<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Kerala: મુસ્લિમ ધર્મગુરુ પર ભડક્યા કોંગ્રેસના CM, કહ્યું- ઇસ્લામિક ઇતિહાસમાં મહિલાઓ... ]]></title><link>https://sandesh.com/india/news/congress-leader-slams-muslim-cleric-over-women-remark-in-kerala</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/congress-leader-slams-muslim-cleric-over-women-remark-in-kerala</guid><pubDate>Wed, 02 Sep 2026 12:12:43 +05:30</pubDate><description><![CDATA[<p><b>Kerala</b>: વી.ડી. સતીસને સુન્ની ઇસ્લામિક વિદ્વાન કંઠપુરમ એ.પી. અબુબકર મુસલિયાર દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સખત વિરોધ કર્યો હતો, જેમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે મહિલાઓએ તેમના ઘરની મર્યાદામાં રહેવું જોઈએ. સતીસને જણાવ્યું હતું કે આવી માનસિકતા કેરલમની પ્રગતિશીલ પરંપરા સાથે સુસંગત નથી.</p><p><br></p><p><b>મજબૂત વિરોધ</b></p><p>રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ એક પત્રકાર પરિષદમાં બોલતા, સતીસને કહ્યું, "અમે તે નિવેદન સાથે બિલકુલ સહમત નથી. તે પ્રગતિશીલ કેરલમ સાથે સુસંગત નથી. અમે આ સાથે કોઈપણ રીતે સહમત થઈ શકતા નથી. મહિલાઓ ફક્ત ઘરે રહેવા માટે નથી. તેમણે ઉમેર્યું, "તેઓએ જીવનના દરેક ક્ષેત્રમાં ભાગ લેવો જોઈએ અને સમાજમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવી જોઈએ. નિઃશંકપણે આ આપણો પ્રગતિશીલ દૃષ્ટિકોણ છે." રાણી બિલ્કીસનું ઉદાહરણ ટાંકીને, સતીસને જણાવ્યું કે તે ઇસ્લામિક ઇતિહાસમાં શાસક તરીકે નોંધાયેલી છે. તેમણે કહ્યું, "ઇસ્લામિક ઇતિહાસમાં એક મહિલાના ઉદાહરણો છે જે વેપારમાં રોકાયેલી હતી, એક મહિલા જેણે લશ્કરી નેતૃત્વની ભૂમિકા ભજવી હતી અને એક મહિલા જે રાણી હતી. આ બધા ઉદાહરણો ઇસ્લામિક ઇતિહાસમાં અસ્તિત્વમાં છે."</p><p><br></p><p>નેતાએ ખલીફાઓના યુગની એક ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો, જ્યાં એક મહિલાએ *મેહર* (લગ્ન સમયે પતિ દ્વારા તેની પત્નીને આપવામાં આવતી રકમ) અંગેના ચુકાદા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે તે સમયના શાસકે સ્ત્રીની દલીલની માન્યતા સ્વીકારી હતી. સતીસને ટિપ્પણી કરી, "આ ઉદાહરણો દર્શાવે છે કે સ્ત્રીઓ શાહી દરબારમાં પણ સ્થાન ધરાવે છે. તેથી અમે આવી માનસિકતા સાથે કોઈપણ રીતે સહમત થઈ શકતા નથી."</p><p><br></p><p><b>શું છે મામલો?</b></p><p>ઉલ્લેખનય છે કે, સુન્ની ઇસ્લામિક વિદ્વાન કંઠપુરમ એ.પી. અબુબકર મુસલિયારે રવિવારે કોચીમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે સ્ત્રીઓએ તેમના ઘરની અંદર રહેવું જોઈએ. તેમણે દલીલ કરી હતી કે જાહેર પ્લેટફોર્મ પર ખુલ્લેઆમ દેખાવાથી સમાજને નુકસાન થાય છે, તેથી જ ઇસ્લામ *પર્દા* વ્યવસ્થા અને સ્ત્રીઓને ઘરે રહેવાની હિમાયત કરે છે. તેમણે દાવો કર્યો હતો કે સંગઠનના વિદ્વાનો છેલ્લા 100 વર્ષથી આ શીખવી રહ્યા છે અને આ પરંપરાને કારણે જ સ્ત્રીઓનું સન્માન કરવામાં આવે છે. કંથાપુરમે સ્પષ્ટતા કરી કે ગમે તે સંગઠન કે નેતા તેનો વિરોધ કરે, તેઓ ધાર્મિક સિદ્ધાંતો અનુસાર બોલતા રહેશે, અને તેમને કોઈ રોકી શકશે નહીં.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/crime/delhi-kashmiri-gate-bus-gangrape-case--forensic-evidence-found" target="_blank"><b>Delhi બસ ગેંગરેપમાં મોટો ખુલાસો... વિદ્યાર્થીની ગુસ્સામાં ઘરેથી નકળી! પોલીસને આરોપીઓને લઈ મળ્યો પુરાવા</b></a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/TwDclXl6gczxHbxgDduT9Bht1jm8zdGihkfPYyjI.webp'/></item><item><title><![CDATA[Gujarat News: છેલ્લા 19 વર્ષમાં 108 એમ્બ્યુલન્સે 19 લાખ લોકોનો જીવ બચાવ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/108-ambulance-service-saves-19-66-lakh-lives-in-19-years</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/108-ambulance-service-saves-19-66-lakh-lives-in-19-years</guid><pubDate>Wed, 02 Sep 2026 12:11:28 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતની 108 એમ્બ્યુલન્સ સેવાએ સફળતાપૂર્વક 19 વર્ષ પૂર્ણ કરીને 20મા વર્ષમાં પ્રવેશ કર્યો છે.રાજ્યમાં આપત્તિગ્રસ્ત અને આપાતકાલીન સ્થિતિમાં કોઈપણ સ્થળે અને કોઈપણ સમયે નાગરિકો માટે આશીર્વાદરૂપ બનેલી 108 ઈમરજન્સી મેડિકલ સર્વિસ દ્વારા અત્યાર સુધીમાં 1 કરોડ 99 લાખથી પણ વધુ ઈમરજન્સી કેસોને પ્રતિસાદ આપીને રાજ્યના લાખો પરિવાર માટે સાચા અર્થમાં લાઈફલાઈન બની છે.