<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabadમાં યુરિયા ખાતરનું કૌભાંડ પકડાયું! વટવા GIDC માંથી 857 બોરી જપ્ત, કાળાબજારીયાઓમાં મચ્યો ફફડાટ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad--857-bags-of-agricultural-urea-illegally-diverted-to-factories-seized-in-vatva</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad--857-bags-of-agricultural-urea-illegally-diverted-to-factories-seized-in-vatva</guid><pubDate>Thu, 10 Sep 2026 09:06:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના વટવા GIDC વિસ્તારમાં ખેતીવાડી માટે અનામત રાખવામાં આવતા સબસિડી વાળા નીમ કોટેડ યુરિયા ખાતરના ગેરકાયદેસર ઉપયોગ અને કાળાબજારીનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. નાયબ ખેતી નિયામક અને વટવા GIDC પોલીસની સંયુક્ત ટીમે એસ.પી. રિંગ રોડ પર આવેલા શ્રદ્ધા એસ્ટેટમાંથી દરોડો પાડીને ખેતી માટેનું 857 બોરી યુરિયા ખાતર જપ્ત કર્યું છે. ખેડૂતોને રાહત દરે મળતા આ ખાતરનો ફેક્ટરીઓમાં ઔદ્યોગિક પ્રોસેસિંગ માટે ગેરકાયદેસર ઉપયોગ થતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.</p><h2 style="text-align: justify; "><b>25 ઓગસ્ટે સીઝ કરાયેલા જથ્થાનો રિપોર્ટ આવતાં ખુલાસો</b></h2><p style="text-align: justify; ">બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ગત 25 ઓગસ્ટના રોજ વટવા GIDC સ્થિત શ્રદ્ધા એસ્ટેટમાંથી શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો પકડવામાં આવ્યો હતો અને તેના લેબોરેટરી સેમ્પલ ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા હતા. આ સેમ્પલનો સત્તાવાર રિપોર્ટ આવી જતાં અને તે ખેતીવાડી માટેનું જ નીમ કોટેડ યુરિયા હોવાનું પુરવાર થતાં પોલીસે આકરી કાર્યવાહી કરી છે. પ્રાથમિક તપાસમાં આ જથ્થો મંગાવનાર તરીકે અર્જુનસિંહ સિસોદિયા, હિમાંશુ પટેલ અને અંકિત પટેલના નામ સામે આવ્યા છે, જ્યારે આ ગેરકાયદે ખાતર સપ્લાય કરવાનું નેટવર્ક રાયમલ ભરવાડ નામનો વ્યક્તિ ચલાવતો હોવાનું બહાર આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>વટવા GIDC પોલીસની કાયદેસર કાર્યવાહી</b></h2><p style="text-align: justify; ">ખેતીવાડી વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા 857 બોરી ખાતરનો જથ્થો વિધિવત સીઝ કરીને જપ્ત કરી લેવામાં આવ્યો છે. આ કૌભાંડમાં સામેલ સપ્લાયર રાયમલ ભરવાડ તેમજ ફેક્ટરી માટે જથ્થો ખરીદનાર ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની ગુનાહિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરકારી સબસિડી વાળા ખેતી ખાતરનો ઔદ્યોગિક એકમોમાં દુરુપયોગ અટકાવવા માટે તંત્ર દ્વારા લેવાયેલા આ કડક પગલાંથી ખાતરની કાળાબજારી કરતા ભૂમાફિયાઓ અને વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/gandhinagar--under-construction-building-slab-collapses-in-kudasan--15-laborers-trapped" target="_blank">Gandhinagar Building Collapse : કુડાસણમાં અચાનક બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી, 15 શ્રમિકો દટાયા, NDRF-SDRF ઘટનાસ્થળે...</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/10/AozCk6lAoFKYnfkpiueNUzcsC5vZa2jZr1c65GDY.webp'/></item><item><title><![CDATA[Apple એ લોન્ચ કર્યા iPhone 18 Pro, 'iPhone Duo', જાણો ભારતમાં કેટલી છે કિંમત? ]]></title><link>https://sandesh.com/tech/news/india/iphone-18-pro-iphone-duo-price-india-launch</link><guid isPermaLink="true">https://sandesh.com/tech/news/india/iphone-18-pro-iphone-duo-price-india-launch</guid><pubDate>Thu, 10 Sep 2026 08:39:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ટેક્નોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપની Apple દ્વારા આંતરરાષ્ટ્રીય બજારની સાથે ભારતમાં પણ તેની અત્યાધુનિક iPhone 18 Pro શ્રેણી અને કંપનીના પહેલા ફોલ્ડેબલ સ્માર્ટફોન 'iPhone Duo' ને લોન્ચ કરી દીધો છે.  