<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Mehsana: અગોલમાં જુગારધામ પર એલસીબીની રેડ, ભાજપ હોદ્દેદારના પતિ અને પૂર્વ સરપંચો સહિત 21 ઝડપાયા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/lcb-raid-agol-gambling-den-bjp-delegate-husband-ex-sarpanch-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/lcb-raid-agol-gambling-den-bjp-delegate-husband-ex-sarpanch-arrested</guid><pubDate>Mon, 24 Aug 2026 20:24:46 +05:30</pubDate><description><![CDATA[<p>મહેસાણા જિલ્લા એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) પોલીસને અગોલ ગામે એક મકાનમાં મોટા પાયે જુગારધામ ચાલી રહ્યું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને જુગારની મહેફિલ માણી રહેલા 21 જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.</p><h2><b>અગોલ ગામે હાઇપ્રોફાઇલ જુગારધામ પર દરોડો</b></h2><p>આ દરોડામાં રાજકીય અને ગ્રામીણ સ્તરે વગ ધરાવતા લોકો પકડાતાં સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. ઝડપાયેલા આરોપીઓમાં અગોલ ગામના ભાજપના મહિલા ડેલીગેટના પતિનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત આસપાસના ગામો જેવા કે કરણપુર, હજારીપુરા અને નાથપુરા ગામના પૂર્વ સરપંચો પણ જુગાર રમી રહ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.એલસીબી પોલીસે સ્થળ પરથી જુગારીઓ પાસેથી રોકડ રકમ, સ્માર્ટફોન તેમજ વાહનો મળી કુલ રૂપિયા 22.32 લાખનો માતબર મુદ્દામાલ જપ્ત કર્યો છે. દરોડા બાદ તમામ આરોપીઓ સામે બાવલુ પોલીસ સ્ટેશનમાં જુગારધારાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.</p><h3><b>બાવલુ પોલીસ મથકે ગુનો દાખલ</b></h3><p>પોલીસે સ્થળ પરથી રૂ. 22.32 લાખનો રોકડ અને વાહનો સહિતનો સામાન સીઝ કર્યો છે.આ જુગારધામ કોના દ્વારા ચલાવવામાં આવતું હતું અને તેમાં અન્ય કયા કયા લોકોની સંડોવણી છે તે અંગે પોલીસે સઘન પૂછપરછ શરૂ કરી છે. બાવલુ પોલીસે ગુનો નોંધીને તમામ ૨૧ આરોપીઓની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/rajkot/janmashtami-lok-mela-virasat-thi-vikas-dates-security-details" target="_blank">આ પણ વાંચો: Rajkot: સૌરાષ્ટ્રના સૌથી મોટા જન્માષ્ટમી લોકમેળાની જાહેરાત; 'વિરાસત થી વિકાસ' રખાયું નામ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/DP3ZEp0bWnT2aHQ9uNZ1MHRuTl63nC969rMG1ZIN.webp'/></item><item><title><![CDATA[Rajkot: સૌરાષ્ટ્રના સૌથી મોટા જન્માષ્ટમી લોકમેળાની જાહેરાત; 'વિરાસત થી વિકાસ' રખાયું નામ ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/janmashtami-lok-mela-virasat-thi-vikas-dates-security-details</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/janmashtami-lok-mela-virasat-thi-vikas-dates-security-details</guid><pubDate>Mon, 24 Aug 2026 20:11:49 +05:30</pubDate><description><![CDATA[<p>સૌરાષ્ટ્રભરના લોકો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હોય છે તેવા રાજકોટના ઐતિહાસિક જન્માષ્ટમીના લોકમેળા અંગે કલેક્ટર ઓમપ્રકાશ દ્વારા એક પત્રકાર પરિષદ યોજીને મહત્વની વિગતો જાહેર કરવામાં આવી છે. આ વર્ષે લોકમેળાનું સત્તાવાર નામકરણ 'વિરાસત થી વિકાસ' કરવામાં આવ્યું છે. આ મેળો આગામી તારીખ 2 થી 6 સુધી રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાશે, જે દરરોજ સવારથી રાત્રિના 11:30 વાગ્યા સુધી લોકો માટે ખુલ્લો રહેશે.</p><h2><b>સૌરાષ્ટ્રનો સૌથી મોટો જન્માષ્ટમી લોકમેળો</b></h2><p>તાજેતરની વિવિધ ઘટનાઓને ધ્યાને રાખીને આ વખતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સિક્યોરિટીને પ્રાથમિકતા આપવામાં આવી છે. મેળામાં આવતા લાખો મુલાકાતીઓની સુરક્ષા માટે તંત્ર દ્વારા રૂ. 