<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Chennai : એન્જિનમાં ટેક્નિકલ ખામી બાદ Malaysia Airlines ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, 186 મુસાફરો સુરક્ષિત ]]></title><link>https://sandesh.com/india/news/chennai-malaysia-airlines-mh156-emergency-landing-engine-issue-186-passengers</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/chennai-malaysia-airlines-mh156-emergency-landing-engine-issue-186-passengers</guid><pubDate>Mon, 07 Sep 2026 22:14:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify;">કુઆલાલંપુરથી જેદ્દા જઈ રહેલી Malaysia Airlinesની ફ્લાઇટ MH 156માં એન્જિન સંબંધિત ટેક્નિકલ ખામી સર્જાતા સોમવારે ફ્લાઇટને ચેન્નાઈ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચેન્નાઈ એરપોર્ટ પર ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી.</p><h2 style="text-align: justify;"><b>એન્જિન નંબર 2માં સામે આવી ખામી</b></h2><p style="text-align: justify;">અધિકારીઓના જણાવ્યા મુજબ ફ્લાઇટના એન્જિન નંબર 2 સાથે સંબંધિત ટેક્નિકલ સમસ્યા સામે આવી હતી. ફ્લાઇટમાં કુલ 186 લોકો સવાર હતા. ટેક્નિકલ ખામી સામે આવ્યા બાદ સાવચેતીના ભાગરૂપે ફ્લાઇટને ચેન્નાઈ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.</p><h3 style="text-align: justify;"><b>ઇમરજન્સી વચ્ચે ફ્લાઇટનું સુરક્ષિત લેન્ડિંગ</b></h3><p style="text-align: justify;">ફ્લાઇટ ચેન્નાઈ એરપોર્ટ પર પહોંચે તે પહેલા એરપોર્ટ પર જરૂરી ઇમરજન્સી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ફાયર અને અન્ય સુરક્ષા ટીમોને પણ એલર્ટ કરવામાં આવી હતી. બાદમાં ફ્લાઇટનું ચેન્નાઈ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને તમામ 186 મુસાફરો સુરક્ષિત હોવાનું જણાવવામાં આવ્યું છે.</p><h3 style="text-align: justify;"><b>લેન્ડિંગ બાદ ટો વાહનથી પાર્કિંગ સુધી પહોંચાડાયું વિમાન</b></h3><p style="text-align: justify;">સુરક્ષિત લેન્ડિંગ બાદ વિમાનને ટો વાહનની મદદથી પાર્કિંગ વિસ્તારમાં લઈ જવામાં આવ્યું હતું. એરલાઇન અને ટેક્નિકલ ટીમ દ્વારા એન્જિનમાં સર્જાયેલી ખામીની તપાસ શરૂ કરવામાં આવી છે.</p><h4 style="text-align: justify;"><b>મુસાફરો માટે કરાઈ રોકાવાની વ્યવસ્થા</b></h4><p style="text-align: justify;">ફ્લાઇટના મુસાફરોને એરપોર્ટ પર રોકાવા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. ફ્લાઇટને આગળ જવા માટે ક્યારે મંજૂરી આપવામાં આવશે તે અંગે ટેક્નિકલ તપાસ પૂર્ણ થયા બાદ નિર્ણય લેવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા મુજબ ઇમરજન્સી લેન્ડિંગ બાદ પણ ચેન્નાઈ એરપોર્ટ પર અન્ય ફ્લાઇટ ઓપરેશન સામાન્ય રીતે ચાલુ રહ્યા હતા.</p><p style="text-align: justify;"><br></p><p>આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; &nbsp; <a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-gujarat-drowning-deaths-1999-river-lake-check-dam-water-safety" target="_blank"><b>Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/vS1NKdQhVHycLutGKUwLFLpumGV7FxubLlBoRfVO.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના સરખેજમાં 'મુનબીન કાફે'માં ચાલતા ગેરકાયદે હુક્કાબાર પર પોલીસનો દરોડો ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-sarkhej-munbeen-cafe-hookah-bar-raid</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-sarkhej-munbeen-cafe-hookah-bar-raid</guid><pubDate>Mon, 07 Sep 2026 21:57:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરના સરખેજ પોલીસ સ્ટેશનની ટીમે ગુપ્ત બાતમીના આધારે સરખેજ વિસ્તારમાં આવેલા 'મુનબીન કાફે' પર અચાનક રેડ પાડી હતી. પોલીસે દરોડા દરમિયાન કાફેમાં ગેરકાયદેસર રીતે ચાલતા હુક્કાબારનો પર્દાફાશ કર્યો છે. કાફેની આડમાં યુવાનોને હુક્કો પીરસવામાં આવતો હોવાનું સામે આવતાં પોલીસે તાત્કાલિક સ્થળ પરથી હુક્કા તેમજ વિવિધ ફ્લેવર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>સંચાલકો વિરુદ્ધ કાયદાકીય ગુનો દાખલ&nbsp;</b></h2><p style="text-align: justify; ">પોલીસની આ કાર્યવાહી દરમિયાન હુક્કાબાર ચલાવવા અને ગેરકાયદે પ્રવૃત્તિ કરવા બદલ મુખ્ય આરોપી હર્ષ ત્રિપાઠી અને જૈનમ દોશી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. કાફેમાંથી મળી આવેલા હુક્કા, હાનિકારક ફ્લેવર્સ અને અન્ય સહાયક સામગ્રીને પોલીસે જપ્ત કરીને આગળની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે.</p><h3 style="text-align: justify; "><b>સરખેજ પોલીસ દ્વારા વધુ તપાસ તેજ&nbsp;</b></h3><p style="text-align: justify; ">સરખેજ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ હુક્કાબાર કેટલા સમયથી ચાલી રહ્યો હતો, તેમાં કયા કયા લોકો આવતા હતા અને ફ્લેવરનો જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો તે અંગે આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. શહેરમાં ગેરકાયદે ચાલતા આવા કેફે અને હુક્કાબાર સામે પોલીસે ઝુંબેશ વધુ કડક બનાવી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/M4rWPxzPA6wMFY1txUyD5cjdHs3HH7VIX8GMcxJt.webp'/></item><item><title><![CDATA[Vadodaraના બાજવામાં રખડતા ઢોરનો આતંક: માતા અને માસૂમ બાળક પર હુમલો ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-bajwa-stray-cattle-mother-child-attack</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-bajwa-stray-cattle-mother-child-attack</guid><pubDate>Mon, 07 Sep 2026 21:44:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા શહેરના બાજવા વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં રસ્તા પરથી પસાર થઈ રહેલી એક માતા અને તેના માસૂમ બાળક પર રખડતા ઢોરે અચાનક ભયાનક હુમલો કરી દીધો હતો. અચાનક થયેલા આ હુમલાને કારણે માતા અને બાળક બંને રસ્તા પર પછડાયા હતા, જેમાં બંનેને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાની માહિતી મળી રહી છે. આ ઘટના બની ત્યારે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઢોરને ભગાડીને માતા-બાળકનો બચાવ કર્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ&nbsp;</b></h2><p style="text-align: justify; ">આ સમગ્ર હૃદયકંપાવનારી ઘટનાના દ્રશ્યો નજીકના સીસીટીવી (CCTV) અથવા સ્થાનિક લોકોના કેમેરામાં કેદ થઈ ગયા હતા, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ વડોદરાવાસીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અવારનવાર બનતી આવી ઘટનાઓને કારણે રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓ અને વાહનચાલકોની સુરક્ષા સામે મોટા પ્રશ્નાર્થચિહ્નો ઊભા થયા છે.</p><h3 style="text-align: justify; "><b>પાલિકા તંત્રની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં ભારે રોષ&nbsp;</b></h3><p style="text-align: justify; ">રખડતા ઢોરના સતત વધતા જતાં ત્રાસ અને આતંકને કારણે ફરી એકવાર વડોદરા મહાનગરપાલિકા તંત્રની નબળી કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. પાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરીના દાવાઓ વચ્ચે પણ શહેરમાં આવી ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. સ્થાનિક રહીશો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે તંત્ર માત્ર કાગળ પર કામગીરી બતાવવાને બદલે રખડતા ઢોરના મુક્ત પરિભ્રમણ સામે કડક આયોજન કરી કાયદેસરના આકરાં પગલાં ભરે, જેથી નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મૂકાતા અટકે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/otkLrZKHcGM5asLQmmOMneUCrzRpaYLhOUy8oJYK.webp'/></item><item><title><![CDATA[Junagadhના વંથલી યાર્ડ પાસે રેતી ભરેલું ડમ્પર પલટાયું: બાઇકચાલકનો આબાદ બચાવ! ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/junagadh-vanthali-yard-sand-dumper-accident</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/junagadh-vanthali-yard-sand-dumper-accident</guid><pubDate>Mon, 07 Sep 2026 21:28:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જૂનાગઢ જિલ્લાના વંથલી માર્કેટિંગ યાર્ડ નજીક એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જ્યાં રેતી ભરેલા એક પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે અચાનક સંતુલન ગુમાવતા પલ્ટી મારી દીધી હતી. ડમ્પર પલટી મારતાની સાથે જ રસ્તા પરથી પસાર થઈ રહેલું એક બાઈક તેની નીચે દબાઈ ગયું હતું. સદનસીબે, અકસ્માત સમયે બાઈક ચાલકનો આબાદ બચાવ થયો હતો, પરંતુ બાઈકને ભારે નુકસાન પહોંચ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>અન્ય વાહનને નુકસાન અને સ્થાનિકોમાં રોષ&nbsp;</b></h2><p style="text-align: justify; ">આ અકસ્માત દરમિયાન રોડ પરથી પસાર થઈ રહેલી એક કાર પણ ડમ્પર અને રેતીની ઝપેટમાં આવી જતાં તેને પણ નુકસાન પહોંચ્યું હતું. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. જોકે, હાઈવે અને યાર્ડ આસપાસના રસ્તાઓ પર બેફામ અને બિનઅધિકૃત ઝડપે દોડતા ડમ્પરોના કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા હોવાથી સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>પોલીસે હાથ ધરી કાયદાકીય કાર્યવાહી&nbsp;</b></h3><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. રસ્તા પર ડમ્પર પલટી જવાથી અને રેતીનો ઢગલો થઈ જવાથી વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચી ક્રેન અને સ્થાનિકોની મદદથી ડમ્પર ખસેડીને ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો અને આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/HD6nDL9B4WAqFL0euLSXphFXBSSVp1Ewmbvpuegp.webp'/></item><item><title><![CDATA[Gir Somnath: અંતિમ શ્રાવણી સોમવારે 1.30 લાખથી વધુ શિવભક્તોએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ નવાવ્યું ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gir-somnath/somnath-mahadev-last-shravan-somwar-over-one-lakh-devotees-darshan</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gir-somnath/somnath-mahadev-last-shravan-somwar-over-one-lakh-devotees-darshan</guid><pubDate>Mon, 07 Sep 2026 21:14:41 +05:30</pubDate><description><![CDATA[<p>પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવાર નિમિત્તે સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશ-વિદેશમાંથી હજારોની સંખ્યામાં શિવભક્તો સોમનાથ ધામ ખાતે ઉમટી પડ્યા હતા. વહેલી સવારની મંગળા આરતીથી જ સોમનાથ મંદિર પરિસરમાં દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી. સાંજના 7 વાગ્યા સુધીના મળેલા આંકડા અનુસાર, 1 લાખ 30 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પ્રત્યક્ષ દર્શન અને પૂજનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.</p><h2><b>શિવભક્તોએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ નવાવ્યું</b></h2><p>શ્રાવણી સોમવારના પાવન અવસરે સોમનાથ ટ્રસ્ટ અને ભૂદેવો દ્વારા વિવિધ ધાર્મિક અનુષ્ઠાનોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. દિવસભર મંદિરમાં વૈદિક મંત્રોચ્ચારની ગૂંજ રહી હતી.આજના વિશેષ દિવસે ભક્તો દ્વારા 90 જેટલી ધ્વજાપૂજા તથા 88 સોમેશ્વર પૂજા સંપન્ન કરવામાં આવી હતી. આ ઉપરાંત, મંદિર પરિસરમાં યોજાયેલા મહામૃત્યુંજય યજ્ઞમાં શ્રદ્ધાળુઓ અને ભૂદેવો દ્વારા 25 હજારથી વધુ આહુતિઓ અર્પણ કરી વિશ્વ કલ્યાણ અને સુખ-શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.</p><h3><b>અંતિમ શ્રાવણ સોમવારે આસ્થાનું પૂર</b></h3><p>શ્રાવણી સોમવારના પાવન અવસરે સોમનાથ ટ્રસ્ટ અને ભૂદેવો દ્વારા વિવિધ ધાર્મિક અનુષ્ઠાનોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. દિવસભર મંદિરમાં વૈદિક મંત્રોચ્ચારની ગૂંજ રહી હતી.