<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Dhrangadhra: ધ્રાંગધ્રા ગ્રામ્યમાં સાસુ-વહુએ દીવાલ પાડી 70 હજાર રૂપીયાનું નુકશાન કર્યાની ફરિયાદ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dhrangadhra/dhrangadhra-complaint-of-mother-in-law-and-daughter-in-law-damaging-a-wall-in-dhrangadhra-village-causing-a-loss-of-70-thousand-rupees</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dhrangadhra/dhrangadhra-complaint-of-mother-in-law-and-daughter-in-law-damaging-a-wall-in-dhrangadhra-village-causing-a-loss-of-70-thousand-rupees</guid><pubDate>Tue, 11 Aug 2026 01:35:03 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરેન્દ્રનગર (બ્યુરો) : ધ્રાંગધ્રા તાલુકાના બાવળી ગામે રહેતા 24 વર્ષીય જગદીશભાઈ દેવજીભાઈ રાઠોડ મજુરી કામ કરે છે. તેમની બાજુમાં તેમના દાદી રયાબેન વશરામભાઈ રાઠોડ અને કાકી હંસાબેન નરોત્તમભાઈ રાઠોડ રહે છે. જગદીશભાઈના જુના ઘર પાસે નવુ ઘર બનાવવાનું કામ ચાલુ હોઈ તા.18-7-26ના રોજ દીવાલ ચણી હતી. જયારે તા. 24-7ના રોજ ગ્રામ પંચાયતમાં કામ હોઈ જગદીશભાઈ જતા આ દીવાલ કોશના ઘા કરીને રયાબેન અને હંસાબેને પાડી દીધી હતી. આ બાબતે જગદીશભાઈના બનેવી ગીરીશભાઈએ રયાબેનને ફોન કરતા તેઓએ અપશબ્દો કહી આ દીવાલ અમોએ જ પાડી છે, અહીં કોઈ મકાન અમો બનાવવા દેવાના નથી તેવી ધમકી આપી હતી. આથી ધમકી આપ્યાની અને દીવાલ પાડી રૂપીયા 70 હજારનું નુકશાન કર્યાની ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે 2 મહિલાઓ સામે ફરિયાદ નોંધાઈ છે. આ અંગે વધુ તપાસ એએસઆઈ બી.જે.સોલંકી ચલાવી રહ્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; ">&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/DVDTf6fS7ixugTD52UdlLiyMxeZ9HyO41bcIc9zA.webp'/></item><item><title><![CDATA[Lakhtar: લખતરમાં આવેલ ભાવ ગુરૂ વિદ્યાલય ખાતે સિંહ દિવસની ઉજવણી કરાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/lakhtar/lakhtar-lion-day-was-celebrated-at-bhav-guru-vidyalaya-in-lakhtar</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/lakhtar/lakhtar-lion-day-was-celebrated-at-bhav-guru-vidyalaya-in-lakhtar</guid><pubDate>Tue, 11 Aug 2026 01:34:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">લખતર । (સં.ન્યુ.સ.) : લખતર રેલવે સ્ટેશન રોડ પર આવેલ આ ગુરુ વિદ્યાલય ખાતે આજરોજ તારીખ 10-08-2026 ને સોમવારના રોજ શાળામાં સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દરેક ધોરણના વિદ્યાર્થીઓને સિંહના મોરા આપી સિંહના અવાજો કઢાવી અને સિંહના જ તન માટે પણ સૂચનો કરવામાં આવ્યા સૂત્રોચાર સાથે કેમ્પસમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું બાળકોમાં અનેરો ઉત્સાહ જોઈ સિંહ દિવસને ખૂબ જ સરસ રીતે બાળકોએ મોટીવેટ કર્યો હતો. આ દિવસને સફ્ળ બનાવવા માટે આદર્શ પ્રાથમિક શાળા ના આચાર્ય વનરાજભાઈ ચાવલિયા તેમજ ભાવગુરુ વિદ્યાલયના દરેક સ્ટાફ્ મિત્રોએ ખૂબ જ સહકાર આપી આ રેલીને સફ્ળ બનાવવા ભારે જેહેમત ઉઠાવી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/ahIuOqnSP9FjqMLWgcDG1zzadJI9kGzU1i052vy9.webp'/></item><item><title><![CDATA[India-Thailand Meeting : ડિજિટલ સહયોગ અને ઓનલાઈન ફ્રોડ સામે લડતને લઈને બંને દેશો વચ્ચે ચર્ચા ]]></title><link>https://sandesh.com/india/news/india-thailand-meeting-digital-cooperation-online-fraud-tourists</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/india-thailand-meeting-digital-cooperation-online-fraud-tourists</guid><pubDate>Mon, 10 Aug 2026 23:44:05 +05:30</pubDate><description><![CDATA[<p>થાઈલેન્ડમાં ભારતના રાજદૂત પુનીત અગ્રવાલે સોમવારે થાઈલેન્ડના ડિજિટલ ઈકોનોમી એન્ડ સોસાયટી મંત્રી ચૈયાનોક ચિદચોબ સાથે મુલાકાત કરી. બંને વચ્ચે ભારત અને થાઈલેન્ડ વચ્ચે