<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabad: અસલાલી ગૌચરની જમીનમાં વૃક્ષ છેદનનું કરતૂત ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-tree-felling-incident-in-aslali-gauchar-land</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-tree-felling-incident-in-aslali-gauchar-land</guid><pubDate>Sat, 08 Aug 2026 01:59:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દસ્ક્રોઈ તાલુકાના અસલાલી ગ્રામ પંચાયતની હદમાં આવેલી ગૌચરની જમીનમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર રીતે ઉભા ઝાડ કાપવામાં આવતા હોવાની ફરિયાદોને પગલે ગ્રામપંચાયતના પ્રતિનિધિઓએ છટકું ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન ઝાડ કાપી રહેલા 7 જેટલા શખ્સોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી ટ્રેક્ટર, ટ્રોલી, ઝાડ કાપવાના કટર સહિતના સાધનો કબજે કરીને ગ્રામપંચાયત ખાતે જમા કરાયા છે.</p><p style="text-align: justify; ">અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં અસલાલી ગ્રામ પંચાયતના સભ્ય સંજયસિંહ ડાભી, સભ્ય લાલભાઈ રબારી તેમજ ડેપ્યુટી સરપંચ બળદેવભાઈ ઠાકોરને ગૌચરની જમીનમાં કિંમતી વૃક્ષોનું ગેરકાયદેસર કટિંગ થતું હોવાની સતત ફરિયાદો મળી રહી હતી. ફરિયાદોની ગંભીરતા ધ્યાનમાં રાખી તેમણે આયોજનબદ્ધ રીતે છટકું ગોઠવ્યું હતું. દરમિયાન ગૌચરની જમીનમાં ઝાડ કાપી રહેલા 7 જેટલા શખ્સોને ઝડપી પાડવામાં સફ્ળતા મળી હતી. તેમજ સ્થળ પરથી લાખો રૂપિયાની કિંમતનું ટ્રેક્ટર, ટ્રોલી, ઝાડ કાપવાના કટર તેમજ અન્ય હથિયારો અને સાધનો કબજે કરવામાં આવ્યા હતા. હાલ તમામ સામગ્રી અસલાલી ગ્રામપંચાયત ખાતે સુરક્ષિત રાખવામાં આવી છે.</p><p style="text-align: justify; ">ગ્રામ પંચાયતના આગેવાનોના જણાવ્યા મુજબ તલાટી-કમ-મંત્રી સ્થળ પર આવી જરૂરી કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગૌચરની સરકારી જમીનમાં ગેરકાયદેસર વૃક્ષ કાપવાની ઘટનાએ સ્થાનિકોમાં પણ રોષની લાગણી ફેલાવી છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/kAWVmcMn95hxOKMGXLWXc3BuUHGHYEgZQuwx9FrI.webp'/></item><item><title><![CDATA[Dhrangadhra: ધ્રાંગધ્રાની જેગડવા ચોકડી ઉપરના ગેરકાયદેસર બાંધકામો તોડી પડાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dhrangadhra/dhrangadhra-illegal-structures-at-jegadwa-intersection-in-dhrangadhra-demolished</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dhrangadhra/dhrangadhra-illegal-structures-at-jegadwa-intersection-in-dhrangadhra-demolished</guid><pubDate>Sat, 08 Aug 2026 01:59:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરેન્દ્રનગર (સં.ન્યૂ.સ.) : ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર નેશનલ હાઇવે લીંબડીથી કુડા સુધી પહોળો કરવા માટેની મંજૂરી આપી દેવાઇ છે. કપાત જમીનની પણ કાર્યવાહી પુર્ણ કરી દેવાઇ છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ચોકડી ઉપર જેગડવા તરફ અને વ્રજપુર તરફ જતા બંને ખુણા ઉપર ગેરકાયદેસર દબાણ કરી બાંધકામ ખડકી દઇ પાર્લર ઉભા કરી દેવાયા હતા. આ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેકટર ઇશીતા મેરના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ મથકના પીઆઇ એન.એચ.ચુડાસમાની ટીમની હાજરીમાં જેસીબી દ્વારા ગેરકાયદેસર બાંધકામ દૂર કરી દેવાયા હતા. બીજી તરફ પીઆઇ ચુડાસમાએ જણાવેલ કે ચારે તરફ રોડની નજીક આવા ગેરકાયદેસર બાંધકામ જ્યાં પણ હશે ત્યાં દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/QbeuKkCGxNHle45ewrgk9CHAPtzgxD13eKKjAc5y.webp'/></item><item><title><![CDATA[Limbdi: લીંબડીમાં રૂ. 