<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Bihar : સહરસામાં ફૂડ પોઈઝનિંગની આશંકા, પૂજાનો પ્રસાદ ખાધા બાદ 100થી વધુ લોકો બીમાર ]]></title><link>https://sandesh.com/india/news/bihar-saharsa-food-poisoning-100-people-ill-puja-prasad</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/bihar-saharsa-food-poisoning-100-people-ill-puja-prasad</guid><pubDate>Sat, 08 Aug 2026 21:43:01 +05:30</pubDate><description><![CDATA[<p>બિહારના સહરસા જિલ્લામાં ફૂડ પોઈઝનિંગની આશંકા વચ્ચે 100થી વધુ લોકો બીમાર પડતા હડકંપ મચી ગયો છે. સિમરી બખ્તિયારપુરના સરડીહા ગામના મધ્ય ટોલામાં સત્યનારાયણ પૂજાનું પ્રસાદ ખાધા બાદ અનેક લોકોની તબિયત બગડી હોવાનું સામે આવ્યું છે. બીમાર લોકોમાં મહિલાઓ, પુરુષો અને બાળકોનો સમાવેશ થાય છે.</p><h2><b>લોકોને ધીમે-ધીમે તબિયત સંબંધિત સમસ્યાઓ શરૂ થઈ</b></h2><p>મળતી માહિતી મુજબ ગુરુવારે સાંજે ગામમાં સત્યનારાયણ ભગવાનની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજા પૂર્ણ થયા બાદ મોટી સંખ્યામાં ગ્રામજનોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, બીજા દિવસથી કેટલાક લોકોને ધીમે-ધીમે તબિયત સંબંધિત સમસ્યાઓ શરૂ થઈ હતી. ત્યારબાદ અનેક ઘરોમાં લોકોને ઉલટી અને ઝાડાની ફરિયાદ થવા લાગી. એકસાથે મોટી સંખ્યામાં લોકો બીમાર પડતાં ગામમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. કેટલાક દર્દીઓની સ્થિતિ વધુ ખરાબ થતાં સ્થાનિક લોકોએ આરોગ્ય વિભાગને જાણ કરી હતી.</p><h3><b>ઘરે-ઘરે પહોંચી મેડિકલ ટીમ</b></h3><p>મામલાની જાણ થતાં સિમરી બખ્તિયારપુર અનુમંડલ હોસ્પિટલની મેડિકલ ટીમને સરડીહા ગામ મોકલવામાં આવી હતી. આરોગ્ય કર્મચારીઓ ગામમાં ઘરે-ઘરે જઈને દર્દીઓની તપાસ અને સારવાર કરી રહ્યા છે. જે લોકોની તબિયત વધુ ખરાબ છે, તેમની સ્થિતિ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. કેટલાક ગ્રામજનો સારવાર માટે ગામની બહારની હોસ્પિટલમાં પણ ગયા હોવાનું જાણવા મળ્યું છે.</p><h4><b>બીમારીનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે</b></h4><p>હાલમાં મોટાભાગના અસરગ્રસ્તોમાં ઉલટી અને ઝાડાના લક્ષણો જોવા મળી રહ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે પ્રસાદ ગ્રહણ કર્યા બાદ જ લોકોની તબિયત બગડવાની શરૂઆત થઈ હતી. જોકે, બીમારીનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. આ ઘટનામાં કોઈ એક વયજૂથના લોકો નહીં, પરંતુ બાળકો સહિત વિવિધ ઉંમરના લોકો અસરગ્રસ્ત થયા છે. મોટી સંખ્યામાં લોકો બીમાર પડતાં આરોગ્ય વિભાગની ટીમ સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહી છે અને બીમારીના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/mohan-bhagwat-india-pakistan-relations-permanent-hostility-dialogue" target="_blank">આ પણ વાંચો : RSS પ્રમુખ મોહન ભાગવતનું ભારત-પાકિસ્તાન સંબંધો પર મોટું નિવેદન, કહ્યું- કાયમી દુશ્મની....</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/1KBQJMFfU20YlcyjfLlJ9gVDC5Ru5gADZgAEtPcM.webp'/></item><item><title><![CDATA[Indiaની જૂની પરંપરા આગળ વધી, UN જિનેવામાં પહોંચ્યા 5 મોર, 3 મહિના બાદ પરિસરમાં મુક્તપણે ફરશે ]]></title><link>https://sandesh.com/india/news/world/india-gifts-5-peacocks-un-geneva-old-tradition</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/world/india-gifts-5-peacocks-un-geneva-old-tradition</guid><pubDate>Sat, 08 Aug 2026 21:36:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતે સ્વિટ્ઝર્લેન્ડના જિનેવામાં આવેલા સંયુક્ત રાષ્ટ્રના પરિસર 'પેલેસ ઓફ નેશન્સ'ને 5 મોર ભેટમાં આપ્યા છે. ભારતના રાષ્ટ્રીય પક્ષી મોરને UN જિનેવામાં પહોંચાડવામાં આવતા ભારત અને સંયુક્ત રાષ્ટ્ર વચ્ચેના લાંબા સમયથી ચાલતા સંબંધોમાં વધુ એક નવો અધ્યાય જોડાયો છે. ભારતના UN મિશને આ ભેટને બંને વચ્ચેની ભાગીદારીનું વધુ એક પાસું ગણાવ્યું છે.