<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[PM Modi Putin Meeting: SCO સમિટમાં પીએમ મોદી અને પુતિન વચ્ચે યોજાશે દ્વિપક્ષીય મુલાકાત, MEAએ કરી પુષ્ટિ ]]></title><link>https://sandesh.com/india/news/political-news/pm-modi-putin-meeting-bilateral-meeting-to-be-held-between-pm-modi-and-putin-at-sco-summit-mea-confirms</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/political-news/pm-modi-putin-meeting-bilateral-meeting-to-be-held-between-pm-modi-and-putin-at-sco-summit-mea-confirms</guid><pubDate>Thu, 27 Aug 2026 17:49:02 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ બેઠક વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે ભારત-રશિયા વ્યૂહાત્મક ભાગીદારી અને આર્થિક સંબંધોને નવી ગતિ આપશે.&nbsp;</p><h2 style="text-align: justify; ">વૈશ્વિક સુરક્ષાનો મુદ્દો મુખ્ય&nbsp;</h2><p style="text-align: justify; ">શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન એટલે કે SCO સમિટમાં વિશ્વનું ધ્યાન ફરી એકવાર ભારત અને રશિયા વચ્ચેની અતૂટ મિત્રતા પર કેન્દ્રિત થશે. વિદેશ મંત્રાલયએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે, સમિટ દરમિયાન પીએમ મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક થશે. વૈશ્વિક ભૂરાજકીય ઉથલપાથલ વચ્ચે, બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાત માત્ર વ્યૂહાત્મક સંબંધોમાં નવી ઉર્જાનો સંચાર કરશે જ નહીં પરંતુ વેપાર, ઊર્જા અને વૈશ્વિક સુરક્ષા જેવા મુખ્ય મુદ્દાઓ પર એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.</p><h3 style="text-align: justify; ">મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક</h3><p style="text-align: justify; ">જ્યારે મુખ્ય શક્તિઓ વૈશ્વિક રાજકીય નકશા પર પોતપોતાના પગલાં લઈ રહી છે, ત્યારે મધ્ય એશિયાના સમાચારોએ પશ્ચિમી છાવણીમાં હલચલ મચાવી દીધી છે. વિદેશ મંત્રાલયએ જાહેરાત કરી છે કે 26મી SCO સમિટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે ખૂબ જ મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક થશે. આવા સંદર્ભમાં, આ બે અગ્રણી નેતાઓ વચ્ચે હાથ મિલાવવા એ માત્ર ઔપચારિકતા નથી પરંતુ વૈશ્વિક શક્તિ સંતુલનમાં એક નવો અધ્યાય છે. પીએમ મોદી 29 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન ઉઝબેકિસ્તાન અને કિર્ગિઝ રિપબ્લિકની મુલાકાત લેશે.</p><h4 style="text-align: justify; ">વિશ્વાસના સ્તરને વધારવા પ્રયાસ&nbsp;</h4><p style="text-align: justify; ">આ સમગ્ર પ્રવાસનું મુખ્ય આકર્ષણ પીએમ નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક હશે. વૈશ્વિક દબાણ અને પ્રતિબંધો વચ્ચે ભારત અને રશિયા વચ્ચેની આ બેઠક બંને દેશો વચ્ચેના વિશ્વાસના આગલા સ્તરને દર્શાવે છે. આ બેઠકમાં વેપાર, ઉર્જા સુરક્ષા, સંરક્ષણ અને વૈશ્વિક શાંતિ અંગે ચર્ચા કરવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદી મધ્ય એશિયાઈ સંસ્કૃતિના મુખ્ય ઉત્સવ, છઠ્ઠા વિશ્વ નોમડ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહમાં પણ હાજરી આપશે.</p><h5 style="text-align: justify; ">"વિકસિત ભારત @ 2047" અને "ઉઝબેકિસ્તાન 2030"&nbsp;</h5><p style="text-align: justify; ">પીએમ નરેન્દ્ર મોદીનો મધ્ય એશિયા પ્રવાસ 29 ઓગસ્ટે ઉઝબેકિસ્તાનમાં શરૂ થશે. રાષ્ટ્રપતિ શવકત મિર્ઝીયોયેવના આમંત્રણ પર તાશ્કંદ પહોંચતા, આ પીએમ મોદીનો ઉઝબેકિસ્તાનની ચોથી મુલાકાત છે. બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ, સંરક્ષણ, ડિજિટલ કનેક્ટિવિટી અને ઉર્જા જેવા મુખ્ય વિષયો પર ઉચ્ચ સ્તરીય ચર્ચાઓ થશે. "વિકસિત ભારત @ 2047" અને "ઉઝબેકિસ્તાન 2030" ના વિઝનને સંરેખિત કરીને, બંને દેશો તેમના આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે તૈયાર છે.</p><h6 style="text-align: justify; ">'આતંકવાદ માનવતા માટે નોંધપાત્ર ખતરો'</h6><p style="text-align: justify; ">SCO સમિટમાં સુરક્ષા અંગે ભારતનું વલણ સ્પષ્ટ અને આક્રમક રહેશે. વિદેશ સચિવ સીબી જ્યોર્જે સ્પષ્ટ કર્યું છે કે, ભારત આતંકવાદ અને સરહદ પાર આતંકવાદ પર શૂન્ય-સહિષ્ણુતા નીતિનું પાલન કરશે. ભારત માને છે કે આતંકવાદ માનવતા માટે નોંધપાત્ર ખતરો છે. બિશ્કેક પ્લેટફોર્મ પરથી, ભારત વૈશ્વિક સમુદાયને એક મજબૂત સંદેશ મોકલશે કે આતંકવાદને આશ્રય આપનારાઓ સામે કડક પગલાં લેવા જોઈએ.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/china-mega-projects-serious-questions-raised-on-chinas-6-controversial-mega-projects-after-nepal-disaster" target="_blank">નેપાળ તબાહી બાદ ચીનના 6 વિવાદસ્પદ મેગા પ્રોજેક્ટ્સ પર ઉઠ્યા ગંભીર સવાલ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/gEpCAKpBQCQdatnp3X0pJRmqUIoyQuNG6QiFXRmM.webp'/></item><item><title><![CDATA[Surat News: કડોદરામાં ભાજપ મહિલા આગેવાનની પુત્રવધૂના આત્મહત્યા કેસમાં કાર્યવાહી, 'પતિ-પત્ની ઓર વો'ના ચક્કરમાં પોલીસે પતિ અને પ્રેમિકાની કરી ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/kadodara-bjp-leader-daughter-in-law-suicide-husband-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/kadodara-bjp-leader-daughter-in-law-suicide-husband-arrested</guid><pubDate>Thu, 27 Aug 2026 17:36:05 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત જિલ્લાના કડોદરા-બારડોલી રોડ વિસ્તારમાં આવેલી શ્રીનિવાસ ગ્રીનસિટી સોસાયટીમાં એક અત્યંત ચકચારી ઘટના સામે આવી છે. જ્યાં રહેતા સ્થાનિક ભાજપના મહિલા આગેવાનના પુત્રની 24 વર્ષીય પત્ની નિધિકુમારીએ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. લગ્નજીવનના માત્ર 2 જ વર્ષના ટૂંકાગાળામાં પરિણિતાએ અંતિમ પગલું ભરી લેતા કડોદરા પોલીસે તપાસ હાથ ધરી હતી.