<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ramayan ફિલ્મના મેકર્સથી થઈ મોટી ભૂલ, જન્માષ્ટમી પર રાવણનું પોસ્ટર શેર કરતા ટ્રોલર્સના નિશાના પર ]]></title><link>https://sandesh.com/entertainment/news/janmashtami-ramayan-ravan-poster-big-controversey</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/janmashtami-ramayan-ravan-poster-big-controversey</guid><pubDate>Mon, 07 Sep 2026 08:41:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રણબીર કપૂરની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘રામાયણ’ના નિર્માતાઓએ જન્માષ્ટમી જેવા પવિત્ર તહેવાર પર અચાનક રાવણનું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું, જેનાથી ભારે વિવાદ સર્જાયો છે. આ પોસ્ટરમાં “ત્રણેય લોકમાં એક જ રાજા હશે: રાવણનું શાસન” જેવું લખાણ લખવામાં આવ્યું હતું, જેના કારણે દર્શકોમાં ભારે રોષ જોવા મળ્યો. લોકો એ સવાલ ઉઠાવી રહ્યા છે કે શું આ 4,000 કરોડના મેગા-બજેટ પ્રોજેક્ટની સોશિયલ મીડિયા અને રિસર્ચ ટીમ એટલી નબળી છે કે તેમને તહેવારના મહત્વની ખબર નથી? અથવા તો નિર્માતાઓ માત્ર પબ્લિસિટી મેળવવા માટે જાણીજોઈને આવી ભુલ કરી રહ્યા છે.</p><p style="text-align: justify;"><b>જન્માષ્મટમી પર રાવણનું પોસ્ટર, મેકર્સ થયા ટ્રોલ</b></p><p style="text-align: justify;">કોઈપણ ફિલ્મ માટે વિવાદ એ મફત પ્રચારનું સૌથી મોટું સાધન બની જાય છે. જ્યારે ટ્રેલર કે ગીતો કરતાં વિવાદ વધુ ચર્ચા જગાવે છે, ત્યારે મીડિયા અને સોશિયલ મીડિયાના કારણે ફિલ્મનું નામ સતત હેડલાઈન્સમાં રહે છે. આ નકારાત્મકતા સામાન્ય દર્શકોમાં એક જિજ્ઞાસા ઊભી કરે છે કે આખરે ફિલ્મમાં એવું શું છે જેના વિશે આટલો બબાલ થઈ રહ્યો છે. આ જ ઉત્સુકતા ઘણીવાર લોકોને સિનેમાઘરો સુધી ખેંચી લાવે છે અને ટિકિટોનું વેચાણ વધારી દે છે.</p><p style="text-align: justify;"><b>વિવાદના કારણે આ ફિલ્મો થઈ હિટ</b></p><p style="text-align: justify;">ભૂતકાળમાં પણ નકારાત્મક કે વિવાદાસ્પદ પ્રચારનો લાભ કેટલીક ફિલ્મોને મળ્યો છે. ધ કાશ્મીર ફાઇલ્સ (૨૦૨૨): આ ફિલ્મની સામગ્રી અને રાજકીય અર્થઘટન અંગે તીવ્ર વિવાદ થયો હતો, પરંતુ આ જ ચર્ચાએ નાના બજેટની ફિલ્મને બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર બનાવી દીધી. પદ્માવત (૨૦૧૮) રાજપૂત સંગઠનોના ભારે વિરોધ, તોડફોડ અને બહિષ્કારની માંગ છતાં, આ વિવાદના કારણે જ સાર્વજનિક જિજ્ઞાસા ચરમસીમાએ પહોંચી અને ફિલ્મે કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા. ધ કેરળ સ્ટોરી (૨૦૨૩) વિષયવસ્તુ પર થયેલા રાજકીય વિવાદો અને કેટલાક રાજ્યોમાં પ્રતિબંધના પ્રયાસોએ ફિલ્મને જબરદસ્ત એક્સપોઝર આપ્યું, જેનાથી તે મોટી હિટ સાબિત થઈ.</p><p style="text-align: justify;"><b>જો વિવાદ મર્યાદા વટાવે તો થતું નુકસાન</b></p><p style="text-align: justify;">નકારાત્મક પ્રચાર હંમેશા સફળ થાય તે જરૂરી નથી. જો વિવાદ એટલો વધી જાય કે તે ફિલ્મની મૂળ ભાવના અને ગુણવત્તા પર હાવી થઈ જાય, તો દર્શકો ફિલ્મથી દૂર થઈ જાય છે. દાખલા તરીકે, ‘લક્ષ્મી’ (૨૦૨૦) ફિલ્મને તેના નામના વિવાદથી કોઈ મોટો ફાયદો ન થયો. જ્યારે ‘આદિપુરુષ’ (૨૦૨૩) ને તેના ખરાબ સંવાદો, VFX અને પાત્રોના અયોગ્ય ચિત્રણ માટે એટલો બધો નકારાત્મક પ્રતિસાદ મળ્યો કે ફિલ્મ બોક્સ ઓફિસ પર ઊંધા માથે પછડાઈ. આ ઉપરાંત શાહરુખ ખાનની પઠાણ ફિલ્મ પણ એક ગીતમાં દિપીકાના આઉટફિટના કારણે વિવાદ પેદા થયો હતો. પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ પર નોંધપાત્ર સફળતા ના મેળવી શકી.</p><p style="text-align: justify;"><b>'રામાયણ' સામેના વર્તમાન પડકારો</b></p><p style="text-align: justify; ">માત્ર રાવણના પોસ્ટરથી જ નહીં, પરંતુ ‘રામાયણ’ ફિલ્મ તેની કાસ્ટિંગને લઈને પણ સતત ટીકાઓનો સામનો કરી રહી છે. ભગવાન શ્રી રામના પાત્ર માટે રણબીર કપૂરની પસંદગી, સીતાના રોલ માટે બિન-હિન્દીભાષી સાઈ પલ્લવી અને શૂર્પણખા તરીકે રકુલ પ્રીત સિંહના ગ્લેમરસ લુક પર સોશિયલ મીડિયામાં સતત મીમ્સ અને વિરોધ જોવા મળી રહ્યો છે. જો નિર્માતાઓ આ નકારાત્મકતાને યોગ્ય રીતે નહીં સંભાળે, તો આ મેગા પ્રોજેક્ટને મોટું આર્થિક અને વૈચારિક નુકસાન વેઠવું પડી શકે છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/badshah-ex-wife-separation-second-marriage#google_vignette" target="_blank">આ પણ વાંચો : Badshah Divorce Truth : બાદશાહની એક્સ વાઇફે છૂટાછેડા અને બીજા લગ્ન પર તોડ્યું મૌન! સામે લાવી દીધું મોટું સત્ય</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/ub7ojW4oRjeF3IKAnxRFiCyoyG0dE1ayT5uyvCon.