<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Shabana Azmi સ્વાઈન ફલૂની ઝપેટમાં, CJP વિરોધ પ્રદર્શનમાં નહીં થાય સામેલ ]]></title><link>https://sandesh.com/entertainment/news/shabana-azmi-infected-with-swine-flu-will-not-participate-in-cjp-protest</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/shabana-azmi-infected-with-swine-flu-will-not-participate-in-cjp-protest</guid><pubDate>Sat, 25 Jul 2026 09:47:39 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડના વરિષ્ઠ અને દિગ્ગજ અભિનેત્રી શબાના આઝમી માત્ર તેમની બહેતરીન અદાકારી માટે જ નહીં, પરંતુ સામાજિક મુદ્દાઓ પર પોતાના સ્પષ્ટ વિચારો રજૂ કરવા માટે પણ જાણીતા છે. તેઓ અવારનવાર વિવિધ સામાજિક મુદ્દાઓ પર અવાજ ઉઠાવતા જોવા મળે છે. જોકે, હાલમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે તેઓ મુંબઈમાં CJP (સિટિઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસ) ના વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈ શકશે નહીં.</p><h2 style="text-align: justify; "><b>શબનાનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ: ટીમે કરી પુષ્ટિ</b></h2><p style="text-align: justify; ">શબાના આઝમીની ટીમ દ્વારા તેમના સ્વાસ્થ્ય અંગેની અધિકૃત માહિતી આપવામાં આવી છે. ન્યૂઝ એજન્સી IANS અનુસાર, શબાના આઝમીની ટીમે જણાવ્યું કે: "અભિનેત્રી અને સામાજિક કાર્યકર્તા શબાના આઝમી મુંબઈમાં CJP વિરોધ પ્રદર્શનમાં સામેલ થવાના હતા. પરંતુ, તેમનો સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તબીબોએ તેમને સંપૂર્ણપણે બેડ રેસ્ટ (આરામ) કરવાની સલાહ આપી હોવાથી તેઓ આ પ્રદર્શનમાં જોડાશે નહીં."</p><h3 style="text-align: justify; "><b>પ્રદર્શન દરમિયાન આવ્યો હતો અસ્થમાનો એટેક</b></h3><p style="text-align: justify; ">નોંધનીય છે કે, સોમવારે (20 જુલાઈ) યોજાયેલા CJP વિરોધ પ્રદર્શન દરમિયાન શબાના આઝમીની તબિયત લથડી હતી. વિરોધ કરી રહેલા લોકોને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસ (અશ્રુવાયુ) ના શેલ છોડ્યા હતા. આ ધુમાડાના કારણે શબાના આઝમીને અસ્થમાનો ગંભીર હુમલો આવ્યો હતો. જોકે, સમયે ઇન્હેલરનો ઉપયોગ કરીને તેમણે પોતાની સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોતાના સ્વાસ્થ્ય અંગે વાત કરતા અભિનેત્રીએ પોતે સ્પષ્ટતા કરી હતી કે તેમને પહેલેથી જ અસ્થમાની તકલીફ છે અને ટીયર ગેસના ધુમાડાને કારણે તેમને આ તકલીફ થઈ હતી.</p><h4 style="text-align: justify; "><b>વિદ્યાર્થીઓના સમર્થનમાં બોલીવુડ સેલેબ્સ</b></h4><p style="text-align: justify; ">આ વિરોધ પ્રદર્શન NEET પેપર લીક મામલે વિદ્યાર્થીઓના સમર્થનમાં યોજવામાં આવી રહ્યું છે. શબાના આઝમી ઉપરાંત અન્ય ઘણા બોલીવુડ કલાકારો પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં આગળ આવ્યા છે. દક્ષિણ ભારતીય અને બોલીવુડ અભિનેતા પ્રકાશ રાજ સતત સોશિયલ મીડિયાના માધ્યમથી વિદ્યાર્થીઓને પોતાનો ટેકો આપી રહ્યા છે, જ્યારે અન્ય સ્ટાર્સે પણ આ મુદ્દે સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયાઓ આપીને વિદ્યાર્થીઓ પ્રત્યે એકતા દર્શાવી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/vivek-oberoi-on-cjp-i-am-an-actor--not-a-leader--neet-protest" target="_blank">આ પણ વાંચો : હું અભિનેતા છું... રાજકીય બાબતો પર ધ્યાન નથી આપતો, કોકરોચ જનતા પાર્ટી પર વિવેક ઓબેરોયે કહી આ વાત</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/O5PRef823GJXAuNPobSaZcYGqzhBzTMGcFSDAAnl.webp'/></item><item><title><![CDATA[Surat: તાપી નદીનો કોઝવે 7.1 મીટરે ઓવરફ્લો, જિલ્લામાં વરસાદનું યેલો એલર્ટ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/tapi-river-singanpore-causeway-overflows-at-7-1-meters-yellow-alert-in-district</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/tapi-river-singanpore-causeway-overflows-at-7-1-meters-yellow-alert-in-district</guid><pubDate>Sat, 25 Jul 2026 09:46:17 +05:30</pubDate><description><![CDATA[<p>તાપી નદીમાં ઉપરવાસના વરસાદને કારણે પૂરના નવા નીર આવ્યા છે. સુરત શહેર અને જિલ્લામાં તેમજ તાપી નદીના કેચમેન્ટ વિસ્તારોમાં સતત વરસી રહેલા વરસાદને લીધે નદીનું જળસ્તર ભયજનક રીતે વધી રહ્યું છે.