<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Navsari: સુબીરની નવજ્યોત સ્કૂલમાં જિલ્લાકક્ષાના 'સ્વતંત્રતા પર્વ'ની ઉજવણી સંદર્ભે રિહર્સલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/navsari/navsari-rehearsal-for-the-district-level-independence-day-celebration-at-navjyot-school-in-subir</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/navsari/navsari-rehearsal-for-the-district-level-independence-day-celebration-at-navjyot-school-in-subir</guid><pubDate>Fri, 14 Aug 2026 04:02:28 +05:30</pubDate><description><![CDATA[<p>વાંસદા-ડાંગ : આગામી 15મી ઓગસ્ટે સવારના 8:30 કલાકે, 80મા જિલ્લાકક્ષાના 'સ્વતંત્રતા પર્વ'ની ઉજવણી ભાગરૂપે ડાંગ જિલ્લા કલેક્ટર એન. ડી. પરમારના અધ્યક્ષ સ્થાને સુબીર નવજ્યોત સ્કૂલ ખાતે સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું. આ રિહર્સલ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેક્ટર એન. ડી. પરમાર, જિલ્લા વિકાસ અધિકારી કુલદીપસિંહ ઝાલા, જિલ્લા પોલીસ વડા સુ. પૂજા યાદવ, પ્રાયોજના વહીવટદાર ડો. મયુર પરમાર, નિવાસી અધિક કલેક્ટર હિતેશ જણકાટ, પ્રાંત યુ. વી. પટેલ સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓએ સંયુક્ત રીતે કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી હતી. આ તમામ અધિકારીઓની ટીમે મુખ્ય ધ્વજવંદન સ્થળ, સાંસ્કૃતિક મહોત્સવનું મેદાન તેમજ દરેક કાર્યક્રમ સ્થળ પર રૂબરૂ જઈને સુરક્ષા, ટ્રાફ્કિ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થાની આખરી તૈયારીઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન કલેક્ટર એન. ડી. પરમારે પરેડ નિરીક્ષણ કરી શાળાના બાળકો દ્વારા રજુ થનાર દેશભક્તિને લગતાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું રિહર્સલ નિહાળ્યું હતું.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/FHP9CmaRNepIor1xccqrTLaVDBGwpUBMGaB3G3lJ.webp'/></item><item><title><![CDATA[Vapi: સેલવાસમાં તિરંગા સાથે બાઈક રેલી યોજાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vapi/vapi-bike-rally-with-tricolor-held-in-selvas</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vapi/vapi-bike-rally-with-tricolor-held-in-selvas</guid><pubDate>Fri, 14 Aug 2026 04:01:44 +05:30</pubDate><description><![CDATA[<p>વાપી : સ્વતંત્રતા દિવસ પૂર્વે દાદરા અને નગર હવેલી પ્રશાસન દ્વારા આજે સેલવાસમાં ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ રેલીમાં ઉત્સાહપૂર્વક ભાહ લીધો હતો. રેલીમાં સેલવાસ નગરપાલિકા, જિલ્લા પંચાયત, પોલીસ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ભાગલીધો હતો. સેલવાસના કલેક્ટર પ્રિયંક કિશોરે તિરંગો બતાવી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે આરડીસી અમિત કુમાર, એસએમસીના મુખ્ય અધિકારી તેમજ સેલવાસ નષરપાલિકાના તમામ જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. તિરંગા રેલીમાં બાઇક રેલીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. બાઇક રેલીમાં જોડાયેલા તમામ સભ્યોએ હેલ્મેટ પહેરીને ભાષ લીધો હતો અને ટ્રાફિકના નિયમોનું પાલન કર્યું હતું. પોલીસ વિભાષ દ્વારા રેલી દરમિયાન સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા માટે જરૂરી બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર્ર