ડિજિટલ ક્ષેત્રમાં સહયોગ વધારવા, ઓનલાઈન ફ્રોડ સામે સંયુક્ત રીતે કાર્યવાહી કરવા અને પ્રવાસીઓ માટે ડિજિટલ વ્યવસ્થાઓને વધુ સરળ બનાવવા અંગે મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/IndiainThailand/status/2086678278228820072"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>દ્વિપક્ષીય કરાર અંગે કરાઈ ચર્ચા</b></h2><p>ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે રાજદૂત પુનીત અગ્રવાલે થાઈ મંત્રી સાથે શિષ્ટાચાર મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન બંને પક્ષોએ ડિજિટલ ટેક્નોલોજી અંગેના હાલના દ્વિપક્ષીય કરાર હેઠળ સહયોગ વધારવા અંગે વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. આ ઉપરાંત ઓનલાઈન સ્કેમ અને સાયબર ફ્રોડ સામે લડવા માટે બંને દેશો વચ્ચે અનુભવ અને શ્રેષ્ઠ પદ્ધતિઓ શેર કરવા અંગે પણ ચર્ચા થઈ હતી.</p><h3><b>ભારત-થાઈલેન્ડ સંબંધોમાં મહત્વપૂર્ણ પગલું</b></h3><p>બેઠકમાં પ્રવાસીઓ માટે ડિજિટલ ઈકોસિસ્ટમને એકબીજા સાથે જોડીને મુસાફરીની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા અંગે પણ વાતચીત કરવામાં આવી હતી. બંને દેશો વચ્ચે ડિજિટલ ક્ષેત્રે સહયોગ વધારવાના પ્રયાસોને ભારત-થાઈલેન્ડ સંબંધોમાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.</p><p>આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે બંને દેશો વિવિધ ક્ષેત્રોમાં વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે. ગયા મહિને રાજદૂત અગ્રવાલે થાઈલેન્ડના ડેપ્યુટી PM અને પરિવહન મંત્રી ફિફાત રત્ચકિતપ્રકર્ણ સાથે પણ મુલાકાત કરી હતી. તેમાં દરિયાઈ, હવાઈ અને રોડ કનેક્ટિવિટી વધારવા તેમજ પ્રવાસન અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવા અંગે ચર્ચા થઈ હતી.</p><h4><b>થાઈલેન્ડ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ સાથે પણ મુલાકાત કરી</b></h4><p>ભારત અને થાઈલેન્ડના સંબંધોને એપ્રિલ 2025માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેંગકોક મુલાકાત દરમિયાન સ્ટ્રેટેજિક પાટર્નરશીપના સ્તરે ઉન્નત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અગ્રવાલે થાઈલેન્ડના વિદેશ મંત્રાલયના અધિકારીઓ અને થાઈલેન્ડ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ સાથે પણ મુલાકાત કરી હતી. બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ, પ્રવાસન અને લોકો વચ્ચેના સંપર્કને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.</p><p><b><a href="https://sandesh.com/world/news/political-news/nepal-india-relations-why-did-nepal-pm-balen-shahs-attitude-soften-changed-diplomacy-towards-india" target="_blank">આ પણ વાંચો : Nepal India Relations: નેપાળના પીએમ બાલેન શાહના તેવર કેમ પડ્યા નરમ? ભારત પ્રત્યે બદલાયી કૂટનીતિ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/v4MnOMP0UXY3W4S0LeL3XYZQngLrKB4YYWRhOPzq.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: ઓઢવના સ્મશાનમાં ટાયર બાળીને અંતિમ વિધિ કરનારી સંસ્થાને બ્લેક લિસ્ટ કરાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-blacklists-agency-for-burning-tyres-during-cremation-at-odhav-crematorium</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-blacklists-agency-for-burning-tyres-during-cremation-at-odhav-crematorium</guid><pubDate>Mon, 10 Aug 2026 23:09:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">શહેરના ઓઢવ સ્મશાન ગૃહમાં મૃતદેહની અંતિમવિધિ માટે લાકડાના બદલે ટાયરો અને જૂના ગોદડાંનો ઉપયોગ કરવાના ગંભીર કિસ્સામાં આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાર્યવાહી કરી છે.લાકડા સપ્લાય કરતી એજન્સી શ્રી વિવેકાનંદ ગ્રામઉદ્યોગ સેવા સંઘને કરારની શરતોનો ભંગ કરવા બદલ 1 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવી છે.