1.30 લાખની લોખંડની પ્લેટ ચોરનાર ધોળકાના 3 પકડાયા, 2 વોન્ટેડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/limbdi/limbdi-1-30-3-2-</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/limbdi/limbdi-1-30-3-2-</guid><pubDate>Sat, 08 Aug 2026 01:58:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરેન્દ્રનગર : મુળ રાજસ્થાનના 33 વર્ષીય ગેરૂલાલ ગોપીલાલ ગુર્જર હાલ લીંબડી પાણી પુરવઠા ઓફીસ પાસે રહે છે અને ભંગારનો ધંધો કરે છે. લીંબડી નેશનલ હાઈવે પર મિલન જીન સામે તેઓ ભંગાર મુકવાનું નવુ ગોડાઉન બનાવી રહ્યા છે. જેના કામ માટે 150 લોખંડની પ્લેટો મુકી હતી. ત્યારે તા. 15 જુનની સાંજથી તા. 16 જુનની સવાર સુધીના સમયમાં આ પ્લેટોમાંથી કોઈ 80 લોખંડની પ્લેટ કિંમત રૂપીયા 1.30 લાખની ચોરી કરી લઈ ગયા છે. આ અંગે ગેરૂલાલે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે એલસીબી ટીમના લક્ષ્મણસિંહ, ગોપાલસિંહ સહિતનાઓએ બાતમીને આધારે ધોળકાના સંજય સવજીભાઈ ઠાકોર, અબ્દુલકાદર ભીખુશા દીવાન અને સમીર હબીબભાઈ મન્સુરીને ચોરીનું લોખંડ અને 2 મોબાઈલ સહિત રૂપીયા 1.32 લાખની મત્તા સાથે ઝડપી લીધા છે. આ કેસમાં હજુ ર આરોપીઓ ધોળકાના મોઈન મહેબુબભાઈ શેખ અને મકસુદ ઉર્ફે લંગડી સુબામીયા દીવાનની પોલીસ શોધખોળ કરી રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/9DbYmPCVnUiU7EZqScQDS3XKklWJ9232qhTtbULL.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: વિરમગામ માલીવાડમાં રાત્રિના વૃક્ષ પર અજાણ્યું પ્રાણી જોવા મળતા ફ્ફ્ડાટ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-shocking-sighting-of-an-unknown-animal-on-a-tree-at-night-in-viramgam-maliwad</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-shocking-sighting-of-an-unknown-animal-on-a-tree-at-night-in-viramgam-maliwad</guid><pubDate>Sat, 08 Aug 2026 01:55:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વિરમગામ શહેરના માલીવાડ આખુન વાડા રહેણાંક વિસ્તારમાં ગુરુવારની રાત્રે એક વૃક્ષ પર આંખો ચમકતી વ્યક્તિએ જોઈ હતી.જેથી ત્યાં નીરખીને જોતા પહેલા કોઈ દિવસ જોવામાં આવ્યું ન હોય તેવું અજાણ્યું પ્રાણી જોવાથી વિસ્તારમાં અન્ય બીજા લોકોને જણાવતા લોકો એકત્ર થઈ ગયા હતા.તેમજ ઝરુખ જેવું પ્રાણી હોવાની વાત ફેલાઈ હતી અને લોકોમાં ફ્ફ્ડાટ વ્યાપી જવા પામ્યો હતો.વન્ય વિભાગનો સંપર્ક કર્યો હતો.ટીમ શુક્રવારે આવતા ફેટો બતાવ્યા હતા. ટીમે વન્ય તાળ બિલાડી હોવાની પુષ્ટિ કરી હતી અને લોકોને તેનાથી ગભરાવાની જરૂર નહિ હોવાનુ તેમજ તેની પજવણી નહિ કરવા જણાવતા વિસ્તારમાં લોકોએ રાહતનો દમ લીધો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/JeFJ1egDFcYFe466RCTCPOt6NMf13MAr7AGEMZ0E.webp'/></item><item><title><![CDATA[Jharkhand Student Protest : વિદ્યાર્થીઓની સરકાર સાથેની પહેલી બેઠક સમાપ્ત, આંદોલન ચાલુ રહેશે ]]></title><link>https://sandesh.com/india/news/jharkhand-student-protest-first-meeting-of-students-with-government-ends-agitation-will-continue</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/jharkhand-student-protest-first-meeting-of-students-with-government-ends-agitation-will-continue</guid><pubDate>Fri, 07 Aug 2026 22:31:24 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સ્ટેટ ગેસ્ટ હાઉસ ખાતે JPSC-JSSC પરીક્ષા વિવાદનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અને ઝારખંડ સરકારના પ્રતિનિધિઓ વચ્ચે લગભગ દોઢ કલાક ચાલેલી વાટાઘાટો કોઈ નક્કર પરિણામ લાવી શકી નહીં. બેઠક બાદ વિદ્યાર્થી પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે તેઓ તેમની મુખ્ય માંગણીઓ પર સરકાર સાથે સંમત થયા નથી, અને તેથી, આંદોલન ચાલુ રહેશે.