<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Monsoon 2026 : ગુજરાત માથે 4-4 સિસ્ટમ સક્રિય, 31 જુલાઈ અને 1 ઓગસ્ટે રાજ્યભરમાં મેઘતાંડવની મોટી આગાહી! ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/monsoon-2026-4-4-system-active-over-gujarat-major-meghtandav-forecast-across-the-state-on-july-31-and-august-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/monsoon-2026-4-4-system-active-over-gujarat-major-meghtandav-forecast-across-the-state-on-july-31-and-august-1</guid><pubDate>Wed, 29 Jul 2026 08:53:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં ચોમાસુ વધુ બળવત્તર બનતાં હવામાન વિભાગ દ્વારા વરસાદનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એકસાથે 4 જેટલી હવામાન સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી 30મી જુલાઈથી મેઘરાજાનો બીજો તબક્કો વધુ તીવ્ર બનશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આ સિસ્ટમની અસરથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>1 ઓગસ્ટે પણ આગાહી યથાવત</b></h2><p style="text-align: justify; ">હવામાન તંત્રની આગાહી મુજબ 31 જુલાઈના રોજ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 31મીએ દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડાવાની શક્યતા છે. વરસાદનું આ જોર ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં પણ ચાલુ રહેશે અને 1 ઓગસ્ટે પણ રાજ્યમાં ભારે વરસાદી માહોલ જળવાઈ રહેશે.</p><h3 style="text-align: justify; "><b>રાજ્યમાં 4 હવામાન સિસ્ટમ સક્રિય</b></h3><p style="text-align: justify; ">આજના દિવસ માટે હવામાન વિભાગે રાજ્યભરમાં હળવાથી ભારે વરસાદની વકી દર્શાવી છે. વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા અને છોટાઉદેપુરમાં વરસાદી માહોલ રહેશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, ડાંગ, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના જૂનાગઢ, પોરબંદર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને સમગ્ર કચ્છ પંથકમાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/vadodara/fatal-accident-between-st-bus-and-activa-on-fatehganj-bridge-in-vadodara-activa-driver-dies-on-the-spot" target="_blank">Vadodaraના ફતેગંજ બ્રિજ પર ST બસ અને એક્ટિવા વચ્ચે જીવલેણ અકસ્માત, એક્ટિવાચાલક યુવતીનું ઘટનાસ્થળે જ મોત</a></b></p><p style="text-align: justify; "><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/29/XQAYbGSFjcD9BjzODnMDG2Lkd6CxPDQPUCPLs2Af.webp'/></item><item><title><![CDATA[Guru Purnima : શામળાજીમાં ગુરુ પૂર્ણિમાએ ભગવાન શામળિયાને સોના-હીરાના શણગાર કરાયો, દર્શન માટે ભક્તોનું મહામહેરામણ ઉમટ્યું ]]></title><link>https://sandesh.com/gujarat/news/aravalli/guru-purnima-shamlaji-temple-guru-purnima-celebration-lord-shamlaji-darshan</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/aravalli/guru-purnima-shamlaji-temple-guru-purnima-celebration-lord-shamlaji-darshan</guid><pubDate>Wed, 29 Jul 2026 08:47:13 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પવિત્ર ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ઉત્તર ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ શામળાજી ખાતે ભક્તિનો અનોખો મહાસાગર છલકાયો છે.</p><h2 style="text-align: justify; "><b>શામળિયા જગતના કલ્યાણકારી ગુરુ&nbsp;</b></h2><p style="text-align: justify; ">&nbsp;'કૃષ્ણં વંદે જગદ્ગુરુમ્'ના ભાવ સાથે ભગવાન શામળિયાને જગતના કલ્યાણકારી ગુરુ માનીને વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દાદાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. મંદિર પરિસર ભક્તોના જયઘોષ અને ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું.</p><p style="text-align: justify; "><img alt="Guru Purnima Celebrated at Shamlaji Temple: Devotees Surge for Lord Shamlaji Darshan" src="https://epapercdn.sandesh.com/images/2026/07/29/mESj2ltlQosldjfisi8dERZqVCMOOtyDmhrUwSet.webp"><br></p><h3 style="text-align: justify; "><b>રેશમી વાઘા ભગવાનને પરિધાન&nbsp;</b></h3><p style="text-align: justify; ">આજના પવિત્ર દિવસે ભગવાન શામળિયાને અત્યંત દિવ્ય અને વિશેષ શણગાર ધરાવવામાં આવ્યો છે. ખાસ કારીગરો દ્વારા મનોહર ડિઝાઇનમાં તૈયાર કરવામાં આવેલા રેશમી વાઘા ભગવાનને પરિધાન કરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ઠાકોરજીને હીરા જડિત ભવ્ય મુગટ અને સોનાના પવિત્ર આભૂષણોથી સજ્જ કરવામાં આવતા શામળિયાનું રૂપ અત્યંત નયનરમ્ય અને મનમોહક દેખાઈ રહ્યું હતું.</p><p style="text-align: justify; "><img alt="Guru Purnima Celebrated at Shamlaji Temple: Devotees Surge for Lord Shamlaji Darshan" src="https://epapercdn.sandesh.com/images/2026/07/29/X72iz5GHUDjKGfllIa48Hwr8P82Xm1Q6WFQsv2Q2.webp"><br></p><h4 style="text-align: justify; "><b>ભક્તોની લાંબી લાંબી&nbsp;</b></h4><p style="text-align: justify; ">દાદાના આ અલૌકિક અને દિવ્ય સ્વરૂપના એક દર્શન પામીને ધન્યતા અનુભવવા માટે ભક્તોની લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ યાત્રાળુઓ સરળતાથી અને સુચારૂ રૂપે દર્શન કરી શકે તે માટે સુદ્રઢ વ્યવસ્થા કરવામાં આવી હતી. ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ તત્ત્વ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરવા અને ભગવાન શામળિયાના આશીર્વાદ મેળવવા માટે સમગ્ર પરિસરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">&nbsp;આ પણ વાંચો&nbsp; &nbsp; :&nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-indepth-gujarat-heavy-rain-reason-el-nino-fail-negative-pdo-impact" target="_blank"><b> Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?</b></a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/29/zrfEw4FsgFl3V1FYmq02Fjg5kAmGfS6oPiQAF2er.webp'/></item><item><title><![CDATA[CWG 2026 : હરજિંદર કૌરે વેઈટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યો ]]></title><link>https://sandesh.com/sports/news/cwg-2026-harjinder-kaur-wins-silver-medal-in-weightlifting</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/cwg-2026-harjinder-kaur-wins-silver-medal-in-weightlifting</guid><pubDate>Wed, 29 Jul 2026 08:34:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય વેઇટલિફ્ટર હરજિંદર કૌરે 2026 કોમનવેલ્થ ગેમ્સમાં મહિલાઓની 69 કિગ્રા શ્રેણીમાં સિલ્વર મેડલ જીતીને ફરી એકવાર દેશનું ગૌરવ વધાર્યું છે. હરજિંદરે કુલ 227 કિગ્રા વજન ઉપાડીને એક નવો વ્યક્તિગત શ્રેષ્ઠ દેખાવ પણ કર્યો. 2026 કોમનવેલ્થ ગેમ્સમાં આ ભારતનો 11મો મેડલ છે. તેણે સ્નેચમાં 101 કિગ્રા અને ક્લીન એન્ડ જર્કમાં 126 કિગ્રા વજન ઉપાડીને આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. અગાઉ, તેણે 2022 માં 71 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.</p><h4 style="text-align: justify; "><b>હરજિંદર કૌરની તાકાતનું રહસ્ય શું છે?