જોકે,આ સંસ્થાના પ્રમુખ ભાજપના પૂર્વ કોર્પોરેટર હોવાથી તેમને છાવરવા માટે વિલંબ કરાયો હોવાના અને માત્ર એક જ વર્ષની નહિવત સજા ફાળવાઈ હોવાના આરોપો પણ સામે આવ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>13 જુલાઈએ નિર્ણય ટાળ્યા બાદ આખરે દરખાસ્ત મંજૂર</b></h2><p style="text-align: justify; ">અગાઉ 13મી જુલાઈના રોજ હેલ્થ કમિટીના ચેરમેન દીપક પંચાલે ચર્ચાના બહાને આ દરખાસ્તને તાકીદે મંજૂર કરવાના બદલે નિર્ણય ટાળી દીધો હતો. વિપક્ષી સૂત્રો અને સ્થાનિકોના આક્ષેપ મુજબ,સંસ્થા સાથે ભાજપના જ પૂર્વ નેતા જોડાયેલા હોવાથી કમિટી દ્વારા લાંબા સમય સુધી તેમને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.સતત ઉઠેલા વિરોધ અને એક મહિનાની વિચારણા બાદ આખરે હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી દ્વારા આ દરખાસ્તને આખરી મંજૂરી આપવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>હવે એક વર્ષ સુધી ટેન્ડર પ્રક્રિયામાં ભાગ નહીં લઈ શકે</b></h2><p style="text-align: justify; ">હેલ્થ કમિટીના ચેરમેન દીપક પંચાલે જણાવ્યું હતું કે, સંસ્થા સામે શરતોના ભંગ અને લોકહિત વિરુદ્ધની કામગીરી અંગે અનેક લેખિત તથા મૌખિક ફરિયાદો મળી હતી. બ્લેકલિસ્ટ કરાતાં હવે આ સંસ્થા કે તેની સાથે સંબંધિત સભ્યોની અન્ય કોઈ સંસ્થા આગામી 1 વર્ષ સુધી કોર્પોરેશનના કોઈપણ ટેન્ડરમાં ભાગ લઈ શકશે નહીં. હાલ સ્મશાન ગૃહમાં સૂકા જલાઉ લાકડા પૂરા પાડવા માટે નવી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-food-department-seizes-1500kg-lollipop-hirawadi-raid" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad: હીરાવાડીમાં ગંદકી વચ્ચે બનતી 1500 કિલો લોલીપોપનો જથ્થો AMC ફૂડ વિભાગે જપ્ત કર્યો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/SD2om1jFqnEMoGV8zClwYXxvMcIhptTtKcLOZjKq.webp'/></item><item><title><![CDATA[Phuket-Delhi ફ્લાઈટમાં ગંભીર હવાઈ આંચકા બાદ તપાસ તેજ, એરબસની નિષ્ણાત ટીમ કરશે મદદ ]]></title><link>https://sandesh.com/world/news/india/air-india-phuket-delhi-flight-turbulence-airbus-investigation</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/india/air-india-phuket-delhi-flight-turbulence-airbus-investigation</guid><pubDate>Mon, 10 Aug 2026 23:01:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">એર ઈન્ડિયાની ફૂકેતથી દિલ્હી જતી ફ્લાઈટમાં 4 ઓગસ્ટે ગંભીર હવાઈ આંચકા એટલે કે ભારે એર ટર્બ્યુલન્સનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાને લઈને હવે વિમાન નિર્માતા કંપની એરબસ પણ તપાસમાં સહયોગ આપી રહી છે. એરબસે જણાવ્યું છે કે તે સંબંધિત તપાસ સત્તાવાળાઓને ટેક્નિકલ સહાય પૂરી પાડી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>નિષ્ણાતોની એક ટીમ પણ મોકલવામાં આવી</b></h2><p style="text-align: justify; ">એરબસના જણાવ્યા અનુસાર, આ સહાય International Civil Aviation Organization (ICAO)ના Annex 13 હેઠળ આપવામાં આવી રહી છે. કંપનીએ કહ્યું કે તે એરલાઈનને પણ તપાસમાં સક્રિય રીતે મદદ કરી રહી છે અને આગળની માહિતી ઉપલબ્ધ થશે તેમ શેર કરવામાં આવશે.</p><p style="text-align: justify; "> </p><p style="text-align: justify; "> એરબસે વધુમાં જણાવ્યું છે કે તપાસમાં સહાય માટે નિષ્ણાતોની એક ટીમ પણ મોકલવામાં આવી રહી છે. આ ટીમ ઘટનાની ટેક્નિકલ વિગતો સમજવામાં અને તપાસ સત્તાવાળાઓને જરૂરી સહયોગ આપવામાં મદદ કરશે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2086848628044489048"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3 style="text-align: justify; "><b>ફ્લાઈટને હવાઈ આંચકાનો સામનો કરવો પડ્યો</b></h3><p style="text-align: justify; ">4 ઓગસ્ટની આ ઘટનામાં ફ્લાઈટને હવાઈ આંચકાનો સામનો કરવો પડ્યો હતો. સામાન્ય રીતે ગંભીર ટર્બ્યુલન્સ દરમિયાન વિમાનમાં અચાનક ઉપર-નીચે અથવા બાજુ તરફ હલનચલન થઈ શકે છે. આવી સ્થિતિમાં મુસાફરો અને ક્રૂને ઈજા થવાનું જોખમ રહે છે. ઘટનાની તપાસમાં વિમાનની સ્થિતિ, ફ્લાઈટ દરમિયાન હવામાનની પરિસ્થિતિ, ટર્બ્યુલન્સની તીવ્રતા અને અન્ય ઓપરેશનલ પાસાઓની તપાસ થઈ શકે છે.  