<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabad: બોગસ દસ્તાવેજોના આધારે 14.50 કરોડની ઠગાઈ આચરનાર મધ્ય પ્રદેશથી ઝડપાયો, 64 બેંક એકાઉન્ટ અને 4 કરોડ ફ્રીઝ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/vasna-police-arrests-mastermind-nilesh-kothiya-in-14-crore-fraud</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/vasna-police-arrests-mastermind-nilesh-kothiya-in-14-crore-fraud</guid><pubDate>Sat, 05 Sep 2026 20:58:01 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરના વાસણા પોલીસ સ્ટેશનની ટીમે એક મોટી સફળતા મેળવીને કરોડો રૂપિયાનું બેંક લોન કૌભાંડ અને ઇન્વેસ્ટર ફ્રોડ આચરનાર માસ્ટરમાઇન્ડ નિલેષ કોઠીયા અને તેના સાગરીત દીપક આહુજાની ધરપકડ કરી છે. નિલેષ કોઠીયા છેલ્લા 6 વર્ષથી વાસણા, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, નિકોલ, ચિલોડા, બાપુનગર તેમજ મુંબઈના 7 જેટલા ગંભીર ગુનાઓમાં ફરાર હતો. વાસણા પોલીસે બાતમીના આધારે મધ્ય પ્રદેશના બૈતુલ ખાતે દરોડો પાડી તેની અટકાયત કરી છે.</p><h2><b>અમદાવાદમાં બોગસ દસ્તાવેજોના આધારે ઠગાઈ</b></h2><p>પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 14.30 લાખની કિંમતની કિયા કાર, 6 સ્માર્ટફોન અને લેપટોપ જપ્ત કર્યા છે. આ ઉપરાંત, તપાસ દરમિયાન આરોપીઓના 64 બેંક ખાતા શોધી કાઢી તેમાં રહેલા રૂ. 20 લાખ ફ્રીઝ કરાવ્યા છે, જ્યારે D.R.T. કોર્ટ મુંબઈ ખાતે પ્રોસીડિંગ્સ હેઠળના રૂ. 4 કરોડ પણ ફ્રીઝ કરાવવામાં આવ્યા છે. આરોપીઓ લોન એજન્ટ કે પ્રોપર્ટી મોર્ગેજર તરીકે ઓળખ આપી બેંક મેનેજરો અને વેલ્યુઅરો સાથે સાંઠગાંઠ કરતા હતા. વાસણા દેના બેંકમાંથી આરોપીઓએ ફરિયાદીના નવરંગપુરા સ્થિત બંગલાના કૂટલેખિત અને બોગસ દસ્તાવેજો રજૂ કરી રૂ. 90 લાખની મોર્ગેજ લોન પાસ કરાવી લીધી હતી, જેમાંથી રૂ. 65 લાખ પોતાની શેલ પેઢી 'સાંઈ એક્ઝિમ' માં ટ્રાન્સફર કરી લીધા હતા.</p><h3><b>હોંગકોંગમાં કંપની રજિસ્ટર કરાવી 20 શેલ કંપનીઓ ઊભી કરી</b></h3><p>આરોપી નિલેષે વર્ષ 2020 માં હોંગકોંગ ખાતે 'TAUSCHEN GROUP OF COMPANY' નામની કંપની બનાવી માત્ર બે જ વર્ષમાં 20 જેટલી બોગસ કંપનીઓ ઊભી કરી હતી. આ શેલ કંપનીઓમાં રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપી કરોડો રૂપિયા પડાવ્યા હતા.ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી નિલેષ કોઠીયા બોગસ અને બનાવટી દસ્તાવેજો બનાવવામાં માસ્ટર હતો, જ્યારે દીપક આહુજા સેટિંગ કરીને બેંકોમાંથી લોન મંજૂર કરાવવાનું કામ કરતો હતો. નિલેષ સામે બાપુનગરમાં ટ્રેડમાર્ક એક્ટ અને 138 નેગોશિયેબલ એક્ટ હેઠળ ચેક બાઉન્સના કેસ નોંધાયેલા છે, જેમાં એક કેસમાં તેને 1 વર્ષની જેલની સજા પણ થયેલી છે. સાગરીત દીપક આહુજા સામે પણ વિવિધ પોલીસ સ્ટેશનોમાં 12 થી વધુ કેસ નોંધાયેલા છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/world-archery-para-series-2026-begins-ahmedabad-sabarmati-riverfront" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પેરા આર્ચરીનો પ્રારંભ, ભારતના તમામ 8 રિકર્વ તીરંદાજો નેક્સ્ટ રાઉન્ડમાં</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/FEb41BSLcidwijRL6XMAQOPGCf6beefTU7VEneMG.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: ગુજરાત કોંગ્રેસમાં ચૂંટણી પહેલાં મોટો ફેરફાર: મુકુલ વાસનિકની જગ્યાએ રણદીપ સુરજેવાલા બન્યા નવા પ્રભારી ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-randeep-surjewala-appointed-gujarat-congress-incharge</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-randeep-surjewala-appointed-gujarat-congress-incharge</guid><pubDate>Sat, 05 Sep 2026 20:55:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સમગ્ર રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ચૂંટણી પહેલાં સંગઠનને મજબૂત કરવાના હેતુથી પ્રદેશ કોંગ્રેસમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ગુજરાત કોંગ્રેસના પ્રભારી પદે રણદીપ સુરજેવાલાની નિમણૂક&nbsp;</b></h2><p