<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Kutch ના દરિયાકાંઠે મરીન કમાન્ડોનું સઘન ફુટ પેટ્રોલિંગ, સુરક્ષા વધુ કડક બનાવાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kutch/intensive-foot-patrolling-by-marine-commandos-on-the-coast-of-kutch-security-tightened</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kutch/intensive-foot-patrolling-by-marine-commandos-on-the-coast-of-kutch-security-tightened</guid><pubDate>Sat, 08 Aug 2026 22:54:10 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતના અતિ સંવેદનશીલ ગણાતા કચ્છના દરિયાઈ અને સરહદી વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા અભેદ્ય સુરક્ષા કવચ ઊભું કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સુરક્ષા અને દેશવિરોધી પ્રવૃત્તિઓ પર લગામ કસવાના ભાગરૂપે મરીન કમાન્ડો દ્વારા કચ્છના દરિયાકાંઠે વ્યાપક કોમ્બિંગ અને સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે.મરીન કમાન્ડોની ટુકડીઓ દ્વારા લક્કીનાળાથી લઈને રામેન્દ્રા સુધીના તમામ દરિયાકાંઠાના વિસ્તારોમાં પગપાળા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન માર્ગો પરથી પસાર થતાં શંકાસ્પદ ઈસમો, વાહનો તેમજ દરિયામાં તરતી શંકાસ્પદ બોટોની રોકીને ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત દરિયાકાંઠા નજીક આવેલા ઉજ્જડ અને અવાવરૂ વિસ્તારોને પણ ખૂંદી વળીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.</p><h4><b>ડ્રગ્સ, દાણચોરી અને ઘૂસણખોરી રોકવા મરીન સુરક્ષા વધુ મજબૂત કરી</b></h4><p>કચ્છનો દરિયાકાંઠો ભૌગોલિક રીતે પાકિસ્તાન સરહદ નજીક આવેલો હોવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ઘૂસણખોરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે સંવેદનશીલ માનવામાં આવે છે. દરિયાઈ માર્ગે થતી ડ્રગ્સની હેરાફેરી, દારૂ કે અન્ય વસ્તુઓની દાણચોરી તેમજ આતંકવાદી પ્રવૃત્તિઓને સમૂળગી ડામી દેવાના હેતુથી મરીન સુરક્ષાને વધુ કડક અને સતર્ક કરવામાં આવી છે.</p><h5><b>સરહદી વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર</b></h5><p>આગામી સમયમાં કોઈ પણ અપ્રિય ઘટના ના બને અને કોઈ પણ શંકાસ્પદ તત્વો ભારતીય સીમામાં પ્રવેશી ન શકે તે માટે સુરક્ષા દળો દ્વારા ચોવીસે કલાક બારીક નજર રાખવામાં આવી રહી છે. સ્થાનિક માછીમારો અને કિનારાના રહીશોને પણ કોઈ શંકાસ્પદ હલચલ જણાય તો ત્વરિત સુરક્ષા એજન્સીઓને જાણ કરવા સૂચના આપવામાં આવી છે.</p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/gujarat/news/crime/rajkot/married-woman-commits-suicide-in-gondal-rajkot-suspected-of-cyber-fraud-lost-rs-2-lakh-took-her-life" target="_blank"> Rajkotના ગોંડલમાં પરિણીતાનો આપઘાત, સાયબર ઠગાઈની આશંકા, રૂ. 2 લાખ ગુમાવતા જીવન ટૂંકાવ્યું!</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/Bp95r5nDYWgnBjygervuSLQ47Gn2I2vxEJSJBWJ5.webp'/></item><item><title><![CDATA[Ranchi Protest : રાંચીમાં વિદ્યાર્થીઓનું આંદોલન યથાવત, સરકાર સાથે બીજા તબક્કાની બેઠક નિષ્ફળ ]]></title><link>https://sandesh.com/india/news/ranchi-student-protest-government-talks-exam-irregularities</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ranchi-student-protest-government-talks-exam-irregularities</guid><pubDate>Sat, 08 Aug 2026 22:41:20 +05:30</pubDate><description><![CDATA[<p>ઝારખંડની રાજધાની રાંચીમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કથિત પેપર લીક અને ગેરરીતિઓને લઈને વિદ્યાર્થીઓનું આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે. શનિવારે સરકાર અને આંદોલનકારી વિદ્યાર્થી સંગઠનો વચ્ચે ગતિરોધ દૂર કરવા માટે