<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Indiaને મળ્યું નવું ઘાતક હથિયાર, 'ખગાંતક-243' ગ્લાઈડ બોમ્બનું પ્રથમ સફળ પરીક્ષણ ]]></title><link>https://sandesh.com/india/news/india-khagantak-243-long-range-glide-bomb-successful-test</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/india-khagantak-243-long-range-glide-bomb-successful-test</guid><pubDate>Thu, 03 Sep 2026 23:32:15 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ થઈ છે. દેશમાં જ વિકસાવવામાં આવેલા 'ખગાંતક-243' (Khagantak-243) લોંગ-રેન્જ ગ્લાઈડ બોમ્બનું પ્રથમ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. પરીક્ષણ દરમિયાન ગ્લાઈડ બોમ્બે રણ વિસ્તારમાં નિર્ધારિત લક્ષ્યને ચોક્કસ રીતે ભેદ્યું હતું અને જોરદાર વિસ્ફોટ થયો હતો.</p><h2><b>ગ્લાઈડ બોમ્બનું વજન આશરે 300 કિલો</b></h2><p>આ ગ્લાઈડ બોમ્બનું વજન આશરે 300 કિલોગ્રામ છે. તેમાં 125 કિલોગ્રામનું Mk-81 વોરહેડ લગાવવામાં આવ્યું છે. તેને સ્ટેન્ડ-ઓફ પ્રિસિઝન વેપન તરીકે વિકસાવવામાં આવ્યું છે. વધુ ઊંચાઈ પરથી લોન્ચ કરવામાં આવે તો આ બોમ્બ 140 કિલોમીટરથી વધુ અંતર કાપી શકે છે. ખગાંતક-243ને INS અને GNSS આધારિત નેવિગેશન સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યું છે. આ ટેક્નોલોજી તેને લક્ષ્ય સુધી ચોકસાઈપૂર્વક પહોંચવામાં મદદ કરે છે. દાવો કરવામાં આવે છે કે તે 10 મીટરથી ઓછા અંતરની ચોકસાઈ સાથે નિર્ધારિત લક્ષ્યને નિશાન બનાવી શકે છે.</p><h3><b>વાયુસેનાની સ્ટેન્ડ-ઓફ સ્ટ્રાઈક ક્ષમતામાં વધારો</b></h3><p>આ ગ્લાઈડ બોમ્બનું પરીક્ષણ ભારતીય વાયુસેનાના શક્તિશાળી Su-30MKI ફાઈટર જેટ પરથી કરવામાં આવ્યું હતું. આ હથિયાર ભારતીય વાયુસેનાની સ્ટેન્ડ-ઓફ સ્ટ્રાઈક ક્ષમતામાં વધારો કરી શકે છે. તેનો સૌથી મોટો વ્યૂહાત્મક ફાયદો એ છે કે ફાઈટર જેટને દુશ્મનના એર ડિફેન્સ ઝોનની ખૂબ નજીક ગયા વિના સુરક્ષિત અંતરેથી લક્ષ્ય પર હુમલો કરવાની ક્ષમતા મળી શકે છે.</p><p>ખગાંતક-243ને નાગપુર સ્થિત JSR Dynamics દ્વારા ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) સાથે મળીને વિકસાવવામાં આવ્યું છે. સ્વદેશી ટેક્નોલોજીથી તૈયાર થયેલા આ હથિયારનું સફળ પરીક્ષણ 'આત્મનિર્ભર ભારત' અભિયાન માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. આ સિદ્ધિથી ભારતીય વાયુસેનાની લાંબા અંતરની ચોકસાઈભરી હુમલાની ક્ષમતામાં વધારો થવાની શક્યતા છે. સાથે જ દેશમાં સ્વદેશી રીતે આધુનિક હથિયારો વિકસાવવાની ક્ષમતાને પણ પ્રોત્સાહન મળશે.<br><br><b><a href="https://sandesh.com/india/news/pm-modi-bjp-ruled-states-jal-jeevan-mission-last-person" target="_blank">આ પણ વાંચો : PM મોદીની ભાજપ શાસિત રાજ્યોના જળમંત્રીઓ સાથે બેઠક, કહ્યું 'યોજનાનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડો'</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/pBblwmc393RpmeJ2wnUUmDbXJUVLurUVsc9Hf89d.webp'/></item><item><title><![CDATA[PM મોદીની ભાજપ શાસિત રાજ્યોના જળમંત્રીઓ સાથે બેઠક, કહ્યું 'યોજનાનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડો' ]]></title><link>https://sandesh.com/india/news/pm-modi-bjp-ruled-states-jal-jeevan-mission-last-person</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/pm-modi-bjp-ruled-states-jal-jeevan-mission-last-person</guid><pubDate>Thu, 03 Sep 2026 22:49:30 +05:30</pubDate><description><![CDATA[<p>વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને જળમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી. આ બેઠકમાં તેમણે જળ જીવન મિશન સહિત સરકારની વિવિધ યોજનાઓનો લાભ સમાજમાં કતારમાં ઊભેલા અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવા પર ભાર મૂક્યો હતો.</p><h2><b>કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વધુ સારું સંકલન જરૂરી</b></h2><p>PM મોદીએ જળ ક્ષેત્ર સાથે જોડાયેલા મંત્રીઓને સરકારની યોજનાઓના અસરકારક અમલીકરણ માટે પરસ્પર સંકલન સાથે કામ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વધુ સારું સંકલન તેમજ એકબીજાના અનુભવો અને સફળ પ્રયાસોની આપ-લે જરૂરી છે. વડાપ્રધાને રાજ્યોને એકબીજાની બેસ્ટ પ્રેક્ટિસ અને સફળ મોડલમાંથી શીખવા અને પોતાના રાજ્યની જરૂરિયાત પ્રમાણે તેનો અમલ કરવા પણ સૂચના આપી હતી. તેમણે યોજનાઓના અમલીકરણની અસરકારક દેખરેખ અને લોકો સુધી તેનો વાસ્તવિક લાભ પહોંચે તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો.</p><h3><b>ભાજપ અધ્યક્ષ તમામ મંત્રીઓને લઈને PM આવાસ પહોંચ્યા</b></h3><p>આ બેઠક વડાપ્રધાનના નિવાસસ્થાને યોજાઈ હતી. તે પહેલાં ભાજપ મુખ્યાલય ખાતે જળમંત્રીઓ અને સંબંધિત નેતાઓ સાથે આશરે પાંચ કલાકની બેઠક ચાલી હતી. ત્યારબાદ ભાજપ અધ્યક્ષ નીતિન નવીન તમામ મંત્રીઓને લઈને PM આવાસ પહોંચ્યા હતા. આ અગાઉ નીતિન નવીને 'જળ મંથન' કાર્યક્રમ હેઠળ ભાજપ શાસિત રાજ્યોના જળ સંસાધન મંત્રીઓ સાથે બેઠક કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે આંતરરાજ્ય સંકલન અને શ્રેષ્ઠ કાર્યપદ્ધતિઓના આદાન-પ્રદાન અંગે બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી.</p><h4><b>આગામી 25થી 50 વર્ષ માટે પણ આયોજન જરૂરી&nbsp;</b></h4><p>નીતિન નવીને જણાવ્યું હતું કે PM મોદીના નેતૃત્વ હેઠળ દેશના કરોડો પરિવારો સુધી નળથી પાણી પહોંચાડવાનું મહત્વપૂર્ણ કાર્ય થયું છે. તેમણે લાંબા ગાળાની નીતિ અને આયોજન પર ભાર મૂકતા કહ્યું કે ભારતને 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને આગામી 25થી 50 વર્ષ માટે પણ આયોજન જરૂરી છે. કેન્દ્ર સરકાર, રાજ્યો, અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેના સંકલનથી યોજનાઓનું વધુ સારું આયોજન, અમલીકરણ અને મોનિટરિંગ થઈ શકે અને તેનો મહત્તમ લાભ સામાન્ય નાગરિકો સુધી પહોંચાડી શકાય તે બેઠકનો મુખ્ય ઉદ્દેશ રહ્યો હતો.<br><br><b><a href="https://sandesh.com/india/news/world/s-jaishankar-meets-ukraine-foreign-minister-war-must-end" target="_blank">આ પણ વાંચો : S Jaishankar યુક્રેનના વિદેશપ્રધાનને મળ્યા, કહ્યું 'યુદ્ધનો અંત હવે જરૂરી'</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/w6NngxCgGR2C9yJqUDeJ1U3GwoJCRBC2eOekYYK0.webp'/></item><item><title><![CDATA[Vadodara : SSG હોસ્પિટલમાં જુનિયર તબીબોના ગંભીર આરોપો બાદ પ્રોફેસરની બદલી, પત્નીએ કહ્યું, અમારા પક્ષની પણ સાંભળો ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-ssg-hospital-professor-transfer-junior-doctors-allegations-chirag-barot</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-ssg-hospital-professor-transfer-junior-doctors-allegations-chirag-barot</guid><pubDate>Thu, 03 Sep 2026 22:45:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરાની SSG હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાની મુલાકાત બાદ એક ગંભીર મામલો સામે આવ્યો છે. જુનિયર તબીબોએ સાયકિયાટ્રી વિભાગના પ્રોફેસર ડો. ચિરાગ બારોટ સામે રેગિંગ અને શારીરિક શોષણ સહિતના ગંભીર આરોપો લગાવ્યા હોવાની માહિતી સામે આવી છે. આ મામલે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાયું છે.</p><h2 style="text-align: justify; "><b>જુનિયર તબીબોએ આરોગ્ય મંત્રી સમક્ષ કરી રજૂઆત</b></h2><p style="text-align: justify; ">આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાની SSG હોસ્પિટલની મુલાકાત દરમિયાન જુનિયર તબીબોએ પોતાની રજૂઆત કરી હતી. જુનિયર તબીબોએ સાયકિયાટ્રી વિભાગના પ્રોફેસર ડો. ચિરાગ બારોટ સામે ગંભીર આક્ષેપો કર્યા હોવાનું સામે આવ્યું છે. મહિલા તબીબોએ પણ આરોપો લગાવ્યા હોવાનું જણાવાયું છે.</p><h3 style="text-align: justify; "><b>આરોપો વચ્ચે ડો. ચિરાગ બારોટની બદલી</b></h3><p style="text-align: justify; ">જુનિયર તબીબોના આરોપો બાદ આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ડો. ચિરાગ બારોટની વડોદરાથી ભાવનગર મેડિકલ કોલેજમાં બદલી કરવામાં આવી હોવાનું જણાવાયું છે. જોકે, આરોપોની તપાસ અને સમગ્ર મામલે સત્તાવાર રીતે શું કાર્યવાહી કરવામાં આવી છે તે અંગે વધુ વિગતો સ્પષ્ટ થવાની બાકી છે.