<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabad News: શું તમે પણ પીવો છો આ દૂષિત પાણી? AMCની તપાસમાં 37 પાણીના સેમ્પલ અનફિટ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-health-department-water-checking-37-samples-unfit</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-health-department-water-checking-37-samples-unfit</guid><pubDate>Fri, 04 Sep 2026 09:04:57 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરમાં મિશ્ર ઋતુ અને રોગચાળાની ભીતિ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. અમદાવાદ શહેરીજનોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે તંત્ર મારફતે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીના સેમ્પલ લેવાની ઝુંબેશ સઘન બનાવવામાં આવી છે. આરોગ્ય વિભાગની ટીમો ઘરે-ઘરે અને સોસાયટીઓમાં જઈને પીવાના પાણીની ગુણવત્તા ચકાસવા માટે કડક ચેકિંગ હાથ ધરી રહી છે.</p><h2><b>એક જ માસમાં 37 પાણીના સેમ્પલ અનફિટ જાહેર</b></h2><p>આરોગ્ય વિભાગની આ કામગીરી દરમિયાન ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. છેલ્લા માત્ર એક જ મહિનાના સમયગાળામાં લેવાયેલા પાણીના નમૂનાઓમાંથી 37 જેટલા સેમ્પલ લેબોરેટરી ટેસ્ટિંગમાં 'અનફિટ' એટલે કે પીવા માટે અયોગ્ય જાહેર થયા છે. આટલી મોટી સંખ્યામાં પાણીના સેમ્પલ ફેલ થતાં કોર્પોરેશનની કામગીરી સામે અને શહેરમાં અપાતા પીવાના પાણીની શુદ્ધતા સામે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે.</p><h2><b>પૂર્વ ઝોનમાં સૌથી ખરાબ સ્થિતિ, 11 સેમ્પલ ફેલ</b></h2><p>પાણીના સેમ્પલના રિપોર્ટ મુજબ, સૌથી વધુ ખરાબ સ્થિતિ અમદાવાદ શહેરના પૂર્વ ઝોનમાં જોવા મળી છે. પૂર્વ ઝોનના વિવિધ વિસ્તારોમાંથી લેવામાં આવેલા પાણીના નમૂનાઓમાંથી સૌથી વધુ 11 સેમ્પલ ફેલ ગયા છે. આ વિસ્તારોમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતું હોવાની કે અન્ય પ્રદૂષકોની હાજરી હોવાની શક્યતાઓ પ્રબળ બની છે, જેના કારણે સ્થાનિક રહીશોના સ્વાસ્થ્ય પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે.</p><p><img alt="Ahmedabad News: AMC Water Checking, 37 Drinking Water Samples Found Unfit" src="https://epapercdn.sandesh.com/images/2026/09/04/Tc44vCwJvm9GdlhIRCvxy0yx2IBPEe1Ccvn6zTaI.webp" style="width: 100%;"><br></p><h2><b>દક્ષિણ અને મધ્ય ઝોનમાં પણ પાણીમાંથી અશુદ્ધિ મળી</b></h2><p>માત્ર પૂર્વ ઝોન જ નહીં, પરંતુ અમદાવાદ શહેરના દક્ષિણ અને મધ્ય ઝોનમાં પણ પીવાના પાણીની ગુણવત્તા કથળી હોવાનું સામે આવ્યું છે. આ બંને ઝોનના અનેક વિસ્તારોમાંથી લેવાયેલા સેમ્પલોમાં પણ ભારે અશુદ્ધિઓ અને જીવાણુઓ જોવા મળ્યા છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા ભલે 'સ્માર્ટ સિટી' ના દાવાઓ થતા હોય, પરંતુ મધ્ય ઝોન જેવા મુખ્ય વિસ્તારોમાં પણ શુદ્ધ પીવાનું પાણી ન મળવું તે એક અત્યંત ચિંતાજનક બાબત છે.</p><h2><b>પીવાનું પાણી અયોગ્ય જણાતા રોગચાળાની ચિંતા વધી</b></h2><p>અમદાવાદ શહેરમાં 37 જગ્યાએ પીવાનું પાણી પીવાલાયક ન હોવાનું સાબિત થતાં લોકોમાં રોગચાળો ફેલાવવાનો ડર વ્યાપી ગયો છે. અશુદ્ધ પાણીના સેવનથી ઝાડા-ઉલ્ટી, ટાઇફોઇડ, અને કમળા જેવા જળજન્ય રોગો માથું ઊંચકી શકે છે. આરોગ્ય નિષ્ણાતો દ્વારા નાગરિકોને હાલ પૂરતું પાણી ઉકાળીને પીવાની અને પાણીના સ્ત્રોતોને સ્વચ્છ રાખવાની ખાસ અપીલ કરવામાં આવી છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/janmashtami/news/janmashtami-2026-celebration-sandesh-digital-kanuda-photo" target="_blank">Janmashtami 2026: સંદેશ ડિજિટલને સાથે જન્માષ્ટમી ઉજવણી, જુઓ તમારા કાનુડાનો ફોટો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/qAbBOTwNOJj0UmF637HVp9dBCk9GVvvpFHuymzZk.webp'/></item><item><title><![CDATA[The Traitors 2 Winner https: ક્રિસ્ટલ ડિસોઝા અને રીડા થરાના બન્યા વિજેતા, જીતી 66 લાખની વિશાળ રકમ ]]></title><link>https://sandesh.com/entertainment/news/the-traitors-2-winner-https-crystal-dsouza-and-rida-tharana-became-the-winners-won-a-huge-amount-of-66-lakhs</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/the-traitors-2-winner-https-crystal-dsouza-and-rida-tharana-became-the-winners-won-a-huge-amount-of-66-lakhs</guid><pubDate>Fri, 04 Sep 2026 09:03:31 +05:30</pubDate><description><![CDATA[<p>રિયાલિટી શો 'ધ ટ્રેટર્સ સીઝન 2' (The Traitors Season 2) ને આખરે તેના વિજેતાઓ મળી ગયા છે. આ વખતે શોમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે, જ્યાં એક નહીં પરંતુ બે સ્પર્ધકોએ સંયુક્ત રીતે ટ્રોફી અને ₹6.6 મિલિયન (₹66 લાખ) ની ઇનામી રકમ પોતાના નામે કરી છે. આ શોની વિજેતા જોડી ક્રિસ્ટલ ડિસોઝા અને રીડા થરાના બની છે, જેમણે અંતિમ તબક્કા સુધી એકબીજાનો સાથ નિભાવીને આ રમત જીતી લીધી.</p><p><b>ફિનાલેનો રોમાંચક અંતિમ તબક્કો</b></p><p>શોના અંતિમ તબક્કાની શરૂઆત મલ્લિકા શેરાવતની "હત્યા" (Elimination) સાથે થઈ હતી. ત્યારબાદ રમતમાં ક્રિસ્ટલ, રીડા, શાલિની પાસી, સાહિલ સલાથિયા અને દિલીપ તાહિલ એમ પાંચ ખેલાડીઓ બાકી રહ્યા હતા. શંકાના વર્તુળમાં સૌથી પહેલા દિલીપ તાહિલ બહાર થયા. ત્યારબાદ સાહિલ સલાથિયા અને શાલિની પાસી એક પછી એક રમતમાંથી બહાર થતાં ક્રિસ્ટલ અને રીડા શોના ફાઇનલિસ્ટ તરીકે સામે આવ્યા.</p><p><b>વિશ્વાસ અને દોસ્તી: ક્રિસ્ટલે કેમ શેર કરી ટ્રોફી?</b></p><p>ફિનાલેમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે શાલિનીએ રીડા વિરુદ્ધ વોટ કર્યો. આ સમયે ક્રિસ્ટલ પાસે રીડાને રમતમાંથી બહાર કરીને આખી ઇનામી રકમ એકલા જ જીતવાની સુવર્ણ તક હતી. પરંતુ ક્રિસ્ટલે પોતાની સાથી 'ટ્રેટર' રીડાને ધોખો આપવાને બદલે તેનો સાથ આપ્યો અને તેને બચાવી લીધી. જ્યારે અંતમાં બંનેએ પોતાની ઓળખ જાહેર કરી, ત્યારે બહાર થયેલા સ્પર્ધકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.</p><p><b>માસ્ટરમાઇન્ડ ગેમપ્લાન: ક્રિસ્ટલ અને રીડાની સફળ રણનીતિ</b></p><p>ક્રિસ્ટલ ડિસોઝાની ચતુર રમત: ક્રિસ્ટલ પહેલા જ દિવસથી શોમાં 'ટ્રેટર' તરીકે રમી રહી હતી. તેણે પોતાની માસૂમિયત પાછળ એક મજબૂત રણનીતિ છુપાવી રાખી હતી. કરણ જોહરે પણ તેની આ હોંશિયાર ગેમપ્લાનની પ્રશંસા કરી હતી.&nbsp; રીડા થરાનાનો ઉત્કૃષ્ટ પરફોર્મન્સ: શરૂઆતમાં નિર્દોષ સ્પર્ધક તરીકે રમતી રીડાએ કુલુ અને શાહનીલની ઓળખ ખુલ્લી પાડી હતી. ત્યારબાદ ક્રિસ્ટલે તેને શોના મધ્યમાં પોતાની સાથી 'ટ્રેટર' તરીકે પસંદ કરી હતી. બંનેએ મળીને બાકીના ખેલાડીઓને માત આપી.</p><p><br></p><p><a href="https://sandesh.com/entertainment/news/hanuman-ansh-muslim-youth-theatre-viral-video" target="_blank">આ પણ વાંચો : મુસ્લિમ યુવક ચપ્પલ ઉતારીને થિયેટરમાં  જોઈ રહ્યો હતો Hanuman Ansh, લોકોએ કહ્યું- 'આ છે રાજકારણ વગરનું ભારત'</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/A9TS5CBnQuG0vWtlkVEHKdgL2zhV8rjZOwlx58GM.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: AMCના 16 પ્લોટ અને 12 બસ ડેપોમાં પે એન્ડ પાર્ક શરૂ થશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-to-start-pay-and-park-at-16-plots-and-12-bus-depots</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-to-start-pay-and-park-at-16-plots-and-12-bus-depots</guid><pubDate>Fri, 04 Sep 2026 08:57:46 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સપ્ટેમ્બર-2021માં ડ્રાફ્ટ પાર્કિંગ પોલિસી મંજૂર કરાઈ હતી.મ્યુનિ.ની ડ્રાફ્ટ પાર્કિંગ પોલિસીને રાજ્ય સરકાર દ્વારા ઓક્ટોબર-2021માં મંજૂરી અપાતા મ્યુનિ.દ્વારા પાર્કિંગ પોલિસીનો અમલ શરૂ કરાયો હતો.કમનસીબે અમ્યુકોનું અણઘડ આયોજન કહો કે સમયસર નિર્ણય લેવામાં વિલંબ,આ પાર્કિંગ પોલિસીના અમલનું 'ટાંય ટાંય ફિશ' થઈ જતાં આખરે AMCના 16 પ્લોટ તેમજ એએમટીએસ અને બીઆરટીએસની 12 ખુલ્લી જગ્યાઓમાં 'પે એન્ડ પાર્ક' પદ્ધતિથી વાહનો પાર્ક કરાવવા માટે ટેન્ડર બહાર પાડવાની ફરજ પડી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>પ્રોપર્ટી ટેક્સ ભરવામાંથી માફી&nbsp;</b></h2><p style="text-align: justify; ">હોસ્પિટલ,મોલ સહિતનાં કોમર્શિયલ બિલ્ડિંગો પોતાના પાર્કિંગનો ઉપયોગ લોકો માટે કરવા સંમતિ આપે તો તેમને પાર્કિંગની જગ્યાના પ્રોપર્ટી ટેક્સ ભરવામાંથી માફી આપવાની જાહેરાત સામે માત્ર 35 જેટલા અરજદારોએ જ સંમતિ દર્શાવી હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.AMC દ્વારા જે સમયે ડ્રાફ્ટ પોલિસી મંજૂર કરાઈ એ સમયે નવું વાહન ખરીદતાં પહેલાં પાર્કિંગની જગ્યા હોવાનો પુરાવો રજૂ કરવો ફરજિયાત રાખવામાં આવ્યો હતો.