<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Palanpur : મોંઘવારીથી ગ્રામ્ય પરિવારોનું બજેટ ખોરવાયું ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/palanpur/palanpur-inflation-has-disrupted-the-budget-of-rural-families</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/palanpur/palanpur-inflation-has-disrupted-the-budget-of-rural-families</guid><pubDate>Thu, 17 Sep 2026 03:03:38 +05:30</pubDate><description><![CDATA[<p>જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વધી રહેલા મોંઘવારીને કારણે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોની આર્થિક સ્થિતિ કથળી છે. શાકભાજી, ખાદ્યતેલ અને ગેસ સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓના આસમાને પહોંચેલા ભાવને કારણે ગૃહિણીઓનું માસિક બજેટ ખોરવાઈ ગયું છે. ગ્રામ્ય વિસ્તારોમાં આવકના સાધનો મર્યાદિત હોવાથી મહિનાના અંતિમ દિવસોમાં ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. વધી રહેલા ખર્ચ અને સ્થિર આવક વચ્ચે ગ્રામીણ મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મોંઘવારીના વધતા પ્રભાવને કારણે સામાન્ય પરિવારોનું ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું છે. જીવનજરૂરીયાત ચીજવસ્તુઓના ભાવમાં સતત વધઘટ અને ખાસ કરીને શાકભાજીના વધતા ભાવની સીધી અસર ગૃહિણીઓના રસોડા પર પડી રહી છે. શાકભાજી, ખાદ્યતેલ, ગેસ તેમજ અન્ય ઘર વપરાશની ચીજવસ્તુઓના ભાવમાં વધારો થતાં રોજિંદા ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં આવકના મર્યાદિત સાધનો હોવાથી પરિવારના માસિક બજેટનું સંતુલિત કરવું ગૃહિણીઓ માટે પડકારરૂપ બની રહ્યું છે. ગ્રામ્ય પરિવારોમાં અગાઉ જે રકમમાં અઠવાડિયાનો ઘરખર્ચ સરળતાથી ચાલતો હતો તેમાં હવે અનેક ચીજવસ્તુઓ ખરીદવી મુશ્કેલ બની રહી છે. શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓએ ખરીદીનું પ્રમાણ ઘટાડવું પડે છે અથવા તો ઓછા ભાવની ચીજવસ્તુઓ તરફ વળવું પડે છે. રોજિંદા જીવનમાં જરૂરી એવી વસ્તુઓના ભાવ વધતા મહિનાના અંતિમ દિવસોમાં ઘરખર્ચ ચલાવવો વધુ મુશ્કેલ બની રહ્યો છે. મોંઘવારીની અસર માત્ર રસોડા પુરતી સીમિત રહી નથી. પરંતુ પરિવારના અન્ય ખર્ચ પર પણ તેની સીધી અસર જોવા મળી રહી છે. શિક્ષણ, આરોગ્ય, મુસાફરી અને અન્ય આવશ્યક ખર્ચ વચ્ચે ઘરવપરાશની ચીજવસ્તુઓના વધતા ભાવને કારણે સામાન્ય પરીવારો પર વધારાનો આર્થિક બોજ પડી રહ્યો છે. મોંઘવારી સામે ગ્રામ્ય વિસ્તારની ગૃહિણીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. મહિલાઓનું કહેવું છે કે આવકમાં ખાસ વધારો થતો નથી. પરંતુ ઘર ચલાવવા માટે જરૂરી વસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે. જેના કારણે માસિક આવકમાંથી વધુ મોટો હિસ્સો માત્ર ઘરખર્ચમાં જ વપરાઈ જાય છે. ગૃહિણીઓએ સરકાર અને સંબંધિત તંત્ર સમક્ષ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પર નિયંત્રણ લાવી સામાન્ય સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોને રાહત આપવાની માંગ કરી છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/HvghHVuePqY6Oau99nKBFBVBAEZcoKJBcHppfh14.webp'/></item><item><title><![CDATA[Banaskatha :તાણા રત્નાકર સ્ક્વેરમાં કચરાના ઢગ, સફાઈ વ્યવસ્થા સામે સવાલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/banaskantha/banaskatha-piles-of-garbage-in-tana-ratnakar-square-questions-raised-about-the-cleaning-system</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/banaskantha/banaskatha-piles-of-garbage-in-tana-ratnakar-square-questions-raised-about-the-cleaning-system</guid><pubDate>Thu, 17 Sep 2026 03:00:38 +05:30</pubDate><description><![CDATA[<p>ઓગડ તાલુકાના તાણા ગ્રામ પંચાયતની હદમાં આવેલા રત્નાકર સ્ક્વેર વિસ્તારમાં નિયમિત સફાઈના અભાવે ઠેર-ઠેર કચરાના ઢગલા જોવા મળતાં સ્થાનિકો અને વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. જાહેર અવરજવરના સ્થળો તથા સીડીઓની આસપાસ પ્લાસ્ટિક, કાગળ, ખાદ્યપદાર્થોના રેપર સહિતનો કચરો ફેલાયેલો હોવાની સ્થિતિ સામે આવી છે. રત્નાકર સ્ક્વેરમાં બેન્ક ઓફ્ બરોડા, આઈસીઆઈસીઆઈ બેન્ક, મુથૂટ ફાઇનાન્સ સહિત વિવિધ ઓનલાઇન સેવાઓ અને નાણાકીય સંસ્થાઓ આવેલી હોવાથી અહીં દરરોજ મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. આવા મહત્વના જાહેર વિસ્તારમાં કચરો લાંબા સમય સુધી એકઠો રહેતા દુર્ગંધ તેમજ મચ્છર-માખીનો ઉપદ્રવ વધવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ગ્રામ પંચાયત દ્વારા વિસ્તારમાં નિયમિત સફાઈ કરવામાં આવે તેમજ કચરો એકઠો ન થાય તે માટે પૂરતી કચરાપેટીઓ મૂકવામાં આવે અને નિયમિત કચરો ઉપાડવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી જરૂર છે. રત્નાકર સ્ક્વેર વિસ્તારમાં તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરી સ્વચ્છતા જાળવવા સ્થાનિકોએ માંગ કરી છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/Ac7ul9WWxuUcC7f7LE7BzWomlN09RgttB4uuKOAt.webp'/></item><item><title><![CDATA[Bhavnagar: મહુવામાં અપહરણની કોશીષ કરનારા ત્રણ શખસ પોલીસ સકંજામાં સપડાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bhavnagar/bhavnagar-three-people-who-attempted-kidnapping-in-mahuva-were-caught-by-the-police</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bhavnagar/bhavnagar-three-people-who-attempted-kidnapping-in-mahuva-were-caught-by-the-police</guid><pubDate>Thu, 17 Sep 2026 02:14:34 +05:30</pubDate><description><![CDATA[<p>મહુવા શહેરમાં થોડા સમય પૂર્વે અપહરણની કોશિષનો ગુનો નોંધાયો હતો. જે મામલે ભાવનગર ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરી મહુવાના વડલી વિસ્તારમાંથી મહુવા અને રાજકોટના ત્રણ શખસને ઝડપી પાડી પુછપરછ કરતા વધુ બે શખસના નામ ખુલવા પામ્યા હતા.</p><p>બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન બાતમી મળેલ કે, મહુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ અપહરણની કોશિષના ગુન્હામાં સંડોવાયેલ ઇસમો વડલીથી ભાદ્દોડ જવાના રસ્તે ઉભા છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં હર્ષ અશ્વિનભાઇ ટાંક (ઉ.વ.28 રહે. 1204, એ વીંગ, શ્યામાપ્રસાદ, મુંજકા ચોકડી, રાજકોટ), કુલદીપ કિશોરભાઇ વાજા (ઉ.વ.26 રહે. ખારો વિસ્તાર, શિવ શક્તિ સોસાયટી, રામદેવ બેકરી પાસે, નેસવડ, મહુવા, જી. ભાવનગર), 3. સાગર ચંદુભાઇ શિયાળ (ઉ.વ.26 રહે. જે.કે.નગર, સ્વામિનારાયણ ચોક, મહુવા, જી.ભાવનગર) મળી આવતા ત્રણેયની ધરપકડ કરી લીધી હતી. જ્યારે શખસોની પુછપરછ દરમિયાન ઉક્ત શખસોએ ગુનાની કબુલાત આપી હતી. જ્યારે મીત મહેશભાઇ મચ્છર (રહે. પંજુરી પેલેસ, સાધુ વાસવાણી રોડ, રાજકોટ), ધર્મેશ ભરતભાઇ રાઠોડ (રહે. 