<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Suratના વેસુમાં લક્ઝમબર્ગ દેશના બોગસ જોબ લેટર આપી એજન્સીએ આચરી રૂ.5.18 લાખની ઠગાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/agency-cheats-man-of-rs-5-18-lakh-by-giving-fake-job-letter-from-luxembourg-in-surat</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/agency-cheats-man-of-rs-5-18-lakh-by-giving-fake-job-letter-from-luxembourg-in-surat</guid><pubDate>Thu, 20 Aug 2026 10:22:12 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરના પોશ વિસ્તાર ગણાતા વેસુમાંથી વિદેશ જવા ઈચ્છુક નાગરિકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. વેસુ વિસ્તારમાં ચાલી રહેલી ‘વસુધૈવ કુટુંબકમ ઓવરસીઝ’ નામની વિઝા એજન્સીના સંચાલકો દ્વારા યુરોપના વર્ક વિઝા અપાવવાના બહાને એક મહિલા સાથે રૂપિયા 5.18 લાખની ગંભીર ઠગાઈ આચરવામાં આવી છે. એજન્સીના સંચાલકોએ મહિલાને લક્ઝમબર્ગ દેશમાં વર્ક પરમિટ વિઝા અપાવવાની મોટી લાલચ આપી હતી અને વિશ્વાસ સંપાદિત કરવા માટે તેમને લક્ઝમબર્ગના બોગસ જોબ લેટર પણ મોકલી આપ્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>ચેક બાઉન્સ થતાં કૌભાંડ પ્રકાશમાં આવ્યું</b></h2><p style="text-align: justify; ">મહિલાને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેમણે એજન્સીના સંચાલકો પાસે પોતાના નાણાં પરત માગ્યા હતા. આરોપીઓએ નાણાં ચૂકવવાના બદલામાં મહિલાને આપેલા બેંકના ચેક પણ ખોટા સાબિત થયા હતા અને બેંકમાં જમા કરાવતાં બાઉન્સ થયા હતા. આખરે પોતાની સાથે લાખો રૂપિયાની ચોક્કસ છેતરપિંડી થઈ હોવાની ખાતરી થતાં ભોગ બનનાર મહિલાએ હિંમત દર્શાવીને તાત્કાલિક વેસુ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો અને એજન્સીના સંચાલકો સામે વિધિવત ફરિયાદ નોંધાવી હતી.</p><h3 style="text-align: justify; "><b>એજન્સીના સંચાલકો સામે ગુનો દાખલ</b></h3><p style="text-align: justify; ">મહિલાની ફરિયાદના આધારે વેસુ પોલીસ મથકે ‘વસુધૈવ કુટુંબકમ ઓવરસીઝ’ એજન્સીના જવાબદાર સંચાલકો વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાત સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે બનાવ અંગેની કાયદેસરની તપાસ હાથ ધરીને આરોપી એજન્ટોની ધરપકડ કરવા માટે ચક્રગતિમાન કર્યા છે. આ ઉપરાંત, આ એજન્સી દ્વારા ભૂતકાળમાં અન્ય કેટલા વિદેશ જવા ઈચ્છુક લોકોને બોગસ વિઝા કે જોબ લેટર આપીને આવી જ રીતે લાખો રૂપિયાનો ચૂનો લગાડવામાં આવ્યો છે તે દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/RL0qCsk9lZb5n6szcmY3Tjmz1X9iCbZCMrX2J1kI.webp'/></item><item><title><![CDATA[Rajkotના થોરાળા વિસ્તારમાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ તેમજ સેવન કરતો વીડિયો થયો વાયરલ! ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/a-video-of-open-sale-and-consumption-of-country-liquor-in-the-thorala-area-of-rajkot-has-gone-viral</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/a-video-of-open-sale-and-consumption-of-country-liquor-in-the-thorala-area-of-rajkot-has-gone-viral</guid><pubDate>Thu, 20 Aug 2026 09:59:56 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભાવનગર બાદ હવે રાજકોટ શહેરમાં પણ લઠ્ઠાકાંડ જેવી મોટી હોનારત સર્જાવાની શક્યતાઓને લઈને ભારે ચકચાર મચી ગઈ છે. રંગીલા રાજકોટ શહેરમાં દારૂબંધીના સરેઆમ લીરેલીરા ઉડતા હોય તેવા અતિ ચોંકાવનારા દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. વાયરલ વીડિયોમાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું અને લોકો દ્વારા જાહેરમાં તેનું સેવન કરવામાં આવતું હોવાનું સ્પષ્ટપણે જોઈ શકાય છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી આ ઘટના સામે આવતાં જ શહેરના પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>થોરાળા વિસ્તારનો વીડિયો હોવાની ચર્ચા&nbsp;</b></h2><p style="text-align: justify; ">સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વીડિયો રાજકોટના થોરાળા વિસ્તારનો હોવાની પ્રાથમિક ચર્ચા જાગી છે. સ્થાનિક