<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Emami સાથે ટ્રેડ ડ્રેસ વિવાદ વચ્ચે ડાબરને રાહત, હાજર સ્ટોકને 30 સપ્ટેમ્બર સુધી વેચી શકશે ]]></title><link>https://sandesh.com/india/news/business/dabur-emami-trade-dress-dispute-stock-sale-september-30</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/dabur-emami-trade-dress-dispute-stock-sale-september-30</guid><pubDate>Thu, 13 Aug 2026 16:49:41 +05:30</pubDate><description><![CDATA[<p>દિલ્હી હાઈકોર્ટે ડાબર ઈન્ડિયાને 'કૂલ કિંગ ઠંડા તેલ'ના હાલના સ્ટોકનું વેચાણ 30 સપ્ટેમ્બર સુધી કરવાની મંજૂરી આપી છે. ડાબર અને ઈમામી લિમિટેડ વચ્ચે ચાલી રહેલા ટ્રેડ ડ્રેસ વિવાદમાં બંને પક્ષો વચ્ચે સહમતિ બન્યા બાદ કોર્ટે આ નિર્દેશ આપ્યો છે.</p><h2><b>હાલના સ્ટોકને 30 સપ્ટેમ્બર સુધી વેચી શકાશે</b></h2><p>કોર્ટના આદેશ અનુસાર, ડાબર પાસે રહેલા 9,020 કાર્ટનના હાલના સ્ટોકને 30 સપ્ટેમ્બર સુધી વેચી શકાશે. જોકે, આ માટે કેટલીક શરતો પણ નક્કી કરવામાં આવી છે. 30 સપ્ટેમ્બર બાદ બચેલો સ્ટોક પરત ખેંચવો પડશે. ઉપરાંત, ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર આ સ્ટોકનું વેચાણ બંધ કરવું પડશે અને ત્યારબાદ મંજૂર કરાયેલ સ્ટોક માત્ર ભૌતિક દુકાનો મારફતે જ વેચી શકાશે. જો 30 સપ્ટેમ્બર બાદ બચેલો સ્ટોક પરત ખેંચવામાં મુશ્કેલી પડે તો ડાબરને અલગ પેકેજિંગનો ઉપયોગ કરવો પડશે.</p><h2><b>ટ્રેડમાર્કનું ઉલ્લંઘન કરવાનો આરોપ</b></h2><p>આ સમગ્ર મામલો ડાબરના 'કૂલ કિંગ ઠંડા તેલ' અને ઈમામીના 'નવરત્ન આયુર્વેદિક ઓઈલ' વચ્ચેના પેકેજિંગ અને ટ્રેડ ડ્રેસને લઈને ચાલી રહેલા વિવાદ સાથે જોડાયેલો છે. ઈમામીએ ડાબર પર તેના પ્રોડક્ટની પેકેજિંગની નકલ કરવાનો, ટ્રેડમાર્કનું ઉલ્લંઘન કરવાનો અને અનફેર ટ્રેડ પ્રેક્ટિસ કરવાનો આરોપ લગાવ્યો હતો.</p><h4><b>આ શરતને આધીન મળી મંજૂરી</b></h4><p>આ વિવાદમાં જાન્યુઆરીમાં દિલ્હી હાઈકોર્ટે ડાબરને વિવાદિત પેકેજિંગ સાથે પ્રોડક્ટનું વેચાણ કરવા પર રોક લગાવી હતી. ત્યારબાદ બંને કંપનીઓ વચ્ચે ચર્ચા અને સહમતિ બાદ હાલના સ્ટોકના વેચાણ માટે કોર્ટ સમક્ષ મંજૂરી માગવામાં આવી હતી. જસ્ટિસ વી. કામેશ્વર રાવ અને જસ્ટિસ મનમીત પ્રીતમ સિંહ અરોરાની ખંડપીઠે 10 ઓગસ્ટે આ મામલે આદેશ આપ્યો હતો. ઈમામીની સંમતિને ધ્યાનમાં રાખીને ડાબરને મર્યાદિત સમય માટે હાલનો સ્ટોક વેચવાની મંજૂરી આપવામાં આવી છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/air-india-orders-mandatory-drug-test-for-all-pilots-after-ganja-kand-flight-ai2379" target="_blank">આ પણ વાંચો : Air Indiaના દરેક પાઇલટ્સનું થશે ડ્રગ ટેસ્ટિંગ... ગાંજા કાંડ બાદ લેવોયો મોટો નિર્ણય</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/Mkh4mF4SUTrEP6U6s5Cj2o40PCakoxDfRKPHqgr2.webp'/></item><item><title><![CDATA[Emami સાથે ટ્રેડ ડ્રેસ વિવાદ વચ્ચે ડાબરને રાહત, હાજર સ્ટોકને 30 સપ્ટેમ્બર સુધી વેચી શકશે ]]></title><link>https://sandesh.com/india/news/business/dabur-emami-trade-dress-dispute-stock-sale-september-30</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/dabur-emami-trade-dress-dispute-stock-sale-september-30</guid><pubDate>Thu, 13 Aug 2026 16:49:41 +05:30</pubDate><description><![CDATA[<p>દિલ્હી હાઈકોર્ટે ડાબર ઈન્ડિયાને 'કૂલ કિંગ ઠંડા તેલ'ના હાલના સ્ટોકનું વેચાણ 30 સપ્ટેમ્બર સુધી કરવાની મંજૂરી આપી છે. ડાબર અને ઈમામી લિમિટેડ વચ્ચે ચાલી રહેલા ટ્રેડ ડ્રેસ વિવાદમાં બંને પક્ષો વચ્ચે સહમતિ બન્યા બાદ કોર્ટે આ નિર્દેશ આપ્યો છે.