<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Suratના જહાંગીરપુરામાં ધોરણ 12ના વિદ્યાર્થીએ કર્યો આપઘાતનો પ્રયાસ! ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/a-class-12-student-attempted-suicide-in-jahangirpura-surat</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/a-class-12-student-attempted-suicide-in-jahangirpura-surat</guid><pubDate>Tue, 18 Aug 2026 14:55:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાંથી એક ચોંકાવનારી અને ચિંતાજનક ઘટના સામે આવી છે. ધોરણ 12માં અભ્યાસ કરતા એક માસુમ વિદ્યાર્થીએ પરીક્ષાના ભારે માનસિક તણાવમાં આવીને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીએ સુરત મહાનગરપાલિકા સંચાલિત મોઝેક ગાર્ડનના શૌચાલયમાં જઈને પોતાના હાથની નસ કાપી નાખી હતી. નસ કાપ્યા બાદ અતિશય લોહી વહી જતાં વિદ્યાર્થી ત્યાં જ ઢળી પડ્યો હતો. બનાવની જાણ થતાં જ તેને અત્યંત ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>ગંભીર હાલતમાં વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડાયો</b></h2><p style="text-align: justify; ">આ વિદ્યાર્થી ધોરણ 12 બોર્ડના અભ્યાસ અને પરીક્ષાના તણાવથી ઝૂરતો હતો. પરીક્ષાના ડર અને અભ્યાસના ભારણને કારણે તેણે આ આત્યંતિક પગલું ભર્યું હોવાની પ્રબળ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગાર્ડનમાં આવેલા શૌચાલયમાંથી લોહીલુહાણ હાલતમાં વિદ્યાર્થી મળી આવતાં જ આસપાસના લોકોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. હાલમાં હોસ્પિટલમાં તબીબો દ્વારા વિદ્યાર્થીની સઘન સારવાર કરવામાં આવી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>જહાંગીરપુરા પોલીસે તપાસ હાથ ધરી</b></h3><p style="text-align: justify; ">બનાવ અંગે જાણ થતાં જ જહાંગીરપુરા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને કાયદેસરની તપાસ હાથ ધરી હતી. પોલીસે ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરી વિદ્યાર્થીના પરિવારજનોને જાણ કરી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારના વાલીઓ અને શિક્ષકોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. નિષ્ણાતો અને પોલીસે પણ વાલીઓને અપીલ કરી છે કે પરીક્ષાના સમયે બાળકો પર અભ્યાસનું બિનજરૂરી દબાણ ન બનાવવું અને તેમના માનસિક સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/Fup58zWEgF4NDIPObKKnAHhVpNvu4IWSusQUIRUE.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના નવરંગપુરામાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગનું દરોડાત્મક ચેકિંગ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/raid-checking-of-the-municipal-corporations-food-department-at-st-xaviers-school-in-navrangpura-ahmedabad</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/raid-checking-of-the-municipal-corporations-food-department-at-st-xaviers-school-in-navrangpura-ahmedabad</guid><pubDate>Tue, 18 Aug 2026 14:32:56 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી પ્રખ્યાત સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શાળા પરિસરમાં ચાલી રહેલી કેન્ટીનમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા ચકાસવા માટે આ તપાસ હાથ ધરાઈ હતી. ચેકિંગ દરમિયાન કેન્ટીનમાં ભારે અસ્વચ્છતા અને અત્યંત અણછાજતી તથા અનહાઇજીનિક પરિસ્થિતિ જોવા મળી હતી. શાળામાં અભ્યાસ કરતા નાના માસૂમ બાળકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થતાં હોવાનું સામે આવતાં ફૂડ વિભાગના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતાં કડક કાર્યવાહી</b></h2><p style="text-align: justify;">કેન્ટીન સંચાલકો દ્વારા સ્વચ્છતાના નિયમો અને આરોગ્ય વિષયક ધોરણોનું પાલન કરવામાં આવતું ન હોવાનું સ્પષ્ટ જણાતાં ફૂડ વિભાગે ત્વરિત અને આકરી કાર્યવાહી કરી