<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[onion prices: ડુંગળીના ભાવમાં ઉછાળો, કેન્દ્ર સરકાર ‘કાંદા એક્સપ્રેસ’થી બફર સ્ટોક બજારમાં ઉતારશે ]]></title><link>https://sandesh.com/business/news/onion-prices-onion-prices-soar-central-government-to-release-buffer-stock-in-the-market-through-kanda-express</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/onion-prices-onion-prices-soar-central-government-to-release-buffer-stock-in-the-market-through-kanda-express</guid><pubDate>Mon, 24 Aug 2026 11:30:16 +05:30</pubDate><description><![CDATA[<p>Onion stock:&nbsp; દેશભરમાં વધતી કિંમતોને કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકાર સોમવારથી ડુંગળીનો પોતાનો બફર સ્ટોક બજારમાં ઉતારવાનું શરૂ કરશે. મીડિયા રિપોર્ટ અનુસાર ‘કાંદા એક્સપ્રેસ’ નામની ડુંગળી લઈ જતી ટ્રેનો નાસિકથી દિલ્હી, ચેન્નઈ, કોચી અને ગુવાહાટી જેવા શહેરો માટે દોડાવવામાં આવશે, જ્યાં ડુંગળીના છૂટક ભાવ રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે છે.&nbsp;</p><h2><b>મેટ્રો શહેરોમાં ડુંગળીના ભાવ વધારે</b></h2><p>શનિવારે ડુંગળીનો સરેરાશ છૂટક ભાવ 42 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો, જે એક વર્ષ અગાઉની સરખામણીએ 45 ટકા અને ગયા મહિનાની સરખામણીએ 19 ટકા વધારે છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે મોટા શહેરોમાં ડુંગળી અને ખાંડ બંનેના ભાવ વધી રહ્યા છે. ઉપભોક્તા બાબતોના વિભાગના આંકડા અનુસાર, શનિવારે દિલ્હીમાં ડુંગળી 65 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ હતી, જ્યારે એક વર્ષ પહેલાં તેનો ભાવ 35 રૂપિયા પ્રતિ કિલો હતો. ચેન્નઈમાં ડુંગળીનો ભાવ 58 રૂપિયા પ્રતિ કિલો રહ્યો, જ્યારે ગયા વર્ષે તે 33 રૂપિયા પ્રતિ કિલો હતો. કેરળ અને આસામના કેટલાક વિસ્તારોમાં પણ ડુંગળીના ભાવ વધેલા છે.</p><h3><b>સ્ટોકની કોઈ અછત નથી</b></h3><p>ખાંડના છૂટક ભાવ પણ સતત વધી રહ્યા છે. શનિવારે ખુલ્લી ખાંડ 62.5 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ, જે એક વર્ષ પહેલાંની સરખામણીએ 34 ટકા અને એક મહિના પહેલાંના ભાવ (46 રૂપિયા પ્રતિ કિલો) કરતાં 28.5 ટકા વધારે છે. દિલ્હીમાં ખાંડ 65 રૂપિયા પ્રતિ કિલો અને મુંબઈમાં 69 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ હતી. અધિકારીઓએ કહ્યું કે કેટલાક વેપારીઓ કૃત્રિમ રીતે ભાવ વધારી શકે છે, તેથી ડુંગળીને ઓછી કિંમતે વ્યવસ્થિત રીતે બજારમાં ઉતારવામાં આવશે. તેમણે કહ્યું કે આગામી મહિનાઓમાં માંગ પૂરી કરવા માટે સરકાર અને ખેડૂતો પાસે પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. ખાદ્ય મંત્રાલયે પણ કહ્યું છે કે ખાંડનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. સરકારે અગાઉ ઓક્ટોબર 2024માં કિંમતોને નિયંત્રણમાં લેવા માટે નાસિકથી દિલ્હી અને દેશના અન્ય વિસ્તારો માટે ‘કાંદા એક્સપ્રેસ’ ટ્રેનો ચલાવી હતી.</p><h4><b>મહારાષ્ટ્રમાં ખરીફ ડુંગળીના ઉત્પાદનમાં 5 ટકાથી 7 ટકાનો ઘટાડો&nbsp;</b></h4><p>બજારના જાણકારોનું કહેવું છે કે સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન કરતા રાજ્ય મહારાષ્ટ્રમાં ખરીફ ડુંગળીના ઉત્પાદનમાં 5 ટકાથી 7 ટકાનો ઘટાડો થવાના અહેવાલોએ કિંમતોમાં વધારામાં યોગદાન આપ્યું છે. ખેડૂતોની સહકારી સંસ્થાઓ NAFED અને નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન (NCCF)એ ચાલુ નાણાકીય વર્ષ માટે બફર સ્ટોક તરીકે આશરે 1.2 લાખ ટન ડુંગળીની ખરીદી કરી છે. મે મહિનામાં બંને એજન્સીઓએ ડુંગળી ખરીદીનો ભાવ 1,270 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કર્યો હતો. ગયા અઠવાડિયે ખરીદીની ગતિ વધારવા માટે આ ભાવ બદલીને 2,645 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યો હતો. કૃષિ મંત્રાલયના બીજા આગોતરા અંદાજ અનુસાર, 2025-26 પાક વર્ષ (જુલાઈથી જૂન સુધી)માં ડુંગળીનું ઉત્પાદન 307 લાખ ટન રહેવાનો અંદાજ છે. આ 2024-25 પાક વર્ષમાં નોંધાયેલા ઉત્પાદન જેટલું જ છે.