<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Womens Hockey WorldCup : બીજા રાઉન્ડમાં ભારતીય મહિલા હોકી ટીમ નેધરલેન્ડ્સ સામે 2-0થી હારી ]]></title><link>https://sandesh.com/sports/news/womens-hockey-worldcup-indian-womens-hockey-team-loses-2-0-to-netherlands-in-second-round</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/womens-hockey-worldcup-indian-womens-hockey-team-loses-2-0-to-netherlands-in-second-round</guid><pubDate>Sat, 22 Aug 2026 08:10:40 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય ટીમને મહિલા હોકી વર્લ્ડ કપ 2026ના બીજા રાઉન્ડના પહેલા મેચમાં નેધરલેન્ડ્સ સામે 2-0 થી હારનો સામનો કરવો પડ્યો હતો.કેપ્ટન સલીમા ટેટેએ ટીમને ગોલ-સ્કોરિંગ પ્રયાસ તરફ દોરી હતી,પરંતુ ભારતીય ખેલાડીઓ ડચના મજબૂત ડિફેન્સને ભેદવામાં અસમર્થ રહી હતી.ડચ ખેલાડીઓએ સમગ્ર મેચ દરમિયાન શાનદાર અને આક્રમક રમત દર્શાવી,પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું.મોટાભાગની મેચમાં તેમનો કબજો હતો.</p><h5><b>નેધરલેન્ડ્સના ખેલાડીઓએ ઉત્તમ પ્રદર્શન કર્યું</b></h5><p>નેધરલેન્ડ્સે આ મહિલા હોકી વર્લ્ડ કપ 2026 મેચની શરૂઆતથી જ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. રમતના બીજા મિનિટે, યબ્બી જેન્સેનએ પેનલ્ટી કોર્નરથી ગોલ કરીને નેધરલેન્ડ્સને 1-0 ની લીડ અપાવી, જેના કારણે ભારતીય ટીમ પ્રથમ ક્વાર્ટરના અંતે 0-1 થી પાછળ રહી ગઈ. બીજા ક્વાર્ટરમાં કોઈ પણ ટીમ ગોલ કરી શકી નહીં, અને નેધરલેન્ડ્સે હાફટાઇમ સુધી 1-0 ની લીડ જાળવી રાખી.</p><h5><b>નેધરલેન્ડ્સે ત્રીજા ક્વાર્ટરમાં પોતાનો બીજો ગોલ કર્યો</b></h5><p>નેધરલેન્ડ્સે ત્રીજા ક્વાર્ટરમાં બીજો ગોલ કર્યો. મેચની 38મી મિનિટે, માલ્ટાએ પેનલ્ટી કોર્નરને ગોલ કરીને નેધરલેન્ડ્સને 2-0ની મજબૂત લીડ અપાવી. ત્રીજા ક્વાર્ટરના અંત સુધી સ્કોર 2-0 નેધરલેન્ડ્સના પક્ષમાં રહ્યો. ત્યારબાદ ભારતીય ટીમે ચોથા અને અંતિમ ક્વાર્ટરમાં વાપસી કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પરંતુ તેઓ ડચના મજબૂત ડિફેન્સને તોડી શક્યા નહીં, અને ભારતને 2-0 થી હારનો સામનો કરવો પડ્યો.</p><h5><b>ભારતીય ટીમનો સેમિફાઇનલમાં પહોંચવાનો માર્ગ મુશ્કેલ બન્યો</b></h5><p>બીજા રાઉન્ડની પહેલી મેચ હાર્યા બાદ, ભારતીય મહિલા હોકી ટીમનો સેમિફાઇનલમાં પ્રવેશ હવે અત્યંત મુશ્કેલ લાગે છે. જોકે, ટીમને ઓસ્ટ્રેલિયા સામે હજુ એક મેચ રમવાની બાકી છે. ભારત હવે આગળ વધશે કે નહીં તે અન્ય ટીમોની મેચોના પરિણામો પર આધાર રાખે છે. અગાઉ, ભારતીય ટીમ તેના ગ્રુપમાં અજેય રહીને ટોપ-8 માં સ્થાન મેળવવામાં સફળ રહી હતી.ભારતીય કેપ્ટન સલીમા ટેટેએ મેચ પછી ટીમના સંઘર્ષ અને થાક વિશે વાત કરી. તેમણે સમજાવ્યું કે ખેલાડીઓ સતત મેચ રમીને શારીરિક રીતે થાકી ગઈ હતી, જેના કારણે પરિસ્થિતિઓ મુશ્કેલ બની ગઈ હતી. આમ છતાં, ખેલાડીઓએ છેલ્લી સીટી સુધી સખત લડત આપી.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/cricket/news/kate-cross-england-star-player-kate-cross-announces-retirement" target="_blank">Kate Cross : ઈંગ્લેન્ડની સ્ટાર ખેલાડી કેટ ક્રોસે નિવૃત્તિની કરી જાહેર</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/22/lNmvq4ETf8zOyhF0XTZqjRHPqyR3yFtkSDUpprJ7.webp'/></item><item><title><![CDATA[Vadodara: કંડારી કૉલેજમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અંગે સેમિનાર યોજાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-seminar-on-competitive-exam-preparation-held-at-kandari-college</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-seminar-on-competitive-exam-preparation-held-at-kandari-college</guid><pubDate>Sat, 22 Aug 2026 05:37:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કરજણ : કરજણ નજીક ને.