જોકે સરકારે વાટાઘાટોને સકારાત્મક ગણાવી હતી.મંત્રીઓએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની બધી માંગણીઓ અને સૂચનો પર ગંભીરતાથી વિચારણા કરવામાં આવી છે. સરકાર સમગ્ર મેમોરેન્ડમ અને દરખાસ્તોનો અભ્યાસ કર્યા પછી આગળની કાર્યવાહી અને નિર્ણયો લેશે.</p><h6 style="text-align: justify; "><b>બધી માંગણીઓ અને સૂચનો પર ગંભીરતાથી વિચારણા કરવાની ખાતરી</b></h6><p style="text-align: justify; ">સરકારે વિદ્યાર્થીઓને ખાતરી આપી હતી કે તેમની બધી માંગણીઓ અને સૂચનો પર ગંભીરતાથી વિચાર કરવામાં આવશે. પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે બેઠકમાં ઉઠાવવામાં આવેલા તમામ મુદ્દાઓ મુખ્યમંત્રી હેમંત સોરેન સમક્ષ મૂકવામાં આવશે અને ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. દરમિયાન, વિદ્યાર્થી પ્રતિનિધિઓએ દાવો કર્યો હતો કે વાતચીત સકારાત્મક વાતાવરણમાં થઈ હતી અને સરકારે તેમની વાત ગંભીરતાથી સાંભળી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમણે તેમની બધી માંગણીઓ, સહાયક તથ્યો અને પુરાવાઓ સાથે સરકાર સમક્ષ રજૂ કરી હતી. વિદ્યાર્થી પ્રતિનિધિઓના જણાવ્યા મુજબ, બેઠકમાં હાજર સમિતિના સભ્યો તેમની માંગણીઓ પર સંમત થયા હતા.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/ANI/status/2085758898422833629?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; "><br></p><h5 style="text-align: justify; "><b>નિર્ણય ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.</b></h5><p style="text-align: justify; ">જોકે, વિદ્યાર્થીઓએ સ્પષ્ટ કર્યું હતું કે તેમની માંગણીઓ પર કોઈ નક્કર નિર્ણય ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. તેમણે જણાવ્યું હતું કે જો સરકાર સકારાત્મક નિર્ણય નહીં લે, તો આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે. વિદ્યાર્થીઓએ આશા વ્યક્ત કરી હતી કે 10 ઓગસ્ટના રોજ આયોજિત વિધાનસભા ઘેરાબંધી પહેલાં સરકાર ઉકેલ શોધી કાઢશે. હાલમાં, બંને પક્ષો વચ્ચેની વાતચીતને સકારાત્મક માનવામાં આવી રહી છે, અને હવે બધાની નજર સરકારના આગામી નિર્ણય પર છે.</p><h5 style="text-align: justify; "><b>આંદોલનના ૧૪મા દિવસે સરકાર અને વિદ્યાર્થીઓ આમને-સામને</b></h5><p style="text-align: justify; ">JPSC-JSSC પરીક્ષા વિવાદ પર ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલનના14મા દિવસે, સરકાર અને વિદ્યાર્થી પ્રતિનિધિઓ વચ્ચે મહત્વપૂર્ણ વાટાઘાટો થઈ. શુક્રવારે સાંજે 7 વાગ્યે સ્ટેટ ગેસ્ટ હાઉસ ખાતે શરૂ થયેલી આ બેઠકમાં મંત્રીઓ દીપિકા પાંડે સિંહ, સુદિબ્ય કુમાર સોનુ, ચામરા લિન્ડા, સંજય યાદવ અને અધિક મુખ્ય સચિવ અજય કુમાર સિંહ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓ વતી, રવિન્દ્ર પાસવાન, પીયૂષ કુમાર, રાજેશ પ્રસાદ, નીતુ કુજુર, અંકિત રાજ, કાર્તિક સોરેન, શાલુ કુમારી, રવિન્દ્ર કુમાર રવિ, આનંદ કુમાર અને અંકિત કુમાર સહિત 10 સભ્યોના પ્રતિનિધિમંડળે સરકાર સમક્ષ તેમની માંગણીઓ અને વાંધાઓ વિગતવાર રજૂ કર્યા.