style="text-align: justify; ">કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા ગુજરાત કોંગ્રેસના પ્રભારી પદે રણદીપ સુરજેવાલાની નિમણૂક કરવામાં આવી છે અને તેમને મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસ હાઈકમાન્ડે સંગઠનમાં વ્યાપક ફેરબદલ કરતા ગુજરાતથી લઈને પંજાબ સુધીના પ્રદેશ પ્રભારી બદલ્યા છે. આ ફેરબદલ હેઠળ રણદીપ સુરજેવાલાને ગુજરાતના પ્રભારી બનાવાયા છે, જ્યારે સચિન પાયલટને પંજાબની જવાબદારી સોંપાઈ છે. આ ઉપરાંત ભૂપેશ બઘેલને પંજાબથી હટાવીને અસમ અને સુખદેવ ભગતને છત્તીસગઢના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે મુકુલ વાસનિક  હતા</b></h3><p style="text-align: justify; ">ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે મુકુલ વાસનિક પોતાની સેવાઓ આપી રહ્યા હતા. જોકે, ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હાઈકમાન્ડે આ મોટો બદલાવ કરવાનો નિર્ણય લીધો છે. રણદીપ સુરજેવાલા કોંગ્રેસના અનુભવી અને સિનિયર નેતા છે, તેથી તેમની નિમણૂકથી રાજ્યમાં પાર્ટીના કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.</p><h4 style="text-align: justify; "><b>ગુજરાત કોંગ્રેસની ચૂંટણી વ્યૂહરચના&nbsp;</b></h4><p style="text-align: justify; ">વિધાનસભા ચૂંટણી પૂર્વે હાથ ધરવામાં આવેલા આ સંગઠનાત્મક ફેરફારથી ગુજરાત કોંગ્રેસની ચૂંટણી વ્યૂહરચના વધુ મજબૂત બનશે તેમ માનવામાં આવી રહ્યું છે. નવા પ્રભારી તરીકે રણદીપ સુરજેવાલા ટૂંક સમયમાં જ ગુજરાતની મુલાકાત લઈને પ્રદેશ નેતાઓ અને કાર્યકરો સાથે બેઠકોનો દોર શરૂ કરશે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/crime/surat/surat-girl-death-restaurant-food-fsl-report-no-poison-mystery" target="_blank"><b>&nbsp;Surat : રેસ્ટોરન્ટનું ભોજન ખાધા બાદ 4 વર્ષની બાળકીનું મોત, તપાસનો રિપોર્ટ આવતા કેસમાં આવ્યો ચોંકાવનારો વળાંક</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/6XARJwZxx454KquAhSbuqeG4Xejrsl1QCnETLo6R.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પેરા આર્ચરીનો પ્રારંભ, ભારતના તમામ 8 રિકર્વ તીરંદાજો નેક્સ્ટ રાઉન્ડમાં ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/world-archery-para-series-2026-begins-ahmedabad-sabarmati-riverfront</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/world-archery-para-series-2026-begins-ahmedabad-sabarmati-riverfront</guid><pubDate>Sat, 05 Sep 2026 20:39:59 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરની શાન સમાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી 'વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026' નો સત્તાવાર શુભારંભ થયો છે. સ્પર્ધાના પ્રથમ દિવસે તીરંદાજોની સાધન તપાસ અને સત્તાવાર પ્રેક્ટિસ સેશન બાદ પેરા રિકર્વ ક્વોલિફિકેશન રાઉન્ડ અને વ્યક્તિગત એલિમિનેશન રાઉન્ડ યોજાયા હતા.</p><h2><b>અમદાવાદમાં વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026 નો પ્રારંભ</b></h2><p>આ રિકર્વ કેટેગરીમાં વિશ્વભરમાંથી કુલ 39 તીરંદાજોએ ભાગ લીધો હતો, જેમાં પુરુષ વિભાગમાં 20 અને મહિલા વિભાગમાં 19 ખેલાડીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. હોસ્ટ કન્ટ્રી તરીકે ભારતે બંને વિભાગમાં 4-4 મળી કુલ 8 તીરંદાજો મેદાનમાં ઉતાર્યા હતા.પ્રથમ દિવસની રમતમાં ભારતીય પેરા તીરંદાજોએ પોતાના કૌશલ્યનો અદ્ભુત પરિચય આપ્યો હતો. પેરા રિકર્વ પુરુષ ક્વોલિફિકેશનમાં ભારતના હરવિંદર સિંહે 20 તીરંદાજો વચ્ચે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેવી જ રીતે પેરા રિકર્વ મહિલા કેટેગરીમાં ભારતીય આર્ચર ભાવનાએ 19 ખેલાડીઓ વચ્ચે ત્રીજો ક્રમ મેળવ્યો હતો.