<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[પાટણમાં રાહુલ ગાંધી સામે થયેલી ફરિયાદ બાબતે કોંગ્રેસનો વિરોધ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/patan/congress-protests-against-complaint-against-rahul-gandhi-in-patan</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/patan/congress-protests-against-complaint-against-rahul-gandhi-in-patan</guid><pubDate>Wed, 02 Sep 2026 05:29:52 +05:30</pubDate><description><![CDATA[<p>પાટણ । (સં.ન્યૂ.સ.)</p><p>પાટણમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સામે ઉતરાખંડમાં થયેલી ફરીયાદને લઈ વિરોધ દર્શાવ્યો હતો. જે દરમિયાન પાટણની સિદ્ધપુર ચોકડી પાસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ચક્કાજામ કરી ફરીયાદ પરત ખેંચવાની માંગ કરી હતી.</p><p>ઉતરાખંડમાં કોંગ્રેસના લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સામે ઉતરાખંડમાં ફરીયાદ નોંધાતા તેના પડઘા પાટણમાં પડયા હતા. જેમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ એકઠા થયેલા આગેવાનો અને કાર્યકરોએ પાટણ સિદ્ધપુર ચોકડી પાસે ચક્કાજામ કરી આક્ષેપ સાથે માંગ કરી હતી કે રાહુલ ગાંધી વિરુદ્ધ કરવામાં આવેલી ફરીયાદ ખોટી છે. જેને તાત્કાલિક અસરથી પરત ખેંચવામાં આવે. તેમજ લોકશાહી અને બંધારણીય મુલ્યોની રક્ષા માટે કોંગ્રેસનો સંઘર્ષ ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું. ચક્કાજામના કારણે થોડી વાર માટે ટ્રાફ્કિ સર્જાયો હતો. વધુમાં કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે વિપક્ષના નેતા સામે રાજકીય દબાણ કે ખોટી કાર્યવાહી કરવામાં આવશે તો કોંગ્રેસ લોકશાહી ઢબે તેનો સતત વિરોધ કરશે. વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં પક્ષના આગેવાનો અને કાર્યકરો જોડાયાહતા.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p>Congress workers in Patan protested a complaint against Rahul Gandhi in Uttarakhand, holding a road blockade and demanding withdrawal of the complaint.</p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/1Y5NWv5SGx6LuJIP4x3hszzKoGjJgR16tvjYtihI.webp'/></item><item><title><![CDATA[પાટણ પાલિકામાં આઉટ સોર્સિંગ ભરતીના ટેન્ડર મુદ્દે પ્રમુખ સામે ભાજપના જ 14 નગરસેવકોએ મોર્ચો ખોલ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/patan/14-bjp-corporators-open-front-against-the-president-over-the-issue-of-outsourcing-recruitment-tender-in-patan-municipality</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/patan/14-bjp-corporators-open-front-against-the-president-over-the-issue-of-outsourcing-recruitment-tender-in-patan-municipality</guid><pubDate>Wed, 02 Sep 2026 05:28:04 +05:30</pubDate><description><![CDATA[<div>પાટણ (સં.ન્યૂ.સ.)</div><div>પાટણ નગરપાલિકાની ચાલુ ટર્મમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 24 જેટલા નગરસેવકો સાથે સત્તા ફરી વખત પોતાની પાસે જાળવી રાખી હતી. જેમાં મહિલા પ્રમુખની પણ નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ હવે અગાઉની જેમ ચાલું બોડીમાં પણ આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. જેમાં આઉટસોર્સિંગ ભરતીના ટેન્ડરમાં ગેરરીતિ અને ખોટા ઠરાવ કરવાનો અને એલ. 1 ની જગ્યાએ એલ. 2 એજન્સીને વર્ક ઓર્ડર આપી મોટો આર્થિક ફાયદો કરાવવાનો ગંભીર આક્ષેપ ખુદ નગરપાલિકાના શાસક પક્ષના 14 જેટલા સભ્યોએ જ કરતાં પાટણના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.</div><div>પાટણ નગરપાલિકામાં અગાઉ પણ 24 માંથી 7 સભ્યોએ આ બાબતે પ્રમુખને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી પરંતુ તે સ્વીકારવામાં આવ્યું ન હતું. 