<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Cancerને 'નોટિફાયેબલ ડિસીઝ' જાહેર કરો, સુપ્રીમ કોર્ટે 19 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને આપ્યો નિર્દેશ ]]></title><link>https://sandesh.com/india/news/supreme-court-19-states-uts-cancer-notifiable-disease</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/supreme-court-19-states-uts-cancer-notifiable-disease</guid><pubDate>Tue, 11 Aug 2026 20:04:22 +05:30</pubDate><description><![CDATA[<p>દેશમાં કેન્સરના કેસોની સમયસર ઓળખ, યોગ્ય મોનિટરિંગ અને દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે. મંગળવારે કોર્ટે બાકીના 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્સરને 'નોટિફાયેબલ ડિસીઝ' એટલે કે અધિસૂચિત રોગ જાહેર કરવા અંગે વિચારણા કરવા જણાવ્યું છે.</p><p>ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે કેન્દ્ર સરકારને પણ પૂછ્યું કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એકસમાન નીતિ સુનિશ્ચિત કરવા માટે ફરજિયાત માર્ગદર્શિકા કેમ બહાર પાડી શકાય નહીં.</p><h2><b>યોગ્ય નિર્ણય લઈ સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો</b></h2><p>સુનાવણી દરમિયાન કેન્દ્ર તરફથી હાજર એડિશનલ સોલિસિટર જનરલ અનિલ કૌશિકે જણાવ્યું કે આરોગ્ય રાજ્યનો વિષય છે. તેમણે કોર્ટને માહિતી આપી કે દેશના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 17 પહેલેથી જ કેન્સરને નોટિફાયેબલ ડિસીઝ જાહેર કરી ચૂક્યા છે. ત્યારબાદ કોર્ટે બાકીના 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સંસદીય સ્થાયી સમિતિની ભલામણો પર વિચાર કરીને યોગ્ય નિર્ણય લેવા તથા પાલન અંગેનું સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો.&nbsp;</p><h3><b>શું છે સમગ્ર મામલો?</b></h3><p>આ મામલો AIIMS નવી દિલ્હીના સર્જિકલ ડિસિપ્લિન વિભાગના પૂર્વ વડા અને જાણીતા તબીબ ડૉ. અનુરાગ શ્રીવાસ્તવ દ્વારા દાખલ કરવામાં આવેલી જનહિત અરજી સાથે જોડાયેલો છે. અરજીમાં સમગ્ર દેશમાં કેન્સરના કેસોની ફરજિયાત અને એકસમાન રિપોર્ટિંગ માટે તેને નોટિફાયેબલ ડિસીઝ જાહેર કરવાની માગ કરવામાં આવી છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે અલગ-અલગ રાજ્યોમાં અલગ રિપોર્ટિંગ વ્યવસ્થાના કારણે કેન્સરના આંકડા વિખરાયેલા છે. તેના કારણે રોગની દેખરેખ અને વાસ્તવિક સ્થિતિનું મૂલ્યાંકન મુશ્કેલ બને છે.</p><p>અરજીમાં કોવિડ-19 દરમિયાનના CoWIN પ્લેટફોર્મની જેમ રિયલ-ટાઈમ ડિજિટલ નેશનલ કેન્સર રજિસ્ટ્રી બનાવવાની પણ માગ કરવામાં આવી છે. આવી એકસમાન વ્યવસ્થાથી કેન્સરની વહેલી ઓળખ, સમયસર સારવાર અને દર્દીઓના પરિણામોમાં સુધારો લાવવામાં મદદ મળી શકે છે.&nbsp;</p><p><b><a href="https://sandesh.com/india/news/india-news-insulting-vande-mataram-will-now-become-a-crime-law-comes-into-effect-after-presidents-approval" target="_blank">આ પણ વાંચો : India News : ‘વંદે માતરમ‌’નું અપમાન હવે બનશે ગુનો, રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કાયદો થશે લાગુ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/qPz9b3t6g5lsyE7SmHi8Gjo4P8w4o0ErPqUiQlR4.webp'/></item><item><title><![CDATA[Banaskantha News: અમીરગઢના ઈકબાલગઢ પાસે ઈનોવા કારે રિક્ષાને ટક્કર મારતા યુવકનું મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/amirgadh-iqbalgadh-road-accident</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/amirgadh-iqbalgadh-road-accident</guid><pubDate>Tue, 11 Aug 2026 19:32:15 +05:30</pubDate><description><![CDATA[<p>બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલા ઈકબાલગઢ નજીક એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી અનુસાર, અમીરગઢના ચેખલા ગામે રહેતા જેસાભાઈ મકવાણા પોતાની રિક્ષા લઈને પત્ની સાથે ઘર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ઈકબાલગઢના ચેખલાના પાટિયા પાસેથી પસાર થતાં સમયે પૂરપાટ ઝડપે આવી રહેલી એક ઈનોવા કારના ચાલકે રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી.</p><h2><b>પતિનું ઘટના સ્થળે જ નીપજ્યું મોત</b></h2><p>ઈનોવા કારની ધડાકાભેર ટક્કરથી રિક્ષાનો કુરચેકુરચો ઊડી ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં રિક્ષા ચલાવી રહેલા ચેખલા ગામના જેસાભાઈ મકવાણાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું. જ્યારે રિક્ષામાં સવાર તેમની પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. અકસ્માત બાદ સ્થાનિકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત મહિલાને વધુ સારવાર અર્થે ઈકબાલગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.</p><p><img alt="Banaskantha News: Fatal Collision Between Innova and Auto Rickshaw Near Amirgadh; 1 Dead, 1 Injured" src="https://epapercdn.sandesh.com/images/2026/08/11/D6f6JeCrFYAJX5TT8bSUuMkQLk6beNCYMZ01syC2.webp" style="width: 100%;"><br></p><h2><b>અકસ્માત સર્જી ફરાર થયેલો ઈનોવા ચાલક ખેમોણા ટોલ પ્લાઝા પાસેથી ઝડપાયો</b></h2><p>અકસ્માત સર્જાયા બાદ પકડાઈ જવાના ડરે ઈનોવા કારનો ડ્રાઈવર વાહન લઈને ઘટના સ્થળેથી પૂરપાટ ઝડપે ફરાર થઈ ગયો હતો. ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા જ અમીરગઢ પોલીસ ત્વરિત એક્શનમાં આવી હતી. પોલીસે નાકાબંધી કરીને નાસી છૂટેલા ઈનોવા ચાલકને ખેમોણા ટોલ પ્લાઝા પાસેથી ઝડપી લીધો હતો અને કાર કબ્જે લીધી હતી.</p><p><img alt="Banaskantha News: Fatal Collision Between Innova and Auto Rickshaw Near Amirgadh; 1 Dead, 1 Injured" src="https://epapercdn.sandesh.com/images/2026/08/11/pHMEQJgYiAtPZSmLxYTnL8D7j0D36MSYBgw7tDf9.webp" style="width: 100%;"><br></p><h2><b>અમીરગઢ પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી કાનૂની કાર્યવાહી હાથ ધરી</b></h2><p>ઘટનાની જાણ થતાં જ અમીરગઢ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતક જેસાભાઈ મકવાણાના મૃતદેહનો કબ્જો મેળવીને પોસ્ટ મોર્ટમ અર્થે અમીરગઢ સરકારી દવાખાને ખસેડ્યો હતો. અમીરગઢ પોલીસે ગુનો નોંધીને પકડાયેલા ઈનોવા કાર ચાલક સામે અકસ્માત અને હિટ એન્ડ રન હેઠળ વધુ કાનૂની તપાસ હાથ ધરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/deodar-lavana-goga-maharaj-temple-theft-solved-banaskantha-lcb-arrests-3" target="_blank"> Banaskantha: દિયોદરના લવાણા ગોગા મહારાજ મંદિર ચોરીનો પર્દાફાશ, LCB એ રાજસ્થાનના 3 આરોપીઓને ઝડપ્યા</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/XvDORqp1XHoAKiidhsdPqRYpmv3BXJHHrF2IOP3H.webp'/></item><item><title><![CDATA[Air Indiaની ફૂકેટ-દિલ્હી ફ્લાઈટના પાયલટે લીધું હતું ડ્રગ્સ! લેબ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો ]]></title><link>https://sandesh.com/india/news/air-india-phuket-delhi-pilot-confirmatory-drug-test-positive</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/air-india-phuket-delhi-pilot-confirmatory-drug-test-positive</guid><pubDate>Tue, 11 Aug 2026 19:25:26 +05:30</pubDate><description><![CDATA[<p>એર ઈન્ડિયાની ફૂકેટ-દિલ્હી ફ્લાઈટ AI2379 સાથે જોડાયેલી ઘટનામાં મોટો ખુલાસો થયો છે. 4 ઓગસ્ટે અચાનક આશરે 300 ફૂટ નીચે આવી ગયેલા વિમાનના પાયલટની પોસ્ટ-ફ્લાઈટ ડ્રગ સ્ક્રીનિંગમાં સાઈકોએક્ટિવ પદાર્થની હાજરીના સંકેત મળ્યા. શરૂઆતના ટેસ્ટ બાદ પુષ્ટિ માટે સેમ્પલ લેબોરેટરી ટેસ્ટ માટે મોકલવામાં આવ્યું હતું. આ પરીક્ષણના પરિણામને લઈને તપાસ આગળ વધી રહી છે.