</p><h2 style="text-align: justify;"><b>UN જિનેવા દ્વારા પણ ભારતની આ ભેટનું સ્વાગત</b></h2><p style="text-align: justify;">આ પાંચ મોરમાં ચાર લીલા મોર અને એક દુર્લભ સફેદ નર મોર છે. UN જિનેવા દ્વારા પણ ભારતની આ ભેટનું સ્વાગત કરવામાં આવ્યું છે. આ મોરોને પરિસરમાં મોરની સંખ્યા વધારવાના હેતુથી લાવવામાં આવ્યા છે. અગાઉ અહીં મોરની સંખ્યા ઘટીને માત્ર એક પક્ષી સુધી પહોંચી ગઈ હતી.&nbsp;</p><p style="text-align: justify;">હાલમાં પાંચેય મોરને એરિયાના પાર્કમાં બનાવવામાં આવેલા વિશાળ અસ્થાયી પક્ષીઘરમાં રાખવામાં આવ્યા છે. અહીં તેઓ નવા વાતાવરણથી પરિચિત થશે. આશરે ત્રણ મહિના બાદ તેમને સંયુક્ત રાષ્ટ્રના પરિસરમાં મુક્તપણે ફરવાની મંજૂરી આપવામાં આવશે.</p><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/IndiaUNGeneva/status/2085703895838285857"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3 style="text-align: justify;"><b>વિશેષ એમ્બ્યુલન્સ દ્વારા મોરને જિનેવા પહોંચાડ્યા&nbsp;</b></h3><p style="text-align: justify;">આ 5 મોરને જિનેવા સુધી સુરક્ષિત રીતે પહોંચાડવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમને વિશેષ એમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યા હતા, જેમાં પક્ષીઓની જરૂરિયાત મુજબની તબીબી સુવિધાઓ પણ ઉપલબ્ધ હતી. નિષ્ણાતોના મતે UN પરિસરમાં જૂના વૃક્ષો, છાયાવાળી જગ્યાઓ, ફૂલો અને વિશાળ ઘાસના મેદાનો હોવાથી મોર માટે અનુકૂળ વાતાવરણ છે.</p><h4 style="text-align: justify;"><b>નામકરણ સ્પર્ધા યોજવાની પણ તૈયારી</b></h4><p style="text-align: justify;">પરંતુ શરૂઆતમાં સ્થાનિક શિયાળથી મોરની સુરક્ષા મોટો પડકાર રહેશે. ખાસ કરીને યુવાન મોર ઓછી ઊંચાઈની ડાળીઓ પર સૂતા હોવાથી તેમની સુરક્ષા પર નજર રાખવામાં આવશે. ભારત અને UN વચ્ચે મોર ભેટ આપવાની પરંપરા નવી નથી.&nbsp;</p><p style="text-align: justify;">1981માં તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ જિનેવાને મોરની એક જોડી મોકલી હતી. હવે પાંચ નવા મોર સાથે આ પરંપરા ફરી આગળ વધી છે. ખાસ વાત એ છે કે પાંચેય મોર યુવાન છે. ટૂંક સમયમાં UN જિનેવા દ્વારા લોકો માટે નામકરણ સ્પર્ધા યોજવાની પણ તૈયારી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/mohan-bhagwat-india-pakistan-relations-permanent-hostility-dialogue" target="_blank">RSS પ્રમુખ મોહન ભાગવતનું ભારત-પાકિસ્તાન સંબંધો પર મોટું નિવેદન, કહ્યું- કાયમી દુશ્મની....</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/S41EbZQASwUFLdgxv8EQWYb00ukVuLIL8XcC4gdX.webp'/></item><item><title><![CDATA[Dahod News : બંબેલા સરકારી શાળાના મધ્યાહન ભોજનમાં જીવાત નીકળતા હોબાળો,વિદ્યાર્થીઓનો જમવાનો કર્યો બહિષ્કાર ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dahod/dahod-news-uproar-over-insects-in-bambala-government-schools-midday-meal-students-boycott-meals</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dahod/dahod-news-uproar-over-insects-in-bambala-government-schools-midday-meal-students-boycott-meals</guid><pubDate>Sat, 08 Aug 2026 21:18:33 +05:30</pubDate><description><![CDATA[<p>દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલી બંબેલા ગામની સરકારી માધ્યમિક શાળામાં મધ્યાહન ભોજનને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. શાળામાં પીરસવામાં આવેલા ભોજનમાં જીવાતો હોવાનો વિદ્યાર્થીઓએ ગંભીર આક્ષેપ કર્યો હતો. આ ઘટનાને પગલે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ ભોજન લેવાનો ઇનકાર કરી તેને શાળા પરિસરમાં ફેંકી દીધું હતું અને સમગ્ર મામલે પોતાના વાલીઓને જાણ કરી હતી.