<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Delhiના પૂર્વ મુખ્ય સચિવ રાકેશ મેહતાએ જીવન ટૂંકાવ્યું, વહીવટી ક્ષેત્રે છોડી મોટી છાપ ]]></title><link>https://sandesh.com/india/news/delhi-former-chief-secretary-rakesh-mehta-death-administrative-reforms</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/delhi-former-chief-secretary-rakesh-mehta-death-administrative-reforms</guid><pubDate>Tue, 08 Sep 2026 22:55:13 +05:30</pubDate><description><![CDATA[<p>Delhiના પૂર્વ મુખ્ય સચિવ રાકેશ મેહતા હવે રહ્યા નથી. 1975 બેચના વરિષ્ઠ IAS અધિકારી રાકેશ મેહતાએ રવિવારે નોઈડાના સેક્ટર-82 સ્થિત સેન્ટ્રલ વિહાર-2 સોસાયટીમાં કથિત રીતે ફાંસો લગાવી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. તેમનો મૃતદેહ બપોરે મળી આવ્યો હતો. 2007થી 2010 સુધી દિલ્હીના મુખ્ય સચિવ રહેલા મેહતાએ કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન દિલ્હી વહીવટમાં મહત્વની જવાબદારી નિભાવી હતી.</p><p><b>30 વર્ષથી વધુ સમય સુધી સરકારી સેવા આપી</b></p><p>1975 બેચના IAS અધિકારી રાકેશ મેહતાએ ત્રણ દાયકાથી વધુ લાંબી કારકિર્દી દરમિયાન દિલ્હી સરકાર અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અનેક મહત્વપૂર્ણ હોદ્દા પર કામ કર્યું હતું. તેમણે 2007માં દિલ્હીના મુખ્ય સચિવ તરીકે જવાબદારી સંભાળી હતી અને નવેમ્બર 2010માં નિવૃત્ત થયા હતા. સોમવારે લોધી સ્મશાન ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.</p><p><b>અનેક વહીવટી સુધારાઓમાં મહત્વની ભૂમિકા</b></p><p>રાકેશ મેહતા સાથે કામ કરનારા સાથીદારો અને નેતાઓએ તેમને એક કુશળ પ્રશાસક તરીકે યાદ કર્યા હતા. તેઓ નવા વિચારો અપનાવવા અને સુધારાઓ લાગુ કરવા માટે હંમેશા તૈયાર રહેતા હતા. તેમણે પ્રોપર્ટી ટેક્સના આકલન અને વીજળીના ખાનગીકરણથી લઈને બ્લૂલાઇન બસોને હટાવવા અને લો-ફ્લોર બસો લાવવાની યોજના જેવા અનેક મહત્વપૂર્ણ સુધારાઓને આગળ વધાર્યા હતા.</p><p><b>વીજળીના ખાનગીકરણમાં પણ મોટી જવાબદારી સંભાળી</b></p><p>દિલ્હીના પૂર્વ મંત્રી અરવિંદર સિંહ લવલીના જણાવ્યા મુજબ, રાકેશ મેહતા હંમેશા નવી નીતિઓ અને વિચારોને લાગુ કરવા માટે તૈયાર રહેતા હતા. વીજળીના ખાનગીકરણના સમયગાળા દરમિયાન તેઓ દિલ્હી સરકારમાં વીજળી સચિવની જવાબદારી સંભાળી રહ્યા હતા.</p><p><b>બ્લૂલાઇન બસો હટાવવામાં મહત્વની ભૂમિકા</b></p><p>દિલ્હીના રસ્તાઓ પરથી બ્લૂલાઇન બસોને હટાવીને તેમની જગ્યાએ લો-ફ્લોર બસો ચલાવવાની યોજના તૈયાર કરવામાં પણ રાકેશ મેહતાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. દિલ્હીના પૂર્વ મુખ્ય સચિવ રમેશ નેગીએ પણ અનેક મહત્વપૂર્ણ વહીવટી સુધારાઓનો શ્રેય રાકેશ મેહતાને આપ્યો હતો.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/ias-rinkesh-patel-appointed-joint-chief-electoral-officer-gujarat" target="_blank">આ પણ વાંચો:&nbsp; IAS આર. પી. પટેલ બનાવાયા જોઈન્ટ ચીફ ઈલેક્ટોરલ ઓફિસર; ચૂંટણી પંચમાં નવી નિયુક્તિ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/lKfMRvTmnLdBTmjd0YyVkoJHDyKETaXyLd8CsceO.webp'/></item><item><title><![CDATA[Prantijના બેંક મેનેજરની હત્યા કેસના આરોપીનો કેનાલમાંથી મૃતદેહ મળતાં મચી ચકચાર ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/mehsana/kadi-narmada-canal-prantij-murder-case-accused-yogesh-gokalji-body-found</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/mehsana/kadi-narmada-canal-prantij-murder-case-accused-yogesh-gokalji-body-found</guid><pubDate>Tue, 08 Sep 2026 22:40:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કડી વિસ્તારમાં આવેલી નર્મદા કેનાલમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, મૃતક પ્રાંતિજ હત્યા કેસનો આરોપી હોવાનું સામે આવ્યું છે. માણસાના યોગેશ ગોકળજીની લાશ કડી નર્મદા કેનાલમાંથી મળી આવી હોવાનું જાણવા મળ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>બેન્ક મેનેજરની હત્યા કેસમાં હતો આરોપી</b></h2><p style="text-align: justify; ">મૃતક યોગેશ ગોકળજી પ્રાંતિજના બાલવા ગામમાં બનેલા બેન્ક મેનેજર હત્યા કેસમાં આરોપી હોવાનું સામે આવ્યું છે. હત્યા કેસના આરોપીની લાશ કેનાલમાંથી મળી આવતા આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે.</p><h3 style="text-align: justify; "><b>કેનાલમાં લાશ કેવી રીતે પહોંચી?</b></h3><p style="text-align: justify; ">કડી નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળી આવતા સ્થાનિક વિસ્તારમાં પણ ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ સહિત સંબંધિત તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું હતું. હાલ મૃતદેહ કેનાલમાં કેવી રીતે પહોંચ્યો અને મોતનું કારણ શું છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.</p><h4 style="text-align: justify; "><b>પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ હોસ્પિટલ ખસેડાયો</b></h4><p style="text-align: justify; ">કેનાલમાંથી મૃતદેહ બહાર કાઢ્યા બાદ તેને કડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ સામે આવશે. પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.</p><p><br></p><p><br></p><p>આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/political-news/ahmedabad/statue-of-unity-gujarat-national-film-awards-ekta-nagar-uddhav-thackeray-political-row" target="_blank"><b>Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/5OBkKJNGjxjteqhI7rHrNJduoX1rbw0kTGKEq1PL.webp'/></item><item><title><![CDATA[Gandhidham: ખારીરોહ ગામમાં પોલીસ અને PGVCL નો સપાટો; અસામાજિક તત્વોના 31 ગેરકાયદેસર વીજ કનેક્શન કપાયા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gandhidham/b-division-police-pgvcl-raid-khariroh-electricity-theft</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gandhidham/b-division-police-pgvcl-raid-khariroh-electricity-theft</guid><pubDate>Tue, 08 Sep 2026 22:36:23 +05:30</pubDate><description><![CDATA[<p>ગાંધીધામ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદ્રઢ બનાવવાની દિશામાં ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસે અસામાજિક તત્વો વિરુદ્ધ એક મોટું અને કડક અભિયાન હાથ ધર્યું છે. પોલીસે PGVCL (પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ) ની ટીમને સાથે રાખીને ખારીરોહ ગામમાં ઓચિંતી સઘન તપાસ ઝુંબેશ યોજી હતી.</p><h2><b>ગાંધીધામમાં અસામાજિક તત્વો પર પોલીસનો સપાટો</b></h2><p>આ ખાસ ઓપરેશન દરમિયાન ચોરી, લૂંટ, હત્યાનો પ્રયાસ અને રાયોટિંગ (બુટલેગિંગ/તોફાન) જેવા ગંભીર અને અસામાજિક ગુનાઓમાં સંડોવાયેલા ઈસમોના રહેણાંક મકાનોને નિશાન બનાવી ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસના આ અણધાર્યા પગલાથી ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વોમાં ભારે ભય અને સન્નાટો વ્યાપી ગયો છે. પોલીસ અને વીજ કંપનીના સંયુક્ત ચેકિંગ દરમિયાન બહાર આવ્યું હતું કે ગંભીર ગુનાઓમાં આરોપી એવા ઈસમો પોતાના મકાનોમાં ગેરકાયદેસર રીતે વીજ લાઈનો પરથી ડાયરેક્ટ લંગરિયા નાખીને વીજ ચોરી કરી રહ્યા હતા.</p><h3><b>ગુનેગારોના 31 ગેરકાયદેસર વીજ કનેક્શન કાપી નાખ્યા</b></h3><p>PGVCL ની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને આવા 31 મકાનોના ગેરકાયદેસર વીજ જોડાણો સ્થળ પર જ કાપી નાખ્યા હતા. આ ઉપરાંત, વીજ ચોરી કરવા બદલ આરોપીઓને રૂ. 4 લાખથી વધુનો આકરો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. પોલીસ તંત્રે સ્પષ્ટ ચેતવણી આપી છે કે અસામાજિક પ્રવૃત્તિઓ કરનારાઓ સામે આવી કડક કાર્યવાહી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gir-somnath/veraval-gst-return-filing-guidelines-meeting-gir-somnath" target="_blank">આ પણ વાંચો: Gir Somnath: વેરાવળમાં GST રિટર્ન ફાઇલિંગ અંગે માર્ગદર્શન બેઠક યોજાઈ; વિલંબ કરશો તો દંડની કાર્યવાહીની વિભાગની ચેતવણી</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/viYqX9LnGHobRKrokElPO11oh4JV2U4sldITmq2H.webp'/></item><item><title><![CDATA[Uttar Pradesh : હવે સરકારી ડોક્ટરો નિવૃત્તિ પછી પણ 70 વર્ષ સુધી કરશે સેવા, સરકારનો