</p><h2><b>હાલના સ્ટોકને 30 સપ્ટેમ્બર સુધી વેચી શકાશે</b></h2><p>કોર્ટના આદેશ અનુસાર, ડાબર પાસે રહેલા 9,020 કાર્ટનના હાલના સ્ટોકને 30 સપ્ટેમ્બર સુધી વેચી શકાશે. જોકે, આ માટે કેટલીક શરતો પણ નક્કી કરવામાં આવી છે. 30 સપ્ટેમ્બર બાદ બચેલો સ્ટોક પરત ખેંચવો પડશે. ઉપરાંત, ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર આ સ્ટોકનું વેચાણ બંધ કરવું પડશે અને ત્યારબાદ મંજૂર કરાયેલ સ્ટોક માત્ર ભૌતિક દુકાનો મારફતે જ વેચી શકાશે. જો 30 સપ્ટેમ્બર બાદ બચેલો સ્ટોક પરત ખેંચવામાં મુશ્કેલી પડે તો ડાબરને અલગ પેકેજિંગનો ઉપયોગ કરવો પડશે.</p><h2><b>ટ્રેડમાર્કનું ઉલ્લંઘન કરવાનો આરોપ</b></h2><p>આ સમગ્ર મામલો ડાબરના 'કૂલ કિંગ ઠંડા તેલ' અને ઈમામીના 'નવરત્ન આયુર્વેદિક ઓઈલ' વચ્ચેના પેકેજિંગ અને ટ્રેડ ડ્રેસને લઈને ચાલી રહેલા વિવાદ સાથે જોડાયેલો છે. ઈમામીએ ડાબર પર તેના પ્રોડક્ટની પેકેજિંગની નકલ કરવાનો, ટ્રેડમાર્કનું ઉલ્લંઘન કરવાનો અને અનફેર ટ્રેડ પ્રેક્ટિસ કરવાનો આરોપ લગાવ્યો હતો.</p><h4><b>આ શરતને આધીન મળી મંજૂરી</b></h4><p>આ વિવાદમાં જાન્યુઆરીમાં દિલ્હી હાઈકોર્ટે ડાબરને વિવાદિત પેકેજિંગ સાથે પ્રોડક્ટનું વેચાણ કરવા પર રોક લગાવી હતી. ત્યારબાદ બંને કંપનીઓ વચ્ચે ચર્ચા અને સહમતિ બાદ હાલના સ્ટોકના વેચાણ માટે કોર્ટ સમક્ષ મંજૂરી માગવામાં આવી હતી. જસ્ટિસ વી. કામેશ્વર રાવ અને જસ્ટિસ મનમીત પ્રીતમ સિંહ અરોરાની ખંડપીઠે 10 ઓગસ્ટે આ મામલે આદેશ આપ્યો હતો. ઈમામીની સંમતિને ધ્યાનમાં રાખીને ડાબરને મર્યાદિત સમય માટે હાલનો સ્ટોક વેચવાની મંજૂરી આપવામાં આવી છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/air-india-orders-mandatory-drug-test-for-all-pilots-after-ganja-kand-flight-ai2379" target="_blank">આ પણ વાંચો : Air Indiaના દરેક પાઇલટ્સનું થશે ડ્રગ ટેસ્ટિંગ... ગાંજા કાંડ બાદ લેવોયો મોટો નિર્ણય</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/Mkh4mF4SUTrEP6U6s5Cj2o40PCakoxDfRKPHqgr2.webp'/></item><item><title><![CDATA[Amreli News : સાવરકુંડલા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, કપાસ-મગફળીના પાકને ફાયદો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/amreli/amreli-news-rain-in-rural-areas-including-savarkundla-benefiting-cotton-groundnut-crops</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/amreli/amreli-news-rain-in-rural-areas-including-savarkundla-benefiting-cotton-groundnut-crops</guid><pubDate>Thu, 13 Aug 2026 16:36:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમરેલી પંથકમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહીને પગલે વાતાવરણમાં પલટો આવ્યો છે. સમગ્ર જિલ્લામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને મેઘાવી માહોલ સર્જાયો હતો. વાતાવરણમાં આવેલા આ અચાનક પલટાને કારણે સ્થાનિકોને અસહ્ય ગરમી અને બફારામાંથી મુક્તિ મળી છે.</p><h2 style="text-align: justify; "><b>બાબરા બાદ સાવરકુંડલા અને ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ</b></h2><p style="text-align: justify; ">બાબરા પંથકમાં વરસાદી માહોલ જામ્યા બાદ સાવરકુંડલા પંથકમાં પણ મેઘરાજાની પધરામણી થઈ છે. સાવરકુંડલા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ચરખડિયા અને ઓળિયા સહિતના ક્ષેત્રોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. આંકડાકીય રીતે જોરદાર ધમધોકાર વરસાદ ન હોવા છતાં, સતત વરસી રહેલા આ ધીમા વરસાદથી સમગ્ર વિસ્તારમાં શીતળતા પ્રસરી ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>ધીમીધારના વરસાદથી ખેડૂતોમાં ખુશી</b></h2><p style="text-align: justify; ">સાવરકુંડલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પડી