<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabad: બાપુનગર 13 7 એએમટીએસ બસ સ્ટેન્ડ કોન્ટ્રાક્ટરના માલ સામાનનું ગોડાઉન બન્યું ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-bapunagar-13-7-amts-bus-stand-became-a-godown-for-the-contractors-goods</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-bapunagar-13-7-amts-bus-stand-became-a-godown-for-the-contractors-goods</guid><pubDate>Sun, 30 Aug 2026 05:49:56 +05:30</pubDate><description><![CDATA[<p>બાપુનગર વિસ્તારમાં આવેલા 13 7 નંબરના છેલ્લા બસ સ્ટેન્ડ પર છેલ્લા બે મહિનાથી એક ખાનગી કોન્ટ્રાક્ટરે પોતાનો સેન્ટિંગનો સામાન અડ્ડો જમાવીને મૂકી દેતાં સ્થાનિક રહીશો અને મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.AMTS બસ સ્ટેન્ડ જેવી જાહેર જગ્યાનો ઉપયોગ અંગત ગોડાઉન તરીકે થઈ રહ્યો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી રહી.</p><p>સ્થાનિકોનું કહેવું છે કે જ્યારે કોન્ટ્રાક્ટરને આ સેન્ટિંગનો સામાન હટાવવા માટે કહેવામાં આવે છે ત્યારે તે દાદાગીરી પર ઉતરી આવે છે. હું ધારાસભ્યનો માણસ છું, મારું કોઈ કંઈ બગાડી શકે નહીં તેવી ધમકીઓ આપીને તે લોકોને ચૂપ કરાવી દે છે. રાજકીય શેહશરમના જોરે ચાલતી આ મનસ્વીતા સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/30/AewQswRKNDqQBxrTZhpguFgz76lfU2TzFmr5xRv0.webp'/></item><item><title><![CDATA[Vapi : દમણમાં 'નાળિયેર પૂનમ'ની ઉત્સાહ સાથે પરંપરાગત ઉજવણી, માછીમારીનો આરંભ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vapi/vapi-traditional-celebration-of-coconut-poonam-with-enthusiasm-in-daman-fishing-begins</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vapi/vapi-traditional-celebration-of-coconut-poonam-with-enthusiasm-in-daman-fishing-begins</guid><pubDate>Sun, 30 Aug 2026 05:48:34 +05:30</pubDate><description><![CDATA[<p>દમણમાં માછીમારો દ્વારા 'નાળિયેર પૂનમ'ની ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરાઈ હતી. માછીમાર સમુદાય દ્વારા સૌ પ્રથમ સમુદ્ર દેવતા, વરુણ દેવ અને હોડીની વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવી હતી. પરંપરાગત રીતે ગીત-સંગીત અને નૃત્યની રમઝટ પણ જામી હતી. જે પ્રથા રક્ષાબંધનના પવિત્ર રીતિ-રિવાજો સાથે પણ જોડાયેલી છે.</p><p>નાળિયેરી પૂનમનો આ પર્વ દરિયાઈ માછીમાર સિઝનની ભવ્ય શરૂઆતનું પ્રતીક છે. આ દિવસથી માછીમારો જળ-વ્યાપાર અને મત્સ્યઉદ્યોગનો દર વર્ષે આરંભ કરે છે. શુક્રવારે લોકોએ સમુદ્રનારાયણને પ્રાર્થના કરી હતી કે આગામી વર્ષ સુખ, સમૃદ્ધિ અને ધન-ધાન્યથી ભરેલું રહે, હવામાન અનુકૂળ રહે અને નૌકાવ્યવહાર માછીમારોની તરફેણમાં રહે, જેથી તેમનું જીવન સુરક્ષિત અને સમૃદ્ધ બને. કોળી સમાજ અને અન્ય સ્થાનિક સમાજના લોકોએ પણ સમુદ્રમાં નાળિયેર અર્પણ કરી વરુણદેવ અને સમુદ્રનારાયણને પ્રાર્થના કરી હતી. દમણમાં લાયન્સ ક્લબ દ્વારા પણ નાળિયેરી