હતી. સ્થળ પર જ કેન્ટીનને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા ખોરાક અને રસોડાની જગ્યામાં જોવા મળેલી ગંદકીને કારણે આરોગ્ય તંત્ર દ્વારા આ આકરું પગલું ભરવામાં આવ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>શહેરની અન્ય શાળાઓ અને કેન્ટીન સંચાલકોમાં ફફડાટ</b></h3><p style="text-align: justify;">સેન્ટ ઝેવિયર્સ જેવી નામાંકિત શાળાની કેન્ટીનમાંથી અસ્વચ્છતા મળી આવતાં અને તેને સીલ કરી દેવાતાં સમગ્ર અમદાવાદ શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ કાર્યવાહી બાદ વાલીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું હોય તેવું લાગી છે. મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે બાળકોના સ્વાસ્થ્ય સાથે સમાધાન કરનાર કોઈપણ સંસ્થાઓ કે કેન્ટીન સામે આગામી દિવસોમાં પણ આવી જ રીતે આકરા પગલાં લેવાનું ચાલુ રાખવામાં આવશે.</p><p style="text-align: justify;"><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/NJrcnE3G4zYcqDA3UrJUDIiYA0yHNzXpuaw9qEPE.webp'/></item><item><title><![CDATA[National Sports Awards 2025 announced : તેજસ્વિન શંકર અને અન્ય 17 ખેલાડીઓને મળશે અર્જુન પુરસ્કાર ]]></title><link>https://sandesh.com/sports/news/national-sports-awards-2025-announced-tejaswin-shankar-and-17-other-players-to-receive-arjuna-award</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/national-sports-awards-2025-announced-tejaswin-shankar-and-17-other-players-to-receive-arjuna-award</guid><pubDate>Tue, 18 Aug 2026 14:32:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારત સરકારે રાષ્ટ્રીય રમતગમત પુરસ્કારો 2025 ની જાહેરાત કરી છે. અર્જુન પુરસ્કાર માટે 17 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. એથ્લેટિક્સથી લઈને બેડમિન્ટન, હોકી, ચેસ, શૂટિંગ અને કબડ્ડી સુધીની વિવિધ રમતોના ખેલાડીઓને અર્જુન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. રમતગમત મંત્રાલયે પસંદગી સમિતિની ભલામણોના આધારે આ પુરસ્કારોની જાહેરાત કરી છે.</p><h4 style="text-align: justify;"><b>રાષ્ટ્રીય રમતગમત પુરસ્કારોની યાદી જાહેર</b></h4><p style="text-align: justify;">રાષ્ટ્રીય રમતગમત પુરસ્કારો 2025 ની યાદી જાહેર કરતા, યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે જણાવ્યું હતું કે દર વર્ષે, રમતગમતમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓ, કોચ અને સંસ્થાઓને આ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષે, સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ (નિવૃત્ત) અરુણ કુમાર મિશ્રાની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિએ પુરસ્કારો માટે નામોની ભલામણ કરી હતી.</p><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/IndiaSports/status/2089637873230463475?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify;"><br></p><h5 style="text-align: justify;"><b>આ ખેલાડીઓને અર્જુન પુરસ્કાર મળશે.</b></h5><p style="text-align: justify; ">2025ના અર્જુન પુરસ્કાર માટે કુલ 17 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. તેજસ્વિન શંકર, મોહમ્મદ અજમલ વી અને પ્રિયંકા ગોસ્વામીને એથ્લેટિક્સમાં આ સન્માન પ્રાપ્ત થશે. બેડમિન્ટનમાં સુપ્રસિદ્ધ કોચ પુલેલા ગોપીચંદની પુત્રી ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદની પસંદગી કરવામાં આવી છે. નરેન્દ્રને બોક્સિંગમાં અર્જુન પુરસ્કાર પ્રાપ્ત થશે.વિદિત સંતોષ ગુજરાતી અને દિવ્યા જીતેન્દ્ર દેશમુખને ચેસમાં આ સન્માન મળશે. ધનુષ શ્રીકાંતનો પણ બહેરા શૂટિંગમાં સમાવેશ થાય છે. લાલરેમસિયામી અને રાજકુમાર પાલને હોકીમાં અર્જુન એવોર્ડ મળશે. કબડ્ડીમાં સુરજીત અને પૂજાની પસંદગી કરવામાં આવી છે. પેરા-શૂટિંગમાં રુદ્રાંશ ખંડેલવાલ, પેરા-એથ્લેટિક્સમાં એકતા ભયાન, રોઇંગમાં અરવિંદ સિંહ અને શૂટિંગમાં અખિલ શિયોરનને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.