી પનીર અને બટરનો જથ્થો જપ્ત કરી તેને કચરાડાંકમાં ફેંકીને નાશ કરવામાં આવ્યો છે. મનપા તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે પ્રજાના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરતા હોટેલ-રેસ્ટોરન્ટ કે ડેરી સંચાલકો સામે આગામી દિવસોમાં પણ આવી જ રીતે કડકમાં કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/tyylDIMvSF9fUK6Vg0ZOfERtwJEm0vMinEqEUsHT.webp'/></item><item><title><![CDATA[Panchmahal: શહેરાના ગોકળપુરા ગામે રસ્તાની બંને બાજુ ઊગી નીકળેલા ઝાડી-ઝાંખરા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/panchmahal/panchmahal-bushes-and-bushes-have-grown-on-both-sides-of-the-road-in-gokalpura-village-of-the-city</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/panchmahal/panchmahal-bushes-and-bushes-have-grown-on-both-sides-of-the-road-in-gokalpura-village-of-the-city</guid><pubDate>Sun, 09 Aug 2026 04:28:07 +05:30</pubDate><description><![CDATA[<p><b>શહેરા : શહેરા તાલુકાના ગોકળપુરા ગામના ટેકરા ફ્ળિયા થઈને ગ્રામ પંચાયત સાથે જોડતાં રસ્તાની આજુબાજુમાં દબાણો વધી જતાં આ મુખ્ય રસ્તો સાંકડો બનવા સાથે રોજીંદા અવરજવર કરતા સ્થાનિક રહીશો અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હોવાથી ગામના જાગૃત નાગરિકોએ ગ્રામ પંચાયત કચેરી ખાતે રજૂઆત કરી હતી. જોકે આ રસ્તાની આજુબાજુમાં દબાણકર્તાઓ દ્વારા દબાણ કરાતાં માટી, ઇંટો અને બાંધકામનો કાટમાળ જોવા મળી રહયો છે. તેમજ વળાંકમાં ઝાડી ઝાંખરા ઉગી નીકળેલા હોવાથી ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માત થવાનો ડર પણ રહેતો હોય, ત્યારે તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ જરૂરી કાર્યવાહી કરવા માગ કરાઈ છે.</b></p><p><b><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/nUYKkxfTGsuJpofGVDi9nM24owb3J6c9oTIqAbfi.webp'/></item><item><title><![CDATA[PM મોદી અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ JD વાન્સે ફોન પર વાતચીત, ભારત-US સંબંધો વધુ મજબૂત બનાવવા ચર્ચા ]]></title><link>https://sandesh.com/india/news/world/pm-modi-jd-vance-phone-call-india-us-strategic-partnership</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/world/pm-modi-jd-vance-phone-call-india-us-strategic-partnership</guid><pubDate>Sat, 08 Aug 2026 23:40:20 +05:30</pubDate><description><![CDATA[<p>વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ સાથે ટેલિફોન પર વાતચીત કરી છે. બંને નેતાઓ વચ્ચે ભારત અને અમેરિકા વચ્ચેની વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા થઈ. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ ફોન કોલ અંગે માહિતી આપી છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે તેમને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સનો ફોન આવ્યો હતો.&nbsp;</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2086143739995836761"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>વેપાર, ટેક્નોલોજી જેવા અનેક ક્ષેત્રો વિશે ચર્ચા કરી</b></h2><p>બંને નેતાઓએ ભારત-અમેરિકા Comprehensive Global Strategic Partnershipને વધુ ગાઢ બનાવવાના વિવિધ રસ્તાઓ પર ચર્ચા કરી હતી. આ ભાગીદારીના મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સહકાર વધારવા અંગે પણ વાતચીત થઈ હોવાનું વડાપ્રધાને જણાવ્યું છે. બંને દેશો વચ્ચેના સંબંધોમાં વેપાર, ટેક્નોલોજી, સંરક્ષણ, ઊર્જા અને વ્યૂહાત્મક સહકાર જેવા અનેક ક્ષેત્રો મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં બંને નેતાઓ વચ્ચેની આ વાતચીતને ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહી છે.