1204,એ વીંગ, શ્યામાપ્રસાદ, મુંજકા ચોકડી, રાજકોટ) નામ ખુલવા પામ્યા હતા. ક્રાઈમ બ્રાંચે ત્રણેય શખસને આગળની વધુ કાર્યવાહી માટે મહુવા ટાઉન પોલીસ સ્ટેશન સોંપી આપ્યા હતા.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/HrLA8tbkfSERaZu5c0sMo45rCQjB2ThV0ppRavsh.webp'/></item><item><title><![CDATA[Vadodara: રાત્રે ખાળકૂવા અને ગટરના પાણીનો ગેરકાયદે નિકાલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-illegal-disposal-of-cesspool-and-sewage-water-at-night</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-illegal-disposal-of-cesspool-and-sewage-water-at-night</guid><pubDate>Thu, 17 Sep 2026 02:12:31 +05:30</pubDate><description><![CDATA[<p>વાઘોડિયા નગરપાલિકા હદ વિસ્તારમાં ખાળકુવા તેમજ ગટરનું પાણી ભરેલું ટેન્કર ખાલી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. તેમજ આ બાબતે પાલિકા દ્વારા યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા માગ કરાઈ રહી છે.</p><p>મળતી માહિતી મુજબ, પ્રાઇવેટ હોસ્ટેલ દ્વારા ખાળકુવા અને ગટરના પાણીના નિકાલ માટે કોન્ટ્રાક્ટ અપાયો હોવાનું જાણવા મળેલ છે, ત્યારે આ ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા પાલિકાના હદ વિસ્તારમાં આ ગંદા પાણીનો નિકાલ કરાઈ રહ્યો છે. આ અંગે પૂછતાં કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે, પરમિશન મેળવવા માટે નગરપાલિકાના ચીફ્ ઓફ્સિરને અરજી કરી છે. ત્યારે પાલિકા દ્વારા આ અંગે મંજૂરી આપવામાં આવી છે કે કેમ? જેવા સવાલો ખડા થઈ રહ્યા છે. જો મંજૂરી આપવામાં આવી હોય તો કયા નિયમો અને શરતોના આધારે લીમડા ગ્રામ પંચાયતમાથી નગરપાલિકા હદ વિસ્તારમાં ખાળકુવા તથા ગટરના પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે? સમગ્ર મામલે તપાસની માગ ઉઠી રહી છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/j4Rypjvn3oK9hTW3xkybbxVmokfemD9PAL0yk8QY.webp'/></item><item><title><![CDATA[Vadodara: સેવા સેતુ કાર્યક્રમમાં અધિકારીઓ જ ગેરહાજર રહેતા ફિયાસ્કો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-fiasco-as-only-officers-were-absent-from-the-seva-setu-program</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-fiasco-as-only-officers-were-absent-from-the-seva-setu-program</guid><pubDate>Thu, 17 Sep 2026 02:11:07 +05:30</pubDate><description><![CDATA[<p>શિનોર તાલુકાના મોટા ફેફ્ળિયા મુકામે પાંચ ગામો કંજેઠા, અંબાલી, ઝાંઝડ, કુકસ અને મોટા ફેફ્ળિયાના પ્રજાજનો માટે સેવા સેતુ કાર્યક્રમ મામલતદારે દીપ પ્રાગટય કરી ખુલ્લો મુક્યો હતો. જેનો પ્રચાર નહીં થવાથી જુજ અરજદારો હાજર રહેતાં કાર્યક્રમ ફરસરૂપ સાબિત થયો હતો.</p><p>મોટા ફેફ્ળિયા મુકામે જાતિના દાખલા કરવામાં તથા આધારકાર્ડમાં સુધારા બાબતે ગમે તે બહાના બતાવીને શિનોર તાલુકા મથકે આવવા જણાવવામાં આવેલ છે. એકમાત્ર આરોગ્ય વિભાગ આયુષ્યમાન કાર્ડ તથા આરોગ્યની અન્ય સેવાઓ આવા કેમ્પમાં આપી રહી છે, વિવિધ 53 યોજનાઓમાંથી આજે ઘણી બધી યોજનાના કર્મચારી કે અધિકારીઓ આવ્યા નહોતા. પ્રચાર થયો ના હોવાથી પાંચ ગામોના પુરા લાભાર્થીઓ પણ આવી શક્યા નહોતા. આ કાર્યક્રમમાં મામલતદાર મુકેશ બારીયા, ઇન્ચાર્જ સીડીપીઓ ચેતનાબેન પટેલ, ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફ્સિર ડો.