<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabad વાસીઓ ધ્યાન આપે! AMCની ઓનલાઇન સેવાઓ 10 કલાક માટે રહેશે સંપૂર્ણ બંધ, જાણો ક્યારથી ક્યાં સુધી ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-online-services-down-for-10-hours-technical-upgradation</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-online-services-down-for-10-hours-technical-upgradation</guid><pubDate>Fri, 04 Sep 2026 08:19:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નાગરિકોની ઓનલાઇન સુવિધામાં વધારો કરવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. આ પ્રયાસોના ભાગરૂપે વેબસાઈટ અને સિસ્ટમને વધુ ઝડપી તેમજ સુદ્રઢ બનાવવા માટે ટેકનિકલ અપગ્રેડેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. જેના કારણે આગામી સમયમાં AMCની તમામ ઓનલાઇન સેવાઓ અને પોર્ટલ હંગામી ધોરણે બંધ રાખવાનો નિર્ણય તંત્ર મારફતે લેવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>કાલે રાત્રે 9 વાગ્યાથી સિસ્ટમ થશે બંધ</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી અનુસાર, 5 સપ્ટેમ્બરના રોજ રાત્રે 9 વાગ્યાથી કોર્પોરેશનનું મુખ્ય સર્વર અને ઓનલાઇન સિસ્ટમ મેન્ટેનન્સમાં જશે. આ સમયગાળા દરમિયાન નાગરિકો પ્રોપર્ટી ટેક્સ ભરવા, વ્યવસાય વેરો ભરવા, જન્મ-મરણના પ્રમાણપત્રોની અરજી કરવા કે અન્ય કોઈ પણ પ્રકારની ઓનલાઇન સેવાઓનો લાભ મેળવી શકશે નહીં. આ કામગીરી ખાસ કરીને રાત્રિના સમયે રાખવામાં આવી છે, જેથી સામાન્ય લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે.</p><h2 style="text-align: justify; "><b>6 સપ્ટેમ્બર સવારે 7 વાગ્યા સુધી કામગીરી ચાલશે</b></h2><p style="text-align: justify; ">આ ટેકનિકલ અપગ્રેડેશનની કામગીરી 6 સપ્ટેમ્બરના રોજ સવારે 7 વાગ્યા સુધી અવિરતપણે ચાલશે. શનિવારે રાત્રિના 9 વાગ્યાથી લઈને રવિવારે સવારના 7 વાગ્યા સુધી એમ કુલ 10 કલાક સુધી સિસ્ટમ સંપૂર્ણપણે ડાઉન રહેશે. 6 તારીખે સવારે 7 વાગ્યા બાદ તમામ ઓનલાઇન સેવાઓ રાબેતા મુજબ કાર્યરત થઈ જશે, ત્યારબાદ નાગરિકો ફરીથી ઘરે બેઠા જ ડિજિટલ સુવિધાઓનો ઉપયોગ કરી શકશે.</p><h2 style="text-align: justify; "><b>નાગરિકોને અગાઉથી અગત્યના કામ પતાવી લેવા અપીલ</b></h2><p style="text-align: justify; ">સળંગ 10 કલાક સુધી ઓનલાઇન સેવાઓ ખોરવાઈ જવાના કારણે લોકોને બિનજરૂરી હાલાકી ન ભોગવવી પડે તે માટે કોર્પોરેશન દ્વારા અગાઉથી જ જાણ કરવામાં આવી છે. તંત્રએ અમદાવાદના નાગરિકોને અપીલ કરી છે કે, તેઓ પોતાના અગત્યના ઓનલાઇન કામકાજ આ સમયમર્યાદા પહેલાં અથવા તો સિસ્ટમ ફરીથી શરૂ થયા બાદ પૂરા કરી લે, જેથી કોઈ અગવડતાનો સામનો ન કરવો પડે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો: <a href="https://sandesh.com/janmashtami/news/janmashtami-2026-celebration-sandesh-digital-kanuda-photo" target="_blank">Janmashtami 2026: સંદેશ ડિજિટલને સાથે જન્માષ્ટમી ઉજવણી, જુઓ તમારા કાનુડાનો ફોટો...</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/NmWO4LiA0MUkBgjUtoghDZ8DgBxi4Cq9KbVAjAzS.webp'/></item><item><title><![CDATA[Vadodara News: ચોર મહિલા આખી રાત ઘરમાં સંતાઈ, વહેલી પરોઢે વૃદ્ધાના હાથમાંથી સોનાની બંગડી લૂંટી ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/vadodara/woman-thief-hides-in-house-overnight-robs-elderly-woman-of-gold-bangle</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/vadodara/woman-thief-hides-in-house-overnight-robs-elderly-woman-of-gold-bangle</guid><pubDate>Fri, 04 Sep 2026 08:05:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા શહેરના માંજલપુરમાં લાલબાગ નજીક આવેલી જગન્નાથ પૂરમ સોસાયટીમાં ગત બુધવારે વહેલી પરોઢે એક મકાનમાં લૂંટ થઈ હતી.ગ્રાઉન્ડ ફ્લોર પર બેઠક રૂમમાં સોફા ઉપર સૂતેલાં 81 વર્ષના વૃદ્ધા ઉપર બુકાનીધારી લૂંટારુએ હુમલો કર્યો હતો અને વૃદ્ધાના હાથમાંથી 12 ગ્રામ વજનની સોનાની રૂ.1.70 લાખની કિંમતની બંગડી લૂંટીને ફરાર થઈ ગયો હતો.ઝપાઝપી દરમિયાન બુકાનીધારીના માથાના વાળનો ચોટલો વૃદ્ધાના હાથમાં આવ્યો ત્યારે ક્રાઈમ કરનાર લૂંટારુ મહિલા હોવાની પ્રતિતી થઈ હતી.