<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[PM Modi Birthday: આપણા વડાપ્રધાન પર ગર્વ હોવો જોઈએ....બોલીવુડમાં ઉત્સાહ, પીએમ મોદીને આપી જન્મદિવસની શુભેચ્છા ]]></title><link>https://sandesh.com/entertainment/news/pm-modi-birthday-know-which-bollywood-stars-sent-special-wishes-to-prime-minister-narendra-modi-on-his-76th-birthday</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/pm-modi-birthday-know-which-bollywood-stars-sent-special-wishes-to-prime-minister-narendra-modi-on-his-76th-birthday</guid><pubDate>Thu, 17 Sep 2026 10:25:28 +05:30</pubDate><description><![CDATA[<p>પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે, 17 સપ્ટેમ્બરના રોજ તેમનો ૭૬મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ પ્રસંગે દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. સોશિયલ મીડિયા પર તેમના કરોડો ચાહકોની સાથે બોલિવૂડની તમામ જાણીતી હસ્તીઓએ વડાપ્રધાનને જન્મદિવસની ભાવભીની સદભાવનાઓ પાઠવીને તેમના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે.</p><p><b>શત્રુઘ્ન સિંહાએ પીએમ મોદી સાથેના ફોટા શેર કરી પાઠવી શુભેચ્છા</b></p><p>અભિનેતા અને રાજકારણી શત્રુઘ્ન સિંહાએ તેમના અધિકૃત X (ટ્વિટર) એકાઉન્ટ પર પીએમ મોદી સાથેના બે ખાસ ફોટા શેર કર્યા છે. જેમાં એક ફોટામાં પીએમ મોદી તેમને પ્રેમથી ગળે લગાવતા અને બીજામાં હાથ મિલાવતા નજરે પડે છે. તેમણે કેપ્શનમાં લખ્યું કે, "મારો આ મેસેજ સંદેશાઓના સમુદ્રમાં ખોવાઈ જાય તે પહેલાં, હું તમને જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું. અમારા મિત્ર અને દેશના લોકપ્રિય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની ખુબ ખુબ મુબારક. ઈશ્વર તમને સારું સ્વાસ્થ્ય, ખુશી અને શાંતિ અર્પે."</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ShatruganSinha/status/2100114403408630156"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b>રવિ કિશને પીએમ મોદીના નેતૃત્વને ગણાવ્યું ઐતિહાસિક</b></p><p>સાંસદ અને અભિનેતા રવિ કિશને ઇન્સ્ટાગ્રામ પર પીએમ મોદી સાથેનો ફોટો શેર કરીને એક ભાવુક નોંધ લખી હતી. તેમણે પીએમ મોદીને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને અથાક મહેનતના પ્રતીક ગણાવ્યા હતા. રવિ કિશને જણાવ્યું કે, પીએમ મોદીના "સબકા સાથ, સબકા વિકાસ" અને "વસુધૈવ કુટુમ્બકમ"ના મંત્રથી વિશ્વભરમાં ભારતનો ડંકો વાગ્યો છે. વધુમાં, તેમણે એક સ્ટોરી પોસ્ટ કરીને જણાવ્યું કે તેઓ અને તેમનો પરિવાર પીએમ મોદીના આયુષ્ય માટે "આશીર્વાદ દીવો" પ્રગટાવી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે પીએમની કલ્યાણકારી યોજનાઓને કારણે આજે દેશના ગ્રામીણ વિસ્તારો સુધી શૌચાલય, ગેસ સિલિન્ડર અને પીવાનું પાણી પહોંચ્યું છે.</p><p><b>બિંદુ દારા સિંહ અને ઈશા કોપ્પિકર સહિતના સેલેબ્સે વ્યક્ત કરી ખુશી</b></p><p>રવિ કિશન અને શત્રુઘ્ન સિંહા ઉપરાંત બિંદુ દારા સિંહ, ઈશા કોપ્પિકર સહિત મનોરંજન જગતના અનેક કલાકારોએ સોશિયલ મીડિયા માધ્યમથી પ્રધાનમંત્રી મોદીને શુભકામનાઓ પાઠવી હતી. તમામ કલાકારોએ દેશને નવી ઊંચાઈઓ પર લઈ જવા બદલ પીએમના વિઝનરી નેતૃત્વના વખાણ કર્યા હતા અને તેમના દીર્ઘાયુની કામના કરી હતી.</p><p><b>ઈશા કોપ્પીકરે કહ્યું - તમે છેલ્લા 25 વર્ષથી સારું કામ કર્યું છે</b></p><p>આ દરમિયાન, ઈશા કોપ્પિકરે ખુલાસો કર્યો કે તે વડા પ્રધાન મોદીની ખૂબ મોટી ચાહક છે. તેણીએ કહ્યું, "મોદીજીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. તમે છેલ્લા 25 વર્ષોમાં મુખ્યમંત્રી અને વડા પ્રધાન તરીકે સેવા આપીને અદ્ભુત કાર્ય કર્યું છે. તમે ભારતને સારી સ્થિતિમાં પહોંચાડ્યું છે. તમારા જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. ભગવાન તમારા પર આશીર્વાદ વરસાવે."</p><p><b>સુભાષ ઘાઈએ વડાપ્રધાન મોદીના વખાણમાં શું કહ્યું?</b></p><p>સુભાષ ઘાઈએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વૈશ્વિક ઓળખની પ્રશંસા કરતા કહ્યું કે વિશ્વભરના નેતાઓ તેમનો આદર કરે છે. તેમણે સકારાત્મકતા અને પ્રેમના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે આપણને આપણા વડા પ્રધાન પર ગર્વ હોવો જોઈએ.