<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Bhavnaagr લઠ્ઠાકાંડ મામલે સૌથી મોટો ખુલાસો, બજારમાં 500 પેટી નકલી વિદેશી દારૂ વેચી માર્યાનો પર્દાફાશ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/bhavnagar-fake-liquor-racket--main-accused-sold-500-cases-of-counterfeit-alcohol</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/bhavnagar-fake-liquor-racket--main-accused-sold-500-cases-of-counterfeit-alcohol</guid><pubDate>Wed, 16 Sep 2026 17:14:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભાવનગર શહેરના હાડાનગર વિસ્તારમાં આવેલ સરકારી રેલવે ક્વાર્ટરમાંથી ઝડપાયેલી ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી અંગે પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે. સ્થાનિક પોલીસ અને LCB ની તપાસમાં સામે આવ્યું છે કે આ ફેક્ટરીમાંથી આરોપીઓએ અત્યાર સુધીમાં અંદાજે 500 પેટી જેટલો ડુપ્લીકેટ વિદેશી દારૂ બજારમાં વેચી માર્યો હતો. આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર રેલવે કર્મચારી અક્ષયરાજસિંહ ગોહિલ હોવાનું બહાર આવ્યું છે. આ મામલે પોલીસે 10 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને મુખ્ય આરોપી સહિત 3 લોકોની અટકાયત કરી છે, જ્યારે અન્ય 7 આરોપીઓને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે.</p><h2 style="text-align: justify; "><b>રાજસ્થાનના અજીતસિંગ ઉર્ફે બન્નાનું નેટવર્ક અને ટ્રાન્સપોર્ટ સંચાલકની પૂછપરછ</b></h2><p style="text-align: justify; ">પોલીસ તપાસ દરમિયાન ડુપ્લીકેટ દારૂ બનાવવાનું રો-મટીરિયલ સપ્લાય કરનાર રાજસ્થાનના અજીતસિંગ ઉર્ફે બન્નાની પણ મોટી સંડોવણી ખુલી છે. અજીતસિંગ અગાઉ મહુવા તેમજ હાલમાં મોરબી અને કચ્છમાં ઝડપાયેલી ડુપ્લીકેટ દારૂની ફેક્ટરીઓના રેકેટમાં પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. આ ઈસમ રાજસ્થાનથી તમામ સ્થળો પર ડુપ્લીકેટ દારૂ બનાવવા માટેનું રો-મટીરિયલ પૂરૂં પાડતો હતો. માલસામાન લાવવા માટે ઉપયોગમાં લેવાયેલા ભાવનગરના 'વિકાસ ટ્રાન્સપોર્ટ'ના સંચાલકનું પણ LCB પોલીસે સત્તાવાર નિવેદન નોંધ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>લઠ્ઠાકાંડ બાદ પણ મોટું રેકેટ, કોના ઈશારે ચાલતો હતો કારોબાર?</b></h2><p style="text-align: justify; ">ગુજરાતમાં અગાઉ બનેલા ગંભીર લઠ્ઠાકાંડ બાદ પણ આ પ્રકારે નકલી વિદેશી દારૂનો કાળો કારોબાર ધમધમી રહ્યો હોવાથી ગંભીર સવાલો ઊભા થયા છે. બજારમાં વહેતી થયેલી 500 પેટી જેટલી ડુપ્લીકેટ વિદેશી દારૂની બોટલો કોના ઈશારે અને કોના આશીર્વાદથી વેચવામાં આવી રહી હતી તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. આ હાઈપ્રોફાઈલ કૌભાંડના તાર વધુ ઊંડે સુધી પહોંચવાની શક્યતા હોવાથી આગામી દિવસોમાં પોલીસ તપાસ દરમિયાન અનેક મોટા ખુલાસાઓ થવાની પૂર્ણ સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે.</p><p style="text-align: justify; "><b>આ પજ્ન વાંચો : Bharuchના વાલીયામાં દર્દનાક દુર્ઘટના, મોદલીયા ગામમાં ખુલ્લી ગટરની કુંડીમાં પડી જતાં 4 વર્ષીય બાળકીનું મોત</b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/szIBpkXdwwUaDGTQQwpNxve00bJGGkXwsLKOVc7L.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: સરોડા ગામે મંત્રીની ગાડી રોકી કર્યો વિરોધ, 9 વર્ષથી જમીનના કબજાની રાહ જોતા દલિતો... ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/dholka-saroda-village-land-dispute-dalit-protest</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/dholka-saroda-village-land-dispute-dalit-protest</guid><pubDate>Wed, 16 Sep 2026 17:09:56 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં જમીન વિવાદના મામલાઓ દિવસેને દિવસે ગરમાઈ રહ્યા છે. ભેટાવાડા ગામે છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહેલા આંદોલન બાદ હવે ધોળકાના જ સરોડા ગામે પણ જમીનના વિવાદને લઈને દલિત સમાજ દ્વારા ઉગ્ર આંદોલન છેડવામાં આવ્યું છે. વર્ષો વીતી જવા છતાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જમીનનો પ્રત્યક્ષ અને કાયદેસરનો કબજો ન મળતા ગ્રામજનોમાં વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.