<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Amarnath Yatra 2026 : અમરનાથ યાત્રા આગામી આદેશ સુધી સ્થગિત, 4.8 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન ]]></title><link>https://sandesh.com/india/news/amarnath-yatra-2026-suspended-4-8-lakh-devotees-darshan</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/amarnath-yatra-2026-suspended-4-8-lakh-devotees-darshan</guid><pubDate>Sat, 08 Aug 2026 18:54:26 +05:30</pubDate><description><![CDATA[<p>અમરનાથ યાત્રા 2026માં અત્યાર સુધીમાં 4.8 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા છે. જોકે, તાજેતરમાં થયેલા ભારે વરસાદ બાદ યાત્રા માર્ગોની મરામત અને જાળવણીની કામગીરીને ધ્યાનમાં રાખીને 9 ઓગસ્ટથી બંને રૂટ પર યાત્રા સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.</p><h2><b>કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં નુકસાન થયું</b></h2><p>અધિકારીઓના જણાવ્યા અનુસાર, અમરનાથ યાત્રાના બંને મુખ્ય માર્ગો પર વરસાદને કારણે કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં નુકસાન થયું છે. બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO) દ્વારા આવા વિસ્તારોમાં ટ્રેકની મરામત અને જરૂરી જાળવણીનું કામ હાથ ધરવામાં આવી રહ્યું છે. યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી યાત્રા રોકી રાખવામાં આવશે.</p><h3><b>તંત્રએ એડવાઈઝરીનું પાલન કરવાની કરી અપીલ&nbsp;</b></h3><p>પ્રશાસન દ્વારા યાત્રાળુઓને સુરક્ષા સંબંધિત તમામ એડવાઈઝરીનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને વરસાદ અને ભૂસ્ખલનની સંભાવનાને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓએ તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે. આ વર્ષે અમરનાથ યાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. અત્યાર સુધીમાં 4.8 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફામાં પહોંચીને બાબા બર્ફાનીના દર્શન કરી ચૂક્યા છે.</p><h4><b>યાત્રા ફરી ક્યારે શરૂ થશે?</b></h4><p>આ દરમિયાન યાત્રાના સમાપનને લઈને પણ તૈયારીઓ ચાલી રહી છે. પરંપરા મુજબ 28 ઓગસ્ટે ચડી મુબારક સાથે આ વર્ષની અમરનાથ યાત્રાનું સત્તાવાર રીતે સમાપન થશે. હાલમાં તંત્રનું મુખ્ય ધ્યાન યાત્રા માર્ગોને ફરી સુરક્ષિત અને સુગમ બનાવવાનું છે. BRO અને સંબંધિત વિભાગો દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં મરામતની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. યાત્રા ફરી શરૂ કરવા અંગેનો નિર્ણય માર્ગોની સ્થિતિ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા બાદ લેવામાં આવશે.<br><br><b><a href="https://sandesh.com/india/news/himachal-monsoon-havoc--150-dead--834-cr-loss--190-roads-blocked" target="_blank">આ પણ વાંચો : Himachalમાં કુદરતનો કહેર! 38 દિવસમાં 150 મોત... કરોડો રૂપિયાનું થયું નુકસાન</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/vnoo7697jQQn2o9hCycP5sB0ROITyuvXhxVr3Zag.webp'/></item><item><title><![CDATA[India News : મથુરામાં પતિની દૂધમાં ઝેર આપી હત્યા, પત્ની-દીકરી સહિત 3ની ધરપકડ ]]></title><link>https://sandesh.com/india/news/crime/india-news-husband-murdered-by-poisoning-milk-in-mathura-3-including-wife-and-daughter-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/crime/india-news-husband-murdered-by-poisoning-milk-in-mathura-3-including-wife-and-daughter-arrested</guid><pubDate>Sat, 08 Aug 2026 18:48:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઉત્તર પ્રદેશમાં પત્ની દ્વારા પતિની હત્યા કરવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. તાજેતરમાં મથુરાના રાધાકૃષ્ણ વાટિકા વિસ્તારમાંથી એક ધ્રુજાવી દેનારી ઘટના સામે આવી છે, જ્યાં મનોજ સોની નામના વ્યક્તિની તેની જ પત્ની, પુત્રી અને પુત્રીના મિત્રે મળીને હત્યા કરી નાખી. 