<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabadમાં SMCના દરોડા: આંકડા ડ્રોના નામે ઠગાઈ આચરનાર ગેંગનો કર્યો પર્દાફાશ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/smc-raids-in-ahmedabad-gang-involved-in-fraud-in-the-name-of-statistical-draw-exposed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/smc-raids-in-ahmedabad-gang-involved-in-fraud-in-the-name-of-statistical-draw-exposed</guid><pubDate>Mon, 03 Aug 2026 08:42:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક લગામ કસવા સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દરોડાની એક ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરમાં ચાલતા આંકડા ડ્રોના ખેલમાં ગ્રાહકો સાથે મોટો વિશ્વાસઘાત અને ઠગાઈ થતી હોવાની માહિતી મળતા જ પોલીસ તંત્ર તુરંત હરકતમાં આવ્યું હતું. આ કૌભાંડમાં આરોપીઓ ગ્રાહકોને વધુ વળતરની મોટી લાલચ આપી ઓછી રકમવાળા આંકડા ડ્રોમાં ખોલીને મોટા પાયે છેતરપિંડી આચરતા હતા. આ ગેરકાયદેસર ખેલમાં દરરોજ નિર્દોષ ગ્રાહકો નાણાં ગુમાવતા હતા અને તમામ ફાયદો સંચાલકોના ખિસ્સામાં જતો હતો.</p><h2 style="text-align: justify; "><b>મુખ્ય સૂત્રધાર રજની પોકર અને નિકુંજ પોપટની ભાગીદારી</b></h2><p style="text-align: justify; ">પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો થયો છે કે આ આખું કૌભાંડ મુખ્ય સૂત્રધાર રજની પોકર અને તેનો ભાગીદાર નિકુંજ પોપટ મળીને ચલાવતા હતા. આ બંને આરોપીઓ ભાગીદારી કરીને લાંબા સમયથી ગેરકાયદેસર રીતે આંકડા ડ્રોનો વેપલો ચલાવી રહ્યા હતા. તેમણે શહેરમાં પોતાના નેટવર્કનો વિસ્તાર કરીને અનેક સાગરિતો તથા એજન્ટો રોક્યા હતા. SMCની ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે સાગરિતો અને એજન્ટોના અડડાઓ પર સઘન દરોડા પાડ્યા હતા. આ દરમિયાન પોલીસે સ્થળ પરથી મહત્ત્વના દસ્તાવેજો, લેપટોપ અને અન્ય વસ્તુઓ જપ્ત કરી લીધી છે.</p><h3 style="text-align: justify; "><b>સાગરિતો સામે ગુના દાખલ અને આગળની સઘન તપાસ</b></h3><p style="text-align: justify; ">પોલીસે કાર્યવાહી કરીને આરોપી રજની પોકર આણી મંડળી અને તેના મળતિયાઓ સામે અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ ત્રણ ગંભીર ગુનાઓ દાખલ કર્યા છે. દરોડા દરમિયાન જપ્ત કરાયેલા લેપટોપ અને દસ્તાવેજોની તપાસ કરીને કૌભાંડમાં સામેલ અન્ય નામો બહાર લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ કૌભાંડના તાર ક્યાં સુધી જોડાયેલા છે તે જાણવા માટે આગામી સમયમાં SMC દ્વારા વધુ સઘન તપાસ હાથ ધરવામાં આવશે. પોલીસની આ આકરા પગલાંથી ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/EbnO1mzljkVGA14xVZkkueYALyk4j2Eb3vrlCTqr.webp'/></item><item><title><![CDATA[PM મોદી પર અપમાનજનક ટિપ્પણી કરનાર કિશોરી સામે ગુનો નહીં નોંધાય ]]></title><link>https://sandesh.com/india/news/no-crime-will-be-registered-against-the-teenager-who-made-derogatory-comments-on-pm-modi</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/no-crime-will-be-registered-against-the-teenager-who-made-derogatory-comments-on-pm-modi</guid><pubDate>Mon, 03 Aug 2026 08:38:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, સંબંધિત કિશોરી સામે કોઈપણ પ્રકારનો ફોજદારી ગુનો નોંધવામાં આવશે નહીં. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં આ ઘટનાને લઈને ભારે ચર્ચા ચાલી રહી હતી, ત્યારે પોલીસે કાનૂની પાસાઓની સમીક્ષા બાદ આ સ્પષ્ટતા કરી છે.