રેલી શિસ્તબદ્ધ અને વ્યવસ્થિત રીતે સંપન્ન થઈ હતી. કલેક્ટર ભવનથી શરૂ થયેલી તિરંગા રેલી શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ ઝંડાચોક સ્કૂલ ખાતે પહોંચી હતી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/Jz9JiBeFgJQlVxAefjXYLMJxFwaM9d2qr3zy1Y4X.webp'/></item><item><title><![CDATA[Surat: કડોદ સેવાયજ્ઞ ટ્રસ્ટ દ્વારા નેત્રયજ્ઞ યોજાયો : આસપાસના ગામના 189 દર્દીએ લાભ લીધો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-netrayagya-was-organized-by-kadod-sevayagya-trust-189-patients-from-surrounding-villages-took-advantage</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-netrayagya-was-organized-by-kadod-sevayagya-trust-189-patients-from-surrounding-villages-took-advantage</guid><pubDate>Fri, 14 Aug 2026 03:56:37 +05:30</pubDate><description><![CDATA[<p>કડોદ : કડોદમાં સેવાયજ્ઞ ટ્રસ્ટ દ્વારા આયોજિત અને તેજસ્વ આંખની હોસ્પિટલ, માંડવી તથા અમેરિકા રહેતા કેયૂરી મુકુલ ગાંધીના સૌજન્યથી તથા કડોદની દામોદરદાસ ગાંધી હોસ્પિટલના સહયોગથી યોજાયેલા નિઃશુલ્ક નેત્ર નિદાન અને સારવાર કૅમ્પમાં કડોદ અને આજુબાજુનાં ગામડાંઓમાંથી 189 જેટલા આંખના દર્દીઓએ લાભ લીધો હતો. આ કૅમ્પમાંથી 35 જેટલા દર્દીઓનું મોતિયાનું ઓપરેશન તથા 11 જેટલા દર્દીઓને અન્ય ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવશે. ઉપરાંત 113 દર્દીઓને આંખના નંબરની તપાસ કરાવી નિઃશુલ્ક નંબરના ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/Goo59AqLRMU1mqXIclN6iuchBt18xfSnv1MFoNVt.webp'/></item><item><title><![CDATA[Bhavnagar: આંગલધરાની સનાતન કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ રમતોત્સવમાં ઝળકી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bhavnagar/bhavnagar-students-of-sanatan-kanya-vidyalaya-angaldhara-shined-in-the-sports-festival</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bhavnagar/bhavnagar-students-of-sanatan-kanya-vidyalaya-angaldhara-shined-in-the-sports-festival</guid><pubDate>Fri, 14 Aug 2026 03:55:55 +05:30</pubDate><description><![CDATA[<p>મહુવાટાઉન : મહુવા તાલુકા તથા અંબિકા તાલુકાની શાળાઓની એસ.જી.એફ.આઇ.ની તાલુકા કક્ષાની રમતોનું આયોજન બોરીયા ગામે આવેલી શ્રી એલ.ડી. પટેલ હાઇસ્કૂલમાં કરાયું હતું. જેમાં અંબિકા તાલુકાની આંગલધરા ગામે આવેલી શ્રી સનાતન કન્યા વિદ્યાલયની 32 વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો જેમાં યુ.17 કબડ્ડીમાં તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમ આવ્યો હતો, દોડમાં પ્રથમ વિજેતા તરીકે વૃતિ આર. હળપતિ, ગોળાફેંકમાં રીયા એ. ઉધાર, યુ. 17 ચક્ર ફેંકમાં બીજા ક્રમ સિદ્ધિ ડી. ચોધરી વિજેતા થઇ જિલ્લા કક્ષાએ પસંદગી પામી છે. જેને શાળાના પ્રમુખ ઉમા માતેશ્વરી, આચાર્ય અજયભાઇ પટેલ તથા શિક્ષગણે અભિનંદન પાઠવ્યા છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/AyaAD4GGTQN1q90pmHUDbPbfNgkTo1ORsQkhqzoD.webp'/></item><item><title><![CDATA[Surat: બુટવાડા ગામમાં લટાર મારતો દીપડો પાંજરે પુરાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-a-leopard-roaming-in-butwada-village-was-trapped-in-a-cage</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-a-leopard-roaming-in-butwada-village-was-trapped-in-a-cage</guid><pubDate>Fri, 