17 એપ્રિલની રાત્રે પતિ સાથે ઝઘડો થયા બાદ પત્નીએ તેને દૂધમાં નશીલો પદાર્થ ભેળવીને પીવડાવી દીધો હતો. પતિ બેભાન થઈ જતાં જ તેના માથા પર ખાંડણીના દસ્તા વડે ગંભીર પ્રહાર કરીને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>ગુમશુદગીની ફરિયાદ પાછી ખેંચતાં શંકા ઉપજી</b></h2><p style="text-align: justify; ">હત્યા બાદ આરોપીઓએ તે જ રાત્રે મૃતદેહને અક્રૂર ઘાટ નજીક લઈ જઈને સળગાવી દીધો હતો. ઘટના બાદ પત્નીએ પોલીસ સ્ટેશનમાં પતિ ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી, પરંતુ બીજા જ દિવસે તે ફરિયાદ પાછી ખેંચી લીધી હતી. આ બાબતે મૃતકના ભાઈ રામબાબુને ભાભી પર આશંકા જગાડી. ત્યારબાદ જ્યારે પત્ની પોતાના મકાનને તાળું મારીને દીકરી સાથે ગાયબ થઈ ગઈ, ત્યારે ભાઈએ પોલીસમાં ભાભી, ભત્રીજી અને તેના મિત્ર વિમલ સામે અપહરણ અને હત્યાની ફરિયાદ નોંધાવી હતી.</p><h2 style="text-align: justify; "><b>પોલીસ દ્વારા તપાસ અને પુરાવાઓની શોધખોળ</b></h2><p style="text-align: justify; ">પોલીસે શંકાસ્પદોની કડક પૂછપરછ કરતા આરોપીઓએ મનોજની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. પત્નીના જણાવ્યા અનુસાર પતિ અવારનવાર મારપીટ કરતો હોવાથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું હતું. જોકે, પોલીસને હજુ સુધી મૃતદેહના કોઈ અવશેષો કે રાખ મળ્યા નથી. એસએસપી શ્લોક કુમારના જણાવ્યા મુજબ, પોલીસ હાલમાં કૉલ ડિટેલ્સ અને આસપાસના લોકોની પૂછપરછ દ્વારા તમામ એંગલથી તપાસ કરી રહી છે, જેથી હત્યાના પુખ્તા પુરાવા એકત્ર કરી શકાય.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/india/news/jammu-srinagar-highway-kela-mor-tunnel-ssb-vehicles-accident#google_vignette" target="_blank">Jammu-Sri Nagarમાં મોટો અકસ્માત, કેલા મોડ ટનલમાં SSBના 3 વાહન ટકરાયા, 3 જવાન ઘાયલ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/po3gbm8BPNbxqwUuPqqq4Q3TIsVuSlAWbjz5yZNo.webp'/></item><item><title><![CDATA[Patan News : કોંગ્રેસના આંતરિક વિવાદમાં ગરમાવો, જિલ્લા પ્રમુખ ગેમરભાઈ દેસાઈએ તમામ આક્ષેપો ફગાવ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/patan/patan-news-congress-internal-dispute-heats-up-district-president-gamerbhai-desai-denies-all-allegations</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/patan/patan-news-congress-internal-dispute-heats-up-district-president-gamerbhai-desai-denies-all-allegations</guid><pubDate>Sat, 08 Aug 2026 18:31:43 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પાટણ જિલ્લા કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક વિવાદે ભારે રાજકીય ગરમાવો લાવી દીધો છે. પક્ષમાં ઉદ્ભવેલા મતભેદો અને થઈ રહેલી ચર્ચાઓ વચ્ચે પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈએ મૌન તોડીને પોતાની સામે લાગેલા તમામ આક્ષેપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું હતું કે પક્ષને નુકસાન પહોંચાડવા અને વાતાવરણ ડહોળવા માટે પાયાવિહોણી બાબતો ફેલાવવામાં આવી રહી છે, જેમાં કોઈ સત્યતા નથી.</p><h2 style="text-align: justify; "><b>દિલ્હી પ્રવાસ શુભેચ્છા મુલાકાત હતી</b></h2><p style="text-align: justify; ">પોતાના તાજેતરના દિલ્હી પ્રવાસ અંગે ખુલાસો કરતા ગેમરભાઈ દેસાઈએ સ્પષ્ટતા કરી હતી કે તેમનો દિલ્હી પ્રવાસ માત્ર એક શુભેચ્છા મુલાકાત હતો. આ મુલાકાત દરમિયાન પ્રદેશ કોંગ્રેસના નેતા અમિત ચાવડા કે અન્ય કોઈ આંતરિક ખેંચતાણ અંગે કોઈ જ ચર્ચા કરવામાં આવી ન હતી. રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી વાતો માત્ર અફવાઓ છે અને પક્ષના નેતૃત્વ સામે કોઈ નારાજગી કે વિરોધ નથી.</p><h2 style="text-align: justify; "><b>‘ભ્રષ્ટાચાર કે સાઠગાંઠ સાબિત થાય તો જાહેર જીવન છોડી દઈશ’</b></h2><p style="text-align: justify; ">વિરોધીઓ દ્વારા મુકવામાં આવેલા ગંભીર આરોપો સામે કડક વલણ અપનાવતા ગેમરભાઈ દેસાઈએ ખુલ્લો પડકાર ફેંક્યો હતો. તેમણે ઉમેર્યું કે, સ્થાનિક ધારાસભ્ય સર્વ સમાજને સાથે લઈને ચાલી રહ્યા છે અને પક્ષનું કામ મજબૂતીથી કરી રહ્યા છે. જો મારી સામે ભ્રષ્ટાચાર કે ભાજપ અથવા અન્ય કોઈ સાથે સાઠગાંઠનો એક પણ આરોપ સાબિત થઈ જાય, તો હું તે જ ક્ષણે જાહેર જીવન છોડી દઈશ.