<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[કાયાવરોહણ ખાતે શ્રાવણી તૃતિય સોમવારે સેંકડો ભક્તો ઊમટી પડયાં ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/hundreds-of-devotees-thronged-kayavarohan-on-the-third-monday-of-shrawan</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/hundreds-of-devotees-thronged-kayavarohan-on-the-third-monday-of-shrawan</guid><pubDate>Tue, 01 Sep 2026 05:22:59 +05:30</pubDate><description><![CDATA[<p>ડભોઇ તાલુકાના કાયાવારોહણ ગામે શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું. શિવલિંગના અગ્ર ભાગમાં સ્વયં પ્રતિષ્ઠિત ભગવાન લકુલીશજીની મૂર્તિ સાથે શિવલિંગ ધરાવતું દેશનું એકમાત્ર મંદિર કાયાવારોહણ ગામમાં આવેલું છે.</p><p>જે ગુજરાતના કાશી તરીકે ઓળખાય છે. આ મહાતીર્થ કાયાવારોહણ જે સતયુગથી અસ્તિત્વ ધરાવતી આધ્યાત્મિક નગરી છે. ભગવાન શિવજીનો 28માં અવતારની અવતાર ભૂમિ છે. જ્યાં સ્વયં ભગવાન લકુલીશજીએ સ્વપ્નમાં આદેશ આપ્યો તે મુજબ, યોગાચાર્ય શ્રી કૃપાલ્વાનંદજી મહારાજે 3 મે, 1974ના રોજ મંદિરની સ્થાપના કરી હતી. આ મહાતીર્થ મહર્ષિ વિશ્વામિત્રી મહર્ષિ અત્રિ, મહર્ષિ ભૃગુ ઋષીની તપોભૂમિ છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/VXradnJyQRcCizqb0JuI1j6sHdYPot9uZMaxqhXk.webp'/></item><item><title><![CDATA[અંકલેશ્વરના અંદાડાની શાન્તનુ વિદ્યાલયમાં રક્ષાબંધનની ઉજવણી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ankleshwar/raksha-bandhan-celebration-at-shantanu-vidyalaya-andada-ankleshwar</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ankleshwar/raksha-bandhan-celebration-at-shantanu-vidyalaya-andada-ankleshwar</guid><pubDate>Tue, 01 Sep 2026 05:19:56 +05:30</pubDate><description><![CDATA[<p>અંકલેશ્વર તાલુકાના અંદાડા ખાતેની શાન્તનું વિદ્યાલયમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં તા.27ને ગુરૂવારે રક્ષાબંધનની ઉજવણી ઉત્સાહભેર કરાઈ હતી. જેમાં શિશુ-1 થી ધો-12ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીનીઓએ વિદ્યાર્થીઓના હાથમાં રાખડી બાંધી બહેનોની રક્ષા માટે અને દીર્ઘાયુષ્યની કામના કરી હતી. ભાઈઓએ બહેનોને ભેટ આપી હતી. આચાર્ય શહેનાઝે રક્ષાબંધનના પવિત્ર તહેવારની શુભકામના પાઠવી હતી. રક્ષાબંધનના પવિત્ર તહેવાર વિષે દરેક ધોરણની બાળકીઓએ પ્રભાવશાળી વક્તવ્ય રજુ કર્યું હતું.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/DCG5Cn75crlRDWsgNeWOXmVHtvctst2N9IpqyaS7.webp'/></item><item><title><![CDATA[ગરૂડેશ્વર તાલુકાના સાંઢિયા ગામે કિસાન ગોષ્ઠી યોજાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/narmada/kisan-goshti-was-held-in-sandhiya-village-of-garudeshwar-taluka</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/narmada/kisan-goshti-was-held-in-sandhiya-village-of-garudeshwar-taluka</guid><pubDate>Tue, 01 Sep 2026 05:18:06 +05:30</pubDate><description><![CDATA[<p>રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના સાંઢીયા ગામે કિસાન ગોષ્ઠીનું સફ્ળ આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિઓ, નવીન કૃષિ તકનીકો તેમજ સરકારની વિવિધ કૃષિલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન મળી રહે તે હેતુથી આ ગોષ્ઠી યોજાઈ હતી. કિસાન ગોષ્ઠી દરમિયાન ઉપસ્થિત કૃષિ નિષ્ણાતો દ્વારા ખેડૂતોને ખેતીમાં ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા, આધુનિક કૃષિ પદ્ધતિઓ અપનાવવા તેમજ પ્રાકૃતિક ખેતી તરફ્ આગળ વધવા અંગે ઉપયોગી માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી હતી. ખેડૂતો દ્વારા ખેતી સંબંધિત વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી. જેના અંગે નિષ્ણાતો દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું હતું. આ પ્રસંગે સાંઢીયા ગામ તથા આસપાસના વિસ્તારના મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ઉપસ્થિત રહી ભાગ લીધો હતો.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/n9HMwDQst6XCvx28NQglWsxeKcfd3WvAp48TwrQB.webp'/></item><item><title><![CDATA[3 વર્ષમાં શહેરમાં ઘરઘાટીઓએ ચોરી અને લૂંટના 250થી વધુ ગુનાને અંજામ આપ્યો ! ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/in-3-years-homeowners-in-the-city-committed-more-than-250-crimes-of-theft-and-robbery</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/in-3-years-homeowners-in-the-city-committed-more-than-250-crimes-of-theft-and-robbery</guid><pubDate>Tue, 01 Sep 2026 04:36:05 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ</p><p>અમદાવાદ શહેરના પોશ અને મધ્યમવર્ગીય વિસ્તારોમાં ઘરઘાટીઓ દ્વારા આચરવામાં આવતી ચોરી અને લૂંટના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. શેઠ અને માલિકના અંધવિશ્વાસનો અયોગ્ય લાભ ઉઠાવીને માત્ર થોડા જ મહિનાઓમાં લાખો-કરોડો રૂપિયાના દાગીના અને રોકડ સરકાવી લેતી ઘરઘાટી ગેંગ હવે અમદાવાદ પોલીસ માટે પણ મોટો પડકાર બની છે. ત્યારે હવે શાહીબાગમાં વેપારીના ઘરમાંથી 18.48 લાખની ચોરી ખુદ ઘરઘાટીએ કરી છે. તે સવા મહિનો કામ ઘરમાં હાથફેરો કરી ફરાર થઈ ગયો છે. શાહીબાગ વિસ્તારમાં રહેતા અને કાપડનો વ્યવસાય કરતા 47 વર્ષીય હિતેશ ચોપરાએ પોલીસ ફરિયાદમાં લખાવ્યા અનુસાર છેલ્લા સવા મહિનાથી કમલેશ નામનો શખસ તેના ઘરે સાફ્-સફાઈ અને ઘરકામ કરતો હતો અને ઘરના પાછળના ભાગે આવેલી રૂમમાં રહેતો હતો. જોકે, ચોરીની ઘટના બન્યા બાદ તપાસ કરતા સામે આવ્યું હતું કે નોકરનું સાચું નામ જયંતિલાલ છે અને તેણે પોતાની ખોટી ઓળખ આપીને નોકરી મેળવી હતી. મૂળ રાજસ્થાનના ડુંગરપુરમાં અને હાલમાં સુરતના ઉમરગામ ખાતે રહેતો કમલેશ નામનો વ્યક્તિ છેલ્લા સવા મહિનાથી ઘરઘાટી તરીકે હતો વેપારી પોતાની દુકાને ગયા હતા અને તેના પત્ની બહારગામ ગયેલા હોવાથી ઘરમાં કોઈ હાજર નહોતું. આ તકનો લાભ ઉઠાવીને નોકર જયંતિલાલ ઉર્ફે કમલેશ મુખ્ય રૂમમાં પ્રવેશ્યો હતો. તેણે બેડની બાજુના ડ્રોઅરમાંથી કબાટની ચાવી શોધી કાઢી તિજોરી ખોલી હતી. તિજોરીમાંથી 14.48 લાખ રૂપિયાની કિંમતના 36 તોલા 2 ગ્રામ સોનાના દાગીના તથા 4 લાખ રૂપિયાની રોકડ રકમ મળીને કુલ 18.48 લાખ રૂપિયાની ચોરી કરી હતી. ઘરમાં લાગેલા CCTVકેમેરાના ફૂટેજમાં કમલેશ ઘરેણાં અને રોકડ રકમ ભરેલી બેગ લઈને ઘરની બહાર ભાગતો નજરે પડયો હતો. મહત્વની વાત એ છે કે કમલેશના રૂમમાં જઈને તપાસ કરતા સિવિલ હોસ્પિટલની એક પુસ્તિકા આવી હતી જેમાં દર્દીનું નામ જયંતીલાલ અને રહેવાસી રાજસ્થાન જોધપુર લખેલું હતું. ત્યારે ઘરઘાટીનો અસલી ચહેરો સામે આવ્યો હતો. અમદાવાદ શહેર પોલીસના ગુનાખોરીના સત્તાવાર આંકડા અને ક્રાઇમ બ્રાન્ચના ડેટા અનુસાર, છેલ્લા 3 વર્ષ દરમિયાન (વર્ષ 2024, 2025 અને ઓગસ્ટ 2026 સુધીમાં) અમદાવાદ શહેરમાં ઘરઘાટીઓ દ્વારા ચોરી, વિશ્વાસઘાત અને લૂંટના 250થી વધુ સત્તાવાર કિસ્સાઓ નોંધાયા છે. જેમાંથી આશરે 40% કરતાં વધુ બનાવોમાં ચોક્કસ જ્ઞાતિના મૂળના ઘરઘાટીઓ કે તેમની સાથે જોડાયેલી આંતરરાજ્ય ગેંગની સંડોવણી સામે આવી છે. ઘરઘાટીઓ દ્વારા ચોરી અને લૂંટ આચરવા માટે ચોક્કસ પેટર્ન અપનાવવામાં આવે છે. મોટાભાગના કિસ્સાઓમાં ઘરઘાટીઓ પોતાની સાચી ઓળખ છુપાવવા ખોટા નામો અને અન્ય રાજ્યના બોગસ આધારકાર્ડ/ઓળખપત્રો રજૂ કરે છે. ઘરમાં ઈરાદાપૂર્વક ચોરી કરવા આવેલો ઘરઘાટી એકલો નથી હોતો, પરંતુ તેની આખી આંતરરાજ્ય ગેંગ બહાર સક્રિય હોય છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/Rw3eXM4yEhcFcD8XJlFcdUciflhLcDuXrs9aqz99.webp'/></item><item><title><![CDATA[હાટકેશ્વર મુક્તિધામનું નિર્માણ કાર્ય ગોકળગતિએ ચાલતું હોવાની ફરિયાદ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/complaint-that-the-construction-work-of-hatkeshwar-muktidham-is-progressing-at-a-snails-pace</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/complaint-that-the-construction-work-of-hatkeshwar-muktidham-is-progressing-at-a-snails-pace</guid><pubDate>Tue, 01 Sep 2026 04:34:39 +05:30</pubDate><description><![CDATA[<p>ખોખરા વિસ્તારમાં આવેલું હાટકેશ્વર મુક્તિધામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને કન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી તથા ઢીલી નીતિનું ઉદાહરણ બન્યું છે. છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા સ્મશાન ગૃહના રી-ડેવલપમેન્ટ અને સમારકામના કામમાં અતિશય ધીમી ગતિ જોવા મળી રહી છે, જેના કારણે સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.</p><p>મહત્વનું છે કે લોખંડના સળિયાના પિલર ઉભા કરીને કામ અટકાવી દેવાયું હોય કે ખૂબ જ ધીમી ગતિએ ચાલતું હોય તેવી સ્થિતિ છે. ખુલ્લા મેદાનમાં લોખંડની જાળીઓ, કટાયેલા સળિયા અને બાંધકામની સામગ્રી રઝળતી હાલતમાં પડી છે, પરંતુ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે પૂરતા કારીગરો કે મશીનરી નજરે પડતા નથી.