12 કરોડનો ખાસ વીમો લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, ભીડ પર પળેપળની નજર રાખવા માટે AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) કેમેરા અને ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. રાઈડ્સ સંચાલકો માટે કડક SOP જાહેર કરવામાં આવી છે અને ટેકનિકલ ચકાસણી બાદ જ રાઈડ્સ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે. કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા કલેક્ટર કચેરી અને પોલીસ તંત્ર દ્વારા એક સુસજ્જ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર રૂમ પણ તૈયાર કરાઈ રહ્યો છે.</p><h3><b>12 કરોડનો વીમો, AI કેમેરા અને ડ્રોનથી રખાશે કડક નજર</b></h3><p>આ વખતે લોકમેળાના પ્લોટ, સ્ટોલ અને રાઈડ્સની હરાજી તેમજ ફાળવણી મારફતે રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્રને રૂ. 3.64 કરોડની અંદાજિત ઐતિહાસિક આવક થઈ છે.રરોજ બપોરના સમયે રાજકોટ અને આસપાસના સ્થાનિક ઉભરતા કલાકારો પોતાના હુન્નર અને સંગીતની પ્રસ્તુતિ કરશે.દરરોજ રાત્રે ગુજરાતના પ્રખ્યાત લોકસાહિત્યકારો, ગાયકો અને સાંસ્કૃતિક ગ્રુપો દ્વારા ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. શ્રદ્ધાળુઓ માટે આકર્ષક રાઈડ્સ, ખાદ્યપદાર્થોના વિવિઘ સ્ટોલ અને પીવાના ચોખ્ખા પાણી તેમજ શૌચાલયની શ્રેષ્ઠ સુવિધાઓ ઊભી કરવામાં આવશે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ed-attaches-property-sayona-colors-bank-fraud-case" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: સાયોના કલર્સ પ્રા. લિમિટેડ સામે EDની કડક કાર્યવાહી; રૂ. 9.19 કરોડની મિલકતો PMLA હેઠળ જપ્ત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/XFmXJ6NOfjiN9VCRINYlRk7S5apt6MN4YfEftGYp.webp'/></item><item><title><![CDATA[Chinaના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 7 વર્ષ બાદ ભારત આવી શકે, BRICS સમિટમાં લેશે ભાગ ]]></title><link>https://sandesh.com/india/news/world/xi-jinping-india-visit-after-seven-years-brics-summit</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/world/xi-jinping-india-visit-after-seven-years-brics-summit</guid><pubDate>Mon, 24 Aug 2026 20:06:21 +05:30</pubDate><description><![CDATA[<p>ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આગામી મહિને ભારતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. શી જિનપિંગ 12 અને 13 સપ્ટેમ્બરે ભારતમાં યોજાનારી BRICS શિખર બેઠકમાં ભાગ લેવા નવી દિલ્હી આવી શકે છે. જો આ મુલાકાત થાય છે તો લગભગ સાત વર્ષ બાદ શી જિનપિંગની ભારતની મોટી મુલાકાત હશે.</p><h2><b>બંને દેશો વચ્ચે સંબંધો સુધારા તરફ&nbsp;</b></h2><p>મળતી માહિતી મુજબ ચીનના રાષ્ટ્રપતિની આ મુલાકાતને ભારત-ચીન સંબંધોમાં સુધારાના મહત્વપૂર્ણ સંકેત તરીકે જોવામાં આવી રહી છે. 2020માં લદ્દાખની ગલવાન ખીણમાં થયેલી સૈન્ય અથડામણ બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં લાંબા સમયથી તણાવ રહ્યો છે. હવે બંને દેશો વચ્ચે રાજદ્વારી અને સૈન્ય સ્તરે વાતચીત આગળ વધી રહી છે.</p><h3><b>2019માં ભારત આવ્યા હતા ચીનના રાષ્ટ્રપતિ</b></h3><p>શી જિનપિંગ સાથે આશરે 400 અધિકારીઓનું મોટું પ્રતિનિધિમંડળ ભારત આવી શકે છે. 2019માં શી જિનપિંગની ભારત મુલાકાત વખતે તેમની સાથે 200થી ઓછા અધિકારીઓ આવ્યા હતા. ચીનના અધિકારીઓ દ્વારા દિલ્હીમાં હોટેલ અને સુરક્ષા વ્યવસ્થાને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું હોવાનો પણ અહેવાલ છે. BRICS સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાય તેવી શક્યતા છે.&nbsp;</p><h4><b>રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ હાલમાં ચીનમાં</b></h4><p>બંને નેતાઓ વચ્ચે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર શાંતિ જાળવવા, સરહદ વિવાદ અને બંને દેશો વચ્ચેના વેપાર અસંતુલન જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. આ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ હાલમાં ચીનમાં છે અને બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા છે. જોકે, ભારત કે ચીનના વિદેશ મંત્રાલયે શી જિનપિંગની ભારત મુલાકાત અંગે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરી નથી. BRICS સમિટમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હાજરીની પુષ્ટિ થઈ ચૂકી છે અને તેમના સ્વાગત માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/political-news/bjp-contest-all-117-punjab-assembly-seats-2027-bl-santosh" target="_blank">આ પણ વાંચો : Punjabની તમામ 117 સીટ પર ચૂંટણી લડશે ભાજપ, બી.