</p><p><b><a href="https://sandesh.com/" target="_blank">વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/K4NMKozSLtmWOBwrMBBeIm9Uc14T6YB48MSJ57pZ.webp'/></item><item><title><![CDATA[Maharastra: પરીક્ષા શરૂ થતા જ WhatsApp પર મોકલ્યું પેપર... નર્સિગ પેપર લીક મામલે લેડી સુપરવાઇઝર સહિત ચારની ધરપકડ ]]></title><link>https://sandesh.com/india/news/maharashtra-nursing-exam-paper-leak--anm-gnm-question-paper-on-whatsapp-4-arrested--including-a-lady-supervisor</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/maharashtra-nursing-exam-paper-leak--anm-gnm-question-paper-on-whatsapp-4-arrested--including-a-lady-supervisor</guid><pubDate>Mon, 24 Aug 2026 11:28:39 +05:30</pubDate><description><![CDATA[<p>Maharastra: NEET અને TET ની ઘટનાઓ બાદ મહારાષ્ટ્રમાં નર્સિંગ પરીક્ષાના પેપર લીકનો મામલો સામે આવ્યો છે. પરભણીની ઇન્દિરા ગાંધી ANM નર્સિંગ સ્કૂલમાં પરીક્ષા દરમિયાન એક સુપરવાઇઝરે પ્રશ્નપત્રના ફોટા લીધા અને તેને WhatsApp દ્વારા મોકલ્યા. પાંચ વ્યક્તિઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે, અને ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.</p><p><br></p><p>20 ઓગસ્ટના રોજ, GNM પ્રથમ વર્ષની પરીક્ષા દરમિયાન, સુપરવાઇઝર રાખી ચવ્હાણે પરીક્ષા શરૂ થયા પછી તરત જ પ્રશ્નપત્રના ફોટા લીધા અને તેને WhatsApp દ્વારા તેની બહેન રાની ચવ્હાણને મોકલ્યા. સેન્ટર સુપરિન્ટેન્ડેન્ટ વિશ્વજીત મઠપતિને શંકા હતી કે પ્રશ્નપત્ર લીક થયું છે. મોબાઇલ ફોનની તપાસ દરમિયાન ફોટા મળી આવ્યા બાદ, તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી.</p><p><br></p><h4><b>જપ્ત કરાયેલા મોબાઇલ ફોનની તપાસ ચાલુ&nbsp;</b></h4><p>નાનલ પેઠ પોલીસે રાખી ચવ્હાણ, રાની ચવ્હાણ, પ્રતિક્ષા કિરણ ખીલ્લેરે, ઈશ્વર બારોઇના અને દિલીપ બોરકર સામે કેસ નોંધ્યો છે. આરોપીઓના મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ તપાસ કરી રહી છે કે કેટલા લોકોને ફોટા મળ્યા, તે સોશિયલ મીડિયા પર કેટલી હદ સુધી વાયરલ થયા, અને શું કોઈ નાણાકીય વ્યવહારો થયા. કોઈ મોટા રેકેટની સંડોવણીની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે ઘટના છતાં પરીક્ષા કોઈ વિક્ષેપ વિના ચાલુ રહી. ફોટો લીક થયાની જાણ થતાં જ અધિકારીઓને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. મઠપતિની ફરિયાદના આધારે, પોલીસે મહારાષ્ટ્ર પરીક્ષા અધિનિયમની જોગવાઈઓ હેઠળ પાંચ આરોપીઓ સામે કેસ નોંધ્યો હતો. તપાસકર્તાઓ હવે પ્રશ્નપત્ર શેર કરવા પાછળના સંજોગો અને આ કૃત્યમાં અન્ય લોકો સંડોવાયેલા હતા કે કેમ તેની તપાસ કરી રહ્યા છે.</p><p><br></p><h4><b>મહારાષ્ટ્ર TET પેપર પણ લીક</b></h4><p>૨૭ જૂનના રોજ - ૨૮ જૂને યોજાનારી મહારાષ્ટ્ર TET પરીક્ષાના એક દિવસ પહેલા પોલીસે થાણેના ભીવંડીના કોનગાંવ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી; બે બિહારના અને એક હરિયાણાનો હતો. તેમની પાસેથી વાસ્તવિક પરીક્ષાના પ્રશ્નપત્રોના ચાર સેટ મળી આવ્યા હતા. એવો આરોપ છે કે તેઓ લગભગ ₹1.5 કરોડમાં પેપર વેચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરીક્ષા તાત્કાલિક મુલતવી રાખવામાં આવી હતી. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મામલાની પાસ માટે SIT ની રચના કરવાનો આદેશ આપ્યો હતો.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/business/news/epf-date-correction-how-wrong-doj-doe-affects-pf-transfer-pension" target="_blank"><b>PF ઉપાડતા પહેલા સાવધાન! ખાતામાં એક ખોટી તારીખ... અને રોકાઇ જશે તમારા પેન્શન-PFના પૈસા</b></a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/SSQ98E3UoWpFj5AYZCS5p6qYVeUYnywOK3bSALQ9.webp'/></item><item><title><![CDATA[Bollywood : કંગના રનૌતે તાપસીને કહી સસ્તી કોપી તો એક્ટ્રેસે આપ્યો જડબાતોડ જવાબ, શેર કરી ક્રિપ્ટિક પોસ્ટ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/taapsee-pannu-reacts-to-kangana-ranaut-sasti-copy</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/taapsee-pannu-reacts-to-kangana-ranaut-sasti-copy</guid><pubDate>Mon, 24 Aug 2026 11:19:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કંગના રનૌત અને તાપસી પન્નુનો જૂનો વિવાદ ફરી એકવાર ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર બંને વચ્ચે શાબ્દિક ટકરાવ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં તાપસીને કંગના સાથેના પોતાના જૂના વિવાદને ખતમ કરવા અંગે સવાલ કરવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેમણે પોતાના ઉછેરનો ઉલ્લેખ કર્યો હતો. તાપસીના આ નિવેદન પર કંગનાએ તેમને સસ્તી કોપી કહીને નિશાન સાધ્યું હતું. હવે તાપસીએ પણ સીધો જવાબ આપવાને બદલે એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે.</p><h2 style="text-align: justify; "><b>કંગનાના નામ વગર તાપસીએ આપ્યો ક્રિપ્ટિક જવાબ</b></h2><p style="text-align: justify; ">તાપસી પન્નુએ તાજેતરમાં પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી હતી. તેમણે કંગના રનૌતનું નામ લીધા વગર માત્ર એટલું લખ્યું, સાબિત થઈ ગયું. તાપસી હાલમાં પોતાની આગામી ફિલ્મ ગંધારીના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં એક્ટ્રેસે ઇન્ડિયા ટુડે સાથેના એક ઇન્ટરવ્યૂમાં કંગના સાથેના પોતાના વિવાદ વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે તે ક્યારેય તેને મળી નથી. તેમણે કહ્યું, હું તેને મળી નથી. જ્યારે આ મુદ્દાઓ શરૂ થયા હતા ત્યારે પણ હું તેને મળી નહોતી. આજે પણ હું તેને મળી નથી.</p><h3 style="text-align: justify; "><b>તાપસી પન્નુએ એવું શું કહ્યું હતું?</b></h3><p style="text-align: justify; ">તાપસીએ કહ્યું હતું, તેમના વિશેનો મારો અભિપ્રાય મારા ઉછેર, મારી વાત કરવાની રીત અને વસ્તુઓને જોવાના મારા દૃષ્ટિકોણને દર્શાવે છે. તેમનો અભિપ્રાય તેમનો પોતાનો છે... તેઓ પોતાની વાત પર કાયમ છે. તેથી મને લાગે છે કે દરેક વ્યક્તિ માટે એ જોવા અને નક્કી કરવા માટે આટલું પૂરતું છે કે કોણ ક્યાંથી આવ્યું છે.<br><img alt="_Kangana Ranaut and Taapsee Pannu (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/24/OAkB4mFnryAgrl6E1DEugQiznK1lzoKGbVzt6571.webp"><br></p><h4 style="text-align: justify; "><b>કંગના રનૌતે આપ્યો આ જવાબ</b></h4><p style="text-align: justify; ">ત્યારબાદ કંગના રનૌતે તાપસી પન્નુના ઉછેર પર સવાલ ઉઠાવ્યો અને લખ્યું, એક સસ્તી કોપી પોતાની આગામી B-ગ્રેડ ફિલ્મ સાથે ફરી રહી છે. પરંતુ હંમેશાની જેમ મીડિયા માટે મુખ્ય મુદ્દો કંગના રનૌત જ છે. આજે તેણે મારા ઉછેર અને માતા-પિતાની બેશરમીથી મજાક ઉડાવીને તમામ હદો પાર કરી દીધી છે. દરેક માતા-પિતા પોતાની તરફથી પૂરો પ્રયાસ કરે છે. હું ક્યારેય કોઈ ચર્ચામાં માતા-પિતાને વચ્ચે લાવતી નથી. આજે હું પણ તેના માતા-પિતાને પૂછવા માગું છું કે તેઓ મારા માતા-પિતાની જેમ કોઈ અસલી વ્યક્તિને જન્મ કેમ ન આપી શક્યા?</p><h3 style="text-align: justify; "><b>પહેલા પણ થઈ ચૂક્યો છે વિવાદ</b></h3><p style="text-align: justify; ">કંગના રનૌત અને તાપસી પન્નુ વચ્ચે આ પહેલાં પણ ઘણી વખત શાબ્દિક ટકરાવ જોવા મળ્યો છે. વર્ષ 2019માં કંગનાની બહેન રંગોલી ચંદેલે તાપસી પર કંગનાની નકલ કરવાનો આરોપ લગાવ્યો હતો અને તેમને સસ્તી કોપી કહી હતી. આ વિવાદ ત્યારે શરૂ થયો હતો જ્યારે તાપસીએ ફિલ્મ જજમેન્ટલ હૈ ક્યાના ટ્રેલરની પ્રશંસા કરી હતી, પરંતુ પોતાની પોસ્ટમાં કંગનાનું નામ લીધું નહોતું. ત્યારબાદ બંને એક્ટ્રેસ વચ્ચે અનેક પ્રસંગોએ તીખા નિવેદનો જોવા મળ્યા હતા. જોકે, બાદમાં તાપસીએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ આ પ્રકારની ચર્ચા કે એકબીજા પર આરોપ લગાવવાનો ભાગ બનવા માગતી નથી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/varanasi-50-languages-1500-voice-samples-rajamouli" target="_blank">આ પણ વાંચો-South Cinema : રાજામૌલીની જબરદસ્ત પ્લાનિંગ, વારાણસી 50 ભાષામાં થશે ડબ, લેવાશે 1500 વોઇસ સેમ્પલ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/I19aG6RcgiLsp4IztxuplVw2r1xjoXnQDVNhrqCA.webp'/></item><item><title><![CDATA[Indiaની દિવ્યાંગ ક્રિકેટ ટીમને મળ્યા અમિત શાહ, લોર્ડ્સની ઐતિહાસિક જીતની કરી પ્રશંસા ]]></title><link>https://sandesh.com/sports/news/india/amit-shah-meets-indias-disabled-cricket-team-praises-historic-win-at-lords</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india/amit-shah-meets-indias-disabled-cricket-team-praises-historic-win-at-lords</guid><pubDate>Mon, 24 Aug 2026 11:08:58 +05:30</pubDate><description><![CDATA[<p>Indiaની દિવ્યાંગ ક્રિકેટ ટીમ તાજેતરમાં ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટી20 સિરીઝ રમીને પરત ફરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમામ ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત કરી અને તેમના જુસ્સા તથા દૃઢશક્તિની પ્રશંસા કરી. ભારતીય ખેલાડીઓનો એક વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં તેમણે સૌરવ ગાંગુલીની સ્ટાઇલમાં લોર્ડ્સની બાલ્કની પર શર્ટ ઉતારીને લહેરાવ્યું હતું.