</p><h5 style="text-align: justify;"><b>આજીવન અર્જુન એવોર્ડની પણ જાહેરાત</b></h5><p style="text-align: justify;">ફૂટબોલના આઈ. અરુમાનયગમને અર્જુન એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે, જે રમતગમતમાં લાંબા ગાળાનું યોગદાન આપનારા ખેલાડીઓને આપવામાં આવે છે. આ એવોર્ડ એવા ખેલાડીઓને આપવામાં આવે છે જેમણે તેમની સક્રિય કારકિર્દી દરમિયાન અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે અને નિવૃત્તિ પછી પણ રમતગમતના વિકાસમાં યોગદાન આપતા રહે છે.</p><h5 style="text-align: justify;"><b>કોચને દ્રોણાચાર્ય એવોર્ડ પણ પ્રાપ્ત થશે</b></h5><p style="text-align: justify;">રાષ્ટ્રીય રમતગમત પુરસ્કારોમાં દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતાઓના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. નિયમિત શ્રેણીમાં, એથ્લેટિક્સના પરવીર સિંહ, બોક્સિંગના છોટે લાલ યાદવ અને શૂટિંગના નેહા નંદકુમાર ચવ્હાણની પસંદગી કરવામાં આવી છે. લાઇફટાઇમ શ્રેણીમાં, બોક્સિંગના ધર્મેન્દ્ર સિંહ યાદવ અને કુસ્તીના વીરેન્દ્ર કુમારને સન્માનિત કરવામાં આવશે.</p><p style="text-align: justify;">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/world-championships-2026-aayush-shetty-scores-historic-win-by-defeating-world-number-1" target="_blank"> World Championships 2026: આયુષ શેટ્ટીએ વિશ્વના નંબર 1 ખેલાડીને હરાવી ઐતિહાસિક જીત મેળવી</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/xo47fWJorHfBwNcq6ohySJESbutGlmhsEtpRZIZR.webp'/></item><item><title><![CDATA[પેટ્રોલ ₹5.77 તો ડીઝલ ₹6.47 પ્રતિ લિટરનો વધારો ઝીંકાયો, આ દેશમાં સરકારે લીધો મહત્વનો નિર્ણય ]]></title><link>https://sandesh.com/world/news/business/pakistan-petrol-diesel-price-hike-august</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/business/pakistan-petrol-diesel-price-hike-august</guid><pubDate>Tue, 18 Aug 2026 14:29:51 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પડોશી દેશ પાકિસ્તાનમાં મોંઘવારીએ વધુ એક ફટકો માર્યો છે અને ત્યાં ફરી એકવાર પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં અધધ વધારો કરવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, 18 ઓગસ્ટે તેલના ભાવમાં ભારે વધારો મંજૂર કરવામાં આવ્યો હતો, જેના કારણે સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે. આ નવા વધારા મુજબ, પેટ્રોલના ભાવમાં ₹5.77 પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે હાઇ-સ્પીડ ડીઝલના ભાવમાં ₹6.47 પ્રતિ લિટરનો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ ભાવવધારા બાદ પાકિસ્તાનમાં પેટ્રોલ હવે ₹331.20 પ્રતિ લિટર અને હાઇ-સ્પીડ ડીઝલ ₹390.42 પ્રતિ લિટરના જંગી ભાવે વેચાઈ રહ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>ક્રૂડ ઓઇલના ભાવમાં થઇ રહેલા ફેરફારની અસર</b></h2><p style="text-align: justify; ">વૈશ્વિક સ્તરે પ્રવર્તતી આર્થિક અનિશ્ચિતતા અને કાચા તેલ (ક્રૂડ ઓઇલ) ના બજાર ભાવમાં સતત થઈ રહેલા ફેરફારોને ધ્યાનમાં રાખીને, પાકિસ્તાનમાં હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ સાપ્તાહિક ધોરણે નક્કી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા માળખા અંતર્ગત આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિ જોઈને દર સાત દિવસે તેલના ભાવોની સમીક્ષા કરવામાં આવશે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સતત અસ્થિરતા જોવા મળી રહી છે, જેની સીધી અસર સ્થાનિક બજારો પર પડી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>પાકિસ્તાનમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો</b></h3><p style="text-align: justify; ">બીજી