જોકે, પછીથી સ્ટેન્ડિંગ કમિટીએ આ નિયમ રદ કર્યો હતો.આ ઉપરાંત ઝોનવાઇઝ પાર્કિંગ પોલિસીનો અમલ કરવાનો નિર્ણય કરાયો હતો.&nbsp;</p><p style="text-align: justify; "><img alt="પાર્કિંગ" src="https://epapercdn.sandesh.com/images/2026/09/04/MfB4wU371LrvVEyeNJeUdW5fKyrpBbOJoze95iBl.webp" style="width: 100%;"><br></p><h3 style="text-align: justify; "><b>વાર્ષિક પાર્કિંગ પરમિટ આપવાની જોગવાઈ</b></h3><p style="text-align: justify; ">રહેણાંક સોસાયટીઓની આસપાસના રસ્તાઓ,જાહેર માર્ગો અને પ્લોટમાં માસિક તેમજ વાર્ષિક પાર્કિંગ પરમિટ આપવાની જોગવાઈ કરાઈ હતી.રેવન્યુ શેરિંગ મોડેલ હેઠળ સિંધુભવન રોડ,રાજપથ-રંગોલી રોડ અને ઇસ્કોન-આંબલી રોડ ઉપર ‘પે એન્ડ પાર્ક’ના પાઇલટ પ્રોજેક્ટ એ સમયે શરૂ કરાયા હતા.5 વર્ષ પછી પણ વાહન પાર્કિંગની પરિસ્થિતિ સરળ બનવાના બદલે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતી જાય છે.અનેક રહેણાંક અને કોમર્શિયલ બિલ્ડિંગોમાં કોર્પોરેશનની ઝુંબેશની અસર જોવા મળતી નથી.અનેક બિલ્ડિંગોમાં મુલાકાતીને વાહનો બહાર રોડ પર જ પાર્ક કરવાની ફરજ પડાઈ રહી છે.<br><br><a href="https://sandesh.com/janmashtami/news/maru-saher-maru-gaam/dwarka/dwarka-jagat-mandir-janmashtami-celebration-devotees-rush" target="_blank">આ પણ વાંચોઃ Janmashtami 2026: દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી, વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/GN0GMeFZaujcojx8TA5TBIMg0qsTOmWTb0fNA5fi.webp'/></item><item><title><![CDATA[Ahmedabad વાસીઓ ધ્યાન આપે! AMCની ઓનલાઇન સેવાઓ 10 કલાક માટે રહેશે સંપૂર્ણ બંધ, જાણો ક્યારથી ક્યાં સુધી ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-online-services-down-for-10-hours-technical-upgradation</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-online-services-down-for-10-hours-technical-upgradation</guid><pubDate>Fri, 04 Sep 2026 08:19:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નાગરિકોની ઓનલાઇન સુવિધામાં વધારો કરવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. આ પ્રયાસોના ભાગરૂપે વેબસાઈટ અને સિસ્ટમને વધુ ઝડપી તેમજ સુદ્રઢ બનાવવા માટે ટેકનિકલ અપગ્રેડેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. જેના કારણે આગામી સમયમાં AMCની તમામ ઓનલાઇન સેવાઓ અને પોર્ટલ હંગામી ધોરણે બંધ રાખવાનો નિર્ણય તંત્ર મારફતે લેવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>કાલે રાત્રે 9 વાગ્યાથી સિસ્ટમ થશે બંધ</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી અનુસાર, 5 સપ્ટેમ્બરના રોજ રાત્રે 9 વાગ્યાથી કોર્પોરેશનનું મુખ્ય સર્વર અને ઓનલાઇન સિસ્ટમ મેન્ટેનન્સમાં જશે. આ સમયગાળા દરમિયાન નાગરિકો પ્રોપર્ટી ટેક્સ ભરવા, વ્યવસાય વેરો ભરવા, જન્મ-મરણના પ્રમાણપત્રોની અરજી કરવા કે અન્ય કોઈ પણ પ્રકારની ઓનલાઇન સેવાઓનો લાભ મેળવી શકશે નહીં. આ કામગીરી ખાસ કરીને રાત્રિના સમયે રાખવામાં આવી છે, જેથી સામાન્ય લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે.</p><h2 style="text-align: justify; "><b>6 સપ્ટેમ્બર સવારે 7 વાગ્યા સુધી કામગીરી ચાલશે</b></h2><p style="text-align: justify; ">આ ટેકનિકલ અપગ્રેડેશનની કામગીરી 6 સપ્ટેમ્બરના રોજ સવારે 7 વાગ્યા સુધી અવિરતપણે ચાલશે. શનિવારે રાત્રિના 9 વાગ્યાથી લઈને રવિવારે સવારના 7 વાગ્યા સુધી એમ કુલ 10 કલાક સુધી સિસ્ટમ સંપૂર્ણપણે ડાઉન રહેશે. 6 તારીખે સવારે 7 વાગ્યા બાદ તમામ ઓનલાઇન સેવાઓ રાબેતા મુજબ કાર્યરત થઈ જશે, ત્યારબાદ નાગરિકો ફરીથી ઘરે બેઠા જ ડિજિટલ સુવિધાઓનો ઉપયોગ કરી શકશે.