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/india/news/gujarat/8-august-top-news-and-historical-events-current-affairs" target="_blank"> 8 August Top News: 8 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/KQlkfae9GlhnH7y8mIOQ3OvWVodvarAX67ZFutmE.webp'/></item><item><title><![CDATA[Ahmedabadમાં ACBનો મોટો ટ્રેપ, બે ચીફ ફાયર ઓફિસર લાંચ લેતા રંગેહાથ ઝડપાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/acbs-big-trap-in-ahmedabad-two-chief-fire-officers-caught-red-handed-taking-bribe</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/acbs-big-trap-in-ahmedabad-two-chief-fire-officers-caught-red-handed-taking-bribe</guid><pubDate>Fri, 07 Aug 2026 22:17:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર અમીતકુમાર ડોંગરે અને ચીફ ફાયર ઓફિસર ભાવસિંહ પ્રતાપ ઝાલા લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. ઉચ્ચ હોદ્દા પર બેઠેલા બંને અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાતાં એડમિનિસ્ટ્રેશન અને પોલીસ વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>6 બિલ્ડિંગની ફાયર NOC માટે માંગી હતી લાંચ</b></h2><p style="text-align: justify; ">તપાસ દરમિયાન સામે આવેલી વિગતો મુજબ, શહેરમાં 6 જેટલી બિલ્ડિંગોની ફાયર NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) મંજૂર કરવાની કામગીરીના બદલામાં આ લાંચ માંગવામાં આવી હતી. આરોપી અધિકારીઓએ પ્રત્યેક NOC દીઠ રૂ. 6 હજાર લેખે લાંચની રકમ નક્કી કરી હતી. બંને આરોપીઓએ સાથે મળીને આ નાણાંની માંગણી કરી હતી અને ગેરકાયદે આર્થિક ફાયદો મેળવવાનો પ્રયાસ કર્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>ફોન પર સંમતિ આપ્યાનું સામે આવ્યું, ભ્રષ્ટાચારનો ગુનો નોંધાયો</b></h2><p style="text-align: justify; ">ACBની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે લાંચની રકમ સ્વીકારવા માટે અધિકારીઓએ ફોન પર પણ પોતાની સ્પષ્ટ સંમતિ આપી હતી, જે અંગેના પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. લાંચની રકમ માંગવા અને સ્વીકારવાના મામલે બંને અધિકારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (એન્ટી કરપ્શન એક્ટ) હેઠળ ગુનો નોંધીને આગળની સઘન કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/gandhinagar/gandhinagar-news-factory-manufacturing-fake-ghee-busted-in-dahegam-large-quantity-seized" target="_blank">Gandhinagar News : દહેગામમાં નકલી ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, મોટી માત્રામાં જથ્થો જપ્ત</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/2WwqaO3sPE5Qs0nQ7qUmXUCHfjvNIp3bry7uOFwD.webp'/></item><item><title><![CDATA[Sugar Price Hike: એક જ મહિનામાં ખાંડ 15% મોંઘી થઈ!, તહેવારો પહેલા કેમ વધ્યા ભાવ, જાણો શુ છે કારણો? ]]></title><link>https://sandesh.com/business/news/india/sugar-price-hike-sugar-became-15-more-expensive-in-a-single-month-why-did-the-prices-increase-before-the-festivals-know-what-are-the-reasons</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/sugar-price-hike-sugar-became-15-more-expensive-in-a-single-month-why-did-the-prices-increase-before-the-festivals-know-what-are-the-reasons</guid><pubDate>Fri, 07 Aug 2026 19:49:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">વધતા ભાવોને કાબુમાં લેવા માટે, મિલો હવે 15 દિવસ વહેલા શેરડીનું પિલાણ શરૂ કરી રહી છે.