<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[JPSC પરીક્ષામાં કથિત ગેરરીતિનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, 19 એપ્રિલની પરીક્ષા રદ કરવાની માગ ]]></title><link>https://sandesh.com/india/news/jpsc-exam-irregularity-supreme-court-pil-april-19-exam-cancellation</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/jpsc-exam-irregularity-supreme-court-pil-april-19-exam-cancellation</guid><pubDate>Sat, 08 Aug 2026 16:52:57 +05:30</pubDate><description><![CDATA[<p>રાંચીમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન વચ્ચે ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન (JPSC)ની સંયુક્ત સિવિલ સર્વિસ પ્રિલિમિનરી પરીક્ષા-2025માં કથિત ગેરરીતિનો મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. સામાજિક કાર્યકર્તા અને રાજકીય નેતા હરિશરણ દેવગન દ્વારા સુપ્રીમ કોર્ટમાં જનહિત અરજી (PIL) દાખલ કરવામાં આવી છે. અરજીમાં 19 એપ્રિલ, 2026ના રોજ યોજાયેલી JPSC પ્રિલિમિનરી પરીક્ષા રદ કરીને કોર્ટની મંજૂરી હેઠળના સુરક્ષા ઉપાયો સાથે નવી પરીક્ષા યોજવાની માગ કરવામાં આવી છે.</p><h2><b>પરીક્ષાની પારદર્શિતાની તપાસ માટે સ્વતંત્ર સમિતિ રચવાની માગ</b></h2><p>અરજીમાં પરીક્ષામાં થયેલી કથિત અનિયમિતતાઓની સ્વતંત્ર, નિષ્પક્ષ અને સમયબદ્ધ તપાસ માટે CBIને નિર્દેશ આપવાની પણ માગ કરવામાં આવી છે. સાથે જ પરીક્ષાની નિષ્પક્ષતા અને પારદર્શિતાની તપાસ માટે સ્વતંત્ર સમિતિ રચવાની માગ છે. આ સમિતિની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ અથવા ઝારખંડ બહારની હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ કે ન્યાયાધીશ કરે તેવી માગ છે.</p><h3><b>પરિણામ બાદ ઊભા થયા સવાલ</b></h3><p>અરજીમાં જણાવાયું છે કે 2 જુલાઈ, 2026ના રોજ JPSC પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ વિવાદ ઊભો થયો હતો. એક સફળ ઉમેદવારની OMR ઉત્તરપત્રિકાની કાર્બન કૉપી સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પરીક્ષાની પ્રક્રિયા અંગે સવાલો ઉઠ્યા. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે ઉમેદવારે પ્રથમ પેપરમાં 100માંથી માત્ર 48 પ્રશ્નોના જવાબ આપ્યા હોવા છતાં તેને સફળ જાહેર કરવામાં આવ્યો હતો.</p><p>JPSCના એક સત્તાવાર નોટિસનો હવાલો આપતાં અરજીમાં CID તપાસ ચાલુ હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સફળ ઉમેદવારોને 30 જુલાઈથી 5 ઓગસ્ટ દરમિયાન પેપર-I અને પેપર-IIની OMR કાર્બન કૉપી જમા કરાવવા જણાવાયું હતું.</p><h4><b>રાંચીમાં વિદ્યાર્થીઓનું આંદોલન</b></h4><p>પરીક્ષા વિવાદને લઈને રાંચીમાં વિદ્યાર્થીઓનું આંદોલન હજુ પણ ચાલુ છે. વિદ્યાર્થીઓ 19 એપ્રિલની પરીક્ષા રદ કરીને ફરી પરીક્ષા યોજવાની માગ કરી રહ્યા છે. તેમની માગ છે કે નવી પરીક્ષા કોર્ટની દેખરેખ હેઠળ સુરક્ષિત વ્યવસ્થા સાથે યોજાય. અરજીમાં OMR સ્કેનિંગ, કોડિંગ, મૂલ્યાંકન અને પરિણામ તૈયાર કરવાની સમગ્ર પ્રક્રિયાના સ્વતંત્ર ઓડિટની પણ માગ કરવામાં આવી છે.</p><p><a href="https://sandesh.com/india/news/siddhivinayak-temple-donation-scam-fadnavis-five-year-audit-raj-thackeray" target="_blank"><b>આ પણ વાંચો : Siddhivinayak Temple Donation Scam : CM ફડણવીસે મંદિરના 5 વર્ષના રેકોર્ડની તપાસના આપ્યા આદેશ, રાજ ઠાકરેએ લગાવ્યા હતા આરોપ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/321D0UVAgaPbZ4mrakSw76TrnrD9AlaNCci0I0cO.webp'/></item><item><title><![CDATA[Thalapathy Vijayની ફિલ્મ જોઈને ફેન બની સંગીતા, પછી પ્રેમમાં છોડી દીધું લંડન, આવી છે બંનેની લવ સ્ટોરી! ]]></title><link>https://sandesh.com/entertainment/news/thalapathy-vijay-sangeetha-love-story</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/thalapathy-vijay-sangeetha-love-story</guid><pubDate>Sat, 08 Aug 2026 16:43:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સાઉથના સુપરસ્ટાર અને તમિલનાડુના મુખ્યમંત્રી થલાપતિ વિજય હાલમાં પોતાની પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં છે. સંગીતા સોર્નાલિંગમે તાજેતરમાં છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી છે. બંને ઘણા સમયથી પોતાના સંબંધને લઈને ચર્ચામાં હતા. તેમની 27 વર્ષ જૂની મેરેજ લાઇફ તૂટવાની અણી પર પહોંચી ગઈ હતી. સંગીતાએ વિજય પર એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ લગાવ્યો હતો અને તે તેમની પાસેથી છૂટાછેડા લેવા માગતી હતી, પરંતુ હવે તેમણે પોતાની અરજી પાછી ખેંચી લીધી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>કોણ છે સંગીતા સોર્નાલિંગમ?