<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Gandhinagar News : ચાંદીપુરા વાયરસથી વધુ એક માસૂમનું મોત, સોનીપુરની 7 વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન નિધન ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gandhinagar-news-another-innocent-child-dies-of-chandipura-virus-7-year-old-girl-from-sonipur-dies-during-treatment</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gandhinagar-news-another-innocent-child-dies-of-chandipura-virus-7-year-old-girl-from-sonipur-dies-during-treatment</guid><pubDate>Tue, 11 Aug 2026 22:13:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગાંધીનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. ગાંધીનગર તાલુકાના સોનીપુર ગામની એક 7 વર્ષીય બાળકીને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું કરુણ મોત નીપજ્યું છે. બાળકમાં વાયરસની પુષ્ટિ થતાં પરિવારમાં ઘેરા શોકની કાળી ડિબ છવાઈ ગઈ છે અને સમગ્ર ગામમાં ફાફડાટ વ્યાપી ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>બાળકીમાં ખેંચ અને મગજના તાવના હતા લક્ષણો</b></h2><p style="text-align: justify; ">તબીબોના જણાવ્યા અનુસાર, માસૂમ બાળકીને હોસ્પિટલમાં લાવવામાં આવી ત્યારે તેમાં ખેંચ (આંચકી) આવવી અને મગજના તાવ (એન્સેફાલાઇટિસ) જેવા ચાંદીપુરા વાયરસના ગંભીર લક્ષણો જોવા મળ્યા હતા. બાળકીના સેમ્પલ લેબોરેટરી ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં તેની ગંભીર સારવાર ચાલી રહી હતી, પરંતુ તમામ પ્રયાસો છતાં તેને બચાવી શકાઈ નહોતી.</p><h2 style="text-align: justify; "><b>ગાંધીનગરમાં અત્યાર સુધી ચાંદીપુરાથી 3 દર્દીઓના મોત</b></h2><p style="text-align: justify; ">સોનીપુરની બાળકીના મોત સાથે ગાંધીનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કારણે મૃત્યુ પામેલા દર્દીઓનો કુલ આંકડો 3 પર પહોંચી ગયો છે. વાયરસના સતત વધી રહેલા કેસ અને મૃત્યુઆંકને પગલે ગાંધીનગર જિલ્લા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. સોનીપુર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સેન્ડફ્લાય (રેતીની માખી) ના નાશ માટે દવાનો છંટકાવ (ડસ્ટિંગ) અને સઘન ડોર-ટુ-ડોર મેડિકલ સર્વેલન્સની કામગીરી ઝડપી બનાવી દેવામાં આવી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bharuch/bharuch-news-leopard-terror-continues-in-dabha-village-of-jambusar-fear-among-villagers-as-one-more-animal-is-killed" target="_blank">Bharuch News : જંબુસરના ડાભા ગામે દીપડાનો આંતક યથાવત, વધુ એક પશુનું મારણ કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/e5Ho0s0uacdHdPgcdkGxiut1cRMQRyd8AKPlUv9B.webp'/></item><item><title><![CDATA[Gujarat Dam Level: રાજ્યના જળાશયોમાં 71 ટકા પાણીનો સંગ્રહ, ઉત્તર ગુજરાતનો એક પણ ડેમ ભરાયો નથી ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/state-reservoirs-at-71--storage--no-north-gujarat-dam-full</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/state-reservoirs-at-71--storage--no-north-gujarat-dam-full</guid><pubDate>Tue, 11 Aug 2026 22:11:08 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતના 207 મુખ્ય જળાશયોમાં હાલ કુલ ક્ષમતાના 71.00% જેટલો જળસંગ્રહ થઈ ચૂક્યો છે.રાજ્યની કુલ 25,257.56 મિલિયન ક્યુબિક મીટર (MCM) ક્ષમતા સામે હાલ 17,931.93 MCM પાણીનો જથ્થો ઉપલબ્ધ છે અને રાજ્યના કુલ 25 ડેમ પૂર્ણ 100% ભરાઈ ગયા છે.પરંતુ ડેટાનું ઊંડું વિશ્લેષણ કરતાં જણાય છે કે આ જળસંગ્રહમાં રાજ્યની જીવનદોરી સમાન સરદાર સરોવર ડેમનો મોટો હિસ્સો છે.એકલા સરદાર સરોવરમાં 82.55% પાણી સંગ્રહિત છે. જે સમગ્ર રાજ્યના કુલ ઉપલબ્ધ જળજથ્થાના 43.5%થી પણ વધુ ભાગ ધરાવે છે.</p><h2 style="text-align: justify; "><b>ઉત્તર ગુજરાતનો એક પણ ડેમ હજુ સુધી સંપૂર્ણ ભરાયો નથી</b></h2><p style="text-align: justify; ">જળાશયોની પ્રદેશવાર સ્થિતિ પર નજર નાખીએ તો દક્ષિણ ગુજરાતના 13 માંથી 9 ડેમ સંપૂર્ણ ભરાઈ જતાં ત્યાં સરેરાશ 75.53% જેટલો વિપુલ જળસંગ્રહ નોંધાયો છે. જેમાં તાપીનો ઉકાઈ ડેમ 76.29% ભરાયો છે.મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 57.63% અને સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 53.33% પાણી ઉપલબ્ધ છે.જેમાં શેત્રુંજી અને બ્રાહ્મણી જેવા 15 ડેમ પૂર્ણ ભરાયા છે.તેની સરખામણીએ ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં માત્ર 41.87% અને કચ્છના 20 જળાશયોમાં સૌથી ઓછો 25.32% જળસંગ્રહ થયો છે.જ્યાં ઉત્તર ગુજરાતનો એક પણ ડેમ હજુ સુધી સંપૂર્ણ ભરાયો નથી.</p><h3 style="text-align: justify; "><b>સુરેન્દ્રનગરમાં 83.57% જેટલો સારા પ્રમાણમાં જળસંગ્રહ થયો</b></h3><p style="text-align: justify; ">જિલ્લાવાર પૃથક્કરણ કરતા ચિંતાજનક વિગતો સામે આવે છે. ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પાણીની ભારે તંગી સર્જાય તેવી શક્યતા છે, જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના જળાશયોમાં માત્ર 1.08%, જામનગરમાં 11.76%, બનાસકાંઠામાં 21.15% અને જૂનાગઢમાં 24.45% જ પાણીનો જથ્થો બચ્યો છે. બનાસકાંઠાનો સીપુ ડેમ માત્ર 4.86% અને દાંતીવાડા ડેમ 25.94% જ ભરાયો છે. સામે પક્ષે ભરૂચ અને નવસારી જિલ્લાના ડેમો 100% ભરાઈ ગયા છે, જ્યારે ભાવનગરમાં 96.94% અને સુરેન્દ્રનગરમાં 83.57% જેટલો સારા પ્રમાણમાં જળસંગ્રહ થયો છે.</p><h2 style="text-align: justify; "><b>કેનાલ નેટવર્ક દ્વારા પાણી પહોંચાડવાનું યોગ્ય આયોજન&nbsp;</b></h2><p style="text-align: justify; ">આ વિશ્લેષણ દર્શાવે છે કે દક્ષિણ અને મધ્ય ગુજરાત તેમજ નર્મદા કમાન્ડ વિસ્તારમાં પીવાના પાણી અને સિંચાઈની સુરક્ષા સુનિશ્ચિત થઈ ગઈ છે, પરંતુ કચ્છ, ઉત્તર ગુજરાત અને દ્વારકા-જામનગર જેવા જિલ્લાઓમાં જો આવનારા દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો ભૂગર્ભ જળ પર નિર્ભરતા વધશે. હાલના તબક્કે તંત્ર સામે એક તરફ ઉકાઈ, શેત્રુંજી અને મચ્છુ જેવા 100% ભરાયેલા 25 ડેમોમાંથી સલામત રીતે પાણી છોડીને પૂર નિયંત્રણ કરવાનો પડકાર છે, તો બીજી તરફ ઓછો વરસાદ ધરાવતા વિસ્તારોમાં કેનાલ નેટવર્ક દ્વારા પાણી પહોંચાડવાનું યોગ્ય આયોજન કરવું પડશે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/sog-inspects-security-agencies-after-security-guard-crime-incident" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad: સિક્યુરિટી કર્મચારીના કુકર્મ બાદ SOG એક્શનમાં, ખાનગી એજન્સીઓમાં ચેકિંગ શરૂ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/cHhhRdYLLcwHcCDU4yNtob9skSy157ltAilIpPnG.webp'/></item><item><title><![CDATA[12 August Top News: 12 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ ]]></title><link>https://sandesh.com/india/news/gujarat/12-august-top-news-important-events</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/gujarat/12-august-top-news-important-events</guid><pubDate>Tue, 11 Aug 2026 21:59:00 +05:30</pubDate><description><![CDATA[<p>12 ઓગસ્ટ 2026નો દિવસ રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અને ખગોળીય દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. એક તરફ જ્યાં નવી દિલ્હીમાં દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથાનું વિમોચન થવા જઈ રહ્યું છે, ત્યાં બીજી તરફ આકાશમાં 6 ગ્રહોની દુર્લભ પરેડ અને સૂર્ય ગ્રહણ જેવી અદ્ભુત ખગોળીય ઘટનાઓ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ઉપરાંત ગુજરાતમાં દશામાના પવિત્ર વ્રતનો પ્રારંભ, કેબિનેટ બેઠક અને દેશભરમાં 'હર ઘર તિરંગા' યાત્રા જેવા મહત્વના આયોજનો થવાના છે. આ તમામ મુખ્ય 18 ઘટનાઓનો વિગતવાર અહેવાલ નીચે મુજબ છે.</p><h2><b>પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથાનું વિમોચન</b></h2><p>વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે 12 ઓગસ્ટના રોજ દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદની આત્મકથા "ટ્રાયમ્ફ ઓફ ધ ઇન્ડિયન રિપબ્લિક: માય લાઇફ, માય સ્ટ્રગલ્સ"નું વિમોચન કરશે. આ પુસ્તકમાં તેમના જીવન સંઘર્ષ અને રાષ્ટ્રપતિ તરીકેના અનુભવોનું વર્ણન છે.</p><h2><b>સંસદમાં છાત્રોના મુદ્દે ચર્ચા અને વિપક્ષની બેઠક</b></h2><p>કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નો અને મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી શકે છે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વક્તવ્ય આપે તેવી સંભાવના છે. આ મુદ્દે વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ઓફિસમાં આગળની રણનીતિ નક્કી કરવા માટે મહત્વની બેઠક યોજાઈ હતી.</p><h2><b>ઉપરાષ્ટ્રપતિ 'હર ઘર તિરંગા' બાઇક રેલીને પ્રસ્થાન કરાવશે</b></h2><p>દેશભરમાં દેશભક્તિનો માહોલ સર્જવા માટે દેશના ઉપરાષ્ટ્રપતિ 12 ઓગસ્ટના રોજ સવારે 7 વાગ્યે ભારત મંડપમ ખાતેથી 'હર ઘર તિરંગા' બાઇક રેલીને લીલી ઝંડી આપીને રવાના કરશે.</p><h2><b>ભોજશાળા વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી</b></h2><p>મધ્યપ્રદેશના ચર્ચિત ભોજશાળા પરિસરમાં શુક્રવારની નમાજ અને પૂજા વ્યવસ્થા અંગેના લાંબા સમયથી ચાલતા વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં 12 ઓગસ્ટના રોજ  મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવશે, જેમાં આગળના દિશા-નિર્દેશો નક્કી થશે.</p><h2><b>ખેલ મંત્રી મનસુખ માંડવિયાની આગેવાનીમાં સાયકલ રેલી</b></h2><p>કેન્દ્રીય ખેલ મંત્રી મનસુખ માંડવિયા 12 ઓગસ્ટના રોજ સાંજે 5:30 વાગ્યે મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતેથી 'હર ઘર તિરંગા' સાયકલ રેલીની આગેવાની કરશે, જેમાં 'માય યુવા ભારત'ના અનેક સ્વયંસેવકો જોડાશે.</p><h2><b>દિલ્હીમાં 'ભારત વેપાર મહોત્સવ'નો પ્રારંભ</b></h2><p>દિલ્હીમાં 15 ઓગસ્ટ સુધી ચાલનારા 'ભારત વેપાર મહોત્સવ'નું 12 ઓગસ્ટના રોજ  સવારે 10:30 વાગ્યે વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ ઉદ્ઘાટન કરશે. આ મહોત્સવમાં 40થી વધુ દેશો ભાગ લઈ રહ્યા છે અને 700થી વધુ સ્ટોલ લગાવવામાં આવ્યા છે.