<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[PM મોદીની સેમિકન્ડક્ટર કંપનીઓના CEO સાથે બેઠક, ચિપ સેક્ટર પર ચર્ચા ]]></title><link>https://sandesh.com/business/news/pm-modi-semiconductor-ceos-roundtable-meeting-india-chip-sector-growth</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/pm-modi-semiconductor-ceos-roundtable-meeting-india-chip-sector-growth</guid><pubDate>Wed, 16 Sep 2026 21:09:37 +05:30</pubDate><description><![CDATA[<p>PM નરેન્દ્ર મોદીએ દિગ્ગજ સેમિકન્ડક્ટર કંપનીઓના CEO સાથે રાઉન્ડટેબલ બેઠક કરી હતી. આ બેઠકમાં **ભારતના સેમિકન્ડક્ટર ક્ષેત્રના આગામી વિકાસ** અંગે ચર્ચા કરવામાં આવી હતી. PM મોદીએ કંપનીઓના CEOને ભારતના સેમિકન્ડક્ટર ક્ષેત્રના વિકાસમાં સક્રિય રીતે જોડાવા કહ્યું હતું.</p><p><b>નવી ટેક્નોલોજીમાં આગળ વધવાનું લક્ષ્ય</b></p><p>વડાપ્રધાને કહ્યું કે ભારતે નવી અને ઉભરતી ટેક્નોલોજીમાં શરૂઆતથી જ અગ્રણી દેશોમાં સામેલ થવાનું લક્ષ્ય રાખવું જોઈએ. PM મોદીએ ફરી કહ્યું કે સરકાર સ્થિર, વિશ્વસનીય અને ઉદ્યોગ માટે જવાબદાર નીતિ વાતાવરણ આપવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે ઉદ્યોગ જગત પાસેથી નીતિઓ અને વહીવટી વ્યવસ્થામાં સુધારા માટે સૂચનો પણ માંગ્યા હતા.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/narendramodi/status/2100232138880946249"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b>સેમિકન્ડક્ટર વેલ્યૂ ચેન મજબૂત કરવા પર ભાર</b></p><p>CEOએ ભારતના સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે સરકારના પ્રયાસો અને PM મોદીના નેતૃત્વની પ્રશંસા કરી હતી. કંપનીઓના વડાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત સેમિકન્ડક્ટરની સંપૂર્ણ વેલ્યૂ ચેનમાં પોતાની ક્ષમતા વિકસાવી શકે છે. સરકારનું ધ્યાન માત્ર ચિપ બનાવવાના કામ સુધી મર્યાદિત નથી, પરંતુ ડિઝાઇનથી લઈને મેન્યુફેક્ચરિંગ અને સમગ્ર સેમિકન્ડક્ટર વેલ્યૂ ચેનને ભારતમાં મજબૂત બનાવવા પર છે.</p><p><b>આ કંપનીઓ બેઠકમાં સામેલ થઈ</b></p><p>આ બેઠકમાં સેમી (SEMI), માઇક્રોન (Micron), ઇન્ફિનિયન (Infineon), એપ્લાઇડ મટિરિયલ્સ (Applied Materials), ASML, મર્ક (Merck), ટોક્યો ઇલેક્ટ્રોન (Tokyo Electron), ફુજી ફિલ્મ (Fujifilm), AMD, ઇન્ટેલ (Intel), ટાટા ઇલેક્ટ્રોનિક્સ (Tata Electronics), લેમ રિસર્ચ (Lam Research), રેપિડસ (Rapidus), NXP, ફોક્સકોન (Foxconn), સેમિકન્ડક્ટર ડિવાઇસિસ (Semiconductor Devices), એડવાન્ટેસ્ટ (Advantest), સેલેસ્ટા કેપિટલ (Celesta Capital), CG પાવર (CG Power) અને IBM રિસર્ચ (IBM Research) સહિત અનેક કંપનીઓના CEO, વરિષ્ઠ અધિકારીઓ અને પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.</p><p><b><a href="https://sandesh.com/india/news/semicon-india-2026-pm-modi-will-inaugurate-more-than-600-companies-will-participate" target="_blank">આ પણ વાંચો: SEMICON India 2026: PM મોદી કરશે ઉદ્ઘાટન, 600થી વધુ કંપનીઓ લેશે ભાગ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/EFmQ6z6hgSK9hNuG6XxbrHP4XTZPyfXm8PtPO2Nh.webp'/></item><item><title><![CDATA[Bhavnagar : મા-દીકરી પાસેથી રૂ.5 લાખની ખંડણીની માંગનો આક્ષેપ, પૈસા નહીં આપો તો જાનથી મારી નાખવાની અને બદનામ કરવાની ધમકી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/bhavnagar/bhavnagar-mother-daughter-extortion-threat-police-complaint</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/bhavnagar/bhavnagar-mother-daughter-extortion-threat-police-complaint</guid><pubDate>Wed, 16 Sep 2026 20:50:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભાવનગરમાં મા-દીકરીને છેલ્લા એક વર્ષથી સતત હેરાનગતિ અને માનસિક ત્રાસ આપવાની ગંભીર ફરિયાદ સામે આવી છે. મહિલાના જણાવ્યા મુજબ કેટલાક શખ્સોએ તેની પાસેથી રૂ.5 લાખની ખંડણી માંગી હતી. પૈસા નહીં આપે તો તેને અને તેની 16 વર્ષની દીકરીને જાનથી મારી નાખવાની તેમજ સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ છે.