હા.48 પર આવેલ શ્રીમતી. એચ. સી. પટેલ (કંડારી) આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, કરજણ ખાતે પ્રિન્સિપાલ ડૉ. જી. એસ. પટેલના માર્ગદર્શન હેઠળ કરિયર ગાઇડન્સ કમીટી એન્ડ ઉદીશા ક્લબ તથા સંકલ્પ કેરિયર એકેડેમીના સહયોગથી ગુજરાત સરકાર દ્વારા યોજાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અંગેના સેમિનાર યોજાયો હતો. જેમાં સંકલ્પ કેરિયર એકેડેમીના ડિરેક્ટર વિકાસ દ્વારા વિદ્યાર્થીઓને ગુજરાત સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા, પરીક્ષાનું માળખું, અભ્યાસક્રમ અને તૈયારી માટેની વ્યૂહરચના અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું. જેમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થી ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/22/WmZZ5U3aNDIfTovzaOomouYayYpHk398UXMbZw2s.webp'/></item><item><title><![CDATA[Chhotaudepur: ક્વાંટ તાલુકામાં દીપડાના હુમલામાં મોતને ભેટેલ વૃદ્ધાના પરિવારને રૂા.10લાખની સહાય ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-rs-10-lakh-assistance-to-the-family-of-an-elderly-man-who-died-in-a-leopard-attack-in-quant-taluka</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-rs-10-lakh-assistance-to-the-family-of-an-elderly-man-who-died-in-a-leopard-attack-in-quant-taluka</guid><pubDate>Sat, 22 Aug 2026 05:37:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">છોટાઉદેપુર : કવાંટ તાલુકાના રાયસિંગપુરા ગામે ખાટીયાબારી ફ્ળિયું ખાતે તાજેતરમાં દીપડાએ આશરે 65 વર્ષીય વૃદ્ધાને ઘરની પાછળ આવેલી ઓરડીમાં સૂતી હતી. તે દરમિયાન ઢસડીને જંગલ તરફ્ ખેંચી ગયો હતો. દીપડાના આ હુમલામાં વૃદ્ધાનું કરુણ મોત નીપજ્યું હતું. જેને લઈને સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરિ વળ્યું હતું. જે બાદ વન વિભાગ (ફેરેસ્ટ ડિપાર્ટમેન્ટ) દ્વારા મૃતક વૃદ્ધાના પરિવારને સહાયરૂપે રૂા. 10 લાખનો ચેક મંજૂર કરાયો હતો. રાજ્યસભાના સાંસદ મુકેશભાઈ રાઠવા દ્વારા આ સહાયનો ચેક પીડિત પરિવારને સુપરત કરાયો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/22/fJc0Bf5CYEhyzduRWX2EhbhV1eImFOaEmzYCQ7NO.webp'/></item><item><title><![CDATA[Panchmahal: જિલ્લા પ્રાથમિક શિક્ષકોને ચૂંટણી કામનું બાકી વળતર ચુકવવા માગ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/panchmahal/panchmahal-demand-to-pay-outstanding-compensation-for-election-work-to-district-primary-teachers</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/panchmahal/panchmahal-demand-to-pay-outstanding-compensation-for-election-work-to-district-primary-teachers</guid><pubDate>Sat, 22 Aug 2026 05:36:35 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify;">છોટાઉદેપુર જિલ્લા તથા તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી દરમિયાન કામગીરી બજાવનાર પ્રાથમિક શિક્ષકોનું બાકી મહેનતાણું ચૂકવવા છોટાઉદેપુર જિલ્લા પ્રા. શિક્ષક સંઘ દ્વારા નિવાસી અ. કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ છે.