</p><h2><b>વર્ષ 2026નું બીજું ખગ્રાસ સૂર્ય ગ્રહણ</b></h2><p>વર્ષ 2026નું બીજું ખગ્રાસ સૂર્ય ગ્રહણ 12 ઓગસ્ટે રાત્રે 09:04 વાગ્યાથી શરૂ થશે. ભારતીય સમયાનુસાર રાત્રે 11:16 વાગ્યે તે ચરમસીમા પર હશે અને મોડી રાત્રે 01:28 વાગ્યે સમાપ્ત થશે.</p><h2><b>આકાશમાં 6 ગ્રહોની અદ્ભુત "ગ્રહોની પરેડ"</b></h2><p>12 ઓગસ્ટના રોજ  સૂર્યોદય પહેલા આકાશમાં ગુરુ, બુધ, મંગળ, યુરેનસ, શનિ અને નેપ્ચ્યુન એક જ રેખામાં દેખાશે. આ દુર્લભ ખગોળીય ઘટનાને પ્લેનેટરી પરેડ કે ગ્રહોની પરેડ તરીકે ઓળખવામાં આવે છે.</p><h2><b>વર્ષની સૌથી મોટી 'પર્સિડ્સ ઉલ્કા વર્ષા'</b></h2><p>12 ઓગસ્ટની રાત્રે અને 13 ઓગસ્ટની વહેલી સવારે 'પર્સિડ્સ મેટીયોર શાવર' કે ખરતા તારા કે ઉલ્કાવર્ષા તેની ચરમસીમા પર હશે, જે આકાશપ્રેમીઓ માટે નયનરમ્ય નજારો પૂરો પાડશે.</p><h2><b>વૈદિક જ્યોતિષમાં દેવગુરુ બૃહસ્પતિનો ઉદય</b></h2><p>જ્ઞાન, સમૃદ્ધિ અને પ્રગતિના કારક ગણાતા દેવગુરુ બૃહસ્પતિ 12 ઓગસ્ટના રોજ ઉદય પામશે. જ્યોતિષીય માન્યતા મુજબ ગુરુના ઉદયથી તમામ રાશિઓ પર શુભ અસરો વધશે.</p><h2><b>અમદાવાદમાં તિરંગા યાત્રાની તારીખમાં ફેરફાર</b></h2><p>અમદાવાદ શહેરમાં અગાઉ 11 ઓગસ્ટના રોજ યોજાનાર તિરંગા યાત્રા હવે નવી તારીખ મુજબ 12 ઓગસ્ટના રોજ ઉત્સાહભેર યોજવામાં આવશે.</p><h2><b>દેશના 19 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ</b></h2><p>હવામાન વિભાગે યુપી અને બિહાર સહિત દેશના 19 રાજ્યોમાં અતિભારે વરસાદ, વીજળીના કડાકા અને 90 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી આપી છે. પહાડી વિસ્તારોમાં લેન્ડસ્લાઇડનું જોખમ દર્શાવાયું છે.</p><h2><b>પુરી જગન્નાથ મંદિર 5 કલાક માટે શ્રદ્ધાળુઓ માટે બંધ રહેશે</b></h2><p>ઓડિશાના પુરી જગન્નાથ મંદિરમાં 'ચિતાલાગી અમાવસ્યા' વિધિના કારણે 12 ઓગસ્ટના રોજ બપોરે 2 થી સાંજે 7 વાગ્યા સુધી ભક્તો માટે દર્શન બંધ રહેશે. આ દિવસે ભગવાનને રત્નજડિત સુવર્ણ ચિતા ધારણ કરાવવામાં આવે છે.</p><h2><b>મુંબઈમાં 'વર્લ્ડ પેડલ લીગ સિઝન 4'નો પ્રારંભ</b></h2><p>મુંબઈના SVP સ્ટેડિયમ ખાતે 12 થી 16 ઓગસ્ટ દરમિયાન વર્લ્ડ પેડલ લીગની 4થી સિઝન યોજાશે, જેમાં વિશ્વના શ્રેષ્ઠ પેડલ ખેલાડીઓ અને 6 ફ્રેન્ચાઇઝીઓ ભાગ લેશે.</p><h2><b>ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરમાં પવિત્ર દશામા વ્રતનો પ્રારંભ</b></h2><p>અંબાજી ધામ સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે 12 ઓગસ્ટના રોજથી 10 દિવસના પવિત્ર દશામાના વ્રતનો પ્રારંભ થશે, જેને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ છે.</p><h2><b>મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં કેબિનેટ બેઠક</b></h2><p>12 ઓગસ્ટના રોજ સ્વર્ણિમ સંકુલ-1 ખાતે સવારે 10:30 વાગ્યે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. જેમાં વરસાદ, આપત્તિ વ્યવસ્થાપન, જળાશયોની સ્થિતિ, ખાતર-બિયારણ અને આગામી વિધાનસભા સત્રની તૈયારીઓની સમીક્ષા થશે.</p><h2><b>આંતરરાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી</b></h2><p>યુવાનોની સામાજિક અને રાજકીય જવાબદારીઓ પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી દર વર્ષે 12 ઓગસ્ટે 'વિશ્વ યુવા દિવસ' ઉજવવામાં આવે છે. પ્રથમ વખત 2000ની સાલમાં આ દિવસ સત્તાવાર રીતે ઉજવાયો હતો.</p><h2><b>વિશ્વ હાથી દિવસ</b></h2><p>હાથીઓના રક્ષણ અને જતન માટે 12 ઓગસ્ટે 'વિશ્વ હાથી દિવસ' મનાવવામાં આવે છે. આ દિવસની સત્તાવાર શરૂઆત 2012માં થઈ હતી. ભારતમાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ હાથીને સર્વોચ્ચ દરજ્જો પ્રાપ્ત છે.</p><h2><b>12 ઓગસ્ટની ઐતિહાસિક ઘટનાઓ</b></h2><ul><li>1602 - અબુલ ફઝલની હત્યા: મુઘલ સમ્રાટ અકબરના નવરત્ન અને 'અકબરનામા'ના લેખક અબુલ ફઝલની પ્રિન્સ સલીમના ઈશારે હત્યા થઈ.</li><li>1765 - અલ્હાબાદની સંધિ: ઈસ્ટ ઈન્ડિયા કંપની અને મુઘલ સમ્રાટ શાહ આલમ બીજા વચ્ચે ઐતિહાસિક સંધિ થઈ, જેણે બ્રિટિશ શાસનનો પાયો મજબૂત કર્યો.</li><li>1833 - શિકાગો શહેરની સ્થાપના: અમેરિકાના ઐતિહાસિક શહેર શિકાગોની સ્થાપના કરવામાં આવી.</li><li>1851 - સીવણ મશીનની પેટન્ટ: આઈઝેક સિંગરને તેમના પ્રખ્યાત સીવણ મશીન માટે પેટન્ટ મળી.</li><li>1865 - પ્રથમ એન્ટિસેપ્ટિક સર્જરી: બ્રિટિશ સર્જન જોસેફ લિસ્ટરે તબીબી ઇતિહાસમાં પ્રથમ વખત એન્ટિસેપ્ટિક સર્જરી કરી.</li><li>1947 - કાશ્મીરમાં 'સ્ટેન્ડ સ્ટીલ' કરાર: મહારાજા હરિ સિંહે ભારત અને પાકિસ્તાન સામે યથાવત સ્થિતિ જાળવવા પ્રસ્તાવ મૂક્યો.</li><li>1956 - મહાગુજરાત આંદોલન: અલગ ગુજરાત રાજ્યની માંગ સાથે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શનો ચરમસીમાએ પહોંચ્યા.</li><li>1979 - મોરબી હોનારત: ભારે વરસાદથી મચ્છુ-2 ડેમ તૂટતા કરૂણાંતિકા સર્જાઈ, જેમાં 1,335થી વધુ લોકોના મોત થયા.