આ તમામ નવા સ્માર્ટફોન્સ Appleની અત્યાર સુધીની સૌથી શક્તિશાળી 2nm ટેકનોલોજી પર આધારિત A20 Pro ચિપસેટ સાથે આવે છે, જેમાં શાનદાર પરફોર્મન્સ માટે 6-કોર CPU અને 7-કોર GPU આપવામાં આવ્યા છે. સાથે જ તેમાં કંપનીનું ઇન-હાઉસ C2 મોડેમ પણ સામેલ છે.પરંતુ ભારતમાં તેની કિંમત શું રહેશે આવો જાણીએ આ અહેવાલમાં...</p><h2 style="text-align: justify; "><b>સૌથી પહેલા iPhone Duoની કિંમત અને વેરિઅન્ટ વિશે&nbsp;</b></h2><p style="text-align: justify; "><b>1. iPhone Duo (ફોલ્ડેબલ ફોન):</b></p><p style="text-align: justify; ">Appleના આ પહેલા ફોલ્ડેબલ ડિવાઇસને ભારતમાં 'નાઈટ સ્કાય' અને 'સ્ટાર વ્હાઇટ' એમ બે આકર્ષક રંગોમાં રજૂ કરવામાં આવ્યો છે. તે 256GB, 512GB, 1TB અને 2TB એમ ચાર સ્ટોરેજ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. ભારતમાં તેની પ્રારંભિક કિંમત ₹2,99,900 છે, જ્યારે અન્ય વેરિઅન્ટ્સ અનુક્રમે ₹3,24,900, ₹3,74,900 અને ₹4,49,900 ની કિંમતે ઉપલબ્ધ થશે. આ ફોન માટે ભારતીય ગ્રાહકો 16 ઓક્ટોબરે સાંજે 5.30 ૦ વાગ્યાથી પ્રી-ઓર્ડર કરી શકશે અને તેનું સત્તાવાર વેચાણ 23 ઓક્ટોબરથી શરૂ થશે.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/johnternus/status/2097753253027221817"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; "><b>2. iPhone 18 Pro અને Pro Max:</b></p><p style="text-align: justify; ">સામાન્ય પ્રો શ્રેણીની વાત કરીએ તો, iPhone 18 Pro અને iPhone 18 Pro Max બંને ચાર શાનદાર કલર ઓપ્શન્સ (ડીપ બ્લેક, ગ્લેશિયર, સિલ્વર અને બર્ગન્ડી) અને ચાર સ્ટોરેજ વિકલ્પોમાં આવ્યા છે. iPhone 18 Pro: ભારતમાં તેની શરૂઆતની કિંમત ₹1,64,900 (256 GB) છે, જ્યારે 512 GB ની કિંમત ₹1,89,900, 1TB ની કિંમત ₹2,39,900 અને 2TB વેરિઅન્ટની કિંમત ₹3,14,900 છે.</p><p style="text-align: justify; ">iPhone 18 Pro Max: આ ટોપ-એન્ડ મોડેલની શરૂઆતની કિંમત ₹1,79,900 (256 GB) છે. આ ઉપરાંત 512 GB માટે ₹2,04,900 1TB માટે ₹2,54,900 અને 2TB વેરિઅન્ટ માટે ₹3,29,900 ચૂકવવા પડશે. આ બંને પ્રો મોડેલ્સ માટે પ્રી-ઓર્ડર 12 સપ્ટેમ્બરે સાંજે 5.30 વાગ્યે શરૂ થશે અને ભારતમાં તેનું મુખ્ય વેચાણ 18 સપ્ટેમ્બરથી શરૂ થશે.<br><br><b><a href="https://sandesh.com/world/news/zelenskyy-plane-drone-near-miss-norway" target="_blank">આ પણ વાંચોઃ Ukraine: રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી માંડ માંડ બચ્યા, નોર્વે જતી વખતે વિમાન સાથે ડ્રોન અથડાતા રહી ગયું</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/10/qPDPBfSMVvhN2c0V9GoedkL0UiFFIXcND418bTrH.webp'/></item><item><title><![CDATA[Gujarat Weather News: બંગાળની ખાડી અને સૌરાષ્ટ્ર તરફ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ, યલો એલર્ટ જાહેર કરાયું ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/rain-alert-in-14-september-as-three-weather-systems-become-active</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/rain-alert-in-14-september-as-three-weather-systems-become-active</guid><pubDate>Thu, 10 Sep 2026 08:08:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે.રાજ્યમાં હાલમાં 19 ટકા વરસાદની ઘટ ચાલી રહી છે ત્યારે આગામી 12થી 14 સપ્ટેમ્બર દરમિયાન વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની આગાહી કરવામાં આવી છે.આગામી 11 સપ્ટેમ્બરે બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થશે અને રાજ્યમાં એકસાથે ત્રણ સિસ્ટમો સક્રિય થવાને કારણે મેઘરાજા ફરી મહેરબાન થશે.આ નવા વરસાદી માહોલની અસરો રૂપે આગામી 12 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.ત્યારબાદ 13 સપ્ટેમ્બરે રાજ્યના 21 જિલ્લાઓમાં અને 14 સપ્ટેમ્બરે 18 જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>સુરતમાં લઘુત્તમ તાપમાન 26.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું&nbsp;</b></h2><p style="text-align: justify; ">લાંબા વિરામ બાદ આગામી 12થી 14 સપ્ટેમ્બર સુધી મેઘરાજા દક્ષિણ ગુજરાત પર મહેરબાન થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.