એલ.સંતોષે કરી જાહેરાત</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/O49rTC65emmfuYozzdeFZgwLGxMBdGeGFu2AlIHy.webp'/></item><item><title><![CDATA[Punjabની તમામ 117 સીટ પર ચૂંટણી લડશે ભાજપ, બી.એલ.સંતોષે કરી જાહેરાત ]]></title><link>https://sandesh.com/india/news/political-news/bjp-contest-all-117-punjab-assembly-seats-2027-bl-santosh</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/political-news/bjp-contest-all-117-punjab-assembly-seats-2027-bl-santosh</guid><pubDate>Mon, 24 Aug 2026 19:25:01 +05:30</pubDate><description><![CDATA[<p>પંજાબ વિધાનસભા ચૂંટણી 2027ને લઈને ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ રાજકીય અને સંગઠનાત્મક તૈયારીઓ તેજ કરી દીધી છે. ભાજપે સ્પષ્ટ કર્યું છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી રાજ્યની તમામ 117 બેઠકો પર ચૂંટણી લડશે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બી.એલ. સંતોષ બે દિવસના પંજાબ પ્રવાસે પહોંચ્યા છે.</p><h2><b>ભાજપ આ પરિવર્તનને સાકાર કરવા માટે તૈયાર</b></h2><p>પ્રવાસના પ્રથમ દિવસે પટિયાલામાં યોજાયેલી ઝોનલ બેઠકમાં બી.એલ. સંતોષે પાર્ટીના નેતાઓ અને સંગઠનના હોદ્દેદારો સાથે ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે પંજાબ પરિવર્તન માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને ભાજપ આ પરિવર્તનને સાકાર કરવા માટે તૈયાર છે. પાર્ટી તમામ 117 બેઠકો પર ચૂંટણી લડીને સરકાર બનાવવાનો લક્ષ્યાંક ધરાવે છે.</p><h3><b>બૂથ લેવલ સુધી સંગઠનને મજબૂત બનાવવા પર ભાર&nbsp;</b></h3><p>બી.એલ. સંતોષ સાથે ભાજપ પંજાબના અધ્યક્ષ કેવલ સિંહ અને રાજ્ય સંગઠન મહાસચિવ મંત્રી શ્રીનિવાસુલુ સહિતના નેતાઓ પણ હાજર રહ્યા હતા. તેમણે પાર્ટીના સંગઠનાત્મક કામકાજ અને આગામી ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. ભાજપનું ખાસ ધ્યાન બૂથ લેવલ સુધી સંગઠનને મજબૂત બનાવવા પર છે. પાર્ટી કાર્યકરોને સક્રિય કરવા ઉપરાંત કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની યોજનાઓ અને ઉપલબ્ધિઓ લોકો સુધી પહોંચાડવાની વ્યૂહરચના પણ તૈયાર કરવામાં આવી રહી છે.</p><h4><b>કાર્યકરો વચ્ચે સંકલન વધારાશે</b></h4><p>બી.એલ. સંતોષે સોમવારે પટિયાલા અને ભટિંડામાં સંગઠનાત્મક બેઠકોની અધ્યક્ષતા કરી હતી. 25 ઓગસ્ટે લુધિયાણા, જલંધર અને અમૃતસરમાં ઝોનલ બેઠકો યોજાશે. અમૃતસરમાં પ્રદેશ મહાસચિવો સાથે અલગ બેઠક પણ યોજાશે. આ બેઠકોનો મુખ્ય હેતુ વિવિધ વિસ્તારોમાં સંગઠનની સ્થિતિની સમીક્ષા, કાર્યકરો વચ્ચે સંકલન વધારવું અને ચૂંટણી માટે જમીની સ્તરે તૈયારીઓને વધુ મજબૂત બનાવવાનો છે. ભાજપે પંજાબની તમામ 117 બેઠકો પર નજર રાખીને અત્યારથી જ ચૂંટણીનું મેદાન તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/saina-nehwal-election--bjp-member-saina-nehwal-ready-to-contest-election-future" target="_blank">આ પણ વાંચો : હું BJP સાથે છું... ભવિષ્યમાં ચૂંટણી લડવા પર શું બોલી સાયના નેહવાલ?</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/NHLIAg4F7NOyqCXiAFXVxtITPI0cjkl7ZnSTgif6.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: સાયોના કલર્સ પ્રા. લિમિટેડ સામે EDની કડક કાર્યવાહી; રૂ. 9.19 કરોડની મિલકતો PMLA હેઠળ જપ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ed-attaches-property-sayona-colors-bank-fraud-case</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ed-attaches-property-sayona-colors-bank-fraud-case</guid><pubDate>Mon, 24 Aug 2026 19:15:06 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ સ્થિત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ટીમે કરોડો રૂપિયાના બેંક છેતરપિંડી કેસમાં મોટી કાર્યવાહી કરી છે. ED દ્વારા સાયોના કલર્સ પ્રાઇવેટ લિમિટેડ અને તેની સાથે સંકળાયેલી અન્ય ગ્રુપ કંપનીઓ સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ રૂ. 