</p><h2 style="text-align: justify; "><b>ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી</b></h2><p style="text-align: justify; ">મહિલાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરીને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેની સગીર દીકરીને પણ સોશિયલ મીડિયા પર બદનામ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે મહિલાએ કેટલાક શખ્સોના નામ પણ પોલીસ સમક્ષ રજૂ કર્યા હોવાનું જણાવ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>મોડી રાત્રે પથ્થરમારો કર્યાનો આક્ષેપ</b></h3><p style="text-align: justify; ">મહિલાના જણાવ્યા મુજબ મોડી રાત્રે તેના ઘર પર પથ્થરો અને ઈંટો ફેંકીને પરિવારને ધમકાવવામાં આવ્યો હતો. સતત મળતી ધમકીઓના કારણે મા-દીકરીના જીવને જોખમ હોવાનો દાવો મહિલાએ કર્યો છે. ઘટનાને લગતા કેટલાક વીડિયો પણ સામે આવ્યા હોવાનું જણાવાયું છે.</p><h4 style="text-align: justify; "><b>પોલીસ કાર્યવાહી સામે સવાલ</b></h4><p style="text-align: justify; ">મહિલાનો આક્ષેપ છે કે તેણે ઘોઘા રોડ પોલીસ સ્ટેશન સહિત પોલીસ અધિક્ષકની કચેરીમાં અનેક અરજીઓ કરી હોવા છતાં હજુ સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. મહિલાએ તાત્કાલિક ફરિયાદની તપાસ કરી આરોપીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ જ ખંડણીની માંગ, ધમકી, સોશિયલ મીડિયા પર બદનામી અને પથ્થરમારાની ફરિયાદમાં કેટલું સત્ય છે તે સ્પષ્ટ થશે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; &nbsp; <a href="https://sandesh.com/explainer/news/india/ahmedabad/sandesh-digital-explainer-epf-salary-limit-increased-25000-take-home-salary-calculation" target="_blank"><b>Sandesh Digital Explainer : EPFમાં મોટો ફેરફાર, તમારી ટેક-હોમ સેલરીનું શું થશે? સમજો, નવું ગણિત</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/Ws5KNiMNhgNlIJypSK2mYPpqDE5Gkwvu7j8qR2ig.webp'/></item><item><title><![CDATA[PM Modi Birthday: શત્રુઘ્ન સિંહાએ PM મોદીને એડવાન્સ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી, શેર કરી જૂની તસવીરો ]]></title><link>https://sandesh.com/india/news/political-news/pm-modi-birthday-shatrughan-sinha-wishes-pm-modi-an-advance-birthday-shares-old-pictures</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/political-news/pm-modi-birthday-shatrughan-sinha-wishes-pm-modi-an-advance-birthday-shares-old-pictures</guid><pubDate>Wed, 16 Sep 2026 20:50:03 +05:30</pubDate><description><![CDATA[<p>PM Modi Birthday:&nbsp; અભિનેતા અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ શત્રુઘ્ન સિંહા ફરી એકવાર પોતાની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ચર્ચામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના એક દિવસ પહેલાં શત્રુઘ્ન સિંહાએ સોશિયલ મીડિયા પર પીએમ મોદી સાથેની કેટલીક જૂની તસવીરો શેર કરી હતી. આ તસવીરો સાથે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.</p><p><b>પીએમ મોદી સાથેની તસવીરો શેર કરી</b></p><p>શત્રુઘ્ન સિંહાએ શેર કરેલી એક તસવીરમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગળે લગાવતા જોવા મળે છે. જ્યારે બીજી તસવીરમાં બંને એકબીજા સાથે હાથ મિલાવતા નજરે પડે છે. આ તસવીરો સાથે શત્રુઘ્ન સિંહાએ ખાસ સંદેશ પણ લખ્યો હતો.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ShatruganSinha/status/2100114403408630156"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b>શત્રુઘ્ન સિંહાએ શું લખ્યું?</b></p><p>શત્રુઘ્ન સિંહાએ પોતાની પોસ્ટમાં લખ્યું, 'કાલે શુભેચ્છાઓની ભીડમાં ખોવાઈ જાઓ તે પહેલાં તમને એડવાન્સમાં જન્મદિવસની શુભેચ્છા. તમને આ અંદાજ કેવો લાગ્યો? અમારા મિત્ર, સમાજના મિત્ર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમને સારી તંદુરસ્તી, પ્રેમ, ખુશી, શાંતિ અને આગળનું સ્વસ્થ જીવન મળે. ભગવાન તમારું ભલું કરે.'</p><p><br></p><ul><li>શત્રુઘ્ન સિંહા રાજકારણમાં પ્રવેશ કરતા પહેલાં તેઓ હિન્દી સિનેમાના જાણીતા કલાકારોમાં સામેલ હતા. તેમણે પુણે સ્થિત ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટમાંથી અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવી હતી.