<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabad News : આ વિસ્તારોમાં પ્રોપર્ટીના દસ્તાવેજોની નોંધણીમાં મોટો ઉછાળો, જાણો ભાવમાં કેટલો વધારો થયો? ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/property-document-registrations-surge-in-key-areas</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/property-document-registrations-surge-in-key-areas</guid><pubDate>Mon, 14 Sep 2026 10:03:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના પોશ વિસ્તાર સાયન્સસિટીમાં પહેલી એપ્રિલથી 31મી ઓગસ્ટ સુધીના સમયગાળામાં વર્ષ 2025 કરતાં વર્ષ 2026માં 4 હજાર દસ્તાવેજો વધુ થયા છે. છેલ્લા પાંચ મહિનાના સમયગાળામાં રજિસ્ટર્ડ ધરાવતી સોલા અને બોપલ સબરજિસ્ટ્રાર કચેરીઓમાં વર્ષ 2026માં આશરે 26 હજાર દસ્તાવેજો નોંધાયા છે, જેની સામે વર્ષ 2025માં 22 હજાર દસ્તાવેજ રજિસ્ટર્ડ થયા હતા. આ સિવાય રિડેવલપમેન્ટના કારણે પાલડી, વાસણા અને નારણપુરા સહિત પૂર્વના અમરાઈવાડી, ઈસનપુર અને મણિનગર સહિતના વિસ્તારોમાં રિયલ એસ્ટેટનો વિકાસ વેગવંતો બન્યો છે.&nbsp;<br><br></p><h2 style="text-align: justify; "><b>વર્ષ 2026માં 185111 યુનિટ નોંધાયા</b></h2><p style="text-align: justify; ">અમદાવાદમાં છેલ્લા પાંચ મહિનાના સમયગાળામાં વર્ષ 2025માં 156326ની સામે વર્ષ 2026માં 185111 યુનિટ નોંધાયા છે. જેથી કુલ 28785 યુનિટનો વધારો થયો છે. શહેરની સાબરમતી, અમરાઈવાડી, પાલડી, નરોડા અને અસલાલી કચેરીઓમાં પાંચ મહિનામાં 9 હજારથી વધુ દસ્તાવેજો નોંધાયા છે. ડેવલપર્સ એસોસિએશનના હોદ્દેદારોએ નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું કે, હાલ માર્કેટ પર ગંભીર અસર છે, જેમાં સરકાર તરફથી સુધારો જરૂરી છે. નવા પ્રોજેક્ટમાં 8 થી 9 મહિનાનો સમય તો માત્ર પ્લાન પાસ કરાવવામાં અને રેરા (RERA) રજિસ્ટ્રેશનમાં જ નીકળી જાય છે. આ સમયગાળો ઘટે તો કન્સ્ટ્રક્શન ખર્ચ પર સીધી સાનુકૂળ અસર થઈ શકે છે અને ડેવલપર્સને રો-મટિરિયલ્સના વધતા ભાવ સામે રાહત પણ મળી શકે છે.</p><p style="text-align: justify; "></p><h2><b>નવ હજારથી વધુ નોંધાયેલા દસ્તાવેજ</b></h2><p></p><p style="text-align: justify; "><img alt="અમદાવાદ" src="https://epapercdn.sandesh.com/images/2026/09/14/2irRKicldJVf3qvct0JMPSohHFp6rYtth79L5ket.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>આગામી દિવસોમાં સાનુકૂળ ફેરફારો થઈ શકે છે</b></h2><p style="text-align: justify; ">રિયલ એસ્ટેટનું માર્કેટ સ્થિર હોવાનું જણાવતાં ક્રેડાઈ ગાંધીનગરના પ્રમુખ આલાપ મોદીએ કહ્યું કે, હાલ પ્રોપર્ટી મોંઘી થવા પાછળનું મુખ્ય કારણ યુદ્ધ અને વૈશ્વિક પરિસ્થિતિ છે. જેને લીધે રિયલ એસ્ટેટના કાચા માલના ભાવ વધતાં પ્રોપર્ટીના ભાવમાં સરેરાશ 12 ટકા સુધીનો વધારો થયો છે. હાલ વિવિધ પ્રોજેક્ટસમાં ડેવલપર્સ નોમિનલ પ્રોફિટથી કામ કરે છે. ભારતમાં સૌથી ઓછો પ્રોફિટથી કામ કરનારા ડેવલપર્સની યાદીમાં અમદાવાદનો સમાવેશ થઈ શકે છે. નીતિવિષયક કેટલાક સુધારાજરૂરી છે અને સરકાર પણ હકારાત્મક હોવાથી આગામી દિવસોમાં સાનુકૂળ ફેરફારો થઈ શકે છે.</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/news/crime/rajkot/cyber-fraudsters-digitally-arrest-elderly-couple" target="_blank">આ પણ વાંચોઃ Rajkot News : સાયબર ગઠિયાઓએ મોડી રાત્રે ફોન કરી વૃદ્ધ દંપતીને ડિજિટલ એરેસ્ટ કર્યું, 2 કરોડના ફ્રોડની ધમકી આપી</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/lzTC57dyN2jDKmNQMoA56z10roX2U9tpDQzDy6lO.webp'/></item><item><title><![CDATA[West Bengal: પશ્ચિમ બંગાળમાં 252 મદરેસા બંધ, મંત્રીનો દાવો આતંકી હુમલાના તાર મદરેસા સાથે જોડાયેલા ]]></title><link>https://sandesh.com/india/news/west-bengal-252-madrasas-closed-in-west-bengal-minister-claims-terror-attack-links-to-madrasas</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/west-bengal-252-madrasas-closed-in-west-bengal-minister-claims-terror-attack-links-to-madrasas</guid><pubDate>Mon, 14 Sep 2026 10:02:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજ્ય સરકારના મંત્રી દિલીપ ઘોષે મદરેસાઓ અંગે નિવેદન આપતા દાવો કર્યો છે કે કેટલાક મદરેસાઓમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓ શંકાના ઘેરામાં છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે પશ્ચિમ બંગાળમાં થયેલા કેટલાક આતંકવાદી હુમલાઓમાં કોઈને કોઈ મદરેસા શિક્ષકની સંડોવણી સામે આવી છે.