<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ukraineના હુમલાથી રશિયામાં પેટ્રોલની અછત, ભારતે વધાર્યો સપ્લાય ]]></title><link>https://sandesh.com/business/news/world/petrol-shortage-in-russia-due-to-ukraine-attack-india-increases-supply</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/world/petrol-shortage-in-russia-due-to-ukraine-attack-india-increases-supply</guid><pubDate>Sun, 30 Aug 2026 17:11:58 +05:30</pubDate><description><![CDATA[<p>Russia Ukraine war: યુક્રેનના ડ્રોન હુમલાની અસર હવે રશિયાના ઈંધણ બજાર પર સ્પષ્ટ જોવા મળી રહી છે. રશિયાની અનેક ઓઈલ રિફાઈનરી પર થયેલા હુમલાને કારણે ત્યાં પેટ્રોલનું સ્થાનિક ઉત્પાદન પ્રભાવિત થયું છે. આવી સ્થિતિમાં રશિયાને પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે અન્ય દેશોમાંથી પેટ્રોલ મંગાવવું પડી રહ્યું છે. આ સ્થિતિમાં ભારત રશિયા માટે પેટ્રોલના મોટા સપ્લાયર તરીકે સામે આવ્યું છે.</p><h2><b>રશિયાને ભારતે મોકલ્યું 10 લાખ બેરલ પેટ્રોલ</b></h2><p>ઊર્જા બજાર પર નજર રાખતી કંપની વૉર્ટૈક્સના આંકડા મુજબ, ઓગસ્ટમાં રશિયાની દરિયાઈ માર્ગે પેટ્રોલની આયાત વધીને દરરોજ લગભગ 1.25 લાખ બેરલના રેકોર્ડ સ્તરે પહોંચી છે. સમગ્ર ઓગસ્ટ દરમિયાન આ જથ્થો લગભગ 4.70 લાખ ટન રહેવાનો અંદાજ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ભારતીય રિફાઈનરીઓએ છેલ્લા બે મહિનામાં રશિયાને લગભગ 10 લાખ બેરલ પેટ્રોલ મોકલ્યું છે. તેમાં સૌથી મોટો ફાળો ગુજરાતની વાડીનાર રિફાઈનરીનો હોવાનું કહેવાય છે. આ રિફાઈનરી નાયરા એનર્જી ચલાવે છે, જેમાં રશિયાની સરકારી ઓઈલ કંપની રોસનેફ્ટની લગભગ 50 ટકા ભાગીદારી છે.</p><h3><b>ભારત પાસેથી રશિયાએ પેટ્રોલ કેમ મંગાવ્યું?</b></h3><p>2022 બાદથી ભારતે રશિયા પાસેથી મોટા પ્રમાણમાં કાચું તેલ ખરીદવાનું શરૂ કર્યું છે. રશિયા પાસેથી મળતું કાચું તેલ ભારતની રિફાઈનરીઓમાં પહોંચે છે અને તેમાંથી પેટ્રોલ-ડીઝલ જેવા ઈંધણ તૈયાર કરવામાં આવે છે. જૂન અને જુલાઈમાં ભારતે રશિયા પાસેથી દરરોજ 26 લાખ બેરલથી વધુ કાચું તેલ ખરીદ્યું હતું. આ ફેબ્રુઆરીમાં દરરોજ લગભગ 10 લાખ બેરલની ખરીદીની સરખામણીએ ઘણું વધારે છે. આ ભારતની કુલ કાચા તેલની આયાતના અડધાથી પણ વધુ હિસ્સા જેટલું હતું. આવી સ્થિતિમાં એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે રશિયાને મોકલવામાં આવેલા કેટલાક પેટ્રોલનું ઉત્પાદન પણ રશિયાના કાચા તેલમાંથી થયું હોઈ શકે છે.</p><h4><b>રિફાઈનરીઓ પર સતત થઈ રહ્યા છે હુમલા</b></h4><p>રશિયા વિશ્વના મોટા કાચા તેલ નિકાસકાર દેશોમાં સામેલ છે. તેમ છતાં તેને પેટ્રોલની આયાત કરવી પડી રહી છે. તેનું મોટું કારણ યુક્રેનના ડ્રોન હુમલા છે. આ હુમલાઓથી રશિયાની ઊર્જા સુવિધાઓને નુકસાન થયું છે અને કેટલાક સમયગાળા દરમિયાન સ્થાનિક પેટ્રોલ ઉત્પાદનમાં 70 ટકા સુધીનો ઘટાડો થયો છે. તેના કારણે દેશના અનેક વિસ્તારોમાં ઈંધણની અછતની સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિક સપ્લાય જાળવી રાખવા માટે રશિયાએ પેટ્રોલના વેચાણ પર કેટલાક પ્રતિબંધો પણ લગાવ્યા છે. સાથે જ તેણે પેટ્રોલની નિકાસ પરનો પ્રતિબંધ જાન્યુઆરી 2027ના અંત સુધી લંબાવ્યો છે. ડીઝલની નિકાસ પર પણ પ્રતિબંધ લાગુ છે. ભારત ઉપરાંત તુર્કી અને મોરોક્કો પણ ઓગસ્ટમાં રશિયાને પેટ્રોલ સપ્લાય કરનારા દેશોમાં સામેલ રહ્યા છે.