<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Independence Day 2026: લાલ કિલ્લા પરથી ગુંજશે 'વંદે માતરમ', વાયુસેનાનું હેલિકોપ્ટર લહેરાવશે ખાસ ધ્વજ ]]></title><link>https://sandesh.com/india/news/independence-day-2026-vande-mataram-will-echo-from-the-red-fort-air-force-helicopter-will-hoist-a-special-flag</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/independence-day-2026-vande-mataram-will-echo-from-the-red-fort-air-force-helicopter-will-hoist-a-special-flag</guid><pubDate>Tue, 11 Aug 2026 15:54:43 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નવી દિલ્હીમાં ૧૫ ઓગસ્ટે યોજાનાર સ્વતંત્રતા દિવસની ઉજવણી માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ વર્ષે લાલ કિલ્લા પર યોજાનારો મુખ્ય સમારોહ અનેક રીતે ઐતિહાસિક અને ખાસ બની રહેશે. દેશ આ વર્ષે 'વંદે માતરમ'ની ૧૫૦મી વર્ષગાંઠ ઉજવી રહ્યો હોવાથી તેને આઝાદીના પર્વની મુખ્ય થીમ બનાવવામાં આવી છે.</p><p style="text-align: justify; "><b>લાલ કિલ્લા પરથી પહેલીવાર ગુંજશે 'વંદે માતરમ'ના બધા ૬ શ્લોક</b></p><p style="text-align: justify; ">સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં આ વખતે રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ'ને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. ઇતિહાસમાં પ્રથમ વખત લાલ કિલ્લાની પ્રાચીર પરથી 'વંદે માતરમ'ના તમામ છ શ્લોક વાંચવામાં આવશે. તાજેતરમાં સંસદના સત્રમાં પણ વંદે માતરમ પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.</p><p style="text-align: justify; "><b>વાયુસેનાનું હેલિકોપ્ટર લહેરાવશે ખાસ ધ્વજ</b></p><p style="text-align: justify; ">ભારતીય વાયુસેના પણ આ વખતની ઉજવણીમાં એક અનોખો રંગ ઉમેરશે. વાયુસેનાનું ખાસ હેલિકોપ્ટર આકાશમાં ઉડાન ભરીને વંદે માતરમની ૧૫૦મી વર્ષગાંઠનું પ્રતિનિધિત્વ કરતો વિશેષ ધ્વજ લહેરાવશે. આ નજારો સ્વતંત્રતા દિવસની ઉજવણીને વધુ ભવ્ય બનાવશે.</p><p style="text-align: justify; "><b>પીએમ મોદી યુવા શક્તિનું કરશે સન્માન</b></p><p style="text-align: justify; ">લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરવા ઉપરાંત, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશની યુવા શક્તિનું સન્માન કરશે. વર્ષ ૨૦૪૭ સુધીમાં 'વિકસિત ભારત'ના સ્વપ્નને સાકાર કરવા માટે ઉત્કૃષ્ટ યોગદાન આપનારા યુવાનોને સમારોહ દરમિયાન ખાસ સન્માનિત કરવામાં આવશે.</p><p style="text-align: justify; "><b>દિલ્હીમાં ૨૦ હજારથી વધુ જવાનો સાથે કડક સુરક્ષા</b></p><p style="text-align: justify; ">સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને રાજધાની દિલ્હીને છાવણીમાં ફેરવી દેવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ૨૦,૦૦૦થી વધુ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ૧,૦૦૦થી વધુ સીસીટીવી કેમેરા, ફેસ રેકગ્નિશન સિસ્ટમ અને ડ્રોન ડિટેક્શન સિસ્ટમ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. બજારો, મેટ્રો સ્ટેશનો અને બસ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળોએ દિલ્હી પોલીસનું પેટ્રોલિંગ વધારી દેવાયું છે. શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ માટે પોલીસ ખાસ ટેકનિકલ એપ અને સાદા કપડાંમાં ગુપ્તચરોની મદદ લઈ રહી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/india/news/india-arunachal-pradesh-map-china-reaction#google_vignette" target="_blank">આ પણ વાંચો : ભારતે અરુણાચલ પ્રદેશના 27 સ્થળોને નકશામાં સ્થાન આપતા, ચીન થયું લાલઘૂમ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/pi7bu5F7egascvDhJtjmyHajrXWpNRUe0hvdg1eX.webp'/></item><item><title><![CDATA[Surat: સસ્તું સોનું આપવાની લાલચ આપી 1.08 કરોડની ઠગાઈ કરનાર બોટાદથી ઝડપાયો, વરાછા પોલીસની મોટી સફળતા ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/varachha-police-arrests-paresh-dobariya-1-08-crore-cheap-gold-fraud</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/varachha-police-arrests-paresh-dobariya-1-08-crore-cheap-gold-fraud</guid><pubDate>Tue, 11 Aug 2026 15:54:02 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત શહેરમાં આર્થિક ગુનાઓ આચરતા ભેજાબાજો અવનવી તરકીબો અજમાવીને લોકો અને વેપારીઓને ચૂનો લગાવી રહ્યા છે. વરાછા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપી પરેશભાઈ રણછોડભાઈ ડોબરીયા (રહે. જમીન-મકાનનો ધંધો) એ ફરિયાદી વેપારીનો સંપર્ક કર્યો હતો. તેણે મુંદ્રા પોર્ટ પરથી બજારભાવ કરતાં 4% સસ્તા ભાવે સોનું અપાવવાની લાલચ આપી ફરિયાદીને વિશ્વાસમાં લીધો હતો.</p><h2><b>સસ્તા સોનાની લાલચે ઠગાઈ</b></h2><p>સોનું ખરીદવાની લાલચમાં આવી ગયેલા ફરિયાદી પાસેથી આરોપી પરેશ ડોબરીયાએ પ્રથમ એડવાન્સ પેટે રૂ. 15 લાખ મેળવી લીધા હતા. ત્યારબાદ બાકીના સોનાનો જથ્થો આપવાના બહાને ફરિયાદીને સાણંદ ટોલનાકા પાસે બોલાવ્યો હતો અને ત્યાં વધુ રૂ. 93 લાખ રોકડા પડાવી લીધા હતા. સાણંદ ટોલનાકા પાસે રોકડા રૂ. 93 લાખ હાથમાં આવી જતાં જ આરોપી પરેશ ડોબરીયા પોતાનો મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો અને પોતાની મોંઘીદાટ ઓડી કારમાં સ્થળ પરથી રફુચક્કર થઈ ગયો હતો. છેતરપિંડીનો ભોગ બનેલા વેપારીએ આખરે વરાછા પોલીસ મથકનો સંપર્ક કરી સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી.</p><h3><b>વરાછા પોલીસની મોટી સફળતા</b></h3><p>ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને વરાછા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે તપાસ તેજ કરી હતી. વરાછા પોલીસની ટીમે ગણતરીના દિવસોમાં આરોપી પરેશ ડોબરીયાને બોટાદ જિલ્લામાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસે રહેલા રૂ. 44,00,000 રોકડા, 2 નંગ મોબાઈલ ફોન તેમજ ગુનામાં વપરાયેલી ઓડી Q5 (Audi Q5) કાર અને વોલ્વો X60 (Volvo X60) કાર મળીને કુલ રૂ. 64,91,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વરાછા પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી આ ગુનામાં અન્ય કોઈ સહઆરોપીઓ સામેલ છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/dr-jivraj-mehta-bhavan-gandhinagar-new-building-39-offices-relocated" target="_blank">આ પણ વાંચો: Gandhinagar: ડૉ. જીવરાજ મહેતા ભવનના નવનિર્માણનો માર્ગ મોકળો, જર્જરિત 4 બ્લોક તોડી પડાશે</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/8wHHrU937O6vfHKF9rh2MEzuKA7Wsd82QOOwWLvl.webp'/></item><item><title><![CDATA[Vadodara News: સાધલીમાં નીકળી અડધો કિલોમીટર લાંબી તિરંગા યાત્રા ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/sadhli-shinor-grand-tiranga-yatra-bharat-vidhyalaya</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/sadhli-shinor-grand-tiranga-yatra-bharat-vidhyalaya</guid><pubDate>Tue, 11 Aug 2026 15:43:28 +05:30</pubDate><description><![CDATA[<p>વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ગામે આવેલી ભારત વિદ્યાલયથી એક અત્યંત ભવ્ય અને આકર્ષક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે અડધો કિલોમીટર લાંબી આ તિરંગા યાત્રા જ્યારે ગામના માર્ગો પરથી પસાર થઈ, ત્યારે સમગ્ર સાધલી ગામ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું. હાથમાં રાષ્ટ્રધ્વજ અને દિલમાં દેશપ્રેમની ભાવના સાથે હજારો હાથ એકસાથે ત્રિરંગો લહેરાવતા દૃશ્યમાન થયા હતા.</p><h2><b>ધારાસભ્ય અક્ષય પટેલ અને કટોકટીના અધિકારીઓની ઉપસ્થિતિ</b></h2><p>આ ભવ્ય તિરંગા યાત્રામાં કરજણ-શિનોર વિસ્તારના ધારાસભ્ય અક્ષય પટેલ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે કરજણ SDM, શિનોર મામલતદાર, તાલુકા ભાજપ પ્રમુખ તેમજ વિસ્તારના અગ્રણી નેતાઓ અને આગેવાનો ઉત્સાહભેર જોડાયા હતા. શિનોર પોલીસ કાફલા ઉપરાંત તાલુકાની વિવિધ શાળાઓના માસૂમ બાળકો અને શિક્ષકોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપીને કાર્યક્રમની શોભા વધારી હતી.