<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabad News : 100 ટોલ પ્લાઝા પર નકલી એપથી ગેરકાયદે વસૂલી! દેશભરમાં 14 સ્થળે EDના દરોડા, રૂ.1 કરોડથી વધુની રોકડ જપ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/fake-app-toll-scam--ed-raids-14-locations-across-6-states--seizes--1-03-crore-cash</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/fake-app-toll-scam--ed-raids-14-locations-across-6-states--seizes--1-03-crore-cash</guid><pubDate>Tue, 08 Sep 2026 13:48:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ સહિત દેશભરમાં ચકચાર મચાવનારા બહુચર્ચિત ટોલ પ્લાઝા કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દેશવ્યાપી આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેન્દ્રીય તપાસ એજન્સી ED દ્વારા ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પશ્ચિમ બંગાળ અને દિલ્હી સહિત 6 રાજ્યોમાં કુલ 14 જેટલા સ્થળોએ સામૂહિક દરોડા પાડવામાં આવ્યા છે. નકલી મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને દેશના વિવિધ ટોલ પ્લાઝા પર ગેરકાયદેસર રીતે ટોલ ટેક્સની વસૂલી કરીને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) ને કરોડો રૂપિયાનું મોટું આર્થિક નુકસાન પહોંચાડવાના ગુના હેઠળ આ કડક પગલાં લેવામાં આવ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>'MobData' અને 'Any' એપથી વસૂલી</b></h2><p style="text-align: justify; ">તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, કૌભાંડીઓ દ્વારા 'MobData' અને 'Any' નામની બોગસ એપ્લિકેશન્સ બનાવીને અંદાજે 100 જેટલા ટોલ પ્લાઝા પરથી ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયાની વસૂલાત કરવામાં આવતી હતી. આ સમગ્ર નેટવર્કમાં ખાનગી ટોલ એજન્સીઓની સીધી મિલીભગત હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. ED દ્વારા પાડવામાં આવેલા દરોડા દરમિયાન સ્થળ પરથી રૂ.1.03 કરોડની શંકાસ્પદ રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે, જ્યારે કૌભાંડ સાથે સંકળાયેલા 8 બેંક લોકર્સને તાત્કાલિક અસરથી ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે અનેક ડિજિટલ ઉપકરણો, લેપટોપ, હાર્ડ ડિસ્ક અને શંકાસ્પદ દસ્તાવેજો કબજે લેવાયા છે.</p><h2 style="text-align: justify; "><b>ટોલ એજન્સીઓ સામે કડક કાનૂની કાર્યવાહીની તૈયારી</b></h2><p style="text-align: justify; ">NHAI ને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડનારા આ ટેકનોલોજી આધારિત મોટા કૌભાંડનું નેટવર્ક અત્યંત ઊંડું અને દેશના અનેક રાજ્યોમાં ફેલાયેલું હોવાથી ED દ્વારા સમગ્ર સિન્ડિકેટ અંગે ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે. નકલી એપ્લિકેશન ડેવલપ કરનારા ટેકનિકલ નિષ્ણાતોથી લઈને ટોલ સંચાલકો સુધીના તમામ નામો અને નાણાકીય વ્યવહારોની બારીકાઈથી છાનબીન થઈ રહી છે. ED ના આ દેશવ્યાપી દરોડા બાદ આ કૌભાંડમાં સામેલ અનેક મોટા આકાઓ તથા એજન્સીઓ પર કાયદાનો શિકંજો વધુ તંગ બનવાની અને આગામી દિવસોમાં મોટા નામો સામે આવવાની પૂરેપૂરી સંભાવના છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/vadodara/pm-modi-vadodara-visit--gen-z-excitement-peaks-at-msu-pavilion-for-interactive-event" target="_blank">PM Modi In Gujarat : PM મોદીએ ગુજરાતને આપી રૂ.35 હજાર કરોડની વિકાસ ભેટ, અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/4RqLynWN2NyLd2ZF2SNcQN3Gb6fwvSXQcJ0sdAbx.webp'/></item><item><title><![CDATA[Shashi Tharur: વિયેનાની ગલીઓમાં જ્યારે રાજાની જેમ નીકળ્યા શશી થરૂર.. જુઓ Video ]]></title><link>https://sandesh.com/india/news/shashi-tharoor-when-shashi-tharoor-walked-like-a-king-in-the-streets-of-vienna-watch-video</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/shashi-tharoor-when-shashi-tharoor-walked-like-a-king-in-the-streets-of-vienna-watch-video</guid><pubDate>Tue, 08 Sep 2026 13:25:42 +05:30</pubDate><description><![CDATA[<p>કોંગ્રેસના સાંસદ શશી થરૂરે તાજેતરમાં વિયેનામાં 'પ્રોસી' નામના મલયાલી રેસ્ટોરન્ટની મુલાકાત લીધી હતી અને સ્થાનિક મલયાલી સમુદાય સાથે ઓણમની ઉજવણી કરી હતી. તેમણે આ કાર્યક્રમના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આ પ્રસંગે, કોંગ્રેસના સાંસદ પરંપરાગત પોશાક પહેરેલા જોવા મળ્યા હતા જે પોશાક તેમણે ઉધાર લીધો હતો.