<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Asian Games 2026: જાપાનના આઇચી-નાગોયામાં ભવ્ય ઓપનિંગ સેરેમની, ભારતની ભવ્ય એન્ટ્રી ]]></title><link>https://sandesh.com/sports/news/asian-games-2026-opening-ceremony-india</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/asian-games-2026-opening-ceremony-india</guid><pubDate>Sat, 19 Sep 2026 15:25:14 +05:30</pubDate><description><![CDATA[<p>Asian Games 2026: જાપાનના આઇચી-નાગોયામાં આજે એશિયન ગેમ્સ-2026ની ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મિઝુહો પાર્ક એથ્લેટિક સ્ટેડિયમમાં યોજાઈ રહેલી ઓપનિંગ સેરેમની સાથે આ ગેમ્સની સત્તાવાર શરૂઆત થઈ રહી છે. જોકે, કેટલીક રમતોના મુકાબલા પહેલાથી જ શરૂ થઈ ચૂક્યા છે.</p><p><b>મનુ ભાકર અને પવન સેહરાવત ધ્વજવાહક</b></p><p>ઓપનિંગ સેરેમનીમાં બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા શૂટર મનુ ભાકર અને કબડ્ડી ખેલાડી પવન સેહરાવત ભારતની આગેવાની કરી રહ્યા છે. બંનેએ હાથમાં તિરંગો પકડીને ભારતનું નેતૃત્વ કર્યું છે. અગાઉ મનુ ભાકર સાથે તેજિંદરપાલ સિંહ તૂરને ધ્વજવાહક બનાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ સમયસર જાપાન પહોંચી ન શકતા પવન સેહરાવતને તેમની જગ્યાએ જવાબદારી સોંપવામાં આવી છે.  બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકર અને પવન સેહરાવતે તિરંગો હાથમાં રાખ્યો હતો. ભારતીય ખેલાડીઓ અને અધિકારીઓ પણ તેમની પાછળ જોવા મળ્યા.</p><p><b>ખેલાડીઓએ પહેર્યો ખાસ ડ્રેસ</b></p><p>ભારતીય દળના ખેલાડીઓએ ઓપનિંગ સેરેમની માટે ખાસ ડ્રેસ પહેર્યો છે. મહિલા ખેલાડીઓ સાડીમાં જોવા મળી રહી છે, જ્યારે પુરુષ ખેલાડીઓએ સૂટ પહેર્યો છે. ભારતીય દળનો આ લુક સેરેમનીમાં ખાસ જોવા મળ્યો હતો. જાપાનના રાષ્ટ્રગાન બાદ એશિયન ગેમ્સમાં ભાગ લેનારા દેશોની પરેડ શરૂ થઈ છે. અહીં અંગ્રેજી આલ્ફાબેટના ક્રમ પ્રમાણે દેશોના ખેલાડીઓની એન્ટ્રી થઈ રહી છે. સૌથી પહેલા અફઘાનિસ્તાનના ખેલાડીઓની ટીમ સ્ટેડિયમમાં પહોંચી હતી. ત્યારબાદ અન્ય દેશોના ખેલાડીઓની ટીમ પહોંચી હતી.</p><p><b>જાપાનના જાણીતા બૅન્ડનું પરફોર્મન્સ</b></p><p>વાયોલિન શો બાદ જાપાનના સાત સૈનિક પોતાના દેશનો રાષ્ટ્રધ્વજ લઈને સ્ટેડિયમની વચ્ચોવચ પહોંચ્યા હતા. જાપાન આ એશિયન ગેમ્સનું યજમાન છે. જાપાને અગાઉ 2021માં ટોક્યો ઓલિમ્પિક્સની પણ યજમાની કરી હતી. જાપાનના જાણીતા INI બૅન્ડે સેરેમનીની શરૂઆત કરી હતી. બૅન્ડની રજૂઆત સાથે આખું સ્ટેડિયમ રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. મ્યુઝિકલ પરફોર્મન્સથી ઓપનિંગ સેરેમનીનો માહોલ વધુ ઉત્સાહભર્યો બન્યો હતો. એશિયન ગેમ્સ-2026ની ઓપનિંગ સેરેમનીમાં અનેક રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન જાપાનની સંસ્કૃતિ અને પરંપરાની ઝલક પણ જોવા મળશે. સેરેમનીને ભવ્ય બનાવવા માટે ખાસ કાર્યક્રમો રજૂ કરવામાં આવી રહ્યા છે.</p><p><b>ભારતના 500થી વધુ ખેલાડીઓ લેશે ભાગ</b></p><p>એશિયન ગેમ્સ-2026માં ભારતના 500થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ભારતીય ખેલાડીઓ અનેક રમતોમાં મેડલની આશા સાથે મેદાનમાં ઉતરશે. ભારતની નજર શૂટિંગ, એથ્લેટિક્સ, કબડ્ડી, હોકી, કુસ્તી, બોક્સિંગ અને બેડમિન્ટન સહિતની રમતોમાં મેડલ જીતવા પર રહેશે.</p><p><b>ભારતના રમતગમત મંત્રી મનસુખ માંડવિયા જાપાન પહોંચ્યા</b></p><p>જાપાનમાં આજે એશિયન ગેમ્સ 2026નો સત્તાવાર પ્રારંભ થવા જઈ રહ્યો છે.આ દરમિયાન ભારતના રમતગમત મંત્રી મનસુખ માંડવિયા જાપાન પહોંચી ગયા છે.જાપાન પહોંચ્યા બાદ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ જાપાનના એક પરંપરાગત સમારોહમાં પણ ભાગ લીધો હતો.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/mansukhmandviya/status/2101160059195809972"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b>અગાઉની ગેમ્સ કરતાં વધુ સારા પ્રદર્શનનું લક્ષ્ય</b></p><p>ભારતીય ખેલાડીઓની કોશિશ ચીનમાં યોજાયેલી અગાઉની એશિયન ગેમ્સની સરખામણીમાં આ વખતે વધુ સારું પ્રદર્શન કરવાની રહેશે. ભારતે હાંગઝોઉ એશિયન ગેમ્સમાં 107 મેડલ જીત્યા હતા. હવે ભારતીય દળ આ પ્રદર્શનને વધુ આગળ લઈ જવા માટે મેદાનમાં ઉતરશે.