<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Drishyam 3 Trailer:  વિજય સાળગાંવકર ફરી ફસાયો? જોઇ લો ‘દૃશ્યમ 3’નો ધમાકો! ]]></title><link>https://sandesh.com/entertainment/news/drishyam-3-trailer-ajay-devgn-the-conclusion</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/drishyam-3-trailer-ajay-devgn-the-conclusion</guid><pubDate>Wed, 09 Sep 2026 14:08:26 +05:30</pubDate><description><![CDATA[<p>અજય દેવગન (Ajay Devgn)ની ફિલ્મ ‘દૃશ્યમ’ અને ‘દૃશ્યમ 2’ દર્શકોને ખૂબ પસંદ આવી હતી. હવે તેની ત્રીજી ફિલ્મ ‘દૃશ્યમ: ધ કન્ક્લૂઝન’ (Drishyam 3 trailer) આવી રહી છે. આજે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, ત્યારથી ચાહકોમાં ઉત્સાહ વધુ વધી ગયો છે. જાણો ફિલ્મના ટ્રેલરમાં શું ખાસ છે.</p><h2><b>પરિવારને બચાવવા ફરી લડશે અજય</b></h2><p>અજય દેવગન ફરી એકવાર વિજય સાળગાંવકરની ભૂમિકામાં જોવા મળશે. ફ્રેન્ચાઇઝીની શરૂઆતથી જ આ પાત્ર હિન્દી વર્ઝનની વાર્તાનો મહત્વનો ભાગ રહ્યું છે. ફિલ્મની વાર્તા વિજય અને તેના પરિવારની આસપાસ ફરે છે, જે એક ગંભીર ગુનાના કેસમાં ફસાઈ જાય છે. પરિવારને બચાવવા માટે વિજયના પ્રયાસો અગાઉની બંને ફિલ્મોની વાર્તાનો મુખ્ય ભાગ રહ્યા છે.</p><p><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/starstudio18/reel/DdDwMoeOlzK/" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/starstudio18/reel/DdDwMoeOlzK/" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a><br></p><h2><b>જૂની સ્ટારકાસ્ટ સાથે નવા પાત્રની એન્ટ્રી</b></h2><p>‘દૃશ્યમ: ધ કન્ક્લૂઝન’માં અગાઉની ફિલ્મોની મોટાભાગની સ્ટારકાસ્ટ ફરી એકવાર જોવા મળશે. તબ્બુ (Tabu) ફરી પોતાની મહત્વની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે અજય દેવગન મુખ્ય ભૂમિકામાં પરત ફરશે. પ્રકાશ રાજ પણ આ વખતે ટીમનો ભાગ છે અને ફિલ્મમાં તેમની ભૂમિકા ઘણી મહત્વની હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત શ્રિયા સરન (Shriya Saran) અને રજત કપૂર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ વખતે ફિલ્મમાં એક નવા અભિનેતાની પણ એન્ટ્રી થઈ રહી છે.</p><h2><b>‘દૃશ્યમ 3’માં જયદીપ અહલાવત પણ મહત્વની ભૂમિકામાં&nbsp;</b></h2><p>ફિલ્મનું દિગ્દર્શન અભિષેક પાઠક કરી રહ્યા છે. ફિલ્મના નિર્માણની જવાબદારી કુમાર મંગત, સંજીવ જોશી અને આલોક જૈન સંભાળી રહ્યા છે. ફિલ્મની ક્રિએટિવ ટીમમાં લેખક જયદીપ અહલાવત (Jaideep Ahlawat), સિનેમેટોગ્રાફર અજીત અંધારે, નિર્માતા ઈશી દત્તા અને મૃણાલ જાધવ સામેલ છે.</p><h2><b>ક્યારે રિલીઝ થશે ફિલ્મ?</b></h2><p>‘દૃશ્યમ: ધ કન્ક્લૂઝન’ 2 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મને દશેરા અને દિવાળી દરમિયાન મળતી લાંબી રજાઓનો પણ ફાયદો મળી શકે છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/Mld9Cljs20U8rJNtI4gCLYw28KSzHn8J1xGWKLYv.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News : CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક, વરસાદ ખેંચાતા સ્થિતિની થશે સમીક્ષા ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-cm-to-chair-cabinet-meeting-today--monsoon-deficit-and-assembly-bills-on-agenda</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-cm-to-chair-cabinet-meeting-today--monsoon-deficit-and-assembly-bills-on-agenda</guid><pubDate>Wed, 09 Sep 2026 14:05:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સાંજે ૫:૦૦ વાગ્યે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે રાજ્ય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદ ખેંચાવાના કારણે સર્જાયેલી સ્થિતિ અને આગામી દિવસોમાં યોજાનારા વિધાનસભાના ચોમાસા સત્રની તૈયારીઓના ભાગરૂપે આ બેઠક આહૂતો કરવામાં આવી છે. આ બેઠકમાં તમામ કેબિનેટ તથા રાજ્યકક્ષાના મંત્રીઓ અને વિવિધ વિભાગોના ઉચ્ચ વહીવટી અધિકારીઓ હાજર રહેશે.