<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Nepal Floods: 130 ટન રાહત સામગ્રી સહિત 54 એક્સપર્ટ મોકલ્યા નેપાળ, પૂરની સ્થિતિમાં ભારતે કરી મોટી મદદ ]]></title><link>https://sandesh.com/india/news/nepal-floods-54-experts-sent-to-nepal-along-with-130-tons-of-relief-material-india-provided-great-help-in-the-flood-situation</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/nepal-floods-54-experts-sent-to-nepal-along-with-130-tons-of-relief-material-india-provided-great-help-in-the-flood-situation</guid><pubDate>Thu, 10 Sep 2026 13:19:16 +05:30</pubDate><description><![CDATA[<p>26&nbsp; ઓગસ્ટે નેપાળમાં આવેલા વિનાશક પૂર બાદ રાહત અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. આ મુશ્કેલ સમયમાં ભારત સતત નેપાળને મદદ કરી રહ્યું છે. બુધવારે રાહત સામગ્રી લઈને ભારતીય વાયુસેનાનું આઠમું વિમાન કાઠમંડુ પહોંચ્યું હતું. 26 ઓગસ્ટથી અત્યાર સુધીમાં ભારતે આઠ વિશેષ ફ્લાઇટ્સ દ્વારા નેપાળને 130 ટનથી વધુ રાહત સામગ્રી મોકલી છે.<br></p><p><h2><b>54 નિષ્ણાંતોને ભારતે મોકલ્યા&nbsp;</b></h2></p><p>આ ઉપરાંત ભારતે બચાવ, રાહત અને ફોરેન્સિક કામગીરીમાં મદદ કરવા માટે 54 નિષ્ણાતોને મોકલ્યા છે. ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર, નેપાળને સહાય પૂરી પાડવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.</p><h2><b>ભારતે નેપાળને શું કરી મદદ ?&nbsp;</b></h2><p>ભારતે નેપાળને તંબુ, ધાબળા, સ્વચ્છતા કિટ્સ (હાઈજીન કિટ્સ), સોલર લેમ્પ્સ અને દવાઓ સહિતની વિવિધ આવશ્યક વસ્તુઓ પૂરી પાડી છે. મુશ્કેલ ભૌગોલિક વિસ્તારોમાં બચાવ કામગીરી માટે વિશેષ સાધનો - જેમ કે કાદવ અને ટનલમાંથી બચાવ માટેના સાધનો - પણ મોકલવામાં આવ્યા છે. તેમાં મડ રેસ્ક્યુ સૂટ (કાદવમાંથી બચાવ માટેના પોશાક), ગેસ ડિટેક્ટર અને શ્વાસ લેવાના ઉપકરણોનો સમાવેશ થાય છે.</p><p><img alt="01" src="https://epapercdn.sandesh.com/images/2026/09/10/3Px4x9nKxNmZgcnuNxgDJbfCmai5QxI0b7MUmdfS.webp"><br></p><p>પાણી બહાર કાઢવાના પંપ અને પોર્ટેબલ જનરેટર પણ રાહત સામગ્રીનો ભાગ છે. વધુમાં લાઈટિંગ ટાવર અને ફૂલાવી શકાય તેવા વોકવે (રસ્તા) પણ પૂરા પાડવામાં આવ્યા છે. ભારતે ફોરેન્સિક તપાસ માટે જરૂરી સાધનો પણ મોકલ્યા છે, જેમાં ડીએનએ કિટ્સ, ડીએનએ પ્રોફાઇલિંગ સાધનો અને આવશ્યક રિએજન્ટ્સનો સમાવેશ થાય છે.</p><h3><b>ચિલિમે અને લાંગટાંગમાં બચાવ કામગીરી&nbsp;</b></h3><p>ભારતની વિશેષ ટનલ રેસ્ક્યુ ટીમે નેપાળી સેનાના સહયોગથી ચિલિમે અને લાંગટાંગમાં બચાવ કામગીરી શરૂ કરી છે. હાલમાં બચાવ કામગીરીનું મુખ્ય ધ્યાન ચિલિમે પર છે. ત્યાં અત્યંત દુર્ગમ ભૂપ્રદેશને કારણે રાહત અને બચાવ કાર્ય મુશ્કેલ છે. જેનાથી ત્યાં પહોંચવું પડકારજનક બની જાય છે. ટીમને ટનલની અંદરના તીવ્ર ઢોળાવ સહિત અનેક અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે.</p><p>ભારતીય ટીમ મેન્યુઅલ (હાથથી કરવામાં આવતા) બચાવ પ્રયાસો અને આધુનિક તકનીકો બંનેનો ઉપયોગ કરી રહી છે. ટનલ સાઇટ પર ભારે મશીનરી પહોંચાડવાની તૈયારીઓ ચાલી રહી છે અને બચાવ કામગીરીને ઝડપી બનાવવા માટે કામચલાઉ રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. આ માર્ગ દ્વારા, એક્સકેવેટર જેવી ભારે મશીનરી ટનલ સાઇટ પર લઈ જવામાં આવશે.</p><p>ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર, રસ્તો બનાવવાની કામગીરીમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. આગામી બેથી ત્રણ દિવસમાં તે પૂર્ણ થવાની અપેક્ષા છે, ત્યારબાદ ટનલની અંદર બચાવ કામગીરી વધુ વેગ પકડી શકે છે.</p><p><img alt="02" src="https://epapercdn.sandesh.com/images/2026/09/10/rt4n84rLMlFS8mgNB5Z0peQfexEF3Pcr8BjJXCY8.webp"><br></p><h3><b>ફોરેન્સિક ટીમ નેપાળમાં કરી રહી છે કામ&nbsp;</b></h3><p>ભારતની ફોરેન્સિક ટીમ પણ નેપાળમાં કામ કરી રહી છે. આ ટીમ કાઠમંડુની બે પ્રયોગશાળાઓમાં નેપાળી અધિકારીઓ અને નિષ્ણાતોના સહયોગથી ડીએનએ (DNA) નમૂનાઓનું વિશ્લેષણ કરી રહી છે. આ પ્રક્રિયામાં ભારત તરફથી મોકલવામાં આવેલી ડીએનએ કિટ્સ અને અન્ય સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તેમજ જરૂરી રિએજન્ટ્સ પણ પૂરા પાડવામાં આવ્યા છે. આનાથી નમૂનાઓની ઓળખ અને વિશ્લેષણની કામગીરી સરળ બની છે.