<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabad News: જાહેરાતના હોર્ડિંગ્સ બચાવવા લીલાછમ વૃક્ષોનું નિકંદન, મિશન મિલિયન ટ્રીના દાવાઓની ખુલી પોલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/trees-cut-to-protect-advertising-hoardings</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/trees-cut-to-protect-advertising-hoardings</guid><pubDate>Fri, 04 Sep 2026 11:15:24 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સ્માર્ટ સિટી અમદાવાદમાં એક તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પર્યાવરણની જાળવણી અને ગ્રીન કવર વધારવા માટે મિશન મિલિયન ટ્રી જેવા મોટા ઉપાડે કાર્યક્રમો ચલાવીને કરોડો રૂપિયાના ધુમાડા કરવામાં આવી રહ્યા છે.બીજી તરફ જાહેરાત એજન્સીઓની કમાણી ખાતર શહેરના લીલાછમ વૃક્ષો પર સરકારી આશીર્વાદથી કુહાડી ચલાવવામાં આવી રહી હોવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>એસજી હાઈવેથી રિંગરોડ વચ્ચે વૃક્ષોનું ટ્રિમિંગ</b></h2><p style="text-align: justify; ">શહેરના અતિ વ્યસ્ત અને પોશ ગણાતા એસ.જી. હાઈવેથી લઈને સરદાર પટેલ રિંગરોડ વચ્ચેના માર્ગો પર મોકાની જગ્યાઓએ મૂકવામાં આવેલા જાહેરાતના વિશાળ હોર્ડિંગ્સ અને સાઈન બોર્ડ વાહનચાલકોને સ્પષ્ટ દેખાય અને વૃક્ષોના કારણે ઢંકાઈ ન જાય તે માટે વૃક્ષોનું અવિચારી રીતે નિકંદન કાઢવામાં આવ્યું છે.નિયમ મુજબ માત્ર હળવું ટ્રિમિંગ કરવાની જગ્યાએ જાહેરાત બોર્ડનો વ્યૂ ક્લિયર કરવા માટે મોટા અને ઘટાદાર વૃક્ષોની ડાળીઓને મૂળમાંથી કાપી નાખવામાં આવી છે જેનાથી તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. આ સમગ્ર કૌભાંડમાં ચિત્રા પબ્લિસિટી નામની જાહેરાત એજન્સીનું નામ મોખરે આવી રહ્યું છે.આ એજન્સી દ્વારા અગાઉ પણ પોતાના હોર્ડિંગ્સ બચાવવા માટે આ પ્રકારે કાયદાનો અનાદર કરીને વૃક્ષો કાપવામાં આવ્યા હતા જે બદલ ગાર્ડન વિભાગ દ્વારા તેમને નોટિસ પણ આપવામાં આવી હતી.</p><h3 style="text-align: justify; "><b>નવા રોપા વાવવાની ગુલબાંગો ફેંકવામાં આવે છે&nbsp;</b></h3><p style="text-align: justify; ">વારંવાર આવા કિસ્સાઓ સામે આવવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ આકરી કે દાખલારૂપ કાર્યવાહી કરવામાં ન આવતાં આ એજન્સીઓ બેફામ બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. ચોમાસાની ઋતુમાં એક તરફ નવા રોપા વાવવાની ગુલબાંગો ફેંકવામાં આવે છે અને બીજી તરફ વર્ષો જૂના વૃક્ષોને વેપારી સ્વાર્થ માટે બલિ ચડાવી દેવાય છે.આ ઘટનાએ AMCના ગાર્ડન વિભાગ અને વિજિલન્સની શંકાસ્પદ ભૂમિકા ખુલ્લી પાડી દીધી છે.કોર્પોરેશન માત્ર કાગળ પર જ મિશન મિલિયન ટ્રી ચલાવવા માંગે છે કે પછી પ્રકૃતિનું નિકંદન કાઢતી ખાનગી પબ્લિસિટી એજન્સીઓ સામે કડક પગલાં ભરીને કાળી યાદીમાં મૂકશે તે હવે જોવું રહ્યું.<br><br><a href="https://sandesh.com/gujarat/news/valsad/dang-bus-accident--54-tourists-miraculously-escape-as-saputara-bound-bus-crashes" target="_blank">આ પણ વાંચોઃ Dangમાં મોટી હોનારત ટળી, સાપુતારા જતી લક્ઝરી બસ રિવર્સમાં ખાડામાં ખાબકી, 54 મુસાફરોનો ચમત્કારિક બચાવ!</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/Gt8kZE3vsxrah6ry7lfyHumcP3Q9DqkAW56DissU.webp'/></item><item><title><![CDATA[Mollywood : બોક્સ ઓફિસ પર દુલકર સલમાનની 'I'M Gameનો ધમાકો, યશની Toxicને પાછળ છોડી! ]]></title><link>https://sandesh.com/entertainment/news/dulquer-salmaan-im-game-box-office-toxic</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/dulquer-salmaan-im-game-box-office-toxic</guid><pubDate>Fri, 04 Sep 2026 11:09:28 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">2023માં રિલીઝ થયેલી કિંગ ઓફ કોઠા બાદ દુલકર સલમાન આઈ એમ ગેમ સાથે મલયાલમ સિનેમામાં પાછા ફર્યા છે. નહાસ હિદાયતના ડિરેક્શનમાં બનેલી આ એક્શન થ્રિલર ફિલ્મ 3 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મને ક્રિટિક્સ અને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. જોકે બોક્સ ઓફિસ પર આ દુલકરની સૌથી મોટી ઓપનિંગ રહી નથી, પરંતુ ફિલ્મે યશની ટોક્સિક: અ ફેયરીટેલ ફોર ગ્રોન-અપ્સ કરતા વધુ સિંગલ-ડે કલેક્શન કર્યું છે.</p><h2 style="text-align: justify; "><b>આઈ એમ ગેમ બોક્સ ઓફિસ કલેક્શન ડે 1</b></h2><p style="text-align: justify; ">Sacnilk મુજબ આઈ એમ ગેમ એ ઓપનિંગ ડે પર 2,714 શો સાથે 5.05 કરોડની કમાણી કરી છે. આ કમાણીનો મોટો હિસ્સો મલયાલમ વર્ઝનમાંથી આવ્યો છે, જેણે 4.30 કરોડ કમાયા છે. ત્યારબાદ તેલુગુ વર્ઝને 0.65 કરોડ અને હિન્દી વર્ઝને 0.10 કરોડની કમાણી કરી છે.