<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Gujarat Rain : યાત્રાધામ દ્વારકામાં સામાન્ય વરસાદે તંત્રની પોલ ખોલી, મુખ્ય માર્ગો પર સર્જાયું ખાડાઓનું સામ્રાજ્ય ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/dwarka/dwarka--light-rain-exposes-civic-negligence--pothole-riddled-roads-hazard-pilgrims</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/dwarka/dwarka--light-rain-exposes-civic-negligence--pothole-riddled-roads-hazard-pilgrims</guid><pubDate>Wed, 16 Sep 2026 14:20:07 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જગત મંદિર તરીકે દેશ-વિદેશમાં પ્રખ્યાત એવા પવિત્ર યાત્રાધામ દ્વારકામાં સામાન્ય વરસાદ પડતાંની સાથે જ સ્થાનિક તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. દ્વારકાના પ્રવેશદ્વાર સમાન વિસ્તારો અને મુખ્ય હાઈવે રોડ પર ઠેર-ઠેર મોટા મોટા ખાડાઓનું સામ્રાજ્ય સર્જાઈ ગયું છે. વરસાદી પાણી ભરાઈ જવાના કારણે માર્ગોની દશા અત્યંત દયનીય અને બિસ્માર બની ગઈ છે, જેનાથી સ્થાનિકો તેમજ દર્શનાર્થે આવતા ભક્તોમાં ગંભીર રોષ જોવા મળી રહ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>ઇસ્કોન ગેટ અને રબારી ગેટ પાસે ખાડાઓથી અકસ્માતનો ભય</b></h2><p style="text-align: justify; ">ખાસ કરીને દ્વારકાના મુખ્ય પ્રવેશદ્વાર ગણાતા ઇસ્કોન ગેટ, રબારી ગેટ અને હાઈવે રોડ પર રસ્તાઓ તૂટી જતાં વાહનચાલકો માટે પસાર થવું અત્યંત મુશ્કેલ બની ગયું છે. વરસાદી પાણી ભરાઈ જવાના કારણે આ ખાડાઓ વાહનચાલકો માટે કાળ સમાન સાબિત થઈ રહ્યા છે, કારણ કે પાણીના લીધે ખાડાની ઊંડાઈનો અંદાજ મેળવવો અશક્ય બને છે. પરિણામે દ્વિચક્રી અને ચારચક્રી વાહનો સ્લિપ થવાના તેમજ અકસ્માત સર્જાવાના કિસ્સાઓ વધી રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>હજારો યાત્રાળુઓ હાલાકી ભોગવવા મજબૂર</b></h2><p style="text-align: justify; ">દ્વારકામાં રોજિંદા ધોરણે હજારો સ્થાનિક નાગરિકો ઉપરાંત દેશ અને વિદેશમાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે આવે છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ધાર્મિક સ્થળે રસ્તાઓની આવી દુર્દશાથી શહેરની છબી ખરડાઈ રહી છે. સ્થાનિકો અને વેપારીઓ માગણી કરી રહ્યા છે કે વહીવટી તંત્ર દ્વારા નિદ્રામાંથી જાગીને આ જોખમી ખાડાઓનું તાત્કાલિક ધોરણે યોગ્ય પુરાણ અને પેચવર્ક કરીને રસ્તાઓનું સમારકામ કરવામાં આવે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-civil-hospital-racket--blood-samples-sent-to-private-labs-despite-free-facility" target="_blank">Ahmedabad સિવિલ હોસ્પિટલમાં મોટો વિવાદ, ફ્રી સુવિધા છતાં દર્દીઓના બ્લડ સેમ્પલ ખાનગી લેબમાં મોકલાયાનો આક્ષેપ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/myJ0nk0EQrOXk6XUS1pWmtdF7PpMVRNESpre3Rly.webp'/></item><item><title><![CDATA[UPI Transaction: તો શું હવે UPIથી પેટ્રોલ ડીઝલ પુરાવવું મોંઘુ થશે? જાણો કેટલો લાગશે ચાર્જ ]]></title><link>https://sandesh.com/business/news/upi-transaction-so-will-it-be-expensive-to-buy-petrol-and-diesel-through-upi-now-find-out-how-much-the-charge-will-be</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/upi-transaction-so-will-it-be-expensive-to-buy-petrol-and-diesel-through-upi-now-find-out-how-much-the-charge-will-be</guid><pubDate>Wed, 16 Sep 2026 14:15:56 +05:30</pubDate><description><![CDATA[<p>UPI વ્યવહારો હવે મફત રહેશે નહીં. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) ના નવા માળખા હેઠળ, ₹2,000 થી વધુના મર્ચન્ટ પેમેન્ટ્સ (P2M) પર 0.4% મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) વસૂલવામાં આવશે. આ નવો નિયમ 15 ઓક્ટોબર, 2026 થી અમલમાં આવશે. એ નોંધવું મહત્વપૂર્ણ છે કે આ ચાર્જ પ્રતિ ટ્રાન્ઝેક્શન ₹300 સુધી મર્યાદિત રહેશે. આનો અર્થ એ છે કે ₹75,000 કે તેથી વધુની ચુકવણી માટે પણ, UPI MDR મહત્તમ ₹300 સુધી જ વસૂલવામાં આવશે.</p><h2><b>કોને મળશે છૂટછાટ ?&nbsp;</b></h2><p>નિયમનકારે સામાન્ય વ્યવહારોની તુલનામાં ત્રણ મુખ્ય ક્ષેત્રોને ખાસ છૂટ (છૂટછાટો) આપી છે. આમાં રેલ્વે, ટેલિકોમ, ઇંધણ અને મૂડી બજારોનો સમાવેશ થાય છે. હવે, લોકોના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવી શકે છે. UPI નો ઉપયોગ કરીને પેટ્રોલ, ડીઝલ અથવા CNG ભરવાનું કેટલું મોંઘું થશે? કારણ કે રોજિંદા જીવનમાં વારંવાર મુસાફરી કરવી પડે છે, અને આના કારણે વાહનમાં પેટ્રોલ, ડીઝલ અથવા CNG ભરવાની જરૂર પડે છે.