<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Legendary Singer : એક જ શ્વાસમાં ગાયું હતું કિશોર કુમારે આ આઇકોનિક ગીત! 56 વર્ષ પછી પણ લોકો છે દિવાના! ]]></title><link>https://sandesh.com/entertainment/news/kishore-kumar-one-breath-iconic-song</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/kishore-kumar-one-breath-iconic-song</guid><pubDate>Sat, 22 Aug 2026 12:21:48 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કિશોર કુમાર સિનેમાના વર્સેટાઇલ ગાયક હતા. તેઓ ગીતોને એટલી શિદ્દતથી ગાતા હતા કે તેમનો અવાજ સીધો સાંભળનારના દિલ સુધી પહોંચી જતો હતો. તેઓ યોડલિંગમાં પણ માહેર હતા અને અલગ-અલગ અવાજમાં ગીત ગાવાની કળા ધરાવતા હતા.</p><h2 style="text-align: justify; "><b>અનેક સદાબહાર હિટ ગીતો આપ્યા છે કિશોર કુમારે</b></h2><p style="text-align: justify; ">કિશોર કુમારે પોતાની કારકિર્દીમાં અનેક સદાબહાર હિટ ગીતો આપ્યા છે, જેમાંથી એક ગીત આજે પણ ખૂબ લોકપ્રિય છે. રસપ્રદ વાત એ છે કે 56 વર્ષ પહેલાં કિશોર કુમારે જે ગીત ગાયું હતું, તે હકીકતમાં લોકગીત જેવી શૈલીમાં બનાવવાનું હતું. પરંતુ તેમણે કહ્યું કે તેઓ તેને પોતાના અંદાજમાં ગાશે અને તેને કાયમ માટે યાદગાર બનાવી દીધું.</p><h3 style="text-align: justify; "><b>કિશોર કુમારનું સુપરહિટ ગીત</b></h3><p style="text-align: justify; ">ચટપટા શબ્દો, કિશોર કુમારનો ચુલબુલો અંદાજ અને રાજેશ ખન્નાનો ઈન્ટેન્સ રોમાન્સ... 70ના દાયકામાં આ ગીત ખૂબ લોકપ્રિય થયું હતું અને આજે પણ તેનો ક્રેઝ યથાવત છે. અહીં વાત થઈ રહી છે ફિલ્મ આરાધનાના ગીત રૂપ તેરા મસ્તાનાની.</p><h3 style="text-align: justify; "><b>લોકગીત જેવી શૈલીમાં બન્યું હતું ગીત</b></h3><p style="text-align: justify; ">એસડી બર્મને આ ગીત તૈયાર કર્યું હતું. પરંતુ જ્યારે તેઓ ગીતની ધૂન બનાવી રહ્યા હતા ત્યારે તે લોકગીત જેવી શૈલીમાં હતી. જ્યારે કિશોર કુમારે ગીતની ધૂન સાંભળી તો તેમને તે પસંદ આવી નહોતી. તેમણે એસડી બર્મનને તેમાં ફેરફાર કરવા કહ્યું અને એવું જ થયું. ત્યાર બાદ કિશોર કુમારના અંદાજ પ્રમાણે ગીતની ધૂન તૈયાર કરવામાં આવી અને તેમણે પોતાના ચુલબુલા અંદાજમાં આ ગીતને હંમેશા માટે સદાબહાર બનાવી દીધું.</p><h4 style="text-align: justify; "><b>એક જ ટેકમાં થયું હતું શૂટિંગ</b></h4><p style="text-align: justify; ">ગીતના શબ્દો આજે પણ લોકપ્રિય છે. તેને આનંદ બક્ષીએ લખ્યા હતા. રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોરના આ ઈન્ટેન્સ રોમેન્ટિક દૃશ્યો પર ગીતના શબ્દો એકદમ બંધબેસે છે. રસપ્રદ વાત એ છે કે આ ગીતનું શૂટિંગ માત્ર 1 દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું અને કહેવાય છે કે કિશોર કુમારે પણ ગીતનું રેકોર્ડિંગ એક જ ટેકમાં કરી લીધું હતું. આજે માત્ર આરાધના જ નહીં, પરંતુ રૂપ તેરા મસ્તાના ગીત પણ કલ્ટ ક્લાસિક બની ગયું છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/toxic-advance-booking-6-hours-yash" target="_blank">આ પણ વાંચો-Toxic Craze : ટોક્સિકની એડવાન્સ બુકિંગમાં તબાહી, 30 હજાર ટિકિટ વેચાઈ! તૂટશે બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/22/kk3WN7mLLdSyUSlFI6fkPaQYXJJUKhW0Kj0f8Hsg.webp'/></item><item><title><![CDATA[Maharashtra સરકારની ‘મુખ્યમંત્રી મારી લાડકી બહેન યોજનામાં મોટો ખુલાસો, 92 લાખ અપાત્ર લાભાર્થીઓને રૂ. 9,605 કરોડ ચૂકવાયા ]]></title><link>https://sandesh.com/india/news/big-revelation-in-maharashtra-governments-mukhyamantri-mari-ladki-behen-yojana-rs-9605-crore-paid-to-92-lakh-ineligible-beneficiaries</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/big-revelation-in-maharashtra-governments-mukhyamantri-mari-ladki-behen-yojana-rs-9605-crore-paid-to-92-lakh-ineligible-beneficiaries</guid><pubDate>Sat, 22 Aug 2026 12:17:48 +05:30</pubDate><description><![CDATA[<p>Maharashtra સરકારની‘મુખ્યમંત્રી મારી લાડકી બહેન યોજના’ને લઈને એક મોટો ખુલાસો થયો છે. માહિતી અધિકાર (RTI) હેઠળ મળેલી માહિતી અનુસાર, જૂન 2026 સુધી રાજ્ય સરકારે 92 લાખ અપાત્ર લાભાર્થીઓના ખાતામાં કુલ રૂ. 9,605 કરોડ ટ્રાન્સફર કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને દર મહિને રૂ. 1,500ની આર્થિક સહાય આપતી આ યોજના જુલાઈ 2024માં શરૂ કરવામાં આવી હતી.