</p><h4 style="text-align: justify; "><b>પત્ની ડો. ધરા બારોટ સામે આવ્યા</b></h4><p style="text-align: justify; ">આ સમગ્ર વિવાદ વચ્ચે ડો. ચિરાગ બારોટના પત્ની ડો. ધરા બારોટ પણ સામે આવ્યા છે. તેમણે પોતાના પતિ સામે લગાવવામાં આવેલા આરોપોને ખોટા ગણાવ્યા હોવાનું જણાવાયું છે. ડો. ધરા બારોટે સવાલ ઉઠાવ્યો કે, જુનિયર તબીબો કોઈ આક્ષેપ કરે તો તેને રેગિંગ ગણવામાં આવે છે, પરંતુ તેમના પતિ પર આરોપો લાગે ત્યારે તેમના પક્ષને રજૂઆત કરવાનો અધિકાર કેમ ન મળે?</p><h4 style="text-align: justify; "><b>“સરકાર અમારી પણ રજૂઆત સાંભળે”</b></h4><p style="text-align: justify; ">ડો. ધરા બારોટે સરકાર સમક્ષ તેમના પક્ષની પણ વાત સાંભળવાની માંગ કરી છે. હાલ SSG હોસ્પિટલમાં જુનિયર તબીબોના ગંભીર આરોપો, આરોગ્ય વિભાગની કાર્યવાહી અને ત્યારબાદ પ્રોફેસરની પત્નીના નિવેદનને કારણે સમગ્ર મામલો વધુ ગુંચવાયો છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp;<a href="https://sandesh.com/world/news/nepal-flood-woman-pilot-priya-adhikari-100-rescue-missions-saves-lives" target="_blank"><b>Nepal Flood : મોત નીચે, ઉપર જોખમ... ભયાનક પૂરમાં મહિલા પાયલોટ પ્રિયા અધિકારીએ બચાવ્યા સેંકડો જીવ</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/gZRfqVKrDNoN6jXvN0xLHDdOHqKduvXSVX3zbtOE.webp'/></item><item><title><![CDATA[Kutch News: ભચાઉના માનસરોવર વિસ્તારમાં એસીમાં બ્લાસ્ટ બાદ મકાનમાં ભીષણ આગ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kutch/bhachau-mansarovar-ac-blast-house-fire</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kutch/bhachau-mansarovar-ac-blast-house-fire</guid><pubDate>Thu, 03 Sep 2026 22:16:41 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કચ્છ જિલ્લાના ભચાઉ શહેરમાં આવેલા માનસરોવર વિસ્તારમાં એક મકાનમાં અચાનક ભીષણ આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી છે. મકાનમાં ચાલુ એસી (AC) માં ધડાકાભેર બ્લાસ્ટ થવાના કારણે ક્ષણવારમાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોતજોતામાં આગ આખા મકાનમાં પ્રસરી જતાં વિસ્તારમાં ભારે અફરાતફરી અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.</p><h2 style="text-align: justify; "><b>ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો</b></h2><p style="text-align: justify; ">આગના બનાવ અંગે તાત્કાલિક જાણ કરવામાં આવતાં ભચાઉ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ત્વરિત ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ સતત 3 કલાક સુધી પાણીનો મારો ચલાવીને મોટો અગ્નિશામક ઓપરેશન હાથ ધર્યો હતો. ફાયર ટીમના સઘન પ્રયાસો બાદ અંતે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં સફળતા મળી હતી, જેના કારણે આસપાસના અન્ય મકાનો આગની ઝપેટમાં આવતા બચી ગયા હતા.</p><h3 style="text-align: justify; "><b>ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી</b></h3><p style="text-align: justify; ">એસી બ્લાસ્ટના કારણે લાગેલી આ વિકરાળ આગમાં મકાનની અંદર રાખેલો તમામ ઘરવખરીનો સામાન, ફર્નિચર અને અન્ય કીમતી ચીજવસ્તુઓ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે. જોકે, સદભાગ્યે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. ઘટના બાદ પોલીસે સ્થળ પર પહોંચીને બનાવ અંગે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/4jcQOvbHbcUdl7eM64XS42oOqfpFWjZGZN8Rg2B0.webp'/></item><item><title><![CDATA[GSRTC : નોકરીની મોટી તક, 2510 હેલ્પરની ભરતી જાહેર, 7 સપ્ટેમ્બરથી ઓનલાઈન અરજી શરૂ ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gsrtc-helper-recruitment-2510-posts-online-application</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gsrtc-helper-recruitment-2510-posts-online-application</guid><pubDate>Thu, 03 Sep 2026 22:07:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં સરકારી નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ એટલે કે GSRTC દ્વારા હેલ્પરની કુલ 2510 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. ભરતી માટે ઉમેદવારો 7 સપ્ટેમ્બરથી ઓનલાઈન અરજી કરી શકશે. GSRTC દ્વારા જાહેર કરાયેલી ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારોને 5 વર્ષ માટે ફિક્સ પગારના ધોરણે નિમણૂક આપવામાં આવશે.