<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[CWG 2026 Closing Ceremony : ભવ્ય સમાપન સમારોહ ભારતમાં કેટલા વાગ્યે શરૂ થશે? ]]></title><link>https://sandesh.com/sports/news/cwg-2026-closing-ceremony-what-time-will-the-grand-closing-ceremony-begin-in-india</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/cwg-2026-closing-ceremony-what-time-will-the-grand-closing-ceremony-begin-in-india</guid><pubDate>Sun, 02 Aug 2026 12:56:49 +05:30</pubDate><description><![CDATA[<p>2026 કોમનવેલ્થ ગેમ્સ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે.આજે  ગ્લાસગોમાં સમાપન સમારોહ ફક્ત રમતોના અંતની ઉજવણી જ નહીં,પરંતુ ભારત માટે એક ઐતિહાસિક ક્ષણ પણ હશે.આ સમારોહ દરમિયાન,2030 કોમનવેલ્થ ગેમ્સનું યજમાન દંડૂકો અને ધ્વજ સત્તાવાર રીતે અમદાવાદને સોંપવામાં આવશે.ભારત અંતિમ દિવસે તેની 39  મેડલ ટેલીમાં ઉમેરો કરવા પણ માંગશે.સમાપન સમારોહમાં વિશ્વને ભારતીય સંસ્કૃતિની ઝલક પણ દર્શાવવામાં આવશે.</p><h5><b>સમાપન સમારોહમાં પુષ્કળ મનોરંજનનો સમાવેશ થશે.</b></h5><p>સમાપન સમારોહ દરમિયાન, રમતોના યજમાનીના પ્રતીક કિંગ્સ બેટન અને કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ ગ્લાસગોથી અમદાવાદ સોંપવામાં આવશે. આ ક્ષણ ખાસ રહેશે કારણ કે 2030કોમનવેલ્થ ગેમ્સ પણ ઇવેન્ટની 100મી વર્ષગાંઠની ઉજવણી કરશે. પ્રથમ કોમનવેલ્થ ગેમ્સ 1930માં કેનેડાના હેમિલ્ટનમાં યોજાઈ હતી.</p><h5><b>સમારોહનું સમાપન ભવ્ય જોવા મળશે</b></h5><p>સમાપન સમારોહમાં ભારતીય સિતારવાદક ઋષભ રિખીરામ શર્મા અને પ્રખ્યાત સ્કોટિશ બેગપાઇપર રોસ એન્સલી વચ્ચે એક અનોખી જુગલબંધી રજૂ કરવામાં આવશે. સમારોહનું સમાપન ભારતની સાંસ્કૃતિક વિવિધતા, ખાસ કરીને ગુજરાતના વારસાને દર્શાવતા મનમોહક પ્રદર્શન સાથે થશે. સમારોહમાં આંતરરાષ્ટ્રીય કલાકારો દ્વારા પ્રભાવશાળી પ્રદર્શન પણ રજૂ કરવામાં આવશે. સ્કોટિશ રોક બેન્ડ સિમ્પલ માઇન્ડ્સ તેમના લોકપ્રિય ગીતો રજૂ કરશે. BEMZ, કેમી બાર્ન્સ, સેન્ડી થોમ અને ઓસ્ટ્રેલિયન ગાયિકા ડેલ્ટા ગુડ્રેમ પણ પ્રેક્ષકોનું મનોરંજન કરશે.</p><h5><b>ભારતની સંસ્કૃતિક ઝલક જોવા મળશે</b></h5><p>હેન્ડ ઓવર સેરેમનીમાં ગ્લાસોગના ચાહકોને અમદાવાદ 2030નો પહેલું પ્રીવ્યુ પણ દેખાડવામાં આવશે. જેમાં ભારતની સાંસ્કૃતિક વિરાસત અને ગુજરાતની ઓળખ દેખાડવાનો કાર્યક્રમ હશે. સેરેમની એક ખાસ વાત કિંગ્સ બૈટન રિલે છે. જે કોમનવેલ્થ ગેમ્સની સૌથી જુની પરંપરાઓમાંથી એક છે. કોમનવેલ્થ સ્પોર્ટના મુજબ આ રિલે તમામ 74 કોમનવેલ્થ દેશો અને વિસ્તારોમાંથી પસાર થશે.</p><h5><b>સમાપન સમારોહ ક્યારે અને ક્યાં યોજાશે?</b></h5><p>કોમનવેલ્થ ગેમ્સ 2026નો સમાપન સમારોહ 2 ઓગસ્ટના રોજ ગ્લાસગોના OVO હાઇડ્રો એરેના ખાતે યોજાશે. આ ભવ્ય કાર્યક્રમ આશરે 13,000 દર્શકોની ક્ષમતા ધરાવતા આ ઇન્ડોર એરેનામાં યોજાશે. સમાપન સમારોહ ગ્લાસગોમાં સ્થાનિક સમય મુજબ રાત્રે 9:00 વાગ્યે શરૂ થશે. ભારતીય સમય મુજબ, તે સોમવાર એટલે કે 3 ઓગસ્ટના રોજ બપોરે 1:30 વાગ્યે પ્રસારિત થશે.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/cwg-2026-historic-performance-by-indian-para-athletes-winning-a-total-of-7-medals-for-the-first-time" target="_blank">CWG 2026 : ભારતીય પેરા-એથ્લીટ્સનું ઐતિહાસિક પ્રદર્શન,પહેલીવાર કુલ 7 મેડલ જીત્યા</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/02/wJtxkOdHZLgod4QxQJBoiPTEx3QvCpsyegwSuBW7.webp'/></item><item><title><![CDATA[TMKOC : 18 વર્ષથી કેવી રીતે સફળતાપૂર્વક ચાલી રહ્યો છે તારક મહેતા? અસિત મોદીએ કર્યો મોટો ખુલાસો ]]></title><link>https://sandesh.com/entertainment/news/asit-modi-reveals-tmkoc-18-years-success</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/asit-modi-reveals-tmkoc-18-years-success</guid><pubDate>Sun, 02 Aug 2026 12:48:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સિટકોમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 18 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો દર્શકોનો સૌથી પસંદીદા શો બની ગયો છે. શોની કહાનીથી લઈને દરેક પાત્ર સુધી બધું જ લોકોને ખૂબ ગમે છે. આ શોના નિર્માતા અસિત મોદી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>શો વિશે શું બોલ્યા અસિત મોદી?