</p><h2><b>4.5 લાખ સરકારી કર્મચારીઓએ આ યોજનાનો લાભ લીધો</b></h2><p>RTIથી મળેલા આંકડા અનુસાર, અનેક વખત લાભાર્થી યાદીની ચકાસણી અને વેરિફિકેશન કરવામાં આવ્યા હોવા છતાં મોટી સંખ્યામાં અપાત્ર લોકો આ યોજનાનો લાભ લેતા રહ્યા. 62 લાખ લાભાર્થીઓને E-KYC  પ્રક્રિયા પૂર્ણ ન કરવાના કારણે યાદીમાંથી બહાર કરવામાં આવ્યા. 16 લાખ લાભાર્થીઓની પારિવારિક વાર્ષિક આવક રૂ. 2.5 લાખની નિર્ધારિત મર્યાદાથી વધુ હોવાનું સામે આવ્યું. જ્યારે 4.5 લાખ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓએ પણ આ યોજનાનો લાભ લીધો હતો.</p><h3><b>સંજય ગાંધી નિરાધાર અનુદાન યોજના</b></h3><p>તમને જણાવી દઈએ કે 3.6 લાખ મહિલાઓ પહેલેથી જ સંજય ગાંધી નિરાધાર અનુદાન યોજનાનો લાભ લઈ રહી હતી. 2.5 લાખ કેસમાં એક જ પરિવારના એકથી વધુ સભ્યોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જ્યારે 1.8 લાખ લાભાર્થીઓ 65 વર્ષની નિર્ધારિત મહત્તમ વયમર્યાદાથી વધુ ઉંમરના મળી આવ્યા હતા. આ ઉપરાંત 1.7 લાખ અન્ય લાભાર્થીઓને જિલ્લા સ્તરની તપાસ દરમિયાન અપાત્ર જાહેર કરીને યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હતા.</p><h4><b>હાલ લાભાર્થીઓની વાસ્તવિક સંખ્યા 1.65 કરોડ</b></h4><p>આ યોજના હેઠળ હાલમાં પાત્ર લાભાર્થીઓની વાસ્તવિક સંખ્યા 1.65 કરોડ છે. જોકે, નવેમ્બર 2025 સુધી 2.1 કરોડથી વધુ લોકોને ચુકવણી કરવામાં આવતી રહી હતી. ફેબ્રુઆરીથી મે 2025 દરમિયાન તો લાભાર્થીઓની સંખ્યા 2.47 કરોડ સુધી પહોંચી ગઈ હતી. તેના કારણે માસિક બજેટ રૂ. 2,450 કરોડ હોવું જોઈએ, પરંતુ સરકારે દર મહિને રૂ. 3,640 કરોડથી વધુની ચુકવણી કરવી પડી હતી. છેલ્લા 24 મહિનામાં સરકારે આ યોજના પાછળ કુલ રૂ. 76,261 કરોડનો ખર્ચ કર્યો છે.</p><h5><b>માત્ર સરકારી કર્મચારીઓ પાસેથી વસૂલાત થશે</b></h5><p>મહિલા અને બાળ વિકાસ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે સરકાર તમામ અપાત્ર લાભાર્થીઓ પાસેથી પૈસા પરત નહીં લે. વસૂલાત માત્ર તે 4.5 લાખ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ પાસેથી કરવામાં આવશે, જેમણે અયોગ્ય રીતે આ યોજનાનો લાભ લીધો છે. અધિકારીએ જણાવ્યું કે, “અમે સંબંધિત જિલ્લા કલેક્ટર કચેરીઓને પત્ર લખીને સરકારી કર્મચારીઓ દ્વારા લેવામાં આવેલી રકમની વસૂલાત કરવા અને તેનો રિપોર્ટ સોંપવા સૂચના આપી છે. સામાન્ય જનતામાંથી અન્ય કોઈ અપાત્ર લાભાર્થી પાસેથી પૈસાની વસૂલાત કરવામાં આવશે નહીં.”&nbsp;</p><p><b><a href="https://sandesh.com/d" target="_blank">વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ&nbsp;</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/22/cycW47GX6kfgYaxTDbRwcOGAWF8kKJnSJUjpxb30.webp'/></item><item><title><![CDATA[Dahodના લીમખેડા હાઈવે પરથી લાખોના મુદ્દામાલ સાથે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dahod/limkheda-highway-creta-car-liquor-seized</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dahod/limkheda-highway-creta-car-liquor-seized</guid><pubDate>Sat, 22 Aug 2026 12:15:26 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દાહોદ જિલ્લામાં દારૂબંધીના કડક અમલીકરણના ભાગરૂપે લીમખેડા પોલીસ સ્ટેશનની ટીમે મોટી સફળતા મેળવી છે. રાજસ્થાન સરહદેથી લક્ઝ્યુરિયસ કારમાં દારૂની હેરાફેરી કરવાના કાળો કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યો છે. લીમખેડા પોલીસે ધાનપુર ચોકડી હાઇવે રોડ પર ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવીને પસાર થઈ રહેલી એક સફેદ રંગની હ્યુન્ડાઇ ક્રેટા કારને અટકાવી તલાશી લેતાં તેમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>ક્રેટા કારમાંથી 216 લીટર વિદેશી દારૂનો જથ્થો જપ્ત</b></h2><p style="text-align: justify; ">પોલીસે કારની સઘન તપાસ કરતાં અંદર સંતાડેલી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની કુલ 1200 બોટલ (216 લીટર) મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂનો જથ્થો, હ્યુન્ડાઇ ક્રેટા કાર તથા મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા 7,33,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દારૂની હેરાફેરી કરનાર બંને આરોપીઓ રાજસ્થાનના બાડમેર જિલ્લાના રહેવાસી હોવાનું પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>રાજસ્થાનથી દારૂ ભરી આપનાર મુખ્ય બુટલેગર ફરાર</b></h3><p style="text-align: justify; ">પોલીસની