<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Organic ના દાવાથી Lab Report સુધી: COWBERRY Food માં Trustની રીત કેવી રીતે બદલી રહ્યું છે ]]></title><link>https://sandesh.com/business/news/from-organic-claims-to-lab-reports-how-cowberry-is-changing-the-way-trust-is-built-in-food</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/from-organic-claims-to-lab-reports-how-cowberry-is-changing-the-way-trust-is-built-in-food</guid><pubDate>Tue, 15 Sep 2026 14:13:43 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતના ઓર્ગેનિક ફૂડ માર્કેટમાં “પ્રૂફ”નો નવો અધ્યાય: કેવી રીતે COWBERRY એ વચનથી આગળ વધીને વિશ્વાસની સિસ્ટમ બનાવી. 150,000+ Certified Organic Farmers, Triple Organic Certification અને દરેક Batch માટે Lab-Tested Transparency સાથે COWBERRY ભારતના Organic Ecosystem ને નવી દિશા આપવાનો પ્રયાસ કરી રહ્યું છે.</p><p style="text-align: justify; "><b>શું દરેક પ્રોડક્ટ ખરેખર ઓર્ગેનિક છે</b></p><p style="text-align: justify; ">ભારતમાં "Organic Food Market" ઝડપથી વધી રહ્યું છે. ગ્રાહકો હવે પોતાના ઘરમાં પહોંચતા અનાજ, દાળ, મસાલા, તેલ અને રોજિંદા ખોરાકની ગુણવત્તા વિશે વધુ જાગૃત બન્યા છે. પરંતુ આ વધતી જાગૃતિ સાથે એક મોટો પ્રશ્ન પણ ઊભો થયો છે — શું ઓર્ગેનિક તરીકે વેચાતું દરેક પ્રોડક્ટ ખરેખર ઓર્ગેનિક છે. વર્ષો સુધી આ Industry મુખ્યત્વે દાવાઓ પર ચાલી. બ્રાન્ડ્સ ઓર્ગેનિક નો દાવો કરતી રહી, ગ્રાહકોએ દાવાઓ પર વિશ્વાસ રાખતા રહ્યા, અને ખેડૂતો, જેઓ આ સમગ્ર "Value Chain" ની મૂળ શક્તિ છે, તેઓ ઘણી વખત સૌથી ઓછું સાંભળવામાં આવ્યા. આવા સમયે, એપ્રિલ 2023માં એક વિચાર જન્મ્યો — "Organic" ને માત્ર Promise નહીં, પરંતુ Proof પર આધારિત બનાવવાનો.</p><p style="text-align: justify; "><img alt="ઓર્ગેનિક પ્રોડક્ટ" src="https://epapercdn.sandesh.com/images/2026/09/15/VNguRzyBJjMMeNPpZlzBdle1ktwT3GT1tpQfiJEu.webp"><br></p><p style="text-align: justify; "><b>આ વિચારથી COWBERRY ની શરૂઆત થઈ.</b></p><p style="text-align: justify; ">COWBERRYના પાછળ ત્રણ અલગ-અલગ પૃષ્ઠભૂમિવાળા લોકોનું vision જોડાયું — હરેશ પરવાડિયા, દર્શન પરવડિયા અને કૌશિક સોનાણી. હરેશ પરવડિયા સફળ Businessman અને Philanthropist તરીકે ઓળખાય છે, પરંતુ ખેતી તેમની Family Legacy નો અભિન્ન ભાગ રહી છે. દર્શન પરવાડિયા USA માં Finance &amp; Financial Engineering નો અભ્યાસ કર્યા પછી New York અને Los Angeles ની comfortable life છોડીને ભારત પરત ફર્યા. જ્યારે કૌશિક સોનાણી (Ex-IIM) આ Vision ને સાકાર કરવા, અને Strategic Direction આપવા માટે તરીકે જોડાયા. “ત્રણે FOUNDERS” ને એક વાત સ્પષ્ટ દેખાતી હતી — ભારતના Organic Marketમાં સમસ્યા Supply ની નહોતી. સમસ્યા Trust ની હતી.</p><p style="text-align: justify; "><b>શરૂઆત ખેતરમાંથી થઈ, Boardroom માંથી નહીં</b></p><p style="text-align: justify; ">એપ્રિલ 2023 અને તે પછીના મહિનાઓમાં Founders ગુજરાત અને અન્ય રાજ્યોના ગામોમાં પહોંચ્યા. ઉદ્દેશ ખેડૂતોને તરત જોડવાનો નહોતો, પરંતુ તેમને સાંભળવાનો હતો. ખેડૂતો સાથેની વાતચીતમાં એક કડવી હકીકત સામે આવી. જે ખેડૂતો Organic Farming &amp; Natural Farming તરફ આગળ વધવા માંગતા હતા, તેઓ Certification નાં ખર્ચ, પેપરવર્ક, ટેકનીકલ ગાયડન્સનો અભાવ અને Conversion Period દરમિયાન આવકનાં ફર્ક જેવા પડકારો સામે એકલા ઊભા હતા. Organic Farming નો Risk ખેડૂત લેતો હતો, પરંતુ માર્કેટમાં બજાર-કિંમત બરોબર મળતી નહોતી. ખેડૂત મહેનત કરતો હતો, પરંતુ તેની વાત ગ્રાહક સુધી પહોંચતી નહોતી. આ જ Gap COWBERRY એ address કરવાનો નિર્ણય લીધો.</p><p style="text-align: justify; "><b>ખેડૂતો માટે SUPPORT, ગ્રાહકો માટે “PROOF”</b></p><p style="text-align: justify; ">કિસાન પર રહેલા ઓર્ગેનિક રૂપાંતરણના જોખમને માત્ર તેની જવાબદારી ન રાખીને, સહિયારા અને સહયોગ આધારિત મોડેલ તરફ લઈ જવું.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><img alt="ઓર્ગેનિક" src="https://epapercdn.sandesh.com/images/2026/09/15/439Qe5hRhwpMyLrRrgbTBhPnnI98sMY7FtMKkSpA.webp"><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">COWBERRY નું મોડેલ બે છેડાઓને એક-બીજા સાથે જોડે છે — Farmer અને Customer.</p><p style="text-align: justify; ">“Farmer Side” પર Company Fair અને Transparent Pricing, Organic Conversion Support, Agronomy Guidance, Assured Offtake અને Transition Period દરમિયાન long-term support આપવા પર કામ કરે છે. Organic Farming તરફ વળવા માંગતા ખેડૂત માટે સૌથી મોટો પ્રશ્ન માત્ર Cultivationનો નથી, પરંતુ Financial Survivalનો છે. COWBERRY એ આ પડકારને Organic Ecosystem નો મુખ્ય-મુદ્દો માનીને સરખો કર્યો.