રહીશોનો આરોપ છે કે આ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા કોઈ પણ જાતના ડર વગર દેશી દારૂના અડ્ડાઓ ચલાવવામાં આવી રહ્યા છે. ભાવનગરમાં તાજેતરમાં બનેલી ઘટના બાદ પણ રાજકોટમાં આ પ્રકારે ઝેરી દારૂનું ખુલ્લેઆમ વેચાણ ચાલુ રહેતાં સ્થાનિક નાગરિકોમાં ગંભીર લઠ્ઠાકાંડ સર્જાવાનો ભય અને ભારે રોષ જોવા મળી રહ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>પોલીસ તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલો</b></h3><p style="text-align: justify; ">રાજકોટ જેવા મોટા શહેરમાં પોલીસની નાક નીચે જ દેશી દારૂનું આટલા મોટા પાયે વેચાણ થતું હોવાના દ્રશ્યો સામે આવતાં જ સ્થાનિક પોલીસની કામગીરી અને હપ્તાખોરી સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. વાયરલ વીડિયોને આધારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાના અહેવાલ છે. સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે આ વીડિયોની સત્યતા તપાસીને દેશી દારૂના અડ્ડાઓ ચલાવતા બુટલેગરો અને તેમને પ્રોત્સાહન આપતા જવાબદાર તત્વો સામે તાત્કાલિક કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/OZSQQ0MXMjaZTiBKKHyhzCCCMBHs2oHKSc1duA9o.webp'/></item><item><title><![CDATA[Delhi માં પાકિસ્તાન હાઇ કમિશન બહાર બુલડોઝર ફેરવાયું, 'ટીટ ફોર ટેટ'થી ઇસ્લામાબાદને આપ્યો જવાબ ]]></title><link>https://sandesh.com/india/news/india-removes-barricades-pakistan-high-commission-delhi</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/india-removes-barricades-pakistan-high-commission-delhi</guid><pubDate>Thu, 20 Aug 2026 09:52:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પાકિસ્તાન હાઈ કમિશનની બહાર સુરક્ષા બેરિકેડ્સ દૂર કરવાની કાર્યવાહી આ વધતા તણાવ વચ્ચે આવી છે. અગાઉ, ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનની બહાર સુરક્ષા ઘેરો દૂર કરવામાં આવ્યો હતો. હવે, દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર પણ આવી જ કાર્યવાહી કરવામાં આવી છે. એટલે કે જેવા સાથે તેવી જ રીતે ભારતે આપ્યો જવાબ.</p><h2 style="text-align: justify; "><b>દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર બુલડોઝર કાર્યવાહી</b></h2><p style="text-align: justify; ">ભારતે નવી દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનની બહાર રહેલી વધારાની બાહ્ય સુરક્ષા વ્યવસ્થા અને બેરિકેડ્સ બુલડોઝરની મદદથી હટાવી દીધા છે.આ કાર્યવાહી ઇસ્લામાબાદમાં પાકિસ્તાન દ્વારા ભારતીય હાઇ કમિશનની બહારથી સુરક્ષા બેરિકેડ્સ હટાવવાના માત્ર ત્રણ દિવસ બાદ જ કરવામાં આવી છે.રાજદ્વારી કચેરીની બહાર ફૂટપાથ અને રસ્તા પર મુકવામાં આવેલા ટ્રાફિક બોલાર્ડ તથા અન્ય સ્ટ્રક્ચર્સને મશીનો દ્વારા તોડી પડાયા છે.આ પગલાને પાકિસ્તાનના ઉશ્કેરણીજનક કૃત્યના સીધા અને જડબાતોડ જવાબ તરીકે જોવામાં આવી રહ્યું છે.&nbsp;&nbsp;<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2090248681601826941"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h3 style="text-align: justify; "><b>'ઓપરેશન સિંદૂર' અને બંને દેશો વચ્ચેનો સૈન્ય તણાવ</b></h3><p style="text-align: justify; ">બંને પડોશી દેશો વચ્ચે લાંબા સમયથી સંબંધોમાં ખટાશ છે, પરંતુ તાજેતરની ઘટનાઓએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે.ગયા વર્ષે પહેલગામમાં થયેલા નિર્દયી આતંકવાદી હુમલામાં ૨૬ નિર્દોષ લોકો માર્યા ગયા હતા, જેના પછી તણાવ ચરમસીમાએ પહોંચ્યો હતો.આ આતંકી હુમલાના જવાબમાં ભારતે કડક સૈન્ય કાર્યવાહી કરતા 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું હતું.આ ઓપરેશન હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં રહેલા આતંકવાદી માળખાઓ અને કેમ્પોને નિશાન બનાવીને ધ્વસ્ત કરવામાં આવ્યા હતા.ભારે નુકસાન બાદ પાકિસ્તાનની અપીલથી ૧૦ મેના રોજ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ લાગુ થતાં લશ્કરી તણાવમાં આંશિક ઘટાડો નોંધાયો હતો.