<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Parliament Monsoon Session: રાહુલ ગાંધી ભાગો નહી.. રાંચીમાં લાઠીચાર્જ મુદ્દે બીજેપી સાંસદોનું પ્રદર્શન ]]></title><link>https://sandesh.com/india/news/parliament-monsoon-session-rahul-gandhi-amit-shah-bjp-mps-protest-over-lathi-charge-issue-in-ranchi-jpsc-jssc-exam-row</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/parliament-monsoon-session-rahul-gandhi-amit-shah-bjp-mps-protest-over-lathi-charge-issue-in-ranchi-jpsc-jssc-exam-row</guid><pubDate>Tue, 11 Aug 2026 11:01:29 +05:30</pubDate><description><![CDATA[<p>આજે સંસદના ચોમાસુ સત્રનો 17મો દિવસ છે. સત્ર 20 જુલાઈથી શરૂ થયું હતું અને 13 ઓગસ્ટ સુધી ચાલુ રહેવાનું છે. વિપક્ષના સતત હોબાળાને કારણે, ઘણા દિવસો સુધી પ્રશ્નકાળ પૂર્ણ થઈ શક્યો ન હતો, અને ગૃહને વારંવાર મુલતવી રાખવું પડ્યું હતું. સોમવાર, 10 ઓગસ્ટના રોજ, લોકસભા અને રાજ્યસભા બંનેમાં કાર્યવાહી સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.</p><p><b style="font-size: 2rem;">NDAની મંગલ મિલનની બેઠક યોજી&nbsp;</b></p><p>આજે સવારે NDA સાંસદોએ તેમની સાપ્તાહિક 'મંગલ મિલન' (અનૌપચારિક વાર્તાલાપ) બેઠક યોજી હતી.PM નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ અને અન્ય NDA સાંસદોએ બેઠકમાં હાજરી આપી હતી. સત્રના અંતિમ દિવસો માટેની રણનીતિ, ગૃહની સુગમ કામગીરી સુનિશ્ચિત કરવા અને વિપક્ષના વિરોધ પ્રદર્શનોને નિયંત્રિત કરવા પર ચર્ચાઓ કેન્દ્રિત હતી. સાંસદોને એકતામાં રહેવા અને આવશ્યક બિલો પસાર કરવા માટે સમર્થન આપવા વિનંતી કરવામાં આવી હતી.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2087042654618206392"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b style="font-size: 1.75rem;">'અમિત શાહના જવાબથી રાહુલ ગાંધી ભાગે નહી'</b></p><p>તો બીજી તરફ વિપક્ષ - ખાસ કરીને ભારત ગઠબંધન પક્ષો - વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે પોલીસ કાર્યવાહી અને રામ મંદિરમાં પ્રસાદની ચોરી અથવા દુરુપયોગના આરોપો અંગે ગૃહમંત્રી અમિત શાહ પાસેથી જવાબ માંગી રહ્યા છે. કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી જેવા પક્ષો સતત સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે સરકાર વિપક્ષના દરેક પશ્નનો જવાબ આપવા તૈયાર છે. અમિત શાહ પણ ગૃહમાં જવાબ આપવા તૈયાર છે. ત્યારે રાહુલ ગાંધી કેમ અમિત શાહના જવાબથી ભાગી રહ્યા છે તેવા બેનરો સાથે હવે એનડીએ સાંસદો દ્વારા સંસદ પરિસરમાં પ્રદર્શન કરવામાં આવ્યું છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PTI_News/status/2087046287913038081"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p><b style="font-size: 1.5rem;">ઝારખંડમાં વિદ્યાર્થીઓના વિરોધ અંગે પ્રિયંકા ગાંધી કેમ નથી બોલતા? - BJP&nbsp;</b></p><p>ઝારખંડમાં વિદ્યાર્થીઓના મુદ્દા પર ભાજપના સાંસદોએ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી પર નિશાન સાધ્યું છે. તેમણે પ્રશ્ન કર્યો છે કે તમે ઝારખંડની મુલાકાત કેમ નથી લીધી? તમે ત્યાં વિદ્યાર્થીઓને પડતી સમસ્યાઓ વિશે કેમ બોલતા નથી?" ભાજપના સાંસદોએ માંગ કરી હતી કે પ્રિયંકા રાજ્યમાં વિદ્યાર્થીઓ સામે કરવામાં આવેલી કથિત કાર્યવાહી અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરે.&nbsp;</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2087040371528438160"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h5><b>અમિત શાહ જવાબ આપશે, વિપક્ષ ભાગે નહી- મોનજ તિવારી&nbsp;</b></h5><p>દિલ્હીમાં, ભાજપના સાંસદ મનોજ તિવારીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, "અમિત શાહ જવાબ આપશે.  રાહુલ ગાંધી, ભાગશો નહીં." ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર થયેલી કથિત કાર્યવાહીનો ઉલ્લેખ કરતા, તિવારીએ રાહુલ ગાંધી પર સવાલ ઉઠાવતા કહ્યું, "રાહુલ ગાંધી, થોડી શરમ કરો.  ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર આટલી ક્રૂરતા આચરવામાં આવી છે..."</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2087040763893018946"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h5><b>રાહુલ ગાંધી અને કોંગ્રેસ જુઠ્ઠાણા ફેલાવી રહી છે- અનુરાગ ઠાકુર&nbsp;</b></h5><p>ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર કહે છે કે, "ઝારખંડના યુવાનો માટે ન્યાય થવો જ જોઈએ. જે રીતે તેમના પર લાઠીચાર્જ અને અત્યાચાર કરવામાં આવ્યા તે રાહુલ ગાંધીની માનસિકતા દર્શાવે છે.