</p><h2 style="text-align: justify; "><b>આઈ એમ ગેમ ડે 1 કલેક્શન- 5.05 કરોડ રૂપિયા</b></h2><ul><li style="text-align: justify;">હિન્દીમાં- 0.10 કરોડ રૂપિયા</li><li style="text-align: justify;">મલયાલમ- 4.30 કરોડ રૂપિયા</li><li style="text-align: justify;">તેલુગુ- 0.65 કરોડ રૂપિયા</li></ul><h3 style="text-align: justify;"><b>ટોક્સિકને પાછળ છોડી</b></h3><p style="text-align: justify;">આઈ એમ ગેમએ યશની ફિલ્મ ટોક્સિક: અ ફેયરીટેલ ફોર ગ્રોન અપ્સ કરતા એક દિવસમાં વધુ કમાણી કરી છે. Sacnilk મુજબ કન્નડ સ્ટારની આ પેન-ઈન્ડિયા ફિલ્મે બોક્સ ઓફિસ પર પોતાના 9મા દિવસે 4 કરોડની કમાણી કરી હતી.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DRmaSxjCZvx/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DRmaSxjCZvx/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DRmaSxjCZvx/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DRmaSxjCZvx/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>આઈ એમ ગેમ વિશે</b></h4><p style="text-align: justify; ">આ ફિલ્મમાં દુલકર સલમાન મુખ્ય ભૂમિકામાં છે. તેમની સાથે એન્ટની વર્ગીઝ, મિસ્કિન, કયાદુ લોહાર, સંયુક્તા વિશ્વનાથન, કથિર, વિનય ફોર્ટ અને પાર્થ તિવારી પણ જોવા મળે છે. ફિલ્મની સ્ટોરી એક જુગારીની છે, જેની જિંદગી કેટલીક ઘટનાઓને કારણે મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયા બાદ બદલાઈ જાય છે. ફિલ્મને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. આઈ એમ ગેમને વેફેરર ફિલ્મ્સના બેનર હેઠળ દુલકર સલમાન અને જોમ વર્ગીઝે પ્રોડ્યુસ કરી છે. આઈ એમ ગેમ 3 સપ્ટેમ્બર 2026ના રોજ જન્માષ્ટમી વીકએન્ડ પર થિયેટર્સમાં રિલીઝ થઈ હતી. ફિલ્મને ક્રિટિક્સ તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. દુલકરની એક્ટિંગ, ટેક્નિકલ પાસાં, એક્શન સીન, બેકગ્રાઉન્ડ સ્કોર અને સાઉન્ડટ્રેકની પ્રશંસા થઈ રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/hanuman-ansh-muslim-youth-theatre-viral-video" target="_blank">આ પણ વાંચો-મુસ્લિમ યુવક ચપ્પલ ઉતારીને થિયેટરમાં  જોઈ રહ્યો હતો Hanuman Ansh, લોકોએ કહ્યું- 'આ છે રાજકારણ વગરનું ભારત'</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/dNHkgvs7dKxnlLZBNV5QQhio45x9QX7YTDbqhoVt.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના ઓઢવમાં સ્પાની આડમાં ડ્રગ્સનો કાળો કારોબાર! ક્રાઈમ બ્રાન્ચે રૂ.6.38 લાખના મેફેડ્રોન સાથે 23 વર્ષીય યુવકને દબોચ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-drug-bust--crime-branch-seizes-mephedrone-worth--6-38-lakh-in-odhav</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-drug-bust--crime-branch-seizes-mephedrone-worth--6-38-lakh-in-odhav</guid><pubDate>Fri, 04 Sep 2026 10:46:27 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલ ઓઢવ સર્કલ પાસેના નિર્મિત સ્ક્વેરમાં આવેલી SHR નેચરલ સ્પામાં ક્રાઈમ બ્રાન્ચે સફળ દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે સ્પાની આડમાં ચાલતા મેફેડ્રોન ડ્રગ્સના કારોબારનો ખુલાસો કરીને 23 વર્ષીય આરોપી પીરારામ લીલારામ ચૌધરીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી અને દુકાનમાંથી અંદાજે રૂ. 6.38 લાખની કિંમતનું 212.900 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>વજનકાંટો, જીપર બેગ સહિત રૂ.6.48 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો</b></h2><p style="text-align: justify; ">દરોડા દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે માત્ર ડ્રગ્સ જ નહીં પરંતુ ડ્રગ્સના વેચાણમાં વપરાતી સામગ્રી પણ જપ્ત કરી છે. જેમાં બે મોબાઈલ ફોન, ડિજિટલ વજનકાંટો અને ડ્રગ્સનું પેકિંગ કરવા માટે રાખેલી 73 ખાલી જીપર બેગ મળી આવી છે. પોલીસે કુલ રૂ. 6.48 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) દ્વારા કરાયેલા પ્રાથમિક પરીક્ષણમાં જપ્ત કરાયેલ બ્રાઉન પાવડર જેવો પદાર્થ કાયદેસર રીતે મેફેડ્રોન ડ્રગ્સ હોવાનું પુરવાર થયું હતું.