<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[New Headlight Rules: વાહનોની હેડલાઇટના બદલાશે નિયમો, સરકાર કરી રહી છે મોટા ફેરફાર ]]></title><link>https://sandesh.com/india/news/india-new-headlight-rules-high-beam-2027</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/india-new-headlight-rules-high-beam-2027</guid><pubDate>Thu, 27 Aug 2026 15:49:10 +05:30</pubDate><description><![CDATA[<p>રાત્રિના સમયે તમે રસ્તા પરથી જતા હોવ અને સામેથી આવતા વાહનની હેડલાઇટની તીવ્ર રોશની તમારી આંખોમાં પડે, તો તરત આંખો અંજાઇ જાય છે. સામે કયું વાહન છે, તે કેટલું દૂર છે, તે સમજાતું નથી અને પરિણામે અકસ્માતનો ભોગ બનાય છે. જો કે હવે આ સમસ્યાનું સમાધાન સરકાર લાવવા જઇ રહી છે. સુરક્ષાના નવા નિયમો આવતા વર્ષથી લાગુ પડે તેવી પ્રબળ શક્યતાઓ છે.&nbsp;</p><h2><b>હેડલાઇટના નિયમોમાં શું ફેરફાર આવશે?&nbsp;</b></h2><p>માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટ રૂલ્સમાં સુધારા માટે પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. જે અંતર્ગત હેડલાઇટની તીવ્રતા ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટુ વ્હીલર્સની હેડલાઇટની મહત્તમ તીવ્રતાને 1.5 લાખ કેન્ડેલાથી ઘટાડીને 1 લાખ કેન્ડેલા તેમજ કાર માટે 2.25 લાખ કેન્ડેલાથી ઘટાડીને 1.5 લાખ કેન્ડેલા કરવાનો પ્રસ્તાવ છે. આ ઉપરાંત હાઇબીમ પર ઓડિયો એલર્ટ મુકવા બાબતે પણ પ્રસ્તાવમાં ભલામણ કરવામાં આવી છે. સરકાર વાહનોની હેડલાઇટના કલર ટેમ્પરેચરને લઇને પણ નિયમો કડક કરે તેવી શક્યતા છે. કલર ટેમ્પરેચર વધુમાં વધુ 6500 કેલ્વિન રાખવાનો પ્રસ્તાવ છે. જેનાથી આંખો આંજી દેનારી ભપકાદાર રોશનીથી છુટકારો મળશે.&nbsp;</p><h2><b>ઓટોમેટિક હેડલેમ્પ ખાલી લો બીમ પર</b></h2><p>પ્રસ્તાવ મુજબ, હવેથી નવા ટૂ-વ્હીલરમાં ઑટોમેટિક હેડલેમ્પ સિસ્ટમ માત્ર લો બીમ પર જ કામ કરશે.  જોકે, આ ઓટોમેટિક લો-બીમનો નિયમ માત્ર નવા આવનારા ટુ-વ્હીલર્સ માટે જ લાગુ પડશે, જૂના વાહનો માટે નહીં.</p><h2><b>હાઇ બીમ માટે ઑડિયો એલર્ટ</b></h2><p>શહેરોમાં બિનજરૂરી હાઇ બીમનો ઉપયોગ રોકવા માટે સરકાર ઑડિયો એલર્ટ સિસ્ટમ લાવવાની પણ વિચારણા કરી રહી છે. પ્રસ્તાવ મુજબ જો કોઈ વાહનચાલક શહેરી વિસ્તારમાં વાહન ચલાવતી વખતે બિનજરૂરી હાઇ બીમનો ઉપયોગ કરશે, તો આ સિસ્ટમ ડ્રાઇવરને ઑડિયો એલર્ટ આપશે. જોકે, હાઇવે પર તેના માટે નિયમ અલગ હશે. જો વાહનની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હશે, તો ઑડિયો એલર્ટ આપવામાં નહીં આવે. તેનું કારણ એ છે કે હાઇવે પર વધુ ઝડપ અને રસ્તાની સ્થિતિને ધ્યાનમાં રાખીને હાઇ બીમની જરૂરિયાત શહેરની સરખામણીમાં અલગ હોઈ શકે છે.</p><h2><b>બસ અને ભારે વાહનો માટે નિયમ</b></h2><p>હેડલાઇટની રોશનીની તીવ્રતા ઘટાડવા ઉપરાંત રાત્રે બસ અને ભારે વાહનો સરળતાથી દેખાય તે માટે રિફ્લેક્ટિવ ટેપ ફરજિયાત કરવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે. ખરાબ હવામાન, ઓછા પ્રકાશ અને રાત્રિના સમયે મોટા વાહનોને ઓળખવા ઘણીવાર મુશ્કેલ બને છે. આવી સ્થિતિમાં રિફ્લેક્ટિવ માર્કિંગ પર અન્ય વાહનોની હેડલાઇટ પડતાં તે ચમકશે અને દૂરથી જ ખબર પડી શકશે કે રસ્તા પર બસ અથવા ભારે વાહન ચાલી રહ્યું છે.</p><h2><b>નવો નિયમ ક્યારે લાગુ થશે?</b></h2><p>અહીં ધ્યાનમાં રાખવાની વાત એ છે કે અત્યારે મંત્રાલયે માત્ર આ પ્રસ્તાવ મૂક્યો છે. આ નિયમો તાત્કાલિક લાગુ થઈ રહ્યા નથી. એવી શક્યતા છે કે આ ફેરફારો એપ્રિલ 2027થી લાગુ થઈ શકે છે. મંત્રાલયે પ્રસ્તાવિત ફેરફારો અંગે સંબંધિત પક્ષો પાસેથી સૂચનો અને વાંધા મંગાવ્યા છે. તેના માટે 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ દરમિયાન વાહન કંપનીઓ અને ઓટોમોબાઇલ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો પણ પોતાના સૂચનો અથવા વાંધા નોંધાવી શકે છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/jhHv1wfNtsrGTe1bg6FjauMJ5fYT2p6cYiRRMwlR.webp'/></item><item><title><![CDATA[India-Japan સ્ટાર્ટઅપ કનેક્ટને વેગ, આગામી 4 વર્ષમાં રૂપિયા 7 લાખ કરોડનું રોકાણ કરશે જાપાન: પીયૂષ ગોયલ ]]></title><link>https://sandesh.com/india/news/business/india-japan-startup-connect-japan-7-lakh-crore-investment-piyush-goyal</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/india-japan-startup-connect-japan-7-lakh-crore-investment-piyush-goyal</guid><pubDate>Thu, 27 Aug 2026 15:46:06 +05:30</pubDate><description><![CDATA[<p>જાપાનની કંપનીઓએ છેલ્લા 10 મહિનામાં ભારતમાં ₹1 લાખ કરોડથી વધુનું રોકાણ કર્યું છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ટોક્યોમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન આ માહિતી આપી હતી. તેમના જણાવ્યા અનુસાર, આ રોકાણ 2025માં જાપાને આગામી 10 વર્ષમાં ભારતમાં 10 ટ્રિલિયન યેન એટલે કે આશરે ₹7 લાખ કરોડના રોકાણના કરેલા વચનના લગભગ 15 ટકા જેટલું છે.</p><h2><b>જાપાનનું ₹7 લાખ કરોડનું લક્ષ્ય 10 વર્ષના સમયગાળા કરતાં ઘણું વહેલું</b></h2><p>પીયૂષ ગોયલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જો રોકાણની વર્તમાન ગતિ જળવાઈ રહેશે તો જાપાનનું ₹7 લાખ કરોડનું લક્ષ્ય 10 વર્ષના સમયગાળા કરતાં ઘણું વહેલું, માત્ર 3થી 4 વર્ષમાં પૂર્ણ થઈ શકે છે. તેમણે જણાવ્યું કે અગાઉ જાપાને ભારતમાં 10 વર્ષમાં 5 ટ્રિલિયન યેનના રોકાણનું લક્ષ્ય નક્કી કર્યું હતું, જે માત્ર પાંચ વર્ષમાં જ પૂર્ણ થયું હતું. આ ઝડપી પ્રગતિને ધ્યાનમાં રાખીને 2025માં રોકાણનું લક્ષ્ય બમણું કરવામાં આવ્યું હતું.</p><p>ગોયલે જાપાની કંપનીઓને પરંપરાગત ક્ષેત્રોથી આગળ વધીને મેન્યુફેક્ચરિંગ, ફાઈનાન્શિયલ સર્વિસિસ, ઈન્શ્યોરન્સ અને પેન્શન ફંડ જેવા ક્ષેત્રોમાં રોકાણ વધારવા અપીલ કરી હતી. તેમણે ભારતના મોટા બજાર અને એન્જિનિયરિંગ ટેલેન્ટને જાપાનની પ્રિસિઝન એન્જિનિયરિંગ તથા મેન્યુફેક્ચરિંગ ક્ષમતાઓ સાથે જોડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.</p><p>ટોક્યોમાં યોજાયેલી ઈન્ડિયા-જાપાન સ્ટાર્ટઅપ રાઉન્ડટેબલમાં તેમણે 'ડીપ ટેક કેપિટલ કોરિડોર', 'ટૂ-વે ઇનોવેશન બ્રિજ' અને 'જોઈન્ટ સ્ટાર્ટઅપ પિચિંગ પ્લેટફોર્મ' જેવા પ્રસ્તાવો રજૂ કર્યા. આ પહેલો દ્વારા ભારતીય સ્ટાર્ટઅપ્સને જાપાની કંપનીઓ, રોકાણકારો, યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે.</p><h3><b>30થી વધુ બિઝનેસ ટાઈ-અપ્સમાં મદદ મળી</b></h3><p>ભારતની રાજદૂત નગમા મોહમ્મદ મલ્લિકે જણાવ્યું કે ઈન્ડિયા-જાપાન પિચિંગ સિરીઝ હેઠળ અત્યાર સુધી 65 ભારતીય સ્ટાર્ટઅપ્સને લગભગ 100 જાપાની કંપનીઓ સાથે જોડવામાં આવ્યા છે અને 30થી વધુ બિઝનેસ ટાઈ-અપ્સમાં મદદ મળી છે. તેમના જણાવ્યા મુજબ, સ્ટાર્ટઅપ ઈન્ડિયાની શરૂઆત બાદ દેશમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યા 510થી વધીને 2.5 લાખ થઈ છે, જ્યારે 130થી વધુ સ્ટાર્ટઅપ્સ યુનિકોર્ન બની ચૂક્યા છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/lFOzSjgwUL54BJilFgnzMHo0UkUX94MdIx6G2qSt.webp'/></item><item><title><![CDATA[India-Japan સ્ટાર્ટઅપ કનેક્ટને વેગ, આગામી 4 વર્ષમાં રૂપિયા 7 લાખ કરોડનું રોકાણ કરશે જાપાન: પીયૂષ ગોયલ ]]></title><link>https://sandesh.com/india/news/business/india-japan-startup-connect-japan-7-lakh-crore-investment-piyush-goyal</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/india-japan-startup-connect-japan-7-lakh-crore-investment-piyush-goyal</guid><pubDate>Thu, 27 Aug 2026 15:46:06 +05:30</pubDate><description><![CDATA[<p>જાપાનની કંપનીઓએ છેલ્લા 10 મહિનામાં ભારતમાં ₹1 લાખ કરોડથી વધુનું રોકાણ કર્યું છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ટોક્યોમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન આ માહિતી આપી હતી. તેમના જણાવ્યા અનુસાર, આ રોકાણ 2025માં જાપાને આગામી 10 વર્ષમાં ભારતમાં 10 ટ્રિલિયન યેન એટલે કે આશરે ₹7 લાખ કરોડના રોકાણના કરેલા વચનના લગભગ 15 ટકા જેટલું છે.</p><h2><b>જાપાનનું ₹7 લાખ કરોડનું લક્ષ્ય 10 વર્ષના સમયગાળા કરતાં ઘણું વહેલું</b></h2><p>પીયૂષ ગોયલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જો રોકાણની વર્તમાન ગતિ જળવાઈ રહેશે તો જાપાનનું ₹7 લાખ કરોડનું લક્ષ્ય 10 વર્ષના સમયગાળા કરતાં ઘણું વહેલું, માત્ર 3થી 4 વર્ષમાં પૂર્ણ થઈ શકે છે. તેમણે જણાવ્યું કે અગાઉ જાપાને ભારતમાં 10 વર્ષમાં 5 ટ્રિલિયન યેનના રોકાણનું લક્ષ્ય નક્કી કર્યું હતું, જે માત્ર પાંચ વર્ષમાં જ પૂર્ણ થયું હતું. આ ઝડપી પ્રગતિને ધ્યાનમાં રાખીને 2025માં રોકાણનું લક્ષ્ય બમણું કરવામાં આવ્યું હતું.