<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Pakistan Economy Crisis 2026: પાકિસ્તાને ડિજિટલ પેમેન્ટ શરૂ કર્યું પણ અર્થતંત્રમાં કેશનો ફુગાવો રેકોર્ડ સ્તરે ]]></title><link>https://sandesh.com/business/news/world/pakistan-economy-crisis-2026-pakistan-launched-digital-payments-but-cash-inflation-in-the-economy-is-at-record-levels-1</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/world/pakistan-economy-crisis-2026-pakistan-launched-digital-payments-but-cash-inflation-in-the-economy-is-at-record-levels-1</guid><pubDate>Sun, 16 Aug 2026 20:11:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ડિજિટલ ચૂકવણીમાં વધારો થયો છે. પરંતુ રોકડનો ઉપયોગ પણ ઝડપથી વધ્યો છે. આ કટોકટીનું કારણ છે.</p><h2 style="text-align: justify; ">કેશલેસ અર્થતંત્ર પ્રાપ્ત કરવાનું શરૂ</h2><p style="text-align: justify; ">ભારતના ઉદાહરણને અનુસરીને, પાકિસ્તાને પણ કેશલેસ અર્થતંત્ર પ્રાપ્ત કરવાનું શરૂ કર્યું. થોડા મહિનામાં, મોબાઇલ બેંકિંગ, ડિજિટલ વોલેટ અને ઓનલાઈન ચુકવણીનો ઉપયોગ ઝડપથી વધ્યો. સરકારે પણ લોકોને રોકડને બદલે ડિજિટલ ચુકવણી કરવા માટે પ્રોત્સાહિત કરવાનું શરૂ કર્યું. પરંતુ અચાનક, પ્રવાહ ઉલટું થઈ ગયું. પહેલ અર્થતંત્રને કેશલેસ બનાવવાની હતી, પરંતુ તેના બદલે, અર્થતંત્રમાં બમણી રોકડ વહેવા લાગી.</p><h3 style="text-align: justify; ">ડિજિટલ ચૂકવણીમાં વધારો</h3><p style="text-align: justify; ">નાણાકીય વર્ષ 2025-26માં, પાકિસ્તાનમાં ચલણ 11.94 ટ્રિલિયન પાકિસ્તાની રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું. જ્યારે નાણાકીય વર્ષ 2020માં, તે 6.14 ટ્રિલિયન રૂપિયા હતું. આનો અર્થ એ થયો કે લગભગ છ વર્ષમાં રોકડ રકમમાં 94% નો વધારો થયો. આનો અર્થ એ થયો કે ડિજિટલ ચૂકવણીમાં વધારો થયો, પરંતુ રોકડની જરૂરિયાત અદૃશ્ય થઈ નહીં. વાસ્તવિક સમસ્યા એ છે કે પાકિસ્તાનમાં, ડિજિટલ રીતે પ્રાપ્ત થયેલા પૈસા ઘણીવાર ડિજિટલ રીતે ખર્ચાતા નથી. ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિ પોતાના બેંક ખાતા અથવા મોબાઇલ વોલેટમાં પૈસા મેળવે છે, તેને ATM અથવા બેંક ખાતામાંથી ઉપાડે છે, અને પછી તેને દુકાનમાં રોકડમાં ખર્ચ કરે છે.&nbsp;</p><h4 style="text-align: justify; ">ડિજિટલ વ્યવહારોમાં વધારો&nbsp;</h4><p style="text-align: justify; ">અહીં એક મહત્વપૂર્ણ તફાવત સમજવો જોઈએ. ડિજિટલ વ્યવહારોમાં વધારો હંમેશા એટલો અર્થ નથી કે દેશ રોકડ રહિત બની રહ્યો છે. પાકિસ્તાનમાં, ડિજિટલ સિસ્ટમે પૈસા એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવાની રીત બદલી નાખી છે, પરંતુ તેનાથી લોકો તેને ખર્ચવાની રીતમાં નોંધપાત્ર ફેરફાર થયો નથી. નાના દુકાનદારો, અનૌપચારિક વ્યવસાયો અને રોકડ આધારિત વ્યવહારો હજુ પણ અર્થતંત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો કે, ચિત્ર સંપૂર્ણપણે અંધકારમય નથી. પાકિસ્તાનમાં, કુલ નાણાં પુરવઠામાં રોકડનો હિસ્સો નાણાકીય વર્ષ 2020 માં 30.1% થી ઘટીને નાણાકીય વર્ષ 2026 માં 25.7% થયો છે.&nbsp;</p><h5 style="text-align: justify; ">રોકડની વાસ્તવિક ખરીદ શક્તિ&nbsp;</h5><p style="text-align: justify; ">ફુગાવાની અસરને બાદ કરતાં, આ સમયગાળા દરમિયાન રોકડની વાસ્તવિક ખરીદ શક્તિમાં આશરે 12.5%નો ઘટાડો થયો છે. જોકે, નાણાકીય વર્ષ 2024 પછી, આ વલણ ઉલટું થયું હોય તેવું લાગે છે, અને વાસ્તવિક રોકડ હોલ્ડિંગ વધવા લાગ્યું છે. આનો અર્થ એ છે કે પાકિસ્તાન ડિજિટલ ચુકવણી તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ રોકડ પાછળ છોડી શકતું નથી. ભારતમાં, UPI જેવી સિસ્ટમોએ ડિજિટલ ચુકવણીઓને બેંક-ટુ-બેંક ટ્રાન્સફર સુધી મર્યાદિત કરી નથી, પરંતુ ચા વિક્રેતાઓ, કરિયાણાની દુકાનો અને નાના દુકાનદારો સુધી સીધી ડિજિટલ ચુકવણીઓ પણ લાવી છે. પાકિસ્તાનનો હવે પડકાર એ સુનિશ્ચિત કરવાનો છે કે ડિજિટલ નાણાં ફક્ત ખાતાઓમાં જ ફરતા ન હોય, પરંતુ અંતિમ ચુકવણી પણ ડિજિટલ હોય. ત્યારે જ અર્થતંત્ર ખરેખર રોકડથી દૂર જશે.