9.19 કરોડની વિવિધ સ્થાવર અને જંગમ મિલકતો કામચલાઉ ધોરણે જપ્ત કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.</p><h2><b>અમદાવાદ ED ની બેંક ફ્રોડ કેસમાં સપાટો</b></h2><p>ED ની તપાસમાં બહાર આવ્યું છે કે કંપનીએ વિવિધ બેંકો પાસેથી લોન મેળવીને રૂ. 71.88 કરોડની માતબર રકમની છેતરપિંડી આચરી હતી. કંપની દ્વારા બોગસ કરારો ઊભા કરીને અને સર્ક્યુલર ટ્રાન્ઝેક્શન (નાણાંની ગોળ-ગોળ ફેરબદલી) દર્શાવીને ફંડ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. લોનના ભંડોળનો મૂળ હેતુ પૂરો કરવાને બદલે નાણાં પ્રમોટર્સ અને તેમની ગ્રુપ કંપનીઓ તરફ વાળી દેવાયા હતા. આ ઉપરાંત લેટર ઓફ ક્રેડિટ (LC) સુવિધાનો પણ મોટો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાના સચોટ પુરાવા સાંપડ્યા છે.</p><h3><b>બેંકો સાથે રૂ. 71.88 કરોડની છેતરપિંડીનો પર્દાફાશ</b></h3><p>ED ની સઘન તપાસ દરમિયાન એ વાતનો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે કે બેંકમાંથી મેળવેલી લોનના ભંડોળનો ઉપયોગ કરીને પ્રમોટર્સે પોતાના નામે અને સંબંધિત કંપનીઓના નામે 4 જેટલી ખેતીની જમીનો ખરીદી હતી. આ સિવાય 2 ઔદ્યોગિક જમીન અને એક પ્રાઇમ રહેણાંક ફ્લેટ પણ બેંક ફ્રોડના નાણાંથી ઊભા કરવામાં આવ્યા હોવાનું સામે આવતાં તેને ટાંચમાં લેવામાં આવ્યા છે.</p><h4><b>કુલ જપ્તી રૂ. 9.62 કરોડ પહોંચી</b></h4><p>લોનના નાણાંથી ખરીદવામાં આવેલી 4 ખેતીની જમીન, 2 ઔદ્યોગિક જમીન અને 1 રહેણાંક ફ્લેટ. બેંકમાં રાખવામાં આવેલી ટર્મ ડિપોઝિટ (FD) અને ૨ ડીમેટ ખાતામાં રહેલા ઈક્વિટી શેર. આ કેસમાં ED દ્વારા કરવામાં આવેલો આ બીજો જપ્તીનો આદેશ છે. આ સાથે જ કેસમાં જપ્ત કરાયેલી કુલ મિલકતોનું મૂલ્ય હવે વધીને રૂ. 9.62 કરોડ પહોંચી ગયું છે.આ સમગ્ર મામલે નાણાકીય હેરાફેરીના મૂળ સુધી પહોંચવા અને આ કેસમાં સંકળાયેલા અન્ય પ્રમોટર્સ તથા મળતિયાઓ સામે કાર્યવાહી કરવા ED દ્વારા વધુ તપાસ હજુ પણ જારી રાખવામાં આવી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/srk-diamond-extortion-25-lakh-ex-employee-vijay-desai-arrested" target="_blank">આ પણ વાંચો: Surat: SRK ડાયમંડ પાસે 25 લાખની ખંડણી માંગનાર કંપનીનો જ પૂર્વ કર્મચારી વિજય દેસાઈ ધરપકડ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/VtnV8lTGPk0feIdzdNoqBQpgrrqEDrMpZ8Rh59YH.webp'/></item><item><title><![CDATA[Chinaમાં ટેસ્લાની 30 લાખ કાર રિકોલ, હિડન ડોર હેન્ડલને લઈને સુરક્ષા ચિંતા ]]></title><link>https://sandesh.com/business/automobile/news/tesla-recalls-3-million-cars-in-china-safety-concerns-over-hidden-door-handles</link><guid isPermaLink="true">https://sandesh.com/business/automobile/news/tesla-recalls-3-million-cars-in-china-safety-concerns-over-hidden-door-handles</guid><pubDate>Mon, 24 Aug 2026 18:48:39 +05:30</pubDate><description><![CDATA[<p>Tesla car recall: ઈલેક્ટ્રિક કારોમાં જોવા મળતા આકર્ષક રિટ્રેક્ટેબલ (હિડન) ડોર હેન્ડલને લઈને ચીનમાં વિવાદ ઘણો મોટો બન્યો છે અને હવે તેની ઝપેટમાં એલન મસ્કની કંપની ટેસ્લા પણ આવી ગઈ છે. ચીનમાં સુરક્ષાની ચિંતાઓને કારણે દેશના ઇતિહાસનો સૌથી મોટો કાર રિકોલ સામે આવ્યો છે, જેનાથી 40 લાખથી વધુ વાહનો પ્રભાવિત થયા છે. તેમાં એકલા 29.8 લાખ (લગભગ 30 લાખ) ચીનમાં બનેલા ટેસ્લા વાહનો સામેલ છે. આ ઉપરાંત શાઓમી (Xiaomi), એક્સપેંગ (XPeng) અને ગીલી (Geely) જેવી અન્ય ચીની કંપનીઓની કારો પણ આમાં સામેલ છે.