આજના વિશેષ દિવસે ભક્તો દ્વારા 90 જેટલી ધ્વજાપૂજા તથા 88 સોમેશ્વર પૂજા સંપન્ન કરવામાં આવી હતી. આ ઉપરાંત, મંદિર પરિસરમાં યોજાયેલા મહામૃત્યુંજય યજ્ઞમાં શ્રદ્ધાળુઓ અને ભૂદેવો દ્વારા 25 હજારથી વધુ આહુતિઓ અર્પણ કરી વિશ્વ કલ્યાણ અને સુખ-શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ambaji/hadad-police-arrested-five-robbers-stone-pelting-ambaji-highway" target="_blank">આ પણ વાંચો: Ambaji: ભાદરવી પૂનમના મેળા પહેલાં હડાદ પોલીસની મોટી કાર્યવાહી, ભક્તોને લૂંટતી ગેંગના 5 શખ્સો ઝડપાયા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/HhFNjIlEt5PtgJVgX8I3Dg5Xh8JLss7Dx3hXqGJK.webp'/></item><item><title><![CDATA[8 September Top News: PM મોદીનો ગુજરાત-મહારાષ્ટ્ર પ્રવાસ, 20 રાજ્યોમાં વરસાદનું એલર્ટ અને મુખ્ય સમાચાર ]]></title><link>https://sandesh.com/india/news/gujarat/8-september-top-news-and-history-updates</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/gujarat/8-september-top-news-and-history-updates</guid><pubDate>Mon, 07 Sep 2026 21:09:51 +05:30</pubDate><description><![CDATA[<p>8 સપ્ટેમ્બરનો દિવસ દેશ અને વિદેશની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રવાસે રહેશે, જ્યાં તેઓ કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. દેશમાં હવામાન વિભાગે 20 રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત અયોધ્યામાં મહત્વના રાજકીય અને વહીવટી કાર્યક્રમો યોજાશે તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સાક્ષરતા અને ફિઝિયોથેરાપી દિવસની ઉજવણી કરવામાં આવશે.</p><h2><b>PM મોદીનો ગુજરાત અને મહારાષ્ટ્રનો પ્રવાસ</b></h2><p>વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરના રોજ ગુજરાત અને મહારાષ્ટ્રની મુલાકાતે રહેશે. બપોરે 12:00 વાગ્યે તેઓ વડોદરા ખાતે 35,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે તથા જનસભાને સંબોધશે. ત્યારબાદ સાંજે 5:45 વાગ્યે મુંબઈ ખાતે 'ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026'નું ઉદ્ઘાટન કરશે.</p><h2><b>અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના નવા CEO કાર્યભાર સંભાળશે</b></h2><p>શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અયોધ્યાના નવનિયુક્ત CEO એર માર્શલ (રિટાયર્ડ) જીતેન્દ્ર મિશ્ર 8 સપ્ટેમ્બરના રોજ વિધિવત રીતે પોતાનો પદભાર ગ્રહણ કરશે. આ પહેલા વૈદેહી ભવનમાં ટ્રસ્ટીઓ સાથેની બેઠકમાં CEOની કાર્યપ્રણાલી અને જવાબદારીઓની SOP આખરી કરવામાં આવી હતી.</p><h2><b>રાહુલ ગાંધીનો બે દિવસીય રાયબરેલી પ્રવાસ</b></h2><p>રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધી 8 સપ્ટેમ્બરના રોજ તેમના સંસદીય ક્ષેત્રના બે દિવસીય પ્રવાસે પહોંચશે. પ્રથમ દિવસે તેઓ સ્થાનિક બિઝનેસ કમ્યુનિટી સાથે સંવાદ કરશે અને 9 સપ્ટેમ્બરે જિલ્લા વિકાસ સમન્વય અને દેખરેખ સમિતિ (DISHA)ની બેઠકમાં ભાગ લેશે.</p><h2><b>સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનો શ્રીલંકા પ્રવાસ</b></h2><p>ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ 8 થી 10 સપ્ટેમ્બર સુધી શ્રીલંકાની સત્તાવાર મુલાકાતે રહેશે. આ દરમિયાન તેઓ શ્રીલંકાના ઉચ્ચ નેતૃત્વ સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરશે અને કોલંબોમાં ભારતીય સમુદાય સાથે સંવાદ સાધશે.</p><h2><b>ઇજિપ્ત એર શોમાં ભારતીય વાયુસેનાની 'સારંગ' ટીમ</b></h2><p>ભારતીય વાયુસેનાની પ્રખ્યાત 'સારંગ' હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ અલ-અલામીન આંતરરાષ્ટ્રીય એર શોમાં ભાગ લેવા માટે ઇજિપ્ત પહોંચી છે. આ એર શો 8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે.</p><h2><b>અયોધ્યામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો કાર્યક્રમ</b></h2><p>ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 8 સપ્ટેમ્બરના રોજ અયોધ્યાની મુલાકાતે રહેશે. તેઓ સવારે 11:00 વાગ્યે યોજાનારા આંગણવાડી સન્માન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.</p><h2><b>ઝારખંડમાં ભરતી પરીક્ષા ધાંધલી સામે ભાજપનું આંદોલન</b></h2><p>JPSC અને JSSC ભરતી પરીક્ષાઓમાં કથિત ગડબડીના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી 8 સપ્ટેમ્બરથી ઝારખંડમાં રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરી રહી છે. ભાજપની માગ છે કે, વિદ્યાર્થીઓ પરના કેસો પાછા ખેંચવામાં આવે અને સમગ્ર મામલાની CBI તપાસ થાય.