<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Hit Song : 1991ની આ ફિલ્મમાં સુપરસ્ટારના કેમિયોએ લૂંટી હતી મહેફિલ, એક ગીત બન્યું સુપરહિટ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/1991-bollywood-film-superstar-cameo-superhit-song</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/1991-bollywood-film-superstar-cameo-superhit-song</guid><pubDate>Mon, 03 Aug 2026 12:47:50 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હિન્દી સિનેમામાં ઘણી એવી ફિલ્મો છે, જેની ચર્ચા વર્ષો પછી પણ થાય છે. આજે અમે તમને 35 વર્ષ જૂની એવી ફિલ્મ વિશે જણાવી રહ્યા છીએ, જેમાં સાઉથના સુપરસ્ટારનો નાનકડો કેમિયો હતો. સાથે જ ફિલ્મનું એક ગીત એટલું સુપરહિટ થયું કે આજે પણ લોકો તેને ખૂબ પસંદ કરે છે. ચાલો જાણીએ આ કઈ ફિલ્મ હતી અને ક્યારે રિલીઝ થઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>ફિલ્મ 'ફૂલ બને અંગારે'</b></h2><p style="text-align: justify; ">અહીં વાત થઈ રહી છે વર્ષ 1991માં રિલીઝ થયેલી કેસી બોકાડિયાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'ફૂલ બને અંગારે'ની. આ ફિલ્મથી રેખાએ દર્શકોનો ઘણો પ્રેમ મેળવ્યો હતો અને તેમની દરેક જગ્યાએ ચર્ચા થઈ હતી. 35 વર્ષ જૂની આ ફિલ્મનું એક ગીત પણ ખૂબ જ સુપરહિટ બન્યું હતું, જેને લોકોનો જબરદસ્ત પ્રેમ મળ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>'ગોરી કબસે હુઈ જવાન' ગીત</b></h3><p style="text-align: justify; ">ફિલ્મના સૌથી લોકપ્રિય ગીતોમાંનું એક 'ગોરી કબસે હુઈ જવાન' છે. આ ગીત આજે પણ લગ્નપ્રસંગોમાં ધૂમ મચાવે છે. લતા મંગેશકરે પોતાના મધુર અવાજથી આ ગીતને યાદગાર બનાવી દીધું હતું. આ ગીતમાં રેખા પોતાના જીવનસાથીને પોતાની યુવાનીનો ઉલ્લેખ કરીને પોતાની સાથે લઈ જવાની વિનંતી કરતી જોવા મળે છે.</p><h4 style="text-align: justify; "><b>સુપરસ્ટાર રજનીકાંતનો કેમિયો</b></h4><p style="text-align: justify; ">ફિલ્મમાં આ ગીત લગ્નના પ્રસંગ પર ફિલ્માવવામાં આવ્યું હતું. એ જ કારણથી આ ગીત મહિલાસંગીત અને લગ્નના કાર્યક્રમોમાં ખાસ સ્થાન મેળવી ગયું. તે સમયથી લઈને આજે પણ અનેક લગ્નોમાં આ ગીત સાંભળવા મળે છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં સાઉથના સુપરસ્ટાર રજનીકાંતનો નાનકડો કેમિયો પણ હતો. તેમનો રોલ ભલે ટૂંકો હતો, પરંતુ તેમણે પોતાની હાજરીથી દર્શકોનું દિલ જીતી લીધું હતું.</p><h5 style="text-align: justify; "><b>કાસ્ટ અને બજેટ</b></h5><p style="text-align: justify; ">ફિલ્મમાં રજનીકાંત અને રેખા ઉપરાંત બીના, બિંદુ અને પ્રેમ ચોપરા પણ મહત્વના પાત્રોમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં રેખાના અભિનયને ખૂબ વખાણ મળ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગભગ 2.15 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર અંદાજે 6 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/ram-kapoor-bade-achhe-lagte-hain-show-revelation" target="_blank">આ પણ વાંચો-Ram Kapoor : 'હું રાક્ષસ બની ગયો હતો, સેટ પર દારૂ પીતો હતો': રામ કપૂરે રિવીલ કર્યું સિક્રેટ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/DW2Sm9e2g96qFW5b0Ubaj8QuIRg6nMiIJgDFDuFY.webp'/></item><item><title><![CDATA[Surat : વાસી અને અખાદ્ય કઠોળનું વિતરણ: પાંડેસરામાં માતૃશક્તિ યોજના હેઠળ અખાદ્ય જથ્થો પકડાતાં ખળભળાટ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-pandesara-matrushakti-yojana-expired-food-grain-distribution</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-pandesara-matrushakti-yojana-expired-food-grain-distribution</guid><pubDate>Mon, 03 Aug 2026 12:47:24 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં સરકારી યોજના હેઠળ અપાતા પૌષ્ટિક આહારમાં ભારે બેદરકારી સામે આવતાં મોટો વિવાદ ઊભો થયો છે. ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ હેઠળ સગર્ભા અને ધાત્રી માતાઓને વિતરણ કરવા માટે મોકલવામાં આવેલો કઠોળનો જથ્થો વાસી, અખાદ્ય અને એક્સપાયરી ડેટ વાળો હોવાનો ધડાકો થયો છે.</p><h2 style="text-align: justify; "><b>વાસી કઠોળ મોકલવામાં આવ્યું</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, પાંડેસરા સ્થિત આંગણવાડી કેન્દ્રો પર સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓને આપવા માટે વાસી કઠોળ મોકલવામાં આવ્યું હતું. આંગણવાડી કાર્યકરોએ જ્યારે આ જથ્થાની પ્રાથમિક તપાસ કરી ત્યારે આ સમગ્ર બાબત બહાર આવી હતી. અખાદ્ય અને વાસી કઠોળનો જથ્થો પકડાતાં જ વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી.</p><h3 style="text-align: justify; "><b>જવાબદાર એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહીની માગ</b></h3><p style="text-align: justify; ">માતા અને નવજાત શિશુઓના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતી આ ગંભીર લાપરવાહી સામે આવતાં સ્થાનિકો અને પરિવારજનોમાં ભારે રોષ અને આક્રોશ વ્યાપી ગયો છે. પૌષ્ટિક આહારના નામે અખાદ્ય સામગ્રી સપ્લાય કરનાર જવાબદાર એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી જોરદાર માંગ ઉઠી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp; &nbsp;:&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/political-news/vadodara/mmanjalpur-assembly-bypoll-election-result-counting-vadodara" target="_blank"><b>&nbsp;Live Bypoll Result 2026: બાંકીપુરમાં પ્રશાંત કિશોરનો દબદબો તો માંજલપુરમાં ભાજપને ભારે બહુમત, દતિયામાં કોંગ્રેસ આગળ</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/922wMRyoB1fhnYW4CzYDAaD1NXRU1JOcoT8RE2AM.webp'/></item><item><title><![CDATA[Suratની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત: મોટા વરાછાની કીવા હોસ્પિટલના તબીબ સામે પરિવારના આક્ષેપ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/pregnant-woman-dies-in-private-hospital-in-surat-family-alleges-against-doctor-at-mota-varachhas-kiva-hospital</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/pregnant-woman-dies-in-private-hospital-in-surat-family-alleges-against-doctor-at-mota-varachhas-kiva-hospital</guid><pubDate>Mon, 03 Aug 2026 12:37:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલી 'કીવા વુમન્સ હોસ્પિટલ'માં એક અત્યંત દુઃખદ અને ગંભીર ઘટના સામે આવી છે. હોસ્પિટલમાં દાખલ પ્રસુતા મહિલાનું ડિલિવરીના માત્ર ૩ કલાક બાદ જ શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું હતું. સીઝેરિયન ઓપરેશન બાદ મહિલાને સતત ભારે રક્તસ્રાવ થઈ રહ્યો હતો, છતાં તબીબો દ્વારા તેને ગંભીરતાથી લેવામાં આવ્યો ન હોવાનું સામે આવ્યું છે. આ કમનસીબ ઘટનામાં માતાએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે નવજાત બાળક સદનસીબે સંપૂર્ણ સુરક્ષિત અને જીવિત છે.</p><h2 style="text-align: justify; "><b>ડિલિવરીના ત્રણ કલાક બાદ મહિલાનું મોત!</b></h2><p style="text-align: justify; ">મૃતકના પરિવારજનોએ હોસ્પિટલના ડૉ. તરુણ તેજાણી સામે સારવારમાં ઘોર અને ગંભીર બેદરકારી દાખવ્યાના ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. પરિવારનો દાવો છે કે ઓપરેશન બાદ મહિલાની સ્થિતિ કથળતી હોવા છતાં અને સતત બ્લીડિંગ થતું હોવા છતાં હોસ્પિટલ તંત્ર કે જવાબદાર ડૉક્ટર દ્વારા સમયસર યોગ્ય સારવાર આપવામાં આવી ન હતી. સમયસર સારવારના અભાવે જ મહિલાની તબિયત વધુ લથડી હતી અને આખરે તેનો કરૂણ અંત આવ્યો હતો, જેનાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>પરિવારે કરી નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહીની માંગ</b></h3><p style="text-align: justify; ">નવજાત બાળકે જન્મ લેતાની સાથે જ માતાની છત્રછાયા ગુમાવતા સમગ્ર વરાછા વિસ્તારમાં અને પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. હોસ્પિટલની આ ગંભીર લાપરવાહી સામે પરિવારે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. પીડિત પરિવારે સમગ્ર મામલે તબીબી બેદરકારી અંગે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જવાબદાર ડૉક્ટર તથા હોસ્પિટલ સંચાલકો સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી જોરદાર માંગ કરી છે. આ ઘટનાને પગલે ખાનગી હોસ્પિટલોની કામગીરી સામે ફરી એકવાર અનેક સવાલો ઊભા થયા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/a6TaoBCHPXmOzeSBAvufwIOvIAelsLTzB6nlSorK.webp'/></item><item><title><![CDATA[Patan : ગટરના મુદ્દે MLA કિરીટ પટેલનો ઘેરાવો: 'કોંગ્રેસ પર વિશ્વાસ મૂક્યો છતાં કેમ ન આવ્યા?', નિર્મળ નગરની મહિલાઓનો ઉગ્ર આક્રોશ! ]]></title><link>https://sandesh.com/gujarat/news/patan/patan-mla-kirit-patel-gherao-nirmal-nagar-drainage-issue</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/patan/patan-mla-kirit-patel-gherao-nirmal-nagar-drainage-issue</guid><pubDate>Mon, 03 Aug 2026 12:29:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પાટણ શહેરના નિર્મળ નગર વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી ઉભરાવાની ગંભીર સમસ્યા સામે આવી છે. આ સમસ્યાથી કંટાળેલી સ્થાનિક મહિલાઓએ આજે ક્ષેત્રની ਮੁલાકાતે પહોંચેલા કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલને ઘેરી લઈને ભારે આડે હાથ લીધા હતા. લાંબા સમયથી હાલાકી ભોગવી રહેલા સ્થાનિકોએ ધારાસભ્ય સામે પોતાનો ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>પાટણે કોંગ્રેસ પર વિશ્વાસ મૂક્યો છે</b></h2><p style="text-align: justify; ">સ્થાનિક મહિલાઓએ ધારાસભ્યને ઘેરી લઇને  સીધા સવાલો કરતા જણાવ્યું હતું કે, પાટણની જનતા તમને જંગી મતોથી જીતાડે છે અને આખા ગુજરાતમાં ભાજપની લહેર હોવા છતાં પાટણે કોંગ્રેસ પર વિશ્વાસ મૂક્યો છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>ધારાસભ્ય કેમ અત્યાર સુધી સ્થિતિ જોવા ન આવ્યા</b></h3><p style="text-align: justify; ">રહિશોએ આક્રોષ વ્યક્ત કર્યો હતો કે આમ છતાં, આટલા સમયથી નિર્મળ નગરના રહીશો ગટરના દૂષિત પાણીની હાલાકી ભોગવી રહ્યા હોવા છતાં ધારાસભ્ય કેમ અત્યાર સુધી સ્થિતિ જોવા ન આવ્યા.</p><h3 style="text-align: justify; "><b>કિરીટ પટેલ સ્થાનિકોના ટોળા વચ્ચે ઘેરાઈ ગયા&nbsp;</b></h3><p style="text-align: justify; ">મહિલાઓના આક્રોશ અને ભારે સવાલોના મારા વચ્ચે ધારાસભ્ય કિરીટ પટેલ સ્થાનિકોના ટોળા વચ્ચે ઘેરાઈ ગયા હતા. રહીશોએ માંગ કરી હતી કે વહેલી તકે ભૂગર્ભ ગટરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે, નહીં તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/crime/gir-somnath/gir-somnath-police-extortion-scandal-two-psi-suspended-range-ig" target="_blank"><b> Gir Somnath પોલીસ બેડામાં ખળભળાટ, હોટલ જુગાર રેડમાં 5 લાખના તોડકાંડ મુદ્દે બે PSI સસ્પેન્ડ</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/imZVESv830FAS272u4e5FkrW74MoPCHaKKcvOb1D.webp'/></item><item><title><![CDATA[Khedbrahmaના ચાંપલપુર વસાહતમાં બંધ મકાનમાં આગ: ઘરવખરી બળીને ખાખ! ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/khed-brahma/fire-in-a-closed-house-in-khedbrahmas-champalpur-colony-the-house-was-completely-gutted</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/khed-brahma/fire-in-a-closed-house-in-khedbrahmas-champalpur-colony-the-house-was-completely-gutted</guid><pubDate>Mon, 03 Aug 2026 12:24:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વિસ્તારમાં આવેલી નવા ચાંપલપુર વસાહતમાં એક બંધ મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠવાની ગંભીર ઘટના સામે આવી છે. મકાનમાંથી અચાનક જ કાળા ધુમાડાના ગોટેગોટા અને આકાશને આંબતી આગની જ્વાળાઓ નીકળતી જોઈને આસપાસના સ્થાનિક રહીશોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. બંધ મકાનમાં આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે આસપાસના રહીશો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>ફાયર બ્રિગેડની કામગીરીથી આગ કાબુમાં આવી</b></h2><p style="text-align: justify; ">ઘટના અંગે સ્થાનિકો દ્વારા તાત્કાલિક ખેડબ્રહ્મા નગરપાલિકાની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ ફાયર ફાઈટરની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર પાણીનો મારો ચલાવીને સઘન કામગીરી શરૂ કરી હતી. ફાયર બ્રિગેડના જવાનોની સમયસૂચકતા અને ઝડપી કામગીરીના કારણે આગ વધુ વિકરાળ બને તે પહેલા જ કાબુમાં આવી ગઈ હતી, જેના લીધે આજુબાજુમાં આવેલા અન્ય મકાનો સુધી આગ ફેલાતી અટકી ગઈ હતી અને મોટી દૂર્ઘટના ટળી હતી.</p><h3 style="text-align: justify; "><b>ઘરવખરી ખાખ પણ જાનહાનિ ટળી</b></h3><p style="text-align: justify; ">આ ભીષણ આગની ઘટનામાં મકાનની અંદર રહેલો તમામ સામાન અને ઘરવખરી બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયા છે, જેના કારણે મકાનમાલિકને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જોકે, બનાવ સમયે મકાન બંધ હોવાના કારણે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, જેથી સ્થાનિકો અને પાલિકા તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો. બંધ મકાનમાં આગ કયા કારણોસર લાગી તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે અને તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/a14bRyZ40OBh049OxZ26J0jnr0zXDLnKmDW9I8dC.webp'/></item><item><title><![CDATA[Home Loan : ઘર ખરીદનારાઓ માટે મોટાં સમાચાર, આ બેંક આપી રહી છે સસ્તા વ્યાજ દરે હોમલોન! ]]></title><link>https://sandesh.com/business/news/home-loan-big-news-for-home-buyers-this-bank-is-offering-home-loans-at-cheap-interest-rates</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/home-loan-big-news-for-home-buyers-this-bank-is-offering-home-loans-at-cheap-interest-rates</guid><pubDate>Mon, 03 Aug 2026 12:16:12 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જે લોકો પોતાનું ઘર ખરીદવાનું આયોજન કરી રહ્યા છે તેમના માટે એક ખૂબ જ સારા અને રાહતજનક સમાચાર સામે આવ્યા છે. બેંક ઓફ મહારાષ્ટ્રે ગ્રાહકોને આકર્ષક ઓફર આપતા હોમ લોન પરના વ્યાજ દરમાં મોટો ઘટાડો કર્યો છે. હવે બેંક દ્વારા હોમ લોન પરનો પ્રારંભિક વાર્ષિક વ્યાજ દર ઘટાડીને માત્ર 7 ટકા કરવામાં આવ્યો છે, જે ખરીદદારો માટે મોટી આર્થિક રાહત સમાન છે.</p><h2 style="text-align: justify; "><b>વ્યાજ દર ગ્રાહકોના ક્રેડિટ સ્કોર પર નિર્ભર રહેશે</b></h2><p style="text-align: justify; ">બેંક ઓફ મહારાષ્ટ્રની સત્તાવાર વેબસાઇટ પર આપેલી માહિતી મુજબ, આ ખાસ વ્યાજ દર ગ્રાહકોના ક્રેડિટ સ્કોર પર નિર્ભર રહેશે. જો કોઈ ગ્રાહકનો સિબિલ કે ક્રેડિટ સ્કોર 800 કે તેથી વધુ સારો હોય, તો તેઓ માત્ર 7 ટકાના સૌથી ઓછા વ્યાજ દરે હોમ લોન મેળવી શકે છે. જ્યારે 750 થી 799 ની વચ્ચેનો ક્રેડિટ સ્કોર ધરાવતા ગ્રાહકોને 7.25 ટકાના વ્યાજ દરે લોન મળી શકશે. આકર્ષક વ્યાજ દરની સાથેસાથે બેંકે ગ્રાહકોને વધુ એક મોટી રાહત આપતા હોમ લોન પર લાગતી પ્રોસેસિંગ ફી સંપૂર્ણપણે માફ કરી દીધી છે. સામાન્ય રીતે લોન લેતી વખતે ગ્રાહકોએ પ્રોસેસિંગ ફી પેટે હજારો રૂપિયા ચૂકવવા પડતા હોય છે, પરંતુ આ ફી માફ થવાથી લોન લેતી વખતે થતો પ્રારંભિક ખર્ચ ઘણો ઘટી જશે, જે મધ્યમ વર્ગના પરિવારો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.