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>હાથમાંથી સોનાની બંગડી લૂંટી</b></h2><p style="text-align: justify; ">માંજલપુર જગન્નાથ પૂરમ સોસાયટીમાં રહેતાં 81 વર્ષના લીલાબેન નગીનભાઈ પટેલ એકલવાયુ જીવન ગુજારે છે.તેમના સ્વર્ગસ્થ પતિના પેન્શન ઉપર લીલાબેનનું ઘર ચાલે છે.રોજિંદા નિત્યક્રમ પ્રમાણે મંગળવારે રાતે લીલાબેન તેમના મકાનના મેઈન દરવાજાને તાળું મારીને ગાઉન્ડ ફ્લોર પર બેઠક રુમમાં સોફા ઉપર સૂઈ ગયા હતા. ઘટના સવારે આશરે 5.30 વાગે બની હતી.કોઈ અજાણી વ્યકિત હાથમાંથી સોનાની બંગડી કાઢી રહી છે તેવો લીલાબેનને અહેસાસ થયો હતો.લૂંટારુ બુકાનીધારી હતો.એક્યુપ્રેશરની સ્ટિકથી લૂંટારુએ વૃદ્ધાના હાથમાં ઘા કર્યો હતો અને ઝપાઝપી કરી હતી.હાથમાંથી સોનાની બંગડી લૂંટીને લૂંટારુ ભાગી રહ્યો હતો.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>લૂંટારુના માથાના વાળનો ચોટલો હાથમાં પકડાઈ ગયો</b></h2><p style="text-align: justify; ">આ વખતે લૂંટારુના માથાના વાળનો ચોટલો હાથમાં પકડાઈ ગયો હતો.તે ક્ષણે લૂંટારુ મહિલા હોવાનો અહેસાસ થયો હતો.વૃદ્ધા ભયભીત થતા ભત્રીજાને જાણ કરતા સગા દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.પોલીસે લૂંટનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.વૃદ્ધા દ્વારા આપવામાં આવેલી લૂંટારાના ચોટલાની હકીકતે પોલીસને પણ મૂંઝવણમાં મૂકી દીધા હતા.સામાન્ય રીતે કાઈમ કરવા માટે આવતાં ક્રિમિનલ મુખ્ય દરવાજાનું તાળું તોડીને અથવા ખૂલ્લી બારીમાંથી ચોરી છુપીથી ઘરમાં પ્રવેશ કરતા હોય છે.પરંતુ આ કિસ્સામાં આવું કશું બન્યું નહતું.જેથી આ કૉયડો પોલીસ માટે પડકાર જનક બન્યો હતો. પછી સીસીટીવીને આધારે આ ચોર મહિલા હોવાનું જાણવા મળ્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>ઘરમાં ઘૂસીને ઉપરના માળે રાત વિતાવી</b></h2><p style="text-align: justify; ">આ લૂંટારૂ મહિલાએ એક દિવસ અગાઉ વૃદ્ધાના ઘરમાં ઘૂસીને ઉપરના માળે રાત વિતાવી હતી.ત્યારબાદ વહેલી સવારે તક જોઈને વૃદ્ધાના હાથમાંથી સોનાની બંગડી ખેંચવાનો પ્રયાસ કરતાં વૃદ્ધા જાગી જતાં આરોપી મહિલાએ તેમના હાથમાં બચકાં ભરી ઈજા પહોંચાડી હતી અને આશરે ₹1.70 લાખની કિંમતની સોનાની બંગડી લૂંટીને ફરાર થઈ ગઈ હતી.આ સમગ્ર ઘટના અંગે મહિલા દ્વારા કરાયેલી રેકી અને ઘરમાં ઘૂસવાના CCTV ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને સવિતા રાઠોડ નામની મહિલા આરોપીની ધરપકડ કરી લીધી છે.</p><p style="text-align: justify; "><br>આ પણ વાંચોઃ&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/ludoQdEfcRKKpz5dbdJyQDLODZAI49XgsMYzK2hh.webp'/></item><item><title><![CDATA[Janmashtami 2026: દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી, વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું ]]></title><link>https://sandesh.com/janmashtami/news/maru-saher-maru-gaam/dwarka/dwarka-jagat-mandir-janmashtami-celebration-devotees-rush</link><guid isPermaLink="true">https://sandesh.com/janmashtami/news/maru-saher-maru-gaam/dwarka/dwarka-jagat-mandir-janmashtami-celebration-devotees-rush</guid><pubDate>Fri, 04 Sep 2026 08:03:16 +05:30</pubDate><description><![CDATA[<p>આજે સમગ્ર દેશમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ એવી સુવર્ણ નગરી દ્વારકામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમીના આ પાવન પર્વ નિમિત્તે સમગ્ર દ્વારકા નગરી અને જગત મંદિરને આકર્ષક રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. રંગબેરંગી લાઈટોથી ઝળહળતી દ્વારકા નગરી કોઈ નવોઢા જેવી ભાસી રહી છે, અને સમગ્ર વાતાવરણ સંપૂર્ણપણે કૃષ્ણમય બની ગયું છે.</p><h2><b>મંગળા આરતીથી જ ભક્તોનું ઘોડાપૂર</b></h2><p>ભગવાન દ્વારકાધીશના દર્શનનું જન્માષ્ટમીના દિવસે વિશેષ મહત્વ હોય છે. આથી, વહેલી સવારે ખુલતા મંદિરે મંગળા આરતીના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. સવારના 6:00 વાગ્યાથી જ મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓનો જબરદસ્ત ધસારો જોવા મળ્યો હતો. પોતાના વ્હાલા કાનુડાના એક ઝલક પામવા માટે લાખોની સંખ્યામાં ભાવિકો દેશ-વિદેશથી અહી પહોંચ્યા છે.