</b></h2><p style="text-align: justify; ">સંગીતા સોર્નાલિંગમ શ્રીલંકાના એક મોટા બિઝનેસમેનની દીકરી છે. તેઓ શ્રીલંકન તમિલ પરિવાર સાથે સંબંધ ધરાવે છે, પરંતુ લગ્ન પહેલાં તેમની નાગરિકતા બ્રિટિશ હતી. તેમનું શિક્ષણ અને ઉછેર બધું જ બ્રિટનમાં થયું છે. તેઓ પોતાના પરિવાર સાથે લંડનમાં રહેતા હતા. વિજય સાથે લગ્ન બાદ સંગીતા ભારત આવીને રહેવા લાગ્યા. તેઓ એક ડેડિકેટેડ હાઉસવાઇફ છે. ઈન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ, સંગીતા એક બિઝનેસ સાથે પણ જોડાયેલા છે.</p><h3 style="text-align: justify; "><b>કેવી રીતે શરૂ થઈ લવ સ્ટોરી?</b></h3><p style="text-align: justify; ">સંગીતા અને વિજયની લવ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના જણાવ્યા મુજબ, વિજય સાથે લગ્ન કરતાં પહેલાં સંગીતા તેમની મોટી ફેન હતી. સંગીતાએ 1996માં વિજયની ફિલ્મ પૂવે ઉનક્કાગા જોઈ હતી અને ત્યારથી વિજય તેમના દિલમાં વસી ગયા હતા. ફિલ્મ સુપરહિટ થયા બાદ સંગીતા ખાસ તેમને અભિનંદન આપવા લંડનથી ચેન્નાઈ આવી હતી. આ વાતથી પ્રભાવિત થઈને વિજયે સંગીતાને પોતાના ઘરે આમંત્રણ આપ્યું અને બસ અહીંથી બંનેની લવ સ્ટોરી શરૂ થઈ.</p><h4 style="text-align: justify; "><b>મિત્રતાથી પ્રેમ સુધી પહોંચી વાત</b></h4><p style="text-align: justify; ">વિજયના ઘરે સંગીતાની મુલાકાત તેમના માતા-પિતા ડિરેક્ટર એસ. એ. ચંદ્રશેખર અને સિંગર શોબા સાથે થઈ હતી. સંગીતાની સંસ્કારી વર્તણૂક અને વાત કરવાની રીતથી વિજયના પરિવારે તેમનું દિલ જીતી લીધું. ત્યારબાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને ટૂંક સમયમાં આ મિત્રતા ગાઢ પ્રેમમાં બદલાઈ ગઈ. જ્યારે વિજયના પિતાએ જોયું કે બંને એકબીજાને પસંદ કરે છે, ત્યારે તેમણે કોઈ વિલંબ કર્યા વગર સંગીતાના પરિવાર સાથે લગ્નની વાત કરી. બંને પરિવારો આ સંબંધ માટે તૈયાર થઈ ગયા અને તેમના લગ્નનો રસ્તો સાફ થઈ ગયો.</p><h4 style="text-align: justify; "><b>1999માં થયા વિજય અને સંગીતાના ભવ્ય લગ્ન</b></h4><p style="text-align: justify; ">વિજય અને સંગીતાનો ધર્મ અલગ છે. વિજય ક્રિશ્ચિયન છે, જ્યારે સંગીતા હિન્દુ ધર્મ સાથે સંબંધ ધરાવે છે, પરંતુ પ્રેમની સામે આ અંતર ક્યારેય અડચણ બન્યું નહીં. 25 ઓગસ્ટ 1999ના રોજ બંને લગ્નના બંધનમાં બંધાયા. તેમના લગ્ન હિન્દુ અને ક્રિશ્ચિયન બંને રીતિ-રિવાજ મુજબ એક ભવ્ય સમારોહમાં થયા હતા. લગ્ન બાદ રિસેપ્શન પણ યોજાયું હતું. ત્યારબાદ વર્ષ 2000માં સંગીતાએ દીકરા જેસન સંજયને જન્મ આપ્યો. જ્યારે વર્ષ 2005માં કપલે દીકરી દિવ્યા શાશાનું સ્વાગત કર્યું.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/yash-toxic-trailer-release-date-time-poster-update" target="_blank">આ પણ વાંચો-Yashની Toxicનું ટ્રેલર ક્યારે થશે રિલીઝ? મેકર્સે દમદાર પોસ્ટર સાથે ડેટ અને ટાઇમ પર આપ્યું અપડેટ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/0tCxJizHJZblnNKmdJORnVwNAPMwtAq2WMwk68QD.webp'/></item><item><title><![CDATA[PM Modi સાથે બેઠક બાદ અકાલી દળની મોટી જાહેરાત, કહ્યું અમે બિલના સમર્થનમાં.. ]]></title><link>https://sandesh.com/india/news/akali-dals-big-announcement-after-meeting-with-pm-modi-said-we-support-the-bill</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/akali-dals-big-announcement-after-meeting-with-pm-modi-said-we-support-the-bill</guid><pubDate>Sat, 08 Aug 2026 16:32:40 +05:30</pubDate><description><![CDATA[<p>એક મહત્વપૂર્ણ જાહેરાતમાં, અકાલી દળે જણાવ્યું છે કે તે મહિલા અનામત બિલ અને સીમાંકન બિલને ટેકો આપવાનો ઇરાદો ધરાવે છે. શુક્રવારે સુખબીર બાદલ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે થયેલી મહત્વપૂર્ણ બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી છે. ચર્ચાની વિગતો જાહેર કરવામાં આવી નથી, પરંતુ પંજાબના રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે બંને ભૂતપૂર્વ સાથી પક્ષો ફરી એક થઈ શકે છે.</p><h2><b>શું અકાલી-ભાજપ ગઠબંધન થશે?