</p><p style="text-align: justify; "><b>ઓર્ગેનિક પ્રોડક્ટ&nbsp; પર કંપનીનો દાવો</b></p><p style="text-align: justify; ">“Customer side” પર COWBERRY એ Transparency ને Product Packaging સુધી લઈ જવાનો પ્રયાસ કર્યો. Company ના દાવા અનુસાર, દરેક પ્રોડક્ટ બેચ “Internationally Accredited Laboratories” માં organic standards હેઠળ 252+ banned chemicals માટે test કરવામાં આવે છે. દરેક pack પર QR code આપવામાં આવે છે, જેના દ્વારા customer તે exact batchનો lab report જોઈ શકે છે. તથા, કાવબેરી ની મોબાઈલ એપ્લીકેશન દ્વારા ઓર્ગેનિક ગ્રોસરી ચાહકો ને, દ્વારા ઘરે બેસીને ૧૫૦+ ગ્રોસરી પ્રોડક્ટ્સ મળી શકે છે. COWBERRY ની Product Range ની વ્યાપકતા માત્ર એક મોટા Catalogueને દર્શાવતી નથી, પરંતુ આ Catalogue તૈયાર કરવા પાછળ અપનાવવામાં આવેલા Manufacturing-led Approach ને પણ દર્શાવે છે.</p><p style="text-align: justify; ">આ approach ને company એક સરળ lineમાં સમજાવે છે — “Proof, not Promise.”</p><p style="text-align: justify; "><b>Triple Certification થી Global Credibility</b></p><p style="text-align: justify; ">COWBERRY આજે NPOP (India Organic), NOP (USDA Organic) અને EU Organic standards હેઠળ triple certification ધરાવે છે. આ combination Indian organic brands માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તે domestic market સાથે American અને European markets માટે પણ credibility બનાવે છે. તેના Certification Framework વિશે વધુ માહિતી COWBERRY ની Certifications Page પર ઉપલબ્ધ છે. Company નું network હવે ભારતના “9” સે ભી ઝ્યાદા રાજ્યોમાં 1,50,000+ certified organic farmers સુધી વિસ્તર્યું છે. Product catalogue માં 25+ categories અને 150+ SKUs નો સમાવેશ થાય છે, જેમાં Staples, Pulses, Spices, Oils અને Specialty Foods જેવી રોજિંદી તથા Premium Food Categories સામેલ છે. પરંતુ COWBERRYનું સૌથી મોટું differentiation માત્ર Product Range નથી. તેનું Differentiation Traceability અને Batch-level Verification છે.</p><p style="text-align: justify; "><b>Organic Industry માટે Benchmark?</b></p><p style="text-align: justify; ">Organic food industry માં મોટાભાગે trust packaging, branding અને certification logo સુધી મર્યાદિત રહે છે. COWBERRY આ trustને એક ડગલું આગળ લઈ જવાનો પ્રયત્ન કરે છે — Consumer ને Direct Lab Report Access આપીને. આ Model Organic Category માં accountability નું નવું માપદંડ ઊભું કરી શકે છે. કારણ કે જ્યારે Customer Product ખરીદે છે, ત્યારે તે માત્ર Brand Claim પર આધારિત નથી રહેતો. તે QR Code Scan કરીને પોતે “Lab Report” જોઈ શકે છે. આથી COWBERRY organic food ને emotional promise થી scientific verification તરફ લઈ જતી brand તરીકે ઉભરી રહી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/Y1wC2LUcYUJf6gWlufwXFi6nhCRADiXgOTBjFzIs.webp'/></item><item><title><![CDATA[Old Songs: 45 વર્ષ જૂનું એ ગીત જેમાં 3 સિંગરે એકસાથે અવાજ આપ્યો, 80ના દાયકામાં થયો હતો અનોખો પ્રયોગ ]]></title><link>https://sandesh.com/entertainment/news/rajkamal-chashme-buddoor-music-singing-experiment</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/rajkamal-chashme-buddoor-music-singing-experiment</guid><pubDate>Tue, 15 Sep 2026 14:13:28 +05:30</pubDate><description><![CDATA[<p>જાણીતા સંગીતકાર રાજકમલે હિન્દી સિનેમાને અનેક યાદગાર ધૂનો આપી છે. 'કથા', 'ચશ્મે બદ્દૂર' અને 'સાવન કો આને દો' જેવી ફિલ્મોનું સંગીત આજે પણ સંગીતપ્રેમીઓમાં પોતાની ખાસ જગ્યા ધરાવે છે. રાજકમલના પુત્ર સૂર્ય રાજકમલે એક વાતચીતમાં પોતાના પિતાના કામ અને ફિલ્મો સાથે જોડાયેલી કેટલીક ઈન્ટરેસ્ટિંગ યાદો શેર કરી હતી. આ દરમિયાન તેમણે 'ચશ્મે બદ્દૂર'ના એક ગીતમાં કરવામાં આવેલા ખાસ સંગીત પ્રયોગનો પણ ઉલ્લેખ કર્યો. સૂર્યએ જણાવ્યું કે આ ગીતમાં 3 ગાયકોએ એક જ મુખડાને અલગ-અલગ રીતે ગાયું હતું. તેમણે કહ્યું, "3 સિંગરને બોલાવવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે એક જ મુખડું એક જ સમયે અલગ-અલગ સ્ટાઇલમાં ગાઈને બતાવો."</p><h2><b>આ ગાયકોએ ગાયું હતું ગીત</b></h2><p>તેમણે આગળ જણાવ્યું કે આ ગીત હરિહરન, શૈલેન્દ્ર સિંહ અને દીપાનંદે ગાયું હતું. સૂર્યના જણાવ્યા પ્રમાણે, ગીતમાં એક જગ્યાએ ત્રણેય ગાયકોના અવાજ એકસાથે આવે છે, પરંતુ ત્રણેયની ધૂન અલગ છે. તેમણે કહ્યું, "સિક્વન્સ પછી જ્યારે મ્યુઝિક આવે છે, જ્યારે અંતરાના મુખડાનો ભાગ આવે છે, ત્યારે ત્રણેય અલગ-અલગ એ જ મુખડો ગાઈ રહ્યા છે, પરંતુ ધૂન અલગ-અલગ છે." સૂર્યનું માનવું છે કે આવો પ્રયોગ આજે પણ સરળ નથી. તેમણે કહ્યું, "આવું કામ આજે પણ કોઈ માટે કરવું સરળ નથી."