<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[ધોલેરાના દરિયાકાંઠે 1.5 રોકડથી વધુ ચૅર પ્રકારની વનસ્પતિનું વાવેતર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/more-than-15-million-hectares-of-vegetation-planted-on-the-coast-of-dholera</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/more-than-15-million-hectares-of-vegetation-planted-on-the-coast-of-dholera</guid><pubDate>Wed, 26 Aug 2026 05:31:05 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ જિલ્લામાં ધોલેરા ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોને સંબોધતા રાજ્યમંત્રી દર્શનાબેને જણાવ્યું હતું કે, પહેલાનું ધોલેરા અને હાલનું ધોલેરા વચ્ચે જમીન-આસમાનનો તફાવત છે. આજે જમીનના ભાવમાં થયેલો સુધારો દર્શાવે છે કે ધોલેરા વિકાસની દિશામાં સતત આગળ વધી રહ્યું છે. તેમને ઉમેર્યું કે, પ્રધાનમંત્રીના વિઝન સાથે આકાર પામતું ધોલેરા અને ગીફ્ટ સીટી આજે અમદાવાદમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. તેમને કહ્યું, જેમ વિકાસ જરૂરી છે તેમ ગ્રીન કવર (હરીયાળી) વધારવું પણ તેટલું જ અનિવાર્ય છે. મંત્રીએ વધુમાં વન વિભાગની સિદ્ધિઓ ઉપર પ્રકાશ પાડતા જણાવ્યું કે ધોલેરા અને ભાલ જેવા કઠિન ભૌગોલિક પ્રદેશમાં સામાજિક વનીકરણ વિભાગના સતત પ્રયાસોથી 50 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર થયું છે. આ ઉપરાંત વિશેષ ડ્રમ પદ્ધતિથી કરાયેલા વાવેતરની નોંધ સમગ્ર દેશસ્તરે લેવાઈ છે. ધોલેરાના દરિયાકાંઠે 1.5 કરોડથી વધુ ચૅર (મેન્ગ્રોવ્ઝ) પ્રકારની વનસ્પતિનું વાવેતર કરાયું છે તથા છેલ્લાં 10 વર્ષમાં 4 હજાર હેકટરથી વધુ વિસ્તારમાં વાવેતરની કામગીરીને</p><p>પુર્ણ કરાઈ છે. વિતેલા એક વર્ષમાં 1.60 લાખથી વધુ વનસ્પતિનું વાવેતર કરીને ધોલેરા પંથકને હરિયાળો બનાવવાનું કાર્ય જારી છે. વનક્વચમાં ઉત્કૃષ્ઠ કામગીરી બદલ વનરક્ષકોનું સન્માન અને લીલી ઝંડી બતાવી મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે વૃક્ષ રથનું પ્રસ્થાન પણ</p><p>કરાયું હતું.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/26/kZgHqjMsuXAwTnoTOdW2RBl7f0BE8Sifb146iZ8R.webp'/></item><item><title><![CDATA[સાયલા-દસાડામાં ત્રણ દરોડા : રૂ. 2.37 લાખનો વિદેશી શરાબ જપ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/sayla/three-raids-in-sayla-dasada-foreign-liquor-worth-rs-237-lakh-seized</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/sayla/three-raids-in-sayla-dasada-foreign-liquor-worth-rs-237-lakh-seized</guid><pubDate>Wed, 26 Aug 2026 05:27:11 +05:30</pubDate><description><![CDATA[<p>સુરેન્દ્રનગર એલસીબી ટીમને દસાડા તાલુકાના ચીકાસરનો યુનુશશા પુંજાશા દીવાન ગામની કેનાલ પાસે બાવળમાં દારૂ સંતાડીને રાખતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપી યુનુશશા હાજર મળી આવ્યો ન હતો. જયારે પોલીસે બાવળમાંથી દારૂની નાની મોટી 823 બોટલ કિંમત રૂપીયા 1,76,652નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી યુનશશા દીવાન સામે દસાડા પોલીસ મથકે પ્રોહીબીશન મુજબ ફરિયાદ નોંધી તેને ઝડપી લેવા વધુ તપાસ એચસી અજયસિંહ ઝાલા ચલાવી રહ્યા છે. જયારે સાયલાના ખાટકીવાસમાં રહેતો સોહીલ રમજાનભાઈ મમાણી તેના ઘર પાસે આવેલ ખંચાળીમાં પતરા પાછળ દારૂ સંતાડી વેચાણ કરતો હોવાની બાતમી મળતા પોલીસે તા. 