&nbsp;&nbsp;</p><h4 style="text-align: justify; "><b>અમેરિકી રાજદૂત સર્જીયો ગોરનું નિવેદન&nbsp;</b></h4><p style="text-align: justify; ">આ રાજદ્વારી વિવાદ વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં અમેરિકાના વધતા હકારાત્મક વલણથી પાકિસ્તાનની ચિંતામાં ભારે વધારો થયો છે.ભારતમાં અમેરિકાના રાજદૂત અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દક્ષિણ અને મધ્ય એશિયા માટેના વિશેષ દૂત સેર્ગીયો ગોર (Sergio Gor) એ તાજેતરમાં શ્રીનગરની મુલાકાત લીધી હતી.તેમણે જમ્મુ અને કાશ્મીરને ભારતનો "એક અત્યંત મહત્વપૂર્ણ ભાગ" ગણાવ્યો અને ત્યાંની સુંદરતાની ખુલ્લા મને પ્રશંસા કરી.સર્જીયો ગોરે કેન્દ્ર સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા લેવાયેલા સુરક્ષા પગલાંની પણ સરાહના કરી હતી અને અમેરિકાની ટ્રાવેલ એડવાઇઝરી (પ્રવાસ સલાહકાર)ની સમીક્ષા કરી તેમાં છૂટછાટ આપવાનો સંકેત આપ્યો હતો.&nbsp;&nbsp;</p><h5 style="text-align: justify; "><b>સર્જીયોના નિવેદનથી પાકિસ્તાન લાલઘૂમ</b></h5><p style="text-align: justify; ">આ નિવેદનથી અકળાયેલા પાકિસ્તાને ઇસ્લામાબાદમાં અમેરિકી દૂતાવાસના ચાર્જ ડી'અફેર્સ નતાલી બેકરને સમન્સ પાઠવીને સખત વાંધો ઉઠાવ્યો હતો. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે અમેરિકી રાજદૂતના જમ્મુ-કાશ્મીર અંગેના નિવેદનને "તથ્યહીન અને ખોટું" ગણાવીને ફગાવી દીધું હતું. અમેરિકા અને ભારતની આ વધતી નિકટતા તેમજ દિલ્હીમાં થયેલી તાજેતરની બુલડોઝર કાર્યવાહીના કારણે બંને દેશો વચ્ચેનો રાજદ્વારી તણાવ ફરી એકવાર વણસી ગયો છે</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/maharashtra-makes-marathi-mandatory-for-taxi-and-cab-drivers" target="_blank">આ પણ વાંચોઃ Maharashtra: મરાઠી નહીં આવડતી હોય તો.....ટેક્સી અને કેબ ડ્રાઇવરો પર મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/6UNnosFR8lryMqxcTD9n2VxHnxigFqCAet2k635k.webp'/></item><item><title><![CDATA[Govinda: સુનિતાને દગો આપીશ તો તું ભીખ માંગતો થઈ જઈશ, ગોવિંદાના અફેર અને છૂટાછેડાની અફવા વચ્ચે આ વીડિયો વાયરલ ]]></title><link>https://sandesh.com/entertainment/news/govinda-if-you-betray-sunita-you-will-become-a-beggar-video-goes-viral-amid-rumors-of-govindas-affair-and-divorce</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/govinda-if-you-betray-sunita-you-will-become-a-beggar-video-goes-viral-amid-rumors-of-govindas-affair-and-divorce</guid><pubDate>Thu, 20 Aug 2026 09:52:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલિવૂડ અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજા હાલમાં તેમના અંગત જીવન અને 39 વર્ષ જૂના લગ્નજીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓને લઈને ચર્ચામાં છે. સુનિતા અને ગોવિંદા ડિવોર્સ લઈ રહ્યા છે તેને લઈને અફવા બજાર ગરમ છે. ગોવિંદા પોતાની આગામી ફિલ્મની હિરોઈન સાથે અનેક વખત સાથે જોવા મળ્યા બાદ અફેરની ચર્ચા તેજ થઈ હતી. આ બધા વચ્ચે ગઈકાલે સુનિતા આહુજા પોતાના દિકરા યશ વર્ધન સાથે કોર્ટ બહાર જોવા મળતા ફરી તેમના સંબંધો સમાચારની હેડલાઈન બન્યા છે. દરમિયાન સુનિતા અને ગોવિંદાનો એક વીડિયો વાયરલ થયો છે.</p><p style="text-align: justify; "><b>બાંદ્રા ફેમિલી કોર્ટ અને છૂટાછેડાની અરજીનો અંત</b></p><p style="text-align: justify; ">તાજેતરમાં સુનિતા આહુજા તેમના પુત્ર યશવર્ધન સાથે મુંબઈની બાંદ્રા ફેમિલી કોર્ટની બહાર જોવા મળતા છૂટાછેડાની અફવાઓ ફરી તેજ થઈ હતી. જોકે, તેમના મેનેજરે બાદમાં સ્પષ્ટતા કરી હતી કે સુનિતા અગાઉ દાખલ કરેલો છૂટાછેડાનો કેસ પાછો ખેંચવા માટે કોર્ટ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, સુનિતાએ 5 ડિસેમ્બર, 2024 ના રોજ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. પરંતુ બાદમાં બંને વચ્ચે સમાધાન થતાં ગણેશ પૂજા દરમિયાન તેઓ સાથે જોવા મળ્યા હતા અને છૂટાછેડાનો કેસ પાછો ખેંચવાનો નિર્ણય લીધો હતો.