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ&nbsp; <a href="https://sandesh.com/world/news/tech/ai-model-predict-depression-china-created-an-ai-model-that-will-predict-depression-4-years-in-advance" target="_blank">ચીને બનાવ્યું એવું AI મોડેલ જે 4 વર્ષ પહેલા ડિપ્રેશનની કરશે ભવિષ્યવાણી</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/Wi0MnRpsHMdkiA2KHYrUr9RJvROWeU81w103RsGD.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : ગુજરાત યુનિવર્સિટીમાં સુરક્ષાને લઈને મોટો નિર્ણય, 22 સિક્યુરિટી ગાર્ડનું પોલીસ વેરિફિકેશન કરાયું ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-news-big-decision-regarding-security-at-gujarat-university-police-verification-of-22-security-guards-done</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-news-big-decision-regarding-security-at-gujarat-university-police-verification-of-22-security-guards-done</guid><pubDate>Sun, 16 Aug 2026 20:06:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં તૈનાત સિક્યુરિટી ગાર્ડ્સના પોલીસ વેરિફિકેશન મામલે વિરોધ પ્રદર્શન બાદ યુનિવર્સિટી તંત્ર સફાળું જાગ્યું છે. NSUI (નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા) દ્વારા કરવામાં આવેલા ઉગ્ર વિરોધ અને રજૂઆતોને પગલે કેમ્પસમાં ફરજ બજાવતા તમામ સિક્યુરિટી ગાર્ડ્સનું સત્તાવાર રીતે પોલીસ વેરિફિકેશન કરાવવાની પ્રક્રિયા ઝડપી બનાવી દેવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>પેન્થર એજન્સીના ગાર્ડ્સની તપાસ</b></h2><p style="text-align: justify; ">આ પ્રક્રિયાના ભાગરૂપે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે સુરક્ષા પૂરી પાડતી પેન્થર એજન્સીના 22 સિક્યુરિટી ગાર્ડ્સનું સફળતાપૂર્વક પોલીસ વેરિફિકેશન કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત, અન્ય 9 સિક્યુરિટી ગાર્ડ્સના જરૂરી દસ્તાવેજો અને વિગતો પણ વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરી દેવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>કેમ્પસ સિક્યુરિટી અને આગળની પ્રક્રિયા</b></h2><p style="text-align: justify; ">ઉલ્લેખનીય છે કે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસના વિવિધ પોઇન્ટ્સ અને વિભાગો ખાતે કુલ 187 જેટલા સિક્યુરિટી ગાર્ડ્સ તૈનાત કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓની સુરક્ષા અને કેમ્પસની શાંતિ જાળવી રાખવા માટે તમામ સિક્યુરિટી ગાર્ડ્સનું તબક્કાવાર રીતે વેરિફિકેશન પૂર્ણ કરવામાં આવશે તેમ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/anand/anand-news-birds-found-dead-due-to-chemical-gas-leakage-farmers-crops-burnt-to-ashes" target="_blank">Anand News : કેમિકલ ગેસ લીકેજના કારણે પક્ષીઓ મૃત હાલતમાં મળ્યા; ખેડૂતોનો પાક બળીને ખાખ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/fd9tdoS8zfOMLmW6bk18jxULkKYRUTTkcsbov2En.webp'/></item><item><title><![CDATA[Delhi : 8 મહિનામાં 100 'અટલ કેન્ટીન' શરૂ, 5 રૂપિયામાં મળશે પૌષ્ટિક ભોજન ]]></title><link>https://sandesh.com/india/news/delhi-100-atal-canteens-launched-eight-months-5-rupees-meal</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/delhi-100-atal-canteens-launched-eight-months-5-rupees-meal</guid><pubDate>Sun, 16 Aug 2026 19:36:24 +05:30</pubDate><description><![CDATA[<p>પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જનસેવા અને અંત્યોદયની ભાવનાને સમર્પિત 'અટલ કેન્ટીન' યોજનાએ મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. દિલ્હી સરકારે માત્ર આઠ મહિનામાં 100 અટલ કેન્ટીન શરૂ કરવાનો લક્ષ્યાંક પૂર્ણ કર્યો છે. 