કટોકટીની સ્થિતિમાં જરૂરિયાતમંદ,ગંભીર બીમાર કે ઈજાગ્રસ્ત વ્યક્તિને ત્વરિત હોસ્પિટલ પહોંચાડવા માટે નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સુવિધા પૂરી પાડવાના ઉદાત્ત હેતુથી સરકાર દ્વારા આ યોજના અમલી બનાવવામાં આવી હતી.</p><h2 style="text-align: justify; "><b>ફોન કોલ્સનો પ્રથમ બે રીંગમાં જ પ્રતિસાદ&nbsp;</b></h2><p style="text-align: justify; ">108 નંબર પર આવતા 99 ટકા જેટલા ફોન કોલ્સનો પ્રથમ બે રીંગમાં જ પ્રતિસાદ આપવામાં આવે છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરના ધોરણો કરતાં પણ શ્રેષ્ઠ સક્ષમતા દર્શાવે છે.સમગ્ર રાજ્યમાં દર 21 સેકન્ડે એક 108 એમ્બ્યુલન્સ ઈમરજન્સી કેસની સારવાર માટે રવાના થાય છે.સેવાનો સરેરાશ રિસ્પોન્સ ટાઈમ 13.09 મિનિટ છે. મેડિકલ,પોલીસ અને ફાયર સંબંધિત કટોકટી માટે 24 કલાક અવિરત સેવા આપવાના હેતુથી અમદાવાદના નરોડા-કઠવાડા ખાતે 15 એકરના વિશાળ વિસ્તારમાં સ્ટેટ-ઓફ-ધી-આર્ટ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર કાર્યાન્વિત કરવામાં આવ્યું છે.અહીં લોકેશન બેઝ્ડ સર્વિસ થી સજ્જ અદ્યતન CAD Application ના ઉપયોગથી કોલ કરનારનું લોકેશન ઓટોમેટિક પ્રાપ્ત થઈ જાય છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>19 વર્ષની સેવાકીય યાત્રાના આંકડાકીય સિદ્ધિઓ</b></h3><p style="text-align: justify; ">108 ઈમરજન્સી સેવા દ્વારા ઓગસ્ટ 2026 સુધીમાં કુલ 1 કરોડ 99 લાખ જેટલા કટોકટીના કેસોમાં ત્વરિત સેવા પૂરી પાડવામાં આવી છે.જેમાં મુખ્યત્વે 1 કરોડ 96 લાખ 42 હજારથી વધુ મેડિકલ ઈમરજન્સી કેસો, 2 લાખ 55 હજારથી વધુ પોલીસ સંબંધી ઈમરજન્સી કેસો અને 8 હજાર 300 થી વધુ ફાયર સંબંધિત ઘટનાઓમાં સમયસર મદદ પહોંચાડવામાં આવી છે.આ સફળ કામગીરી દરમિયાન 19 લાખ 66 હજારથી વધુ ગંભીર સ્થિતિમાં મુકાયેલી મહામૂલી માનવ જિંદગીઓને ઉગારી લેવામાં આવી છે.જ્યારે એમ્બ્યુલન્સ વાહનો દ્વારા 62 કરોડથી પણ વધુ કિલોમીટરનું સફળ સંચાલન કરવામાં આવ્યું છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>માતા અને બાળ સુરક્ષા તેમજ વિવિધ મેડિકલ ઈમરજન્સીમાં યોગદાન</b></h2><p style="text-align: justify; ">ગુજરાતમાં માતા અને બાળ મૃત્યુદર ઘટાડવાના સરકારી લક્ષ્યાંકોને સિદ્ધ કરવામાં 108 સેવાનો સિંહફાળો રહ્યો છે.19 વર્ષના સમયગાળા દરમિયાન 62  લાખ 97 હજારથી વધુ ગર્ભાવસ્થા અને પ્રસૂતિ સંબંધિત કેસોમાં કટોકટીના સમયે મદદ પહોંચાડવામાં આવી છે.જેમાં 1 લાખ 64 હજાર 715 થી પણ વધુ પ્રસૂતિઓ એમ્બ્યુલન્સના તાલીમબદ્ધ સ્ટાફ દ્વારા ઘટનાસ્થળે કે રસ્તામાં સફળતાપૂર્વક કરાવવામાં આવી છે.આ સિવાય 24 લાખ 18 હજારથી વધુ માર્ગ અકસ્માતના કેસો, 11 લાખ 77 હજારથી વધુ શ્વાસ સંબંધિત ગંભીર કેસો અને 9 લાખ 87 હજારથી વધુ હૃદયરોગના હુમલા સંબંધી કેસોમાં દર્દીઓને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ પહોંચાડી પ્રી-હોસ્પિટલ કેર પૂરી પાડવામાં આવી છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>ગુજરાતમાં 112 ઇમરજન્સી સેવાનું એક વર્ષ પૂર્ણ</b></h3><p style="text-align: justify; ">રાજ્યમાં કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં નાગરિકોને તાત્કાલિક મદદ મળી રહે તે માટે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના હસ્તે શરૂ કરવામાં આવેલી એકીકૃત ઇમરજન્સી હેલ્પલાઇન ‘112’ની સેવાને સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થયું છે.આ એક વર્ષના સમયગાળા દરમિયાન '112' હેલ્પલાઇન દ્વારા 10 લાખથી વધુ ઇમરજન્સી કોલ્સ એટેન્ડ કરવામાં આવ્યા છે.112 સેવા ખરા અર્થમાં નાગરીકો માટે લાઈફલાઈન સાબિત થઈ છે.કંટ્રોલ રૂમ દ્વારા પ્રતિ મિનિટ સરેરાશ 10 કોલ એટેન્ડ કરીને ગણતરીની મિનિટોમાં પોલીસ કે સંબંધિત મદદ પહોંચાડવામાં આવી છે.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/surat/board-exam-2026-370-teachers-fined-rs-5-72-lakh-for-evaluation-errors" target="_blank">આ પણ વાંચોઃ Surat News: બોર્ડની પરીક્ષામાં ઉત્તરવાહી મૂલ્યાંકનમાં બેદરકારી, 370 શિક્ષકોને રૂપિયા 5.72 લાખનો દંડ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/BE5M3b3OIDWhNWyb1aYHDIHBQ1QoOw11IMBLoKGH.webp'/></item><item><title><![CDATA[Hanuman Ansh પર વરસી બજરંગબલીની અસીમ કૃપા! મંગળવારે કમાણીમાં કર્યો જબરદસ્ત ધમાકો! ]]></title><link>https://sandesh.com/entertainment/news/hanuman-ansh-tuesday-box-office-collection</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/hanuman-ansh-tuesday-box-office-collection</guid><pubDate>Wed, 02 Sep 2026 12:02:28 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બાબા નીમ કરોલીની બાયોપિક તરીકે હાલમાં ફિલ્મ હનુમાન અંશ સિનેમાઘરોમાં દર્શકોની પહેલી પસંદ બની રહી છે. આ ફિલ્મે કમાણીના મામલે બોક્સ ઓફિસ પર એવું શાનદાર પ્રદર્શન કર્યું છે, જેને બોલીવુડના ઈતિહાસમાં લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે.</p><h2 style="text-align: justify; "><b>મંગળવારે હનુમાન અંશ એ બદલી નાખ્યું કમાણીનું ગણિત</b></h2><p style="text-align: justify; ">રિલીઝના પહેલા 2 અઠવાડિયામાં માત્ર 1 કરોડ રૂપિયાનું બિઝનેસ કરનારી હનુમાન અંશ એ કમાણીના મામલે બોક્સ ઓફિસ પર શાનદાર કમબેક કર્યું છે. ત્રીજા અઠવાડિયાથી આ ફિલ્મે બિઝનેસના મામલે જે રીતે બાજી પલટી છે, તે વીક ડેઝમાં પણ ચાલુ છે. સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, રિલીઝના 26મા દિવસે હનુમાન અંશના બોક્સ ઓફિસ કલેક્શનમાં 54%થી વધુનો વધારો જોવા મળ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>હનુમાન અંશની કમાણીમાં જોરદાર ઉછાળો</b></h3><p style="text-align: justify; ">વર્કિંગ ડેઝના હિસાબે કોઈપણ ફિલ્મ માટે આ ખૂબ જ મોટી વૃદ્ધિ છે. આ સાથે જ ચોથા મંગળવારે હનુમાન અંશ એ 8.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે, જે ગત સોમવારની સરખામણીએ 3 કરોડ રૂપિયા વધુ છે. આ સાથે હવે હનુમાન અંશનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 54.13 કરોડ રૂપિયા થઈ ગયું છે. હનુમાન અંશના બિઝનેસમાં આવેલા આ મોટા બદલાવને જોઈને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત છે. કોઈને વિશ્વાસ જ નથી થઈ રહ્યો કે આખરે કોઈ ફિલ્મ આ રીતે કેવી રીતે કમબેક કરી શકે છે. પરંતુ હનુમાન અંશએ સાબિત કરી દીધું છે કે જો કન્ટેન્ટમાં દમ હોય તો આવું કમબેક શક્ય છે.<br><img alt="Hanuman Ansh, Bollywood (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/02/CuputSd3dzcdI5C9dvR1tuke8sRRvFkprN722eJa.webp"><br></p><h3 style="text-align: justify; "><b>હનુમાન અંશએ કર્યો જોરદાર નફો</b></h3><p style="text-align: justify; ">હનુમાન અંશનું બજેટ લગભગ 2 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે અને તેની કુલ કમાણી 55 કરોડ રૂપિયાની નજીક પહોંચી ગઈ છે. આ હિસાબે ફિલ્મે પોતાના બજેટ કરતાં 27 ગણો વધુ બિઝનેસ કરીને સૌને ચોંકાવી દીધા છે. આવનારા દિવસોમાં તેની કમાણીનો આંકડો હજુ પણ વધતો જોવા મળી શકે છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/sunny-deol-next-film-after-bantwara-1947" target="_blank">આ પણ વાંચો-Sunny Deol Next Film : બંટવારા 1947 બાદ નવી ફિલ્મનું થયું એલાન, 'ઘાતક ઘુસ કે મારેગા...'થી મચશે ધમાલ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/VPKB2R5Bc8o0jG2u4ubqMVHWKa4NPVvHIPkLjCvu.webp'/></item><item><title><![CDATA[Delhi બસ ગેંગરેપમાં મોટો ખુલાસો... વિદ્યાર્થીની ગુસ્સામાં ઘરેથી નકળી! પોલીસને આરોપીઓને લઈ મળ્યો પુરાવા ]]></title><link>https://sandesh.com/india/news/crime/delhi-kashmiri-gate-bus-gangrape-case--forensic-evidence-found</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/crime/delhi-kashmiri-gate-bus-gangrape-case--forensic-evidence-found</guid><pubDate>Wed, 02 Sep 2026 11:50:08 +05:30</pubDate><description><![CDATA[<p>Delhi: દિલ્હી કાશ્મીરી ગેટ બસ ગેંગરેપ કેસમાં પોલીસે મહત્વપૂર્ણ ફોરેન્સિક પુરાવા મેળવ્યા છે. ફિંગરપ્રિન્ટ વિશ્લેષણથી આરોપીઓની હાજરીની પુષ્ટિ થઈ છે; પોલીસના જણાવ્યા મુજબ, પીડિતા અને બે આરોપીઓ બંનેના ફિંગરપ્રિન્ટ બસની અંદર મળી આવ્યા હતા. પોલીસે બસ ડ્રાઇવર કુલદીપ અને કંડક્ટર સંદીપ દ્વારા પહેરવામાં આવેલા કપડાં પણ જપ્ત કર્યા હતા. તેઓ હવે ડીએનએ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે અને ટૂંક સમયમાં ચાર્જશીટ દાખલ કરવાનો ઇરાદો ધરાવે છે.</p><p><br></p><h4><b>16 વર્ષની વિદ્યાર્થીની પર ગેંગરેપ</b></h4><p>4 ઓગસ્ટના રોજ, ગ્રેટર નોઇડાના પરી ચોકથી એક વિદ્યાર્થીની સ્લીપર બસમાં ચઢી ગઈ. તેમાં અન્ય કોઈ મુસાફરો નહોતા. બસ ચાલુ હતી ત્યારે બસ કંડક્ટર અને ડ્રાઇવરે 16 વર્ષની છોકરી પર ગેંગરેપ કર્યો હતો. તે ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લાની રહેવાસી છે.</p><p><br></p><h4><b>વિદ્યાર્થીની ઝઘડા પછી ઘરેથી નીકળી ગઈ હતી</b></h4><p>યુવતી 11મા ધોરણની વિદ્યાર્થીની છે. તેના પરિવાર સાથે ઝઘડા પછી તે ગુસ્સામાં ઘરેથી નીકળી ગઈ હતી, નોઇડામાં રહેતા તેના પિતરાઈ ભાઈને મળવા નીકળી ગઇ હતી, પણ તેને કયા ખબર હતી કે તેની સાથે આવી ભયાનક ઘટના થઇ જશે.  