</li><li>1981 - IBM PC લોન્ચ: ટેકનોલોજી ક્ષેત્રે ક્રાંતિ લાવનાર પ્રથમ IBM પર્સનલ કોમ્પ્યુટર (મોડેલ 5150) લોન્ચ થયું.</li><li>1985 - જાપાન એરલાઈન્સ દુર્ઘટના: ફ્લાઈટ 123 ક્રેશ થતાં 520 લોકોના મોત થયા, જે સૌથી મોટી વિમાન દુર્ઘટનાઓમાંની એક છે.</li><li>1992 - NAFTA કરાર: અમેરિકા, કેનેડા અને મેક્સિકો વચ્ચે મુક્ત વેપાર કરાર સંપન્ન થયો.</li><li>1997 - ગુલશન કુમારની હત્યા: ટી-સિરીઝના સ્થાપક અને સંગીત નિર્માતા ગુલશન કુમારની મુંબઈમાં હત્યા કરવામાં આવી.</li><li>2003 - ફાલ્કન ડીલને મંજૂરી: અમેરિકાએ ભારત અને ઈઝરાયેલ વચ્ચેની ફાલ્કન ડીલને મંજૂરી આપી.</li><li>2004 - જિનેદિન જિદાનની નિવૃત્તિ: ફ્રાન્સના ફૂટબોલર જિદાને આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લીધી.</li><li>2006 - Ariane-5 પ્રક્ષેપણ: યુરોપીયન રોકેટે જાપાનના સંચાર ઉપગ્રહને ભ્રમણકક્ષામાં મૂક્યો.</li><li>2007 - સ્પેસ સ્ટેશન પર નવો બીમ: નાસાના સ્પેસ શટલ એન્ડેવરના મુસાફરોએ સ્પેસ સ્ટેશન પર નવો બીમ સ્થાપિત કર્યો.</li><li>2008 - કાલિંદી એક્સપ્રેસ અકસ્માત અને એવોર્ડ: કાલિંદી અને પદ્માવત એક્સપ્રેસ વચ્ચે ટક્કર થઈ; આમિર ખાનને 'તારે જમીન પર' માટે ગોલ્લાપુડી એવોર્ડ મળ્યો.</li><li>2009 - સી. રંગરાજનની નિમણૂક: અર્થશાસ્ત્રી સી. રંગરાજન વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ બન્યા.</li></ul><h2><b>12 ઓગસ્ટે જન્મેલી મહાન વિભૂતિઓ</b></h2><ul><li>1887 - અર્વિન શ્રોડિન્જર - નોબેલ પુરસ્કાર વિજેતા ઓસ્ટ્રેલિયન ભૌતિકશાસ્ત્રી (ક્વોન્ટમ મિકેનિક્સ).</li><li>1894 - વી. વી. ગિરી - ભારતના ચોથા રાષ્ટ્રપતિ અને ભારત રત્ન વિજેતા.</li><li>1908 - રોબિન બેનર્જી - પ્રખ્યાત વન્યજીવન નિષ્ણાત, ચિત્રકાર અને દસ્તાવેજી ફિલ્મ નિર્માતા.</li><li>1914 - તેજી બચ્ચન - અમિતાભ બચ્ચનના માતા અને સામાજિક કાર્યકર.</li><li>1919 - વિક્રમ સારાભાઈ - ભારતીય અંતરિક્ષ પ્રોગ્રામના પિતા અને ભૌતિકશાસ્ત્રી.</li><li>1922 - ચુનીલાલ મડિયા - પ્રખ્યાત ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર અને નાટ્યકાર.</li><li>1930 - જ્યોર્જ સોરોસ - વૈશ્વિક સ્તરે જાણીતા અમેરિકન અબજોપતિ અને રોકાણકાર.</li><li>1931 - ઇરફાન હબીબ - ભારતના પ્રખ્યાત માર્ક્સવાદી ઇતિહાસકાર.</li><li>1972 - જ્ઞાનેન્દ્ર પાંડે - પૂર્વ ભારતીય ક્રિકેટર.</li></ul><h2><b>12 ઓગસ્ટના રોજ પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ</b></h2><ul><li>BC 30 - ક્લિયોપેટ્રા VII - ઇજિપ્તની રહસ્યમય અને શક્તિશાળી મહિલા શાસક.</li><li>1602 - અબુલ ફઝલ - મુઘલ ઇતિહાસકાર અને 'અકબરનામા'ના લેખક.</li><li>1827 - વિલિયમ બ્લેક - અંગ્રેજી સાહિત્યના પ્રખ્યાત કવિ અને ચિત્રકાર.</li><li>1848 - જ્યોર્જ સ્ટીફન્સન - બ્રિટિશ એન્જિનિયર, 'ફાધર ઓફ રેલવે'.</li><li>1945 - જ્યોર્જ સિડની અરુન્ડેલ - પ્રખ્યાત અંગ્રેજ શિક્ષણશાસ્ત્રી અને ભારતપ્રેમી.</li><li>1946 - કાશીનાથ નારાયણ દીક્ષિત - ભારતીય પુરાતત્વશાસ્ત્રના અગ્રણી વિદ્વાન.</li><li>1964 - ઇયાન ફ્લેમિંગ - 'જેમ્સ બોન્ડ' પાત્રના સર્જક અને બ્રિટિશ લેખક.</li><li>1982 - ભગવતશરણ ઉપાધ્યાય - ભારતીય ઇતિહાસકાર અને નિબંધકાર.</li><li>1993 - દયાનંદ બાંદોડકર - ગોવાના પ્રથમ મુખ્યમંત્રી.</li><li>1997 - ગુલશન કુમાર - 'ટી-સિરીઝ'ના સ્થાપક અને સંગીત પ્રોડ્યુસર.</li></ul><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/shehera-records-highest-rainfall-99-talukas-receive-rain-in-12-hours" target="_blank">Gujarat Weather : આજે પંચમહાલના શહેરામાં સૌથી વધુ વરસાદ નોંધાયો, 12 કલાકમાં 99 તાલુકાઓમાં મેઘમહેર</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/D5xRu9SvMY1KaH2w9v4dJ9b0r1JrmcjyCIRFrNfr.webp'/></item><item><title><![CDATA[Bharuch News : જંબુસરના ડાભા ગામે દીપડાનો આંતક યથાવત, વધુ એક પશુનું મારણ કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bharuch/bharuch-news-leopard-terror-continues-in-dabha-village-of-jambusar-fear-among-villagers-as-one-more-animal-is-killed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bharuch/bharuch-news-leopard-terror-continues-in-dabha-village-of-jambusar-fear-among-villagers-as-one-more-animal-is-killed</guid><pubDate>Tue, 11 Aug 2026 21:56:56 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા ડાભા ગામે દીપડાનો ભયાનક આંતક યથાવત જોવા મળી રહ્યો છે. માત્ર એક જ અઠવાડિયાના ટૂંકા ગાળામાં દીપડા દ્વારા પશુનું મારણ કરવાની આ બીજી ઘટના સામે આવી છે. ગામમાં રહેતા મુસ્તાક મુલતાનીના તબેલામાં રાત્રિના સમયે ઘૂસેલા દીપડાએ માલધારીના પાડાના બચ્ચા પર ત્રાટકીને તેને દબોચી લીધું હતું અને ફાડી ખાઈને તેનું કરુણ મારણ કર્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>નજીકના ખેતરોમાં દીપડાના પંજાના નિશાન મળ્યા</b></h2><p style="text-align: justify; ">ઘટના બાદ સવારે આસપાસના ખેતરોમાં તપાસ કરતા દીપડાના સ્પષ્ટ પંજાના નિશાન જોવા મળ્યા હતા. નોંધનીય