</p><p>સ્મશાન ગૃહ બંધ કે અધૂરું હોવાને કારણે ખોખરા, હાટકેશ્વર અને આસપાસના વિસ્તારોના રહીશોએ પોતાના સ્વજનોના અંતિમ સંસ્કાર અને અગ્નિદાહ માટે 5 થી 7 કિલોમીટર દૂર આવેલા અન્ય સ્મશાન ગૃહો સુધી ધક્કા ખાવા પડે છે. દુઃખના આ સમયે પરિવારજનોને દૂર સુધી શબવાહિનીઓ લઈને જવું પડે છે, જેનાથી આર્થિક અને માનસિક ત્રાસ વેઠવાનો વારો આવ્યો છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/sUFzz9tEOdI9QOCQ4LaXxRdUoUlntHz9TwlzPhO5.webp'/></item><item><title><![CDATA[Rajasthan : અલવરમાં 9 વર્ષનો બાળક બોરવેલમાં પડ્યો, 50 ફૂટ નીચે ફસાયો ]]></title><link>https://sandesh.com/india/news/rajasthan-alwar-9-year-old-boy-falls-into-borewell-rescue-operation</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/rajasthan-alwar-9-year-old-boy-falls-into-borewell-rescue-operation</guid><pubDate>Mon, 31 Aug 2026 22:42:00 +05:30</pubDate><description><![CDATA[<p>રાજસ્થાનના અલવર જિલ્લામાં સોમવારે સાંજે એક ગંભીર દુર્ઘટના બની. રામગઢ વિધાનસભા ક્ષેત્રના બુટોલી ગામમાં 9 વર્ષનું બાળક પતંગ લૂંટતી વખતે ખુલ્લા બોરવેલમાં પડી ગયું હતું. બોરવેલની કુલ ઊંડાઈ આશરે 400 ફૂટ હોવાનું જણાવાઈ રહ્યું છે, જ્યારે બાળક હાલમાં લગભગ 50થી 55 ફૂટની ઊંડાઈએ ફસાયેલું છે.</p><h2><b>ઘટના બાદ ગ્રામજનો તાત્કાલિક સ્થળે પહોંચ્યા</b></h2><p>મળતી માહિતી મુજબ, બુટોલી ગામનો ભાનુ સોમવારે સાંજે કપાયેલી પતંગ લૂંટવા ખેતર તરફ દોડી રહ્યો હતો. આ દરમિયાન તેનો પગ જૂના અને લાંબા સમયથી બંધ પડેલા બોરવેલ પર મૂકવામાં આવેલા પથ્થર પર પડ્યો હતો. પથ્થર પહેલેથી જ ખસી ગયો હતો અને બાળકનો પગ પડતાં તે વધુ ખસી જતા ભાનુ સીધો બોરવેલમાં પડી ગયો હતો. ઘટના બાદ ગ્રામજનો તાત્કાલિક સ્થળે પહોંચ્યા હતા. રાહતની વાત એ છે કે બોરવેલની અંદરથી બાળકનો અવાજ સંભળાઈ રહ્યો છે અને પ્રાથમિક માહિતી મુજબ તે સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.</p><h3><b>બે JCBથી ખોદકામ શરૂ</b></h3><p>માહિતી મળતાં પોલીસ અને વહીવટી તંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. બાળકને સુરક્ષિત બહાર કાઢવા માટે બોરવેલની આસપાસથી ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે. બે JCB મશીનની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. જરૂરી રેસ્ક્યૂ સાધનો પણ ઘટનાસ્થળે પહોંચાડવામાં આવી રહ્યા છે. રામગઢના ધારાસભ્ય સુખવંત સિંહ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને અધિકારીઓ પાસેથી રેસ્ક્યૂ કામગીરીની માહિતી મેળવી હતી. SDM મનીષા રેશમ, DSP નરેન્દ્ર કુમાર સહિત પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. SDRF અને NDRFની ટીમોને પણ રવાના કરવામાં આવી છે.</p><p><a href="https://sandesh.com/india/news/tb-mukt-bharat-jp-nadda-reviews-tb-elimination-efforts-pm-pragati" target="_blank"><b>આ પણ વાંચો : TB Mukt Bharat : જે.પી. નડ્ડાએ ટીબી નાબૂદી અભિયાનની પ્રગતિની કરી સમીક્ષા</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/31/u7T8WhRX6yKJihGBW8Oy9Nlq3rd9dNLpNoJ0QMFK.webp'/></item><item><title><![CDATA[Explainer: શું નબળું ચોમાસું તમારી થાળી મોંઘી કરશે? ખેતી અને મોંઘવારીનું કનેક્શન સમજો ]]></title><link>https://sandesh.com/explainer/news/india/monsoon-weakness-inflation-water-crisis-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/explainer/news/india/monsoon-weakness-inflation-water-crisis-2026</guid><pubDate>Mon, 31 Aug 2026 21:40:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ચોમાસાની ઋતુ માત્ર ખેતી માટે જ નહીં પણ સમગ્ર દેશની આર્થિક સ્થિરતા અને રસોડાના બજેટ માટે કરોડરજ્જુ સમાન છે, પરંતુ 2026નું ચોમાસુ દેશ માટે એક મોટી આર્થિક અને સામાજિક ચિંતા લઈને આવ્યું છે. સેન્ટ્રલ વોટર કમિશનના તાજેતરના અહેવાલ અનુસાર, દેશના 166 થી 176 મુખ્ય જળાશયોમાં પાણીનો સંગ્રહ ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે. </p><p style="text-align: justify; ">ઉત્તર અને પશ્ચિમ ભારતના મોટાભાગના ડેમ તેમની કુલ સંગ્રહ ક્ષમતાના માત્ર 32.38 ટકા થી 57 ટકા જ ભરાયા છે, જે ગત વર્ષની સરખામણીએ ખૂબ જ ઓછો છે. બે-તૃતીયાંશથી વધુ જળાશયો ખાલી રહેતા આવનારા સમયમાં પીવાના પાણી અને સિંચાઈનું મોટું સંકટ ઊભું થયું છે.