જીગ્નેશ વસાવા, સરપંચ ભગુભાઈ રબારી, તાલુકા પંચાયત સદસ્યો સિવાય અન્ય કોઈ પદાધિકારીઓ કે અધિકારીઓ હાજર રહ્યા નહોતા. સતત વરસાદના કારણે અગાઉ પણ શાળાઓ ઘણી વખત બંધ રાખવાના પરિપત્રો થયા હતા. આ સેવા સેતુ કાર્યક્રમના કારણે પણ લેખિત પરિપત્ર વગર સવારની શાળા થવાથી પ્રાથમિક શાળાના બાળકોના અભ્યાસ ઉપર માઠી અસર પહોંચે છે. આમ શિનોર સેવા સદનમાં પછી સાધલી પ્રાથમિક શાળામાં અને આજે મોટાફેફ્ળિયા પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમનો ફ્યિાસ્કો થયો છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/6Xkk8NSb5aYI3PIycqU2VJB70UQgKQdyfCpjy7gV.webp'/></item><item><title><![CDATA[Kaushambi : પ્રેમિકાને મળવા પહોંચેલા યુવકને પરિવારે મેથીપાક ચખાડ્યો અને પછી મંદિરમાં જઇ લગ્ન કરાવી દીધા ]]></title><link>https://sandesh.com/india/news/kaushambi-love-couple-temple-marriage-night-meeting-family-dispute</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/kaushambi-love-couple-temple-marriage-night-meeting-family-dispute</guid><pubDate>Wed, 16 Sep 2026 22:48:43 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાં પ્રેમસંબંધનો ચોંકાવનારો અંત સામે આવ્યો છે. પિપરિ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રેમિકાને મળવા રાત્રે પહોંચેલા યુવકને યુવતીના પરિવારજનોએ પકડી લીધો હતો. યુવક સાથે મારપીટ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી અને યુવકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો.</p><h2 style="text-align: justify; "><b>3 વર્ષથી ચાલતો હતો પ્રેમસંબંધ</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, જાટી ગામનો 20 વર્ષીય આકાશ દિવાકર શેરગઢ ગામમાં રહેતી 19 વર્ષીય સલોણી દિવાકરને મળવા પહોંચ્યો હતો. બંને વચ્ચે છેલ્લા આશરે 3 વર્ષથી પ્રેમસંબંધ હોવાની માહિતી સામે આવી છે. બંને પરિવારથી છુપાઈને એકબીજાને મળતા હોવાનું પણ જણાવાયું છે.</p><h3 style="text-align: justify; "><b>રાત્રે પકડાયા બાદ મારપીટનો આક્ષેપ</b></h3><p style="text-align: justify; ">આકાશ ગામમાં પહોંચ્યો હોવાની જાણ સલોણીના પરિવારજનોને થતાં બંનેને પકડી લેવામાં આવ્યા હતા. આ દરમિયાન યુવક સાથે મારપીટ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. બાદમાં પોલીસને જાણ કરાતા પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આકાશને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.</p><h3 style="text-align: justify; "><b>પોલીસ સ્ટેશનથી મંદિર સુધી પહોંચ્યો મામલો</b></h3><p style="text-align: justify; ">પોલીસ સ્ટેશનમાં બંને પરિવાર વચ્ચે ચર્ચા થયા બાદ લગ્ન માટે સહમતી બની હતી. પરિવારજનોની સંમતિથી તિલ્હાપુર મોર સ્થિત મંદિરમાં આકાશ અને સલોણીના લગ્ન કરાવવામાં આવ્યા હતા. આ રીતે રાત્રે શરૂ થયેલો વિવાદ અંતે લગ્નમાં ફેરવાઈ ગયો.</p><h4 style="text-align: justify; "><b>પોલીસે કાર્યવાહી ન કર્યાનો ખુલાસો</b></h4><p style="text-align: justify; ">પોલીસના જણાવ્યા મુજબ, બંને પરિવાર લગ્ન માટે રાજી હતા અને કોઈ કાર્યવાહી ઇચ્છતા ન હતા. પોલીસને માહિતી મળી છે કે બંનેએ મંદિરમાં લગ્ન કરી લીધા છે. પરિવારજનોની સહમતી બાદ કોઈ ફરિયાદ કે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી ન હોવાનું પોલીસે જણાવ્યું હતું.