</p><h2 style="text-align: justify; "><b>ચોમાસા સત્રના મહત્વના બિલો અંગે થશે મંથન</b></h2><p style="text-align: justify; ">આજના આ કેબિનેટ મંથનનો મુખ્ય એજન્ડા રાજ્યભરમાં વરસાદની અછત અને તેના લીધે પીવાના પાણી તેમજ સિંચાઈ અંગે ઊભી થયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરવાનો છે. આ ઉપરાંત, વિધાનસભાના ચોમાસા સત્ર દરમિયાન ગૃહમાં મૂકવામાં આવનારા મહત્વપૂર્ણ સરકારી વિધેયકો (બિલો) અને સરકારી નીતિવિષયક નિર્ણયોની પ્રગતિ અંગે પણ ઊંડાણપૂર્વક ચર્ચા હાથ ધરવામાં આવશે. ઓછો વરસાદ ધરાવતા તાલુકાઓ અને જિલ્લાઓમાં જળાશયોના વર્તમાન જળસ્તર અંગે સંબંધિત વિભાગો પાસેથી વિગતવાર અહેવાલ લેવામાં આવશે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/sandeshnews/status/2097573141560389649?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2 style="text-align: justify; "><b>સરકારી નીતિવિષયક નિર્ણયો અંગે માર્ગદર્શન</b></h2><p style="text-align: justify; ">વરસાદ ખેંચાયા બાદ નાગરિકોને પીવાના પાણી કે પશુધન માટે ઘાસચારાની કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા અગમચેતીના પગલાં લેવા અંગે મંત્રીમંડળમાં જરૂરી આદેશો જારી કરવામાં આવી શકે છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પાણી પુરવઠો સુચારુ જળવાઈ રહે તે માટે તંત્રને સતર્ક રાખવાની સાથે જ ચોમાસુ સત્રના સંચાલન તથા વિધેયકોને મંજૂરી આપવા માટેની પ્રક્રિયાને આજના મંથનમાં આખરી ઓપ આપવામાં આવશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad--anganwadi-and-asha-workers-to-stage-2-day-protest-demanding-wage-hike" target="_blank">Ahmedabadમાં રાજ્યભરની આંગણવાડી-આશા વર્કર મહિલાઓનું મોટું આંદોલન, પગાર વધારા મુદ્દે 2 દિવસીય ધરણાંની જાહેરાત</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/W5gXmLrFAZ5n1cxop7gxUEVOz3I860Y7v1XQqNtN.webp'/></item><item><title><![CDATA[Dwarkaમાં વરસાદના અભાવે 30 વીઘા મગફળી પર ફરી વળ્યું ટ્રેક્ટર! ખેડૂતે રોઈ-રોઈને સરકાર સમક્ષ માંગી તાત્કાલિક સહાય ]]></title><link>https://sandesh.com/gujarat/news/dwarka/devbhumi-dwarka--rain-deficit-forces-farmer-to-destroy-30-bighas-of-groundnut-crop</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/dwarka/devbhumi-dwarka--rain-deficit-forces-farmer-to-destroy-30-bighas-of-groundnut-crop</guid><pubDate>Wed, 09 Sep 2026 14:04:28 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન લાંબા સમયથી વરસાદ ખેંચાતાં ખેડૂતોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામે વરસાદના અભાવે મગફળીનો ઉભો પાક સંપૂર્ણપણે સુકાઈ જતાં લાચાર બનેલા ખેડૂતે પોતાના 30 વીઘા ખેતરમાં વાવેલી મગફળીના પાક પર ટ્રેક્ટર ફેરવીને તેને જમીનદોસ્ત કરી દેવાની ફરજ પડી છે. છેલ્લા બે મહિનાથી વરસાદ ન વરસતાં ખેતીનો મહામૂલો પાક નજર સામે નાશ પામતાં સમગ્ર પંથકના અન્નદાતાઓમાં ભારે આક્રોશ અને ઘેરી ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>30 વીઘામાં મગફળીનો પાક નિષ્ફળ</b></h2><p style="text-align: justify; ">બનાવની પ્રાપ્ય વિગતો અનુસાર, પાનેલી ગામના રેણુકાવાડી વિસ્તારમાં રહેતા ખેડૂત દેવશીભાઈએ ચાલુ સિઝનમાં ભારે આર્થિક ખર્ચ કરીને 30 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કર્યું હતું. જોકે, છેલ્લા બે મહિનાથી મેઘરાજાએ ખેંચાણ કરતાં ઉભો પાક સુકાવા લાગ્યો હતો અને પાક બચવાની કોઈ આશા ન રહેતાં આખરે હજારો રૂપિયાનું નુકસાન વેઠીને પાક પર ટ્રેક્ટર ફેરવી દેવાયું હતું. ખેડૂત દેવશીભાઈએ પોતાના ખેતરમાં જમીનદોસ્ત થતા પાકનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે, જેમાં તેમણે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે સાતમ-આઠમના તહેવારો પણ મીઠાઈ વગર અને આર્થિક તંગી વચ્ચે વિતાવવા પડ્યા હતા.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/sandeshnews/status/2097578584772956397?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2 style="text-align: justify; "><b>દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ</b></h2><p style="text-align: justify; ">વરસાદના અભાવે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે, જેને પગલે ખેડૂતો દ્વારા દ્વારકા જિલ્લાને તાત્કાલિક અસરથી દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની જોરદાર માંગણી કરવામાં આવી છે. ખેડૂતોએ "ભગવાન તો રૂઠ્યા છે, હવે સરકાર અમારી વ્હારે આવે" તેવી આર્તહાદ સાથે સરકાર પાસે તાત્કાલિક ધોરણે પાક નુકસાનીનો સર્વે કરાવી વિશેષ આર્થિક રાહત પેકેજ આપવા માટે હાકલ કરી છે, જેથી કરીને જગતનો તાત આવનારો દિવાળીનો તહેવાર પોતાના પરિવાર સાથે ખુશીથી ઉજવી શકે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/surat/surat--engineer-duped-of--37-15-lakh-in-fake-stock-investment-scam" target="_blank">Suratમાં ‘શેરબજાર ફ્રોડ’નો મોટો શિકાર! 200 ટકા રિટર્નની લાલચમાં એન્જિનિયરે રૂ.37.15 લાખ ગુમાવ્યા</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/j2ribnyi8LCyisqmDGcwSaoVOKcxblDtfIA8nPbz.webp'/></item><item><title><![CDATA[Vijay Mallyaએ ઉપરાછાપરી કરી પોસ્ટ, કહ્યું- 'ભાગેડું નથી... 