<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Surat: અમરોલીના 26.37 કિલો ગાંજા કેસમાં આરોપી બિરેન્દ્રકુમાર ગુપ્તાને 10 વર્ષની જેલ, 1 લાખ દંડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/ndps-court-sentences-man-10-years-jail-26kg-ganja-case</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/ndps-court-sentences-man-10-years-jail-26kg-ganja-case</guid><pubDate>Fri, 28 Aug 2026 16:59:36 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત શહેરમાં નશાકારક પદાર્થો અને ડ્રગ્સની હેરાફેરી સામે ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે કોર્ટે એક મહત્વપૂર્ણ અને દાખલારૂપ ચુકાદો સંભળાવ્યો છે. અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વર્ષ 2025માં ગેરકાયદેસર રીતે ગાંજાનો મોટો જથ્થો રાખીને હેરાફેરી કરતા આરોપી બિરેન્દ્રકુમાર લલ્લુરામ ગુપ્તાને પોલીસે ચોક્કસ બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો.</p><h2><b>સુરત કોર્ટનો કડક ચુકાદો</b></h2><p>પોલીસે આરોપીના કબજામાંથી 26.379 કિલોગ્રામ ગાંજો, જેની બજાર કિંમત રૂ. 2,63,790 થવા જાય છે, તે મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે અમરોલી પોલીસે આરોપી વિરુદ્ધ ધી નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધીને તેની વિધિવત ધરપકડ કરી હતી. અમરોલી પોલીસ દ્વારા કેસની ઊંડાણપૂર્વક તપાસ કરીને નામદાર સેશન્સ કોર્ટમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. કેસની આખરી સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા ધારદાર દલીલો અને પોલીસ દ્વારા એકત્ર કરાયેલા પંચનામા, એફએસએલ (FSL) રિપોર્ટ અને તકનીકી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા.</p><h3><b>NDPS એક્ટ હેઠળ કોર્ટે સજા સંભળાવી&nbsp;</b></h3><p>નામદાર કોર્ટે રજૂ થયેલા તમામ દસ્તાવેજી પુરાવાઓ અને સાક્ષીઓની જુબાનીઓને ગ્રાહ્ય રાખી આરોપી બિરેન્દ્રકુમાર લલ્લુરામ ગુપ્તાને એનડીપીએસ એક્ટ હેઠળ કસૂરવાર ઠેરવ્યો હતો. સમાજમાં નશીલા પદાર્થોનું દૂષણ અટકાવવા માટે કોર્ટે આરોપીને 10 વર્ષની આકરી કેદની સજા અને રૂ. 1,00,000નો દંડ ફટકારવાનો આદેશ કર્યો છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/amreli/jafrabad-khandhera-hanumanji-mahanth-gotibapu-missing-in-nepal-floods" target="_blank">આ પણ વાંચો: Amreli: નેપાળના ભયાનક પૂરમાં જાફરાબાદ ખંઢેરા હનુમાનજી મંદિરના મહંત ગોટીબાપુ સંપર્ક વિહોણા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/28/BAFTjp1s9sSep7ZP16WVvmegmBL6pRsUZtkxDOgo.webp'/></item><item><title><![CDATA[Ahmedabad Police Commissionerનો માસ્ટર પ્લાન, 400થી વધુ ગુનેગારો સામે પાસા અને કેમિકલ ગોડાઉનોમાં ચેકિંગ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/police-commissioner-action-plan-against-criminals-pasa</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/police-commissioner-action-plan-against-criminals-pasa</guid><pubDate>Fri, 28 Aug 2026 16:53:34 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ બનાવવા તેમજ ગુનાખોરી પર લગામ કસવા માટે પોલીસ કમિશનરે એક મોટો એક્શન પ્લાન તૈયાર કર્યો છે. અમદાવાદ શહેરને સુરક્ષિત રાખવા અને ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વોમાં ફફડાટ વ્યાપી જાય તે માટે પોલીસે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની તૈયારીઓ આખરી ઓપ આપી દીધો છે.</p><h2><b>400 થી વધુ ગુનેગારોનું લિસ્ટ તૈયાર: ટૂંક સમયમાં જ પાસા હેઠળ કાર્યવાહી</b></h2><p>અમદાવાદ પોલીસ કમિશનરના આદેશથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા 400 થી વધુ આરોપીઓનું ખાસ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. વ્યાજખોરી, શરીર સંબંધી ગુનાઓ, મહિલાઓની છેડતી અને લૂંટ-ધાડ જેવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અસામાજિક તત્વો સામે પોલીસ પાસાનું શસ્ત્ર ઉગામશે. ટૂંક સમયમાં જ આ તમામ આરોપીઓને જેલભેગા કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે.</p><h2><b>ભાવનગર લઠ્ઠાકાંડ બાદ શહેર પોલીસ એલર્ટ મોડ પર</b></h2><p>ભાવનગરમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટના બાદ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે તમામ ઉચ્ચ અધિકારીઓને સતર્ક રહેવાની કડક સૂચના આપી છે. અમદાવાદ શહેરમાં ગેરકાયદે દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે દારૂબંધીની નીતિનું કડકપણે પાલન કરાવવા પોલીસ બેડાને સ્પષ્ટ આદેશો આપી દેવાયા છે.