</b></h4><p style="text-align: justify; ">પંજાબના નાભાના મેહાસ ગામની રહેવાસી, હરજિંદરની સફળતાની સફર મુશ્કેલીઓથી ભરેલી રહી છે. તેનો પરિવાર એક ઓરડાના ઘરમાં રહેતો હતો, છ ભેંસોની સંભાળ રાખતો હતો અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં રોકાયેલો હતો. બાળપણમાં, હરજિંદર ખેતરોમાં કામ કરતી હતી, પશુઓ માટે ચારો કાપતી હતી અને સ્ટ્રો કાપવાના મશીનો ચલાવતી હતી. આનાથી તેના હાથને એવી તાકાત મળી જે પાછળથી વેઇટલિફ્ટિંગનો પાયો બની.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/ani_digital/status/2082250751577919795?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h4 style="text-align: justify; "><b>હરજિંદરને નાનપણથી રમતગમત પ્રત્યે ખૂબ ઉત્સાહ હતો</b></h4><p style="text-align: justify; ">પિતા સાહિબ સિંહ અને માતા કુલદીપ કૌરની સૌથી નાની પુત્રી હરજિંદરને નાનપણથી જ રમતગમત પ્રત્યે ખૂબ જ ઉત્સાહ હતો. નાભાની સરકારી કન્યા શાળામાં અભ્યાસ કરતી વખતે, તેણીએ પંજાબની લોકપ્રિય રમત કબડ્ડી રમવાનું શરૂ કર્યું. તે પ્રેક્ટિસ માટે દરરોજ 5 કિલોમીટર સાયકલ ચલાવીને મેદાન પર જતી. આનંદપુર સાહિબમાં કોલેજમાં પ્રવેશ મેળવ્યા પછી, કોચ સુરિંદર સિંહે તેણીને કોલેજ કબડ્ડી ટીમમાં સામેલ કરી. ત્યારબાદ, જ્યારે તેણી પંજાબી યુનિવર્સિટીની સ્પોર્ટ્સ વિંગમાં જોડાઈ, ત્યારે કોચ પરમજીત શર્માએ તેણીની પ્રતિભા જોઈ.</p><h5 style="text-align: justify; "><b>ટગ ઓફ વોરથી વેઈટલિફ્ટિંગ સુધીની અદ્ભુત સફર</b></h5><p style="text-align: justify; ">તેણીની અસાધારણ હાથની તાકાત જોઈને, કોચ શર્માએ શરૂઆતમાં તેણીને ટગ ઓફ વોર ટીમમાં સામેલ કરી. ટગ ઓફ વોરમાં તેણીની કુશળતા સાબિત કર્યા પછી, તેણીએ તેના કોચની સલાહ પર વેઈટલિફ્ટિંગ તરફ વળ્યા. શરૂઆતમાં, રમતગમત બદલવામાં થોડો સમય લાગ્યો, પરંતુ હરજિંદરની મહેનતે સાબિત કર્યું કે યોગ્ય દિશામાં કરેલી મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી. આજે, તેની મહેનતના પરિણામે, તેણે ફરી એકવાર દેશ માટે મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/cwg-2026-indian-athlete-gulvir-singh-creates-history-wins-silver-medal-in-running-event" target="_blank">CWG 2026: ભારતીય એથ્લીટ ગુલવીર સિંહે રચ્યો ઇતિહાસ, દોડ સ્પર્ધામાં જીત્યો સિલ્વર મેડલ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/29/bw8A0snaUD7GIR6t6w5mR1roXKLNf4QR59iLXqe9.webp'/></item><item><title><![CDATA[Chhotaudepur: નસવાડી તાલુકાની વંકલા પ્રાથમિક શાળામાં શિક્ષકની બદલી થતાં વિદાય સમારોહ યોજાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur--1-1-1-1-1-1-1-1-1-1-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur--1-1-1-1-1-1-1-1-1-1-1</guid><pubDate>Wed, 29 Jul 2026 05:40:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નસવાડી : શિક્ષક માત્ર જ્ઞાન આપનાર નહી, પરંતુ જીવનનું ઘડતર કરનાર સાચા માર્ગદર્શક હોય છે. આ વાતને સાકાર કરતાં નસવાડી તાલુકાની વંકલા પ્રાથમિક શાળામાં 10 વર્ષથી નિષ્ઠા, પ્રામાણિકતા અને સંપૂર્ણ સમર્પણ સાથે સેવા બજાવનાર કર્મનિષ્ઠ શિક્ષક હસમુખપુરી ભરતપુરી ગોસાઈની બદલી નિમિત્તે યોજાયેલા વિદાય સમારંભે સમગ્ર શાળા પરિવાર અને ગામમાં લાગણીસભર માહોલ સર્જાયો હતો.</p><p style="text-align: justify; ">દસ વર્ષમાં ગોસાઈએ માત્ર પાઠયપુસ્તકોનું જ જ્ઞાન આપ્યું નહોતું. પરંતુ વિદ્યાર્થીઓમાં સંસ્કાર, શિસ્ત, સમયપાલન, માનવતા અને જીવનમૂલ્યોનું પણ સિંચન કર્યું હતું. તેમનો સરળ, વિનમ્ર અને સૌને સાથે લઈને ચાલવાનો સ્વભાવ તેમને વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનોમાં ખૂબ જ લોકપ્રિય બનાવતો હતો. શિક્ષણ પ્રત્યેની તેમની નિષ્ઠા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેનો સતત પ્રયાસ શાળાની આગવી ઓળખ બન્યો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/29/Jqr1DNcR0yjoLEHXeNviWfKdMNULs7csCM0Xt5BF.webp'/></item><item><title><![CDATA[Vadodara: સાંકરદા રોડ પર અનિયમિત ST બસને લઇ વિદ્યાર્થીઓનો ચક્કાજામ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-students-protest-over-irregular-st-bus-on-sankarda-road</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-students-protest-over-irregular-st-bus-on-sankarda-road</guid><pubDate>Wed, 29 Jul 2026 05:37:17 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સાવલી સાંકરદા રોડ પર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ અનિયમિત એસ ટી બસના મુદ્દે સાંકરદા ગામ પાસે બસો રોકીને ચક્કાજામ કરતા ભારે ચર્ચા જાગી છે. અને અનિયમિત બસો મુદ્દે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે ભાદરવા પંથક અને સાંકરદા ગામના વિવિધ અભ્યાસ અર્થે આણંદ નડિયાદ વડોદરા વાસદ જેવા શહેરોમાં અભ્યાસ અર્થે સેંકડો વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે. પરંતુ એસ ટી વિભાગની જોહુકમી અને લાલિયાવાડીને પગલે સ્કૂલ સમય દરમિયાન દોડતી એસટી બસોના રૂટો પર અનિયમિત બસો દોડે છે. જેથી વિદ્યાર્થી અને નોકરિયાતવર્ગને ભારે હાલાકી વેઠવી પડે છે. અને શિક્ષણનો સમય તેમજ નાણાંનો વ્યય થાય છે. અને ખાનગી વાહનોને અનિયમિત બસોના પગલે તડાકો પડે છે. ત્યારે આજરોજ અનિયમિત બસોના કારણે વિદ્યાર્થીઓએ વડોદરા-વાસદ-આણંદ રૂટની એસટી બસો રોકી વિરોધ નોંધાવીને ચક્કાજામ કર્યો હતો</p><p style="text-align: justify; ">ઉલ્લેખનીય છે કે, 3 દિવસમાં બીજી વખત વિદ્યાર્થીઓએ ચક્કાજામ કરવાની નોબત આવી છે. અને માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. અને એસટી બસોની નિયમિત અને અને વધુ રૂટની વ્યવસ્થા કરવાની વિદ્યાર્થીઓની માંગ છે. જેની જાણ થતાં નંદેસરી પોલીસ કાફ્લો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ચક્કાજામથી થોડા સમય માટે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ બસને રોકી ચક્કાજામ કરતા વાહનોની ભારે લાંબી કતારો લાગી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/29/EZDDLKn0qaX9hIrlvsGQjqS626Qa8qqqo9T6ejx3.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: બાવળા નગરમાં વોર્ડ નં.7ના રહીશો પાણી નિકાલની સમસ્યાને લઈ રસ્તા પર ઉતર્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-residents-of-ward-no-7-in-bavla-nagar-took-to-the-streets-over-the-problem-of-water-drainage</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-residents-of-ward-no-7-in-bavla-nagar-took-to-the-streets-over-the-problem-of-water-drainage</guid><pubDate>Wed, 29 Jul 2026 01:13:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બાવળા ખાતે તાજેતરમાં એક રાત્રિમાં જ 11 ઈંચ વરસાદ ખાબકી જતા શહેરના દરેક રોડ રસ્તાઓ ઢીંચણ સમા પાણીથી ભરાઈ ગયા વરસાદી પાણીના નિકાલ અંગે મંત્રી પ્રદ્યુમન વાજા, બાવળા સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ બાવળા આવી પહોંચ્યા જતા અને સંકલન સમિતિની મિટિંગ શરૂ કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ પણ દર ચોમાસે જળભરાવની સમસ્યાથી પીડાતા વોર્ડ નં.7ની મુલાકાત ના લેવાતા ત્યાંના રહીશોએ રોડ જામ કર્યો હતો. ગત વર્ષે પાલિકા દ્વારા વોર્ડ નં.7 માં પાણી નિકાલ માટે નાળુ તોડવામાં આવ્યુ હતુ. જેના કારણે ત્યાં રહેતા પરિવારો વરસાદી પાણીથી પ્રભાવિત થયા હતા .