</p><h2><b>તાપી નદીનું જળસ્તર ભયજનક</b></h2><p>સુરત શહેરના રાંદેર અને સિંગણપોરને જોડતો તાપી નદી પરનો કોઝવે 7.1મીટરની સપાટીએ પહોંચીને સતત ઓવરફ્લો થઈ રહ્યો છે. કોઝવે પર પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો હોવાથી સુરત મહાનગરપાલિકા (SMC) અને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે કોઝવે પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે અને બેરિકેટિંગ લગાવી દેવાયું છે.</p><h3><b>હવામાન વિભાગનું યેલો એલર્ટ અને&nbsp;</b></h3><p>આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા સુરત શહેર તેમજ સમગ્ર સુરત જિલ્લા માટે આજ માટે 'યેલો એલર્ટ' જારી કરવામાં આવ્યું છે. આગાહી મુજબ, આજે દિવસ દરમિયાન સુરત શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મધ્યમથી ભારે વરસાદી બેટિંગ કરી શકે છે.</p><h4><b>સુરત પોલીસ દ્વારા કડક સૂચના</b></h4><p>તાપી નદીના કાંઠા વિસ્તારમાં આવેલા નીચાણવાળા ઝોનમાં મહાનગરપાલિકાની ફ્લડ કંટ્રોલ ટીમ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમમાંથી પણ તાપી નદીમાં પાણીની આવક-જાવક પર તીખી નજર રાખવામાં આવી રહી છે. નાગરિકોને નદી કિનારે કે ઓવરફ્લો થતાં કોઝવે નજીક સેલ્ફી લેવા કે જવાનું સાહસ ન કરવા સુરત પોલીસ દ્વારા કડક સૂચના જારી કરવામાં આવી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/makarba-police-headquarters-road-damaged-makarba-vejalpur-road-closed" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: મકરબા પોલીસ હેડક્વાર્ટર રોડ બિસ્માર, ડ્રેનેજ ઉભરાતાં મકરબા-વેજલપુર માર્ગ બંધ</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/pCIVVeRkw93hnP8cALapYbPnj0XgFgfZteqgLbt2.webp'/></item><item><title><![CDATA[Monsoon 2026 : ગોતાની સોસાયટીમાં જળબંબાકાર બાદ મોટી દુર્ઘટના, વંદેમાતરમ્ સિટીની દીવાલ ધરાશાયી ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/monsoon-2026-major-disaster-after-waterlogging-in-gota-society-wall-of-vande-mataram-city-collapses</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/monsoon-2026-major-disaster-after-waterlogging-in-gota-society-wall-of-vande-mataram-city-collapses</guid><pubDate>Sat, 25 Jul 2026 09:44:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા ગોતામાં ભારે વરસાદ અને જળબંબાકારની સ્થિતિ વચ્ચે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં આવેલા જાણીતા વંદેમાતરમ્ સિટીની વિશાળ દીવાલ અચાનક ધરાશાયી થઈ જવાની ઘટના સામે આવી છે. ભારે પાણી ભરાવાના કારણે આ દુર્ઘટના ઘટી હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>વંદેમાતરમ્ સીટીની દીવાલ ધરાશાયી&nbsp;</b></h2><p style="text-align: justify; ">ઘટનાની વિગતો મુજબ, વંદેમાતરમ્ સિટીની બાજુમાં આવેલી સોસાયટીમાં વરસાદી પાણીનો ભારે ભરાવો થયો હતો. પાણીના સતત દબાણ અને નબળા નિકાલના કારણે સોસાયટીની આસપાસની જમીન પોચી પડીને ધસી ગઈ હતી. જમીન બેસી જવાના આ પ્રવાહમાં કમ્પાઉન્ડની મજબૂત દીવાલ પણ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી.</p><h3 style="text-align: justify; "><b>સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ&nbsp;</b></h3><p style="text-align: justify; ">સદનસીબે આ ગંભીર દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આ સમગ્ર રોમાંચક અને ભયાનક ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ કેદ થઈ ગઈ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ક્ષણમાત્રમાં દીવાલ જમીનમાં ગરકાવ થઈ ગઈ. આ ઘટના બાદ સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ અને ફફડાટ ફેલાઈ ગયો છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-gujarat-heavy-rain-forecast-5-weather-systems-red-alert" target="_blank">Monsoon 2026 : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય: અમદાવાદ, કચ્છ સહિત 4 જિલ્લામાં રેડ એલર્ટ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/Qvhcons5a7nx8rN2uPn7K0hLEOGYC5GOM3ha9pad.webp'/></item><item><title><![CDATA[Ravneet