છે કે, માત્ર બે દિવસ પહેલાં જ ડાભા ગામની બિલકુલ બાજુમાં આવેલા સારોદ ગામની સીમમાં પણ દીપડો મુક્તપણે વિચરતો જોવા મળ્યો હતો. સીમ વિસ્તાર બાદ હવે ગામના તબેલા સુધી દીપડો આવી પહોંચતાં સમગ્ર પંથકના ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે ફાળ પડી છે અને ભયનો માહોલ વ્યાપી ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>પાંજરું ગોઠવી દીપડાને તાત્કાલિક ઝડપી લેવા પાડી ગ્રામજનોની માંગ</b></h2><p style="text-align: justify; ">ડાભા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સતત દીપડાના વધી રહેલા આંટાફેરા તેમજ પશુઓ પર થઈ રહેલા હુમલાઓને પગલે સ્થાનિકો પોતાની સુરક્ષાને લઈને ભારે ચિંતિત બન્યા છે. સીમમાં કામ કરતા ખેડૂતો અને રાત્રિના સમયે ખેતરે જતા ગ્રામજનોનું જીવન જોખમમાં મુકાયું છે. આથી વન વિભાગ દ્વારા વિલંબ કર્યા વગર ત્વરિત ધોરણે પાંજરું ગોઠવીને આ આદમખોર દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/surat/surat-news-complaint-filed-against-4-doctors-in-resident-dr-harsh-pandya-suicide-case-police-investigation-started" target="_blank">Surat News : રેસિડેન્ટ ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં 4 ડૉક્ટર સામે ફરિયાદ, પોલીસ તપાસ શરૂ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/UMH0QIiTCRqNXekADLDAcmXVRSLw2mvzyFCKFOyq.webp'/></item><item><title><![CDATA[Indian Railway : કન્ફર્મ ટિકિટ છતાં રિઝર્વ બર્થ પર અન્યનો કબજો, રેલવેએ પરિવારને ચૂકવવા પડશે 75,000 રૂપિયા ]]></title><link>https://sandesh.com/india/news/indian-railways-75000-compensation-reserved-berth-confirmed-ticket</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/indian-railways-75000-compensation-reserved-berth-confirmed-ticket</guid><pubDate>Tue, 11 Aug 2026 21:41:45 +05:30</pubDate><description><![CDATA[<p>કન્ફર્મ ટિકિટ હોવા છતાં રિઝર્વ બર્થ પર અન્ય મુસાફરોનો કબજો અને ટ્રેનમાં ભારે ભીડને કારણે પરેશાન થયેલા એક પરિવારને હવે રાહત મળી છે. પાલક્કાડ જિલ્લા કન્ઝ્યુમર કમિશને રેલવેને પરિવારને કુલ ₹75,000નું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. તેમાં ₹50,000 માનસિક તકલીફ અને અસુવિધા બદલ વળતર તથા ₹25,000 કેસના ખર્ચ પેટે ચૂકવવાના રહેશે.</p><h2><b>મુસાફર બર્થની નીચે અને સીટોની આસપાસ સૂઈ રહ્યા</b></h2><p>આ મામલો 10 ડિસેમ્બર 2023નો છે. પાર્થસારથી, તેમની પત્ની નિર્મલા કે.ટી. અને તેમના પુત્ર આદિત્ય ટી.પી.એ કન્યાકુમારી-પુણે એક્સપ્રેસ (ટ્રેન નંબર 16382)થી તિરુપતિ જવા માટે કન્ફર્મ ટિકિટ બુક કરાવી હતી. દંપતીને S2 કોચમાં લોઅર બર્થ અને તેમના પુત્રને S6 કોચમાં અપર બર્થ ફાળવવામાં આવી હતી. પરિવારનો આરોપ હતો કે ટ્રેનમાં ઘણા વેઈટિંગ લિસ્ટ, જનરલ અને બિનટિકિટ મુસાફરો રિઝર્વ કોચમાં ઘૂસી આવ્યા હતા. કેટલાક મુસાફરો પરિવારની રિઝર્વ બર્થ પર પણ બેઠા હતા. કોચમાં એટલી ભીડ હતી કે કેટલાક મુસાફરો ફર્શ, બર્થની નીચે અને સીટોની આસપાસ સૂઈ રહ્યા હતા.</p><h3><b>રેલ મદદ એપ પર બે વખત કરી ફરિયાદ</b></h3><p>પરેશાન થઈને આદિત્યએ રાત્રે 8:12 વાગ્યે RailMadad એપ પર ફરિયાદ કરી હતી. ત્યારબાદ રાત્રે 11:24 વાગ્યે ફરી ફરિયાદ કરવામાં આવી. રેલવેએ TTE અને RPF દ્વારા અનધિકૃત મુસાફરોને હટાવ્યાનો દાવો કર્યો હતો, પરંતુ પરિવારનું કહેવું હતું કે સમસ્યાનો યોગ્ય ઉકેલ આવ્યો નહોતો. પરિવારે બાદમાં કન્ઝ્યુમર કમિશનમાં ફરિયાદ કરી હતી. કમિશને ટ્રેનની અંદરની તસવીરોને મહત્વપૂર્ણ પુરાવા ગણાવ્યા અને રેલવે પોતાના દાવાને સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું હોવાનું જણાવ્યું.</p><h4><b>રેલવેની સેવામાં ખામી સાબિત થઈ</b></h4><p>કમિશને માન્યું કે કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોને સુરક્ષિત અને આરામદાયક મુસાફરી પૂરી પાડવાની જવાબદારી રેલવેની છે. આ કેસમાં રેલવેની સેવામાં ખામી સાબિત થઈ હોવાનું જણાવી ₹75,000 ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. રકમ 45 દિવસમાં ચૂકવવાની રહેશે. વિલંબ થાય તો દર મહિને અથવા તેના ભાગ માટે ₹500 વધારાના ચૂકવવાના રહેશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/india-news-insulting-vande-mataram-will-now-become-a-crime-law-comes-into-effect-after-presidents-approval" target="_blank">આ પણ વાંચો : India News : ‘વંદે માતરમ‌’નું અપમાન હવે બનશે ગુનો, રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કાયદો થશે લાગુ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/HfpAinKqdFE1kRVNn3nrq0NdqrUjtoQCrG44VMSW.