</p><p style="text-align: justify; ">તાલુકા તથા જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મોટી સંખ્યામાં પ્રાથમિક શિક્ષકોને વિવિધ ચૂંટણીલક્ષી કામગીરી સોંપાઇ હતી. જે પૂર્ણ થયા બાદ અનેક કર્મચારીઓને સમયસર મહેનતાણું ચૂકવાયું ન હતું. અગાઉ રજૂઆત કર્યા બાદ કેટલાક કર્મચારીઓને ચુકવણી કરાઇ છે. પરંતુ હજુ પણ વિવિધ તાલુકામાં મોટી સંખ્યામાં શિક્ષકોનું મહેનતાણું બાકી હોવાનું સંઘે જણાવ્યું છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/22/ZBO8DgaXX8z7fRwXUQhN4dwCTIvJ2LxqVc2DBjGf.webp'/></item><item><title><![CDATA[Vadodara: ડભાસામાં ચોરાયેલ રૂા.23 હજારના કોપર કેબલ સાથે બે તસ્કર ઝડપાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-two-smugglers-caught-with-stolen-copper-cables-worth-rs-23-thousand-in-dabhasa</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-two-smugglers-caught-with-stolen-copper-cables-worth-rs-23-thousand-in-dabhasa</guid><pubDate>Sat, 22 Aug 2026 05:35:50 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify;">પાદરા તાલુકાના ડભાસા ગામની સીમમાં લુણા રોડ ઉપર આવેલી દેવાશીસ પ્રાઇવેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાંથી ચોરી થયેલી વેલ્ડીંગ કોપર કેબલ ગણતરીના કલાકોમાં શોધી કાઢી પાદરા પોલીસે બે શખ્સોને ઝડપી પાડી ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે.</p><p style="text-align: justify;">ડભાસાની દેવાશીસ કંપનીમાંથી તા.18 ઓગસ્ટની રાત્રિ દરમિયાન વેલ્ડીંગ કોપર કેબલની ચોરી થઈ હોવા અંગે પાદરા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 305(A) મુજબ ગુનો નોંધાયો હતો. જેની તપાસ દરમિયાન પાદરા પોલીસ સ્ટેશનના PI પી. વી. ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસની બે ટીમ બનાવી પેટ્રોલિંગ અને બાતમીદારો મારફ્તે ચોરીનો ભેદ ઉકેલવા પ્રયાસો હાથ ધરાયા હતા. પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ મેલાભાઈને બાતમી મળી હતી કે, દેવાશીસ કંપનીમાંથી ચોરી થયેલી વેલ્ડીંગ કોપર કેબલ એક મીણિયા થેલીમાં ભરી બે શંકાસ્પદ ઇસમ પાદરા ટાઉનમાં પરનામી અગરબત્તીની પાછળ આવવાના છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી બંનેને કોર્ડન કરી ઝડપી પાડયા હતા. પોલીસે તેમની પાસેથી ચોરીમાં ગયેલી અંદાજે રૂા.23,000ની વેલ્ડીંગ કોપર કેબલ કબજે કરી હતી. પોલીસે કર્ણાકુવા ગામના અજય રમેશ પરમાર (ઉં.27) અને ચિરાગ મહેન્દ્ર ગોહિલ (ઉં.25)ને ઝડપી પાડી ચોરીના ગુનાનો ભેદ ઉકેલી વધુ કાર્યવાહી હાથ ધરી છે.</p><p style="text-align: justify;"><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><ul><li style="text-align: justify;"><br></li></ul> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/22/E8HYq1lVBB9eRXND3r4mmJl0EhsYAM3Wlq92pFHN.webp'/></item><item><title><![CDATA[Vadodara: મેઢાદની કિશોરીના પરિવારને રૂા.10 લાખની સહાય અર્પણ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-10-</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-10-</guid><pubDate>Sat, 22 Aug 2026 03:54:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પાદરા તાલુકાના મેઢાદ ગામની 12 વર્ષીય કિશોરી હેતલબેન જનકભાઈ રાઠોડીયાનું વિશ્વામિત્રી નદીમાં મગરના હુમલામાં કરુણ મોત નીપજ્યું હતું. મગર કિશોરીને નદીના ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો. બીજા દિવસે શોધખોળ દરમિયાન કિશોરીનો મૃતદેહ નદીના સામેના કિનારેથી મળ્યો હતો. આ દુઃખદ ઘટનાથી સમગ્ર મેઢાદ ગામમાં શોકની લાગણી ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં પાદરા પોલીસ, વનવિભાગ, ફયર વિભાગ તેમજ સ્થાનિક વહીવટી તંત્રની ટીમો દ્વારા શોધખોળ કરીને બીજા દિવસે કિશોરીનો મૃતદેહ શોધીને પાદરા સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની મુલાકાતમાં વન વિભાગ દ્વારા મૃતક કિશોરીના પરિવારને અંદાજિત રૂા.10 લાખની સહાય મંજૂર કરાઇ હતી. ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે પરિવારજનોને રૂા.10 લાખની સહાયનો ચેક અર્પણ કરાયો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/q8AIvldr9wP37AZd5dQLukRnGqcSeEE8vPAg2qJk.webp'/></item><item><title><![CDATA[India News : શું ઇથેનોલના કારણે ખાંડ મોંઘી થઈ? જાણો સરકારે શું કરી સ્પષ્ટતા ]]></title><link>https://sandesh.com/india/news/is-ethanol-responsible-for-rising-sugar-prices--government-clarifies</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/is-ethanol-responsible-for-rising-sugar-prices--government-clarifies</guid><pubDate>Fri, 21 Aug 2026 22:58:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">છેલ્લા સપ્તાહમાં દેશમાં ખાંડના ભાવમાં વધારો નોંધાયો છે. 20 જુલાઈ 2026ના રોજ ખાંડનો ભાવ ₹48.18 પ્રતિ કિલો હતો, જે 20 ઓગસ્ટ સુધીમાં વધીને ₹55.70 પ્રતિ કિલો થયો છે. આમ એક જ મહિનામાં પ્રતિ કિલો ₹7.52નો વધારો જોવા મળ્યો છે. ભાવ વધારાને ડામવા સરકારે જરૂરી પગલાં લેવાની શરૂઆત કરી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે ખાંડના ભાવ વધારા માટે ઇથેનોલ ઉત્પાદન જવાબદાર નથી.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>આંતરરાષ્ટ્રીય બજારમાં બે મહિનામાં ભાવ 16%થી વધુ વધ્યા</b></h2><p style="text-align: justify; ">આંકડા અનુસાર, ઇથેનોલ માટે ડાયવર્ટ કરવામાં આવતી ખાંડનો હિસ્સો 2022-23માં 12% હતો જે ઘટીને 2025-26માં આશરે 9% થયો છે. ઉપરાંત, દેશમાં બનતું લગભગ પોણા ભાગનું ઇથેનોલ હવે અનાજ, ખાસ કરીને મકાઈમાંથી તૈયાર થાય છે. ચાલુ સિઝનમાં દેશમાં ખાંડનું ઉત્પાદન 306 લાખ ટન રહેવાનો અંદાજ છે. શેરડીના પાકને રોગ અને ભારે વરસાદથી નુકસાન થયું હોવા છતાં, ઓક્ટોબરમાં નવી સિઝન શરૂ થાય ત્યાં સુધી દેશમાં પર્યાપ્ત સ્ટોક ઉપલબ્ધ છે. વિશ્વભરમાં પણ ખાંડનો પુરવઠો ઘટવાની ચિંતા વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં બે મહિનામાં ભાવ 16%થી વધુ વધ્યા છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>વેપારીઓ પર 400 ટનની સ્ટોક લિમિટ લાગુ કરી</b></h3><p style="text-align: justify; ">ખાંડની સંગ્રહખોરી રોકવા માટે કેન્દ્ર સરકારે વેપારીઓ પર 400 ટનની સ્ટોક લિમિટ લાગુ કરી છે, જે 1 ઓગસ્ટથી 30 નવેમ્બર 2026 સુધી અમલમાં રહેશે. જ્યારે 1 સપ્ટેમ્બરથી મોટા ખરીદદારો 15 દિવસથી વધુનો સ્ટોક રાખી શકશે નહીં. ઘરેલું પુરવઠો સુધારવા માટે 10 લાખ ટન કાચી ખાંડની કરમુકત (ડ્યુટી ફ્રી) આયાતને મંજૂરી આપવામાં આવી છે. સરકારે શુગર મિલોને 15 ઓક્ટોબરથી જ પિલાણ શરૂ કરવા સલાહ આપી છે. સરકારે ઉમેર્યું હતું કે 20 ઓગસ્ટ 2026 સુધીમાં 2025-26 સિઝનના 97% શેરડીના બિલની ચૂકવણી ખેડૂતોને કરી દેવામાં આવી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/income-tax-officer-jarnail-b--singh-sentenced-to-3-years-in-bribery-case" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: લાંચ લેવાના કેસમાં આવકવેરા અધિકારી જરનૈલ બી. સિંહને 3 વર્ષની કેદની