રહેલો આ ધીમીધારનો વરસાદ ખેતી માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે. ખાસ કરીને પંથકના મુખ્ય પાક એવા કપાસ અને મગફળી માટે આ વરસાદ 'અમૃત' સમાન ગણાઈ રહ્યો છે. ધીમા વરસાદને કારણે પાણી જમીનમાં ઉતરી રહ્યું હોવાથી પાકને નવું જીવન મળ્યું છે, જેનાથી સ્થાનિક ખેડૂતોમાં આનંદની લહેર ફરી વળી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/crime-against-husband-in-suicide-case-of-17-year-old-girl-in-narol-ahmedabad-video-becomes-important-evidence" target="_blank">Ahmedabadના નારોલ17 વર્ષની સગીરાના આપઘાત કેસમાં પતિ સામે ગુનો, વીડિયો બન્યો મહત્વનો પુરાવો</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/NQubRwobvWALQBbSY156RJxMCfocDeMPJBxg5SQM.webp'/></item><item><title><![CDATA[Ramayan China Release: રણબીર કપૂરની રામાયણ ચીનમાં પણ થશે રિલીઝ, નામ હશે The Legend of Prince! ]]></title><link>https://sandesh.com/entertainment/news/ramayan-china-release-ranbir-kapoor-legend-of-prince</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/ramayan-china-release-ranbir-kapoor-legend-of-prince</guid><pubDate>Thu, 13 Aug 2026 16:35:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રણબીર કપૂરની ફિલ્મ રામાયણ: પાર્ટ 1ને લઈને હાલમાં જબરદસ્ત ચર્ચા ચાલી રહી છે. થોડા દિવસ પહેલાં મેકર્સે દેશની સૌથી મોંઘી ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું હતું. જોકે ટ્રેલરને લોકો તરફથી મેકર્સની અપેક્ષા મુજબ પ્રતિસાદ મળ્યો નહોતો. તેમ છતાં મેકર્સને પોતાની ફિલ્મ પર સંપૂર્ણ વિશ્વાસ છે. આ ફિલ્મ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ દુનિયાભરમાં મોટા પાયે રિલીઝ થવાની છે. હવે જાણકારી સામે આવી છે કે પ્રોડ્યુસર નમિત મલ્હોત્રા આ ફિલ્મને ચીનમાં પણ રિલીઝ કરશે. ચીનમાં ફિલ્મ કયા નામથી રિલીઝ થશે તેની માહિતી પણ સામે આવી છે.<br><h2><b>ચીનમાં પણ મોટા પાયે રિલીઝ થશે રામાયણ</b></h2></p><p style="text-align: justify; ">રામાયણના મેકર્સ પહેલાથી જ દાવો કરી રહ્યા છે કે તેઓ આ ફિલ્મને અત્યાર સુધીની સૌથી મોટી રિલીઝ આપશે. એટલે કે આ ફિલ્મ દુનિયાભરમાં સૌથી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ થશે. સાથે જ તેને ચીનમાં પણ મોટા પાયે રિલીઝ કરવાની તૈયારી ચાલી રહી છે. ચીનમાં રામાયણ: પાર્ટ 1ને ધ લેજેન્ડ ઓફ પ્રિન્સ નામથી રિલીઝ કરવામાં આવશે. સોની પિક્ચર્સ આ ફિલ્મને ચીનમાં રિલીઝ કરશે.</p><h3 style="text-align: justify; "><b>ભારત પહેલા વિદેશમાં થશે રિલીઝ</b></h3><p style="text-align: justify; ">આ વાત પહેલેથી જ સામે આવી ચૂકી છે કે રામાયણ: પાર્ટ 1ને મેકર્સ ભારત પહેલાં વિદેશના સિનેમાઘરોમાં રિલીઝ કરશે. દેશની બહાર આ ફિલ્મ 6 નવેમ્બર 2026ના રોજ રિલીઝ થશે, જ્યારે ભારતમાં તે 8 નવેમ્બર 2026ના રોજ સિનેમાઘરોમાં આવશે.</p><h4 style="text-align: justify; "><b>રામાયણની સ્ટારકાસ્ટ</b></h4><p style="text-align: justify; ">રામાયણમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકા ભજવી રહ્યા છે. તેમની સાથે સીતાના પાત્રમાં સાઉથ અભિનેત્રી સાઈ પલ્લવી, રાવણના પાત્રમાં સાઉથ અભિનેતા યશ અને લક્ષ્મણના પાત્રમાં ટીવી અભિનેતા રવિ દુબે જોવા મળશે. જ્યારે હનુમાનની ભૂમિકામાં સની દેઓલ જોવા મળશે. આ ઉપરાંત લારા દત્તા, રકુલપ્રીત સિંહ, વિવેક ઓબેરોય અને અરુણ ગોવિલ પણ અલગ-અલગ પાત્રોમાં જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન નિતેશ તિવારીએ કર્યું છે.</p><h3 style="text-align: justify; "><b>ચીનનું માર્કેટ કેમ છે મહત્વનું?