<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[RBI લાવશે ₹10 અને ₹20ની પ્લાસ્ટિકની નોટ, 100 કરોડ નોટના ફિલ્ડ ટ્રાયલને મળી મંજૂરી ]]></title><link>https://sandesh.com/india/news/rbi-polymer-10-20-rupee-notes-field-trial-100-crore</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/rbi-polymer-10-20-rupee-notes-field-trial-100-crore</guid><pubDate>Tue, 11 Aug 2026 23:36:56 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતમાં હવે ટૂંક સમયમાં ₹10 અને ₹20ની પોલિમર એટલે કે પ્લાસ્ટિક નોટ જોવા મળી શકે છે. કેન્દ્ર સરકારે ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ને આ બંને મૂલ્યની પોલિમર નોટોના ફીલ્ડ ટ્રાયલ માટે મંજૂરી આપી છે. સરકારના જણાવ્યા મુજબ ફીલ્ડ ટ્રાયલ માટે કુલ 1 અબજ એટલે કે 100 કરોડ પોલિમર બેન્ક નોટ્સ રજૂ કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે.</p><h2><b>કેટલો ખર્ચ થશે?</b></h2><p>નાણામંત્રીએ રાજ્યસભામાં લેખિત જવાબમાં જણાવ્યું હતું કે RBIના સેન્ટ્રલ બોર્ડની ભલામણના આધારે RBI એક્ટ, 1934ની કલમ 25 હેઠળ આ મંજૂરી આપવામાં આવી છે. જોકે, પોલિમર નોટની પ્રિન્ટિંગ પ્રક્રિયા હજુ શરૂઆતના તબક્કામાં છે. તેથી તેને ક્યારે બજારમાં લાવવામાં આવશે અને તેના ઉત્પાદન પાછળ કેટલો ખર્ચ થશે તેની ચોક્કસ માહિતી હાલમાં ઉપલબ્ધ નથી.</p><h3><b>કાગળની નોટ સાથે જ ચાલશે</b></h3><p>સરકારે સ્પષ્ટ કર્યું છે કે પોલિમર નોટ આવવાથી કાગળની નોટ તરત બંધ નહીં થાય. શરૂઆતમાં બંને પ્રકારની નોટ ચલણમાં રહેશે. ફીલ્ડ ટ્રાયલ સફળ થયા બાદ ₹10 અને ₹20ની પોલિમર નોટને નિયમિત રીતે ચલણમાં લાવવાનો નિર્ણય થઈ શકે છે. પોલિમર નોટની સૌથી મોટી ખાસિયત એ છે કે તે કાગળની નોટની સરખામણીએ વધુ ટકાઉ હોય છે. પાણી, ધૂળ અને ગંદકીથી તે સરળતાથી ખરાબ થતી નથી અને ફાટવાની શક્યતા પણ ઓછી હોય છે. ઉપરાંત, પોલિમર શીટમાં આધુનિક સુરક્ષા ફીચર્સ ઉમેરવા સરળ હોવાથી નકલી નોટ સામે પણ મદદ મળી શકે છે.</p><h4><b>શા માટે લાવવામાં આવી રહી છે પોલિમર નોટ?</b></h4><p>કાગળની નોટ ઝડપથી ખરાબ થતી હોવાથી તેના બદલામાં નવી નોટ છાપવાનો ખર્ચ વધે છે. નાણાકીય વર્ષ 2024-25માં RBIએ કાગળની નોટોની છપાઈ પાછળ ₹6,372.8 કરોડ ખર્ચ્યા હતા. જો પોલિમર નોટનું ફીલ્ડ ટ્રાયલ સફળ રહેશે તો ભવિષ્યમાં તેના મોટા પાયે ઉપયોગનો માર્ગ ખુલી શકે છે. જોકે, હાલ કાગળની નોટોનું ચલણ યથાવત રહેશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/world/india-rejects-china-renaming-arunachal-pradesh-integral-part" target="_blank">આ પણ વાંચો : Arunachal Pradesh ભારતનો અવિભાજ્ય હિસ્સો, ચીનના નામ બદલવાના પ્રયાસો પર MEAનો કડક જવાબ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/t1OpmJfek7nSzRMKAsq2BoFZzY1ei6Jzg6lPh6g5.webp'/></item><item><title><![CDATA[Electric Scooter ખરીદનારાઓ માટે ખુશખબર! PM E-Drive સબસિડી 2028 સુધી લંબાવાઈ ]]></title><link>https://sandesh.com/india/news/business/pm-e-drive-subsidy-electric-scooters-extended-2028</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/pm-e-drive-subsidy-electric-scooters-extended-2028</guid><pubDate>Tue, 11 Aug 2026 22:37:38 +05:30</pubDate><description><![CDATA[<p>ઈલેક્ટ્રિક વાહન ખરીદનારા લોકો માટે કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. સરકારે PM E-Drive સ્કીમ હેઠળ ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સ માટે મળતી સબસિડીની સમયમર્યાદા 31 માર્ચ 2028 સુધી લંબાવી છે. આ સાથે ટૂ-વ્હીલર સેગમેન્ટ માટે ફાળવવામાં આવેલી સબસિડીની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે.</p><h2><b>એક વાહન પર ₹5,000 સુધી સબસિડી</b></h2><p>મિનિસ્ટ્રી ઓફ હેવી ઈન્ડસ્ટ્રીઝ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સ માટેનું ફંડ અગાઉના ₹1,772 કરોડથી વધારીને ₹2,767 કરોડ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્કીમનો લાભ લઈ શકનારા ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સની સંખ્યા પણ વધારવામાં આવી છે. નવી વ્યવસ્થા હેઠળ 1 એપ્રિલ 2025થી 31 માર્ચ 2028 વચ્ચે રજિસ્ટર થયેલા પાત્ર ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સને બેટરી ક્ષમતા પ્રમાણે ₹2,500 પ્રતિ kWhના દરે સબસિડી મળશે. જોકે, એક વાહન પર મહત્તમ સબસિડી ₹5,000 સુધી મર્યાદિત રહેશે.</p><h3><b>1 એપ્રિલ 2025થી સબસિડીનો દર ઘટાડવામાં આવ્યો</b></h3><p>PM E-Driveનો લાભ એવા ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સને મળશે, જેમની એક્સ-શોરૂમ કિંમત ₹1.5 લાખ સુધી છે. સબસિડી વાહનની એક્સ-શોરૂમ કિંમતના 15 ટકા અથવા ₹5,000, બેમાંથી જે રકમ ઓછી હશે તેના આધારે મળશે. નાણાકીય વર્ષ 2024-25માં ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સ માટે પ્રતિ વાહન મહત્તમ ₹10,000ની સબસિડી હતી. ત્યારબાદ 1 એપ્રિલ 2025થી સબસિડીનો દર ઘટાડવામાં આવ્યો હતો. PM E-Drive સ્કીમની શરૂઆત ઓક્ટોબર 2024માં કરવામાં આવી હતી અને શરૂઆતમાં તેને 31 માર્ચ 2026 સુધી ચલાવવાની યોજના હતી. હવે ટૂ-વ્હીલર માટે આ લાભ વધુ બે વર્ષ સુધી ચાલુ રહેશે.</p><p>જોકે, પાત્ર વાહનો માટે ક્લેમ સબમિટ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2027 રહેશે. 31 માર્ચ 2028 બાદ કોઈ ચુકવણી કરવામાં આવશે નહીં. સરકાર દ્વારા સમગ્ર PM E-Drive સ્કીમ માટે ₹11,900 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. જો ફંડ અથવા વાહનોની નિર્ધારિત સંખ્યા સમય પહેલાં પૂર્ણ થઈ જશે તો ત્યારબાદ સબસિડીનો લાભ નહીં મળે.</p><p><b><a href="https://sandesh.com/india/news/india-news-insulting-vande-mataram-will-now-become-a-crime-law-comes-into-effect-after-presidents-approval" target="_blank">આ પણ વાંચો : India News : ‘વંદે માતરમ‌’નું અપમાન હવે બનશે ગુનો, રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કાયદો થશે લાગુ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/qDaYviUB5e47d99z1mYVBZurXN9p2mn1k7gvRZKe.webp'/></item><item><title><![CDATA[Electric Scooter ખરીદનારાઓ માટે ખુશખબર! PM E-Drive સબસિડી 2028 સુધી લંબાવાઈ ]]></title><link>https://sandesh.com/india/news/business/pm-e-drive-subsidy-electric-scooters-extended-2028</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/pm-e-drive-subsidy-electric-scooters-extended-2028</guid><pubDate>Tue, 11 Aug 2026 22:37:38 +05:30</pubDate><description><![CDATA[<p>ઈલેક્ટ્રિક વાહન ખરીદનારા લોકો માટે કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. સરકારે PM E-Drive સ્કીમ હેઠળ ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સ માટે મળતી સબસિડીની સમયમર્યાદા 31 માર્ચ 2028 સુધી લંબાવી છે. આ સાથે ટૂ-વ્હીલર સેગમેન્ટ માટે ફાળવવામાં આવેલી સબસિડીની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે.</p><h2><b>એક વાહન પર ₹5,000 સુધી સબસિડી</b></h2><p>મિનિસ્ટ્રી ઓફ હેવી ઈન્ડસ્ટ્રીઝ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સ માટેનું ફંડ અગાઉના ₹1,772 કરોડથી વધારીને ₹2,767 કરોડ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્કીમનો લાભ લઈ શકનારા ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સની સંખ્યા પણ વધારવામાં આવી છે. નવી વ્યવસ્થા હેઠળ 1 એપ્રિલ 2025થી 31 માર્ચ 2028 વચ્ચે રજિસ્ટર થયેલા પાત્ર ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સને બેટરી ક્ષમતા પ્રમાણે ₹2,500 પ્રતિ kWhના દરે સબસિડી મળશે. જોકે, એક વાહન પર મહત્તમ સબસિડી ₹5,000 સુધી મર્યાદિત રહેશે.</p><h3><b>1 એપ્રિલ 2025થી સબસિડીનો દર ઘટાડવામાં આવ્યો</b></h3><p>PM E-Driveનો લાભ એવા ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સને મળશે, જેમની એક્સ-શોરૂમ કિંમત ₹1.5 લાખ સુધી છે. સબસિડી વાહનની એક્સ-શોરૂમ કિંમતના 15 ટકા અથવા ₹5,000, બેમાંથી જે રકમ ઓછી હશે તેના આધારે મળશે. નાણાકીય વર્ષ 2024-25માં ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સ માટે પ્રતિ વાહન મહત્તમ ₹10,000ની સબસિડી હતી. ત્યારબાદ 1 એપ્રિલ 2025થી સબસિડીનો દર ઘટાડવામાં આવ્યો હતો. PM E-Drive સ્કીમની શરૂઆત ઓક્ટોબર 2024માં કરવામાં આવી હતી અને શરૂઆતમાં તેને 31 માર્ચ 2026 સુધી ચલાવવાની યોજના હતી. હવે ટૂ-વ્હીલર માટે આ લાભ વધુ બે વર્ષ સુધી ચાલુ રહેશે.