30 જુલાઈના દિવસે મળેલી સામાન્ય સભામાં વધારાના કામોની યાદીમાં માત્ર જાણ માટે મૂકવામાં આવેલા કામમાં ખોટો ઠરાવ ક્રમાંક 106 લખવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. નગરપાલિકાના સભ્યો દ્વારા આપેલા પત્રમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે રાજ્ય સરકારના પ્રવર્તમાન નિયમો મુજબ સૌથી ઓછા ભાવ દર્શાવનારL1 એજન્સીના ભાવ મંજૂર કરવાના હોય છે તેના બદલે રાજકોટની રુદ્રા સિક્યુરિટી સર્વિસીસ નામની એજન્સીને 3.85 ટકાના ભાવે વર્ક ઓર્ડર આપવાનો નિયમ વિરુદ્ધનો ઠરાવ લખવામાં આવ્યો હતો. જેથી કરીને સભ્યોએ આક્ષેપ લગાવ્યો છે કે સામાન્ય સભામાં આવો કોઈ જ નિર્ણય થયો ન હોવા છતાં આ ખોટો ઠરાવ કરીને એજન્સીને મોટો આર્થિક ફાયદો કરાવવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેનાથી નગરપાલિકાના જાહેર સ્વભંડોળના નાણાંનો દુરપયોગ થશે. જેને લઈ 14 જેટલા શાસક પક્ષના જ સભ્યોએ લેખિતમાં સખત વાંધો રજુ કરીને ખોટા ઠરાવના કારણે ભવિષ્યમાં ઊભી થનારી આર્થિક અથવા કાયદાકીય જવાબદારી પ્રમુખની વ્યક્તિગત રહેશે તેમ જણાવ્યું હતું. તેમજ વિરોધ પત્રની નકલ ઉત્તર ઝોન ગાંધીનગરના પ્રાદેશિક કમિશનર તેમજ પાટણ નગરપાલિકાના ચીફ્ ઓફ્સિરને પણ રવાના કરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જેને લઈને પાટણના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો છે.</div><div><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></div><div><br></div> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/nK728Ai92WqAdD2hu96UVcHjkvxFbXhv3IDSJ0Gk.webp'/></item><item><title><![CDATA[દેત્રોજમાં જીવાપુરા પાટીયા પાસે કચરાના ઢગ ખડકાતાં રાહદારીઓ પરેશાન ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/pedestrians-are-disturbed-by-the-pile-of-garbage-near-jiwapura-patiya-in-detroj</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/pedestrians-are-disturbed-by-the-pile-of-garbage-near-jiwapura-patiya-in-detroj</guid><pubDate>Wed, 02 Sep 2026 05:13:19 +05:30</pubDate><description><![CDATA[<p>માંડલ : અમદાવાદ જિલ્લાના દેત્રોજ નગરમાં જીવાપુરા ગામના પાટીયા પાસે ઠેરઠેર કચરાના ઢગ ખડકાઈ જતાં આસપાસના વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે. રસ્તાની બાજુમાં લાંબા સમયથી એકત્રિત થતો લીલો અને સુકો કચરો વરસાદી પાણીમાં મીક્ષ થઈ જતાં કોહવાઈ ગયેલ હોવાને લીધે અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે જેના કારણે આ માર્ગ પરથી પસાર થતાં રાહદારી અને વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ જીવાપુરા પાટીયા વિસ્તારેથી મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય છે પરંતુ રસ્તાની બાજુમાં પડેલ કચરાના ઢગલાઓના કારણે પસાર થયું મુશ્કેલ બન્યું છે. ખાસ કરીને વરસાદ બાદ કચરો સડી જવાના કારણે દુર્ગંધ વધુ તીવ્ર બની છે. ગંદકીના કારણે મચ્છર અને અન્ય જીવજંતુઓનો ઉપદ્રવ વધવાની સાથે રોગચાળો પણ ફેલાવાની ભીતી સેંવાઈ રહી છે. નગરની સ્વચ્છતા જાળવવાની જવાબદારી ધરાવતાં તંત્ર દ્વારા સમયસર કચરો ઉપાડવામાં આવે અને નિયમિત સફાઈ કરવામાં આવે તેવી સ્થાનિકો અને રાહદારીઓ માંગ કરી રહ્યાં છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/Uzst0plZlVF8fzDcdDmZn2Lxua0eTMQZHtsJOV28.webp'/></item><item><title><![CDATA[વરમોર સીમમાં 700 વર્ષ પૌરાણિક કોટેશ્વર મહાદેવનો મહિમા અપરંપાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/the-glory-of-the-700-year-old-koteshwar-mahadev-in-varmor-is-unparalleled</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/the-glory-of-the-700-year-old-koteshwar-mahadev-in-varmor-is-unparalleled</guid><pubDate>Wed, 02 Sep 2026 05:01:29 +05:30</pubDate><description><![CDATA[<p>માંડલ (સં.ન્યૂ.સ)</p><p>સૌરાષ્ટ્રમાં સોમનાથ તેમ માંડલ તાલુકાના વરમોર ખાતે આવેલ કોટેશ્વર દાદા આ મંદિરનો ઈતિહાસ તાલુકામાં અતિપૌરાણિક છે કોટેશ્વર દાદાનું મંદિર વરમોર ગામથી એક કિલોમીટર દુર ઉંચી ટેકરી પર આવેલું છે. એમ કહેવાય છે કે આ કોટેશ્વર દાદાના દર્શન યુગોયુગથી થઈ રહ્યાં છે. જેથી યુગાન્ધર કોટેશ્વર દાદા તરીકે પણ વિસ્તારમાં પ્રચલિત છે. 