બંગાળની ખાડી અને સૌરાષ્ટ્ર તરફ સર્જાયેલા અપર એર સક્યુલેશનને કારણે સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.વરસાદની આગાહી વચ્ચે વીતેલા બે દિવસથી ક્યારેક વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.બુધવારે પણ સવારે 10  વાગ્યાની આસપાસ કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા.ટૂંક સમયમાં ધોધમાર વરસાદ તૂટી પડશે તેવું વાતાવરણ છવાયા બાદ થોડીવારમાં ઉઘાડ નીકળી ગયો હતો.બુધવારે સુરતનું મહત્તમ તાપમાન 33.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 83 ટકા અને સાંજે 72 ટકા રહ્યું હતું.તેમજ પ્રતિકલાક સરેરાશ 6 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો.</p><h3 style="text-align: justify; "><b>12 અને 13 સપ્ટેમ્બરે આ વિસ્તારોમાં વરસાદ થશે</b></h3><p style="text-align: justify; ">&nbsp;12 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નર્મદા, નવસારી તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે.તારીખ 13 સપ્ટેમ્બરે મધ્ય ગુજરાત અને અમદાવાદ સહિતના પંથકમાં મેઘરાજા મહેરબાન રહેશે.અમદાવાદ શહેરમાં ભારે વરસાદ પડવાની ખાસ આગાહી કરવામાં આવી છે.આ ઉપરાંત આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. માત્ર મુખ્ય ભૂમિ જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના પંથકમાં પણ બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ અને દીવ જેવા જિલ્લાઓમાં પણ છૂટાછવાયા સ્થળોએ ધોધમાર વરસાદ વરસવાની શક્યતા છે.</p><h2 style="text-align: justify; "><b>14 સપ્ટેમ્બરે આ વિસ્તારોમાં વરસાદની સંભાવના</b></h2><p style="text-align: justify; ">14 સપ્ટેમ્બરે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં મેઘાવી માહોલ યથાવત રહેશે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ અને દાદરા નગર હવેલી જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર, બોટાદ, અમરેલી, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરાઈ છે.દરિયાકાંઠે સર્જાનારી સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.હવામાન વિભાગ દ્વારા માછીમારોને આગામી 12થી 14 સપ્ટેમ્બર દરમિયાન દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/somnath-ambaji-and-dwarka-circuit-houses-handed-over-to-private-party" target="_blank">આ પણ વાંચોઃ Gandhinagar News: સોમનાથ અને અંબાજી સહિતના સર્કિટ હાઉસ ખાનગી પાર્ટીને સોંપાયા</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/10/ubvgDMzXdssitUa84duhwP2umRzFRCoWIw8Y71xk.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: સોમનાથ અને અંબાજી સહિતના સર્કિટ હાઉસ ખાનગી પાર્ટીને સોંપાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/somnath-ambaji-and-dwarka-circuit-houses-handed-over-to-private-party</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/somnath-ambaji-and-dwarka-circuit-houses-handed-over-to-private-party</guid><pubDate>Thu, 10 Sep 2026 07:48:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજ્યમાં ત્રણ મોટા યાત્રાધામો સોમનાથ,અંબાજી અને દ્વારકા ખાતેના સરકારી સરકિટ હાઉસીસ સરકારે ખાનગી હાથોમાં સોંપી દીધાં છે અને આ સરકિટ હાઉસીસ ખાનગી કંપનીઓને સોંપવાથી રાજ્ય સરકારને કુલ 143.28 લાખનું વાર્ષિક ભાડું મળી રહ્યું છે.આ જાણકારી બુધવારે વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન પૂછાયેલા એક પ્રશ્નના લિખિત ઉત્તરમાં બહાર આવી છે.</p><h2 style="text-align: justify; "><b>માત્ર પ્રાયોગિક રીતે જ કોન્ટ્રાક્ટથી અપાયા&nbsp;</b></h2><p style="text-align: justify; ">સૂત્રો એવું કહે છે કે,આ ત્રણેય સરકિટ હાઉસીસ ખાનગી કંપનીઓ-એકમોને ભાડે ચલાવવા આપતી વખતે સરકારે ખાનગી પાર્ટી સાથે એગ્રીમેન્ટ કરેલું છે જે મુજબ ભાડે લેનાર પાર્ટીઓ 75 ટકા રૂમોમાં જ પોતાની રીતે ભાડું વસૂલવાનું હોય છે. બાકી 25 ટકા રૂમો સરકારી નિયત ભાડેથી આપવામાં આવે છે. જે ત્રણ સરકિટ હાઉસ ખાનગી પાર્ટીને સોંપાયા છે તે માત્ર પ્રાયોગિક રીતે જ કોન્ટ્રાક્ટથી અપાયા છે.