</p><h2><b>દિલ્હીમાં થયું હતું 'ચશ્મે બદ્દૂર'નું શૂટિંગ</b></h2><p>સૂર્યએ 'ચશ્મે બદ્દૂર'ના શૂટિંગ સાથે જોડાયેલી એક મજેદાર યાદ પણ શેર કરી હતી. તેમણે જણાવ્યું કે ફિલ્મનું શૂટિંગ દિલ્હીમાં થયું હતું.</p><p>ફિલ્મના એક હોટેલના દૃશ્યમાં ફારૂક શેખ અને દીપ્તિ નવલની પહેલી મુલાકાત બતાવવામાં આવી હતી. સૂર્યએ જણાવ્યું કે શૂટિંગ દરમિયાન તેમણે એક નાની વાતને લઈને પોતાના પિતાને સવાલ કર્યો હતો. દૃશ્યમાં બંને કલાકારો માટે ટૂટી-ફ્રૂટી મંગાવવામાં આવી હતી.</p><p>સૂર્યએ યાદ કરતાં કહ્યું, "મેં પપ્પાને પૂછ્યું, આ જે તેમણે આઈસક્રીમ મંગાવી છે, તેનું નામ મને હજુ યાદ છે, ટૂટી-ફ્રૂટી. મેં કહ્યું, ડેડી, શૂટિંગ ચાલી રહ્યું છે ને? તો પપ્પાએ કહ્યું, હા. મેં કહ્યું, તો પછી આ ખાવાનું કે શું કરવાનું છે?"</p><h2><b>સેટ પર મંગાવવામાં આવ્યો હતો આઈસક્રીમ</b></h2><p>ત્યારબાદ તેમના પિતાએ તેમને સમજાવ્યું કે આઈસક્રીમ માત્ર શૂટિંગ માટે મંગાવવામાં આવી નહોતી. સૂર્યના જણાવ્યા પ્રમાણે, ફારૂક શેખ અને દીપ્તિ નવલે પણ તેમને આઈસક્રીમ ખાવા માટે કહ્યું હતું. જોકે, રીટેક દરમિયાન આઈસક્રીમ પીગળી જવાને કારણે દૃશ્યમાં સતત એકસરખાપણું જાળવી રાખવું પણ એક પડકાર હતો.</p><p>સૂર્યએ કહ્યું, "તમે વિચારો કે એ સમયની વાત છે, 80ના દાયકાની વાત કરી રહ્યો છું. ટૂટી-ફ્રૂટી મને હજુ પણ બહાર મળતી નથી."</p><p>સૂર્યની આ યાદ પરથી જાણવા મળે છે કે ફિલ્મો સાથે જોડાયેલી નાની-નાની વાતો પણ કલાકારો અને ફિલ્મ સાથે જોડાયેલા લોકોની યાદોમાં લાંબા સમય સુધી જળવાઈ રહે છે. 'ચશ્મે બદ્દૂર'નું સંગીત અને ફિલ્મના શૂટિંગ સાથે જોડાયેલી આ યાદો આજે પણ તેમના માટે ખાસ છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/oi9q7GCu3ezaZBarBOmwhH1tEsmGJuQMjdO8ZVF6.webp'/></item><item><title><![CDATA[Navsariના ગોલવાડમાં ગિફ્ટ શોપમાં લાગી ભીષણ આગ, મોટાભાગનો સામાન બળીને થયો ખાખ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/navsari/navsari-golwad-gift-shop-massive-fire-short-circuit</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/navsari/navsari-golwad-gift-shop-massive-fire-short-circuit</guid><pubDate>Tue, 15 Sep 2026 13:16:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નવસારી શહેરના ગીચ વિસ્તાર ગણાતા ગોલવાડમાં આવેલી એક ગિફ્ટ શોપમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. દુકાનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જ આસપાસના વેપારીઓ અને સ્થાનિક રહીશોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચિંતા વ્યાપી ગઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરી અને જાનહાનિ અટકી&nbsp;</b></h2><p style="text-align: justify; ">ઘટના અંગે નવસારી ફાયર વિભાગને તુરંત જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે દોડી આવેલા ફાયર ફાઇટરોએ ત્વરિત કામગીરી હાથ ધરીને સતત પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયર વિભાગની ટીમની ભારે જહમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો હતો, જેના કારણે આસપાસની અન્ય દુકાનો આગની ઝપેટમાં આવતા બચી ગઈ હતી.</p><p style="text-align: justify; "><img alt="Fire breaks out in gift shop in Navsari Golwad" src="https://epapercdn.sandesh.com/images/2026/09/15/jSWrCTQz2kcx1qFhz6PR1HwH1kGvh3kSsMNug4K1.webp"><br></p><h3 style="text-align: justify; "><b>નુકસાન અને પ્રાથમિક તપાસનું અનુમાન&nbsp;</b></h3><p style="text-align: justify; ">આ દુર્ઘટનામાં ગિફ્ટ શોપમાં રહેલો મોટાભાગનો સામાન બળીને ખાખ થઈ જતાં દુકાનદારને ભારે નુકસાન થયું છે. પ્રાથમિક તપાસ અને અનુમાન મુજબ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. સદભાગ્યે, સમયસરની કામગીરીને કારણે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/GGGzY2LQeGwsLWRXVzkOnCxirYH2XcxgL9QEYykA.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: વિકાસ અને પર્યાવરણ એકબીજાના વિરોધી નથી, ઇન્ડસ્ટ્રી સાથે ઇકોલોજી પણ જોઈએઃ CM ભૂપેન્દ્ર પટેલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/cm-bhupendra-patel-says-development-and-environment-must-go-together</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/cm-bhupendra-patel-says-development-and-environment-must-go-together</guid><pubDate>Tue, 15 Sep 2026 13:12:12 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે દક્ષિણ એશિયામાં પ્રથમવાર આયોજિત પ્રતિષ્ઠિત વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ 2026ની 10મી આવૃત્તિનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ વૈશ્વિક ફોરમમાં વિશ્વના 66 દેશોના 2000થી વધુ હિસ્સેદારો, વૈજ્ઞાનિકો અને ઉદ્યોગસાહસિકો સહભાગી થઈ રહ્યા છે.