700 વર્ષ પહેલાં અહીં ભગવાન ભોળાનાથ સાક્ષાત પ્રગટ થયેલાં છે આ ગામ પહેલાં વીસાવડી ગામ તરીકે ઓળખાતું હતું અને અહીં વીસાવડી માતાજીનું પણ મંદિર આવેલ છે. ધીરે ધીરે લોકબોલીમાં પરિવર્તન આવતાં પહેલાનું વીસાવડી ગામે આજે વરમોર તરીકે જાણીતું છે. આ મંદિરની બાજુમાં એક પાતાળ કુવો આવેલો છે જેને પખાણાંનો કુવો કહેવાય છે લોકમાન્યતા પ્રમાણે એમ કહેવાય છે કે, આ કુવો ભગવાન ભોળાનાથ પ્રગટ થયાં ત્યારથી આવેલો છે. આ કુવાએ ઘણાં વર્ષો પહેલાં દુષ્કાળની પરિસ્થિતિમાં આજુબાજુના દસ ગામોને મીઠું પાણી પુરું પાડેલું હતું કુવા અંગે પંથકના ગ્રામજનો કહી રહ્યાં છે કે ક્યારેય પાણી ખૂટયું નથી અને આજે પણ સ્વચ્છ અને મીઠાં નીર લોકો પીવે છે.</p><p>આ ઉપરાંત આ કોટેશ્વર દાદાના મંદિરમાં એક ચમત્કારિક પત્થર હતો જે નગારા જેવો રણકતો હતો પણ સમય જતાં તે પત્થર ક્યાં ગયો એ વાતને કોઈ જાણતું નથી આજે માંડલ તાલુકાની ભવ્યતા ધરાવતું એવું આ યશ,કિર્તી અને શોભા આપતું કોટેશ્વર દાદાનું કિર્તીમાન મંદિર ખેતરમાં એક ટેકરી ઉપર ઉભું છે. અહીં જે શીવલીંગ આવેલું છે તે પણ તેજોમય અને સોમનાથ જેવી અનુભુતિ કરાવે છે. અહીં વરમોર તેમજ તાલુકાના અનેક ગામોના, પંથકના લોકોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં બારેય માસની શીવરાત્રી તેમજ મહાશિવરાત્રીની રાત્રે 12 વાગ્યે મહાઆરતી થાય છે તદ્દઉપરાંત શ્રાવણ માસમાં આ મંદિરનું વાતાવરણ અને રોનક કઈંક અદ્દભુત અને દુર્લભ હોય છે. શ્રાવણ માસમાં ચાર પ્રહોરની આરતી,સવાલક્ષ બિલીપત્ર ગ્રામજનો દ્વારા ભગવાનને અર્પણ કરાય છે તથા શ્રાવણીયા સોમવારે બપોરથી ભક્તો આ મંદિરને શણગારે છે, મંદિરમાં રંગોળીઓ, દાદાને ભવ્ય શૃંગાર કરાય છે અને સાંજે પાંચ કલાકે અહીં મહાઆરતીના દર્શન થાય છે આ આરતીમાં શંખ,ઘંટ,નગારા જાણે રાજાઓના સમયમાં ભગવાનની આરતી થતી તેવી વિધિવત આરતી થાય છે એમાં આખું ગામ ઉપસ્થિત રહેતુ હોય છે આ આરતીના અને કોટેશ્વર દાદાના દર્શન કરવાથી જાણે સોમનાથ દર્શન કર્યા હોય તેવી અનુભુતિ થાય છે શ્રાવણ માસની અમાસના દિવસે ભાતીગળ લોકમેળો ભરાય છે જેને પખાણાનો મેળો તરીકે ઓળખાય છે. મેળામાં પણ અનેક પ્રકારના નાના મોટાં ચગડોળ,રાઈડ્સમાં મનોરંજન માણવા અને દાદાના દર્શનાર્થે માનવમહેરામણ ઉમટે છે. ત્યારે શ્રાવણ માસના તૃતિય સોમવારે મંદિર અને પરિસરના ફુલોથી સજાવવામાં આવ્યું હતું, તેમજ સાંજે 5 કલાકે મહાઆરતીમાં મોટી સંખ્યામાં વિસ્તારના ભાવિકો ઉમટી પડયાં હતાં.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/iXYutYLjo2QntBpU2OZemYPWuf0NGtEPuJkd5WbO.webp'/></item><item><title><![CDATA[વિરમગામના ભોજવામાં 200 વર્ષ જૂની પારંપારિક દોડ સ્પર્ધા યોજાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/200-year-old-traditional-running-competition-held-in-bhojwa-viramgam</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/200-year-old-traditional-running-competition-held-in-bhojwa-viramgam</guid><pubDate>Wed, 02 Sep 2026 04:57:27 +05:30</pubDate><description><![CDATA[<p><b>વિરમગામ નગરપાલિકા હદ વિસ્તારમાં છેલ્લા દસ વર્ષથી સમાવેશ કરેલા અને શહેર સમીપ આવેલા ભોજવા વિસ્તારમાં 200 વર્ષ જૂની પારંપારિક બળેવ દોડ સ્પર્ધાનું રક્ષાબંધનના પર્વેયોજી ગામની સંસ્કૃતિ જાળવવામાં આવી હતી. ભોજવા ગામમાં પટેલ, દરબાર, મુસ્લિમ, દલિત, રબારી, ઠાકોર, પ્રજાપતિ સહિતના સમાજ વસે છે. જેમાં મોટાભાગના લોકો વર્ષોથી ખેતી ધરાવતા હોઈ મહેનતું પ્રજા છે. રક્ષાબંધનનું પર્વ ચોમાસામાં આવતું હોય આ દિવસે ગામમાં બળેવની દોડ વરસોથી વડવાઓ દ્વારા યોજવામાં આવતી. જેમાં ગ્રામ પંચાયત ચોકમાં સ્વૈચ્છિક રીતે ચાર યુવાનો ભાગ લઈ શકે અને તેમના વચ્ચે બસ્સો મીટર અંતરની દોડ સ્પર્ધા યોજાય. વિજેતા બને તેને ખેતી માટે હાથ બનાવટનું પ્રતીક હળ સાથે સુખડીનો પ્રસાદ તેમજ રોકડ આપવામાં આવે. જે બસ્સો વર્ષ પહેલા વડવાઓએ શરૂ કરેલી પરંપરા મુજબ ગત શુક્રવારે રક્ષાબંધન પર્વ નિમિત્તે ગ્રામ્યજનોની મેદની વચ્ચે હરીફાઈ યોજવામાં આવી હતી. જેમાં કુલ ચાર યુવાનોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ નંબર વિજય જીલુભાઈ ભોજવિયા આવ્યા હતા. ગ્રામ્ય લોકોએ તેને વધાવી લીધો હતો અને પરંપરા મુજબ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.