બીજા તબક્કાની બેઠક યોજાઈ હતી, પરંતુ આ બેઠક પણ કોઈ નક્કર પરિણામ વિના પૂરી થઈ હતી. વિદ્યાર્થીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેમની તમામ મુખ્ય માગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2086111547001299441"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p>શનિવારે ઝારખંડ સરકાર દ્વારા રચાયેલા મંત્રીઓના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ અને વિદ્યાર્થી સંગઠનોના પ્રતિનિધિઓ વચ્ચે ચર્ચા થઈ હતી. સરકાર તરફથી આંદોલન સમાપ્ત કરાવવા અને સમાધાન શોધવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે, વિદ્યાર્થીઓ પોતાની માંગણીઓ પર અડગ રહ્યા હતા. શુક્રવારે મોડી રાત્રે યોજાયેલી પ્રથમ બેઠક પણ નિષ્ફળ રહી હતી.</p><h2><b>રવિવારે ફરી બેઠક</b></h2><p>બે બેઠકો નિષ્ફળ ગઈ હોવા છતાં સરકાર અને વિદ્યાર્થીઓ વચ્ચે વાતચીતના દરવાજા ખુલ્લા છે. મંત્રી સંજય યાદવે જણાવ્યું કે રવિવારે બપોરે 12 વાગ્યે વિદ્યાર્થી પ્રતિનિધિઓ સાથે ફરી બેઠક યોજાશે. આગામી બેઠકમાં સરકાર નવા વિકલ્પો સાથે વિદ્યાર્થીઓને મનાવવાનો પ્રયાસ કરી શકે છે. JPSC અને JSSC સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કથિત પેપર લીક અને ભરતીમાં ગેરરીતિના આરોપોને લઈને વિદ્યાર્થીઓ લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે. તેમની મુખ્ય માંગણીઓમાં પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા, પેપર લીકની ઉચ્ચસ્તરીય તપાસ અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે માત્ર મૌખિક આશ્વાસન નહીં, પરંતુ લેખિત અને નક્કર ગેરંટી જોઈએ.</p><h3><b>જયરામ મહતો કરશે નિર્જળ ઉપવાસ</b></h3><p>આંદોલનને સમર્થન આપવા સ્થાનિક ધારાસભ્ય અને JLKM પ્રમુખ જયરામ મહતોએ 9 ઓગસ્ટે એક દિવસના નિર્જળ ઉપવાસની જાહેરાત કરી છે. તેઓ સવારે 6 વાગ્યાથી જૂના વિધાનસભા પરિસરમાં ઉપવાસ પર બેસશે. જયરામ મહતોએ કહ્યું કે તેઓ વિદ્યાર્થીઓના સમર્થનમાં આ ઉપવાસ કરશે. વિધાનસભા સત્ર પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓના મુદ્દે વધુ મજબૂત આંદોલન કરવાની પણ તેમણે વાત કરી છે. રાજકીય સમર્થન વધતાં રાંચીનું વિદ્યાર્થી આંદોલન વધુ વ્યાપક બનતું જોવા મળી રહ્યું છે.</p><p><a href="https://sandesh.com/india/news/bihar-saharsa-food-poisoning-100-people-ill-puja-prasad" target="_blank"><b>આ પણ વાંચો ; Bihar : સહરસામાં ફૂડ પોઈઝનિંગની આશંકા, પૂજાનો પ્રસાદ ખાધા બાદ 100થી વધુ લોકો બીમાર</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/RaGIe6KGpwKlwNdr3eeFPIPKvRor88s1jIvlOyhV.webp'/></item><item><title><![CDATA[Rajkotના ગોંડલમાં પરિણીતાનો આપઘાત, સાયબર ઠગાઈની આશંકા, રૂ. 2 લાખ ગુમાવતા જીવન ટૂંકાવ્યું! ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/rajkot/married-woman-commits-suicide-in-gondal-rajkot-suspected-of-cyber-fraud-lost-rs-2-lakh-took-her-life</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/rajkot/married-woman-commits-suicide-in-gondal-rajkot-suspected-of-cyber-fraud-lost-rs-2-lakh-took-her-life</guid><pubDate>Sat, 08 Aug 2026 22:37:41 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાંથી એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગોંડલના ગુંદાળા રોડ પર આવેલા શાંતિનગર વિસ્તારમાં રહેતી 40 વર્ષીય પરિણીતાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. પરિણીતાના અચાનક આપઘાતથી પરિવારજનો આઘાતમા સરી પડ્યા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.</p><h2 style="text-align: justify; "><b>દાગીના પર લોન લઈને રૂ. 