આગામી 18 સપ્ટેમ્બર સુધી યોજાનાર આ ચાર દિવસીય ફોરમમાં વૈશ્વિક સ્તરે ઉત્સર્જન ઘટાડવા,સર્ક્યુલર બિઝનેસ મોડેલ્સ અપનાવવા અને ટકાઉ આર્થિક વિકાસને વેગ આપવા અંગે ઊંડાણપૂર્વક મંથન કરવામાં આવશે.આ આયોજનથી દક્ષિણ એશિયાઈ દેશોમાં પર્યાવરણ અનુકૂળ નીતિઓ અને ટેકનોલોજીના આદાન-પ્રદાનને એક નવી દિશા મળશે.</p><h2 style="text-align: justify; "><b>વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન</b></h2><p style="text-align: justify; ">મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,ગુજરાતની ધરતી પર એક એવી વૈશ્વિક ચિંતનયાત્રાનો આરંભ થઈ રહ્યો છે જે માત્ર અર્થવ્યવસ્થાની દિશા નક્કી કરવાની નહીં, પરંતુ આવનારી પેઢીઓનું ભવિષ્ય નક્કી કરવાની યાત્રા છે.વર્લ્ડ સર્ક્યુલર ઇકોનૉમી ફોરમ 2026નું સૌ પ્રથમ વખત ભારતમાં આયોજન થઈ રહ્યું છે.ભારત ઉપરાંત 66 દેશોના પ્રતિનિધિઓ,આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો અને 55 આંતરરાષ્ટ્રીય વક્તાઓની ભાગીદારી આ ફોરમના વૈશ્વિક મહત્વને દર્શાવે છે.ગુજરાતે ઔદ્યોગિક વિકાસ, પુનઃપ્રાપ્ય ઊર્જા, કચરા અને જળ વ્યવસ્થાપન તેમજ સંસાધન કાર્યક્ષમતા જેવાં ક્ષેત્રોમાં વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવી અનેક પહેલો કરી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>આપણે ગ્રોથ પણ જોઈએ અને ગ્રીનરી પણ જોઈએ</b></h2><p style="text-align: justify; ">તેમણે કહ્યું હતું કે, મંદિરમાં ભક્તો દ્વારા અર્પણ થતાં ફૂલ, બિલીપત્ર, દૂધ, જળ, પંચામૃત, કપડાં કે અન્ય સામગ્રીને કચરો સમજીને ફેંકી દેવામાં આવતી નથી. અભિષેકમાંથી નીકળતા પવિત્ર પ્રવાહીને વૈજ્ઞાનિક પદ્ધતિથી શુદ્ધ કરીને ‘સોમ-ગંગા જળ’તરીકે ભક્તો સુધી પહોંચાડવામાં આવે છે.મંદિર અને ટ્રસ્ટની વ્યવસ્થામાંથી નીકળતાં ફૂલ, બિલીપત્ર અને ભોજનના જૈવિક કચરાને વૈજ્ઞાનિક પ્રક્રિયા દ્વારા ખાતરમાં પરિવર્તિત કરવામાં આવે છે.સર્ક્યુલર ઇકોનોમી ભારતની પ્રાચીન પરંપરાઓનો પણ હિસ્સો રહી છે.રિયુઝિંગ અને રિસાયક્લિંગ આપણાં જીવન સાથે સહજ રીતે જોડાયેલાં છે. વેસ્ટ ટુ વેલ્થ અને કચરા વ્યવસ્થાપનના મોડલ દ્વારા ગ્રામીણ અર્થવ્યવસ્થાને પણ ગતિ આપવામાં આવી રહી છે. આપણે ગ્રોથ પણ જોઈએ અને ગ્રીનરી પણ જોઈએ, ઇન્ડસ્ટ્રી પણ જોઈએ અને ઇકોલોજી પણ જોઈએ,પ્રોસ્પેરિટી પણ જોઈએ અને સસ્ટેનેબિલિટી પણ જોઈએ, આ જ WCEF–2026ની સાચી ભાવના છે.</p><h2 style="text-align: justify; "><b>આર્થિક વિકાસ અને સમૃદ્ધિ માટેની સંભાવના</b></h2><p style="text-align: justify; ">કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે ઉપસ્થિત સર્વે ડેલીગેટ્સને આવકારતા જણાવ્યું હતું કે,બ્રિક્સ નવી દિલ્હી ઘોષણાપત્રમાં પણ આર્થિક સ્થિતિસ્થાપકતા અને ટકાઉ વિકાસ માટે સર્ક્યુલર ઇકોનોમીની અનિવાર્યતાને વૈશ્વિક સ્તરે પુનઃસમર્થન મળ્યું છે.સર્ક્યુલર ઇકોનોમીનો અર્થ માત્ર કચરાના નિકાલ કે રિસાયક્લિંગ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે સંસાધનોના સમગ્ર જીવનચક્ર,ડિઝાઇન,ઉત્પાદન,વપરાશ,પુનઃઉપયોગ,સમારકામ અને પુનઃઉત્પાદનને વધુ કાર્યક્ષમ અને ટકાઉ બનાવવાની વ્યાપક વિચારધારા છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે,ભારત હવે સર્ક્યુલર ઇકોનોમીના ક્ષેત્રમાં એક મોટી સંભાવના તરીકે ઉભરી રહ્યું છે.વર્ષ 2050 સુધીમાં ભારતની સર્ક્યુલર ઇકોનોમીનું બજાર મૂલ્ય 2 ટ્રિલિયન ડોલરથી વધુ થવાની અને લગભગ 1 કરોડ રોજગારીની તકો ઊભી થવાની સંભાવના છે.આથી, આજના સમયમાં સર્ક્યુલર ઇકોનોમી માત્ર આપણા પર્યાવરણ અને ઇકોસિસ્ટમને સહારો આપવાનો માર્ગ નથી.તે હવે આર્થિક વિકાસ અને સમૃદ્ધિ માટેની એક મોટી સંભાવના પણ બની રહી છે.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/breakingnews/rajkot/rajkot-court-nayara-refinery-and-mahatma-mandir-receive-bomb-threat" target="_blank">આ પણ વાંચોઃ Gujarat News: રાજકોટ કોર્ટ, નાયરા રિફાઈનરી અને મહાત્મા મંદિરને ઉડાવી દેવાની ધમકી</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/WhMwyfLPpfjAU3ySZj9xaPCf8K5MOuPzjIPywsox.webp'/></item><item><title><![CDATA[Gujarat Weather News : કચ્છના અંજારમાં રેકોર્ડબ્રેક 7 ઈંચ વરસાદ ખાબક્યો, જાણો અન્ય વિસ્તારોની સ્થિતિ ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/record-7-inches-rain-in-anjar-mandvi-gets-5-inches-in-2-hours</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/record-7-inches-rain-in-anjar-mandvi-gets-5-inches-in-2-hours</guid><pubDate>Tue, 15 Sep 2026 12:56:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં ચોમાસાના બીજા રાઉન્ડની ધમાકેદાર શરૂઆત થઈ છે.જેમાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 259 તાલુકાઓમાં મેઘરાજાએ મહેર કરી છે.