</p><p>જોકે, પાત્ર વાહનો માટે ક્લેમ સબમિટ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2027 રહેશે. 31 માર્ચ 2028 બાદ કોઈ ચુકવણી કરવામાં આવશે નહીં. સરકાર દ્વારા સમગ્ર PM E-Drive સ્કીમ માટે ₹11,900 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. જો ફંડ અથવા વાહનોની નિર્ધારિત સંખ્યા સમય પહેલાં પૂર્ણ થઈ જશે તો ત્યારબાદ સબસિડીનો લાભ નહીં મળે.</p><p><b><a href="https://sandesh.com/india/news/india-news-insulting-vande-mataram-will-now-become-a-crime-law-comes-into-effect-after-presidents-approval" target="_blank">આ પણ વાંચો : India News : ‘વંદે માતરમ‌’નું અપમાન હવે બનશે ગુનો, રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કાયદો થશે લાગુ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/qDaYviUB5e47d99z1mYVBZurXN9p2mn1k7gvRZKe.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: સરકારી કર્મચારીઓના વિદેશ પ્રવાસ અંગેના નિયમો કરાયા કડક ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-tightens-rules-for-government-employees-foreign-travel</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-tightens-rules-for-government-employees-foreign-travel</guid><pubDate>Tue, 11 Aug 2026 22:29:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓના વિદેશ પ્રવાસ સંદર્ભે એક અત્યંત મહત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.આ નવા ઠરાવ મુજબ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ માટે અંગત હેતુસર કરવામાં આવતી વિદેશ યાત્રાઓ માટેના નિયમો વધુ સખત બનાવવામાં આવ્યા છે અને તેના માટે નવી તેમજ વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરી દેવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>45 દિવસ પહેલાં નિર્ધારિત ફોર્મેટમાં અરજી કરવી ફરજિયાત</b></h2><p style="text-align: justify; ">નવા નિયમો અનુસાર હવે કોઈપણ સરકારી કર્મચારી કે અધિકારીએ અંગત કામકાજ અર્થે વિદેશ જવું હોય તો તેમણે પ્રવાસના ઓછામાં ઓછા 45 દિવસ પહેલાં નિર્ધારિત ફોર્મેટમાં અરજી કરવી ફરજિયાત રહેશે.વિદેશ પ્રવાસ માટે સામાન્ય વહીવટ વિભાગની પૂર્વ મંજૂરી મેળવવી અનિવાર્ય બનાવવામાં આવી છે.જો કોઈ કર્મચારી યોગ્ય પરવાનગી વગર વિદેશ પ્રવાસ કરશે તો તેમની સામે શિસ્તભંગની કડક કાર્યવાહી કરવામાં આવશે. અરજી પ્રક્રિયા દરમિયાન પારદર્શિતા જળવાઈ રહે તે માટે કર્મચારીઓએ તેમના પ્રવાસનો સ્પષ્ટ હેતુ, થનાર સંભવિત ખર્ચ તેમજ જો પ્રવાસ માટે કોઈ સ્પોન્સરશીપ મળેલ હોય તો તેની તમામ વિગતો સ્પષ્ટપણે રજૂ કરવાની રહેશે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>અરજીનો મહત્તમ 30 દિવસની અંદર નિકાલ કરવાનો રહેશે</b></h3><p style="text-align: justify; ">જે અધિકારીઓ કે કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ ચાલતી હોય કે શિસ્તભંગના પગલાં બાકી હોય તેમની વિદેશ પ્રવાસની અરજી અંગે પણ ખાસ નિયમો અને કડક ચકાસણી લાગુ કરવામાં આવશે.આ ઉપરાંત, અરજીઓના ઝડપી નિકાલ અને વહીવટી પ્રક્રિયાને સરળ બનાવવા માટે પણ સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. જે-તે કચેરીએ સુપ્રત કરાયેલી અરજીનો મહત્તમ 30 દિવસની અંદર નિકાલ કરવાનો રહેશે, જેથી કર્મચારીઓને સમયસર સ્પષ્ટતા મળી રહે.  સરકારના આ નિર્ણયથી સરકારી સેવાઓમાં શિસ્ત અને જવાબદારી વધુ સુદ્રઢ બનશે. પરવાનગી વગર કે અધૂરી માહિતી આપીને વિદેશ જતા કર્મચારીઓ પર હવે કાનૂની અને વહીવટી લગામ કસાશે. તમામ વિભાગોને આ નવી માર્ગદર્શિકાનો ત્વરિત અને ચુસ્તપણે અમલ કરવા આદેશ આપી દેવામાં આવ્યા છે.