2 લાખ ઓનલાઈન ગુમાવ્યા</b></h2><p style="text-align: justify; ">બનાવ અંગેની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મૃતક પરિણીતાએ પોતાના સોના-ચાંદીના દાગીના ગિરવે મૂકીને લોન મેળવી હતી. આ લોનમાંથી રૂ. 2 લાખ જેટલી માતબર રકમ તેમણે ઓનલાઈન ગુમાવી દીધી હતી. પરિવારજનોની આશંકા મુજબ પરિણીતા સાયબર ક્રાઈમ અથવા ઓનલાઈન ઠગાઈનો ભોગ બની હતી, જેના કારણે તેઓ છેલ્લા કેટલાક સમયથી ભારે માનસિક તણાવ અને આઘાતમાં જીવી રહ્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>નાણાં ગુમાવ્યાના આઘાતમાં ભર્યું ખોફનાક પગલું</b></h2><p style="text-align: justify; ">ઓનલાઈન ફ્રોડમાં લાખો રૂપિયા ગુમાવ્યા બાદ પરિવાર સામે મોઢું બતાવવામાં કે આર્થિક નુકસાનની ભરપાઈ કરવામાં અસમર્થ અનુભવતા પરિણીતાએ અંતે આ આત્યંતિક પગલું ભરી લીધું હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ પોલીસે પરિવારજનોના નિવેદન નોંધવાની સાથે સાથે મૃતકના મોબાઈલ ફોન અને બેંક એકાઉન્ટની વિગતો મેળવવાની કવાયત હાથ ધરી છે. આ કેસમાં કઈ ઓનલાઈન સાઈટ કે સાયબર ફ્રોડ દ્વારા નાણાં ઓળવી લેવાયા હતા તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/india/news/gujarat/9-august-top-news-and-historical-events-current-affairs" target="_blank">9 August Top News: 9 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/bQMDtNxTv8vGMbLDHQv2IlQmxZfrARolnv0HXpW1.webp'/></item><item><title><![CDATA[Bihar : સહરસામાં ફૂડ પોઈઝનિંગની આશંકા, પૂજાનો પ્રસાદ ખાધા બાદ 100થી વધુ લોકો બીમાર ]]></title><link>https://sandesh.com/india/news/bihar-saharsa-food-poisoning-100-people-ill-puja-prasad</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/bihar-saharsa-food-poisoning-100-people-ill-puja-prasad</guid><pubDate>Sat, 08 Aug 2026 21:43:01 +05:30</pubDate><description><![CDATA[<p>બિહારના સહરસા જિલ્લામાં ફૂડ પોઈઝનિંગની આશંકા વચ્ચે 100થી વધુ લોકો બીમાર પડતા હડકંપ મચી ગયો છે. સિમરી બખ્તિયારપુરના સરડીહા ગામના મધ્ય ટોલામાં સત્યનારાયણ પૂજાનું પ્રસાદ ખાધા બાદ અનેક લોકોની તબિયત બગડી હોવાનું સામે આવ્યું છે. બીમાર લોકોમાં મહિલાઓ, પુરુષો અને બાળકોનો સમાવેશ થાય છે.</p><h2><b>લોકોને ધીમે-ધીમે તબિયત સંબંધિત સમસ્યાઓ શરૂ થઈ</b></h2><p>મળતી માહિતી મુજબ ગુરુવારે સાંજે ગામમાં સત્યનારાયણ ભગવાનની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજા પૂર્ણ થયા બાદ મોટી સંખ્યામાં ગ્રામજનોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, બીજા દિવસથી કેટલાક લોકોને ધીમે-ધીમે તબિયત સંબંધિત સમસ્યાઓ શરૂ થઈ હતી. ત્યારબાદ અનેક ઘરોમાં લોકોને ઉલટી અને ઝાડાની ફરિયાદ થવા લાગી. એકસાથે મોટી સંખ્યામાં લોકો બીમાર પડતાં ગામમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. કેટલાક દર્દીઓની સ્થિતિ વધુ ખરાબ થતાં સ્થાનિક લોકોએ આરોગ્ય વિભાગને જાણ કરી હતી.</p><h3><b>ઘરે-ઘરે પહોંચી મેડિકલ ટીમ</b></h3><p>મામલાની જાણ થતાં સિમરી બખ્તિયારપુર અનુમંડલ હોસ્પિટલની મેડિકલ ટીમને સરડીહા ગામ મોકલવામાં આવી હતી. આરોગ્ય કર્મચારીઓ ગામમાં ઘરે-ઘરે જઈને દર્દીઓની તપાસ અને સારવાર કરી રહ્યા છે. જે લોકોની તબિયત વધુ ખરાબ છે, તેમની સ્થિતિ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. કેટલાક ગ્રામજનો સારવાર માટે ગામની બહારની હોસ્પિટલમાં પણ ગયા હોવાનું જાણવા મળ્યું છે.</p><h4><b>બીમારીનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે</b></h4><p>હાલમાં મોટાભાગના અસરગ્રસ્તોમાં ઉલટી અને ઝાડાના લક્ષણો જોવા મળી રહ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે પ્રસાદ ગ્રહણ કર્યા બાદ જ લોકોની તબિયત બગડવાની શરૂઆત થઈ હતી. જોકે, બીમારીનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. આ ઘટનામાં કોઈ એક વયજૂથના લોકો નહીં, પરંતુ બાળકો સહિત વિવિધ ઉંમરના લોકો અસરગ્રસ્ત થયા છે. મોટી સંખ્યામાં લોકો બીમાર પડતાં આરોગ્ય વિભાગની ટીમ સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહી છે અને બીમારીના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/mohan-bhagwat-india-pakistan-relations-permanent-hostility-dialogue" target="_blank">આ પણ વાંચો : RSS પ્રમુખ મોહન ભાગવતનું ભારત-પાકિસ્તાન સંબંધો પર મોટું નિવેદન, કહ્યું- કાયમી દુશ્મની....