</p><h2><b>'જય દ્વારકાધીશ'ના નાદથી ગુંજ્યું જગત મંદિર</b></h2><p>દ્વારકાધીશના દર્શને ઉમટેલા શ્રદ્ધાળુઓમાં જબરદસ્ત ભક્તિભાવ અને ઊર્જા જોવા મળી રહી છે. હજારો ભક્તોના મુખેથી નીકળતા 'જય દ્વારકાધીશ', 'હાથી ઘોડા પાલખી, જય કન્હૈયા લાલ કી' અને 'નંદ ઘેર આનંદ ભયો'ના ગગનભેદી નાદથી સમગ્ર દ્વારકા નગરી ગુંજી ઉઠી છે. ભક્તો ભગવાનની ભક્તિમાં લીન થઈને નાચતા-ગાતા નજરે પડી રહ્યા છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2095692545397539211"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>દર્શન માટે લાંબી કતારો અને સુદ્રઢ વ્યવસ્થા</b></h2><p>વહેલી સવારથી જ દર્શન માટે ભક્તોની 2 થી 3 કિલોમીટર લાંબી કતારો જોવા મળી રહી છે. દર્શનાર્થીઓની આટલી મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ભક્તોને દર્શન કરવામાં કોઈ જ અગવડતા ન પડે તે માટે બેરિકેડિંગ અને પીવાના પાણી સહિતની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/janmashtami/news/janmashtami-2026-celebration-sandesh-digital-kanuda-photo" target="_blank">Janmashtami 2026: સંદેશ ડિજિટલને સાથે જન્માષ્ટમી ઉજવણી, જુઓ તમારા કાનુડાનો ફોટો...</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/6EXquFy3ajGg7FItoyAQV7MBxVibaalv5yJshlHL.webp'/></item><item><title><![CDATA[Janmashtami 2026: શામળાજી મંદિરમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી, મંગળા આરતી અને પંચામૃત અભિષેક કરાયો ]]></title><link>https://sandesh.com/janmashtami/news/maru-saher-maru-gaam/dakor/janmashtami-2026-celebration-shamlaji-temple</link><guid isPermaLink="true">https://sandesh.com/janmashtami/news/maru-saher-maru-gaam/dakor/janmashtami-2026-celebration-shamlaji-temple</guid><pubDate>Fri, 04 Sep 2026 07:57:55 +05:30</pubDate><description><![CDATA[<p>અરવલ્લી જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આજરોજ કૃષ્ણ જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમી પર્વની અત્યંત ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન કાળિયા ઠાકોર એટલે કે શામળિયાના દર્શન કરવા માટે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ શામળાજી મંદિરે પહોંચી રહ્યા છે. સમગ્ર મંદિર પરિસર 'જય રણછોડ, માખણ ચોર' અને 'નંદ ઘેર આનંદ ભયો, જય કન્હૈયા લાલ કી'ના નાદથી ગુંજી ઉઠ્યું છે.</p><h2><b>સવારે 6:00 વાગ્યે ખુલ્યા દ્વાર અને મંગળા આરતીનો મહિમા</b></h2><p>જન્માષ્ટમીના પાવન અવસર પર વહેલી સવારે 6:00 કલાકે નિજ મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. દ્વાર ખુલતાની સાથે જ શામળિયાના મંગળા દર્શન કરવા માટે ભક્તોનો ભારે જમાવડો જોવા મળ્યો હતો. સનાતન પરંપરામાં અને ખાસ કરીને શામળાજી તીર્થક્ષેત્રમાં જન્માષ્ટમીના દિવસે મંગળા દર્શનનું વિશેષ અને અનેરું ધાર્મિક મહત્વ રહેલું છે. ઠાકોરજીના આ મનોરમ્ય રૂપને જોઈને દર્શનાર્થીઓ ધન્યતા અનુભવી રહ્યા છે.</p><p><img alt="Janmashtami 2026 Celebrations at Shamlaji Temple: Mangala Aarti and Panchamrut Abhishek" src="https://epapercdn.sandesh.com/images/2026/09/04/dS7pzqajM1OCNHdXLLwH754eI3ksVvyGY5nHiimp.webp"><br></p><h2><b>શામળિયાનો પંચામૃત અભિષેક અને વિશેષ શૃંગાર</b></h2><p>મંગળા આરતીના સંપન્ન થયા બાદ શામળિયા ભગવાનનો દૂધ, દહીં, ઘી, મધ અને સાકર જેવા પવિત્ર દ્રવ્યો વડે વૈદિક મંત્રોચ્ચાર સાથે 'પંચામૃત અભિષેક' કરવામાં આવ્યો હતો. આ ખાસ દિવસ નિમિત્તે ભગવાનને વિશેષ વસ્ત્રો અને આભૂષણોથી સજ્જ કરવામાં આવ્યા છે. પંચામૃત સ્નાન બાદ ભગવાનનો નયનરમ્ય શૃંગાર જોઈને દર્શનાર્થીઓ ભાવવિભોર બન્યા હતા.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2095691981955711217"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>મંદિર ટ્રસ્ટ અને પોલીસ પ્રશાસને કર્યું સુચારુ આયોજન</b></h2><p>જન્માષ્ટમી નિમિત્તે ઉમટી પડેલી ભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક પ્રશાસન દ્વારા દર્શન માટે અલાયદી અને વ્યવસ્થિત લાઈનોની વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે સિક્યોરિટી અને સ્વયંસેવકો તૈનાત કરાયા છે. આ સાથે સાથે અરવલ્લી પોલીસ પણ સુરક્ષાના કડક બંદોબસ્તમાં તૈનાત છે, જેથી તમામ ભક્તો શાંતિપૂર્ણ રીતે કાળિયા ઠાકોરના દર્શન કરી શકે.