<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabad સિવિલ હોસ્પિટલે રચ્યો ઇતિહાસ: 250મા અંગદાનથી ત્રણ લોકોને મળ્યું નવજીવન ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-civil-hospital-creates-history-three-people-get-new-life-after-250th-organ-donation</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-civil-hospital-creates-history-three-people-get-new-life-after-250th-organ-donation</guid><pubDate>Mon, 27 Jul 2026 22:54:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ સ્થિત સિવિલ હોસ્પિટલે માનવસેવા અને અંગદાનના ક્ષેત્રમાં 250મા અંગદાનનો ગૌરવપૂર્ણ માઇલસ્ટોન પૂર્ણ કરીને નવો સુવર્ણ અધ્યાય લખ્યો છે. મૂળ પશ્ચિમ બંગાળના અને અમદાવાદની હોટેલમાં વેઇટર તરીકે કાર્યરત 58 વર્ષીય પ્રશુન ભોમિક ઘરે બાથરૂમમાં પડી જતાં માથાના ભાગે ગંભીર ઇજા પામ્યા હતા. તાત્કાલિક સિવિલ હોસ્પિટલના આઇસીયુમાં દાખલ કરાયેલા પ્રશુનભાઈને તબીબી ટીમે સઘન સારવાર બાદ 26 જુલાઈના રોજ બ્રેઇનડેડ જાહેર કર્યા હતા. આ મુશ્કેલ ક્ષણે હોસ્પિટલની અંગદાન ટીમના કાઉન્સેલિંગ બાદ પરિવારે માનવતાવાદી નિર્ણય લીધો હતો.</p><h2 style="text-align: justify; "><b>પતિના વિયોગ વચ્ચે પત્નીનો માનવતાભર્યો નિર્ણય</b></h2><p style="text-align: justify; ">જીવનસાથી ગુમાવવાના અસહ્ય આઘાત વચ્ચે પણ પ્રશુન ભોમિકના પત્ની ક્ષમાબેને અત્યંત ઉદારતા દર્શાવી હતી. તેમણે અન્ય જરૂરિયાતમંદ દર્દીઓની જિંદગી બચાવવા માટે પતિના અંગોનું દાન કરવાનો શ્રેષ્ઠ નિર્ણય લીધો હતો. આ અંગદાનથી પ્રાપ્ત થયેલ એક લીવર અને બે કિડની થકી ત્રણ ગંભીર દર્દીઓને નવું જીવન પ્રાપ્ત થશે. દાનમાં મળેલા આ અંગોનું પ્રત્યારોપણ સિવિલ મેડિસિટી કેમ્પસ સ્થિત 'ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝિસ એન્ડ રિસર્ચ સેન્ટર' (IKDRC) ખાતે સારવાર હેઠળના દર્દીઓમાં કરવામાં આવશે.</p><h3 style="text-align: justify; "><b>827 અંગો અને 246 પેશીઓ થકી મહાદાનની મિસાલ</b></h3><p style="text-align: justify; ">આ ઐતિહાસિક સિદ્ધિ બદલ આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા અને સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ અંગદાતા પરિવારને નમન કરી તબીબી ટીમને બિરદાવી હતી. સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 250 અંગદાતાઓ પાસેથી કુલ 827 અંગો પ્રાપ્ત થયા છે, જેમાં 224 લીવર, 462 કિડની, 21 સ્વાદુપિંડ, 78 હૃદય, 34 ફેફસાં, 6 હાથ અને 2 નાનાં આંતરડાંનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 198 ચક્ષુ અને 48 ચામડી મળી કુલ 246 પેશીઓ સાથે હોસ્પિટલને અત્યાર સુધી 1073 અંગો અને પેશીઓનું દાન મળ્યું છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/27/AfEm4HrPJ8BrFiRfIfe2Tv6f8vMkJWY5pT2Y2YVH.webp'/></item><item><title><![CDATA[Bihar સરકારનો મોટો નિર્ણય, પ્રદર્શનકારીઓ પર દાખલ થયેલી FIR પરત ખેંચાશે ]]></title><link>https://sandesh.com/india/news/bihar-government-withdraws-firs-against-student-protesters-relief</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/bihar-government-withdraws-firs-against-student-protesters-relief</guid><pubDate>Mon, 27 Jul 2026 22:45:13 +05:30</pubDate><description><![CDATA[<p>બિહાર સરકારે વિદ્યાર્થી આંદોલન અને તાજેતરના વિરોધ પ્રદર્શનોને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના ગૃહ વિભાગે ધરપકડ કરાયેલા પ્રદર્શનકારીઓને મુક્ત કરવા તેમજ તેમની સામે નોંધાયેલી FIR, ફરિયાદો અને નોટિસ પાછી ખેંચવાની પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપ્યો