&nbsp;</p><h2><b>વિમાનમાં 137 મુસાફરો સવાર હતા&nbsp;</b></h2><p>આ ઘટના 4 ઓગસ્ટે બની હતી, જ્યારે Air Indiaની A320 ફ્લાઈટ ફૂકેટથી દિલ્હી આવી રહી હતી. વિમાનમાં 137 મુસાફરો, જેમાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છે, તેમજ 8 ક્રૂ સભ્યો સવાર હતા. ઉડાન દરમિયાન વિમાનની ઊંચાઈમાં અચાનક આશરે 300 ફૂટનો ઘટાડો થયો હતો. ત્યારબાદ વિમાન સ્થિર થયું અને દિલ્હીમાં સુરક્ષિત રીતે લેન્ડ થયું. ઘટનામાં કેટલાક મુસાફરો અને ક્રૂ સભ્યોને ઈજાઓ થઈ હોવાના અહેવાલો છે.&nbsp;</p><h3><b>બંને પાયલટને રોસ્ટરમાંથી હટાવ્યા</b></h3><p>ઘટના બાદ નિયમ મુજબ બંને પાયલટનું પોસ્ટ-ફ્લાઈટ સાઇકોએક્ટિવ સબ્સ્ટન્સ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. શરૂઆતના પરિણામ બાદ પાયલટને વધુ તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. DGCAએ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંને પાયલટને રોસ્ટરમાંથી હટાવ્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.</p><h4><b>AAIB કરી રહ્યું છે તપાસ</b></h4><p>આ સમગ્ર ઘટનાને ગંભીર ઉડ્ડયન ઘટના તરીકે તપાસવામાં આવી રહી છે. Aircraft Accident Investigation Bureau (AAIB) દ્વારા ઘટનાની તપાસ ચાલી રહી છે. પાયલટના ડ્રગ ટેસ્ટ ઉપરાંત વિમાનમાં અચાનક ઊંચાઈ ઘટવાનું કારણ પણ તપાસવામાં આવી રહ્યું છે. Airbus અને ફ્રાન્સની BEAની ટીમ પણ તપાસમાં જોડાવા માટે દિલ્હી પહોંચવાની છે. Air Indiaના આઉટગોઈંગ CEO કેમ્પબેલ વિલ્સને મંગળવારે નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને DGCAના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. બેઠકમાં ઘટનાની તપાસની સ્થિતિ અંગે તેમને માહિતી આપવામાં આવી હતી. તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.<br><br><b><a href="https://sandesh.com/india/news/india-news-insulting-vande-mataram-will-now-become-a-crime-law-comes-into-effect-after-presidents-approval" target="_blank">આ પણ વાંચો : India News : ‘વંદે માતરમ‌’નું અપમાન હવે બનશે ગુનો, રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કાયદો થશે લાગુ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/PgYK18HApbd4NvGGUNUVk1lmg01LY5KmVlJyZvq8.webp'/></item><item><title><![CDATA[Gujarat Weather : આજે પંચમહાલના શહેરામાં સૌથી વધુ વરસાદ નોંધાયો, 12 કલાકમાં 99 તાલુકાઓમાં મેઘમહેર ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/shehera-records-highest-rainfall-99-talukas-receive-rain-in-12-hours</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/shehera-records-highest-rainfall-99-talukas-receive-rain-in-12-hours</guid><pubDate>Tue, 11 Aug 2026 19:01:24 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી અને વિવિધ જિલ્લાઓમાં એલર્ટ રાજ્યમાં હાલમાં એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી બે દિવસ દરમિયાન ગાજવીજ અને તેજ પવન સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગ અનુસાર આજે મહીસાગર જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.જ્યારે પંચમહાલ અને દાહોદમાં પણ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે.આ ઉપરાંત ખેડા, છોટાઉદેપુર, તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 99 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>સવારે 6થી સાંજે 6 વાગ્યા સુધી 99 તાલુકામાં મેઘમહેર</b></h2><p style="text-align: justify; ">રાજ્યમાં સવારે 6થી સાંજે 6 વાગ્યા સુધી 99 તાલુકામાંનોંધપાત્ર વરસાદ ખાબક્યો છે.જેમાં સૌથી વધુ પંચમહાલના શહેરામાં 5.35 ઇંચ અને મહીસાગરના કોઠંબામાં 5.16 ઇંચ વરસાદ નોંધાયો છે.આ ઉપરાંત મહીસાગરના લુણાવાડામાં 2.72 ઇંચ,બાલાસિનોરમાં 2.52 ઇંચ અને ગોધરમાં 1.73 ઇંચ વરસાદ પડ્યો છે.જ્યારે ગાંધીનગરના દહેગામ તથા વલસાડના ઉમરગામમાં 2 ઇંચ તેમજ દાહોદના સુખસરમાં 1.57 ઇંચ વરસાદ નોંધાતાં પંથકના જળાશયો અને નાળાંઓમાં નવા નીરની આવક થઈ છે.