</p><h3><b>UPI નો ઉપયોગ કરીને પેટ્રોલ ડીઝલ ભરવાનું કેટલું મોંઘુ પડશે?</b></h3><p>NPCI એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે પેટ્રોલ પંપ પર UPI દ્વારા ₹2,000 થી વધુના ઇંધણના ચુકવણી પર ₹5 નો ફ્લેટ MDR વસૂલવામાં આવશે. NPCI એ જણાવ્યું હતું કે, "પેટ્રોલ પંપ પર UPI દ્વારા ₹2,000 થી વધુના ઇંધણના ચુકવણી પર ₹5 નો ફ્લેટ ડિસ્કાઉન્ટેડ દર લાગુ થશે. જોકે, રાહતની વાત એ છે કે આ ફી સામાન્ય ગ્રાહકો પર વસૂલવામાં આવશે નહીં. સરકાર અને બેંકોએ સ્પષ્ટતા કરી છે કે આ ફી ફક્ત વેપારીઓ દ્વારા જ ઉઠાવવામાં આવશે. ગ્રાહકે કોઇ ચાર્જ આપવાનો રહેતો નથી.&nbsp;</p><h3><b>₹5 ફ્લેટ ફીનો શું ફાયદો થશે?</b></h3><p>NPCI એ જણાવ્યું હતું કે આ ₹5 ફ્લેટ ફી પેટ્રોલ પંપ ઓપરેટરોને ટાંકી રિફિલ પર વસૂલવામાં આવતી ઊંચી પ્રોસેસિંગ ફીથી બચાવશે. પેટ્રોલ પંપ પર ટ્રાન્ઝેક્શન મૂલ્ય ઘણીવાર ₹2,000 થી ₹5,000 કે તેથી વધુ હોય છે, તેથી 0.4% ફી પંપ ઓપરેટરો પર બોજ બની શકે છે. પેટ્રોલ પંપ માલિકોને નુકસાનથી બચાવવા માટે આ ₹5 ફ્લેટ ફી સ્થાપિત કરવામાં આવી છે.</p><p><b style="font-size: 1.75rem;">આ રીતે સમજો&nbsp;</b></p><p>જો ફ્યૂઅલ પેમેન્ટ પર 0.4 ટકાનો ચાર્જ  લાગુ કરવાનો નિયમ હોય તો, કોઇ ગ્રાહક 5 હજારનું પેટ્રોલ ભરાવે તો પેટ્રોલ પંપના માલિકના ખાતામાંથી 20 રૂપિયા કપાઇ જતા અને તેઓને નફા પર અસર થતી. હવે તો 5 રૂપિયા ફલેટનો નિયમ અપનાવે તો તમે 5 હજારનું ભરાવો કે 10 હજારનું, પેટ્રોલ પંપ માલિકના ખાતામાંથી 5 રૂપિયા જ કપાશે.&nbsp;&nbsp;</p><p><b style="font-size: 1.75rem;">જો ચુકવણી 2,000 રૂપિયાથી ઓછી હોય તો શું?</b></p><p>2,000 રૂપિયાથી ઓછી ઇંધણ ચુકવણી પર MDR શૂન્ય રહેશે. આનો અર્થ એ છે કે આ રકમથી ઓછી ઇંધણ ભરવા પર કોઈ ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગશે નહીં. NPCI એ પણ સ્પષ્ટ કર્યું કે ઇંધણ સ્ટેશન સંચાલકોએ આ વ્યવહારો પર કોઈ MDR ચૂકવવો પડશે નહીં.</p><p><a href="https://sandesh.com/india/news/west-bengal-inshallah-and-assalamualaikum-in-ipss-speechwhy-not-jai-hind-or-vande-mataram-action-taken" target="_blank">આ પણ વાંચો: West Bengal: IPSની સ્પીચમાં ઇન્શાલ્લાહ અને અસ્સલામુઅલૈકુમ..જય હિંદ કે વંદેમાતરમ કેમ નહીં ? એક્શન લેવાયા&nbsp;</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/ZhLrRBbprrs1JDXekXYGCrqYPknJGfntP2QnUe9r.webp'/></item><item><title><![CDATA[Actor Retirement : 83 વર્ષની ઉંમરે KBC અને બોલીવુડને અલવિદા કહી દેશે અમિતાભ બચ્ચન?  ]]></title><link>https://sandesh.com/entertainment/news/amitabh-bachchan-retirement-kbc-bollywood-83</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/amitabh-bachchan-retirement-kbc-bollywood-83</guid><pubDate>Wed, 16 Sep 2026 14:10:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન 83 વર્ષના થઈ ચૂક્યા છે અને તેમણે પોતાની એક્ટિંગથી માત્ર ફિલ્મોમાં જ નહીં, પરંતુ ટીવી પર પણ પોતાની છાપ છોડી છે. હાલમાં બિગ બી કૌન બનેગા કરોડપતિ શો કરી રહ્યા છે. પરંતુ તાજેતરમાં અભિનેતાને લઈને એક સમાચાર સામે આવ્યા હતા, જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે અમિતાભ બચ્ચન નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. આ સમાચાર ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યા હતા. પરંતુ હવે અભિનેતાએ પોતે આ તમામ સમાચાર પર મૌન તોડ્યું છે અને સત્ય જણાવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>નિવૃત્તિ અંગે શું બોલ્યા અમિતાભ બચ્ચન?</b></h2><p style="text-align: justify; ">સદીના મહાનાયક અમિતાભ બચ્ચને હવે પોતાની નિવૃત્તિને લઈને ચાલી રહેલી અફવાઓ અંગે ખુલ્લેઆમ વાત કરી છે. અભિનેતાએ સ્પષ્ટ કર્યું છે કે હાલમાં તેમનો નિવૃત્તિ લેવાનો કોઈ ઈરાદો નથી અને તેઓ આજે પણ પોતાના કામને લઈને ખૂબ એક્સાઇટેડ છે. તાજેતરમાં તેમની એક બ્લોગ પોસ્ટ વાંચીને લોકોને લાગ્યું હતું કે તેઓ હવે નિવૃત્તિ લેવાનો વિચાર કરી રહ્યા છે.