</p><h2 style="text-align: justify; "><b>વોન્ટેડ રમેશ માળી સહિત સામે NDPS હેઠળ ગુનો</b></h2><p style="text-align: justify; ">પ્રાથમિક પૂછપરછમાં ઝડપાયેલા આરોપી પીરારામ ચૌધરીએ કબૂલાત કરી હતી કે આ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો તેને રમેશ જગદિશકુમાર માળીએ કમિશન પર વેચવા માટે આપ્યો હતો. આ ચોંકાવનારા ખુલાસા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પીરારામ ચૌધરી અને મુખ્ય સપ્લાયર એવા વોન્ટેડ રમેશ માળી સહિત અન્ય સાગરીતો વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ક્રાઈમ બ્રાન્ચે હવે વોન્ટેડ રમેશ માળીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/vadodara/psychiatric-department-associate-professor-transferred-after-resident-doctors-complaints" target="_blank">Vadodara News: રેસિડેન્ટ ડૉક્ટરોની ફરિયાદ બાદ સાઇકાઇટ્રિક વિભાગના એસોસિએટ પ્રોફેસરની તાત્કાલિક બદલી</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/OR3AqhfBlfFB3n8b4lgIAkiYNrI7as6E4AFScn7g.webp'/></item><item><title><![CDATA[Surat News: કામરેજમાં તસ્કરોનો તરખાટ, બંધ મકાનમાંથી 2.36 લાખની મત્તાની ચોરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/kamrej-kholwad-ambervilla-society-house-burglary</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/kamrej-kholwad-ambervilla-society-house-burglary</guid><pubDate>Fri, 04 Sep 2026 10:38:14 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં ચોરીની ઘટના સામે આવી છે. કામરેજ વિસ્તારના ખોલવડ ગામમાં આવેલી અંબરવિલા સોસાયટીમાં અજાણ્યા તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. સોસાયટીમાં રહેતો એક પરિવાર પોતાના મકાનને તાળું મારીને ઘરની બહાર કોઈ કામકાજ અર્થે ગયો હતો. બંધ મકાન અને સુમસામ વાતાવરણનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ આ ઘરને ચોરી માટે નિશાન બનાવ્યું હતું.</p><h2><b>લોક તોડી ઘરમાં ઘૂસ્યા અને કબાટ ફેંદી નાખ્યા</b></h2><p>મકાન માલિકની ગેરહાજરીનો ફાયદો ઉઠાવીને તસ્કરોએ સૌપ્રથમ મુખ્ય રૂમના દરવાજાનું લોક તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં ઘૂસ્યા બાદ તસ્કરોએ ચોરી કરવા માટે તમામ રૂમમાં કબાટ અને ડ્રોવરના લોક તોડી નાખ્યા હતા. સમગ્ર ઘરમાં સરસામાન વેરવિખેર કરી તસ્કરોએ કબાટના ખાના ફેંદી મારી કિંમતી સામાનની શોધખોળ કરી હતી.</p><p><img alt="Surat News: House Burglary in Kamrej Surat: Cash and Gold Worth 2.36 Lakh Stolen" src="https://epapercdn.sandesh.com/images/2026/09/04/0h1eP9rncjWC4dcrRV8zCs1Z0MYu7wT9i5GOPg1O.webp"><br></p><h2><b>1.80 લાખ રોકડા અને સોનાના દાગીના ચોરાયા</b></h2><p>કબાટના લોક તોડ્યા બાદ તસ્કરોના હાથમાં મોટી રકમ અને દાગીના લાગ્યા હતા. તસ્કરોએ કબાટમાં મૂકેલા 1.80 લાખ રૂપિયા રોકડા તેમજ કિંમતી સોનાના દાગીનાની ચોરી કરી હતી. રોકડ અને સોનાના દાગીના મળીને તસ્કરો કુલ 2.36 લાખ રૂપિયાની મત્તા ચોરી કરીને રફુચક્કર થઈ ગયા હતા. પરિવારજનો જ્યારે ઘરે પરત ફર્યા ત્યારે તૂટેલા લોક અને વિખરાયેલો સામાન જોઈને ચોંકી ઉઠ્યા હતા.</p><p><img alt="Surat News: House Burglary in Kamrej Surat: Cash and Gold Worth 2.36 Lakh Stolen" src="https://epapercdn.sandesh.com/images/2026/09/04/wnOfYEtIGRvTVyOOIQPxGGe7oilMCYViQrhD0BQA.webp"><br></p><h2><b>કામરેજ પોલીસે ગુનો નોંધી તસ્કરોની શોધખોળ હાથ ધરી</b></h2><p>ઘટનાની જાણ થતાં જ મકાન માલિક દ્વારા તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવ અંગે જાણ મળતા જ કામરેજ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે તસ્કરો સામે ગુનો નોંધી ચોરીનો ભેદ ઉકેલવા ફિંગરપ્રિન્ટ નિષ્ણાતો અને સીસીટીવી ફુટેજની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.</p><p><br></p><p>આ પણ વાંચો:<a href="https://sandesh.com/janmashtami/news/janmashtami-2026-celebration-sandesh-digital-kanuda-photo" target="_blank"> Janmashtami 2026: સંદેશ ડિજિટલને સાથે જન્માષ્ટમી ઉજવણી, જુઓ તમારા કાનુડાનો ફોટો...