</p><h2><b>9 વર્ષ વીત્યા છતાં પ્રત્યક્ષ કબજો નહીં</b></h2><p>પ્રાપ્ત વિગતો અનુસાર, સરોડા ગામે દલિત સમાજના લોકોને 2017 માં સરકાર દ્વારા ખેતી માટે જમીન ફાળવવામાં આવી હતી. જોકે, અફસોસની વાત એ છે કે, આટલા લાંબા વર્ષો વીતી જવા છતાં આજદિન સુધી લાભાર્થીઓને પોતાની જમીનનો પ્રત્યક્ષ અને કાયદેસરનો કબજો સોંપવામાં આવ્યો નથી. સરોડા ગામે હજુ સુધી દલિત સમાજના કુલ 37 પરિવારો જમીનથી વંચિત છે અને તેઓ દરવાજે ધક્કા ખાવા મજબૂર બન્યા છે.</p><p><img alt="Ahmedabad News: Dholka Saroda Village Land Dispute, Dalit Families Protest After 9 Years Without Possession" src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/sqjowlknBHky5epFYniXLD8s3upQ1J9YPtPQDtsT.webp"><br></p><h2><b>રેતી ચોરી અને ગેરકાયદે ખનનના ગંભીર આક્ષેપો</b></h2><p>ભોગ બનેલા દલિત સમાજના લોકો દ્વારા તંત્ર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, સ્થાનિક માથાભારે તત્વો દ્વારા ફાળવવામાં આવેલી આ જગ્યાઓમાં બિનઅધિકૃત રીતે મોટા પાયે રેતી ચોરી અને ગેરકાયદે ખનન કરવામાં આવી રહ્યું છે, છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. આ બાબતે મામલતદાર, પ્રાંત અધિકારી, ખાણ ખનીજ વિભાગ તેમજ ગાંધીનગર સુધી લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.</p><p><img alt="Ahmedabad News: Dholka Saroda Village Land Dispute, Dalit Families Protest After 9 Years Without Possession" src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/4q5iswcW9oZXiWN4Mi4bmteBqfqdfyTg5RXBOdcB.webp"><br></p><h2><b>મંત્રી અર્જુન મોઢવાડીયા અને ધારાસભ્યની ગાડી રોકી વિરોધ</b></h2><p>આ રોષે ભરાયેલા ખેડૂતો અને ગ્રામજનોનો ગુસ્સો ગતરોજસપાટી પર આવ્યો હતો. સરોડા ગામે યાત્રા દરમિયાન મંત્રી અર્જુન મોઢવાડીયા અને સ્થાનિક ધારાસભ્ય કિરીટસિંહ ડાભી આવી પહોંચતા ખેડૂતોએ તેમની ગાડી રોકીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગામના ખેડૂતો પોતાની વિવિધ માંગણીઓ અને જમીન પ્રશ્ને મંત્રી સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ પોલીસે તેમને અટકાવતા ખેડૂતોમાં રોષ વધુ ભડક્યો હતો. હાલ પરિવારોની એક જ માગ છે કે, તંત્ર તાત્કાલિક ધ્યાન આપીને તેમને જમીનનો કાયદેસરનો કબજો સોંપે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dholka/dholka-butbhavani-chemical-water-protest-concord-company" target="_blank">Dholkaના બુટભવાનીમાં કેમિકલયુક્ત પાણી ઘૂસતાં ગ્રામજનોનો ભારે વિરોધ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/ET6NyPmXgYc5TgwLf6KjTBfykZthLRZ8Vh5bUP2I.webp'/></item><item><title><![CDATA[Ram Nagari : અયોધ્યામાં પિતા હરિવંશ રાય બચ્ચનના નામે ધર્મશાળા બનાવશે અમિતાભ બચ્ચન! ]]></title><link>https://sandesh.com/entertainment/news/amitabh-bachchan-ayodhya-dharamshala-harivansh-rai-bachchan</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/amitabh-bachchan-ayodhya-dharamshala-harivansh-rai-bachchan</guid><pubDate>Wed, 16 Sep 2026 17:08:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મહાનાયક અમિતાભ બચ્ચન જુલાઈમાં અયોધ્યામાં જમીન ખરીદવાને લઈને ચર્ચામાં રહ્યા હતા. હવે 2 મહિના બાદ એવા સમાચાર છે કે અમિતાભ બચ્ચન આ જમીન પર ધર્મશાળા બનાવડાવી રહ્યા છે. આ ધર્મશાળામાં 20થી વધુ રૂમ હશે. ધર્મશાળાનું નામ જાણીતા કવિ અને પૂર્વ રાજ્યસભા સભ્ય હરિવંશ રાય બચ્ચનના નામે રાખવામાં આવશે.