</p><h2><b>30 લાખ ટેસ્લા કાર ચીનમાં રિકોલ</b></h2><p>ચીનમાં ઇલેક્ટ્રિક વાહનોના સ્ટાઇલિશ અને છુપાયેલા (રિટ્રેક્ટેબલ) ડોર હેન્ડલ મોટા સુરક્ષા વિવાદના કેન્દ્રમાં આવી ગયા છે, જેના કારણે દેશના ઇતિહાસનો સૌથી મોટો કાર રિકોલ સામે આવ્યો છે. આ કાર્યવાહી હેઠળ એકલા ટેસ્લાએ પોતાની લગભગ 30 લાખ (2.98 મિલિયન) કારો પરત બોલાવી છે. એલન મસ્કની કંપની ટેસ્લા દ્વારા લોકપ્રિય બનાવવામાં આવેલા આ ફ્લશ ડોર હેન્ડલ ગંભીર અકસ્માતો અથવા પાવર ફેલ્યરની સ્થિતિમાં ઇમરજન્સી ડોર ખોલવામાં મુશ્કેલી ઊભી કરી રહ્યા હતા, જેના કારણે બચાવ કામગીરીનું જોખમ વધી ગયું છે. આ મોટા પગલા બાદ ચીન સરકારે પહેલેથી જ સ્પષ્ટ કર્યું છે કે વર્ષ 2027થી દેશમાં સંપૂર્ણપણે હિડન ડોર હેન્ડલ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.</p><h3><b>ઇમરજન્સી સ્થિતિમાં સુરક્ષાનું સંકટ</b></h3><p>તમને જણાવી દઈએ કે હિડન અથવા રિટ્રેક્ટેબલ ડોર હેન્ડલ્સને સૌથી પહેલા એલન મસ્કે પોતાની ટેસ્લા કારોમાં રજૂ કર્યા હતા. આ છુપાયેલા ડોર હેન્ડલ કારના દરવાજાના પેનલમાં સંપૂર્ણ રીતે ફિટ હોય છે અને ડ્રાઇવર નજીક આવે ત્યારે બહાર આવે છે. ચીનમાં શાઓમીની ઇલેક્ટ્રિક કાર સાથે જોડાયેલા બે ગંભીર અકસ્માતો બાદ કારની ડિઝાઇન પર સવાલો ઊભા થયા હતા, જ્યાં પાવર ફેલ થવાના કારણે દરવાજા ખૂલી શક્યા નહોતા. ટેસ્લાએ સ્વીકાર્યું છે કે આંતરિક ટ્રિમ સાથે મળતા રંગને કારણે ઇમરજન્સીની સ્થિતિમાં આ હેન્ડલને ઓળખવા અને ખોલવામાં મુશ્કેલી પડી શકે છે.</p><h4><b>ટેસ્લા રિકોલ કરવામાં આવેલી કારો પર વૉર્નિંગ લેબલ લગાવશે</b></h4><p>આ સમસ્યાનો સામનો કરવા માટે ટેસ્લા રિકોલ કરવામાં આવેલી કારો પર વૉર્નિંગ લેબલ લગાવશે અને અકસ્માત બાદ વિન્ડોને આપમેળે નીચે કરવા માટે સોફ્ટવેર અપડેટ જાહેર કરશે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે આ ઉપાય માત્ર તાત્કાલિક ઉકેલ જેવો છે, કાયમી ઉકેલ નથી. ચીનમાં કડક પગલાં હેઠળ અધિકારીઓએ આ વર્ષે ફેબ્રુઆરીમાં જાહેરાત કરી હતી કે 1 જાન્યુઆરી 2027થી લાગુ થનારા નવા નિયમો હેઠળ માત્ર એવી જ કારોના વેચાણની મંજૂરી આપવામાં આવશે, જેમાં દરવાજાની અંદર અને બહાર બંને તરફ મિકેનિકલ રિલીઝ આપવામાં આવ્યું હોય.</p><h5><b>વૈશ્વિક સ્તરે વધતી ચિંતાઓ</b></h5><p>અહીં જણાવી દઈએ કે આ સમસ્યા માત્ર ચીન સુધી મર્યાદિત નથી. અમેરિકામાં પણ સુરક્ષા નિયમનકારો દ્વારા ટેસ્લાના ડોર હેન્ડલની તપાસ કરવામાં આવી છે, કારણ કે એવા કિસ્સા સામે આવ્યા હતા જેમાં અચાનક કામ કરવાનું બંધ થવાને કારણે બાળકો કારની અંદર ફસાઈ ગયા હતા. ગત જુલાઈમાં યુએસ નેશનલ હાઇવે ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેશન (NHTSA)એ તમામ કાર ઉત્પાદકો માટે નવા ઔપચારિક સુરક્ષા ધોરણની તૈયારી કરવાની ભલામણ કરી હતી. હવે એ જોવાનું બાકી છે કે પ્રભાવિત કંપનીઓ દુનિયાના અન્ય દેશો માટે પણ આ પ્રકારનો રિકોલ કરે છે કે નહીં.&nbsp;</p><p><b><a href="https://sandesh.com/" target="_blank">વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/8GSip0sVtOJqp0HbqXqalqooKoh6XyocMpzabLAu.webp'/></item><item><title><![CDATA[Surat: SRK ડાયમંડ પાસે 25 લાખની ખંડણી માંગનાર કંપનીનો જ પૂર્વ કર્મચારી વિજય દેસાઈની ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/srk-diamond-extortion-25-lakh-ex-employee-vijay-desai-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/srk-diamond-extortion-25-lakh-ex-employee-vijay-desai-arrested</guid><pubDate>Mon, 24 Aug 2026 18:48:17 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત શહેરના કતારગામ ખાતે આવેલી દેશ-વિદેશમાં ખ્યાતનામ અને રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાની હીરા બનાવતી કંપની 'SRK ડાયમંડ' (શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ) ની સિક્યુરિટી ઓફિસમાં ગત ૧૯ ઓગસ્ટના રોજ એક અજાણ્યા નંબર પરથી ધમકીભર્યો કોલ આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ 'દિનેશ ભાર્ગવ' તરીકે આપી હતી.</p><h2><b>શેરબજારનું મોટું દેવું ચૂકવવા પૂર્વ કર્મચારીએ જ ઘડ્યું હતું કાવતરૂં</b></h2><p>આરોપીએ ફોન પર ગંભીર ધમકી આપતાં જણાવ્યું હતું કે, જો કંપનીની નવી પેઢી (પરિવારના સભ્યો) ની જાનની સલામતી જોઈતી હોય તો તાત્કાલિક રૂ. 