<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Mahisagar: લુણાવાડાની સ્વામી વિવેકાનંદ હાઇસ્કૂલ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/mahisagar/mahisagar-raksha-bandhan-festival-celebrated-at-swami-vivekananda-high-school-lunawada</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/mahisagar/mahisagar-raksha-bandhan-festival-celebrated-at-swami-vivekananda-high-school-lunawada</guid><pubDate>Sat, 29 Aug 2026 00:51:36 +05:30</pubDate><description><![CDATA[<p>લુણાવાડા : લુણાવાડાના શ્રી વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્વામી વિવેકાનંદ હાઇસ્કુલ ખાતે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને ભારતીય સંસ્કૃતિના પ્રતીક સમાન રક્ષાબંધન પર્વની KG વિભાગથી લઈને ઉચ્ચતર માધ્યમિક વિભાગ સુધીના તમામ વિદ્યાર્થીઓ દ્વારા આનંદોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે બાળકોમાં સર્જનાત્મકતા અને સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી શાળામાં વેસ્ટ માંથી બેસ્ટ રાખી સ્પર્ધા તેમજ રક્ષાબંધન ગ્રીટીંગ કાર્ડ બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં તમામ વિભાગના નાના-મોટા વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાની કલ્પનાશક્તિથી નકામી વસ્તુઓમાંથી આકર્ષક ઈકો-ફ્રેન્ડલી રાખડીઓ અને ગ્રીટીંગ કાર્ડ્સ તૈયાર કર્યા હતા. બાળાઓએ ભાઈઓને રાખડી બાંધી મોં મીઠા કરાવ્યા હતા.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/kgAIqXYGkEqHsYPZ6iuM9scVPKrXISVaQoFpTNIt.webp'/></item><item><title><![CDATA[Mahisagar: રૈયોલી ડાયનાસોર પાર્ક ખાતે ભાજપના બક્ષીપંચ મોરચા દ્વારા નારી સન્માન સમારંભ યોજાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/mahisagar/mahisagar-bjps-bakshipanch-morcha-organized-a-womens-honor-ceremony-at-raiyoli-dinosaur-park</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/mahisagar/mahisagar-bjps-bakshipanch-morcha-organized-a-womens-honor-ceremony-at-raiyoli-dinosaur-park</guid><pubDate>Sat, 29 Aug 2026 00:50:54 +05:30</pubDate><description><![CDATA[<p>મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ડાયનાસોર પાર્ક ખાતે ભાજપના બક્ષીપંચ મોરચા દ્વારા જ્યાં નારીનું સન્માન, ત્યાં દેશનો વિકાસના સંદેશ સાથે ભવ્ય નારી સન્માન સમારંભ યોજાયો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ તથા ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે મહીસાગર જિલ્લા ભાજપના પ્રમુખ દશરથસિંહ બારિયા, જિલ્લા મહામંત્રી તેજસભાઈ શાહ, ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, મંડળના સભ્યો અને મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દશરથસિંહ બારિયાનું શાલ ઓઢાડી તથા તલવાર અર્પણ કરીને સન્માન કરાયું હતું. બક્ષીપંચ સમાજ તથા સખી મંડળની બહેનોએ આગેવાનોને રાખડી બાંધી હતી. બહેનોને સાડીની ભેટ પણ અપાઈ હતી. આ પ્રસંગે તાલુકા ભાજપના અગ્રણીઓ, કાર્યકરો અને ગામના લોકો મોટીસંખ્યામાં હાજર રહ્યા હતાં. તેમજ લોકોએ ભાજપ દ્વારા આયોજીત કાર્યક્રમની સરાહના કરી હતી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/s7Ej69D62zXiB4j8hE5tnEgj8vqTOj6WBmW2X1tQ.webp'/></item><item><title><![CDATA[Vadodara: રાજ્યમાં ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરનું પદ ચાર્જના ભરોસે, ભેળસેળિયાઓ બેફામ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-the-post-of-food-and-drugs-commissioner-in-the-state-is-based-on-charges-adulterators-are-rampant</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-the-post-of-food-and-drugs-commissioner-in-the-state-is-based-on-charges-adulterators-are-rampant</guid><pubDate>Sat, 29 Aug 2026 00:42:21 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતમાં ભેળસેળિયા તત્વોનો આતંક સતત વધી રહ્યો છે. દૂધથી લઈને મીઠાઈ, પનીર, મસાલા, દવા, ઘી, ખાદ્યતેલ, દૂધની બનાવટો અને ગોળ જેવી રોજિંદા જીવન જરૂરી ચીજવસ્તુઓમાં પણ ભેળસેળનું પ્રમાણ ચરમસીમાએ પહોંચ્યું છે. લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ થઈ રહ્યાં છે, ત્યારે ભેળસેળના ખેલ પર લગામ લગાવવાની મહત્વની કમાન જ કાયમી અધિકારીના બદલે ચાર્જના ભરોસે ચાલી રહી છે. સરકાર પાસે એક કાયમી ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર પણ નથી.! તે સવાલ ઉઠયો છે.