</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/1KBQJMFfU20YlcyjfLlJ9gVDC5Ru5gADZgAEtPcM.webp'/></item><item><title><![CDATA[Amreli News: ધારીના ખોડિયાર ડેમમાંથી મળી યુવકનો મૃતદેહ, પોલીસે વધુ તપાસ હાથ ધરી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/amreli-news-body-of-a-young-man-found-in-khodiyar-dam-in-dhari-police-launch-investigation</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/amreli-news-body-of-a-young-man-found-in-khodiyar-dam-in-dhari-police-launch-investigation</guid><pubDate>Sat, 08 Aug 2026 20:42:11 +05:30</pubDate><description><![CDATA[<p>અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલ પ્રસિદ્ધ ખોડિયાર ડેમમાંથી આજે એક યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ભારે ચકચાર મચી જવા પામી છે. ડેમના પાણીમાં મૃતદેહ તરતો હોવાની જાણ થતાં જ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને આ અંગે તુરંત જ પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી.</p><h4><b>મૃતક યુવકની ઓળખ છતડીયા ગામના મહેશ બોડિલા તરીકે થઈ</b></h4><p>ઘટનાની જાણ થતાં જ ધારી પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે સ્થાનિકોની મદદથી મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. પ્રાથમિક તપાસ અને શનાખત દરમિયાન મૃતક યુવકની ઓળખ ધારી તાલુકાના જ છતડીયા ગામના રહેવાસી મહેશ બોડિલા તરીકે થઈ છે. યુવકનો મૃતદેહ મળી આવવાના સમાચારથી તેમના પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.</p><h5><b>પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી</b></h5><p>પોલીસે ઘટનાસ્થળે જરૂરી કાગળિયા અને પંચનામું કરીને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે ધારીની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે. આ ઘટના અકસ્માતે ડૂબી જવાથી બની છે, આત્મહત્યા છે કે પછી અન્ય કોઈ કારણ સરજાયું છે, તે દિશામાં ધારી પોલીસે ગુનો નોંધીને ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.</p><h5><b>અકસ્માત, આપઘાત કે હત્યા? પોલીસે તપાસ શરૂ કરી</b></h5><p>આ યુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે, તેણે આપઘાત કર્યો છે કે પછી અન્ય કોઈ શંકાસ્પદ કારણ છે, તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે. ઘટનાને પગલે વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/jafrabad-lion-attack-victim-family-gets-10-lakh-compensation" target="_blank">Amreli News: જાફરાબાદમાં સિંહના હુમલામાં જીવ ગુમાવનારના પરિવારને 10 લાખની સહાય</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/gMBeFsadt90wN7RKi87rTZFHn9pSBNaC6zgb6jPU.webp'/></item><item><title><![CDATA[Ahmedabadમાં 11 ઓગસ્ટે યોજાશે ભવ્ય તિરંગા યાત્રા, અમદાવાદ પોલીસનું ટ્રાફિક અંગે જાહેરનામું ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/grand-tiranga-yatra-to-be-held-in-ahmedabad-on-august-11-ahmedabad-police-issues-traffic-notification</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/grand-tiranga-yatra-to-be-held-in-ahmedabad-on-august-11-ahmedabad-police-issues-traffic-notification</guid><pubDate>Sat, 