</p><h4><b>ઘટનાની જાણ થતાં વાલીઓ અને પંચાયત પ્રમુખ શાળાએ દોડી આવ્યા</b></h4><p>વિદ્યાર્થીઓ દ્વારા જાણ કરાતાં જ મોટી સંખ્યામાં વાલીઓ શાળા ખાતે દોડી આવ્યા હતા. બનાવની ગંભીરતાને ધ્યાને લઈને ઝાલોદ તાલુકા પંચાયત પ્રમુખ સુરેશભાઈ કટારા પણ તાત્કાલિક શાળાએ પહોંચ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સીધો સંવાદ સાધીને પરિસ્થિતિની માહિતી મેળવી હતી. પંચાયત પ્રમુખે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે માસુમ બાળકોના આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં અને આ મામલે કડક સૂચનાઓ આપવામાં આવશે.</p><h5><b>વાલીઓની નિષ્પક્ષ તપાસની માંગ કરી</b></h5><p>બીજી તરફ, શાળાના આસિસ્ટન્ટ શિક્ષક કમલાબેન માલીવાડે ભોજનમાં જીવાતો હોવાના આક્ષેપોને સદંતર નકારી કાઢ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે જે ભોજન વિદ્યાર્થીઓને પીરસવામાં આવ્યું હતું, તે જ ભોજન શિક્ષકો દ્વારા પણ ગ્રહણ કરવામાં આવ્યું છે. જોકે, બનાવને પગલે વાલીઓએ આ સમગ્ર મામલે તટસ્થ અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. હવે ઉચ્ચ કક્ષાની તપાસ બાદ જ સત્ય હકીકત બહાર આવશે.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/amreli-news-body-of-a-young-man-found-in-khodiyar-dam-in-dhari-police-launch-investigation" target="_blank">Amreli News: ધારીના ખોડિયાર ડેમમાંથી મળી યુવકનો મૃતદેહ, પોલીસે વધુ તપાસ હાથ ધરી</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/8BOZ3lIMMgrF0RhsPqYQAeChotM8FQt81TQDAa6l.webp'/></item><item><title><![CDATA[Amreli News: ધારીના ખોડિયાર ડેમમાંથી મળી યુવકનો મૃતદેહ, પોલીસે વધુ તપાસ હાથ ધરી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/amreli-news-body-of-a-young-man-found-in-khodiyar-dam-in-dhari-police-launch-investigation</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/amreli-news-body-of-a-young-man-found-in-khodiyar-dam-in-dhari-police-launch-investigation</guid><pubDate>Sat, 08 Aug 2026 20:42:11 +05:30</pubDate><description><![CDATA[<p>અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલ પ્રસિદ્ધ ખોડિયાર ડેમમાંથી આજે એક યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ભારે ચકચાર મચી જવા પામી છે. ડેમના પાણીમાં મૃતદેહ તરતો હોવાની જાણ થતાં જ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને આ અંગે તુરંત જ પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી.</p><h4><b>મૃતક યુવકની ઓળખ છતડીયા ગામના મહેશ બોડિલા તરીકે થઈ</b></h4><p>ઘટનાની જાણ થતાં જ ધારી પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે સ્થાનિકોની મદદથી મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. પ્રાથમિક તપાસ અને શનાખત દરમિયાન મૃતક યુવકની ઓળખ ધારી તાલુકાના જ છતડીયા ગામના રહેવાસી મહેશ બોડિલા તરીકે થઈ છે. યુવકનો મૃતદેહ મળી આવવાના સમાચારથી તેમના પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.</p><h5><b>પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી</b></h5><p>પોલીસે ઘટનાસ્થળે જરૂરી કાગળિયા અને પંચનામું કરીને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે ધારીની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે. આ ઘટના અકસ્માતે ડૂબી જવાથી બની છે, આત્મહત્યા છે કે પછી અન્ય કોઈ કારણ સરજાયું છે, તે દિશામાં ધારી પોલીસે ગુનો નોંધીને ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.