<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Weather Update :  દિલ્હી, યુપીથી લઇને હિમાચલ સુધી અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી ]]></title><link>https://sandesh.com/india/news/weather-update-imd-heavy-rain-alert-delhi-up-himachal-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/weather-update-imd-heavy-rain-alert-delhi-up-himachal-2026</guid><pubDate>Thu, 17 Sep 2026 09:10:35 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ચોમાસાના પ્રસ્થાનના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે દેશના અનેક રાજ્યોમાં હવામાનમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ૧૭ સપ્ટેમ્બરના રોજ ઉત્તરપશ્ચિમ, મધ્ય, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતના વિવિધ રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં આકાશ વાદળછાયું બની રહ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>દિલ્હી અને ઉત્તર ભારતમાં વરસાદની આગાહી</b></h2><p style="text-align: justify; ">રાજધાની દિલ્હીમાં આજે આકાશ સામાન્ય રીતે વાદળછાયું રહેવાની સાથે હળવા વરસાદ અથવા ઝરમર વરસાદની સંભાવના છે. અહીં મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ૨૫ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહી શકે છે. આગામી 18 થી 20સપ્ટેમ્બર દરમિયાન પણ દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ જળવાઈ રહેશે, જ્યારે ૨૧ અને ૨૨ સપ્ટેમ્બરે આકાશ સ્વચ્છ થવાની ધારણા છે.</p><h3 style="text-align: justify; "><b>આટલા જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ</b></h3><p style="text-align: justify; ">ઉત્તર પ્રદેશમાં પણ મહારાજગંજ, ગોરખપુર, આઝમગઢ, વારાણસી, પ્રયાગરાજ, અયોધ્યા, મેરઠ, આગ્રા અને લખનૌ સહિતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને પૂર્વી રાજસ્થાનમાં પણ ભારે પવન સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં પણ વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે.</p><h4 style="text-align: justify; "><b>પર્વતીય વિસ્તારો અને અન્ય રાજ્યોની સ્થિતિ</b></h4><p style="text-align: justify; ">પર્વતીય પ્રદેશોમાં ઉત્તરાખંડના નૈનિતાલ, પિથોરાગઢ અને ચમોલી તેમજ હિમાચલ પ્રદેશના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી છે. જમ્મુ અને કાશ્મીરના પૂંચ, કુલગામ, જમ્મુ, ઉધમપુર અને કુપવાડા જેવા વિસ્તારોમાં પણ ખરાબ હવામાનની સંભાવના છે. પશ્ચિમ બંગાળ, સિક્કીમ, મધ્યપ્રદેશ, કોંકણ અને ગોવા તેમજ પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં પણ વ્યાપક વરસાદની આગાહી કરાઈ છે.હવામાન વિભાગે નાગરિકોને આ પ્રતિકૂળ હવામાન દરમિયાન સાવચેત રહેવા અને જરૂરી કાળજી લેવા અપીલ કરી છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/pm-narendra-modi-76th-birthday-seva-sankalp-abhiyan-2026" target="_blank">આ પણ વાંચોઃ PM Modi Birthday: 76મો જન્મદિવસ ઉજવી રહ્યા છે મોદી, દેશભરમાં 'સેવા સંકલ્પ અભિયાન'નો પ્રારંભ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/E8oJD8NXnSdD6UjhDp3q9oJJn3yobWMZwtoy5A33.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News : ગુજરાતના સરકારી પ્રાથમિક શિક્ષકો માટે મોટી રાહત, HTAT પરીક્ષા આપવા માટે સ્નાતક હોવું ફરજિયાત નથી! ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat--graduation-degree-not-mandatory-for-primary-teachers-appearing-in-htat-exam</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat--graduation-degree-not-mandatory-for-primary-teachers-appearing-in-htat-exam</guid><pubDate>Thu, 17 Sep 2026 08:47:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતના સરકારી પ્રાથમિક શિક્ષકો માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એક અત્યંત મહત્વનો અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્ય શિક્ષકની ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા (HTAT) અંગે મોટી સ્પષ્ટતા કરતાં જણાવાયું છે કે આ પરીક્ષામાં બેસવા માટે હવે શિક્ષકો માટે સ્નાતક (ગ્રેજ્યુએટ) હોવું ફરજિયાત નથી. સરકારના આ નિર્ણયથી રાજ્યના હજારો પ્રાથમિક શિક્ષકોને મોટો લાભ થશે અને તેમના માટે પ્રમોશન મેળવવાના નવા દ્વાર ખુલશે.</p><h2 style="text-align: justify; "><b>ફીડર કેડરના શિક્ષકો લાયકાતના આધારે આપી શકશે પરીક્ષા</b></h2><p style="text-align: justify; ">શિક્ષણ વિભાગની નવી સ્પષ્ટતા મુજબ, બઢતી (પ્રમોશન) માટેની અન્ય તમામ નિયત શરતો પૂર્ણ કરતાં હોય તેવા ફીડર કેડરના શિક્ષકો પોતાની લાયકાતના આધારે HTAT પરીક્ષા આપી શકશે. ઉમેદવાર શિક્ષક સ્નાતક છે કે નહીં તે બાબતને ધ્યાનમાં લીધા વિના જ તેમને આ ખાસ સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવા માટે પાત્ર ગણવામાં આવશે. આ સ્પષ્ટતાના કારણે લાંબા સમયથી પરીક્ષાની રાહ જોઈ રહેલા શિક્ષકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>જિલ્લા ફેરબદલી અટકેલા શિક્ષકોને પણ પરીક્ષાની મંજૂરી</b></h2><p style="text-align: justify; ">આ ઉપરાંત અન્ય એક સંવેદનશીલ મુદ્દા પર વિગતો આપતાં જણાવવામાં આવ્યું છે કે, જે શિક્ષકોના જિલ્લા ફેરબદલીના હુકમો થઈ ગયા હોય પરંતુ કોઈ વહીવટી કારણોસર તેમને હાલની શિક્ષણ સમિતિમાંથી ફરજમુક્ત (રિલીવ) કરવામાં આવ્યા ન હોય, તેવા શિક્ષકોને પણ HTAT પરીક્ષા માટે પાત્ર ગણવામાં આવશે. આ નિર્ણયથી વહીવટી પ્રક્રિયામાં અટવાયેલા શિક્ષકોની તક છીનવાઈ જશે નહીં, જેને તમામ શિક્ષક મંડળો દ્વારા આવકારવામાં આવ્યો છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/dengue-cases-rise-viral-fever-and-flu-spread-across-city" target="_blank">Ahmedabad News: શહેરમાં ડેન્ગ્યુના કેસોમાં ચિંતાજનક વધારો, શરદી અને ખાંસી સાથે વાયરલ ફિવરનો કહેર</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/Jf0YUIRHU2buvvTG6ILQuXHn25VEEK0ovHLcFgKm.webp'/></item><item><title><![CDATA[PM Modi Birthday: 76મો જન્મદિવસ ઉજવી રહ્યા છે મોદી, દેશભરમાં 'સેવા સંકલ્પ અભિયાન'નો પ્રારંભ ]]></title><link>https://sandesh.com/india/news/pm-narendra-modi-76th-birthday-seva-sankalp-abhiyan-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/pm-narendra-modi-76th-birthday-seva-sankalp-abhiyan-2026</guid><pubDate>Thu, 17 Sep 2026 08:34:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમનો 76મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ વિશેષ અવસર પર દેશભરમાંથી શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજથી 17 ઓક્ટોબર સુધી 'સંકલ્પ સેવા અભિયાન' ની શરૂઆત કરવામાં આવી છે. પીએમ મોદીના 25 વર્ષના જાહેર જીવનના કાર્યોને બિરદાવવા માટે દેશભરમાં વિવિધ સાંસ્કૃતિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>'સેમિકોન ઇન્ડિયા ૨૦૨૬' નું ઉદ્ઘાટન કરશે</b></h2><p style="text-align: justify; ">આજે દિલ્હીમાં વડાપ્રધાન મોદી 'સેમિકોન ઇન્ડિયા ૨૦૨૬' નું ઉદ્ઘાટન કરશે અને કાર્યક્રમને સંબોધિત કરશે. બીજી તરફ, ગુજરાત અને ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ભવ્ય ઉજવણી શરૂ થઈ ગઈ છે. અમદાવાદમાં પીએમ મોદીના લાંબા આયુષ્ય માટે 11,000 દીવા પ્રગટાવવામાં આવ્યા હતા, જ્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જગન્નાથ મંદિરમાં વિશેષ આરતી કરી હતી.