છે. સરકારના આ નિર્ણયથી વિરોધ પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને મોટી રાહત મળી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2081773396900331901"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>બદલો લેવા જેવી કાર્યવાહી કરવામાં આવશે નહીં</b></h2><p>ગૃહ વિભાગના વિશેષ સચિવ દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર, 26 જુલાઈ 2026ના સાંજે 6 વાગ્યા સુધી થયેલા આંદોલન સાથે જોડાયેલા કોઈપણ વ્યક્તિ સામે નવી દંડાત્મક અથવા બદલો લેવા જેવી કાર્યવાહી કરવામાં આવશે નહીં. સંબંધિત જિલ્લાઓમાં હવે કેસ પરત ખેંચવા અને પ્રદર્શનકારીઓની મુક્તિ માટે વહીવટી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. સરકારે જણાવ્યું છે કે પરીક્ષા પદ્ધતિમાં પારદર્શિતા લાવવા અને વિદ્યાર્થીઓના હિતોની સુરક્ષા માટે કડક કાર્યવાહી કરતાં સંવાદ અને સમાધાનનો માર્ગ વધુ યોગ્ય છે.&nbsp;</p><h3><b>રાજકીય દબાણ વચ્ચે બિહાર સરકારે આ નિર્ણય લીધો</b></h3><p>આ કારણે સરકારે વિદ્યાર્થીઓ સામેના કેસોમાં રાહત આપવાનો નિર્ણય લીધો છે. જોકે સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ રાહત માત્ર 26 જુલાઈ 2026ના સાંજે 6 વાગ્યા સુધીની ઘટનાઓ માટે જ લાગુ પડશે. તે પછી જો કોઈ કાયદો અને વ્યવસ્થાને અસર કરતી ઘટના બનશે તો જરૂર મુજબ કાર્યવાહી કરવામાં આવશે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે તાજેતરના વિદ્યાર્થી આંદોલનો અને તેના કારણે સર્જાયેલા રાજકીય દબાણ વચ્ચે બિહાર સરકારે આ નિર્ણય લીધો છે.&nbsp;</p><p>કેન્દ્ર સરકારના કેટલાક તાજેતરના પગલાં અને શિક્ષણ સંબંધિત મુદ્દાઓ પર વધેલા વિરોધ બાદ રાજ્ય સરકારે વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી ટાળીને વાતચીત દ્વારા ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો છે. સરકારના આ નિર્ણયથી રાજ્યમાં તંગદિલી ઓછી થવાની અને વિદ્યાર્થીઓ તથા પ્રશાસન વચ્ચે વિશ્વાસ વધવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/up-69000-assistant-teacher-recruitment-supreme-court-affidavit-teachers-jobs-safe" target="_blank">આ પણ વાંચો : 69,000 સહાયક શિક્ષક ભરતી કેસમાં યોગી સરકારનું સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું, કહ્યું 'હાલના શિક્ષકોની નોકરી રહેશે સુરક્ષિત'</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/27/RngvshpubqD5vH1AglVmx8Ol09Q1I8HmGxfHSCeY.webp'/></item><item><title><![CDATA[Dahod LCB પોલીસે ઘરફોડ ચોરીના 2 આરોપીઓની કરી ધરપકડ, રૂ.3 લાખથી વધુની ચોરીનો ભેદ ઉકેલાયો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dahod/dahod-lcb-police-arrest-2-burglary-accused-theft-worth-over-rs-3-lakh-solved</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dahod/dahod-lcb-police-arrest-2-burglary-accused-theft-worth-over-rs-3-lakh-solved</guid><pubDate>Mon, 27 Jul 2026 22:40:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દાહોદ શહેરમાં તાજેતરમાં બનેલી ઘરફોડ ચોરીની ગંભીર ઘટનાનો એલસીબી (LCB) પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. ગરબાડા રોડ પર આવેલી ભવાની એજન્સીના ગોડાઉનને નિશાન બનાવી ચોરી કરનાર બે આરોપીઓ કિરીટ બામણીયા (રહે. વડવા) અને સાગર રાઠોડ (રહે. લીલર) ને પોલીસે ઝડપી પાડ્યા છે. દશલા રોડ પરથી ગુપ્ત બાતમીના આધારે પોલીસે ચોરીના માલસામાન સાથે બંનેની વિધિવત ધરપકડ કરી લીધી છે.