14 Aug 2026 03:55:15 +05:30</pubDate><description><![CDATA[<p>બુહારી : વાલોડના બુટવાડા ગામે છેલ્લા કેટલાક સમયથી આશરે 5થી 6 વર્ષના દીપડો આંટા મારતો હતો. ગામના સીમ વિસ્તાર તેમજ સરપંચ પ્રિયંકાબેનના ઘર નજીક રાત્રે અવારનવાર દીપડો નજરે પડતા ગ્રામજનો, ખેડૂતો અને ખેતમજૂરોમાં ભય ફેલાયો હતો. લોકોએ રાત્રિના સમયે ખેતરે જવાનું પણ ટાળ્યું હતું. આ અંગે સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરતા દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું હતું. દરમિયાન, શિકારની લાલચે આવેલો દીપડો આખરે પાંજરામાં કેદ થઈ ગયો હતો. વનવિભાગે દીપડાને સુરક્ષિત રીતે કબજે કરી જંગલમાં છોડતા લોકોને રાહત થઈ છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/14/kMqfkESUrpXKZtvRJYABGCweqlUjOKXUvlsmq0Mb.webp'/></item><item><title><![CDATA[Mumbai Local Train Murder Case : 11 પાનાની ચાર્જશીટ દાખલ, 68 સાક્ષીના લેવાયા નિવેદન ]]></title><link>https://sandesh.com/india/news/crime/mumbai-local-train-murder-case-charge-sheet-68-witness-statements</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/crime/mumbai-local-train-murder-case-charge-sheet-68-witness-statements</guid><pubDate>Thu, 13 Aug 2026 22:38:46 +05:30</pubDate><description><![CDATA[<p>મુંબઈની લોકલ ટ્રેનમાં 24 જૂને થયેલા 22 વર્ષીય મયંક લોહાર હત્યા કેસમાં બોરીવલી રેલવે પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે. પોલીસે કોર્ટમાં આશરે 1100 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે. તેમાં તપાસ દરમિયાન સામે આવેલા મહત્વપૂર્ણ તથ્યો, પુરાવા અને સાક્ષીઓના નિવેદનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.</p><h2><b>24 જૂને બની હતી ઘટના&nbsp;</b></h2><p>પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં કુલ 68 સાક્ષીઓના નિવેદનો સામેલ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ નિવેદનો ઘટનાની કડીઓને જોડવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. 24 જૂને મુંબઈની લોકલ ટ્રેનમાં ચાકૂબાજીની ઘટના દરમિયાન મયંક લોહાર પર હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયા બાદ તેનું મોત થયું હતું. ત્યારબાદ બોરીવલી રેલવે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.</p><h3><b>સુનાવણી ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં કરાવવાની માગ</b></h3><p>કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બોરીવલી રેલવે પોલીસે આ કેસની સુનાવણી ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં કરાવવાની માગ પણ કરી છે. પોલીસનું કહેવું છે કે ચાર્જશીટ દાખલ થઈ ચૂકી હોવાથી હવે કેસની સુનાવણી ઝડપથી આગળ વધારવામાં આવે. આ ઉપરાંત પોલીસે વરિષ્ઠ વકીલ અજય મિસારને વિશેષ સરકારી વકીલ તરીકે નિયુક્ત કરવાની ભલામણ પણ કરી છે. આના મારફતે કેસની કોર્ટમાં મજબૂત રીતે રજૂઆત કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.