6 હજાર કરોડ લીધા ઉધાર, પણ વસૂલ્યા 14 હજાર કરોડ!' ]]></title><link>https://sandesh.com/business/news/vijay-mallya-breaks-silence-on-fugitive-tag-claims-ed-recovered-double-than-loan-amount</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/vijay-mallya-breaks-silence-on-fugitive-tag-claims-ed-recovered-double-than-loan-amount</guid><pubDate>Wed, 09 Sep 2026 13:59:15 +05:30</pubDate><description><![CDATA[<p>Vijay Mallya: દારૂ ઉદ્યોગપતિ વિજય માલ્યા ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે તેમણે તેમના પર લગાવેલા "ભાગેડુ" ટેગ પર પ્રતિક્રિયા આપી છે. માલ્યાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઘણી પોસ્ટ્સ કરી છે. આ પોસ્ટ્સમાં, તેમણે માત્ર પોતાની નિર્દોષતા જ દર્શાવી નથી, પરંતુ ભારત સરકારની તપાસ એજન્સીઓ દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી અંગે પણ ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. માલ્યાનો સૌથી મહત્વપૂર્ણ દાવો તેમની બાકી લોન અને તેમની સામે વસૂલવામાં આવેલી રકમનો છે; તેઓ દાવો કરે છે કે તપાસ એજન્સીઓએ બેંકોને તેમણે આપેલી રકમ કરતાં બમણાથી વધુ રકમ વસૂલ કરી છે. X પરની તેમની પોસ્ટ્સમાં તેઓ પૂછે છે કે તેમને તેમના બચેલા વધારાના પૈસા ક્યારે પાછા મળશે. તેમજ તેમને ભાગેડુ કહેવા પર પણ વાંધો વ્યક્ત કર્યો છે.&nbsp;</p><p><br></p><h4><b>લોનની રકમ કરતાં વસૂલી વધુ</b></h4><p>વિજય માલ્યાએ બોમ્બે હાઈકોર્ટમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દાખલ કરાયેલ સોગંદનામાનો ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે કોર્ટે તેમની બાકી લોન જવાબદારી ₹6203 કરોડ નક્કી કરી છે. માલ્યાના જણાવ્યા મુજબ, EDના સોગંદનામામાં પોતે જ સ્વીકારવામાં આવ્યું છે કે 2021 સુધીમાં તેમની પાસેથી ₹14,131.60 કરોડ વસૂલ કરવામાં આવ્યા હતા. માલ્યાએ પ્રશ્ન કર્યો કે દેવા કરતાં વધુ રકમ ચૂકવ્યાના પાંચ વર્ષ પછી પણ મીડિયામાં તેમને છેતરપિંડી કરનાર તરીકે કેમ ઓળખવામાં આવે છે. કિંગફિશર એરલાઇન્સના કર્મચારીઓનો ઉલ્લેખ કરતા તેમણે ઉલ્લેખ કર્યો કે EDએ તેમની જપ્ત કરેલી સંપત્તિમાંથી તેમને ₹350 કરોડ વહેંચ્યા હતા. માલ્યા દલીલ કરે છે કે બેંકોએ લોનની રકમ કરતાં વધુ રકમ વસૂલ કરી હોવાથી તેઓ રિફંડ મેળવવા માટે હકદાર છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/TheVijayMallya/status/2097448809626267747"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><br></p><h4><b>લંડન છોડવા પર પ્રતિબંધ</b></h4><p>નાણાની વસૂલાત અંગેના દાવાઓ ઉપરાંત, માલ્યાએ તેમના વિદેશમાં રહેવાના કારણો પણ સ્પષ્ટ કર્યા. ભારત પાછા ફરવાથી બચવા માટે ભાગેડુ ગણાવનારાઓને જવાબ આપતા માલ્યાએ જણાવ્યું કે તેઓ ત્યાં પોતાની મરજીથી રહ્યા નથી. તેમણે નિર્દેશ કર્યો કે તેઓ 1992 થી યુનાઇટેડ કિંગડમના કાયમી નિવાસી છે. હાલમાં, કાયદાકીય અવરોધોને કારણે તેમને યુકે છોડવા પર પ્રતિબંધ છે. માલ્યાનો આરોપ છે કે આ પરિસ્થિતિ ભારત સરકાર દ્વારા બનાવટી કાર્યવાહીનું પરિણામ છે. તેમણે કહ્યું કે સરકારે તેમની સાથે ઘોર અન્યાય કર્યો છે. તેમનો દાવો છે કે તેઓ ભારત પાછા ફરવાથી બચી રહ્યા નથી પરંતુ કાયદાકીય પ્રતિબંધોથી બંધાયેલા છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/TheVijayMallya/status/2097450239594565892"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><br></p><h4><b>સરકારનું વલણ સ્પષ્ટ&nbsp;</b></h4><p>જોકે માલ્યા પોતાને પીડિત તરીકે રજૂ કરે છે, ભારત સરકાર તેમને પાછા લાવવા માટે સતત પ્રયાસો કરી રહી છે. ઓક્ટોબર 2025 માં, નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં માહિતી આપી હતી કે વિજય માલ્યા સહિત 15 વ્યક્તિઓને ભાગેડુ આર્થિક ગુનેગાર અધિનિયમ, 2018 હેઠળ ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવામાં આવ્યા છે. નીરવ મોદીનું નામ પણ આ યાદીમાં છે. વિદેશ મંત્રાલયે પણ સ્પષ્ટ કર્યું છે કે આવા ગુનેગારોએ ભારતીય અદાલતોમાં હાજર થવું જ જોઈએ. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે સરકાર ભાગેડુઓને પાછા લાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. તેમણે સ્વીકાર્યું કે આ પ્રક્રિયામાં વિવિધ કાનૂની પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે પરંતુ નોંધ્યું હતું કે વિદેશી સરકારો સાથે ચાલી રહેલી ચર્ચાઓ ચાલુ છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/TheVijayMallya/status/2097435034168787167"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h4><b>કોર્ટ તરફથી કોઈ રાહત નથી</b></h4><p>સરકારની જેમ અદાલતોએ પણ માલ્યા અંગે ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે. આ વર્ષના ફેબ્રુઆરીમાં, બોમ્બે હાઈકોર્ટે તેમને કડક ઠપકો આપ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે કોઈ પણ વ્યક્તિ કાયદાકીય કાર્યવાહીથી જાણી જોઈને બચીને કોર્ટમાંથી રાહતની અપેક્ષા રાખી શકે નહીં. ચીફ જસ્ટિસની આગેવાની હેઠળની બેન્ચ માલ્યાની અરજી પર સુનાવણી કરી રહી હતી જેમાં માલ્યાએ પોતાની ભાગેડુ ગુનેગાર તરીકેની ઘોષણા પડકારી હતી. માલ્યાને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવાની અંતિમ તક આપતાં કોર્ટે પૂછ્યું કે શું તેનો ભારત પાછા ફરવાનો ઇરાદો છે. કોર્ટે એવો મત વ્યક્ત કર્યો કે માલ્યા જાણી જોઈને કોર્ટના અધિકારક્ષેત્રથી બચી રહ્યા છે; તેથી તેમની અરજી અંગે કોઈ રાહત આપી શકાતી નથી.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/piyush-goyal-joins-80s-trend-union-minister-shares-vintage-ai-photo" target="_blank"><b>Piyush Goyalએ ટ્રેન્ડ સાથે વાઇબ કરી શેર, જુઓ 1980ની તસવીર</b></a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/dATs4c6gL6sT8V4KzYNHzY3xJJtYQBRfAxkKkcrs.webp'/></item><item><title><![CDATA[Delhi 1 crore Robbery: બંદૂકની અણીએ 1 કરોડની લૂંટ, રિક્ષામાં બેઠા હતાજ કે... દિલ્હી પોલીસે તપાસ કરી તેજ ]]></title><link>https://sandesh.com/india/news/delhi-1-crore-robbery-robbery-of-1-crore-at-gunpoint-sitting-in-a-rickshaw-delhi-police-investigates</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/delhi-1-crore-robbery-robbery-of-1-crore-at-gunpoint-sitting-in-a-rickshaw-delhi-police-investigates</guid><pubDate>Wed, 09 Sep 2026 13:38:25 +05:30</pubDate><description><![CDATA[<p>નવી દિલ્હીના ITO નજીક એક ઉદ્યોગપતિના સ્ટાફ મેમ્બર પાસેથી ₹1 કરોડની લૂંટનો મામલો પ્રકાશમાં આવ્યો છે. એવો આરોપ છે કે સ્કૂટર પર સવાર બે બદમાશોએ આઉટર રિંગ રોડ પર એક ઓટો રિક્ષાને અટકાવી અને બંદૂકની અણીએ લૂંટ ચલાવી. ગુનેગારો રોકડ ભરેલી બેગ લઈને ઘટનાસ્થળેથી ભાગી ગયા. ઘટનાની માહિતી મળતાં પોલીસે FIR નોંધી અને તપાસ શરૂ કરી.</p><h2><b>રિક્ષામાંથી કરોડ રૂપિયાની ચોરી&nbsp;</b></h2><p>સોમવાર સાંજે, ઉદ્યોગપતિનો સ્ટાફ મેમ્બર ઓટો-રિક્ષામાં આશરે ₹3 કરોડ રૂપિયા લઇને જઇ રહ્યો હતો.&nbsp; રસ્તામાં, આઉટર રિંગ રોડ પર ITO નજીક સ્કૂટર પર સવાર બે વ્યક્તિઓએ ઓટોને ઓવરટેક કરીને રોકી. એવો આરોપ છે કે બદમાશોએ સ્ટાફ મેમ્બરને પિસ્તોલથી ડરાવીને રોકડ ભરેલી બેગ કબજે કરી હતી. ત્યારબાદ તેઓ સ્કૂટર પર ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. અહેવાલો દર્શાવે છે કે બેગમાં લગભગ ₹1 કરોડ હતા.&nbsp; જોકે, પોલીસ હાલમાં ચોરાયેલી રકમ અને ઘટના સંબંધિત અન્ય વિગતો ચકાસી રહી છે.</p><p>ઘટના બાદ, ઓટો-રિક્ષામાં રહેલા સ્ટાફ મેમ્બરે પોલીસને જાણ કરી. પોલીસની એક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને ગુનાના સ્થળનું નિરીક્ષણ કર્યું. અધિકારીઓએ ઘટના અંગે માહિતી એકત્રિત કરવા માટે પીડિતોની પૂછપરછ કરી.