<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Raja Sen : રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મમેકર રાજા સેનનું નિધન, 71 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ ]]></title><link>https://sandesh.com/entertainment/news/national-award-winning-filmmaker-raja-sen-passes-away-at-71</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/national-award-winning-filmmaker-raja-sen-passes-away-at-71</guid><pubDate>Sun, 16 Aug 2026 15:58:08 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દામુ, આત્મીય સ્વજન અને લેબોરેટરી જેવી ફિલ્મો માટે જાણીતા દિવંગત બંગાળી ફિલ્મમેકર રાજા સેનનું રવિવારે 71 વર્ષની ઉંમરે નિધન થયું. 3 વખત નેશનલ ફિલ્મ અવોર્ડ જીતનારા આ ફિલ્મમેકરની તબિયત બગડ્યા બાદ કોલકાતાની SSKM હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. PTI મુજબ રાજા સેનને ગંભીર હાલતમાં સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર હતા. તેઓ ઉંમર સંબંધિત બીમારીઓ અને અન્ય ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી લાંબા સમયથી પરેશાન હતા. બંગાળી સિનેમા, ટેલિવિઝન અને ડોક્યુમેન્ટ્રી ફિલ્મ નિર્માણમાં તેમની કારકિર્દી ખૂબ જ શાનદાર રહી હતી.</p><h2 style="text-align: justify; "><b>રાજા સેનના નિધનનું કારણ</b></h2><p style="text-align: justify; ">બંગાળી ફિલ્મમેકર રાજા સેનની સ્વાસ્થ્ય સમસ્યાઓ ઘણા વર્ષો પહેલા શરૂ થઈ હતી. તેમની ફિલ્મ માયા મૃદંગના શૂટિંગ દરમિયાન તેઓ પડી ગયા હતા, જેના કારણે તેમની પીઠમાં ગંભીર ઈજા થઈ હતી. રાજા સેનનું નિધન ઉંમર સંબંધિત બીમારીઓને કારણે થયું છે. જોકે, શરૂઆતમાં ઈજા ગંભીર લાગી નહોતી, પરંતુ બાદમાં તેની અસર તેમના ચાલવા-ફરવા પર થવા લાગી હતી. આ વર્ષની શરૂઆતમાં તેમના શરીરના નીચેના ભાગમાં નબળાઈ આવી ગઈ હતી. તબીબી તપાસમાં ગંભીર ન્યુરોલોજિકલ સમસ્યા હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારબાદ ફેબ્રુઆરીમાં તેમની મોટી સર્જરી કરવામાં આવી હતી. સર્જરી બાદ થોડા સમય માટે તેમની તબિયતમાં સુધારો થયો હતો. જોકે, છેલ્લા કેટલાક અઠવાડિયામાં તેમની તબિયત ફરી બગડી ગઈ અને અંતે તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.</p><h3 style="text-align: justify; "><b>રાજા સેનની કારકિર્દીની શરૂઆત</b></h3><p style="text-align: justify; ">રાજા સેનનો જન્મ 10 નવેમ્બર 1955ના રોજ કોલકાતામાં થયો હતો. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત બંગાળી ટેલિવિઝનથી કરી હતી અને બાદમાં ફીચર ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું હતું. તેમણે આદર્શ હિન્દુ હોટેલ, આરોગ્ય નિકેતન અને તારાશંકરર છોટો ગલ્પો જેવા ઘણા જાણીતા ટેલિવિઝન શોનું દિગ્દર્શન કર્યું હતું.</p><h4 style="text-align: justify; "><b>રાજા સેને જીત્યા 3 નેશનલ ફિલ્મ અવોર્ડ</b></h4><p style="text-align: justify; ">રાજા સેનને અનેક સન્માન મળ્યા હતા. 1996માં આવેલી તેમની પહેલી ફીચર ફિલ્મ દામુમાં રઘુવીર યાદવ, સત્ય બેનર્જી અને સવ્યસાચી ચક્રવર્તીએ કામ કર્યું હતું. આ ફિલ્મ માટે તેમને બેસ્ટ ચિલ્ડ્રન્સ ફિલ્મનો નેશનલ ફિલ્મ અવોર્ડ મળ્યો હતો. તેમની ફિલ્મ આત્મીય સ્વજનને ફેમિલી વેલફેર પર બનેલી બેસ્ટ ફિલ્મનો નેશનલ ફિલ્મ અવોર્ડ પણ મળ્યો હતો. જાણીતી રવીન્દ્ર સંગીત ગાયિકા સુચિત્રા મિત્રા પર બનાવેલી તેમની ડોક્યુમેન્ટ્રીને બેસ્ટ આર્ટ્સ અને કલ્ચરલ ફિલ્મનો નેશનલ ફિલ્મ અવોર્ડ મળ્યો હતો.</p><h5 style="text-align: justify; "><b>રાજા સેનના પરિવાર વિશે</b></h5><p style="text-align: justify; ">ફિલ્મમેકર રાજા સેનની જાણીતી ફીચર ફિલ્મોમાં ચક્રવ્યૂહ, દેશ, દેવીપક્ષ, કૃષ્ણકાંતેર વિલ, તિનમૂર્તિ, લેબોરેટરી, મૌબોને આજ, કર્નલ અને માયા મૃદંગનો સમાવેશ થાય છે. રાજા સેનની ફિલ્મોની વાર્તા ઘણીવાર માનવીય સંબંધો, સામાજિક સચ્ચાઈ અને બંગાળના સાંસ્કૃતિક વાતાવરણ પર આધારિત રહેતી હતી. રાજા સેન પોતાના પાછળ પત્ની પાપિયા સેન અને દીકરીઓ સુભાશ્રી સેન તથા શ્રેયોશી સેનને છોડી ગયા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/shah-rukh-khan-ajay-devgn-tiger-fda-notice-elaichi-ad" target="_blank">આ પણ વાંચો-Shah Rukh Khan, અજય દેવગન અને ટાઈગર શ્રોફની વધી મુશ્કેલીઓ! ગુટખા એડને લઈને FDAની નોટિસ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/R8WLuHyeWrzXyVLImdoBCOUlkwE52DJup9HJGFVC.webp'/></item><item><title><![CDATA[Bhavnagar News : ગુરુકુળ બ્લેકમેલિંગ કાંડ, રૂ.2 લાખ આપ્યા બાદ પણ રૂ.5 કરોડની કરી માંગણી, તપાસ તેજ... ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/bhavnagar-gurukul-blackmailing-scandal-rs-5-crore-demanded-even-after-giving-rs-2-lakh-investigation-intensified</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/bhavnagar-gurukul-blackmailing-scandal-rs-5-crore-demanded-even-after-giving-rs-2-lakh-investigation-intensified</guid><pubDate>Sun, 16 Aug 2026 15:57:43 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભાવનગરમાં સ્વામિનારાયણ ગુરુકુળના સંચાલક કે.પી. સ્વામી દ્વારા ઘોઘારોડ પોલીસ મથકમાં રૂ.5 કરોડની ખંડણી અને બ્લેકમેલિંગ અંગે 14 ઓગસ્ટના રોજ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ કેસમાં ડૉ. પ્રવીણ ભાલીયા, તેમના પત્ની અને સાળા હિરેન ખેરાળા સામે ગુનો દાખલ કરાયો છે. ફરિયાદમાં જણાવાયા અનુસાર, આરોપી મહિલા અગાઉ આ ગુરુકુળમાં અભ્યાસ કરતી હતી અને ત્યારબાદ 12 વર્ષ પહેલાં એક વર્ષ માટે શિક્ષિકા તરીકે પણ સેવા આપી ચૂકી છે, જેથી કે.પી. સ્વામી સાથે તેમના ઘરે આવવા-જવાનો કૌટુમ્બિક વ્યવહાર હતો.</p><h2 style="text-align: justify; "><b>આક્ષેપો, ધમકી અને પોલીસ કાર્યવાહી</b></h2><p style="text-align: justify; ">ફરિયાદ મુજબ અગાઉ જુલાઈ મહિનામાં આ બાબતને લઈને મહિલાને રૂ.2 લાખ આપવામાં આવ્યા હતા. જોકે, ત્યારબાદ મહિલાના પતિ દ્વારા કે.પી. સ્વામીના WhatsApp નંબર પર મેસેજ કરીને પત્ની સાથેના આડા સંબંધનો આક્ષેપ કરી આત્મહત્યા કરવાની ધમકી આપવામાં આવી હતી. આ મેસેજ મળતાં જ કે.પી. સ્વામીએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. ઘોઘારોડ પોલીસે ટેકનિકલ પુરાવાના આધારે તપાસ હાથ ધરી આરોપીઓની અટકાયત કરી હતી અને ગઈકાલે બપોરે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓના જામીન મંજૂર કર્યા છે.</p><h2 style="text-align: justify; "><b>વર્તમાન સ્થિતિ અને પોલીસ તપાસ</b></h2><p style="text-align: justify; ">આ સમગ્ર હાઈપ્રોફાઈલ ઘટના બાદ હાલમાં ફરિયાદી કે.પી. સ્વામી કે આરોપીઓમાંથી કોઈનો સંપર્ક થઈ શકતો નથી. ઘટના પાછળનું સાચું સત્ય શું છે તે પોલીસની ઊંડાણપૂર્વકની તપાસ બાદ જ સ્પષ્ટ થશે. ઘોઘારોડ પોલીસ હાલ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ટેકનિકલ અને અન્ય પુરાવા એકત્રિત કરી રહી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kheda/thasra-chitalav-bridge-collapse-administration-to-identify-responsible-department" target="_blank">Kheda News: ઠાસરામાં ધરાશાયી થયેલો બ્રિજ કોના અંડરમાં આવે છે તેની જાણકારી મેળવાશે: ડેપ્યુટી કલેક્ટર</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/nwpkr9XoGrLbKPXmBMisnSgpoee2gXnJNb3bYqE9.webp'/></item><item><title><![CDATA[Jantar Mantar Protest : વિરોધ પ્રદર્શન બાદ નોંધાયેલી FIRની નિષ્પક્ષ તપાસની માગ, સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાઈ અરજી ]]></title><link>https://sandesh.com/india/news/jantar-mantar-protest-fir-independent-fair-probe-supreme-court-plea</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/jantar-mantar-protest-fir-independent-fair-probe-supreme-court-plea</guid><pubDate>Sun, 16 Aug 2026 15:54:46 +05:30</pubDate><description><![CDATA[<p>દિલ્હીના જંતર-મંતર ખાતે 20 જુલાઈએ યોજાયેલા વિદ્યાર્થીઓના વિરોધ-પ્રદર્શન બાદ નોંધાયેલી FIRની પોલીસ તપાસમાં દખલગીરી રોકવાની માગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં કેન્દ્ર સરકાર, દિલ્હી પોલીસ કમિશનર અને દિલ્હી સરકારને પ્રદર્શન સાથે સંબંધિત FIRની તપાસ સ્વતંત્ર, નિષ્પક્ષ અને કાયદા અનુસાર કરાવવા માટે જરૂરી નિર્દેશ આપવાની માગ કરવામાં આવી છે.</p><h2><b>કોને બનાવવામાં આવ્યા પક્ષકાર?