</p><h2 style="text-align: justify; ">ખાંડના ભાવમાં સરેરાશ 8%નો વધારો&nbsp;</h2><p style="text-align: justify; ">આગામી તહેવારોની મોસમમાં ફુગાવાનો માર સામાન્ય માણસના ખિસ્સા પર પડવાની શક્યતા છે. સરકારના પ્રયાસો છતાં, સ્થાનિક બજારમાં ખાંડના ભાવ સતત વધી રહ્યા છે. ગયા મહિનાના આંકડાઓના આધારે, ખાંડના ભાવમાં સરેરાશ 8%નો વધારો થયો છે, જ્યારે કેટલાક રાજ્યોમાં આ વધારો 15% સુધી પહોંચી ગયો છે. એવી આશંકા છે કે આ વર્ષે દિવાળી, દશેરા અને અન્ય તહેવારો દરમિયાન મીઠાઈનો આનંદ માણવો જનતા માટે મોંઘો સાબિત થઈ શકે છે.</p><h3 style="text-align: justify; ">તહેવારોની મીઠાશ પર નજર&nbsp;</h3><p style="text-align: justify; ">તહેવારોની મોસમ દરમિયાન ખાંડનો વપરાશ ટોચ પર હોય છે, પરંતુ આ સમયે આ તીવ્ર ભાવ વધારો ઘરના બજેટને ખોરવી નાખવાનો ભય છે. ખાંડ મિલોએ હવે વધતી કિંમતોને કાબુમાં લેવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. છેલ્લા એક મહિનામાં જથ્થાબંધ બજારમાં ખાંડના ભાવ પ્રતિ ક્વિન્ટલ ₹400 સુધી વધ્યા છે. આ બગડતી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, ખાંડ મિલોએ આ વર્ષે ખાંડની પિલાણ પ્રક્રિયા 10 થી 15 દિવસ વહેલા શરૂ કરવાનો નિર્ણય લીધો છે જેથી બજારમાં તાજી ખાંડનો પુરવઠો શક્ય તેટલી ઝડપથી વધે.</p><h4 style="text-align: justify; ">ભાવ શા માટે આસમાને પહોંચ્યા ?</h4><p style="text-align: justify; ">ખાંડના ભાવમાં અચાનક વધારો થવા પાછળનું સૌથી મોટું કારણ ઉત્પાદનમાં ઘટાડો છે. શરૂઆતમાં, અંદાજ મુજબ આ વર્ષે 29.3 મિલિયન ટન ખાંડનું ઉત્પાદન થવાની આગાહી કરવામાં આવી હતી, પરંતુ વાસ્તવિક આંકડો ફક્ત 28 મિલિયન ટન હતો, જે પાછલા વર્ષ કરતા લગભગ 5 મિલિયન ટન ઓછો છે. જો કે, એકમાત્ર બચત એ છે કે ગયા વર્ષનો આશરે 5 મિલિયન ટન સ્ટોક હજુ પણ ઉપલબ્ધ છે. જો કે, પડકાર એ છે કે દેશનો કુલ વાર્ષિક ખાંડનો વપરાશ ફક્ત 28 મિલિયન ટન જેટલો છે, અને આ વર્ષે 8 લાખ ટન ખાંડની નિકાસ થઈ ચૂકી છે. વધુમાં, અલ નીનોની અસર અને આવતા વર્ષે ઉત્પાદનમાં ઘટાડાની શક્યતાએ બજારમાં ગભરાટ પેદા કર્યો છે, જેનાથી ભાવમાં વધુ વધારો થયો છે.</p><h5 style="text-align: justify; ">મેટ્રો શહેરોમાં ખાંડના નવા ભાવ</h5><p style="text-align: justify; ">સરકારી માહિતી અનુસાર, દેશના લગભગ દરેક મોટા શહેરોમાં છૂટક ખાંડના ભાવમાં વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં એક મહિના પહેલા 45 રૂપિયા પ્રતિ કિલો વેચાતી ખાંડ હવે 49 રૂપિયા પર પહોંચી ગઈ છે. પશ્ચિમ બંગાળમાં તેની અસર ખાસ કરીને સ્પષ્ટ છે, જ્યાં 49 રૂપિયા પ્રતિ કિલો વેચાતી ખાંડ હવે 55 રૂપિયામાં વેચાઈ રહી છે. તેવી જ રીતે, ચેન્નાઈમાં ભાવ 46 રૂપિયાથી વધીને 53 રૂપિયા, મુંબઈમાં 46 રૂપિયાથી વધીને 52 રૂપિયા અને ઝારખંડની રાજધાની રાંચીમાં 47 રૂપિયાથી વધીને 51 રૂપિયા થઈ ગયા છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/india/news/jantar-mantar-protest-why-is-the-entire-city-held-hostage-during-the-protest-at-jantar-mantar-delhi-hc-questions-the-government-and-police" target="_blank">પ્રદર્શન જંતર-મંતર પર તો આખા શહેરને કેમ બંધક બનાવાય?, Delhi HCના સરકાર-પોલીસને સવાલ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/o0MmWdWvS5GxHKh1PkDZuNnvj4Ezsxh5Wk1E9WVZ.webp'/></item><item><title><![CDATA[Sugar Price Hike: એક જ મહિનામાં ખાંડ 15% મોંઘી થઈ!, તહેવારો પહેલા કેમ વધ્યા ભાવ, જાણો શુ છે કારણો? ]]></title><link>https://sandesh.com/business/news/india/sugar-price-hike-sugar-became-15-more-expensive-in-a-single-month-why-did-the-prices-increase-before-the-festivals-know-what-are-the-reasons</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/sugar-price-hike-sugar-became-15-more-expensive-in-a-single-month-why-did-the-prices-increase-before-the-festivals-know-what-are-the-reasons</guid><pubDate>Fri, 07 Aug 2026 19:49:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">વધતા ભાવોને કાબુમાં લેવા માટે, મિલો હવે 15 દિવસ વહેલા શેરડીનું પિલાણ શરૂ કરી રહી છે.</p><h2 style="text-align: justify; ">ખાંડના ભાવમાં સરેરાશ 8%નો વધારો&nbsp;</h2><p style="text-align: justify; ">આગામી તહેવારોની મોસમમાં ફુગાવાનો માર સામાન્ય માણસના ખિસ્સા પર પડવાની શક્યતા છે. સરકારના પ્રયાસો છતાં, સ્થાનિક બજારમાં ખાંડના ભાવ સતત વધી રહ્યા છે. ગયા મહિનાના આંકડાઓના આધારે, ખાંડના ભાવમાં સરેરાશ 8%નો વધારો થયો છે, જ્યારે કેટલાક રાજ્યોમાં આ વધારો 15% સુધી પહોંચી ગયો છે. એવી આશંકા છે કે આ વર્ષે દિવાળી, દશેરા અને અન્ય તહેવારો દરમિયાન મીઠાઈનો આનંદ માણવો જનતા માટે મોંઘો સાબિત થઈ શકે છે.</p><h3 style="text-align: justify; ">તહેવારોની મીઠાશ પર નજર&nbsp;</h3><p style="text-align: justify; ">તહેવારોની મોસમ દરમિયાન ખાંડનો વપરાશ ટોચ પર હોય છે, પરંતુ આ સમયે આ તીવ્ર ભાવ વધારો ઘરના બજેટને ખોરવી નાખવાનો ભય છે. ખાંડ મિલોએ હવે વધતી કિંમતોને કાબુમાં લેવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. છેલ્લા એક મહિનામાં જથ્થાબંધ બજારમાં ખાંડના ભાવ પ્રતિ ક્વિન્ટલ ₹400 સુધી વધ્યા છે. આ બગડતી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, ખાંડ મિલોએ આ વર્ષે ખાંડની પિલાણ પ્રક્રિયા 10 થી 15 દિવસ વહેલા શરૂ કરવાનો નિર્ણય લીધો છે જેથી બજારમાં તાજી ખાંડનો પુરવઠો શક્ય તેટલી ઝડપથી વધે.</p><h4 style="text-align: justify; ">ભાવ શા માટે આસમાને પહોંચ્યા ?</h4><p style="text-align: justify; ">ખાંડના ભાવમાં અચાનક વધારો થવા પાછળનું સૌથી મોટું કારણ ઉત્પાદનમાં ઘટાડો છે. શરૂઆતમાં, અંદાજ મુજબ આ વર્ષે 29.3 મિલિયન ટન ખાંડનું ઉત્પાદન થવાની આગાહી કરવામાં આવી હતી, પરંતુ વાસ્તવિક આંકડો ફક્ત 28 મિલિયન ટન હતો, જે પાછલા વર્ષ કરતા લગભગ 5 મિલિયન ટન ઓછો છે. જો કે, એકમાત્ર બચત એ છે કે ગયા વર્ષનો આશરે 5 મિલિયન ટન સ્ટોક હજુ પણ ઉપલબ્ધ છે. જો કે, પડકાર એ છે કે દેશનો કુલ વાર્ષિક ખાંડનો વપરાશ ફક્ત 28 મિલિયન ટન જેટલો છે, અને આ વર્ષે 8 લાખ ટન ખાંડની નિકાસ થઈ ચૂકી છે. વધુમાં, અલ નીનોની અસર અને આવતા વર્ષે ઉત્પાદનમાં ઘટાડાની શક્યતાએ બજારમાં ગભરાટ પેદા કર્યો છે, જેનાથી ભાવમાં વધુ વધારો થયો છે.</p><h5 style="text-align: justify; ">મેટ્રો શહેરોમાં ખાંડના નવા ભાવ</h5><p style="text-align: justify; ">સરકારી માહિતી અનુસાર, દેશના લગભગ દરેક મોટા શહેરોમાં છૂટક ખાંડના ભાવમાં વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં એક મહિના પહેલા 45 રૂપિયા પ્રતિ કિલો વેચાતી ખાંડ હવે 49 રૂપિયા પર પહોંચી ગઈ છે. પશ્ચિમ બંગાળમાં તેની અસર ખાસ કરીને સ્પષ્ટ છે, જ્યાં 49 રૂપિયા પ્રતિ કિલો વેચાતી ખાંડ હવે 55 રૂપિયામાં વેચાઈ રહી છે. તેવી જ રીતે, ચેન્નાઈમાં ભાવ 46 રૂપિયાથી વધીને 53 રૂપિયા, મુંબઈમાં 46 રૂપિયાથી વધીને 52 રૂપિયા અને ઝારખંડની રાજધાની રાંચીમાં 47 રૂપિયાથી વધીને 51 રૂપિયા થઈ ગયા છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/india/news/jantar-mantar-protest-why-is-the-entire-city-held-hostage-during-the-protest-at-jantar-mantar-delhi-hc-questions-the-government-and-police" target="_blank">પ્રદર્શન જંતર-મંતર પર તો આખા શહેરને કેમ બંધક બનાવાય?, Delhi HCના સરકાર-પોલીસને