<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Kriti Sanon Raksha Bandhan Ad વિવાદ પર કંગનાનો રાહુલ ગાંધી પર પ્રહાર, 3 વર્ષની બાળકીઓના બુરખા પહેરવા પર કેમ મૌન ]]></title><link>https://sandesh.com/entertainment/news/kangana-hits-out-at-rahul-gandhi-over-kriti-sanon-raksha-bandhan-ad-controversy</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/kangana-hits-out-at-rahul-gandhi-over-kriti-sanon-raksha-bandhan-ad-controversy</guid><pubDate>Thu, 27 Aug 2026 08:35:24 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જ્વેલરી બ્રાન્ડની રક્ષાબંધન જાહેરાત (Ad) ને લઈને ચાલી રહેલા વિવાદમાં બોલિવૂડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌતે ફરી એકવાર તીખી પ્રતિક્રિયા આપી છે. કૃતિ સેનના આઉટફિટ પર વાંધો ઉઠાવ્યા બાદ, કંગનાએ સ્પષ્ટતા કરી છે કે તેમનો વાંધો માત્ર કપડાં પૂરતો સીમિત નહોતો, પરંતુ હિંદુ તહેવારની રજૂઆત સામે હતો. ભારે ટીકા બાદ સંબંધિત જ્વેલરી બ્રાન્ડે આ જાહેરાત પાછી ખેંચી લીધી છે.</p><h2 style="text-align: justify; "><b>રક્ષાબંધન એડ, પરંપરા અને સનાતન ધર્મનું અપમાન</b></h2><p style="text-align: justify; ">ડીકોડ સાથેના ખાસ ઇન્ટરવ્યુમાં કંગનાએ જણાવ્યું કે: વસ્ત્રોની સ્વતંત્રતા એ પરંપરાને અભિવ્યક્તિ કરવાની આઝાદી ના કહેવાય. "કૃતિ શું પહેરે છે તેનાથી કોઈને વાંધો નથી. પરંતુ રક્ષાબંધન એ માત્ર એક જાહેરાત નથી, તે આપણી સભ્યતા અને ધાર્મિક આસ્થાની અભિવ્યક્તિ છે." જયારે તમે કોઈ જાહેરાતમાં ભારતીય પરંપરા બતાવો છો ત્યારે તે પૂર્ણરીતે દર્શાવી જોઈએ. તેમાં આધુનિકતા કે પશ્ચિમી અનુકરણ ના કરવાનું હોય. કૃતિની જે જાહેરાત હતી તેમાં પરંપરાગત વિધિઓનો અભાવ દેખાયો હતો. જાહેરાતમાં પૂજાની થાળી, ટીકો, અક્ષત, ધૂપ કે દીવા જેવા સાચા ધાર્મિક ઘટકો ગાયબ હતા. ટીકા અને શાસ્ત્રોક્ત વિધિ વગર રક્ષાબંધનનો તહેવાર અધૂરો છે. હિંદુ ધર્મમાં સંબંધોનું એક વિશેષ ગૌરવ અને મર્યાદા હોય છે, જેને જાહેરાતમાં યોગ્ય રીતે દર્શાવવામાં આવી નથી.</p><h3 style="text-align: justify; "><b>કંગનાના રાહુલ ગાંધી પર આકરા પ્રહારો</b></h3><p style="text-align: justify; ">કંગનાએ કૃતિ સેનના સમર્થનમાં આવેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભૂમિકા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. સનાતન વિરોધી માનસિકતા: કંગનાએ દાવો કર્યો કે રાહુલ ગાંધી પોતાનો ચોક્કસ "સનાતન ધર્મ વિરોધી" એજન્ડા ધરાવે છે. રાહુલ ગાંધી બેવડો દ્રષ્ટિકોણ ધરાવે છે. એવું લાગે છે કે તેમના વિચારોમાં સ્પષ્ટતા નથી. જયારે તેઓ રક્ષાબંધ જાહેરાત વિવાદ પર કૃતિને સમર્થન આપે છે. પરંતુ ત્રણ વર્ષની માસૂમ બાળકીઓને બુરખો પહેરાવવામાં આવે ત્યારે રાહુલ ગાંધી અવાજ ઉઠાવતા નથી. ત્યારે તેમને બાળકીના બુરખામાં પિતૃસત્તા (Patriarchy) દેખાતી નથી, પરંતુ હિંદુ તહેવારો અને પરંપરાની વાત આવે ત્યારે વિરોધ કરતા જરાપણ ખચકાતા નથી અને તેઓ વિવાદ ઊભો કરે છે.</p><h4 style="text-align: justify; "><b>રક્ષાબંધન એડ હંગામો, કંગના, કૃતિ અને રાહુલ</b></h4><p style="text-align: justify; ">કૃતિ સેનની રક્ષાબંધન જાહેરાતને લઈને હંગામો મચ્યા બાદ કંપની દ્વારા માફી માગી તેને દૂર કરાઈ હતી. સોશિયલ મીડિયામાં રક્ષાબંધન તહેવાર દર્શાવતી વખતે કૃતિના આઉટફિટ પર લોકોએ સવાલ ઉઠાવ્યા હતા ત્યારે અભિનેત્રીએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. કૃતિએ પોસ્ટ કરી હતી કે સંસ્કૃતિ દિલમાં હોવી જોઈએ કપડાંમાં નહીં. આ વિવાદમાં જયારે રાહુલ ગાંધીએ ઝંપલાવ્યું ત્યારે કંગનાએ તેમના પર તીખા પ્રહાર કર્યા હતા કે બાળકીના બુરખામાં મામલે કેમ મોન. હવે એ જોવાનું