</p><h2 style="text-align: justify; "><b>સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો</b></h2><p style="text-align: justify; ">માહિતી મુજબ, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક કિશોરી PM નરેન્દ્ર મોદી વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરતી જોવા મળી હતી. વીડિયો સામે આવ્યા બાદ અનેક લોકોએ તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. આ ઘટનાએ સોશિયલ મીડિયા પર પણ વ્યાપક ચર્ચા જગાવી હતી અને મામલો રાજકીય રંગ ધારણ કરતો જોવા મળ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>&nbsp;દિલ્હી પોલીસે સંબંધિત વીડિયો અને સમગ્ર ઘટનાક્રમની કાનૂની રીતે સમીક્ષા કરી&nbsp;</b></h3><p style="text-align: justify; ">તપાસ દરમિયાન દિલ્હી પોલીસે સંબંધિત વીડિયો અને સમગ્ર ઘટનાક્રમની કાનૂની રીતે સમીક્ષા કરી હતી. તપાસમાં સામે આવ્યું કે વીડિયોમાં દેખાતી વ્યક્તિ સગીર વયની છે. ભારતીય કાયદા મુજબ સગીરો સાથે જોડાયેલા મામલાઓમાં વિશેષ જોગવાઈઓ લાગુ પડે છે અને તેમની સામે કાર્યવાહી કરતી વખતે બાળ અધિકારો તેમજ કિશોર ન્યાય સંબંધિત કાયદાઓનું પાલન કરવું જરૂરી બને છે. આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને પોલીસે તેની સામે કોઈ ફોજદારી કેસ નોંધવાનો નિર્ણય લીધો નથી.</p><h4 style="text-align: justify; "><b>&nbsp;ઉત્તર પ્રદેશની નોઇડા પોલીસે ઝીરો એફઆઈઆર નોંધાવી હતી.</b></h4><p style="text-align: justify; ">ઉલ્લેખનીય છે કે આ મામલામાં અગાઉ ઉત્તર પ્રદેશની નોઇડા પોલીસે ઝીરો એફઆઈઆર નોંધાવી હતી. ફરિયાદમાં કિશોરીને 25 વર્ષની મહિલા તરીકે દર્શાવવામાં આવી હતી. જોકે બાદમાં સોશિયલ મીડિયા પર સામે આવેલા એક અન્ય વીડિયોમાં તેણે પોતે માત્ર 15 વર્ષની હોવાનું જણાવ્યું હતું. તેણે દાવો કર્યો હતો કે વિરોધ પ્રદર્શન દરમિયાન અન્ય લોકોના પ્રભાવ અને બહકાવામાં આવીને તેણે આ પ્રકારની ટિપ્પણીઓ કરી હતી.</p><p style="text-align: justify; ">માફી માંગતા વીડિયોમાં કિશોરીએ પોતાની ટિપ્પણીઓ બદલ ખેદ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે તેનો કોઈને દુઃખ પહોંચાડવાનો ઈરાદો નહોતો. તેણે લોકોને પોતાની ભૂલ માટે માફ કરવાની અપીલ પણ કરી હતી. આ વીડિયો સામે આવ્યા બાદ મામલાએ નવો વળાંક લીધો હતો અને તેની ઉંમરને લઈને પણ સ્પષ્ટતા થઈ હતી.</p><p style="text-align: justify; ">દિલ્હી પોલીસના આ નિર્ણય બાદ સ્પષ્ટ થયું છે કે સગીર હોવાને કારણે તેના વિરુદ્ધ કોઈ ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે નહીં. જોકે, પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની કાનૂની પ્રક્રિયા અને અન્ય જરૂરી પાસાઓ અંગે જરૂરી કાર્યવાહી ચાલુ રહેશે. આ મામલો સોશિયલ મીડિયા પર જવાબદારીપૂર્વક વર્તન, જાહેર જીવન સાથે જોડાયેલા લોકો અંગે ભાષાનો ઉપયોગ અને સગીરોની કાનૂની સુરક્ષા જેવા મુદ્દાઓને લઈને પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/ePG5zAxvCUaTpIKvtHzuIwNTvAoh9SMYJ45O1d9O.webp'/></item><item><title><![CDATA[Petrol Diesel Price Today: ટ્રમ્પનો એક નિર્ણય અને ક્રૂડ ઓઇલ $84 નીચે આવ્યું, પેટ્રોલ ડીઝલ થયું સસ્તું? ]]></title><link>https://sandesh.com/business/news/petrol-diesel-price-today-trumps-decision-and-crude-oil-fell-below-84-petrol-diesel-became-cheaper</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/petrol-diesel-price-today-trumps-decision-and-crude-oil-fell-below-84-petrol-diesel-became-cheaper</guid><pubDate>Mon, 03 Aug 2026 08:34:46 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જેમાં બ્રેન્ટ ક્રૂડ $84 પ્રતિ બેરલથી નીચે આવી ગયું છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આનાથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર અસર પડી છે. ચાલો જાણીએ કે 3 ઓગસ્ટે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના તાજેતરના ભાવ અને તેલ બજારમાં શું બન્યું જેના કારણે આ ઘટાડો થયો.