</p><h3 style="text-align: justify; "><b>ઘર ખરીદનારાંઓને રાહત</b></h3><p style="text-align: justify; ">વ્યાજ દરમાં થયેલા આ ઘટાડાને કારણે માસિક હપ્તા એટલે કે EMI ની રકમ પર પણ સીધી સકારાત્મક અસર પડશે. લાંબા ગાળાની લોન પર વ્યાજ દર ઘટવાથી ગ્રાહકોને કુલ વ્યાજ ચૂકવણીમાં લાખો રૂપિયાની બચત થઈ શકે છે. જો કે, વાસ્તવિક EMI ની રકમ લોનની કુલ રકમ અને તેની મુદતના આધારે નક્કી થશે.</p><h4 style="text-align: justify; "><b>લોન લેતા પહેલા બધું જ ચકાસો</b></h4><p style="text-align: justify; ">કોઈપણ બેંકમાંથી લોન લેતા પહેલા કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. માત્ર એક જ બેંકની ઓફર જોવાને બદલે બજારમાં ઉપલબ્ધ અન્ય બેંકોના વ્યાજ દરોની પણ તુલના કરવી જોઈએ. આ ઉપરાંત, તમારા ક્રેડિટ સ્કોરને મજબૂત રાખો, લોનની છુપાયેલી શરતો ચોક્કસ વાંચો અને તમારી માસિક આવક અથવા પગારના આધારે જ EMI ની રકમ નક્કી કરો જેથી ભવિષ્યમાં આર્થિક બોજ ન વધે.</p><p style="text-align: justify; "><b>ડિસ્ક્લેમરઃ આ માહિતી મીડિયા રિપોર્ટના આધારિત છે. કોઇ વસ્તુમાં ઇન્વેસ્ટ અથાવ લોન લેતા પહેલાં નિષ્ણાંતોની સલાહ લેવી અનિવાર્ય છે.&nbsp;</b><br><br><b><a href="https://sandesh.com/world/news/us-iran-talks-trump-claims-hormuz-strait-peace" target="_blank">આ પણ વાંચોઃ&nbsp;&nbsp;America-Iran વચ્ચે થશે બેઠક, ટ્રમ્પના દાવા અને ઇરાનની ચુપ્પી વચ્ચે કેવી રીતે થશે શાંતિ?</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/CXDIaKl4Q0JgEvJe2fQuDZtkFYmUnXdqRg17JKx6.webp'/></item><item><title><![CDATA[Suratમાં ઉત્રાણ પોલીસ લોકઅપમાંથી ડ્રગ્સ કેસનો આરોપી ફરાર: ગણતરીના કલાકોમાં કડોદરાથી ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/drug-case-accused-absconds-from-uttaran-police-lockup-in-surat-arrested-from-kadodara-within-hours</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/drug-case-accused-absconds-from-uttaran-police-lockup-in-surat-arrested-from-kadodara-within-hours</guid><pubDate>Mon, 03 Aug 2026 12:09:51 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતના ઉત્રાણ પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી ડ્રગ્સ કેસમાં પકડાયેલો આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થઈ જતાં તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. પકડાયેલા આરોપી મનિષ પટેલે પોતાની ચાલાકી વાપરીને લોકઅપમાં અચાનક બીમારીનું નાટક કર્યું હતું. પોલીસ કર્મચારીઓનું ધ્યાન ભટકાવીને સ્થિતિનો ગેરલાભ ઉઠાવી તે તક મળતાં જ ભાગી છૂટ્યો હતો. અત્યંત ગંભીર એવા ડ્રગ્સના ગુનાનો આરોપી લોકઅપમાંથી ફરાર થઈ જતાં જ ઉત્રાણ પોલીસ મથકની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા હતા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તુરંત હરકતમાં આવ્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>પોલીસે નાકાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું</b></h2><p style="text-align: justify; ">આરોપી લોકઅપમાંથી ફરાર થયાની જાણ થતાં જ શહેર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ હતી. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને સુરત પોલીસે તાત્કાલિક અસરથી શહેરના તમામ મુખ્ય માર્ગો અને બહાર જતાં રસ્તાઓ પર કડક નાકાબંધી ગોઠવી દીધી હતી. અલગ-અલગ ટીમો બનાવીને આરોપી મનિષ પટેલને શોધી કાઢવા માટે સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. તેમજ શંકાસ્પદ વાહનો અને જગ્યાઓની તપાસ કરી આરોપી ક્યાંય ભાગી ન જાય તે માટે પોલીસે ચારેય તરફ ઘેરાબંધી મજબૂત કરી દીધી હતી.