</b></h2><p>એ નોંધનીય છે કે અકાલી દળ અને ભાજપ 2020 માં અલગ થઈ ગયા હતા. ત્રણ કૃષિ કાયદાઓ પર મતભેદો ઉભા થયા હતા, જેના કારણે વર્ષોથી ચાલતું ગઠબંધન તૂટી ગયું હતું. જોકે, બદલાયેલા રાજકીય પરિદૃશ્યને જોતાં, બંને પક્ષો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને પડકારવા માટે ફરીથી સાથે આવી શકે છે. જ્યારે ભાજપ કે અકાલી દળે ગઠબંધન અંગે કોઈ ઔપચારિક જાહેરાત કરી નથી, એવા સંકેતો છે કે સર્વસંમતિ થઈ શકે છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2086028408166011261"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h3><b>લોકસભામાં અકાલી દળની સંખ્યા કેટલી છે?</b></h3><p>એ નોંધવું મહત્વપૂર્ણ છે કે અકાલી દળ પાસે હાલમાં ફક્ત એક જ સંસદ સભ્ય (MP) છે. પરિણામે પાર્ટી લોકસભામાં શાસક NDA ને નોંધપાત્ર સમર્થન આપી શકતી નથી. આ પરિબળ એવી અટકળોને વેગ આપે છે કે કોઈપણ સંભવિત કરાર પંજાબની ચૂંટણીઓ પર કેન્દ્રિત હોઈ શકે છે. વિશ્લેષકો માને છે કે જ્યારે અકાલી દળ ગ્રામીણ વિસ્તારો અને શીખ સમુદાયમાંથી પોતાની તાકાત મેળવે છે, ત્યારે ભાજપ શહેરી સમર્થન લાવે છે. બંને વચ્ચે જોડાણ સંભવિત રીતે વિશાળ મતદાતા આધારને આકર્ષિત કરી શકે છે.</p><h4><b>અકાલી-ભાજપ જોડાણ કેટલું મજબૂત છે?</b></h4><p>આ તાલમેલને કારણે 1997, 2007 અને 2012માં પંજાબમાં અકાલી દળ-ભાજપ ગઠબંધન સરકારો બની. જોકે, 2020માં બંને પક્ષો અલગ થઈ ગયા, અને ત્યારબાદ બંનેએ આગામી વિધાનસભા ચૂંટણીઓમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું.</p><p><a href="https://sandesh.com/astrology/news/bhakti/shani-transit-shani-dev-will-have-a-great-move-luck-will-shine-for-4-zodiac-signs-from-august-20" target="_blank">આ પણ વાંચો: Shani Transit: શનિ દેવ ચાલશે ગજબની ચાલ, 20 ઑગષ્ટથી 4 રાશિનું ચમકશે નસીબ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/2rEpC5RHRMzKCnTAmijX8IyckTzKlKpvMT0Ni8YM.webp'/></item><item><title><![CDATA[Aravalliના માલપુરમાં 8 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમની પોલીસે કરી ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/aravalli/police-arrest-man-who-raped-8-year-old-innocent-girl-in-malpur-aravalli</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/aravalli/police-arrest-man-who-raped-8-year-old-innocent-girl-in-malpur-aravalli</guid><pubDate>Sat, 08 Aug 2026 16:29:19 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં માનવતાને શરમાવે તેવી અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામના ગલ્લા પર બેસતા નાનાભાઈ રમણભાઈ ખાંટ નામના નરાધમે ધોરણ 3માં અભ્યાસ કરતી 8 વર્ષની માસૂમ બાળકીને લક્ષ્ય બનાવી હતી. આરોપીએ માસૂમ બાળકીને લલચાવી-ફોસલાવીને નજીકના જંગલ વિસ્તારમાં લઈ જઈને તેની સાથે જઘન્ય કૃત્ય આચર્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ પંથકમાં ભારે અરેરાટી સાથે લોકરોષ ફાટી નીકળ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું</b></h2><p style="text-align: justify;">ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપી નાનાભાઈ ખાંટની અટકાયત કરી લીધી છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ ગુનાહિત માનસિકતા ધરાવતા આરોપીએ અગાઉ બે વર્ષ પહેલાં પણ એક મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું અને હાલમાં જામીન પર બહાર આવીને તેણે ફરી આ કુકર્મ આચર્યું હતું. પોલીસે ઘટનાસ્થળે જઈ આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને તેના અગાઉના કેસના જામીન રદ કરાવવા માટે પણ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે.</p><h3 style="text-align: justify; "><b>પોલીસે ગુનો દાખલ નોંધી કાર્યવાહી શરૂ કરી</b></h3><p style="text-align: justify; ">પોલીસે ભોગ બનનાર બાળકીના પરિવારની ફરિયાદના આધારે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની ગંભીર કલમો તેમજ પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. માસૂમ બાળકી પર આચરાયેલા આ અત્યાચાર સામે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને આરોપીને સખતમાં સખત સજા થાય તેવી માંગ થઈ રહી છે. પોલીસ તંત્ર દ્વારા કેસની ઝડપી તપાસ પૂર્ણ કરી આરોપી સામે મજબૂત ચાર્જશીટ રજૂ કરવા માટેની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે.</p><p style="text-align: justify;"><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/pUl7qWhhggIV24mA6UUAUyqWsC4zni6n3fBsbwU8.webp'/></item><item><title><![CDATA[Bhavnagar ડિસ્ટ્રિક્ટ કોર્ટનો ચેક બાઉન્સ કેસમાં કડક આદેશ, આરોપીને 1 વર્ષની જેલ અને રૂ3.45 લાખનો દંડ ફટકાર્યો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/bhavnagar-district-court-issues-strict-order-in-cheque-bounce-case-convict-sentenced-to-1-year-in-jail-and-fined-rs-345-lakh</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/bhavnagar-district-court-issues-strict-order-in-cheque-bounce-case-convict-sentenced-to-1-year-in-jail-and-fined-rs-345-lakh</guid><pubDate>Sat, 08 Aug 2026 16:27:48 +05:30</pubDate><description><![CDATA[<p>ભાવનગરની ડિસ્ટ્રિક્ટ અદાલતે નાણાકીય વ્યવહારોમાં ગેરરીતિ આચરતા તત્વો સામે લાલ આંખ કરી છે.ચેક બાઉન્સના કેસમાં કોર્ટે આરોપીને દોષિત ઠેરવીને જેલની સજા તેમજ ફરિયાદીને રકમ ચૂકવવાનો સ્પષ્ટ અને કડક આદેશ સંભળાવ્યો છે.આ કેસની વિગત મુજબ ફરિયાદી પરમાર ધર્મેશભાઈ ઘનશ્યામભાઈ દ્વારા આરોપી જેતાણી વિશાલ દિનેશભાઈ વિરુદ્ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અને 141 હેઠળ અદાલતમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.ભાવનગરની છઠ્ઠા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે તમામ પુરાવાઓ અને દલીલોને ધ્યાને રાખી આરોપી વિશાલ જેતાણીને દોષિત ઠેરવ્યા હતા અને તેમને 1 વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી.</p><h4><b>બે માસમાં રૂ. 3.45 લાખ ચૂકવવાનો આદેશ</b></h4><p>અદાલતે આરોપીને માત્ર કેદની સજા જ નથી ફટકારી,પરંતુ ફરિયાદીને થયેલા આર્થિક નુકસાનની ભરપાઈ કરવા માટે પણ કડક વલણ અપનાવ્યું છે. કોર્ટના આદેશ અનુસાર, આરોપી વિશાલ જેતાણીએ ચેકની મૂળ રકમ એટલે કે રૂ. 3,45,000 ની ચુકવણી આગામી બે માસના સમયગાળામાં ફરિયાદી પરમાર ધર્મેશભાઈને કરવાની રહેશે.</p><h5><b>રકમ ન ચૂકવે તો વધુ ત્રણ માસની કેદ</b></h5><p>કોર્ટે પોતાના ચુકાદામાં વળતરની વસૂલાત સુનિશ્ચિત કરવા માટે વધારાની જોગવાઈ પણ કરી છે. જો આરોપી નક્કી કરેલી મુદત એટલે કે બે માસમાં રૂ. 3.45લાખની રકમ ચૂકવવામાં નિષ્ફળ રહેશે અથવા ચુકવણી નહીં કરે, તો તેમણે મૂળ સજા ઉપરાંત વધુ ત્રણ માસની સાદી કેદની સજા ભોગવવી પડશે. અદાલતના આ કડક આદેશથી નાણાકીય લેવડદેવડમાં બેદરકારી કે છેતરપિંડી આચરતા લોકોમાં ફાળ પડી છે.</p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/attack-on-amc-inspector-who-went-to-catch-a-cow-in-ahmedabads-vadaj" target="_blank"> Ahmedabadના વાડજમાં ગાય પકડવા ગયેલા AMC ઇન્સ્પેક્ટર પર હુમલો, પશુપાલક સહિત 7 લોકો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/kJm2csw04pxw7VOUhJ04BfJvXBPNlJtBf9WrLuff.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : લેખક કાજલ ઓઝા વૈદ્યના સ્નેચિંગ કેસમાં મોટી સફળતા, LCB ઝોન 6ની ટીમે બે આરોપીઓને ઝડપ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-news-big-success-in-writer-kajal-ojha-vaidyas-snatching-case-lcb-zone-6-team-nabs-two-accused</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-news-big-success-in-writer-kajal-ojha-vaidyas-snatching-case-lcb-zone-6-team-nabs-two-accused</guid><pubDate>Sat, 08 Aug 2026 16:16:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં જાણીતા સાહિત્યકાર અને લેખક કાજલ ઓઝા વૈદ્ય સાથે બનેલી સ્નેચિંગની ઘટનામાં પોલીસને મોટી સફળતા મળી છે. LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) ઝોન 6ની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને આ ઘટનામાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ચાલુ રિક્ષામાંથી ગુનો આચરી ફરાર થઈ ગયેલા સ્નેચરોને પકડી પાડીને પોલીસે તેમની પાસેથી ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ પણ સફળતાપૂર્વક રિકવર કરી લીધો છે.</p><h2 style="text-align: justify; "><b>ચાલુ રિક્ષામાંથી પર્સ અને મોબાઈલ ઝૂંટવ્યો</b></h2><p style="text-align: justify; ">પોલીસ તપાસમાં બહાર આવેલા તથ્યો મુજબ, કાજલ ઓઝા વૈદ્ય જ્યારે રિક્ષામાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે અચાનક બાઇક પર આવેલા બે શખ્સોએ ચાલુ રિક્ષામાંથી તેમનું પર્સ અને મોબાઈલ ફોન આંચકી લીધો હતો અને ફરાર થઈ ગયા હતા. શાતિર આરોપીઓએ આ ગુનો આચરવા માટે પોતાના મિત્રનું વાહન માગ્યું હતું, જેથી તેઓ પોલીસની પકડથી બચી શકે. જોકે, LCB ઝોન 6ની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આખી કડી મેળવી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>ઝડપાયેલા આરોપીઓ હિસ્ટ્રીશીટર</b></h2><p style="text-align: justify; ">પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે ઝડપાયેલા બંને સ્નેચરો