</p><p style="text-align: justify; "><img alt="ગુજરાતમાં વરસાદ" src="https://epapercdn.sandesh.com/images/2026/08/11/UwrcgdNffY7GZ0iqOFK5yU5dYoKwyjh2Zi4aa6WW.webp" style="width: 100%;"><br></p><h3 style="text-align: justify; "><b>ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતાઓ</b></h3><p style="text-align: justify; ">આવતીકાલ માટે વિવિધ જિલ્લાઓમાં વરસાદની ચેતવણી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,વરસાદી સિસ્ટમ આગળ વધવાની સાથે આવતીકાલે પણ રાજ્યમાં વરસાદનું જોર યથાવત રહેશે.આવતીકાલે ખાસ કરીને દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ વરસવાની પૂરેપૂરી સંભાવના છે.આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતાઓને ધ્યાને રાખીને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.જેથી સ્થાનિક પ્રશાસનને સતર્ક રહેવા અને લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/gujarat-ats-busts-interstate-hpcl-oil-theft-gang-8-arrested" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: ગુજરાત ATSએ HPCL લાઇનમાંથી ઓઇલ ચોરી કરતી ગેંગના 8 આરોપીને ઝડપ્યા</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/2MrFVlScZMhAoQXqy8RGTcQFwiC8i8p9vf11qjsM.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News : Instagram પર ફેક કંપની બનાવી રૂ. 2.53 કરોડની ઠગાઈ, 2 આરોપી ઝડપાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/gandhinagar/gandhinagar-news-fake-company-created-on-instagram-rs-253-crores-fraud-2-accused-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/gandhinagar/gandhinagar-news-fake-company-created-on-instagram-rs-253-crores-fraud-2-accused-arrested</guid><pubDate>Tue, 11 Aug 2026 18:55:51 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર બોગસ (ફેક) કંપનીના નામે પેજ બનાવી લોકોને ફસાવતી એક મોટા ગજાની સાયબર ઠગાઈનો પર્દાફાશ થયો છે. શાતિર ઠગોએ રોકાણકારો તેમજ વેપારીઓને દર મહિને 20% જેટલું અધધ પ્રોફિટ આપવાની લાલચ આપીને કંપનીના ડિસ્ટ્રીબ્યુટર બનાવવાની જાળ પાથરી હતી. આ લાલચમાં આવી ગયેલા અનેક લોકો પાસેથી અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ. 2.53 કરોડ જેટલી માતબર રકમ ટ્રાન્સફર કરાવીને ઠગાઈ આચરવામાં આવી હતી.</p><h2 style="text-align: justify; "><b>સાવરકુંડલા-અમરેલીમાંથી 2 આરોપીઓને ઝડપી પાડ્યા</b></h2><p style="text-align: justify; ">આટલી મોટી રકમની ઓનલાઈન છેતરપિંડી થતાં જ સાયબર સેન્ટરની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને બેંક એકાઉન્ટના લોકેશનના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. સાયબર ટીમે દરોડો પાડીને સાવરકુંડલા અને અમરેલી વિસ્તારમાંથી બંને મુખ્ય આરોપીઓ કિશન સાવલિયા અને હાજા રાઠોડની ધરપકડ કરી લીધી છે. પોલીસે તેમની પાસેથી ગુનામાં વપરાયેલા ડિજિટલ સાધનો અને મહત્વના દસ્તાવેજો કબજે કર્યા છે.</p><h2 style="text-align: justify; "><b>34 ઓનલાઇન ફરિયાદો અને 11 FIR નોંધાઈ</b></h2><p style="text-align: justify; ">પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે, પકડાયેલા બંને આરોપીઓ રીઢા સાયબર ક્રિમિનલ છે. આ શાતિર ઠગો સામે દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાં કુલ 34 જેટલી ઓનલાઇન સાયબર ફરિયાદો તેમજ 11 જેટલી ગંભીર FIR પહેલેથી જ નોંધાયેલી છે. હાલ સાયબર સેલ દ્વારા બંને આરોપીઓના રિમાન્ડ મેળવીને આ રેકેટમાં અન્ય કેટલા લોકો સામેલ છે તથા રકમ ક્યાં ટ્રાન્સફર કરવામાં આવી છે તે અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/rajkot/lady-don-terrorizes-with-knife-in-rajkot-attacks-uncle-over-money" target="_blank">Rajkotમાં છરી સાથે લેડી ડોનનો આતંક, પૈસાની લેતીદેતીમાં કાકા પર કર્યો હુમલો...!</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/pvAYY6oUugJQmhwpI4TgvUcf68APcsIlVpLIfptX.