વરસાદને કારણે કચ્છના અંજારમાં રેકોર્ડબ્રેક 7.24 ઇંચ અને ભાવનગરના વલ્લભીપુરમાં 6.10 ઇંચ પાણી વરસી ગયું છે.જ્યારે માત્ર બે જ કલાકના ટૂંકા સમયગાળામાં માંડવીમાં 5 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો હતો.સમગ્ર રાજ્યમાં વ્યાપક બનેલા આ મેઘસવારીના માહોલને લીધે કુલ 14 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ અને 26 તાલુકાઓમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તેમજ આજે સવારથી જ રાજ્યના 42 તાલુકાઓમાં મેઘાવી માહોલ યથાવત રહ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>કુલ 7 જિલ્લાઓમાં 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું</b></h2><p style="text-align: justify; ">ભારેથી અતિભારે વરસાદની આ સ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા કચ્છ,દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ સહિત કુલ 7 જિલ્લાઓમાં 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.આ ઉપરાંત, સંભવિત ખતરાને પહોંચી વળવા માટે વહીવટી અને આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે, જ્યારે રાજકોટ, મોરબી અને અમરેલી જિલ્લાઓ માટે 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે જેથી નીચાણવાળા વિસ્તારો અને નદી-નાળાઓ આસપાસ સાવચેતીના પગલાં ભરી શકાય.</p><h3 style="text-align: justify; "><b>રાજ્યમાં અત્યાર સુધીમાં 84.38 % વરસાદ નોંધાયો</b></h3><p style="text-align: justify; ">રાજ્યમાં અત્યાર સુધીમાં 84.38 % વરસાદ નોંધાયો છે. પ્રદેશવાર સ્થિતિ જોતાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 112.32%,પૂર્વ મધ્ય ગુજરાતમાં 84.97% કચ્છ પ્રદેશમાં 48.62%, ઉત્તર ગુજરાતમાં 63.29% અને સૌરાષ્ટ્રમાં 65.14% વરસાદ થયો છે.હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ યથાવત રહેશે.આજે ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શરુઆત થશે.<br><br><a href="https://sandesh.com/gujarat/breakingnews/rajkot/rajkot-court-nayara-refinery-and-mahatma-mandir-receive-bomb-threat" target="_blank">આ પણ વાંચોઃ Gujarat News: રાજકોટ કોર્ટ, નાયરા રિફાઈનરી અને મહાત્મા મંદિરને ઉડાવી દેવાની ધમકી</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/s6qnofuhMc3Wc2Wue9kSreqWDlgfTZdBvHRArcNs.webp'/></item><item><title><![CDATA[Suratના વેસુમાં કેપિટલ ગ્રીન બિલ્ડિંગમાં મોડી રાત્રે અચાનક આગ લાગતા મચી અફરાતફરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-vesu-capital-green-building-fire-late-night</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-vesu-capital-green-building-fire-late-night</guid><pubDate>Tue, 15 Sep 2026 12:55:04 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત શહેરના પોશ વિસ્તાર ગણાતા વેસુમાં આવેલી કેપિટલ ગ્રીન બિલ્ડિંગમાં મોડી રાત્રે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. બિલ્ડિંગના E/2 વિભાગના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ ફાટી નીકળતા જ સ્થાનિક રહીશોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગાઢ ધુમાડો અને આગની જ્વાળાઓ દેખાતા જ લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા.</p><h2><b>ફાયર બ્રિગેડે મેળવ્યો સ્થિતિ પર કાબૂ&nbsp;</b></h2><p>ઘટના અંગે વેસુ ફાયર વિભાગને તુરંત જાણ કરવામાં આવી હતી, જેના પગલે ફાયર ફાઇટરોનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ ત્વરિત કામગીરી હાથ ધરીને સતત પાણીનો મારો ચલાવ્યો હતો અને ટૂંક સમયમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. ફાયર વિભાગની સમયસરની કામગીરીને કારણે આગ વધુ પ્રસરતી અટકી હતી.</p><p><img alt="Fire breaks out in Vesu, Surat late at night" src="https://epapercdn.sandesh.com/images/2026/09/15/xe3N3FyDqkZK8tpSL3xXM6vlPDXtewGhoCUg4k80.webp"><br></p><h3><b>નુકસાનનું અનુમાન અને રાહતના સમાચાર&nbsp;</b></h3><p>આ ઘટનામાં બિલ્ડિંગની 7 મીટર પેટી બળીને ખાખ થઈ ગઈ છે. પ્રાથમિક તપાસ અને અનુમાન મુજબ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. સદભાગ્યે, ફાયર વિભાગની ઝડપી કામગીરી અને રહીશોની સતર્કતાને કારણે આ દુર્ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી, જેનાથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.