&nbsp; જે દર્શાવે છે કે તેમના સમર્થકો દ્વારા શાસિત રાજ્યમાં યુવાનો સાથે કેવી રીતે દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે અને તેમને કેવી રીતે ન્યાયનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે. છતાં બીજી બાજુ તેઓ ગૃહમંત્રી પાસેથી જવાબ માંગે છે જ્યારે તેઓ પોતે ગૃહમાં હાજર રહેવામાં નિષ્ફળ જાય છે. ગૃહમંત્રી જવાબ આપવા માટે તૈયાર છે&nbsp; પરંતુ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી ફક્ત હેડલાઇન્સમાં રહેવા માટે જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે અને બેદરકાર નિવેદનો આપી રહ્યા છે.&nbsp;</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2087043226482229366"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/CjND3wZQrMZaUw0Huk9JGVtqM4tawffdnEks6exA.webp'/></item><item><title><![CDATA[Vadodaraના વાઘોડિયામાં મોડી રાત્રે તસ્કરોનો આતંક: ચોરીમાં કશું ન મળતાં વિદેશી વિદ્યાર્થી પર ઘાતકી હુમલો ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/terror-of-smugglers-late-at-night-in-vadodaras-waghodia-brutal-attack-on-foreign-student-after-nothing-was-found-in-the-theft</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/terror-of-smugglers-late-at-night-in-vadodaras-waghodia-brutal-attack-on-foreign-student-after-nothing-was-found-in-the-theft</guid><pubDate>Tue, 11 Aug 2026 10:56:36 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં મોડી રાત્રે તસ્કરોએ ભારે ઉત્પાત મચાવ્યો છે. વાઘોડિયાના માડોધર રોડ પર આવેલી રણછોડ ધામ-2 સોસાયટીમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ સૌપ્રથમ સોસાયટીના એક બંધ મકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થાનિક રહીશો જાગી જતાં ચોર ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ત્યારબાદ તસ્કરોએ બાજુમાં જ આવેલી ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓના ભાડાના મકાનને ટાર્ગેટ બનાવ્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>ઘરમાં સૂતેલા વિદેશી યુવક પર કર્યો હુમલો</b></h2><p style="text-align: justify; ">ચોરી કરવાના ઈરાદાથી મકાનમાં ઘૂસેલા તસ્કરોએ આખું ઘર ફેંદી માર્યું હતું, પરંતુ તેમને કોઈ રોકડ રકમ કે કિંમતી સામાન હાથ લાગ્યો ન હતો. કશુંય ન મળતાં રોષે ભરાયેલા તસ્કરોએ ઘરમાં શાંતિથી ઊંઘી રહેલા વિદેશી વિદ્યાર્થી પર અચાનક લોખંડના ભારે હથિયાર વડે માથાના ભાગે ઘાતક હુમલો કરી દીધો હતો. આ લોહિયાળ હુમલામાં વિદેશી યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઘટના બાદ તસ્કરો ફરાર થઈ ગયા હતા, જ્યારે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે રહીશોમાં ભારે આક્રોશ</b></h3><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં જ વાઘોડિયા પોલીસનો કાફલો મોડી રાત્રે જ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સોસાયટી અને માડોધર રોડ પરના સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવીને હિંસક તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. અચાનક બનેલી આ હિંસાત્મક ઘટનાથી રણછોડધામ સોસાયટી અને આસપાસના રહીશોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે. સ્થાનિકોએ વાઘોડિયા પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે ગંભીર સવાલો ઊભા કરીને રાત્રિ દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થાની માંગ કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/eMGPJ1Fm9r0FRl1QiJIfMCjGiSMbhzgcycz2pBBo.webp'/></item><item><title><![CDATA[Narmadaના સાગબારામાં જંગલ જમીન વિવાદ: ચાલુ વરસાદે પણ આદિવાસીઓનું અહિંસક આંદોલન યથાવત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/narmada/forest-land-dispute-in-sagbara-of-narmada-tribals-non-violent-agitation-continues-despite-ongoing-rains</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/narmada/forest-land-dispute-in-sagbara-of-narmada-tribals-non-violent-agitation-continues-despite-ongoing-rains</guid><pubDate>Tue, 11 Aug 2026 10:35:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીનના ખેડાણ અને અધિકારોને લઈને શરૂ થયેલો વિવાદ વધુ ઘેરો બન્યો છે. ધોધમાર ચાલુ વરસાદ હોવા છતાં આદિવાસી ખેડૂતો અને સ્થાનિક ગ્રામજનો પોતાના હક માટે ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આંદોલન પર અડગ ઊભા છે. ચોમાસાની ઋતુમાં ખુલ્લામાં ધરણાં કરી રહેલા આદિવાસીઓએ જણાવ્યું હતું કે આસપાસના જંગલ વિસ્તારમાંથી દીપડા અને ઝેરી વીંછી જેવા હિંસક વન્યજીવો પણ દેખાઈ રહ્યા છે. આમ છતાં, જીવના જોખમે પણ લોકો પોતાના અધિકાર માટે આંદોલન સ્થળ પરથી હટવા તૈયાર નથી.