</p><h2><b>દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ</b></h2><p>હવામાન વિભાગે 8 સપ્ટેમ્બરના રોજ 13 કલાકની અંદર દેશના 20 રાજ્યોમાં મુસળધાર વરસાદ અને 70 થી 80 km/h ની ઝડપે વાવાઝોડાની ચેતવણી આપી છે. પહાડી વિસ્તારોમાં લેન્ડસ્લાઇડ અને પૂર્વ ભારતમાં વીજળી પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને મુસાફરોને સાવચેત રહેવા જણાવાયું છે.</p><h2><b>આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ</b></h2><p>UNESCO દ્વારા ઘોષિત આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ 8 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ માનવ અધિકાર તરીકે સાક્ષરતાનું મહત્વ દર્શાવે છે અને સમાજમાં શિક્ષણના વ્યાપને પ્રોત્સાહન આપે છે.</p><h2><b>વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ</b></h2><p>વૈશ્વિક આરોગ્ય અને શારીરિક ક્ષમતા સુધારવામાં ફિઝિયોથેરાપિસ્ટની ભૂમિકાને બિરદાવવા માટે 8 સપ્ટેમ્બરના રોજ વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ ઉજવાય છે. 1951માં આ જ દિવસે ફિઝિયોથેરાપીના વૈશ્વિક સંગઠનની સ્થાપના થઈ હતી.</p><h2><b>8 સપ્ટેમ્બરની ઐતિહાસિક ઘટનાઓ</b></h2><ul><li>1320 - જિયાસુદ્દીન તુઘલક: દિલ્હી સલ્તનત પર વિજય મેળવીને તુઘલુક વંશની સ્થાપના કરી.</li><li>1840 - ભાવનગર રાજ્ય ચલણ: ઠાકોર વજેસિંગ અને બ્રિટિશ સત્તા વચ્ચેના કરાર મુજબ ભાવનગરનું સત્તાવાર નાણું 'ઇમ્પિરિયલ રૂપિયો' બન્યું.</li><li>1504 - માઇકલએન્જલોની શિલ્પકૃતિ: ઈટાલીના ફ્લોરેન્સમાં વિશ્વવિખ્યાત આરસપહાણની મૂર્તિ 'ડેવિડ'નું અનાવરણ કરવામાં આવ્યું.</li><li>1941 - લેનિનગ્રાડની ઘેરાબંધી: બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મન નાઝી સેનાએ રશિયાના લેનિનગ્રાડ શહેરને 28 મહિના માટે ઘેરી લીધું.</li><li>1951 - સેન ફ્રાન્સિસ્કો સંધિ: બીજા વિશ્વયુદ્ધને સત્તાવાર રીતે સમાપ્ત કરવા જાપાને 48 દેશો સાથે શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા.</li><li>1960 - ફિરોઝ ગાંધી એક્ટ: ભારતીય સંસદે ભ્રષ્ટાચાર રોકવા અને પ્રેસની સ્વતંત્રતાના રક્ષણ માટે આ મહત્વપૂર્ણ એક્ટ પસાર કર્યો.</li><li>1962 - ચીન-ભારત સરહદ વિવાદ: ચીનની સેનાએ ભારતની પૂર્વીય સરહદ ઓળંગીને આક્રમણ શરુ કર્યું.</li><li>1966 - સ્ટાર ટ્રેક સિરીઝ: પ્રખ્યાત સાયન્સ-ફિક્શન શો 'સ્ટાર ટ્રેક'નો પ્રથમ એપિસોડ અમેરિકાના NBC પર પ્રસારિત થયો.</li><li>1988 - વિજયપત સિંઘાનિયાની સાહસિક ઉડાન: ભારતીય ઉદ્યોગપતિ વિજયપત સિંઘાનિયા લંડનથી નાના માઇક્રો લાઇટ એરક્રાફ્ટમાં ઉડીને સફળતાપૂર્વક અમદાવાદ પહોંચ્યા.</li><li>2008 - નાણાવટી-મેહતા કમિશન: 2002ના ગોધરા ટ્રેન દુર્ઘટના અહેવાલનો પ્રથમ ભાગ ગુજરાત સરકારને સોંપવામાં આવ્યો.</li><li>2022 - ક્વીન એલિઝાબેથ II: બ્રિટન પર 70 વર્ષ શાસન કરનારા મહારાણી ક્વીન એલિઝાબેથ દ્વિતીયનું 96 વર્ષની વયે સ્કોટલેન્ડમાં અવસાન થયું.</li></ul><h2><b>8 સપ્ટેમ્બરના રોજ પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ</b></h2><ul><li>1887 - સ્વામી શિવાનંદ: પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ અને 'ડિવાઇન લાઇફ સોસાયટી'ના સ્થાપક.</li><li>1926 - ભૂપેન હજારિકા: ભારતના સુપ્રસિદ્ધ ગાયક, સંગીતકાર, કવિ અને 'ભારત રત્ન'થી સન્માનિત કલાકાર.</li><li>1933 - આશા ભોંસલે: હિન્દી સિનેમાના દંતકથા સમાન અને સદાબહાર પાર્શ્વ ગાયિકા.</li><li>1989 - અવની ચતુર્વેદી: ભારતની પ્રથમ ત્રણ મહિલા ફાઇટર પાઇલટ્સમાંના એક.</li></ul><h2><b>8 સપ્ટેમ્બરના રોજ પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ</b></h2><ul><li>1960 - ફિરોઝ ગાંધી: ભારતના સ્વતંત્રતા સેનાની, રાજકારણી અને પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના પતિ.</li><li>1982 - શેખ અબ્દુલ્લા: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી, જેઓ 'શેર-એ-કાશ્મીર' તરીકે જાણીતા હતા.