</p><h2><b>કેમિકલના ગોડાઉનોનું સતત ચેકિંગ અને બુટલેગરો પર વોચ</b></h2><p>ઝેરી રસાયણો કેમિકલ માફિયાઓના હાથમાં ન જાય તે માટે અમદાવાદ શહેરમાં આવેલા વિવિધ કેમિકલના ગોડાઉનોમાં સતત ચેકિંગ હાથ ધરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, ભૂતકાળમાં દારૂના ધંધામાં સંડોવાયેલા અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા બુટલેગરો પર પોલીસ દ્વારા સઘન નજર રાખવામાં આવી રહી છે.</p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/amit-shah-celebrates-rakshabandhan-with-type-1-diabetes-girls-announces-free-insulin" target="_blank"> Ahmedabad: અમિત શાહે ટાઇપ-1 ડાયાબિટીસગ્રસ્ત દીકરીઓ પાસે રાખડી બંધાવી આપી આજીવન મફત ઇન્સ્યુલિનની ભેટ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/28/Doua3Zckay4dp8BDP9UVRAneSmt5QoOHdUP2txJw.webp'/></item><item><title><![CDATA[Forbes Indiaના ટોપ 100 શોસ્ટોપર્સ લિસ્ટમાં છવાયા અલ્લુ અર્જુન અને રામ ચરણ! કવર પેજ પર છવાયા ]]></title><link>https://sandesh.com/entertainment/news/forbes-india-top-100-showstoppers-allu-arjun-ram-charan</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/forbes-india-top-100-showstoppers-allu-arjun-ram-charan</guid><pubDate>Fri, 28 Aug 2026 16:51:46 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સાઉથ ફિલ્મોના મોટા સ્ટાર અલ્લુ અર્જુને એક મોટી સિદ્ધિ મેળવી છે. નેશનલ એવોર્ડ વિજેતા એક્ટરને ફોર્બ્સ ઇન્ડિયા શોસ્ટોપર્સ 2026ની લિસ્ટમાં સ્થાન મળ્યું છે. તેમના સિવાય રામ ચરણને પણ આ લિસ્ટમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેલુગુ સિનેમાની આ 2 લોકપ્રિય હસ્તીઓને જ આ લિસ્ટમાં સ્થાન મળ્યું છે. અલ્લુ અર્જુન સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું મોટું નામ છે અને તેમની ફિલ્મોને ફેન્સ ખૂબ પસંદ કરે છે. જોકે પુષ્પા 2 ફિલ્મ બાદ તેમની લોકપ્રિયતા દુનિયાભરમાં જોવા મળી. હવે ફોર્બ્સે પણ તેમને સન્માન આપ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>અનીત પડ્ડાનું નામ પણ આ લિસ્ટમાં છે સામેલ&nbsp;</b></h2><p style="text-align: justify; ">આ ઉપરાંત આ લિસ્ટમાં બીજા ઘણા કલાકારોના નામ પણ સામેલ છે. લિસ્ટમાં એન્ટરટેઇનમેન્ટ અને ક્રિકેટની દુનિયાના દિગ્ગજોના નામ છે. સૈયારા ફિલ્મની એક્ટ્રેસ અનીત પડ્ડાનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. જ્યારે શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનને પણ આ લિસ્ટમાં સ્થાન મળ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>ફોર્બ્સની ટોપ 100 લિસ્ટમાં કોણ કોણ?</b></h3><p style="text-align: justify; ">આ લિસ્ટમાં આમિર ખાન, અભિષેક બેનર્જી, આદિત્ય ધર, અહાન પાંડે, અક્ષય કુમાર, અક્ષય ખન્ના, અમિતાભ બચ્ચન, અનીત પડ્ડા, એ આર રહેમાન, બોબી દેઓલ, ભૂમિ પેડનેકર, દિલજીત દોસાંઝ, જયદીપ અહલાવત, ઈશાન ખટ્ટર, હુમા કુરેશી, કલ્યાણી પ્રિયદર્શન, કોંકણા સેન શર્મા, લક્ષ્ય લાલવાણી, મામૂટી, મોહનલાલ, પ્રીતમ, રજનીકાંત, રણવીર સિંહ, રસિકા દુગ્ગલ, રાની મુખર્જી, શેફાલી શાહ, શ્રેયા ઘોષાલ, સ્મૃતિ મંધાના, સુનિધિ ચૌહાણ, તૃપ્તિ ડિમરી, વિકી કૌશલ અને ઝાકિર ખાનના નામ સામેલ છે.</p><h4 style="text-align: justify; "><b>અલ્લુ અર્જુન કઈ ફિલ્મોમાં જોવા મળશે?</b></h4><p style="text-align: justify; ">અલ્લુ અર્જુનની વાત કરીએ તો પુષ્પા 2 દ્વારા તેમણે સિનેમાઘરોમાં જોરદાર કમાણી કરી હતી અને આ ફિલ્મ ભારતની સૌથી વધુ કમાણી કરનારી 4થી ફિલ્મ છે. આ ફિલ્મ ઉપરાંત તેઓ રાકા નામની ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મને લઈને ફેન્સમાં ખૂબ ઉત્સાહ છે. આ ફિલ્મનું ડિરેક્શન એટલી કરી રહ્યા છે અને તેમાં અલ્લુ અર્જુનની સામે દીપિકા પાદુકોણ પણ જોવા મળે તેવી શક્યતા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/hanuman-ansh-day-20-box-office-toxic-record" target="_blank">આ પણ વાંચો-Toxicની પણ ન પડી કોઈ અસર! હનુમાન અંશ ફિલ્મે 20મા દિવસે રચ્યો કમાણીનો રેકોર્ડ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/28/nVVopSKWe7WQYCjR8DLtlSV5tBxm6GlMTptILiLm.webp'/></item><item><title><![CDATA[Amreli: નેપાળના ભયાનક પૂરમાં જાફરાબાદ ખંઢેરા હનુમાનજી મંદિરના મહંત ગોટીબાપુ સંપર્ક વિહોણા ]]></title><link>https://sandesh.com/gujarat/news/amreli/jafrabad-khandhera-hanumanji-mahanth-gotibapu-missing-in-nepal-floods</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/amreli/jafrabad-khandhera-hanumanji-mahanth-gotibapu-missing-in-nepal-floods</guid><pubDate>Fri, 28 Aug 2026 16:50:10 +05:30</pubDate><description><![CDATA[<p>નેપાળમાં તાજેતરમાં આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલનની હોનારતમાં ભારતના અનેક યાત્રાળુઓ ફસાયા છે અથવા લાપતા થયા છે. આ હોનારતમાં અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આવેલા પવિત્ર ધામ ખંઢેરા હનુમાનજી મંદિરના મહંત કમલપ્રસાદ બાબુલાલ (ઉર્ફે ગોમતીબાપુ / ગોટીબાપુ) પણ લાપતા થયા હોવાના માઠા સમાચાર સામે આવ્યા છે.</p><h2><b>નેપાળ પૂર હોનારતમાં અમરેલીના સાધુ લાપતા</b></h2><p>મળેલી વિગતો અનુસાર, ગોટીબાપુ ગત 10 તારીખે જાફરાબાદથી અમદાવાદ આવ્યા હતા અને ત્યાંથી ટ્રેન મારફતે અયોધ્યા જવા માટે નીકળ્યા હતા. અયોધ્યાથી તેઓ સુલતાનપુર આશ્રમના સાધુ-સંતોના મંડળ સાથે નેપાળ દર્શનાર્થે ગયા હતા. નેપાળ પહોંચ્યા બાદ જ ત્યાં ભયાનક પૂરની પરિસ્થિતિ સર્જાતાં 10 તારીખ પછીથી મહંત ગોટીબાપુનો કોઈ પણ સંપર્ક થઈ શક્યો નથી. નેપાળના પૂરમાં ફસાયેલા અને ગુમ થયેલા ગુજરાતના નાગરિકો તેમજ સાધુ-સંતો અંગે રાજ્ય સરકાર દ્વારા એક સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં 20મા ક્રમાંક પર જાફરાબાદના મહંત કમલપ્રસાદ (ગોટીબાપુ) નું નામ દર્શાવવામાં આવ્યું છે.</p><h3><b>ગુમ થયેલાઓની યાદીમાં 20મા ક્રમે નામ</b></h3><p>છેલ્લા ઘણા દિવસોથી મહંતનો મોબાઈલ કે અન્ય કોઈ રીતે સંપર્ક ન થતાં ખંઢેરા હનુમાનજી મંદિરના હજારો સેવકો અને સ્થાનિક ગ્રામજનો ભારે ચિંતામાં મુકાયા છે અને તેમના સહેમકુશળ હોવાની પ્રાર્થના કરી રહ્યા છે. સુલતાનપુર આશ્રમના સાધુ સંતો સાથે ગોટીબાપુ નેપાળ દર્શન ગયા હોવાની ચોક્કસ માહિતી મળતાં હાલ વિદેશ મંત્રાલય અને રાજ્ય સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના સંપર્કમાં રહીને તપાસ તેજ કરવામાં આવી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/amit-shah-celebrates-rakshabandhan-with-type-1-diabetes-girls-announces-free-insulin" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: અમિત શાહે ટાઇપ-1 ડાયાબિટીસગ્રસ્ત દીકરીઓ પાસે રાખડી બંધાવી આપી આજીવન મફત ઇન્સ્યુલિનની ભેટ</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/28/s4GfagrYbtUoe18g7hagtsz8faVpcuq9YxWgJ7PR.webp'/></item><item><title><![CDATA[Kutch News : ગાંધીધામમાં BSF જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી, પરિવારથી દૂર જવાનોને બંધાઈ રાખડી ]]></title><link>https://sandesh.com/gujarat/news/kutch/kutch-news-raksha-bandhan-celebrated-with-bsf-jawans-in-gandhidham-rakhi-tied-to-jawans-who-are-away-from-their-families</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/kutch/kutch-news-raksha-bandhan-celebrated-with-bsf-jawans-in-gandhidham-rakhi-tied-to-jawans-who-are-away-from-their-families</guid><pubDate>Fri, 28 Aug 2026 16:20:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગાંધીધામ સ્થિત BSF (બોર્ડર સિક્યુરિટી ફોર્સ) ની 90 બટાલિયન ખાતે રક્ષાબંધનના પવિત્ર તહેવારની ભવ્ય અને લાગણીસભર ઉજવણી કરવામાં આવી હતી. દેશની સરહદોનું રક્ષણ કરતા BSFના જવાનો પોતાના પરિવારથી દૂર રહીને અહોરાત ફરજ બજાવે છે. આવા દેશભક્ત જવાનોને તહેવારના સમયે પોતાના પરિવારની ખોટ ન સાલે અને તેઓ પોતાને એક પરિવારનો જ ભાગ સમજે તેવા હેતુથી આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>સ્થાનિક વિધાયક અને મેયરની વિશેષ ઉપસ્થિતિ</b></h2><p style="text-align: justify; ">આ ઉજવણીમાં ગાંધીધામના વિધાયક (ધારાસભ્ય) અને મેયર સહિત સ્થાનિક અગ્રણીઓ અને બહેનો વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત બહેનો અને મહિલા જનપ્રતિનિધિઓએ BSFના જવાનોના કાંડા પર રક્ષાસૂત્ર બાંધીને તેમના દીર્ઘાયુ અને સ્વાસ્થ્યની મંગળ કામના કરી હતી. જવાનોને મીઠાઈ ખવડાવીને તેમનું મોં મીઠું કરાવવામાં આવ્યું હતું અને દેશની રક્ષા માટેની તેમની નિઃસ્વાર્થ સેવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>પરિવારથી દૂર રહેતા જવાનોને મળ્યો પરિવાર જેવો સ્નેહ</b></h2><p style="text-align: justify; ">પોતાની બહેનોથી દૂર સરહદ પર તૈનાત BSFના જવાનો સ્થાનિક બહેનો પાસેથી રાખડી બંધાવીને અત્યંત ભાવુક અને ઉત્સાહિત જણાતા હતા. જવાનોએ જણાવ્યું હતું કે આ પ્રકારના આયોજનથી તેમને પોતાના ઘર અને પરિવારથી દૂર હોવાનો અહેસાસ થતો નથી, પરંતુ સમગ્ર દેશ તેમનો પરિવાર છે તેવી પ્રેરણા મળે છે. સમગ્ર બટાલિયન કેમ્પસ દેશભક્તિ અને ભાઈ-બહેનના પવિત્ર પ્રેમની લાગણીથી ગૂંજી ઉઠ્યું હતું.