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/surat/strange-incident-at-surat-brts-stand-young-man-breaks-mobile-phone-of-female-home-guard-who-threatened-him-by-recording-video" target="_blank">Surat BRTS સ્ટેન્ડ પર વિચિત્ર કિસ્સો, વીડિયો ઉતારી ધમકી આપનાર મહિલા હોમગાર્ડનો યુવકે મોબાઈલ તોડી નાખ્યો</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/SJ04sId0wvHpafX8BTvVsLFG5cjrhRVcYkaTOW08.webp'/></item><item><title><![CDATA[Suratમાં મચ્છરજન્ય રોગચાળાનો કાળો કેર: ગોડાદરામાં ડેન્ગ્યુથી 8 વર્ષના બાળકે જીવ ગુમાવ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/black-death-of-mosquito-borne-epidemic-in-surat-8-year-old-child-dies-of-dengue-in-godadara</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/black-death-of-mosquito-borne-epidemic-in-surat-8-year-old-child-dies-of-dengue-in-godadara</guid><pubDate>Sat, 08 Aug 2026 18:29:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરમાં ચોમાસાની ઋતુ બાદ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. શહેરના ગોડાદરા વિસ્તારમાં એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 8 વર્ષીય માસૂમ બાળકનું ડેન્ગ્યુના કારણે અકાળે મોત નીપજ્યું છે. અચાનક તબિયત લથડતાં બાળકને ડેન્ગ્યુના લક્ષણો સાથે તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન જ માસૂમ બાળકે દમ તોડી દેતાં સમગ્ર વિસ્તારમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>અસરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્ય વિષયક કામગીરી તેજ</b></h2><p style="text-align: justify; ">ડેન્ગ્યુના કારણે બાળકના મોતની ઘટના સામે આવતાં જ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર તાત્કાલિક હરકતમાં આવી ગયું છે. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ગોડાદરા અને આસપાસના વિસ્તારોમાં દોડી જઈને સઘન ડોર-ટુ-ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. વિસ્તારમાં મચ્છરોના ઉપદ્રવને નાથવા માટે ફોગિંગ, દવાનો છંટકાવ તેમજ પોરાનાશક કામગીરી તેજ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા તાવના અન્ય દર્દીઓની શોધખોળ કરી તેમના લોહીના સેમ્પલ લેવાની તજવીજ પણ શરૂ કરવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>રોગચાળો વકરતાં નાગરિકોમાં ચિંતા વધી</b></h3><p style="text-align: justify; ">શહેરમાં ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોના કેસો સતત વધી રહ્યા હોવાથી પ્રજાજનોમાં ભારે ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને ઘરોની આસપાસ પાણી ભરાઈ ન રહેવા દેવા, પીવાના પાણીના વાસણો ઢાંકીને રાખવા અને તાવ જેવા કોઈ પણ લક્ષણો જણાય તો તુરંત જ સરકારી અથવા તબીબી સારવાર લેવા અપીલ કરવામાં આવી છે. રોગચાળાને કાબૂમાં લેવા માટે વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પગલાં ભરવામાં આવી રહ્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/ggm6JGMeSVn0Q7EpKt7XsGyEXf4dGcRL2oknE1nj.webp'/></item><item><title><![CDATA[Patanના સિદ્ધપુર પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત, કારની અડફેટે બાઈક સવાર બે ખેડૂતોનાં કરૂણ મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/patan/a-horrific-accident-occurred-near-siddhpur-patan-two-farmers-riding-a-bike-died-tragically-after-being-hit-by-a-car</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/patan/a-horrific-accident-occurred-near-siddhpur-patan-two-farmers-riding-a-bike-died-tragically-after-being-hit-by-a-car</guid><pubDate>Sat, 08 Aug 2026 18:17:36 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પાટણ જિલ્લાના સિદ્ધપુર નજીક આવેલા બિલિયા ગામ પાસે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગતરોજ ખેતરેથી પોતાના ઘરે પરત ફરી રહેલા બે પડોશી ખેડૂતોને એક બેકાબૂ કાર ચાલકે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે બંને બાઈક સવાર ખેડૂતોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ ચાલક પોતાની ગાડી ઘટના સ્થળે જ મૂકીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>સારવાર દરમિયાન બંને આધેડ ખેડૂતોએ દમ તોડ્યો</b></h2><p style="text-align: justify; ">ગંભીર રીતે ઘાયલ થયેલા બંને ખેડૂતોને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન બંને આધેડોએ પોતાના પ્રાણ છોડી દીધા હતા. એક જ મહોલ્લામાં રહેતા અને સાથે