</p><h4><b>મુસાફરોની સુરક્ષાને લઈને ગંભીર સવાલો</b></h4><p>મુંબઈની લોકલ ટ્રેનમાં બનેલી આ ચાકૂબાજીની ઘટનાએ મુસાફરોની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉભા કર્યા હતા. હવે ચાર્જશીટ દાખલ થયા બાદ કેસની કાનૂની કાર્યવાહી આગળ વધવાનો માર્ગ ખુલ્યો છે. પોલીસે તપાસ દરમિયાન એકત્ર કરેલા પુરાવા અને 68 સાક્ષીઓના નિવેદનોના આધારે ચાર્જશીટ તૈયાર કરી છે. હવે કોર્ટમાં સુનાવણી દરમિયાન આ પુરાવા અને સાક્ષીઓના નિવેદનો મહત્વપૂર્ણ બની શકે છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/crime/kolkata-nrs-hospital-woman-nurse-found-dead-toilet" target="_blank">આ પણ વાંચો : Kolkataમાં ફરી આરજી કર જેવો કાંડ, NRS હોસ્પિટલના ટોયલેટમાંથી મહિલા નર્સનો મૃતદેહ મળ્યો!</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/BflZQIEK5QAT0eAA3xFtEDukjQop1qnmxlqa8QU9.webp'/></item><item><title><![CDATA[Kolkataમાં ફરી આરજી કર જેવો કાંડ, NRS હોસ્પિટલના ટોયલેટમાંથી મહિલા નર્સનો મૃતદેહ મળ્યો! ]]></title><link>https://sandesh.com/india/news/crime/kolkata-nrs-hospital-woman-nurse-found-dead-toilet</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/crime/kolkata-nrs-hospital-woman-nurse-found-dead-toilet</guid><pubDate>Thu, 13 Aug 2026 21:42:40 +05:30</pubDate><description><![CDATA[<p>કોલકાતાની નીલરતન સરકારી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (NRS)માં બુધવારની રાત્રે એક મહિલા નર્સનો મૃતદેહ હોસ્પિટલના ટોયલેટમાંથી મળી આવતા હડકંપ મચી ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, ટોયલેટનો દરવાજો લાંબા સમયથી અંદરથી બંધ હતો અને વારંવાર અવાજ આપવા છતાં અંદરથી કોઈ જવાબ મળ્યો ન હતો. ત્યારબાદ હોસ્પિટલના કર્મચારીઓએ પોલીસને જાણ કરી હતી.</p><h2><b>પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો&nbsp;</b></h2><p>માહિતી મળતાં જ પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે ટોયલેટની બહારથી નર્સને અવાજ આપી જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ પ્રતિક્રિયા ન મળતા આખરે દરવાજો તોડી નાખવામાં આવ્યો હતો. અંદર મહિલા નર્સનો મૃતદેહ પડેલો મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હાલ નર્સના મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. એન્ટાલી પોલીસ સ્ટેશનની ટીમ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.</p><h3><b>પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી&nbsp;</b></h3><p>પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મહિલા નર્સની બુધવારે નાઈટ શિફ્ટ હતી અને તે રાત્રે આશરે 8 વાગ્યે ડ્યૂટી પર પહોંચી હતી. તેની સાથે કામ કરતા કર્મચારીઓના જણાવ્યા મુજબ, રાત્રે 9થી 10 વાગ્યાની વચ્ચે તે હોસ્પિટલના ટોયલેટમાં ગઈ હતી. લાંબા સમય સુધી તે પરત ન ફરતાં સહકર્મચારીઓને ચિંતા થઈ હતી. તેમણે ટોયલેટની બહારથી અનેક વખત અવાજ લગાવ્યો, પરંતુ અંદરથી કોઈ જવાબ મળ્યો નહોતો. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. હવે પોલીસ નર્સનું મોત કયા સંજોગોમાં થયું અને ટોયલેટની અંદર શું બન્યું હતું તે અંગે તપાસ કરી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ વધુ સ્પષ્ટ થવાની શક્યતા છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/chamoli-tunnel-collapse-20-workers-trapped-after-thdc-project-tunnel-collapses-in-chamoli-uttarakhand-13-rescued-safely" target="_blank">આ પણ વાંચો : Chamoli Tunnel Collapse: ઉત્તરાખંડના ચમોલીમાં THDC પ્રોજેક્ટની ટનલ ધસતાં 20 શ્રમિક ફસાયા, 13ને સુરક્ષિત બહાર કઢાયા</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/issFW7Xc59urIRHHGSlqrO1dRKQFNMdmP3r5neIL.webp'/></item><item><title><![CDATA[Cab