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: યુનિવર્સિટીમાં UG અને PGમાં 34 હજારથી વધુ બેઠકો ખાલી, આજથી નવો રાઉન્ડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ug-pg-34499-seats-vacant-mop-up-round-from-today</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ug-pg-34499-seats-vacant-mop-up-round-from-today</guid><pubDate>Mon, 07 Sep 2026 08:33:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાત કોમન એડમિશન સર્વિસ (જીકાસ) પોર્ટલના રાજમાં ચાલુ વર્ષે પણ યુજી કોર્સની પ્રવેશ પ્રક્રિયાને ચાર મહિના થયા છતાં હજુ પ્રવેશનો અંત આવ્યો નથી. ગુજરાત યુનિવર્સિટીમાં યુજી-પીજી કોર્સમાં 34499 જેટલી બેઠકો ખાલી પડી છે.આ ખાલી બેઠકોમાં પ્રવેશ માટે સોમવારથી મોપ-અપ રાઉન્ડનો પ્રારંભ થશે. મહત્વની વાત એ છે કે,છેલ્લા ત્રણ વર્ષથી જીકાસના ધાંધિયામાં વિદ્યાર્થીઓ હેરાન-પરેશાન થઈ રહ્યાં છે તેમ છતાં ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓના કુલપતિઓ સરકાર સામે ભેદી મૌન ધારણ કરી બેઠા હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>બેઠકો ખાલી હોવાથી જીકાસની પોલ ઉઘાડી પડી</b></h2><p style="text-align: justify; ">રાજ્યની યુનિવર્સિટીઓમાં યુજી કોર્સમાં પ્રવેશ માટે મે મહિનામાં પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.જીકાસના કુલ ચાર ઓનલાઈન રાઉન્ડના અંતે હજારો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત અને યુનિવર્સિટીઓમાં મોટી સંખ્યામાં બેઠકો ખાલી પડતાં ભારે રોષ ફેલાયો હતો.એ પછી યુનિવર્સિટીઓને સત્તા સોંપવામાં આવી હતી.જેમાં પણ ત્રણ-ત્રણ વખત નવા રાઉન્ડની મુદત વધારવાનો વારો આવ્યો હતો.આખરે છેલ્લા રાઉન્ડના અંતે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી હતી.પરંતુ યુનિવર્સિટીઓમાં મોટી સંખ્યામાં બેઠકો ખાલી હોવાથી જીકાસની પોલ ઉઘાડી પડી છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>&nbsp;11 સપ્ટેમ્બર દરમિયાન મોપ-અપ રાઉન્ડ યોજાશે</b></h3><p style="text-align: justify; ">બીજી તરફ હજુ પણ વિદ્યાર્થીઓ પ્રવેશ વિના રખડી રહ્યાં હોવાની પણ ફરિયાદો ઉઠી હતી.ગુજરાત યુનિવર્સિટીની વાત કરવામાં આવે તો,યુજી અને પીજી કોર્સમાં 34 હજાર કરતાં વધુ બેઠકો ખાલી પડી છે.રાજ્યની અન્ય સરકારી યુનિવર્સિટીઓમાં પણ મોટી સંખ્યામાં બેઠકો ખાલી પડી છે.જેથી ફરી એક રાઉન્ડ કરવાની જાહેરાત કરાઈ છે.જે અન્વયે ગુજરાત યુનિવર્સિટીમાં 7થી 11 સપ્ટેમ્બર દરમિયાન મોપ-અપ રાઉન્ડ યોજાશે. છેલ્લા ત્રણ વર્ષથી જીકાસ સિસ્ટમના ધાંધિયાને કારણે વિદ્યાર્થીઓને ભારે હેરાનગતિ ભોગવવી પડી રહી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>સરકારી યુનિવર્સિટીઓના કુલપતિઓ આ મુદ્દે મૌન</b></h2><p style="text-align: justify; ">રાજ્યની સરકારી યુનિવર્સિટીઓના કુલપતિઓ આ મુદ્દે મૌન સેવીને બેઠા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.પરિસ્થિતિને થાળે પાડવા માટે અગાઉ યુનિવર્સિટીઓને પ્રવેશની સત્તા સોંપવામાં આવી હતી, જેમાં પણ ત્રણ-ત્રણ વખત મુદત વધારવી પડી હતી. હવે ખાલી પડેલી બેઠકો ભરવા અને રખડતા વિદ્યાર્થીઓને રાહત આપવા માટે ફરી એકવાર મોપ-અપ રાઉન્ડ કરવાની ફરજ પડી છે.જે અન્વયે ગુજરાત યુનિવર્સિટીમાં ૭થી ૧૧ સપ્ટેમ્બર દરમિયાન મોપ-અપ રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/auto-taxi-rickshaw-services-hit-from-today-strike" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: આજથી શહેરમાં રિક્ષા અને ટેક્સી નહીં મળે, સામાન્ય મુસાફરોને હાલાકી વેઠવાનો વારો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/I9zqMdjHAD4gz97h40dpSxxcllbcOqRkNkBMPNlu.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: રાજ્યમાં રેશનકાર્ડમાં ચોખાના જથ્થામાં મોટો કાપ, વ્યક્તિદીઠ હવે માત્ર 1 કિલો જ મળશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-ration-rice-quota-cut-to-1-kg-per-person</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-ration-rice-quota-cut-to-1-kg-per-person</guid><pubDate>Mon, 07 Sep 2026 08:20:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનાથી સરકારી રેશનની દુકાનો પરથી મળતા ચોખાના જથ્થામાં સરકારે મોટો કાપ મૂક્યો છે.વર્ષોથી રેશનકાર્ડ ધારકોને વ્યક્તિદીઠ 3 કિલો ચોખા મળતા હતા.જેને બદલે હવે સપ્ટેમ્બરથી માત્ર 1 કિલો ચોખા જ અપાશે.આ કાપ સામે ચોખાની ભરપાઈ કરવા સરકાર દ્વારા વ્યક્તિદીઠ 2 કિલો ઘઉં અને 2 કિલો બાજરીનો જથ્થો નક્કી કરાયો છે. ચોખા ઘટાડી ઘઉં અને બાજરી વધારાતાં કાર્ડધારકોમાં નારાજગી છે.દાળ ભાત અને ખીચડી આધારિત ગુજરાતી પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.