</p><p><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/IjZXecE3iVQnibqx1hCHma168Vsj7cedgxKJxilj.webp'/></item><item><title><![CDATA[Meta : બાળકોની ઓનલાઈન સુરક્ષા, કેન્દ્ર સરકારના દબાણ બાદ મેટા સોંપશે બાળકોના A-ટુ-Z ડેટા ]]></title><link>https://sandesh.com/tech/news/india/meta-a-z-meta-agrees-to-share-child-safety-data-india</link><guid isPermaLink="true">https://sandesh.com/tech/news/india/meta-a-z-meta-agrees-to-share-child-safety-data-india</guid><pubDate>Tue, 15 Sep 2026 12:29:27 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઇન્ટરનેટ પર બાળકોની સુરક્ષાને લઈને ભારત સરકાર હવે અત્યંત કડક વલણ અપનાવી રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર બાળકો સાથે સંકળાયેલી વાંધાજનક અને ગેરકાયદેસર સામગ્રી પર અંકુશ મેળવવા માટે સરકારે પોતાની પકડ વધુ મજબૂત બનાવી છે. આ જ કડકાઈના પરિણામે ટેક જાયન્ટ મેટા (Meta) કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે બાળ જાતીય શોષણ અને તેનાથી સંબંધિત કેસોની તમામ માહિતી શેર કરવા માટે સત્તાવાર રીતે સંમત થઈ ગયું છે. સરકારનો સ્પષ્ટ સંદેશ છે કે ભારતમાં ઓનલાઈન બાળ સુરક્ષા એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને આ બાબતમાં કોઈપણ પ્રકારની બેદરકારી બિલકુલ સહન કરવામાં આવશે નહીં.</p><h2 style="text-align: justify; "><b>વાંધાજનક સામગ્રીનું પ્રી-એક્ટિવ નિરીક્ષણ અને સરકારનો એક્શન પ્લાન</b></h2><p style="text-align: justify; ">સરકારનું મુખ્ય ધ્યાન સોશિયલ મીડિયા પર માત્ર ફરિયાદ મળ્યા બાદ સામગ્રી દૂર કરવા પૂરતું સીમિત નથી, પરંતુ આવી હાનિકારક સામગ્રીને અગાઉથી જ ઓળખીને તેને પ્લેટફોર્મ પરથી અટકાવવા માટે સક્રિય પદ્ધતિઓ વિકસાવવા પર છે. મેટા દ્વારા કાયદાકીય એજન્સીઓ સાથે ડેટા શેર કરવાના કરારને આ દિશામાં એક મોટું અને મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આનાથી તપાસ એજન્સીઓને ઓનલાઈન બાળ ગુનાઓના કેસોને ઉકેલવામાં અને ગુનેગારો સુધી પહોંચવામાં મોટી મદદ મળશે.</p><h3 style="text-align: justify; "><b>અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ સરકારના રડાર પર</b></h3><p style="text-align: justify; ">ભારત સરકાર માત્ર મેટા પૂરતી મર્યાદિત રહેવા માંગતી નથી, પરંતુ દેશમાં કાર્યરત તમામ મુખ્ય સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ્સ સાથે સતત બેઠકો અને ચર્ચાઓ ચાલી રહી છે. ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે તમામ પ્લેટફોર્મ્સ બાળકોની સલામતીના નિયમોનું કડક પાલન કરે. જો કોઈ કંપની આ દિશામાં બેદરકાર સાબિત થશે, તો તેની સામે પ્રવર્તમાન કાયદાકીય નિયમો હેઠળ કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આગામી સમયમાં સરકાર આ સિસ્ટમને વધુ મજબૂત કરવા માટે ટેક કંપનીઓ સાથે મળીને કામ કરવા જઈ રહી છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/nandigram-by-election-bjp-candidate-hasirani-rath" target="_blank">આ પણ વાંચોઃ Nandigram by-election ભાજપનો મોટો દાવ, સુવેન્દુના પૂર્વ PA ચંદ્રનાથ રથની માતાને ઉતારી મેદાને</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/m45lvtxhyMjrUeajWTWcEkWW8cG7Zr749XCBD6NJ.webp'/></item><item><title><![CDATA[Mumbai MLA Parag Shah: 5000 કરોડના માલિક ધારાસભ્ય મુંબઈના રસ્તા પર કેમ બન્યા ભિખારી ]]></title><link>https://sandesh.com/india/news/mumbai-bjp-mla-parag-shah-5000-crore-property-become-beggar</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/mumbai-bjp-mla-parag-shah-5000-crore-property-become-beggar</guid><pubDate>Tue, 15 Sep 2026 12:28:40 +05:30</pubDate><description><![CDATA[<p>લાંબી દાઢી, ફાટેલા કપડાં અને હાથમાં વાટકી સાથે એક શખ્સ રસ્તાઓ પર પસાર થતા લોકો પાસે ભીખ માગતો હતો. રાહદારીઓ પાસે મદદ માંગી વાસી રોટલી અને ઉપલબ્ધ ખોરાક પર ગુજરાન ચલાવનાર આ શખ્સ કરોડોનું સામ્રાજ્ય છોડી ભીખારી તરીકે જીવન પસાર કરે છે. આખરે કોણ છે આ શખ્સ જે સંપત્તિ છોડી ભીખારી બની મુંબઈના રસ્તા પર ભીખ માગી રહ્યા છે. ખરેખર આ શખ્સ મુંબઈ ઘાટકોપર પૂર્વના ભાજપના ધારાસભ્ય પરાગ શાહ છે. કેમ તેઓ ભીખારી બન્યા જાણો આ રસપ્રદ કહાની.</p><h2><b>ધારાસભ્ય પરાગશાહ બન્યા ભીખારી</b></h2><p>મુંબઈના ઘાટકોપર પૂર્વના ધારાસભ્ય (MLA) પરાગ શાહ, જેઓ આશરે ₹૫,૦૦૦ કરોડની અથાહ સંપત્તિ, રાજકીય પ્રભાવ અને મજબૂત સુરક્ષા બંદોબસ્ત ધરાવે છે, તેમણે તાજેતરમાં એક એવો આધ્યાત્મિક પ્રયોગ કર્યો જેણે સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા. પોતાની VIP ઓળખ, કિંમતી ગાડીઓ અને બોડીગાર્ડ્સનો ઘેરો છોડીને તેઓ મુંબઈના રસ્તાઓ પર ફાટેલા કપડાં અને હાથમાં વાટકી સાથે એક સામાન્ય ભિખારી તરીકે નીકળી પડ્યા હતા.</p><p><b>ગુરુ રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજનો આદેશ, છોડી સંપત્તિ&nbsp;</b></p><p>જૈન ચાતુર્માસ દરમિયાન ધારાસભ્ય પરાગ શાહે તેમના આધ્યાત્મિક માર્ગદર્શક રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજના ઉપદેશથી આ આત્મનિરીક્ષણનો પ્રયોગ કર્યો હતો. ગુરુજીએ તેમને સંપત્તિ, હોદ્દો અને રાજકીય અહંકારથી પર થઈને સમાજના સૌથી નબળા વર્ગના જીવનનો પ્રત્યક્ષ અનુભવ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. આ આદેશનું પાલન કરવા માટે તેમણે સુરક્ષા હટાવી દીધી અને મેકઅપ આર્ટિસ્ટની મદદથી એક એવો ભિખારીનો લુક ધારણ કર્યો કે જેથી ઘાટકોપરના જ રસ્તાઓ પર તેમને કોઈ ઓળખી ન શકે.