પૂનમ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પર્વમાં દમણ-દીવના સ્થાનિકો જોડાયા હતા અને સમુદ્રની પૂજા કરી, આગામી સમયમાં મત્સ્ય વ્યવસાયની સમૃદ્ધિ અને સુરક્ષાની કામના કરી હતી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/30/5Mq9CXHEeWsqBDHfheLv9Yg4b1E5p4DC6NYYA3nW.webp'/></item><item><title><![CDATA[Valsad : કાળી ફિલ્મ લગાડી નંબર પ્લેટ વગરની મર્સિડીઝ કાર ફેરવતો નબીરો ભેરવાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/valsad/valsad-nabiro-bherawa-was-caught-driving-a-mercedes-car-without-a-number-plate-after-applying-black-film</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/valsad/valsad-nabiro-bherawa-was-caught-driving-a-mercedes-car-without-a-number-plate-after-applying-black-film</guid><pubDate>Sun, 30 Aug 2026 05:46:48 +05:30</pubDate><description><![CDATA[<p>વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસે નંબર પ્લેટ વગર તથા કાર ઉપર કાળી ફિલ્મ લગાડીને બેફામ ગતિએ હંકારનારા એક નબીરા વિરુદ્ધ મળેલી ફરિયાદને આધારે શનિવારે સવારે કારને જપ્ત કરી હતી. જે બાદ કારમાં કાચ પર લગાડેલ કાળી ફિલ્મો સ્થળ પર જ કાઢી નાંખી હતી. તેમજ લાઇસન્સ વગર કાર હંકારતા નબીરાને આર.ટી.ઓ. મેમો ફટકારી દાખલારૂપ કાર્યવાહી કરી હતી. શુક્રવારે એક લાલ રંગની લક્ઝરીય મર્સિડીઝ કાર અત્યંત પૂરઝડપે હંકારવામાં આવી રહી હોવાની ફરિયાદ પોલીસને કોઇક જાગૃત નાગરિકે કરી હતી. તેથી પોલીસે તપાસ હાથ ધરી હતી, પરંતુ તે મળી આવી નહોતી. દરમિયાન શનિવારે સવારે જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમને લાલ રંગની મર્સિડીઝ કાર વલસાડમાં નજરે પડતા તપાસ કરી તો કારની બંને તરફ નંબર પ્લેટ ના હતી. કારમાં તમામ કાચ ઉપર ઘેરા કાળા રંગની ફિલ્મ લગાડવામાં આવી હતી. જેથી કારની અંદરનું કોઇપણ દ્રશ્ય બહારથી બિલકુલ નજરે પડતું નહોતું. પોલીસના જણાવ્યાનુસાર કાર્તિક પરમાર નામના હાલર વિસ્તારમાં રહેતા નબીરા પાસે લાઇસન્સ પણ ના હોવાનું તેણે જણાવ્યું હતું. આખરે ટ્રાફિક પોલીસે સ્થળ પર જ કારના કાચ પરની બ્લેક ફિલ્મ ઉખેડીને ફેંકી દીધી હતી. તેમજ કારચાલકને આર.ટી.ઓ. મેમો ફટકારતા તેણે આર.ટી.ઓ.માં 4 હજાર રૂ.નો દંડ ભરીને કાર છોડાવી હતી. સૂત્રએ જણાવ્યું કે, આ કાર છેલ્લા લગભગ છ મહિનાથી બંને તરફ નંબર પ્લેટ લગાડયા વગર દોડી રહી હતી. પોલીસે અગાઉ એકવાર તેને દંડ કર્યો હતો. તે પછી થોડો સમય નંબર પ્લેટ લગાડી હતી. તે પછી ફરી કાઢી નાંખી હતી. ઉપરાંત કારચાલક શહેરમાં બેફામ ઝડપે કાર હંકારવાની આદત ધરાવતો હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/30/umGTaVO83edQZZoRd3bYcxA1m6tJrENEWjWmKSv2.webp'/></item><item><title><![CDATA[Surat: કીમમાં રસ્તે અડિંગો જમાવતા અને રખડતા ઢોરોને ગ્રામ પંચાયત પકડશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-gram-panchayat-to-catch-stray-cattle-roaming-on-roads-in-keem</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-gram-panchayat-to-catch-stray-cattle-roaming-on-roads-in-keem</guid><pubDate>Sun, 30 Aug 2026 05:43:11 +05:30</pubDate><description><![CDATA[<p>કીમ વિભાગમાં છેલ્લા કેટલાક સમયથી કીમ વિસ્તારનાં જાહેર રસ્તાઓ ઉપર અડીંગો જમાવી ટ્રાફિક માટે અડચણરૂપ બનતા અને રોજીંદા અકસ્માતો માટે કારણભૂત રખડતા ઢોરોને પકડવાની કામગીરી ગ્રામ પંચાયત કરશે.