<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Anandના ઉમેટામાં મહીસાગર નદીમાંથી યુવકનો મૃતદેહ મળ્યો: બ્રિજ પર બાઇક પાર્ક કરી નદીમાં ઝંપલાવ્યું હતું ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/anand/body-of-a-young-man-found-in-mahisagar-river-in-umeta-anand-he-had-parked-his-bike-on-the-bridge-and-jumped-into-the-river</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/anand/body-of-a-young-man-found-in-mahisagar-river-in-umeta-anand-he-had-parked-his-bike-on-the-bridge-and-jumped-into-the-river</guid><pubDate>Sun, 09 Aug 2026 15:01:36 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આણંદ જિલ્લાના ઉમેટા વિસ્તારમાંથી પસાર થતી મહીસાગર નદીના બ્રિજ પરથી એક યુવકે નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હોવાની અરેરાટીભરી ઘટના સામે આવી છે. ગઈકાલે સાંજના સમયે યુવકે પોતાનું બાઇક બ્રિજ પર જ પાર્ક કર્યું હતું અને અગમ્ય કારણોસર મહીસાગર નદીના ઊંડા પાણીમાં મોતનો કૂદકો લગાવ્યો હતો. ઘટના અંગે જાણ થતાં જ આસપાસના સ્થાનિકો એકઠા થઈ ગયા હતા અને તુરંત જ તંત્ર તથા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી.</p><h2 style="text-align: justify; "><b>ફાયર બ્રિગેડને ભારે જહેમત બાદ મૃતદેહ મળી આવ્યો</b></h2><p style="text-align: justify;">ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે વહેલી સવારથી મહીસાગર નદીમાં યુવકની શોધખોળ હાથ ધરી હતી. સતત 11 કલાકથી વધુ સમય સુધી નદીના વહેણમાં સઘન બચાવ અને શોધખોળ કામગીરી ચલાવવામાં આવી હતી. અંતે ફાયર બ્રિગેડની ટીમને નદીના પાણીમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. 11 કલાકની ભારે મથામણ બાદ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>કોઠીયાખાડના સુનિલ પઢિયાર તરીકે થઈ ઓળખ</b></h3><p style="text-align: justify;">મહીસાગર નદીમાંથી મળી આવેલા મૃતદેહની ઓળખ કોઠીયાખાડ ગામના રહીશ સુનિલ પઢિયાર તરીકે થઈ છે. યુવકે કયા કારણોસર આ આત્યંતિક પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ વિગતો સપાટી પર આવી નથી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહનો કબ્જો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે આંકલાવની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે. આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આપઘાત પાછળના સાચા કારણો જાણવા માટે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.</p><p style="text-align: justify;"><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/2Wbky3jHypI0o1rNjTOVQidQmrc18xSDYSQhYEej.webp'/></item><item><title><![CDATA[World Athletics U20 Championships : બસંત મેઘવાળે ઉંચી કૂદમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ ]]></title><link>https://sandesh.com/sports/news/world-athletics-u20-championships-basant-meghwal-creates-history-by-winning-silver-medal-in-high-jump</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/world-athletics-u20-championships-basant-meghwal-creates-history-by-winning-silver-medal-in-high-jump</guid><pubDate>Sun, 09 Aug 2026 14:51:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતના યુવા ખેલાડીઓએ વર્લ્ડ એથ્લેટિક્સ અંડર-20 ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કર્યું,એક જ દિવસમાં બે મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું.રાજસ્થાનના 19 વર્ષીય બસંત કુમાર મેઘવાળે પુરુષોની ઊંચી કૂદમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો. શાહનવાઝ ખાને પુરુષોની લાંબી કૂદમાં બ્રોન્ઝ મેડલ જીત્યો.મેઘવાળે 2.21 મીટર દૂર જઈને સિલ્વર મેડલ જીત્યો,જેનાથી વર્લ્ડ અંડર-20 ચેમ્પિયનશિપમાં હાઈ કૂદમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો.</p><h4 style="text-align: justify;"><b>રાજસ્થાનના યુવા ખેલાડીએ કર્યો કમાલ&nbsp;</b></h4><p style="text-align: justify;">રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લાના સરહદી શહેર અનુપગઢના રહેવાસી મેઘવાળે ભારતીય નૌકાદળનું પ્રતિનિધિત્વ કર્યું. તેણે સ્પર્ધામાં 2.21 મીટરનો વ્યક્તિગત શ્રેષ્ઠ કૂદકો માર્યો. અલ્જેરિયાના યુનેસ અયાચીએ ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે ગ્રેટ બ્રિટનના ઓટિસ પૂલે બ્રોન્ઝ મેડલ જીત્યો. ત્રણેય ખેલાડીઓ 2.21 મીટરનો માર્ક પાર કરવામાં સફળ રહ્યા, પરંતુ 2.24 મીટરના તેમના પ્રયાસોમાં નિષ્ફળ ગયા. ત્યારબાદ પાછલી ઊંચાઈ પાર કરવાના પ્રયાસોની સંખ્યાના આધારે કાઉન્ટબેક નિયમનો ઉપયોગ કરીને મેડલ નક્કી કરવામાં આવ્યા. આયાચીએ તેના પહેલા પ્રયાસમાં 2.21 મીટરની ઊંચાઈ પાર કરી. મેઘવાલે તેના બીજા પ્રયાસમાં અને પૂલે તેના ત્રીજા પ્રયાસમાં આ હાંસલ કર્યું, જેનાથી મેડલ સ્ટેન્ડિંગ નક્કી થયું.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/Media_SAI/status/2086363819014811719?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; "><br></p><h5 style="text-align: justify; "><b>શાહનવાઝે લાંબા કૂદકામાં કાંસ્ય ચંદ્રક જીત્યો</b></h5><p style="text-align: justify; ">મેઘવાલ પછી, શાહનવાઝ ખાને લાંબા કૂદકામાં કાંસ્ય ચંદ્રક જીત્યો, જેનાથી ભારતની મેડલ સંખ્યા ત્રણ થઈ ગઈ. 18 વર્ષીય શાહનવાઝે તેના ત્રીજા પ્રયાસમાં 7.84 મીટરના કૂદકા સાથે કાંસ્ય ચંદ્રક મેળવ્યો. તેના છ પ્રયાસો 7.67 મીટર, 7.72 મીટર, 7.84 મીટર, 7.52 મીટર, 7.83 મીટર અને 5.37 મીટર હતા.અન્ય એક ભારતીય ખેલાડી, આરસી જીતિન અર્જુનન, પણ ફાઇનલમાં ભાગ લીધો હતો. તે 7.59 મીટરના શ્રેષ્ઠ કૂદકા સાથે આઠમા સ્થાને રહ્યો. તેણે તેના પહેલા અને ચોથા પ્રયાસમાં આ અંતર હાંસલ કર્યું. ઇટાલીના ડેનિયલ ઇન્ઝોલીએ 7.97 મીટરના કૂદકા સાથે ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે ઓસ્ટ્રેલિયાના મેસન મેકગ્રોડરે 7.96 મીટરના વ્યક્તિગત શ્રેષ્ઠ કૂદકા સાથે સિલ્વર મેડલ જીત્યો.</p><h5 style="text-align: justify; "><b>યશવે પણ ઇતિહાસ રચ્યો</b></h5><p style="text-align: justify; ">ભારતે 7ઓગસ્ટના રોજ ચેમ્પિયનશિપમાં પોતાનો પહેલો મેડલ જીત્યો. ભાલા ફેંકનાર આશિષ યાદવે પુરુષોના ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીત્યો. આશિષ નીરજ ચોપરા પછી વર્લ્ડ અંડર-20 ચેમ્પિયનશિપમાં ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીતનાર બીજો ભારતીય બન્યો.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો- <a href="https://sandesh.com/sports/news/lionel-messi-father-jorge-messi-passes-away" target="_blank">Lionel Messiના પિતાનું 68 વર્ષની વયે થયું અવસાન, લાંબા સમયથી હતા બીમાર</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/arGS0BD1TmTqsZ9v8lc56Xfimw6OP2BXt4LptKCu.webp'/></item><item><title><![CDATA[Rajkot News: સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ ખરીદેલી 17 વિઘા જમીન સામે વારસદારે વાંધો ઉઠાવ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/heir-raises-objection-over-17-vigha-land-bought-by-mp-kesridevsinh-zala</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/heir-raises-objection-over-17-vigha-land-bought-by-mp-kesridevsinh-zala</guid><pubDate>Sun, 09 Aug 2026 14:50:41 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજ્યસભાના સાંસદ અને વાંકાનેરના રાજવીએ રાજકોટના હિરાસર એરપોર્ટ પાસે ત્રણ વર્ષ પહેલા ખરીદ કરવામાં આવેલી 17 વિઘા જમીનમાં વિવાદ સર્જાયો છે.આ જમીનમાં સીધીલીટીના વારસદારે કલેક્ટરને કરેલી અપીલમાં એવો દાવો કર્યો હતો કે,જમીનની વારસાઈમાં મામાએ ભાણીનું નામ છુપાવી વેચાણ કર્યું હતું. આ કેસમાં કલેક્ટરે મદદનીશ કલેક્ટરના નિર્ણયને કાયમ રાખી સ્પષ્ટ કર્યું છે કે વેચાણ દસ્તાવેજ રદ કરાવવા કે વારસાઈ હક નક્કી કરવા માટે અરજદારે સિવિલ કોર્ટના દ્વાર ખટખટાવવા પડશે. મહેસુલી કોર્ટનો હસ્તક્ષેપ કરવો ઉચીત નથી.