24ના રોજ મોડી સાંજે રેડ કરી હતી. જેમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. જયારે પોલીસે પતરા પાછળથી દારૂની નાની મોટી 133 બોટલો કિંમત રૂપીયા 60,950નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી સોહીલ મમાણી સામે ફરિયાદ નોંધી તેને ઝડપી લેવા વધુ તપાસ એએસઆઈ બી.એન.ચાવડા ચલાવી રહ્યા છે. બીજી તરફ સાયલા તાલુકાના ધજાળાનો શિવરાજ ઉર્ફે માવુ ટપુભાઈ ખવડ તેની વાડીમાંથી વિદેશી દારૂના 1 ચપલા કિંમત રૂપીયા 100 સાથે સોમવારે સાંજે</p><p>ઝડપાયો છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/26/qATzQbZnaqBKxNxf50bG5KOq3SyhntwKhJLdmr67.webp'/></item><item><title><![CDATA[ખાંભડીયા દાદાના મેળામાં સ્ટોલ ભાડાની પહોંચ આપવા અને અપશબ્દો બોલવા મામલે ધીંગાણુ મેળાના સ્ટોલ મુદ્દે બે જૂથોમાં મારામારી ધ્રાંગધ્રા તાલુકાના ખાંભડામાં નજીવી બાબતે એક ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dhrangadhra/two-groups-clashed-over-stalls-at-the-dhinganu-fair-over-the-issue-of-stall-rent-receipts-and-abusive-language-at-the-khambhadiya-dada-fair-one-clashed-over-a-trivial-matter-in-khambhadiya-dhrangadhra-taluka</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dhrangadhra/two-groups-clashed-over-stalls-at-the-dhinganu-fair-over-the-issue-of-stall-rent-receipts-and-abusive-language-at-the-khambhadiya-dada-fair-one-clashed-over-a-trivial-matter-in-khambhadiya-dhrangadhra-taluka</guid><pubDate>Wed, 26 Aug 2026 05:23:05 +05:30</pubDate><description><![CDATA[<p>ધ્રાંગધ્રા તાલુકાના ખાંભડા ગામના સરપંચ તરીકે ઋતુરાજસિંહ વિક્રમસિંહ સોલંકી છે. તા. 24ના રોજ ગામના ખાંભડીયા દાદાના મંદિરે મેળો ભરાયો હતો. જેમાં ગ્રામ પંચાયતે નક્કી કરેલ ભાડાની પહોંચો સ્ટોલ ધારકોને અપાઈ હતી. તા. 24ના રોજ સાંજે ઋતુરાજસિંહ ગ્રામ પંચાયત ઓફીસે હતા ત્યારે ગામના પરાક્રમસિંહ ભુપતસિંહ જાદવે જઈ મારા સબંધીને રૂપીયા 500ની ભાડાની પહોંચ કેમ આપી તેમ કહી ઋતુરાજસિંહને અપશબ્દો કહ્યા હતા. આથી ઋતુરાજસિંહે ઘરે જઈ આ વાત તેમના પિતાને કરી હતી. જેમાં વિક્રમસિંહ તેઓને સમજાવવા જતા પરાક્રમસિંહ જાદવ, વિજયસિંહ ભુપતસિંહ જાદવ, હરદીપસિંહ હરૂભા જાદવ અને મનીદરસિંહ તખતસિંહ જાદવે ધારીયુ, લોખંડના પાઈપ વડે વિક્રમસિંહ, યુવરાજસિંહ સોલંકી, અક્ષયસિંહ સોલંકી અને પ્રવીણસિંહ સોલંકીને ઈજાઓ થતા સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવાયા હતા. જયારે સામાપક્ષે પ્રવિણસિંહ ભુપતસિંહ જાદવે નોંધાવેલી ફરિયાદમાં જણાવાયા મુજબ ઋતુરાજસિંહ સાંજે પરાક્રમસિંહના ઘર પાસે અપશબ્દો બોલતા હતા. આથી તેઓને અપશબ્દો બોલવાની ના પાડતા ઋતુરાજસિંહ વિક્રમસિંહ સોલંકી, વિક્રમસિંહ દાજીભા સોલંકી, યુવરાજસિંહ મોબતસિંહ સોલંકી અને ક્રિપાલસિંહ વિક્રમસિંહ સોલંકીએ એક સંપ કરી પ્રવિણસિંહ પર લોખંડના પાઈપ વડે હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવની સામ-સામે ફરિયાદ નોંધી વધુ તપાસ પીએસઆઈ પી.એ.