<br><img alt="Amitabh Bachchan, Bollywood (3)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/PZX5gUqyL445R15Gd1TPDCmstOEokVRQ7UrQ0TOg.webp"><br></p><p style="text-align: justify; ">જોકે, હવે અભિનેતાએ નવી બ્લોગ પોસ્ટ લખી છે અને નિવૃત્તિને લઈને ચાલી રહેલી અટકળો અંગે વાત કરી છે. તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ હજુ નિવૃત્ત થઈ રહ્યા નથી. બિગ બીએ પોતાની નિવૃત્તિના સમાચારને ફરી શેર કરતાં લખ્યું, જી નહીં હુજૂર… હું હજુ મારા કામમાંથી નિવૃત્ત થઈ રહ્યો નથી. તેમણે તેનો અંગ્રેજીમાં અર્થ પણ સમજાવ્યો કે હવે સૂવા જઈ રહ્યો છું. આ સાથે બિગ બીએ મજાકિયા અંદાજમાં લખ્યું કે અહીં તમને આવવાનું આમંત્રણ નથી.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Db3UcmKKxSx/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Db3UcmKKxSx/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Db3UcmKKxSx/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Db3UcmKKxSx/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h3 style="text-align: justify; "><b>અમિતાભ બચ્ચને બ્લોગમાં શું લખ્યું હતું?</b></h3><p style="text-align: justify; ">મહાનાયક અમિતાભ બચ્ચને એક દિવસ પહેલા બ્લોગમાં લખ્યું હતું કે હવે ઘણું મોડું થઈ ગયું છે અને હવે નિવૃત્ત થવાનો સમય આવી ગયો છે. આ પોસ્ટ વાંચ્યા બાદ સૌને લાગ્યું હતું કે અભિનેતા ફિલ્મી દુનિયામાંથી સંન્યાસ લેવા જઈ રહ્યા છે. પરંતુ હવે આ બ્લોગ પોસ્ટ સાથે બિગ બીએ તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે અને કહ્યું છે કે જૂની પોસ્ટનો અર્થ હતો કે હવે ઘણું મોડું થઈ ગયું છે અને સૂવા જવું જોઈએ.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/disha-patani-ganpati-celebration-look-troll" target="_blank">આ પણ વાંચો-Bollywood Actress : 'પૂજામાં તો શરમ રાખો!' ગણેશોત્સવમાં દિશા પટણીના બોલ્ડ લુક પર ભડક્યા લોકો!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/7is4qt0Ouh8IALU3f3aKgVGsg84ZzGCAGvImZe63.webp'/></item><item><title><![CDATA[MP Singrauli News: ધુમાડાના ગોટે ગોટા..ભયાનક દ્રશ્ય, કોલસાથી ભરેલા ટ્રેલરનું ટાયર બદલતા અચાનક...પ્રચંડ વિસ્ફોટ, Video ]]></title><link>https://sandesh.com/india/news/madhya-pradeshs-singrauli-district-while-changing-a-tire-occurs-accident-1-dead-and-2-critical-condition</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/madhya-pradeshs-singrauli-district-while-changing-a-tire-occurs-accident-1-dead-and-2-critical-condition</guid><pubDate>Wed, 16 Sep 2026 14:05:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લાના બરગવન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક અત્યંત દર્દનાક અકસ્માત સામે આવ્યો છે. અહીં રસ્તા કિનારે ઊભેલા કોલસાથી ભરેલા ટ્રેલરનું ટાયર બદલતી વખતે અચાનક જોરદાર ધડાકા સાથે વિસ્ફોટ થયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળે જ ટ્રેલર ડ્રાઇવરનું કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સમગ્ર બનાવનો આઘાતજનક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.</p><p style="text-align: justify; "><b>ટાયર ફ્લેટ થતાં પંચર બદલતી વખતે સર્જાયો અકસ્માત</b></p><p style="text-align: justify; ">આ ઘટના બરગવન પોલીસ સ્ટેશન હેઠળના બારી ઝરિયા વિસ્તારની છે. મોડી રાત્રે કોલસાથી ભરેલું એક વિશાળ ટ્રેલર રસ્તાની બાજુમાં પાર્ક કરવામાં આવ્યું હતું. પચૌરના રહેવાસી ડ્રાઇવર અનિલ સાહુ ગાડીનું ફ્લેટ થયેલું ટાયર ખોલવાનો અને તેને બદલવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન જ અચાનક જોરદાર ધડાકા સાથે ટાયર ફાટી ગયું હતું અને આખો વિસ્તાર ધુમાડાથી ભરાઈ ગયો હતો.</p><p style="text-align: justify; "><b>ધડાકો એટલો શક્તિશાળી હતો કે ડ્રાઇવરના ફાટી ગયા ટુકડા</b></p><p style="text-align: justify; ">ટાયરમાં રહેલા ભારે દબાણને કારણે થયેલો વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ડ્રાઇવર અનિલ સાહુનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું. આ અકસ્માત સમયે ટ્રેલરની નજીક જ ઊભેલા બે અન્ય લોકો પણ વિસ્ફોટની ઝપેટમાં આવી જતાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. અચાનક થયેલા આ વિસ્ફોટથી વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DdTXNz5ijGU/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DdTXNz5ijGU/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a></p><p style="text-align: justify; "><b>પોલીસની ત્વરિત કાર્યવાહી: ઘાયલો હોસ્પિટલમાં ભરતી</b></p><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને તાત્કાલિક બાયધન જિલ્લા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. બીજી તરફ પોલીસે મૃતક ડ્રાઇવરના મૃતદેહને કબ્જે લઈ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા આગળની કાનૂની તપાસ શરૂ કરી છે.