<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Rajkotમાં પગારની માથાકૂટમાં નેપાળી આધેડ પર શેઠનો અમાનુષી અત્યાચાર: સારવાર દરમિયાન ગુમાનસિંહનું મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/inhuman-atrocities-committed-by-a-sheikh-on-a-nepali-middle-aged-man-in-a-salary-dispute-in-rajkot-guman-singh-dies-during-treatment</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/inhuman-atrocities-committed-by-a-sheikh-on-a-nepali-middle-aged-man-in-a-salary-dispute-in-rajkot-guman-singh-dies-during-treatment</guid><pubDate>Thu, 06 Aug 2026 16:57:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટની આજી ડેમ ચોકડી પાસે આવેલી રોનક રેસ્ટોરન્ટમાં કામ કરતા નેપાળી પરિવારના 51 વર્ષીય આધેડ ગુમાનસિંહ ઠાકુરને પગાર બાબતે શેઠ સાથે તીવ્ર માથાકૂટ થઈ હતી. આ બોલાચાલી બાદ ગુમાનસિંહને ઢોરમાર મારવામાં આવ્યો હતો, જેમાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું હતું. માથાકૂટનો આ બનાવ ગુમાનસિંહના અવસાન બાદ હત્યામાં પલટાતા સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>શેઠ સાથે માથાકૂટ થઈ હતી માથાકૂટ</b></h2><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં જ મૃતકના પરિવારજનો અને નેપાળી સમાજના લોકો મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે ઉમટી પડ્યા હતા. પરિજનોએ મૃતકને ન્યાય અપાવવાની આક્રંદ સાથે ઉગ્ર માંગણી કરી છે. આ હિંસક બનાવમાં સંડોવાયેલા બે આરોપીઓ કરણ અને દીપકની પોલીસે અટકાયત કરી લીધી છે. જોકે, હજુ પણ ફરાર રહેલા પ્રકાશ ખડાકા અને લાલ બહાદુર બુધા નામના અન્ય બે આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી માંગ પરિવારજનો કરી રહ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી</b></h3><p style="text-align: justify; ">આધેડનું સારવાર દરમિયાન મોત થતાં જ સ્થાનિક પોલીસે ગુનામાં હત્યાની કલમો ઉમેરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ગણેશપુરા અને આસપાસના વિસ્તારોમાં તપાસ લંબાવીને ફરાર આરોપી પ્રકાશ અને લાલ બહાદુરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને રેસ્ટોરન્ટના અન્ય કર્મચારીઓ તેમજ પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો નોંધવાની તજવીજ શરૂ કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/06/niuSCqPkgkPHxQlENpfd6TTrsd5fZHxIgW5kFJnL.webp'/></item><item><title><![CDATA[Rajkotમાં પગાર વિવાદ જીવલેણ બન્યો, કર્મચારીના મોત બાદ આરોપીઓ સામે કાર્યવાહી ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/rajkot/salary-dispute-turns-deadly-in-rajkot-action-taken-against-accused-after-employees-death</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/rajkot/salary-dispute-turns-deadly-in-rajkot-action-taken-against-accused-after-employees-death</guid><pubDate>Thu, 06 Aug 2026 16:53:50 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટના આજી ડેમ ચોકડી પાસે આવેલી રોનક રેસ્ટોરન્ટમાં નોકરી કરતા એક કર્મચારી સાથે પગાર બાબતે થયેલી ગરમાગરમ બોલાચાલી અને મારઝૂડનો મામલો ગંભીર વળાંક લીધો છે. રેસ્ટોરન્ટના કર્મચારીને માલિક કે અન્ય લોકો દ્વારા પગારના મામલે ઉશ્કેરાઈને ઢોર માર મારવામાં આવ્યો હતો, જેના કારણે ગંભીર ઇજાગ્રસ્ત બનેલા આ યુવકનું સારવાર દરમિયાન દુઃખદ મોત નીપજ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>બે આરોપીઓ કરણ અને દીપક અટકાયત</b></h2><p style="text-align: justify; ">ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે તાત્કાલિક ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે અને આ કેસમાં સંડોવાયેલા કરણ અને દીપક નામના બે મુખ્ય આરોપીઓની અટકાયત કરી લીધી છે. શરૂઆતમાં આ મામલો સામાન્ય ઝઘડા કે મારપીટનો લાગતો હતો, પરંતુ સારવાર દરમિયાન કર્મચારીનું મૃત્યુ થતાં જ આ બનાવ હત્યામાં પલટાઈ ગયો છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>પરિવારજનો દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે ન્યાયની ઉગ્ર માંગ</b></h2><p style="text-align: justify; ">યુવકના આકસ્મિક અને દર્દનાક મોતથી પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને તેઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ન્યાયની અપેક્ષા સાથે મૃતકના પરિવારજનો અને સગા-સંબંધીઓ મોટી સંખ્યામાં રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે એકત્રિત થયા છે અને આ ઘટના માટે જવાબદાર તમામ આરોપીઓ સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી રહ્યા છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : Surat News : <a href="https://sandesh.com/gujarat/news/crime/surat/surat-news-police-make-big-revelation-in-satish-maratha-murder-case-8-arrested-in-crime-branch-operation" target="_blank">સતીશ મરાઠા હત્યાકાંડમાં પોલીસનો મોટો ખુલાસો, ક્રાઇમ બ્રાન્ચના ઓપરેશનમાં 8ની ધરપકડ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/06/HzPSm2ab8PRU3FNTinfDSuT1CTGJHgnqhwakS1Xk.webp'/></item><item><title><![CDATA[Surat News : સતીશ મરાઠા હત્યાકાંડમાં પોલીસનો મોટો ખુલાસો, ક્રાઇમ બ્રાન્ચના ઓપરેશનમાં 8ની ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/surat-news-police-make-big-revelation-in-satish-maratha-murder-case-8-arrested-in-crime-branch-operation</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/surat-news-police-make-big-revelation-in-satish-maratha-murder-case-8-arrested-in-crime-branch-operation</guid><pubDate>Thu, 06 Aug 2026 16:44:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી સરસ્વતી આવાસ સોસાયટી ખાતે કુખ્યાત સતીશ મરાઠાની જાહેરમાં કરવામાં આવેલી કરપીણ હત્યાના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર અને સનસનાટી મચી ગઈ હતી. ધોળા દિવસે બનેલી આ લોહિયાળ ઘટનાએ કાયદો અને વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા કર્યા હતા, કારણ કે હુમલાખોરોએ નિર્દયતાપૂર્વક યુવકને નિશાન બનાવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.</p><h2 style="text-align: justify; "><b>સુરત પોલીસની સરાહનીય કામગીરી</b></h2><p style="text-align: justify; ">આ ચકચારી હત્યાકાંડના પડઘા વહેલી તકે પડતા જ સુરત પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. સુરત પોલીસની સઘન તપાસના પરિણામે ગણતરીના જ કલાકોમાં આ હત્યા કેસમાં સંડોવાયેલા તમામ 8 હત્યારાઓની ધરપકડ કરવામાં સફળતા મળી છે, જે પોલીસની ઉત્તમ કામગીરી દર્શાવે છે.</p><h2 style="text-align: justify; "><b>ગણતરીના કલાકોમાં આઠ હત્યારાઓ ઝડપાયા</b></h2><p style="text-align: justify; ">આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત ક્રાઇમ બ્રાન્ચ, વ્યારા એલસીબી (LCB) અને ભેસ્તાન પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા એક સંયુક્ત અને સઘન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કની મદદથી ચલાવાયેલા આ મજબૂત સંયુક્ત ઓપરેશનને કારણે તમામ ફરાર આરોપીઓ પોલીસના સકંજામાં આવી ગયા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-news-mystery-of-skull-and-bones-found-outside-gotri-crematorium-solved-forensics-gives-official-clarification" target="_blank">Vadodara News : ગોત્રી સ્મશાન બહાર મળેલી ખોપડી-હાડકાંનું રહસ્ય ઉકેલાયું, ફોરેન્સિકે કરી સત્તાવાર સ્પષ્ટતા...</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/06/RQhHHTo4Rr0K2Jo3Vm6PCfDZCyCzon5Y9cMna3Hh.webp'/></item><item><title><![CDATA[Patan News: બંધ STP પ્લાન્ટના બિલ ચૂકવાયા, GPCBની તપાસમાં પાટણ નગરપાલિકાની ઘોર બેદરકારી ઉઘાડી પડી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/patan/municipality-stp-plant-scam-gpcb-investigation</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/patan/municipality-stp-plant-scam-gpcb-investigation</guid><pubDate>Thu, 06 Aug 2026 16:23:01 +05:30</pubDate><description><![CDATA[<p>પાટણ શહેરમાં નગરપાલિકા તંત્રની એક ગંભીર અને ચોંકાવનારી બેદરકારી સામે આવી છે. પાટણ શહેરના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ક્લોરિનેશન પ્લાન્ટ મુદ્દે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતના આધારે GPCBની વિશેષ ટીમે પાટણ પહોંચીને આકસ્મિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન નગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવતા દાવાઓનો પર્દાફાશ થયો હતો અને આખી પોલ ખુલીને સામે આવી હતી.</p><h2><b>બંધ STP પ્લાન્ટના નામે દર વર્ષે કરોડો રૂપિયાના બિલ ચૂકવાયા</b></h2><p>પાટણના ધારાસભ્ય અને કોંગ્રેસ પક્ષ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર અને તંત્ર સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પાટણનો Sewage Treatment Plant અને ક્લોરિનેશન પ્લાન્ટ છેલ્લા ઘણા સમયથી સાવ બંધ હાલતમાં પડ્યો છે. તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા દર વર્ષે પ્લાન્ટના મેન્ટેનન્સ અને સંચાલનના નામે કરોડો રૂપિયાના ફેક બિલ મંજૂર કરીને ચૂકવી દેવામાં આવ્યા છે. પાલિકાના ચીફ ઓફિસર પ્લાન્ટ કાર્યરત હોવાનો દાવો કરતા હતા, પરંતુ GPCBની તપાસમાં પ્લાન્ટ બંધ હોવાનું સાબિત થયું છે.