બાજુ, ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ હાલમાં સંપૂર્ણપણે સ્થિર છે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ભારતમાં છેલ્લે મે મહિનામાં તેલના ભાવમાં ફેરફાર થયો હતો, ત્યારથી દરો યથાવત છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ઊંચા ભાવો પાછળ મુખ્ય કારણોમાં ઈરાન-ઇઝરાયલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસ્થિર પરિસ્થિતિ રહી છે. યુદ્ધ શરૂ થયા બાદ ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $110 ને વટાવી ગયા હતા, જે હાલમાં પણ $80 ની ઉપર જળવાઈ રહ્યા છે. આ વૈશ્વિક દબાણ છતાં ભારતીય બજારમાં ગ્રાહકોને રાહત આપવામાં આવી છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/jp-nadda-angioplasty-aiims-delhi-successful" target="_blank">આ પણ વાંચોઃ Delhi:  જેપી નડ્ડાની દિલ્હી એઈમ્સમાં એન્જીયોપ્લાસ્ટી સફળ, તબિયત હાલ સ્થિર</a></b><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/buW4mG1Mb6wWmNBjAQmTVkxZKcEfI5fBG6FxMTl9.webp'/></item><item><title><![CDATA[Delhi Jantar Mantar Protest: સાદા કપડામાં અમારા જવાનો જ હતા, સુપ્રીમ કોર્ટમાં દિલ્હી પોલીસનું સોગંધનામુ ]]></title><link>https://sandesh.com/india/news/delhi-jantar-mantar-protest-only-our-jawans-were-in-plain-clothes-delhi-polices-affidavit-in-the-supreme-court</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/delhi-jantar-mantar-protest-only-our-jawans-were-in-plain-clothes-delhi-polices-affidavit-in-the-supreme-court</guid><pubDate>Tue, 18 Aug 2026 14:08:47 +05:30</pubDate><description><![CDATA[<p>દિલ્હી કોકરોચ જનતા પાર્ટી દ્વારા જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. જે દરમિયાન વિદ્યાર્થીઓ સાથે થયેલી અથડામણના વીડિયો સામે આવ્યા હતા. જેમાં સાદા કપડામાં હાજર લોકો દ્વારા કાર્યવાહી કરવાને લઇને દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટમાં આ ઘટનાના એક મહિના બાદ સોંગધનામુ દાખલ કર્યું છે.</p><h2><b>સાદા કપડામાં જવાનો તૈનાત કરાયા- સચિન શર્મા&nbsp;</b></h2><p>જેમાં જણાવ્યા મુજબ સાદા ડ્રેસમાં જેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હતી તેઓ જવાનો જ હતા.&nbsp; સોગંદનામામાં દિલ્હી પોલીસના ડેપ્યુટી કમિશનર સચિન શર્માએ જણાવ્યું હતું કે તેઓએ જાણી જોઈને ભીડમાં સાદા કપડામાં કર્મચારીઓને તૈનાત કર્યા હતા. પોલીસે દાવો કર્યો છે કે આ એક વ્યૂહાત્મક પગલાના ભાગ રૂપે કરવામાં આવ્યું હતું, નોંધ્યું હતું કે સ્પેશિયલ બ્રાન્ચ અને ક્રાઈમ બ્રાન્ચના કર્મચારીઓને પ્રદર્શનકારીઓમાં તૈનાત કરવામાં આવ્યા હતા.</p><p>લાઈવલો અનુસાર દિલ્હી પોલીસે આ કાર્યવાહીનો બચાવ કર્યો છે, અને કહ્યું છે કે આવી યુક્તિઓનો ઉપયોગ અગાઉ ભીડને નિયંત્રિત કરવા માટે કરવામાં આવ્યો છે અને તે અસામાન્ય નથી. પોલીસે ખિલ્લી વાળી લાકડીના&nbsp; ઉપયોગ અંગેના મુદ્દાને પણ સ્પષ્ટ કર્યો. તેમણે જણાવ્યું હતું કે આવી લાકડીનો ઉપયોગ ફક્ત એક જ જગ્યાએ જોવા મળ્યો હતો અને વાસ્તવમાં તે એક પ્રદર્શનકારીના હાથમાં હતી. શક્ય છે કે તેઓ તેને પર ઝંડો લગાવીને લાવ્યા હોય.&nbsp;&nbsp;</p><h3><b>'ભીડને કાબૂમા કરવા લાઠીચાર્જ કરવો અયોગ્ય નહી'</b></h3><p>વિરોધ દરમિયાન સાદા કપડા પહેરેલા કર્મચારીઓએ પ્રદર્શનકારીઓ પર ભારે લાઠીચાર્જ કર્યો. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આશરે 200 પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હતા, જ્યારે લગભગ 250 પોલીસ કર્મચારીઓને પણ ઇજાઓ પહોંચી હતી. પોલીસનો દાવો છે કે ભીડને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કરવો અયોગ્ય નથી.</p><p>ઉલ્લેખનીય છે કે&nbsp; માનવ અધિકાર આયોગમાં સાદા કપડા પહેરેલા કર્મચારીઓની તૈનાતી અંગે ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. વધુમાં, અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો, એવી દલીલ કરી હતી કે સાદા કપડા પહેરેલા કર્મચારીઓ જ પરિસ્થિતિને વધુ ખરાબ કરે છે અને મુશ્કેલી ઉભી કરે છે.