મોટો નિર્ણય ]]></title><link>https://sandesh.com/india/news/uttar-pradesh-government-doctors-reappointment-70-years-health-services</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/uttar-pradesh-government-doctors-reappointment-70-years-health-services</guid><pubDate>Tue, 08 Sep 2026 22:32:31 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઉત્તર પ્રદેશની સરકારી આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પહેલ કરી છે. હવે સરકારી ડોક્ટરો નિવૃત્તિ બાદ પુનઃનિયુક્તિ દ્વારા 70 વર્ષની ઉંમર સુધી પોતાની સેવાઓ આપી શકશે. હાલની વ્યવસ્થા મુજબ સરકારી ડોક્ટરો 65 વર્ષની ઉંમર સુધી સેવા આપી રહ્યા છે. હવે લાયક અને અનુભવી ડોક્ટરોને વધુ 5 વર્ષ સુધી સેવા આપવાની તક આપવા માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>સરકારનો આ નિર્ણય દર્દીઓ માટે કેવી રીતે બનશે ફાયદાકારક?</b></h2><p style="text-align: justify; ">ઉત્તર પ્રદેશની સરકારી હોસ્પિટલ, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC)માં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે પહોંચે છે. અનુભવી ડોક્ટરોની સેવાઓ લાંબા સમય સુધી ઉપલબ્ધ રહેતાં દર્દીઓને નિષ્ણાત તબીબી સલાહ અને વધુ સારી સારવારની સુવિધા મળવાની આશા છે. આ નિર્ણયથી સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોને પણ મોટી રાહત મળી શકે છે.</p><h3 style="text-align: justify; "><b>નિવૃત્તિ પછીના અનુભવનો દર્દીઓને સીધો લાભ મળશે</b></h3><p style="text-align: justify; ">ઉપમુખ્યમંત્રી બ્રજેશ પાઠકે જણાવ્યું કે પ્રાંતીય ચિકિત્સા અને આરોગ્ય સેવા સંવર્ગ રાજ્યના આરોગ્ય વિભાગનો મહત્વપૂર્ણ તબીબી સંવર્ગ છે. આ સંવર્ગમાં મેડિકલ ઓફિસર અને નિષ્ણાત ડોક્ટરો સામેલ છે, જે સરકારી હોસ્પિટલો, CHC અને PHCમાં આરોગ્ય સેવાઓની મહત્વપૂર્ણ જવાબદારી સંભાળે છે.</p><h3 style="text-align: justify; "><b>વર્ષોના અનુભવનો સીધો લાભ&nbsp;</b></h3><p style="text-align: justify; ">નિવૃત્તિ બાદ લાયક અને અનુભવી ડોક્ટરોને 70 વર્ષની ઉંમર સુધી સેવા આપવાની તક મળતાં તેમના વર્ષોના અનુભવનો સીધો લાભ દર્દીઓને મળશે.</p><h4 style="text-align: justify; "><b>નિષ્ણાત ડોક્ટરોની અછત સામે સરકારનો નવો પ્લાન</b></h4><p style="text-align: justify; ">આ નિર્ણય ખાસ કરીને એવા તબીબી વિભાગો માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, જ્યાં નિષ્ણાત ડોક્ટરોની અછત છે. ઉપમુખ્યમંત્રી બ્રજેશ પાઠકના જણાવ્યા મુજબ, અનુભવી ડોક્ટરોની પુનઃનિયુક્તિથી નિષ્ણાત તબીબોની અછત ધરાવતા વિભાગોને મજબૂતી મળશે. ગ્રામીણ વિસ્તારોની આરોગ્ય વ્યવસ્થા સુધારવામાં પણ આ ડોક્ટરો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.</p><h4 style="text-align: justify; "><b>હવે આદેશ બહાર પાડવાની પ્રક્રિયા શરૂ</b></h4><p style="text-align: justify; ">ઉપમુખ્યમંત્રીના નિર્દેશ બાદ આરોગ્ય વિભાગના અપર મુખ્ય સચિવ સ્તરેથી ડોક્ટરોને નિવૃત્તિ બાદ 70 વર્ષની ઉંમર સુધી પુનઃનિયુક્તિ આપવા અંગેનો આદેશ બહાર પાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સરકારનો હેતુ અનુભવી ડોક્ટરોની નિષ્ણાતીનો મહત્તમ ઉપયોગ કરીને રાજ્યની સરકારી આરોગ્ય સેવાઓને વધુ સક્ષમ, સરળતાથી ઉપલબ્ધ અને ગુણવત્તાયુક્ત બનાવવાનો છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/political-news/ahmedabad/statue-of-unity-gujarat-national-film-awards-ekta-nagar-uddhav-thackeray-political-row" target="_blank"><b> Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું&nbsp;</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/zbGQf6tJiA3z5BvH3qRGSNQlwqF0WXjsPyB6AJ7R.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : અકસ્માતની કહાની પાછળ છુપાયો હતો ખૂની ખેલ, દીકરીની હત્યા કરી પિતા-પુત્રએ રચ્યું હિટ એન્ડ રનનું કાવતરું ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-ghaljipura-sofiya-murder-hit-and-run-father-brother-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-ghaljipura-sofiya-murder-hit-and-run-father-brother-arrested</guid><pubDate>Tue, 08 Sep 2026 22:23:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદમાં અકસ્માત તરીકે રજૂ કરાયેલી એક ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે 22 વર્ષીય સોફિયાનું મોત અકસ્માતમાં નહીં પરંતુ હત્યાના કાવતરામાં થયું હોવાનો આક્ષેપ છે.