</p><h2 style="text-align: justify; "><b>5 વર્ષ માટે 21,100 રૂપિયા ફિક્સ પગાર</b></h2><p style="text-align: justify; ">હેલ્પરની જગ્યાઓ પર ભરતી પામનારા ઉમેદવારોને 5 વર્ષ સુધી દર મહિને 21,100 રૂપિયાના ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે. મોટી સંખ્યામાં જગ્યાઓ જાહેર થતાં નોકરી ઇચ્છુક ઉમેદવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>પૂર્વ સૈનિકો માટે 502 જગ્યાઓ અનામત</b></h3><p style="text-align: justify; ">કુલ 2510 જગ્યાઓમાંથી 502 જગ્યાઓ પૂર્વ સૈનિક ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે. આ ઉપરાંત દિવ્યાંગ ઉમેદવારો માટે પણ ખાસ અનામતની જોગવાઈ કરવામાં આવી છે.</p><h4 style="text-align: justify; "><b>દિવ્યાંગ ઉમેદવારો માટે 52 જગ્યાઓ અનામત</b></h4><p style="text-align: justify; ">GSRTCની આ ભરતીમાં દિવ્યાંગ ઉમેદવારો માટે કુલ 52 જગ્યાઓ અનામત રાખવામાં આવી છે. ભરતી પ્રક્રિયા અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.</p><h4 style="text-align: justify; "><b>7 સપ્ટેમ્બરથી ઓનલાઈન અરજી</b></h4><p style="text-align: justify; ">હેલ્પરની 2510 જગ્યાઓ માટે ઉમેદવારો 7 સપ્ટેમ્બરથી ઓનલાઈન અરજી કરી શકશે. ઉમેદવારોએ અરજી કરતા પહેલાં ભરતીની શરતો, લાયકાત, વયમર્યાદા અને અન્ય વિગતો સત્તાવાર જાહેરાતમાં તપાસવી જરૂરી રહેશે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">&nbsp;આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/world/news/nepal-flood-woman-pilot-priya-adhikari-100-rescue-missions-saves-lives" target="_blank"><b>Nepal Flood : મોત નીચે, ઉપર જોખમ... ભયાનક પૂરમાં મહિલા પાયલોટ પ્રિયા અધિકારીએ બચાવ્યા સેંકડો જીવ</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/vUJICWT8fctNuglfBLj4Xsk0JoyqLYOJldmgKeW4.webp'/></item><item><title><![CDATA[Bhavnagarના ગારિયાધારમાં મહિલા ડોક્ટરનું રહસ્યમય સંજોગોમાં મોત: પિયર પક્ષે હત્યાના કર્યા ગંભીર આક્ષેપો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/gariyadhar-female-doctor-mysterious-death-murder-allegations</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/gariyadhar-female-doctor-mysterious-death-murder-allegations</guid><pubDate>Thu, 03 Sep 2026 21:10:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભાવનગર જિલ્લાના ગારિયાધાર શહેરમાં એક મહિલા ડોક્ટરના અચાનક થયેલા મોતથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પ્રેમલગ્નના માત્ર દોઢ વર્ષના ટૂંકા ગાળામાં જ મહિલા ડોક્ટરના મોતની ઘટના સામે આવતા આ મામલે અનેક સવાલો અને શંકાઓ ઊભી થઈ છે, જેને પગલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.</p><h2 style="text-align: justify; "><b>આપઘાત કે હત્યા? સાસરિયા અને પિયર પક્ષના સામસામે દાવો</b></h2><p style="text-align: justify; ">મહિલા ડોક્ટરના મોત અંગે સાસરિયા પક્ષ તરફથી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમણે આપઘાત કર્યો છે. બીજી તરફ, પિયર પક્ષ આ વાત સ્વીકારવા તૈયાર નથી. મૃતકના પિતાએ દીકરીના શરીર પર ઈજા અને ઘાવ જેવા ગંભીર નિશાન હોવાનો દાવો કરીને તેમની દીકરીની હત્યા કરવામાં આવી હોવાની ગંભીર આશંકા વ્યક્ત કરી છે. એક તરફ આપઘાતની વાત અને બીજી તરફ પરિવારજનો દ્વારા હત્યાના આક્ષેપોને કારણે આ રહસ્ય ઘેરાયું છે.</p><h3 style="text-align: justify; "><b>પોલીસ તપાસ તેજ: ભાવનગર ખાતે પોસ્ટમોર્ટમ કાર્યવાહી હાથ ધરાઈ</b></h3><p style="text-align: justify; ">ઘટનાનું સાચું રહસ્ય બહાર લાવવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મોતનું સાચું અને સચોટ કારણ જાણી શકાય તે માટે મૃતદેહને ભાવનગર ખાતે પોસ્ટમોર્ટમ (PM) અર્થે ખસેડવામાં આવ્યો છે. હવે પીએમ રિપોર્ટ આવ્યા બાદ અને પોલીસની ઊંડાણપૂર્વકની તપાસ બાદ જ સત્ય સામે આવશે કે આ આત્મહત્યાનો કિસ્સો છે કે પછી તેની પાછળ કોઈ ષડયંત્ર છુપાયેલું છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/G8Q6IK31h9rCnRpnZ0nQFLezKvdhXyLMtGQ0m19F.