</p><p>ગોયલે જાપાની કંપનીઓને પરંપરાગત ક્ષેત્રોથી આગળ વધીને મેન્યુફેક્ચરિંગ, ફાઈનાન્શિયલ સર્વિસિસ, ઈન્શ્યોરન્સ અને પેન્શન ફંડ જેવા ક્ષેત્રોમાં રોકાણ વધારવા અપીલ કરી હતી. તેમણે ભારતના મોટા બજાર અને એન્જિનિયરિંગ ટેલેન્ટને જાપાનની પ્રિસિઝન એન્જિનિયરિંગ તથા મેન્યુફેક્ચરિંગ ક્ષમતાઓ સાથે જોડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.</p><p>ટોક્યોમાં યોજાયેલી ઈન્ડિયા-જાપાન સ્ટાર્ટઅપ રાઉન્ડટેબલમાં તેમણે 'ડીપ ટેક કેપિટલ કોરિડોર', 'ટૂ-વે ઇનોવેશન બ્રિજ' અને 'જોઈન્ટ સ્ટાર્ટઅપ પિચિંગ પ્લેટફોર્મ' જેવા પ્રસ્તાવો રજૂ કર્યા. આ પહેલો દ્વારા ભારતીય સ્ટાર્ટઅપ્સને જાપાની કંપનીઓ, રોકાણકારો, યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે.</p><h3><b>30થી વધુ બિઝનેસ ટાઈ-અપ્સમાં મદદ મળી</b></h3><p>ભારતની રાજદૂત નગમા મોહમ્મદ મલ્લિકે જણાવ્યું કે ઈન્ડિયા-જાપાન પિચિંગ સિરીઝ હેઠળ અત્યાર સુધી 65 ભારતીય સ્ટાર્ટઅપ્સને લગભગ 100 જાપાની કંપનીઓ સાથે જોડવામાં આવ્યા છે અને 30થી વધુ બિઝનેસ ટાઈ-અપ્સમાં મદદ મળી છે. તેમના જણાવ્યા મુજબ, સ્ટાર્ટઅપ ઈન્ડિયાની શરૂઆત બાદ દેશમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યા 510થી વધીને 2.5 લાખ થઈ છે, જ્યારે 130થી વધુ સ્ટાર્ટઅપ્સ યુનિકોર્ન બની ચૂક્યા છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/lFOzSjgwUL54BJilFgnzMHo0UkUX94MdIx6G2qSt.webp'/></item><item><title><![CDATA[Tharad News: ભારતમાલા ચેકપોસ્ટ પરથી રૂ. 27 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, પ્લાસ્ટિકની થેલીઓની આડમાં થતી હેરાફેરીનો થરાદ પોલીસ દ્વારા પર્દાફાશ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/tharad/bharatmala-checkpost-liquor-seized-police-action</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/tharad/bharatmala-checkpost-liquor-seized-police-action</guid><pubDate>Thu, 27 Aug 2026 15:28:13 +05:30</pubDate><description><![CDATA[<p>વાવ-થરાદ પંથકમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને ગેરકાયદે હેરાફેરી સામે થરાદ પોલીસે લાલ આંખ કરી છે. વાંતાડા ભારતમાલા ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા સઘન ચેકિંગ દરમિયાન વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસની આ ત્વરિત અને સાવચેત કાર્યવાહીને કારણે અસામાજિક તત્વોમાં ભારે ફાળ પડી છે.</p><h2><b>પ્લાસ્ટિકની થેલીઓની આડમાં છુપાવ્યો હતો દારૂ</b></h2><p>બૂટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે અવનવા કસબ અજમાવવામાં આવતા હોય છે, ત્યારે આ કિસ્સામાં પણ એક બંધ બોડીની ટ્રકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટ્રકમાં પ્લાસ્ટિકની ખાલી થેલીઓની આડમાં ખૂબ જ ચાલાકીપૂર્વક વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. જોકે, થરાદ પોલીસની તીક્ષ્ણ નજર સામે બૂટલેગરોનો આ કસબ નાકામ નીવડ્યો હતો અને તપાસ દરમિયાન કુલ 832 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 27,02,289 આંકવામાં આવી છે.</p><p><img alt="Tharad News: Foreign Liquor Worth Rs 27 Lakh Seized at Bharatmala Checkpost, Driver Arrested" src="https://epapercdn.sandesh.com/images/2026/08/27/mB9yFmZjX8HLNtDPvz6WSNyZHvSxwUm7c0AqCVoW.webp"><br></p><h2><b>કુલ રૂ. 37.79 લાખનો મુદ્દામાલ જપ્ત</b></h2><p>પોલીસે ઘટના સ્થળેથી માત્ર દારૂ જ નહીં પરંતુ ગુનામાં ઉપયોગમાં લેવાયેલી સામગ્રી પણ જપ્ત કરી છે. જેમાં રૂ. 10,00,000 ની કિંમતની બંધ બોડીની ટ્રક, વાહનચાલકનો મોબાઇલ ફોન તેમજ દારૂ છુપાવવા માટે વપરાયેલી ખાલી પ્લાસ્ટિકની થેલીઓ સામેલ છે. આમ, થરાદ પોલીસે કુલ રૂ. 37,79,289 નો મુદ્દામાલ પોતાના કબજામાં લીધો છે.