Singh Bittu resigned: કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુનું રાજીનામું રાષ્ટ્રપતિએ સ્વીકાર્યું ]]></title><link>https://sandesh.com/india/news/ravneet-singh-bittu-resigned-president-accepts-union-minister-ravneet-singh-bittus-resignation</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ravneet-singh-bittu-resigned-president-accepts-union-minister-ravneet-singh-bittus-resignation</guid><pubDate>Sat, 25 Jul 2026 09:34:25 +05:30</pubDate><description><![CDATA[<p>કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ શુક્રવારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું જેને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રધાનમંત્રીની સલાહ પર તેમનું રાજીનામું સ્વીકાર્યુ છે.&nbsp; રવનીત સિંહ બિટ્ટુ ભારત સરકારમાં રેલ રાજ્યમંત્રી અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ બિઅંત સિંહના પૌત્ર છે અને હાલમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા અને રાજ્યસભાના સાંસદ છે.</p><p><b style="font-size: 2rem;">રવનીત સિંહ બિટ્ટુની રાજકીય સફર&nbsp;</b></p><p>બિટ્ટુ પહેલી વાર 2009માં આનંદપુર સાહિબથી કોંગ્રેસ પાર્ટીનું પ્રતિનિધિત્વ કરીને લોકસભા સાંસદ બન્યા હતા. ત્યારબાદ, તેઓ 2014 અને 2019ની ચૂંટણી દરમિયાન પંજાબની લુધિયાણા બેઠક પરથી ફરીથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.</p><p>2017માં, સિંહે જલાલાબાદથી પંજાબ વિધાનસભાની ચૂંટણી લડી હતી પરંતુ સુખબીર સિંહ બાદલ સામે હારી ગયા હતા. ૨૦૨૧ માં, તેમણે લોકસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે સેવા આપી.</p><p>2024 માં કોંગ્રેસ પક્ષ છોડ્યા પછી, તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. ત્યારબાદ તેમને રેલ્વે અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ રાજ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.</p><h3><b>2024માં બોમ્બ ધમકી મળી</b></h3><p>રવનીત સિંહ બિટ્ટુને પણ બે વાર જાનથી મારી નાખવાની ધમકી મળી. જાન્યુઆરી 2021માં 'જન સંસદ' (લોકસભા) કાર્યક્રમ દરમિયાન સિંઘુ બોર્ડર પર તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. બાદમાં, 2023માં, તેમને વોટ્સએપ કોલ દ્વારા બોમ્બ ધમકી મળી.</p><h3><b>ચૂંટણીમાં હાર છતાં મંત્રી તરીકે નિયુક્ત</b></h3><p>રવનીત સિંહ 2024ની સામાન્ય ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા. ત્યારબાદ તેમણે અમરિંદર સિંહ રાજા વારિંગ સામે લુધિયાણાથી ચૂંટણી લડી.</p><p>જોકે રવનીત આ ચૂંટણી હારી ગયા, પરંતુ મોદી સરકારના ત્રીજા કાર્યકાળ દરમિયાન તેમને રેલ્વે રાજ્યમંત્રી અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ રાજ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. બાદમાં, તેઓ 2024-2026 કાર્યકાળ માટે રાજસ્થાનથી રાજ્યસભામાં ચૂંટાયા.</p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/wWwJWSKDAaUoVEJl3lCNoWTEOMq4ryXu4Y80WPJ2.webp'/></item><item><title><![CDATA[Delhi : બાળકોને પ્રેમ આપો, તેમના સવાલોના જવાબ આપો: મોહન ભાગવત ]]></title><link>https://sandesh.com/india/news/delhi-give-love-to-children-answer-their-questions-mohan-bhagwat</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/delhi-give-love-to-children-answer-their-questions-mohan-bhagwat</guid><pubDate>Sat, 25 Jul 2026 09:23:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દિલ્હીમાં આયોજિત વિશ્વ મંગલમ સભા દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે પરિવાર, સંસ્કાર અને નવી પેઢીના બદલાતા વિચારો અંગે વિસ્તૃત રીતે પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમણે જણાવ્યું કે સમય સાથે બાળકોની વિચારસરણીમાં મોટો ફેરફાર આવ્યો છે અને માતા-પિતાએ પણ પોતાની ભૂમિકા બદલવાની જરૂર છે.