</p><p><b><a href="https://sandesh.com/sports/news/neeraj-chopra-asian-games-2026-emotional-post-injury" target="_blank">આ પણ વાંચો: Asian Games શરૂ થતાં જ નિરજ ચોપરાનું દર્દ છલકાયું, કહી આ મોટી વાત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/aoFjRNWpwunbYMF8S75B67FcnNmarxitx6HWl2K1.webp'/></item><item><title><![CDATA[Motherhood : નાની-નાની વાતો પર રડવું આવે છે… પોસ્ટપાર્ટમ ડિપ્રેશન પર ખુલીને બોલી કરિશ્મા તન્ના ]]></title><link>https://sandesh.com/entertainment/news/karishma-tanna-postpartum-depression-motherhood</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/karishma-tanna-postpartum-depression-motherhood</guid><pubDate>Sat, 19 Sep 2026 15:24:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">એક્ટ્રેસ કરિશ્મા તન્ના અને તેના પતિ વરુણ બંગેરા આ વર્ષે જુલાઈમાં એક દીકરાના પેરેન્ટ્સ બન્યા છે. એક્ટ્રેસ અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના મધરહુડ અને પેરેન્ટહુડ સાથે જોડાયેલા ફોટા શેર કરતી રહે છે. હવે તેણે પોસ્ટપાર્ટમ ડિપ્રેશન વિશે ખુલીને વાત કરી છે. તેણે જણાવ્યું કે બાળકને જન્મ આપ્યા પછી તે ઈમોશનલી નબળાઈ અનુભવી રહી હતી અને તેને અચાનક રડવું આવી જતું હતું. કરિશ્માએ એ પણ જણાવ્યું કે ડિલિવરી પહેલા જ તેણે પોતાની જાતને આ સિચ્યુએશન માટે તૈયાર કરી લીધી હતી.</p><h2 style="text-align: justify; "><b>મધરહુડ સહેલું નથી- કરિશ્મા તન્ના</b></h2><p style="text-align: justify; ">કરિશ્માએ કહ્યું કે આ એક અદ્ભુત અનુભવ છે. જ્યારે મેં બાળકને જન્મ આપ્યો ત્યારે હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. આ સાવ અલગ જ અહેસાસ છે, જવાબદારી અને ઈમોશનલ જોડાણ. એવું લાગે છે જાણે તમે તમારા શરીરના જ કોઈ અંગને જન્મ આપ્યો હોય. મધરહુડ સહેલું નથી, પણ તે ખૂબ સુંદર છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DddhGg4kSWf/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DddhGg4kSWf/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DddhGg4kSWf/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DddhGg4kSWf/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h3 style="text-align: justify; "><b>માતા બન્યા પછી સમજાઈ સાચી તાકાત</b></h3><p style="text-align: justify; ">કરિશ્માએ કહ્યું કે માતા બન્યા પછી તેને મહિલાઓની સાચી તાકાતનો અંદાજ આવ્યો. તેના જણાવ્યા મુજબ બાળકની ડિલિવરી વખતે મહિલાઓ જે હિંમતથી મુશ્કેલ સમયનો સામનો કરે છે, તે ખરેખર પ્રશંસાને પાત્ર છે. આ સાથે જ તેણે બાળકની સંભાળમાં મદદ કરનાર પરિવાર અને પોતાના સપોર્ટ સિસ્ટમનો પણ આભાર માન્યો. એક્ટ્રેસે જણાવ્યું કે ઘણીવાર એવું બને છે કે તમે નાની-નાની વાતો પર રડવા લાગો છો. મેં આ બાબત માટે પોતાને પહેલેથી જ તૈયાર કરી લીધી હતી કે આ એક સામાન્ય સમસ્યા છે અને હું આમાંથી બહાર આવી શકીશ. આમ છતાં, આ બાબત તમારા પર અસર કરે છે અને તમે તેને કંટ્રોલ કરી શકતા નથી. તમારે આમાંથી પસાર થવું જ પડે છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DdY18SHF1QA/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DdY18SHF1QA/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>=='" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DdY18SHF1QA/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DdY18SHF1QA/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>=='</a><br></p><h4 style="text-align: justify; "><b>પોતાને દોષ ન આપો</b></h4><p style="text-align: justify; ">કરિશ્માએ નવી બનેલી માતાઓને સલાહ આપતા કહ્યું કે તેમણે પોતાને દોષિત ન માનવી જોઈએ અને દરેક વાતને લઈને ખરાબ ન લગાડવું જોઈએ. તેણે કહ્યું કે દરેક માતા પોતાના બાળક માટે પોતાની રીતે યોગ્ય નિર્ણય લેવાનો પ્રયાસ કરે છે.</p><h5 style="text-align: justify; "><b>ટાંકા અને હોર્મોનલ ફેરફારો વચ્ચે માતૃત્વ</b></h5><p style="text-align: justify; ">કરિશ્માએ કહ્યું કે બાળકને જન્મ આપ્યા પછી શરીરમાં ઘણા પ્રકારના ફેરફારો થાય છે. ટાંકાથી લઈને હોર્મોનલ બદલાવ સુધી, એક મહિલાને ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે. આવા સમયે ફિઝિકલ અને ઈમોશનલ બંને પ્રકારના પડકારો સામે આવે છે. કરિશ્માએ એ પણ જણાવ્યું કે માતા બનવા માટે જે તાકાતની જરૂર પડે છે, તેના વિશે વિચારવું પણ સરળ નથી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/karisma-kapoor-raveena-tandon-rivalry-juice-story" target="_blank">આ પણ વાંચો-Bollywood Catfight : 90ના દાયકાની સૌથી મોટી કેટફાઇટ! કરિશ્મા-રવીના વચ્ચે કેમ સર્જાયો હતો વિવાદ?