<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[West Bengal: IPSની સ્પીચમાં ઇન્શાલ્લાહ અને અસ્સલામુઅલૈકુમ..જય હિંદ કે વંદેમાતરમ કેમ નહીં ? એક્શન લેવાયા ]]></title><link>https://sandesh.com/india/news/west-bengal-inshallah-and-assalamualaikum-in-ipss-speechwhy-not-jai-hind-or-vande-mataram-action-taken</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/west-bengal-inshallah-and-assalamualaikum-in-ipss-speechwhy-not-jai-hind-or-vande-mataram-action-taken</guid><pubDate>Tue, 15 Sep 2026 10:17:18 +05:30</pubDate><description><![CDATA[<p>પશ્ચિમ બંગાળના ખડગપુરના એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (ASP) અને 2021 બેચના IPS અધિકારી બુશરા બાનોની સોમવારે (14 સપ્ટેમ્બર) બદલી કરવામાં આવી હતી. તેમને સ્ટેટ આર્મ્ડ પોલીસમાં ડેપ્યુટી કમાન્ડન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમના સ્થાને પાર્થ ઘોષને જવાબદારી સોંપવામાં આવી છે.&nbsp;</p><h2><b>બુશરા બાનો જયહિંદ કે વંદે માતરમ ન બોલ્યા&nbsp;</b></h2><p>બુશરા બાનોની બદલી એવા સમયે થઈ છે જ્યારે તેમણે UPSCના ઉમેદવારોને પ્રોત્સાહિત કરતો એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેના કારણે સોશિયલ મીડિયા પર તેમની ટીકા થઈ હતી. આ વિવાદ બુશરા બાનો દ્વારા ઓનલાઈન પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોને કારણે સર્જાયો હતો. આ વીડિયોમાં તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU), ખાસ કરીને તેની રેસિડેન્શિયલ કોચિંગ એકેડેમી અને ઉચ્ચ શિક્ષણ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં તેની ભૂમિકા વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કેવી રીતે આ કોચિંગ એકેડેમીએ તેમને UPSC પરીક્ષાની તૈયારીમાં મદદ કરી હતી.</p><h2><b>અસલામ-ઉલે-અલૈકુમ અને ઇન્શાઅલ્લાહના ઉપયોગ અંગે વિવાદ</b></h2><p>યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી હોવાને નાતે બુશરા બાનોએ ત્યાં મળેલા સહયોગનો સ્વીકાર કર્યો હતો. તેમણે વીડિયોની શરૂઆત અસલામ-ઉલે-અલૈકુમ અભિવાદન સાથે કરી હતી અને તેનો અંત ઇન્શાઅલ્લાહ અને જાઝાકલ્લાહ જેવા શબ્દપ્રયોગો સાથે કર્યો હતો. આનાથી વિવાદ સર્જાયો અને પ્રશ્નો ઉભા થયા.</p><h3><b>સોશિયલ મીડિયા પર ઉઠાવવામાં આવેલા પ્રશ્નો</b></h3><p>વીડિયો સામે આવ્યા બાદ, સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ તેમની ભાષાની પસંદગી પર સવાલ ઉઠાવ્યા હતા. યુઝર્સે આક્ષેપ કર્યો હતો કે તેમણે અસલામ-ઉલે-અલૈકુમથી શરૂઆત કરી, વચ્ચે ઇન્શાઅલ્લાહનો ઉપયોગ કર્યો અને અંતમાં જાઝાકલ્લાહ કહ્યું, પરંતુ જય હિંદ કે વંદે માતરમ જેવા રાષ્ટ્રીય અભિવાદનનો ઉપયોગ કર્યો ન હતો.</p><p><b style="font-size: 1.75rem;">ગૃહ સચિવને કરી હતી ફરિયાદ</b></p><p>હિન્દુ લીગલ ફંડ નામની વેબસાઈટે બંગાળના ગૃહ સચિવને આ વીડિયો અંગે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે IPS અધિકારી બુશરા બાનોએ અસલામ-ઉલે-અલૈકુમથી શરૂઆત કરી, ઇન્શાઅલ્લાહનો ઉપયોગ કર્યો અને જાઝાકલ્લાહ સાથે સમાપન કર્યું, પરંતુ વંદે માતરમ કે જય હિંદનો ઉપયોગ કર્યો ન હતો. ફરિયાદમાં જણાવાયું હતું કે, ભારતીય રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા ફરજ પરના અધિકારીએ તટસ્થતા જાળવી રાખવી જોઈએ અને જાહેર સંવાદમાં રાષ્ટ્રીય અભિવ્યક્તિઓનો ઉપયોગ કરવો જોઈએ. ફરિયાદમાં યોગ્ય સમીક્ષા અને કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.</p><p><b style="font-size: 1.5rem;">પાર્થ ઘોષને જવાબદારી સોંપાઈ</b></p><p>ત્યારબાદ, સરકારે બુશરા બાનોની બદલી કરી અને તેમને સ્ટેટ આર્મ્ડ પોલીસમાં ડેપ્યુટી કમાન્ડન્ટ તરીકે નિયુક્ત કર્યા. સરકારે પાર્થ ઘોષની ખડગપુરના વધારાના પોલીસ અધિક્ષક (Additional SP) તરીકે અને સુભેન્દુ મંડલની ચંદનનગર પોલીસ કમિશનરેટમાં વધારાના ડીસી (Additional DC) તરીકે નિમણૂક કરી.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/NDBr0xB7wTjMspyDv01K1Cg1EdE8LXXINCHPG3xI.webp'/></item><item><title><![CDATA[Stock Market Opening: સેન્સેક્સ 226 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 23,449.80ને પાર ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-opening-sensex-rises-226-points-nifty-crosses-2344980</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-opening-sensex-rises-226-points-nifty-crosses-2344980</guid><pubDate>Tue, 15 Sep 2026 09:37:57 +05:30</pubDate><description><![CDATA[<p>મંગળવારે ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકોએ મોટાભાગના એશિયન બજારો કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું હતું. IT શેરોમાં આવેલા ઉછાળાને કારણે બજારમાં મજબૂતી જોવા મળી હતી. સેન્સેક્સ 399.79 પોઈન્ટ (0.53%) વધીને 75,181.55 પર પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી50 103.30 પોઈન્ટ (0.44%) વધીને 23,501.40 પર ટ્રેડ થયો હતો.</p><h2><b>શેરબજાર તેજી સાથે ખૂલ્યું</b></h2><p>સવારે 9.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં ખૂલ્યા. સવારે 9.30 કલાકે સેન્સેક્સ 226.88 પોઇન્ટના વધારા સાથે  75,008.63 અંકે ખૂલ્યો. જ્યારે નિફ્ટી  +53.00 પોઇન્ટના વધારા સાથે 23,451.10 અંકે ખૂલ્યો.</p><h2><b>સોમવારે ભારતીય બજારો બંધ હતા</b></h2><p>ગણેશ ચતુર્થીના તહેવારને કારણે સોમવારે ભારતીય શેરબજારો બંધ રહ્યા હતા. મંગળવારે બજારો ફરી ખુલતા, વૈશ્વિક સંકેતો, ક્રૂડ ઓઈલના ભાવ અને યુએસ વ્યાજદરો અંગે બજારના મિજાજ પર ધ્યાન કેન્દ્રિત રહેશે.</p><p><b style="font-size: 2rem;">એશિયન બજારોમાં નબળાઈ</b></p><p>મંગળવારે મુખ્ય એશિયા-પેસિફિક બજારોમાં દબાણ જોવા મળ્યું હતું. આ અઠવાડિયે યોજાનારી યુએસ ફેડરલ રિઝર્વની નીતિ વિષયક બેઠક પહેલાં, ફુગાવાના વલણો અને વ્યાજદરમાં સંભવિત વધારા અંગે રોકાણકારો સાવચેત જણાયા હતા. ઓઈલના મજબૂત ભાવે પણ બજારની ચિંતાઓમાં વધારો કર્યો હતો.</p><p>હેંગ સેંગમાં 0.62%નો ઘટાડો નોંધાયો હતો અને કોસ્પી 0.32% ઘટ્યો હતો.</p><h2><b>યુએસ બજારો પણ ઘટાડા સાથે બંધ થયા</b></h2><p>સોમવારના ટ્રેડિંગ સત્ર દરમિયાન યુએસ શેરબજારોમાં પણ નબળાઈ જોવા મળી હતી. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રિયલ એવરેજ 0.29% ઘટીને બંધ થયો હતો અને S&amp;P 500માં 0.48%નો ઘટાડો થયો હતો. દરમિયાન, નાસ્ડેક કમ્પોઝિટમાં 0.56%નો ઘટાડો નોંધાયો હતો.</p><p><b style="font-size: 2rem;">ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો</b></p><p>સાઉદી અરેબિયાના ઊર્જા માળખાગત સુવિધાઓ પરના હુમલા બાદ પુરવઠા અંગેની ચિંતાઓ વધી છે, જેની અસર ક્રૂડ ઓઈલના ભાવ પર પડી છે. ઇન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેન્જ પર સપ્ટેમ્બર ફ્યુચર્સ 0.81% વધીને $107.06 પ્રતિ બેરલ પર પહોંચ્યા હતા.</p><p>ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ ભારત જેવા મુખ્ય આયાતકારો માટે ચિંતાનું કારણ બની શકે છે, કારણ કે તેનાથી ફુગાવા અને ચાલુ ખાતા (current account) પર દબાણ આવવાનું જોખમ રહેલું છે.</p><p><b style="font-size: 1.75rem;">સોના અને ચાંદીના ભાવમાં નજીવો ઘટાડો</b></p><p>વ્યાજદરમાં વધારાની શક્યતા વચ્ચે, રોકાણકારો કિંમતી ધાતુઓથી થોડા પાછળ હટતા જણાયા હતા. સોના અને ચાંદીના ફ્યુચર્સમાં આશરે 0.21%નો ઘટાડો નોંધાયો હતો.