</p><h2 style="text-align: justify; "><b>ચોરી કરી વેચવાની હતી પૂર્વયોજના</b></h2><p style="text-align: justify; ">ઉલ્લેખનીય છે કે, દાહોદ રૂરલ પોલીસ મથકની હદમાં આવેલી એજન્સીના ગોડાઉનમાંથી તસ્કરો વિમલ તંબાકુના થેલાઓ, સિગારેટના પેકેટો તેમજ ટેબલના ખાનામાંથી રૂ. 30,000ની રોકડ રકમ ચોરી ગયા હતા. આરોપીઓ આ ચોરેલી તંબાકુ અને સિગારેટનો જથ્થો કતવારા બજારમાં વેચવા માટે જઈ રહ્યા હતા. જોકે, માલસામાનનું વેચાણ થાય તે પહેલાં જ એલસીબીની ટીમે બાતમીના આધારે દશલા રોડ પરથી તેઓને દબોચી લીધા હતા.</p><h3 style="text-align: justify; "><b>માલસામાન સહિત રૂ.6.85 લાખનો મુદ્દામાલ જપ્ત</b></h3><p style="text-align: justify; ">પોલીસ કાર્યવાહી દરમિયાન ચોરીમાં ગયેલી તંબાકુ, સિગારેટો તેમજ હેરાફેરીમાં વપરાયેલી વેગનઆર ગાડી મળીને કુલ રૂ.6,85,400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. દાહોદ એલસીબી પોલીસે ગણતરીના દિવસોમાં આ સફળ કામગીરી કરીને ઘરફોડ ચોરોને જેલ ભેગા કર્યા છે, જેનાથી સ્થાનિક વેપારીઓ અને રહીશોમાં પોલીસ તંત્ર પ્રત્યે સંતોષની લાગણી જોવા મળી રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/27/YHk5h2wxFAQkxO9OeD7mWdl7I8UbCVwbc809qOrf.webp'/></item><item><title><![CDATA[Suratમાં જૂનો વીડિયો એડિટ કરી પાણી ભરાયાની અફવા ફેલાવનાર ઇન્સ્ટાગ્રામ યુઝર ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/instagram-user-arrested-for-spreading-rumours-of-waterlogging-in-surat-by-editing-old-video</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/instagram-user-arrested-for-spreading-rumours-of-waterlogging-in-surat-by-editing-old-video</guid><pubDate>Mon, 27 Jul 2026 22:26:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી અફવાઓ અને ભ્રામક માહિતી ફેલાવનારા તત્વો સામે ડિંડોલી પોલીસે કડક કાર્યવાહી કરી છે. ચોમાસાની ઋતુ દરમિયાન ખોટી અફવા ફેલાવી લોકોમાં ભયનો માહોલ ઊભો કરનાર ઇન્સ્ટાગ્રામ યુઝર જગદીશ બારતસિંઘ ગીરાસેને ડિંડોલી પોલીસે ઝડપી પાડ્યો છે. સોશિયલ મીડિયા પર સસ્તા ફૂટેજ અને લાઈક્સ મેળવવા માટે કરવામાં આવેલા આ કૃત્ય સામે પોલીસે તાત્કાલિક ધોરણે પગલાં ભર્યા છે.</p><h2 style="text-align: justify; "><b>ભ્રામક વીડિયો અપલોડ કરનાર ઝડપાયો</b></h2><p style="text-align: justify; ">પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી જગદીશે ગત ૭ જુલાઈ ૨૦૨૬ના રોજ ચિંતાચોક વિસ્તારમાં પાણી ભરાયાનો એક જૂનો વીડિયો મેળવ્યો હતો. આ જૂના વીડિયોને એડિટ કરીને તેણે ગત ૨૩ જુલાઈ ૨૦૨૬ના રોજ તાજેતરની પરિસ્થિતિ તરીકે દર્શાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વરસાદી માહોલ વચ્ચે ખોટી માહિતી ફેલાતાં લોકોમાં વગર કારણે અફરાતફરી અને ચિંતાનો માહોલ સર્જાયો હતો.</p><h3 style="text-align: justify; "><b>પોલીસે કાયદાનું ભાન કરાવી જાહેર માફી મંગાવી</b></h3><p style="text-align: justify; ">સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં જ ડિંડોલી પોલીસ હરકતમાં આવી હતી અને અફવા ફેલાવનાર જગદીશ ગીરાસેને ઝડપી લીધો હતો. પોલીસે આરોપીની અટકાયત કરીને તેને કાયદાનું ભાન કરાવ્યું હતું તેમજ તેની પાસે જાહેરમાં માફી પણ મંગાવી હતી. આ ઘટના બાદ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર કોઈપણ ચકાસણી વગરના જૂના કે ભ્રામક વીડિયો શેર કરીને અફવા ન ફેલાવવી, અન્યથા આવી જ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/27/1PIKUPPt1g143aYtCqwuxJfzosXnkYc1Mxj2zJLf.