</b></p><p><b><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/NPb1dchXNQEoz48H5qUHmBOQwPCFxsObK2qC35ka.webp'/></item><item><title><![CDATA[Maharashtra : FDAની મોટી કાર્યવાહી, મુંબઈની 2 હોટલ અને અકોલામાં Blinkit સેન્ટરનું લાઈસન્સ સસ્પેન્ડ કરાયું ]]></title><link>https://sandesh.com/india/news/maharashtra-fda-suspends-mumbai-hotels-blinkit-akola-license</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/maharashtra-fda-suspends-mumbai-hotels-blinkit-akola-license</guid><pubDate>Tue, 01 Sep 2026 22:29:12 +05:30</pubDate><description><![CDATA[<p>મહારાષ્ટ્રમાં ખાદ્ય અને પીણાની વસ્તુઓની સુરક્ષાને લઈને FDA (Food and Drug Administration)એ કડક કાર્યવાહી કરી છે. વિભાગે મુંબઈની બે હોટલ અને અકોલામાં Blinkitના એક સેન્ટરનું લાઈસન્સ સસ્પેન્ડ કર્યું છે. તપાસ દરમિયાન સ્વચ્છતા, ખાદ્ય સામગ્રીના સંગ્રહ, કર્મચારીઓની હાઈજીન અને અન્ય ખાદ્ય સુરક્ષા નિયમોમાં ગંભીર બેદરકારી સામે આવી હતી. આ ઉપરાંત સાંગલીમાં યોગ્ય રીતે સંગ્રહ ન કરાયેલું 165 લીટર દૂધ જપ્ત કરીને સ્થળ પર જ નષ્ટ કરવામાં આવ્યું હતું.</p><h2><b>અકોલામાં Blinkit સેન્ટરની સ્થિતિ ખરાબ</b></h2><p>અકોલામાં Blink Commerce Private Limited (Blinkit)ના સ્ટોર પર તપાસ દરમિયાન અનેક ખામીઓ મળી આવી હતી. તપાસ ટીમને ફ્રીઝરના પ્લાસ્ટિક પડદા ફાટેલી હાલતમાં જોવા મળ્યા હતા. ખાદ્ય અને પીણાની વસ્તુઓને નોન-ફૂડ સામગ્રી સાથે એક જ રેકમાં રાખવામાં આવી હતી. કેટલીક ખાદ્ય વસ્તુઓ તો સીધી જ જમીન પર ધૂળ અને કચરા વચ્ચે પડેલી મળી હતી. વિભાગે અગાઉ 12 ઓગસ્ટે સુધારા માટે ચેતવણી આપી હતી. જોકે, ત્યારબાદ પણ સ્થિતિમાં સુધારો ન થતાં 31 ઓગસ્ટે સેન્ટરનું લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું.</p><h3><b>મુંબઈની બે હોટલ સામે કાર્યવાહી</b></h3><p>મુંબઈના મલાડ વેસ્ટ વિસ્તારમાં આવેલી 'દિલ્હી સ્વીટ એન્ડ ભેલપુરી હાઉસ'માં તપાસ દરમિયાન ફ્રીઝરમાં ખાદ્ય સામગ્રી સાથે કાચા ઈંડા રાખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું. ઉપરાંત રસોઈ માટે દૂષિત પાણીનો ઉપયોગ થતો હોવાની માહિતી પણ મળી હતી. રસોડાની દિવાલો પર ભેજ અને ગંદકી જોવા મળી હતી.</p><p>કુર્લા વેસ્ટની 'ગુલઝાર મોહમ્મદી હોટલ'માં પણ સ્વચ્છતાની સ્થિતિ સંતોષકારક ન હતી. હાઇજીન તપાસમાં હોટલને 100માંથી માત્ર 24 માર્ક્સ મળ્યા હતા. રસોડાની દિવાલો પર તેલનું જાડું પડ જમેલું હતું અને નાળીઓ પણ ગંદી હતી. કર્મચારીઓએ ગ્લવ્સ અને હેડગિયર પહેર્યા નહોતા. આ ખામીઓના પગલે બંને હોટલના લાઈસન્સ તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા.</p><h4><b>સાંગલીમાં 165 લીટર દૂધ નષ્ટ</b></h4><p>સાંગલીના મિરજમાં આવેલા 'મયક્કા મિલ્ક કલેક્શન સેન્ટર'માં પણ ગંભીર બેદરકારી સામે આવી હતી. અહીં 120 લીટર ગાયનું અને 43 લીટર ભેંસનું દૂધ કોઈ કૂલિંગ વ્યવસ્થા વિના ચાર કલાકથી વધુ સમય સુધી સામાન્ય રૂમમાં રાખવામાં આવ્યું હતું. દૂધનો રેકોર્ડ પણ રજિસ્ટરમાં નોંધાયેલો નહોતો. ઉપરાંત અગાઉ સીલ કરાયેલી ક્રીમ કાઢવાની મશીનની સરકારી સીલ તૂટેલી મળી હતી. લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે તેવા આ 165 લીટર દૂધને FDAની ટીમે સ્થળ પર જ નષ્ટ કરાવ્યું. FDAએ સ્પષ્ટ કર્યું છે કે ખાદ્ય સુરક્ષા સંબંધિત નિયમોનું પાલન કરવું તમામ ફૂડ બિઝનેસ માટે ફરજિયાત છે. તપાસમાં ગંભીર ખામીઓ મળતા ત્રણ સ્થળોના લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/air-vice-marshal-shakti-sharma-first-non-medical-woman-two-star-rank" target="_blank">આ પણ વાંચો : Air Vice Marshal Shakti Sharmaએ રચ્યો નવો ઈતિહાસ, ટુ-સ્ટાર રેન્ક મેળવનારી પ્રથમ નોન-મેડિકલ મહિલા અધિકારી બન્યા</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/LlraV5nx4SZxIroPLZIGky0Vyp8bq2j7g28eGs52.webp'/></item><item><title><![CDATA[September 2, 2026: : આવતીકાલે બુધવારે દેશભરમાં શું શું મહત્વનું બનવાનું છે ? 