</p><h2 style="text-align: justify; "><b>17 વર્ષનું સૌથી નબળું ચોમાસુ અને રાજ્યવાર વરસાદની અછત&nbsp;&nbsp;</b></h2><p style="text-align: justify; ">ચાલુ વર્ષે વરસાદનું વિતરણ અત્યંત અસમાન રહ્યું છે. ઓગસ્ટના અંત સુધીના આંકડા દર્શાવે છે કે, આ વર્ષનું ચોમાસુ છેલ્લા 17 વર્ષનું સૌથી નબળું સાબિત થઈ રહ્યું છે. દેશભરમાં વરસાદની એકંદર અછત 13 ટકા થી 14 ટકા સુધી પહોંચી ગઈ છે.&nbsp;</p><p style="text-align: justify; "><img alt="Explainer: Weak Monsoon 2026 Sparks Inflation and Water Crisis in India" src="https://epapercdn.sandesh.com/images/2026/08/31/7JylY9pHm5gcZtiUwhMFdR0H66MwWDmzGE2M26cW.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>વિવિધ રાજ્યોમાં વરસાદની વાસ્તવિક પરિસ્થિતિ</b></h2><ul><li style="text-align: justify; "><b>મહારાષ્ટ્ર: </b>વરસાદમાં સૌથી વધુ 85 ટકા સુધીનો ઐતિહાસિક ઘટાડો</li><li style="text-align: justify; "><b>મધ્ય પ્રદેશ:</b> ચોમાસાની મોસમમાં 63 ટકા સુધીનો ભારે ઘટાડો</li><li style="text-align: justify; "><b>બિહાર:</b> 42 ટકા વરસાદની અછત સાથે ખેતીને મોટો ફટકો</li><li style="text-align: justify; "><b>આંધ્ર પ્રદેશ:</b> 40 ટકા ઓછો વરસાદ</li><li style="text-align: justify; "><b>દિલ્હી (એનસીઆર):</b> માત્ર 32.3 મીમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 39 ટકા ઓછો છે</li><li style="text-align: justify; "><b>પંજાબ: </b>34 ટકા ની અછત સાથે ભૂગર્ભ જળ પર નિર્ભરતા વધી</li><li style="text-align: justify; "><b>રાજસ્થાન: </b>રાજ્યના 17 જિલ્લાઓ સત્તાવાર રીતે દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે</li></ul><p style="text-align: justify; ">અપવાદરૂપે માત્ર ઓડિશામાં 27 ટકા વધુ વરસાદ અને પશ્ચિમ બંગાળમાં 3 ટકા ની મામૂલી વધત જોવા મળી છે, પરંતુ બાકીનો દેશ પાણીના ભારે સંકટથી ઘેરાયેલો છે</p><p style="text-align: justify; "><img alt="Explainer: Weak Monsoon 2026 Sparks Inflation and Water Crisis in India" src="https://epapercdn.sandesh.com/images/2026/08/31/2Gx2fCPimmzRj6PWfOGdjPKsbmNRnrmCDMnVunle.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>ચોમાસુ નબળું પડવાના મુખ્ય હવામાન પરિબળો</b></h2><p style="text-align: justify;">હવામાન વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ, આ વર્ષે ચોમાસાના માર્ગમાં એકસાથે અનેક પ્રતિકૂળ વૈશ્વિક પરિબળો આવી ગયા છે.</p><ul><li style="text-align: justify; "><b>અલ નીનોનો પ્રભાવ: </b>પ્રશાંત મહાસાગરમાં સમુદ્રી સપાટીનું તાપમાન અસાધારણ રીતે ગરમ થવાને કારણે અલ નીનો સક્રિય થયો છે. આ પરિસ્થિતિ માનસૂની પવનોની શક્તિ છીનવી લે છે અને દક્ષિણ એશિયામાં વરસાદ ઓછો કરે છે.</li><li style="text-align: justify;"><b>146 વર્ષનો સૌથી સૂકો જૂન: </b>ભારતીય હવામાન વિભાગ અનુસાર, જૂન મહિનો છેલ્લા 146 વર્ષમાં સૌથી સૂકો રહ્યો હતો, જેમાં 45 ટકા ની ભારે અછત નોંધાઈ હતી.&nbsp;&nbsp;</li><li style="text-align: justify;"><b>હવામાન વિભાગની અગાઉથી ચેતવણી:</b> IMD એ શરૂઆતમાં જ સામાન્યના 90 ટકા થી 92 ટકા વરસાદની જ આગાહી કરી હતી.</li><li style="text-align: justify; "><b>નકારાત્મક IOD: </b>હિંદ મહાસાગરમાંથી મળતો સપોર્ટ નબળો રહેતા ઓગસ્ટમાં ચોમાસુ ફરીથી થંભી ગયું અને અછત વધીને 14 ટકા સુધી પહોંચી ગઈ.</li></ul><p style="text-align: justify; "><img alt="Explainer: Weak Monsoon 2026 Sparks Inflation and Water Crisis in India" src="https://epapercdn.sandesh.com/images/2026/08/31/VjVdMoVHO1gytTh44pGYy77CTFdEJxQkhkyRWlew.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>ખેતી અને ખરીફ પાકો પર સર્જાયેલું ભયાનક સંકટ</b></h2><p style="text-align: justify;">ભારતની લગભગ 50 ટકા ખેતી સીધી રીતે વરસાદી પાણી પર નભે છે. વરસાદ ખેંચાવાને કારણે વાવેતર અને પાકના ઉત્પાદન પર વ્યાપક નકારાત્મક અસરો પડી રહી છે.</p><ul><li style="text-align: justify; "><b>વાવેતરમાં ઘટાડો: </b>ખરીફ પાકનું કુલ વાવેતર ક્ષેત્ર ગત વર્ષ કરતાં 2 ટકા ઘટ્યું છે, જ્યારે મકાઈના વાવેતરમાં 4 ટકા થી વધુનો ઘટાડો થયો છે.</li><li style="text-align: justify;"><b>પાક મિશ્રણમાં ફેરફાર:</b> ડાંગર, શેરડી અને મોટા અનાજનો વિસ્તાર ઘટ્યો છે, જ્યારે ખેડૂતોએ મજબૂરીવશ ઓછું પાણી માગતા કઠોળ અને તેલીબિયાં તરફ વળવું પડ્યું છે.</li><li style="text-align: justify;"><b>સિંચાઈ ખર્ચમાં વધારો:</b> વરસાદના અભાવે ખેડૂતોએ ડીઝલ અને વીજળીના વપરાશ દ્વારા ટ્યુબવેલ અને પંપો ચલાવવા પડી રહ્યા છે, જેનાથી કૃષિ ઉત્પાદન ખર્ચ વધી ગયો છે.