25 લાખની વ્યવસ્થા કરી દેવી. એટલું જ નહીં, તેણે એ પણ ધમકી આપી હતી કે "એકવાર ટાર્ગેટ લોક થઈ જશે તે પછી કશું કરવાનો કોઈ અર્થ નહીં રહે." આ ગંભીર ધમકી બાદ કંપનીના સિક્યુરિટી ઓફિસર રણજીતસિંહ જાડેજાએ કતારગામ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.</p><h3><b>મોબાઇલ નંબરના આધારે સિંગણપોરથી ધરપકડ</b></h3><p>ફરિયાદના આધારે કતારગામ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.એસ. સાકરિયા અને તેમની ટીમે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી સર્વેલન્સ હાથ ધર્યું હતું. જે મોબાઇલ નંબર પરથી ધમકી આપવામાં આવી હતી તેની ટેકનિકલ માહિતી મેળવી પોલીસે સિંગણપોર વિસ્તારમાં આવેલા દેવ રેસિડેન્સી ખાતે દરોડો પાડ્યો હતો અને આરોપી વિજય દિલીપ દેસાઈ (ઉંમર 35 વર્ષ) ને ઝડપી પાડ્યો હતો.</p><h4><b>25 લાખની ખંડણી માંગનાર પૂર્વ કર્મચારી ઝડપાયો</b></h4><p>પકડાયેલો આરોપી વિજય દેસાઈ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના દીક્ષર ગામનો વતની છે અને તે અગાઉ SRK ડાયમંડ કંપનીમાં જ નોકરી કરતો હોવાથી કંપનીના માળખાથી વાકેફ હતો. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે તેને શેરબજારના ટ્રેડિંગમાં ખૂબ જ મોટું આર્થિક નુકસાન થયું હતું અને માથે દેવું વધી ગયું હતું. દેવું ભરપાઈ કરવા અને ટૂંકા રસ્તે રાતોરાત અમીર બનવા માટે તેણે પોતાની જ જૂની કંપનીને ટાર્ગેટ બનાવી બોગસ નામે ૨૫ લાખની ખંડણી માંગવાનો પ્લાન બનાવ્યો હતો. હાલ પોલીસે આરોપી વિજય દેસાઈ સામે કાયદેસરની તજવીજ પૂરી કરી તેના રિમાન્ડ મેળવવાની અને ધમકી આપવા માટે વપરાયેલ મોબાઇલ અને સિમકાર્ડ જપ્ત કરવાની કામગીરી હાથ ધરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/cyber-crime-lovely-arora-arrested-chennai-dollar-trading-fraud" target="_blank">આ પણ વાંચો: Surat: ડૉલર ટ્રેડિંગના નામે કરોડોની ઠગાઈ આચરનાર ચેન્નઈથી પકડાયો, વેસુના વેપારી સાથે રૂ. 1.52 કરોડની ઠગાઈ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/pS5PWRmgOniPUUTddTpIV2TR9lv4ySm4fL5FNkRB.webp'/></item><item><title><![CDATA[Bharuch News: વાગરાની ઓરા ચોકડી પાસે બંધ મકાનમાંથી 2.50 લાખની રોકડ અને દાગીનાની ચોરી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/bharuch/vagra-ora-chokdi-house-burglary-cash-jewellery-stolen</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/bharuch/vagra-ora-chokdi-house-burglary-cash-jewellery-stolen</guid><pubDate>Mon, 24 Aug 2026 18:23:05 +05:30</pubDate><description><![CDATA[<p>ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે તસ્કરોએ પોલીસ પેટ્રોલિંગને ખુલ્લો પડકાર ફેંક્યો છે. વાગરાની ઓરા ચોકડી નજીક આવેલી સોસાયટીમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાની મત્તાની ચોરી કરી ફરાર થઈ જતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ફફડાટ વ્યાપી ગયો છે.</p><h2><b>ગ્રીલ અને દરવાજાના નકુચા તોડી ઘરમાં પ્રવેશ</b></h2><p>મળતી માહિતી અનુસાર, મકાનમાલિક શેખ અજરુદ્દીન નશરુદ્દીન અને તેમનો પરિવાર પોતાના અંગત કામ અર્થે ઘરને તાળું મારી બહારગામ ગયો હતો. આ બંધ મકાન અને અંધારાનો સીધો લાભ ઉઠાવી ચોરોએ ચોરીની યોજના બનાવી હતી. તસ્કરોએ સૌપ્રથમ મકાનની બહારની ગ્રીલનો નકુચો તોડ્યો હતો અને ત્યારબાદ મુખ્ય દરવાજાનું તાળું તેમજ નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો.</p><h2><b>તિજોરી તોડી 2.50 લાખ રોકડા અને સોનાના દાગીનાની લૂંટ</b></h2><p>ઘરમાં ઘૂસ્યા બાદ ચોરોએ સમગ્ર ઘરમાં સામાન ફેંદી નાખ્યો હતો અને તિજોરી તોડી તેમાં રાખેલી કિંમતી ચીજવસ્તુઓ પર હાથ સાફ કર્યો હતો. મકાનમાલિકના જણાવ્યા અનુસાર, તસ્કરો ઘરમાંથી 2.50 લાખ રૂપિયાની રોકડ રકમ, 3.5 તોલાનો સોનાનો હાર તેમજ 4 સોનાની વીંટીઓ સહિત લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરીને પલાયન થઈ ગયા હતા.