<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Vadodara: વાઘનું નવું સરનામું રતનમહાલથી છોટાઉદેપુરના કેવડી તરફનું થયું ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-tigers-new-address-has-been-changed-from-ratan-mahal-to-kewdi-in-chhota-udepur</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-tigers-new-address-has-been-changed-from-ratan-mahal-to-kewdi-in-chhota-udepur</guid><pubDate>Tue, 28 Jul 2026 01:46:46 +05:30</pubDate><description><![CDATA[<p>દાહોદ જિલ્લાના રતનમહાલ વિસ્તારમાંથી વાઘના શરૂ થયેલા પ્રવાસના પગલે વન વિભાગે તેના લોકેશનની શરૂ કરેલી શોધખોળનો સુખદ અંત આવતા વન વિભાગે રાહતનો દમ લીધો હતો. વાઘનું લોકેશન દાહોદથી છોટાઉદેપુરના કેવડી તરફ મળ્યું હતું. જેના પગલે છોટાઉદેપુર વન વિભાગ સતર્ક બની ગયું હતું. આ મહેમાનના આતિથ્યમાં કોઇ પણ જાતની ક્ષતિ રહી નજાય અને અતિથિ દેવો ભવઃનું સૂત્ર સાર્થક કરવા માટે છોટાઉદેપુરના વન વિભાગે કમરકસી છે. આ સાથે દાહોદનું વન વિભાગ દ્વારા પણ આ માટે સતત મદદ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.</p><p>ગુજરાત રાજયના દાહોદ જિલ્લાના રતનમહાલમાં ગત તા.22મી ફેબ્રુઆરી 2025ના રોજ વાઘ આવ્યો હતો. વાઘ આ વિસ્તારમાં રહેતો હોવાની વાત ઘણા સમય સુધી વન વિભાગે જાહેર કરી ન હતી. વાઘ કયા વિસ્તારમાં ફરે છે તેનું મોનીટરિંગ ચાલુ કર્યું હતું. આ ઉપરાંત આસપાસના ગામના લોકોને પણ વાઘ હોવાથી ગભરાયા વિના કઇ રીતે તેનાથી દૂર રહેવું અને સ્વરક્ષણ કરવું તે સહિતની માહિતી આપી હતી. વાઘને કોઇ નુકસાન નહીં પહોંચાડવુ તેનો પીછો કે ફોટા વાયરલ કરવા નહી પણ સૂચન કર્યું હતું. વન વિભાગના કર્મચારીઓએ ગ્રામ્યજનો સાથે આ અંગે વારંવાર બેઠક પણ કરી હતી. વાઘને ભોજન મળે તે માટે સાંભાર અને ચિતર સહિતના પશુઓ છોડવામાં આવ્યા હતા.</p><p>અત્રે ઉલ્લેખનીયછે કે, વર્ષ 2019માં ફેબ્રુઆરીમાં મહીસાગર જિલ્લામાં વાઘે દેખાદીધી હતી. જોકે 20 જ દિવસના ટૂંકા ગાળામાં વાઘનું મોત નીપજ્યુ હતું. વાઘનું મોત ખોરાક નહી મળવાના લીધે નીપજ્યું હોવાની વિગતો સપાટી પર આવી હતી. જોકે એક વર્ષથી રતનમહાલ અને તેના આસપાસના વિસ્તારમાં રહેતા વાઘ માટે તંત્ર દ્વારા વાઘને પુરતો ખોરાક મળી રહે તે માટેના પશુઓ છોડી રહ્યાં છે. જ્યારે પાણીની પણ વ્યવસ્થા કરી રહ્યા છે. આ ઉપરાંત તેની સુરક્ષા માટે ટ્રેપ કેમેરાનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે.</p><p>દરમિયાનમાં વાઘે 17 મહિના ગુજરાતમાં ગુજાર્યા હતા. આ વાઘ રતનમહાલના આસપાસના વિસ્તારમાં નહીં દેખાતા આ વિસ્તારના લોકોને પણ ચિંતા થઇ હતી. જોકે વન વિભાગે પણ ટ્રેપ કેમેરાના ઉપયોગથી વાઘનું લોકેશન મેળવવા માટે સતત પ્રયત્નો હાથ ધર્યાં હતા. આ દરમિયાન વાઘનું લોકેશન છોટાઉદેપુર અને દાહોદ વચ્ચે મળ્યું હતું. જેમાં છોટાઉદેપુર તરફ તે વધુ હોવાનું વન વિભાગના સૂત્રો તરફથી જાણવા મળે છે. આ અંગેના પુરાવા મળતા જ વન વિભાગે હાશકારો અનુભવ્યો હતો. આ સાથે છોટાઉદેપુર વન વિભાગને પણ જાણ કરવામાં આવતા તેઓએ પણ વાઘની સંભાળ માટે કમરકસી છે. હાલમાં ચાલી રહેલા ચોમાસાના લીધે છોટાઉદેપુર વન વિભાગ માટે એક મોટો પડકાર હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. રાજ્યમાં વાઘના વસવાટને 17 મહિના પૂર્ણ થયા પછી કાયમી વસવાટની સરકારી મહોર હજી સુધી વાગી નથી. આથી વન્યજીવ પ્રેમીઓ પણવાઘને ગુજરાતમાં કાયમી વસવાટ થયો હોવાની મહોર વાગે તેવુ ઇચ્છી રહ્યા છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/RIY3pyWOYc9FLJWWjyD6Y4BTBTlbXjXuSpitJffL.webp'/></item><item><title><![CDATA[Junagadh: પ્રાકૃતિક કૃષિ હાટના સફ્ળતાના 5 વર્ષ, ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સર્જાયો વિશ્વાસનો