</li><li>શત્રુઘ્ન સિંહાને 'સાજન', 'પ્રેમ પૂજારી' અને 'મેરે અપને' જેવી ફિલ્મોમાં કામ કર્યા બાદ ઓળખ મળવા લાગી હતી. વર્ષ 1976માં આવેલી 'કાલીચરણ' તેમના ફિલ્મી કરિયરની મહત્વની ફિલ્મોમાં ગણાય છે. ત્યારબાદ તેમણે 'વિશ્વનાથ', 'દોસ્તાના', 'કાલા પથ્થર', 'નસીબ' સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું.</li><li>ફિલ્મોમાં સફળતા મેળવ્યા બાદ શત્રુઘ્ન સિંહાએ રાજકારણનો રસ્તો પસંદ કર્યો. તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે પોતાની રાજકીય સફરની શરૂઆત કરી હતી.</li><li>વર્ષ 1992માં તેમણે નવી દિલ્હી લોકસભા બેઠકની પેટાચૂંટણીથી ચૂંટણી રાજકારણમાં પગ મૂક્યો હતો. આ ચૂંટણીમાં તેમનો મુકાબલો અભિનેતા રાજેશ ખન્ના સાથે થયો હતો.</li><li>વર્ષ 1996 અને 2002માં શત્રુઘ્ન સિંહા રાજ્યસભા માટે ચૂંટાયા હતા. તેઓ અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારમાં કેન્દ્રીય મંત્રી પણ રહ્યા હતા.</li><li>આ પછી શત્રુઘ્ન સિંહાએ પટના સાહિબ લોકસભા બેઠક પરથી વર્ષ 2009 અને 2014માં લોકસભા ચૂંટણી જીતી હતી. જોકે, વર્ષ 2019માં તેમણે કોંગ્રેસનો હાથ પકડ્યો હતો અને પટના સાહિબથી ચૂંટણી લડી હતી, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.</li><li>વર્ષ 2022માં શત્રુઘ્ન સિંહા તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં જોડાયા હતા. ત્યારબાદ પશ્ચિમ બંગાળની આસનસોલ લોકસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં તેમણે જીત મેળવી હતી અને ફરી એકવાર સંસદમાં વાપસી કરી હતી.</li><li>વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં પણ શત્રુઘ્ન સિંહા તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે આસનસોલ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. હાલમાં તેઓ આસનસોલથી લોકસભાના સાંસદ છે.</li></ul><p><b><a href="https://sandesh.com/india/news/political-news/amit-shah-press-conference-seva-sankalp-abhiyan-to-be-launched-across-the-country-from-pm-modis-birthday" target="_blank">આ પણ વાંચો: PM મોદીના જન્મદિવસથી દેશભરમાં શરૂ કરાશે 'સેવા સંકલ્પ અભિયાન'</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/EBNL4aUbwToOtNBhaVRMo9M7pYMZHR5fuzAGl8ab.webp'/></item><item><title><![CDATA[China Pakistan Border: 'પાક-ચીન વચ્ચે કોઈ સરહદ જ નથી!', વિદેશ મંત્રાલયે સંયુક્ત બોર્ડર કમિશનને સખત શબ્દોમાં ફગાવ્યું ]]></title><link>https://sandesh.com/india/news/china-pakistan-border-there-is-no-border-between-pakistan-and-china-ministry-of-external-affairs-strongly-rejects-joint-border-commission</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/china-pakistan-border-there-is-no-border-between-pakistan-and-china-ministry-of-external-affairs-strongly-rejects-joint-border-commission</guid><pubDate>Wed, 16 Sep 2026 20:46:41 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટ કર્યું છે કે, આ સંયુક્ત પંચ પાસે કોઈ કાનૂની અધિકાર નથી અને ભારત તેને સખત શબ્દોમાં ફગાવે છે.</p><h2 style="text-align: justify; ">પાકિસ્તાન અને ચીન વચ્ચે કોઈ સરહદ જ નથીઃ MEA</h2><p style="text-align: justify; ">વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ભારતનું વલણ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, પાકિસ્તાન અને ચીન વચ્ચે કોઈ ભૌગોલિક કે કાનૂની સરહદ નથી, કારણ કે આ સમગ્ર વિસ્તાર ભારતનો સાર્વભૌમ ભાગ છે. જમ્મુ-કાશ્મીર અને લડાખ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ હતા, છે અને હંમેશા રહેશે. અગાઉ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ઇસ્લામાબાદમાં યોજાયેલી બેઠક બાદ ચીન-પાકિસ્તાન સરહદ પંચને સક્રિય કરવાની જાહેરાત કરી હતી, જેનો હેતુ સીમા વ્યવસ્થાપન, સંયુક્ત સર્વે અને વેપાર વધારવાનો દર્શાવાયો હતો.&nbsp;</p><p style="text-align: justify; ">1. ભારતે 1963માં થયેલા તથાકથીત 'ચીન-પાક સરહદ કરાર'ને ક્યારેય માન્યતા આપી નથી.</p><p style="text-align: justify; ">2. આ કરાર સંપૂર્ણપણે ગેરકાયદેસર, અમાન્ય અને રદબાતલ છે.