જે બસમાં વિદ્યાર્થીની સાથે વાહિયાત ઘટના થઈ હતી તે બસનો એક વીડિયો હવે સામે આવ્યો છે. પોલીસે આ કેસના સંદર્ભમાં બસ ડ્રાઇવર કુલદીપ અને કંડક્ટર સંદીપની ધરપકડ કરી છે.</p><p><br></p><h4><b>બસના વીડિયોમાં શું ખુલાસો થાય છે?</b></h4><p>વિડીયોમાં ડ્રાઇવરની સીટ પાસે સ્ટીયરીંગ વ્હીલ પર એક ધાબળો મૂકવામાં આવ્યો છે. સીટો વચ્ચેના પાંખમાં એક ચાદર પણ પડેલી મળી આવી છે. બસ વિશ્વનાથ કંપનીની છે અને તેનો રજીસ્ટ્રેશન નંબર UP83E T3789 છે. પોલીસે તપાસ માટે વાહન જપ્ત કર્યું છે.<br><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/world/news/sheikh-hasina-to-return-bangladesh-by-december--no-power-aim" target="_blank"><b>Bangladesh પરત ફરશે શેખ હસીનાએ આ શું કહી દીધું? સત્તા માટે પાછી....</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/9V3mvq3HnnjxlBuIQB0b3dYaEMZ9TjvZpkNKZSrI.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : કેનેડા જવાની ઘેલછા પડી ભારે, ફેક ઈન્ટરવ્યુ અને પરમિટના નામે યુવકની રૂ.28.57 લાખની મત્તા સફાચટ! ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-news-the-craze-to-go-to-canada-has-become-overwhelming-a-young-mans-money-of-rs-2857-lakhs-was-stolen-in-the-name-of-fake-interviews-and-permits</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-news-the-craze-to-go-to-canada-has-become-overwhelming-a-young-mans-money-of-rs-2857-lakhs-was-stolen-in-the-name-of-fake-interviews-and-permits</guid><pubDate>Wed, 02 Sep 2026 11:43:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં વિદેશમાં નોકરી અપાવવાના નામે યુવકોને જાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવી લેતી ઠગટોળકીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદના એક યુવકને કેનેડાના ટોરેન્ટો શહેરમાં આવેલી જાણીતી 'જીરાફે ફૂડ કંપની' (Giraffe Food Company) માં આસિસ્ટન્ટ મેનેજર તરીકેની આકર્ષક નોકરી અપાવવાની લાલચ આપીને અજાણ્યા શખ્સોએ રૂ. 28.57 લાખની મોટી છેતરપિંડી આચરી છે. આ કેસમાં આરોપીઓએ પોતાની ઓળખ 'Indeed India Operations Private Limited' કંપનીના ઉચ્ચ અધિકારીઓ તરીકે આપીને યુવકનો સંપર્ક કર્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>ટેલિફોનિક ઈન્ટરવ્યુ અને બોગસ ઓફર લેટર આપી આચર્યું કૌભાંડ</b></h2><p style="text-align: justify; ">આરોપીઓએ યુવકનો વિશ્વાસ જીતવા માટે પ્રથમ ટેલિફોનિક ઈન્ટરવ્યુ લીધો હતો અને ત્યારબાદ કંપનીના નામે એક બનાવટી (ફેક) ઓફર લેટર ઈમેલ મારફતે મોકલ્યો હતો. ઓફર લેટર મળ્યા બાદ પ્રોસેસિંગના નામે ઠગબાજોએ ડૉક્યુમેન્ટ વેરિફિકેશન, મેડિકલ બોડી ચેકઅપ, રેસિડન્સી પરમિટ તેમજ અન્ય વિવિધ ચાર્જ બતાવીને અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ. 28,57,000 જમા કરાવી લીધા હતા.</p><h2 style="text-align: justify; "><b>નોકરી અને નાણાં બંને ન મળતાં સાયબર ક્રાઇમમાં ફરિયાદ</b></h2><p style="text-align: justify; ">મોટી રકમ ચૂકવ્યા બાદ પણ લાંબા સમય સુધી કેનેડાના કોઈ વિઝા કે નોકરી અંગેનો સંતોષકારક જવાબ ન મળતાં યુવકને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થયો હતો. યુવકે પોતાના નાણાં પરત માગતાં આરોપીઓએ સંપર્ક કાપી નાખ્યો હતો. આખરે નોકરી કે નાણાં કંઈ પણ પરત ન મળતાં પીડિત યુવકે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી બેંક એકાઉન્ટ્સ અને ઈમેલ આઈડીના આધારે આરોપીઓને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/mehsana/mahesana-bhavesh-jhiliya-attack-case-major-revelation-katosan-gang-was-being-recruited-for-3-months-to-establish-dominance-6-accused-arrested" target="_blank">Mahesana ભાવેશ ઝીલિયા હુમલા કાંડમાં મોટો ખુલાસો, કટોસણ ગેંગનું વર્ચસ્વ જમાવવા 3 મહિનાથી થતી હતી રેકી, 6 આરોપીઓ ગિરફ્તાર</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/736YxQnrt1NmkoiY8wGM5uy2z935b0t5dtt3Ou2d.webp'/></item><item><title><![CDATA[Sabarkantha News:ઈડરમાં ડિમોલિશન દરમિયાન મકાનની છત ધરાશાયી, શ્રમિક પરિવારના બે યુવાનો ઈજાગ્રસ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/idar/two-injured-as-roof-collapses-during-demolition-in-idar</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/idar/two-injured-as-roof-collapses-during-demolition-in-idar</guid><pubDate>Wed, 02 Sep 2026 11:38:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં મહારાણા પ્રતાપ સર્કલ નજીક તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી ડિમોલેશન ઝુંબેશ દરમિયાન મોટી બેદરકારી સામે આવી છે. છેલ્લા બે દિવસથી ચાલતી દબાણ હટાવો ઝુંબેશ દરમિયાન મકાનની છત ધરાશાયી થતાં બે યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી છે.