</p><h3><b>ભારતીય પેરા આર્ચર્સનો દબદબો</b></h3><p> ભારતના આઠેય તીરંદાજો - હરવિંદર સિંહ, પ્રવીણ, સહજવીર સિંહ અને વિજય સુન્ડી (પુરુષો) તથા ભાવના, પૂજા કુમારી, રાજશ્રી ધનરાજ રાઠોડ અને પૂજા (મહિલાઓ) એ પોતપોતાના મુકાબલા જીતીને પછીના રાઉન્ડમાં જગ્યા પક્કી કરી લીધી છે. ક્વોલિફિકેશન રાઉન્ડમાં મહિલા વિભાગમાં ઇન્ડોનેશિયા જ્યારે પુરુષ વિભાગમાં ઇરાનનું વર્ચસ્વ રહ્યું હતું અને તેઓ ટોચના સ્થાને રહ્યા હતા. આવતીકાલે પેરા કમ્પાઉન્ડ કેટેગરીના મુકાબલા શરૂ થશે, જેમાં ભારતની સ્ટાર આર્ચર શીતલ દેવી, પાયલ નાગ અને રાકેશ કુમાર જેવા પ્રખ્યાત તીરંદાજો એક્શનમાં જોવા મળશે. આગામી દિવસોમાં વિવિધ એલિમિનેશન તબક્કાઓ પૂર્ણ થયા બાદ તારીખ 8 અને 9 સપ્ટેમ્બરે ગ્રાન્ડ ફાઇનલ્સ અને મેડલ વિતરણ સમારોહ યોજાશે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarats-health-department-issues-transfer-orders-for-108-staff-nurses" target="_blank">આ પણ વાંચો: Gandhinagar: ગુજરાત આરોગ્ય વિભાગમાં મોટાપાયે બદલીઓ; 108 સ્ટાફ નર્સની ફેરબદલીના આદેશ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/sSMqPr9z29JVgiCueGyxbAm6Nsl6e7eJ06vWmdbK.webp'/></item><item><title><![CDATA[Auto News: રૂ.5,000ના રેટ્રોફિટ ડિવાઇસથી જૂના ડીઝલ વાહનોને મળશે નવું જીવન! ]]></title><link>https://sandesh.com/business/news/automobile/old-diesel-vehicles-retrofit-device-nitin-gadkari</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/old-diesel-vehicles-retrofit-device-nitin-gadkari</guid><pubDate>Sat, 05 Sep 2026 20:32:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ જૂના ડીઝલ વાહનો ધરાવતા લોકો અને ટ્રક-બસના માલિકો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જૂના ડીઝલ વાહનોમાં એક ખાસ 'રેટ્રોફિટ ડિવાઇસ' લગાવવાની ટૂંક સમયમાં મંજૂરી આપવામાં આવી શકે છે, જેનાથી વાહનોનું પ્રદૂષણ નોંધપાત્ર રીતે ઘટશે. આ ડિવાઇસની અંદાજિત કિંમત રૂ.4,000 થી રૂ.5,000 ની આસપાસ રહેવાની શક્યતા છે.</p><h2 style="text-align: justify; "><b>IIT દિલ્હીનું ઇનોવેશન અને સફળ ટેસ્ટિંગ</b></h2><p style="text-align: justify; ">આ ટેકનોલોજી IIT દિલ્હીના ઇનોવેશન દ્વારા વિકસાવવામાં આવી છે. નિતિન ગડકરીના જણાવ્યા અનુસાર, આ ટેકનોલોજીનું ટેસ્ટિંગ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. હવે BS-III, BS-IV અને અન્ય જૂના ડીઝલ વાહનોમાં આ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>રૂ.5,000નું ડિવાઇસ કેવી રીતે કામ કરશે?</b></h3><p style="text-align: justify; ">આ રેટ્રોફિટ એમિશન કન્ટ્રોલ ડિવાઇસ (RECD) નો મુખ્ય હેતુ જૂના ડીઝલ વાહનોમાંથી નીકળતા હાનિકારક પ્રદૂષકોને ઘટાડવાનો છે. આ ડિવાઇસ પર્ટીક્યુલેટ મેટર (PM) ના કણોને 90% સુધી અને નાઇટ્રોજન ઓક્સાઇડ (NOx) ના ઉત્સર્જનને લગભગ 60% સુધી ઘટાડી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો, જૂના ટ્રક કે બસને માત્ર પ્રદૂષણના કારણે સ્ક્રેપ કરવાની કે બદલવાની જરૂર નહીં પડે. આ ડિવાઇસ ફીટ કરીને તેના એમિશનને BS-VI ના સ્તરની નજીક લાવવાનો પ્રયાસ કરવામાં આવશે, જેથી વાહન માલિકોને નવું વાહન ખરીદવાના મોટા ખર્ચમાંથી મુક્તિ મળશે.</p><h4 style="text-align: justify; "><b>ડીઝલ જનરેટર બાદ હવે રસ્તા પરના વાહનો માટે ટેકનોલોજી</b></h4><p style="text-align: justify; ">ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે આ પ્રકારની એમિશન કન્ટ્રોલ ટેકનોલોજીનો ઉપયોગ પહેલાથી જ ડીઝલ જનરેટર સેટ્સમાં પ્રદૂષણ ઘટાડવા માટે થઈ રહ્યો છે. હવે સરકાર આ જ સફળ ઉકેલને રસ્તા પર દોડતા ભારે વાહનો સુધી પહોંચાડવા માગે છે.</p><h5 style="text-align: justify; "><b>વાહનો સ્ક્રેપ કરવા ઉપરાંત મળશે બીજો વિકલ્પ</b></h5><p style="text-align: justify; ">સરકારની આ યોજના જૂના વાહનોને સ્ક્રેપ કરવાની નીતિનો વિકલ્પ નથી, પરંતુ તેની સાથે એક વધારાના વિકલ્પ તરીકે કામ કરશે. જે જૂના ટ્રક અને બસ હાલ સ્ક્રેપિંગના દાયરામાં નથી આવતા, તેના માલિકો ઓછા ખર્ચે પોતાના વાહનોનું પ્રદૂષણ ઘટાડી શકશે.</p><h6 style="text-align: justify; "><b>AIS-228 માનકો અને નિયમો નક્કી કરવાની તૈયારી</b></h6><p style="text-align: justify; ">આ ટેકનોલોજી માટે જરૂરી નિયમો અને માનકો નક્કી કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. માર્ગ પરિવહન મંત્રાલય Automotive Industry Standard (AIS) 228 ને નોટિફાય કરવાની દિશામાં કામ કરી રહ્યું છે. આ અંતર્ગત રેટ્રોફિટ ડિવાઇસની ટેકનિકલ ક્ષમતા અને પરફોર્મન્સ સંબંધિત ધોરણો નક્કી કરવામાં આવશે, જેથી બજારમાં આવતા ડિવાઇસ નક્કી કરેલા માપદંડો પર ખરા ઊતરે.