</p><h2><b>પોસ્ટ મોર્ટમ દરમિયાન આંતરવસ્ત્રમાંથી મળી 2 પાનાની સ્યુસાઈડ નોટ</b></h2><p>આત્મહત્યાની આ ઘટનામાં સૌથી ચોંકાવનારો મોડ ત્યારે આવ્યો જ્યારે મૃતદેહના પેનલ પોસ્ટ મોર્ટમ દરમિયાન તબીબોને પરિણિતાના આંતરવસ્ત્રમાંથી છુપાવેલી 2 પાનાની વિસ્તૃત સ્યુસાઈડ નોટ મળી આવી હતી. તબીબોએ ત્વરિત આ ચિઠ્ઠી કડોદરા પોલીસને સોંપી હતી. સ્યુસાઈડ નોટમાં નિધિકુમારીએ પોતાના પતિના અન્ય મહિલા સાથેના અનૈતિક સંબંધો અને તેના કારણે સતત અપાતા માનસિક ત્રાસનો ગંભીર ઉલ્લેખ કર્યો હતો.</p><h2><b>'પતિ-પત્ની ઓર વો' ના ચક્કરમાં સંસાર હોમાયો</b></h2><p>પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલા તારણ મુજબ, નિધિકુમારીના લગ્ન 2 વર્ષ પૂર્વે સૌરભકુમાર સાથે થયા હતા. જોકે, સૌરભસિંગના ઈશિકા બેનરજી નામની મહિલા સાથે પ્રેમસંબંધો ચાલી રહ્યા હતા. પતિના આ અફેર અંગે જાણ થતાં જ બંને પતિ-પત્ની વચ્ચે અવારનવાર ભારે કંકાશ અને ઝઘડા થતા હતા. પતિના અન્ય મહિલા સાથેના સંબંધો અને માનસિક ત્રાસથી કંટાળીને આખરે નિધિકુમારીએ જિંદગી ટૂંકાવી લીધી હતી.</p><p><img alt="Surat News: BJP Leader's Daughter-in-Law Commits Suicide in Kadodara, Husband and Mistress Arrested" src="https://epapercdn.sandesh.com/images/2026/08/27/Saz3o54Gnvo6klxloT0A7ehop4ZRMly87VWhw0rW.webp" style="width: 100%;"><br></p><h2><b>કડોદરા પોલીસે ગણતરીના કલાકોમાં પતિ અને પ્રેમિકાને જેલભેગા કર્યા</b></h2><p>સ્યુસાઈડ નોટમાં થયેલા ખુલાસા અને મળેલા પુરાવાઓના આધારે કડોદરા પોલીસે ત્વરિત અને કડક કાર્યવાહી કરી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ પરિણિતાને આત્મહત્યા માટે મજબૂર કરનાર પતિ સૌરભસિંગ તેમજ તેની પ્રેમિકા ઈશિકા બેનરજીની વિધિવત ધરપકડ કરી લીધી છે. પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/crime/surat/kadodara-bjp-leader-daughter-in-law-suicide-case" target="_blank">Surat News: ભાજપ આગેવાનની પુત્રવધૂએ કરી આત્મહત્યા, પોસ્ટ મોર્ટમ દરમિયાન આંતરવસ્ત્રમાંથી સ્યુસાઈડ નોટ મળી</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/RPuF3PdfopELiTg8sTdiJqHVN71OIhhLcBJ5S9ns.webp'/></item><item><title><![CDATA[Kangana Ranaut BJP Puppet:  ‘હું કંઇ BJPની કઠપૂતળી નથી’, કંગનાનો બેધડક જવાબ ]]></title><link>https://sandesh.com/india/news/entertainment/kangana-ranaut-not-bjp-puppet-baba-ramdev-remarks</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/entertainment/kangana-ranaut-not-bjp-puppet-baba-ramdev-remarks</guid><pubDate>Thu, 27 Aug 2026 17:27:08 +05:30</pubDate><description><![CDATA[<p>અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌત પોતાના બિન્દાસ નિવેદનો માટે હંમેશા ચર્ચાનું કેન્દ્ર હોય છે અને કોઈપણ મુદ્દા પર બોલવાની તક તેઓ છોડતા નથી. જો કે હાલ તેમણે જે નિવેદન આપ્યું છે તેને લઇને ક્યાંક ભાજપ હાઇકમાન્ડની નારાજગી વહોરી લીધી હોય તેમ લાગી રહ્યું છે.&nbsp; કંગનાનું કહેવું છે કે તેઓ ભાજપની કઠપૂતળી નથી અને શક્ય છે કે આવતીકાલે પાર્ટી તેમને સાથ ન આપે.&nbsp; આ સાથે જ તેમણે બાબા રામદેવને પણ આડેહાથ લીધા હતા અને કહ્યું હતું કે શું બાબા રામદેવ મારા રૂમમાં ચામાચીડિયું બનીને લટકી રહ્યા હતા?&nbsp; &nbsp;</p><p>કંગના રનૌતને એક ચેનલ સાથેની વાતચીતમાં જ્યારે તેમના કડવા અને આક્રમક નિવેદનો અંગે સવાલ કરવામાં આવ્યો, ત્યારે કંગનાએ કહ્યું, "વંદાને તમે ચપ્પલથી જ મારશો ને, હાથમાં તો નહીં લો ને? ચુંબન તો નહીં કરો ને?"</p><h2><b>'ભાજપની કઠપૂતળી નથી, પાર્ટી આજે મારી સાથે છે, આવતીકાલે હોય કે ન હોય'</b></h2><p>કંગનાને જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ જે પણ નિવેદન આપે છે, તે ભાજપનું સત્તાવાર વલણ હોય છે કે તેમનો વ્યક્તિગત વિચાર હોય છે? તેના જવાબમાં કંગનાએ કહ્યું, "એવું નથી કે હું મારી પાર્ટીથી અલગ થવા માગું છું. પરંતુ મને લાગે છે કે જ્યારે ખૂબ વધારે ઘોંઘાટ થઇ રહ્યો હોય, ત્યારે ક્યાંક ને ક્યાંક તમારે પણ જોરથી બોલવું પડે છે. હું ઘણીવાર આકરા નિવેદનો આપી દઉં છું, પરંતુ હું જાણી જોઈને આવું કરવા માગતી નથી. ... <b>હું કોઈ કઠપૂતળી થોડી છું. ભાજપ આજે મારી સાથે છે, આવતીકાલે હોય કે ન હોય</b>. 2 વર્ષથી હું સંસદસભ્ય છું. 20 વર્ષથી હું કલાકાર છું. એ સિવાય પણ મારું પોતાનું અસ્તિત્વ છે. હું જો ઊભી થઈ જાઉં તો 20 પત્રકારો આવશે અને મારી વાત સાંભળશે."