</b></h2><p style="text-align: justify; ">અસિત મોદીએ કહ્યું, જ્યારે લોકો મને કહે છે કે તેઓ આ શો જોતા મોટા થયા છે, પરિવાર સાથે આ શો જોયો છે અને મુશ્કેલ સમયમાં આ શોએ તેમને હસવાની તક આપી છે, ત્યારે મને લાગે છે કે મેં સફળતા કરતાં પણ ઘણું વધારે મેળવ્યું છે. 18 વર્ષ પૂર્ણ થવું મારા માટે આશીર્વાદ સમાન છે. હું દર્શકો, કલાકારો, સમગ્ર ટીમ અને ચેનલનો દિલથી આભાર માનું છું કે તેમણે મારા પર વિશ્વાસ જાળવી રાખ્યો.</p><h3 style="text-align: justify; "><b>આટલા વર્ષોથી શો કેવી રીતે ચાલી રહ્યો છે?</b></h3><p style="text-align: justify; ">શોના 18 વર્ષ પૂર્ણ થવા અંગે અસિત મોદીએ કહ્યું, મને લાગે છે કે આટલા વર્ષોથી શો સફળતાપૂર્વક ચાલી રહ્યો છે કારણ કે અમે ક્યારેય અમારા મૂળ હેતુથી ભટક્યા નથી. પહેલા દિવસથી જ અમે એવી કહાનીઓ રજૂ કરવા માગતા હતા જે લોકોના ચહેરા પર સ્મિત લાવે, પરિવારને એકસાથે જોડે અને એવો સામાજિક સંદેશ આપે જે લોકોના દિલ સુધી પહોંચે. સમય સાથે અમે બદલાયા છીએ, પરંતુ સકારાત્મકતા, એકતા અને પરિવાર સાથે જોઈ શકાય એવું સ્વચ્છ મનોરંજન આપવાની અમારી મૂળ વિચારધારા ક્યારેય બદલી નથી. મને લાગે છે કે આ જ ઈમાનદારીને કારણે દર્શકો 18 વર્ષથી અમારી સાથે જોડાયેલા છે.</p><h3 style="text-align: justify; "><b>સફળતાનું રહસ્ય શું છે?</b></h3><p style="text-align: justify; ">તેમણે આગળ કહ્યું, અમારી સફળતાનો મંત્ર હંમેશા સરળ રહ્યો છે. અમે કહાની અને પાત્રો પ્રત્યે હંમેશા સાચા રહ્યા છીએ. અમે ક્યારેય શોની મૂળ ઓળખ બદલી નથી. રોજિંદા જીવનની ઘટનાઓને ધ્યાનથી જોઈએ છીએ, સમાજને સમજીએ છીએ અને લોકો જે અનુભવ કરે છે તેને સકારાત્મકતા અને હાસ્ય સાથે રજૂ કરીએ છીએ. દર્શકો લાગણીઓ અને સંબંધોના કારણે અમારી સાથે જોડાયેલા છે. તેઓ ગોકુલધામ સોસાયટીને પોતાનું માને છે.</p><h4 style="text-align: justify; "><b>શોમાં જોવા મળ્યો સ્પાઈડર મેન</b></h4><p style="text-align: justify; ">તાજેતરમાં શોમાં સ્પાઈડર મેન જોવા મળ્યો હતો. શોમાં હોલીવુડ ફિલ્મ સ્પાઈડર મેન: બ્રાન્ડ ન્યૂ ડેનું પ્રમોશન કરવામાં આવ્યું હતું. એક દ્રશ્યમાં સ્પાઈડર મેને ચંપક ચાચાના પગે લાગી આશીર્વાદ લીધા હતા, જેના કારણે દર્શકોએ તેને સંસ્કારી સ્પાઈડર મેન નામ આપ્યું. તાજેતરમાં ગોકુલધામ સોસાયટીનું પણ નવીનીકરણ કરવામાં આવ્યું છે અને હવે દર્શકોને શોમાં નવી સોસાયટી જોવા મળી રહી છે.</p><h5 style="text-align: justify; "><b>શોમાં કોણ-કોણ છે?</b></h5><p style="text-align: justify; ">શોની વાત કરીએ તો દિલીપ જોશી જેઠાલાલની મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. દિશા વાકાણીએ દયાબેનનું પાત્ર ભજવ્યું હતું, પરંતુ ઘણા વર્ષોથી તેઓ શોમાં જોવા મળ્યા નથી. હાલમાં શોમાં મુનમુન દત્તા, શ્યામ પાઠક, અમિત ભટ્ટ, તનુજ મહાશબ્દે અને સોનાલિકા જોશી જેવા કલાકારો જોવા મળે છે. શૈલેશ લોઢા પણ એક સમય સુધી શોનો ભાગ હતા, પરંતુ હવે તેઓ શો છોડી ચૂક્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/deepika-padukone-co-star-married-bigg-boss-winner" target="_blank">આ પણ વાંચો-Deepika Padukone સાથે કર્યું ડેબ્યૂ, પછી બિગ બોસ વિનર સાથે કર્યા લગ્ન... કોણ છે આ હસીના?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/02/7LVjpepi7y0lv4YYbNUKZeAg0vt563TGGUbXELup.