ખેતીકામ કરતા બે વડીલ ખેડૂતોના આકસ્મિક અને કરૂણ મૃત્યુના સમાચાર મળતા જ બિલિયા ગામમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. પરિવારજનો અને ગ્રામજનોમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>સિદ્ધપુર પોલીસ મથકે ગુનો દાખલ કરી કાર ચાલકની શોધખોળ શરૂ</b></h3><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતકોના મૃત્તદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને સિદ્ધપુર પોલીસ મથકે ફરાર કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની ગુનાહિત ફરિયાદ નોંધી છે. ઘટના સ્થળે છોડી ગયેલી કારના આધારે પોલીસે નંબર પ્લેટ અને માલિકની વિગતો મેળવીને અકસ્માત સર્જીને નાસી છૂટેલા ચાલકને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/8m5WnoCQWlY7rIdPRmE3uhEFtlmzWNCjaJ6zm23J.webp'/></item><item><title><![CDATA[Surat BRTS સ્ટેન્ડ પર વિચિત્ર કિસ્સો, વીડિયો ઉતારી ધમકી આપનાર મહિલા હોમગાર્ડનો યુવકે મોબાઈલ તોડી નાખ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/strange-incident-at-surat-brts-stand-young-man-breaks-mobile-phone-of-female-home-guard-who-threatened-him-by-recording-video</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/strange-incident-at-surat-brts-stand-young-man-breaks-mobile-phone-of-female-home-guard-who-threatened-him-by-recording-video</guid><pubDate>Sat, 08 Aug 2026 17:49:29 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરના એક BRTS બસ સ્ટેન્ડ પરથી એક વિચિત્ર અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક યુવક તેની મહિલા મિત્ર સાથે બાઈક પર પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં ફરજ પર તૈનાત મહિલા હોમગાર્ડ સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. સામાન્ય વાતમાંથી શરૂ થયેલો વિવાદ એટલો વધી ગયો હતો કે બસ સ્ટેન્ડ પર લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા અને વાતાવરણ ગરમાયું હતું.</p><h2 style="text-align: justify; "><b>હોમગાર્ડ મહિલાએ વીડિયો બનાવી ધમકી આપી</b></h2><p style="text-align: justify; ">ઘટનાની વિગત મુજબ, BRTS બસ સ્ટેન્ડ પાસે યુવક અને તેની મિત્રને જોઈને ત્યાં હાજર મહિલા હોમગાર્ડે પોતાના મોબાઈલ કેમેરા વડે બંનેનો વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું. આટલું જ નહીં, વીડિયો શૂટ કરવાની સાથે મહિલા હોમગાર્ડે યુવકને ધમકીઓ આપવાનું પણ શરૂ કર્યું હતું. વગર વાંકે કે પરવાનગી વગર પોતાનો વીડિયો બનાવવામાં આવતો હોવાનું જોઈને યુવક ભારે ગુસ્સે થઈ ગયો હતો.</p><h2 style="text-align: justify; "><b>ઉશ્કેરાયેલા યુવકે આપ્યો વળતો જવાબ</b></h2><p style="text-align: justify; ">મહિલા હોમગાર્ડની આ વર્તણૂકથી ઉશ્કેરાયેલા યુવકે તેને સ્થળ પર જ સણસણતો વળતો જવાબ આપ્યો હતો. બંને વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી, જેના આવેશમાં આવીને યુવકે મહિલા હોમગાર્ડના હાથમાંથી મોબાઈલ આંચકી લીધો હતો અને જમીન પર પટકીને તોડી નાખ્યો હતો. આ સમગ્ર ઘટના બાદ સ્થળ પર દોડધામ મચી ગઈ હતી અને જાહેર રસ્તા પર બનેલા આ કિસ્સાનો બનાવ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabads-favorite-gymkhana-sealed-amc-takes-major-action" target="_blank">Ahmedabadનું મનપસંદ જીમખાના સીલ, AMCની મોટી કાર્યવાહી</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/yyWky8oWr2czzFUWR3Iy8Kj06YtqLYfP7ihFutcc.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના લાલ દરવાજા GPOમાંથી ઝડપાયું કફ સિરપનું સપ્લાય નેટવર્ક, SOGએ કુલ રૂ.59.41 લાખનો જથ્થો કર્યો જપ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/cough-syrup-supply-network-busted-from-lal-darwaza-gpo-in-ahmedabad</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/cough-syrup-supply-network-busted-from-lal-darwaza-gpo-in-ahmedabad</guid><pubDate>Sat, 08 Aug 2026 17:43:43 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેર એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમે બાતમીના આધારે લાલ દરવાજા સ્થિત જીપીઓ (General Post Office) ખાતે દરોડો પાડીને નશાકારક કફ સિરપના ગેરકાયદેસર