<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[CWG 2026 Medal Tally: ઓસ્ટ્રેલિયાનો દબદબો યથાવત, જાણો ભારત ક્યાં નંબરે છે? ]]></title><link>https://sandesh.com/sports/news/commonwealth-games-2026-medal-tally-update</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/commonwealth-games-2026-medal-tally-update</guid><pubDate>Tue, 28 Jul 2026 23:47:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કોમનવેલ્થ ગેમ્સ 2026માં અત્યાર સુધીના મેડલ ટેલીમાં ઓસ્ટ્રેલિયાએ સંપૂર્ણ પ્રભુત્વ જમાવ્યું છે. 28 ગોલ્ડ, 13 સિલ્વર અને 20 બ્રોન્ઝ સહિત કુલ 61 મેડલ સાથે તે મેડલ ટેબલમાં પ્રથમ સ્થાને મજબૂત રીતે પકડ બનાવી છે.&nbsp;</p><p style="text-align: justify; ">ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ સ્વિમિંગ, સાઈકલિંગ, એથ્લેટિક્સ અને વેઈટલિફ્ટિંગ જેવી વિવિધ રમતોમાં સતત શાનદાર પ્રદર્શન કરીને અન્ય દેશો કરતાં મોટી લીડ બનાવી છે.</p><h2 style="text-align: justify; "><b>મેડલ ટેલીમાં બીજા નંબરે ઈંગ્લેન્ડ</b></h2><p style="text-align: justify; ">મેડલ ટેલીમાં  બીજા નંબરે ઈંગ્લેન્ડ છે, જેના ખાતામાં 10 ગોલ્ડ, 17 સિલ્વર અને 12 બ્રોન્ઝ સહિત કુલ 39 મેડલ છે. ગોલ્ડ મેડલની સંખ્યામાં ઓસ્ટ્રેલિયાથી ઘણું પાછળ હોવા છતાં ઈંગ્લેન્ડે વિવિધ રમતોમાં સતત મેડલ જીતીને પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.</p><p style="text-align: justify; ">કેનેડા 10 ગોલ્ડ, 8 સિલ્વર અને 9 બ્રોન્ઝ સાથે કુલ 27 મેડલ મેળવીને ત્રીજા નંબરે છે. કેનેડાના ખેલાડીઓએ ખાસ કરીને વેઈટલિફ્ટિંગ અને અન્ય વ્યક્તિગત સ્પર્ધાઓમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. ચોથા સ્થાને સ્કોટલેન્ડ છે, જેને 6 ગોલ્ડ સહિત કુલ 13 મેડલ જીત્યા છે.</p><h3 style="text-align: justify; "><b>નાઈજીરીયા ગોલ્ડ મેડલના આધારે ભારતથી આગળ</b></h3><p style="text-align: justify; ">નાઈજીરીયા 6 ગોલ્ડ અને 4 સિલ્વર સાથે કુલ 10 મેડલ મેળવી પાંચમા નંબરે છે. પરંતુ તેના ખાતામાં એક પણ બ્રોન્ઝ મેડલ નથી, પરંતુ ગોલ્ડ મેડલના આધારે તે ભારતથી આગળ છે. મલેશિયા 4 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ સાથે કુલ 8 મેડલ મેળવીને છઠ્ઠા સ્થાને છે.</p><h3 style="text-align: justify; "><b>ભારત હાલમાં આઠમા નંબરે</b></h3><p style="text-align: justify; ">સાઉથ આફ્રિકાએ 3 ગોલ્ડ, 3 સિલ્વર અને 5 બ્રોન્ઝ સહિત કુલ 11 મેડલ જીત્યા છે અને તે સાતમા નંબરે છે. ભારત હાલમાં આઠમા નંબરે છે. ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધી 2 ગોલ્ડ, 5 સિલ્વર અને 3 બ્રોન્ઝ સહિત કુલ 10 મેડલ જીત્યા છે. ભારત પાસે હજુ ઘણી સ્પર્ધાઓ બાકી હોવાથી આગામી દિવસોમાં મેડલ ટેલીમાં સુધારો થવાની સારી તક છે.</p><p style="text-align: justify; "><img alt="Commonwealth Games 2026 Medal Tally Table" src="https://epapercdn.sandesh.com/images/2026/07/28/P3ulckykS2bzQYUcrHd01nFXauvEpqtlk7s4wSlw.webp"><br></p><p style="text-align: justify; ">જમૈકા 2 ગોલ્ડ મેડલ સાથે નવમા નંબરે છે. જોકે કુલ માત્ર 2 મેડલ હોવા છતાં ગોલ્ડ મેડલની સંખ્યાને કારણે તે ન્યૂઝીલેન્ડથી આગળ છે. ન્યૂઝીલેન્ડ 1 ગોલ્ડ, 5 સિલ્વર અને 3 બ્રોન્ઝ સહિત કુલ 9 મેડલ સાથે ટોપ-10માં દસમા નંબરે છે.</p><p style="text-align: justify; ">હાલની સ્થિતિ દર્શાવે છે કે ઓસ્ટ્રેલિયા ગોલ્ડ અને કુલ મેડલ બંનેમાં સ્પષ્ટપણે સૌથી આગળ છે. બીજી તરફ ભારત સહિત અનેક દેશો માટે હજુ ઘણી સ્પર્ધાઓ બાકી હોવાથી આગામી દિવસોમાં મેડલ ટેબલમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળી શકે છે. ખાસ કરીને એથ્લેટિક્સ, કુસ્તી, બેડમિન્ટન, બોક્સિંગ અને અન્ય મહત્વની સ્પર્ધાઓના પરિણામો અંતિમ મેડલ ટેલીમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે. આ મેડલ ટેબલ ટેલી ભારતીય સમય મુજબ 28 જુલાઈ, 11:30નું છે, જેમાં ફેરફાર થવાની શક્યતા છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/ishan-kishan-run-out-abhishek-sharma-stump-mic-video" target="_blank">Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/np9E4SPhYQLA6VUpVM1ObhxDirHIejfU7IvzqAcU.webp'/></item><item><title><![CDATA[CJP Protest : દિલ્હી પોલીસે 4 સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ફટકારી નોટિસ, કહ્યું 'ફેક પોસ્ટ હટાવો' ]]></title><link>https://sandesh.com/india/news/cjp-protest-delhi-police-notice-social-media-platforms-fake-posts-removal</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/cjp-protest-delhi-police-notice-social-media-platforms-fake-posts-removal</guid><pubDate>Tue, 28 Jul 2026 23:38:27 +05:30</pubDate><description><![CDATA[<p>કોકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રદર્શન દરમિયાન દિલ્હીમાં થયેલી હિંસા અને ઉપદ્રવના મામલે દિલ્હી પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે વિશ્વની ચાર મોટી સોશિયલ મીડિયા કંપનીઓ Facebook, Instagram, YouTube અને Xને નોટિસ પાઠવી છે. આ પ્લેટફોર્મ્સ પર ખોટી માહિતી, ભ્રામક નેરેટિવ અને ફેક કન્ટેન્ટ ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.</p><h2><b>એડિટ કરાયેલા ફોટા અને ડીપફેક વીડિયો અપલોડ કરવામાં આવ્યા</b></h2><p>દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, CJP આંદોલન અને ત્યારબાદ થયેલી હિંસા દરમિયાન સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં ફેક પોસ્ટ, એડિટ કરાયેલા ફોટા અને ડીપફેક વીડિયો અપલોડ કરવામાં આવ્યા હતા. પોલીસનું કહેવું છે કે આવા ભ્રામક કન્ટેન્ટ દ્વારા લોકોમાં ઉશ્કેરણી ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની IFSO યુનિટે આ મામલે તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે કેટલાક સોશિયલ મીડિયા ન્યૂઝ પોર્ટલ્સ અને અલગ-અલગ હેન્ડલ્સ દ્વારા પણ ચકાસણી વગર વિવાદિત સમાચાર અને વીડિયો શેર કરવામાં આવ્યા હતા.</p><h3><b>વીડિયોને તાત્કાલિક દૂર કરવા સૂચના આપી</b></h3><p>આ મામલે પોલીસે Facebook, Instagram, X અને YouTubeને નોટિસ મોકલીને આવા તમામ વિવાદિત હેન્ડલ્સ, પોસ્ટ્સ અને વીડિયોને તાત્કાલિક દૂર કરવા સૂચના આપી છે. પોલીસનું કહેવું છે કે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ અને ખોટી માહિતીઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, સામાન્ય લોકો પાસેથી પણ ભ્રામક કન્ટેન્ટ અંગે સતત ફરિયાદો મળી રહી હતી. ફરિયાદો અને રિપોર્ટના આધારે શંકાસ્પદ એકાઉન્ટ્સ, લિંક્સ અને પોસ્ટ્સને ચિહ્નિત કરવામાં આવી રહ્યા છે.</p><p>પોલીસે જણાવ્યું છે કે સોશિયલ મીડિયા કંપનીઓ પાસેથી મળતી માહિતી અને તપાસના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસનો ઉદ્દેશ દેશની શાંતિ અને સુરક્ષાને અસર કરતા કન્ટેન્ટને રોકવાનો અને જવાબદાર લોકો સામે કડક પગલાં લેવાનો છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/neet-ug-paper-leak-case-cbi-files-charge-sheet-against-13-accused" target="_blank">આ પણ વાંચો : NEET પેપર લીક કેસમાં CBIની મોટી કાર્યવાહી, 13 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/BNlQ4Ntf5E9WseH264sGEKISmQydolGmahuu4POR.webp'/></item><item><title><![CDATA[Vadodaraના ફતેગંજ બ્રિજ પર ST બસ અને એક્ટિવા વચ્ચે જીવલેણ અકસ્માત, એક્ટિવાચાલક યુવતીનું ઘટનાસ્થળે જ મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/fatal-accident-between-st-bus-and-activa-on-fatehganj-bridge-in-vadodara-activa-driver-dies-on-the-spot</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/fatal-accident-between-st-bus-and-activa-on-fatehganj-bridge-in-vadodara-activa-driver-dies-on-the-spot</guid><pubDate>Tue, 28 Jul 2026 23:32:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા શહેરના અતિ વ્યસ્ત ગણાતા ફતેગંજ બ્રિજ પર એક જીવલેણ માર્ગ અકસ્માત ની ઘટના સામે આવી છે. પુરઝડપે જઈ રહેલી એક એસટી (ST) બસ અને એક્ટિવા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે એક્ટિવા ચાલક યુવતી બસની ઝપેટમાં આવી ગઈ હતી અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>વાડી વિસ્તારની યુવતીનું ઘટનાસ્થળે જ નીપજ્યું મોત</b></h2><p style="text-align: justify; ">આ કરૂણ દુર્ઘટનામાં એક્ટિવા સવાર અને વડોદરાના વાડી વિસ્તારની રહેવાસી તૃપ્તિ માળી નામની યુવતીનું કરૂણ મોત નીપજ્યું છે. ઘટનાને પગલે બ્રિજ પર લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. અકસ્માત સર્જાયા બાદ ગભરાઈ ગયેલો એસટી બસ ચાલક બસ સ્થળ પર જ મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.</p><h3 style="text-align: justify; "><b>28 દિવસમાં આ છઠ્ઠો જીવલેણ અકસ્માત&nbsp;</b></h3><p style="text-align: justify; ">નોંધનીય છે કે, ફતેગંજ બ્રિજ પર વાહનોની અનિયંત્રિત ઝડપ અને ટ્રાફિકની સમસ્યાના કારણે અકસ્માતોનો સિલસિલો થંભવાનું નામ નથી લઈ રહ્યો. આ વિસ્તારમાં છેલ્લા 28 દિવસમાં જ આ છઠ્ઠો જીવલેણ અકસ્માત નોંધાયો છે. એક જ મહિનાની અંદર આટલા બધા અકસ્માતોમાં લોકોએ જીવ ગુમાવતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો માંગ કરી રહ્યા છે કે પોલીસ અને ટ્રાફિક તંત્ર દ્વારા ફતેગંજ બ્રિજ પર સ્પીડ લિમિટ અને ટ્રાફિક નિયંત્રણ માટે કડક પગલાં ભરવામાં આવે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/ofwjbAC9EwDquGu4QNqPfhMDMVrrxOayI2iaTzY3.webp'/></item><item><title><![CDATA[Gir Somnath News: સુત્રાપાડાના કદવાર ગામે ખુલ્લા કૂવામાં ખાબકેલા દીપડાનું વન વિભાગે કર્યું સફળ રેસ્ક્યુ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gir-somnath/gir-somnath-news-forest-department-successfully-rescues-leopard-that-fell-into-open-well-in-kadwar-village-of-sutrapada</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gir-somnath/gir-somnath-news-forest-department-successfully-rescues-leopard-that-fell-into-open-well-in-kadwar-village-of-sutrapada</guid><pubDate>Tue, 28 Jul 2026 23:18:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં આવેલા કદવાર ગામે એક દીપડો ખુલ્લા કૂવામાં ખાબક્યો હોવાની ઘટના સામે આવી છે. કદવાર ગામના સ્થાનિક ખેડૂત મહેશભાઈ વાજાની વાડીમાં આવેલા ખુલ્લા કૂવામાંથી અચાનક અવાજ આવતાં તેમણે તપાસ કરી હતી, જ્યાં કૂવાના પાણીમાં એક દીપડો ખાબકેલો નજરે પડ્યો હતો. ખેડૂતે સમયસૂચકતા વાપરીને આ અંગેની જાણ તાત્કાલિક સુત્રાપાડા વન વિભાગની ટીમને કરી હતી.</p><h2 style="text-align: justify; "><b>વન વિભાગનું સપાટાબંધ રેસ્ક્યુ ઓપરેશન</b></h2><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં જ વન વિભાગનો કાફલો રેસ્ક્યુ સામગ્રી અને પાંજરા સાથે ત્વરિત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ત્યારબાદ વન વિભાગની ટીમે સ્થાનિકોની મદદથી કૂવામાં પાંજરું ઉતારીને ભારે જહેમત બાદ દીપડાને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. કૂવામાંથી દીપડાને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મળતાં વાડી માલિક સહિત ઉપસ્થિત સ્થાનિક રહીશો અને વન તંત્રએ મોટો રાહતનો શ્વાસ લીધો હતો.</p><h3 style="text-align: justify; "><b>વન વિભાગ દ્વારા દીપડાને એનિમલ કેર સેન્ટર ખસેડાયો</b></h3><p style="text-align: justify; ">કૂવામાંથી સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયા બાદ, દીપડાની શારીરિક તપાસ અને પ્રાથમિક સારવાર માટે તેને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. તબીબી નિરીક્ષણ બાદ તેને પુનઃ જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે. વન વિભાગ દ્વારા દર્શાવાયેલી ત્વરિત સક્રિયતા અને સુચારુ કામગીરીની સ્થાનિક ગ્રામજનો દ્વારા ભારે સરાહના કરવામાં