</p><h5><b>અકસ્માત, આપઘાત કે હત્યા? પોલીસે તપાસ શરૂ કરી</b></h5><p>આ યુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે, તેણે આપઘાત કર્યો છે કે પછી અન્ય કોઈ શંકાસ્પદ કારણ છે, તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે. ઘટનાને પગલે વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/jafrabad-lion-attack-victim-family-gets-10-lakh-compensation" target="_blank">Amreli News: જાફરાબાદમાં સિંહના હુમલામાં જીવ ગુમાવનારના પરિવારને 10 લાખની સહાય</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/gMBeFsadt90wN7RKi87rTZFHn9pSBNaC6zgb6jPU.webp'/></item><item><title><![CDATA[Ahmedabadમાં 11 ઓગસ્ટે યોજાશે ભવ્ય તિરંગા યાત્રા, અમદાવાદ પોલીસનું ટ્રાફિક અંગે જાહેરનામું ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/grand-tiranga-yatra-to-be-held-in-ahmedabad-on-august-11-ahmedabad-police-issues-traffic-notification</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/grand-tiranga-yatra-to-be-held-in-ahmedabad-on-august-11-ahmedabad-police-issues-traffic-notification</guid><pubDate>Sat, 08 Aug 2026 20:31:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં આવનારી 11 ઓગસ્ટના રોજ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તિરંગા યાત્રા રાયપુર દરવાજાથી શરૂ થઈને સરસપુર સુધીના નિર્ધારિત રૂટ પર નીકળશે. યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં નાગરિકો અને વિવિધ સંગઠનો જોડાવાના હોવાથી કાયદો-વ્યવસ્થા અને વાહનવ્યવહારની સુચારૂ વ્યવસ્થા જાળવી રાખવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>રાયપુરથી સારંગપુર વચ્ચે વાહનવ્યવહાર પર પ્રતિબંધ</b></h2><p style="text-align: justify; ">જાહેરનામામાં જણાવ્યા અનુસાર, યાત્રાના સમયે રાયપુર દરવાજાથી લઈને સારંગપુર વચ્ચેનો મુખ્ય રોડ તમામ પ્રકારના સામાન્ય વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. આ રૂટ પરથી પસાર થતા વાહનચાલકોને કોઈ મુશ્કેલી ન પડે અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાય નહીં તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા</b></h2><p style="text-align: justify; ">તિરંગા યાત્રા દરમિયાન રાયપુર-સારંગપુર રૂટ બંધ રહેવાનો હોવાથી વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સુચના આપવામાં આવી છે. ટ્રાફિક પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ જાહેરનામામાં દર્શાવેલા ડાયવર્ઝન રૂટનો ઉપયોગ કરે જેથી કરીને સમયનો બગાડ ન થાય. આ વિસ્તારમાંથી પસાર થતાં પહેલાં ટ્રાફિક પોલીસ દ્વારા સૂચવવામાં આવેલા અન્ય માર્ગો પરથી મુસાફરી કરવા અનુરોધ કરાયો છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/surat/surat-news-liquor-party-caught-at-farmhouse-in-kamrej-lcb-raids-applepool-villa" target="_blank">Surat News : કામરેજમાં ફાર્મહાઉસ પર દારૂની મહેફિલ ઝડપાઈ, એપલપુલ વિલા પર LCBનો દરોડો</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/LFXixW2FeBozllAPpim4GezSJltJeX7IuvYf4fyd.webp'/></item><item><title><![CDATA[Lionel Messiના પિતાનું 68 વર્ષની વયે થયું અવસાન, લાંબા સમયથી હતા બીમાર ]]></title><link>https://sandesh.com/sports/news/lionel-messi-father-jorge-messi-passes-away</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/lionel-messi-father-jorge-messi-passes-away</guid><pubDate>Sat, 08 Aug 2026 19:54:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફૂટબોલની દુનિયાના મહાન ખેલાડીઓમાંના એક લિયોનેલ મેસ્સી એક મોટી દુર્ઘટનાનો સામનો કરી રહ્યા છે, તેના પિતા જોર્જ મેસ્સીનું 68 વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન થયું છે. જોર્જ મેસ્સી લાંબા સમયથી બીમાર હતા, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.