</p><p>ગુજરાતમાં લોકો પોતાના પરિવાર માટે જીવન જરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ ખરીદે છે, પરંતુ હવે થેલીમાં સામાન નહીં, ભેળસેળનો ખતરો ઘરે લઈ જઈ રહ્યાં હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. જે ખોરાક માટે લોકો પરસેવાના પૈસા ખર્ચે છે, એ જ ખોરાક શુદ્ધ છે કે ઝેરી ભેળસેળથી ભરેલો છે, તેની કોઈ ખાતરી નથી. દૂધથી લઈને માવા-મીઠાઈ, ઘી, પનીર, મસાલા, ખાદ્યતેલ અને ગોળ સુધી ભેળસેળિયાઓએ બજારને નિશાન બનાવ્યું છે. હદ તો એ છે કે, જીવન રક્ષક ગણાતી દવાઓને પણ માફિયાઓએ છોડી નથી. આ પરિસ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે, ભેળસેળ સામેની લડાઈનું નેતૃત્વ કેટલું મજબૂત છે? રાજ્યમાં ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA) જેવી મહત્વની સંસ્થાની કમાન પણ લાંબા સમય સુધી એક જ અધિકારીના એક્સટેન્શન પર ચાલી અને હવે નવા કમિશનરને ચાર્જ આપવામાં આવ્યો છે.</p><p>ગુજરાત FDCAના પૂર્વ કમિશનર ને તેમના કાર્યકાળ દરમિયાન સરકારે કુલ છ વખત એક્સટેન્શન આપ્યું હતું. સપ્ટેમ્બર 2025માં 7મા એક્સટેન્શનનો પ્રશ્રન સામે આવ્યો હતો, પરંતુ અંતે વધુ મુદ્દત ન મળતાં તેઓ પદ પરથી નિવૃત્ત થયા. તેમના સ્થાને ડૉ. રતનકુંવર ગઢવીચારણ, IASને FDCA કમિશનર તરીકે વધારાની જવાબદારી સોંપાઈ છે. અહીં સવાલ કોઈ એક અધિકારીનો નથી. સવાલ એ છે કે, ગુજરાત જેવા મોટા રાજ્યમાં જ્યાં ખાદ્ય ભેળસેળનો વ્યાપ સતત ચિંતાનો વિષય બની રહ્યો છે, ત્યાં FDCA જેવી મહત્વની સંસ્થાને મજબૂત અને કાયમી નેતૃત્વ સાથે સતત કેમ ન ચલાવી શકાય? ભેળસેળ સામે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત છે, ત્યારે રાજ્યના આરોગ્ય તંત્રમાં ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર જેવી મહત્વની જવાબદારી પણ કાયમી અધિકારીના બદલે ચાર્જમાં ચાલી રહી છે. ભેળસેળના કહેર વચ્ચે એક મહિનામાં 46 ટન શંકાસ્પદ ખાદ્ય સામગ્રી ઝડપાઈ છે, ત્યારે ભેળસેળિયા તત્વો ભેળસેળ કરવાની જ હિંમત ન કરે, તેવો કડક કાયદો બનાવવાની અને કડક ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરની નિમણૂક કરવી સમયની તાતી જરૂરિયાત છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/uWTzzR7DSOyvCEIREjUs8rbAXH2P58LV9hb5I7tA.webp'/></item><item><title><![CDATA[Vadodara: ક્રાઈમ સીન ઉપર પુરાવા મેળવવા વડોદરા પોલીસ પાસે બે FSL વેન ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-vadodara-police-has-two-fsl-vans-to-collect-evidence-at-the-crime-scene</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-vadodara-police-has-two-fsl-vans-to-collect-evidence-at-the-crime-scene</guid><pubDate>Sat, 29 Aug 2026 00:40:55 +05:30</pubDate><description><![CDATA[<p>રાજ્યમાં ગંભીર ગુનાઓની તપાસને પારદર્શક બનાવવા માટે મોબાઈલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (મોબાઈલ FSL) એક મહત્વનું માધ્યમ સાબિત થઈ રહી છે. ઘટના સ્થળેથી જ વૈજ્ઞાનિક પુરાવાઓ ઝડપથી સુરક્ષીત રીતે એકત્ર કરી તપાસ અધિકારીઓને તાત્કાલિક દિશા પૂરી પાડવામાં આ હરતી ફરતી આધુનિક મોબાઈલ વેન પોલીસ ડિપાર્ટમેન્ટની કરોડરજ્જુ સમાન બની છે. વડોદરા શહેરના એફ.એસ.એલ. યુનિટ પાસે 02 આધુનિક મોબાઈલ FSL વેન ઉપલબ્ધ છે.</p><p>રાજ્યમાં 75 આધુનિક ઈક્વિપમેન્ટસ સાથેની મોબાઈલ FSL વેન કાર્યરત છે. હત્યા, લૂંટ, બળાત્કાર, શંકાસ્પદ આગ અથવા બ્લાસ્ટ જેવી ઘટનાઓમાં મિનિટોમાં પુરાવાઓ નષ્ટ થાય તે પહેલાં ગોલ્ડન અવર્સ દરમિયાન વેન સ્થળ પર પહોંચી જાય છે. ભારતીય ન્યાય સહિંતાના નવા કાયદા હેઠળ 7 વર્ષથી વધુ સજાપાત્ર ગુનાઓમાં ફોરેન્સિક વિઝિટ ફરજિયાત બની છે. જેના કારણે પણ મોબાઈલ એફ.એસ.એલ. વેનની ભૂમિકા વધુ નિર્ણાયક બની છે. પ્રવર્તમાન સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં 47 મોબાઈલ ફોરેન્સિક વેન કાર્યરત હતી. વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 37,269 ક્રાઈમ લોકેશનની મુલાકાત લીધી હતી. 2025માં વધુ 28 એડવાન્સ વેનનો ઉમેરો થયો છે. આ સંખ્યા હાલ 75 થઈ છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/okWcyZsfHFQ0ynwBA7hqBtu1EpM2ux386Or9L5pD.webp'/></item><item><title><![CDATA[India News: રજૌરીમાં LOC નજીક ઘૂસણખોરીનો પ્રયાસ, સેનાએ ફાયરિંગ કરતાં જ ઘૂસણખોરો ભાગ્યા ]]></title><link>https://sandesh.com/india/news/army-foils-infiltration-attempt-near-loc-in-rajouri</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/army-foils-infiltration-attempt-near-loc-in-rajouri</guid><pubDate>Fri, 28 Aug 2026 23:24:29 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જમ્મુ કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં લાઈન ઓફ કંટ્રોલ નજીક ભારતીય સેનાએ ઘૂસણખોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે.રુમલીધારા વિસ્તારમાં સરહદ પારથી થઈ રહેલી શંકાસ્પદ હિલચાલ પર જવાનોની નજર પડતાં જ સેનાએ ઘૂસણખોરોને ઘેરી લીધા હતા.જવાનોએ પડકાર ફેંકતાં ઘૂસણખોરોએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો પરંતુ સેનાએ ત્વરિત અને જડબાતોડ જવાબી ક્વાયત હાથ ધરતા ઘૂસણખોરો પાછા ભાગી જવા મજબૂર બન્યા હતા.ઘૂસણખોરો ભાગી છૂટ્યા બાદ સેનાએ તાત્કાલિક સમગ્ર રુમલીધારા અને આસપાસના જંગલ વિસ્તારને ઘેરી લીધો હતો.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>લશ્કરી ટુકડીઓ તૈનાત કરવામાં આવી</b></h2><p style="text-align: justify; ">આતંકીઓ ક્યાંક છુપાયેલા હોવાની આશંકાને ધ્યાનમાં રાખીને મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જવાનો દ્વારા ઘનઘોર જંગલો અને પહાડી માર્ગોની બારીકાઈથી તપાસ કરાઈ રહી છે.સ્થિતિની ગંભીરતાને જોતાં વિસ્તારમાં વધારાની લશ્કરી ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે અને ભાગવાના સંભવિત રસ્તાઓ પર ડ્રોન અને અત્યાધુનિક સાધનોથી  નજર રાખવામાં આવી રહી છે.સુરક્ષા દળો હાલ એ બાબતની તપાસ કરી રહ્યા છે કે આ ઘૂસણખોરીમાં કેટલા આતંકીઓ સામેલ હતા અને તેમની પાસે કયા પ્રકારના હથિયારો હતા.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>સેના સતત હાઈ એલર્ટ પર રહે છે</b></h3><p style="text-align: justify; ">રાજૌરી વિસ્તાર લાઈન ઓફ કંટ્રોલની સાવ નજીક હોવાથી વ્યૂહાત્મક રીતે અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે.આ વિસ્તારમાં અગાઉ પણ સરહદ પારથી ઘૂસણખોરીના પ્રયાસો થતા રહ્યા છે, જેથી સેના સતત હાઈ એલર્ટ પર રહે છે. સદનસીબે, સેનાના જવાનોની સમયસૂચકતા અને સતર્કતાને કારણે સરહદ પારથી થતો આ મોટો નાપાક પ્રયાસ સમયસર નિષ્ફળ બનાવાયો છે.હાલમાં સમગ્ર ક્ષેત્રમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ છે અને સુરક્ષા દળોએ પરિસ્થિતિ પર પૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે.<br><br><a href="https://sandesh.com/india/news/doctor-dies-suddenly-during-exercise-in-gym-cctv-video-surfaced-know-the-causes-of-heart-disease-in-youth" target="_blank">આ પણ વાંચોઃ Gymમાં કસરત દરમિયાન ડૉક્ટરનું અચાનક મોત, CCTV વીડિયો સામે આવ્યો, જાણો યુવાનોમાં હાર્ટ ડિઝીઝના કારણો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/28/B9EUITkoVScC6m0eT7XEpHY4rYVjbuevYX9J15yK.webp'/></item><item><title><![CDATA[Entertainment: Toxic ફિલ્મને રિલીઝની મંજૂરી કેવી રીતે મળી?, BJPના પૂર્વ નેતા અન્નામલાઈએ વિરોધ કર્યો ]]></title><link>https://sandesh.com/entertainment/news/bjp-leader-annamalai-questions-censor-approval-of-yash-rsquo-s-toxic</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/bjp-leader-annamalai-questions-censor-approval-of-yash-rsquo-s-toxic</guid><pubDate>Fri, 28 Aug 2026 22:38:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કન્નડ સુપરસ્ટાર યશ સ્ટારર અને ગીતુ મોહનદાસના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ટોક્સિક બોક્સ ઓફિસ પર કમાણીના નવા રેકોર્ડ સર્જી રહી છે,પરંતુ સાથે જ વિવાદોમાં પણ ઘેરાઈ ગઈ છે.તમિલનાડુ ભાજપના પૂર્વ પ્રમુખ અને નેતા કે.અન્નામલાઈએ ફિલ્મમાં મહિલાઓના ચિત્રણ,હિંસા અને ભાષા સામે સખત વિરોધ દર્શાવ્યો છે. તેમણે સેન્સર બોર્ડની ભૂમિકા સામે પણ ગંભીર સવાલો ઉઠાવીને આ ફિલ્મને રિલીઝ માટે આપેલી મંજૂરીની ટીકા કરી છે.</p><h2 style="text-align: justify; "><b>ફિલ્મની નકારાત્મક અસર અંગે ચિંતા વ્યક્ત કરી</b></h2><p style="text-align: justify; ">કોઈમ્બતુરમાં એક જાહેર સભાને સંબોધતા અન્નામલાઈએ યુવા પેઢી પર આ ફિલ્મની નકારાત્મક અસર અંગે ચિંતા વ્યક્ત કરી હતી.તેમણે જણાવ્યું હતું કે, ગઈકાલે મેં એક ફિલ્મ વિશે સાંભળ્યું, જેણે પ્રથમ દિવસે જ 100 કરોડથી વધુ કમાઈ લીધા.આપણે સમાજમાં ટોક્સિક વાતાવરણની વાત કરીએ છીએ અને તેમણે તો ફિલ્મનું નામ જ Toxic રાખી દીધું છે.આ ફિલ્મ મહિલાઓને ખોટી દ્રષ્ટિથી દર્શાવીને માત્ર પૈસા કમાવવાનું કામ કરી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>આ ફિલ્મ કોઈપણ રીતે મહિલાઓનું સન્માન કરતી નથી.</b></h3><p style="text-align: justify; ">અન્નામલાઈએ વધુમાં જણાવ્યું કે, જો આપણે આપણા વિદ્યાર્થીઓને આવી ફિલ્મો બતાવીશું તો આ દેશનું ભવિષ્ય શું થશે?