</p><h2 style="text-align: justify; ">મોહન ભાગવતે કહ્યું કે એક સમય એવો હતો જ્યારે બાળકો માતા-પિતાની દરેક વાત કોઈ પ્રશ્ન વિના સ્વીકારી લેતા હતા</h2><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2080813430001549492"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify;">મોહન ભાગવતે કહ્યું કે એક સમય એવો હતો જ્યારે બાળકો માતા-પિતાની દરેક વાત કોઈ પ્રશ્ન વિના સ્વીકારી લેતા હતા. તેઓ પોતાના બાળપણનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે તે સમયે માતા-પિતા પ્રત્યે એટલો વિશ્વાસ અને શ્રદ્ધા હતી કે તેમની વાત સામે કોઈ સવાલ ઊભો થતો નહોતો. પરંતુ આજનો સમય સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. આજની નવી પેઢી દરેક વાત પાછળનું કારણ જાણવા માંગે છે અને દરેક નિર્ણયનો તર્ક સમજવા ઈચ્છે છે.</p><h3 style="text-align: justify; ">આજનું વાતાવરણ ભૌતિક સુવિધાઓ, સોશિયલ મીડિયા અને સતત થતા પ્રચારથી ખૂબ પ્રભાવિત છે</h3><p style="text-align: justify; ">તેમણે જણાવ્યું કે આજનું વાતાવરણ ભૌતિક સુવિધાઓ, સોશિયલ મીડિયા અને સતત થતા પ્રચારથી ખૂબ પ્રભાવિત છે. આવા સમયમાં બાળકોને યોગ્ય દિશા આપવા માટે માત્ર આદેશ આપવાથી કામ નહીં ચાલે. માતા-પિતાએ બાળકો સાથે વધુ સમય પસાર કરવો જોઈએ, તેમની સાથે ખુલ્લા મનથી વાતચીત કરવી જોઈએ અને તેમના વિચારોને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ.</p><h4 style="text-align: justify; ">ઘરમાં ડિપ્રેશન નહીં પરંતુ ડિસ્કશન હોવું જોઈએ</h4><p style="text-align: justify; ">ભાગવતે ભારપૂર્વક કહ્યું કે ઘરમાં ડિપ્રેશન નહીં પરંતુ ડિસ્કશન હોવું જોઈએ. તેમણે જણાવ્યું કે બાળકોને માત્ર સૂચનાઓ આપવાના બદલે તેમની સાથે મિત્રતાપૂર્વક સંવાદ કરવો જોઈએ. જ્યારે બાળકો પોતાની વાત નિર્ભયતાથી કહી શકે છે, ત્યારે પરિવારમાં વિશ્વાસ અને આત્મીયતા બંને વધે છે.</p><h4 style="text-align: justify; ">પરિવારોમાં ઘટતી વાતચીત અંગે પણ ચિંતા વ્યક્ત કરી</h4><p style="text-align: justify; ">તેમણે આજના પરિવારોમાં ઘટતી વાતચીત અંગે પણ ચિંતા વ્યક્ત કરી. તેમના જણાવ્યા મુજબ, આજકાલ પતિ-પત્ની બંને ઓફિસમાંથી થાકીને ઘરે આવે છે અને બાળકો પણ શાળામાંથી પરત ફર્યા પછી પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે. રાત્રે ભોજન પછી પરિવારના સભ્યો એકબીજા સાથે વાત કરવાના બદલે મોબાઇલ ફોનમાં મગ્ન થઈ જાય છે. તેમણે કહ્યું કે આ પ્રવૃત્તિ પરિવારના સંબંધોને નબળા બનાવે છે. માતા-પિતાએ બાળકોની વાત ધ્યાનથી સાંભળવી જોઈએ જેથી તેઓ ખુલ્લા દિલે પોતાની લાગણીઓ અને પ્રશ્નો વ્યક્ત કરી શકે.</p><h5 style="text-align: justify; ">માતા-પિતાએ પોતે પણ સતત નવી માહિતી મેળવતા રહેવું જોઈએ</h5><p style="text-align: justify; ">મોહન ભાગવતે વધુમાં જણાવ્યું કે બાળક જીવનમાં કેટલુંય સફળ બને અથવા વિદેશમાં સ્થાયી થઈ જાય, પરંતુ એક સમય એવો આવે છે જ્યારે તેને પોતાના પરિવાર, સંસ્કારો અને મૂળ સાથે જોડાવાની ઈચ્છા થાય છે. આવી સ્થિતિમાં જો બાળક પોતાના માતા-પિતાને કોઈ પ્રશ્ન પૂછે અને તેમની પાસે યોગ્ય જવાબ ન હોય તો તે દુર્ભાગ્યપૂર્ણ છે. તેથી માતા-પિતાએ પોતે પણ સતત નવી માહિતી મેળવતા રહેવું જોઈએ.</p><h5 style="text-align: justify; ">આજની પેઢી માત્ર ઉપદેશથી પ્રભાવિત થતી નથી</h5><p style="text-align: justify; ">તેમણે અંતમાં કહ્યું કે આજની પેઢી માત્ર ઉપદેશથી પ્રભાવિત થતી નથી, પરંતુ વડીલોના વર્તનમાંથી શીખે છે. જો માતા-પિતા પોતે સત્યનિષ્ઠ, જવાબદાર અને સંસ્કારી જીવન જીવશે તો બાળકો પણ તે જ મૂલ્યો અપનાવશે. તેમણે પરિવારજનો અને સગાં-સંબંધીઓ સાથે સતત જોડાયેલા રહેવાની તેમજ બાળકોને પણ આવા સંબંધોમાં સામેલ કરવાની સલાહ આપી, જેથી તેમની વિચારસરણી વધુ વ્યાપક અને સંવેદનશીલ બની શકે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/JmpqOkF9NA2zmoyXjim5nweSaKabpt82tP6NlZ0T.webp'/></item><item><title><![CDATA[Surat: NH-48 પર કોસંબા નજીક ટ્રાવેલ્સ બસ સળગી, 17 મુસાફરોનો આબાદ બચાવ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/kosamba-nh-48-rajasthan-travel-bus-catches-fire-17-passengers-safe</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/kosamba-nh-48-rajasthan-travel-bus-catches-fire-17-passengers-safe</guid><pubDate>Sat, 25 Jul 2026 08:44:11 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર આજે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતથી રાજસ્થાન તરફ મુસાફરોને લઈને જઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ્સ બસમાં કોસંબા નજીક અચાનક આગ લાગી ગઈ હતી. મળતી વિગતો અનુસાર, બસ પોતાના નિયત રૂટ પર સુરતથી રાજસ્થાન જઈ રહી હતી ત્યારે કોસંબા નજીક આવેલા નાના બોરસરા ગામ પાસેથી પસાર થતી વખતે બસના એન્જિન કે પાછળના ભાગેથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા. જોતજોતામાં કોઈ કારણોસર બસમાં ભીષણ આગ ભભૂકી ઊઠી હતી અને આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી.</p><h2><b>ખાનગી ટ્રાવેલ્સ બસમાં આગ લાગી</b></h2><p>ચાલુ બસમાં આગ લાગતાં જ બસમાં સવાર મુસાફરોમાં ભારે અફરાતફરી અને ચીસાચીસ મચી ગઈ હતી. જોકે, બસ ચાલકે તુરંત જ સમયસૂચકતા વાપરીને બસને હાઇવેના કિનારે ઊભી રાખી દીધી હતી. બસ ઊભી રહેતાં જ તેમાં સવાર તમામ 17 જેટલા મુસાફરો પોતાનો સામાન છોડીને તુરંત જ બસમાંથી નીચે ઉતરી ગયા હતા, જેના કારણે એક મોટી હોનારત ટળી હતી.</p><h3><b>આસપાસના સ્થાનિકો દોડી આવ્યા</b></h3><p>ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા અને ઇમરજન્સી કંટ્રોલ રૂમને જાણ કરી હતી. કંટ્રોલ રૂમ મેસેજ મળતાં જ માટીવાડ ફાયર સ્ટેશન અને પાનોલી GIDC ની ફાયર ફાઇટર ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ટીમે પાણીનો મારો ચલાવીને ટૂંક સમયમાં બસમાં લાગેલી ભીષણ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.આગની આ ઘટનામાં બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે, પરંતુ રાહતની વાત એ છે કે કોઈ પણ મુસાફરને નાની-મોટી ઈજા કે જાનહાનિ થઈ નથી.&nbsp;</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/behrampura-meldi-mata-temple-road-cave-in-sinkhole-after-heavy-rains" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: બહેરામપુરામાં મેલડી માતા મંદિર પાસે પડ્યો મસમોટો ભૂવો, AMC દ્વારા ભૂવાની આસપાસ બેરિકેટિંગ કરાયું</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/P5CfhMKVPm4DNQ4eovv4MrSwCIh2hCDBC8Mxm6QK.webp'/></item><item><title><![CDATA[FIH Youth Hockey5s : ભારતે પાકિસ્તાનને 7-3થી હરાવ્યું, હવે  ફરી ટાઇટલ માટે જંગ ]]></title><link>https://sandesh.com/sports/news/fih-youth-hockey5s-india-beats-pakistan-7-3-now-fighting-for-the-title-again</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fih-youth-hockey5s-india-beats-pakistan-7-3-now-fighting-for-the-title-again</guid><pubDate>Sat, 25 Jul 2026 08:34:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય સબ-જુનિયર પુરુષ હોકી ટીમે 24 જુલાઈના રોજ ઓમાનના મસ્કતમાં FIH યુથ હોકી 5s એશિયન ચેમ્પિયનશિપ 2026માં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું. ભારતે એક જ દિવસમાં બે મોટી જીત નોંધાવી, યજમાન ઓમાનને 10-1થી હરાવ્યું અને કટ્ટર હરીફ પાકિસ્તાનને 7-3થી હરાવ્યું.હવે જ્યારે પૂલ સ્ટેજ પૂર્ણ થઈ ગયો છે, ત્યારે ભારતીય પુરુષ ટીમ શનિવારે ફરી એકવાર ટાઇટલ મેચમાં પાકિસ્તાનનો સામનો કરશે.</p><h4 style="text-align: justify; "><b>પાકિસ્તાન અને ઓમાનનો પરાજય</b></h4><p style="text-align: justify; ">દિવસની સૌથી હાઇ-વોલ્ટેજ મેચમાં, કેપ્ટન કેતન કુશવાહાના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું. રોમિત પાલ, કરણ ગૌતમ અને કેપ્ટન કેતનના ગોલથી ભારત હાફ ટાઇમ સુધી 3-0થી આગળ રહ્યું. બીજા હાફમાં પ્રહલાદ રાજભર, શાહરૂખ અલી, રાહુલ યાદવ અને કેતનના ગોલથી ભારતનો 7-3નો વિજય થયો. અગાઉ, ભારતે યજમાન ઓમાન સામે એકતરફી પ્રદર્શન કર્યું. હાફ ટાઇમ સુધી 6-0ની લીડ લીધા બાદ, ભારતે કુલ 10 ગોલ કર્યા. કેપ્ટન કેતન કુશવાહાએ મેચમાં ચાર ગોલ કર્યા, જ્યારે શાહરૂખ અલી, કરણ ગૌતમ અને પ્રહલાદ રાજભરે દરેકે બે ગોલ કર્યા.