પૂછપરછમાં પકડાયેલા આરોપીઓએ કબૂલાત કરી હતી કે દારૂનો આ જથ્થો રાજસ્થાનના એક અન્ય ઈસમે ભરી આપ્યો હતો, જે હાલ પોલીસ પકડથી દૂર ફરાર થઈ ગયો છે. લીમખેડા પોલીસે પકડાયેલા બંને આરોપીઓ તેમજ દારૂ સપ્લાય કરનાર ફરાર ઈસમ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank" style="">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/22/8fbNflFnmyzJSAPvXru6gNxohEavp6k80ISPX2tF.webp'/></item><item><title><![CDATA[Surat : મિત્રતાના નામે પરિણીતાને ફસાવી દુષ્કર્મ, વીડિયો બનાવી વાયરલ કરનારો જવેલર્સ સંચાલક ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/surat-sarthana-jeweller-arrest-rape-obscene-video-case</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/surat-sarthana-jeweller-arrest-rape-obscene-video-case</guid><pubDate>Sat, 22 Aug 2026 12:12:02 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતના સરથાણા વિસ્તારમાં પરિણીત મહિલાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યા બાદ તેનો બીભત્સ વીડિયો બનાવી વાયરલ કરવાના કથિત મામલે પોલીસે જવેલર્સ સંચાલકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી છે.</p><h2 style="text-align: justify; "><b>મહિલા અને આરોપી જુના મિત્રો</b></h2><p style="text-align: justify; ">ફરિયાદ મુજબ, પરિણીત મહિલા અને આરોપી ચેતન સુખડીયા અગાઉથી એકબીજાના મિત્ર હતા. આરોપીએ મહિલા સાથે મૈત્રી કરાર કરીને તેને બ્યુટી પાર્લર બનાવી આપવાની લાલચ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ લાલચના આધારે મહિલાને વિશ્વાસમાં લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>મહિલા સાથે દુષ્કર્મનો આરોપ</b></h3><p style="text-align: justify; ">આરોપીએ મહિલાને પોતાના જવેલર્સ ખાતે બોલાવી હોવાનો આક્ષેપ છે. ત્યાં તેણે મહિલાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. એટલું જ નહીં, ઘટનાનો વીડિયો પણ બનાવી લેવામાં આવ્યો હોવાનો મહિલાએ ફરિયાદમાં આરોપ મૂક્યો છે.</p><h4 style="text-align: justify; "><b>વીડિયો તેના મિત્રોને બતાવી પોતાની વિકૃત માનસિકતા દર્શાવતો હોવાનો આરોપ</b></h4><p style="text-align: justify; ">ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપી આ વીડિયો તેના મિત્રોને બતાવી પોતાની વિકૃત માનસિકતા દર્શાવતો હતો. બાદમાં પરિણીત મહિલાનો બીભત્સ વીડિયો વાયરલ કરવામાં આવતા મહિલાએ સમગ્ર મામલે સરથાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.</p><h4 style="text-align: justify; "><b>પોલીસે તપાસ શરુ કરી</b></h4><p style="text-align: justify; ">ફરિયાદના આધારે પોલીસે આરોપી ચેતન સુખડીયાની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે વીડિયો કેવી રીતે બનાવવામાં આવ્યો, કોને બતાવવામાં આવ્યો અને વાયરલ કરવામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે સહિતના મુદ્દાઓ પર તપાસ હાથ ધરી છે. તપાસ આગળ વધતાં સમગ્ર મામલે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp;<a href="https://sandesh.com/explainer/news/india/ahmedabad/sandesh-digital-explainer-sugar-price-hike-40-percent-festive-season-shortage-reasons#google_vignette" target="_blank"><b>&nbsp;Sandesh Digital Explainer : તહેવારો પહેલાં ખાંડ બની કડવી..! 40% સુધીના ભાવવધારા પાછળ શું છે મહત્વના કારણ?</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/22/6pei0uho8co8VuMFOsFsOGQeytKGZa5I7R3fDl0F.webp'/></item><item><title><![CDATA[Lucknow: સુહાગરાતે જ માનસે રાખી એવી શરત... લખનઉ મર્ડરમાં વોટ્સએપ સ્ટેટસ પર પ્રજ્ઞાએ કર્યો ખુલાસો ]]></title><link>https://sandesh.com/india/news/crime/lucknow-icici-bank-murder-suicide--divya-mishra-case-details</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/crime/lucknow-icici-bank-murder-suicide--divya-mishra-case-details</guid><pubDate>Sat, 22 Aug 2026 11:54:36 +05:30</pubDate><description><![CDATA[<p>Lucknow: ગુરુવારે બપોરે લખનૌમાં એક ચોંકાવનારી ઘટનામાં ICICI બેંકમાં કામ કરતી મહિલા અધિકારી દિવ્યા મિશ્રાની તેના પતિ માનસ વાજપેયી દ્વારા હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ, માનસે ઘરે જઈને તેની બહેનની હત્યા કરી અને પછી આત્મહત્યા કરી. પોલીસ હજુ પણ હત્યા અને આત્મહત્યા પાછળના હેતુની તપાસ કરી રહી હતી, ત્યારે માનસે વોટ્સએપ સ્ટેટસ મૂક્યું અને તેમાં તેણે તેની પત્ની પર બેવફાઈનો આરોપ લગાવ્યો અને દાવો કર્યો કે દિવ્યાની બહેન પ્રજ્ઞા મિશ્રા અને તેના પતિ ભરત યાદવ બધું જ જાણે છે. પોતાની બહેનની હત્યાથી પહેલાથી જ દુઃખી પ્રજ્ઞા મિશ્રાને આ સ્ટેટસ અપડેટ અંગે સોશિયલ મીડિયા પર ભારે ટીકાઓનો સામનો કરવો પડ્યો. જોકે, પ્રજ્ઞા મિશ્રાએ ઘટનાના લગભગ 15 કલાક પછી સ્ટેટસનો જવાબ આપ્યો.