</p><h2 style="text-align: justify; "><b>બાઈક અકસ્માતની ઘટના</b></h2><p style="text-align: justify; ">12 ઓગસ્ટની રાત્રે ઘેલજીપુરા ચાર રસ્તા નજીક બાઈક અકસ્માતની ઘટના સામે આવી હતી. મોહંમદ હાબીલ પોતાની બહેન સોફિયાને બાઈક પર બેસાડી ઘરે જઈ રહ્યો હતો ત્યારે પાછળથી અજાણ્યા વાહને ટક્કર મારી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.</p><h3 style="text-align: justify; "><b>હિટ એન્ડ રન માનવામાં આવ્યો કેસ, પછી પોલીસને કેમ ગઈ શંકા?</b></h3><p style="text-align: justify; ">ઘટનામાં હાબીલને સામાન્ય ઈજા થઈ હતી, જ્યારે બાઈક પાછળ બેઠેલી સોફિયાના માથાના પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તેને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં 13 ઓગસ્ટની વહેલી સવારે તેનું મોત થયું હતું.</p><h3 style="text-align: justify; "><b>અકસ્માતની કહાની પાછળનું રહસ્ય</b></h3><p style="text-align: justify; ">શરૂઆતમાં સમગ્ર મામલો હિટ એન્ડ રનનો હોવાનું માનવામાં આવતું હતું. જોકે, એમ ટ્રાફિક પોલીસની તપાસ આગળ વધતાં ઘટનામાં કંઈક અજુગતું હોવાનું સામે આવ્યું અને અકસ્માતની કહાની પાછળનું રહસ્ય ઉકેલવાની તપાસ શરૂ કરવામાં આવી.</p><h4 style="text-align: justify; "><b>ત્રણ મહિના જૂનો વીડિયો બન્યો હત્યાનું કારણ?</b></h4><p style="text-align: justify; ">પોલીસ તપાસ મુજબ, સોફિયાનો અંદાજે 3 મહિના અગાઉ એક યુવક સાથેનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ પરિવારની સમાજમાં આબરૂ ખરાબ થતી હોવાની વાતને લઈને સોફિયાને ઠપકો આપવામાં આવ્યો હતો.</p><h4 style="text-align: justify; "><b>પિતા-પુત્રએ કાવતરરું રચ્યું</b></h4><p style="text-align: justify; ">આ ઉપરાંત સોફિયા અન્ય યુવકો સાથે વાતચીત કરતી હોવાની શંકા અને અદાવત રાખીને તેના પિતા મોહંમદ ફારૂક અને ભાઈ મોહંમદ હાબીલે હત્યાનું કાવતરું રચ્યું હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે.</p><h4 style="text-align: justify; "><b>અવાવરુ રસ્તા પર લઈ જઈ હથોડીના ઘા માર્યાનો આક્ષેપ</b></h4><p style="text-align: justify; ">કાવતરાના ભાગરૂપે મોહંમદ હાબીલ બાઈક પર સોફિયાને ઘેલજીપુરા ગામ તરફના કાચા અને અવાવરુ રસ્તા પર લઈ ગયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ત્યાં પિતા મોહંમદ ફારૂક લોખંડની હથોડી લઈને પહોંચ્યા હતા. સોફિયાના માથામાં હથોડીના અંદાજે 3 ઘા મારી હત્યા કરવામાં આવી હોવાનો પોલીસનો આક્ષેપ છે.</p><h4 style="text-align: justify; "><b>હત્યા બાદ રચી નાખી હિટ એન્ડ રનની ખોટી કહાની!</b></h4><p style="text-align: justify; ">હત્યાને છુપાવવા માટે પિતા-પુત્રએ સમગ્ર ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હોવાનો ખુલાસો થયો છે. સોફિયાની હત્યા બાદ અજાણ્યા વાહને બાઈકને પાછળથી ટક્કર મારી હોવાની ખોટી કહાની ઉભી કરવામાં આવી હતી.</p><h4 style="text-align: justify; "><b>અકસ્માતની ખોટી ફરિયાદ  કરી</b></h4><p style="text-align: justify; ">પોલીસને ગેરમાર્ગે દોરવા માટે અકસ્માતની ખોટી ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. જોકે, એમ ટ્રાફિક પોલીસની ઝીણવટભરી તપાસમાં અકસ્માતની કહાનીની કડીઓ એક પછી એક ખુલતી ગઈ.