</p><p style="text-align: justify; ">3. પાકિસ્તાને ભારતના જે વિસ્તારો પર જબરદસ્તીથી અને ગેરકાયદેસર રીતે કબ્જો કરી રાખ્યો છે, તેને તાત્કાલિક અસરથી ખાલી કરવો જોઈએ.</p><p style="text-align: justify; ">4. ભારતના આ આકરા પ્રત્યાઘાતથી સ્પષ્ટ થાય છે કે પાક-અધિકૃત કાશ્મીર (PoK) માં ચીન અને પાકિસ્તાનની કોઈ પણ રાજદ્વારી કે આર્થિક ગતિવિધિઓને ભારત સહન કરશે નહીં.&nbsp; &nbsp;</p><h3 style="text-align: justify; ">વિદેશ મંત્રાલયે કડક શબ્દોમાં કરી નિંદા&nbsp;</h3><p style="text-align: justify; ">પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે અગાઉ પાકિસ્તાન-ચીન બોર્ડર સંયુક્ત કમિશનના સંચાલન વિશે પોસ્ટ કરી હતી. પાકિસ્તાને જણાવ્યું હતું કે બંને દેશોએ સરહદ વ્યવસ્થાપન, સંયુક્ત સર્વેક્ષણ અને વેપારને પ્રોત્સાહન આપવાના નામે ઇસ્લામાબાદમાં યોજાયેલી બેઠક સાથે આ સરહદ કમિશનને સક્રિય કર્યું હતું. MEA પ્રવક્તા રણધીર જયસ્વાલે આને નકારી કાઢ્યું, અને કહ્યું કે ભારતે ક્યારેય 1963ના ચીન-પાકિસ્તાન સરહદ કરારને માન્યતા આપી નથી, જે ગેરકાયદેસર અને અમાન્ય હતો. તેમણે કહ્યું કે પાકિસ્તાને ભારતના તે વિસ્તારોને તાત્કાલિક ખાલી કરવા જોઈએ જેના પર તેણે ગેરકાયદેસર અને બળજબરીથી કબજો કર્યો છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/knowledge/news/world/space-weapons-how-are-weapons-deployed-in-space-will-space-weapons-be-operated-remotely" target="_blank">અંતરિક્ષમાં કેવી રીતે તૈનાત થાય છે હથિયાર, શું રિમોટથી ઓપરેટ થશે સ્પેસ વેપન?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/TaVWlIIeikoIDMyPVyzWp2QmlR8tmDXATa6SToey.webp'/></item><item><title><![CDATA[Rajkot News: બોગસ દસ્તાવેજ કેસમાં છેલ્લા 11 વર્ષથી ફરાર નિમેશ શાહ મુંબઈથી ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/rajkot/crime-branch-arrests-nimesh-shah-in-bogus-document-case</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/rajkot/crime-branch-arrests-nimesh-shah-in-bogus-document-case</guid><pubDate>Wed, 16 Sep 2026 20:16:42 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ શહેર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બનાવવા માટે લાંબા સમયથી ફરાર હોય તેવા વોન્ટેડ આરોપીઓ સામે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ જ ક્રમમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે. બનાવટી દસ્તાવેજો તૈયાર કરવાના અને આચરવાના એક ગંભીર ગુનામાં છેલ્લા 11 વર્ષથી લાંબા સમયથી કાયદાની પકડથી દૂર ભાગતા ફરાર આરોપીને પોલીસે મુંબઈથી દબોચી લીધો છે.</p><h2><b>મુંબઈ સેન્ટ્રલ ખાતેથી ઝડપાયો નિમેશ શાહ</b></h2><p>પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ પ્રકરણમાં મુખ્ય આરોપી નિમેશ શાહ લાંબા સમયથી પોતાનું સરનામું બદલીને અલગ-અલગ જગ્યાએ છુપાઈને રહેતો હતો. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમને આ આરોપી વિશે ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી મુંબઈ સેન્ટ્રલ વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસે બાતમીના આધારે રેડ કરીને ફરાર આરોપી નિમેશ શાહની આખરે ધરપકડ કરી લીધી છે.</p><p><img alt="Rajkot News: Crime Branch Arrests Accused Nimesh Shah After 11 Years in bogus Document Case" src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/hIjVcoUfmKvTIbexOyuVGocOnvIdKwhrffACSpxK.webp"><br></p><h2><b>આગળની સઘન તપાસ શરૂ</b></h2><p>વર્ષો જૂના આ બનાવટી દસ્તાવેજ કૌભાંડમાં આ આરોપી સિવાય અન્ય કયા-કયા લોકો સંડોવાયેલા છે અને તેણે આ 11 વર્ષ દરમિયાન ક્યાં-ક્યાં આશરો લીધો હતો તે અંગે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઊંડાણપૂર્વકની પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસની આ સરાહનીય કામગીરીથી વોન્ટેડ આરોપીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/news/rajkot/odisha-laborer-dukhishyam-murdered-over-molestation-three-arrested" target="_blank">Rajkot: યુવતીની છેડતીની અદાવતમાં પરપ્રાંતીયો વચ્ચે ખેલાયો ખૂની ખેલ; ઓડિશાના યુવક દુખીશ્યામની