</p><p style="text-align: justify; "><b>દેશમાં બસોની અછત અંગે ગડકરીનું નિવેદન</b></p><p style="text-align: justify; ">કાર્યક્રમ દરમિયાન ગડકરીએ દેશમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની સ્થિતિ અંગે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે ભારતમાં દર 1,000 લોકો પર માત્ર બે બસો ઉપલબ્ધ છે, જ્યારે વૈશ્વિક સ્તરે આ આંકડો લગભગ આઠ બસોનો છે. તેમણે નાના શહેરોમાં મેટ્રોની સરખામણીએ ઓછા ખર્ચાળ હોય તેવા પબ્લિક ટ્રાન્સપોર્ટ મોડલ્સ વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.</p><p style="text-align: justify; "><b>ટ્રાફિક નિયમો માટે નેગેટિવ પોઇન્ટ સિસ્ટમ</b></p><p style="text-align: justify; ">તેમણે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ માટે 'નેગેટિવ પોઇન્ટ સિસ્ટમ' લાવવાની વાત દોહરાવી હતી. નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ પેનલ્ટી પોઇન્ટ્સ થવા પર ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કે કેન્સલ થઈ શકે છે. બીજી તરફ, સારો ડ્રાઇવિંગ રેકોર્ડ ધરાવતા લોકોને વીમા કંપનીઓ તરફથી પ્રોત્સાહન (Incentive) આપવાનો વિકલ્પ પણ રાખી શકાય છે.</p><p style="text-align: justify; "><b>ઓક્ટોબર 2027થી અપડેટેડ ભારત NCAP</b></p><p style="text-align: justify; ">ગડકરીએ માહિતી આપી હતી કે ઓક્ટોબર 2027થી અપડેટેડ ભારત NCAP (B-NCAP) પ્રોગ્રામ લાગુ કરવાની યોજના છે. તેમાં વાહનની સેફ્ટીને માત્ર એક ભાગના આધારે નહીં, પરંતુ પૂરી 'સેફ્ટી ચેઇન' ને ધ્યાનમાં રાખીને પરખવામાં આવશે. સરકારનો મુખ્ય ભાર માર્ગ અકસ્માતો અને તેમાં થતા મૃત્યુદરને ઘટાડવા પર છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/automobile" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/ewt2JM1LbhYcVvre67jD8Ej6xEEbWdhoOEgR01Vo.webp'/></item><item><title><![CDATA[Uttar Pradesh : મિર્ઝાપુરમાં બ્લાસ્ટિંગના કંપનથી ક્રશર પ્લાન્ટનો ભાગ ધરાશાયી, 4 મજૂરોના મોત ]]></title><link>https://sandesh.com/india/news/uttar-pradesh-mirzapur-crusher-plant-collapse-blasting-vibrations-4-workers-killed</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/uttar-pradesh-mirzapur-crusher-plant-collapse-blasting-vibrations-4-workers-killed</guid><pubDate>Sat, 05 Sep 2026 20:04:56 +05:30</pubDate><description><![CDATA[<p>ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં શનિવારે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. અહરૌરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભગૌતીદેઈ ખાતે આવેલા એસએસ રંજન સ્ટોન પ્લાન્ટમાં બ્લાસ્ટિંગ દરમિયાન થયેલા કંપનને કારણે ક્રશર પ્લાન્ટની ઓફિસ સહિત અન્ય બાંધકામો અચાનક ધરાશાયી થઈ ગયા હતા. આ દરમિયાન ત્યાં કામ કરી રહેલા ચાર મજૂરો કાટમાળ નીચે દટાઈ ગયા હતા.</p><h2><b>તબીબોએ ચારેયને મૃત જાહેર કર્યા</b></h2><p>અકસ્માત બાદ પ્લાન્ટમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પ્લાન્ટના સંચાલક અને કર્મચારીઓએ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જેસીબીની મદદથી કાટમાળ હટાવી ચારેય મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે વારાણસીની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તબીબોએ ચારેયને મૃત જાહેર કર્યા હતા.</p><h2><b>પ્લાન્ટનો એક ભાગ ધરાશાયી થયો</b></h2><p>મૃતકોની ઓળખ સોનભદ્ર જિલ્લાના જુગૈલ પોલીસ સ્ટેશન વિસ્તારના બડગાંવા ગામના રહેવાસી લાલ બહાદુર, અશોક, રાકેશ અને દુર્યોધન તરીકે થઈ છે. ચારેય મજૂરો દરરોજની જેમ પ્લાન્ટમાં કામ કરી રહ્યા હતા. આ દરમિયાન બ્લાસ્ટિંગ થતાં તેના કંપનથી પ્લાન્ટનો એક ભાગ ધરાશાયી થયો હતો અને તેઓ કાટમાળ નીચે દટાઈ ગયા હતા. અકસ્માતની માહિતી મળતાં પોલીસ અને વહીવટી તંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ચુનાર એસડીએમ અનીગ સિંહ, તહસીલદાર ઈવેન્દ્ર કુમાર, ક્ષેત્રાધિકારી મોહમ્મદ ફહીમ અને અહરૌરા પોલીસ સ્ટેશનના પ્રભારી અજય કુમાર મિશ્રા પોલીસ દળ સાથે સ્થળ પર પહોંચ્યા હતા.