</p><h2><b>'ક્યારેક ઊંચનીચ થઈ જાય છે, જે પાર્ટીને ખટકતી હશે'</b></h2><p>કંગનાએ આગળ કહ્યું, "મેં હંમેશાં કહ્યું છે કે મારા વિચારો મારા પોતાના છે, મારી વિચારધારા મારી પોતાની છે. તે અચાનક ગાયબ થઈ શકે નહીં. હું પ્રયાસ કરું છું અને પાર્ટી સાથે મારું જોડાણ એવું છે કે ક્યારેય કંઈપણ તેમને ખોટું લાગે તેમ નથી કરતી. પરંતુ હા, ક્યારેક ઊંચનીચ થઈ જતી હશે, જે તેમને ખટકતી હશે. પરંતુ હું હજુ નવી છું અને આ બાબતો શીખી રહી છું."</p><h2><b>લોકસભામાં ફરી ટિકિટ નહીં મળે તો?&nbsp;</b></h2><p>કંગનાને જ્યારે પૂછવામાં આવ્યું કે આજથી 5-10 વર્ષ બાદ તેઓ પોતાને કોઈ મોટા બંધારણીય પદ પર જોશે કે ફરી અભિનય ક્ષેત્રમાં પરત ફરશે? તેના જવાબમાં કંગનાએ કહ્યું, "આનો જવાબ આપવો મુશ્કેલ છે, ખાસ કરીને આજના સમયમાં રહેલી ઘણી અનિશ્ચિતતાઓને જોતા.&nbsp; એ પછી જ્યારે આગામી લોકસભા માટે ટિકિટ મેળવવા બાબતે તેમને સવાલ કરવામાં આવ્યો ત્યારે કંગનાએ કહ્યું. મને એવો કોઇ ડર નથી કે જો મને ટિકિટ નહીં મળે તો મારું અસ્તિત્વ ખતમ થઈ જશે. હું એક અભિનેત્રી પણ છું, ફિલ્મ નિર્માતા છું, લેખિકા છું અને મને મારા કામથી ખૂબ પ્રેમ છે. હું હજુ પણ ઘણા ડિરેક્ટર્સની ખૂબ પસંદગીની અભિનેત્રી છું. તેમાંથી ઘણા મારી રાહ જોઈ રહ્યા છે. તેઓ મને પૂછે છે કે તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રી કેમ છોડી? જીવનમાં કરવા માટે ઘણું બધું છે."</p><h2><b>'બાબા રામદેવ ચામાચીડિયા બનીને મારા રૂમમાં લટકી રહ્યા હતા?'</b></h2><p>કંગનાએ આ જ મુલાકાતમાં બાબા રામદેવ સાથે જોડાયેલા મુદ્દા પર પણ વાત કરી હતી.&nbsp; કંગનાએ Gen-Zને ગટરછાપ કહી દેતા બાબા રામદેવે તેમની ટીકા કરી હતી અને તેમના અંગત જીવન અંગે પણ ટિપ્પણી કરી હતી. બાબા રામદેવે કહ્યું હતું કે તેમના અગાઉના કારનામા કેવા રહ્યા છે? તેમની યુવાની કેવી રહી છે? Gen-Zને ગટર કહેવું બગડેલા મગજની નિશાની છે.</p><p>આ અંગે પૂછવામાં આવતા કંગનાએ કહ્યું, "શું બાબા રામદેવ મારા રૂમમાં ચામાચીડિયાની જેમ લટકી રહ્યા હતા? શું તેમણે મને મારી યુવાનીમાં જોઈ હતી? તેમને શું ખબર મારા અગાઉના જીવનની. તેમણે શું જોયું હતું? મને સમજાતું નથી કે તેમણે ખરેખર શું જોયું. તેમણે જણાવવું જોઈએ કે તેમણે શું જોયું."</p><h2><b>બાબા રામદેવને અગાઉ પણ આપ્યો હતો જવાબ</b></h2><p>આ પહેલાં કંગનાએ બાબા રામદેવને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા જવાબ આપ્યો હતો અને લખ્યું હતું, "બાબાજી મારી યુવાની અથવા બેડરૂમ વિશે સપનાં ન જુઓ. કોઈ વ્યક્તિ માત્ર અફવાઓ અને ગૉસિપના આધારે જ અંદાજ લગાવી શકે છે.&nbsp; છેતરપિંડીવાળા તબીબી દાવાઓ માટે મને ક્યારેય સુપ્રીમ કોર્ટની ફટકાર પડી નથી. આ વાત પાકા પુરાવા અને તથ્યો પર આધારિત છે, કોઈ ગૉસિપ કે અંદાજ પર નહીં. તેથી મને ચારિત્ર્યનો પાઠ ન ભણાવો. મારું ચારિત્ર્ય તમારા કરતાં ઘણું સારું છે. અહીં કોઈ છેતરપિંડી નથી."</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/RL3jcx1sqcw9MUiAZ6DbfibxXEZTP2CrNZT2zSLl.webp'/></item><item><title><![CDATA[Kangana Ranaut BJP Puppet:  ‘હું કંઇ BJPની કઠપૂતળી નથી’, કંગનાનો બેધડક જવાબ ]]></title><link>https://sandesh.com/india/news/entertainment/kangana-ranaut-not-bjp-puppet-baba-ramdev-remarks</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/entertainment/kangana-ranaut-not-bjp-puppet-baba-ramdev-remarks</guid><pubDate>Thu, 27 Aug 2026 17:27:08 +05:30</pubDate><description><![CDATA[<p>અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌત પોતાના બિન્દાસ નિવેદનો માટે હંમેશા ચર્ચાનું કેન્દ્ર હોય છે અને કોઈપણ મુદ્દા પર બોલવાની તક તેઓ છોડતા નથી. જો કે હાલ તેમણે જે નિવેદન આપ્યું છે તેને લઇને ક્યાંક ભાજપ હાઇકમાન્ડની નારાજગી વહોરી લીધી હોય તેમ લાગી રહ્યું છે.&nbsp; કંગનાનું કહેવું છે કે તેઓ ભાજપની કઠપૂતળી નથી અને શક્ય છે કે આવતીકાલે પાર્ટી તેમને સાથ ન આપે.&nbsp; આ સાથે જ તેમણે બાબા રામદેવને પણ આડેહાથ લીધા હતા અને કહ્યું હતું કે શું બાબા રામદેવ મારા રૂમમાં ચામાચીડિયું બનીને લટકી રહ્યા હતા?&nbsp; &nbsp;</p><p>કંગના રનૌતને એક ચેનલ સાથેની વાતચીતમાં જ્યારે તેમના કડવા અને આક્રમક નિવેદનો અંગે સવાલ કરવામાં આવ્યો, ત્યારે કંગનાએ કહ્યું, "વંદાને તમે ચપ્પલથી જ મારશો ને, હાથમાં તો નહીં લો ને? ચુંબન તો નહીં કરો ને?"</p><h2><b>'ભાજપની કઠપૂતળી નથી, પાર્ટી આજે મારી સાથે છે, આવતીકાલે હોય કે ન હોય'</b></h2><p>કંગનાને જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ જે પણ નિવેદન આપે છે, તે ભાજપનું સત્તાવાર વલણ હોય છે કે તેમનો વ્યક્તિગત વિચાર હોય છે? તેના જવાબમાં કંગનાએ કહ્યું, "એવું નથી કે હું મારી પાર્ટીથી અલગ થવા માગું છું. પરંતુ મને લાગે છે કે જ્યારે ખૂબ વધારે ઘોંઘાટ થઇ રહ્યો હોય, ત્યારે ક્યાંક ને ક્યાંક તમારે પણ જોરથી બોલવું પડે છે. હું ઘણીવાર આકરા નિવેદનો આપી દઉં છું, પરંતુ હું જાણી જોઈને આવું કરવા માગતી નથી. ... <b>હું કોઈ કઠપૂતળી થોડી છું. ભાજપ આજે મારી સાથે છે, આવતીકાલે હોય કે ન હોય</b>. 2 વર્ષથી હું સંસદસભ્ય છું. 20 વર્ષથી હું કલાકાર છું. એ સિવાય પણ મારું પોતાનું અસ્તિત્વ છે. હું જો ઊભી થઈ જાઉં તો 20 પત્રકારો આવશે અને મારી વાત સાંભળશે."