સોલંકી ચલાવી રહ્યા છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/26/bzk4NGqEjkR33CHhlJatLWFwylZbOxQNGrL5UNkK.webp'/></item><item><title><![CDATA[Vadodara: સાવલીના વાંકાનેર ગામે પેવર બ્લૉક નહીં નખાતા ભ્રષ્ટાચારના આક્ષેપ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-allegations-of-corruption-for-not-installing-paver-blocks-in-wankaner-village-of-savli</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-allegations-of-corruption-for-not-installing-paver-blocks-in-wankaner-village-of-savli</guid><pubDate>Wed, 26 Aug 2026 02:51:08 +05:30</pubDate><description><![CDATA[<p>સાવલી તાલુકાના વાંકાનેર ગામે પેવર બ્લોકની કામગીરી માટે ડિસેમ્બર માસમાં ઠરાવ કરીને નાણાપંચની ગ્રાન્ટ ફાળવવા છતાં કામગીરી ન કરાયાના આક્ષેપ સાથે ગામના જાગૃત નાગરિક દ્વારા પંચાયત વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપ કરીને કાદવ કીચડવાળા રોડનો વિડીયો વાઇરલ કર્યો છે.</p><p>સાવલીના વાંકાનેર ગામે જાગૃત નાગરિક સલીમ દિવાને સરપંચ વિરુદ્ધ ગંભીર આક્ષેપ લગાવીને સનસનાટી ફેલાવી દીધી છે. પેવર બ્લોક માટે ડિસેમ્બર માસમાં ઠરાવ કરી રૂા.2 લાખની ગ્રાન્ટ ફળવાઈ હોવાનો દાવો કરાયો છે. જે બાદ 7 મહિના સુધી કામ શરૂ ન થયું હોવાનો આક્ષેપ કરાવ્યો છે. તેના પગલે ગ્રામજનોને કાદવ ઉલેચવાનો વારો આવ્યો છે. સરકારી નાણાંનો દુરુપયોગ થયો હોવાના સ્થાનિક દ્વારા આક્ષેપ કરાયો છે. રાણા અબ્બાસના ઘર પાછળ પેવર બ્લોકના કામ માટે સર્વાનુમતે ઠરાવ કરીને 15માં નાણાં પંચની રકમની ફાળવણી આશરે 7 માસ અગાઉ કરાઇ હતી. પરંતુ હાલ પણ રસ્તાની હાલત બિસ્માર છે. ગ્રામજનો કાદવ-કીચડમાંથી પસાર થવા મજબૂર બન્યા છે</p><p>જાગૃત નાગરિકના આક્ષેપ મુજબ પેવર બ્લોકનું કામ કાગળ પર છે કે હકીકત શું છે તે બાબતે ટીડીઓને તપાસ કરી ને યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરાઇ છે અને પંચાયતના ઠરાવની નકલ અને ગામના કથિત રસ્તા નો કાદવ કીચડવાળો વીડિયો વાઇરલ કર્યો છે. સાથે મહિલા સરપંચના પતિ વહીવટ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે આ બાબતે તાલુકા વિકાસ અધિકારી એ આઈ શેખને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે તેઓને આ બાબતનો વીડિયો ધ્યાને આવ્યો છે.</p><p>પંચાયત પાસેથી સમગ્ર મામલે અહેવાલ માંગશે. અને જો કોઈ ક્ષતિ કે કસૂરવાર જણાશે તો સખતમાં સખત પગલા ભરવામાં આવશે. જ્યારે મહિલા સરપંચના પતિ વહીવટ કરવા બાબતે તેઓએ જણાવ્યું હતું કે આ બાબતે તેઓ સાબિતી રજૂ કરશે તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/26/czPT1X50vGBDAjr521wzam0ybjIbhdDXtMqKh5cr.webp'/></item><item><title><![CDATA[Surat: ઈદે મિલાદ નિમિત્તે લુણાવાડા ખાતે દાઉદી વ્હોરા સમાજ દ્વારા જુલૂસ યોજાયું ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-a-procession-was-organized-by-the-dawoodi-bohra-community-at-lunawada-on-the-occasion-of-eid-milad</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-a-procession-was-organized-by-the-dawoodi-bohra-community-at-lunawada-on-the-occasion-of-eid-milad</guid><pubDate>Wed, 26 Aug 2026 02:44:28 +05:30</pubDate><description><![CDATA[<p>મલેકપુર : હજરત મોહમ્મદ મુસ્તુફ(સ.અ.