</p><h2 style="text-align: justify; "><b>વિવિધ આદિવાસી આગેવાનોનું સમર્થન</b></h2><p style="text-align: justify; ">જંગલ જમીન પરના પરંપરાગત ખેડાણના અધિકારોનો આ પ્રશ્ન આદિવાસી સમાજની રોજીરોટી સાથે સીધો જોડાયેલો છે. આ લડતમાં હવે વિવિધ સામાજિક અને રાજકીય આદિવાસી આગેવાનોનું પણ પૂર્ણ સમર્થન સાંપડી રહ્યું છે. ગ્રામજનોનું કહેવું છે કે જંગલ જમીન જ તેમની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત છે. એક તરફ આદિવાસીઓ ભારે મુશ્કેલીઓ વચ્ચે આંદોલન કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ સરકાર દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટ ઉકેલ કે વલણ દાખવવામાં ન આવતાં સમગ્ર આદિવાસી વિસ્તારના લોકોમાં ભારે ચિંતા અને અસંતોષ વ્યાપ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>રોજીરોટીનો પ્રશ્ન બનેલી જમીનનો અંતે શું નિવેડો આવશે?</b></h3><p style="text-align: justify; ">સાગબારાના 12થી વધુ ગામોના હજારો આદિવાસી પરિવારો વર્ષોથી જે જમીન પર ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, તે જમીનના કાયદેસરના હક ન મળતાં તેમનું ભવિષ્ય અંધકારમય બન્યું છે. ગાંધીવાદી પદ્ધતિથી ચાલી રહેલા આ આંદોલનને વહીવટી તંત્ર કે સરકાર ક્યારે સાંભળશે અને આટલા દિવસોથી ચાલી રહેલા સળગતા પ્રશ્નનો આખરે શું આદરણીય અને કાયમી નિવેડો આવશે તે એક મોટો પ્રશ્નાર્થ બનીને ઊભો રહ્યો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/RJEtU55k8gZauO2cdAZdJT49gXknwWMi4ykpGllE.webp'/></item><item><title><![CDATA[Independence Day 2026: 15મી ઓગષ્ટને લઇને દિલ્હી હાઇ એલર્ટ, 19 આતંકીઓના ફોટા કર્યા જાહેર ]]></title><link>https://sandesh.com/india/news/independence-day-2026-delhi-on-high-alert-for-august-15-photos-of-19-terrorists-released</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/independence-day-2026-delhi-on-high-alert-for-august-15-photos-of-19-terrorists-released</guid><pubDate>Tue, 11 Aug 2026 10:34:06 +05:30</pubDate><description><![CDATA[<p>15th August 2026: 15મી ઓગષ્ટને ધ્યાને રાખીને દિલ્હી પોલીસ એક્શન અને એલર્ટ મોડમાં આવી ગઇ છે. સુરક્ષાને ધ્યાને રાખીને દિલ્હીમાં જ ચાંચો બંદોબસ્ત અને કડક સુરક્ષા વ્યવસ્થા જોવા મળી રહી છે. તેવામાં દિલ્હી પોલીસે સમગ્ર રાજધાનીમાં હાઇએલર્ટ નોટિસ પાઠવી છે.</p><h2><b>દિલ્હી હાઇએલર્ટ પર&nbsp;</b></h2><p>દિલ્હી પોલીસે 19 મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓના પોસ્ટર જાહેર કર્યા છે. જેઓ&nbsp; ઈન્ડિયન મુજાહિદ્દીન, અલ-કાયદા અને વિવિધ ખાલિસ્તાની સંગઠનો સાથે જોડાયેલા છે. પોલીસે જનતાને આ શંકાસ્પદો વિશે માહિતી આપવા અપીલ કરી છે અને સચોટ વિગતો આપનારાઓ માટે ઈનામની જાહેરાત કરી છે.</p><h3><b>દિલ્હી પોલીસે 19આતંકવાદીઓના ફોટા કર્યા જાહેર&nbsp;</b></h3><p>સ્વતંત્રતા દિવસ&nbsp; નજીક આવતાની સાથે જ દિલ્હી પોલીસે સંભવિત આતંકવાદી ધમકીઓને કારણે સમગ્ર રાજધાનીને હાઈ એલર્ટ પર રાખી છે. સાવચેતીના પગલા તરીકે 19 મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓના પોસ્ટર શહેરના મુખ્ય સ્થળો, જાહેર સ્થળો અને વ્યસ્ત બજારોમાં લગાવવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે જાહેર કરેલા પોસ્ટરોમાં ઈન્ડિયન મુજાહિદ્દીન, અલ-કાયદા અને વિવિધ ખાલિસ્તાની આતંકવાદી જૂથો સાથે સંકળાયેલા ખતરનાક શંકાસ્પદોના ફોટોગ્રાફ્સ અને વિગતો છે.</p><h4><b>મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદી&nbsp;</b></h4><p>આ પોસ્ટરોમાં ઇન્ડિયન મુજાહિદ્દીનના રિયાઝ ભટકલ અને શબંદરી મોહમ્મદ ઇકબાલ (ઉર્ફે ઇકબાલ ભટકલ), તેમજ અલ-કાયદા સાથે જોડાયેલા મોહમ્મદ શર્જીલ અખ્તર, અબુ સુફિયાન અને સૈયદ મોહમ્મદ અરશિયાન જેવા વ્યક્તિઓ દર્શાવવામાં આવ્યા છે.</p><p>મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં 'ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સ'ના રણજીત સિંહ (ઉર્ફે નીતા) અને પરમજીત સિંહ પમ્મા; 'ખાલિસ્તાન ટાઇગર ફોર્સ'ના અર્શદીપ સિંહ (ઉર્ફે અર્શ ડલ્લા); અને 'બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ' (BKI)ના હરવિંદર સિંહ સંધુ (ઉર્ફે રિંડા), વાધવા સિંહ બબ્બર અને ગુરમીત સિંહ બગ્ગા જેવા નામોનો સમાવેશ થાય છે.