08 Aug 2026 20:31:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં આવનારી 11 ઓગસ્ટના રોજ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તિરંગા યાત્રા રાયપુર દરવાજાથી શરૂ થઈને સરસપુર સુધીના નિર્ધારિત રૂટ પર નીકળશે. યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં નાગરિકો અને વિવિધ સંગઠનો જોડાવાના હોવાથી કાયદો-વ્યવસ્થા અને વાહનવ્યવહારની સુચારૂ વ્યવસ્થા જાળવી રાખવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>રાયપુરથી સારંગપુર વચ્ચે વાહનવ્યવહાર પર પ્રતિબંધ</b></h2><p style="text-align: justify; ">જાહેરનામામાં જણાવ્યા અનુસાર, યાત્રાના સમયે રાયપુર દરવાજાથી લઈને સારંગપુર વચ્ચેનો મુખ્ય રોડ તમામ પ્રકારના સામાન્ય વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. આ રૂટ પરથી પસાર થતા વાહનચાલકોને કોઈ મુશ્કેલી ન પડે અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાય નહીં તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા</b></h2><p style="text-align: justify; ">તિરંગા યાત્રા દરમિયાન રાયપુર-સારંગપુર રૂટ બંધ રહેવાનો હોવાથી વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સુચના આપવામાં આવી છે. ટ્રાફિક પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ જાહેરનામામાં દર્શાવેલા ડાયવર્ઝન રૂટનો ઉપયોગ કરે જેથી કરીને સમયનો બગાડ ન થાય. આ વિસ્તારમાંથી પસાર થતાં પહેલાં ટ્રાફિક પોલીસ દ્વારા સૂચવવામાં આવેલા અન્ય માર્ગો પરથી મુસાફરી કરવા અનુરોધ કરાયો છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/surat/surat-news-liquor-party-caught-at-farmhouse-in-kamrej-lcb-raids-applepool-villa" target="_blank">Surat News : કામરેજમાં ફાર્મહાઉસ પર દારૂની મહેફિલ ઝડપાઈ, એપલપુલ વિલા પર LCBનો દરોડો</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/LFXixW2FeBozllAPpim4GezSJltJeX7IuvYf4fyd.webp'/></item><item><title><![CDATA[Surat News : કામરેજમાં ફાર્મહાઉસ પર દારૂની મહેફિલ ઝડપાઈ, એપલપુલ વિલા પર LCBનો દરોડો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/surat-news-liquor-party-caught-at-farmhouse-in-kamrej-lcb-raids-applepool-villa</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/surat-news-liquor-party-caught-at-farmhouse-in-kamrej-lcb-raids-applepool-villa</guid><pubDate>Sat, 08 Aug 2026 20:01:43 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલા હલધરૂ ગામમાં વિદેશી દારૂની મહેફિલ માણી રહેલા શોખીનો પર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે ત્રાટકીને મોટો પર્દાફાશ કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે LCBની ટીમે હલધરૂ ગામમાં આવેલા 'એપલપુલ વિલા' નામના ફાર્મહાઉસ પર અચાનક દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ફાર્મહાઉસમાં મોટા પાયે વિદેશી દારૂ સાથે મહેફિલ ચાલી રહી હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસે સ્થળ પરથી દારૂનો જથ્થો અને અન્ય સામાન જપ્ત કર્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>એપલપુલ વિલા ફાર્મહાઉસમાંથી 9 નબીરાઓ ઝડપાયા</b></h2><p style="text-align: justify; ">ફાર્મહાઉસમાં દરોડા દરમિયાન પોલીસને જોઈને દારૂની મહેફિલ માણી રહેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. LCBની ટીમે સ્થળ પરથી વિદેશી દારૂની ચુસ્કીઓ મારતા અને ધમાલ મચાવતા 9 નબીરાઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પકડાયેલા તમામ આરોપીઓ પૈસાદાર પરિવારના હોવાનું સામે આવ્યું છે. પોલીસે તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની ધાકધમકી વગર કડક કાર્યવાહી હાથ ધરી છે.