</p><p><img alt="Vadodara News: Grand Tiranga Yatra in Sadhli: Half-a-Kilometer Long Procession Filled with Patriotic Fervor" src="https://epapercdn.sandesh.com/images/2026/08/11/NRGVPgTkM2AVOx1mpR15sBgQfl8l8Y1aeGplj4FO.webp"><br></p><h2><b>ભારત માતાના જયઘોષ અને મહાનુભાવોની પ્રતિમાઓને પુષ્પાંજલિ</b></h2><p>તિરંગા યાત્રા દરમિયાન સાધલીના માર્ગો "ભારત માતા કી જય" અને "વંદે માતરમ્"ના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યા હતા. યાત્રા દરમિયાન દેશના મહાન સપૂતો ભગવાન બિરસા મુંડાજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાઓને ફુલહાર અર્પણ કરીને શ્રદ્ધાસુમન અર્પિત કરવામાં આવ્યા હતા.</p><p><img alt="Vadodara News: Grand Tiranga Yatra in Sadhli: Half-a-Kilometer Long Procession Filled with Patriotic Fervor" src="https://epapercdn.sandesh.com/images/2026/08/11/Q8TAJR6rRXi36AJQSRKAflfsWdNFHyC5Oj3WmDAt.webp"><br></p><p><b style="font-size: 2rem;">વિદ્યાર્થીઓ અને ગ્રામજનોમાં અભૂતપૂર્વ ઉત્સાહ</b></p><p>શાળાના નાના-મોટા વિદ્યાર્થીઓથી માંડીને ગ્રામજનો સુધી સૌ કોઈ હાથમાં ત્રિરંગો લઈને આ યાત્રામાં જોડાયા હતા. આયોજકો અને સ્થાનિકોના ભગીરથ પ્રયાસોથી સાધલીમાં એક અનોખો દેશભક્તિનો માહોલ સર્જાયો હતો, જેણે સૌ કોઈના દિલમાં રાષ્ટ્રપ્રેમની જ્યોત વધુ પ્રજ્વલિત કરી હતી.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/vadodara/baroda-medical-college-anti-ragging-alert-hostel-inspection" target="_blank">Vadodara News: સુરતની ઘટના બાદ બરોડા મેડિકલ કોલેજ એલર્ટ, રેગિંગ રોકવા હોસ્ટેલમાં સરપ્રાઈઝ ચેકિંગના આદેશ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/S0g96ZB69wCQn5Msggwbf5qZNAsQeB4LJsRfK0GW.webp'/></item><item><title><![CDATA[Stock Market Closing: લાલ નિશાનમાં માર્કેટ બંધ, સેન્સેક્સ 388 પોઇન્ટ તૂટ્યો ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-closing-market-closed-in-red-sensex-fell-388-points</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-closing-market-closed-in-red-sensex-fell-388-points</guid><pubDate>Tue, 11 Aug 2026 15:40:44 +05:30</pubDate><description><![CDATA[<p>Stock Market Closing: મંગળવારે બપોરના ટ્રેડિંગ સત્ર દરમિયાન ભારતીય શેરબજાર દબાણ હેઠળ રહ્યું. બેન્કિંગ અને નાણાકીય શેરોમાં નબળાઈને કારણે મુખ્ય સૂચકાંકો લાલ રંગમાં ટ્રેડ થયા. બપોરે 3.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયા.</p><h2><b>ભારતીય શેરબજારમાં ઘટાડો</b></h2><p>બપોરે 3:00 વાગ્યે, નિફ્ટી50 118.85 પોઈન્ટ અથવા 0.48 ટકા ઘટીને 24,464.95 પર બંધ રહ્યો. દરમિયાન, સેન્સેક્સ 362.21 પોઈન્ટ અથવા 0.46 ટકા ઘટીને 78,180.23 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે 3.30 કલાકે માર્કેટ ઘટાડા સાથે બંધ થયુ. સેન્સેક્સ 388.19 પોઇન્ટના ઘટાડા સાથે 78,154.25 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી −112.10 પોઇન્ટના ઘટાડા સાથે 24,471.70 અંકે બંધ થયો.&nbsp;</p><h3><b>નિફ્ટી50 પર ટોચના ઘટાડા</b></h3><p>ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, મેક્સ હેલ્થકેર ઇન્સ્ટિટ્યૂટ અને અલ્ટ્રાટેક સિમેન્ટ નિફ્ટી50 પર ટોચના ઘટાડામાં સામેલ હતા.</p><h4><b>મિડકેપ અને સ્મોલકેપ શેરોનું પ્રદર્શન કેવું રહ્યું?</b></h4><p>વ્યાપક બજારમાં, નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સમાં 0.02 ટકાનો નજીવો ઘટાડો જોવા મળ્યો. તેનાથી વિપરીત, નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સ 0.32 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.