</p><p><br></p><h4><b>સાદા કપડામાં કેમ પોલીસ તૈનાત કરાય છે?&nbsp;</b></h4><p><b>1. ગુપ્ત માહિતી એકત્રિત કરવી: </b></p><p>વિરોધ પ્રદર્શનો અથવા મોટી ઘટનાઓ દરમિયાન, સ્થાનિક ગુપ્તચર એકમ (LIU) અથવા સ્પેશિયલ બ્રાન્ચના કર્મચારીઓ સાદા કપડા પહેરેલા લોકોમાં ભળી જાય છે જેથી ખાતરી કરી શકાય કે અસામાજિક તત્વો ગુપ્ત રીતે હિંસા ભડકાવે નહીં.</p><p><b> 2. પરિસ્થિતિને અસ્થિર બનતી અટકાવવી:</b></p><p>ભીડની અંદરના વિકાસ પર નજર રાખવા અને પછીની રણનીતિ નક્કી કરવા માટે કર્મચારીઓને સાદા કપડા પહેરેલા લોકોમાં તૈનાત કરવામાં આવે છે. તેમની ભૂમિકા ભીડને ઉશ્કેરાયેલી અથવા હિંસક બનતી અટકાવવાની છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/ioOCi1p8R13YFgUi3rS8Ubu4lhqOD2wD5S9RcXo8.webp'/></item><item><title><![CDATA[Rajkotમાં મોટો પર્દાફાશ : 1 કરોડથી વધુની કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપાયો, બે આરોપીઓની ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/rajkot/rajkot-sog-seizes-ganja-worth-1-crore-bamanbor-highway</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/rajkot/rajkot-sog-seizes-ganja-worth-1-crore-bamanbor-highway</guid><pubDate>Tue, 18 Aug 2026 14:07:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટમાં નશાના કારોબાર વિરુદ્ધ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. રાજકોટ શહેર SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા અમદાવાદ-રાજકોટ હાઈવે પર બામણબોર ગામ તરફ જવાના રસ્તેથી રૂ. 1 કરોડથી વધુની કિંમતનો વિશાળ ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ મામલે સંયુક્ત પોલીસ કમિશનર (JCP) ચૈતન્ય માંડલિક દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને સમગ્ર ઓપરેશનની વિગતો જાહેર કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>સૌરાષ્ટ્રમાં ગાંજાનો મોટો જથ્થો સપ્લાય થવાનો હોવાની બાતમી</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, ઓરિસ્સાથી ટ્રક મારફતે સૌરાષ્ટ્રમાં ગાંજાનો મોટો જથ્થો સપ્લાય થવાનો હોવાની બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે SOGની ટીમે બામણબોર પાસેથી વોચ ગોઠવીને ટ્રકને ઝડપી લીધી હતી.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>બે શખ્સોને રંગે હાથે ઝડપી પાડ્યા</b></h3><p style="text-align: justify; ">આ કાર્યવાહી દરમિયાન પોલીસે મહમદ ઉર્ફે કાળો અને અરબાઝ સંધિ નામના બે શખ્સોને રંગે હાથે ઝડપી પાડ્યા છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે રમીઝ ઉર્ફે માયો દ્વારા આ બંને આરોપીઓને ટ્રક દીઠ 20 હજાર રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.</p><h4 style="text-align: justify; "><b>ગાંજાનો જથ્થો અમિત ઉર્ફે ગુરખો દ્વારા પૂરો પાડવામાં આવ્યો</b></h4><p style="text-align: justify; ">પોલીસ પૂછપરછમાં એ પણ ખુલાસો થયો છે કે ઓરિસ્સાથી આ ગાંજાનો જથ્થો અમિત ઉર્ફે ગુરખો દ્વારા પૂરો પાડવામાં આવ્યો હતો. પોલીસે ગાંજાના જથ્થા સાથે ટ્રક અને અન્ય મુદ્દામાલ સહિત કુલ 1.50  કરોડ રૂપિયાથી વધુની મિલકત જપ્ત કરી છે. આરોપીઓ આ પ્રતિબંધિત નશીલો પદાર્થ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરવાના હતા.</p><h4 style="text-align: justify; "><b>સમગ્ર નેટવર્ક અંગે વધુ મોટા ખુલાસા થવાની સંભાવના&nbsp;</b></h4><p style="text-align: justify; ">મુખ્ય સૂત્રધાર અમિત ઉર્ફે ગુરખો ઝડપાયા બાદ નાણાકીય લેતીદેતી અને સમગ્ર નેટવર્ક અંગે વધુ મોટા ખુલાસા થવાની સંભાવના છે. આ ગંભીર મામલાની આગામી તપાસ હવે ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે સૌરાષ્ટ્રમાં કોણ-કોણ આ ગાંજો ખરીદતું હતું અને કયા-કયા શખ્સોને તેનું વેચાણ કરવામાં આવતું હતું.