</p><h2 style="text-align: justify; "><b>દાળ-ભાત અને ખીચડીનું વિશેષ મહત્વ&nbsp;</b></h2><p style="text-align: justify; ">રેશનિંગ દુકાન ચાલકોએ ગ્રાહકોને કહ્યું કે,ઘટાડાની જાણ અગાઉથી કરી નહોતી.જોકે ગ્રાહકોએ 3 કિલો ચોખા આપવા માગ કરી છે.ગુજરાતીઓના રોજિંદા ભોજનમાં દાળ-ભાત અને ખીચડીનું વિશેષ મહત્વ છે.આવી સ્થિતિમાં ચોખાનું પ્રમાણ ઘટી જતાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.સપ્ટેમ્બરનું રેશન લેવા પહોંચેલા કાર્ડધારકો અને રેશન સંચાલકો વચ્ચે અનાજના નવા વિતરણ નિયમોને લઈને અનેક જગ્યાએ તીખી રકઝકના બનાવો પણ સામે આવ્યા છે.રેશન દુકાનદારોનું કહેવું છે કે, તેઓ સરકારના પુરવઠા વિભાગની સૂચના મુજબ વિતરણ કરવા બંધાયેલા છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>1 કિલો બાજરી આપવામાં આવતી હતી</b></h3><p style="text-align: justify; ">અગાઉ પુરવઠા વિભાગ દ્વારા વ્યક્તિદીઠ 1 કિલો બાજરી આપવામાં આવતી હતી.જેમાં વધારો કરીને હવે 2 કિલો કરવામાં આવી છે.જોકે કાર્ડધારકોનું જણાવવું છે કે,ઘરમાં બાજરી કરતાં ચોખાનો વપરાશ વધુ થાય છે.તેથી વધારાની બાજરી તેમની જરૂરિયાત પૂરી કરતી નથી.રાજ્યભરના રેશનકાર્ડધારકોમાં આ નિર્ણય સામે અસંતોષ જોવા મળી રહ્યો છે.રેશનકાર્ડધારકોની સ્થાનિક વાસ્તવિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સરકાર બાજરીનો જથ્થો ઘટાડીને ચોખાનો કાપ ત્વરિત પાછો ખેંચે અને અગાઉની જેમ જ વ્યક્તિદીઠ ૩ કિલો ચોખા આપવાનું શરૂ કરે તેવી પ્રબળ માગ ઊઠી રહી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/auto-taxi-rickshaw-services-hit-from-today-strike" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: આજથી શહેરમાં રિક્ષા અને ટેક્સી નહીં મળે, સામાન્ય મુસાફરોને હાલાકી વેઠવાનો વારો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/ZUIRSAEFtpwaitlDoPGEPGm4tLJrrAynUZkOGg5P.webp'/></item><item><title><![CDATA[Delhi Building Collapse: સત્ય નિકેતન બિલ્ડિંગ ધરાશાયીમાં મૃત્યુઆંક વધીને 6 એ પહોંચ્યો, માત્ર 20 સેક્ન્ડનો VIDEO આવ્યો સામે ]]></title><link>https://sandesh.com/india/news/delhi-satya-niketan-building-collapse-death-toll-rises</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/delhi-satya-niketan-building-collapse-death-toll-rises</guid><pubDate>Mon, 07 Sep 2026 08:16:46 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં રવિવારે બનેલી એક ગોઝારી ઘટનામાં પેઈંગ ગેસ્ટ (PG) તરીકે ઉપયોગમાં લેવાતી એક ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં 6 લોકોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે અને કાટમાળ નીચે હજુ પણ કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોક અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે.આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>બચાવ કામગીરી આખી રાત ચાલી</b></h2><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું અને આખી રાત રાહત તથા બચાવ કામગીરી સતત ચાલુ રહી હતી. કાટમાળ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની ટીમોએ ખાસ તાલીમ પામેલા સ્નિફર ડોગ્સ (ડોગ સ્ક્વોડ) ની મદદથી કાટમાળમાં ફસાયેલા પીડિતોની શોધખોળ હાથ ધરી છે.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/kumarsubodh_/status/2096777195335352576?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><a  target="_blank"></a><br><br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/Neha_S_Patel/status/2096564898826461187"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h3 style="text-align: justify; "><b>મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આપ્યા તપાસના આદેશ</b></h3><p style="text-align: justify; ">દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આ દુર્ઘટનાની ગંભીર નોંધ લેતા ઉચ્ચસ્તરીય મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે. પોલીસ દ્વારા મકાન માલિક સામે ગુનાહિત હત્યા અને બેદરકારીની કલમો હેઠળ FIR દાખલ કરવામાં આવી છે. સાઉથ કેમ્પસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોસ્ટેલના માલિક આનંદ બંસલના ભાઈ હરિરામ બંસલ અને અન્ય આરોપીઓ વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.</p><h4 style="text-align: justify; "><b>નવીનીકરણનું કામ અને MCDની કાર્યવાહી</b></h4><p style="text-align: justify; ">પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે આ ઇમારતમાં ગ્રાઉન્ડ ફ્લોર પર નવીનીકરણ (Renovation) નું કામ ચાલી રહ્યું હતું, જેના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી (MCD) એ સખત પગલાં લેતા સત્ય નિકેતનની મિલકત નંબર 13 ને અત્યંત ખતરનાક અને જર્જરિત જાહેર કરી છે. MCD એ DMC અધિનિયમ 1957 ની કલમો હેઠળ નોટિસ પાઠવીને આ ઇમારતને ત્રણ દિવસની અંદર તોડી પાડવાનો આદેશ આપ્યો છે. નિર્ધારિત સમયમાં કાર્યવાહી ન થાય તો MCD દ્વારા તોડી પાડવાની કામગીરી કરી તેનો ખર્ચ મકાન માલિક પાસેથી વસૂલવામાં આવશે.