</p><p><b style="font-size: 1.75rem;">દરિયાગંજ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ</b></p><p>દરિયાગંજ પોલીસે આ મામલે FIR નોંધી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘટનાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. બદમાશોની ઓળખ કરવા માટે નજીકના CCTV કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ ગુનેગારો કઈ દિશામાં ભાગી ગયા અને ગુનામાં વપરાયેલ સ્કૂટરની માલિકી કોની છે તે પણ નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે. વધુમાં, વેપારીના સ્ટાફ સભ્યની પૂછપરછ કરવામાં આવી રહી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2097541008183714255"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p>પોલીસ હાલમાં આ બધા પાસાઓની તપાસ કરી રહી છે. અધિકારીઓ જણાવે છે કે CCTV ફૂટેજ, પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો અને અન્ય પુરાવાઓનો ઉપયોગ કરીને ગુનેગારોને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલીસ ટૂંક સમયમાં કેસ સંબંધિત વધુ વિગતો શેર કરી શકે છે.&nbsp;</p><p><br></p><p><a href="https://sandesh.com/india/news/maharashtra-bjp-divided-over-entry-of-muslims-in-garba-cms-wife-says-whats-wrong-with-allowing-them-in" target="_blank">આ પણ વાંચો:&nbsp; Maharashtra: ગરબામાં મુસ્લિમોની એન્ટ્રી મળે તેમાં ખોટું શું ? અમૃતા ફડણવીસના નિવેદનની પક્ષમાં બે-મત</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/7wrZnQXPumZuMZDhibokaO3HzYSooEIKnvuafrkn.webp'/></item><item><title><![CDATA[Piyush Goyalએ ટ્રેન્ડ સાથે વાઇબ કરી શેર, જુઓ 1980ની તસવીર ]]></title><link>https://sandesh.com/india/news/piyush-goyal-joins-80s-trend-union-minister-shares-vintage-ai-photo</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/piyush-goyal-joins-80s-trend-union-minister-shares-vintage-ai-photo</guid><pubDate>Wed, 09 Sep 2026 13:31:12 +05:30</pubDate><description><![CDATA[<p>Piyush Goyal: કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ 62 વર્ષના થઈ રહ્યા છે. તેમનો જન્મ 13 જૂન, 1964 ના રોજ થયો હતો. સ્વાભાવિક રીતે તેઓ 1980ના દાયકામાં તેઓ યંગ બોય  હતા. જોકે, હાલમાં ઇન્ટરનેટ પર ફરતા 80's ના દાયકાના ટ્રેન્ડને સ્વીકારીને તેમણે પોતાનો એક ફોટો શેર કર્યો છે. જોકે હવે યૂઝર્સ તેમની પોસ્ટ પર કોમેન્ટ કરી રહ્યા છે. ચાલો જોઈએ કે આ ટ્રેન્ડ શું છે અને લોકો આ તસવીર પર કેવી પ્રતિક્રિયા આપી રહ્યા છે.</p><p><br></p><p>મોદી સરકારમાં વાણિજ્ય અને ઉદ્યોગ વિભાગ સંભાળતા કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ફોટો પોસ્ટ કરતા લખ્યું કે તેઓ 80 ના દાયકાના ટ્રેન્ડ સાથે વાઇબ કરી રહ્યા હતા અથવા તેમાં જોડાઈ રહ્યા હતા. આ ટ્રેન્ડને અનુસરવાનો અર્થ એ છે કે તેઓ તેમના યુવાનીના દિવસોને યાદ કરી રહ્યા છે. એક એવો સમય જ્યારે તેઓ આજના કરતા પણ વધુ ડેશિંગ દેખાતા હતા. લોકોએ આ તસવીર પર ઉત્સાહપૂર્વક પ્રતિક્રિયા આપી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PiyushGoyal/status/2097369894467899829"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><br></p><p>આ વિન્ટેજ ફોટો પર ટિપ્પણી કરતા, એક X યુઝરે લખ્યું, "વાહ, શાનદાર! પહેલી નજરે, મને લાગ્યું કે તમે કોઈ હિન્દી ફિલ્મના હીરો છો."&nbsp;</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/Ravimb18/status/2097520273998348612"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p>કેન્દ્રીય મંત્રીના ફોટા પર બીજી એક ટિપ્પણીમાં લખ્યું હતું કે, "શાનદાર, સાહેબ! તમે બોલિવૂડ ફિલ્મોમાં કારકિર્દી બનાવવાનો વિચાર કેમ ન કર્યો?" જોકે, કેટલાક યૂઝર્સે તેમના દેખાવને રાજકારણના બદલાતા લેન્ડસ્કેપ સાથે પણ જોડ્યો.<br><br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/BN_deshbhakth/status/2097542258304454974"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><br></p><p>ફોટો પર પ્રતિક્રિયા આપતા, એક X યૂઝર્સે ટિપ્પણી કરી, "હું જૂઠું નહીં બોલીશ - તમે ખરેખર ડેશિંગ લાગી રહ્યા છો."</p><p><br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/okyama887/status/2097552120505598150"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><br></p><p>80 ના દાયકાના ટ્રેન્ડમાં ઇમેજ જનરેશનનો ઉપયોગ કરનાર કોઇ વ્યક્તિને 1980ના દાયકાના માહોલ જેવા બતાવી શકાય છે. જેમ પિયુષ ગોયલે તેના ફોટા સાથે કર્યું હતું. આ ટ્રેન્ડ દ્વારા, AI ટૂલ્સ તમને કપડાં, હેરસ્ટાઇલ, ફેશન સેન્સ, એસેસરીઝ, બેકગ્રાઉન્ડ, લાઇટિંગ અને ફોટોગ્રાફિક ટેક્સચરમાં ફેરફાર કરતી વખતે તમારા ચહેરાના લક્ષણો અને ઓળખ જાળવી રાખવાની મંજૂરી આપે છે.