<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedahbad: બિલ્ડર ઉમંગ ઠક્કરનાં રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે કરાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-builder-umang-thakkar-sent-to-jail-after-remand-ends</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-builder-umang-thakkar-sent-to-jail-after-remand-ends</guid><pubDate>Fri, 31 Jul 2026 00:52:00 +05:30</pubDate><description><![CDATA[<p>કામરેજનાં ખોલવડમાં જમીનનું ટાઇટલ ક્લિયર ન હોવા છતા અને વર્ષો પહેલા અન્યને વેચાણ કરી દીધેલ હોવા છતા વિવાદીત જમીન ઉપર નવો પ્રોજેક્ટ બતાવી અમદાવાદની પતંગ હોટલનાં માલિક અને બિલ્ડર ઉમંગ ઠક્કર સહિત પિતા-પુત્રો વિરૂદ્ધ કામરેજ પોલીસ મથકે 1 કરોડ 56 લાખ રૂપિયા પડાવી લેવાનાં પ્રકરણમાં બે દિવસના રિમાન્ડ પુરા થતાં ઉમંગ ઠક્કરને કામરેજ પોલીસે લાજપોર જેલ હવાલે કરી દીધો છે. કામરેજ પોલીસે જણાવ્યા અનુસાર, અમદાવાદના બિલ્ડર અને પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કરે તેના બંને પુત્રો નિલ અને કંઠ ઠક્કર વિદેશમાં હોવાનું રટણ કર્યે રાખતાં કામરેજ પોલીસે અમદાવાદનાં વસ્ત્રાપુર પોલીસને સાથે રાખી ઉમંગ ઠક્કરનાં અમદાવાદનાં સેટેલાઇટ સ્થિત મકાન પર ઝપતી લીધી હતી. ઘરની તલાશી લીધા બાદ હવે પોલીસે સહ આરોપી બંને પુત્રો સુધી પહોંચવા તપાસનો ધમધમાટ જારી રાખ્યો છે. પોલીસે બંને પુત્રો નિલ અને કંઠની પાસપોર્ટ ડિટેઇલ મેળવવા જરૂરી કાર્યવાહી આરંભી છે જેના આધારે બંને દેશમાં કે વિદેશમાં કઇ જગ્યાએ આશ્રય લીધો છે, એ જાણી શકાશે. ઉલ્લેખનીય છે કે સુરતનાં ફરિયાદી પુષ્પક પટેલ સહિત 16 જેટલા લોકોએ કામરેજ પોલીસની હદમાં ખોલવડ ગામની સીમમાં સહજાનંદ નિર્વાણા નામનાં પ્લોટિંગ પ્રોજેક્ટમાં પ્લોટોનું બુકીંગ કરાવી રૂ. 1.56 કરોડ જેટલી માતબર રકમનું રોકાણનાં બહાને પડાવી લીધી હતી. ઘટનાના ત્રણ મહિના પછી કામરેજ પોલીસે મુખ્ય સૂત્રધાર ઉમંગ ઠક્કરની સુરત રેલ્વે સ્ટેશનેથી અટક કરી હતી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/31/U8o7BDEwez5ZA2ddXK5roryrtyTZ27TjSF3cSC4l.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: દુબઈથી અમદાવાદ આવેલી મહિલા પાસેથી 35.49 લાખનું સોનું જપ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-gold-worth-rs-3549-lakh-seized-from-a-woman-who-came-to-ahmedabad-from-dubai</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-gold-worth-rs-3549-lakh-seized-from-a-woman-who-came-to-ahmedabad-from-dubai</guid><pubDate>Fri, 31 Jul 2026 00:47:40 +05:30</pubDate><description><![CDATA[<p>કસ્ટમ્સ વિભાગે દુબઈથી આવેલી મહિલા મુસાફરની તપાસ દરમિયાન તેની પાસે પહેરેલા અને છુપાવેલા સોનાના દાગીના મળી આવ્યા. જરૂરી દસ્તાવેજો રજૂ ન કરી શકતાં સોનું કસ્ટમ્સ અધિનિયમ હેઠળ જપ્ત કરવામાં આવ્યું. મહિલા મધ્યપ્રદેશના મંદસોરની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/31/Abx0YiS35JImTttFK3HD23pCF8VVfKgpj3VW1Ytw.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: શહેરમાં 31 જુલાઈ અને 1 ઓગસ્ટે અતિભારે વરસાદની આગાહી, તંત્ર હાઈએલર્ટ મોડ પર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-heavy-rains-forecast-in-the-city-on-july-31-and-august-1-systems-on-high-alert-mode</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-heavy-rains-forecast-in-the-city-on-july-31-and-august-1-systems-on-high-alert-mode</guid><pubDate>Fri, 31 Jul 2026 00:45:41 +05:30</pubDate><description><![CDATA[<p>બંગાળના સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનના કારણે અમદાવાદમાં આવતીકાલે 31 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહીના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રને હાઈએલર્ટ ઉપર મૂકવામાં આવ્યું છે. આ સાથે જ કોર્પોરેશનના તમામ કર્મચારીઓ અને અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. બે દિવસ દરમિયાન સમગ્ર શહેરમાં ભારે તીવ્રતા અને લાંબા સમયગાળા સુધી વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની સાથે પ્રતિ કલાક 40થી 50 કિલોમીટરની ઝડપથી પવન પણ ફૂંકાશે. આ બાબતને ધ્યાનમાં લઈ મ્યુનિસિપલ કમિશનરે શહેરીજનોને શક્ય હોય ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમ કરવા અપીલ કરી છે. ફાયર વિભાગને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ આપવામાં આવ્યો છે. ભારે વરસાદની પરિસ્થિતિમાં 19 ફાયર સ્ટેશન ઉપર તૈનાત કરવામાં આવેલી 19 ટીમ તેમના વિસ્તારમાં સતત રાઉન્ડ લેશે, જ્યાં પણ રેસ્ક્યૂ કામગીરી ઉપરાંત મદદ પહોંચાડવાની કામગીરી પણ કરશે. અમદાવાદમાં પડનારા ભારેથી અતિભારે વરસાદને લઈ મ્યુનિસિપલ કમિશનરે કહ્યું, 23 જુલાઈના વરસાદ પછી 31 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ શહેરમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેને લઈ પરિસ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે. વરસાદી પાણી ભરાવાની સંભાવના ધરાવતા 147 સ્પોટ ઉપરાંત અન્ય કોઈપણ સ્થળે વરસાદી પાણી ભરાશે તો તેના ત્વરિત નિકાલ માટે કોર્પોરેશન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. વરસાદી પાણી ભરાવા અંગે શહેરીજનો ફરિયાદ કરી શકે એ માટે તમામ કંટ્રોલરૂમ ઉપર સ્ટાફ્ને એલર્ટ કરવામાં આવ્યો છે. લેકફ્રન્ટ અને રીવર ફ્રન્ટ પરના તમામ બગીચા પણ મુલાકાતીઓ માટે બંધ રહેશે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/31/TfKv7nABEBJsCGAA1b5cJfpuxasILrRSHCpeIa9Z.webp'/></item><item><title><![CDATA[Gir Somnath: કાવડિયાઓના જળાભિષેક સાથે જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ આજથી શ્રાવણમય બનશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/gir-somnath/ahmedabad-jyotirlinga-somnath-mahadev-will-become-shravanmaya-from-today-with-the-water-abhisheka-of-kavadiyas</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/gir-somnath/ahmedabad-jyotirlinga-somnath-mahadev-will-become-shravanmaya-from-today-with-the-water-abhisheka-of-kavadiyas</guid><pubDate>Fri, 31 Jul 2026 00:44:57 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના ધામે તા. 30 જુલાઈથી પવિત્ર શ્રાવણમય માહોલ જોવા મળશે. ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં ગુજરાત કરતાં પંચાંગ મુજબ શ્રાવણ માસ 15 દિવસ વહેલો શરૂ થાય છે અને 15 દિવસ વહેલો પૂર્ણ થાય છે. આથી તે પ્રદેશોના કાવડિયાઓ શ્રાવણ પૂર્વે જ સોમનાથ મહાદેવને જળાભિષેક કરવા માટે મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. આજથી શરૂ થયેલો આ કાવડિયાઓનો પ્રવાહ આવનારી 11 ઓગસ્ટ સુધી અવિરત ચાલુ રહેશે. મોટાભાગના કાવડિયાઓ બંગાળની હુગલી નદીના કિનારે આવેલા તારકેશ્વર મંદિરેથી ગંગાજળ ભરી જૂનાગઢ પહોંચે છે. ત્યાં દામોદર કુંડમાં પવિત્ર સ્નાન કરી, કુંડનું જળ કાવડમાં ભરી પદયાત્રા કરીને સોમનાથ પહોંચે છે. કેટલાક કાવડિયાઓ હરિદ્વારથી ગંગાજળ લાવીને પણ સોમનાથ તેમજ નાગેશ્વર જ્યોતિર્લિંગ પર જળાભિષેક કરે છે. આજથી સોમનાથ આસપાસના તમામ રસ્તાઓ બમ બમ ભોલે અને જય સોમનાથના નાદ તેમજ કાવડના ઘૂઘરાના અવાજથી ગુંજી ઊઠયા હતા.