25 ડિસેમ્બર 2025ના રોજ વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/CMODelhi/status/2088908708705370320"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>કેન્ટીનથી વિદ્યાર્થીઓને પણ સસ્તું અને પૌષ્ટિક ભોજન મળશે</b></h2><p>16 ઓગસ્ટે વાજપેયીની પુણ્યતિથિ નિમિત્તે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ મુખ્યમંત્રી રેખા ગુપ્તા, સાંસદ મનોજ તિવારી અને કેબિનેટ મંત્રી આશિષ સૂદની હાજરીમાં યુનિવર્સિટી મેટ્રો સ્ટેશન નજીક 25 નવી અટલ કેન્ટીનનું ઉદ્ઘાટન કર્યું. આ સાથે દિલ્હીમાં કુલ 100 અટલ કેન્ટીન કાર્યરત થઈ ગઈ છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું કે યુનિવર્સિટી વિસ્તારમાં આવેલી કેન્ટીનથી વિદ્યાર્થીઓને પણ સસ્તું અને પૌષ્ટિક ભોજન મળશે. તેમણે કહ્યું કે ઘરથી દૂર હોસ્ટેલ અને પીજીમાં રહેતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે આ યોજના ઉપયોગી સાબિત થશે.</p><h3><b>શું કહ્યું પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ?</b></h3><p>પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ યોજનાને સેવા અને સંવેદનશીલતાનું ઉદાહરણ ગણાવી હતી. તેમણે કહ્યું કે આ કેન્ટીન ગરીબો, ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો, શ્રમિકો અને રોજગાર માટે દિલ્હીમાં આવતા લોકોને સસ્તું તથા પૌષ્ટિક ભોજન પૂરું પાડશે. દિલ્હીના શહેરી વિકાસ મંત્રી આશિષ સૂદે જણાવ્યું કે અટલ કેન્ટીન માત્ર સસ્તું ભોજન આપવાની યોજના નથી, પરંતુ દિલ્હીના મહેનતકશ લોકોના સન્માનનું પ્રતીક છે. હાલ 100 કેન્ટીનમાં માત્ર ₹5માં ભોજન આપવામાં આવે છે. દરરોજ આશરે 1 લાખ લોકોને ભોજન આપવાની ક્ષમતા ધરાવતી આ કેન્ટીન વર્ષમાં લગભગ 3.65 કરોડ થાળી ઉપલબ્ધ કરાવી શકે છે. અત્યાર સુધી આશરે 95 લાખ સબસિડાઈઝ્ડ ભોજન પીરસવામાં આવ્યા છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/cag-report-finds-e-coli-in-railway-station-water--poor-sanitation-at-458-stations" target="_blank">આ પણ વાંચો : CAG Report: રેલ્વે મુસાફરોના સ્વાસ્થ્ય સાથે ચેડાં, સ્ટેશનના પીવાના પાણીમાં ઝેરીલા બેક્ટેરિયા!</a></b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/z5i7w1dC3c8XwGMqbIWYvPgUcFjsvSH5h6F9Yo6C.webp'/></item><item><title><![CDATA[West Bengal : પૂર્વ ધારાસભ્ય સુજય હઝરાના ઘરે CIDના દરોડા, લાંબા સમય સુધી ચાલી તપાસ ]]></title><link>https://sandesh.com/india/news/west-bengal-cid-search-former-mla-sujoy-hazra-residence</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/west-bengal-cid-search-former-mla-sujoy-hazra-residence</guid><pubDate>Sun, 16 Aug 2026 19:17:01 +05:30</pubDate><description><![CDATA[<p>પશ્ચિમ બંગાળના મેદિનીપુર શહેરમાં CIDએ પૂર્વ ધારાસભ્ય સુજય હઝરાના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. અરવિંદો નગર વિસ્તારમાં આવેલા તેમના ઘરે CIDની ટીમ પહોંચી હતી અને લાંબા સમય સુધી તપાસ કરી હતી. તપાસ દરમિયાન સુજય હઝરા પણ તેમના નિવાસસ્થાને હાજર હોવાનું જાણવા મળ્યું છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2088959459251114433"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>જૂન મહિનામાં પૂર્વ મેદિનીપુર ધારાસભ્ય સુજય હઝરાની ધરપકડ કરાઈ હતી</b></h2><p>મળતી માહિતી મુજબ, CID અધિકારીઓએ પૂર્વ ધારાસભ્યના ઘરના વિવિધ સ્થળોની તપાસ કરી હતી. જોકે, સર્ચ દરમિયાન કયા દસ્તાવેજો અથવા અન્ય સામગ્રી મળી આવી તે અંગે અધિકારીઓ તરફથી હજુ કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. સુજય હઝરા વિરુદ્ધ સાલબોની, પશ્ચિમ મેદિનીપુર જિલ્લામાં સરકારી જમીન કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં કાર્યવાહી ચાલી રહી છે. આ જ કેસમાં જૂન મહિનામાં પૂર્વ મેદિનીપુર ધારાસભ્ય સુજય હઝરાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી CID દ્વારા કેસની તપાસ આગળ વધારવામાં આવી રહી છે.</p><h3><b>સુમિત રોયની પણ પૂછપરછ શરૂ કરી</b></h3><p>આ કેસમાં તપાસનો વ્યાપ વધારતા CIDએ અભિષેક બેનર્જીના નજીકના સહયોગી તરીકે ઓળખાતા સુમિત રોયની પણ પૂછપરછ શરૂ કરી છે. તપાસ એજન્સી કથિત સરકારી જમીન કૌભાંડમાં નાણાકીય વ્યવહારો અને અન્ય સંભવિત કડીઓની તપાસ કરી રહી હોવાનું માનવામાં આવે છે. પૂર્વ ધારાસભ્યના ઘરે CIDની આ કાર્યવાહીથી સ્થાનિક રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઈ છે. સર્ચ ઓપરેશન બાદ તપાસ એજન્સી દ્વારા આગળ કઈ કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે. જોકે, હાલ CIDની તપાસને લઈને સત્તાવાર રીતે વધુ વિગતો સામે આવી નથી.