</p><p>કીમનાં મુખ્ય રસ્તાઓ ઉપર વહેલી સવારથી મોડી સાંજ સુધી પડયા પાથર્યા રહેતા ઢોરોના માલિકોને કીમ ગ્રામ પંચાયત દ્વારા અંતિમ સૂચના આપી દેવામાં આવી છે. આગામી દિવસોમાં રસ્તાની વચોવચ અડચણરૂપ અડીંગો જમાવતા ઢોરોને જે તે માલિકો દ્વારા લઇ જવામાં નહીં આવશે તેવા જવાબદારો સામે કીમ પંચાયત દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. કીમ પૂર્વ અને પશ્ચિમ દિશામાં બ્રિજની બંને બાજુ રોડ સાઇડે ટ્રાફિકને અવરોધતા રખડતા ઢોરનાં ત્રાસનાં પગલે કીમમાં છાશવારે અકસ્માતો સર્જાય રહ્યા છે. કીમ વિભાગની સોસાયટીઓ સુધી રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો છે. લોકો ત્રાસી ગયા છે. કીમની પ્રમુખ સમસ્યાઓ પૈકી ઉપરોક્ત સમસ્યાનાં નિકાલ માટે કીમ પંચાયત દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/30/EVy3B2977oRGDAfbDW6cuso3owcbnuvqAuAESiLe.webp'/></item><item><title><![CDATA[Surat: કીમ-કોસંબામાં ફૂડ વિભાગનું ચેકિંગ શંકાસ્પદ પેંડા અને બળેલું તેલ મળ્યું ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-food-department-checks-at-kim-kosamba-finds-suspicious-pandan-and-burnt-oil</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-food-department-checks-at-kim-kosamba-finds-suspicious-pandan-and-burnt-oil</guid><pubDate>Sun, 30 Aug 2026 05:40:38 +05:30</pubDate><description><![CDATA[<p>કીમ : સુરત ગ્રામ્ય વિસ્તારમાં લોકોનાં સ્વાસ્થ્ય સાથે કોઇ ચેડાં ન થાય તે હેતુથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કીમ-કોસંબા વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તહેવારો દરમ્યાન લોકો મોટા પ્રમાણમાં મીઠાઇ તેમજ ખાદ્ય સામગ્રીની ખરીદી કરતા હોય છે, જેને ધ્યાને રાખી કીમ વિસ્તારમાં આવેલી મીઠાઇની 12 દુકાનો અને તહેવારો નિમિતે ઊભા કરાયેલા ટેમ્પરરી સ્ટોલ પર ફૂડ સેફ્ટી વિભાગની ટીમે ઓચિંતી તપાસ શરૂ કરી હતી. આશરે 3 2 જેટલી મીઠાઇનાં નમૂના તેમજ જથ્થાની ચકાસણી કરવામાં આવી હતી. આ આકસ્મિક તપાસ દરમ્યાન ગુણવત્તા અંગે શંકાસ્પદ જણાયેલા કેટલાક કિલો પેંડા તેમજ ખાદ્યપદાર્થો બનાવવા માટે વપરાયેલુ 5 લિટર બળેલું તેલ મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. જોકે કીમ વિભાગમાં હજુ પણ કેટલીક મીઠાઇની દુકાનો અને હોટલોવાસી મીઠાઇઓ અને બળેલા તેલમાં તળેલું ફરસાણ વેચાતા હોવાની વ્યાપક ફરિયાદને પગલે આ ચેકીંગ કરાઈ રહ્યું છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/30/eOktTfq5bhPeRvuHazFTXm0jiLYoX13GXNhd36fh.webp'/></item><item><title><![CDATA[Manipur : ZUFના બે જૂથમાં થઈ ગોળીબારી, 