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>કેસરીદેવસિંહ ઝાલાએ ખરીદેલી જમીન સામે વાંધો</b></h2><p style="text-align: justify; ">હીરાસર ગામના જૂની શરતના રેવન્યુ સર્વે નંબર 34ની 2.25 હેક્ટર (17 વિઘા) જમીન મામદભાઈ સલેમાનભાઈ ચલાંગા સહિતના સંયુક્ત ખાતેદારોના નામે બોલતી હતી.આ જમીન ફેબ્રુઆરી 2023માં રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજથી રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ દિગ્વિજયસિંહ ઝાલા, યોગેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજા, દશરથસિંહ સજ્જનસિંહ જાડેજા સહિતના ત્રણ ખરીદદારોને વેચવામાં આવી હતી અને તેની વેચાણ નોંધ મંજૂર થઈ હતી. સલમાબેન હારૂનભાઈના વારસદાર રેશ્માબેન હનીફભાઈ વરોધ દ્વારા મદદનીશ કલેક્ટર અને ત્યારબાદ કલેક્ટરમાં રિવિઝન દાખલ કરી આક્ષેપ કર્યો હતો કે,વર્ષ 2021માં તેમના મામાઓએ વારસાઈ નોંધ નં. 356 ચડાવતી વખતે તેમની સ્વ.માતા સલમાબેનનું નામ જાણી જોઈને છુપાવી દીધું હતું અને તેમની સંમતિ કે નોટિસ વગર જમીન વેચી નાંખવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>વારસદારે વારસાઈમાં નામ છુપાવ્યાનો આક્ષેપ કર્યો</b></h3><p style="text-align: justify; ">આ કેસમાં સાંસદના વિકલ દ્વારા દલીલ કરાઈ હતી કે,વિવાદી જમીન સામે અપીલ દાખલ કરવામાં આશરે 4 વર્ષ જેટલો વિલંબ થયો છે અને તેનો કોઈ વ્યાજબી ખુલાસો અપાયો નથી.કલેક્ટરે રેવન્યુ રેકર્ડ ધ્યાને લઈ તારણ આપ્યું હતું કે,વારસાઈ નોંધમાં નામ છુપાવવાની તકરાર જમીનનું વેચાણ થઈ ગયાના બે વર્ષ બાદ કરવામાં આવી છે. હાલમાં વેચાણ દસ્તાવેજથી ત્રાહિત પક્ષકારોના હિતો ઊભા થયેલા હોય. વેચાણ દસ્તાવેજ રદ કરવાનો કે રેશ્માબેન કાયદેસરના વારસદાર છે કે કેમ ? તે નક્કી કરવાનો અધિકાર સિવિલ કોર્ટનો રહે છે મહેસૂલી કોર્ટનો નહીં. આથી મદદનીશ કલેક્ટરના ચુકાદામાં હસ્તક્ષેપ કરવાનું અયોગ્ય ઠેરવી રિવિઝન અરજી રદ કરવાનો હુકમ કર્યો છે. કલેક્ટર સમક્ષ ચાલેલી સુનાવણી દરમિયાન સાંસદના વકીલોએ એવી દલીલ કરી હતી કે, જમીન અંગે અરજદાર દ્વારા ખોટો વિવાદ ઉભા કરી સાસદ સહિત ત્રણ ભાગીદારો પાસેથી આર્થિક વળતર મેળવવા ખોટી રીવીઝન અરજી દાખલ કરવામાં આવી હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/chargesheet-soon-in-jodhpur-rape-case-security-company-to-face-action" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News : જોધપુરમાં દુષ્કર્મ કેસના આરોપી સામે ઝડપથી ચાર્જશીટ ફાઈલ કરાશે, સિક્યુરિટી કંપની સામે કાર્યવાહી થશે</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/odRCJwc95UmLP7dc7CNjCCTKdQI0TzcW6ifL34LF.webp'/></item><item><title><![CDATA[Amreliના રાજુલામાં કુંડળીયા ગામે તળાવમાં ડૂબી જવાથી 40 વર્ષીય યુવાનનું કરૂણ મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/a-40-year-old-man-tragically-died-after-drowning-in-a-lake-in-kundaliya-village-in-rajula-amreli</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/a-40-year-old-man-tragically-died-after-drowning-in-a-lake-in-kundaliya-village-in-rajula-amreli</guid><pubDate>Sun, 09 Aug 2026 14:42:56 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલા કુંડળીયા ગામમાં એક અત્યંત કરૂણ અને દુઃખદ ઘટના સામે આવી છે. કુંડળીયા ગામના તળાવમાં અકસ્માતે એક 40 વર્ષીય યુવાન ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. યુવાનને પાણીમાં ડૂબતો જોઈને આસપાસ હાજર લોકો અને ગ્રામજનોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ડૂબેલા યુવાનનો જીવ બચાવવા માટે મોટી સંખ્યામાં ગામલોકો તળાવ કિનારે દોડી આવ્યા હતા અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી.</p><h2 style="text-align: justify; "><b>ગ્રામજનોએ મહામહેનતે યુવાનને બહાર કાઢ્યો</b></h2><p style="text-align: justify; ">તળાવમાં ડૂબી રહેલા યુવાનને બચાવવા માટે ગ્રામજનો દ્વારા તાત્કાલિક એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. જોકે, ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ સાહસિક ગામલોકોએ સમયસૂચકતા વાપરીને ભારે જહેમત ઉઠાવી હતી. સ્થાનિકોએ સતત પ્રયાસો બાદ ડૂબેલા યુવાનને બેભાન અવસ્થામાં પાણીમાંથી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચેલી એમ્બ્યુલન્સ મારફતે તેને વધુ સારવાર અર્થે તાત્કાલિક રાજુલાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>તબીબે મૃત જાહેર કરતાં પરિવારમાં ભારે કલ્પાંત</b></h3><p style="text-align: justify; ">રાજુલા હોસ્પિટલમાં પહોંચ્યા બાદ ફરજ પરના તબીબોએ યુવાનને તપાસીને તાત્કાલિક ધોરણે મૃત જાહેર કર્યો હતો, જેના કારણે તેને બચાવવાના ગ્રામજનોના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા હતા. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનની ઓળખ કુંડળીયા ગામના જ રહીશ વિનુભાઈ મનુભાઈ વાળા (ઉંમર 40 વર્ષ) તરીકે થઈ છે. યુવાનના અચાનક અને કમકમાટીભર્યા મોતને પગલે મૃતકના પરિવારજનોમાં ભારે આક્રંદ અને કલ્પાંત છવાયો છે. આ ઘટનાને લઈને સમગ્ર કુંડળીયા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સ્થાનિક પોલીસે બનાવની નોંધ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/P3WYa0fmYhUXd3lB2IFPtSTslngx7EymAMgJa7cl.webp'/></item><item><title><![CDATA[Controversy : શું કોપી છે યશની ટોક્સિકનું ટ્રેલર? યુઝર્સે ઉઠાવ્યા સવાલો, સોશિયલ મીડિયા પર મચ્યો ભારે હોબાળો! ]]></title><link>https://sandesh.com/entertainment/news/yash-toxic-trailer-copied-scene-allegations-controversy</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/yash-toxic-trailer-copied-scene-allegations-controversy</guid><pubDate>Sun, 09 Aug 2026 14:30:41 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુપરસ્ટાર યશની મોસ્ટ અવેટેડ ફિલ્મ ટોક્સિક: અ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સનું ટ્રેલર રિલીઝ થતાં જ ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. એક તરફ જ્યાં ફિલ્મના ટ્રેલરને લોકોનો પ્રેમ મળી રહ્યો છે, તો બીજી તરફ કેટલાક લોકોએ તેને કોપી ગણાવી દીધું છે. હવે સવાલ એ છે કે શું ખરેખર ફિલ્મ ટોક્સિકનું ટ્રેલર કોપી છે?&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ટોક્સિકનું ટ્રેલર કોપી છે?</b></h2><p style="text-align: justify; ">8 ઓગસ્ટની સાંજે યશની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ટોક્સિક: અ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મના ટ્રેલરની લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ટ્રેલર સામે આવતાં જ કેટલાક લોકોએ તેને કોપી ગણાવી દીધું. એક યુઝરે ટ્રેલર જોયા બાદ લખ્યું કે ડબિંગ ખરાબ છે. બીજા યુઝરે ફિલ્મને લઈને નારાજગી વ્યક્ત કરી હતી.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DbyFJiZDwQz/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DbyFJiZDwQz/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DbyFJiZDwQz/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DbyFJiZDwQz/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h3 style="text-align: justify; "><b>શું કહ્યું યુઝર્સે?</b></h3><p style="text-align: justify; ">આ ઉપરાંત એક અન્ય યુઝરે કહ્યું કે ટ્રેલરની કેટલીક બાબતો કોપી જેવી લાગી રહી છે. બીજા એક યુઝરે કહ્યું કે કિયારાનો સીન અજીબ લાગી રહ્યો છે. અન્ય એક યુઝરે કહ્યું કે તેને એવું લાગી રહ્યું છે કે તે 2-3 ફિલ્મોના ટ્રેલર એકસાથે જોઈ રહ્યો છે. એક યુઝરે તો સવાલ કર્યો કે આ શું હતું? આ રીતે લોકોએ ટ્રેલર અંગે પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી છે.