આવી રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/1VIxInxeAGStG6gfFkwofP7hC7FlNG9GKBaaEwu5.webp'/></item><item><title><![CDATA[Mehsana News: ચાંદીપુરા વાયરસ સામે GMERS વડનગરની મોટી જીત, 3 વર્ષની માસૂમ શિવાનીને મળ્યું નવજીવન ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/mehsana-news-gmers-vadnagars-big-victory-against-chandipura-virus-3-year-old-innocent-shivani-gets-a-new-lease-of-life</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/mehsana-news-gmers-vadnagars-big-victory-against-chandipura-virus-3-year-old-innocent-shivani-gets-a-new-lease-of-life</guid><pubDate>Tue, 28 Jul 2026 22:54:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ચાંદીપુરા વાયરસના વધતા જતા કેસો વચ્ચે મહેસાણા જિલ્લામાંથી એક અત્યંત રાહત અને આશાસ્પદ સમાચાર સામે આવ્યા છે. સાબરકાંઠા જિલ્લાના પોશીના ગામની 3 વર્ષની માસૂમ બાળકી શિવાની ચાંદીપુરા વાયરસની ગંભીર ઝપેટમાં આવી ગઈ હતી. ગત 9 જુલાઈના રોજ બાળકીને સતત આંચકી આવવી, બેભાન અવસ્થા અને મગજ સંબંધિત ગંભીર ન્યુરોલોજિકલ લક્ષણો સાથે અત્યંત નાજુક સ્થિતિમાં GMERS વડનગર હોસ્પિટલના ICU માં દાખલ કરવામાં આવી હતી.</p><h2 style="text-align: justify; "><b>તબીબોની મહેનત અને વેન્ટિલેટર સપોર્ટથી મળી સફળતા</b></h2><p style="text-align: justify; ">બાળકીની ગંભીર સ્થિતિને જોતાં તબીબોની ટીમે ત્વરિત અને યોગ્ય સારવાર શરૂ કરી હતી. વેન્ટિલેટર સપોર્ટ, મગજ અને લિવરની જટિલતા પર કાબૂ મેળવવા માટેની વિશેષ દવાઓ તેમજ શ્રેષ્ઠ ફિઝિયોથેરાપીની મદદથી તબીબોએ આ જટિલ કેસ પર સફળતાપૂર્વક નિયંત્રણ મેળવ્યું હતું. બાળરોગ વિભાગના વડા ડૉ. પ્રજ્ઞા ખન્ના, ડૉ. વિશ્વા, ડૉ. નિખિલ, ડૉ. રત્ના ભોજક અને તમામ રેસિડેન્ટ ડોક્ટર્સ તથા પેરામેડિકલ સ્ટાફની દિવસ-રાતની ભગીરથ મહેનતથી બાળકી મોતના મુખમાંથી બહાર આવી છે.</p><h3 style="text-align: justify; "><b>સંપૂર્ણ સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ, સરકારી હોસ્પિટલની કામગીરીની પ્રશંસા</b></h3><p style="text-align: justify; ">ચાંદીપુરા વાયરસ સામેની આ કઠિન જંગ જીતીને 3 વર્ષની શિવાની સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જતાં આજે તેને હોસ્પિટલમાંથી ખુશીખુશી રજા (ડિસ્ચાર્જ) આપવામાં આવી છે. GMERS વડનગરની આ અભૂતપૂર્વ સફળતાએ સાબિત કરી દીધું છે કે ઉત્તમ તબીબી ક્ષમતા અને તકેદારીના બળે સરકારી હોસ્પિટલોમાં પણ વિશ્વસનીય અને અદ્યતન સારવાર શક્ય છે. માસૂમ બાળકીને નવજીવન મળતાં તેના પરિવારે તમામ તબીબો અને સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/MR1K2QaKL1LkStnlJe5AImYhpPUMBgMs4MxSFHhA.webp'/></item><item><title><![CDATA[Supreme Courtના આદેશ સામે CJPની નારાજગી, કહ્યું 'ફરી વિરોધ પ્રદર્શન કર્યા સિવાય કોઈ રસ્તો નથી' ]]></title><link>https://sandesh.com/india/news/supreme-court-order-cjp-protest-fir-withdrawal-demand</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/supreme-court-order-cjp-protest-fir-withdrawal-demand</guid><pubDate>Tue, 28 Jul 2026 22:35:40 +05:30</pubDate><description><![CDATA[<p>કોકરોચ જનતા પાર્ટી (CJP)એ વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન સંબંધિત સુપ્રીમ કોર્ટના અંતરિમ આદેશના ચોથા મુદ્દા સામે વાંધો વ્યક્ત કર્યો છે. આ મુદ્દામાં સુપ્રીમ કોર્ટે દિલ્હી-NCT સહિત અન્ય રાજ્યોમાં નોંધાયેલી FIRની તપાસ આગળ વધારવાની મંજૂરી આપી છે. જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે શાંતિપૂર્ણ વિરોધમાં સામેલ વિદ્યાર્થીઓ સામે કોઈ કડક કાર્યવાહી નહીં કરવામાં આવે, પરંતુ ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોને આ સુરક્ષા લાગુ નહીં પડે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/abhijeet_dipke/status/2082103529217388711"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>આ આદેશ દેશભરમાં ચિંતા ઉભી કરે છે</b></h2><p>CJPએ સોશિયલ મીડિયા પર નિવેદન જાહેર કરીને કહ્યું કે આ આદેશ દેશભરમાં ચિંતા ઉભી કરે છે. પાર્ટીનું કહેવું છે કે 25 જુલાઈ 2026ના રોજ કેન્દ્ર સરકારે વિદ્યાર્થીઓને આપેલા લેખિત આશ્વાસન મુજબ શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ સામેની FIR પાછી ખેંચવામાં આવશે અને તેમની સામે કોઈ કાર્યવાહી નહીં થાય. આ ખાતરીના આધારે જ CJPએ પોતાનું દેશવ્યાપી આંદોલન પાછું ખેંચ્યું હતું.