2 લોકોના થયા મોત ]]></title><link>https://sandesh.com/india/news/manipur-zuf-factions-firing-noney-2-died-6-injured</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/manipur-zuf-factions-firing-noney-2-died-6-injured</guid><pubDate>Sat, 29 Aug 2026 23:45:38 +05:30</pubDate><description><![CDATA[<p>મણિપુરના નોની જિલ્લામાં સશસ્ત્ર સંગઠન જેલિયાંગ્રોંગ યુનાઈટેડ ફ્રન્ટ (ZUF)ના બે જૂથો વચ્ચે હિંસક અથડામણની ઘટના સામે આવી છે. છેલ્લા 24 કલાકમાં બનેલી અલગ-અલગ બે ઘટનાઓમાં બે લોકોના મોત થયા છે, જ્યારે 6 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે. બંને ઘટનાઓમાં ZUF-J અને ZUF-K જૂથના કેડરો વચ્ચે સંઘર્ષ થયો હોવાની આશંકા છે.</p><h2><b>વિસ્ફોટકોનો પણ ઉપયોગ થયો હોવાની આશંકા</b></h2><p>અધિકારીઓના જણાવ્યા અનુસાર, શનિવારે સવારે નોની જિલ્લાના મુન્ગટેક પાર્ટ-2 અને હાઓચોંગ વચ્ચે ફરી ગોળીબારના અવાજ સંભળાયા હતા. સવારે લગભગ 6 વાગ્યે ગોળીબાર શરૂ થયો હતો. આ દરમિયાન ZUF-K સાથે જોડાયેલા સશસ્ત્ર કેડરોએ નુન્ગટેક ગામમાં ZUF-Jના કેડરો પર ઘાત લગાવી હુમલો કર્યો હોવાની માહિતી મળી છે. ગોળીબાર કેટલાક મિનિટ સુધી ચાલ્યો હતો અને વિસ્ફોટકોનો પણ ઉપયોગ થયો હોવાની આશંકા છે.</p><p>સુરક્ષા દળો અનુસાર, આ ઘટનામાં ZUF-Jનો એક કેડર માર્યો ગયો હતો. તેની ઓળખ 29 વર્ષીય જાંગાઈલુન્ગ તરીકે થઈ છે. તે મુક્તિના ગામનો રહેવાસી હતો અને સંગઠનમાં પોતાને સેકન્ડ લેફ્ટનન્ટ ગણાવતો હતો. આ હુમલામાં તે જ જૂથના 6 અન્ય લોકો ઘાયલ થયા છે. તેમને સારવાર માટે ઈમ્ફાલની બે અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.</p><h3><b>એક દિવસ પહેલાં પણ થઈ હતી અથડામણ</b></h3><p>શુક્રવારે પણ નોની જિલ્લાના ઓકટન ગામમાં બંને જૂથો વચ્ચે ગોળીબાર થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, બપોરે લગભગ 3:30થી 4 વાગ્યાની વચ્ચે થયેલી આ ઘટનામાં ZUF-K સાથે જોડાયેલા એક કેડરનું મોત થયું હતું. મૃતકની ઓળખ દિંગતિપ્લુન્ગ ગોનમેઈ ઉર્ફે ન્ગુઈબા ગોનમેઈ તરીકે થઈ છે. તે સંગઠનમાં પોતાને ચીફ સેક્રેટરી ગણાવતો હતો.</p><p>સતત બે હિંસક ઘટનાઓ બાદ નોની અને હાઓચોંગ વિસ્તારમાં તણાવ વધવાની આશંકા છે. સુરક્ષા દળો પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. નોંધનીય છે કે ZUFએ કેન્દ્ર અને મણિપુર સરકાર સાથે ડિસેમ્બર 2022માં સસ્પેન્શન ઓફ ઓપરેશન્સ એટલે કે યુદ્ધવિરામ અંગે ત્રિપક્ષીય કરાર કર્યો હતો. આ કરાર છતાં સંગઠનના બે જૂથો વચ્ચે થયેલી તાજી અથડામણથી વિસ્તારમાં શાંતિ અને સુરક્ષાને લઈને ચિંતા વધી છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/ujjain-mahakal-temple-shravan-1-57-crore-devotees-new-record" target="_blank">આ પણ વાંચો : Ujjain : મહાકાલ મંદિરમાં શ્રદ્ધાળુઓનો રેકોર્ડ તુટ્યો, શ્રાવણ મહિનામાં 1.57 કરોડ ભક્તોએ કર્યા દર્શન</a></b></p><p><br></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/HuHwHr5DesW8xFjonSVB9dW5PMqj8WzhOAQuexGX.webp'/></item><item><title><![CDATA[Womens