</p><h3><b>JD વાન્સને પુત્રના જન્મ પર શુભેચ્છા આપી</b></h3><p>વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમની પત્ની ઉષા વાન્સને તેમના પુત્રના જન્મ પર અભિનંદન પાઠવ્યા. તેમણે વાન્સ પરિવારના તમામ સભ્યોને પણ શુભેચ્છાઓ પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે તેમણે જેડી વાન્સ અને સેકન્ડ લેડીને તેમના પુત્રના જન્મ બદલ હાર્દિક શુભેચ્છા પાઠવી છે અને સમગ્ર પરિવાર માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે. ભારત અને અમેરિકા વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોમાં વ્યૂહાત્મક સંબંધો વધુ ગાઢ બન્યા છે. બંને દેશો વિવિધ વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર પણ સહયોગ કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ વચ્ચેની આ વાતચીતથી બંને દેશો વચ્ચેના સહકારને આગામી સમયમાં વધુ વિસ્તરણ મળવાની અપેક્ષા છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/ranchi-student-protest-government-talks-exam-irregularities" target="_blank">આ પણ વાંચો : Ranchi Protest : રાંચીમાં વિદ્યાર્થીઓનું આંદોલન યથાવત, સરકાર સાથે બીજા તબક્કાની બેઠક નિષ્ફળ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/vtVH7NbmMOZ6e1jqpojpobIbOj6HaFG3GnC8ruGi.webp'/></item><item><title><![CDATA[Ranchi Protest : રાંચીમાં વિદ્યાર્થીઓનું આંદોલન યથાવત, સરકાર સાથે બીજા તબક્કાની બેઠક નિષ્ફળ ]]></title><link>https://sandesh.com/india/news/ranchi-student-protest-government-talks-exam-irregularities</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ranchi-student-protest-government-talks-exam-irregularities</guid><pubDate>Sat, 08 Aug 2026 22:41:20 +05:30</pubDate><description><![CDATA[<p>ઝારખંડની રાજધાની રાંચીમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કથિત પેપર લીક અને ગેરરીતિઓને લઈને વિદ્યાર્થીઓનું આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે. શનિવારે સરકાર અને આંદોલનકારી વિદ્યાર્થી સંગઠનો વચ્ચે ગતિરોધ દૂર કરવા માટે બીજા તબક્કાની બેઠક યોજાઈ હતી, પરંતુ આ બેઠક પણ કોઈ નક્કર પરિણામ વિના પૂરી થઈ હતી. વિદ્યાર્થીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેમની તમામ મુખ્ય માગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2086111547001299441"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p>શનિવારે ઝારખંડ સરકાર દ્વારા રચાયેલા મંત્રીઓના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ અને વિદ્યાર્થી સંગઠનોના પ્રતિનિધિઓ વચ્ચે ચર્ચા થઈ હતી. સરકાર તરફથી આંદોલન સમાપ્ત કરાવવા અને સમાધાન શોધવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે, વિદ્યાર્થીઓ પોતાની માંગણીઓ પર અડગ રહ્યા હતા. શુક્રવારે મોડી રાત્રે યોજાયેલી પ્રથમ બેઠક પણ નિષ્ફળ રહી હતી.</p><h2><b>રવિવારે ફરી બેઠક</b></h2><p>બે બેઠકો નિષ્ફળ ગઈ હોવા છતાં સરકાર અને વિદ્યાર્થીઓ વચ્ચે વાતચીતના દરવાજા ખુલ્લા છે. મંત્રી સંજય યાદવે જણાવ્યું કે રવિવારે બપોરે 12 વાગ્યે વિદ્યાર્થી પ્રતિનિધિઓ સાથે ફરી બેઠક યોજાશે. આગામી બેઠકમાં સરકાર નવા વિકલ્પો સાથે વિદ્યાર્થીઓને મનાવવાનો પ્રયાસ કરી શકે છે. JPSC અને JSSC સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કથિત પેપર લીક અને ભરતીમાં ગેરરીતિના આરોપોને લઈને વિદ્યાર્થીઓ લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે. તેમની મુખ્ય માંગણીઓમાં પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા, પેપર લીકની ઉચ્ચસ્તરીય તપાસ અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે માત્ર મૌખિક આશ્વાસન નહીં, પરંતુ લેખિત અને નક્કર ગેરંટી જોઈએ.