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/AmitShah/status/2091540039704699368"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b style="font-size: 2rem;">અમિત શાહે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે મુલાકાત કરી</b></p><p> આ યાદગાર જીત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. અમિત શાહે સોશિયલ મીડિયા દ્વારા કહ્યું- નવી દિલ્હીમાં ભારતની દિવ્યાંગ ક્રિકેટ ટીમને મળીને ખુશી થઈ. ભારતની આ ટીમ ઇંગ્લેન્ડ પ્રવાસથી પરત ફરી છે, જ્યાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મેન્સ મિક્સ્ડ ડિસેબિલિટી ટી20 સિરીઝ રમાઈ હતી. દેશનું સન્માન વધારવા માટે તેમનો પ્રયાસ અને તેમનો દૃઢ સંકલ્પ ભારતના યુવાનોને પ્રેરણા આપે છે. ભવિષ્યના પ્રયાસો માટે તેમને શુભકામનાઓ.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/LucknowIPL/status/2090409941769261489"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b style="font-size: 1.75rem;">ભારત માટે હિલાલ અહમદ વાણીએ 4 વિકેટ ઝડપી&nbsp;</b></p><p>ટીમ ઈન્ડિયા ભલે સિરીઝ હારી ગઈ, પરંતુ સિરીઝનો અંત તેણે યાદગાર અંદાજમાં કર્યો. અંતિમ ટી20 મુકાબલામાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારિત 20 ઓવરમાં સ્કોરબોર્ડ પર 206 રન નોંધાવ્યા હતા. સૌથી વધુ પ્રભાવિત માજિદ મેકગ્રેની 331.58ના સ્ટ્રાઇક રેટથી રમાયેલી ઇનિંગ્સે કર્યા હતા. તેમણે માત્ર 19 બોલમાં 68 રન ફટકાર્યા હતા, જેમાં 3 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ હતા. ઇંગ્લેન્ડની આખી ટીમ માત્ર 88 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતે 118 રનથી મેચ જીતી લીધી હતી. ભારત માટે હિલાલ અહમદ વાણીએ 4 વિકેટ ઝડપી હતી, જ્યારે જયેશ પરમારે માત્ર 2 ઓવર બોલિંગ કરીને 3 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. આ ધમાકેદાર જીત બાદ ભારતીય ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે પણ લોર્ડ્સની બાલ્કની પર શર્ટ લહેરાવ્યો હતો.</p><p><b><a href="https://sandesh.com/" target="_blank">વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/qYWhXb0m9OoaytEVlC2JMmyKpLlTHffb0heAKSvt.webp'/></item><item><title><![CDATA[Indiaની દિવ્યાંગ ક્રિકેટ ટીમને મળ્યા અમિત શાહ, લોર્ડ્સની ઐતિહાસિક જીતની કરી પ્રશંસા ]]></title><link>https://sandesh.com/sports/news/india/amit-shah-meets-indias-disabled-cricket-team-praises-historic-win-at-lords</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india/amit-shah-meets-indias-disabled-cricket-team-praises-historic-win-at-lords</guid><pubDate>Mon, 24 Aug 2026 11:08:58 +05:30</pubDate><description><![CDATA[<p>Indiaની દિવ્યાંગ ક્રિકેટ ટીમ તાજેતરમાં ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટી20 સિરીઝ રમીને પરત ફરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમામ ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત કરી અને તેમના જુસ્સા તથા દૃઢશક્તિની પ્રશંસા કરી. ભારતીય ખેલાડીઓનો એક વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં તેમણે સૌરવ ગાંગુલીની સ્ટાઇલમાં લોર્ડ્સની બાલ્કની પર શર્ટ ઉતારીને લહેરાવ્યું હતું.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/AmitShah/status/2091540039704699368"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b style="font-size: 2rem;">અમિત શાહે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે મુલાકાત કરી</b></p><p> આ યાદગાર જીત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. અમિત શાહે સોશિયલ મીડિયા દ્વારા કહ્યું- નવી દિલ્હીમાં ભારતની દિવ્યાંગ ક્રિકેટ ટીમને મળીને ખુશી થઈ. ભારતની આ ટીમ ઇંગ્લેન્ડ પ્રવાસથી પરત ફરી છે, જ્યાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મેન્સ મિક્સ્ડ ડિસેબિલિટી ટી20 સિરીઝ રમાઈ હતી. દેશનું સન્માન વધારવા માટે તેમનો પ્રયાસ અને તેમનો દૃઢ સંકલ્પ ભારતના યુવાનોને પ્રેરણા આપે છે. ભવિષ્યના પ્રયાસો માટે તેમને શુભકામનાઓ.