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/7Sqq4ArkKXglQfGuFI8oTGrmTcUP7P4eVPYzfHex.webp'/></item><item><title><![CDATA[Stock Market Opening: શેરબજારનું ફ્લેટ ઓપનિંગ, સેન્સેક્સ 74,357 અંકે ખૂલ્યો ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-opening-stock-market-opens-flat-sensex-opens-at-74357-points</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-opening-stock-market-opens-flat-sensex-opens-at-74357-points</guid><pubDate>Thu, 17 Sep 2026 09:37:55 +05:30</pubDate><description><![CDATA[<p>ગુરુવારે શરૂઆતી કારોબારમાં ભારતીય શેરબજારમાં સામાન્ય વધારો જોવા મળ્યો હતો. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા 2023 પછી પ્રથમ વખત વ્યાજદરમાં કરવામાં આવેલા વધારાને પગલે વૈશ્વિક બજારો દબાણ હેઠળ હોવા છતાં, સેન્સેક્સ અને નિફ્ટી50 મર્યાદિત દાયરામાં કારોબાર કરી રહ્યા હતા.</p><h2><b>શેરબજારની ફ્લેટ શરૂઆત</b></h2><p>સવારે 9:21 વાગ્યે, સેન્સેક્સ 64.86 પોઈન્ટ અથવા 0.09% વધીને 74,401.31 પર કારોબાર કરી રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી50 34.60 પોઈન્ટ અથવા 0.15% વધીને 23,252.20 પર પહોંચ્યો હતો. સવારે 9.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી ફ્લેટ ખૂલ્યા. સેન્સેક્સ +20.77 પોઇન્ટના વધારા સાથે 74,357.22 અંકે ખૂલ્યો. જ્યારે નિફ્ટી 44.25 પોઇન્ટના વધારા સાથે 23,261.85 અંકે ખૂલ્યો.&nbsp;</p><h2><b>વધારો દર્શાવતા શેરો</b></h2><p>શરૂઆતી કારોબારમાં નિફ્ટી50 પર ભારત ઈલેક્ટ્રોનિક્સ (BEL), બજાજ ફાઈનાન્સ અને ઈટરનલ (Eternal) મુખ્ય વધારો દર્શાવતા શેરોમાં સામેલ હતા. વ્યાપક બજારમાં, નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સમાં 0.36% અને નિફ્ટી સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.42%નો વધારો જોવા મળ્યો હતો.</p><h3><b>ઓટો અને મેટલ સેક્ટર મજબૂત</b></h3><p>સેક્ટોરલ ઈન્ડેક્સમાં, નિફ્ટી ઓટો અને નિફ્ટી મેટલે સારું પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ, નિફ્ટી ITમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો.</p><h3><b>સેન્સેક્સ અને નિફ્ટીમાં ગભરાટના કોઈ સંકેત નહીં</b></h3><p>ટ્રેડિંગની શરૂઆતમાં, BSE સેન્સેક્સ તેના અગાઉના બંધ ભાવ 74,336ની સરખામણીએ નીચા સ્તરે એટલે કે 74,182 પર ખુલ્યો હતો, પરંતુ તેણે ઝડપથી વલણ બદલી નાખ્યું છે.&nbsp; ટ્રમ્પ દ્વારા સૂચિત 100% ટેરિફ (આયાત જકાત) અંગેની આશંકાઓથી વિચલિત થયા વિના તેમાં ઝડપી ઉછાળો જોવા મળ્યો. આ અહેવાલ લખાય છે તે સમયે, BSE સેન્સેક્સ લગભગ 200 પોઈન્ટના વધારા સાથે 74,523 પર ટ્રેડ થઈ રહ્યો હતો. NSE નિફ્ટીની વાત કરીએ તો, 50-શેરનો આ સૂચકાંક તેના અગાઉના બંધ ભાવ 23,217ની સરખામણીએ નજીવા ઘટાડા સાથે ખુલ્યો હતો, પરંતુ સેન્સેક્સની જેમ જ તેણે પણ ગતિ પકડી અને 23,300ની સપાટી પાર કરી લીધી.</p><p><br></p><p><a href="https://sandesh.com/india/news/100-us-tariff-on-india-america-does-whatever-it-takes-india-will-not-bow-down-indias-reaction-to-the-100-percent-tariff-law" target="_blank">આ પણ વાંચોઃ 100% US Tariff on India: થાય તે કરી લે અમેરિકા, ભારત.... ઝૂકશે નહી, 100 ટકા ટેરિફ લૉ અંગે ભારતની પ્રતિક્રિયા</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2025/02/05/g4hzOhHuT2btxgYU8iQjBawDeORuLBfQb35pqEgZ.jpg'/></item><item><title><![CDATA[PM Modi Birthday: BJP એ શેર કર્યો 34 વર્ષ જૂનો ફોટો,અનેક નેતાઓએ પાઠવી શુભેચ્છા ]]></title><link>https://sandesh.com/india/news/pm-narendra-modi-birthday-bjp-shares-1992-lal-chowk-photo</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/pm-narendra-modi-birthday-bjp-shares-1992-lal-chowk-photo</guid><pubDate>Thu, 17 Sep 2026 09:28:03 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાનો ૭૬મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ અવસર પર દેશભરમાંથી શુભેચ્છાઓનો પ્રવાહ વહી રહ્યો છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, કેન્દ્રીય મંત્રીઓ અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓએ પીએમ મોદીને તેમના ઉત્કૃષ્ટ નેતૃત્વ અને રાષ્ટ્રસેવા માટે હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલો એક ૩૪ વર્ષ જૂનો ઐતિહાસિક ફોટો ભારે ચર્ચામાં આવ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>1992 નો પીએમ મોદીનો એક ફોટો શેર કર્યો</b></h3><p style="text-align: justify; ">ભાજપે શ્રીનગરના લાલ ચોકનો ૧૯૯૨નો એક પ્રખ્યાત ફોટો શેર કર્યો છે, જેમાં યુવાન નરેન્દ્ર મોદી નજરે પડે છે. ૨૬ જાન્યુઆરી ૧૯૯૨ના રોજ તત્કાલીન ભાજપ અધ્યક્ષ ડૉ. મુરલી મનોહર જોશીના નેતૃત્વમાં 'એકતા યાત્રા' કન્યાકુમારીથી શ્રીનગર સુધી કાઢવામાં આવી હતી અને લાલ ચોક પર ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો. આ ઐતિહાસિક યાત્રાના આયોજનમાં યુવાન આયોજક તરીકે પીએમ મોદીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ભાજપે આ ફોટો શેર કરીને લખ્યું કે આઝાદી અને રાષ્ટ્રીય એકતાના સંકલ્પથી શરૂ થયેલી એક યુવા આયોજકની આ સફર આજે દેશના સર્વોચ્ચ નેતૃત્વ સુધી પહોંચી છે.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/BJP4India/status/2100404370856653026"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h3 style="text-align: justify; "><b>ગૃહમંત્રી અમિત શાહે પાઠવી શુભેચ્છા</b></h3><p style="text-align: justify; ">દેશના દિગ્ગજ નેતાઓએ પણ પીએમ મોદીને જન્મદિવસની વિશેષ શુભેચ્છાઓ પાઠવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, અથાક મહેનત, બલિદાન અને દૂરંદેશીના પ્રતીક સમાન પીએમ મોદીનું જીવન અટલ સંકલ્પની ગાથા છે, જે લાખો દેશવાસીઓ માટે પ્રેરણાદાયક છે.&nbsp;</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/AmitShah/status/2100405157876138366"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; ">ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના ૨૫ વર્ષના જાહેર જીવનના કાર્યોને બિરદાવતા કહ્યું કે તેમણે સુશાસનને પોતાનો સંકલ્પ બનાવ્યો છે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/myogiadityanath/status/2100410734501036201"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; ">ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને પણ તેમના મજબૂત નેતૃત્વની પ્રશંસા કરતા ભારતને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવવામાં તેમના યોગદાનને યાદ કર્યું હતું.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/VPIndia/status/2100381891702714441"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/weather-update-imd-heavy-rain-alert-delhi-up-himachal-2026" target="_blank">આ પણ વાંચોઃ Weather Update :  દિલ્હી, યુપીથી લઇને હિમાચલ સુધી અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/iLOXgDis0Iymfo2A9M3OSemr1YCYm2Umnmd3SgIN.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: ગુજરાતના મેન્યુફેક્ચરિંગ MSME એકમોનું થશે GIS આધારિત મેપિંગ ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-manufacturing-msmes-to-get-gis-based-mapping</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-manufacturing-msmes-to-get-gis-based-mapping</guid><pubDate>Thu, 17 Sep 2026 09:19:25 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કેન્દ્ર સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયની ‘રૅઇઝિંગ એન્ડ એક્સેલરેટિંગ એમએસએમઈ પરફોર્મન્સ’(RAMP) યોજના અંતર્ગત ગુજરાત સરકારના MSME કમિશનરેટ દ્વારા ‘PM ગતિ શક્તિ પોર્ટલ સાથે મેન્યુફેક્ચરિંગ MSMEનું મેપિંગ’ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે.આ પ્રોજેક્ટ અંતર્ગત ‘ઉદ્યોગ પોર્ટલ’ પર નોંધાયેલા મેન્યુફેક્ચરિંગ MSME એકમોનું GIS આધારિત જિયો-ટેગિંગ અને મેપિંગ કરવામાં આવશે. આ કામગીરી માટે ગુજરાત ઈન્ફો પેટ્રો લિમિટેડ (GIPL)ને જવાબદારી સોંપવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>MSME એકમોની મુલાકાત લેવામાં આવશે</b></h2><p style="text-align: justify; ">પ્રોજેક્ટના ભાગરૂપે GIPLના અધિકૃત પ્રતિનિધિઓ દ્વારા MSME એકમોની મુલાકાત લેવામાં આવશે.આ મુલાકાત દરમિયાન એકમોનું જિયો-ટેગિંગ કરવા ઉપરાંત જરૂરી માહિતીનું એકત્રીકરણ અને ચકાસણી કરવામાં આવશે. રાજ્યના તમામ MSME એકમોને GIPLના અધિકૃત પ્રતિનિધિઓને જરૂરી સહકાર આપવા તેમજ મેપિંગ માટે જરૂરી માહિતી ઉપલબ્ધ કરાવવા વિનંતી કરવામાં આવી છે.GIS આધારિત આ મેપિંગથી રાજ્યના MSME એકમો અંગેનો સંકલિત અને સુવ્યવસ્થિત ડેટાબેઝ તૈયાર કરવામાં મદદ મળશે. આ ડેટાના આધારે રાજ્યમાં માળખાકીય સુવિધાઓના આયોજન, નીતિ ઘડતર અને વિવિધ યોજનાઓના વધુ અસરકારક અમલીકરણમાં ઉપયોગી માહિતી ઉપલબ્ધ થશે.