</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/HSuB7EIizgohVgrJkO66iMUcFvWOpoUMpFvKfHtL.webp'/></item><item><title><![CDATA[Abhijeet Dipkeએ હવે કરી મોટી જાહેરાત, જરૂર પડી તો અમે મુંબઇમાં પણ... ]]></title><link>https://sandesh.com/india/news/abhijeet-dipke-nashik-tribal-students-protest-12-days-hunger-strike-590-deaths</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/abhijeet-dipke-nashik-tribal-students-protest-12-days-hunger-strike-590-deaths</guid><pubDate>Fri, 04 Sep 2026 10:24:29 +05:30</pubDate><description><![CDATA[<p>Abhijeet Dipke: કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દીપકેએ નાશિકમાં વિરોધ કરી રહેલા આદિવાસી વિદ્યાર્થીઓને ભૂખ હડતાળ સમાપ્ત કરવા અપીલ કરી હતી. જોકે, તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી તેમની માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓએ તેમનો સંઘર્ષ ચાલુ રાખવો જોઈએ.</p><p><br></p><p>દીપકે નાસિકમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને મળ્યા અને ટિપ્પણી કરી કે આદિવાસી વિદ્યાર્થીઓને આપવામાં આવતી સુવિધાઓ, ખોરાક અને શિક્ષણમાં અસમાનતા સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં તેમણે કહ્યું, "નાસિકમાં 12 દિવસથી ભૂખ હડતાળ પર રહેલા આદિવાસી વિદ્યાર્થીઓને મળ્યા."</p><p><br></p><p><b>590 આદિવાસી વિદ્યાર્થીઓના મૃત્યુ - દીપકે</b></p><p>અભિજીત દીપકેએ જણાવ્યું હતું કે તેમને આપવામાં આવતી સુવિધાઓ, ખોરાક અને શિક્ષણ અંગેની ગંભીર અસમાનતા સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. તેમણે નોંધ્યું હતું કે આ જ કારણ છે કે બે વર્ષના સમયગાળામાં 590 આદિવાસી વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે. દીપકેએ કહ્યું, "મેં તેમને તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ભૂખ હડતાળ સમાપ્ત કરવા અપીલ કરી હતી, પરંતુ તેમની માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓએ સંઘર્ષ ચાલુ રાખવો જોઈએ. જો જરૂરી હોય તો, આપણે બધા સાથે મળીને મુંબઈ કૂચ કરીશું."</p><p><br></p><p><b>એક વિદ્યાર્થી ગંભીર હાલતમાં - દીપકે</b></p><p>CJP નેતાએ ઉલ્લેખ કર્યો કે એક વિદ્યાર્થી હવે ગંભીર હાલતમાં છે અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે: આ વિદ્યાર્થીઓ 12 દિવસથી ભૂખ હડતાળ પર છે, પરંતુ તેઓ શું માંગ કરી રહ્યા છે? તેઓ સારું ભોજન, સારી છાત્રાલયો અને સારી શાળાઓ ઇચ્છે છે. તેમને ફક્ત આ માટે 12 દિવસ ભૂખ્યા રહેવું પડે છે. આ દેશમાં શું થઈ રહ્યું છે? સરકાર ક્યારે જાગશે? તમે તેમના મત અને તેમની જમીન લો છો, તેમની જમીન પણ હડપ કરી લો છો પરંતુ જ્યારે તેઓ ફક્ત ગુણવત્તાયુક્ત શિક્ષણ, સારી શાળાઓ અને સારી છાત્રાલયો માંગે છે, ત્યારે તમે તેમની સામે કેસ નોંધાવો છો.</p><p><br></p><p><b>'શું મંત્રીઓ પોતાના બાળકોને પણ એ જ ખોરાક ખવડાવશે?'</b></p><p>દીપકેએ ટિપ્પણી કરી કે જ્યારે આદિવાસી બાળકો પોતાના અધિકારો માટે લડે છે, ત્યારે સરકાર તેમની સામે કેસ નોંધાવે છે. સરકારને પ્રશ્ન કરતા તેમણે પૂછ્યું, "શું તમે તમારા પોતાના બાળકોને પણ એ જ ખોરાક ખવડાવશો જે આ બાળકોને મળે છે?" "ખોરાક સવારે 2 વાગ્યે રાંધવામાં આવે છે, અને આ બાળકોને બપોરે ખાવા મળે છે. હું મંત્રીઓને પૂછવા માંગુ છું: શું તમારા બાળકો આ ખોરાક ખાશે?" મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાંથી 100 થી વધુ આદિવાસી વિદ્યાર્થીઓ નાસિકના ઇદગાહ મેદાનમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમાંથી ત્રણ ભૂખ હડતાળ પર છે.<br><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/isro-eos-05-launch-gslv-f17-satellite" target="_blank"><b>ISRO EOS-05 Launch: દુશ્મનોની હવે ખેર નહીં! ISROએ અંતરિક્ષમાં મોકલ્યો 'નોટી બોય'</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/a51bJ6LfnRzLa7hnn7QQNcxxuenflCbtWq461inl.webp'/></item><item><title><![CDATA[Janmashtami 2026 : PM મોદી અને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ પાઠવી જન્માષ્ટમીની શુભકામનાઓ ]]></title><link>https://sandesh.com/india/news/janmashtami-2026-pm-modi-president-murmu-greetings</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/janmashtami-2026-pm-modi-president-murmu-greetings</guid><pubDate>Fri, 04 Sep 2026 10:15:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પાવન અવસર પર દેશભરમાં ભારે ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળી રહ્યો છે.અનેક મંદિરોમાં સવારથી જ ભક્તો દર્શન કરવા પહોંચ્યા છે. આ શુભ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન કૃષ્ણના નિઃસ્વાર્થ કાર્ય અને દિવ્ય સંદેશને યાદ કરીને સમગ્ર રાષ્ટ્રને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.