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: ગુજરાત ATSએ HPCL લાઇનમાંથી ઓઇલ ચોરી કરતી ગેંગના 8 આરોપીને ઝડપ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/gujarat-ats-busts-interstate-hpcl-oil-theft-gang-8-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/gujarat-ats-busts-interstate-hpcl-oil-theft-gang-8-arrested</guid><pubDate>Tue, 11 Aug 2026 18:28:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાત ATS અને રાજસ્થાન પોલીસે સાથે મળીને એક સફળ ઓપરેશન પાર પાડી HPCLની પાઈપલાઈનમાંથી ઓઈલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.આ ગેંગે જમીનમાં પાઈપલાઈનને ગેરકાયદેસર પંચર કરીને વાલ્વ લગાવી ઓઈલ ચોરી કરવાનું મોટું કાવતરું રચ્યું હતું. ગુજરાત ATSએ ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ-રાજકોટ હાઈવે પર કુવાડવા નજીકથી એક શંકાસ્પદ આરોપીની અટકાયત કરી હતી.તેની કડક પૂછપરછમાં મળેલી વિગતોના આધારે રાજસ્થાનના બાલોત્રા જિલ્લાના કાલુડી ગામની સીમમાં દરોડો પાડવામાં આવ્યો હતો.ત્યાં આવેલા એક ઢાબા પરથી અન્ય 7 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.પોલીસે કુલ 8 આરોપીઓની ધરપકડ કરી છે.</p><h2 style="text-align: justify; "><b>ઘટનાસ્થળે પાઈપલાઈનની તપાસ કરવામાં આવી</b></h2><p style="text-align: justify; ">HPCLના અધિકારીઓ અને રાજસ્થાન પોલીસની હાજરીમાં ઘટનાસ્થળે પાઈપલાઈનની તપાસ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે આરોપીઓએ જમીનમાં 3થી 4 ફૂટ ઊંડા ખાડા ખોદીને પાઈપલાઈનમાં ગેરકાયદે વાલ્વ ફીટ કર્યા હતા.જેના દ્વારા તેઓ અંધારાનો લાભ લઈને ઓઈલ ચોરી લેતા હતા. ઝડપાયેલા આરોપીઓમાં મહેસાણાના ઘનશ્યામ નવીનચંદ્ર સોની,ધોરાજીના જયરાજસિંહ ભરતસિંહ ચુડાસમા, મુકેશ કુમાર શંકરલાલ મેઘવાલ, રણજિત રામધની ચોરસિયા, રમેશ પ્રહલાદજી ઠાકુર, સુરેજી ભોપાજી ઠાકુર, મહેશ બાબુજી ઠાકુર તેમજ ઉત્તર પ્રદેશના દિલિપ ઓમપ્રકાશ યાદવનો સમાવેશ થાય છે.</p><h3 style="text-align: justify; "><b>આરોપીઓ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સાથે જોડાયેલા હતાં</b></h3><p style="text-align: justify; ">આ સમગ્ર કૌભાંડ અંગે રાજસ્થાનના જાસોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ઝડપાયેલા 8  આરોપીઓ ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સાથે સક્રિય રીતે જોડાયેલા હતા.આ આંતરરાજ્ય ગેંગના તાર ક્યાં સુધી જોડાયેલા છે અને અત્યાર સુધીમાં કેટલા રૂપિયાનું ઓઈલ ચોરી કરી વેચવામાં આવ્યું છે તે દિશામાં ગુજરાત ATS દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં આ કૌભાંડમાં સામેલ અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે.<br><br><a href="https://sandesh.com/crime/news/patan/harij-smc-raid-gambling-den-busted-congress-corporator-chandanji-thakor-arrested" target="_blank">આ પણ વાંચોઃ Patan Police ઊંઘતી રહી અને SMCએ કરી રેડ, કોંગ્રેસ કોર્પોરેટર સહિત 28 ઝડપાયા</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/WTSfGIC8OR1hBid7KXzTPuHqAD8xpQcruO4LcP9N.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: એનાલોગ પનીર મળતાં AMC એ HL ફ્રેન્કી સહિત 3 એકમો સીલ, દાણીલીમડામાં 5700 કિલો મેંદો નાશ કરાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-seals-hl-frankie-delhi-paratha-analog-paneer-asian-bakery</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-seals-hl-frankie-delhi-paratha-analog-paneer-asian-bakery</guid><pubDate>Tue, 11 Aug 2026 18:24:21 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરમાં નાગરિકોને શુદ્ધ અને સાત્વિક ખાદ્યપદાર્થો મળી રહે તે માટે AMC ના આરોગ્ય વિભાગ દ્વારા અવારનવાર વિવિધ હોટેલ, રેસ્ટોરન્ટ અને ખાણી-પીણીના એકમોમાંથી પનીર અને ચીઝ જેવા પદાર્થોના સેમ્પલ લેવામાં આવે છે. તાજેતરમાં આરોગ્ય શાખા દ્વારા લેવાયેલા સેમ્પલના લેબોરેટરી પરીક્ષણ પરિણામો જાહેર થયા હતા.