<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Kahani Ghar Ghar Ki Reunion: 'કહાની ઘર ઘર કી' ને પૂરા થયાં 25 વર્ષ, જુઓ આજે કેવા દેખાય છે સિરિયલના કલાકારો! ]]></title><link>https://sandesh.com/entertainment/news/kahani-ghar-ghar-ki-reunion-after-25-years</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/kahani-ghar-ghar-ki-reunion-after-25-years</guid><pubDate>Sat, 19 Sep 2026 12:11:16 +05:30</pubDate><description><![CDATA[<p>મશહૂર ટેલિવિઝન શો 'કહાની ઘર ઘર કી'ને 25 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે શોના તમામ કલાકારોએ રિયુનિયનનું આયોજન કર્યું હતું. શોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી શ્વેતા કેસવાનીએ રિયુનિયનની કેટલીક તસવીરો તેના સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જેને જોઈને ચાહકો પણ સિરિયલ સાથે જોડાયેલી જૂની યાદો તાજી કરવા લાગ્યા હતા.</p><p>શ્વેતા કેસવાનીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલી તસવીરોમાં તે સાક્ષી તંવર સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. સાક્ષી તંવર, કે જેણે શોમાં અગ્રવાલ પરિવારની વહુ પાર્વતી અગ્રવાલનું મુખ્ય પાત્ર ભજવ્યું હતું. એક ગ્રુપ ફોટોમાં શ્વેતા કવાત્રા, માનવ ગોહિલ અને ગૌતમ ચતુર્વેદી સહિત શોના અન્ય કલાકારો પણ જોવા મળી રહ્યા છે.</p><p>અભિનેત્રીએ તસવીરો શેર કરીને લખ્યું, "મારા મુંબઈના ઘરે જૂના દિવસોની જેમ. સમય કેટલી ઝડપથી પસાર થઈ જાય છે અને તેમ છતાં જ્યાંથી સંપર્ક કપાયો હતો ત્યાંથી જ આપણે ફરી શરૂઆત કરી શકીએ છીએ."</p><p><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DdYzI0RNPrV/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DdYzI0RNPrV/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a><br></p><p>સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ પોસ્ટ જોયા બાદ ચાહકો પણ 25 વર્ષ પછી કલાકારોના બદલાયેલા લુકને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સાથે જ 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી'ની જેમ 'કહાની ઘર ઘર કી'ની પણ બીજી સીઝન લાવવાની ઘણા ચાહકોએ માંગ કરી હતી.</p><h2><b>2000ના દાયકાનો લોકપ્રિય શો હતો 'કહાની ઘર ઘર કી'</b></h2><p>'કહાની ઘર ઘર કી' 2000ના દાયકાની શરૂઆતમાં ભારતીય ટેલિવિઝન પર ડેઇલી સોપના સમયગાળાનો મહત્વનો હિસ્સો બની ગયો હતો. શોની વાર્તા પાર્વતી અને ઓમ અગ્રવાલ તથા તેમના મોટા મારવાડી સંયુક્ત પરિવારના જીવનની આસપાસ ફરતી હતી.</p><p>'કહાની ઘર ઘર કી'ની વાત કરીએ તો આ શો 16 ઓક્ટોબર 2000ના રોજ સ્ટાર પ્લસ પર શરૂ થયો હતો અને 9 ઓક્ટોબર 2008ના રોજ બંધ થયો હતો. આ રીતે શોએ ટેલિવિઝન પર લગભગ 8 વર્ષ પૂર્ણ કર્યા હતા.</p><p>આ શો એકતા કપૂરે બનાવ્યો હતો. બાલાજી ટેલિફિલ્મ્સ હેઠળ એકતા કપૂર અને શોભા કપૂરે તેનું નિર્માણ કર્યું હતું.</p><h2><b>આઇકોનિક બહુ પાર્વતીના પાત્રમાં છવાઈ ગઈ સાક્ષી તંવર</b></h2><p>આ શો એ જ સમયગાળામાં આવ્યો હતો જ્યારે એકતા કપૂરનો બીજો લોકપ્રિય ફેમિલી ડ્રામા 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી' પણ ચાલી રહ્યો હતો. તેનો પ્રીમિયર જુલાઈ 2000માં થયો હતો.</p><p>'કહાની ઘર ઘર કી' ટૂંક સમયમાં ભારતીય ટેલિવિઝનના અગ્રણી શોમાં સામેલ થઈ ગયો હતો અને ભારતીય સોપ ડ્રામાના ઇતિહાસમાં ખાસ સ્થાન બનાવ્યું હતું.</p><p>શોમાં પાર્વતી ઓમ અગ્રવાલનું પાત્ર સાક્ષી તંવરે ભજવ્યું હતું, જ્યારે કિરણ કરમરકર ઓમ અગ્રવાલના પાત્રમાં જોવા મળ્યા હતા. શ્વેતા કેસવાનીએ અવંતિકા અગ્રવાલનું નેગેટિવ પાત્ર ભજવ્યું હતું, જે શોના યાદગાર વિલન પાત્રોમાંથી એક બની ગયું હતું.</p><p>તેમણે શોના શરૂઆતના વર્ષોમાં અવંતિકાનું પાત્ર ભજવ્યું હતું. તેમનું આ પાત્ર 2001થી 2003 દરમિયાન જોવા મળ્યું હતું. બીજી તરફ, શ્વેતા કવાત્રાએ પલ્લવીનું પાત્ર ભજવ્યું હતું, જે પણ સિરિયલનું એક ખાસ નેગેટિવ પાત્ર હતું.</p><p>જોકે, પાર્વતીના પાત્રમાં સાક્ષી તંવર ભારતીય ટેલિવિઝનની સૌથી આઇકોનિક બહુઓમાંની એક બની ગઈ હતી.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/Fo3QttNaYw4B3gHlMbpb2cpjFPmY5e5Wvu0sRj75.webp'/></item><item><title><![CDATA[IIT Bombay Student Suicide: ChatGPTમાં નકલ કરતા ઝડપાયો, બીજે દિવસે મળ્યો મૃતદેહ! આવ્યુ IITનું સ્ટેટમેન્ટ ]]></title><link>https://sandesh.com/india/news/iit-bombay-student-suicide-caught-copying-in-chatgpt-body-found-the-next-day-iits-statement-came</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/iit-bombay-student-suicide-caught-copying-in-chatgpt-body-found-the-next-day-iits-statement-came</guid><pubDate>Sat, 19 Sep 2026 12:05:20 +05:30</pubDate><description><![CDATA[<p>IIT બોમ્બેના એનર્જી સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગના બીજા વર્ષના એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી. આ ઘટના બાદ, IIT પવઈ કેમ્પસના વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું. આત્મહત્યાના આવા કિસ્સાઓને લઈને તેમનામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.</p><p><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2101161067783356543"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></p><p><br></p><p> </p><h2><b>કેમ્પસમાં વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ&nbsp;</b></h2><p>આ બાબતે ટિપ્પણી કરતા DCP દત્તાત્રેય નાલાવડેએ કહ્યું, "IIT પોવઈના એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. ત્યારબાદ, કેટલાક IIT વિદ્યાર્થીઓ એકઠા થયા અને પોતાની માંગણીઓ રજૂ કરવા માટે વિરોધ શરૂ કર્યો." તેમણે ઉમેર્યું, "IIT વહીવટીતંત્ર તેમની સાથે વાતચીત દ્વારા સંતોષકારક ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. કેમ્પસમાં તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને મામલાની તપાસ ચાલી રહી છે."</p><p><a href="http://Statement - 18 September 2026" target="_blank">Statement - 18 September 2026</a><br></p><p><b style="font-size: 2rem;">ChatGPT પર પ્રશ્નપત્ર અપલોડ કર્યું</b></p><p>આત્મહત્યાના એક દિવસ પહેલા, વિદ્યાર્થી પરીક્ષા ખંડની અંદર મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા પકડાયો હતો. તેણે જવાબો મેળવવા માટે પ્રશ્નપત્ર ChatGPT પર અપલોડ કર્યું હતું. IIT બોમ્બેના જણાવ્યા અનુસાર, આ ઘટના પ્રકાશમાં આવ્યા પછી વિદ્યાર્થી સામે કોઈ શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા ન હતા. ઈન્સ્ટ્રક્ટર અને વિભાગના વડાએ આ બાબતે તેની સાથે વાત કરી હતી; તેમણે તેને સમજાવ્યો અને ખાતરી આપી હતી કે આ ઘટનાની તેના શૈક્ષણિક કારકિર્દી પર કોઈ નકારાત્મક અસર પડશે નહીં.</p><h3><b>બીજા દિવસે તેમા રૂમમાં મળી આવ્યો મૃત&nbsp;</b></h3><p>ત્યારબાદ વિદ્યાર્થી તેના હોસ્ટેલના રૂમમાં પાછો ફર્યો. તે જ સાંજે, તે તેના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. IIT બોમ્બેએ વિદ્યાર્થીના મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. સંસ્થા વિદ્યાર્થીના મિત્રો, સહપાઠીઓ, શિક્ષકો અને આ ઘટનાથી પ્રભાવિત અન્ય લોકોને જરૂરી સહાય પૂરી પાડી રહી છે. સંસ્થાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીના મૃત્યુના સંજોગોની તપાસ સંબંધિત સક્ષમ સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવી રહી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2101082021695279451"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p><b style="font-size: 1.75rem;">મહારાષ્ટ્રના યવતમાલનો હતો વિદ્યાર્થી&nbsp;</b></p><p>મુંબઈના પવઈમાં IIT બોમ્બેના વિદ્યાર્થીની આત્મહત્યા અંગે પોલીસે જણાવ્યું હતું કે પોવઈ પોલીસે આકસ્મિક મૃત્યુ (ADR) નો કેસ નોંધ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે. મૃતક વિદ્યાર્થી, સાહિલ વાકોડે, મહારાષ્ટ્રના યવતમાલનો રહેવાસી હતો. તેનો પરિવાર મુંબઈ આવી પહોંચ્યો છે. પોલીસ IIT બોમ્બેના વિદ્યાર્થીઓના નિવેદનો પણ નોંધી રહી છે. હજુ સુધી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું નથી.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2101080434675499486"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h4><b>વિદ્યાર્થીઓ શું કહીને કરી રહ્યા છે હોબાળો ?&nbsp;</b></h4><p>વિદ્યાર્થીઓનો આરોપ છે કે નકલ કરવાના આરોપનો સામનો કરી રહેલા વિદ્યાર્થીને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવાની ધમકી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે જો તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હોત, તો વિદ્યાર્થીએ હોસ્ટેલ ખાલી કરીને કેમ્પસની બહાર રહેવાની ફરજ પડી હોત. વિદ્યાર્થીઓના મતે, આવા પગલાને કારણે વિદ્યાર્થીનો એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ ચાર વર્ષથી વધીને પાંચ વર્ષ કે તેથી પણ વધુ સમયનો થઈ શક્યો હોત.