</p><h2><b>'ક્યારેક ઊંચનીચ થઈ જાય છે, જે પાર્ટીને ખટકતી હશે'</b></h2><p>કંગનાએ આગળ કહ્યું, "મેં હંમેશાં કહ્યું છે કે મારા વિચારો મારા પોતાના છે, મારી વિચારધારા મારી પોતાની છે. તે અચાનક ગાયબ થઈ શકે નહીં. હું પ્રયાસ કરું છું અને પાર્ટી સાથે મારું જોડાણ એવું છે કે ક્યારેય કંઈપણ તેમને ખોટું લાગે તેમ નથી કરતી. પરંતુ હા, ક્યારેક ઊંચનીચ થઈ જતી હશે, જે તેમને ખટકતી હશે. પરંતુ હું હજુ નવી છું અને આ બાબતો શીખી રહી છું."</p><h2><b>લોકસભામાં ફરી ટિકિટ નહીં મળે તો?&nbsp;</b></h2><p>કંગનાને જ્યારે પૂછવામાં આવ્યું કે આજથી 5-10 વર્ષ બાદ તેઓ પોતાને કોઈ મોટા બંધારણીય પદ પર જોશે કે ફરી અભિનય ક્ષેત્રમાં પરત ફરશે? તેના જવાબમાં કંગનાએ કહ્યું, "આનો જવાબ આપવો મુશ્કેલ છે, ખાસ કરીને આજના સમયમાં રહેલી ઘણી અનિશ્ચિતતાઓને જોતા.&nbsp; એ પછી જ્યારે આગામી લોકસભા માટે ટિકિટ મેળવવા બાબતે તેમને સવાલ કરવામાં આવ્યો ત્યારે કંગનાએ કહ્યું. મને એવો કોઇ ડર નથી કે જો મને ટિકિટ નહીં મળે તો મારું અસ્તિત્વ ખતમ થઈ જશે. હું એક અભિનેત્રી પણ છું, ફિલ્મ નિર્માતા છું, લેખિકા છું અને મને મારા કામથી ખૂબ પ્રેમ છે. હું હજુ પણ ઘણા ડિરેક્ટર્સની ખૂબ પસંદગીની અભિનેત્રી છું. તેમાંથી ઘણા મારી રાહ જોઈ રહ્યા છે. તેઓ મને પૂછે છે કે તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રી કેમ છોડી? જીવનમાં કરવા માટે ઘણું બધું છે."</p><h2><b>'બાબા રામદેવ ચામાચીડિયા બનીને મારા રૂમમાં લટકી રહ્યા હતા?'</b></h2><p>કંગનાએ આ જ મુલાકાતમાં બાબા રામદેવ સાથે જોડાયેલા મુદ્દા પર પણ વાત કરી હતી.&nbsp; કંગનાએ Gen-Zને ગટરછાપ કહી દેતા બાબા રામદેવે તેમની ટીકા કરી હતી અને તેમના અંગત જીવન અંગે પણ ટિપ્પણી કરી હતી. બાબા રામદેવે કહ્યું હતું કે તેમના અગાઉના કારનામા કેવા રહ્યા છે? તેમની યુવાની કેવી રહી છે? Gen-Zને ગટર કહેવું બગડેલા મગજની નિશાની છે.</p><p>આ અંગે પૂછવામાં આવતા કંગનાએ કહ્યું, "શું બાબા રામદેવ મારા રૂમમાં ચામાચીડિયાની જેમ લટકી રહ્યા હતા? શું તેમણે મને મારી યુવાનીમાં જોઈ હતી? તેમને શું ખબર મારા અગાઉના જીવનની. તેમણે શું જોયું હતું? મને સમજાતું નથી કે તેમણે ખરેખર શું જોયું. તેમણે જણાવવું જોઈએ કે તેમણે શું જોયું."</p><h2><b>બાબા રામદેવને અગાઉ પણ આપ્યો હતો જવાબ</b></h2><p>આ પહેલાં કંગનાએ બાબા રામદેવને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા જવાબ આપ્યો હતો અને લખ્યું હતું, "બાબાજી મારી યુવાની અથવા બેડરૂમ વિશે સપનાં ન જુઓ. કોઈ વ્યક્તિ માત્ર અફવાઓ અને ગૉસિપના આધારે જ અંદાજ લગાવી શકે છે.&nbsp; છેતરપિંડીવાળા તબીબી દાવાઓ માટે મને ક્યારેય સુપ્રીમ કોર્ટની ફટકાર પડી નથી. આ વાત પાકા પુરાવા અને તથ્યો પર આધારિત છે, કોઈ ગૉસિપ કે અંદાજ પર નહીં. તેથી મને ચારિત્ર્યનો પાઠ ન ભણાવો. મારું ચારિત્ર્ય તમારા કરતાં ઘણું સારું છે. અહીં કોઈ છેતરપિંડી નથી."</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/RL3jcx1sqcw9MUiAZ6DbfibxXEZTP2CrNZT2zSLl.webp'/></item><item><title><![CDATA[Dahodના ગરબાડામાં પોલીસનું હાઈટેક પેટ્રોલિંગ, ચોરી અટકાવવા ડ્રોન કેમેરાથી થશે હવાઈ સર્વેલન્સ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/dahod/police-to-conduct-high-tech-patrols-in-dahods-garbada-aerial-surveillance-using-drone-cameras-to-prevent-theft</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/dahod/police-to-conduct-high-tech-patrols-in-dahods-garbada-aerial-surveillance-using-drone-cameras-to-prevent-theft</guid><pubDate>Thu, 27 Aug 2026 17:16:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દાહોદ જિલ્લાના ગરબાડા પંથકમાં ગુનાખોરી અને ચોરીની ઘટનાઓ પર અંકુશ મેળવવા માટે ગરબાડા પોલીસ દ્વારા હાઈટેક પેટ્રોલિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા આધુનિક ડ્રોન કેમેરાની મદદથી ગરબાડા નગર તેમજ આસપાસના જુદા જુદા વિસ્તારોમાં હવાઈ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. આ નવીનતમ ટેકનોલોજીના ઉપયોગથી વિસ્તારમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ આચરતા તસ્કરો અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અંતરિયાળ વિસ્તારોમાં સર્વેલન્સ</b></h2><p style="text-align: justify; ">આ સમગ્ર કામગીરી DySP એમ.કે. સ્વામી અને PI રાદડિયાના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને ગરબાડા પંથકના અંતરિયાળ અને સંવેદનશીલ વિસ્તારોમાં, જ્યાં સામાન્ય ગાડીઓ કે પદયાત્રા દ્વારા પેટ્રોલિંગ કરવું પડકારજનક બનતું હોય છે, ત્યાં ડ્રોન કેમેરાની મદદથી આકાશમાંથી ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે. પોલીસ ટીમ દ્વારા સ્થળ પરથી ડ્રોન ઉડાડીને સમગ્ર પંથકની સુરક્ષા વ્યવસ્થાની આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી.</p><h2 style="text-align: justify; "><b>હવેથી રાત્રિના સમયે પણ ડ્રોન કેમેરાથી સતત મોનિટરિંગ કરાશે</b></h2><p style="text-align: justify; ">ગરબાડા પોલીસ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી દિવસોમાં પણ આ હાઈટેક સર્વેલન્સ કામગીરી ચાલુ રાખવામાં આવશે. હવેથી ખાસ કરીને રાત્રિના સમયે ગરબાડાના તમામ મુખ્ય તેમજ અંતરિયાળ વિસ્તારોમાં ડ્રોન કેમેરાથી સતત નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવશે, જેથી રાત્રિ દરમિયાન થતી ચોરી અને ઘરફોડ જેવી ઘટનાઓને સદંતર રોકી શકાય. પોલીસના આ પ્રશંસનીય પગલાથી સ્થાનિક નાગરિકોમાં સુરક્ષા અને શાંતિની ભાવના વધુ મજબૂત બની છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/world/ahmedabad/ahmedabad-news-bhavin-rawal-from-ahmedabad-who-went-on-kailash-yatra-missing-in-nepal-contact-lost-after-flash-flood-on-wednesday" target="_blank">Ahmedabad News : કૈલાશ યાત્રાએ ગયેલા અમદાવાદના ભાવિન રાવલ નેપાળમાં ગુમ, બુધવારે ફ્લેશ ફ્લડ બાદ સંપર્ક તૂટ્યો</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/SdRQoug6ALoE9CBU0xUXVcMpUOXu8CZmohyHFj6A.webp'/></item><item><title><![CDATA[Gujarat Super League Season 3: 1 સપ્ટેમ્બરથી થશે ધમાકેદાર પ્રારંભ, અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે ટ્રોફી-જર્સી અનાવરણ સાથે નવી ડિજિટલ એપ લોન્ચ ]]></title><link>https://sandesh.com/sports/news/gujarat/ahmedabad/gujarat-super-league-season-3-schedule-transstadia-ahmedabad-gsfa-app-launch</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/gujarat/ahmedabad/gujarat-super-league-season-3-schedule-transstadia-ahmedabad-gsfa-app-launch</guid><pubDate>Thu, 27 Aug 2026 17:08:43 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતમાં ફૂટબોલની રમતે પકડાવેલા મજબૂત વાતાવરણ વચ્ચે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશને ગુજરાત સુપર લીગની ત્રીજી સીઝનની જાહેરાત કરી છે. GSL સીઝન-3 નો પ્રારંભ 1 સપ્ટેમ્બર, 2026 ના રોજ સાંજે 4:00 વાગ્યે અમદાવાદના વિશ્વકક્ષાના સ્ટેડિયમ ટ્રાન્સસ્ટેડિયા એરેના ખાતે થશે. આ લીગ રાજ્યમાં ઉચ્ચ સ્તરની ફૂટબોલ પ્રતિભાઓ તૈયાર કરવામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે.</p><h2><b>GSL-3 ની જર્સી અને ટ્રોફીનું ભવ્ય અનાવરણ</b></h2><p>અગ્રણી હોદ્દેદારો અને ટીમ માલિકોની વિશેષ ઉપસ્થિતિમાં GSFA ના ઉપપ્રમુખ પ્રદિપસિંહ વાઘેલા દ્વારા GSL સીઝન-3 ની સત્તાવાર ટ્રોફી અને ટીમ જર્સીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ જર્સી ગુજરાતના ફૂટબોલ ક્ષેત્રની આધુનિક ઊર્જાનું પ્રતિબિંબ પાડે છે, જ્યારે ટ્રોફી આ આખી સીઝન દરમિયાન સર્વોચ્ચ એવોર્ડ માટે ટીમો વચ્ચે ખેલાનાર રોમાંચક જંગનું પ્રતીક બનશે.</p><h2><b>U-20 ખેલાડીઓને મળશ જર્મનીમાં રમવાની મોટી તક</b></h2><p>આ વખતની સીઝનની સૌથી મોટી વિશેષતા યુવા ખેલાડીઓ માટેનું આંતરરાષ્ટ્રીય એક્સપોઝર છે. GSL-3 માંથી શાનદાર પ્રદર્શન કરનાર બે U-20 ફૂટબોલરોની પસંદગી જર્મનીમાં ટાયર-3 અને ટાયર-4 ડોમેસ્ટિક ટુર્નામેન્ટ્સના ટ્રાયલ માટે કરવામાં આવશે. જર્મન સાયકોલોજીસ્ટ પ્રોફેસર જેન માયર અને બોસ ટેકનોલોજી દ્વારા સ્પોર્ટ્સ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ખેલાડીઓની બારીકાઈથી પસંદગી કરવામાં આવશે.</p><p><img alt="Gujarat Super League Season 3 To Begin From Sept 1 at TransStadia Ahmedabad, GSFA Launches App" src="https://epapercdn.sandesh.com/images/2026/08/27/mYRThsdOn1CgdPjaTuzNRHqZvSGmvsSZoUzvPkAY.webp"><br></p><h2><b>ઇજાગ્રસ્ત યુવા ખેલાડી રાહુલ ભાટીયાને મદદની જાહેરાત</b></h2><p>GSFA દ્વારા માત્ર રમત જ નહીં, પરંતુ ખેલાડીઓની સુવિધા અને કલ્યાણ પર પણ પૂરો ભાર મૂકવામાં આવ્યો છે. કાર્યક્રમ દરમિયાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા રાજ્યના યુવા ફૂટબોલર રાહુલ ભાટીયાને રૂ. 2,00,000 ની એક્સ-ગ્રેશિયા રકમ ચૂકવવાની વિશેષ જાહેરાત પણ કરવામાં આવી હતી.</p><h2><b>જીએસએફએ પ્રમુખ પરિમલ નથવાણીનું નિવેદન</b></h2><p>લીગ અંગે વાત કરતાં GSFA ના પ્રમુખ પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, GSLની ત્રીજી સીઝન એ માત્ર એક રમત સ્પર્ધા નથી, પરંતુ ગુજરાતમાં ફૂટબોલના સર્વાંગી વિકાસ માટેની અમારી દ્રષ્ટિનો અગત્યનો ભાગ છે. અમારો મુખ્ય હેતુ રાજ્યના યુવાનોને એક ઉચ્ચ કક્ષાનું પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે, જેથી ગુજરાતમાં ફૂટબોલ લોકોની પહેલી પસંદગીની રમત બની શકે.</p><p><img alt="Gujarat Super League Season 3 To Begin From Sept 1 at TransStadia Ahmedabad, GSFA Launches App" src="https://epapercdn.sandesh.com/images/2026/08/27/SBrNO0oV6iNaXOUq1rCpkn9q7oOHLeld8K7pLy69.webp"><br></p><h2><b>ચાહકો માટે વન-સ્ટોપ 'જીએસએફએ ડિજિટલ એપ' લોન્ચ</b></h2><p>ફૂટબોલ ચાહકોને ટુર્નામેન્ટ સાથે સીધા જોડવા માટે એક વિશેષ સમર્પિત ડિજિટલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે. GSFA ના માનદ સચિવ મુલરાજસિંહ ચૂડાસમાએ પ્રેઝન્ટેશન દ્વારા એપની મુખ્ય વિશેષતાઓ સમજાવી હતી. આ વન-સ્ટોપ એપ મારફતે ચાહકો ઘરબેઠા મેચ ફિક્સ્ચર્સ, લાઇવ પરિણામો, શેડ્યૂલ, ટીમોની વિગત, પોઈન્ટ્સ ટેબલ અને ખેલાડીઓની પ્રોફાઈલ સરળતાથી જોઈ શકશે.