&nbsp;</p><p style="text-align: justify; "><b>ગોવિંદાનો વાયરલ વીડિયો: માતાની ચેતવણી</b></p><p style="text-align: justify; ">અંગત જીવનના વિવાદો વચ્ચે ગોવિંદા અને સુનિતાનો એક જૂનો ઇન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ગોવિંદાએ ખુલાસો કર્યો હતો કે તેમની માતા નિર્મલા દેવી સુનિતાને ખૂબ પ્રેમ કરતા હતા. "મારી માતાએ મને કહ્યું હતું કે જો તું સુનિતાને દગો આપીશ તો તું ભીખ માંગતો થઈ જઈશ. તે આપણા ઘરની લક્ષ્મી છે. અને તે વાત સાચી છે, જે દિવસથી તે ઘરમાં આવી છે ત્યારથી બધું સારું જ રહ્યું છે." — ગોવિંદા.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DcOWwDmh7Fw/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DcOWwDmh7Fw/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a></p><p style="text-align: justify; "><b>કથિત ગર્લફ્રેન્ડ અને તાજેતરનો વિવાદ</b></p><p style="text-align: justify; ">તાજેતરમાં જ ગોવિંદા તેમની આગામી ફિલ્મ "રૂપા" ની કો-સ્ટાર અને કથિત ગર્લફ્રેન્ડ રાની સ્વર્ણકર સાથે એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આ ફોટા વાયરલ થયા બાદ સુનિતાએ તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ગોવિંદા પોતાની પુત્રીની ઉંમરની છોકરી સાથે ફરી રહ્યા છે અને તેમને શરમ આવવી જોઈએ. આ ટિપ્પણી સામે ગોવિંદાએ પણ મૌન તોડી સુનિતાને મર્યાદામાં રહેવાની સલાહ આપી હતી.</p><p style="text-align: justify; "><b>ગોવિંદા અને સુનિતાની લવ સ્ટોરી અને પરિવાર</b></p><p style="text-align: justify; ">ગોવિંદા પોતાની કારકિર્દીના શિખર પર હતા ત્યારે તેમણે 11 મે, 1987 ના રોજ સુનિતા સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. કારકિર્દી પર અસર ન પડે તે માટે આ વાત છુપાવવામાં આવી હતી. લગ્નના બે વર્ષ પછી 16 જુલાઈ, 1989 ના રોજ પુત્રી ટીના આહુજાનો જન્મ થયો, ત્યારબાદ તેમણે લગ્નનો ખુલાસો કર્યો હતો. 1 માર્ચ, 1997 ના રોજ તેમના પુત્ર યશવર્ધન આહુજાનો જન્મ થયો હતો.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/akshaye-khanna-mahakali-shukracharya-role" target="_blank">આ પણ વાંચો : Dhurandhar બાદ ફરી ખતરનાક અંદાજમાં પાછા ફરશે અક્ષય ખન્ના! મહાકાલીમાં નિભાવશે શુક્રાચાર્યનો દમદાર રોલ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/ICM5ShrLwLi0MRpyDqjGgg3t5OloLxNvHS9O7PSK.webp'/></item><item><title><![CDATA[Maharashtra: મરાઠી નહીં આવડતી હોય તો.....ટેક્સી અને કેબ ડ્રાઇવરો પર મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય ]]></title><link>https://sandesh.com/india/news/maharashtra-makes-marathi-mandatory-for-taxi-and-cab-drivers</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/maharashtra-makes-marathi-mandatory-for-taxi-and-cab-drivers</guid><pubDate>Thu, 20 Aug 2026 09:35:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મહારાષ્ટ્ર સરકારે પરિવહન ક્ષેત્રે એક મોટો અને કડક નિર્ણય લીધો છે. હવેથી રાજ્યમાં ઓટો-રિક્ષા, ટેક્સી, તેમજ ઓલા અને ઉબેર જેવી કેબ સેવાઓ ચલાવતા ડ્રાઇવરો માટે સ્થાનિક 'મરાઠી' ભાષાનું પૂરતું કાર્યકારી જ્ઞાન હોવું ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. રાજ્યના પરિવહન વિભાગ દ્વારા મોટર વાહન અધિનિયમના સુધારેલા નિયમો અંતર્ગત આ નિર્ણયનો સખત અમલ શરૂ કરવામાં આવ્યો છે. જો ડ્રાઇવર મરાઠી બોલવામાં અક્ષમ જણાશે, તો તેનું લાયસન્સ, બેજ કે પરમિટ રદ કરવા સુધીનાં પગલાં લેવામાં આવશે.</p><h2 style="text-align: justify; "><b>નિયમ ભંગ બદલ કડક સજાની જોગવાઈ</b></h2><p style="text-align: justify; ">પરિવહન વિભાગ હવે બિન-મરાઠી ડ્રાઇવરોને ઓળખીને તેમની ભાષાકીય ક્ષમતાની ચકાસણી કરશે. આ કાર્યવાહી નીચે મુજબ તબક્કાવાર કરવામાં આવશે:</p><p style="text-align: justify; ">એક મહિનાની નોટિસ: જે ડ્રાઇવરોને મરાઠી ભાષા નથી આવડતી તેમને ભાષા શીખવા માટે શરૂઆતમાં એક મહિનાનો સમય આપવામાં આવશે.</p><p style="text-align: justify; ">બેજ સસ્પેન્શન: જો નિર્ધારિત સમયમાં તેઓ મરાઠી શીખવામાં નિષ્ફળ જશે, તો તેમનો ડ્રાઇવિંગ બેજ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરી દેવાશે.</p><p style="text-align: justify; ">પરમિટ રદ્દીકરણ: જો કોઈ ડ્રાઇવર જાણીજોઈને ભાષા શીખવાનો ઇનકાર કરશે, તો કાયદાકીય રાહે તેનો બેજ અને પરમિટ કાયમી ધોરણે રદ થશે. આ મામલે ડ્રાઇવરોને કોઈ વધારાનો સમય ફાળવવામાં આવશે નહીં.