</p><p style="text-align: justify; ">દિલીપ ઘોષે વધુમાં દાવો કર્યો કે બાંગ્લાદેશથી આવતા આતંકવાદીઓ કેટલાક મદરેસાઓમાં આશ્રય લેતા હતા. તેમણે કહ્યું કે આ મુદ્દે અગાઉ પણ અનેક નેતાઓએ ચિંતા વ્યક્ત કરી હતી, પરંતુ તેનું યોગ્ય નિરાકરણ કરવામાં આવ્યું નથી. તેમના જણાવ્યા અનુસાર હવે સરકાર આ મામલે પગલાં લેશે.</p><p style="text-align: justify; ">આ દરમિયાન પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યભરમાં કરવામાં આવેલા સર્વે બાદ 252 બિનમાન્યતા પ્રાપ્ત મદરેસાઓને બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત લગભગ 100 અન્ય મદરેસાઓને કારણ બતાવો નોટિસ પણ આપવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર સર્વે દરમિયાન કેટલીક સંસ્થાઓ પાસે જરૂરી મંજૂરી ન હોવાનું સામે આવ્યું હતું. કેટલીક જગ્યાએ પાયાની સુવિધાઓ અને જરૂરી માળખાકીય વ્યવસ્થાનો પણ અભાવ જોવા મળ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>તમામ મદરેસાઓ સામે કાર્યવાહી નહીં</b></h2><p style="text-align: justify; ">લઘુમતી બાબતો અને મદરેસા શિક્ષણ વિભાગના મંત્રી ક્ષુદિરામ ટુડુએ સ્પષ્ટ કર્યું છે કે જે મદરેસાઓ પાસે જરૂરી મંજૂરી અને માન્યતા છે, તેઓ પોતાની કામગીરી ચાલુ રાખી શકશે. એટલે કે સરકારી કાર્યવાહીનો હેતુ તમામ મદરેસાઓને બંધ કરવાનો નથી, પરંતુ નિયમો અને મંજૂરીનું પાલન ન કરતી સંસ્થાઓની તપાસ કરવાનો છે.</p><p style="text-align: justify; ">વિભાગ દ્વારા જૂનની શરૂઆતથી પશ્ચિમ બંગાળના તમામ જિલ્લાઓમાં જમીની સ્તરે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વેનો મુખ્ય હેતુ રાજ્યમાં કાર્યરત સરકારી અને ખાનગી મદરેસાઓની સ્થિતિનું મૂલ્યાંકન કરવાનો હતો. તેમાં સંસ્થાઓનું પાયાનું માળખું, જરૂરી મંજૂરી, સંચાલન વ્યવસ્થા અને અન્ય સુવિધાઓની તપાસ કરવામાં આવી હતી.</p><h3 style="text-align: justify; "><b>100 મદરેસાઓને કારણ બતાવો નોટિસ</b></h3><p style="text-align: justify; ">અધિકારીઓના જણાવ્યા અનુસાર લગભગ 100 મદરેસાઓને કારણ બતાવો નોટિસ આપવામાં આવી છે. હવે આ સંસ્થાઓ પાસેથી મળનારા જવાબોની તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે.</p><p style="text-align: justify; ">મંત્રી ક્ષુદિરામ ટુડુએ જણાવ્યું કે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં માન્ય અને બિનમાન્ય મદરેસાઓની વાસ્તવિક સંખ્યા જાણવા માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તેમના જણાવ્યા અનુસાર જરૂરી મંજૂરી અને પાયાની સુવિધાઓનો અભાવ ધરાવતી 252 સંસ્થાઓને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જ્યારે અન્ય 100 મદરેસાઓને કારણ બતાવો નોટિસ આપવામાં આવી છે.</p><p style="text-align: justify; ">સરકારની આ કાર્યવાહી બાદ પશ્ચિમ બંગાળમાં મદરેસાઓની માન્યતા, નિયમો અને માળખાકીય સુવિધાઓને લઈને ચર્ચા તેજ બની છે. જોકે, મદરેસાઓ અંગે કરવામાં આવેલા આતંકવાદ સંબંધિત દાવાઓ રાજકીય નિવેદનોનો ભાગ છે અને આવા દાવાઓને સંબંધિત સત્તાવાર તપાસ તથા પુરાવાના સંદર્ભમાં જ જોવાની જરૂર છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/SLbMTomX79KO3LEzvS9o0iy1yeCU9IuBmViSnLu8.webp'/></item><item><title><![CDATA[kargil war veteran: પાર્કિંગ વિવાદ બન્યો હિંસક! કારગિલના યોદ્ધા પર લોખંડની પાઇપથી હુમલો ]]></title><link>https://sandesh.com/india/news/kargil-war-veteran-parking-dispute-turns-violent-kargil-warrior-attacked-with-iron-pipe</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/kargil-war-veteran-parking-dispute-turns-violent-kargil-warrior-attacked-with-iron-pipe</guid><pubDate>Mon, 14 Sep 2026 09:42:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય વાયુસેનાના નિવૃત્ત ગ્રુપ કેપ્ટન અને કારગિલ યુદ્ધના દિગ્ગજ અધિકારી પર કથિત રીતે લોખંડની રોડથી હુમલો કરવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. હુમલામાં તેમના માથામાં ગંભીર ઈજા થઈ છે, જ્યારે હાથમાં ફ્રેક્ચર થયું છે. પીડિતે પાર્કિંગ એટેન્ડન્ટ પર જાનથી મારી નાખવાની ધમકી આપવાનો પણ આરોપ લગાવ્યો છે.</p><p style="text-align: justify; ">નિવૃત્ત ગ્રુપ કેપ્ટન અમિત કુમાર ગુપ્તાએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ આ ઘટના 10 સપ્ટેમ્બરની રાત્રે બની હતી. ગુરુગ્રામના સેક્ટર-65 પોલીસ સ્ટેશનમાં આ અંગે કેસ નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસ ફરિયાદના આધારે સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>રેસ્ટોરન્ટ બહાર પાર્કિંગને લઈને વિવાદ</b></h2><p style="text-align: justify; ">અમિત કુમાર ગુપ્તા 1999ના કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય વાયુસેનાની ‘ઓપરેશન સાગર’ ટીમનો ભાગ રહ્યા હતા. 