</p><p><br></p><p>આ નિર્દેશ (Prompt)ને લઇને AI તમને 80sના ટ્રેન્ડમાં ફિટ કરી દે છે. તેમા સામાન્ય રીતે વોર્મ લાઇટિંગ, સોફ્ટ ફોકસ, હળવા ફેડ કલર અને એનોલોગ-સ્ટાઇલ ફિલ્મ ગ્રેન જેવી વસ્તુઓ સામેલ હોય છે. ઈન્ડિયન વર્ઝનમાં લોકો તે સમયની સાડીઓ, સ્પેશ્યિલ જ્વેલરી, ભરાવદાર વાળ વાળી હેરસ્ટાઇલ, મૂછો, શર્ટ અને હાઇ વેસ્ટ ટ્રાઉઝર વાળા લુક ડિમાન્ડ કરે છે.&nbsp;<br><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/viral-video-doctor-treats-patients-by-candlelight-in-kashipur-govt-hospital-power-cut" target="_blank"><b>Viral Video: દર્દીઓના જીવ જોખમમાં... હોસ્પિટલમાં નથી લાઈટ, ડોક્ટરો મીણબત્તીના પ્રકાશમાં કામ કરવા મજબૂર!</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/c0xEioqPeErZfnrLy6ZmpWCxj4uqpkXiaQD6SimN.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : પ્રસિદ્ધ સિંગર કિંજલ રબારીના પતિને હાઇકોર્ટમાંથી મોટી રાહત, અપહરણનો અસ્વીકાર કરતાં ધરપકડ પર સ્ટે ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-hc-stays-arrest-of-singer-kinjal-rabaris-husband-over-kidnapping-complaint</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-hc-stays-arrest-of-singer-kinjal-rabaris-husband-over-kidnapping-complaint</guid><pubDate>Wed, 09 Sep 2026 13:14:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">લોકપ્રિય સિંગર કિંજલ રબારી અને તેના પતિ અશોક ચૌધરી સામે કોઈ કાયદાકીય કાર્યવાહી થાય તે પહેલાં જ તેમણે ગુજરાત હાઇકોર્ટના શરણે પહોંચી વિડીયો કોન્ફરન્સિંગ મારફતે હાજરી આપી હતી. કોર્ટ સમક્ષ કિંજલ રબારીએ ખુલાસો કર્યો હતો કે તેમનું કોઈ અપહરણ થયું નથી. આ મામલે અશોક ચૌધરી સામે દર્જ થયેલી અપહરણની પોલીસ ફરિયાદ શંકાસ્પદ હોવાનું સામે આવતાં ગુજરાત હાઇકોર્ટે તેમને મોટી રાહત આપી છે અને અશોક ચૌધરીની ધરપકડ પર રોક (સ્ટે) લગાવી દીધી છે, જેથી હાલ પોલીસ તેમની ધરપકડ કરી શકશે નહીં.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad--pasa-invoked-against-6-accused-in-dariyapur-gambling-den-raid-case" target="_blank">Ahmedabadના દરિયાપુરના જુગારધામ પર હવે PASAનો પંજો, મુખ્ય સૂત્રધાર ગોવિંદ ઉર્ફે ગામો સહિત 6 સામે કાર્યવાહી</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/dbylejE08aJOkymojGV4lK9OBj8fh3tV7hrQsjnV.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના દરિયાપુરના જુગારધામ પર હવે PASAનો પંજો, મુખ્ય સૂત્રધાર ગોવિંદ ઉર્ફે ગામો સહિત 6 સામે કાર્યવાહી ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad--pasa-invoked-against-6-accused-in-dariyapur-gambling-den-raid-case</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad--pasa-invoked-against-6-accused-in-dariyapur-gambling-den-raid-case</guid><pubDate>Wed, 09 Sep 2026 13:04:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા ચર્ચિત મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ના દરોડા બાદ પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ (PCB) દ્વારા મોટી અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગત ૩ ઓગસ્ટના રોજ SMC ની ટીમે દરોડો પાડીને મનપસંદ જીમખાનામાંથી ચાલતું હાઇપ્રોફાઇલ જુગારધામ ઝડપી પાડ્યું હતું. આ મામલે ગુનાહિત ઈતિહાસ ધરાવતા અને અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા મુખ્ય સૂત્રધાર ગોવિંદ ઉર્ફે ગામો ખોડીદાસ પટેલ સહિત કુલ 6 આરોપીઓ સામે પાસા (PASA) હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>અલગ-અલગ ટીમો બનાવી 6 આરોપીઓની ધરપકડ</b></h2><p style="text-align: justify; ">PCB ની અલગ-અલગ ટીમો દ્વારા ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડીને છ આરોપીઓને જુદી-જુદી જગ્યાએથી ઝડપી પાડવામાં આવ્યા હતા. આ તમામ આરોપીઓ કાયદાની છટકબારીનો ગેરલાભ ન ઉઠાવી શકે તે હેતુથી આકરી કાનૂની જોગવાઈઓ સાથે પાસા (PASA) ના હુકમની બજવણી કરવામાં આવી છે. પાસા (PASA) હેઠળ ઝડપાયેલા મુખ્ય આરોપી ગોવિંદ ઉર્ફે ગામો પટેલ અને વિપુલ ચન્દ્રકાંતભાઈ શાહને રાજકોટ જેલ ખાતે, કિશોર દેવીલાલ પઢીયાર અને નિકુંજ ઉર્ફે કાલુ મહેશભાઈ ખત્રીને વડોદરા જેલ ખાતે, નારાયણ કમલનાથ પદમનાથ રાવલને ભુજ જેલ ખાતે તેમજ આનંદ મંગાજી મોહનભાઈ ઠાકોરને સુરત મધ્યસ્થ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>અસામાજિક તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી</b></h2><p style="text-align: justify; ">અમદાવાદ પોલીસ દ્વારા ગુનાહિત ભૂતકાળ ધરાવતા અને ગેરકાયદે જુગારધામ ચલાવતા તત્વો સામે આ પ્રકારની દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવતાં અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાવતી અથવા ગેરકાયદે ધાક જમાવતી પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં આવશે નહીં. SMC અને PCB ની આ સંયુક્ત અને આકરી કાનૂની કાર્યવાહીથી શહેરના અન્ય ગેરકાયદે અડ્ડાઓ ચલાવતા અસામાજિક તત્વોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/vadodara/vadodara--ganesh-pandal-vandalized-on-vaghodiya-road--3-captured-on-cctv" target="_blank">Vadodaraમાં ગણેશ પંડાલ પર હુમલો! 3 ઈસમો CCTV માં કેદ થતાં બાપોદ પોલીસે શરૂ કરી તપાસ</a></b></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/Q0XCrqvOaFa1VcQsOoTCQhmmbctBh68nDfjC1W89.webp'/></item><item><title><![CDATA[Bhavnagar News: મેળાની મફતની મોજ કરતો નકલી PSI ઝડપાયો, ID કાર્ડમાં શું લખ્યું હતું? ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/fake-psi-arrested-lok-mela-ghogha-road-police</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/fake-psi-arrested-lok-mela-ghogha-road-police</guid><pubDate>Wed, 09 Sep 2026 12:52:42 +05:30</pubDate><description><![CDATA[<p>રાજ્યમાં નકલીની બોલબાલા વધી રહી હોય તેમ એક બાદ એક નકલી વસ્તુઓ અને કર્મચારી ઝડપાઈ રહ્યા છે. નકલી ઘી, નકલી દારૂ, નકલી પનીર બાદ હવે નકલી પોલીસ કર્મી ઝડપાયો છે. જે કારણે લોકોને હવે અસલી પર પણ શંકા જાય છે. આવામાં ભાવનગરમાં એક નકલી PSI ઝડપાયો છે. આ નકલી પીએસઆઈ મેળામાં મફત રાઈડ્સની મજા માણી રહ્યો હતો, તે દરમિયાન પોલીસે તેને ઝડપી લીધો હતો.</p><h2><b>નકલી PSIને ઘોઘારોડ પોલીસે ઝડપી લીધો</b></h2><p>ભાવનગર શહેરના ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યોજાયેલા લોકમેળામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લોકમેળામાં પોલીસ અધિકારીનો રોફ બતાવી રોફ જમાવતા એક નકલી PSIને ઘોઘારોડ પોલીસે સફળતાપૂર્વક ઝડપી લીધો છે. પોલીસની સતર્કતાને કારણે ખોટા આઈકાર્ડના આધારે લોકો અને મેળાવડાના આયોજકો પર રોફ છાંટતો આ નકલી અધિકારી સ્થળ પર જ પકડાઈ ગયો હતો.</p><h2><b>મૂળ રત્નકલાકારમાંથી બની બેઠો નકલી PSI</b></h2><p>ઝડપાયેલા શખ્સની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. પકડાયેલા વ્યક્તિનું નામ જગદીશ ડાયાભાઈ મકવાણા છે, જે મૂળ ભાવનગરના ભૂંભલી રામપર ગામનો વતની છે. વ્યવસાયે રત્નકલાકાર તરીકે કામ કરતો આ શખ્સ ખાખી વર્ધી અને હોદ્દાનો દુરુપયોગ કરીને લોકમેળામાં ફરતો હતો. તે ગુજરાત પોલીસના નામનું અંગ્રેજીમાં લખેલું આઈકાર્ડ પોતાની પાસે રાખીને મેળાવડામાં રોફ જમાવતો હતો.</p><p><br><img alt="Bhavnagar News: Fake PSI Arrested from Lok Mela by Ghogha Road Police" src="https://epapercdn.sandesh.com/images/2026/09/09/SB5n85buFDjWNh5dzE4HOiu0uR7TlYwfhW9IZ2Vp.webp"></p><h2><b>ગાંધીનગર SITના નામે બનાવ્યું હતું બોગસ આઈકાર્ડ</b></h2><p>આ નકલી PSI લોકમેળામાં પ્રવેશીને અલગ-અલગ રાઈડ્સમાં વિના મૂલ્યે બેસવા માટે પોતાના આઈકાર્ડનો ઉપયોગ કરતો હતો. પોલીસે જ્યારે તેની પાસેથી મળેલું આઈકાર્ડ તપાસ્યું ત્યારે મોટો ખુલાસો થયો હતો. આઈકાર્ડમાં મોબીન ઈકબાલભાઈ સોંડાગર નામ લખેલું હતું અને હોદ્દો "પોલીસ સબ ઇન્સ્પેક્ટર, જિલ્લા યુનિટ, SIT ગાંધીનગર" દર્શાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત આઈકાર્ડ પર જન્મ તારીખ તેમજ "સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ, SIT ગાંધીનગર"નો નકલી સિક્કો પણ મારેલો હતો.