સવાલ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/o0MmWdWvS5GxHKh1PkDZuNnvj4Ezsxh5Wk1E9WVZ.webp'/></item><item><title><![CDATA[Evergreen Song : કિશોર કુમારના અવાજે અમર બનેલું 68 વર્ષ જૂનું ગીત, Sixteen Tons સાથે છે ખાસ કનેક્શન! ]]></title><link>https://sandesh.com/entertainment/news/kishore-kumar-rain-song-sixteen-tons-merle-travis</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/kishore-kumar-rain-song-sixteen-tons-merle-travis</guid><pubDate>Fri, 07 Aug 2026 17:26:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વરસાદની ઋતુ હોય અને બોલીવુડનું ગીત ન હોય એવું બની શકે નહીં. તમે વરસાદની ઋતુમાં પ્યાર હુઆ ઇકરાર હુઆ, યે રાત ભીગી ભીગી અને રિમઝિમ ગિરે સાવન જેવા ગીતો તો સાંભળ્યા જ હશે. પરંતુ શું તમે કિશોર કુમારના એ 68 વર્ષ જૂના ગીત વિશે સાંભળ્યું છે, જે મર્લે ટ્રેવિસના સિક્સટીન ટન્સ પર આધારિત હતું? ખાસ વાત એ હતી કે આ ફિલ્મના હીરો પોતે કિશોર કુમાર હતા અને તેમણે જ ફિલ્મનું નિર્માણ પણ કર્યું હતું. ફિલ્મમાં તેમના ઉપરાંત અશોક કુમાર, મધુબાલા અને અનૂપ કુમાર મહત્વના પાત્રોમાં જોવા મળ્યા હતા. ફિલ્મનું દિગ્દર્શન સત્યેન બોઝે કર્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>કિશોર કુમારનું 68 વર્ષ જૂનું ગીત</b></h2><p style="text-align: justify; ">અમે 68 વર્ષ પહેલાં રિલીઝ થયેલી ફિલ્મ ચલતી કા નામ ગાડીની વાત કરી રહ્યા છીએ. આ ફિલ્મનું ગીત એક લડકી ભીગી ભાગી સી આજે પણ ખૂબ લોકપ્રિય છે. આ ગીતનું સંગીત એસ.ડી. બર્મને આપ્યું હતું. તેમના પુત્ર આર.ડી. બર્મન અને જયદેવ સહાયક સંગીતકાર હતા. ગીતના શબ્દો મજરૂહ સુલ્તાનપુરીએ લખ્યા હતા. જ્યારે વરસાદનું આ ગીત મર્લે ટ્રેવિસના સિક્સટીન ટન્સ પર આધારિત હતું.</p><h3 style="text-align: justify; "><b>ગીતના લિરીક્સ છે શાનદાર...</b></h3><p style="text-align: justify; ">એક લડકી ભીગી ભાગી સી</p><p style="text-align: justify; ">સોતી રાતોં મેં જાગી સી</p><p style="text-align: justify; ">મિલી એક અજનબી સે કોઈ આગે ના પીછે</p><p style="text-align: justify; ">તુમ હી કહો યે કોઈ બાત હૈ</p><p style="text-align: justify; ">હમ્મ્મ...એક લડકી ભીગી ભાગી સી</p><p style="text-align: justify; ">સોતી રાતોં મેં જાગી સી</p><p style="text-align: justify; ">મિલી એક અજનબી સે કોઈ આગે ના પીછે</p><p style="text-align: justify; ">તુમ હી કહો યે કોઈ બાત હૈ હમ્મ્મ</p><p style="text-align: justify; ">ખાસ વાત એ છે કે આ ગીતને ખૂબ લોકપ્રિયતા મળી હતી. ફિલ્મ કમ્પેનિયનની ટોપ 100 બોલીવુડ આલ્બમની યાદીમાં આ ગીત 51મા ક્રમે સામેલ છે. જ્યારે રેડિફ અનુસાર બોલિવૂડના ટોપ 25 ગીતોની યાદીમાં પણ 'એક લડકી ભીગી ભાગી સી' સામેલ છે.</p><h4 style="text-align: justify; "><b>કિશોર કુમાર ફિલ્મ ફ્લોપ થાય એવું ઈચ્છતા હતા</b></h4><p style="text-align: justify; ">આઈએમડીબી અનુસાર, એવું કહેવાય છે કે કિશોર કુમારે ચલતી કા નામ ગાડી ફિલ્મ એ આશા સાથે બનાવી હતી કે તે કમર્શિયલી ફ્લોપ થશે. તેનું કારણ એ હતું કે તેઓ પોતાની આવકમાં નુકસાન બતાવવા માગતા હતા, જેથી અધિકારીઓને વધારે ઇન્કમ ટેક્સ ન ચૂકવવો પડે. તેથી તેમણે 2 ફિલ્મો બનાવી હતી, લુકોચુરી અને ચલતી કા નામ ગાડી, અને ફિલ્મ ફ્લોપ થાય તેની રાહ જોઈ હતી. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. તેના કારણે કિશોર કુમાર એટલા નિરાશ થયા કે તેમણે ચલતી કા નામ ગાડી અને તેના તમામ અધિકારો પોતાના સેક્રેટરી અનૂપ શર્માને આપી દીધા હતા અને કૉપિરાઇટ પોતાની પાસે રાખ્યો હતો.