</p><p><img alt="Patan News: Municipality STP Plant Scam: GPCB Inspection Exposes Negligence" src="https://epapercdn.sandesh.com/images/2026/08/06/gJ5HJkkmLRXAeYNUAvdNWPzGTIXqGmCMwfq9tdM9.webp"><br></p><h2><b>ટ્રીટમેન્ટ વગરનું કેમિકલયુક્ત પાણી સીધું સિંચાઈની કેનાલમાં છોડાયું</b></h2><p>પ્લાન્ટ બંધ હોવાના કારણે શહેરનું ગટરનું ગંદુ અને દૂષિત પાણી કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ કર્યા વગર જ સીધું સિંચાઈની કેનાલમાં છોડવામાં આવી રહ્યું હતું. આ અંગે સિંચાઈ વિભાગના અધિકારીઓએ વારંવાર નોટિસો પાઠવી હોવા છતાં પાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં રહ્યું હતું. શુદ્ધ કર્યા વિનાનું ગંદુ પાણી કેનાલમાં જવાથી પાટણના સ્થાનિક નાગરિકોના આરોગ્ય, ખેડૂતોની જમીનની ફળદ્રુપતા અને પશુધનની સુરક્ષા સામે મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે.</p><p><img alt="Patan News: Municipality STP Plant Scam: GPCB Inspection Exposes Negligence" src="https://epapercdn.sandesh.com/images/2026/08/06/x2F6an4Yqb2kSlrbxZK0fNW9iLAN2sEMDJNdOOWg.webp"><br></p><h2><b>BNSની કલમો હેઠળ ગંભીર ગુનો નોંધી કડક કાનૂની કાર્યવાહીની માગ</b></h2><p>GPCBની ટીમે તપાસ પ્રક્રિયા પૂર્ણ કરીને સમગ્ર બાબતનો સત્તાવાર અહેવાલ તૈયાર કર્યો છે. આ ગંભીર બેદરકારી સામે આવ્યા બાદ વોટર પોલ્યુશન એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગંભીર ગુનો નોંધીને જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે તાત્કાલિક કડક કાનૂની પગલાં ભરવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરવામાં આવી રહી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/patan/food-department-seizes--16-lakh-worth-of-edible-oil-in-raid" target="_blank">Patan News : શહેરમાં જૂના ડબ્બામાં ખાદ્યતેલ પેક કરતી પેઢીઓ ઝડપાઈ, 16 લાખથી વધુનો જથ્થો જપ્ત</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/06/3ALF9ioVOETnJNzmkeLwilC6aIhIhP1PTFMjcBz1.webp'/></item><item><title><![CDATA[Bigg Boss 20 : શું હશે ખાસ? 4 મોટા ટ્વિસ્ટ સાથે સલમાન ખાનનો શો મચાવશે જબરદસ્ત ધમાકો ]]></title><link>https://sandesh.com/entertainment/news/bigg-boss-20-four-big-twists-salman-khan-show</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/bigg-boss-20-four-big-twists-salman-khan-show</guid><pubDate>Thu, 06 Aug 2026 16:17:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ટીવીનો લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસ આ વખતે પોતાની 20મી સિઝન સાથે આવી રહ્યો છે. શોનું ટીઝર આવી ગયું છે અને હવે શો શરૂ થવામાં વધારે સમય બાકી નથી. શોને લઈને ફેન્સ અને લોકોમાં જોરદાર એક્સાઈટમેન્ટ જોવા મળી રહી છે. સલમાન ખાનના આ શોમાં આ વખતે શું ખાસ જોવા મળશે અને એવા કયા 4 ટ્વિસ્ટ છે, જેના કારણે શોમાં જોરદાર ધમાકો થઈ શકે છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>સલમાને કર્યો કરણ-અર્જુનનો ઉલ્લેખ</b></h2><p style="text-align: justify; ">હાલમાં જ રિલીઝ થયેલા શોના ટીઝરમાં સલમાન ખાને કહ્યું કે જે કરણ-અર્જુનમાં થયું હતું, તે હવે ફરી થશે. આ પછી ચર્ચા શરૂ થઈ કે સલમાને છેલ્લી કરણ-અર્જુનનો જ ઉલ્લેખ કેમ કર્યો? આ ફિલ્મ અગાઉ પણ આ શોનો ભાગ બની ચૂકી છે.</p><h3 style="text-align: justify; "><b>ફરી સાથે સ્ટેજ શેર કરી શકે</b></h3><p style="text-align: justify; ">વર્ષ 2015માં જ્યારે દિલવાલેના પ્રમોશન દરમિયાન શાહરુખ ખાન અને સલમાન ખાને બિગ બોસ 9નો સ્ટેજ સાથે શેર કર્યો હતો, ત્યારે બંનેએ પોતાની હિટ ફિલ્મ કરણ-અર્જુનની યાદગાર પળોને ફરી જીવી હતી. હવે શોનું ટીઝર જોયા બાદ લોકો અનુમાન લગાવી રહ્યા છે કે ફરી એકવાર આવું જ કંઈક જોવા મળી શકે છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbsEZakM7Vo/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbsEZakM7Vo/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbsEZakM7Vo/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbsEZakM7Vo/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h3 style="text-align: justify; "><b>રીબર્થ એટલે કે પુનર્જન્મની થીમ</b></h3><p style="text-align: justify; ">આટલું જ નહીં, અમર ઉજાલાને શો સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું છે કે આ વખતે કરણ-અર્જુનનો ઉલ્લેખ માત્ર એક ડાયલોગ પૂરતો સીમિત નથી, પરંતુ આ સમગ્ર સિઝનનો કોન્સેપ્ટ પણ બની શકે છે. જોકે, તેની જાણકારી શો શરૂ થયા બાદ જ મળશે. આ ઉપરાંત શોની 20મી સિઝનમાં મેકર્સ રીબર્થ એટલે કે પુનર્જન્મની થીમ પર કામ કરી રહ્યા છે.</p><h4 style="text-align: justify; "><b>20મી સિઝન અલગ બની શકે</b></h4><p style="text-align: justify; ">કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે સમગ્ર સિઝન આ જ થીમની આસપાસ જોવા મળી શકે છે, પરંતુ હાલમાં કંઈપણ કન્ફર્મ કહી શકાય નહીં, કારણ કે આ દાવા સત્તાવાર નથી. હવે જોવાનું એ રહેશે કે શોની 20મી સિઝનમાં મેકર્સ શું અલગ કરે છે, જે તેને દરેક સિઝનથી અલગ બનાવશે.