</p><h2 style="text-align: justify; "><b>કૃષ્ણનો પવિત્ર ઉપદેશ માનવતા માટે યોગ્ય માર્ગદર્શનઃ પીએમ મોદી</b></h2><p style="text-align: justify; ">પ્રધાનમંત્રીએ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે ભગવાન કૃષ્ણનો પવિત્ર ઉપદેશ માનવતાને હંમેશાં યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે છે. તેમણે આકાંક્ષા વ્યક્ત કરી કે ભગવાન કૃષ્ણની ભક્તિ અને ઉપાસનાનો આ શુભ દિવસ દરેક નાગરિકના જીવનમાં સકારાત્મક ઊર્જા, નવો ઉત્સાહ અને શક્તિનો સંચાર કરે.&nbsp;&nbsp;<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/narendramodi/status/2095694100607779266"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h3 style="text-align: justify; "><b>દ્રોપદી મુર્મુએ પણ પાઠવી શુભકામનાઓ</b></h3><p style="text-align: justify; ">આ જ ક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ દેશવાસીઓને જન્માષ્ટમીની શુભેચ્છાઓ પાઠવતા પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે ભગવાન કૃષ્ણનું જીવનચરિત્ર અને તેમના ઉપદેશો ભારતીય સંસ્કૃતિ અને દર્શનમાં નવી ઊર્જા પૂરે છે. તેમણે નાગરિકોને સત્ય, ન્યાય, કરુણા અને નિઃસ્વાર્થ કર્મના માર્ગ પર ચાલવા અપીલ કરી હતી તેમજ એક સમાવિષ્ટ અને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા માટે આહ્વાન કર્યું હતું.&nbsp;&nbsp;<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/rashtrapatibhvn/status/2095695778782310638"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h4 style="text-align: justify; "><b>વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી</b></h4><p style="text-align: justify; ">બીજી બાજુ, જન્માષ્ટમીના આ પર્વ નિમિત્તે દેશભરના મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી હતી. દિલ્હી, મથુરા, વૃંદાવન અને મુંબઈ સહિતના મુખ્ય શહેરોના મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના અને મંગળા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હીના કૈલાશ પૂર્વ અને દ્વારકા સેક્ટર 13 સ્થિત ઇસ્કોન મંદિરો તેમજ પ્રખ્યાત બિરલા મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહીને ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની દિવ્ય ઉજવણી કરી હતી. મંગળા આરતી દરમિયાન સમગ્ર મંદિર પરિસર 'હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી' ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું અને ભક્તોએ ભારે આસ્થા સાથે પ્રાર્થના કરી હતી.<br><br><b><a href="https://sandesh.com/world/news/nepal-flood-dna-testing-missing-indians" target="_blank">આ પણ વાંચોઃ Nepal Flood:  ગુમ થયેલા ભારતીયોની ઓળખ માટે ભારતમાં થશે DNA ટેસ્ટ, મૃત્યુઆંક વધીને 1,259 પર પહોંચ્યો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/xF7y4jKO4jwcz3hmWO7PQhJKhu8zBPn5FDCc2BFl.webp'/></item><item><title><![CDATA[Gujarat Monsoon Assembly Session: સરકાર રજૂ કરશે 8 મહત્વપૂર્ણ બીલ, જુઓ સંપૂર્ણ યાદી ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-assembly-monsoon-session-8-bills-to-be-introduced</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-assembly-monsoon-session-8-bills-to-be-introduced</guid><pubDate>Fri, 04 Sep 2026 09:27:50 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાત વિધાનસભાનું આગામી ચોમાસુ સત્ર આગામી 9 સપ્ટેમ્બરથી વિધિવત રીતે શરૂ થઈ રહ્યું છે. આ સત્ર કુલ 3 દિવસ સુધી ચાલશે. વિધાનસભાના આ ટૂંકા પરંતુ અત્યંત મહત્વપૂર્ણ ચોમાસુ સત્ર દરમિયાન રાજ્ય સરકાર વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક સુધારા લાવવા અને નવા નિયમોના અમલીકરણ માટે વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.</p><h2><b>ઉદ્યોગ, મહેસૂલ અને શિક્ષણમાં મોટા બદલાવની તૈયારી</b></h2><p>આ 3 દિવસીય ચોમાસુ સત્ર દરમિયાન રાજ્ય સરકાર અલગ-અલગ વિભાગોના કુલ 8 સુધારા બીલ ગૃહના ટેબલ પર મૂકશે. જેમાં રાજ્યમાં રોકાણ અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે 'ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ વિધેયક' મુખ્ય આકર્ષણ રહેશે. આ ઉપરાંત, મહેસૂલ વિભાગ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ તથા જમીન મહેસૂલમાં સમયાનુકૂળ સુધારા લાવતા બીલ રજૂ કરી કાયદાકીય રૂપ આપવામાં આવશે.