</p><h3><b>પૂરને કારણે નેપાળમાં સ્થિતિ બની છે કફોડી&nbsp;</b></h3><p>ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે ભારત નેપાળની જનતા અને સરકારની પડખે ઊભું છે. ભારત રાહત અને બચાવ કામગીરી તેમજ પુનર્વસનની કામગીરીમાં સહાય કરવાનું ચાલુ રાખશે. પૂરને કારણે નેપાળના અનેક વિસ્તારોમાં પરિસ્થિતિ હજુ પણ મુશ્કેલ છે; ભારત દ્વારા મોકલવામાં આવેલી રાહત સામગ્રી અને નિષ્ણાત ટીમો બચાવ કામગીરીને વેગ આપી રહી છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે જરૂરિયાત મુજબ નેપાળને વધુ સહાય પૂરી પાડવામાં આવશે.</p><p><br></p><p><a href="https://sandesh.com/astrology/news/bhakti/shani-margi-2026-this-zodiac-sign-will-earn-a-lot-of-money-by-2027-shani-dev-will-shower-blessings" target="_blank">Shani Margi 2026: 2027 સુધીમાં આ રાશિ કમાશે અઢળક પૈસો, શનિદેવ વરસાવશે કૃપા</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/10/BzeLkOCd5dX4T8LngsQ9Hq8OlfYREMvLtk9OVbDt.webp'/></item><item><title><![CDATA[Team India : પાકિસ્તાન સામે ભારતીય ટીમનું ગોલનું તોફાન! 19-0થી કચડીને સેમિફાઇનલમાં કરી શાનદાર એન્ટ્રી ]]></title><link>https://sandesh.com/sports/news/india-vs-pakistan-hockey-19-0-semifinal</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india-vs-pakistan-hockey-19-0-semifinal</guid><pubDate>Thu, 10 Sep 2026 13:05:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વુમન્સ હોકી જુનિયર એશિયા કપ 2026માં ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. ગુરુવાર, 10 સપ્ટેમ્બરે ચીનના મોકીમાં રમાયેલી ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય ટીમે કટ્ટર હરીફ પાકિસ્તાનને 19-0થી હરાવ્યું. ભારત તરફથી પૂજા મલિકે સૌથી વધુ 3 ગોલ કર્યા હતા. તેમણે 27મી, 49મી અને 51મી મિનિટે ગોલ કર્યા હતા. જ્યારે ચંદ્રકાંત સાનિકા માને, મધુ સિદાર, સુપ્રિયા અને ઐંદ રોશનીએ 2-2 ગોલ કર્યા હતા. ચંદ્રકાંત સાનિકા માને 13મી અને 23મી મિનિટે, મધુ સિદારે 16મી અને 39મી મિનિટે, સુપ્રિયાએ 40મી અને 54મી મિનિટે અને ઐંદ રોશનીએ 9મી અને 60મી મિનિટે ગોલ કર્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>ભારત તરફથી 8 ખેલાડીઓએ ફટકાર્યા 1-1 ગોલ</b></h2><p style="text-align: justify; ">પૂજા સાહુએ 7મી મિનિટે, દિનેશ તુનશ્રી કાડુએ 11મી મિનિટે, સુખવીર કૌરે 13મી મિનિટે, ગીતા યાદવે 18મી મિનિટે, તનુજા ટોપ્પોએ 25મી મિનિટે, પૂર્ણિમા યાદવે 33મી મિનિટે, કૃષ્ણા શર્માએ 48મી મિનિટે અને બિનિમા ધને 55મી મિનિટે 1-1 ગોલ કર્યો હતો. સેમિફાઇનલમાં ભારતનો સામનો મલેશિયા અને કોરિયા વચ્ચે રમાનારી ચોથી ક્વાર્ટર ફાઇનલના વિજેતા સામે થશે. સેમિફાઇનલ મેચ 12 સપ્ટેમ્બરે રમાશે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/TheHockeyIndia/status/2097933987507474689"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p style="text-align: justify; ">આ મેચમાં ભારતનું સંપૂર્ણ વર્ચસ્વ રહ્યું હતું અને પાકિસ્તાની ખેલાડીઓ કંઈ કરી શક્યા નહોતા. શરૂઆતના 2 ક્વાર્ટરમાં ભારતે કુલ 10 ગોલ કર્યા હતા. એટલે કે હાફટાઇમ સુધી ભારત 10-0થી આગળ હતું. ત્યાર બાદ ત્રીજા ક્વાર્ટરમાં પાકિસ્તાનને થોડી રાહત મળી, જેમાં ભારતે માત્ર 3 ગોલ કર્યા હતા. છેલ્લું ક્વાર્ટર ફરી ભારત માટે દમદાર રહ્યું અને તેમાં 6 ગોલ થયા હતા. ભારતના 7 ગોલ પેનલ્ટી કોર્નરથી આવ્યા હતા, જ્યારે 2 ગોલ પેનલ્ટી સ્ટ્રોક પર થયા હતા. ભારતના બાકીના 11 ગોલ ફીલ્ડ ગોલ હતા.</p><h3 style="text-align: justify; "><b>ભારત 2 વખત ખિતાબ જીતી ચૂક્યું છે</b></h3><p style="text-align: justify; ">ભારત અને ચીને એલીટ પૂલ તબક્કો 10-10 પોઈન્ટ સાથે પૂર્ણ કર્યો હતો. જોકે, ગોલના વધુ સારા અંતરના કારણે ભારત એલીટ પૂલમાં ટોચના સ્થાને રહ્યું હતું. ભારતે જાપાન, કોરિયા અને મલેશિયા સામેની મેચ જીતી હતી, જ્યારે ચીન સામેની મેચ ડ્રો રહી હતી. પાકિસ્તાની ટીમની વાત કરીએ તો તેણે ચેલેન્જર પૂલમાં 4 મેચ રમીને 7 પોઈન્ટ મેળવ્યા હતા અને ત્રીજું સ્થાન મેળવ્યું હતું. ચેલેન્જર પૂલમાં બાંગ્લાદેશ પ્રથમ અને કઝાકિસ્તાન બીજા સ્થાને રહ્યું હતું.