રહેશે કે રાહલુ ગાંધીની આના પર શું પ્રતિક્રિયા આપશે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/SDGymL2zZnei0Q4glwTNQALHf6xKazXVdM2RulTs.webp'/></item><item><title><![CDATA[India બનાવશે 4,000 HPનું હાઈ-પાવર હેલિકોપ્ટર એન્જિન, HAL-Safran વચ્ચે થયો મોટો કરાર ]]></title><link>https://sandesh.com/india/news/india-will-make-a-4000-hp-high-power-helicopter-engine-a-major-agreement-was-signed-between-hal-safran</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/india-will-make-a-4000-hp-high-power-helicopter-engine-a-major-agreement-was-signed-between-hal-safran</guid><pubDate>Thu, 27 Aug 2026 08:29:39 +05:30</pubDate><description><![CDATA[<p>India હવે હાઈ-પાવર હેલિકોપ્ટર એન્જિન બનાવવાની દિશામાં મોટું પગલું ભરી રહ્યું છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) અને ફ્રાન્સની Safran Helicopter Enginesએ 50:50 જોઈન્ટ વેન્ચર SAFHAL Helicopter Engines દ્વારા&nbsp; હેલિકોપ્ટર એન્જિન ‘અરાવલી’ના સંયુક્ત વિકાસ માટે કરાર કર્યો છે.</p><h2><b>3,500થી 4,000 હોર્સપાવરનું એન્જિન</b></h2><p>અરાવલી 3,500થી 4,000 shp ક્ષમતા ધરાવતું હાઈ-પાવર હેલિકોપ્ટર એન્જિન હશે. તેને ભારતમાં જ ડિઝાઇન અને વિકસાવવામાં આવશે. આ પહેલીવાર છે જ્યારે ભારતમાં આટલી વધારે પાવર ધરાવતા હેલિકોપ્ટર એન્જિનનો સંયુક્ત રીતે વિકાસ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી ભારતમાં આ પ્રકારના એન્જિનના મામલે લાઇસન્સ્ડ પ્રોડક્શન પર વધારે નિર્ભરતા રહી છે. અરાવલી પ્રોગ્રામ ભારતને લાઇસન્સ્ડ પ્રોડક્શનથી આગળ લઈ જઈને એન્જિનની ડિઝાઇન અને ડેવલપમેન્ટની સ્વદેશી ક્ષમતા વિકસાવવામાં મદદ કરશે.</p><h3><b>IMRH અને નૌસેનાના હેલિકોપ્ટરમાં લાગશે</b></h3><p>અરાવલી એન્જિનનો ઉપયોગ HALના 13 ટનના Indian Multi-Role Helicopter એટલે કે IMRHમાં કરવામાં આવશે. તેનું નેવલ વર્ઝન Deck-Based Multi-Role Helicopter એટલે કે DBMRH પણ આ જ એન્જિનથી સજ્જ હશે. આ હેલિકોપ્ટરનો ઉપયોગ માત્ર સૈન્ય અભિયાનો પૂરતો મર્યાદિત નહીં રહે. ભવિષ્યમાં ઓફશોર ટ્રાન્સપોર્ટ, યુટિલિટી મિશન અને VVIP ટ્રાન્સપોર્ટ જેવા કામોમાં પણ તેના ઉપયોગની શક્યતાઓ છે.</p><h4><b>તુમકુરુમાં થશે એન્જિનનું ઉત્પાદન</b></h4><p>અરાવલી એન્જિનનું ઉત્પાદન કર્ણાટકના તુમકુરુમાં SAFHALની સુવિધામાં કરવામાં આવશે. પ્રોગ્રામ હેઠળ HALને એન્જિનની અનેક મહત્વપૂર્ણ ટેક્નોલોજીમાં નિપુણતા મળશે. આમાં High Pressure Compressor, Power Turbine, Fuel અને Oil Systems, Accessory Gearbox અને Engine External Systems જેવી મહત્વપૂર્ણ ટેક્નોલોજી સામેલ છે.</p><h5><b>ભારતીય એન્જિનિયરોને મળશે મોટો ટેક્નિકલ એક્સપોઝર</b></h5><p>પ્રોજેક્ટની ખાસ વાત એ છે કે ભારતીય એન્જિનિયરો સમગ્ર ડેવલપમેન્ટ પ્રોગ્રામ દરમિયાન Safranના એન્જિનિયરો સાથે મળીને કામ કરશે. આનાથી ભારતીય એન્જિનિયરોને ઈન્ટરનેશનલ ડિઝાઇન મેથડ, ટેસ્ટિંગ અને સર્ટિફિકેશનની પ્રક્રિયાનો સીધો અનુભવ મળશે. HAL જે ભાગોની ડિઝાઇન અને ડેવલપમેન્ટ કરશે, તેમાં તેને ટેક્નિકલ નિપુણતા અને બૌદ્ધિક સંપદા એટલે કે IP પણ પ્રાપ્ત થશે. આનાથી ભવિષ્યમાં ભારતના પોતાના સ્વદેશી એરો-એન્જિન પ્રોગ્રામ માટે મજબૂત આધાર તૈયાર થઈ શકે છે.</p><h6><b>ભારતીય ડિફેન્સ ઈન્ડસ્ટ્રીને પણ ફાયદો</b></h6><p>અરાવલી પ્રોગ્રામનો ફાયદો માત્ર HAL સુધી મર્યાદિત નહીં રહે. આનાથી ભારતીય કંપનીઓ માટે એડવાન્સ્ડ એન્જિન મેન્યુફેક્ચરિંગમાં નવી તકો ઊભી થશે. રૉ-મટિરિયલ, પ્રિસિઝન મશીનિંગ, કાસ્ટિંગ અને અન્ય હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોમાં સ્થાનિક કંપનીઓની ભાગીદારી વધી શકે છે. સાથે જ ભારતમાં MRO એટલે કે Maintenance, Repair and Overhaul ક્ષમતાને પણ પ્રોત્સાહન મળશે.