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/junagadh/terror-by-anti-social-elements-in-bhavnath-junagadh-fatal-attack-on-the-manager-of-the-farm-of-the-ghedia-koli-community" target="_blank">Junagadhના ભવનાથમાં અસામાજિક તત્વોનો આતંક, ઘેડિયા કોળી સમાજની વાડીના મેનેજર પર જાનલેવા હુમલો</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/28/4w7SN7KbbLUMqROmiMQlmXyjIRMOj5OWuZX3wRyz.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: અમિત શાહે ટાઇપ-1 ડાયાબિટીસગ્રસ્ત દીકરીઓ પાસે રાખડી બંધાવી આપી આજીવન મફત ઇન્સ્યુલિનની ભેટ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/amit-shah-celebrates-rakshabandhan-with-type-1-diabetes-girls-announces-free-insulin</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/amit-shah-celebrates-rakshabandhan-with-type-1-diabetes-girls-announces-free-insulin</guid><pubDate>Fri, 28 Aug 2026 16:20:48 +05:30</pubDate><description><![CDATA[<p>કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે પોતાના સંસદીય મતક્ષેત્ર ગાંધીનગર હેઠળ આવતા અમદાવાદ ખાતે રક્ષાબંધનના પવિત્ર તહેવારની એક વિશિષ્ટ અને સંવેદનશીલ રીતે ઉજવણી કરી હતી. આ વિશેષ કાર્યક્રમમાં ટાઇપ-1 ડાયાબિટીસની ગંભીર બીમારીથી પીડાતી નાની-મોટી દીકરીઓએ કેન્દ્રીય મંત્રી અમિત શાહને રક્ષાસૂત્ર (રાખડી) બાંધીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા.</p><h2><b>ગૃહ મંત્રીએ આજીવન નિઃશુલ્ક ઇન્સ્યુલિન આપવાની કરી જાહેરાત</b></h2><p>આ પ્રસંગે દીકરીઓના રક્ષણ અને સ્વાસ્થ્યની જવાબદારી સ્વીકારતાં કેન્દ્રીય મંત્રીએ મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો હતો. તેમણે ટાઇપ-૧ ડાયાબિટીસ ધરાવતી તમામ દીકરીઓને રક્ષાબંધનની અનોખી ભેટ આપતાં જાહેરાત કરી હતી કે આ દીકરીઓને આજીવન નિઃશુલ્ક (ફ્રી) ઇન્સ્યુલિન પૂરું પાડવામાં આવશે, જેથી તેમના પરિવાર પરનો આર્થિક બોજ હળવો થઈ શકે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે માત્ર ઇન્સ્યુલિન આપવા પૂરતું નહીં, પરંતુ દીકરીઓનું આરોગ્ય સતત સારો રહે તે માટે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં એક સુદ્રઢ અને સંકલિત આરોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.</p><h3><b>કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો સંવેદનશીલ અભિગમ</b></h3><p>આ સિસ્ટમ હેઠળ ટાઇપ-1 ડાયાબિટીસના દર્દીઓનું યોગ્ય સ્ક્રીનિંગ, નિયમિત બ્લડ સુગર ટેસ્ટિંગ અને ડોક્ટર દ્વારા જરૂરી ફોલોઅપ સારવાર પૂરી પાડવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે 'દીકરીની રક્ષા અને દીકરીનું સ્વાસ્થ્ય' એ ભારતીય જનતા પાર્ટી અને સરકારની પ્રાથમિક કટિબદ્ધતા છે. બાળકીઓને નાની વયે થતાં ડાયાબિટીસ સામે લડવા માટે તંત્ર સંપૂર્ણપણે તેમની સાથે ઊભું રહેશે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/patan/sami-ranavada-youth-nikul-valmiki-murdered-over-land-dispute-3-arrested" target="_blank">આ પણ વાંચો: Patan: સમીના રાણાવાડામાં જમીન વિવાદમાં યુવકની કરપીણ હત્યા, 3 આરોપીઓ ગિરફ્તાર</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/28/Urq253hxburOvEnlFwahVXCekOznpjTuXVjagt3h.webp'/></item><item><title><![CDATA[Karnataka Teachers Suspended: કર્ણાટકમાં આંબેડકર સ્વાભિમાની સેનાની ફરિયાદ બાદ બે સરકારી શિક્ષક સસ્પેન્ડ! ]]></title><link>https://sandesh.com/india/news/political-news/karnataka-teachers-suspended-two-government-teachers-suspended-in-karnataka-after-complaint-from-ambedkar-swabhimani-sena</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/political-news/karnataka-teachers-suspended-two-government-teachers-suspended-in-karnataka-after-complaint-from-ambedkar-swabhimani-sena</guid><pubDate>Fri, 