</p><p style="text-align: justify; "><b>પ્રત્યક્ષદર્શીઓનો આંખે દેખ્યો અહેવાલ અને વાયરલ વીડિયો</b></p><p style="text-align: justify; ">પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ટાયર ફાટવાનો અવાજ એટલો તીવ્ર હતો કે દૂર-દૂર સુધી સંભળાયો હતો. ક્ષણભરમાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા લાઈવ વીડિયોમાં વિસ્ફોટ બાદ ચારેય તરફ ફેલાયેલો ધુમાડો અને ગભરાટ જોઈ શકાય છે.</p><p style="text-align: justify; "><b>ભારે વાહનોના ટાયર રિપેરિંગ વખતે સુરક્ષાના નિયમો અનિવાર્ય</b></p><p style="text-align: justify; ">પ્રાથમિક તારણ મુજબ, આ અકસ્માત ટાયરમાં ઓવર એર પ્રેશર (હવાનું વધુ પડતું દબાણ) હોવાને કારણે થયો હોવાનું માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે, જ્યારે ટાયરમાં હવાનું દબાણ વધુ હોય ત્યારે તેને બેદરકારીથી ડિફ્લેટ કરવું કે બદલવું અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. તેથી, ભારે વાહનોના પંચર અથવા ટાયર બદલતી વખતે તમામ સુરક્ષા ધોરણોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/iN9dlRCe6SnWMHmXwWiiGHy8H2xOsiTb0OFRlX3Y.webp'/></item><item><title><![CDATA[Indian Railway: રેલવે સ્ટેશનો પર પાન-મસાલાની પિચકારી મારનારા ચેતી જજો! હવે ફટકારાશે દંડ ]]></title><link>https://sandesh.com/india/news/indian-railways-launches-no-red-yellow-spot-cleanliness-drive-from-17-september-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/indian-railways-launches-no-red-yellow-spot-cleanliness-drive-from-17-september-2026</guid><pubDate>Wed, 16 Sep 2026 13:44:24 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય રેલવે તેના સમગ્ર નેટવર્ક પર આવેલા સ્ટેશનોને પાન અને ગુટખાની પિચકારીના લાલ ડાઘ, ગંદકી અને ગેરકાયદેસર જાહેરાતોથી મુક્ત કરશે. સ્ટેશનો કે ટ્રેનોમાં થૂંકતા અથવા કચરો ફેંકતા પકડાનાર કોઈપણ વ્યક્તિને RPFના જવાનો અને ટિકિટ-ચેકિંગ સ્ટાફ દ્વારા સ્થળ પર જ દંડ ફટકારવામાં આવશે.</p><p><br></p><p>17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર દરમિયાન દેશભરમાં ત્રણ તબક્કામાં સઘન સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે. તેમાં 'સ્વચ્છતા હી સેવા' (17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર), 'સ્વચ્છતા પખવાડિયું' (1 થી 15 ઓક્ટોબર) અને 'સ્પેશિયલ કેમ્પેઈન 6.0' (2 થી 31 ઓક્ટોબર)નો સમાવેશ થાય છે.</p><p><br></p><p>ફૂટ-ઓવર-બ્રિજ (FOB)ના દાદર, સબવે, થાંભલા અને ખૂણાઓ પર મુસાફરો દ્વારા છોડવામાં આવેલા લાલ ડાઘ (પાન/ગુટખાની પિચકારી) અને પીળા ડાઘ (પેશાબ), તેમજ દિવાલો પર ગેરકાયદેસર રીતે ચોંટાડવામાં આવેલા પોસ્ટરો અને પત્રિકાઓ દૂર કરવામાં આવશે. આ હેતુ માટે 9 અને 10 ઓક્ટોબરના રોજ દેશવ્યાપી 'નો રેડ એન્ડ યલો સ્પોટ' (લાલ અને પીળા ડાઘ મુક્ત) અભિયાન ચલાવવામાં આવશે.</p><p><br></p><p>FOB, સબવે, થાંભલા અને પ્લેટફોર્મના ખૂણાઓ પરના લાલ અને પીળા ડાઘ મશીનો અને રસાયણોનો ઉપયોગ કરીને ઘસીને સાફ કરવામાં આવશે. તાત્કાલિક ધોરણે ચૂનો અને રંગકામ કરવામાં આવશે અને "થૂંકીને ગંદકી ન કરો" તથા "થૂંકવાની મનાઈ છે" (No Spitting) લખેલા ચેતવણી બોર્ડ લગાવવામાં આવશે.</p><p><br></p><h4><b>મહા-સ્વચ્છતા અભિયાનનું સમયપત્રક</b></h4><p>17-30સપ્ટેમ્બર: રેલવે શાળાઓમાં 'સ્વચ્છતા જ્ઞાન યાત્રા' અને ચિત્ર સ્પર્ધાઓ; નકામી સામગ્રીમાંથી કલાકૃતિઓનું નિર્માણ ('કબાડ સે જુગાડ'); અને ૩૦ સપ્ટેમ્બરના રોજ સ્વચ્છતા કર્મચારીઓ માટે સ્વાસ્થ્ય તપાસ તથા સન્માન શિબિરોનું આયોજન.</p><p>1 ઓક્ટોબર: સવારે 8:00 વાગ્યે 'એક દિવસ, એક કલાક, સાથે મળીને' (One Day, One Hour, Together) શીર્ષક હેઠળ દેશવ્યાપી 'શ્રમદાન' કાર્યક્રમ યોજાશે. ટ્રેનો અને સ્ટેશનો પર 'મારી સીટ, મારો કોચ' (My Seat, My Coach) જેવી જાહેરાતો દ્વારા મુસાફરોમાં જાગૃતિ લાવવામાં આવશે.</p><p>2 ઓક્ટોબર: સ્વચ્છતાના શપથ, પ્રભાત ફેરી અને 'એક પેડ મા કે નામ' (માતાના નામે એક વૃક્ષ) પહેલ હેઠળ વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવશે. 3-5 ઓક્ટોબર: સ્ટેશનો, વેઇટિંગ હોલ, પેન્ટ્રી કાર અને બેઝ કિચનની યાંત્રિક રીતે ઊંડી સફાઈ હાથ ધરવામાં આવશે.