Hockey World Cup: આર્જેન્ટિનાએ 9 વખતની ચેમ્પિયન નેધરલેન્ડ્સને હરાવીને જીત્યું ટાઈટલ ]]></title><link>https://sandesh.com/sports/news/argentina-win-womens-hockey-world-cup-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/argentina-win-womens-hockey-world-cup-2026</guid><pubDate>Sat, 29 Aug 2026 23:19:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">શુક્રવારે 29 ઓગસ્ટના રોજ ફાઈનલમાં આર્જેન્ટિનાએ 9 વખતની ચેમ્પિયન નેધરલેન્ડ્સને હરાવીને 2026 વિમેન્સ હોકી વર્લ્ડકપ જીત્યો. નેધરલેન્ડ્સનું સતત ચોથું વર્લ્ડકપ જીતવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું.&nbsp;</p><p style="text-align: justify; ">મેચનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટ દ્વારા લેવામાં આવ્યો, જેમાં આર્જેન્ટિનાએ નેધરલેન્ડ્સને 3-1 થી હરાવ્યું. આ આર્જેન્ટિનાના આ ત્રીજું ટાઈટલ હતું. આ જીતે આર્જેન્ટિનાના પાછલી હારનો બદલો પણ લીધો. પાછલા વર્લ્ડકપમાં પણ આર્જેન્ટિનાને નેધરલેન્ડ્સે 3-1થી હરાવ્યું હતું. આર્જેન્ટિનાએ અગાઉ 2002 અને 2010 માં ટાઈટલ જીત્યું હતું.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>મેચમાં પૂર્ણ સમય સુધી સ્કોર 1-1 રહ્યો</b></h2><p style="text-align: justify; ">નેધરલેન્ડ્સના એમ્સ્ટલવીનમાં રમાયેલી આ મેચમાં બંને ટીમોનો સ્કોર 1-1 હતો. 30મી મિનિટે નેધરલેન્ડ્સ માટે જેન્સેન યબ્બીએ ગોલ કર્યો, જ્યારે 54મી મિનિટે આર્જેન્ટિના માટે ગ્રેનાટો મારિયાએ ગોલ કર્યો. મેચનો પહેલો ક્વાર્ટર ગોલ રહિત રહ્યો. નેધરલેન્ડ્સે બીજા ક્વાર્ટરમાં મેચનો પહેલો ગોલ કર્યો. ત્રીજો ક્વાર્ટર પણ ગોલ વિના પસાર થયો. આર્જેન્ટિનાએ ચોથા અને અંતિમ ક્વાર્ટરમાં ગોલ કરીને મેચ 1-1 થી બરાબર કરી દીધી. પૂર્ણ સમય સુધી સ્કોર 1-1 રહ્યો, જેના કારણે પેનલ્ટી શૂટઆઉટનો ઉપયોગ કરવો પડ્યો. આર્જેન્ટિનાને મેચમાં 8 પેનલ્ટી કોર્નર મળ્યા, જ્યારે નેધરલેન્ડ્સને 3 પેનલ્ટી કોર્નર મળ્યા.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/FIH_Hockey/status/2093731216323158526"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3 style="text-align: justify; "><b>આ રીતે પેનલ્ટી શૂટઆઉટ થયું&nbsp;</b></h3><p style="text-align: justify; ">પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિના તરફથી વિક્ટોરિયા ગ્રેનાટો, બ્રિસા બ્રુગેસર અને સોફિયા કૈરોએ ગોલ કર્યા. ડિયાઝ જોનો ગોલ રદ્દ થયો. નેધરલેન્ડ્સ તરફથી એકમાત્ર ગોલ વિએન મારિનનો હતો. પીએન સેન્ડર્સ, ફેલિસ આલ્બર્સ અને મોઈસ ફ્રેક પેનલ્ટી ચૂકી ગયા.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>ટુર્નામેન્ટમાં આર્જેન્ટિનાની સફર&nbsp;</b></h4><p style="text-align: justify; ">પૂલ સ્ટેજમાં આર્જેન્ટિનાએ તેમની 3 માંથી 2 મેચ જીતી અને 1 ડ્રો કરીને આગળના સ્ટેજમાં પ્રવેશ કર્યો. બીજા સ્ટેજમાં ટીમે તેમની 3 માંથી 2 મેચ જીતી, 1 ડ્રો કરીને સેમીફાઈનલમાં સ્થાન મેળવ્યું. ત્યારબાદ ટીમે સેમીફાઈનલ જીતી અને ફાઈનલમાં પ્રવેશ કર્યો, અંતે ફાઈનલમાં શક્તિશાળી નેધરલેન્ડ્સને હરાવીને ટાઈટલ જીત્યું.