</p><h3 style="text-align: justify; "><b>&nbsp;નિર્ણય પ્રક્રિયાને વધુ સુદૃઢ બનાવી શકાશે</b></h3><p style="text-align: justify; ">MSME ક્ષેત્રના એકમો અંગેનો ડેટા PM ગતિ શક્તિ પોર્ટલ સાથે સંકલિત થવાથી ડેટા આધારિત આયોજન અને નિર્ણય પ્રક્રિયાને વધુ સુદૃઢ બનાવી શકાશે.GIS આધારિત મેપિંગ દ્વારા MSME એકમોના સ્થાન અને સંબંધિત વિગતોને વધુ વ્યવસ્થિત રીતે ઉપલબ્ધ કરાવી શકાશે, જેનાથી MSME ક્ષેત્રને જરૂરિયાત આધારિત સહાય અને સુવિધાઓ પહોંચાડવામાં પણ મદદ મળશે.રાજ્યના MSME ક્ષેત્રના વિકાસ માટે ડેટા આધારિત આયોજન અને નિર્ણય પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવાની દિશામાં આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ બની રહેશે.આ પ્રોજેક્ટના સફળ અમલીકરણ માટે રાજ્યના તમામ સંબંધિત MSME એકમો અને ઉદ્યોગ સંગઠનોને GIPL તથા તેના અધિકૃત પ્રતિનિધિઓને સંપૂર્ણ સહકાર આપવા તેમજ જરૂરી માહિતી ઉપલબ્ધ કરાવવા MSME કમિશનરની કચેરીની યાદીમાં જણાવાયું છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/pm-modi-birthday-amit-shah-to-flag-off-vadnagar-varanasi-seva-yatra" target="_blank">આ પણ વાંચોઃ Gujarat News : આજે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ, ગૃહમંત્રી અમિત શાહ વડનગરથી વારાણસી યાત્રાનું પ્રસ્થાન કરાવશે</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/ej0eil22Kp40FjQpXgXz8VVHQDHaPrT9kdli74eB.webp'/></item><item><title><![CDATA[Weather Update :  દિલ્હી, યુપીથી લઇને હિમાચલ સુધી અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી ]]></title><link>https://sandesh.com/india/news/weather-update-imd-heavy-rain-alert-delhi-up-himachal-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/weather-update-imd-heavy-rain-alert-delhi-up-himachal-2026</guid><pubDate>Thu, 17 Sep 2026 09:10:35 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ચોમાસાના પ્રસ્થાનના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે દેશના અનેક રાજ્યોમાં હવામાનમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ૧૭ સપ્ટેમ્બરના રોજ ઉત્તરપશ્ચિમ, મધ્ય, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતના વિવિધ રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં આકાશ વાદળછાયું બની રહ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>દિલ્હી અને ઉત્તર ભારતમાં વરસાદની આગાહી</b></h2><p style="text-align: justify; ">રાજધાની દિલ્હીમાં આજે આકાશ સામાન્ય રીતે વાદળછાયું રહેવાની સાથે હળવા વરસાદ અથવા ઝરમર વરસાદની સંભાવના છે. અહીં મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ૨૫ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહી શકે છે. આગામી 18 થી 20સપ્ટેમ્બર દરમિયાન પણ દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ જળવાઈ રહેશે, જ્યારે ૨૧ અને ૨૨ સપ્ટેમ્બરે આકાશ સ્વચ્છ થવાની ધારણા છે.</p><h3 style="text-align: justify; "><b>આટલા જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ</b></h3><p style="text-align: justify; ">ઉત્તર પ્રદેશમાં પણ મહારાજગંજ, ગોરખપુર, આઝમગઢ, વારાણસી, પ્રયાગરાજ, અયોધ્યા, મેરઠ, આગ્રા અને લખનૌ સહિતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને પૂર્વી રાજસ્થાનમાં પણ ભારે પવન સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં પણ વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે.</p><h4 style="text-align: justify; "><b>પર્વતીય વિસ્તારો અને અન્ય રાજ્યોની સ્થિતિ</b></h4><p style="text-align: justify; ">પર્વતીય પ્રદેશોમાં ઉત્તરાખંડના નૈનિતાલ, પિથોરાગઢ અને ચમોલી તેમજ હિમાચલ પ્રદેશના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી છે. જમ્મુ અને કાશ્મીરના પૂંચ, કુલગામ, જમ્મુ, ઉધમપુર અને કુપવાડા જેવા વિસ્તારોમાં પણ ખરાબ હવામાનની સંભાવના છે. પશ્ચિમ બંગાળ, સિક્કીમ, મધ્યપ્રદેશ, કોંકણ અને ગોવા તેમજ પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં પણ વ્યાપક વરસાદની આગાહી કરાઈ છે.