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: શહેરમાં ચોમાસાની સિઝનમાં રોગચાળો વકર્યો, ડેન્ગ્યૂના કેસોમાં 5 ગણો વધારો ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/dengue-cases-rise-fivefold-during-monsoon</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/dengue-cases-rise-fivefold-during-monsoon</guid><pubDate>Mon, 27 Jul 2026 21:57:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં ચોમાસાની સિઝનની શરૂઆત થતાંની સાથે જ વિવિધ રોગચાળો વકરવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે.વરસાદી હવામાન અને ઠેર-ઠેર ભરાતા પાણીના કારણે પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગોના કેસોમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે.રોગચાળાના વધતા વ્યાપને ધ્યાનમાં રાખીને આરોગ્ય તંત્ર દોડતું થયું છે અને નાગરિકોને પણ ખાસ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>આ મહિને ડેન્ગ્યુના કેસોમાં 5 ગણો નોંધપાત્ર વધારો</b></h2><p style="text-align: justify; ">અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી મળતી વિગતો મુજબ,ગત મહિનાની સરખામણીએ આ મહિને ડેન્ગ્યુના કેસોમાં 5 ગણો નોંધપાત્ર વધારો નોંધાયો છે.ચાલુ જુલાઈ મહિનામાં જ સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 19 કેસ નોંધાયા છે.આ ઉપરાંત વાયરલ ફીવરના સૌથી વધુ 444 કેસો નોંધાતાં દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે.સાથોસાથ કમળાના 139 કેસ, ડાયેરિયાના 118 કેસ અને ચિકનગુનિયાના 5 કેસ પણ હોસ્પિટલમાં નોંધાયા છે.</p><h3 style="text-align: justify; "><b>નાગરિકોને ખાસ માર્ગદર્શિકા અને સૂચનાઓ અપાઈ</b></h3><p style="text-align: justify; ">રોગચાળાની આ ગંભીર સ્થિતિને પગલે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા નાગરિકોને ખાસ માર્ગદર્શિકા અને સૂચનાઓ આપવામાં આવી છે.તેમણે લોકોને પોતાના ઘરની આસપાસ પૂર્ણ સ્વચ્છતા જાળવવા,પાણી જમા ન થવા દેવા તેમજ ઉકાળેલું પાણી પીવા અને તાજો ખોરાક લેવા અપીલ કરી છે.જો કોઈ પણ વ્યક્તિમાં તાવ કે અન્ય લક્ષણો દેખાય તો તુરંત જ નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલમાં સારવાર લેવા જણાવવામાં આવ્યું છે.</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ahmedabad/ndrf-rescues-58-people-trapped-in-pipli-village" target="_blank">આ પણ વાંચોઃ Dholera News: પીપળી ગામમાં વરસાદી પાણીમાં ફસાયેલા 58 લોકોનું NDRFની ટીમે રેસ્ક્યૂ કર્યું</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/27/Ng9h2Ucgwy1kPClAm5vAZmQbQEkl23EdcbcChJxJ.webp'/></item><item><title><![CDATA[BELના Q1 પરિણામો જાહેર, નેટ પ્રોફિટમાં 8.8%નો વધારો, આવક રૂપિયા 5,533 કરોડે પહોંચી ]]></title><link>https://sandesh.com/business/news/bel-q1-results-net-profit-up-8-8-percent-revenue-rises-order-book</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/bel-q1-results-net-profit-up-8-8-percent-revenue-rises-order-book</guid><pubDate>Mon, 27 Jul 2026 21:48:08 +05:30</pubDate><description><![CDATA[<p>સરકારી સંરક્ષણ ક્ષેત્રની અગ્રણી કંપની ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL)એ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક (Q1)ના પરિણામો જાહેર કર્યા છે. કંપનીનો સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 8.8 ટકા વધીને ₹1,054 કરોડ થયો છે. ગયા વર્ષે સમાન ત્રિમાસિક દરમિયાન કંપનીએ ₹968 કરોડનો નફો નોંધાવ્યો હતો.