&nbsp;</p><h2><b>વિયેનામાં ઓણમની ઉજવણી&nbsp;</b></h2><p>થરૂરે સોશિયલ મીડિયા પર ઉજવણીની ઝલક શેર કરી હતી, જેમાં વિયેનામાં તેમના સમય અને ત્યાંના સમુદાય સાથેની તેમની વાતચીતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે મજાકમાં એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે તેમણે એ વાત તરફ ધ્યાન દોરવાનું ટાળ્યું હતું કે કેરળ અને ભારતના અન્ય ભાગોમાં ઓણમની ઉજવણી દસ દિવસ કરતાં વધુ સમય પહેલા પૂર્ણ થઈ ગઈ હતી.</p><h3><b>કપડા ઉધાર લઇને પહેર્યા હતા&nbsp;</b></h3><p>ફોટા શેર કરતા, શશી થરૂરે લખ્યું હતું કે તેઓ સપ્તાહના અંતે ઓણમની ઉજવણી કરવા માટે વિયેનામાં મલયાલીઓ દ્વારા સંચાલિત 'પ્રોસી' રેસ્ટોરન્ટની મુલાકાત લીધી હતી (જોકે થોડી મોડી). તેમણે આ પ્રસંગ માટે પરંપરાગત કપડાં ઉધાર લીધા હતા અને મેળાવડાને સંબોધિત કરી હતી, જેમાં નોંધપાત્ર સંખ્યામાં જિજ્ઞાસુ ઓસ્ટ્રિયન લોકો સામેલ હતા.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ShashiTharoor/status/2097058468729368595"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3><b>સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ&nbsp;</b></h3><p>સોશિયલ મીડિયા પર આ વીડિયોને જોતા લોકોએ તેમની ઉજવણીને વધાવી લીધી હતી.&nbsp; તેને મલયાલી સમુદાય દ્વારા વિદેશમાં તેમની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના ઉદાહરણ તરીકે ટાંકીને અન્ય લોકોએ આ કાર્યક્રમના કેટલાક પાસાઓની ટીકા કરી. એક ટિપ્પણીકર્તાએ પ્રશ્ન કર્યો કે શું ઉજવણી જાહેર જગ્યામાં થવી જોઈતી હતી, ખાસ કરીને પરંપરાગત ઉત્સવો - છત્રીઓ અને પરંપરાગત પોશાક દર્શાવતા&nbsp; જાહેર શેરી પર યોજાવા સામે વાંધો ઉઠાવ્યો. એક યુઝરે સૂચવ્યું કે આવી પ્રવૃત્તિઓ ખાનગી સ્થળે પણ યોજાઈ શકે છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/5hUFfzwTKWW47w9Utllcp4a7vhLW4vXxWn2JjS6K.webp'/></item><item><title><![CDATA[Morbiના મોટા દહિસરા ગામેથી ઝડપાયેલી નકલી દારૂની ફેક્ટરી કેસમાં 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/morbi/morbi-maliya-fake-liquor-factory-8-day-remand</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/morbi/morbi-maliya-fake-liquor-factory-8-day-remand</guid><pubDate>Tue, 08 Sep 2026 13:25:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મોરબી જિલ્લાના માળિયા તાલુકાના મોટા દહિસરા ગામેથી ગતકાલે એલસીબી (LCB) પોલીસે મોટો દરોડો પાડીને નકલી દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. આ સમગ્ર કૌભાંડમાં મોરબી એલસીબી પોલીસે સ્થળ પરથી 5 શખ્સોની ધરપકડ કરી હતી. પકડાયેલા તમામ આરોપીઓને આજે અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં પોલીસે આંતરરાજ્ય નેટવર્ક અને કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે કરેલી રજૂઆતોને માન્ય રાખી કોર્ટે આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.</p><h2 style="text-align: justify; "><b>રૂ.20.75 લાખનો મુદ્દામાલ જપ્ત&nbsp;</b></h2><p style="text-align: justify; ">દરોડા દરમિયાન મોરબી એલસીબી પોલીસ દ્વારા સ્થળ પરથી 600 લીટર જેટલું જોખમી કેમિકલ, રૂ.6.50 લાખની રોકડ રકમ, એક કાર તેમજ દારૂ બનાવવાની સામગ્રી સહિત કુલ રૂ.20.75 લાખનો કિંમતી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ફેક્ટરીમાં કેમિકલના મિશ્રણથી નકલી દારૂ તૈયાર કરીને બજારમાં સપ્લાય કરવાનું ગેરકાયદે નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>મુખ્ય આરોપીની શોધખોળ અને પોલીસ તપાસ તેજ&nbsp;</b></h3><p style="text-align: justify; ">આ મામલે 5 આરોપીઓ જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા છે, પરંતુ આ સમગ્ર નકલી દારૂની ફેક્ટરી ચલાવનાર મુખ્ય સૂત્રધાર હજુ પણ ફરાર છે. મોરબી પોલીસ દ્વારા મુખ્ય આરોપીને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. 