</p><p><img alt="Janmashtami 2026 Celebrations at Shamlaji Temple: Mangala Aarti and Panchamrut Abhishek" src="https://epapercdn.sandesh.com/images/2026/09/04/Hr3oB13xxHm697sL6e0tYFttpGOjGLI9sTbKU788.webp"><img alt="Janmashtami 2026 Celebrations at Shamlaji Temple: Mangala Aarti and Panchamrut Abhishek" src="https://epapercdn.sandesh.com/images/2026/09/04/plfjr0COhzGGAvpJ7GNVo3YhIq4S6dfFGALfbtse.webp"><br></p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/janmashtami/news/janmashtami-2026-celebration-sandesh-digital-kanuda-photo" target="_blank">Janmashtami 2026: સંદેશ ડિજિટલને સાથે જન્માષ્ટમી ઉજવણી, જુઓ તમારા કાનુડાનો ફોટો...</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/zY93T1GgAXue7zWfNqZ6WuXk3YXK7r7bBilUKG9Q.webp'/></item><item><title><![CDATA[Bagodara: ભાવનગર લઠ્ઠાકાંડ બાદ બગોદરા પોલીસનો દારૂની હેરાફેરી સામે સપાટો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/bagodara-after-the-bhavnagar-latha-incident-bagodara-police-crackdown-on-liquor-smuggling</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/bagodara-after-the-bhavnagar-latha-incident-bagodara-police-crackdown-on-liquor-smuggling</guid><pubDate>Fri, 04 Sep 2026 05:28:26 +05:30</pubDate><description><![CDATA[<p>બગોદરા ભાવનગરમાં તાજેતરમાં બનેલા લઠ્ઠાકાંડમાં અનેક લોકોના મોતની ઘટનાની પૃષ્ઠભૂમિમાં દારૂની ગેરકાયદે હેરાફેરી સામે પોલીસ તંત્ર વધુ સક્રિય બન્યું છે. ત્યારે અમદાવાદ ગ્રામ્યની બગોદરા પોલીસે બગોદરા ટોલટેક્સ પાસે વાહન ચેકિંગ દરમિયાન ટ્રાવેલ્સ બસમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 625 બોટલ સહિત કુલ રૂ.11.76 લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો છે. આ કાર્યવાહી દરમિયાન એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.</p><p>બગોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.સી. ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ્ ટોલટેક્સ ખાતે વાહન ચેકિંગ કરી રહ્યો હતો. દરમિયાન મળેલી બાતમીના આધારે અશોક લેલન કંપનીની ટ્રાવેલ્સ બસ નં. GJ-03-AZ-0365ની તપાસ કરતાં દારૂની 625 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો, બસ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ.11,76,875નો મુદ્દામાલ કબજે કર્યો હતો.</p><p>પોલીસે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ચંદેશ કેલસિંહ ભરુડિયાની ધરપકડ કરી છે, જ્યારે દારૂ ભરી આપનાર તથા મંગાવનાર સહિતના અન્ય સંડોવાયેલા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/2rrI7MyKdLGmhyFywfu7DHndvp7oJepARRHVnClw.webp'/></item><item><title><![CDATA[Indiaને મળ્યું નવું ઘાતક હથિયાર, 'ખગાંતક-243' ગ્લાઈડ બોમ્બનું પ્રથમ સફળ પરીક્ષણ ]]></title><link>https://sandesh.com/india/news/india-khagantak-243-long-range-glide-bomb-successful-test</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/india-khagantak-243-long-range-glide-bomb-successful-test</guid><pubDate>Thu, 03 Sep 2026 23:32:15 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ થઈ છે. દેશમાં જ વિકસાવવામાં આવેલા 'ખગાંતક-243' (Khagantak-243) લોંગ-રેન્જ ગ્લાઈડ બોમ્બનું પ્રથમ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. પરીક્ષણ દરમિયાન ગ્લાઈડ બોમ્બે રણ વિસ્તારમાં નિર્ધારિત લક્ષ્યને ચોક્કસ રીતે ભેદ્યું હતું અને જોરદાર વિસ્ફોટ થયો હતો.</p><h2><b>ગ્લાઈડ બોમ્બનું વજન આશરે 300 કિલો</b></h2><p>આ ગ્લાઈડ બોમ્બનું વજન આશરે 300 કિલોગ્રામ છે. તેમાં 125 કિલોગ્રામનું Mk-81 વોરહેડ લગાવવામાં આવ્યું છે. તેને સ્ટેન્ડ-ઓફ પ્રિસિઝન વેપન તરીકે વિકસાવવામાં આવ્યું છે. વધુ ઊંચાઈ પરથી લોન્ચ કરવામાં આવે તો આ બોમ્બ 140 કિલોમીટરથી વધુ અંતર કાપી શકે છે. ખગાંતક-243ને INS અને GNSS આધારિત નેવિગેશન સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યું છે. આ ટેક્નોલોજી તેને લક્ષ્ય સુધી ચોકસાઈપૂર્વક પહોંચવામાં મદદ કરે છે. દાવો કરવામાં આવે છે કે તે 10 મીટરથી ઓછા અંતરની ચોકસાઈ સાથે નિર્ધારિત લક્ષ્યને નિશાન બનાવી શકે છે.