&nbsp;</p><p style="text-align: justify; ">ફિફા વર્લ્ડકપ દરમિયાન મેસ્સી પણ તેના પિતાના સ્વાસ્થ્ય વિશે ખૂબ ચિંતિત જોવા મળ્યો હતો. તેના પિતા જોર્જ મેસ્સીને સફળ ફૂટબોલ ખેલાડી બનાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, તેમને લાંબા સમય સુધી પુત્રના એજન્ટ તરીકે પણ કામ કર્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>પિતાના સંઘર્ષને કારણે મેસ્સી એક સફળ ફૂટબોલર બન્યો</b></h2><p style="text-align: justify; ">પિતાનું મૃત્યુ લિયોનેલ મેસ્સી માટે એક મોટા આઘાતથી ઓછું નથી, કારણ કે તેના પિતા જોર્જ મેસ્સીએ તેને એક મહાન ફૂટબોલર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. મેસ્સી બાળપણમાં ગ્રોથ હોર્મોનની ઉણપથી પીડાતા હતા, જેને સારવારની જરૂર હતી. તેના પિતા જોર્જે તેમના પુત્રને જરૂરી સારવાર મળે તે સુનિશ્ચિત કરવા માટે કોઈ કસર છોડી ન હતી. બાળપણમાં મેસ્સી ન્યુવેલની ઓલ્ડ બોયઝ યુવા ટીમ માટે રમ્યો હતો.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/YKoluwaseun9/status/2086053507904196798"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p style="text-align: justify; ">ફિફા વર્લ્ડકપ 2026 દરમિયાન લિયોનેલ મેસ્સીએ ઉલ્લેખ કર્યો હતો કે તેનો પરિવાર મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, પરંતુ તેને તેમના પિતાની સ્થિતિ વિશે કોઈ ચોક્કસ વિગતો આપી ન હતી. આ પછી તેના પરિવાર દ્વારા જાહેર કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે જોર્જ મેસ્સી હાલમાં સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે અને ડોકટરોની દેખરેખ હેઠળ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>અલ્જીરિયા સામેની વર્લ્ડ કપ મેચ દરમિયાન મેસ્સી ભાવુક થયો હતો</b></h3><p style="text-align: justify; ">ફિફા વર્લ્ડકપ 2026માં લિયોનેલ મેસ્સીની કેપ્ટનશીપ હેઠળ આર્જેન્ટિનાની ટીમ ફાઈનલમાં પહોંચવામાં સફળ રહી, પરંતુ ટાઈટલ મેચમાં સ્પેન સામે 1-0થી હારી ગઈ. વર્લ્ડકપમાં અલ્જીરિયા સામે ગ્રુપ સ્ટેજ મેચમાં ગોલ કર્યા પછી લિયોનેલ મેસ્સી ખૂબ જ ભાવુક થઈ ગયો.</p><p style="text-align: justify; ">મેચ પછી રડવાનું કારણ પૂછવામાં આવતા મેસ્સીએ જવાબ આપ્યો કે મારા રડવાનો ફૂટબોલ સાથે કોઈ સંબંધ નથી, છેલ્લા કેટલાક દિવસો મારા માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. તમને જણાવી દઈએ કે ફિફા વર્લ્ડકપ 2026માં સૌથી વધુ ગોલ કરવાના મામલે તે બીજા સ્થાને હતો, જેમાં તે ફક્ત કાયલિયન એમબાપ્પેથી પાછળ હતો.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/7UsaohX88EglI5pYE3eXIJZMEmPzazR62F3vdzz4.webp'/></item><item><title><![CDATA[Suratના ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર કાર અને રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત, રિક્ષાચાલક ગંભીર રીતે ઘાયલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/an-accident-occurred-between-a-car-and-a-rickshaw-on-chandrashekhar-azad-bridge-in-surat-the-rickshaw-driver-was-seriously-injured</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/an-accident-occurred-between-a-car-and-a-rickshaw-on-chandrashekhar-azad-bridge-in-surat-the-rickshaw-driver-was-seriously-injured</guid><pubDate>Sat, 08 Aug 2026 19:52:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરમાં ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર આજે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.પુરપાટ ઝડપે આવી રહેલી કાર અને રિક્ષા વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.આ અકસ્માતમાં રિક્ષાચાલકને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.સદનસીબે આ ગંભીર ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી.</p><h5 style="text-align: justify; "><b>બ્રિજ પર ગંભીર ટક્કર અને કારની એરબેગ્સ ખુલી ગઈ</b></h5><p style="text-align: justify; ">અકસ્માતની વિગત મુજબ, ચંદ્રશેખર આઝાદ બ્રિજ પરથી પસાર થઈ રહેલી રિક્ષા અને કાર વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે કારની એરબેગ્સ પણ ખુલી ગઈ હતી. આ ભયાનક ધડાકા સાથે થયેલા અકસ્માતને પગલે રિક્ષાનો આગળનો ભાગ સાવ ચકનાચૂર થઈ ગયો હતો. ઘટના બનતા જ આસપાસથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત રિક્ષાચાલકને ત્વરિત બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.</p><h5 style="text-align: justify; "><b>બ્રિજ પર કલાકો સુધી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા</b></h5><p style="text-align: justify; ">અકસ્માતની આ ઘટનાને પગલે ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. બ્રિજ પર વાહનવ્યવહાર પૂર્વવત કરાવવા માટે સ્થાનિક લોકો અને પોલીસે ભારે જહમત ઉઠાવવી પડી હતી. આ ઘટનામાં રિક્ષાને મોટું નુકસાન થયું હોવા છતાં મોટી જાનહાનિ ટળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.</p><h6 style="text-align: justify; "><b>ઓવરસ્પીડિંગ અને બ્રિજ પર સલામતી સામે સવાલો</b></h6><p style="text-align: justify; ">સુરતના બ્રિજો પર અવારનવાર સર્જાતા અકસ્માતોને પગલે સ્થાનિક નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રહેણાંક અને સિટી વિસ્તારોને જોડતા આવા મુખ્ય બ્રિજ પર બેફામ વાહન ચલાવતા ચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માગણી ઉઠી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે સ્થળ પર પહોંચીને ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને અકસ્માત અંગે કાનૂની તપાસ હાથ ધરી છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-news-the-state-is-in-a-state-of-turmoil-over-the-issue-of-analogue-paneer-cheese-and-butter-fdcas-investigation-continues-for-the-third-day" target="_blank">Ahmedabad News : રાજ્યમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર મુદ્દે તવાઈ, ત્રીજા દિવસે પણ FDCAની સતત તપાસ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/e5JiENX8UpmmmrBboQhsXkePRC8Mr1VocnfmIZiU.webp'/></item><item><title><![CDATA[Rajkot News: જેતપુરમાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની ભારે જેહમત બાદ આગ પર કાબૂ મેળવાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-news-massive-fire-breaks-out-in-plastic-factory-in-jetpur-fire-brought-under-control-after-heavy-efforts-of-fire-brigade</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-news-massive-fire-breaks-out-in-plastic-factory-in-jetpur-fire-brought-under-control-after-heavy-efforts-of-fire-brigade</guid><pubDate>Sat, 08 Aug 2026 19:36:46 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ જિલ્લાના જેતપુર સ્થિત ધારેશ્વર વિસ્તાર સામે આવેલી 'વિકાસ પેક નામની પ્લાસ્ટિકની ફેક્ટરીમાં અચાનક ભયાનક આગ ભુકી ઊઠી હતી.ફેક્ટરીમાં પ્લાસ્ટિકનો જથ્થો હોવાથી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું,જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.</p><h4><b>ફાયર વિભાગની કામગીરી સામે ઉઠયા સવાલ</b></h4><p>આગની ઘટના અંગે નગરપાલિકાના ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હોવા છતાં ફાયર ફાઇટર અડધો કલાક મોડું પહોંચ્યું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો.એટલું જ નહીં,ઘટનાસ્થળે પહોંચેલા પ્રથમ ફાયર ફાઇટરમાં પ્રેશર જ ન આવતા સ્થાનિકો અને કારખાનેદારોમાં ભારે નારાજગી વ્યાપી હતી. બાદમાં બીજું વાહન બોલાવવાની ફરજ પડી હતી.નગરપાલિકાના ફાયર વિભાગ પાસે માત્ર ત્રણ જ કર્મચારીઓનો સ્ટાફ હોવાથી ફાયર બ્રિગેડની કામગીરી અને સરકારી સજ્જતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.