</b></h3><p style="text-align: justify; ">રામાયણના બંને ભાગનું કુલ બજેટ અંદાજે 4000 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તેથી ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરે તે ખૂબ જરૂરી છે. ભારતીય ફિલ્મો માટે ચીન એક મોટું માર્કેટ છે અને ત્યાં હજારો સિનેમાઘરો છે. આમિર ખાનની દંગલ એ ચીનમાં 1300 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરી હતી. તેમની જ ફિલ્મ સિક્રેટ સુપરસ્ટાર એ પણ ત્યાં અંદાજે 760 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ ઉપરાંત સલમાન ખાનની બજરંગી ભાઈજાન એ પણ ચીનમાં અંદાજે 300 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આથી સ્પષ્ટ છે કે જો રામાયણને ચીનમાં સારો પ્રતિસાદ મળશે તો તેની સફળતાને રોકવી ખૂબ મુશ્કેલ બનશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/munawar-faruqui-the-traitors-2-exit-crying-video" target="_blank">આ પણ વાંચો-The Traitors 2માંથી બહાર થયો મુનાવર ફારુકી! રડતાં રડતાં બાકી કન્ટેસ્ટેન્ટ સંભળાવી ખરીખોટી!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/tylfILxfGFUHp6E4j9htwlMLGwm2eE65xRpePlmu.webp'/></item><item><title><![CDATA[Dwarka News: A ગ્રેડ ધરાવતી જામ ખંભાળિયા પાલિકા કરજદાર બની?, PGVCLનું 2 કરોડથી વધુનું વીજ બિલ બાકી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dwarka/jam-khambhalia-municipality-owes-over-rs-2-crore-in-pgvcl-electricity-bills</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dwarka/jam-khambhalia-municipality-owes-over-rs-2-crore-in-pgvcl-electricity-bills</guid><pubDate>Thu, 13 Aug 2026 16:26:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયાની 'એ'ગ્રેડ કક્ષાની નગરપાલિકાની ગંભીર બેદરકારી અને વહીવટી બેદરકારી સામે આવી છે. પ્રજાના નાણાંમાંથી વિવિધ કાર્યક્રમો અને મસમોટા તાયફાઓ પાછળ આંધળો ખર્ચ કરતી નગરપાલિકા હવે જંગી રકમની બાકીદારીના કારણે કરજદાર બની ગઈ છે.નગરપાલિકા તંત્ર દ્વારા પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડનું 2 કરોડ 5 લાખ રૂપિયાથી પણ વધુનું વીજ બિલ ન ભરવામાં આવતાં સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.નગરપાલિકાની આવી લાપરવાહી અને નાણાકીય ગેરરીતિઓના કારણે પ્રજાએ સમયસર વેરો ભર્યા પછી પણ બિનજરૂરી મુશ્કેલીઓ વેઠવાનો વારો આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>સ્ટ્રીટ લાઈટ અને વોટર વર્કસ વિભાગનું કરોડોનું બિલ બાકી</b></h2><p style="text-align: justify; ">નગરપાલિકાના સૌથી મહત્વના એવા સ્ટ્રીટ લાઈટ વિભાગ અને પાણી પુરવઠા વિભાગનું અદ્યતન વીજ બિલ લાંબા સમયથી ચૂકવવામાં આવ્યું નથી.પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડતા આ બંને મુખ્ય વિભાગોનું ચડત વીજ બિલ વધીને રૂ 2 કરોડ 5 લાખથી વધુની મોટી રકમ પર પહોંચી ગયું છે.PGVCL દ્વારા નગરપાલિકા તંત્રને આ જંગી બાકી લેણી રકમ ભરપાઈ કરવા માટે અવારનવાર લેખિત નોટિસો આપવામાં આવી હોવા છતાં પાલિકા વહીવટદારો દ્વારા વીજ બિલ ભરવાની દિશામાં કોઈ આયોજન કે રસ દાખવવામાં આવ્યો નથી.</p><h3 style="text-align: justify; "><b>પ્રજા સમયસર વેરો ભરે છે છતાં સુવિધાઓ પર સંકટ</b></h3><p style="text-align: justify; ">જામ ખંભાળિયા શહેરના નાગરિકો નગરપાલિકાને નિયમિતપણે પોતાના ઘરવેરા,પાણીવેરા અને સ્ટ્રીટ લાઈટ વેરાની ચુકવણી કરે છે.પ્રજા પાસેથી પૂરેપૂરો વેરો વસૂલવામાં આવતો હોવા છતાં નગરપાલિકા તંત્ર વીજ કચેરીનું બિલ ભરવામાં ઘોર બેદરકારી દાખવી રહ્યું છે.વહીવટી તંત્રની આ બિનજવાબદાર નીતિના કારણે હવે સીધી અસર સામાન્ય નગરજનો પર પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. જો PGVCL દ્વારા વીજ બિલની વસૂલાત માટે કડક પગલાં ભરીને વોટર વર્કસ કે સ્ટ્રીટ લાઈટના વીજ જોડાણો કાપી નાખવામાં આવે તો આગામી દિવસોમાં સમગ્ર જામ ખંભાળિયા શહેરમાં અંધારપટ છવાઈ જવાની અને પીવાના પાણીનો કાપ મૂકાવાની પૂરેપૂરી શક્યતા છે.&nbsp;<br><br><a href="https://sandesh.com/india/breakingnews/political-news/sukhbir-singh-badal-news-maharashtra-former-dycm-of-punjab-sukhbir-singh-in-nanded-district" target="_blank">આ પણ વાંચોઃ Sukhbir Singh Badal News: નાંદેડ જિલ્લામાં પંજાબના ભૂતપૂર્વ DyCM સુખબીર સિંહ બાદલ પર હુમલો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/jYCF5eQE0lzb5QGmeIb0zZTBUQESAfnfqY2xhYv7.webp'/></item><item><title><![CDATA[Ayodhya : રામ મંદિરમાં 15 ઓગસ્ટથી પૂજારીઓ માટે નવો ડ્રેસ કોડ, પીળા રેશમી વસ્ત્રમાં દેખાશે પૂજારી ]]></title><link>https://sandesh.com/india/news/ayodhya-ram-temple-priests-uniform-dress-code-august-15</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ayodhya-ram-temple-priests-uniform-dress-code-august-15</guid><pubDate>Thu, 13 Aug 2026 16:10:15 +05:30</pubDate><description><![CDATA[<p>અયોધ્યાના ભવ્ય શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં રામલલાની સેવા-પૂજામાં જોડાયેલા પૂજારીઓની વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ફેરફાર થવા જઈ રહ્યો છે. સ્વતંત્રતા દિવસ એટલે કે 15 ઓગસ્ટથી મંદિરના તમામ પૂજારીઓ માટે એકસમાન ડ્રેસ કોડ લાગુ કરવામાં આવશે. શ્રીરામ જન્મભૂમિ ધર્મ સમિતિ સાથે સંકળાયેલા સંતો દ્વારા સર્વસંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.</p><h2><b>બંને વસ્ત્રો ખાસ કરીને રેશમના હશે</b></h2><p>નવા ડ્રેસ કોડ મુજબ, તમામ પૂજારીઓ નીચે ધોતી અને ઉપર ઉત્તરીય એટલે કે અંગવસ્ત્ર ધારણ કરશે. બંને વસ્ત્રો ખાસ કરીને રેશમના હશે અને તેનો રંગ પીળો રાખવામાં આવ્યો છે. ધાર્મિક અને પૌરાણિક માન્યતાઓ અનુસાર પીળો રંગ ભગવાન શ્રીરામને પ્રિય માનવામાં આવે છે. આ જ કારણસર રામલલાના મુખ્ય પરિધાનથી લઈને અર્ચકોના વસ્ત્રો સુધી પીળા રંગને પ્રાથમિકતા આપવામાં આવી છે.</p><h3><b>મંદિરની સેવા-પૂજા વ્યવસ્થામાં શિસ્ત અને એકરૂપતા આવશે</b></h3><p>શ્રીરામ જન્મભૂમિ ધર્મ સમિતિના સભ્ય અને વલ્લભકુંજ મંદિરના મહંત રાજકુમાર દાસે જણાવ્યું કે રેશમી વસ્ત્રની ધાર્મિક શુદ્ધતા, પવિત્રતા અને સાત્વિકતાને ધ્યાનમાં રાખીને તેને પૂજારીઓના પરિધાન તરીકે પસંદ કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે 15 ઓગસ્ટથી રામલલાની નિત્ય સેવા સાથે જોડાયેલા તમામ પૂજારીઓ એકસરખા પીળા રેશમી પરિધાનમાં જોવા મળશે. એકસમાન ડ્રેસ કોડથી મંદિરની સેવા-પૂજા વ્યવસ્થામાં શિસ્ત અને એકરૂપતા આવશે. સાથે જ મંદિરની ધાર્મિક ગરિમા પણ વધુ સ્પષ્ટ રીતે જોવા મળશે.</p><p>નવી વ્યવસ્થા અમલમાં આવ્યા બાદ રામ મંદિર પરિસરમાં અર્ચકોની વેશભૂષામાં એકરૂપતા જોવા મળશે. મંદિર પ્રશાસન અને ધર્મ સમિતિના મતે આ બદલાવથી શ્રદ્ધાળુઓને વધુ શિસ્તબદ્ધ અને ભવ્ય ધાર્મિક વાતાવરણનો અનુભવ થશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/amidst-tension-on-india-china-border-in-arunachal-pradesh-chinas-statement-know-what-it-said" target="_blank">આ પણ વાંચો : Arunachal Pradeshમાં India China Border પર તણાવ વચ્ચે, ચીનનું નિવેદન, જાણો શુ કહ્યુ?</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/1q28bOJ1SF7DrtJV834Z8p7vd0fM6xaYskbwHTiS.