વ)ના જન્મદિવસ નિમિત્તે દાઉદી વ્હોરા સમાજ દ્વારા જમાલિ મસ્જીદ પાસેથી ઈદે મિલાદની ઉજવણી નિમિત્તે લુણાવાડા શહેરમાં ભવ્ય ઝુલુસ નીકળ્યું હતું. જેમાં દાઉદી વ્હોરા સમાજના આગેવાન જનાબ આમીલ સાહેબ, તમામ સંસ્થાના મેમ્બર્સ, બુરહાની ગાર્ડ્સ બેન્ડ સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. ઈદે મિલાદની ખુશી સાથે પયગંબર હજરત મોહમ્મદ મુસ્તુફ પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધા વ્યક્ત કરાઈ હતી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/26/uQq9IzN3hxVrN5sHfbaOIUKKpOpZTjMycUq4Efa3.webp'/></item><item><title><![CDATA[Delhi-NCRમાં વરસાદ બાદ ભારે ટ્રાફિક જામ, નોઈડા-ગ્રેટર નોઈડા એક્સપ્રેસવે પર વાહનોની લાંબી લાઈનો લાગી ]]></title><link>https://sandesh.com/india/news/delhi-ncr-rain-heavy-traffic-jam-noida-greater-noida-expressway</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/delhi-ncr-rain-heavy-traffic-jam-noida-greater-noida-expressway</guid><pubDate>Tue, 25 Aug 2026 22:56:21 +05:30</pubDate><description><![CDATA[<p>દિલ્હી-NCRમાં હળવા વરસાદ બાદ ફરી એકવાર ટ્રાફિકની સમસ્યા ગંભીર બની છે. નોઈડા-ગ્રેટર નોઈડા એક્સપ્રેસવે પર બંને તરફ અનેક કિલોમીટર લાંબો ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો છે. વરસાદ અને પીક અવર્સના કારણે એક્સપ્રેસવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2092253959671169161"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ</b></h2><p>નોઈડાથી ગ્રેટર નોઈડા તરફ જતો માર્ગ હોય કે ગ્રેટર નોઈડાથી નોઈડા તરફ આવતો માર્ગ, બંને તરફ વાહનો ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. અનેક વાહનચાલકો અને ઓફિસમાંથી ઘરે પરત ફરતા કર્મચારીઓને લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવાની ફરજ પડી રહી છે. બપોર બાદ પડેલા હળવા વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. સાથે જ રસ્તાઓ પર લપસણુંપણું વધ્યું હતું. વરસાદ બાદ પીક અવર શરૂ થતાં એક્સપ્રેસવે પર અચાનક વાહનોની સંખ્યા વધી ગઈ હતી. જેના કારણે તમામ લેનમાં ટ્રાફિકનો પ્રવાહ ધીમો પડી ગયો અને લાંબી કતારો સર્જાઈ હતી.</p><h3><b>ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ</b></h3><p>ટ્રાફિક જામના કારણે નોઈડા અને ગ્રેટર નોઈડા વચ્ચે મુસાફરી કરતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક સ્થળોએ વાહનો રેંગતા આગળ વધતા જોવા મળ્યા હતા. વરસાદ બાદ દિલ્હી-NCRમાં ટ્રાફિક જામની સમસ્યા નવી નથી. અગાઉ પણ વરસાદ દરમિયાન પાણી ભરાવા અને વાહનોની વધતી સંખ્યાના કારણે મુખ્ય માર્ગો તથા એક્સપ્રેસવે પર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ચૂકી છે.</p><p>હાલ નોઈડા-ગ્રેટર નોઈડા એક્સપ્રેસવે પર વાહનચાલકોને ભારે ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદ અને પીક અવર્સ દરમિયાન વાહનચાલકોને વધારાનો સમય લઈને મુસાફરી કરવાની સલાહ આપવામાં આવી રહી છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/delhi-le-meridien-hotel-37-year-old-man-suicide-police-investigation" target="_blank">આ પણ વાંચો : Delhi: લી મેરિડિયન હોટેલમાં 37 વર્ષીય વ્યક્તિએ કરી આત્મહત્યા, પોલીસે શરૂ કરી