</p><h3><b>વાયુસેનાની સ્ટેન્ડ-ઓફ સ્ટ્રાઈક ક્ષમતામાં વધારો</b></h3><p>આ ગ્લાઈડ બોમ્બનું પરીક્ષણ ભારતીય વાયુસેનાના શક્તિશાળી Su-30MKI ફાઈટર જેટ પરથી કરવામાં આવ્યું હતું. આ હથિયાર ભારતીય વાયુસેનાની સ્ટેન્ડ-ઓફ સ્ટ્રાઈક ક્ષમતામાં વધારો કરી શકે છે. તેનો સૌથી મોટો વ્યૂહાત્મક ફાયદો એ છે કે ફાઈટર જેટને દુશ્મનના એર ડિફેન્સ ઝોનની ખૂબ નજીક ગયા વિના સુરક્ષિત અંતરેથી લક્ષ્ય પર હુમલો કરવાની ક્ષમતા મળી શકે છે.</p><p>ખગાંતક-243ને નાગપુર સ્થિત JSR Dynamics દ્વારા ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) સાથે મળીને વિકસાવવામાં આવ્યું છે. સ્વદેશી ટેક્નોલોજીથી તૈયાર થયેલા આ હથિયારનું સફળ પરીક્ષણ 'આત્મનિર્ભર ભારત' અભિયાન માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. આ સિદ્ધિથી ભારતીય વાયુસેનાની લાંબા અંતરની ચોકસાઈભરી હુમલાની ક્ષમતામાં વધારો થવાની શક્યતા છે. સાથે જ દેશમાં સ્વદેશી રીતે આધુનિક હથિયારો વિકસાવવાની ક્ષમતાને પણ પ્રોત્સાહન મળશે.<br><br><b><a href="https://sandesh.com/india/news/pm-modi-bjp-ruled-states-jal-jeevan-mission-last-person" target="_blank">આ પણ વાંચો : PM મોદીની ભાજપ શાસિત રાજ્યોના જળમંત્રીઓ સાથે બેઠક, કહ્યું 'યોજનાનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડો'</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/pBblwmc393RpmeJ2wnUUmDbXJUVLurUVsc9Hf89d.webp'/></item><item><title><![CDATA[PM મોદીની ભાજપ શાસિત રાજ્યોના જળમંત્રીઓ સાથે બેઠક, કહ્યું 'યોજનાનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડો' ]]></title><link>https://sandesh.com/india/news/pm-modi-bjp-ruled-states-jal-jeevan-mission-last-person</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/pm-modi-bjp-ruled-states-jal-jeevan-mission-last-person</guid><pubDate>Thu, 03 Sep 2026 22:49:30 +05:30</pubDate><description><![CDATA[<p>વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને જળમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી. આ બેઠકમાં તેમણે જળ જીવન મિશન સહિત સરકારની વિવિધ યોજનાઓનો લાભ સમાજમાં કતારમાં ઊભેલા અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવા પર ભાર મૂક્યો હતો.</p><h2><b>કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વધુ સારું સંકલન જરૂરી</b></h2><p>PM મોદીએ જળ ક્ષેત્ર સાથે જોડાયેલા મંત્રીઓને સરકારની યોજનાઓના અસરકારક અમલીકરણ માટે પરસ્પર સંકલન સાથે કામ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વધુ સારું સંકલન તેમજ એકબીજાના અનુભવો અને સફળ પ્રયાસોની આપ-લે જરૂરી છે. વડાપ્રધાને રાજ્યોને એકબીજાની બેસ્ટ પ્રેક્ટિસ અને સફળ મોડલમાંથી શીખવા અને પોતાના રાજ્યની જરૂરિયાત પ્રમાણે તેનો અમલ કરવા પણ સૂચના આપી હતી. તેમણે યોજનાઓના અમલીકરણની અસરકારક દેખરેખ અને લોકો સુધી તેનો વાસ્તવિક લાભ પહોંચે તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો.</p><h3><b>ભાજપ અધ્યક્ષ તમામ મંત્રીઓને લઈને PM આવાસ પહોંચ્યા</b></h3><p>આ બેઠક વડાપ્રધાનના નિવાસસ્થાને યોજાઈ હતી. તે પહેલાં ભાજપ મુખ્યાલય ખાતે જળમંત્રીઓ અને સંબંધિત નેતાઓ સાથે આશરે પાંચ કલાકની બેઠક ચાલી હતી. ત્યારબાદ ભાજપ અધ્યક્ષ નીતિન નવીન તમામ મંત્રીઓને લઈને PM આવાસ પહોંચ્યા હતા. આ અગાઉ નીતિન નવીને 'જળ મંથન' કાર્યક્રમ હેઠળ ભાજપ શાસિત રાજ્યોના જળ સંસાધન મંત્રીઓ સાથે બેઠક કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે આંતરરાજ્ય સંકલન અને શ્રેષ્ઠ કાર્યપદ્ધતિઓના આદાન-પ્રદાન અંગે બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી.</p><h4><b>આગામી 25થી 50 વર્ષ માટે પણ આયોજન જરૂરી&nbsp;</b></h4><p>નીતિન નવીને જણાવ્યું હતું કે PM મોદીના નેતૃત્વ હેઠળ દેશના કરોડો પરિવારો સુધી નળથી પાણી પહોંચાડવાનું મહત્વપૂર્ણ કાર્ય થયું છે. તેમણે લાંબા ગાળાની નીતિ અને આયોજન પર ભાર મૂકતા કહ્યું કે ભારતને 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને આગામી 25થી 50 વર્ષ માટે પણ આયોજન જરૂરી છે. કેન્દ્ર સરકાર, રાજ્યો, અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેના સંકલનથી યોજનાઓનું વધુ સારું આયોજન, અમલીકરણ અને મોનિટરિંગ થઈ શકે અને તેનો મહત્તમ લાભ સામાન્ય નાગરિકો સુધી પહોંચાડી શકાય તે બેઠકનો મુખ્ય ઉદ્દેશ રહ્યો હતો.