</p><p><b><a href="https://sandesh.com/" target="_blank">વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/30/obqzENl6iOITazRYKk3KyZjqOsAsb2oFixuJqnLM.webp'/></item><item><title><![CDATA[Sonam Wangchuk એ Aamir Khanની ખોલી પોલ, કહ્યું 'શોર્ટ ટર્મ મેમરી લોસ થયો હશે..' ]]></title><link>https://sandesh.com/india/news/entertainment/sonam-wangchuk-aamir-khan-3-idiots-claim</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/entertainment/sonam-wangchuk-aamir-khan-3-idiots-claim</guid><pubDate>Sun, 30 Aug 2026 17:05:47 +05:30</pubDate><description><![CDATA[<p>સોનમ વાંગચુક જ્યારે દિલ્હીના જંતર-મંતર પર NEET પેપરલીક મુદ્દે ભૂખ હડતાળ પર બેઠા હતા, ત્યારે આમિર ખાને તેમને ભૂખ હડતાળ ખતમ કરવાની વિનંતી કરી હતી. સાથે જ તેમણે દાવો કર્યો હતો કે જ્યારે તેઓ ‘3 ઈડિયટ્સ’ બનાવી રહ્યા હતા ત્યારે તેઓ વાંગચુક વિશે જાણતા નહોતા. ફિલ્મમાં તેમનું રેન્ચોનું પાત્ર સોનમ વાંગચુકથી પ્રેરિત નહોતું. હવે સોનમ વાંગચુકે આમિર ખાનના આ દાવા પર માત્ર કટાક્ષ જ નથી કર્યો, પરંતુ તેમની મજાક પણ ઉડાવી છે. વાંગચુકે તો ત્યાં સુધી કહી દીધું કે આમિરને ‘ગજની’ના પાત્રની જેમ શોર્ટ ટર્મ મેમરી લોસ થઈ ગયો હશે.</p><p>સોનમ વાંગચુકે એક પોડકાસ્ટમાં આ વિશે વાત કરી અને આમિર ખાનના દાવા પર સવાલ ઉઠાવ્યા. તેમણે આમિર સાથેની પોતાની જૂની મુલાકાત પણ યાદ કરી અને કહ્યું કે તેમની વચ્ચે '3 ઇડિયટ્સ' ફિલ્મ વિશે ખૂબ વિગતવાર મુલાકાત થઈ હતી, જેમાં કેટલાક આઇડિયાઝ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.</p><h2><b>સોનમ વાંગચુકે ઉડાવી આમિર ખાનની મજાક</b></h2><p>સોનમ વાંગચુકે એક પોડકાસ્ટમાં કહ્યું, ‘ઘણા વીડિયો સામે આવ્યા હતા, જેમાં તેઓ ગજનીના આઉટફિટમાં મારું ભાષણ જોઈ રહ્યા હતા. કદાચ તેઓ ગજનીના પાત્રમાં હતા, એટલે તેમને શોર્ટ ટર્મ મેમરી લોસ થયો હશે. 15 મિનિટ પછી ભૂલી ગયા હશે, એટલે મને નવાઈ નથી. બાકી અમારી મુલાકાત ખૂબ વિગતવાર થઈ હતી. અમે સાંભળ્યું છે કે તેઓ પોતાના પાત્રમાં ખૂબ ઊંડા ઉતરી જાય છે, તો કદાચ ગજનીના પાત્રમાં તેઓ એટલા ઊંડા ઉતરી ગયા હતા કે જે એવોર્ડ ફંક્શનમાં તેઓ આવ્યા હતા, જ્યાં હું એવોર્ડ લઈ રહ્યો હતો, એ પણ તેઓ ભૂલી ગયા હશે.’</p><h2><b>આમિર સાથે આઇડિયાઝ શેર કર્યા હતા</b></h2><p>સોનમ વાંગચુકે આગળ જણાવ્યું કે તેમણે આમિર ખાન સાથે ઘણી વખત વિગતવાર વાતચીત કરી હતી, જેમાં તેમણે પોતાના આઇડિયાઝ પણ શેર કર્યા હતા. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ ‘3 ઈડિયટ્સ’ને પોતાના જીવન પર આધારિત અથવા પોતાની બાયોગ્રાફી નહીં કહે. તેના બદલે તેને તેમનાથી મળેલી પ્રેરણાની અસર કહી શકાય.</p><h2><b>કદાચ આમિરે ટીમને કહ્યું નહીં હોય</b></h2><p>વાંગચુકે કહ્યું કે શક્ય છે કે આમિરે અજાણતાં જ તેમની સાથે થયેલી વાતચીતમાંથી કેટલીક બાબતો લીધી હોય અને તેમની પાસેથી મળેલા વિચારો પોતાની ટીમ સાથે શેર કર્યા હોય. ત્યારબાદ ઓરિજિનલ સ્ક્રિપ્ટમાં ફેરફાર કરીને તે વિચારો સામેલ કરવામાં આવ્યા હોય. વાંગચુકના જણાવ્યા મુજબ, કદાચ આમિર ખાને પોતાની ટીમને એ જણાવ્યું નહીં હોય કે આ આઇડિયાઝ ક્યાંથી આવ્યા હતા.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/30/zgnYoN8AaNBe5qhxU9kFVQWlJ93uInwJYOrfXzjj.webp'/></item><item><title><![CDATA[Sonam Wangchuk એ Aamir Khanની ખોલી પોલ, કહ્યું 'શોર્ટ ટર્મ મેમરી લોસ થયો હશે..' ]]></title><link>https://sandesh.com/india/news/entertainment/sonam-wangchuk-aamir-khan-3-idiots-claim</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/entertainment/sonam-wangchuk-aamir-khan-3-idiots-claim</guid><pubDate>Sun, 30 Aug 2026 17:05:47 +05:30</pubDate><description><![CDATA[<p>સોનમ વાંગચુક જ્યારે દિલ્હીના જંતર-મંતર પર NEET પેપરલીક મુદ્દે ભૂખ હડતાળ પર બેઠા હતા, ત્યારે આમિર ખાને તેમને ભૂખ હડતાળ ખતમ કરવાની વિનંતી કરી હતી. સાથે જ તેમણે દાવો કર્યો હતો કે જ્યારે તેઓ ‘3 ઈડિયટ્સ’ બનાવી રહ્યા હતા ત્યારે તેઓ વાંગચુક વિશે જાણતા નહોતા. ફિલ્મમાં તેમનું રેન્ચોનું પાત્ર સોનમ વાંગચુકથી પ્રેરિત નહોતું. હવે સોનમ વાંગચુકે આમિર ખાનના આ દાવા પર માત્ર કટાક્ષ જ નથી કર્યો, પરંતુ તેમની મજાક પણ ઉડાવી છે. વાંગચુકે તો ત્યાં સુધી કહી દીધું કે આમિરને ‘ગજની’ના પાત્રની જેમ શોર્ટ ટર્મ મેમરી લોસ થઈ ગયો હશે.