</p><h2 style="text-align: justify; "><b>પેટ્રોલ ડીઝલના રેટ જાહેર</b></h2><p style="text-align: justify; ">આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જેમાં બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 84 ડોલરની નીચે સરકી ગયું છે. આ વૈશ્વિક ઘટાડા વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થાય છે કે શું તેની સીધી અસર ભારતના સ્થાનિક બજાર પર પડી છે અને શું પેટ્રોલ-ડીઝલ સસ્તાં થયા છે? ૩ ઓગસ્ટના રોજ પ્રાપ્ત થયેલા આંકડા મુજબ, આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના ભાવ ઘટવા છતાં દેશના મોટાભાગના મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં કોઈ મોટો કે રાહતજનક ફેરફાર જોવા મળ્યો નથી. કેટલાક ગૌણ વિસ્તારોમાં સામાન્ય વધઘટ નોંધાઈ છે, પરંતુ દિલ્હી, મુંબઈ અને કોલકાતા જેવા પ્રમુખ મહાનગરોમાં ભાવ યથાવત રહ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>આજના મુખ્ય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ (₹/લિટર):</b></h3><p style="text-align: justify; ">શહેર	પેટ્રોલ (₹)	ડીઝલ (₹)</p><p style="text-align: justify; ">નવી દિલ્હી	₹102.12	₹95.20</p><p style="text-align: justify; ">મુંબઈ	₹111.21	₹97.83</p><p style="text-align: justify; ">કોલકાતા	₹113.51	₹99.82</p><p style="text-align: justify; ">ચેન્નાઈ	₹107.77	₹99.55<br><br></p><h4><b>ગુજરાતના પ્રમુખ શહેરોમાં ઇંધણના લેટેસ્ટ રેટ:</b></h4><p></p><p style="text-align: justify; ">ગુજરાત અને આસપાસના ક્ષેત્રોમાં પણ સ્થાનિક કરવેરા મુજબ ઇંધણના દરો લગભગ સ્થિર છે. અમદાવાદ તથા આસપાસના વિસ્તારોમાં પેટ્રોલ આશરે ₹101 થી ₹102 ની આસપાસ અને ડીઝલ ₹97 થી ₹98 પ્રતિ લિટરની રેન્જમાં વેચાઈ રહ્યું છે.</p><p style="text-align: justify; "><br></p><table class="table table-bordered"><tbody><tr><td>શહેર&nbsp;</td><td>&nbsp;પેટ્રોલ</td><td>ડીઝલ</td></tr><tr><td>અમદાવાદ</td><td>₹102.15&nbsp;</td><td>₹98.27</td></tr><tr><td>ગાંધીનગર&nbsp;&nbsp;</td><td>₹102.01</td><td>₹98.13</td></tr><tr><td>રાજકોટ&nbsp;</td><td>₹101.31</td><td>₹98.43</td></tr><tr><td>સુરત&nbsp;&nbsp;</td><td>₹101.82</td><td>₹97.95</td></tr><tr><td>વડોદરા&nbsp;&nbsp;</td><td>₹102.15</td><td>₹98.27</td></tr></tbody></table><h5 style="text-align: justify; "><b>તમારા શહેરના ભાવ કેવી રીતે તપાસશો?</b></h5><p style="text-align: justify; ">તમે તમારી અનુકૂળતા મુજબ નીચેના નંબર પર SMS કરીને તમારા શહેરના તાજા ભાવ જાણી શકો છો:</p><p style="text-align: justify; ">IOCL: 'RSP &lt;સ્પેસ&gt; &lt;સેન્ટર કોડ&gt;' લખીને 92249 92249 પર SMS કરો.</p><p style="text-align: justify; ">HPCL: 'HPPRICE &lt;સ્પેસ&gt; &lt;સેન્ટર કોડ&gt;' લખીને 92222 01122 પર SMS કરો.</p><p style="text-align: justify; ">BPCL: 'RSP &lt;સ્પેસ&gt; &lt;સેન્ટર કોડ&gt;' લખીને 92231 12222 પર SMS કરો.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/shravan-first-monday-somnath-kashi-vishwanath-news" target="_blank">આ પણ વાંચોઃ North India  : શ્રાવણનો પહેલો સોમવાર,સોમનાથથી કાશી વિશ્વનાથ સુધી શિવમય બન્યું દેશભરનું વાતાવરણ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/02/08/ANgJBuQmJ9UOUxgE7VLPSZmpNvvg0AEwxmrzqmge.webp'/></item><item><title><![CDATA[CWG 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ 2026ની પૂર્ણાહુતિ, 2030 માટે હર્ષ સંધવીએ સ્વિકાર્યો ધ્વજ! ]]></title><link>https://sandesh.com/sports/news/cwg-2026-commonwealth-games-2026-concludes-in-glasgow-harsh-sandhvi-accepts-flag-for-2030</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/cwg-2026-commonwealth-games-2026-concludes-in-glasgow-harsh-sandhvi-accepts-flag-for-2030</guid><pubDate>Mon, 03 Aug 2026 08:34:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026ના રંગીન સમાપનથી ભારત માટે એક નવા અધ્યાયની શરૂઆત થઈ.