</p><h3 style="text-align: justify; "><b>ક્યારે રિલીઝ થશે ફિલ્મ?</b></h3><p style="text-align: justify; ">ફિલ્મ ટોક્સિકના ટ્રેલરને લોકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. હવે ફિલ્મ રિલીઝ થયા બાદ લોકોને તે કેટલી પસંદ આવે છે, તે જોવાનું રહેશે. જોકે, આ અંગેની સાચી જાણકારી ફિલ્મ રિલીઝ થયા પછી જ મળશે. ફિલ્મની રિલીઝની વાત કરીએ તો ટોક્સિક 26 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.</p><h4 style="text-align: justify; "><b>બંટવારા 1947 અને આવારાપન 2 સાથે થશે ટક્કર</b></h4><p style="text-align: justify; ">ફિલ્મ ટોક્સિક શરૂઆતમાં આ વર્ષની શરૂઆતમાં રિલીઝ થવાની હતી, પરંતુ તેની રિલીઝ ટાળી દેવામાં આવી હતી. હવે પણ ફિલ્મ ટોક્સિક માટે બોક્સ ઓફિસનો રસ્તો સંપૂર્ણપણે સરળ નથી, કારણ કે 14 ઓગસ્ટે સિનેમાઘરોમાં સની દેઓલની ફિલ્મ બંટવારા 1947 અને ઇમરાન હાશમીની ફિલ્મ આવારાપન 2 રિલીઝ થઈ રહી છે. આ બંને ફિલ્મો વચ્ચે ટોક્સિકની ઓપનિંગ કેટલી રહેશે, તે જોવાનું રસપ્રદ રહેશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/mahesh-babu-net-worth-property-luxury-cars" target="_blank">આ પણ વાંચો-Tollywood Actor : કરોડોનું ઘર અને લક્ઝરી કાર, સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુની નેટવર્થ જાણી દંગ રહી જશો!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/EigDlu9nEoLZMmNY95km6y5oO5m9xDisM20ZglsZ.webp'/></item><item><title><![CDATA[Bhavnagarના બુધેલ ગામે બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ: ધોકા-બેટ વડે મારપીટનો વીડિયો થયો વાયરલ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/armed-clash-between-two-groups-in-budhel-village-of-bhavnagar-video-of-beating-with-bats-goes-viral</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/armed-clash-between-two-groups-in-budhel-village-of-bhavnagar-video-of-beating-with-bats-goes-viral</guid><pubDate>Sun, 09 Aug 2026 14:25:08 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભાવનગર તાલુકાના બુધેલ ગામમાં એક જ સમાજના બે જૂથો વચ્ચે ક્ષુલ્લક બાબતે અચાનક ઉગ્ર બોલાચાલી બાદ સશસ્ત્ર અથડામણ સર્જાઈ હતી. જૂના મનદુઃખ કે સ્થાનિક વિવાદને કારણે બંને પક્ષના લોકો લાકડીઓ, ધોકા, બેટ અને તીક્ષ્ણ હથિયારો સાથે સામસામે આવી ગયા હતા. આ લોહિયાળ અથડામણમાં મહિલાઓ અને યુવકો પણ સામસામે આવી જતાં ગામમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.</p><h2 style="text-align: justify; "><b>ધોકા-બેટ વડે થયેલી હિંસક મારપીટનો વીડિયો વાયરલ</b></h2><p style="text-align: justify; ">અથડામણ દરમિયાન બંને પક્ષના લોકો એકબીજા પર ધોકા અને હથિયારોથી તાબડતોબ હુમલો કરી રહ્યા હોવાનો લાઈવ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ હિંસક ઘટનામાં મહિલા સહિત ૩ થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે સ્થાનિકોના ટોળાં એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.</p><h3 style="text-align: justify; "><b>પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી</b></h3><p style="text-align: justify; ">ભાવનગર જિલ્લામાં અવારનવાર કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાડતી આવી જૂથ અથડામણો સામે આવતાં પોલીસના ડર સામે પણ સવાલો ઊભા થયા છે. ઘટના અંગે જાણ થતાં જ પોલીસ કાફલો બુધેલ ગામે દોડી ગયો હતો અને શાંતિ જાળવી રાખી હતી. પોલીસે બંને પક્ષોના ઈજાગ્રસ્તોના નિવેદનો નોંધવાની સાથે વાયરલ વીડિયોના આધારે હુમલાખોરોની ઓળખ કરી તેમની સામે રિયાસત અને મારામારીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/0fDQwEIa3J64m2SsuHaWF93PEaWj72AGzVxQqROl.