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: અસલાલી પોલીસે બ્રેઝા કારમાંથી 2,976 દારૂની બોટલ પકડી, 11.35 લાખનો મુદ્દામાલ જપ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/aslali-police-seize-liquor-brezza-car-two-arrested-11-lakh-muddamal</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/aslali-police-seize-liquor-brezza-car-two-arrested-11-lakh-muddamal</guid><pubDate>Tue, 11 Aug 2026 21:02:58 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરમાં દારૂની ગેરકાયદેસર ઘૂસણખોરી અટકાવવા માટે પોલીસ કમિશનરની સૂચનાથી અસલાલી પોલીસ સ્ટેશનની ટીમ હાઇવે અને સરહદી વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે એક મારુતિ બ્રેઝા કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ક્વાર્ટર અને બોટલોનો જથ્થો ભરીને અમદાવાદ શહેર તરફ વહાવવામાં આવી રહ્યો છે.</p><h2><b>અમદાવાદમાં વિદેશી દારૂ સાથે 2 બુટલેગર ઝડપાયા</b></h2><p>બાતમી મળતાં જ અસલાલી પોલીસની ટીમે વોચ ગોઠવીને શંકાસ્પદ બ્રેઝા કારને અટકાવી હતી. કારની તલાશી લેતાં અંદરથી મોટા પ્રમાણમાં દારૂના બોક્સ મળી આવ્યા હતા. પોલીસે કારમાંથી 2,976 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો, જેની બજાર કિંમત રૂ. 4.32 લાખથી વધુ અંકાય છે.પોલીસે સ્થળ પરથી દારૂની હેરાફેરી કરી રહેલા બે શખ્સો તેજારામ પ્રજાપતી અને રમેશકુમાર જાટની અટકાયત કરી લીધી હતી. બન્ને આરોપીઓ પાસેથી દારૂ સિવાય રોકડ રકમ, મોબાઈલ ફોન અને લક્ઝુરિયસ બ્રેઝા કાર મળીને કુલ રૂ. 11,35,000 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.</p><h3><b>રાજુરામ બિશ્નોઈને પોલીસે ચોપડે વોન્ટેડ</b></h3><p>આરોપીઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે દારૂનો આ મોટો જથ્થો રાજુરામ બિશ્નોઈ નામના બુટલેગરે ભરી આપ્યો હતો. આથી પોલીસે રાજુરામ બિશ્નોઈને ચોપડે વોન્ટેડ જાહેર કરીને તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. અસલાલી પોલીસે તમામ આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી, આ દારૂ અમદાવાદમાં ક્યાં અને કોને ડિલિવરી કરવાનો હતો તે અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/rajpipla/rajpipla-heavy-rainfall-second-round-monsoon-heat-relief" target="_blank">આ પણ વાંચો: Narmada: રાજપીપળામાં લાંબા વિરામ બાદ મોડી સાંજે ધોધમાર વરસાદ, ગરમીથી લોકોને મળી રાહત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/de6c9nEuVmTeQismu61jlniOhZCv5kM2XyYk9P4F.webp'/></item><item><title><![CDATA[Vadodara News: બોગસ બિલો બનાવી નશાકારક કફ સીરપના વેચાણનો પર્દાફાશ, 3  ફાર્મા પેઢીના લાયસન્સ રદ્દ ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/fake-bills-used-to-sell-cough-syrup-3-pharma-firms-licenses-cancelled</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/fake-bills-used-to-sell-cough-syrup-3-pharma-firms-licenses-cancelled</guid><pubDate>Tue, 11 Aug 2026 20:53:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા શહેર અને અમદાવાદમાં બોગસ બિલોના આધારે નશાકારક કફ સીરપનું ગેરકાયદેસર વેચાણ કરતી ફાર્મા પેઢીઓ સામે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લાલ આંખ કરી છે.વિભાગની ટીમે દરોડા પાડીને આ કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે અને ગંભીર બેદરકારી તથા કાયદાના ઉલ્લંઘન બદલ વડોદરા અને અમદાવાદની ત્રણ જાણીતી ફાર્મા પેઢીઓના પરવાના તાત્કાલિક અસરથી રદ્દ કરી દીધા છે.</p><h2 style="text-align: justify; "><b>મોટા પાયે બોગસ બિલો બનાવવામાં આવ્યા&nbsp;</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને મળેલી ચોક્કસ બાતમીના આધારે વડોદરાના સન ફાર્મા રોડ પર આવેલી SD ફાર્મા ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો.તપાસ દરમિયાન આ પેઢીએ ઉત્તરપ્રદેશથી આશરે 9 હજાર બોટલ જેટલો મોટો કોડીન કફ સીરપનો જથ્થો ખરીદ્યો હતો.આ નશાકારક સીરપના જથ્થાને કાગળ પર છુપાવવા અને બ્લેક માર્કેટમાં વેચવા માટે મોટા પાયે બોગસ બિલો બનાવવામાં આવ્યા હતા.</p><h3 style="text-align: justify; "><b>ત્રણેય પેઢીઓના પરવાના રદ્દ કરી દીધા</b></h3><p style="text-align: justify; ">SD ફાર્મા દ્વારા આ કફ સીરપનો જથ્થો વડોદરાની હરણી વિસ્તારમાં આવેલી 'AJ એન્ટરપ્રાઇઝ' તથા અમદાવાદની 'પ્રાન્સી એન્ટરપ્રાઇઝ'ને સપ્લાય કરવામાં આવ્યો હતો.ગેરકાયદેસર રીતે નશાકારક દવાઓનો જથ્થો સપ્લાય કરવાનો કાળો કારોબાર પકડાતાં તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. આ સમગ્ર રેકેટ બહાર આવતાં જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે SD ફાર્મા, AJ એન્ટરપ્રાઇઝ અને પ્રાન્સી એન્ટરપ્રાઇઝ  આ ત્રણેય પેઢીઓના પરવાના રદ્દ કરી દીધા છે.