એક તરફ આપણે શહેરોમાં જઈને મહિલાઓની સુરક્ષા અને સન્માનની મોટી મોટી વાતો કરીએ છીએ અને બીજી તરફ સેન્સર બોર્ડ આવી ફિલ્મોને સર્ટિફિકેટ આપી દે છે અને તે સિનેમાઘરોમાં રિલીઝ થઈ જાય છે.આ ફિલ્મ કોઈપણ રીતે મહિલાઓનું સન્માન કરતી નથી.</p><h4 style="text-align: justify; "><b>બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆત કરી</b></h4><p style="text-align: justify; ">ઉલ્લેખનીય છે કે, 500 કરોડથી વધુના વિશાળ બજેટમાં બનેલી આ કન્નડ એક્શન ડ્રામા ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆત કરી છે. 'Sacnilk' ના રિપોર્ટ અનુસાર, બુધવારે હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને અન્ય ભાષાઓમાં રિલીઝ થયેલી આ ફિલ્મે ભારતમાં પ્રથમ દિવસે જ તમામ ભાષાઓમાં મળીને કુલ ₹101 કરોડનો બિઝનેસ કર્યો છે. ફિલ્મ સર્જકોના જણાવ્યા મુજબ, હિન્દી બેલ્ટમાં જ ફિલ્મે ₹55.4 કરોડનું નેટ કલેક્શન કર્યું છે, જે યશની અગાઉની હિટ ફિલ્મ 'KGF Chapter 2' ના પ્રથમ દિવસના ₹53.95 કરોડના રેકોર્ડ કરતાં પણ વધુ છે.અતિશય હિંસાના દ્રશ્યો, અશ્લીલ ભાષાનો પ્રયોગ અને મહિલાઓના વિવાદસ્પદ ચિત્રણને કારણે ફિલ્મ એક તરફ કમાણી કરી રહી છે તો બીજી તરફ ભારે વિરોધ અને ટીકાઓનો સામનો પણ કરી રહી છે.<br><br><a href="https://sandesh.com/india/news/doctor-dies-suddenly-during-exercise-in-gym-cctv-video-surfaced-know-the-causes-of-heart-disease-in-youth" target="_blank">આ પણ વાંચોઃ Gymમાં કસરત દરમિયાન ડૉક્ટરનું અચાનક મોત, CCTV વીડિયો સામે આવ્યો, જાણો યુવાનોમાં હાર્ટ ડિઝીઝના કારણો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/28/jD1nyyrUwoMTt6tjjXxWtdCYdLqIWINhiOREFRL5.webp'/></item><item><title><![CDATA[Auto News : Kiaની 2 નવી હાઇબ્રિડ કારની એન્ટ્રી! Sorento બાદ Carnival Hybrid પણ કરશે ધમાકેદાર આગમન ]]></title><link>https://sandesh.com/business/automobile/news/business/auto-news-kias-2-new-hybrid-cars-enter-the-market-after-sorento-carnival-hybrid-will-also-make-a-big-arrival</link><guid isPermaLink="true">https://sandesh.com/business/automobile/news/business/auto-news-kias-2-new-hybrid-cars-enter-the-market-after-sorento-carnival-hybrid-will-also-make-a-big-arrival</guid><pubDate>Fri, 28 Aug 2026 22:20:13 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કિયા (Kia) ભારતમાં તેની હાઇબ્રિડ કારની રેન્જ વિસ્તારવાની તૈયારી કરી રહી છે. કંપની ટૂંક સમયમાં બે નવી પ્રીમિયમ 7-સીટર હાઇબ્રિડ કાર માર્કેટમાં લોન્ચ કરવા જઈ રહી છે. આમાં પહેલી કાર Kia Sorento Hybrid હશે, જેને 4 સપ્ટેમ્બર 2026ના રોજ લોન્ચ કરવામાં આવનાર છે. તેના થોડા મહિનાઓ બાદ કંપની બીજી હાઇબ્રિડ કાર તરીકે Kia Carnival Hybrid પણ રજૂ કરી શકે છે. આ બંને મોડલ ખાસ કરીને મોટા પરિવારો અને પ્રીમિયમ કાર પસંદ કરતા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને લાવવામાં આવી રહ્યા છે, જેમાં હાઇબ્રિડ પાવરટ્રેનની સાથે થ્રી-રો (ત્રણ હરોળ) સીટિંગનો શાનદાર વિકલ્પ મળશે.</p><h2 style="text-align: justify; "><b>પાવરફુલ એન્જિન અને પ્રીમિયમ ફીચર્સ</b></h2><p style="text-align: justify; ">ભારતમાં કિયાની આ પ્રથમ હાઇબ્રિડ SUV, સોરેન્ટોનું ઉત્પાદન આંધ્રપ્રદેશના અનંતપુર પ્લાન્ટમાં શરૂ થઈ ગયું છે અને તેનું બુકિંગ પણ ચાલુ થઈ ગયું હોવાની માહિતી છે. આ SUV 1.6-લિટર પેટ્રોલ સ્ટ્રોંગ હાઇબ્રિડ એન્જિનથી સજ્જ હશે, જે 238 bhp પાવર અને 380 Nm ટોર્ક જનરેટ કરશે. આ ઉપરાંત તેમાં ઓલ-વ્હીલ ડ્રાઇવ (AWD) અને 2.0-લિટર ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ મળશે. ડિઝાઇન અને ફીચર્સની વાત કરીએ તો, તેમાં કંપનીની સિગ્નેચર ટાઇગર નોઝ ગ્રિલ, 19-ઇંચ એલોય વ્હીલ્સ, 12.3-ઇંચની બે કનેક્ટેડ સ્ક્રીન, ADAS, પેનોરેમિક સનરૂફ અને ‘લાઇવ જનરેટિવ AI આસિસ્ટન્ટ’ જેવા આધુનિક ફીચર્સ મળશે. 6 અને 7-સીટર કન્ફિગરેશનમાં આવનારી આ કારની અંદાજિત કિંમત 30-35 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે.</p><p style="text-align: justify; "><img alt="2025-Kia-Carnival-hybrid-RNaraine_01" src="https://epapercdn.sandesh.com/images/2026/08/28/mqiWBuwvyVZ4eIKzkLEbzvd05fXZ4pfSgvJTlpXp.