</p><h5><b>2032-33 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક</b></h5><p>અરાવલી એન્જિનની ડિઝાઇન અને ડેવલપમેન્ટ 2032-33 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જ્યારે IMRH અને DBMRH પ્રોગ્રામ માટે AON અને CCSની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. કુલ મળીને, અરાવલી માત્ર એક હેલિકોપ્ટર એન્જિન પ્રોગ્રામ નથી, પરંતુ ભારત માટે હાઈ-પાવર એરો-એન્જિન ટેક્નોલોજીમાં આત્મનિર્ભર બનવાની દિશામાં મોટું પગલું છે. આનાથી ભવિષ્યમાં સ્વદેશી રોટરક્રાફ્ટ અને એરો-એન્જિન ટેક્નોલોજીના વિકાસ માટે મજબૂત ટેક્નિકલ આધાર તૈયાર થવાની આશા છે.</p><p><b><a href="https://sandesh.com/" target="_blank">વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/1MZwer9OAlY6AGjpG2rcASj9tUQCQWuhB5A5rLp4.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: મુખ્યમંત્રીનો અમેરિકા અને કેનેડાનો પ્રવાસ પૂર્ણ, વૈશ્વિક રોકાણ આકર્ષવાનો મુખ્ય ઉદ્દેશ્ય ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/cm-bhupendra-patel-concludes-us-canada-visit-to-attract-global-investment</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/cm-bhupendra-patel-concludes-us-canada-visit-to-attract-global-investment</guid><pubDate>Thu, 27 Aug 2026 08:15:46 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા અને કેનેડાના સફળ પ્રવાસ બાદ ગુજરાત પરત ફર્યા છે.આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 અંતર્ગત રાજ્યમાં વધુમાં વધુ વૈશ્વિક રોકાણ આકર્ષવાનો હતો.પોતાના પ્રવાસ દરમિયાન તેમણે વિદેશી ઉદ્યોગપતિઓ,ટેક્નોલોજી ક્ષેત્રના નિષ્ણાતો, રોકાણકારો અને એનઆરઆઈ (NRI)ગુજરાતી ડાયસ્પોરા સાથે શ્રેણીબદ્ધ મહત્વપૂર્ણ બેઠકો યોજી હતી.</p><h2 style="text-align: justify; "><b>રાજ્યમાં ઉદ્યોગો સ્થાપવા હાકલ કરી</b></h2><p style="text-align: justify; ">બેઠકો દરમિયાન મુખ્યમંત્રીએ ગુજરાતની ઔદ્યોગિક પ્રગતિ અને રોકાણ માટે સાનુકૂળ વાતાવરણ અંગે રજૂઆત કરી હતી.તેમણે સેમિકન્ડક્ટર, ફિનટેક, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI),ડેટા સેન્ટર, ફાર્માસ્યુટિકલ, મેન્યુફેક્ચરિંગ અને નવીન ટેક્નોલોજી જેવા ઉભરતા ક્ષેત્રોમાં રોકાણ કરવા વિશ્વના રોકાણકારોને ખાસ આમંત્રણ આપ્યું હતું.તેમણે વિદેશમાં વસતા ગુજરાતીઓને પણ પોતાના માતૃભૂમિના વિકાસમાં ભાગીદાર બની રાજ્યમાં ઉદ્યોગો સ્થાપવા હાકલ કરી હતી.</p><h3 style="text-align: justify; "><b>રોજગારીની અસંખ્ય નવી તકો ઊભી કરવાનો ધ્યેય</b></h3><p style="text-align: justify; ">અમેરિકા અને કેનેડાનો આ પ્રવાસ ગુજરાતને વૈશ્વિક ઉદ્યોગ અને ટેક્નોલોજીના નકશા પર વધુ મજબૂત સ્થાન અપાવવાની દિશામાં મહત્વનો પ્રયાસ સાબિત થશે. હવે રાજ્ય સરકારની નજર આગામી 'વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027' પર છે, જે દ્વારા વિશ્વભરના રોકાણકારોના માધ્યમથી રાજ્યમાં નવા ઉદ્યોગો, આધુનિક ટેક્નોલોજી અને રોજગારીની અસંખ્ય નવી તકો ઊભી કરવાનો ધ્યેય રાખવામાં આવ્યો છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/sandesh-digital-exclusive--kutch-pilgrims-escaped-nepal-flood-disaster-hours-earlier" target="_blank">આ પણ વાંચોઃ Sandesh Digital Exclusive : નેપાળમાં વિનાશક પૂરની દુર્ઘટના પહેલા જ ગુજરાતના પ્રવાસીઓએ છોડી હતી જગ્યા, જાણો કેવી હતી સ્થિતિ?</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/Y2k3WeRacDg60q02Vs95ZCrntPCh6OFT22VzQlhE.