<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Bharuch News : આમોદમાં મોટી દુર્ઘટના, કરંટથી ગંભીર રીતે દાઝેલા કડિયાકામદારનું સારવાર દરમિયાન મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/bharuch/bharuch-news-major-accident-in-amod-bricklayer-who-was-seriously-burned-by-electricity-dies-during-treatment</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/bharuch/bharuch-news-major-accident-in-amod-bricklayer-who-was-seriously-burned-by-electricity-dies-during-treatment</guid><pubDate>Sun, 16 Aug 2026 22:01:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાં એક અત્યંત દુઃખદ અને કરુણ ઘટના સામે આવી છે. આમોદના ભીમપુરા વિસ્તારમાં રહેતા 39 વર્ષીય વિજયભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ કડિયાકામ કરી રહ્યા હતા તે સમયે અચાનક વીજકરંટ લાગતાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. શોર્ટ સર્કિટ કે વીજવાયરના સંપર્કમાં આવી જવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો.</p><h2 style="text-align: justify; "><b>108 મારફતે હોસ્પિટલ ખસેડાયા</b></h2><p style="text-align: justify; ">ઘટના બની બનતા જ આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. 108 ના કર્મચારીઓએ ઘટનાસ્થળે પહોંચીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત વિજયભાઈને પ્રાથમિક સારવાર આપી આમોદ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. પરિવારના મોભી જેવા સભ્યના અચાનક અવસાનથી શ્રમિક પરિવાર પર આભ તૂટી પડ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>પોલીસ કાર્યવાહી અને તપાસ</b></h2><p style="text-align: justify; ">આ બનાવ અંગે આમોદ હોસ્પિટલ તંત્ર દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. આમોદ પોલીસે ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચીને અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને બનાવ પાછળના ચોક્કસ કારણો અંગે આગળની તપાસ શરૂ કરી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/rajkot/bangladeshi-woman-arrested-near-rajkot-hiding-identity-living-in-rural-area" target="_blank">Rajkot નજીકથી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ, ઓળખ છુપાવી ગ્રામીણ વિસ્તારમાં રહેતી હતી</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/Wo3qhxoSZeWa6hHqUKCqtAwexMawpIATAKrXWZRs.webp'/></item><item><title><![CDATA[UGC-NET 2026: અંગ્રેજી, કોમર્સ અને સમાજશાસ્ત્રની પરીક્ષા ફરી લેવાશે, NTAએ જાહેર કર્યું શેડ્યુલ ]]></title><link>https://sandesh.com/india/news/ugc-net-2026-english-commerce-sociology-re-exam-nta-schedule</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ugc-net-2026-english-commerce-sociology-re-exam-nta-schedule</guid><pubDate>Sun, 16 Aug 2026 22:00:26 +05:30</pubDate><description><![CDATA[<p>UGC-NET જૂન 2026ની અંગ્રેજી, કોમર્સ અને સમાજશાસ્ત્ર વિષયોની પરીક્ષા ફરી યોજવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ આ ત્રણ વિષયોના પ્રશ્નપત્રોમાં અનેક પ્રકારની ભૂલો સામે આવ્યા બાદ રિ-એક્ઝામ લેવાનો નિર્ણય કર્યો છે. ઉમેદવારો પાસેથી ફરી પરીક્ષા માટે કોઈ વધારાની ફી લેવામાં આવશે નહીં.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/NTA_Exams/status/2089009246453313827"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>ઘણી ખામીઓ સામે આવી&nbsp;</b></h2><p>NTA મુજબ, ત્રણેય વિષયોના પ્રશ્નપત્રોમાં તથ્યાત્મક, ટાઈપિંગ, અનુવાદ અને વ્યાકરણ સંબંધિત ભૂલો જોવા મળી હતી. આ ઉપરાંત કેટલાક પ્રશ્નોની ભાષામાં ગડબડ, વિદ્વાનોના નામ અને પુસ્તકોના શીર્ષક ખોટા લખવા, એક જ પ્રશ્નનું પુનરાવર્તન તથા જાણીતી ધારણાઓ માટે બિન-પ્રમાણભૂત શબ્દોના ઉપયોગ જેવી ખામીઓ પણ સામે આવી હતી.