આ ઘટનાને પગલે શ્રમિક પરિવારોમાં તંત્ર સામે ભારે રોષ અને આક્રોશ વ્યાપી ગયો છે. શ્રમિક પરિવારના ઈજાગ્રસ્ત મોભી યુવાનો હોસ્પિટલમાં ખસેડાતા પરિવારો ભાંગી પડ્યા હતાં.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ત્રીજી નોટિસ આપ્યા વિના જ કાર્યવાહીનો આક્ષેપ</b></h2><p style="text-align: justify; ">મહારાણા પ્રતાપ સર્કલ આસપાસના વિસ્તારમાં છેલ્લા 40 કરતાં પણ વધુ વર્ષોથી છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતા શ્રમિક પરિવારો વસવાટ કરી રહ્યા હતા. સ્થાનિક રહીશોના આક્ષેપ મુજબ તંત્ર દ્વારા માત્ર બે જ નોટિસો આપવામાં આવી હતી અને નિયમ મુજબ ત્રીજી નોટિસ આપ્યા વિના જ અચાનક દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.પરિવારોને પોતાનો સામાન ખસેડવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો ન હતો જેના કારણે દાયકાઓથી રહેતા શ્રમિક પરિવારો ક્ષણભરમાં ઘરવિહોણા બની ગયા છે.</p><h3 style="text-align: justify; "><b>ડિમોલેશન દરમિયાન મોટી દુર્ઘટના</b></h3><p style="text-align: justify; ">ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બે દિવસથી ચાલી રહેલા ડિમોલેશન દરમિયાન તંત્રની ઘોર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા હતા.કામગીરી દરમિયાન એકાએક મકાનની છત ધરાશાયી થઈ હતી જેની નીચે દબાઈ જવાથી બે યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.ઘટના બનતા જ અફરાતફરી મચી ગઈ હતી.ઈજાગ્રસ્ત બંને યુવાનોને તાત્કાલિક અસરથી ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.બંને યુવાનોની સ્થિતિ વધુ નાજુક જણાતા તેમને વધુ તબીબી સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે.અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનોના સમાચાર મળતાં જ પરિવારજનો હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.હોસ્પિટલ પરિસરમાં પરિવારજનોના હૈયાફાટ રુદનથી ગમગીની છવાઈ ગઈ હતી.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/is-your-red-tomato-sauce-real-fake-sauce-market-worth-200-crore" target="_blank">આ પણ વાંચોઃ Sandesh Indepth : તમે નાની હોટેલો અને ખાણીપીણી બજારમાં જે લાલ ચોળ દેખાતો ટોમેટો સોસ ખાઓ છો તે અસલી છે?</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/8TBvjwAzia431szYVUEH8bbprzkpWR6OmjTokn17.webp'/></item><item><title><![CDATA[Mahesana ભાવેશ ઝીલિયા હુમલા કાંડમાં મોટો ખુલાસો, કટોસણ ગેંગનું વર્ચસ્વ જમાવવા 3 મહિનાથી થતી હતી રેકી, 6 આરોપીઓ ગિરફ્તાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/mehsana/mahesana-bhavesh-jhiliya-attack-case-major-revelation-katosan-gang-was-being-recruited-for-3-months-to-establish-dominance-6-accused-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/mehsana/mahesana-bhavesh-jhiliya-attack-case-major-revelation-katosan-gang-was-being-recruited-for-3-months-to-establish-dominance-6-accused-arrested</guid><pubDate>Wed, 02 Sep 2026 11:29:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મહેસાણામાં ચર્ચસ્પદ ભાવેશ ઝીલિયા હુમલા અને ફાયરિંગ કેસમાં મહેસાણા પોલીસે મોટી સફળતા મેળવતા 6 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ હુમલા પાછળ વર્ચસ્વની લડાઈ અને જૂની અદાવત જવાબદાર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. વામૈયા ઝગડા બાદ ભાવેશ ઝીલિયાનું અસ્તિત્વ સંપૂર્ણપણે ખતમ કરવા અને વિસ્તારમાં પોતાની કટોસણ ગેંગનું વર્ચસ્વ મજબૂત બનાવવાના હેતુથી આ ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આ કેસમાં મહેસાણા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિનુભા ઝાલાના પુત્ર યુવરાજસિંહ ઉર્ફે ગગુભા ઝાલા સહિતના આરોપીઓની સંડોવણી ખુલ્લી પડી છે.