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/31/YJuxBEfeBfQmUP6uAgRyOZOYgF8eVObEsU3dNBVI.webp'/></item><item><title><![CDATA[Banaskanthaની અમીરગઢ ચેકપોસ્ટ પરથી બે ઈસમોની અટકાયત, હરિયાણાની રૂ.4 લાખથી વધુની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/two-people-detained-at-amirgarh-checkpost-in-banaskantha-haryana-burglary-worth-over-rs-4-lakh-solved</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/two-people-detained-at-amirgarh-checkpost-in-banaskantha-haryana-burglary-worth-over-rs-4-lakh-solved</guid><pubDate>Thu, 30 Jul 2026 23:20:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ પોલીસ બોર્ડર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ હાથ ધરી રહી હતી તે દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલી એક ખાનગી બસમાં બે યુવકોની હિલચાલ શંકાસ્પદ જણાઈ હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બંને ઈસમોની અટકાયત કરી કડક પૂછપરછ હાથ ધરી હતી. તપાસ દરમિયાન તેમની પાસેથી મોટી માત્રામાં રોકડ અને સોના-ચાંદીના દાગીના મળી આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી રૂ.2.30 લાખ રોકડા અને ચોરીના દાગીના મળી કુલ રૂ.4,03,090નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>હરિયાણાના રેવાડીમાં ચોરી કરી હોવાની કબૂલાત</b></h2><p style="text-align: justify; ">અમીરગઢ પોલીસે દાગીના અને રોકડ રકમ અંગે કડક પૂછપરછ કરતા બંને આરોપીઓએ ભાંગી પડીને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેમણે કબૂલાત કરી હતી કે આ તમામ મુદ્દામાલ તેમણે હરિયાણા રાજ્યના રેવાડી જિલ્લામાં એક મકાનમાં ઘરફોડ ચોરી કરીને આચર્યો હતો. ચોરી કર્યા બાદ તેઓ આ રકમ અને દાગીના સાથે નાસી છૂટવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ બનાસકાંઠા સરહદે જ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.</p><h3 style="text-align: justify; "><b>હરિયાણા પોલીસનો સંપર્ક કરી આરોપીઓને સોંપાયા</b></h3><p style="text-align: justify; ">આરોપીઓની કબૂલાતના આધારે અમીરગઢ પોલીસે તાત્કાલિક હરિયાણાના રેવાડી જિલ્લા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ગુના અંગેની ખરાઈ કરી હતી. ચોરીનો ગુનો નોંધાયેલો હોવાની પુષ્ટિ થતાં જ અમીરગઢ પોલીસે જપ્ત કરાયેલ રૂ.4.03 લાખથી વધુનો મુદ્દામાલ અને બંને આરોપીઓને કાયદેસરની આગળની કાર્યવાહી માટે હરિયાણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. અમીરગઢ પોલીસની આ સતર્કતાના કારણે આંતરરાજ્ય ચોરીનો મોટો ભેદ ઉકેલાયો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/DuU7QBjMqcqemjvDLmveb5lJtSjNWieaxyPjWxHr.webp'/></item><item><title><![CDATA[Paper Leak સામે મોટું પગલું, PM મોદીએ કહ્યું 'પરીક્ષા સિસ્ટમમાં વિશ્વાસ વધશે', જુઓ VIDEO ]]></title><link>https://sandesh.com/india/news/pm-modi-anti-paper-leak-bill-exam-system-trust-video</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/pm-modi-anti-paper-leak-bill-exam-system-trust-video</guid><pubDate>Thu, 30 Jul 2026 22:58:43 +05:30</pubDate><description><![CDATA[<p>વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર એક નવો વીડિયો સંદેશ જાહેર કરીને સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા નવા બિલ અંગે માહિતી આપી છે. વડાપ્રધાને કહ્યું કે સંસદે એવું મહત્વપૂર્ણ બિલ પસાર કર્યું છે, જે દેશની પરીક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત, પારદર્શક અને વિશ્વસનીય બનાવવામાં મદદ કરશે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/narendramodi/status/2082877914035753239"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>પરીક્ષાઓ દેશના યુવાનોના ભવિષ્ય