<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Surendranagar : લખતરના માલીકા ગામે ખેતરમાં વીજળી પડતાં 35 વર્ષીય યુવકનું મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/lakhtar/surendranagar-lakhtar-malika-village-lightning-death</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/lakhtar/surendranagar-lakhtar-malika-village-lightning-death</guid><pubDate>Thu, 17 Sep 2026 21:47:08 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના માલીકા ગામે ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડતાં 35 વર્ષીય યુવકનું મોત થયું છે. સાંજના સમયે પિતા-પુત્ર ખેતરમાં કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક વીજળી ત્રાટકી હતી.</p><h2 style="text-align: justify; "><b>પિતાની નજર સામે પુત્ર પર વીજળી પડી</b></h2><p style="text-align: justify; ">મળી રહેલી માહિતી મુજબ, માલીકા ગામના જશુભાઈ સાવજીભાઈ વંથળા તેમના પિતા સાથે ખેતરમાં કામ કરી રહ્યા હતા. તે દરમિયાન જશુભાઈ પર અચાનક વીજળી પડતાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. પિતાની નજર સામે જ આ ઘટના બનતાં તેમણે તાત્કાલિક ગ્રામજનોને જાણ કરી હતી.</p><h3 style="text-align: justify; "><b>સારવાર માટે લખતર સરકારી હોસ્પિટલ ખસેડાયા</b></h3><p style="text-align: justify; ">ઘટના બાદ ગ્રામજનો અને પરિવારજનોની મદદથી જશુભાઈને તાત્કાલિક લખતર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના તબીબે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.</p><h4 style="text-align: justify; "><b>લખતર પોલીસે કાર્યવાહી હાથ ધરી</b></h4><p style="text-align: justify; ">યુવક પર વીજળી પડ્યાની જાણ થતાં લખતર પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">&nbsp;આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/vav-tharad/vav-tharad-gujju-love-guru-chandan-rathod-road-accident" target="_blank"><b>Vav-Tharad : શું ગુજ્જુ લવ ગુરુને મોતનો આભાસ થઇ ગયો હતો...? અકસ્માતના 3 કલાક પહેલા તેમણે બોલેલા શબ્દો વાયરલ, Video</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/iM1tvTugGEci49HNUjvfvB6ptn83Ypdyj3ZbcI61.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : નવા વાડજમાં સગા ભાઈએ જ ભાઈની હત્યા કરી, દારૂના નશામાં થતા ઝઘડા બાદ હત્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-nava-vadaj-brother-murder-vadaj-police</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-nava-vadaj-brother-murder-vadaj-police</guid><pubDate>Thu, 17 Sep 2026 21:27:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલા ગાંધીનગર ટેકરા ખાતે ભીમસિંઘની ચાલીમાંથી યુવકની હત્યાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, નરેશ ચૌહાણ નામના યુવકની તેના સગા ભાઈ રાજુ રતિલાલ ચૌહાણે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>દારૂ પીને ઘરે ઝઘડા કરતો હોવાની પ્રાથમિક માહિતી</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, મૃતક નરેશ ચૌહાણ વારંવાર દારૂ પીને ઘરે આવતો હતો અને પરિવારજનો સાથે ઝઘડા તેમજ ગાળાગાળી કરતો હતો. આ બાબતે બંને ભાઈઓ વચ્ચે અવારનવાર વિવાદ થતો હોવાની વિગતો સામે આવી છે.</p><h3 style="text-align: justify; "><b>આવેશમાં આવી ભાઈએ જ હત્યા કરી</b></h3><p style="text-align: justify; ">પ્રાથમિક વિગતો પ્રમાણે, ઘરેલુ ઝઘડા દરમિયાન રાજુ ચૌહાણે આવેશમાં આવીને પોતાના સગા ભાઈ નરેશ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં નરેશનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. જોકે, હત્યામાં કઈ વસ્તુનો ઉપયોગ થયો અને ચોક્કસ ઘટનાક્રમ શું હતો તે અંગે પોલીસ તપાસ ચાલી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>વાડજ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડ્યો</b></h3><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં વાડજ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી રાજુ રતિલાલ ચૌહાણની અટકાયત કરી છે. સમગ્ર મામલે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.