</p><h3 style="text-align: justify; "><b>શોના 4 જોરદાર ટ્વિસ્ટ</b></h3><h6 style="text-align: justify; "><b>પહેલો ટ્વિસ્ટ</b></h6><p style="text-align: justify; ">સલમાન અને શાહરુખ એકસાથે જોવા મળી શકે છે.</p><h6 style="text-align: justify; "><b>બીજો ટ્વિસ્ટ</b></h6><p style="text-align: justify; ">આ વખતે ઘણા જૂના અને ચર્ચિત કન્ટેસ્ટન્ટ્સની પણ વાપસી થઈ શકે છે.</p><h6 style="text-align: justify; "><b>ત્રીજો ટ્વિસ્ટ</b></h6><p style="text-align: justify; ">સિંગર નેહા કક્કર અને ક્રિકેટર યુસુફ પઠાણ પણ શોનો ભાગ બની શકે છે.</p><h6 style="text-align: justify; "><b>ચોથો ટ્વિસ્ટ</b></h6><p style="text-align: justify; ">ઘર 2 જૂથોમાં વહેંચાઈ શકે છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/awarapan-2-trailer-emraan-hashmi-ishq-junoon-action" target="_blank">આ પણ વાંચો-Awarapan 2 : ઇશ્ક, જુનૂન અને જબરદસ્ત એક્શન સાથે જૂના અંદાજમાં ઇમરાન હાશ્મી, આવારાપન 2નું ટ્રેલર રિલીઝ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/06/cRJSYypFyyX5ZXk0erJCCSQGDFgZeCmygVbQ17hP.webp'/></item><item><title><![CDATA[નિયમિત સ્કોર તપાસવો: એ મફત આદત જે તમારી નાણાકીય સ્થિતિ સાચવે છે ]]></title><link>https://sandesh.com/business/news/regular-credit-score-check-financial-health</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/regular-credit-score-check-financial-health</guid><pubDate>Thu, 06 Aug 2026 16:04:59 +05:30</pubDate><description><![CDATA[<p>મોટા ભાગના લોકો પોતાના ક્રેડિટ સ્કોર વિશે ત્યારે જ વિચારે છે જ્યારે તેમને કંઈક જોઈતું હોય. હોમ લોન, કાર લોન, કે ક્રેડિટ કાર્ડની અરજી. આ જ સમસ્યા છે, કારણ કે જ્યાં સુધીમાં તમે બેંક અધિકારીની સામે બેઠા હો, ત્યાં સુધીમાં તમારો સ્કોર નીચે ખેંચી રહેલી કોઈ પણ બાબત સુધારવાનો સમય વીતી ચૂક્યો હોય છે. ક્રેડિટ સ્કોર નિયમિત તપાસવો એ એવી નાની આદતોમાંની એક છે જેમાં ખર્ચ કંઈ થતો નથી, પણ ફાયદો એટલો મોટો હોય છે કે તેને ઓછો આંકવો મુશ્કેલ છે.</p><h2><b>તમારો ક્રેડિટ સ્કોર તમે ધારો છો તેના કરતાં વધુ કેમ મહત્ત્વનો છે</b></h2><p>તમારો ક્રેડિટ સ્કોર એ ત્રણ આંકડાનો નંબર છે, જે ભારતમાં સામાન્ય રીતે 300થી 900 વચ્ચે હોય છે, અને ધિરાણકર્તાઓને જણાવે છે કે તમને પૈસા આપવામાં કેટલું જોખમ છે. નંબર જેટલો ઊંચો, એટલું સારું. 750થી ઉપરનો સ્કોર સામાન્ય રીતે સારો ગણાય છે. 650થી નીચે જાઓ એટલે મુશ્કેલીઓ શરૂ થવા લાગે છે.</p><p>પણ મોટા ભાગના લોકો જે ચૂકી જાય છે તે આ છે: તમારો ક્રેડિટ સ્કોર માત્ર લોન મંજૂરી પૂરતો મર્યાદિત નથી. તે તમને મળનારા વ્યાજદરને પણ અસર કરે છે. હોમ લોન પર 750 અને 680 સ્કોર વચ્ચેનો તફાવત લોનની સમગ્ર મુદત દરમિયાન લાખો રૂપિયાના વધારાના વ્યાજ સમાન બની શકે છે. એ સાચા પૈસા છે, જે ખરાબ નસીબને કારણે નહીં પણ બેધ્યાનપણાને કારણે ગુમાવાય છે.</p><p>તમે ક્રેડિટ કાર્ડ માટે અરજી કરો, અમુક કિસ્સાઓમાં ફ્લેટ ભાડે લો, કે અમુક નોકરીદાતાઓ બેકગ્રાઉન્ડ ચેક કરે — ત્યારે પણ તમારો સ્કોર મહત્ત્વનો બને છે. એ શાંત રહેતો આંકડો છે, જેની અસર ખૂબ મોટી હોય છે.</p><h3><b>નિયમિત દેખરેખ શા માટે જરૂરી છે</b></h3><p>ઘણા લોકો માની લે છે કે તેમનો ક્રેડિટ સ્કોર બરાબર જ હશે, કારણ કે તેઓ સમયસર બિલ ભરે છે. આ ધારણા વાજબી છે, પણ હંમેશાં સાચી હોતી નથી. ક્રેડિટ રિપોર્ટમાં ભૂલો તમે ધારો છો તેના કરતાં ઘણી વધુ સામાન્ય છે. બંધ કરેલું ખાતું હજી ચાલુ દેખાતું હોય. સમયસર ભરેલી ચુકવણી મોડી તરીકે નોંધાયેલી હોય. તમે ક્યારેય લીધી ન હોય એવી લોન ડેટા એન્ટ્રીની ભૂલને કારણે — અથવા તેનાથી પણ ખરાબ, ઓળખની ચોરીને કારણે — તમારા નામે દેખાતી હોય.</p><p>જો તમે તપાસશો નહીં, તો તમને ખબર નહીં પડે. અને જો ખબર જ ન પડે, તો તમે વાંધો પણ ઉઠાવી શકતા નથી. poonawalla cibil check જેવી સેવાનો ઉપયોગ કરીને તમે કોઈ ફી ચૂકવ્યા વિના જોઈ શકો છો કે તમારા ક્રેડિટ રિપોર્ટમાં ખરેખર શું છે, એટલે ન જોવાનું કોઈ કારણ જ રહેતું નથી.</p><p>ભારતીય રિઝર્વ બેંકે ફરજિયાત કર્યું છે કે દરેક વ્યક્તિ દર વર્ષે દરેક ક્રેડિટ બ્યુરો પાસેથી એક મફત ક્રેડિટ રિપોર્ટ મેળવવાની હકદાર છે. કેટલાંક ફિનટેક પ્લેટફોર્મ અને બેંકો હવે તેનાથી પણ વધુ વાર મફત સ્કોર ચેક આપે છે. તમે એક પણ રૂપિયો ખર્ચ્યા વિના દર મહિને તપાસી શકો છો.</p><h4><b>સોફ્ટ ચેકથી તમારા સ્કોરને નુકસાન થતું નથી</b></h4><p>ક્રેડિટ સ્કોર વિશેની સૌથી જીદ્દી ગેરસમજોમાંની એક એ છે કે પોતાનો સ્કોર જાતે તપાસવાથી તે ઘટી જાય છે. આ ખોટું છે. જ્યારે તમે તમારો પોતાનો ક્રેડિટ સ્કોર તપાસો છો, ત્યારે તે "સોફ્ટ ઇન્ક્વાયરી" તરીકે નોંધાય છે. સોફ્ટ ઇન્ક્વાયરીની તમારા સ્કોર પર કોઈ અસર થતી નથી. જે અસર કરે છે તે છે "હાર્ડ ઇન્ક્વાયરી", જે ત્યારે થાય છે જ્યારે તમે ધિરાણ માટે અરજી કરી હોવાથી કોઈ ધિરાણકર્તા તમારો રિપોર્ટ કઢાવે છે. એટલે જો તમે એમ માનીને સ્કોર તપાસવાનું ટાળતા હો કે તેનાથી નુકસાન થશે, તો ચિંતા છોડી દો. તપાસો. વારંવાર તપાસો.