</p><h2 style="text-align: justify; "><b>નાગરિકોને અગાઉથી અગત્યના કામ પતાવી લેવા અપીલ</b></h2><p style="text-align: justify; ">સળંગ 10 કલાક સુધી ઓનલાઇન સેવાઓ ખોરવાઈ જવાના કારણે લોકોને બિનજરૂરી હાલાકી ન ભોગવવી પડે તે માટે કોર્પોરેશન દ્વારા અગાઉથી જ જાણ કરવામાં આવી છે. તંત્રએ અમદાવાદના નાગરિકોને અપીલ કરી છે કે, તેઓ પોતાના અગત્યના ઓનલાઇન કામકાજ આ સમયમર્યાદા પહેલાં અથવા તો સિસ્ટમ ફરીથી શરૂ થયા બાદ પૂરા કરી લે, જેથી કોઈ અગવડતાનો સામનો ન કરવો પડે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો: <a href="https://sandesh.com/janmashtami/news/janmashtami-2026-celebration-sandesh-digital-kanuda-photo" target="_blank">Janmashtami 2026: સંદેશ ડિજિટલને સાથે જન્માષ્ટમી ઉજવણી, જુઓ તમારા કાનુડાનો ફોટો...</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/NmWO4LiA0MUkBgjUtoghDZ8DgBxi4Cq9KbVAjAzS.webp'/></item><item><title><![CDATA[Janmashtami 2026: શામળાજી મંદિરમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી, મંગળા આરતી અને પંચામૃત અભિષેક કરાયો ]]></title><link>https://sandesh.com/janmashtami/news/maru-saher-maru-gaam/dakor/janmashtami-2026-celebration-shamlaji-temple</link><guid isPermaLink="true">https://sandesh.com/janmashtami/news/maru-saher-maru-gaam/dakor/janmashtami-2026-celebration-shamlaji-temple</guid><pubDate>Fri, 04 Sep 2026 07:57:55 +05:30</pubDate><description><![CDATA[<p>અરવલ્લી જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આજરોજ કૃષ્ણ જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમી પર્વની અત્યંત ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન કાળિયા ઠાકોર એટલે કે શામળિયાના દર્શન કરવા માટે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ શામળાજી મંદિરે પહોંચી રહ્યા છે. સમગ્ર મંદિર પરિસર 'જય રણછોડ, માખણ ચોર' અને 'નંદ ઘેર આનંદ ભયો, જય કન્હૈયા લાલ કી'ના નાદથી ગુંજી ઉઠ્યું છે.</p><h2><b>સવારે 6:00 વાગ્યે ખુલ્યા દ્વાર અને મંગળા આરતીનો મહિમા</b></h2><p>જન્માષ્ટમીના પાવન અવસર પર વહેલી સવારે 6:00 કલાકે નિજ મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. દ્વાર ખુલતાની સાથે જ શામળિયાના મંગળા દર્શન કરવા માટે ભક્તોનો ભારે જમાવડો જોવા મળ્યો હતો. સનાતન પરંપરામાં અને ખાસ કરીને શામળાજી તીર્થક્ષેત્રમાં જન્માષ્ટમીના દિવસે મંગળા દર્શનનું વિશેષ અને અનેરું ધાર્મિક મહત્વ રહેલું છે. ઠાકોરજીના આ મનોરમ્ય રૂપને જોઈને દર્શનાર્થીઓ ધન્યતા અનુભવી રહ્યા છે.</p><p><img alt="Janmashtami 2026 Celebrations at Shamlaji Temple: Mangala Aarti and Panchamrut Abhishek" src="https://epapercdn.sandesh.com/images/2026/09/04/dS7pzqajM1OCNHdXLLwH754eI3ksVvyGY5nHiimp.webp"><br></p><h2><b>શામળિયાનો પંચામૃત અભિષેક અને વિશેષ શૃંગાર</b></h2><p>મંગળા આરતીના સંપન્ન થયા બાદ શામળિયા ભગવાનનો દૂધ, દહીં, ઘી, મધ અને સાકર જેવા પવિત્ર દ્રવ્યો વડે વૈદિક મંત્રોચ્ચાર સાથે 'પંચામૃત અભિષેક' કરવામાં આવ્યો હતો. આ ખાસ દિવસ નિમિત્તે ભગવાનને વિશેષ વસ્ત્રો અને આભૂષણોથી સજ્જ કરવામાં આવ્યા છે. પંચામૃત સ્નાન બાદ ભગવાનનો નયનરમ્ય શૃંગાર જોઈને દર્શનાર્થીઓ ભાવવિભોર બન્યા હતા.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2095691981955711217"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>મંદિર ટ્રસ્ટ અને પોલીસ પ્રશાસને કર્યું સુચારુ આયોજન</b></h2><p>જન્માષ્ટમી નિમિત્તે ઉમટી પડેલી ભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક પ્રશાસન દ્વારા દર્શન માટે અલાયદી અને વ્યવસ્થિત લાઈનોની વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે સિક્યોરિટી અને સ્વયંસેવકો તૈનાત કરાયા છે. આ સાથે સાથે અરવલ્લી પોલીસ પણ સુરક્ષાના કડક બંદોબસ્તમાં તૈનાત છે, જેથી તમામ ભક્તો શાંતિપૂર્ણ રીતે કાળિયા ઠાકોરના દર્શન કરી શકે.