</p><h4 style="text-align: justify; "><b>હત્યાનું ચોક્કસ કારણ જાણવા તપાસ</b></h4><p style="text-align: justify; ">વાડજ પોલીસે હત્યાનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પોલીસની તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ઘટનાની વધુ વિગતો સ્પષ્ટ થશે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp; :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/vav-tharad/vav-tharad-gujju-love-guru-chandan-rathod-road-accident" target="_blank"><b>Vav-Tharad : શું ગુજ્જુ લવ ગુરુને મોતનો આભાસ થઇ ગયો હતો...? અકસ્માતના 3 કલાક પહેલા તેમણે બોલેલા શબ્દો વાયરલ, Video</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/KnhG6R44ohIZMPlTvlGdKeG1BUBdoROyBGZRv8wl.webp'/></item><item><title><![CDATA[PM મોદીના 76મા જન્મદિવસે દેશભરમાં ‘આશીર્વાદનો દીવો’ પ્રગટાવાયો ]]></title><link>https://sandesh.com/india/news/aashirwad-no-diwo-lit-across-the-country-on-pm-modis-76th-birthday</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/aashirwad-no-diwo-lit-across-the-country-on-pm-modis-76th-birthday</guid><pubDate>Thu, 17 Sep 2026 21:04:48 +05:30</pubDate><description><![CDATA[<p>PM નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસના અવસરે ભારતીય જનતા પાર્ટી (BJP)એ દેશવ્યાપી ‘આશીર્વાદનો દીવો’ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ દેશના અલગ-અલગ વિસ્તારોમાં પ્રધાનમંત્રી મોદીના સારા સ્વાસ્થ્ય, લાંબા આયુષ્ય અને જાહેર જીવનમાં 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે દીવા પ્રગટાવવામાં આવ્યા. </p><p><b>PM મોદીના જન્મદિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જગન્નાથ મંદિરમાં કરી આરતી</b></p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/AmitShah/status/2100614237429317920"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><b></b></p><p><b>અમિત શાહે પ્રગટાવ્યો ‘આશીર્વાદનો દીવો’</b></p><p>અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે તેમના નિવાસસ્થાને ‘આશીર્વાદનો દીવો’ અભિયાન હેઠળ દીવો પ્રગટાવ્યો હતો.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2100619748434481642"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b>દિલ્હી સહિત અનેક સ્થળોએ પ્રગટાવાયા દીવા</b></p><p>વારાણસીથી લઈને આસામ સુધી અનેક સ્થળોએ ‘આશીર્વાદનો દીવો’ પ્રગટાવવામાં આવ્યો. આ જ કડીમાં દિલ્હીમાં પણ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સાંજે 7 વાગ્યે કર્તવ્ય પથ, સેવા તીર્થ અને નવી સંસદની આસપાસ 1.25 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા.</p><p><b>CM રેખા ગુપ્તાએ પણ પ્રગટાવ્યો ‘આશીર્વાદનો દીવો’</b></p><p>વિજય ચોક ખાતે મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પણ ‘આશીર્વાદનો દીવો’ પ્રગટાવ્યો. આ કાર્યક્રમ દ્વારા પ્રધાનમંત્રી મોદી માટે શુભેચ્છા અને આશીર્વાદ વ્યક્ત કરવામાં આવ્યા.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2100576464190271637"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b>શુભેન્દુ અધિકારીએ પ્રગટાવ્યા એક લાખ દીવા</b></p><p>કોલકાતાના બાજા કદમતલા ઘાટ પર પણ ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં શુભેન્દુ અધિકારી સામેલ થયા અને એક લાખ માટીના દીવા પ્રગટાવવામાં આવ્યા. ઘાટ પર મોટી સંખ્યામાં દીવા પ્રગટાવીને પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2100579340715274356"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b>ઉત્તરાખંડ CM ધામીએ પણ કરી આરતી</b></p><p>ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસરે દેહરાદૂનના કાલસીમાં આરતી કરી.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2100578725373129037"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b>લખનઉમાં પણ પ્રગટાવ્યો ‘આશીર્વાદનો દીવો’</b></p><p>પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસરે લખનઉના રાષ્ટ્ર પ્રેરણા સ્થળે ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉપમુખ્યમંત્રી બ્રજેશ પાઠક અને કેશવ પ્રસાદ મૌર્ય કાર્યક્રમમાં સામેલ થયા. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસરે ‘આશીર્વાદનો દીવો’ પ્રગટાવવામાં આવ્યો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2100581389381091424"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b>CM યોગી આદિત્યનાથે શું કહ્યું?</b></p><p>CM યોગી આદિત્યનાથે કહ્યું, “અમે સૌ લખનઉમાં રાષ્ટ્ર પ્રેરણા સ્થળે એકઠા થયા છીએ. આ ખરેખર એક મહત્વપૂર્ણ દિવસ છે. આ દુનિયાના સૌથી લોકપ્રિય નેતા, PM નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. 25 ડિસેમ્બર 2025ના રોજ રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. PM નરેન્દ્ર મોદીના આ અવસરે, અમે તમામ જનપ્રતિનિધિઓ સાથે મળીને વિકસિત ભારત, વિકસિત ઉત્તર પ્રદેશ, આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર ઉત્તર પ્રદેશના સંકલ્પમાં સામેલ થવા માટે અહીં છીએ.”