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: AMCએ સરકારી કાર્યક્રમો માટે 1 વર્ષમાં AMTSની 10 હજારથી વધુ બસની વર્ધી ફાળવી ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-allocated-10-655-amts-bus-duties-for-government-events-in-one-year</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-allocated-10-655-amts-bus-duties-for-government-events-in-one-year</guid><pubDate>Thu, 27 Aug 2026 07:58:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">એક તરફ તો અમદાવાદમાં જે લોકો પાસે વાહનની સગવડ નથી એવા લોકો જો એ.એમ.ટી.એસ.બસમાં મુસાફરી કરવા ઈચ્છે તો તેમને ઘણો સમય રાહ જોયા પછી પણ બસ મળતી નથી.ત્યારે એક વર્ષના સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં યોજવામાં આવેલા સરકારી કાર્યક્રમોમાં 10655 બસની વર્ધી ફાળવી દેવામાં આવતાં મુસાફરો ત્રાહિમામ બન્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>360 કરોડથી વધુની રકમ લોન પેટે આપે છે</b></h2><p style="text-align: justify; ">હવે ખેલ એવો પડાયો કે આ બસો વર્ધીમાં એએમસીને અપાઈ હતી જે પેટે રૂપિયા 11.64 કરોડથી વધુની લહેણી નીકળતી રકમ એ.એમ.ટી.એસ. બસો દોડતી રાખવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે જે રૂપિયા 360 કરોડથી વધુની રકમ લોન પેટે આપે છે તે પેટે વાળી લેવાઈ.અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન એક સિક્કાની બે બાજુ જેવા છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>પાંચ હજાર કરોડથી પણ વધુ રકમ આપવામાં આવી</b></h2><p style="text-align: justify; ">શહેરીજનો વચ્ચે બસો દોડતી રાખવા છેલ્લા વીસ વર્ષની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસને લોન પેટે રૂપિયા પાંચ હજાર કરોડથી પણ વધુ રકમ આપવામાં આવી છે. સ્વાભાવિક જ આ કારણથી એ.એમ.ટી.એસ.ના અધિકારીઓ પહેલી પ્રાથમિકતા મ્યુનિસિપલ કોર્પોરેશનને આપે, પરંતુ અમદાવાદમાં એ.એમ.ટી.એસ. બસમાં મુસાફરી કરવા માંગતા લોકોને આપવાની થતી બસોની વર્ધી સરકારી કાર્યક્રમોમાં ફાળવી દેવામાં આવે એ કેટલા અંશે યોગ્ય છે?<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/sandesh-digital-exclusive--kutch-pilgrims-escaped-nepal-flood-disaster-hours-earlier" target="_blank">આ પણ વાંચોઃ Sandesh Digital Exclusive : નેપાળમાં વિનાશક પૂરની દુર્ઘટના પહેલા જ ગુજરાતના પ્રવાસીઓએ છોડી હતી જગ્યા, જાણો કેવી હતી સ્થિતિ?</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/NKuMuUMYULOp1ALZ96GwGk3CUgvbkprH13YTkKAT.webp'/></item><item><title><![CDATA[Nepal Flood News: વિનાશક પૂરમાં અત્યાર સુધીમાં 157 લોકોના મોત, 750થી વધુ લોકો લાપતા, બિહારમાં હાઈ એલર્ટ ]]></title><link>https://sandesh.com/india/news/nepal-flood-157-dead-750-missing-bihar-on-high-alert</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/nepal-flood-157-dead-750-missing-bihar-on-high-alert</guid><pubDate>Thu, 27 Aug 2026 07:18:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નેપાળમાં આવેલા ભયાનક પૂરના કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની છે, જેમાં અત્યાર સુધીમાં 157 લોકોના મોત થયા છે અને હજારો લોકો બેઘર બન્યા છે. પૂરના કારણે ભારે નુકસાનની આશંકા સેવાઈ રહી છે, જ્યારે 750થી વધુ લોકો લાપતા છે જેમાં ઘણા ભારતીયોનો પણ સમાવેશ થાય છે. પરિસ્થિતિ વણસતાં મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિને કારણે ભારતમાં પણ હાઈ એલર્ટ જાહેર કરાયું છે. બિહારના 9 જિલ્લામાં હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે. ત્યાં એનડીઆરએફ સહિતની ટીમો ગોઠવી દેવાઈ છે.