10 સપ્ટેમ્બરની રાત્રે તેઓ પરિવાર સાથે ડિનર માટે મેગ્નમ ગ્લોબલ પાર્ક સ્થિત ગોન્ઝો રેસ્ટોરન્ટ પહોંચ્યા હતા.</p><p style="text-align: justify; ">ફરિયાદ અનુસાર, રાત્રે લગભગ 8 વાગ્યે તેમણે પરિવારના સભ્યોને રેસ્ટોરન્ટની બહાર ઉતાર્યા અને કાર પાર્ક કરવા ગયા હતા. તેમનો આરોપ છે કે પાર્કિંગ સ્ટાફે તેમને પહેલાં વેલેટ વિસ્તારમાં, ત્યારબાદ બેઝમેન્ટ અને મલ્ટીલેવલ પાર્કિંગ વચ્ચે મોકલ્યા હતા. બાદમાં કથિત રીતે તેમની કાર પાર્ક કરવાની ના પાડી દેવામાં આવી હતી.</p><p style="text-align: justify; ">ગુપ્તાના જણાવ્યા અનુસાર, જ્યારે તેઓ કાર પાછળ લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે એક પાર્કિંગ એટેન્ડન્ટે તેમની કારની વિન્ડશીલ્ડ પર હાથ માર્યો હતો. તેમને શંકા ગઈ કે કારને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ આરોપી કથિત રીતે લોખંડની રોડ લઈને પાછો આવ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>માથા અને હાથ પર ગંભીર ઈજા</b></h3><p style="text-align: justify; ">ગુપ્તાએ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે પાર્કિંગ એટેન્ડન્ટે લોખંડની રોડથી તેમના પર બે વખત હુમલો કર્યો હતો. પ્રથમ વાર રોડ તેમના હાથ પર વાગી હતી, જેના કારણે હાથમાં ફ્રેક્ચર થયું હતું. ત્યારબાદ બીજી વખત તેમના માથા પર રોડ મારવામાં આવી હતી.</p><p style="text-align: justify; ">માથામાં ઈજા થતાં ભારે રક્તસ્રાવ થયો હતો. ત્યારબાદ પરિવારના સભ્યો તેમને તાત્કાલિક સારવાર માટે મેદાંતા હોસ્પિટલ લઈ ગયા હતા. ફરિયાદ મુજબ તેઓ હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.</p><p style="text-align: justify; ">પીડિતે પોલીસ સમક્ષ આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ નોંધવાની માંગ કરી છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો છે કે હુમલા દરમિયાન તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. પોલીસ હવે ફરિયાદમાં કરવામાં આવેલા આરોપોની તપાસ કરી રહી છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/W4lJ9ir9cJGeK0N0RnmsT7uC3mmeEfOEhUvzMd17.webp'/></item><item><title><![CDATA[EPFO WhatsApp Service: PF ની  A-to-Z માહિતી હવે માત્ર એક "હેલો" પર મળી જશે, જાણો કેવી રીતે? ]]></title><link>https://sandesh.com/business/news/knowledge/epfo-whatsapp-service-check-pf-balance</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/knowledge/epfo-whatsapp-service-check-pf-balance</guid><pubDate>Mon, 14 Sep 2026 09:36:56 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">EPFO એ પોતાના સત્તાવાર X (અગાઉનું ટ્વિટર) હેન્ડલ પરથી એક પોસ્ટ શેર કરીને આ નવી સુવિધાની જાહેરાત કરી છે. આ સેવાનો મુખ્ય ઉદ્દેશ્ય સભ્યો સુધી સીધી અને સરળ પહોંચ બનાવવાનો છે. હવે પીએફ ખાતાધારકોને તેમની માહિતી કે બેલેન્સ જાણવા માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે નહીં. સંસ્થા દ્વારા સમયે-સમયે બહાર પાડવામાં આવતા નવા અપડેટ્સ અને અન્ય જરૂરી માહિતી પણ આ ચેનલના માધ્યમથી સીધી સભ્યો સુધી પહોંચાડવામાં આવશે.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/officialepfo/status/2099043906105278966"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2 style="text-align: justify; "><b>ચેનલ સાથે કેવી રીતે જોડાવું?</b></h2><p style="text-align: justify; ">QR કોડ: EPFO એ તેની X-પોસ્ટમાં એક વિશેષ QR કોડ શેર કર્યો છે. સભ્યો તેમના મોબાઈલથી આ કોડ સ્કેન કરીને સીધા જ વોટ્સએપ ચેનલ સાથે જોડાઈ શકે છે.</p><p style="text-align: justify; ">ડાયરેક્ટ લિંક: સ્કેનિંગ ઉપરાંત, સત્તાવાર લિંક (https://whatsapp.com/channel/0029Vb6kmH48Pgs8ftd6Kw3Y) પર ક્લિક કરીને પણ આ ચેનલનો હિસ્સો બની શકાય છે.</p><h3 style="text-align: justify; "><b>આ સિસ્ટમ કઈ રીતે કામ કરશે?</b></h3><p style="text-align: justify; ">મેસેજ મોકલવાની પ્રક્રિયા: ખાતાધારકે EPFO ની રજિસ્ટર્ડ વોટ્સએપ ચેનલ પર જઈને માત્ર "Hello" (હેલો) લખીને મોકલવાનું રહેશે.</p><p style="text-align: justify; ">યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) વેરિફિકેશન: મેસેજ મળતા જ સિસ્ટમ ચકાસશે કે જે નંબર પરથી મેસેજ આવ્યો છે, તે તમારા UAN સાથે રજિસ્ટર્ડ છે કે નહીં.