</p><h4 style="text-align: justify; "><b>પિતા અને ભાઈની ધરપકડ, વધુ તપાસ શરૂ</b></h4><p style="text-align: justify; ">પોલીસે આ કેસમાં મોહંમદ હાબીલ અને તેના પિતા મોહંમદ ફારૂકની ધરપકડ કરી છે. બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ પોલીસ હત્યા પાછળના સમગ્ર કાવતરાને લઈને વધુ તપાસ કરી રહી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/political-news/ahmedabad/statue-of-unity-gujarat-national-film-awards-ekta-nagar-uddhav-thackeray-political-row" target="_blank"><b>Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/URAKhWlAXGL6Al44jQFcEgWLFQBK2Pv71x9I63wR.webp'/></item><item><title><![CDATA[India GDP Growth: ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા: રાજનાથ સિંહ ]]></title><link>https://sandesh.com/india/news/business/india-gdp-growth-india-is-the-fastest-growing-major-economy-in-the-world-rajnath-singh</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/india-gdp-growth-india-is-the-fastest-growing-major-economy-in-the-world-rajnath-singh</guid><pubDate>Tue, 08 Sep 2026 21:54:12 +05:30</pubDate><description><![CDATA[<p>Defense Minister રાજનાથ સિંહે મંગળવારે ભારતની ઝડપથી વધી રહેલી અર્થવ્યવસ્થાને લઈને મોટું નિવેદન આપ્યું. શ્રીલંકાના કોલંબોમાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે છેલ્લા 10-12 વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થાનું કદ લગભગ બમણું થયું છે. હાલમાં દેશનો GDP ગ્રોથ આશરે 7.8 ટકા છે. રાજનાથ સિંહે કહ્યું કે, ભારત આજે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા છે. વૈશ્વિક આર્થિક વિકાસમાં ભારતનો ફાળો 16 ટકાથી વધુ છે. તેમણે કહ્યું કે સતત મજબૂત થતી અર્થવ્યવસ્થાના કારણે ભારતે આ સ્થાન હાંસલ કર્યું છે.</p><p><b>10-12 વર્ષમાં અર્થવ્યવસ્થા બમણી</b></p><p>રક્ષા મંત્રીએ કહ્યું કે, આઝાદી બાદ ભારતની અર્થવ્યવસ્થાને 1 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવામાં લગભગ 60 વર્ષ લાગ્યા હતા. વર્ષ 2014માં દેશની અર્થવ્યવસ્થાનું કદ આશરે 2 ટ્રિલિયન ડોલર હતું. ત્યારબાદ છેલ્લા 10-12 વર્ષમાં તે લગભગ બમણું થયું છે. તેમણે કહ્યું કે વિશ્વના અનેક દેશો આર્થિક પડકારોનો સામનો કરી રહ્યા છે ત્યારે ભારતનો GDP ગ્રોથ આશરે 7.8 ટકા છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2097347249122726323"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b>મોંઘવારી અંગે રાજનાથ સિંહનું નિવેદન</b></p><p>રાજનાથ સિંહે મોંઘવારીનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારના છેલ્લા 12 વર્ષમાં સરેરાશ મોંઘવારી દર લગભગ 4.7 ટકા રહ્યો છે. તેમના જણાવ્યા મુજબ, અગાઉની કોંગ્રેસ સરકાર દરમિયાન મોંઘવારી 10થી 11 ટકા સુધી પહોંચી હતી. તેમણે કહ્યું કે, રોકાણ અને નિકાસના ક્ષેત્રમાં ભારતની વૈશ્વિક ભાગીદારી સતત વધી રહી છે. વર્ષ 2014માં ભારતની નિકાસનું મૂલ્ય આશરે ₹45 લાખ કરોડ હતું, જે વર્ષ 2025-26માં વધીને ₹79 લાખ કરોડ થયું છે.</p><p><b>38 દેશો સાથે ટ્રેડ ડીલ્સ</b></p><p>રક્ષા મંત્રીએ કહ્યું કે, છેલ્લા 12 વર્ષમાં ભારતે 38 દેશો સાથે ટ્રેડ ડીલ્સ કરી છે. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને ‘મધર ઑફ ઑલ ડીલ્સ’ કહેવામાં આવી રહ્યું છે. આ કરારથી આશરે 27 ટ્રિલિયન ડોલરના મોટા EU માર્કેટમાં ભારત માટે તકો વધશે. રાજનાથ સિંહે કહ્યું કે ગ્રામીણ વિસ્તારોમાં ગરીબીનો દર 18.4 ટકાથી ઘટીને 2022-23માં 2.8 ટકા થયો છે. જ્યારે શહેરી વિસ્તારોમાં ગરીબી 10.7 ટકાથી ઘટીને 1.1 ટકા થઈ છે. તેમણે કહ્યું કે છેલ્લા 10-12 વર્ષમાં ભારતમાં મોટી ડિજિટલ ક્રાંતિ થઈ છે. આજે સ્માર્ટફોન દ્વારા લોકોને અનેક સેવાઓ સરળતાથી મળી રહી છે. વર્ષ 2014માં દેશમાં લગભગ 6 કરોડ બ્રોડબેન્ડ કનેક્શન હતા, જે હવે વધીને લગભગ 100 કરોડ થઈ ગયા છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/telangana-indus-river-water-will-not-reach-the-masters-of-terrorism-defense-minister-rajnath-singh" target="_blank">આ પણ વાંચો: 'આતંકવાદના આકાઓ સુધી સિંધુ નદીનું પાણી નહીં પહોંચે' : રક્ષામંત્રી રાજનાથ સિંહ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/jJ9MpE98FNzSPyy7SyUCuSiydFckBY00JBuUx07c.webp'/></item><item><title><![CDATA[8 સપ્ટેમ્બરના દિવસભરના 10 મહત્વના સમાચાર, વાંચો એક ક્લિક પર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/8-september-10-important-news-headlines-today</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/8-september-10-important-news-headlines-today</guid><pubDate>Tue, 08 Sep 2026 21:09:51 +05:30</pubDate><description><![CDATA[<p><b>સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/pm-modi-global-fintech-fest-2026-india-gdp-growth-7-8-percent" target="_blank">1.