</p><h4 style="text-align: justify; "><b>ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન, દક્ષિણ કોરિયા સૌથી સફળ ટીમ</b></h4><p style="text-align: justify; ">વુમન્સ હોકી જુનિયર એશિયા કપની આ 10મી આવૃત્તિ છે. ભારતીય ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. 2024માં મસ્કટમાં યોજાયેલી સ્પર્ધામાં ભારતે ચીનને હરાવીને સતત બીજી વખત ખિતાબ જીત્યો હતો. દક્ષિણ કોરિયા આ ટૂર્નામેન્ટની સૌથી સફળ ટીમ છે. તેણે 4 વખત 1992, 1996, 2000 અને 2008માં ખિતાબ જીત્યો છે. જ્યારે ચીને 3 વખત 2004, 2012 અને 2015માં ખિતાબ જીત્યો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/manoj-tiwari-daughter-rape-death-threat" target="_blank">આ પણ વાંચો-BB 20 : 'મને રેપ અને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી...' મનોજ તિવારીની દીકરીનો ચોંકાવનારો ખુલાસો!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/10/A4O0teWD75K3Vly1TxONimTsYoIuc08FLUJj9ur4.webp'/></item><item><title><![CDATA[Suratના ઉધનામાં કારખાનામાં કરંટ લાગતા 31 વર્ષીય યુવકનું કરુણ મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-udhna-factory-electric-shock-death-31-year-old-man</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-udhna-factory-electric-shock-death-31-year-old-man</guid><pubDate>Thu, 10 Sep 2026 13:00:26 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતના ઉધના વિસ્તારમાં આવેલી 'મધુરમ ક્રિએશન' નામની કાપડની ફેક્ટરીમાં એક દુઃખદ અકસ્માત સર્જાયો છે. કારખાનામાં કામ કરતા 31 વર્ષીય પવનકુમાર રામ ઉજાગીર રોજિંદા કામ મુજબ મશીન ચાલુ કરી રહ્યા હતા. તે જ સમયે અચાનક વીજ પ્રવાહ ચાલુ થતાં તેમને જોરદાર કરંટ લાગ્યો હતો. આ સમગ્ર દુર્ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં ઘટનાની ગંભીરતા સ્પષ્ટ જોઈ શકાય છે.</p><h2 style="text-align: justify; "><b>નવી સિવિલ હોસ્પિટલમાં તબીબોએ મૃત જાહેર કર્યા&nbsp;</b></h2><p style="text-align: justify; ">ઘટના બનતાની સાથે જ આસપાસના લોકો અને સહકર્મીઓ દ્વારા પવનકુમારને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલના ફરજ પરના તબીબોએ પ્રાથમિક તપાસ બાદ જ તેમને મૃત જાહેર કર્યા હતા. વીજ કરંટના કારણે યુવકે સ્થળ પર જ જીવ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી</b></h3><p style="text-align: justify; ">પવનકુમારના અકાળે થયેલા અવસાનથી તેમના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ કરુણ ઘટનામાં બે માસૂમ સંતાનોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે, જેથી સમગ્ર વિસ્તારમાં અને પરિવારમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે. હાલમાં ઉધના પોલીસે ઘટના અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/10/MuuPQasaMJdLBqcQ5JL5BmU532y50Yi3Cy6ty70x.webp'/></item><item><title><![CDATA[Success : વિદેશની મોટી નોકરી છોડી લીધું મોટું રિસ્ક! 'હનુમાન અંશ'માં બધી બચત રોકનારી અનુપ્રિયા પર ફિલ્મે વરસાવ્યા 132 કરોડ ]]></title><link>https://sandesh.com/entertainment/news/anupriya-nagar-hanuman-ansh-box-office-collection-132-crores</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/anupriya-nagar-hanuman-ansh-box-office-collection-132-crores</guid><pubDate>Thu, 10 Sep 2026 12:39:19 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">તાજેતરમાં સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મ 'હનુમાન અંશ' બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરીને ચર્ચામાં આવી છે. અહેવાલો મુજબ, આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ૧૩૨ કરોડ રૂપિયાથી વધુનું જબરદસ્ત કલેક્શન કર્યું છે. આધ્યાત્મિક ગુરુ બાબા નીમ કરોલીના જીવન અને પ્રભાવ પર આધારિત આ ફિલ્મની શરૂઆત બહુ મુશ્કેલ રહી હતી. જ્યારે ફિલ્મ રિલીઝ થવાની હતી ત્યારે ફિલ્મ ઉદ્યોગ અને વેપાર જગતના નિષ્ણાતોએ તેને 'ફ્લોપ' જાહેર કરી દીધી હતી. પરંતુ નિર્માતા અનુપ્રિયા નાગરનો અડગ વિશ્વાસ અને દર્શકોના મૌખિક પ્રચાર (વર્ડ ઓફ માઉથ)ને કારણે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર તમામ અંદાજો ખોટા સાબિત કરી દીધા અને અનેક મોટી બોલિવૂડ ફિલ્મોને પાછળ છોડી દીધી.