</p><h2 style="text-align: justify; "><b>20 રૂમની હશે ધર્મશાળા</b></h2><p style="text-align: justify; ">અયોધ્યા વિકાસ સત્તામંડળના ઉપાધ્યક્ષ અનુરાગ જૈને મંગળવારે પીટીઆઈ-ભાષાને આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે પ્રસ્તાવિત ધર્મશાળામાં અયોધ્યા આવતા શ્રદ્ધાળુઓ માટે રહેવાની અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે કહ્યું, દેશભરના જાણીતા લોકોએ અયોધ્યાના ભવ્ય સ્વરૂપમાં યોગદાન આપ્યું છે. અમિતાભ બચ્ચને પણ ધર્મશાળાના નકશા માટે અરજી કરી છે. તેમાં 20થી વધુ રૂમ હશે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DA6zAn0zCjV/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DA6zAn0zCjV/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DA6zAn0zCjV/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DA6zAn0zCjV/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><p style="text-align: justify; ">તેમણે આગળ કહ્યું, નક્કી કરવામાં આવેલી સમયમર્યાદા પૂરી થયા બાદ પ્રસ્તાવની તપાસ કરવામાં આવશે. નિયમો મુજબ મંજૂરી આપવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા મુજબ, પ્રસ્તાવિત ધર્મશાળા અયોધ્યામાં અમિતાભ બચ્ચને ખરીદેલી જમીન પર બનાવવામાં આવશે. તેનું નામ તેમના પિતા હરિવંશ રાય બચ્ચનના નામે રાખવામાં આવશે.</p><h3 style="text-align: justify; "><b>અમિતાભ બચ્ચનની નિવૃત્તિની ચર્ચાઓ તેજ</b></h3><p style="text-align: justify; ">અમિતાભ બચ્ચન 83 વર્ષના છે. તાજેતરમાં તેમની નિવૃત્તિને લઈને અફવાઓ ફેલાઈ હતી. જોકે, બાદમાં અમિતાભ બચ્ચને આ સમાચારને ફગાવી દીધા હતા. અમિતાભે પોતાના બ્લોગમાં લખ્યું હતું, મેં બ્લોગમાં લખ્યું હતું કે મોડું થઈ ગયું છે, નિવૃત્તિનો સમય છે. તેનો અર્થ હતો કે મોડું થઈ ગયું છે અને પથારીમાં જવાનો સમય થઈ ગયો છે. મારી વાતને ખોટી રીતે રજૂ કરવામાં આવી. જી નહીં હુજૂર, હું કામમાંથી નિવૃત્ત થઈ રહ્યો નથી. અંગ્રેજીમાં તેનો અર્થ થાય છે કે હવે હું સૂવા જઈ રહ્યો છું. અને ત્યાં માન્યવર, તમને આવવાનું આમંત્રણ નથી.</p><p style="text-align: justify; "><img alt="Amitabh Bachchan Ayodhya dharamshala (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/ze9w76VrRL2vQb8AEEI5XnP1HHoQovLazDXV5zFQ.webp"><br></p><p style="text-align: justify; ">અમિતાભ બચ્ચનના કામની વાત કરીએ તો તેઓ કૌન બનેગા કરોડપતિ શો હોસ્ટ કરી રહ્યા છે. આ શોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. હવે તેઓ કલ્કિ 2898 એડી 2માં જોવા મળશે. આ ફિલ્મમાં પ્રભાસ અને કમલ હાસન પણ જોવા મળશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/kishore-kumar-sanwar-goriya-bhojpuri-song-45-years" target="_blank">આ પણ વાંચો-Romantic Song : 45 વર્ષથી UP-બિહારમાં ધૂમ મચાવી રહ્યું છે કિશોર કુમારનું આ ભોજપુરી ગીત! આજે પણ છે નંબર-1!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/ajRQPtHLemyOtPzs8aj0lqGFNBJilr2eQiA7YP8z.webp'/></item><item><title><![CDATA[“ભારતને સમજશો તો મોદીને સમજી શકશો…”, કોલકાતામાં રક્ષામંત્રી રાજનાથ સિંહનું નિવેદન ]]></title><link>https://sandesh.com/india/news/political-news/seva-sankalp-abhiyan-rajnath-singh-kolkata-pm-modi-birthday</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/political-news/seva-sankalp-abhiyan-rajnath-singh-kolkata-pm-modi-birthday</guid><pubDate>Wed, 16 Sep 2026 17:07:18 +05:30</pubDate><description><![CDATA[<p>Seva Sankalp campaign: દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ‘સેવા સંકલ્પ અભિયાન’ની શરૂઆત માટે કોલકાતા પહોંચ્યા છે. 17 સપ્ટેમ્બરે પીએમ મોદીનો જન્મદિવસ છે અને ત્યારબાદ તેમના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના છે. આ અભિયાન 17 સપ્ટેમ્બરથી શરૂ થવાનું જાહેર કરવામાં આવ્યું છે.&nbsp;</p><p><b>‘મોદીનૉમિક્સ’ અંગે રાજનાથ સિંહનું નિવેદન</b></p><p>પ્રેસ કોન્ફરન્સમાં રાજનાથ સિંહે સરકારની કામગીરીનો ઉલ્લેખ કરતા કહ્યું કે દેશમાંથી વધુ પડતા નિયમો અને ઓછા ગવર્નન્સની વિચારસરણી બદલવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ હવે યોગ્ય નિયમો અને સારી ગવર્નન્સ પર ભાર મૂકવામાં આવ્યો છે, જેને તેમણે ‘મોદીનૉમિક્સ’ ગણાવ્યું. તેમણે કહ્યું કે મોદીને સમજવા માટે ભારતને સમજવું જરૂરી છે અને લોકોનો વિશ્વાસ તેમની મુખ્ય મૂડી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/rajnathsingh/status/2100174058243735713"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b>વીજળી, DBT અને ભ્રષ્ટાચાર અંગે દાવો</b></p><p>રાજનાથ સિંહે કહ્યું કે ગુજરાત દેશનું એવું રાજ્ય હતું જ્યાં દેશના અન્ય ભાગો કરતાં પહેલાં દરેક વિસ્તારમાં વીજળી પહોંચાડવામાં આવી હતી. તેમણે મહિલાઓના બેંક ખાતા વધ્યા હોવાનો અને DBT દ્વારા લોકોના ખાતામાં સીધા પૈસા પહોંચાડવામાં આવતા હોવાનો ઉલ્લેખ કર્યો. તેમણે એવો પણ દાવો કર્યો કે સરકાર દ્વારા ₹3 લાખ કરોડથી વધુની લીકેજ રોકવામાં આવી છે, જે અગાઉ વચેટિયાઓ સુધી જતી હતી.