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/ONc8KA4pUKhlo262Ou2oovmZ0JtElibOH6ypDiCA.webp'/></item><item><title><![CDATA[જળવાયુ સંમેલનમાં PM Modi, ડેંગ્યૂની વેક્સિન, વરસાદની અપડેટ સહિતના મોટા સમાચાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/read-important-news-from-08-am-to-12-pm-19-september-20269</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/read-important-news-from-08-am-to-12-pm-19-september-20269</guid><pubDate>Sat, 19 Sep 2026 12:01:02 +05:30</pubDate><description><![CDATA[<p>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર</p><ol><li><a href="https://sandesh.com/india/news/india-condemns-houthi-attack-on-saudi-arabia-calls-it-threat-to-bab-el-mandeb" target="_blank">Saudi Arabia પર હુમલો સહન નહીં થાય... હુતી બળવાખોરો પર ભારતે આપી પ્રતિક્રિયા</a></li><li><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/gujarat-monsoon-update-average-rainfall-87-percent-zone-wise-details" target="_blank">Gujarat Monsoon Update: દક્ષિણમાં વધુ બાકી બધે અછત, જાણો કયા કેટલો વરસાદ?</a></li><li><a href="https://sandesh.com/india/news/pm-narendra-modi-international-conference-the-future-of-environment-and-climate-dynamics-new-delhi-pm-modi-latest-speech-today-news-in-gujarati-on-sandesh-digital" target="_blank">PM Modi Live Today: ભારત દુનિયાને સમાધાન આપી રહ્યું છે, જળવાયુ સંમેલનમાં બોલ્યા PM Modi</a></li><li><a href="https://sandesh.com/world/news/trump-announces-greenland-deal-us-gets-permanent-security-control-no-cost" target="_blank">America નો કોઈપણ દુશ્મન હવે... ડેનમાર્ક-ગ્રીનલેન્ડને લઈને ટ્રમ્પે કરી મોટી જાહેરાત</a></li><li><a href="https://sandesh.com/india/news/india-first-dengue-vaccine-qdenga-launch-dr-reddys-and-takeda-deal-by-2027" target="_blank">Dengue સામે લડવાનું સૌથી મોટું હથિયાર તૈયાર, ભારતની પહેલી વેક્સિનને મળી મંજૂરી</a></li><li><a href="https://sandesh.com/sports/news/asian-games-2026-day-1-india-schedule-opening-ceremony" target="_blank">Asian Games 2026 Day 1: આજથી રોમાંચ શરૂ, પહેલા જ દિવસે ભારતને મેડલની આશા</a></li><li><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/education-dept-orders-sugar-boards-in-schools-to-reduce-sugar-intake-among-children" target="_blank">Ahmedabad News : બાળકોના સ્વાસ્થ્ય પર ખાંડનો મોટો ખતરો! શિક્ષણ વિભાગે સ્કૂલોમાં કેમ લગાવવા પડ્યા 'સુગર બોર્ડ'?</a></li><li><a href="https://sandesh.com/world/news/donald-trump-signs-russia-iran-sanctions-act-100-percent-tariff-impact-india-china" target="_blank">Donald Trumpએ 100% ટેરિફ કાયદા પર કર્યા હસ્તાક્ષર, જાણો ભારત અને ચીન પર કેવી રીતે પડશે અસર?</a></li><li><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/gujarat-heavy-rain-forecast-yellow-alert-low-pressure-active-2026" target="_blank">Gujarat Rain Update: આ જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ</a></li><li><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-reservoirs-reach-70-49--capacity--45-dams-placed-on-high-alert" target="_blank">Gandhinagar News : રાજ્યના જળાશયોમાં પાણીની બમ્પર આવક, 45 ડેમ હાઈ એલર્ટ, બનાસકાંઠા પર અકાળની તલવાર!</a></li></ol> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/05/30/mDmSiSJWp4EJffsL4XdCg0WZVmFETlBX3EYK5ohQ.webp'/></item><item><title><![CDATA[Saudi Arabia પર હુમલો સહન નહીં થાય... હુતી બળવાખોરો પર ભારતે આપી પ્રતિક્રિયા ]]></title><link>https://sandesh.com/india/news/india-condemns-houthi-attack-on-saudi-arabia-calls-it-threat-to-bab-el-mandeb</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/india-condemns-houthi-attack-on-saudi-arabia-calls-it-threat-to-bab-el-mandeb</guid><pubDate>Sat, 19 Sep 2026 11:49:13 +05:30</pubDate><description><![CDATA[<p>સમગ્ર વિશ્વના દેશોએ સાઉદી અરેબિયા પર હુતી બળવાખોરો દ્વારા કરવામાં આવેલા તાજેતરના હુમલાઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે. હુતીઓએ બેલિસ્ટિક મિસાઇલો અને ડ્રોનનો ઉપયોગ કરીને ખમીસ મુશૈત, અભા અને તાઈફ શહેરોને નિશાન બનાવ્યા હતા, જેના પરિણામે ઘણા નાગરિકો ઘાયલ થયા હતા અને માળખાગત સુવિધાઓને નુકસાન થયું હતું. આ હુમલાઓ સાઉદી અરેબિયા માટે ચિંતાનો વિષય બન્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે, ભારતે એક નિવેદન બહાર પાડીને આ હુમલાઓની નિંદા કરી છે અને તેને અસ્વીકાર્ય ગણાવ્યા છે.