રીઢા ગુનેગારો છે અને અગાઉ પણ અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તથા ગુનાઓમાં સંડોવાયેલા રહ્યા છે. આ અગાઉ પણ તેઓ ચોરી અને સ્નેચિંગ જેવા ગુનાઓ હેઠળ સુરત જેલમાં સજા ભોગવી ચૂક્યા છે. જેલમાંથી છૂટ્યા બાદ પણ તેમની ગુનાહિત માનસિકતા બદલાઈ ન હતી અને તેમણે અમદાવાદમાં ફરી આ પ્રવૃત્તિ શરૂ કરી હતી. હાલ પોલીસે બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/prostitution-under-the-guise-of-a-spa-in-ahmedabad-exposed-smc-raids-4-spas-on-sg-highway" target="_blank">Ahmedabadમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યવસાયનો પર્દાફાશ, SG હાઈવેના 4 સ્પા પર SMCના દરોડા</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/7iDERUkfh2i8pWFo8BUOrYzkxKecUEMhZaPbKA9e.webp'/></item><item><title><![CDATA[Kutch સરહદેથી સિંધુ સંસ્કૃતિ સમયની પ્રાચીન નગરીનો ખુલાસો, ખોદકામ દરમિયાન મળી આવ્યા પ્રાચીન વસાહત 'બરબાદપુર'ના અવશેષો! ]]></title><link>https://sandesh.com/gujarat/news/kutch/ancient-city-of-indus-valley-civilization-revealed-from-kutch-border-remains-of-ancient-settlement-barbadpur-found-during-excavations</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/kutch/ancient-city-of-indus-valley-civilization-revealed-from-kutch-border-remains-of-ancient-settlement-barbadpur-found-during-excavations</guid><pubDate>Sat, 08 Aug 2026 16:06:08 +05:30</pubDate><description><![CDATA[<p>કચ્છ યુનિવર્સિટી અને ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંયુક્ત સંશોધન અભિયાન દરમિયાન આ વિશિષ્ટ સ્થળની ઓળખ હાલ પૂરતી બરબાદપુર તરીકે કરવામાં આવી છે. આ ખોદકામ દરમિયાન સંશોધકોને 100થી વધુ માનવ હાડપિંજરો મળી આવ્યા છે. રસપ્રદ વાત એ છે કે આ તમામ હાડપિંજરો એક ચોક્કસ અને સરખી દિશામાં દફનાવાયેલા જોવા મળ્યા છે.આ ઉપરાંત સ્થળ પરથી માટીના વાસણો,તેલના દીવા, તાંબાના સિક્કા, ટેરાકોટા અને ઊંટના રમકડાં જેવાં અનેક પ્રાચીન અવશેષો પ્રાપ્ત થયા છે, જે તત્કાલીન જીવનશૈલી અને કલા-સંસ્કૃતિનો પરિચય કરાવે છે.</p><h4><b>વેપારનું સમૃદ્ધ કેન્દ્ર અને ભૂકંપનો વિનાશક પ્રભાવ</b></h4><p>પુરાતત્ત્વવિદોના મતે આ સ્થળ પ્રાચીન સમયમાં કોઈ નદીના કિનારે વસેલું એક અત્યંત સમૃદ્ધ નગર હોઈ શકે છે. એવો પણ અંદાજ છે કે ભૂતકાળમાં સિંધુ નદીનો પ્રવાહ આ વિસ્તારમાંથી પસાર થતો હશે, જેણે આ વસાહતને વેપાર-વણજનું કેન્દ્ર બનાવ્યું હશે. વર્ષ 1819માં આવેલા વિનાશક ભૂકંપ બાદ નદીનું વહેણ બદલાતા અને જમીનની ભૌગોલિક સ્થિતિ બદલાતા આ નગર કાળના ગર્ભમાં વિલીન થઈ ગયું હોવાની સંભાવના છે.</p><p><img alt="Kutch Archaeology" src="https://epapercdn.sandesh.com/images/2026/08/08/Lxo7k6VKFCmzJqcyAGRq4BLoaI2rI3KBWhaO4LOf.webp"><br></p><h5><b>વધુ સંશોધનથી ખુલી શકે છે ઇતિહાસના નવોદિત રહસ્યો</b></h5><p>આ અવશેષોના વૈજ્ઞાનિક ડેટિંગ અને આગળના ખોદકામ બાદ આ પ્રાચીન વસાહતનો ચોક્કસ સમયગાળો તેમજ તત્કાલીન લોકોના રહનસહન અંગે સચોટ માહિતી પ્રાપ્ત થશે. હવે ભારત સરકારના પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગ (ASI) ની મંજૂરી મેળવ્યા બાદ અહીં વધુ વિસ્તૃત ઉત્ખનન હાથ ધરવામાં આવશે, જે કચ્છના પ્રાચીન ઇતિહાસને એક નવી દિશા આપશે.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/bharuch-body-of-missing-woman-from-kahanwa-village-of-jambusar-found-family-in-mourning" target="_blank">Bharuch : જંબુસરના કહાનવા ગામની ગુમ થયેલી મહિલાનો મૃતદેહ મળ્યો, પરિવારમાં અરેરાટી</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/o1mo8fcI20DX6TOimITAdVzyjtRh5800ppgLzisp.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના વાડજમાં ગાય પકડવા ગયેલા AMC ઇન્સ્પેક્ટર પર હુમલો, પશુપાલક સહિત 7 લોકો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/attack-on-amc-inspector-who-went-to-catch-a-cow-in-ahmedabads-vadaj</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/attack-on-amc-inspector-who-went-to-catch-a-cow-in-ahmedabads-vadaj</guid><pubDate>Sat, 08 Aug 2026 16:04:26 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં રખડતા ઢોરના ત્રાસને નાથવા માટે નીકળેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ટીમ પર ફરી એકવાર હુમલાની ગંભીર ઘટના સામે આવી છે. શહેરના વાડજ વિસ્તારમાં રસ્તા પર રખડતી ગાયને પકડવાની કામગીરી કરી રહેલા AMCના લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ પર ગાયના માલિકે અચાનક હુમલો કરી દીધો હતો. સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરીને પશુપાલકે ઉશ્કેરાઈ જઈને અધિકારી સાથે ઉગ્ર બોલાચાલી બાદ હિંસક વર્તન કર્યું હતું, જેના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા થયા છે.