</p><h2><b>હરિયાણાનો ટ્રક ડ્રાઇવર સ્થળ પરથી ઝડપાયો</b></h2><p>આ ગેરકાયદે વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રક ચલાવી રહેલા ડ્રાઇવરની પોલીસે સ્થળ પર જ અટકાયત કરી લીધી છે. પકડાયેલા આરોપીની ઓળખ વિનોદ કુમાર અમીલાલ નાયક (રહે. ફતેહાબાદ, હરિયાણા) તરીકે થઈ છે. આરોપી અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આ દારૂનો જથ્થો ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો.</p><p><img alt="Tharad News: Foreign Liquor Worth Rs 27 Lakh Seized at Bharatmala Checkpost, Driver Arrested" src="https://epapercdn.sandesh.com/images/2026/08/27/5xww7sY3Rm7LCJoVUl7f9QCnhiER2N91jlQdbIpY.webp"><br></p><h2><b>દારૂ મંગાવનાર અને ભરાવનાર સામે કાયદેસરની તપાસ શરૂ</b></h2><p>થરાદ પોલીસે ઝડપાયેલા ટ્રક ડ્રાઇવર સામે ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. આ દારૂનો જથ્થો કોણે ભરાવ્યો હતો અને ગુજરાતમાં તે કોને પહોંચાડવાનો હતો તે તમામ કડીઓ મેળવવા માટે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. આ રેકેટમાં જોડાયેલા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે પણ વિવિધ દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/vav-tharad/sujalam-sufalam-canal-water-released-shankar-chaudhary" target="_blank">Tharad News: ખેડૂતોની રજૂઆત બાદ સુજલામ સુફલામ કાચી કેનાલમાં પાણી છોડાયું</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/NPx4d9eVCy8Uh0Yr0bFYpxe4Kj7lBxPxqjlkIxpe.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: નેપાળમાં 21 ભારતીયોને બચાવી લેવાયા, 12 ગુજરાતી પ્રવાસીઓનો સંપર્ક ના થઈ શક્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/21-indians-rescued-in-nepal--12-tourists-including-gujaratis-still-untraceable</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/21-indians-rescued-in-nepal--12-tourists-including-gujaratis-still-untraceable</guid><pubDate>Thu, 27 Aug 2026 15:24:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નેપાળના વિનાશક પૂરમાં ગુમ થયેલા 178 ભારતીયો પૈકી 21 લોકોને બચાવી લેવાયા છે. કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલયે યાદી જાહેર કરી છે. બચાવવામાં આવેલા તમામ લોકો તામિલનાડુના હોવાનું સામે આવ્યું છે. આ તમામ પ્રવાસીઓ માનસરોવરની યાત્રાએ ગયા હતાં. બીજી તરફ ગુજરાતમાંથી નેપાળમાં કેટલા પ્રવાસીઓ ફસાયા છે તેની વિગતો મેળવવામાં આવી રહી છે. રાજ્યમાં જિલ્લા પ્રમાણે હેલ્પલાઈન નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે આરટીઓ તંત્ર અને જિલ્લા કલેક્ટરોને વિગતો મેળવવા આદેશ કર્યો છે.&nbsp;&nbsp;</p><h2 style="text-align: justify; "><b>21 ભારતીય લોકોને બચાવી લેવામાં આવ્યા</b></h2><p style="text-align: justify; ">નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં 178 ભારતીયો ગુમ થયા હોવાની સત્તાવાર યાદી બહાર પાડવામાં આવી હતી. આ યાદી પૈકીના 21 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જેઓ તામિલનાડુના હોવાની વિદેશ મંત્રાલય દ્વારા પુષ્ટી કરવામાં આવી છે. બીજી તરફ ગુજરાતમાંથી પણ કેટલા પ્રવાસીઓ નેપાળમાં ફસાયા છે તેની વિગતો મેળવવા કલેક્ટર અને આરટીઓને આદેશ આપવામાં આવ્યા છે.&nbsp; રાજ્યમાંથી હાલમાં 12 પ્રવાસીઓ નેપાળમાં સંપર્ક વિહોણા થયા હોવાની વિગતો સામે આવી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><img alt="પ્રવાસીઓ લાપતા" src="https://epapercdn.sandesh.com/images/2026/08/27/4Tk5IIaQnEZbGGVfysmjjkML24XovmqePJ3lCi1Z.webp" style="width: 100%;"><br></p><h3 style="text-align: justify; "><b>રાજકોટના 15 વાહનોનો હાલ કોઈ સંપર્ક નહીં</b></h3><p style="text-align: justify; ">રાજકોટથી નેપાળ જવા નીકળેલા 15 જેટલા વાહનોનો હાલ કોઈ સંપર્ક થઈ રહ્યો નથી.આ વાહનોમાં કેટલા પ્રવાસીઓ સવાર હતા તેની ચોક્કસ સંખ્યા હજુ સામે આવી નથી.પ્રવાસીઓ બસ, કાર અને ટેક્સી મારફતે ગયા હતા.કેટલાક નેપાળ પહોંચ્યા હોવાનો જ્યારે કેટલાક ઉત્તરાખંડ તરફ હોવાનો અનુમાન છે.કલેક્ટર તંત્ર અને RTO દ્વારા સંપર્ક કરવા પ્રયાસો હાથ ધરાયા છે.નેપાળમાં હજી 12 લોકોનો સંપર્ક થઈ રહ્યો નથી. જેમાં અમદાવાદ, આણંદ, વલસાડ, રાજકોટ, સુરત, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસીઓનો સમાવેશ થાય છે.