હત્યા</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/4z0diUNyt3WHXSPd02gqIV2Nh8bRZdM5ZJ5f0GVI.webp'/></item><item><title><![CDATA[Tarnetar Fair 2026: ફૂડ વિભાગનું ચેકિંગ, 150 સ્ટોલ પર તપાસ, 120 કિલો વાસી ખોરાક નાશ કરાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/surendranagar/tarnetar-fair-2026-food-and-drugs-department-raid</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surendranagar/tarnetar-fair-2026-food-and-drugs-department-raid</guid><pubDate>Wed, 16 Sep 2026 20:10:03 +05:30</pubDate><description><![CDATA[<p>સુરેન્દ્રનગર જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ તરણેતરના મેળામાં લાખો શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓ ઉમટી પડતા હોય છે. મેળા દરમિયાન લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય તે માટે તંત્ર સંપૂર્ણપણે સતર્ક બન્યું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મેળાના પરિસરમાં આવેલા ખાણીપીણીના સ્ટોલ્સ પર અચાનક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેના કારણે અનિયમિતતા આચરતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો.</p><h2><b>150થી વધુ સ્ટોલ્સનું થયું ઝીણવટભર્યું ચેકિંગ</b></h2><p>ફૂડ વિભાગની ટીમે મેળામાં ધમધમતા પાણીપુરી, પાઉંભાજી, બરફના ગોલા, ઢોકળા અને ફાસ્ટ ફૂડ સહિતની વિવિધ ખાણી-પીણીની ચીજવસ્તુઓનું વેચાણ કરતા અંદાજે 150 જેટલા સ્ટોલ્સમાં રૂબરૂ જઈને તપાસ કરી હતી. આ દરમિયાન અનેક સ્ટોલ્સ પર સ્વચ્છતાના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા અને અખાદ્ય સામગ્રીનો ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું હતું.</p><p><img alt="Tarnetar Fair 2026: Food Department Raids 150 Stalls, Destroys 120 kg of Unhygienic Food" src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/7y1UeNhLlfvtjgDZwdjKMPqJCLvxupyBL2JJ1h78.webp"><br></p><h2><b>120 કિલો વાસી અને હાનિકારક ખોરાકનો નાશ</b></h2><p>તપાસ દરમિયાન સ્ટોલ્સમાંથી નુકસાનકારક અને વાસી ખાદ્ય સામગ્રી મળી આવી હતી. પોલીસે અને ફૂડ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરીને લસણ-મરચાની ચટણી, બફાયેલા બટેકા, વાસી પાઉં તથા અન્ય બગડેલી ચીજવસ્તુઓ સહિત કુલ 120 કિલો જેટલા વાસી અને અખાદ્ય ખોરાકનો સ્થળ પર જ નાશ કર્યો હતો.</p><p><img alt="Tarnetar Fair 2026: Food Department Raids 150 Stalls, Destroys 120 kg of Unhygienic Food" src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/t2IXXw12Q0rdVGzgslBHwP9Kabw8mT6LX97BTFev.webp"><br></p><h2><b>ગંદકી ફેલાવનારા સંચાલકો સામે લાલ આંખ</b></h2><p>મેળાના પવિત્ર અને ઉત્સવના માહોલ વચ્ચે ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરી ગંદકી ફેલાવનાર સ્ટોલ ધારકો સામે ફૂડ વિભાગ દ્વારા કડક કાર્યવાહીના ભાગરૂપે દંડ અને નોટિસ આપવામાં આવી છે. તંત્રની આ લાભદાયક અને આક્રમક કાર્યવાહીથી આરોગ્ય પ્રત્યે બેદરકાર રહેતા વેપારીઓમાં મોટો ડર જોવા મળી રહ્યો છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/thangadh/tarnetar-mela-ride-collapse-than-gadh-surendranagar-permission-questioned" target="_blank">Thangadh: તરણેતરના મેળામાં 'મોતનો કૂવો' તૂટી પડતા ભાગદોડ, વઢવાણની ઘટના બાદ રાઇડ તૂટવાનો બીજો કિસ્સો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/vKQtTDwnNIRgovRYNkHclRw8LVhq1f1hNcqYwbnL.webp'/></item><item><title><![CDATA[Banaskantha News: થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર, નોંધી લો મહત્વની તારીખો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/thara-nagarpalika-election-announced-local-body-poll-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/thara-nagarpalika-election-announced-local-body-poll-2026</guid><pubDate>Wed, 16 Sep 2026 19:49:34 +05:30</pubDate><description><![CDATA[<p>બનાસકાંઠા જિલ્લાના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાની મહત્વની ગણાતી થરા નગરપાલિકાની ચૂંટણી સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે. ચૂંટણીના એલાન સાથે જ થરા પંથકમાં રાજકીય માહોલ એકદમ ગરમાઈ ગયો છે અને તમામ રાજકીય પક્ષો દ્વારા અત્યારથી જ રણનીતિઓ તૈયાર કરવામાં આવી રહી છે.