<br><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/illegal-sand-mining-busted-in-fudeda-vehicles-seized" target="_blank">આ પણ વાંચોઃ Mehsana News: વિજાપુરના ફૂદેડામાં ગેરકાયદે ખનીજ ચોરી સામે કાર્યવાહી, 1.20 કરોડની કિંમતના વાહનો જપ્ત</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/kTKW6JU39lmrl8RoT7KlVn4LCMDkRpY1pfVOl5xx.webp'/></item><item><title><![CDATA[Babita Phogatએ પુત્રીને આપ્યો જન્મ, શેર કરી પહેલી તસવીર ]]></title><link>https://sandesh.com/sports/news/babita-phogat-welcomes-baby-girl</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/babita-phogat-welcomes-baby-girl</guid><pubDate>Tue, 11 Aug 2026 22:19:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">"દંગલ ગર્લ" તરીકે વિશ્વભરમાં જાણીતી બબીતા ​​ફોગાટના દરવાજા પર ફરી એકવાર ખુશી આવી પહોંચી છે. બબીતા ​​બીજી વખત માતા બની છે. તેણે એક પુત્રીને જન્મ આપ્યો છે.&nbsp;</p><p style="text-align: justify;">બબીતા ​​ફોગાટે આ ખુશખબર તેના ફેન્સ સાથે શેર કરી. સોશિયલ મીડિયા પર તેની પુત્રીની પહેલી ઝલક શેર કરતા બબીતાએ ઈમોશનલ મેસેજ લખ્યો.&nbsp;</p><h2 style="text-align: justify;"><b>બબીતા ​​ફોગાટે શેર કરી પોસ્ટ</b></h2><p style="text-align: justify;">બબીતા ​​ફોગાટે મહાદેવ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી, તેણે નાની પરીને "પાર્વતી સ્વરૂપા" કહીને બોલાવી. બબીતાએ લખ્યું છે કે "મહાદેવની કૃપા જુઓ, આજે શિવરાત્રીના પવિત્ર દિવસે, એક નાની પરી, પાર્વતી સ્વરૂપા, મારા જીવનમાં આવી છે. મારી પુત્રીના રૂપમાં આ આનંદ મારા અને મારા પરિવાર માટે એક અમૂલ્ય આશીર્વાદ છે. આ લાગણી શબ્દોની બહાર છે."&nbsp;&nbsp;</p><h3 style="text-align: justify;"><b>તે 2021માં પહેલી વાર બની હતી માતા</b></h3><p style="text-align: justify;">બબીતા ​​ફોગાટ અને વિવેક સુહાગના લગ્ન 1 ડિસેમ્બર, 2019ના રોજ થયા હતા. બાદમાં તેઓ 2021 માં પહેલી વાર માતા-પિતા બન્યા, જેમાં એક પુત્રનો જન્મ થયો. 5 વર્ષ પછી પુત્રીના આગમનથી ફોગાટ અને સુહાગ પરિવારમાં ખુશી બમણી થઈ ગઈ છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/BabitaPhogat/status/2087172483585835482"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p style="text-align: justify;">હરિયાણાના ચરખી દાદરી જિલ્લાના બલાલી ગામની રહેવાસી બબીતા ​​ફોગાટ માત્ર એક કુસ્તીબાજ તરીકે જ નહીં પરંતુ દેશની દીકરીઓ માટે પ્રેરણા તરીકે પણ ઓળખાય છે. તેના પિતા મહાવીર સિંહ ફોગાટે તેમની દીકરીઓને કુસ્તી એવા સમયે શીખવી હતી જ્યારે છોકરીઓ માટે કુસ્તી રિંગમાં પ્રવેશ કરવો અત્યંત મુશ્કેલ માનવામાં આવતો હતો.</p><h4 style="text-align: justify;"><b>બબીતા ​​ફોગાટે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કર્યું</b></h4><p style="text-align: justify;">સામાજિક બંધનોને અવગણીને બબીતા ​​અને તેની બહેનો ગીતા, સંગીતા અને પિતરાઈ ભાઈ વિનેશ ફોગાટે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કર્યું. બબીતાએ 17 વર્ષની ઉંમરે 2006 કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીતીને નવી સિદ્ધિ મેળવી.&nbsp;</p><p style="text-align: justify;">ત્યારબાદ તેણે 2010 દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર અને 2014 ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં 55 કિગ્રા ફ્રીસ્ટાઈલ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો.&nbsp;</p><h5 style="text-align: justify;"><b>કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી બીજી ભારતીય મહિલા કુસ્તીબાજ</b></h5><p style="text-align: justify;">તે પોતાની મોટી બહેન ગીતા ફોગાટ પછી કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી બીજી ભારતીય મહિલા કુસ્તીબાજ બની. તેણે એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ અનેક મેડલ જીત્યા હતા અને 2016ના રિયો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. કુસ્તીમાંથી નિવૃત્તિ લીધા પછી બબીતા ​​2019 માં તેના પિતા મહાવીર સિંહ ફોગાટ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ.&nbsp;</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/Dz0NA0qIs0ZSA41JV2dkoY0iimc4sh8ics9B2zLr.webp'/></item><item><title><![CDATA[Gujarat Dam Level: રાજ્યના જળાશયોમાં 71 ટકા પાણીનો સંગ્રહ, ઉત્તર ગુજરાતનો એક પણ ડેમ ભરાયો નથી ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/state-reservoirs-at-71--storage--no-north-gujarat-dam-full</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/state-reservoirs-at-71--storage--no-north-gujarat-dam-full</guid><pubDate>Tue, 11 Aug 2026 22:11:08 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતના 207 મુખ્ય જળાશયોમાં હાલ કુલ ક્ષમતાના 71.00% જેટલો જળસંગ્રહ થઈ ચૂક્યો છે.રાજ્યની કુલ 25,257.56 મિલિયન ક્યુબિક મીટર (MCM) ક્ષમતા સામે હાલ 17,931.93 MCM પાણીનો જથ્થો ઉપલબ્ધ છે અને રાજ્યના કુલ 25 ડેમ પૂર્ણ 100% ભરાઈ ગયા છે.પરંતુ ડેટાનું ઊંડું વિશ્લેષણ કરતાં જણાય છે કે આ જળસંગ્રહમાં રાજ્યની જીવનદોરી સમાન સરદાર સરોવર ડેમનો મોટો હિસ્સો છે.એકલા સરદાર સરોવરમાં 82.55% પાણી સંગ્રહિત છે. જે સમગ્ર રાજ્યના કુલ ઉપલબ્ધ જળજથ્થાના 43.5%થી પણ વધુ ભાગ ધરાવે છે.</p><h2 style="text-align: justify; "><b>ઉત્તર ગુજરાતનો એક પણ ડેમ હજુ સુધી સંપૂર્ણ ભરાયો નથી</b></h2><p style="text-align: justify; ">જળાશયોની પ્રદેશવાર સ્થિતિ પર નજર નાખીએ તો દક્ષિણ ગુજરાતના 13 માંથી 9 ડેમ સંપૂર્ણ ભરાઈ જતાં ત્યાં સરેરાશ 75.53% જેટલો વિપુલ જળસંગ્રહ નોંધાયો છે. જેમાં તાપીનો ઉકાઈ ડેમ 76.29% ભરાયો છે.મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 57.63% અને સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 53.33% પાણી ઉપલબ્ધ છે.જેમાં શેત્રુંજી અને બ્રાહ્મણી જેવા 15 ડેમ પૂર્ણ ભરાયા છે.તેની સરખામણીએ ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં માત્ર 41.87% અને કચ્છના 20 જળાશયોમાં સૌથી ઓછો 25.32% જળસંગ્રહ થયો છે.જ્યાં ઉત્તર ગુજરાતનો એક પણ ડેમ હજુ સુધી સંપૂર્ણ ભરાયો નથી.</p><p style="text-align: justify; "><img alt="જળાશયોનો ડેટા" src="https://epapercdn.sandesh.com/images/2026/08/11/vDY9Dlq0xL30ITe4bct1kN3h4kF2XSpE6BELvFvY.webp" style="width: 100%;"><br></p><h3 style="text-align: justify; "><b>સુરેન્દ્રનગરમાં 83.57% જેટલો સારા પ્રમાણમાં જળસંગ્રહ થયો</b></h3><p style="text-align: justify; ">જિલ્લાવાર પૃથક્કરણ કરતા ચિંતાજનક વિગતો સામે આવે છે. ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પાણીની ભારે તંગી સર્જાય તેવી શક્યતા છે, જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના જળાશયોમાં માત્ર 1.08%, જામનગરમાં 11.76%, બનાસકાંઠામાં 21.15% અને જૂનાગઢમાં 24.45% જ પાણીનો જથ્થો બચ્યો છે. બનાસકાંઠાનો સીપુ ડેમ માત્ર 4.86% અને દાંતીવાડા ડેમ 25.94% જ ભરાયો છે. સામે પક્ષે ભરૂચ અને નવસારી જિલ્લાના ડેમો 100% ભરાઈ ગયા છે, જ્યારે ભાવનગરમાં 96.94% અને સુરેન્દ્રનગરમાં 83.57% જેટલો સારા પ્રમાણમાં જળસંગ્રહ થયો છે.</p><h2 style="text-align: justify; "><b>કેનાલ નેટવર્ક દ્વારા પાણી પહોંચાડવાનું યોગ્ય આયોજન&nbsp;</b></h2><p style="text-align: justify; ">આ વિશ્લેષણ દર્શાવે છે કે દક્ષિણ અને મધ્ય ગુજરાત તેમજ નર્મદા કમાન્ડ વિસ્તારમાં પીવાના પાણી અને સિંચાઈની સુરક્ષા સુનિશ્ચિત થઈ ગઈ છે, પરંતુ કચ્છ, ઉત્તર ગુજરાત અને દ્વારકા-જામનગર જેવા જિલ્લાઓમાં જો આવનારા દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો ભૂગર્ભ જળ પર નિર્ભરતા વધશે. હાલના તબક્કે તંત્ર સામે એક તરફ ઉકાઈ, શેત્રુંજી અને મચ્છુ જેવા 100% ભરાયેલા 25 ડેમોમાંથી સલામત રીતે પાણી છોડીને પૂર નિયંત્રણ કરવાનો પડકાર છે, તો બીજી તરફ ઓછો વરસાદ ધરાવતા વિસ્તારોમાં કેનાલ નેટવર્ક દ્વારા પાણી પહોંચાડવાનું યોગ્ય આયોજન કરવું પડશે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/sog-inspects-security-agencies-after-security-guard-crime-incident" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad: સિક્યુરિટી કર્મચારીના કુકર્મ બાદ SOG એક્શનમાં, ખાનગી એજન્સીઓમાં ચેકિંગ શરૂ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/cHhhRdYLLcwHcCDU4yNtob9skSy157ltAilIpPnG.webp'/></item><item><title><![CDATA[Bharuch News : જંબુસરના ડાભા ગામે દીપડાનો આંતક યથાવત, વધુ એક પશુનું મારણ કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bharuch/bharuch-news-leopard-terror-continues-in-dabha-village-of-jambusar-fear-among-villagers-as-one-more-animal-is-killed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bharuch/bharuch-news-leopard-terror-continues-in-dabha-village-of-jambusar-fear-among-villagers-as-one-more-animal-is-killed</guid><pubDate>Tue, 11 Aug 2026 21:56:56 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા ડાભા ગામે દીપડાનો ભયાનક આંતક યથાવત જોવા મળી રહ્યો છે. માત્ર એક જ અઠવાડિયાના ટૂંકા ગાળામાં દીપડા દ્વારા પશુનું મારણ કરવાની આ બીજી ઘટના સામે આવી છે. ગામમાં રહેતા મુસ્તાક મુલતાનીના તબેલામાં રાત્રિના સમયે ઘૂસેલા દીપડાએ માલધારીના પાડાના બચ્ચા પર ત્રાટકીને તેને દબોચી લીધું હતું અને ફાડી ખાઈને તેનું કરુણ મારણ કર્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>નજીકના ખેતરોમાં દીપડાના પંજાના નિશાન મળ્યા</b></h2><p style="text-align: justify; ">ઘટના બાદ સવારે આસપાસના ખેતરોમાં તપાસ કરતા દીપડાના સ્પષ્ટ પંજાના નિશાન જોવા મળ્યા હતા. નોંધનીય છે કે, માત્ર બે દિવસ પહેલાં જ ડાભા ગામની બિલકુલ બાજુમાં આવેલા સારોદ ગામની સીમમાં પણ દીપડો મુક્તપણે વિચરતો જોવા મળ્યો હતો. સીમ વિસ્તાર બાદ હવે ગામના તબેલા સુધી દીપડો આવી પહોંચતાં સમગ્ર પંથકના ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે ફાળ પડી છે અને ભયનો માહોલ વ્યાપી ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>પાંજરું ગોઠવી દીપડાને તાત્કાલિક ઝડપી લેવા પાડી ગ્રામજનોની માંગ</b></h2><p style="text-align: justify; ">ડાભા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સતત દીપડાના વધી રહેલા આંટાફેરા તેમજ પશુઓ પર થઈ રહેલા હુમલાઓને પગલે સ્થાનિકો પોતાની સુરક્ષાને લઈને ભારે ચિંતિત બન્યા છે. સીમમાં કામ કરતા ખેડૂતો અને રાત્રિના સમયે ખેતરે જતા ગ્રામજનોનું જીવન જોખમમાં મુકાયું છે. આથી વન વિભાગ દ્વારા વિલંબ કર્યા વગર ત્વરિત ધોરણે પાંજરું ગોઠવીને આ આદમખોર દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/surat/surat-news-complaint-filed-against-4-doctors-in-resident-dr-harsh-pandya-suicide-case-police-investigation-started" target="_blank">Surat News : રેસિડેન્ટ ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં 4 ડૉક્ટર સામે ફરિયાદ, પોલીસ તપાસ શરૂ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/UMH0QIiTCRqNXekADLDAcmXVRSLw2mvzyFCKFOyq.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: અસલાલી પોલીસે બ્રેઝા કારમાંથી 2,976 દારૂની બોટલ પકડી, 11.35 લાખનો મુદ્દામાલ જપ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/aslali-police-seize-liquor-brezza-car-two-arrested-11-lakh-muddamal</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/aslali-police-seize-liquor-brezza-car-two-arrested-11-lakh-muddamal</guid><pubDate>Tue, 11 Aug 2026 21:02:58 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરમાં દારૂની ગેરકાયદેસર ઘૂસણખોરી અટકાવવા માટે પોલીસ કમિશનરની સૂચનાથી અસલાલી પોલીસ સ્ટેશનની ટીમ હાઇવે અને સરહદી વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે એક મારુતિ બ્રેઝા કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ક્વાર્ટર અને બોટલોનો જથ્થો ભરીને અમદાવાદ શહેર તરફ વહાવવામાં આવી રહ્યો છે.