</p><p>સોનમ વાંગચુકે એક પોડકાસ્ટમાં આ વિશે વાત કરી અને આમિર ખાનના દાવા પર સવાલ ઉઠાવ્યા. તેમણે આમિર સાથેની પોતાની જૂની મુલાકાત પણ યાદ કરી અને કહ્યું કે તેમની વચ્ચે '3 ઇડિયટ્સ' ફિલ્મ વિશે ખૂબ વિગતવાર મુલાકાત થઈ હતી, જેમાં કેટલાક આઇડિયાઝ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.</p><h2><b>સોનમ વાંગચુકે ઉડાવી આમિર ખાનની મજાક</b></h2><p>સોનમ વાંગચુકે એક પોડકાસ્ટમાં કહ્યું, ‘ઘણા વીડિયો સામે આવ્યા હતા, જેમાં તેઓ ગજનીના આઉટફિટમાં મારું ભાષણ જોઈ રહ્યા હતા. કદાચ તેઓ ગજનીના પાત્રમાં હતા, એટલે તેમને શોર્ટ ટર્મ મેમરી લોસ થયો હશે. 15 મિનિટ પછી ભૂલી ગયા હશે, એટલે મને નવાઈ નથી. બાકી અમારી મુલાકાત ખૂબ વિગતવાર થઈ હતી. અમે સાંભળ્યું છે કે તેઓ પોતાના પાત્રમાં ખૂબ ઊંડા ઉતરી જાય છે, તો કદાચ ગજનીના પાત્રમાં તેઓ એટલા ઊંડા ઉતરી ગયા હતા કે જે એવોર્ડ ફંક્શનમાં તેઓ આવ્યા હતા, જ્યાં હું એવોર્ડ લઈ રહ્યો હતો, એ પણ તેઓ ભૂલી ગયા હશે.’</p><h2><b>આમિર સાથે આઇડિયાઝ શેર કર્યા હતા</b></h2><p>સોનમ વાંગચુકે આગળ જણાવ્યું કે તેમણે આમિર ખાન સાથે ઘણી વખત વિગતવાર વાતચીત કરી હતી, જેમાં તેમણે પોતાના આઇડિયાઝ પણ શેર કર્યા હતા. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ ‘3 ઈડિયટ્સ’ને પોતાના જીવન પર આધારિત અથવા પોતાની બાયોગ્રાફી નહીં કહે. તેના બદલે તેને તેમનાથી મળેલી પ્રેરણાની અસર કહી શકાય.</p><h2><b>કદાચ આમિરે ટીમને કહ્યું નહીં હોય</b></h2><p>વાંગચુકે કહ્યું કે શક્ય છે કે આમિરે અજાણતાં જ તેમની સાથે થયેલી વાતચીતમાંથી કેટલીક બાબતો લીધી હોય અને તેમની પાસેથી મળેલા વિચારો પોતાની ટીમ સાથે શેર કર્યા હોય. ત્યારબાદ ઓરિજિનલ સ્ક્રિપ્ટમાં ફેરફાર કરીને તે વિચારો સામેલ કરવામાં આવ્યા હોય. વાંગચુકના જણાવ્યા મુજબ, કદાચ આમિર ખાને પોતાની ટીમને એ જણાવ્યું નહીં હોય કે આ આઇડિયાઝ ક્યાંથી આવ્યા હતા.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/30/zgnYoN8AaNBe5qhxU9kFVQWlJ93uInwJYOrfXzjj.webp'/></item><item><title><![CDATA[Daman News : દરિયામાં ડૂબતી 7 વર્ષની બાળકી માટે લાઈફ ગાર્ડ દેવદૂત બન્યો, આબાદ બચાવ કર્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/vapi/daman-news-lifeguard-becomes-angel-for-7-year-old-girl-drowning-in-sea-successfully-rescues-her</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vapi/daman-news-lifeguard-becomes-angel-for-7-year-old-girl-drowning-in-sea-successfully-rescues-her</guid><pubDate>Sun, 30 Aug 2026 16:49:24 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દમણના દરિયાકિનારે નાહવા પડેલી 7 વર્ષની એક માસૂમ બાળકી સાથે મોટી દુર્ઘટના ઘટતાં અટકી હતી. દમણના દરિયામાં નાહતી વખતે અચાનક આવેલાં ભયંકર મોજાંના લીધે બાળકી અસંતુલિત થઈ ગઈ હતી અને પાણીના તીવ્ર પ્રવાહમાં અંદરની તરફ તણાવા લાગી હતી. બાળકીને દરિયામાં ઊંડે ડૂબતી જોઈને કિનારે હાજર લોકોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.</p><h2 style="text-align: justify; "><b>લાઈફ ગાર્ડ સુજલ માંગેલાની સતર્કતાથી મળ્યું નવજીવન</b></h2><p style="text-align: justify; ">બાળકી જ્યારે ભયંકર મોજાંની વચ્ચે જીવ બચાવવા મથી રહી હતી, ત્યારે દરિયાકાંઠે તૈનાત લાઈફ ગાર્ડ સુજલ માંગેલાની નજર તેના પર પડી હતી. સુજલે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પોતાની સતર્કતા અને હિંમત દર્શાવી દરિયાના ઉછળતા મોજાંમાં છલાંગ લગાવી દીધી હતી. તેમણે ભારે મુશ્કેલીઓ અને મોજાંના થપેડા વચ્ચે બાળકી સુધી પહોંચીને તેને સલામત રીતે દરિયાની બહાર ખેંચી કાઢી હતી.