</p><h2><b>કંપનીની ઓર્ડર બુક ₹72,258 કરોડ સુધી પહોંચી ગઈ</b></h2><p>કંપનીની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જૂન ત્રિમાસિક દરમિયાન BELનું રેવન્યુ 25.3 ટકા વધીને ₹5,533 કરોડ થયું છે, જે ગયા વર્ષે ₹4,415 કરોડ હતું. કંપનીનું EBITDA 12.1 ટકા વધીને ₹1,389.2 કરોડ થયું છે. જોકે, EBITDA માર્જિનમાં થોડો ઘટાડો નોંધાયો છે અને તે 28.1 ટકાથી ઘટીને 25.1 ટકા રહ્યો છે. BELએ જણાવ્યું કે 1 જુલાઈ, 2026 સુધી કંપનીની ઓર્ડર બુક ₹72,258 કરોડ સુધી પહોંચી ગઈ છે, જે કંપનીના મજબૂત ભવિષ્યના ઓર્ડર દર્શાવે છે. ઉપરાંત પ્રોફિટ બિફોર ટેક્સ (PBT) 8.8 ટકા વધીને ₹1,403 કરોડ રહ્યો છે. કુલ આવક ₹5,700 કરોડ નોંધાઈ છે, જ્યારે ગયા વર્ષે તે ₹4,580 કરોડ હતી.</p><h3><b>ઈક્વિટી શેરોની સંખ્યા 750 કરોડથી વધારીને 1,000 કરોડ કરવામાં આવશે</b></h3><p>કંપનીના બોર્ડે ઓથોરાઈઝ્ડ શેર કેપિટલ ₹750 કરોડથી વધારીને ₹1,000 કરોડ કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે. આ માટે ₹1 ફેસ વેલ્યૂ ધરાવતા ઈક્વિટી શેરોની સંખ્યા 750 કરોડથી વધારીને 1,000 કરોડ કરવામાં આવશે. જોકે, આ નિર્ણયને શેરધારકોની અંતિમ મંજૂરી મળ્યા બાદ અમલમાં મૂકવામાં આવશે. ઈઝરાયલમાં ચાલી રહેલા સંઘર્ષ અંગે BELએ જણાવ્યું કે હાલ તેની વર્તમાન કરારો અથવા નાણાકીય સ્થિતિ પર કોઈ નોંધપાત્ર અસર થઈ નથી.</p><h4><b>ડિફેન્સ ક્ષેત્રની અગ્રણી છે કંપની</b></h4><p>પરિણામો જાહેર થાય તે પહેલાં BELનો શેર 0.4 ટકાના વધારા સાથે ₹406.70 પર બંધ થયો હતો. વર્ષ 2026 દરમિયાન અત્યાર સુધીમાં શેરમાં 2 ટકાથી વધુનો વધારો થયો છે. BEL ભારતીય સેના, નૌસેના અને વાયુસેના માટે રડાર, મિસાઈલ સિસ્ટમ, કમ્યુનિકેશન સાધનો, ઈલેક્ટ્રોનિક વૉરફેર સિસ્ટમ અને અન્ય અદ્યતન સંરક્ષણ ઉપકરણોનું ઉત્પાદન કરતી દેશની અગ્રણી સરકારી ડિફેન્સ કંપની છે.</p><p><b><a href="https://sandesh.com/business/news/hudco-q1-results-net-profit-up-35-percent-interim-dividend-fy2026-27" target="_blank">આ પણ વાંચો : HUDCOના Q1 પરિણામો રહ્યા શાનદાર, નેટ પ્રોફિટમાં 35%નો આવ્યો ઉછાળો</a></b></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/27/wTkqNTS8CSkySoBEiQzGGGhshHMXXLLDyd3q9778.webp'/></item><item><title><![CDATA[Government Holidays in India: આ રાજ્યમાં મળે છે સૌથી વધુ સરકારી રજાઓ, દિલ્હીમાં સૌથી ઓછી રજા ]]></title><link>https://sandesh.com/knowledge/news/india/government-holidays-in-india-this-state-gets-the-most-government-holidays-delhi-gets-the-least</link><guid isPermaLink="true">https://sandesh.com/knowledge/news/india/government-holidays-in-india-this-state-gets-the-most-government-holidays-delhi-gets-the-least</guid><pubDate>Mon, 27 Jul 2026 21:13:27 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">દિલ્હીમાં સૌથી ઓછી રજાઓ હોય છે. ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં પણ મોટી સંખ્યામાં સરકારી રજાઓ હોય છે.</p><h2 style="text-align: justify; ">સાંસ્કૃતિક, સામાજિક અને સ્થાનિક તહેવારો&nbsp;</h2><p style="text-align: justify; ">દેશભરના કામ કરતા લોકો અને સરકારી કર્મચારીઓમાં રજાઓની સંખ્યા ઘણીવાર ચર્ચાનો વિષય હોય છે. ભારત જેવા વૈવિધ્યસભર દેશમાં, દરેક રાજ્યના પોતાના સાંસ્કૃતિક, સામાજિક અને સ્થાનિક તહેવારો હોય છે. જેના આધારે રાજ્ય સરકારો તેમના સત્તાવાર રજાના સમયપત્રક તૈયાર કરે છે. દેશભરના રાજ્યોનો તુલનાત્મક અભ્યાસ દર્શાવે છે કે ઝારખંડ અને આસામ એવા બે રાજ્યો છે જ્યાં સરકારી કર્મચારીઓને વર્ષ દરમિયાન સૌથી વધુ રજાઓ મળે છે. બંને રાજ્યોમાં વાર્ષિક કેલેન્ડરમાં દર વર્ષે 33 કે તેથી વધુ રજાઓ હોય છે.