</p><h3><b>જયરામ મહતો કરશે નિર્જળ ઉપવાસ</b></h3><p>આંદોલનને સમર્થન આપવા સ્થાનિક ધારાસભ્ય અને JLKM પ્રમુખ જયરામ મહતોએ 9 ઓગસ્ટે એક દિવસના નિર્જળ ઉપવાસની જાહેરાત કરી છે. તેઓ સવારે 6 વાગ્યાથી જૂના વિધાનસભા પરિસરમાં ઉપવાસ પર બેસશે. જયરામ મહતોએ કહ્યું કે તેઓ વિદ્યાર્થીઓના સમર્થનમાં આ ઉપવાસ કરશે. વિધાનસભા સત્ર પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓના મુદ્દે વધુ મજબૂત આંદોલન કરવાની પણ તેમણે વાત કરી છે. રાજકીય સમર્થન વધતાં રાંચીનું વિદ્યાર્થી આંદોલન વધુ વ્યાપક બનતું જોવા મળી રહ્યું છે.</p><p><a href="https://sandesh.com/india/news/bihar-saharsa-food-poisoning-100-people-ill-puja-prasad" target="_blank"><b>આ પણ વાંચો ; Bihar : સહરસામાં ફૂડ પોઈઝનિંગની આશંકા, પૂજાનો પ્રસાદ ખાધા બાદ 100થી વધુ લોકો બીમાર</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/RaGIe6KGpwKlwNdr3eeFPIPKvRor88s1jIvlOyhV.webp'/></item><item><title><![CDATA[Lionel Messiના પિતાનું 68 વર્ષની વયે થયું અવસાન, લાંબા સમયથી હતા બીમાર ]]></title><link>https://sandesh.com/sports/news/lionel-messi-father-jorge-messi-passes-away</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/lionel-messi-father-jorge-messi-passes-away</guid><pubDate>Sat, 08 Aug 2026 19:54:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફૂટબોલની દુનિયાના મહાન ખેલાડીઓમાંના એક લિયોનેલ મેસ્સી એક મોટી દુર્ઘટનાનો સામનો કરી રહ્યા છે, તેના પિતા જોર્જ મેસ્સીનું 68 વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન થયું છે. જોર્જ મેસ્સી લાંબા સમયથી બીમાર હતા, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.&nbsp;</p><p style="text-align: justify; ">ફિફા વર્લ્ડકપ દરમિયાન મેસ્સી પણ તેના પિતાના સ્વાસ્થ્ય વિશે ખૂબ ચિંતિત જોવા મળ્યો હતો. તેના પિતા જોર્જ મેસ્સીને સફળ ફૂટબોલ ખેલાડી બનાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, તેમને લાંબા સમય સુધી પુત્રના એજન્ટ તરીકે પણ કામ કર્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>પિતાના સંઘર્ષને કારણે મેસ્સી એક સફળ ફૂટબોલર બન્યો</b></h2><p style="text-align: justify; ">પિતાનું મૃત્યુ લિયોનેલ મેસ્સી માટે એક મોટા આઘાતથી ઓછું નથી, કારણ કે તેના પિતા જોર્જ મેસ્સીએ તેને એક મહાન ફૂટબોલર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. મેસ્સી બાળપણમાં ગ્રોથ હોર્મોનની ઉણપથી પીડાતા હતા, જેને સારવારની જરૂર હતી. તેના પિતા જોર્જે તેમના પુત્રને જરૂરી સારવાર મળે તે સુનિશ્ચિત કરવા માટે કોઈ કસર છોડી ન હતી. બાળપણમાં મેસ્સી ન્યુવેલની ઓલ્ડ બોયઝ યુવા ટીમ માટે રમ્યો હતો.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/YKoluwaseun9/status/2086053507904196798"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p style="text-align: justify; ">ફિફા વર્લ્ડકપ 2026 દરમિયાન લિયોનેલ મેસ્સીએ ઉલ્લેખ કર્યો હતો કે તેનો પરિવાર મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, પરંતુ તેને તેમના પિતાની સ્થિતિ વિશે કોઈ ચોક્કસ વિગતો આપી ન હતી. આ પછી તેના પરિવાર દ્વારા જાહેર કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે જોર્જ મેસ્સી હાલમાં સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે અને ડોકટરોની દેખરેખ હેઠળ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>અલ્જીરિયા સામેની વર્લ્ડ કપ મેચ દરમિયાન મેસ્સી ભાવુક થયો હતો</b></h3><p style="text-align: justify; ">ફિફા વર્લ્ડકપ 2026માં લિયોનેલ મેસ્સીની કેપ્ટનશીપ હેઠળ આર્જેન્ટિનાની ટીમ ફાઈનલમાં પહોંચવામાં સફળ રહી, પરંતુ ટાઈટલ મેચમાં સ્પેન સામે 1-0થી હારી ગઈ. વર્લ્ડકપમાં અલ્જીરિયા સામે ગ્રુપ સ્ટેજ મેચમાં ગોલ કર્યા પછી લિયોનેલ મેસ્સી ખૂબ જ ભાવુક થઈ ગયો.</p><p style="text-align: justify; ">મેચ પછી રડવાનું કારણ પૂછવામાં આવતા મેસ્સીએ જવાબ આપ્યો કે મારા રડવાનો ફૂટબોલ સાથે કોઈ સંબંધ નથી, છેલ્લા કેટલાક દિવસો મારા માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. તમને જણાવી દઈએ કે ફિફા વર્લ્ડકપ 2026માં સૌથી વધુ ગોલ કરવાના મામલે તે બીજા સ્થાને હતો, જેમાં તે ફક્ત કાયલિયન એમબાપ્પેથી પાછળ હતો.