હવામાન વિભાગે નાગરિકોને આ પ્રતિકૂળ હવામાન દરમિયાન સાવચેત રહેવા અને જરૂરી કાળજી લેવા અપીલ કરી છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/pm-narendra-modi-76th-birthday-seva-sankalp-abhiyan-2026" target="_blank">આ પણ વાંચોઃ PM Modi Birthday: 76મો જન્મદિવસ ઉજવી રહ્યા છે મોદી, દેશભરમાં 'સેવા સંકલ્પ અભિયાન'નો પ્રારંભ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/E8oJD8NXnSdD6UjhDp3q9oJJn3yobWMZwtoy5A33.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News : ગુજરાતના સરકારી પ્રાથમિક શિક્ષકો માટે મોટી રાહત, HTAT પરીક્ષા આપવા માટે સ્નાતક હોવું ફરજિયાત નથી! ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat--graduation-degree-not-mandatory-for-primary-teachers-appearing-in-htat-exam</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat--graduation-degree-not-mandatory-for-primary-teachers-appearing-in-htat-exam</guid><pubDate>Thu, 17 Sep 2026 08:47:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતના સરકારી પ્રાથમિક શિક્ષકો માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એક અત્યંત મહત્વનો અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્ય શિક્ષકની ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા (HTAT) અંગે મોટી સ્પષ્ટતા કરતાં જણાવાયું છે કે આ પરીક્ષામાં બેસવા માટે હવે શિક્ષકો માટે સ્નાતક (ગ્રેજ્યુએટ) હોવું ફરજિયાત નથી. સરકારના આ નિર્ણયથી રાજ્યના હજારો પ્રાથમિક શિક્ષકોને મોટો લાભ થશે અને તેમના માટે પ્રમોશન મેળવવાના નવા દ્વાર ખુલશે.</p><h2 style="text-align: justify; "><b>ફીડર કેડરના શિક્ષકો લાયકાતના આધારે આપી શકશે પરીક્ષા</b></h2><p style="text-align: justify; ">શિક્ષણ વિભાગની નવી સ્પષ્ટતા મુજબ, બઢતી (પ્રમોશન) માટેની અન્ય તમામ નિયત શરતો પૂર્ણ કરતાં હોય તેવા ફીડર કેડરના શિક્ષકો પોતાની લાયકાતના આધારે HTAT પરીક્ષા આપી શકશે. ઉમેદવાર શિક્ષક સ્નાતક છે કે નહીં તે બાબતને ધ્યાનમાં લીધા વિના જ તેમને આ ખાસ સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવા માટે પાત્ર ગણવામાં આવશે. આ સ્પષ્ટતાના કારણે લાંબા સમયથી પરીક્ષાની રાહ જોઈ રહેલા શિક્ષકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>જિલ્લા ફેરબદલી અટકેલા શિક્ષકોને પણ પરીક્ષાની મંજૂરી</b></h2><p style="text-align: justify; ">આ ઉપરાંત અન્ય એક સંવેદનશીલ મુદ્દા પર વિગતો આપતાં જણાવવામાં આવ્યું છે કે, જે શિક્ષકોના જિલ્લા ફેરબદલીના હુકમો થઈ ગયા હોય પરંતુ કોઈ વહીવટી કારણોસર તેમને હાલની શિક્ષણ સમિતિમાંથી ફરજમુક્ત (રિલીવ) કરવામાં આવ્યા ન હોય, તેવા શિક્ષકોને પણ HTAT પરીક્ષા માટે પાત્ર ગણવામાં આવશે. આ નિર્ણયથી વહીવટી પ્રક્રિયામાં અટવાયેલા શિક્ષકોની તક છીનવાઈ જશે નહીં, જેને તમામ શિક્ષક મંડળો દ્વારા આવકારવામાં આવ્યો છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/dengue-cases-rise-viral-fever-and-flu-spread-across-city" target="_blank">Ahmedabad News: શહેરમાં ડેન્ગ્યુના કેસોમાં ચિંતાજનક વધારો, શરદી અને ખાંસી સાથે વાયરલ ફિવરનો કહેર</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/Jf0YUIRHU2buvvTG6ILQuXHn25VEEK0ovHLcFgKm.webp'/></item><item><title><![CDATA[Gujarat News: ઘર અને હોટલ બંનેની થાળી મોંઘી થઈ, લીંંબુ અને ડુંગળીના ભાવમાં મોટો ભડકો ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/lemon-and-onion-prices-surge-thali-prices-rise-amid-inflation</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/lemon-and-onion-prices-surge-thali-prices-rise-amid-inflation</guid><pubDate>Thu, 17 Sep 2026 08:42:05 +05:30</pubDate><description><![CDATA[<p>દેશમાં મોંઘવારીએ માઝા મુકી છે. ડુંગળી અને લીંબુના ભાવમાં છેલ્લા બે સપ્તાહમાં જ ત્રણ ગણો વધારો થયો છે.એક સપ્તાહ પહેલાં હોલસેલમાં રૂ.80 પ્રતિ કિલોના ભાવે મળતા લીંબુ અત્યારે રિટેલમાં રૂ.300ની કિંમતે વેચાવા માંડ્યા છે.જ્યારે રૂ.20પ્રતિ કિલો મળતી ડુંગળી રૂ.80 પ્રતિ કિલો વેચાઈ રહી છે.