જ્યારે આ સીઝનમાં વરસાદે માઝા મૂકતા વોર્ડ નં.7ના રહીશો દ્વારા પાલિકા સમક્ષ કામકાજને લઈ તેમની સાથે ભેદભાવ થતા હોવાના આક્ષેપો સાથે લોકો રસ્તા પર ઉતર્યા હતા અને રોડ જામ કર્યો હતો સ્થાનિકો દ્વારા જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં ગત વર્ષે તોડવામાં આવેલુ નાળુ પાલિકા દ્વારા બનાવવામાં ના આવતા આ વિસ્તારમાં વરસાદી પાણી તેમના ઘર સુધી ભરાઈ ગયા છે. બે કલાકના હોબાળા બાદ પાલિકા દ્વારા સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે હૈયાધારણ આપતા અંતે મામલો થાળે પડયો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/ie0P3mFkQlfk1E92ShPlSrNoV5JvTLiBV7J6mvXp.webp'/></item><item><title><![CDATA[CJP Protest : દિલ્હી પોલીસે 4 સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ફટકારી નોટિસ, કહ્યું 'ફેક પોસ્ટ હટાવો' ]]></title><link>https://sandesh.com/india/news/cjp-protest-delhi-police-notice-social-media-platforms-fake-posts-removal</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/cjp-protest-delhi-police-notice-social-media-platforms-fake-posts-removal</guid><pubDate>Tue, 28 Jul 2026 23:38:27 +05:30</pubDate><description><![CDATA[<p>કોકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રદર્શન દરમિયાન દિલ્હીમાં થયેલી હિંસા અને ઉપદ્રવના મામલે દિલ્હી પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે વિશ્વની ચાર મોટી સોશિયલ મીડિયા કંપનીઓ Facebook, Instagram, YouTube અને Xને નોટિસ પાઠવી છે. આ પ્લેટફોર્મ્સ પર ખોટી માહિતી, ભ્રામક નેરેટિવ અને ફેક કન્ટેન્ટ ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.</p><h2><b>એડિટ કરાયેલા ફોટા અને ડીપફેક વીડિયો અપલોડ કરવામાં આવ્યા</b></h2><p>દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, CJP આંદોલન અને ત્યારબાદ થયેલી હિંસા દરમિયાન સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં ફેક પોસ્ટ, એડિટ કરાયેલા ફોટા અને ડીપફેક વીડિયો અપલોડ કરવામાં આવ્યા હતા. પોલીસનું કહેવું છે કે આવા ભ્રામક કન્ટેન્ટ દ્વારા લોકોમાં ઉશ્કેરણી ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની IFSO યુનિટે આ મામલે તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે કેટલાક સોશિયલ મીડિયા ન્યૂઝ પોર્ટલ્સ અને અલગ-અલગ હેન્ડલ્સ દ્વારા પણ ચકાસણી વગર વિવાદિત સમાચાર અને વીડિયો શેર કરવામાં આવ્યા હતા.</p><h3><b>વીડિયોને તાત્કાલિક દૂર કરવા સૂચના આપી</b></h3><p>આ મામલે પોલીસે Facebook, Instagram, X અને YouTubeને નોટિસ મોકલીને આવા તમામ વિવાદિત હેન્ડલ્સ, પોસ્ટ્સ અને વીડિયોને તાત્કાલિક દૂર કરવા સૂચના આપી છે. પોલીસનું કહેવું છે કે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ અને ખોટી માહિતીઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, સામાન્ય લોકો પાસેથી પણ ભ્રામક કન્ટેન્ટ અંગે સતત ફરિયાદો મળી રહી હતી. ફરિયાદો અને રિપોર્ટના આધારે શંકાસ્પદ એકાઉન્ટ્સ, લિંક્સ અને પોસ્ટ્સને ચિહ્નિત કરવામાં આવી રહ્યા છે.</p><p>પોલીસે જણાવ્યું છે કે સોશિયલ મીડિયા કંપનીઓ પાસેથી મળતી માહિતી અને તપાસના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસનો ઉદ્દેશ દેશની શાંતિ અને સુરક્ષાને અસર કરતા કન્ટેન્ટને રોકવાનો અને જવાબદાર લોકો સામે કડક પગલાં લેવાનો છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/neet-ug-paper-leak-case-cbi-files-charge-sheet-against-13-accused" target="_blank">આ પણ વાંચો : NEET પેપર લીક કેસમાં CBIની મોટી કાર્યવાહી, 13 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/BNlQ4Ntf5E9WseH264sGEKISmQydolGmahuu4POR.webp'/></item><item><title><![CDATA[Supreme Courtના આદેશ સામે CJPની નારાજગી, કહ્યું 'ફરી વિરોધ પ્રદર્શન કર્યા સિવાય કોઈ રસ્તો નથી' ]]></title><link>https://sandesh.com/india/news/supreme-court-order-cjp-protest-fir-withdrawal-demand</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/supreme-court-order-cjp-protest-fir-withdrawal-demand</guid><pubDate>Tue, 