</p><p>NTA દ્વારા જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ અંગ્રેજીની પુનઃપરીક્ષા 9 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી યોજાશે. કોમર્સની પરીક્ષા એ જ દિવસે બપોરે 3થી સાંજે 6 વાગ્યા સુધી લેવામાં આવશે. જ્યારે સમાજશાસ્ત્રની પરીક્ષા 10 સપ્ટેમ્બરે સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી યોજાશે. NTAએ સ્પષ્ટ કર્યું છે કે અન્ય 84 વિષયોની આન્સર-કી ચેલેન્જ પ્રક્રિયા અને પરિણામો નિર્ધારિત સમયપત્રક મુજબ જ જાહેર થશે. ત્રણ વિષયોની પુનઃપરીક્ષાની અસર આ 84 વિષયોના JRF, આસિસ્ટન્ટ પ્રોફેસર અને PhD પ્રવેશ સંબંધિત પ્રક્રિયા પર નહીં પડે.</p><h3><b>એડમિટ કાર્ડની જાણકારી વેબસાઈટ પર જાહેર કરાશે</b></h3><p>પુનઃપરીક્ષા આપનારા ત્રણેય વિષયોના ઉમેદવારો માટે પણ JRF, આસિસ્ટન્ટ પ્રોફેસર અને PhD માટે બેઠકોની ફાળવણી માહિતી બુલેટિનમાં દર્શાવેલા નિયમો મુજબ જ થશે. આસ્ટન્ટ પ્રોફેસર માટે લાયક ઠરનારા ઉમેદવારોની સંખ્યા 6 ટકા રહેશે. તેમાં મૂળ જૂન પરીક્ષા અને પુનઃપરીક્ષા આપનારા ઉમેદવારોમાંથી વધુ સંખ્યાને આધાર બનાવવામાં આવશે. પરીક્ષા કેન્દ્ર, શહેર અને એડમિટ કાર્ડ અંગેની માહિતી NTAની સત્તાવાર વેબસાઈટ પર બાદમાં જાહેર કરવામાં આવશે. પરીક્ષાની નિષ્પક્ષતા, ચોકસાઈ અને પારદર્શિતા જાળવવા માટે આ નિર્ણય લેવાયો હોવાનું NTAએ જણાવ્યું છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/sukhbir-singh-badal-attack-nia-probe-harsimrat-kaur-badal-amit-shah" target="_blank">આ પણ વાંચો : Sukhbir Singh Badal પર હુમલાની NIA તપાસની માગ, હરિસિમરત કૌર બાદલે અમિત શાહને લખ્યો પત્ર</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/azGfObUM31SushTB7cLwcwzRBm8MTlciUBsQ7p4R.webp'/></item><item><title><![CDATA[Surat: અલથાણમાં ચોથા માળની ગેલેરીમાંથી નીચે પટકાતાં 1 વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત, કાળજું કંપાવતા દ્રશ્યો આવ્યા સામે ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/althan-1-year-old-child-dies-after-falling-from-4th-floor-gallery-cctv</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/althan-1-year-old-child-dies-after-falling-from-4th-floor-gallery-cctv</guid><pubDate>Sun, 16 Aug 2026 21:40:46 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત શહેરના અલથાણ વિસ્તારમાં રહેતા અને મૂળ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના વતની જયદીપ વાજાના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ગત 11 ઓગસ્ટ, 2026ના રોજ જયદીપ વાજા પરિવાર સાથે પોતાના એપાર્ટમેન્ટના ચોથા માળે આવેલા ફ્લેટમાં હતા, તે દરમિયાન તેમનું 1 વર્ષનું માસૂમ બાળક ગેલેરીમાં રમી રહ્યું હતું. રમતાં રમતાં માસૂમ બાળક અચાનક ચોથા માળની ગેલેરીની ગ્રીલ/રેલિંગ પરથી નીચે પટકાયું હતું.</p><h2><b>ગેલેરીમાં રમતાં રમતાં સર્જાઈ કાળજું કંપાવી દેતી દુર્ઘટના</b></h2><p>ચોથા માળેથી પટકાતાં જ જોરદાર અવાજ સાથે બાળક નીચે પડતાં આસપાસના લોકો અને પરિવારજનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા માસૂમ બાળકને તુરંત જ નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું.</p><h3><b>દ્રશ્યો જોયા તે સૌકોઈ ચોંકી ઉઠ્યા&nbsp;</b></h3><p> </p><p>પરંતુ ચોથા માળેથી પટકાવાને કારણે થયેલી ગંભીર ઈજાઓના પરિણામે બાળકે સારવાર દરમિયાન જ પોતાનો અંતિમ શ્વાસ લીધો હતો.