</p><h4><b>વાર્ષિક ધોરણે લેવામાં આવતા સાવચેતીના પગલાં</b></h4><p>એ નોંધનીય છે કે દર વર્ષે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીની આસપાસના સમયગાળા દરમિયાન દિલ્હી પર આતંકવાદી હુમલાનો ખતરો સૌથી વધુ હોય છે. આને ધ્યાનમાં રાખીને આ વોન્ટેડ આતંકવાદીઓની યાદી બહાર પાડવામાં આવી છે. જેથી નાગરિકો સતર્ક રહે છે અને જો તેઓ કોઈ શંકાસ્પદ વ્યક્તિને જુએ છે અથવા ઓળખે છે તો તેઓ તાત્કાલિક કોઈપણ માહિતીની જાણ કરી શકે છે.</p><h5><b>પોલીસે ઇનામની કરી છે જાહેરાત </b></h5><p>પોલીસે જનતાને અપીલ કરી છે કે જો આ શંકાસ્પદોમાંથી કોઈ દેખાય અથવા તેમના વિશે કોઈ માહિતી ઉપલબ્ધ થાય તો તાત્કાલિક તેમને જાણ કરે. પોસ્ટરમાં પોલીસ કંટ્રોલ રૂમ (112) અને સ્પેશિયલ સેલના સંપર્ક નંબરો સૂચિબદ્ધ છે. દિલ્હી પોલીસે એમ પણ જણાવ્યું છે કે સચોટ માહિતી આપનાર કોઈપણ વ્યક્તિને યોગ્ય ઈનામ આપવામાં આવશે, અને તેમની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.</p><p><a href="https://sandesh.com/astrology/news/bhakti/shani-transit-shani-dev-will-have-a-great-move-luck-will-shine-for-4-zodiac-signs-from-august-20" target="_blank">આ પણ વાંચો: Shani Transit: શનિ દેવ ચાલશે ગજબની ચાલ, 20 ઑગષ્ટથી 4 રાશિનું ચમકશે નસીબ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/gD1d8l64jKBd97cvICiyDzZB2tuHD50Bwf3EMOuC.webp'/></item><item><title><![CDATA[Bhojpuri Bawaalમાં પત્ની ઐશ્વર્યા સાથેના છૂટાછેડા પર તેજ પ્રતાપ યાદવે કર્યા ચોંકાવનારા ખુલાસા ]]></title><link>https://sandesh.com/entertainment/news/tej-pratap-yadav-makes-shocking-revelations-on-divorce-with-wife-aishwarya-in-bhojpuri-bawaal</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/tej-pratap-yadav-makes-shocking-revelations-on-divorce-with-wife-aishwarya-in-bhojpuri-bawaal</guid><pubDate>Tue, 11 Aug 2026 10:30:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બિહારના રાજકારણમાં પોતાના અનોખા અંદાજ માટે જાણીતા જનશક્તિ જનતા દળના પ્રમુખ અને લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ અંગત જીવનમાં અનેક વિવાદોથી ઘેરાયેલા રહ્યા છે. પરિવારથી અલગ થવા અને તૂટેલા લગ્નજીવનના દર્દ વચ્ચે તેમણે હંમેશા મુશ્કેલીઓનો સામનો કર્યો છે. હાલમાં રિયાલિટી શો "ભોજપુરી બાવલ" માં જોવા મળી રહેલા તેજ પ્રતાપે તાજેતરના એપિસોડમાં પોતાની પૂર્વ પત્ની ઐશ્વર્યા રાય સાથેના છૂટાછેડા અને લગ્નના ત્રણ મહિનામાં જ અલગ થવાના નિર્ણાયક કારણો અંગે ખુલ્લેઆમ વાત કરી છે.</p><h2 style="text-align: justify; "><b>'મને મંદિરમાં જતાં પણ રોકતી હતી' - તેજ પ્રતાપ યાદવ</b></h2><p style="text-align: justify;">પોતાના તૂટેલા સંબંધો વિશે વાત કરતા તેજ પ્રતાપે જણાવ્યું કે, "અમારા વિચારો અને મનમેળ બિલકુલ નહોતા મળતા, જેના કારણે પરિસ્થિતિ જટિલ બની ગઈ. હાલ આ મામલો કોર્ટમાં વિચારાધીન છે. અમે પૂજા-પાઠમાં માનતા લોકો છીએ, પરંતુ તેણીને આ બાબત ગમતી નહોતી. તે મને પૂજા કરવા અને મંદિરમાં જતાં પણ રોકતી હતી."</p><h3 style="text-align: justify; "><b>માતા રાબડી દેવી પર હુમલાનો લગાવ્યો આરોપ</b></h3><p style="text-align: justify;">ઐશ્વર્યા દ્વારા લગાવવામાં આવેલા હુમલાના આરોપો અંગે પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે, "કોઈપણ વ્યક્તિ ગમે તેવા આરોપ લગાવી શકે છે, પરંતુ તેના પુરાવા હોવા જરૂરી છે. જ્યારે તેણે મારી માતા (રાબડી દેવી) પર હુમલો કર્યો ત્યારે ત્યાં બે-ત્રણ ધારાસભ્યો પણ હાજર હતા. આ આખી ઘટના સીસીટીવીમાં કેપ્ચર થઈ ગઈ હતી અને મારી પાસે તેનો વિડીયો છે. મેં આ તમામ પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરી દીધા છે."</p><h4 style="text-align: justify; "><b>ફરી લગ્ન કરવા અંગે શું કહ્યું?</b></h4><p style="text-align: justify;">ભવિષ્યમાં ફરી લગ્ન કરવા અંગેના સવાલ પર તેજ પ્રતાપે સ્પષ્ટતા કરી કે, "હું તેના વિશે આગળ વિચારીશ. હાલ તો મારો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર જનતાની સેવા કરવાનો છે. લગ્ન જ્યારે થવાના હશે ત્યારે થશે, અત્યારે હું તેના વિશે વધુ વિચારતો નથી."