</p><p><img alt="Janmashtami 2026 Celebrations at Shamlaji Temple: Mangala Aarti and Panchamrut Abhishek" src="https://epapercdn.sandesh.com/images/2026/09/04/Hr3oB13xxHm697sL6e0tYFttpGOjGLI9sTbKU788.webp"><img alt="Janmashtami 2026 Celebrations at Shamlaji Temple: Mangala Aarti and Panchamrut Abhishek" src="https://epapercdn.sandesh.com/images/2026/09/04/plfjr0COhzGGAvpJ7GNVo3YhIq4S6dfFGALfbtse.webp"><br></p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/janmashtami/news/janmashtami-2026-celebration-sandesh-digital-kanuda-photo" target="_blank">Janmashtami 2026: સંદેશ ડિજિટલને સાથે જન્માષ્ટમી ઉજવણી, જુઓ તમારા કાનુડાનો ફોટો...</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/zY93T1GgAXue7zWfNqZ6WuXk3YXK7r7bBilUKG9Q.webp'/></item><item><title><![CDATA[Kadi: રિક્ષા ચોરી બાદ લોખંડના ફરેમ ચોરતા બે શખ્સો ઝડપાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/kadi/kadi-two-men-arrested-for-stealing-iron-frames-after-rickshaw-theft</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/kadi/kadi-two-men-arrested-for-stealing-iron-frames-after-rickshaw-theft</guid><pubDate>Fri, 04 Sep 2026 05:58:55 +05:30</pubDate><description><![CDATA[<p>કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રિક્ષા તેમજ લોખંડના ર્ફ્મા ની ચોરીના બનાવનો ભેદ ઉકેલી કડી પોલીસે બે શખ્સોને ઝડપી પાડયા છે. પોલીસે બંને પાસેથી ચોરીની રિક્ષા અને લોખંડના ર્ફ્મા મળી કુલ રૂ.1.80 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.</p><p>મહેસાણા એસપી હિમાંશુ સોલંકી (IPS) તથા કડી ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિની સૂચના અને માર્ગદર્શન હેઠળ કડી પોલીસ મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતી. તે સમયે PI એ.એસ.રબારીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.બી. દવે તથા સર્વેલન્સ સ્ટાફ્ પેટ્રોલિંગ કરી રહ્યા હતા.</p><p>દ દરમિયાન પો.સ.ઇ. આર.બી. દવેને મળેલી બાતમીના આધારે બોરીસણા-ફુલેત્રા રોડ ઉપર નવી બની રહેલી નોવા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાંથી લોખંડના ર્ફ્માની ચોરી કરતા બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. બંનેને પોલીસ મથકે લાવી પૂછપરછ કરતાં તેમણે તા.31 ઓગસ્ટ, 2026ના રોજ બપોરના સમયે બોરીસણા-થોળ રોડ ઉપરથી રિક્ષાની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. ચોરી કરેલી રિક્ષા લઈને તેઓ નોવા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં લોખંડના ર્ફ્મા ચોરવા પહોંચ્યા હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી રજીસ્ટ્રેશન નંબર GJ-18-BY-4849 વાળી રિક્ષા કિંમત રૂ.1.50 લાખ તથા રૂ.30 હજારની કિંમતના લોખંડના ર્ફ્મા મળી કુલ રૂ.1.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા આરોપીઓમાં અમરતભાઈ બળદેવભાઈ નનુભાઈ દંતાણી, હાલ રહે. બોરીસણા, તા.કડી, જી.મહેસાણા તથા નઈમખાન મતલુબ કાસમ શેખ, હાલ રહે. બોરીસણા-ફુલેત્રા રોડ ઉપર જેટ કિંગ ફેબ્રિકેશનની દુકાનમાં, મૂળ રહે. અડોલી ગામ, તા.જી. બુલંદશહર, ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. રિક્ષા ચોરી અંગે કડી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 303(2) મુજબ ગુના નોંધી બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/OkBeyFUMt9x56MIICUP1Uw9u6NtpH5vJkvkJu1xN.webp'/></item><item><title><![CDATA[Indiaને મળ્યું નવું ઘાતક હથિયાર, 'ખગાંતક-243' ગ્લાઈડ બોમ્બનું પ્રથમ સફળ પરીક્ષણ ]]></title><link>https://sandesh.com/india/news/india-khagantak-243-long-range-glide-bomb-successful-test</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/india-khagantak-243-long-range-glide-bomb-successful-test</guid><pubDate>Thu, 03 Sep 2026 23:32:15 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ થઈ છે. દેશમાં જ વિકસાવવામાં આવેલા 'ખગાંતક-243' (Khagantak-243) લોંગ-રેન્જ ગ્લાઈડ બોમ્બનું પ્રથમ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. પરીક્ષણ દરમિયાન ગ્લાઈડ બોમ્બે રણ વિસ્તારમાં નિર્ધારિત લક્ષ્યને ચોક્કસ રીતે ભેદ્યું હતું અને જોરદાર વિસ્ફોટ થયો હતો.