</p><p><b>PM મોદીના નેતૃત્વમાં ભારત આગળ વધી રહ્યું છે</b></p><p>રાજનાથ સિંહે કહ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમણે પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા વિકાસ કાર્યોનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આગામી સમયમાં પશ્ચિમ બંગાળ વિશ્વનું સૌથી મોટું શિપ-બિલ્ડિંગ હબ બની શકે છે.</p><p><b>જન્મદિવસે દીવા પ્રગટાવાશે</b></p><p>રાજનાથ સિંહે જણાવ્યું કે NDAના સહયોગી પક્ષોએ એક વર્ષ સુધી દેશના વિકાસ માટે કામ કરવાનો સંકલ્પ લીધો છે. અભિયાન અંતર્ગત 12 કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા છે. વડાપ્રધાનના જન્મદિવસે દીવા પ્રગટાવવા ઉપરાંત દેશ માટે યોગદાન અને સામાજિક કાર્યો કરવામાં આવશે. જે લોકો જનસેવા માટે 25 મિનિટ આપશે, તેમને પણ સેવા કાર્યમાં જોડાવાની તક આપવામાં આવશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/pm-modi-gifts-e-auction-namami-gange" target="_blank">આ પણ વાંચો: PM મોદીને મળેલી ભેટો ખરીદવાની સોનેરી તક, 17 સપ્ટેમ્બરથી શરૂ થશે પ્રક્રિયા, જાણો કેવી રીતે?</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/wqbiDOGfUlcRuckUfUmEGPduIbsH7s1cbWxT02Wm.webp'/></item><item><title><![CDATA[Gold Import: સોનાની આયાત 58% ઘટી, શું લોકોએ PM Modiની વાત માની ? ]]></title><link>https://sandesh.com/business/news/gold-import-gold-imports-decreased-by-58-did-people-believe-pm-modi</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/gold-import-gold-imports-decreased-by-58-did-people-believe-pm-modi</guid><pubDate>Wed, 16 Sep 2026 17:00:06 +05:30</pubDate><description><![CDATA[<p>ઓગસ્ટમાં સોનાની આયાત લગભગ 58 ટકા ઘટી હતી, પરંતુ પાંચ મહિનાના આંકડા કંઈક અલગ જ વાત કહી રહ્યા છે. જો કે ગ્રાહકોએ સોનું ખરીદવાનું બંધ નથી કરી દીધુ પરંતુ ઓછા વજનના દાગીનાથી પોતાનું બજેટ મેનેજ કરી રહ્યા છે.&nbsp;</p><h2><b>ભારતીયોએ સોનું ખરીદવાનું બંધ કરી દીધું છે ?&nbsp;</b></h2><p>&nbsp;ઓગસ્ટમાં ભારતની સોનાની આયાત 57.75 ટકા ઘટીને લગભગ $2.3 બિલિયન થઈ ગઈ છે. આ આંકડા પ્રશ્ન ઉઠાવે છે: શું ભારતીયોએ સોનું ખરીદવાનું બંધ કરી દીધું છે? એવું લાગે છે કે સોનાના ઊંચા ભાવ ગ્રાહકોની ખરીદીની રીત બદલી રહ્યા છે. જ્યાં પહેલા ભારે દાગીના ખરીદવામાં આવતા હતા, હવે લોકો તે જ બજેટમાં હળવા દાગીના ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છે.</p><p><b style="font-size: 1.75rem;">જો સોનાની આયાત ઘટી છે, તો ખરીદીને ઓછી કેમ ન ગણવી જોઈએ?</b></p><p>વિદેશથી ભારતમાં આવતું સોનું અને સ્ટોર્સમાંથી સોનું ખરીદતા ગ્રાહકો બે અલગ અલગ બાબતો છે. આયાતમાં ઘટાડો થવાનો અર્થ એ નથી કે સ્ટોર્સ પર સોનાની ખરીદી સમાન પ્રમાણમાં ઘટી છે. બજારમાં પહેલાથી જ સોનાનો સ્ટોક છે. વધુમાં, ગ્રાહકો જૂના દાગીનાને નવા માટે બદલી રહ્યા છે. તેથી, ઘણું નવું સોનું ખરીદ્યા વિના ખરીદી ચાલુ રાખી શકાય છે.</p><p><img alt="gold jwellery " src="https://epapercdn.sandesh.com/images/2026/04/14/ZqKk0LXSVi7AXIoh8qRqAqpBE5BODpHR8mKPP7Lr.webp"><br></p><p>જોકે, આનો અર્થ એ નથી કે સોનાના ઊંચા ભાવે માંગ પર કોઈ અસર કરી નથી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો અંદાજ છે કે ઊંચી આયાત જકાતને કારણે, 2026 સુધીમાં ભારતમાં ઘરેણાં, સિક્કા અને બિસ્કિટની કુલ સોનાની માંગમાં 50 થી 60 ટન અથવા લગભગ 10 ટકાનો ઘટાડો થઈ શકે છે.</p><h3><b>સોનું મોંઘુ થયુ તેમ તેમ ખરીદી ઘટી&nbsp; ?