</p><p><img alt="Gujarat Super League Season 3 To Begin From Sept 1 at TransStadia Ahmedabad, GSFA Launches App" src="https://epapercdn.sandesh.com/images/2026/08/27/FcXj2DbleZ7RFC3kgwv6f0oCEzmf0v5MfaQ7OuOz.webp"><br></p><h2><b>તમામ મેચોનું શેડ્યૂલ ઓનલાઈન ઉપલબ્ધ</b></h2><p>સમારોહ દરમિયાન GSL સીઝન-3 ના સંપૂર્ણ ફિક્સ્ચર્સ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. તમામ તારીખો, સમય અને ટીમોના મુકાબલાની માહિતી નવી લોન્ચ થયેલી એપ્લિકેશન અને GSFA ના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ઉપલબ્ધ રહેશે. આ ભવ્ય આયોજનમાં સહભાગી થઈ રાજ્યમાં ફૂટબોલનો ઉત્સાહ વધારવા તમામ રમતપ્રેમીઓને હાકલ કરવામાં આવી છે.</p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/gujarat/news/vadodara/fake-doctor-arrested-for-performing-hemorrhoid-surgeries-without-anesthesia" target="_blank"> Vadodara News: ધોરણ 10 ફેલ બોગસ ડોક્ટર ગરમ ચીપીયાથી દર્દીને બેભાન કર્યા વિના હરસ મસાના ઓપરેશન કરતો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/68mJxpU52aqMVN04T7Z4tD4Mb7lQhwAZysqg6G6O.webp'/></item><item><title><![CDATA[Gujarat Super League Season 3: 1 સપ્ટેમ્બરથી થશે ધમાકેદાર પ્રારંભ, અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે ટ્રોફી-જર્સી અનાવરણ સાથે નવી ડિજિટલ એપ લોન્ચ ]]></title><link>https://sandesh.com/sports/news/gujarat/ahmedabad/gujarat-super-league-season-3-schedule-transstadia-ahmedabad-gsfa-app-launch</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/gujarat/ahmedabad/gujarat-super-league-season-3-schedule-transstadia-ahmedabad-gsfa-app-launch</guid><pubDate>Thu, 27 Aug 2026 17:08:43 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતમાં ફૂટબોલની રમતે પકડાવેલા મજબૂત વાતાવરણ વચ્ચે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશને ગુજરાત સુપર લીગની ત્રીજી સીઝનની જાહેરાત કરી છે. GSL સીઝન-3 નો પ્રારંભ 1 સપ્ટેમ્બર, 2026 ના રોજ સાંજે 4:00 વાગ્યે અમદાવાદના વિશ્વકક્ષાના સ્ટેડિયમ ટ્રાન્સસ્ટેડિયા એરેના ખાતે થશે. આ લીગ રાજ્યમાં ઉચ્ચ સ્તરની ફૂટબોલ પ્રતિભાઓ તૈયાર કરવામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે.</p><h2><b>GSL-3 ની જર્સી અને ટ્રોફીનું ભવ્ય અનાવરણ</b></h2><p>અગ્રણી હોદ્દેદારો અને ટીમ માલિકોની વિશેષ ઉપસ્થિતિમાં GSFA ના ઉપપ્રમુખ પ્રદિપસિંહ વાઘેલા દ્વારા GSL સીઝન-3 ની સત્તાવાર ટ્રોફી અને ટીમ જર્સીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ જર્સી ગુજરાતના ફૂટબોલ ક્ષેત્રની આધુનિક ઊર્જાનું પ્રતિબિંબ પાડે છે, જ્યારે ટ્રોફી આ આખી સીઝન દરમિયાન સર્વોચ્ચ એવોર્ડ માટે ટીમો વચ્ચે ખેલાનાર રોમાંચક જંગનું પ્રતીક બનશે.</p><h2><b>U-20 ખેલાડીઓને મળશ જર્મનીમાં રમવાની મોટી તક</b></h2><p>આ વખતની સીઝનની સૌથી મોટી વિશેષતા યુવા ખેલાડીઓ માટેનું આંતરરાષ્ટ્રીય એક્સપોઝર છે. GSL-3 માંથી શાનદાર પ્રદર્શન કરનાર બે U-20 ફૂટબોલરોની પસંદગી જર્મનીમાં ટાયર-3 અને ટાયર-4 ડોમેસ્ટિક ટુર્નામેન્ટ્સના ટ્રાયલ માટે કરવામાં આવશે. જર્મન સાયકોલોજીસ્ટ પ્રોફેસર જેન માયર અને બોસ ટેકનોલોજી દ્વારા સ્પોર્ટ્સ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ખેલાડીઓની બારીકાઈથી પસંદગી કરવામાં આવશે.</p><p><img alt="Gujarat Super League Season 3 To Begin From Sept 1 at TransStadia Ahmedabad, GSFA Launches App" src="https://epapercdn.sandesh.com/images/2026/08/27/mYRThsdOn1CgdPjaTuzNRHqZvSGmvsSZoUzvPkAY.webp"><br></p><h2><b>ઇજાગ્રસ્ત યુવા ખેલાડી રાહુલ ભાટીયાને મદદની જાહેરાત</b></h2><p>GSFA દ્વારા માત્ર રમત જ નહીં, પરંતુ ખેલાડીઓની સુવિધા અને કલ્યાણ પર પણ પૂરો ભાર મૂકવામાં આવ્યો છે. કાર્યક્રમ દરમિયાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા રાજ્યના યુવા ફૂટબોલર રાહુલ ભાટીયાને રૂ. 2,00,000 ની એક્સ-ગ્રેશિયા રકમ ચૂકવવાની વિશેષ જાહેરાત પણ કરવામાં આવી હતી.</p><h2><b>જીએસએફએ પ્રમુખ પરિમલ નથવાણીનું નિવેદન</b></h2><p>લીગ અંગે વાત કરતાં GSFA ના પ્રમુખ પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, GSLની ત્રીજી સીઝન એ માત્ર એક રમત સ્પર્ધા નથી, પરંતુ ગુજરાતમાં ફૂટબોલના સર્વાંગી વિકાસ માટેની અમારી દ્રષ્ટિનો અગત્યનો ભાગ છે. અમારો મુખ્ય હેતુ રાજ્યના યુવાનોને એક ઉચ્ચ કક્ષાનું પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે, જેથી ગુજરાતમાં ફૂટબોલ લોકોની પહેલી પસંદગીની રમત બની શકે.</p><p><img alt="Gujarat Super League Season 3 To Begin From Sept 1 at TransStadia Ahmedabad, GSFA Launches App" src="https://epapercdn.sandesh.com/images/2026/08/27/SBrNO0oV6iNaXOUq1rCpkn9q7oOHLeld8K7pLy69.webp"><br></p><h2><b>ચાહકો માટે વન-સ્ટોપ 'જીએસએફએ ડિજિટલ એપ' લોન્ચ</b></h2><p>ફૂટબોલ ચાહકોને ટુર્નામેન્ટ સાથે સીધા જોડવા માટે એક વિશેષ સમર્પિત ડિજિટલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે. GSFA ના માનદ સચિવ મુલરાજસિંહ ચૂડાસમાએ પ્રેઝન્ટેશન દ્વારા એપની મુખ્ય વિશેષતાઓ સમજાવી હતી. આ વન-સ્ટોપ એપ મારફતે ચાહકો ઘરબેઠા મેચ ફિક્સ્ચર્સ, લાઇવ પરિણામો, શેડ્યૂલ, ટીમોની વિગત, પોઈન્ટ્સ ટેબલ અને ખેલાડીઓની પ્રોફાઈલ સરળતાથી જોઈ શકશે.