&nbsp;&nbsp;</p><h2 style="text-align: justify; "><b>આણંદનો અમેરિકન પરિવાર નેપાળમાં ગુમ</b></h2><p style="text-align: justify; ">આણંદના મુળ અમેરિકન સિટિઝન બિમલ પટેલ અને તેમની પત્ની જૈનિના પટેલ ગુમ થયા હોવાની વિગતો સામે આવી છે. તેઓ એક મહિના અગાઉ પરિવારને સરપ્રાઈઝ આપવા માટે ભારત આવ્યા હતાં. 16 ઓગસ્ટે એજન્ટ મારફતે નેપાળ અને કૈલાશ માનસરોવરની યાત્રાએ ગયા હતાં. છેલ્લે ગત રવિવારે તેમની પરિવારજનો સાથે વાત થઈ હતી. આ પતિ પત્ની ગુમ થયા હોવાની એજન્ટે પરિવારજનોને જાણ કરી હતી. આ દંપતી તેમના 12 વર્ષના દીકરાને આણંદ મુકીને નેપાળ ફરવા ગયા હતાં. દીકરાને ફરવું પસંદ નહીં હોવાથી તેને ભાઈને સોંપીને ગયા હતાં. બીજી તરફ વડોદરાના કિન્નરી પટેલ અને મીહિર પટેલ પણ નેપાળમાં ગુમ થયા છે. તેમના ભાઈ ચિરાગ પટેલે સરકાર પાસે મદદ માગી છે. આ દંપતી ન્યૂઝીલેન્ડમાં રહે છે. તેઓ મુંબઈની ટ્રાવેલ્સ એજન્સી મારફતે નેપાળ ગયા હતાં.&nbsp;&nbsp;<br><br><h2><b>ગુમ થયેલા કિન્નરી પટેલના ભાઈ ચિરાગ પટેલે શું કહ્યું</b></h2></p><p style="text-align: justify; ">ગુમ થયેલા કિન્નરી પટેલના ભાઈ ચિરાગ પટેલે કહ્યું હતું કે,  અમારા બહેન 23મીએ સિંગાપુરથી કાઠમંડુ પહોંચ્યા હતાં. તેઓ 3 દિવસ કાઠમંડુમાં રહ્યા હતાં. 26 તારીખથી તેઓ સંપર્ક વિહોણા છે. તેઓ શિવભક્ત હતાં અને કૈલાસ માનસરોવર જવાના હતાં. ભગવાન ભોળાનાથ અને સરકાર પાસે અમે મદદ માગીએ છીએ. અમારો પરિવાર પરત આવે તેવી આશા છે. નેપાળ સરકારે પણ અમને સાંત્વના આપી છે.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/vadodara/nepal-guide-remembered-as-god-by-gujarat-tourists-amid-devastating-flood" target="_blank">આ પણ વાંચોઃ Vadodara News : નેપાળમાં મુશ્કેલીમાં જે ગાઈડે અમારી મદદ કરી તે જ દુર્ઘટનાનો ભોગ બન્યા, ઘરે આવ્યા પછી અમને ઊંઘ નથી આવતી</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/B9aeKkFuygG3sjqJ7xAHZGc1XgaboAxKbaJt79kR.webp'/></item><item><title><![CDATA[Botadના ગઢડામાં સનસનાટી: ભીમડાદના યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/botad/gadhada-bhimdad-youth-murder-ugamedi-fatak</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/botad/gadhada-bhimdad-youth-murder-ugamedi-fatak</guid><pubDate>Thu, 27 Aug 2026 15:20:56 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાંથી એક ભયાનક હત્યાનો બનાવ સામે આવ્યો છે. ભીમડાદ ગામના વતની અને આશરે 45 વર્ષીય દિનેશભાઈ લાખાભાઈ સાગઠીયા નામના યુવક ઉગામેડી ફાટક પાસે આવેલા પુલની બાજુમાંથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. સ્થાનિકો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતાં ઈજાગ્રસ્ત દિનેશભાઈને સારવાર અર્થે ગઢડાની સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>સારવાર દરમિયાન ટૂંકી ઓપરેશન બાદ મોત&nbsp;</b></h2><p style="text-align: justify; ">હોસ્પિટલ ખાતે પહોંચાડાયા બાદ ગંભીર રીતે ઘવાયેલા યુવકનું સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસ અને શારીરિક ઈજાઓને જોતાં અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે ઘાતક હુમલો કરીને તેમની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. યુવકના મોતની ખબર મળતાં જ પરિવારજનો તેમજ સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.</p><h3 style="text-align: justify; "><b>ગઢડા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો&nbsp;</b></h3><p style="text-align: justify; ">બનાવની જાણ થતાં જ ગઢડા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવકની હત્યા કોણે અને કયા કારણોસર કરી છે તે દિશામાં પોલીસે જુદી જુદી ટીમો બનાવીને સઘન તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસ બાદ જ હત્યા પાછળનું સાચું કારણ અને ગુનામાં સંકળાયેલા આરોપીઓ વિશે વધુ ખુલાસા થવાની શક્યતા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/JijI8xeRG5XlGb2cYT1vd3HCA1QZyHTb7cEY6L18.