</p><h4 style="text-align: justify; "><b>૨૦૧૮ માં થયા હતા હાઈ પ્રોફાઈલ લગ્ન</b></h4><p style="text-align: justify;">ઉલ્લેખનીય છે કે, ૧૨ મે, ૨૦૧૮ ના રોજ તેજ પ્રતાપ યાદવ અને ઐશ્વર્યા રાયના લગ્ન થયા હતા. ઐશ્વર્યા બિહારના પૂર્વ મુખ્યમંત્રી દરોગા રાયની પૌત્રી અને પૂર્વ મંત્રી ચંદ્રિકા રાયની પુત્રી છે. લગ્ન બાદ ૨૦૧૯ માં ઐશ્વર્યાએ સાસુ રાબડી દેવી અને સુરક્ષાકર્મીઓ પર મારપીટનો આરોપ લગાવ્યો હતો. બીજી તરફ, તેજ પ્રતાપે પણ ઐશ્વર્યા પર ગંભીર આરોપો મૂક્યા હતા, જેના કારણે આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો.</p><h5 style="text-align: justify; "><b>ઐશ્વર્યા રાયના ગંભીર આક્ષેપો</b></h5><p style="text-align: justify; ">વિવાદ અને છૂટાછેડાના કેસ વચ્ચે તેજ પ્રતાપના અન્ય સાથેના ફોટા વાયરલ થતાં ઐશ્વર્યાએ નારાજગી વ્યક્ત કરી હતી. તેણે સવાલ ઉઠાવ્યો હતો કે, "જો પરિવારના લોકોને આ અફેર અંગે અગાઉથી ખબર હતી, તો પછી મારા લગ્ન કેમ કરાવવામાં આવ્યા અને મારું જીવન કેમ બરબાદ કરવામાં આવ્યું?"<br><br><a href="https://sandesh.com/entertainment/news/samay-raina-roasts-badshah-for-mentioning-yo-yo-honey-singhs-song-in-the-bonus-episode-of-indias-got-talent-2" target="_blank">આ પણ વાંચો : Samay Raina 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ 2'ના બોનસ એપિસોડમાં યો યો હની સિંહના ગીતનો ઉલ્લેખ કરી બાદશાહને કર્યો રોસ્ટ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/2IGsXNH9qke4SkSUd2sXMwic3t7L3bPw7KEhatIR.webp'/></item><item><title><![CDATA[Vadodaraમાં બહુચર્ચિત તમન્ના સૈયદ અને તેના પતિ સોહેલની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/crime-branch-arrests-much-talked-about-tamannaah-syed-and-her-husband-sohail-in-vadodara</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/crime-branch-arrests-much-talked-about-tamannaah-syed-and-her-husband-sohail-in-vadodara</guid><pubDate>Tue, 11 Aug 2026 10:15:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા શહેરમાં વ્યાજખોરી અને ધમકી આપવાના બહુચર્ચિત પ્રકરણમાં ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવતાં ચર્ચિત મહિલા તમન્ના સૈયદ અને તેના પતિ સોહેલ સૈયદની ધરપકડ કરી છે. આરીફ નામના પીડિત શખ્સની ફરિયાદના આધારે પોલીસે દરોડો પાડીને બંને દંપતીની અટકાયત કરી હતી. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં અદાલતે સઘન પૂછપરછ અને તપાસ અર્થે બંનેના 7 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.</p><h2 style="text-align: justify; "><b>3 લાખના વ્યાજે 2 વર્ષમાં 22 લાખ વસૂલ્યા</b></h2><p style="text-align: justify; ">પોલીસ તપાસમાં અત્યંત ચોંકાવનારો પર્દાફાશ થયો છે કે આરોપી તમન્ના અને સોહેલ સૈયદે આરીફ નામના વ્યક્તિને રૂ.3 લાખ વ્યાજે આપ્યા હતા. આ મામુલી રકમ સામે પઠાણી વ્યાજ વસૂલીને દંપતીએ માત્ર બે જ વર્ષના ટૂંકા ગાળામાં રૂ.3 લાખના બદલે રૂ.22 લાખ વસૂલ કરી લીધા હતા. આટલી મોટી રકમ વસૂલ કર્યા બાદ પણ જો પીડિત વધુ પૈસા ન આપે, તો તેને ખોટા ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની સીધી ધમકીઓ આપવામાં આવતી હતી. આ સતત માનસિક ત્રાસથી કંટાળીને આખરે પીડિતે પોલીસના શરણે જઈ ફરિયાદ નોંધાવી હતી.</p><h3 style="text-align: justify; "><b>આરોપી સામે અગાઉથી જ 7 ગુનાઓ નોંધાયેલા છે</b></h3><p style="text-align: justify; ">વડોદરા ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, પકડાયેલો આરોપી સોહેલ સૈયદ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની સામે અગાઉ પણ વિવિધ પોલીસ મથકોમાં 7 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. રિમાન્ડ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બંને આરોપીઓએ અન્ય કેટલા લોકોને વ્યાજખોરીની જાળમાં ફસાવ્યા છે અને ગેરકાયદે સંપત્તિ ભેગી કરી છે તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/GmYICWyp5hc8Nd0SFMzNmW4ka0dTRWwot5ZwtSar.webp'/></item><item><title><![CDATA[Gautam Adani: 'સત્યની જીત થઇ' અમેરિકાથી અદાણી ગ્રુપ માટે આવ્યા ગૂ઼ડ ન્યૂઝ, જાણો શું છે મામલો ]]></title><link>https://sandesh.com/business/news/gautam-adani-good-news-came-from-america-for-adani-group-gautam-adani-tweeted-this</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/gautam-adani-good-news-came-from-america-for-adani-group-gautam-adani-tweeted-this</guid><pubDate>Tue, 11 Aug 2026 10:05:57 +05:30</pubDate><description><![CDATA[<p>અબજોપતિ ગૌતમ અદાણીને અમેરિકા તરફથી ફોજદારી આરોપો અંગે નોંધપાત્ર રાહત મળી છે. અમેરિકાના એક ન્યાયાધીશે અદાણી અને તેમની કંપનીના અધિકારીઓ સામે દાખલ કરાયેલા આરોપોને ફગાવી દીધા છે. ત્યારે આવો જાણીએ શું હતો સમગ્ર મામલો.