</p><p><b>રાજનાથ સિંહે પણ પ્રગટાવ્યો દીવો</b></p><p>રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરીને કહ્યું, “આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસરે મેં દીવો પ્રગટાવીને ભગવાનને તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી. તેમના નેતૃત્વમાં ભારતને આગળ વધારવાનો સંકલ્પ વધુ મજબૂત બને—આ જ મારી દિલની ઈચ્છા છે. હું આપ સૌને પણ PM મોદીના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે દુઆનો દીવો પ્રગટાવવા અપીલ કરું છું.”</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2100587238346355127"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b>ગંગા ઘાટ પર ખાસ આરતીનું આયોજન</b></p><p>પ્રધાનમંત્રી અને વારાણસીના સાંસદ નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ પર ખેલાડીઓએ ડૉ. સંપૂર્ણાનંદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સિગરામાં દીવો પ્રગટાવીને તેમનું સન્માન કર્યું. આ પ્રસંગે મેયર અશોક કુમાર તિવારી અને RSO નવીન કુમાર સિંહ હાજર રહ્યા.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2100591633754636483"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b>ત્રિપુરામાં પણ ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ</b></p><p>ત્રિપુરાના CM માણિક સાહાએ ત્રિપુરા સુંદરી મંદિરમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમમાં ભાગ લીધો.</p><p><b>રાજસ્થાનમાં ‘આશીર્વાદનો દીવો’</b></p><p>જયપુરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ‘આશીર્વાદનો દીવો’ અભિયાન હેઠળ રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ મુખ્યમંત્રી નિવાસસ્થાને દીવા પ્રગટાવ્યા હતા.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2100622768207462643"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><a  target="_blank"></a></p><p><b>નિઝામુદ્દીન દરગાહમાં પ્રગટાવાયો ‘આશીર્વાદનો દીવો’</b></p><p>દિલ્હીની હઝરત નિઝામુદ્દીન દરગાહ ખાતે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ અને BJP માઇનોરિટી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ કુનવર બાસિત અલીએ અન્ય લોકો સાથે મળીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ‘આશીર્વાદનો દીવો’ અભિયાન હેઠળ દીવા પ્રગટાવ્યા હતા.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2100623502097416602"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b><a href="https://sandesh.com/india/news/pm-modi-76th-birthday-semicon-india-2026-video-wishes" target="_blank">આ પણ વાંચો: PM Modi Birthday: ‘તમને પણ જન્મદિવસની શુભેચ્છા’, PM મોદીએ શેર કર્યો ખાસ વીડિયો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/5GElwu0aNjeIIm2MIIjo50C4YHvjsyNbFe5JFFlt.webp'/></item><item><title><![CDATA[Ganesh Mahotsav 2026 : ‘બાપ્પાની ભક્તિ અને સજાવટની ઝલક હવે પહોંચશે કરોડો વાચકો સુધી!’ સંદેશ ડિજિટલ લઈને આવ્યું છે ભક્તો માટે ગોલ્ડન ચાન્સ ]]></title><link>https://sandesh.com/bhakti/news/gujarat/ahmedabad/ganesh-mahotsav-2026-sandesh-digital-ganpati-photos-2</link><guid isPermaLink="true">https://sandesh.com/bhakti/news/gujarat/ahmedabad/ganesh-mahotsav-2026-sandesh-digital-ganpati-photos-2</guid><pubDate>Thu, 17 Sep 2026 21:04:23 +05:30</pubDate><description><![CDATA[<p>ગણેશ મહોત્સવ 2026ની ઉજવણીને વધુ ખાસ અને યાદગાર બનાવવા માટે સંદેશ ડિજિટલ લઈને આવ્યું છે એક સુંદર તક. હવે તમારા ઘેર કે સોસાયટીમાં પધારેલા ગણપતિ બાપ્પાની સુંદર તસવીરો અને વીડિયો માત્ર તમારા પરિવાર કે સોસાયટી પૂરતા સીમિત નહીં રહે, પરંતુ તેને દુનિયા સુધી પહોંચાડવાની તક મળશે. આ પાવન પર્વે તમારા ગણપતિ દાદાની સુંદર તસવીરો અને વીડિયો સંદેશ ડિજિટલ દ્વારા પ્રકાશિત કરવામાં આવશે.</p><p>તમારા શ્રીજીની તસવીરો સંદેશ ડિજિટલની વેબસાઇટ sandesh.com તેમજ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ચમકશે. તમારા ઘેર, ફ્લેટમાં કે સોસાયટીમાં પધારેલા શ્રીજીની સુંદર તસવીરો અને વીડિયો અમને મોકલો. સાથે તમારું નામ અને સ્થળ જરૂરથી લખશો, જેથી તમારી તસવીરો યોગ્ય ઓળખ સાથે પ્રકાશિત કરી શકાય. તો આ ગણેશ મહોત્સવમાં તમારા બાપ્પાની ભક્તિ, શ્રદ્ધા અને સુંદર સજાવટની ઝલક દુનિયા સુધી પહોંચાડો. આજે જ તમારા શ્રીજીની તસવીરો અને વીડિયો મોકલો આ નંબર પર---- 9316724216&nbsp;</p><h2><b>186 શાંતિનગર તરસાલી</b></h2><p><img alt="ganpati photos" src="https://epapercdn.sandesh.com/images/2026/09/17/nCT4GvDAxI6FP0AE39wLTa4RKatixgq3aooCAqw8.webp" style="width: 