આ સમગ્ર દુર્ઘટના સોસાયટીમાં મુકાયેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ હતી. કાળજું કંપાવી દેનારા આ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જેણે પણ આ દ્રશ્યો જોયા તે સૌકોઈ ચોંકી ઉઠ્યા હતા અને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/dahegam/bharat-thakor-kidnapped-in-alto-car-thrown-in-narmada-canal-4-arrested" target="_blank">આ પણ વાંચો: Dahegam: ધોળા દિવસે 40 વર્ષીય ભરત ઠાકોરનું અલ્ટો કારમાં અપહરણ, પોલીસે રાત્રે જ 4 આરોપીઓને દબોચ્યા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/6dr8XpQBpF4b3gImVF0MutrbpKshWNBrbuPq4jMd.webp'/></item><item><title><![CDATA[Rajkot નજીકથી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ, ઓળખ છુપાવી ગ્રામીણ વિસ્તારમાં રહેતી હતી ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/rajkot/bangladeshi-woman-arrested-near-rajkot-hiding-identity-living-in-rural-area</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/rajkot/bangladeshi-woman-arrested-near-rajkot-hiding-identity-living-in-rural-area</guid><pubDate>Sun, 16 Aug 2026 21:35:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાંથી પોતાની સાચી ઓળખ છુપાવીને રહેતી એક બાંગ્લાદેશી મહિલા ઝડપાતા ચકચાર મચી ગઈ છે. રાજકોટ રેન્જ આઈજી (Range IG) ની ટીમ દ્વારા બાતમી અને શંકાસ્પદ પ્રવૃત્તિઓના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસને આ મહિલાની પ્રવૃત્તિઓ પર શંકા જતાં તેની અટકાયત કરીને કડક પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.</p><h2 style="text-align: justify; "><b>ધાર્મિક સંસ્થામાં નિવાસ અને સાચી ઓળખનો ખુલાસો</b></h2><p style="text-align: justify; ">પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ મહિલા સુરેન્દ્રનગર નજીક આવેલા ગોસલ ગામની સીમમાં એક ધાર્મિક સંસ્થા ખાતે પોતાની ઓળખ છુપાવીને રહી રહી હતી. પૂછપરછ દરમિયાન તેની સાચી ઓળખ છતી થઈ હતી, જેમાં તેનું નામ હસનેરા ગાઝી હોવાનું અને તે બાંગ્લાદેશના બસતપુરની મૂળ નિવાસી હોવાનું બહાર આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>ગેરકાયદે પ્રવેશ અને કાનૂની તપાસ</b></h2><p style="text-align: justify; ">મહિલા ભારતમાં ક્યારે અને કયા માર્ગે ગેરકાયદેસર રીતે પ્રવેશી હતી તેમજ આ વિસ્તારમાં કોઈ અન્ય શંકાસ્પદ નેટવર્ક સાથે જોડાયેલી છે કે કેમ તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. રાજકોટ રેન્જ આઈજીની ટીમ દ્વારા મહિલાના વિઝા, પાસપોર્ટ અને અન્ય બોગસ દસ્તાવેજો અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-news-major-action-against-haru-sindhi-after-sabarmati-jail-controversy-police-deport-him-for-2-years" target="_blank">Ahmedabad News : સાબરમતી જેલ વિવાદ બાદ હરૂ સિંધી સામે મોટી કાર્યવાહી, પોલીસ દ્વારા 2 વર્ષ માટે તડીપાર</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/06mPwacdxWTpe0mUl9Fpz0MDNlXOeZNeVjs8hkQ8.webp'/></item><item><title><![CDATA[Dahegam: ધોળા દિવસે 40 વર્ષીય ભરત ઠાકોરનું અલ્ટો કારમાં અપહરણ, પોલીસે રાત્રે જ 4 આરોપીઓને દબોચ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/dahegam/bharat-thakor-kidnapped-in-alto-car-thrown-in-narmada-canal-4-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/dahegam/bharat-thakor-kidnapped-in-alto-car-thrown-in-narmada-canal-4-arrested</guid><pubDate>Sun, 16 Aug 2026 21:28:38 +05:30</pubDate><description><![CDATA[<p>દહેગામ શહેરમાં આવેલા પંકજ સોસાયટી વિસ્તારમાંથી 40 વર્ષીય ભરત ઠાકોર નામના યુવકનું દિવસ-દહાડે ચાર શખસો દ્વારા અલ્ટો કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ દહેગામ પોલીસની ટીમ તાત્કાલિક હરકતમાં આવી હતી. પોલીસે વિસ્તારના સીસીટીવી (CCTV) ચકાસતા અપહરણનો વિડીયો અને અલ્ટો કારનો રજીસ્ટ્રેશન નંબર મળી આવ્યો હતો.</p><h2><b>યુવકનું દિવસ-દહાડે ચાર શખસો દ્વારા અપહરણ&nbsp;</b></h2><p>અલ્ટો કારના નંબરના આધારે પોલીસ તલોદ ખાતે મૂળ કાર માલિક પાસે પહોંચી હતી, જ્યાં જાણવા મળ્યું હતું કે આ કાર બે વર્ષ પહેલાં વેચી દેવાઈ હતી. પોલીસે આગળનું ટ્રેસિંગ કરી કાર ધરાવનાર શખસ સુધી પહોંચી રાત્રિ દરમિયાન જ અપહરણમાં સામેલ ચારેય આરોપીઓને દબોચી લીધા હતા.