</p><p style="text-align: justify; ">સ્થાનિક ભાષામાં મેનુ: વેરિફિકેશન સફળ થતાં જ સભ્યને તેમની સ્થાનિક ભાષામાં વિવિધ વિકલ્પોનું એક સરળ મેનુ જોવા મળશે.</p><p style="text-align: justify; ">AI ચેટબોટ: યુઝર દ્વારા પસંદ કરાયેલા વિકલ્પ કે પૂછાયેલા પ્રશ્નનો AI ચેટબોટ સીધો અને સચોટ જવાબ આપશે.</p><h4 style="text-align: justify; "><b>વોટ્સએપ પર ઉપલબ્ધ મુખ્ય સુવિધાઓ</b></h4><p style="text-align: justify; ">બેલેન્સ ચેક: સભ્યો તેમના પીએફ ખાતામાં જમા થયેલી કુલ રકમની સચોટ વિગતો મેળવી શકશે.</p><p style="text-align: justify; ">છેલ્લા પાંચ વ્યવહારો: ખાતામાં થયેલા લેટેસ્ટ પાંચ ટ્રાન્ઝેક્શન (પાસબુક એન્ટ્રી) ની માહિતી સરળતાથી જોઈ શકાશે.</p><p style="text-align: justify; ">ક્લેમ સ્ટેટસ: પીએફ ઉપાડવા માટે કરેલા દાવા (Claim) ની વર્તમાન સ્થિતિ શું છે, તે પણ આ સુવિધા થકી જાણી શકાશે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/world/news/iranian-cargo-ship-attacked-strait-of-hormuz" target="_blank">આ પણ વાંચોઃ&nbsp; Hormuz માં ફરી તણાવ વધ્યો, ઇરાની કાર્ગો જહાજ પર જોરદાર હુમલો, એકનું મોત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/cuATQncOdNhwAcGe114Frq9gyIp4LNVhWfEba3RX.webp'/></item><item><title><![CDATA[Gujarat Dam Level : નર્મદા ડેમ મહત્તમ જળ સપાટીથી માત્ર પોણા બે મીટર દૂર, જાણો રાજ્યના અન્ય ડેમની સ્થિતિ ]]></title><link>https://sandesh.com/gujarat/news/narmada/narmada-dam-1-68-metres-below-maximum-level</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/narmada/narmada-dam-1-68-metres-below-maximum-level</guid><pubDate>Mon, 14 Sep 2026 08:30:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ તેની મહત્તમ જળ સપાટીથી છલોછલ થવાની તૈયારીમાં છે. તા. 13 સપ્ટેમ્બર 2026ના સાંજે ડેમની જળસપાટી 137 મીટર નોંધાઈ છે. જે મહત્તમ સપાટીથી માત્ર પોણા બે મીટર જ દૂર છે. ડેમમાં હાલ લાઈવ સ્ટોરેજ 523100 MCM છે. ઉપરવાસમાંથી ડેમમાં 87131 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.પાણીની આવકને ધ્યાનમાં રાખીને નદીમાં પાવરહાઉસ મારફતે 42659 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.જ્યારે કેનાલમાં 13577 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>સપ્તાહમાં નર્મદા ડેમ પૂર્ણ ભરાઈને છલકાઈ શકે</b></h2><p style="text-align: justify; ">નર્મદા ડેમમાંથી નદી અને કેનાલ મારફતે કુલ 56236 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. ડેમની હાલની સપાટી મહત્તમ સપાટીથી માત્ર 1.68 મીટર દૂર છે. ડેમના કેચમેન્ટ એરિયામાં પણ સતત વરસાદ હોવાથી 87000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેના પગલે ડેમની જળ સપાટીમાં ધીમો વધારો થશે અને જો સ્થિતિ આવી જ રહી તો આગામી એક સપ્તાહમાં નર્મદા ડેમ પૂર્ણ ભરાઈને છલકાઈ શકે તેવી શક્યતાઓ છે.</p><h3 style="text-align: justify; "><b>207 જળાશયોમાં હાલ 76.02 % જેટલો કુલ જળસંગ્રહ</b></h3><p style="text-align: justify; ">ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ વચ્ચે જળાશયોમાં પાણીની આવક સતત જળવાઈ રહી છે. જળ સંપત્તિ વિભાગ દ્વારા 13 સપ્ટેમ્બર 2026ના રોજ જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, રાજ્યના કુલ 207 જળાશયોમાં હાલ 76.02 % જેટલો કુલ જળસંગ્રહ નોંધાયો છે.  દક્ષિણ ગુજરાતના 13  ડેમોમાં સૌથી વધુ 78.14% જળસંગ્રહ નોંધાયો છે, જેમાં 6 ડેમો સંપૂર્ણ ભરાઈ ગયા છે. મુખ્ય ઉકાઈ ડેમમાં 77.47% પાણી છે. મધ્ય ગુજરાતના 17 ડેમોમાં 62.36% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. સૌરાષ્ટ્રના 141 ડેમોમાં 48.59% જળસંગ્રહ થયો છે જેમાં 10 ડેમો સંપૂર્ણ ભરાયા છે. ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 42.19% પાણી સંગ્રહિત થયું છે. કચ્છના 20 ડેમોમાં 22.76% જળસંગ્રહ નોંધાયો છે.</p><h2 style="text-align: justify; "><b>207 ડેમો પૈકી 17 ડેમો સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યા છે</b></h2><p style="text-align: justify; ">રાજ્યના કુલ 207 ડેમો પૈકી 17 ડેમો સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યા છે. જ્યારે કેટલાક મોટા ડેમોમાં પાણીની સપાટી વધતા એલર્ટ અને હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યા છે, જેની પર તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.