</p><p><br></p><p>પત્રકાર અને લોકપ્રિય યુટ્યુબર પ્રજ્ઞાએ માનસને સાઇકો ગણાવ્યો અને તેના વિશે અનેક સનસનાટીભર્યા દાવા કર્યા, જેમાં તેમના લગ્નની રાત્રે બનેલી ઘટનાનો પણ સમાવેશ થાય છે. ફેસબુક પોસ્ટમાં, તેણે માનસને ખૂની ગણાવીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. અત્યાર સુધી, દિવ્યા મિશ્રાના મૃતદેહ સહિત ત્રણેય મૃતદેહોના પોસ્ટમોર્ટમ હજુ સુધી હાથ ધરવામાં આવ્યા નથી; શુક્રવારે સવારે મૃતદેહ પરિવારને સોંપવામાં આવે તેવી અપેક્ષા છે. પ્રજ્ઞાની બીમાર માતા દિવ્યાની હત્યાથી અજાણ છે; તેને ફક્ત એટલું જ કહેવામાં આવ્યું છે કે દિવ્યા ગંભીર હાલતમાં છે.</p><p><br></p><h4><b>તેણે બીમાર માતાને પણ માર માર્યો હતો, જેના કારણે તેનું મૃત્યુ થયું</b></h4><p>પ્રજ્ઞાએ ફેસબુક પર લખ્યું હતું કે ખૂની (માનસ) એ તેના સ્ટેટસમાં તેનું નામ લખ્યું હતું, અને દાવો કર્યો હતો કે તે બધું જાણતી હતી. "હા, મને ખબર હતી કે ખૂની મારી બહેન સાથે ક્રૂર હતો. તેથી જ તે તેનાથી અલગ થવા માંગતી હતી. તે તેને નાની નાની બાબતોમાં માર મારતો હતો. જો બ્લિંકિટ દ્વારા ઓર્ડર કરાયેલા ટામેટાંમાંથી એક પણ ટામેટું સડેલું નીકળે, તો તે તેને માર મારતો હતો, અને પ્રશ્ન કરતો હતો કે તેણે પહેલા બ્લિંકિટનો ઉપયોગ કેમ કર્યો." પ્રજ્ઞાએ એવો પણ દાવો કર્યો હતો કે માનસ અને તેની બહેને તેમની બીમાર માતાને એટલી સખત માર માર્યો હતો કે તેનું મૃત્યુ થયું. પ્રજ્ઞાના જણાવ્યા મુજબ, દિવ્યા માનસથી અલગ થવા માંગતી હતી અને તેને ફેમિલી કોર્ટમાં કાઉન્સેલર સાથે થયેલા ઝઘડા વિશે જણાવ્યું હતું. તેણે તેમના લગ્નની રાત્રે ખર્ચની યાદી બનાવી</p><p><br></p><p>પ્રજ્ઞાએ ખુલાસો કર્યો કે માનસે તેમના લગ્નની રાતથી જ પોતાનો સાચો રંગ બતાવી દીધો. દિવ્યાએ તેને કહ્યું હતું કે તે જ રાત્રે માનસે ઘરના ખર્ચની યાદી બનાવી હતી અને તેને અડધો ખર્ચ ઉઠાવવાનો આગ્રહ રાખ્યો હતો. એક શરત જેના માટે દિવ્યા સંમત થઈ હતી. જોકે, ઘરમાં વિવાદો વધતાં દિવ્યાએ છેલ્લા એક વર્ષથી ખર્ચનો પોતાનો હિસ્સો આપવાનું બંધ કરી દીધું. સાઇકો હત્યારા માટે આ ચિટીંગ હોય શકે છે.</p><p><br></p><h4><b>તે આટલો સાઇકો છે તેનો કોઈ ખ્યાલ નહોતો</b></h4><p>"મારી બહેને મને કહ્યું હતું કે તેનો પતિ સાઇકો છે, પરંતુ મને તેની હદનો કોઈ ખ્યાલ નહોતો," પ્રજ્ઞાએ કહ્યું. તેણે જણાવ્યું હતું કે તે ફક્ત તે જ જાણતી હતી જે તેની બહેને તેની સાથે શેર કરી હતી. જે ​​કંઈ બન્યું તે છતાં, દિવ્યા તીજ ઉપવાસ રાખવાનું આયોજન કરી રહી હતી; તેણે તેના હાથમાંથી માનસના નામનું ટેટૂ પણ દૂર કર્યું ન હતું. ઊંડાણપૂર્વક, તેણી ઇચ્છતી હતી કે બધું કામ કરે અને આશા રાખતી હતી કે સાઇકોમાં સુધારો આવશે.</p><p><br></p><h4><b>માનસે પહેલા પણ દિવ્યાનો પીછો કર્યો હતો</b></h4><p>પ્રજ્ઞાએ ઉલ્લેખ કર્યો છે કે માનસે ભૂતકાળમાં દિવ્યાનો પીછો કર્યો હતો. તણાવને કારણે, તેની બહેનને પણ થોડા સમય પહેલા અકસ્માત થયો હતો, જેના કારણે તેના હાથ અને પગમાં ફ્રેક્ચર થયું હતું. તે દોઢ કે બે મહિના પછી જ ઓફિસ જતી હતી અને હજુ પણ ચાલવામાં તકલીફ થતી હતી. આજે જ્યારે તે ઘરેથી નીકળી ત્યારે તે લંગડાતી હતી. દિવ્યાને જાણતા દરેક વ્યક્તિ જાણે છે કે તેણે કેટલી હેરાનગતિ સહન કરી હતી. આપણી આંખોમાં આંસુ છે. આ ફક્ત વાતો કરવાનો સમય નથી, છતાં બોલવું જરૂરી છે.</p><p><b style="font-size: 1.5rem;">પ્રજ્ઞાએ સવાલ કરનારાઓને આપ્યો જવાબ</b></p><p>દિવ્યાની હત્યા અને માનસના બેકગ્રાઉન્ડ વિશેના ખુલાસા પછી, સોશિયલ મીડિયા પર કેટલાક લોકો પ્રજ્ઞા મિશ્રા અંગે વિવિધ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. પ્રજ્ઞાએ આ પ્રશ્નોના જવાબ આપ્યા છે. તેણે જણાવ્યું હતું કે 2017 પહેલા મીડિયા ઉદ્યોગમાં સક્રિય રહેલા પત્રકારોમાં તે સૌથી નાની છે. તેણે ઉમેર્યું હતું કે, જ્યારે તે હવે અહીં બેઠી છે, ત્યારે તે તેના પોતાના કેટલાક સાથીદારોને તેની બહેનની હત્યામાં રાજકીય ખૂણા શોધવાનો પ્રયાસ કરતા જુએ છે. તેણે તેના ટીકાકારોને સલાહ પણ આપી.