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના શહેરકોટડામાં PCBએ રાજસ્થાનથી લવાયેલો રૂ.3.78 લાખનો વિદેશી દારૂ કર્યો જપ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/pcb-seizes-foreign-liquor-worth-rs-3-lakh-brought-from-rajasthan-in-shaherkotda-ahmedabad</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/pcb-seizes-foreign-liquor-worth-rs-3-lakh-brought-from-rajasthan-in-shaherkotda-ahmedabad</guid><pubDate>Sun, 02 Aug 2026 12:30:56 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરના શહેરકોટડા વિસ્તારમાં પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચે (PCB) બાતમીના આધારે દારૂના મોટો કારોબાર પકડી પાડ્યો છે. શહેરકોટડામાં આવેલા મારુતિ ટ્રાવેલ્સના પાર્કિંગ પાસે રાજસ્થાનથી આવેલી લક્ઝરી બસમાંથી વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હતો, ત્યારે જ PCBની ટીમે અચાનક દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી દારૂનો જથ્થો ઉતારી રહેલા મોહસીન ઇકબાલભાઈ શેખ અને મકતુરામ રાજુભાઈ વણઝારા નામના બે આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>કુલ 26.91 લાખનો મુદ્દામાલ કબજે કરાયો</b></h2><p style="text-align: justify; ">પોલીસે લક્ઝરી બસમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 1,432 બોટલો મળીને રૂ.3.78 લાખનો દારૂ જપ્ત કર્યો છે. આ ઉપરાંત ગેરકાયદે હેરફેર માટે વપરાયેલી એક લક્ઝરી બસ, એક લોડિંગ ટેમ્પો, એક નંબર વગરની મોટરસાયકલ અને મોબાઈલ ફોન મળીને કુલ રૂ.26.91 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો રાજસ્થાનથી ખાનગી ટ્રાવેલ્સ બસ મારફતે અમદાવાદમાં ઘૂસાડવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.</p><h3 style="text-align: justify; "><b>રાજસ્થાન સુધી તપાસનો ધમધમાટ શરૂ</b></h3><p style="text-align: justify; ">આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય ચાર આરોપીઓ સમીર ઉર્ફે અનીશ, દોલત પીન્ટુભાઈ વણઝારા, બસ કન્ડક્ટર ગોપાલ અને અન્ય એક શખ્સ હાલ પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયા છે. PCBએ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને રાજસ્થાન સુધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/02/6g6xHSZFtzA8NLcXAEUn0U93GRW6gorORvvhgsj8.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News :  ભારે વરસાદથી રાજ્યમાં 607 જેટલા માર્ગો બંધ,  વાહન વ્યવહારને મોટી અસર પહોંચી ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/heavy-rain-closes-607-roads-across-gujarat</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/heavy-rain-closes-607-roads-across-gujarat</guid><pubDate>Sun, 02 Aug 2026 12:27:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં વરસાદનું પ્રમાણ હવે ઘટ્યું છે. હવામાન વિભાગે હળવા વરસાદની આગાહી કરી છે. બીજી બાજુ ભારે વરસાદને કારણે રાજ્યમાં રોડ અને રસ્તાને ભારે નુકસાન પહોંચ્યું છે. અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના મોટા શહેરો અને નાના શહેરોમાં રસ્તાના હાલ બેહાલ થયાં છે. રોડ પર ખાડા પડી જવાને કારણે વાહન વ્યવહારને અસર પહોંચી છે. વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો</b></h2><p style="text-align: justify; ">રાજ્યમાં ભારે વરસાદના પરિણામે માર્ગ વાહનવ્યવહાર પર માઠી અસર પહોંચી છે. જેના કારણે કુલ 607 જેટલા માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી છે. જેમાં 3 નેશનલ હાઈવે, 30 સ્ટેટ હાઇવે, પંચાયત હસ્તકના 528 માર્ગો તેમજ અન્ય 46 રસ્તાઓનો સમાવેશ થાય છે. ધોધમાર વરસાદ અને રસ્તાઓ ધોવાઈ જવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>સુરત જિલ્લામાં સૌથી વધુ 106 માર્ગો બંધ થઈ ગયા</b></h3><p style="text-align: justify; ">જિલ્લાવાર પરિસ્થિતિ પર નજર કરીએ તો સુરત જિલ્લામાં સૌથી વધુ 106 માર્ગો બંધ થઈ ગયા છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાં 88, નવસારી જિલ્લામાં 63 અને મોરબી જિલ્લામાં 50 માર્ગો બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક તૂટી ગયો છે. પરિસ્થિતિને થાળે પાડવા અને માર્ગો પુનઃ શરૂ કરવા માટે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યમાં વરસાદ રોકાયા બાદ રોડ પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું છે.