<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ankleshwar: મુખ્ય માર્ગ પર રખડતાં આખલાઓનો આતંક, લોકોમાં ડર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ankleshwar/ankleshwar-terror-of-stray-bulls-on-the-main-road-fear-among-people</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ankleshwar/ankleshwar-terror-of-stray-bulls-on-the-main-road-fear-among-people</guid><pubDate>Sun, 09 Aug 2026 04:13:40 +05:30</pubDate><description><![CDATA[<p><b>અંકલેશ્વર : અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક નજીક મુખ્યમાર્ગ પર જ બે આખલા બાખડતા વાહન ચાલકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.</b></p><p><b>ભરૂચ જિલ્લામાં રખડતા પશુઓનો પ્રશ્ન દિવસેને દિવસે ગંભીર બનતો જઈ રહ્યો છે. ભરૂચ શહેરમાં તાજેતરમાં રખડતા પશુના કારણે થયેલા અકસ્માતમાં એક યુવાનનું મોત થયાની ઘટના બાદ પણ તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.</b></p><p><b>આ દરમિયાન અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક નજીક મુખ્ય માર્ગ પર બે આખલાઓ બાખડતાં ભરચક વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બેફામ દોડતા પશુઓના કારણે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા.આ ઘટનામાં એક ઈકો કારને પણ નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.</b></p><p><b>સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આવીઘટનાઓને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.સ્થાનિકોએ તંત્ર પાસે રખડતા પશુઓને પકડીને ડબે પુરવા માટે માગ કરવામાં આવી છે.</b></p><p><b><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/cpGnhcLqLAzw3FBgZMSo89itus33HvP8qTJHlbvc.webp'/></item><item><title><![CDATA[Bharuch: શહેરના સાર્વજનિક સ્થળો પર પોલીસ દ્વારા ખાસ ચેકિંગ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bharuch/bharuch--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bharuch/bharuch--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</guid><pubDate>Sun, 09 Aug 2026 04:12:56 +05:30</pubDate><description><![CDATA[<p><b>ભરૂચમાં આગામી 16મી જૂલાઈના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળશે. ત્યારે રથયાત્રાના દિવસો દરમિયાન શહેર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવારઈ રહે તે માટે જિલ્લા પોલીસ વડાની સુચનાથી શહેરના સાર્વજનિક સ્થળો પર એસઓજી, એલસીબી સહિત ડોગસ્કવોર્ડ તેમજ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડની ટીમો દ્વારા સાવર્જનિક સ્થળો પર ચેકિંગ હાથ ધર્યું હતું. જોકે, કોઈ સ્થળે સંદિગ્ધ વસ્તુ મળી ન હતી.</b></p><p><b>ભરૂચમાં દર વર્ષે ધામધૂમથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળે છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડતાં હોય છે. ત્યારે આવા ભક્તિમય માહોલમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ દ્વારા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવા માટેની કવાયત હાથ ધરી છે.</b></p><p><b>ભરૂચ જિલ્લામાં આમોદ, અંક્લેશ્વર તેમજ ભરૂચ એમ ત્રણ સ્થળે રથયાત્રા નિકળી હોય છે.ત્યારે ત્રણેય રથયાત્રા શાંતીપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેમજ યાત્રા દરમિયાન કોઈ પણ પ્રકારની અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસ વિભાગ સતર્ક બન્યુ છે. શહેર-જિલ્લામાં કાયદો અન વ્યવસ્થા જળવાઈ રહે તેના ભાગરૂપે ભરૂચ એસઓજી, એલસીબીની ડોગ સ્કવોર્ડ, બોમ્બ ડીસ્પોઝલ ટીમોએ શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.