</p><p>તેણે જણાવ્યું કે પત્રકારત્વમાં તેના નવ વર્ષના કારકિર્દી દરમિયાન, તે હંમેશા જેની ટીકા કરે છે તે લોકોની સામે સીધી નજર રાખી શકી છે; તેણે ક્યારેય એવી પત્રકારત્વમાં ભાગ લીધો નથી જેનાથી તેણી શરમથી પોતાની નજર નીચે કરી શકે. તેથી, તેણે તેમને મતભેદો જાળવવા વિનંતી કરી. કારણ કે વિવિધ મંતવ્યો હોવા જરૂરી છે.  પરંતુ વ્યક્તિગત દુશ્મનાવટ ટાળવા માટે. ભલે તેઓ તેના પ્રત્યે સ્નેહ અનુભવે કે નફરત, પ્રજ્ઞા મિશ્રાએ ક્યારેય કોઈ અનૈતિક કૃત્ય કર્યું નથી અને કરશે પણ નહીં.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/bihar-road-accident--5-killed-as-speeding-bus-rams-orchestra-crowd" target="_blank"><b>Bihar: રસ્તા પર વરઘોડો જોઈ રહ્યા હતા ત્યારે જ કાળ બનીને આવી બસ અને... 18 લોકોને કચડ્યા, 5 લોકોના મોત</b></a></p><p><br></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/22/mmR0UueSPpdMHknjSoPrqqliaGvZcuwoZ162atmI.webp'/></item><item><title><![CDATA[Assamના પૂરમાંથી બચાવાયેલી માદા હાથી 'જોયમોતી'ને એરલિફ્ટ કરી સારવાર અર્થે વનતારા લવાઈ ]]></title><link>https://sandesh.com/india/news/gujarat/jamnagar/vantara-airlifts-injured-elephant-joymoti-from-assam-flood</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/gujarat/jamnagar/vantara-airlifts-injured-elephant-joymoti-from-assam-flood</guid><pubDate>Sat, 22 Aug 2026 11:42:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જુલાઈ મહિનામાં નાગાલેન્ડ અને આસામમાં આવેલા વિનાશક પૂરમાં તણાઈ ગયેલી 53 વર્ષીય માદા હાથી 'જોયમોતી'ને વનતારા ખાતે વિશેષ સારવાર અર્થે એરલિફ્ટ કરવામાં આવી છે. આ દુર્ઘટનામાં તેને કપાળ, કાન, જાંઘ અને પેટના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>હાથિણને ગંભીર સ્થિતિમાં એરલિફ્ટ કરાઈ</b></h2><p style="text-align: justify; ">વધુમાં, જમણી આંખમાં અંધાપો આવવો અને ભૂતકાળમાં લોગિંગ દરમિયાન થયેલા ફ્રેક્ચરને કારણે લંગડાવાની સમસ્યાથી તે પીડાતી હતી. જમીન માર્ગના લાંબા પરિવહનના શારીરિક શ્રમ અને સમયને બચાવવા માટે ભારતમાં પ્રથમ વખત કોઈ હાથિણને ગંભીર સ્થિતિમાં એરલિફ્ટ કરીને ઝડપથી હોસ્પિટલ પહોંચાડવાનું વિશેષ આયોજન કરાયું છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><img alt="Unique rescue operation from Assam to Jamnagar" src="https://epapercdn.sandesh.com/images/2026/08/22/Mh2O2Ps9E6MuJOU939sOmpeu469vg4NdFsAY58Cf.webp"><br></p><p style="text-align: justify; "><br></p><h3 style="text-align: justify; "><b>વનતારા ખાતે કલ્યાણકારી જીવનરક્ષક કાળજી</b></h3><p style="text-align: justify; ">આ એરલિફ્ટનો મુખ્ય હેતુ જોયમોતીને તાત્કાલિક અને વિશેષ પશુચિકિત્સા સંભાળ પૂરી પાડવાનો છે. વનતારા પહોંચ્યા બાદ, નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા તેનું વ્યાપક તબીબી પરીક્ષણ હાથ ધરવામાં આવશે અને તેની ઈજાઓ, આંખની સ્થિતિ તથા પોષણયુક્ત સંભાળ માટે ખાસ સારવાર યોજના અમલી બનશે. આ એક કાયમી સ્થાનાંતરણ નથી, પરંતુ તેને નવું જીવન આપવાના હેતુથી કરવામાં આવેલું તાત્કાલિક મેડિકલ ટ્રાન્સફર છે. વનતારાની પ્રાથમિકતા તેને સંપૂર્ણ સ્વસ્થ બનાવી એક સન્માનજનક અને સુરક્ષિત જીવન જીવવાની શ્રેષ્ઠ તક આપવાની છે.</p><h4 style="text-align: justify; "><b>સ્થાનિક પશુચિકિત્સા ક્ષમતાનું સુદ્રઢીકરણ</b></h4><p style="text-align: justify; ">જોયમોતીનો કિસ્સો પૂર અને માનવ-વન્યજીવ સંઘર્ષ ધરાવતા વિસ્તારોની નજીક જ વિશિષ્ટ પશુચિકિત્સા સુવિધાઓ હોવાની જરૂરિયાત પર પ્રકાશ પાડે છે. આ હેતુથી વનતારાએ આસામમાં ત્રણ વન્યજીવ પશુચિકિત્સા સંભાળ કેન્દ્રો સ્થાપવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેમાં હાથીઓ માટેનું સમર્પિત કેન્દ્ર પણ સામેલ હશે. આ કેન્દ્રોનું સંચાલન આસામ વન વિભાગ દ્વારા સ્વતંત્ર રીતે કરાશે. તેનાથી સ્થાનિક સ્તરે જ ઈમરજન્સી સમયસર સારવાર મળશે અને ભવિષ્યમાં પ્રાણીઓને લાંબા અંતર સુધી લઈ જવાની જરૂરિયાત ન્યૂનતમ થઈ જશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/22/17RP2CSy407Xi5n7FMeZmGg7qsXcnoWTSMU3AHpC.webp'/></item><item><title><![CDATA[8th Pay Commission : નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે મોટો ફેરફાર! મળ્યા મોટા સંકેત ]]></title><link>https://sandesh.com/business/news/8th-pay-commission-pension-revision-signals-retired-employees</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/8th-pay-commission-pension-revision-signals-retired-employees</guid><pubDate>Sat, 22 Aug 2026 11:24:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">8મા પગાર પંચની ભલામણોની કર્મચારી વર્ગ ઘણા દિવસોથી રાહ જોઈ રહ્યો છે. સતત થઈ રહેલી બેઠકોના કારણે કેન્દ્ર સરકારના કર્મચારીઓની આશાઓ પણ વધી રહી છે. પરંતુ હાલમાં મળેલા સંકેતો પરથી લાગી રહ્યું છે કે માત્ર કર્મચારીઓએ જ નહીં, પરંતુ પેન્શનધારકોએ પણ 8મા પગાર પંચ પાસેથી આશા રાખવી જોઈએ.