</p><p><a href="https://sandesh.com/india/news/cag-report-finds-e-coli-in-railway-station-water--poor-sanitation-at-458-stations" target="_blank" style=""><b>આ પણ વાંચો : CAG Report: રેલ્વે મુસાફરોના સ્વાસ્થ્ય સાથે ચેડાં, સ્ટેશનના પીવાના પાણીમાં ઝેરીલા બેક્ટેરિયા!</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/dgb82J4TSdoYgVckI77W74zAW85QLE1SC5Tucc8Y.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: આણંદનગર દુષ્કર્મ ઘટના બાદ ગુજરાત યુનિવર્સિટીનો મોટો નિર્ણય, 57 સિક્યુરિટી ગાર્ડ છૂટા કરાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-university-security-guards-dismissed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-university-security-guards-dismissed</guid><pubDate>Sun, 16 Aug 2026 19:09:18 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદના આણંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સિક્યુરિટી ગાર્ડ દ્વારા વિદ્યાર્થીની પર કરવામાં આવેલા શર્મસાર બળાત્કારની ઘટના બાદ ગુજરાત યુનિવર્સિટી પ્રશાસન સફાળું જાગી ગયું છે. કેમ્પસમાં વિદ્યાર્થીઓ, ખાસ કરીને વિદ્યાર્થીનીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા સિક્યુરિટી એજન્સીઓ સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે, અને તાત્કાલિક અસરથી મહત્વપૂર્ણ આદેશો જાહેર કરવામાં આવ્યા છે.</p><h2><b>પોલીસ વેરિફિકેશન વગર કામ કરતા 57 ગાર્ડ છૂટા કરાયા</b></h2><p>ગુજરાત યુનિવર્સિટી પ્રશાસને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, પોલીસ વેરિફિકેશન વગરના કોઈપણ સિક્યુરિટી ગાર્ડને કેમ્પસમાં ડ્યુટી પર રાખવામાં આવશે નહીં. આ આદેશના પગલે યુનિવર્સિટીમાં સેવારત 'પેન્થર એજન્સી'ના અંદાજિત 57 સિક્યુરિટી ગાર્ડને તાત્કાલિક અસરથી ફરજ પરથી છૂટા કરી દેવામાં આવ્યા છે. હવેથી માત્ર જે ગાર્ડનું કાયદેસરનું પોલીસ વેરિફિકેશન થયેલું હશે તેમને જ યુનિવર્સિટી કેમ્પસમાં તૈનાત કરવામાં આવશે.</p><h2><b>NSUI દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા</b></h2><p>ઉલ્લેખનીય છે કે, આણંદનગરની ઘટના બન્યા બાદ વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટી પ્રશાસન અને સિક્યુરિટી એજન્સી સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. NSUI એ આરોપ લગાવ્યો હતો કે, પેન્થર સિક્યુરિટી એજન્સી દ્વારા નિયુક્ત કરવામાં આવેલા અનેક સિક્યુરિટી ગાર્ડ્સનું કોઈ પણ જાતનું પોલીસ વેરિફિકેશન કરાવવામાં આવ્યું નથી, જે વિદ્યાર્થીઓની સુરક્ષા સામે મોટો ખતરો છે.</p><h2><b>કેમ્પસની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા સૂચના</b></h2><p>વિદ્યાર્થી સંગઠનોના વિરોધ અને ઘટનાની ગંભીરતાને જોતાં યુનિવર્સિટી તંત્ર દ્વારા આ આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. ભવિષ્યમાં આવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એજન્સીઓને પોતાના તમામ કર્મચારીઓનું વેરિફિકેશન વહેલી તકે પૂર્ણ કરવા અને કેમ્પસની સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવા કડક સૂચનાઓ આપવામાં આવી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/airport-customs-seizes-gold-sharjah-passengers" target="_blank">Ahmedabad Airport પર કસ્ટમ્સની કાર્યવાહી, શારજાહથી લાવેલું રૂ.28.87 લાખનું સોનું અને સામાન જપ્ત</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/yFUqYNZ4iMEz13UkfQKRDsRctarOp6Ppn3rlPON4.webp'/></item><item><title><![CDATA[Anand News : કેમિકલ ગેસ લીકેજના કારણે પક્ષીઓ મૃત હાલતમાં મળ્યા; ખેડૂતોનો પાક બળીને ખાખ ]]></title><link>https://sandesh.com/gujarat/news/anand/anand-news-birds-found-dead-due-to-chemical-gas-leakage-farmers-crops-burnt-to-ashes</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/anand/anand-news-birds-found-dead-due-to-chemical-gas-leakage-farmers-crops-burnt-to-ashes</guid><pubDate>Sun, 