</p><h2><b>6 વોર્ડ અને 24 બેઠકો માટે થશે ખરાખરીનો જંગ</b></h2><p>પ્રાપ્ત વિગતો મુજબ, થરા નગરપાલિકાના કુલ 6 વોર્ડની 24 બેઠકો માટે આગામી સમયમાં ચૂંટણી યોજાશે. અગાઉની ટર્મની વાત કરીએ તો, આ 24 બેઠકોમાંથી 20 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી (BJP) અને 4 બેઠકો પર કોંગ્રેસનો દબદબો રહ્યો હતો. આ વખતે રાજકીય સમીકરણો કેવા રહેશે તે તો ચૂંટણીના પરિણામો જ નક્કી કરશે.</p><h2><b>મતદાન અને મતગણતરીની તારીખો જાહેર</b></h2><p>તંત્ર દ્વારા ચૂંટણીના કાર્યક્રમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. જાહેર થયેલ શેડ્યૂલ મુજબ, આગામી 11 ઓક્ટોબર ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરાશે અને ત્યારબાદ 13 ઓક્ટોબર ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજકીય નેતાઓ અને સંભવિત ઉમેદવારોએ લોકસંપર્ક વધારી દીધો છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-congress-rift-amit-chavda-cancels-gulabsinh-rajput-banaskantha-list" target="_blank">Ahmedabad: સુરજેવાલાના આગમન સાથે જ ગુજરાત કોંગ્રેસમાં ડખો! અમિત ચાવડા સામે શિંગડા ભિડાવનારા ગુલાબસિંહ રાજપૂત કોણ છે?</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/kQ4pRoqiDvC8ka2JIdYwWMf9exsxWmjOdkNJmRxy.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: સુરજેવાલાના આગમન સાથે જ ગુજરાત કોંગ્રેસમાં ડખો! અમિત ચાવડા સામે શિંગડા ભિડાવનારા ગુલાબસિંહ રાજપૂત કોણ છે? ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-congress-rift-amit-chavda-cancels-gulabsinh-rajput-banaskantha-list</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-congress-rift-amit-chavda-cancels-gulabsinh-rajput-banaskantha-list</guid><pubDate>Wed, 16 Sep 2026 19:47:37 +05:30</pubDate><description><![CDATA[<p>2027 ની વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા અને પક્ષમાં આક્રમક વ્યૂહરચના ઘડવા માટે રાહુલ ગાંધીએ ફાયરબ્રાન્ડ નેતા અને મહાસચિવ રણદીપ સુરજેવાલાને ગુજરાતના મોરચે તૈનાત કર્યા છે. જોકે, રણદીપ સુરજેવાલાની ગુજરાતની પ્રથમ મુલાકાત સાથે જ રાજ્ય નેતૃત્વ અને પક્ષના સૌથી મજબૂત ગણાતા બનાસકાંઠા જિલ્લા એકમ વચ્ચે આંતરિક જૂથબંધી સપાટી પર આવી ગઈ છે.</p><p></p><h2><b>અમિત ચાવડા વિરુદ્ધ ગુલાબ સિંહ રાજપૂત</b></h2>પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત વચ્ચેનો આંતરિક અસંતોષ હવે ખુલ્લી લડાઈમાં ફેરવાઈ ગયો છે. ગુલાબસિંહ રાજપૂતે જિલ્લા કોંગ્રેસ સમિતિ માટે ઉપપ્રમુખો, મહામંત્રીઓ, સચિવો અને કારોબારી સભ્યો સહિત 200થી વધુ હોદ્દેદારોની નવી સંગઠનાત્મક યાદી તૈયાર કરી હતી. આ યાદી રાજ્ય સમિતિની સત્તાવાર મંજૂરી વિના સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાતાં, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તાત્કાલિક અસરથી સમગ્ર માળખાને વિસર્જિત અને રદ કરી દીધું હતું. અમિત ચાવડાએ સ્પષ્ટતા કરી હતી કે પ્રદેશ નેતૃત્વ સાથે સલાહ-મશવરા વિના કરવામાં આવેલી કોઈપણ નિમણૂક માન્ય રહેશે નહીં.<p></p><p><b>સાંસદ ગેનીબેન ઠાકોર સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો&nbsp;</b></p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/GulabsinhRajput/status/2099538873558913439"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3><b>ગુલાબસિંહ રાજપૂતે પ્રદેશ નેતૃત્વ સામે અસંતોષ વ્યક્ત કર્યો&nbsp;</b></h3><p>અમિત ચાવડાના કડક સ્ટેન્ડ બાદ, ગુલાબસિંહ રાજપૂતે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરીને પ્રદેશ નેતૃત્વ સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પક્ષની ખરી લડાઈ અંદરોઅંદર લડવાને બદલે જનતાના મુદ્દાઓ પર શાસક ભાજપ સરકાર સામે હોવી જોઈએ. આ સાથે જ તેમણે પક્ષના કેટલાક નેતાઓ પર ભાજપ સાથે સાંઠગાંઠ કરીને સ્થાનિક સ્તરે મજબૂત પકડ ધરાવતાં સાંસદ ગેનીબેન ઠાકોરને રાજકીય રીતે નુકસાન પહોંચાડવાનું કાવતરું રચવાનો પણ ગંભીર આરોપ લગાવ્યો હતો. આ ખેંચતાણ વચ્ચે યુથ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રોહિત પારેગીએ પણ રાજીનામું આપી દેતાં અસંતોષ વધુ ઘેરો બન્યો છે.