</p><h2 style="text-align: justify; "><b>બાળકીનો જીવ બચતાં પરિવારજનો ભાવુક થયા</b></h2><p style="text-align: justify; ">લાઈફ ગાર્ડની આ અદ્ભુત સમયસૂચકતા અને બહાદુરીને કારણે 7 વર્ષની બાળકીનો જીવ બચી ગયો હતો. પોતાની વહાલસોયી દીકરીને હેમખેમ સુરક્ષિત જોઈને પરિવારજનોના આંખમાંથી હરખના આંસુ સરી પડ્યા હતા અને તેઓ રડી પડ્યા હતા. બાળકીને નવજીવન આપવા બદલ પરિવારજનો સહિત સ્થાનિકોએ લાઈફ ગાર્ડ સુજલ માંગેલાનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/surat/surat-news-forest-department-on-alert-after-crocodile-spotted-in-tapi-river-team-deployed-with-rescue-kit" target="_blank">Surat News : તાપી નદીમાં મગર દેખાતાં વન વિભાગ એલર્ટ, રેસ્ક્યુ કિટ સાથે ટીમ તૈનાત</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/30/xKYvv1ycWkMrJxWtQM8DCKdTATwxGgpL8AdI8wSl.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: સવર્ણ એકતા મંચના નેજા હેઠળ બિન-અનામત વર્ગના આગેવાનો એકત્ર થશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/savarna-ekta-manch-to-meet-over-reservation-and-ugc-issues</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/savarna-ekta-manch-to-meet-over-reservation-and-ugc-issues</guid><pubDate>Sun, 30 Aug 2026 16:48:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાવો વધી રહ્યો છે.બિન અનામત વર્ગના આગેવાનો ફરી એકવાર પોતાની વિવિધ પડતર માગણીઓને લઈને એક મંચ પર આવ્યા છે.ગાંધીનગર ખાતે સવર્ણ એકતા મંચના નેજા હેઠળ સવર્ણ સમાજના તમામ અગ્રણી આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક મળશે.જેમાં આગામી સમયની રણનીતિ નક્કી કરવા માટે ગહન મંથન કરવામાં આવશે.આ બેઠકમાં અનામતના કાયદા, અનામત આંદોલન અને UGC સહિતના રાજ્ય તથા કેન્દ્ર સ્તરના વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરાશે.</p><h2 style="text-align: justify; "><b>સરકાર સામે માગણીઓ અને મુદ્દાઓ રજૂ કરશે</b></h2><p style="text-align: justify; ">આ ઉપરાંત, દેશભરમાં અનામત સુધારા અંગે ચાલી રહેલા આંદોલનને સવર્ણ એકતા મંચ દ્વારા પૂર્ણ સમર્થન અને ટેકો જાહેર કરવામાં આવશે.પાટીદાર અને બિન-અનામત વર્ગના આગેવાન દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે,સવર્ણ સમાજના તમામ આગેવાનોએ એકઠા થઈને અનામત અને UGC કાયદા જેવા મહત્ત્વના મુદ્દાઓની સમીક્ષા કરશે.આ બેઠકમાં સર્વસંમતિથી જે પણ નિર્ણય લેવાશે તે મુજબ જ આગામી કાર્યક્રમો આપીને કામગીરી કરવામાં આવશે.બેઠક દરમિયાન આગેવાનોએ સરકાર સામે માગણીઓ અને મુદ્દાઓ રજૂ કરશે.</p><h3 style="text-align: justify; "><b>10 દિવસમાં બિન-અનામત આયોગમાં નિમણૂક માટે અલ્ટિમેટમ</b></h3><p style="text-align: justify; ">જેમ આર્થિક રીતે નબળા વર્ગો માટે 10 ટકા આર્થિક અનામત આપવામાં આવે છે તેવી જ રીતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં પણ 10 ટકા અનામત આપવાની માગ છે.બિન અનામત વર્ગ આયોગમાં લાંબા સમયથી ચેરમેન અને સભ્યોની જગ્યાઓ ખાલી પડી છે જે તાત્કાલિક ભરવામાં આવે તેવી પણ માગ કરાશે. સવર્ણ સમાજના આગેવાનોની થનારી આ બેઠક પરથી રાજ્ય સરકાર સામે આક્રમક વલણ અપનાવતા 10 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે.આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો આવનારા 10 દિવસમાં બિન-અનામત આયોગમાં ચેરમેન અને સભ્યોની નિમણૂક અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને બિન-અનામત આયોગની કચેરીને તાળાં મારવામાં આવશે.