16 Aug 2026 19:09:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આણંદ જિલ્લાના ખંભાત તાલુકા હેઠળ આવતા વત્રા–વટાદરા રોડ પર આવેલી બિડ સીમ વિસ્તારમાં ઝેરી ગેસ લીકેજ થવાના કારણે ભારે અફરાતફરી મચી ગઈ છે. આ વાયુ પ્રદૂષણની ઘાતક અસરને કારણે મોટી સંખ્યામાં પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યા છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ ઉપરાંત, આસપાસના ખેતરોમાં વાવેલો 30 વીઘાથી પણ વધુ ડાંગરનો પાક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હોવાનો સ્થાનિક ખેડૂતોએ ગંભીર આક્ષેપ કર્યો છે.</p><h2 style="text-align: justify; "><b>ખારાવાલા કેમિકલ કંપની પર ખેડૂતોના આક્ષેપો</b></h2><p style="text-align: justify; ">સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, કલમસર ખાતે આવેલી ખારાવાલા કેમિકલ કંપનીમાંથી નિકળેલા ઝેરી અને ઘાતક વાયુના કારણે જ આ મોટી હોનારત સર્જાઈ છે. કંપનીમાંથી છોડવામાં આવેલા ઝેરી ગેસની સીધી અસર સીમ વિસ્તારમાં થતાં એકસાથે અનેક પક્ષીઓએ જીવ ગુમાવ્યા છે અને ખેડૂતોનો તૈયાર થવા આવેલો પાક નાશ પામ્યો છે, જેને પગલે પશુપંખી પ્રેમીઓ અને ખેડૂત આલમમાં ભારે રોષ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>તંત્ર પાસે તાત્કાલિક તપાસ અને વળતરની માંગ</b></h2><p style="text-align: justify; ">સિઝનનો પાક બળીને નાશ પામતા ખેડૂતોને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે. આ ગંભીર ઘટનાને પગલે રોષે ભરાયેલા ખેડૂતોએ સરકારી તંત્ર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) પાસે તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરવાની માંગ કરી છે. ગેસ લીકેજ માટે જવાબદાર કંપની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને નુકસાન પામેલા ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/shravan-vishesh-/surendranagar/surendranagar-news-unique-devotion-of-women-to-shiva-in-shravan-month-25-thousand-partheshwar-shivlings-are-made-every-day" target="_blank">Surendranagar News : શ્રાવણ માસમાં મહિલાઓની અનોખી શિવભક્તિ, દરરોજ બનાવે છે 25 હજાર પાર્થેશ્વર શિવલિંગ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/SETtu8yrnMUSyuqIFvPN1eMwTYnX8Ot9KX08wdnS.webp'/></item><item><title><![CDATA[Surendranagar News: ખનીજ માફિયાઓ પર ધાક બેસાડનાર ચોટીલા પ્રાંત અધિકારી હરેશ મકવાણાની મહીસાગર બદલી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/surendranagar/chotila-prant-officer-haresh-makwana-transferred-mahisagar</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/surendranagar/chotila-prant-officer-haresh-makwana-transferred-mahisagar</guid><pubDate>Sun, 16 Aug 2026 19:00:34 +05:30</pubDate><description><![CDATA[<p>સુરેન્દ્રનગર જિલ્લાના વહીવટી તંત્રમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ચોટીલાના પ્રાંત અધિકારી હરેશ મકવાણાની રાજ્ય સરકાર દ્વારા બદલી કરવામાં આવી છે. તેમને મહીસાગર જિલ્લામાં ડેપ્યુટી કલેક્ટર તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પોતાની કડક અને નિષ્પક્ષ કામગીરી માટે જાણીતા અધિકારીની અચાનક થયેલી આ બદલીએ સ્થાનિક રાજકારણ અને વહીવટી વર્તુળોમાં ચર્ચા જગાવી છે.</p><h2><b>અબજો રૂપિયાની ખનીજચોરી પર ચલાવ્યું હતું બુલડોઝર</b></h2><p>પ્રાંત અધિકારી તરીકેની તેમની મુદત દરમિયાન હરેશ મકવાણાએ ચોટીલા, સાયલા, થાનગઢ અને મૂળી તાલુકામાં વ્યાપક પ્રમાણમાં ચાલતી ગેરકાયદે ખનીજ ચોરી સામે લાલ આંખ કરી હતી. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન દરોડા પાડીને અબજો રૂપિયાની ખનીજચોરી અને તેના સાધનો જપ્ત કરી કડક કાનૂની કાર્યવાહી કરી હતી. તેમની આ આક્રમક ઝુંબેશને કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનીજ ઉત્ખનન કરતા ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.