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/pmiGWsBuvnmJn2fu8IdCOKRxf2hq92ZkY2clwLaX.webp'/></item><item><title><![CDATA[Indian Couple in Hong Kong: દુનિયાના સૌથી મોંઘા શહેરમાં રહીને પણ બમ્પર બચત, ભારતીય દંપતીની આ કહાણી આશ્ચર્ય ઉપજાવશે! ]]></title><link>https://sandesh.com/business/news/indian-couple-hong-kong-savings-low-tax-financial-freedom</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/indian-couple-hong-kong-savings-low-tax-financial-freedom</guid><pubDate>Sat, 19 Sep 2026 15:24:32 +05:30</pubDate><description><![CDATA[<p>હોંગકોંગ જેવા મોંઘા શહેરમાં રહેવા છતાં ભારતીય દંપતી વધુ બચત કરી રહ્યું છે. વધુ આવક, ઓછો ટેક્સ, નિયંત્રિત ખર્ચ અને રોકાણ દ્વારા બંને 45 વર્ષની ઉંમર સુધી આર્થિક સ્વતંત્રતા મેળવવાનું લક્ષ્ય રાખી રહ્યા છે.</p><p>હોંગકોંગની ગણતરી દુનિયાના સૌથી મોંઘા શહેરોમાં થાય છે. અહીંનું ભાડું, બહારનું ખાવાનું અને રોજિંદી ઘણી સેવાઓ ભારતની સરખામણીએ ઘણી મોંઘી છે. તેમ છતાં ભારતીય દંપતી આરુષિ શર્મા અને તેમના પતિ સાઈ સી. અરાવેટીનું કહેવું છે કે હોંગકોંગમાં રહેવા આવ્યા બાદ તેમની બચતના દરમાં ખાસ ઘટાડો થયો નથી.</p><p>આરુષિ શર્મા 26 વર્ષની છે અને ફેબ્રુઆરીમાં હોંગકોંગ પહોંચી હતી, જ્યાં તેમના પતિ પહેલેથી જ રહેતા હતા. બંનેનો બેકગ્રાઉન્ડ વેન્ચર કેપિટલ સાથે જોડાયેલો રહ્યો છે. આરુષિએ હવે પોતાનો જ્વેલરી બિઝનેસ પણ શરૂ કર્યો છે.</p><h2><b>મોંઘું ભાડું, પરંતુ આવક પણ વધારે</b></h2><p>હોંગકોંગમાં લગભગ 300 વર્ગ ફૂટના નાના એપાર્ટમેન્ટનું ભાડું ભારતીય રૂપિયામાં આશરે 1.8 લાખથી 3 લાખ રૂપિયા પ્રતિ મહિના સુધી હોઈ શકે છે. જ્યારે જિમ અને યોગ જેવી સુવિધાઓ માટે એક વખતમાં આશરે 1,400 રૂપિયા કે તેનાથી વધુ ખર્ચ થઈ શકે છે.</p><h2><b>ઘરના ભાડામાં આવકના 20% ખર્ચ</b></h2><p>આ દંપતી લગભગ 550 વર્ગફૂટના એપાર્ટમેન્ટમાં રહે છે. તેમના જણાવ્યા અનુસાર, ઘરના ભાડામાં તેમની કુલ ઘરેલુ આવકના આશરે 20% ખર્ચ થાય છે. ભારતમાં આટલા બજેટમાં ઘણું મોટું ઘર મળી શકે છે, પરંતુ હોંગકોંગના હિસાબે આ ખર્ચ તેમના માટે સંતુલિત છે.</p><p>રોજ આવવા-જવા માટે બંને ત્યાંના જાહેર પરિવહનનો ઉપયોગ કરે છે. એક મુસાફરીમાં આશરે 80થી 250 રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. આ ઉપરાંત અન્ય મુસાફરોને જાહેર પરિવહનના ખર્ચ પર સરકારી સબસિડી પણ મળે છે.</p><h2><b>ટેક્સે આખું ગણિત બદલી નાખ્યું</b></h2><p>હોંગકોંગમાં ઓછો ટેક્સ આ દંપતી માટે મોટો ફાયદો સાબિત થાય છે. અહીં વ્યક્તિગત આવક પર પ્રોગ્રેસિવ ટેક્સ સિસ્ટમમાં દર 2%થી 17% સુધી છે, જ્યારે સ્ટાન્ડર્ડ રેટ સિસ્ટમ હેઠળ 15%નો દર લાગુ પડે છે. ટેક્સ વિભાગ બંને રીતે ગણતરી કરીને જે રકમ ઓછી આવે તે મુજબ ટેક્સ વસૂલ કરે છે.</p><p>ઉદાહરણ તરીકે, વાર્ષિક 50 લાખ રૂપિયાની આવક હોય તેવી સ્થિતિમાં દંપતીનો હોંગકોંગમાં ટેક્સ આશરે 3.57 લાખ રૂપિયા હોવાનું જણાવાયું છે, જ્યારે આટલી જ આવક પર ભારતમાં આશરે 11 લાખ રૂપિયા ટેક્સ બનતો હોવાનું સામાન્ય રીતે જોવા મળે છે. આ તફાવતને કારણે દર વર્ષે આશરે 7.5 લાખ રૂપિયાની બચત થવાનો અંદાજ છે.</p><h2><b>રોકાણ પર પણ ધ્યાન</b></h2><p>દંપતી ભારતીય બજારમાં મ્યુચ્યુઅલ ફંડ અને ETF દ્વારા રોકાણ ચાલુ રાખે છે. તેમના રોકાણના પોર્ટફોલિયોમાં આશરે 40-50% હિસ્સો અમેરિકા અને ચીનના બજારો સાથે જોડાયેલા ETFમાં છે. બંને 45 વર્ષની ઉંમર સુધી આર્થિક સ્વતંત્રતા મેળવવાનું લક્ષ્ય રાખે છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/I231pHjeRaS8Z5355nGrbpr6arOkhtBb3EnZmxMc.webp'/></item><item><title><![CDATA[Weather Update : મેઘરાજા હવે ગણતરીના દિવસોના મહેમાન! રાજસ્થાનથી ચોમાસાની અલવિદા શરૂ, સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી વિરામની તૈયારી ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/monsoon-withdrawal-begins--retreat-likely-from-saurashtra-kutch-in-next-3-4-days</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/monsoon-withdrawal-begins--retreat-likely-from-saurashtra-kutch-in-next-3-4-days</guid><pubDate>Sat, 19 Sep 2026 15:19:25 