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/LucknowIPL/status/2090409941769261489"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b style="font-size: 1.75rem;">ભારત માટે હિલાલ અહમદ વાણીએ 4 વિકેટ ઝડપી&nbsp;</b></p><p>ટીમ ઈન્ડિયા ભલે સિરીઝ હારી ગઈ, પરંતુ સિરીઝનો અંત તેણે યાદગાર અંદાજમાં કર્યો. અંતિમ ટી20 મુકાબલામાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારિત 20 ઓવરમાં સ્કોરબોર્ડ પર 206 રન નોંધાવ્યા હતા. સૌથી વધુ પ્રભાવિત માજિદ મેકગ્રેની 331.58ના સ્ટ્રાઇક રેટથી રમાયેલી ઇનિંગ્સે કર્યા હતા. તેમણે માત્ર 19 બોલમાં 68 રન ફટકાર્યા હતા, જેમાં 3 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ હતા. ઇંગ્લેન્ડની આખી ટીમ માત્ર 88 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતે 118 રનથી મેચ જીતી લીધી હતી. ભારત માટે હિલાલ અહમદ વાણીએ 4 વિકેટ ઝડપી હતી, જ્યારે જયેશ પરમારે માત્ર 2 ઓવર બોલિંગ કરીને 3 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. આ ધમાકેદાર જીત બાદ ભારતીય ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે પણ લોર્ડ્સની બાલ્કની પર શર્ટ લહેરાવ્યો હતો.</p><p><b><a href="https://sandesh.com/" target="_blank">વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/qYWhXb0m9OoaytEVlC2JMmyKpLlTHffb0heAKSvt.webp'/></item><item><title><![CDATA[Morbi : મંત્રીના ભાઈ રાકેશ અમૃતિયાના તીખા સવાલ, 400 ગણું વળતર નહીં તો થાંભલા નહીં નાંખવા દેવાય, Video ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/morbi/rakesh-amrutiya-farmer-protest-400-times-compensation-halvad</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/morbi/rakesh-amrutiya-farmer-protest-400-times-compensation-halvad</guid><pubDate>Mon, 24 Aug 2026 10:59:03 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મોરબી જિલ્લાના હળવદ તાલુકાના જુના દેવળિયા ગામે યોજાયેલી ખેડૂત જાગૃતિ સભામાં મંત્રી કાંતિલાલ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયાએ સરકાર સામે ગંભીર આક્ષેપો કરીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. ખેડૂત આંદોલનને સમર્થન આપ્યા બાદ પોતાના ત્યાં 6 વખત રેડ પડી હોવાનો ગંભીર આક્ષેપ તેમણે કર્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>ખેડૂતોને યોગ્ય વળતર મળવું જરૂરી છે</b></h2><p style="text-align: justify; ">ખેડૂત જાગૃતિ સભા દરમિયાન રાકેશ અમૃતિયાએ સરકારની નીતિઓ અને મંત્રી કાંતિલાલ અમૃતિયાના નિવેદન સામે પણ તીખી પ્રતિક્રિયા આપી હતી. ખેડૂતોની જમીનમાં થાંભલા નાખવા અને તેના વળતરના મુદ્દે તેમણે સ્પષ્ટ શબ્દોમાં સરકારને પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું કે ખેડૂતોને યોગ્ય વળતર મળવું જરૂરી છે અને માત્ર સરકારી કાર્યવાહીથી ખેડૂતોની જમીન પર કબજો ચલાવી લેવામાં નહીં આવે.</p><h2 style="text-align: justify; "><b style="font-size: 1.5rem;">માત્ર મંજીરા વગાડવાથી સરકાર કોઈને કંઈ આપવા તૈયાર નથી</b></h2><p style="text-align: justify; ">તેમણે સરકારની કામગીરી પર પણ કટાક્ષ કરતાં કહ્યું કે માત્ર મંજીરા વગાડવાથી સરકાર કોઈને કંઈ આપવા તૈયાર નથી.  ખેડૂતોના હિત સાથે સમાધાન કરવામાં નહીં આવે તેવો સંકેત પણ તેમણે આપ્યો હતો. તેમણે થાંભલા કાઢવાની કાર્યવાહી ચાલુ રાખવાની વાત કરતાં ખેડૂત આંદોલનને વધુ આક્રમક દિશામાં લઈ જવાનો પણ ઈશારો કર્યો હતો.&nbsp;</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2091765822335422527"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a>&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><b style="font-size: 1.75rem;">ખેડૂતોને જમીનનું 400 ગણું વળતર આપવામાં આવે&nbsp;</b></p><p style="text-align: justify; ">રાકેશ અમૃતિયાએ આક્રમક અંદાજમાં કહ્યું કે ખેડૂતોને જમીનનું 400 ગણું વળતર આપવામાં નહીં આવે તો થાંભલા નાખવા દેવામાં આવશે નહીં. તેમણે આક્ષેપ કર્યો કે થાંભલા ઊભા થયા બાદ જમીનની કિંમત ઘટી જાય છે અને ખેડૂતોને તેના કારણે નુકશાન થશે</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો :&nbsp;&nbsp;<a href="https://sandesh.com/explainer/news/india/ahmedabad/sandesh-digital-explainer-sugar-price-hike-40-percent-festive-season-shortage-reasons" target="_blank"><b>Sandesh Digital Explainer : તહેવારો પહેલાં ખાંડ બની કડવી..! 