</p><h5 style="text-align: justify; "><b>ABVP દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન</b></h5><p style="text-align: justify; ">આ દુર્ઘટના બાદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના કાર્યકરોએ સિવિક સેન્ટર ખાતે MCD મુખ્યાલયની બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ "સેફ કેમ્પસ અમારો અધિકાર છે" અને "બેદરકારી સ્વીકાર્ય નથી" જેવા સૂત્રોચ્ચાર કરી MCD ની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો અને ગેરકાયદેસર બાંધકામો રોકવામાં નિષ્ફળ રહેવા બદલ MCD કમિશનર, ચેરમેન અને મેયરના રાજીનામાની માંગ કરી હતી.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/outcry-over-delhi-building-tragedy-cm-rekha-gupta-said-those-responsible-will-not-be-spared" target="_blank">આ પણ વાંચોઃ Delhi Building Collapse: દિલ્હી ઈમારત દુર્ઘટનાથી હાહાકાર, CM રેખા ગુપ્તાએ કહ્યું, "જવાબદારોને બક્ષવામાં નહીં આવે"</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/ZpwXBDpVVcieLuizrz7jXJd9Ho0sgZSae57E8WQV.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: આજથી શહેરમાં રિક્ષા અને ટેક્સી નહીં મળે, સામાન્ય મુસાફરોને હાલાકી વેઠવાનો વારો ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/auto-taxi-rickshaw-services-hit-from-today-strike</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/auto-taxi-rickshaw-services-hit-from-today-strike</guid><pubDate>Mon, 07 Sep 2026 07:26:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં અંદાજે 1.5 લાખ રિક્ષા અને 40 હજારથી વધુ ટેક્સી કેબ મળી કુલ 2 લાખ વાહનચાલકો ભાડાનીતિ સહિતના પડતર પ્રશ્નોને લઈને આજથી 10 સપ્ટેમ્બર દરમિયાન ચાર દિવસની હડતાલ પર ઊતરી રહ્યા છે.બંને એસોસિએશનનો વિરોધ છે કે કેબ કંપનીઓ રિક્ષાના વધેલા દર સ્વીકારતી નથી.જ્યારે ટેક્સી માટે સરકારે હજુ સુધી કોઈ ચોક્કસ ભાડાનીતિ નક્કી કરી નથી.ઓછું ભાડું હોવાથી ઊંચા બળતણ ખર્ચ સામે ટેક્સીચાલકોને કોઈ બચત થતી નથી.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>સામાન્ય મુસાફરોની સ્થિતિ અત્યંત કફોડી બનશે</b></h2><p style="text-align: justify; ">સોમવારથી ગુરુવાર સુધી ચાલનારી આ પ્રતીક હડતાલથી સામાન્ય મુસાફરોની સ્થિતિ અત્યંત કફોડી બનશે.જોકે રાહતની વાત એ છે કે સ્કૂલવર્ધીના વાહનોને આ આંદોલનમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે.આગામી ચાર દિવસમાં સત્તાવાળાઓ દ્વારા યોગ્ય નિવારણ નહીં લાવવામાં આવે તો હડતાલને અનિશ્ચિત મુદત સુધી લંબાવવાની સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે.બીજી તરફ,રિક્ષાના બે યુનિયનો આ હડતાલથી અલગ રહ્યા છે.તેઓ આંદોલન કરવાને બદલે વ્હાઇટ પ્લેટ સામે કડક કાર્યવાહી કરવા અને હાઇ કોર્ટની સૂચના છતાં કેબ કંપનીઓ પાસેથી ટેક્સ ન ઉઘરાવવા બદલ આરટીઓ અધિકારીઓને આવેદનપત્ર આપી રજૂઆત કરશે.</p><h3 style="text-align: justify; "><b>ટેક્સીના ભાડામાં તાત્કાલિક યોગ્ય વધારો કરવામાં આવે.</b></h3><p style="text-align: justify; ">વ્હાઇટ નંબર પ્લેટ ધરાવતા અને ગેરકાયદેસર કોમર્શિયલ પ્રવૃત્તિ કરતા વાહનોને ડિટેઇન કરી 10 હજારના દંડની જોગવાઈનો કડક અમલ થાય.ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન જેવા અન્ય રાજ્યોમાંથી આવતા વાહનો મુસાફરોને મૂકીને પરત જવાને બદલે ખોટા આઇડી બનાવી અમદાવાદમાં નિયમ વિરુદ્ધ ધંધો કરે છે, જેમના પર કડક કાર્યવાહી કરાય.કેબ કંપનીઓ દ્વારા બહારના રાજ્યોના વાહનોને આપવામાં આવતું પ્રોત્સાહન તાત્કાલિક બંધ થાય.<br><br><h2><b>શું સરકાર રિક્ષા ચાલકોની માગ સ્વીકારશે?</b></h2></p><p style="text-align: justify; ">ચાલુ હડતાળના પરિણામે સમગ્ર શહેરમાં જાહેર પરિવહન સેવાઓ પર અસાધારણ અને વધારાનું દબાણ સર્જાય તેવી વ્યાપક શક્યતાઓ સેવાઈ રહી છે.જેના કારણે સામાન્ય નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.આવીસ્થિતિને પહોંચી વળવા અને નાગરિકોની અગવડતા દૂર કરવા માટે હવે રાજ્ય સરકાર અને સંબંધિત સરકારી વિભાગો દ્વારા હડતાળ પર ઉતરેલા યુનિયનો તથા તેમના પ્રતિનિધિઓ સાથે મધ્યસ્થી સાધીને સકારાત્મક વાટાઘાટો હાથ ધરવામાં આવે છે કે નહીં, તે અત્યંત મહત્વનું બની રહેશે.હાલના તબક્કે બંને પક્ષો વચ્ચેની ચર્ચા દ્વારા કોઈ યોગ્ય અને સર્વસ્વીકૃત ઉકેલ લાવીને આ હડતાળ સમી જાય છે કે પરિસ્થિતિ વધુ વણસે છે તેના પર જ શહેરના તમામ નાગરિકો અને સત્તાધીશોની તીક્ષ્ણ નજર ટકેલી છે.