</p><h3 style="text-align: justify; "><b>કડોદરા ચાર રસ્તા પાસેથી ફરી ધરપકડ</b></h3><p style="text-align: justify; ">પોલીસની ત્વરિત કાર્યવાહી અને સતર્કતાના કારણે ફરાર આરોપી ઝાઝા સમય સુધી છુપાઈ શક્યો ન હતો. કડક નાકાબંધી અને બાતમીદારોના નેટવર્કની મદદથી ગણતરીના કલાકોમાં જ ઉત્રાણ પોલીસે આરોપી મનિષ પટેલને કડોદરા ચાર રસ્તા પાસેથી સફળતાપૂર્વક ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની અટકાયત કરીને ફરીથી લોકઅપ હવાલે કર્યો છે. લોકઅપમાંથી ફરાર થવા બદલ તેની સામે વધુ એક ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જ્યારે બીજી તરફ સિક્યુરિટીમાં થયેલી બેદરકારી મામલે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/rvcDwTJB0LTarhuXvi0ouO45HNRHsyr6a9miUZ6I.webp'/></item><item><title><![CDATA[Delhi Rouse Avenue Courtએ મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ સિંહ નિર્દોષ જાહેર ]]></title><link>https://sandesh.com/india/news/delhi-rouse-avenue-court-acquits-brijbhushan-singh-in-the-case-of-sexual-harassment-of-female-wrestlers</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/delhi-rouse-avenue-court-acquits-brijbhushan-singh-in-the-case-of-sexual-harassment-of-female-wrestlers</guid><pubDate>Mon, 03 Aug 2026 10:53:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મહિલા ખેલાડીઓના જાતીય સતામણીના કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે બ્રિજભૂષણ શરણ સિંહ અને તેમના સહયોગી વિનોદ તોમરને નિર્દોષ જાહેર કર્યા છે. સ્પેશિયલ જજ અશ્વિની પનવરે કેમેરા સામે ચુકાદો આપ્યો. તમને જણાવી દઈએ કે, કોર્ટે 10 મે 2024ના રોજ બ્રિજભૂષણ વિરુદ્ધ કલમ 354 અને 354A હેઠળ આરોપ નક્કી કરવામાં આવ્યો હતો. કોર્ટે બ્રિજભૂષણની સાથે સાથે તેના સહયોગી વિનોદ તોમર વિરુદ્ધ આરોપ નક્કી કર્યા હતા. મહિલા પહેલવાનોએ તેના પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો.</p><h4 style="text-align: justify; "><b>બ્રિજભૂષણ સિંહ નિર્દોષ જાહેર</b></h4><p style="text-align: justify; ">પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે કોર્ટના આદેશ પછી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, તેમણે જે પહેલા કહ્યું હતુ. તે હવે સાચું થયું છે. તેના વકીલે કહ્યું કે,કોર્ટના વિસ્તૃત આદેશની રાહ જોઈ રહ્યા હતા.તેમણે કહ્યું કે શરૂઆતથી જ તેમનો અભિપ્રાય એવો રહ્યો છે કે ફરિયાદ અને ફરિયાદીના નિવેદનો વચ્ચે ઘણી વિસંગતતાઓ અને વિરોધાભાસ હતા. વકીલના મતે, કોર્ટનો વિસ્તૃત આદેશ જલ્દી જાહેર કરવામાં આવશે. ત્યાર પછી આગળની કાનુની પ્રકિયા પર વિસ્તારથી ટિપ્પણી કરવામાં આવશે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/ANI/status/2084149698076737640?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>ઉત્તર પ્રદેશના બાહુબલી</b></h4><p style="text-align: justify; ">બ્રિજભૂષણ શરણ સિંહનો જન્મ 8 જાન્યુઆરી 1957ના રોજ ગોંડા, ઉત્તર પ્રદેશમાં રાજપૂતો, પ્યારી દેવી અને જગદંબા શરણ સિંહને ત્યાં થયો હતો.તેણે સાકેત પી.જી.માં કાયદાનો અભ્યાસ કર્યો છે.બ્રિજભૂષણ શરણ સિંહ એક ભારતીય રાજકારણી છે અને ભારતીય જનતા પાર્ટીના સભ્ય તરીકે 6 ટર્મથી સંસદ સભ્ય (MP) રહ્યા છે. તેમણે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) ના પ્રમુખ તરીકે પણ સેવા આપી છે.