</p><h4><b>કાટમાળ હટાવી સર્ચ ઓપરેશન હાથ ધરાયું</b></h4><p>અન્ય કોઈ મજૂર કાટમાળ નીચે દટાયો છે કે નહીં તેની આશંકાને પગલે જેસીબી અને પોકલેન્ડ મશીનોની મદદથી સમગ્ર કાટમાળ હટાવી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. પ્રશાસનના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં બ્લાસ્ટિંગના કંપનને અકસ્માતનું કારણ માનવામાં આવી રહ્યું છે. હાલ સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે અને પ્લાન્ટમાં સુરક્ષા માપદંડોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં જે કોઈ દોષી જણાશે તેની સામે કડક કાર્યવાહી કરવાની અધિકારીઓએ વાત કરી છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/delhi-pm-modi-delhi-metro-interacts-with-children-srcc-centenary" target="_blank">આ પણ વાંચો : Delhi : PM મોદીએ મેટ્રોમાં કરી મુસાફરી, બાળકો સાથે કરી વાતચીત</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/RiXRecIQ4IVbTW643d1RecF5g6P2oFRC3iG5c2fn.webp'/></item><item><title><![CDATA[Vav-Tharadના ટડાવ ગામે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી, ઉત્સાહભેર યોજાયો મટકી ફોડ કાર્યક્રમ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/vav-tharad/vav-tharad-tadav-krishna-janmashtami-matki-phod</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/vav-tharad/vav-tharad-tadav-krishna-janmashtami-matki-phod</guid><pubDate>Sat, 05 Sep 2026 19:47:08 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વાવ અને થરાદ પંથકમાં જન્માષ્ટમીના પાવન પર્વની ભારે શ્રદ્ધા અને ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. નવરચિત ધરણીધર તાલુકાના ટડાવ ગામે પણ શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર તહેવારને લઈને સમગ્ર ટડાવ ગામમાં વહેલી સવારથી જ ભક્તિમય અને ઉત્સાહસભર માહોલ જોવા મળ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>આકાશી દ્રશ્યો સાથે રોમાંચક મટકી ફોડ</b></h2><p style="text-align: justify; ">ટડાવ ગામના ઉત્સાહી યુવાનો દ્વારા જન્માષ્ટમી પર્વે વિશેષ મટકી ફોડ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. યુવાનોએ એકબીજાના ખભા પર ચડીને અદભુત સાહસ સાથે માનવ પિરામિડ રચ્યો હતો અને ઊંચાઈ પર બાંધવામાં આવેલી મટકી સફળતાપૂર્વક ફોડી હતી. આ સમગ્ર મટકી ફોડ કાર્યક્રમના રમણીય આકાશી દ્રશ્યો (ડ્રોન વિઝ્યુઅલ્સ) પણ સામે આવ્યા હતા, જે સોશિયલ મીડિયા અને પંથકમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.</p><h3 style="text-align: justify; "><b>મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટ્યા</b></h3><p style="text-align: justify; ">આ દિવ્ય પ્રસંગને નિહાળવા માટે ટડાવ ગામના વડીલો, યુવાનો તેમજ બહેનો-માતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મટકી ફૂટતાં જ સમગ્ર પરિસર 'જય કન્હૈયા લાલ કી'ના નારાઓથી ગુંજી ઊઠ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ટડાવ ગામે છેલ્લા કેટલાય વર્ષોથી સળંગ જન્માષ્ટમીના દિવસે મટકી ફોડ કાર્યક્રમ યોજવાની પરંપરા ચાલી આવે છે, જેને ગામના યુવાનો આજે પણ એટલા જ ઉત્સાહથી જાળવી રહ્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/U107VW9NYQpwlROSTqa7a1IccibRb1pBAF9KYpuL.webp'/></item><item><title><![CDATA[Dahod: અકસ્માતના કેસમાં જામીન માટે 1 લાખની લાંચ લેતા કોઠંબાના PSI ચાવડાને ACBએ ઝડપી લીધા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dahod/acb-traps-kothamba-psi-kesarsinh-chavda-taking-1-lakh-bribe</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dahod/acb-traps-kothamba-psi-kesarsinh-chavda-taking-1-lakh-bribe</guid><pubDate>Sat, 