રાજ્યમાં આજે પણ ભારે વરસાદની આગાહીને પગલે મહેસાણા, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર અને ભરૂચ સહિતના 11 જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.વાવાઝોડા સાથે વરસી રહેલા આ વરસાદ દરમિયાન 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.જ્યારે અમદાવાદ, કચ્છ, મોરબી, ડાંગ અને વડોદરા સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને કચ્છ તથા સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની સંભાવના છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/rain-in-234-talukas-in-24-hours-heavy-rain-alert-in-11-districts" target="_blank">આ પણ વાંચોઃ Gujarat Weather News : 24 કલાકમાં 234 તાલુકાઓમાં મેઘમહેર, આજે આ 11 જિલ્લાઓમાં વરસાદ બગડાટી બોલાવશે</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/lrVtsh8cFT9IjiGwu0RjAH9fh94aMAroKeXoowrz.webp'/></item><item><title><![CDATA[Ramayana Part 1 Siya Ram Poster: ગણેશ ચતુર્થી પર 'રામાયણ 1'નું નવું 'સિયા રામ' પોસ્ટર આઉટ, સાઈ પલ્લવીનો દિવ્ય લુક ]]></title><link>https://sandesh.com/entertainment/news/ganesh-chaturthi--ramayan--part-1-new-siya-ram-poster-released</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/ganesh-chaturthi--ramayan--part-1-new-siya-ram-poster-released</guid><pubDate>Mon, 14 Sep 2026 08:30:12 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વ પર જ્યાં દેશભરમાં બાપ્પાના આગમનની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યાં બોલીવુડ ચાહકો માટે પણ એક મોટી ખુશખબર સામે આવી છે. આ શુભ પ્રસંગે હિન્દી સિનેમાની બહુપ્રતિક્ષિત પૌરાણિક ફિલ્મ "રામાયણ: ભાગ ૧"નું નવું 'સિયા રામ' પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. નિર્માતાઓએ ગણેશોત્સવના ખાસ દિવસે ભગવાન રામ અને માતા સીતાના રૂપમાં રણબીર કપૂર અને સાઈ પલ્લવીનું આ ખાસ પોસ્ટર જાહેર કરીને ફેન્સને એક ઉત્સવની ભેટ આપી છે. સોશિયલ મીડિયા પર આ વાયરલ પોસ્ટરે ચાહકોમાં ભારે ઉત્સાહ જગાડ્યો છે.</p><p style="text-align: justify; "><b>શું સાઈ પલ્લવી સીતાના પાત્ર ફેન્સને પસંદ આવશે</b></p><p style="text-align: justify; ">અગાઉ કાસ્ટિંગની જાહેરાત અને ટ્રેલર ઝલક બાદ સાઈ પલ્લવીના સીતા તરીકેના પાત્ર અંગે સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. પરંતુ આ નવું 'સિયા રામ' પોસ્ટર સામે આવ્યા પછી ચાહકો સાઈ પલ્લવીના લુકથી અત્યંત પ્રભાવિત થયા છે. માતા સીતાના રોલમાં તેની સાદગી અને દિવ્યતાના નેટીઝન્સ મુક્તકંઠે વખાણ કરી રહ્યા છે અને રણબીર-સાઈની જોડીને પરફેક્ટ ગણાવી રહ્યા છે.</p><p style="text-align: justify; "><b>રામાયણ ભાગ 1 નું સિયા રામ પોસ્ટર</b></p><p style="text-align: justify; ">નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ "રામાયણ"ને ભારતીય સિનેમાના ઈતિહાસની સૌથી ભવ્ય ફિલ્મોમાંથી એક માનવામાં આવી રહી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર (ભગવાન રામ) અને સાઈ પલ્લવી (માતા સીતા) ઉપરાંત દક્ષિણ ભારતના સુપરસ્ટાર યશ 'રાવણ'ના દમદાર રોલમાં જોવા મળશે. આ મોગા બજેટ ફિલ્મ "રામાયણ: ભાગ ૧" આગામી દિવાળીએ સિનેમાઘરોમાં ધમાકેદાર એન્ટ્રી કરવા માટે પૂરી રીતે તૈયાર છે.</p><p style="text-align: justify; "><b>ગણેશ ચતુર્થી પર નિર્માતાની પોસ્ટ</b></p><p style="text-align: justify; ">રામાયણ ફિલ્મના નિર્માતાઓએ ઇન્સ્ટાગ્રામ પર એક નોંધ સાથે આ માહિતી શેર કરી. તેમણે લખ્યું, "દરેક શુભ શરૂઆત પ્રાર્થનાથી શરૂ થાય છે. આ ગણેશ ચતુર્થીએ, 'રામાયણ' ની સંગીત યાત્રા સવારે 7:30 વાગ્યે અમારા 'સિયા રામ પોસ્ટર' ના અનાવરણ સાથે શરૂ થાય છે. આ પછી ટૂંક સમયમાં અમારી પહેલી સંગીત ભેટ, 'જય જય રામ' આવશે. સંગીત: એ.આર. રહેમાન, ગીતો: ડૉ. કુમાર વિશ્વાસ, ગાયકો: શ્રેયા ઘોષાલ અને અરિજિત સિંહ. આ પોસ્ટ શેર કરતી વખતે, તેમણે કેપ્શનમાં લખ્યું, 'ગણપતિ બાપ્પાના આશીર્વાદથી, આપણે આવતીકાલે 'રામાયણ' ની સંગીત યાત્રા શરૂ કરી રહ્યા છીએ.'</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/ranveer-singh-ad-fees-brand-endorsement" target="_blank">આ પણ વાંચો : Ranveer Singh BMW India: રણવીર સિંહની એક જાહેરાતની ફી સાંભળીને ચોંકી જશો! BMW કારની એડ માટે મળ્યા અધધ..રૂપિયા!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/GkaruJemSOI5dZokwGIarvmeK2Yf11icdVRz5y7J.