8 દિવસના રિમાન્ડ દરમિયાન આરોપીઓની પૂછપરછમાં આ કેમિકલ ક્યાંથી લાવવામાં આવતું હતું અને નકલી દારૂ ક્યાં-ક્યાં વેચવામાં આવતો હતો તે અંગેના ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/hCjvb5jgZrVnWOueQYvP7QhDXGC4F4JpQR3egOfL.webp'/></item><item><title><![CDATA[Nadiadમાં ‘સુપર બેકર્સ’ પર મનપા ત્રાટકી! 500થી વધુ પાંઉના પેકેટ જપ્ત કરી દુકાન-ગોડાઉન સીલ કરાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/nadiad/nadiad-civic-body-raids-super-bakers--seizes-500--bread-packets-and-seals-premises</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/nadiad/nadiad-civic-body-raids-super-bakers--seizes-500--bread-packets-and-seals-premises</guid><pubDate>Tue, 08 Sep 2026 13:09:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નડિયાદ મહાનગરપાલિકા દ્વારા તહેવારોની સીઝન પૂર્વે નાગરિકોના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ખાદ્ય પદાર્થોના વિક્રેતાઓ સામે આકરી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મનપાના સેનેટરી વિભાગે સંતરામ રોડ પર આવેલી પ્રખ્યાત 'સુપર બેકર્સ' પર સરપ્રાઈઝ દરોડો પાડીને નિયમોનો અનાદર કરીને વેચવામાં આવતાં 500થી વધુ પાંઉના પેકેટનો જથ્થો જપ્ત કર્યો છે. તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ આકરી કાર્યવાહીથી અસ્વચ્છ અને શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા વેપારીઓમાં ભારે ફાળો પડી ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>સુપર બેકર્સની દુકાન અને ગોડાઉન સીલ</b></h2><p style="text-align: justify; ">આ અંગે મળતી વિગતો અનુસાર, સેનેટરી ચીફ ઇન્સ્પેક્ટર મયંક દેસાઈની આગેવાની હેઠળની ટીમે સંતરામ રોડ પર સ્થિત 'સુપર બેકર્સ' ની દુકાન અને ગોડાઉન પર અચાનક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બેકરીના પેકિંગ પર ઉત્પાદન તારીખ, એક્સપાયરી ડેટ કે અન્ય જરૂરી વૈધાનિક વિગતો (Mandatory Packaging Details) દર્શાવ્યા વગર જ પાંઉનું બેફામ વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું. નિયમોના આ ખુલ્લા ઉલ્લંઘન બદલ મનપાની ટીમે ત્વરિત ધોરણે કાર્યવાહી કરીને સુપર બેકર્સની મુખ્ય દુકાન અને ગોડાઉન બંનેને સીલ કરી દીધા હતા.</p><h2 style="text-align: justify; "><b>તહેવારોની સીઝનને લઈ ખાદ્યચીજોની તપાસ વધુ સઘન બનશે</b></h2><p style="text-align: justify; ">તહેવારોની આગામી સીઝનને ધ્યાનમાં રાખીને નડિયાદ મનપા તંત્ર દ્વારા શહેરમાં ખાદ્યપદાર્થોનું ઉત્પાદન અને વેચાણ કરતા એકમો પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. સેનેટરી વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં મિઠાઈ, બેકરી આઈટમ્સ અને અન્ય ખાદ્યચીજોની તપાસ વધુ સઘન બનાવવામાં આવશે. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર કે પેકિંગના નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વેપારી સામે કાયદેસરના કડક પગલાં ભરવામાં આવશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-monsoon-deficit--congress-demands-relief-for--55-000-cr-crop-loss--calls-protest" target="_blank">Ahmedabad News : અડધું ગુજરાત કોરુંધાકોર, 11 જિલ્લામાં વરસાદ ન થતાં રુ.55 હજાર કરોડના પાકને નુકસાન</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/jNpCD2U9Fedu7lHFFhJZgNEyKB8mBye142iyEJQx.webp'/></item><item><title><![CDATA[Nitin Gadkari : રાજકીય જગતમાં કયા નેતા છે નીતિન ગડકરીને ફેવરીટ ? પોતે જ કર્યો ખુલાસો ]]></title><link>https://sandesh.com/india/news/nitin-gadkari-which-two-leaders-are-nitin-gadkaris-favorites-he-himself-revealed</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/nitin-gadkari-which-two-leaders-are-nitin-gadkaris-favorites-he-himself-revealed</guid><pubDate>Tue, 08 Sep 2026 13:07:13 +05:30</pubDate><description><![CDATA[<p>કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી હંમેશા સ્પષ્ટ અને ખૂલીને વાત કરનારા નેતા છે. ત્યારે આ વખતે તેમણે રાજકારણને લઇને પણ સ્પષ્ટતાથી વાત કરી છે. ત્યારે આ વખતે તેમણે એવા બે નેતાના નામ આપ્યા છે જેમના પ્રત્યે તેમને ખાસ માન છે.&nbsp;&nbsp;</p><h2><b>મારા માટે બે નેતાઓ ફેવરીટ&nbsp;</b></h2><p>કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે બે નેતાઓ મારા હૃદયમાં એક પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે. એક છે&nbsp; જ્યોર્જ ફર્નાન્ડિસ અને બીજા નેતા છે અટલ બિહારી વાજપેયી. મને તે બંને તરફથી અપાર સ્નેહ અને માર્ગદર્શન મળ્યું છે.&nbsp; તેમણે યાદ કર્યું કે જ્યારે તેઓ મંત્રી બન્યા, ત્યારે જ્યોર્જ ફર્નાન્ડિસ મુંબઈના મલબાર હિલ પર તેમની મુલાકાત લેતા. ગડકરી ઘણીવાર ટિપ્પણી કરતા, "જ્યોર્જ-સાહેબ, તમારી પાર્ટીમાં ઘણા બધા અગ્રણી નેતાઓ છે, છતાં તેમાંથી કોઈ પણ એકબીજા સાથે મેળ ખાતા નથી."</p><h2><b>તેમણે જ્યોર્જ ફર્નાન્ડિસ વિશે શું કહ્યું ?&nbsp;</b></h2><p>નીતિન ગડકરીએ શેર કર્યું કે જ્યારે તેમણે આ મુદ્દો ઉઠાવ્યો, ત્યારે જ્યોર્જ ફર્નાન્ડિસે જવાબ આપ્યો, "લોકશાહી એ જ છે." ગડકરીએ પૂછ્યું, "શું ઝઘડો કરવો એ લોકશાહી છે?" પછી ફર્નાન્ડિસે તેમને ખ્યાલ સમજાવ્યો, અને ગડકરીને સમજાયું કે રાજકારણ એ વિરોધાભાસ, મજબૂરીઓ અને મર્યાદાઓનો ખેલ છે. તેમણે નોંધ્યું કે વ્યૂહરચના અને દૃઢતા વચ્ચે તફાવત છે, અને વ્યૂહરચનાનો મુખ્ય નિયમ ચૂંટણી કેવી રીતે જીતવી તે જાણવું છે.</p><h3><b>મતદાન કરો નહી અને પૂછશો કે આ દેશનું શું થશે- નીતિન ગડ઼કરી&nbsp;</b></h3><p>તેમણે આગળ કહ્યું કે આજે પણ એ વાત સાચી છે કે હું અહીં બેઠેલા લોકો જેવા વિદ્વાન લોકો પર આધાર રાખીને સાંસદ બન્યો નથી.&nbsp; ચૂંટણીનો દિવસ તમારો છે. તમે કહો છો, 'હું પછી આવીશ,' અથવા 'હું આ સમયે અથવા તે સમયે આવીશ,' અને પછી સાંજે 5:00 વાગ્યે આવે છે, અને તમે મતદાન કર્યું નથી. છતાં, જ્યારે આપણે મળીએ છીએ, ત્યારે તમે પૂછો છો, 'આ દેશનું શું થશે?' તમે શા માટે પૂછો છો? જો તમે મતદાન પણ ન કરો તો તમારી સુસંગતતા શું છે? તમે અમારો સમય કેમ બગાડો છો? ફક્ત કોઈને પણ મત આપો."</p><p><br></p><p>ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે લોકશાહી સામે સૌથી મોટી સમસ્યા રાજકીય પક્ષો કે રાજકારણીઓ નથી.&nbsp; તેના બદલે જનતા પોતે જ મુખ્ય સમસ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યારે જનતા શિક્ષિત બને છે અને જાતિ, સંપ્રદાય, ધર્મ અથવા ભાષાના વિચારથી ઉપર ઉઠીને સામાજિક કલ્યાણ, અર્થતંત્ર અને શિક્ષણ જેવા મુદ્દાઓ પર આધારિત યોગ્ય ઉમેદવારને મત આપે છે, ત્યારે લોકશાહીમાં પરિવર્તન આવશે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/X0HWruPpsU9ynreVFpN9C3OmYCAHOBIyuz1vUv7m.webp'/></item><item><title><![CDATA[Gujarat હાઇકોર્ટનો આસારામને મોટો ઝટકો: જામીન થયા રદ, જેલવાસ રહેશે યથાવત! ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/asaram-gujarat-high-court-bail-rejected-medical-ground</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/asaram-gujarat-high-court-bail-rejected-medical-ground</guid><pubDate>Tue, 08 Sep 2026 13:04:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને ગુજરાત હાઇકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. હાઇકોર્ટે આસારામ દ્વારા કરવામાં આવેલી જામીન અરજીને સંપૂર્ણપણે ફગાવી દીધી છે. કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ ટિપ્પણી કરી હતી કે આ તબક્કે આરોપીને જામીન આપવા યોગ્ય જણાતા નથી, જેથી તેમને કોઈ રાહત આપવામાં આવી નથી.