</p><h2><b>અમદાવાદમાં વિદેશી દારૂ સાથે 2 બુટલેગર ઝડપાયા</b></h2><p>બાતમી મળતાં જ અસલાલી પોલીસની ટીમે વોચ ગોઠવીને શંકાસ્પદ બ્રેઝા કારને અટકાવી હતી. કારની તલાશી લેતાં અંદરથી મોટા પ્રમાણમાં દારૂના બોક્સ મળી આવ્યા હતા. પોલીસે કારમાંથી 2,976 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો, જેની બજાર કિંમત રૂ. 4.32 લાખથી વધુ અંકાય છે.પોલીસે સ્થળ પરથી દારૂની હેરાફેરી કરી રહેલા બે શખ્સો તેજારામ પ્રજાપતી અને રમેશકુમાર જાટની અટકાયત કરી લીધી હતી. બન્ને આરોપીઓ પાસેથી દારૂ સિવાય રોકડ રકમ, મોબાઈલ ફોન અને લક્ઝુરિયસ બ્રેઝા કાર મળીને કુલ રૂ. 11,35,000 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.</p><h3><b>રાજુરામ બિશ્નોઈને પોલીસે ચોપડે વોન્ટેડ</b></h3><p>આરોપીઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે દારૂનો આ મોટો જથ્થો રાજુરામ બિશ્નોઈ નામના બુટલેગરે ભરી આપ્યો હતો. આથી પોલીસે રાજુરામ બિશ્નોઈને ચોપડે વોન્ટેડ જાહેર કરીને તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. અસલાલી પોલીસે તમામ આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી, આ દારૂ અમદાવાદમાં ક્યાં અને કોને ડિલિવરી કરવાનો હતો તે અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/rajpipla/rajpipla-heavy-rainfall-second-round-monsoon-heat-relief" target="_blank">આ પણ વાંચો: Narmada: રાજપીપળામાં લાંબા વિરામ બાદ મોડી સાંજે ધોધમાર વરસાદ, ગરમીથી લોકોને મળી રાહત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/de6c9nEuVmTeQismu61jlniOhZCv5kM2XyYk9P4F.webp'/></item><item><title><![CDATA[Vadodara News: બોગસ બિલો બનાવી નશાકારક કફ સીરપના વેચાણનો પર્દાફાશ, 3  ફાર્મા પેઢીના લાયસન્સ રદ્દ ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/fake-bills-used-to-sell-cough-syrup-3-pharma-firms-licenses-cancelled</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/fake-bills-used-to-sell-cough-syrup-3-pharma-firms-licenses-cancelled</guid><pubDate>Tue, 11 Aug 2026 20:53:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા શહેર અને અમદાવાદમાં બોગસ બિલોના આધારે નશાકારક કફ સીરપનું ગેરકાયદેસર વેચાણ કરતી ફાર્મા પેઢીઓ સામે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લાલ આંખ કરી છે.વિભાગની ટીમે દરોડા પાડીને આ કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે અને ગંભીર બેદરકારી તથા કાયદાના ઉલ્લંઘન બદલ વડોદરા અને અમદાવાદની ત્રણ જાણીતી ફાર્મા પેઢીઓના પરવાના તાત્કાલિક અસરથી રદ્દ કરી દીધા છે.</p><h2 style="text-align: justify; "><b>મોટા પાયે બોગસ બિલો બનાવવામાં આવ્યા&nbsp;</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને મળેલી ચોક્કસ બાતમીના આધારે વડોદરાના સન ફાર્મા રોડ પર આવેલી SD ફાર્મા ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો.તપાસ દરમિયાન આ પેઢીએ ઉત્તરપ્રદેશથી આશરે 9 હજાર બોટલ જેટલો મોટો કોડીન કફ સીરપનો જથ્થો ખરીદ્યો હતો.આ નશાકારક સીરપના જથ્થાને કાગળ પર છુપાવવા અને બ્લેક માર્કેટમાં વેચવા માટે મોટા પાયે બોગસ બિલો બનાવવામાં આવ્યા હતા.</p><h3 style="text-align: justify; "><b>ત્રણેય પેઢીઓના પરવાના રદ્દ કરી દીધા</b></h3><p style="text-align: justify; ">SD ફાર્મા દ્વારા આ કફ સીરપનો જથ્થો વડોદરાની હરણી વિસ્તારમાં આવેલી 'AJ એન્ટરપ્રાઇઝ' તથા અમદાવાદની 'પ્રાન્સી એન્ટરપ્રાઇઝ'ને સપ્લાય કરવામાં આવ્યો હતો.ગેરકાયદેસર રીતે નશાકારક દવાઓનો જથ્થો સપ્લાય કરવાનો કાળો કારોબાર પકડાતાં તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. આ સમગ્ર રેકેટ બહાર આવતાં જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે SD ફાર્મા, AJ એન્ટરપ્રાઇઝ અને પ્રાન્સી એન્ટરપ્રાઇઝ  આ ત્રણેય પેઢીઓના પરવાના રદ્દ કરી દીધા છે.