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; <a href="https://sandesh.com/explainer/news/india/ahmedabad/sandesh-digital-explainer-epf-salary-limit-increased-25000-take-home-salary-calculation" target="_blank"><b>&nbsp;Sandesh Digital Explainer : EPFમાં મોટો ફેરફાર, તમારી ટેક-હોમ સેલરીનું શું થશે? સમજો, નવું ગણિત</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/e3jyFcq0vsWn1Dvh0W2dtrasz7XuwZw6zKyAJHAI.webp'/></item><item><title><![CDATA[Karnataka : : રાત્રે બે યુવકો સાથે લોજમાં ચેક-ઇન કરનારી યુવતી સવારે મૃત મળી, મોત પાછળનું રહસ્ય ઘેરાયું ]]></title><link>https://sandesh.com/india/news/crime/karnataka-hassan-lodge-woman-death-two-men-absconding</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/crime/karnataka-hassan-lodge-woman-death-two-men-absconding</guid><pubDate>Wed, 16 Sep 2026 22:35:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કર્ણાટકના હાસન જિલ્લામાં ચકચારી ઘટના સામે આવી છે. સક્લેશપુરા તાલુકાના વલલાહલ્લી ટાઉન સ્થિત એક લોજના બાથરૂમમાંથી 23 વર્ષીય યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવતી સાથે લોજમાં ચેક-ઇન કરનારા 2 યુવકો ઘટના બાદ ફરાર થઈ ગયા છે. પોલીસે બંનેની શોધખોળ શરૂ કરી છે.</p><h2 style="text-align: justify; "><b>બે યુવકો સાથે લોજમાં આવી હતી યુવતી</b></h2><p style="text-align: justify; ">પોલીસના જણાવ્યા મુજબ, બેંગલુરુના ચિક્કાબાનાવરા વિસ્તારમાં રહેતી વર્ષા નામની યુવતી બે યુવકો સાથે હાસન જિલ્લાના સક્લેશપુરા ગઈ હતી. ત્રણેયે વલલાહલ્લી સ્થિત શ્રીદેવુ લોજમાં ચેક-ઇન કર્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>સવારે બાથરૂમમાંથી મૃતદેહ મળ્યો</b></h2><p style="text-align: justify; ">સવારે યુવતી બાથરૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી. ઘટના સામે આવ્યા બાદ તેની સાથે આવેલા બંને યુવકો લોજમાંથી ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસને જાણ થતાં અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને તપાસ શરૂ કરી હતી.</p><h3 style="text-align: justify; "><b>યુવકોની ભૂમિકા અંગે તપાસ</b></h3><p style="text-align: justify; ">પોલીસ દ્વારા આ  યુવતીનું મોત કયા સંજોગોમાં થયું અને તેમાં ફરાર બંને યુવકોની કોઈ ભૂમિકા છે કે નહીં, તે અંગે તપાસ ચાલી રહી છે. પોલીસે જણાવ્યું છે કે તપાસ બાદ જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.</p><h4 style="text-align: justify; "><b>ફરાર યુવકોને શોધવા માટે પ્રયાસ&nbsp;</b></h4><p style="text-align: justify; ">હાલ સક્લેશપુરા ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં બનેલી આ ઘટનામાં ફરાર યુવકોને શોધવા માટે પોલીસની ટીમો કામે લાગી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસના આધારે યુવતીના મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :<a href="https://sandesh.com/explainer/news/india/ahmedabad/sandesh-digital-explainer-epf-salary-limit-increased-25000-take-home-salary-calculation" target="_blank"><b>&nbsp; Sandesh