</b></p><p><b>જેમાં એસઓજી પીઆઈ એ. વી. પાણમિયા તેમજ એલસીબી પીએસઆઈ એ. વી. શિયાળિયા તેમજ તેમની ટીમ દ્વારા શહેરમાં ભરૂચ રેલવે સ્ટેશન, સિટી સેન્ટર, એસટી ડેપો, તેમજ અન્ય મોલમાં ઓચિંતું ચેકિંગ કરતાં લોકોમાં અચરજ ફેલાયું હતું. પોલીસની અલગ અલગ ટીમો દ્વારા ચેકિંગ કરાયાં બાદ કોઈ સ્થળ કઈપણ પ્રકારની સંદિગ્ધ સામગ્રી નહી મળતાં આખેરે લોકોએ હાશકારો અનુભવ્યો હતો. જો કે હજુ રથયાત્રા સુધી પોલીસ વિભાગ દ્વારા ચેકિંગ ચાલુ રહેશે તેવુ જાણવા મળે છે.</b></p><p><b><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/FcpdQujWJAJK1VHJNE7bx8sg1NMyM07Ge4nnrRAH.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: વિરમગામના મુનસર દરવાજાથી રહેમલપુર માર્ગ પર ઠેર ઠેર ખાડા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</guid><pubDate>Sun, 09 Aug 2026 01:29:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વિરમગામ શહેરમાં પ્રવેશવા મુખ્ય તેમજ શહેરમાં હાલ એક પણ રસ્તો સારો રહ્યો નથી.ભરવાડી દરવાજા થી રૈયાપુર અને આગળ રામ છાપરી સુધીનો માર્ગ તેમજ મુનસર દરવાજા થી ગંગાસર તળાવ માર્ગનું ઘણા લાંબા સમયથી ગોકળ ગતિએ કામ ચાલી રહ્યુ છે. રસ્તાઓ ખોદી નાખી માત્ર કામ ચલાઉ રસ્તા રાખતા લોકો અનેક હાલાકીઓ અને વાહનોનું નુકશાન વેઠીને આવા માર્ગ પરથી પસાર થવા મજબુર બન્યા છે. ત્યારે તાજેતરમાં ચોમાસુ માથે આવ્યું ત્યારે પણ તંત્ર અને કોન્ટ્રાકટરો દ્વારા ઝડપી કામ નહિ કરતા હાલમાં ભારે વરસાદ કારણે માર્ગો પર મોટા મોટા ખાડા પડી ગયા છે. રસ્તાઓ પર પથરાય છે. જેથી વાહન ચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. અકસ્માતનો ભોગ બને છે. ત્યારે શહેરમાં હાલ મુખ્યત્વે લોકો, બસો આવવા જવા માટે મુખ્ય મુનસર દરવાજાથી ગંગાસર તરફ્ના માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે. માર્ગ પર ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે. એથી નાના વાહનોને રોજબરોજ પસાર થવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. બિસ્માર બનેલા માર્ગનું સમાર કામ કરવા લોક માંગ છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/hHnPZ0eWDxAQ1ibDAOs65GCJb0ei0FADo0mDbP0e.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: અમદાવાદ જિલ્લા પંચાયતની કારોબારી સહિત 8 સમિતિમાં સદસ્યોની નિમણૂક ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-appointment-of-members-in-8-committees-including-the-executive-of-ahmedabad-district-panchayat</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-appointment-of-members-in-8-committees-including-the-executive-of-ahmedabad-district-panchayat</guid><pubDate>Sun, 09 Aug 2026 01:26:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ જિલ્લા પંચાયતની શુક્રવારે મળેલી સામાન્ય સભામાં વિવિધ આઠ સમિતીઓમાં સદસ્યોની નિમણૂંક કરાઇ છે. સમિતીઓની યાદીમાં પ્રથમ નામને ચેરમેન તરીકે ગણવામાં આવે છે. સત્તાવાર ચેરમેનની નિમણૂંકની કાર્યવાહી આગામી તા. 14મી ઓગસ્ટે હાથ ધરાશે. જિલ્લા પંચાયતમાં કુલ 34 બેઠકોમાંથી ભાજપને 32 અને કોંગ્રેસને બે બેઠકો મળી છે. બંને મહિલાઓ છે. સામાન્ય સભામાં અન્ય પ્રશ્નોની પણ ચર્ચા હાથ ધરાઇ હતી. આગામી 14મી ઓગસ્ટે સમિતીઓના ચેરમેનોની નિમણૂંક બાદ સમિતીઓની રૂટિન કામગીરી હાથ ધરાશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/p3IvSdFLDStFG2aGh1UO7qnL1wTmz2FRuAZv8lwJ.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: ડી.