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : શેર માર્કેટમાં નફો અને લગ્નની લાલચ, મહિલા પોલીસ કર્મચારી સાથે રૂ.17 લાખની છેતરપિંડીનો આરોપ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-gomtipur-woman-police-employee-marriage-promise-share-market-rs-17-lakh-fraud</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-gomtipur-woman-police-employee-marriage-promise-share-market-rs-17-lakh-fraud</guid><pubDate>Thu, 03 Sep 2026 21:00:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં મહિલા પોલીસ કર્મચારી સાથે શેર માર્કેટમાં રોકાણ અને લગ્નની લાલચ આપીને રૂ.17 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. આ મામલે પાટણના માજીદખાન સીકંદરખાન ચૌહાણ સામે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદના આધારે પોલીસે છેતરપિંડી, વિશ્વાસઘાત સહિતના વિવિધ મુદ્દાઓમાં તપાસ શરૂ કરી છે.</p><h2 style="text-align: justify; "><b>Exness Go એપથી રોકાણ કરાવ્યું</b></h2><p style="text-align: justify; ">ફરિયાદ મુજબ આરોપીએ શેર માર્કેટમાં સારો નફો અપાવવાની વાત કરીને મહિલા પોલીસ કર્મચારીનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ Exness Go એપ્લિકેશન મારફતે શેર માર્કેટમાં રોકાણ કરાવવામાં આવ્યું હતું. શરૂઆતમાં મહિલાએ રૂ.6.35 લાખનું રોકાણ કર્યું હતું. બાદમાં વધુ નફાની લાલચ આપી ક્રેડિટ કાર્ડ અને લોન મારફતે પણ મોટી રકમનું રોકાણ કરાવવામાં આવ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.</p><h3 style="text-align: justify; "><b>લોન અને રોકડ સહિત રૂ.17 લાખ આપ્યાનો આરોપ</b></h3><p style="text-align: justify; ">વધુ રોકાણના નામે મહિલાને ક્રેડિટ કાર્ડ અને લોન મારફતે રૂ.7.50 લાખ અપાવવામાં આવ્યા હતા. ત્યારબાદ એક્સિસ બેંકમાંથી પર્સનલ લોનની રકમમાંથી રૂ.9.50 લાખ રોકડા ઉપાડી આરોપીને શેર માર્કેટમાં રોકાણ માટે આપવામાં આવ્યા હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે. ફરિયાદ મુજબ કુલ મળીને અંદાજે રૂ.17 લાખ આરોપીને આપવામાં આવ્યા હતા.</p><h4 style="text-align: justify; "><b>લગ્નનું વચન આપી વિશ્વાસ જીત્યો</b></h4><p style="text-align: justify; ">ફરિયાદમાં આરોપી પર લગ્ન કરવાની વાત કરીને મહિલાનો વિશ્વાસ જીતવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. આરોપીએ મહિલાને નોકરીમાંથી રાજીનામું આપી સાથે રહેવા અને લગ્ન કરવા માટે કહ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. મહિલાનો આરોપ છે કે કારમાં તેમજ ગોમતીપુર વિસ્તારમાં આવેલા તેના ભાડાના મકાનમાં આરોપીએ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.</p><h4 style="text-align: justify; "><b>આરોપી પહેલેથી પરિણીત હોવાનું સામે આવ્યું</b></h4><p style="text-align: justify; ">બાદમાં મહિલાને આરોપી અગાઉથી પરિણીત હોવાની માહિતી મળી હતી. પાટણ ખાતે તપાસ કરતાં આરોપીના અગાઉથી લગ્ન થયેલા હોવાની અને સંતાન હોવાની જાણકારી મહિલાને મળી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. લગ્નની વાતને લઈને બંને વચ્ચે અવારનવાર ચર્ચા થતી હોવાનું પણ સામે આવ્યું છે.</p><h4 style="text-align: justify; "><b>મોબાઇલ ઝૂંટવી તોડી નાખ્યાનો આરોપ</b></h4><p style="text-align: justify; ">ફરિયાદ મુજબ મે 2026માં કાંકરિયા ઈસ્ટ મેટ્રો સ્ટેશન ખાતે આરોપીએ મહિલાનો મોબાઇલ ઝૂંટવી જમીન પર પછાડીને તોડી નાખ્યો હતો. મોબાઇલનો ડેટા ડિલીટ કરી નાખવામાં આવ્યો હોવાનો પણ આરોપ છે. ત્યારબાદ મોબાઇલના બદલામાં રૂ.75 હજાર ફોનપે મારફતે આપવામાં આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.