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય હવામાન વિભાગ (IMD) ની સત્તાવાર જાહેરાત અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વાપસીની પ્રક્રિયા દેશમાં શરૂ થઈ ચૂકી છે. સામાન્ય રીતે દેશમાં ચોમાસાની વિદાયની તારીખ 17 સપ્ટેમ્બર ગણાય છે, પરંતુ આ વર્ષે બે દિવસના વિલંબ બાદ 19 સપ્ટેમ્બરથી પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લેવાનું શરૂ કર્યું છે. હાલમાં ચોમાસાની વાપસી રેખા (Line of Withdrawal) રામગઢ, મોહનગઢ, ફલોદી અને ખજુવાલા પરથી પસાર થઈ રહી છે, જે દર્શાવે છે કે ઉત્તર-પશ્ચિમ ભારતમાં હવે વાતાવરણ ધીમે ધીમે શુષ્ક બનવા તરફ જઈ રહ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>સૌરાષ્ટ્ર-કચ્છમાંથી આગામી 3-4 દિવસમાં વિદાયની શક્યતા</b></h2><p style="text-align: justify; ">ચોમાસાની વાપસી આગળ વધવા માટે હાલ વાતાવરણ સંપૂર્ણપણે સાનુકૂળ બન્યું છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આગામી 3 થી 4 દિવસ દરમિયાન રાજસ્થાનના બાકીના વિસ્તારો ઉપરાંત પંજાબ તેમજ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાંથી પણ ચોમાસું વિદાય લે તેવી પૂરેપૂરી શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસું પાછું ખેંચાવાની પ્રક્રિયા શરૂ થતાં જ રાજ્યમાં વરસાદી વાતાવરણ શાંત પડશે અને ભેજનું પ્રમાણ ઘટવા લાગશે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/Indiametdept/status/2101219341899599919?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2 style="text-align: justify; "><b>15 ઓક્ટોબર સુધીમાં દેશભરમાંથી પૂર્ણ વિદાય</b></h2><p style="text-align: justify; ">ઉત્તર-પશ્ચિમ ભારતમાંથી મેઘરાજા વિદાય લઈ રહ્યા છે ત્યારે પૂર્વ અને મધ્ય ભારતના રાજ્યોમાં હજુ પણ કેટલાક દિવસો સુધી વરસાદી ગતિવિધિઓ ચાલુ રહેવાની સંભાવના છે. જોકે, તબક્કાવાર આગળ વધતી આ પ્રક્રિયા હેઠળ આગામી 15 ઓક્ટોબર સુધીમાં સમગ્ર દેશમાંથી ચોમાસાની વિધિવત વિદાય થઈ જશે. આમ, આ વર્ષે ચોમાસું પોતાના નિર્ધારિત સમયપત્રક મુજબ જ દેશમાંથી અલવિદા કહી રહ્યું છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/gandhinagar-gmc-polls--aap-releases-first-list-of-23-candidates--fields-transgender-candidate" target="_blank">Gandhinagar મનપા ચૂંટણી માટે AAPએ જાહેર કરી 23 ઉમેદવારોની પ્રથમ યાદી: વોર્ડ 10માંથી કિન્નર ઉમેદવારને ટિકિટ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/YdeO3TJSbJ1m8rxPSYY1QQdySWB3iz3fnEVN0tmp.webp'/></item><item><title><![CDATA[Surendranagar : જાહેરમાં પત્ની પર 20થી વધુ છરીના ઘા મારી હત્યા, ફરાર પતિ વાપીથી ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/surendranagar/surendranagar-wife-murder-accused-husband-arrested-vapi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/surendranagar/surendranagar-wife-murder-accused-husband-arrested-vapi</guid><pubDate>Sat, 19 Sep 2026 15:19:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરેન્દ્રનગરમાં પત્નીની જાહેરમાં હત્યાના ચકચારી કેસમાં ફરાર આરોપી પતિની ધરપકડ કરવામાં આવી છે. સોનલબેનની હત્યાના આરોપમાં રાજેશ ઉર્ફે રાજુ જેમલભાઈ કાંજીયાને પોલીસે વાપી ખાતેથી ઝડપી પાડ્યો છે. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા 4 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>કોર્ટમાંથી ઘરે જતી પત્ની પર હુમલો</b></h2><p style="text-align: justify; ">ગત 18 ઓગસ્ટે માનવ મંદિર નજીક મુળચંદ રોડ પર સોનલબેન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. કોર્ટની મુદત પૂર્ણ કરીને ઘરે પરત જઈ રહેલી સોનલબેન પર આરોપી પતિએ આડેધડ 20થી વધુ છરીના ઘા માર્યા હોવાનો આરોપ છે.</p><h2 style="text-align: justify; "><b>વચ્ચે પડેલા 2 લોકોને પણ ઈજા</b></h2><p style="text-align: justify; ">હુમલા દરમિયાન સોનલબેનને બચાવવા વચ્ચે પડેલા 2 લોકોને પણ છરી વડે ઈજા પહોંચાડવામાં આવી હોવાનો આરોપ છે. ગંભીર રીતે ઘવાયેલી સોનલબેનને સારવાર માટે ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.</p><h3 style="text-align: justify; "><b>પારિવારિક કંકાસ અને કોર્ટ કેસની અદાવતનો આરોપ</b></h3><p style="text-align: justify; ">પ્રાથમિક વિગતો મુજબ પતિ-પત્ની વચ્ચે પારિવારિક કંકાસ ચાલી રહ્યો હતો અને મામલો ફેમિલી કોર્ટ સુધી પહોંચ્યો હતો. આ અદાવતને કારણે હત્યા કરવામાં આવી હોવાનો આરોપ છે. જોકે હત્યા પાછળનું ચોક્કસ કારણ અને સમગ્ર ઘટનાક્રમ અંગે પોલીસ તપાસ કરી રહી છે.