&nbsp;</b></h3><p>વધુ સોનાની સૌથી સીધી અસર ગ્રાહકોની ખરીદી પર જોવા મળી રહી છે. લગ્ન માટે દાગીનાની યાદી સમાન રહી શકે છે, પરંતુ વજન ઘટી રહ્યું છે. ઉદાહરણ તરીકે, જો કોઈ પરિવાર અગાઉ 10 ગ્રામ દાગીના માટે બજેટ રાખતો હતો, તો તેઓ હવે 6-7 ગ્રામ વજનના હળવા ડિઝાઇન તરફ વળી શકે છે. આનો અર્થ એ છે કે દાગીનાની ખરીદી બંધ થઈ નથી, પરંતુ વજન ઘટ્યું છે. આ જ કારણ છે કે બજારમાં લાઇટ વેઇટ દાગીનાની માંગ નોંધપાત્ર બની છે. ગ્રાહકો ડિઝાઇન અને જરૂરિયાતો સાથે સમાધાન કર્યા વિના વજન ઘટાડીને કુલ બિલ તેમના બજેટમાં રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે.</p><p><img alt="gold-silver" src="https://epapercdn.sandesh.com/images/2026/03/16/nI10DgffYXZBTyTxkmyV7yDy6XsJroazrjrl0n9D.webp"><br></p><h4><b>જૂના સોનાને નવા દાગીનામાં બદલવાનો ટ્રેન્ડ</b></h4><p>મોંઘા સોનું મેળવવાનો બીજો રસ્તો એ છે કે જૂના દાગીનાનું વિનિમય કરવું. ઘરેથી જૂના સોનાને નવા દાગીનામાં બદલીને, ગ્રાહકને સંપૂર્ણ રકમનું નવું સોનું ખરીદવાની જરૂર નથી. આ ગ્રાહકનો રોકડ ખર્ચ ઘટાડી શકે છે. જો કે વિનિમય કરતી વખતે જૂના સોનાની શુદ્ધતા, મૂલ્યાંકન, કપાત અને નવા દાગીના બનાવવાની ફી કાળજીપૂર્વક ધ્યાનમાં લેવી મહત્વપૂર્ણ છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/WCp40SpQdfvXrph65c5ERnO6pPoLSJcolC2LVVra.webp'/></item><item><title><![CDATA[India New Zealand FTA: ન્યૂઝીલેન્ડ સાથે ભારતનો વેપાર કરાર, ન્યુઝીલેન્ડ સંસદે આપી મંજૂરી ]]></title><link>https://sandesh.com/business/news/india/india-new-zealand-fta-indias-trade-agreement-with-new-zealand-approved-by-new-zealand-parliament</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/india-new-zealand-fta-indias-trade-agreement-with-new-zealand-approved-by-new-zealand-parliament</guid><pubDate>Wed, 16 Sep 2026 16:46:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">FTA હેઠળ, ન્યુઝીલેન્ડ ભારતમાંથી તેના બજારમાં 100% નિકાસને ડ્યુટી-ફ્રી એક્સેસ આપવા માટે સંમત થયું છે.</p><h2 style="text-align: justify; ">ભારતે 29.97% ટેરિફ લાઇન બાકાત&nbsp;</h2><p style="text-align: justify; ">આ કરાર અમલમાં આવ્યા પછી ભારતના કાપડ અને કપડાં, ચામડું અને ફૂટવેર, રત્નો અને ઘરેણાં, એન્જિનિયરિંગ સામાન અને પ્રોસેસ્ડ ફૂડ જેવા ક્ષેત્રોને નોંધપાત્ર ફાયદો થવાની અપેક્ષા છે. વધુમાં, ન્યુઝીલેન્ડે FTA કરાર હેઠળ 15 વર્ષમાં USD 20 બિલિયનના રોકાણનું વચન આપ્યું છે. ભારતે ડેરી, અનેક કૃષિ ઉત્પાદનો, ખાંડ અને કેટલીક ધાતુઓ સહિત 29.97% ટેરિફ લાઇનને બાકાત રાખી છે. લાકડું, ઊન, ઘેટાંનું માંસ અને કાચા ચામડા જેવા ઉત્પાદનો પર 30% ટેરિફ ડ્યુટી તાત્કાલિક નાબૂદ કરવાની જોગવાઈ પણ છે.&nbsp;</p><h3 style="text-align: justify; ">ભારતીય સામાન માટે ડ્યુટી-ફ્રી એક્સેસ</h3><p style="text-align: justify; ">આ કરાર ભારતીય વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો માટે નવી ગતિશીલતાની તકો પણ બનાવે છે. આમાં 5,000 કુશળ ભારતીયોના ક્વોટા સાથે કામચલાઉ રોજગાર પ્રવેશ વિઝા માર્ગનો સમાવેશ થાય છે. વધુમાં, વર્કિંગ હોલિડે વિઝા વ્યવસ્થા 1,000 યુવાન ભારતીયોને દર વર્ષે 12 મહિના સુધી ન્યુઝીલેન્ડની મુસાફરી કરવાની મંજૂરી આપશે. ન્યુઝીલેન્ડ સંસદ દ્વારા મંજૂરી મળ્યા પછી આનો અમલ ટૂંક સમયમાં થવાની અપેક્ષા છે.</p><h4 style="text-align: justify; ">ભારતનું સંરક્ષણ અને અન્ય જોગવાઈઓ</h4><p style="text-align: justify; ">આ એફટીએ હેઠળ ન્યૂઝીલેન્ડે તેના બજારમાં ભારતથી થતી 100 ટકા નિકાસને ડ્યુટી-ફ્રી એક્સેસ આપવાની સંમતિ દર્શાવી છે. આ કરારના અમલીકરણથી ભારતના કાપડ, લેધર અને ફૂટવેર, જેમ્સ એન્ડ જ્વેલરી, ઇજનેરી સામાન અને પ્રોસેસ્ડ ફૂડ જેવા ક્ષેત્રોને વિશેષ ફાયદો થશે. ભારતે પોતાની સંવેદનશીલતા ધ્યાનમાં રાખીને ડેરી, કેટલાક કૃષિ ઉત્પાદનો, ખાંડ અને મેટલ્સ સહિત 29.97 ટકા ટેરિફ લાઈનોને આ કરારથી બહાર રાખી છે. બીજી તરફ, લાકડું, ઊન, ભીડનું માંસ અને કાચી ખાલ જેવા ઉત્પાદનો પર 30 ટકા ટેરિફ ડ્યુટી તાત્કાલિક ધોરણે નાબૂદ કરવામાં આવશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/japan-population-for-the-first-time-in-history-the-number-of-people-over-100-years-old-in-japan-has-crossed-one-lakh-88-of-whom-are-wom" target="_blank">જાપાનમાં