એ. શિક્ષણ સંકુલના છાત્રોની ધંધૂકા પોલીસ મથકે શૈક્ષણિક મુલાકાત ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-da-education-complex-students-educational-visit-to-dhandhuka-police-station</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-da-education-complex-students-educational-visit-to-dhandhuka-police-station</guid><pubDate>Sun, 09 Aug 2026 01:24:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ધંધૂકા : ધંધૂકા સ્થિત ડી.એ. શિક્ષણ સંકુલના વિદ્યાર્થીઓએ ધંધુકા પોલીસ મથકની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને પોલીસ વિભાગની કામગીરી, કાયદો અને વ્યવસ્થા જાળવવાની પ્રક્રિયા તેમજ પોલીસની ફરજો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ વિદ્યાર્થીઓને કાયદાનું પાલન, નાગરિકોની સુરક્ષા અને પોલીસની જવાબદારી અંગે સમજણ આપી હતી. વિદ્યાર્થીઓએ પોલીસની કામગીરી અંગે વિવિધ પ્રશ્નો પૂછી માહિતી મેળવી હતી. આ શૈક્ષણિક મુલાકાત વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી બની રહી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/qw51bJlmtckEHYgMURMXfBOm0Ku5TvnorfbXpAat.webp'/></item><item><title><![CDATA[Ranchi Protest : રાંચીમાં વિદ્યાર્થીઓનું આંદોલન યથાવત, સરકાર સાથે બીજા તબક્કાની બેઠક નિષ્ફળ ]]></title><link>https://sandesh.com/india/news/ranchi-student-protest-government-talks-exam-irregularities</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ranchi-student-protest-government-talks-exam-irregularities</guid><pubDate>Sat, 08 Aug 2026 22:41:20 +05:30</pubDate><description><![CDATA[<p>ઝારખંડની રાજધાની રાંચીમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કથિત પેપર લીક અને ગેરરીતિઓને લઈને વિદ્યાર્થીઓનું આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે. શનિવારે સરકાર અને આંદોલનકારી વિદ્યાર્થી સંગઠનો વચ્ચે ગતિરોધ દૂર કરવા માટે બીજા તબક્કાની બેઠક યોજાઈ હતી, પરંતુ આ બેઠક પણ કોઈ નક્કર પરિણામ વિના પૂરી થઈ હતી. વિદ્યાર્થીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેમની તમામ મુખ્ય માગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2086111547001299441"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p>શનિવારે ઝારખંડ સરકાર દ્વારા રચાયેલા મંત્રીઓના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ અને વિદ્યાર્થી સંગઠનોના પ્રતિનિધિઓ વચ્ચે ચર્ચા થઈ હતી. સરકાર તરફથી આંદોલન સમાપ્ત કરાવવા અને સમાધાન શોધવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે, વિદ્યાર્થીઓ પોતાની માંગણીઓ પર અડગ રહ્યા હતા. શુક્રવારે મોડી રાત્રે યોજાયેલી પ્રથમ બેઠક પણ નિષ્ફળ રહી હતી.</p><h2><b>રવિવારે ફરી બેઠક</b></h2><p>બે બેઠકો નિષ્ફળ ગઈ હોવા છતાં સરકાર અને વિદ્યાર્થીઓ વચ્ચે વાતચીતના દરવાજા ખુલ્લા છે. મંત્રી સંજય યાદવે જણાવ્યું કે રવિવારે બપોરે 12 વાગ્યે વિદ્યાર્થી પ્રતિનિધિઓ સાથે ફરી બેઠક યોજાશે. આગામી બેઠકમાં સરકાર નવા વિકલ્પો સાથે વિદ્યાર્થીઓને મનાવવાનો પ્રયાસ કરી શકે છે. JPSC અને JSSC સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કથિત પેપર લીક અને ભરતીમાં ગેરરીતિના આરોપોને લઈને વિદ્યાર્થીઓ લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે. તેમની મુખ્ય માંગણીઓમાં પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા, પેપર લીકની ઉચ્ચસ્તરીય તપાસ અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે માત્ર મૌખિક આશ્વાસન નહીં, પરંતુ લેખિત અને નક્કર ગેરંટી જોઈએ.