</p><p><br></p><ul><li>6-8ઓક્ટોબર: ટ્રેકસાઇડ વિસ્તારો અને રેલ્વે યાર્ડ્સમાંથી સંચિત વારસાગત કચરો અને ઝાડીઓ સાફ કરવા માટે JCB મશીનોનો ઉપયોગ કરવામાં આવશે.</li><li>11-15 ઓક્ટોબર: સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો-૨૦૨૬નું પાલન સુનિશ્ચિત કરવામાં આવશે, અને મોટા રેલ્વે પરિસરને CPCB પોર્ટલ પર 'બલ્ક વેસ્ટ જનરેટર' તરીકે ફરજિયાત રીતે નોંધણી કરાવવામાં આવશે.</li><li>2-31 ઓક્ટોબર: જૂની ફાઇલો અને ભંગારનો નિકાલ કરવામાં આવશે, અને રેલ્વે કચેરીઓમાં વૈજ્ઞાનિક ઇ-વેસ્ટ મેનેજમેન્ટ લાગુ કરવામાં આવશે. જળ શક્તિ મંત્રાલય શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા રેલ્વે એકમોને ત્રણ રાષ્ટ્રીય પુરસ્કારો પ્રદાન કરશે.</li></ul><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/world/news/india-issues-warning-against-pakistani-gori-beauty-cream-chandni-whitening-cream" target="_blank"><b>ભારતીયોના સ્વાસ્થ્યને લઈને પાકિસ્તાનની નવી ચાલ! માર્કેટમાં મળે આ ક્રીમ તો ભૂલથી પણ ન લગાવતા</b></a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/9ugM82thHqZFgJijQPv149b1xIm2Eph7okGhlbv0.webp'/></item><item><title><![CDATA[Rajkot News: LCBની ફિલ્મીઢબે રેડ, કારના ગુપ્ત ખાનામાં દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા, Video ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/rajkot/jasdan-lcb-raid-foreign-liquor-seized-car</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/rajkot/jasdan-lcb-raid-foreign-liquor-seized-car</guid><pubDate>Wed, 16 Sep 2026 13:35:40 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ અપરાધીઓ સામે સતત સકંજો કસ્યો છે. તાજેતરમાં જસદણ પંથકમાં દારૂની હેરાફેરી કરતી એક મોટી ગેંગનો પર્દાફાશ થયો છે. પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ LCBની ટીમે બાતમીના આધારે વિંછિયા બાયપાસ રોડ પર આવેલ શ્રીનાથજી પેટ્રોલ પંપની સામે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ વાહનને ઝડપી પાડ્યું હતું.</p><h2><b>કારના ગુપ્ત ખાનામાંથી મળ્યો દારૂનો જથ્થો</b></h2><p>પોલીસે કાર (નં. GJ-02-ZZ-3552) ને રોકીને તલાશી લીધી હતી. શરૂઆતમાં સામાન્ય તપાસમાં કઈ ન દેખાઈ આવતા પોલીસે ઝીણવટભરી તપાસ કરી હતી. આ દરમિયાન કારના પાછળના બમ્પર તથા વચ્ચેની સીટ નીચે અત્યંત ચાલાકીથી બનાવેલા ગુપ્ત ખાનાઓ મળી આવ્યા હતા. આ ગુપ્ત ખાનાઓની અંદર તપાસ કરતા વિદેશી દારૂનો મોટો જથ્થો બહાર આવ્યો હતો.</p><h2><b>મુદ્દામાલ અને આરોપીઓની વિગતો</b></h2><p>આ રેડ દરમિયાન પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની 180 મીલીની કુલ 645 પ્લાસ્ટિક બોટલ જપ્ત કરી હતી. જેની કુલ કિંમત રૂ. 2,54,775 થાય છે. પોલીસ આ કૌભાંડમાં સંડોવાયેલા મધ્યપ્રદેશના ધનંજય ગુર્જર ભરડીયા (ઉ.વ.21) અને નિલેશ ઇશરીયા કલેશ (ઉ.વ.26) ને રંગે હાથે ઝડપી લીધા હતા. પોલીસે દારૂ ઉપરાંત રૂ. 3.5 લાખની TUV કાર અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 3,76,0775 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.</p><p><img alt="Rajkot News: Jasdan LCB Seizes Foreign Liquor Worth Rs 2.54 Lakhs from TUV Car" src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/isxTCr5AC0W27wxPBiSeDOWiguNr4C55TjJpLOa9.webp"><br></p><h2><b>કાયદેસરની કડક કાર્યવાહી</b></h2><p>બંને પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E), 116(B), 81 અને 98(2) મુજબ ગુનો નોંધીને ધોરણસરની ધરપકડ કરવામાં આવી છે. આ નેટવર્ક ક્યાંથી દારૂ લાવતું હતું અને ક્યાં પહોંચાડવાનું હતું તે અંગે LCB દ્વારા વધુ સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.</p><p><br></p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2100130524895531067"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/bhakti/news/gujarat/ahmedabad/ganesh-mahotsav-2026-ganpati-photos" target="_blank">Ganesh Mahotsav 2026 : ‘બાપ્પાની ભક્તિ અને સજાવટની ઝલક હવે પહોંચશે કરોડો વાચકો સુધી!’ સંદેશ ડિજિટલ લઈને આવ્યું છે ભક્તો માટે ગોલ્ડન ચાન્સ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/hnPdrajZ0VnrvAEskYDjGJdXfIvFu0BdEzjt6aCC.webp'/></item><item><title><![CDATA[Ahmedabad સિવિલ હોસ્પિટલમાં મોટો વિવાદ, ફ્રી સુવિધા છતાં દર્દીઓના બ્લડ સેમ્પલ ખાનગી લેબમાં મોકલાયાનો આક્ષેપ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-civil-hospital-racket--blood-samples-sent-to-private-labs-despite-free-facility</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-civil-hospital-racket--blood-samples-sent-to-private-labs-despite-free-facility</guid><pubDate>Wed, 16 Sep 2026 13:18:28 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના બ્લડ ટેસ્ટને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારના લેબોરેટરી ટેસ્ટ તબીબી પ્રોટોકોલ મુજબ નિઃશુલ્ક (ફ્રી) થતા હોવા છતાં, દર્દીઓના બ્લડ સેમ્પલ બહારની ખાનગી લેબમાં મોકલવામાં આવી રહ્યા હોવાના સળગતા આક્ષેપો સામે આવ્યા છે. આ સમગ્ર મામલે હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ફરજ બજાવતા ડોક્ટરોની ભૂમિકા સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>એક જ દર્દીના બે વાર સેમ્પલ લેવાયાનો દાવો</b></h2><p style="text-align: justify; ">મળતી વિગતો અનુસાર, સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલ ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ પાસેથી ખાનગી લેબમાં ટેસ્ટ કરાવવાના નામે નાણાં વસૂલવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, એક જ દર્દીના બે-બે વખત બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હોવાનો દાવો પણ પીડિત પક્ષ દ્વારા કરાયો છે. સરકારી સુવિધાઓ પર્યાપ્ત હોવા છતાં દર્દીઓને ખાનગી લેબમાં ધકેલીને આર્થિક રીતે હેરાન કરવામાં આવી રહ્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>પીડિત દર્દીએ કરી ઉચ્ચ સ્તરીય તપાસની માંગ</b></h2><p style="text-align: justify; ">આ સમગ્ર ગેરરીતિ અને ખાનગી લેબ સાથેના કમિશન સેટિંગની આશંકા સામે પીડિત દર્દી અને તેમના પરિવારજનોએ હોસ્પિટલ પ્રશાસન તેમજ રાજ્યના આરોગ્ય વિભાગ સમક્ષ તટસ્થ અને સઘન તપાસની માંગ કરી છે. ડોક્ટરો અને ખાનગી લેબોરેટરીઓ વચ્ચે કોઈ આંતરિક મિલીભગત છે કે કેમ તે દિશામાં યોગ્ય પગલાં લેવાની માંગ ઉઠી છે. આ વિવાદ સામે આવ્યા બાદ સિવિલ હોસ્પિટલ પ્રશાસન અને ટ્રોમા સેન્ટરના સ્ટાફમાં ભારે ખળભળાટ મચી ગયો છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/breakingnews/crime/gandhinagar/gandhinagar-district-court-receives-fresh-bomb-threat-via-email--search-clears-premises" target="_blank">કોણ મોકલી રહ્યું છે ગાંધીનગર જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવવાના ધમકીભર્યા ઈમેલ? જાણો પોલીસ તપાસનો ખુલાસો!</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/SEMEPueD2ThKGcDKPbTMqZRHPCcav30jKi14M8uD.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: ખાનગી સંસ્થાઓ દ્વારા સરકારી નામો કે પ્રતિકોનો ઉપયોગ થશે તો કરાશે કાર્યવાહી ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/action-against-private-bodies-using-government-names-and-national-symbols</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/action-against-private-bodies-using-government-names-and-national-symbols</guid><pubDate>Wed, 16 Sep 2026 12:51:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વ્યાપારિક લાભ માટે સરકારી નામ, હોદ્દાઓ અને રાષ્ટ્રીય પ્રતીકોનો દુરુપયોગ કરીને સામાન્ય નાગરિકોને ભ્રમિત કરતી ખાનગી સંસ્થાઓ અને બિન-સરકારી સંગઠનો (NGOs) સામે કાર્યવાહી કરવા ગુજરાત સરકારે ઝુંબેશ શરૂ કરી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્યના તમામ વિભાગો, કચેરીઓ અને સક્ષમ નોંધણી અધિકારીઓને પ્રતીકો અને નામો અધિનિયમ 1950નું કડક અમલીકરણ સુનિશ્ચિત કરવા જરૂરી સૂચનોઓ આપવામાં આવી છે. ગુજરાત સરકારે કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા રાજ્યોને પાઠવેલ પરિપત્રના અનુસંધાને આ કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>સરકારી સિક્કાઓની આબેહૂબ નકલ છાપે છે</b></h2><p style="text-align: justify; ">કેન્દ્ર સરકારે આ પરિપત્રમાં જણાવ્યું હતું કે દેશભરમાં મોટા પ્રમાણમાં ખાનગી સંસ્થાઓ, ટ્રસ્ટો અને વ્યાપારી પેઢીઓ એવા નામો રાખી રહી છે જે સીધા સરકારી વિભાગો જેવા લાગતા હોય,ઘણા કિસ્સાઓમાં ખાનગી સંસ્થાઓ પોતાના લેટરહેડ, વિઝિટિંગ કાર્ડ,ઓફિસના બોર્ડ અને વેબસાઈટ પર અશોક સ્તંભ, અશોક ચક્ર કે સરકારી સિક્કાઓની આબેહૂબ નકલ છાપે છે જેનાથી સામાન્ય નાગરિકો છેતરાય છે અને ખાનગી કામોને સરકારી સમજીને નાણાં કે અન્ય દસ્તાવેજો ગુમાવે છે.