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">&nbsp;આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; <a href="https://sandesh.com/gujarat/news/political-news/ahmedabad/tarun-chugh-appointed-gujarat-bjp-incharge-profile-and-political-career#google_vignette" target="_blank"><b>&nbsp; PM Modiના રાજ્યમાં પ્રભારી તરીકે મુકાયેલા તરુણ ચુગ કોણ છે ? કેમ સોંપાઇ ગુજરાતની મહત્વની જવાબદારી ?</b></a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/jlwAsM9rSAAtkjxbSwVIAuSnOjiBmqj7ICFylYfH.webp'/></item><item><title><![CDATA[Nag Panchami ના દિવસે શાહરૂખ ખાનના બંગલા 'મન્નત'માં નીકળ્યો 8 ફૂટ લાંબો સાપ ]]></title><link>https://sandesh.com/entertainment/news/an-8-foot-long-snake-emerged-in-shahrukh-khans-bungalow-mannat-on-the-day-of-nag-panchami</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/an-8-foot-long-snake-emerged-in-shahrukh-khans-bungalow-mannat-on-the-day-of-nag-panchami</guid><pubDate>Tue, 18 Aug 2026 13:41:22 +05:30</pubDate><description><![CDATA[<p>બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના મુંબઈના બાંદ્રા સ્થિત આલીશાન બંગલા 'મન્નત'માંથી એક સાપ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. 17 ઓગસ્ટના રોજ મન્નતના લૉનમાં અચાનક સાપ દેખાતા તુરંત જ રેસ્ક્યૂ ટીમને જાણ કરવામાં આવી હતી. અગાઉ અભિનેત્રી અર્ચના પૂરન સિંહના બંગલેથી સાપની કાંચળી મળી હતી. શાહરૂખ જેવા સ્ટાર્સના ઘરેથી સાપ નીકળવાની ઘટનાથી તેના ફેન્સ ચિંતિત થયા છે. જો કે ટીમ દ્વારા સુરક્ષિત રીતે સાપનું રેસ્કયૂ કરાયું હતું.</p><h2><b>શાહરૂખના ઘરેથી નીકળેલા સાપનું કરાયું રેસ્કયૂ</b></h2><p>ઘટનાની માહિતી મળતા જ સ્નેક કેચર વિક્કી દુબે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર પરિસરમાં શોધખોળ હાથ ધરી હતી. ટીમે અત્યંત સાવધાનીપૂર્વક સાપને સુરક્ષિત રીતે પકડી લીધો હતો. પકડાયેલો સાપ ધમણ (ઇન્ડિયન રેટ સ્નેક) પ્રજાતિનો હતો. આ સાપ આશરે 8 ફૂટ લાંબો હતો. આ સાપ બિન-ઝેરી હોવાનું સામે આવતા મન્નતના સ્ટાફ અને સિક્યુરિટી ગાર્ડ્સે રાહતનો શ્વાસ લીધો હતો.</p><h3><b>નાગપંચમીના દિવસે શાહરૂખના ઘરે સાપ</b></h3><p>સૌથી રસપ્રદ વાત એ રહી કે આ ઘટના નાગ પંચમીના પવિત્ર દિવસે જ બની હતી. ઉલ્લેખનીય છે કે, બાંદ્રાના પોશ વિસ્તારમાં આવેલો મન્નત બંગલો શાહરૂખ ખાને 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, જેની હાલની કિંમત આશરે ₹300 કરોડ અંકાય છે. નાગપંચમીના દિવસે ઘરમાંથી સાપ નીકળવાને લઈને જુદી-જુદી માન્યાત છે. એક માન્યતા મુજબ ઘરમાં સાપ અથવા તો સાપની કાંચળી નીકળવાને શુભ માનવામાં આવે છે. નાગપંચમીએ સાપ નીકળવાને સુખ, સમૃદ્ધિનો સંકેત ગણાય છે.</p><h4><b>શાહરૂખના આગામી પ્રોજેક્ટ</b></h4><p>શાહરૂખ ખાન ટૂંક સમયમાં જ સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ "કિંગ"માં જોવા મળશે, જે 24 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેમની સાથે દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન, સુહાના ખાન, રાઘવ જુયાલ અને રાની મુખર્જી મુખ્ય ભૂમિકામાં નજરે પડશે.</p><p><br></p><p><a href="https://sandesh.com/entertainment/news/hema-malini-got-emotional-after-watching-batwara-1947-movie-praised-sunny-deol-and-shabana-azmi" target="_blank">આ પણ વાંચો : Batwara 1947 Movie જોઈ ભાવુક થઈ હેમા માલિની, સની દેઓલ અને શબાના આઝમીના વખાણ કર્યા, આપ્યો ખાસ મેસેજ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/QxsUpbiy1gV8mJEmGj17Hyr1dakwwW4g2BuDHdD7.webp'/></item><item><title><![CDATA[Delhi:  જેપી નડ્ડાની દિલ્હી એઈમ્સમાં એન્જીયોપ્લાસ્ટી સફળ, તબિયત હાલ સ્થિર ]]></title><link>https://sandesh.com/india/news/jp-nadda-angioplasty-aiims-delhi-successful</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/jp-nadda-angioplasty-aiims-delhi-successful</guid><pubDate>Tue, 18 Aug 2026 13:24:41 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ 17 ઓગસ્ટના રોજ દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) ખાતે કાર્ડિયોલોજી વિભાગના નિષ્ણાત ડૉક્ટરોની દેખરેખ હેઠળ એન્જીયોપ્લાસ્ટી કરાવી છે. હોસ્પિટલના જણાવ્યા અનુસાર, તેમની તબિયત હાલમાં સંપૂર્ણપણે સ્થિર છે અને તેઓ સતત ડૉક્ટરોની કડક દેખરેખ હેઠળ છે.</p><h2 style="text-align: justify; "><b>દિલ્હી એઈમ્સના કાર્ડિયોલોજીમાં કરાયા હતા દાખલ</b></h2><p style="text-align: justify; ">સ્વાસ્થ્ય સંબંધી અસ્વસ્થતાની ફરિયાદ બાદ જેપી નડ્ડાને 13 ઓગસ્ટની સાંજે દિલ્હી એઈમ્સના કાર્ડિયોલોજી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ થયાના પ્રથમ જ દિવસે ડૉક્ટરો દ્વારા તેમની એન્જીયોગ્રાફી સહિતના મહત્વપૂર્ણ સ્વાસ્થ્ય પરીક્ષણો કરવામાં આવ્યા હતા. આ પ્રારંભિક ટેસ્ટના રિપોર્ટ્સ અને તબીબી મૂલ્યાંકનના આધારે ડૉક્ટરોએ આગળની પ્રક્રિયા તરીકે એન્જીયોપ્લાસ્ટી કરવાનો નિર્ણય લીધો હતો.</p><h3 style="text-align: justify; "><b>જેપી નડ્ડાની એન્જીયોપ્લાસ્ટી રહી સફળ</b></h3><p style="text-align: justify; ">તબીબી ભાષામાં એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી વચ્ચે સ્પષ્ટ તફાવત છે. એન્જીયોગ્રાફી એ એક પ્રકારની તપાસ છે જે હૃદયની રક્તવાહિનીઓમાં રહેલા બ્લોકેજ કે અવરોધને શોધી કાઢવા માટે કરવામાં આવે છે. બીજી બાજુ, એન્જીયોપ્લાસ્ટી એ એક ચિકિત્સીય પ્રક્રિયા છે, જેમાં ડૉક્ટર હાથ કે જાંઘની રક્તવાહિની મારફતે હૃદય સુધી પાતળી નળી (કેથેટર) અને બલૂન પહોંચાડે છે. ત્યારબાદ અવરોધ વાળી જગ્યાએ બલૂન ફુલાવીને રક્તવાહિનીને પહોળી કરવામાં આવે છે અને હૃદયના રક્તસંચારને સરળ રાખવા માટે સ્ટેન્ટ દાખલ કરવામાં આવે છે. હાલમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા હોસ્પિટલમાં જ વિશ્રામ કરી રહ્યા છે અને તબીબી ટીમ તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/world/news/nasdaq-23-hour-trading-us-stock-market" target="_blank">આ પણ વાંચોઃ Americaમાં હવે 23 કલાક થશે ટ્રેડિંગ! દિવસ રાત ચાલશે શેરબજાર, માત્ર 1 કલાકનો બ્રેક</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/sYsbyFZAj7sqwmGEwhlzrkbndXm9thvtGfO7X48f.webp'/></item><item><title><![CDATA[Kutch : બન્નીમાં ઇકો સિસ્ટમ મજબૂત કરવા 20 કાળિયાર મુક્ત કરાયા: ચિત્તાના આગમન પહેલા વન વિભાગની મોટી તૈયારી ]]></title><link>https://sandesh.com/gujarat/news/kutch/kutch-banni-blackbuck-release-vantara-cheetah-project-ecosystem</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/kutch/kutch-banni-blackbuck-release-vantara-cheetah-project-ecosystem</guid><pubDate>Tue, 18 Aug 2026 11:48:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કચ્છના વિશ્વપ્રસિદ્ધ બન્ની વિસ્તારમાં વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે એક અગત્યની અને નવી શરૂઆત થઈ છે. બન્નીના ઘાસિયા મેદાન (ગ્રાન્ડ લેન્ડ) ખાતે ચિત્તા સંવર્ધન પ્રોજેક્ટ અંતર્ગત કુદરતી ઇકો સિસ્ટમને વધુ મજબૂત કરવાના હેતુથી વન વિભાગ દ્વારા 20 કાળિયારને સફળતાપૂર્વક મુક્ત કરવામાં આવ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>20 કાળિયારને અત્યંત સુરક્ષિત રીતે બન્ની ખાતે લાવવામાં આવ્યા</b></h2><p style="text-align: justify; ">જામનગર સ્થિત 'વનતારા' ફેસિલિટીમાંથી ખાસ એમ્બ્યુલન્સ વાન મારફતે આ 20 કાળિયારને અત્યંત સુરક્ષિત રીતે બન્ની ખાતે લાવવામાં આવ્યા હતા. વન વિભાગ અને વનતારાની સંયુક્ત ટીમ દ્વારા જરૂરી તબીબી ચકાસણી અને હેલ્થ સ્ક્રીનિંગ પૂર્ણ કર્યા બાદ તેમને કુદરતી આવાસમાં છોડાયા હતા. આ 20 કાળિયારમાં 5 નર અને 15 માદા કાળિયારનો સમાવેશ થાય છે.