</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/world/news/india/pm-modi-expressed-happiness-on-the-inauguration-of-baps-temple-in-paris-said-the-temple-will-become-a-symbol-of-india-france-relations" target="_blank">આ પણ વાંચોઃ Parisમાં BAPS મંદિરના ઉદ્ઘાટન પર PM મોદીએ વ્યક્ત કરી ખુશી, કહ્યું, "ભારત-ફ્રાન્સના સંબંધોનું પ્રતીક બનશે મંદિર"</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/8c2STeaZw0Jii7AbAFW2Beaew0vgnHkDvhBUkdSk.webp'/></item><item><title><![CDATA[Navsari: ડાંગના પ્રખ્યાત ડોન હિલ સ્ટેશન પર પાયાની સગવડોનો સદંતર અભાવ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/navsari/navsari-complete-lack-of-basic-amenities-at-dangs-famous-don-hill-station</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/navsari/navsari-complete-lack-of-basic-amenities-at-dangs-famous-don-hill-station</guid><pubDate>Mon, 07 Sep 2026 05:29:15 +05:30</pubDate><description><![CDATA[<p>ડાંગ જિલ્લાના અતિ સુંદર અને પ્રખ્યાત પ્રવાસન સ્થળ એવા 'ડોન હિલ સ્ટેશન' ખાતે ચોમાસાની રળિયામણી સિઝનમાં કુદરતી સૌંદર્ય માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. ચારેય તરફ પથરાયેલી હરિયાળી, ઉત્તુંગ પહાડો અને ઝાકળછાયા વાતાવરણના કારણે ડોન હિલ સ્ટેશન સહેલાણીઓમાં ભારે લોકપ્રિય બની રહ્યું છે. પ્રતિદિન અહીં સેંકડો પ્રવાસીઓ પોતાના પરિવાર અને મિત્રો સાથે આવી રહ્યા છે, પરંતુ બીજી તરફ અહીં મુલાકાતીઓ માટે જરૂરી પાયાની જાહેર સુવિધાઓનો ઘોર અભાવ</p><p>જોઈ રહ્યો છે, જેના કારણે પ્રવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.</p><p>ખાસ કરીને આટલા મોટા પ્રવાસન ધામ પર પૂરતી અને યોગ્ય શૌચાલય તેમજ બાથરૂમની વ્યવસ્થા ઉપલબ્ધ ન હોવા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.સ્થળ પર ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલા બાથરૂમ અને શૌચાલયની હાલત અત્યંત બિસ્માર થઈ ગઈ છે. આ શૌચાલય/બાથરૂમના ઉપરના પતરાના શેડ જ ગાયબ થઈ ગયા છે, જેથી આ સુવિધા તદ્દન બિનઉપયોગી અને ખુલ્લા આકાશ નીચે ફેરવાઈ ગઈ છે.</p><p>ચોમાસાની ઋતુમાં વરસાદ વચ્ચે શેડ વિનાના શૌચાલય-બાથરૂમના કારણે ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વૃદ્ધ પ્રવાસીઓને ભારે અસ્વસ્થતા અને હાલાકી ભોગવવી પડી રહી છે. પ્રવાસીઓનું કહેવું છે કે એક તરફ તંત્ર દ્વારા ડોન હિલ સ્ટેશનને લોકપ્રિય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના દાવા કરવામાં આવે છે અને દર વર્ગે મુલાકાતીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, બીજી તરફ આવી પ્રાથમિક જરૂરિયાતોની ઘોર ઉપેક્ષા કરવામાં આવી રહી છે.</p><p>સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સૌ કોઈ એકસૂરે માંગ કરી રહ્યા છે કે સ્થાનિક ગ્રામ પંચાયત, પ્રવાસન સમિતિ અને સંબંધિત વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ સ્થળની મુલાકાત લેવામાં આવે. બિસ્માર હાલતમાં મુકાયેલા બાથરૂમ અને શૌચાલયનું ત્વરિત સમારકામ કરાવી, નવા શેડ નાખવામાં આવે તેમજ વધારાના ટોયલેટ બ્લોક્સ ઊભા કરી પ્રવાસીઓની સમસ્યાઓનું નિવારણ લાવવામાં આવે તેવી તીવ્ર માંગ ઊઠી છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/oKsDtOF73QKLAppAUlS8JV274310s3x28rqaFolQ.webp'/></item><item><title><![CDATA[Navsari: જન્માષ્ટમી અને વીકેન્ડની રજાઓમાં સાપુતારા સહેલાણીઓથી છલકાયું ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/navsari/navsari-saputara-overflows-with-tourists-during-janmashtami-and-weekend-holidays</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/navsari/navsari-saputara-overflows-with-tourists-during-janmashtami-and-weekend-holidays</guid><pubDate>Mon, 07 Sep 2026 05:27:52 +05:30</pubDate><description><![CDATA[<p>જન્માષ્ટમી પર્વ સાથે વીકેન્ડની રજાઓનો સંયોગ થતા ગુજરાતના પ્રખ્યાત ગિરિમથક સાપુતારામાં પ્રવાસીઓનો જનસેલાબ ઊમટી પડયો હતો. સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં આવેલી હોટલ, હોમસ્ટે, રિસોર્ટ તેમજ ટેન્ટ સિટીઓ હાઉસફુલ થઈ જતા પ્રવાસન વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી. સાપુતારાને અડીને મહારાષ્ટ્ર તરફ્ આશરે 10 કિલોમીટરના વિસ્તારમાં આવેલી હોટલ, હોમસ્ટે અને વિલાઓમાં પણ પ્રવાસીઓની ભારે ભીડને પગલે તમામ રૂમો હાઉસફુલ જોવા મળ્યા હતાં.