સાથે સીધી રીતે જોડાયેલી</b></h2><p>PM મોદીએ પોતાના સંદેશમાં જણાવ્યું કે પરીક્ષાઓ દેશના યુવાનોના ભવિષ્ય સાથે સીધી રીતે જોડાયેલી છે. તેથી પરીક્ષા પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ, પેપર લીક અથવા અન્ય અનિયમિતતાઓને રોકવા માટે કડક વ્યવસ્થા જરૂરી છે. તેમણે કહ્યું કે નવી વ્યવસ્થાથી મહેનત કરનારા વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ થશે અને તેમને ન્યાય મળશે. વડાપ્રધાને જણાવ્યું કે સરકારનો પ્રયાસ છે કે દેશની પરીક્ષા પ્રણાલી એવી બને જેમાં દરેક વિદ્યાર્થીને સમાન તક મળે. પરીક્ષામાં પારદર્શિતા વધે અને વિદ્યાર્થીઓ તથા તેમના પરિવારોનો વિશ્વાસ વધુ મજબૂત બને તે માટે સતત સુધારા કરવામાં આવી રહ્યા છે.</p><h3><b>અન્યાય ન થાય તે સરકારની પ્રાથમિકતા</b></h3><p>આ બિલનો મુખ્ય ઉદ્દેશ પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ સામે કડક કાર્યવાહી માટે કાયદાકીય માળખું તૈયાર કરવાનો છે. પેપર લીક જેવી ઘટનાઓને ગંભીર ગુનો માનવામાં આવશે અને તેમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. PM મોદીએ કહ્યું કે દેશના કરોડો વિદ્યાર્થીઓ દિવસ-રાત મહેનત કરીને પરીક્ષાની તૈયારી કરે છે. તેમની મહેનત સાથે અન્યાય ન થાય તે સરકારની પ્રાથમિકતા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ નવા કાયદાથી પરીક્ષા વ્યવસ્થામાં સુધારો આવશે અને યુવાનોમાં વિશ્વાસ વધશે.</p><p>સંસદ દ્વારા આ બિલ પસાર થયા બાદ હવે પરીક્ષા સંબંધિત ગેરરીતિઓ સામે વધુ અસરકારક રીતે કાર્યવાહી કરી શકાશે. સરકારનું માનવું છે કે મજબૂત કાયદાકીય વ્યવસ્થા દ્વારા દેશની શિક્ષણ અને પરીક્ષા પ્રણાલીને વધુ સુરક્ષિત અને વિશ્વસનીય બનાવી શકાય છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/jharkhand-baba-baidyanath-dham-vip-darshan-ban-shravan-devotees-priority" target="_blank">આ પણ વાંચો : Jharkhand : પ્રસિદ્ધ બાબા વૈદ્યનાથ ધામમાં VIP દર્શન પર પ્રતિબંધ, સામાન્ય ભક્તોને મળશે પ્રાથમિકતા</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/Rojgb8bU98sMgXMZuJQdSb0LQIIE9t6svPpucEfq.webp'/></item><item><title><![CDATA[Toll Tax ક્યારે દૂર થશે? સરકારે સંસદમાં આપ્યો આ જવાબ ]]></title><link>https://sandesh.com/india/news/toll-tax-removal-government-parliament-answer-national-highways-toll-collection</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/toll-tax-removal-government-parliament-answer-national-highways-toll-collection</guid><pubDate>Thu, 30 Jul 2026 22:28:28 +05:30</pubDate><description><![CDATA[<p>રાષ્ટ્રીય રાજમાર્ગો પરથી ટોલ ટેક્સ ક્યારે દૂર થશે તે અંગે સરકારને સંસદમાં પૂછાયેલા પ્રશ્નનો સ્પષ્ટ જવાબ આપ્યો છે. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે હાલમાં નેશનલ હાઈવે પરથી ટોલ ટેક્સ હટાવવાનો કે ટોલ પ્લાઝા બંધ કરવાનો કોઈ પ્રસ્તાવ વિચારાધીન નથી. તેથી હાલની ટોલ વસૂલાતની વ્યવસ્થા યથાવત રહેશે.</p><h2><b>આ હાઈવે પર ખાનગી કંપનીઓ ટોલ વસૂલે છે</b></h2><p>માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે જણાવ્યું કે જાહેર-ખાનગી ભાગીદારી (PPP) હેઠળ બનેલા હાઈવે પર કન્સેશન અવધિ સુધી ખાનગી કંપનીઓ ટોલ વસૂલે છે. આ સમયગાળો પૂર્ણ થયા બાદ હાઈવે સરકાર અથવા અધિકૃત એજન્સીને સોંપવામાં આવે છે, પરંતુ ત્યારબાદ પણ નિયમો મુજબ ટોલ વસૂલાત ચાલુ રહે છે. સરકારી ભંડોળથી નિર્મિત રાષ્ટ્રીય રાજમાર્ગો પર પણ ટોલ વસૂલવામાં આવે છે.