</p><h4 style="text-align: justify; "><b>ફોન અને મેસેજનો જવાબ આપવાનું બંધ કર્યું</b></h4><p style="text-align: justify; ">મહિલાનો આરોપ છે કે બાદમાં આરોપીએ ફોન ઉપાડવાનું અને મેસેજના જવાબ આપવાનું બંધ કરી દીધું હતું. સમગ્ર ઘટનાક્રમ બાદ મહિલાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. ગોમતીપુર પોલીસે ફરિયાદ નોંધી છેતરપિંડી, વિશ્વાસઘાત, જાતિ આધારિત અપમાન તથા અન્ય સંબંધિત મુદ્દાઓની તપાસ શરૂ કરી છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp;<a href="https://sandesh.com/world/news/nepal-flood-woman-pilot-priya-adhikari-100-rescue-missions-saves-lives" target="_blank"><b> Nepal Flood : મોત નીચે, ઉપર જોખમ... ભયાનક પૂરમાં મહિલા પાયલોટ પ્રિયા અધિકારીએ બચાવ્યા સેંકડો જીવ</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/XMCpf5y0gyyzHDCta9oesBoEQjirWooAYJGyN4GQ.webp'/></item><item><title><![CDATA[Bullet Train બનાવશે આ ભારતીય કંપની, 866 કરોડનું છે બજેટ ]]></title><link>https://sandesh.com/india/news/business/beml-india-first-indigenous-bullet-train-866-crore-contract</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/beml-india-first-indigenous-bullet-train-866-crore-contract</guid><pubDate>Thu, 03 Sep 2026 19:16:50 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય રેલવે 280 કિલોમીટર પ્રતિ કલાકની ડિઝાઈન સ્પીડ ધરાવતી પોતાની પ્રથમ સ્વદેશી હાઈસ્પીડ ટ્રેન તૈયાર કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ચેન્નાઈની ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF)એ BEML Limitedને ₹866.87 કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ અંતર્ગત બે હાઈસ્પીડ ટ્રેનસેટના પ્રોટોટાઈપ તૈયાર કરવામાં આવશે.</p><h2><b>વિવિધ પાસાઓ ચકાસવામાં આવશે</b></h2><p>રેલવેનો લક્ષ્યાંક માર્ચ 2027 સુધીમાં પ્રથમ પ્રોટોટાઈપ તૈયાર કરવાનો છે. ત્યારબાદ રિસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઈઝેશન (RDSO) દ્વારા ટ્રેનનું પરીક્ષણ કરવામાં આવશે. પરીક્ષણ દરમિયાન ઝડપ, સુરક્ષા, બ્રેકિંગ, સ્થિરતા અને મુસાફરોના આરામ સહિતના વિવિધ પાસાઓ ચકાસવામાં આવશે. દરેક ટ્રેનસેટમાં 8 કોચ હશે અને તેની ડિઝાઈન સ્પીડ 280 KMPH રાખવામાં આવી છે. ટ્રેન 250 KMPHથી વધુ ઝડપે દોડી શકશે. તમામ કોચ સંપૂર્ણ એર-કન્ડિશન્ડ ચેર કાર હશે. મુસાફરો માટે ઓનબોર્ડ ઈન્ફોટેનમેન્ટ, રિક્લાઈનિંગ અને ફરતી સીટ જેવી સુવિધાઓ આપવામાં આવશે. દિવ્યાંગ મુસાફરોની સુવિધાઓનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે.</p><h3><b>ટ્રેનસેટને B-28 કોડનેમ આપવામાં આવ્યું</b></h3><p>BEMLએ આ ટ્રેનના નિર્માણ માટે બેંગલુરુમાં 'આદિત્ય' નામનું અલગ હાઈસ્પીડ રેલ કોમ્પ્લેક્સ તૈયાર કર્યું છે. ટ્રેનસેટને B-28 કોડનેમ આપવામાં આવ્યું છે. ભારતીય હવામાનને ધ્યાનમાં રાખીને ટ્રેનની ડિઝાઈન કરવી પણ એક મોટો પડકાર છે. ભારતમાં ગરમી, ધૂળ અને વિવિધ હવામાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ટેક્નોલોજી વિકસાવવામાં આવી રહી છે. હાલમાં સ્ટેનલેસ સ્ટીલના ઉપયોગની યોજના છે, જ્યારે 300 KMPHથી વધુ ઝડપ માટે એલ્યુમિનિયમ ટ્રેનસેટ પર પણ વિચારણા ચાલી રહી છે.</p><h4><b>પ્રથમ તબક્કામાં સુરત-બિલિમોરા સેક્શનથી સેવા શરૂ થવાની શક્યતા</b></h4><p>આ પ્રોજેક્ટનું મહત્વ મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર માટે પણ મોટું છે. પ્રથમ તબક્કામાં સુરત-બિલિમોરા સેક્શનથી સેવા શરૂ થવાની શક્યતા છે. પ્રોટોટાઈપ અને ટેસ્ટિંગ સમયસર પૂર્ણ થાય તો ઓગસ્ટ 2027 સુધીમાં આ રૂટ પર હાઈસ્પીડ ટ્રેન સેવા શરૂ થવાની આશા છે. સરકારે ભવિષ્યમાં વધુ 7 હાઈસ્પીડ રેલ કોરિડોર વિકસાવવાની યોજના પણ જાહેર કરી છે, જેમાં મુંબઈ-પુણે, પુણે-હૈદરાબાદ, દિલ્હી-વારાણસી સહિતના રૂટનો સમાવેશ થાય છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/nta-standard-testing-centres-network-aicte-it-infrastructure-data" target="_blank">આ પણ વાંચો : NTA દેશભરમાં બનાવશે સ્ટાન્ડર્ડ ટેસ્ટિંગ સેન્ટર્સનું નેટવર્ક, AICTEએ સંસ્થાઓ પાસેથી માગ્યો ડેટા</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/LsxjsbyWXkMoJeCknZofj6nEhtFwrP5HtzQOcceg.webp'/></item><item><title><![CDATA[Asian Games 2026: નીરજ ચોપરાના રિપ્લેસમેન્ટની જાહેરાત, આ સ્ટારને મળ્યું સ્થાન ]]></title><link>https://sandesh.com/sports/news/neeraj-chopra-out-yashvir-singh-asian-games</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/neeraj-chopra-out-yashvir-singh-asian-games</guid><pubDate>Thu, 03 Sep 2026 18:11:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">એશિયન ગેમ્સ 19 સપ્ટેમ્બરથી જાપાનમાં શરૂ થવાની છે. ભારતીય ટીમને તાજેતરમાં મોટો ઝટકો લાગ્યો છે. ઈજાને કારણે બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા અને સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરા 2026 સીઝનની બાકીની બધી સ્પર્ધાઓમાંથી બહાર થઈ ગયો છે. તેને સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરી. ફેન્સને આશા હતી કે તે ગોલ્ડ જીતશે.