સેતુ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/junagadh/junagadh-5-years-of-success-of-natural-agriculture-haat-a-bridge-of-trust-has-been-created-between-farmers-and-consumers</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/junagadh/junagadh-5-years-of-success-of-natural-agriculture-haat-a-bridge-of-trust-has-been-created-between-farmers-and-consumers</guid><pubDate>Tue, 28 Jul 2026 01:46:03 +05:30</pubDate><description><![CDATA[<p>જૂનાગઢ શહેરના સરદારબાગ ખાતે દર રવિવારે ભરાતું પ્રાકૃતિક કૃષિ ખેડૂતોનું આગવું બજાર આગામી સ્વાતંત્ર્ય પર્વે પાંચ વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. વર્ષ 2021માં શરૂ થયેલા આ બજારમાં જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરના ઉપયોગ વિના તૈયાર થયેલા તાજા લીલા શાકભાજી, અનાજ, કઠોળ અને તેલ વગેરે શુદ્ધ વસ્તુઓ શહેરીજનોને ઉપલબ્ધ કરાવવામાં આવે છે.</p><p>આ બજાર માત્ર ખરીદ-વેચાણનું કેન્દ્ર નથી, પરંતુ ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે પરસ્પર વિશ્વાસ અને સ્નેહનું પ્રતિક બની ગયું છે. અહીં વહેલી સવારે ખરીદી માટે આવતા ગ્રાહકો ખેડૂતો માટે ચા લઈને આવે છે, તો સામે ખેડૂતો ચોમાસાની ઋતુમાં ગ્રાહકોને ભજીયા ખવડાવીને એક અનોખો પારિવારિક સંબંધ નિભાવે છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર અને જૂનાગઢ આત્મા પ્રોજેક્ટ દ્વારા આ હાટની શરૂઆત કરવામાં આવી હતી. આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર ડી.જી. રાઠોડના જણાવ્યા મુજબ, પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને સીધું વેચાણ કરવાની તક મળે અને શહેરીજનોને શુદ્ધ વસ્તુઓ મળી રહે તેવા આશયથી આ પ્રયોગ હાથ ધરાયો હતો, જેને સફ્ળતા મળી છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/cXwCZf26DOPvmROcvHXK8pwNuYje7WxGTO1LyboH.webp'/></item><item><title><![CDATA[Porbandar: સ્કૂલનાં 1500થી વધુ વિદ્યાર્થીઓનો ધસારો છતા સ્પીડ બ્રેકર સહિતના નિયમોનો ઉલાળીયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/porbandar/porbandar-despite-the-rush-of-more-than-1500-school-students-rules-including-speed-breakers-were-flouted</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/porbandar/porbandar-despite-the-rush-of-more-than-1500-school-students-rules-including-speed-breakers-were-flouted</guid><pubDate>Tue, 28 Jul 2026 01:45:22 +05:30</pubDate><description><![CDATA[<p>પોરબંદરની મહાત્મા ગાંધી સ્કૂલ સહિત વિવિધ શાળાઓ સામે સ્પીડ બ્રેકર, ઝેબ્રા ક્રોસિંગ અને સ્કૂલ ઝોન સાઈન બોર્ડ લગાડવા હ્યુમન રાઈટ્સ એસો દ્વારા રજૂઆત કરાઈ છે. પોરબંદરના હ્યુમન રાઈટ એસોસિયેશન દ્વારા કલેકટર, શિક્ષણાધિકારી, મનપા ને કરાયેલી લેખિત રજૂઆત માં જણાવાયું છે કે કમલાબાગ વિસ્તારમાં આવેલી એમ.કે. ગાંધી સ્કૂલ માં 1500 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.સ્કૂલ મેઈન રોડ પર હોવાથી સવારે 7:30 થી 8:30 અને બપોરે 11:30 થી 2:30 તેમજ સાજે 5 થી 6 વાગ્યા સુધી ના સમયે બાળકોનો ખૂબ ધસારો રહે છે. પરંતુ સ્કૂલની સામે હાલમાં કોઈ સ્પીડ બ્રેકર, ઝેબ્રા ક્રોસિંગ કે સ્કૂલ ઝોન સાઈન બોર્ડ નથી. જેના કારણે વાહનો ખૂબ જ ઝડપે નીકળે છે અને કોઈપણ સમયે મોટો અકસ્માત થવાની શક્યતા છે.આ પરિસ્થિતિ શહેરની તમામ સ્કૂલોની આસપાસની છે જેમાં એમ કે ગાંધી શહેરની મધ્યમાં આવેલ છે અહી સૌથી મોટો ટ્રાફ્કિ બિરલા કંપનીના મોટા વાહનોની અવર જવર તેમજ પુરઝડપે આવતા વાહનોનો છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/hFyyRAEZurPCtJF4SOGfJLWC8FUl1nrMqZ95cthy.