</p><h2 style="text-align: justify; "><b>1 જાન્યુઆરી 2026 પહેલાં નિવૃત્ત થયેલા કર્મચારીઓની પેન્શન પણ થઈ શકે સામેલ</b></h2><p style="text-align: justify; ">મીડિયા રિપોર્ટ મુજબ, હાલમાં મળેલા સંકેતો પરથી જાણવા મળે છે કે 8મા પગાર પંચના નિયમોમાં ફેરફાર કરીને 1 જાન્યુઆરી 2026 પહેલાં નિવૃત્ત થયેલા કર્મચારીઓની પેન્શનને પણ તેમાં સામેલ કરી શકાય છે. જોકે, સરકારે હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લીધો નથી.</p><h3 style="text-align: justify; "><b>પેન્શન યોજનામાં થઈ શકે ફેરફાર</b></h3><p style="text-align: justify; ">હકીકતમાં ઘણા કર્મચારીઓ અને પેન્શનધારક સંગઠનો, જેમ કે ભારત પેન્શનર સમાજ અને ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોયીઝ ફેડરેશન, સરકાર પાસે 8મા પગાર પંચના નિયમોમાં ફેરફાર કરવાની માંગ કરી રહ્યા છે. આ કારણે ટૂંક સમયમાં 8મા પગાર પંચની બેઠકો કર્મચારી અને પેન્શનધારક સંગઠનો સાથે યોજાવાની શક્યતા છે. રાજસ્થાનમાં 31 ઓગસ્ટ અને તમિલનાડુમાં 7 સપ્ટેમ્બરે બેઠકો યોજાશે. ત્યારબાદ સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં ચેન્નાઈ અને પુડુચેરીમાં પણ બેઠકો યોજાશે.</p><h4 style="text-align: justify; "><b>શું છે સંગઠનોની માગ?</b></h4><p style="text-align: justify; ">આ સંગઠનોની સૌથી મોટી માગ છે કે 1 જાન્યુઆરી 2026 પહેલાં નિવૃત્ત થયેલા કર્મચારીઓ અને તેમના પરિવારોની પેન્શન પણ ફરીથી નક્કી કરવામાં આવે. સંગઠનોનું કહેવું છે કે માત્ર હાલના કર્મચારીઓના પગાર પર ધ્યાન ન આપવું જોઈએ, પરંતુ હાલના પેન્શનધારકો અને તેમના પરિવારોના હિતોને પણ ધ્યાનમાં લેવા જોઈએ. પેન્શનધારક સંગઠનોએ એવી પણ માગ કરી છે કે નિયમોમાં વપરાયેલા 'બિન-યોગદાન આધારિત પેન્શન યોજનાનો ભંડોળ વગરનો ખર્ચ' જેવા શબ્દો દૂર કરવામાં આવે. તેમનું કહેવું છે કે પેન્શન નિવૃત્ત કર્મચારીઓની આર્થિક સુરક્ષા છે, માત્ર સરકાર પર પડતો ખર્ચ નથી.</p><h4 style="text-align: justify; "><b>શું નિયમોમાં થઈ શકે ફેરફાર?</b></h4><p style="text-align: justify; ">હા, આ નિયમોમાં ફેરફાર થઈ શકે છે. 8મા પગાર પંચના નિયમો અંતિમ નથી અને તેમાં ફેરફાર થઈ શકે છે. અગાઉના પગાર પંચોમાં પણ સરકારે જરૂરિયાત મુજબ તેમના નિયમોમાં ફેરફાર કર્યા હતા. 5મા પગાર પંચના નિયમોમાં 1995-96 દરમિયાન 4 વખત ફેરફાર કરવામાં આવ્યો હતો. જ્યારે 6મા પગાર પંચના નિયમોમાં 2 વખત ફેરફાર કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, અગાઉના 7મા પગાર પંચના નિયમોમાં પણ સપ્ટેમ્બર 2015માં ફેરફાર કરવામાં આવ્યો હતો. આથી સરકાર ઇચ્છે તો 8મા પગાર પંચના દાયરામાં જૂના પેન્શનધારકોની પેન્શનને સામેલ કરવા માટે નિયમોમાં ફેરફાર કરી શકે છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/india/kangana-ranaut-sharmila-tagore-vande-mataram-controversy" target="_blank">આ પણ વાંચો-Vande Mataram પર શર્મિલા ટાગોરના નિવેદનથી કંગના રનૌત ગુસ્સે! કહ્યું- 'હિન્દુ-મુસ્લિમ વાળી માનસિકતામાંથી બહાર આવો'</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/22/HqvJv5O2h2gDzX4bdFK0jIWh0I8XE4dB9zyDTVdf.webp'/></item><item><title><![CDATA[Manu Bhakerને મળ્યા નવા કોચ, 2028 ઓલિમ્પિક માટે તૈયારીઓ શરૂ કરી ]]></title><link>https://sandesh.com/sports/news/manu-bhaker-gets-new-coach-starts-preparations-for-2028-olympics</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/manu-bhaker-gets-new-coach-starts-preparations-for-2028-olympics</guid><pubDate>Sat, 22 Aug 2026 10:55:19 +05:30</pubDate><description><![CDATA[<p>જૂન 2026માં રમતગમતની દુનિયામાં ભયંકર સમાચાર આવ્યા.મહાન જસપાલ રાણાનું 49 વર્ષની વયે અવસાન થયું.મનુ ભાકર માટે આ એક મોટો ફટકો હતો,જે તેના કોચ હતા.