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના જજીસ બંગલો રોડ પર આવેલા પાન પાર્લરમાંથી રૂ.74,400ની રોકડ અને સિગારેટની ચોરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/choice-pan-parlour-theft-judges-bungalow-road-vastrapur</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/choice-pan-parlour-theft-judges-bungalow-road-vastrapur</guid><pubDate>Thu, 27 Aug 2026 15:05:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના જજીસ બંગલો રોડ પર આવેલા કદમ કોમ્પ્લેક્સમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. અહીં આવેલા જાણીતા 'ચોઇસ પાન પાર્લર'ને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મોડી રાત્રે અંધારાનો લાભ ઉઠાવીને ચાર જેટલા અજાણ્યા શખ્સો દુકાનનું શટર વચ્ચેથી ઊંચું કરીને અંદર પ્રવેશ્યા હતા. ચોરોએ કેશ કાઉન્ટર (ગલ્લા)માંથી રૂપિયા 48 હજારની રોકડ રકમ તેમજ રૂપિયા 26,400ની કિંમતના મોંઘી સિગારેટના પેકેટો મળીને કુલ રૂપિયા 74,400ના મત્તાની ચોરી આચરી હતી અને ફરાર થઈ ગયા હતા.</p><h2 style="text-align: justify; "><b>સીસીટીવીમાં કેદ થઈ ચોરીની સમગ્ર ઘટના&nbsp;</b></h2><p style="text-align: justify; ">સવારે જ્યારે દુકાનના કર્મચારીઓ નિત્યક્રમ મુજબ દુકાને પહોંચ્યા ત્યારે શટર વાંકું વળેલું જોવા મળ્યું હતું. દુકાન અંદર તપાસ કરતાં ગલ્લામાંથી રોકડ અને મોંઘી સિગારેટના પેકેટો ગાયબ જણાતાં ચોરી થઈ હોવાનો ખ્યાલ આવ્યો હતો. દુકાનમાલિકે સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજ ચકાસતાં રાત્રિના સમયે ચાર શખ્સો શટર ઊંચું કરીને અંદર ઘૂસી ચોરી કરતા સ્પષ્ટપણે કેદ થયેલા જોવા મળ્યા હતા.</p><h3 style="text-align: justify; "><b>વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી&nbsp;</b></h3><p style="text-align: justify; ">આ અંગે પાન પાર્લરના સંચાલક દ્વારા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. વસ્ત્રાપુર પોલીસે ચોરીનો ગુનો નોંધીને ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ કબ્જે કર્યા છે. સીસીટીવીમાં દેખાતા ચારેય તસ્કરોની ઓળખ સબબ અને તેમને ઝડપી પાડવા માટે પોલીસે જુદી જુદી ટીમો બનાવીને આગળની સઘન તપાસ હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/tmDpRLTE4l1bLV4pFv6tPGf1rPQJGr8nDRVutjPI.webp'/></item><item><title><![CDATA[Asha Bhosle Last Song : નિધનના 4 મહિના પછી રિલીઝ થશે આશા ભોસલેનું આ ગીત! ]]></title><link>https://sandesh.com/entertainment/news/asha-bhosle-last-song-om-ka-hari-2023-recording</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/asha-bhosle-last-song-om-ka-hari-2023-recording</guid><pubDate>Thu, 27 Aug 2026 15:01:35 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દિગ્ગજ દિવંગત સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની બર્થ એનિવર્સરી પર રિલીઝ થવાનું છે. તેમણે પોતાની કારકિર્દીમાં ભારતીય સિનેમાને અનેક યાદગાર ગીતો આપ્યા છે. તેમનું નિધન 12 એપ્રિલ 2026ના રોજ થયું હતું. આજે તેઓ આપણી વચ્ચે નથી, પરંતુ તેમનો અવાજ આજે પણ લોકોના દિલ અને દિમાગમાં ગુંજે છે. આશા ભોસલેએ છેલ્લે પ્લેબેક સિંગર તરીકે ફિલ્મ ઓમ કા હરી માટે ગીત રેકોર્ડ કર્યું હતું, જેનું નામ એ મેરી જિંદગી, તૂ છુપી હૈ કહાં છે. આ ગીત 8 સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવશે.</p><h2 style="text-align: justify; "><b>આશા ભોસલેનો અવાજ અંશુમન માટે ખાસ રહ્યો</b></h2><p style="text-align: justify; ">ફિલ્મ ઓમ કા હરીમાં મુખ્ય ભૂમિકા ભજવી રહેલા અંશુમન ઝાનું કહેવું છે કે તેમની ફિલ્મમાં આશા ભોસલે જેવી મહાન સિંગરનો અવાજ હોવો તેમના માટે ખૂબ ખાસ છે. અભિનેતાએ કહ્યું, ઓમ કા હરી મારા માટે ખૂબ ખાસ છે, કારણ કે તેની કહાની પિતાને આઈ લવ યુ કહેવાના મહત્વ વિશે છે, જે મને ક્યારેય કહેવાની તક મળી નહોતી. ફિલ્મના સૌથી ભાવુક વળાંકવાળા ગીતમાં આશા જીનો અવાજ હોવો એક કલાકાર તરીકે મારા જીવનની સૌથી સુંદર અને યાદગાર પળોમાંથી એક છે.