</p><h4><b>તપાસો ત્યારે શું જોવું</b></h4><p>સ્કોર કાઢી લેવો એ તો અડધું જ કામ છે. બાકીનું અડધું કામ છે રિપોર્ટ ખરેખર વાંચવો. અહીં એ બાબતો છે જેના પર ધ્યાન આપવું જોઈએ.</p><p>પહેલું, ખાતાંની ચોકસાઈ જુઓ. યાદીમાં દેખાતી દરેક લોન અને ક્રેડિટ કાર્ડ એવાં હોવાં જોઈએ જે તમે ખરેખર ખોલાવ્યાં હોય. જો કંઈક અજાણ્યું લાગે, તો એ લાલ બત્તી છે અને તરત તપાસ કરવા જેવી બાબત છે.</p><p>બીજું, તમારો ચુકવણીનો ઇતિહાસ તપાસો. ક્રેડિટ સ્કોરની ગણતરીમાં આ સૌથી મોટું પરિબળ છે. જો કોઈ ચુકવણી ખોટી રીતે મોડી કે ડિફોલ્ટ તરીકે નોંધાયેલી હોય, તો ક્રેડિટ બ્યુરોમાં ફરિયાદ નોંધાવો. તેમને તપાસ કરવી ફરજિયાત છે.</p><p>ત્રીજું, તમારો ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો જુઓ. આ એ ટકાવારી છે કે તમારી ઉપલબ્ધ ક્રેડિટમાંથી તમે અત્યારે કેટલી વાપરી રહ્યા છો. જો તમારા ક્રેડિટ કાર્ડની મર્યાદા એક લાખ હોય અને બાકી રકમ સિત્તેર હજાર હોય, તો તમારું યુટિલાઇઝેશન 70% છે. એ ઘણું વધારે છે. તંદુરસ્ત સ્કોર જાળવવા માટે તેને 30%થી નીચે રાખવો એ સામાન્ય નિયમ છે.</p><h5><b>મોટા નાણાકીય નિર્ણયોની તૈયારી</b></h5><p>જો તમે આવતા છથી બાર મહિનામાં હોમ લોન કે પર્સનલ લોન માટે અરજી કરવાનું વિચારી રહ્યા હો, તો સ્કોર પર નજર રાખવાનું અત્યારથી જ શરૂ કરો. ભૂલો સુધારવામાં, બાકી રકમ ઘટાડવામાં અને તમારી સ્થિતિ મજબૂત કરવામાં સમય લાગે છે. લોન અરજી માટે મજબૂત cibil score for loan એ રાતોરાત બનતી વસ્તુ નથી. એ મહિનાઓ અને વર્ષોની સાતત્યપૂર્ણ આદતોનું પરિણામ છે.</p><p>તમે ક્યાં ઊભા છો એ જાણવાથી તમને વાટાઘાટની તાકાત મળે છે. જ્યારે તમે 780ના સ્કોર સાથે બેંકમાં જાઓ છો, ત્યારે તમે મંજૂરીની આશા રાખતા નથી. તમે શરતો પર વાટાઘાટ કરો છો. એ સાવ અલગ પ્રકારની વાતચીત હોય છે, અને ઘણી વધુ આરામદાયક પણ.</p><h5><b>આ આદત કેળવવી</b></h5><p>આને ટકાવી રાખવાનો સૌથી સહેલો રસ્તો છે તેને એવી કોઈ બાબત સાથે જોડી દેવો જે તમે પહેલેથી કરો છો. દર મહિનાની પહેલી તારીખે, જે દિવસે તમે બેંક સ્ટેટમેન્ટ જુઓ છો કે ભાડું ભરો છો, તે જ દિવસે સ્કોર તપાસો. તેમાં પાંચ મિનિટ લાગે છે. જરૂર પડે તો કેલેન્ડરમાં રિમાઇન્ડર મૂકી દો.</p><p>સમય જતાં તમને સહજ સમજ કેળવાઈ જશે કે કઈ બાબત તમારો સ્કોર ઉપર લઈ જાય છે અને કઈ નીચે ખેંચે છે. તમને ધ્યાનમાં આવશે કે તમારું સૌથી જૂનું ક્રેડિટ કાર્ડ બંધ કરવાથી સ્કોર ઘટ્યો, કારણ કે તેનાથી તમારો ક્રેડિટ ઇતિહાસ ટૂંકો થઈ ગયો. તમે એ પણ પકડી પાડશો કે સરનામું બદલવાનું ભૂલી જવાને કારણે ટેલિકોમનું બિલ કલેક્શનમાં ચાલ્યું ગયું હતું.</p><p>નાણાકીય જાગૃતિ એટલે દરેક રૂપિયા પાછળ ચિંતામાં ડૂબી જવું એવો અર્થ નથી. તેનો અર્થ છે અચાનક આવતા આંચકાનું તત્વ દૂર કરવું. જ્યારે તમને તમારો ક્રેડિટ સ્કોર ખબર હોય, ત્યારે તમે તમારી નાણાકીય તંદુરસ્તી વિશે અંદાજ લગાવતા નથી. તમે તેને માપો છો.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/06/B7t7cRKMHyBAFdHZlSpddKzgTHFSyYAoKe4uhJnD.webp'/></item><item><title><![CDATA[Odisha: નિર્દોષ હોવા છતા પણ ભોગવી 22 વર્ષની સજા! સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને આપ્યો ઠપકો, કહ્યું- 'અમે નિરાશ છીએ' ]]></title><link>https://sandesh.com/india/news/odisha-man-jailed-22-years-wrongly-freed-by-supreme-court</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/odisha-man-jailed-22-years-wrongly-freed-by-supreme-court</guid><pubDate>Thu, 06 Aug 2026 15:53:50 +05:30</pubDate><description><![CDATA[<p>odisha: શું તમે કલ્પના કરી શકો છો કે કોઈ નિર્દોષ વ્યક્તિને એવા ગુના માટે સજા મળે જે તેણે ક્યારેય ન કર્યો હોય અને તે તેના જીવનના 22 વર્ષ જેલમાં વિતાવે? ઓડિશાના અર્જુન જાની (ટુનટુન) સાથે આવું જ બન્યું હતું. ટ્રિપલ મર્ડર કેસમાં ફસાયેલા 22 વર્ષ પછી સુપ્રીમ કોર્ટે તેને માનપૂર્વક નિર્દોષ જાહેર કર્યો છે. આ મામલે ન્યાય વ્યવસ્થાની નિષ્ફળતા પર ઊંડી નારાજગી વ્યક્ત કરતા સર્વોચ્ચ અદાલતે ટ્રાયલ કોર્ટ અને ઓડિશા હાઈકોર્ટ બંનેને સખત ઠપકો આપ્યો હતો. 2004ના ટ્રિપલ મર્ડર કેસના સંદર્ભમાં અર્જુનને 2006માં હત્યાનો દોષી ઠેરવવામાં આવ્યો હતો અને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.</p><h4><b>ટેકનિકલ ખામીનો ઉલ્લેખ કરીને હાઈકોર્ટે અરજી ફગાવી દીધી હતી</b></h4><p>જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બનેલી સુપ્રીમ કોર્ટની બેન્ચે આ કેસની સુનાવણી કરી. કોર્ટે ટિપ્પણી કરી હતી કે આ કેસ એક સ્પષ્ટ ઉદાહરણ તરીકે સેવા આપે છે કે કેવી રીતે એક ગરીબ વ્યક્તિને ટેકનિકલ કારણોસર ન્યાયથી વંચિત રાખી શકાય છે. જ્યારે અર્જુને તેની સજા સામે ઓડિશા હાઈકોર્ટનો સંપર્ક કર્યો ત્યાં સુધીમાં તે 12 વર્ષ જેલમાં વિતાવી ચૂક્યો હતો. જોકે, હાઈકોર્ટે ટેકનિકલ આધાર પર તેમની અરજી ફગાવી દીધી, અપીલ દાખલ કરવામાં 3157 દિવસ (આશરે 8 વર્ષ અને 8 મહિના)નો વિલંબ થયો હોવાનો ઉલ્લેખ કરીને પરિણામે તેમને ન્યાયની રાહ જોતા બીજા 10 વર્ષ જેલના સળિયા પાછળ વિતાવવા પડ્યા.