બીજી તરફ લીલા શાકભાજીમાં કિલોએ રૂ.20થી 30નો વધારો થયો છે.</p><h2><b>લેભાગુ તત્ત્વો કૃત્રિમ ભાવવધારો કરી રહ્યા છે</b></h2><p>વેપારીઓના જણાવ્યા કે મુજબ ડુંગળી અને લીંબુની આવક ઓછી હોવાને લીધે રિટેલમાં કૃત્રિમ ઉછાળો આવ્યો છે.નાની ગુજરાતી અને પંજાબી હોટેલોમાં થાળીમાંથી ડુંગળી અને લીંબુ ગાયબ થઈ ગયા છે.જ્યારે પાંઉભાજી અને દાળવડાની લારીઓ પર માપસરની ડુંગળી આપવાનું શરૂ કરાયું છે.આમ શાકભાજી,લીંબુ અને ડુંગળીના ભાવો આસમાને પહોંચી ગયા હોવા છતાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં પોઢી રહ્યા હોવાથી છેલ્લા ઘણા સમયથી કેટલાક લેભાગુ તત્ત્વો કૃત્રિમ ભાવવધારો કરી રહ્યા છે.જેના લીધે ગૃહિણીઓના બજેટ ઉપર સીધી અસર જોવા મળી છે.ગૃહિણીઓએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે,હવે ક્યાં સુધી અમે ધીરજ રાખીશું.</p><p><img alt="શાકભાજીના ભાવમાં વધારો" src="https://epapercdn.sandesh.com/images/2026/09/17/sZHoFdcsCWTSKZjwKvM6iBvRhnHaPeQvdlhnaQMb.webp" style="width: 100%;"><br></p><h2><b>ઊલટાનું મોંઘવારી વધતી જાય છે</b></h2><p>મોંઘવારી ઘટવાનું નામ લેતી નથી,ઊલટાનું મોંઘવારી વધતી જાય છે.બીજી તરફ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ તેમજ તોલમાપ વિભાગમાં અપૂરતા સ્ટાફને લીધે બજારમાં કોઈ તપાસ કરવા જતું નથી.જેના લીધે કેટલાક લેભાગુ વેપારીઓ કૃત્રિમ ઉછાળો લાવીને પ્રજાને છેતરી રહ્યા છે.સામાન્ય દિવસોમાં લીંબુ રિટેલમાં રૂ.60 પ્રતિ કિલો મળતા હતા.પરંતુ છેલ્લા પંદર દિવસમાં બજારમાં લીંબુની આવક ઓછી થઈ જતાં હાલ હોલસેલમાં રૂ.130 પ્રતિ કિલો મળી રહ્યા છે.જ્યારે છૂટક લીંબુનો ભાવ રૂ.300 પ્રતિ કિલોએ પહોંચ્યો છે.જ્યારે ડુંગળી પંદર દિવસ પહેલાં રૂ.20થી 30 પ્રતિ કિલો મળતી હતી તે અત્યારે રિટેલમાં રૂ.80 પ્રતિ કિલો વેચાઈ રહી છે.જ્યારે લીલા શાકભાજીમાં કિલોએ રૂ.20થી 40 સુધીનો વધારો થયો છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/pm-modi-birthday-amit-shah-to-flag-off-vadnagar-varanasi-seva-yatra" target="_blank">આ પણ વાંચોઃ Gujarat News : આજે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ, ગૃહમંત્રી અમિત શાહ વડનગરથી વારાણસી યાત્રાનું પ્રસ્થાન કરાવશે</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/vysN1koq2rOD5NccNqaa4EMKo2bLtW1c224ykHdQ.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: શહેરમાં ડેન્ગ્યુના કેસોમાં ચિંતાજનક વધારો, શરદી અને ખાંસી સાથે વાયરલ ફિવરનો કહેર ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/dengue-cases-rise-viral-fever-and-flu-spread-across-city</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/dengue-cases-rise-viral-fever-and-flu-spread-across-city</guid><pubDate>Thu, 17 Sep 2026 08:00:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ચોમાસાની સિઝનમાં શહેરમાં અત્યારે રોગચાળો ફાટી નીકળ્યો છે. ઘેર ઘેર માંદગીના ખાટલા હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. અસારવા અને સોલા એમ બે સિવિલ હોસ્પિટલમાં એક જ સપ્તાહમાં ઓપીડીમાં 45797 દર્દીઓ સારવાર લેવા માટે દોડ્યા છે.જે પૈકી સિવિલમાં 30044 અને સોલામાં 15753 દર્દી નોંધાયા છે.એ જ રીતે ખાનગી હોસ્પિટલો-ક્લિનિકોમાં પણ દર્દીઓની ભારે ભીડ છે.</p><h2 style="text-align: justify; "><b>16 દિવસમાં નવા 420 દર્દીને સારવાર અપાઈ&nbsp;</b></h2><p style="text-align: justify; ">સોલામાં સ્વાઈન ફ્લૂના એક સપ્તાહમાં 85 શંકાસ્પદ દર્દીને સારવાર અપાઈ છે.જે પૈકી 9 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે અસારવા સિવિલમાં સ્વાઈન ફ્લૂના બે સ્ટેબલ દર્દી છે જે પૈકી એકની ઓક્સિજન સહારે સારવાર ચાલી રહી છે.સિવિલમાં સપ્ટેમ્બરના 16 દિવસમાં ડેન્ગ્યુના 156 કેસ આવ્યા છે તો સોલામાં સપ્તાહમાં જ ડેન્ગ્યુના 552 શંકાસ્પદ દર્દીમાંથી 214 પોઝિટિવ એમ 370 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે.આમ મચ્છરજન્ય રોગની સાથે શરદી,ખાંસી, તાવના કેસોનો પણ રાફડો ફાટ્યો છે. સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોષીએ જણાવ્યું કે,ડેન્ગ્યુના ઓગસ્ટમાં 94 કેસ હતા,સપ્ટેમ્બરના 16 દિવસમાં 156 નવા કેસ આવ્યા છે.