28 Aug 2026 16:15:03 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">શિક્ષણ વિભાગે તેના આદેશમાં જણાવ્યું છે કે RSS કાર્યક્રમમાં તેમની ભાગીદારી પ્રથમ દ્રષ્ટિએ કર્ણાટક સિવિલ સર્વિસીસ નિયમો, 2021ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">કર્ણાટક સિવિલ સર્વિસીસ નિયમોનું ઉલ્લંઘન</h2><p style="text-align: justify; ">શિક્ષણ વિભાગે હુનસાગીમાં સરકારી કન્યા ઉચ્ચ શાળાના શિક્ષક ગુરુરાજ જોશી અને સુરપુર તાલુકાના કુપ્પીમાં સરકારી નિમ્ન પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અન્ના સાહેબ દેશમુખ સામે કાર્યવાહી કરી હતી. આ બંને શિક્ષકે ગયા વર્ષે ઓક્ટોબરમાં RSS કૂચમાં ભાગ લીધો હતો. આંબેડકર સ્વાભિમાની સેનાની ફરિયાદ બાદ, વિભાગે 20 ઓગસ્ટના રોજ બંનેને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કર્યા હતા. યાદગીરના નાયબ શાળા શિક્ષણ નિયામક ચન્નાબાસપ્પા મુધોલે જણાવ્યું હતું કે આ કર્ણાટક સિવિલ સર્વિસ નિયમોના નિયમો 3(1), 3(2), 3(3), 5(1), અને 7નું ઉલ્લંઘન છે.</p><h3 style="text-align: justify; ">મુખ્યાલય છોડવા પર પણ પ્રતિબંધ&nbsp;</h3><p style="text-align: justify; ">શિક્ષણ વિભાગે જણાવ્યું હતું કે ગુરુરાજ જોશીનો ફોટો "વિજય કર્ણાટક" અખબારમાં પ્રકાશિત થયો હતો. જોશીને ઘટનાના છ મહિના પછી 13 માર્ચ, 2026 ના રોજ કારણદર્શક નોટિસ જારી કરવામાં આવી હતી. તેમના લેખિત ખુલાસામાં, તેમણે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ રવિવારે કામના કલાકો પછી યોજાયો હતો. તે એક સાંસ્કૃતિક કાર્યક્રમ હતો, રાજકીય કાર્યક્રમ નહીં. વિભાગે આ ખુલાસાને નકારી કાઢ્યો હતો, અને કહ્યું હતું કે તે નિયમો હેઠળ અસ્વીકાર્ય છે. તેમને કર્ણાટક સિવિલ સર્વિસ નિયમોના નિયમ 98 હેઠળ નિર્વાહ ભથ્થું મળશે અને સક્ષમ અધિકારીની લેખિત પરવાનગી વિના તેઓ તેમનું મુખ્યાલય છોડી શકશે નહીં.</p><h4 style="text-align: justify; ">દેશમુખની ફરિયાદ પ્રિયંક ખડગેને કરાઇ&nbsp;</h4><p style="text-align: justify; ">હેડમાસ્ટર અન્ના સાહેબ દેશમુખે 10 ઓક્ટોબર, 2025 ના રોજ હુણસાગીમાં યોજાયેલા માર્ચમાં ભાગ લીધો હતો. આંબેડકર સ્વાભિમાની સેનાએ તેમના વિશે મંત્રી પ્રિયંક ખડગેને ફરિયાદ કરી હતી. શિક્ષણ વિભાગે દેશમુખને કારણદર્શક નોટિસ ફટકારી હતી. દેશમુખે પોતાના ખુલાસામાં જણાવ્યું હતું કે RSSનો કાર્યક્રમ કામકાજના કલાકો દરમિયાન યોજાયો ન હતો. તે એક સાંસ્કૃતિક કાર્યક્રમ હતો, રાજકીય નહીં. વિભાગે તેમના ખુલાસાને નકારી કાઢ્યો હતો અને વિભાગીય તપાસ સુધી તેમને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/nepal-flood-disaster-16-minute-delay-in-nepals-early-warning-system-changed-the-course-of-life-sms-saved-60-thousand-lives" target="_blank">નેપાળની પ્રારંભિક ચેતવણી પ્રણાલીમાં 16 મિનિટના વિલંબે જીવનનો માર્ગ બદલ્યો, SMSથી બચ્યા 60 હજારના જીવ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/28/8oMQLC6WaLxikF8VTCgcvCzutTc3OygGGuEHgGNy.webp'/></item><item><title><![CDATA[Auto News: નવા અવતારમાં આવશે દેશની સૌથી લોકપ્રિય SUV, લીક થયા પ્રીમિયમ SUVના શાનદાર ફીચર્સ ]]></title><link>https://sandesh.com/business/news/automobile/next-gen-hyundai-creta-suv-leaked-features</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/next-gen-hyundai-creta-suv-leaked-features</guid><pubDate>Fri, 28 Aug 2026 16:10:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">Hyundai Creta એ ભારતીય કાર બજારમાં મિડ-સાઇઝ SUV સેગમેન્ટમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. ભારતીય ગ્રાહકોની સૌથી પ્રિય કારોમાંથી એક હોવાને કારણે કંપની હવે તેની નવી જનરેશન (Next-Gen) મોડલ પર ઝડપથી કામ કરી રહી છે. વિદેશી રસ્તાઓ પર આ કારને ઘણી વખત ટેસ્ટિંગ દરમિયાન જોવામાં આવી છે, જેના પરથી સ્પષ્ટ થાય છે કે નવી ક્રેટા ટૂંક સમયમાં નવા અવતારમાં જોવા મળશે.