50%;"><br></p><h2><b>ઓમ શાંતિ રેસીડેન્સી , નિકોલ</b></h2><p><img alt="ganpati photos" src="https://epapercdn.sandesh.com/images/2026/09/17/9f8ammybNkV5rFJqGLl8Av7jFYjppvcl3XfN0WPf.webp" style="width: 50%;"><br></p><h2><b>કંધારી ના મહારાજા શ્રી સ્વામિનારાયણ યુવક મંડળ કંધારી</b></h2><p><img alt="ganpati photos" src="https://epapercdn.sandesh.com/images/2026/09/17/8SaUga1erf2aTEkmWbqMLbdbpHLIoZEJi34JtcET.webp" style="width: 50%;"><br></p><h2><b>ગોપી, હીરાવાડી, અમદાવાદ</b></h2><p><img alt="ganpati photos" src="https://epapercdn.sandesh.com/images/2026/09/17/avXuFVpkuyvI4GQOJTSzULqTj0fWzn3QyfEkyPNY.webp" style="width: 50%;"><br></p><h2><b>ધ્રુવ ચુનારા ,વટવા, અમદાવાદ</b></h2><p><img alt="ganpati photos " src="https://epapercdn.sandesh.com/images/2026/09/17/u9zrqIffDhI5FQFoF4nMnr8sWMHxakEQLrV7V91L.webp" style="width: 50%;"><br></p><h2><b>પ્રભુપાર્ક સોસાયટી, અમદાવાદ, રખિયાલ</b></h2><p><img alt="ganpati photos" src="https://epapercdn.sandesh.com/images/2026/09/17/iQP33Cp7LjiFr8wcdpIk1fIDoeLN9nKJvtmaPV6x.webp" style="width: 50%;"><br></p><h2><b>શાંતિનગર પ્રગતિ યુવક મંડળ તરસાલી</b></h2><p><img alt="ganpati photos" src="https://epapercdn.sandesh.com/images/2026/09/17/fl7hhspaX1eecgpXXKR7gTCIuUTkTVwzeEzMqIkQ.webp" style="width: 50%;"><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/l4YRf2svzbA2mG6o12w1t3Y7FAH02cDpy8jnsAkM.webp'/></item><item><title><![CDATA[Junagadh : ભેંસાણમાં SMCનો સપાટો, ફાર્મ હાઉસમાંથી 1.22 કરોડનો દારૂ ઝડપાયો, 15 સામે ગુનો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/junagadh/junagadh-bhesan-smc-liquor-seizure-farmhouse</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/junagadh/junagadh-bhesan-smc-liquor-seizure-farmhouse</guid><pubDate>Thu, 17 Sep 2026 21:02:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જુનાગઢના ભેંસાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઉમરાળી ગામે પ્રકાશ ખુમાણના ફાર્મ હાઉસમાં દરોડો પાડીને ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરની 1,015 પેટીઓ જપ્ત કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>26,519 બોટલનો જથ્થો મળી આવ્યો</b></h2><p style="text-align: justify; ">SMCની રેડ દરમિયાન કુલ 26,519 બોટલ દારૂ-બીયર મળી આવ્યો હતો. ઝડપાયેલા દારૂના જથ્થાની કિંમત રૂ. 1,22,20,967 હોવાનું સામે આવ્યું છે. દારૂના જથ્થા ઉપરાંત 3 વાહન અને 3 મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 1,53,47,467નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>15 આરોપીઓ સામે ગુનો નોંધાયો</b></h3><p style="text-align: justify; ">સમગ્ર મામલે ભેંસાણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ કુલ 15 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે પ્રકાશ ધુશાભાઈ ખુમાણ અને જયવિર ધુશાભાઈ ખુમાણની ધરપકડ કરી છે.</p><h3 style="text-align: justify; "><b>13 આરોપીઓ વોન્ટેડ જાહેર</b></h3><p style="text-align: justify; ">રવિરાજ દાનભાઈ ખાચર, જયેન્દ્ર જીલુભાઈ બસિયા અને શિવરાજસિંહ શેખાવત સહિત 13 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. વોન્ટેડ આરોપીઓમાં રવિરાજ ઉર્ફે ઘુઘો ધાંધલ, પૃથ્વી ઉર્ફે ભૈકો ધાંધલ, મિત બાવાજી, રાહુલ વાળા અને શન્નીનો પણ સમાવેશ થાય છે.</p><h4 style="text-align: justify; "><b>સપ્લાયર સુધી પહોંચવા તપાસ</b></h4><p style="text-align: justify; ">SMC દ્વારા ઝડપાયેલા વાહનોના માલિક-ચાલક સહિત અન્ય 5 આરોપીઓની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેના સપ્લાયર કોણ છે તે અંગે વધુ તપાસ ચાલી રહી છે. વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે SMC અને ભેંસાણ પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/vav-tharad/vav-tharad-gujju-love-guru-chandan-rathod-road-accident" target="_blank"><b>Vav-Tharad : શું ગુજ્જુ લવ ગુરુને મોતનો આભાસ થઇ ગયો હતો...? અકસ્માતના 3 કલાક પહેલા તેમણે બોલેલા શબ્દો વાયરલ, Video</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/Uih28zh90LZI809zSRIqD6b7W8IO9t0l9yZNei0e.webp'/></item><item><title><![CDATA[UPI અને EPFO અંગે મોટી અપડેટ, PM મોદીનો બર્થ ડે અને.... ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/big-update-regarding-upi-and-epfo-pm-modis-birthday-and-top-10-news-headlines-17-september-important-news-updates</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/big-update-regarding-upi-and-epfo-pm-modis-birthday-and-top-10-news-headlines-17-september-important-news-updates</guid><pubDate>Thu, 17 Sep 2026 20:59:00 +05:30</pubDate><description><![CDATA[<p>સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો</p><ol><li><a href="https://sandesh.com/explainer/news/india/sandesh-digital-explainer-can-pm-modi-break-congress-record" target="_blank">Sandesh Digital Explainer: શું PM મોદી કોંગ્રેસનો આ રેકોર્ડ તોડી શકશે, જાણો ઈતિહાસ રચવાથી કેટલા દૂર?</a></li><li><a href="https://sandesh.com/india/news/pm-modi-76th-birthday-semicon-india-2026-video-wishes" target="_blank">PM Modi Birthday: ‘તમને પણ જન્મદિવસની શુભેચ્છા’, PM મોદીએ શેર કર્યો ખાસ વીડિયો</a></li><li><a href="https://sandesh.com/business/news/upi-rules-to-change-from-october-15-know-on-which-payments-mdr-will-be-levied" target="_blank">UPI MDR Rules: 15 ઓક્ટોબરથી UPIના નિયમોમાં ફેરફાર, જાણો કયા પેમેન્ટ પર MDR લાગશે</a></li><li><a href="https://sandesh.com/world/news/nepal-floods-nepal-floods-are-the-result-of-man-made-errors-shocking-claim-in-scientists-report" target="_blank">Nepal Floods: માનવસર્જિત ભૂલોનું પરિણામ છે નેપાળનું પૂર, વૈજ્ઞાનિકોના રિપોર્ટમાં ચોંકાવનારો દાવો</a></li><li><a href="https://sandesh.com/world/news/political-news/chinas-open-threat-before-xi-jinpings-visit-to-washington-says-if-taiwan-crosses-the-red-line-a-terrible-great-war-will-break-out" target="_blank">Xi Jinpingના વોશિંગ્ટન પ્રવાસ પહેલા Chinaની ખુલ્લી ધમકી, કહ્યુ Taiwan રેડ લાઈન ઓળંગશે તો છેડાશે ભયાનક મહાસંગ્રામ!</a></li><li><a href="https://sandesh.com/india/news/political-news/pm-modi-cabinet-reshuffle-chintan-shivir-ministers-2026" target="_blank" style="background-color: rgb(255, 255, 255);">PM મોદી આગામી અઠવાડિયે મંત્રીઓ સાથે કરશે ચિંતન શિબિર, કેબિનેટમાં ફેરબદલની અટકળો તેજ</a></li><li><a href="https://sandesh.com/world/news/red-sea-crisis-houthi-rebels-with-an-army-of-1-lakh-have-become-the-biggest-threat-in-the-red-sea" target="_blank">Red Sea Crisis: 1 લાખની સેના સાથે હૂથી બળવાખોરો લાલ સમુદ્રમાં બન્યા સૌથી મોટો ખતરો</a></li><li><a href="https://sandesh.com/business/news/cooking-oil-relief-from-expensive-edible-oil-possibility-of-5-reduction-in-import-duty" target="_blank">Cooking Oil: મોંઘા ખાદ્ય તેલથી મળશે રાહત, ઇમ્પોર્ટ ડ્યૂટીમાં 5% ઘટાડાની શક્યતા</a></li><li><a href="https://sandesh.com/india/news/tata-sons-news-tata-sons-ipo-path-cleared-chandrasekaran-handed-over-the-reins-for-another-5-years" target="_blank">Tata Sons News: ટાટા સન્સના IPOનો રસ્તો ક્લિયર ! ચંદ્રશેખરનને વધુ 5 વર્ષ માટે સોંપાઇ કમાન</a></li><li><a href="https://sandesh.com/business/news/epfo-new-rule-pension-wage-limit-increased-25000" target="_blank">EPFO New Rule: જો તમારો પગાર 25,000 છે તો કેટલું પેન્શન મળશે? આ રહ્યુ આખું ગણિત</a></li></ol> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/5ehNQzKrxjB6r4AuWKRbVjvb2WX5pWPdXDqDzhXL.webp'/></item><item><title><![CDATA[PM Modi Birthday: ‘તમને પણ જન્મદિવસની શુભેચ્છા’, PM મોદીએ શેર કર્યો ખાસ વીડિયો ]]></title><link>https://sandesh.com/india/news/pm-modi-76th-birthday-semicon-india-2026-video-wishes</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/pm-modi-76th-birthday-semicon-india-2026-video-wishes</guid><pubDate>Thu, 17 Sep 2026 20:24:35 +05:30</pubDate><description><![CDATA[<p>PM નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ પર દેશ-દુનિયાના લોકો તરફથી તેમને શુભેચ્છાઓ મળી રહી છે. આ દરમિયાન PM મોદીએ ગુરુવારે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર SEMICON India 2026 સમિટનો એક વીડિયો શેર કર્યો. વીડિયોમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગ સંમેલનના ઉદ્ઘાટન સત્ર દરમિયાન પ્રતિનિધિઓએ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. PM મોદીએ ખાસ અંદાજમાં સ્મિત સાથે હાથ જોડીને સૌનું અભિવાદન સ્વીકાર્યું અને શુભેચ્છાઓ માટે આભાર માન્યો.