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: બાપુનગરમાં AMTS બસમાં આગ લાગતા મુસાફરોમાં અફરાતફરી, મોટી જાનહાનિ ટળી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-passengers-panic-as-amts-bus-catches-fire-in-bapunagar-major-casualties-averted</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-passengers-panic-as-amts-bus-catches-fire-in-bapunagar-major-casualties-averted</guid><pubDate>Tue, 28 Jul 2026 01:30:22 +05:30</pubDate><description><![CDATA[<p>બાપુનગરમાં ડીમાર્ટ પાસ સોમવારે વહેલી સવારે એએમટીએસ બસમાં આગ લાગતા મુસાફરોમાં અફરાતફરી મચી ગઇ હતી. જેથી ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને બસ ઉભી રાખીને મુસાફરોને ઉતારી દેતા મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાના પગલે ફાયરની ટીમે સ્થળ પર પહોચીને અડધો કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસ કરતા એન્જિનના આગળના ભાગે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું સામે આવ્યુ છે. બાપુનગર ડી માર્ટ પાસે સવારે 7 વાગ્યાની આસપાસ 300 નંબરની સર્ક્યુલર રૂટની બસ પસાર થતી હતી. તે દરમ્યાનમાં અચાનક જ આગળના ભાગે એન્જિનમાં શોર્ટ સર્કિટ થતા ધુમાડા નીકળ્યા હતા. ફાયર બ્રિગેડની બે ગાડીઓએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/fwGKjiyf8Z8JiHMHccha0XBpVSMWvoZJWWtK0cpL.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: અનેક ગામો બેટમાં ફેરવાયા પાંચના મોત, 70થી વધુ લોકોને ઉગાર્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-many-villages-turned-into-bats-five-dead-more-than-70-people-rescued</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-many-villages-turned-into-bats-five-dead-more-than-70-people-rescued</guid><pubDate>Tue, 28 Jul 2026 01:29:41 +05:30</pubDate><description><![CDATA[<p>ઉપરવાસમાં થયેલા સતત અને ભારે વરસાદના કારણે ધોલેરા પંથકમાં પૂર જેવાં એંધાણ સર્જાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં અનેક ગામો સંપર્કવિહોણા બન્યા છે. ધીંગડા ગામના નીચાણવાળા વિસ્તારમાં પૂરના પાણી વચ્ચે ફસાયેલા 20 લોકોનું એનડીઆરએફ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ, ધોલેરા તાલુકાના વણી તળાવ ગામમાં પણ 50થી વધુ લોકો પાણીમાં ઘેરાઈ જતાં એનડીઆરએફની ટીમે ઓપરેશન ચલાવી તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢયા હતા. ભારે વરસાદ અને ઉપરવાસમાંથી સતત આવી રહેલા પાણીના જોરદાર પ્રવાહને કારણે બુરાનપુર, આણંદપુર અને વણી તળાવ ગામો બેટમાં ફેરવાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ધોલેરાનું પ્રસિદ્ધ કમિયાળા હનુમાન મંદિર પણ વરસાદી પાણીથી ઘેરાઈ ગયું છે. મંદિર પરિસરમાં પાણી ઘૂસી જતાં સમગ્ર મંદિર પરિસર જળમગ્ન બન્યું છે. વરસાદી પાણીના પ્રવાહને લીધે ધીંગડા નજીક મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતાં બગોદરાથી ગુંદી ફાટક સુધીનો માર્ગ તંત્ર દ્વારા કામચલાઉ ધોરણે વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે અને વાહનચાલકોને વૈકલ્પિક માર્ગ વાપરવા અપીલ કરાઈ છે. ઉપરવાસમાંથી આવી રહેલા પાણીથી ધનાળા, કમિયાળા, આણંદપુર, બુરાનપુર અને વણી તળાવ સહિતના ગામો સૌથી વધુ પ્રભાવિત થયા છે. ધોળકામાં 17 ઇંચથી વધુ વરસાદ અને ઉપરવાસની આવકથી પૂરના પાણીમાં તણાઈ જતાં પાંચ લોકોના મોત નીપજ્યા છે. સરસ્વતી સ્કૂલ, મફલીપુર અને કલિકુંડ પાસેથી પાંચ મૃતદેહ મળ્યા છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/W1LgNJAVKwYm18OReHLPL5JeBkKVs3MP3muboxIH.webp'/></item><item><title><![CDATA[CWG 2026 Medal Tally: ભારતના તમામ મેડલ વિજેતાઓ, સંપૂર્ણ યાદી અને અપડેટેડ મેડલ ટેબલ ]]></title><link>https://sandesh.com/sports/news/india-commonwealth-games-2026-six-medals-mirabai-chanu</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india-commonwealth-games-2026-six-medals-mirabai-chanu</guid><pubDate>Mon, 