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: રાજ્યમાં 8 મહિનામાં હૃદયરોગની તકલીફના 72 હજાર ઈમરજન્સી કેસ નોંધાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-records-72-307-cardiac-emergency-cases-in-8-months</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-records-72-307-cardiac-emergency-cases-in-8-months</guid><pubDate>Mon, 14 Sep 2026 08:12:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વર્તમાન સમયમાં બદલાતી જીવનશૈલી અને ખાણીપીણીની અયોગ્ય આદતોને કારણે સ્વાસ્થ્ય સંબંધી જોખમો સતત વધી રહ્યા છે. ગુજરાતમાં હૃદય રોગને લગતી ઈમર્જન્સીમાં 13.60 ટકાનો મોટો વધારો થયો છે. રાજ્યમાં વર્ષ 2026માં જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીના માત્ર આઠ મહિનાના સમયગાળામાં જ હાર્ટની તકલીફને લગતા 72307 ઈમર્જન્સી કેસ નોંધાયા છે. જ્યારે ગત વર્ષ 2025માં આ જ સમયગાળા દરમિયાન 63652 કેસ સામે આવ્યા હતા. 108 ઈમર્જન્સી એમ્બ્યુલન્સ સર્વિસને મળી રહેલા આવા કોલ્સમાં સતત ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>અમદાવાદમાં સૌથી વધુ 18589 કોલ્સ નોંધાયા</b></h2><p style="text-align: justify; ">આંકડાઓ પર નજર કરીએ તો, અમદાવાદમાં સૌથી વધુ 18589 કોલ્સ નોંધાયા છે. જ્યાં ગત વર્ષના આ જ આઠ મહિનામાં 16058 કેસ આવ્યા હતા. આમ એક વર્ષમાં હૃદય રોગને લગતી ઈમર્જન્સીમાં 2.73 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત, સુરતમાં કાર્ડિયાક ઈમર્જન્સીમાં 5.27 ટકાનો વધારો નોંધાયો છે. જ્યાં ગત વર્ષના 8 મહિનાના 5202 કેસની સામે વર્ષ 2026ના આઠ મહિનામાં 5550 કેસ નોંધાયા છે. વડોદરામાં પણ ગત વર્ષના 3370 કેસ સામે આ વખતે વધીને 3592 ઈમર્જન્સી નોંધાઈ છે. સૌરાષ્ટ્ર અને અન્ય જિલ્લાઓની વાત કરીએ તો ભાવનગરમાં ગત વર્ષે 3326 કોલ્સ કાર્ડિયાકને લગતા હતા જે આ વખતે 16.42 ટકાના વધારા સાથે 3872 કેસ પર પહોંચ્યા છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>ભરૂચમાં 24 ટકાના વધારા સાથે 1062 કેસ નોંધાયા</b></h3><p style="text-align: justify; ">ભરૂચમાં 24 ટકાના વધારા સાથે 1062 કેસ, દાહોદમાં 30.36 ટકાના વધારા સાથે 1271 કેસ, દેવભૂમિ દ્વારકામાં 41.35 ટકાના વધારા સાથે 1176 કેસ, બોટાદમાં 41.86 ટકાના વધારા સાથે 549 કેસ અને મોરબીમાં સૌથી વધુ 63.08 ટકાના ભયજનક વધારા સાથે 1060 કેસ નોંધાયા છે.તબીબોના મતે આ ગંભીર સ્થિતિ પાછળ મુખ્ય કારણોમાં જંકફૂડનો વધુ પડતો ઉપયોગ, તણાવભરી જીવનશૈલી, તેમજ આલ્કોહોલ અને ધૂમ્રપાનનું સેવન જવાબદાર છે, જેના કારણે આજે યુવાનોના હૃદય પણ ઝડપથી વૃદ્ધ થઈ રહ્યા છે. તબીબો સલાહ આપે છે કે જે લોકોને હૃદય રોગની તકલીફ હોય તેમણે તબીબી માર્ગદર્શન અનુસાર નિયમિતપણે હળવી કસરત કરવી જોઈએ અને શરીરની તંદુરસ્તી જાળવવા માટે પૂરતી ઊંઘ લેવી પણ એટલી જ આવશ્યક છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/crime/rajkot/cyber-fraudsters-digitally-arrest-elderly-couple" target="_blank">આ પણ વાંચોઃ Rajkot News : સાયબર ગઠિયાઓએ મોડી રાત્રે ફોન કરી વૃદ્ધ દંપતીને ડિજિટલ એરેસ્ટ કર્યું, 2 કરોડના ફ્રોડની ધમકી આપી</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/7hSTJn1XCK4iPi19Qxs0CqszPWvBHcA0hWrKw91x.webp'/></item><item><title><![CDATA[Rajkot News : સાયબર ગઠિયાઓએ મોડી રાત્રે ફોન કરી વૃદ્ધ દંપતીને ડિજિટલ એરેસ્ટ કર્યું, 2 કરોડના ફ્રોડની ધમકી આપી ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/rajkot/cyber-fraudsters-digitally-arrest-elderly-couple</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/rajkot/cyber-fraudsters-digitally-arrest-elderly-couple</guid><pubDate>Mon, 14 Sep 2026 07:25:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વર્તમાન સમયમાં સાયબર ઠગાઈના કિસ્સાઓ અવિરતપણે વધી રહ્યા છે અને ભેજાબાજ ગઠિયાઓ સામાન્ય નાગરિકોને ડરાવીને લૂંટવા માટે નવા નવા પેંતરા રચી રહ્યા છે. રાજકોટ શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં સાયબર ગઠિયાઓએ એક વૃદ્ધ દંપતીને નિશાન બનાવીને ડિજિટલ એરેસ્ટ કરવાની ધમકી આપી હતી. જો કે આ પરિસ્થિતિમાં વૃદ્ધ દંપતીએ ગભરાઈ જવાના બદલે હિંમત અને સતર્કતા દાખવી હતી. જેના પરિણામે રાજકોટ પોલીસની તાત્કાલિક કાર્યવાહીથી આ દંપતીનો આબાદ બચાવ થયો હતો.</p><h2 style="text-align: justify; "><b>વૃદ્ધ દંપતીને ડિજિટલ એરેસ્ટ કર્યું</b></h2><p style="text-align: justify; ">પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટમાં મોડી રાત્રે સાયબર ગુનેગારોએ એક વૃદ્ધ દંપતીના ઘરે ફોન કર્યો હતો. ફોન કરનાર શખ્સોએ પોતાની ઓળખ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના ઉચ્ચ અધિકારીઓ તરીકે આપી હતી. ઠગોએ દંપતીને ડરાવતા દાવો કર્યો હતો કે તેમના નામે કોઈ મોટું બેંક ખાતું ચાલી રહ્યું છે અને તેમાંથી 2 કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગ તથા ગેરકાયદેસર વ્યવહારો મામલે 25 લાખ રૂપિયાની શંકાસ્પદ રકમ ટ્રાન્સફર થઈ ચૂકી છે.