</p><h2 style="text-align: justify; "><b>ગૃહ મંત્રાલય સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે</b></h2><p style="text-align: justify; ">નેપાળના પૂરને પગલે ભારતમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. કોસી અને ગંગા નદીમાં પૂરનો ભય સેવાઈ રહ્યો છે અને આવતીકાલે પૂરના પાણી આવે તેવી આશંકા છે. કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિને પહોંચી વળવા NDRF અને SDRFની ટીમોને એલર્ટ રાખવામાં આવી છે, જ્યારે ગૃહ મંત્રાલય સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>બિહારના 9 જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર</b></h3><p style="text-align: justify; ">બિહારના જે 9 જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં પશ્ચિમી ચંપારણ, પૂર્વી ચંપારણ, ગોપાલગંજ, મુઝફ્ફરપુર, સિવાન, સારણ, શિવહર, સીતામઢી અને વૈશાલીનો સમાવેશ થાય છે. વડાપ્રધાન અને ગૃહમંત્રી એલર્ટ પર હોવાથી બિહાર અને યુપીના મુખ્યમંત્રીઓ પણ એક્શન મોડમાં આવી ગયા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ અધિકારીઓ સાથે ઈમરજન્સી બેઠક યોજી હતી, જ્યારે બીજી તરફ યુપીના સીએમ યોગી આદિત્યનાથે મહારાજગંજ અને કુશીનગર જિલ્લામાં ગંડક અને નારાયણી નદીઓના જળસ્તર પર નજર રાખવાનો આદેશ આપ્યો છે. રાજ્ય સરકારોના નિર્દેશો મળતાં જ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે તૈનાત થઈ ગયા છે અને સતત મોનિટરિંગ કરી રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>હિમાલયની આપત્તિ ભારત માટે પણ આપત્તિ બની શકે</b></h2><p style="text-align: justify; ">નેપાળમાં આવેલ પૂરે વધુ એક વખત સાબિત કર્યું છે કે હિમાલયની આપત્તિ ભારત માટે પણ આપત્તિ બની શકે છે. હાલમાં સૌથી મોટો ભય ગંડક નદી તંત્ર દ્વારા બિહાર અને યુપીના સરહદી વિસ્તારો પર તોળાઈ રહ્યો છે. પ્રશાસને તૈયારીઓ શરૂ કરી દીધી છે, પરંતુ આગામી 24 કલાક નદીના જળસ્તર અને નેપાળથી આવતા પાણીની દેખરેખના દ્રષ્ટિકોણથી અત્યંત મહત્વપૂર્ણ છે. નેપાળની ભોટેકોશી નદી આગળ જઈને ત્રિશૂલી નદી તંત્ર સાથે જોડાય છે અને ત્રિશૂલી દેવઘાટ પાસે કાલી ગંડકી સાથે મળીને નારાયણી નદી બનાવે છે, જે ભારતમાં પ્રવેશ્યા બાદ ગંડક તરીકે ઓળખાય છે, તેથી નેપાળના ઉપરી વિસ્તારમાં અચાનક આવેલો મોટો જળપ્રવાહ ભારતમાં સીધો ગંડકના જળસ્તર પર અસર કરી શકે છે.</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/sandesh-digital-exclusive--kutch-pilgrims-escaped-nepal-flood-disaster-hours-earlier" target="_blank">આ પણ વાંચોઃ Sandesh Digital Exclusive : નેપાળમાં વિનાશક પૂરની દુર્ઘટના પહેલા જ ગુજરાતના પ્રવાસીઓએ છોડી હતી જગ્યા, જાણો કેવી હતી સ્થિતિ?</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/JEr9LmMCgsSdy0BIsLGHX8nwSMZ9GMAwX0xlgvfr.webp'/></item><item><title><![CDATA[Mehsana: રક્ષાબંધન સુધી મીઠાઈના ભાવમાં વધારો નહીં ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/mehsana/mehsana-no-increase-in-sweet-prices-until-raksha-bandhan</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/mehsana/mehsana-no-increase-in-sweet-prices-until-raksha-bandhan</guid><pubDate>Thu, 27 Aug 2026 05:13:39 +05:30</pubDate><description><![CDATA[<p>રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને યાત્રાધામ બહુચરાજીમાં મીઠાઈના ભાવમાં હાલ કોઈ વધારો નહીં કરવામાં આવે. ખાંડના ભાવમાં આશરે 35 ટકાનો વધારો થયો હોવા છતાં ગ્રાહકોને તહેવાર દરમિયાન વ્યાજબી ભાવે મીઠાઈ મળી રહે તે માટે બહુચરાજી મીઠાઈ-ફરસાણ એસોસિયેશને