</p><h4><b>કોણ છે ગુલાબસિંહ રાજપૂત?</b></h4><p>ગુલાબસિંહ રાજપૂત બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે અને ઉત્તર ગુજરાત કોંગ્રેસના અગ્રણી યુવા ચહેરા ગણાય છે. તેઓ થરાદ બેઠક પરથી 2019ની પેટાચૂંટણી જીતીને વિધાનસભામાં પહોંચ્યા હતા. ભૂતકાળમાં તેઓ ગુજરાત યુવા કોંગ્રેસ અને NSUIના પ્રદેશ પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. 2024ની વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસે તેમને સત્તાવાર ઉમેદવાર બનાવ્યા હતા, જેમાં તેમનો પરાજય થયો હતો. બનાસકાંઠાના રાજકારણમાં સાંસદ ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂતની જોડીને કોંગ્રેસનો મુખ્ય આધારસ્તંભ માનવામાં આવે છે.</p><h5><b>નવા પ્રભારી આંતરિક સંગઠનાત્મક વિવાદને શમાવી દેશે?</b></h5><p>બનાસકાંઠા એ એ જ લોકસભા બેઠક છે જ્યાં 2024માં કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે જીત મેળવીને ભાજપની ક્લીન સ્વીપની સતત હેટ્રિક રોકી હતી. હવે જ્યારે 'મિશન 2027' માટે ઉત્તર ગુજરાત અત્યંત મહત્વનું છે, ત્યારે નવા પ્રભારી રણદીપ સુરજેવાલા આ આંતરિક સંગઠનાત્મક વિવાદને શમાવીને બનાસકાંઠામાં કોંગ્રેસની એકતા કેવી રીતે જાળવી રાખે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/rajkot/odisha-laborer-dukhishyam-murdered-over-molestation-three-arrested" target="_blank">આ પણ વાંચો: Rajkot: યુવતીની છેડતીની અદાવતમાં પરપ્રાંતીયો વચ્ચે ખેલાયો ખૂની ખેલ; ઓડિશાના યુવક દુખીશ્યામની હત્યા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/ypGj5n9laxYDIXclXxbohtFoo3HqbqKSGn69ejIN.webp'/></item><item><title><![CDATA[હું તેને ઓળખતો પણ નથી... દિશા સાલિયન કેસમાં આદિત્ય ઠાકરેનું પહેલું નિવેદન ]]></title><link>https://sandesh.com/india/news/entertainment/disha-salian-case-aaditya-thackeray-first-reaction-cbi-fir-bombay-high-court</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/entertainment/disha-salian-case-aaditya-thackeray-first-reaction-cbi-fir-bombay-high-court</guid><pubDate>Wed, 16 Sep 2026 18:50:13 +05:30</pubDate><description><![CDATA[<p>દિશા સાલિયન કેસે મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે. બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ CBI દ્વારા FIR નોંધવામાં આવી ત્યારથી આ મામલો સતત ચર્ચામાં રહ્યો છે. આ કેસના સંદર્ભમાં આદિત્ય ઠાકરેનું નામ વારંવાર સામે આવ્યું છે અને હવે તેમણે પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપતા સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેઓ દિશા સાલિયનને ઓળખતા નથી.</p><p><br></p><p>"હું દિશા સાલિયનને ક્યારેય મળ્યો નથી કે તેમની સાથે મારો કોઈ પરિચય પણ નહોતો. છેલ્લા છ વર્ષોથી, રાજકીય ઈરાદાઓ, અંગત અદાવત અને મારી છબી ખરડવાના (ચરિત્ર હત્યાના) પ્રયાસોને કારણે અમુક લોકો જાણીજોઈને આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના સાથે મારું નામ જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે આ બાબતે કોઈ પણ પુરાવા કે જોડાણ અસ્તિત્વમાં નથી. સત્ય કે હકીકત વિના ચલાવવામાં આવતું આ ખોટું અભિયાન દુર્ભાગ્યપૂર્ણ છે."</p><p><br></p><h4><b>"નવી તપાસ થવી જોઈએ"</b></h4><p>આદિત્ય ઠાકરેએ વધુમાં કહ્યું, "ટીવી ચેનલો પર થતી સનસનીખેજ ચર્ચાઓ અને મીડિયા ટ્રાયલ સત્યને બદલી શકતા નથી. સત્તાવાર એજન્સીઓને અવરોધ, રાજકીય દખલગીરી કે ચરિત્ર હત્યાના પ્રયાસોથી મુક્ત રહીને આ મામલાની નિષ્પક્ષ અને નવી તપાસ કરવાની છૂટ મળવી જોઈએ. હું ફરીથી કહેવા માંગુ છું કે જો કોઈને એમ લાગતું હોય કે તેઓ આવી ચરિત્ર હત્યા અને ખોટા પ્રચાર દ્વારા અમને ચૂપ કરાવી શકે છે, તો તેઓ ભૂલ કરે છે. દેશની જનતાની સાથે રહીને સત્ય માટે અને અન્યાય વિરુદ્ધનો અમારો સંઘર્ષ ચાલુ રહેશે."</p><p><br></p><h4>આ સમગ્ર મામલો શું છે?