27 Jul 2026 23:50:43 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતનું પ્રદર્શન સતત મજબૂત રહ્યું છે. અત્યાર સુધી ભારતે કુલ 6 મેડલ જીત્યા છે, જેમાં 1 ગોલ્ડ, 3 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં 23 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન યોજાઈ રહેલી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ભારતના 122 ખેલાડીઓ વિવિધ રમતોમાં દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.</p><p style="text-align: justify; ">ભારત આ વખતે એથ્લેટિક્સ, આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ, લોન બાઉલ્સ, બોક્સિંગ, જુડો, સ્વિમિંગ, ટ્રેક સાઈકલિંગ અને વેઇટલિફ્ટિંગ સહિતની 8 મુખ્ય રમતોમાં ભાગ લઈ રહ્યું છે. આ ઉપરાંત ભારતીય ખેલાડીઓ 5 પેરા ઈવેન્ટ્સ – પેરા એથ્લેટિક્સ, પેરા પાવરલિફ્ટિંગ, પેરા સ્વિમિંગ, પેરા ટ્રેક સાઈકલિંગ અને 3x3 વ્હીલચેર બાસ્કેટબોલમાં પણ મેડલ માટે પડકાર રજૂ કરી રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>ભારતની સ્ટાર વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ જીત્યો ગોલ્ડ મેડલ</b></h2><p style="text-align: justify; ">સ્ટાર બોક્સર લવલીના બોર્ગોહેનને મહિલા 75 કિલો વર્ગમાં ક્વાર્ટર ફાઈનલમાં બાય મળતા તેનો મેડલ નિશ્ચિત થઈ ગયો છે. પરંતુ તેનું લક્ષ્ય માત્ર બ્રોન્ઝ નહીં પરંતુ ગોલ્ડ જીતવાનું છે. એથ્લેટિક્સમાં ગુરિંદરવીર સિંહ, અનિમેષ કુજુર, મુરલી શ્રીશંકર, તજિંદરપાલ સિંહ તૂર, પારુલ ચૌધરી અને ગુલવીર સિંહ જેવા ખેલાડીઓ પાસેથી પણ ભારતને મેડલની આશા છે.</p><p style="text-align: justify; ">ભારત માટે પ્રથમ મેડલ ઝાંડુ કુમાર પેરા પાવરલિફ્ટિંગમાં બ્રોન્ઝ જીતીને અપાવ્યો હતો. ત્યારબાદ ઋષિકાંત સિંહ કોમનવેલ્થ ગેમ્સ 2026માં મેડલ જીતનાર પ્રથમ એબલ-બોડીડ ભારતીય ખેલાડી બન્યો. તેને પુરુષોની 60 કિલો વેઈટલિફ્ટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો અને સ્નેચમાં નવો કોમનવેલ્થ ગેમ્સ રેકોર્ડ પણ બનાવ્યો. ભારતની સ્ટાર વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ મહિલા 48 કિલો કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને દેશને ગ્લાસગો 2026નું પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યું. આ સાથે જ તેમને સતત ત્રીજી વખત કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતવાનો ઐતિહાસિક કારનામો કર્યો.</p><h3 style="text-align: justify; "><b>અત્યાર સુધી ભારતના ખાતામાં કુલ 6 મેડલ&nbsp;</b></h3><p style="text-align: justify; ">ભારતીય એથ્લેટિક્સ ટીમની આગેવાની ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા કરી રહ્યો છે. ગોલ્ડ કોસ્ટ 2018માં ગોલ્ડ જીતનાર નીરજ ચોપરા ઈજાના કારણે બર્મિંગહામ 2022માં રમી શક્યો ન હતો, પરંતુ આ વખતે તેઓ ફરી ગોલ્ડ જીતવાના નિશાન સાથે મેદાનમાં ઉતર્યો છે. કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં ભારતે અત્યાર સુધી 18 આવૃત્તિઓમાં કુલ 564 મેડલ જીત્યા છે અને ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ તથા કેનેડા બાદ ચોથો સૌથી સફળ દેશ છે.</p><h4 style="text-align: justify; "><b>CWG 2026માં અત્યાર સુધી ભારત માટે મેડલ જીતનારા ખેલાડીઓ</b></h4><p style="text-align: justify; ">મીરાબાઈ ચાનુ:  ગોલ્ડ (વેઈટલિફ્ટિંગ)</p><p style="text-align: justify; ">ઋષિકાંત સિંહ :  સિલ્વર (વેઈટલિફ્ટિંગ)</p><p style="text-align: justify; ">રાજા મુથુપંડી:  સિલ્વર (વેઈટલિફ્ટિંગ)</p><p style="text-align: justify; ">જ્ઞાનેશ્વરી યાદવ:  સિલ્વર (વેઈટલિફ્ટિંગ)</p><p style="text-align: justify; ">ઝાંડુ કુમાર:  બ્રોન્ઝ (પેરા પાવરલિફ્ટિંગ)</p><p style="text-align: justify; ">બિંદિયારાની દેવી: બ્રોન્ઝ (વેઈટ લિફ્ટિંગ)</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/ishan-kishan-run-out-abhishek-sharma-stump-mic-video" target="_blank">Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/27/ahQlU77mU0DOwg0sxWZ85ayPSdjKN5E27mn8hOVj.webp'/></item><item><title><![CDATA[Auto માર્કેટમાં ધમાકો કરવા તૈયાર છે આ નવી લક્ઝરી ટ્રક, 4x4 પાવર સાથે નવી જનરેશન કારનું કાઉન્ટડાઉન શરૂ! ]]></title><link>https://sandesh.com/business/news/automobile/this-new-luxury-truck-is-ready-to-take-the-auto-market-by-storm-the-countdown-for-the-new-generation-car-with-4x4-power-has-begun</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/this-new-luxury-truck-is-ready-to-take-the-auto-market-by-storm-the-countdown-for-the-new-generation-car-with-4x4-power-has-begun</guid><pubDate>Mon, 27 Jul 2026 23:20:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ટોયોટા પોતાની લોકપ્રિય પીકઅપ ટ્રક Hilux ની નવી જનરેશન ભારતીય બજારમાં લોન્ચ કરવા માટે પૂરી રીતે તૈયાર છે. અગાઉનું 8મી જનરેશન મોડેલ માર્ચ 2022માં લોન્ચ કરવામાં આવ્યું હતું, અને હવે 9મી જનરેશનની આ નવી હિલક્સ બિલકુલ નવી ડિઝાઈન, આધુનિક ફીચર્સ અને વધુ પ્રીમિયમ કેબિન સાથે માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહી છે. ગ્રાહકો લાંબા સમયથી આ પાવરફુલ વાહનની રાહ જોઈ રહ્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>નવી Toyota Hilux ની અંદાજિત કિંમત</b></h2><p style="text-align: justify; ">નવી જનરેશન હિલક્સની કિંમતમાં જૂના મોડેલની સરખામણીએ નોંધપાત્ર વધારો થવાની ધારણા છે. અગાઉના 8મી જનરેશન મોડેલની એક્સ-શોરૂમ કિંમત રૂ.28.52 લાખથી રૂ.36 લાખ વચ્ચે હતી. જોકે વિવિધ મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ નવા અને અપગ્રેડેડ 2026 મોડેલની એક્સ-શોરૂમ કિંમત રૂ.30 લાખથી રૂ.40 લાખની વચ્ચે રહેવાની શક્યતા છે.</p><h3 style="text-align: justify; "><b>એન્જિન, પાવર અને હાઇબ્રિડ ટેકનોલોજી</b></h3><p style="text-align: justify; ">2026 ટોયોટા હિલક્સ કંપનીના ભરોસાપાત્ર IMV પ્લેટફોર્મ પર જ આધારિત છે. આ વાહનમાં શક્તિશાળી 2.8-લીટર ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 204 હોર્સપાવર અને 420 Nm નો ટોર્ક જનરેટ કરે છે. જો તમે 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ પસંદ કરો છો, તો તેનો ટોર્ક વધીને 500 Nm થઈ જાય છે. વાહનમાં 4x4 AWD સિસ્ટમ અને લો-રેન્જ ટ્રાન્સફર કેસ સ્ટાન્ડર્ડ તરીકે મળવાની અપેક્ષા છે. આ સિવાય, આ વખતે ડીઝલ એન્જિન સાથે નવું 48V માઇલ્ડ-હાઇબ્રિડ સિસ્ટમ પણ મળી શકે છે.</p><h4 style="text-align: justify; "><b>પ્રીમિયમ અને લેટેસ્ટ ઈન્ટિરિયર</b></h4><p style="text-align: justify; ">ભારતમાં આવનારી નવી હિલક્સનું ઈન્ટિરિયર આંતરરાષ્ટ્રીય મોડેલ જેવું જ પ્રીમિયમ હશે. આ વાહનમાં ફિઝિકલ બટનો સાથેનું 3-સ્પોક સ્ટીઅરિંગ વ્હીલ, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે ધરાવતી 12.3-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને 12.3-ઇંચનું ફુલ્લી ડિજિટલ TFT ડ્રાઇવર ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. હાર્ડ પ્લાસ્ટિકના બદલે આ વખતે નવી હિલક્સમાં લેટેસ્ટ લેન્ડ ક્રૂઝર પ્રાડો (Land Cruiser Prado) થી પ્રેરિત પ્રીમિયમ કેબિન લેઆઉટ જોવા મળશે.