</p><h2><b>વિધાનસભા સત્રમાં રજૂ થનારા 8 મહત્વપૂર્ણ બીલની યાદી</b></h2><p>ચોમાસુ સત્રમાં રજૂ થનારા તમામ 8 બિલનો મુખ્ય હેતુ રાજ્યના વિકાસને વેગ આપવાનો અને પ્રજાલક્ષી નીતિઓને વધુ સરળ બનાવવાનો છે. સરકાર દ્વારા રજૂ કરવામાં આવનાર બીલની વિગતવાર યાદી...</p><ol><li>ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ બીલ: ઉદ્યોગો સ્થાપવા અને સંચાલન માટેની પ્રક્રિયા વધુ સરળ બનાવવી.</li><li>જમીન ટુકડા અને એકત્રીકરણ સુધારા બીલ: મહેસૂલ વિભાગ દ્વારા જમીન સંબંધિત કાયદાઓમાં રાહત આપવી.</li><li>ગુજરાત પશુધન આહાર બીલ: પશુઓને ગુણવત્તાયુક્ત અને શુદ્ધ આહાર મળી રહે તે માટે કડક નિયમો.</li><li>માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા બીલ: શિક્ષણ પ્રણાલીમાં આધુનિક અને શૈક્ષણિક સુધારા લાવવા.</li><li>જમીન મહેસૂલ સુધારા બીલ: જમીન મહેસૂલ પદ્ધતિ અને રેકોર્ડ્સમાં સુધારા કરવા.</li><li>ગુજરાત ભાડા બીલ: મકાન અને દુકાન ભાડા સંબંધિત કાયદાઓમાં સ્પષ્ટતા અને સુધારા.</li><li>ગુજરાત કૃષિ યુનિવર્સિટી સુધારા બીલ: કૃષિ ક્ષેત્રે શિક્ષણ અને સંશોધનને વધુ પ્રોત્સાહન આપવું.</li><li>ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી બીલ: પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે યુનિવર્સિટી સંબંધિત જોગવાઈઓ.</li></ol><h2><b>ખેડૂતો અને પશુપાલકોના હિતમાં લેવાશે મહત્વના નિર્ણયો</b></h2><p>રાજ્ય સરકાર આ વખતે કૃષિ અને પશુપાલન ક્ષેત્ર પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. પશુઓને ભેળસેળમુક્ત શુદ્ધ આહાર મળી રહે તે માટે લાવવામાં આવી રહેલું 'ગુજરાત પશુધન આહાર બીલ' પશુપાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. તેની સાથે જ રાજ્યમાં રસાયણમુક્ત ખેતીને પ્રોત્સાહન આપવા માટે 'ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી બીલ' પણ પસાર કરવામાં આવશે, જેનાથી લાખો ખેડૂતોને નવીનતમ ટેકનોલોજી અને તાલીમ મેળવવામાં મદદ મળશે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/janmashtami/news/janmashtami-2026-celebration-sandesh-digital-kanuda-photo" target="_blank">Janmashtami 2026: સંદેશ ડિજિટલને સાથે જન્માષ્ટમી ઉજવણી, જુઓ તમારા કાનુડાનો ફોટો...</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/xFRgPsIaxvNO4eW7ZfpdgZxcQVUgkmPKNf3MBbRd.webp'/></item><item><title><![CDATA[Petrol Diesel Price Today: તહેવારોમાં શું છે પેટ્રોલ ડીઝલના ભાવ? જાણો દિલ્હીથી લઈને ગુજરાત સુધીના લેટેસ્ટ રેટ ]]></title><link>https://sandesh.com/business/news/petrol-diesel-price-today-fuel-rates-city-wise</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/petrol-diesel-price-today-fuel-rates-city-wise</guid><pubDate>Fri, 04 Sep 2026 09:21:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કાચા તેલના ભાવમાં ઘટાડો છતાં આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ $96 થી ઉપર જોવા મળ્યો છે. આ દરમિયાન, સરકારી માલિકીની તેલ માર્કેટિંગ કંપનીઓ HPCL, IOCL અને ભારત પેટ્રોલિયમે પણ 4 સપ્ટેમ્બર માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે.</p><h2 style="text-align: justify; "><b>પેટ્રોલ અને ડીઝલના તાજેતર ભાવ&nbsp;</b></h2><p style="text-align: justify; ">પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થતો નાનો કે મોટો ફેરફાર સીધો જ સામાન્ય માનવીના ખિસ્સાને અસર કરે છે. પેટ્રોલના વધતા-ઘટતા ભાવો બાઇક અને કાર ચલાવવાનો ખર્ચ નક્કી કરે છે, જ્યારે ડીઝલના ભાવમાં થતી અસ્થિરતા પરિવહન ખર્ચથી લઈને રોજિંદા ઉપયોગની તમામ ચીજવસ્તુઓની કિંમતો પર સીધી અસર પહોંચાડે છે. આ જ કારણ છે કે ઇંધણના ભાવમાં થતા ફેરફારો હંમેશા ચર્ચાનું કેન્દ્ર રહે છે. ચાલો જાણીએ કે આજે પેટ્રોલ અને ડીઝલના તાજેતરા દૈનિક ભાવ શું છે અને તેમાં શું બદલાવ આવ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>આજે દેશના મોટા શહેરોમાં પેટ્રોલ ડીઝલનો ભાવ&nbsp;</b></h3><p style="text-align: justify; ">દિલ્હીમાં, ઇથેનોલ-મુક્ત પેટ્રોલની કિંમત ₹167.35 પ્રતિ લિટર છે.</p><p style="text-align: justify; ">દિલ્હીમાં E5 પેટ્રોલની કિંમત ₹109.24 અને E20 પેટ્રોલની કિંમત ₹102.12 પ્રતિ લિટર છે</p><p style="text-align: justify; ">મુંબઈ: પેટ્રોલ ₹111.21 અને ડીઝલ ₹97.83  પ્રતિ લિટર.</p><p style="text-align: justify; ">જયપુરમાં, પેટ્રોલની કિંમત ₹112.66 અને ડીઝલની કિંમત ₹97.78 પ્રતિ લિટર છે.