</p><h3><b>આ બે ટેક્સ છે અલગ પ્રકારના ચાર્જ&nbsp;</b></h3><p>સરકારે સ્પષ્ટ કર્યું કે વાહન ટેક્સ અને ટોલ ટેક્સ બંને અલગ પ્રકારના ચાર્જ છે. વાહન ટેક્સ રાજ્ય સરકારો અથવા કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા વસૂલવામાં આવે છે, જ્યારે ટોલ ટેક્સ રાષ્ટ્રીય રાજમાર્ગનો ઉપયોગ કરનાર મુસાફરો પાસેથી 'યુઝર ફી' તરીકે લેવામાં આવે છે. સરકારના જણાવ્યા મુજબ ટોલમાંથી મળતી આવકનો ઉપયોગ રાષ્ટ્રીય રાજમાર્ગોના જાળવણી, સમારકામ, વિસ્તરણ, નવા માર્ગોના નિર્માણ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ કાર્યો માટે કરવામાં આવે છે. આ રકમ ભારતની સંચિત નિધિમાં જમા થાય છે અને ત્યારબાદ બજેટ ફાળવણી દ્વારા વિવિધ માર્ગ વિકાસ યોજનાઓમાં ખર્ચવામાં આવે છે.</p><p>સરકારનું માનવું છે કે ટોલ વસૂલાત દેશભરમાં આધુનિક, સુરક્ષિત અને ઉચ્ચ ગુણવત્તાવાળા માર્ગોના વિકાસ માટે જરૂરી નાણાકીય સ્ત્રોત છે. તેથી હાલના નિયમો મુજબ દેશના તમામ નેશનલ હાઈવે પર ટોલ પ્લાઝા કાર્યરત રહેશે અને ટોલ ટેક્સની વસૂલાત પણ ચાલુ રહેશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/jharkhand-baba-baidyanath-dham-vip-darshan-ban-shravan-devotees-priority" target="_blank">આ પણ વાંચો : Jharkhand : પ્રસિદ્ધ બાબા વૈદ્યનાથ ધામમાં VIP દર્શન પર પ્રતિબંધ, સામાન્ય ભક્તોને મળશે પ્રાથમિકતા</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/iRIoH481pB8cVhQFRhfpa9xBQzhS2ZpzBoVgbfwu.webp'/></item><item><title><![CDATA[Personal Loanના EMI ન ચૂકવવા પર શું જવું પડે છે જેલ? આ છે RBIના નિયમ ]]></title><link>https://sandesh.com/business/news/personal-loan-emi-missed--will-police-come-or-jail-happen--know-truth</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/personal-loan-emi-missed--will-police-come-or-jail-happen--know-truth</guid><pubDate>Thu, 30 Jul 2026 18:26:06 +05:30</pubDate><description><![CDATA[<p>આજકાલ મોબાઇલ એપ અથવા બેંક દ્વારા પર્સનલ લોન મેળવવામાં થોડી જ મિનિટો લાગે છે અને પૈસા તરત જ તમારા ખાતામાં જમા થઈ જાય છે. જોકે, વાસ્તવિક ચિંતા ત્યારે થાય છે જ્યારે તમે તમારી નોકરી ગુમાવો છો તમારો વ્યવસાય નિષ્ફળ જાય છે અથવા તમારે અન્ય અનિવાર્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવી પરિસ્થિતિઓમાં  EMI બાઉન્સ થવા લાગે છે. જેમ જેમ પરિસ્થિતિ વધુ વણસે છે, તેમ તેમ એક સામાન્ય ભય ઊભો થાય છે: જો હું લોન ચૂકવીશ નહીં તો શું પોલીસ મારા ઘરે આવશે? શું મારે જેલમાં જવું પડશે? સ્પષ્ટ અને સીધો જવાબ છે ના. ફક્ત લોન ચૂકવવામાં અસમર્થ રહેવું એ કાયદા હેઠળ ગુનો નથી. જો તમારા ઇરાદા પ્રામાણિક હોય પરંતુ તમે પ્રતિકૂળ પરિસ્થિતિઓને કારણે તમારો EMI ચૂકવી શકતા નથી, તો તમને ફક્ત એટલા માટે જેલમાં મોકલી શકાય નહીં.</p><p><b>જ્યારે EMI ચૂકી જાવ તો બેંક શું કરે છે?</b></p><p>જો તમે સતત તમારા EMI ચૂકવવામાં નિષ્ફળ જાઓ છો, તો બેંક તાત્કાલિક કડક પગલાં લેતી નથી. શરૂઆતમાં, તમને કોલ અને સંદેશાઓ દ્વારા ચુકવણી કરવાનું યાદ અપાવવામાં આવે છે. ત્યારબાદ, કાયદાકીય નોટિસ મોકલવામાં આવે છે. જો ચુકવણી લાંબા સમય સુધી બાકી રહે છે. તો બેંક તમારા લોન ખાતાને NPA' (નોન-પર્ફોર્મિંગ એસેટ) તરીકે વર્ગીકૃત કરે છે. સૌથી નોંધપાત્ર પ્રતિકૂળ અસર તમારા CIBIL સ્કોર પર પડે છે. નબળા CIBIL સ્કોરનો અર્થ એ છે કે ભવિષ્યમાં તમને નવી લોન અથવા ક્રેડિટ કાર્ડ મેળવવામાં મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે. આ પછી, બેંક કોર્ટ દ્વારા બાકી રકમ વસૂલવા માટે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી શકે છે. જો તમે લોન સામે કોઈ કોલેટરલ આપ્યું હોય, તો તે સંપત્તિ અંગે પણ કાર્યવાહી કરી શકાય છે.</p><p><b>કયા કિસ્સાઓમાં જેલનું જોખમ છે?