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/7UsaohX88EglI5pYE3eXIJZMEmPzazR62F3vdzz4.webp'/></item><item><title><![CDATA[Bollywood : એક ડાયરેક્ટરે બનાવ્યો ઇમરાન હાશ્મીને સ્ટાર, બોક્સ ઓફિસ પર મચાવી દીધી હતી ધૂમ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/emraan-hashmi-lucky-director-5-films</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/emraan-hashmi-lucky-director-5-films</guid><pubDate>Sat, 08 Aug 2026 17:32:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડ એક્ટર ઈમરાન હાશ્મીએ છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાની કરિયરમાં મોટા બદલાવ કર્યા છે. આ દરમિયાન એક્ટરે વધુ કન્ટેન્ટ ઓરિએન્ટેડ ફિલ્મોમાં કામ કર્યું છે. જ્યારે કેટલીક ફિલ્મોમાં તેમણે પોતાના નેગેટિવ રોલથી લોકોને ચોંકાવ્યા પણ છે. હવે ઈમરાન હાશ્મીની આવારાપન 2 આવી રહી છે. આ ફિલ્મની ખાસ વાત એ છે કે તેમાં તેઓ ફરી એકવાર 2000ના દાયકાવાળા અંદાજમાં જોવા મળવાના છે. ફિલ્મનું ટ્રેલર જોયા બાદ લોકો પણ આવી જ વાતો કરતા જોવા મળી રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>મોહિત સૂરી અને ઈમરાન હાશ્મીએ સાથે કઈ ફિલ્મો કરી?</b></h2><p style="text-align: justify; ">મોહિત સૂરીએ 2000ના દાયકામાં ઈમરાન હાશ્મી સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ સફરની શરૂઆત વર્ષ 2005માં આવેલી ઝહેર ફિલ્મથી થઈ હતી. રિપોર્ટ્સ મુજબ આ ફિલ્મનું બજેટ 5 કરોડ રૂપિયા હતું અને ફિલ્મે 13 કરોડ રૂપિયાના કલેક્શન સાથે હિટનો દરજ્જો મેળવ્યો હતો. ત્યારબાદ આ જોડી કલયુગ ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મનું બજેટ 4 કરોડ રૂપિયા હતું અને તેની સરખામણીએ ફિલ્મે 10 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને હિટ રહી હતી.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dbr9TN0s561/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dbr9TN0s561/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dbr9TN0s561/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dbr9TN0s561/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><p style="text-align: justify; ">ત્યારબાદ આવારાપન ફિલ્મનો નંબર આવે છે. આ ફિલ્મ વર્ષ 2007માં આવી હતી. રિપોર્ટ્સ મુજબ 18 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મ માત્ર 12 કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકી હતી. ફિલ્મ ફ્લોપ રહી હતી, પરંતુ બાદમાં તેને કલ્ટ ક્લાસિકનો દરજ્જો મળ્યો હતો. ત્યારબાદ રાજ ફિલ્મ આવી હતી. તેનું બજેટ 18 કરોડ રૂપિયા હતું અને રિપોર્ટ્સ મુજબ ફિલ્મે 38 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મ સુપરહિટ રહી હતી.</p><h3 style="text-align: justify; "><b>છેલ્લી ફિલ્મ બની બ્લોકબસ્ટર</b></h3><p style="text-align: justify; ">ત્યારબાદ બંનેએ સાથે મળીને ક્રૂક ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ રહી હતી. જ્યારે મર્ડર 2ની વાત કરીએ તો આ બંનેની સાથે આવેલી છેલ્લી ફિલ્મ હતી. રિપોર્ટ્સ મુજબ 13 કરોડ રૂપિયાના બજેટ સામે આ ફિલ્મ 65 કરોડ રૂપિયાથી વધુ કમાવવામાં સફળ રહી હતી અને બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. ત્યારબાદ બંનેએ સાથે કોઈ ફિલ્મ બનાવી નથી. હવે ઈમરાન હાશ્મી આવારાપન 2 લઈને આવી રહ્યા છે. આ ફિલ્મ 14 ઓગસ્ટ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/pradeep-rawat-prayer-meet-son-vikram-emotional" target="_blank">આ પણ વાંચો-Pradeep Rawatની પ્રેયર મીટમાં પુત્ર વિક્રમ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો, પિતાને યાદ કરીને હાથ-પગ ધ્રૂજવા લાગ્યા</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/n41UCduQoBdRApGtRDgIGRg7WTzhUglPDZUtRfx4.webp'/></item></channel></rss>