</p><h2 style="text-align: justify; "><b>ફેંટ મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી</b></h2><p style="text-align: justify; ">ગાયને ડબ્બે પુરવાની પ્રક્રિયા દરમિયાન ગાયના માલિકે લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર પર શારીરિક હુમલો કરી દીધો હતો. આરોપીએ ઇન્સ્પેક્ટરને માથાના ભાગે સખત ફેંટ મારીને ગંભીર મારામારી કરી હતી અને જાહેરમાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અચાનક થયેલા આ હુમલાને કારણે AMCની ટીમમાં થોડા સમય માટે અફડાતફડી મચી ગઈ હતી. પશુપાલકો દ્વારા સરકારી કર્મચારીઓ પર રોફ જમાવવા અને હિંસક થઈને કામગીરી અટકાવવાનો પ્રયાસ થતાં ઘટના સ્થળે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા.</p><h3 style="text-align: justify; "><b>ફરિયાદ નોંધાતાં 7 અજાણ્યા ઈસમો સામે તપાસ શરૂ</b></h3><p style="text-align: justify; ">મારામારી અને ધમકીની આ ઘટના બાદ ભોગ બનનાર AMCના લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટરે તાત્કાલિક વાડજ પોલીસ સ્ટેશન પહોંચીને કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને હુમલો કરનાર ગાયના માલિક તેમજ તેની સાથે સામેલ અન્ય 7 અજાણ્યા ઈસમો સામે ગુનો દાખલ કર્યો છે. સરકારી કર્મચારી પર હુમલો કરવા અને ફરજમાં રુકાવટ ઊભી કરવા બદલ પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને તમામ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/QIUUKSXfZ8QL867yWH0mz3ddKLDTjgxzAixbY7S9.webp'/></item><item><title><![CDATA[UPI Payment Charges: શું UPI પેમેન્ટ પર લાગશે ચાર્જ?  PCIએ આપ્યા તમામ સવાલના જવાબ ]]></title><link>https://sandesh.com/business/news/upi-payment-charges-will-there-be-charges-on-upi-payments-pci-answers-all-the-questions</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/upi-payment-charges-will-there-be-charges-on-upi-payments-pci-answers-all-the-questions</guid><pubDate>Sat, 08 Aug 2026 15:05:20 +05:30</pubDate><description><![CDATA[<p>આજકાલ એક ચાના કપના ખર્ચથી લઈને મોટા બિલ અને ઓનલાઈન ખરીદી સુધી મોટાભાગના લોકો ચુકવણી માટે UPI પસંદ કરે છે. પરિણામે, UPI પર સંભવિત શુલ્ક અંગેના સમાચાર અથવા ચર્ચાઓએ લોકોના મનમાં અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. શું હવે UPI દ્વારા ચુકવણી કરવા માટે ચાર્જ લાગશે ? </p><h2><b>UPI ચાર્જિસને લઇને મૂંઝવણ શું છે ?&nbsp;</b></h2><p>શું દુકાનો અથવા કરિયાણાની દુકાનોમાં UPI નો ઉપયોગ કરવા માટે વધારાનો શુલ્ક લાગશે? જો મોટા વ્યવસાયો પાસેથી ચાર્જ વસૂલવામાં આવે છે, તો શું તે સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર અસર કરશે?UPI શુલ્ક અંગે ચાલી રહેલી આ ચર્ચા વચ્ચે, પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI) એ લોકોના પ્રશ્નોના જવાબ આપ્યા છે. દરેકના મનમા ઉઠતા સવાલના જવાબો જાણીએ.&nbsp;</p><p><br></p><p><br></p><h2>સવાલ-1</h2><h2><b style="font-size: 2rem;">&nbsp;શું ગ્રાહકોએ UPI નો ઉપયોગ કરવા માટે ચૂકવણી કરવી પડશે?</b></h2><p>ના. પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અનુસાર, UPI 2016 માં શરૂ કરવામાં આવ્યું હતું અને ત્યારથી ગ્રાહકો માટે મફત છે.  સામાન્ય લોકો કોઈપણ ટ્રાન્ઝેક્શન ચાર્જ વિના UPI દ્વારા તાત્કાલિક ડિજિટલ ચુકવણી કરી શકશે. બીજા શબ્દોમાં કહીએ તો, જો તમે કોઈને પૈસા મોકલી રહ્યા છો અથવા UPI દ્વારા ચુકવણી કરી રહ્યા છો, તો તમારી પાસેથી તેના માટે અલગથી કોઈ શુલ્ક લેવામાં આવશે નહીં.</p><p><span style="font-size: 2rem;">સવાલ-2</span></p><p><b style="font-size: 2rem;">શું નાના દુકાનદારો અને કરિયાણાની દુકાનો પાસેથી UPI ચુકવણી સ્વીકારવા માટે શુલ્ક લેવામાં આવશે?</b></p><p><br></p><p>ના. PCI એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે નાના દુકાનદારો, કરિયાણાની દુકાનો અને નાના વ્યવસાયો પાસેથી UPI ચુકવણી સ્વીકારવા માટે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) વસૂલવામાં આવતો નથી. UPI ને દેશના નાનામાં નાના વ્યવસાયો માટે પણ ડિજિટલ ચુકવણી સરળ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. PCI અનુસાર, ચુકવણી સ્વીકારવા સાથે સંકળાયેલા ખર્ચમાંથી નાના વ્યવસાયોને બચાવવા એ ડિજિટલ ચુકવણી સિસ્ટમના સમાવેશી વિકાસનો એક મહત્વપૂર્ણ ભાગ છે.