</p><h3 style="text-align: justify; "><b>&nbsp;વારાણસીથી વડનગર સુધી વિશાળ બાઇક રેલી નીકાળાશે</b></h3><p style="text-align: justify; ">આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ 'સેવા સંકલ્પ બાઇક યાત્રા' છે. પીએમ મોદીના વતન વડનગરથી વારાણસી અને વારાણસીથી વડનગર સુધી આ વિશાળ બાઇક રેલી કાઢવામાં આવી રહી છે. વડનગરમાં ભવ્ય કળશ યાત્રા સાથે આ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. વારાણસીમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે લલિતા ઘાટ પર પૂજા-અર્ચના કરી રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર ખાતેથી આ યાત્રાને લીલી ઝંડી આપી હતી. આ યાત્રા ૨૨ દિવસમાં ૧૦ રાજ્યોના ૧૯૩ જિલ્લાઓ અને ૧,૧૫૯ ગામોને આવરી લેશે, જેના દ્વારા સરકારની ઉપલબ્ધિઓ જન-જન સુધી પહોંચાડવામાં આવશે.</p><h4 style="text-align: justify; "><b>પીએમના જન્મદિવસ નિમિત્તે દીપોત્સવનું આયોજન</b></h4><p style="text-align: justify; ">આ ઉપરાંત, મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે ભવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શિપ્રા ઘાટ પર આશરે ૩૦,૦૦૦ સ્વયંસેવકો દ્વારા ૨.૫ મિલિયનથી વધુ દીવા પ્રગટાવીને પ્રકાશનો આ મહાત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ભાજપના નેતાઓ અને કાર્યકરોએ દેશભરમાં સેવા અને સમર્પણના આ અભિયાન સાથે પીએમ મોદીના જન્મદિવસને એક યાદગાર ઉત્સવ તરીકે બનાવ્યો છે.<br><br><b><a href="https://sandesh.com/world/news/us-house-russia-sanctions-bill-100-percent-tariff-india-china" target="_blank">આ પણ વાંચોઃ Tariff: ભારત અને ચીન પર 100% ટેરિફનો ખતરો, યુએસ હાઉસે રશિયા પ્રતિબંધ બિલ મંજૂર કર્યું</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/G176xKkBU7Iy1lrFyWVdOHUT5NCJCQPFEA0t22of.webp'/></item><item><title><![CDATA[Ranbir Kapoor Trolled : હું ડાયેટ પર છું... કહેતા રણબીર કપૂર થયો ટ્રોલ,  ભડકયા નેટીઝન્સ ]]></title><link>https://sandesh.com/entertainment/news/ranbir-kapoor-trolled-for-refusing--prasad--during-ganpati-visarjan--know-the-truth-behind-the-viral-video</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/ranbir-kapoor-trolled-for-refusing--prasad--during-ganpati-visarjan--know-the-truth-behind-the-viral-video</guid><pubDate>Thu, 17 Sep 2026 08:32:17 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અને તેની પત્ની આલિયા ભટ્ટ હાલમાં અંબાણી પરિવારના ઘરે આયોજિત ગણેશ ચતુર્થીની ઉજવણીમાં હાજરી આપવા બદલ ચર્ચામાં છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર રણબીરનો એક જૂનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ગણપતિ બાપ્પાનો પ્રસાદ ખાવાનો ઇનકાર કરતો જોવા મળે છે. આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર મોટો વિવાદ ઊભો થયો છે.</p><p style="text-align: justify;"><b>"હું ડાયેટ પર છું" - રણબીરના નિવેદનથી યુઝર્સ ભડક્યા</b></p><p style="text-align: justify;">વાયરલ વીડિયોમાં રણબીર કપૂર મુંબઈમાં ગણપતિ બાપ્પાના દર્શન કર્યા પછી ત્યાં હાજર પાપારાઝીને મોદક વહેંચતો દેખાય છે. જ્યારે એક પાપારાઝી સામેથી તેને પ્રસાદ અર્પણ કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે રણબીર તેને લેવાની સ્પષ્ટ ના પાડી દે છે અને કહે છે, "હું ડાયેટ પર છું, તમે ખાઈ લો." રણબીરનું આ વલણ લોકોને જરાય પસંદ ન આવ્યું.</p><p style="text-align: justify;"><b>સોશિયલ મીડિયા પર નેટીઝન્સે રણબીરને કર્યા ટ્રોલ</b></p><p style="text-align: justify;">પ્રસાદનો અનાદર કરવાનો આરોપ લગાવીને યુઝર્સે રણબીર કપૂરની આકરી ટીકા કરી છે. એક યુઝરે લખ્યું, "પ્રસાદ તરીકે નાનો ટુકડો ખાવાથી ડાયેટ બગાડતી નથી, આ બહાનું નકામું છે."&nbsp; બીજા યુઝરે કટાક્ષ કર્યો, "જો આ બીફ હોત તો તે તરત ખાઈ લેત." અન્ય એક યુઝરે કમેન્ટ કરી, "બીફ ખાનારો વ્યક્તિ પ્રસાદ કેવી રીતે ખાઈ શકે? અને આ લોકો તેને રામ બનાવી રહ્યા છે."</p><p style="text-align: justify;"><b>વાયરલ વીડિયોનું સત્ય: 2023નો છે આ ક્લિપ</b></p><p style="text-align: justify;">આ સમગ્ર ટ્રોલિંગ વચ્ચે એક મહત્વપૂર્ણ વળાંક એ છે કે વાયરલ થઈ રહેલો આ વીડિયો તાજેતરનો નથી, પરંતુ વર્ષ ૨૦૨૩નો છે. આનો અર્થ એ થયો કે આ ક્લિપનો આ વર્ષના ગણેશ ઉત્સવ સાથે કોઈ સીધો સંબંધ નથી, છતાં સોશિયલ મીડિયા પર તેને હાલનો ગણાવીને વાયરલ કરવામાં આવી રહ્યો છે.</p><p style="text-align: justify;"><b>'રામાયણ' સહિત રણબીરના આગામી મોટા પ્રોજેક્ટ્સ</b></p><p style="text-align: justify; ">રણબીર કપૂર ટૂંક સમયમાં નિતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ'માં ભગવાન રામની ભૂમિકામાં જોવા મળશે. બે ભાગમાં બનનારી આ મહાકાવ્ય ફિલ્મમાં તેની સાથે સાઈ પલ્લવી (સીતા), યશ (રાવણ), સની દેઓલ (હનુમાન), રવિ દુબે (લક્ષ્મણ), લારા દત્તા (કૈકેયી) અને અરૂણ ગોવિલ (દશરથ) મુખ્ય ભૂમિકામાં છે. આ સિવાય રણબીર કપૂર સંજય લીલા ભણસાલીની 'લવ એન્ડ વોર' અને પોતાની સુપરહિત ફિલ્મ 'એનિમલ'ની સિક્વલ 'એનિમલ પાર્ક'માં પણ નજરે પડશે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/the-great-indian-kapil-show-season-5-release-date" target="_blank">આ પણ વાંચો : The Great Indian Kapil Show Season 5: કપિલ શર્મા ફરી મચાવશે ધમાલ! Season 5ની રિલીઝ ડેટ જાહેર</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/82fL16GUwtdo2LXDxQ0LDkEYzu0s0n964Eu986ik.webp'/></item><item><title><![CDATA[Porbandar : પોરબંદરમાં નિયમોનું પાલન ન કરનાર 5 બેકરીના ધંધાર્થીઓને રૂ 2500 નો દંડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/porbandar/porbandar-5-bakery-businessmen-fined-rs-2500-for-not-following-rules-in-porbandar</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/porbandar/porbandar-5-bakery-businessmen-fined-rs-2500-for-not-following-rules-in-porbandar</guid><pubDate>Thu, 17 Sep 2026 03:53:41 +05:30</pubDate><description><![CDATA[<p>પોરબંદર માં મનપા ની ફૂડ સેફ્ટી ટીમ દ્વારા બેકરીઓ માં ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં નિયમો નું પાલન ન કરનાર 5 બેકરી ના ધંધાર્થીઓને રૂ 2500 નો દંડ ફ્ટકારવામાં આવ્યો છે પોરબંદર મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી ટીમ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલી બેકરી પ્રોડક્ટ્સની ફરેન્ચાઇઝી, ઉત્પાદન તથા છૂટક વેચાણ કરતી દુકાનોમાં તપાસણી હાથ ધરવામાં આવી હતી. ઠક્કર પ્લોટ વિસ્તારમાં આવેલી બેકરી પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી પેઢીઓમાં તપાસ દરમિયાન ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન ન થતું હોવાનું જણાતા નૂરી બેકરી, નેશનલ બેકરી, ઈગલ બેકરી, અનમોલ બેકરી અને ઈટાલિયન બેકરી પાસેથી નિયમોનું પાલન ન કરવા બદલ વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. આ પાંચેય ધંધાર્થીઓ પાસેથી કુલ રૂ. 