</b></h2><p>20 જુલાઈએ 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) દ્વારા NEET પેપર લીક અને શિક્ષણ વ્યવસ્થામાં કથિત ગેરરીતિઓના મુદ્દે 'સંસદ ચાલો' પ્રદર્શનનું આહ્વાન કરવામાં આવ્યું હતું. પ્રદર્શન દરમિયાન કથિત રીતે હિંસા ફાટી નીકળ્યા બાદ દિલ્હી પોલીસે વિદ્યાર્થીઓ અને અન્ય લોકો વિરુદ્ધ અનેક FIR નોંધાવી હતી. અરજીકર્તા રામનાથને દાખલ કરેલી અરજીમાં CJPના સ્થાપક અભિજીત દિપકે અને વકીલ શૈલેન્દ્ર મણિ ત્રિપાઠીને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા છે. ત્રિપાઠીએ જંતર-મંતર પ્રદર્શન દરમિયાન પોલીસની કથિત કાર્યવાહી સામે અગાઉ જનહિત અરજી પણ દાખલ કરી હતી.</p><h3><b>પોલીસની તપાસની સ્વતંત્રતા પર ભાર મૂકવામાં આવ્યો</b></h3><p>અરજીમાં પોલીસની તપાસની સ્વતંત્રતા પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમાં દલીલ કરવામાં આવી છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા, ગુનાની તપાસ કરવા અને દોષિતો સામે કાર્યવાહી કરવાની પોલીસની કામગીરીમાં કાયદાની વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન થાય ત્યાં સુધી અનાવશ્યક દખલગીરી થવી જોઈએ નહીં. પરંતુ ચાલી રહેલી તપાસને વારંવાર વચગાળાના આદેશો દ્વારા રોકવી અથવા નિયંત્રિત કરવી બંધારણીય ચિંતાનો વિષય બની શકે છે. તેથી FIRની તપાસ કાયદા મુજબ અને નિષ્પક્ષ રીતે આગળ વધારવા માટે નિર્દેશની માગ કરવામાં આવી છે.</p><p><a href="https://sandesh.com/india/news/assam--tailor-arrested-for-threatening-cm-himanta-biswa-sarma-with-rs-1-cr-demand" target="_blank"><b>આ પણ વાંચો : Assamમાં સીએમ હિંમતા બિસ્વા શર્માને જાનથી મારી નાખવાની ધમકી, હત્યા માટે માગ્યા 1 કરોડ રૂપિયા</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/1bXUlDzeiyeC9WimaHiTsIHz0whKR9dr8UpgpuW8.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: પોલીસ ચોકી સામે 10 ગુંડાઓએ યુવકને દોડાવી-દોડાવીને મારી નાખ્યો, અજય સાલ્વી પર તલવાર-છરી વડે 15થી વધુ ઘા ઝીંકાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ranip-subhash-bridge-ajay-salvi-murder-case-police-investigation</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ranip-subhash-bridge-ajay-salvi-murder-case-police-investigation</guid><pubDate>Sun, 16 Aug 2026 15:52:02 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં આવેલા સુભાષબ્રિજ ખાતે ગત રાત્રે 2 વાગ્યાના સુમારે સસનાટીભરી હત્યાની ઘટના સામે આવી છે. રોયલ મિલના છાપરા પાસે રહેતા અજય સાલ્વી નામના યુવક પર ટેમ્પોમાં આવેલા 10 જેટલા હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.</p><h2><b>રાણીપ વિસ્તારમાં સસનાટીભરી હત્યા</b></h2><p>પ્રાથમિક માહિતી અનુસાર, 3 દિવસ અગાઉ સુભાષબ્રિજ ખાતે અજય સાલ્વી સાથે અંકિત અને અન્ય એક યુવકને બબાલ થઈ હતી. એ સમયે આરોપીઓએ અજયને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગત રાત્રે જ્યારે અજય સુભાષબ્રિજ પાસે ચા પીવા માટે ઊભો હતો, ત્યારે આરોપીઓ ટેમ્પો લઈને ધસી આવ્યા હતા.</p><h3><b>છરીના 15 થી વધુ ઘા ઝીંકી દીધા</b></h3><p>આરોપીઓને હથિયારો સાથે જોઈને અજય સાલ્વી પોતાનો જીવ બચાવવા માટે ભાગ્યો હતો. જોકે, સુભાષબ્રિજ સર્કલ પાસે તે નીચે પડી જતાં આરોપીઓએ તેને ઘેરી લીધો હતો. રાણીપ પોલીસ ચોકીની બિલકુલ સામે જ આરોપીઓએ તલવાર અને છરીના પીઠ અને શરીરના ભાગે 15 થી વધુ ઘા ઝીંકી દીધા હતા. હુમલો એટલો ઘાતકી હતો કે યુવકનું આંતરડું બહાર આવી ગયું હતું અને ઘટનાસ્થળે જ તેનું કરૂણ મોત નીપજ્યું હતું.</p><h4><b>મૃતકનો ઈતિહાસ અને પોલીસ કાર્યવાહી</b></h4><p>&nbsp;મૃતક અજય સાલ્વી સામે સાબરમતી અને રાણીપ સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશન (દારૂબંધી) ના ગુનાઓ અગાઉ દાખલ થયેલા છે.