</p><h2><b>અદાણી ગ્રુપે અમેરિકામાં મેળવી કાનૂની જીત&nbsp;</b></h2><p>અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમના ટોચના અધિકારીઓએ અમેરિકામાં મોટી કાનૂની જીત મેળવી છે. ફોજદારી કેસને સંપૂર્ણપણે ફગાવી દેવાના યુએસ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરતા ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે ન્યાયિક પ્રણાલી અને 'કાયદાના શાસન'માં તેમનો વિશ્વાસ હંમેશા અટલ રહ્યો છે. આ નિર્ણય બાદ, અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણકારોનો વિશ્વાસ ફરી એકવાર મજબૂત થયો છે. આ ચુકાદાને પગલે અદાણી ગ્રુપની કંપનીઓના શેરના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી શકે છે.</p><h3><b>અદાણીએ સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ&nbsp;</b></h3><p>X પર પોસ્ટ કરાયેલા એક નિવેદનમાં, અદાણીએ કહ્યું, "હું ન્યાયિક પ્રક્રિયા માટે નમ્રતા અને ઊંડા આદર સાથે યુએસ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરું છું." તેમણે ઉમેર્યું કે આ પડકારજનક સમયગાળા દરમિયાન, સત્ય, ન્યાયીતા અને કાયદાના શાસનમાં તેમનો વિશ્વાસ અડગ રહ્યો. તેમણે તેમના જૂથ, કાનૂની પ્રણાલી અને "ન્યાય માટે ભારતની ક્ષમતા" માં વિશ્વાસ જાળવી રાખનારાઓનો પણ આભાર માન્યો. યુએસ ડિસ્ટ્રિક્ટ જજ નિકોલસ ગેરોફિસે અદાણી સામેના ફોજદારી આરોપોને ફગાવી દીધા બાદ આ નિવેદન આવ્યું છે, જેમાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા છેતરપિંડી અને લાંચના કેસમાં આગળ ન વધવાના નિર્ણય લેવામાં આવ્યો હતો.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/gautam_adani/status/2086908913493115248"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h4><b>શું હતો સમગ્ર મામલો ?&nbsp;</b></h4><p>ગૌતમ અદાણી અને અદાણી ગ્રીન એનર્જીના વરિષ્ઠ અધિકારીઓ પર યુએસમાં સૌર ઉર્જા કરાર મેળવવા અને અમેરિકન રોકાણકારોને ગેરમાર્ગે દોરવા સંબંધિત આરોપોનો સામનો કરવો પડ્યો હતો. શરૂઆતથી જ, અદાણી ગ્રુપે આ આરોપોની સખત નિંદા કરી હતી, તેમને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવ્યા હતા. ગ્રુપે સતત કહ્યું છે કે તેણે તમામ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક નાણાકીય અને કાનૂની ધોરણોનું સંપૂર્ણ પાલન કર્યું છે.</p><h5><b>આ નિર્ણયના મુખ્ય પરિણામો</b></h5><p>અદાણી ગ્રુપ માટે આ નિર્ણય ફક્ત કાનૂની રાહત જ નહીં પરંતુ વૈશ્વિક વ્યાપાર સ્ટેજ પર તેની નિર્દોષતા સાબિત કરવામાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે. કડક નિયમનકારી અને ન્યાયિક માળખા દ્વારા વર્ગીકૃત થયેલ અમેરિકા જેવા દેશમાં કેસની નિષ્પક્ષ બરતરફી એક મજબૂત સંદેશ મોકલે છે કે કોર્પોરેટ ગવર્નન્સ અંગે જૂથના ધોરણો અપવાદરૂપે મજબૂત છે. આ ચુકાદો જૂથના આગામી આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ અને ભંડોળ યોજનાઓને નોંધપાત્ર ગતિ પ્રદાન કરશે તેવી પણ અપેક્ષા છે.</p><p><br></p><p><a href="https://sandesh.com/astrology/news/bhakti/shani-transit-shani-dev-will-have-a-great-move-luck-will-shine-for-4-zodiac-signs-from-august-20" target="_blank">આ પણ વાંચો: Shani Transit: શનિ દેવ ચાલશે ગજબની ચાલ, 20 ઑગષ્ટથી 4 રાશિનું ચમકશે નસીબ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/gqFAOIj0TlLeR7ZN9MlY0xxL2BkLIdGADLEJrNEJ.webp'/></item><item><title><![CDATA[Rajkot : જંગલેશ્વર ડિમોલેશન બિલ વિવાદ: 10 કિમીની આવન-જાવન માટે લાખો રૂપિયાનું આંધણ, તપાસ સમિતિ પણ દિશાહીન ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-jangleshwar-demolition-bill-scam-travel-expense-investigation</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-jangleshwar-demolition-bill-scam-travel-expense-investigation</guid><pubDate>Tue, 11 Aug 2026 09:52:56 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટના ચર્ચાસ્પદ બનેલા જંગલેશ્વર ડિમોલેશન બિલ વિવાદમાં રોજ નવા ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. ડિમોલેશનની કામગીરીના નામે કરવામાં આવેલા કરોડો રૂપિયાના ખર્ચ અને બિલોમાં વ્યાપક અનિયમિતતાઓ સામે આવ્યા બાદ હવે તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. આ સમગ્ર મામલાની તપાસ માટે રચવામાં આવેલી તપાસ સમિતિને આજે 40 દિવસ પૂર્ણ થઈ ગયા છે, પરંતુ પરિણામ હજુ સુધી શૂન્ય જ છે.