</p><h2><b>AMC ની આરોગ્ય વિભાગની ટીમે કાર્યવાહી કરી</b></h2><p>આ રિપોર્ટમાં આઘાતજનક વિગતો સામે આવી હતી કે નવરંગપુરાના સી.જી. રોડ/એચ.એલ. કોલેજ રોડ પર આવેલા અતિ લોકપ્રિય 'HL ફ્રેન્કી', 'દિલ્હી પરાઠા' અને ગીતામંદિર બસ સ્ટેન્ડ નજીક આવેલા 'જય સોમનાથ ટી સ્ટોલ' ખાતે પીરસવામાં આવતું પનીર વાસ્તવમાં શુદ્ધ પનીર નહીં પરંતુ કેમિકલ અને વેજિટેબલ ફેટથી બનેલું 'એનાલોગ પનીર' હતું. રિપોર્ટ નેગેટિવ આવતાં જ AMC ની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને આ ત્રણેય એકમોને વિધિવત રીતે સીલ કરી દીધા છે.બીજી તરફ, AMC ના ફૂડ અધિકારીઓની ટીમે દાણીલીમડા વિસ્તારમાં આવેલી 'એશિયન બેકરી' પર અચાનક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન માલુમ પડ્યું હતું કે આ બેકરી કોઈપણ જાતના ફૂડ સેફ્ટી લાયસન્સ વગર ગેરકાયદેસર અને અત્યંત અસ્વચ્છ વાતાવરણમાં ચલાવવામાં આવી રહી હતી.</p><h3><b>મોટો જથ્થો નાશ કરાયો</b></h3><p>બેકરીની અંદર તપાસ કરતાં અત્યંત ખરાબ અને ગુણવત્તાવિહીન સામગ્રીમાંથી બ્રેડ અને બેકરી પ્રોડક્ટ્સ બનાવવામાં આવતી હોવાનું ખૂલ્યું હતું. AMC ની ટીમે સ્થળ પરથી 5,700 કિલોગ્રામ મેંદો અને ખાંડનો જથ્થો તેમજ બ્રેડ બનાવવા માટે અગાઉથી કાળો પડી ગયેલો 200 કિલોગ્રાામ કણક (બાંધેલો લોટ) જપ્ત કરી તુરંત જ નાશ કરાવ્યો હતો. ફૂડ સેફ્ટી એક્ટના ઉલ્લંઘન બદલ એશિયન બેકરીને પણ સ્થળ પર જ સીલ કરી દેવામાં આવી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mahisagar/panam-river-overflows-heavy-rain-lunawada-water-crisis-solved" target="_blank">આ પણ વાંચો: Mahisagar: ધોધમાર વરસાદથી પાનમ નદી બે કાંઠે, લુણાવાડામાં પીવાના પાણીની સમસ્યા હળવી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/WuQ8xvNCpGr0isDjSZFA8k4WrJEuIHFH9Lit3cLr.webp'/></item><item><title><![CDATA[FSSAIના નવા નિયમો લાગુ, પાન મસાલાના પ્લાસ્ટિક પેકેજિંગ પર પ્રતિબંધ ]]></title><link>https://sandesh.com/business/news/india/fssai-new-rules-pan-masala-plastic-packaging-ban-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/fssai-new-rules-pan-masala-plastic-packaging-ban-2026</guid><pubDate>Tue, 11 Aug 2026 17:58:15 +05:30</pubDate><description><![CDATA[<p>પાન મસાલા ખરીદનારા ગ્રાહકોને આગામી દિવસોમાં તેના પેકેટમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધોરણ પ્રાધિકરણ (FSSAI)એ પાન મસાલાના પેકેજિંગને લઈને નવા નિયમો લાગુ કર્યા છે. આ નિયમો 10 ઓગસ્ટ 2026થી અમલમાં આવ્યા છે. નવા નિયમો હેઠળ પાન મસાલાના પેકિંગમાં ચોક્કસ પ્રકારના પ્લાસ્ટિક અને સિન્થેટિક સામગ્રીના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.</p><h2><b>પેકેજિંગ વ્યવસ્થામાં મોટા ફેરફાર થશે</b></h2><p>નવા નિયમો મુજબ પાન મસાલાના પેકેજિંગમાં પોલિએથિલીન, પોલિપ્રોપિલીન, પોલિએસ્ટર, PVC સહિતના સિન્થેટિક પોલિમર અને કો-પોલિમરનો ઉપયોગ કરી શકાશે નહીં. આ ઉપરાંત લેમિનેટ, એલ્યુમિનિયમ ફોઈલ અને મેટલાઈઝ્ડ લેયર ધરાવતા પેકેજિંગ પર પણ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. પરિણામે પાન મસાલા બનાવતી કંપનીઓએ તેમની હાલની પેકેજિંગ વ્યવસ્થામાં મોટા ફેરફાર કરવા પડી શકે છે.</p><h3><b>હવે કઈ સામગ્રીમાં પેક થશે પાન મસાલા?</b></h3><p>નવા નિયમો હેઠળ પાન મસાલાના પેકેજિંગ માટે કાગળ, પેપર બોર્ડ, સેલ્યુલોઝ અને કુદરતી સ્ત્રોતોમાંથી મેળવેલી અન્ય સામગ્રીના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત ટિન અથવા કાચના કન્ટેનરમાં પણ પાન મસાલાનું પેકિંગ કરી શકાશે. પેકેજિંગ બદલવાથી કંપનીઓના ઉત્પાદન ખર્ચમાં વધારો થવાની શક્યતા છે. નવા કાચા માલની વ્યવસ્થા ઉપરાંત પેકેજિંગ મશીનરી અને ઉત્પાદન પ્રક્રિયામાં પણ ફેરફાર કરવાની જરૂર પડી શકે છે. કાગળ, ટિન અને કાચ જેવી વૈકલ્પિક સામગ્રી મોંઘી પડતી હોય તો તેનો થોડો બોજ ગ્રાહકો પર પણ પડી શકે છે.