જસપાલના કોચિંગ હેઠળ મનુએ પેરિસ 2024 ઓલિમ્પિકમાં બે બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો.રાણા 2023માં મનુ સાથે જોડાઈ,અને આ પછી તેની શૂટિંગ કારકિર્દી બદલાઈ ગઈ.મનુએ હવે 2028 ઓલિમ્પિક માટે તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેણીને એક નવો કોચ પણ મળી ગયો છે.</p><h5><b>મનુ ભાકરને નવો કોચ મળ્યો</b></h5><p>2028 ઓલિમ્પિક લોસ એન્જલસમાં યોજાવાનું છે. મનુ ભાકર ત્યાં સારા પ્રદર્શન પર નજર રાખી રહી છે. આ વખતે, તે ગોલ્ડ માટે જશે. તેણીએ તેના નવા કોચ સાથે તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેના નવા કોચનું નામ જેલેના અરુણોવિચ છે, જે સર્બિયાની છે. મનુ હવે તેની સાથે તાલીમ લઈ રહી છે.</p><h5><b>જેલેના અરુણોવિચે નોંધપાત્ર ખ્યાતિ મેળવી&nbsp;</b></h5><p>જેલેના અરુણોવિચે શૂટિંગ કોચ તરીકે નોંધપાત્ર સફળતા મેળવી છે. તેણીએ ઓક્ટોબર 2024 માં ચીનની રાષ્ટ્રીય ટીમને કોચિંગ આપવાનું શરૂ કર્યું. તમને યાદ હશે કે ઝોરાનાએ પેરિસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે જેલેનાની નાની બહેન છે. જેલેનાએ તેની સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ઝોરાનાએ અગાઉ ત્રણ અન્ય ઇવેન્ટ્સમાં પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિરાશ થઈ હતી. જેલેનાના આગમનથી તેની કારકિર્દી બદલાઈ ગઈ. ઝોરાનાએ 10-મીટર એર પિસ્તોલ મિશ્ર ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો.</p><h5><b>જેલેના અરુણોવિચે ઓલિમ્પિકમાં ભાગ લીધો ન હતો.</b></h5><p>જેલેના અરુણોવિચે રાષ્ટ્રીય ટીમો સાથે વ્યાપકપણે કામ કર્યું છે. તેની પોતાની શૂટિંગ કારકિર્દી પણ શાનદાર હતી. જોકે તેણીએ ક્યારેય ઓલિમ્પિકમાં ભાગ લીધો ન હતો, તે નવ વખત યુરોપિયન ચેમ્પિયનશિપ વિજેતા છે. વધુમાં, તેણીએ યુરોપિયન ગેમ્સમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. જેલેના 2010 માં એથ્લીટમાંથી કોચ બની.</p><h5><b>મનુ ભાકરે ઓલિમ્પિક માટે તૈયારી શરૂ કરી&nbsp;</b></h5><p>મનુ ભાકરે જેલેના અરુણોવિચ સાથે તાલીમ શરૂ કરી છે. તે એશિયન ગેમ્સમાં પણ પોતાની પ્રતિભા દર્શાવશે. તે શિબિરમાં જોડાઈ ગઈ છે. મનુ હાલમાં તેની રમત માટે દિવસમાં લગભગ આઠ કલાક સમર્પિત કરી રહી છે. જેલેના તેની સાથે છે અને તેને સખત તાલીમ આપી રહી છે. આશા છે કે મનુ 2028 ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતીને પોતાના દેશનું ગૌરવ વધારશે.</p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/cricket/news/aus-vs-ban-2nd-test-mitchell-starc-creates-history-by-taking-6-wickets-becomes-the-bowler-to-take-the-most-wickets-in-wtc" target="_blank">AUS vs BAN 2nd Test : મિચેલ સ્ટાર્કે 6 વિકેટ લઈને રચ્યો ઇતિહાસ, WTCમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/22/L3TFyJ9jNRKFNz2wBwugKthSPjRkhXfdMLePuvyy.webp'/></item><item><title><![CDATA[Surat : મહિને 15 હજાર કમાતા ટેલરને 975 કરોડની ઈન્કમ ટેક્સની નોટિસ, ટેલરને બનાવી દીધો ડિરેક્ટર ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/surat-bogus-company-scam-975-crore-income-tax-notice</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/surat-bogus-company-scam-975-crore-income-tax-notice</guid><pubDate>Sat, 22 Aug 2026 10:43:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતમાં એક ચોંકાવનારો કથિત છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે, જેમાં મહિને માત્ર રૂ. 15 હજારની આસપાસ કમાણી કરતા અજમેરના એક ટેલરને રૂ. 975 કરોડ ભરવા માટે ઈન્કમ ટેક્સની નોટિસ મળતાં હડકંપ મચી ગયો છે. પીડિતના જણાવ્યા મુજબ તેના આધાર કાર્ડ અને પાન કાર્ડનો કથિત રીતે દુરુપયોગ કરીને કરોડો રૂપિયાના વ્યવહારો કરવામાં આવ્યા હોવાની શંકા છે.</p><h2 style="text-align: justify; "><b>ટેલર રેખરાજને કથિત રીતે ડિરેક્ટર તરીકે દર્શાવવામાં આવ્યો</b></h2><p style="text-align: justify; ">માહિતી મુજબ, સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલી બે હીરા કંપનીઓમાં અજમેરના 62 વર્ષીય ટેલર રેખરાજને કથિત રીતે ડિરેક્ટર તરીકે દર્શાવવામાં આવ્યો હતો. રેખરાજે સુરત ક્યારેય આવ્યા જ ન હોવાનો દાવો કર્યો છે. તેમ છતાં તેમના નામ અને દસ્તાવેજોનો ઉપયોગ કરીને કાગળ પર કંપનીઓ બનાવી કરોડો રૂપિયાના વ્યવહારો કરવામાં આવ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>પીડિત પરિવાર પણ ચોંકી ગયો&nbsp;</b></h3><p style="text-align: justify; ">આ સમગ્ર મામલામાં ‘રજત ડાયમંડ’ નામની પેઢી સાથે જોડાયેલી નોટિસ મળતાં પીડિત પરિવાર પણ ચોંકી ગયો છે. મહિને રૂ. 