</p><h4><b>ક્ષેત્રીય વલણો</b></h4><p>ક્ષેત્રવાર, નિફ્ટી પ્રાઇવેટ બેંક અને નિફ્ટી સિમેન્ટમાં નબળાઈ જોવા મળી. બીજી તરફ, નિફ્ટી આઇટી અને નિફ્ટી ફાર્માએ વ્યાપક બજાર કરતાં વધુ સારો દેખાવ કર્યો.</p><p><a href="https://sandesh.com/astrology/news/bhakti/shani-transit-shani-dev-will-have-a-great-move-luck-will-shine-for-4-zodiac-signs-from-august-20" target="_blank">આ પણ વાંચો: Shani Transit: શનિ દેવ ચાલશે ગજબની ચાલ, 20 ઑગષ્ટથી 4 રાશિનું ચમકશે નસીબ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/04/22/ImEoH8XVKSpwKohsEtbZTWR6IaJ4XBQ4dmVVsfy6.webp'/></item><item><title><![CDATA[ભારતે અરુણાચલ પ્રદેશના 27 સ્થળોને નકશામાં સ્થાન આપતા, ચીન થયું લાલઘૂમ ]]></title><link>https://sandesh.com/india/news/india-arunachal-pradesh-map-china-reaction</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/india-arunachal-pradesh-map-china-reaction</guid><pubDate>Tue, 11 Aug 2026 15:40:07 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારત દ્વારા અરુણાચલ પ્રદેશના 27 મહત્વપૂર્ણ સ્થળો અને ભૌગોલિક સુવિધાઓને તેના સત્તાવાર નકશામાં સમાવિષ્ટ કરીને ઔપચારિક માન્યતા આપ્યા બાદ ચીન ભારે ગુસ્સે ભરાયું છે. સોમવારે ચીને ભારતના આ પગલાને "ગેરકાયદેસર અને અમાન્ય" કરાર આપ્યો હતો. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ચીન ભારત દ્વારા ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા કહેવાતા 'અરુણાચલ પ્રદેશ'ને ક્યારેય સ્વીકારતું નથી. ચીન અરુણાચલ પ્રદેશને "ઝાંગનાન" તરીકે ઓળખે છે અને તેનો દાવો કરે છે કે આ ભ્રામક નામો બદલવાથી વાસ્તવિક હકીકત બદલાતી નથી.</p><h2 style="text-align: justify; "><b>ભારતના પગલા પર ચીન લાલઘૂમ</b></h2><p style="text-align: justify; ">ચીનના સરકારી અખબાર 'ગ્લોબલ ટાઇમ્સ'માં પણ ચીની નિષ્ણાતોને ટાંકીને લખવામાં આવ્યું છે કે ભારતનું આ પગલું સરહદ પરની સ્થિતિને વધુ વણસી શકે છે અને બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવાના પ્રયાસોને નુકસાન પહોંચાડી શકે છે. ભારતના આ નવા સત્તાવાર નકશામાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) ની નજીક આવેલા લોંગજુ સહિતના 27 સ્થળોનો સમાવેશ થાય છે, જે 1959 અને 1962ના ભારત-ચીન સંઘર્ષના જાણીતા સ્થળો પૈકીના એક છે. નોંધનીય છે કે ચીન પોતે વર્ષ 2017થી અરુણાચલ પ્રદેશના વિવિધ વિસ્તારો પર દાવો કરવા માટે પોતાના તરફથી નકલી નામોની સૂચિ જાહેર કરતું રહ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>ચીનના દાવાઓને ભારતે ફગાવ્યો</b></h3><p style="text-align: justify; ">ભારતે ચીનના આ વિરોધને સ્પષ્ટપણે ફગાવી દીધો છે. ભારતીય વિદેશ મંત્રાલયનું સ્પષ્ટ માનવું છે કે ચીન દ્વારા કરવામાં આવતા આવા નકામા દાવાઓથી આ વાસ્તવિકતા બદલાઈ જતી નથી કે અરુણાચલ પ્રદેશ હંમેશાથી ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ રહ્યો છે અને ભવિષ્યમાં પણ રહેશે. ભારતે તેના તાજેતરના સર્વેક્ષણ નકશામાં ચાર પર્વતીય માર્ગો (પાસ) અને એક ઊંચાઈવાળા તળાવ સહિત કુલ 27 સ્થળોને સ્થાન આપ્યું છે.</p><h4 style="text-align: justify; "><b>36મી બેઠક બાદ લેવાયું આ પગલું</b></h4><p style="text-align: justify; ">આ મહત્વપૂર્ણ પગલું નવી દિલ્હી ખાતે યોજાયેલી ભારત-ચીન સરહદી બાબતોની સંવાદ અને સંકલન માટેની કાર્યકારી મિકેનિઝમ (WMCC) સમિતિની 36મી બેઠક બાદ લેવામાં આવ્યું છે. આ બેઠકમાં બંને દેશો વચ્ચે સરહદ સીમાંકન અને વ્યવસ્થાપન જેવા ગંભીર મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. ભારતના આ નકશામાં બિસા ગામ, ડઝો લા, રિઝા લા, પુકુર લા અને વ્યૂહાત્મક થાગ લા પાસનો સમાવેશ થાય છે. આના દ્વારા ભારતે આ તમામ ક્ષેત્રોની સાચી ભૌગોલિક ઓળખ અને ઐતિહાસિક મહત્વને વધુ મજબૂત બનાવ્યું છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/lifestyle/news/youtube-partner-program-new-rules-2027" target="_blank">આ પણ વાંચોઃ YouTube Earning : ક્રિએટર્સ માટે માઠાં સમાચાર, યુટ્યુબ પર કમાણી કરવી બનશે વધુ મુશ્કેલ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/j9iqVglmAbntHW0WjsEat0EU5IhnPSUQjF9cfBzu.