સપ્લાય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે રૂ.59.41 લાખની કિંમતની કુલ 5,050 કફ સિરપની બોટલો ધરાવતા 34 જેટલા શકમંદ પાર્સલ કબ્જે કર્યા છે. એસઓજીની આ ત્વરિત અને ચોક્કસ કાર્યવાહીના કારણે અમદાવાદથી ચાલી રહેલા નશાકારક દવાઓના નેટવર્કને મોટો ફટકો પડ્યો છે અને સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>મિઝોરમની બોગસ કંપનીના નામે ચાલતું હતું રેકેટ</b></h2><p style="text-align: justify; ">પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ નશાકારક કફ સિરપનો જથ્થો અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી બુક કરાવીને પૂર્વોત્તર રાજ્ય મિઝોરમ ખાતે મોકલવામાં આવી રહ્યો હતો. આ સમગ્ર કૌભાંડ મિઝોરમમાં એક બોગસ (ફેક) કંપનીના નામે ચલાવવામાં આવી રહ્યું હતું. કાયદાકીય એજન્સીઓની નજરથી બચવા માટે પોસ્ટલ પાર્સલ સર્વિસનો દુરુપયોગ કરી કફ સિરપનો મોટો જથ્થો અન્ય રાજ્યમાં સપ્લાય કરવાનું સુઆયોજિત ષડયંત્ર રચવામાં આવ્યું હતું, જેનો એસઓજીની ટીમે સમયસર પર્દાફાશ કર્યો છે.</p><h3 style="text-align: justify; "><b>પાર્સલ મોકલનાર અને મેળવનાર વિરુદ્ધ ગુનો નોંધાયો</b></h3><p style="text-align: justify; ">જીપીઓમાંથી નશાકારક કફ સિરપનો વિશાળ જથ્થો પકડાયા બાદ એસઓજી પોલીસે પાર્સલ મોકલનાર (સેન્ડર) અને મેળવનાર (રિસીવર) બંને વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ રેકેટમાં અમદાવાદ અને મિઝોરમના કયા મુખ્ય સૂત્રધારો સામેલ છે તથા અગાઉ આવા કેટલા પાર્સલ મોકલવામાં આવ્યા છે તે અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. સરખેજ ખાતેથી પાર્સલ બુક કરાવનાર સ્થાનિક નેટવર્ક સુધી પહોંચવા માટે પોલીસે સીસીટીવી ફૂટેજ અને કુરિયર દસ્તાવેજોના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/kWpHccU3nLw0fIW1Dt00itnoMHsaDmFPvSBXjnrn.webp'/></item><item><title><![CDATA[Bollywood : એક ડાયરેક્ટરે બનાવ્યો ઇમરાન હાશ્મીને સ્ટાર, બોક્સ ઓફિસ પર મચાવી દીધી હતી ધૂમ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/emraan-hashmi-lucky-director-5-films</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/emraan-hashmi-lucky-director-5-films</guid><pubDate>Sat, 08 Aug 2026 17:32:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડ એક્ટર ઈમરાન હાશ્મીએ છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાની કરિયરમાં મોટા બદલાવ કર્યા છે. આ દરમિયાન એક્ટરે વધુ કન્ટેન્ટ ઓરિએન્ટેડ ફિલ્મોમાં કામ કર્યું છે. જ્યારે કેટલીક ફિલ્મોમાં તેમણે પોતાના નેગેટિવ રોલથી લોકોને ચોંકાવ્યા પણ છે. હવે ઈમરાન હાશ્મીની આવારાપન 2 આવી રહી છે. આ ફિલ્મની ખાસ વાત એ છે કે તેમાં તેઓ ફરી એકવાર 2000ના દાયકાવાળા અંદાજમાં જોવા મળવાના છે. ફિલ્મનું ટ્રેલર જોયા બાદ લોકો પણ આવી જ વાતો કરતા જોવા મળી રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>મોહિત સૂરી અને ઈમરાન હાશ્મીએ સાથે કઈ ફિલ્મો કરી?</b></h2><p style="text-align: justify; ">મોહિત સૂરીએ 2000ના દાયકામાં ઈમરાન હાશ્મી સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ સફરની શરૂઆત વર્ષ 2005માં આવેલી ઝહેર ફિલ્મથી થઈ હતી. રિપોર્ટ્સ મુજબ આ ફિલ્મનું બજેટ 5 કરોડ રૂપિયા હતું અને ફિલ્મે 13 કરોડ રૂપિયાના કલેક્શન સાથે હિટનો દરજ્જો મેળવ્યો હતો. ત્યારબાદ આ જોડી કલયુગ ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મનું બજેટ 4 કરોડ રૂપિયા હતું અને તેની સરખામણીએ ફિલ્મે 10 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને હિટ રહી હતી.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dbr9TN0s561/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dbr9TN0s561/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dbr9TN0s561/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dbr9TN0s561/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><p style="text-align: justify; ">ત્યારબાદ આવારાપન ફિલ્મનો નંબર આવે છે. આ ફિલ્મ વર્ષ 2007માં આવી હતી. રિપોર્ટ્સ મુજબ 18 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મ માત્ર 12 કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકી હતી. ફિલ્મ ફ્લોપ રહી હતી, પરંતુ બાદમાં તેને કલ્ટ ક્લાસિકનો દરજ્જો મળ્યો હતો. ત્યારબાદ રાજ ફિલ્મ આવી હતી. તેનું બજેટ 18 કરોડ રૂપિયા હતું અને રિપોર્ટ્સ મુજબ ફિલ્મે 38 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મ સુપરહિટ રહી હતી.