ઘટનાની જાણ થતાં જ રાણીપ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આરોપી અંકિત અને તેના સાથીદારો સામે ગુનો નોંધી તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/amit-shah--congress-forgot-vande-mataram-for-vote-bank-politics" target="_blank">આ પણ વાંચો: 'Congress ઓફિસમાં પાપ થયું, સોનિયા ગાંધીને જનતા માફ નહીં કરે', 'વંદે માતરમ'ના અપમાન પર અમિતશાહનો હુંકાર</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/bqfnGp3jvNEV6sWombrLlR14V6sNSufJgGKgu8fX.webp'/></item><item><title><![CDATA[Auto News: માર્કેટમાં ટૂંક સમયમાં લોન્ચ થશે આ નવી શક્તિશાળી હાઇબ્રિડ SUV ]]></title><link>https://sandesh.com/business/news/automobile/auto-news-this-new-powerful-hybrid-suv-will-be-launched-in-the-market-soon</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/auto-news-this-new-powerful-hybrid-suv-will-be-launched-in-the-market-soon</guid><pubDate>Sun, 16 Aug 2026 15:51:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મહિન્દ્રા સતત નવા મોડેલ્સ અને અપડેટેડ વાહનો સાથે ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં પોતાની પકડ વધુ મજબૂત કરી રહી છે. કંપનીએ તાજેતરમાં સ્કોર્પિયો-N ફેસલિફ્ટ અને તેના પર આધારિત લાઇફસ્ટાઇલ પિકઅપ ટ્રક રજૂ કર્યું છે. આ સિવાય ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) સેગમેન્ટમાં પણ મહિન્દ્રા પોતાના પોર્ટફોલિયોનો ઝડપથી વિસ્તાર કરી રહી છે, ત્યારે હવે કંપનીનું મુખ્ય ધ્યાન હાઇબ્રિડ કારો પર કેન્દ્રિત થયું છે.</p><h2 style="text-align: justify; "><b>નવેમ્બર 2026માં લોન્ચિંગની શક્યતા&nbsp;</b></h2><p style="text-align: justify; ">Cartoqના એક રિપોર્ટ અનુસાર, મહિન્દ્રા નવેમ્બર 2026માં પોતાની પહેલી સ્ટ્રોંગ હાઇબ્રિડ SUV માર્કેટમાં લોન્ચ કરી શકે છે. આ નવી SUV હાલની પોપ્યુલર XUV 7XO પર આધારિત હશે. જો આ લોન્ચિંગ સફળ રહે છે, તો ભારતના ઝડપથી વધી રહેલા હાઇબ્રિડ વ્હીકલ સેગમેન્ટમાં મહિન્દ્રાની આ પહેલી અને મોટી એન્ટ્રી સાબિત થશે.</p><h3 style="text-align: justify; "><b>XUV 7XO બનશે કંપનીની પ્રથમ હાઇબ્રિડ SUV&nbsp;</b></h3><p style="text-align: justify; ">મહિન્દ્રાએ આ વર્ષની શરૂઆતમાં જ XUV 7XOને બજારમાં ઉતારી હતી, જે વાસ્તવમાં XUV700નું અપડેટેડ અને ફેસલિફ્ટેડ વર્ઝન છે. હાલની XUV 7XOમાં ગ્રાહકોને 2.2-લીટર ટર્બો-ડીઝલ અને 2.0-લીટર ટર્બો-પેટ્રોલ એન્જિનનો વિકલ્પ મળે છે. હવે કંપની આ જ SUVમાં અત્યાધુનિક હાઇબ્રિડ ટેકનોલોજી ઉમેરવાની તૈયારી કરી રહી છે.</p><h4 style="text-align: justify; "><b>પાવરટ્રેન અને ઇલેક્ટ્રિક મોટરનું કોમ્બિનેશન&nbsp;</b></h4><p style="text-align: justify; ">રિપોર્ટ્સ મુજબ, આ હાઇબ્રિડ મોડેલમાં હાલના 2.0-લીટર ટર્બો-પેટ્રોલ એન્જિનને જાળવી રાખવામાં આવશે. તેની સાથે એક શક્તિશાળી ઇલેક્ટ્રિક મોટર અને નાનું બેટરી પેક જોડવામાં આવશે. આ સ્ટ્રોંગ હાઇબ્રિડ સિસ્ટમની મદદથી SUV જરૂરિયાત મુજબ અમુક અંતર સુધી માત્ર ઇલેક્ટ્રિક મોટર પર પણ ચાલી શકશે, જ્યારે વધુ પાવરની જરૂર હોય ત્યારે એન્જિન અને મોટર સાથે મળીને કામ કરશે.</p><h5 style="text-align: justify; "><b>ઇંધણની બચત અને માઇલેજમાં મોટો સુધારો</b></h5><p style="text-align: justify; ">સ્ટ્રોંગ હાઇબ્રિડ પાવરટ્રેનનો સૌથી મોટો ફાયદો તેની શ્રેષ્ઠ ફ્યુઅલ એફિશિયન્સી (માઇલેજ)માં જોવા મળશે. ખાસ કરીને સિટી ટ્રાફિક અને ઓછી સ્પીડ દરમિયાન ઇલેક્ટ્રિક મોટર પેટ્રોલ એન્જિનનું કામ સરળ બનાવી દેશે. તેનાથી ઇંધણનો વપરાશ ખૂબ ઘટશે અને ગ્રાહકોને દમદાર માઇલેજ મળશે.</p><h6 style="text-align: justify; "><b>પર્ફોર્મન્સ અને પ્લેટફોર્મની સુવિધા&nbsp;</b></h6><p style="text-align: justify; ">જ્યારે પણ કારને વધુ સ્પીડ કે પાવરની જરૂર પડશે, ત્યારે પેટ્રોલ એન્જિન અને ઇલેક્ટ્રિક મોટર એકસાથે પાવર જનરેટ કરશે, જેનાથી વાહનનું પર્ફોર્મન્સ બુસ્ટ થશે. XUV 7XO પહેલાથી જ ICE (ઇન્ટરનલ કમ્બશન એન્જિન) પ્લેટફોર્મ પર બનેલી છે, તેથી તેમાં હાઇબ્રિડ સિસ્ટમ સેટ કરવી કંપની માટે સરળ અને મજબૂત સાબિત થશે.</p><p style="text-align: justify; "><b>બેટરી અને પાવરના આંકડા બાકી&nbsp;</b></p><p style="text-align: justify; ">જોકે, મહિન્દ્રા દ્વારા હજુ સુધી આ હાઇબ્રિડ મોડેલની બેટરી કેપેસિટી, ઇલેક્ટ્રિક મોટરની ક્ષમતા કે કુલ પાવર અને ટોર્કના સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા નથી. આગામી સમયમાં કંપની આ ટેકનિકલ વિગતો પરથી પડદો ઉંચકશે તેવી શક્યતા છે.