પોલીસ કસ્ટડીમાં શરૂઆતમાં આરોપીઓએ ભરત ઠાકોરને સોસાયટીના નાકે જ ઉતારી દીધો હોવાનું કહી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.</p><h3><b>પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો</b></h3><p> </p><p>પરંતુ પોલીસે સઘન પૂછપરછ હાથ ધરતા તેઓ ભાંગી પડ્યા હતા અને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.આરોપીઓ ભરતને કારમાં બેસાડી બહિયલ અને અપ્રુજી નજીક આવેલી નર્મદા કેનાલ પાસે લઈ ગયા હતા. ત્યાં કેટલાક આરોપીઓએ દારૂ પીધા બાદ ભરત ઠાકોરને નર્મદા કેનાલના વહેતા પાણીમાં ફેંકી દીધો હતો.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/harsh-sanghavi-slams-p-chidambaram-over-naxalism-tweet-upa-record" target="_blank">આ પણ વાંચો: Gandhinagar: પી. ચિદમ્બરમના 'દિમાગી નક્સલ' નિવેદનથી દેશનું રાજકારણ ગરમાયું, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો આકરો પ્રહાર</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/NAaJspUexXg89rnlD1S0MeOxBhOR3ELNMDxNRruq.webp'/></item><item><title><![CDATA[Sukhbir Singh Badal પર હુમલાની NIA તપાસની માગ, હરિસિમરત કૌર બાદલે અમિત શાહને લખ્યો પત્ર ]]></title><link>https://sandesh.com/india/news/sukhbir-singh-badal-attack-nia-probe-harsimrat-kaur-badal-amit-shah</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/sukhbir-singh-badal-attack-nia-probe-harsimrat-kaur-badal-amit-shah</guid><pubDate>Sun, 16 Aug 2026 21:01:13 +05:30</pubDate><description><![CDATA[<p>શિરોમણી અકાલી દળના સાંસદ હરિસિમરત કૌર બાદલે પોતાના પતિ અને પાર્ટીના નેતા સુખબીર સિંહ બાદલ પર 13 ઓગસ્ટે થયેલા હુમલાની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપવાની માગ કરી છે. આ મામલે તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે.</p><h2><b>હરિસિમરત કૌરે ગંભીર સવાલો ઉઠાવ્યા&nbsp;</b></h2><p>હરિસિમરત કૌર બાદલે પત્રમાં જણાવ્યું કે હુમલા દરમિયાન સુખબીર બાદલના જમણા હાથમાં ઈજા થઈ હતી. તેમણે દાવો કર્યો કે સતર્ક સુરક્ષાકર્મીએ હુમલાખોરને રોકવા માટે પોતાનો જીવ જોખમમાં ન મૂક્યો હોત તો પરિણામ વધુ ગંભીર બની શક્યું હોત. તેમણે કહ્યું કે 13 ઓગસ્ટની ઘટના કોઈ એકલદોકલ ઘટના નથી. અગાઉ 4 ડિસેમ્બર 2024ના રોજ અમૃતસરના શ્રી હરમંદિર સાહિબના પરિસરમાં પણ સુખબીર બાદલ પર જીવલેણ હુમલાનો પ્રયાસ થયો હતો. બંને ઘટનાઓમાં કેટલીક સમાનતાઓ હોવાનો દાવો કરી તેમણે બંને હુમલા એકબીજા સાથે જોડાયેલા છે કે કેમ તે અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.</p><h3><b>હથિયારથી કર્યો હુમલો&nbsp;</b></h3><p>હરિસિમરતે હુમલામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારનો ઉલ્લેખ કરતા કહ્યું કે હુમલાખોરે આશરે દોઢ ફૂટ લાંબા ધારદાર હથિયારથી સુખબીર બાદલની છાતી પર હુમલો કર્યો હતો. પોતાનો બચાવ કરવા માટે હાથ ઊંચો કરતાં હથિયાર તેમના હાથમાં વાગ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે અગાઉના હુમલામાં સામેલ આરોપી હજુ ખુલ્લેઆમ ફરી રહ્યો છે અને પંજાબના DGP તથા અન્ય અધિકારીઓએ મામલાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો.&nbsp;</p><h4><b>સમગ્ર મામલામાં મોટું ષડયંત્ર હોવાનો દાવો</b></h4><p>તેમણે સમગ્ર મામલામાં મોટું ષડયંત્ર હોવાનો દાવો કરી સંડોવાયેલા પોલીસ અધિકારીઓ કે રાજકીય નેતાઓ સામે પણ કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. 13 ઓગસ્ટે નાંદેડ નજીક એક ગુરુદ્વારામાં નિહંગ જૂથના એક સભ્યએ કૃપાણથી સુખબીર બાદલ પર હુમલો કર્યો હતો. હુમલાખોરની ધરપકડ કરવામાં આવી હતી. બાદલને સારવાર બાદ નાંદેડની હોસ્પિટલમાંથી રજા આપી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સર્જરી માટે દાખલ કરવામાં આવ્યા હતા.