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/fake-foreign-liquor-factory-busted-in-shahpur-ahmedabad-4-accused-arrested" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabadના શાહપુરમાંથી ઝડપાયું નકલી વિદેશી દારૂ બનાવવાનું કારખાનું; 4 આરોપીઓની ધરપકડ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/02/uROyAflHXpDiaf7m1mEVO7L5MnqUsycu2Tqj026d.webp'/></item><item><title><![CDATA[E-20 ઇથેનોલ નીતિને પંજાબના ખેડૂતોનું સમર્થન, આશીર્વાદરૂપ ગણાવી પોલિસી ]]></title><link>https://sandesh.com/india/news/punjab-farmers-support-e-20-ethanol-policy-terming-it-a-blessing</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/punjab-farmers-support-e-20-ethanol-policy-terming-it-a-blessing</guid><pubDate>Sun, 02 Aug 2026 12:25:03 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દેશભરમાં E-20 પેટ્રોલ નીતિને લઈને રાજકારણ ગરમાયું છે, ત્યારે બીજી તરફ પંજાબના ખેડૂતો આ નીતિના સમર્થનમાં ખુલીને મેદાને આવ્યા છે. ખેડૂતોનું સ્પષ્ટપણે કહેવું છે કે કેન્દ્ર સરકારની આ ઇથેનોલ મિશ્રણ નીતિ તેમના માટે આવકનો એક મોટો અને નવો સ્ત્રોત બની ગઈ છે, તેથી તેને કોઈપણ સંજોગોમાં બંધ ન કરવી જોઈએ. આ નીતિથી ખેડૂતોને પાકના સારા ભાવ મળી રહ્યા છે અને તેઓ પરંપરાગત ચોખા-ઘઉંના ચક્રમાંથી બહાર નીકળીને વૈકલ્પિક પાકો તરફ વળી રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>E-20 ઇથેનોલ નીતિને સમર્થન</b></h2><p style="text-align: justify; ">હકીકતમાં આ વિવાદની શરૂઆત દિલ્હીમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ દ્વારા આયોજિત એક ટાઉન હોલથી થઈ હતી. કેજરીવાલે કેન્દ્ર સરકારની E-20 ઇથેનોલ મિશ્રણ નીતિનો વિરોધ કરતા દલીલ કરી હતી કે આ બળતણ જૂના વાહનોના એન્જિનને નુકસાન પહોંચાડી શકે છે અને માઇલેજ ઘટાડી શકે છે, જેથી ગ્રાહકો પાસે વૈકલ્પિક વિકલ્પો હોવા જરૂરી છે. આ વિરોધ સામે આવતા જ પંજાબના કૃષિ પટ્ટામાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી, કારણ કે ત્યાંના ખેડૂતો માટે આ નીતિ ફાયદાકારક સાબિત થઈ રહી છે.</p><h3 style="text-align: justify; "><b>આશીર્વાદરૂપ ગણાવી પોલિસી</b></h3><p style="text-align: justify; ">પંજાબના ખેડૂત સંગઠનો અને અગ્રણીઓ આ નીતિના સમર્થનમાં આવ્યા છે. માઝા ઝોન અર્થિયા એસોસિએશનના પ્રમુખના જણાવ્યા અનુસાર ઇથેનોલ કાર્યક્રમનો વિરોધ ખેડૂતોમાં અનિશ્ચિતતા પેદા કરી રહ્યો છે. આ નીતિને કારણે ખેડૂતોને મકાઈના સારા ભાવ મળી રહ્યા છે, જેનાથી તેઓ મકાઈની ખેતી કરવા માટે પ્રોત્સાહિત થયા છે. અકબરપુરા ગામના ખેડૂત દિદાર સિંહે પણ સમર્થન આપતા કહ્યું કે સુધારેલી આવક અને યોગ્ય માંગને કારણે તેમણે પરંપરાગત ચોખા-ઘઉંના ચક્રથી દૂર થઈને મકાઈની ખેતી અપનાવી છે.</p><h4 style="text-align: justify; "><b>પંજાબના ખેડૂતોએ જોરદાર સમર્થન આપ્યું</b></h4><p style="text-align: justify; ">ભુરલી ગામના જગરૂપ સિંહ અને ખેડૂત જગજીત સિંહનું પણ માનવું છે કે જ્યારે ઇથેનોલ મિલોએ સ્થાનિક સ્તરે મકાઈની ખરીદી શરૂ કરી, ત્યારે બજારમાં તેના ભાવમાં મોટો સુધારો જોવા મળ્યો. આ વધારાની આવક નાના અને મધ્યમ વર્ગના ખેડૂતોને તેમના ઘરના દૈનિક ખર્ચ અને આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવામાં ખૂબ જ મદદ કરી રહી છે. પંજાબના ખેડૂતોનું સ્પષ્ટ મંતવ્ય છે કે આ નીતિનો વિરોધ તેમની આજીવિકા અને આર્થિક સધ્ધરતાને સીધું જોખમમાં મૂકી શકે છે, તેથી આ પ્રક્રિયા અટકાવવી ન જોઈએ.<br><br><b><a href="https://sandesh.com/india/news/gen-zs-resolve-against-drugs-pm-modi-interacts-with-1-crore-gen-z" target="_blank">આ પણ વાંચોઃ PM Modi Live : નશા વિરુદ્ધ Gen-Z સાથે પીએમ મોદીનો સંવાદ, દેશનો યુવાન તન, મન, ધનથી સ્વસ્થ રહે</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/02/SZrUrh0godjLJithA8EpLi9ZbrMpjDxLVj00BMRt.webp'/></item><item><title><![CDATA[Ankleshwar-હાંસોટ-સુરત સ્ટેટ હાઇવે સતત બીજા દિવસે બંધ: કીમ નદીના પાણી ફરી વળતાં વાહનવ્યવહાર ઠપ્પ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ankleshwar/ankleshwar-hansot-surat-state-highway-closed-for-second-consecutive-day-traffic-halted-as-keem-river-floods</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ankleshwar/ankleshwar-hansot-surat-state-highway-closed-for-second-consecutive-day-traffic-halted-as-keem-river-floods</guid><pubDate>Sun, 02 Aug 2026 11:41:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની આવકના કારણે કીમ નદી રોદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. હાંસોટ તાલુકાના સાહોલ ગામ નજીક કીમ નદીના પૂરોના પાણી અંકલેશ્વર-હાંસોટ-સુરતને જોડતા મુખ્ય સ્ટેટ હાઇવે પર ફરી વળ્યા છે. રોડ પર પાણીનો પ્રવાહ ઝડપી હોવાના કારણે મુખ્ય માર્ગ સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયો છે. માર્ગ પર પાણી ભરાઈ જવાના કારણે સુરક્ષા અને સાવચેતીના ભાગરૂપે આ વ્યસ્ત સ્ટેટ હાઇવેને વાહનવ્યવહાર અર્થે બંધ કરવાની ફરજ પડી છે.</p><h2 style="text-align: justify; "><b>સતત બીજા દિવસે વાહનવ્યવહાર બંધ</b></h2><p style="text-align: justify;">આ મહત્ત્વપૂર્ણ સ્ટેટ હાઇવે સતત બીજા દિવસે પણ બંધ રહેતાં અંકલેશ્વર, હાંસોટ અને સુરત તરફ આવતા-જતા હજારો વાહનચાલકો તેમજ સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાઇવે બંધ થવાને કારણે વાહનચાલકોને લાંબા વૈકલ્પિક રસ્તેથી પસાર થવું પડી રહ્યું છે, જેના કારણે સમય અને ઈંધણનો વ્યય થઈ રહ્યો છે. ખાસ કરીને રોજિંદા નોકરિયાતો અને માલસામાનની હેરફેર કરતા કોમર્શિયલ વાહનોની અવરજવર પર માઠો પ્રભાવ પડ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો</b></h3><p style="text-align: justify;">સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા હાઇવે પર બેરિકેડ્સ લગાવીને વાહનોની અવરજવર સંપૂર્ણપણે રોકી દેવામાં આવી છે. વાહનચાલકોને સુરક્ષિત વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. કીમ નદીના પાણીના સ્તરમાં ઘટાડો ન થાય ત્યાં સુધી માર્ગ શરૂ કરવો જોખમી હોવાથી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. પાણી ઓસર્યા બાદ જ માર્ગને પુનઃ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે.</p><p style="text-align: justify;"><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/02/q9X7G9F7LiKsMVAIiGkIwwUI9tvOn1XXa05CnLO4.webp'/></item><item><title><![CDATA[Surat News :  કીમ નદીના પાણી ઓલપાડ સ્ટેટ હાઈવે પર ફરી વળ્યા, વાહન વ્યવહાર બંધ થતાં જનજીવન પ્રભાવિત ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/surat/kim-river-floodwaters-submerge-olpad-state-highway</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/surat/kim-river-floodwaters-submerge-olpad-state-highway</guid><pubDate>Sun, 02 Aug 2026 11:41:41 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત જિલ્લામાં કીમ નદીમાં આવેલા પૂરના પાણીએ ભારે તારાજી સર્જી છે, જેના કારણે સ્થાનિક જનજીવન હજુ પણ ગંભીર રીતે પ્રભાવિત થયેલું જોવા મળી રહ્યું છે. કીમ નદીના પાણી ભરાઈ જવાના કારણે સુરત અને ભરૂચ જિલ્લા માટે અત્યંત મહત્વપૂર્ણ એવો કીમ-ઓલપાડ રાજ્ય ધોરીમાર્ગ-65 છેલ્લા બે દિવસથી સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયો છે. માર્ગ બંધ થઈ જતાં દરરોજ અવરજવર કરતા ખેડૂતો અને નોકરીયાત વર્ગના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને તેઓ અટવાઈ પડ્યા છે.કીમથી વડીલો તરફ જતા રાજ્ય ધોરીમાર્ગ પર પણ અનેક જગ્યાઓએ ઘૂંટણસમા પાણી ફરી વળ્યા છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>કુંવરદા ગામ ભારે વરસાદના લીધે બેટમાં ફેરવાયુ</b></h2><p style="text-align: justify; ">સતત પૂરની સ્થિતિના કારણે કીમ નદીના પાણી હજુ પણ ઓલપાડ અને માંગરોળ તાલુકાના નીચાણવાળા ગામોમાં સ્થિર થઈને ભરાયેલા રહ્યા છે. રસ્તાઓ અને ખેતરો પાણીમાં ગરકાવ થઈ જતાં ગ્રામજનો માટે બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. ભારે વરસાદના કારણે ભેદવાડ ખાડી ઓવરફ્લો થતાં કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી અફરાતફરી મચી ગઈ હતી. જેને પગલે પાંડેસરા વિસ્તારના ગધાનગર, ક્રિષ્નાનગર અને સીતાનગરમાંથી કુલ 161 લોકોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી.પાંડેસરા પોલીસ દ્વારા કામગીરી કરીને અસરગ્રસ્તોને મનપાની શાળામાં આશ્રય આપવામાં આવ્યો હતો. સતત ત્રણ દિવસ બાદ મેઘરાજાએ વિરામ લેતાં સ્થાનિક લોકો અને તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. માંગરોળ તાલુકાનું કુંવરદા ગામ ભારે વરસાદના લીધે બેટમાં ફેરવાઈ ગયું છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>200થી વધુ ઘરોમાં પૂરના પાણી ઘૂસી ગયા</b></h3><p style="text-align: justify; ">ગામના 200થી વધુ ઘરોમાં પૂરના પાણી ઘૂસી જતાં અને પ્રથમ માળ સુધી પાણી ડૂબી જતાં સ્થાનિકોની સ્થિતિ અત્યંત કફોડી બની હતી. આ વિકટ પરિસ્થિતિમાં ફાયર બ્રિગેડના જવાનોએ 2 બોટની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને અનેક લોકોને સહીસલામત બહાર કાઢ્યા હતા.ધોધમાર વરસાદના કારણે બમરોલી ગામથી અલથાણને જોડતો મુખ્ય માર્ગ ઘૂંટણસમા પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સ્થાનિક ખાડીના પાણી રસ્તાઓ પર ફરી વળતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેના લીધે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે અને કેટલાકને પરત ફરવાની ફરજ પડી છે. માર્ગની આસપાસ આવેલી સ્પોર્ટ્સ એકેડેમી અને ગ્રાઉન્ડ પણ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે.</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/3-major-breaches-in-sarkhej-canal" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: સરખેજથી નીકળતી કેનાલમાં એક સાથે 3 મોટા ગાબડા, આખો રોડ બન્યો જોખમી</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/02/5ZxLciDvv3VH3w0IeEWug0lw3XEwcKbSLeAkMpS8.webp'/></item><item><title><![CDATA[Gold Price Today : સોનું એક જ અઠવાડિયામાં 750 સુધી સસ્તું થયું! જાણો તમારા શહેરનો આજનો લેટેસ્ટ રેટ ]]></title><link>https://sandesh.com/business/news/india/gold-price-drop-india-delhi-chennai-latest-rates</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/gold-price-drop-india-delhi-chennai-latest-rates</guid><pubDate>Sun, 02 Aug 2026 11:30:48 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દેશમાં સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે ઘટાડો નોંધાયો છે. છેલ્લા 1 અઠવાડિયામાં 24 કેરેટ સોનાની કિંમતમાં 710 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 750 રૂપિયા સુધી નીચે આવ્યો છે. <br><h2><b>દેશના વિવિધ શહેરોમાં સોના-ચાંદીના ભાવ</b></h2></p><p style="text-align: justify; ">આજે 2 ઓગસ્ટની સવારે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત 10 ગ્રામ દીઠ 144370 રૂપિયા છે. જ્યારે મુંબઈમાં તેની કિંમત 10 ગ્રામ દીઠ 144220 રૂપિયા છે. શુક્રવાર, 31 જુલાઈએ દિલ્હીના સરાફા બજારમાં 99.9 ટકા શુદ્ધ સોનાની કિંમત 300 રૂપિયાના વધારા સાથે 10 ગ્રામ દીઠ 148300 રૂપિયા થઈ હતી. શનિવાર, 1 ઓગસ્ટે ઈન્દોરના સરાફા બજારમાં સોનાનો સરેરાશ ભાવ 10 ગ્રામ દીઠ 141500 રૂપિયા રહ્યો હતો. જ્યારે ચાંદીનો સરેરાશ ભાવ 200 રૂપિયાના વધારા સાથે પ્રતિ કિલોગ્રામ 220000 રૂપિયા થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડની કિંમત 4049.83 ડોલર પ્રતિ ઔંસ છે.</p><h2 style="text-align: justify;"><b>દેશના કેટલાક મોટા શહેરોમાં સોનાના ભાવ</b></h2><table class="table table-bordered" style="text-align: justify;"><tbody><tr><td><b>શહેર</b></td><td><b>24 કેરેટ સોનાની કિંમત</b></td><td><b>22 કેરેટ સોનાની કિંમત</b></td></tr><tr><td>દિલ્હી</td><td>1,44,370<br></td><td>1,32,250</td></tr><tr><td>મુંબઈ</td><td>1,44,220</td><td>1,32,200</td></tr><tr><td>કોલકાતા</td><td>1,44,220</td><td>1,32,200</td></tr><tr><td>ચેન્નઈ</td><td>1,44,610</td><td>1,32,560</td></tr><tr><td>અમદાવાદ</td><td>1,44,270</td><td>1,32,250</td></tr><tr><td>રાજકોટ</td><td>1,44,270</td><td>1,32,250</td></tr></tbody></table><h3 style="text-align: justify;"><b>ચાંદીની કિંમત</b></h3><p style="text-align: justify;">સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ સાપ્તાહિક ધોરણે ઘટાડો નોંધાયો છે. છેલ્લા 1 અઠવાડિયામાં ચાંદી 5000 રૂપિયા સસ્તી થઈ છે. 