વાયરલ ફીવરના 700 દર્દી હતા,સપ્ટેમ્બરના 16 દિવસમાં નવા 420 દર્દીને સારવાર અપાઈ છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>સોલામાં સપ્તાહમાં 1549 દર્દીને સારવાર અપાઈ</b></h3><p style="text-align: justify; ">સિવિલના સૂત્રો કહે છે કે,ગત મહિને હિપેટાઈટિસના 194 કેસ, આ મહિને 73, સાદા મેલેરિયાના ઓગસ્ટમાં 43  જ્યારે છેલ્લા 16 દિવસમાં 20 કેસ,ઝેરી મેલેરિયાના 13 કેસ,અત્યારે 9 કેસ છે.ચિકન ગુનિયાના 10 કેસ હતા,આ મહિને નવા 17 કેસ આવ્યા છે.ટાઈફોઈડના દોઢ માસમાં 15 દર્દી છે.સોલા સિવિલમાં સ્વાઈન ફ્લૂના નવા 9 કેસ નોંધાયા છે.એક સપ્તાહમાં ડેન્ગ્યુના 552 શંકાસ્પદમાંથી 214 પોઝિટિવ,મેલેરિયાના 1321 શંકાસ્પદ કેસમાંથી 18 દર્દીઓના રિપોર્ટ કન્ફર્મ આવ્યા છે.ચિકન ગુનિયાના 16 શંકાસ્પદમાંથી એક પોઝિટિવ,ઝાડા ઉલટીને લગતા 14,વાયરલ હિપેટાઈટિસ-એના 1,વાયરલ હિપેટાઈટિસ ઈના 5 તેમજ ટાઈફોઈડના 4 દર્દીને સારવાર આપવામાં આવી છે.સોલામાં સપ્તાહમાં 1549 દર્દીને,અસારવા સિવિલમાં 2628 દર્દીને દાખલ કરીને સારવાર અપાઈ છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/pm-modi-birthday-amit-shah-to-flag-off-vadnagar-varanasi-seva-yatra" target="_blank">આ પણ વાંચોઃ Gujarat News : આજે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ, ગૃહમંત્રી અમિત શાહ વડનગરથી વારાણસી યાત્રાનું પ્રસ્થાન કરાવશે</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/kNXayu0PBuULvYQ07Iz1YXL0tvCetsfDFwV9kXhT.webp'/></item><item><title><![CDATA[Gujarat News : આજે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ, ગૃહમંત્રી અમિત શાહ વડનગરથી વારાણસી યાત્રાનું પ્રસ્થાન કરાવશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/pm-modi-birthday-amit-shah-to-flag-off-vadnagar-varanasi-seva-yatra</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/pm-modi-birthday-amit-shah-to-flag-off-vadnagar-varanasi-seva-yatra</guid><pubDate>Thu, 17 Sep 2026 07:15:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આજે 17 સપ્ટેમ્બર ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે.17 ઓક્ટોબર સુધી એક મહિનો સળંગ સેવા સંકલ્પ અભિયાનનું આયોજન કરાયું છે.જેનો આરંભ વડનગરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સવારે ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવે મહાઆરતી,પદયાત્રા અને 400થી વધુ બાઈકર્સને વારાણસી સુધી સેવા યાત્રા પ્રસ્થાન કરાવીને કરાવશે.</p><h2 style="text-align: justify; "><b>રાજ્યભરમાં 18500 સ્થળોએ આશીર્વાદ દીવા પ્રગટાવાશે</b></h2><p style="text-align: justify; ">સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આજે સાંજે રાજ્યભરમાં 18500 સ્થળોએ નરેન્દ્ર મોદીને આશીર્વાદ આપતા 88 લાખથી વધુ દીવડા પ્રગટાવવા માટે ગુજરાતના નાગરિકો અને ભાજપના કાર્યકરોએ તૈયારીઓ કર્યાનું જાહેર કર્યું હતું.જન્મદિવસ ઉપરાંત 7મી ઓક્ટોબરે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રીથી વડાપ્રધાન તરીકે જાહેરજીવનમાં 25 વર્ષ પૂર્ણ કરી રહ્યા છેઆથી તેને સાંકળીને ભાજપ સરકાર અને સંગઠને એક મહિના સુધી સેવા સંકલ્પ અભિયાનનું આયોજન કર્યું છે.જેમાં આયુષ્માન ભારત,અનાજ વિતરણ,ખેડૂત કલ્યાણકારી યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાના વિશેષ અભિયાન ચાલશે.</p><h3 style="text-align: justify;"><b>કાંકરિયા ખાતે આશીર્વાદનો દીવડો પ્રગટાવશે</b></h3><p style="text-align: justify; ">આજે સવારે વડનગરથી વારાણસી સુધી સેવા યાત્રા કરનારા બાઈકર્સ પણ રસ્તામાં આવતા ગામોમાં આ અભિયાનને આગળ વધારશે.રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંજે કાંકરિયા ખાતે આશીર્વાદનો દીવડો પ્રગટાવશે.જ્યારે અંબાજી ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા મહાઆરતી કરશે.તે સિવાય સુરત ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી,ભાવનગર ખાતે કેન્દ્રીય મંત્રી નીમુબહેન બામણિયા અને કૃષિમંત્રી જીતુ વાઘાણી તેમજ રાજકોટમાં હિરાસર એરપોર્ટ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સેવા સંકલ્પ અભિયાનનો આરંભ કરાવશે.