Digital Explainer : EPFમાં મોટો ફેરફાર, તમારી ટેક-હોમ સેલરીનું શું થશે? સમજો, નવું ગણિત</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/2bA6J5ms2NiseW7atq0qMbjG2OMNnsA1w0QbIvxL.webp'/></item><item><title><![CDATA[PM મોદીની સેમિકન્ડક્ટર કંપનીઓના CEO સાથે બેઠક, ચિપ સેક્ટર પર ચર્ચા ]]></title><link>https://sandesh.com/business/news/pm-modi-semiconductor-ceos-roundtable-meeting-india-chip-sector-growth</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/pm-modi-semiconductor-ceos-roundtable-meeting-india-chip-sector-growth</guid><pubDate>Wed, 16 Sep 2026 21:09:37 +05:30</pubDate><description><![CDATA[<p>PM નરેન્દ્ર મોદીએ દિગ્ગજ સેમિકન્ડક્ટર કંપનીઓના CEO સાથે રાઉન્ડટેબલ બેઠક કરી હતી. આ બેઠકમાં **ભારતના સેમિકન્ડક્ટર ક્ષેત્રના આગામી વિકાસ** અંગે ચર્ચા કરવામાં આવી હતી. PM મોદીએ કંપનીઓના CEOને ભારતના સેમિકન્ડક્ટર ક્ષેત્રના વિકાસમાં સક્રિય રીતે જોડાવા કહ્યું હતું.</p><p><b>નવી ટેક્નોલોજીમાં આગળ વધવાનું લક્ષ્ય</b></p><p>વડાપ્રધાને કહ્યું કે ભારતે નવી અને ઉભરતી ટેક્નોલોજીમાં શરૂઆતથી જ અગ્રણી દેશોમાં સામેલ થવાનું લક્ષ્ય રાખવું જોઈએ. PM મોદીએ ફરી કહ્યું કે સરકાર સ્થિર, વિશ્વસનીય અને ઉદ્યોગ માટે જવાબદાર નીતિ વાતાવરણ આપવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે ઉદ્યોગ જગત પાસેથી નીતિઓ અને વહીવટી વ્યવસ્થામાં સુધારા માટે સૂચનો પણ માંગ્યા હતા.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/narendramodi/status/2100232138880946249"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b>સેમિકન્ડક્ટર વેલ્યૂ ચેન મજબૂત કરવા પર ભાર</b></p><p>CEOએ ભારતના સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે સરકારના પ્રયાસો અને PM મોદીના નેતૃત્વની પ્રશંસા કરી હતી. કંપનીઓના વડાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત સેમિકન્ડક્ટરની સંપૂર્ણ વેલ્યૂ ચેનમાં પોતાની ક્ષમતા વિકસાવી શકે છે. સરકારનું ધ્યાન માત્ર ચિપ બનાવવાના કામ સુધી મર્યાદિત નથી, પરંતુ ડિઝાઇનથી લઈને મેન્યુફેક્ચરિંગ અને સમગ્ર સેમિકન્ડક્ટર વેલ્યૂ ચેનને ભારતમાં મજબૂત બનાવવા પર છે.</p><p><b>આ કંપનીઓ બેઠકમાં સામેલ થઈ</b></p><p>આ બેઠકમાં સેમી (SEMI), માઇક્રોન (Micron), ઇન્ફિનિયન (Infineon), એપ્લાઇડ મટિરિયલ્સ (Applied Materials), ASML, મર્ક (Merck), ટોક્યો ઇલેક્ટ્રોન (Tokyo Electron), ફુજી ફિલ્મ (Fujifilm), AMD, ઇન્ટેલ (Intel), ટાટા ઇલેક્ટ્રોનિક્સ (Tata Electronics), લેમ રિસર્ચ (Lam Research), રેપિડસ (Rapidus), NXP, ફોક્સકોન (Foxconn), સેમિકન્ડક્ટર ડિવાઇસિસ (Semiconductor Devices), એડવાન્ટેસ્ટ (Advantest), સેલેસ્ટા કેપિટલ (Celesta Capital), CG પાવર (CG Power) અને IBM રિસર્ચ (IBM Research) સહિત અનેક કંપનીઓના CEO, વરિષ્ઠ અધિકારીઓ અને પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.