</p><p style="text-align: justify; "><b>ડિઝાઇન અને લુકમાં મોટો ફેરફાર નહીં&nbsp;</b></p><p style="text-align: justify; ">ડિઝાઇનની વાત કરીએ તો, XUV 7XOના હાઇબ્રિડ વર્ઝનમાં બહુ મોટા ફેરફારો જોવા મળે તેવી શક્યતા ઓછી છે. તાજેતરમાં ટેસ્ટિંગ દરમિયાન જોવા મળેલા મોડેલ પરથી સ્પષ્ટ થાય છે કે તેનો આકાર, રોડ પ્રેઝન્સ અને ઓવરઓલ ડિઝાઇન હાલની XUV 7XO જેવી જ પ્રીમિયમ અને મસ્ક્યુલર રહેશે.</p><p style="text-align: justify; "><b>ગ્રાહકો માટે પ્રીમિયમ અનુભવ&nbsp;</b></p><p style="text-align: justify; ">ટૂંકમાં કહીએ તો, મહિન્દ્રાના ગ્રાહકોને XUV 7XOનો એ જ દમદાર અને પ્રીમિયમ SUV લુક જોવા મળશે, પરંતુ તેના બોનેટ નીચે મોટો ફેરફાર થયેલો હશે. આ નવું હાઇબ્રિડ મોડેલ ભારતીય ઓટો માર્કેટમાં લોન્ચ થતાં જ ટોયોટા અને મારુતિ જેવી કંપનીઓની હાઇબ્રિડ કારોને કડક ટક્કર આપશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/automobile" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/K9njue7tUQhPcNItlK6noCIY1hV5LSrCmmJ9zheM.webp'/></item><item><title><![CDATA[Assamમાં સીએમ હિંમતા બિસ્વા શર્માને જાનથી મારી નાખવાની ધમકી, હત્યા માટે માગ્યા 1 કરોડ રૂપિયા ]]></title><link>https://sandesh.com/india/news/assam--tailor-arrested-for-threatening-cm-himanta-biswa-sarma-with-rs-1-cr-demand</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/assam--tailor-arrested-for-threatening-cm-himanta-biswa-sarma-with-rs-1-cr-demand</guid><pubDate>Sun, 16 Aug 2026 15:47:33 +05:30</pubDate><description><![CDATA[<p>Assam: આસામના મોરીગાંવ જિલ્લામાં અબ્દુલ મુતલેબ નામના દરજીની ધરપકડ કરવામાં આવી છે. તેના પર ફેસબુક પર મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ છે. આ ઘટના 15 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રીના સ્વતંત્રતા દિવસના ભાષણના લાઇવ પ્રસારણ દરમિયાન બની હતી; એક ટિપ્પણીમાં ધમકી આપવામાં આવી હતી કે જો ₹1 કરોડ ચૂકવવામાં નહીં આવે તો મુખ્યમંત્રીને મારી નાખવામાં આવશે, અને સંપર્ક નંબર આપવામાં આવ્યો હતો.</p><p><br></p><p>પોલીસે મોબાઇલ નંબર અને એકાઉન્ટ ટ્રેક કરીને દરજીની ધરપકડ કરી હતી. તેના પરિવારના બે સભ્યોને પણ રાતોરાત અટકાયતમાં લેવામાં આવ્યા હતા. આરોપીએ આરોપોને નકારી કાઢ્યા છે, દાવો કર્યો છે કે કોઈએ તેના ફોટોગ્રાફનો ઉપયોગ કરીને નકલી એકાઉન્ટ બનાવ્યું છે.</p><h4><b>"પાકિસ્તાન ઝિંદાબાદ" ના નારા લગાવાયા</b></h4><p>તપાસકર્તાઓએ ખુલાસો કર્યો છે કે આ નંબર મુતલેબના નામે નોંધાયેલો હતો. ટિપ્પણીમાં ભારત વિરોધી ટિપ્પણીઓ તેમજ "પાકિસ્તાન ઝિંદાબાદ" જેવા પાકિસ્તાન તરફી નારા હતા. પોલીસે સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્રેસ કર્યું. લાઇવ ટિપ્પણી બાદ, ભૂરગાંવ પોલીસે એકાઉન્ટ અને પોસ્ટ સાથે જોડાયેલા મોબાઇલ નંબરની તપાસ કરી. તપાસ દરમિયાન, પોલીસે મુતલેબને શોધી કાઢ્યો અને તેને કસ્ટડીમાં લીધો.</p><h4><b>અન્ય એકાઉન્ટ્સની તપાસ કરી રહી છે પોલીસ</b></h4><p>પોલીસ હાલમાં તેની પૂછપરછ કરી રહી છે અને ધમકી સાથે જોડાયેલા એકાઉન્ટની તપાસ કરી રહી છે, તેમજ અન્ય ડિજિટલ પુરાવા પણ છે. તપાસકર્તાઓ એ પણ નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે મુતલેબ પોતે એકાઉન્ટ ચલાવતો હતો કે નહીં અને ટિપ્પણી કરવાનો તેનો હેતુ શું હતો.</p><p><br></p><p>ગુવાહાટીના ખાનપારા વેટરનરી એન્ડ એગ્રીકલ્ચરલ ફિલ્ડમાં શર્મા સ્વતંત્રતા દિવસનું ભાષણ આપી રહ્યા હતા ત્યારે ધમકીભરી પોસ્ટ કરવામાં આવી હતી. સંબોધન દરમિયાન, મુખ્યમંત્રીએ આસામ સરકારની વિકાસ પ્રાથમિકતાઓ અને રાજ્યના ભવિષ્ય વિશે વાત કરી. શુક્રવારે મોડી રાત સુધી તપાસ ચાલુ રહી, પોલીસે મોરીગાંવથી વધુ ત્રણ વ્યક્તિઓની અટકાયત કરી. તેમાં મુતલેબના પિતા અને ભાઈનો સમાવેશ થાય છે, જ્યારે ત્રીજા વ્યક્તિની ઓળખ જાહેર કરવામાં આવી નથી.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/jharkhand-jpsc-jssc-protest--student-leader-devendra-nath-mahto-hospitalized" target="_blank"><b>Jharkhand: દેવેન્દ્ર નાથ મહતોની હાલત ચિંતાજનક, શું કહી રહ્યા છે ડોક્ટર?