</p><h2 style="text-align: justify; "><b>2027 સુધીમાં લોન્ચિંગ અને કંપનીની નવી વ્યૂહરચના</b></h2><p style="text-align: justify; ">રિપોર્ટ્સ મુજબ, નવી Hyundai Creta ભારતીય માર્કેટમાં વર્ષ 2027 સુધીમાં લોન્ચ થઈ શકે છે. હ્યુન્ડાઇ આગામી વર્ષોમાં ભારતમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરવા માટે અનેક નવા મોડલ્સ રજૂ કરવાની યોજના બનાવી રહી છે. આ ભવિષ્યની વ્યૂહરચનામાં નવી Creta સૌથી મહત્વપૂર્ણ હિસ્સો બની રહેશે, જેમાં ડિઝાઇન, ઇન્ટિરિયર અને પાવરટ્રેન સુધીના તમામ પાસાઓમાં નોંધપાત્ર સુધારા કરવામાં આવશે.</p><h3 style="text-align: justify; "><b>એક્સટિરિયર ડિઝાઇન: પહેલાં કરતાં વધુ આકર્ષક અને આધુનિક</b></h3><p style="text-align: justify; ">ટેસ્ટિંગ દરમિયાન સામે આવેલા સ્પાટ્સ શોટ્સ પરથી સંકેત મળે છે કે નવી ક્રેટાની બાહ્ય ડિઝાઇનમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. તેમાં નવું ફ્રન્ટ અને રિયર બમ્પર સેટઅપ આપવામાં આવશે, જે કારને વધુ રોડ પ્રેઝન્સ આપશે. આ ઉપરાંત હેડલેમ્પ અને ટેલ-લેમ્પના સેટઅપને પણ સંપૂર્ણપણે નવો અને બોલ્ડ લુક આપવામાં આવ્યો છે.</p><h4 style="text-align: justify; "><b>સ્પોર્ટી એલોય વ્હીલ્સ અને અપડેટ સ્પેક્સ</b></h4><p style="text-align: justify; ">નવી SUVમાં આકર્ષક એલોય વ્હીલ્સ અને અપડેટ કરેલા ORVMs (આઉટસાઇડ રિયર વ્યુ મિરર્સ) જોવા મળશે. કારના ક્વાર્ટર પેનલમાં પણ ડિઝાઇનની દ્રષ્ટિએ ફેરફાર કરવામાં આવ્યા છે. એકંદરે, નવી Creta વર્તમાન મોડલની સરખામણીએ વધુ સ્પોર્ટી, મોડર્ન અને પ્રીમિયમ લુક સાથે રસ્તા પર ઉતરશે.</p><h5 style="text-align: justify; "><b>કેબિન અને ઇન્ટિરિયર: પ્રીમિયમ ફીચર્સ અને નવો ડેશબોર્ડ</b></h5><p style="text-align: justify; ">નવી Cretaનું ઇન્ટિરિયર પણ વર્તમાન મોડલ કરતાં સંપૂર્ણપણે અલગ અને આધુનિક હશે. તેમાં નવું ડેશબોર્ડ લેઆઉટ, અપડેટ કરેલી ફ્રન્ટ સીટ્સ અને નવી અપહોલ્સ્ટ્રી ડિઝાઇન આપવામાં આવશે. કેબિનને વધુ વૈભવી બનાવવા માટે તેમાં નવું કર્વ્ડ સ્ક્રીન ડિસ્પ્લે સેટઅપ મળી શકે છે, જે ડ્રાઇવિંગ અનુભવને સુધારે છે. આ ઉપરાંત, ફ્રન્ટ પેસેન્જર માટે 'બોસ મોડ' (Boss Mode) જેવી સુવિધા મળવાની પણ પૂરી શક્યતા છે.</p><h6 style="text-align: justify; "><b>Hyundai Pleos: નવું ઇન્ફોટેનમેન્ટ અને કનેક્ટેડ ટેકનોલોજી</b></h6><p style="text-align: justify; ">નવી Cretaની એક મોટી ખાસિયત તેમાં મળનારી Hyundaiની નવી Pleos ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ હોઈ શકે છે. ભારતમાં આ સોફ્ટવેર ટેકનોલોજીનો ઉપયોગ પહેલીવાર ક્રેટા દ્વારા જ કરવામાં આવે તેવી શક્યતા છે. આ નવી સિસ્ટમ સાથે ગ્રાહકોને વધુ સ્મૂધ યુઝર ઇન્ટરફેસ (UI), ઝડપી ટેકનોલોજી અને અદ્યતન કનેક્ટેડ કાર ફીચર્સનો અનુભવ મળશે.</p><p style="text-align: justify; "><b>પાવરટ્રેન: પ્રથમ વખત મળશે પાવરફુલ હાઇબ્રિડ એન્જિન</b></p><p style="text-align: justify; ">હ્યુન્ડાઇએ હજુ સુધી નવી ક્રેટાના એન્જિન અને ટેકનિકલ વિગતોની સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ વર્તમાન એન્જિન વિકલ્પો સાથે હાઇબ્રિડ પાવરટ્રેન (Hybrid Powertrain)નો મોટો ઉમેરો જોવા મળી શકે છે. જો કંપની આ મોડલને હાઇબ્રિડ એન્જિન સાથે રજૂ કરે છે, તો ગ્રાહકોને ઉત્તમ માઇલેજ મળશે. આ નવી ડિઝાઇન અને તકનીકી સુધારાઓ ક્રેટાના ઓલ-ઇલેક્ટ્રિક (EV) વર્ઝનમાં પણ સામેલ કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે.</p><p style="text-align: justify; "><b>સેગમેન્ટમાં સ્પર્ધા અને ક્રેટાનું મહત્વ</b></p><p style="text-align: justify; ">હ્યુન્ડાઇ માટે Creta ભારતમાં સૌથી વધુ વેચાતી અને નફાકારક કારોમાંથી એક છે. કંપનીના કુલ વેચાણમાં SUV સેગમેન્ટનો હિસ્સો સતત વધી રહ્યો છે, તેથી નવી જનરેશન ક્રેટા દ્વારા હ્યુન્ડાઇ પોતાની લીડરશીપ પોઝિશન જાળવી રાખવા માંગે છે. આગામી સમયમાં આ નવી Cretaનો સીધો મુકાબલો ભારતીય માર્કેટમાં આવનારી નવી SUVs જેવી કે Nissan Tekton અને Tata Sierra સાથે થશે.