</p><h2 style="text-align: justify; "><b>લંડનમાં નોકરી છોડીને બનાવી ફિલ્મ</b></h2><p style="text-align: justify; ">આ ફિલ્મનું નિર્માણ કરનાર અનુપ્રિયા નાગરે અગાઉ લંડનમાં એક સારી નોકરી કરતી હતી. પરંતુ બાબા નીમ કરોલી પ્રત્યેની અગાધ આસ્થા અને આંતરિક પ્રેરણાને કારણે તેણે લંડનની પોતાની નોકરી છોડી દીધી અને ફિલ્મ નિર્માણ માટે પોતાની જીવનભરની બધી જ બચત દાવ પર લગાવી દીધી. અનુપ્રિયાના જણાવ્યા મુજબ, તેને બાબાનો આદેશ મળ્યો હોય તેમ અનુભવ થયો અને તેણે આ દિવ્ય પ્રોજેક્ટ સાથે જોડાવાનો નિર્ણય લીધો.</p><h3 style="text-align: justify; "><b>અનુપ્રિયાએ અનેક અનુભવો કર્યા શેર</b></h3><p style="text-align: justify; ">તાજેતરમાં એક મુલાકાતમાં અનુપ્રિયાએ બાબા નીમ કરોલી સાથે જોડાયેલા પોતાના અનુભવો શેર કર્યા હતા. તેણે જણાવ્યું કે તે તાજેતરમાં ઉત્તર પ્રદેશના અકબરપુર સ્થિત બાબાના જન્મસ્થળ અને આશ્રમની મુલાકાતે ગઈ હતી. ત્યાં પહોંચ્યા પછી તેને એક અદ્ભુત માનસિક શાંતિનો અનુભવ થયો. ફિલ્મના નિર્માણ દરમિયાન તેને અનેક માનસિક અને વ્યાવસાયિક તણાવનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ બાબાના આશ્રમમાં પહોંચતા જ તેને લાગ્યું કે જાણે કોઈ દિવ્ય શક્તિએ તેને સંભાળી લીધી હોય.</p><h4 style="text-align: justify; "><b>હનુમાન અંશે કરી કરોડોની કમાણી</b></h4><p style="text-align: justify; ">આશ્રમમાં તેને સ્થાનિક લોકોનો ખૂબ પ્રેમ મળ્યો, જેમણે બાળપણમાં બાબા સાથે સમય વિતાવ્યો હતો. તેણે ત્યાં એક એવા બાળક સાથે પણ મુલાકાત કરી જેણે બાળપણમાં બાબાની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત, બાબા દ્વારા વાવવામાં આવેલા એક ઐતિહાસિક લીમડાના ઝાડને સ્પર્શ કરતી વખતે તેને બાબાની ઉપસ્થિતિનો અહેસાસ થયો હતો. નવા કલાકારો અને સાદી વાર્તા સાથે બનેલી આ ફિલ્મે સાબિત કરી દીધું કે જો શ્રદ્ધા અને સમર્પણ સાચું હોય, તો મુશ્કેલીઓ ગમે તેટલી મોટી હોય, સફળતા ચોક્કસ મળે છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/modi-xi-jinping-bilateral-meeting-brics-summit-india" target="_blank">આ પણ વાંચોઃ 7 વર્ષ બાદ ભારતીય ધરતી પર મળશે મોદી અને જિનપિંગ, BRICS પહેલા થશે દ્વિપક્ષીય બેઠક</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/10/RUc8kmvmQZXdLla6581oRrrlbthxQJS9u3VBngiF.webp'/></item><item><title><![CDATA[India News: પેકેજ્ડ ફૂડ પર ચેતવણી આપવામાં વિલંબ થતાં સુપ્રીમ કોર્ટ નારાજ, FSSAIની ઝાટકણી કાઢી ]]></title><link>https://sandesh.com/india/news/supreme-court-questions-fssai-over-delay-in-packaged-food-warning-labels</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/supreme-court-questions-fssai-over-delay-in-packaged-food-warning-labels</guid><pubDate>Thu, 10 Sep 2026 12:38:36 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુપ્રીમ કોર્ટે પેકેજ્ડ ફૂડ પરના ચેતવણી લેબલને લઈને FSSAI સામે નારાજગી વ્યક્ત કરી છે.કોર્ટે પૂછ્યું છે કે કોઈપણ ફૂડના પેકેજિંગ પરની ચેતવણીમાં શા માટે વિલંબ થઈ રહ્યો છે. કોર્ટે આ મામલે વધુ માહિતી માંગી છે તેમજ એ પણ સવાલ કર્યો છે કે મીઠું અને સોડિયમની માત્રા અંગેની ચેતવણીને લઈને શું નિર્ણય લેવાયો છે. સુનાવણી દરમિયાન અરજદારના વકીલે કોર્ટને જણાવ્યું કે અગાઉ યોજાયેલી બેઠકમાં હિસ્સેદારો સાથે FSSAIએ કેટલીક બાબતો પર સહમતિ દર્શાવી હતી.પરંતુ હવે તે પોતાની વાતથી ફરી ગઈ છે.વકીલે કહ્યું કે આજે FSSAIએ સંપૂર્ણપણે યુ-ટર્ન લઈ લીધો છે અને અગાઉ જે નક્કી થયું હતું તેનાથી અલગ જ રૂખ અપનાવ્યો છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ચીજવસ્તુઓની તપાસ ચોક્કસ શરતોના આધારે થવી જોઈએ</b></h2><p style="text-align: justify; ">આ કેસમાં સિનિયર એડવોકેટ મનજિન્દર સિંહે સુપ્રીમ કોર્ટમાં પોતાની દલીલો રજૂ કરી હતી.તેમણે જણાવ્યું કે ICMRની ગાઈડલાઈન્સમાં બે શ્રેણીઓ નક્કી કરવામાં આવી છે.તેમણે સૂચન કર્યું કે ખાણીપીણીની ચીજવસ્તુઓની તપાસ ચોક્કસ શરતોના આધારે થવી જોઈએ.એટલે કે ટેસ્ટિંગ 100 ગ્રામની માત્રા પર તેમજ પ્રત્યેક સર્વિંગની માત્રા પર પણ થવું જોઈએ જેથી ગ્રાહકોને સાચી માહિતી મળી શકે. જસ્ટિસ પારડીવાલાએ જણાવ્યું કે અદાલતે પણ આ વિષય પર પોતાના સ્તરે અભ્યાસ કર્યો છે.