</p><h3 style="text-align: justify; ">સરકારી રજાઓની સંખ્યા 25 થી 38&nbsp;</h3><p style="text-align: justify; ">આ ઉપરાંત, કર્મચારીઓને બધા રવિવાર અને મહિનાના બીજા અને ચોથા શનિવારે પણ રજાઓ આપવામાં આવે છે. આનાથી આ રાજ્યોના કર્મચારીઓને સ્થાનિક તહેવારો દરમિયાન ઓફિસમાંથી નોંધપાત્ર રાહત મળે છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાન જેવા મોટા રાજ્યો પણ સ્થાનિક અને ધાર્મિક તહેવારોના આધારે નોંધપાત્ર સંખ્યામાં રજાઓ આપે છે. આ રાજ્યોમાં વાર્ષિક જાહેર રજાઓની સંખ્યા 25 થી 38 સુધીની હોય છે.</p><h4 style="text-align: justify; ">સંસ્થાઓ માટે ફરજિયાત જાહેર રજાઓ</h4><p style="text-align: justify; ">આ રાજ્યોમાં, રાજ્ય સરકારો દ્વારા હોળી, દિવાળી, ઈદ, મકરસંક્રાંતિ, મહાકુંભ, છઠ પૂજા, તીજ, ગંગૌર અને સ્થાનિક હસ્તીઓના જન્મદિન જેવા પ્રસંગોએ ખાસ જાહેર રજાઓ જાહેર કરવામાં આવે છે. જ્યારે રાજ્યોની પોતાની સ્થાનિક રજાઓ હોય છે, ત્યારે દેશભરમાં ત્રણ રાષ્ટ્રીય તહેવારો સમાન રીતે ઉજવવામાં આવે છે. 26 જાન્યુઆરી, 15 ઓગસ્ટ અને 2 ઓક્ટોબર એ ભારતભરની તમામ સરકારી, અર્ધ-સરકારી અને ખાનગી સંસ્થાઓ માટે ફરજિયાત જાહેર રજાઓ છે.</p><h5 style="text-align: justify; ">દિલ્હીમાં સૌથી ઓછી જાહેર રજાઓ&nbsp;</h5><p style="text-align: justify; ">દેશના તમામ રાજ્યોની તુલનામાં, રાજધાની દિલ્હીમાં સૌથી ઓછી જાહેર રજાઓ જાહેર કરવામાં આવે છે. દિલ્હીમાં વાર્ષિક માત્ર 21 જાહેર રજાઓ હોય છે. આ પાછળનું કારણ એ છે કે દિલ્હીમાં મોટાભાગની સરકારી કચેરીઓ અઠવાડિયામાં ફક્ત પાંચ દિવસ જ કાર્યરત હોય છે, અને શનિવાર અને રવિવાર પહેલાથી જ સાપ્તાહિક રજાઓ હોય છે, જ્યારે કેટલીક ખાસ કચેરીઓ શનિવારે પણ ખુલ્લી હોય છે.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/knowledge/news/india/e20-petrol-cant-e20-be-stored-like-regular-petrol-know-its-shelf-life" target="_blank"> શું E20ને નિયમિત પેટ્રોલની જેમ સંગ્રહિત કરી શકાતું નથી?, જાણો તેની શેલ્ફ લાઇફ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/27/KF4YWF8HhVpu5Pag7zvQjIrO6DZiKL0rSrslUCl9.webp'/></item><item><title><![CDATA[Junagadhના ગિરનાર રોડ પર ડિમોલિશન દરમિયાન વીજપોલ થયો ધરાશાયી, સદનસીબે જાનહાનિ ટળી! ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/an-electricity-pole-collapsed-during-demolition-on-girnar-road-in-junagadh-fortunately-no-casualties-were-reported</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/an-electricity-pole-collapsed-during-demolition-on-girnar-road-in-junagadh-fortunately-no-casualties-were-reported</guid><pubDate>Mon, 27 Jul 2026 19:40:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જૂનાગઢ શહેરના અતિ વ્યસ્ત અને મહત્વના ગણાતા ગિરનાર રોડ પર એક અકસ્માતની ઘટના સામે આવી છે. ગિરનાર રોડ પર આવેલી એક બિલ્ડિંગને તોડવાની (ડિમોલિશનની) કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી દરમિયાન બિલ્ડિંગનો એક ભારેખમ બીમ અચાનક નીચે ધસી પડ્યો હતો. આ બીમ રસ્તા કિનારે આવેલા વીજપોલ પર પડતાં જ વીજપોલ જોરદાર ધડાકા સાથે ધરાશાયી થઈ ગયો હતો.</p><h2 style="text-align: justify; "><b>સમગ્ર વિસ્તારમાં અંધારપટ, સદનસીબે મોટી જાનહાનિ ટળી</b></h2><p style="text-align: justify; ">વીજપોલ ધરાશાયી થતાંની સાથે જ લાઈવ વાયરો તૂટી પડ્યા હતા અને સમગ્ર ગિરનાર રોડ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. અકસ્માત સમયે માર્ગ પર લોકોની અવરજવર હોવા છતાં, સદનસીબે વીજપોલ કે બીમ કોઈ વ્યક્તિ પર ન પડતાં મોટી હોનારત ટળી હતી અને કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ઘટના બનતાં જ આસપાસના સ્થાનિકો અને વેપારીઓમાં ક્ષણભર માટે ભારે અફરાતફરી મચી ગઈ હતી.