</b></p><p>જેમ અગાઉ ઉલ્લેખ કર્યો છે,  મુશ્કેલીને કારણે EMI ચૂકવવામાં નિષ્ફળતા ગુનો નથી. જેલનું જોખમ ફક્ત છેતરપિંડીના કિસ્સાઓમાં જ થાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈએ બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને લોન મેળવી હોય, તેમના રોજગાર અથવા આવક વિશે બેંકને ખોટું બોલ્યું હોય, અથવા જાણી જોઈને પૈસા લઈને ફરાર થઈ જાય. આવા કિસ્સાઓમાં બેંક FIR દાખલ કરવા માટે સીધી પોલીસનો સંપર્ક કરી શકે છે, જેનાથી ફોજદારી કેસ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો બેંક સાથે ઇરાદાપૂર્વક છેતરપિંડી કરવી અને અનિવાર્ય સંજોગોને કારણે લોન ચૂકવવામાં અસમર્થ રહેવું એ બે સંપૂર્ણપણે અલગ બાબતો છે.</p><p><b>રિકવરી એજન્ટો તરફથી ધમકીઓનો તમે કેવી રીતે સામનો કરી શકો છો?</b></p><p>લોન ચૂકવવામાં ડિફોલ્ટ કરનારા દેવાદારો ઘણીવાર રિકવરી એજન્ટોથી સૌથી વધુ ડરતા હોય છે. જોકે, રિઝર્વ બેંક (RBI) એડવાઈઝરી આ ​​સંદર્ભમાં સામાન્ય વ્યક્તિને સશક્ત બનાવે છે. જ્યારે રિકવરી એજન્ટો તમને ફોન કરી શકે છે અથવા તમારા ઘરે અથવા ઓફિસમાં લેણાં વસૂલવા માટે જઈ શકે છે, ત્યારે તેમને અસભ્ય વર્તન કરવાનો અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાનો અથવા તમને ધમકી આપવાનો કોઈ અધિકાર નથી. તેઓ રાત્રે ફોન કરીને તમને હેરાન કરી શકતા નથી. જો કોઈ એજન્ટ મર્યાદા ઓળંગે છે અથવા તમને અપમાનિત કરવાનો પ્રયાસ કરે છે, તો તમારે પોલીસ અથવા RBIમાં ફરિયાદ નોંધાવવામાં અચકાવું જોઈએ નહીં. આવી બાબતોમાં કાયદો તમને સંપૂર્ણ ટેકો આપે છે.</p><p><b>જો તમને નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડે તો તમારે શું કરવું જોઈએ?</b></p><p>લોકો ઘણીવાર ડરના કારણે બેંકના કોલનો જવાબ આપવાનું બંધ કરી દે છે. આ એક મોટી ભૂલ છે; આમ કરવાથી સમસ્યાનો ઉકેલ આવવાને બદલે તે વધુ ખરાબ થાય છે. જો તમને લાગે કે તમારા EMI ચૂકવવાનું હવે તમારા હાથમાં નથી, તો સીધા બેંકની મુલાકાત લો અને અધિકારીઓને ખુલ્લેઆમ તમારી પરિસ્થિતિ સમજાવો. બેંકો ઘણીવાર આવા કિસ્સાઓમાં સહાય પૂરી પાડે છે. જો જરૂરી હોય તો તેઓ તમારા EMI ઘટાડી શકે છે. લોન ચુકવણીનો સમયગાળો લંબાવી શકે છે અથવા થોડા મહિનાનો ગ્રેસ પીરિયડ આપી શકે છે. ક્યારેક 'વન-ટાઇમ સેટલમેન્ટ' વિકલ્પ પણ શોધી શકાય છે, જે કાયદાકીયમુશ્કેલીઓનો કાયમી ઉકેલ લાવી શકે છે અને તમારા માનસિક તણાવને દૂર કરી શકે છે.</p><p><br>આ પણ વાંચો:<a href="https://sandesh.com/india/news/weather-update-31-july--imd-issues-red-alert-for-19-states--heavy-rain" target="_blank"><b> Weather Update: હવામાન વિભાગે કરી ભયંકર આગાહી, ભારે વરસાદને લઈને આપ્યું અહીં રેડ એલર્ટ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/zbXJMElr3tC6rkr8kmW279uBHzrnuwqnKZiox49M.webp'/></item><item><title><![CDATA[Mahira Sharmaના રાણા જી 2.0 પર મમતા કુલકર્ણીની પ્રતિક્રિયા, કહ્યું- 'ઓરિજિનલની વાત જ અલગ છે' ]]></title><link>https://sandesh.com/entertainment/news/mahira-sharma-rana-ji-2-mamta-kulkarni-reaction</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/mahira-sharma-rana-ji-2-mamta-kulkarni-reaction</guid><pubDate>Thu, 30 Jul 2026 18:04:27 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ટીવી અભિનેત્રી માહિરા શર્મા હાલમાં ચર્ચામાં છે અને તેનું કારણ છે તેમનું નવું ગીત. તાજેતરમાં માહિરા શર્માનો નવો મ્યુઝિક વીડિયો રાણાજી 2.0 રિલીઝ થયો છે, જે સતત સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. આ ગીત 90ના દાયકાના સુપરહિટ ગીત રાણાજી માફ કરનાનું રિમેક છે. લોકોના મનમાં સવાલ હતો કે આ ગીતની મૂળ અભિનેત્રી મમતા કુલકર્ણી રિમેક&nbsp; વિશે શું વિચારે છે. હવે પોતે મમતાએ તેના પર પોતાની પ્રતિક્રિયા આપી છે.