તેમણે કહ્યું કે આજે આ મામલે આદેશ જાહેર કરવામાં આવશે જે સાંજ સુધીમાં અથવા તો કાલે અપલોડ થઈ જશે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>FSSAI અને કેન્દ્ર સરકાર આદેશને ધ્યાનથી વાંચેઃ સુપ્રીમ કોર્ટ</b></h3><p style="text-align: justify; ">જસ્ટિસ પારડીવાલાએ વકીલોને કહ્યું કે તેઓ આ આદેશનો અભ્યાસ કરે અને ત્યારબાદ કોર્ટમાં પરત આવે.એવું પણ કહેવામાં આવ્યું કે FSSAI અને કેન્દ્ર સરકાર પણ આ આદેશને ધ્યાનથી વાંચે જેથી આગળની સુનાવણીમાં આ અંગે યોગ્ય રીતે ચર્ચાઓ થઈ શકે.આ મામલો પેકેજ્ડ ફૂડ પ્રોડક્ટ્સ પરના હેલ્થ વોર્નિંગ લેબલ સાથે જોડાયેલો છે જેમાં વધુ ખાંડ,મીઠું અને ચરબીની માત્રાની માહિતી ગ્રોહકો સુધી સ્પષ્ટ રીતે પહોંચાડવાની માંગ કરવામાં આવી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/dna-sampling-for-missing-gujaratis-in-nepal-flood-nears-completion" target="_blank">આ પણ વાંચોઃ Gandhinagar News: નેપાળ પૂર દુર્ઘટનામાં ગુમ થયેલા ગુજરાતીઓની ઓળખ માટે DNA સેમ્પલિંગ પ્રક્રિયા પૂર્ણતાના આરે</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/10/1qn7FKYgwygNVkA3HgooG9K6Ppym7G2PkA9umIET.webp'/></item><item><title><![CDATA[iPhone 18 Pro Series Launch:  iPhone નવો હોય કે જૂનો, ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો ]]></title><link>https://sandesh.com/business/news/iphone-buying-tips-new-used-iphone</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/iphone-buying-tips-new-used-iphone</guid><pubDate>Thu, 10 Sep 2026 12:29:05 +05:30</pubDate><description><![CDATA[<p>iPhone 18 સિરીઝના ઘણા ફોન હાલમાં જ લોન્ચ થયા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ Appleએ પોતાના વાર્ષિક ઇવેન્ટમાં પોતાના પહેલા ફોલ્ડેબલ iPhone ઉપરાંત નવી iPhone 18 Pro સિરીઝ લોન્ચ કરી છે.</p><p>હાલ દરેક જગ્યાએ iPhone 18ની ચર્ચા થઈ રહી છે અને ઘણા લોકો તેને ખરીદવાની રાહ પણ જોઈ રહ્યા હશે. પરંતુ ઘણા લોકો iPhoneના જૂના મોડલ (iPhone Old Model) પણ ખરીદે છે અથવા ખરીદવાના છે. આ ઉપરાંત ઘણા લોકો સેકન્ડ હેન્ડ iPhone (Second Hand iPhone) પણ ખરીદે છે. તેથી iPhone ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે જાણવું જરૂરી છે.</p><h2><b>નવો iPhone ક્યાંથી ખરીદવો?</b></h2><p>સૌથી પહેલા ખરીદીની જગ્યા પર ધ્યાન આપો. Apple અનુસાર, ભારતમાં iPhone Apple Online Store અને Authorized Resellers પાસેથી ખરીદી શકાય છે. ખૂબ સસ્તી ઓફર જોઈને કોઈ અજાણ્યા વેચાણકર્તા પાસેથી ફોન ખરીદવો જોખમી બની શકે છે. ફોન ખરીદતી વખતે બિલ અને ખરીદી સાથે જોડાયેલા દસ્તાવેજો સાચવીને રાખો.</p><h2><b>સેકન્ડ હેન્ડ iPhoneમાં સૌથી પહેલા શું તપાસવું?</b></h2><p>જો તમે જૂનો iPhone (Second hand iphone Purchase) ખરીદી રહ્યા છો, તો સૌથી જરૂરી તપાસ Activation Lockની છે. Apple અનુસાર, <b>જો ફોનની સ્ક્રીન પર iPhone Locked to Owner દેખાય, તો તે ફોન ખરીદવો જોઈએ નહીં.</b> ફોન ચાલુ કર્યા બાદ જો અગાઉના માલિકના Apple Accountની માહિતી માંગવામાં આવે, તો તેનો અર્થ એ છે કે ડિવાઇસ હજુ પણ તેના અકાઉન્ટ સાથે જોડાયેલું છે. આવો ફોન તમારે ત્યાં સુધી પોતાના નામે ન લેવો જોઇએ, જ્યાં સુધી અગાઉનો માલિક તેને પોતાના અકાઉન્ટમાંથી સંપૂર્ણપણે દૂર ન કરે. </p><h2><b>ફોનનું સેટઅપ કરીને જરૂર તપાસો</b></h2><p>જૂનો iPhone ખરીદતી વખતે (iphone Buying) માત્ર ફોનની બોડી જોઈને નિર્ણય ન લો. ડિવાઇસ ચાલુ કરીને સેટઅપની પ્રક્રિયા શરૂ કરો.&nbsp; જ્યારે ફોન પર Hello સ્ક્રીન દેખાય અને અગાઉના માલિકના અકાઉન્ટની માહિતી ન માંગવામાં આવે, તો તે ડિવાઇસ નવા યુઝર માટે તૈયાર હોવાનો સંકેત છે. આ ઉપરાંત કેમેરા, સ્પીકર, માઇક્રોફોન, ટચસ્ક્રીન, Face ID, ચાર્જિંગ અને નેટવર્ક જેવી જરૂરી સુવિધાઓ પણ ત્યાં જ તપાસી લેવી વધુ સારું છે. </p><h2><b>ખૂબ સસ્તી ઓફર જોઈને ફસાશો નહીં</b></h2><p> જો iPhoneની કિંમત સામાન્ય બજાર કિંમત કરતાં ઘણી ઓછી દેખાય, તો સાવધાન રહો. માત્ર ઓફર જોઈને તરત ફોન ખરીદવાને બદલે વેચાણકર્તાની માહિતી, બિલ અને ફોનની વાસ્તવિક સ્થિતિ તપાસો.</p><p>જો તમે ઓનલાઈન iPhone ખરીદી રહ્યા છો, તો હંમેશા વિશ્વસનીય વેબસાઇટ અથવા એપ પરથી જ ખરીદો.