તપાસ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/25/iGQuuBJ8TZm2cOopj6ztbaOpGH5oQpszurQmqQYT.webp'/></item><item><title><![CDATA[Kuku Kohli Death: ફિલ્મ ડિરેક્ટર કુકૂ કોહલીનું હાર્ટ એટેકને કારણે થયું નિધન ]]></title><link>https://sandesh.com/entertainment/news/kuku-kohli-death-ajay-devgn-phool-aur-kaante</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/kuku-kohli-death-ajay-devgn-phool-aur-kaante</guid><pubDate>Tue, 25 Aug 2026 22:01:35 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડમાં એક્શન, ડ્રામા અને સંગીતને પોતાની આગવી સ્ટાઈલમાં રજૂ કરનાર દિગ્દર્શક કુકૂ કોહલીનું નામ ભારતીય ફિલ્મ જગતમાં મહત્વપૂર્ણ રહ્યું છે. તેઓ લાંબા સમય સુધી 'ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડિરેક્ટર્સ એસોસિએશન'ના જનરલ સેક્રેટરી પણ રહ્યા હતા. ત્યારે આજે તેમનું હાર્ટ એટેકને કારણે નિધન થયું છે. તેમની ઉંમર 77 વર્ષ હતી.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>કુકૂ કોહલીએ અનેક યાદગાર ફિલ્મોનું દિગ્દર્શન કર્યું&nbsp;</b></h2><p style="text-align: justify; ">કુકૂ કોહલીના પરિવારની વાત કરીએ તો તેમની પત્ની જાણીતી એક્ટ્રેસ અરુણા ઈરાની છે. આ ઉપરાંત તેમની પહેલી પત્ની રીટા કોહલીથી તેમને બે દીકરીઓ પૂજા અને કરિશ્મા છે. ફિલ્મ જગતમાં લાંબી કારકિર્દી દરમિયાન કુકૂ કોહલીએ અનેક યાદગાર ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું.</p><p style="text-align: justify; ">કુકૂ કોહલીએ વર્ષ 1991માં આવેલી ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’થી દિગ્દર્શક તરીકે ફિલ્મી સફરની શરૂઆત કરી હતી. ફિલ્મમાં અજય દેવગનની 2 ચાલતી બાઈક પર ઊભા રહીને કરવામાં આવેલી એન્ટ્રી આજે પણ બોલીવુડના સૌથી આઈકોનિક સીનમાંથી એક ગણાય છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી અને અજય દેવગન તથા એક્ટ્રેસ મધૂને નવી ઓળખ અપાવવામાં મહત્વની સાબિત થઈ હતી.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/AHindinews/status/2092281736701087893"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3 style="text-align: justify; "><b>1994માં કુકૂ કોહલીએ ‘સુહાગ’નું દિગ્દર્શન કર્યું</b></h3><p style="text-align: justify; ">ત્યારબાદ 1994માં કુકૂ કોહલીએ ‘સુહાગ’નું દિગ્દર્શન કર્યું હતું. આ ફિલ્મમાં પ્રથમ વખત અજય દેવગન અને અક્ષય કુમારની જોડી મોટા પડદા પર સાથે જોવા મળી હતી. દર્શકોએ બંનેની જોડીને ખૂબ પસંદ કરી હતી.&nbsp;</p><p style="text-align: justify; ">કુકૂ કોહલીએ ત્યારબાદ ‘હકીકત’ (1995), ‘જુલ્મી’ (1999), ‘અનાડી નંબર 1’ (1999) અને ‘યે દિલ આશિકાના’ (2002) જેવી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું. ‘યે દિલ આશિકાના’ ખાસ કરીને તેના સંગીત માટે લોકપ્રિય રહી હતી.</p><p style="text-align: justify; ">દિગ્દર્શક તરીકે કુકૂ કોહલીની છેલ્લી ફિલ્મ ‘વો તેરા નામ થા’ વર્ષ 2004માં આવી હતી. હિન્દી કમર્શિયલ સિનેમામાં એક્શન, ડ્રામા અને સંગીતના સંયોજન માટે તેમનું યોગદાન હંમેશાં યાદ રહેશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/entertainment/brett-lee-breaks-silence-preity-zinta-dating-rumours" target="_blank">Brett Lee પ્રીતિ ઝિન્ટાના પ્રેમમાં...! 