7 મોટી ઘટનાઓ પર એક નજર ]]></title><link>https://sandesh.com/india/news/gujarat/ahmedabad/september-2-2026-major-events-pm-modi-nhrc-rahul-gandhi</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/gujarat/ahmedabad/september-2-2026-major-events-pm-modi-nhrc-rahul-gandhi</guid><pubDate>Tue, 01 Sep 2026 22:23:24 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">2 સપ્ટેમ્બર, 2026ના રોજ દેશભરમાં રાજકારણ, જળ સુરક્ષા, માનવાધિકાર અને આંતરરાષ્ટ્રીય સંબંધોને લઈને અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાવાના છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠકથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જળ સુરક્ષા શિખર સંમેલન સુધી, આવતીકાલનો દિવસ અનેક મહત્વના નિર્ણયો અને બેઠકોનો સાક્ષી બનશે.</p><p style="text-align: justify; "><br></p><h2 style="text-align: justify; "><b>1. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની મહત્વની બેઠક</b></h2><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આવતીકાલે બપોરે 2 વાગ્યે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. બેઠકમાં ટ્રસ્ટને પ્રથમ CEO મળવાની શક્યતા છે. ઉપરાંત પ્રવક્તાની નિમણૂક સહિત અનેક મહત્વના વહીવટી મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવી શકે છે.</p><p style="text-align: justify; "><br></p><h3 style="text-align: justify; "><b>2. જળ સુરક્ષા મુદ્દે મોટી બેઠક, PM મોદી જોડાશે</b></h3><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">દિલ્હીના સુષ્મા સ્વરાજ ભવનમાં જળ સુરક્ષા મુદ્દે મહત્વપૂર્ણ શિખર સંમેલન યોજાશે. અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ અને જળશક્તિ મંત્રીઓ તેમાં ભાગ લેશે. ગુજરાતના જળશક્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ પણ હાજરી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે અંદાજે 4:30 વાગ્યે બેઠકમાં જોડાઈ શિખર સંમેલનને સંબોધશે.</p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>3. NHRCનો બે દિવસનો ગુજરાત પ્રવાસ</b></h4><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. 2 સપ્ટેમ્બરે ગાંધીનગરમાં ઓપન હિયરિંગ યોજાશે, જેમાં રાજ્યમાં માનવાધિકાર ઉલ્લંઘનના કેસોની સુનાવણી કરવામાં આવશે. આયોગના અધ્યક્ષના નેતૃત્વમાં સુનાવણી યોજાશે. જ્યારે 3 સપ્ટેમ્બરે બંધુઆ મજૂરીના મુદ્દે પણ સુનાવણી કરવામાં આવશે.</p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>4. રાહુલ ગાંધીનો નાસિક પ્રવાસ</b></h4><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતીકાલે નાસિકના પ્રવાસે જશે. તેઓ ‘સંગઠન સર્જન અભિયાન’ના સમાપન સમારોહમાં હાજરી આપશે અને પાર્ટીના પદાધિકારીઓ સાથે સંવાદ કરશે.</p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>5. બેલ્જિયમના વડાપ્રધાન ભારત આવશે</b></h4><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવર 3 દિવસના ભારત પ્રવાસે આવી રહ્યા છે. પ્રવાસ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. 3 સપ્ટેમ્બરે બંને નેતાઓ વચ્ચે યોજાનારી બેઠકમાં દ્વિપક્ષીય સંબંધો ઉપરાંત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.</p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>6. જમ્મુ-કાશ્મીરમાં સરકાર સામે ભાજપનો વિરોધ</b></h4><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">જમ્મુ-કાશ્મીરમાં ઉમર અબ્દુલ્લાના નેતૃત્વવાળી સરકાર સામે ભાજપ આક્રમક વિરોધ કાર્યક્રમો કરશે. વિધાનસભાના ઘેરાવ ઉપરાંત પાર્ટી કાર્યાલયોના ઘેરાવ અને દેખાવો યોજાવાની જાહેરાત કરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>7. ઉપરાષ્ટ્રપતિનો છત્તીસગઢ પ્રવાસ</b></h4><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન આવતીકાલે રાયપુર અને છત્તીસગઢના પ્રવાસે રહેશે. આ દરમિયાન તેઓ AIIMS રાયપુરના