</p><h3 style="text-align: justify; "><b>છેલ્લી ફિલ્મ બની બ્લોકબસ્ટર</b></h3><p style="text-align: justify; ">ત્યારબાદ બંનેએ સાથે મળીને ક્રૂક ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ રહી હતી. જ્યારે મર્ડર 2ની વાત કરીએ તો આ બંનેની સાથે આવેલી છેલ્લી ફિલ્મ હતી. રિપોર્ટ્સ મુજબ 13 કરોડ રૂપિયાના બજેટ સામે આ ફિલ્મ 65 કરોડ રૂપિયાથી વધુ કમાવવામાં સફળ રહી હતી અને બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. ત્યારબાદ બંનેએ સાથે કોઈ ફિલ્મ બનાવી નથી. હવે ઈમરાન હાશ્મી આવારાપન 2 લઈને આવી રહ્યા છે. આ ફિલ્મ 14 ઓગસ્ટ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/pradeep-rawat-prayer-meet-son-vikram-emotional" target="_blank">આ પણ વાંચો-Pradeep Rawatની પ્રેયર મીટમાં પુત્ર વિક્રમ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો, પિતાને યાદ કરીને હાથ-પગ ધ્રૂજવા લાગ્યા</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/n41UCduQoBdRApGtRDgIGRg7WTzhUglPDZUtRfx4.webp'/></item><item><title><![CDATA[UPI Payment Charges: શું UPI પેમેન્ટ પર લાગશે ચાર્જ?  PCIએ આપ્યા તમામ સવાલના જવાબ ]]></title><link>https://sandesh.com/business/news/upi-payment-charges-will-there-be-charges-on-upi-payments-pci-answers-all-the-questions</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/upi-payment-charges-will-there-be-charges-on-upi-payments-pci-answers-all-the-questions</guid><pubDate>Sat, 08 Aug 2026 15:05:20 +05:30</pubDate><description><![CDATA[<p>આજકાલ એક ચાના કપના ખર્ચથી લઈને મોટા બિલ અને ઓનલાઈન ખરીદી સુધી મોટાભાગના લોકો ચુકવણી માટે UPI પસંદ કરે છે. પરિણામે, UPI પર સંભવિત શુલ્ક અંગેના સમાચાર અથવા ચર્ચાઓએ લોકોના મનમાં અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. શું હવે UPI દ્વારા ચુકવણી કરવા માટે ચાર્જ લાગશે ? </p><h2><b>UPI ચાર્જિસને લઇને મૂંઝવણ શું છે ?&nbsp;</b></h2><p>શું દુકાનો અથવા કરિયાણાની દુકાનોમાં UPI નો ઉપયોગ કરવા માટે વધારાનો શુલ્ક લાગશે? જો મોટા વ્યવસાયો પાસેથી ચાર્જ વસૂલવામાં આવે છે, તો શું તે સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર અસર કરશે?UPI શુલ્ક અંગે ચાલી રહેલી આ ચર્ચા વચ્ચે, પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI) એ લોકોના પ્રશ્નોના જવાબ આપ્યા છે. દરેકના મનમા ઉઠતા સવાલના જવાબો જાણીએ.&nbsp;</p><p><br></p><p><br></p><h2>સવાલ-1</h2><h2><b style="font-size: 2rem;">&nbsp;શું ગ્રાહકોએ UPI નો ઉપયોગ કરવા માટે ચૂકવણી કરવી પડશે?</b></h2><p>ના. પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અનુસાર, UPI 2016 માં શરૂ કરવામાં આવ્યું હતું અને ત્યારથી ગ્રાહકો માટે મફત છે.  સામાન્ય લોકો કોઈપણ ટ્રાન્ઝેક્શન ચાર્જ વિના UPI દ્વારા તાત્કાલિક ડિજિટલ ચુકવણી કરી શકશે. બીજા શબ્દોમાં કહીએ તો, જો તમે કોઈને પૈસા મોકલી રહ્યા છો અથવા UPI દ્વારા ચુકવણી કરી રહ્યા છો, તો તમારી પાસેથી તેના માટે અલગથી કોઈ શુલ્ક લેવામાં આવશે નહીં.</p><p><span style="font-size: 2rem;">સવાલ-2</span></p><p><b style="font-size: 2rem;">શું નાના દુકાનદારો અને કરિયાણાની દુકાનો પાસેથી UPI ચુકવણી સ્વીકારવા માટે શુલ્ક લેવામાં આવશે?</b></p><p><br></p><p>ના. PCI એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે નાના દુકાનદારો, કરિયાણાની દુકાનો અને નાના વ્યવસાયો પાસેથી UPI ચુકવણી સ્વીકારવા માટે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) વસૂલવામાં આવતો નથી. UPI ને દેશના નાનામાં નાના વ્યવસાયો માટે પણ ડિજિટલ ચુકવણી સરળ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. PCI અનુસાર, ચુકવણી સ્વીકારવા સાથે સંકળાયેલા ખર્ચમાંથી નાના વ્યવસાયોને બચાવવા એ ડિજિટલ ચુકવણી સિસ્ટમના સમાવેશી વિકાસનો એક મહત્વપૂર્ણ ભાગ છે.</p><p><br></p><h2>સવાલ-3&nbsp;</h2><h2><b>તો પછી UPI ચાર્જ વિશે ચર્ચા શા માટે થઈ રહી છે?