</p><h2 style="text-align: justify; "><b>3 મહિનાથી થતી હતી રેકી</b></h2><p style="text-align: justify; ">પોલીસ તપાસમાં થયેલા ખુલાસા મુજબ, આરોપીઓ છેલ્લા ત્રણ મહિનાથી ભાવેશ ઝીલિયાની ગતિવિધિઓ પર સતત રેકી કરી રહ્યા હતા. આ સમગ્ર કૌભાંડનો માસ્તરમાઇન્ડ જોરાવરસિંહ હોવાનું બહાર આવ્યું છે. તમામ આરોપીઓ રોજ સાંજે એકઠા થઈને ગાંજો પીતા હતા અને તે મહેફિલ દરમિયાન જ ભાવેશ ઝીલિયા અને તેની ગેંગનું અસ્તિત્વ મિટાવી દેવાનો માસ્ટરપ્લાન તૈયાર કરતા હતા. પોલીસે આ મામલે યુવરાજસિંહ ઉર્ફે કંટ્રોલ સોલંકી, શક્તિસિંહ ઉર્ફે લાલો ઝાલા, આર્યન પટેલ, દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા ઝાલા, દેવેન્દ્રસિંહ ઉર્ફે દેવુભા ઝાલા અને યુવરાજસિંહ ઉર્ફે ગગુભા ઝાલાની અટકાયત કરી છે.</p><h2 style="text-align: justify; "><b>હજુ 4 આરોપીઓ ફરાર</b></h2><p style="text-align: justify; ">આ હુમલામાં સંકળાયેલા આરોપીઓમાંથી પોલીસે 6 મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે હજુ પણ 4 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. પકડાયેલા આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલા હથિયારો તેમજ રેકી સંબંધિત અન્ય વિગતો મેળવવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. મહેસાણા પોલીસે ફરાર થઈ ગયેલા અન્ય 4 આરોપીઓને સત્વરે પકડી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-news-big-scam-in-the-name-of-pm-housing-scheme-women-cheated-of-rs-718-lakhs-by-luring-them-with-houses" target="_blank">Ahmedabad News : PM આવાસ યોજનાના નામે મોટું કૌભાંડ, મહિલાઓને મકાનની લાલચ આપી રૂ.7.18 લાખની ઠગાઈ...</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/1LPM4wCDYGvwHdg9j0v5CtZNltCkSAbPzL2JBbVd.webp'/></item><item><title><![CDATA[Surat News : 2008માં મનપાએ બનાવેલા આવાસ જર્જરિત થયા, કામદારોના પરિવાર પર તોળાતુ જોખમ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/2008-civic-housing-for-sanitation-workers-turns-dilapidated</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/2008-civic-housing-for-sanitation-workers-turns-dilapidated</guid><pubDate>Wed, 02 Sep 2026 11:06:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરને દેશભરમાં સ્વચ્છતામાં અગ્રેસર રાખવા માટે દિવસ રાત મહેનત કરતા સફાઈ કર્મચારીઓ આજે પોતે જ ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે. સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા નિર્મળનગર ખાતે ડો.આંબેડકર સફાઈ કામદાર આવાસનું સમગ્ર બિલ્ડિંગ અત્યંત જર્જરિત અને ખંઢેર હાલતમાં ફેરવાઈ ગયું છે. જેના કારણે 200થી વધુ સફાઈ કામદાર પરિવારો જીવના જોખમે અહીં વસવાટ કરી રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>લોખંડના સળિયા બહાર દેખાઈ રહ્યા છે</b></h2><p style="text-align: justify; ">વર્ષ 2008માં સુરત મહાનગરપાલિકા દ્વારા સફાઈ કામદારો માટે આ આવાસનું નિર્માણ કરવામાં આવ્યું હતું.જોકે,આટલા ટૂંકા સમયગાળામાં જ આખી ઇમારત કંડમ હાલતમાં આવી ગઈ છે.હાલમાં આવાસ પરિસરમાં જ્યાં નજર કરો ત્યાં બિહામણા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.બિલ્ડિંગના વિવિધ ભાગોમાં સ્લેબમાંથી પોપડા ખરી રહ્યા છે અને છતના સિમેન્ટના પોપડા ઉખડી જતાં લોખંડના સળિયા બહાર દેખાઈ રહ્યા છે.બિલ્ડિંગની મુખ્ય દીવાલોમાં મોટી-મોટી તિરાડો પડી ગઈ છે, જે ગમે તે ઘડીએ મોટો અકસ્માત કે હોનારત સર્જી શકે છે.</p><h3 style="text-align: justify; "><b>રહીશોની રજૂઆત અને માગણી</b></h3><p style="text-align: justify; ">જો આ જર્જરિત ઘરોને તાત્કાલિક ખાલી કરાવવામાં નહીં આવે તો કોઈ મોટી દુર્ઘટના ઘટે અને નિર્મળનગરના સફાઈ કર્મી કે તેમના પરિવારજનોનો ભોગ લેવાય તેવી પૂરેપૂરી શક્યતા છે.આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્મળનગર આવાસના રહીશોએ એકત્ર થઈને સુરત મનપા કમિશનર અને મેયરને લેખિતમાં અરજી પાઠવી છે.આ જર્જરિત આવાસનું તાત્કાલિક ધોરણે રી-ડેવલપમેન્ટ હાથ ધરવામાં આવે.કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી રહેવા માટે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવામાં આવે.શહેરને સ્વચ્છ રાખનારા સફાઈ કામદારો પ્રશાસન સામે આજીજી કરી રહ્યા છે કે કોઈ અપ્રિય ઘટના બને તે પહેલાં તંત્ર જાગે અને તેઓને સુરક્ષિત આશ્રય આપે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/is-your-red-tomato-sauce-real-fake-sauce-market-worth-200-crore" target="_blank">આ પણ વાંચોઃ Sandesh Indepth : તમે નાની હોટેલો અને ખાણીપીણી બજારમાં જે લાલ ચોળ દેખાતો ટોમેટો સોસ ખાઓ છો તે અસલી છે?