</p><p>CJPએ આરોપ લગાવ્યો કે હવે કેન્દ્ર સરકાર અને ભાજપ શાસિત રાજ્યો સુપ્રીમ કોર્ટના આદેશનો આધાર લઈને વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓ સામેની FIRની તપાસ ચાલુ રાખી તેમને હેરાન કરી શકે છે. પાર્ટીએ વધુમાં કહ્યું કે સરકારના વકીલોએ પણ કોર્ટ સમક્ષ અગાઉ થયેલા સમાધાન અને ખાતરીની માહિતી રજૂ કરી નહોતી.</p><h3><b>રાજ્ય સરકારો વિદ્યાર્થીઓને આપેલા વચનોનું સન્માન કરે</b></h3><p>પાર્ટીનું કહેવું છે કે કોર્ટના આદેશમાં ક્યાંય એવું કહેવામાં આવ્યું નથી કે સરકાર માટે FIR પાછી ખેંચવી ફરજિયાત રીતે અશક્ય છે. FIR પાછી ખેંચવાનો નિર્ણય કાર્યપાલિકાના અધિકારક્ષેત્રમાં આવે છે અને સરકાર પોતાના વચનનું પાલન કરી શકે છે. CJPએ કેન્દ્ર સરકાર અને સંબંધિત રાજ્ય સરકારોને અપીલ કરી છે કે તેઓ સુપ્રીમ કોર્ટ સમક્ષ સમગ્ર સમજૂતી રજૂ કરે અને વિદ્યાર્થીઓને આપેલા વચનોનું સન્માન કરે. પાર્ટીએ ચેતવણી આપી છે કે જો સરકાર પોતાનું વચન નહીં નિભાવે તો વિદ્યાર્થીઓના હિતોની રક્ષા માટે ફરીથી દેશવ્યાપી વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/neet-ug-paper-leak-case-cbi-files-charge-sheet-against-13-accused" target="_blank">આ પણ વાંચો : NEET પેપર લીક કેસમાં CBIની મોટી કાર્યવાહી, 13 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/8a3TmiRZY73zhInLpPHNL68UsU07MrBfDt2GG7Jh.webp'/></item><item><title><![CDATA[Auto માર્કેટમાં 10 વર્ષનો દબદબો અને 15 લાખથી વધુ યુનિટ્સ વેચાયા બાદ આ નવી SUV નવા અવતારમાં થશે લોન્ચ ]]></title><link>https://sandesh.com/business/news/automobile/after-10-years-of-dominance-in-the-auto-market-and-selling-more-than-15-lakh-units-this-new-suv-will-be-launched-in-a-new-avatar</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/after-10-years-of-dominance-in-the-auto-market-and-selling-more-than-15-lakh-units-this-new-suv-will-be-launched-in-a-new-avatar</guid><pubDate>Tue, 28 Jul 2026 22:29:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મારુતિ સુઝુકીએ તાજેતરમાં જ પોતાની લોકપ્રિય કોમ્પેક્ટ SUV Brezza નું નવું મોડલ લોન્ચ કર્યું છે. નવી Brezza માં કંપનીએ ઘણા મોટા ફેરફારો કર્યા છે. તેની બહારની ડિઝાઇનને પહેલા કરતા વધુ આકર્ષક બનાવવામાં આવી છે, જ્યારે કેબિનમાં પણ ઘણા નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. જોકે કંપનીએ તેની મૂળ ઓળખ અને આકારમાં વધારે ફેરફાર કર્યો નથી, જેથી તે પહેલી નજરે Brezza જેવી જ દેખાય છે. નવી Maruti Brezza ની એક્સ-શોરૂમ કિંમત રૂ.7.39 લાખથી શરૂ થઈને રૂ.13.70 લાખ સુધી જાય છે.</p><h2 style="text-align: justify; "><b>15 લાખથી વધુ વેચાણનો બનાવ્યો રેકોર્ડ</b></h2><p style="text-align: justify; ">છેલ્લા 10 વર્ષોમાં Maruti Brezza ની લોકપ્રિયતા સતત વધી છે. અત્યાર સુધીમાં ભારતમાં તેના 14,61,889 યુનિટ્સ વેચાઈ ચૂક્યા છે, જ્યારે 52,828 યુનિટ્સની વિદેશમાં નિકાસ કરવામાં આવી છે. આ રીતે Brezza નું કુલ વેચાણ 15,14,717 યુનિટ્સના આંકડાને પાર કરી ગયું છે. આ સીમાચિહ્ન પ્રાપ્ત કરીને તે ભારતની સૌથી સફળ કોમ્પેક્ટ SUVs માંની એક બની ગઈ છે.