</p><p><b><a href="https://sandesh.com/india/news/delhi-100-atal-canteens-launched-eight-months-5-rupees-meal" target="_blank">આ પણ વાંચો : Delhi : 8 મહિનામાં 100 'અટલ કેન્ટીન' શરૂ, 5 રૂપિયામાં મળશે પૌષ્ટિક ભોજન</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/TJKxhp6el8TSXJ4qqhBIe8e6bPm6Y4xVlzJAUrHM.webp'/></item><item><title><![CDATA[Rajkot News : વંદે માતરમ મુદ્દે રાજકોટમાં ભાજપનો વિરોધ, કેન્ડલ માર્ચ યોજી કોંગ્રેસ સામે સૂત્રોચ્ચાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-news-bjp-protests-in-rajkot-on-vande-mataram-issue-holds-candle-march-and-shouts-slogans-against-congress</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-news-bjp-protests-in-rajkot-on-vande-mataram-issue-holds-candle-march-and-shouts-slogans-against-congress</guid><pubDate>Sun, 16 Aug 2026 20:48:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ શહેર ભાજપ દ્વારા કોંગ્રેસના મુખ્યાલય ખાતે વંદે માતરમ ગાન દરમિયાન બનેલી ઘટનાના વિરોધમાં જોરદાર દેખાવો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી અને રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’નું અનાદર કરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવી ભાજપના કાર્યકરો અને આગેવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ભાજપના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરોએ એકત્ર થઈને કોંગ્રેસ નેતૃત્વ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>રેલી અને કેન્ડલ માર્ચ યોજી નોંધાવ્યો વિરોધ</b></h2><p style="text-align: justify; ">આ વિરોધ પ્રદર્શન દરમિયાન શહેર ભાજપ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી, જેમાં ભાજપના કાર્યકરોએ દેશભક્તિના નારા લગાવ્યા હતા. ત્યારબાદ સાંજના સમયે એક મૌન અને ગંભીર વિરોધ નોંધાવવા માટે કેન્ડલ માર્ચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હાથમાં કેન્ડલ અને પ્લેકાર્ડ્સ લઈને મોટી સંખ્યામાં જોડાયેલા લોકોએ આ ઘટનાને રાષ્ટ્રીય ગૌરવ સાથે ખીલવાડ ગણાવીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>સુત્રોચ્ચાર સાથે કોંગ્રેસ નેતૃત્વ સામે ભારે સૂગ</b></h2><p style="text-align: justify; ">કાર્યક્રમ દરમિયાન ભાજપના આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસ વિરુદ્ધ અને દેશભક્તિના સમર્થનમાં જોરદાર સુત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શન કરી રહેલા નેતાઓએ જણાવ્યું હતું કે વંદે માતરમ એ દેશની આઝાદીની લડાઈનો પ્રતીક અને દેશવાસીઓની આસ્થાનું કેન્દ્ર છે. તેનું અનાદર સહન કરી શકાય નહીં. ભાજપે માગ કરી હતી કે કોંગ્રેસના શીર્ષ નેતૃત્વએ આ બાબતે સમગ્ર દેશની જનતાની સમક્ષ જાહેર માફી માંગવી જોઈએ.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/vav-tharad/vav-tharad-news-protesting-against-the-allegations-of-insulting-vande-mataram-bjp-yuva-morcha-organizes-candle-march" target="_blank">Vav-Tharad News : વંદે માતરમના અપમાનના આક્ષેપનો વિરોધ, ભાજપ યુવા મોરચા દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન...</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/mGhNmRdXLzbbYR21352Bkcom09BPcjoMoDIjQgWI.webp'/></item><item><title><![CDATA[Pakistan Economy Crisis 2026: પાકિસ્તાને ડિજિટલ પેમેન્ટ શરૂ કર્યું પણ અર્થતંત્રમાં કેશનો ફુગાવો રેકોર્ડ સ્તરે ]]></title><link>https://sandesh.com/business/news/world/pakistan-economy-crisis-2026-pakistan-launched-digital-payments-but-cash-inflation-in-the-economy-is-at-record-levels-1</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/world/pakistan-economy-crisis-2026-pakistan-launched-digital-payments-but-cash-inflation-in-the-economy-is-at-record-levels-1</guid><pubDate>Sun, 16 Aug 2026 20:11:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ડિજિટલ ચૂકવણીમાં વધારો થયો છે. પરંતુ રોકડનો ઉપયોગ પણ ઝડપથી વધ્યો છે. આ કટોકટીનું કારણ છે.