એરબસની ટેક્નિકલ ટીમ પણ સંબંધિત સત્તાવાળાઓને આ બાબતોના મૂલ્યાંકનમાં મદદ કરશે.</p><h4 style="text-align: justify; "><b>ઘટનાની સંપૂર્ણ વિગતો સામે આવશે</b></h4><p style="text-align: justify; ">એરબસે સ્પષ્ટ કર્યું છે કે તપાસ હજુ ચાલી રહી છે અને વધુ માહિતી સત્તાવાર રીતે ઉપલબ્ધ થયા બાદ જ ઘટનાની સંપૂર્ણ વિગતો સામે આવશે. હાલમાં કંપની સંબંધિત તપાસ એજન્સીઓ અને એર ઈન્ડિયા સાથે સંકલન કરીને જરૂરી ટેક્નિકલ સહાય પૂરી પાડી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર હવાઈ મુસાફરી દરમિયાન ગંભીર ટર્બ્યુલન્સ સામે મુસાફરોની સુરક્ષા અને ફ્લાઇટ ઓપરેશન અંગે ધ્યાન ખેંચ્યું છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/world/pm-modi-benjamin-netanyahu-phone-call-west-asia-discussion" target="_blank">PM મોદી અને બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે ટેલિફોનિક વાતચીત, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર કરી ચર્ચા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/lHXElYgC1tb9codMLSy9fPCBJAZPkD0QZxfsc7QM.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: રિક્ષાચાલક ગેંગે મહિલાને ધમકાવી 2.18 લાખની મત્તા લૂંટી, આરોપીઓ પકડાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/auto-rickshaw-gang-robs-69-year-old-woman-of--2-18-lakh</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/auto-rickshaw-gang-robs-69-year-old-woman-of--2-18-lakh</guid><pubDate>Mon, 10 Aug 2026 22:48:17 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મુંબઈથી પોતાના પરિવારમાં બનેલા દુઃખદ બનાવ બાદ અમદાવાદ પરત ફરેલા એક મહિલા સાથે કાલુપુર રેલવે સ્ટેશન બહાર લૂંટની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. મેમનગર જવા માટે રિક્ષા ભાડે કરનાર 69 વર્ષીય ઈલાબેન શાહને રિક્ષાચાલક અને મુસાફરના સ્વાંગમાં બેઠેલી ગઠિયા ગેંગે છરી કે ધમકીના જોરે લૂંટી લીધા હતા.ગઠિયાઓ વૃદ્ધા પાસેથી સોનાનું મંગળસૂત્ર તથા રોકડ રકમ મળીને કુલ રૂ.2.18 લાખની મત્તા આંચકીને ફરાર થઈ ગયા હતા.</p><h2 style="text-align: justify; "><b>રસ્તો બદલીને જાનથી મારી નાખવાની ધમકી આપી</b></h2><p style="text-align: justify; ">શહેરમાં ગુરુકુળ રોડ વિસ્તારમાં રહેતા ઈલાબેન શાહ મુંબઈ ખાતે પોતાના ભાભીની અંતિમવિધિ પૂર્ણ કરીને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશને ઊતર્યા હતા.ત્યાંથી પોતાના ઘરે મેમનગર જવા માટે તેમણે એક રિક્ષા ભાડે કરી હતી.આ રિક્ષામાં ચાલક ઉપરાંત અગાઉથી જ બે શખ્સો પેસેન્જર તરીકે બેઠેલા હતા.રિક્ષા થોડે આગળ ગયા બાદ ચાલકે આગળ રસ્તાનું સમારકામ ચાલુ હોવાનું બહાનું બતાવીને રિક્ષા મેમ્કો તરફના રસ્તે વાળી દીધી હતી.ઈલાબેનને આશંકા જતાં તેમણે તરત જ રિક્ષા રોકવા કહ્યું હતું.જોકે, રિક્ષામાં સવાર ગઠિયાઓએ અસલી રૂપ બતાવી ઈલાબેનને મજબૂત રીતે પકડી લીધા હતા અને ડોશી જીવવું હોય તો ચૂપચાપ બેસી રહેજે તેવી જાનથી મારી નાખવાની સીધી ધમકી આપી હતી.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>કાલુપુર પોલીસે સીસીટીવીના આધારે તપાસ તેજ કરી</b></h3><p style="text-align: justify; ">ત્યારબાદ આ ગઠિયાઓએ વૃદ્ધાનું સોનાનું મંગળસૂત્ર અને રૂ.8 હજારની રોકડ રકમ લૂંટી લીધી હતી અને તેમને ચાલુ રિક્ષામાંથી ધક્કો મારીને રસ્તા પર ઉતારી પલાયન થઈ ગયા હતા.આ આપવીતી બાદ પીડિત મહિલાએ તાત્કાલિક પોતાના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર બાબતે કાલુપુર પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી.કાલુપુર પોલીસે રિક્ષાચાલક અને તેની સાથે રહેલી લૂંટારૂ ગેંગ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસે ઘટનાસ્થળ તથા રિક્ષાના રૂટ પરના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસીને લૂંટારૂઓને ઝડપી પાડવા માટે જુદી જુદી ટુકડીઓ બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.<br><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dahod/police-attacked-stone-pelting-world-tribal-day-aap-leader-krishna-charel-13-arrested" target="_blank">આ પણ વાંચોઃ Dahod: વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં વાતાવરણ ડહોળાયું, 14 નામજોગ અને 200ના ટોળા વિરુદ્ધ FIR દાખલ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/ZTT3J8VYQ5fgMmFoton2RAwalz65CshWDVrBSWpa.webp'/></item><item><title><![CDATA[Rajkot News: ત્રંબામાં ડ્રીમલેન્ડ શાળાના પ્રિન્સિપાલે તોફાન કરતા વિદ્યાર્થીઓને ફડાકા ઝિંક્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/dreamland-school-principal-accused-of-slapping-students-in-tramba</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/dreamland-school-principal-accused-of-slapping-students-in-tramba</guid><pubDate>Mon, 10 Aug 2026 22:31:39 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ તાલુકાના ત્રંબા વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળામાં વિદ્યાર્થીઓ સાથે શારીરિક શિક્ષાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે.ત્રંબામાં સંચાલિત  ડ્રીમલેન્ડ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તોફાન કરતા હોવાની બાબતે શાળાના પ્રિન્સિપાલે આપો ગુમાવીને વિદ્યાર્થીઓને ફડાકા ઝીંકી દીધા હોવાનો સનસનાટીભર્યો આક્ષેપ ઉઠ્યો છે.આ ઘટનાને પગલે વાલીઓ અને સ્થાનિકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે. ડ્રીમલેન્ડ શાળામાં વર્ગખંડ કે શાળા પરિસરમાં કેટલાક વિદ્યાર્થીઓ તોફાન-મસ્તી કરી રહ્યા હતા.આ બાબત ધ્યાન પર આવતાં વિદ્યાર્થીઓને શિસ્તના ભાગરૂપે શાળાના પ્રિન્સિપાલ ઘનશ્યામભાઈ પાસે લઈ જવામાં આવ્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>અમાનવીય વર્તનથી નાના બાળકો ભારે ડરી ગયા</b></h2><p style="text-align: justify; ">વાલીઓનો આરોપ છે કે સામાન્ય રીતે શાળાના જવાબદાર વડા તરીકે પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને શાંતિથી સમજાવવા જોઈતા હતા અથવા તો તેમના વાલીઓને બોલાવીને રજૂઆત કરવી જોઈતી હતી. પ્રિન્સિપાલ ઘનશ્યામભાઈએ વિદ્યાર્થીઓની કોઈ પણ વાત કે સ્પષ્ટતા સાંભળ્યા વગર જ ગુસ્સામાં આવીને તેમને સરેઆમ ફડાકા ઝીંકી દીધા હતા. પ્રિન્સિપાલના આ કડક અને અમાનવીય વર્તનથી નાના બાળકો ભારે ડરી ગયા હતા.શાળામાંથી ઘરે પહોંચેલા બાળકોએ આપવીતી પોતાના પરિવારજનોને જણાવતાં વાલીઓ દંગ રહી ગયા હતા અને પ્રિન્સિપાલના આ અયોગ્ય વલણ સામે વિરોધ નોંધાવ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>વાલીઓ અને શિક્ષણ આલમમાં ચર્ચા</b></h3><p style="text-align: justify; ">સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં બાળકો પર શારીરિક શિક્ષા (Corporal Punishment) કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમ છતાં, ખાનગી શાળાના જવાબદાર પ્રિન્સિપાલ દ્વારા જ આ રીતે વિદ્યાર્થીઓ પર હાથ ઉપાડવાની ઘટના સામે આવતાં શિક્ષણ આલમમાં ચર્ચા જાગી છે. આ કિસ્સામાં પીડિત વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા શાળા સંચાલકો અને ઉચ્ચ શિક્ષણ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરીને પ્રિન્સિપાલ સામે આકરાં પગલાં લેવાની માગ કરવામાં આવી રહી છે.</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dahod/police-attacked-stone-pelting-world-tribal-day-aap-leader-krishna-charel-13-arrested" target="_blank">આ પણ વાંચોઃ Dahod: વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં વાતાવરણ ડહોળાયું, 14 નામજોગ અને 200ના ટોળા વિરુદ્ધ FIR દાખલ</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/15IrQyg1xUAidPpGr4D4ESjLF4f8yuVS1QCyYGW8.webp'/></item><item><title><![CDATA[PM મોદી સામે બોક્સર નરેન્દ્રએ સંભળાવ્યો પાકિસ્તાની બોક્સરનો કિસ્સો, વાત સાંભળીને હસી પડ્યા વડાપ્રધાન ]]></title><link>https://sandesh.com/sports/news/pm-modi-boxer-narender-pakistani-opponent-funny-story</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pm-modi-boxer-narender-pakistani-opponent-funny-story</guid><pubDate>Mon, 10 Aug 2026 20:09:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગ્લાસગો ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતે કુલ 39 મેડલ સાથે મેડલ ટેબલમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. ગેમ્સ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પોતાના નિવાસસ્થાને ભારતીય મેડલ વિજેતા ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ખેલાડીઓએ PM મોદી સાથે ખુલ્લા દિલે વાતચીત કરી હતી અને પોતાના અનુભવો પણ શેર કર્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>નરેન્દ્રએ સિલ્વર મેડલ જીત્યો</b></h2><p style="text-align: justify; ">આ મુલાકાત દરમિયાન ભારતીય હેવીવેઈટ બોક્સર નરેન્દ્ર બેરવાલે PM મોદીને એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો હતો. નરેન્દ્રે કોમનવેલ્થ ગેમ્સમાં 90+ કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેમને જણાવ્યું કે વર્ષ 2015માં મિલિટરી ગેમ્સ દરમિયાન તેમની પ્રથમ બાઉટ પાકિસ્તાની બોક્સર સામે હતી. તેમને મિલિટરી તરફથી ફોન કરીને પાકિસ્તાન સામે ન હારવાની વાત કહેવામાં આવી હતી.</p><h3 style="text-align: justify; "><b>મને નરેન્દ્ર નામથી નફરત થઈ ગઈ છે</b></h3><p style="text-align: justify; ">નરેન્દ્રે જણાવ્યું કે તેમણે પ્રથમ બાઉટ 4-1થી અને બીજી બાઉટ 3-2થી જીતી હતી. આ દરમિયાન બંને બોક્સરના માથા પણ અથડાયા હતા અને બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2086683661504843813"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p style="text-align: justify; "> </p><p style="text-align: justify; ">નરેન્દ્રે આગળ જણાવ્યું કે તેમના કોચનું નામ પણ નરેન્દ્ર રાણા હતું અને તે સમયે ભારતના વડાપ્રધાનનું નામ પણ નરેન્દ્ર હતું. આ સંયોગને લઈને પાકિસ્તાની બોક્સરે તેમને કહ્યું હતું કે, “તમારું નામ નરેન્દ્ર છે, તમારા કોચનું નામ પણ નરેન્દ્ર છે અને તમારા PMનું નામ પણ નરેન્દ્ર છે. હવે મને નરેન્દ્ર નામથી નફરત થઈ ગઈ છે.” આ વાત સાંભળીને PM મોદી હસતા જોવા મળ્યા હતા.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>ભારતે બોક્સિંગમાં 10 મેડલ જીત્યા&nbsp;</b></h4><p style="text-align: justify; ">કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય બોક્સિંગ ટીમનું પ્રદર્શન પણ નોંધપાત્ર રહ્યું હતું. ભારતે બોક્સિંગમાં 10 મેડલ જીત્યા હતા, જ્યારે નરેન્દ્ર બેરવાલે 90+ કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. ફાઇનલમાં તેમને ઇંગ્લેન્ડના ડામાર થોમસ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/oMWNn5CGUFi7LAuIfgHkI21UFhgy68SNnoD190zK.webp'/></item><item><title><![CDATA[Real Estate: ભારતના ધનિકો હવે ખાનગી જેટ કરતાં પણ ખરીદી રહ્યા છે મોંઘુ ઘર, Gurugramમાં ₹271 કરોડનો થયો સોદો! ]]></title><link>https://sandesh.com/business/news/india/real-estate-indias-rich-are-now-buying-expensive-houses-instead-of-private-jets-a-deal-worth-271-crore-was-made-in-gurugram</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/real-estate-indias-rich-are-now-buying-expensive-houses-instead-of-private-jets-a-deal-worth-271-crore-was-made-in-gurugram</guid><pubDate>Mon, 10 Aug 2026 19:00:41 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">એક તરફ, ભારતમાં એક મોટો વર્ગ એવો છે જે પોતાની જીવનભરની બચતનું રોકાણ કરીને સસ્તા અને સસ્તા ઘર શોધી રહ્યો છે.