</p><p><b>હાથમાં વાટકી, લાંબી દાઢી અને ફાટેલા કપડાં સાથે રસ્તા પર માંગ્યા પૈસા</b></p><p>આ અનુભવ દરમિયાન પરાગ શાહ પાસે કોઈ મોબાઈલ, લેટેસ્ટ ગાડી કે રાજકીય ફાઈલો નહોતી. લાંબી દાઢી અને ફાટેલા કપડાં સાથે તેઓ હાથમાં વાટકો લઈને પસાર થતા લોકો અને વાહનચાલકો સમક્ષ મદદ માટે હાથ લંબાવતા રહ્યા. લગભગ એક કલાક ચાલેલા આ પ્રયોગ દરમિયાન કોઈ પણ નાગરિક તેમને ઓળખી શક્યો નહીં. જે નેતાને મળવા લોકો રાહ જોતા હોય, તે જ નેતા આજે રસ્તા પર સામાન્ય માણસની જેમ મદદ માગી રહ્યા હતા.</p><p><b>વાસી રોટલી ખાધી, લોકોનો ઠપકો અને માનવતાના દર્શન પણ થયા</b></p><p>રસ્તા પર ભીખ માંગતી વખતે પરાગ શાહે સમાજના અલગ-અલગ ચહેરા જોયા. ઘણા લોકોએ તેમની અવગણના કરી, કેટલાકે ધિક્કારીને ઠપકો આપ્યો, તો કેટલાક દયાળુ લોકોએ માનવતા દર્શાવીને તેમના વાટકામાં પૈસા કે ખોરાક મૂક્યો. કરોડોની સંપત્તિ ધરાવતા ધારાસભ્યએ લોકોને હાથે મળેલી વાસી રોટલી અને ભોજન ખાઈને પોતાની ભૂખ સંતોષી હતી, જેનાથી તેમને ગરીબી અને ભૂખમરાની વાસ્તવિકતાનો ઊંડો અહેસાસ થયો.</p><p><b>મેકઅપ ઉતાર્યા બાદ મદદ કરનારા લોકોનો માન્યો આભાર</b></p><p>સાંજના સમયે આ પ્રયોગ પૂર્ણ થયા બાદ પરાગ શાહે પોતાનો ભિખારીનો મેકઅપ દૂર કર્યો અને મૂળ સ્વરૂપમાં પાછા ફર્યા. ત્યારબાદ તેઓ એ જ સામાન્ય નાગરિકોને રૂબરૂ મળવા પહોંચ્યા જેમણે તેમને ભિખારી સમજીને રોટલી કે પૈસા આપ્યા હતા. તેમણે તે તમામ લોકોનો આભાર માન્યો અને તેમની સાથે વાતચીત કરીને અનુભવો શેર કર્યા.</p><p><b>સાચો સંદેશ: પદ અને શક્તિ કરતાં માનવતા મોટી</b></p><p>આ પ્રયોગ પાછળનો મુખ્ય હેતુ અહંકાર અને પદનો મોહ છોડીને સાચી માનવતાને સમજવાનો હતો. ગુરુ નમ્રમુનિ મહારાજના જણાવ્યા મુજબ, વ્યક્તિ ગમે તેટલી આર્થિક કે રાજકીય ઊંચાઈ પર પહોંચે, પણ તેણે જમીન પરના જરૂરિયાતમંદ લોકોની તકલીફો ક્યારેય ભૂલવી જોઈએ નહીં. ₹૫,૦૦૦ કરોડની માલિકી ધરાવતા ધારાસભ્ય માટે આ અનુભવ જીવનનો સૌથી મોટો આત્મજ્ઞાનનો પાઠ સાબિત થયો.</p><p><br></p><p><a href="https://sandesh.com/india/news/gurugram-hit-and-run-case-accused-kalyan-baisla-arrested-police-reach-bike-rider-siya-chauhans-house" target="_blank">આ પણ વાંચો : Gurugram Hit and Run Case: રાજસ્થાનના દૌસાથી ઝડપાયો આરોપી કલ્યાણ બૈસલા</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/ex3RBYlzmKs61ZSvNlJ57eWS0VZSDxrAu1CPZmjL.webp'/></item><item><title><![CDATA[ગુજરાતમાં ફરી બોમ્બની ધમકી, શું બ્રિટનના ભાગલા પડશે સહિતના 12 વાગ્યા સુધીના મોટા સમાચાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-08-am-to-12-pm-15-september-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-08-am-to-12-pm-15-september-2026</guid><pubDate>Tue, 15 Sep 2026 11:59:38 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર</b></p><p><a href="https://sandesh.com/gujarat/breakingnews/rajkot/rajkot-court-nayara-refinery-and-mahatma-mandir-receive-bomb-threat" target="_blank"><b>1. Gujarat News: રાજકોટ કોર્ટ, નાયરા રિફાઈનરી અને મહાત્મા મંદિરને ઉડાવી દેવાની ધમકી</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/2-accidents-at-same-spot-on-iskcon-bridge" target="_blank"><b>2. Ahmedabad News : આજે ઈસ્કોન બ્રિજ પર 2 અકસ્માત સર્જાયા, ડાયવર્ઝન બન્યું જોખમી</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/heavy-rain-forecast-today-know-when-monsoon-will-ease" target="_blank"><b>3. Gujarat Weather News: રાજ્યમાં આજે પણ આ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો ક્યારે મેઘરાજા વિરામ લેશે?</b></a></p><p><a href="https://sandesh.com/world/news/us-iran-war-trump-claims-oil-prices-will-drop" target="_blank"><b>4.US Iran War: તેલના ભાવ સાવ ઘટી જશે, ડોનાલ્ડ ટ્રમ્પના દાવાએ સૌને ચોંકાવી દીધા</b></a></p><p><a href="https://sandesh.com/entertainment/news/sooraj-pancholi-disha-salian-case-statement" target="_blank"><b>5. Disha Salian Case: દિશા સાલિયન કેસમાં નામ ઉછળ્યું, Sooraj Pancholi એ તોડ્યું મૌન</b></a></p><p><a href="https://sandesh.com/india/news/gurugram-hit-and-run-case-accused-kalyan-baisla-arrested-police-reach-bike-rider-siya-chauhans-house" target="_blank"><b>6. Gurugram Hit and Run Case: આરોપી કલ્યાણ બૈસલા ઝડપાયો, બાઇક રાઇડર સિયા ચૌહાણના ઘરે પહોંચી