</p><h5 style="text-align: justify; "><b>કમ્ફર્ટ અને એડવાન્સ્ડ સેફ્ટી ફીચર્સ</b></h5><p style="text-align: justify; ">ડબલ-કેબ હિલક્સમાં પાવર અને વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, ઓટો હોલ્ડ સાથે ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક (EPB), એમ્બિયન્ટ લાઇટિંગ, ડ્યુઅલ-ઝોન ક્લાઇમેટ કન્ટ્રોલ અને કૂલ્ડ ગ્લોવબોક્સ જેવી સુવિધાઓ સામેલ છે. સેફ્ટીની વાત કરીએ તો, નવી હિલક્સમાં રડાર અને કેમેરા આધારિત એડવાન્સ્ડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS) આપવામાં આવી છે, જેમાં ઓટોનોમસ ઇમરજન્સી બ્રેકિંગ, એડેપ્ટિવ ક્રૂઝ કન્ટ્રોલ અને લેન આસિસ્ટ જેવા મહત્વપૂર્ણ ફીચર્સ ઉપલબ્ધ છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/automobile" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/27/ELk2CRgqqcYDi86U8lDpPKsFFVygfSogRBtYSnw4.webp'/></item><item><title><![CDATA[Bihar સરકારનો મોટો નિર્ણય, પ્રદર્શનકારીઓ પર દાખલ થયેલી FIR પરત ખેંચાશે ]]></title><link>https://sandesh.com/india/news/bihar-government-withdraws-firs-against-student-protesters-relief</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/bihar-government-withdraws-firs-against-student-protesters-relief</guid><pubDate>Mon, 27 Jul 2026 22:45:13 +05:30</pubDate><description><![CDATA[<p>બિહાર સરકારે વિદ્યાર્થી આંદોલન અને તાજેતરના વિરોધ પ્રદર્શનોને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના ગૃહ વિભાગે ધરપકડ કરાયેલા પ્રદર્શનકારીઓને મુક્ત કરવા તેમજ તેમની સામે નોંધાયેલી FIR, ફરિયાદો અને નોટિસ પાછી ખેંચવાની પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપ્યો છે. સરકારના આ નિર્ણયથી વિરોધ પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને મોટી રાહત મળી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2081773396900331901"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>બદલો લેવા જેવી કાર્યવાહી કરવામાં આવશે નહીં</b></h2><p>ગૃહ વિભાગના વિશેષ સચિવ દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર, 26 જુલાઈ 2026ના સાંજે 6 વાગ્યા સુધી થયેલા આંદોલન સાથે જોડાયેલા કોઈપણ વ્યક્તિ સામે નવી દંડાત્મક અથવા બદલો લેવા જેવી કાર્યવાહી કરવામાં આવશે નહીં. સંબંધિત જિલ્લાઓમાં હવે કેસ પરત ખેંચવા અને પ્રદર્શનકારીઓની મુક્તિ માટે વહીવટી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. સરકારે જણાવ્યું છે કે પરીક્ષા પદ્ધતિમાં પારદર્શિતા લાવવા અને વિદ્યાર્થીઓના હિતોની સુરક્ષા માટે કડક કાર્યવાહી કરતાં સંવાદ અને સમાધાનનો માર્ગ વધુ યોગ્ય છે.&nbsp;</p><h3><b>રાજકીય દબાણ વચ્ચે બિહાર સરકારે આ નિર્ણય લીધો</b></h3><p>આ કારણે સરકારે વિદ્યાર્થીઓ સામેના કેસોમાં રાહત આપવાનો નિર્ણય લીધો છે. જોકે સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ રાહત માત્ર 26 જુલાઈ 2026ના સાંજે 6 વાગ્યા સુધીની ઘટનાઓ માટે જ લાગુ પડશે. તે પછી જો કોઈ કાયદો અને વ્યવસ્થાને અસર કરતી ઘટના બનશે તો જરૂર મુજબ કાર્યવાહી કરવામાં આવશે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે તાજેતરના વિદ્યાર્થી આંદોલનો અને તેના કારણે સર્જાયેલા રાજકીય દબાણ વચ્ચે બિહાર સરકારે આ નિર્ણય લીધો છે.&nbsp;</p><p>કેન્દ્ર સરકારના કેટલાક તાજેતરના પગલાં અને શિક્ષણ સંબંધિત મુદ્દાઓ પર વધેલા વિરોધ બાદ રાજ્ય સરકારે વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી ટાળીને વાતચીત દ્વારા ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો છે. સરકારના આ નિર્ણયથી રાજ્યમાં તંગદિલી ઓછી થવાની અને વિદ્યાર્થીઓ તથા પ્રશાસન વચ્ચે વિશ્વાસ વધવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/up-69000-assistant-teacher-recruitment-supreme-court-affidavit-teachers-jobs-safe" target="_blank">આ પણ વાંચો : 69,000 સહાયક શિક્ષક ભરતી કેસમાં યોગી સરકારનું સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું, કહ્યું 'હાલના શિક્ષકોની નોકરી રહેશે