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: શીલજની આનંદનિકેતન શાળામાં નાસ્તામાંથી નીકળ્યો કાચ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/anand-niketan-school-shilaj-glass-piece-found</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/anand-niketan-school-shilaj-glass-piece-found</guid><pubDate>Tue, 11 Aug 2026 15:36:47 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરની નામાંકિત શાળાઓમાં ગણાતી શીલજ સ્થિત આનંદ નિકેતન સ્કૂલ મોટી બેદરકારીને કારણે ભારે વિવાદમાં સપડાઈ છે. શાળામાં અભ્યાસ કરતા એક નાના બાળકને પીરસવામાં આવેલા નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળ્યો હોવાની અત્યંત ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનાને પગલે વાલીઓમાં બાળકની સુરક્ષા અને આરોગ્યને લઈને ભારે ચિંતા અને રોષની લાગણી વ્યાપી ગઈ છે.</p><h2><b>ભોજનમાંથી કાચ નીકળતા વાલીઓની ફરિયાદ</b></h2><p>માસૂમ બાળકના ભોજનમાંથી કાચનો ટુકડો મળી આવતા વાલીઓએ આ અંગે શાળા તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ સમગ્ર ઘટના બાદ ભોજનમાંથી નીકળેલા કાચના ટુકડા અને શાળા પરિસરના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા છે. વાલીઓનો આરોપ છે કે, સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા બાળકોના ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા પ્રત્યે ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે.</p><h2><b>રજૂઆત કરવા ગયેલા વાલીઓ સાથે શિક્ષકોનું ઉદ્ધતાઈભર્યું વર્તન</b></h2><p>વાયરલ થયેલા વીડિયોમાં એવું પણ સામે આવ્યું છે કે, જ્યારે ચિંતિત વાલીઓ આ ગંભીર બાબતે શાળા તંત્ર અને શિક્ષકો સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા, ત્યારે શિક્ષકોએ પોતાની ભૂલ સ્વીકારવાના બદલે વાલીઓ સાથે અત્યંત ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. શાળાના સ્ટાફ દ્વારા વાલીઓ સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હોવાના દ્રશ્યો સામે આવતા વાલીઓનો રોષ બેવડાયો છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2087112725713621388"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>શાળા તંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા નહીં</b></h2><p>સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ અને વાલીઓ દ્વારા કરવામાં આવેલા ગંભીર આરોપો છતાં, આનંદ નિકેતન સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કે, નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. બાળકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરતી આ ઘટના સામે હવે શિક્ષણ વિભાગ કે, સ્થાનિક તંત્ર શું પગલાં લે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/gujarat-weather-update-heavy-rain-forecast-11-august" target="_blank">Gujarat Weather Update: રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી, ગાજવીજ અને પવન સાથે તૂટી પડશે વરસાદ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/6QtEaXA35GaR77hBykT7dEqC1jS8pnNSj9tYVgRz.webp'/></item><item><title><![CDATA[Junagadh News: સોમનાથથી હરિદ્વાર સુધીની ટ્રેન કાયમી કરવા સાંસદ રાજેશ ચુડાસમાની રેલવે મંત્રીને રજૂઆત ]]></title><link>https://sandesh.com/gujarat/news/junagadh/somnath-haridwar-train-to-be-made-permanent</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/junagadh/somnath-haridwar-train-to-be-made-permanent</guid><pubDate>Tue, 11 Aug 2026 15:27:31 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના રેલવે પ્રવાસીઓ તથા શ્રદ્ધાળુઓની લાંબા સમયની માંગણીને ધ્યાને રાખીને જૂનાગઢ લોકસભા વિસ્તારના સાંસદ રાજેશ ચુડાસમાએ નવી દિલ્હી ખાતે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે ખાસ મુલાકાત કરી હતી.