</p><h2 style="text-align: justify; "><b>20 દિવસના જામીન માટે કરી હતી અરજી&nbsp;</b></h2><p style="text-align: justify; ">આસારામ તરફથી મેડિકલ ગ્રાઉન્ડ (સ્વાસ્થ્યના કારણો) આગળ ધરીને 20 દિવસની હંગામી જામીન મંજૂર કરવા માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આસારામના વકીલ દ્વારા તેમની ઉંમર અને તબિયતની સારવાર અર્થે જામીન આપવા માટે રજૂઆતો કરવામાં આવી હતી, જેને કોર્ટે ગ્રાહ્ય રાખી ન હતી.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><img alt="Tough verdict of Gujarat High Court" src="https://epapercdn.sandesh.com/images/2026/09/08/MhKLIQ5Dy4IjyglrdMVmvBmz7AJQpamW0pNn6Nsg.webp"><br></p><p style="text-align: justify; "><br></p><h3 style="text-align: justify; "><b>દુષ્કર્મ કેસમાં કાપી રહ્યા છે આજીવન કેદની સજા&nbsp;</b></h3><p style="text-align: justify; ">ઉલ્લેખનીય છે કે આસારામ સામે સુરતની બે બહેનો દ્વારા નોંધાવવામાં આવેલા ગંભીર દુષ્કર્મના કેસમાં અદાલતે તેમને દોષિત ઠેરવીને આજીવન કેદની આકરી સજા ફટકારી છે. હાલ તેઓ આ સજા ભોગવી રહ્યા છે. હાઇકોર્ટે જામીન અરજી ફગાવી દેતાં આસારામને જેલમાં જ રહેવું પડશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/39dwTb6nOnPPto87l4k7XcCnFt2QK3UI5PTzrs3D.webp'/></item><item><title><![CDATA[8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, વધી જશે સેલરી, પગાર પંચે કામગીરી કરી ઝડપી ]]></title><link>https://sandesh.com/business/news/8th-pay-commission-salary-hike-fitment-factor-update</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/8th-pay-commission-salary-hike-fitment-factor-update</guid><pubDate>Tue, 08 Sep 2026 12:14:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કેન્દ્ર સરકાર દ્વારા 3 નવેમ્બર, 2025 ના રોજ મહત્વપૂર્ણ 8મા પગાર પંચની રચના કરવામાં આવી હતી અને તેને અંતિમ અહેવાલ તૈયાર કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આ નિર્ધારિત સમયમર્યાદામાંથી હાલમાં 10 મહિના પૂરા થઈ ચૂક્યા છે. રિપોર્ટ એકદમ સચોટ અને વ્યાપક બને તે માટે કમિશનની ટીમ દેશભરના વિવિધ રાજ્યોમાં સક્રિયપણે પ્રવાસ કરી રહી છે. આ જ શૃંખલામાં, કમિશનની ટીમ 7-8 સપ્ટેમ્બરના રોજ ચેન્નાઈની મુલાકાતે છે, જ્યાં કર્મચારી સંગઠનો સાથે સીધી બેઠકો યોજાઈ રહી છે. કર્મચારીઓના પગાર અને ભથ્થાની દ્રષ્ટિએ આ બેઠકો અત્યંત નિર્ણાયક માનવામાં આવી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>ચેન્નાઈ બેઠકનો મુખ્ય એજન્ડા અને ચર્ચાઓ</b></h2><p style="text-align: justify; ">ચેન્નાઈમાં યોજાયેલી આ બેઠક દરમિયાન કર્મચારીઓની વિવિધ માંગણીઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી રહી છે. કમિશનનું સૌથી મોટું અને પ્રાથમિક ધ્યાન 'ફિટમેન્ટ ફેક્ટર' (Fitment Factor) પર છે, જેના આધારે કર્મચારીઓનો મૂળભૂત પગાર નક્કી થાય છે. આ ઉપરાંત વર્તમાન કર્મચારીઓ માટે પગાર સુધારણાનો રોડમેપ તૈયાર કરવો, નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં સુધારો કરવો અને મોંઘવારી ભથ્થા (DA) માં વધારા અંગેના વિકલ્પો પર પણ મંતવ્યો લેવામાં આવી રહ્યા છે. આર્થિક લાભો ઉપરાંત કર્મચારીઓની કાર્યકારી પરિસ્થિતિઓમાં સુધારો લાવવાના મુદ્દાઓ પણ આમાં સામેલ છે.</p><h3 style="text-align: justify; "><b>ફિટમેન્ટ ફેક્ટરનું વાસ્તવિક ચિત્ર</b></h3><p style="text-align: justify; ">સોશિયલ મીડિયા પર હાલમાં 2.15, 2.28 કે 2.57 જેવા ફિટમેન્ટ ફેક્ટર અંગે વિવિધ દાવાઓ અને અટકળો ચાલી રહી છે. જો કે, કર્મચારીઓએ એ સમજવું જરૂરી છે કે સરકારે હજુ સુધી કોઈપણ આંકડાને સત્તાવાર રીતે મંજૂરી આપી નથી. અગાઉ 7મા પગાર પંચ દ્વારા 2.57 અને છઠ્ઠા પગાર પંચ દ્વારા 1.86 ના ફિટમેન્ટ ફેક્ટરની ભલામણ કરવામાં આવી હતી. હાલમાં 8મા પગાર પંચ દ્વારા કયા નવા આંકડાની ભલામણ કરવામાં આવશે તે જોવું રસપ્રદ રહેશે, કારણ કે પંચ માત્ર ભલામણો કરે છે અને અંતિમ નિર્ણય સરકારની મંજૂરી બાદ જ લાગુ થાય છે.