ઝડપથી મેળવવા માટે ટિપ આપવાની જરૂર નહીં, સરકારનો એગ્રીગેટર્સને મોટો આદેશ ]]></title><link>https://sandesh.com/india/news/business/cab-aggregators-pre-ride-tip-ban-government-order</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/cab-aggregators-pre-ride-tip-ban-government-order</guid><pubDate>Thu, 13 Aug 2026 19:30:40 +05:30</pubDate><description><![CDATA[<p>કેબથી મુસાફરી કરતા લોકો માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવે Uber, Ola સહિતના કેબ એગ્રીગેટર્સ મુસાફરોને સફર શરૂ થાય તે પહેલાં ટિપ આપવા માટે કહી શકશે નહીં. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે તમામ મોટર વ્હીકલ એગ્રીગેટર્સને પોતાના મોબાઈલ એપ અને ડિજિટલ પ્લેટફોર્મ પરથી પ્રી-રાઈડ ટિપનો વિકલ્પ દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે.</p><h2><b>મુસાફરો પર વધારાની ટિપ આપવાનું દબાણ ઘટશે</b></h2><p>સરકારના ધ્યાનમાં આવ્યું હતું કે કેટલાક કેબ એપ્સ પર બુકિંગ દરમિયાન ‘Advance Tip’, ‘Choose an Add-on’ અને ‘Improve your chances of quicker ride confirmation’ જેવા વિકલ્પો દર્શાવવામાં આવતા હતા. આ પ્રકારના મેસેજથી મુસાફરોને એવું લાગી શકે છે કે અગાઉથી ટિપ આપવાથી કેબ ઝડપથી કન્ફર્મ થશે અથવા ડ્રાઈવર રાઈડ વહેલી સ્વીકારશે.</p><p>નવી સૂચના મુજબ, કેબ બુક કરતા પહેલાં એવી કોઈ ટિપ, મેસેજ કે પેમેન્ટ સુવિધા દર્શાવી શકાશે નહીં, જેનાથી વધારાના પૈસા ચૂકવવાથી વધુ સારી અથવા ઝડપી સેવા મળતી હોવાનો સંકેત મળે. તેમાં રાઈડ સ્વીકારવાનો સમય, બુકિંગ કન્ફર્મેશન, ડ્રાઈવર ફાળવણી અને રાહ જોવાના સમય જેવી બાબતોનો સમાવેશ થાય છે.</p><h3><b>રાઈડ પૂર્ણ થયા બાદ ટિપ આપી શકાશે</b></h3><p>જોકે, સરકારે ટિપ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો નથી. મુસાફરો રાઈડ પૂર્ણ થયા બાદ પોતાની ઈચ્છાથી ડ્રાઈવરને ટિપ આપી શકશે. ખાસ વાત એ છે કે ટિપની સંપૂર્ણ રકમ ડ્રાઈવરને જ આપવાની રહેશે અને કેબ એગ્રીગેટર તેમાં કોઈ હિસ્સો કાપી શકશે નહીં.</p><p>આ મામલે અગાઉ સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) દ્વારા પણ કેબ પ્લેટફોર્મને પ્રી-રાઈડ ટિપની વ્યવસ્થા બંધ કરવા સૂચના આપવામાં આવી હતી. હવે મંત્રાલયે તમામ એગ્રીગેટર્સને Motor Vehicle Aggregator Guidelines 2025 મુજબ એપમાં જરૂરી ફેરફાર કરવા કહ્યું છે. આ નિર્ણયથી કેબ બુકિંગ દરમિયાન મુસાફરો પર વધારાની ટિપ આપવાનું દબાણ ઘટશે.</p><p><b><a href="https://sandesh.com/knowledge/news/india/air-india-pilot-dope-test-what-is-a-dope-test-for-pilots-know-what-information-comes-out-of-it" target="_blank">આ પણ વાંચો : Air India Pilot Dope Test: શુ હોય છે પાયલટોનો ડોપ ટેસ્ટ, જાણો તેનાથી કઇ માહિતી આવે છે સામે?</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/xHK3QC9MQVbe6Ef0DMI7SUS3FtP5us0zhg710CHW.webp'/></item><item><title><![CDATA[Bollywood : રિલીઝ પહેલાં જ રચ્યો ઈતિહાસ! આવારાપન 2એ એડવાન્સ બુકિંગમાં તોડ્યો ભાગ-1ની કુલ કમાણીનો રેકોર્ડ ]]></title><link>https://sandesh.com/entertainment/news/awarapan-2-advance-booking-part-1-record</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/awarapan-2-advance-booking-part-1-record</guid><pubDate>Thu, 13 Aug 2026 