</p><p><br></p><h2>સવાલ-3&nbsp;</h2><h2><b>તો પછી UPI ચાર્જ વિશે ચર્ચા શા માટે થઈ રહી છે?</b></h2><p><br></p><p>હકીકત એ છે કે, UPI હવે ફક્ત એક નવું ચુકવણી પ્લેટફોર્મ નથી. તે વિશ્વની સૌથી મોટી રીઅલ-ટાઇમ ચુકવણી સિસ્ટમ બની ગઈ છે, જે દર મહિને અબજો સુરક્ષિત વ્યવહારોને સુવિધા આપે છે. આટલી મોટી ડિજિટલ ચુકવણી સિસ્ટમ ચલાવવા માટે ટેકનોલોજી, સાયબર સુરક્ષા, છેતરપિંડી નિવારણ અને અન્ય માળખાગત સુવિધાઓ પર સતત ખર્ચ કરવો પડે છે. પરિણામે, લાંબા ગાળે સિસ્ટમના અવિરત સંચાલનને કેવી રીતે ટકાવી રાખવું અને સંકળાયેલ ખર્ચનું સંચાલન કેવી રીતે કરવું તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, PCI એ સ્પષ્ટતા કરી છે કે આ બોજ સામાન્ય ગ્રાહકો કે નાના દુકાનદારો પર નાખવામાં આવશે નહીં.</p><h2>સવાલ 4</h2><p><b style="font-size: 2rem;">UPI ના નિર્માણ અને સંચાલનમાં કોણ રોકાણ કરે છે?</b></p><p>PCI અનુસાર, બેંકો, ચુકવણી કંપનીઓ, ફિનટેક કંપનીઓ, NPCI અને RBI એ છેલ્લા દાયકામાં UPI વિકસાવવા અને તેની સુરક્ષા અને કાર્યક્ષમતાને સતત વધારવા માટે સામૂહિક રીતે રોકાણ કર્યું છે. આ રોકાણોમાં ટેકનોલોજી, સાયબર સુરક્ષા, છેતરપિંડી નિવારણ પદ્ધતિઓ, નવીનતા અને ગ્રાહક સપોર્ટનો સમાવેશ થાય છે. UPI 24/7 ઉપલબ્ધ સુરક્ષિત, વિશ્વસનીય અને વપરાશકર્તા-મૈત્રીપૂર્ણ ચુકવણી સિસ્ટમ રહે તે સુનિશ્ચિત કરવા માટે આવા રોકાણો ચાલુ છે.</p><p><br></p><h3>&nbsp;સવાલ 5</h3><h3><b>જો UPI ચુકવણીઓ મફત હોય, તો ખર્ચ કોણ ભોગવે છે?</b></h3><p>UPI ચલાવવામાં ફક્ત ચુકવણી કરવાની સુવિધા પૂરી પાડવા કરતાં વધુ  છે. તેમાં ટેકનોલોજી, સાયબર સુરક્ષા, છેતરપિંડી નિવારણ, પાલન, ગ્રાહક સપોર્ટ અને સતત તકનીકી અપગ્રેડમાં રોકાણ શામેલ છે. PCI અનુસાર, આ ખર્ચ હાલમાં નેટવર્ક ભાગીદારો - જેમ કે બેંકો અને ચુકવણી સેવા પ્રદાતાઓ દ્વારા ઉઠાવવામાં આવે છે. ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે ગ્રાહકો UPI નો ઉપયોગ કરવા માટે વધારાની ફી ચૂકવ્યા વિના સુરક્ષિત અને સીમલેસ ડિજિટલ ચુકવણી અનુભવનો આનંદ માણે.</p><p><br></p><h3>&nbsp;સવાલ 6</h3><p><b style="font-size: 1.75rem;">જો મોટા વેપારીઓ પાસેથી શુલ્ક લેવામાં આવે છે, તો શું ગ્રાહકોએ પણ ચૂકવણી કરવી પડશે?</b></p><p>ના. PCI એ સ્પષ્ટતા કરી છે કે મોટા વ્યવસાયો પર વેપારી સેવા ચાર્જ વસૂલવાનો અર્થ એ નથી કે ગ્રાહકો પાસેથી UPI નો ઉપયોગ કરવા બદલ શુલ્ક લેવામાં આવશે. જ્યાં પણ વેપારી સેવા ચાર્જ લાગુ પડે છે, તે વેપારી અને ચુકવણી સેવા પ્રદાતા વચ્ચેના વાણિજ્યિક કરારો દ્વારા સંચાલિત થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, ચુકવણી સ્વીકારવા માટે મોટા વ્યવસાય પર શુલ્ક વસૂલવું એ UPI નો ઉપયોગ કરવા માટે ગ્રાહક પર શુલ્ક વસૂલવાથી અલગ છે. PCI એ નોંધ્યું છે કે વૈશ્વિક સ્તરે ડિજિટલ ચુકવણી ઇકોસિસ્ટમમાં વેપારી સેવા ચાર્જ પ્રમાણભૂત છે. જ્યારે ગ્રાહકો સરળતાથી ડિજિટલ ચુકવણીનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે.</p><p><br></p><h3>&nbsp;સવાલ 7&nbsp;</h3><h3><b>UPI ને સુરક્ષિત અને મજબૂત રાખવું શા માટે જરૂરી છે?</b></h3><p><br></p><p>PCI અનુસાર, UPI ભારતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો એક આધારસ્તંભ બની ગયું છે, જેમાં લાખો લોકો દરરોજ તેનો ઉપયોગ કરે છે. જેમ જેમ UPI વ્યવહારો વધતા જાય છે, તેમ તેમ 24/7 અવિરત સર્વર કામગીરી, ડેટા સુરક્ષા, સાયબર છેતરપિંડીની તાત્કાલિક રોકથામ અને શ્રેષ્ઠ ગ્રાહક સપોર્ટ સુનિશ્ચિત કરવા માટે નેટવર્કમાં સતત રોકાણની જરૂરિયાત વધતી જશે. ભવિષ્યમાં ગ્રાહકો અને વ્યવસાયો બંને માટે UPI ને સંપૂર્ણપણે સુરક્ષિત, વિશ્વસનીય અને વપરાશકર્તા મૈત્રીપૂર્ણ રાખવા માટે આ જરૂરી છે.</p><p><br></p><h4>&nbsp;સવાલ 8</h4><p><b style="font-size: 1.5rem;">નવા સરકારી બિલ પછી UPI ચાર્જની ચર્ચા શા માટે તીવ્ર બની છે?</b></p><p>કરવેરા અને અન્ય કાયદા સુધારા બિલ, 2026 લોકસભામાં પસાર થયા પછી UPI ચાર્જ અંગે ચર્ચાઓએ વેગ પકડ્યો. નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલ, બિલ કોઈપણ ચર્ચા વિના ધ્વનિ મત દ્વારા પસાર કરવામાં આવ્યું. આ નવા બિલમાં ચુકવણી પ્રણાલીઓ અને આવકવેરા નિયમોને સંચાલિત કરતા હાલના કાયદાઓમાં જરૂરી સુધારાઓનો સમાવેશ થાય છે.