આ મુલાકાત દરમિયાન સાંસદે વેરાવળ-હરિદ્વાર સ્પેશિયલ ટ્રેનને કાયમી ધોરણે નિયમિત કરવા સહિત જૂનાગઢ અને ગીર સોમનાથના રેલવે સુવિધાને લગતા મહત્વના પ્રશ્નો અંગે સઘન ચર્ચા કરી હતી.</p><h2 style="text-align: justify; "><b>જુલાઈમાં ચારેય ફેરા હાઉસફૂલ છતાં સેવા બંધ થતાં રોષ</b></h2><p style="text-align: justify; ">પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ અને પવિત્ર ધામ હરિદ્વારને જોડતી આ ટ્રેન સેવા શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થઈ હતી.ગત જુલાઈ મહિના દરમિયાન આ સ્પેશિયલ ટ્રેનના ચારેય ફેરા સંપૂર્ણપણે હાઉસફૂલ રહ્યા હતા.પ્રવાસીઓ તરફથી અતિ ઉત્સાહજનક પ્રતિસાદ અને ટ્રાફિક મળ્યો હોવા છતાં આ ટ્રેન સેવા બંધ કરી દેવાતાં સ્થાનિકો તેમજ શ્રદ્ધાળુઓમાં ભારે નિરાશા વ્યાપી હતી.આ બાબતને ગંભીરતાથી લઈને સાંસદ રાજેશ ચુડાસમાએ સોમનાથ-હરિદ્વાર સીધી રેલ સેવાને કાયમી ધોરણે શરુ કરવા માંગ તેજ કરી છે.</p><h3 style="text-align: justify; "><b>સોમનાથ-રાજકોટ ડબલ રેલવે ટ્રેક મુદ્દે પણ રજૂઆત</b></h3><p style="text-align: justify; ">આ મુલાકાત દરમિયાન સાંસદે માત્ર હરિદ્વાર ટ્રેન જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના રેલવે કનેક્ટિવિટીના વિકાસ માટે સોમનાથ-રાજકોટ ડબલ રેલવે ટ્રેકની કામગીરી ઝડપી બનાવવા અંગે પણ રજૂઆત કરી હતી.આ ઉપરાંત જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના પેન્ડિંગ રેલવે પ્રશ્નો, સ્ટેશનોના નવીનીકરણ અને પ્રવાસી સુવિધાઓ વધારવા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.સાંસદ રાજેશ ચુડાસમાના જણાવ્યા અનુસાર, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તમામ રજૂઆતોને ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળીને સત્વરે હકારાત્મક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/anand-niketan-school-shilaj-glass-piece-found" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: શીલજની આનંદનિકેતન શાળામાં નાસ્તામાંથી નીકળ્યો કાચ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/gLOfZ3AAdmb4ItH4JvMUC57TGdAeYNW2fk5GwJ4q.webp'/></item><item><title><![CDATA[Gandhinagar: ડૉ. જીવરાજ મહેતા ભવનના નવનિર્માણનો માર્ગ મોકળો, જર્જરિત 4 બ્લોક તોડી પડાશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/dr-jivraj-mehta-bhavan-gandhinagar-new-building-39-offices-relocated</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/dr-jivraj-mehta-bhavan-gandhinagar-new-building-39-offices-relocated</guid><pubDate>Tue, 11 Aug 2026 15:27:11 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવેલું અને દાયકાઓથી રાજ્ય વહીવટનું કેન્દ્ર રહેલું ડૉ. જીવરાજ મહેતા ભવન (જૂનું સચિવાલય) હવે નવા આધુનિક અવતારમાં જોવા મળશે. સંકુલમાં આવેલા કેટલાક બ્લોક અત્યંત જૂના અને જર્જરિત થઈ જતાં માર્ગ અને મકાન વિભાગ (R&amp;B) દ્વારા તેમને તોડી પાડીને ત્યાં નવું અધ્યતન બિલ્ડિંગ બનાવવા રજૂઆત કરવામાં આવી હતી.</p><h2><b>ડૉ. જીવરાજ મહેતા ભવનનું નવું બિલ્ડિંગ બનશે</b></h2><p>તકનીકી ચકાસણી બાદ અત્યંત ભયજનક અને જર્જરિત હાલતમાં પહોંચેલા બ્લોક નંબર 2, 3, 4 અને 9 ને તોડી પાડવાનો આખરી નિર્ણય લેવામાં આવ્યો છે. જૂના બ્લોક તોડી પાડવાની કામગીરી સરળતાથી અને કોઈ પણ સરકારી કામકાજ ખોરવાયા વગર થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા એક ખાસ કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટી દ્વારા જર્જરિત બ્લોકમાં ચાલતી કચેરીઓનું સર્વેક્ષણ કરી તેમને અન્ય જગ્યાએ ખસેડવા માટેની બ્લૂપ્રિન્ટ તૈયાર કરવામાં આવી હતી.