</p><h3 style="text-align: justify; "><b>ડીઝલ એન્જિનથી શરૂઆત અને પેટ્રોલ તરફ પ્રયાણ</b></h3><p style="text-align: justify; ">Brezza ની શરૂઆત માત્ર ડીઝલ એન્જિન સાથે થઈ હતી, જેમાં ફિયાટનું 1.3-લીટર DDiS ટર્બો ડીઝલ એન્જિન મળતું હતું. વર્ષ 2020 માં BS6 નિયમો લાગુ થયા બાદ અને મારુતિ દ્વારા ડીઝલ એન્જિન બંધ કરાયા પછી કંપનીએ તેમાં 1.5-લીટર K15B પેટ્રોલ એન્જિન આપવાનું શરૂ કર્યું. આ નિર્ણય ખૂબ જ સફળ સાબિત થયો અને Brezza સતત ચાર વર્ષ સુધી ભારતની સૌથી વધુ વેચાતી SUV રહી. જોકે, બાદમાં Hyundai Creta, Tata Nexon અને Tata Punch જેવી નવી ગાડીઓની એન્ટ્રીથી માર્કેટમાં સ્પર્ધા વધી છે.</p><h4 style="text-align: justify; "><b>નવું ટર્બો એન્જિન અને અંડરબોડી CNG ટેકનોલોજી</b></h4><p style="text-align: justify; ">નવી Brezza માં સૌથી મોટો ફેરફાર તેનું 1.0-લીટર ટર્બો પેટ્રોલ એન્જિન છે, જે 110hp નો પાવર અને 170Nm નો ટોર્ક આપે છે. આ સિવાય 1.5-લીટર પેટ્રોલ એન્જિન પણ પહેલાની જેમ જ મળશે અને તેની સાથે CNG નો વિકલ્પ પણ રહેશે. નવી CNG કિટ હવે ગાડીની નીચે (અંડરબોડી) ફીટ કરવામાં આવી છે, જેનાથી બૂટ સ્પેસ (ડિકીની જગ્યા) પહેલા કરતા વધુ મળશે. કારમાં 6-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સના વિકલ્પો ઉપલબ્ધ છે.</p><h5 style="text-align: justify; "><b>આકર્ષક ડિઝાઇન અને પ્રીમિયમ ફીચર્સ</b></h5><p style="text-align: justify; ">ડિઝાઇનની વાત કરીએ તો આ SUV માં નવી ફ્રન્ટ ગ્રિલ, અપડેટ કરેલું બમ્પર, નવા 16-ઇંચના એલોય વ્હીલ્સ અને ડાર્ક ક્રોમ ફિનિશ આપવામાં આવી છે. ઇન્ટિરિયરમાં 10.1-ઇંચનું મોટું ટચસ્ક્રીન, 64-કલર એમ્બિયન્ટ લાઇટિંગ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, એર પ્યુરિફાયર, વાયરલેસ ચાર્જર માટે કુલિંગ સિસ્ટમ અને Alexa સપોર્ટ જેવા અદ્યતન અને પ્રીમિયમ ફીચર્સ જોડવામાં આવ્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/automobile" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/UkvhS4WzmyOp5l01ZhM4MHVSRtJVpzeIKpSzENde.webp'/></item><item><title><![CDATA[Bhavnagar News: ACBએ છટકું ગોઠવીને મનપાના આધારકાર્ડ ઓપરેટર વિજય ડાભીને લાંચ લેતા ઝડપ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/bhavnagar/municipal-aadhaar-operator-vijay-dabhi-caught-taking-bribe</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/bhavnagar/municipal-aadhaar-operator-vijay-dabhi-caught-taking-bribe</guid><pubDate>Tue, 28 Jul 2026 20:14:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભાવનગર મહાનગરપાલિકાની પશ્ચિમ ઝોનલ કચેરી ખાતે એન્ટી કરપ્શન બ્યુરો એ મોટી કાર્યવાહી કરીને ભ્રષ્ટાચારના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.આધારકાર્ડમાં સુધારા વધારા કરાવવાના કામ માટે નાગરિકો પાસેથી ગેરકાયદેસર રીતે લાંચ લેવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી.આ મામલે એસીબીની ટીમે આયોજનબદ્ધ રીતે છટકું ગોઠવીને લાંચ લેતા આરોપીને ઘટનાસ્થળેથી જ ઝડપી પાડ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>આધારકાર્ડમાં સુધારા માટે લાંચ માંગવામાં આવી</b></h2><p style="text-align: justify; ">તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે, ખાનગી ઓનલાઇન સર્વિસ સેન્ટર ચલાવતો આરોપી અશ્વિન બાંભણિયા ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓ સાથે મળીને લાંચનું આખું નેટવર્ક ચલાવતો હતો.આધારકાર્ડમાં જરૂરી સુધારા-વધારા કરવાના કામ માટે અરજદારો પાસેથી રૂ.2000થી લઈને રૂ.3000 સુધીની લાંચ વસૂલવામાં આવતી હતી.આ કેસમાં પણ ફરિયાદી પાસેથી આધારકાર્ડમાં સુધારા માટે રૂ.3000ની લાંચ માંગવામાં આવી હતી.