</p><p><br></p><p>ભારતે સાઉદી અરેબિયા પર હુતી બળવાખોરોના હુમલાને અસ્વીકાર્ય ગણાવ્યા અને જણાવ્યું કે તે પ્રાદેશિક સુરક્ષાને નબળી પાડે છે. ભારતે વધુમાં નોંધ્યું હતું કે આ હુમલાઓ મહત્વપૂર્ણ 'બાબ-અલ-મંદેબ' જળમાર્ગમાં જહાજોની અવરજવર માટે ખતરો ઊભો કરે છે. ભારતે સાઉદી અરેબિયાની વ્યાવસાયિક સુવિધાઓ પરના હુમલા અને મક્કા શહેર પર હુમલાના પ્રયાસની પણ નિંદા કરી છે.</p><p><br></p><h4><b>બગડતી પરિસ્થિતિ અંગે ભારતની ચિંતા</b></h4><p>ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે યમનમાં બગડતી સુરક્ષા સ્થિતિ અંગે ભારત ખૂબ જ ચિંતિત છે. તેમણે કહ્યું, "અમે સાઉદી અરેબિયાના સાર્વભૌમ પ્રદેશ - ખાસ કરીને નાગરિકો અને વ્યાવસાયિક સુવિધાઓને નિશાન બનાવવાની તેમજ મક્કા શહેર પર હુમલાના પ્રયાસની નિંદા કરીએ છીએ."</p><p><br></p><h4><b>'હુમલા પ્રાદેશિક સુરક્ષા અને સ્થિરતાને નબળી પાડે છે'</b></h4><p>મીડિયા સાથે વાત કરતા રણધીર જયસ્વાલે કહ્યું કે આવા હુમલા પ્રાદેશિક સુરક્ષા અને સ્થિરતાને નબળી પાડે છે અને બાબ-અલ-મંદેબ સામુદ્રધુનીમાં જહાજોની મુક્ત અવરજવર માટે ખતરો ઊભો કરે છે, જે ભારત માટે અસ્વીકાર્ય છે. તેમણે ઉમેર્યું કે ભારત આ પ્રદેશમાં શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપનાની આશા રાખે છે.</p><p><br></p><h4><b>પાકિસ્તાનનું સાઉદી અરેબિયાને સમર્થનનું વચન</b></h4><p>પાકિસ્તાને પણ આ હુમલાઓ અંગે નિવેદન બહાર પાડ્યું છે. પાકિસ્તાનના એક વરિષ્ઠ લશ્કરી અધિકારીએ જણાવ્યું હતું કે ઈસ્લામાબાદ સાઉદી અરેબિયાના બચાવ માટે કોઈપણ હદ સુધી જશે. તેમણે પુષ્ટિ કરી કે ગલ્ફ દેશની સુરક્ષા પ્રત્યે ઈસ્લામાબાદની પ્રતિબદ્ધતા બિનશરતી છે. પાકિસ્તાન આર્મીના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન રાજદ્વારી અને ભૌતિક એમ બંને રીતે સાઉદી અરેબિયાના કિંગડમ (રાજ્ય) સાથે મક્કમતાથી ઊભું છે. તેમણે પુષ્ટિ કરી કે તેઓ કિંગડમને સમર્થન આપવા માટે કોઈપણ હદ સુધી જશે.</p><p><br></p><h4><b>મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર</b></h4><p>ગયા મહિને, પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કીએ 'મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર' પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર હેઠળ, ત્રણેય દેશોમાંથી કોઈપણ એક પર સશસ્ત્ર હુમલો થાય તો તેને તે તમામ પરનો હુમલો માનવામાં આવે છે. આ સંદર્ભમાં, પાકિસ્તાનનું નિવેદન અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.</p><p><br></p><h4><b>સાઉદી અરેબિયા અને હુતી બળવાખોરો વચ્ચે તણાવ</b></h4><p>સાઉદી અરેબિયા અને યમનના હુતી બળવાખોરો વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. તાજેતરના સમયમાં હુતી બળવાખોરોએ સાઉદીના લક્ષ્યો પર હુમલા કર્યા છે અને લાલ સમુદ્રમાં વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ એવા 'બાબ અલ-મંદબ' જળમાર્ગ (સ્ટ્રેટ) પર નિયંત્રણ સ્થાપિત કર્યું છે. હુતીઓએ સાઉદીના તેલ સંસાધનો અને અન્ય મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓને નિશાન બનાવી છે, જેનાથી પશ્ચિમ એશિયામાં પરિસ્થિતિ વધુ વણસી છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/world/news/trump-announces-greenland-deal-us-gets-permanent-security-control-no-cost" target="_blank"><b>America નો કોઈપણ દુશ્મન હવે... ડેનમાર્ક-ગ્રીનલેન્ડને લઈને ટ્રમ્પે કરી મોટી જાહેરાત</b></a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/yAdVNIKBwGa0Dq3Dl4sHDn31KdrSGkyypYSs0FGN.webp'/></item><item><title><![CDATA[Asian Games શરૂ થતાં જ નિરજ ચોપરાનું દર્દ છલકાયું, કહી આ મોટી વાત ]]></title><link>https://sandesh.com/sports/news/neeraj-chopra-asian-games-2026-emotional-post-injury</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/neeraj-chopra-asian-games-2026-emotional-post-injury</guid><pubDate>Sat, 19 Sep 2026 11:48:37 +05:30</pubDate><description><![CDATA[<p>એશિયન ગેમ્સ 2026નો જાપાનમાં પ્રારંભ થઈ ગયો છે.