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/chhota-udepur/kusum-sagar-lake-teacher-drowning-accident-kanu-nayaka" target="_blank">આ પણ વાંચોઃ Chhota Udepur News: કુસુમ સાગર તળાવમાંથી પ્રાથમિક શાળાના શિક્ષકનો મૃતદેહ મળ્યો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/30/lm0ek2j1765AdQnCuSueoSV5RsVXCVflJ6bwLk7Z.webp'/></item><item><title><![CDATA[Dalit Sub Quota મુદ્દે Chirag Paswan અને Jitan Ram Manjhi આમને-સામને, રાજીનામા સુધી પહોંચી વાત! ]]></title><link>https://sandesh.com/india/news/political-news/chirag-paswan-and-jitan-ram-manjhi-face-to-face-on-dalit-sub-quota-issue-talks-reach-resignation</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/political-news/chirag-paswan-and-jitan-ram-manjhi-face-to-face-on-dalit-sub-quota-issue-talks-reach-resignation</guid><pubDate>Sun, 30 Aug 2026 16:36:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ચિરાગે તેને વિભાજનકારી ગણાવ્યું, જ્યારે માંઝીએ તેને વંચિત જાતિઓના લાભ માટે જરૂરી ગણાવ્યું હતુ.</p><h2 style="text-align: justify; ">ચિરાગ અને માંઝીના વિવિધ મંતવ્યો&nbsp;</h2><p style="text-align: justify; ">કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન અને બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝી વચ્ચે દલિતોના સૌથી વંચિત વર્ગો માટે એક અલગ પેટા-શ્રેણી, અથવા અનુસૂચિત જાતિ અનામતમાં ક્વોટા બનાવવા અંગે મતભેદો ઉભા થયા છે. ચિરાગ પાસવાને પેટા-શ્રેણીને વિભાજનકારી પગલું ગણાવ્યું, જ્યારે માંઝીએ તેને દલિતોના વંચિત વર્ગોના લાભ માટે જરૂરી ગણાવ્યું. જ્યારે પત્રકારોએ  ચિરાગ પાસવાનને માંઝી અને તેમના પુત્ર સંતોષ કુમાર સુમનના પેટા-ક્વોટા માટે સમર્થન અંગે પ્રશ્ન કર્યો ત્યારે બંને નેતાઓ વચ્ચે શબ્દયુદ્ધ વધુ તીવ્ર બન્યું હતુ.&nbsp;</p><h3 style="text-align: justify; ">સમુદાયમાં વિભાજન પેદા કરશેઃ ચિરાગ પાસવાન&nbsp;</h3><p style="text-align: justify; ">હાજીપુરના સાંસદ ચિરાગ પાસવાને કહ્યું કે દલિતોમાં એક અલગ પેટા-શ્રેણી બનાવવાથી સમુદાયમાં વિભાજન થશે. તેમણે કહ્યું કે આવા પગલાને બદલે ક્રીમી લેયરના ખ્યાલ પર વિચાર કરવો જોઈએ. ચિરાગે તો એમ પણ કહ્યું કે જે લોકો આ વ્યવસ્થાને ટેકો આપે છે તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ. ચિરાગનું વલણ તેમના પિતા, દિવંગત નેતા રામવિલાસ પાસવાનના ભૂતકાળના રાજકારણ સાથે પણ જોડાયેલું માનવામાં આવે છે. રામવિલાસ પાસવાને બિહારમાં તત્કાલીન મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા બનાવવામાં આવેલી અલગ "મહાદલિત" શ્રેણીનો પણ વિરોધ કર્યો હતો.</p><h4 style="text-align: justify; ">ચિરાગે રાજીનામું આપવું જોઈએઃ માંઝી&nbsp;</h4><p style="text-align: justify; ">જીતન રામ માંઝીએ ચિરાગના નિવેદન પર વળતો પ્રહાર કર્યો. ગયાના સાંસદ માંઝીએ કહ્યું કે જો રાજીનામાની વાત થઈ રહી છે, તો ચિરાગ પાસવાને રાજીનામું આપી દેવું જોઈએ કારણ કે તેઓ અને તેમના પુત્ર સંતોષ કુમાર સુમન દલિતોના વ્યાપક હિતમાં જે મુદ્દાઓ લઈ રહ્યા છે તે સમજી શકતા નથી. માંઝીએ કહ્યું કે દલિતોમાં અમુક જાતિઓ પ્રમાણમાં સંવેદનશીલ છે અને તેમના કલ્યાણ માટે ખાસ પ્રયાસોની જરૂર છે. તેમનું માનવું છે કે પેટા-શ્રેણીઓ લાગુ કરવાથી યોજનાઓ અને અનામતના લાભો સાથે આ સમુદાયો સુધી વધુ સારી રીતે પહોંચી શકાય છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/middle-east-tension-mojtaba-khamenei-targets-gulf-rulers-appeals-to-increase-unity-and-cooperation-among-muslim-countries" target="_blank">મોજતબા ખામેનેઈનો ગલ્ફ શાસકો પર નિશાન, મુસ્લિમ દેશોમાં એકતા અને સહયોગ વધારવા અપીલ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/30/CI2mb1D3BXaic32ynyVmsAqIt4YGnqpyQObKWzq0.webp'/></item><item><title><![CDATA[Surat: હીરાબાગ નજીક બ્રિજ નીચે ભીષણ આગ, એક્ટિવા બળીને ખાખ, કાપોદ્રા ફાયરે આગ પર મેળવ્યો કાબૂ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/hirabaug-bridge-below-fire-hot-fix-waste-activa-burnt</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/hirabaug-bridge-below-fire-hot-fix-waste-activa-burnt</guid><pubDate>Sun, 30 Aug 2026 16:16:02 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત શહેરના હીરાબાગ વિસ્તારમાં આવેલા રામનગર સોસાયટી સામે બ્રિજ નીચે આજે અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી. બ્રિજ નીચે ફેંકવામાં આવેલા હોટ ફિક્સ ઉદ્યોગના કચરાના મોટા જથ્થામાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. આ આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને કારણે દૂર દૂરથી બ્રિજ પોતે સળગી રહ્યો હોય તેવા ભયાનક દ્રશ્યો જોવા મળ્યા હતા.