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના નારોલમાં 17 વર્ષની સગીરાના આપઘાત કેસમાં પતિ સામે ગુનો, વીડિયો બન્યો મહત્વનો પુરાવો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/crime-against-husband-in-suicide-case-of-17-year-old-girl-in-narol-ahmedabad-video-becomes-important-evidence</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/crime-against-husband-in-suicide-case-of-17-year-old-girl-in-narol-ahmedabad-video-becomes-important-evidence</guid><pubDate>Thu, 13 Aug 2026 15:52:02 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરાએ ગત 10 ઓગસ્ટે સાબરમતી નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ હવે મૃતક સગીરાનો આપઘાત પહેલાનો એક વિડીયો સામે આવ્યો છે. નાની ઉંમરે લગ્ન થયા બાદ લગ્નજીવનમાં સર્જાયેલા અણબનાવને કારણે પતિએ તેને ઘરમાંથી કાઢી મૂકી હોવાનો આક્ષેપ કરાયો છે. ત્યારથી સગીરા પિતાના ઘરે પરત આવીને સતત માનસિક દુઃખ અને તણાવમાં રહેતી હતી.</p><h2 style="text-align: justify; "><b>વિડીયોમાં પતિ સામે ગંભીર આક્ષેપો</b></h2><p style="text-align: justify; ">આપઘાત જેવું અંતિમ પગલું ભરતા પહેલા સગીરાએ પોતાના પતિને ઉદ્દેશીને એક વિડીયો રેકોર્ડ કર્યો હતો. આ વિડીયોમાં તેણે પતિ સામે અત્યાચાર અને નકામા સંબંધો અંગેના ગંભીર આક્ષેપો કર્યા હતા. ઘટના બાદ સાબરમતી નદીમાંથી સગીરાનો મૃતદેહ મળી આવતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>પોલીસે પતિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી</b></h2><p style="text-align: justify; ">મૃતક સગીરાના પિતાની ફરિયાદના આધારે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં પતિ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આપઘાત પહેલાં બનાવેલા વિડીયો અને અન્ય મહત્વના પુરાવાઓ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પતિની પૂછપરછ અને ઘટનાના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/bhavnagar/bhavnagar-news-uproar-over-insects-in-samaras-hostel-food-students-angry" target="_blank">Bhavnagar News : સમરસ હોસ્ટેલના ભોજનમાં જીવાતો નીકળતા હોબાળો, વિદ્યાર્થીઓમાં રોષ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/i6EV26unsXgY7lLv8QYYOBZ587oYx6Y1mGp35EsQ.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: AMC 9 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ ઑપરેશન સેન્ટર અને ઈન્ટિગ્રેટેડ ડૅશબોર્ડ તૈયાર કરશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-to-build-sports-operation-centre-and-integrated-dashboard-at-rs-9-crore</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-to-build-sports-operation-centre-and-integrated-dashboard-at-rs-9-crore</guid><pubDate>Thu, 13 Aug 2026 15:50:36 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આગામી સમયમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સના સુચારુ અને ભવ્ય આયોજનને અનુલક્ષીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અત્યારથી જ વહીવટી અને ટેકનિકલ કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.ખેલમહાકુંભ અને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓના તકેદારીપૂર્વકના સંચાલન માટે મ્યુનિસિપલ કોર્પોરેશન એક અત્યાધુનિક સિસ્ટમ ઊભી કરવા જઈ રહ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>સ્પોર્ટ્સ ઑપરેશન સેન્ટર અને ઈન્ટિગ્રેટેડ ડૅશબોર્ડ</b></h2><p style="text-align: justify; ">AMCની તમામ કામગીરી અને સેવાઓના રીઅલ-ટાઈમ મૉનિટરિંગ માટે રૂ.9 કરોડના અંદાજિત ખર્ચે સ્પોર્ટ્સ ઑપરેશન સેન્ટર તૈયાર કરવામાં આવશે.આ સેન્ટર હેઠળ એક ખાસ ઈન્ટિગ્રેટેડ ડૅશબોર્ડ બનાવવામાં આવશે.