તેમને તેમના રાજકીય ક્ષેત્રમાં ઉત્તર પ્રદેશના બાહુબલી તરીકે પણ ઓળખવામાં આવે છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો <a href="https://sandesh.com/cricket/news/bcci-announces-replacement-aaqib-nabin-enters-sri-lanka-series" target="_blank">- BCCIએ રિપ્લેસમેન્ટની કરી જાહેરાત, આકિબ નબીનની શ્રીલંકા સિરીઝમાં થઈ એન્ટ્રી</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/UYWWx4DPu3d6bt7DfRrbYEjYc24nsHWTSgyE2jrc.webp'/></item><item><title><![CDATA[Bihar:  સહરસામાં પેસેન્જર ટ્રેનમાં ભીષણ આગ,સદનસીબે કોઈ જાનહાનિ નહીં ]]></title><link>https://sandesh.com/india/news/bihar-train-fire-saharsa-simri-bakhtiyarpur-passenger-train</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/bihar-train-fire-saharsa-simri-bakhtiyarpur-passenger-train</guid><pubDate>Mon, 03 Aug 2026 09:34:24 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બિહારના સહરસા જિલ્લાના સિમરી બખ્તિયારપુર રેલ્વે સ્ટેશન પર એક મોટી દુર્ઘટના ટળી છે. અહીં વહેલી સવારે એક પેસેન્જર ટ્રેનમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આ ઘટનાને કારણે સ્ટેશન અને મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>પેસેન્જર ટ્રેનમાં લાગી ભીષણ આગ</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી પ્રમાણે બિહારના સહરસા જિલ્લાના સિમરી બખ્તિયારપુર રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ભીષણ આગ લાગવાની ઘટના બનવા પામી હતી.આગ લાગવાની આ ઘટના સમસ્તીપુર-સહરસા પેસેન્જર ટ્રેન (નંબર 63344) માં બની હતી. સવારે અંદાજે 3.40 વાગ્યાના અરસામાં ટ્રેનના એન્જિન અને તેની સાથે જોડાયેલા કોચને આગે લપેટમાં લીધા હતા. ટ્રેનમાં મુસાફરો સવાર હોવાથી ક્ષણભરમાં અફરાતફરી મચી ગઈ હતી. માહિતી મળતાની સાથે જ રેલવે તંત્ર અને ફાયર વિભાગ સક્રિય બન્યા હતા. સહરસા ફાયર સ્ટેશનથી ફોમ ટેન્ડર અને પાણીના ટેન્ડર તાત્કાલિક ઘટનાસ્થળે મોકલી આપવામાં આવ્યા હતા. સમયસર બચાવ કામગીરી હાથ ધરીને મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2084098719390319084"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h3 style="text-align: justify; "><b>કોઇ જાનહાનિ નહીં</b></h3><p style="text-align: justify; ">સહાયક ફાયર ઓફિસર નિરંજન કુમારે જણાવ્યું કે, ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો છે. સદનસીબે આ ભીષણ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને તમામ મુસાફરો સુરક્ષિત છે. જો કે, આગની આ ઘટનામાં ટ્રેનનો એક કોચ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયો છે. ટ્રેનમાં અચાનક આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. રેલવે અધિકારીઓ દ્વારા આ મામલે હાલમાં ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવી છે.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2084100253100503271"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/world/news/pakistan-suicide-attack-swat-khyber-pakhtunkhwa-blast" target="_blank">આ પણ વાંચોઃ Pakistan :  આત્મઘાતી હુમલામાં મૃત્યુઆંક વધ્યો, 14ના મોત, 12થી વધુ ઘાયલ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/N3LdmpwvhLOp2dUyBxOSLS9hoCaxBsZTMmrEQHEo.webp'/></item><item><title><![CDATA[CWG 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ 2026ની પૂર્ણાહુતિ, 2030 માટે હર્ષ સંધવીએ સ્વિકાર્યો ધ્વજ! ]]></title><link>https://sandesh.com/sports/news/cwg-2026-commonwealth-games-2026-concludes-in-glasgow-harsh-sandhvi-accepts-flag-for-2030</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/cwg-2026-commonwealth-games-2026-concludes-in-glasgow-harsh-sandhvi-accepts-flag-for-2030</guid><pubDate>Mon, 03 Aug 2026 08:34:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026ના રંગીન સમાપનથી ભારત માટે એક નવા અધ્યાયની શરૂઆત થઈ.ગ્લાસગોમાં 11 દિવસના શાનદાર કાર્યક્રમો પછી,સ્કોટલેન્ડે સત્તાવાર રીતે ભારતને કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને દંડૂકો સોંપ્યો.