</b></a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/RiQdkBTSqmfzpcSgLhSapkMQ1tAlNfLs49upl9w7.webp'/></item><item><title><![CDATA[વાંચો બપોરે 12થી 03 વાગ્યા સુધીના મહત્વના સમાચાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-12-pm-to-03-pm-16-august-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-12-pm-to-03-pm-16-august-2026</guid><pubDate>Sun, 16 Aug 2026 15:01:17 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર</b></p><p><a href="https://sandesh.com/entertainment/news/salman-khan-brother-sohail-khan-12-kg-weight-loss-reason" target="_blank"><b>1.Sohail Khan Weight Loss : 12 કિલો વજન ઘટાડવા પર સોહેલ ખાને તોડ્યું મૌન! કર્યો મોટો ખુલાસો</b></a></p><p><a href="https://sandesh.com/world/news/political-news/suspense-over-bangladesh-pm-tariq-rahmans-india-visit-controversy-over-sheikh-hasina-deepens" target="_blank"><b>2. Bangladeshના પીએમ Tariq Rahmanના ભારત પ્રવાસ પર સસ્પેન્સ, Sheikh Hasina મુદ્દે વિવાદ બન્યો ઘેરો</b></a></p><p><a href="https://sandesh.com/entertainment/news/vimal-elaichi-ad-fee-shah-rukh-khan-ajay-devgn" target="_blank"><b>3. Celebrity Ad Fees : ગુટખા એડ માટે કેટલા રૂપિયા ચાર્જ કરે છે શાહરૂખ ખાન અને અજય દેવગન?</b></a></p><p><a href="https://sandesh.com/cricket/news/aus-vs-ban-captain-pat-cummins-big-statement-after-embarrassing-defeat-told-where-he-went-wrong" target="_blank"><b>4. AUS vs BAN : શરમજનક હાર બાદ કેપ્ટન પેટ કમિન્સનું મોટું નિવેદન, જણાવ્યું ક્યાં થઈ ચૂક</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/7-day-rain-forecast-yellow-alert-issued-for-several-areas" target="_blank"><b>5. Gujarat Weather News: આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી, આ વિસ્તારોમાં યલો એલર્ટ</b></a></p><p><a href="https://sandesh.com/world/news/russia-ukraine-war-kyiv-strike-nato-f18" target="_blank"><b>6. અડધી રાત્રે કિવ પર રશિયાનો મિસાઇલ હુમલો, NATOના F-18એ સંભાળ્યો મોરચો</b></a></p><p><a href="https://sandesh.com/india/news/amit-shah--congress-forgot-vande-mataram-for-vote-bank-politics" target="_blank"><b>7. 'Congress ઓફિસમાં પાપ થયું, સોનિયા ગાંધીને જનતા માફ નહીં કરે', 'વંદે માતરમ'ના અપમાન પર અમિતશાહનો હુંકાર</b></a></p><p><a href="https://sandesh.com/india/news/pm-modi-shares-instagram-reel-feeding-cows-and-peacocks--talks-about-daily-routine" target="_blank"><b>8.PM Modi Video: પહેલા ગાયને ચારો પછી મોરને દાણા... પીએમ મોદીએ લાલ કિલ્લા પર જતા પહેલાનો Video કર્યો શેર</b></a></p><p><a href="https://sandesh.com/world/news/colombia-us-trade-relations-president-abelardo-de-la-espriella-appeals-to-donald-trump-to-lift-tariffs" target="_blank"><b>9. Colombia US Trade Relations: રાષ્ટ્રપતિ એબેલાર્ડો ડે લા એસ્પ્રીએલાની ડોનાલ્ડ ટ્રમ્પને Tariff હટાવવા અપીલ</b></a></p><p><a href="https://sandesh.com/india/news/mumbai-navy-family-mass-suicide-navy-nagar" target="_blank"><b>10. Mumbai: નેવી પરિવારની સામૂહિક આત્મહત્યા, બે માસૂમ બાળકો સહિત 4ના મોત</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/29/wLbfyTnyUxIYEFJiJxV9BkITi0sHaa4rS7kNibmF.webp'/></item><item><title><![CDATA[Navsariના બીલીમોરામાં તરખાટ મચાવનાર રીઢા ઘરફોડ ચોર આરીફ સૈયદની કરી ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/navsari/arif-syed-a-habitual-burglar-who-caused-havoc-in-bilimora-navsari-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/navsari/arif-syed-a-habitual-burglar-who-caused-havoc-in-bilimora-navsari-arrested</guid><pubDate>Sun, 16 Aug 2026 13:25:45 +05:30</pubDate><description><![CDATA[<p>નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી બંધ ઘરોને નિશાન બનાવીને ચોરીની ઘટનાઓને અંજામ આપનાર રીઢા ચોરને ઝડપી પાડવામાં નવસારી Local Crime Branch (LCB) ને મોટી સફળતા મળી છે. પકડાયેલા રીઢા ઘરફોડ ચોરે બીલીમોરા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં એકપછી એક ચાર ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હતો. ચોરે બંધ મકાનોના તાળા તોડીને અંદરથી કિંમતી સોના-ચાંદીના દાગીના તેમજ મોટી રકમની રોકડની ચોરી કરી તરખાટ મચાવ્યો હતો, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો હતો.