</p><h4 style="text-align: justify; "><b>પોલીસે વાપીથી ઝડપી પાડ્યો</b></h4><p style="text-align: justify; ">હત્યાની ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. બી ડિવિઝન પોલીસે આરોપીને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે વાપી ખાતે કાર્યવાહી કરી રાજેશ ઉર્ફે રાજુ જેમલભાઈ કાંજીયાને ઝડપી પાડ્યો હતો.</p><h4 style="text-align: justify; "><b>4 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર</b></h4><p style="text-align: justify; ">ધરપકડ બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા આરોપીના 4 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. હવે પોલીસ હત્યા પાછળનું કારણ, હુમલાની પૂર્વ તૈયારી અને ઘટનામાં અન્ય કોઈની સંડોવણી હતી કે નહીં તે સહિતના મુદ્દે તપાસ આગળ ધપાવશે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; ;&nbsp;<a href="https://sandesh.com/weather/news/india/cyclone-alert-bay-of-bengal-cyclone-arnava-low-pressure-september-19-weather-alert" target="_blank"><b> &nbsp;Cyclone Alert : બંગાળની ખાડીમાંથી આવી રહ્યું છે 'અર્નવ' વાવાઝોડું..!</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/k7ozB4tAJfGmIEeYjCZbNJihoVmbuF0fMZ76G1Bo.webp'/></item><item><title><![CDATA[Punjab: બીજેપી નેતા રવનીત બિટ્ટુની અટકાયત, ઇંડા ટામેટા લઇને CM માનના કાફલા પર ... ]]></title><link>https://sandesh.com/india/news/punjab-bjp-leader-ravneet-bittu-detained-tomatoes-thrown-at-cm-manns-convoy</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/punjab-bjp-leader-ravneet-bittu-detained-tomatoes-thrown-at-cm-manns-convoy</guid><pubDate>Sat, 19 Sep 2026 14:42:47 +05:30</pubDate><description><![CDATA[<p>લુધિયાણામાં આમ આદમી પાર્ટીના એક મોટા કાર્યક્રમ દરમિયાન ભાજપના નેતા અને રેલવે રાજ્ય મંત્રી રહી ચૂકેલા રવનીત બિટ્ટુની પોલીસે અટકાયત કરી હતી. તેઓ ટામેટાં લઈને પંજાબ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી (PAU)ના ગેટ પર પહોંચ્યા હતા. પોલીસે તેમને આગળ વધતા અટકાવ્યા હતા, પરંતુ જ્યારે મુખ્યમંત્રી ભગવંત માનનો કાફલો ત્યાંથી પસાર થયો, ત્યારે તેમણે વાહન પર ટામેટાં ફેંકવાનો પ્રયાસ કર્યો હતો.</p><h2><b>રવનીત બિટ્ટની કરવામાં આવી અટકાયત&nbsp;</b></h2><p>આ ઘટના શનિવારે બપોરે લગભગ 2 વાગ્યે પંજાબના લુધિયાણામાં બની હતી. બિટ્ટુ મુખ્યમંત્રી ભગવંત માનના કાફલા પર ટામેટાં અને ઈંડાં ફેંકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમની અટકાયત કરવામાં આવી હતી અને તેમને પંજાબ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી (PAU)ના ગેટ પરથી દૂર લઈ જવામાં આવ્યા હતા. અહેવાલો સૂચવે છે કે બિટ્ટુ કાફલાની ખૂબ નજીક પહોંચી શક્યા ન હતા, પરંતુ તેઓ PAUના ગેટ સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા.</p><h3><b>લુધિયાણામાં પાર્ટી કાર્યક્રમ દરમિયાન સીએમ પર ફેંકવાના હતા ટામેટા&nbsp;</b></h3><p>આમ આદમી પાર્ટીએ આજે ​​લુધિયાણામાં એક મોટા કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભગવંત માન, મનીષ સિસોદિયા અને પાર્ટીના અન્ય ઘણા નેતાઓ હાજર રહ્યા હતા. નેતાઓ કાર્યક્રમ માટે લુધિયાણા આવી રહ્યા હતા અને મુખ્યમંત્રીનો કાફલો પંજાબ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીની બહારથી પસાર થવાનો હતો. રવનીત બિટ્ટુ ટામેટાં લઈને આ સ્થળે પહોંચ્યા હતા. જોકે પોલીસે શરૂઆતમાં તેમને આગળ વધતા અટકાવ્યા હતા, પરંતુ કાફલો પસાર થતી વખતે તેમણે ભગવંત માનના વાહન પર ટામેટાં ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાસ્થળે હાજર પોલીસકર્મીઓએ તેમની અટકાયત કરી હતી.</p><h3><b>રવનીત બિટ્ટુના કાફલા પર ફેંક્યા હતા ઇંડા ટામેટા&nbsp;</b></h3><p>આ સમગ્ર ઘટનાક્રમનું મૂળ ગઈકાલે બનેલી એક ઘટનામાં રહેલું છે. બટાલા નજીક, આમ આદમી પાર્ટીના કાર્યકરોએ રવનીત બિટ્ટુના કાફલા પર ઈંડાં અને ટામેટાં ફેંક્યા હતા. બિટ્ટુ આજે તે ઘટનાના વિરોધમાં લુધિયાણા આવ્યા હતા અને ભગવંત માનના કાફલા પર ટામેટાં ફેંકીને બદલો લેવાનો ઈરાદો ધરાવતા હતા.