શહેરના 50થી વધુ વેપારીઓ સાથે ચર્ચા કરી આ નિર્ણય લીધો છે. ખાંડ અને દૂધ મીઠાઈના મુખ્ય કાચા માલ હોવાથી ભાવવધારાની સીધી અસર ઉત્પાદન ખર્ચ પર પડી છે. ખાંડના ભાવ વધવાથી મીઠાઈના ઉત્પાદનમાં પ્રતિ કિલોએ અંદાજે રૂ.30થી રૂ.35નો વધારાનો ખર્ચ થઈ રહ્યો છે. તેમ છતાં રક્ષાબંધન સુધી મીઠાઈના ભાવ યથાવત રાખવામાં આવશે. એસોસિયેશનના પ્રમુખ ભોલાભાઈ પટેલે જણાવ્યું હતું કે, ખાંડના ભાવમાં વધારો થયો હોવા છતાં તહેવાર દરમિયાન ગ્રાહકો પર વધારાનો બોજ ન પડે તે માટે વેપારીઓને ભાવવધારો નહીં કરવા સૂચના આપવામાં આવી છે. બહુચરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને વ્યાજબી ભાવે મીઠાઈ મળી રહે તે એસોસિયેશનનો હેતુ છે.</p><p>એસોસિયેશનના સેક્રેટરી અનિલભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ખાંડના ભાવવધારાને કારણે પ્રતિ કિલોએ રૂ.30થી રૂ.35 જેટલો વધારાનો ખર્ચ થઈ રહ્યો છે. તેમ છતાં તહેવારની ખુશીમાં ગ્રાહકોને રાહત મળે તે માટે હાલ ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી. રક્ષાબંધન બાદ ખાંડ સહિતના કાચા માલના ભાવ અને ઉત્પાદન ખર્ચને આધારે મીઠાઈના ભાવઅંગે એસોસિયેશન દ્વારા નિર્ણય લેવામાં આવશે.</p><p><a href="http://ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/nhDmAFl4Ia9dzWBUZUIwjBid2apfV56LiBthdyFY.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: વાંચ ગામથી ડાકોર હાઇવે તરફ્ જતા માર્ગના નવિનીકરણનો ખર્ચ પાણીમાં ! ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-the-cost-of-renovating-the-road-from-vanch-village-to-dakor-highway-is-in-the-water</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-the-cost-of-renovating-the-road-from-vanch-village-to-dakor-highway-is-in-the-water</guid><pubDate>Thu, 27 Aug 2026 04:29:09 +05:30</pubDate><description><![CDATA[<p>દસ્ક્રોઈ તાલુકાના વાંચ ગામથી અમદાવાદ-ડાકોર હાઇવે તરફ્ જતા માર્ગનું કરોડો રૂપિયાના ખર્ચે નવિનીકરણ કરાયા બાદ માત્ર બે મહિનામાં જ રસ્તો તૂટવા લાગતા કામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. અગાઉ રસ્તાની બદહાલી અંગે અખબારમાં અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ માર્ગ અને મકાન વિભાગે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી રસ્તો બનાવ્યો હતો. હવે ટૂંકા ગાળામાં રોડની હાલત બગડતા સ્થાનિકોએ તપાસની માંગ કરી છે.</p><p>સ્થાનિકોના જણાવ્યા મુજબ, વર્ષોથી બિસમાર હાલતમાં રહેલા આ માર્ગ માટે માર્ગ અને મકાન પંચાયત વિભાગ, અમદાવાદ દ્વારા ટેન્ડર પ્રક્રિયા બાદ અંદાજે એક કરોડથી વધુના ખર્ચે નવી કામગીરી કરવામાં આવી હતી. જોકે રોડ બન્યાને હજુ માત્ર બે મહિના જેટલો સમય થયો છે ત્યાં જ અનેક સ્થળે રોડનું ધોવાણ અને તિરાડો દેખાવા લાગી છે. જેના કારણે કરોડોનો ખર્ચ ખરેખર રોડના ટકાઉ કામ પાછળ થયો કે માત્ર કાગળ પર જ ગુણવત્તા જાળવાઈ, તેવો સવાલ ઉઠી રહ્યો છે. વધુમાં કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તા પર સ્પીડબ્રેકરના જરૂરી સાઇન બોર્ડ પણ લગાવવામાં આવ્યા નથી. રાત્રિના સમયે અજાણ્યા વાહનચાલકો સ્પીડબ્રેકર પરથી પસાર થતાં અકસ્માતનો ભય રહે છે. થોડા દિવસ પહેલાં રાત્રે એક બાઇક ખેતરમાં ઉતરી જવાની ઘટના પણ બની હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ રોડની કામગીરીમાં ગંભીર ગેરરીતિ થઈ છે. હવે તંત્રએ માત્ર દેખાવ પૂરતી તપાસ નહીં, પરંતુ ટેન્ડર, એસ્ટિમેટ, વપરાયેલું મટિરિયલ, બિલ ચુકવણી અને ગુણવત્તા ચકાસણીના રેકોર્ડની તપાસ કરી જવાબદારી નક્કી કરવી જરૂરી છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/J67vayZ2Jl6AYLEd8yUcWiaeXo9lUqnu0KTMGzzt.webp'/></item><item><title><![CDATA[Bavla: નાનોદરા ગામે બાયફ્ સંસ્થાનો 60મો સ્થાપના દિવસ ઉજવાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/bavla-60th-foundation-day-of-baif-organization-celebrated-in-nanodara-village-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/bavla-60th-foundation-day-of-baif-organization-celebrated-in-nanodara-village-1</guid><pubDate>Thu, 27 Aug 2026 04:24:46 +05:30</pubDate><description><![CDATA[<p>બાવળા તાલુકાના નાનોદરા ગામ ખાતે આવેલા બાયફ્ જાબુડી ફાર્મ ખાતે બાયફ્ સંસ્થાનો 60મો સ્થાપના દિવસ ઉજવાયો હતો. કાર્યક્રમમાં બાયફ્ સંસ્થાના જોઈન્ટ રિજનલ ડાયરેક્ટર તથા ગુજરાત રાજ્યના હેડ જયંતીભાઈ મોરી, તાતા મોટર્સ CSRના હેડ સંપાબેન, મારુતિ સુઝુકી મોટર્સના CSR હેડ વિવેકભાઈ, ધરતી ચેરિટેબલ ટ્રસ્ટ બાવળાના પ્રમુખ કાંતિભાઈ મકવાણા તેમજ નાનોદરાના ખેડૂત આગેવાન બાબુભાઈ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બાયફ્ સંસ્થાના મુખ્ય ડો. મણિભાઈ દેસાઈએ સંસ્થાની 60 વર્ષની સફર અને દેશના 18 રાજ્યોમાં ગ્રામ વિકાસ, પશુપાલન, ખેતી તથા ગ્રામજનોની આજીવિકા વધારવા માટે કરવામાં આવતી કામગીરીની માહિતી આપી હતી. વિવિધ વિસ્તારોમાં કાર્યરત બાયફ્ના આશરે 200 સ્ટાફ્ સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. શ્રોષ્ઠ કામગીરી કરનાર સ્ટાફ્ને પ્રમાણપત્ર અને પુરસ્કાર એનાયત કરાયા હતા. બાદમાં બાંસી ગૌશાળાની મુલાકાત લઈ કામગીરીની માહિતી મેળવવામાં આવી હતી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/PqK9FiWPnBpI8lgYYjRHvABNpFD9TeBxEJjS8CZW.webp'/></item><item><title><![CDATA[Hindustan Zinc Share : સરકારે કરી મોટી સ્પષ્ટતા, રોકેટ બની ગયો શેર ]]></title><link>https://sandesh.com/business/news/hindustan-zinc-share-government-stake-sale-clarification-jefferies-target</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/hindustan-zinc-share-government-stake-sale-clarification-jefferies-target</guid><pubDate>Wed, 26 Aug 2026 22:41:59 +05:30</pubDate><description><![CDATA[<p>હિન્દુસ્તાન ઝિંકના શેરમાં 26 ઓગસ્ટે બજાર ખુલતાની સાથે જ જોરદાર તેજી જોવા મળી હતી. કંપનીના શેરમાં શરૂઆતના કારોબારમાં આશરે 5.1 ટકાનો ઉછાળો નોંધાયો અને શેર રૂ. 623 સુધી પહોંચી ગયો હતો. બાદમાં તેજી થોડી ઘટી હતી. સરકાર તરફથી કંપનીમાં પોતાની હિસ્સેદારી વેચવા અંગે હાલ કોઈ યોજના ન હોવાની સ્પષ્ટતા બાદ રોકાણકારોમાં સકારાત્મક માહોલ જોવા મળ્યો છે.</p><h2><b>અગાઉ OFSની હતી અટકળો&nbsp;</b></h2><p>DIPAMના સચિવ અરુણિશ ચાવલાએ એક દિવસ અગાઉ જણાવ્યું હતું કે સરકાર હાલ હિન્દુસ્તાન ઝિંકમાં પોતાની હિસ્સેદારી વેચવાનો વિચાર કરી રહી નથી. આ નિવેદન બાદ કંપનીના શેરમાં ખરીદીનું વલણ વધ્યું હતું. અગાઉ હિન્દુસ્તાન ઝિંકમાં સરકાર ઓફર ફોર સેલ (OFS) મારફતે હિસ્સો વેચી શકે તેવી અટકળો ચાલી રહી હતી. ખાસ કરીને હિન્દુસ્તાન કૉપરનો OFS શરૂ થયા બાદ આ ચર્ચાએ જોર પકડ્યું હતું. હાલમાં હિન્દુસ્તાન ઝિંકમાં ભારત સરકારની 27.92 ટકા હિસ્સેદારી છે, જ્યારે વેદાંતાની 60.71 ટકા ભાગીદારી છે.</p><h3><b>ચાંદીના ભાવ જુલાઈના નીચલા સ્તરથી લગભગ 23 ટકા ઉપર આવ્યા</b></h3><p>આ દરમિયાન એક વિદેશી બ્રોકરેજ ફર્મે હિન્દુસ્તાન ઝિંક માટે ‘Buy’ રેટિંગ જાળવી રાખ્યું છે અને ટાર્ગેટ પ્રાઈસ વધારીને રૂ. 750 કર્યો છે. ઝિંક અને ચાંદીના ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને બ્રોકરેજે કંપનીના EPS અંદાજમાં 10થી 11 ટકાનો વધારો કર્યો છે. ઝિંકના ભાવ જૂન ક્વાર્ટરના સરેરાશ ભાવની સરખામણીએ આશરે 15 ટકા વધ્યા છે, જ્યારે ચાંદીના ભાવ જુલાઈના નીચલા સ્તરથી લગભગ 23 ટકા ઉપર આવ્યા છે. આ ભાવવધારાથી કંપનીની કમાણીમાં સુધારાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. 