40% સુધીના ભાવવધારા પાછળ શું છે મહત્વના કારણ?</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/aKHl5dMmV1VKzaevjxHMTjSmSONLwLDizU3OpYFe.webp'/></item><item><title><![CDATA[Nitin Patelનું મોટું નિવેદન, દારૂબંધી હટાવાથી સરકારને હજારો કરોડની આવક થાય પણ..., Video ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/gir-somnath/nitin-patel-somnath-visit-gujarat-liquor-ban-gen-z-protest-statement</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/gir-somnath/nitin-patel-somnath-visit-gujarat-liquor-ban-gen-z-protest-statement</guid><pubDate>Mon, 24 Aug 2026 09:45:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહપરિવાર ગીર સોમનાથ પહોંચ્યા હતા અને સોમનાથ મહાદેવના દર્શન કરી શીશ ઝુકાવ્યું હતું. આ દરમિયાન તેમણે રાજ્યમાં સારો વરસાદ થાય અને લોકોનું જીવન સુખમય બને તે માટે મહાદેવને પ્રાર્થના કરી હતી. સોમનાથના સાનિધ્યમાં નીતિન પટેલે રાજ્યના વિવિધ મુદ્દાઓ પર પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી.</p><h2 style="text-align: justify; "><b>કાયદો અને વ્યવસ્થા મજબૂત રહેવામાં દારૂબંધીની પણ મહત્વની ભૂમિકા</b></h2><p style="text-align: justify; ">ગુજરાતમાં દારૂબંધીના મુદ્દે નીતિન પટેલે સૂચક નિવેદન આપતાં કહ્યું કે, જો દારૂબંધી હટાવવામાં આવે તો રાજ્ય સરકારને હજારો કરોડ રૂપિયાની આવક થઈ શકે છે. પરંતુ ગુજરાતમાં કાયદો વ્યવસ્થા દારૂબંધી ને કારણે જ મજબૂત છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત રહેવામાં દારૂબંધીની પણ મહત્વની ભૂમિકા છે. તેમના મતે રાજ્યના મોટાભાગના લોકો પણ દારૂબંધીના સમર્થનમાં છે.</p><h3 style="text-align: justify; "><b>રાજ્યમાં દારૂબંધી માત્ર આવકનો પ્રશ્ન નથી</b></h3><p style="text-align: justify; ">દારૂબંધી હટાવવા અંગેના શંકરસિંહ વાઘેલાના નિવેદન પર નીતિન પટેલે તેને તેમનો વ્યક્તિગત અભિપ્રાય ગણાવ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે રાજ્યમાં દારૂબંધી માત્ર આવકનો પ્રશ્ન નથી, પરંતુ તેની સામાજિક અને કાયદો-વ્યવસ્થા સાથે પણ સીધી અસર જોડાયેલી છે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2091767869340295238"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a>&nbsp;</p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>તેઓ પોતે પણ યુવા અવસ્થામાં આંદોલન સાથે જોડાયા</b></h4><p style="text-align: justify; ">ઝેન જી આંદોલન અંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે આંદોલનો કોઈ નવી બાબત નથી. આઝાદીના સમયથી લઈને આઝાદી બાદ પણ દેશમાં વિવિધ આંદોલનો થતા રહ્યા છે. ગુજરાતના નવનિર્માણ આંદોલન દરમિયાન તેઓ પોતે પણ યુવા અવસ્થામાં આંદોલન સાથે જોડાયા હતા. “ઝેન જી” શબ્દ ભલે નવો હોય, પરંતુ યુવાનો પોતાના વિચારો, પ્રેરણા અને મુદ્દાઓને લઈને હંમેશા આંદોલન કરતા આવ્યા છે.</p><h4 style="text-align: justify; "><b>&nbsp;યુવાનોની વાતને પ્રેમ અને સમજદારીથી સાંભળવી જોઈએ</b></h4><p style="text-align: justify; ">તેમણે વધુમાં કહ્યું કે કોઈપણ સરકાર કે રાજકીય નેતૃત્વે યુવાનોની વાતને પ્રેમ અને સમજદારીથી સાંભળવી જોઈએ અને સંવાદ દ્વારા આંદોલનનો ઉકેલ લાવવો જોઈએ. સરકાર અને યુવાનો વચ્ચેનો સંવાદ જ આવા મુદ્દાઓનો સુખદ ઉકેલ લાવી શકે છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/explainer/news/india/ahmedabad/sandesh-digital-explainer-sugar-price-hike-40-percent-festive-season-shortage-reasons" target="_blank"><b>Sandesh Digital Explainer : તહેવારો પહેલાં ખાંડ બની કડવી..! 40% સુધીના ભાવવધારા પાછળ શું છે મહત્વના કારણ?</b></a></p><p><br></p><p><br></p><p><br></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/teuNcx7XuAEqNQpbFjHkefMfcT2Jblb329ihJGgy.