</p><h2 style="text-align: justify; "><b>મહેફિલનું આયોજન કરનાર સહિત 10 વોન્ટેડ</b></h2><p style="text-align: justify; ">આ હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટીનું આયોજન કરનાર મુખ્ય સૂત્રધાર તેમજ દારૂનો જથ્થો પૂરો પાડનારાઓ સહિત કુલ 10 શખ્સોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. આ મામલે સુરત ગ્રામ્ય પોલીસે ગુનો નોંધીને તમામ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ફાર્મહાઉસ માલિકની સંડોવણી તેમજ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ આદરી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-news-metro-train-will-run-up-to-dholera-airport-metro-phase-3-will-get-approval-soon-to-increase-connectivity" target="_blank">Ahmedabad News : ધોલેરા એરપોર્ટ સુધી દોડશે મેટ્રો ટ્રેન, કનેક્ટિવિટી વધારવા મેટ્રો ફેઝ-3ને ટૂંક સમયમાં મળશે મંજૂરી</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/Cxe5ovAr53RSTCAjNArIYCpwIxihRt2vdhPVdVHK.webp'/></item><item><title><![CDATA[Lionel Messiના પિતાનું 68 વર્ષની વયે થયું અવસાન, લાંબા સમયથી હતા બીમાર ]]></title><link>https://sandesh.com/sports/news/lionel-messi-father-jorge-messi-passes-away</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/lionel-messi-father-jorge-messi-passes-away</guid><pubDate>Sat, 08 Aug 2026 19:54:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફૂટબોલની દુનિયાના મહાન ખેલાડીઓમાંના એક લિયોનેલ મેસ્સી એક મોટી દુર્ઘટનાનો સામનો કરી રહ્યા છે, તેના પિતા જોર્જ મેસ્સીનું 68 વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન થયું છે. જોર્જ મેસ્સી લાંબા સમયથી બીમાર હતા, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.&nbsp;</p><p style="text-align: justify; ">ફિફા વર્લ્ડકપ દરમિયાન મેસ્સી પણ તેના પિતાના સ્વાસ્થ્ય વિશે ખૂબ ચિંતિત જોવા મળ્યો હતો. તેના પિતા જોર્જ મેસ્સીને સફળ ફૂટબોલ ખેલાડી બનાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, તેમને લાંબા સમય સુધી પુત્રના એજન્ટ તરીકે પણ કામ કર્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>પિતાના સંઘર્ષને કારણે મેસ્સી એક સફળ ફૂટબોલર બન્યો</b></h2><p style="text-align: justify; ">પિતાનું મૃત્યુ લિયોનેલ મેસ્સી માટે એક મોટા આઘાતથી ઓછું નથી, કારણ કે તેના પિતા જોર્જ મેસ્સીએ તેને એક મહાન ફૂટબોલર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. મેસ્સી બાળપણમાં ગ્રોથ હોર્મોનની ઉણપથી પીડાતા હતા, જેને સારવારની જરૂર હતી. તેના પિતા જોર્જે તેમના પુત્રને જરૂરી સારવાર મળે તે સુનિશ્ચિત કરવા માટે કોઈ કસર છોડી ન હતી. બાળપણમાં મેસ્સી ન્યુવેલની ઓલ્ડ બોયઝ યુવા ટીમ માટે રમ્યો હતો.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/YKoluwaseun9/status/2086053507904196798"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p style="text-align: justify; ">ફિફા વર્લ્ડકપ 2026 દરમિયાન લિયોનેલ મેસ્સીએ ઉલ્લેખ કર્યો હતો કે તેનો પરિવાર મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, પરંતુ તેને તેમના પિતાની સ્થિતિ વિશે કોઈ ચોક્કસ વિગતો આપી ન હતી. આ પછી તેના પરિવાર દ્વારા જાહેર કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે જોર્જ મેસ્સી હાલમાં સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે અને ડોકટરોની દેખરેખ હેઠળ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>અલ્જીરિયા સામેની વર્લ્ડ કપ મેચ દરમિયાન મેસ્સી ભાવુક થયો હતો</b></h3><p style="text-align: justify; ">ફિફા વર્લ્ડકપ 2026માં લિયોનેલ મેસ્સીની કેપ્ટનશીપ હેઠળ આર્જેન્ટિનાની ટીમ ફાઈનલમાં પહોંચવામાં સફળ રહી, પરંતુ ટાઈટલ મેચમાં સ્પેન સામે 1-0થી હારી ગઈ. વર્લ્ડકપમાં અલ્જીરિયા સામે ગ્રુપ સ્ટેજ મેચમાં ગોલ કર્યા પછી લિયોનેલ મેસ્સી ખૂબ જ ભાવુક થઈ ગયો.