</p><h3 style="text-align: justify; "><b>આશા ભોસલેની યાદોને અંશુમને કરી તાજી</b></h3><p style="text-align: justify; ">અંશુમન ઝાએ આગળ કહ્યું, તેમની સાથે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં રહેવું મારા માટે ખૂબ ખુશી અને સંતોષની પળ હતી. કાશ, આ પળની ઉજવણી કરવા માટે તેઓ આજે અમારી સાથે હોત. પરંતુ હું જાણું છું કે તેઓ હંમેશા અમારી સાથે છે. એક આત્મા તરીકે, પોતાના સંગીતમાં અને એવા દરેક જીવનમાં જેને તેમનો અવાજ આજે પણ સ્પર્શી રહ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>ગીત ક્યારે રેકોર્ડ કરવામાં આવ્યું હતું?</b></h3><p style="text-align: justify; ">એ મેરી જિંદગી, તૂ છુપી હૈ કહાં ગીત વર્ષ 2023માં રેકોર્ડ કરવામાં આવ્યું હતું. તે સમયે આશા ભોસલેની ઉંમર 90 વર્ષથી વધુ હતી. તેમ છતાં તેમણે પોતાના મધુર અવાજથી ગીતમાં જીવ રેડી દીધો હતો. ડિરેક્ટર હરીશ વ્યાસની આ ફિલ્મ પિતા અને પુત્ર વચ્ચેના સંબંધ પર આધારિત ડ્રામા-કોમેડી ફિલ્મ છે.</p><h4 style="text-align: justify; "><b>ફિલ્મના ડિરેક્ટરે શું કહ્યું?</b></h4><p style="text-align: justify; ">આશા ભોસલેના છેલ્લાં ગીતને રિલીઝ કરવા અંગે ફિલ્મના ડિરેક્ટર હરીશ વ્યાસે કહ્યું, તેમના જન્મદિવસ પર આ ગીત રિલીઝ કરવું આશા જીના મધુર અવાજ, તેમની શાનદાર વિરાસત અને એવા કરોડો ફેન્સ પ્રત્યે સન્માન છે, જેમના જીવનને તેમના સંગીતે સ્પર્શ્યું છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/toxic-600-crore-budget-superhit-collection\" target="_blank">આ પણ વાંચો-600 કરોડના તોતિંગ બજેટમાં બનેલી Toxicને સુપરહિટ થવા બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરવી પડશે?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/MKyoHyW3kEZCzmgQD1VpL0V7XglRWEmYCKR6agx8.webp'/></item><item><title><![CDATA[વાંચો બપોરે 12થી 03 વાગ્યા સુધીના મહત્વના સમાચાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-12-pm-to-03-pm-27-august-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-12-pm-to-03-pm-27-august-2026</guid><pubDate>Thu, 27 Aug 2026 14:58:43 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર<br><br><a href="https://sandesh.com/gujarat/news/vadodara/nepal-guide-remembered-as-god-by-gujarat-tourists-amid-devastating-flood" target="_blank">1. Vadodara News : નેપાળમાં મુશ્કેલીમાં જે ગાઈડે અમારી મદદ કરી તે જ દુર્ઘટનાનો ભોગ બન્યા, ઘરે આવ્યા પછી અમને ઊંઘ નથી આવતી</a></b></p><p><a href="https://sandesh.com/gujarat/news/rajkot/passengers-from-15-vehicles-in-nepal-lose-contact-amid-devastating-floods" target="_blank"><b>2. Rajkot News : 15 વાહનો મારફતે નેપાળ પ્રવાસે ગયેલા લોકો સંપર્ક વિહોણા, તંત્રએ શોધવા પ્રયાસો શરૂ કર્યા</b></a></p><p><a href="https://sandesh.com/business/news/automobile/mahindra-thar-3-door-facelift-launch-features-details" target="_blank"><b>3. Auto News: નવી કાર ખરીદતા પહેલાં થોભો! તહેવારોના સમયમાં લોન્ચ થશે ફીચર-લોડેડ આ 3-ડોર SUV!</b></a></p><p><a href="https://sandesh.com/world/news/india//nepal-flood-alert-india-himalayan-rivers-risk" target="_blank"><b>4. Nepal Flood : નેપાળ પૂર પછી એલર્ટ પર ભારત, શું સપ્ટેમ્બરમાં ફરી આવશે આવી જ હોનારત?</b></a></p><p><a href="https://sandesh.com/entertainment/news/alpha-ott-release-date-netflix-alia-bhatt-sharvari" target="_blank"><b>5. Alia Bhatt અને શર્વરી વાઘની એક્શન થ્રિલર Alpha હવે OTT પર ધમાકો કરવા તૈયાર!</b></a></p><p><a href="https://sandesh.com/world/news/alaska-plane-crash-shallow-water-four-dead" target="_blank"><b>6. US: અલાસ્કામાં 15 ફૂટ ઊંડા પાણીમાં પ્લેન ક્રેશ, 4 લોકોના મોત</b></a></p><p><a href="https://sandesh.com/tech/news/world/kerala-twin-ceo-twin-brothers-from-kerala-become-ceos-one-runs-google-cloud-and-the-other-netapp" target="_blank"><b>7. Kerala Twin CEO: કેરળના જોડિયા ભાઈઓ બન્યા સીઈઓ, એક ગૂગલ ક્લાઉડ અને બીજો નેટએપનું કરે છે સંચાલન</b></a></p><p><a href="https://sandesh.com/world/news/knowledge/nepal-glacier-collapse-flood-inside-story" target="_blank"><b>8. Nepal Flood : મોટો હિમખંડ બન્યો તબાહીનું કારણ, નેપાળમાં સર્જાયેલા મહાપ્રલયની Inside Story</b></a></p><p><a href="https://sandesh.com/india/news/nepal-flood-bengali-actor-kharaj-mukherjee--wife-stranded-in-nepal--rakesh-tikait-trapped-in-pokhara" target="_blank"><b>9. Nepal Flood: ખેડૂત નેતા રાકેશ ટિકૈત અને પ્રખ્યાત અભિનેતા ખરાજ મુખર્જી નેપાળમાં ફસાયા, તબાહી વચ્ચે કેવી છે પરિસ્થિતિ?