</p><p><a href="<blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2101232723201503560"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>\" target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2101232723201503560"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>\</a></p><p>ટૂંકમાં, બે દિવસમાં બે વાર રાજકીય ઘર્ષણ જોવા મળ્યું છે: પહેલા બટાલા નજીક બિટ્ટુના કાફલા પર ઈંડાં અને ટામેટાં ફેંકવામાં આવ્યા હતા, અને હવે બિટ્ટુ પોતે લુધિયાણામાં મુખ્યમંત્રીના કાફલાના રૂટ પર ટામેટાં લઈને પહોંચ્યા હતા. આ ઘટનાએ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને ઉજાગર કર્યો છે.</p><p><br></p><p>એવી માહિતી સામે આવી છે કે ઘટના દરમિયાન બિટ્ટુના હાથમાં ટામેટું હતું અને તેમણે કાફલા પર તે ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે તેમને અટકાવ્યા હોવાથી તેઓ કાફલાની નજીક પહોંચી શક્યા ન હતા. પોલીસે તેમને PAU પરિસરથી દૂર લઈ ગયા હતા; સૂત્રોના હવાલેથી આ માહિતી સામે આવી છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/4mmK9uVCS8cNzZ4NeN3r8xEN9zDK6WAesVwRYpSY.webp'/></item><item><title><![CDATA[IIT બોમ્બે આત્મહત્યા કેસમાં અભિજીત દીપકેએ માર્યો કૂદકો... કહ્યું- 'હજુ કેટલા લોકોએ જીવ ગુમાવવો પડશે?' ]]></title><link>https://sandesh.com/india/news/abhijit-deepke-on-the-suicide-at-iit-bombay-how-many-more-will-have-to-lose-their-lives</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/abhijit-deepke-on-the-suicide-at-iit-bombay-how-many-more-will-have-to-lose-their-lives</guid><pubDate>Sat, 19 Sep 2026 13:48:18 +05:30</pubDate><description><![CDATA[<p>IIT બોમ્બેમાં થયેલી આત્મહત્યા અંગે CJPના સ્થાપક અભિજીત દીપકેએ પ્રતિક્રિયા આપી છે. 'X' પર પોસ્ટ કરતા તેમણે કહ્યું હતું કે મુંબઈ જેવા મોટા શહેરોની સાથે સાથે દૂરના આદિવાસી વિસ્તારોમાં પણ વિદ્યાર્થીઓ જીવ ગુમાવી રહ્યા છે; આ સંકટ દરેક જગ્યાએ ફેલાયેલો છે. વિદ્યાર્થીઓના કલ્યાણને પ્રાથમિકતા આપવામાં આવે તે પહેલાં હજુ કેટલા વિદ્યાર્થીઓએ જીવ ગુમાવવો પડશે?</p><p><br></p><p>શુક્રવારે IIT બોમ્બેના પોવઈ કેમ્પસમાં બીજા વર્ષના એક વિદ્યાર્થીના મૃત્યુ બાદ ભારે ચકચાર મચી ગઈ હતી. આ વિદ્યાર્થી 'ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ'માં B.Techનો અભ્યાસ કરી રહ્યો હતો. સંસ્થાના જણાવ્યા અનુસાર, તે જ દિવસે અગાઉ એક પરીક્ષા દરમિયાન તેને મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા પકડવામાં આવ્યો હતો. IIT બોમ્બેએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીએ પરીક્ષાનું પ્રશ્નપત્ર ChatGPT પર અપલોડ કરીને જવાબો મેળવવાનો પ્રયાસ કર્યો હતો.</p><p><br></p><h4><b>IIT બોમ્બેએ તેના નિવેદનમાં શું કહ્યું?</b></h4><p>પરીક્ષા દરમિયાન બનેલી આ ઘટના બાદ વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. જોકે, IIT બોમ્બેએ સ્પષ્ટતા કરી હતી કે તેની સામે કોઈ ઔપચારિક શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી ન હતી. સંસ્થાના જણાવ્યા અનુસાર, વિભાગના વડા અને પરીક્ષા લેનાર શિક્ષકે વિદ્યાર્થી સાથે વાત કરી હતી અને તેને ખાતરી આપી હતી કે આ ઘટનાની તેની શૈક્ષણિક કારકિર્દી પર કોઈ મોટી અસર પડશે નહીં. ત્યારબાદ વિદ્યાર્થી તેના હોસ્ટેલના રૂમમાં પાછો ફર્યો હતો, જ્યાં બાદમાં તે મૃત હાલતમાં મળી આવ્યો હતો.</p><p><br></p><h4><b>ઘટના બાદ કેમ્પસમાં વિદ્યાર્થીઓનો વિરોધ</b></h4><p>વિદ્યાર્થીના મૃત્યુના સમાચાર સામે આવ્યા બાદ IIT બોમ્બે કેમ્પસમાં વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મળતી માહિતી અનુસાર આ વિરોધમાં 400થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમણે વહીવટીતંત્ર પાસે આ ઘટના અંગે જવાબ માંગ્યો હતો અને વિદ્યાર્થીઓ માટે વધુ સારી સહાયક વ્યવસ્થાઓની માંગ કરી હતી. એવું પણ જાણવા મળ્યું છે કે વિરોધ પ્રદર્શન બાદ ચાલી રહેલી મિડ-સેમેસ્ટર પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી હતી. IIT બોમ્બેએ વિદ્યાર્થીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. સંસ્થાએ જણાવ્યું હતું કે સંબંધિત સત્તાવાળાઓ આ ઘટનાને લગતી પરિસ્થિતિઓની તપાસ કરી રહ્યા છે. વધુમાં, વિદ્યાર્થીના મિત્રો, સહપાઠીઓ, શિક્ષકો અને આ ઘટનાથી પ્રભાવિત અન્ય લોકોને જરૂરી સહાય પૂરી પાડવાની ખાતરી પણ આપવામાં આવી હતી.