પોલીસ</b></a></p><p><a href="https://sandesh.com/gallery/news/entertainment/ganesh-chaturthi-at-antilia-ambani-family-ganpati-celebration-bollywood-celebs-present" target="_blank"><b>7. અંબાણી પરિવારના ગણેશોત્સવમાં ઉમટયા બોલીવુડ સિતારાઓ, વાયરલ તસવીરોમાં જુઓ સેલેબ્સના શાનદાર લુક</b></a></p><p><a href="https://sandesh.com/world/news/uk-breakup-wales-scotland-northern-ireland-pact" target="_blank"><b>8. UK Breakup Risk : શું બ્રિટનના પડશે ભાગલા? વેલ્સ, સ્કોટલેન્ડ અને ઉત્તરી આયર્લેન્ડ અલગ થવાના કરાર પર હસ્તાક્ષર</b></a></p><p><a href="https://sandesh.com/cricket/news/england-ecb-delegation-pakistan-odi-tri-series-security-review" target="_blank"><b>9. ODI Tri Series પહેલા ECB એક્શન મોડમાં! પાકિસ્તાન પહોંચ્યું ઇંગ્લેન્ડનું સ્પેશિયલ ડેલિગેશન</b></a></p><p><a href="https://sandesh.com/india/news/3-foreign-passengers-arrived-on-an-international-flight-without-going-through-immigration-at-delhi-airport-show-cause-notice-issued-to-air-india" target="_blank"><b>10. Delhi Airport પર ઇમિગ્રેશન કર્યા વિના 3 વિદેશી મુસાફરો ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં પહોંચ્યા, Air Indiaને શો કોઝ નોટિસ</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/05/30/mDmSiSJWp4EJffsL4XdCg0WZVmFETlBX3EYK5ohQ.webp'/></item><item><title><![CDATA[પાકિસ્તાનની ટીમ ભારત આવશે! એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં જામશે ભારત-પાક જંગ ]]></title><link>https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</guid><pubDate>Mon, 14 Sep 2026 15:47:21 +05:30</pubDate><description><![CDATA[<p>આવતા મહિને પાકિસ્તાનની હોકી ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે. 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન પંજાબમાં યોજાનારી AHF મેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026માં પાકિસ્તાન સહિત કુલ છ ટીમો ભાગ લેશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પાકિસ્તાનની ભાગીદારી અંગેની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, મલ્ટી-નેશનલ ઇવેન્ટ્સ અંગે કેન્દ્ર સરકારની નીતિ હેઠળ બંને દેશોની ટીમો આમને-સામને રમશે.</p><h2><b>ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જાલંધરમાં રમાશે</b></h2><p>એશિયન મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન થશે. આ ટૂર્નામેન્ટમાં યજમાન ભારત અને પાકિસ્તાન ઉપરાંત ચીન, જાપાન, મલેશિયા અને કોરિયાની પણ ભાગ લેશે. લીગ સ્ટેજના મુકાબલા જાલંધરમાં યોજાશે, જ્યારે સેમિફાઇનલ અને ફાઇનલ મેચ મોહાલીના હોકી સ્ટેડિયમમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 1 નવેમ્બરે જાલંધરમાં રમાશે. કોઈ ટીમ છેલ્લી ઘડીએ ખસી જાય તો તે સ્થિતિ માટે ઓમાન અને બાંગ્લાદેશને રિઝર્વ ટીમન તરીકે રાખવામી આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PTI_News/status/2099416960278868155"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમવામાં કોઈ મુશ્કેલી નથી</b></h2><p>પાકિસ્તાનની ભાગીદારી અને જરૂરી મંજૂરીઓ અંગે પંજાબના મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં બંને દેશો વચ્ચે રમવામાં કોઈ મુશ્કેલી નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝનું આયોજન અલગ બાબત છે, કારણ કે કેન્દ્ર સરકારની વર્તમાન નીતિ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય રમત-ગમતના આયોજનની મંજૂરી આપતી નથી. પરંતુ મલ્ટી-નેશનલ ટૂર્નામેન્ટમાં બંને દેશોના ખેલાડીઓને એકબીજા સામે રમવાની પરવાનગી છે, જેથી પાકિસ્તાની ટીમ ભારત આવી શકશે.</p><h2><b>ભારત વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે</b></h2><p>ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. ભારતે 2023માં ચેન્નાઈ અને 2024માં ચીનના હુલુનબુઈરમાં યોજાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ગત વર્ષે આ સ્પર્ધા યોજાઈ શકી નહોતી. હવે પંજાબ પ્રથમ વખત આ ટૂર્નામેન્ટની મેજબાની કરવા જઈ રહ્યું છે.</p><h2><b>અગાઉ પાકિસ્તાની ટીમે ના કહી હતી&nbsp;</b></h2><p>પાકિસ્તાનની આ વખતની ભાગીદારી એટલા માટે પણ ખાસ છે, કારણ કે ગત વર્ષે તેણે તમિલનાડુમાં આયોજિત જૂનિયર હોકી વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તે સમયે બંને દેશો વચ્ચેના તણાવને તેનું કારણ ગણાવવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે અને પાકિસ્તાની ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે પૂરી રીતે તૈયાર છે.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/V6jwdiIr9RTCvR6EyBaGsP2qfZvYLq2JfkL7pytm.webp'/></item></channel></rss>