</p><h4><b>'અમે તે આદેશથી ખૂબ જ નિરાશ અને પરેશાન છીએ' - સુપ્રીમ કોર્ટ</b></h4><p>સુપ્રીમ કોર્ટની બેન્ચે જણાવ્યું હતું કે, 3157 દિવસના વિલંબને માફ કરવાની અરજીને નકારી કાઢવાના આદેશથી અમે ખૂબ જ નિરાશ અને પરેશાન છીએ અને પરિણામે કલમ 302 હેઠળ દોષિત ઠેરવવામાં આવેલી સજા અને આજીવન કેદની સજા સામેની 'જેલ અપીલ'ને ફગાવી દેવાથી ખાસ કરીને ધ્યાનમાં લેતા કે દોષિતે આદેશ સમયે 12 વર્ષ જેલમાં વિતાવ્યા હતા, અને ત્યારથી તે બીજા 10 વર્ષ, કુલ 22 વર્ષ જેલમાં વિતાવી ચૂક્યો છે."</p><p><br></p><p>સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું કે હાઈકોર્ટે એ હકીકત ધ્યાનમાં લેવી જોઈતી હતી કે અપીલ જેલની અંદરથી દાખલ કરવામાં આવી હતી. કોર્ટે આ બાબતને વ્યવહારિક અથવા સહાનુભૂતિપૂર્ણ દ્રષ્ટિકોણથી જોવી જોઈતી હતી અને અરજદારને તેની ફોજદારી અપીલની યોગ્યતાઓ પર દલીલ કરવાની તક આપવા માટે ઓછામાં ઓછા વિલંબને માફ કરવો જોઈતો હતો. બેન્ચે જણાવ્યું હતું કે, "જ્યારે લોકશાહીના ત્રણેય સ્તંભો દરેક નાગરિકને ખાસ કરીને ગરીબોને, કાયદાકીય સહાય પૂરી પાડવા માટે સતત પ્રયત્નશીલ હોય છે. ત્યારે આપણે ઉદાર અભિગમ અપનાવવા માટે પૂરતા સંવેદનશીલ હોવા જોઈએ ફક્ત ઉદાર નહીં, જ્યારે કોઈ ગુનેગાર કોર્ટનો દરવાજો ખટખટાવે છે... એક એવી પરિસ્થિતિ જે આ કેસમાં વાસ્તવિક ચિંતાઓ ઉભી કરે છે."</p><h4><b>કેસ શું હતો, અને સિસ્ટમ કેવી રીતે નિષ્ફળ ગઈ?</b></h4><p>2004ના ટ્રિપલ મર્ડર કેસના સંબંધમાં અર્જુનની માત્ર શંકાના આધારે ધરપકડ કરવામાં આવી હતી અને 2006માં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. પોલીસે ધાકધમકી અને થર્ડ-ડિગ્રી ટોર્ચર દ્વારા તેની પાસેથી કબૂલાત મેળવી હતી. સુપ્રીમ કોર્ટની ચકાસણીમાં, ટ્રાયલ કોર્ટે જેના પર દોષિત ઠેરવ્યો હતો તે એકમાત્ર પ્રત્યક્ષદર્શીની જુબાની સંપૂર્ણપણે અવિશ્વસનીય અને બનાવટી હોવાનું જણાયું હતું. એક ઘૃણાસ્પદ અવલોકનમાં, સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે નીચલી અદાલત પુરાવાઓનું યોગ્ય રીતે મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ ગઈ, જ્યારે હાઇકોર્ટ ફક્ત પ્રેક્ષક બની રહી. પરિણામે, એક માણસના જીવનના બાવીસ કિંમતી વર્ષો કોઈ નક્કર પુરાવા વિના ગુમાવ્યા.</p><p><br></p><h4><b>'માત્ર ઉદાર નહીં, પણ પ્રો-એક્ટિવ થવાની જરૂર છે'</b></h4><p>ન્યાયતંત્રને અરીસો બતાવતા, સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી કે ન્યાયની પ્રાપ્તિ હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો અને જેલમાં બંધ કેદીઓ માટે ન્યાય સુધી પહોંચવું આજે પણ એક સ્વપ્ન છે. બેન્ચે સ્પષ્ટ કર્યું કે જ્યારે કોઈ કેદી કોર્ટનો સંપર્ક કરે છે, ત્યારે ન્યાયતંત્રે ફક્ત ઉદાર વલણ અપનાવવાને બદલે સક્રિય વલણ અપનાવવું જોઈએ. જેલમાંથી અપીલ દાખલ કરવામાં વિલંબને માફ કરવો જોઈએ, અને આવા કેસોની સુનાવણી તેમની યોગ્યતા પર થવી જોઈએ, કારણ કે આ મામલો વ્યક્તિની સ્વતંત્રતા સાથે સંબંધિત છે.</p><p><b style="font-size: 1.5rem;">કોર્ટે આપ્યા કડક નિર્દેશો</b></p><p>લાંબા સમય સુધી અન્યાયનો ભોગ બન્યા પછી અર્જુન જાની પાસે પોતાનું ઘર કે પરિવાર નથી. આ માનવીય પાસાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ (DLSA) અને ઓડિશાના કોરાપુટ જિલ્લાના જિલ્લા વહીવટ (કલેક્ટર) ને અર્જુનના પુનર્વસન અને સમાજમાં તેના પુનઃ એકીકરણ માટે શક્ય તેટલી બધી વ્યવસ્થા કરવા માટે કડક નિર્દેશો જારી કર્યા છે.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/06/uUBGlJPotDc7dHhZt6xuN4B2Immuj0wInuETbzYz.webp'/></item><item><title><![CDATA[Maharashtra: ડોક્ટરોની હડતાળ પર HC લાલઘૂમ,'એક પણ દર્દીનું મૃત્યુ ન થવું જોઈએ, હડતાળ પાછી ખેંચો' ]]></title><link>https://sandesh.com/india/news/maharashtra-doctors-strike-bombay-high-court-order</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/maharashtra-doctors-strike-bombay-high-court-order</guid><pubDate>Thu, 06 Aug 2026 15:43:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ મામલે બોમ્બે હાઈકોર્ટે અત્યંત સખત રૂખ અપનાવ્યો છે. ગુરુવારે આ મામલે સ્વતઃ સંજ્ઞાન લેતા હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપ્યો છે કે ડોક્ટરોએ પોતાની હડતાળ તાત્કાલિક ધોરણે પાછી ખેંચી લેવી જોઈએ. કોર્ટે સુનાવણી દરમિયાન ટકોર કરી હતી કે તમારો પક્ષ સાંભળવા માટે અમે તૈયાર છીએ, પરંતુ તેના માટે હડતાળ ચાલુ રાખીને દર્દીઓની મુશ્કેલીઓ વધારી શકાય નહીં. કોર્ટે ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે હોસ્પિટલોમાં સારવારના અભાવે એક પણ દર્દીનું મૃત્યુ ન થવું જોઈએ.બોમ્બે હાઈકોર્ટે આ મામલાની સુઓમોટો નોંધ લીધી છે. નારાજગી વ્યક્ત કરતા કોર્ટે કહ્યું કે જો ડોકટરો કામ પર પાછા ન ફરે તો તેમનો પગાર પણ રોકી દેવો જોઈએ.