</p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2024/12/23/JsB2qcZ5cqr3IT9RcYmVH8pzPa3QLXmYcmRPlWNx.jpg'/></item><item><title><![CDATA[Salman Khan Look: બ્લુ જીન્સ, ગળામાં ચેઈન અને માથા પર સ્કાર્ફમાં સલમાનનો દંબગ લુક વાયરલ ]]></title><link>https://sandesh.com/entertainment/news/sohail-khans-house-for-ganpati-puja-salman-khan-look-viral</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/sohail-khans-house-for-ganpati-puja-salman-khan-look-viral</guid><pubDate>Tue, 15 Sep 2026 09:32:26 +05:30</pubDate><description><![CDATA[<p>ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન તેમના ભાઈ સોહેલ ખાનના ઘરે ગણપતિ બાપ્પાના દર્શન કરવા પહોંચ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાન પરિવારે ગણપતિ બાપ્પાનું ખૂબ જ ધામધૂમથી સ્વાગત કર્યું હતું. ગણેશોત્વસ દરમિયાન બોલીવુડમાં અનેક સુપરસ્ટાર પોતાના ઘરે ગણપતિ લાવતા હોય છે. શાહરૂખથી લઈને સલમાન ખાન તેમજ ચંકી પાડે અને કાજોલ પણ ઘરે શાનદાર રીતે પોતાના ઘરે ગણપતિ પૂજન કરે છે.&nbsp;</p><p><b>&nbsp;કેઝ્યુઅલ લુકમાં માથા પર બાંધ્યો સફેદ સ્કાર્ફ</b></p><p>સોહેલ ખાનના ઘરે પહોંચેલા સલમાન ખાને આ ખાસ પ્રસંગે ખૂબ જ સિમ્પલ અને કેઝ્યુઅલ લુક પસંદ કર્યો હતો. તેમણે વાદળી પટ્ટાવાળી શર્ટ અને આછા વાદળી રંગનું જીન્સ પહેર્યું હતું. જોકે, તેમના આખા લુકમાં સૌથી વધુ ધ્યાન ખેંચનારું પાસું તેમના માથા પર બાંધેલો સફેદ સ્કાર્ફ હતો. આ અનોખા અંદાજ સાથે સલમાન ખાને પાપારાઝી સમક્ષ પોઝ આપ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.</p><p><b>ચાહકોને યાદ આવી વર્ષ ૨૦૦૯ની સુપરહિટ ફિલ્મ 'વોન્ટેડ'</b></p><p>સલમાન ખાનનો આ સ્કાર્ફ વાળો લુક સામે આવતા જ સોશિયલ મીડિયા પર ચાહકોને તેમની ૨૦૦૯માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ 'વોન્ટેડ'ની યાદ આવી ગઈ હતી. આ ફિલ્મમાં કેટલાક આઇકોનિક એક્શન દ્રશ્યો દરમિયાન સલમાન માથા પર આ જ શૈલીમાં સ્કાર્ફ પહેરેલા જોવા મળ્યા હતા. ગણેશ ઉત્સવ દરમિયાન સલમાનનો આ જૂનો અવતાર જોઈને ચાહકો ઉત્સાહિત થઈ ગયા હતા.</p><p><b>સોશિયલ મીડિયા પર ચાહકોએ વરસાવ્યો પ્રેમ</b></p><p>સોશિયલ મીડિયા યુઝર્સે સલમાનના આ અંદાજ પર મન મૂકીને કોમેન્ટ્સ કરી છે. એક ચાહકે લખ્યું, "ધ વોન્ટેડ લુક ઈઝ બેક", તો બીજા યુઝરે કોમેન્ટ કરી, "વોન્ટેડનો સલમાન ખાન ફરી જોવા મળ્યો". ઘણા ચાહકોએ ભાઈજાનના આ સરળ અને જૂના અંદાજના વખાણ કરતા તેને 'મોસ્ટ સ્ટાઇલિશ અને કૂલ લુક' ગણાવ્યો હતો.</p><p><br></p><p>આ પણ વાંચો :&nbsp;</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/lfQR0NYm9UYZ2QgWgnR3d5d5BwFUqgbh3Ms7QdEJ.webp'/></item><item><title><![CDATA[Gujarat Weather News: રાજ્યમાં આજે પણ આ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો ક્યારે મેઘરાજા વિરામ લેશે? ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/heavy-rain-forecast-today-know-when-monsoon-will-ease</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/heavy-rain-forecast-today-know-when-monsoon-will-ease</guid><pubDate>Tue, 15 Sep 2026 07:47:08 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતભરમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે.જેના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 259 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.ધોધમાર વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે અને નદી-નાળા છલકાઈ ગયા છે. ત્યારે હવામાન વિભાગે આગામી સમયમાં વરસાદનું જોર ઘટવાની સંભાવના પણ વ્યક્ત કરી છે. આ ઉપરાંત આજે પણ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ અપાયું છે.</p><h2 style="text-align: justify; "><b>કચ્છ અને સૌરાષ્ટ્રમાં મેઘ તાંડવ</b></h2><p style="text-align: justify; ">છેલ્લા 24 કલાકના આંકડાઓ પર નજર કરીએ તો કચ્છ પંથકમાં મેઘરાજાએ સૌથી વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.કચ્છના અંજાર તાલુકામાં સૌથી વધુ 7.24 ઇંચ વરસાદ ખાબક્યો છે.આ ઉપરાંત ગાંધીધામમાં 4.61 ઇંચ અને ભચાઉમાં 4.41 ઇંચ વરસાદ નોંધાયો છે.સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાએ હેત વરસાવ્યું છે જેમાં ભાવનગરના વલ્લભીપુરમાં 6.1 ઇંચ, જામનગર શહેરમાં 5.59 ઇંચ અને રાજકોટના કોટડા સાંગાણીમાં 5.2 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. આણંદના બોરસદમાં 5.51 ઇંચ, મહેસાણાના કડીમાં 4.29 ઇંચ, વડોદરાના કરજણમાં 4.29 ઇંચ, સુરત શહેરમાં 4.17 ઇંચ, અમદાવાદના ધોળકામાં 4.13 ઇંચ, ખેડાના નડિયાદમાં 4.06 ઇંચ અને અમદાવાદ શહેરમાં 3.43 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>કચ્છ સૌરાષ્ટ્રમાં હજુ પણ વરસાદનું એલર્ટ</b></h3><p style="text-align: justify; ">હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ યથાવત રહેશે.આજે ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય અમદાવાદમાં હળવા વરસાદની આગાહી છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં સામાન્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શરુઆત થશે.જોકે,છેલ્લા 24 કલાકમાં પડેલા અતિભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા છે અને જળાશયોમાં નવા નીર આવવાથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/if-ev-buses-stop-in-one-foot-water-why-buy-them-mla-questions-amc" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: એક ફૂટ પાણીમાં AMCની ઈલેક્ટ્રીક બસો દોડતી નથી તો ખરીદવાની ક્યાં જરૂર છે: ધારાસભ્યનો સવાલ</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/ZGmTSGUzRdk3bNrD9VmO1ovDso93EFNHn9TfV9Fv.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: એક ફૂટ પાણીમાં AMCની ઈલેક્ટ્રીક બસો દોડતી નથી તો ખરીદવાની ક્યાં જરૂર છે: ધારાસભ્યનો સવાલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/if-ev-buses-stop-in-one-foot-water-why-buy-them-mla-questions-amc</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/if-ev-buses-stop-in-one-foot-water-why-buy-them-mla-questions-amc</guid><pubDate>Tue, 15 Sep 2026 07:32:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">છેલ્લા બે દિવસથી રાજ્યમાં ભારે વરસાદ ખાબક્યો છે. ગઈકાલે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘ મહેર થઈ હતી. બીજી તરફ સ્માર્ટ સિટી કહેવાતા અમદાવાદમાં શાસકો અને અધિકારીઓની મોટી બેદરકારી સામે આવી હતી. જુલાઈમાં થયેલા વરસાદથી બોધ પાઠ નહીં લેતા ગઈકાલના વરસાદમાં પણ શહેર પાણીમાં ડૂબ્યું હતું. સવારથી જ વરસાદ શરૂ થતાં સ્કૂલ બસો પણ વરસાદી પાણીમાં ફસાઈ હતી. આ ઉપરાંત એએમટીએસની બસો પણ રસ્તા પર ભરાઈ ગયેલા પાણીમાં બંધ પડી ગઈ હતી. બસના ડ્રાઈવરોએ બંધ પડેલી બસ પાણીમાં જ ઉભી કરી દેતા મુસાફરો રોષે ભરાયા હતાં.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>પેસેન્જરોને રઝળતા મૂકવાનો વિવાદ વકર્યો</b></h2><p style="text-align: justify; ">અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસો એક ફૂટ પાણીમાં બંધ કરીને મૂકી દઈ પેસેન્જરોને રઝળતા મૂકવાનો વિવાદ વકર્યો છે.વાસણામાં અંદાજે ચાર બસો પાણીમાં બંધ કરીને મૂકી દેવા સામે એલિસબ્રિજના સત્તાપક્ષના ધારાસભ્ય અને પૂર્વ મેયરે પ્રશ્ન ઉઠાવતાં મ્યુનિ.તંત્ર ફસાઈ ગયું હતું.ધારાસભ્યએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, એક ફૂટ પાણીમાં ઇલેક્ટ્રિક બસ ચાલી શકતી નથી તો ખરીદવાની ક્યાં જરૂર છે ? જેના જવાબમાં AMTS વિભાગ ગોળ ગોળ જવાબ આપી છટકી ગયું હતું.બીજી તરફ સ્કૂલ બસની બે ઘટના બની હતી, જેમાં શેલામાં બસ પાણીમાં ફસાતાં બાળકોનું રેસ્કયુ કરાયું હતું, જ્યારે મકરબામાં બસ ખાડામાં ઊતરી ગઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>વાસણામાં ઇલેક્ટ્રિક AMTSની બસો બંધ કરીને મૂકી દેવાઇ</b></h2><p style="text-align: justify; ">બસો ઓપરેટરોના લાભાર્થે ચાલતી હોય તેવા વિપક્ષ દ્વારા આક્ષેપ પણ કરાયા છે.વાસણામાં ઇલેક્ટ્રિક AMTSની બસો બંધ કરીને મૂકી દેવાઇ હતી. શરૂઆતમાં લાગ્યું કે, ઇલેક્ટ્રિક બસમાં ટેકનિકલ સમસ્યા લાગે છે.પરંતુ એલિસબ્રિજના ધારાસભ્ય અને પૂર્વ મેયરે તપાસ કરતાં બસ ચાલકે કહ્યું કે, પાણી ભરાઈ ગયાં છે એટલે ઉપરથી ઇલેક્ટ્રિક બસ બંધ રાખીને ઊભી રાખવાનો આદેશ છે.પૂર્વ મેયરે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, એક કે બે ફૂટ પાણીમાં ઇલેક્ટ્રિક બસો બંધ થઈ જતી હોય તો ખરીદવાની ક્યાં જરૂર છે ? અન્ય એક કિસ્સામાં શેલામાં સ્કૂલ બસ પાણીમાં ભરાઈ જતાં અન્ય બસ લાવીને બાળકોને હેમખેમ શિફ્ટ કરાયાં હતાં. જ્યારે મકરબામાં બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. ફાયર ટીમ પહોંચે તે પહેલાં જ બાળકોને બચાવી લેવાયાં હતાં.</p><h2 style="text-align: justify; "><b>AMTS-BRTSની 1350 બસોમાંથી 380થી વધુ EV બસો&nbsp;</b></h2><p style="text-align: justify; ">મ્યુનિ.ટ્રાન્સપોર્ટ અને જનમાર્ગ વિભાગ દ્વારા વરસાદી પાણી ભરાય એટલે ઇલેક્ટ્રિક બસો બંધ કરીને મૂકી દઈ કોન્ટ્રાક્ટરોને લાભ કરી અપાતો હોવાનું પુરવાર થયું છે.હાલ અંદાજે AMTSની 1000માંથી 136 ઇલેક્ટ્રિક બસ અને BRTSની 350માંથી 250 ઇલેક્ટ્રિક બસો છે.આમ અંદાજે 1350 બસોમાંથી 380થી વધુ ઇલેક્ટ્રિક બસો છે.વિભાગના સૂત્રોએ કહ્યું કે,બસ પાણીના લીધે બંધ કરાતી નથી પણ કોર્પોરેશનના ખરાબ રસ્તાના લીધે બસોને નુકસાન થાય નહીં એટલે બંધ રખાય છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/tapi/tapi-relief-for-villagers-as-leopards-return-to-cages-in-dadaria-valod" target="_blank">આ પણ વાંચોઃ Tapi: વાલોડના દાદરીયામાં ફરી દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોને રાહત</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/roC8UDTRAKL2KCxwh8ZVVV4Z30Ms4fJ1I1x18mPL.webp'/></item><item><title><![CDATA[Mandavi: વડનગર ,સેવા સંકલ્પ યાત્રામાં શહીદોને શ્રદ્ધાંજલિ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/mandvi/mandavi-vadnagar-tribute-to-martyrs-in-seva-sankalp-yatra</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/mandvi/mandavi-vadnagar-tribute-to-martyrs-in-seva-sankalp-yatra</guid><pubDate>Tue, 15 Sep 2026 04:43:15 +05:30</pubDate><description><![CDATA[<p>અંધાત્રી (માંડવી) : વડાપ્રધાન મોદીના 25 વર્ષના સેવા કાર્યકાળ નિમિત્તે 'સેવા સંકલ્પ અભિયાન'ના ભાગરૂપે ઉનાઈ માતાજી મંદિરેથી પ્રસ્થાન કરાયેલી બાઈક યાત્રાનું માંડવી ખાતે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય ગણપતભાઈ વસાવા તેમજ ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ દેશની રક્ષા કરતા વીર જવાનો અને તેમના પરિવારોનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું, તેમજ દેશ માટે શહાદત વહોરનાર ઉકાઈ ઉખલદા ગામના વીર સપૂત ઋતિક કુમાર અશોકભાઈ ચૌધરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વધુમાં તેમણે કહ્યું કે, 'આયુષ્માન ભારત' યોજના થકી સરકારે દેશ અને રાજ્યના લાખો ગરીબ તેમજ જરૂરિયાતમંદ પરિવારજનોની સ્વાસ્થ્ય સેવાઓ ઘર આંગણે પહોંચાડી છે. આ પ્રસંગે માંડવીના ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિએ પોતાના માસિક પગારમાંથી રૂ. એક લાખની રોકડ રકમ શહીદના માતા-પિતાને અર્પણ કરી હતી. આ સિવાય સમાજને કુપોષણ મુક્ત અને સશક્ત બનાવવા માટે હાજર સૌ નાગરિકોએ પ્રતિજ્ઞા લીધી હતી. માંડવી ખાતે નાણા મંત્રી કનુભાઈ દેસાઈ, રાજ્યમંત્રી જયરામભાઈ ગામીત, ધારાસભ્ય ગણપતભાઈ વસાવા, કુંવરજીભાઈ હળપતિ સહિતના મહાનુભાવોએ ભગવાન બિરસા મુંડાને પુષ્પાંજલિ અર્પણ કરી સેવા સંકલ્પ કળશમાં પવિત્ર તાપી મૈયાનું નીર અર્પણ કર્યું હતું. ત્યારબાદ બલેઠી જવા માટે બાઈક રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/C0yqMNJhcGjMrC6iExr2SqgP3X7zsLfbx5C4y8Wm.webp'/></item><item><title><![CDATA[પાટણના ધાયણીજ ગામે પુત્રનો જન્મ થતાં ધાયણોજ જહું માતાજીના મંદિરે પેંડાથી તોલી માનતા પુર્ણ કરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/patan/when-a-son-was-born-in-the-village-of-dhayanij-in-patan-he-was-weighed-with-a-penda-at-the-temple-of-dhayanij-jahu-mataji-and-fulfilled-his-vow</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/patan/when-a-son-was-born-in-the-village-of-dhayanij-in-patan-he-was-weighed-with-a-penda-at-the-temple-of-dhayanij-jahu-mataji-and-fulfilled-his-vow</guid><pubDate>Tue, 