&nbsp;</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/ameesha-patel-51-unmarried-why-not-married" target="_blank" style="background-color: rgb(255, 255, 255);">આ પણ વાંચો-Actress Love Life : 51ની ઉંમરે પણ અમીષા પટેલે કેમ નથી કર્યા લગ્ન? એક્ટ્રેસે પોતે કર્યો ખુલાસો!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/0uToJSPsPuplAppnsYUbDj72VHfJyOEMgVBzQxqC.webp'/></item><item><title><![CDATA[Sports News : ફૂટબોલ મેચ દરમિયાન ખેલાડી પર પડી વીજળી, Videoમાં કેદ થઈ ઘટના ]]></title><link>https://sandesh.com/sports/news/sports-news-lightning-strikes-player-during-football-match-incident-captured-on-video</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/sports-news-lightning-strikes-player-during-football-match-incident-captured-on-video</guid><pubDate>Fri, 07 Aug 2026 16:01:27 +05:30</pubDate><description><![CDATA[<p>થાઈલેન્ડમાં એક દુ:ખદ અને આઘાતજનક ઘટના બની છે,જ્યાં ફૂટબોલ મેચ દરમિયાન મેદાન પર વીજળી પડી હતી.આ ભયાનક દુર્ઘટનામાં 24 વર્ષીય ફૂટબોલર સફવાન અવેનું દુઃખદ મૃત્યુ થયું હતું,જ્યારે 12 અન્ય ખેલાડીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા.વરસાદ અને તોફાની વાતાવરણ વચ્ચે મેચ રમાઈ રહી હતી, જ્યારે ખેલાડીઓ ધોધમાર વરસાદ છતાં મેદાન પર જ રહ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.</p><h4><b>ભયાનક દ્રશ્ય કેમેરામાં કેદ</b></h4><p>સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં, જોઈ શકાય છે કે ખેલાડીઓ જ્યાં દોડી રહ્યા હતા તે વિસ્તારની નજીક, અચાનક વીજળી એક તેજસ્વી ફ્લેશ સાથે જમીન પર પડી. વીજળી પડતાં ધુમાડાના ગોટેગોટા અને આગની જ્વાળાઓ ઉંચી થતી જોવા મળી હતી. વીજળી પડતાં ફૂટબોલર સફવાન અવે મેદાન પર પડી ગયો. ત્યાં હાજર ચાહકો અને સાથી ખેલાડીઓ તાત્કાલિક મેદાનમાં દોડી ગયા અને તેને જીવિત કરવાનો પ્રયાસ કર્યો.</p><h5><b>સ્થાનિક પોલીસે શું કહ્યું</b></h5><p>ત્યારબાદ સફવાનને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. પરંતુ તેને બચાવી શકાયો નહીં. સ્થાનિક પોલીસે બાદમાં સત્તાવાર રીતે સફવાનના મૃત્યુની પુષ્ટિ કરી. પોલીસે એ પણ જાહેર કર્યું કે વીજળી પડવાથી 12 અન્ય લોકો પણ ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોમાં 22 વર્ષીય મલેશિયન ફૂટબોલર અલિફ અઝાન ઝુલ્કિફલીનો પણ સમાવેશ થાય છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/praylaughlift/status/2085332343762337981?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><br></p><h5><b>સમગ્ર રમતગમત જગતમાં શોકની લહેર&nbsp;</b></h5><p>24 વર્ષીય સફવાન અવેએ તાજેતરમાં થાઈ લીગ 3 સધર્ન રિજનમાં રમતા ફૂટબોલ ક્લબ એફસી યાલા સાથે કરાર કર્યો હતો. તેમના યુવા ખેલાડીના અવસાનથી આઘાત પામેલા ક્લબે સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરીને લખ્યું, "ચોક્કસ, આપણે અલ્લાહના છીએ, અને આપણે તેની પાસે પાછા ફરવું જોઈએ." આ દુ:ખદ ઘટનાએ સમગ્ર રમતગમત જગતમાં શોકની લહેર ફેલાવી દીધી છે.</p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/cricket/news/ind-vs-sl-warm-up-match-kl-rahul-did-something-like-this-in-kuldeep-yadavs-over-video-goes-viral" target="_blank"> IND Vs SL Warm-Up Match : કુલદીપ યાદવની ઓવરમાં કેએલ રાહુલે કર્યું કંઈક એવું, વીડિયો થયો વાયરલ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/ENpFTthkyKp0r7kOAPIIfaXsl0yjFZjGKEx3dOCI.webp'/></item></channel></rss>