તા.31-7-26ની સ્થિતિએ છેલ્લા બે વર્ષ દરમિયાન આ ત્રણે સરકિટ હાઉસ ખાનગી પાર્ટીઓને ચલાવવા અપાયા છે.</p><h2 style="text-align: justify; "><b>વિકાસ કાર્યોમાં થાય તે હેતુથી ભાડેપટ્ટે આપવાનો નિર્ણય</b></h2><p style="text-align: justify; ">સરકારે વિધાનસભામાં અપાયેલા લિખિત જવાબમાં એમ પણ કહ્યું છે કે,રાજ્યના અગત્યના સ્થળોએ આવેલા સરકિટ હાઉસના સંચાલનમાં સતત સુધારણા કરી ખાનગી ક્ષેત્રની કુશળતા,અનુભવ તથા નિષ્ણાતોના સહયોગથી મુલાકાતીઓને ગુણવત્તાયુક્ત આતિથ્ય સેવાઓ મળી રહે અને સરકારી મૂડીનો ઉપયોગ અન્ય પ્રાથમિકતા ધરાવતા વિકાસ કાર્યોમાં થાય તે હેતુથી ભાડેપટ્ટે આપવાનો નિર્ણય થયેલો છે.</p><h2 style="text-align: justify; "><b>પહેલાં સરકારે 25 ટકા રૂમ પોતાની પાસે રાખેલાં&nbsp;</b></h2><p style="text-align: justify; ">ઉક્ત ત્રણે સરકિટ હાઉસ એક જ ખાનગી કંપની નિલાયા ગ્રૂપની મેકવે મેનેજમેન્ટને સોંપાયા છે.જેના ભાગીદારો વિજય ચૌધરી અને વિપુલ ચૌધરી છે.ગાંધીનગરનું પથિકાશ્રમ આ જ પાર્ટીને સોંપાયું છે.ત્યાં પહેલાં સરકારે 25 ટકા રૂમ પોતાની પાસે રાખેલાં તે બધા રૂમ પણ હવે આ પાર્ટીને સંચાલન માટે સોંપી દેવાયા છે.કહેવાય છે કે, પાલનપુરમાં જે બ્રિજ પડી ગયેલો તે ઘટના આ ગ્રૂપ બ્લેકલિસ્ટ થયેલું છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-orders-7-day-seal-for-mosquito-infested-construction-sites" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: જે બાંધકામ સાઈટ પર મચ્છર મળે તેને 7 દિવસ સીલ કરોઃ AMC કમિશ્નરનો આદેશ</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/10/2Uc0NY24jvSBaE04mHOYjx23LAZqzPvAfSr2kz9S.webp'/></item><item><title><![CDATA[Vapi:પારડી APMCની ચૂંટણીમાં 99 ટકા મતદાન, આજે મતગણતરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vapi/vapi-99-percent-voting-in-pardi-apmc-elections-counting-of-votes-today</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vapi/vapi-99-percent-voting-in-pardi-apmc-elections-counting-of-votes-today</guid><pubDate>Thu, 10 Sep 2026 04:47:25 +05:30</pubDate><description><![CDATA[<p>પારડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં બુધવારે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. જિલ્લા સહકારી મંડળી રજિસ્ટ્રાર અધિકારીની રાહબરી હેઠળ ગોઠવાયેલી વ્યવસ્થામાં વહેલી સવારથી જ મતદાન શરૂ થયું હતું. પારડી તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી ખેડૂત મતદારો મતદાન કરવા પહોંચ્યા હતા. ચૂંટણીમાં કુલ આશરે 110 ખેડૂત મતદારો પૈકી 109 ખેડૂતોએ મતદાન કર્યું, જેના પગલે લગભગ 99 ટકાનું મતદાન નોંધાયું હતું. મતદાન પૂર્ણ થતાં તમામ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થઈ ગયું છે. એપીએમસીના હાલના ચેરમેન આશિષભાઈ રણછોડભાઈ પટેલની પેનલના ચાર ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.</p><p>બાકીની બેઠકો માટે આશિષભાઈની પેનલના ઉમેદવારો સામે પારડીના જાણીતા વકીલ અમિતભાઈ પટેલ એકમાત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં છે. આમ કુલ 11 ઉમેદવારો ચૂંટણીમાં મેદાનમાં રહ્યા હતા. હવે તા. 10 સપ્ટેમ્બરના રોજ સવારે 9 વાગ્યાથી મતગણતરી થશે. દરમિયાન આશિષભાઈ પટેલે જણાવ્યું હતું કે તેમની પેનલના ચાર ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે .</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/10/6xTDjCjabv3lOylOK7icAD8wblWK8HcZPxBtNJ4M.webp'/></item><item><title><![CDATA[Kim : કીમમાં રેલવે દ્વારા અંડરપાસ સબ-વે બનાવવાની કામગીરીનો પ્રારંભ થયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/kim-railways-begins-construction-of-underpass-subway-in-kim</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/kim-railways-begins-construction-of-underpass-subway-in-kim</guid><pubDate>Thu, 10 Sep 2026 04:32:30 +05:30</pubDate><description><![CDATA[<p>કીમ : કીમ રેલવે સ્ટેશન નજીક બંને દિશામાં રેલવે વિભાગ દ્વારા લોકોની અવર જવર માટે 70 મીટર લંબી અન્ડરગ્રાઉન્ડ સબવે બનાવવાની કામગીરી શરૂ કરવમાં આવી છે.