</p><h2 style="text-align: justify; "><b>હડતાળ સમેટવા હાઇકોર્ટનો આદેશ</b></h2><p style="text-align: justify; ">કોર્ટે રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશનના પ્રમુખ સાથે ચર્ચા કરતા જણાવ્યું હતું કે તમારી વ્યાજબી સમસ્યાઓ અને માંગણીઓ હોઈ શકે છે, પરંતુ એક તબીબ તરીકે તમે દર્દીઓની સારવાર કરવાનો કે OPD સેવાઓનો બહિષ્કાર કરવાનો ઇનકાર કરી શકતા નથી. જોકે, એસોસિએશનના વકીલે દલીલ કરી હતી કે જો સરકાર દ્વારા હોમિયોપેથિક ડોક્ટરોને બ્રિજ કોર્સ પછી એલોપેથી પ્રેક્ટિસ કરવાની નોંધણી અપાતી હોય તો તેનો વિરોધ ચાલુ જ રહેશે. વકીલે સવાલ ઉઠાવ્યો હતો કે વર્ષો સુધી સખત મહેનત કરીને એમબીબીએસ (MBBS) ની ડિગ્રી મેળવનાર તબીબની સમક્ષ થોડા મહિનાનો કોર્સ કરનાર ડોક્ટરને મૂકી દેવો ક્યાં સુધી યોગ્ય છે?</p><h3 style="text-align: justify; "><b>શું છે સમગ્ર મામલો?</b></h3><p style="text-align: justify; ">બીજી બાજુ, મહારાષ્ટ્ર સરકારના તે વિવાદાસ્પદ નિર્ણય સામે ડોક્ટરો મેદાનમાં છે જેમાં હોમિયોપેથી ડિગ્રી અને એક વર્ષના સર્ટિફિકેટ કોર્સ ધરાવતા તબીબોને એલોપેથિક દવાઓ લખવાની મંજૂરી આપવામાં આવી છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) અને રેસિડેન્ટ ડોક્ટરોનું માનવું છે કે આ પ્રકારનો નિર્ણય દર્દીઓના જીવન અને સ્વાસ્થ્ય સાથે સીધા ચેડા કરવા સમાન છે.</p><h4 style="text-align: justify; "><b>ઝડપણી સુનાવણી થશે</b></h4><p style="text-align: justify; ">હાઈકોર્ટે આ મામલાની ગંભીરતા જોઈને ખાતરી આપી છે કે ડિવિઝનલ બેન્ચ આ કેસની ઝડપથી સુનાવણી કરશે અને જરૂર પડશે તો રોજિંદી સુનાવણી હાથ ધરવામાં આવશે. કોર્ટના આ કડક આદેશ બાદ હવે ડોક્ટરો પોતાની હડતાળ સમેટવાને લઈને શું નિર્ણય કરે છે અને સરકાર આ મામલે શું નવો રસ્તો કાઢે છે તેના પર સૌની નજર ટકેલી છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/lifestyle/news/healthy-high-protein-smoothies-recipes-energy" target="_blank">આ પણ વાંચોઃ Lifestyle: આખો દિવસ રહેશો એનર્જીથી ભરપૂર, માત્ર આ 4 હેલ્ધી અને ટેસ્ટી હાઇ પ્રોટીન સ્મૂધી</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/06/u4ioJ8s57gDVENCLTerVaqoBVTavUezmtyZgf6Oi.webp'/></item><item><title><![CDATA[Morbi News: વિરપરડામાં કૂવાનું પાણી ફરી આપમેળે હાલક-ડોલક થયું, ભૂસ્તરશાસ્ત્રીઓએ જણાવ્યું સાચું કારણ, Video ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/morbi/virparda-well-water-mysterious-movement-geologist-explanation</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/morbi/virparda-well-water-mysterious-movement-geologist-explanation</guid><pubDate>Thu, 06 Aug 2026 15:32:34 +05:30</pubDate><description><![CDATA[<p>મોરબી જિલ્લાના વિરપરડા ગામે એક અનોખી અને રહસ્યમય ઘટના સામે આવી છે, જ્યાં ગામમાં આવેલા એક કૂવાનું પાણી ફરી એકવાર આપમેળે હાલક-ડોલક થતું જોવા મળ્યું છે. 2 દિવસ પહેલા કૂવાના પાણીમાં અચાનક હલચલ શરુ થઈ હતી, જે ત્યારબાદ ગત રોજ બપોર સુધી બંધ રહી હતી. </p><p>જોકે ગઈકાલે બપોરે 3:00 વાગ્યા આસપાસ કૂવાના પાણીમાં ફરીથી આ પ્રકારની અનોખી હલચલ શરુ થતાં સ્થાનિક રહીશોમાં આશ્ચર્ય અને કુતૂહલનો માહોલ સર્જાયો હતો. આ દ્રશ્ય જોવા માટે ગામજનોના ટોળેટોળા કૂવા પાસે ઉમટી પડ્યા હતા.</p><h2><b>ગ્રામજનોમાં ભૂકંપની આશંકા અને લોકમુખે ચર્ચા</b></h2><p>કૂવાના પાણીમાં અચાનક ઉછાળો અને હાલક-ડોલક થવાની ઘટનાથી સ્થાનિક લોકોમાં વિવિધ તર્ક-વિતર્ક શરુ થયા હતા. મોરબી અને આસપાસનો વિસ્તાર ભૂકંપ ઝોનમાં આવતો હોવાના કારણે કેટલાક ગ્રામજનો એવું અનુમાન લગાવી રહ્યા હતા કે જમીનની અંદર ભૂગર્ભમાં થતી કોઈ ભૂકંપ જેવી હલચલ કે પ્લેટોના ખસવાને કારણે કૂવાનું પાણી આ રીતે હલી રહ્યું હોઈ શકે છે. સતત બીજા દિવસે પણ આ ઘટના પુનરાવર્તિત થતાં ગ્રામજનોમાં ચિંતા અને આશ્ચર્ય બંને જોવા મળ્યા હતા.</p><p><img alt="Morbi News: Mysterious Water Movement in Well Resolved by Geologists" src="https://epapercdn.sandesh.com/images/2026/08/06/1suyi32dmbqc7Mq5tYA5PjefY1UgEzaiykhJP4dK.webp" style="width: 100%;"><br></p><h2><b>ઘટના સ્થળે પહોંચેલા ભૂસ્તર અધિકારીઓએ સ્પષ્ટ કર્યું સાચું કારણ</b></h2><p>આ ઘટના અંગે જાણ થતાં જ મોરબીના ભૂસ્તર વિભાગના અધિકારીઓની ટીમ ત્વરિત વિરપરડા ગામે પહોંચી ગઈ હતી અને કૂવાની સ્થિતિ તેમજ પાણીની હલચલનું સઘન નિરીક્ષણ કર્યું હતું. તપાસ બાદ ભૂસ્તર અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે, આ ઘટના પાછળ કોઈ ભૂકંપ કે જોખમી પ્રવૃત્તિ જવાબદાર નથી.