</p><h2 style="text-align: justify; ">વૈભવી ઘરોની વ્યાખ્યા બદલાઈ&nbsp;</h2><p style="text-align: justify; ">ઉદ્યોગસાહસિક માનવ સરદાના આજકાલ સૌથી વધુ ચર્ચામાં રહેલા વ્યક્તિ છે. તેમણે તાજેતરમાં ₹271 કરોડમાં એક ભવ્ય પેન્ટહાઉસ ખરીદ્યું છે. આ સમાચારમાં સૌથી રસપ્રદ બાબત ખર્ચ કરાયેલી રકમ નથી, પરંતુ હકીકત એ છે કે આ ઘર દરિયા કિનારાના શહેર મુંબઈમાં સ્થિત નથી. માનવ સરદાનાએ દિલ્હીને અડીને આવેલા ગુરુગ્રામના ગગનચુંબી ઇમારતોમાં આ કરોડો રૂપિયાનું ઘર ખરીદ્યું છે. તેમનું પેન્ટહાઉસ ગુરુગ્રામના પોશ પ્રોજેક્ટ "DLF The Dahlias" માં આવેલું છે.</p><h3 style="text-align: justify; ">પ્રોજેક્ટ કેમ થયો પ્રખ્યાત ?&nbsp;</h3><p style="text-align: justify; ">આ જ પ્રોજેક્ટમાં, પ્રખ્યાત રોકાણકાર મધુસુદન કેલાએ પણ આશરે ₹121 કરોડમાં એક વૈભવી એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું. તેમના ઉપરાંત, બર્કશાયર હેથવેના વાઇસ ચેરમેન અજિત જૈને પણ DLF The Dahlias માં ₹85 કરોડમાં એક ઘર ખરીદ્યું હતું. 2025 ના આંકડાઓ પર નજર કરીએ તો, ગુરુગ્રામે ₹10 કરોડ અને તેથી વધુ કિંમતના ઘરોના વેચાણમાં મુંબઈને પાછળ છોડી દીધું. 2025 માં, ગુરુગ્રામમાં ₹10 કરોડથી વધુ કિંમતના 1,494 ઘર વેચાયા હતા, જે કુલ ₹24,120 કરોડ હતા. આ આંકડો 2023 માં નોંધાયેલા ₹4,004 કરોડ કરતા લગભગ છ ગણો વધારે છે. દિલ્હીના લુટિયન્સ વિસ્તારમાં પણ, ભાડાના ઘરોની માંગ એટલી ઊંચી છે કે ત્યાંના બંગલાઓનું ભાડું દર મહિને ₹20 લાખ સુધી પહોંચી ગયું છે.</p><h4 style="text-align: justify; ">મુંબઈનું વર્ચસ્વ યથાવત્&nbsp;</h4><p style="text-align: justify; ">ગુરુગ્રામ લક્ઝરી હાઉસિંગ માર્કેટમાં ઝડપથી વિકાસ પામી રહ્યું હોવા છતાં, જ્યારે ₹100 કરોડથી વધુ કિંમતના સુપર-લક્ઝરી ઘરોની વાત આવે છે, ત્યારે મુંબઈ નિર્વિવાદ રાજા રહે છે. ફક્ત વરલી વિસ્તારમાં જ, છેલ્લા 24 મહિનામાં ₹40 કરોડથી વધુ કિંમતના 30 થી વધુ ઘરો વેચાયા છે. આ સોદાઓની કુલ કિંમત ₹5,500 કરોડથી વધુ હોવાનો અંદાજ છે. મુંબઈના કેટલાક મોટા સોદાઓ પર નજર કરીએ તો આશ્ચર્યજનક આંકડા બહાર આવે છે. 2025 માં, USV ચેરપર્સન લીના ગાંધી તિવારીએ વર્લીના નમન ઝાના પ્રોજેક્ટમાં ₹639 કરોડના મૂલ્યના બે સી-ફેસિંગ ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ખરીદ્યા. પ્રખ્યાત બેંકર ઉદય કોટક અને તેમના પરિવારે મુંબઈના શિવ સાગર વિસ્તારમાં ₹400 કરોડથી વધુ કિંમતના અનેક એપાર્ટમેન્ટ ખરીદ્યા. તાન્યા દુબાશે 2025 માં નમન ઝાનામાં ₹226 કરોડમાં એક ડુપ્લેક્સ અને 2026 માં ₹294 કરોડથી વધુ કિંમતના બે વધુ એપાર્ટમેન્ટ ખરીદ્યા.</p><h5 style="text-align: justify; ">સસ્તા ઘરોનું સ્વપ્ન અધૂરું</h5><p style="text-align: justify; ">આ બધા વચ્ચે, ₹20 કરોડથી ઓછી કિંમતના બજારમાં એક અલગ પરિવર્તન જોવા મળી રહ્યું છે. ૨૦૨૬ ના પહેલા ભાગમાં ₹1 કરોડથી વધુ કિંમતના ઘરો કુલ ઘર વેચાણના 54% હતા. સૌથી વધુ વેચાણ ₹1-₹2 કરોડ સેગમેન્ટમાં થયું હતું, જેમાં 50,488 ઘર વેચાયા હતા. પરંતુ વાર્તાની બીજી બાજુ સામાન્ય માણસ માટે થોડી ચિંતાજનક છે. ₹50 લાખથી ઓછી કિંમતના પરવડે તેવા ઘરોના વેચાણમાં 15 ટકાનો ઘટાડો થયો છે. કુલ વેચાણમાં આ સેગમેન્ટનો હિસ્સો હવે ઘટીને માત્ર 16 ટકા થયો છે.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/india/news/political-news/mamata-banerjee-attack-politics-heated-up-after-mahua-moitra-commented-on-the-attack-on-mamata-banerjee" target="_blank"> મમતા બેનર્જી પર થયેલા હુમલા અંગે Mahua Moitraએ ટીપ્પણી કરતા રાજકારણ ગરમાયું</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/hr6S7pa6WbuiqbcbYOEnqiwi7MwJyrR0T8troPx5.webp'/></item><item><title><![CDATA[Varanasiની રિલીઝ પહેલાં સિદ્ધિવિનાયક મંદિર પહોંચી પ્રિયંકા ચોપરા, બાપ્પાના લીધા