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/10/sr2FoKD7hP8nPA3hvUKxYK7Ajhvc9XHKX4mfLY0p.webp'/></item><item><title><![CDATA[PM મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ, 17 સપ્ટેમ્બરથી એક મહિનો દેશભરમાં ચાલશે 'સેવા સંકલ્પ અભિયાન' ]]></title><link>https://sandesh.com/gujarat/news/india/gandhinagar/pm-modi-completes-25-years-in-public-service--bjp-to-launch-month-long-campaign</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/india/gandhinagar/pm-modi-completes-25-years-in-public-service--bjp-to-launch-month-long-campaign</guid><pubDate>Thu, 10 Sep 2026 12:07:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને જનસેવાના સળંગ 25 વર્ષ આવતી 7 ઓક્ટોબરે પૂર્ણ થઈ રહ્યા છે. આ નિમિત્તે તેમના જન્મદિવસથી જ એક મહિના સુધી સમગ્ર દેશમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપના શાસન અને સંગઠનના અનોખા વર્ક કલ્ચરને કારણે સામાન્ય કાર્યકર્તામાંથી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બનેલા PM મોદીની આ 25 વર્ષની અવિરત જનસેવા સાધનાને 12 વિવિધ માધ્યમો દ્વારા જન-જન સુધી પહોંચાડવામાં આવશે.</p><h2 style="text-align: justify; "><b>'મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ' અને ગરીબ કલ્યાણ</b></h2><p style="text-align: justify; ">વર્ષ 2001 માં ગુજરાતમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ નરેન્દ્ર મોદીના દૃઢ મનોબળ અને નેતૃત્વના કારણે રાજ્ય પુનઃ ધમધમતું થયું હતું. તેમણે આપેલો ‘મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ’નો મંત્ર આજે દેશના વિકાસનો આધાર બની ચૂક્યો છે. છેલ્લા 25 વર્ષમાં એક પણ દિવસ આરામ કર્યા વગર રાષ્ટ્રસેવા કરનાર PM મોદીએ કરોડો ગરીબોને મફત રાશન, ઘરવિહોણાઓને પાકા મકાન, ડિજિટલ પેમેન્ટ દ્વારા પારદર્શિતા અને દેશવ્યાપી નશાબંધી-નશામુક્ત અભિયાન જેવા અનેક ક્રાંતિકારી કાર્યો કર્યા છે.</p><h2 style="text-align: justify; "><b>વૈશ્વિક મંચ પર ભારતનો ડંકો અને ત્રીજી આર્થિક સત્તા તરફ કૂચ</b></h2><p style="text-align: justify; ">એક સમય એવો હતો જ્યારે વૈશ્વિક મંચ પર ભારતના પ્રધાનમંત્રીની નોંધ લેવાતી નહોતી, પરંતુ આજે સ્થિતિ સંપૂર્ણ બદલાઈ ચૂકી છે અને સમગ્ર વિશ્વ PM મોદીના વક્તવ્ય તેમજ નીતિઓ પર નજર રાખીને બેસે છે. તેમની જનસેવા અને રાષ્ટ્રહિતની વિવિધ કલ્યાણકારી યોજનાઓના કારણે આજે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક સત્તા બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. PM મોદીની આ ઐતિહાસિક 25 વર્ષની યાત્રાને બિરદાવવા સેવા કાર્યોને વધુ વેગ આપવામાં આવશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/vadodara/vadodara--frequent-fish-deaths-at-historic-sursagar-lake-spark-inquiry-demand" target="_blank">Vadodaraનું ઐતિહાસિક સુરસાગર તળાવ બન્યું 'ડેથ ટ્રેપ', અસંખ્ય માછલીઓના મોતથી ખળભળાટ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/10/c1IRs4zQb9OKhnlA8B7iMOhGVFWuOdtb7SrTKCO9.webp'/></item><item><title><![CDATA[ખડે હનુમાન હલ્યા નહીંના દાવા, દેશભરમાં ફરી ચોમાસું સક્રિય થયું સહિતના મોટા સમાચાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-08-am-to-12-pm-10-september-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-08-am-to-12-pm-10-september-2026</guid><pubDate>Thu, 10 Sep 2026 12:02:56 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર</b></p><p><a href="https://sandesh.com/india/news/supreme-court-rejects-gangster-abu-salem-release-plea-25-year-sentence-extradition-condition" target="_blank"><b>1. Abu Salem: અબૂ સાલેમ હજૂ પણ રહેશે જેલના સળિયા પાછળ, સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી</b></a></p><p><a href="https://sandesh.com/india/news/modi-xi-jinping-bilateral-meeting-brics-summit-india" target="_blank"><b>2. 