</p><p><img alt="Morbi News: Mysterious Water Movement in Well Resolved by Geologists" src="https://epapercdn.sandesh.com/images/2026/08/06/HnvKOdiGGPETePmtGJrG1BIxNeXm3WYLLcClpZWJ.webp" style="width: 100%;"><br></p><p> </p><p>અધિકારીઓએ પ્રાથમિક તારણ આપતા જણાવ્યું કે, આ પ્રવૃત્તિ માત્ર ભૌગોલિક કારણોસર થઈ રહી છે. તાજેતરમાં પડેલા ભારે વરસાદના લીધે કૂવા રિચાર્જ થયા છે અને પવનની ગતિના લીધે કૂવાના પાણીમાં આ પ્રકારે હાલક-ડોલક થવાની પ્રક્રિયા જોવા મળી રહી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2085278023071531026"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p><br></p><p>આ પણ વાંચો - <a href="http://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/morbi/farmers-aggressive-over-electricity-pole-compensation-issue-in-morbis-halwad-bjp-entry-ban-banners-put-up-in-more-than-40-villages" target="_blank">Morbiના હળવદમાં વીજપોલ વળતર મુદ્દે આક્રમક: 40થી વધુ ગામોમાં 'ભાજપ પ્રવેશબંધી'ના બેનરો લાગ્યા!</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/06/uQ1tSrNdyMFQ4GKvS9FryEElJRvmCj2Bb4C4hOGI.webp'/></item><item><title><![CDATA[Gautam Gambhirએ ટીમમાં કરી 3 નવા ચહેરાની એન્ટ્રી, અને આપી દીધી મોટી ચેતવણી; કહ્યું- બધા જાણે છે કે... ]]></title><link>https://sandesh.com/sports/news/india-vs-sri-lanka-test--gautam-gambhir-welcomes-3-new-team-members</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india-vs-sri-lanka-test--gautam-gambhir-welcomes-3-new-team-members</guid><pubDate>Thu, 06 Aug 2026 15:17:50 +05:30</pubDate><description><![CDATA[<p>Gautam Gambhir: ટીમ ઈન્ડિયા 15 ઓગસ્ટથી શ્રીલંકા સામે બે મેચની ટેસ્ટ સીરીઝ રમવા માટે તૈયાર છે અને આવતીકાલે 7 ઓગસ્ટથી પ્રેક્ટિસ મેચો શરૂ થશે. જોકે, ટીમ શ્રીલંકા પહોંચી ગઈ છે અને જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. જ્યારે મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ટીમમાં ત્રણ નવા સભ્યોનું સ્વાગત કર્યું છે - બે ખેલાડીઓ અને એક સપોર્ટ સ્ટાફ સભ્ય. તેમના સમાવેશ પર ગંભીરે ચેતવણી આપતા કહ્યું કે ટીમે આગળ અનેક પડકારોનો સામનો કરવો પડશે અને તે પડકારોમાં પાર નીકળવું પડશે.&nbsp;</p><p>નોંધનીય છે કે, વોશિંગ્ટન સુંદરની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવેલા સ્પિનર સારાંશ જૈન અને જસપ્રીત બુમરાહની જગ્યાએ આકિબ નબી ડાર સિવાય ફિલ્ડીંગ કોચ સુભાદીપ ધોષનું સ્વાગત પણ ગૌતમ ગંભીરે કર્યું છે. ગંભીરે બન્ને ટીમને મહેનત કરવા માટે શુભેચ્છા પાઠવી છે. જેના કારણે અહીં સુધી પહોંચ્યા છે. પરંતુ સાથે જ તેમણે યાદ અપાવ્યું કે આતો બસ શરૂઆત છે. વધુમાં ફિલ્ડિંગ કોચ અંગે તેમણે કહ્યું કે, તેમણે ઘણી ટીમો સાથે મહેનત કરી છે અને હવે અમે ટારગેટને હાંસલ કરવાનો છે.&nbsp;</p><p><b>સારાંશ, નબી અને ઘોષનું સ્વાગત</b></p><p>BCCI દ્વારા બહાર પાડવામાં આવેલા એક વિડીયોમાં ગૌતમ ગંભીરે ટીમને સંબોધતા કહ્યું, "સૌનું સ્વાગત છે. અમારી સાથે કેટલાક નવા ચહેરાઓ છે. સારાંશ અભિનંદન. તમે અહીં પહોંચવા માટે ખૂબ જ મહેનત કરી છે. ખાતરી કરો કે જ્યારે પણ તમને તક મળે, ત્યારે તમે તમારા પરિવાર અને દેશને ગૌરવ અપાવશો."</p><p>ગંભીરે પછી આકિબ નબીની પ્રશંસા કરતા કહ્યું, "બીજું, હું આકિબને અભિનંદન આપવા માંગુ છું. તમારી પાસે શાનદાર સિઝન રહી અને તમે J&amp;K ને રણજી ટ્રોફી જીતવામાં મદદ કરી, જે એક મોટી સિદ્ધિ છે. ફરી એકવાર અભિનંદન." મુખ્ય કોચે નવા સપોર્ટ સ્ટાફ સભ્યનું પણ સ્વાગત કર્યું; શુભદીપ ઘોષને નવા ફિલ્ડિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેમણે ટી. દિલીપ પાસેથી પદ સંભાળ્યું છે.&nbsp;</p><p><b>ફિલ્ડિંગ કોચનું સ્વાગત</b></p><p>ફિલ્ડિંગ કોચ વિશે વાત કરતા, ગંભીરે કહ્યું, "હું જોયનું પણ સ્વાગત કરવા માંગુ છું. તેમણે વર્ષોથી ઘણી ટીમો સાથે કામ કર્યું છે. મને વિશ્વાસ છે કે તેમનો જુસ્સો અને પ્રતિબદ્ધતા આ ટીમને આગળ ધપાવશે અને તેમની એનર્જી લેવલ દરેકને તે ટારગેટ હાંસલ કરવામાં મદદ કરશે જે આપણે હાંસલ કરવા માગીએ છીએ.&nbsp;</p><p><br></p><p>અંતે, ગંભીરે બધાને આગળના પડકારોની યાદ અપાવતા કહ્યું, "અંતે, મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણી સામે શું છે. આપણે જાણીએ છીએ કે આપણે કોના માટે રમી રહ્યા છીએ. આપણે સખત મહેનત કરી શકીએ છીએ, આપણી મર્યાદાઓને આગળ ધપાવી શકીએ છીએ અને બધા યોગ્ય ક્ષેત્રો પાર કરી શકીએ છીએ. 15મી તારીખની સવારે આવો - ભલે આપણે પહેલા બેટિંગ કરી રહ્યા હોઈએ કે બોલિંગ કરી રહ્યા હોઈએ. ચાલો આપણે આપણા માર્ગમાં આવનારા દરેક પડકારનો જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર રહીએ."</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/entertainment/news/rajpal-yadav-property-auction--bank-seizes-assets-over-rs-16-cr-loan" target="_blank"><b>Rajpal Yadavની મુશ્કેલીમાં થયો વધારો, શું હવે થશે અભિનેતાની મિલકતની હરાજી!</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/06/jyH1XVZDI32I7JuXYnqXpqfRXrvWPJRGdn7htgVE.webp'/></item></channel></rss>