</p><h3><b>સામાન્ય વહીવટી વિભાગનો કડક આદેશ</b></h3><p>કમિટીની ભલામણોના આધારે સામાન્ય વહીવટી વિભાગ (GAD) દ્વારા સત્તાવાર લેખિત આદેશ જારી કરી દેવાયો છે. જે હેઠળ આ 4 જર્જરિત બ્લોકમાં ચાલી રહેલી ૩૯ જેટલી સરકારી કચેરીઓને નવનિર્મિત અને ઉપલબ્ધ બ્લોકમાં જગ્યા ફાળવી દેવામાં આવી છે. કચેરીઓનું શિફ્ટિંગ પૂર્ણ થતાં જ R&amp;B વિભાગ દ્વારા જૂના બ્લોક તોડી પાડી નવા બિલ્ડિંગનું બાંધકામ શરૂ કરી દેવામાં આવશે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/rajkot/rmc-food-department-destroys-2600kg-stale-food-raids-48-shops" target="_blank">આ પણ વાંચો: Rajkot: મનપાની ફૂડ શાખાએ 2600 કિલો વાસી ખોરાકનો નાશ કર્યો, 48 એકમોમાં ચેકિંગ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/g0G7QDyzvSnVrkd6l0pTld3B6otQAGaCK6ldAVMt.webp'/></item><item><title><![CDATA[Suniel Shetty Birthday: 90ના દાયકાના એક્શન સ્ટાર 'અન્ના'નો જન્મદિવસ, પુત્ર અહાન અને જેકી શ્રોફે પાઠવી ખાસ શુભેચ્છા ]]></title><link>https://sandesh.com/entertainment/news/suniel-shetty-birthday-90s-action-star-anna-celebrates-his-birthday-son-ahan-and-jackie-shroff-send-special-wishes</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/suniel-shetty-birthday-90s-action-star-anna-celebrates-his-birthday-son-ahan-and-jackie-shroff-send-special-wishes</guid><pubDate>Tue, 11 Aug 2026 14:52:31 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડના લોકપ્રિય અભિનેતા સુનીલ શેટ્ટી આજે ૧૧ ઓગસ્ટના રોજ તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ પ્રસંગે સોશિયલ મીડિયા પર ચાહકો, બોલીવુડ સેલિબ્રિટીઝ અને તેમના નજીકના મિત્રો તરફથી શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. અભિનેતાના પુત્ર અહાન શેટ્ટીએ પિતા સાથેની એક સુંદર તસવીર શેર કરીને લખ્યું, "હેપ્પી બર્થડે, પપ્પા." બીજી તરફ, તેમના ખાસ મિત્ર અને દિગ્ગજ અભિનેતા જેકી શ્રોફે પણ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફોટો શેર કરતા લખ્યું, "ધ રીઅલ ભીડુ... હેપ્પી બર્થડે."</p><h2 style="text-align: justify; "><b>અન્નાની જેકી શ્રોફ સાથેની ખાસ કેમિસ્ટ્રી</b></h2><p style="text-align: justify; ">જેકી શ્રોફ અને સુનીલ શેટ્ટી વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા છે. બંને કલાકારોએ 'બોર્ડર' (૧૯૯૭), 'બાઝ: અ બર્ડ ઇન ડેન્જર', 'હલચલ' અને 'અપના સપના મની મની' જેવી અનેક યાદગાર ફિલ્મોમાં સાથે કામ કરીને પ્રેક્ષકોનું મનોરંજન કર્યું છે. તાજેતરમાં આવેલી બોર્ડર 2 ફિલ્મમાં સુનીલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટીએ કામ કર્યું. અગાઉની ફિલ્મમાં એરફોર્સ પાયલટ તરીકેનો રોલ હતો તે બોર્ડર-2માં અહાને કર્યો હતો. અન્ના અને જેકીશ્રોફના સંબંધો હંમેશા સારા રહ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>સુનીલ શેટ્ટીની ૩ દાયકા લાંબી કારકિર્દી અને ૧૦૦થી વધુ ફિલ્મો</b></h3><p style="text-align: justify;">સુનીલ શેટ્ટીએ પોતાની ત્રણ દાયકાથી વધુ લાંબી ફિલ્મી સફરમાં ૧૦૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે વર્ષ ૧૯૯૨માં રિલીઝ થયેલી એક્શન ફિલ્મ 'બલવાન'થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ 'મોહરા', 'દિલવાલે', 'ગોપી કિશન' અને 'સપૂત' જેવી સુપરહિત ફિલ્મો આપીને તેઓ ૯૦ના દાયકાના સૌથી સફળ અને વ્યસ્ત એક્શન સ્ટાર તરીકે સ્થાપિત થયા હતા.</p><h4 style="text-align: justify; "><b>'હેરાફેરી' અને 'ધડકન'થી બદલાયેલી ઈમેજ</b></h4><p style="text-align: justify; ">વર્ષ ૨૦૦૦માં આવેલી કોમેડી ક્લાસિક ફિલ્મ 'હેરા ફેરી'માં 'શ્યામ'નું પાત્ર ભજવીને સુનીલ શેટ્ટીએ પોતાની એક્શન હીરોની છબી બદલી નાખી હતી. આ ઉપરાંત, 'ધડકન' (૨૦૦૦) અને 'મૈં હૂં ના' (૨૦૦૪) જેવી ફિલ્મોમાં નકારાત્મક ભૂમિકા ભજવીને તેમણે પોતાની એક્ટિંગની વિવિધતા સાબિત કરી. 