</p><h2><b>ગ્લાઈડ બોમ્બનું વજન આશરે 300 કિલો</b></h2><p>આ ગ્લાઈડ બોમ્બનું વજન આશરે 300 કિલોગ્રામ છે. તેમાં 125 કિલોગ્રામનું Mk-81 વોરહેડ લગાવવામાં આવ્યું છે. તેને સ્ટેન્ડ-ઓફ પ્રિસિઝન વેપન તરીકે વિકસાવવામાં આવ્યું છે. વધુ ઊંચાઈ પરથી લોન્ચ કરવામાં આવે તો આ બોમ્બ 140 કિલોમીટરથી વધુ અંતર કાપી શકે છે. ખગાંતક-243ને INS અને GNSS આધારિત નેવિગેશન સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યું છે. આ ટેક્નોલોજી તેને લક્ષ્ય સુધી ચોકસાઈપૂર્વક પહોંચવામાં મદદ કરે છે. દાવો કરવામાં આવે છે કે તે 10 મીટરથી ઓછા અંતરની ચોકસાઈ સાથે નિર્ધારિત લક્ષ્યને નિશાન બનાવી શકે છે.</p><h3><b>વાયુસેનાની સ્ટેન્ડ-ઓફ સ્ટ્રાઈક ક્ષમતામાં વધારો</b></h3><p>આ ગ્લાઈડ બોમ્બનું પરીક્ષણ ભારતીય વાયુસેનાના શક્તિશાળી Su-30MKI ફાઈટર જેટ પરથી કરવામાં આવ્યું હતું. આ હથિયાર ભારતીય વાયુસેનાની સ્ટેન્ડ-ઓફ સ્ટ્રાઈક ક્ષમતામાં વધારો કરી શકે છે. તેનો સૌથી મોટો વ્યૂહાત્મક ફાયદો એ છે કે ફાઈટર જેટને દુશ્મનના એર ડિફેન્સ ઝોનની ખૂબ નજીક ગયા વિના સુરક્ષિત અંતરેથી લક્ષ્ય પર હુમલો કરવાની ક્ષમતા મળી શકે છે.</p><p>ખગાંતક-243ને નાગપુર સ્થિત JSR Dynamics દ્વારા ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) સાથે મળીને વિકસાવવામાં આવ્યું છે. સ્વદેશી ટેક્નોલોજીથી તૈયાર થયેલા આ હથિયારનું સફળ પરીક્ષણ 'આત્મનિર્ભર ભારત' અભિયાન માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. આ સિદ્ધિથી ભારતીય વાયુસેનાની લાંબા અંતરની ચોકસાઈભરી હુમલાની ક્ષમતામાં વધારો થવાની શક્યતા છે. સાથે જ દેશમાં સ્વદેશી રીતે આધુનિક હથિયારો વિકસાવવાની ક્ષમતાને પણ પ્રોત્સાહન મળશે.<br><br><b><a href="https://sandesh.com/india/news/pm-modi-bjp-ruled-states-jal-jeevan-mission-last-person" target="_blank">આ પણ વાંચો : PM મોદીની ભાજપ શાસિત રાજ્યોના જળમંત્રીઓ સાથે બેઠક, કહ્યું 'યોજનાનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડો'</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/pBblwmc393RpmeJ2wnUUmDbXJUVLurUVsc9Hf89d.webp'/></item><item><title><![CDATA[PM મોદીની ભાજપ શાસિત રાજ્યોના જળમંત્રીઓ સાથે બેઠક, કહ્યું 'યોજનાનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડો' ]]></title><link>https://sandesh.com/india/news/pm-modi-bjp-ruled-states-jal-jeevan-mission-last-person</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/pm-modi-bjp-ruled-states-jal-jeevan-mission-last-person</guid><pubDate>Thu, 03 Sep 2026 22:49:30 +05:30</pubDate><description><![CDATA[<p>વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને જળમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી. આ બેઠકમાં તેમણે જળ જીવન મિશન સહિત સરકારની વિવિધ યોજનાઓનો લાભ સમાજમાં કતારમાં ઊભેલા અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવા પર ભાર મૂક્યો હતો.</p><h2><b>કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વધુ સારું સંકલન જરૂરી</b></h2><p>PM મોદીએ જળ ક્ષેત્ર સાથે જોડાયેલા મંત્રીઓને સરકારની યોજનાઓના અસરકારક અમલીકરણ માટે પરસ્પર સંકલન સાથે કામ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વધુ સારું સંકલન તેમજ એકબીજાના અનુભવો અને સફળ પ્રયાસોની આપ-લે જરૂરી છે. વડાપ્રધાને રાજ્યોને એકબીજાની બેસ્ટ પ્રેક્ટિસ અને સફળ મોડલમાંથી શીખવા અને પોતાના રાજ્યની જરૂરિયાત પ્રમાણે તેનો અમલ કરવા પણ સૂચના આપી હતી. તેમણે યોજનાઓના અમલીકરણની અસરકારક દેખરેખ અને લોકો સુધી તેનો વાસ્તવિક લાભ પહોંચે તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો.</p><h3><b>ભાજપ અધ્યક્ષ તમામ મંત્રીઓને લઈને PM આવાસ પહોંચ્યા</b></h3><p>આ બેઠક વડાપ્રધાનના નિવાસસ્થાને યોજાઈ હતી. તે પહેલાં ભાજપ મુખ્યાલય ખાતે જળમંત્રીઓ અને સંબંધિત નેતાઓ સાથે આશરે પાંચ કલાકની બેઠક ચાલી હતી. ત્યારબાદ ભાજપ અધ્યક્ષ નીતિન નવીન તમામ મંત્રીઓને લઈને PM આવાસ પહોંચ્યા હતા. આ અગાઉ નીતિન નવીને 'જળ મંથન' કાર્યક્રમ હેઠળ ભાજપ શાસિત રાજ્યોના જળ સંસાધન મંત્રીઓ સાથે બેઠક કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે આંતરરાજ્ય સંકલન અને શ્રેષ્ઠ કાર્યપદ્ધતિઓના આદાન-પ્રદાન અંગે બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી.</p><h4><b>આગામી 25થી 50 વર્ષ માટે પણ આયોજન જરૂરી&nbsp;</b></h4><p>નીતિન નવીને જણાવ્યું હતું કે PM મોદીના નેતૃત્વ હેઠળ દેશના કરોડો પરિવારો સુધી નળથી પાણી પહોંચાડવાનું મહત્વપૂર્ણ કાર્ય થયું છે. તેમણે લાંબા ગાળાની નીતિ અને આયોજન પર ભાર મૂકતા કહ્યું કે ભારતને 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને આગામી 25થી 50 વર્ષ માટે પણ આયોજન જરૂરી છે. કેન્દ્ર સરકાર, રાજ્યો, અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેના સંકલનથી યોજનાઓનું વધુ સારું આયોજન, અમલીકરણ અને મોનિટરિંગ થઈ શકે અને તેનો મહત્તમ લાભ સામાન્ય નાગરિકો સુધી પહોંચાડી શકાય તે બેઠકનો મુખ્ય ઉદ્દેશ રહ્યો હતો.<br><br><b><a href="https://sandesh.com/india/news/world/s-jaishankar-meets-ukraine-foreign-minister-war-must-end" target="_blank">આ પણ વાંચો : S Jaishankar યુક્રેનના વિદેશપ્રધાનને મળ્યા, કહ્યું 'યુદ્ધનો અંત હવે જરૂરી'</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/w6NngxCgGR2C9yJqUDeJ1U3GwoJCRBC2eOekYYK0.webp'/></item><item><title><![CDATA[Bullet Train બનાવશે આ ભારતીય કંપની, 866 કરોડનું છે બજેટ ]]></title><link>https://sandesh.com/india/news/business/beml-india-first-indigenous-bullet-train-866-crore-contract</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/beml-india-first-indigenous-bullet-train-866-crore-contract</guid><pubDate>Thu, 03 Sep 2026 19:16:50 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય રેલવે 280 કિલોમીટર પ્રતિ કલાકની ડિઝાઈન સ્પીડ ધરાવતી પોતાની પ્રથમ સ્વદેશી હાઈસ્પીડ ટ્રેન તૈયાર કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ચેન્નાઈની ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF)એ BEML Limitedને ₹866.87 કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ અંતર્ગત બે હાઈસ્પીડ ટ્રેનસેટના પ્રોટોટાઈપ તૈયાર કરવામાં આવશે.</p><h2><b>વિવિધ પાસાઓ ચકાસવામાં આવશે</b></h2><p>રેલવેનો લક્ષ્યાંક માર્ચ 2027 સુધીમાં પ્રથમ પ્રોટોટાઈપ તૈયાર કરવાનો છે. ત્યારબાદ રિસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઈઝેશન (RDSO) દ્વારા ટ્રેનનું પરીક્ષણ કરવામાં આવશે. પરીક્ષણ દરમિયાન ઝડપ, સુરક્ષા, બ્રેકિંગ, સ્થિરતા અને મુસાફરોના આરામ સહિતના વિવિધ પાસાઓ ચકાસવામાં આવશે. દરેક ટ્રેનસેટમાં 8 કોચ હશે અને તેની ડિઝાઈન સ્પીડ 280 KMPH રાખવામાં આવી છે. ટ્રેન 250 KMPHથી વધુ ઝડપે દોડી શકશે. તમામ કોચ સંપૂર્ણ એર-કન્ડિશન્ડ ચેર કાર હશે. મુસાફરો માટે ઓનબોર્ડ ઈન્ફોટેનમેન્ટ, રિક્લાઈનિંગ અને ફરતી સીટ જેવી સુવિધાઓ આપવામાં આવશે. દિવ્યાંગ મુસાફરોની સુવિધાઓનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે.</p><h3><b>ટ્રેનસેટને B-28 કોડનેમ આપવામાં આવ્યું</b></h3><p>BEMLએ આ ટ્રેનના નિર્માણ માટે બેંગલુરુમાં 'આદિત્ય' નામનું અલગ હાઈસ્પીડ રેલ કોમ્પ્લેક્સ તૈયાર કર્યું છે. ટ્રેનસેટને B-28 કોડનેમ આપવામાં આવ્યું છે. ભારતીય હવામાનને ધ્યાનમાં રાખીને ટ્રેનની ડિઝાઈન કરવી પણ એક મોટો પડકાર છે. ભારતમાં ગરમી, ધૂળ અને વિવિધ હવામાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ટેક્નોલોજી વિકસાવવામાં આવી રહી છે. હાલમાં સ્ટેનલેસ સ્ટીલના ઉપયોગની યોજના છે, જ્યારે 300 KMPHથી વધુ ઝડપ માટે એલ્યુમિનિયમ ટ્રેનસેટ પર પણ વિચારણા ચાલી રહી છે.