</p><h3 style="text-align: justify; "><b>નવા બેજ માટે રૂબરૂ ટેસ્ટ અને વીડિયોગ્રાફી</b></h3><p style="text-align: justify; ">નોંધનીય છે કે હાલમાં મહારાષ્ટ્રમાં આશરે ૯.૬૫ લાખ જેટલા ઓટો અને ટેક્સી પરમિટ ધારકો છે. હવેથી નવી પરમિટ કે નવો બેજ મેળવવા ઈચ્છુક ડ્રાઇવરોએ પરિવહન અધિકારીઓ સમક્ષ મરાઠી ભાષાનો રૂબરૂ ટેસ્ટ આપવો પડશે. અધિકારીઓ અરજદાર ડ્રાઇવર સાથે મરાઠીમાં વાતચીત કરશે અને પારદર્શિતા જાળવવા માટે આખી પ્રક્રિયાનું વીડિયો શૂટિંગ (વીડિયોગ્રાફી) પણ કરવામાં આવશે. મરાઠી આવડતી હોવાની સંપૂર્ણ પુષ્ટિ થયા બાદ જ નવો બેજ ઇશ્યૂ કરાશે.</p><h4 style="text-align: justify; "><b>નકલી પ્રમાણપત્રો વિરુદ્ધ તપાસનો આદેશ</b></h4><p style="text-align: justify; ">પરિવહન વિભાગને એવી પણ ચોક્કસ ફરિયાદો મળી છે કે ઘણા લોકો મહારાષ્ટ્રમાં ૧૫ વર્ષથી રહેતા હોવાના નકલી ડોમિસાઇલ (રહેઠાણના) પ્રમાણપત્રો બનાવીને ગેરકાયદેસર રીતે ટેક્સી અને ઓટોની પરમિટ મેળવી રહ્યા છે. આ કૌભાંડને ડામવા માટે રાજ્ય સરકારે પોલીસને આવા તમામ શંકાસ્પદ પ્રમાણપત્રોની સઘન તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આ સમગ્ર તપાસ ઝુંબેશની જવાબદારી એડિશનલ ટ્રાન્સપોર્ટ કમિશનર રવિ ગાયકવાડને સોંપવામાં આવી છે. તેમને આગામી મહિનાના અંત સુધીમાં આ તપાસનો સવિસ્તાર અહેવાલ સરકારને સુપરત કરવા માટે તાકીદ કરવામાં આવી છે.<br><br><b><a href="https://sandesh.com/world/news/us-secret-oil-operation-hormuz-iran-blockade" target="_blank">આ પણ વાંચોઃ Hormuz માંથી રાતોરાત તેલની હેરફેર, જાણો રાતના અંધારામાં US કેવી રીતે પાર પાડી રહ્યું છે ઓપરેશન!</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/hWkxXK1w722q4SiMYPzxk1QG1NGJnhxr9ag8ZF6K.webp'/></item><item><title><![CDATA[North Gujaratના ખેડૂતો માટે રાહત: સુજલામ-સુફલામ કેનાલમાં 1,000 ક્યુસેક પાણી છોડાશે, કપાસ-મગફળીના પાકને સંજીવની મળશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-government-releases-water-in-sujalam-sufalam-canal-for-north-farmers</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-government-releases-water-in-sujalam-sufalam-canal-for-north-farmers</guid><pubDate>Thu, 20 Aug 2026 09:27:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતાં ચિંતામાં મુકાયેલા ખેડૂતો માટે રાજ્ય સરકારે મોટા અને રાહતના સમાચાર આપ્યા છે. સૂકઈ રહેલા ઊભા પાકને બચાવવા માટે સરકારે આજથી એટલે કે 20 ઓગસ્ટથી સુજલામ-સુફલામ કેનાલ નેટવર્કમાં 1,000 ક્યુસેક સુધી પાણી છોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.</p><h2 style="text-align: justify; "><b>હજારો ખેડૂતોને સીધો લાભ મળશે</b></h2><p style="text-align: justify; ">સરકારના આ નિર્ણયથી બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાના હજારો ખેડૂતોને સીધો લાભ મળશે. ચાલુ સીઝનમાં વરસાદની ખેંચના કારણે કપાસ, મગફળી, દિવેલા અને ઘાસચારા જેવા મુખ્ય પાકોને સિંચાઈના પાણીની ભારે જરૂરિયાત ઊભી થઈ હતી. ખેડૂતો દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાને રાખીને સરકારે ત્વરિત પગલાં ભર્યા છે.</p><h3 style="text-align: justify; "><b>ભૂગર્ભ જળસ્તર રિચાર્જ  પણ થશે</b></h3><p style="text-align: justify; ">મહી નદીથી બનાસ નદી સુધી વિસ્તરેલું સુજલામ-સુફલામ સ્પ્રેડિંગ કેનાલ નેટવર્ક ઉત્તર ગુજરાતના પાણીની અછત વાળા વિસ્તારો માટે વરદાનરૂપ છે. કેનાલમાં પાણી વહેવડાવવાથી માત્ર ખેતીના પાકને સિંચાઈ જ નહીં મળે, પરંતુ આસપાસના ભૂગર્ભ જળસ્તર રિચાર્જ થવામાં પણ મોટી મદદ મળશે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો :&nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/bhavnagar-fake-liquor-tragedy-7-dead-21-bootleggers-booked-4-police-suspended" target="_blank"><b> Bhavnagar : નકલી દારૂનો કાળો કેર: લઠ્ઠાકાંડમાં 7ના મોત, MP ના 'ડોક્ટરે' ઘડ્યો હતો કાળો ખેલ, 21 સામે ગુનો</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/ycmldtXtIBv8YyLOgCrU3Ni0FxJ5aAsmxybdpeoF.webp'/></item><item><title><![CDATA[Vadodaraના તરસાલી બાયપાસ પાસે બસના દરવાજામાં ગળું ફસાતાં માસૂમ બાળકનું મોત! ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/innocent-child-dies-after-getting-stuck-in-bus-door-near-tarsali-bypass-in-vadodara</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/innocent-child-dies-after-getting-stuck-in-bus-door-near-tarsali-bypass-in-vadodara</guid><pubDate>Thu, 20 Aug 2026 08:48:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીકથી વાલીઓ માટે લાલબત્તી સમાન અને હૃદયકાંપાવનારી ઘટના સામે આવી છે. માતાને પ્રસાદ લેવા જવાનું કહીને ઘર બહાર નીકળેલા નાના દિવ્યેશ નામના બાળક સાથે અત્યંત કરુણ અકસ્માત સર્જાયો હતો. બાળક ઘરે પરત ન આવતાં ચિંતિત બનેલા પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી. તપાસ દરમિયાન ત્યાં ઊભેલી એક બસના બંધ થતા દરવાજામાં દિવ્યેશનું ગળું ફસાયેલી અને લટકતી હાલતમાં મળી આવતાં પરિસરમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>બેભાન હાલતમાં બાળકને હોસ્પિટલ ખસેડાયો</b></h2><p style="text-align: justify; ">બસના દરવાજામાં ગળું ફસાઈ જવાને કારણે શ્વાસ રુંધાવાથી દિવ્યેશ સ્થળ પર જ બેભાન થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો અને સ્થળ પર એકઠા થયેલા લોકોએ તેને તાત્કાલિક બસના દરવાજામાંથી બહાર કાઢીને સઘન સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે, હોસ્પિટલ પહોંચતાં જ ફરજ પરના તબીબોએ બાળકને તપાસીને મૃત જાહેર કર્યો હતો. માસૂમ પુત્રના અચાનક થયેલા કરુણ મોતથી પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે અને માતા-પિતાના આક્રંદથી હોસ્પિટલ પરિસર ગમગીન બની ગયું હતું.</p><h3 style="text-align: justify; "><b>પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી</b></h3><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં જ કપુરાઈ પોલીસ મથકનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. કપુરાઈ પોલીસે આ હચમચાવી નાખતી દુર્ઘટના અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બસ ત્યાં કયા સંજોગોમાં ઊભી હતી અને દરવાજામાં ગળું કેવી રીતે ફસાયું તે અંગે પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફુટેજ અને પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ બાળ સુરક્ષા અને વાલીઓની સતર્કતા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.</p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/WZdqIm3nnhrKqBFXh49VEMuvVYezL2u0J30S7NZK.webp'/></item><item><title><![CDATA[BWF World Championships: પી.વી. સિંધુ અને આયુષ શેટ્ટીનો પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં એન્ટ્રી ]]></title><link>https://sandesh.com/sports/news/bwf-world-championship-pv-sindhu-and-aayush-shetty-enter-pre-quarterfinals</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/bwf-world-championship-pv-sindhu-and-aayush-shetty-enter-pre-quarterfinals</guid><pubDate>Thu, 20 Aug 2026 08:37:21 +05:30</pubDate><description><![CDATA[<p>નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી BWF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતીય શટલરોએ શાનદાર પ્રદર્શન જાળવી રાખ્યું છે. ભારતની સ્ટાર ખેલાડી પી.વી. સિંધુ અને યુવા ખેલાડી આયુષ શેટ્ટીએ પોતપોતાની મેચો જીતીને પ્રી-ક્વાર્ટર ફાઇનલ (રાઉન્ડ ઓફ 16) માં સ્થાન પાક્કું કર્યું છે.</p><p><b>પી.વી. સિંધુની સળંગ ગેમ્સમાં સરળ જીત</b></p><p>9મી ક્રમાંકિત પી.વી. સિંધુએ મહિલા સિંગલ્સના મુકાબલામાં કેનેડાની ઝાંગ વેન્યુને માત્ર 34 મિનિટમાં 21-16, 21-17 થી પરાજય આપ્યો હતો. પ્રથમ ગેમ (21-16)માં સિંધુએ આક્રમક શરૂઆત કરીને સતત 4 પોઈન્ટ સાથે લીડ મેળવી હતી. ઝાંગે વાપસી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સિંધુએ ઇન્ટરવલ સુધી 11-9 ની સરસાઈ જાળવી રાખી. બ્રેક બાદ કેનેડિયન ખેલાડીના દબાણ છતાં, અનુભવી સિંધુએ નિર્ણાયક ક્ષણોમાં સંયમ જાળવીને 16 મિનિટમાં પહેલી ગેમ પોતાના નામે કરી. બીજી ગેમમાં (21-17) ઝાંગે સિંધુને કડક ટક્કર આપી હતી. એક સમયે સ્કોર 9-9 થી બરાબર રહ્યા બાદ ઝાંગે ઇન્ટરવલ સુધી 11-9 ની લીડ મેળવી લીધી હતી. જોકે, બ્રેક પછી સિંધુએ શાનદાર વાપસી કરતાં સતત 5 પોઈન્ટ જીતીને મેચનું પાસું પલટી નાખ્યું અને બીજી ગેમ સાથે મેચ પણ જીતી લીધી.