ગ્લાસગોમાં 11 દિવસના શાનદાર કાર્યક્રમો પછી,સ્કોટલેન્ડે સત્તાવાર રીતે ભારતને કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને દંડૂકો સોંપ્યો.વિશ્વ હવે 2030 માં શતાબ્દી આવૃત્તિ પર નજર રાખશે,જેનું આયોજન અમદાવાદ કરશે. ભારત અમદાવાદ 2030ની યજમાની કરીને ઇતિહાસ પણ રચશે.ભારત ઓસ્ટ્રેલિયા પછી એક કરતા વધુ વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરનાર બીજો દેશ બનશે. અગાઉ, ભારતે 2010 માં નવી દિલ્હીમાં સફળતાપૂર્વક ગેમ્સનું આયોજન કર્યું હતું.</p><h5 style="text-align: justify; "><b>ભારતની સંસ્કૃતિક ઝલક જોવા મળી&nbsp;</b></h5><p style="text-align: justify; ">સમાપન સમારોહમાં,ભારતે તેના સાંસ્કૃતિક વારસા,આધુનિક વિચારસરણી અને પરંપરાઓનું પ્રદર્શન કર્યું, જેનાથી સમગ્ર સ્ટેડિયમ તાળીઓથી ગૂંજી ઉઠ્યું.સમારંભના અંતે, બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજાના પ્રતિનિધિ, એડિનબર્ગના ડ્યુક, પ્રિન્સ એડવર્ડે સત્તાવાર રીતે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026 પૂર્ણ થવાની જાહેરાત કરી. આ સાથે, કોમનવેલ્થ ગેમ્સનો કાફલો હવે ભારત તરફ રવાના થયો,જ્યાં 2030 માં કોમનવેલ્થ ગેમ્સની ઐતિહાસિક 100મી વર્ષગાંઠ ઉજવવામાં આવશે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dbj_NaPDeJt/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dbj_NaPDeJt/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a></p><p style="text-align: justify; "><br></p><h5 style="text-align: justify; "><b>ભારતને કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ મળ્યો</b></h5><p style="text-align: justify; ">સુવર્ણ ચંદ્રક જીતનાર બોક્સર જાસ્મિન લેમ્બોરિયા સમાપન સમારોહમાં ભારત માટે ધ્વજવાહક હતા.ઔપચારિક ધ્વજ સોંપણી સમારોહ સમગ્ર સંકુલમાં કોમનવેલ્થ ગેમ્સના ધ્વજની પ્રતીકાત્મક સરઘસ સાથે શરૂ થયો. સ્કોટલેન્ડ અને ભારતના ધ્વજધારકોની આગેવાની હેઠળ એક સરઘસે ફોલ્ડ કરેલા ગેમ્સના ધ્વજને નીચે ઉતાર્યો. ગ્લાસગોના લોર્ડ પ્રોવોસ્ટ,જેક્લીન મેકલેરેન, ત્યારબાદ તેને કોમનવેલ્થ ગેમ્સ સ્કોટલેન્ડના ઉપપ્રમુખ સુસાન જેક્સન, સ્કોટલેન્ડના નેટબોલ ખેલાડી એમિલી નિકોલ, કોમનવેલ્થ સ્પોર્ટના પ્રમુખ ડૉ. ડોનાલ્ડ રુકારે, બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરા, ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષા અને છેલ્લે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સોંપી. આ સાથે, યજમાનીની જવાબદારી સત્તાવાર રીતે સ્કોટલેન્ડથી ભારતને સોંપવામાં આવી. ત્યારથી, સમારોહ ભારતના સાંસ્કૃતિક વારસાની ઉજવણીમાં ડૂબી ગયો.એક ખાસ વિશેષતા ભારતીય અને સ્કોટિશ કલાકારો દ્વારા સંયુક્ત પ્રદર્શન હતું, જે બંને દેશો વચ્ચેની સાંસ્કૃતિક ભાગીદારીની સુંદર ઝલક દર્શાવે છે.</p><h4 style="text-align: justify; "><b>ભારતીય કલાકનું શાનદાર પ્રદર્શન કર્યું.&nbsp;</b></h4><p style="text-align: justify; ">ભારતે પોતાની પ્રસ્તુતિ દ્વારા વિશ્વને અમદાવાદમાં આમંત્રણ આપ્યું,જેમાં ભારતીય ફિલસૂફી,લોક સંસ્કૃતિ અને આધુનિક ભારતની ઝલક પ્રભાવશાળી રીતે દર્શાવવામાં આવી. આ પ્રસ્તુતિએ માત્ર યજમાન અધિકારો સોંપવાનું જ નહીં પરંતુ 2030 માં યોજાનારી શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ માટેના વિઝનનો પરિચય પણ કરાવ્યો. ભારતનું ગ્લાસગો અભિયાન 2026 કોમનવેલ્થ ગેમ્સ માટે ખૂબ જ સફળ રહ્યું.