</li><li>2019 - રામ જેઠમલાણી: ભારતના ટોચના ફોજદારી વકીલ અને પૂર્વ કેન્દ્રીય કાયદા મંત્રી.</li></ul><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/explainer/news/india/swine-flu-h1n1-explainer-symptoms-prevention-gujarati-news" target="_blank">Explainer: સ્વાઈન ફ્લૂનો પ્રકોપ આટલો કેમ? સમજો વિગતવાર</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/ppzgpJyB982YLLVGAXqHNu7MMSeXhOt5EOVIk0G4.webp'/></item><item><title><![CDATA[Ahmedabadમાં AMTSની શ્રાવણ બસ સેવા 3 દિવસ માટે મોકૂફ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-amts-shravan-bus-service-suspended</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-amts-shravan-bus-service-suspended</guid><pubDate>Mon, 07 Sep 2026 21:01:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત AMTS દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શરૂ કરવામાં આવેલી વિશેષ "શ્રાવણ બસ સેવા" અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા આ લોકપ્રિય બસ સેવાને આવતીકાલથી આગામી 3 દિવસ માટે મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. કેટલાક આકસ્મિક કારણોસર આ સેવા હંગામી ધોરણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું AMTS વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>પૂર્વ નિર્ધારિત ટૂર અંગે સ્પષ્ટતા&nbsp;</b></h2><p style="text-align: justify; ">શ્રાવણ મહિના દરમિયાન શ્રદ્ધાળુઓ માટે વિવિધ ધાર્મિક સ્થળોના દર્શન અર્થે આ વિશેષ બસો ચલાવવામાં આવે છે, જેને નાગરિકો તરફથી ભારે પ્રતિસાદ મળ્યો હતો. જોકે, આકસ્મિક સંજોગોને કારણે બસ સેવા મોકૂફ રાખવાની ફરજ પડી છે. AMTS વિભાગે સ્પષ્ટતા કરી છે કે આ 3 દિવસના ગાળા દરમિયાન જે ટૂર પહેલાથી જ રજિસ્ટર થઈ ચૂકી છે, તેને પૂર્ણ કરવામાં આવશે જેથી અગાઉથી બુકિંગ કરાવનાર મુસાફરોને કોઈ અગવડ ન પડે.</p><h3 style="text-align: justify; "><b>આગામી નિર્ણય અંગે મુસાફરોમાં આતુરતા&nbsp;</b></h3><p style="text-align: justify; ">આ નિર્ણયના કારણે અચાનક મુસાફરી કરવાનું આયોજન કરી રહેલા શ્રદ્ધાળુઓને થોડી હાલાકી વેઠવી પડશે. 3 દિવસ બાદ આ સેવા પૂર્વવત ક્યારથી શરૂ થશે તે અંગે AMTS દ્વારા ટૂંક સમયમાં સ્થિતિની સમીક્ષા કરીને આગળની માહિતી આપવામાં આવશે. તંત્ર દ્વારા મુસાફરોને આકસ્મિક ફેરફાર બદલ સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/Xcml8iNfF1SdGDNdZfFYjzs7HDKBHpVtu6DRN4Bv.webp'/></item><item><title><![CDATA[Auto News: તહેવારો પહેલાં જ ખુલી ગયો ઑફર્સનો પિટારો; આ નવી કારની ખરીદી પર મળશે મહા ડિસ્કાઉન્ટ! ]]></title><link>https://sandesh.com/business/news/automobile/maruti-suzuki-september-2026-car-discount-offers</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/maruti-suzuki-september-2026-car-discount-offers</guid><pubDate>Mon, 07 Sep 2026 18:24:13 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય પેસેન્જર વ્હીકલ માર્કેટમાં તહેવારોની સિઝનની શરૂઆત સાથે જ જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક સરસ સમાચાર છે. મારુતિ સુઝુકી (Maruti Suzuki) એ સપ્ટેમ્બર 2026 માટે પોતાના આકર્ષક ડિસ્કાઉન્ટ ઑફર્સ જાહેર કરી દીધા છે. આ ઑફર્સ હેઠળ 'એરેના' (Arena) નેટવર્કના વિવિધ મોડલ્સ પર ગ્રાહકોને મોટો ફાયદો મળી રહ્યો છે. તમે કન્ઝ્યુમર ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ અને લોયલ્ટી અથવા અપગ્રેડ બેનિફિટ્સ દ્વારા મારુતિની કાર ખૂબ જ ઓછી કિંમતમાં ખરીદી શકો છો.</p><h2 style="text-align: justify; "><b>Victoris પર મળી રહ્યું છે સૌથી મોટું ડિસ્કાઉન્ટ</b></h2><p style="text-align: justify; ">સપ્ટેમ્બર મહિનાનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ મારુતિ સુઝુકી Victoris પર આપવામાં આવી રહ્યું છે. આ કારના પેટ્રોલ અને CNG બંને વર્ઝન પર ગ્રાહકોને મહત્તમ રૂ.85,000 સુધીના ફાયદા મળી રહ્યા છે. જ્યારે તેના Strong Hybrid વેરિઅન્ટ પર કંપની સૌથી મોટો એટલે કે રૂ.1.35 લાખ સુધીનો ધમાકેદાર ફાયદો આપી રહી છે, જે આ કારને અત્યંત આકર્ષક બનાવે છે.