</li><li style="text-align: justify; "><b>ઉત્પાદન ઘટવાની ભીતિ:</b> નિષ્ણાતોના અંદાજ મુજબ, આ વર્ષે દેશના કુલ ખાદ્યાન્ન ઉત્પાદનમાં 3 ટકા થી 8 ટકા નો તીવ્ર ઘટાડો આવી શકે છે.</li></ul><h2 style="text-align: justify; "><b>શહેરી વિસ્તારો અને નદી બેસિન પર જળ-તણાવ</b></h2><p style="text-align: justify;">પાણીની અછત હવે માત્ર ગ્રામીણ વિસ્તારો કે ખેતરો પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ દેશના મોટા શહેરો અને પીવાના પાણીની વ્યવસ્થા પર પણ ઘેરા પડછાયા પડી રહ્યા છે.</p><ul><li style="text-align: justify; "><b>દિલ્હીમાં પીવાના પાણીની અછત:</b> દિલ્હીની દૈનિક જરૂરિયાત 1,250 મિલિયન ગેલન છે, જેની સામે હાલ માત્ર 70 ટકા જેટલો જ પૂરવઠો પ્રાપ્ત થઈ રહ્યો છે.</li><li style="text-align: justify;"><b>નદી બેસિનમાં જળ-સંકટ:</b> દેશના 15 પ્રમુખ નદી બેસિનમાંથી 11 બેસિન જળ-તણાવનો સામનો કરી રહ્યા છે. ક્રિષ્ણા, કાવેરી, મહી અને તાપી જેવી જીવાદોરી સમાન નદીઓના બેસિનમાં પાણીનું સ્તર ભયજનક સપાટીથી નીચે ગયું છે.</li><li style="text-align: justify;"><b>પ્રતિ વ્યક્તિ પાણીની પ્રાપ્યતા: </b>1950માં ભારતમાં પ્રતિ વ્યક્તિ પાણીની પ્રાપ્યતા 5,000 ઘન મીટર હતી, જે ઘટીને હાલ 1,500 ઘન મીટર થઈ ગઈ છે (1700 ઘન મીટરથી ઓછું સ્તર એટલે જળ-તણાવ).</li><li style="text-align: justify;"><b>નીતિ આયોગની ભયાનક ચેતવણી: </b>નીતિ આયોગના રિપોર્ટ મુજબ, જો જળ વ્યવસ્થાપન નહીં સુધરે તો 2050 સુધીમાં ભારતની પાણીની માંગ ઉપલબ્ધ પુરવઠા કરતા બમણી થઈ જશે.</li><li style="text-align: justify; "><b>સામાન્ય માણસ પર આર્થિક ફટકો: </b>મોંઘવારી અને CPI ફુગાવો</li></ul><p style="text-align: justify; "><img alt="Explainer: Weak Monsoon 2026 Sparks Inflation and Water Crisis in India" src="https://epapercdn.sandesh.com/images/2026/08/31/9Ji9BcKCqgPh7ERyvKrJBd6KRCcFCKRM23BoLcd6.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>ચોમાસાની નિષ્ફળતાની સીધી અસર&nbsp;</b></h2><ul><li style="text-align: justify; ">સામાન્ય નાગરિકોના ખિસ્સા પર મોંઘવારી સ્વરૂપે જોવા મળશે</li><li style="text-align: justify;">અસરનું ક્ષેત્રસંભવિત પરિણામ અને વાસ્તવિકતા</li><li style="text-align: justify;">શાકભાજી અને અનાજના ભાવ</li><li style="text-align: justify;">ચોખા, ઘઉં, દાળ અને શાકભાજીનું ઉત્પાદન ઘટતા બજારમાં કિંમતો વધશે.</li><li style="text-align: justify;">ખાદ્ય ફુગાવો - UBI અનુસાર, જો અલ નીનોનો પ્રભાવ લંબાશે તો ખાદ્ય ફુગાવો 5.5 ટકા કે તેથી વધુ સપાટીએ પહોંચી શકે છે.</li><li style="text-align: justify; ">ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) ખાદ્ય પદાર્થો મોંઘા થવાથી એકંદર સીપીઆઈ ઇન્ફ્લેશન 5 ટકા ની ઉપર જવાની પૂરતી શક્યતા છે.</li></ul><p style="text-align: justify; "><img alt="Explainer: Weak Monsoon 2026 Sparks Inflation and Water Crisis in India" src="https://epapercdn.sandesh.com/images/2026/08/31/F4RHOwjIv82SzAvzA5BLJbw3Of392fKKbUAitDCx.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>ભારતીય અર્થતંત્ર, ગ્રામીણ માગ અને EMI પર વ્યાપક અસર</b></h2><p style="text-align: justify; ">નબળું ચોમાસુ સમગ્ર દેશના મેક્રો-ઈકોનોમિક્સને અસર કરે છે.</p><ul><li style="text-align: justify; "><b>ગ્રામીણ ખરીદશક્તિમાં ઘટાડો:</b> પાક નિષ્ફળ જવાથી ખેડૂતોની આવક ઘટશે. પરિણામે ટ્રેક્ટર, ટૂ-વ્હીલર, એફએમસીજી (FMCG) અને કપડાં જેવા ગ્રામીણ બજારોમાં માગ ઘટશે.</li><li style="text-align: justify;"><b>RBI ની કડક વ્યાજનીતિ: </b>ફુગાવો બેંકના ટાર્ગેટ કરતા વધશે તો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) વ્યાજદરમાં ઘટાડો કરી શકશે નહીં. પરિણામે હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનના EMI મોંઘા રહેશે.</li><li style="text-align: justify; "><b>સરકારી તિજોરી પર બોજ: </b>સરકારને ગ્રામીણ રાહત પેકેજ, મનરેગા (MGNREGA) માં વધુ બજેટ અને ખાદ્ય સબસિડી પાછળ કરોડો રૂપિયાનો વધારાનો ખર્ચ કરવો પડશે.</li></ul><p style="text-align: justify; "><img alt="Explainer: Weak Monsoon 2026 Sparks Inflation and Water Crisis in India" src="https://epapercdn.sandesh.com/images/2026/08/31/tuIPkMCoHJqs5APmmSVX9Yki7lVCbeiJgnSImV6X.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>શું સપ્ટેમ્બર મહિનો સંકટમાંથી ઉગારી શકશે?