</p><h3><b>જયરામ મહતો કરશે નિર્જળ ઉપવાસ</b></h3><p>આંદોલનને સમર્થન આપવા સ્થાનિક ધારાસભ્ય અને JLKM પ્રમુખ જયરામ મહતોએ 9 ઓગસ્ટે એક દિવસના નિર્જળ ઉપવાસની જાહેરાત કરી છે. તેઓ સવારે 6 વાગ્યાથી જૂના વિધાનસભા પરિસરમાં ઉપવાસ પર બેસશે. જયરામ મહતોએ કહ્યું કે તેઓ વિદ્યાર્થીઓના સમર્થનમાં આ ઉપવાસ કરશે. વિધાનસભા સત્ર પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓના મુદ્દે વધુ મજબૂત આંદોલન કરવાની પણ તેમણે વાત કરી છે. રાજકીય સમર્થન વધતાં રાંચીનું વિદ્યાર્થી આંદોલન વધુ વ્યાપક બનતું જોવા મળી રહ્યું છે.</p><p><a href="https://sandesh.com/india/news/bihar-saharsa-food-poisoning-100-people-ill-puja-prasad" target="_blank"><b>આ પણ વાંચો ; Bihar : સહરસામાં ફૂડ પોઈઝનિંગની આશંકા, પૂજાનો પ્રસાદ ખાધા બાદ 100થી વધુ લોકો બીમાર</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/RaGIe6KGpwKlwNdr3eeFPIPKvRor88s1jIvlOyhV.webp'/></item><item><title><![CDATA[Bihar : સહરસામાં ફૂડ પોઈઝનિંગની આશંકા, પૂજાનો પ્રસાદ ખાધા બાદ 100થી વધુ લોકો બીમાર ]]></title><link>https://sandesh.com/india/news/bihar-saharsa-food-poisoning-100-people-ill-puja-prasad</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/bihar-saharsa-food-poisoning-100-people-ill-puja-prasad</guid><pubDate>Sat, 08 Aug 2026 21:43:01 +05:30</pubDate><description><![CDATA[<p>બિહારના સહરસા જિલ્લામાં ફૂડ પોઈઝનિંગની આશંકા વચ્ચે 100થી વધુ લોકો બીમાર પડતા હડકંપ મચી ગયો છે. સિમરી બખ્તિયારપુરના સરડીહા ગામના મધ્ય ટોલામાં સત્યનારાયણ પૂજાનું પ્રસાદ ખાધા બાદ અનેક લોકોની તબિયત બગડી હોવાનું સામે આવ્યું છે. બીમાર લોકોમાં મહિલાઓ, પુરુષો અને બાળકોનો સમાવેશ થાય છે.</p><h2><b>લોકોને ધીમે-ધીમે તબિયત સંબંધિત સમસ્યાઓ શરૂ થઈ</b></h2><p>મળતી માહિતી મુજબ ગુરુવારે સાંજે ગામમાં સત્યનારાયણ ભગવાનની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજા પૂર્ણ થયા બાદ મોટી સંખ્યામાં ગ્રામજનોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, બીજા દિવસથી કેટલાક લોકોને ધીમે-ધીમે તબિયત સંબંધિત સમસ્યાઓ શરૂ થઈ હતી. ત્યારબાદ અનેક ઘરોમાં લોકોને ઉલટી અને ઝાડાની ફરિયાદ થવા લાગી. એકસાથે મોટી સંખ્યામાં લોકો બીમાર પડતાં ગામમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. કેટલાક દર્દીઓની સ્થિતિ વધુ ખરાબ થતાં સ્થાનિક લોકોએ આરોગ્ય વિભાગને જાણ કરી હતી.</p><h3><b>ઘરે-ઘરે પહોંચી મેડિકલ ટીમ</b></h3><p>મામલાની જાણ થતાં સિમરી બખ્તિયારપુર અનુમંડલ હોસ્પિટલની મેડિકલ ટીમને સરડીહા ગામ મોકલવામાં આવી હતી. આરોગ્ય કર્મચારીઓ ગામમાં ઘરે-ઘરે જઈને દર્દીઓની તપાસ અને સારવાર કરી રહ્યા છે. જે લોકોની તબિયત વધુ ખરાબ છે, તેમની સ્થિતિ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. કેટલાક ગ્રામજનો સારવાર માટે ગામની બહારની હોસ્પિટલમાં પણ ગયા હોવાનું જાણવા મળ્યું છે.</p><h4><b>બીમારીનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે</b></h4><p>હાલમાં મોટાભાગના અસરગ્રસ્તોમાં ઉલટી અને ઝાડાના લક્ષણો જોવા મળી રહ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે પ્રસાદ ગ્રહણ કર્યા બાદ જ લોકોની તબિયત બગડવાની શરૂઆત થઈ હતી. જોકે, બીમારીનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. આ ઘટનામાં કોઈ એક વયજૂથના લોકો નહીં, પરંતુ બાળકો સહિત વિવિધ ઉંમરના લોકો અસરગ્રસ્ત થયા છે. મોટી સંખ્યામાં લોકો બીમાર પડતાં આરોગ્ય વિભાગની ટીમ સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહી છે અને બીમારીના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/mohan-bhagwat-india-pakistan-relations-permanent-hostility-dialogue" target="_blank">આ પણ વાંચો : RSS પ્રમુખ મોહન ભાગવતનું ભારત-પાકિસ્તાન સંબંધો પર મોટું નિવેદન, કહ્યું- કાયમી દુશ્મની....