આ સૂચનાઓ  મુજબ હવે કોઈ પણ ખાનગી સંસ્થાઓ, ટ્રસ્ટો અને વ્યાપારી પેઢીઓ કેન્દ્ર સરકારની અગાઉથી મેળવેલી લેખિત મંજૂરી વિના પોતાની સંસ્થાના નામમાં બ્યુરો, કમિશન, મંત્રાલય, સેન્ટર, ઓલ ઈન્ડિયા, નેશનલ અને ભારતીય જેવા શબ્દોનો ઉપયોગ કરી શકશે નહીં.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>કેન્દ્ર સરકારનો નિર્ણય જ આખરી ગણાશે</b></h3><p style="text-align: justify; ">જો કોઈ ખાનગી કંપની કે સંસ્થાએ આ શબ્દોનો ઉપયોગ કરવો હોય તો તેણે પોતાના નામની સાથે જ એવું સ્પષ્ટ કરવું પડશે કે આ એક ખાનગી સાહસ છે અને તેને સરકાર સાથે કોઈ લેવાદેવા કે સરકારી ઉદ્દેશ નથી. પ્રતીકો અને નામો અધિનિયમ 1950 અંતર્ગત કંપનીઓ કે ટ્રેડમાર્ક નોંધણી કરતી તમામ કચેરીઓ જેમ કે રજિસ્ટ્રાર ઓફ સોસાયટીઝ, રજિસ્ટ્રાર ઓફ ફર્મ્સ અને કો-ઓપરેટિવ ડિપાર્ટમેન્ટને કડક સૂચના અપાઈ છે કે અરજીના સ્ક્રીનિંગ અને રજીસ્ટ્રેશન તબક્કે જ આવા ભ્રામક નામો વાળી ફાઈલો મંજૂર કરી દેવી.જો કોઈ નામ અંગે શંકા કે વિવાદ ઊભો થાય તો તેમણે આ બાબત કેન્દ્ર સરકારને ધ્યાને મુકવાની રેહશે અને કેન્દ્ર સરકારનો નિર્ણય જ આખરી ગણાશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-mahila-congress-chiefs-son-arrested-in-fake-passport-case" target="_blank">આ પણ વાંચોઃ Gandhinagar News: ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખનો પુત્ર નકલી પાસપોર્ટના આધારે 6 દેશોમાં ફર્યો, ATSએ ધરપકડ કરી</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/NUEbNjE00vhYjRcdH3JWa9bH9fIOBjxh12WRRxAz.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : શહેરમાં જૂની ડ્રેનેજ લાઈનોની ધીમી કામગીરીથી લોકો ત્રાહિમામ, જાણો સત્તાધિશોએ શું કહ્યું? ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/slow-drainage-line-rehabilitation-frustrates-residents</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/slow-drainage-line-rehabilitation-frustrates-residents</guid><pubDate>Wed, 16 Sep 2026 12:02:26 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં 25થી 50 વર્ષ જૂની થઈ ગયેલી ડ્રેનેજ, સ્ટોર્મ વોટર અને મુખ્ય ટ્રંક લાઈનોને રૂપિયા 3200 કરોડના ખર્ચે તબક્કાવાર રિહેબિલિટેશન કરીને પુનઃ કાર્યક્ષમ બનાવવાનું મોટું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પરંતુ હાલ 11 લાઈનોનું કામ મંથર ગતિએ ચાલુ છે અને 16 મોટી લાઈનોનું કામ હજુ બાકી હોવાથી સ્થાનિક રહીશો અને વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. તંત્ર દ્વારા ખોદાણ અને રસ્તા ખોદવાની સમસ્યામાંથી મુક્તિ મળવાનો દાવો કરાઈ રહ્યો છે, પરંતુ હાલ ખોદાણ અમે કામગીરીને પગલે ટ્રાફિક વ્યવસ્થા પર ગંભીર અસર પડી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ થતો હોવાનો દાવો</b></h2><p style="text-align: justify; ">ગીચ વિસ્તારોમાં નવા રસ્તા ખોદવાની મુશ્કેલીથી બચવા અને લાઈન ટ્રાન્સફોર્મેશન માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ થઈ રહ્યો હોવાનો અધિકારીઓએ દાવો કર્યો છે. ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 26  લાઈનો હાથ ધરાઈ છે, જેમાં પલ્લવ ચાર રસ્તાથી ચાણક્યપુરી બ્રિજ સુધી જીઆરપી પદ્ધતિથી રિહેબિલિટેશન થઈ રહ્યું છે. મ્યુનિ.ના ડ્રેનેજ વિભાગ અનુસાર, કુલ 69 લાઈનોના 196.23 કિ.મી. નેટવર્ક માટે અંદાજે રૂપિયા 3200 કરોડનો ખર્ચ આંકવામાં આવ્યો છે. જે પૈકી 42 લાઈનોનું 85.89 કિ.મી. કામ રૂપિયા 750 કરોડના ખર્ચે પૂર્ણ થયું છે. જ્યારે 11  લાઈનોનું 34.90 કિ.મી. કામ રૂપિયા 440 કરોડના ખર્ચે ચાલુ છે. જેમાં અસારવા, શિવરંજની, અંધજન મંડળ, હેલ્મેટ ચાર રસ્તા, ખોખરા, નિકોલ, દાણીલીમડા અને મકરબા જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે.આગામી સમયમાં મ્યુનિ. દ્વારા વધુ 16 મોટી ટ્રંક લાઈનોના 75.43  કિ.મી. નેટવર્ક માટે રૂપિયા 1800 થી 1850 કરોડના આયોજન સાથે કામગીરી હાથ ધરાશે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>કેટલીક લાઇનના જોઇન્ટ લગાવવામાં આવ્યા</b></h3><p style="text-align: justify; ">અમદાવાદમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા અને ડ્રેનેજ તથા સ્ટ્રોમ વોટર લાઇનની કામગીરીમાં વિલંબ અંગે મનપાના વોટર સપ્લાય કમિટીના ચેરમેન ધરમશી દેસાઈએ સ્પષ્ટતા કરી હતી કે હાલમાં ડ્રેનેજ રિહેબના કામો ચાલી રહ્યા હોવાથી કેટલીક લાઇનના જોઇન્ટ લગાવવામાં આવ્યા હતા, જેના કારણે પાણી ભરાયા હતા, પરંતુ જોઇન્ટ ખોલતા જ પાણીનો ત્વરિત નિકાલ થઈ ગયો હતો. મનપાએ દાવો કર્યો છે કે સ્ટ્રોમ વોટર અને ડ્રેનેજ લાઇનના તમામ કામો નિર્ધારિત સમયમર્યાદામાં ચાલી રહ્યા છે અને જો વિસંગતતા ઊભી થઈ છે તો તે માહિતી અધૂરી કે જૂની હોઈ શકે છે, જેના માટે તમામ ટેન્ડરના સમયપત્રક પણ આપવા તૈયાર છે. આગામી સમયમાં 16 નવી ટ્રંક લાઇનના કામો શરૂ થશે અને તેની ટેન્ડર સહિતની પ્રક્રિયા હાથ ધરાશે.