&nbsp; Global Fintech Fest 2026: વૈશ્વિક પડકારો વચ્ચે ભારતની GDP 7.8%, PM મોદીએ કહ્યું, ‘વિકસિત ભારત’ પર વિશ્વાસ વધ્યો&nbsp;</a>&nbsp; &nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/chief-election-commissioner-gyanesh-kumar-gujarat-visit" target="_blank">2. Ahmedabad: ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર 10 અને 11 સપ્ટેમ્બરે ગુજરાતની બે દિવસીય મુલાકાતે</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/explainer/news/world/sandesh-digital-explainer-india-america-and-pakistan-face-off-over-correct-the-map-proposal-at-the-un" target="_blank">3. Sandesh Digital Explainer: યુએનમાં Correct The Map પ્રસ્તાવ પર ભારત, અમેરિકા અને પાકિસ્તાન સામસામે</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/political-news/rahul-gandhi-congress-organisation-changes-2029-election" target="_blank">4. Politics News: 2029 પહેલાં કોંગ્રેસમાં થશે મોટો ફેરફાર, યુવા ચહેરાઓ પર રાહુલ ગાંધીનું ફોકસ</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/political-news/ahmedabad/statue-of-unity-gujarat-national-film-awards-ekta-nagar-uddhav-thackeray-political-row" target="_blank">5. Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/breakingnews/lucknow-airport-air-india-ai1717-rahul-gandhi-go-around" target="_blank">6. Lucknow : એર ઇન્ડિયાનું પ્રથમ ફ્લાઇટ લેન્ડિંગ નિષ્ફળ, રાહુલ ગાંધી પણ વિમાનમાં હતા</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/mumbai-ahmedabad-bullet-train-minister-gives-good-news-know-when-will-mumbai-ahmedabad-bullet-train-start" target="_blank">7. Mumbai-Ahmedabad Bullet Train: રેલ મંત્રીએ આપી ખુશખબર,, જાણો ક્યારે શરૂ થશે મુંબઇ અમદાવાદ બુલેટ ટ્રેન ?</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/crime/mumbai-nmacc-fake-pmo-officer-gun-suspects-detained" target="_blank">8. Mumbai : પીએમ મોદીના કાર્યક્રમ પહેલાં મોટો સુરક્ષા ભંગ? PMO અધિકારીના નામે બંદૂક સાથે પહોંચ્યા 2 યુવક</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/delhi-brics-modi-putin-meeting-russia-su57-nuclear-energy-talks" target="_blank">9. Delhi : પીએમ મોદી અને પુતિનની મુલાકાત પહેલાં રશિયાનો ધડાકો, ભારતને લઈને કહી દીધી આ મોટી વાત</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/world/news/us-eb-1-green-card-india-quota-warning-september-1" target="_blank">10. America માં રહેતા ભારતીયોને મોટો ઝટકો, EB-1 ગ્રીન કાર્ડ મેળવવું બની શકે છે મુશ્કેલ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/gMrgfYHeCPoO91rFbWzLOAeYcOl97LoY6Iq8X0JB.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર 10 અને 11 સપ્ટેમ્બરે ગુજરાતની બે દિવસીય મુલાકાતે ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/chief-election-commissioner-gyanesh-kumar-gujarat-visit</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/chief-election-commissioner-gyanesh-kumar-gujarat-visit</guid><pubDate>Tue, 08 Sep 2026 20:17:33 +05:30</pubDate><description><![CDATA[<p>આવતા વર્ષે યોજાનારી ચૂંટણીઓની પૂર્વતૈયારીઓના ભાગરૂપે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર 10 અને 11 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. ચૂંટણી તંત્ર અને વહીવટી સ્તરે આ પ્રવાસને લઈને મોટા પાયે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. CEC પોતાના પ્રવાસની શરૂઆત ઐતિહાસિક સાબરમતી આશ્રમ ખાતે શ્રદ્ધાસુમન અર્પિત કરીને કરશે. આ ઉપરાંત તેઓ ગુજરાતના બેનમૂન સ્થાપત્ય સમાન અડાલજની વાવની પણ મુલાકાત લેશે.