<br><br><b><a href="https://sandesh.com/india/news/world/s-jaishankar-meets-ukraine-foreign-minister-war-must-end" target="_blank">આ પણ વાંચો : S Jaishankar યુક્રેનના વિદેશપ્રધાનને મળ્યા, કહ્યું 'યુદ્ધનો અંત હવે જરૂરી'</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/w6NngxCgGR2C9yJqUDeJ1U3GwoJCRBC2eOekYYK0.webp'/></item><item><title><![CDATA[Bullet Train બનાવશે આ ભારતીય કંપની, 866 કરોડનું છે બજેટ ]]></title><link>https://sandesh.com/india/news/business/beml-india-first-indigenous-bullet-train-866-crore-contract</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/beml-india-first-indigenous-bullet-train-866-crore-contract</guid><pubDate>Thu, 03 Sep 2026 19:16:50 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય રેલવે 280 કિલોમીટર પ્રતિ કલાકની ડિઝાઈન સ્પીડ ધરાવતી પોતાની પ્રથમ સ્વદેશી હાઈસ્પીડ ટ્રેન તૈયાર કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ચેન્નાઈની ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF)એ BEML Limitedને ₹866.87 કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ અંતર્ગત બે હાઈસ્પીડ ટ્રેનસેટના પ્રોટોટાઈપ તૈયાર કરવામાં આવશે.</p><h2><b>વિવિધ પાસાઓ ચકાસવામાં આવશે</b></h2><p>રેલવેનો લક્ષ્યાંક માર્ચ 2027 સુધીમાં પ્રથમ પ્રોટોટાઈપ તૈયાર કરવાનો છે. ત્યારબાદ રિસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઈઝેશન (RDSO) દ્વારા ટ્રેનનું પરીક્ષણ કરવામાં આવશે. પરીક્ષણ દરમિયાન ઝડપ, સુરક્ષા, બ્રેકિંગ, સ્થિરતા અને મુસાફરોના આરામ સહિતના વિવિધ પાસાઓ ચકાસવામાં આવશે. દરેક ટ્રેનસેટમાં 8 કોચ હશે અને તેની ડિઝાઈન સ્પીડ 280 KMPH રાખવામાં આવી છે. ટ્રેન 250 KMPHથી વધુ ઝડપે દોડી શકશે. તમામ કોચ સંપૂર્ણ એર-કન્ડિશન્ડ ચેર કાર હશે. મુસાફરો માટે ઓનબોર્ડ ઈન્ફોટેનમેન્ટ, રિક્લાઈનિંગ અને ફરતી સીટ જેવી સુવિધાઓ આપવામાં આવશે. દિવ્યાંગ મુસાફરોની સુવિધાઓનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે.</p><h3><b>ટ્રેનસેટને B-28 કોડનેમ આપવામાં આવ્યું</b></h3><p>BEMLએ આ ટ્રેનના નિર્માણ માટે બેંગલુરુમાં 'આદિત્ય' નામનું અલગ હાઈસ્પીડ રેલ કોમ્પ્લેક્સ તૈયાર કર્યું છે. ટ્રેનસેટને B-28 કોડનેમ આપવામાં આવ્યું છે. ભારતીય હવામાનને ધ્યાનમાં રાખીને ટ્રેનની ડિઝાઈન કરવી પણ એક મોટો પડકાર છે. ભારતમાં ગરમી, ધૂળ અને વિવિધ હવામાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ટેક્નોલોજી વિકસાવવામાં આવી રહી છે. હાલમાં સ્ટેનલેસ સ્ટીલના ઉપયોગની યોજના છે, જ્યારે 300 KMPHથી વધુ ઝડપ માટે એલ્યુમિનિયમ ટ્રેનસેટ પર પણ વિચારણા ચાલી રહી છે.</p><h4><b>પ્રથમ તબક્કામાં સુરત-બિલિમોરા સેક્શનથી સેવા શરૂ થવાની શક્યતા</b></h4><p>આ પ્રોજેક્ટનું મહત્વ મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર માટે પણ મોટું છે. પ્રથમ તબક્કામાં સુરત-બિલિમોરા સેક્શનથી સેવા શરૂ થવાની શક્યતા છે. પ્રોટોટાઈપ અને ટેસ્ટિંગ સમયસર પૂર્ણ થાય તો ઓગસ્ટ 2027 સુધીમાં આ રૂટ પર હાઈસ્પીડ ટ્રેન સેવા શરૂ થવાની આશા છે. સરકારે ભવિષ્યમાં વધુ 7 હાઈસ્પીડ રેલ કોરિડોર વિકસાવવાની યોજના પણ જાહેર કરી છે, જેમાં મુંબઈ-પુણે, પુણે-હૈદરાબાદ, દિલ્હી-વારાણસી સહિતના રૂટનો સમાવેશ થાય છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/nta-standard-testing-centres-network-aicte-it-infrastructure-data" target="_blank">આ પણ વાંચો : NTA દેશભરમાં બનાવશે સ્ટાન્ડર્ડ ટેસ્ટિંગ સેન્ટર્સનું નેટવર્ક, AICTEએ સંસ્થાઓ પાસેથી માગ્યો ડેટા</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/LsxjsbyWXkMoJeCknZofj6nEhtFwrP5HtzQOcceg.webp'/></item><item><title><![CDATA[Asian Games 2026: નીરજ ચોપરાના રિપ્લેસમેન્ટની જાહેરાત, આ સ્ટારને મળ્યું સ્થાન ]]></title><link>https://sandesh.com/sports/news/neeraj-chopra-out-yashvir-singh-asian-games</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/neeraj-chopra-out-yashvir-singh-asian-games</guid><pubDate>Thu, 03 Sep 2026 18:11:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">એશિયન ગેમ્સ 19 સપ્ટેમ્બરથી જાપાનમાં શરૂ થવાની છે. ભારતીય ટીમને તાજેતરમાં મોટો ઝટકો લાગ્યો છે. ઈજાને કારણે બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા અને સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરા 2026 સીઝનની બાકીની બધી સ્પર્ધાઓમાંથી બહાર થઈ ગયો છે. તેને સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરી. ફેન્સને આશા હતી કે તે ગોલ્ડ જીતશે.