2500નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે.તપાસ દરમિયાન તમામ ધંધાર્થીઓને ફૂડ સેફ્ટી એક્ટના નિયમોનું પાલન કરવા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.ખાસ કરી ને વાસી ખાદ્ય પદાર્થોનું વેચાણ ન કરવું, ખાદ્ય પદાર્થોના સંગ્રહ તથા વેચાણ દરમિયાન સ્વચ્છતા જાળવવી, એક્સપાયરી ડેટ વાળા ખાદ્ય પદાર્થોનું વેચાણ ન કરવું તેમજ ખાદ્ય સુરક્ષા સંબંધિત નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અંગે ધંધાર્થીઓને સમજ આપવામાં આવી હતી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/MfcktWFqpxBqvoMpaTrG0e5c8lNciRJKieDXawGH.webp'/></item><item><title><![CDATA[Surat : પાંડેસરામાં બોગસ તબીબોનો રાફડો, આઠ ઝડપાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-raid-of-bogus-doctors-in-pandesara-eight-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-raid-of-bogus-doctors-in-pandesara-eight-arrested</guid><pubDate>Thu, 17 Sep 2026 03:50:48 +05:30</pubDate><description><![CDATA[<p>પાંડેસરામાં થોડાક સમય પહેલાં જ નકલી ડોક્ટર્સના ભાંડા ફોડ વચ્ચે એસ.ઓ.જી.એ આરોગ્ય અધિકારીની ત્રણ ટીમને સાથે રાખી હાથ ધરેલા ઓપરેશનમાં ગોવાલક રોડ, બમરોલી રોડ, કૈલાસ ચોકડી વિસ્તારમાંથી આઠ બોગસ ડિગ્રીધારી ઊંટવૈદ્યોને ઝડપી 92,825 રૂપિયાની મતા કબજે કરી હતી. આરોપીઓને પકડવા પોલીસે ડમી પેશન્ટ્સની મદદ લીધી હતી.</p><p>સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપના ડી.સી.પી. રાજદીપ નકુમે જણાવ્યું હતું કે, આજે સાગમટે ઓપરેશન નકલી હાથ ધરવામાં આવ્યું હતું. પાંડેસરા વિસ્તારમાં રહેતા ગરીબો ખાસ કરીને બાળકોની જિંદગી સાથે ડિગ્રી વિનાના શખ્સો ડૉક્ટર બની ચેડાં કરી રહ્યા છે. નવ આવા નકલી તબીબોની માહિતી પોલીસને મળી હતી. આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલને જાણ કરતાં તેમની ત્રણ ટીમો પોલીસ સાથે જોડાઇ હતી અને સાગમટે દરોડા પાડવામાં આવ્યા હતા. અહીંથી આઠ તબીબોને ઝડપી લઇ તેમની પાસેથી એલોપેથીમાં વપરાતી દવા અને ઇંજેક્શન સહિતનો 98,825 રૂપિયાની કિંમતનો જથ્થો કબજે લઇ તેમની વિરુદ્ધ ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/qeFcoBfF8tpb3FkLuCtquRm6VNZJcumrsgOs6eXS.webp'/></item><item><title><![CDATA[Surat : કામરેજનાં યુવા અગ્રણી વર્લ્ડ યૂથ ફેસ્ટિવલમાં જવાની તક છોડી વડનગર-કાશી બાઇક રેલીમાં જોડાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-young-leaders-of-kamrej-gave-up-the-opportunity-to-attend-the-world-youth-festival-and-joined-the-vadnagar-kashi-bike-rally</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-young-leaders-of-kamrej-gave-up-the-opportunity-to-attend-the-world-youth-festival-and-joined-the-vadnagar-kashi-bike-rally</guid><pubDate>Thu, 17 Sep 2026 03:39:32 +05:30</pubDate><description><![CDATA[<p>કામરેજ લાલચુડા સમાજનાં યુવા ભાજપનાં પ્રમુખ અને સ્માર્ટ વિલેજ ઉંભેળનાં ઉપસરપંચ દર્શન પટેલની રશિયા ખાતે યોજાનારા આંતરરાષ્ટ્રીય સ્તરનાં વર્લ્ડ યુથ ફેસ્ટિવલ 2026માં ભારત અને ગુજરાતનાં પ્રતિનિધિ તરીકે તેમની પસંદગી કરવામાં આવી હતી. તેણે વૈશ્વિક મંચ પર દેશનું પ્રતિનિધિત્ત્વ કરવાની તક જતી કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં 25 વર્ષનાં સફળ નેતૃત્ત્વ અને સુશાસન પર્વ નિમિતે ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશ દ્વારા વડનગરથી કાશી સેવા સંકલ્પ બાઇક રેલીમાં જોડાયા હતા. તેઓ ઉંભેળ વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળીનાં ઉપપ્રમુખ, 39 ગામોની દૂધ અને શાકભાજી ઉત્પાદક મંડળીનાં ડિરેક્ટર, 90 ગામોનાં કડવા પાટીદાર કેળવણી મંડળનાં ટ્રસ્ટી તેમજ નવરાત્રી સમિતિનાં કન્વીનર તરીકે શિક્ષણ, ગ્રામીણ અર્થતંત્ર અને સંસ્કૃતિનાં જતન માટે સતત કાર્યરત છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/DikGLzw7duJCEz4oYZ976Bna84VrrUAYftgOqYBy.webp'/></item><item><title><![CDATA[Surat : અમિષ પટેલના શંકાસ્પદ મોત મામલે લોકોનો ઓલપાડ પોલીસમાં હોબાળો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-people-create-ruckus-at-olpad-police-station-over-suspicious-death-of-amish-patel</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-people-create-ruckus-at-olpad-police-station-over-suspicious-death-of-amish-patel</guid><pubDate>Thu, 17 Sep 2026 03:38:07 +05:30</pubDate><description><![CDATA[<p>ઓલપાડ તાલુકાના સરોલી ગામના 46 વર્ષીય અમિષ ગણપતભાઈ પટેલના અરીયાણા ગામના બસ સ્ટોપ પાસે થયેલા શંકાસ્પદ મોત મામલે પરિવારજનોએ અમિષ પટેલનું મોત અકસ્માતથી નથી થયું પણ તેની હત્યા કરવામાં આવી છે તેવા આક્ષેપો કર્યા છે. આ સાથે ઓલપાડ પોલીસને સીસી.ટીવી.કેમેરાની ફૂટેજ અને પાંચ શકમંદોના નામની અરજી આપ્યા પછી પણ પોલીસે બનાવના પાંચ દિવસ પછી હત્યાનો ગુનો નહીં નોંધતા બુધવારે પરિવારજનો સાથે 200થી વધુ લોકોએ ઓલપાડ પોલીસ મથકનો ઘેરાવો કરી હત્યાની એફ્.આર.આઇ. નોંધવા સહિત ઓલપાડ પોલીસની હાય...હાય...ના નારા લગાવી પીઆઈ સી.આર.જાદવની બદલી કરવાની માંગ કરી હતી.- ધારાસભ્ય મુકેશ પટેલની રજુઆતના પગલે આ ગુનાની તપાસ જિલ્લા એસ.ઓ.જી.પોલીસને સોંપાઇ છે. આ ચકચારી બનાવની વિગત મુજબ ઓલપાડ તાલુકાના સરોલી ગામના અમિષ પટેલનું ગત શનિવાર, તા.12ના રોજ તાલુકાના અરીયાણા ગામે કાર અકસ્માતમાં મોત થયું હતું. આ મોતની ઘટનામાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો, પરંતુ મૃતકના પરિવારજનોને અમિષ પટેલના અકસ્માત મોત પહેલા મળેલ મોબાઇલ ઓડિયો ક્લીપ માં મને આ લોકો મારી નાંખવાનાનું મોબાઇલ રેર્કોડીંગ અને સીસી.ટીવી.કેમેરાની ફૂટેજ મળી આવતા પરિવારે તેમની હત્યા થઇ હોવાની પોલીસ સમક્ષ આશંકા વ્યક્ત કરી હતી. પરિવાર અને કોળીસેનાના અગ્રણીઓએે આ શંકાસ્પદ મોતમાં દિહેણ ગામે શ્રી ગણેશજીના આગમન સમયે રોડ પરથી પસાર થતા 25થી વધુ લોકોના ટોળા સાથે પાંચ શકમંદ ઇસમો જવાબદાર હોવાથી તેઓ સામે હત્યાનો ગુનો નોંધવા પોલીસ અરજી આપી હતી.જો કે ત્યારપછી પણ ઓલપાડ પોલીસે કોઇ નક્કર કાર્યવાહી ન કરતા સરોલી ગ્રામજનો અને તળપદો કોળી પટેલ સમાજના લોકો વિર્ફ્યા હતા અને બુધવારે ઓલપાડ પોલીસ મથકે ઘસી આવ્યા હતા. આ મામલે મૃતકના નાનાભાઇ નલીન પટેલ અને.અમિષ પટેલની દિકરી ધ્રુવી પણ પિતાને ન્યાય અપાવવા પોલીસ મથકે પહોંચી હતી જ્યાં રણચંદી બનેલ મહિલાઓ અને કોળી સમાજના અગ્રણીઓએ ત્યાં ઉપસ્થિત ઓલપાડ તા.પં.ના પ્રમુખ પિયુષ પટેલેને આડે હાથે લીધા હતા અને કહ્યું કે અત્યારે જ હત્યાની એફ્.