</b></h2><p style="text-align: justify;">હજુ ચોમાસાની સત્તાવાર વિસર્જન પ્રક્રિયા શરૂ થઈ નથી અને સપ્ટેમ્બર મહિનો આખી સિઝનનું ભવિષ્ય નક્કી કરશે.</p><p style="text-align: justify; ">જો સપ્ટેમ્બર મહિનામાં પાછોતરો સારો વરસાદ થાય, તો મોડેથી વાવેલા કઠોળ, તેલીબિયાં અને જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહેશે, જેનાથી આવનારી રવિ સિઝન (ઘઉં, ચણા) ને ટેકો મળશે. પરંતુ જો સપ્ટેમ્બરમાં પણ વરસાદ ખેંચાશે, તો આ ચોમાસુ સત્તાવાર રીતે 'ડિફિશિયન્ટ' (સામાન્યથી 10 ટકાથી વધુ ઓછો વરસાદ) ઘોષિત થશે, જે આવનારા વર્ષ માટે દેશ સામે બહુમોટું મોંઘવારી અને જળ સંકટ ઊભું કરશે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/explainer/news/india/sandesh-digital-explainer-the-clock-will-not-change-but-the-time-system-will-know-the-truth-of-one-nation-one-time" target="_blank">Sandesh Digital Explainer: ઘડિયાળ નહીં બદલાય, પણ બદલાશે સમયની સિસ્ટમ! જાણો 'વન નેશન, વન ટાઈમ'નું સત્ય</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/31/Cs4MzrZJjcqLAyaf2Tnt5LDK7ACaqsVZjkeVcUm9.webp'/></item><item><title><![CDATA[NHAI FASTag Rules and Refund: કાર વેચી દીધા બાદ તાત્કાલિક FASTag ડિએક્ટિવેટ કરો, જાણો પ્રોસેસ ]]></title><link>https://sandesh.com/business/news/sold-car-deactivate-fastag</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/sold-car-deactivate-fastag</guid><pubDate>Mon, 31 Aug 2026 19:20:19 +05:30</pubDate><description><![CDATA[<p>સોશિયલ મીડિયાના યુગમાં પોતાની જૂની કાર વેચવી ખૂબ સરળ બની ગઈ છે. ઓનલાઈન પ્લેટફોર્મના કારણે આ કામ ઘણું સરળ બન્યું છે અને ઘર બેઠા પણ કાર સારા ભાવે વેચી શકાય છે. પરંતુ આજના વ્યસ્ત સમયમાં લોકો કાર વેચતી વખતે કેટલીક ભૂલો કરી બેસે છે, જેના કારણે બાદમાં તેમને મોટું નુકસાન થઈ શકે છે. ઘણા લોકો કાર વેચતી વખતે ચાવી, RC અને ઈન્શ્યોરન્સના દસ્તાવેજો તો નવા માલિકને સોંપી દે છે, પરંતુ વિન્ડસ્ક્રીન પર લાગેલું FASTag હટાવવાનું અથવા તેને ડિએક્ટિવેટ કરવાનું ભૂલી જાય છે. જો તમે પણ તમારી કાર વેચી દીધી છે અને FASTag એમ જ ચાલુ રાખ્યું છે, તો આ બેદરકારી તમને મોંઘી પડી શકે છે.</p><p>મહત્વની વાત એ છે FASTag સીધું તમારા બેંક એકાઉન્ટ, Paytm વૉલેટ અથવા ક્રેડિટ કાર્ડ સાથે લિંક હોય છે. જ્યાં સુધી તે ટેગ એક્ટિવ રહેશે અને તમારી કાર પર લાગેલું રહેશે, ત્યાં સુધી તે કાર પરથી થતો દરેક ટોલ ટેક્સ તમારા જ એકાઉન્ટમાંથી કપાતો રહેશે. એટલે જૂની કારનું FASTag બંધ કરાવી શકો છો.</p><h2><b>કેમ થઈ શકે છે મોટું નુકસાન?</b></h2><p>જો તમે કાર વેચ્યા બાદ FASTag ડિએક્ટિવેટ નથી કર્યું તો નવો માલિક કોઈ રોકટોક વગર તમારા બેલેન્સનો ઉપયોગ કરી લેશે. ઘણી વખત લોકોના ફોન પર ટોલ કપાવાનો મેસેજ આવે ત્યાં સુધી તેમને ખબર પણ પડતી નથી કે તેમણે વેચેલી કાર કોઈ દૂરના હાઈવે પર ચાલી રહી છે અને પૈસા તેમના એકાઉન્ટમાંથી કપાઈ રહ્યા છે.</p><p>આ ઉપરાંત જો નવો માલિક કોઈ ટ્રાફિક નિયમ તોડે અથવા ટોલ પ્લાઝા પર કોઈ ગેરરીતિ કરે તો FASTag તમારા નામ અને બેંકની વિગતો સાથે જોડાયેલો હોવાથી શરૂઆતની તપાસ દરમિયાન તમારું નામ પણ સામે આવી શકે છે અને તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.</p><h2><b>નવા માલિકને પણ થશે મુશ્કેલી</b></h2><p>એક કારના ચેસિસ નંબર અને રજિસ્ટ્રેશન નંબર પર એક સમયે માત્ર 1 જ એક્ટિવ FASTag હોઈ શકે છે. જો તમે તમારું જૂનું FASTag ડિએક્ટિવેટ અથવા બંધ નહીં કરો ત્યાં સુધી કારનો નવો માલિક તેના નામે નવું FASTag મેળવી શકશે નહીં. આ કારણે તમારી જૂની કારના નવા માલિકને ટોલ પ્લાઝા પર મુશ્કેલી થઈ શકે છે અને તે તમને વારંવાર સંપર્ક કરી શકે છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના નિયમો અનુસાર પણ કાર ટ્રાન્સફર થયા બાદ જૂનું FASTag બંધ કરવું જરૂરી છે.</p><h2><b>તાત્કાલિક ડિએક્ટિવેટ કરો</b></h2><p>જો તમે તમારું FASTag કાયમ માટે ડિએક્ટિવેટ કરાવવા માંગતા હો તો NHAIની અધિકૃત હેલ્પલાઈન 1033 પર ફોન કરીને ફરિયાદ નોંધાવી શકો છો અને ટેગને તરત બ્લોક કરવાની વિનંતી કરી શકો છો. આ ઉપરાંત તમે જે બેંક અથવા વૉલેટ કંપની પાસેથી FASTag મેળવ્યું હતું, જેમ કે ICICI, HDFC, SBI, Paytm અથવા Airtel Payments Bank, તેના કસ્ટમર કેર નંબર પર ફોન કરીને અથવા તેમની મોબાઈલ એપમાં જઈને મેનેજ FASTag વિભાગમાંથી એકાઉન્ટ બંધ કરવાનો વિકલ્પ પસંદ કરી શકો છો. ત્યારબાદ તમારું FASTag એકાઉન્ટ કાયમ માટે બંધ થઈ જશે.