05 Sep 2026 19:23:52 +05:30</pubDate><description><![CDATA[<p>દાહોદ જિલ્લાના કોઠંબા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) કેસરસિંહ ચાવડા સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ મોટી કાર્યવાહી કરી છે. ફરિયાદીના ડ્રાઇવર સામે કોઠંબા પોલીસ સ્ટેશન ખાતે ફેટલ (જીવલેણ) અકસ્માતનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં પકડાયેલા ડ્રાઇવરને પોલીસ સ્ટેશનમાં માર નહીં મારવા અને કાયદેસર રીતે જામીન મુક્ત કરવાના બદલામાં PSI કેસરસિંહ ચાવડાએ રૂ. 2,00,000ની લાંચની માંગણી કરી હતી.</p><h2><b>અકસ્માતના કેસમાં જામીન માટે લાંચની માંગણી&nbsp;</b></h2><p>ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે ACB નો સંપર્ક કરી સમગ્ર મામલાની વિગતવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ACB ની ટીમે PSI ને રંગેહાથ ઝડપી પાડવા માટે ચોક્કસ આયોજનબદ્ધ ટ્રેપ ગોઠવી હતી. વાટાઘાટોના અંતે પ્રથમ હપ્તા પેટે રૂ. 1,00,000આપવાનું નક્કી થયું હતું. નક્કી થયા મુજબ PSI ચાવડાએ ફરિયાદીને વરધરી આઉટ પોસ્ટ ખાતે લાંચની રકમ લઈને બોલાવ્યા હતા.</p><h3><b>ACB ની ટીમે PSIને દબોચી લીધા&nbsp;</b></h3><p>વરધરી આઉટ પોસ્ટ ખાતે ફરિયાદી પાસેથી PSI કેસરસિંહ ચાવડાએ જેવા રૂ. 1 લાખ રોકડા સ્વીકાર્યા કે તુરંત જ વોચમાં ગોઠવાયેલી ACB ની ટીમે દરોડો પાડીને તેમને સ્થળ પર જ દબોચી લીધા હતા. ACB એ લાંચની પૂરેપૂરી રૂ. 1 લાખની રોકડ રકમ સ્થળ પરથી રિકવર કરી છે.PSI સામે ભ્રષ્ટાચાર નાબૂદી અધિનિયમ (PC Act) હેઠળ ગુનો નોંધીને તેમની અટકાયત કરવામાં આવી છે. આ ઉપરાંત તેમના રહેણાંક સ્થાન તેમજ બેંક એકાઉન્ટ્સ અંગે પણ ACB એ આગળની તપાસ હાથ ધરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/surat-businessman-bhavesh-lathia-sentenced-us-fentanyl-chemical-smuggling-vitamin-c" target="_blank">આ પણ વાંચો: Surat: વિટામિન C ના લેબલ હેઠળ ઘાતક કેમિકલની દાણચોરી, સુરતના ઉદ્યોગપતિને અમેરિકામાં 54 મહિનાની જેલ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/dahugkx0gE8UbizrrnFmI3pSYTyqLb0h81t6axb8.webp'/></item><item><title><![CDATA[Delhi : PM મોદીએ મેટ્રોમાં કરી મુસાફરી, બાળકો સાથે કરી વાતચીત ]]></title><link>https://sandesh.com/india/news/delhi-pm-modi-delhi-metro-interacts-with-children-srcc-centenary</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/delhi-pm-modi-delhi-metro-interacts-with-children-srcc-centenary</guid><pubDate>Sat, 05 Sep 2026 19:20:52 +05:30</pubDate><description><![CDATA[<p>દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરી. તેઓ શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ (SRCC)ના શતાબ્દી સમારોહમાં ભાગ લેવા માટે મેટ્રો દ્વારા કાર્યક્રમ સ્થળ તરફ રવાના થયા હતા. વડાપ્રધાનની આ મેટ્રો મુસાફરી દરમિયાન મેટ્રોમાં હાજર મુસાફરોમાં પણ ઉત્સુકતા જોવા મળી હતી.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2096230534510977352"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>વડાપ્રધાને દિલ્હીની જાહેર પરિવહન વ્યવસ્થાનો ઉપયોગ કર્યો</b></h2><p>વડાપ્રધાન મોદી SRCCના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત વિશેષ શતાબ્દી ઉજવણીમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. આ પ્રસંગે કોલેજના શૈક્ષણિક અને ઐતિહાસિક યોગદાનને યાદ કરવામાં આવી રહ્યું છે. SRCC દેશની જાણીતી કોમર્સ અને અર્થશાસ્ત્ર સંસ્થાઓમાંની એક છે અને અનેક ક્ષેત્રોમાં પ્રતિષ્ઠિત વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો આપ્યા છે.</p><p>PM મોદીએ મેટ્રો દ્વારા મુસાફરી કરીને દિલ્હીની જાહેર પરિવહન વ્યવસ્થાનો ઉપયોગ કર્યો. તેમની આ યાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત રાખવામાં આવી હતી. મેટ્રોમાં વડાપ્રધાનને જોઈને કેટલાક મુસાફરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. SRCCના શતાબ્દી સમારોહને ધ્યાનમાં રાખીને કોલેજ પરિસરમાં પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન કોલેજની 100 વર્ષની સફર, શિક્ષણ ક્ષેત્રે તેનું યોગદાન અને ભવિષ્યની દિશા અંગે ચર્ચા થવાની છે.