15 Sep 2026 04:40:51 +05:30</pubDate><description><![CDATA[<p>પુત્ર જન્મની માનતા પેંડાથી પૂર્ણ કરાઈ</p><p>Patan :પાટણ ઃ પાટણના ધાયણોજ ગામે આવેલ પ્રસિદ્ધ જહુ માતાજીના મંદિરે નવીનભાઈ વાણીયાના ઘરે પુત્રનો જન્મ થાય તે માટે શૈલેષ નાયી અને રેશ્માબેન નાયી દ્વારા બાધા આખડી રાખવામાં આવી હતી. જેને લઈ નવીનભાઈ વાણીયાના ઘરે પુત્રરત્નનો જન્મ થતાં મિત્ર શૈલેષ નાયી દ્વારા માનેલી બાધા આખડી પુર્ણ કરવા માટે મંદિરે પહોંચી નવજાત શિશુને પેંડાના વજન સાથે તોલીને પેંડાનું પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવ્યું હતું. આમ સાચા અર્થમાં મિત્રતા નિભાવી હતી. બીજી તરફ્ મિત્રએ રાખેલી બાધાથી પુત્રનો જન્મ થતાં પરિવારમાં પણ ખુશી છવાઈ જવા પામી હતી</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/SSkmvb2Lqhlu4PWIdwbqoglcuyYsSluuTXSaZLTz.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : રાજ્યમાં ધમકીભર્યા મેઈલ પાછળ બાંગ્લાદેશી આતંકી સંગઠન, 2 ઝબ્બે, 5 લાખ મેઈલ મળ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-bangladeshi-terrorist-organization-behind-threatening-mails-in-the-state-2-arrested-5-lakh-mails-found</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-bangladeshi-terrorist-organization-behind-threatening-mails-in-the-state-2-arrested-5-lakh-mails-found</guid><pubDate>Tue, 15 Sep 2026 04:22:13 +05:30</pubDate><description><![CDATA[<p>રાજયમાં છેલ્લા ઘણા સમયથી કોર્ટ કચેરી, વિધાનસભા,સચિવાલય,શાળા-કોલેજોને ધમકી ભર્યા ઈમેઈલ મોકલવાના કેસમાં સાયબર સેલે બાંગ્લાદેશી કનેકશન ધરાવતા 2 યુવકોની બિહાર,ઝારખંડથી ધરપકડ કરી છે. બાંગ્લાદેશી આતંકી સંગઠનના દિશાનિર્દેશ આધારે યુનિક મેઈલ આઈડીથી દેશમાં બ્લાસ્ટની ધમકીના મેઈલ મોકલાતા હતા.એટલું જ નહિ તાજેતરમાં દિલ્હીમાં યોજોયેલા બ્રિક્સ સંમેલનમાં પણ ભારતને સહકાર આપતા દેશોને પણ ધમકી આપતા મેઈલ કર્યાં હતા. હાલમાં આરોપીઓ પાસેથી કુલ 5,13,847 યુનિક મેઈલ આઈડી મળી આવ્યા છે જેને બનાવવા ઓથેન્ટીકેશન પ્રક્રિયાને જટીલ પધ્ધતિનો ઉપયોગ કરી બાયપાસ કરી હતી. આરોપી બાંગ્લાદેશી સંગઠન પાસેથી આર્થિક સહાય ક્રિપ્ટોમાં મેળવતો અને તેઓની સૂચના મુજબ દહેશત ફેલાવતો હતો. આ આરોપીઓ દ્વારા યુનિક મેઈલ આઈડી બાંગ્લાદેશી સંગઠનના સાગરિતોને પણ મોકલી આપ્યા છે.</p><p>સાયબર સેન્ટરની ટીમે ગત તા.10મીના રોજ ગુજરાત સરકાર ના વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગને મળેલા બ્લાસ્ટની ધમકીના મેઈલની તપાસ શરૂ કરતા ઈ-મેઈલ બિહારના ભાગલપુરથી ઓપરેટ થતો હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે રોશન રાજેન્દ્રકુમાર ભૂમિહારને બિહારથી પકડી પૂછપરછ કરતા સ્પષ્ટ થયું કે, આ મેઈલ આઈડી ઝારખંડના દેવધરના ગુલશનકુમાર કૌશલસિંગે આપ્યું હતું. પોલીસે દેવધરથી ગુલશનને પકડી પૂછપરછ કરતા આરોપીએ દહેશત ફેલાવવા માટે કુલ 5,13,847 યુનિક ઈ- મેઈલ આઈડી બનાવ્યા હતા. આ મેઈલ આઈડી-પાસવર્ડ ધરાવતું લીસ્ટ પોલીસને મળ્યું હતું. જેનો ઉપયોગ જૂદી જૂદી સરકારી કચેરી, શાળા, કોલેજો, કોર્ટોને ધમકીભર્યા મેઈલ મોકલવા તેમજ અન્ય સાયબર ક્રાઈમની પ્રવૃત્તિ આચરવા માટે થતો હતો. ગુલશનકુમારને બાંગ્લાદેશી સંગઠન દ્રારા આ માટે આર્થિક મદદ મળતી હતી. યુનિક મેઈલ આઈડીનું લીસ્ટ આરોપી દ્વારા બાંગ્લાદેશી સાગરિતોને પણ મોકલાયુ છે. ઝડપાયેલા આરોપીઓ પાસેથી ક્રિપ્ટો વોલેટ મળી આવ્યા છે. આ વોલેટમાં આરોપીને બાંગ્લાદેશી સાગરિતો દ્વારા કેટલા યુએસડીટી મોકલવામાં આવ્યા તેમજ અન્ય કઈ જગ્યાએથી આરોપી પાસે યુએસડીટી આવ્યા તેનો ઘટસ્ફોટ થશે. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના એસપી વિવેક ભેડાએ જણાવ્યું હતું કે, 2022થી આ પ્રવૃત્તિ આરોપીઓ દ્વારા ચલાવાતી હતી. ગત તા.10મીનો ધમકીભર્યો મેઈલ આરોપી રોશનકુમારે કર્યો હતો. આરોપીઓ દ્વારા છેલ્લા 3થી 4 દિવસના ગાળામાં દેશભરમાં ધમકીના 14 હજાર મેઈલ કરાયાની વિગતો મળી છે. આ મેઈલમાંથી આરોપીઓ દ્વારા બનાવેલા કેટલા યુનિક મેઈલ આઈડીનો ઉપયોગ થયો તેની તપાસ ચાલુ છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/X0MGGepQMb7qQXIx0tFOX4dKDrPjSY07KSIZufHK.webp'/></item><item><title><![CDATA[Delhi : એર ઇન્ડિયાની બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો, ઇમિગ્રેશન કર્યા વિના 3 મુસાફરો વિદેશ ઉડી ગયા ]]></title><link>https://sandesh.com/india/news/delhi-airport-air-india-security-breach-italian-passengers-without-immigration</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/delhi-airport-air-india-security-breach-italian-passengers-without-immigration</guid><pubDate>Mon, 14 Sep 2026 22:35:43 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દિલ્હી એરપોર્ટ પર એર ઇન્ડિયાની ગંભીર સુરક્ષા અને પ્રક્રિયાત્મક ચૂક સામે આવી છે. અમૃતસરથી દિલ્હી પહોંચેલા 3 ઇટાલિયન મુસાફરો ઇમિગ્રેશન ક્લિયરન્સ વિના જ લુફ્થાંસા ફ્લાઇટમાં સવાર થઈને મ્યુનિક પહોંચી ગયા હતા. આ મામલે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એર ઇન્ડિયાને કારણદર્શક નોટિસ પાઠવી છે અને 7 દિવસમાં જવાબ માંગ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>‘D’ બોર્ડિંગ પાસ ધરાવતા મુસાફરો આંતરરાષ્ટ્રીય વિસ્તારમાં પહોંચ્યા</b></h2><p style="text-align: justify; ">એર ઇન્ડિયાની SOP મુજબ ઘરેલુ મુસાફરોને ‘D’ અને આંતરરાષ્ટ્રીય મુસાફરોને ‘I’ કેટેગરીના બોર્ડિંગ પાસ આપવામાં આવે છે. આ કેસમાં મુસાફરોને અમૃતસરથી દિલ્હી સુધીની ઘરેલુ ફ્લાઇટ માટે ‘D’ બોર્ડિંગ પાસ આપવામાં આવ્યા હતા. જોકે, અમૃતસરથી જ તેમને આગળની લુફ્થાંસા ફ્લાઇટના બોર્ડિંગ પાસ પણ આપવામાં આવ્યા હતા. મંત્રાલયના જણાવ્યા મુજબ, આ પ્રક્રિયા નિયમો વિરુદ્ધ હતી.</p><h3 style="text-align: justify; "><b>ઇમિગ્રેશન ચેક વિના લુફ્થાંસા ફ્લાઇટમાં સવાર</b></h3><p style="text-align: justify; ">દિલ્હી પહોંચ્યા બાદ ત્રણેય મુસાફરોને ઘરેલુ મુસાફરોની ભીડથી અલગ કરીને ઇમિગ્રેશન તરફ મોકલવાના હતા. તેના બદલે તેઓ ગેટ 39 મારફતે ‘ઇન્ટરનેશનલ-ટુ-ઇન્ટરનેશનલ ટ્રાન્સફર એરિયા’માં પહોંચી ગયા. ત્યારબાદ તેઓ ડિપાર્ચર એરિયામાં ગયા અને ઇમિગ્રેશન ચેકપોઇન્ટમાંથી પસાર થયા વિના લુફ્થાંસા ફ્લાઇટમાં સવાર થઈ મ્યુનિક રવાના થઈ ગયા.</p><h3 style="text-align: justify; "><b>SOPના 5 પ્રાવધાનોના ઉલ્લંઘનનો ઉલ્લેખ</b></h3><p style="text-align: justify; ">નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એર ઇન્ડિયાની SOPના 5 પ્રાવધાનોના ઉલ્લંઘનનો ઉલ્લેખ કર્યો છે. તેમાં બોર્ડિંગ પાસની યોગ્ય કેટેગરી, ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય મુસાફરોનું અલગ વ્યવસ્થાપન, ટ્રાન્સફર ડેસ્ક સુધીની ઍક્સેસ અને 24 કલાકની દેખરેખ જેવી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે.</p><h4 style="text-align: justify; "><b>નોડલ ઓફિસર અને મોનિટરિંગ ટીમ પર પણ સવાલ</b></h4><p style="text-align: justify; ">હબ-એન્ડ-સ્પોક સિસ્ટમ હેઠળ હબ એરપોર્ટ પર 24 કલાક નોડલ ઓફિસર અને દેખરેખ ટીમ તૈનાત હોવી જરૂરી છે. મંત્રાલયે પૂછ્યું છે કે ઘટના સમયે નોડલ ઓફિસર અને મોનિટરિંગ ટીમ ક્યાં હતી અને મુસાફરોને સમયસર કેમ રોકવામાં ન આવ્યા. આ ઉપરાંત પેસેન્જર મેનિફેસ્ટ, જનરલ ડિક્લેરેશન અને API-PNR ડેટા ઇમિગ્રેશન અધિકારીઓને સમયસર આપવામાં આવ્યા હતા કે નહીં, તેની પણ માહિતી માંગવામાં આવી છે.