</p><h4 style="text-align: justify; "><b>કમિશનનું આગામી સમયપત્રક અને પ્રવાસો</b></h4><p style="text-align: justify; ">ચેન્નાઈ પહેલાં કમિશનની ટીમે દિલ્હી, લદ્દાખ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓડિશા જેવા રાજ્યોનો સફળ પ્રવાસ કરીને મુખ્ય હિસ્સેદારોની ચિંતા જાણી લીધી છે. કમિશને જાહેર કરેલા સમયપત્રક મુજબ, ચેન્નાઈ બાદ ટીમ ૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ પુડુચેરી જશે. ત્યારબાદ ૧૬ થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન ચંદીગઢ અને ૭-૮ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ બેંગલુરુમાં પણ મહત્વપૂર્ણ બેઠકો યોજાશે. આ તમામ પ્રયાસોનો હેતુ સમયસર સરકારને સર્વગ્રાહી અહેવાલ સુપરત કરવાનો છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/kanpur-millionaire-murder-daughter-in-law-arrested" target="_blank">આ પણ વાંચોઃ Kanpur Murder Mystery: 21 દિવસમાં જ 330 કોલ...કરોડપતિ ઉદ્યોગપતિની હત્યા પુત્રવધૂએ ચાલાકીથી કરી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/GSc3JtU49ru7bcYyFfH86sifTvO8e05k3wqJhc6E.webp'/></item><item><title><![CDATA[Lalo and Hanuman Ansh એ બોક્સ ઓફિસ પર રચ્યો ઇતિહાસ, વધુ એક Mythology ફિલ્મની જાહેરાત ]]></title><link>https://sandesh.com/entertainment/news/mythological-films-are-currently-gaining-popularity-lalo-and-hanuman-ansh-superhit</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/mythological-films-are-currently-gaining-popularity-lalo-and-hanuman-ansh-superhit</guid><pubDate>Tue, 08 Sep 2026 12:13:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલિવૂડ તરફથી કોઈ જ મોટું સમર્થન ન મળ્યું હોવા છતાં અને શરૂઆતમાં માત્ર ૨૫ શો સાથે રિલીઝ થયેલી ફિલ્મ 'હનુમાન અંશ' આજે બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડી રહી છે. નીમ કરોલી બાબાના પવિત્ર જીવન પર આધારિત અને માત્ર રૂ. ૨ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે અત્યાર સુધીમાં આશરે ૧૫૦ કરોડ રૂપિયાથી વધુની જબરદસ્ત કમાણી કરીને સમગ્ર સિનેમા જગતને ચોંકાવી દીધું છે. આ અગાઉ 'લાલો' ફિલ્મે જંગી કમાણી કરી હતી. આ બંને ફિલ્મોની સફળતા બતાવે છે કે અત્યારે પૌરાણિક ફિલ્મો વધુ લોકપ્રિયતા મેળવી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>ઓછા બજેટની ફિલ્મોનો ઐતિહાસિક રેકોર્ડ</b></h2><p style="text-align: justify;">ભૂતકાળમાં ૫૧ વર્ષ પહેલાં 'જય સંતોષી મા' ફિલ્મે આવી જ સફળતા મેળવી હતી. તેવો જ ઈતિહાસ ૨૦૨૫માં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ 'લાલો-કૃષ્ણ સદા સહાયતે' એ દોહરાવ્યો છે. કોઈ જાણીતી સ્ટાર કાસ્ટ કે મોટા પ્રમોશન વિના, માત્ર ૫૦ લાખ રૂપિયામાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં ૧૨૨.૨૫ કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું છે. આ ફિલ્મ વિશ્વભરમાં ૧૦૦ કરોડનો આંકડો પાર કરનારી પ્રથમ ગુજરાતી ફિલ્મ બની ગઈ છે અને રિલીઝના આઠમા અઠવાડિયામાં કમાણીના મામલે વિકી કૌશલની 'ચાવા' ને પણ પાછળ છોડી દીધી હતી.</p><h3 style="text-align: justify; "><b>સિનેમાઘરોમાં આધ્યાત્મિક અને પૌરાણિક ફિલ્મોનો વધતો ક્રેઝ</b></h3><p style="text-align: justify; ">તાજેતરમાં જ 'મહાવતાર નરસિંહ' ની ભવ્ય સફળતા અને હવે 'હનુમાન અંશ' ની કમાણી સાબિત કરે છે કે દર્શકોમાં ભક્તિમય અને પૌરાણિક ફિલ્મો પ્રત્યે ભારે ઉત્સાહ છે. આ જ સફળતાના પગલે હવે શિરડીના સાંઈ બાબા પર ફિલ્મ બની રહી છે, જેમાં સંજય મિશ્રા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે અને તેમનો ફર્સ્ટ લુક પણ આઉટ થઈ ચૂક્યો છે.</p><h4 style="text-align: justify; "><b>'હરે કા સહારા બાબા ખાટુ શ્યામ હમારા' ફિલ્મની અધિકૃત જાહેરાત</b></h4><p style="text-align: justify; ">ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યા અનુસાર, લાખો ભક્તોની આસ્થાના પ્રતીક એવા ખાટુ શ્યામ જી પર નવી ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. 