</p><h3 style="text-align: justify; "><b>PGVCLની ટીમે ત્વરિત વીજ પુરવઠો પૂર્વવત કરવાની કામગીરી શરૂ કરી</b></h3><p style="text-align: justify; ">ઘટના અંગેની જાણ થતાં જ પીજીવીસીએલ (PGVCL) ની ટીમ તાત્કાલિક અસરથી સ્થળ પર પહોંચી ગઈ હતી. વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાના પગલે તુરંત વીજ પ્રવાહ બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ તૂટી પડેલા વાયરો અને પોલને ખસેડીને નવો વીજપોલ ઊભો કરવાની તથા વિસ્તારમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. સ્થાનિકોએ પણ તંત્ર દ્વારા સલામતી વિના ચાલતી આવી ડિમોલિશન કામગીરી સામે યોગ્ય નિયંત્રણ લાવવા માંગ કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/27/5y5k9W3aTDKqPz0IOAQKXfuTnnKeRbw6k5pQ3VYp.webp'/></item><item><title><![CDATA[CWG 2026: જ્ઞાનેશ્વરી યાદવે વેઈટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું ]]></title><link>https://sandesh.com/sports/news/gyaneshwari-yadav-cwg-silver-india-fifth-medal</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/gyaneshwari-yadav-cwg-silver-india-fifth-medal</guid><pubDate>Mon, 27 Jul 2026 19:39:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજનંદગાંવની પુત્રી જ્ઞાનેશ્વરી યાદવે ફરી એકવાર પોતાની એથ્લેટિક કૌશલ્યનું પ્રદર્શન કર્યું છે. તેણે 2026 ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો, જેનાથી ભારતને પાંચમો મેડલ મળ્યો.</p><p style="text-align: justify; ">ભારતે વેઈટલિફ્ટિંગમાં પોતાનો ચોથો મેડલ મેળવ્યો. જ્ઞાનેશ્વરીએ બીજા પ્રયાસમાં 85 કિલો અને ત્રીજા પ્રયાસમાં 88 કિલો વજન ઉપાડ્યું. દીદીહે જ્ઞાનેશ્વરીનો રેકોર્ડ સરળતાથી તોડી નાખ્યો. તેણે બીજા પ્રયાસમાં 90 કિલો અને પછી 93 કિલો વજન ઉપાડીને કોમનવેલ્થનો નવો રેકોર્ડ બનાવ્યો.</p><h2 style="text-align: justify; "><b>આ ખેલાડીઓએ દેશનું નામ રોશન કર્યું</b></h2><p style="text-align: justify; ">રવિવારે મીરાબાઈ ચાનુએ વેઈટલિફ્ટિંગમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઋષિકાંત સિંહ અને રાજા મુથુપંડીએ પણ સિલ્વર મેડલ જીતીને ભારતનું ગૌરવ વધાર્યું હતું. ભારતનો પહેલો મેડલ ઝાંડુ કુમારે જીત્યો હતો, જેણે પુરુષોની હેવીવેઈટ પેરા-પાવરલિફ્ટિંગ કેટેગરીમાં 190 કિલોગ્રામ વજન ઉપાડીને આ સિદ્ધિ મેળવી હતી.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>મેડલ મેળવવાથી ચૂકી ગઈ પ્રતિષ્ઠા સામંતા&nbsp;&nbsp;</b></h3><p style="text-align: justify; ">ભારતીય જિમ્નાસ્ટ પ્રતિષ્ઠા સામંથા કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ મેળવવાથી ભાગ્યે જ ચૂકી ગઈ, મહિલા વોલ્ટ ફાઈનલમાં છઠ્ઠા સ્થાને રહી. તેણે સાતમા સ્થાને રહીને ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું હતું.</p><p style="text-align: justify; ">તેણે ફાઈનલમાં સારું પ્રદર્શન કર્યું, તેણે પહેલા પ્રયાસમાં 12.700 અને બીજા પ્રયાસમાં 12.666નો સ્કોર કર્યો. બંને પ્રયાસોમાં તેણીનો સંયુક્ત સ્કોર 12.683 હતો. જ્યારે આ પ્રદર્શન પ્રભાવશાળી હતું, તે ટોપ 3 માં સ્થાન મેળવવા અને ભારત માટે મેડલ મેળવવામાં ખૂબ જ પાછળ રહી ગઈ.