</p><h2><b>LCBની ટીમે બાતમીના આધારે આરોપીને દબોચ્યો</b></h2><p>બીલીમોરામાં સતત થતી ચોરીઓને પગલે નવસારી LCB દ્વારા એક ખાસ ટીમનું ગઠન કરીને તસ્કરોને ઝડપી પાડવા માટે સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન LCB ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે પોલીસે દરોડો પાડીને રીઢા ઘરફોડ ચોર આરીફ સૈયદની સફળતાપૂર્વક ધરપકડ કરી લીધી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ ચોર સૌપ્રથમ બાઇકની ચોરી કરતો હતો અને ત્યારબાદ તે જ બાઇક પર શહેરી વિસ્તારોમાં ફરીને બંધ ઘરોની રેકી કરીને ચોરીને અંજામ આપતો હતો.</p><h3><b>સોનાની લગડી, રોકડ અને ચોરીની બાઇક સહિતનો મુદ્દામાલ જપ્ત</b></h3><p>પોલીસે આરોપી આરીફ સૈયદ પાસેથી સોનાની લગડી, મોબાઈલ ફોન, રોકડ રકમ તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી બાઇક સહિત કુલ ૧૦ લાખથી વધુની કિંમતનો ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી ચોર પાસે ચોરાયેલી બાઇક પણ પોલીસે જપ્ત કરી છે. નવસારી LCB એ આરીફ સૈયદની અટકાયત કરી બીલીમોરા શહેરના ચાર ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે અને આ ચોર અન્ય કઈ-કઈ ઘરફોડ ચોરીની ઘટનાઓમાં સંકળાયેલો છે તે જાણવા કાયદેસરની કડક કાર્યવાહી અને આગળની પૂછપરછ હાથ ધરી છે.</p><p><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/Itt1EgyFMl8NgzISa9YvYiG01L1EnletGLGIt5Pn.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: વાઈબ્રન્ટ સમિટને લઈ વિદેશ રવાના થયેલા IASનો ચાર્જ અન્ય અધિકારીઓને સોંપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/ias-officers-leave-for-abroad-additional-charges-assigned</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/ias-officers-leave-for-abroad-additional-charges-assigned</guid><pubDate>Sun, 16 Aug 2026 13:05:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આગામી 10થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનાર 'વાયબ્રન્ટ ગુજરાત 2027 સમિટ માટે રોકાણકારોને આકર્ષવા અને નિમંત્રણ પાઠવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ 24 ઓગસ્ટ સુધીના અમેરિકા અને કેનેડાના વિદેશ પ્રવાસે રવાના થયું છે.આ પ્રતિનિધિમંડળમાં મુખ્યમંત્રીની સાથે રાજ્યના મુખ્ય સચિવ એમ.કે.દાસ, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ સંજીવ કુમાર,અગ્ર સચિવ આલોક પાંડે,ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા તેમજ ટી.નટરાજન જેવા ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા છે. હવે તેમનો ચાર્જ અન્ય અધિકારીઓને સોંપવામાં આવ્યો છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>5 જેટલા ઉચ્ચ IAS અધિકારીઓનો વધારાનો ચાર્જ સોંપાયો</b></h2><p style="text-align: justify; ">ગુજરાતમાં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આયોજનના ભાગરૂપે રાજ્યના સિનિયર IAS અધિકારીઓ વિદેશ પ્રવાસે જઈ રહ્યા હોવાથી વહીવટી તંત્રમાં મોટા પાયે વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.આ વિદેશ પ્રવાસ દરમિયાન રાજ્યના મહત્વના વિભાગોની કામગીરી અટકાય વગર સુચારુ રીતે ચાલે તે માટે સામાન્ય વહીવટી વિભાગ દ્વારા સત્તાવાર આદેશ જારી કરીને કુલ 5 જેટલા ઉચ્ચ IAS અધિકારીઓનો વધારાનો ચાર્જ અન્ય સક્ષમ અધિકારીઓને સોંપવામાં આવ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવનો ચાર્જ અંજુ શર્માને સોંપાયો</b></h3><p style="text-align: justify; ">આ નવેસરથી કરાયેલી વ્યવસ્થા મુજબ,ટી.નટરાજન વિદેશ પ્રવાસે જતાં તેમના નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવનો ચાર્જ અંજુ શર્માને સોંપાયો છે. જ્યારે મમતા વર્માના ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવનો ચાર્જ રાજીવ ટોપનોને અને ગૃહ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમારનો ચાર્જ અરુણ કુમાર સોલંકીને સુપ્રત કરાયો છે. આ ઉપરાંત, પી.