'ધડકન' ફિલ્મમાં તેમના શાનદાર અભિનય માટે તેમને બેસ્ટ વિલનનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. અભિનય ઉપરાંત, તેમણે પોતાના પ્રોડક્શન હાઉસ 'પોપકોર્ન એન્ટરટેઈનમેન્ટ' હેઠળ 'ખેલ', 'રક્ત' અને 'ભાગમ ભાગ' જેવી સફળ ફિલ્મોનું નિર્માણ પણ કર્યું છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/controversy-over-portrayal-of-women-in-partition-1947-it-is-unfair-to-reach-final-conclusions-without-understanding-preity-zintas-blunt-response" target="_blank">આ પણ વાંચો : Partition 1947માં મહિલાઓના ચિત્રણ વિવાદ પર ટિકાકારો અને વિરોધ કરનારાઓને પ્રિતી ઝિન્ટાનો રોકડો જવાબ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/GKjEqdrVAMv4uzXKAO7cv0SAwkB7pFXCZIyzGQbJ.webp'/></item><item><title><![CDATA[PM મોદી સામે બોક્સર નરેન્દ્રએ સંભળાવ્યો પાકિસ્તાની બોક્સરનો કિસ્સો, વાત સાંભળીને હસી પડ્યા વડાપ્રધાન ]]></title><link>https://sandesh.com/sports/news/pm-modi-boxer-narender-pakistani-opponent-funny-story</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pm-modi-boxer-narender-pakistani-opponent-funny-story</guid><pubDate>Mon, 10 Aug 2026 20:09:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગ્લાસગો ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતે કુલ 39 મેડલ સાથે મેડલ ટેબલમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. ગેમ્સ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પોતાના નિવાસસ્થાને ભારતીય મેડલ વિજેતા ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ખેલાડીઓએ PM મોદી સાથે ખુલ્લા દિલે વાતચીત કરી હતી અને પોતાના અનુભવો પણ શેર કર્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>નરેન્દ્રએ સિલ્વર મેડલ જીત્યો</b></h2><p style="text-align: justify; ">આ મુલાકાત દરમિયાન ભારતીય હેવીવેઈટ બોક્સર નરેન્દ્ર બેરવાલે PM મોદીને એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો હતો. નરેન્દ્રે કોમનવેલ્થ ગેમ્સમાં 90+ કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેમને જણાવ્યું કે વર્ષ 2015માં મિલિટરી ગેમ્સ દરમિયાન તેમની પ્રથમ બાઉટ પાકિસ્તાની બોક્સર સામે હતી. તેમને મિલિટરી તરફથી ફોન કરીને પાકિસ્તાન સામે ન હારવાની વાત કહેવામાં આવી હતી.</p><h3 style="text-align: justify; "><b>મને નરેન્દ્ર નામથી નફરત થઈ ગઈ છે</b></h3><p style="text-align: justify; ">નરેન્દ્રે જણાવ્યું કે તેમણે પ્રથમ બાઉટ 4-1થી અને બીજી બાઉટ 3-2થી જીતી હતી. આ દરમિયાન બંને બોક્સરના માથા પણ અથડાયા હતા અને બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2086683661504843813"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p style="text-align: justify; "> </p><p style="text-align: justify; ">નરેન્દ્રે આગળ જણાવ્યું કે તેમના કોચનું નામ પણ નરેન્દ્ર રાણા હતું અને તે સમયે ભારતના વડાપ્રધાનનું નામ પણ નરેન્દ્ર હતું. આ સંયોગને લઈને પાકિસ્તાની બોક્સરે તેમને કહ્યું હતું કે, “તમારું નામ નરેન્દ્ર છે, તમારા કોચનું નામ પણ નરેન્દ્ર છે અને તમારા PMનું નામ પણ નરેન્દ્ર છે. હવે મને નરેન્દ્ર નામથી નફરત થઈ ગઈ છે.” આ વાત સાંભળીને PM મોદી હસતા જોવા મળ્યા હતા.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>ભારતે બોક્સિંગમાં 10 મેડલ જીત્યા&nbsp;</b></h4><p style="text-align: justify; ">કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય બોક્સિંગ ટીમનું પ્રદર્શન પણ નોંધપાત્ર રહ્યું હતું. ભારતે બોક્સિંગમાં 10 મેડલ જીત્યા હતા, જ્યારે નરેન્દ્ર બેરવાલે 90+ કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. ફાઇનલમાં તેમને ઇંગ્લેન્ડના ડામાર થોમસ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/oMWNn5CGUFi7LAuIfgHkI21UFhgy68SNnoD190zK.webp'/></item></channel></rss>