ઈતિહાસમાં પહેલીવાર 100 વર્ષથી વધુ વયના લોકોની સંખ્યા એક લાખને પાર, 88% મહિલાઓ સામેલ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/2QDdvOncxmX88Olh3UoXVQZh4UEGFXfK6ch4bODH.webp'/></item><item><title><![CDATA[Ahmedabad શીલજ કેનાલ રોડ અકસ્માત કેસ, નવપરિણીત નિશીના મોતનો ગુનેગાર રાજસ્થાનથી ગિરફ્તાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad--biker-arrested-from-rajasthan-over-fatal-hit-and-run-on-shilaj-canal-road</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad--biker-arrested-from-rajasthan-over-fatal-hit-and-run-on-shilaj-canal-road</guid><pubDate>Wed, 16 Sep 2026 16:26:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના શીલજ કેનાલ રોડ પર પુરઝડપે બાઈક ચલાવી નવપરિણીત મહિલા નિશીનું કરૂણ મોત નીપજાવનાર આરોપી બાઈક ચાલક સુનિલ પરમારની બોપલ પોલીસે ધરપકડ કરી લીધી છે. અકસ્માત સર્જ્યા બાદ આરોપી પોલીસ પકડથી બચવા માટે રાજસ્થાન ભાગી છૂટ્યો હતો. બોપલ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી અકસ્માતના ચાર દિવસ બાદ આરોપી સુનિલ પરમારને રાજસ્થાનના ડુંગરપુર ખાતેથી દબોચી લીધો છે.</p><h2 style="text-align: justify; "><b>પતિની ભાવુક સોશિયલ મીડિયા પોસ્ટ બાદ પોલીસ એક્શનમાં</b></h2><p style="text-align: justify; ">આ દર્દનાક દુર્ઘટનામાં પત્ની નિશીને ગુમાવનાર પતિ હાર્દિક દરજીએ સોશિયલ મીડિયા પર એક અત્યંત ભાવુક પોસ્ટ શેર કરી હતી. આરોપી પકડાતો ન હોવાથી ન્યાયની ગુહાર લગાવતી આ પોસ્ટે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું અને તંત્ર પર વહેલી તકે આરોપીને ઝડપી પાડવાનું દબાણ વધ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સુનિલ પરમાર અમદાવાદમાં ઘરઘાટી તરીકે નોકરી કરતો હતો અને અકસ્માતના દિવસે પોતાના મિત્ર સાથે બાઈક પર સવાર થઈને બેફામ સ્પીડે વાહન હંકારી રહ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>ઓવરસ્પીડિંગે લીધો નવવધૂનો જીવ</b></h2><p style="text-align: justify; ">શીલજ કેનાલ રોડ પર પોતાના મિત્ર સાથે મળીને બેફામ અને પુરઝડપે બાઈક ચલાવીને સુનિલ પરમારે નવપરિણીત નિશીને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં નિશીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. બનાવ બનતાં જ આરોપી અકસ્માત સ્થળેથી ફરાર થઈ ગયો હતો. હાલ બોપલ પોલીસે આરોપી સુનિલ પરમાર વિરુદ્ધ ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/vadodara/vadodara--rains-resume-in-shinor-after-brief-gap--seasonal-total-hits-33-85-inches" target="_blank">Vadodaraના શિનોર પંથકમાં એક દિવસના વિરામ બાદ મેઘરાજાની પધરામણી, અવાખલ અને સાધલીમાં વરસાદ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/Ppt4qVbXMFvxW3SnITaA6dQUNAaAhYL5aKxtxowJ.webp'/></item><item><title><![CDATA[Gir Somnath: આલીદ્રાની સોમનાથ એકેડમીની માન્યતા રદ; ધો. 9 થી 12 ના વિદ્યાર્થીઓ અન્ય શાળામાં શિફ્ટ કરાશે ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gir-somnath/sutrapada-alidra-somnath-academy-school-recognition-cancelled</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gir-somnath/sutrapada-alidra-somnath-academy-school-recognition-cancelled</guid><pubDate>Wed, 16 Sep 2026 16:05:29 +05:30</pubDate><description><![CDATA[<p>ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના આલીદ્રા ગામે આવેલી સોમનાથ એકેડમી સ્કૂલ સામે શિક્ષણ બોર્ડ દ્વારા મોટી અને કડક કાર્યવાહી કરવામાં આવી છે. બોર્ડની તપાસ બાદ આલીદ્રાની સોમનાથ એકેડમી સ્કૂલની માન્યતા રદ કરવાનો સત્તાવાર હુકમ કરવામાં આવ્યો છે.</p><h2><b>ગીર સોમનાથમાં શિક્ષણ બોર્ડની મોટી કાર્યવાહી</b></h2><p>આ કેસમાં ગત 11 સપ્ટેમ્બરના રોજ બોર્ડની વિશેષ કમિટી સમક્ષ ઓનલાઇન હિયરિંગ (સુનાવણી) યોજાઈ હતી. જેમાં બોર્ડની કમિટીએ બંને પક્ષોને સાંભળ્યા બાદ શાળાની માન્યતા રદ કરવાનો નિર્ણય લીધો હતો. બોર્ડના આ આદેશ બાદ સ્થાનિક શિક્ષણ કચેરી દ્વારા શાળા સંચાલકોને હુકમની બજવણી કરી દેવામાં આવી છે.