<br><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/fssai-suspends-paradise-distilleries-license-for-15-days-over-aaa-blues-vodka-whisky" target="_blank">AAA Blues Pure ગ્રેન વોડકા અને ગ્રેન વ્હિસ્કી બનાવનારી કંપનીનું લાયસન્સ રદ, જાણો શું છે મામલો?</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/DNhkz9uVv6Gkmk06yKoOPMVEbLbyXam1G9TrCKLY.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : દિલ્હી IGI એરપોર્ટ પર કસ્ટમ્સનો મોટો દરોડો, દુબઈથી લાવવામાં આવતું 2.168 કિલો સોનું ઝડપાયું ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/delhi-igi-airport--2-168-kg-smuggled-gold-seized-from-dubai-passengers--2-detained</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/delhi-igi-airport--2-168-kg-smuggled-gold-seized-from-dubai-passengers--2-detained</guid><pubDate>Sat, 19 Sep 2026 13:31:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગ અને એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) એ સોનાની ગેરકાયદે તસ્કરી સામે મોટી સફળતા મેળવી છે. દુબઈથી ફ્લાઈટ નંબર EK-514 મારફતે દિલ્હી પહોંચેલા બે મુસાફરો પર AIU અધિકારીઓએ ચોક્કસ બાતમી અને પ્રોફાઇલીંગના આધારે કડક નજર રાખી હતી. આ દરમિયાન એરપોર્ટના વોશરૂમ નજીક એક મહિલા અને પુરુષ મુસાફર શંકાસ્પદ રીતે વાતચીત કરતા જોવા મળતા અધિકારીઓની શંકા વધુ દ્રઢ બની હતી.</p><h2 style="text-align: justify; "><b>DFMD તપાસમાં જોરદાર બીપ વાગતાં 11 ગોલ્ડ બાર ઝડપાયા</b></h2><p style="text-align: justify; ">બંને મુસાફરો જ્યારે કસ્ટમ્સની ગ્રીન ચેનલમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે કસ્ટમ્સની ટીમે તેમને અટકાવ્યા હતા. મહિલા મુસાફરની બેગ અને ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર (DFMD) દ્વારા તપાસ કરતા કશું શંકાસ્પદ મળ્યું ન હતું. પરંતુ પુરુષ મુસાફરને જ્યારે DFMD માંથી પસાર કરવામાં આવ્યો ત્યારે જોરદાર બીપનો અવાજ આવ્યો હતો. આથી અધિકારીઓએ તેની ઊંડાણપૂર્વક તપાસ કરતાં તેની પાસેથી 10 તોલાના 10 ગોલ્ડ બાર અને 1 કિલોનો 1 ગોલ્ડ બાર મળી આવ્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>કસ્ટમ્સ એક્ટ હેઠળ સોનું જપ્ત, બંને મુસાફરોની અટકાયત</b></h2><p style="text-align: justify; ">કસ્ટમ્સ વિભાગ દ્વારા હાથ ધરાયેલી ગણતરીમાં કુલ 11 ગોલ્ડ બારનું વજન 2,168 ગ્રામ (2.168 કિલો) હોવાનું સામે આવ્યું છે. કસ્ટમ્સ એક્ટની વિવિધ જોગવાઈઓ હેઠળ સોનાનો આ વિશાળ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને બંને મુસાફરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમની અટકાયત કરવામાં આવી છે. આ સોનાની તસ્કરી પાછળ કોઈ મોટું આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ નેટવર્ક કામ કરી રહ્યું છે કે કેમ તે દિશામાં કસ્ટમ્સ વિભાગ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad--school-manager-duped-of--35-lakh-in-fake-investment-scheme--case-filed" target="_blank">Ahmedabad News : મીઠી-મીઠી વાતો કરીને મિત્રતા કેળવી અને પછી રૂ.35 લાખ લઈ ફરાર, સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/QaV3HxHQlrpm1WnpIGWSlcBZFyTkkmr3WacxhhHq.webp'/></item><item><title><![CDATA[Rajkotની મારવાડી યુનિવર્સિટીમાં દુઃખદ ઘટના, હોસ્ટેલના 10મા માળેથી કૂદીને વિદ્યાર્થીનીનો આપઘાત ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/rajkot/rajkot--female-student-commits-suicide-by-jumping-from-10th-floor-at-marwadi-university</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/rajkot/rajkot--female-student-commits-suicide-by-jumping-from-10th-floor-at-marwadi-university</guid><pubDate>Sat, 19 Sep 2026 13:27:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ શહેર નજીક આવેલી જાણીતી મારવાડી યુનિવર્સિટીમાં એક અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી એક છાત્રાએ હોસ્ટેલ બિલ્ડિંગના 10મા માળેથી નીચે કૂદીને આપઘાત કરી લીધો છે. હોસ્ટેલ કેમ્પસમાં અચાનક બનેલી આ ઘટનાને પગલે અન્ય વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને યુનિવર્સિટી સંચાલકોમાં ભારે અરેરાટી અને ખળભળાટ વ્યાપી ગયો હતો.