સુરક્ષિત'</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/27/RngvshpubqD5vH1AglVmx8Ol09Q1I8HmGxfHSCeY.webp'/></item><item><title><![CDATA[Government Holidays in India: આ રાજ્યમાં મળે છે સૌથી વધુ સરકારી રજાઓ, દિલ્હીમાં સૌથી ઓછી રજા ]]></title><link>https://sandesh.com/knowledge/news/india/government-holidays-in-india-this-state-gets-the-most-government-holidays-delhi-gets-the-least</link><guid isPermaLink="true">https://sandesh.com/knowledge/news/india/government-holidays-in-india-this-state-gets-the-most-government-holidays-delhi-gets-the-least</guid><pubDate>Mon, 27 Jul 2026 21:13:27 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">દિલ્હીમાં સૌથી ઓછી રજાઓ હોય છે. ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં પણ મોટી સંખ્યામાં સરકારી રજાઓ હોય છે.</p><h2 style="text-align: justify; ">સાંસ્કૃતિક, સામાજિક અને સ્થાનિક તહેવારો&nbsp;</h2><p style="text-align: justify; ">દેશભરના કામ કરતા લોકો અને સરકારી કર્મચારીઓમાં રજાઓની સંખ્યા ઘણીવાર ચર્ચાનો વિષય હોય છે. ભારત જેવા વૈવિધ્યસભર દેશમાં, દરેક રાજ્યના પોતાના સાંસ્કૃતિક, સામાજિક અને સ્થાનિક તહેવારો હોય છે. જેના આધારે રાજ્ય સરકારો તેમના સત્તાવાર રજાના સમયપત્રક તૈયાર કરે છે. દેશભરના રાજ્યોનો તુલનાત્મક અભ્યાસ દર્શાવે છે કે ઝારખંડ અને આસામ એવા બે રાજ્યો છે જ્યાં સરકારી કર્મચારીઓને વર્ષ દરમિયાન સૌથી વધુ રજાઓ મળે છે. બંને રાજ્યોમાં વાર્ષિક કેલેન્ડરમાં દર વર્ષે 33 કે તેથી વધુ રજાઓ હોય છે.</p><h3 style="text-align: justify; ">સરકારી રજાઓની સંખ્યા 25 થી 38&nbsp;</h3><p style="text-align: justify; ">આ ઉપરાંત, કર્મચારીઓને બધા રવિવાર અને મહિનાના બીજા અને ચોથા શનિવારે પણ રજાઓ આપવામાં આવે છે. આનાથી આ રાજ્યોના કર્મચારીઓને સ્થાનિક તહેવારો દરમિયાન ઓફિસમાંથી નોંધપાત્ર રાહત મળે છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાન જેવા મોટા રાજ્યો પણ સ્થાનિક અને ધાર્મિક તહેવારોના આધારે નોંધપાત્ર સંખ્યામાં રજાઓ આપે છે. આ રાજ્યોમાં વાર્ષિક જાહેર રજાઓની સંખ્યા 25 થી 38 સુધીની હોય છે.</p><h4 style="text-align: justify; ">સંસ્થાઓ માટે ફરજિયાત જાહેર રજાઓ</h4><p style="text-align: justify; ">આ રાજ્યોમાં, રાજ્ય સરકારો દ્વારા હોળી, દિવાળી, ઈદ, મકરસંક્રાંતિ, મહાકુંભ, છઠ પૂજા, તીજ, ગંગૌર અને સ્થાનિક હસ્તીઓના જન્મદિન જેવા પ્રસંગોએ ખાસ જાહેર રજાઓ જાહેર કરવામાં આવે છે. જ્યારે રાજ્યોની પોતાની સ્થાનિક રજાઓ હોય છે, ત્યારે દેશભરમાં ત્રણ રાષ્ટ્રીય તહેવારો સમાન રીતે ઉજવવામાં આવે છે. 26 જાન્યુઆરી, 15 ઓગસ્ટ અને 2 ઓક્ટોબર એ ભારતભરની તમામ સરકારી, અર્ધ-સરકારી અને ખાનગી સંસ્થાઓ માટે ફરજિયાત જાહેર રજાઓ છે.</p><h5 style="text-align: justify; ">દિલ્હીમાં સૌથી ઓછી જાહેર રજાઓ&nbsp;</h5><p style="text-align: justify; ">દેશના તમામ રાજ્યોની તુલનામાં, રાજધાની દિલ્હીમાં સૌથી ઓછી જાહેર રજાઓ જાહેર કરવામાં આવે છે. દિલ્હીમાં વાર્ષિક માત્ર 21 જાહેર રજાઓ હોય છે. આ પાછળનું કારણ એ છે કે દિલ્હીમાં મોટાભાગની સરકારી કચેરીઓ અઠવાડિયામાં ફક્ત પાંચ દિવસ જ કાર્યરત હોય છે, અને શનિવાર અને રવિવાર પહેલાથી જ સાપ્તાહિક રજાઓ હોય છે, જ્યારે કેટલીક ખાસ કચેરીઓ શનિવારે પણ ખુલ્લી હોય છે.