16 વર્ષ પછી ક્રિકેટરે તોડ્યું મૌન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/25/VuqNVbzprGqF1q8R9ygIQxVFVbcRdrHem0RJwsWY.webp'/></item><item><title><![CDATA[Delhi: લી મેરિડિયન હોટેલમાં 37 વર્ષીય વ્યક્તિએ કરી આત્મહત્યા, પોલીસે શરૂ કરી તપાસ ]]></title><link>https://sandesh.com/india/news/delhi-le-meridien-hotel-37-year-old-man-suicide-police-investigation</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/delhi-le-meridien-hotel-37-year-old-man-suicide-police-investigation</guid><pubDate>Tue, 25 Aug 2026 21:29:37 +05:30</pubDate><description><![CDATA[<p>દિલ્હીની લી મેરિડિયન હોટેલમાં મંગળવારે 37 વર્ષીય વ્યક્તિએ આત્મહત્યા કરી છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, દિવિજે નામના વ્યક્તિએ હોટેલના ચોથા માળેથી પૂલ સાઈડ તરફ કૂદકો માર્યો હતો. પ્રાથમિક તપાસમાં આ ઘટના આત્મહત્યાની હોવાનું માનવામાં આવી રહી છે, જોકે તેણે આ પગલું શા માટે ભર્યું તે અંગે હજુ કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.</p><h2><b>પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી</b></h2><p>પોલીસને મંગળવારે બપોરે આશરે 3 વાગ્યા બાદ હોટેલમાંથી ઘટનાની જાણકારી આપતો PCR કોલ મળ્યો હતો. માહિતી મળતાં જ સંસદ માર્ગ પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, એક વ્યક્તિ ચોથી માળેથી પૂલ સાઇડ તરફ કૂદી પડ્યો હોવાની માહિતી મળી હતી.</p><p>ઘટના બાદ દિવિજને ગંભીર હાલતમાં સારવાર માટે રામ મનોહર લોહિયા (RML) હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ પોલીસ અને ક્રાઈમ ટીમે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી જરૂરી પુરાવા એકત્ર કર્યા હતા.</p><h3><b>ડિપ્રેશનનો શિકાર હતો વ્યક્તિ</b></h3><p>પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે દિવિજે આશરે છ મહિના પહેલાં ગુરુગ્રામની એક કંપનીમાં પોતાની નોકરી છોડી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી તેની ડિપ્રેશનની સારવાર પણ ચાલી રહી હતી. દિવિજ પરિણીત હતો. ઘટના બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. પોલીસે આ મામલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 194 હેઠળ ઈન્ક્વેસ્ટ કાર્યવાહી શરૂ કરી છે.</p><h4><b>મોત પાછળનું ચોક્કસ કારણ શું?</b></h4><p>પોલીસ હવે ઘટનાના તમામ પાસાંની તપાસ કરી રહી છે. દિવિજ હોટેલમાં શા માટે આવ્યો હતો, ઘટના પહેલાં તેની કોઈ સાથે વાતચીત થઈ હતી કે નહીં અને મોત પાછળનું ચોક્કસ કારણ શું હતું, તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલ પોલીસ દ્વારા પરિવારજનો અને અન્ય સંબંધિત લોકો પાસેથી માહિતી મેળવવામાં આવી રહી છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/maharashtra-jalgaon-police-crackdown-modified-silencers-road-roller" target="_blank">આ પણ વાંચો : Maharashtra :જલગાંવમાં મોડિફાઈડ સાઈલેન્સર સામે પોલીસની કડક કાર્યવાહી, રોડ રોલરથી કરી નાખ્યા નષ્ટ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/25/4FK76jWSxLARLLm4oBet3WSkzQ83KpMYLUdGya5U.webp'/></item><item><title><![CDATA[Business News : રૂ.5,000ના પહેલા ટ્રાન્ઝેક્શનથી 314 