</p><h2><b>વિન્ડસ્ક્રીન પરથી પણ ટેગ હટાવો</b></h2><p>કસ્ટમર કેર દ્વારા એકાઉન્ટ બંધ કરાવ્યા બાદ કારની આગળની વિન્ડસ્ક્રીન પર લાગેલું FASTag સ્ટિકર પણ કાઢી નાખો અને તેને નષ્ટ કરી દો. અધૂરું અથવા જૂનું FASTag ક્યારેય કાર પર લાગેલું ન છોડો.જો તમે બેંક અથવા વૉલેટમાં સિક્યોરિટી ડિપોઝિટ તરીકે કોઈ રકમ જમા કરાવી હતી તો FASTag એકાઉન્ટ બંધ થયા બાદ તે રકમ થોડા દિવસોમાં તમારા મૂળ બેંક એકાઉન્ટમાં પરત કરવામાં આવે છે. કાર વેચવાની પ્રક્રિયા ત્યારે જ સંપૂર્ણ માનવામાં આવે છે જ્યારે તેની સાથે જોડાયેલા તમામ ડિજિટલ એકાઉન્ટ સંપૂર્ણપણે અલગ કરી દેવામાં આવે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/31/4OkQnFcFi9uENymCEV317ClBy3x4wAWzPkm7lmTO.webp'/></item><item><title><![CDATA[Hit Film : ન કોઈ સુપરસ્ટાર, ન મોટું બજેટ! જાણો તે 5 મોટા કારણો જેનાથી ગેમ ચેન્જર સાબિત થઈ ફિલ્મ હનુમાન અંશ ]]></title><link>https://sandesh.com/entertainment/news/hanuman-ansh-game-changer-5-reasons-success</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/hanuman-ansh-game-changer-5-reasons-success</guid><pubDate>Mon, 31 Aug 2026 17:35:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સિનેમા જગતમાં છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહ્યું છે કે નાના બજેટની ફિલ્મો આવી રહી છે અને બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. જો ફિલ્મમાં નવો ચહેરો હોય તો તે પણ ઘણી કમાણી કરી રહી છે. ગયા વર્ષે આવેલી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ સૈયારા તેનું ઉદાહરણ છે. હવે આ વર્ષે કોઈ મોટા સ્ટાર કે મોટા બજેટ વગર આવેલી ફિલ્મ હનુમાન અંશ શાનદાર કમાણી કરી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>ફ્રેશ કન્ટેન્ટ</b></h2><p style="text-align: justify; ">ફિલ્મ હનુમાન અંશમાં એકદમ નવું કન્ટેન્ટ છે. દર્શકો ઘણીવાર ફ્રેશ કન્ટેન્ટ તરફ વધુ આકર્ષાય છે. હનુમાન અંશમાં બાબા નીમ કરોલીના જીવન પર આધારિત સ્ટોરી બતાવવામાં આવી છે, જેના પર અત્યાર સુધી કોઈ ફિલ્મ બની નથી.<br></p><h3 style="text-align: justify; "><b>કોઈ આડંબર વગરની સાચી સ્ટોરી&nbsp;</b></h3><p style="text-align: justify; ">સિનેમામાં ઘણીવાર જોવા મળે છે કે ફિલ્મને મોટા સ્તર સુધી પહોંચાડવા માટે નિર્માતાઓ પાણીની જેમ પૈસા ખર્ચે છે. તેમાં સત્ય ઘટના પર આધારિત ફિલ્મો પણ સામેલ હોય છે. મોટા સ્તર પર ફિલ્મ બનાવવાના પ્રયાસમાં ઘણીવાર કન્ટેન્ટ પાછળ રહી જાય છે અથવા તેમાં કોઈને કોઈ ખામી રહી જાય છે, જેના કારણે ફિલ્મને ટીકા પણ સહન કરવી પડે છે. પરંતુ હનુમાન અંશ કોઈ આડંબર વગર બનાવવામાં આવી છે, જેમાં નીમ કરોલી બાબાની સ્ટોરીને ખૂબ જ ગંભીરતાથી પડદા પર રજૂ કરવામાં આવી છે.<br><img alt="Hanuman Ansh Movie (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/31/FkuEt2SwZvrQaAcHXyPbq84bmNnP7WDVa6gg13Im.webp"><br></p><h4 style="text-align: justify; "><b>માસ ઓડિયન્સ સાથે સીધો કનેક્શન</b></h4><p style="text-align: justify; ">ફિલ્મ હનુમાન અંશની સ્ટોરી માસ ઓડિયન્સ સાથે સીધી રીતે જોડાય છે. નીમ કરોલી બાબાના જીવન પર અગાઉ કોઈ ફિલ્મ બની નથી. જોકે યુટ્યુબ પર ડોક્યુમેન્ટરી ઉપલબ્ધ છે, પરંતુ મોટા પડદા પર પહેલીવાર નીમ કરોલી બાબાની સ્ટોરી આ ફિલ્મ દ્વારા બતાવવામાં આવી છે. આ પણ એક કારણ છે કે ફિલ્મની સ્ટોરી માસ ઓડિયન્સ સાથે સીધી રીતે કનેક્ટ થાય છે.</p><h4 style="text-align: justify; "><b>ભક્તિ સાથે ભરપૂર ઈમોશન</b></h4><p style="text-align: justify; ">હનુમાન અંશની બીજી ખાસ વાત એ છે કે ફિલ્મમાં ભક્તિની સાથે ભરપૂર ઈમોશન પણ જોવા મળે છે. કોઈપણ સ્ટોરી સાથે દર્શકો ત્યારે સરળતાથી જોડાઈ શકે છે, જ્યારે તેમાં ઈમોશનનું ખાસ ધ્યાન રાખવામાં આવે. ભક્તિ ભારતીય લોકોના જીવન સાથે પહેલેથી જ જોડાયેલી છે અને તેમાં ઈમોશન ઉમેરાતા ફિલ્મ વધુ ખાસ બની ગઈ છે. નીમ કરોલી બાબાની સ્ટોરી સાથે લોકો ઈમોશનના કારણે જોડાઈ શક્યા છે.