ત્રીજા દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આમ, 2 સપ્ટેમ્બરનો દિવસ રાજકીય બેઠકો, વિરોધ કાર્યક્રમો, માનવાધિકાર મુદ્દાઓ અને આંતરરાષ્ટ્રીય રાજદ્વારી પ્રવૃત્તિઓ માટે મહત્વપૂર્ણ બની રહેશે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/u3oCYoXZmYV4t5YdIKqFTfJO2YxUNTw12fxv8Hnh.webp'/></item><item><title><![CDATA[Business News : રેલવે કંપનીને મળ્યો 1100 કરોડ રૂપિયાનો આંતરરાષ્ટ્રીય ઓર્ડર, શેરમાં આવ્યો 7 ટકાનો ઉછાળો ]]></title><link>https://sandesh.com/business/news/texmaco-rail-1100-crore-international-order-share-rises-7-percent</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/texmaco-rail-1100-crore-international-order-share-rises-7-percent</guid><pubDate>Tue, 01 Sep 2026 19:01:52 +05:30</pubDate><description><![CDATA[<p>રેલવે સેક્ટરની કંપની Texmaco Rail and Engineeringના શેરમાં મંગળવાર, 1 સપ્ટેમ્બરના રોજ જોરદાર તેજી જોવા મળી હતી. કંપનીના શેરમાં ઈન્ટ્રાડે દરમિયાન લગભગ 7%નો ઉછાળો આવ્યો હતો. આ તેજી પાછળ કંપનીને મળેલો આશરે ₹1,100 કરોડનો આંતરરાષ્ટ્રીય ઓર્ડર મુખ્ય કારણ માનવામાં આવી રહ્યો છે.</p><h2><b>શું છે ઓર્ડર?</b></h2><p>કંપનીએ સ્ટોક એક્સચેન્જને કરેલી ફાઈલિંગમાં જણાવ્યું કે Tsiko Africa Logistics અને Barberry Holdings તરફથી તેને Letter of Award મળ્યો છે. આ ઓર્ડર હેઠળ Texmaco Railને Wabtec ES43ACi ડીઝલ-ઈલેક્ટ્રિક લોકોમોટિવની ડિઝાઈનિંગ, મેન્યુફેક્ચરિંગ, સપ્લાય અને કમિશનિંગનું કામ કરવાનું રહેશે. આ લોકોમોટિવની ક્ષમતા 4,500 HP હશે. કંપનીએ આ પ્રોજેક્ટને ફાઈનલ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર થયા બાદ 20થી 24 મહિનાની અંદર પૂર્ણ કરવાનો રહેશે. આંતરરાષ્ટ્રીય સ્તરે મળેલો આ ઓર્ડર કંપનીના રેલવે મેન્યુફેક્ચરિંગ બિઝનેસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.</p><h2><b>જર્મન કંપની સાથે પણ કરાર</b></h2><p>Texmaco Railએ ગયા અઠવાડિયે જ જર્મનીની Bochumer Verein Verkehrstechnik GmbH (BVV) સાથે પણ એક મહત્વપૂર્ણ કરાર કર્યો હતો. બંને કંપનીઓ ભારતમાં રેલવે માટેના વ્હીલસેટ, વ્હીલ, એક્સલ અને અન્ય રેલવે કમ્પોનન્ટ્સના ઉત્પાદન માટે સંયુક્ત સાહસ એટલે કે Joint Ventureની સંભાવનાઓ તપાસી રહી છે. આ ભાગીદારીથી ભારતમાં રેલવે કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ ક્ષમતા વધારવાની સાથે કંપનીને લાંબા ગાળે નવા બિઝનેસની તકો મળી શકે છે.</p><h4><b>પ્રથમ ત્રિમાસિક ગાળામાં નફો 67% વધ્યો</b></h4><p>કંપનીના જૂન ક્વાર્ટરના પરિણામો પણ મિશ્ર રહ્યા હતા. કંપનીનો નેટ પ્રોફિટ 66.8% વધીને ₹50 કરોડ થયો હતો. ગયા વર્ષે સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીનો નફો ₹30 કરોડ હતો. જોકે, આ સમયગાળા દરમિયાન કંપનીની આવકમાં ઘટાડો નોંધાયો હતો. રેવન્યુ 16.9% ઘટીને ₹757 કરોડ રહ્યું હતું, જે ગયા વર્ષે ₹911 કરોડ હતું. કંપનીનું EBITDA પણ 19.6% ઘટીને ₹57 કરોડ થયું હતું, જ્યારે ગયા વર્ષે તે ₹71 કરોડ હતું. જોકે, EBITDA માર્જિન 8% પર સ્થિર રહ્યું હતું.</p><h4><b>શેરનું કેવું રહ્યું પ્રદર્શન?</b></h4><p>મંગળવારે Texmaco Railનો શેર 7.3% વધીને ઈન્ટ્રાડે ₹116.90 સુધી પહોંચ્યો હતો. જોકે, બાદમાં તેજી થોડી ઓછી થઈ અને શેર 4.27%ના વધારા સાથે ₹113.60 પર બંધ થયો હતો. તેમ છતાં, 2026માં અત્યાર સુધી કંપનીના શેરમાં આશરે 18%નો ઘટાડો નોંધાયો છે.