આ ગંભીર ગુનામાં તેમની સંડોવણી હોવાનું જણાવીને કાયદેસરની ધરપકડથી બચવા માટે સતત સર્વેલન્સ હેઠળ રહેવાની ખોટી ધમકી આપવામાં આવી હતી.</p><h2 style="text-align: justify; "><b>દંપતીએ ડર્યા વિના જ પોલીસનો સંપર્ક કર્યો</b></h2><p style="text-align: justify; ">અડધી રાત્રે આવેલા આ ધાકધમકીભર્યા ફોનથી વૃદ્ધ દંપતી માનસિક રીતે ભાંગી પડ્યું હતું અને ભારે ડરમાં જીવી રહ્યું હતું. ગઠિયાઓએ તેમની પર સતત નજર રાખવાના દાવા સાથે વિડિયો કોલ કે અન્ય માધ્યમો દ્વારા ડિજિટલ મોનિટરિંગ હેઠળ રાખ્યા હતા. આ પ્રકારે સતત ચાર કલાક સુધી વૃદ્ધ દંપતી ભયના સાયા હેઠળ ડિજિટલ એરેસ્ટ જેવી સ્થિતિમાં રહ્યું હતું. સાયબર ઠગો તેમને કોઈપણ બહારના વ્યક્તિ કે પરિવારજનો સાથે સંપર્ક ન કરવા દબાણ કરી રહ્યા હતા જેથી તેમની પોલ છતી ન થાય. આ વૃદ્ધ દંપતીએ આખરે પોતાની માનસિક મક્કમતા જાળવી રાખી હતી અને આ સમગ્ર મામલો શંકાસ્પદ હોવાનું તેમને અનુભવાયું હતું. દંપતીએ ડરને બાજુ પર મૂકીને અત્યંત હિંમત દાખવી અને તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક સાધીને સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી આપી હતી.</p><h2 style="text-align: justify; "><b>પોલીસે લોકોને અપીલ કરી</b></h2><p style="text-align: justify; ">રાજકોટ પોલીસ કંટ્રોલ રૂમને આ ગંભીર કિસ્સા અંગે સૂચના મળતા જ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. સાયબર ક્રાઈમ અને સ્થાનિક પોલીસની ટીમે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના સમયસૂચકતા દાખવી હતી. પોલીસની ટીમ તાત્કાલિક તે વૃદ્ધ દંપતીના નિવાસ્થાને દોડી ગઈ હતી અને તેમને સાયબર ઠગોના વર્ચ્યુઅલ ચુંગલમાંથી સહીસલામત મુક્ત કરાવ્યા હતા. પોલીસે દંપતીને સાંત્વના આપીને સમજાવ્યું હતું કે આ સંપૂર્ણપણે સાયબર ઠગોનું એક મોટું પ્રપંચ અને બોગસ કાવતરું હતું જેમાં ડરવાની કોઈ જરૂર નથી. આ ઘટના બાદ પોલીસે ફરી એકવાર નાગરિકોને ચેતવણી આપી છે કે કોઈપણ સરકારી એજન્સી કે પોલીસ ક્યારેય ફોન કે વીડિયો કોલ કરીને ડિજિટલ એરેસ્ટ'કરતી નથી. આવા કોઈ પણ શંકાસ્પદ કે ધમકીભર્યા કોલ આવે તો તરત જ ગભરાયા વગર પોલીસનો સંપર્ક કરવો જોઈએ જેથી સમયસર અસામાજિક તત્વોના મનસૂબાઓને નિષ્ફળ બનાવી શકાય.<br><br><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vapi/vapi-lok-adalat-held-in-selvas-court-premises-395-cases-resolved-amicably" target="_blank">આ પણ વાંચોઃ Vapi: સેલવાસ કોર્ટ પરિસરમાં લોક અદાલત યોજાઈ : 395 કેસોનો સુખદ નિકાલ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/4M3WDgLHLNFPFlsvEbztz87pUacvIvUSOhPvKT5j.webp'/></item><item><title><![CDATA[Himatnagar: ઈડરના ટાઉનહોલમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/himatnagar/himatnagar-workshop-held-under-seva-sankalp-abhiyan-at-idar-town-hall</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/himatnagar/himatnagar-workshop-held-under-seva-sankalp-abhiyan-at-idar-town-hall</guid><pubDate>Mon, 14 Sep 2026 05:36:41 +05:30</pubDate><description><![CDATA[<p>ઈડર ટાઉનહોલમાં શનિવારે સેવા સંકલ્પ 2026 અભિયાન અંતર્ગત સેવા અને સમર્પણ કાર્યક્રમની ઈડર વિધાનસભા ક્ષેત્ર માટે કાર્યશાળા યોજાઈ હતી. આ કાર્યશાળા યોજવા પાછળનો ઉદ્દેશ એ છે કે, તા.17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીના જન્મદિવસથી 17 ઓક્ટોબર સુધી 25 વર્ષના સેવા સંકલ્પના ભાગરૂપે વિવિધ સેવાકીય અને જનજાગૃત્તિ કાર્યક્રમો યોજાશે. કાર્યશાળામાં પ્રદેશ મંત્રી ર્ડા.સંજય દેસાઈ, ભાજપ પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલા, જિલ્લા ભાજપ મહામંત્રી બિપીન ઓઝા, જિલ્લા સાંસદ, ભાજપ પ્રમુખ કનુ પટેલ, ઈડર ધારાસભ્ય રમણ વોરા, ઈડર તાલુકા પ્રમુખ દિનેશ પટેલ, શહેર પ્રમુખ કૃણાલ કંસારા, નગરપાલિકા પ્રમુખ અનુસૂયાબેન પટેલ, કમલેશ બારોટ સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.