28 Jul 2026 22:35:40 +05:30</pubDate><description><![CDATA[<p>કોકરોચ જનતા પાર્ટી (CJP)એ વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન સંબંધિત સુપ્રીમ કોર્ટના અંતરિમ આદેશના ચોથા મુદ્દા સામે વાંધો વ્યક્ત કર્યો છે. આ મુદ્દામાં સુપ્રીમ કોર્ટે દિલ્હી-NCT સહિત અન્ય રાજ્યોમાં નોંધાયેલી FIRની તપાસ આગળ વધારવાની મંજૂરી આપી છે. જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે શાંતિપૂર્ણ વિરોધમાં સામેલ વિદ્યાર્થીઓ સામે કોઈ કડક કાર્યવાહી નહીં કરવામાં આવે, પરંતુ ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોને આ સુરક્ષા લાગુ નહીં પડે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/abhijeet_dipke/status/2082103529217388711"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>આ આદેશ દેશભરમાં ચિંતા ઉભી કરે છે</b></h2><p>CJPએ સોશિયલ મીડિયા પર નિવેદન જાહેર કરીને કહ્યું કે આ આદેશ દેશભરમાં ચિંતા ઉભી કરે છે. પાર્ટીનું કહેવું છે કે 25 જુલાઈ 2026ના રોજ કેન્દ્ર સરકારે વિદ્યાર્થીઓને આપેલા લેખિત આશ્વાસન મુજબ શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ સામેની FIR પાછી ખેંચવામાં આવશે અને તેમની સામે કોઈ કાર્યવાહી નહીં થાય. આ ખાતરીના આધારે જ CJPએ પોતાનું દેશવ્યાપી આંદોલન પાછું ખેંચ્યું હતું.</p><p>CJPએ આરોપ લગાવ્યો કે હવે કેન્દ્ર સરકાર અને ભાજપ શાસિત રાજ્યો સુપ્રીમ કોર્ટના આદેશનો આધાર લઈને વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓ સામેની FIRની તપાસ ચાલુ રાખી તેમને હેરાન કરી શકે છે. પાર્ટીએ વધુમાં કહ્યું કે સરકારના વકીલોએ પણ કોર્ટ સમક્ષ અગાઉ થયેલા સમાધાન અને ખાતરીની માહિતી રજૂ કરી નહોતી.</p><h3><b>રાજ્ય સરકારો વિદ્યાર્થીઓને આપેલા વચનોનું સન્માન કરે</b></h3><p>પાર્ટીનું કહેવું છે કે કોર્ટના આદેશમાં ક્યાંય એવું કહેવામાં આવ્યું નથી કે સરકાર માટે FIR પાછી ખેંચવી ફરજિયાત રીતે અશક્ય છે. FIR પાછી ખેંચવાનો નિર્ણય કાર્યપાલિકાના અધિકારક્ષેત્રમાં આવે છે અને સરકાર પોતાના વચનનું પાલન કરી શકે છે. CJPએ કેન્દ્ર સરકાર અને સંબંધિત રાજ્ય સરકારોને અપીલ કરી છે કે તેઓ સુપ્રીમ કોર્ટ સમક્ષ સમગ્ર સમજૂતી રજૂ કરે અને વિદ્યાર્થીઓને આપેલા વચનોનું સન્માન કરે. પાર્ટીએ ચેતવણી આપી છે કે જો સરકાર પોતાનું વચન નહીં નિભાવે તો વિદ્યાર્થીઓના હિતોની રક્ષા માટે ફરીથી દેશવ્યાપી વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/neet-ug-paper-leak-case-cbi-files-charge-sheet-against-13-accused" target="_blank">આ પણ વાંચો : NEET પેપર લીક કેસમાં CBIની મોટી કાર્યવાહી, 13 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/8a3TmiRZY73zhInLpPHNL68UsU07MrBfDt2GG7Jh.webp'/></item><item><title><![CDATA[Auto માર્કેટમાં 10 વર્ષનો દબદબો અને 15 લાખથી વધુ યુનિટ્સ વેચાયા બાદ આ નવી SUV નવા અવતારમાં થશે લોન્ચ ]]></title><link>https://sandesh.com/business/news/automobile/after-10-years-of-dominance-in-the-auto-market-and-selling-more-than-15-lakh-units-this-new-suv-will-be-launched-in-a-new-avatar</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/after-10-years-of-dominance-in-the-auto-market-and-selling-more-than-15-lakh-units-this-new-suv-will-be-launched-in-a-new-avatar</guid><pubDate>Tue, 28 Jul 2026 22:29:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મારુતિ સુઝુકીએ તાજેતરમાં જ પોતાની લોકપ્રિય કોમ્પેક્ટ SUV Brezza નું નવું મોડલ લોન્ચ કર્યું છે. નવી Brezza માં કંપનીએ ઘણા મોટા ફેરફારો કર્યા છે. તેની બહારની ડિઝાઇનને પહેલા કરતા વધુ આકર્ષક બનાવવામાં આવી છે, જ્યારે કેબિનમાં પણ ઘણા નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. જોકે કંપનીએ તેની મૂળ ઓળખ અને આકારમાં વધારે ફેરફાર કર્યો નથી, જેથી તે પહેલી નજરે Brezza જેવી જ દેખાય છે. નવી Maruti Brezza ની એક્સ-શોરૂમ કિંમત રૂ.7.39 લાખથી શરૂ થઈને રૂ.13.70 લાખ સુધી જાય છે.