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના ચાંદખેડામાં જુગારધામ પર PCBના દરોડા: 7 જુગારીઓ 5.64 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/pcb-raids-gambling-den-in-chandkheda-ahmedabad-7-gamblers-caught-with-rs-5-64-lakh-worth-of-goods</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/pcb-raids-gambling-den-in-chandkheda-ahmedabad-7-gamblers-caught-with-rs-5-64-lakh-worth-of-goods</guid><pubDate>Sun, 09 Aug 2026 13:57:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં ચાલતા જુગારધામ પર પીસીબી (પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ) ની ટીમે દરોડો પાડીને મોટી સફળતા મેળવી છે. ચાંદખેડાના ખોડિયાર નગર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે જુગારધામ ચાલી રહ્યું હોવાની ચોક્કસ બાતમી પીસીબીની ટીમને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને જુગાર રમી રહેલા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી.</p><h2 style="text-align: justify; "><b>7 જુગારીઓ અને 5.64 લાખનો મુદ્દામાલ જપ્ત</b></h2><p style="text-align: justify; ">પોલીસે સ્થળ પરથી દાવ પર રાખેલી રોકડ રકમ, મોબાઈલ ફોન અને વાહનો સહિત કુલ રૂપિયા 5.64 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ દરોડા દરમિયાન સ્થળ પરથી જુગાર રમી રહેલા 7 જેટલા જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે. પીસીબીની આ અચાનક કાર્યવાહીથી સ્થાનિક સ્તરે અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.</p><h3 style="text-align: justify; "><b>પોલીસે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી</b></h3><p style="text-align: justify; ">પકડાયેલા તમામ 7 આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ માટે ચાંદખેડા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ જુગારધામ કેટલા સમયથી ચાલી રહ્યું હતું અને તેનો મુખ્ય સંચાલક કોણ હતો તે દિશામાં પોલીસે આગળની ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/IFHj5fehKhlAEumojXrNQxWfCXLusmbRtPDpgZSd.webp'/></item><item><title><![CDATA[Maharashtra News: Baramati Airport પર ટ્રેનિંગ વિમાન લેન્ડીંગ સમયે ક્રેશ, સદનસીબે મોટી દુર્ઘટના ટળી! ]]></title><link>https://sandesh.com/india/breakingnews/maharashtra-news-training-plane-crashes-while-landing-at-baramati-airport-fortunately-not-a-big-one</link><guid isPermaLink="true">https://sandesh.com/india/breakingnews/maharashtra-news-training-plane-crashes-while-landing-at-baramati-airport-fortunately-not-a-big-one</guid><pubDate>Sun, 09 Aug 2026 13:48:07 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે ટ્રેનિંગ વિમાન અચાનક રનવે પરથી લપસી જતાં ક્રેશ થયું હતું.&nbsp;</p><h2 style="text-align: justify; ">એરપોર્ટ પર ભારે અફરાતફરી</h2><p style="text-align: justify; ">મહારાષ્ટ્રના બારામતી એરપોર્ટ પર ટ્રેનિંગ વિમાન ક્રેશ થતા હડકંપ મચ્યો છે. લેન્ડીંગ સમયે રનવે પરથી ટ્રેનિંગ વિમાન લપસતા આ દુર્ઘટના ઘટી છે. પરંતુ સદનસીબે આ દુર્ઘટનામાં જાનમાલનુ કોઇ નુકસાન થયુ નથી. વિમાન ક્રેશ થવાના સમાચાર મળતાં જ એરપોર્ટ પર ભારે અફરાતફરી અને હડકંપ મચી ગયો હતો.</p><h3 style="text-align: justify; ">કારણ શોધવા તપાસ શરુ&nbsp;</h3><p style="text-align: justify; ">ટ્રેનિંગ વિમાન પોતાની નિયમિત ઉડાન બાદ બારામતી એરપોર્ટના રનવે પર લેન્ડ કરી રહ્યું હતું. તે જ સમયે ટેકનિકલ ખામી કે અન્ય કારણોસર વિમાન પરનું નિયંત્રણ ગુમાવતા તે રનવે પરથી નીચે ઉતરી ગયું હતું અને દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.</p><h4 style="text-align: justify; ">મોટી જાનહાનિ ટળી</h4><p style="text-align: justify; ">આ અકસ્માત બાદ તરત જ એરપોર્ટની ઈમરજન્સી અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારનું જાનમાલનું નુકસાન થયું નથી અને વિમાનમાં સવાર તાલીમાર્થી પાઈલટ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે એરપોર્ટ ઓથોરિટી દ્વારા અકસ્માતના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.ટ</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/lifestyle/news/health-fitness/omega-3-side-effects-know-the-precautions-and-side-effects-before-taking-omega-3-supplements" target="_blank"> ઓમેગા-3 સપ્લીમેન્ટ્સ લેતા પહેલા જાણો સાવચેતીઓ અને આડઅસરો</a></p><p>                                    