</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/4Uj3ObPv7AJIWVIlqVfN5SlK0qhu7WPWtfXkvwOJ.webp'/></item><item><title><![CDATA[Gold Silver Price: સોનાના ભાવ ઘટ્યા તો ચાંદી થઇ મોંઘી, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત ]]></title><link>https://sandesh.com/business/news/gold-silver-price-if-gold-prices-fall-silver-becomes-expensive-know-the-latest-price-of-10-grams-of-gold</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/gold-silver-price-if-gold-prices-fall-silver-becomes-expensive-know-the-latest-price-of-10-grams-of-gold</guid><pubDate>Wed, 02 Sep 2026 10:51:47 +05:30</pubDate><description><![CDATA[<p>એક તરફ અમેરિકાએ&nbsp; દાવો કર્યો હતો કે અમેરિકા હવે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટ પર લગભગ સંપૂર્ણ નિયંત્રણ ધરાવે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ઈરાની અર્થવ્યવસ્થા ક્રેશ તરફ આગળ વધી રહી છે. તો બીજી તરફ ક્રૂડ ઓઇલના ભાવ 100 ડોલરની નજીક પહોંચ્યો છે. પરિણામે ભારતીય&nbsp; શેરબજાર આજે ક્રેશ થઇ છે. ત્યારે સોના ચાંદીના ભાવ પર પણ તેની અસર જોવા મળી રહી છે. આવો જાણીએ શું છે 2 સપ્ટેમ્બરે સોના ચાંદીનો ભાવ.&nbsp;&nbsp;</p><h2><b>આજે શું છે સોનાનો ભાવ ?&nbsp;</b></h2><p>આજે સોનાના ભાવમાં ₹208નો ઘટાડો થયો છે, જેના કારણે ટ્રેડિંગ ભાવ પ્રતિ 10 ગ્રામ ₹62,507 થયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર, સોનાનો ભાવ ₹208 (0.13%) ઘટીને પ્રતિ 10 ગ્રામ ₹1,54,252 થયો છે, જેમાં 2,452 લોટનું ટ્રેડિંગ વોલ્યુમ છે. બજાર વિશ્લેષકોએ સોનાના વાયદામાં ઘટાડા માટે નબળી સ્પોટ માંગને જવાબદાર ગણાવી છે. વૈશ્વિક સ્તરે, સોનાના ભાવ 0.12% ઘટીને $4,432.26 પ્રતિ ઔંસ થયા છે. ગઈકાલે, 1 સપ્ટેમ્બર (મંગળવાર) ના રોજ, સોનાના ભાવ ₹2,045 ઘટીને ₹1,54,236 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યા છે.</p><p><img alt="gold" src="https://epapercdn.sandesh.com/images/2024/12/28/xAwpX0lqtAw4BPAWDLSRqtZ0qJWhzKBpb1gS6QNH.jpg"><br></p><p><b style="font-size: 2rem;">આજે ચાંદીનો ભાવ શું છે?</b></p><p>આજે ચાંદીના ભાવ 0.19% વધીને ₹2,40,577 પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યા છે. MCX પર, ભાવ ₹27 (0.19%) વધીને ₹2,40,577 પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યા છે, જેમાં 2,655 લોટનું ટ્રેડિંગ થયું છે. વૈશ્વિક સ્તરે, ચાંદીના ભાવ 0.17% ઘટીને $66.46 પ્રતિ ઔંસ થયા છે. આજે ચાંદી મોંઘી હોવા છતાં, ગઈકાલે તે સસ્તી થઈ હતી. ગઈકાલે, ચાંદીના ભાવ ₹1,955 ઘટ્યા હતા. 1 સપ્ટેમ્બરના રોજ, ચાંદી ₹2,40,489 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી.&nbsp;</p><p><b style="font-size: 1.75rem;">દેશના કેટલાક મોટા શહેરોમાં સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)&nbsp;</b></p><table class="table table-bordered"><tbody><tr><td>શહેર&nbsp;</td><td>24 કેરેટ સોનાની કિંમત&nbsp;</td><td>22 કેરેટ સોનાની કિંમત&nbsp;&nbsp;</td></tr><tr><td>દિલ્હી</td><td>&nbsp;1,52,170&nbsp;</td><td>1,39,500</td></tr><tr><td>મુંબઈ&nbsp;</td><td>1,52,020<br></td><td>&nbsp;1,39,350&nbsp;</td></tr><tr><td>કોલકાતા&nbsp;</td><td>1,52,020&nbsp;</td><td>1,39,350</td></tr><tr><td>ચેન્નઈ</td><td>&nbsp;1,52,020</td><td>&nbsp;1,39,350</td></tr><tr><td>અમદાવાદ&nbsp;</td><td>1,52,070</td><td>&nbsp;1,39,400</td></tr><tr><td>સુરત&nbsp;</td><td>1,52,070</td><td>&nbsp;1,39,400</td></tr></tbody></table><p><img alt="silver" src="https://epapercdn.sandesh.com/images/2024/05/18/fQIs5hVAtFQdUVFPu3he0hbXu5dN1xLn5rJtaTYs.jpg"><img alt="silver" src="https://epapercdn.sandesh.com/images/2024/04/29/Psd5rCNL3x9r0Cafkh24iRA0PDAGoYbuC6pSW7uE.jpg"><br></p><p><b style="font-size: 1.75rem;">સોનું અને ચાંદી ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું?</b></p><p>જો તમે સોનું ખરીદી રહ્યા હોવ તો હંમેશા હોલમાર્ક તપાસો અને 6 અંકનો HUID કોડ જોઈને જ ખરીદી કરો. ચાંદી માટે પણ BIS હોલમાર્ક હોય છે અને તેમાં 925 સ્ટર્લિંગ સિલ્વરને સૌથી સારી ગુણવત્તાનું માનવામાં આવે છે. ઉપરાંત, ખરીદી પહેલાં સોના અને ચાંદીની શુદ્ધતાની તપાસ પણ જરૂર કરાવો.