</p><p><img alt="Gujarat Super League Season 3 To Begin From Sept 1 at TransStadia Ahmedabad, GSFA Launches App" src="https://epapercdn.sandesh.com/images/2026/08/27/FcXj2DbleZ7RFC3kgwv6f0oCEzmf0v5MfaQ7OuOz.webp"><br></p><h2><b>તમામ મેચોનું શેડ્યૂલ ઓનલાઈન ઉપલબ્ધ</b></h2><p>સમારોહ દરમિયાન GSL સીઝન-3 ના સંપૂર્ણ ફિક્સ્ચર્સ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. તમામ તારીખો, સમય અને ટીમોના મુકાબલાની માહિતી નવી લોન્ચ થયેલી એપ્લિકેશન અને GSFA ના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ઉપલબ્ધ રહેશે. આ ભવ્ય આયોજનમાં સહભાગી થઈ રાજ્યમાં ફૂટબોલનો ઉત્સાહ વધારવા તમામ રમતપ્રેમીઓને હાકલ કરવામાં આવી છે.</p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/gujarat/news/vadodara/fake-doctor-arrested-for-performing-hemorrhoid-surgeries-without-anesthesia" target="_blank"> Vadodara News: ધોરણ 10 ફેલ બોગસ ડોક્ટર ગરમ ચીપીયાથી દર્દીને બેભાન કર્યા વિના હરસ મસાના ઓપરેશન કરતો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/68mJxpU52aqMVN04T7Z4tD4Mb7lQhwAZysqg6G6O.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : કૈલાશ યાત્રાએ ગયેલા અમદાવાદના ભાવિન રાવલ નેપાળમાં ગુમ, બુધવારે ફ્લેશ ફ્લડ બાદ સંપર્ક તૂટ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/world/ahmedabad/ahmedabad-news-bhavin-rawal-from-ahmedabad-who-went-on-kailash-yatra-missing-in-nepal-contact-lost-after-flash-flood-on-wednesday</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/world/ahmedabad/ahmedabad-news-bhavin-rawal-from-ahmedabad-who-went-on-kailash-yatra-missing-in-nepal-contact-lost-after-flash-flood-on-wednesday</guid><pubDate>Thu, 27 Aug 2026 16:55:07 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મૂળ વડનગરના રહેવાસી અને હાલ અમદાવાદ ખાતે રહેતા ભાવિન રાવલ પોતાના ત્રણ મિત્રો સાથે ઓસ્ટ્રેલિયાથી ભારત આવ્યા બાદ ચંદીગઢથી નેપાળ થઈને કૈલાશ માનસરોવર યાત્રા માટે રવાના થયા હતા. આ દરમિયાન બુધવારે નેપાળમાં સર્જાયેલી ફ્લેશ ફ્લડની વિનાશક હોનારત બાદ તેઓ રહસ્યમય રીતે ગુમ થઈ ગયા છે. તીબેટ બોર્ડર પર ઈમિગ્રેશન પ્રક્રિયા માટે પહોંચેલા ભાવિનભાઈ અને તેમના જૂથ સાથે ફ્લેશ ફ્લડની ઘટના બાદ સંપર્ક તૂટી જતાં પરિવારમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>આજે જ ભાવિન રાવલનો જન્મદિવસ</b></h2><p style="text-align: justify; ">ભાવિન રાવલે ગઈકાલે જ તેમની પત્ની આરતી રાવલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને પોતાના લોકેશન અંગે માહિતગાર કર્યા હતા. પરંતુ ત્યારબાદ અચાનક આવેલ પૂરની સ્થિતિને કારણે તેમનો ફોન બંધ થઈ ગયો હતો. અત્યંત દુઃખદ બાબત એ છે કે આજે ભાવિન રાવલનો જન્મદિવસ છે, ત્યારે પરિવાર તેમના જન્મદિવસની ઉજવણી કરવાના બદલે તેઓ હેમખેમ મળી આવે તે માટે ઈશ્વર પાસે પ્રાર્થના કરી રહ્યો છે.</p><p style="text-align: justify; "><img alt="WhatsApp Image 2026-08-27 at 15.57.02 (2)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/27/VswT4GdiuSjJSmXjBbqEvedeTrEdx8ROwi34N58A.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>ભાઈ ધવલ રાવલે રાજ્ય સરકાર પાસે મદદની ગુહાર લગાવી</b></h2><p style="text-align: justify; ">ભાઈનો સંપર્ક ન થઈ શકતાં ધવલ રાવલે તાત્કાલિક રાજ્ય સરકારે જાહેર કરેલા વિશેષ હેલ્પલાઈન નંબર પર સંપર્ક સાધીને સમગ્ર ઘટનાની સત્તાવાર જાણ કરી છે. પરિવારે કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ અપીલ કરી છે કે નેપાળ સ્થિત ભારતીય એમ્બેસી અને સ્થળ પરના તંત્ર સાથે સમન્વય સાધીને ભાવિન રાવલ તેમજ તેમની સાથેના અન્ય યાત્રીઓની શોધખોળ માટે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/dahod/dahod-news-red-eye-of-the-administration-in-limkheda-intensive-checking-in-hotels-and-breakfast-shops-crackdown-on-adulterators" target="_blank">Dahod News : લીમખેડામાં તંત્રની લાલ આંખ! હોટલ-નાસ્તાની દુકાનોમાં સઘન ચેકિંગ, મિલાવટખોરોમાં ફફડાટ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/mRQMnqH7hKI2t6bEzN1lygxIv9t39MinPhQwJspz.webp'/></item><item><title><![CDATA[Share Market રક્ષાબંધનના દિવસે ખુલશે કે બંધ રહેશે? જાણો ]]></title><link>https://sandesh.com/business/news/share-market-open-or-closed-on-raksha-bandhan-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/share-market-open-or-closed-on-raksha-bandhan-2026</guid><pubDate>Thu, 27 Aug 2026 16:20:48 +05:30</pubDate><description><![CDATA[<p>રક્ષાબંધનના પાવન પર્વને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. તહેવારો દરમિયાન રોકાણકારોમાં શેરબજાર ખુલ્લું રહેશે કે બંધ તે અંગે ઘણીવાર મૂંઝવણ જોવા મળે છે. જો તમે શુક્રવાર, 28 ઓગસ્ટે શેરબજારમાં ટ્રેડિંગ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો તમારા માટે મહત્વના સમાચાર છે. રક્ષાબંધનના દિવસે ભારતીય શેરબજારમાં કોઈ રજા નથી. એટલે કે રોકાણકારો અન્ય સામાન્ય દિવસોની જેમ શેરની ખરીદી-વેચાણ કરી શકશે.