<br><br><a href="https://sandesh.com/business/news/car-insurance-claim-rejected-due-to-defect-in-driving-license-now-insurance-company-ordered-to-pay-45-lakh" target="_blank"><b>આ પણ વાંચો : Car Insurance: ડ્રાઇવિંગ લાઇસન્સમાં ખામી કહી ક્લેમ નકાર્યો, હવે વીમા કંપનીને ₹4.5 લાખ ચૂકવવાનો આદેશ</b></a></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/SUsBgVv8onQ4DOh9bnWFq54aHLdEQV3yQMJic03y.webp'/></item><item><title><![CDATA[Samay Raina વિવાદ, કાનૂની મુશ્કેલીઓ, ટ્રોલ થયેલા 'સમય'ને આખરે મળ્યું સન્માન ]]></title><link>https://sandesh.com/entertainment/news/samay-raina-controversy-legal-troubles-trolled-samay-finally-gets-respect</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/samay-raina-controversy-legal-troubles-trolled-samay-finally-gets-respect</guid><pubDate>Tue, 01 Sep 2026 14:39:17 +05:30</pubDate><description><![CDATA[<p>સમયનો સૌથી મોટો ગુણ એ છે કે તે ક્યારેય એક સરખો રહેતો નથી. તાજેતરમાં સુધી વિવાદોની વચ્ચે ઘેરાયેલા સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈના માટે પરિસ્થિતિઓ ખૂબ જ મુશ્કેલ બની ગઈ હતી. તેમનો અત્યંત લોકપ્રિય શો "ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ" સોશિયલ મીડિયાના ટ્રોલિંગથી લઈને પોલીસ સ્ટેશન અને કોર્ટની કાનૂની લડાઈ સુધી પહોંચી ગયો હતો. શો દરમિયાન રણવીર અલ્હાબાદિયાની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ થયેલા વિરોધને કારણે રૈના સામે અનેક ફરિયાદો નોંધાઈ હતી અને પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે તેમણે પોતાનો શો હટાવવો પડ્યો હતો.</p><h2><b>સમય રૈના, મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માની પ્રશંસા</b></h2><p>વિવાદો અને કાનૂની મુશ્કેલીઓ વચ્ચે પણ સમય રૈનાએ હાર ન માની. તેમણે શાંત રહીને પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પુનરાગમન કરતી વખતે તેમણે આસામમાં આવેલા વિનાશક પૂર દરમિયાન મુખ્યમંત્રી રાહત ભંડોળમાં ₹10 લાખનું યોગદાન આપ્યું. રસપ્રદ વાત એ હતી કે, અગાઉ જે આસામ પોલીસે રૈના સામે એફઆઈઆર (FIR) નોંધીને પુણે સ્થિત તેમના ઘરે નોટિસ મોકલી હતી, તે જ રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ સોશિયલ મીડિયા પર જાહેરમાં રૈનાની આ ઉદારતા અને મદદરૂપ વર્તનની ખુલ્લેઆમ પ્રશંસા કરી.</p><p><img alt="samay raina" src="https://epapercdn.sandesh.com/images/2026/09/01/RkVmmKuyWaUfEVZ8UJgsu7TePT5QUpzWbrMgRr7Y.webp"><br></p><h4><b>દેવેન્દ્ર ફડણવીસે સાથે સ્ટેજ શેર કરી મેળવ્યું સન્માન</b></h4><p>રૈનાની આ સફરનો સૌથી યાદગાર વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા સ્ટેજ પર સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમ દરમિયાન સમય રૈનાએ પોતાની ખાસ અને બિંદાસ શૈલી જાળવી રાખી હતી. મુખ્યમંત્રીની હાજરીમાં જ તેમણે પોલીસ તપાસ પર ચપટી લેતા કહ્યું, "પહેલી વાર કોઈ સાયબર સેલ અધિકારી કોઈ હાસ્ય કલાકારના ઘરે ગયો છે..." રૈનાના આ રમુજી કટાક્ષથી આખો હોલ હાસ્યથી ગૂંજી ઊઠ્યો હતો. જે કાનૂની વિવાદો એક સમયે તેમની કારકિર્દી માટે જોખમરૂપ બન્યા હતા, તેને જ તેમણે પોતાની કોમેડીનો ભાગ બનાવી દીધો.</p><h4><b>"હું હજી પણ અહીં છું" - સમય રૈનાનો સણસણતો જવાબ</b></h4><p>પોતાની આગવી શૈલી કે ઓળખ બદલ્યા વિના સમય રૈનાએ સ્ટેજ પર પરત ફરીને ભાવુક થઈને કહ્યું, "હું હજી પણ અહીં છું." ગઈકાલે જે કલાકારની કારકિર્દીના ભવિષ્ય પર પ્રશ્નો ઉઠાવવામાં આવતા હતા, આજે તે જ સમય રૈના સન્માન સાથે હેડલાઇન્સમાં છે. વિવાદના તોફાનનો સામનો કરીને સમયનું ચક્ર પોતાના પક્ષમાં ફેરવનાર રૈનાની આ વાર્તા સાબિત કરે છે કે મુશ્કેલ સમય કાયમી નથી હોતો, બસ સમયની રાહ જોવી પડે છે.</p><p><br></p><p><a href="https://sandesh.com/entertainment/news/555th-film71-year-old-actor-anupam-khers-insta-post-increases-fans-curiosity" target="_blank">આ પણ વાંચો : My Landmark 555th ફિલ્મ..71 વર્ષના અભિનેતા અનુપમ ખેરની ઇન્સ્ટા પોસ્ટે વધારી ફેન્સની ઉત્સુકતા</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/yh0dEOP2W1jAuzlYX1sJYXoPTRxgNCvmZwiQLOn2.webp'/></item><item><title><![CDATA[India Footbal ટીમની જાહેરાત, 26 ખેલાડીઓની પસંદગી કરાઇ ]]></title><link>https://sandesh.com/sports/news/india-football-team-announced-26-players-selected</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india-football-team-announced-26-players-selected</guid><pubDate>Tue, 01 Sep 2026 09:31:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય ફૂટબોલ ટીમ માટે આગામી આંતરરાષ્ટ્રીય વિન્ડો ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાની છે. મુખ્ય કોચ ખાલિદ જમીલે 26 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. ભારતીય ટીમ આગામી દિવસોમાં પનામા, બ્રાઝિલ અને ઉરુગ્વે જેવી મજબૂત ટીમો સામે 3 આંતરરાષ્ટ્રીય મૈત્રી મેચ રમશે. ખાસ કરીને બ્રાઝિલ અને ઉરુગ્વે સામેની મેચ ભારતીય ખેલાડીઓ માટે પોતાની ક્ષમતા સાબિત કરવાની મોટી તક બની રહેશે.