</p><h5 style="text-align: justify; "><b>આજના સમયથી અલગ ફિલ્મ</b></h5><p style="text-align: justify; ">સિનેમા જગતમાં આજના સમયમાં જોવા મળી રહ્યું છે કે નિર્માતાઓ મોટા બજેટની ફિલ્મો બનાવી રહ્યા છે અને તેમાં ભરપૂર એક્શન, થ્રિલર અને સસ્પેન્સ ઉમેરવામાં આવે છે. લોહિયાળ દૃશ્યોથી ભરેલી ફિલ્મો લોકો પરિવાર સાથે જોઈ શકતા નથી. તાજેતરમાં આવેલી ટોક્સિકમાં પણ લોહિયાળ દૃશ્યોની સાથે ઈન્ટિમેટ સીન છે, જેને પરિવાર અને બાળકો સાથે જોઈ શકાય તેમ નથી. પરંતુ લોકો પરિવાર સાથે ફિલ્મો જોવા માગે છે. હનુમાન અંશને તેનો ફાયદો મળ્યો અને આ ફિલ્મ એક ફેમિલી એન્ટરટેનર બની રહી. ફિલ્મ હનુમાન અંશ'એ બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી છે. તરણ આદર્શની પોસ્ટ અનુસાર, ફિલ્મે 4 અઠવાડિયામાં 39.83 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જ્યારે ફિલ્મે 10 લાખ રૂપિયાની ઓપનિંગ કરી હતી. ફિલ્મનું બજેટ 2 કરોડ રૂપિયા છે અને તેણે બોક્સ ઓફિસ પર 1891.5%નો નફો કર્યો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/govinda-family-tina-ahuja-krushna-abhishek-raksha-bandhan" target="_blank">આ પણ વાંચો-Govinda પરિવારનો ઝઘડો થયો ખતમ? સુનીતા આહુજાની દીકરીએ કૃષ્ણા અભિષેકને બાંધી રાખડી</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/31/uUTlWZKSW1Jmr9XYRKOmqBGvB3JghzSUAGmCm6Xo.webp'/></item><item><title><![CDATA[US Open 2026માં મોટો ઉલટફેર, જોકોવિચ પહેલા જ રાઉન્ડમાં બહાર ]]></title><link>https://sandesh.com/sports/news/big-upset-in-us-open-2026-djokovic-out-in-the-first-round</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/big-upset-in-us-open-2026-djokovic-out-in-the-first-round</guid><pubDate>Mon, 31 Aug 2026 15:11:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગ્રાન્ડ સ્લેમ ટેનિસમાં સૌથી સફળ પુરુષ ખેલાડીઓમાં સામેલ નોવાક જોકોવિચ માટે US Open 2026ની શરૂઆત નિરાશાજનક રહી છે.ન્યૂયોર્કમાં રમાયેલી પ્રથમ રાઉન્ડની મેચમાં જોકોવિચને અર્જેન્ટિનાના બિનક્રમાંકિત ખેલાડી મારિયાનો નાવોને હરાવીને મોટો ઉલટફેર સર્જ્યો છે. નાવોને જોકોવિચને 7-6, 5-7, 6-4, 2-6, 6-1થી હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધા.આ હાર સાથે જોકોવિચનું 25મું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતવાનું સપનું પણ અધૂરું રહી ગયું છે. આ ઉપરાંત US Openમાં જિમી કોનોર્સના 98 મેચ જીતવાના રેકોર્ડને પાછળ છોડવાની જોકોવિચની આશા પણ પૂર્ણ થઈ શકી નથી.</p><h5 style="text-align: justify; "><b>ન્યૂયોર્કની ગરમીથી પરેશાન દેખાયા જોકોવિચ</b></h5><p style="text-align: justify; ">આર્થર એશ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ દરમિયાન ન્યૂયોર્કની ભારે ગરમી અને ભેજની અસર જોકોવિચના પ્રદર્શન પર જોવા મળી હતી.મેચ દરમિયાન તેઓ ઘણી વખત ઠંડક મેળવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.સ્થિતિ મુશ્કેલ હોવા છતાં જોકોવિચે મેચ છોડ્યા વગર અંત સુધી લડત આપી હતી.મેડિકલ ટીમની મદદ મળ્યા બાદ પણ જોકોવિચ માટે મેચમાં પોતાની સંપૂર્ણ ક્ષમતા સાથે રમવું મુશ્કેલ રહ્યું હતું. તેમ છતાં તેમણે અનુભવ અને જોરદાર રમતનું પ્રદર્શન કરીને મેચમાં વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો.</p><h5 style="text-align: justify; "><b>બીજા અને ચોથા સેટમાં જોરદાર ટક્કર</b></h5><p style="text-align: justify; ">મેચની શરૂઆતમાં જોકોવિચને નાવોને સખત પડકાર આપ્યો હતો. પ્રથમ સેટ ટાઇબ્રેકમાં ગુમાવ્યા બાદ જોકોવિચે બીજા સેટમાં શાનદાર વાપસી કરી હતી અને 7-5થી સેટ જીતી લીધો હતો.ત્રીજા સેટમાં પણ નાવોને દબાણ જાળવી રાખ્યું અને 6-4થી સેટ પોતાના નામે કર્યો. જોકે જોકોવિચે ચોથા સેટમાં ફરી જોરદાર રમત બતાવી હતી. તેમણે 6-2થી સેટ જીતીને મેચને નિર્ણાયક પાંચમા સેટ સુધી પહોંચાડી હતી.</p><h5 style="text-align: justify; "><b>પાંચમા સેટમાં નાવોનનો દબદબો</b></h5><p style="text-align: justify; ">નિર્ણાયક પાંચમા સેટમાં મારિયાનો નાવોને શરૂઆતથી જ પોતાની પકડ મજબૂત બનાવી હતી. નાવોને 4-1ની સરસાઈ મેળવી લીધા બાદ જોકોવિચ માટે વાપસી કરવી મુશ્કેલ બની ગઈ હતી.મેચ આગળ વધતાં જોકોવિચ ભાવુક પણ જોવા મળ્યા હતા. બીજી તરફ નાવોને પોતાની રમત પર ધ્યાન કેન્દ્રિત રાખ્યું અને અંતે પાંચમો સેટ 6-1થી જીતીને કારકિર્દીની સૌથી મોટી જીતમાંથી એક નોંધાવી.આ જીત સાથે મારિયાનો નાવોને US Open 2026માં મોટો ઉલટફેર સર્જ્યો છે, જ્યારે જોકોવિચને ગ્રાન્ડ સ્લેમ ટાઇટલની રેસમાંથી પ્રથમ જ મેચ બાદ બહાર થવું પડ્યું છે. વિમ્બલ્ડનની સેમિફાઇનલ બાદ US Openમાં પણ વહેલી વિદાય જોકોવિચ માટે નિરાશાજનક પરિણામ સાબિત થઈ છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/germany-beat-spain-hockey-world-cup-2026-final" target="_blank">Germanyએ રચ્યો ઈતિહાસ, સ્પેનને હરાવીને મેન્સ હોકી વર્લ્ડકપ 2026નું જીત્યું ટાઈટલ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/31/uRMXQ6qrX2Pd6xGCVIYabWsGLKnrwOoDsgu0kYkr.webp'/></item></channel></rss>