</p><h2><b>ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર ગુજરાતના બે દિવસીય પ્રવાસે</b></h2><p>મુલાકાત દરમિયાન અમદાવાદ ખાતે ‘વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં ચૂંટણી વ્યવસ્થા’ વિષય પર એક વિશેષ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોકશાહી પ્રક્રિયાને વધુ સુદ્રઢ અને પારદર્શક બનાવવા માટે રાજ્યના પ્રબુદ્ધ નાગરિકો, ચિંતકો અને વિષય નિષ્ણાતો સાથે વિસ્તૃત વિચાર-વિમર્શ કરવામાં આવશે.ચૂંટણી પ્રક્રિયામાં પાયાની અને અત્યંત મહત્વની ભૂમિકા ભજવતા બૂથ લેવલ ઓફિસરોનો ઉત્સાહ વધારવા માટે CEC જ્ઞાનેશ કુમાર 500થી વધુ BLO અને 1000થી વધુ ઇલેક્ટોરલ લિટરસી ક્લબ (ELC) ના સભ્યો સાથે સીધો સંવાદ સાધશે.</p><h3><b>સાબરમતી આશ્રમ અને અડાલજની વાવની લેશે મુલાકાત</b></h3><p> </p><p>આ સંવાદ દરમિયાન ગ્રાઉન્ડ લેવલના અનુભવો અને ચૂંટણી પ્રક્રિયાને વધુ સુગમ બનાવવા અંગે ચર્ચા થશે.આ ઉપરાંત, ‘રોલથી પોલ સુધી પારદર્શિતા’ના સંકલ્પ સાથે ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા ડિજિટલ સિસ્ટમ ECINET અને મતદાર યાદી સુધારણા તેમજ ચૂંટણી સંચાલન અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/morbi/radhakrishna-jewellers-theft-17-lakh-gold-silver-stolen" target="_blank">આ પણ વાંચો: Morbi: રાધાકૃષ્ણ જ્વેલર્સની દિવાલ તોડી 17.24 લાખની ચોરી; તસ્કરો સોના-ચાંદીનો મુદ્દામાલ ઉઠાવી ગયા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/P3k0CoAAH0WRfvYfnQRQrVChbzpcHK10Fr4Iufmw.webp'/></item><item><title><![CDATA[Samantha Ruth Prabhu Visits Isha Foundation: પ્રેગનન્સીમાં સામંથા પહોંચી ઇશા ફાઉન્ડેશન, કરી ગૌસેવા ]]></title><link>https://sandesh.com/entertainment/news/samantha-ruth-prabhu-pregnancy-isha-foundation</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/samantha-ruth-prabhu-pregnancy-isha-foundation</guid><pubDate>Tue, 08 Sep 2026 19:17:52 +05:30</pubDate><description><![CDATA[<p>સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) અને રાજ નિદિમોરુ (Raj Nidimoru) ના ઘરે ટૂંક સમયમાં બાળકનું આગમન થવાનું છે. પ્રેગ્નન્સી દરમિયાન સામંથા પોતાનું ખૂબ ધ્યાન રાખી રહી છે. શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખી રહી છે. તાજેતરમાં તે ઈશા ફાઉન્ડેશન (Isha Foundation) પહોંચી હતી અને ત્યાં ગૌ સેવા કરી હતી.</p><h2><b>સામંથાની છેલ્લા 5 વર્ષની જર્ની કેવી રહી?</b></h2><p>સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu pregnancy) પોતાની તાજેતરની સોશિયલ મીડિયા પોસ્ટમાં પોતાના જીવનની છેલ્લા 5 વર્ષની જર્ની વિશે વાત કરતી જોવા મળી છે. આ સાથે તેણે એ વાત પર ભાર મૂક્યો છે કે એક સારો મેન્ટર તમારી જિંદગીમાં માર્ગદર્શક તરીકે કેટલી મહત્વની ભૂમિકા ભજવી શકે છે.</p><h2><b>શાંતિભરી પળો વિતાવતી જોવા મળી સામંથા</b></h2><p>સામંથા રૂથે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરી છે. તેમાં તેણે તસવીરોની એક સિરીઝ શેર કરી છે. કેટલીક તસવીરોમાં તે કુદરતી નજારાઓ વચ્ચે શાંતિભરી પળો વિતાવતી જોવા મળે છે. કેટલીક તસવીરોમાં તે ધ્યાન કરતી જોવા મળે છે, જ્યારે કેટલીક તસવીરોમાં તે ગૌ સેવા કરતી જોવા મળે છે. તસવીરોમાં સામંથાનો બેબી બમ્પ પણ જોવા મળી રહ્યો છે.</p><p><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/Dc8cDUOmpKo/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/Dc8cDUOmpKo/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a><br></p><h2><b>જિંદગી વિશે સામંથાએ કહી આ વાત</b></h2><p>સામંથાએ પોસ્ટ સાથે કેપ્શનમાં લખ્યું છે, “એવા લોકો અને જગ્યાઓ શોધો, જે તમને આગળ વધવામાં મદદ કરે. મને લાગે છે કે જિંદગીમાં એક સમય એવો આવે છે જ્યારે તમને લાગે છે કે તમે તમારી જાતને સારી રીતે ઓળખો છો. તમે તમારી જાતને કહો છો, ‘હું આવી જ છું. આ મારી ખૂબીઓ છે, આ મારી ખામીઓ છે. આ મારી રીત છે. કદાચ હું અહીં સુધી જ જઈ શકું છું.’ પરંતુ છેલ્લા 5 વર્ષોએ મને કંઈક અલગ જ શીખવ્યું છે.”