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>લક્ઝરી અને સ્પેસનો શાનદાર સંગમ</b></h2><p style="text-align: justify; ">સોરેન્ટો બાદ કિયા ભારતીય બજારમાં Carnival Hybrid રજૂ કરશે, જે SUV નહીં પરંતુ વધુ સ્પેસ અને આરામ આપતી પ્રીમિયમ MPV હશે. તેમાં 1.6-લિટર ટર્બો-પેટ્રોલ હાઇબ્રિડ સિસ્ટમ (242 થી 272 bhp પાવર) અને ફ્રન્ટ-વ્હીલ ડ્રાઇવ (FWD) સિસ્ટમ આપવામાં આવશે. કાર્નિવલનું સૌથી મોટું આકર્ષણ તેની શાનદાર કેબિન હશે, જેમાં 7-સીટર વર્ઝનમાં બીજી હરોળમાં હીટિંગ, વેન્ટિલેશન અને ડીપ રિક્લાઇનિંગવાળી VIP લાઉન્જ કેપ્ટન સીટ્સ મળશે. સાથે જ હેડ-અપ ડિસ્પ્લે, પેસેન્જર કેમેરા અને ડિજિટલ રિયરવ્યૂ મિરર જેવી હાઇટેક સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે. ટૂંકમાં, સોરેન્ટો SUV પ્રેમીઓને આકર્ષશે, જ્યારે કાર્નિવલ વધુ આરામ અને સ્પેસ ઈચ્છતા પરિવારો માટે બેસ્ટ ઓપ્શન સાબિત થશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/business/news/automobile/next-gen-hyundai-creta-suv-leaked-features" target="_blank">Auto News: નવા અવતારમાં આવશે દેશની સૌથી લોકપ્રિય SUV, લીક થયા પ્રીમિયમ SUVના શાનદાર ફીચર્સ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/28/C6mcxMpxLvWzF3m47ZjDaWJUjZ5kqm3NIFEShGO7.webp'/></item><item><title><![CDATA[29 August Top News: PM મોદીનો વિદેશ પ્રવાસ, રાષ્ટ્રીય રમતગમત દિવસ અને દેશ-દુનિયાના મહત્ત્વના સમાચાર ]]></title><link>https://sandesh.com/india/news/gujarat/29-august-top-news-pm-modi-visit-sports-day-updates-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/gujarat/29-august-top-news-pm-modi-visit-sports-day-updates-2026</guid><pubDate>Fri, 28 Aug 2026 22:10:58 +05:30</pubDate><description><![CDATA[<p>29 ઓગસ્ટનો દિવસ દેશ અને દુનિયા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 ઓગસ્ટથી મધ્ય એશિયાના પ્રવાસે જઈ રહ્યા છે. દેશભરમાં મેજર ધ્યાનચંદની યાદમાં રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી થઈ રહી છે. આ ઉપરાંત, રાજકારણ, સ્થાનિક પ્રશ્નો, હવામાન અને ટ્રેન સેવાઓને લગતા મહત્વના સમાચાર સામે આવ્યા છે.</p><h2><b>PM મોદીની મધ્ય એશિયાઈ દેશોની મુલાકાત</b></h2><p>વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન ઉઝબેકિસ્તાન અને કિરગિઝ રિપબ્લિકના પ્રવાસે રહેશે. 29-30 ઓગસ્ટ દરમિયાન તેઓ ઉઝબેકિસ્તાનમાં દ્વિપક્ષિય વાટાઘાટો કરશે અને 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન કિરગિઝ રિપબ્લિકમાં યોજાનારા 26મા શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) શિખર સંમેલનમાં ભાગ લેશે.</p><h2><b>દિલ્હીમાં ભાજપ યુવા મોરચાની મહત્વની બેઠક</b></h2><p>યુવાનોના મુદ્દાઓ સમજીને સંગઠનને મજબૂત કરવા ભાજપ અધ્યક્ષ નિતિન નવીન દિલ્હીમાં 29 ઓગસ્ટના રોજ બેઠક યોજશે. દેશભરમાંથી 45 ભાજપ નેતાઓને બોલાવવામાં આવ્યા છે, જેમાં દરેક રાજ્યમાંથી 2 થી 3 પ્રતિનિધિઓ અને યુવા મોરચાના અધ્યક્ષ હેમાંગ ભાઈ પણ સામેલ થશે. 29 ઓગસ્ટના રોજ સવારે 10 વાગ્યે ભાજપ મુખ્યાલયે યોજાનારી આ બેઠકમાં યુવા કલ્યાણ પર ચર્ચા થશે.</p><h2><b>સોનિયા ગાંધી વિરુદ્ધની અરજી પર નિર્ણય</b></h2><p>નાગરિકતા મેળવતા પહેલા જ વોટર ID કાર્ડ બનાવડાવવાના ગંભીર આરોપ સંદર્ભે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી સામે FIR દાખલ કરવાની માંગણી કરતી અરજી પર દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટ પોતાનો મહત્વપૂર્ણ ચુકાદો 29 ઓગસ્ટના રોજ સંભળાવશે.</p><h2><b>રાષ્ટ્રીય રમતગમત દિવસ અને 'એક કલાક રમતના મેદાનમાં' ઝુંબેશ</b></h2><p>29 ઓગસ્ટના રોજ મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય રમતગમત દિવસ ઉજવવામાં આવે છે. ખેલ મંત્રી મનસુખ માંડવિયા દિલ્હીના ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે 'એક કલાક રમતના મેદાનમાં' કાર્યક્રમનો પ્રારંભ કરાવશે અને મહાન હોકી ખેલાડીને શ્રદ્ધાસુમન અર્પણ કરશે.</p><h2><b>લખનૌમાં ફ્રેગ્રન્સ પાર્કનું ઉદ્ઘાટન</b></h2><p>સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ 29 ઓગસ્ટના રોજ લખનૌમાં ફ્રેગ્રન્સ પાર્ક અને સાંસ્કૃતિક કલા કેન્દ્રનું લોકાર્પણ કરશે. LDA દ્વારા તૈયાર કરવામાં આવેલા આ પાર્કમાં 200થી વધુ સુગંધિત છોડ, પ્રતિમાઓ, બાળકો માટે ઝૂલા અને કેફેની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે</p><h2><b>સીએમ યોગી આદિત્યનાથનો દેવરિયા અને બલિયા પ્રવાસ</b></h2><p>ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 29 ઓગસ્ટના રોજ દેવરિયા અને બલિયાની મુલાકાત લેશે. બલિયામાં તેઓ જાહેર સભાને સંબોધિત કરશે અને પૂર પીડિતોને રાહત સામગ્રીનું વિતરણ કરશે.