</p><h4><b>કારીગરોના સહયોગથી આખરે આગ કાબૂમાં લેવાઈ</b></h4><p>આગને વધુ ફેલાતી અટકાવવા માટે ફેક્ટરીના આશરે 50 જેટલા કારીગરો પોતે આગ બુઝાવવાની કામગીરીમાં જોડાયા હતા. આખરે 3 ફાયર ફાઇટર અને 15 જેટલા ફાયર એક્સટિંગ્યુશરના ઉપયોગ બાદ કલાકોની કડાકૂટ પછી આગ પર કાબૂ મેળવી શકાયો હતો. જોકે, ફાયર વિભાગની બેદરકારી અને મોડી કામગીરીને કારણે આગ વધુ પ પ્રસરી હોવાના આક્ષેપ સાથે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/surat/surat-news-high-court-accepts-lawyers-demands-happy-end-to-two-day-strike" target="_blank">Surat News : હાઇકોર્ટે વકીલોની માંગણીઓ સ્વીકારી, બે દિવસથી ચાલી રહેલી હડતાલનો સુખદ અંત</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/br1dpGiU8XEgHaL0KypNixss8eoVShwxOQAnbGwQ.webp'/></item><item><title><![CDATA[UPI પેમેન્ટ કરવા પર યુઝર્સે ચુકવવો પડશે કોઈ ચાર્જ? ફોન પેના CEOએ કરી આ સ્પષ્ટતા ]]></title><link>https://sandesh.com/india/news/business/upi-payment-charges-phonepe-ceo-sameer-nigam-clarification</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/upi-payment-charges-phonepe-ceo-sameer-nigam-clarification</guid><pubDate>Sat, 08 Aug 2026 19:16:18 +05:30</pubDate><description><![CDATA[<p>UPI પેમેન્ટને લઈને ગ્રાહકોમાં ચાર્જ લાગવાની ચર્ચા વચ્ચે PhonePeના CEO સમીર નિગમે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ભારતીય ગ્રાહકો પાસેથી UPI દ્વારા પેમેન્ટ કરવા માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ પણ જણાવ્યું છે કે ગ્રાહકો અને નાના વેપારીઓ માટે UPIનો ઉપયોગ હાલની જેમ મફત રહેશે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/_sameernigam/status/2085983802778583313"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>CEO સમીર નિગમે કહ્યું UPI ભારતીય ગ્રાહકો માટે....</b></h2><p>PhonePeના સ્થાપક અને CEO સમીર નિગમે UPI ચાર્જ અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે UPI ભારતીય ગ્રાહકો માટે મફત છે અને આગળ પણ મફત રહેશે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે UPI સહિતના ડિજિટલ પેમેન્ટ માધ્યમો પર ભવિષ્યમાં ચાર્જ લગાવવાની શક્યતા અંગે ચર્ચા ચાલી રહી છે.</p><h3><b>નવા કાયદા બાદ કેમ થઈ ચર્ચા?</b></h3><p>લોકસભાએ Payment and Settlement Systems Act, 2007માં સુધારા સાથે જોડાયેલું બિલ પસાર કર્યું છે. આ સુધારા હેઠળ સરકારને બેન્કો અને અન્ય પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સને UPI તથા સૂચિત ઇલેક્ટ્રોનિક પેમેન્ટ માધ્યમો પર ચાર્જ લગાવવાની મંજૂરી આપવાની સત્તા મળી શકે છે. આ જ કારણોસર UPI પર ચાર્જ લાગવાની ચર્ચા તેજ બની હતી. જોકે, પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ સ્પષ્ટ કર્યું છે કે હાલ ગ્રાહકો અને નાના વેપારીઓ માટે UPI સેવાઓ મફત રહેશે.</p><h4><b>નાના વેપારીઓને પણ રાહત</b></h4><p>પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના જણાવ્યા મુજબ, કરિયાણાની દુકાનો સહિતના નાના વેપારીઓને પણ UPI પેમેન્ટ સ્વીકારવા માટે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ચૂકવવો નહીં પડે. સંસ્થાએ કહ્યું કે હાલની ચર્ચા UPIના માળખાને લાંબા ગાળે આર્થિક રીતે ટકાઉ બનાવવાના મોડલ પર કેન્દ્રિત છે. આથી હાલમાં UPI વપરાશકર્તાઓને પેમેન્ટ પર સીધો ચાર્જ ચૂકવવાનો નથી. સરકાર અને સંબંધિત સંસ્થાઓનું ધ્યાન ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને સુરક્ષિત અને ટકાઉ બનાવવાની દિશામાં છે.