</p><h2><b>રાજકીય આકાઓ અને માફિયાઓ મથામણ કરતા હતા</b></h2><p>હરેશ મકવાણાની નિષ્પક્ષ અને કડક કામગીરીને કારણે તેઓ ખનીજ માફિયાઓ અને તેમના રાજકીય આકાઓની આંખમાં કણાની જેમ ખૂંચતા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમની બદલી કરાવવા માટે ખનીજ માફિયાઓ અને કેટલાક રાજકીય નેતાઓ દ્વારા લાંબા સમયથી ઉચ્ચ સ્તરે ભારે મથામણ અને દબાણ કરવામાં આવી રહ્યું હતું. આખરે તેમની બદલી થતાં ખનીજ માફિયા તત્વોમાં આનંદ અને ગેલનો માહોલ જોવા મળી રહ્યો છે.</p><p><img alt="Surendranagar News: Chotila Prant Officer Haresh Makwana Transferred to Mahisagar" src="https://epapercdn.sandesh.com/images/2026/08/16/1SCvPSa6CdCHOvMcPg0bmEmWUQEuOHrmuTppNtVY.webp"><br></p><h2><b>જિલ્લાના પ્રામાણિક અધિકારી તરીકે ઉભરી આવ્યા</b></h2><p>પ્રાંત અધિકારી હરેશ મકવાણાની બદલીના સમાચાર વાયુવેગે ફેલાતાં જ સામાન્ય જનતા અને પર્યાવરણપ્રેમીઓમાં એક અલગ જ ચર્ચા શરૂ થઈ છે. ખનીજચોરી જેવા દૂષણને નાથવા માટે તેમણે દર્શાવેલી મક્કમતા અને હિંમતની સ્થાનિક લોકો બિરદાવા કરી રહ્યા છે, તો બીજી તરફ એક નિષ્ઠાવાન અધિકારીની બદલીથી ખનીજ માફિયાઓને ફરી મોકળું મેદાન મળી જવાની આશંકા પણ વ્યક્ત થઈ રહી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/shravan-vishesh-/surendranagar/surendranagar-news-unique-devotion-of-women-to-shiva-in-shravan-month-25-thousand-partheshwar-shivlings-are-made-every-day" target="_blank">Surendranagar News : શ્રાવણ માસમાં મહિલાઓની અનોખી શિવભક્તિ, દરરોજ બનાવે છે 25 હજાર પાર્થેશ્વર શિવલિંગ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/ltjEo6KSg0UlLELVZVOYs0Kv9SCRTL9Mc5JNuZ8D.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : 21 વર્ષના યુવકના દુઃખદ અવસાન પર સિવિલ તંત્રની પ્રતિક્રિયા, 'પરિવારની સાથે છીએ, તપાસ થશે' ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-news-civil-administrations-reaction-to-the-tragic-death-of-a-21-year-old-youth-we-are-with-the-family-an-investigation-will-be-conducted</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-news-civil-administrations-reaction-to-the-tragic-death-of-a-21-year-old-youth-we-are-with-the-family-an-investigation-will-be-conducted</guid><pubDate>Sun, 16 Aug 2026 17:36:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 21 વર્ષીય યુવકના થયેલા દુઃખદ મોત અંગે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, યુવકના પગમાં STG (સ્કિન ગ્રાફ્ટિંગ) સર્જરી કરવામાં આવી હતી, જે અત્યંત સામાન્ય ઓપરેશન ગણાય છે. આ સર્જરીમાં દર્દીના શરીરના એક ભાગમાંથી ચામડી લઈને બીજા ભાગ પર લગાવવામાં આવતી હોય છે.</p><h2 style="text-align: justify; "><b>મોતનું કારણ અને એનેસ્થેશિયા પર પ્રતિક્રિયા</b></h2><p style="text-align: justify; ">યુવકના અચાનક થયેલા અવસાન પાછળના કારણો અંગે વાત કરતા સુપ્રિટેન્ડેન્ટે ઉમેર્યું હતું કે, આ કિસ્સામાં એનેસ્થેશિયાના કારણે મોત થયું હોય તેવી શક્યતા નહિવત અથવા ખૂબ ઓછી છે. તેથી મોત પાછળ કોઈ અન્ય તબીબી કે આકસ્મિક કારણ હોઈ શકે છે, જેની ટેકનિકલ તપાસ કરવી જરૂરી છે.</p><h2 style="text-align: justify; "><b>સંવેદના અને તપાસની ખાતરી</b></h2><p style="text-align: justify; ">સિવિલ તંત્રએ આ દુઃખદ ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હોસ્પિટલ પ્રશાસન આ કઠિન સમયે પીડિત પરિવારની સાથે ઊભું છે. યુવકનું મોત ખરેખર કયા કારણોસર થયું છે તેની સત્યતા બહાર લાવવા માટે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક અને તટસ્થ તપાસ કરવામાં આવશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/surendranagar/surendranagar-news-gross-negligence-in-the-work-of-dhrangadhra-railway-station-children-seen-playing-among-heavy-stones" target="_blank">Surendranagar News : ધ્રાંગધ્રા રેલવે સ્ટેશનના કામમાં ઘોર બેદરકારી, ભારે પથ્થરો વચ્ચે રમતા જોવા મળ્યા બાળકો</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/8WtUVx4gNJJRlPj06afB93shDAniWnUcODJZos1z.webp'/></item><item><title><![CDATA[Sunny Deol નથી પીતા દારૂ! કરિયરના ડાઉનફોલ અને સક્સેસ પર એક્ટરે તોડ્યું મૌન, કર્યો ચોંકાવનારો ખુલાસો! ]]></title><link>https://sandesh.com/entertainment/news/sunny-deol-alcohol-career-downfall-reaction</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/sunny-deol-alcohol-career-downfall-reaction</guid><pubDate>Sun, 16 Aug 2026 17:30:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સની દેઓલ હાલ ફિલ્મ બંટવારા 1947માં જોવા મળી રહ્યા છે. ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સની દેઓલ જોરશોરથી ફિલ્મના પ્રચારમાં વ્યસ્ત છે. તાજેતરમાં એક મુલાકાતમાં તેમણે પોતાની કારકિર્દીના ઉતાર વિશે વાત કરી હતી.</p><h2 style="text-align: justify; "><b>કારકિર્દીના ઉતાર પર સની દેઓલે કરી વાત</b></h2><p style="text-align: justify; ">ગદર ફિલ્મ ખૂબ સફળ થયા પછી પણ સની દેઓલની કારકિર્દીમાં જે ઉતાર આવ્યો હતો, તેના વિશે અભિનેતાએ શુભાંકર મિશ્રાના પોડકાસ્ટમાં વાત કરી. તેમણે કહ્યું કે અચાનક કોમ્પ્યુટરનો સમય આવ્યો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કામ કરવાની રીત બદલાવા લાગી. ગદરની સાથે તેમણે ઈન્ડિયન ફિલ્મમાં પણ કામ કર્યું હતું, જે ખૂબ મોટી સફળ રહી હતી. તે સમયે ઈન્ડિયનએ લગાન કરતાં બમણી કમાણી કરી હતી અને ગદરએ તો તેનાથી પણ વધુ કમાણી કરી હતી.</p><h2 style="text-align: justify; "><b>ફિલ્મોમાં રાજકારણ ન આવવું જોઈએ: સની દેઓલ</b></h2><p style="text-align: justify; ">સની દેઓલે વધુમાં કહ્યું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બદલાવ આવ્યો હતો. જો બોલે સો નિહાલ ફિલ્મને પણ રાજકારણના કારણે સિનેમાઘરોમાંથી હટાવવી પડી હતી. તેમણે કહ્યું કે આજકાલ ફિલ્મોની વચ્ચે જે રાજકારણ આવી રહ્યું છે, તે ન આવવું જોઈએ. રાજકારણને બહાર જ રાખવું જોઈએ. આપણે કોઈ ખોટું કામ નથી કરતા. આ મનોરંજન છે અને તેને મનોરંજન જ રહેવા દેવું જોઈએ.</p><h3 style="text-align: justify; "><b>અભિનેતા બનવાનું ક્યારે નક્કી કર્યું હતું?</b></h3><p style="text-align: justify; ">આ ઉપરાંત સની દેઓલે અભિનેતા બનવા અંગે પણ વાત કરી. તેમણે કહ્યું, જ્યારે મેં શાળાનો અભ્યાસ પૂરો કર્યો ત્યારે અભિનેતા બનવાનું વિચાર્યું હતું. તે પહેલાં ક્યારેય વિચાર્યું નહોતું. હું પિતાની ફિલ્મો ખૂબ જોતો હતો અને બીજાની ફિલ્મો ભાગ્યે જ જોતો હતો. પિતાની દરેક ફિલ્મ જોતો હતો. હોલીવુડની ફિલ્મો પણ ઘણી જોતો હતો. પિતાની જૂની ફિલ્મોથી મને પ્રેરણા મળી. મારા માટે અભિનય એટલે લાગણીઓને વ્યક્ત કરવી.</p><h3 style="text-align: justify; "><b>સફળતાનો અહંકાર ક્યારેય થયો નથી: સની દેઓલ</b></h3><p style="text-align: justify; ">સફળતા મળ્યા પછી અહંકાર આવવા અંગે સની દેઓલે કહ્યું, મારા મનમાં ક્યારેય એવો વિચાર આવ્યો નથી. આ એક પ્રકારનો નશો હોય છે અને એવો નશો ક્યારેય મારા પર ચઢ્યો નથી. કારણ કે હું ધર્મેન્દ્રનો દીકરો છું. અમે બધી વસ્તુઓ જોઈ છે અને અનુભવી છે. તેથી કારકિર્દીના ઉતાર-ચઢાવથી ક્યારેય ગભરાયો નથી. પિતા પણ ક્યારેય બદલાયા નથી.</p><h4 style="text-align: justify; "><b>દારૂ અને સિગારેટ અંગે શું બોલ્યા સની દેઓલ?</b></h4><p style="text-align: justify; ">સની દેઓલે સિગારેટ અને દારૂ અંગે પણ વાત કરી. તેમણે કહ્યું, મેં દારૂ અને સિગારેટ અજમાવ્યાં છે, પરંતુ ક્યારેય તેનું સેવન કર્યું નથી. જ્યારે હું યુવાન હતો ત્યારે અજમાવ્યું હતું. તે સમયે હું વિદેશમાં ભણતો હતો. મારી ઉંમરના લોકો આ બધું કરતા હતા, એટલે મેં પણ અજમાવ્યું હતું. મને તેનો સ્વાદ પસંદ નથી. તેની ગંધ પણ પસંદ નથી. હું સવારે શક્ય તેટલું વહેલું ઉઠું છું. મને હકારાત્મક લાગે છે.