</p><p>રાજ્યમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ખાનગી વાહનો મારફતે સાપુતારા તરફ્ ઊમટી પડતા સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. સાપુતારાના સ્વાગત સર્કલ, બોટિંગ, ટેબલ પોઈન્ટ, સ્વાગત સર્કલથી પેટ્રોલપંપ તેમજ આનંદો સર્કલ સહિતના વિસ્તારોમાં પ્રવાસીઓના નાના-મોટા વાહનોનો કાફલો વધી જતાં સમયાંતરે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. કેટલાક સ્થળોએ તો કલાકો સુધી ટ્રાફિક જામ રહેતાં પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.</p><p>સાપુતારામાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે સાપુતારા પી.આઈ. જે.કે. બારીયાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. પોલીસ કર્મચારીઓ દ્વારા ટ્રાફિકવાળા સ્થળ પર પહોંચી વાહનવ્યવહારને વ્યવસ્થિત કરવાના પ્રયાસો કરવામાં આવતા ધીમે ધીમે ટ્રાફિક હળવો બન્યો હતો. મોટી સંખ્યામાં આવેલા પ્રવાસીઓએ બોટિંગ, રોપ-વે અને એડવેન્ચર પાર્ક સહિતના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ રજાઓની મોજ માણી હતી.</p><p>સાપુતારા ઉપરાંત વઘઈનો ગીરાધોધ, ગીરમાળનો ગીરાધોધ સહિત ડાંગ જિલ્લાના અન્ય વિવિધ પ્રવાસન સ્થળોએ પણ રજાઓ દરમિયાન પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. જન્માષ્ટમી અને વીકેન્ડની રજાઓમાં સમગ્ર ડાંગ જિલ્લો જાણે પ્રવાસીઓથી તરબોળ બની ગયો હોય તેવું દૃશ્ય જોવા મળ્યું હતું.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/c5VfO1TjKq5eI24YsXmrCZNMR1GsyYP78Mna34xL.webp'/></item><item><title><![CDATA[Parisમાં BAPS મંદિરના ઉદ્ઘાટન પર PM મોદીએ વ્યક્ત કરી ખુશી, કહ્યું, "ભારત-ફ્રાન્સના સંબંધોનું પ્રતીક બનશે મંદિર" ]]></title><link>https://sandesh.com/world/news/india/pm-modi-expressed-happiness-on-the-inauguration-of-baps-temple-in-paris-said-the-temple-will-become-a-symbol-of-india-france-relations</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/india/pm-modi-expressed-happiness-on-the-inauguration-of-baps-temple-in-paris-said-the-temple-will-become-a-symbol-of-india-france-relations</guid><pubDate>Sun, 06 Sep 2026 23:39:40 +05:30</pubDate><description><![CDATA[<p>Franceની રાજધાની પેરિસમાં દેશના પ્રથમ પરંપરાગત BAPS હિન્દુ મંદિરમાં આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો. આ સાથે મંદિર હવે દર્શનાર્થીઓ અને શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મુકાયું છે. પ્રસંગે યુરોપ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, આફ્રિકા અને એશિયાથી સંતો-ભક્તો તેમજ અનેક મહેમાનો ઉપસ્થિત રહ્યા.</p><p><b>ભવ્ય નગર યાત્રા યોજાઈ</b></p><p>પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં પેરિસમાં ભવ્ય નગર યાત્રા યોજાઈ. સંગીત, કલા અને ભક્તિમય પ્રસ્તુતિઓ સાથે પરંપરાગત વેશભૂષામાં નૃત્ય કલાકારો જોડાયા હતા. સુંદર રીતે સજાવાયેલા 14 રથોમાં હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓને પેરિસના વિવિધ માર્ગો પરથી લઈ જવામાં આવી. એફિલ ટાવર અને એકોલ મિલિટેર થઈ આ યાત્રા પ્લાસ દ લા કોનકોર્ડ ખાતે પૂર્ણ થઈ.</p><p><img alt="BAPS " src="https://epapercdn.sandesh.com/images/2026/09/06/PQTyttydi3dpUYCQhi0GozbjotTrmF8Q49HIU558.webp"><br></p><p><b>BAPS મંદિરના ઉદ્ઘાટન પર PM મોદીએ વ્યક્ત કરી ખુશી</b></p><p>PM નરેન્દ્ર મોદીએ આ ભવ્ય પ્રસંગે વિશેષ સંદેશ આપતાં ખુશી વ્યક્ત કરી હતી કે, "પેરિસમાં BAPS મંદિરનું ઉદ્ઘાટન થવું એ ખૂબ જ ગૌરવ અને આનંદની વાત છે. પીએમ મોદીએ ભવિષ્યમાં આ પવિત્ર મંદિરની મુલાકાત લેવાની ઈચ્છા અને આશા પણ દર્શાવી હતી. પેરિસમાં સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ એ માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ તે ભારત અને ફ્રાન્સ વચ્ચેના સુદ્રઢ સાંસ્કૃતિક સંબંધોનું પ્રતીક બન્યું છે. આ મંદિર યુરોપમાં ભારતીય મૂલ્યો અને સંસ્કારોની સુવાસ ફેલાવશે."</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/narendramodi/status/2096653733161750925"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p>PM નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, મંદિરનું લોકાર્પણ ભારત અને ફ્રાન્સ વચ્ચેના દ્વિપક્ષીય અને સાંસ્કૃતિક સંબંધોના નવા યુગનો આધારસ્તંભ બન્યું છે. 'વસુધૈવ કુટુંબકમ' (વસુધા જ એક કુટુંબ છે) ની પવિત્ર ભાવનાને વિશ્વમંચ પર જાગૃત કરવાનું એક સશક્ત માધ્યમ બનશે.</p><p><br></p><p><b>મંદિર નિર્માણનો ઈતિહાસ</b></p><p>પેરિસમાં ભવ્ય મંદિર બનાવવાનો સંકલ્પ ગુરુ યોગીજી મહારાજે વર્ષ 1970માં કર્યો હતો. ત્યારબાદ પ્રમુખસ્વામી મહારાજે પોતાની આધ્યાત્મિક વિદેશ યાત્રાઓ દરમિયાન ફ્રાન્સમાં સત્સંગની શરૂઆત કરી અને ગુરુના સંકલ્પને સાકાર કરવાની દિશામાં કાર્ય કર્યું. વર્ષ 2021માં મંદિરનું ભૂમિપૂજન અને 2022માં શિલાન્યાસ વિધિ થઈ હતી. વર્ષ 2026માં મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું.</p><p><b><a href="https://sandesh.com/world/news/india/the-streets-of-paris-became-indias-a-grand-nagar-yatra-was-held-with-thousands-of-devotees" target="_blank">આ પણ વાંચો: Parisના રસ્તાઓ બન્યા ભારતમય, હજારો ભક્તો સાથે ભવ્ય નગરયાત્રા યોજાઈ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/06/S4paF4ObS4Z6cOz0nkXFPz9KQUJEp95SfiBiKkNv.webp'/></item><item><title><![CDATA[Ola, Uber અને Delivery Boy માટે બદલાશે નિયમો, કંપનીઓ પર વધશે નાણાકીય બોજ ]]></title><link>https://sandesh.com/business/news/india/rules-will-change-for-ola-uber-and-delivery-boy-financial-burden-on-companies-will-increase</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/rules-will-change-for-ola-uber-and-delivery-boy-financial-burden-on-companies-will-increase</guid><pubDate>Sun, 06 Sep 2026 19:48:46 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">કેબ, ઓટો અને બાઇક જેવી રાઇડ-હેલિંગ સેવાઓ પર ખાસ કરીને ચુકવણી-આધારિત સિસ્ટમનો બોજ પડવાની શક્યતા છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">સામાજિક સુરક્ષા ભંડોળમાં ફાળો</h2><p style="text-align: justify; ">સામાજિક સુરક્ષા સંહિતા, 2020 હેઠળ, એગ્રીગેટર કંપનીઓએ ગિગ અને પ્લેટફોર્મ કામદારો માટે સ્થાપિત સામાજિક સુરક્ષા ભંડોળમાં ફાળો આપવો જરૂરી છે. આ યોગદાન નક્કી કરવા માટેની ફોર્મ્યુલા હાલમાં વિચારણા હેઠળ છે. સરકાર એ વિચારી રહી છે કે એગ્રીગેટર કંપનીઓ પાસેથી યોગદાન તેમના વાર્ષિક ટર્નઓવરના આધારે વસૂલવામાં આવે કે કામદારોને કરવામાં આવતી ચુકવણીના આધારે. બંને અભિગમોની વિવિધ વ્યવસાયો પર અલગ અલગ અસર પડી શકે છે.</p><h3 style="text-align: justify; ">બે અભિગમો પર વિચારણા&nbsp;</h3><p style="text-align: justify; ">વિશ્લેષકો અને ઉદ્યોગ સૂત્રોના જણાવ્યા મુજબ, શ્રમ અને રોજગાર મંત્રાલય પ્રતિ-વ્યવહાર અથવા પ્રતિ-કામદાર ચુકવણી પ્રણાલીના આધારે સામાજિક સુરક્ષા યોગદાનને પ્રમાણિત કરવાનું વિચારી રહ્યું છે. બીજો વિકલ્પ કંપનીઓના વાર્ષિક ટર્નઓવર પર યોગદાનને આધાર બનાવવાનો છે. વિશ્લેષકો અને ઉદ્યોગ સૂત્રોના જણાવ્યા મુજબ, પ્રતિ-વ્યવહાર અથવા પ્રતિ-કામદાર ચુકવણી મોડેલ એવા વ્યવસાયો પર વધુ નાણાકીય બોજ લાદી શકે છે જેમના વ્યવહારોની સંખ્યા વધુ હોય પરંતુ પ્રતિ-વ્યવહાર મૂલ્ય ઓછું હોય. બંને સિસ્ટમોની અસર વિવિધ પ્લેટફોર્મના વ્યવસાય મોડેલને કારણે અલગ અલગ હોઈ શકે છે.</p><h4 style="text-align: justify; ">શું છે સામાજિક સુરક્ષા કાયદો ?</h4><p style="text-align: justify; ">સામાજિક સુરક્ષા સંહિતા, 2020 હેઠળ, એગ્રીગેટર કંપનીઓ માટે ગિગ અને પ્લેટફોર્મ કામદારો માટે સામાજિક સુરક્ષા ભંડોળમાં યોગદાન આપવું ફરજિયાત છે. નિયમો અનુસાર, એક ગિગ કાર્યકર નાણાકીય વર્ષમાં 90 દિવસ એક જ એગ્રીગેટર સાથે અથવા બહુવિધ એગ્રીગેટર કંપનીઓ સાથે કુલ 120 દિવસ કામ કર્યા પછી આ યોજના હેઠળ લાભો માટે પાત્ર બને છે. એગ્રીગેટર કંપનીઓએ તેમના વાર્ષિક યોગદાનની ગણતરી કરવી અને તેને વાર્ષિક ધોરણે જમા કરાવવી જરૂરી છે. આ યોગદાનની ગણતરી માટે હવે તકનીકી માળખા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.</p><h5 style="text-align: justify; ">ટર્નઓવરના 1 થી 2%, ચુકવણી પર 5% સુધીનું યોગદાન</h5><p style="text-align: justify; ">કોડની કલમ 114(4) હેઠળ, એગ્રીગેટર્સે તેમના વાર્ષિક ટર્નઓવરના 1 થી 2% યોગદાન આપવું જરૂરી છે. જો કે, આ રકમ ગિગ અને પ્લેટફોર્મ કામદારોને કરવામાં આવતી કુલ ચુકવણીના 5% થી વધુ ન હોઈ શકે. વિકલ્પ તરીકે, મંત્રાલય કામદારોને સીધી ચૂકવણી પર આધારિત ફોર્મ્યુલા પર પણ વિચાર કરી રહ્યું છે, જ્યાં ચુકવણીના 5% સુધીનું યોગદાન લઈ શકાય છે. વિશ્લેષકો માને છે કે આવી ચુકવણી-આધારિત સિસ્ટમ રાઇડ-હેલિંગ, એટલે કે, કેબ, ઓટો અને બાઇક સેવાઓ જેવા ઉચ્ચ વ્યવહાર વ્યવસાયો માટે ખૂબ જ બોજારૂપ બની શકે છે.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/knowledge/news/world/un-world-new-map-why-is-the-uns-new-world-map-in-the-news-africa-is-14-times-bigger-than-greenland" target="_blank"> શા માટે ચર્ચામાં છે UNનો નવો 'વર્લ્ડ મેપ'?, ગ્રીનલેન્ડ કરતાં 14 ગણો મોટુ છે આફ્રિકા!