</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/1KBQJMFfU20YlcyjfLlJ9gVDC5Ru5gADZgAEtPcM.webp'/></item><item><title><![CDATA[Lionel Messiના પિતાનું 68 વર્ષની વયે થયું અવસાન, લાંબા સમયથી હતા બીમાર ]]></title><link>https://sandesh.com/sports/news/lionel-messi-father-jorge-messi-passes-away</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/lionel-messi-father-jorge-messi-passes-away</guid><pubDate>Sat, 08 Aug 2026 19:54:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફૂટબોલની દુનિયાના મહાન ખેલાડીઓમાંના એક લિયોનેલ મેસ્સી એક મોટી દુર્ઘટનાનો સામનો કરી રહ્યા છે, તેના પિતા જોર્જ મેસ્સીનું 68 વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન થયું છે. જોર્જ મેસ્સી લાંબા સમયથી બીમાર હતા, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.&nbsp;</p><p style="text-align: justify; ">ફિફા વર્લ્ડકપ દરમિયાન મેસ્સી પણ તેના પિતાના સ્વાસ્થ્ય વિશે ખૂબ ચિંતિત જોવા મળ્યો હતો. તેના પિતા જોર્જ મેસ્સીને સફળ ફૂટબોલ ખેલાડી બનાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, તેમને લાંબા સમય સુધી પુત્રના એજન્ટ તરીકે પણ કામ કર્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>પિતાના સંઘર્ષને કારણે મેસ્સી એક સફળ ફૂટબોલર બન્યો</b></h2><p style="text-align: justify; ">પિતાનું મૃત્યુ લિયોનેલ મેસ્સી માટે એક મોટા આઘાતથી ઓછું નથી, કારણ કે તેના પિતા જોર્જ મેસ્સીએ તેને એક મહાન ફૂટબોલર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. મેસ્સી બાળપણમાં ગ્રોથ હોર્મોનની ઉણપથી પીડાતા હતા, જેને સારવારની જરૂર હતી. તેના પિતા જોર્જે તેમના પુત્રને જરૂરી સારવાર મળે તે સુનિશ્ચિત કરવા માટે કોઈ કસર છોડી ન હતી. બાળપણમાં મેસ્સી ન્યુવેલની ઓલ્ડ બોયઝ યુવા ટીમ માટે રમ્યો હતો.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/YKoluwaseun9/status/2086053507904196798"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p style="text-align: justify; ">ફિફા વર્લ્ડકપ 2026 દરમિયાન લિયોનેલ મેસ્સીએ ઉલ્લેખ કર્યો હતો કે તેનો પરિવાર મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, પરંતુ તેને તેમના પિતાની સ્થિતિ વિશે કોઈ ચોક્કસ વિગતો આપી ન હતી. આ પછી તેના પરિવાર દ્વારા જાહેર કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે જોર્જ મેસ્સી હાલમાં સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે અને ડોકટરોની દેખરેખ હેઠળ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>અલ્જીરિયા સામેની વર્લ્ડ કપ મેચ દરમિયાન મેસ્સી ભાવુક થયો હતો</b></h3><p style="text-align: justify; ">ફિફા વર્લ્ડકપ 2026માં લિયોનેલ મેસ્સીની કેપ્ટનશીપ હેઠળ આર્જેન્ટિનાની ટીમ ફાઈનલમાં પહોંચવામાં સફળ રહી, પરંતુ ટાઈટલ મેચમાં સ્પેન સામે 1-0થી હારી ગઈ. વર્લ્ડકપમાં અલ્જીરિયા સામે ગ્રુપ સ્ટેજ મેચમાં ગોલ કર્યા પછી લિયોનેલ મેસ્સી ખૂબ જ ભાવુક થઈ ગયો.</p><p style="text-align: justify; ">મેચ પછી રડવાનું કારણ પૂછવામાં આવતા મેસ્સીએ જવાબ આપ્યો કે મારા રડવાનો ફૂટબોલ સાથે કોઈ સંબંધ નથી, છેલ્લા કેટલાક દિવસો મારા માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. તમને જણાવી દઈએ કે ફિફા વર્લ્ડકપ 2026માં સૌથી વધુ ગોલ કરવાના મામલે તે બીજા સ્થાને હતો, જેમાં તે ફક્ત કાયલિયન એમબાપ્પેથી પાછળ હતો.