</p><h2><b>હીરાબાગ વિસ્તારમાં બ્રિજ નીચે ભીષણ આગ</b></h2><p>આગના કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડવા લાગતાં આસપાસના રહીશો અને વાહનચાલકોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ કાપોદ્રા ફાયર સ્ટેશનનો કાફલો તાત્કાલિક લાઈવ બંબા અને વાહનો સાથે ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને આશરે એક કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.</p><h3><b>એક કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ&nbsp;</b></h3><p>આ ભયાનક આગમાં બ્રિજ નીચે બીનવારસી હાલતમાં પડેલી એક એક્ટિવા બળીને સંપૂર્ણપણે ભસ્મીભૂત થઈ ગઈ હતી. આ ઉપરાંત બ્રિજની આસપાસમાંથી પસાર થતું ઇલેક્ટ્રિક વાયરિંગ પણ બળીને ખાખ થઈ ગયું હતું. જોકે, સમયસૂચકતાના કારણે અન્ય કોઈ જાનહાનિ ન થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ હોટ ફિક્સના વેસ્ટ કચરાના કારણે આ વિસ્તારમાં અવારનવાર આગના બનાવો બને છે અને ફાયર વિભાગને દોડતા રહેવું પડે છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/vadodara/jambuva-por-highway-dumper-accident-sundarpura-patiya" target="_blank">આ પણ વાંચો: Vadodara: સુંદરપુરા પાટિયા પાસે બેકાબૂ ડમ્પર વીજ થાંભલા સાથે અથડાઈ ખાડામાં પલટાયું, જાનહાનિ ટળી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/30/NdZUV8SWmxPT7PVkH1gQEOzWshhLYw0hQaCHWnv9.webp'/></item><item><title><![CDATA[Surat News : તાપી નદીમાં મગર દેખાતાં વન વિભાગ એલર્ટ, રેસ્ક્યુ કિટ સાથે ટીમ તૈનાત ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-news-forest-department-on-alert-after-crocodile-spotted-in-tapi-river-team-deployed-with-rescue-kit</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-news-forest-department-on-alert-after-crocodile-spotted-in-tapi-river-team-deployed-with-rescue-kit</guid><pubDate>Sun, 30 Aug 2026 16:13:13 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતની તાપી નદીમાં કોઝવે નજીક મગર દેખાયો હોવાની ચર્ચાને પગલે વન વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું છે. ગયા મહિને જ એક માછીમારની જાળમાં મગર ફસાતાં તાપી નદીમાં તેની હાજરી અંગેની પુષ્ટિ થઈ ચૂકી હતી, જેને પગલે તંત્ર દ્વારા સુરક્ષા બાબતે કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવામાં આવી રહી નથી. મગરની સતત હિલચાલ પર કડક નજર રાખવા અને પરિસ્થિતિ પર તાત્કાલિક કાબૂ મેળવવા માટે સ્પેશિયલ ક્વિક રિસ્પોન્સ ટીમને સ્ટેન્ડબાય રાખી દેવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>રેસ્ક્યુ માટે આધુનિક સાધનો અને કિટ સજ્જ</b></h2><p style="text-align: justify; ">વન વિભાગે મગરને કોઈ પણ જાતના નુકસાન પહોંચાડ્યા વિના સુરક્ષિત રીતે પકડવા માટે ખાસ સ્પેશિયલ રેસ્ક્યુ કિટ વસાવી લીધી છે. આ આધુનિક કિટમાં કેચ પોલ, ટ્રેપ કેજ, મજબૂત નેટ અને PPE કિટ જેવા અત્યાધુનિક સાધનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચીને સુરક્ષિત રેસ્ક્યુ કામગીરી હાથ ધરી શકાય તે માટે સમગ્ર ટીમ આ સાધનો સાથે સજ્જ થઈને તૈનાત થઈ ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>નદી કાંઠે રહેતા સ્થાનિકો અને માછીમારોને કડક ચેતવણી</b></h2><p style="text-align: justify; ">મગરની હાજરીના ભયને ધ્યાનમાં રાખીને નદી કાંઠે રહેતા સ્થાનિક રહીશો અને માછીમારોને નદીના ઊંડા પાણીમાં ન જવાની તેમજ પૂરતી સાવચેતી રાખવાની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. વન વિભાગે સ્પષ્ટ સૂચના આપી છે કે જો કોઈને પણ મગર દેખાય તો તેને જાતે પકડવાનો કે હેરાન કરવાનો પ્રયાસ કરવાને બદલે તાત્કાલિક લોકેશનની વિગત સાથે વન વિભાગનો સંપર્ક કરવો.