</p><h2 style="text-align: justify; "><b>મૂળ ગીતમાં મમતા કુલકર્ણીની અદાઓએ જીતી લીધા હતા દિલ</b></h2><p style="text-align: justify; ">1995માં આવેલી સલમાન ખાન, શાહરુખ ખાન અને કાજોલની ફિલ્મ કરણ અર્જુનનું ગીત રાણાજી માફ કરના ખૂબ લોકપ્રિય થયું હતું. આ ગીતમાં મમતા કુલકર્ણીની અદાઓ અને તેમનો ડાન્સ આજે પણ લોકોમાં ખૂબ લોકપ્રિય છે. હવે આ જ ગીતને નવા અંદાજમાં રાણાજી 2.0 નામથી રજૂ કરવામાં આવ્યું છે, જેમાં માહિરા શર્મા જોવા મળી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>મમતા કુલકર્ણીએ આપ્યું પોતાનું મંતવ્ય</b></h3><p style="text-align: justify; ">માહિરા શર્માનું ગીત રાણા જી 2.0 સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે અને તેને મિશ્ર પ્રતિક્રિયાઓ મળી રહી છે. જોકે, મોટાભાગના લોકો તેની ટીકા કરતા જોવા મળ્યા અને કહ્યું કે ફરી એક લોકપ્રિય ગીતને બગાડી નાખવામાં આવ્યું છે. હવે આ રિમેક વિશે વાત કરતાં મમતા કુલકર્ણીએ કહ્યું, તેણે સારું કામ કર્યું છે. વાત એ છે કે તમે એક એવું ગીત જોઈ રહ્યા છો, જે ઘાઘરા-ચોળી અને ભારતીય નૃત્યની મુદ્રાઓ સાથે હતું, જેને હવે પશ્ચિમી સ્વરૂપ અને પશ્ચિમી પોશાકમાં બનાવવામાં આવ્યું છે. તેથી તે અલગ દેખાય છે. પરંતુ જૂનું ગીત લોકોના મનમાં વસેલું છે, એટલે તે તરત યાદ આવી જાય છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbXWAB6t45J/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbXWAB6t45J/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbXWAB6t45J/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbXWAB6t45J/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>આ રીતે થયું હતું મૂળ ગીતનું શૂટિંગ</b></h4><p style="text-align: justify; ">મૂળ ગીતના શૂટિંગને યાદ કરતાં મમતા કુલકર્ણીએ કહ્યું, રાણાજી ગીતના નૃત્ય દિગ્દર્શક ચિન્ની પ્રકાશ માસ્ટરજી હતા. રિહર્સલ 2-3 દિવસ માટે નક્કી કરવામાં આવી હતી. પરંતુ મેં પહેલા જ દિવસે ડાન્સના સ્ટેપ્સ યોગ્ય રીતે શીખી લીધા હતા. જ્યારે હું સેટ પર પહોંચી ત્યારે સ્ટેપ્સ બદલી દેવામાં આવ્યા હતા. મેં તેમને પૂછ્યું કે તેમણે સ્ટેપ્સ કેમ બદલ્યા. મને સમજાતું નહોતું કે પછી રિહર્સલનો અર્થ શું હતો, પરંતુ ચિન્ની પ્રકાશ માસ્ટરજી ખૂબ સારા હતા અને અમે સમયસર ગીતનું શૂટિંગ પૂરું કરી લીધું.</p><h5 style="text-align: justify; "><b>તે સમયે હું યુવાન અને નાદાન હતી</b></h5><p style="text-align: justify; ">બોલીવુડમાં પોતાની સફર વિશે વાત કરતાં મમતા કુલકર્ણીએ કહ્યું, મને અભિનયની ઓફર મળી રહી છે. જો મને એવી કોઈ પટકથા મળે, જેને લઈને હું ખરેખર ઉત્સાહિત હોઉં, તો હું તેમાં કામ કરવા માટે તૈયાર છું. જોકે, આજે હું મુઝકો રાણાજી માફ કરના જેવા ગીતને તેના શબ્દો સાથે કરી શકીશ નહીં. હવે હું આધ્યાત્મિક રીતે વધુ જાગૃત બની ગઈ છું. તેથી કેટલાક ગીતો મારા માટે યોગ્ય નથી. હવે ડાન્સ કરતાં ગીતોના શબ્દો પર વધુ ધ્યાન આપવું પડે છે. અગાઉ હું ગીતના શબ્દો વિશે ક્યારેય વિચારતી નહોતી, કારણ કે મારું વધુ ધ્યાન ડાન્સના સ્ટેપ્સને વધુ સારા બનાવવા પર રહેતું હતું. તે સમયે હું યુવાન અને નાદાન હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/tmkoc-sundarlal-highest-paid-actor" target="_blank">આ પણ વાંચો-TMKOC : જેઠાલાલ નહીં, સુંદરલાલ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સૌથી મોંઘા એક્ટર!