</p><h2 style="text-align: justify; ">કેશલેસ અર્થતંત્ર પ્રાપ્ત કરવાનું શરૂ</h2><p style="text-align: justify; ">ભારતના ઉદાહરણને અનુસરીને, પાકિસ્તાને પણ કેશલેસ અર્થતંત્ર પ્રાપ્ત કરવાનું શરૂ કર્યું. થોડા મહિનામાં, મોબાઇલ બેંકિંગ, ડિજિટલ વોલેટ અને ઓનલાઈન ચુકવણીનો ઉપયોગ ઝડપથી વધ્યો. સરકારે પણ લોકોને રોકડને બદલે ડિજિટલ ચુકવણી કરવા માટે પ્રોત્સાહિત કરવાનું શરૂ કર્યું. પરંતુ અચાનક, પ્રવાહ ઉલટું થઈ ગયું. પહેલ અર્થતંત્રને કેશલેસ બનાવવાની હતી, પરંતુ તેના બદલે, અર્થતંત્રમાં બમણી રોકડ વહેવા લાગી.</p><h3 style="text-align: justify; ">ડિજિટલ ચૂકવણીમાં વધારો</h3><p style="text-align: justify; ">નાણાકીય વર્ષ 2025-26માં, પાકિસ્તાનમાં ચલણ 11.94 ટ્રિલિયન પાકિસ્તાની રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું. જ્યારે નાણાકીય વર્ષ 2020માં, તે 6.14 ટ્રિલિયન રૂપિયા હતું. આનો અર્થ એ થયો કે લગભગ છ વર્ષમાં રોકડ રકમમાં 94% નો વધારો થયો. આનો અર્થ એ થયો કે ડિજિટલ ચૂકવણીમાં વધારો થયો, પરંતુ રોકડની જરૂરિયાત અદૃશ્ય થઈ નહીં. વાસ્તવિક સમસ્યા એ છે કે પાકિસ્તાનમાં, ડિજિટલ રીતે પ્રાપ્ત થયેલા પૈસા ઘણીવાર ડિજિટલ રીતે ખર્ચાતા નથી. ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિ પોતાના બેંક ખાતા અથવા મોબાઇલ વોલેટમાં પૈસા મેળવે છે, તેને ATM અથવા બેંક ખાતામાંથી ઉપાડે છે, અને પછી તેને દુકાનમાં રોકડમાં ખર્ચ કરે છે.&nbsp;</p><h4 style="text-align: justify; ">ડિજિટલ વ્યવહારોમાં વધારો&nbsp;</h4><p style="text-align: justify; ">અહીં એક મહત્વપૂર્ણ તફાવત સમજવો જોઈએ. ડિજિટલ વ્યવહારોમાં વધારો હંમેશા એટલો અર્થ નથી કે દેશ રોકડ રહિત બની રહ્યો છે. પાકિસ્તાનમાં, ડિજિટલ સિસ્ટમે પૈસા એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવાની રીત બદલી નાખી છે, પરંતુ તેનાથી લોકો તેને ખર્ચવાની રીતમાં નોંધપાત્ર ફેરફાર થયો નથી. નાના દુકાનદારો, અનૌપચારિક વ્યવસાયો અને રોકડ આધારિત વ્યવહારો હજુ પણ અર્થતંત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો કે, ચિત્ર સંપૂર્ણપણે અંધકારમય નથી. પાકિસ્તાનમાં, કુલ નાણાં પુરવઠામાં રોકડનો હિસ્સો નાણાકીય વર્ષ 2020 માં 30.1% થી ઘટીને નાણાકીય વર્ષ 2026 માં 25.7% થયો છે.&nbsp;</p><h5 style="text-align: justify; ">રોકડની વાસ્તવિક ખરીદ શક્તિ&nbsp;</h5><p style="text-align: justify; ">ફુગાવાની અસરને બાદ કરતાં, આ સમયગાળા દરમિયાન રોકડની વાસ્તવિક ખરીદ શક્તિમાં આશરે 12.5%નો ઘટાડો થયો છે. જોકે, નાણાકીય વર્ષ 2024 પછી, આ વલણ ઉલટું થયું હોય તેવું લાગે છે, અને વાસ્તવિક રોકડ હોલ્ડિંગ વધવા લાગ્યું છે. આનો અર્થ એ છે કે પાકિસ્તાન ડિજિટલ ચુકવણી તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ રોકડ પાછળ છોડી શકતું નથી. ભારતમાં, UPI જેવી સિસ્ટમોએ ડિજિટલ ચુકવણીઓને બેંક-ટુ-બેંક ટ્રાન્સફર સુધી મર્યાદિત કરી નથી, પરંતુ ચા વિક્રેતાઓ, કરિયાણાની દુકાનો અને નાના દુકાનદારો સુધી સીધી ડિજિટલ ચુકવણીઓ પણ લાવી છે. પાકિસ્તાનનો હવે પડકાર એ સુનિશ્ચિત કરવાનો છે કે ડિજિટલ નાણાં ફક્ત ખાતાઓમાં જ ફરતા ન હોય, પરંતુ અંતિમ ચુકવણી પણ ડિજિટલ હોય. ત્યારે જ અર્થતંત્ર ખરેખર રોકડથી દૂર જશે.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ&nbsp; <a href="https://sandesh.com/world/news/tech/ai-model-predict-depression-china-created-an-ai-model-that-will-predict-depression-4-years-in-advance" target="_blank">ચીને બનાવ્યું એવું AI મોડેલ જે 4 વર્ષ પહેલા ડિપ્રેશનની કરશે ભવિષ્યવાણી</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/Wi0MnRpsHMdkiA2KHYrUr9RJvROWeU81w103RsGD.webp'/></item><item><title><![CDATA[Sunny Deol નથી પીતા દારૂ! કરિયરના ડાઉનફોલ અને સક્સેસ પર એક્ટરે તોડ્યું મૌન, કર્યો ચોંકાવનારો ખુલાસો! ]]></title><link>https://sandesh.com/entertainment/news/sunny-deol-alcohol-career-downfall-reaction</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/sunny-deol-alcohol-career-downfall-reaction</guid><pubDate>Sun, 16 Aug 2026 17:30:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સની દેઓલ હાલ ફિલ્મ બંટવારા 1947માં જોવા મળી રહ્યા છે. ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સની દેઓલ જોરશોરથી ફિલ્મના પ્રચારમાં વ્યસ્ત છે. તાજેતરમાં એક મુલાકાતમાં તેમણે પોતાની કારકિર્દીના ઉતાર વિશે વાત કરી હતી.</p><h2 style="text-align: justify; "><b>કારકિર્દીના ઉતાર પર સની દેઓલે કરી વાત</b></h2><p style="text-align: justify; ">ગદર ફિલ્મ ખૂબ સફળ થયા પછી પણ સની દેઓલની કારકિર્દીમાં જે ઉતાર આવ્યો હતો, તેના વિશે અભિનેતાએ શુભાંકર મિશ્રાના પોડકાસ્ટમાં વાત કરી. તેમણે કહ્યું કે અચાનક કોમ્પ્યુટરનો સમય આવ્યો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કામ કરવાની રીત બદલાવા લાગી. ગદરની સાથે તેમણે ઈન્ડિયન ફિલ્મમાં પણ કામ કર્યું હતું, જે ખૂબ મોટી સફળ રહી હતી. તે સમયે ઈન્ડિયનએ લગાન કરતાં બમણી કમાણી કરી હતી અને ગદરએ તો તેનાથી પણ વધુ કમાણી કરી હતી.</p><h2 style="text-align: justify; "><b>ફિલ્મોમાં રાજકારણ ન આવવું જોઈએ: સની દેઓલ</b></h2><p style="text-align: justify; ">સની દેઓલે વધુમાં કહ્યું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બદલાવ આવ્યો હતો. જો બોલે સો નિહાલ ફિલ્મને પણ રાજકારણના કારણે સિનેમાઘરોમાંથી હટાવવી પડી હતી. તેમણે કહ્યું કે આજકાલ ફિલ્મોની વચ્ચે જે રાજકારણ આવી રહ્યું છે, તે ન આવવું જોઈએ. રાજકારણને બહાર જ રાખવું જોઈએ. આપણે કોઈ ખોટું કામ નથી કરતા. આ મનોરંજન છે અને તેને મનોરંજન જ રહેવા દેવું જોઈએ.</p><h3 style="text-align: justify; "><b>અભિનેતા બનવાનું ક્યારે નક્કી કર્યું હતું?</b></h3><p style="text-align: justify; ">આ ઉપરાંત સની દેઓલે અભિનેતા બનવા અંગે પણ વાત કરી. તેમણે કહ્યું, જ્યારે મેં શાળાનો અભ્યાસ પૂરો કર્યો ત્યારે અભિનેતા બનવાનું વિચાર્યું હતું. તે પહેલાં ક્યારેય વિચાર્યું નહોતું. હું પિતાની ફિલ્મો ખૂબ જોતો હતો અને બીજાની ફિલ્મો ભાગ્યે જ જોતો હતો. પિતાની દરેક ફિલ્મ જોતો હતો. હોલીવુડની ફિલ્મો પણ ઘણી જોતો હતો. પિતાની જૂની ફિલ્મોથી મને પ્રેરણા મળી. મારા માટે અભિનય એટલે લાગણીઓને વ્યક્ત કરવી.</p><h3 style="text-align: justify; "><b>સફળતાનો અહંકાર ક્યારેય થયો નથી: સની દેઓલ</b></h3><p style="text-align: justify; ">સફળતા મળ્યા પછી અહંકાર આવવા અંગે સની દેઓલે કહ્યું, મારા મનમાં ક્યારેય એવો વિચાર આવ્યો નથી. આ એક પ્રકારનો નશો હોય છે અને એવો નશો ક્યારેય મારા પર ચઢ્યો નથી. કારણ કે હું ધર્મેન્દ્રનો દીકરો છું. અમે બધી વસ્તુઓ જોઈ છે અને અનુભવી છે. તેથી કારકિર્દીના ઉતાર-ચઢાવથી ક્યારેય ગભરાયો નથી. પિતા પણ ક્યારેય બદલાયા નથી.</p><h4 style="text-align: justify; "><b>દારૂ અને સિગારેટ અંગે શું બોલ્યા સની દેઓલ?</b></h4><p style="text-align: justify; ">સની દેઓલે સિગારેટ અને દારૂ અંગે પણ વાત કરી. તેમણે કહ્યું, મેં દારૂ અને સિગારેટ અજમાવ્યાં છે, પરંતુ ક્યારેય તેનું સેવન કર્યું નથી. જ્યારે હું યુવાન હતો ત્યારે અજમાવ્યું હતું. તે સમયે હું વિદેશમાં ભણતો હતો. મારી ઉંમરના લોકો આ બધું કરતા હતા, એટલે મેં પણ અજમાવ્યું હતું. મને તેનો સ્વાદ પસંદ નથી. તેની ગંધ પણ પસંદ નથી. હું સવારે શક્ય તેટલું વહેલું ઉઠું છું. મને હકારાત્મક લાગે છે.