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-gujarat-monsoon-forecast-normal-rain-saurashtra-kutch-deficit" target="_blank">Monsoon 2026 : રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી, મોન્સૂન ટ્રફ સક્રિય છતાં ભારે વરસાદની શક્યતા નહિવત</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/30/enEfnPRrIFZUqDgMMmzDFgcMJjJXQE4N4JhmiZ4O.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: 12 લાખની સામે 25 લાખ ચૂકવ્યા છતાં પેટ ના ફરાયું, વધુ વ્યાજ માટે દબાણ કરતાં બે લોકો સામે ફરિયાદ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/12-lakh-loan-25-lakh-repaid-yet-moneylenders-demanded-more-interest</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/12-lakh-loan-25-lakh-repaid-yet-moneylenders-demanded-more-interest</guid><pubDate>Sun, 30 Aug 2026 16:08:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં વ્યાજખોરી સામે પોલીસની કડક એક્શન હોવા છતાં રોજબરોજ પઠાણી ઉઘરાણી અને તગડું વ્યાજ વસૂલવા અંગેની ફરિયાદો સામે આવી રહી છે. બેફામ બનેલા વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં આવતી હોવા છતાં તેમની પર કાયદાનો ડર હોય તેવી કોઈ અસર જોવા મળતી નથી.અમદાવાદના રાણીપ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણી વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયો છે.ફરિયાદીએ પોતાની જરૂરિયાત માટે રૂપિયા 12 લાખ વ્યાજે લીધા હતા જેના બદલામાં તેમણે તબક્કાવાર કુલ રૂપિયા 25 લાખ જેવી જંગી રકમ ચૂકવી દીધી હોવા છતાં વ્યાજખોરોનું પેટ ભરાયું ન હતું.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ફરિયાદીએ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી</b></h2><p style="text-align: justify; ">આટલી મોટી રકમ વસૂલ કર્યા પછી પણ આરોપી વિક્રમ દેસાઈ અને જયેશ દેસાઈ દ્વારા ફરિયાદી પાસે 10  ટકા લેખે માસિક વ્યાજ અને મૂળ મૂડી પરત આપવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું હતું.એટલું જ નહીં, આરોપીઓએ સુરક્ષાના નામે ફરિયાદી પાસેથી અગાઉથી જ મેળવી લીધેલા 4 કોરા ચેકનો ગેરઉપયોગ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી.આ પઠાણી ઉઘરાણી અને ત્રાસથી કંટાળીને આખરે ફરિયાદીએ રાણીપ પોલીસ સ્ટેશનમાં વિક્રમ દેસાઈ અને જયેશ દેસાઈ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.રાણીપ પોલીસે આ મામલે ગુનો નોંધીને બંને આરોપીઓ સામે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.</p><h3 style="text-align: justify; "><b>વ્યાજખોરો સામે લોક દરબારનું આયોજન કરાય છે</b></h3><p style="text-align: justify; ">છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં નાગરિકોને વ્યાજચક્રમાંથી મુક્ત કરાવવા અને ગેરકાયદેસર રીતે નાણાં ધીરનારા સામે ગુજરાત પોલીસ અને ગૃહ વિભાગ દ્વારા કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છેય.ગૃહ રાજ્યમંત્રીની સૂચનાથી રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં લોક દરબારનું આયોજન કરવામાં આવે છે. જેમાં સામાન્ય નાગરિકો પોલીસ સમક્ષ સીધા આવીને પોતાની આપવીતી જણાવી શકે છે અને વ્યાજખોરો સામે વિના સંકોચે ફરિયાદ કરી શકે છે. ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કડક ધારાઓ હેઠળ વગર લાઈસન્સે વ્યાજનો ધંધો કરતા કે નિર્ધારિત દર કરતાં વધુ વ્યાજ વસૂલતા ઈસમો સામે FIR નોંધી તેમની અટકાયત કરવામાં આવી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/chhota-udepur/kusum-sagar-lake-teacher-drowning-accident-kanu-nayaka" target="_blank">આ પણ વાંચોઃ&nbsp; &nbsp;Chhota Udepur News: કુસુમ સાગર તળાવમાંથી પ્રાથમિક શાળાના શિક્ષકનો મૃતદેહ મળ્યો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/30/EkajSshQrOk37IZwHI3f2HqeaN6ofgHRW2sguN2F.webp'/></item><item><title><![CDATA[Womens Hockey World Cup: આર્જેન્ટિનાએ 9 વખતની ચેમ્પિયન નેધરલેન્ડ્સને હરાવીને જીત્યું ટાઈટલ ]]></title><link>https://sandesh.com/sports/news/argentina-win-womens-hockey-world-cup-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/argentina-win-womens-hockey-world-cup-2026</guid><pubDate>Sat, 29 Aug 2026 23:19:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">શુક્રવારે 29 ઓગસ્ટના રોજ ફાઈનલમાં આર્જેન્ટિનાએ 9 વખતની ચેમ્પિયન નેધરલેન્ડ્સને હરાવીને 2026 વિમેન્સ હોકી વર્લ્ડકપ જીત્યો. નેધરલેન્ડ્સનું સતત ચોથું વર્લ્ડકપ જીતવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું.&nbsp;</p><p style="text-align: justify; ">મેચનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટ દ્વારા લેવામાં આવ્યો, જેમાં આર્જેન્ટિનાએ નેધરલેન્ડ્સને 3-1 થી હરાવ્યું. આ આર્જેન્ટિનાના આ ત્રીજું ટાઈટલ હતું. આ જીતે આર્જેન્ટિનાના પાછલી હારનો બદલો પણ લીધો. પાછલા વર્લ્ડકપમાં પણ આર્જેન્ટિનાને નેધરલેન્ડ્સે 3-1થી હરાવ્યું હતું. આર્જેન્ટિનાએ અગાઉ 2002 અને 2010 માં ટાઈટલ જીત્યું હતું.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>મેચમાં પૂર્ણ સમય સુધી સ્કોર 1-1 રહ્યો</b></h2><p style="text-align: justify; ">નેધરલેન્ડ્સના એમ્સ્ટલવીનમાં રમાયેલી આ મેચમાં બંને ટીમોનો સ્કોર 1-1 હતો. 30મી મિનિટે નેધરલેન્ડ્સ માટે જેન્સેન યબ્બીએ ગોલ કર્યો, જ્યારે 54મી મિનિટે આર્જેન્ટિના માટે ગ્રેનાટો મારિયાએ ગોલ કર્યો. મેચનો પહેલો ક્વાર્ટર ગોલ રહિત રહ્યો. નેધરલેન્ડ્સે બીજા ક્વાર્ટરમાં મેચનો પહેલો ગોલ કર્યો. ત્રીજો ક્વાર્ટર પણ ગોલ વિના પસાર થયો. આર્જેન્ટિનાએ ચોથા અને અંતિમ ક્વાર્ટરમાં ગોલ કરીને મેચ 1-1 થી બરાબર કરી દીધી. પૂર્ણ સમય સુધી સ્કોર 1-1 રહ્યો, જેના કારણે પેનલ્ટી શૂટઆઉટનો ઉપયોગ કરવો પડ્યો. આર્જેન્ટિનાને મેચમાં 8 પેનલ્ટી કોર્નર મળ્યા, જ્યારે નેધરલેન્ડ્સને 3 પેનલ્ટી કોર્નર મળ્યા.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/FIH_Hockey/status/2093731216323158526"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3 style="text-align: justify; "><b>આ રીતે પેનલ્ટી શૂટઆઉટ થયું&nbsp;</b></h3><p style="text-align: justify; ">પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિના તરફથી વિક્ટોરિયા ગ્રેનાટો, બ્રિસા બ્રુગેસર અને સોફિયા કૈરોએ ગોલ કર્યા. ડિયાઝ જોનો ગોલ રદ્દ થયો. નેધરલેન્ડ્સ તરફથી એકમાત્ર ગોલ વિએન મારિનનો હતો. પીએન સેન્ડર્સ, ફેલિસ આલ્બર્સ અને મોઈસ ફ્રેક પેનલ્ટી ચૂકી ગયા.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>ટુર્નામેન્ટમાં આર્જેન્ટિનાની સફર&nbsp;</b></h4><p style="text-align: justify; ">પૂલ સ્ટેજમાં આર્જેન્ટિનાએ તેમની 3 માંથી 2 મેચ જીતી અને 1 ડ્રો કરીને આગળના સ્ટેજમાં પ્રવેશ કર્યો. બીજા સ્ટેજમાં ટીમે તેમની 3 માંથી 2 મેચ જીતી, 1 ડ્રો કરીને સેમીફાઈનલમાં સ્થાન મેળવ્યું. ત્યારબાદ ટીમે સેમીફાઈનલ જીતી અને ફાઈનલમાં પ્રવેશ કર્યો, અંતે ફાઈનલમાં શક્તિશાળી નેધરલેન્ડ્સને હરાવીને ટાઈટલ જીત્યું.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/mm1ehzQulQP0oZjKwWwkRnZGzX0VvdFUNeEUALOS.webp'/></item></channel></rss>