આ ઉપરાંત, નવી ટર્મ આવ્યા બાદ ખાસ સૂચના આપવામાં આવી છે કે રોડની કોઈપણ કામગીરી શરૂ કરતા પહેલા વોટર કમિટી સાથે સંકલન કરવું આવશ્યક છે, જેથી તમામ લાઇનના કામો સંપૂર્ણપણે પૂરા થયા પછી જ રોડની કામગીરી હાથ ધરવામાં આવે.</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/news/crime/gir-somnath/alleged-discrepancies-between-lcb-raid-and-fir-details-in-balaji-nagar" target="_blank">આ પણ વાંચોઃ Gir Somnath News : LCBએ બાલાજી નગરમાં કરેલી રેડ અને FIRની વિગતોમાં તફાવત હોવાનો આક્ષેપ</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/gCQc4a0JULHTbxkRZMXoyjVqvT5zojnSEsA4mhon.webp'/></item><item><title><![CDATA[પાકિસ્તાનની ટીમ ભારત આવશે! એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં જામશે ભારત-પાક જંગ ]]></title><link>https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</guid><pubDate>Mon, 14 Sep 2026 15:47:21 +05:30</pubDate><description><![CDATA[<p>આવતા મહિને પાકિસ્તાનની હોકી ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે. 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન પંજાબમાં યોજાનારી AHF મેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026માં પાકિસ્તાન સહિત કુલ છ ટીમો ભાગ લેશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પાકિસ્તાનની ભાગીદારી અંગેની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, મલ્ટી-નેશનલ ઇવેન્ટ્સ અંગે કેન્દ્ર સરકારની નીતિ હેઠળ બંને દેશોની ટીમો આમને-સામને રમશે.</p><h2><b>ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જાલંધરમાં રમાશે</b></h2><p>એશિયન મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન થશે. આ ટૂર્નામેન્ટમાં યજમાન ભારત અને પાકિસ્તાન ઉપરાંત ચીન, જાપાન, મલેશિયા અને કોરિયાની પણ ભાગ લેશે. લીગ સ્ટેજના મુકાબલા જાલંધરમાં યોજાશે, જ્યારે સેમિફાઇનલ અને ફાઇનલ મેચ મોહાલીના હોકી સ્ટેડિયમમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 1 નવેમ્બરે જાલંધરમાં રમાશે. કોઈ ટીમ છેલ્લી ઘડીએ ખસી જાય તો તે સ્થિતિ માટે ઓમાન અને બાંગ્લાદેશને રિઝર્વ ટીમન તરીકે રાખવામી આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PTI_News/status/2099416960278868155"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમવામાં કોઈ મુશ્કેલી નથી</b></h2><p>પાકિસ્તાનની ભાગીદારી અને જરૂરી મંજૂરીઓ અંગે પંજાબના મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં બંને દેશો વચ્ચે રમવામાં કોઈ મુશ્કેલી નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝનું આયોજન અલગ બાબત છે, કારણ કે કેન્દ્ર સરકારની વર્તમાન નીતિ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય રમત-ગમતના આયોજનની મંજૂરી આપતી નથી. પરંતુ મલ્ટી-નેશનલ ટૂર્નામેન્ટમાં બંને દેશોના ખેલાડીઓને એકબીજા સામે રમવાની પરવાનગી છે, જેથી પાકિસ્તાની ટીમ ભારત આવી શકશે.</p><h2><b>ભારત વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે</b></h2><p>ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. ભારતે 2023માં ચેન્નાઈ અને 2024માં ચીનના હુલુનબુઈરમાં યોજાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ગત વર્ષે આ સ્પર્ધા યોજાઈ શકી નહોતી. હવે પંજાબ પ્રથમ વખત આ ટૂર્નામેન્ટની મેજબાની કરવા જઈ રહ્યું છે.</p><h2><b>અગાઉ પાકિસ્તાની ટીમે ના કહી હતી&nbsp;</b></h2><p>પાકિસ્તાનની આ વખતની ભાગીદારી એટલા માટે પણ ખાસ છે, કારણ કે ગત વર્ષે તેણે તમિલનાડુમાં આયોજિત જૂનિયર હોકી વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તે સમયે બંને દેશો વચ્ચેના તણાવને તેનું કારણ ગણાવવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે અને પાકિસ્તાની ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે પૂરી રીતે તૈયાર છે.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/V6jwdiIr9RTCvR6EyBaGsP2qfZvYLq2JfkL7pytm.webp'/></item></channel></rss>