2 ઓગસ્ટની સવારે ચાંદીની કિંમત પ્રતિ કિલોગ્રામ 235000 રૂપિયા છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ સિલ્વરની કિંમત 57.76 ડોલર પ્રતિ ઔંસ છે.</p><h4 style="text-align: justify;"><b>કેમ બદલાય છે સોના-ચાંદીના ભાવ?</b></h4><p style="text-align: justify;">ભારતમાં સોના અને ચાંદીની કિંમતો ફક્ત ઘરેલુ માગ પર જ નિર્ભર નથી કરતી. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા માલની કિંમત, ડોલર સામે રૂપિયાની ચાલ, મધ્યસ્થ બેંકોની નીતિઓ, વ્યાજ દરો, વૈશ્વિક આર્થિક સ્થિતિ અને રોકાણકારોની ખરીદી જેવા ઘણા પરિબળો તેના ભાવ નક્કી કરે છે. આ જ કારણ છે કે ઘણીવાર આંતરરાષ્ટ્રીય બજારમાં ઉતાર-ચઢાવની અસર ભારતીય બજારમાં પણ જોવા મળે છે. જો તમે રોકાણ અથવા જ્વેલરી ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો ખરીદી કરતા પહેલા તમારા શહેરનો તાજો દર જરૂર ચકાસી લો.</p><h6 style="text-align: justify; "><b>Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.</b></h6><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/ramayana-movie-star-cast-fees-highest-paid-actor" target="_blank">આ પણ વાંચો-Ramayanaની સ્ટારકાસ્ટ પર મેકર્સે પાણીની જેમ વાપર્યા કરોડો રૂપિયા! આ એક્ટરે વસૂલી તગડી ફી!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/02/UlHE20rUNeLrta1BFDssYiV3I5fBeV21qj8hyVdv.webp'/></item><item><title><![CDATA[Gold Price Today : સોનું એક જ અઠવાડિયામાં 750 સુધી સસ્તું થયું! જાણો તમારા શહેરનો આજનો લેટેસ્ટ રેટ ]]></title><link>https://sandesh.com/business/news/india/gold-price-drop-india-delhi-chennai-latest-rates</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/gold-price-drop-india-delhi-chennai-latest-rates</guid><pubDate>Sun, 02 Aug 2026 11:30:48 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દેશમાં સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે ઘટાડો નોંધાયો છે. છેલ્લા 1 અઠવાડિયામાં 24 કેરેટ સોનાની કિંમતમાં 710 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 750 રૂપિયા સુધી નીચે આવ્યો છે. <br><h2><b>દેશના વિવિધ શહેરોમાં સોના-ચાંદીના ભાવ</b></h2></p><p style="text-align: justify; ">આજે 2 ઓગસ્ટની સવારે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત 10 ગ્રામ દીઠ 144370 રૂપિયા છે. જ્યારે મુંબઈમાં તેની કિંમત 10 ગ્રામ દીઠ 144220 રૂપિયા છે. શુક્રવાર, 31 જુલાઈએ દિલ્હીના સરાફા બજારમાં 99.9 ટકા શુદ્ધ સોનાની કિંમત 300 રૂપિયાના વધારા સાથે 10 ગ્રામ દીઠ 148300 રૂપિયા થઈ હતી. શનિવાર, 1 ઓગસ્ટે ઈન્દોરના સરાફા બજારમાં સોનાનો સરેરાશ ભાવ 10 ગ્રામ દીઠ 141500 રૂપિયા રહ્યો હતો. જ્યારે ચાંદીનો સરેરાશ ભાવ 200 રૂપિયાના વધારા સાથે પ્રતિ કિલોગ્રામ 220000 રૂપિયા થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડની કિંમત 4049.83 ડોલર પ્રતિ ઔંસ છે.</p><h2 style="text-align: justify;"><b>દેશના કેટલાક મોટા શહેરોમાં સોનાના ભાવ</b></h2><table class="table table-bordered" style="text-align: justify;"><tbody><tr><td><b>શહેર</b></td><td><b>24 કેરેટ સોનાની કિંમત</b></td><td><b>22 કેરેટ સોનાની કિંમત</b></td></tr><tr><td>દિલ્હી</td><td>1,44,370<br></td><td>1,32,250</td></tr><tr><td>મુંબઈ</td><td>1,44,220</td><td>1,32,200</td></tr><tr><td>કોલકાતા</td><td>1,44,220</td><td>1,32,200</td></tr><tr><td>ચેન્નઈ</td><td>1,44,610</td><td>1,32,560</td></tr><tr><td>અમદાવાદ</td><td>1,44,270</td><td>1,32,250</td></tr><tr><td>રાજકોટ</td><td>1,44,270</td><td>1,32,250</td></tr></tbody></table><h3 style="text-align: justify;"><b>ચાંદીની કિંમત</b></h3><p style="text-align: justify;">સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ સાપ્તાહિક ધોરણે ઘટાડો નોંધાયો છે. છેલ્લા 1 અઠવાડિયામાં ચાંદી 5000 રૂપિયા સસ્તી થઈ છે. 