</p><h2><b>ગુજરાત યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન</b></h2><p>પૂર્વ VC નીરજા ગુપ્તા દ્વારા થયેલા કૌભાંડ મામલે ગુજરાત યુનિવર્સિટીને અપાયેલ 72 કલાકનું અલ્ટીમેટમ પૂર્ણ થવા છતાં કોઈ કમિટી કે કાર્યવાહી ન થતાં 29 ઓગસ્ટ ઉગ્ર રજૂઆત સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.</p><h2><b>રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીની અંતિમ યાદી</b></h2><p>રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં 5 બેઠકો પર મતદાન યોજાશે, જ્યારે બાકીની બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. 29 ઓગસ્ટના રોજ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.</p><h2><b>ભરૂચથી સમરસ કાવડ યાત્રાનો પ્રારંભ</b></h2><p>અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી હિન્દુ ધર્મ સેના દ્વારા ભરૂચ જિલ્લામાં 29 ઓગસ્ટથી બીજી ભવ્ય સમરસ કાવડ યાત્રા શરૂ થશે. 108 કાવડ સાથે નીકળેલી આ યાત્રા ત્રીજા દિવસે જંબુસરના કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ પહોંચી રુદ્રાભિષેક કરશે.&nbsp;&nbsp;</p><h2><b>નર્મદામાં જંગલ જમીનના ધરણા અંગે મંત્રીઓની બેઠક</b></h2><p>સાબગારામાં 21 દિવસથી જંગલ જમીન માટે ચાલી રહેલા ખેડૂતોના ધરણાંનો અંત લાવવા મંત્રી ઈશ્વર પટેલ અને મંત્રી પ્રવીણ માળી 29 ઓગસ્ટે ખેડૂતોને મળશે. પુરાવાના આધારે જમીન ફાળવવાની ખાતરી સાથે સીધી ચર્ચા હાથ ધરાશે.</p><h2><b>હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી</b></h2><p>હવામાન વિભાગ અનુસાર 29 ઓગસ્ટે ઉત્તર-પૂર્વ રાજ્યો જેવા કે અસમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ તેમજ બિહાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની શક્યતા છે. ઓડિશામાં અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.</p><h2><b>બાંદ્રા ટર્મિનસ-ગોરખપુર અમૃત ભારત એક્સપ્રેસ શરૂ</b></h2><p>મુસાફરોની સુવિધા માટે બાંદ્રા ટર્મિનસ-ગોરખપુર સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત બની છે. 29 ઓગસ્ટ 2026થી આ ટ્રેન અમૃત ભારત સાપ્તાહિક એક્સપ્રેસ તરીકે દર શનિવારે રાત્રે 9.45 વાગ્યે બાંદ્રાથી ઉપડશે.</p><h2><b>સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલનું સમાપન</b></h2><p>પ્રકૃતિ અને સંસ્કૃતિના સંગમ સમાન સાપુતારા ખાતે યોજાયેલા મોન્સૂન ફેસ્ટિવલનું 29 ઓગસ્ટના રોજ વિધિવત સમાપન થઈ રહ્યું છે.</p><h2><b>આંતરરાષ્ટ્રીય પરમાણુ પરીક્ષણ વિરોધી દિવસ</b></h2><p>પરમાણુ શસ્ત્રોના પરીક્ષણોની હાનિકારક અસરો પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને વિશ્વને શસ્ત્રમુક્ત કરવા માટે દર વર્ષે 29 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે છે. UNGA દ્વારા 2 ડિસેમ્બર 2009ના રોજ આ અંગેનો ઠરાવ પસાર કરાયો હતો.</p><h2><b>મેજર ધ્યાનચંદની યાદમાં રાષ્ટ્રીય રમતગમત દિવસ&nbsp;&nbsp;</b></h2><p>ભારતમાં દર વર્ષે 29 ઓગસ્ટના રોજ હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય રમતગમત દિવસ ઉજવવામાં આવે છે. દેશને ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ અપાવનાર આ મહાન ખેલાડીનો જન્મ 29 ઓગસ્ટ 1905ના રોજ પ્રયાગરાજ ખાતે થયો હતો.&nbsp;&nbsp;</p><h2><b>29 ઓગસ્ટની ઐતિહાસિક ઘટનાઓ</b></h2><ul><li>1612 - સુરતના યુદ્ધમાં અંગ્રેજોએ પોર્ટુગીઝોને પરાજય આપ્યો.</li><li>1833 - બ્રિટિશ ગુલામ નાબૂદી ખરડો વિધિવત કાયદો બન્યો.</li><li>1842 - બ્રિટન અને ચીન વચ્ચે નાનકિંગની સંધિ થતાં પ્રથમ અફીણ યુદ્ધ સમાપ્ત થયું.</li><li>1914 - ન્યુઝીલેન્ડના સૈનિકોએ જર્મન સમોઆ પર કબજો મેળવ્યો.</li><li>1916 - અમેરિકન કોંગ્રેસે જોન્સ એક્ટ મંજૂર કરી ફિલિપાઈન્સને સ્વતંત્રતા આપી.</li><li>1932 - નેધરલેન્ડના એમ્સ્ટરડેમમાં આંતરરાષ્ટ્રીય યુદ્ધ વિરોધી સમિતિની રચના થઈ.</li><li>1941 - રશિયામાં જર્મન દળો દ્વારા 1469 યહૂદી બાળકોની હત્યા કરાઈ.</li><li>1945 - બ્રિટિશ સેનાએ હોંગકોંગને જાપાની શાસનમાંથી મુક્ત કરાવ્યું.</li><li>1957 - યુએસ કોંગ્રેસે નાગરિક અધિકાર અધિનિયમ, 1957 પસાર કર્યો.</li><li>1974 - ચૌધરી ચરણ સિંહની અધ્યક્ષતામાં લોકદળ પાર્ટીની સ્થાપના થઈ.</li><li>1987 - કર્નલ રાબુકાએ ફિજીને પ્રજાસત્તાક દેશ જાહેર કર્યો.</li><li>1996 - આર્ક્ટિકના સ્પિટ્સબર્ગેનમાં વનુકોવો એરલાઇન્સ પ્લેન ક્રેશ થતાં 141 લોકોના મોત થયા.</li><li>1998 - ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરને રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરાયા.</li><li>1999 - બાંગ્લાદેશના સાંસદ કાદિર સિદ્દીકી (ટાઇગર સિદ્દીકી) એ સંસદમાંથી રાજીનામું આપ્યું.