&nbsp;</p><p style="text-align: justify;">પરંતુ એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ ત્યારબાદ એક નિવેદનમાં જાહેરાત કરી હતી કે તેઓ ટૂંક સમયમાં નીરજના રિપ્લેસમેન્ટની જાહેરાત કરશે. હવે તે ખેલાડીનું નામ જાહેર કરવામાં આવ્યું છે.</p><h2 style="text-align: justify;"><b>નીરજ ચોપરાનું સ્થાન કોણ લેશે?</b></h2><p style="text-align: justify;">ઈજા છતાં નીરજ ચોપરાએ તાજેતરની કેટલીક સ્પર્ધાઓમાં સારું પ્રદર્શન કર્યું. તેને કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો. નીરજના સાથી અને પ્રખ્યાત ભાલા ફેંકનાર યશવીર સિંહે કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. હવે તેને તેનું ઈનામ મળી ગયું છે. યશવીર એશિયન ગેમ્સમાં નીરજનું સ્થાન લેશે. યશવીરને એક મોટી તક મળી છે. તે એશિયન ગેમ્સમાં અજાયબીઓ કરી શકે છે.</p><p style="text-align: justify;">એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બહાદુર સિંહ સાગુએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "અમે એશિયન ગેમ્સ માટે નીરજ ચોપરાની જગ્યાએ યશવીર સિંહને સામેલ કર્યો છે. તેને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યો હતો. નીરજ હાલમાં ઘાયલ છે. તેની ઈજાને કારણે આ ફેરફાર કરવામાં આવ્યો છે. યશવીરના આવવામાં કોઈ સમસ્યા નહોતી."</p><h3 style="text-align: justify;"><b>યશવીર સિંહની સિઝન શાનદાર રહી&nbsp;</b></h3><p style="text-align: justify;">યશવીર સિંહે કોમનવેલ્થ ગેમ્સ  2026માં બ્રોન્ઝ મેડલ જીતીને બધાનું દિલ જીતી લીધું હતું. આ પછી તેની ખૂબ ચર્ચા થઈ હતી. તેને ત્યાં પણ પોતાનું બેસ્ટ પ્રદર્શન કર્યું. યશવીરે 85.41 મીટરનો થ્રો ફેંક્યો. કાશીનાથ નાયક (2010) અને નીરજ (2018, 2026) પછી તે કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનાર ત્રીજો ભારતીય છે.</p><p style="text-align: justify;">2026નું વર્ષ તેમના માટે શાનદાર રહ્યું છે. તેને 8 ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો, જેમાંથી 6માં 80 મીટરથી વધુ થ્રો ફેંક્યા હતા. હવે, બધાની નજર યશવીર પર રહેશે. નીરજના સ્થાને સામેલ થવાથી તેના પર પણ દબાણ આવશે. તે 2026 કોમનવેલ્થ ગેમ્સમાં પોતાના પ્રદર્શનનું કમબેક કરવા અને ભારત માટે મેડલ લાવવા માગશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/bcci-meeting-rohit-sharma-odi-future" target="_blank">Rohit Sharmaના ક્રિકેટ કરિયર અને 2027ના ODI વર્લ્ડકપને લઈને ચર્ચા, BCCI મોટો નિર્ણય લેવા માટે તૈયાર</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/pnZfVXFfDbiVeUTCGLZBXQLYtouFoYzTiWb82QVE.webp'/></item><item><title><![CDATA[Bebo : 25 વર્ષનું સફળ કરિયર છતાં કરીના કપૂરને છે આ વાતનો અફસોસ! એક્ટ્રેસનું એક સપનું અધૂરું...! ]]></title><link>https://sandesh.com/entertainment/news/kareena-kapoor-25-years-career-biggest-regret-children</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/kareena-kapoor-25-years-career-biggest-regret-children</guid><pubDate>Thu, 03 Sep 2026 17:33:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડમાં અઢી દાયકાથી પોતાની એક્ટિંગનો દમ બતાવનાર અભિનેત્રી કરીના કપૂર ખાન આજે કોઈ ઓળખની મોહતાજ નથી. તેણે પોતાની અલગ-અલગ પાત્રો ભજવવાની કળા અને શાનદાર એક્ટિંગથી કરોડો દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. પરંતુ સફળતાના આ મુકામ પર પહોંચ્યા પછી પણ તેના જીવનમાં એક એવી કમી રહી ગઈ છે, જેને લઈને તે ઘણીવાર ભાવુક થઈ જાય છે. નાની ઉંમરમાં જ ફિલ્મી દુનિયામાં જોડાઈ જવાના કારણે તેણે સ્કૂલનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો અને આ વાત આજે પણ તેને ખાલીપાનો અહેસાસ કરાવે છે.