સજા</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/3KtQ0tE0m9jBLohIjesxRhey18ZHmcV2ke2ZGd3o.webp'/></item><item><title><![CDATA[22 August Top News: 22 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ ]]></title><link>https://sandesh.com/india/news/gujarat/22-august-top-news-gujarat-national-history-updates</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/gujarat/22-august-top-news-gujarat-national-history-updates</guid><pubDate>Fri, 21 Aug 2026 22:22:52 +05:30</pubDate><description><![CDATA[<p>22 ઓગસ્ટ 2026ના રોજ દેશ અને રાજકારણમાં મોટી હલચલ જોવા મળી રહી છે. ભાજપ અને કોંગ્રેસની દિલ્હીમાં મહત્વપૂર્ણ સંગઠનાત્મક બેઠકો યોજાઈ રહી છે, જ્યારે ગૃહમંત્રી અમિત શાહ સિલીગુડીમાં સરહદી સુરક્ષા અંગે સમીક્ષા કરશે. બીજી તરફ ગુજરાતમાં ભાવનગર લઠ્ઠાકાંડ અંગે રાજકારણ ગરમાયું છે, જ્યારે ખેડબ્રહ્મા અને લાલપુરમાં વીજકાપની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત, અમરનાથ યાત્રાના અંતિમ ચરણમાં છડી મુબારક રવાના થશે, તથા જ્યોતિષીય દ્રષ્ટિએ બુધ-કેતુનો પ્રભાવ શરૂ થઈ રહ્યો છે.</p><h2><b>દિલ્હીમાં ભાજપની મહત્વની બેઠક અને ગુજરાતનું પ્રતિનિધિત્વ</b></h2><p>નિતિન નવીન પોતાની 65 સભ્યોની નવી ટીમ સાથે દિલ્હીમાં ભાજપ મુખ્યાલય ખાતે સવારે 9 વાગ્યે બેઠક યોજશે. આ નવી ટીમમાં ગુજરાતના 4 અગ્રણી નેતાઓને સ્થાન મળ્યું છે, જે આગામી સંગઠનાત્મક વ્યૂહરચના માટે અત્યંત મહત્વનું માનવામાં આવે છે.</p><h2><b>ગૃહમંત્રી અમિત શાહનો સિલીગુડી પ્રવાસ</b></h2><p>કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સિલીગુડી પ્રવાસનો અંતિમ દિવસ છે. તેઓ 22 ઓગસ્ટના રોજ સવારે ગૃહ મંત્રાલય, BSF, SSB અને રાજ્યની સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ સાથે ભારતની સીમા સુરક્ષા મુદ્દે હાઈલેવલ સમીક્ષા બેઠક કરશે.</p><h2><b>રાહુલ ગાંધીનો 'છાત્રાઓ સાથે સંવાદ' કાર્યક્રમ</b></h2><p>કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો 'છાત્રા કી ગૂંજ' કાર્યક્રમ 22 ઓગસ્ટે સાંજે 5 વાગ્યે શરૂ થશે. આ કાર્યક્રમમાં તેઓ દેશની મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ સાથે સીધો સંવાદ કરશે અને તેમના મુદ્દાઓ સાંભળશે.</p><h2><b>અમરનાથ યાત્રાનું અંતિમ ચરણ: છડી મુબારક પ્રસ્થાન</b></h2><p>પવિત્ર અમરનાથ યાત્રા હવે આખરી તબક્કામાં પહોંચી છે. 22 ઓગસ્ટે પવિત્ર 'છડી મુબારક' શ્રીનગરથી પહલગામ માટે રવાના થશે. 28 ઓગસ્ટે શ્રાવણ પૂનમના દિવસે પવિત્ર ગુફા ખાતે પૂજા-અર્ચના સાથે યાત્રાનું વિધિવત સમાપન થશે.</p><h2><b>ભાવનગર ઘટના મુદ્દે આમ આદમી પાર્ટીના વિરોધ પ્રદર્શન</b></h2><p>ભાવનગરમાં ઝેરી દારૂ પીવાથી થયેલા મોત મુદ્દે આપ નેતા મનોજ સોરઠિયાએ સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે આ ઘટનાને કાયદો-વ્યવસ્થાની નિષ્ફળતા ગણાવી ગૃહમંત્રીના રાજીનામાની માગ સાથે 22 ઓગસ્ટે તમામ જિલ્લા મથકો પર વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે.</p><h2><b>હર્ષ સંઘવીનો દિલ્હી પ્રવાસ અને બેઠકો</b></h2><p>ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી 22 ઓગસ્ટે દિલ્હી પ્રવાસે રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ અને જન્મદિવસની ઉજવણીના આયોજન માટે યોજાનારી ખાસ બેઠકમાં તેઓ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.</p><h2><b>દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી</b></h2><p>હવામાન વિભાગ દ્વારા 22 ઓગસ્ટે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. ચોમાસાની સક્રિયતાને કારણે નાગરિકોને સાવચેત રહેવા જણાવાયું છે.