</p><p><img alt="Bhavnagar News: Fake PSI Arrested from Lok Mela by Ghogha Road Police" src="https://epapercdn.sandesh.com/images/2026/09/09/R3tKlvKHGeE2SqHS974jMU3Li82BmcEbzBFtScLC.webp"><br></p><h2><b>પોલીસે ગુનો નોંધી હાથ ધરી આગળની તપાસ</b></h2><p>જેવો આ શખ્સ શંકાસ્પદ જણાતા ઘોઘારોડ પોલીસે તેની ગહન પૂછપરછ કરી, તેવો જ તેનો તમામ ભાંડો ફોડી ગયો હતો. પોલીસે તુરંત જ નકલી PSI જગદીશ મકવાણાની અટકાયત કરી તેની સામે કાયદેસરની ફરિયાદ નોંધી છે. આ શખ્સે આ બોગસ આઈકાર્ડ ક્યાંથી અને કોની પાસે બનાવડાવ્યું હતું તેમજ અગાઉ તેણે આ નકલી આઈકાર્ડનો ઉપયોગ કરીને અન્ય કોઈ ગુના કે છેતરપિંડી આચરી છે કે નહીં તે અંગે ઘોઘારોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/lathakand-delhi-trader-manjit-singh-remanded-38-accused-in-jail" target="_blank">Bhavnagar: લઠ્ઠાકાંડમાં મિથેનોલ સપ્લાયર દિલ્હીના મનજીતસિંઘના 3 દિવસના રિમાન્ડ; 9 આરોપીઓ જેલહવાલે થતાં કુલ 38 જેલ ભેગા</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/C04Yu2Y7zVrvp2ZR4r6yBNKzNUk66iRFwcJwS2Ar.webp'/></item><item><title><![CDATA[Malaysia : 72 વર્ષના ફૂટબોલ દિગ્ગજે 20 વર્ષની યુવતી સાથે કર્યા લગ્ન, તસવીરો વાયરલ થતાં પરિવારે કરી પુષ્ટિ ]]></title><link>https://sandesh.com/world/news/sports/malaysia-football-legend-abdul-alif-marriage-72-year-old-20-year-old-wife</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/sports/malaysia-football-legend-abdul-alif-marriage-72-year-old-20-year-old-wife</guid><pubDate>Mon, 07 Sep 2026 23:00:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મલેશિયન ફૂટબોલના દિગ્ગજ અને પૂર્વ હરિમાઉ મલાયા સ્ટાર દાતુક અબ્દુલ અલિફે 72 વર્ષની ઉંમરે પોતાના જીવનનો નવો અધ્યાય શરૂ કર્યો છે. સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો વાયરલ થયા બાદ તેમના પરિવારે લગ્નની સત્તાવાર પુષ્ટિ કરી છે. અહેવાલ મુજબ 27 ઓગસ્ટે યોજાયેલા ખાનગી સમારંભમાં અબ્દુલ અલિફે પોતાની જીવનસંગિની સાથે નિકાહ કર્યા હતા. તેમની પત્નીની ઉંમર 20 વર્ષ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>લગ્નની ખબર કોણે કરી કન્ફર્મ?</b></h2><p style="text-align: justify; ">અબ્દુલ અલિફના નાના ભાઈ અને પૂર્વ ખેલાડી તથા કોચ દાતુક યુનુસ અલિફે લગ્નની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે 27 ઓગસ્ટે બંનેના લગ્ન થયા હતા અને બંને પરિવારોની સંમતિ તથા આશીર્વાદ સાથે આ સંબંધ બંધાયો છે. પરિવાર દ્વારા નવદંપતીના સુખી દાંપત્ય જીવન માટે શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>ફોન નહીં ઉઠાવતા ભાઈએ શું કહ્યું?</b></h3><p style="text-align: justify; ">લગ્ન બાદ અબ્દુલ અલિફ મીડિયા સંપર્કમાં ન આવતા તેમના ભાઈ યુનુસ અલિફે જણાવ્યું હતું કે તેઓ સંભવતઃ હનીમૂન પર હોવાથી ફોનનો જવાબ આપી શકતા નથી.જોકે પરિવારે સ્પષ્ટ કર્યું છે કે બંનેના નિકાહ થઈ ચૂક્યા છે અને પરિવાર તરફથી બંનેને શુભકામનાઓ આપવામાં આવી છે.</p><h4 style="text-align: justify; "><b>મલેશિયન ફૂટબોલના દિગ્ગજ રહ્યા છે અબ્દુલ અલિફ</b></h4><p style="text-align: justify; ">અબ્દુલ અલિફ મલેશિયન ફૂટબોલ ઇતિહાસના જાણીતાં ખેલાડીઓમાં સામેલ રહ્યા છે. 1970ના અંતિમ વર્ષો અને 1980ના શરૂઆતના સમયમાં મલેશિયન ફૂટબોલના સફળ સમયગાળામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.તેઓ તે મલેશિયન ટીમના સભ્ય હતા જેણે ક્વોલિફાઇંગ મેચમાં દક્ષિણ કોરિયાને 2-1થી હરાવી 1980ના મોસ્કો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું.</p><h4 style="text-align: justify; "><b>ઓલિમ્પિક રમવાનું સપનું કેમ અધૂરું રહ્યું?</b></h4><p style="text-align: justify; ">મલેશિયાએ સોવિયેત સંઘના અફઘાનિસ્તાન પરના આક્રમણના વિરોધમાં 1980ના મોસ્કો ઓલિમ્પિકનો બહિષ્કાર કર્યો હતો. જેના કારણે અબ્દુલ અલિફ સહિત અનેક ખેલાડીઓનું ઓલિમ્પિકમાં રમવાનું સપનું અધૂરું રહી ગયું હતું. લાંબા સમય સુધી વ્યાવસાયિક ફૂટબોલ અને મીડિયા લાઇમલાઇટથી દૂર રહ્યા બાદ આ દિગ્ગજ ખેલાડી હવે પોતાના અંગત જીવનના નવા નિર્ણયને કારણે ફરી ચર્ચામાં આવ્યા છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">&nbsp; આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-gujarat-drowning-deaths-1999-river-lake-check-dam-water-safety" target="_blank"><b>Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/oQuxxQEBdhQdWmZFxk2LOPbwDJRpf6zDEmwi2pJ3.webp'/></item></channel></rss>