ભારતીય ખેલાડીઓ આ વખતે વધુ સારા પ્રદર્શન સાથે નવા રેકોર્ડ બનાવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતર્યા છે.2023માં હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ભારતે કુલ 107 મેડલ જીતીને પોતાનું અત્યાર સુધીનું સૌથી મોટું મેડલ ટેલિ નોંધાવ્યું હતું.હવે આઈચી-નાગોયા એશિયન ગેમ્સમાં ભારતીય દળની નજર આ રેકોર્ડને વધુ આગળ લઈ જવા પર છે.આ દરમિયાન ભારતના સ્ટાર ભાલાફેંક ખેલાડી નીરજ ચોપરાએ એશિયન ગેમ્સ શરૂ થવાના દિવસે એક ભાવુક પોસ્ટ શેર કરી છે.પગની એન્કલ લિગામેન્ટની ઈજાને કારણે નીરજ આ વખતે એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહ્યો નથી.તેણે કહ્યું કે આ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ ન કરી શકવાનું તેના માટે મુશ્કેલ છે.</p><h3><b>એશિયન ગેમ્સે નીરજને ખાસ યાદો આપી છે</b></h3><p>નિરજ ચોપરા માટે એશિયન ગેમ્સ ખૂબ જ ખાસ રહી છે. તેણે 2018માં જકાર્તા એશિયન ગેમ્સમાં ભાલાફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ 2023માં હાંગઝોઉમાં પણ તેણે પોતાનું ગોલ્ડ મેડલ જાળવી રાખ્યું હતું. 2018માં તે ભારતનો ધ્વજવાહક પણ રહ્યો હતો.નિરજે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે એશિયન ગેમ્સે તેની કારકિર્દીની કેટલીક સૌથી યાદગાર ક્ષણો આપી છે. આ વખતે ભારતનું પ્રતિનિધિત્વ ન કરી શકવાનું તેના માટે મુશ્કેલ છે. નાગોયામાં ભારતીય દળ સાથે માર્ચ પાસ્ટમાં સામેલ ન થઈ શકવાનું પણ તેને ખટકશે.</p><p><a href="https://www.linkedin.com/posts/neeraj-chopra-17410b396_in-2018-i-went-to-jakarta-as-the-flagbearer-activity-7506601331630108672-Uwfp?utm_source=li_share&amp;utm_content=feedcontent&amp;utm_medium=g_dt_web&amp;utm_campaign=copy" target="_blank">https://www.linkedin.com/posts/neeraj-chopra-17410b396_in-2018-i-went-to-jakarta-as-the-flagbearer-activity-7506601331630108672-Uwfp?utm_source=li_share&amp;utm_content=feedcontent&amp;utm_medium=g_dt_web&amp;utm_campaign=copy</a></p><h4><b>એન્કલ લિગામેન્ટની ઈજાને કારણે બહાર</b></h4><p>નિરજ ચોપરાને તાલીમ દરમિયાન પગની એન્કલ લિગામેન્ટમાં ઈજા થઈ હતી. આ ઈજાને કારણે તેણે એશિયન ગેમ્સ ઉપરાંત 2026ની બાકીની સિઝનમાંથી પણ પોતાનું નામ પાછું ખેંચ્યું છે. આ સાથે ડાયમંડ લીગ ફાઇનલમાં રમવાની તેની શક્યતા પણ સમાપ્ત થઈ હતી.નિરજે કહ્યું કે દેશ માટે કોઈ સ્પર્ધામાં ઉતરવું અને દેશની આશાઓ સાથે મેદાનમાં જવું તેના માટે સન્માનની વાત છે. આવી તક ગુમાવવી તેના માટે દુઃખદ છે.</p><h4><b>નીરજની ગેરહાજરીથી ભારતને મોટો ઝટકો</b></h4><p>નિરજ સતત બે એશિયન ગેમ્સમાં ભાલાફેંકનો ગોલ્ડ મેડલ જીતી ચૂક્યો છે.આ વખતે તે ત્રીજી વખત સતત ગોલ્ડ જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરવાનો હતો, પરંતુ ઈજાના કારણે તે આ તક ગુમાવી રહ્યો છે.નિરજની ગેરહાજરી છતાં ભારતીય એથ્લેટિક્સ ટીમમાં ઘણા મજબૂત ખેલાડીઓ છે અને ભારતની મેડલની આશા યથાવત છે. આઈચી-નાગોયા એશિયન ગેમ્સમાં ભારત 36 રમતોમાં ભાગ લઈ રહ્યું છે અને કુલ 503 ખેલાડીઓનો ભારતીય દળ સ્પર્ધામાં ઉતર્યો છે.નિરજ ભલે આ વખતે મેદાન પર ન હોય, પરંતુ તેની ભાવુક પોસ્ટે સ્પષ્ટ કર્યું છે કે એશિયન ગેમ્સ અને ભારતનું પ્રતિનિધિત્વ તેના માટે કેટલું ખાસ છે.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/asian-games-2026-mansukh-mandaviya-japan-opening-ceremony" target="_blank">Asian Games Opening Ceremony: રમતગમત મંત્રી મનસુખ માંડવિયા જાપાન પહોંચ્યા, ભારત મેડલ માટે તૈયાર</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/tTfMSKhq2BUjPtJBoCZBb2GM7MkXFyOjlMS2DNCb.webp'/></item><item><title><![CDATA[Ahmedabad AMTS ની મોટી બેદરકારી, શહેરના રસ્તાઓ પર એક જ નંબર પ્લેટ પર દોડી રહી હતી બે EV બસ! ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad--major-lapse-in-amts--two-ev-buses-found-operating-with-same-registration-number</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad--major-lapse-in-amts--two-ev-buses-found-operating-with-same-registration-number</guid><pubDate>Sat, 19 Sep 2026 11:30:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) માં તંત્રની ઘોર બેદરકારી અને પોલંપોલનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના રસ્તાઓ પર દોડતી બે ઈલેક્ટ્રિકલ વેહિકલ (EV) બસોમાં એક જ સરખી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવીને મુસાફરોના પરિવહન માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનો પર્દાફાશ થયો છે. એક જ નંબર પ્લેટ સાથે બે અલગ-અલગ બસો રસ્તા પર દોડતી હોવાની જાણ થતાં જ મનપા અને ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારીઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>બસોના AMTS કોર્ડ નંબર અલગ, પણ પાસિંગ નંબર એક જ</b></h2><p style="text-align: justify; ">તપાસ દરમિયાન સામે આવ્યું છે કે બંને EV બસોમાં AMTS દ્વારા આપવામાં આવતા સત્તાવાર કોર્ડ નંબર અલગ-અલગ લખેલા હતા, પરંતુ વાહન વ્યવહાર વિભાગના પાસિંગ નંબર (રજીસ્ટ્રેશન નંબર) બિલકુલ એક સરખા જ હતા. આ ગંભીર લોચો અને કાયદાકીય ઉલ્લંઘન સામે આવતાં જ AMTS વિભાગ ત્વરિત હરકતમાં આવ્યો હતો. સમાન નંબર પ્લેટ સાથે જાહેર માર્ગો પર બસ ચલાવવા બદલ સંબંધિત બસ ઓપરેટર સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2101182498122436770"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2 style="text-align: justify; "><b>ઓપરેટરને નોટિસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો</b></h2><p style="text-align: justify; ">આ સમગ્ર ગંભીર મામલો AMTS વિભાગના ઉચ્ચ અધિકારીઓના ધ્યાને આવતાની સાથે જ સંબંધિત બસ ઓપરેટરને સત્તાવાર નોટિસ ફટકારવામાં આવી છે. તંત્ર દ્વારા ઓપરેટર પાસેથી આ અંગે તાત્કાલિક લેખિત ખુલાસો માંગવામાં આવ્યો છે કે એક જ નંબરની બે બસો રસ્તા પર કઈ રીતે દોડી રહી હતી. ઓપરેટરનો જવાબ આવ્યા બાદ આ મામલે જવાબદારો સામે વધુ આકરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ganesh-visarjan-mismanagement--outrage-over-abandoned-idols-and-inadequate-immersion-ponds" target="_blank">Ahmedabad News : 10 દિવસ પૂજ્યા, વિસર્જનના દિવસે રઝળ્યા! ગણેશ મૂર્તિઓની દુર્દશાએ ઊભા કર્યા અનેક સવાલ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/btDTKtlk4iDbfotDPDHnHy1XHDq954p4SitQjNX4.webp'/></item><item><title><![CDATA[Railway Rules:  ગર્ભવતી મહિલાઓને ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે મળી શકે આ ખાસ સુવિધા, જાણો શું છે નિયમો ]]></title><link>https://sandesh.com/business/news/indian-railways-lower-berth-rules-for-pregnant-women</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/indian-railways-lower-berth-rules-for-pregnant-women</guid><pubDate>Sat, 19 Sep 2026 11:15:32 +05:30</pubDate><description><![CDATA[<p>સામાન્ય રીતે ગર્ભવતી મહિલાઓએ મુસાફરી દરમિયાન સાવચેતી રાખવી જોઈએ. પરંતુ જો કોઈ જરૂરી કામ માટે ટ્રેન મુસાફરી કરવાનું થાય તો ટ્રેનની મુસાફરી દરમિયાન કેટલીક ખાસ સુવિધાઓ મળી શકે છે. ગર્ભવતી મહિલાને ટ્રેનમાં અપર કે મિડલ બર્થ ફાળવવામાં આવે તો ઘણી મુશ્કેલી પડી શકે છે. આથી રેલવે દ્વારા ગર્ભવતી મહિલાઓ માટે અલગ-અલગ કોચમાં લોઅર બર્થની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તેમની મુસાફરી આરામદાયક બની રહે.</p><h2><b>કયા કોચમાં કેટલી લોઅર બર્થ નક્કી કરવામાં આવી છે?</b></h2><p>ટ્રેનમાં ગર્ભવતી મહિલાઓ માટે અલગ-અલગ કોચમાં લોઅર બર્થની વ્યવસ્થા કરવામાં આવે છે. સ્લીપર ક્લાસમાં 6થી 7 લોઅર બર્થ, 3AC કોચમાં આશરે 4થી 5 લોઅર બર્થ અને 2AC કોચમાં આશરે 3થી 4 લોઅર બર્થ નક્કી કરવામાં આવે છે.</p><p>ગર્ભવતી મહિલાઓ આ નક્કી કરાયેલી લોઅર બર્થ માટે ટિકિટ બુક કરાવી શકે છે, જેથી તેમને લોઅર બર્થ મળવાની શક્યતા વધી શકે.</p><h2><b>ગર્ભવતી મહિલાઓ માટે ટિકિટ માત્ર રેલવે કાઉન્ટર પરથી જ મળે છે?</b></h2><p>જો ગર્ભવતી મહિલા માટે ટ્રેનની ટિકિટ બુક કરાવવી હોય અને લોઅર બર્થ જોઈતી હોય, તો રેલવે કાઉન્ટર પરથી ટિકિટ લેવી પડે છે. ઓનલાઈન ટિકિટ બુકિંગમાં આ સુવિધા ઉપલબ્ધ નથી.</p><p>રેલવેના રિઝર્વેશન કાઉન્ટર પર જઈને એક ફોર્મ ભરવાનું રહેશે, જેમાં ગર્ભવતી મહિલા અંગેની માહિતી આપવાની રહેશે. આ અરજી કર્યા બાદ ખાસ ક્વોટા હેઠળ લોઅર બર્થ મળવાની શક્યતા વધી શકે છે.</p><p>આ ઉપરાંત, ટ્રેનની મુસાફરી દરમિયાન ગર્ભવતી મહિલા TTE સાથે પણ લોઅર બર્થ માટે વાત કરી શકે છે. પોતાની સ્થિતિ અંગે માહિતી આપીને TTEને લોઅર બર્થ ફાળવવા માટે વિનંતી કરી શકાય છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/tWoERp502UD9Q9dT7F3zk64MJ1rI5loemKMtqUl8.