7 વર્ષ બાદ ભારતીય ધરતી પર મળશે મોદી અને જિનપિંગ, BRICS પહેલા થશે દ્વિપક્ષીય બેઠક</b></a></p><p><a href="https://sandesh.com/business/news/gold-silver-price-today-what-is-the-price-of-10-grams-of-gold-on-september-10-has-it-become-cheaper-or-not-check-the-latest-rate" target="_blank"><b>3. Gold Silver Price Today: 10 સપ્ટેમ્બરે 10 ગ્રામ સોનાનો શું છે ભાવ? સસ્તુ થયુ કે નહી? ચેક કરો લેટેસ્ટ રેટ</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/minister-kanti-amrutiya-says-system-failure-led-to-kudasan-accident" target="_blank"><b>4. Gandhinagar News: બિલ્ડરનો કોઈ વાંક નથી પણ વ્યવસ્થાની ખામીને કારણે દુર્ઘટના સર્જાઈ: મંત્રી કાંતિ અમૃતિયા</b></a></p><p><a href="https://sandesh.com/world/news/chinas-nostradamus-jiang-xueqin-predictions-2027-us-civil-war" target="_blank"><b>5. Donald Trump ચૂંટણી જીતવાથી લઇને 2027 સુધીમાં બનશે આ ભયાનક ઘટનાઓ, ચીનના નાસ્ત્રેદમસની ભવિષ્ય વાણી!</b></a></p><p><a href="https://sandesh.com/india/news/weather-update-10-12-september-bengal-low-pressure-heavy-rain-alert-25-states-orange-alert-7-states" target="_blank"><b>6. Weather Update: દેશભરમાં ફરી ચોમાસું સક્રિય, ભારેથી અતિભારે વરસાદની આગાહી; હવામાન વિભાગે આપ્યું એલર્ટ</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/breakingnews/crime/ahmedabad/bomb-threat-email-sent-to-zydus-school-in-vejalpur" target="_blank"><b>7. Ahmedabad News: શહેરમાં ચાર સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બાળકોને રજા આપી દેવાઈ, પોલીસે ચેકિંગ શરૂ કર્યું</b></a></p><p><a href="https://sandesh.com/india/news/up-assembly-elections-akash-anands-expulsion-from-bsp-mayawatis-tough-stance-before-elections-in-up" target="_blank"><b>8. UP Assembly Elections: આકાશ આનંદની BSPમાંથી ફરી હકાલપટ્ટી, UPમાં ચૂંટણી પહેલા માયાવતીના આકરા તેવર</b></a></p><p><a href="https://sandesh.com/cricket/news/sports/womens-asia-cup-2026--india-vs-bangladesh-semi-final-pitch-report-and-head-to-head" target="_blank"><b>9. Women's Asia Cup 2026 : ભારત-બાંગ્લાદેશ સેમિફાઇનલમાં કોનું પલડું ભારે? જાણો પીચ રિપોર્ટ અને હેડ-ટુ-હેડ રેકોર્ડ</b></a></p><p><a href="https://sandesh.com/india/news/sdm-clarifies-viral-khade-hanuman-miracle-claims" target="_blank"><b>10. SDM Statement : ખડે હનુમાન હલ્યા નહીંના દાવા વચ્ચે SDMનું મોટું નિવેદન, કહ્યું- અમે પ્રયાસ જ કર્યો નહોતો</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/05/30/mDmSiSJWp4EJffsL4XdCg0WZVmFETlBX3EYK5ohQ.webp'/></item><item><title><![CDATA[Vadodaraનું ઐતિહાસિક સુરસાગર તળાવ બન્યું 'ડેથ ટ્રેપ', અસંખ્ય માછલીઓના મોતથી ખળભળાટ ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/vadodara--frequent-fish-deaths-at-historic-sursagar-lake-spark-inquiry-demand</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/vadodara--frequent-fish-deaths-at-historic-sursagar-lake-spark-inquiry-demand</guid><pubDate>Thu, 10 Sep 2026 11:47:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા શહેરની મધ્યમાં આવેલું ઐતિહાસિક સુરસાગર તળાવ હાલ જળચર જીવો માટે અત્યંત જોખમી બની ગયું છે. છેલ્લા ઘણા સમયથી આ તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓ મરી રહી હોવાના બનાવો સામે આવી રહ્યા છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને સ્થાનિક નગરસેવક તીર્થ બ્રહ્મભટ્ટે વડોદરા મહાનગરપાલિકા (VMC) ને પત્ર લખીને માછલીઓના મોતના કારણોની તાત્કાલિક અને તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે.</p><h2 style="text-align: justify; "><b>કરોડોના ખર્ચ છતાં તળાવની દુર્દશા, કૃત્રિમતાનો આક્ષેપ</b></h2><p style="text-align: justify; ">નોંધનીય છે કે આશરે 9 વર્ષ અગાઉ રૂ. 38 કરોડના ભારેખમ ખર્ચે સુરસાગર તળાવનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, તળાવમાં ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે તે માટે માત્ર 1 વર્ષ અગાઉ જ રૂ. 