</p><h2><b>‘પોતાને વધુ સારા બનાવતા રહો’</b></h2><p>અભિનેત્રીએ આગળ લખ્યું છે, “જ્યારે પણ હું અહીં આવું છું, ત્યારે કેટલીક નવી શક્યતાઓ સાથે પાછી ફરું છું. એવો અહેસાસ થાય છે કે હજુ ઘણું શીખવાનું છે, બદલવાનું છે અને પોતાની જાતને વધુ સારી બનાવવાની છે. સારો મેન્ટર આ જ કરે છે. તેઓ તમને એ નથી કહેતા કે તમારે શું બનવાનું છે. તેઓ તમને યાદ અપાવે છે કે પોતાની જાતને વધુ સારી બનાવવાની સફર ક્યારેય પૂરી થતી નથી. તેઓ તમારી ગાડીના ઈંધણ જેવા હોય છે. આવા લોકોને શોધો. આવી જગ્યાઓ શોધો. પોતાની જાતને વધુ સારી બનાવતા રહો. તમારી અંદર હંમેશા કંઈક નવું શોધવા જેવું હોય છે.”</p><p>ઈશા ફાઉન્ડેશનની સ્થાપના આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવે કરી છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/hBQXRzPbteo5O7kGpKpDBKkIqkiXA4bp7GpPTTfP.webp'/></item><item><title><![CDATA[Malaysia : 72 વર્ષના ફૂટબોલ દિગ્ગજે 20 વર્ષની યુવતી સાથે કર્યા લગ્ન, તસવીરો વાયરલ થતાં પરિવારે કરી પુષ્ટિ ]]></title><link>https://sandesh.com/world/news/sports/malaysia-football-legend-abdul-alif-marriage-72-year-old-20-year-old-wife</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/sports/malaysia-football-legend-abdul-alif-marriage-72-year-old-20-year-old-wife</guid><pubDate>Mon, 07 Sep 2026 23:00:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મલેશિયન ફૂટબોલના દિગ્ગજ અને પૂર્વ હરિમાઉ મલાયા સ્ટાર દાતુક અબ્દુલ અલિફે 72 વર્ષની ઉંમરે પોતાના જીવનનો નવો અધ્યાય શરૂ કર્યો છે. સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો વાયરલ થયા બાદ તેમના પરિવારે લગ્નની સત્તાવાર પુષ્ટિ કરી છે. અહેવાલ મુજબ 27 ઓગસ્ટે યોજાયેલા ખાનગી સમારંભમાં અબ્દુલ અલિફે પોતાની જીવનસંગિની સાથે નિકાહ કર્યા હતા. તેમની પત્નીની ઉંમર 20 વર્ષ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>લગ્નની ખબર કોણે કરી કન્ફર્મ?</b></h2><p style="text-align: justify; ">અબ્દુલ અલિફના નાના ભાઈ અને પૂર્વ ખેલાડી તથા કોચ દાતુક યુનુસ અલિફે લગ્નની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે 27 ઓગસ્ટે બંનેના લગ્ન થયા હતા અને બંને પરિવારોની સંમતિ તથા આશીર્વાદ સાથે આ સંબંધ બંધાયો છે. પરિવાર દ્વારા નવદંપતીના સુખી દાંપત્ય જીવન માટે શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>ફોન નહીં ઉઠાવતા ભાઈએ શું કહ્યું?</b></h3><p style="text-align: justify; ">લગ્ન બાદ અબ્દુલ અલિફ મીડિયા સંપર્કમાં ન આવતા તેમના ભાઈ યુનુસ અલિફે જણાવ્યું હતું કે તેઓ સંભવતઃ હનીમૂન પર હોવાથી ફોનનો જવાબ આપી શકતા નથી.જોકે પરિવારે સ્પષ્ટ કર્યું છે કે બંનેના નિકાહ થઈ ચૂક્યા છે અને પરિવાર તરફથી બંનેને શુભકામનાઓ આપવામાં આવી છે.</p><h4 style="text-align: justify; "><b>મલેશિયન ફૂટબોલના દિગ્ગજ રહ્યા છે અબ્દુલ અલિફ</b></h4><p style="text-align: justify; ">અબ્દુલ અલિફ મલેશિયન ફૂટબોલ ઇતિહાસના જાણીતાં ખેલાડીઓમાં સામેલ રહ્યા છે. 1970ના અંતિમ વર્ષો અને 1980ના શરૂઆતના સમયમાં મલેશિયન ફૂટબોલના સફળ સમયગાળામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.તેઓ તે મલેશિયન ટીમના સભ્ય હતા જેણે ક્વોલિફાઇંગ મેચમાં દક્ષિણ કોરિયાને 2-1થી હરાવી 1980ના મોસ્કો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું.</p><h4 style="text-align: justify; "><b>ઓલિમ્પિક રમવાનું સપનું કેમ અધૂરું રહ્યું?</b></h4><p style="text-align: justify; ">મલેશિયાએ સોવિયેત સંઘના અફઘાનિસ્તાન પરના આક્રમણના વિરોધમાં 1980ના મોસ્કો ઓલિમ્પિકનો બહિષ્કાર કર્યો હતો. જેના કારણે અબ્દુલ અલિફ સહિત અનેક ખેલાડીઓનું ઓલિમ્પિકમાં રમવાનું સપનું અધૂરું રહી ગયું હતું. લાંબા સમય સુધી વ્યાવસાયિક ફૂટબોલ અને મીડિયા લાઇમલાઇટથી દૂર રહ્યા બાદ આ દિગ્ગજ ખેલાડી હવે પોતાના અંગત જીવનના નવા નિર્ણયને કારણે ફરી ચર્ચામાં આવ્યા છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">&nbsp; આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-gujarat-drowning-deaths-1999-river-lake-check-dam-water-safety" target="_blank"><b>Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/oQuxxQEBdhQdWmZFxk2LOPbwDJRpf6zDEmwi2pJ3.webp'/></item></channel></rss>