</p><p><b><a href="https://sandesh.com/india/news/semicon-india-2026-pm-modi-will-inaugurate-more-than-600-companies-will-participate" target="_blank">આ પણ વાંચો: SEMICON India 2026: PM મોદી કરશે ઉદ્ઘાટન, 600થી વધુ કંપનીઓ લેશે ભાગ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/EFmQ6z6hgSK9hNuG6XxbrHP4XTZPyfXm8PtPO2Nh.webp'/></item><item><title><![CDATA[હું તેને ઓળખતો પણ નથી... દિશા સાલિયન કેસમાં આદિત્ય ઠાકરેનું પહેલું નિવેદન ]]></title><link>https://sandesh.com/india/news/entertainment/disha-salian-case-aaditya-thackeray-first-reaction-cbi-fir-bombay-high-court</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/entertainment/disha-salian-case-aaditya-thackeray-first-reaction-cbi-fir-bombay-high-court</guid><pubDate>Wed, 16 Sep 2026 18:50:13 +05:30</pubDate><description><![CDATA[<p>દિશા સાલિયન કેસે મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે. બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ CBI દ્વારા FIR નોંધવામાં આવી ત્યારથી આ મામલો સતત ચર્ચામાં રહ્યો છે. આ કેસના સંદર્ભમાં આદિત્ય ઠાકરેનું નામ વારંવાર સામે આવ્યું છે અને હવે તેમણે પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપતા સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેઓ દિશા સાલિયનને ઓળખતા નથી.</p><p><br></p><p>"હું દિશા સાલિયનને ક્યારેય મળ્યો નથી કે તેમની સાથે મારો કોઈ પરિચય પણ નહોતો. છેલ્લા છ વર્ષોથી, રાજકીય ઈરાદાઓ, અંગત અદાવત અને મારી છબી ખરડવાના (ચરિત્ર હત્યાના) પ્રયાસોને કારણે અમુક લોકો જાણીજોઈને આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના સાથે મારું નામ જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે આ બાબતે કોઈ પણ પુરાવા કે જોડાણ અસ્તિત્વમાં નથી. સત્ય કે હકીકત વિના ચલાવવામાં આવતું આ ખોટું અભિયાન દુર્ભાગ્યપૂર્ણ છે."</p><p><br></p><h4><b>"નવી તપાસ થવી જોઈએ"</b></h4><p>આદિત્ય ઠાકરેએ વધુમાં કહ્યું, "ટીવી ચેનલો પર થતી સનસનીખેજ ચર્ચાઓ અને મીડિયા ટ્રાયલ સત્યને બદલી શકતા નથી. સત્તાવાર એજન્સીઓને અવરોધ, રાજકીય દખલગીરી કે ચરિત્ર હત્યાના પ્રયાસોથી મુક્ત રહીને આ મામલાની નિષ્પક્ષ અને નવી તપાસ કરવાની છૂટ મળવી જોઈએ. હું ફરીથી કહેવા માંગુ છું કે જો કોઈને એમ લાગતું હોય કે તેઓ આવી ચરિત્ર હત્યા અને ખોટા પ્રચાર દ્વારા અમને ચૂપ કરાવી શકે છે, તો તેઓ ભૂલ કરે છે. દેશની જનતાની સાથે રહીને સત્ય માટે અને અન્યાય વિરુદ્ધનો અમારો સંઘર્ષ ચાલુ રહેશે."</p><p><br></p><h4>આ સમગ્ર મામલો શું છે?</h4><p>સુશાંત સિંહ રાજપૂતના ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયનનું 8 જૂન, 2020ના રોજ મુંબઈના મલાડ વિસ્તારમાં આવેલી એક ઈમારતના 14મા માળેથી પડી જવાથી મૃત્યુ થયું હતું. શરૂઆતમાં, મુંબઈ પોલીસે આ ઘટનાને આત્મહત્યા ગણીને 'આકસ્મિક મૃત્યુનો અહેવાલ' (Accidental Death Report) નોંધ્યો હતો. જોકે, બાદમાં બોમ્બે હાઈકોર્ટે CBIને FIR નોંધીને આ કેસની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારથી આ મામલો સતત ચર્ચાના કેન્દ્રમાં રહ્યો છે અને તેમાં ઉદ્ધવ તથા આદિત્ય ઠાકરે સહિતના અનેક દિગ્ગજ નેતાઓના નામ જોડવામાં આવ્યા છે.