</p><h6 style="text-align: justify; "><b>ઇક્કામાં પણ જોવા મળ્યા હતા સની દેઓલ</b></h6><p style="text-align: justify; ">ફિલ્મ બંટવારા 1947ની વાત કરીએ તો તેમાં સની દેઓલ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં પ્રીતિ ઝિન્ટા મુખ્ય અભિનેત્રીની ભૂમિકામાં છે. શબાના આઝમી પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળી રહ્યાં છે. ફિલ્મનું નિર્માણ આમિર ખાને કર્યું છે, જ્યારે રાજકુમાર સંતોષીએ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. સની દેઓલ આ પહેલાં ઇક્કામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં અક્ષય ખન્ના પણ જોવા મળ્યા હતા. ફિલ્મ OTT પર રિલીઝ થઈ હતી અને તેની ઘણી ચર્ચા થઈ હતી. દર્શકોને આ ફિલ્મ પસંદ પણ આવી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/shah-rukh-khan-ajay-devgn-tiger-fda-notice-elaichi-ad" target="_blank">આ પણ વાંચો-Shah Rukh Khan, અજય દેવગન અને ટાઈગર શ્રોફની વધી મુશ્કેલીઓ! ગુટખા એડને લઈને FDAની નોટિસ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/IaMVfZ3wdyeX2vfFzQA9q7xhhYjTySkwJf43acWK.webp'/></item><item><title><![CDATA[FIH World Cup 2026 : માતાના પગલે પુત્ર! 28 વર્ષ પછી એ જ ગ્રાઉન્ડ પર હોકી વર્લ્ડ કપમાં રમ્યો દીકરો ]]></title><link>https://sandesh.com/sports/news/fih-world-cup-2026-son-follows-in-mothers-footsteps-son-plays-in-hockey-world-cup-on-same-ground-after-28-years</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fih-world-cup-2026-son-follows-in-mothers-footsteps-son-plays-in-hockey-world-cup-on-same-ground-after-28-years</guid><pubDate>Sun, 16 Aug 2026 10:03:26 +05:30</pubDate><description><![CDATA[<p>હોકી વર્લ્ડ કપ 2026 શરૂ થઈ ગયો છે.ભારતે આ વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત વેલ્સ સામે પોતાની પહેલી મેચ રમીને કરી હતી.15 ઓગસ્ટની સાંજે વેલ્સ સામેની હોકી વર્લ્ડ કપ મેચ પ્રીતમ સિવાચ માટે માત્ર એક મેચ જ નહોતી.આ મેચ તેમના પુત્ર યશદીપના વર્લ્ડ કપ ડેબ્યૂ કર્યું હતું.એક માતા તરીકે,તે તેમના માટે ગર્વની ક્ષણ હતી.આ ગર્વ એ હકીકતથી વધુ વધ્યો કે તે તેમના પુત્રને તેમના પછી હોકી વર્લ્ડ કપમાં ભારત માટે રમતા જોઈ રહી હતી.</p><h5><b>1998માં માતા 2026માં પુત્ર</b></h5><p>પ્રીતમ સિવાચે નેધરલેન્ડ્સમાં 1998ના મહિલા હોકી વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું.હવે 28 વર્ષ પછી તે જ દેશમાં 2026ના પુરુષ હોકી વર્લ્ડ કપમાં તેમના પુત્ર યશદીપ સિવાચે ટુર્નામેન્ટની ભારતની પહેલી મેચ રમી હતી.નોંધપાત્ર વાત એ છે કે પ્રીતમ સિવાચે નેધરલેન્ડ્સમાં હોકી વર્લ્ડ કપ રમ્યો ત્યારે યશદીપનો જન્મ પણ થયો ન હતો.25 વર્ષીય ડિફેન્ડર યશદીપે 2022 માં ભારત માટે સિનિયર ડેબ્યૂ કર્યું હતું.</p><h5><b>પ્રીતમ સિવાચે તેમના પુત્રની સિદ્ધિ વિશે શું કહ્યું?</b></h5><p>પોતાના પુત્રની સિદ્ધિ પર પ્રતિબિંબ પાડતા,પ્રીતમ સિવાચે કહ્યું,આ મારા માટે એક મોટી ક્ષણ છે.મારો પુત્ર વર્લ્ડ કપમાં મારા જેવા જ સ્થળે રમ્યો હતો.તેણીએ શેર કર્યું કે તે નેધરલેન્ડમાં હતી અને તાજેતરમાં જ ત્યાંથી પાછી આવી છે.તે ટીવી પર મેચ જોઈ રહી છે.પ્રીતમએ કહ્યું કે તેણીએ આજે ​​સવારે તેના પુત્રને ફોન કર્યો અને તેને કહ્યું કે તેને તેની માતાનું અધૂરું સ્વપ્ન પૂર્ણ કરવું પડશે.પ્રીતમ સિવાચે કહ્યું કે તેણીને વિશ્વાસ છે કે ટીમ મેડલ સાથે પરત ફરશે.ટીમ ખૂબ જ મજબૂત દેખાય છે અને તેમનું મનોબળ ઊંચું છે.મોટી ટીમો સામે નિયમિત રમવાથી તેમને સારી તૈયારી કરવામાં પણ મદદ મળી છે.</p><h5><b>માતા અને પુત્રની રમવાની શૈલીઓ અલગ અલગ હોય છે</b></h5><p>પોતાના પુત્ર અને તેની પોતાની રમવાની શૈલીઓ વિશે,પ્રીતમ સિવાચે કહ્યું કે તેનો પુત્ર ઝડપથી શીખનાર છે.તે દબાણમાં પણ શાંત રહે છે.હું વધુ આક્રમક ખેલાડી હતો,તેણીએ કહ્યું.તેણીએ કહ્યું કે આ પાછળનું કારણ એ સ્થિતિ હોઈ શકે છે જેમાં અમે બંને રમીએ છીએ.તે ડિફેન્ડર છે.જ્યારે હું સ્ટ્રાઈકર હતો.</p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/cricket/news/rishabh-pants-historic-record-surpassing-adam-gilchrist-to-become-number-1-in-test-cricket" target="_blank"> Rishabh Pant નો ઐતિહાસિક રેકોર્ડ, એડમ ગિલક્રિસ્ટને પાછળ છોડી ટેસ્ટ ક્રિકેટમાં બન્યો નંબર-1</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/P3DXaGssQ6U3XKqDOsKzmdc3t6GpoIdoav8YxsBw.webp'/></item></channel></rss>