ભારતીય ટુકડીએ કુલ 39 મેડલ જીત્યા, જેમાં 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. આ પ્રદર્શન સાથે, ભારત મેડલ ટેલીમાં ચોથું સ્થાન મેળવ્યું.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/india-commonwealth-games-2026-medal-tally-fourth-place" target="_blank">CWG 2026 Medal Tally: ભારતનું અભિયાન સમાપ્ત, મેડલ ટેલીમાં ભારત ક્યાં નંબર પર?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/Jh5gzLcYFHJfFN1cAwkuS5qZaKDJkKbUoY9Xx1vO.webp'/></item><item><title><![CDATA[North India  : શ્રાવણનો પહેલો સોમવાર,સોમનાથથી કાશી વિશ્વનાથ સુધી શિવમય બન્યા મંદિરો ]]></title><link>https://sandesh.com/india/news/shravan-first-monday-somnath-kashi-vishwanath-news</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/shravan-first-monday-somnath-kashi-vishwanath-news</guid><pubDate>Mon, 03 Aug 2026 08:17:41 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઉત્તર ભારતમાં શરૂ થયેલા પવિત્ર શ્રાવણ મહિનાના પ્રારંભ સાથે જ સમગ્ર દેશમાં ભગવાન શિવની ભક્તિનું અદ્ભુત વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર છે, જે સનાતન પરંપરામાં અત્યંત પવિત્ર અને મહિમાવાન માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર શ્રાવણ મહિનો ભગવાન શિવને અત્યંત પ્રિય છે, કારણ કે આ પવિત્ર માસમાં જ દેવી પાર્વતીએ શિવજીને પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી.</p><h2 style="text-align: justify;"><b>શ્રાવણનો પહેલો સોમવાર</b></h2><p style="text-align: justify;">આજના આ શુભ અવસરે ગુજરાતથી લઈને કાશી અને ઓડિશા સુધીના શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી છે. ગુજરાતમાં અરબી સમુદ્રના કિનારે બિરાજેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને સવારથી જ શિવભક્તો પહોંચી રહ્યા છે. મુક્તિ નગરી કાશીમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરમાં ભગવાન વિશ્વેશ્વરની ભવ્ય મંગળા આરતી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ જોડાઈને ધન્યતા અનુભવી હતી.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANINewsUP/status/2084061699523711449"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h3 style="text-align: justify;"><b>ગૌરી શંકર મંદિરમાં પણ શ્રદ્ધાનું પૂર ઉમટ્યું&nbsp;</b></h3><p style="text-align: justify;">દેશની રાજધાની દિલ્હીના પ્રખ્યાત ચાંદની ચોક સ્થિત ગૌરી શંકર મંદિરમાં પણ શ્રદ્ધાનું પૂર ઉમટ્યું હતું. સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. શિવલિંગ પર જલાભિષેક કરી, દૂધ, બેલપત્ર અને ફૂલો ચઢાવીને ભક્તોએ ભગવાન ભોળાનાથના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સમગ્ર મંદિર પરિસર "હર હર મહાદેવ" અને "બમ બમ ભોલે" ના ગુંજતા નાદોથી પવિત્ર બની ગયું હતું.<br></p><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2084073906969936297"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2084076394519392480"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h4 style="text-align: justify;"><b>લોકનાથ મંદિરમાં પણ ભક્તોએ વિશેષ પ્રાર્થના કરી</b></h4><p style="text-align: justify;">આ ઉપરાંત, ઓડિશાના પુરી સ્થિત ઐતિહાસિક લોકનાથ મંદિરમાં પણ ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિશેષ પ્રાર્થના કરી હતી. ઝારખંડના પ્રસિદ્ધ દેવઘર સ્થિત બાબા વૈદ્યનાથ ધામમાં પણ શ્રાવણના પહેલા સોમવારે ભક્તોનો અભૂતપૂર્વ પ્રવાહ જોવા મળ્યો છે. અહીં કાવડિયાઓ અને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું છે. સુરક્ષા અને વ્યવસ્થા અંગે વાત કરતા દેવઘરના પોલીસ અધિક્ષક પ્રવીણ પુષ્કરે જણાવ્યું હતું કે, આજના દિવસે અંદાજે બે થી ત્રણ લાખ શ્રદ્ધાળુઓ આવવાની સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) અને પોલીસ જવાનો ગત રાત્રિથી જ ખડેપગે તૈનાત છે. આ પ્રકારે, દેશના ખૂણે-ખૂણે આવેલા શિવાલયોમાં શ્રદ્ધા, આસ્થા અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે, જ્યાં દરેક ભક્ત શિવજીની આરાધનામાં લીન થઈને પવિત્રતાનો અનુભવ કરી રહ્યો છે.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2084090633829159079"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify;"><b><a href="https://sandesh.com/india/news/jharkhand-jpsc-jssc-exam-irregularities-student-protest-cjp-support" target="_blank">આ પણ વાંચોઃ Jharkhand : JPSC-JSSC ભરતી પરીક્ષાના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વિદ્યાર્થીઓના આંદોલનને CJPએ આપ્યો ટેકો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/hadkiiWBdMd81lcBX72xHg0klIj63kN4tOeeNvmM.webp'/></item><item><title><![CDATA[Sabarkantha: રોટરી ક્લબ ઓફ્ વડાલી રાઉન્ડ ટાઉનને એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિત સન્માન અપાયું ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/himatnagar/sabarkantha-rotary-club-of-wadali-round-town-was-awarded-several-prestigious-honors-at-the-awards-ceremony</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/himatnagar/sabarkantha-rotary-club-of-wadali-round-town-was-awarded-several-prestigious-honors-at-the-awards-ceremony</guid><pubDate>Mon, 03 Aug 2026 06:28:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડાલી : રોટરી ડિસ્ટ્રિક્ટ 3055ના વર્ષ 2025-26ના ડિસ્ટ્રિક્ટ એવોર્ડ સમારંભમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર નીગમભાઈ ચૌધરીના હસ્તે રોટરી ક્લબ ઓફ્ વડાલી રાઉન્ડ ટાઉનને વર્ષ દરમિયાન કરવામાં આવેલી ઉત્કૃષ્ટ સેવાકીય કામગીરી બદલ અનેક પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવી.ક્લબના પ્રમુખ અજમતખાનને 30થી ઓછી સભ્ય સંખ્યાવાળા ક્લબોમાં શ્બેસ્ટ ક્લબ - સિલ્વર એવોર્ડશ્ એનાયત કરવામાં આવ્યો. ઉપરાંત, આંખોના આરોગ્ય ક્ષેત્રે નિઃશુલ્ક આંખ તપાસ, મોતિયાબિંદ સર્જરી અને રોટરી ગ્લોબલ ગ્રાન્ટ દ્વારા આધુનિક નેત્ર ચિકિત્સા સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા બદલ શ્બેસ્ટ આઈ એક્ટિવિટી - ગોલ્ડ એવોર્ડશ્ અર્પણ કરવામાં આવ્યો,ધ રોટરી ફાઉન્ડેશન (TRF)માં નોંધપાત્ર યોગદાન બદલ સમગ્ર રોટરી ડિસ્ટ્રિક્ટ 3055માં ક્લબે બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ઉપરાંત વર્ષ દરમિયાન ક્લબની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે અનેક અન્ય એવોર્ડ અને પ્રશંસાપત્ર અર્પણ કરાયો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/zPepLuu9JsXz7FGO9JgfzaFbpobDYqxitxZZ9MHc.webp'/></item><item><title><![CDATA[Himatnagar: પોશીનામાંથી પશુ ચોરીના ગુનામાં ફરાર શખ્સ પકડાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/himatnagar/himatnagar-fugitive-arrested-for-cattle-theft-from-poshina</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/himatnagar/himatnagar-fugitive-arrested-for-cattle-theft-from-poshina</guid><pubDate>Mon, 03 Aug 2026 06:27:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હિંમતનગર । એક વર્ષ અગાઉ સાબરકાંઠા જિલ્લાના પોશીના પોલીસ સ્ટેશનમાં પશુ ચોરીના ગુનામાં ઝીંઝણાટ ગામના એક રહીશની સંડોવણી હોવાની ફરિયાદ નોંધાયા બાદ તાજેતરમાં એક વર્ષ બાદ સાબરકાંઠા જિલ્લા LCB એ તેની બાતમીને આધારે પોશીનાના ગોયાનાકા નજીકથી ઝડપી લીધો હતો. આ અંગે એલસીબીના પીઆઈ ડી.