&nbsp;</p><p style="text-align: justify;">પરંતુ એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ ત્યારબાદ એક નિવેદનમાં જાહેરાત કરી હતી કે તેઓ ટૂંક સમયમાં નીરજના રિપ્લેસમેન્ટની જાહેરાત કરશે. હવે તે ખેલાડીનું નામ જાહેર કરવામાં આવ્યું છે.</p><h2 style="text-align: justify;"><b>નીરજ ચોપરાનું સ્થાન કોણ લેશે?</b></h2><p style="text-align: justify;">ઈજા છતાં નીરજ ચોપરાએ તાજેતરની કેટલીક સ્પર્ધાઓમાં સારું પ્રદર્શન કર્યું. તેને કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો. નીરજના સાથી અને પ્રખ્યાત ભાલા ફેંકનાર યશવીર સિંહે કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. હવે તેને તેનું ઈનામ મળી ગયું છે. યશવીર એશિયન ગેમ્સમાં નીરજનું સ્થાન લેશે. યશવીરને એક મોટી તક મળી છે. તે એશિયન ગેમ્સમાં અજાયબીઓ કરી શકે છે.</p><p style="text-align: justify;">એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બહાદુર સિંહ સાગુએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "અમે એશિયન ગેમ્સ માટે નીરજ ચોપરાની જગ્યાએ યશવીર સિંહને સામેલ કર્યો છે. તેને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યો હતો. નીરજ હાલમાં ઘાયલ છે. તેની ઈજાને કારણે આ ફેરફાર કરવામાં આવ્યો છે. યશવીરના આવવામાં કોઈ સમસ્યા નહોતી."</p><h3 style="text-align: justify;"><b>યશવીર સિંહની સિઝન શાનદાર રહી&nbsp;</b></h3><p style="text-align: justify;">યશવીર સિંહે કોમનવેલ્થ ગેમ્સ  2026માં બ્રોન્ઝ મેડલ જીતીને બધાનું દિલ જીતી લીધું હતું. આ પછી તેની ખૂબ ચર્ચા થઈ હતી. તેને ત્યાં પણ પોતાનું બેસ્ટ પ્રદર્શન કર્યું. યશવીરે 85.41 મીટરનો થ્રો ફેંક્યો. કાશીનાથ નાયક (2010) અને નીરજ (2018, 2026) પછી તે કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનાર ત્રીજો ભારતીય છે.</p><p style="text-align: justify;">2026નું વર્ષ તેમના માટે શાનદાર રહ્યું છે. તેને 8 ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો, જેમાંથી 6માં 80 મીટરથી વધુ થ્રો ફેંક્યા હતા. હવે, બધાની નજર યશવીર પર રહેશે. નીરજના સ્થાને સામેલ થવાથી તેના પર પણ દબાણ આવશે. તે 2026 કોમનવેલ્થ ગેમ્સમાં પોતાના પ્રદર્શનનું કમબેક કરવા અને ભારત માટે મેડલ લાવવા માગશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/bcci-meeting-rohit-sharma-odi-future" target="_blank">Rohit Sharmaના ક્રિકેટ કરિયર અને 2027ના ODI વર્લ્ડકપને લઈને ચર્ચા, BCCI મોટો નિર્ણય લેવા માટે તૈયાર</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/pnZfVXFfDbiVeUTCGLZBXQLYtouFoYzTiWb82QVE.webp'/></item><item><title><![CDATA[Bebo : 25 વર્ષનું સફળ કરિયર છતાં કરીના કપૂરને છે આ વાતનો અફસોસ! એક્ટ્રેસનું એક સપનું અધૂરું...! ]]></title><link>https://sandesh.com/entertainment/news/kareena-kapoor-25-years-career-biggest-regret-children</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/kareena-kapoor-25-years-career-biggest-regret-children</guid><pubDate>Thu, 03 Sep 2026 17:33:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડમાં અઢી દાયકાથી પોતાની એક્ટિંગનો દમ બતાવનાર અભિનેત્રી કરીના કપૂર ખાન આજે કોઈ ઓળખની મોહતાજ નથી. તેણે પોતાની અલગ-અલગ પાત્રો ભજવવાની કળા અને શાનદાર એક્ટિંગથી કરોડો દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. પરંતુ સફળતાના આ મુકામ પર પહોંચ્યા પછી પણ તેના જીવનમાં એક એવી કમી રહી ગઈ છે, જેને લઈને તે ઘણીવાર ભાવુક થઈ જાય છે. નાની ઉંમરમાં જ ફિલ્મી દુનિયામાં જોડાઈ જવાના કારણે તેણે સ્કૂલનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો અને આ વાત આજે પણ તેને ખાલીપાનો અહેસાસ કરાવે છે.