</p><p style="text-align: justify; "><b>Grand i10 Nios: નવી જનરેશનમાં CNG + AMTનું કોમ્બિનેશન</b></p><p style="text-align: justify; ">નવી Creta સિવાય હ્યુન્ડાઇ તેની લોકપ્રિય હેચબેક Grand i10 Niosની નવી જનરેશન પણ ભારતમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ નવા મોડલનું કદ વર્તમાન મોડલ કરતાં થોડું મોટું હોઈ શકે છે અને તેમાં Hyundai Exter જેવા આધુનિક ફીચર્સ ઉમેરવામાં આવી શકે છે. સૌથી રસપ્રદ ફેરફાર ફેક્ટરી-ફિટેડ CNG સાથે AMT (ઓટોમેટિક) ગિયરબોક્સનું કોમ્બિનેશન હોઈ શકે છે, જે ઓટોમેટિક CNG કારોની વધતી માંગને પૂરી કરશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/automobile" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/28/KmyarYnLn4SVbToT1p7eJdLCuTSK8x2Ts369bq1Q.webp'/></item><item><title><![CDATA[Operation Sindoor: માં S-400 સિસ્ટમથી પરેશાન પાકિસ્તાન, એક્ટિવ કર્યા હતા જાસૂસો અને સ્લીપર સેલ! ]]></title><link>https://sandesh.com/india/news/operation-sindoor-s-400--pakistan-activated-spies-sleeper-cells-to-find-sudarshan-chakra-location</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/operation-sindoor-s-400--pakistan-activated-spies-sleeper-cells-to-find-sudarshan-chakra-location</guid><pubDate>Fri, 28 Aug 2026 15:26:00 +05:30</pubDate><description><![CDATA[<p>Operation Sindoor:&nbsp; ‘ઓપરેશન સિંદૂર’ અંગે નવા ખુલાસા સતત થઈ રહ્યા છે. એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા (નિવૃત્ત) એ દાવો કર્યો છે કે ગયા વર્ષે હાથ ધરવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાને રશિયન બનાવટની S-400 એર ડિફેન્સ સિસ્ટમ અંગે ગુપ્ત માહિતી એકત્રિત કરવા માટે ભારતમાં જાસૂસો અને સ્લીપર સેલ સક્રિય કર્યા હતા.</p><p><br></p><p>ઓપરેશન દરમિયાન ભારતીય વાયુસેનાના વેસ્ટર્ન એર કમાન્ડના કમાન્ડર તરીકે સેવા આપનારા એર માર્શલ મિશ્રાએ દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાની ફાઇટર જેટને ભારતીય સરહદની 200 કિલોમીટરની ત્રિજ્યામાં પ્રવેશતા અટકાવવામાં S-400 સિસ્ટમે મુખ્ય ભૂમિકા ભજવી હતી.</p><p><br></p><h4><b>‘પાકિસ્તાને S-400 અંગે શક્ય તેટલા બધા પ્રયાસો કર્યા’</b></h4><p>જિતેન્દ્ર મિશ્રાએ કહ્યું, “પાકિસ્તાન S-400 ક્યાં તૈનાત કરવામાં આવ્યા છે તે શોધવા માટે ઉત્સુક હતું. તેઓએ દરેક શક્ય પદ્ધતિ અજમાવી. તેમને અન્ય દેશોના ઉપગ્રહો પાસેથી પણ મદદ મળી રહી હતી. જ્યારે પણ તેઓ (પાકિસ્તાન) હવાઈ ક્ષેત્રમાં પ્રવેશતા, ત્યારે S-400 તેમને તોડી પાડતા. S-400 તેમનો સૌથી મોટો ખતરો બની ગયો હતો. તેમણે S-400 ના સ્થાનને નિર્ધારિત કરવા માટે ભારતમાં જાસૂસો અને સ્લીપર સેલને પણ સક્રિય કર્યા હતા.”</p><p><br></p><p>S-400 વાયુ સંરક્ષણ પ્રણાલી - જેને ઘણીવાર ભારતનું "સુદર્શન ચક્ર" તરીકે ઓળખવામાં આવે છે. તે વિશ્વની સૌથી અદ્યતન લાંબા અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ પ્રણાલીઓમાંની એક છે. તે ફાઇટર જેટ, સર્વેલન્સ પ્લેટફોર્મ, ક્રુઝ મિસાઇલ અને બેલિસ્ટિક મિસાઇલ સહિત વિવિધ પ્રકારના હવાઈ જોખમોને શોધવા, ટ્રેક કરવા અને તેનો સામનો કરવા માટે રચાયેલ છે.</p><p><br></p><h4><b>આદમપુર એરફોર્સ સ્ટેશન પર હુમલો પણ આ સાથે જોડાયેલો છે: મિશ્રા</b></h4><p>પંજાબના આદમપુર એરફોર્સ સ્ટેશન પર થયેલા હુમલા અંગે એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાએ સમજાવ્યું કે સ્ટેશનને નિશાન બનાવવામાં આવ્યું હતું કારણ કે પાકિસ્તાન માનતું હતું કે તે S-400 સિસ્ટમની જમાવટ સાથે જોડાયેલું છે. આ સિસ્ટમનો ઉપયોગ 'ઓપરેશન સિંદૂર' દરમિયાન પાકિસ્તાન દ્વારા મોકલવામાં આવેલા અનેક ડ્રોનનો સામનો કરવા માટે પણ વ્યાપકપણે કરવામાં આવ્યો હતો. ભારતને આ વર્ષના જૂનમાં S-400 સિસ્ટમની ચોથી સ્ક્વોડ્રન પ્રાપ્ત થઈ હતી.</p><p><br></p><p>એક નિવૃત્ત એરફોર્સ અધિકારીએ બ્રહ્મોસ મિસાઇલની ક્ષમતાઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો, તેને ભારતની સૌથી સફળ સ્વદેશી મિસાઇલોમાંની એક ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, "બ્રહ્મોસ આત્મનિર્ભરતાની અમારી શોધમાં એક મોટું પગલું રજૂ કરે છે. તે સૌથી સફળ સ્વદેશી મિસાઇલ છે. 'ઓપરેશન સિંદૂર' પછી, ઘણા અન્ય દેશો તેને ખરીદવા માંગે છે."</p><p><br></p><p>તેમણે વધુમાં કહ્યું હતું કે બ્રહ્મોસ તેના પ્રકારની એકમાત્ર સુપરસોનિક એર-લોન્ચ મિસાઇલ છે, અને તેની ગતિ અને ઉડાન માર્ગ તેને અટકાવવાનું મુશ્કેલ બનાવે છે. તેમણે સમજાવ્યું, "તે ૧૪-૧૫ કિલોમીટરની ઊંચાઈ સુધી ચઢે છે અને પછી સુપરસોનિક ગતિ પ્રાપ્ત કરે છે, જેના કારણે અંતરાયને પડકારજનક બનાવે છે. તેના ઉતરતી વખતે, તે 'મૈક ૩' ની ગતિ સુધી પહોંચે છે, જેના કારણે અંતરાય અશક્ય બને છે." બ્રહ્મોસ મિસાઇલ એ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને રશિયાના NPO માશિનોસ્ટ્રોયેનિયા વચ્ચેનું સંયુક્ત સાહસ છે, અને તે વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક ક્રુઝ મિસાઇલ સિસ્ટમ્સમાંની એક તરીકે ઉભરી આવે છે.