</p><p style="text-align: justify; "><img alt="Kutch Banni Ecosystem: 20 Blackbucks Released for Cheetah Project" src="https://epapercdn.sandesh.com/images/2026/08/18/ju7x2Wf88DP3pQdKEmchQEXuMx1tS4Nf2mO99Dfb.webp" style="width: 100%;"><br></p><h3 style="text-align: justify; "><b>તમામ કાળિયાર પર સેટેલાઇટ ટેગ લગાવવામાં આવ્યા</b></h3><p style="text-align: justify; ">બન્નીમાં છોડાયેલા તમામ કાળિયાર પર સેટેલાઇટ ટેગ લગાવવામાં આવ્યા છે, જેથી તેમની દૈનિક હિલચાલ અને આરોગ્યની સ્થિતિ પર સતત રેકોર્ડિંગ અને દેખરેખ રાખી શકાય.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક વિશેષ ટાસ્ક ફોર્સની પણ રચના</b></h4><p style="text-align: justify; ">આ ઉપરાંત, તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક વિશેષ ટાસ્ક ફોર્સની પણ રચના કરવામાં આવી છે. ચિત્તાના સંવર્ધન માટે તૃણાહારી પ્રાણીઓની હાજરી અનિવાર્ય હોવાથી આ કાળિયારનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું છે, જેનાથી આગામી સમયમાં બન્નીમાં ચિત્તાના આગમનનો માર્ગ વધુ મોકળો થયો છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/patan/patan-radhanpur-folk-singer-kinjal-rabari-marriage-mukesh-rabari" target="_blank"><b>Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/yVTF3YQ7TorK5hCFX7XnUdYeiyDgYUPVsh3V1rFT.webp'/></item><item><title><![CDATA[Sabarkanthaમાં બાળ તસ્કરીના મોટા નેટવર્કનો પર્દાફાશ: 1 માસની નવજાત બાળકીનો સોદો કરનાર 4 આરોપીઓની ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/himatnagar/large-child-trafficking-network-busted-in-himmatnagar-4-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/himatnagar/large-child-trafficking-network-busted-in-himmatnagar-4-arrested</guid><pubDate>Tue, 18 Aug 2026 10:41:36 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હિંમતનગરમાંથી બાળ તસ્કરી અને ગેરકાયદે વેચાણનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. આ આંતરરાજ્ય બાળ તસ્કરી નેટવર્કમાં રાજસ્થાન અને બનાસકાંઠાનું સીધું કનેક્શન ખૂલ્યું છે. રાજસ્થાનના કોટડા તથા બનાસકાંઠાના અમીરગઢના શખ્સો માસુમ બાળકોને 2થી 3 લાખ રૂપિયામાં વેચવાનું ગેરકાયદેસર નેટવર્ક ચલાવતા હતા. તાજેતરમાં જ 1 માસની નવજાત બાળકીનો 2 લાખ રૂપિયામાં સોદો નક્કી કરી તેનું ગેરકાયદે વેચાણ કરવાનું પૂર્વ આયોજિત કાવતરું ઘડવામાં આવ્યું હતું, જેને પોલીસે સમયસર નિષ્ફળ બનાવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>પોલીસે 4 આરોપીઓની કરી અટકાયત</b></h2><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં જ હિંમતનગર ગ્રામ્ય પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને ગણતરીના કલાકોમાં જ 4 આરોપીઓની અટકાયત કરી લીધી છે. પકડાયેલા આરોપીઓમાં દેવીલાલ ગમાર, પોપટભાઈ ગમાર, પ્રવીણભાઈ ધાંગી અને દિનેશભાઈ ધાંગીનો સમાવેશ થાય છે. પોલીસે ગુનાહિત પ્રવૃત્તિમાં વપરાયેલી ઈકો ગાડી (GJ 27 TT 7650) કબજે કરી લીધી છે. આ રેકેટમાં સામેલ અન્ય 3 આરોપીઓ હાલ ફરાર હોવાથી પોલીસે તેમની ધરપકડ માટે ચક્રગતિમાન કર્યા છે.</p><h3 style="text-align: justify; "><b>સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ</b></h3><p style="text-align: justify; ">આ સમગ્ર કૌભાંડની ગંભીરતાને ધ્યાને રાખીને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) અને હિંમતનગર ગ્રામ્ય પોલીસે સંયુક્ત રીતે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ ગિરોહે ભૂતકાળમાં અન્ય કેટલા માસુમ બાળકોની તસ્કરી કરી છે અને આ નેટવર્કના મૂળ ક્યાં સુધી ફેલાયેલા છે તે દિશામાં પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. બાળ તસ્કરીના આ મોટા પર્દાફાશથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/Vpy1RfsRDAQCvOVD7iy0CVfWyWZKKQckLKr7JMOY.webp'/></item></channel></rss>