</p><h4><b>કેવા પડકારો ઊભા થઈ શકે?</b></h4><p>પ્લાસ્ટિક આધારિત પેકેજિંગની જગ્યાએ અન્ય સામગ્રીના ઉપયોગથી પાન મસાલાની શેલ્ફ લાઇફ, ભેજથી સુરક્ષા અને પરિવહન દરમિયાન ગુણવત્તા જાળવવા જેવા પડકારો ઊભા થઈ શકે છે. નવા પેકેટના સંગ્રહ અને વેચાણને લઈને જથ્થાબંધ વેપારીઓ તથા દુકાનદારોને પણ પોતાની વ્યવસ્થામાં ફેરફાર કરવો પડી શકે છે.</p><p><a href="https://sandesh.com/business/news/wipro-exits-nifty-50-bse-entry-691-million-investment" target="_blank"><b>આ પણ વાંચો : Nifty 50માંથી વિપ્રોની વિદાય, આ કંપનીની થશે એન્ટ્રી, ઈન્ડેક્સ ફેરફારથી કરોડો ડૉલરના રોકાણની શક્યતા</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/Hgde3MVAN8LbtdlNjAzIT9oQHf66ASHPnX0u83eF.webp'/></item><item><title><![CDATA[Suniel Shetty Birthday: 90ના દાયકાના એક્શન સ્ટાર 'અન્ના'નો જન્મદિવસ, પુત્ર અહાન અને જેકી શ્રોફે પાઠવી ખાસ શુભેચ્છા ]]></title><link>https://sandesh.com/entertainment/news/suniel-shetty-birthday-90s-action-star-anna-celebrates-his-birthday-son-ahan-and-jackie-shroff-send-special-wishes</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/suniel-shetty-birthday-90s-action-star-anna-celebrates-his-birthday-son-ahan-and-jackie-shroff-send-special-wishes</guid><pubDate>Tue, 11 Aug 2026 14:52:31 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડના લોકપ્રિય અભિનેતા સુનીલ શેટ્ટી આજે ૧૧ ઓગસ્ટના રોજ તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ પ્રસંગે સોશિયલ મીડિયા પર ચાહકો, બોલીવુડ સેલિબ્રિટીઝ અને તેમના નજીકના મિત્રો તરફથી શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. અભિનેતાના પુત્ર અહાન શેટ્ટીએ પિતા સાથેની એક સુંદર તસવીર શેર કરીને લખ્યું, "હેપ્પી બર્થડે, પપ્પા." બીજી તરફ, તેમના ખાસ મિત્ર અને દિગ્ગજ અભિનેતા જેકી શ્રોફે પણ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફોટો શેર કરતા લખ્યું, "ધ રીઅલ ભીડુ... હેપ્પી બર્થડે."</p><h2 style="text-align: justify; "><b>અન્નાની જેકી શ્રોફ સાથેની ખાસ કેમિસ્ટ્રી</b></h2><p style="text-align: justify; ">જેકી શ્રોફ અને સુનીલ શેટ્ટી વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા છે. બંને કલાકારોએ 'બોર્ડર' (૧૯૯૭), 'બાઝ: અ બર્ડ ઇન ડેન્જર', 'હલચલ' અને 'અપના સપના મની મની' જેવી અનેક યાદગાર ફિલ્મોમાં સાથે કામ કરીને પ્રેક્ષકોનું મનોરંજન કર્યું છે. તાજેતરમાં આવેલી બોર્ડર 2 ફિલ્મમાં સુનીલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટીએ કામ કર્યું. અગાઉની ફિલ્મમાં એરફોર્સ પાયલટ તરીકેનો રોલ હતો તે બોર્ડર-2માં અહાને કર્યો હતો. અન્ના અને જેકીશ્રોફના સંબંધો હંમેશા સારા રહ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>સુનીલ શેટ્ટીની ૩ દાયકા લાંબી કારકિર્દી અને ૧૦૦થી વધુ ફિલ્મો</b></h3><p style="text-align: justify;">સુનીલ શેટ્ટીએ પોતાની ત્રણ દાયકાથી વધુ લાંબી ફિલ્મી સફરમાં ૧૦૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે વર્ષ ૧૯૯૨માં રિલીઝ થયેલી એક્શન ફિલ્મ 'બલવાન'થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ 'મોહરા', 'દિલવાલે', 'ગોપી કિશન' અને 'સપૂત' જેવી સુપરહિત ફિલ્મો આપીને તેઓ ૯૦ના દાયકાના સૌથી સફળ અને વ્યસ્ત એક્શન સ્ટાર તરીકે સ્થાપિત થયા હતા.</p><h4 style="text-align: justify; "><b>'હેરાફેરી' અને 'ધડકન'થી બદલાયેલી ઈમેજ</b></h4><p style="text-align: justify; ">વર્ષ ૨૦૦૦માં આવેલી કોમેડી ક્લાસિક ફિલ્મ 'હેરા ફેરી'માં 'શ્યામ'નું પાત્ર ભજવીને સુનીલ શેટ્ટીએ પોતાની એક્શન હીરોની છબી બદલી નાખી હતી. આ ઉપરાંત, 'ધડકન' (૨૦૦૦) અને 'મૈં હૂં ના' (૨૦૦૪) જેવી ફિલ્મોમાં નકારાત્મક ભૂમિકા ભજવીને તેમણે પોતાની એક્ટિંગની વિવિધતા સાબિત કરી. 