<br><br>આ પણ વાંચો:&nbsp;<a href="https://sandesh.com/world/news/nepal-flood-death-toll-469-refuses-foreign-aid-says-own-forces-capable" target="_blank">https://sandesh.com/world/news/nepal-flood-death-toll-469-refuses-foreign-aid-says-own-forces-capable</a> Nepalએ ભારત-ચીન સહિત અન્ય દેશોની રેસ્ક્યુ ટીમને કર્યો ઇન્કાર, કહ્યું - 'અમારી સેના સક્ષમ છે'</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/28/U2YvaRC5ZNg9iX6JfDJihuNE78XLxxhWlAukNEP8.webp'/></item><item><title><![CDATA[Neeraj Chopraએ ડાયમંડ લીગની ફાઇનલમાં મારી એન્ટ્રી ]]></title><link>https://sandesh.com/sports/news/neeraj-chopra-made-his-entry-into-the-diamond-league-finals</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/neeraj-chopra-made-his-entry-into-the-diamond-league-finals</guid><pubDate>Fri, 28 Aug 2026 10:00:25 +05:30</pubDate><description><![CDATA[<p>બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરા ડાયમંડ લીગ ફાઇનલ માટે ક્વોલિફાય થયા છે.નીરજ સિઝનની પાંચ મેચોમાંથી ફક્ત બેમાં ભાગ લીધો હતો,છતાં તે છ ખેલાડીઓની ફાઇનલમાં સ્થાન મેળવી શક્યો.ઝુરિચ ડાયમંડ લીગ ચૂકી ગયા હોવા છતાં,તેના 12 પોઈન્ટ્સે તેને ક્વોલિફિકેશનમાં છઠ્ઠા સ્થાને રાખ્યો.ડાયમંડ લીગ ફાઇનલ 4 અને 5 સપ્ટેમ્બરના રોજ બ્રસેલ્સમાં યોજાશે.ટાઇટલ મેચ નીરજ માટે એશિયન ગેમ્સ પહેલા પોતાને ચકાસવાની એક મહત્વપૂર્ણ તક હશે.</p><h5><b>નીરજ ક્વોલિફિકેશનમાં છઠ્ઠા સ્થાને રહ્યો</b></h5><p>દરેક ડાયમંડ લીગ મીટિંગમાં, પુરુષોની ભાલા ફેંક ઇવેન્ટમાં ટોચના આઠ ખેલાડીઓને પોઈન્ટ આપવામાં આવે છે. વિજેતાને આઠ પોઈન્ટ મળે છે, જ્યારે આઠમા સ્થાને રહેલા ફિનિશરને એક પોઈન્ટ મળે છે. ક્વોલિફિકેશન શ્રેણી પૂર્ણ થયા પછી, સૌથી વધુ પોઈન્ટ ધરાવતા છ એથ્લેટ ફાઇનલ માટે ક્વોલિફાય થાય છે.નીરજ ચોપરા આ સિઝનમાં બે મીટિંગમાં ભાગ લીધો હતો. તે દોહા ડાયમંડ લીગમાં 85.69 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે ચોથા સ્થાને રહ્યો હતો. લૌઝેનમાં તેનું પ્રદર્શન વધુ સારું હતું, જ્યાં નીરજ 88.05 મીટરના સિઝન-શ્રેષ્ઠ થ્રો સાથે બીજા સ્થાને રહ્યો હતો.</p><h5><b>ક્વોલિફિકેશન ટેબલમાં પ્રથમ સ્થાને રહ્યો</b></h5><p>ઝુરિચમાં, રોમેશ પાથિરાજે તેના બીજા પ્રયાસમાં 88.23 મીટર, ત્રીજા પ્રયાસમાં 89.90 મીટર અને અંતિમ પ્રયાસમાં 92.07 મીટર ફેંક્યો. આ પ્રભાવશાળી પ્રદર્શન સાથે, તે 39 પોઈન્ટ સાથે ક્વોલિફિકેશન ટેબલમાં પ્રથમ સ્થાને રહ્યો. એન્ડરસન પીટર્સ 86.93 મીટરના સિઝન-શ્રેષ્ઠ થ્રો સાથે ઝુરિચમાં બીજા સ્થાને રહ્યો, જ્યારે પોલેન્ડનો ડેવિડ વેગનર 85.16 મીટર સાથે ત્રીજા સ્થાને રહ્યો.</p><h5><b>ફાઇનલ માટે ક્વોલિફાય થનારા ભાલા ફેંકનારાઓ</b></h5><p>રૂમેશ થરંગા પાથિરાજ (શ્રીલંકા) - 39 પોઈન્ટ</p><p>એન્ડરસન પીટર્સ (ગ્રેનાડા) - 35 પોઈન્ટ</p><p>કેશોર્ન વોલકોટ (ત્રિનિદાદ અને ટોબેગો) - 23 પોઈન્ટ</p><p>કર્ટિસ થોમ્પસન (યુએસએ) - 20 પોઈન્ટ</p><p>જુલિયસ યેગો (કેન્યા) - 13 પોઈન્ટ</p><p>નીરજ ચોપરા (ભારત) - 12 પોઈન્ટ</p><h5><b>રૂમેશ પાથિરાજે 2026 માં શાનદાર પ્રદર્શન કર્યું&nbsp;</b></h5><p>રૂમેશ પાથિરાજે 2026 માં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે આ સિઝનમાં પાંચ ડાયમંડ લીગ મીટિંગમાં ભાગ લીધો હતો, જેમાં ચાર જીતી હતી. તે ફક્ત રબાતમાં બીજા સ્થાને રહ્યો હતો. આ વર્ષે તેણે 90 મીટરથી વધુના બે થ્રો અને 88 મીટરથી વધુના સાત થ્રો કર્યા છે. 23 વર્ષીય શ્રીલંકન ખેલાડીની સાતત્યતા તેને બ્રસેલ્સ ફાઇનલ માટે મજબૂત દાવેદાર બનાવે છે. દરમિયાન, ભારતના રોહિત યાદવે ભુવનેશ્વરમાં કોન્ટિનેન્ટલ ટૂર સિલ્વર મીટમાં 87.68 મીટરનો કારકિર્દીનો શ્રેષ્ઠ થ્રો હાંસલ કર્યો હતો. આ વર્ષે તેણે કોઈ ડાયમંડ લીગ મીટિંગમાં ભાગ લીધો ન હતો, પરંતુ તેની પાસેથી એશિયન ગેમ્સમાં સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે.</p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/womens-hockey-world-cup-2026-india-creates-history-defeats-germany-breaks-52-year-old-record" target="_blank"> Women's Hockey World Cup 2026: ભારતે જર્મનીને હરાવી રચ્યો ઈતિહાસ, 52 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/28/TOw8WD3qk0G9CgjRK0nZZZTp74Z3ThPPGXUTlb9V.webp'/></item></channel></rss>