</p><p><a href="https://sandesh.com/business/news/big-change-in-epfo-new-rules-of-epf-eps-and-edli-implemented-know-8-major-changes" target="_blank"><b>આ પણ વાંચો : EPFO માં મોટો બદલાવ: EPF, EPS અને EDLI ના નવા નિયમો લાગુ, જાણો 8 મુખ્ય ફેરફારો</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/8W3L0Zar3vnDI9AsGCljcemsoGSdV9U8npTGLLzS.webp'/></item><item><title><![CDATA[Bollywood : એક ડાયરેક્ટરે બનાવ્યો ઇમરાન હાશ્મીને સ્ટાર, બોક્સ ઓફિસ પર મચાવી દીધી હતી ધૂમ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/emraan-hashmi-lucky-director-5-films</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/emraan-hashmi-lucky-director-5-films</guid><pubDate>Sat, 08 Aug 2026 17:32:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડ એક્ટર ઈમરાન હાશ્મીએ છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાની કરિયરમાં મોટા બદલાવ કર્યા છે. આ દરમિયાન એક્ટરે વધુ કન્ટેન્ટ ઓરિએન્ટેડ ફિલ્મોમાં કામ કર્યું છે. જ્યારે કેટલીક ફિલ્મોમાં તેમણે પોતાના નેગેટિવ રોલથી લોકોને ચોંકાવ્યા પણ છે. હવે ઈમરાન હાશ્મીની આવારાપન 2 આવી રહી છે. આ ફિલ્મની ખાસ વાત એ છે કે તેમાં તેઓ ફરી એકવાર 2000ના દાયકાવાળા અંદાજમાં જોવા મળવાના છે. ફિલ્મનું ટ્રેલર જોયા બાદ લોકો પણ આવી જ વાતો કરતા જોવા મળી રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>મોહિત સૂરી અને ઈમરાન હાશ્મીએ સાથે કઈ ફિલ્મો કરી?</b></h2><p style="text-align: justify; ">મોહિત સૂરીએ 2000ના દાયકામાં ઈમરાન હાશ્મી સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ સફરની શરૂઆત વર્ષ 2005માં આવેલી ઝહેર ફિલ્મથી થઈ હતી. રિપોર્ટ્સ મુજબ આ ફિલ્મનું બજેટ 5 કરોડ રૂપિયા હતું અને ફિલ્મે 13 કરોડ રૂપિયાના કલેક્શન સાથે હિટનો દરજ્જો મેળવ્યો હતો. ત્યારબાદ આ જોડી કલયુગ ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મનું બજેટ 4 કરોડ રૂપિયા હતું અને તેની સરખામણીએ ફિલ્મે 10 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને હિટ રહી હતી.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dbr9TN0s561/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dbr9TN0s561/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dbr9TN0s561/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dbr9TN0s561/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><p style="text-align: justify; ">ત્યારબાદ આવારાપન ફિલ્મનો નંબર આવે છે. આ ફિલ્મ વર્ષ 2007માં આવી હતી. રિપોર્ટ્સ મુજબ 18 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મ માત્ર 12 કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકી હતી. ફિલ્મ ફ્લોપ રહી હતી, પરંતુ બાદમાં તેને કલ્ટ ક્લાસિકનો દરજ્જો મળ્યો હતો. ત્યારબાદ રાજ ફિલ્મ આવી હતી. તેનું બજેટ 18 કરોડ રૂપિયા હતું અને રિપોર્ટ્સ મુજબ ફિલ્મે 38 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મ સુપરહિટ રહી હતી.</p><h3 style="text-align: justify; "><b>છેલ્લી ફિલ્મ બની બ્લોકબસ્ટર</b></h3><p style="text-align: justify; ">ત્યારબાદ બંનેએ સાથે મળીને ક્રૂક ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ રહી હતી. જ્યારે મર્ડર 2ની વાત કરીએ તો આ બંનેની સાથે આવેલી છેલ્લી ફિલ્મ હતી. રિપોર્ટ્સ મુજબ 13 કરોડ રૂપિયાના બજેટ સામે આ ફિલ્મ 65 કરોડ રૂપિયાથી વધુ કમાવવામાં સફળ રહી હતી અને બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. ત્યારબાદ બંનેએ સાથે કોઈ ફિલ્મ બનાવી નથી. હવે ઈમરાન હાશ્મી આવારાપન 2 લઈને આવી રહ્યા છે. આ ફિલ્મ 14 ઓગસ્ટ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/pradeep-rawat-prayer-meet-son-vikram-emotional" target="_blank">આ પણ વાંચો-Pradeep Rawatની પ્રેયર મીટમાં પુત્ર વિક્રમ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો, પિતાને યાદ કરીને હાથ-પગ ધ્રૂજવા લાગ્યા</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/n41UCduQoBdRApGtRDgIGRg7WTzhUglPDZUtRfx4.webp'/></item></channel></rss>