</p><h2 style="text-align: justify; "><b>મૂળ દક્ષિણ ભારતની હતી વિદ્યાર્થીની, પ્રેમ પ્રકરણની ચર્ચા</b></h2><p style="text-align: justify; ">બનાવ અંગે મળતી પ્રાથમિક વિગતો અનુસાર, મૃતક વિદ્યાર્થીની મૂળ દક્ષિણ ભારતના રાજ્યની વતની હતી અને અહીં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે આવી હતી. આ ઘટના બન્યા બાદ યુનિવર્સિટી કેમ્પસમાં એવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે વિદ્યાર્થીનીએ પ્રેમ પ્રકરણમાં ઉદ્ભવેલા માનસિક તણાવ કે વિવાદના કારણે આ આકરું પગલું ભર્યું હોઈ શકે છે. જોકે, આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે સામે આવ્યું નથી.</p><h2 style="text-align: justify; "><b>પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી</b></h2><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો તુરંત મારવાડી યુનિવર્સિટી કેમ્પસ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે વિદ્યાર્થીનીના મૃતદેહને પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. આ સાથે જ વિદ્યાર્થીનીના રૂમની તલાશી લેવામાં આવી રહી છે અને તેના મોબાઈલ કોલ ડિટેઈલ્સ તેમજ કેમ્પસના CCTV ફૂટેજ મેળવીને પોલીસે આપઘાતના સાચા કારણો શોધવા ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/delhi-igi-airport--2-168-kg-smuggled-gold-seized-from-dubai-passengers--2-detained" target="_blank">Ahmedabad News : દિલ્હી IGI એરપોર્ટ પર કસ્ટમ્સનો મોટો દરોડો, દુબઈથી લાવવામાં આવતું 2.168 કિલો સોનું ઝડપાયું</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/SrLzDUHv4z0cWXdCQYFGYo6ffbOriTNP2FB5Y67V.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News : મહિલા કોન્સ્ટેબલ આત્મહત્યા કેસમાં મોટો ધડાકો, આરોપી ચેતક કમાન્ડો પ્રકાશ ચૌહાણની ધરપકડ! ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/gandhinagar/gandhinagar--chetak-commando-arrested-over-female-constables-suicide-case</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/gandhinagar/gandhinagar--chetak-commando-arrested-over-female-constables-suicide-case</guid><pubDate>Sat, 19 Sep 2026 12:33:08 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગાંધીનગરમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ જ્હાનવી ડાભીના આત્મહત્યા કેસમાં પોલીસે સઘન તપાસ હાથ ધરીને તેના પ્રેમી પ્રકાશ ચૌહાણની ધરપકડ કરી છે. આરોપી પ્રકાશ ચૌહાણ ગુજરાત પોલીસમાં ચેતક કમાન્ડો તરીકે પોતાની ફરજ બજાવતો હતો. મહિલા કોન્સ્ટેબલ અને કમાન્ડો વચ્ચે પ્રેમ સંબંધ હતો, પરંતુ આ સંબંધે કરુણ અંજામ લેતાં આખા પોલીસ બેડામાં ભારે ચકચાર અને ખળભળાટ મચી ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>પરિણીત કમાન્ડોનો શારીરિક-માનસિક ત્રાસ અને ઘરમાં CCTVની નજર</b></h2><p style="text-align: justify; ">પોલીસની પ્રાથમિક તપાસમાં અત્યંત ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. આરોપી કમાન્ડો પ્રકાશ ચૌહાણ પરિણીત હતો અને બે પુત્રોનો પિતા હોવા છતાં મહિલા કોન્સ્ટેબલ જ્હાનવી ડાભી સાથે પ્રેમ સંબંધમાં હતો. પ્રેમ સંબંધ દરમિયાન આરોપી યુવતીને સતત શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. આટલું જ નહીં, આરોપી પ્રેમી યુવતી પર શંકા રાખી તેની તમામ હિલચાલ પર નજર રાખવા માટે તેના ઘરમાં ગુપ્ત રીતે CCTV કેમેરા પણ લગાવડાવ્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>માનસિક શોષણથી કંટાળી ભર્યું આકરું પગલું</b></h2><p style="text-align: justify; ">ચેતક કમાન્ડોના સતત ત્રાસ, માનસિક શોષણ અને શંકાશીલ વર્તણૂકથી તંગ આવીને આખરે મહિલા કોન્સ્ટેબલ જ્હાનવી ડાભીએ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ મામલે ગાંધીનગર પોલીસે ગુનો નોંધી આરોપી પ્રકાશ ચૌહાણની અટકાયત કરી છે. પોલીસે આરોપી સામે કાયદાકીય સકંજો કસીને આગળની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-reservoirs-reach-70-49--capacity--45-dams-placed-on-high-alert" target="_blank">Gandhinagar News : રાજ્યના જળાશયોમાં પાણીની બમ્પર આવક, 45 ડેમ હાઈ એલર્ટ, બનાસકાંઠા પર અકાળની તલવાર!</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/MCxQvIufwPaMIYSOdv1bb7goxrE5HkBdzulRQmBE.webp'/></item></channel></rss>