'અબન્ડેન્ટિયા એન્ટરટેઈનમેન્ટ' અને 'સિલેક્ટ મીડિયા' ના બેનર હેઠળ 'હરે કા સહારા બાબા ખાતુ શ્યામ હમારા' શીર્ષક હેઠળ આ ફીચર ફિલ્મ નિર્માણ પામશે. વિક્રમ મલ્હોત્રા અને રજનીશ ખાનુજા દ્વારા નિર્મિત આ ફિલ્મ ૨૦૨૭ માં રિલીઝ થશે, જે ખાટુ શ્યામ જીના જીવન અને ચમત્કારોની ગાથા મોટા પડદા પર રજૂ કરશે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/music-composer-a-r--rahman-will-pay-special-tribute-to-the-late-asha-bhosle-on-her-birth-anniversary" target="_blank">આ પણ વાંચો : A.R. Rahman સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેને આપશે અનોખી શ્રદ્ધાંજલિ, સંગીતકારનું સપનું થશે પુર્ણ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/2J5zpwF9T0mCUsT7Zit3J1IN8Ai6OKHbt1YPBFYZ.webp'/></item><item><title><![CDATA[પેટ્રોલ ડિઝલથી લઈને સોના ચાંદીના ભાવ જાણો રેલવે ટિકિટ બુકિંગ સહિત આજે શું થયા ફેરફાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-08-am-to-12-pm-8-september-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-08-am-to-12-pm-8-september-2026</guid><pubDate>Tue, 08 Sep 2026 12:01:18 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર</b></p><p><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/nora-fatehi-faces-3-crore-defamation-suit-in-gujarat-court" target="_blank"><b>1. Gandhinagar News : બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી સામે ગાંધીનગરની કોર્ટમાં 3 કરોડનો માનહાનિનો દાવો</b></a></p><p><a href="https://sandesh.com/india/news/kanpur-millionaire-murder-daughter-in-law-arrested" target="_blank"><b>2. Kanpur Murder Mystery: 21 દિવસમાં જ 330 કોલ...કરોડપતિ ઉદ્યોગપતિની હત્યા પુત્રવધૂએ ચાલાકીથી કરી</b></a></p><p><a href="https://sandesh.com/business/news/gold-silver-price-today-gold-price-rise-or-fall-know-what-is-the-change-in-silver" target="_blank"><b>3. Gold Silver Price Today: સોનાના ભાવમાં તેજી કે ઘટાડો? જાણો ચાંદીમાં શું છે ફેરફાર</b></a></p><p><a href="https://sandesh.com/cricket/news/bcci-rohit-yadav-out-australia-u19-series-aryan-savasani-tanmay-baloda" target="_blank"><b>4. BCCIનો મોટો નિર્ણય, ઓસ્ટ્રેલિયા સામેની U19 સિરીઝમાં આ બે યુવા ખેલાડીઓની એન્ટ્રી</b></a></p><p><a href="https://sandesh.com/cricket/news/duleep-trophy-final-ishan-kishan-statement-270-runs-comeback-secret" target="_blank"><b>5.Duleep Trophy Final : ઐતિહાસિક ઈનિંગ્સ બાદ ઈશાન કિશને ખોલ્યું કમબેકનું રહસ્ય</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/patan/kinjal-rabari-kidnapping-case-takes-new-turn" target="_blank"><b>6. Patan News: લોક ગાયિકા કિંજલ રબારીના અપહરણ કેસમાં મોટો વળાંક, જાણો તેના પતિ મુકેશ રબારીએ ફરિયાદમાં શું કહ્યું?</b></a></p><p><a href="https://sandesh.com/world/news/crude-oil-supply-india-no-longer-has-to-worry-about-crude-oil-amid-the-war-a-new-option-has-been-found" target="_blank"><b>7. Crude Oil Supply: યુદ્ધના માહોલ વચ્ચે હવે ભારતને ક્રૂડ ઓઇલની ચિંતા નહી, શોધી કાઢ્યો નવો વિકલ્પ</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/diwali-train-ticket-booking-begins-know-the-latest-railway-update" target="_blank"><b>8. Gujarat News: દિવાળીની રજાઓમાં ફરવા જવાનો પ્લાન છે? રેલવે ટિકિટ બુકિંગમાં આવી મોટી અપડેટ</b></a></p><p><a href="https://sandesh.com/business/news/petrol-diesel-price-today-will-petrol-and-diesel-prices-increase-or-decrease-know-the-latest-rate-of-1-liter" target="_blank"><b>9. Petrol Diesel Price Today: પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કે ઘટાડો? જાણો 1 લિટરનો લેટેસ્ટ રેટ</b></a></p><p><a href="https://sandesh.com/business/news/stock-market-opening-the-stock-market-started-weakly-on-tuesday-sensex-opened-at-75747-points" target="_blank"><b>10. Stock Market Opening: શેરબજારની મંગળવારે નબળી શરૂઆત, સેન્સેક્સ 75,747 અંકે ખૂલ્યો</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/05/30/mDmSiSJWp4EJffsL4XdCg0WZVmFETlBX3EYK5ohQ.webp'/></item><item><title><![CDATA[Malaysia : 72 વર્ષના ફૂટબોલ દિગ્ગજે 20 વર્ષની યુવતી સાથે કર્યા લગ્ન, તસવીરો વાયરલ થતાં પરિવારે કરી પુષ્ટિ ]]></title><link>https://sandesh.com/world/news/sports/malaysia-football-legend-abdul-alif-marriage-72-year-old-20-year-old-wife</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/sports/malaysia-football-legend-abdul-alif-marriage-72-year-old-20-year-old-wife</guid><pubDate>Mon, 07 Sep 2026 23:00:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મલેશિયન ફૂટબોલના દિગ્ગજ અને પૂર્વ હરિમાઉ મલાયા સ્ટાર દાતુક અબ્દુલ અલિફે 72 વર્ષની ઉંમરે પોતાના જીવનનો નવો અધ્યાય શરૂ કર્યો છે. સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો વાયરલ થયા બાદ તેમના પરિવારે લગ્નની સત્તાવાર પુષ્ટિ કરી છે. અહેવાલ મુજબ 27 ઓગસ્ટે યોજાયેલા ખાનગી સમારંભમાં અબ્દુલ અલિફે પોતાની જીવનસંગિની સાથે નિકાહ કર્યા હતા. તેમની પત્નીની ઉંમર 20 વર્ષ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>લગ્નની ખબર કોણે કરી કન્ફર્મ?</b></h2><p style="text-align: justify; ">અબ્દુલ અલિફના નાના ભાઈ અને પૂર્વ ખેલાડી તથા કોચ દાતુક યુનુસ અલિફે લગ્નની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે 27 ઓગસ્ટે બંનેના લગ્ન થયા હતા અને બંને પરિવારોની સંમતિ તથા આશીર્વાદ સાથે આ સંબંધ બંધાયો છે. પરિવાર દ્વારા નવદંપતીના સુખી દાંપત્ય જીવન માટે શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>ફોન નહીં ઉઠાવતા ભાઈએ શું કહ્યું?</b></h3><p style="text-align: justify; ">લગ્ન બાદ અબ્દુલ અલિફ મીડિયા સંપર્કમાં ન આવતા તેમના ભાઈ યુનુસ અલિફે જણાવ્યું હતું કે તેઓ સંભવતઃ હનીમૂન પર હોવાથી ફોનનો જવાબ આપી શકતા નથી.જોકે પરિવારે સ્પષ્ટ કર્યું છે કે બંનેના નિકાહ થઈ ચૂક્યા છે અને પરિવાર તરફથી બંનેને શુભકામનાઓ આપવામાં આવી છે.</p><h4 style="text-align: justify; "><b>મલેશિયન ફૂટબોલના દિગ્ગજ રહ્યા છે અબ્દુલ અલિફ</b></h4><p style="text-align: justify; ">અબ્દુલ અલિફ મલેશિયન ફૂટબોલ ઇતિહાસના જાણીતાં ખેલાડીઓમાં સામેલ રહ્યા છે. 1970ના અંતિમ વર્ષો અને 1980ના શરૂઆતના સમયમાં મલેશિયન ફૂટબોલના સફળ સમયગાળામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.તેઓ તે મલેશિયન ટીમના સભ્ય હતા જેણે ક્વોલિફાઇંગ મેચમાં દક્ષિણ કોરિયાને 2-1થી હરાવી 1980ના મોસ્કો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું.</p><h4 style="text-align: justify; "><b>ઓલિમ્પિક રમવાનું સપનું કેમ અધૂરું રહ્યું?</b></h4><p style="text-align: justify; ">મલેશિયાએ સોવિયેત સંઘના અફઘાનિસ્તાન પરના આક્રમણના વિરોધમાં 1980ના મોસ્કો ઓલિમ્પિકનો બહિષ્કાર કર્યો હતો. જેના કારણે અબ્દુલ અલિફ સહિત અનેક ખેલાડીઓનું ઓલિમ્પિકમાં રમવાનું સપનું અધૂરું રહી ગયું હતું. લાંબા સમય સુધી વ્યાવસાયિક ફૂટબોલ અને મીડિયા લાઇમલાઇટથી દૂર રહ્યા બાદ આ દિગ્ગજ ખેલાડી હવે પોતાના અંગત જીવનના નવા નિર્ણયને કારણે ફરી ચર્ચામાં આવ્યા છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">&nbsp; આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-gujarat-drowning-deaths-1999-river-lake-check-dam-water-safety" target="_blank"><b>Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/oQuxxQEBdhQdWmZFxk2LOPbwDJRpf6zDEmwi2pJ3.webp'/></item></channel></rss>