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2025/12/25/m3mzARjdLTiU9c27Bp11SvbFlE9atVpCgRk0jwOC.webp'/></item><item><title><![CDATA[India Footbal ટીમની જાહેરાત, 26 ખેલાડીઓની પસંદગી કરાઇ ]]></title><link>https://sandesh.com/sports/news/india-football-team-announced-26-players-selected</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india-football-team-announced-26-players-selected</guid><pubDate>Tue, 01 Sep 2026 09:31:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય ફૂટબોલ ટીમ માટે આગામી આંતરરાષ્ટ્રીય વિન્ડો ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાની છે. મુખ્ય કોચ ખાલિદ જમીલે 26 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. ભારતીય ટીમ આગામી દિવસોમાં પનામા, બ્રાઝિલ અને ઉરુગ્વે જેવી મજબૂત ટીમો સામે 3 આંતરરાષ્ટ્રીય મૈત્રી મેચ રમશે. ખાસ કરીને બ્રાઝિલ અને ઉરુગ્વે સામેની મેચ ભારતીય ખેલાડીઓ માટે પોતાની ક્ષમતા સાબિત કરવાની મોટી તક બની રહેશે.</p><h5 style="text-align: justify; "><b>ભારતીય ટીમ અભિયાનની શરૂઆત 26 સપ્ટેમ્બરે કરશે</b></h5><p style="text-align: justify; ">ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 26 સપ્ટેમ્બરે કરશે. બેંગલુરુના શ્રી કાંતિરવા સ્ટેડિયમમાં ભારતનો મુકાબલો પનામા સામે થશે. ત્યારબાદ ભારતીય ટીમ કોલકાતા જશે, જ્યાં 3 ઓક્ટોબરે 5 વખતની વિશ્વ ચેમ્પિયન બ્રાઝિલ અને 6 ઓક્ટોબરે 2 વખતની વિશ્વ ચેમ્પિયન ઉરુગ્વે સામે મેદાનમાં ઉતરશે.આ ત્રણેય ટીમો આ વર્ષે યોજાયેલા FIFA વિશ્વ કપમાં ભાગ લઈ ચૂકી છે. આવી સ્થિતિમાં ભારતીય ખેલાડીઓ માટે વિશ્વસ્તરીય ટીમો સામે રમવાનો અનુભવ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. મુખ્ય કોચ ખાલિદ જમીલ પણ આ મેચો દ્વારા ટીમની તાકાત અને નબળાઈઓ સમજવાનો પ્રયાસ કરશે.</p><h5 style="text-align: justify; "><b>14 સપ્ટેમ્બરથી રાષ્ટ્રીય શિબિર</b></h5><p style="text-align: justify; ">ભારતીય રાષ્ટ્રીય ટીમની શિબિર 14 સપ્ટેમ્બરથી બેંગલુરુમાં શરૂ થશે. પનામા સામેની મેચ બાદ ભારતીય ટીમ 28 સપ્ટેમ્બરે કોલકાતા માટે રવાના થશે. ત્યારબાદ માત્ર થોડા દિવસના અંતરે ભારત બ્રાઝિલ અને ઉરુગ્વે જેવી મજબૂત ટીમો સામે મેચ રમશે.આ ત્રણેય મુકાબલા ભારતીય ટીમ માટે એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે આગામી સમયમાં ટીમને અનેક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ નિભાવવાની છે. ખાસ કરીને બ્રાઝિલ અને ઉરુગ્વે સામે રમવાથી ભારતીય ખેલાડીઓને મોટા મંચ પર પોતાની રમતનું મૂલ્યાંકન કરવાની તક મળશે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/IndianFootball/status/2094461120929034687?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; "><br></p><h5 style="text-align: justify; "><b>ભારતની 26 સભ્યોની ટીમ</b></h5><p style="text-align: justify; ">ગોલકીપર:એલ્બિનો ગોમ્સ, ગુરપ્રીત સિંહ સંધુ, પ્રભસુખન સિંહ ગિલ અને સોમ કુમાર.</p><p style="text-align: justify; ">ડિફેન્ડર:અભિષેક સિંહ ટેકચામ, આકાશ મિશ્રા, અનવર અલી, બિજોય વર્ગીઝ, હમિંગથનમાવિયા રાલ્ટે, જય ગુપ્તા, પ્રમવીર અને રિકી મીતેઈ હાઓબામ.</p><p style="text-align: justify; ">મિડફિલ્ડર:અનિરુદ્ધ થાપા, આશિક કુરુનિયન, ફારુખ ચૌધરી, લાલેંગમાવિયા રાલ્ટે, મેકાર્ટન નિક્સન, મોહમ્મદ સનાન, રિકી શાબોંગ અને સહલ અબ્દુલ સમદ.</p><p style="text-align: justify; ">ફોરવર્ડ:એડમન્ડ લાલરિન્દિકા, ઇરફાન યાડવાડ, મનવીર સિંહ, રહીમ અલી, રેયાન વિલિયમ્સ અને વિક્રમ પ્રતાપ સિંહ.</p><h5 style="text-align: justify; "><b>ભારતનો સંપૂર્ણ કાર્યક્રમ</b></h5><p style="text-align: justify; ">26 સપ્ટેમ્બર:ભારત વિરુદ્ધ પનામા — શ્રી કાંતિરવા સ્ટેડિયમ,બેંગલુરુ</p><p style="text-align: justify; ">3 ઓક્ટોબર:ભારત વિરુદ્ધ બ્રાઝિલ — વિવેકાનંદ યુવા ભારતી ક્રીડાંગણ, કોલકાતા</p><p style="text-align: justify; ">6 ઓક્ટોબર:ભારત વિરુદ્ધ ઉરુગ્વે — વિવેકાનંદ યુવા ભારતી ક્રીડાંગણ, કોલકાતા</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/cricket/news/australia-a-squad-announced-for-the-india-a-series-two-players-of-indian-origin-included-in-the" target="_blank">Australia-A squad : ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયા A ટીમ જાહેર,ભારતીય મૂળના 2 ખેલાડીઓને મળ્યું સ્થાન</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/SPbBPwGbv7y83nxfQ8iZc8DhAECHb1obcZUy0Nan.webp'/></item></channel></rss>