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/W9Oeu0jw3pcLr2BYlTbYBRixAAwdeJ8MscsHuc3q.webp'/></item><item><title><![CDATA[CWG 2026માં નીરજ ચોપરાએ મચાવી ધૂમ, પાકિસ્તાનના અરશદ નદીમને હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું ]]></title><link>https://sandesh.com/sports/news/neeraj-chopra-cwg-2026-javelin-final-qualification</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/neeraj-chopra-cwg-2026-javelin-final-qualification</guid><pubDate>Thu, 30 Jul 2026 16:56:15 +05:30</pubDate><description><![CDATA[<p>કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભાલા ફેંકમાં ભારત માટે એક મોટા સમાચાર છે. લાંબા સમય પછી કોમનવેલ્થ ગેમ્સમાં વાપસી કરી રહેલા સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરાએ પુરુષોની ભાલા ફેંકની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ખાસ વાત એ છે કે માત્ર નીરજ જ નહીં, પરંતુ ભારતના ત્રણેય ભાલા ફેંકનારાઓ ક્વોલિફિકેશન પડકારને પાર કરવામાં સફળ રહ્યા હતા.&nbsp;</p><p>રોહિત યાદવ અને યશવીર સિંહે પણ જોરદાર પ્રદર્શન કરીને ફાઈનલમાં ટિકિટ મેળવી લીધી. પાકિસ્તાનનો ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમ પણ આગળના રાઉન્ડમાં પહોંચી ગયો છે. ખાસ વાત એ છે કે ક્વોલિફિકેશન રાઉન્ડમાં નીરજ અરશદ નદીમ કરતા વધુ દૂર ભાલા ફેંકવામાં સફળ રહ્યો હતો.</p><h2><b>નીરજે 79 મીટરનો આંકડો પાર કર્યો</b></h2><p>ગ્લાસગોમાં યોજાયેલા ક્વોલિફિકેશન રાઉન્ડમાં નીરજ ચોપરાએ 79.61 મીટરના બેસ્ટ પ્રયાસ સાથે ભાલા ફેંક્યો. તે 84.00 મીટરના ઓટોમેટિક ક્વોલિફિકેશન માર્કથી ઓછો રહ્યો, પરંતુ બંને ક્વોલિફિકેશન ગ્રુપના એકંદર પ્રદર્શનના આધારે તે પાંચમા નંબરે રહ્યો અને 12-મેન ફાઈનલ માટે ક્વોલિફાય થયો. આ સ્પર્ધામાં રમતવીરો માટે હવામાન એક મોટો પડકાર હતો.&nbsp;</p><p>ગ્લાસગોમાં ઠંડી અને વાદળછાયું વાતાવરણને કારણે કોઈ પણ ખેલાડી 84 મીટરના ઓટોમેટિક ક્વોલિફિકેશન માર્ક સુધી પહોંચી શક્યો નહીં. તેથી બંને ગ્રુપના બેસ્ટ પ્રદર્શનના આધારે ફાઈનલિસ્ટનો નિર્ણય લેવામાં આવ્યો.</p><h3><b>ત્રણેય ભારતીય ખેલાડીઓ ફાઈનલમાં પહોંચ્યા</b></h3><p>ભારત માટે સૌથી મોટી ખુશી એ હતી કે તેના ત્રણેય ખેલાડીઓ ફાઈનલમાં પહોંચ્યા . રોહિત યાદવે 78.37 મીટરના બેસ્ટ થ્રો સાથે નવમા નંબરે ક્વોલિફાય કર્યું, જ્યારે યશવીર સિંહ 78.36 મીટરના પ્રયાસ સાથે 10મા નંબરે રહીને ફાઈનલમાં પહોંચ્યો. આનાથી ભારતને ત્રણ મજબૂત મેડલ દાવેદાર મળ્યા.</p><h4><b>રુમેશ થરંગા ટોપ પર</b></h4><p>ક્વોલિફિકેશન રાઉન્ડમાં શ્રીલંકાના રુમેશ થરંગા પથિરાજે 82.84 મીટરના થ્રો સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ દરમિયાન પાકિસ્તાનના અરશદ નદીમે શરૂઆતના પ્રયાસ પછી પણ પોતાનું અંતર સુધાર્યું ન હતું, પરંતુ 78.63 મીટરના થ્રો સાથે સાતમા નંબરે રહીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. હવે બધાની નજર ફાઈનલ પર રહેશે, જ્યાં નીરજ ચોપરા ફરી એકવાર મોટા મંચ પર ગોલ્ડ મેડલ જીતવાનું લક્ષ્ય રાખશે. ત્રણ ભારતીય ખેલાડીઓ ફાઈનલમાં પહોંચતા દેશની મેડલની આશાઓ પણ નોંધપાત્ર રીતે વધી ગઈ છે.</p><h5><b>ટોપ 12 ખેલાડીઓ ફાઈનલમાં પહોંચ્યા</b></h5><p>રમેશ પથિરાજ (SRI) - 82.84m</p><p>એન્ડરસન પીટર્સ (GRE) - 81.29m</p><p>ડાઉ સ્મિથ (RSA) - 80.64m</p><p>બેન ઈસ્ટ (ENG) - 80.38m</p><p>નીરજ ચોપરા (IND) - 79.61m</p><p>કેમેરોન મેકઈન્ટાયર (AUS) - 78.91m</p><p>અરશદ નદીમ (PAK) - 78.63m</p><p>કીશોન સ્ટ્રેચન (BAH) - 78.60m</p><p>રોહિત યાદવ (IND) - 78.37m</p><p>યશવીર સિંહ (IND) - 78.36m</p><p>કેશોર્ન વોલકોટ (TTO) - 78.26m</p><p>ચિનેચેરેમ નનમડી (NIG) - 75.27m</p><p><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/ishan-kishan-run-out-abhishek-sharma-stump-mic-video" target="_blank">Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/jjZA8np5mdIXWymcC1wyulE70MoGb1vYPfsb8oF3.webp'/></item></channel></rss>