જેના પરથી તમામ વિભાગોની કામગીરીનું એક જ જગ્યાએથી વિગતવાર આયોજન અને સંચાલન શક્ય બનશે.આ પ્રોજેક્ટની કામગીરી GNFCને સોંપવામાં આવી છે એમ મટીરીયલ વિભાગના ચેરમેન હિતેન્દ્ર પરમારે જણાવ્યું હતું.</p><h3 style="text-align: justify; "><b>8 જેટલી સેવાઓ અને વોલેન્ટિયર મેનેજમેન્ટ</b></h3><p style="text-align: justify; ">આ ડૅશબોર્ડ અને ઑપરેશન સેન્ટર હેઠળ મુખ્યત્વે અલગ-અલગ 8 જેટલી મહત્વપૂર્ણ સેવાઓને આવરી લેવામાં આવશે.જેથી ઈવેન્ટ દરમિયાન ટ્રાફિક, સિક્યોરિટી, વિઝિટર મેનેજમેન્ટ,લાઈવ અપડેટ્સ અને ઈમરજન્સી રિસ્પોન્સ જેવી સેવાઓ પર સીધી નજર રાખી શકાય. આંતરરાષ્ટ્રીય કક્ષાના આ આયોજનમાં ભાગ લેનાર રમતવીરોના સંચાલન માટે એક વિશેષ વોલેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમ પણ ઊભી કરવામાં આવશે.આ સિસ્ટમના માધ્યમથી વોલેન્ટિયર્સની નોંધણી, ફરજોની ફાળવણી અને સુપરવિઝન સરળતાથી થઈ શકશે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/suspended-gas-officer-ketki-vyas-arrested-crime-branch-acb-remand" target="_blank">આ પણ વાંચોઃ ACB : પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસ પાસે 3.56 કરોડની અપ્રમાણસર મિલકત, પરિવારના 24 એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/MZ0iCl4sxPEG98Ah9LaX0Gz22ksDdX5IBcwqiWMA.webp'/></item><item><title><![CDATA[Bhavnagar News : સમરસ હોસ્ટેલના ભોજનમાં જીવાતો નીકળતા હોબાળો, વિદ્યાર્થીઓમાં રોષ ]]></title><link>https://sandesh.com/gujarat/news/bhavnagar/bhavnagar-news-uproar-over-insects-in-samaras-hostel-food-students-angry</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/bhavnagar/bhavnagar-news-uproar-over-insects-in-samaras-hostel-food-students-angry</guid><pubDate>Thu, 13 Aug 2026 15:23:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભાવનગરની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં અગાઉ વિવાદ સર્જાયા બાદ હવે બોયઝ હોસ્ટેલમાં પણ જમવાની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આજે બપોરે બોયઝ હોસ્ટેલમાં આપવામાં આવેલા ભોજનમાંથી ઈયળ અને અન્ય જીવાતો નીકળતા વિદ્યાર્થીઓ ભારે આક્રોશમાં આવી ગયા હતા. અવારનવાર નબળી ગુણવત્તાનું ભોજન પીરસવામાં આવતું હોવાના આક્ષેપ સાથે હોસ્ટેલના વિદ્યાર્થીઓએ સ્થળ પર જ હોબાળો મચાવ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>ABVP મેદાનમાં</b></h2><p style="text-align: justify; ">વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા હોબાળાની જાણ થતાં જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યકરો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ABVP એ વિદ્યાર્થીઓના પડખે રહીને હોસ્ટેલ તંત્ર અને કેન્ટીન સંચાલકો સામે કડક વિરોધ નોંધાવ્યો હતો. હોસ્ટેલમાં અપાતા અનાજ અને ભોજન બનાવવાની જગ્યાની સ્વચ્છતા અંગે પણ ભારે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>તંત્રને ઉગ્ર આંદોલનની ચીમકી</b></h2><p style="text-align: justify; ">ABVP દ્વારા હોસ્ટેલ પ્રશાસનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે કે આગામી ૨ દિવસની અંદર જમવાની ગુણવત્તા સુધારવામાં આવે અને વિદ્યાર્થીઓને જરૂરી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે. જો આ સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ નહીં લાવવામાં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/vadodara/vadodara-manjalpur-nude-video-call-racket-busted-stripchat-app" target="_blank">Vadodara : એક ફ્લેટ... અનેક યુવતીઓ... ઓનલાઈન ન્યુડ વીડિયો કોલ અને લાખોની કમાણી..! વાંચો ચોંકાવનારો