</p><h2 style="text-align: justify; "><b>કમિટીના અધ્યક્ષો પૂરી રીતે ગોટે ચડ્યા</b></h2><p style="text-align: justify; ">મળતી વિગતો મુજબ, તપાસ સમિતિની રચના થઈ ત્યારથી જ કમિટીના અધ્યક્ષો પૂરી રીતે ગોટે ચડ્યા છે. અત્યાર સુધીમાં બે-બે અધ્યક્ષો બદલવામાં આવ્યા હોવા છતાં હાલની સ્થિતિ એવી છે કે આ તપાસ સમિતિના કોઈ જ નિયમિત અધ્યક્ષ નથી, જેના કારણે સમગ્ર તપાસ પ્રક્રિયા શંકાના ઘેરામાં આવી ગઈ છે. અધિકારીઓએ ડિમોલેશનની કામગીરી તો સારી કરી, પરંતુ તેના બિલો બનાવવામાં પોતાની બુદ્ધિનું સંપૂર્ણ દેવાળું ફૂંકી દીધું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>આવન-જાવન માટે પ્રશાસન દ્વારા રૂપિયા 6,69,768 નું આંધણ</b></h3><p style="text-align: justify; ">જંગલેશ્વર ડિમોલેશન બિલ મામલે સામે આવેલી તાજેતરની વિગતો અત્યંત ચોંકાવનારી છે. ડિમોલેશનની કાર્યવાહી માટે માત્ર અધિકારીઓ અને કર્મચારીઓને પોતાની ઓફિસથી જંગલેશ્વર સુધી પહોંચાડવા માટે પણ લાખો રૂપિયાના મસમોટા બિલો બનાવી દેવામાં આવ્યા છે. માત્ર 10 કિલોમીટરની ટૂંકી આવન-જાવન માટે પ્રશાસન દ્વારા રૂપિયા 6,69,768 નું આંધણ કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. સામાન્ય અંતર માટે થયેલા આ ખર્ચાએ લોકોમાં અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>હેલ્મેટની ખરીદીનું બિલ ચર્ચાનો વિષય બન્યું&nbsp;</b></h4><p style="text-align: justify; ">રાજકોટ મહાનગરપાલિકાના જંગલેશ્વર ડિમોલેશન મામલે વધુ એક બિલ વિવાદમાં આવ્યું છે. ડિમોલેશન કામગીરી દરમિયાન થયેલી ખરીદી અને ખર્ચને લઈને નવા સવાલો ઊભા થયા છે. આ વખતે હેલ્મેટની ખરીદીનું બિલ ચર્ચાનો વિષય બન્યું છે. માહિતી મુજબ મનપાએ ડિમોલેશન કામગીરી માટે 1,900 હેલ્મેટ ખરીદ્યા હતા, જેના બદલામાં ₹4.71 લાખની ચૂકવણી કરવામાં આવી હતી. એટલે કે પ્રતિ હેલ્મેટ અંદાજે ₹248નો ખર્ચ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે ખર્ચની પારદર્શિતા અને બિલોની યોગ્યતા અંગે સવાલો ઊભા થતાં ફરી એકવાર મનપાની કામગીરી વિવાદમાં આવી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp; :&nbsp; &nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/crime/surat/surat-medical-student-suicide-harsh-pandya-ragging-report" target="_blank"><b>Surat : 'તમે અમારા સ્લેવ છો...' આ શબ્દોએ એક યુવાન ડોક્ટરનું જીવન છીનવી લીધું, હર્ષની કહાની તમને હચમચાવી દેશે</b></a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/fM0yx8w3Qa2OSOCiR6TEZr8DpeO8HMnEka7769nt.webp'/></item><item><title><![CDATA[Monsoon 2026 : પંચમહાલમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: વહેલી સવારથી જિલ્લાભરમાં વરસી રહ્યો છે ધીમી ધારે વરસાદ ]]></title><link>https://sandesh.com/weather/news/gujarat/godhara/monsoon-2026-panchmahal-rain-update-godhra-halol-kalol-monsoon</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/news/gujarat/godhara/monsoon-2026-panchmahal-rain-update-godhra-halol-kalol-monsoon</guid><pubDate>Tue, 11 Aug 2026 08:41:17 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમની અસર હવે પંચમહાલ જિલ્લા પર પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. પંચમહાલ જિલ્લામાં આજ રોજ વહેલી સવારથી જ મેઘરાજાએ મહેરબાન થઈને સત્તાવાર એન્ટ્રી કરી લીધી છે. સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી જ ધીમી ધારે પરંતુ સંતોષકારક વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકજીવનમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.</p><p style="text-align: justify; "><img alt=" Panchmahal Rain Update: Monsoon Arrives with Drizzle Across Districts" src="https://epapercdn.sandesh.com/images/2026/08/11/q5KNNjyV5dzuSokTYh7IucXtJB61m4T2KSp28wiO.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો&nbsp;</b></h2><p style="text-align: justify; ">હવામાન વિભાગની આગાહી મુજબ પંચમહાલ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના મુખ્ય મથક ગોધરા તેમજ હાલોલ, કાલોલ અને ઘોઘમ્બા પંથકમાં વહેલી સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું છે અને અવિરત ઝાપટાં વરસી રહ્યા છે. આ ઉપરાંત શહેરા અને મોરવા હડફ તાલુકામાં પણ વરસાદનું આગમન થઈ ગયું છે, જેના કારણે લાંબા સમયથી ચાલી રહેલા ઉકળાટ અને બફારામાંથી લોકોને મોટી રાહત મળી છે.