વિશ્વ હવે 2030 માં શતાબ્દી આવૃત્તિ પર નજર રાખશે,જેનું આયોજન અમદાવાદ કરશે. ભારત અમદાવાદ 2030ની યજમાની કરીને ઇતિહાસ પણ રચશે.ભારત ઓસ્ટ્રેલિયા પછી એક કરતા વધુ વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરનાર બીજો દેશ બનશે. અગાઉ, ભારતે 2010 માં નવી દિલ્હીમાં સફળતાપૂર્વક ગેમ્સનું આયોજન કર્યું હતું.</p><h5 style="text-align: justify; "><b>ભારતની સંસ્કૃતિક ઝલક જોવા મળી&nbsp;</b></h5><p style="text-align: justify; ">સમાપન સમારોહમાં,ભારતે તેના સાંસ્કૃતિક વારસા,આધુનિક વિચારસરણી અને પરંપરાઓનું પ્રદર્શન કર્યું, જેનાથી સમગ્ર સ્ટેડિયમ તાળીઓથી ગૂંજી ઉઠ્યું.સમારંભના અંતે, બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજાના પ્રતિનિધિ, એડિનબર્ગના ડ્યુક, પ્રિન્સ એડવર્ડે સત્તાવાર રીતે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026 પૂર્ણ થવાની જાહેરાત કરી. આ સાથે, કોમનવેલ્થ ગેમ્સનો કાફલો હવે ભારત તરફ રવાના થયો,જ્યાં 2030 માં કોમનવેલ્થ ગેમ્સની ઐતિહાસિક 100મી વર્ષગાંઠ ઉજવવામાં આવશે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dbj_NaPDeJt/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dbj_NaPDeJt/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a></p><p style="text-align: justify; "><br></p><h5 style="text-align: justify; "><b>ભારતને કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ મળ્યો</b></h5><p style="text-align: justify; ">સુવર્ણ ચંદ્રક જીતનાર બોક્સર જાસ્મિન લેમ્બોરિયા સમાપન સમારોહમાં ભારત માટે ધ્વજવાહક હતા.ઔપચારિક ધ્વજ સોંપણી સમારોહ સમગ્ર સંકુલમાં કોમનવેલ્થ ગેમ્સના ધ્વજની પ્રતીકાત્મક સરઘસ સાથે શરૂ થયો. સ્કોટલેન્ડ અને ભારતના ધ્વજધારકોની આગેવાની હેઠળ એક સરઘસે ફોલ્ડ કરેલા ગેમ્સના ધ્વજને નીચે ઉતાર્યો. ગ્લાસગોના લોર્ડ પ્રોવોસ્ટ,જેક્લીન મેકલેરેન, ત્યારબાદ તેને કોમનવેલ્થ ગેમ્સ સ્કોટલેન્ડના ઉપપ્રમુખ સુસાન જેક્સન, સ્કોટલેન્ડના નેટબોલ ખેલાડી એમિલી નિકોલ, કોમનવેલ્થ સ્પોર્ટના પ્રમુખ ડૉ. ડોનાલ્ડ રુકારે, બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરા, ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષા અને છેલ્લે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સોંપી. આ સાથે, યજમાનીની જવાબદારી સત્તાવાર રીતે સ્કોટલેન્ડથી ભારતને સોંપવામાં આવી. ત્યારથી, સમારોહ ભારતના સાંસ્કૃતિક વારસાની ઉજવણીમાં ડૂબી ગયો.એક ખાસ વિશેષતા ભારતીય અને સ્કોટિશ કલાકારો દ્વારા સંયુક્ત પ્રદર્શન હતું, જે બંને દેશો વચ્ચેની સાંસ્કૃતિક ભાગીદારીની સુંદર ઝલક દર્શાવે છે.</p><h4 style="text-align: justify; "><b>ભારતીય કલાકનું શાનદાર પ્રદર્શન કર્યું.&nbsp;</b></h4><p style="text-align: justify; ">ભારતે પોતાની પ્રસ્તુતિ દ્વારા વિશ્વને અમદાવાદમાં આમંત્રણ આપ્યું,જેમાં ભારતીય ફિલસૂફી,લોક સંસ્કૃતિ અને આધુનિક ભારતની ઝલક પ્રભાવશાળી રીતે દર્શાવવામાં આવી. આ પ્રસ્તુતિએ માત્ર યજમાન અધિકારો સોંપવાનું જ નહીં પરંતુ 2030 માં યોજાનારી શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ માટેના વિઝનનો પરિચય પણ કરાવ્યો. ભારતનું ગ્લાસગો અભિયાન 2026 કોમનવેલ્થ ગેમ્સ માટે ખૂબ જ સફળ રહ્યું.ભારતીય ટુકડીએ કુલ 39 મેડલ જીત્યા, જેમાં 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. આ પ્રદર્શન સાથે, ભારત મેડલ ટેલીમાં ચોથું સ્થાન મેળવ્યું.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/india-commonwealth-games-2026-medal-tally-fourth-place" target="_blank">CWG 2026 Medal Tally: ભારતનું અભિયાન સમાપ્ત, મેડલ ટેલીમાં ભારત ક્યાં નંબર પર?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/Jh5gzLcYFHJfFN1cAwkuS5qZaKDJkKbUoY9Xx1vO.webp'/></item></channel></rss>