</p><p>કીમ રેલવેની 158 ફાટક ઉપર વર્ષો પર્યાપ્ત માંગણી બાદ આશરે ચાર વર્ષ પૂર્વે જંગી ખર્ચ કરી રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો. પરંતુ બ્રીજની બંને દિશામાં અવર જવર માટે તંત્ર દ્વારા કોઇ આયોજન કરાયું ન હતું. તેમજ યોગ્ય પ્લાનીંગ વગર ઊંચો ફુટ ઓવરબ્રિજ બનાવી તેના બંને દિશામાં 60 - 60 લોખંડનાં પગથીયા બનાવ્યા હતા. આ પગથિયા ચઢવા સિનિયર સિટીઝન, દર્દીઓ સહિત લોકો માટે અત્યંત કપરૂ બન્યુ છે. તેમજ આ ફુટ ઓવરબ્રિજ ઉપર પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી ઘણા ઉપર દિવસો સુધી વરસાદી પાણી ભરાઇ રહેતા લોકોને ગંકદીમાંથી પસાર થવુ પડે છે. જેનાંથી ત્રસ્ત લોકો બંને દિશામાં અવર જવર માટે શોર્ટકટ માર્ગ રૂપી કુલ પાંચ લાઇન પાટાની ઓળંગવા લાગ્યા અને ટૂંકા સમયગાળામાં અનેક લોકો ટ્રેનની અડફેટે આવીને મૃત્યુ પામ્યા. જેથી કીમનાં સરપંચ પ્રવિણ પટેલ સહિત આગેવાનોએ આ મામલે વડોદરા સ્થિત ડીઆરએમ અને રેલ મંત્રી સુધી ધારદાર રજૂઆત કરી હતી. આખરે રેલવે વિભાગે આ રજૂઆતને ધ્યાને લઈ કીમ પૂર્વ અને પશ્ચિમ દિશામાં લોકોની અવર જવર માટે અંદાજીત ત્રણથી ચાર મીટર પહોળી અને 70 મીટર લંબી અંડરપાસ ટનલ (સબવે) બનાવવાની કામગીરી શરૂ કરી છે. જેનાથી વેપારીઓ, વિદ્યાર્થીઓ અને લોકોમાં હર્ષની લાગણી જોવા મળી હી છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/10/D0GIaCB9mnSlh3JRQUj4mzSWss9zmMsya6QQfNYA.webp'/></item><item><title><![CDATA[Hanuman Ansh 2માં જોવા મળશે વિરાટ-અનુષ્કા? જાણો શું કહ્યું પ્રોડ્યુસરે ]]></title><link>https://sandesh.com/entertainment/news/hanuman-ansh-2-virat-kohli-anushka-sharma-special-role-nim-karoli-baba</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/hanuman-ansh-2-virat-kohli-anushka-sharma-special-role-nim-karoli-baba</guid><pubDate>Wed, 09 Sep 2026 22:41:25 +05:30</pubDate><description><![CDATA[<p>Hanuman Ansh: ₹2 કરોડના બજેટમાં બનેલી ‘હનુમાન અંશ’ ફિલ્મને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. ફિલ્મના કુલ ત્રણ ભાગ બનાવવામાં આવશે. પહેલા ભાગની સફળતા બાદ હવે દર્શકો ‘હનુમાન અંશ 2’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને લઈને ચર્ચા શરૂ થઈ છે. સવાલ એ છે કે શું બંને ફિલ્મના બીજા ભાગમાં વિશેષ ભૂમિકામાં જોવા મળશે?</p><p><b>શું વિરાટ-અનુષ્કા ફિલ્મમાં જોવા મળશે?</b></p><p>ફિલ્મની પ્રોડ્યુસર નમ્રતા સિંહે એક ઈન્ટરવ્યૂમાં ‘હનુમાન અંશ 2’ને લઈને કેટલીક માહિતી આપી છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની વિશેષ ભૂમિકા અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે કેટલાક મોટા લોકોનો સંપર્ક કરવામાં આવ્યો છે. જોકે, નમ્રતાએ વિરાટ-અનુષ્કા ફિલ્મમાં જોવા મળશે કે નહીં તે અંગે સ્પષ્ટ જવાબ આપ્યો નથી. તેથી બંને ફિલ્મમાં જોવા મળશે કે નહીં તે અંગે હજુ સસ્પેન્સ છે.</p><p><b>બાબા પ્રત્યે વિરાટ-અનુષ્કાની આસ્થા</b></p><p>વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને નીમ કરોલી બાબામાં ઊંડી આસ્થા છે. બંને ઘણી વખત ઉત્તરાખંડના કૈંચી ધામની મુલાકાત લઈ ચૂક્યા છે. વિરાટના ફોનના વોલપેપર પર પણ બાબાની તસવીર જોવા મળી છે. વિરાટ-અનુષ્કાની બાબા પ્રત્યેની આસ્થાને જોતા એવી ચર્ચા છે કે બંને ‘હનુમાન અંશ’ના કોઈ એક ભાગમાં જોવા મળી શકે છે. જોકે, બંનેએ હજુ સુધી ફિલ્મ અંગે કોઈ પોસ્ટ કે સત્તાવાર નિવેદન આપ્યું નથી. બીજી તરફ, ઘણા સેલેબ્સ ફિલ્મની પ્રશંસા કરી ચૂક્યા છે અને હવે ફેન્સ વિરાટ-અનુષ્કાના રિએક્શનની રાહ જોઈ રહ્યા છે.</p><p><b>પહેલા ભાગમાં ભારતીય ભક્તોની કહાની</b></p><p>ફિલ્મની પ્રોડ્યુસર નમ્રતા સિંહે જણાવ્યું કે ‘હનુમાન અંશ’ના પહેલા ભાગમાં નીમ કરોલી બાબાના ભારતીય ભક્તોની કહાની બતાવવામાં આવશે. ભારતમાં બાબાના હજારો ભક્તો છે અને તેમના જીવન પર બાબાની ઊંડી અસર રહી છે. ફિલ્મમાં આ ભક્તોના જીવન અને તેમની આસ્થાને ખાસ રીતે રજૂ કરવામાં આવશે.