</b></h2><p><br></p><p>હકીકત એ છે કે, UPI હવે ફક્ત એક નવું ચુકવણી પ્લેટફોર્મ નથી. તે વિશ્વની સૌથી મોટી રીઅલ-ટાઇમ ચુકવણી સિસ્ટમ બની ગઈ છે, જે દર મહિને અબજો સુરક્ષિત વ્યવહારોને સુવિધા આપે છે. આટલી મોટી ડિજિટલ ચુકવણી સિસ્ટમ ચલાવવા માટે ટેકનોલોજી, સાયબર સુરક્ષા, છેતરપિંડી નિવારણ અને અન્ય માળખાગત સુવિધાઓ પર સતત ખર્ચ કરવો પડે છે. પરિણામે, લાંબા ગાળે સિસ્ટમના અવિરત સંચાલનને કેવી રીતે ટકાવી રાખવું અને સંકળાયેલ ખર્ચનું સંચાલન કેવી રીતે કરવું તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, PCI એ સ્પષ્ટતા કરી છે કે આ બોજ સામાન્ય ગ્રાહકો કે નાના દુકાનદારો પર નાખવામાં આવશે નહીં.</p><h2>સવાલ 4</h2><p><b style="font-size: 2rem;">UPI ના નિર્માણ અને સંચાલનમાં કોણ રોકાણ કરે છે?</b></p><p>PCI અનુસાર, બેંકો, ચુકવણી કંપનીઓ, ફિનટેક કંપનીઓ, NPCI અને RBI એ છેલ્લા દાયકામાં UPI વિકસાવવા અને તેની સુરક્ષા અને કાર્યક્ષમતાને સતત વધારવા માટે સામૂહિક રીતે રોકાણ કર્યું છે. આ રોકાણોમાં ટેકનોલોજી, સાયબર સુરક્ષા, છેતરપિંડી નિવારણ પદ્ધતિઓ, નવીનતા અને ગ્રાહક સપોર્ટનો સમાવેશ થાય છે. UPI 24/7 ઉપલબ્ધ સુરક્ષિત, વિશ્વસનીય અને વપરાશકર્તા-મૈત્રીપૂર્ણ ચુકવણી સિસ્ટમ રહે તે સુનિશ્ચિત કરવા માટે આવા રોકાણો ચાલુ છે.</p><p><br></p><h3>&nbsp;સવાલ 5</h3><h3><b>જો UPI ચુકવણીઓ મફત હોય, તો ખર્ચ કોણ ભોગવે છે?</b></h3><p>UPI ચલાવવામાં ફક્ત ચુકવણી કરવાની સુવિધા પૂરી પાડવા કરતાં વધુ  છે. તેમાં ટેકનોલોજી, સાયબર સુરક્ષા, છેતરપિંડી નિવારણ, પાલન, ગ્રાહક સપોર્ટ અને સતત તકનીકી અપગ્રેડમાં રોકાણ શામેલ છે. PCI અનુસાર, આ ખર્ચ હાલમાં નેટવર્ક ભાગીદારો - જેમ કે બેંકો અને ચુકવણી સેવા પ્રદાતાઓ દ્વારા ઉઠાવવામાં આવે છે. ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે ગ્રાહકો UPI નો ઉપયોગ કરવા માટે વધારાની ફી ચૂકવ્યા વિના સુરક્ષિત અને સીમલેસ ડિજિટલ ચુકવણી અનુભવનો આનંદ માણે.</p><p><br></p><h3>&nbsp;સવાલ 6</h3><p><b style="font-size: 1.75rem;">જો મોટા વેપારીઓ પાસેથી શુલ્ક લેવામાં આવે છે, તો શું ગ્રાહકોએ પણ ચૂકવણી કરવી પડશે?</b></p><p>ના. PCI એ સ્પષ્ટતા કરી છે કે મોટા વ્યવસાયો પર વેપારી સેવા ચાર્જ વસૂલવાનો અર્થ એ નથી કે ગ્રાહકો પાસેથી UPI નો ઉપયોગ કરવા બદલ શુલ્ક લેવામાં આવશે. જ્યાં પણ વેપારી સેવા ચાર્જ લાગુ પડે છે, તે વેપારી અને ચુકવણી સેવા પ્રદાતા વચ્ચેના વાણિજ્યિક કરારો દ્વારા સંચાલિત થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, ચુકવણી સ્વીકારવા માટે મોટા વ્યવસાય પર શુલ્ક વસૂલવું એ UPI નો ઉપયોગ કરવા માટે ગ્રાહક પર શુલ્ક વસૂલવાથી અલગ છે. PCI એ નોંધ્યું છે કે વૈશ્વિક સ્તરે ડિજિટલ ચુકવણી ઇકોસિસ્ટમમાં વેપારી સેવા ચાર્જ પ્રમાણભૂત છે. જ્યારે ગ્રાહકો સરળતાથી ડિજિટલ ચુકવણીનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે.</p><p><br></p><h3>&nbsp;સવાલ 7&nbsp;</h3><h3><b>UPI ને સુરક્ષિત અને મજબૂત રાખવું શા માટે જરૂરી છે?</b></h3><p><br></p><p>PCI અનુસાર, UPI ભારતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો એક આધારસ્તંભ બની ગયું છે, જેમાં લાખો લોકો દરરોજ તેનો ઉપયોગ કરે છે. જેમ જેમ UPI વ્યવહારો વધતા જાય છે, તેમ તેમ 24/7 અવિરત સર્વર કામગીરી, ડેટા સુરક્ષા, સાયબર છેતરપિંડીની તાત્કાલિક રોકથામ અને શ્રેષ્ઠ ગ્રાહક સપોર્ટ સુનિશ્ચિત કરવા માટે નેટવર્કમાં સતત રોકાણની જરૂરિયાત વધતી જશે. ભવિષ્યમાં ગ્રાહકો અને વ્યવસાયો બંને માટે UPI ને સંપૂર્ણપણે સુરક્ષિત, વિશ્વસનીય અને વપરાશકર્તા મૈત્રીપૂર્ણ રાખવા માટે આ જરૂરી છે.</p><p><br></p><h4>&nbsp;સવાલ 8</h4><p><b style="font-size: 1.5rem;">નવા સરકારી બિલ પછી UPI ચાર્જની ચર્ચા શા માટે તીવ્ર બની છે?</b></p><p>કરવેરા અને અન્ય કાયદા સુધારા બિલ, 2026 લોકસભામાં પસાર થયા પછી UPI ચાર્જ અંગે ચર્ચાઓએ વેગ પકડ્યો. નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલ, બિલ કોઈપણ ચર્ચા વિના ધ્વનિ મત દ્વારા પસાર કરવામાં આવ્યું. આ નવા બિલમાં ચુકવણી પ્રણાલીઓ અને આવકવેરા નિયમોને સંચાલિત કરતા હાલના કાયદાઓમાં જરૂરી સુધારાઓનો સમાવેશ થાય છે.</p><p>આ નવા કાયદા હેઠળ, સરકારને પસંદગીની ડિજિટલ ચુકવણી પદ્ધતિઓ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) વસૂલવાની સત્તા છે. એકવાર અમલમાં આવ્યા પછી ₹2,000 થી વધુના વ્યવસાય-સંબંધિત UPI વ્યવહારો પર 0.25% થી 0.4% સુધીના શુલ્ક લાગી શકે છે. જો કે, આ વ્યક્તિ-થી-વ્યક્તિ (P2P) UPI વ્યવહારોને અસર કરશે નહીં, જે સંપૂર્ણપણે મફત રહેશે. જેમ હાલમાં છે.  