</p><p style="text-align: justify; "><img alt=" Panchmahal Rain Update: Monsoon Arrives with Drizzle Across Districts" src="https://epapercdn.sandesh.com/images/2026/08/11/3RWAwvnpftW4rOJsziBqlEI3CUckxkVY3He6FDEj.webp"><br></p><h3 style="text-align: justify; "><b>જિલ્લાના ખેડૂતોમાં અપાર ખુશીનો માહોલ&nbsp;</b></h3><p style="text-align: justify; ">ચોમાસાના આ સમયસર અને સવાયા વરસાદના આગમનને કારણે જિલ્લાના ખેડૂતોમાં અપાર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કૃષિ નિષ્ણાતોના મતે આ વરસાદ પાકો માટે અત્યંત ગુણકારી સાબિત થશે. ખેતરોમાં પાણી પહોંચતા અને પાકને નવું જીવન મળતા ખેડૂતોના ચેહેરા પર રોનક આવી ગઈ છે. વહેલી સવારની આ મેઘમહેરથી સમગ્ર પંચમહાલ પંથકમાં ચોમાસાનો અસલી માહોલ ખીલી ઉઠ્યો છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp;<a href="https://sandesh.com/gujarat/news/crime/surat/surat-medical-student-suicide-harsh-pandya-ragging-report" target="_blank"><b> Surat : 'તમે અમારા સ્લેવ છો...' આ શબ્દોએ એક યુવાન ડોક્ટરનું જીવન છીનવી લીધું, હર્ષની કહાની તમને હચમચાવી દેશે</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/2OkPNQ5h3jGpByE53tvZUH5uZiD3O072vXzgB9wC.webp'/></item><item><title><![CDATA[PM મોદી સામે બોક્સર નરેન્દ્રએ સંભળાવ્યો પાકિસ્તાની બોક્સરનો કિસ્સો, વાત સાંભળીને હસી પડ્યા વડાપ્રધાન ]]></title><link>https://sandesh.com/sports/news/pm-modi-boxer-narender-pakistani-opponent-funny-story</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pm-modi-boxer-narender-pakistani-opponent-funny-story</guid><pubDate>Mon, 10 Aug 2026 20:09:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગ્લાસગો ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતે કુલ 39 મેડલ સાથે મેડલ ટેબલમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. ગેમ્સ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પોતાના નિવાસસ્થાને ભારતીય મેડલ વિજેતા ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ખેલાડીઓએ PM મોદી સાથે ખુલ્લા દિલે વાતચીત કરી હતી અને પોતાના અનુભવો પણ શેર કર્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>નરેન્દ્રએ સિલ્વર મેડલ જીત્યો</b></h2><p style="text-align: justify; ">આ મુલાકાત દરમિયાન ભારતીય હેવીવેઈટ બોક્સર નરેન્દ્ર બેરવાલે PM મોદીને એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો હતો. નરેન્દ્રે કોમનવેલ્થ ગેમ્સમાં 90+ કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેમને જણાવ્યું કે વર્ષ 2015માં મિલિટરી ગેમ્સ દરમિયાન તેમની પ્રથમ બાઉટ પાકિસ્તાની બોક્સર સામે હતી. તેમને મિલિટરી તરફથી ફોન કરીને પાકિસ્તાન સામે ન હારવાની વાત કહેવામાં આવી હતી.</p><h3 style="text-align: justify; "><b>મને નરેન્દ્ર નામથી નફરત થઈ ગઈ છે</b></h3><p style="text-align: justify; ">નરેન્દ્રે જણાવ્યું કે તેમણે પ્રથમ બાઉટ 4-1થી અને બીજી બાઉટ 3-2થી જીતી હતી. આ દરમિયાન બંને બોક્સરના માથા પણ અથડાયા હતા અને બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2086683661504843813"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p style="text-align: justify; "> </p><p style="text-align: justify; ">નરેન્દ્રે આગળ જણાવ્યું કે તેમના કોચનું નામ પણ નરેન્દ્ર રાણા હતું અને તે સમયે ભારતના વડાપ્રધાનનું નામ પણ નરેન્દ્ર હતું. આ સંયોગને લઈને પાકિસ્તાની બોક્સરે તેમને કહ્યું હતું કે, “તમારું નામ નરેન્દ્ર છે, તમારા કોચનું નામ પણ નરેન્દ્ર છે અને તમારા PMનું નામ પણ નરેન્દ્ર છે. હવે મને નરેન્દ્ર નામથી નફરત થઈ ગઈ છે.” આ વાત સાંભળીને PM મોદી હસતા જોવા મળ્યા હતા.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>ભારતે બોક્સિંગમાં 10 મેડલ જીત્યા&nbsp;</b></h4><p style="text-align: justify; ">કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય બોક્સિંગ ટીમનું પ્રદર્શન પણ નોંધપાત્ર રહ્યું હતું. ભારતે બોક્સિંગમાં 10 મેડલ જીત્યા હતા, જ્યારે નરેન્દ્ર બેરવાલે 90+ કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. ફાઇનલમાં તેમને ઇંગ્લેન્ડના ડામાર થોમસ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/oMWNn5CGUFi7LAuIfgHkI21UFhgy68SNnoD190zK.webp'/></item></channel></rss>