1૦ લાખના ખર્ચે એર સર્ક્યુલેશન મશીન પણ નાખવામાં આવ્યું હતું. આમ છતાં, માછલીઓના મોત અટકવાનું નામ નથી લઈ રહ્યા. સ્થાનિકો અને પ્રતિનિધિઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે કુદરતી તળાવને કૃત્રિમ બનાવી દેવાના કારણે જળચર જીવો માટે આ વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે.</p><h2 style="text-align: justify; "><b>ઉકેલ નહીં આવે તો CM ને કરાશે રજૂઆત</b></h2><p style="text-align: justify; ">તળાવના પર્યાવરણ અને જળચર જીવોના રક્ષણ માટે જો પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય અને કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આ મુદ્દે સીધા મુખ્યમંત્રી (CM) ને રજૂઆત કરવાની ચીમકી નગરસેવક તીર્થ બ્રહ્મભટ્ટે આપી છે. સુરસાગરની ઐતિહાસિકતા અને તેના જળચર જીવોને બચાવવા માટે હવે યોગ્ય પાયાની કામગીરી થાય તે અત્યંત જરૂરી બન્યું છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad--srk-jewels-duped-of--1-56-crore--eow-books-4-chennai-traders" target="_blank">Ahmedabadની SRK JEWELS સાથે 1.56 કરોડની ઠગાઈ, ચેન્નાઈના 4 વેપારીઓ સામે નોંધાઈ ફરિયાદ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/10/WGwmzMYD1xnfTPOnpQenZlJmKTeACeZhRCov0EQ0.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: બિલ્ડરનો કોઈ વાંક નથી પણ વ્યવસ્થાની ખામીને કારણે દુર્ઘટના સર્જાઈ: મંત્રી કાંતિ અમૃતિયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/minister-kanti-amrutiya-says-system-failure-led-to-kudasan-accident</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/minister-kanti-amrutiya-says-system-failure-led-to-kudasan-accident</guid><pubDate>Thu, 10 Sep 2026 11:38:17 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગાંધીનગરના કુડાસણ ખાતે આવેલી બાંધકામ સાઇટ પર સર્જાયેલી મોટી દુર્ઘટનાના પગલે રાત્રે 10 વાગ્યાથી ઇજાગ્રસ્ત દર્દીઓને હોસ્પિટલ લાવવાની શરૂઆત થઈ હતી.જ્યાં કુલ 12 દર્દીઓ એડમિટ કરાયા છે.સદનસીબે એક પણ દર્દીને ગંભીર ઇજાઓ થઈ નથી જે પૈકી 4 દર્દીઓ આઈસીયુ માં અને 8 દર્દીઓ સામાન્ય ઇજાઓ સાથે જનરલ વોર્ડમાં સારવાર હેઠળ છે.જેમાંથી 3 દર્દીઓને રાત્રે જ ડિસ્ચાર્જ આપી દેવાયા છે અને બાકીના સામાન્ય ઇજા પામેલા દર્દીઓને પણ આજ સાંજ સુધીમાં રજા આપી દેવામાં આવશે. જ્યારે હાલ તમામ દર્દીઓની તબિયત સંપૂર્ણ સ્ટેબલ છે.</p><h2 style="text-align: justify; "><b>ભાજપ સરકારના મંત્રી કાંતિ અમૃતિયાનું નિવેદન</b></h2><p style="text-align: justify; ">ગાંધીનગરના કુડાસણ ખાતે બનેલી દુર્ઘટના મામલે ભાજપના ધારાસભ્ય અને મંત્રી કાંતિ અમૃતિયાએ ઘટના સ્થળની મુલાકાત બાદ નિવેદન આપ્યું હતું કે, આ ઘટનામાં પ્રાથમિક દ્રષ્ટિએ બિલ્ડરનો કોઈ વાંક હોય તેમ લાગતું નથી.કારણ કે આ દુર્ઘટના કોઈ આધુનિક મશીનરીની ખામીને કારણે નહીં પરંતુ સાઈટ પરની વ્યવસ્થાની ખામી હોવાના કારણે સર્જાઈ છે.જોકે તેમણે આ દુર્ઘટના અંગે સ્પષ્ટ કર્યું છે કે બિલ્ડર દ્વારા પીડિત પરિવારજનોને તમામ પ્રકારની મદદ પૂરી પાડવાની સંપૂર્ણ ખાતરી આપવામાં આવી છે.<br><br>જુઓ મંત્રી કાંતિ અમૃતિયા શું બોલ્યા?<br><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/sandeshnews/status/2097931350447944050/video/1"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script><br><br></p><h3 style="text-align: justify; "><b>ઘટના સ્થળે એન્જિનિયરોની વિશેષ ટીમો પહોંચી&nbsp;</b></h3><p style="text-align: justify; ">ગાંધીનગરના કુડાસણ ખાતે સ્લેબ ધરાશાયી થવાની ગંભીર ઘટના બાદ સ્થળ પર એન્જિનિયરોની વિશેષ ટીમો પહોંચી ગઈ છે, જેણે દુર્ઘટના સર્જાઈ તે સમગ્ર વિસ્તારની ઝીણવટભરી ચકાસણી હાથ ધરી છે. આ ટેકનિકલ ટીમો દ્વારા બાંધકામમાં વપરાયેલી સામગ્રી અને માળખાકીય સ્થિતિનું નિરીક્ષણ કરીને આ આખી દુર્ઘટના ચોક્કસ કયા કારણોસર અને કઈ ક્ષતિના લીધે ઘટી છે તેની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad--srk-jewels-duped-of--1-56-crore--eow-books-4-chennai-traders" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: શહેરમાં ચાર સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બાળકોને રજા આપી દેવાઈ, પોલીસે ચેકિંગ શરૂ કર્યું</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/10/7GiA4dB298bGvEM8eoi9TlyiKpXAUo9atFgvyjLQ.webp'/></item></channel></rss>