<br><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/business/upi-payments-charge-above-rs-2000-supreme-court-plea-mdr-framework" target="_blank"><b>UPI ચાર્જને લઈને ઘમાસાણ! સુપ્રીમ કોર્ટ પહોંચ્યો મામલો, 2000થી વધુના મર્ચન્ટ પેમેન્ટ્સ વિરુદ્ધ અરજી દાખલ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/tjX7ComUj3HJXnZAOA5SJoYoU7exP6T5ybdTJPBM.webp'/></item><item><title><![CDATA[પાકિસ્તાનની ટીમ ભારત આવશે! એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં જામશે ભારત-પાક જંગ ]]></title><link>https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</guid><pubDate>Mon, 14 Sep 2026 15:47:21 +05:30</pubDate><description><![CDATA[<p>આવતા મહિને પાકિસ્તાનની હોકી ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે. 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન પંજાબમાં યોજાનારી AHF મેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026માં પાકિસ્તાન સહિત કુલ છ ટીમો ભાગ લેશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પાકિસ્તાનની ભાગીદારી અંગેની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, મલ્ટી-નેશનલ ઇવેન્ટ્સ અંગે કેન્દ્ર સરકારની નીતિ હેઠળ બંને દેશોની ટીમો આમને-સામને રમશે.</p><h2><b>ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જાલંધરમાં રમાશે</b></h2><p>એશિયન મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન થશે. આ ટૂર્નામેન્ટમાં યજમાન ભારત અને પાકિસ્તાન ઉપરાંત ચીન, જાપાન, મલેશિયા અને કોરિયાની પણ ભાગ લેશે. લીગ સ્ટેજના મુકાબલા જાલંધરમાં યોજાશે, જ્યારે સેમિફાઇનલ અને ફાઇનલ મેચ મોહાલીના હોકી સ્ટેડિયમમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 1 નવેમ્બરે જાલંધરમાં રમાશે. કોઈ ટીમ છેલ્લી ઘડીએ ખસી જાય તો તે સ્થિતિ માટે ઓમાન અને બાંગ્લાદેશને રિઝર્વ ટીમન તરીકે રાખવામી આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PTI_News/status/2099416960278868155"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમવામાં કોઈ મુશ્કેલી નથી</b></h2><p>પાકિસ્તાનની ભાગીદારી અને જરૂરી મંજૂરીઓ અંગે પંજાબના મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં બંને દેશો વચ્ચે રમવામાં કોઈ મુશ્કેલી નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝનું આયોજન અલગ બાબત છે, કારણ કે કેન્દ્ર સરકારની વર્તમાન નીતિ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય રમત-ગમતના આયોજનની મંજૂરી આપતી નથી. પરંતુ મલ્ટી-નેશનલ ટૂર્નામેન્ટમાં બંને દેશોના ખેલાડીઓને એકબીજા સામે રમવાની પરવાનગી છે, જેથી પાકિસ્તાની ટીમ ભારત આવી શકશે.</p><h2><b>ભારત વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે</b></h2><p>ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. ભારતે 2023માં ચેન્નાઈ અને 2024માં ચીનના હુલુનબુઈરમાં યોજાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ગત વર્ષે આ સ્પર્ધા યોજાઈ શકી નહોતી. હવે પંજાબ પ્રથમ વખત આ ટૂર્નામેન્ટની મેજબાની કરવા જઈ રહ્યું છે.</p><h2><b>અગાઉ પાકિસ્તાની ટીમે ના કહી હતી&nbsp;</b></h2><p>પાકિસ્તાનની આ વખતની ભાગીદારી એટલા માટે પણ ખાસ છે, કારણ કે ગત વર્ષે તેણે તમિલનાડુમાં આયોજિત જૂનિયર હોકી વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તે સમયે બંને દેશો વચ્ચેના તણાવને તેનું કારણ ગણાવવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે અને પાકિસ્તાની ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે પૂરી રીતે તૈયાર છે.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/V6jwdiIr9RTCvR6EyBaGsP2qfZvYLq2JfkL7pytm.webp'/></item></channel></rss>