</p><h3 style="text-align: justify; "><b>Strong Hybrid માટેની ખાસ ઑફર્સ અને શરતો</b></h3><p style="text-align: justify; ">Victoris Strong Hybrid ના ઑફર માળખામાં રૂ.20,000 નું સીધું કન્ઝ્યુમર બેનિફિટ સામેલ છે. આ ઉપરાંત એક્સચેન્જ, લોયલ્ટી કે અપગ્રેડ અને સ્ક્રેપેજ સંબંધિત એડિશનલ ઈન્સેન્ટિવ્સ પણ ગ્રાહકોને આપવામાં આવી રહ્યા છે. જોકે, ગ્રાહક કઈ યોજનાઓ માટે પાત્ર છે તેના આધારે ડિસ્કાઉન્ટની આખરી રકમ નક્કી થશે. તહેવારોમાં જૂની કાર એક્સચેન્જ અથવા અપગ્રેડ કરવા ઈચ્છતા લોકો માટે આ ઑફર્સ હાઇબ્રિડ કારને એક અત્યંત સસ્તો અને સારો વિકલ્પ બનાવી દે છે.</p><h4 style="text-align: justify; "><b>WagonR પર પણ થઈ રહી છે શાનદાર બચત</b></h4><p style="text-align: justify; ">મારુતિ સુઝુકીની સૌથી વધુ વેચાતી કારોમાંથી એક એવી લોકપ્રિય WagonR પર પણ આ મહિને ભારે ડિસ્કાઉન્ટ ઓફર થઈ રહ્યું છે. WagonR ના પેટ્રોલ વેરિઅન્ટ પર ગ્રાહકોને રૂ.57,500 સુધીનો કુલ ફાયદો મળી રહ્યો છે, જેમાં પાત્ર વેરિઅન્ટ્સ પર રૂ.30,000 સુધીની કન્ઝ્યુમર ઑફર અને એક્સચેન્જ બોનસનો સમાવેશ થાય છે. બીજી તરફ, જો તમે WagonR CNG ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તેના પર પણ મહત્તમ રૂ.47,500 સુધીના વિવિધ લાભ આપવામાં આવી રહ્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/automobile" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/CLh1Sjb8ImfYHEvgOxEhnPJLpr0eXvLKVWlZDyoM.webp'/></item><item><title><![CDATA['Hanuman Ansh' એ બ્રહ્મચારીઓને પણ પહોંચાડી દીધા થિયેટર , જુઓ વાયરલ VIDEO ]]></title><link>https://sandesh.com/entertainment/news/hanuman-ansh-viral-video-gurukul-brahmacharis</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/hanuman-ansh-viral-video-gurukul-brahmacharis</guid><pubDate>Mon, 07 Sep 2026 13:54:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જ્યારે કોઈ ફિલ્મ પાસેથી શરૂઆતમાં બહુ ઓછી અપેક્ષાઓ હોય, પરંતુ તેની રિલીઝ પછી તેનું પ્રદર્શન અપેક્ષાઓ કરતા અનેકગણું વધી જાય, ત્યારે તે ફિલ્મ ખાસ બની જાય છે. નીમ કરોલી બાબાના જીવન અને તેમની પવિત્ર ઉપદેશો પર આધારિત ભક્તિમય ફિલ્મ 'હનુમાન અંશ' સાથે પણ હાલમાં કઈંક આવું જ જોવા મળી રહ્યું છે. દર્શકો તરફથી આ ફિલ્મને અભૂતપૂર્વ પ્રેમ અને સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થયો છે જેણે સૌનું વિશેષ ધ્યાન ખેંચ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>પરંપરાગત પોશાકમાં પહોંચ્યા બ્રહ્મચારીઓ</b></h2><p style="text-align: justify; ">આ વાયરલ વીડિયોમાં&nbsp; થિયેટરની અંદર અને બહાર ગુરુકુલના કેટલાક બ્રહ્મચારીઓ પરંપરાગત પોશાકમાં નજરે પડી રહ્યા છે. ગુરુકુળના આ યુવા વિદ્યાર્થીઓ એકસાથે થિયેટરમાં પહોંચ્યા હતા અને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક 'હનુમાન અંશ' ફિલ્મનું સ્ક્રીનિંગ નિહાળ્યું હતું. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ આ બ્રહ્મચારીઓની ઉપસ્થિતિએ સિનેમાઘરમાં ઉપસ્થિત અન્ય દર્શકોનું પણ ધ્યાન આકર્ષિત કર્યું હતું. ફિલ્મનો મુખ્ય વિષય મહાન આધ્યાત્મિક ગુરુ નીમ કરોલી બાબાની જીવનકથા હોવાને કારણે ગુરુકુલના વિદ્યાર્થીઓનું આ રીતે ફિલ્મ જોવા પહોંચવું એ એક અનોખો અને પ્રેરણાદાયી સંયોગ બન્યો છે.