તંત્ર દ્વારા આ કેસમાં સંકળાયેલા તમામ સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/sog-inspects-security-agencies-after-security-guard-crime-incident" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad: સિક્યુરિટી કર્મચારીના કુકર્મ બાદ SOG એક્શનમાં, ખાનગી એજન્સીઓમાં ચેકિંગ શરૂ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/RRKhYrTmgCkURaR8XjTeYKVj4PhiScwiXscx7LPP.webp'/></item><item><title><![CDATA[Olympic મેડલિસ્ટ સુશીલ કુમારને મોટો ઝટકો, કોર્ટે જામીન અરજી ફગાવી ]]></title><link>https://sandesh.com/sports/news/sushil-kumar-bail-denied-sagar-dhankhar-case</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/sushil-kumar-bail-denied-sagar-dhankhar-case</guid><pubDate>Tue, 11 Aug 2026 20:15:25 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દિલ્હી હાઈકોર્ટે ભૂતપૂર્વ જુનિયર રાષ્ટ્રીય કુસ્તી ચેમ્પિયન સાગર ધનખરની હત્યા કેસમાં ઓલિમ્પિક ચંદ્રક વિજેતા સુશીલ કુમારને જામીન આપવાની ના પાડી છે.&nbsp;</p><p style="text-align: justify; ">ન્યાયાધીશ પુરુષેન્દ્ર કુમારે 6 ઓગસ્ટના રોજ જામીન અરજી ફગાવી દીધી હતી, જેમાં સુપ્રીમ કોર્ટે ઉઠાવેલી ચિંતાઓ, સાક્ષીઓને પ્રભાવિત કરવાની તેમની ક્ષમતા, ધરપકડ પહેલાંના તેમના વર્તન, ગુનાની ગંભીરતા અને ચાલુ ટ્રાયલના પરિણામને પ્રભાવિત કરવાની તેમની ક્ષમતા અંગે પહેલવાનના અગાઉના જામીન રદ્દ કરવા જેવા અનેક કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.&nbsp;</p><p style="text-align: justify; ">ન્યાયાધીશે નોંધ્યું કે સામાન્ય રીતે જામીન એ નિયમ છે અને જેલ એ અપવાદ છે, પરંતુ આ કિસ્સામાં ગુનો પૂર્વયોજિત હતો અને હુમલો ક્રૂર હતો, જેના પરિણામે મૃત્યુ થયું.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>દિલ્હી પોલીસ અને ધનખરના પિતાએ જામીન અરજીનો વિરોધ કર્યો</b></h2><p style="text-align: justify; ">ટ્રાયલ દરમિયાન હથિયાર, વીડિયો પુરાવા અને અન્ય પુરાવાઓની તપાસ બાકી છે જેનાથી આ વાતની પુષ્ટિ થાય છે. દિલ્હી પોલીસ અને ધનખરના પિતાએ જામીન અરજીનો વિરોધ કર્યો હતો.&nbsp;</p><p style="text-align: justify; ">કોર્ટે કહ્યું કે સુપ્રીમ કોર્ટે અગાઉના જામીન રદ્દ કરતી વખતે, તેનો કેસ એ હકીકત પર આધારિત હતો કે સુશીલનો સમાજમાં નોંધપાત્ર દરજ્જો અને પ્રભાવ હતો, અને જ્યારે પણ તેને થોડા સમય માટે મુક્તિ આપવામાં આવતી હતી, ત્યારે સાક્ષીઓ વિરોધી બની જતા હતા.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>સુશીલ કુમારની મે 2021માં કરવામાં આવી હતી ધરપકડ</b></h3><p style="text-align: justify; ">સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી મુક્તિ હેઠળ પરિસ્થિતિઓમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થયો છે, અથવા તેમને અલગ નિયમિત જામીન મળવા જોઈએ તે સાબિત કરવા માટે અરજદારે કોઈ કેસ રજૂ કર્યો નથી.</p><p style="text-align: justify; ">સુશીલ કુમારની મે 2021માં ધરપકડ કરવામાં આવી હતી અને 19 જુલાઈ, 2023ના રોજ સેશન્સ કોર્ટે તેમને ઘૂંટણની સર્જરી માટે એક અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા હતા.</p><p style="text-align: justify; ">13 ઓગસ્ટ, 2025 ના રોજ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને રદ્દ કરીને આ કેસમાં સુશીલ કુમારના જામીન રદ્દ કર્યા. કોર્ટે જણાવ્યું હતું કે તેમના "સાક્ષીઓને પ્રભાવિત" કરવાની અથવા ટ્રાયલ વિલંબિત કરવાની શક્યતા નકારી શકાય નહીં. હાઈકોર્ટે 4 માર્ચ, 2025ના રોજ તેમને જામીન આપ્યા.&nbsp;</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/tWfjHAD3vev3RPiRvN2Ox6Ao7iIbHkz1IvHxMIyN.webp'/></item><item><title><![CDATA[FSSAIના નવા નિયમો લાગુ, પાન મસાલાના પ્લાસ્ટિક પેકેજિંગ પર પ્રતિબંધ ]]></title><link>https://sandesh.com/business/news/india/fssai-new-rules-pan-masala-plastic-packaging-ban-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/fssai-new-rules-pan-masala-plastic-packaging-ban-2026</guid><pubDate>Tue, 11 Aug 2026 17:58:15 +05:30</pubDate><description><![CDATA[<p>પાન મસાલા ખરીદનારા ગ્રાહકોને આગામી દિવસોમાં તેના પેકેટમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધોરણ પ્રાધિકરણ (FSSAI)એ પાન મસાલાના પેકેજિંગને લઈને નવા નિયમો લાગુ કર્યા છે. આ નિયમો 10 ઓગસ્ટ 2026થી અમલમાં આવ્યા છે. નવા નિયમો હેઠળ પાન મસાલાના પેકિંગમાં ચોક્કસ પ્રકારના પ્લાસ્ટિક અને સિન્થેટિક સામગ્રીના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.</p><h2><b>પેકેજિંગ વ્યવસ્થામાં મોટા ફેરફાર થશે</b></h2><p>નવા નિયમો મુજબ પાન મસાલાના પેકેજિંગમાં પોલિએથિલીન, પોલિપ્રોપિલીન, પોલિએસ્ટર, PVC સહિતના સિન્થેટિક પોલિમર અને કો-પોલિમરનો ઉપયોગ કરી શકાશે નહીં. આ ઉપરાંત લેમિનેટ, એલ્યુમિનિયમ ફોઈલ અને મેટલાઈઝ્ડ લેયર ધરાવતા પેકેજિંગ પર પણ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. પરિણામે પાન મસાલા બનાવતી કંપનીઓએ તેમની હાલની પેકેજિંગ વ્યવસ્થામાં મોટા ફેરફાર કરવા પડી શકે છે.</p><h3><b>હવે કઈ સામગ્રીમાં પેક થશે પાન મસાલા?</b></h3><p>નવા નિયમો હેઠળ પાન મસાલાના પેકેજિંગ માટે કાગળ, પેપર બોર્ડ, સેલ્યુલોઝ અને કુદરતી સ્ત્રોતોમાંથી મેળવેલી અન્ય સામગ્રીના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત ટિન અથવા કાચના કન્ટેનરમાં પણ પાન મસાલાનું પેકિંગ કરી શકાશે. પેકેજિંગ બદલવાથી કંપનીઓના ઉત્પાદન ખર્ચમાં વધારો થવાની શક્યતા છે. નવા કાચા માલની વ્યવસ્થા ઉપરાંત પેકેજિંગ મશીનરી અને ઉત્પાદન પ્રક્રિયામાં પણ ફેરફાર કરવાની જરૂર પડી શકે છે. કાગળ, ટિન અને કાચ જેવી વૈકલ્પિક સામગ્રી મોંઘી પડતી હોય તો તેનો થોડો બોજ ગ્રાહકો પર પણ પડી શકે છે.