</p><p><b>આગામી પડકાર: વાંગ જી યી સામે ટક્કર</b></p><p>ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે સિંધુનો સામનો ચીનની 3જી ક્રમાંકિત ખેલાડી વાંગ જી યી સામે થશે. વાંગે પોતાની અગાઉની મેચમાં મલેશિયાની કરુપથેવન લેત્શાનાને 21-16, 21-9 થી હરાવીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ જીતથી આત્મવિશ્વાસથી છલકાતી સિંધુ મેડલ તરફ વધુ એક પગલું ભરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.</p><p><b>મેન્સ સિંગલ્સ: આયુષ શેટ્ટીની દબદબાભરી જીત</b></p><p>મહિલા સિંગલ્સ ઉપરાંત મેન્સ સિંગલ્સમાં પણ ભારતને સફળતા મળી હતી. ભારતના આયુષ શેટ્ટીએ શ્રીલંકાના ડુમિન્ડુ અબેવિક્રમાને એકતરફી મુકાબલામાં 21-8, 21-10 થી ધૂળ ચાટતી કરીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પોતાની જગ્યા પાકી કરી લીધી છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/KWwDOVDeKBVOUKY9Up6RYw33BPmdB9C3mh9TUL5O.webp'/></item><item><title><![CDATA[Palitana : સરકારી હોસ્પિટલમાં 50.43 લાખનું ટાંકી કૌભાંડ: કામ વગર જ બિલ પાસ કરનારા 2 ઈજનેરો સસ્પેન્ડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/palitana/palitana-government-hospital-water-tank-scam-engineers-suspended-contractor-blacklisted</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/palitana/palitana-government-hospital-water-tank-scam-engineers-suspended-contractor-blacklisted</guid><pubDate>Thu, 20 Aug 2026 08:22:36 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભાવનગર જિલ્લાના પાલીતાણા સરકારી હોસ્પિટલમાં સરકારી નાણાં પચાવી પાડવાનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. હોસ્પિટલ માટે 2.55 લાખ લીટરની ક્ષમતા ધરાવતી ભૂગર્ભ પાણીની ટાંકી બનાવવાનું આયોજન કરાયું હતું, જેના માટે સરકારે 50.43 લાખની રકમ પણ ફાળવી દીધી હતી. જોકે, સ્થળ પર કામ કર્યા વગર જ આખેઆખું બિલ મંજૂરી માટે રજૂ કરી દેવામાં આવતાં વિવાદ સર્જાયો છે.</p><h2 style="text-align: justify; "><b>મંત્રી પ્રફુલ પાનસેરિયાની સરપ્રાઈઝ મુલાકાતમાં ઘટસ્ફોટ</b></h2><p style="text-align: justify; ">આ સમગ્ર કૌભાંડનો ખુલાસો આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની સરપ્રાઈઝ મુલાકાત દરમિયાન થયો હતો. મુલાકાત વખતે મંજૂર થયેલી ટાંકી સ્થળ પર જોવા ન મળતાં મંત્રીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા.&nbsp;</p><p style="text-align: justify; "><img alt="Palitana Hospital Water Tank Scam: 2 Engineers Suspended, Contractor Blacklisted" src="https://epapercdn.sandesh.com/images/2026/08/20/XGtavTbu3WPe5K77NMtrnGPLG6yIGsxFR2V5d3sq.webp" style="width: 100%;"><br></p><h3 style="text-align: justify; "><b>લાખો રૂપિયાના બિલ ચૂકવણી&nbsp;</b></h3><p style="text-align: justify; ">તપાસમાં બહાર આવ્યું કે ટાંકીનું એક ટકો પણ કામ થયું નહોતું, છતાં મુખ્ય કચેરીમાં લાખો રૂપિયાનું બિલ ચૂકવણી માટે મોકલી દેવાયું હતું.</p><p style="text-align: justify; "><img alt="Palitana Hospital Water Tank Scam: 2 Engineers Suspended, Contractor Blacklisted" src="https://epapercdn.sandesh.com/images/2026/08/20/PjPZX39E16FMgXsh9QacoL7YFuoCztfIWdOUWtVr.webp" style="width: 100%;"><br></p><h4 style="text-align: justify; "><b>2 ઇજનેરને સસ્પેન્ડ કરાયા</b></h4><p style="text-align: justify; ">ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચાર બદલ જવાબદાર ચાર્જિંગ એક્ઝિક્યુટિવ એન્જિનિયર મેહુલ દવે અને ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર એન.