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : 10 દિવસ પૂજ્યા, વિસર્જનના દિવસે રઝળ્યા! ગણેશ મૂર્તિઓની દુર્દશાએ ઊભા કર્યા અનેક સવાલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ganesh-visarjan-mismanagement--outrage-over-abandoned-idols-and-inadequate-immersion-ponds</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ganesh-visarjan-mismanagement--outrage-over-abandoned-idols-and-inadequate-immersion-ponds</guid><pubDate>Sat, 19 Sep 2026 10:59:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દર વર્ષે ગણેશ વિસર્જન વખતે પર્યાવરણ બચાવવાનો ઢોંગ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા તો એ છે કે ધર્મના નામે આસ્થાના ધજાગરા ઉડી રહ્યા છે. કૃત્રિમ કુંડ બનાવવાના મોટા-મોટા દાવાઓ વચ્ચે વિઘ્નહર્તાની પવિત્ર પ્રતિમાઓ રોડ-રસ્તા પર અને કુંડની બહાર બિનવારસી હાલતમાં રઝળતી જોવા મળે તે અત્યંત શરમજનક અને આક્રોશજનક છે. તંત્ર દ્વારા માત્ર કાગળ પર જ વ્યવસ્થાઓ દર્શાવીને સંતોષ માની લેવાય છે, પરંતુ જમીની હકીકત એ છે કે અપૂરતી જગ્યા અને નબળા આયોજનના કારણે વિસર્જન કરવા આવેલા ભક્તો અડધેથી મૂર્તિઓ છોડી જવા મજબૂર બને છે. જેને દસ દિવસ સુધી પૂર્ણ શ્રદ્ધાથી પૂજીએ છીએ, તે જ બાપાની મૂર્તિઓ વિસર્જનના નામે કચરાની જેમ રઝળે તે આસ્થાનું ઘોર અપમાન નથી તો બીજું શું છે?</p><h2 style="text-align: justify; "><b>તંત્રની નાકામી કે ભક્તોની લાપરવાહી?</b></h2><p style="text-align: justify; ">આ ધિક્કારપાત્ર સ્થિતિ માટે આખરે જવાબદાર કોણ છે? માત્ર નીતિ-નિયમો ઘડીને હાથ ઊંચા કરી લેતું તંત્ર કે પછી આસ્થાના આવેગમાં પર્યાવરણ અને પ્રતિમાના સન્માનને ભૂલી જતો ભક્તવર્ગ? પીઓપી (POP) ની મૂર્તિઓ પર પ્રતિબંધના પોકળ દાવાઓ કરવામાં આવે છે, પરંતુ જ્યારે લાખોની સંખ્યામાં આ મૂર્તિઓ બજારમાં વેચાય છે ત્યારે તંત્ર આંખ આડા કાન કરીને ઊંઘતું રહે છે. વિસર્જનના દિવસે કુંડ પર પહોંચેલા ભક્તોને 'POP ની મૂર્તિ અંદર નહીં ચાલે' કહીને અટકાવી દેવાય છે. જો તંત્ર પાસે વૈકલ્પિક વ્યવસ્થા કે મોટા કુંડ બનાવવાની ક્ષમતા નહોતી, તો છેલ્લી ઘડીએ આ બહાનાબાજી શા માટે? પોતાની જવાબદારીમાંથી છટકી જવા માટે તંત્ર અને ભક્તો એકબીજા પર દોષ ઘાલીને પાપમાંથી મુક્ત થઈ શકે તેમ નથી.</p><h2 style="text-align: justify; "><b>પર્યાવરણ અને આસ્થા બંનેનું સન્માન જળવાય તેવી નક્કર વ્યવસ્થાની જરૂર</b></h2><p style="text-align: justify; ">હવે આ વાર્ષિક નાટક અને આસ્થા સાથેના ખિલવાડને તાત્કાલિક ધોરણે બંધ કરવાની જરૂર છે. પર્યાવરણનું જતન કરવું જેટલું અનિવાર્ય છે, તેટલું જ વિઘ્નહર્તાનું સન્માન જાળવવું એ દરેક નાગરિક અને શાસકોની પ્રાથમિક નૈતિક ફરજ છે. તંત્રએ માત્ર કૃત્રિમ કુંડના બેનરો મારીને સંતોષ માનવાને બદલે POP ની મૂર્તિઓના સાયન્ટિફિક અને સન્માનજનક વિસર્જન માટે વહેલી તકે કાયમી અને વૈકલ્પિક વ્યવસ્થા કરવી જ પડશે. બીજી તરફ, ભક્તોએ પણ માત્ર ઉત્સવ મનાવવા પૂરતી આસ્થા મર્યાદિત ન રાખતા માટીની મૂર્તિઓ અપનાવીને પર્યાવરણ પ્રત્યે સાચી ગંભીરતા દર્શાવવી પડશે. જો સમયસર તંત્ર અને સમાજ બંને નહીં જાગે, તો આસ્થા અને પર્યાવરણ બંનેનો વિનાશ નિશ્ચિત છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad--final-notice-issued-to-129-grant-in-aid-schools-over-pending-audits" target="_blank">Ahmedabadમાં ઓડિટ વગર ચાલતી ગ્રાન્ટેડ સ્કૂલો સામે શિક્ષણ વિભાગની લાલ આંખ, 129 સ્કૂલોને ફટકારી નોટિસ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/wZ8DJkYhPMCvVomnVYOhBJRK0I60ajcoHvnpmiNY.webp'/></item><item><title><![CDATA[Bharuch News: આમોદ-પાલેજ રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/amod-palej-road-hit-and-run-accident-unidentified-death</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/amod-palej-road-hit-and-run-accident-unidentified-death</guid><pubDate>Sat, 19 Sep 2026 10:26:22 +05:30</pubDate><description><![CDATA[<p>ભરૂચ જિલ્લામાંથી અકસ્માતની એક દુઃખદ ઘટના સામે આવી છે. આમોદ-પાલેજ રોડ ઉપર હિટ એન્ડ રનની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં એક અજાણ્યા વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે. આ અકસ્માતને કારણે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.</p><h2><b>દોરા-દાંડા ગામ નજીક સર્જાયો અકસ્માત</b></h2><p>પ્રાપ્ત માહિતી અનુસાર, આમોદ-પાલેજ રોડ પર આવેલા દોરા-દાંડા ગામ નજીક આ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે દોડી રહેલા એક અજાણ્યા વાહને રસ્તા પર જઈ રહેલા ઈસમને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે તે વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી.</p><h2><b>108 દ્વારા હોસ્પિટલ ખસેડવાની તજવીજ</b></h2><p>અકસ્માતની જાણ થતા જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે 108 મારફતે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, પરંતુ દુર્ભાગ્યવશ ઈજાગ્રસ્ત વ્યક્તિનું મોત નીપજ્યું હતું.</p><p><img alt="Bharuch News: Hit and Run on Amod-Palej Road, One Dead" src="https://epapercdn.sandesh.com/images/2026/09/19/UZ0a4Wlb5tvAJt7gOt9A54SR91zgk7yIQ3wT7dFU.webp"><br></p><h2><b>આમોદ પોલીસ દ્વારા ફરાર વાહનચાલકની શોધખોળ</b></h2><p>આ ગંભીર અકસ્માતની ઘટના અંગે આમોદ પોલીસ મથક દ્વારા ગુનો નોંધીને કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અકસ્માત સર્જીને અંધારાનો લાભ લઈને નાસી છૂટેલા અજાણ્યા વાહનચાલકને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bharuch/bharuch-congress-protests-in-the-name-of-discussion-instead-of-tea" target="_blank">Bharuch: કોંગ્રેસ દ્વારા ચાય પે નહીં ચીની પે ચર્ચાના નામે વિરોધ પ્રદર્શન</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/oEnhMF6WREas7jcvjrPGTMHHCngL6DRn240XumcQ.webp'/></item><item><title><![CDATA[Narmada News: એક બાદ એક અચાનક ધૂણવા લાગ્યા 11 બાળકો, Video ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/narmada/dediyapada-moskut-ashramshala-children-shaking-incident</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/narmada/dediyapada-moskut-ashramshala-children-shaking-incident</guid><pubDate>Sat, 19 Sep 2026 09:45:21 +05:30</pubDate><description><![CDATA[<p>નર્મદા જિલ્લામાંથી એક ચોંકાવનારી અને રહસ્યમય ઘટના સામે આવી છે. ડેડિયાપાડા તાલુકાની મોસ્કુટ આશ્રમશાળામાં એકસાથે 11 જેટલા બાળકો અચાનક ધુણવા લાગતા આખી શાળામાં અને ગ્રામજનોમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ અચાનક બનેલી ઘટનાને કારણે શિક્ષકો અને સંચાલકોમાં દોડધામ થઈ ગઈ હતી.</p><h2><b>108ની મદદથી હોસ્પિટલ ખસેડાયા બાળકો</b></h2><p>ઘટનાની ગંભીરતા જોતા શાળાના સત્તાવાળાઓ દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. તમામ બાળકોને સારવાર માટે સૌપ્રથમ ડેડિયાપાડા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ તપાસ અને સારવાર માટે તેમને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.</p><h2><b>શરૂઆતમાં ફૂડ પોઈઝનિંગની આશંકા, પણ લક્ષણો ન મળ્યા</b></h2><p>આ ઘટનાની શરૂઆતમાં બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, તપાસ દરમિયાન સામે આવ્યું કે, બાળકોને ઝાડા, ઉલ્ટી કે પેટમાં દુખાવા જેવી કોઈ જ તકલીફ કે ફરિયાદ ન હતી. જેના કારણે આ ઘટના પાછળ કોઈ માનસિક કે અન્ય કારણ હોવાની પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2101163745942937610"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>શિક્ષકોનો આંતરિક વિખવાદ અને ગ્રામજનોની ચિંતા</b></h2><p>આ રહસ્યમય ઘટના પાછળ શાળાના શિક્ષકો વચ્ચે ચાલી રહેલો આંતરિક વિખવાદ પણ હાલ ચર્ચાના એરણે ચડ્યો છે. સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે કે, શિક્ષકોના આંતરિક વિવાદોને કારણે માસૂમ બાળકોના શિક્ષણ અને ભવિષ્ય પર માઠી અસર ન પડે.</p><h2><b>ઘટનાના ખુલાસા અને સમય</b></h2><p>મહત્વની વાત એ છે કે, આ ચોંકાવનારી ઘટના ગત 9 તારીખના રોજ બની હતી, પરંતુ તેના વિશેના ખુલાસા અને વિગતો હવે સામે આવી રહી છે, જેને લઈને વિસ્તારમાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2101164087308873869"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>ધૂણવા પાછળના અલગ-અલગ દૃષ્ટિકોણ</b></h2><ul><li><b>ધાર્મિક અને આસ્થાળુ માન્યતા:&nbsp;</b>ઘણા લોકો માને છે કે શરીરમાં કોઈ દેવી, દેવતા, શક્તિ કે આત્માનો પ્રવેશ થવાથી વ્યક્તિ ધૂણે છે</li><li><b>વૈજ્ઞાનિક અને તબીબી દ્રષ્ટિકોણ:</b> વિજ્ઞાન અને મનોચિકિત્સકોના મત મુજબ, ધૂણવું એ કોઈ દૈવી શક્તિ નથી, પરંતુ એક માનસિક સમસ્યા, હિસ્ટરીયા કે સ્ટ્રેસનું પરિણામ છે</li><li><b>અંધશ્રદ્ધા કે દેખાડો:</b> ઘણા કિસ્સાઓમાં આ માત્ર એક ઢોંગ, ધતિંગ કે માન્યતાઓનો લાભ લેવા માટેનું માધ્યમ હોય છે</li></ul><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/narmada/narmada-hindi-day-celebrated-at-government-college-dediapada" target="_blank">Narmada: દેડિયાપાડાની સરકારી કૉલેજમાં હિન્દી દિવસની ઉજવણી</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/KeZu4ZoJ5NsdzKfpPuMzN2mgADWFdQWplSMbNFVQ.webp'/></item></channel></rss>