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : પ્રોપર્ટીના વિવાદે લીધો ઉગ્ર વળાંક, બહેરામપુરામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-behrampura-property-dispute-stone-pelting-danilimda-police</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-behrampura-property-dispute-stone-pelting-danilimda-police</guid><pubDate>Mon, 24 Aug 2026 09:07:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં પ્રોપર્ટીના વિવાદને લઈને એક જ સમુદાયના બે જૂથ આમને-સામને આવી જતા તંગદિલીનો માહોલ સર્જાયો હતો. બહેરામપુરા પોલીસ ચોકી નજીક બંને પક્ષો વચ્ચે પહેલા ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ મામલાએ અચાનક ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં પથ્થરમારો શરૂ થયો હતો. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ જોવા મળ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>પ્રોપર્ટીના મુદ્દે બંને જૂથ વચ્ચે લાંબા સમયથી વિવાદ</b></h2><p style="text-align: justify; ">પ્રાથમિક માહિતી મુજબ પ્રોપર્ટીના મુદ્દે બંને જૂથ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદને લઈને બંને પક્ષો વચ્ચે બોલાચાલી થતાં મામલો બગડ્યો હતો અને ત્યારબાદ બંને તરફથી પથ્થરમારો થયો હોવાનું સામે આવ્યું છે. પથ્થરમારાની ઘટનાથી આસપાસના લોકોમાં પણ દોડધામ મચી ગઈ હતી.</p><h3 style="text-align: justify; "><b>અનેક વાહનોને નુકસાન પહોંચ્યું&nbsp;</b></h3><p style="text-align: justify; ">આ અથડામણ દરમિયાન રસ્તા પર અને આસપાસ પાર્ક કરવામાં આવેલા અનેક વાહનોને નુકસાન પહોંચ્યું હતું. પથ્થરમારાના કારણે વાહનોના કાચ અને અન્ય ભાગોને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.</p><h4 style="text-align: justify; "><b>ઘટનાના પગલે પોલીસ સ્થળ પર પહોંચી</b></h4><p style="text-align: justify; ">ઘટના બાદ બંને પક્ષો પોતાની ફરિયાદ નોંધાવવા માટે દાણીલીમડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે બંને પક્ષોની રજૂઆત સાંભળી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પ્રોપર્ટી વિવાદમાં પથ્થરમારો કરનાર કોણ હતા અને કેટલા લોકો આ ઘટનામાં સામેલ હતા તે દિશામાં તપાસ આગળ વધારવામાં આવી રહી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; <a href="https://sandesh.com/explainer/news/india/ahmedabad/sandesh-digital-explainer-sugar-price-hike-40-percent-festive-season-shortage-reasons" target="_blank"><b>&nbsp;Sandesh Digital Explainer : તહેવારો પહેલાં ખાંડ બની કડવી..! 40% સુધીના ભાવવધારા પાછળ શું છે મહત્વના કારણ?</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/fvSBPPWJ5u41U3u0wrF32IYej7aaBAXeWLqbQplo.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : વિરમગામ હાઈવે પર પંજાબથી સુરેન્દ્રનગર જતો કરોડોનો દારુ ઝડપાયો,  1.11 કરોડનો જથ્થો કબ્જે ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/viramgam-highway-1-11-crore-liquor-container-seized-sanand-gidc-police</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/viramgam-highway-1-11-crore-liquor-container-seized-sanand-gidc-police</guid><pubDate>Mon, 24 Aug 2026 08:32:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ જિલ્લામાં વિરમગામ હાઈવે પર દારૂ ભરેલું કન્ટેનર ઝડપાતા દારૂબંધીના  ઘજાગરા ઉડી ગયા છે. સાણંદ GIDC પોલીસે કાર્યવાહી કરીને રૂપિયા 1.11 કરોડનો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો છે. કન્ટેનરમાંથી કુલ 1200 પેટી દારૂ મળી આવ્યો હતો. પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરીને વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.</p><h2 style="text-align: justify; "><b>જથ્થો પંજાબથી સુરેન્દ્રનગર તરફ લઇ જવાતો હતો</b></h2><p style="text-align: justify; ">પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દારૂનો આ જથ્થો પંજાબથી સુરેન્દ્રનગર તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. દારૂ ભરેલા કન્ટેનરને વિરમગામ હાઈવે પરથી ઝડપી પાડવામાં આવ્યું હતું. દારૂ ઉપરાંત કન્ટેનર સહિત કુલ રૂપિયા 1.36 કરોડનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>હજુ અનેક લોકોની સંડોવણી હોવાની શક્યતા&nbsp;</b></h3><p style="text-align: justify; ">આ સમગ્ર દારૂ સપ્લાયના નેટવર્કમાં હજુ અનેક લોકોની સંડોવણી હોવાની શક્યતા છે. પ્રાથમિક તપાસમાં દારૂ સપ્લાય કરનાર અને જથ્થો મંગાવનાર મળીને કુલ 5 આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઝડપાયેલા આરોપીની પૂછપરછના આધારે ફરાર આરોપીઓ સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી છે.