</p><h6 style="text-align: justify; "><b>ઇક્કામાં પણ જોવા મળ્યા હતા સની દેઓલ</b></h6><p style="text-align: justify; ">ફિલ્મ બંટવારા 1947ની વાત કરીએ તો તેમાં સની દેઓલ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં પ્રીતિ ઝિન્ટા મુખ્ય અભિનેત્રીની ભૂમિકામાં છે. શબાના આઝમી પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળી રહ્યાં છે. ફિલ્મનું નિર્માણ આમિર ખાને કર્યું છે, જ્યારે રાજકુમાર સંતોષીએ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. સની દેઓલ આ પહેલાં ઇક્કામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં અક્ષય ખન્ના પણ જોવા મળ્યા હતા. ફિલ્મ OTT પર રિલીઝ થઈ હતી અને તેની ઘણી ચર્ચા થઈ હતી. દર્શકોને આ ફિલ્મ પસંદ પણ આવી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/shah-rukh-khan-ajay-devgn-tiger-fda-notice-elaichi-ad" target="_blank">આ પણ વાંચો-Shah Rukh Khan, અજય દેવગન અને ટાઈગર શ્રોફની વધી મુશ્કેલીઓ! ગુટખા એડને લઈને FDAની નોટિસ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/IaMVfZ3wdyeX2vfFzQA9q7xhhYjTySkwJf43acWK.webp'/></item><item><title><![CDATA[FIH World Cup 2026 : માતાના પગલે પુત્ર! 28 વર્ષ પછી એ જ ગ્રાઉન્ડ પર હોકી વર્લ્ડ કપમાં રમ્યો દીકરો ]]></title><link>https://sandesh.com/sports/news/fih-world-cup-2026-son-follows-in-mothers-footsteps-son-plays-in-hockey-world-cup-on-same-ground-after-28-years</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fih-world-cup-2026-son-follows-in-mothers-footsteps-son-plays-in-hockey-world-cup-on-same-ground-after-28-years</guid><pubDate>Sun, 16 Aug 2026 10:03:26 +05:30</pubDate><description><![CDATA[<p>હોકી વર્લ્ડ કપ 2026 શરૂ થઈ ગયો છે.ભારતે આ વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત વેલ્સ સામે પોતાની પહેલી મેચ રમીને કરી હતી.15 ઓગસ્ટની સાંજે વેલ્સ સામેની હોકી વર્લ્ડ કપ મેચ પ્રીતમ સિવાચ માટે માત્ર એક મેચ જ નહોતી.આ મેચ તેમના પુત્ર યશદીપના વર્લ્ડ કપ ડેબ્યૂ કર્યું હતું.એક માતા તરીકે,તે તેમના માટે ગર્વની ક્ષણ હતી.આ ગર્વ એ હકીકતથી વધુ વધ્યો કે તે તેમના પુત્રને તેમના પછી હોકી વર્લ્ડ કપમાં ભારત માટે રમતા જોઈ રહી હતી.</p><h5><b>1998માં માતા 2026માં પુત્ર</b></h5><p>પ્રીતમ સિવાચે નેધરલેન્ડ્સમાં 1998ના મહિલા હોકી વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું.હવે 28 વર્ષ પછી તે જ દેશમાં 2026ના પુરુષ હોકી વર્લ્ડ કપમાં તેમના પુત્ર યશદીપ સિવાચે ટુર્નામેન્ટની ભારતની પહેલી મેચ રમી હતી.નોંધપાત્ર વાત એ છે કે પ્રીતમ સિવાચે નેધરલેન્ડ્સમાં હોકી વર્લ્ડ કપ રમ્યો ત્યારે યશદીપનો જન્મ પણ થયો ન હતો.25 વર્ષીય ડિફેન્ડર યશદીપે 2022 માં ભારત માટે સિનિયર ડેબ્યૂ કર્યું હતું.</p><h5><b>પ્રીતમ સિવાચે તેમના પુત્રની સિદ્ધિ વિશે શું કહ્યું?</b></h5><p>પોતાના પુત્રની સિદ્ધિ પર પ્રતિબિંબ પાડતા,પ્રીતમ સિવાચે કહ્યું,આ મારા માટે એક મોટી ક્ષણ છે.મારો પુત્ર વર્લ્ડ કપમાં મારા જેવા જ સ્થળે રમ્યો હતો.તેણીએ શેર કર્યું કે તે નેધરલેન્ડમાં હતી અને તાજેતરમાં જ ત્યાંથી પાછી આવી છે.તે ટીવી પર મેચ જોઈ રહી છે.પ્રીતમએ કહ્યું કે તેણીએ આજે ​​સવારે તેના પુત્રને ફોન કર્યો અને તેને કહ્યું કે તેને તેની માતાનું અધૂરું સ્વપ્ન પૂર્ણ કરવું પડશે.પ્રીતમ સિવાચે કહ્યું કે તેણીને વિશ્વાસ છે કે ટીમ મેડલ સાથે પરત ફરશે.ટીમ ખૂબ જ મજબૂત દેખાય છે અને તેમનું મનોબળ ઊંચું છે.મોટી ટીમો સામે નિયમિત રમવાથી તેમને સારી તૈયારી કરવામાં પણ મદદ મળી છે.</p><h5><b>માતા અને પુત્રની રમવાની શૈલીઓ અલગ અલગ હોય છે</b></h5><p>પોતાના પુત્ર અને તેની પોતાની રમવાની શૈલીઓ વિશે,પ્રીતમ સિવાચે કહ્યું કે તેનો પુત્ર ઝડપથી શીખનાર છે.તે દબાણમાં પણ શાંત રહે છે.હું વધુ આક્રમક ખેલાડી હતો,તેણીએ કહ્યું.તેણીએ કહ્યું કે આ પાછળનું કારણ એ સ્થિતિ હોઈ શકે છે જેમાં અમે બંને રમીએ છીએ.તે ડિફેન્ડર છે.જ્યારે હું સ્ટ્રાઈકર હતો.</p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/cricket/news/rishabh-pants-historic-record-surpassing-adam-gilchrist-to-become-number-1-in-test-cricket" target="_blank"> Rishabh Pant નો ઐતિહાસિક રેકોર્ડ, એડમ ગિલક્રિસ્ટને પાછળ છોડી ટેસ્ટ ક્રિકેટમાં બન્યો નંબર-1</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/P3DXaGssQ6U3XKqDOsKzmdc3t6GpoIdoav8YxsBw.webp'/></item></channel></rss>