</p><h4 style="text-align: justify; "><b>7 દિવસમાં જવાબ નહીં મળે તો કાર્યવાહી</b></h4><p style="text-align: justify; ">આ સમગ્ર ગડબડનો ખુલાસો મુસાફરો ફ્લાઇટમાં સવાર થયા બાદ મેન્યુઅલ મિલાન દરમિયાન થયો હતો. એટલે કે સિસ્ટમ અને દેખરેખ તંત્ર બંને સમયસર નિષ્ફળ રહ્યા હતા. એર ઇન્ડિયા સમયમર્યાદામાં જવાબ નહીં આપે તો ઉપલબ્ધ રેકોર્ડના આધારે વહીવટી અને નિયમનકારી કાર્યવાહી થઈ શકે છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; <a href="https://sandesh.com/india/news/crime/guwahati-wife-murder-accused-dies-police-vehicle-jump" target="_blank"><b>Guwahati : સનસનીખેજ બનાવ, પત્નીની હત્યા કરી માથું ફ્રિજમાં છુપાવનાર આરોપીનું પોલીસ વાહનમાંથી કૂદતાં મોત</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/HdwgvwDGoGN9v4pxzcgGQawOpe0Mca5AM7y6w29h.webp'/></item><item><title><![CDATA[પાકિસ્તાનની ટીમ ભારત આવશે! એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં જામશે ભારત-પાક જંગ ]]></title><link>https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</guid><pubDate>Mon, 14 Sep 2026 15:47:21 +05:30</pubDate><description><![CDATA[<p>આવતા મહિને પાકિસ્તાનની હોકી ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે. 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન પંજાબમાં યોજાનારી AHF મેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026માં પાકિસ્તાન સહિત કુલ છ ટીમો ભાગ લેશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પાકિસ્તાનની ભાગીદારી અંગેની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, મલ્ટી-નેશનલ ઇવેન્ટ્સ અંગે કેન્દ્ર સરકારની નીતિ હેઠળ બંને દેશોની ટીમો આમને-સામને રમશે.</p><h2><b>ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જાલંધરમાં રમાશે</b></h2><p>એશિયન મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન થશે. આ ટૂર્નામેન્ટમાં યજમાન ભારત અને પાકિસ્તાન ઉપરાંત ચીન, જાપાન, મલેશિયા અને કોરિયાની પણ ભાગ લેશે. લીગ સ્ટેજના મુકાબલા જાલંધરમાં યોજાશે, જ્યારે સેમિફાઇનલ અને ફાઇનલ મેચ મોહાલીના હોકી સ્ટેડિયમમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 1 નવેમ્બરે જાલંધરમાં રમાશે. કોઈ ટીમ છેલ્લી ઘડીએ ખસી જાય તો તે સ્થિતિ માટે ઓમાન અને બાંગ્લાદેશને રિઝર્વ ટીમન તરીકે રાખવામી આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PTI_News/status/2099416960278868155"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમવામાં કોઈ મુશ્કેલી નથી</b></h2><p>પાકિસ્તાનની ભાગીદારી અને જરૂરી મંજૂરીઓ અંગે પંજાબના મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં બંને દેશો વચ્ચે રમવામાં કોઈ મુશ્કેલી નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝનું આયોજન અલગ બાબત છે, કારણ કે કેન્દ્ર સરકારની વર્તમાન નીતિ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય રમત-ગમતના આયોજનની મંજૂરી આપતી નથી. પરંતુ મલ્ટી-નેશનલ ટૂર્નામેન્ટમાં બંને દેશોના ખેલાડીઓને એકબીજા સામે રમવાની પરવાનગી છે, જેથી પાકિસ્તાની ટીમ ભારત આવી શકશે.</p><h2><b>ભારત વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે</b></h2><p>ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. ભારતે 2023માં ચેન્નાઈ અને 2024માં ચીનના હુલુનબુઈરમાં યોજાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ગત વર્ષે આ સ્પર્ધા યોજાઈ શકી નહોતી. હવે પંજાબ પ્રથમ વખત આ ટૂર્નામેન્ટની મેજબાની કરવા જઈ રહ્યું છે.</p><h2><b>અગાઉ પાકિસ્તાની ટીમે ના કહી હતી&nbsp;</b></h2><p>પાકિસ્તાનની આ વખતની ભાગીદારી એટલા માટે પણ ખાસ છે, કારણ કે ગત વર્ષે તેણે તમિલનાડુમાં આયોજિત જૂનિયર હોકી વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તે સમયે બંને દેશો વચ્ચેના તણાવને તેનું કારણ ગણાવવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે અને પાકિસ્તાની ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે પૂરી રીતે તૈયાર છે.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/V6jwdiIr9RTCvR6EyBaGsP2qfZvYLq2JfkL7pytm.webp'/></item></channel></rss>