</p><p><b>PM મોદીએ જન્મદિવસે શેર કર્યો ખાસ વીડિયો</b></p><p>પ્રધાનમંત્રી મોદીએ પોતાના જન્મદિવસના અવસરે વીડિયો શેર કરીને લખ્યું, 'જન્મદિવસ અને તમને પણ જન્મદિવસની શુભેચ્છાઓ'. આ વીડિયો નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટરમાં SEMICON Indiaની પાંચમી આવૃત્તિના ઉદ્ઘાટન સત્રનો છે. PM મોદી જેવા જ મંચ પર પહોંચ્યા, ત્યાં હાજર પ્રતિનિધિઓએ તાળીઓ સાથે તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. આ દરમિયાન ત્યાં હાજર એક મહિલાએ PM મોદીને જણાવ્યું કે આજે તેમનો પણ જન્મદિવસ છે. PM મોદીએ તરત જ તેમને પણ જન્મદિવસની શુભેચ્છા પાઠવી.</p><p><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DdYpRBWzgcV/?utm_source=ig_embed&amp;ig_rid=ARxXgLlZgHzhi24BweWmVn" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DdYpRBWzgcV/?utm_source=ig_embed&amp;ig_rid=ARxXgLlZgHzhi24BweWmVn" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>-" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DdYpRBWzgcV/?utm_source=ig_embed&amp;ig_rid=ARxXgLlZgHzhi24BweWmVn" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DdYpRBWzgcV/?utm_source=ig_embed&amp;ig_rid=ARxXgLlZgHzhi24BweWmVn" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>-</a></p><p><b>ભારતને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગનું કેન્દ્ર બનાવવાનો ભાર</b></p><p>જન્મદિવસની આ ખાસ ઝલક પહેલાં PM મોદીએ SEMICON India 2026માં ભારતના સેમિકન્ડક્ટર મિશન અંગે સંબોધન કર્યું. તેમણે કહ્યું કે દુનિયા નવા અને વિશ્વસનીય મેન્યુફેક્ચરિંગ ડેસ્ટિનેશનની શોધમાં છે અને ભારત આ જરૂરિયાતને પૂરી કરવા માટે સતત તૈયારી કરી રહ્યું છે. PM મોદીએ કહ્યું, 'ભારત સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે પસંદગીનું ડેસ્ટિનેશન બનવા માટે દરેક જરૂરી પગલાં લઈ રહ્યું છે.' તેમણે આગળ કહ્યું કે ભારતમાં તૈયાર થતી ચિપ્સ હવે દેશ અને દુનિયાના ગ્રાહકો સુધી પહોંચવા લાગી છે.</p><p><b>મોહાલી અને સુરતમાં કોમર્શિયલ પ્રોડક્શન શરૂ</b></p><p>પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારતનો સેમિકન્ડક્ટર કાર્યક્રમ હવે નીતિઓ બનાવવા અને પ્રોજેક્ટ પ્લાનિંગથી આગળ વધીને પાયલટ પ્રોડક્શન અને કોમર્શિયલ મેન્યુફેક્ચરિંગ સુધી પહોંચી ગયો છે. તેમણે કહ્યું કે મોહાલી અને સુરતમાં નવા પ્લાન્ટ્સમાં કોમર્શિયલ પ્રોડક્શન શરૂ થઈ ગયું છે. PM મોદીએ સેમિકન્ડક્ટર વેલ્યુ ચેઇનના તમામ ભાગોને વિકસાવવા પર ભાર મૂક્યો.</p><p><b><a href="https://sandesh.com/india/news/political-news/delhi-cm-rekha-gupta-organ-donation-pm-modi-birthday" target="_blank">આ પણ વાંચો: PM મોદીના જન્મદિવસે આ CMએ પોતાના શરીરના 14 અંગોનું દાન કરવાની કરી મોટી જાહેરાત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/KmOKDxmvNql3MoMis4jrtK2ytxq75SRybNfubJ0H.webp'/></item><item><title><![CDATA[India Russia Oil Trade: અમેરિકાના નવા રશિયા પ્રતિબંધ બિલથી ભડક્યું ક્રેમલિન, યુક્રેન શાંતિ વાર્તા પર ખતરો ]]></title><link>https://sandesh.com/world/news/business/india-russia-oil-trade-kremlin-angered-by-americas-new-russia-sanctions-bill-threat-to-ukraine-peace-talks</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/business/india-russia-oil-trade-kremlin-angered-by-americas-new-russia-sanctions-bill-threat-to-ukraine-peace-talks</guid><pubDate>Thu, 17 Sep 2026 20:24:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ક્રેમલિનએ તેને અમૈત્રીપૂર્ણ પગલું ગણાવ્યું અને યુક્રેન શાંતિ વાટાઘાટો પર અસર થવાની ચેતવણી આપી હતી.&nbsp;</p><h2 style="text-align: justify; ">અમૈત્રીપૂર્ણ પગલું&nbsp;</h2><p style="text-align: justify; ">ક્રેમલિને યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના રશિયા પર મોટા પ્રતિબંધો લાદવાના બિલને એક અમૈત્રીપૂર્ણ પગલું ગણાવ્યું અને ચેતવણી આપી કે વધુ યુએસ પ્રતિબંધો યુક્રેનમાં શાંતિ કરાર સુધી પહોંચવાના પ્રયાસોને જટિલ બનાવી શકે છે. આ નિવેદનો ગૃહ દ્વારા લિન્ડસે ઓ. ગ્રેહામ દ્વારા 262-159 મતોથી રશિયા અને ઈરાન પર પ્રતિબંધ લગાવતા કાયદા 2026ને પસાર કર્યાના એક દિવસ પછી આવ્યા હતા.&nbsp;</p><h3 style="text-align: justify; ">શાંતિ કરાર પર શુ અસર ?&nbsp;</h3><p style="text-align: justify; ">પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે પત્રકારોને જણાવ્યું હતું કે રશિયા કાયદાકીય પ્રક્રિયા પર નજર રાખી રહ્યું છે, અમે ચોક્કસપણે આ દસ્તાવેજની પ્રગતિ પર નજર રાખી રહ્યા છીએ. આ બિનમૈત્રીપૂર્ણ કાર્યવાહીની શ્રેણીમાં આવે છે, અને યુએસ દ્વારા વધુ પ્રતિબંધો નિઃશંકપણે યુક્રેનમાં શાંતિ કરાર સુધી પહોંચવાના પ્રયાસોને જટિલ બનાવશે. આ પગલું હવે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે જશે અને વહીવટને રશિયા પર પ્રતિબંધો અને રશિયન તેલ અથવા કુદરતી ગેસના ટોચના પાંચ ખરીદદારો પર 100 ટકા સુધીના ટેરિફ લાદવાનો અધિકાર આપશે.