</p><h2 style="text-align: justify;"><b>કાર્યક્રમમાં 20 લાખથી વધુ નાગરિકોને જોડાવા આહવાન</b></h2><p style="text-align: justify;">18500 સ્થળોએ દીવડો આશીર્વાદનો કાર્યક્રમમાં 20 લાખથી વધુ નાગરિકોને જોડવા માટે આયોજન હોવાનું જણાવતાં પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે 17મી સપ્ટેમ્બરની સાંજે છ વાગ્યાથી મંદિરોથી લઈને તળાવ,નદી,ચોક,શહેરોના મુખ્ય દરવાજા,દૂધની ડેરી,પ્રતિમા,ટાઉનહોલ,બગીચા અને માર્કેટયાર્ડમાં ભજન-સંધ્યા, સત્સંગ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તમામ નેતાઓ આજે  વડનગરના હાટકેશ્વર મહાદેવના મંદિરમાં દર્શન કરશે.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/navsari/navsari-35-units-of-blood-collected-at-vesma-primary-health-center-camp" target="_blank">આ પણ વાંચોઃ Navsari : વેસ્મા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કેમ્પમાં 35 યુનિટ રક્ત એકત્ર</a></p><p style="text-align: justify;"><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/0TZFIDsWculCSa6v4VBPHzOCIUAl5kBvjs4giTFr.webp'/></item><item><title><![CDATA[પાકિસ્તાનની ટીમ ભારત આવશે! એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં જામશે ભારત-પાક જંગ ]]></title><link>https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</guid><pubDate>Mon, 14 Sep 2026 15:47:21 +05:30</pubDate><description><![CDATA[<p>આવતા મહિને પાકિસ્તાનની હોકી ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે. 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન પંજાબમાં યોજાનારી AHF મેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026માં પાકિસ્તાન સહિત કુલ છ ટીમો ભાગ લેશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પાકિસ્તાનની ભાગીદારી અંગેની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, મલ્ટી-નેશનલ ઇવેન્ટ્સ અંગે કેન્દ્ર સરકારની નીતિ હેઠળ બંને દેશોની ટીમો આમને-સામને રમશે.</p><h2><b>ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જાલંધરમાં રમાશે</b></h2><p>એશિયન મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન થશે. આ ટૂર્નામેન્ટમાં યજમાન ભારત અને પાકિસ્તાન ઉપરાંત ચીન, જાપાન, મલેશિયા અને કોરિયાની પણ ભાગ લેશે. લીગ સ્ટેજના મુકાબલા જાલંધરમાં યોજાશે, જ્યારે સેમિફાઇનલ અને ફાઇનલ મેચ મોહાલીના હોકી સ્ટેડિયમમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 1 નવેમ્બરે જાલંધરમાં રમાશે. કોઈ ટીમ છેલ્લી ઘડીએ ખસી જાય તો તે સ્થિતિ માટે ઓમાન અને બાંગ્લાદેશને રિઝર્વ ટીમન તરીકે રાખવામી આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PTI_News/status/2099416960278868155"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમવામાં કોઈ મુશ્કેલી નથી</b></h2><p>પાકિસ્તાનની ભાગીદારી અને જરૂરી મંજૂરીઓ અંગે પંજાબના મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં બંને દેશો વચ્ચે રમવામાં કોઈ મુશ્કેલી નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝનું આયોજન અલગ બાબત છે, કારણ કે કેન્દ્ર સરકારની વર્તમાન નીતિ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય રમત-ગમતના આયોજનની મંજૂરી આપતી નથી. પરંતુ મલ્ટી-નેશનલ ટૂર્નામેન્ટમાં બંને દેશોના ખેલાડીઓને એકબીજા સામે રમવાની પરવાનગી છે, જેથી પાકિસ્તાની ટીમ ભારત આવી શકશે.</p><h2><b>ભારત વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે</b></h2><p>ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. ભારતે 2023માં ચેન્નાઈ અને 2024માં ચીનના હુલુનબુઈરમાં યોજાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ગત વર્ષે આ સ્પર્ધા યોજાઈ શકી નહોતી. હવે પંજાબ પ્રથમ વખત આ ટૂર્નામેન્ટની મેજબાની કરવા જઈ રહ્યું છે.</p><h2><b>અગાઉ પાકિસ્તાની ટીમે ના કહી હતી&nbsp;</b></h2><p>પાકિસ્તાનની આ વખતની ભાગીદારી એટલા માટે પણ ખાસ છે, કારણ કે ગત વર્ષે તેણે તમિલનાડુમાં આયોજિત જૂનિયર હોકી વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તે સમયે બંને દેશો વચ્ચેના તણાવને તેનું કારણ ગણાવવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે અને પાકિસ્તાની ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે પૂરી રીતે તૈયાર છે.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/V6jwdiIr9RTCvR6EyBaGsP2qfZvYLq2JfkL7pytm.webp'/></item></channel></rss>