</p><p style="text-align: justify; ">મેચ પછી રડવાનું કારણ પૂછવામાં આવતા મેસ્સીએ જવાબ આપ્યો કે મારા રડવાનો ફૂટબોલ સાથે કોઈ સંબંધ નથી, છેલ્લા કેટલાક દિવસો મારા માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. તમને જણાવી દઈએ કે ફિફા વર્લ્ડકપ 2026માં સૌથી વધુ ગોલ કરવાના મામલે તે બીજા સ્થાને હતો, જેમાં તે ફક્ત કાયલિયન એમબાપ્પેથી પાછળ હતો.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/7UsaohX88EglI5pYE3eXIJZMEmPzazR62F3vdzz4.webp'/></item><item><title><![CDATA[UPI પેમેન્ટ કરવા પર યુઝર્સે ચુકવવો પડશે કોઈ ચાર્જ? ફોન પેના CEOએ કરી આ સ્પષ્ટતા ]]></title><link>https://sandesh.com/india/news/business/upi-payment-charges-phonepe-ceo-sameer-nigam-clarification</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/upi-payment-charges-phonepe-ceo-sameer-nigam-clarification</guid><pubDate>Sat, 08 Aug 2026 19:16:18 +05:30</pubDate><description><![CDATA[<p>UPI પેમેન્ટને લઈને ગ્રાહકોમાં ચાર્જ લાગવાની ચર્ચા વચ્ચે PhonePeના CEO સમીર નિગમે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ભારતીય ગ્રાહકો પાસેથી UPI દ્વારા પેમેન્ટ કરવા માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ પણ જણાવ્યું છે કે ગ્રાહકો અને નાના વેપારીઓ માટે UPIનો ઉપયોગ હાલની જેમ મફત રહેશે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/_sameernigam/status/2085983802778583313"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>CEO સમીર નિગમે કહ્યું UPI ભારતીય ગ્રાહકો માટે....</b></h2><p>PhonePeના સ્થાપક અને CEO સમીર નિગમે UPI ચાર્જ અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે UPI ભારતીય ગ્રાહકો માટે મફત છે અને આગળ પણ મફત રહેશે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે UPI સહિતના ડિજિટલ પેમેન્ટ માધ્યમો પર ભવિષ્યમાં ચાર્જ લગાવવાની શક્યતા અંગે ચર્ચા ચાલી રહી છે.</p><h3><b>નવા કાયદા બાદ કેમ થઈ ચર્ચા?</b></h3><p>લોકસભાએ Payment and Settlement Systems Act, 2007માં સુધારા સાથે જોડાયેલું બિલ પસાર કર્યું છે. આ સુધારા હેઠળ સરકારને બેન્કો અને અન્ય પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સને UPI તથા સૂચિત ઇલેક્ટ્રોનિક પેમેન્ટ માધ્યમો પર ચાર્જ લગાવવાની મંજૂરી આપવાની સત્તા મળી શકે છે. આ જ કારણોસર UPI પર ચાર્જ લાગવાની ચર્ચા તેજ બની હતી. જોકે, પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ સ્પષ્ટ કર્યું છે કે હાલ ગ્રાહકો અને નાના વેપારીઓ માટે UPI સેવાઓ મફત રહેશે.</p><h4><b>નાના વેપારીઓને પણ રાહત</b></h4><p>પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના જણાવ્યા મુજબ, કરિયાણાની દુકાનો સહિતના નાના વેપારીઓને પણ UPI પેમેન્ટ સ્વીકારવા માટે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ચૂકવવો નહીં પડે. સંસ્થાએ કહ્યું કે હાલની ચર્ચા UPIના માળખાને લાંબા ગાળે આર્થિક રીતે ટકાઉ બનાવવાના મોડલ પર કેન્દ્રિત છે. આથી હાલમાં UPI વપરાશકર્તાઓને પેમેન્ટ પર સીધો ચાર્જ ચૂકવવાનો નથી. સરકાર અને સંબંધિત સંસ્થાઓનું ધ્યાન ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને સુરક્ષિત અને ટકાઉ બનાવવાની દિશામાં છે.