&nbsp;</p><h4 style="text-align: justify; ">યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાના અમેરિકાના પ્રયાસોને ફટકો</h4><p style="text-align: justify; ">યુક્રેનમાં સાડા ચાર વર્ષના યુદ્ધને સમાપ્ત કરવાના અમેરિકાના મધ્યસ્થી પ્રયાસો મહિનાઓથી અટકી ગયા હતા, પરંતુ ટ્રમ્પે આ પ્રક્રિયા ફરી શરૂ કરવાના પ્રયાસમાં આ મહિનાની શરૂઆતમાં મોસ્કો અને કિવમાં બે રાજદૂતો મોકલ્યા હતા. આ કાયદાને યુએસ હાઉસમાં ડેમોક્રેટિક પાર્ટી તરફથી દ્વિપક્ષીય સમર્થન અને ટીકા બંને મળી છે. સમર્થકોએ કહ્યું કે ટેરિફ જોગવાઈનો હેતુ દેશોને રશિયન ઊર્જા ખરીદવાથી રોકવાનો હતો, જ્યારે ટીકાકારોએ ચેતવણી આપી હતી કે આ પગલું યુએસ સાથીઓને પણ અસર કરી શકે છે અને અમેરિકન ગ્રાહકો માટે કિંમતો વધારી શકે છે.</p><h5 style="text-align: justify; ">પ્રતિબંધો લાદવાના અમેરિકાના પગલાથી તણાવ વધશે</h5><p style="text-align: justify; ">લોકશાહી વિરોધ આ કાયદા દ્વારા ટ્રમ્પને મળતી શક્તિ અંગે ચિંતિત હતો. પ્રતિનિધિ ડોન બેયરે કહ્યું કે જો ટ્રમ્પે યુએસ સાથીઓ સામે નવી સત્તાનો ઉપયોગ કર્યો, તો સમર્થકો આ પગલાનો અફસોસ કરી શકે છે. દરમિયાન, બિલ લખવામાં મદદ કરનાર ડેમોક્રેટિક સેનેટર રિચાર્ડ બ્લુમેન્થલે કહ્યું કે તેમને આશા છે કે પ્રતિબંધો રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને વાટાઘાટો કરવા દબાણ કરશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/lifestyle/news/health-fitness/cancer-physiotherapy-physiotherapy-is-like-sanjeevani-for-cancer-patients-this-is-how-you-will-get-relief-from-fatigue-pain-and-weakness" target="_blank">કેન્સરના દર્દીઓ માટે સંજીવની સમાન ફિઝિયોથેરાપી, થાક, દુખાવો અને નબળાઈથી આ રીતે મળશે મુક્તિ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/NswpkJAtDnYCIkNJJQaC37NU9latxdV3Cf3GEBIe.webp'/></item><item><title><![CDATA[દિશા સાલિયન મામલે સવાલ પૂછતા રિયાએ ચાલતી પકડી! જીમ બહાર જોવા મળી અભિનેત્રી ]]></title><link>https://sandesh.com/entertainment/news/rhea-chakraborty-walked-away-when-asked-about-the-disha-salian-case-</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/rhea-chakraborty-walked-away-when-asked-about-the-disha-salian-case-</guid><pubDate>Thu, 17 Sep 2026 19:09:28 +05:30</pubDate><description><![CDATA[<p>બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયનના મૃત્યુના કેસે ફરી એકવાર વેગ પકડ્યો છે, કારણ કે CBI આ મામલામાં ફરી સક્રિય થઈ છે. બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ CBIએ દિશા સાલિયન કેસ અંગે FIR નોંધી છે. આ મામલામાં સંડોવાયેલા લોકોની યાદીમાં બોલિવૂડની હસ્તીઓથી લઈને રાજકીય વર્તુળો સુધીના લોકોનો સમાવેશ થાય છે, જેમાં રિયા ચક્રવર્તીનું નામ પણ સામેલ છે. આ દરમિયાન દિશા કેસ વિશે પૂછવામાં આવતા રિયાએ મૌન જાળવી રાખ્યું છે.</p><p><br></p><p>તાજેતરમાં રિયા ચક્રવર્તી મુંબઈમાં એક જિમની બહાર જોવા મળી હતી. જ્યારે મીડિયાએ તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે વાતચીત ટાળતી જણાઈ હતી. એક વીડિયોમાં એક રિપોર્ટર તેની પાછળ દોડીને દિશા સાલિયન કેસ વિશે પ્રશ્નો પૂછતા જોવા મળે છે; જોકે, તેણે આ બાબતે કોઈ પણ ટિપ્પણી કર્યા વિના પોતાની કારમાં બેસીને ત્યાંથી નીકળી જવાનું પસંદ કર્યું. તે સ્પષ્ટ છે કે અભિનેત્રીએ આ મુદ્દે મૌન રહેવાનું નક્કી કર્યું છે.</p><p><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DdYGrJyJQ-u/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DdYGrJyJQ-u/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a></p><p><b style="font-size: 1.5rem;"><br></b></p><p><b style="font-size: 1.5rem;">રિયા અને અન્ય લોકો વિરુદ્ધ CBI દ્વારા FIR નોંધાઈ</b></p><p>બોમ્બે હાઈકોર્ટના આદેશના પાલનમાં, CBIએ દિશા સાલિયન કેસમાં રિયા ચક્રવર્તી, ડીનો મોરિયા, સૂરજ પંચોલી, આદિત્ય ઠાકરે, રોહન રોય, આદિત્ય ઠાકરેના અંગરક્ષકો, શોવિક ચક્રવર્તી, સચિન વાઝે, DCP વિશાલ ઠાકુર, ઉદ્ધવ ઠાકરે, પરમબીર સિંહ, અનિલ દેશમુખ અને અન્ય સહિત અનેક વ્યક્તિઓ વિરુદ્ધ FIR નોંધી છે.