</li><li>2000 - ન્યૂયોર્કમાં ચાર દિવસીય વિશ્વ શાંતિ સંમેલનનો પ્રારંભ થયો.</li><li>2001 - જાપાને 'H-2A' રોકેટનું સફળ પ્રક્ષેપણ કર્યું; પશ્ચિમ એશિયામાં હિંસા ભડકી.</li><li>2002 - પાકિસ્તાન ચૂંટણી પંચે પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફનું ઉમેદવારી પત્ર સ્વીકાર્યું.</li><li>2003 - ઈરાકના નજફમાં થયેલા આત્મઘાતી વિસ્ફોટમાં શિયા નેતા સહિત 75 લોકોના મોત થયા.</li><li>2004 - એથેન્સ ઓલિમ્પિક્સ રમતોત્સવનું સત્તાવાર સમાપન થયું.</li><li>2008 - ટાટા મોટર્સે સિંગુરમાંથી નેનો પ્રોજેક્ટ સાઈટ પરથી કર્મચારીઓને પાછા ખેંચ્યા; શિબુ સોરેને ઝારખંડમાં બહુમતી સાબિત કરી.</li><li>2012 - ચીનની કોલસાની ખાણમાં વિસ્ફોટ થતાં 26 શ્રમિકોના મોત થયા.</li></ul><h2><b>29 ઓગસ્ટના રોજ પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ</b></h2><ul><li>1887 - જીવરાજ મહેતા - ભારતના અગ્રણી તબીબ અને ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી.</li><li>1905 - મેજર ધ્યાનચંદ - ભારતના મહાન હોકી ખેલાડી ('હોકીના જાદુગર').</li><li>1925 - ગોલપ બોરબોરા - આસામ રાજ્યના છઠ્ઠા મુખ્યમંત્રી.</li><li>1926 - રામકૃષ્ણ હેગડે - જનતા પાર્ટીના નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી.</li><li>1949 - કે.કે. રાધાકૃષ્ણન - ભારતના અગ્રણી વૈજ્ઞાનિક.</li><li>1968 - બિક્રમજીત કંવરપાલ - બોલિવૂડ અને ટીવી અભિનેતા.</li><li>1969 - મેજર મનોજ તલવાર - ભારતીય સેનાના દેશભક્ત સૈનિક.</li><li>1977 - પી.વી. મિધુન રેડ્ડી - આંધ્રપ્રદેશના YSR કોંગ્રેસના નેતા.</li><li>1980 - માધવ શ્રીહરિ અણે - ભારતના સ્વાતંત્ર્ય સેનાની.</li></ul><h2><b>29 ઓગસ્ટના રોજ પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ</b></h2><ul><li>1931 - જાડોનાંગ - નાગા ચળવળના યુવાન અને પ્રભાવશાળી નેતા.</li><li>952 - સિસ્ટર યુપ્રાસિયા - ભારતીય ખ્રિસ્તી મહિલા સંત.</li><li>1956 - મલિક ગુલામ મોહમ્મદ - પાકિસ્તાનના ત્રીજા ગવર્નર જનરલ.</li><li>1976 - કાઝી નઝરુલ ઇસ્લામ - પ્રખ્યાત બંગાળી કવિ અને સંગીતકાર.</li><li>1999 - સુધીર કુમાર વાલિયા - ભારતીય સેનાના વીર સૈનિક.</li><li>2001 - મનુભાઈ પંચોલી ('દર્શક') - ગુજરાતી ભાષાના પ્રખ્યાત નવલકથાકાર, લેખક અને શિક્ષણશાસ્ત્રી.</li><li>2007 - બનારસી દાસ ગુપ્તા - હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને સ્વતંત્રતા સેનાની.</li></ul><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/entertainment/news/celina-jaitly-trolled-over-raksha-bandhan-look-after-kriti-sanon-controversy" target="_blank">Bollywood: કૃતિ સેનન બાદ સેલીના જેટલીના રક્ષાબંધન લૂક પર બબાલ, ડીપનેક બ્લાઉઝ પહેરતા થઈ ટ્રોલ</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/28/Evc0TpYU1RxAOzhv6Ixk9zTj5oRS81ZU0RZ6KQFJ.webp'/></item><item><title><![CDATA[Rajkot News: જસદણમાં શ્રી બાલાજી ધામ ખાતે રક્ષાબંધનની પવિત્ર ઉજવણી ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/jasdan-balaji-dham-gargacharya-pitham-raksha-bandhan-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/jasdan-balaji-dham-gargacharya-pitham-raksha-bandhan-2026</guid><pubDate>Fri, 28 Aug 2026 21:27:19 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ જિલ્લાના જસદણ સ્થિત શ્રી બાલાજી ધામ ગર્ગાચાર્ય પીઠમ્ ખાતે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ભારે ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. શ્રી પંચ દશનામ જુના અખાડાના અનંત વિભૂષિત શ્રી શ્રી 1008 જગતગુરુ ગર્ગાચાર્ય પીઠાધિશ્વર શ્રી મહેન્દ્રાનંદગીરીજી મહારાજ તથા અનંત વિભૂષિત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી જયંબાનંદગીરી મહારાજના દિવ્ય સાનિધ્યમાં આ પર્વની ગરિમામયી ઉજવણી થઈ હતી.</p><h2><b>સૂતરનો નાજુક તાંતણો બને છે વજ્ર સમાન મજબૂત</b></h2><p>આ પવિત્ર પ્રસંગે રક્ષાસૂત્રનું મહાત્મ્ય સમજાવતા જણાવાયું હતું કે, રાખડી કે રક્ષા આમ તો માત્ર એક સૂતરનો અત્યંત નાજુક તાંતણો છે, પરંતુ જ્યારે એક બહેન પોતાના ભાઈના દીર્ઘાયુ અને રક્ષા કાજે સંપૂર્ણ પ્રેમ, સ્નેહ અને લાગણીથી ભાઈના કાંડા પર તેને બાંધે છે, ત્યારે આ નાજુક તાંતણો વજ્ર સમાન અતિ મજબૂત સુરક્ષા કવચ બની જાય છે.