</p><h5 style="text-align: justify; "><b>ભારતીય ટીમ અભિયાનની શરૂઆત 26 સપ્ટેમ્બરે કરશે</b></h5><p style="text-align: justify; ">ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 26 સપ્ટેમ્બરે કરશે. બેંગલુરુના શ્રી કાંતિરવા સ્ટેડિયમમાં ભારતનો મુકાબલો પનામા સામે થશે. ત્યારબાદ ભારતીય ટીમ કોલકાતા જશે, જ્યાં 3 ઓક્ટોબરે 5 વખતની વિશ્વ ચેમ્પિયન બ્રાઝિલ અને 6 ઓક્ટોબરે 2 વખતની વિશ્વ ચેમ્પિયન ઉરુગ્વે સામે મેદાનમાં ઉતરશે.આ ત્રણેય ટીમો આ વર્ષે યોજાયેલા FIFA વિશ્વ કપમાં ભાગ લઈ ચૂકી છે. આવી સ્થિતિમાં ભારતીય ખેલાડીઓ માટે વિશ્વસ્તરીય ટીમો સામે રમવાનો અનુભવ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. મુખ્ય કોચ ખાલિદ જમીલ પણ આ મેચો દ્વારા ટીમની તાકાત અને નબળાઈઓ સમજવાનો પ્રયાસ કરશે.</p><h5 style="text-align: justify; "><b>14 સપ્ટેમ્બરથી રાષ્ટ્રીય શિબિર</b></h5><p style="text-align: justify; ">ભારતીય રાષ્ટ્રીય ટીમની શિબિર 14 સપ્ટેમ્બરથી બેંગલુરુમાં શરૂ થશે. પનામા સામેની મેચ બાદ ભારતીય ટીમ 28 સપ્ટેમ્બરે કોલકાતા માટે રવાના થશે. ત્યારબાદ માત્ર થોડા દિવસના અંતરે ભારત બ્રાઝિલ અને ઉરુગ્વે જેવી મજબૂત ટીમો સામે મેચ રમશે.આ ત્રણેય મુકાબલા ભારતીય ટીમ માટે એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે આગામી સમયમાં ટીમને અનેક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ નિભાવવાની છે. ખાસ કરીને બ્રાઝિલ અને ઉરુગ્વે સામે રમવાથી ભારતીય ખેલાડીઓને મોટા મંચ પર પોતાની રમતનું મૂલ્યાંકન કરવાની તક મળશે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/IndianFootball/status/2094461120929034687?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; "><br></p><h5 style="text-align: justify; "><b>ભારતની 26 સભ્યોની ટીમ</b></h5><p style="text-align: justify; ">ગોલકીપર:એલ્બિનો ગોમ્સ, ગુરપ્રીત સિંહ સંધુ, પ્રભસુખન સિંહ ગિલ અને સોમ કુમાર.</p><p style="text-align: justify; ">ડિફેન્ડર:અભિષેક સિંહ ટેકચામ, આકાશ મિશ્રા, અનવર અલી, બિજોય વર્ગીઝ, હમિંગથનમાવિયા રાલ્ટે, જય ગુપ્તા, પ્રમવીર અને રિકી મીતેઈ હાઓબામ.</p><p style="text-align: justify; ">મિડફિલ્ડર:અનિરુદ્ધ થાપા, આશિક કુરુનિયન, ફારુખ ચૌધરી, લાલેંગમાવિયા રાલ્ટે, મેકાર્ટન નિક્સન, મોહમ્મદ સનાન, રિકી શાબોંગ અને સહલ અબ્દુલ સમદ.</p><p style="text-align: justify; ">ફોરવર્ડ:એડમન્ડ લાલરિન્દિકા, ઇરફાન યાડવાડ, મનવીર સિંહ, રહીમ અલી, રેયાન વિલિયમ્સ અને વિક્રમ પ્રતાપ સિંહ.</p><h5 style="text-align: justify; "><b>ભારતનો સંપૂર્ણ કાર્યક્રમ</b></h5><p style="text-align: justify; ">26 સપ્ટેમ્બર:ભારત વિરુદ્ધ પનામા — શ્રી કાંતિરવા સ્ટેડિયમ,બેંગલુરુ</p><p style="text-align: justify; ">3 ઓક્ટોબર:ભારત વિરુદ્ધ બ્રાઝિલ — વિવેકાનંદ યુવા ભારતી ક્રીડાંગણ, કોલકાતા</p><p style="text-align: justify; ">6 ઓક્ટોબર:ભારત વિરુદ્ધ ઉરુગ્વે — વિવેકાનંદ યુવા ભારતી ક્રીડાંગણ, કોલકાતા</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/cricket/news/australia-a-squad-announced-for-the-india-a-series-two-players-of-indian-origin-included-in-the" target="_blank">Australia-A squad : ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયા A ટીમ જાહેર,ભારતીય મૂળના 2 ખેલાડીઓને મળ્યું સ્થાન</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/SPbBPwGbv7y83nxfQ8iZc8DhAECHb1obcZUy0Nan.webp'/></item></channel></rss>