</p><p style="text-align: justify; ">પટનામાં પેટ્રોલનો ભાવ ₹113.37 અને ડીઝલનો ભાવ ₹99.36 પ્રતિ લિટર છે.</p><p style="text-align: justify; ">લખનૌમાં પેટ્રોલનો ભાવ ₹101.86 અને ડીઝલનો ભાવ ₹95.36 પ્રતિ લિટર છે.</p><p style="text-align: justify; ">ભોપાલમાં પેટ્રોલનો ભાવ ₹114.45 અને ડીઝલનો ભાવ ₹99.55 પ્રતિ લિટર છે.</p><h4 style="text-align: justify; "><b>ગુજરાતના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ&nbsp;</b></h4><p style="text-align: justify; ">ગુજરાતમાં શહેર પ્રમાણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડો તફાવત જોવા મળી શકે છે. 4 સપ્ટેમ્બરના લેટેસ્ટ ભાવ નીચે મુજબ છે:</p><table class="table table-bordered"><tbody><tr><td>શહેર&nbsp;</td><td>&nbsp;પેટ્રોલ /લિટર</td><td>ડીઝલ/લિટર&nbsp;&nbsp;</td></tr><tr><td>અમદાવાદ</td><td>₹101.81</td><td>₹97.92&nbsp;</td></tr><tr><td>ગાંધીનગર&nbsp; &nbsp;</td><td>₹101.83</td><td>₹97.92</td></tr><tr><td>રાજકોટ</td><td>₹103.08</td><td>₹99.20</td></tr><tr><td>સુરત&nbsp;&nbsp;</td><td>₹101.85</td><td>₹97.99</td></tr><tr><td>વડોદરા&nbsp;</td><td>₹101.46&nbsp;</td><td>₹97.57</td></tr><tr><td>જૂનાગઢ&nbsp;&nbsp;</td><td>₹102.48</td><td>₹98.62</td></tr></tbody></table><h5 style="text-align: justify; "><b>તમારા શહેરના ભાવ કેવી રીતે તપાસશો?</b></h5><p style="text-align: justify; ">તમે તમારી અનુકૂળતા મુજબ નીચેના નંબર પર SMS કરીને તમારા શહેરના તાજા ભાવ જાણી શકો છો:</p><p style="text-align: justify; ">IOCL: 'RSP &lt;સ્પેસ&gt; &lt;સેન્ટર કોડ&gt;' લખીને 92249 92249 પર SMS કરો.</p><p style="text-align: justify; ">HPCL: 'HPPRICE &lt;સ્પેસ&gt; &lt;સેન્ટર કોડ&gt;' લખીને 92222 01122 પર SMS કરો.</p><p style="text-align: justify; ">BPCL: 'RSP &lt;સ્પેસ&gt; &lt;સેન્ટર કોડ&gt;' લખીને 92231 12222 પર SMS કરો.&nbsp;</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/isro-eos-05-launch-gslv-f17-satellite" target="_blank">આ પણ વાંચોઃ ISRO EOS-05 Launch: દુશ્મનોની હવે ખેર નહીં! ISROએ અંતરિક્ષમાં મોકલ્યો' નોટી બોય'</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/03/15/xHpqv17vKQ7xTa7sYUxl4tfYx4FTEy9u6ciTmUlB.webp'/></item><item><title><![CDATA[Janmashtami 2026: દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી, વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું ]]></title><link>https://sandesh.com/janmashtami/news/maru-saher-maru-gaam/dwarka/dwarka-jagat-mandir-janmashtami-celebration-devotees-rush</link><guid isPermaLink="true">https://sandesh.com/janmashtami/news/maru-saher-maru-gaam/dwarka/dwarka-jagat-mandir-janmashtami-celebration-devotees-rush</guid><pubDate>Fri, 04 Sep 2026 08:03:16 +05:30</pubDate><description><![CDATA[<p>આજે સમગ્ર દેશમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ એવી સુવર્ણ નગરી દ્વારકામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમીના આ પાવન પર્વ નિમિત્તે સમગ્ર દ્વારકા નગરી અને જગત મંદિરને આકર્ષક રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. રંગબેરંગી લાઈટોથી ઝળહળતી દ્વારકા નગરી કોઈ નવોઢા જેવી ભાસી રહી છે, અને સમગ્ર વાતાવરણ સંપૂર્ણપણે કૃષ્ણમય બની ગયું છે.</p><h2><b>મંગળા આરતીથી જ ભક્તોનું ઘોડાપૂર</b></h2><p>ભગવાન દ્વારકાધીશના દર્શનનું જન્માષ્ટમીના દિવસે વિશેષ મહત્વ હોય છે. આથી, વહેલી સવારે ખુલતા મંદિરે મંગળા આરતીના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. સવારના 6:00 વાગ્યાથી જ મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓનો જબરદસ્ત ધસારો જોવા મળ્યો હતો. પોતાના વ્હાલા કાનુડાના એક ઝલક પામવા માટે લાખોની સંખ્યામાં ભાવિકો દેશ-વિદેશથી અહી પહોંચ્યા છે.