18:09:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઇમરાન હાશમીની 2007માં આવેલી ફિલ્મ આવારાપનને આજે ભલે ક્લાસિક ફિલ્મ માનવામાં આવે છે, પરંતુ રિલીઝ સમયે તે બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી. તે સમયે ફિલ્મે પોતાના સમગ્ર સમયગાળામાં માત્ર 7.7 કરોડની કમાણી કરી હતી. જોકે સમય જતાં કેબલ, ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા આ ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો અને તે એક કલ્ટ ફિલ્મ બની ગઈ. વર્ષો પછી તેની લોકપ્રિયતાનો સીધો ફાયદો હવે તેની સિક્વલને મળી રહ્યો છે, જે આ વીકએન્ડે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.</p><h2 style="text-align: justify; "><b>એડવાન્સ બુકિંગમાં બનાવ્યો નવો રેકોર્ડ</b></h2><p style="text-align: justify; ">આવારાપન 2ની એડવાન્સ બુકિંગ રિલીઝના માત્ર 48 કલાક પહેલાં શરૂ કરવામાં આવી હતી, પરંતુ દર્શકોના જબરદસ્ત ઉત્સાહને કારણે તેને શાનદાર શરૂઆત મળી. રિલીઝના બરાબર એક દિવસ પહેલાં સુધી ફિલ્મની પહેલા દિવસની 1.3 લાખથી વધુ ટિકિટ વેચાઈ ચૂકી હતી. એડવાન્સ બુકિંગ દ્વારા જ ફિલ્મ પહેલા દિવસ માટે લગભગ 4 કરોડનું ગ્રોસ કલેક્શન કરી ચૂકી છે. જો સમગ્ર ઓપનિંગ વીકએન્ડના એડવાન્સ બુકિંગના આંકડા જોવામાં આવે તો આ આંકડો 9 કરોડ ગ્રોસથી પણ વધારે થઈ ગયો છે. આ રીતે ફિલ્મ રિલીઝ પહેલાં જ તેના પહેલા ભાગની કુલ કમાણીથી આગળ નીકળી ગઈ છે.</p><h3 style="text-align: justify; "><b>બોક્સ ઓફિસ કલેક્શનનો નવો રેકોર્ડ</b></h3><p style="text-align: justify; ">2007માં રિલીઝ થયેલી આવારાપન એ પહેલા દિવસે 79 લાખની કમાણી કરી હતી અને પહેલા વીકએન્ડમાં માત્ર 2.88 કરોડનું કલેક્શન કર્યું હતું. તેની સામે આવારાપન 2 ઇમરાન હાશમીની કારકિર્દીની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ મેળવનારી ફિલ્મ બનવાની દિશામાં આગળ વધી રહી છે. બોક્સ ઓફિસ નિષ્ણાતોના અનુમાન મુજબ આ ફિલ્મ પહેલા જ દિવસે 15 થી 20 કરોડ વચ્ચેનું શાનદાર નેટ કલેક્શન કરી શકે છે. આ ઉપરાંત દુનિયાભરના સિનેમાઘરોમાં પહેલા વીકએન્ડ દરમિયાન જ ફિલ્મ 100 કરોડનો આંકડો પાર કરી શકે છે, જે તેના પહેલા ભાગની કુલ કમાણી કરતાં અનેક ગણી વધારે છે.</p><h4 style="text-align: justify; "><b>બોક્સ ઓફિસ પર ટક્કર અને સ્ટારકાસ્ટ</b></h4><p style="text-align: justify; ">આ શુક્રવારે બોક્સ ઓફિસ પર આવારાપન 2ની સીધી ટક્કર સની દેઓલની ફિલ્મ બંટવારા 1947 સાથે થઈ રહી છે. જોકે હાલના ટ્રેન્ડ અને એડવાન્સ બુકિંગના આંકડા જોતા ટ્રેડ વિશ્લેષકોનું માનવું છે કે આ મુકાબલામાં આવારાપન 2 ઘણી આગળ નીકળી શકે છે. નિતિન કક્કડના દિગ્દર્શન અને વિશેષ ભટ્ટના નિર્માણમાં બનેલી આ ફિલ્મમાં ઇમરાન હાશમી ફરી એકવાર પોતાના લોકપ્રિય પાત્ર શિવમ પંડિત તરીકે પરત ફરી રહ્યા છે. ફિલ્મમાં તેમની સાથે શબાના આઝમી, દિશા પટણી અને સુવિંદર વિક્કી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ મોસ્ટ અવેટેડ ફિલ્મ 14 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/munawar-faruqui-the-traitors-2-exit-crying-video" target="_blank">આ પણ વાંચો-The Traitors 2માંથી બહાર થયો મુનાવર ફારુકી! રડતાં રડતાં બાકી કન્ટેસ્ટેન્ટ સંભળાવી ખરીખોટી!