</p><h2 style="text-align: justify; "><b>15 લાખથી વધુ વેચાણનો બનાવ્યો રેકોર્ડ</b></h2><p style="text-align: justify; ">છેલ્લા 10 વર્ષોમાં Maruti Brezza ની લોકપ્રિયતા સતત વધી છે. અત્યાર સુધીમાં ભારતમાં તેના 14,61,889 યુનિટ્સ વેચાઈ ચૂક્યા છે, જ્યારે 52,828 યુનિટ્સની વિદેશમાં નિકાસ કરવામાં આવી છે. આ રીતે Brezza નું કુલ વેચાણ 15,14,717 યુનિટ્સના આંકડાને પાર કરી ગયું છે. આ સીમાચિહ્ન પ્રાપ્ત કરીને તે ભારતની સૌથી સફળ કોમ્પેક્ટ SUVs માંની એક બની ગઈ છે.</p><h3 style="text-align: justify; "><b>ડીઝલ એન્જિનથી શરૂઆત અને પેટ્રોલ તરફ પ્રયાણ</b></h3><p style="text-align: justify; ">Brezza ની શરૂઆત માત્ર ડીઝલ એન્જિન સાથે થઈ હતી, જેમાં ફિયાટનું 1.3-લીટર DDiS ટર્બો ડીઝલ એન્જિન મળતું હતું. વર્ષ 2020 માં BS6 નિયમો લાગુ થયા બાદ અને મારુતિ દ્વારા ડીઝલ એન્જિન બંધ કરાયા પછી કંપનીએ તેમાં 1.5-લીટર K15B પેટ્રોલ એન્જિન આપવાનું શરૂ કર્યું. આ નિર્ણય ખૂબ જ સફળ સાબિત થયો અને Brezza સતત ચાર વર્ષ સુધી ભારતની સૌથી વધુ વેચાતી SUV રહી. જોકે, બાદમાં Hyundai Creta, Tata Nexon અને Tata Punch જેવી નવી ગાડીઓની એન્ટ્રીથી માર્કેટમાં સ્પર્ધા વધી છે.</p><h4 style="text-align: justify; "><b>નવું ટર્બો એન્જિન અને અંડરબોડી CNG ટેકનોલોજી</b></h4><p style="text-align: justify; ">નવી Brezza માં સૌથી મોટો ફેરફાર તેનું 1.0-લીટર ટર્બો પેટ્રોલ એન્જિન છે, જે 110hp નો પાવર અને 170Nm નો ટોર્ક આપે છે. આ સિવાય 1.5-લીટર પેટ્રોલ એન્જિન પણ પહેલાની જેમ જ મળશે અને તેની સાથે CNG નો વિકલ્પ પણ રહેશે. નવી CNG કિટ હવે ગાડીની નીચે (અંડરબોડી) ફીટ કરવામાં આવી છે, જેનાથી બૂટ સ્પેસ (ડિકીની જગ્યા) પહેલા કરતા વધુ મળશે. કારમાં 6-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સના વિકલ્પો ઉપલબ્ધ છે.</p><h5 style="text-align: justify; "><b>આકર્ષક ડિઝાઇન અને પ્રીમિયમ ફીચર્સ</b></h5><p style="text-align: justify; ">ડિઝાઇનની વાત કરીએ તો આ SUV માં નવી ફ્રન્ટ ગ્રિલ, અપડેટ કરેલું બમ્પર, નવા 16-ઇંચના એલોય વ્હીલ્સ અને ડાર્ક ક્રોમ ફિનિશ આપવામાં આવી છે. ઇન્ટિરિયરમાં 10.1-ઇંચનું મોટું ટચસ્ક્રીન, 64-કલર એમ્બિયન્ટ લાઇટિંગ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, એર પ્યુરિફાયર, વાયરલેસ ચાર્જર માટે કુલિંગ સિસ્ટમ અને Alexa સપોર્ટ જેવા અદ્યતન અને પ્રીમિયમ ફીચર્સ જોડવામાં આવ્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/automobile" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/UkvhS4WzmyOp5l01ZhM4MHVSRtJVpzeIKpSzENde.webp'/></item><item><title><![CDATA[Dev Anandના પુત્ર Suneil Anandનું લંડનમાં નિધન, હાર્ટ એટેક આવ્યા બાદ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ ]]></title><link>https://sandesh.com/entertainment/news/india/dev-anands-son-suneil-anand-passes-away-in-london-breathed-his-last-in-hospital-after-suffering-a-heart-attack</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/india/dev-anands-son-suneil-anand-passes-away-in-london-breathed-his-last-in-hospital-after-suffering-a-heart-attack</guid><pubDate>Tue, 28 Jul 2026 17:38:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">વર્ષ 2011માં દેવ આનંદનું અવસાન થયું હતું. સુનીલે 70 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે.&nbsp;&nbsp;</p><h2 style="text-align: justify; ">લંડનમાં સારવાર દરમિયાન મોત&nbsp;</h2><p style="text-align: justify; ">દેવ આનંદના પુત્ર સુનીલ આનંદનું અવસાન થયું છે. તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને લંડનની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.  સુનીલ આનંદની ઉંમર 70 વર્ષ હતી. તેમના સમયના સ્વર્ગસ્થ, પ્રખ્યાત અભિનેતા દેવ આનંદના પુત્ર સુનીલ આનંદનું અવસાન થયું છે. તેમણે લગભગ 70 વર્ષની વયે લંડનમાં અંતિમ શ્વાસ લીધા. સુનીલની બહેન દેવીના આનંદની પુત્રી ગિની નારંગે એક નિવેદન બહાર પાડીને તેમના સુનીલના મૃત્યુની પુષ્ટિ કરી હતી.&nbsp;</p><h3 style="text-align: justify; ">મૃત્યુના સમાચારની પુષ્ટિ કરાઇ&nbsp;</h3><p style="text-align: justify; ">સુનીલની ભત્રીજી ગિની નારંગે નિવેદન બહાર પાડીને તેમના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમે ખૂબ જ દુઃખ સાથે સુનીલ આનંદના અવસાનના સમાચાર શેર કરીએ છીએ. પ્રેમ, પ્રાર્થના અને સમર્થનના વરસાદથી અમને ખૂબ જ સાંત્વના મળે છે, જેના માટે અમે ખૂબ જ આભારી છીએ. અમે વિનંતી કરીએ છીએ કે આ મુશ્કેલ સમયમાં અમને થોડી ગોપનીયતા આપવામાં આવે.</p><h4 style="text-align: justify; ">સુનીલ આનંદની ફિલ્મ કારકિર્દી&nbsp;&nbsp;</h4><p style="text-align: justify; ">સામાન્ય રીતે, ઘણા મોટા સ્ટાર્સ તેમના બાળકોને ફિલ્મોમાં ભવ્યતાથી લોન્ચ કરે છે, હીરો અથવા હિરોઇન તરીકે. જોકે, દેવ આનંદે આવું કર્યું નહીં. તેમણે તેમના પુત્રને બોલિવૂડમાં લોન્ચ કર્યો હતો, પરંતુ સહાયક અભિનેતા તરીકે. દેવ આનંદને 1984 માં "આનંદ ઔર આનંદ" નામની ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. દેવ આનંદે મુખ્ય ભૂમિકા ભજવી હતી, અને રાખી અને સ્મિતા પાટિલ પણ આ ફિલ્મનો ભાગ હતા. સુનિલે ફિલ્મમાં સહાયક ભૂમિકા ભજવી હતી, પરંતુ ફિલ્મ ફ્લોપ રહી હતી. ત્યારબાદ સુનિલે મુખ્ય ભૂમિકાઓમાં અભિનય કર્યો. તેમણે "કાર થીફ" માં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેમાં તેઓ વિજયતા પંડિત સાથે દેખાયા હતા. ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ રહી. સુનિલના કાકા દ્વારા દિગ્દર્શિત "મૈં તેરે લિયે" પણ થિયેટરોમાં સારી કમાણી કરવામાં નિષ્ફળ ગઈ. બાદમાં તેમણે કેટલીક ફિલ્મો બનાવી, પરંતુ તેમની કારકિર્દી સારી રીતે સુધરી શકી નહીં.</p><h5 style="text-align: justify; ">તેમનું પુનરાગમન પણ ફ્લોપ રહ્યું</h5><p style="text-align: justify; ">ઘણા વર્ષો પછી, તેઓ 2001 માં "માસ્ટર" સાથે મોટા પડદા પર પાછા ફર્યા, જે એક માર્શલ આર્ટ ફિલ્મ હતી જેનું દિગ્દર્શન તેમણે પણ કર્યું હતું. જોકે, તે પણ સારી કમાણી કરવામાં નિષ્ફળ ગઈ. ત્યારબાદ તેમણે કોઈ ફિલ્મમાં અભિનય કર્યો નહીં. એવું કહેવાય છે કે 2011 માં દેવ આનંદના મૃત્યુ સુધી, તેમણે તેમની હોમ પ્રોડક્શન કંપની, નવકેતન ફિલ્મ્સમાં સહાયક દિગ્દર્શક તરીકે તેમની સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું. તેમના પિતાના મૃત્યુ પછી, તેમણે પ્રોડક્શન હાઉસ સંભાળ્યું, પરંતુ વધુ સફળતા પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયા. સુનિલની માતા, દેવ આનંદની પત્ની અને તેમના સમયની પ્રખ્યાત અભિનેત્રી, કલ્પના કાર્તિક, તેમની એકમાત્ર પુત્રી સાથે ઉટીમાં રહે છે. તેણી ૯૪ વર્ષની છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/world/news/business/usa/elon-musk-prediction-2036-the-world-will-witness-a-period-of-reverse-inflation-what-is-the-meaning-of-elon-musks-prediction" target="_blank"> દુનિયા રિવર્સ ફુગાવાના સમયગાળાની બનશે સાક્ષી, એલોન મસ્કની આગાહીનો શુ છે અર્થ?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/28/8DhIInBgoJILZAjl4KlWJwz7Js9dOHF8ym32Y4WQ.webp'/></item></channel></rss>