તંત્ર દ્વારા આ કેસમાં સંકળાયેલા તમામ સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/sog-inspects-security-agencies-after-security-guard-crime-incident" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad: સિક્યુરિટી કર્મચારીના કુકર્મ બાદ SOG એક્શનમાં, ખાનગી એજન્સીઓમાં ચેકિંગ શરૂ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/RRKhYrTmgCkURaR8XjTeYKVj4PhiScwiXscx7LPP.webp'/></item><item><title><![CDATA[Suniel Shetty Birthday: 90ના દાયકાના એક્શન સ્ટાર 'અન્ના'નો જન્મદિવસ, પુત્ર અહાન અને જેકી શ્રોફે પાઠવી ખાસ શુભેચ્છા ]]></title><link>https://sandesh.com/entertainment/news/suniel-shetty-birthday-90s-action-star-anna-celebrates-his-birthday-son-ahan-and-jackie-shroff-send-special-wishes</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/suniel-shetty-birthday-90s-action-star-anna-celebrates-his-birthday-son-ahan-and-jackie-shroff-send-special-wishes</guid><pubDate>Tue, 11 Aug 2026 14:52:31 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડના લોકપ્રિય અભિનેતા સુનીલ શેટ્ટી આજે ૧૧ ઓગસ્ટના રોજ તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ પ્રસંગે સોશિયલ મીડિયા પર ચાહકો, બોલીવુડ સેલિબ્રિટીઝ અને તેમના નજીકના મિત્રો તરફથી શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. અભિનેતાના પુત્ર અહાન શેટ્ટીએ પિતા સાથેની એક સુંદર તસવીર શેર કરીને લખ્યું, "હેપ્પી બર્થડે, પપ્પા." બીજી તરફ, તેમના ખાસ મિત્ર અને દિગ્ગજ અભિનેતા જેકી શ્રોફે પણ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફોટો શેર કરતા લખ્યું, "ધ રીઅલ ભીડુ... હેપ્પી બર્થડે."</p><h2 style="text-align: justify; "><b>અન્નાની જેકી શ્રોફ સાથેની ખાસ કેમિસ્ટ્રી</b></h2><p style="text-align: justify; ">જેકી શ્રોફ અને સુનીલ શેટ્ટી વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા છે. બંને કલાકારોએ 'બોર્ડર' (૧૯૯૭), 'બાઝ: અ બર્ડ ઇન ડેન્જર', 'હલચલ' અને 'અપના સપના મની મની' જેવી અનેક યાદગાર ફિલ્મોમાં સાથે કામ કરીને પ્રેક્ષકોનું મનોરંજન કર્યું છે. તાજેતરમાં આવેલી બોર્ડર 2 ફિલ્મમાં સુનીલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટીએ કામ કર્યું. અગાઉની ફિલ્મમાં એરફોર્સ પાયલટ તરીકેનો રોલ હતો તે બોર્ડર-2માં અહાને કર્યો હતો. અન્ના અને જેકીશ્રોફના સંબંધો હંમેશા સારા રહ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>સુનીલ શેટ્ટીની ૩ દાયકા લાંબી કારકિર્દી અને ૧૦૦થી વધુ ફિલ્મો</b></h3><p style="text-align: justify;">સુનીલ શેટ્ટીએ પોતાની ત્રણ દાયકાથી વધુ લાંબી ફિલ્મી સફરમાં ૧૦૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે વર્ષ ૧૯૯૨માં રિલીઝ થયેલી એક્શન ફિલ્મ 'બલવાન'થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ 'મોહરા', 'દિલવાલે', 'ગોપી કિશન' અને 'સપૂત' જેવી સુપરહિત ફિલ્મો આપીને તેઓ ૯૦ના દાયકાના સૌથી સફળ અને વ્યસ્ત એક્શન સ્ટાર તરીકે સ્થાપિત થયા હતા.</p><h4 style="text-align: justify; "><b>'હેરાફેરી' અને 'ધડકન'થી બદલાયેલી ઈમેજ</b></h4><p style="text-align: justify; ">વર્ષ ૨૦૦૦માં આવેલી કોમેડી ક્લાસિક ફિલ્મ 'હેરા ફેરી'માં 'શ્યામ'નું પાત્ર ભજવીને સુનીલ શેટ્ટીએ પોતાની એક્શન હીરોની છબી બદલી નાખી હતી. આ ઉપરાંત, 'ધડકન' (૨૦૦૦) અને 'મૈં હૂં ના' (૨૦૦૪) જેવી ફિલ્મોમાં નકારાત્મક ભૂમિકા ભજવીને તેમણે પોતાની એક્ટિંગની વિવિધતા સાબિત કરી. 'ધડકન' ફિલ્મમાં તેમના શાનદાર અભિનય માટે તેમને બેસ્ટ વિલનનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. અભિનય ઉપરાંત, તેમણે પોતાના પ્રોડક્શન હાઉસ 'પોપકોર્ન એન્ટરટેઈનમેન્ટ' હેઠળ 'ખેલ', 'રક્ત' અને 'ભાગમ ભાગ' જેવી સફળ ફિલ્મોનું નિર્માણ પણ કર્યું છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/controversy-over-portrayal-of-women-in-partition-1947-it-is-unfair-to-reach-final-conclusions-without-understanding-preity-zintas-blunt-response" target="_blank">આ પણ વાંચો : Partition 1947માં મહિલાઓના ચિત્રણ વિવાદ પર ટિકાકારો અને વિરોધ કરનારાઓને પ્રિતી ઝિન્ટાનો રોકડો જવાબ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/GKjEqdrVAMv4uzXKAO7cv0SAwkB7pFXCZIyzGQbJ.webp'/></item></channel></rss>