</p><p><b style="font-size: 1.5rem;">ગેંગ-રેપ અને હત્યાના આરોપો: દિશા સાલિયનના વકીલ</b></p><p>દિશા સાલિયનના વકીલ નીલેશ ઓઝાએ જણાવ્યું હતું કે આદિત્ય ઠાકરે અને અન્ય લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે, જેમાં ગેંગ-રેપ અને હત્યાના આરોપો મૂકવામાં આવ્યા છે. વકીલનો દાવો છે કે તેમની પાસે સચિન વાઝે દ્વારા કરવામાં આવેલી 'એક્સ્ટ્રા-જ્યુડિશિયલ કબૂલાત' (ન્યાયાલયની બહાર કરેલી કબૂલાત) ઉપલબ્ધ છે. તેઓ વધુમાં દાવો કરે છે કે NCB પાસે પુરાવા હોવા છતાં, NCB અધિકારી સંજય સિંહ છેલ્લા છ વર્ષથી આ વ્યક્તિઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં નિષ્ફળ રહ્યા છે.</p><p><br></p><p>ઉલ્લેખનીય છે કે બોમ્બે હાઈકોર્ટે CBIને દિશા સાલિયન કેસની નવી તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે તપાસની દેખરેખ માટે CBIના એક વરિષ્ઠ અધિકારીની નિમણૂક કરવામાં આવે.<br><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/entertainment/disha-salian-father-satish-salian-defamation-notice-aaditya-thackeray-matoshree-500-crore" target="_blank"><b>Disha Salian કેસમાં નવો વળાંક! પિતા સતીશ જશે માતોશ્રી, આદિત્ય ઠાકરેને આપશે 500 કરોડની નોટિસ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/5VyHEUsxM2q4mZ97LWnkMFF7ReDjGB4LKtjt3jYq.webp'/></item><item><title><![CDATA[Asian Games 2026: જાપાનમાં ભારતીય ખેલાડીઓની હાલાકી, ખાવા-પીવા માટે પણ ભટકવું પડ્યું! ]]></title><link>https://sandesh.com/sports/news/asian-games-2026-indian-players-in-japan-face-hardship-had-to-wander-even-for-food-and-drink</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/asian-games-2026-indian-players-in-japan-face-hardship-had-to-wander-even-for-food-and-drink</guid><pubDate>Thu, 17 Sep 2026 18:26:28 +05:30</pubDate><description><![CDATA[<p>હાલમાં ભારતીય ખેલાડીઓ એશિયન ટીમ 2026 રમવા માટે જાપાન પહોંચી છે. જ્યાં ખેલાડીઓને રહેવા, ખાવા-પીવા સહિતની અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોવાનું સામે આવ્યું છે. માત્ર ભારત જ નહીં, પરંતુ અન્ય દેશોના ખેલાડીઓ પણ પોતાના રૂમની ફાળવણી માટે કલાકો સુધી રાહ જોતા જોવા મળ્યા હતા.</p><h2><b>પાણી અને ભીજન માટે ભારે અવ્યવસ્થા&nbsp;</b></h2><p>મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય શૂટિંગ ટીમ સવારે લગભગ 9 વાગ્યે જાપાની શહેર આઈચી-નાગોયા પહોંચી હતી. જો કે, ખેલાડીઓને રહેવા માટેની વ્યવસ્થા મળતા રાત્રિના લગભગ 2 વાગી ગયા હતા. આ દરમિયાન ખેલાડીઓએ વેરિફિકેશન સેન્ટર પર લાંબો સમય રાહ જોવી પડી હતી. ખાસ વાત એ હતી કે આ સમગ્ર સમયગાળા દરમિયાન તેમને પીવા માટે પાણી કે ખાવા માટે ભોજન પણ ઉપલબ્ધ થયું નહોતું. સમસ્યા અહીં પૂરી થઈ નહોતી. એક હોટેલમાં રૂમની સંખ્યા ઓછી પડતાં ભારતીય શૂટિંગ ટીમના સભ્યોને બે અલગ-અલગ હોટેલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેના કારણે ટીમના ખેલાડીઓ એકબીજાથી અલગ થઈ ગયા હતા. બીજી તરફ, સોશિયલ મીડિયા પર સામે આવેલા કેટલાક વીડિયોમાં વિવિધ દેશોના ખેલાડીઓ લાંબા સમય સુધી રાહ જોતા તેમજ જમીન પર આરામ કરતા જોવા મળ્યા છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/TheKhelIndia/status/2100434449104343192"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>અલગ-અલગ હોટેલોમાં વિભાજન</b></h2><p>એશિયન ગેમ્સના ઇતિહાસમાં આ પહેલીવાર છે કે, જ્યારે ખેલાડીઓ માટે અલગથી ડેડિકેટેડ ગેમ્સ વિલેજ તૈયાર કરવામાં આવ્યું નથી. ખર્ચ ઘટાડવાના હેતુથી એશિયન ગેમ્સની ઓર્ગેનાઇઝિંગ કમિટીએ આ પ્રકારની વ્યવસ્થા પસંદ કરી હોવાનું જણાવવામાં આવ્યું છે. ગેમ્સ વિલેજ ન હોવાને કારણે ખેલાડીઓ માટે હોટેલ્સ ઉપરાંત ક્રૂઝ શિપ અને શિપિંગ કન્ટેનર જેવી અસ્થાયી લાકડાની કોટેજમાં પણ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/arunpudur/status/2100556168016109725"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>શૂટિંગમાં ભારતનો શાનદાર ઇતિહાસ</b></h2><p>શૂટિંગ ભારત માટે એશિયન ગેમ્સમાં મેડલ જીતવાની દૃષ્ટિએ મહત્વપૂર્ણ રમત રહી છે. અત્યાર સુધી એશિયન ગેમ્સના ઇતિહાસમાં ભારતીય શૂટર્સે દેશને કુલ 80 મેડલ અપાવ્યા છે. વર્ષ 2023માં હાંગઝોઉ ખાતે યોજાયેલી એશિયન ગેમ્સમાં પણ ભારતીય શૂટિંગ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું, અને કુલ 22 મેડલ જીત્યા હતા.</p><h2><b>ભારતની મજબૂત ટીમ</b></h2><p>આ વખતે જાપાનમાં ભારત તરફથી 30 સભ્યોની મજબૂત શૂટિંગ ટીમ ભાગ લઈ રહી છે. આ ટીમમાં પેરિસ ઓલિમ્પિકની સ્ટાર શૂટર મનુ ભાકર સહિત અનેક અનુભવી અને જાણીતા ખેલાડીઓનો સમાવેશ થાય છે. શરૂઆતમાં સામે આવેલી આ મુશ્કેલીઓ પાછળ છોડીને ભારતીય ખેલાડીઓ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરે અને દેશ માટે મેડલ જીતે તેવી આશા છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/JpnXkNSZZRE9tsbeRjnLi9E8fqaAptsHGVSYvDKv.webp'/></item></channel></rss>