સોમનાથ એકેડમી સ્કૂલમાં ધોરણ ૯થી ૧૨ સુધીના વર્ગો ચાલતા હતા. માન્યતા રદ થવાને કારણે શાળા બંધ થવાના આરે પહોંચી છે, જેનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.</p><h3><b>આલીદ્રાની ‘સોમનાથ એકેડમી સ્કૂલ’ની માન્યતા કરાઈ રદ</b></h3><p>જોકે, શિક્ષણ વિભાગ અને સ્થાનિક કચેરી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોઈ પણ બાળકનું શિક્ષણ કાર્ય અટકશે નહીં. શાળા બંધ થવાની સ્થિતિમાં તમામ વિદ્યાર્થીઓને નજીકની અન્ય સરકારી કે ગ્રાન્ટેડ શાળાઓમાં સરળતાથી પ્રવેશ મળી રહે તે માટે સ્થાનિક કચેરી દ્વારા જરૂરી સૂચનાઓ અને આદેશો જારી કરવામાં આવ્યા છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/shardaben-hospital-dilapidated-building-beds-reduced-services-stopped" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: શારદાબેન હોસ્પિટલની જૂની બિલ્ડિંગ જર્જરિત; હોસ્પિટલ અન્ય બિલ્ડિંગમાં શિફ્ટ કરાશે</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/k2PGxvGFQoaypu8s50O3RldO559IUhjM6Noq4e9H.webp'/></item><item><title><![CDATA[Ambaji Bhadarvi Poonam Mela 2026: ભાદરવી પૂનમ મહામેળાને લઈને અંબાજી તંત્ર સજ્જ, ભક્તોને ખાસ અપીલ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/ambaji-bhadarvi-poonam-maha-mela-preparations-guidelines</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/ambaji-bhadarvi-poonam-maha-mela-preparations-guidelines</guid><pubDate>Wed, 16 Sep 2026 16:00:17 +05:30</pubDate><description><![CDATA[<p>પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી 20 થી 26 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમના ભવ્ય મહામેળાનું આયોજન કરવામાં આવ્યું છે. લાખો માઈભક્તોની અતૂટ આસ્થા સાથે જોડાયેલા આ મહામેળાને સફળ અને સુરક્ષિત રીતે સંપન્ન કરવા માટે વહીવટી અને પોલીસ તંત્ર પૂરજોશમાં તૈયારીઓમાં લાગી ગયું છે. આ અંગે આજે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં મેળાની વ્યવસ્થા, સુરક્ષા અને યાત્રાળુઓની સુવિધાઓ અંગે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.</p><h2><b>માઈભક્તો માટે તંત્રની ખાસ અપીલ</b></h2><p>મેળા દરમિયાન લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી પહોંચતા હોય છે. વિશાળ જનમેદની અને મંદિર પરિસરમાં ભીડ નિયંત્રણને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા પદયાત્રીઓ અને સંઘોને ખાસ અપીલ કરવામાં આવી છે. માઈભક્તોને મંદિર પરિસરમાં વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 5 મીટર થી નાની લંબાઈની ધજા સાથે જ અંબાજી આવવા અનુરોધ કરાયો છે. આ ઉપરાંત, પદયાત્રીઓના માર્ગો પર આવતા વિવિધ સેવા કેમ્પોમાં પણ શ્રદ્ધાળુઓ માટે પૂરતી સુવિધાઓ અને સુરક્ષા ઉપલબ્ધ કરાવાશે.</p><p><img alt="Ambaji Bhadarvi Poonam Mela 2026: Administration and Police Ready for Mega Event" src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/Cfde7fkjfEquyKIcMO9IWMWjok5Nnt22LJiju1Zl.webp"><br></p><h2><b>ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને હાઇ-ટેક સર્વેલન્સ</b></h2><p>મેળામાં સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે. જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું કે, સમગ્ર મેળો ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ યોજાશે. મહિલા યાત્રિકોની સુરક્ષા માટે વિશેષ SHE Teams સતત કાર્યરત રહેશે. અંબાજી ધામ અને સમગ્ર મેળાના વિસ્તારને સીસીટીવી (CCTV) નેટવર્કથી સજ્જ કરી 24 કલાક ઝીણવટભર્યું સર્વેલન્સ રાખવામાં આવશે.