</p><h2><b>'જય દ્વારકાધીશ'ના નાદથી ગુંજ્યું જગત મંદિર</b></h2><p>દ્વારકાધીશના દર્શને ઉમટેલા શ્રદ્ધાળુઓમાં જબરદસ્ત ભક્તિભાવ અને ઊર્જા જોવા મળી રહી છે. હજારો ભક્તોના મુખેથી નીકળતા 'જય દ્વારકાધીશ', 'હાથી ઘોડા પાલખી, જય કન્હૈયા લાલ કી' અને 'નંદ ઘેર આનંદ ભયો'ના ગગનભેદી નાદથી સમગ્ર દ્વારકા નગરી ગુંજી ઉઠી છે. ભક્તો ભગવાનની ભક્તિમાં લીન થઈને નાચતા-ગાતા નજરે પડી રહ્યા છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2095692545397539211"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>દર્શન માટે લાંબી કતારો અને સુદ્રઢ વ્યવસ્થા</b></h2><p>વહેલી સવારથી જ દર્શન માટે ભક્તોની 2 થી 3 કિલોમીટર લાંબી કતારો જોવા મળી રહી છે. દર્શનાર્થીઓની આટલી મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ભક્તોને દર્શન કરવામાં કોઈ જ અગવડતા ન પડે તે માટે બેરિકેડિંગ અને પીવાના પાણી સહિતની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/janmashtami/news/janmashtami-2026-celebration-sandesh-digital-kanuda-photo" target="_blank">Janmashtami 2026: સંદેશ ડિજિટલને સાથે જન્માષ્ટમી ઉજવણી, જુઓ તમારા કાનુડાનો ફોટો...</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/6EXquFy3ajGg7FItoyAQV7MBxVibaalv5yJshlHL.webp'/></item><item><title><![CDATA[Asian Games 2026: નીરજ ચોપરાના રિપ્લેસમેન્ટની જાહેરાત, આ સ્ટારને મળ્યું સ્થાન ]]></title><link>https://sandesh.com/sports/news/neeraj-chopra-out-yashvir-singh-asian-games</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/neeraj-chopra-out-yashvir-singh-asian-games</guid><pubDate>Thu, 03 Sep 2026 18:11:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">એશિયન ગેમ્સ 19 સપ્ટેમ્બરથી જાપાનમાં શરૂ થવાની છે. ભારતીય ટીમને તાજેતરમાં મોટો ઝટકો લાગ્યો છે. ઈજાને કારણે બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા અને સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરા 2026 સીઝનની બાકીની બધી સ્પર્ધાઓમાંથી બહાર થઈ ગયો છે. તેને સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરી. ફેન્સને આશા હતી કે તે ગોલ્ડ જીતશે.&nbsp;</p><p style="text-align: justify;">પરંતુ એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ ત્યારબાદ એક નિવેદનમાં જાહેરાત કરી હતી કે તેઓ ટૂંક સમયમાં નીરજના રિપ્લેસમેન્ટની જાહેરાત કરશે. હવે તે ખેલાડીનું નામ જાહેર કરવામાં આવ્યું છે.</p><h2 style="text-align: justify;"><b>નીરજ ચોપરાનું સ્થાન કોણ લેશે?</b></h2><p style="text-align: justify;">ઈજા છતાં નીરજ ચોપરાએ તાજેતરની કેટલીક સ્પર્ધાઓમાં સારું પ્રદર્શન કર્યું. તેને કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો. નીરજના સાથી અને પ્રખ્યાત ભાલા ફેંકનાર યશવીર સિંહે કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. હવે તેને તેનું ઈનામ મળી ગયું છે. યશવીર એશિયન ગેમ્સમાં નીરજનું સ્થાન લેશે. યશવીરને એક મોટી તક મળી છે. તે એશિયન ગેમ્સમાં અજાયબીઓ કરી શકે છે.</p><p style="text-align: justify;">એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બહાદુર સિંહ સાગુએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "અમે એશિયન ગેમ્સ માટે નીરજ ચોપરાની જગ્યાએ યશવીર સિંહને સામેલ કર્યો છે. તેને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યો હતો. નીરજ હાલમાં ઘાયલ છે. તેની ઈજાને કારણે આ ફેરફાર કરવામાં આવ્યો છે. યશવીરના આવવામાં કોઈ સમસ્યા નહોતી."</p><h3 style="text-align: justify;"><b>યશવીર સિંહની સિઝન શાનદાર રહી&nbsp;</b></h3><p style="text-align: justify;">યશવીર સિંહે કોમનવેલ્થ ગેમ્સ  2026માં બ્રોન્ઝ મેડલ જીતીને બધાનું દિલ જીતી લીધું હતું. આ પછી તેની ખૂબ ચર્ચા થઈ હતી. તેને ત્યાં પણ પોતાનું બેસ્ટ પ્રદર્શન કર્યું. યશવીરે 85.41 મીટરનો થ્રો ફેંક્યો. કાશીનાથ નાયક (2010) અને નીરજ (2018, 2026) પછી તે કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનાર ત્રીજો ભારતીય છે.</p><p style="text-align: justify;">2026નું વર્ષ તેમના માટે શાનદાર રહ્યું છે. તેને 8 ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો, જેમાંથી 6માં 80 મીટરથી વધુ થ્રો ફેંક્યા હતા. હવે, બધાની નજર યશવીર પર રહેશે. નીરજના સ્થાને સામેલ થવાથી તેના પર પણ દબાણ આવશે. તે 2026 કોમનવેલ્થ ગેમ્સમાં પોતાના પ્રદર્શનનું કમબેક કરવા અને ભારત માટે મેડલ લાવવા માગશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/bcci-meeting-rohit-sharma-odi-future" target="_blank">Rohit Sharmaના ક્રિકેટ કરિયર અને 2027ના ODI વર્લ્ડકપને લઈને ચર્ચા, BCCI મોટો નિર્ણય લેવા માટે તૈયાર</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/pnZfVXFfDbiVeUTCGLZBXQLYtouFoYzTiWb82QVE.webp'/></item></channel></rss>