</p><h2><b>લાલપુરમાં સવારે વીજ પુરવઠો બંધ રહેશે</b></h2><p>લાલપુર શહેરમાં PGVCL દ્વારા 66 KV સબસ્ટેશનમાંથી MVCC કેબલ બદલવાની કામગીરીને કારણે 22 ઓગસ્ટે સવારે 8:30 થી બપોરે 12:00 વાગ્યા સુધી લાલપુર ટાઉન અને ટેભડા ફીડરમાં વીજળી બંધ રહેશે.</p><h2><b>ખેડબ્રહ્મામાં 8 કલાકનો વીજકાપ</b></h2><p>UGVCL દ્વારા ખેડબ્રહ્મા સબસ્ટેશન હેઠળ આવતા વિસ્તારોમાં જરૂરી સમારકામ માટે 22 ઓગસ્ટે સવારે 8:00 થી સાંજે 4:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે, જેની અસર આસપાસના ગ્રામ્ય વિસ્તારો પર પડશે.</p><h2><b>બુધ-કેતુના ગોચરથી રાશિઓ પર અસર</b></h2><p>22 ઓગસ્ટે બુધ ગ્રહ સિંહ રાશિ અને મઘા નક્ષત્રમાં પ્રવેશ કરશે. મઘા નક્ષત્રના સ્વામી કેતુ હોવાથી 29 ઓગસ્ટ સુધી અમુક રાશિના જાતકોને આર્થિક અને માનસિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.</p><h2><b>વર્લ્ડ પ્લાન્ટ મિલ્ક ડે ની ઉજવણી</b></h2><p>ડેરી દૂધના ટકાઉ વિકલ્પ તરીકે પ્લાન્ટ-બેઝ્ડ મિલ્કના મહત્વને સમજાવવા 22 ઓગસ્ટે વર્લ્ડ પ્લાન્ટ મિલ્ક ડે ઉજવાય છે. વર્ષ 2017થી શરૂ થયેલી આ ઝુંબેશ પર્યાવરણ અને પ્રાણીઓની સુરક્ષા માટે લોકોને જાગૃત કરે છે.</p><h2><b>ધાર્મિક હિંસાના પીડિતોની સ્મૃતિનો આંતરરાષ્ટ્રીય દિવસ</b></h2><p>સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા 22 ઓગસ્ટના દિવસને ધર્મ કે માન્યતાના આધારે થતી હિંસાના ભોગ બનેલા પીડિતોની યાદમાં આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે મનાવવામાં આવે છે.</p><h2><b>22 ઓગસ્ટની ઐતિહાસિક ઘટનાઓ</b></h2><ul><li>1320 - ગાઝી મલિકે યુદ્ધમાં નસીરુદ્દીન ખુસરોને પરાજય આપ્યો.</li><li>1639 - બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ મદ્રાસ (હાલનું ચેન્નાઈ) શહેરની સ્થાપના કરી.</li><li>1848 - અમેરિકાએ ન્યૂ મેક્સિકો પર પોતાનો અધિકાર સ્થાપિત કર્યો.</li><li>1849 - ઇતિહાસમાં પ્રથમ હવાઈ હુમલો - ઓસ્ટ્રિયાએ વેનિસ પર માનવરહિત ફુગ્ગા વડે બોમ્બમારો કર્યો.</li><li>1851 - ઓસ્ટ્રેલિયામાં સોનાની ખાણો મળી આવી.</li><li>1864 - યુદ્ધના ઘાયલોની સુરક્ષા માટે 12 દેશોએ પ્રથમ જિનીવા કન્વેન્શન પર હસ્તાક્ષર કર્યા.</li><li>1894 - મહાત્મા ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં રંગભેદ સામે લડવા નાતાલ ઇન્ડિયન કોંગ્રેસની સ્થાપના કરી.</li><li>1902 - અમેરિકાના ડેટ્રોઇટમાં વિખ્યાત કાર કંપની 'કેડિલેક'ની સ્થાપના થઈ.</li><li>1910 - જાપાને કોરિયા પર સંપૂર્ણ સૈન્ય કબજો કર્યો.</li><li>1914 - પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બેલ્જિયમમાં બ્રિટિશ અને જર્મન સૈનિકો વચ્ચે પ્રથમ લડાઈ થઈ.</li><li>1921 - મહાત્મા ગાંધીએ અમદાવાદમાં વિદેશી કપડાંની હોળી પ્રગટાવી સ્વદેશી આંદોલન વધુ તેજ કર્યું.</li><li>1978 - કેન્યાના પ્રથમ રાષ્ટ્રપતિ જોમો કેન્યાટ્ટાનું 83 વર્ષની વયે અવસાન થયું.</li><li>1979 - ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીએ 6ઠ્ઠી લોકસભા ભંગ કરી.</li><li>2002 - કાઠમંડુમાં સાર્ક વિદેશ મંત્રીઓની પરિષદ યોજાઈ અને નેપાળમાં પ્લેન ક્રેશમાં 16 લોકોના મોત થયા.</li><li>2007 - ઇજિપ્તમાં 20 લાખ વર્ષ જૂના માનવ પગના નિશાન મળ્યા; સ્પેસ શટલ એન્ડેવર સુરક્ષિત લેન્ડ થયું.</li><li>2008 - મધ્યપ્રદેશ સરકારે વનવાસીઓ પરના સામાન્ય વન ગુનાના કેસો પાછા ખેંચવાનો નિર્ણય લીધો.</li><li>2012 - સીરિયાના ગૃહયુદ્ધમાં 47 અને કેન્યામાં આદિવાસી સંઘર્ષમાં 48 લોકોના મોત થયા.