</p><h4><b>પ્રથમ તબક્કામાં સુરત-બિલિમોરા સેક્શનથી સેવા શરૂ થવાની શક્યતા</b></h4><p>આ પ્રોજેક્ટનું મહત્વ મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર માટે પણ મોટું છે. પ્રથમ તબક્કામાં સુરત-બિલિમોરા સેક્શનથી સેવા શરૂ થવાની શક્યતા છે. પ્રોટોટાઈપ અને ટેસ્ટિંગ સમયસર પૂર્ણ થાય તો ઓગસ્ટ 2027 સુધીમાં આ રૂટ પર હાઈસ્પીડ ટ્રેન સેવા શરૂ થવાની આશા છે. સરકારે ભવિષ્યમાં વધુ 7 હાઈસ્પીડ રેલ કોરિડોર વિકસાવવાની યોજના પણ જાહેર કરી છે, જેમાં મુંબઈ-પુણે, પુણે-હૈદરાબાદ, દિલ્હી-વારાણસી સહિતના રૂટનો સમાવેશ થાય છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/nta-standard-testing-centres-network-aicte-it-infrastructure-data" target="_blank">આ પણ વાંચો : NTA દેશભરમાં બનાવશે સ્ટાન્ડર્ડ ટેસ્ટિંગ સેન્ટર્સનું નેટવર્ક, AICTEએ સંસ્થાઓ પાસેથી માગ્યો ડેટા</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/LsxjsbyWXkMoJeCknZofj6nEhtFwrP5HtzQOcceg.webp'/></item><item><title><![CDATA[Asian Games 2026: નીરજ ચોપરાના રિપ્લેસમેન્ટની જાહેરાત, આ સ્ટારને મળ્યું સ્થાન ]]></title><link>https://sandesh.com/sports/news/neeraj-chopra-out-yashvir-singh-asian-games</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/neeraj-chopra-out-yashvir-singh-asian-games</guid><pubDate>Thu, 03 Sep 2026 18:11:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">એશિયન ગેમ્સ 19 સપ્ટેમ્બરથી જાપાનમાં શરૂ થવાની છે. ભારતીય ટીમને તાજેતરમાં મોટો ઝટકો લાગ્યો છે. ઈજાને કારણે બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા અને સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરા 2026 સીઝનની બાકીની બધી સ્પર્ધાઓમાંથી બહાર થઈ ગયો છે. તેને સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરી. ફેન્સને આશા હતી કે તે ગોલ્ડ જીતશે.&nbsp;</p><p style="text-align: justify;">પરંતુ એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ ત્યારબાદ એક નિવેદનમાં જાહેરાત કરી હતી કે તેઓ ટૂંક સમયમાં નીરજના રિપ્લેસમેન્ટની જાહેરાત કરશે. હવે તે ખેલાડીનું નામ જાહેર કરવામાં આવ્યું છે.</p><h2 style="text-align: justify;"><b>નીરજ ચોપરાનું સ્થાન કોણ લેશે?</b></h2><p style="text-align: justify;">ઈજા છતાં નીરજ ચોપરાએ તાજેતરની કેટલીક સ્પર્ધાઓમાં સારું પ્રદર્શન કર્યું. તેને કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો. નીરજના સાથી અને પ્રખ્યાત ભાલા ફેંકનાર યશવીર સિંહે કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. હવે તેને તેનું ઈનામ મળી ગયું છે. યશવીર એશિયન ગેમ્સમાં નીરજનું સ્થાન લેશે. યશવીરને એક મોટી તક મળી છે. તે એશિયન ગેમ્સમાં અજાયબીઓ કરી શકે છે.</p><p style="text-align: justify;">એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બહાદુર સિંહ સાગુએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "અમે એશિયન ગેમ્સ માટે નીરજ ચોપરાની જગ્યાએ યશવીર સિંહને સામેલ કર્યો છે. તેને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યો હતો. નીરજ હાલમાં ઘાયલ છે. તેની ઈજાને કારણે આ ફેરફાર કરવામાં આવ્યો છે. યશવીરના આવવામાં કોઈ સમસ્યા નહોતી."</p><h3 style="text-align: justify;"><b>યશવીર સિંહની સિઝન શાનદાર રહી&nbsp;</b></h3><p style="text-align: justify;">યશવીર સિંહે કોમનવેલ્થ ગેમ્સ  2026માં બ્રોન્ઝ મેડલ જીતીને બધાનું દિલ જીતી લીધું હતું. આ પછી તેની ખૂબ ચર્ચા થઈ હતી. તેને ત્યાં પણ પોતાનું બેસ્ટ પ્રદર્શન કર્યું. યશવીરે 85.41 મીટરનો થ્રો ફેંક્યો. કાશીનાથ નાયક (2010) અને નીરજ (2018, 2026) પછી તે કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનાર ત્રીજો ભારતીય છે.</p><p style="text-align: justify;">2026નું વર્ષ તેમના માટે શાનદાર રહ્યું છે. તેને 8 ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો, જેમાંથી 6માં 80 મીટરથી વધુ થ્રો ફેંક્યા હતા. હવે, બધાની નજર યશવીર પર રહેશે. નીરજના સ્થાને સામેલ થવાથી તેના પર પણ દબાણ આવશે. તે 2026 કોમનવેલ્થ ગેમ્સમાં પોતાના પ્રદર્શનનું કમબેક કરવા અને ભારત માટે મેડલ લાવવા માગશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/bcci-meeting-rohit-sharma-odi-future" target="_blank">Rohit Sharmaના ક્રિકેટ કરિયર અને 2027ના ODI વર્લ્ડકપને લઈને ચર્ચા, BCCI મોટો નિર્ણય લેવા માટે તૈયાર</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/pnZfVXFfDbiVeUTCGLZBXQLYtouFoYzTiWb82QVE.webp'/></item></channel></rss>