</p><p><a href="https://sandesh.com/business/news/big-change-in-epfo-new-rules-of-epf-eps-and-edli-implemented-know-8-major-changes" target="_blank"><b>આ પણ વાંચો : EPFO માં મોટો બદલાવ: EPF, EPS અને EDLI ના નવા નિયમો લાગુ, જાણો 8 મુખ્ય ફેરફારો</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/8W3L0Zar3vnDI9AsGCljcemsoGSdV9U8npTGLLzS.webp'/></item><item><title><![CDATA[Bollywood : એક ડાયરેક્ટરે બનાવ્યો ઇમરાન હાશ્મીને સ્ટાર, બોક્સ ઓફિસ પર મચાવી દીધી હતી ધૂમ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/emraan-hashmi-lucky-director-5-films</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/emraan-hashmi-lucky-director-5-films</guid><pubDate>Sat, 08 Aug 2026 17:32:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડ એક્ટર ઈમરાન હાશ્મીએ છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાની કરિયરમાં મોટા બદલાવ કર્યા છે. આ દરમિયાન એક્ટરે વધુ કન્ટેન્ટ ઓરિએન્ટેડ ફિલ્મોમાં કામ કર્યું છે. જ્યારે કેટલીક ફિલ્મોમાં તેમણે પોતાના નેગેટિવ રોલથી લોકોને ચોંકાવ્યા પણ છે. હવે ઈમરાન હાશ્મીની આવારાપન 2 આવી રહી છે. આ ફિલ્મની ખાસ વાત એ છે કે તેમાં તેઓ ફરી એકવાર 2000ના દાયકાવાળા અંદાજમાં જોવા મળવાના છે. ફિલ્મનું ટ્રેલર જોયા બાદ લોકો પણ આવી જ વાતો કરતા જોવા મળી રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>મોહિત સૂરી અને ઈમરાન હાશ્મીએ સાથે કઈ ફિલ્મો કરી?</b></h2><p style="text-align: justify; ">મોહિત સૂરીએ 2000ના દાયકામાં ઈમરાન હાશ્મી સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ સફરની શરૂઆત વર્ષ 2005માં આવેલી ઝહેર ફિલ્મથી થઈ હતી. રિપોર્ટ્સ મુજબ આ ફિલ્મનું બજેટ 5 કરોડ રૂપિયા હતું અને ફિલ્મે 13 કરોડ રૂપિયાના કલેક્શન સાથે હિટનો દરજ્જો મેળવ્યો હતો. ત્યારબાદ આ જોડી કલયુગ ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મનું બજેટ 4 કરોડ રૂપિયા હતું અને તેની સરખામણીએ ફિલ્મે 10 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને હિટ રહી હતી.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dbr9TN0s561/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dbr9TN0s561/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dbr9TN0s561/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dbr9TN0s561/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><p style="text-align: justify; ">ત્યારબાદ આવારાપન ફિલ્મનો નંબર આવે છે. આ ફિલ્મ વર્ષ 2007માં આવી હતી. રિપોર્ટ્સ મુજબ 18 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મ માત્ર 12 કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકી હતી. ફિલ્મ ફ્લોપ રહી હતી, પરંતુ બાદમાં તેને કલ્ટ ક્લાસિકનો દરજ્જો મળ્યો હતો. ત્યારબાદ રાજ ફિલ્મ આવી હતી. તેનું બજેટ 18 કરોડ રૂપિયા હતું અને રિપોર્ટ્સ મુજબ ફિલ્મે 38 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મ સુપરહિટ રહી હતી.</p><h3 style="text-align: justify; "><b>છેલ્લી ફિલ્મ બની બ્લોકબસ્ટર</b></h3><p style="text-align: justify; ">ત્યારબાદ બંનેએ સાથે મળીને ક્રૂક ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ રહી હતી. જ્યારે મર્ડર 2ની વાત કરીએ તો આ બંનેની સાથે આવેલી છેલ્લી ફિલ્મ હતી. રિપોર્ટ્સ મુજબ 13 કરોડ રૂપિયાના બજેટ સામે આ ફિલ્મ 65 કરોડ રૂપિયાથી વધુ કમાવવામાં સફળ રહી હતી અને બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. ત્યારબાદ બંનેએ સાથે કોઈ ફિલ્મ બનાવી નથી. હવે ઈમરાન હાશ્મી આવારાપન 2 લઈને આવી રહ્યા છે. આ ફિલ્મ 14 ઓગસ્ટ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/pradeep-rawat-prayer-meet-son-vikram-emotional" target="_blank">આ પણ વાંચો-Pradeep Rawatની પ્રેયર મીટમાં પુત્ર વિક્રમ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો, પિતાને યાદ કરીને હાથ-પગ ધ્રૂજવા લાગ્યા</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/n41UCduQoBdRApGtRDgIGRg7WTzhUglPDZUtRfx4.webp'/></item></channel></rss>