</li><li>2017 - ભારતીય સુપ્રીમ કોર્ટે એકસાથે ત્રણ તલાકની પ્રથાને ગેરબંધારણીય જાહેર કરી.</li></ul><h2><b>22 ઓગસ્ટના રોજ પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ</b></h2><ul><li>1877 - આનાંદ કુમાર સ્વામી: ભારતના જાણીતા મહાન કલાકાર, વિચારક અને કલા ઇતિહાસકાર.</li><li>1915 - સોંભુ મિત્રા: ભારતીય સિનેમા અને રંગમંચના વિખ્યાત કલાકાર, નાટ્યકાર અને દિગ્દર્શક.</li><li>1919 - ગિરિજાકુમાર માથુર: હિન્દી સાહિત્યના પ્રખ્યાત કવિ અને નાટ્યકાર.</li><li>1924 - હરિશંકર પરસાઈ: હિન્દી સાહિત્યના પ્રખ્યાત વ્યંગકાર અને લેખક.</li><li>1934 - ઇલ્યાસ આઝમી: ભારતીય રાજકારણી અને 11મી લોકસભાના પૂર્વ સભ્ય.</li><li>1935 - રેવા પ્રસાદ દ્વિવેદી: કાશીના પ્રખ્યાત સંસ્કૃત વિદ્વાન અને કવિ.</li><li>1955 - ચિરંજીવી: ભારતીય સિનેમાના સુપરસ્ટાર અને પૂર્વ રાજકારણી.</li></ul><h2><b>22 ઓગસ્ટના રોજ પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ</b></h2><ul><li>1818 - વોરન હેસ્ટિંગ: બ્રિટિશકાળમાં ભારતના પ્રથમ ગવર્નર જનરલ.</li><li>1959 - સૈયદ ફઝલ અલી: ભારતીય ન્યાયાધીશ તથા આસામ અને ઓડિશાના પૂર્વ રાજ્યપાલ.</li><li>1993 - આર. ગુંડુ રાવ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી.</li><li>2014 - યુ. આર. અનંતમૂર્તિ: જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા કન્નડ સાહિત્યકાર અને વિચારક.</li><li>2017 - ઋષંગ કીશિંગ: મણિપુરના પૂર્વ 6ઠ્ઠા મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા.</li><li>2018 - ગુરુદાસ કામત: ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ રાજકારણી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી.</li><li>2021 - સૈયદ શાહિદ હકીમ: પૂર્વ ભારતીય ફૂટબોલર અને ઓલિમ્પિયન.</li></ul><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/21-august-top-10-important-news-headlines" target="_blank">21 ઓગસ્ટના દિવસભરના 10 મહત્વના સમાચાર</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/QUWICorm66Z3WNFFjy9Ton5nWNpHW86rgZvPXwzs.webp'/></item><item><title><![CDATA[Arjun Rampal Wedding: TITLE- વધુ એક બોલીવુડ સેલિબ્રિટીએ ચોંકાવ્યા! અભિનેતાએ 15 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે શરૂ કર્યો સંસાર ]]></title><link>https://sandesh.com/entertainment/news/arjun-rampal-wedding-gabriella-demetriades-registered-marriage-goa</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/arjun-rampal-wedding-gabriella-demetriades-registered-marriage-goa</guid><pubDate>Fri, 21 Aug 2026 20:39:24 +05:30</pubDate><description><![CDATA[<p>અર્જુન રામપાલ અને ગેબ્રિએલા ડિમિટ્રીએડ્સએ પોતાના નજીકના લોકોની હાજરીમાં ઉત્તર ગોવાના માપુસામાં સબ રજીસ્ટ્રાર ઓફિસમાં જઇ લગ્ન રજીસ્ટર કરાવ્યા હતા. એક અહેવાલ મુજબ યુનિફોર્મ સિવિલ કોડ મુજબ આ લગ્નને સબ રજીસ્ટ્રાર સુરજ વર્નેકરે રજીસ્ટર કર્યા હતા. અર્જુન અને ગેબ્રિએલા કેઝ્યુઅલ ડ્રેસમાં સાંજે 4 વાગ્યાની આસપાસ સબ રજીસ્ટ્રાર ઓફિસમાં પહોંચ્યા હતા. અર્જુનની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા દક્ષિણ આફ્રિકાની છે. છેલ્લા 7 વર્ષથી લીવ ઇનમાં રહીને ડેટિંગ કર્યા બાદ બંને શુક્રવારે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી પતિ પત્ની બન્યા હતા.