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/06/3HXIvHkdgChGsIfQVrFpfCysGZl50QebDbvpAYys.webp'/></item><item><title><![CDATA[China Masters 2026 Badminton : સાત્વિક-ચિરાગની ધમાકેદાર એન્ટ્રી, ચાઇના માસ્ટર્સની ફાઇનલમાં પહોંચ્યા ]]></title><link>https://sandesh.com/sports/news/satwik-chirag-enter-china-masters-2026-final-after-beating-malaysia-pair</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/satwik-chirag-enter-china-masters-2026-final-after-beating-malaysia-pair</guid><pubDate>Sun, 06 Sep 2026 09:04:07 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતની અનુભવી બેડમિન્ટન જોડી સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ચાઇના માસ્ટર્સ 2026ની ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરી લીધું છે. શનિવારે રમાયેલી સેમિફાઇનલમાં ભારતીય જોડીએ મલેશિયાની જોડીને 21-16, 18-21, 21-11થી હરાવીને ખિતાબી મુકાબલામાં પ્રવેશ કર્યો હતો. આ મેચ લગભગ 1 કલાક અને 6 મિનિટ સુધી ચાલી હતી.હવે ફાઇનલમાં સાત્વિક અને ચિરાગનો સામનો ચીનની ઘરઆંગણાની જોડી સામે થશે. ભારતીય જોડી છેલ્લા 4 વર્ષમાં ત્રીજી વખત આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે. જોકે, તેઓ અત્યાર સુધી એક પણ વખત ચાઇના માસ્ટર્સનો ખિતાબ જીતી શક્યા નથી. તેથી આ વખતે ભારતીય ચાહકોને સાત્વિક-ચિરાગ પાસેથી પ્રથમ વખત ચેમ્પિયન બનવાની મોટી આશા છે.</p><h5 style="text-align: justify; "><b>મલેશિયાની જોડી સામે ફરી ભારતનો દબદબો</b></h5><p style="text-align: justify; ">વિશ્વ રેન્કિંગમાં 5મા ક્રમે રહેલી સાત્વિક-ચિરાગની ભારતીય જોડીએ સેમિફાઇનલમાં શાનદાર રમત બતાવી હતી. બીજા સેટમાં થોડો પડકાર મળ્યા બાદ ભારતીય ખેલાડીઓએ નિર્ણાયક ત્રીજા સેટમાં જોરદાર વાપસી કરી હતી.મલેશિયાની 29મા ક્રમાંકની જોડી સામે સાત્વિક અને ચિરાગનો રેકોર્ડ પહેલેથી જ સારો હતો. આ મેચ પહેલાં બંને જોડીઓ વચ્ચે 2 મુકાબલા રમાયા હતા અને બંનેમાં ભારતીય જોડીનો વિજય થયો હતો. સાત્વિક-ચિરાગે 2024 થાઇલેન્ડ ઓપન અને 2025 મલેશિયા ઓપનમાં પણ આ જોડી સામે જીત મેળવી હતી.ભારતીય જોડી 2023 અને 2025માં પણ ચાઇના માસ્ટર્સની રનર-અપ રહી ચૂકી છે. એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી આ જોડી હવે ત્રીજી વખત ફાઇનલમાં પહોંચી છે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/ani_digital/status/2096259001201885563?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h5 style="text-align: justify; "><b>શરૂઆતમાં 0-5થી પાછળ હતા</b></h5><p style="text-align: justify; ">સેમિફાઇનલની શરૂઆત ભારતીય જોડી માટે સારી રહી નહોતી. ચોથી ક્રમાંકિત સાત્વિક અને ચિરાગ એક સમયે 0-5થી પાછળ ચાલી રહ્યા હતા. જોકે બંને ખેલાડીઓએ જોરદાર વાપસી કરતાં સતત 7 પોઇન્ટ મેળવી લીધા હતા.મેચ દરમિયાન 34 શોટની લાંબી રેલી પણ જોવા મળી હતી. આ રેલી બાદ ભારતે 7-5ની સરસાઈ મેળવી હતી. મલેશિયાના ખેલાડી નૂરની કેટલીક ભૂલોનો ફાયદો ઉઠાવીને ભારતીય જોડી 10-6થી આગળ થઈ હતી. જોકે ત્યારબાદ સાત્વિક અને ચિરાગ તરફથી પણ કેટલીક ભૂલો થઈ હતી. તેમ છતાં ભારતીય જોડી બ્રેક સમયે 11-9થી આગળ હતી.</p><h5 style="text-align: justify; "><b>નિર્ણાયક સેટમાં ભારતીય ખેલાડીઓનો દબદબો</b></h5><p style="text-align: justify; ">બીજા સેટમાં મલેશિયાની જોડીએ 21-18થી જીત મેળવીને મેચને નિર્ણાયક ત્રીજા સેટમાં પહોંચાડી હતી.જોકે ત્રીજા સેટમાં સાત્વિક અને ચિરાગે શરૂઆતથી જ મજબૂત રમત બતાવી હતી.ભારતીય જોડીએ લાંબા શોટ્સ પર પોતાની પકડ જાળવી રાખી અને બ્રેક સુધી 11-4ની મોટી સરસાઈ મેળવી લીધી હતી. ત્યારબાદ સાત્વિકે જોરદાર સ્મેશ ફટકારીને ભારતની સરસાઈ 13-6 કરી હતી.મેચ આગળ વધતાં મલેશિયાના ખેલાડીઓ પર થાક સ્પષ્ટ દેખાવા લાગ્યો હતો. ભારતીય જોડીએ તેનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને મેચ પર પોતાની પકડ વધુ મજબૂત કરી. ચિરાગના એક સચોટ શોટ બાદ ભારત મેચ જીતવાની નજીક પહોંચી ગયું હતું.મલેશિયાના ખેલાડી ટૈને શરૂઆતના 2 મેચ પોઇન્ટ બચાવ્યા હતા, પરંતુ ત્યારબાદ ચિરાગે સચોટ સર્વ કરીને મહત્વનો પોઇન્ટ મેળવ્યો અને ભારતની જીત પર મહોર મારી હતી.હવે સાત્વિક-ચિરાગની નજર ચાઇના માસ્ટર્સની ટ્રોફી પર છે. અગાઉ 2 વખત ફાઇનલમાં પહોંચ્યા બાદ ખિતાબથી વંચિત રહેલી ભારતીય જોડી આ વખતે ચીનની ઘરઆંગણાની જોડી સામે પ્રથમ ચાઇના માસ્ટર્સ ટ્રોફી જીતવા માટે કોર્ટ પર ઉતરશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો<a href="https://sandesh.com/sports/news/us-open-2026-aryna-sabalenka-stops-play-after-smelling-marijuana-during-match--complains-to-umpire" target="_blank"> - US Open 2026: ના વરસાદ, ના કોઈ ટેકનિકલ ખામી, સ્ટેડિયમમાં ગાંજાની ગંધ અને રોકાઈ રમત..</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/06/AhbIusQIZ09BJVatoI8b1zMTDEo9dtsbr3FXqYET.webp'/></item></channel></rss>