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/choga_don/status/2096529724243931474"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h3 style="text-align: justify; "><b>હનુમાન અંશે કરી કરોડોની કમાણી</b></h3><p style="text-align: justify; ">વિશાલ ચતુર્વેદી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં શોભિનવ સત્ય મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે, જ્યારે તેમની સાથે વિહાન શેડગે, ચંદન કે. આનંદ, પૂર્ણિમા તિવારી અને ગુલશન પાંડે જેવા કલાકારો પણ મહત્વના રોલમાં છે. ફિલ્મની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ ફિલ્મને રાજ્યમાં કરમુક્ત (Tax-Free) જાહેર કરી છે. સિનેમાઘરોમાં દર્શકોની ભીડ જામી રહી છે અને ગુરુકુલના વિદ્યાર્થીઓનો આ વીડિયો ઇન્ટરનેટ પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/delhi-building-collapse-manual-rescue-body-found" target="_blank">આ પણ વાંચોઃ Delhi Building Collapse: કાટમાળ માંથી વધુ એક મૃતદેહ મળ્યો, હવે JCBથી નહીં મેન્યુઅલી કાટમાળ હટાવાશે</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/XR1zL2uAIINEHpv6AkalgIT8kOxwlwtjySF4eB2V.webp'/></item><item><title><![CDATA[China Masters Final : સાત્વિક-ચિરાગની જોડીએ રચ્યો ઇતિહાસ, ચીનને હરાવી પ્રથમ વાર બની ચેમ્પિયન ]]></title><link>https://sandesh.com/sports/news/satwik-and-chirag-created-history-by-defeating-a-chinese-pair-to-win-the-china-masters-title</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/satwik-and-chirag-created-history-by-defeating-a-chinese-pair-to-win-the-china-masters-title</guid><pubDate>Mon, 07 Sep 2026 10:23:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતની સ્ટાર પુરુષ ડબલ્સ જોડી સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર દેશનું નામ રોશન કર્યું છે.ચાઇના માસ્ટર્સ 2026ના રોમાંચક ફાઇનલ મુકાબલામાં ભારતીય જોડીએ શાનદાર વાપસી કરીને યજમાન ચીનની જોડી હે જી તિંગ અને રેન શિયાંગ યુને 1 કલાક 10 મિનિટ સુધી ચાલેલા સંઘર્ષપૂર્ણ મુકાબલામાં 11-21, 21-13, 21-17 થી હરાવીને ટ્રોફી પોતાના નામે કરી લીધી છે.આ ઐતિહાસિક જીત સાથે સાત્વિક-ચિરાગની જોડીએ 92,500 ડોલર ની માતબર ઇનામી રકમ પણ મેળવી છે.</p><h4 style="text-align: justify; "><b>ત્રીજા પ્રયાસે જીત્યો ઐતિહાસિક ખિતાબ</b></h4><p style="text-align: justify; ">ચાઇના માસ્ટર્સના મંચ પર સાત્વિક અને ચિરાગનો આ ત્રીજો ફાઇનલ મુકાબલો હતો.આ અગાઉ તેઓ વર્ષ 2023 અને 2025 માં ફાઇનલ સુધી પહોંચ્યા હતા, પરંતુ બંને વખતે તેમને રનર્સ-અપ એટલે કે ઉપવિજેતા બનીને સંતોષ માનવો પડ્યો હતો. આ વખતે પૂર્વ વર્લ્ડ નંબર-4 ચીની જોડી સામે પ્રથમ ગેમ 11-21 થી એકતરફી ગુમાવ્યા છતાં ભારતીય જોડીએ દબાણમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. બીજી ગેમ 21-13 થી જીતી મેચમાં બરાબરી કર્યા બાદ નિર્ણાયક ગેમમાં સાત્વિકના પાવરફુલ સ્મેશ અને ચિરાગના શાનદાર નેટ પ્લેના&nbsp; દમ પર 21-17 થી મેચ સીલ કરી લીધી હતી. આ સાથે ભારતીય જોડીએ ચીની જોડી સામે અજેય રેકોર્ડ જાળવી રાખતાં હેડ-ટુ-હેડ રેકોર્ડ 3-0 કરી લીધો છે.</p><p style="text-align: justify; "><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/Media_SAI/status/2096573691694121117?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></p><p style="text-align: justify; "><br></p><h5 style="text-align: justify; "><b>સિઝનનો બીજો મોટો ખિતાબ અને આગામી પડકારો</b></h5><p style="text-align: justify; ">સાત્વિક અને ચિરાગની જોડી માટે વર્તમાન સિઝનનો આ બીજો મોટો ખિતાબ છે. આ પહેલા તેમણે 'સિંગાપોર ઓપન સુપર 750'નો ખિતાબ જીત્યો હતો, જ્યારે 'થાઈલેન્ડ ઓપન સુપર 500'ના ફાઇનલમાં તેઓ ઉપવિજેતા રહ્યા હતા. સાત્વિકના ખભાની ઈજા અને ફિટનેસની સમસ્યાઓના કારણે આ સિઝન પડકારોથી ભરેલી રહી છે. તેમ છતાં મોટા મંચ પર દબાણ નિયંત્રિત કરવાની તેમની ક્ષમતા આ પ્રદર્શનથી સાબિત થાય છે. 'એશિયન ગેમ્સ 2026' (Asian Games 2026) પહેલાં મળેલી આ શાનદાર જીત ભારતીય બેડમિન્ટન માટે મોટું મનોબળ પૂરું પાડનારી સાબિત થશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/satwik-chirag-enter-china-masters-2026-final-after-beating-malaysia-pair" target="_blank"> China Masters 2026 Badminton : સાત્વિક-ચિરાગની ધમાકેદાર એન્ટ્રી, ચાઇના માસ્ટર્સની ફાઇનલમાં પહોંચ્યા</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/wztWfTUhL3UXUCxk4rAZXpTKylR2DQhLmrODhLPG.webp'/></item></channel></rss>