</h4><p>સુશાંત સિંહ રાજપૂતના ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયનનું 8 જૂન, 2020ના રોજ મુંબઈના મલાડ વિસ્તારમાં આવેલી એક ઈમારતના 14મા માળેથી પડી જવાથી મૃત્યુ થયું હતું. શરૂઆતમાં, મુંબઈ પોલીસે આ ઘટનાને આત્મહત્યા ગણીને 'આકસ્મિક મૃત્યુનો અહેવાલ' (Accidental Death Report) નોંધ્યો હતો. જોકે, બાદમાં બોમ્બે હાઈકોર્ટે CBIને FIR નોંધીને આ કેસની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારથી આ મામલો સતત ચર્ચાના કેન્દ્રમાં રહ્યો છે અને તેમાં ઉદ્ધવ તથા આદિત્ય ઠાકરે સહિતના અનેક દિગ્ગજ નેતાઓના નામ જોડવામાં આવ્યા છે.<br><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/business/upi-payments-charge-above-rs-2000-supreme-court-plea-mdr-framework" target="_blank"><b>UPI ચાર્જને લઈને ઘમાસાણ! સુપ્રીમ કોર્ટ પહોંચ્યો મામલો, 2000થી વધુના મર્ચન્ટ પેમેન્ટ્સ વિરુદ્ધ અરજી દાખલ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/tjX7ComUj3HJXnZAOA5SJoYoU7exP6T5ybdTJPBM.webp'/></item><item><title><![CDATA[પાકિસ્તાનની ટીમ ભારત આવશે! એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં જામશે ભારત-પાક જંગ ]]></title><link>https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</guid><pubDate>Mon, 14 Sep 2026 15:47:21 +05:30</pubDate><description><![CDATA[<p>આવતા મહિને પાકિસ્તાનની હોકી ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે. 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન પંજાબમાં યોજાનારી AHF મેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026માં પાકિસ્તાન સહિત કુલ છ ટીમો ભાગ લેશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પાકિસ્તાનની ભાગીદારી અંગેની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, મલ્ટી-નેશનલ ઇવેન્ટ્સ અંગે કેન્દ્ર સરકારની નીતિ હેઠળ બંને દેશોની ટીમો આમને-સામને રમશે.</p><h2><b>ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જાલંધરમાં રમાશે</b></h2><p>એશિયન મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન થશે. આ ટૂર્નામેન્ટમાં યજમાન ભારત અને પાકિસ્તાન ઉપરાંત ચીન, જાપાન, મલેશિયા અને કોરિયાની પણ ભાગ લેશે. લીગ સ્ટેજના મુકાબલા જાલંધરમાં યોજાશે, જ્યારે સેમિફાઇનલ અને ફાઇનલ મેચ મોહાલીના હોકી સ્ટેડિયમમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 1 નવેમ્બરે જાલંધરમાં રમાશે. કોઈ ટીમ છેલ્લી ઘડીએ ખસી જાય તો તે સ્થિતિ માટે ઓમાન અને બાંગ્લાદેશને રિઝર્વ ટીમન તરીકે રાખવામી આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PTI_News/status/2099416960278868155"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમવામાં કોઈ મુશ્કેલી નથી</b></h2><p>પાકિસ્તાનની ભાગીદારી અને જરૂરી મંજૂરીઓ અંગે પંજાબના મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં બંને દેશો વચ્ચે રમવામાં કોઈ મુશ્કેલી નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝનું આયોજન અલગ બાબત છે, કારણ કે કેન્દ્ર સરકારની વર્તમાન નીતિ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય રમત-ગમતના આયોજનની મંજૂરી આપતી નથી. પરંતુ મલ્ટી-નેશનલ ટૂર્નામેન્ટમાં બંને દેશોના ખેલાડીઓને એકબીજા સામે રમવાની પરવાનગી છે, જેથી પાકિસ્તાની ટીમ ભારત આવી શકશે.</p><h2><b>ભારત વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે</b></h2><p>ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. ભારતે 2023માં ચેન્નાઈ અને 2024માં ચીનના હુલુનબુઈરમાં યોજાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ગત વર્ષે આ સ્પર્ધા યોજાઈ શકી નહોતી. હવે પંજાબ પ્રથમ વખત આ ટૂર્નામેન્ટની મેજબાની કરવા જઈ રહ્યું છે.</p><h2><b>અગાઉ પાકિસ્તાની ટીમે ના કહી હતી&nbsp;</b></h2><p>પાકિસ્તાનની આ વખતની ભાગીદારી એટલા માટે પણ ખાસ છે, કારણ કે ગત વર્ષે તેણે તમિલનાડુમાં આયોજિત જૂનિયર હોકી વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તે સમયે બંને દેશો વચ્ચેના તણાવને તેનું કારણ ગણાવવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે અને પાકિસ્તાની ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે પૂરી રીતે તૈયાર છે.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/V6jwdiIr9RTCvR6EyBaGsP2qfZvYLq2JfkL7pytm.webp'/></item></channel></rss>