</b></a></p><p><a href="https://sandesh.com/world/news/sadhguru-kailash-pilgrims-missing-nepal-flood-china-permission" target="_blank"><b>10. Nepal Flood: સદગુરુના કૈલાશ યાત્રા જૂથના 80 ભક્તો ગુમ,ચીન પાસે માંગી મુલાકાતની પરવાનગી</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/29/wLbfyTnyUxIYEFJiJxV9BkITi0sHaa4rS7kNibmF.webp'/></item><item><title><![CDATA[PM મોદી 'ખેલો ઇન્ડિયા ડાયલોગ'માં ઓલિમ્પિકમાં ભારતના મેડલ કેવી રીતે વધે જણાવી હકીકત ]]></title><link>https://sandesh.com/sports/news/pm-modi-reveals-the-truth-about-how-indias-medals-in-the-olympics-will-increase-in-khelo-india-dialogue</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pm-modi-reveals-the-truth-about-how-indias-medals-in-the-olympics-will-increase-in-khelo-india-dialogue</guid><pubDate>Thu, 27 Aug 2026 14:26:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'ખેલો ઇન્ડિયા ડાયલોગ' દરમિયાન સેંકડો ખેલાડીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. રમતગમત ક્ષેત્રે ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા અંગે વાત કરતા પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે ભારતનું ઓલિમ્પિક પ્રદર્શન ત્યારે જ સુધરી શકે છે જ્યારે દેશ તમામ રમતોમાં ભાગ લેવાનું શરૂ કરશે. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે ભારત હજુ પણ ઘણી ઓલિમ્પિક રમતોથી દૂર છે. પીએમ મોદીએ જણાવ્યું કે તેમનું વિઝન માત્ર મેડલ જીતવા સુધી સીમિત નથી, પરંતુ રમતગમતને રાષ્ટ્ર નિર્માણનું એક સશક્ત માધ્યમ બનાવવાનું છે.</p><p style="text-align: justify; "><b>ઓલિમ્પિકમાં ભારતનું નબળું પ્રદર્શન, પીએમ મોદી</b></p><p style="text-align: justify; ">૨૦૨૪ના પેરિસ ઓલિમ્પિકનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કડવું સત્ય રજૂ કર્યું હતું. તેમણે કહ્યું કે પેરિસ ઓલિમ્પિકની ૩૨ રમતોમાંથી ભારતે માત્ર ૧૬ રમતોમાં જ ભાગ લીધો હતો. આ કઠોર વાસ્તવિકતા પર પ્રકાશ પાડતા તેમણે ઉમેર્યું, "ઓલિમ્પિકમાં કેટલીય રમતો રમાય છે, પરંતુ ભારતીય ટીમો અડધી રમતમાં પણ ભાગ લેતી નથી. આ સ્થિતિ દાયકાઓથી ચાલી આવી છે, જેના કારણે આપણે મેડલ ટેલીના એક મોટા ભાગ માટે સ્પર્ધા જ કરી શકતા નથી. વિશ્વના અન્ય દેશો તે રમતોમાં મેડલ જીતે છે, જ્યારે આપણે ભાગ પણ નથી લેતા." તેમણે કહ્યું કે જો મેડલની સંખ્યા વધારવી હોય, તો ખેલાડીઓએ અન્ય રમતોમાં પણ નિપુણતા મેળવવી પડશે.</p><p style="text-align: justify; "><b>'ટેલેન્ટ હંટ' જાહેરાત અને રાષ્ટ્ર નિર્માણનું વિઝન</b></p><p style="text-align: justify; ">પોતાના વિઝનને વધુ સ્પષ્ટ કરતા પીએમ મોદીએ ૧૫ ઓગસ્ટના સ્વતંત્રતા દિવસના ભાષણની યાદ અપાવી હતી. તેમણે ૫ થી ૧૫ વર્ષના બાળકો માટે ખાસ પ્રતિભા શોધ (Talent Hunt) કાર્યક્રમની જાહેરાત કરી હતી, જે નાના બાળકોમાંથી રમતગમતની પ્રતિભા ઓળખી તેમને દેશ માટે શ્રેષ્ઠ એથ્લીટ તરીકે તૈયાર કરશે. લાલ કિલ્લાના પ્રાચીર પરથી આપેલા સંદેશનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું, "રમતગમત માત્ર મેડલ જીતવા પૂરતી નથી, પરંતુ ભારતની રમત શક્તિ અને યુવા શક્તિનો ઉપયોગ 'વિકસિત ભારત'ના નિર્માણમાં કરવાનો આ એક મહત્ત્વનો સંકલ્પ છે."</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/sports/news/hockey-world-cup-2026-will-the-indian-hockey-team-reach-the-semi-finals-know-the-complete-equation" target="_blank">આ પણ વાંચો : Hockey World Cup 2026: શું ભારતીય હોકી ટીમ સેમિફાઇનલમાં પહોંચશે? જાણો સંપૂર્ણ સમીકરણ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/biWP3Bdckvhz4FNvf3En5alpL3kmuXNTwf5jrfXQ.webp'/></item></channel></rss>