26 ઓગસ્ટે ભારતીય શેરબજારમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું.&nbsp;</p><p><b><a href="https://sandesh.com/business/news/hal-safran-aravalli-helicopter-engine-imrh-dbmrh" target="_blank">આ પણ વાંચો : HAL-Safranની મોટી ડીલ, 3,500થી 4,000 SHPનું 'અરાવલ્લી' એન્જિન બનાવશે</a></b></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/26/4dKFSjeuL8XxC2zD2Q0NTy6oEqKqm1yrlymlmdHW.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : 2030 Commonwealth Games માટે એક્શનમાં સરકાર, અમિત શાહની અધ્યક્ષતામાં કાલે બેઠક ]]></title><link>https://sandesh.com/gujarat/news/sports/ahmedabad/ahmedabad-news-government-in-action-for-2030-commonwealth-games-meeting-chaired-by-amit-shah-tomorrow</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/sports/ahmedabad/ahmedabad-news-government-in-action-for-2030-commonwealth-games-meeting-chaired-by-amit-shah-tomorrow</guid><pubDate>Wed, 26 Aug 2026 17:16:51 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતને વૈશ્વિક રમતગમતનું હબ બનાવવાના વિઝન સાથે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 અને ભવિષ્યમાં યોજાનારા ઓલિમ્પિક્સના આયોજન માટેના રોડમેપ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય સ્તરની 'વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ'ના સફળ આયોજન માટેની માળખાકીય સુવિધાઓ અને રાજ્યની સજ્જતા અંગે પણ વિગતવાર માહિતી મેળવી સમીક્ષા કરવામાં આવી હતી.</p><h2><b>કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં કાલે હાઇ-લેવલ મીટિંગ</b></h2><p>આ તમામ તૈયારીઓને વધુ ગતિ આપવા માટે આવતીકાલે અમદાવાદ એનરેક્સી સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાશે. આ બેઠકમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓ અને રમતગમત વિભાગના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ખેલાડીઓની સુવિધાઓ, સુરક્ષા વ્યવસ્થા અને લોજિસ્ટિક્સ પ્લાનિંગ અંગે અમિત શાહ દ્વારા વિસ્તૃત સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે, જે ભારતની દાવેદારીને વૈશ્વિક મંચ પર વધુ મજબૂત બનાવશે.</p><h2><b>ઓલિમ્પિક્સ અને CWG મેજબાની માટે ગુજરાતનો માસ્ટરપ્લાન</b></h2><p>ભારતમાં વિશ્વસ્તરીય રમતગમતના આયોજન માટે અમદાવાદ અને ગાંધીનગરને મુખ્ય સેન્ટર તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. સરદાર પટેલ સ્પોર્ટ્સ એનક્લેવ સહિતની અત્યાધુનિક પાયાની સુવિધાઓ આ વૈશ્વિક સ્પર્ધાઓ માટે સજ્જ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રીની આ સમીક્ષા બેઠકથી મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના આયોજન માટેની કામગીરીને નવી ઊર્જા મળશે. આ તૈયારીઓ ભારતની ઓલિમ્પિક્સ અને કોમનવેલ્થ ગેમ્સ જેવી મોટી સ્પર્ધાઓની મેજબાની કરવાની વ્યાપક ક્ષમતા દર્શાવે છે.</p><p><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/rajkot/accident-near-raiya-telephone-exchange-in-rajkot-a-young-man-crossing-the-brts-road-was-hit-by-a-city-bus" target="_blank">Rajkotમાં રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે અકસ્માત, BRTS રોડ ક્રોસ કરતા યુવકને સિટી બસે અડફેટે લીધો</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/26/H68NkMlE5om42tvOiKCQXzvukLqLhFLn28OZxRzu.webp'/></item></channel></rss>