</p><p><img alt="Bharuch News: Lakhs Stolen from Locked House Near Vagra Ora Chokdi" src="https://epapercdn.sandesh.com/images/2026/08/24/4vSIAmkMaMBJmLK8IXc1D9rzHKqWlgjx8xphoIdY.webp" style="width: 100%;"><br></p><h2><b>પોલીસ તપાસ અને CCTV ફૂટેજની ચકાસણી શરૂ</b></h2><p>સવારે ઘટનાની જાણ થતાં જ પરિવારજનો તુરંત બહારગામથી નિવાસ્થાને દોડી આવ્યા હતા અને બનાવ અંગે વાગરા પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસે આસપાસના વિસ્તારના CCTV કેમેરાના ફૂટેજ ચકાસવાની સાથે તસ્કરોનું સુરાગ મેળવવા તપાસ તેજ કરી છે. રહેણાંક વિસ્તારમાં બનેલી આ ઘટનાથી સ્થાનિક રહેવાસીઓમાં ભય અને ચિંતાનો માહોલ છવાયો છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/crime/bharuch/narmada-acb-trap-drug-officials-arrested-for-bribe" target="_blank">Bharuch Bharuch News: ACBના હાથે ઝડપાયા ડ્રગ્સ વિભાગના બે લાંચિયા અધિકારી, ફાર્માસિસ્ટ એસોસિએશને કરી ઉજવણી</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/dxyqTx59hTrPWxtCY6QZHHC8TJuFrfur7U8vdetR.webp'/></item><item><title><![CDATA[Koffee With Karan 9માં સલમાન ખાન બનશે પહેલો સોલો ગેસ્ટ! આ સ્ટાર્સ પણ આવશે નજરે! ]]></title><link>https://sandesh.com/entertainment/news/koffee-with-karan-9-salman-khan-solo-guest</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/koffee-with-karan-9-salman-khan-solo-guest</guid><pubDate>Mon, 24 Aug 2026 17:42:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કરણ જોહરનો શો કોફી વિથ કરણ હંમેશાં ચર્ચામાં રહે છે. હવે શોની 9મી સીઝનને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. શોમાં કયા સ્ટાર્સ ગેસ્ટ તરીકે જોવા મળશે તેને લઈને પણ અનેક મોટા નામ સામે આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, સલમાન ખાન શોના પહેલા ગેસ્ટ બનવાના છે.</p><h2 style="text-align: justify; "><b>સલમાન ખાન બનશે સોલો ગેસ્ટ</b></h2><p style="text-align: justify; ">મીડિયા રિપોર્ટ મુજબ, સલમાન ખાને કરણ જોહરના શોના પ્રીમિયર એપિસોડમાં હાજરીની પુષ્ટિ કરી છે. સલમાન ખાન શોમાં એકલા જોવા મળશે. શો ઓક્ટોબરથી નવેમ્બર વચ્ચે સ્ટ્રીમ થશે.</p><h3 style="text-align: justify; "><b>શોમાં આ સ્ટાર્સ પણ જોવા મળી શકે છે</b></h3><p style="text-align: justify; ">આ વખતે શોમાં અનેક મોટા ગેસ્ટ જોવા મળશે. દિલ ચાહતા હૈની ટીમ આમિર ખાન, સૈફ અલી ખાન, ફરહાન અખ્તર અને અક્ષય ખન્ના પણ શોમાં જોવા મળી શકે છે. આ ઉપરાંત દિલજીત દોસાંઝ અને વિકી કૌશલ એકસાથે શોમાં જોવા મળે તેવી ચર્ચા છે. ક્રીતિ સેનન અને વરુણ ધવનની જોડી પણ શોમાં જોવા મળી શકે છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DcYiUl0iLn3/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DcYiUl0iLn3/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DcYiUl0iLn3/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DcYiUl0iLn3/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><p style="text-align: justify; ">આ ઉપરાંત વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના પણ એકસાથે શોમાં જોવા મળી શકે છે. અન્ય ગેસ્ટની વાત કરીએ તો સમય રૈના, ફરાહ ખાન, કરીના કપૂર, કાજોલ, જયા બચ્ચન, અહાન પાંડે અને અનિત પઢ્ઢા જેવા સ્ટાર્સ પણ શોમાં જોવા મળી શકે છે. શોની વાત કરીએ તો આ બોલીવુડના સૌથી વધુ ચર્ચિત ટોક શોમાંથી એક રહ્યો છે. કોફી વિથ કરણની પહેલી સીઝન 2004માં શરૂ થઈ હતી. અત્યાર સુધી શોની 8 સીઝન આવી ચૂકી છે. આ શો ઘણી વખત વિવાદોમાં પણ રહ્યો છે. હવે નવી સીઝનને લઈને ફેન્સ ઉત્સાહિત છે.</p><h4 style="text-align: justify; "><b>કરણ જોહરે આ ફિલ્મોનું નિર્દેશન કર્યું છે</b></h4><p style="text-align: justify; ">કરણ જોહરની વાત કરીએ તો તેમણે 1998માં ફિલ્મ કુછ કુછ હોતા હૈથી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ તેમણે લખી અને ડિરેક્ટ કરી હતી. તેમણે કભી ખુશી કભી ગમ, કભી અલવિદા ના કહેના, માય નેમ ઇઝ ખાન, સ્ટુડન્ટ ઓફ ધ યર, બોમ્બે ટોકીઝ, એ દિલ હૈ મુશ્કિલ, લસ્ટ સ્ટોરીઝ અને રોકી ઔર રાની કી પ્રેમ કહાની જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. છેલ્લે તેમણે રોકી ઔર રાની કી પ્રેમ કહાનીનું નિર્દેશન કર્યું હતું. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/toxic-advance-booking-peddi-the-raja-saab-record" target="_blank">આ પણ વાંચો-Toxic બની 2026ની બીજી સૌથી મોટી એડવાન્સ બુકિંગ ફિલ્મ, પેડ્ડી અને ધ રાજા સાબને પછાડી!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/rWJEsAqhist18Yi23D5IcMVC48U8KCJ5QcGeGiGH.webp'/></item><item><title><![CDATA[Hockey World Cup 2026: શું ભારતીય હોકી ટીમ સેમિફાઇનલમાં પહોંચશે? જાણો સંપૂર્ણ સમીકરણ ]]></title><link>https://sandesh.com/sports/news/hockey-world-cup-2026-will-the-indian-hockey-team-reach-the-semi-finals-know-the-complete-equation</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/hockey-world-cup-2026-will-the-indian-hockey-team-reach-the-semi-finals-know-the-complete-equation</guid><pubDate>Mon, 24 Aug 2026 16:56:58 +05:30</pubDate><description><![CDATA[<p>નેધરલેન્ડ્સ સામે 1-3થી મળેલી હારથી ભારતીય પુરુષ હોકી ટીમ વર્લ્ડ કપની કગાર પર આવી ગઈ છે.સેમિફાઇનલમાં પહોંચવાની તેમની આશાઓ લુપ્ત થતી દેખાતી હોવા છતાં,ટીમને આર્જેન્ટિના સામેની તેમની અંતિમ ગ્રુપ મેચ પહેલા નોંધપાત્ર રાહત મળી.આર્જેન્ટિનાએ ઇંગ્લેન્ડને 3-1થી હરાવ્યું,જેના પરિણામે ભારત અંતિમ ચારમાં પ્રવેશના દરવાજા સંપૂર્ણપણે બંધ થયા નથી.જોકે ભારતનું ભાગ્ય હવે ફક્ત તેમના પોતાના પ્રદર્શનથી નક્કી થશે નહીં.ક્રેગ ફુલ્ટનની ટીમે આર્જેન્ટિના સામે માત્ર જીતની જ નહીં,પરંતુ નોંધપાત્ર માર્જિનથી જીતની પણ જરૂર પડશે.વધુમાં ભારતને નેધરલેન્ડ્સ તરફથી નોંધપાત્ર સહાયની જરૂર પડશે.</p><h5><b>ભારત પૂલ Eમાં ચોથા સ્થાને</b></h5><p>નેધરલેન્ડ્સ બે મેચમાંથી છ પોઈન્ટ સાથે ટેબલમાં આગળ છે.ઇંગ્લેન્ડ અને આર્જેન્ટિનાના ત્રણ-ત્રણ પોઈન્ટ છે,જ્યારે ભારત બંને મેચ હારી ગયા પછી પણ ચોથા સ્થાને છે.નેધરલેન્ડ્સનો ગોલ તફાવત +4,ઇંગ્લેન્ડનો 0, આર્જેન્ટિનાનો 0 અને ભારત -4 છે.</p><h5><b>ભારત સામે મોટો પડકાર</b></h5><p>ભારતે ઓછામાં ઓછા બે ગોલના માર્જિનથી આર્જેન્ટિનાને હરાવવું પડશે. જો ભારત બે ગોલથી જીતે છે, તો તે ગોલની સંખ્યાના આધારે આર્જેન્ટિનાને પાછળ છોડી દેશે. જો બેથી વધુ ગોલથી જીત મળે છે, તો ભારત ગોલ તફાવતના આધારે આગળ વધશે. જોકે, આર્જેન્ટિનાને હરાવવું સરળ રહેશે નહીં. આ વર્ષની FIH પ્રો લીગમાં આર્જેન્ટિનાએ ભારતને 8-0 અને 4-2થી હરાવ્યું હતું. તેથી, ભારત પાસે જીતનો પડકાર જ નહીં, પણ ઓછામાં ઓછા બે ગોલના માર્જિનથી જીતવાનો મુશ્કેલ પડકાર પણ છે.</p><h5><b>નેધરલેન્ડ્સ ભારતનું કાર્ય સરળ બનાવશે</b></h5><p>જો ભારત જીતે તો પણ સેમિફાઇનલમાં સ્થાનની ખાતરી નહીં મળે. તેમને આશા રાખવી પડશે કે નેધરલેન્ડ્સ તેમની છેલ્લી મેચમાં ઇંગ્લેન્ડને મોટા માર્જિનથી હરાવશે. ભારત માટે સૌથી સરળ સમીકરણ એ છે કે આર્જેન્ટિનાને ઓછામાં ઓછા બે ગોલથી હરાવવું, અને નેધરલેન્ડ્સ ઇંગ્લેન્ડને ત્રણ ગોલથી હરાવશે.</p><h5><b>ઇંગ્લેન્ડ સામે ભારતનો મુકાબલો</b></h5><p>બીજો રસપ્રદ પાસું મેચનો સમય છે. ભારત અને આર્જેન્ટિના સોમવારે સાંજે 6:30 વાગ્યે રમશે, જ્યારે ઇંગ્લેન્ડ અને નેધરલેન્ડ્સનો મુકાબલો રાત્રે 10:30 વાગ્યે શરૂ થશે. આનો અર્થ એ છે કે ઇંગ્લેન્ડ મેદાનમાં ઉતરતા પહેલા જ ભારતનું પરિણામ જાણી લેશે. જો ભારત આર્જેન્ટિનાને હરાવે છે, તો ઇંગ્લેન્ડને સેમિફાઇનલમાં પહોંચવા માટે નેધરલેન્ડ્સ સામે શું કરવાની જરૂર છે તેનો સ્પષ્ટ ખ્યાલ હશે. ભારતનો રસ્તો હાલમાં અત્યંત મુશ્કેલ છે, પરંતુ હજુ પણ આશા છે.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/indian-captains-pain-spilled-after-being-eliminated-from-hockey-world-cup-said-this-big-thing" target="_blank">Hockey World Cup માંથી બહાર થયા બાદ ભારતીય ટીમના કેપ્ટનનું છલકાયું દર્દ, કહી આ મોટી વાત</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/aydVoGPxaAtbzh69ejvC4QZ1gZczuboh7FhQRs6c.webp'/></item></channel></rss>