</p><h2><b>શેરબજાર નિર્ધારિત સમય મુજબ ખુલ્લું રહેશે</b></h2><p>દેશના બંને મુખ્ય સ્ટોક એક્સચેન્જ 28 ઓગસ્ટે પોતાના નિર્ધારિત સમય મુજબ ખુલ્લા રહેશે. ટ્રેડિંગ ઉપરાંત ક્લિયરિંગ અને સેટલમેન્ટની કામગીરી પણ સામાન્ય રીતે ચાલુ રહેશે. શેરબજાર ઉપરાંત કોમોડિટી માર્કેટમાં પણ કોઈ રજા નથી. દેશના મોટા કોમોડિટી એક્સચેન્જ 'મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા' પર પણ નિયમિત કામગીરી ચાલુ રહેશે. તેથી ટ્રેડર્સ પોતાના સોદા સામાન્ય રીતે કરી શકશે.</p><h3><b>હવે ક્યારે બંધ રહેશે શેરબજાર?</b></h3><p>વર્ષ 2026 માટે શેરબજારે કુલ 16 રજાઓનું કેલેન્ડર જાહેર કર્યું છે. અત્યાર સુધીમાં 10 રજાઓ પસાર થઈ ચૂકી છે. હવે શેરબજારની આગામી રજા 14 સપ્ટેમ્બર, ગણેશ ચતુર્થીના દિવસે રહેશે. આ ઉપરાંત 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધી જયંતિ, 20 ઓક્ટોબરે દશેરા, 10 નવેમ્બરે દિવાળી-બલિપ્રતિપદા, 24 નવેમ્બરે ગુરુ નાનક જયંતિ અને 25 ડિસેમ્બરે ક્રિસમસના દિવસે બજાર બંધ રહેશે. રોકાણકારોએ તહેવારો દરમિયાન ટ્રેડિંગનું આયોજન શેરબજારના હોલિડે કેલેન્ડર મુજબ કરવું જરૂરી છે.<br><br><a href="https://sandesh.com/india/news/business/india-japan-startup-connect-japan-7-lakh-crore-investment-piyush-goyal" target="_blank"><b>આ પણ વાંચો : India-Japan સ્ટાર્ટઅપ કનેક્ટને વેગ, આગામી 4 વર્ષમાં રૂપિયા 7 લાખ કરોડનું રોકાણ કરશે જાપાન: પીયૂષ ગોયલ</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/ZEKWCHJD0rOVOnjB4CwmPqQsDGeia1YoO5PTyQHn.webp'/></item><item><title><![CDATA[Dahod News : લીમખેડામાં તંત્રની લાલ આંખ! હોટલ-નાસ્તાની દુકાનોમાં સઘન ચેકિંગ, મિલાવટખોરોમાં ફફડાટ ]]></title><link>https://sandesh.com/gujarat/news/dahod/dahod-news-red-eye-of-the-administration-in-limkheda-intensive-checking-in-hotels-and-breakfast-shops-crackdown-on-adulterators</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/dahod/dahod-news-red-eye-of-the-administration-in-limkheda-intensive-checking-in-hotels-and-breakfast-shops-crackdown-on-adulterators</guid><pubDate>Thu, 27 Aug 2026 16:17:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં લોકોના આરોગ્ય સાથે થતાં ચેડાં રોકવા માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મામલતદાર અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે સંયુક્ત રીતે લીમખેડા નગર તેમજ દુધીયા અને બાંડીબાર જેવા ગ્રામ્ય વિસ્તારોમાં આકસ્મિક તપાસ ઝુંબેશ ચલાવી હતી. આ દરોડા દરમિયાન સ્થાનિક હોટેલો, નાસ્તાની દુકાનો અને ડેરીઓ પર સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેને પગલે ખુલ્લેઆમ નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.</p><h2 style="text-align: justify; "><b>હાનિકારક સેવનો સ્થળ પર નાશ અને મિલાવટી પેંડાના સેમ્પલ લેવાયા</b></h2><p style="text-align: justify; ">તપાસ દરમિયાન અધિકારીઓએ શંકાસ્પદ ખાદ્ય પદાર્થો અને અલગ-અલગ મીઠાઈઓના સેમ્પલ એકત્ર કરી લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપ્યા હતા. આ કામગીરી દરમિયાન આરોગ્ય માટે અત્યંત હાનિકારક કેમિકલ યુક્ત કલરવાળી સેવ મળી આવતાં તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, મિલાવટી પેંડાનું વેચાણ કરતા વેપારીઓ સામે કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. તંત્રની તપાસની જાણ થતાં જ અનિયમિતતાઓ આચરતા અનેક શંકાસ્પદ વેપારીઓ પોતાની દુકાનો બંધ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.</p><h2 style="text-align: justify; "><b>અયોગ્ય તેલ વાપરતા વેપારીઓને નોટિસ અને કડક ચેતવણી</b></h2><p style="text-align: justify; ">તંત્રની ટીમ દ્વારા નાસ્તો બનાવવા માટે બળેલા અને આરોગ્ય માટે અયોગ્ય તેલનો ઉપયોગ કરતા વેપારીઓને સ્થળ પર જ નોટિસ ફટકારવામાં આવી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને મામલતદાર તંત્ર દ્વારા સ્પષ્ટ શબ્દોમાં કડક ચેતવણી આપવામાં આવી છે કે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે રમઝટ કરતા અથવા ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ આચરતા કોઈપણ વેપારીને બક્ષવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં પણ આ પ્રકારની આકસ્મિક તપાસ ચાલુ રહેશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/world/vadodara/vaodara-news-nri-couple-from-vadodara-who-went-on-a-trip-to-nepal-goes-missing-family-seeks-government-help#google_vignette" target="_blank">Vaodara News : નેપાળ પ્રવાસે ગયેલું વડોદરાનું NRI દંપતી ગુમ, પરિવારે સરકાર પાસે મદદની ગુહાર લગાવી</a></b></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/MZiGt4ggMd2Y2pkHWrAARgKmUI1o1SrfpQQLXIcD.webp'/></item></channel></rss>