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/ishan-kishan-run-out-abhishek-sharma-stump-mic-video" target="_blank">Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/27/nWuplzESqDX4qqFZYJGq1lNnOpoFXZrBrma8IJzd.webp'/></item><item><title><![CDATA[Gujrati Cinema : ઠંડી રહી લાયક નાલાયક, હવે સકારાત્મક માઉથ પબ્લિસિટીથી વધી રહ્યો ક્રેઝ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/layak-nalayak-gujarati-movie-positive-mouth-publicity-trend</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/layak-nalayak-gujarati-movie-positive-mouth-publicity-trend</guid><pubDate>Mon, 27 Jul 2026 18:05:29 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">તાજેતરમાં સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ લાયક નાલાયકને શરૂઆતમાં બોક્સ ઓફિસ પર અપેક્ષા મુજબનો પ્રતિસાદ મળ્યો નથી. વરસાદી માહોલ અને મર્યાદિત દર્શક ઉપસ્થિતિને કારણે ફિલ્મના શરૂઆતના કલેક્શન પર અસર જોવા મળી હતી. શરૂઆતના દિવસોમાં ફિલ્મને દર્શકોની સંખ્યા ઓછી મળતાં કમાણી પણ ધીમી રહી હતી.</p><h2 style="text-align: justify; "><b>દર્શકોને પસંદ આવી ફિલ્મની સ્ટોરી</b></h2><p style="text-align: justify; ">જોકે, ફિલ્મ જોયા બાદ દર્શકો તરફથી મળતા પોઝિટિવ રિવ્યૂને કારણે હવે લાયક નાલાયક અંગેની ચર્ચા સતત વધી રહી છે. ફિલ્મની ઈમોશનલ સ્ટોરી, મજબૂત કેરેક્ટર અને ભાવનાત્મક રજૂઆત દર્શકોને સ્પર્શી રહી છે. સોશિયલ મીડિયા પર પણ અનેક દર્શકોએ ફિલ્મની પ્રશંસા કરી છે.</p><h3 style="text-align: justify; "><b>સોશિયલ મીડિયા પર થઈ રહી છે પ્રશંસા</b></h3><p style="text-align: justify; ">સોશિયલ મીડિયા પર ફિલ્મને લઈને દર્શકોની પ્રતિક્રિયાઓમાં તેને માત્ર મનોરંજન પૂરતી ફિલ્મ નહીં, પરંતુ પરિવાર સાથે જોઈ શકાય તેવી અર્થસભર રજૂઆત ગણાવવામાં આવી રહી છે. પોઝિટિવ માઉથ પબ્લિસિટી ફિલ્મ માટે મહત્વની સાબિત થઈ શકે છે અને આગામી દિવસોમાં વધુ દર્શકોને સિનેમાઘરો સુધી લાવી શકે છે.</p><h3 style="text-align: justify; "><b>પ્રથમ સપ્તાહથી ફિલ્મની સફળતા નક્કી કરવી યોગ્ય નથી</b></h3><p style="text-align: justify; ">ગુજરાતી સિનેમાના ફેન્સનું માનવું છે કે ગુણવત્તાસભર ફિલ્મોને માત્ર પ્રથમ સપ્તાહના બોક્સ ઓફિસ કલેક્શનના આધારે માપવી યોગ્ય નથી. ખાસ કરીને વરસાદ જેવા પરિબળોને કારણે શરૂઆત ધીમી રહી હોય ત્યારે ફિલ્મને લાંબો સમય મળવો જરૂરી છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbSpjYdsHYv/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbSpjYdsHYv/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbSpjYdsHYv/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbSpjYdsHYv/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>આગામી દિવસોમાં કલેક્શન વધવાની આશા</b></h4><p style="text-align: justify; ">ટ્રેડ વર્તુળોમાં પણ ચર્ચા છે કે શરૂઆત ધીમી રહી હોવા છતાં ફિલ્મને મળી રહેલી પ્રશંસા તેના લાંબા ગાળાના પ્રદર્શન માટે સકારાત્મક સંકેત છે. જો દર્શકોનો સાથ સતત મળતો રહેશે તો ફિલ્મના કલેક્શનમાં આગામી દિવસોમાં વધારો થઈ શકે છે.</p><h5 style="text-align: justify; "><b>ગુજરાતી સિનેમા માટે પણ સકારાત્મક સંકેત</b></h5><p style="text-align: justify; ">ફિલ્મપ્રેમીઓનું કહેવું છે કે જો સારી અને અલગ વિષયવાળી ફિલ્મોને દર્શકોનો સતત સાથ મળે તો ગુજરાતી સિનેમામાં વધુ ગુણવત્તાસભર ફિલ્મો બનાવવાનું પ્રોત્સાહન મળશે. લાયક નાલાયક હાલમાં રાજ્યભરના વિવિધ સિનેમાઘરોમાં પ્રદર્શિત થઈ રહી છે અને વધતા સકારાત્મક પ્રતિસાદને જોતા આગામી દિવસોમાં દર્શકોની સંખ્યામાં વધારો થવાની આશા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/chennai-love-story-kiran-abbavaram-third-highest-grossing" target="_blank">આ પણ વાંચો-Chennai Love Story એ તોડ્યો રેકોર્ડ, બની કિરણ અબ્બાવરમની ત્રીજી હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/27/TxcetQODHQELerIisnxXUoGwwGDMrIDPC9SBPbiu.webp'/></item></channel></rss>