</p><p><b>ત્રીજા પાર્ટમાં દુનિયાભરના ભક્તોની આસ્થા</b></p><p>નમ્રતાના જણાવ્યા અનુસાર, ફિલ્મના ત્રીજા પાર્ટમાં બાબાને લઈને દુનિયાભરના ભક્તોમાં ફેલાયેલી આસ્થા પર ફોકસ કરવામાં આવશે. આ પાર્ટમાં બતાવવામાં આવશે કે કેવી રીતે બાબાની આધ્યાત્મિક ઊર્જા ભારતમાંથી નીકળીને દુનિયાના અન્ય ભાગો સુધી પહોંચી. તેમાં સ્ટીવ જોબ્સ, માર્ક ઝકરબર્ગ, ટ્વિટરના ફાઉન્ડર જેક ડોર્સી અને હોલિવૂડ એક્ટ્રેસ જુલિયા રોબર્ટ્સના નામનો ઉલ્લેખ થશે.</p><p><b>₹170 કરોડની કમાણી કરી ચૂકી છે ફિલ્મ</b></p><p>7 ઓગસ્ટે સિનેમાઘરોમાં આવેલી આ ફિલ્મ ₹170 કરોડની કમાણી કરી ચૂકી છે. ‘હનુમાન અંશ’ની સફળતાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને પણ ચોંકાવી દીધી છે.</p><p><b><a href="https://sandesh.com/entertainment/news/hanuman-ansh-global-release-170-crore-box-office" target="_blank">આ પણ વાંચો: 'હનુમાન અંશ' 11 સપ્ટેમ્બરે વિદેશમાં રિલીઝ થશે, KGFના મેકર્સ દુનિયાભરમાં પહોંચાડશે ફિલ્મ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/bvm3Vc0nk1JKnCSLhJJBoFSS7cuIv6xkKqhOj0uQ.webp'/></item><item><title><![CDATA[Delhi : ‘માના પગે પડી માફી માંગો...’ મિલકતના કેસમાં સુપ્રીમ કોર્ટની પુત્રને ભાવુક કરી દેતી સલાહ ]]></title><link>https://sandesh.com/india/news/supreme-court-mother-son-property-dispute-apology</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/supreme-court-mother-son-property-dispute-apology</guid><pubDate>Wed, 09 Sep 2026 21:35:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">માતા-પુત્ર વચ્ચેનો સંપત્તિ વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો ત્યારે મામલો માત્ર મિલકતના હક પૂરતો રહ્યો નહીં. સુનાવણી દરમિયાન  સુપ્રીમ કોર્ટે પુત્રને કાયદાકીય દલીલો કરતાં સંબંધોની કિંમત સમજાવતી ભાવનાત્મક સલાહ આપી હતી. કોર્ટે અંતે પુત્રની અરજી ફગાવી દીધી હતી, પરંતુ સુનાવણી દરમિયાન કરવામાં આવેલી ટિપ્પણીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>જે માતાએ ઉછેર્યો, તેની સામે જ સંપત્તિનો કેસ કેમ પહોંચ્યો?</b></h2><p style="text-align: justify; ">મળતી વિગતો મુજબ માતા અને તેમના પતિ મિલકતના એકમાત્ર માલિક હતા. તેમણે પ્રેમ અને સ્નેહના કારણે પુત્ર તથા પુત્રવધૂને ઘરના પહેલા માળે રહેવાની મંજૂરી આપી હતી અને તેમની પાસેથી ભાડું પણ લેવામાં આવતું ન હતું.</p><h3 style="text-align: justify; "><b>સમય જતાં સંબંધોમાં તણાવ વધ્યો</b></h3><p style="text-align: justify; ">પરંતુ સમય જતાં સંબંધોમાં તણાવ વધ્યો હોવાનો માતા-પિતાનો આક્ષેપ હતો. તેમણે પુત્ર અને પુત્રવધૂ દ્વારા પરેશાન કરવામાં આવતા હોવાનો તેમજ મિલકત પોતાના નામે કરવાની માંગ કરવામાં આવી હોવાનો દાવો કર્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>પ્રેમથી આપેલું ઘર ક્યારે બની ગયું કોર્ટની લડાઈનું કારણ?</b></h3><p style="text-align: justify; ">માતા-પિતાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે પુત્રે કથિત રીતે કેટલાક દસ્તાવેજોના આધારે મિલકત પર પોતાનો હક દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ માતા-પિતાએ જાહેર નોટિસ દ્વારા પુત્ર અને પુત્રવધૂ સાથેના સંબંધો સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. પુત્ર સામે FIR પણ નોંધાવવામાં આવી હતી અને તેમને આપવામાં આવેલી રહેવાની મંજૂરી રદ કરીને મિલકત ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી.</p><h4 style="text-align: justify; "><b>કોર્ટમાં માતા-પિતાનો હક માન્ય થયો</b></h4><p style="text-align: justify; ">ટ્રાયલ કોર્ટે માતા-પિતાને મિલકતના એકમાત્ર માલિક ગણાવી હતી અને પુત્ર-પુત્રવધૂને માત્ર રહેવાની પરવાનગી આપવામાં આવી હોવાનું માન્યું હતું. પરવાનગી રદ થયા બાદ મિલકત પર તેમનો કબજો કાયદેસર ન હોવાનું જણાવી પ્રથમ માળ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ નિર્ણયને દિલ્હી હાઈકોર્ટે પણ 17 એપ્રિલે યથાવત રાખ્યો હતો. ત્યારબાદ પુત્ર સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો.</p><h4 style="text-align: justify; "><b>સુપ્રીમ કોર્ટની એક સલાહે સૌનું ધ્યાન ખેંચ્યું</b></h4><p style="text-align: justify; ">જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ એનકે સિંહની બેન્ચે પુત્રની અરજીમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરીને તેને ફગાવી દીધી હતી. જોકે સુનાવણી દરમિયાન જસ્ટિસ શર્માએ પુત્રને પોતાની માતા પાસે જઈને માફી માંગવાની અને તેમના આશીર્વાદ લેવાની સલાહ આપી હતી.</p><h4 style="text-align: justify; "><b>મોટો સામાજિક સંદેશ પણ આપ્યો</b></h4><p style="text-align: justify; ">કોર્ટે કાયદાકીય વિવાદનો અંત તો લાવ્યો, પરંતુ સાથે એક મોટો સામાજિક સંદેશ પણ આપ્યો—મિલકતનો વિવાદ કોર્ટમાં જીતી શકાય, પરંતુ માતા સાથે તૂટેલો સંબંધ પાછો મેળવવો એટલો સરળ નથી.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp;<a href="https://sandesh.com/gujarat/news/political-news/ahmedabad/statue-of-unity-gujarat-national-film-awards-ekta-nagar-uddhav-thackeray-political-row" target="_blank"><b> Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/2iVzAfrhbzsbKPTUEPBXukAcR4MYfSqYlzWmlbC1.webp'/></item><item><title><![CDATA[Jio IPO: નવેમ્બરમાં આવી શકે Jio Platformsનો IPO, વિદેશી રોકાણકારો પર કંપનીની નજર ]]></title><link>https://sandesh.com/business/news/jio-platforms-ipo-november-2026-foreign-investors-reliance-fundraising</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/jio-platforms-ipo-november-2026-foreign-investors-reliance-fundraising</guid><pubDate>Wed, 09 Sep 2026 20:19:04 +05:30</pubDate><description><![CDATA[<p>Reliance ઇન્ડસ્ટ્રીઝની ડિજિટલ અને ટેલિકોમ કંપની જિઓ પ્લેટફોર્મ્સના પ્રસ્તાવિત IPOને લઈને તૈયારીઓ હવે વધુ ઝડપી બની રહી છે. કંપની IPO પહેલાં દેશ-વિદેશના મોટા રોકાણકારો સુધી પહોંચવાની તૈયારીમાં હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટ અનુસાર, અમેરિકા, સિંગાપોર, હોંગકોંગ, લંડન અને મિડલ ઈસ્ટમાં સંભવિત રોકાણકારો સાથે બેઠકો યોજાઈ શકે છે.</p><p><b>SEBIની મંજૂરી બાદ આગળનું પગલું</b></p><p>જિઓ પ્લેટફોર્મ્સે 19 જૂન 2026ના રોજ IPO માટે SEBI સમક્ષ ડ્રાફ્ટ દસ્તાવેજો રજૂ કર્યા હતા. ત્યારબાદ 28 ઓગસ્ટે કંપનીને IPO માટે મંજૂરી મળી હતી. પ્રસ્તાવિત ઈશ્યૂ હેઠળ 27 કરોડ સુધીના નવા શેર જારી કરવાની યોજના છે, જે કંપનીની કુલ ઈક્વિટીમાં લગભગ 2.9 ટકાના ડાયલ્યુશન જેટલું થશે.</p><p><b>નવેમ્બરમાં IPO આવવાની શક્યતા</b></p><p>હાલ કંપનીના IPOની ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી. જોકે, રિપોર્ટ મુજબ જો તમામ પ્રક્રિયા યોજના પ્રમાણે આગળ વધશે તો જિઓ પ્લેટફોર્મ્સનો IPO નવેમ્બર 2026માં બજારમાં આવી શકે છે.</p><p><b>વિદેશી રોકાણકારો સાથે બેઠકો</b></p><p>IPO પહેલાં જિઓ પ્લેટફોર્મ્સની ટીમ વૈશ્વિક રોકાણકારો સાથે સીધી ચર્ચા કરી શકે છે. અમેરિકા સહિત સિંગાપોર, હોંગકોંગ, લંડન અને મિડલ ઈસ્ટમાં યોજાનારી બેઠકો દરમિયાન કંપનીનો બિઝનેસ મોડલ, અત્યાર સુધીની વૃદ્ધિ અને ભવિષ્યની સંભાવનાઓ અંગે પ્રેઝન્ટેશન આપવામાં આવી શકે છે.</p><p><b>IPOનું વેલ્યુએશન હજુ નક્કી નથી</b></p><p>જિઓ પ્લેટફોર્મ્સના IPOની અંતિમ વિગતો હજુ સામે આવી નથી. રિપોર્ટ અનુસાર, કંપની અને તેના સલાહકારો વચ્ચે ઈશ્યૂના કદ, કંપનીના વેલ્યુએશન અને IPOના સમયને લઈને ચર્ચા ચાલી રહી છે. એટલે અંતિમ ઓફર સાઈઝ અને વેલ્યુએશનમાં ફેરફાર થવાની શક્યતા પણ છે.</p><p><b>રિલાયન્સ પણ ₹12,500 કરોડ ઊભા કરશે</b></p><p>બીજી તરફ, જિઓના IPOની તૈયારીઓ વચ્ચે તેની પેરન્ટ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પણ ફંડ એકત્ર કરવાની દિશામાં આગળ વધી રહી છે. રિપોર્ટ અનુસાર, રિલાયન્સ સ્થાનિક કરન્સી બોન્ડ દ્વારા આગામી સપ્તાહની શરૂઆતમાં ₹12,500 કરોડ સુધીની રકમ મેળવવાની યોજના બનાવી રહી છે.