સી.સાકરીયા તથા સ્ટાફના જણાવાયા મુજબ, તેમને તાજેતરમાં એવી બાતમી મળી હતી કે, એક વર્ષ અગાઉ પોશીના પોલીસ સ્ટેશનમાં ઝીંઝણાટ ગામના હીરા ગુજરાભાઈ બુંબડીયા વિરૂધ્ધ નોંધાયેલી ફરિયાદ બાદ એક વર્ષથી પોલીસ સ્ટેશનમાં હાજર થતાં ન હતો જેથી એલસીબીએ બાતમીને આધારે તેને પોશીના બજારમાં આવેલ ગોયાનાકા નજીકથી પકડી લઈ વધુ તપાસ માટે પોશીના પોલીસને હવાલે કરાયો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/sq0Okc0N4W72fQ9nsfg2jNHEzJ1qKpL2BCSFzn5o.webp'/></item><item><title><![CDATA[Vadodara: દંખેડા ગામે દેવ સિંચાઇની માઇનોર કેનાલમાં મોટું ગાબડું ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</guid><pubDate>Mon, 03 Aug 2026 06:05:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જરોદ : વાઘોડિયા તાલુકામાં ભારે વરસાદ બાદ દંખેડા ગામે દેવ સિંચાઈની માઇનોર કેનાલમાં મોટું ગાબડું પડયું હતું. કેનાલમાં ગાબડું સર્જાતા કેનાલના પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતાં ખેતરોમાં ઊભો પાક ધોવાયો હતો. પાણી વધારે ભરાવાને કારણે બાજુમાં આવેલા ઇંટોના ભઠ્ઠાને પણ નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. ચાર પાંચ મહિના પહેલાજ દેવ સિંચાઈની માઇનોર કેનાલ બનાવાઇ છે. તેમ જાણવા મળ્યું છે. માત્ર અમુક મહિનામાં કેનાલ તૂટી જતાં કોન્ટ્રાક્ટર દ્વારા કરેલા કામમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થયા છે. અચાનક પાણી ફરી વળતા ખેડૂતો અને ભઠ્ઠાના સંચાલકોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/qucr51eeN2qSt15EHGmZ41KX73VdLlgkmWGQII0t.webp'/></item><item><title><![CDATA[Surat: પૂરને કારણે માંગરોળના 2677 કુટુંબના 6141 લોકોને સલામત સ્થળે ખસેડાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-6141-people-from-2677-families-in-mangrol-were-shifted-to-a-safe-place-due-to-floods</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-6141-people-from-2677-families-in-mangrol-were-shifted-to-a-safe-place-due-to-floods</guid><pubDate>Mon, 03 Aug 2026 02:51:30 +05:30</pubDate><description><![CDATA[<p><b>માંગરોળ તાલુકામાં પડેલા ભારે વરસાદનાં પગલે કીમ અને ભુખી નદીમાં પુર આવ્યા હતા. જેના કારણે ગામોમાં તેમજ કોતરોમાં પાણી ભરાઇ જતા મોટું સંકટ ઊભુ થયું હતું.</b></p><p><b>પુરનાં પાણી ગામડાઓમાં ફરી વળતા માંગરોળ તાલુકાનાં કુલ 53 જેટલા ગામો પ્રભાવિત થયા છે, જેનાં કારણે 2677 કુટુંબોની 6141 જેટલી માનવ વસ્તીને સીધી અસર પહોંચી હતી. આ કુદરતી આફતમાં ધારાસભ્ય ગણપત વસાવા સ્થાનિક પ્રશાસન સાથે તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા હતા. તેમણે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, પોલીસ ઇન્સ્પેક્ટર, સરકારી કર્મચારીઓ તેમજ સંબંધિત ગામોનાં તલાટી કમ મંત્રી, સરપંચો અને ભાજપનાં કાર્યકર્તાઓનાં સહયોગથી અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોનું સલામત સ્થળાંતર કરાવ્યું હતું.</b></p><p><b>પુર પ્રભાવિત વિસ્તારોની પરીસ્થિતિની સમીક્ષા કર્યા બાદ અસરગ્રસ્ત પરીવારોને તાત્કાલિક મદદ પહોંચાડવા માટે ભાજપ દ્વારા દાળ, ચોખા, તેલ અને મસાલો જેવી જીવન જરૂરીયાતની ચિજવસ્તુઓનો સમાવેશ કરતી 10 હજાર રાહત કીટ વિતરણ કરાઈ હતી.</b></p><p><b>આ રાહત સામગ્રીને પૂર પીડિતો સુધી ઝડપથી પહોંચાડવા માટે પાર્ટીનાં કાર્યકરોની 10 વિશેષ ટીમો બનાવવામાં આવી હતી.