'ધડકન' ફિલ્મમાં તેમના શાનદાર અભિનય માટે તેમને બેસ્ટ વિલનનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. અભિનય ઉપરાંત, તેમણે પોતાના પ્રોડક્શન હાઉસ 'પોપકોર્ન એન્ટરટેઈનમેન્ટ' હેઠળ 'ખેલ', 'રક્ત' અને 'ભાગમ ભાગ' જેવી સફળ ફિલ્મોનું નિર્માણ પણ કર્યું છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/controversy-over-portrayal-of-women-in-partition-1947-it-is-unfair-to-reach-final-conclusions-without-understanding-preity-zintas-blunt-response" target="_blank">આ પણ વાંચો : Partition 1947માં મહિલાઓના ચિત્રણ વિવાદ પર ટિકાકારો અને વિરોધ કરનારાઓને પ્રિતી ઝિન્ટાનો રોકડો જવાબ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/GKjEqdrVAMv4uzXKAO7cv0SAwkB7pFXCZIyzGQbJ.webp'/></item><item><title><![CDATA[PM મોદી સામે બોક્સર નરેન્દ્રએ સંભળાવ્યો પાકિસ્તાની બોક્સરનો કિસ્સો, વાત સાંભળીને હસી પડ્યા વડાપ્રધાન ]]></title><link>https://sandesh.com/sports/news/pm-modi-boxer-narender-pakistani-opponent-funny-story</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pm-modi-boxer-narender-pakistani-opponent-funny-story</guid><pubDate>Mon, 10 Aug 2026 20:09:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગ્લાસગો ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતે કુલ 39 મેડલ સાથે મેડલ ટેબલમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. ગેમ્સ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પોતાના નિવાસસ્થાને ભારતીય મેડલ વિજેતા ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ખેલાડીઓએ PM મોદી સાથે ખુલ્લા દિલે વાતચીત કરી હતી અને પોતાના અનુભવો પણ શેર કર્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>નરેન્દ્રએ સિલ્વર મેડલ જીત્યો</b></h2><p style="text-align: justify; ">આ મુલાકાત દરમિયાન ભારતીય હેવીવેઈટ બોક્સર નરેન્દ્ર બેરવાલે PM મોદીને એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો હતો. નરેન્દ્રે કોમનવેલ્થ ગેમ્સમાં 90+ કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેમને જણાવ્યું કે વર્ષ 2015માં મિલિટરી ગેમ્સ દરમિયાન તેમની પ્રથમ બાઉટ પાકિસ્તાની બોક્સર સામે હતી. તેમને મિલિટરી તરફથી ફોન કરીને પાકિસ્તાન સામે ન હારવાની વાત કહેવામાં આવી હતી.</p><h3 style="text-align: justify; "><b>મને નરેન્દ્ર નામથી નફરત થઈ ગઈ છે</b></h3><p style="text-align: justify; ">નરેન્દ્રે જણાવ્યું કે તેમણે પ્રથમ બાઉટ 4-1થી અને બીજી બાઉટ 3-2થી જીતી હતી. આ દરમિયાન બંને બોક્સરના માથા પણ અથડાયા હતા અને બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2086683661504843813"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p style="text-align: justify; "> </p><p style="text-align: justify; ">નરેન્દ્રે આગળ જણાવ્યું કે તેમના કોચનું નામ પણ નરેન્દ્ર રાણા હતું અને તે સમયે ભારતના વડાપ્રધાનનું નામ પણ નરેન્દ્ર હતું. આ સંયોગને લઈને પાકિસ્તાની બોક્સરે તેમને કહ્યું હતું કે, “તમારું નામ નરેન્દ્ર છે, તમારા કોચનું નામ પણ નરેન્દ્ર છે અને તમારા PMનું નામ પણ નરેન્દ્ર છે. હવે મને નરેન્દ્ર નામથી નફરત થઈ ગઈ છે.” આ વાત સાંભળીને PM મોદી હસતા જોવા મળ્યા હતા.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>ભારતે બોક્સિંગમાં 10 મેડલ જીત્યા&nbsp;</b></h4><p style="text-align: justify; ">કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય બોક્સિંગ ટીમનું પ્રદર્શન પણ નોંધપાત્ર રહ્યું હતું. ભારતે બોક્સિંગમાં 10 મેડલ જીત્યા હતા, જ્યારે નરેન્દ્ર બેરવાલે 90+ કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. ફાઇનલમાં તેમને ઇંગ્લેન્ડના ડામાર થોમસ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/oMWNn5CGUFi7LAuIfgHkI21UFhgy68SNnoD190zK.webp'/></item></channel></rss>