</p><h2><b>દેવતાઓને પણ દુર્લભ છે ભાઈ-બહેનનો પવિત્ર સંબંધ</b></h2><p>શાસ્ત્રોક્ત દ્રષ્ટિકોણ રજૂ કરતા સંતોએ જણાવ્યું હતું કે, ભાઈ અને બહેન વચ્ચેના અગાધ અને પવિત્ર સંબંધની અનુભૂતિ કરવાનું સૌભાગ્ય દેવતાઓને પણ સહેલાઈથી પ્રાપ્ત થતું નથી. સ્વયં ભગવાને પણ આ સ્નેહપૂર્ણ સંબંધનો આનંદ માણવા માટે મનુષ્ય અવતાર ધારણ કરવો પડે છે. સંસારની 84 લાખ યોનિઓમાંથી માત્ર માનવ યોનિને જ આ અદભુત અને પવિત્ર સંબંધ અનુભવવાનું સૌભાગ્ય મળ્યું છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/crime/rajkot/business-rivalry-in-rajkot-9-men-attack-father-and-son-on-sant-kabir-road" target="_blank">Rajkotમાં ધંધાની હરીફાઈની અદાવત, સંત કબીર રોડ પર પિતા-પુત્ર પર 9 શખ્સોનો હુમલો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/28/o8ubmr2M4VJ0mCIIhq5CQjSHYfuQsRWFRfwXFdfo.webp'/></item><item><title><![CDATA[Neeraj Chopraએ ડાયમંડ લીગની ફાઇનલમાં મારી એન્ટ્રી ]]></title><link>https://sandesh.com/sports/news/neeraj-chopra-made-his-entry-into-the-diamond-league-finals</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/neeraj-chopra-made-his-entry-into-the-diamond-league-finals</guid><pubDate>Fri, 28 Aug 2026 10:00:25 +05:30</pubDate><description><![CDATA[<p>બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરા ડાયમંડ લીગ ફાઇનલ માટે ક્વોલિફાય થયા છે.નીરજ સિઝનની પાંચ મેચોમાંથી ફક્ત બેમાં ભાગ લીધો હતો,છતાં તે છ ખેલાડીઓની ફાઇનલમાં સ્થાન મેળવી શક્યો.ઝુરિચ ડાયમંડ લીગ ચૂકી ગયા હોવા છતાં,તેના 12 પોઈન્ટ્સે તેને ક્વોલિફિકેશનમાં છઠ્ઠા સ્થાને રાખ્યો.ડાયમંડ લીગ ફાઇનલ 4 અને 5 સપ્ટેમ્બરના રોજ બ્રસેલ્સમાં યોજાશે.ટાઇટલ મેચ નીરજ માટે એશિયન ગેમ્સ પહેલા પોતાને ચકાસવાની એક મહત્વપૂર્ણ તક હશે.</p><h5><b>નીરજ ક્વોલિફિકેશનમાં છઠ્ઠા સ્થાને રહ્યો</b></h5><p>દરેક ડાયમંડ લીગ મીટિંગમાં, પુરુષોની ભાલા ફેંક ઇવેન્ટમાં ટોચના આઠ ખેલાડીઓને પોઈન્ટ આપવામાં આવે છે. વિજેતાને આઠ પોઈન્ટ મળે છે, જ્યારે આઠમા સ્થાને રહેલા ફિનિશરને એક પોઈન્ટ મળે છે. ક્વોલિફિકેશન શ્રેણી પૂર્ણ થયા પછી, સૌથી વધુ પોઈન્ટ ધરાવતા છ એથ્લેટ ફાઇનલ માટે ક્વોલિફાય થાય છે.નીરજ ચોપરા આ સિઝનમાં બે મીટિંગમાં ભાગ લીધો હતો. તે દોહા ડાયમંડ લીગમાં 85.69 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે ચોથા સ્થાને રહ્યો હતો. લૌઝેનમાં તેનું પ્રદર્શન વધુ સારું હતું, જ્યાં નીરજ 88.05 મીટરના સિઝન-શ્રેષ્ઠ થ્રો સાથે બીજા સ્થાને રહ્યો હતો.</p><h5><b>ક્વોલિફિકેશન ટેબલમાં પ્રથમ સ્થાને રહ્યો</b></h5><p>ઝુરિચમાં, રોમેશ પાથિરાજે તેના બીજા પ્રયાસમાં 88.23 મીટર, ત્રીજા પ્રયાસમાં 89.90 મીટર અને અંતિમ પ્રયાસમાં 92.07 મીટર ફેંક્યો. આ પ્રભાવશાળી પ્રદર્શન સાથે, તે 39 પોઈન્ટ સાથે ક્વોલિફિકેશન ટેબલમાં પ્રથમ સ્થાને રહ્યો. એન્ડરસન પીટર્સ 86.93 મીટરના સિઝન-શ્રેષ્ઠ થ્રો સાથે ઝુરિચમાં બીજા સ્થાને રહ્યો, જ્યારે પોલેન્ડનો ડેવિડ વેગનર 85.16 મીટર સાથે ત્રીજા સ્થાને રહ્યો.</p><h5><b>ફાઇનલ માટે ક્વોલિફાય થનારા ભાલા ફેંકનારાઓ</b></h5><p>રૂમેશ થરંગા પાથિરાજ (શ્રીલંકા) - 39 પોઈન્ટ</p><p>એન્ડરસન પીટર્સ (ગ્રેનાડા) - 35 પોઈન્ટ</p><p>કેશોર્ન વોલકોટ (ત્રિનિદાદ અને ટોબેગો) - 23 પોઈન્ટ</p><p>કર્ટિસ થોમ્પસન (યુએસએ) - 20 પોઈન્ટ</p><p>જુલિયસ યેગો (કેન્યા) - 13 પોઈન્ટ</p><p>નીરજ ચોપરા (ભારત) - 12 પોઈન્ટ</p><h5><b>રૂમેશ પાથિરાજે 2026 માં શાનદાર પ્રદર્શન કર્યું&nbsp;</b></h5><p>રૂમેશ પાથિરાજે 2026 માં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે આ સિઝનમાં પાંચ ડાયમંડ લીગ મીટિંગમાં ભાગ લીધો હતો, જેમાં ચાર જીતી હતી. તે ફક્ત રબાતમાં બીજા સ્થાને રહ્યો હતો. આ વર્ષે તેણે 90 મીટરથી વધુના બે થ્રો અને 88 મીટરથી વધુના સાત થ્રો કર્યા છે. 23 વર્ષીય શ્રીલંકન ખેલાડીની સાતત્યતા તેને બ્રસેલ્સ ફાઇનલ માટે મજબૂત દાવેદાર બનાવે છે. દરમિયાન, ભારતના રોહિત યાદવે ભુવનેશ્વરમાં કોન્ટિનેન્ટલ ટૂર સિલ્વર મીટમાં 87.68 મીટરનો કારકિર્દીનો શ્રેષ્ઠ થ્રો હાંસલ કર્યો હતો. આ વર્ષે તેણે કોઈ ડાયમંડ લીગ મીટિંગમાં ભાગ લીધો ન હતો, પરંતુ તેની પાસેથી એશિયન ગેમ્સમાં સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે.</p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/womens-hockey-world-cup-2026-india-creates-history-defeats-germany-breaks-52-year-old-record" target="_blank"> Women's Hockey World Cup 2026: ભારતે જર્મનીને હરાવી રચ્યો ઈતિહાસ, 52 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/28/TOw8WD3qk0G9CgjRK0nZZZTp74Z3ThPPGXUTlb9V.webp'/></item></channel></rss>