</p><p><img alt="Ambaji Bhadarvi Poonam Mela 2026: Administration and Police Ready for Mega Event" src="https://epapercdn.sandesh.com/images/2026/09/16/6EeREolKbCilrT1S7Isu0kaC7F52wMg7uVaw029O.webp"><br></p><p>જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ વધુમાં જણાવ્યું હતું કે, અસામાજિક તત્વો અને ખિસ્સાકાતરુઓ પર બાજ નજર રાખવા માટે એન્ટી-પીકપોકેટિંગ સ્ક્વોડ, QRT, SOG અને LCB ની ટીમો પણ તૈનાત કરવામાં આવશે. માઈભક્તોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે અને તેઓ સુરક્ષિત રીતે મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી શકે તે માટે તંત્ર દ્વારા વ્યાપક અને સઘન આયોજન કરવામાં આવ્યું છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/palanpur/palanpur-bhadarvi-poonam-maha-mela-at-ambaji-more-than-200-service-camps-will-be-held-on-the-roads-1" target="_blank">Palanpur : અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો, માર્ગો પર 200થી વધુ સેવા કેમ્પ ધમધમશે</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/8nU1tzpBzWUMbHgxbDyUw0Kg3iSpWHWJPJ2K0SgC.webp'/></item><item><title><![CDATA[પાકિસ્તાનની ટીમ ભારત આવશે! એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં જામશે ભારત-પાક જંગ ]]></title><link>https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</guid><pubDate>Mon, 14 Sep 2026 15:47:21 +05:30</pubDate><description><![CDATA[<p>આવતા મહિને પાકિસ્તાનની હોકી ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે. 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન પંજાબમાં યોજાનારી AHF મેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026માં પાકિસ્તાન સહિત કુલ છ ટીમો ભાગ લેશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પાકિસ્તાનની ભાગીદારી અંગેની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, મલ્ટી-નેશનલ ઇવેન્ટ્સ અંગે કેન્દ્ર સરકારની નીતિ હેઠળ બંને દેશોની ટીમો આમને-સામને રમશે.</p><h2><b>ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જાલંધરમાં રમાશે</b></h2><p>એશિયન મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન થશે. આ ટૂર્નામેન્ટમાં યજમાન ભારત અને પાકિસ્તાન ઉપરાંત ચીન, જાપાન, મલેશિયા અને કોરિયાની પણ ભાગ લેશે. લીગ સ્ટેજના મુકાબલા જાલંધરમાં યોજાશે, જ્યારે સેમિફાઇનલ અને ફાઇનલ મેચ મોહાલીના હોકી સ્ટેડિયમમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 1 નવેમ્બરે જાલંધરમાં રમાશે. કોઈ ટીમ છેલ્લી ઘડીએ ખસી જાય તો તે સ્થિતિ માટે ઓમાન અને બાંગ્લાદેશને રિઝર્વ ટીમન તરીકે રાખવામી આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PTI_News/status/2099416960278868155"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમવામાં કોઈ મુશ્કેલી નથી</b></h2><p>પાકિસ્તાનની ભાગીદારી અને જરૂરી મંજૂરીઓ અંગે પંજાબના મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં બંને દેશો વચ્ચે રમવામાં કોઈ મુશ્કેલી નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝનું આયોજન અલગ બાબત છે, કારણ કે કેન્દ્ર સરકારની વર્તમાન નીતિ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય રમત-ગમતના આયોજનની મંજૂરી આપતી નથી. પરંતુ મલ્ટી-નેશનલ ટૂર્નામેન્ટમાં બંને દેશોના ખેલાડીઓને એકબીજા સામે રમવાની પરવાનગી છે, જેથી પાકિસ્તાની ટીમ ભારત આવી શકશે.</p><h2><b>ભારત વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે</b></h2><p>ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. ભારતે 2023માં ચેન્નાઈ અને 2024માં ચીનના હુલુનબુઈરમાં યોજાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ગત વર્ષે આ સ્પર્ધા યોજાઈ શકી નહોતી. હવે પંજાબ પ્રથમ વખત આ ટૂર્નામેન્ટની મેજબાની કરવા જઈ રહ્યું છે.</p><h2><b>અગાઉ પાકિસ્તાની ટીમે ના કહી હતી&nbsp;</b></h2><p>પાકિસ્તાનની આ વખતની ભાગીદારી એટલા માટે પણ ખાસ છે, કારણ કે ગત વર્ષે તેણે તમિલનાડુમાં આયોજિત જૂનિયર હોકી વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તે સમયે બંને દેશો વચ્ચેના તણાવને તેનું કારણ ગણાવવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે અને પાકિસ્તાની ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે પૂરી રીતે તૈયાર છે.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/V6jwdiIr9RTCvR6EyBaGsP2qfZvYLq2JfkL7pytm.webp'/></item></channel></rss>