આર.આઇ.નોંધાવો અને અમોને નકલ અપાવો .જ્યારે સરોલીના માજી સરપંચ મુકેશ પટેલે પિયુષ પટેલ ઉપર આરોપ લગાવ્યો હતો કે, તમે પોલીસે અટકાયત કરેલ શકમંદ આરોપીઓને તમે મોડી રાત્રે કારમાં પોલીસ લઈ ગયા હતા અને સવારે ફરીથી પોલીસ મથકે લાવ્યા હતા.જેથી પોલીસે પિયુષ પટેલની ભૂમિકાની પણ તપાસ કરવા અને તેમના રાજીનામાંની માંગ પરિવારજનો સાથે કરી હતી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/PHV1kKs2UqAwchJe9M6neWO2YedMeLXalKSUP7o1.webp'/></item><item><title><![CDATA[PM મોદીની સેમિકન્ડક્ટર કંપનીઓના CEO સાથે બેઠક, ચિપ સેક્ટર પર ચર્ચા ]]></title><link>https://sandesh.com/business/news/pm-modi-semiconductor-ceos-roundtable-meeting-india-chip-sector-growth</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/pm-modi-semiconductor-ceos-roundtable-meeting-india-chip-sector-growth</guid><pubDate>Wed, 16 Sep 2026 21:09:37 +05:30</pubDate><description><![CDATA[<p>PM નરેન્દ્ર મોદીએ દિગ્ગજ સેમિકન્ડક્ટર કંપનીઓના CEO સાથે રાઉન્ડટેબલ બેઠક કરી હતી. આ બેઠકમાં **ભારતના સેમિકન્ડક્ટર ક્ષેત્રના આગામી વિકાસ** અંગે ચર્ચા કરવામાં આવી હતી. PM મોદીએ કંપનીઓના CEOને ભારતના સેમિકન્ડક્ટર ક્ષેત્રના વિકાસમાં સક્રિય રીતે જોડાવા કહ્યું હતું.</p><p><b>નવી ટેક્નોલોજીમાં આગળ વધવાનું લક્ષ્ય</b></p><p>વડાપ્રધાને કહ્યું કે ભારતે નવી અને ઉભરતી ટેક્નોલોજીમાં શરૂઆતથી જ અગ્રણી દેશોમાં સામેલ થવાનું લક્ષ્ય રાખવું જોઈએ. PM મોદીએ ફરી કહ્યું કે સરકાર સ્થિર, વિશ્વસનીય અને ઉદ્યોગ માટે જવાબદાર નીતિ વાતાવરણ આપવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે ઉદ્યોગ જગત પાસેથી નીતિઓ અને વહીવટી વ્યવસ્થામાં સુધારા માટે સૂચનો પણ માંગ્યા હતા.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/narendramodi/status/2100232138880946249"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b>સેમિકન્ડક્ટર વેલ્યૂ ચેન મજબૂત કરવા પર ભાર</b></p><p>CEOએ ભારતના સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે સરકારના પ્રયાસો અને PM મોદીના નેતૃત્વની પ્રશંસા કરી હતી. કંપનીઓના વડાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત સેમિકન્ડક્ટરની સંપૂર્ણ વેલ્યૂ ચેનમાં પોતાની ક્ષમતા વિકસાવી શકે છે. સરકારનું ધ્યાન માત્ર ચિપ બનાવવાના કામ સુધી મર્યાદિત નથી, પરંતુ ડિઝાઇનથી લઈને મેન્યુફેક્ચરિંગ અને સમગ્ર સેમિકન્ડક્ટર વેલ્યૂ ચેનને ભારતમાં મજબૂત બનાવવા પર છે.</p><p><b>આ કંપનીઓ બેઠકમાં સામેલ થઈ</b></p><p>આ બેઠકમાં સેમી (SEMI), માઇક્રોન (Micron), ઇન્ફિનિયન (Infineon), એપ્લાઇડ મટિરિયલ્સ (Applied Materials), ASML, મર્ક (Merck), ટોક્યો ઇલેક્ટ્રોન (Tokyo Electron), ફુજી ફિલ્મ (Fujifilm), AMD, ઇન્ટેલ (Intel), ટાટા ઇલેક્ટ્રોનિક્સ (Tata Electronics), લેમ રિસર્ચ (Lam Research), રેપિડસ (Rapidus), NXP, ફોક્સકોન (Foxconn), સેમિકન્ડક્ટર ડિવાઇસિસ (Semiconductor Devices), એડવાન્ટેસ્ટ (Advantest), સેલેસ્ટા કેપિટલ (Celesta Capital), CG પાવર (CG Power) અને IBM રિસર્ચ (IBM Research) સહિત અનેક કંપનીઓના CEO, વરિષ્ઠ અધિકારીઓ અને પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.