</p><p style="text-align: justify; "><a href="https://x.com/TheHockeyIndia/status/2080709944232509735?s=20" target="_blank">https://x.com/TheHockeyIndia/status/2080709944232509735?s=20</a></p><p style="text-align: justify; "><br></p><h5 style="text-align: justify; "><b>મહિલા ટીમનું નોંધપાત્ર વાપસી</b></h5><p style="text-align: justify; ">દરમિયાન, ભારતીય સબ-જુનિયર મહિલા ટીમે ચીન સામે 3-6થી હાર બાદ ઉઝબેકિસ્તાનને 10-0થી હરાવીને જોરદાર વાપસી કરી. આ ટુર્નામેન્ટ પ્રારંભિક FIH યુવા હોકી 5s વર્લ્ડ કપ માટે એશિયન ક્વોલિફાયર પણ છે. ભારતીય સબ-જુનિયર મહિલા ટીમે ઉઝબેકિસ્તાન સામે શાનદાર વાપસી કરી. નૌશીન નાઝે ઉઝબેકિસ્તાન સામેની મેચમાં હેટ્રિક ફટકારી. સંદીપ કુમારીએ બે ગોલ કર્યા. શ્રુતિ કુમારી, કિરણ એક્કા, સ્વીટી કુજુર, નીલમ ટોપનો અને દિયાએ દરેકે 10-0 ગોલ કરીને ભારતને 10-0થી વિજય અપાવ્યો અને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું. ભારતીય મહિલા ટીમ શનિવારે સેમિફાઇનલ 2 માં કઝાકિસ્તાન સામે ટકરાશે. આ મેચમાં જીત મેળવનાર ટીમ ફાઇનલ અને વર્લ્ડ કપ ક્વોલિફિકેશનમાં સીધો પ્રવેશ મેળવશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/argentina-legend-retires-after-losing-in-fifa-world-cup-final-know-his-amazing-record" target="_blank"> FIFA World Cup ફાઈનલમાં હાર્યા બાદ આર્જેન્ટિનાના દિગ્ગજે લીધો સંન્યાસ, જાણો શાનદાર રેકોર્ડ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/3weZqJFHrVUZRnUAjbKrGnBcE61bJt8Vvv88Qi4c.webp'/></item><item><title><![CDATA[Morbi Rain: મચ્છુ- ડેમ 100 ટકા ભરાતાં 4 દરવાજા 7 ફૂટ ખોલાયા, પાણીની તોતિંગ આવકથી 29 ગામોને કરાયા હાઇ એલર્ટ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/morbi/macchu-2-dam-100-percent-full-4-gates-opened-29-villages-alerted</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/morbi/macchu-2-dam-100-percent-full-4-gates-opened-29-villages-alerted</guid><pubDate>Sat, 25 Jul 2026 08:03:13 +05:30</pubDate><description><![CDATA[<p>મોરબી જિલ્લામાં તેમજ ડેમના ઉપરવાસ અને કેચમેન્ટ વિસ્તારોમાં વિતેલા કલાકો દરમિયાન પડેલા મુસળધાર વરસાદને પગલે નદી-નાળાઓમાં ઘોડાપૂર આવ્યા છે. આ ભારે વરસાદના કારણે મોરબી જિલ્લાની મુખ્ય જીવાદોરી ગણાતો મચ્છુ-2 ડેમ તેની 100 ટકા સપાટીએ પહોંચીને સંપૂર્ણ ભરાઈ ગયો છે.</p><h2><b>મચ્છુ-2 ડેમ 100 ટકા ભરાયો</b></h2><p>ઉપરવાસમાંથી પાણીની વિપુલ અને અવિરત આવક ચાલુ રહેતાં ડેમની સલામતી જાળવવા માટે સિંચાઈ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તુરંત એક્શન લેવામાં આવ્યા હતા. મચ્છુ-2 ડેમના 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને ડેમમાંથી મચ્છુ નદીના પટમાં વિપુલ પ્રમાણમાં પાણી છોડવાનું શરૂ કરી દેવાયું છે.</p><h3><b>મોરબી અને માળિયાના 29 ગામો સતર્ક</b></h3><p>ડેમમાંથી મચ્છુ નદીમાં પાણી છોડાતાં નદી બે કાંઠે વહેતી થઈ છે અને જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને ભરૂચ અને મોરબી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા મોરબી તાલુકા અને માળિયા મિયાણા તાલુકાના મળીને કુલ 29 જેટલા નીચાણવાળા ગામોને હાઇ એલર્ટ કરવામાં આવ્યા છે.</p><h4><b>નદી કાંઠાના વિસ્તારો એલર્ટ&nbsp;</b></h4><p>તંત્ર દ્વારા મોરબી શહેરના નદી કાંઠાના વિસ્તારો તેમજ ગ્રામ્ય વિસ્તારોના સરપંચો અને તલાટીઓને એલર્ટ મોકલી દેવામાં આવ્યા છે. મચ્છુ નદીના પટમાં કે કોઝવે પર કોઈપણ વ્યક્તિએ જવું નહીં, પશુઓને નદી કિનારે ન લઈ જવા અને નીચાણવાળા ઘરોમાં રહેતા લોકોને જરૂર પડે સલામત સ્થળે ખસી જવા માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લાઉડસ્પીકર અને રેવન્યુ ટીમો મારફતે સૂચનાઓ આપવામાં આવી રહી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/himatnagar/sabarmati-river-flooded-tractor-swept-away-during-sand-mining" target="_blank">આ પણ વાંચો:&nbsp; Himmatnagar: સાયબાપુરમાં સાબરમતી નદીના પૂરમાં ટ્રેક્ટર તણાયું, ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂર</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/YmCpE67osmNqWska0fpBPbakLRlRhIJytoIq2gx9.webp'/></item><item><title><![CDATA[Monsoon 2026 : 24 કલાકમાં 265 તાલુકામાં જળતાંડવ: સાંતલપુરમાં 15 અને રાધનપુરમાં 13.5 ઈંચ વરસાદ ]]></title><link>https://sandesh.com/weather/news/gujarat/vav-tharad/monsoon-2026-gujarat-heavy-rain-265-talukas-santalpur-radhanpur-rainfall-update</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/news/gujarat/vav-tharad/monsoon-2026-gujarat-heavy-rain-265-talukas-santalpur-radhanpur-rainfall-update</guid><pubDate>Sat, 