                                </p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/AES1t3V3TIXEiQRviBkrx2PQqRJByQ170cOIfkTU.webp'/></item><item><title><![CDATA[Air India ની ફ્લાઈટમાં પાયલટ દારૂના નશામાં હતો, ડોપ ટેસ્ટ પોઝિટિવ આવ્યોઃ સૂત્ર ]]></title><link>https://sandesh.com/india/news/air-india-pilot-dope-test-positive--phuket-delhi-flight-turbulence-probe</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/air-india-pilot-dope-test-positive--phuket-delhi-flight-turbulence-probe</guid><pubDate>Sun, 09 Aug 2026 12:35:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">તાજેતરમાં ચર્ચામાં આવેલી એર ઇન્ડિયાની ફુકેટથી દિલ્હી જતી ફ્લાઇટ AI 2379 ના મામલામાં એક મોટો ખુલાસો થયો છે. ગત 4 ઓગસ્ટના રોજ આ ફ્લાઇટ અચાનક ગંભીર ટર્બ્યુલન્સનો શિકાર બની હતી, જેના કારણે વિમાન અચાનક લગભગ 300 ફૂટ નીચે પટકાયું હતું. આ ભયાનક ઘટના બાદ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) મુજબ ફ્લાઇટના બંને પાઇલટ્સનું ફરજિયાત ડોપ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ટેસ્ટમાં એક પાઇલટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેને પગલે ઉડ્ડયન ક્ષેત્રે ભારે ચર્ચા જાગી છે.</p><h2 style="text-align: justify; "><b>&nbsp;DGCA દ્વારા તપાસ શરૂ કરવામાં આવી</b></h2><p style="text-align: justify; ">ઘટનાની ગંભીરતાને જોતા DGCA દ્વારા આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા મુજબ, ડીજીસીએનો તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ નક્કી કરવામાં આવશે કે આ મામલે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા વધુ તપાસ હાથ ધરવી કે નહીં. હાલમાં બંને પાઇલટ્સને સંપૂર્ણ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ફરજ પરથી હટાવી દેવામાં આવ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>પાઇલટ્સે ફ્લાઇટ બાદ સ્ક્રીનીંગ ટેસ્ટ કરાવ્યા</b></h3><p style="text-align: justify; ">બીજી તરફ, એર ઇન્ડિયાના પ્રવક્તાએ મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું છે કે નિયમો અનુસાર પાઇલટ્સે ફ્લાઇટ બાદ સ્ક્રીનીંગ ટેસ્ટ કરાવ્યા હતા, પરંતુ આ ટેસ્ટના અધિકૃત પરિણામો એર ઇન્ડિયા સાથે શેર કરવામાં આવ્યા નથી. આ કારણોસર એરલાઇન કંપની હાલમાં ડોપ ટેસ્ટના પરિણામો અંગે કોઈ સત્તાવાર ટિપ્પણી કરી રહી નથી. તેમ છતાં, કંપનીએ પુષ્ટિ કરી છે કે તેઓ નાગરિક ઉડ્ડયન નિયમોનું પાલન કરીને ક્રૂ સભ્યોનું નિયમિત ડ્રગ પરીક્ષણ કરે છે અને તપાસ અધિકારીઓને સંપૂર્ણ સહકાર આપવામાં આવશે.</p><h4 style="text-align: justify; "><b>ઉડ્ડયન સુરક્ષાના નિયમો પર ઉઠ્યા ગંભીર સવાલ</b></h4><p style="text-align: justify; ">ઉલ્લેખનીય છે કે 4 ઓગસ્ટની આ દુર્ઘટના દરમિયાન વિમાનમાં થયેલી ગંભીર ઉથલપાથલને કારણે અંદાજે 24 જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી હતી, જેને પગલે તેમને તબીબી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જોકે, નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુએ જણાવ્યું હતું કે મોટાભાગના મુસાફરોને પ્રાથમિક સારવાર બાદ શરૂઆતના થોડા કલાકોમાં જ રજા આપી દેવામાં આવી હતી. પાઇલટનો ટેસ્ટ પોઝિટિવ આવ્યાના અહેવાલો બાદ ઉડ્ડયન સુરક્ષા અને નિયમોના પાલન પર ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/world/us-bill-100-percent-tariff-threat-indian-exports" target="_blank">આ પણ વાંચોઃ ભારતીય માલ પર 100% ટેક્સનો ખતરો! અમેરિકાના નવા બિલથી ભારતીય નિકાસ પર સંકટ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/285v24jgi196VN0afQOjtPTxQjTHIWmXi2JcMC6f.webp'/></item><item><title><![CDATA[Gold Price Today : એક અઠવાડિયામાં સોનાના ભાવમાં મોટો ઉછાળો, જાણો આજનો લેટેસ્ટ રેટ! ]]></title><link>https://sandesh.com/business/news/india/gold-price-today-24-and-22-karat-rate-hike</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/gold-price-today-24-and-22-karat-rate-hike</guid><pubDate>Sun, 09 Aug 2026 12:08:35 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify;">દેશમાં સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે મોટો ઉછાળો આવ્યો છે. એક અઠવાડિયામાં 24 કેરેટ સોનાની કિંમત 8180 રૂપિયા સુધી વધી છે. જ્યારે 22 કેરેટ સોનું 7600 રૂપિયા સુધી મોંઘું થયું છે. આજે 9 ઓગસ્ટે રાજધાની દિલ્હીમાં સવારે 24 કેરેટ સોનાનો ભાવ 1,52,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. મુંબઈમાં સોનાનો ભાવ 1,52,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.</p><h2 style="text-align: justify;"><b>સોના-ચાંદીની માગમાં તેજી</b></h2><p style="text-align: justify;">શનિવાર, 8 ઓગસ્ટે ઈન્દોરના સરાફા બજારમાં સોના અને ચાંદીની માગ સારી રહી હતી. સોનાનો સરેરાશ ભાવ 1,47,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો સરેરાશ ભાવ 229000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાનો ભાવ 4336.02 ડોલર પ્રતિ ઔંસ છે.</p><h3 style="text-align: justify;"><b>દેશના કેટલાક મોટા શહેરોમાં સોનાના ભાવ</b></h3><table class="table table-bordered"><tbody><tr><td><b>શહેર</b></td><td><b>24 કેરેટ સોનાની કિંમત</b></td><td><b>22 કેરેટ સોનાની કિંમત</b></td></tr><tr><td>દિલ્હી</td><td>1,52,550</td><td>1,39,850</td></tr><tr><td>મુંબઈ</td><td>1,52,350</td><td>1,39,650</td></tr><tr><td>કોલકાતા</td><td>1,52,350</td><td>1,39,650</td></tr><tr><td>ચેન્નઈ</td><td>1,51,640</td><td>1,39,000</td></tr><tr><td>અમદાવાદ</td><td>1,52,450</td><td>1,39,750</td></tr><tr><td>રાજકોટ</td><td>1,52,450</td><td>1,39,750</td></tr></tbody></table><h3 style="text-align: justify;"><b>ચાંદીનો ભાવ</b></h3><p style="text-align: justify;">સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ સાપ્તાહિક ધોરણે તેજી આવી છે. એક અઠવાડિયામાં ચાંદીનો ભાવ 10000 રૂપિયા વધ્યો છે. 9 ઓગસ્ટની સવારે ચાંદીનો ભાવ 245000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર ચાંદી એટલે કે સ્પોટ સિલ્વરનો ભાવ 63.29 ડોલર પ્રતિ ઔંસ છે.</p><h4 style="text-align: justify;"><b>સોનું અને ચાંદી ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું?</b></h4><p style="text-align: justify;">જો તમે સોનું ખરીદી રહ્યા હોવ તો હંમેશા હોલમાર્ક તપાસો અને 6 અંકનો HUID કોડ જોઈને જ ખરીદી કરો. ચાંદી માટે પણ BIS હોલમાર્ક હોય છે અને તેમાં 925 સ્ટર્લિંગ સિલ્વરને સૌથી સારી ગુણવત્તાનું માનવામાં આવે છે. ઉપરાંત, ખરીદી પહેલાં સોના અને ચાંદીની શુદ્ધતાની તપાસ પણ જરૂર કરાવો.</p><h6 style="text-align: justify;"><b>Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.</b></h6><p style="text-align: justify;"><a href="https://sandesh.com/entertainment/news/thalapathy-vijay-sangeetha-love-story" target="_blank">આ પણ વાંચો-Thalapathy Vijayની ફિલ્મ જોઈને ફેન બની સંગીતા, પછી પ્રેમમાં છોડી દીધું લંડન, આવી છે બંનેની લવ સ્ટોરી!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/AXfATGpj0ODz1RFSASJ59tB5KlzAHVP23HSTnFQS.webp'/></item></channel></rss>