</p><h4 style="text-align: justify; "><b>પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરુ કરી</b></h4><p style="text-align: justify; ">સાણંદ GIDC પોલીસે આ મામલે ગુનો નોંધી દારૂનો જથ્થો પંજાબથી કોણે મોકલ્યો, સુરેન્દ્રનગરમાં કોને પહોંચાડવાનો હતો અને આ સમગ્ર નેટવર્કમાં અન્ય કેટલા લોકો જોડાયેલા છે તેની દિશામાં તપાસ શરૂ કરી છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે અલગ અલગ દિશામાં તપાસનો વ્યાપ વધાર્યો છે.&nbsp; &nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp;&nbsp;<a href="https://sandesh.com/explainer/news/india/ahmedabad/sandesh-digital-explainer-sugar-price-hike-40-percent-festive-season-shortage-reasons" target="_blank"><b>Sandesh Digital Explainer : તહેવારો પહેલાં ખાંડ બની કડવી..! 40% સુધીના ભાવવધારા પાછળ શું છે મહત્વના કારણ?</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/TIWvi11ItdhX9LEDG0QnBJe1VWlbjIsZckLWKjnj.webp'/></item><item><title><![CDATA[Surat : સાંસદ ગોવિંદ ધોળકિયાની SRK કંપનીને ધમકી, 25 લાખની ખંડણીનો ખેલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/surat-srk-company-25-lakh-extortion-case-vijay-desai-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/surat-srk-company-25-lakh-extortion-case-vijay-desai-arrested</guid><pubDate>Mon, 24 Aug 2026 07:55:24 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ અને રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાની SRK કંપનીને રૂપિયા 25 લાખની તોતિંગ ખંડણી માગવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>કંપનીના યંગ જનરેશનને જાનથી મારી નાખવાની ધમકી&nbsp;</b></h2><p style="text-align: justify; ">મળેલી માહિતી પ્રમાણે અજાણ્યા શખ્સે કંપનીના યંગ જનરેશનને જાનથી મારી નાખવાની ધમકી આપીને મોટી રકમની માંગણી કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કંપનીના સિક્યોરિટી કર્મચારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.</p><h3 style="text-align: justify; "><b>પોલીસે વિજય દેસાઈ નામના આરોપીને ઝડપી લીધો</b></h3><p style="text-align: justify; ">ફરિયાદના આધારે કતારગામ પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને કોલ લોકેશનના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી સુધી પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસે વિજય દેસાઈ નામના આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.</p><h3 style="text-align: justify; "><b>આરોપી અગાઉ કંપનીમાં કામ કરી ચૂક્યો હતો</b></h3><p style="text-align: justify; ">પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી અગાઉ કંપનીમાં કામ કરી ચૂક્યો હતો. શેરબજારમાં થયેલા રૂપિયા 15થી 20 લાખના દેવાને ચૂકવવા માટે તેણે ખંડણીનો શોર્ટકટ અપનાવ્યો હોવાનું સામે આવ્યું છે. કંપની સાથે અગાઉના સંબંધનો ઉપયોગ કરીને તેણે ધમકીભર્યો ખેલ રચ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.</p><h4 style="text-align: justify; "><b>ભિક્ષુકના નામે સિમકાર્ડ મેળવ્યું હોવાનું પણ સામે આવ્યું</b></h4><p style="text-align: justify; ">આરોપીએ પોતાની ઓળખ છુપાવવા અને પોલીસને ગેરમાર્ગે દોરવા માટે ભિક્ષુકના નામે સિમકાર્ડ મેળવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. ખંડણી માટે ઉપયોગમાં લેવાયેલ મોબાઇલ અને સિમકાર્ડ નદીમાં ફેંકી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે, ટેકનિકલ તપાસ સામે આરોપીનો આ ખેલ લાંબો ટકી શક્યો નહીં અને પોલીસ તેને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં સફળ રહી.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; <a href="https://sandesh.com/explainer/news/india/ahmedabad/sandesh-digital-explainer-sugar-price-hike-40-percent-festive-season-shortage-reasons" target="_blank"><b>&nbsp; Sandesh Digital Explainer : તહેવારો પહેલાં ખાંડ બની કડવી..! 40% સુધીના ભાવવધારા પાછળ શું છે મહત્વના કારણ?</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/dSJjNP33WQIMO93tuZdm2qw4VLiIeVJGuiEQSTlw.webp'/></item></channel></rss>