</p><p><b><a href="https://sandesh.com/india/news/semicon-india-2026-pm-modi-will-inaugurate-more-than-600-companies-will-participate" target="_blank">આ પણ વાંચો: SEMICON India 2026: PM મોદી કરશે ઉદ્ઘાટન, 600થી વધુ કંપનીઓ લેશે ભાગ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/EFmQ6z6hgSK9hNuG6XxbrHP4XTZPyfXm8PtPO2Nh.webp'/></item><item><title><![CDATA[પાકિસ્તાનની ટીમ ભારત આવશે! એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં જામશે ભારત-પાક જંગ ]]></title><link>https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</guid><pubDate>Mon, 14 Sep 2026 15:47:21 +05:30</pubDate><description><![CDATA[<p>આવતા મહિને પાકિસ્તાનની હોકી ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે. 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન પંજાબમાં યોજાનારી AHF મેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026માં પાકિસ્તાન સહિત કુલ છ ટીમો ભાગ લેશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પાકિસ્તાનની ભાગીદારી અંગેની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, મલ્ટી-નેશનલ ઇવેન્ટ્સ અંગે કેન્દ્ર સરકારની નીતિ હેઠળ બંને દેશોની ટીમો આમને-સામને રમશે.</p><h2><b>ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જાલંધરમાં રમાશે</b></h2><p>એશિયન મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન થશે. આ ટૂર્નામેન્ટમાં યજમાન ભારત અને પાકિસ્તાન ઉપરાંત ચીન, જાપાન, મલેશિયા અને કોરિયાની પણ ભાગ લેશે. લીગ સ્ટેજના મુકાબલા જાલંધરમાં યોજાશે, જ્યારે સેમિફાઇનલ અને ફાઇનલ મેચ મોહાલીના હોકી સ્ટેડિયમમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 1 નવેમ્બરે જાલંધરમાં રમાશે. કોઈ ટીમ છેલ્લી ઘડીએ ખસી જાય તો તે સ્થિતિ માટે ઓમાન અને બાંગ્લાદેશને રિઝર્વ ટીમન તરીકે રાખવામી આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PTI_News/status/2099416960278868155"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમવામાં કોઈ મુશ્કેલી નથી</b></h2><p>પાકિસ્તાનની ભાગીદારી અને જરૂરી મંજૂરીઓ અંગે પંજાબના મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં બંને દેશો વચ્ચે રમવામાં કોઈ મુશ્કેલી નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝનું આયોજન અલગ બાબત છે, કારણ કે કેન્દ્ર સરકારની વર્તમાન નીતિ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય રમત-ગમતના આયોજનની મંજૂરી આપતી નથી. પરંતુ મલ્ટી-નેશનલ ટૂર્નામેન્ટમાં બંને દેશોના ખેલાડીઓને એકબીજા સામે રમવાની પરવાનગી છે, જેથી પાકિસ્તાની ટીમ ભારત આવી શકશે.</p><h2><b>ભારત વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે</b></h2><p>ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. ભારતે 2023માં ચેન્નાઈ અને 2024માં ચીનના હુલુનબુઈરમાં યોજાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ગત વર્ષે આ સ્પર્ધા યોજાઈ શકી નહોતી. હવે પંજાબ પ્રથમ વખત આ ટૂર્નામેન્ટની મેજબાની કરવા જઈ રહ્યું છે.</p><h2><b>અગાઉ પાકિસ્તાની ટીમે ના કહી હતી&nbsp;</b></h2><p>પાકિસ્તાનની આ વખતની ભાગીદારી એટલા માટે પણ ખાસ છે, કારણ કે ગત વર્ષે તેણે તમિલનાડુમાં આયોજિત જૂનિયર હોકી વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તે સમયે બંને દેશો વચ્ચેના તણાવને તેનું કારણ ગણાવવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે અને પાકિસ્તાની ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે પૂરી રીતે તૈયાર છે.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/V6jwdiIr9RTCvR6EyBaGsP2qfZvYLq2JfkL7pytm.webp'/></item></channel></rss>