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/mm1ehzQulQP0oZjKwWwkRnZGzX0VvdFUNeEUALOS.webp'/></item><item><title><![CDATA[Ujjain : મહાકાલ મંદિરમાં શ્રદ્ધાળુઓનો રેકોર્ડ તુટ્યો, શ્રાવણ મહિનામાં 1.57 કરોડ ભક્તોએ કર્યા દર્શન ]]></title><link>https://sandesh.com/india/news/ujjain-mahakal-temple-shravan-1-57-crore-devotees-new-record</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ujjain-mahakal-temple-shravan-1-57-crore-devotees-new-record</guid><pubDate>Sat, 29 Aug 2026 22:52:32 +05:30</pubDate><description><![CDATA[<p>ઉજ્જૈનના વિશ્વ પ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિરમાં આ વર્ષે શ્રાવણ માસ દરમિયાન ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. માત્ર 30 દિવસના શ્રાવણ માસમાં અંદાજે 1 કરોડ 57 લાખ 210 શ્રદ્ધાળુઓએ બાબા મહાકાલના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. મંદિર સમિતિના જણાવ્યા અનુસાર, આ દરમિયાન શીઘ્ર દર્શન ટિકિટ અને લાડુ પ્રસાદીના વેચાણથી પણ કરોડો રૂપિયાની આવક થઈ છે.</p><p>શ્રી મહાકાલેશ્વર મંદિર પ્રબંધ સમિતિના સહાયકના જણાવ્યા અનુસાર, શ્રાવણ માસ દરમિયાન ભક્તોની સુવિધા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. કાવડિયાઓ માટે જળ અર્પણ કરવાની અલગ વ્યવસ્થા ઉપરાંત સરળ દર્શન, નિઃશુલ્ક ભોજન પ્રસાદી અને જરૂરિયાતમંદ ભક્તો માટે નિઃશુલ્ક ચરણ પાદુકાની સુવિધા આપવામાં આવી હતી.</p><h2><b>1.13 કરોડ ભક્તોએ સીધા મંદિર પહોંચીને દર્શન કર્યા</b></h2><p>મંદિર સમિતિના આંકડા મુજબ, શ્રાવણ દરમિયાન આશરે 1 કરોડ 13 લાખ 25 હજાર 210 ભક્તોએ સીધા મહાકાલેશ્વર મંદિરે પહોંચી દર્શન કર્યા હતા. જ્યારે બાબા મહાકાલની સવારી અને ભગવાન નાગચંદ્રેશ્વરના દર્શન માટે આશરે 43 લાખ 75 હજાર ભક્તો પહોંચ્યા હતા. આ રીતે કુલ સંખ્યા 1 કરોડ 57 લાખ 210 સુધી પહોંચી હતી.</p><p>ભક્તોની સંખ્યામાં વધારા સાથે મંદિરની આવકમાં પણ વધારો થયો હતો. શીઘ્ર દર્શન માટે લગભગ 5 લાખ 76 હજાર 370 ટિકિટનું વેચાણ થયું, જેના થકી આશરે 14.47 કરોડ રૂપિયાની આવક થઈ. જ્યારે લગભગ 2,215.939 ક્વિન્ટલ લાડુ પ્રસાદીના વેચાણથી આશરે 10.49 કરોડ રૂપિયાની આવક થઈ હતી.</p><h3><b>5 લાખથી વધુ કાવડિયાઓ પહોંચ્યા</b></h3><p>શ્રાવણ દરમિયાન 5 લાખથી વધુ કાવડિયાઓએ બાબા મહાકાલને જળ અર્પણ કર્યું હતું. મંદિરના અન્નક્ષેત્રમાં આશરે 3 લાખ 47 હજાર 912 ભક્તોએ નિઃશુલ્ક ભોજન પ્રસાદી લીધી હતી. ચરણ પાદુકાની નવી વ્યવસ્થાનો લાભ 10 હજારથી વધુ ભક્તોએ લીધો હતો. ગત વર્ષોની સરખામણીમાં આ વર્ષે શ્રાવણમાં જ 1.57 કરોડથી વધુ ભક્તો પહોંચતા મહાકાલ મંદિર ખાતે શ્રદ્ધાળુઓની હાજરીનો નવો રેકોર્ડ બન્યો છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/uttarakhand-disaster-threat-threat-of-nepal-like-disaster-in-uttarakhand-know-the-emergency-preparations" target="_blank">આ પણ વાંચો : Uttarakhand Disaster Threat: નેપાળ જેવી તબાહીનો ખતરો ઉત્તરાખંડ પર, જાણો કટોકટીની તૈયારીઓ</a></b></p><p>&nbsp;&nbsp;</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/61vby1YiFLc5KbZiPVKTataZOkzg6D9gqBnjeRHi.webp'/></item><item><title><![CDATA[Samay Raina Controversy: કાશ્મીરી પંડિતો અને બિહારીઓ પર ટિપ્પણી બદલ સમય રૈના ફસાયા વિવાદમાં, BJP MLAએ કર્યો વિરોધ ]]></title><link>https://sandesh.com/entertainment/news/india/samay-raina-controversy-samay-raina-gets-embroiled-in-controversy-for-his-comments-on-kashmiri-pandits-and-biharis-bjp-mla-protests</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/india/samay-raina-controversy-samay-raina-gets-embroiled-in-controversy-for-his-comments-on-kashmiri-pandits-and-biharis-bjp-mla-protests</guid><pubDate>Sat, 29 Aug 2026 18:49:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ વખતે, આ મુદ્દો કાશ્મીરી પંડિતો અને બિહારીઓ વિશે શોમાં કરવામાં આવેલી ટિપ્પણીઓ સાથે સંબંધિત છે.</p><h2 style="text-align: justify; ">ફરી વિવાદનું વંટોળ&nbsp;</h2><p style="text-align: justify; ">હાસ્ય કલાકાર સમય રૈના ફરી એકવાર વિવાદમાં ફસાયા છે. તેમના શો 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ 2' ના નવીનતમ એપિસોડમાં કાશ્મીરી પંડિતો અને બિહારીઓ વિશે કરવામાં આવેલી કથિત મજાકથી વિવાદ થયો છે. ભાજપના ધારાસભ્ય રામ કદમે સમય રૈનાના નિવેદનની સખત નિંદા કરી, તેને કાશ્મીરી પંડિત સમુદાયનું અપમાન ગણાવ્યું. તેમણે કહ્યું કે કાશ્મીરી પંડિતો સામે અપમાનજનક ભાષાનો ઉપયોગ અસ્વીકાર્ય છે.</p><h3 style="text-align: justify; ">ભાજપ ધારાસભ્યની પ્રતિક્રિયા&nbsp;</h3><p style="text-align: justify; ">રામ કદમે કહ્યું, કાશ્મીરી પંડિતો આ દેશનો અભિન્ન ભાગ છે. આતંકવાદીઓ અને પાકિસ્તાન-આઈએસઆઈના કાવતરાને કારણે તેમને ઘર છોડીને વિસ્થાપિત થવાની ફરજ પડી હતી. એક સભ્ય સમાજમાં આટલી પીડા અને અત્યાચાર સહન કરનારા સમુદાય વિરુદ્ધ આવી અપમાનજનક ભાષાનો ઉપયોગ સ્વીકાર્ય નથી. તે સંપૂર્ણપણે નિંદનીય અને અપમાનજનક છે. આવી ટિપ્પણી કરનાર વ્યક્તિએ દેશની માફી માંગવી જોઈએ.</p><h4 style="text-align: justify; ">પ્રચાર માટે નિશાન સાધવું: રામ કદમ</h4><p style="text-align: justify; ">રામ કદમે એમ પણ કહ્યું, અમે કલાકારોની પ્રતિભાનું સન્માન કરીએ છીએ. પરંતુ ચોક્કસ મર્યાદાઓ, સીમાઓ હોય છે. જો કોઈ કોઈની શ્રદ્ધા, લાગણીઓ અથવા માન્યતાઓને ઠેસ પહોંચાડે છે, તો આવી કલાને કલા કહી શકાય નહીં. પછી ભલે તે સમય રૈના હોય કે અન્ય કોઈ કલાકાર. આપણે ભૂતકાળમાં જોયું છે અને વર્તમાનમાં જોઈ રહ્યા છીએ કે તેઓ પ્રસિદ્ધિ મેળવવા માટે ષડયંત્રના ભાગ રૂપે જાણી જોઈને કોઈને નિશાન બનાવે છે. તમે કાશ્મીરી પંડિતોની મજાક ઉડાવશો તેનું કારણ શું છે? શું તમે આપણા બિહારી ભાઈઓની મજાક ઉડાવશો? આ ઇરાદાપૂર્વકનો પબ્લિસિટી સ્ટંટ છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/india/news/bombay-high-court-slams-fda-orders-reopening-of-restaurants-in-mca-complex" target="_blank"> Bombay High Courtએ FDAને લગાવી ફટકાર, MCA કોમ્પ્લેક્સમાં રેસ્ટોરન્ટ્સ ફરી શરૂ કરવાનો આપ્યો આદેશ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/IEcckcNOFR8IUAfxDCrI5Gim6HZh723d2rHSjWMk.webp'/></item><item><title><![CDATA[Credit Card Limit: એકસાથે કેટલા ક્રેડિટ કાર્ડ રાખવા કાયદેસર છે? RBIનો નિયમ જાણો ]]></title><link>https://sandesh.com/business/news/how-many-credit-cards-can-one-person-have-rbi-rules</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/how-many-credit-cards-can-one-person-have-rbi-rules</guid><pubDate>Sat, 29 Aug 2026 18:38:25 +05:30</pubDate><description><![CDATA[<p>આજકાલ લોકો ખર્ચ પૂરા કરવાની સાથે આવતીકાલ માટે બચત પણ કરતા હોય છે. અત્યારના સમયમાં લોકોમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ઝડપથી વધ્યો છે. ખાસ કરીને નોકરી કરતા લોકો અનેક ક્રેડિટ કાર્ડ કઢાવી રહ્યા છે. તે પણ એક જ બેંકના નહીં, પરંતુ અલગ-અલગ બેંકોના અલગ અલગ ક્રેડિટ કાર્ડ. પરંતુ શું તમને ખબર છે કે એક વ્યક્તિ કેટલા ક્રેડિટ કાર્ડ કઢાવી શકે?</p><h2><b>ક્રેડિટ કાર્ડ કઢાવવાના ફાયદા શું છે?</b></h2><p>ક્રેડિટ કાર્ડનો યોગ્ય ઉપયોગ કરવાથી ક્રેડિટ સ્કોર સારો થઈ શકે છે, જેના કારણે મોટી લોન મેળવવામાં સરળતા રહે છે. ઇમરજન્સીમાં પણ ક્રેડિટ કાર્ડ મદદરૂપ થઈ શકે છે. પૈસા ન હોય ત્યારે પણ તમે જરૂરી ખર્ચ કરી શકો છો અને પછી તેને EMI દ્વારા ચૂકવી શકો છો. આ ઉપરાંત ડિસ્કાઉન્ટ, કૅશબૅક જેવી સુવિધાઓ પણ મળી શકે છે.</p><h2><b>ક્રેડિટ કાર્ડના નુકસાન શું છે?</b></h2><p>ક્રેડિટ કાર્ડના કારણે જરૂર ન હોય તેવા ખર્ચ કરવાની આદત પડી શકે છે. જો સમયસર બિલની રકમ ચૂકવવામાં ન આવે તો CIBIL સ્કોર ખરાબ થઈ શકે છે. તેના કારણે ભવિષ્યમાં લોન મેળવવામાં મુશ્કેલી આવી શકે છે.</p><h2><b>એક વ્યક્તિ કેટલા ક્રેડિટ કાર્ડ કઢાવી શકે?</b></h2><p>ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBIએ એક વ્યક્તિ કેટલા ક્રેડિટ કાર્ડ રાખી શકે તેની કોઈ મર્યાદા નક્કી કરી નથી. એટલે એક વ્યક્તિ પોતાની જરૂરિયાત અને યોગ્યતા પ્રમાણે જેટલી બેંકોમાંથી ક્રેડિટ કાર્ડ મેળવવા પાત્ર હોય તેટલા ક્રેડિટ કાર્ડ લઈ શકે છે. જોકે, ક્રેડિટ કાર્ડના બિલની ચુકવણીને લઈને નિયમો ચોક્કસપણે મહત્વના છે. તમે ગમે તેટલી બેંકોમાંથી ક્રેડિટ કાર્ડ લઈ શકો છો, પરંતુ તમામ કાર્ડના બિલની સમયસર ચુકવણી કરવી જરૂરી છે.</p><p>જો તમે બિલ ચૂકવી ન શકો, તો તમારી ક્રેડિટ હિસ્ટ્રી પર ખરાબ અસર પડી શકે છે અને લાંબા સમય સુધી ચુકવણી ન થાય તો લોન ડિફોલ્ટર તરીકે નોંધાઈ શકો છો. તેથી ક્રેડિટ કાર્ડ જેટલા લેવા હોય તેટલા લો, પરંતુ દરેક કાર્ડની સમયસર ચુકવણી કરવાનું ખાસ ધ્યાન રાખો.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/XnV4kFmRaJI8SUkiAov74GVtvBo19IO9EluqNjfh.webp'/></item></channel></rss>