</p><p>આ નવા કાયદા હેઠળ, સરકારને પસંદગીની ડિજિટલ ચુકવણી પદ્ધતિઓ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) વસૂલવાની સત્તા છે. એકવાર અમલમાં આવ્યા પછી ₹2,000 થી વધુના વ્યવસાય-સંબંધિત UPI વ્યવહારો પર 0.25% થી 0.4% સુધીના શુલ્ક લાગી શકે છે. જો કે, આ વ્યક્તિ-થી-વ્યક્તિ (P2P) UPI વ્યવહારોને અસર કરશે નહીં, જે સંપૂર્ણપણે મફત રહેશે. જેમ હાલમાં છે.  વધુમાં નાના વેપારીઓ અને સ્થાનિક દુકાનદારોને આ વધારાના ખર્ચથી બચાવવા માટે જોગવાઈઓ કરવામાં આવી છે.</p><p><br></p><h4>&nbsp;સવાલ 9</h4><h4><b>શું UPI ચુકવણીઓ સામાન્ય લોકો માટે મફત રહેશે?</b></h4><p>આનો અર્થ એ છે કે UPI દ્વારા ચુકવણી કરતા સામાન્ય ગ્રાહકોએ હાલમાં કોઈ શુલ્ક ચૂકવવા પડશે નહીં. નાના દુકાનદારો અને કરિયાણા સ્ટોર્સ પણ UPI ચુકવણી સ્વીકારવા માટે MDR ચૂકવતા નથી. જો ભવિષ્યમાં મોટા વેપારીઓ પર વેપારી સેવા ચાર્જ લાદવામાં આવે છે, તો તે વેપારી અને ચુકવણી સેવા પ્રદાતા વચ્ચેનો વાણિજ્યિક મામલો હશે. PCI એ સ્પષ્ટતા કરી છે કે આનો અર્થ એ નથી કે UPI નો ઉપયોગ કરવા બદલ સામાન્ય લોકો પાસેથી શુલ્ક લેવામાં આવશે.</p><p><br></p><p>ટૂંકમાં, સામાન્ય વપરાશકર્તાઓએ આ તબક્કે UPI શુલ્ક વિશે ચિંતા કરવાની જરૂર નથી.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/qpNq8FHsvqFzCm0pvAqe9Z9qGBWRxH4ALKpQaJ8A.webp'/></item><item><title><![CDATA[Sports News : ફૂટબોલ મેચ દરમિયાન ખેલાડી પર પડી વીજળી, Videoમાં કેદ થઈ ઘટના ]]></title><link>https://sandesh.com/sports/news/sports-news-lightning-strikes-player-during-football-match-incident-captured-on-video</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/sports-news-lightning-strikes-player-during-football-match-incident-captured-on-video</guid><pubDate>Fri, 07 Aug 2026 16:01:27 +05:30</pubDate><description><![CDATA[<p>થાઈલેન્ડમાં એક દુ:ખદ અને આઘાતજનક ઘટના બની છે,જ્યાં ફૂટબોલ મેચ દરમિયાન મેદાન પર વીજળી પડી હતી.આ ભયાનક દુર્ઘટનામાં 24 વર્ષીય ફૂટબોલર સફવાન અવેનું દુઃખદ મૃત્યુ થયું હતું,જ્યારે 12 અન્ય ખેલાડીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા.વરસાદ અને તોફાની વાતાવરણ વચ્ચે મેચ રમાઈ રહી હતી, જ્યારે ખેલાડીઓ ધોધમાર વરસાદ છતાં મેદાન પર જ રહ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.</p><h4><b>ભયાનક દ્રશ્ય કેમેરામાં કેદ</b></h4><p>સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં, જોઈ શકાય છે કે ખેલાડીઓ જ્યાં દોડી રહ્યા હતા તે વિસ્તારની નજીક, અચાનક વીજળી એક તેજસ્વી ફ્લેશ સાથે જમીન પર પડી. વીજળી પડતાં ધુમાડાના ગોટેગોટા અને આગની જ્વાળાઓ ઉંચી થતી જોવા મળી હતી. વીજળી પડતાં ફૂટબોલર સફવાન અવે મેદાન પર પડી ગયો. ત્યાં હાજર ચાહકો અને સાથી ખેલાડીઓ તાત્કાલિક મેદાનમાં દોડી ગયા અને તેને જીવિત કરવાનો પ્રયાસ કર્યો.</p><h5><b>સ્થાનિક પોલીસે શું કહ્યું</b></h5><p>ત્યારબાદ સફવાનને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. પરંતુ તેને બચાવી શકાયો નહીં. સ્થાનિક પોલીસે બાદમાં સત્તાવાર રીતે સફવાનના મૃત્યુની પુષ્ટિ કરી. પોલીસે એ પણ જાહેર કર્યું કે વીજળી પડવાથી 12 અન્ય લોકો પણ ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોમાં 22 વર્ષીય મલેશિયન ફૂટબોલર અલિફ અઝાન ઝુલ્કિફલીનો પણ સમાવેશ થાય છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/praylaughlift/status/2085332343762337981?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><br></p><h5><b>સમગ્ર રમતગમત જગતમાં શોકની લહેર&nbsp;</b></h5><p>24 વર્ષીય સફવાન અવેએ તાજેતરમાં થાઈ લીગ 3 સધર્ન રિજનમાં રમતા ફૂટબોલ ક્લબ એફસી યાલા સાથે કરાર કર્યો હતો. તેમના યુવા ખેલાડીના અવસાનથી આઘાત પામેલા ક્લબે સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરીને લખ્યું, "ચોક્કસ, આપણે અલ્લાહના છીએ, અને આપણે તેની પાસે પાછા ફરવું જોઈએ." આ દુ:ખદ ઘટનાએ સમગ્ર રમતગમત જગતમાં શોકની લહેર ફેલાવી દીધી છે.</p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/cricket/news/ind-vs-sl-warm-up-match-kl-rahul-did-something-like-this-in-kuldeep-yadavs-over-video-goes-viral" target="_blank"> IND Vs SL Warm-Up Match : કુલદીપ યાદવની ઓવરમાં કેએલ રાહુલે કર્યું કંઈક એવું, વીડિયો થયો વાયરલ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/ENpFTthkyKp0r7kOAPIIfaXsl0yjFZjGKEx3dOCI.webp'/></item></channel></rss>