વી. કાલિયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી તેમની સામે પોલીસ ફરિયાદ નોંધવા આદેશ અપાયા છે. આ ઉપરાંત, બોગસ કામ દર્શાવનાર સુરતની 'ધર્મનંદન કન્સ્ટ્રક્શન' એજન્સીને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/bhavnagar-fake-liquor-tragedy-7-dead-21-bootleggers-booked-4-police-suspended#google_vignette" target="_blank"><b>&nbsp;Bhavnagar : નકલી દારૂનો કાળો કેર: લઠ્ઠાકાંડમાં 7ના મોત, MP ના 'ડોક્ટરે' ઘડ્યો હતો કાળો ખેલ, 21 સામે ગુનો</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/7l9LTcUP3IWLrrvL9RU6DnRT6HDzS8tYfeYIEdg7.webp'/></item><item><title><![CDATA[Amazon ને ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા બદલ  ફટકાર્યો 1 લાખનો દંડ, ભગવાનના પ્રસાદના નામે વેચતા હતા મિઠાઇ ]]></title><link>https://sandesh.com/business/news/amazon-fined-selling-fake-ayodhya-ram-mandir-prasad</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/amazon-fined-selling-fake-ayodhya-ram-mandir-prasad</guid><pubDate>Wed, 19 Aug 2026 16:03:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન પર સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ ₹1 લાખનો દંડ ફટકાર્યો છે. એમેઝોનના પ્લેટફોર્મ પર સામાન્ય મીઠાઈઓને "શ્રી રામ મંદિર અયોધ્યા પ્રસાદ" તરીકે વેચવામાં આવી રહી હતી, જેની સામે ઓથોરિટીએ આ કડક પગલું ભર્યું છે.</p><h2 style="text-align: justify; "><b>એમેઝોન પર કરાયું હતુ ભ્રામક લિસ્ટિંગ</b></h2><p style="text-align: justify; ">તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પાસેથી આ નામ હેઠળ પ્રોડક્ટ્સ વેચવા માટે એમેઝોન કે સંબંધિત વિક્રેતાઓ પાસે કોઈ અધિકૃત પરવાનગી નહોતી. ઓથોરિટીના જણાવ્યા અનુસાર, 22 જાન્યુઆરી, 2024 ના રોજ અયોધ્યામાં યોજાયેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઐતિહાસિક પ્રસંગ પૂર્વે જ એમેઝોન પર આવી ભ્રામક લિસ્ટિંગ કરવામાં આવી હતી. આનાથી દેશભરના લાખો ગ્રાહકોની ધાર્મિક આસ્થા અને વિશ્વાસનો ખોટો દુરુપયોગ થયો હતો.</p><h3 style="text-align: justify; "><b>એમેઝોનને ₹1 લાખનો દંડ</b></h3><p style="text-align: justify; ">CCPA એ 19 જાન્યુઆરી, 2024 ના રોજ એમેઝોનને કારણ બતાવો નોટિસ જાહેર કરી હતી, જે બાદ પ્લેટફોર્મે તે લિસ્ટિંગ દૂર કરી દીધી હતી. જોકે, એમેઝોને પોતાને માત્ર એક 'મધ્યસ્થી' (Intermediary) ગણાવીને બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. ઓથોરિટીએ આ દલીલ નકારી કાઢી જણાવ્યું હતું કે એમેઝોન જેવું મોટું પ્લેટફોર્મ આવી ગેરમાર્ગે દોરનારી પ્રોડક્ટ્સને મંજૂરી આપીને ગ્રાહકોના મનમાં તેની વાસ્તવિકતા વિશે ખોટો વિશ્વાસ ઊભો કરે છે. આ લિસ્ટિંગમાંથી 'ચંદુ ટ્રેડિંગ કંપની' નામના વેચનારે ₹25 લાખથી વધુનું વેચાણ કર્યું હતું, જ્યારે એમેઝોને પણ તેમાંથી કમિશન મેળવ્યું હતું.</p><h4 style="text-align: justify; "><b>15 દિવસમાં ₹1 લાખની દંડની રકમ જમા કરવાનો આદેશ</b></h4><p style="text-align: justify; ">ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019 અને ઈ-કોમર્સ નિયમો, 2020 હેઠળ એમેઝોનને દોષિત ઠેરવતા ઓથોરિટીએ 15 દિવસમાં ₹૧ લાખની દંડની રકમ જમા કરાવવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત, ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે CCPA એ દેશના ૧૦ મુખ્ય ધાર્મિક સ્થળો જેમ કે શ્રી રામ જન્મભૂમિ મંદિર, તિરુપતિ બાલાજી, વૈષ્ણો દેવી, કાશી વિશ્વનાથ, જગન્નાથ પૂરી, સોમનાથ, બદ્રીનાથ, કેદારનાથ, દ્વારકાધીશ અને મહાકાલેશ્વરના નામે કોઈપણ પરવાનગી વગર પ્રસાદ કે ભોગનું વેચાણ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. એમેઝોનને વિક્રેતાઓ શ્રેષ્ઠ અને સ્પષ્ટ વિગતો પ્રદર્શિત કરે તેમજ કીવર્ડ-આધારિત કડક ફિલ્ટરિંગ સિસ્ટમ લાગુ કરે તે સુનિશ્ચિત કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/jharkhand-exam-controversy-students-protest-22-exams-cancelled" target="_blank">આ પણ વાંચોઃ Jharkhand : રાંચીમાં વિદ્યાર્થી આંદોલન 2 મહિના માટે સ્થગિત, સરકારને 60 દિવસનું અલ્ટીમેટમ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/dtD6aicHFgoQvQ4GvGTl3HFfECDDeOttAqEVC25G.webp'/></item></channel></rss>