</p><h3><b>વિદ્યાર્થીઓ માટે ખાસ ઐતિહાસિક અવસર</b></h3><p>વડાપ્રધાન મોદીની મેટ્રો મુસાફરી અગાઉ પણ ચર્ચામાં રહી છે. તેઓ સમયાંતરે દિલ્હીમાં મેટ્રોનો ઉપયોગ કરતા જોવા મળ્યા છે. વડાપ્રધાન દ્વારા જાહેર પરિવહનનો ઉપયોગ કરવાથી સામાન્ય લોકોમાં પણ મેટ્રો અને જાહેર પરિવહન પ્રત્યેનો સંદેશ પહોંચે છે. SRCCના શતાબ્દી સમારોહમાં PM મોદીની હાજરીને કારણે કાર્યક્રમનું મહત્વ વધુ વધી ગયું છે. કોલેજના 100 વર્ષ પૂર્ણ થવાના આ ઐતિહાસિક અવસરને વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પૂર્વ વિદ્યાર્થીઓ માટે ખાસ ગણવામાં આવી રહ્યો છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/maharashtra-government-recruitment-exams-high-level-panel-paper-leak-cheating" target="_blank">આ પણ વાંચો : Maharashtra : સરકારી ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિ રોકવા ઉચ્ચસ્તરીય સમિતિની રચના, પેપર લીકથી લઈને નકલ સુધી પર રહેશે નજર</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/uFpxaR4XelcRwKVF7DO2g1fwF8pX9Ru4F3pekNl3.webp'/></item><item><title><![CDATA[OMG : 29મા દિવસે હનુમાન અંશ બની બોલીવુડની સૌથી મોટી ફિલ્મ! ધુરંધર 2 અને પુષ્પા 2ના તોડ્યા રેકોર્ડ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/hanuman-ansh-day-29-bollywood-box-office-records</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/hanuman-ansh-day-29-bollywood-box-office-records</guid><pubDate>Sat, 05 Sep 2026 17:40:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આધ્યાત્મિક ગુરુ નીમ કરૌલી બાબાના જીવન પર બનેલી ફિલ્મ હનુમાન અંશ 2026ની સૌથી મોટી સ્લીપર હિટ ફિલ્મોમાંની એક બની ગઈ છે. જોકે, આ ફિલ્મને શરૂઆતના 2 અઠવાડિયામાં કમાણી માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ત્રીજા અઠવાડિયામાં જાણે કોઈ ચમત્કાર થયો અને ત્યારથી અત્યાર સુધી આ ફિલ્મ ઘણી મોટી ફિલ્મોની વચ્ચે પણ જોરદાર કમાણી કરી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>હનુમાન અંશની 29મા દિવસની કમાણી કેટલી રહી?</b></h2><p style="text-align: justify; ">હનુમાન અંશને સિનેમાઘરોમાં રિલીઝ થયાને 1 મહિનો પૂરો થઈ ગયો છે. પરંતુ આ ફિલ્મ માટે દર્શકોનો પ્રેમ દરેક પસાર થતા દિવસ સાથે વધી રહ્યો છે. પરિણામે નવી ફિલ્મોની ભીડ વચ્ચે પણ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. લગભગ 2 કરોડના બજેટમાં બનેલી હનુમાન અંશએ 29મા દિવસ સુધીમાં પોતાના બજેટ કરતાં લગભગ 50 ગણું કલેક્શન કરી લીધું છે.</p><ul><li style="text-align: justify;">સેકનિલ્કના શરૂઆતના આંકડા પ્રમાણે આ ફિલ્મે રિલીઝના 29મા દિવસે એટલે કે 5મા શુક્રવારે 10 કરોડ રૂપિયાની કમાણી કરી છે.</li><li style="text-align: justify;">આ સાથે હનુમાન અંશનું ભારતમાં 29 દિવસનું કુલ નેટ કલેક્શન હવે 82.88 કરોડ રૂપિયા થઈ ગયું છે.</li><li style="text-align: justify;">જ્યારે ફિલ્મની ગ્રોસ કમાણી 97.7 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.</li></ul><h3 style="text-align: justify; "><b>હનુમાન અંશ બની 29મા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ</b></h3><p style="text-align: justify; ">હનુમાન અંશએ 29મા દિવસે કમાણીના મામલે કમાલ કરી દીધી છે. કોઈ મોટા સ્ટાર વગર અને સામાન્ય બજેટમાં બનેલી આ ફિલ્મ 29મા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. ઈન્ટરેસ્ટિંગ વાત એ છે કે તેણે ધુરંધરથી લઈને ધુરંધર 2, છાવા અને પુષ્પા જેવી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે.<br><img alt="Hanuman Ansh, Entertainment (2)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/05/jQ6WQ3jfbvb3ZbRpe6CxJ7szPs2g75eZUU3J0Brx.webp"><br></p><h4 style="text-align: justify; "><b>આ છે 29મા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ટોપ 5 ફિલ્મો</b></h4><ul><li style="text-align: justify;">હનુમાન અંશ – 10 કરોડ</li><li style="text-align: justify;">ધુરંધર – 8.75 કરોડ</li><li style="text-align: justify;">છાવા – 6.50 કરોડ</li><li style="text-align: justify;">પુષ્પા 2 – 3.75 કરોડ</li><li style="text-align: justify;">ધુરંધર 2 – 3.25 કરોડ</li></ul><h4 style="text-align: justify; "><b>હનુમાન અંશ હવે દુનિયાભરમાં થશે રિલીઝ</b></h4><p style="text-align: justify; ">ગુરુવારે ફિલ્મના નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટર શેર કરીને જાહેરાત કરી હતી કે હનુમાન અંશ 11 સપ્ટેમ્બર, 2026ના રોજ દુનિયાભરમાં રિલીઝ થશે. તેનાથી ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનમાં વધુ મોટો વધારો થઈ શકે છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/58-year-old-janmashtami-song-lata-mangeshkar" target="_blank">આ પણ વાંચો-Old Song : 58 વર્ષ જૂનું જન્માષ્ટમીનું સૌથી વાયરલ ગીત, લતા મંગેશકરના અવાજમાં આજે પણ હિટ છે આ સદાબહાર ગીત!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/mrOZgUaenL0dwKHPnY4CajapReIvpzjYKAbyVUyU.webp'/></item><item><title><![CDATA[US Open 2026: ના વરસાદ, ના કોઈ ટેકનિકલ ખામી, સ્ટેડિયમમાં ગાંજાની ગંધ અને રોકાઈ રમત.. ]]></title><link>https://sandesh.com/sports/news/us-open-2026-aryna-sabalenka-stops-play-after-smelling-marijuana-during-match--complains-to-umpire</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/us-open-2026-aryna-sabalenka-stops-play-after-smelling-marijuana-during-match--complains-to-umpire</guid><pubDate>Sat, 05 Sep 2026 14:00:42 +05:30</pubDate><description><![CDATA[<p>યુએસ ઓપનમાં શુક્રવારે (4 સપ્ટેમ્બર) એક અત્યંત વિચિત્ર દ્રશ્ય જોવા મળ્યું હતું. લુઇસ આર્મસ્ટ્રોંગ સ્ટેડિયમમાં વિશ્વની નંબર-1 ટેનિસ ખેલાડી આર્યના સબાલેન્કાએ મેચ દરમિયાન રમત અટકાવીને ફરિયાદ કરવી પડી હતી. રમત રોકવાનું કારણ ના વરસાદ, ના કોઈ ઈજા કે ટેકનિકલ ખામી નહીં, પરંતુ સ્ટેન્ડમાંથી આવી રહેલી ગાંજાની (Marijuana) તીવ્ર ગંધ હતી. રમત રમતી વખતે સ્ટેડિયમમાંથી આવતા ગાંજાની ગંધ&nbsp; સબાલેન્કાને સહન ના થઈ અને એમ્પાયરને ફરીયાદ કરી.</p><p><b>સ્ટેન્ડમાંથી આવતી તીવ્ર ગંધથી સબાલેન્કા પરેશાન</b></p><p>લુઇસ આર્મસ્ટ્રોંગ સ્ટેડિયમમાં કમિલા રાખીમોવા સામે ત્રીજા રાઉન્ડની મેચ દરમિયાન આ ઘટના બની હતી. મેચની ત્રીજી ગેમમાં જ્યારે સબાલેન્કા 30-0 ના સ્કોર પર સર્વ કરી રહી હતી, ત્યારે કોર્ટના દક્ષિણ છેડેથી તેને ગાંજાની ગંધ આવી હતી. તેણે તુરંત ચેર અમ્પાયર તરફ ફરીને સ્ટેન્ડ તરફ ઈશારો કર્યો અને કહ્યું, "કોઈ ગાંજો પી રહ્યું છે. શું તમે તેના વિશે કંઈક કરશો? કારણ કે આ ગંધ ખૂબ જ તીવ્ર છે અને તેને અવગણવી મુશ્કેલ છે."</p><p><b>અમ્પાયરે સ્ટાફને સ્ટેન્ડમાં મોકલ્યો</b></p><p>સબાલેન્કાની ફરિયાદ બાદ અમ્પાયરે તુરંત સ્ટેડિયમ સ્ટાફને મદદ માટે બોલાવ્યા હતા. યુએસ ઓપન સ્ટાફે સ્ટેન્ડમાં જઈને ગંધ ક્યાંથી આવી રહી છે તેની તપાસ હાથ ધરી હતી. આ ઘટનાના કારણે મેચ થોડા સમય માટે રોકવી પડી હતી, પરંતુ પરિસ્થિતિ થાળે પડતાં રમત ફરી શરૂ કરવામાં આવી હતી.</p><p><b>એડ્રિયન મન્નારિનોએ પણ કરી હતી ફરિયાદ</b></p><p>માત્ર સબાલેન્કા જ નહીં, પરંતુ ટેનિસ ખેલાડી એડ્રિયન મન્નારિનોએ પણ આ ટુર્નામેન્ટ દરમિયાન સ્ટેન્ડમાંથી આવતી ગાંજાની ગંધ સામે નારાજગી વ્યક્ત કરી હતી. વિવાદ છતાં સબાલેન્કા ચોથા રાઉન્ડમાં પહોંચી. આ સમગ્ર નાટક અને વિક્ષેપ છતાં સબાલેન્કાના પ્રદર્શન પર કોઈ ખાસ અસર પડી નહોતી. બેલારુસિયન ખેલાડી સબાલેન્કાએ આક્રમક રમત રમીને કમિલા રાખીમોવાને પરાજય આપ્યો હતો અને ચોથા રાઉન્ડમાં પોતાની જગ્યા પાકી કરી હતી. આ જીત સાથે જ યુએસ ઓપન ટાઈટલ ડિફેન્ડ કરવાનું તેનું અભિયાન સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/gZhkIswJ669o8sjvLLfJIyZZkbUSwRO2rkOO1Zay.webp'/></item></channel></rss>