2 ઓગસ્ટની સવારે ચાંદીની કિંમત પ્રતિ કિલોગ્રામ 235000 રૂપિયા છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ સિલ્વરની કિંમત 57.76 ડોલર પ્રતિ ઔંસ છે.</p><h4 style="text-align: justify;"><b>કેમ બદલાય છે સોના-ચાંદીના ભાવ?</b></h4><p style="text-align: justify;">ભારતમાં સોના અને ચાંદીની કિંમતો ફક્ત ઘરેલુ માગ પર જ નિર્ભર નથી કરતી. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા માલની કિંમત, ડોલર સામે રૂપિયાની ચાલ, મધ્યસ્થ બેંકોની નીતિઓ, વ્યાજ દરો, વૈશ્વિક આર્થિક સ્થિતિ અને રોકાણકારોની ખરીદી જેવા ઘણા પરિબળો તેના ભાવ નક્કી કરે છે. આ જ કારણ છે કે ઘણીવાર આંતરરાષ્ટ્રીય બજારમાં ઉતાર-ચઢાવની અસર ભારતીય બજારમાં પણ જોવા મળે છે. જો તમે રોકાણ અથવા જ્વેલરી ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો ખરીદી કરતા પહેલા તમારા શહેરનો તાજો દર જરૂર ચકાસી લો.</p><h6 style="text-align: justify; "><b>Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.</b></h6><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/ramayana-movie-star-cast-fees-highest-paid-actor" target="_blank">આ પણ વાંચો-Ramayanaની સ્ટારકાસ્ટ પર મેકર્સે પાણીની જેમ વાપર્યા કરોડો રૂપિયા! આ એક્ટરે વસૂલી તગડી ફી!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/02/UlHE20rUNeLrta1BFDssYiV3I5fBeV21qj8hyVdv.webp'/></item><item><title><![CDATA[Botadના રાણપુરમાં જર્જરિત મકાન ધરાશાયી: ઈદગાહ પાસે બનેલી ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/botad/dilapidated-building-collapses-in-ranpur-botad-one-person-seriously-injured-in-incident-near-idgah</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/botad/dilapidated-building-collapses-in-ranpur-botad-one-person-seriously-injured-in-incident-near-idgah</guid><pubDate>Sun, 02 Aug 2026 10:26:25 +05:30</pubDate><description><![CDATA[<p>બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં એક મકાન અચાનક કડાકાભેર ધરાશાયી થવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાણપુરમાં ભાદર નદીના સામા કાંઠે આવેલા ઈદગાહ વિસ્તારમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. ચોમાસાની ઋતુમાં સતત ભેજ અને ચોમાસી વાતાવરણના કારણે આ અતિજર્જરિત મકાન અચાનક ધડાકાભેર તૂટી પડ્યું હતું. મકાન ધરાશાયી થતાં જ આસપાસના વિસ્તારમાં મોટો અવાજ થયો હતો, જેના પગલે સ્થાનિક રહીશોમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકોના ટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.</p><h2><b>મકાન તૂટી પડતાં ધીરુ ભોજવિયા થયા ઈજાગ્રસ્ત</b></h2><p>આ દુર્ઘટના બની ત્યારે મકાનમાં હાજર ધીરુ ભોજવિયા નામના વ્યક્તિ કાટમાળ નીચે દબાઈ ગયા હતા. મકાન ધરાશાયી થતાં જ આસપાસના સ્થાનિક લોકોએ સમયસૂચકતા અને હિંમત દાખવીને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. લોકોએ ભારે જહેમત બાદ કાટમાળ હટાવીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ધીરુ ભોજવિયાને બહાર કાઢ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતાં તેમને તાત્કાલિક વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી છે.</p><h3><b>સ્થાનિક તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું</b></h3><p>ઘટના અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. ચોમાસા દરમિયાન શહેરમાં આવેલા અન્ય જર્જરિત અને જોખમી મકાનો કોઈ મોટી દુર્ઘટના સર્જે તે પહેલાં તંત્ર દ્વારા તેમને ખાલી કરાવવામાં આવે અથવા યોગ્ય નોટિસ આપી ઉતારી પાડવામાં આવે તેવી માંગણી સ્થાનિક નાગરિકો દ્વારા કરવામાં આવી રહી છે.</p><p><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/02/CFTWCNNDPA8DF49uFQe77xfcEcxtglu4SS2PqEXw.webp'/></item></channel></rss>