</b></p><p><b><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/hwB6qhmWrScWnOXcX5qG7mGsG1sXLQcpWxPqILZu.webp'/></item><item><title><![CDATA[The Paradiseમાંથી રાઘવ જુયાલનો ફર્સ્ટ લુક આઉટ, વિક્રમ મલિક બનીને મચાવશે તબાહી! ]]></title><link>https://sandesh.com/entertainment/news/the-paradise-raghav-juyal-first-look-vikram-malik</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/the-paradise-raghav-juyal-first-look-vikram-malik</guid><pubDate>Sun, 02 Aug 2026 17:35:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify;">શ્રીકાંત ઓડેલાની દ પેરાડાઇઝ સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંથી એક છે. ફિલ્મ સાથે જોડાયેલી દરેક નવી અપડેટ પછી ફેન્સમાં ઉત્સાહ સતત વધી રહ્યો છે. હવે નાનીની ફિલ્મ 'દ પેરાડાઇઝ'માંથી રાઘવ જુયાલનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ પહેલાં કદાચ જ લોકોએ તેને આટલા પાવરફુલ અવતારમાં જોયા હશે. 'દસરા'ની બ્લોકબસ્ટર સફળતા બાદ નાની અને ડિરેક્ટર શ્રીકાંત ઓડેલાની આ જોડી ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.</p><h2 style="text-align: justify;"><b>'દ પેરાડાઇઝ'માંથી રાઘવ જુયાલનો ફર્સ્ટ લુક વાયરલ</b></h2><p style="text-align: justify;">'દ પેરાડાઇઝ'માંથી રાઘવ જુયાલનો ફર્સ્ટ લુક સામે આવતા જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે અને ફિલ્મને લઈને લોકોમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેકર્સે 19 જૂન 2026ના રોજ એક વીડિયો શેર કર્યો હતો, જેમાં વિક્રમ મલિકનો ધમાકેદાર લુક જોવા મળ્યો હતો. સાથે જ દાવો કરવામાં આવ્યો હતો કે રાઘવ જુયાલનો આ અત્યાર સુધીનો સૌથી અલગ અવતાર હશે. તેઓ પાવરફુલ, ગુસ્સાથી ભરેલા અને પ્રભાવશાળી વિક્રમ મલિક તરીકે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા તૈયાર છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DZxH-6BI7fo/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DZxH-6BI7fo/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DZxH-6BI7fo/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DZxH-6BI7fo/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h3 style="text-align: justify;"><b>વિક્રમ મલિક બનશે ફિલ્મનું સૌથી પાવરફુલ પાત્ર</b></h3><p style="text-align: justify;">'દ પેરાડાઇઝ'ના મેકર્સે વિક્રમ મલિકના પાત્રમાં રાઘવ જુયાલનો લુક જાહેર કરીને ફેન્સનું મોટું સરપ્રાઇઝ આપ્યું છે. આ અવતારમાં રાઘવ ખૂબ જ પાવરફુલ અને ગ્રાન્ડ અંદાજમાં જોવા મળે છે. વીડિયોમાં તેની એન્ટ્રી તોફાન જેવી લાગે છે. તેની સ્ટાઇલ, એનર્જી અને જબરદસ્ત સ્ક્રીન પ્રેઝન્સે લોકોને પ્રભાવિત કર્યા છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક આ સીનને વધુ અસરકારક બનાવે છે. જ્યારે તેઓ નાની સાથે સ્ક્રીન શેર કરે છે ત્યારે તેની એન્ટ્રી વધુ જોરદાર લાગે છે.</p><h4 style="text-align: justify;"><b>'દ પેરાડાઇઝ' ક્યારે થશે રિલીઝ?</b></h4><p style="text-align: justify;">'SLV સિનેમાઝ' દ્વારા બનાવવામાં આવેલી 'દ પેરાડાઇઝ' 21 ઓગસ્ટ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મ હિન્દી, તેલુગુ, તમિલ, અંગ્રેજી, સ્પેનિશ, બંગાળી, કન્નડ અને મલયાલમ સહિત કુલ 8 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે.</p><p style="text-align: justify;"><a href="https://sandesh.com/entertainment/news/sooraj-pancholis-emotional-statement-on-jiah-khan-case-said-14-years-of-my-life-were-taken-away" target="_blank">આ પણ વાંચો-Jiah Khan કેસ પર સૂરજ પંચોલીનું નિવેદન, કહ્યું- 'મારી જિંદગીના 14 વર્ષ છીનવાઈ...'</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/02/PILV1zoS2RaXRgiJCj8O3YRrTTkjp23bwxBAiO8a.webp'/></item></channel></rss>