સ્વરૂપના ઉદ્યોગ કમિશનરનો ચાર્જ પ્રવિણા ડી.કે.ને વિક્રાંત પાંડેના સચિવનો ચાર્જ અજય કુમારને તેમજ રેસિડેન્ટ કમિશનરનો ચાર્જ સંધ્યા ભુલ્લરને સોંપવામાં આવ્યો છે.</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/news/surat/major-action-in-dr-harsh-pandya-suicide-case-in-surat-arrests-in-progress-after-fathers-complaint" target="_blank">આ પણ વાંચોઃ Suratમાં ડો. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટી કાર્યવાહી: પિતાની ફરિયાદ બાદ ધરપકડના ચક્રો ગતિમાન</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/S7zEkCPcP2YfVGFLlJnASlz0W3dwRtxGzIBG26xH.webp'/></item><item><title><![CDATA[FIH World Cup 2026 : માતાના પગલે પુત્ર! 28 વર્ષ પછી એ જ ગ્રાઉન્ડ પર હોકી વર્લ્ડ કપમાં રમ્યો દીકરો ]]></title><link>https://sandesh.com/sports/news/fih-world-cup-2026-son-follows-in-mothers-footsteps-son-plays-in-hockey-world-cup-on-same-ground-after-28-years</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fih-world-cup-2026-son-follows-in-mothers-footsteps-son-plays-in-hockey-world-cup-on-same-ground-after-28-years</guid><pubDate>Sun, 16 Aug 2026 10:03:26 +05:30</pubDate><description><![CDATA[<p>હોકી વર્લ્ડ કપ 2026 શરૂ થઈ ગયો છે.ભારતે આ વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત વેલ્સ સામે પોતાની પહેલી મેચ રમીને કરી હતી.15 ઓગસ્ટની સાંજે વેલ્સ સામેની હોકી વર્લ્ડ કપ મેચ પ્રીતમ સિવાચ માટે માત્ર એક મેચ જ નહોતી.આ મેચ તેમના પુત્ર યશદીપના વર્લ્ડ કપ ડેબ્યૂ કર્યું હતું.એક માતા તરીકે,તે તેમના માટે ગર્વની ક્ષણ હતી.આ ગર્વ એ હકીકતથી વધુ વધ્યો કે તે તેમના પુત્રને તેમના પછી હોકી વર્લ્ડ કપમાં ભારત માટે રમતા જોઈ રહી હતી.</p><h5><b>1998માં માતા 2026માં પુત્ર</b></h5><p>પ્રીતમ સિવાચે નેધરલેન્ડ્સમાં 1998ના મહિલા હોકી વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું.હવે 28 વર્ષ પછી તે જ દેશમાં 2026ના પુરુષ હોકી વર્લ્ડ કપમાં તેમના પુત્ર યશદીપ સિવાચે ટુર્નામેન્ટની ભારતની પહેલી મેચ રમી હતી.નોંધપાત્ર વાત એ છે કે પ્રીતમ સિવાચે નેધરલેન્ડ્સમાં હોકી વર્લ્ડ કપ રમ્યો ત્યારે યશદીપનો જન્મ પણ થયો ન હતો.25 વર્ષીય ડિફેન્ડર યશદીપે 2022 માં ભારત માટે સિનિયર ડેબ્યૂ કર્યું હતું.</p><h5><b>પ્રીતમ સિવાચે તેમના પુત્રની સિદ્ધિ વિશે શું કહ્યું?</b></h5><p>પોતાના પુત્રની સિદ્ધિ પર પ્રતિબિંબ પાડતા,પ્રીતમ સિવાચે કહ્યું,આ મારા માટે એક મોટી ક્ષણ છે.મારો પુત્ર વર્લ્ડ કપમાં મારા જેવા જ સ્થળે રમ્યો હતો.તેણીએ શેર કર્યું કે તે નેધરલેન્ડમાં હતી અને તાજેતરમાં જ ત્યાંથી પાછી આવી છે.તે ટીવી પર મેચ જોઈ રહી છે.પ્રીતમએ કહ્યું કે તેણીએ આજે ​​સવારે તેના પુત્રને ફોન કર્યો અને તેને કહ્યું કે તેને તેની માતાનું અધૂરું સ્વપ્ન પૂર્ણ કરવું પડશે.પ્રીતમ સિવાચે કહ્યું કે તેણીને વિશ્વાસ છે કે ટીમ મેડલ સાથે પરત ફરશે.ટીમ ખૂબ જ મજબૂત દેખાય છે અને તેમનું મનોબળ ઊંચું છે.મોટી ટીમો સામે નિયમિત રમવાથી તેમને સારી તૈયારી કરવામાં પણ મદદ મળી છે.</p><h5><b>માતા અને પુત્રની રમવાની શૈલીઓ અલગ અલગ હોય છે</b></h5><p>પોતાના પુત્ર અને તેની પોતાની રમવાની શૈલીઓ વિશે,પ્રીતમ સિવાચે કહ્યું કે તેનો પુત્ર ઝડપથી શીખનાર છે.તે દબાણમાં પણ શાંત રહે છે.હું વધુ આક્રમક ખેલાડી હતો,તેણીએ કહ્યું.તેણીએ કહ્યું કે આ પાછળનું કારણ એ સ્થિતિ હોઈ શકે છે જેમાં અમે બંને રમીએ છીએ.તે ડિફેન્ડર છે.જ્યારે હું સ્ટ્રાઈકર હતો.</p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/cricket/news/rishabh-pants-historic-record-surpassing-adam-gilchrist-to-become-number-1-in-test-cricket" target="_blank"> Rishabh Pant નો ઐતિહાસિક રેકોર્ડ, એડમ ગિલક્રિસ્ટને પાછળ છોડી ટેસ્ટ ક્રિકેટમાં બન્યો નંબર-1</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/P3DXaGssQ6U3XKqDOsKzmdc3t6GpoIdoav8YxsBw.webp'/></item></channel></rss>