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/xtmYEBpgQaFavCvHpmLH220UG3bUcjBApPnz5ciO.webp'/></item><item><title><![CDATA[Lionel Messiની પિતાના અવસાન બાદ પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'મને ખબર નથી કે હવે...' ]]></title><link>https://sandesh.com/sports/news/lionel-messi-father-jorge-messi-death-emotional-post</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/lionel-messi-father-jorge-messi-death-emotional-post</guid><pubDate>Wed, 12 Aug 2026 23:40:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">લિયોનેલ મેસ્સીના પિતા જોર્જ મેસ્સીનું 8 ઓગસ્ટના રોજ 68 વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન થયું હતું. આ પછી લિયોનેલ મેસ્સીએ 12 ઓગસ્ટના રોજ તેમના પિતાના અવસાન પર પહેલીવાર મૌન તોડ્યું જેમાં તેને સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી જેમાં તેમણે ભવિષ્યમાં ફૂટબોલ રમવા અંગે શંકા વ્યક્ત કરી હતી.</p><p style="text-align: justify;">લિયોનેલ મેસ્સીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર તેમના પિતા જોર્જ સાથેનો એક ફોટો પોસ્ટ કર્યો અને એક નોટ પણ શેર કરી જેમાં તેને લખ્યું કે તેઓ આ મોટી ખોટ સ્વીકારી શકતા નથી અને તેને સમજાતું નથી કે તે તેના પિતા વિના જીવનમાં કેવી રીતે આગળ વધશે કારણ કે તેઓ મારા બેસ્ટ મિત્ર, માર્ગદર્શક અને એજન્ટ પણ હતા.</p><h2 style="text-align: justify;"><b>મને ખબર નથી કે આગળ કેવી રીતે આગળ વધવું</b></h2><p style="text-align: justify;">પિતાના અવસાન પછી લિયોનેલ મેસ્સીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી એક પોસ્ટમાં લખ્યું છે કે "મને ખબર નથી કે હું તમારા વિના શું કરીશ. મને ખબર નથી કે આગળ કેવી રીતે વધવું. હું ફક્ત ફૂટબોલ રમી રહ્યો હતો, પરંતુ હવે મારી પાસે ઘણા સવાલો છે કે શું હું ચાલુ રાખી શકીશ." મેસ્સીએ સમજાવ્યું કે તેના પિતાએ તેને દરેક બાબતમાં સપોર્ટ આપ્યો અને હંમેશા તેના નિર્ણયોમાં વિશ્વાસ રાખ્યો. "બધા માટે આભાર. હું તમને પ્રેમ કરું છું, પપ્પા."</p><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/Db8MYnQjYsC/?img_index=1" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/Db8MYnQjYsC/?img_index=1" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a><br></p><h3 style="text-align: justify;"><b>વર્લ્ડકપ શરૂ થવાના થોડા દિવસ પહેલા તે બીમાર પડ્યા&nbsp;</b></h3><p style="text-align: justify;">પોતાની પોસ્ટમાં લિયોનેલ મેસ્સીએ સમજાવ્યું કે વર્લ્ડકપ 2026 શરૂ થવાના થોડા દિવસો પહેલા તેના પિતાની તબિયત અચાનક બગડી ગઈ હતી, જેના કારણે જોર્જ પહેલી વાર કોઈ ટુર્નામેન્ટમાં હાજરી આપી શક્યા ન હતા. "હું દરેક મેચ પછી મારા પિતાના મેસેજની રાહ જોતો હતો. મને તમારી ખૂબ જ યાદ આવશે, પણ તમે હંમેશા સાથે રહેશો. ખાસ કરીને મારા બાળકોને ઉછેરવામાં, કારણ કે હું તેમને એ જ રીતે શીખવીશ અને ઉછેરીશ જે રીતે તમે મને ઉછેર્યો છે."</p><h4 style="text-align: justify;"><b>મેસ્સીને રોનાલ્ડોનો સપોર્ટ મળ્યો</b></h4><p style="text-align: justify;">મેસ્સીના પિતાના અવસાન પછી જ્યારે તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી, ત્યારે તેને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો સપોર્ટ મળ્યો, જેમાં રોનાલ્ડોએ તેની પોસ્ટ પર કોમેન્ટ કરી અને લખ્યું છે કે લીઓ, આ મુશ્કેલ સમયમાં તને અને તારા પરિવારને મારું મોટું હગ, તમને ઘણી શક્તિ મળે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/TGH56UwXwOH6bh1EQIGogFs2CidMiip8syDerxly.webp'/></item></channel></rss>