25 Jul 2026 07:52:12 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં મેઘરાજાએ પ્રચંડ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના તમામ 265 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આકાશી આફત જેવી સ્થિતિ સર્જાઈ છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>સાંતલપુરમાં 15 ઈંચ&nbsp;</b></h2><p style="text-align: justify; ">સૌથી વધુ વિધ્વંસક સ્થિતિ પાટણ જિલ્લામાં જોવા મળી છે, જ્યાં સાંતલપુરમાં 15 ઈંચ અને રાધનપુરમાં 13.5 ઈંચ જેટલો અતિભારે વરસાદ ખાબકતા ચારેય તરફ જળબંબાકાર થયો છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>બનાસકાંઠા અને વાવ-થરાદ પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ&nbsp;</b></h3><p style="text-align: justify; ">આંકડા અનુસાર, બનાસકાંઠા અને વાવ-થરાદ પંથકમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. ભાભરમાં 11.5 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ, સુઈગામમાં 7 ઈંચ અને થરાદમાં 5.5 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય દાંતીવાડામાં 7 ઈંચ અને ઓગડમાં 6 ઈંચ વરસાદ વરસ્યો છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>નડિયાદમાં 24 કલાકમાં 11 ઈંચ વરસાદ</b></h3><p style="text-align: justify; ">મધ્ય ગુજરાતની વાત કરીએ તો, ખેડાના નડિયાદમાં 24 કલાકમાં 11 ઈંચ, મહેમદાવાદમાં 8.5 ઈંચ, વસો અને કઠલાલમાં 5-5 ઈંચ આકાશી પાણી પડ્યું છે. આણંદના સોજીત્રામાં પણ 5 ઈંચ વરસાદથી માર્ગો જળમગ્ન બન્યા છે.&nbsp;&nbsp;</p><h4 style="text-align: justify; "><b>દહેગામમાં 6 ઈંચ&nbsp;</b></h4><p style="text-align: justify; ">ગાંધીનગરના દહેગામમાં 6 ઈંચ અને કચ્છના રાપરમાં 5 ઈંચ વરસાદ ઝીંકાયો છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરના થાનગઢમાં 7 ઈંચ, મોરબીના વાંકાનેરમાં 7 ઈંચ અને જૂનાગઢના ભેસાણમાં 4.5 ઈંચ વરસાદ પડ્યો છે. આ સિવાય મહીસાગરના બાલાસિનોરમાં 4.5 ઈંચ અને રાજ્યના અન્ય 246 તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદથી નદી-નાળા છલકાયા છે. વિરામ વગર વરસેલા ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ બંધ થયા છે અને નીચાણવાળા ગામોમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp; :&nbsp; <a href="https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-ahmedabad-rain-waterlogging-cm-bhupendra-patel-reprimands-officials" target="_blank"><b>&nbsp; Monsoon 2026 : અમદાવાદમાં પૂરના પાણી ન ઓસરતાં મુખ્યમંત્રી લાલઘૂમ, અધિકારીઓનો ઉધડો લીધો, ‘શા માટે પાણી ભરાયા તેનો ખુલાસો કરો’</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/PEUKl9c83e7BCi22mshrmnAK9Nlsfg9fXS8GFhXv.webp'/></item><item><title><![CDATA[US Tariff Impact: અમેરિકાએ Forced Laborના નામે ભારત પર લગાવ્યો 10%નો વધારાનો ટેરિફ, ભારતીય ઉદ્યોગો પર શું પડશે અસર? ]]></title><link>https://sandesh.com/world/news/business/usa/us-tariff-impact-america-imposed-an-additional-10-tariff-on-india-in-the-name-of-forced-labor-what-will-be-the-impact-on-indian-industries</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/business/usa/us-tariff-impact-america-imposed-an-additional-10-tariff-on-india-in-the-name-of-forced-labor-what-will-be-the-impact-on-indian-industries</guid><pubDate>Fri, 24 Jul 2026 19:59:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ કાર્યવાહી બળજબરીથી મજૂરી સંબંધિત ચિંતાઓના આધારે કરવામાં આવી હતી.&nbsp;</p><h2 style="text-align: justify; ">બળજબરીથી મજૂરી એટલે શું ?</h2><p style="text-align: justify; ">બળજબરીથી મજૂરીનો અર્થ વ્યક્તિને તેની ઇચ્છા વિરુદ્ધ કામ કરવા માટે દબાણ કરવાનો છે. જો કોઈ કામદાર પોતાની નોકરી છોડવા માંગે છે પરંતુ તેને મંજૂરી નથી, તો તે બળજબરીથી મજૂરી બની શકે છે. જો વ્યક્તિને ધમકી હેઠળ કામ કરવાની ફરજ પાડવામાં આવે તો પણ, મામલો ગંભીર હોઈ શકે છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન બળજબરીથી મજૂરીને માનવ અધિકારોનું ઉલ્લંઘન માને છે. વ્યક્તિની સંમતિ ખરેખર મુક્ત નથી. તેઓ દબાણ હેઠળ કામ કરી રહ્યા છે.