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/7UsaohX88EglI5pYE3eXIJZMEmPzazR62F3vdzz4.webp'/></item><item><title><![CDATA[UPI પેમેન્ટ કરવા પર યુઝર્સે ચુકવવો પડશે કોઈ ચાર્જ? ફોન પેના CEOએ કરી આ સ્પષ્ટતા ]]></title><link>https://sandesh.com/india/news/business/upi-payment-charges-phonepe-ceo-sameer-nigam-clarification</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/upi-payment-charges-phonepe-ceo-sameer-nigam-clarification</guid><pubDate>Sat, 08 Aug 2026 19:16:18 +05:30</pubDate><description><![CDATA[<p>UPI પેમેન્ટને લઈને ગ્રાહકોમાં ચાર્જ લાગવાની ચર્ચા વચ્ચે PhonePeના CEO સમીર નિગમે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ભારતીય ગ્રાહકો પાસેથી UPI દ્વારા પેમેન્ટ કરવા માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ પણ જણાવ્યું છે કે ગ્રાહકો અને નાના વેપારીઓ માટે UPIનો ઉપયોગ હાલની જેમ મફત રહેશે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/_sameernigam/status/2085983802778583313"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>CEO સમીર નિગમે કહ્યું UPI ભારતીય ગ્રાહકો માટે....</b></h2><p>PhonePeના સ્થાપક અને CEO સમીર નિગમે UPI ચાર્જ અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે UPI ભારતીય ગ્રાહકો માટે મફત છે અને આગળ પણ મફત રહેશે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે UPI સહિતના ડિજિટલ પેમેન્ટ માધ્યમો પર ભવિષ્યમાં ચાર્જ લગાવવાની શક્યતા અંગે ચર્ચા ચાલી રહી છે.</p><h3><b>નવા કાયદા બાદ કેમ થઈ ચર્ચા?</b></h3><p>લોકસભાએ Payment and Settlement Systems Act, 2007માં સુધારા સાથે જોડાયેલું બિલ પસાર કર્યું છે. આ સુધારા હેઠળ સરકારને બેન્કો અને અન્ય પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સને UPI તથા સૂચિત ઇલેક્ટ્રોનિક પેમેન્ટ માધ્યમો પર ચાર્જ લગાવવાની મંજૂરી આપવાની સત્તા મળી શકે છે. આ જ કારણોસર UPI પર ચાર્જ લાગવાની ચર્ચા તેજ બની હતી. જોકે, પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ સ્પષ્ટ કર્યું છે કે હાલ ગ્રાહકો અને નાના વેપારીઓ માટે UPI સેવાઓ મફત રહેશે.</p><h4><b>નાના વેપારીઓને પણ રાહત</b></h4><p>પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના જણાવ્યા મુજબ, કરિયાણાની દુકાનો સહિતના નાના વેપારીઓને પણ UPI પેમેન્ટ સ્વીકારવા માટે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ચૂકવવો નહીં પડે. સંસ્થાએ કહ્યું કે હાલની ચર્ચા UPIના માળખાને લાંબા ગાળે આર્થિક રીતે ટકાઉ બનાવવાના મોડલ પર કેન્દ્રિત છે. આથી હાલમાં UPI વપરાશકર્તાઓને પેમેન્ટ પર સીધો ચાર્જ ચૂકવવાનો નથી. સરકાર અને સંબંધિત સંસ્થાઓનું ધ્યાન ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને સુરક્ષિત અને ટકાઉ બનાવવાની દિશામાં છે.</p><p><a href="https://sandesh.com/business/news/big-change-in-epfo-new-rules-of-epf-eps-and-edli-implemented-know-8-major-changes" target="_blank"><b>આ પણ વાંચો : EPFO માં મોટો બદલાવ: EPF, EPS અને EDLI ના નવા નિયમો લાગુ, જાણો 8 મુખ્ય ફેરફારો</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/8W3L0Zar3vnDI9AsGCljcemsoGSdV9U8npTGLLzS.webp'/></item><item><title><![CDATA[Bollywood : એક ડાયરેક્ટરે બનાવ્યો ઇમરાન હાશ્મીને સ્ટાર, બોક્સ ઓફિસ પર મચાવી દીધી હતી ધૂમ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/emraan-hashmi-lucky-director-5-films</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/emraan-hashmi-lucky-director-5-films</guid><pubDate>Sat, 08 Aug 2026 17:32:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડ એક્ટર ઈમરાન હાશ્મીએ છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાની કરિયરમાં મોટા બદલાવ કર્યા છે. આ દરમિયાન એક્ટરે વધુ કન્ટેન્ટ ઓરિએન્ટેડ ફિલ્મોમાં કામ કર્યું છે. જ્યારે કેટલીક ફિલ્મોમાં તેમણે પોતાના નેગેટિવ રોલથી લોકોને ચોંકાવ્યા પણ છે. હવે ઈમરાન હાશ્મીની આવારાપન 2 આવી રહી છે. આ ફિલ્મની ખાસ વાત એ છે કે તેમાં તેઓ ફરી એકવાર 2000ના દાયકાવાળા અંદાજમાં જોવા મળવાના છે. ફિલ્મનું ટ્રેલર જોયા બાદ લોકો પણ આવી જ વાતો કરતા જોવા મળી રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>મોહિત સૂરી અને ઈમરાન હાશ્મીએ સાથે કઈ ફિલ્મો કરી?</b></h2><p style="text-align: justify; ">મોહિત સૂરીએ 2000ના દાયકામાં ઈમરાન હાશ્મી સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ સફરની શરૂઆત વર્ષ 2005માં આવેલી ઝહેર ફિલ્મથી થઈ હતી. રિપોર્ટ્સ મુજબ આ ફિલ્મનું બજેટ 5 કરોડ રૂપિયા હતું અને ફિલ્મે 13 કરોડ રૂપિયાના કલેક્શન સાથે હિટનો દરજ્જો મેળવ્યો હતો. ત્યારબાદ આ જોડી કલયુગ ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મનું બજેટ 4 કરોડ રૂપિયા હતું અને તેની સરખામણીએ ફિલ્મે 10 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને હિટ રહી હતી.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dbr9TN0s561/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dbr9TN0s561/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dbr9TN0s561/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dbr9TN0s561/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><p style="text-align: justify; ">ત્યારબાદ આવારાપન ફિલ્મનો નંબર આવે છે. આ ફિલ્મ વર્ષ 2007માં આવી હતી. રિપોર્ટ્સ મુજબ 18 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મ માત્ર 12 કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકી હતી. ફિલ્મ ફ્લોપ રહી હતી, પરંતુ બાદમાં તેને કલ્ટ ક્લાસિકનો દરજ્જો મળ્યો હતો. ત્યારબાદ રાજ ફિલ્મ આવી હતી. તેનું બજેટ 18 કરોડ રૂપિયા હતું અને રિપોર્ટ્સ મુજબ ફિલ્મે 38 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મ સુપરહિટ રહી હતી.</p><h3 style="text-align: justify; "><b>છેલ્લી ફિલ્મ બની બ્લોકબસ્ટર</b></h3><p style="text-align: justify; ">ત્યારબાદ બંનેએ સાથે મળીને ક્રૂક ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ રહી હતી. જ્યારે મર્ડર 2ની વાત કરીએ તો આ બંનેની સાથે આવેલી છેલ્લી ફિલ્મ હતી. રિપોર્ટ્સ મુજબ 13 કરોડ રૂપિયાના બજેટ સામે આ ફિલ્મ 65 કરોડ રૂપિયાથી વધુ કમાવવામાં સફળ રહી હતી અને બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. ત્યારબાદ બંનેએ સાથે કોઈ ફિલ્મ બનાવી નથી. હવે ઈમરાન હાશ્મી આવારાપન 2 લઈને આવી રહ્યા છે. આ ફિલ્મ 14 ઓગસ્ટ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/pradeep-rawat-prayer-meet-son-vikram-emotional" target="_blank">આ પણ વાંચો-Pradeep Rawatની પ્રેયર મીટમાં પુત્ર વિક્રમ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો, પિતાને યાદ કરીને હાથ-પગ ધ્રૂજવા લાગ્યા</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/n41UCduQoBdRApGtRDgIGRg7WTzhUglPDZUtRfx4.webp'/></item></channel></rss>