ટ્રિલિયન સુધી! UPIએ 10 વર્ષમાં રચ્યો ડિજિટલ ક્રાંતિનો ઇતિહાસ ]]></title><link>https://sandesh.com/business/news/india/business-news-from-the-first-transaction-of-rs-5000-to-314-trillion-upi-created-the-history-of-digital-revolution-in-10-years</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/business-news-from-the-first-transaction-of-rs-5000-to-314-trillion-upi-created-the-history-of-digital-revolution-in-10-years</guid><pubDate>Tue, 25 Aug 2026 20:09:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) એ સફળતાપૂર્વક 10 વર્ષ પૂર્ણ કર્યા છે અને તે વિશ્વની સૌથી મોટી રિયલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ બની ગયું છે. વર્ષ 2016-17માં વાર્ષિક 1.78 કરોડથી શરૂ થયેલા UPI ટ્રાન્ઝેક્શન 10 વર્ષમાં લગભગ 13,000 ગણા વધીને 2025-26માં 2,41,620 કરોડ સુધી પહોંચી ગયા છે, જ્યારે ટ્રાન્ઝેક્શન મૂલ્ય 314 ટ્રિલિયન રૂપિયા થઈ ગયું છે. આજે UPI 11 દેશોમાં કાર્યરત છે. PM નરેન્દ્ર મોદીએ પણ આ સિદ્ધિની પ્રશંસા કરતા જણાવ્યું કે 10 વર્ષ પહેલાં શરૂ થયેલું UPI ભારતની ડિજિટલ પેમેન્ટ યાત્રામાં એક મહત્વપૂર્ણ વળાંક સાબિત થયું છે, જેના પર દરેક ભારતીયને ગર્વ હોવો જોઈએ.</p><h2 style="text-align: justify; "><b>પ્રથમ ટ્રાન્ઝેક્શન અને UPI નો ઉદ્ભવ</b></h2><p style="text-align: justify; ">UPI નો પ્રથમ ટ્રાન્ઝેક્શન 11 એપ્રિલ 2016 ના રોજ થયો હતો, જ્યારે RBI ના તત્કાલીન ગવર્નર રઘુરામ રાજને NPCI ના તત્કાલીન MD અને CEO એ.પી. હોતાને રૂ.5,000 ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ ઓગસ્ટ 2016 માં તેને સત્તાવાર રીતે આમ જનતા માટે લોન્ચ કરવામાં આવ્યું હતું. NPCI ના ફાઉન્ડિંગ ચીફ એ.પી. હોતાના જણાવ્યા મુજબ, IMPS સિસ્ટમની મર્યાદાઓને દૂર કરીને મરચંટ પેમેન્ટને સરળ બનાવવા, ઇ-કોમર્સ ફેલિયર ઘટાડવા અને ઓપન-સોર્સ API ને અપનાવવા માટે IMPS ના સેટલમેન્ટ એન્જિનનો ઉપયોગ કરીને એક નવું સોલ્યુશન બનાવવામાં આવ્યું હતું, જે UPI તરીકે ઉભરી આવ્યું.</p><h2 style="text-align: justify; "><b>ઓપન પ્રોટોકોલ અને ટેકનોલોજી આધારિત સફળતા</b></h2><p style="text-align: justify; ">UPI ને સફળ બનાવવામાં નંદન નિલેકણી, પ્રમોદ વર્મા અને NPCI ના વર્તમાન ચીફ દિલીપ અસ્બેનું મહત્વનું યોગદાન રહ્યું છે. આ સિસ્ટમ એક વિશાળ સેન્ટ્રલાઇઝ્ડ ડેટાબેઝના બદલે ડીસેન્ટ્રલાઇઝ્ડ અને ઓપન પ્રોટોકોલ પર ડિઝાઇન કરવામાં આવી છે, જે સામેલ બેંકો વચ્ચે રિયલ-ટાઇમમાં પેમેન્ટ એડ્રેસ પ્રોસેસ કરે છે. આ ઓપન API અને થર્ડ-પાર્ટી એપ્લિકેશન મોડેલના કારણે જ UPI ને આટલો મોટો સ્કેલ મળ્યો છે, જેના પરિણામે આજે વિશ્વમાં થતા દર બે રિયલ-ટાઇમ પેમેન્ટમાંથી લગભગ એક ટ્રાન્ઝેક્શન ભારતના UPI પ્લેટફોર્મ પર થાય છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/india/news/business/delhi-hc-vodafone-idea-tax-refund-income-tax-department" target="_blank">Vodafone-Ideaનું ટેક્સ રિફંડ રોકવા બદલ IT વિભાગને દિલ્હી HCની ફટકાર</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/25/9o8mk5FgtDWyRDb6uihGzeH05VzAnCY1tZ9tGxst.webp'/></item><item><title><![CDATA[Team India વર્લ્ડકપમાંથી થઈ ગઈ બહાર, આર્જેન્ટિનાએ મેચ 5-3 ના માર્જિનથી જીતી ]]></title><link>https://sandesh.com/sports/news/india-out-2026-hockey-world-cup-argentina</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india-out-2026-hockey-world-cup-argentina</guid><pubDate>Mon, 24 Aug 2026 21:35:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">2026ના પુરુષ હોકી વર્લ્ડકપમાં ભારતીય હોકી ટીમની સફરનો અંત આવી ગયો છે. બીજા રાઉન્ડના મહત્વપૂર્ણ મેચમાં આર્જેન્ટિનાએ ભારતને 5-3 થી હરાવ્યું. આ હારથી ભારતીય ટીમ વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ છે, જેનાથી ફરી એકવાર વિશ્વ ચેમ્પિયન બનવાનું તેમનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું છે. આ પહેલા ટીમ ઈન્ડિયાને નેધરલેન્ડ્સ સામે પણ હારનો સામનો કરવો પડ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>આર્જેન્ટિના સામેની મેચમાં ભારતની શરૂઆત ખરાબ રહી&nbsp;</b></h2><p style="text-align: justify; ">ભારત માટે મેચની શરૂઆત ખરાબ રહી. રમત શરૂ થયાના 40 સેકન્ડમાં જ આર્જેન્ટિનાના ટોસ્કાનીએ ફિલ્ડ ગોલ કરીને ભારત પર દબાણ બનાવ્યું. થોડી જ વારમાં 7મી મિનિટે, નિકોલસ ડેલા ટોરીએ પેનલ્ટી કોર્નરને ગોલ કરીને આર્જેન્ટિનાને 2-0ની લીડ અપાવી.</p><p style="text-align: justify; ">સુખજીત સિંહે 10મી મિનિટે શાનદાર ફિલ્ડ ગોલ કરીને ભારત માટે વાપસીનો દરવાજો ખોલ્યો, પરંતુ ટીમ ગતિ જાળવી રાખવામાં અસમર્થ રહી. સમગ્ર મેચ દરમિયાન ભારતીય ટીમનો ડિફેન્સ ખરાબ જોવા મળ્યો હતો. બીજા અને ત્રીજા ક્વાર્ટરમાં ભારતીય ખેલાડીઓએ કબજો જાળવી રાખ્યો પરંતુ કોઈ પણ ગોલમાં રૂપાંતરિત કરવામાં નિષ્ફળ રહ્યા.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/TheHockeyIndia/status/2091897544658043073"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3 style="text-align: justify; "><b>ભારતને 4 પેનલ્ટી કોર્નર મળ્યા</b></h3><p style="text-align: justify; ">પરંતુ 34મી મિનિટે ભારતને સતત 4 પેનલ્ટી કોર્નર મળ્યા, અને કેપ્ટન હરમનપ્રીત સિંહ પાસે ગોલ કરવાની સુવર્ણ તક હતી. આર્જેન્ટિનાના મજબૂત ડિફેન્સ અને જુગરાજની ગેરહાજરીએ ભારતીય ટીમને કોઈપણ તકનો લાભ ઉઠાવવાથી રોકી. આર્જેન્ટિનાના ખેલાડી ડોમેન મેચના ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં પ્રભુત્વ ધરાવતો હતો, જ્યારે ભારતીય ગોલકીપર મોહિતે કેટલાક શાનદાર બચાવ કર્યા. યશદીપના ફાઉલથી આર્જેન્ટિનાને પેનલ્ટી સ્ટ્રોક મળ્યો, જેને ડોમેન સરળતાથી કન્વર્ટ કરી શક્યો. ભારતે અંતિમ ક્વાર્ટરમાં 2 ગોલ કર્યા, પરંતુ તે ખૂબ મોડું થયું હતું, અને તેઓ આખરે મેચ 5-3થી હારી ગયા.</p><h4 style="text-align: justify; "><b>ટીમ ઈન્ડિયા નેધરલેન્ડ્સ સામે 3-1થી હારી ગઈ</b></h4><p style="text-align: justify; ">આ હોકી વર્લ્ડકપનો બીજો રાઉન્ડ ભારતીય ટીમ માટે નિરાશાજનક રહ્યો. ટીમને નેધરલેન્ડ્સ સામે 3-1થી હારનો સામનો કરવો પડ્યો. વધુમાં ભારત પ્રથમ રાઉન્ડમાં ઈંગ્લેન્ડ સામે હારી ગયું, જેના કારણે તેમને પ્લેઓફ માટે કોઈ પોઈન્ટ મળ્યા નહીં. પરિણામે, બીજા રાઉન્ડમાં એક પણ પોઈન્ટ મેળવવામાં નિષ્ફળ જતાં ભારતીય ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/nsG2MC907d63vELFo1bIBVbS5CztflSAwMjiy4XY.webp'/></item></channel></rss>