</p><h3 style="text-align: justify; "><b>અશ્વિન બાંભણીયા સ્થળ પરથી ફરાર</b></h3><p style="text-align: justify; ">એસીબીએ ગોઠવેલા છટકામાં ફરિયાદી પાસેથી રૂ.3,000ની લાંચ સ્વીકારતા જ આધારકાર્ડ ઓપરેટર વિજય ડાભીને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. જોકે, આ સમગ્ર નેટવર્કમાં સામેલ અન્ય એક શખ્સ અશ્વિન બાંભણીયા સ્થળ પરથી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. પોલીસે ઝડપાયેલા આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર આરોપીને પકડવા માટે તપાસ તેજ કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/congress-questions-3000-crore-world-bank-loan-for-drainage" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News : વર્લ્ડ બેંક પાસેથી ડ્રેનેજ લાઇન માટે 3 હજાર કરોડની લોન લીધી પણ પરિણામ શૂન્ય : કોંગ્રેસ</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/m6uR81scaZAJMflIM3YN2iPMQG26rVzLXbxL8b5z.webp'/></item><item><title><![CDATA[Rajkot News: શહેરમાં રિક્ષા ચાલકે ટક્કર મારતા એક્ટિવા સવાર પોલીસ કર્મીનું મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/police-constable-dies-after-auto-rickshaw-hits-his-activa</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/police-constable-dies-after-auto-rickshaw-hits-his-activa</guid><pubDate>Tue, 28 Jul 2026 19:57:35 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટમાં હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં એક પોલીસ કર્મીનું મોત થયું હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. શહેરના મવડી પોલીસ હેડક્વાર્ટર નજીક સર્જાયેલા ગંભીર અકસ્માતના બનાવમાં ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીનું સારવાર દરમિયાન દર્દનાક મોત નીપજતાં પોલીસ બેડામાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. આ મામલો હિટ એન્ડ રનનો હોવાનું સામે આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>એક્ટિવા ચાલક પોલીસ કર્મીનું મોત</b></h2><p style="text-align: justify; ">મળતી વિગતો મુજબ રાજકોટ ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા 24 વર્ષીય યુવાન પોલીસ કર્મચારી કેયુર રામાણી પોતાના એક્ટિવા મોપેડ પર સવાર થઈને મવડી હેડક્વાર્ટર ખાતે ટ્રેનિંગ માટે જઈ રહ્યા હતા.તે દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલા એક રિક્ષા ચાલકે તેમના એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી અને અકસ્માત સર્જીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.</p><h3 style="text-align: justify; "><b>રિક્ષા ચાલક ફરાર થઈ જતાં પોલીસે ચક્રો ગતિમાન કર્યા</b></h3><p style="text-align: justify; ">આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા કેયુર રામાણીને તુરંત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું.બનાવ અંગે પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધી ફરાર રિક્ષા ચાલકને ઝડપી પાડવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી આગળની તપાસ હાથ ધરી છે. શહેરમાં બેફામ ગતિએ વાહનો હંકારતા લોકો સામે પોલીસે લાલ આંખ કરી છે.&nbsp;&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/congress-questions-3000-crore-world-bank-loan-for-drainage" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News : વર્લ્ડ બેંક પાસેથી ડ્રેનેજ લાઇન માટે 3 હજાર કરોડની લોન લીધી પણ પરિણામ શૂન્ય : કોંગ્રેસ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/7UPGHB8txXpP7LXnj0PHXnstOzUw2u6fQIaCnpe3.webp'/></item><item><title><![CDATA[Dev Anandના પુત્ર Suneil Anandનું લંડનમાં નિધન, હાર્ટ એટેક આવ્યા બાદ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ ]]></title><link>https://sandesh.com/entertainment/news/india/dev-anands-son-suneil-anand-passes-away-in-london-breathed-his-last-in-hospital-after-suffering-a-heart-attack</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/india/dev-anands-son-suneil-anand-passes-away-in-london-breathed-his-last-in-hospital-after-suffering-a-heart-attack</guid><pubDate>Tue, 28 Jul 2026 17:38:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">વર્ષ 2011માં દેવ આનંદનું અવસાન થયું હતું. સુનીલે 70 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે.&nbsp;&nbsp;</p><h2 style="text-align: justify; ">લંડનમાં સારવાર દરમિયાન મોત&nbsp;</h2><p style="text-align: justify; ">દેવ આનંદના પુત્ર સુનીલ આનંદનું અવસાન થયું છે. તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને લંડનની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.  સુનીલ આનંદની ઉંમર 70 વર્ષ હતી. તેમના સમયના સ્વર્ગસ્થ, પ્રખ્યાત અભિનેતા દેવ આનંદના પુત્ર સુનીલ આનંદનું અવસાન થયું છે. તેમણે લગભગ 70 વર્ષની વયે લંડનમાં અંતિમ શ્વાસ લીધા. સુનીલની બહેન દેવીના આનંદની પુત્રી ગિની નારંગે એક નિવેદન બહાર પાડીને તેમના સુનીલના મૃત્યુની પુષ્ટિ કરી હતી.&nbsp;</p><h3 style="text-align: justify; ">મૃત્યુના સમાચારની પુષ્ટિ કરાઇ&nbsp;</h3><p style="text-align: justify; ">સુનીલની ભત્રીજી ગિની નારંગે નિવેદન બહાર પાડીને તેમના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમે ખૂબ જ દુઃખ સાથે સુનીલ આનંદના અવસાનના સમાચાર શેર કરીએ છીએ. પ્રેમ, પ્રાર્થના અને સમર્થનના વરસાદથી અમને ખૂબ જ સાંત્વના મળે છે, જેના માટે અમે ખૂબ જ આભારી છીએ. અમે વિનંતી કરીએ છીએ કે આ મુશ્કેલ સમયમાં અમને થોડી ગોપનીયતા આપવામાં આવે.</p><h4 style="text-align: justify; ">સુનીલ આનંદની ફિલ્મ કારકિર્દી&nbsp;&nbsp;</h4><p style="text-align: justify; ">સામાન્ય રીતે, ઘણા મોટા સ્ટાર્સ તેમના બાળકોને ફિલ્મોમાં ભવ્યતાથી લોન્ચ કરે છે, હીરો અથવા હિરોઇન તરીકે. જોકે, દેવ આનંદે આવું કર્યું નહીં. તેમણે તેમના પુત્રને બોલિવૂડમાં લોન્ચ કર્યો હતો, પરંતુ સહાયક અભિનેતા તરીકે. દેવ આનંદને 1984 માં "આનંદ ઔર આનંદ" નામની ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. દેવ આનંદે મુખ્ય ભૂમિકા ભજવી હતી, અને રાખી અને સ્મિતા પાટિલ પણ આ ફિલ્મનો ભાગ હતા. સુનિલે ફિલ્મમાં સહાયક ભૂમિકા ભજવી હતી, પરંતુ ફિલ્મ ફ્લોપ રહી હતી. ત્યારબાદ સુનિલે મુખ્ય ભૂમિકાઓમાં અભિનય કર્યો. તેમણે "કાર થીફ" માં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેમાં તેઓ વિજયતા પંડિત સાથે દેખાયા હતા. ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ રહી. સુનિલના કાકા દ્વારા દિગ્દર્શિત "મૈં તેરે લિયે" પણ થિયેટરોમાં સારી કમાણી કરવામાં નિષ્ફળ ગઈ. બાદમાં તેમણે કેટલીક ફિલ્મો બનાવી, પરંતુ તેમની કારકિર્દી સારી રીતે સુધરી શકી નહીં.</p><h5 style="text-align: justify; ">તેમનું પુનરાગમન પણ ફ્લોપ રહ્યું</h5><p style="text-align: justify; ">ઘણા વર્ષો પછી, તેઓ 2001 માં "માસ્ટર" સાથે મોટા પડદા પર પાછા ફર્યા, જે એક માર્શલ આર્ટ ફિલ્મ હતી જેનું દિગ્દર્શન તેમણે પણ કર્યું હતું. જોકે, તે પણ સારી કમાણી કરવામાં નિષ્ફળ ગઈ. ત્યારબાદ તેમણે કોઈ ફિલ્મમાં અભિનય કર્યો નહીં. એવું કહેવાય છે કે 2011 માં દેવ આનંદના મૃત્યુ સુધી, તેમણે તેમની હોમ પ્રોડક્શન કંપની, નવકેતન ફિલ્મ્સમાં સહાયક દિગ્દર્શક તરીકે તેમની સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું. તેમના પિતાના મૃત્યુ પછી, તેમણે પ્રોડક્શન હાઉસ સંભાળ્યું, પરંતુ વધુ સફળતા પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયા. સુનિલની માતા, દેવ આનંદની પત્ની અને તેમના સમયની પ્રખ્યાત અભિનેત્રી, કલ્પના કાર્તિક, તેમની એકમાત્ર પુત્રી સાથે ઉટીમાં રહે છે. તેણી ૯૪ વર્ષની છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/world/news/business/usa/elon-musk-prediction-2036-the-world-will-witness-a-period-of-reverse-inflation-what-is-the-meaning-of-elon-musks-prediction" target="_blank"> દુનિયા રિવર્સ ફુગાવાના સમયગાળાની બનશે સાક્ષી, એલોન મસ્કની આગાહીનો શુ છે અર્થ?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/8DhIInBgoJILZAjl4KlWJwz7Js9dOHF8ym32Y4WQ.webp'/></item></channel></rss>