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/knowledge/news/india/e20-petrol-cant-e20-be-stored-like-regular-petrol-know-its-shelf-life" target="_blank"> શું E20ને નિયમિત પેટ્રોલની જેમ સંગ્રહિત કરી શકાતું નથી?, જાણો તેની શેલ્ફ લાઇફ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/27/KF4YWF8HhVpu5Pag7zvQjIrO6DZiKL0rSrslUCl9.webp'/></item><item><title><![CDATA[Gujrati Cinema : ઠંડી રહી લાયક નાલાયક, હવે સકારાત્મક માઉથ પબ્લિસિટીથી વધી રહ્યો ક્રેઝ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/layak-nalayak-gujarati-movie-positive-mouth-publicity-trend</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/layak-nalayak-gujarati-movie-positive-mouth-publicity-trend</guid><pubDate>Mon, 27 Jul 2026 18:05:29 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">તાજેતરમાં સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ લાયક નાલાયકને શરૂઆતમાં બોક્સ ઓફિસ પર અપેક્ષા મુજબનો પ્રતિસાદ મળ્યો નથી. વરસાદી માહોલ અને મર્યાદિત દર્શક ઉપસ્થિતિને કારણે ફિલ્મના શરૂઆતના કલેક્શન પર અસર જોવા મળી હતી. શરૂઆતના દિવસોમાં ફિલ્મને દર્શકોની સંખ્યા ઓછી મળતાં કમાણી પણ ધીમી રહી હતી.</p><h2 style="text-align: justify; "><b>દર્શકોને પસંદ આવી ફિલ્મની સ્ટોરી</b></h2><p style="text-align: justify; ">જોકે, ફિલ્મ જોયા બાદ દર્શકો તરફથી મળતા પોઝિટિવ રિવ્યૂને કારણે હવે લાયક નાલાયક અંગેની ચર્ચા સતત વધી રહી છે. ફિલ્મની ઈમોશનલ સ્ટોરી, મજબૂત કેરેક્ટર અને ભાવનાત્મક રજૂઆત દર્શકોને સ્પર્શી રહી છે. સોશિયલ મીડિયા પર પણ અનેક દર્શકોએ ફિલ્મની પ્રશંસા કરી છે.</p><h3 style="text-align: justify; "><b>સોશિયલ મીડિયા પર થઈ રહી છે પ્રશંસા</b></h3><p style="text-align: justify; ">સોશિયલ મીડિયા પર ફિલ્મને લઈને દર્શકોની પ્રતિક્રિયાઓમાં તેને માત્ર મનોરંજન પૂરતી ફિલ્મ નહીં, પરંતુ પરિવાર સાથે જોઈ શકાય તેવી અર્થસભર રજૂઆત ગણાવવામાં આવી રહી છે. પોઝિટિવ માઉથ પબ્લિસિટી ફિલ્મ માટે મહત્વની સાબિત થઈ શકે છે અને આગામી દિવસોમાં વધુ દર્શકોને સિનેમાઘરો સુધી લાવી શકે છે.</p><h3 style="text-align: justify; "><b>પ્રથમ સપ્તાહથી ફિલ્મની સફળતા નક્કી કરવી યોગ્ય નથી</b></h3><p style="text-align: justify; ">ગુજરાતી સિનેમાના ફેન્સનું માનવું છે કે ગુણવત્તાસભર ફિલ્મોને માત્ર પ્રથમ સપ્તાહના બોક્સ ઓફિસ કલેક્શનના આધારે માપવી યોગ્ય નથી. ખાસ કરીને વરસાદ જેવા પરિબળોને કારણે શરૂઆત ધીમી રહી હોય ત્યારે ફિલ્મને લાંબો સમય મળવો જરૂરી છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbSpjYdsHYv/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbSpjYdsHYv/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbSpjYdsHYv/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbSpjYdsHYv/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>આગામી દિવસોમાં કલેક્શન વધવાની આશા</b></h4><p style="text-align: justify; ">ટ્રેડ વર્તુળોમાં પણ ચર્ચા છે કે શરૂઆત ધીમી રહી હોવા છતાં ફિલ્મને મળી રહેલી પ્રશંસા તેના લાંબા ગાળાના પ્રદર્શન માટે સકારાત્મક સંકેત છે. જો દર્શકોનો સાથ સતત મળતો રહેશે તો ફિલ્મના કલેક્શનમાં આગામી દિવસોમાં વધારો થઈ શકે છે.</p><h5 style="text-align: justify; "><b>ગુજરાતી સિનેમા માટે પણ સકારાત્મક સંકેત</b></h5><p style="text-align: justify; ">ફિલ્મપ્રેમીઓનું કહેવું છે કે જો સારી અને અલગ વિષયવાળી ફિલ્મોને દર્શકોનો સતત સાથ મળે તો ગુજરાતી સિનેમામાં વધુ ગુણવત્તાસભર ફિલ્મો બનાવવાનું પ્રોત્સાહન મળશે. લાયક નાલાયક હાલમાં રાજ્યભરના વિવિધ સિનેમાઘરોમાં પ્રદર્શિત થઈ રહી છે અને વધતા સકારાત્મક પ્રતિસાદને જોતા આગામી દિવસોમાં દર્શકોની સંખ્યામાં વધારો થવાની આશા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/chennai-love-story-kiran-abbavaram-third-highest-grossing" target="_blank">આ પણ વાંચો-Chennai Love Story એ તોડ્યો રેકોર્ડ, બની કિરણ અબ્બાવરમની ત્રીજી હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/27/TxcetQODHQELerIisnxXUoGwwGDMrIDPC9SBPbiu.webp'/></item></channel></rss>