</p><h4><b>કેવા પડકારો ઊભા થઈ શકે?</b></h4><p>પ્લાસ્ટિક આધારિત પેકેજિંગની જગ્યાએ અન્ય સામગ્રીના ઉપયોગથી પાન મસાલાની શેલ્ફ લાઇફ, ભેજથી સુરક્ષા અને પરિવહન દરમિયાન ગુણવત્તા જાળવવા જેવા પડકારો ઊભા થઈ શકે છે. નવા પેકેટના સંગ્રહ અને વેચાણને લઈને જથ્થાબંધ વેપારીઓ તથા દુકાનદારોને પણ પોતાની વ્યવસ્થામાં ફેરફાર કરવો પડી શકે છે.</p><p><a href="https://sandesh.com/business/news/wipro-exits-nifty-50-bse-entry-691-million-investment" target="_blank"><b>આ પણ વાંચો : Nifty 50માંથી વિપ્રોની વિદાય, આ કંપનીની થશે એન્ટ્રી, ઈન્ડેક્સ ફેરફારથી કરોડો ડૉલરના રોકાણની શક્યતા</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/Hgde3MVAN8LbtdlNjAzIT9oQHf66ASHPnX0u83eF.webp'/></item><item><title><![CDATA[Suniel Shetty Birthday: 90ના દાયકાના એક્શન સ્ટાર 'અન્ના'નો જન્મદિવસ, પુત્ર અહાન અને જેકી શ્રોફે પાઠવી ખાસ શુભેચ્છા ]]></title><link>https://sandesh.com/entertainment/news/suniel-shetty-birthday-90s-action-star-anna-celebrates-his-birthday-son-ahan-and-jackie-shroff-send-special-wishes</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/suniel-shetty-birthday-90s-action-star-anna-celebrates-his-birthday-son-ahan-and-jackie-shroff-send-special-wishes</guid><pubDate>Tue, 11 Aug 2026 14:52:31 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડના લોકપ્રિય અભિનેતા સુનીલ શેટ્ટી આજે ૧૧ ઓગસ્ટના રોજ તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ પ્રસંગે સોશિયલ મીડિયા પર ચાહકો, બોલીવુડ સેલિબ્રિટીઝ અને તેમના નજીકના મિત્રો તરફથી શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. અભિનેતાના પુત્ર અહાન શેટ્ટીએ પિતા સાથેની એક સુંદર તસવીર શેર કરીને લખ્યું, "હેપ્પી બર્થડે, પપ્પા." બીજી તરફ, તેમના ખાસ મિત્ર અને દિગ્ગજ અભિનેતા જેકી શ્રોફે પણ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફોટો શેર કરતા લખ્યું, "ધ રીઅલ ભીડુ... હેપ્પી બર્થડે."</p><h2 style="text-align: justify; "><b>અન્નાની જેકી શ્રોફ સાથેની ખાસ કેમિસ્ટ્રી</b></h2><p style="text-align: justify; ">જેકી શ્રોફ અને સુનીલ શેટ્ટી વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા છે. બંને કલાકારોએ 'બોર્ડર' (૧૯૯૭), 'બાઝ: અ બર્ડ ઇન ડેન્જર', 'હલચલ' અને 'અપના સપના મની મની' જેવી અનેક યાદગાર ફિલ્મોમાં સાથે કામ કરીને પ્રેક્ષકોનું મનોરંજન કર્યું છે. તાજેતરમાં આવેલી બોર્ડર 2 ફિલ્મમાં સુનીલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટીએ કામ કર્યું. અગાઉની ફિલ્મમાં એરફોર્સ પાયલટ તરીકેનો રોલ હતો તે બોર્ડર-2માં અહાને કર્યો હતો. અન્ના અને જેકીશ્રોફના સંબંધો હંમેશા સારા રહ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>સુનીલ શેટ્ટીની ૩ દાયકા લાંબી કારકિર્દી અને ૧૦૦થી વધુ ફિલ્મો</b></h3><p style="text-align: justify;">સુનીલ શેટ્ટીએ પોતાની ત્રણ દાયકાથી વધુ લાંબી ફિલ્મી સફરમાં ૧૦૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે વર્ષ ૧૯૯૨માં રિલીઝ થયેલી એક્શન ફિલ્મ 'બલવાન'થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ 'મોહરા', 'દિલવાલે', 'ગોપી કિશન' અને 'સપૂત' જેવી સુપરહિત ફિલ્મો આપીને તેઓ ૯૦ના દાયકાના સૌથી સફળ અને વ્યસ્ત એક્શન સ્ટાર તરીકે સ્થાપિત થયા હતા.</p><h4 style="text-align: justify; "><b>'હેરાફેરી' અને 'ધડકન'થી બદલાયેલી ઈમેજ</b></h4><p style="text-align: justify; ">વર્ષ ૨૦૦૦માં આવેલી કોમેડી ક્લાસિક ફિલ્મ 'હેરા ફેરી'માં 'શ્યામ'નું પાત્ર ભજવીને સુનીલ શેટ્ટીએ પોતાની એક્શન હીરોની છબી બદલી નાખી હતી. આ ઉપરાંત, 'ધડકન' (૨૦૦૦) અને 'મૈં હૂં ના' (૨૦૦૪) જેવી ફિલ્મોમાં નકારાત્મક ભૂમિકા ભજવીને તેમણે પોતાની એક્ટિંગની વિવિધતા સાબિત કરી. 'ધડકન' ફિલ્મમાં તેમના શાનદાર અભિનય માટે તેમને બેસ્ટ વિલનનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. અભિનય ઉપરાંત, તેમણે પોતાના પ્રોડક્શન હાઉસ 'પોપકોર્ન એન્ટરટેઈનમેન્ટ' હેઠળ 'ખેલ', 'રક્ત' અને 'ભાગમ ભાગ' જેવી સફળ ફિલ્મોનું નિર્માણ પણ કર્યું છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/controversy-over-portrayal-of-women-in-partition-1947-it-is-unfair-to-reach-final-conclusions-without-understanding-preity-zintas-blunt-response" target="_blank">આ પણ વાંચો : Partition 1947માં મહિલાઓના ચિત્રણ વિવાદ પર ટિકાકારો અને વિરોધ કરનારાઓને પ્રિતી ઝિન્ટાનો રોકડો જવાબ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/GKjEqdrVAMv4uzXKAO7cv0SAwkB7pFXCZIyzGQbJ.webp'/></item></channel></rss>