</p><h2 style="text-align: justify; "><b>કિશોરાવસ્થામાં લીધો હતો અભ્યાસ છોડવાનો નિર્ણય</b></h2><p style="text-align: justify; ">એક ઈન્ટરવ્યૂમાં પોતાના શરૂઆતના જીવન વિશે વાત કરતાં અભિનેત્રીએ સ્વીકાર્યું કે 11મા ધોરણ પછી તેણે અભ્યાસ આગળ વધાર્યો નહોતો. તે સમયે તેનું સંપૂર્ણ ધ્યાન એક્ટિંગની દુનિયામાં પોતાને સાબિત કરવા પર હતું. તેણે જણાવ્યું કે એ ઉંમરે પોતાના સપના પૂરા કરવા અને મનની વાત સાંભળવાનો ઉત્સાહ એટલો વધારે હતો કે અભ્યાસ આગળ વધારવાની તક હોવા છતાં તેણે તેનાથી દૂર રહેવાનું પસંદ કર્યું. જોકે, ઉંમર અને અનુભવ વધવાની સાથે હવે તેને સમજાય છે કે ડિગ્રી અને ઔપચારિક શિક્ષણ માત્ર કાગળ પૂરતું નથી, પરંતુ તે વ્યક્તિના વ્યક્તિત્વને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. અભિનેત્રી માને છે કે તેમણે પોતાના સપના પૂરા કર્યા, પરંતુ વ્યવસ્થિત શિક્ષણથી દૂર રહેવું તેના જીવનનો એવો અધૂરો ભાગ છે, જેને તેઓ બદલી શક્યા હોત.<br><img alt="Kareena Kapoor (8)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/03/vVl5FNOLWi4UGuu0r1H25CLQBGut9YHVnxcDZ19F.webp"><br></p><h3 style="text-align: justify; "><b>પહેલા શિક્ષણ, પછી કરિયર</b></h3><p style="text-align: justify; ">પોતાના આ અનુભવમાંથી શીખ લઈને અભિનેત્રી હવે પોતાના બાળકોના ઉછેરને લઈને ખૂબ ગંભીર છે. તે ઈચ્છે છે કે તેના બાળકો તૈમુર અને જેહ તેની જેવી ભૂલ ન કરે. તેનું સ્પષ્ટ માનવું છે કે જીવનમાં કોઈપણ ક્ષેત્રમાં કરિયર બનાવતા પહેલાં મજબૂત શૈક્ષણિક પાયો હોવો ખૂબ જરૂરી છે. તે પોતાના દીકરાઓને હંમેશા શીખવે છે કે પહેલા સ્કૂલ અને ઉચ્ચ શિક્ષણ પૂરા ધ્યાનથી પૂર્ણ કરો અને ત્યારબાદ જ કલા કે અન્ય કોઈ ક્ષેત્રમાં કરિયર બનાવવાનું વિચારો. તેના મતે શિક્ષણ વ્યક્તિને યોગ્ય નિર્ણય લેવાની સમજ અને માનસિક પરિપક્વતા આપે છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DctLbswCH4r/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DctLbswCH4r/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DctLbswCH4r/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DctLbswCH4r/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>દીકરીઓના શિક્ષણ માટે પણ કરીના કરે છે કામ</b></h4><p style="text-align: justify; ">પોતાના જીવનમાં અભ્યાસ અધૂરો રહી ગયાનો અફસોસ જ તેને સામાજિક કાર્યો સાથે વધુ ઊંડાણથી જોડતો ગયો. છેલ્લા એક દાયકાથી પણ વધુ સમયથી તેઓ બાળકો અને ખાસ કરીને દીકરીઓના શિક્ષણ માટે કામ કરતી સંસ્થાઓ સાથે સક્રિય રીતે જોડાયેલા છે. જ્યારે તેને દેશભરમાં દીકરીઓના શિક્ષણ અને સ્ત્રી-પુરુષ સમાનતાના સમર્થનમાં આગળ આવવાની તક મળી, ત્યારે તેણે તેને ખુશીથી સ્વીકારી. તેનું માનવું છે કે જ્યાં સુધી દેશની દરેક દીકરીને ગુણવત્તાયુક્ત અને સમાન શિક્ષણનો અધિકાર નહીં મળે, ત્યાં સુધી સમાજનો સંપૂર્ણ વિકાસ શક્ય નથી. પોતાના જીવનના આ અફસોસને હવે તે લાખો દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરવાની પ્રેરણા બનાવી રહી છે.</p><p style="text-align: justify; "><b style="font-size: 1.25rem;">દાયરામાં પોલીસ અધિકારીના રોલમાં જોવા મળશે કરીના</b></p><p style="text-align: justify; ">2000માં ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર કરીનાએ ખૂબ નાની ઉંમરમાં એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો હતો. પોતાની પહેલી જ ફિલ્મથી તેણે પોતાની અલગ ઓળખ બનાવી અને થોડા જ સમયમાં હિન્દી સિનેમાની ટોચની અભિનેત્રીઓમાં સામેલ થઈ ગયા. હવે તે મેઘના ગુલઝારના ડાયરેક્શનમાં બની રહેલી વાસ્તવિક ઘટનાઓ પર આધારિત ક્રાઇમ-થ્રિલર ફિલ્મ દાયરામાં પોલીસ અધિકારીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં સાઉથના જાણીતા અભિનેતા પૃથ્વીરાજ સુકુમારન પણ મુખ્ય ભૂમિકામાં છે. કોઈ વ્યાવસાયિક ગીતો વગરની આ ગંભીર ફિલ્મ 18 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/laalo-telugu-remake-vijay-deverakonda-krishna" target="_blank">આ પણ વાંચો-Laalo Remake : ગુજરાતી બ્લોકબસ્ટર લાલો ફિલ્મના તેલુગુ રીમેકમાં શ્રીકૃષ્ણ બનશે વિજય દેવરકોંડા?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/F7jT6LEcW9Oo3bIZyrBAayflSqpirxFR15n2aUHH.webp'/></item></channel></rss>