આશીર્વાદ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/priyanka-chopra-siddhivinayak-varanasi-release</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/priyanka-chopra-siddhivinayak-varanasi-release</guid><pubDate>Mon, 10 Aug 2026 17:46:43 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મુંબઈમાં હાજર અભિનેત્રી પ્રિયંકા ચોપરાને તાજેતરમાં સોમવાર, 10 ઓગસ્ટ 2026ના રોજ સિદ્ધિવિનાયક મંદિરમાં બાપ્પાના આશીર્વાદ લેતા જોવા મળી હતી. અભિનેત્રી શહેરના મંદિરે પહોંચી હતી અને મંદિરની બહાર એકઠા થયેલા ફેન્સનું અભિવાદન કરતી જોવા મળી હતી. પ્રિયંકા મંદિરની બહાર એકદમ સાદા અને સિમ્પલ સૂટમાં જોવા મળી હતી. બોલીવુડની દેશી ગર્લે સુંદર એથનિક પિંક સૂટ પહેર્યો હતો અને વાળ ખુલ્લા રાખ્યા હતા, જેના કારણે તેનો લુક સિમ્પલ હોવા છતાં ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો. મંદિર પરિસરમાંથી બહાર નીકળતી વખતે અભિનેત્રી ખુશ મૂડમાં જોવા મળી હતી અને ફેન્સને જોઈને સ્મિત કરતી તેમજ હાથ હલાવતી જોવા મળી હતી.</p><h2 style="text-align: justify; "><b>મંદિરમાંથી બહાર આવતાં જ પ્રિયંકાએ ફેન્સને કહ્યું હેલો</b></h2><p style="text-align: justify; ">પ્રિયંકા ચોપરાનું લોકો સાથેનું ગરમજોશીભર્યું વર્તન સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. આ દરમિયાન ઘણા ફેન્સ તેમની એક ઝલક મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મંદિરની અંદર જતા પહેલાં તેમણે સ્મિત સાથે લોકોનું અભિવાદન કર્યું હતું અને બહાર આવતી વખતે પણ પોતાના ફેન્સને હેલો કહ્યું હતું. સોશિયલ મીડિયા પર અભિનેત્રીનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Db2nGePqfKm/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Db2nGePqfKm/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Db2nGePqfKm/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Db2nGePqfKm/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h3 style="text-align: justify; "><b>પ્રિયંકા ચોપરાની દીકરી માલતી સાથેની પહેલી મુલાકાત</b></h3><p style="text-align: justify; ">પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં પોતાની દીકરી માલતી મેરી ચોપરા જોનસને પહેલીવાર ખોળામાં લેવાના એ દિવસ વિશે વાત કરી હતી, જે તેની જિંદગીનો સૌથી ખાસ દિવસ હતો. તેણે જે શેટ્ટીના પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે, તે પહેલીવાર મારી છાતી પર હતી અને ત્યારે તે લગભગ 27.5 અઠવાડિયાની હતી. તે એટલી નાની હતી કે તેની આંગળીઓ મને પતંગિયા જેવી લાગતી હતી. તેનું વજન 1 પાઉન્ડ 11 ઔંસ હતું. તે સમયે મને લાગ્યું કે તેની સુરક્ષા માટે હું દુનિયામાં કોઈપણ હદ સુધી જઈ શકું છું. આ એવો અહેસાસ હતો જે મેં પહેલાં ક્યારેય અનુભવ્યો નહોતો અને મને લાગે છે કે પહેલીવાર માતા-પિતા બનનાર દરેક વ્યક્તિ આવું જ કહે છે. પરંતુ આ ખરેખર તમારા શરીરની બહાર ધબકતું તમારું હૃદય હોય છે.</p><h4 style="text-align: justify; "><b>વારાણસીમાં મહેશ બાબુ સાથે જોવા મળશે પ્રિયંકા</b></h4><p style="text-align: justify; ">પ્રિયંકા ચોપરાની આગામી ફિલ્મોની યાદીમાં મોટા ઇન્ટરનેશનલ અને પેન-ઇન્ડિયન પ્રોજેક્ટ્સ સામેલ છે. તેમાં એસ. એસ. રાજામૌલીની જબરદસ્ત એડવેન્ચર ફિલ્મ વારાણસી પણ સામેલ છે, જે 7 એપ્રિલ 2027ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં પ્રિયંકા મહેશ બાબુ સાથે જોવા મળશે. આ ઉપરાંત તે રસેલ ક્રો સાથે તાજેતરમાં જાહેર થયેલી સાઇ-ફાઇ એક્શન થ્રિલર 'બ્લૂફ્લાય'માં પણ જોવા મળશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/toxic-bo-prediction-yash-hindi-opening-kgf2-record" target="_blank">આ પણ વાંચો-Toxic બનશે યશની હિન્દી સિનેમાની બીજી સૌથી મોટી ઓપનર? શું તોડી શકશે KGF 2નો રેકોર્ડ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/J7OP3D3ufgIBZPMnPreQVEPtVzVxS8yEiyoj2hvo.webp'/></item></channel></rss>