&nbsp;</p><h2><b>લીવ ઇનમાં રહીને માતાપિતા પણ બન્યા અર્જુન અને ગેબ્રિએલા</b></h2><p>અર્જુન રામપાલ અને ગેબ્રિએલા ડિમિટ્રીએડ્સ વર્ષ 2019થી ડેટિંગ કરી રહ્યા હતા. લાંબા સમય સુધી લીવ ઇનમાં રહ્યા બાદ તેઓ આરિક અને આરિવ બંને પુત્રોના માતાપિતા પણ બન્યા હતા. ગેબ્રિએલા અર્જુનથી 15 વર્ષ નાની છે. બંનેએ વર્ષ 2025માં સગાઇ પણ કરી હતી. બોલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તીના પોડકાસ્ટમાં અર્જુને ગેબ્રિએલા સાથેની સગાઇ કરી લીધી હોવાની જાહેરાત કરી હતી. અને સંબંધને ઔપચારિક સ્વરૂપ આપવાનું નક્કી કર્યું હતું.</p><h2><b>2018માં અર્જુને પહેલી પત્નીને આપ્યા હતા છુટાછેડા</b></h2><p>અર્જુન રામપાલના લગ્ન અગાઉ મોડલ મેહર જેસિયા સાથે થયા હતા. પહેલા લગ્નથી અર્જુનને માહિરા અને માહિકા એમ 2 દીકરીઓ પણ છે. વર્ષ 2018માં તેણે પત્નીને છુટાછેડા આપી દીધા હતા.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/entertainment/news/preity-zintas-new-film-vibe-teaser-released-will-go-on-a-spy-mission-with-kunal-khemu" target="_blank">Preity Zintaની નવી ફિલ્મ ‘વાઇબ’નું ધમાકેદાર ટીઝર રિલીઝ, કુણાલ ખેમૂ સાથે સ્પાય મિશન પર નીકળશે</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/G1CNzOJyhLXs8JhTmlEXHqb55YcMQ4hm0xcqYv8O.webp'/></item><item><title><![CDATA[Mobile મેન્યુફેક્ચરિંગ સ્કીમ-2 લોન્ચ, મોબાઇલ ઉત્પાદન બમણું થશે ]]></title><link>https://sandesh.com/business/news/mobile-manufacturing-scheme-2-launched-production-will-double</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/mobile-manufacturing-scheme-2-launched-production-will-double</guid><pubDate>Fri, 21 Aug 2026 18:57:04 +05:30</pubDate><description><![CDATA[<p>Union Minister of Electronics and IT અશ્વિની વૈષ્ણવે શુક્રવારે મોબાઇલ ફોન મેન્યુફેક્ચરિંગ સ્કીમ-2ને સત્તાવાર રીતે લોન્ચ કરી. સરકારનો ઉદ્દેશ આ યોજના દ્વારા દેશમાં મોબાઇલ ફોનનું ઉત્પાદન વધારવાનો અને તેને બમણું કરવાનો છે. </p><h2><b>મોબાઇલ ફોન મેન્યુફેક્ચરિંગ સ્કીમ-2 લોન્ચ</b></h2><p>આ સ્કીમ લોન્ચ કરતી વખતે અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સરકાર ભારતીય કંપનીઓને મોબાઇલ મેન્યુફેક્ચરિંગના અલગ-અલગ સ્તરે જરૂરી સહયોગ આપશે. તેનો હેતુ દેશમાં મોબાઇલ ફોનની સાથે તેના પાર્ટ્સ અને કમ્પોનન્ટ્સનું મજબૂત ઇકોસિસ્ટમ તૈયાર કરવાનો છે. મોબાઇલ ફોનની કિંમતોમાં વધારા અંગે પણ અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, હાલમાં મેમરી ચિપના ભાવ વધી રહ્યા છે, જેના કારણે મોબાઇલ ફોનની કિંમતો પર પણ અસર પડી રહી છે. સરકાર દેશમાં મેમરી ચિપનું ઉત્પાદન વધારવા પર ધ્યાન આપી રહી છે. આ માટે દેશમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ સ્થાપિત કરવા પર પણ કામ કરવામાં આવશે. તેનાથી આવનારા સમયમાં ભારતની આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળી શકે છે.</p><h4><b>એક મોબાઇલમાં લગભગ 1,000 પાર્ટ્સ</b></h4><p>અશ્વિની વૈષ્ણવે કહ્યું કે એક મોબાઇલ ફોનમાં લગભગ 1,000 અલગ-અલગ પાર્ટ્સ હોય છે. ભારતમાં આ પાર્ટ્સનું ઇકોસિસ્ટમ ઝડપથી વિકસ્યું છે અને તેમાં મોટી સંખ્યામાં MSME કંપનીઓ સામેલ છે. પહેલાં ભારતમાં મોબાઇલ મેન્યુફેક્ચરિંગનું ધ્યાન મુખ્યત્વે પ્રોડક્શન પર હતું. હવે સરકાર ભારતમાં ડિઝાઇન અને ભારતમાં જ ઉત્પાદનને પણ પ્રોત્સાહન આપવા માંગે છે.</p><p><b><a href="https://sandesh.com/d\" target="_blank">વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ&nbsp;</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/Wk0IjsnBTkrdOz5AHAk27zrrvyZGqoGDZKUmGDYT.webp'/></item></channel></rss>