</p><h3 style="text-align: justify; ">મુખ્ય વ્યાખ્યા શુ ?&nbsp;</h3><p style="text-align: justify; ">દરેક ઓછા વેતનવાળી નોકરીને બળજબરીથી મજૂરી ગણી શકાય નહીં. ઘણા દેશોમાં, કામદારોને ઓછું વેતન મળે છે. કામના કલાકો પણ લાંબા હોઈ શકે છે. આ શ્રમ અધિકારોનો મુદ્દો હોઈ શકે છે. પરંતુ બળજબરીથી મજૂરી સાબિત કરવા માટે, દબાણ અથવા નિયંત્રણના નક્કર સંકેતો જરૂરી છે. ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિ તેમની ઇચ્છા વિરુદ્ધ ઓછા વેતન માટે કામ કરી રહી છે અને ગમે ત્યારે કામ છોડી શકે છે. આવી પરિસ્થિતિ હંમેશા બળજબરીથી મજૂરીની કાનૂની વ્યાખ્યામાં આવતી નથી. જો કે, જો તેમને ચૂકવણી ન કરવાની, પોલીસ કાર્યવાહી, હિંસા, દેવું અથવા પાસપોર્ટ જપ્ત કરવાની ધમકી આપવામાં આવે છે, તો મામલો અલગ થઈ જાય છે.</p><h4 style="text-align: justify; ">બળજબરીથી મજૂરીના મુખ્ય સંકેતો&nbsp;</h4><p style="text-align: justify; ">બળજબરીથી મજૂરીને અનેક સંકેતો દ્વારા ઓળખવામાં આવે છે. આમાં નોકરી છોડવાની સ્વતંત્રતાનો ઇનકાર, હુમલો અથવા હિંસાની ધમકીઓ, પાસપોર્ટ, ઓળખ કાર્ડ અથવા અન્ય દસ્તાવેજો જપ્ત કરવા, વેતન રોકવું, કામદારોને વધુ પડતા દેવાથી બાંધવા, કામદારોની હિલચાલ પર પ્રતિબંધ મૂકવો, ભરતીના નામે ઊંચી ફી વસૂલવી, બાળકોને ખતરનાક અથવા બળજબરીથી મજૂરી કરવા માટે દબાણ કરવું, કામદારોને અલગ કરવા અને નિયંત્રિત કરવા વગેરેનો સમાવેશ થાય છે. આ સૂચકાંકોમાંથી એક અથવા વધુ શંકા પેદા કરી શકે છે.</p><h5 style="text-align: justify; ">દેવું-આધારિત મજૂર જાળ</h5><p style="text-align: justify; ">જબરદસ્તી મજૂરીના એક સામાન્ય સ્વરૂપમાં દેવું શામેલ છે, જેને બંધુઆ મજૂર તરીકે પણ ઓળખવામાં આવે છે. ધારો કે કોઈ ભરતી એજન્ટ કોઈ કામદારને વિદેશમાં નોકરી મેળવવાના નામે મોટી લોન આપે છે. બાદમાં, કામદારને કહેવામાં આવે છે કે તેઓ લોન ચૂકવ્યા વિના છોડી શકતા નથી. તેમના વેતનમાં પણ કાપ મૂકવામાં આવે છે. આ પરિસ્થિતિમાં, કામદાર નાણાકીય જાળમાં ફસાઈ જાય છે. ક્યારેક દેવું એટલું મોટું હોય છે કે કામદાર વર્ષો સુધી તેને ચૂકવી શકતો નથી. આ પરિસ્થિતિ આંતરરાષ્ટ્રીય વેપારમાં ગંભીર ચિંતાનો વિષય છે.</p><h5 style="text-align: justify; ">આંતરરાષ્ટ્રીય વેપારમાં આ મુદ્દો મહત્વપૂર્ણ&nbsp;</h5><p style="text-align: justify; ">આજે, એક ઉત્પાદન બહુવિધ દેશોમાં બનાવવામાં આવે છે. એક દેશમાં ઉગાડવામાં આવતા કપાસમાંથી કાપડ બનાવી શકાય છે, બીજા દેશમાં યાર્નનું ઉત્પાદન કરી શકાય છે, અને કપડાને ત્રીજા દેશમાં સીવી શકાય છે. પછી અંતિમ ઉત્પાદન ચોથા દેશમાંથી યુનાઇટેડ સ્ટેટ્સ અથવા યુરોપમાં મોકલી શકાય છે. આને વૈશ્વિક પુરવઠા શૃંખલા કહેવામાં આવે છે. આ સિસ્ટમમાં, કોઈપણ એક તબક્કે બળજબરીથી મજૂરીનો આરોપ સમગ્ર ઉત્પાદનને વિવાદાસ્પદ બનાવી શકે છે. ખરીદનાર દેશો ઉત્પાદનના ઉત્પાદનમાં કામદારોના અધિકારોનું સન્માન કરવામાં આવ્યું હતું કે કેમ તે અંગે પ્રશ્નો ઉભા કરે છે.</p><h6 style="text-align: justify; ">ભારત પર 10 ટકા ટેરિફનો સંદર્ભ</h6><p style="text-align: justify; ">યુનાઇટેડ સ્ટેટ્સે ભારતને એવા દેશોના જૂથમાં સામેલ કર્યું છે જેમની આયાત પર વધારાના 10 ટકા ટેરિફ લાદવામાં આવે છે. યુનાઇટેડ સ્ટેટ્સે એવા દેશો સામે વધુ કડક પગલાં લેવાની વિનંતી કરી છે જેઓ બળજબરીથી મજૂરી કરાવતી વસ્તુઓની આયાતને રોકવા માટે પૂરતા પગલાં લેવામાં નિષ્ફળ ગયા છે. એવું કહેવું યોગ્ય રહેશે નહીં કે ભારતમાં દરેક ઉત્પાદન અથવા દરેક ઉદ્યોગ પર બળજબરીથી મજૂરી કરવાનો આરોપ છે. વ્યાપક નીતિ સ્તરે, આ ટેરિફ દબાણનું સાધન છે. તેનો હેતુ પુરવઠા શૃંખલાની ચકાસણી, પારદર્શિતા અને શ્રમ ધોરણોનું પાલન વધારવાનો હોવાનું જણાવાયું છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/india/news/saharanpur-news-4-killed-in-blast-at-firecracker-factory-in-saharanpur-two-bodies-found" target="_blank"> સહારનપુરમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 4ના મોત, બે મૃતદેહ મળ્યા</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/24/2qEnFvwnpy6B9PGargJ2Pl13icuxxk3WFID6Ozoa.webp'/></item></channel></rss>