કિસ્સો</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/qk12oxlY9QVfkRyBtHpVHB9plBY7FZK4iHkkeIMr.webp'/></item><item><title><![CDATA[Lionel Messiની પિતાના અવસાન બાદ પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'મને ખબર નથી કે હવે...' ]]></title><link>https://sandesh.com/sports/news/lionel-messi-father-jorge-messi-death-emotional-post</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/lionel-messi-father-jorge-messi-death-emotional-post</guid><pubDate>Wed, 12 Aug 2026 23:40:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">લિયોનેલ મેસ્સીના પિતા જોર્જ મેસ્સીનું 8 ઓગસ્ટના રોજ 68 વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન થયું હતું. આ પછી લિયોનેલ મેસ્સીએ 12 ઓગસ્ટના રોજ તેમના પિતાના અવસાન પર પહેલીવાર મૌન તોડ્યું જેમાં તેને સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી જેમાં તેમણે ભવિષ્યમાં ફૂટબોલ રમવા અંગે શંકા વ્યક્ત કરી હતી.</p><p style="text-align: justify;">લિયોનેલ મેસ્સીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર તેમના પિતા જોર્જ સાથેનો એક ફોટો પોસ્ટ કર્યો અને એક નોટ પણ શેર કરી જેમાં તેને લખ્યું કે તેઓ આ મોટી ખોટ સ્વીકારી શકતા નથી અને તેને સમજાતું નથી કે તે તેના પિતા વિના જીવનમાં કેવી રીતે આગળ વધશે કારણ કે તેઓ મારા બેસ્ટ મિત્ર, માર્ગદર્શક અને એજન્ટ પણ હતા.</p><h2 style="text-align: justify;"><b>મને ખબર નથી કે આગળ કેવી રીતે આગળ વધવું</b></h2><p style="text-align: justify;">પિતાના અવસાન પછી લિયોનેલ મેસ્સીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી એક પોસ્ટમાં લખ્યું છે કે "મને ખબર નથી કે હું તમારા વિના શું કરીશ. મને ખબર નથી કે આગળ કેવી રીતે વધવું. હું ફક્ત ફૂટબોલ રમી રહ્યો હતો, પરંતુ હવે મારી પાસે ઘણા સવાલો છે કે શું હું ચાલુ રાખી શકીશ." મેસ્સીએ સમજાવ્યું કે તેના પિતાએ તેને દરેક બાબતમાં સપોર્ટ આપ્યો અને હંમેશા તેના નિર્ણયોમાં વિશ્વાસ રાખ્યો. "બધા માટે આભાર. હું તમને પ્રેમ કરું છું, પપ્પા."</p><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/Db8MYnQjYsC/?img_index=1" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/Db8MYnQjYsC/?img_index=1" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a><br></p><h3 style="text-align: justify;"><b>વર્લ્ડકપ શરૂ થવાના થોડા દિવસ પહેલા તે બીમાર પડ્યા&nbsp;</b></h3><p style="text-align: justify;">પોતાની પોસ્ટમાં લિયોનેલ મેસ્સીએ સમજાવ્યું કે વર્લ્ડકપ 2026 શરૂ થવાના થોડા દિવસો પહેલા તેના પિતાની તબિયત અચાનક બગડી ગઈ હતી, જેના કારણે જોર્જ પહેલી વાર કોઈ ટુર્નામેન્ટમાં હાજરી આપી શક્યા ન હતા. "હું દરેક મેચ પછી મારા પિતાના મેસેજની રાહ જોતો હતો. મને તમારી ખૂબ જ યાદ આવશે, પણ તમે હંમેશા સાથે રહેશો. ખાસ કરીને મારા બાળકોને ઉછેરવામાં, કારણ કે હું તેમને એ જ રીતે શીખવીશ અને ઉછેરીશ જે રીતે તમે મને ઉછેર્યો છે."</p><h4 style="text-align: justify;"><b>મેસ્સીને રોનાલ્ડોનો સપોર્ટ મળ્યો</b></h4><p style="text-align: justify;">મેસ્સીના પિતાના અવસાન પછી જ્યારે તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી, ત્યારે તેને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો સપોર્ટ મળ્યો, જેમાં રોનાલ્ડોએ તેની પોસ્ટ પર કોમેન્ટ કરી અને લખ્યું છે કે લીઓ, આ મુશ્કેલ સમયમાં તને અને તારા પરિવારને મારું મોટું હગ, તમને ઘણી શક્તિ મળે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/TGH56UwXwOH6bh1EQIGogFs2CidMiip8syDerxly.webp'/></item></channel></rss>