</p><h2 style="text-align: justify; "><b>કિશોરાવસ્થામાં લીધો હતો અભ્યાસ છોડવાનો નિર્ણય</b></h2><p style="text-align: justify; ">એક ઈન્ટરવ્યૂમાં પોતાના શરૂઆતના જીવન વિશે વાત કરતાં અભિનેત્રીએ સ્વીકાર્યું કે 11મા ધોરણ પછી તેણે અભ્યાસ આગળ વધાર્યો નહોતો. તે સમયે તેનું સંપૂર્ણ ધ્યાન એક્ટિંગની દુનિયામાં પોતાને સાબિત કરવા પર હતું. તેણે જણાવ્યું કે એ ઉંમરે પોતાના સપના પૂરા કરવા અને મનની વાત સાંભળવાનો ઉત્સાહ એટલો વધારે હતો કે અભ્યાસ આગળ વધારવાની તક હોવા છતાં તેણે તેનાથી દૂર રહેવાનું પસંદ કર્યું. જોકે, ઉંમર અને અનુભવ વધવાની સાથે હવે તેને સમજાય છે કે ડિગ્રી અને ઔપચારિક શિક્ષણ માત્ર કાગળ પૂરતું નથી, પરંતુ તે વ્યક્તિના વ્યક્તિત્વને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. અભિનેત્રી માને છે કે તેમણે પોતાના સપના પૂરા કર્યા, પરંતુ વ્યવસ્થિત શિક્ષણથી દૂર રહેવું તેના જીવનનો એવો અધૂરો ભાગ છે, જેને તેઓ બદલી શક્યા હોત.<br><img alt="Kareena Kapoor (8)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/03/vVl5FNOLWi4UGuu0r1H25CLQBGut9YHVnxcDZ19F.webp"><br></p><h3 style="text-align: justify; "><b>પહેલા શિક્ષણ, પછી કરિયર</b></h3><p style="text-align: justify; ">પોતાના આ અનુભવમાંથી શીખ લઈને અભિનેત્રી હવે પોતાના બાળકોના ઉછેરને લઈને ખૂબ ગંભીર છે. તે ઈચ્છે છે કે તેના બાળકો તૈમુર અને જેહ તેની જેવી ભૂલ ન કરે. તેનું સ્પષ્ટ માનવું છે કે જીવનમાં કોઈપણ ક્ષેત્રમાં કરિયર બનાવતા પહેલાં મજબૂત શૈક્ષણિક પાયો હોવો ખૂબ જરૂરી છે. તે પોતાના દીકરાઓને હંમેશા શીખવે છે કે પહેલા સ્કૂલ અને ઉચ્ચ શિક્ષણ પૂરા ધ્યાનથી પૂર્ણ કરો અને ત્યારબાદ જ કલા કે અન્ય કોઈ ક્ષેત્રમાં કરિયર બનાવવાનું વિચારો. તેના મતે શિક્ષણ વ્યક્તિને યોગ્ય નિર્ણય લેવાની સમજ અને માનસિક પરિપક્વતા આપે છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DctLbswCH4r/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DctLbswCH4r/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DctLbswCH4r/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DctLbswCH4r/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>દીકરીઓના શિક્ષણ માટે પણ કરીના કરે છે કામ</b></h4><p style="text-align: justify; ">પોતાના જીવનમાં અભ્યાસ અધૂરો રહી ગયાનો અફસોસ જ તેને સામાજિક કાર્યો સાથે વધુ ઊંડાણથી જોડતો ગયો. છેલ્લા એક દાયકાથી પણ વધુ સમયથી તેઓ બાળકો અને ખાસ કરીને દીકરીઓના શિક્ષણ માટે કામ કરતી સંસ્થાઓ સાથે સક્રિય રીતે જોડાયેલા છે. જ્યારે તેને દેશભરમાં દીકરીઓના શિક્ષણ અને સ્ત્રી-પુરુષ સમાનતાના સમર્થનમાં આગળ આવવાની તક મળી, ત્યારે તેણે તેને ખુશીથી સ્વીકારી. તેનું માનવું છે કે જ્યાં સુધી દેશની દરેક દીકરીને ગુણવત્તાયુક્ત અને સમાન શિક્ષણનો અધિકાર નહીં મળે, ત્યાં સુધી સમાજનો સંપૂર્ણ વિકાસ શક્ય નથી. પોતાના જીવનના આ અફસોસને હવે તે લાખો દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરવાની પ્રેરણા બનાવી રહી છે.</p><p style="text-align: justify; "><b style="font-size: 1.25rem;">દાયરામાં પોલીસ અધિકારીના રોલમાં જોવા મળશે કરીના</b></p><p style="text-align: justify; ">2000માં ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર કરીનાએ ખૂબ નાની ઉંમરમાં એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો હતો. પોતાની પહેલી જ ફિલ્મથી તેણે પોતાની અલગ ઓળખ બનાવી અને થોડા જ સમયમાં હિન્દી સિનેમાની ટોચની અભિનેત્રીઓમાં સામેલ થઈ ગયા. હવે તે મેઘના ગુલઝારના ડાયરેક્શનમાં બની રહેલી વાસ્તવિક ઘટનાઓ પર આધારિત ક્રાઇમ-થ્રિલર ફિલ્મ દાયરામાં પોલીસ અધિકારીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં સાઉથના જાણીતા અભિનેતા પૃથ્વીરાજ સુકુમારન પણ મુખ્ય ભૂમિકામાં છે. કોઈ વ્યાવસાયિક ગીતો વગરની આ ગંભીર ફિલ્મ 18 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/laalo-telugu-remake-vijay-deverakonda-krishna" target="_blank">આ પણ વાંચો-Laalo Remake : ગુજરાતી બ્લોકબસ્ટર લાલો ફિલ્મના તેલુગુ રીમેકમાં શ્રીકૃષ્ણ બનશે વિજય દેવરકોંડા?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/F7jT6LEcW9Oo3bIZyrBAayflSqpirxFR15n2aUHH.webp'/></item></channel></rss>