15 હજાર કમાતા વ્યક્તિના નામે રૂ. 975 કરોડની ટેક્સ જવાબદારી કેવી રીતે ઊભી થઈ તે હવે મોટો સવાલ બની ગયો છે.</p><h3 style="text-align: justify; "><b>આધાર કાર્ડ અને પાન કાર્ડના દુરુપયોગની આશંકા&nbsp;</b></h3><p style="text-align: justify; ">પ્રાથમિક રીતે આધાર કાર્ડ અને પાન કાર્ડના દુરુપયોગની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બેંક ખાતા અને કંપનીના દસ્તાવેજી વ્યવહારોમાં અન્ય કોઈ વ્યક્તિઓ અથવા અધિકારીઓની સંડોવણી હતી કે નહીં તે મુદ્દે પણ તપાસની જરૂરિયાત ઊભી થઈ છે. બેંકના અધિકારીઓની સંડોવણી અંગે પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.</p><h4 style="text-align: justify; "><b>ટેલરના દસ્તાવેજો સુરત સુધી કેવી રીતે પહોંચ્યા?&nbsp;</b></h4><p style="text-align: justify; ">હવે તપાસમાં સૌથી મહત્વનો સવાલ એ છે કે અજમેરમાં રહેતા અને ક્યારેય સુરત ન આવેલા 62 વર્ષીય ટેલરના દસ્તાવેજો સુરત સુધી કેવી રીતે પહોંચ્યા? તેમના નામે કંપનીઓ કેવી રીતે નોંધાઈ અને કરોડો રૂપિયાના વ્યવહારો કેવી રીતે થયા? સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ બાદ જ આ કથિત કરોડોના ખેલ પાછળ કોણ છે તે સ્પષ્ટ થશે..</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/india/ahmedabad/sandesh-digital-explainer-sugar-price-hike-40-percent-festive-season-shortage-reasons#google_vignette" target="_blank"><b>Sandesh Digital Explainer : તહેવારો પહેલાં ખાંડ બની કડવી..! 40% સુધીના ભાવવધારા પાછળ શું છે મહત્વના કારણ?</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/22/U7z96t4IgNwOfPqEGV1iDMaHyIAVYlZ14sJWdIYL.webp'/></item><item><title><![CDATA[Rajkot News: આંગણવાડીના ભોજનમાં બાળકોને 'પશુ પણ ન ખાય' તેવી રોટલી અને કાચો શીરો પીરસાયો! ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-anganwadi-poor-quality-food-controversy</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-anganwadi-poor-quality-food-controversy</guid><pubDate>Sat, 22 Aug 2026 10:20:24 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ મહાનગરપાલિકા હસ્તક ચાલતી આંગણવાડીઓમાં ભૂલકાંઓને આપવામાં આવતા પૌષ્ટિક આહારની ગુણવત્તા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. શહેરના રેલનગર વિસ્તારમાં આવેલી 20 જેટલી આંગણવાડીઓમાં માસૂમ અને કુપોષિત બાળકોને અત્યંત હલકી કક્ષાનું અને અસ્વાસ્થ્યપ્રદ ભોજન પીરસવામાં આવ્યું હોવાનો સળગતો મામલો સામે આવ્યો છે. આંગણવાડીમાં બાળકોને આપવામાં આવેલી રોટલીઓ એટલી ખરાબ અને કડક હતી કે 'પશુ પણ ન ખાય' તેવી સ્થિતિ જોવા મળી હતી.</p><p style="text-align: justify; "><b style="font-size: 2rem;">5 દિવસમાં જ નબળું ભોજન પીરસવાનું શરૂ</b></p><p style="text-align: justify; ">રાજકોટ શહેરમાં મનપા સંચાલિત કુલ 365 આંગણવાડીઓ આવેલી છે, જ્યાં હજારો બાળકોને રોજિંદો પૌષ્ટિક આહાર પૂરો પાડવામાં આવે છે. આંગણવાડીઓમાં ભોજન બનાવવાનો અને સપ્લાય કરવાનો નવો કોન્ટ્રાક્ટ 'પારસ એગ્રો' નામના એજન્સીને સોંપવામાં આવ્યો છે. આશ્ચર્યજનક વાત એ છે કે નવા કોન્ટ્રાક્ટરે કામગીરી સંભાળ્યાના માત્ર 5 જ દિવસની અંદર ભોજનની ગુણવત્તામાં ભારે કડાકો જોવા મળ્યો છે. બાળકોને કડક રોટલીઓની સાથે અડધો કાચો શીરો પીરસવામાં આવ્યો હોવાનું બહાર આવતાં સંચાલકો પણ ચોંકી ઊઠ્યા હતા.</p><h3 style="text-align: justify; "><b>બાળકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં</b></h3><p style="text-align: justify; ">સરકાર દ્વારા આંગણવાડીઓ મારફતે બાળકોમાંથી કુપોષણ નાબૂદ કરવા માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ કોન્ટ્રાક્ટરોની આવી બેદરકારીને કારણે 'કુપોષિત બાળકોને આવું નબળું ભોજન આપવાથી પોષણ ક્યાંથી મળશે?' તેવા તીખા સવાલો ઉઠી રહ્યા છે. વાલીઓએ આક્ષેપ કર્યો છે કે નાના બાળકોના આરોગ્ય સાથે રમત રમતા આવા કોન્ટ્રાક્ટરો સામે મનપા તંત્ર અને ફૂડ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને પારસ એગ્રોનો કોન્ટ્રાક્ટ રદ્દ કરવામાં આવે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/22/3Dz0CyzvE8uB2gun0RazJxzCnrUbh9BeVuA5kYKj.webp'/></item></channel></rss>