વધુમાં નાના વેપારીઓ અને સ્થાનિક દુકાનદારોને આ વધારાના ખર્ચથી બચાવવા માટે જોગવાઈઓ કરવામાં આવી છે.</p><p><br></p><h4>&nbsp;સવાલ 9</h4><h4><b>શું UPI ચુકવણીઓ સામાન્ય લોકો માટે મફત રહેશે?</b></h4><p>આનો અર્થ એ છે કે UPI દ્વારા ચુકવણી કરતા સામાન્ય ગ્રાહકોએ હાલમાં કોઈ શુલ્ક ચૂકવવા પડશે નહીં. નાના દુકાનદારો અને કરિયાણા સ્ટોર્સ પણ UPI ચુકવણી સ્વીકારવા માટે MDR ચૂકવતા નથી. જો ભવિષ્યમાં મોટા વેપારીઓ પર વેપારી સેવા ચાર્જ લાદવામાં આવે છે, તો તે વેપારી અને ચુકવણી સેવા પ્રદાતા વચ્ચેનો વાણિજ્યિક મામલો હશે. PCI એ સ્પષ્ટતા કરી છે કે આનો અર્થ એ નથી કે UPI નો ઉપયોગ કરવા બદલ સામાન્ય લોકો પાસેથી શુલ્ક લેવામાં આવશે.</p><p><br></p><p>ટૂંકમાં, સામાન્ય વપરાશકર્તાઓએ આ તબક્કે UPI શુલ્ક વિશે ચિંતા કરવાની જરૂર નથી.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/qpNq8FHsvqFzCm0pvAqe9Z9qGBWRxH4ALKpQaJ8A.webp'/></item><item><title><![CDATA[Sports News : ફૂટબોલ મેચ દરમિયાન ખેલાડી પર પડી વીજળી, Videoમાં કેદ થઈ ઘટના ]]></title><link>https://sandesh.com/sports/news/sports-news-lightning-strikes-player-during-football-match-incident-captured-on-video</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/sports-news-lightning-strikes-player-during-football-match-incident-captured-on-video</guid><pubDate>Fri, 07 Aug 2026 16:01:27 +05:30</pubDate><description><![CDATA[<p>થાઈલેન્ડમાં એક દુ:ખદ અને આઘાતજનક ઘટના બની છે,જ્યાં ફૂટબોલ મેચ દરમિયાન મેદાન પર વીજળી પડી હતી.આ ભયાનક દુર્ઘટનામાં 24 વર્ષીય ફૂટબોલર સફવાન અવેનું દુઃખદ મૃત્યુ થયું હતું,જ્યારે 12 અન્ય ખેલાડીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા.વરસાદ અને તોફાની વાતાવરણ વચ્ચે મેચ રમાઈ રહી હતી, જ્યારે ખેલાડીઓ ધોધમાર વરસાદ છતાં મેદાન પર જ રહ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.</p><h4><b>ભયાનક દ્રશ્ય કેમેરામાં કેદ</b></h4><p>સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં, જોઈ શકાય છે કે ખેલાડીઓ જ્યાં દોડી રહ્યા હતા તે વિસ્તારની નજીક, અચાનક વીજળી એક તેજસ્વી ફ્લેશ સાથે જમીન પર પડી. વીજળી પડતાં ધુમાડાના ગોટેગોટા અને આગની જ્વાળાઓ ઉંચી થતી જોવા મળી હતી. વીજળી પડતાં ફૂટબોલર સફવાન અવે મેદાન પર પડી ગયો. ત્યાં હાજર ચાહકો અને સાથી ખેલાડીઓ તાત્કાલિક મેદાનમાં દોડી ગયા અને તેને જીવિત કરવાનો પ્રયાસ કર્યો.</p><h5><b>સ્થાનિક પોલીસે શું કહ્યું</b></h5><p>ત્યારબાદ સફવાનને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. પરંતુ તેને બચાવી શકાયો નહીં. સ્થાનિક પોલીસે બાદમાં સત્તાવાર રીતે સફવાનના મૃત્યુની પુષ્ટિ કરી. પોલીસે એ પણ જાહેર કર્યું કે વીજળી પડવાથી 12 અન્ય લોકો પણ ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોમાં 22 વર્ષીય મલેશિયન ફૂટબોલર અલિફ અઝાન ઝુલ્કિફલીનો પણ સમાવેશ થાય છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/praylaughlift/status/2085332343762337981?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><br></p><h5><b>સમગ્ર રમતગમત જગતમાં શોકની લહેર&nbsp;</b></h5><p>24 વર્ષીય સફવાન અવેએ તાજેતરમાં થાઈ લીગ 3 સધર્ન રિજનમાં રમતા ફૂટબોલ ક્લબ એફસી યાલા સાથે કરાર કર્યો હતો. તેમના યુવા ખેલાડીના અવસાનથી આઘાત પામેલા ક્લબે સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરીને લખ્યું, "ચોક્કસ, આપણે અલ્લાહના છીએ, અને આપણે તેની પાસે પાછા ફરવું જોઈએ." આ દુ:ખદ ઘટનાએ સમગ્ર રમતગમત જગતમાં શોકની લહેર ફેલાવી દીધી છે.</p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/cricket/news/ind-vs-sl-warm-up-match-kl-rahul-did-something-like-this-in-kuldeep-yadavs-over-video-goes-viral" target="_blank"> IND Vs SL Warm-Up Match : કુલદીપ યાદવની ઓવરમાં કેએલ રાહુલે કર્યું કંઈક એવું, વીડિયો થયો વાયરલ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/07/ENpFTthkyKp0r7kOAPIIfaXsl0yjFZjGKEx3dOCI.webp'/></item></channel></rss>