</p><p>સેવા સંકલ્પ 2026 અંતર્ર્ગત 13 વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડનગરથી વારાણસી બાઈક રેલી, 25 કરોડ બાળકોના સપનાનું ભારત રાષ્ટ્રવ્યાપી ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા, શાળાઓમાં ઇનામ વિતરણ, 'નમો સેવા ગાથા' અંતર્ર્ગત નરેન્દ્ર મોદીના જીવનચરિત્ર પર નાટક સહિતના કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત આંગણવાડી ઉત્સવ, સેવાસેતુ તથા આયુષ્માન કાર્ડ સહિતની વિવિધ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા કાર્યકર્તાઓને કામગીરી કરવા જણાવાયું હતું. તા.17 ઓક્ટોબરે આશીર્વાદનો દીવડો કાર્યક્રમ અંતર્ર્ગત યોજનાઓનો લાભ મેળવનાર પરિવારોના ઘરે દીવડો પ્રગટાવવાનો કાર્યક્રમ પણ યોજાશે. કાર્યશાળામાં ઈડર-વડાલી વિસ્તારના ભાજપ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/qIacjOiVtJ54zCmWuzsXW0MycxNFcaFrd0xqLPJb.webp'/></item><item><title><![CDATA[Junior Women Asia Cup : ભારતીય દીકરીઓએ રચ્યો ઇતિહાસ, ફાઇનલમાં ચીનને હરાવીને ચેમ્પિયન બન્યું ]]></title><link>https://sandesh.com/sports/news/indian-hockey-team-women-beat-china-to-clinch-third-successive-junior-asia-cup-title</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/indian-hockey-team-women-beat-china-to-clinch-third-successive-junior-asia-cup-title</guid><pubDate>Sun, 13 Sep 2026 18:10:26 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય મહિલા હોકી ટીમે શાનદાર રમતનું પ્રદર્શન કરીને જુનિયર એશિયા કપનો ખિતાબ સતત ત્રીજી વખત પોતાના નામે કર્યો છે. રવિવારે રમાયેલી ફાઈનલમાં ભારતે યજમાન ચીનને 1-0થી હરાવીને ટ્રોફી પર કબજો જમાવ્યો. આ જીત સાથે ભારતીય ટીમે FIH જુનિયર વર્લ્ડ કપ માટે પણ સ્થાન મેળવી લીધું છે.ભારતની જીતમાં સાનિકા ચંદ્રકાંત માણેનું મહત્વનું યોગદાન રહ્યું હતું. તેણે મેચની 17મી મિનિટે શાનદાર ગોલ કરીને ભારતને 1-0ની સરસાઈ અપાવી હતી. આ એકમાત્ર ગોલ અંત સુધી નિર્ણાયક સાબિત થયો અને ભારતીય ટીમે ખિતાબ પોતાના નામે કર્યો.</p><h3 style="text-align: justify; "><b>સાનિકાનો ગોલ બન્યો જીતનો આધાર</b></h3><p style="text-align: justify; ">ભારત અને ચીન વચ્ચેની ફાઈનલની શરૂઆતથી જ બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. પ્રથમ ક્વાર્ટરમાં બંને ટીમોએ ગોલ માટે અનેક પ્રયાસો કર્યા, પરંતુ કોઈ ટીમને સફળતા મળી નહોતી.ત્યારબાદ 17મી મિનિટે ભારતને પેનલ્ટી કોર્નર સહિતના પ્રયાસો બાદ સફળતા મળી અને સાનિકાએ બોલને ગોલમાં પહોંચાડીને ટીમને 1-0થી આગળ કરી દીધી. ભારતીય ટીમે ત્યારબાદ ચીનને વાપસી કરવાની તક આપી નહોતી અને હાફટાઈમ સુધી પોતાની સરસાઈ જાળવી રાખી હતી.બીજા હાફમાં ચીનની ટીમે બરાબરીનો ગોલ કરવા માટે આક્રમક રમત અપનાવી હતી. જોકે ભારતીય ખેલાડીઓએ મજબૂત રક્ષણ સાથે ચીનના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા. અંતિમ સીટી વાગી ત્યારે ભારત 1-0થી આગળ હતું અને તેની સાથે જ ટીમે સતત ત્રીજી વખત જુનિયર એશિયા કપનો ખિતાબ જીતી લીધો.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/TheHockeyIndia/status/2099076730531271099?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h4 style="text-align: justify; "><b>સતત ત્રીજી વખત ચેમ્પિયન</b></h4><p style="text-align: justify; ">ભારતીય મહિલા ટીમ માટે આ જીત ખાસ મહત્વ ધરાવે છે. ટીમે અગાઉની 2 આવૃત્તિઓમાં પણ જુનિયર એશિયા કપની ટ્રોફી જીતી હતી. હવે ચીનને હરાવીને ભારતે ખિતાબની હેટ્રિક પૂરી કરી છે.આ વર્ષે ટીમની જવાબદારી સંભાળનાર કોચ ટિમ વ્હાઇટના માર્ગદર્શન હેઠળ ભારતીય ખેલાડીઓએ આયોજનબદ્ધ તાલીમ કાર્યક્રમ દ્વારા ટૂર્નામેન્ટની તૈયારી કરી હતી. તેની અસર ટીમના પ્રદર્શન પર પણ જોવા મળી અને ભારતે સમગ્ર સ્પર્ધામાં મજબૂત રમત બતાવી.</p><h5 style="text-align: justify; "><b>ખેલાડીઓને મળશે રોકડ પુરસ્કાર</b></h5><p style="text-align: justify; ">ખિતાબ જીત્યા બાદ હોકી ઈન્ડિયાએ ભારતીય મહિલા ટીમ માટે રોકડ પુરસ્કારની પણ જાહેરાત કરી છે. ટીમની દરેક ખેલાડીને 3 લાખ રૂપિયા આપવામાં આવશે, જ્યારે સપોર્ટ સ્ટાફના દરેક સભ્યને 1.5 લાખ રૂપિયાનું ઇનામ મળશે.આ જીતથી ભારતીય મહિલા હોકીના ભવિષ્ય માટે પણ આશા વધી છે. જુનિયર સ્તરે સતત સફળતા મેળવી રહેલી ટીમ હવે FIH જુનિયર વર્લ્ડ કપમાં પણ પોતાની ક્ષમતા સાબિત કરવા ઉતરશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/us-open-2026-elena-rybakina-creates-history-defeats-sabalenka-to-win-first-us-open-title" target="_blank"> US Open 2026: Elena Rybakinaએ રચ્યો ઈતિહાસ, Sabalenkaને હરાવીને જીત્યું પ્રથમ ટાઈટલ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/13/hIKTQqQRttApX5F1PU6edKYWoFmkCpJ1skt68pYl.webp'/></item></channel></rss>