</p><p><b>બોન્ડ ઈશ્યૂની બેઝ સાઈઝ ₹10,000 કરોડ</b></p><p>રિપોર્ટ પ્રમાણે રિલાયન્સના પ્રસ્તાવિત બોન્ડ ઈશ્યૂની મૂળ સાઈઝ ₹10,000 કરોડ રહેશે. આ ઉપરાંત કંપની પાસે ગ્રીનશૂ ઓપ્શન હેઠળ વધુ ₹2,500 કરોડ એકત્ર કરવાની સંભાવના રહેશે. આ રીતે કુલ ફંડ રેઝિંગ ₹12,500 કરોડ સુધી પહોંચી શકે છે.</p><p><b><a href="https://sandesh.com/business/news/nse-ipo-will-nses-ipo-create-history-know-every-detail-from-price-band-to-listing" target="_blank">આ પણ વાંચો:&nbsp; NSEનો IPO રચશે ઇતિહાસ? જાણો પ્રાઇઝ બેન્ડથી લઇને લિસ્ટિંગ સુધીની દરેક ડિટેલ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/rkIKR0o0X3LcLWkjlrmgiFUBPUNKH1hNWcyV6gjr.webp'/></item><item><title><![CDATA[Malaysia : 72 વર્ષના ફૂટબોલ દિગ્ગજે 20 વર્ષની યુવતી સાથે કર્યા લગ્ન, તસવીરો વાયરલ થતાં પરિવારે કરી પુષ્ટિ ]]></title><link>https://sandesh.com/world/news/sports/malaysia-football-legend-abdul-alif-marriage-72-year-old-20-year-old-wife</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/sports/malaysia-football-legend-abdul-alif-marriage-72-year-old-20-year-old-wife</guid><pubDate>Mon, 07 Sep 2026 23:00:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મલેશિયન ફૂટબોલના દિગ્ગજ અને પૂર્વ હરિમાઉ મલાયા સ્ટાર દાતુક અબ્દુલ અલિફે 72 વર્ષની ઉંમરે પોતાના જીવનનો નવો અધ્યાય શરૂ કર્યો છે. સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો વાયરલ થયા બાદ તેમના પરિવારે લગ્નની સત્તાવાર પુષ્ટિ કરી છે. અહેવાલ મુજબ 27 ઓગસ્ટે યોજાયેલા ખાનગી સમારંભમાં અબ્દુલ અલિફે પોતાની જીવનસંગિની સાથે નિકાહ કર્યા હતા. તેમની પત્નીની ઉંમર 20 વર્ષ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>લગ્નની ખબર કોણે કરી કન્ફર્મ?</b></h2><p style="text-align: justify; ">અબ્દુલ અલિફના નાના ભાઈ અને પૂર્વ ખેલાડી તથા કોચ દાતુક યુનુસ અલિફે લગ્નની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે 27 ઓગસ્ટે બંનેના લગ્ન થયા હતા અને બંને પરિવારોની સંમતિ તથા આશીર્વાદ સાથે આ સંબંધ બંધાયો છે. પરિવાર દ્વારા નવદંપતીના સુખી દાંપત્ય જીવન માટે શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>ફોન નહીં ઉઠાવતા ભાઈએ શું કહ્યું?</b></h3><p style="text-align: justify; ">લગ્ન બાદ અબ્દુલ અલિફ મીડિયા સંપર્કમાં ન આવતા તેમના ભાઈ યુનુસ અલિફે જણાવ્યું હતું કે તેઓ સંભવતઃ હનીમૂન પર હોવાથી ફોનનો જવાબ આપી શકતા નથી.જોકે પરિવારે સ્પષ્ટ કર્યું છે કે બંનેના નિકાહ થઈ ચૂક્યા છે અને પરિવાર તરફથી બંનેને શુભકામનાઓ આપવામાં આવી છે.</p><h4 style="text-align: justify; "><b>મલેશિયન ફૂટબોલના દિગ્ગજ રહ્યા છે અબ્દુલ અલિફ</b></h4><p style="text-align: justify; ">અબ્દુલ અલિફ મલેશિયન ફૂટબોલ ઇતિહાસના જાણીતાં ખેલાડીઓમાં સામેલ રહ્યા છે. 1970ના અંતિમ વર્ષો અને 1980ના શરૂઆતના સમયમાં મલેશિયન ફૂટબોલના સફળ સમયગાળામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.તેઓ તે મલેશિયન ટીમના સભ્ય હતા જેણે ક્વોલિફાઇંગ મેચમાં દક્ષિણ કોરિયાને 2-1થી હરાવી 1980ના મોસ્કો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું.</p><h4 style="text-align: justify; "><b>ઓલિમ્પિક રમવાનું સપનું કેમ અધૂરું રહ્યું?</b></h4><p style="text-align: justify; ">મલેશિયાએ સોવિયેત સંઘના અફઘાનિસ્તાન પરના આક્રમણના વિરોધમાં 1980ના મોસ્કો ઓલિમ્પિકનો બહિષ્કાર કર્યો હતો. જેના કારણે અબ્દુલ અલિફ સહિત અનેક ખેલાડીઓનું ઓલિમ્પિકમાં રમવાનું સપનું અધૂરું રહી ગયું હતું. લાંબા સમય સુધી વ્યાવસાયિક ફૂટબોલ અને મીડિયા લાઇમલાઇટથી દૂર રહ્યા બાદ આ દિગ્ગજ ખેલાડી હવે પોતાના અંગત જીવનના નવા નિર્ણયને કારણે ફરી ચર્ચામાં આવ્યા છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">&nbsp; આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-gujarat-drowning-deaths-1999-river-lake-check-dam-water-safety" target="_blank"><b>Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/oQuxxQEBdhQdWmZFxk2LOPbwDJRpf6zDEmwi2pJ3.webp'/></item></channel></rss>