<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Namo Bharat Train : મુસાફરો માટે મહત્વના સમાચાર, આજથી 17 સ્ટેશનના ગેટ બંધ રહેશે, જાણો કેમ? ]]></title><link>https://sandesh.com/india/news/namo-bharat-train-17-stations-gates-closed-kanwar-yatra</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/namo-bharat-train-17-stations-gates-closed-kanwar-yatra</guid><pubDate>Tue, 04 Aug 2026 10:06:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જો તમે દરરોજ નમો ભારત ટ્રેનમાં મુસાફરી કરો છો, તો તમારા માટે આ અત્યંત મહત્વના સમાચાર છે. વાર્ષિક પવિત્ર કંવર યાત્રાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર પરિવહન નિગમ (NCRTC) દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વહીવટી સૂચનાઓ અને સુરક્ષા વ્યવસ્થાને સરળ બનાવવાના હેતુથી, આજથી એટલે કે 4 ઓગસ્ટથી લઈને 12 ઓગસ્ટ સુધી નમો ભારત કોરિડોરના 17 સ્ટેશનો પર પ્રવેશ અને બહાર નીકળવાના કેટલાક દરવાજા (Gates) બંધ રાખવામાં આવશે. આ સાથે જ આ સ્ટેશનો પર વાહનો માટેની પાર્કિંગ સુવિધાઓ પણ કામચલાઉ ધોરણે મર્યાદિત કે બંધ રહેશે.</p><h2 style="text-align: justify; "><b>ટ્રાફિક નિયંત્રણને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય</b></h2><p style="text-align: justify; ">કાવડ યાત્રા દરમિયાન ભક્તોની ભારે ભીડ અને ટ્રાફિક નિયંત્રણને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. એનસીઆરટીસી (NCRTC) દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, આ નિયંત્રણો હેઠળ મોદીપુરમ, મેરઠ ઉત્તર, એમઇએસ કોલોની, બેગમપુલ, ભૈંસલી, મેરઠ સેન્ટ્રલ, બ્રહ્મપુરી, શતાબ્દી નગર, રિઠાની, પરતાપુર, મેરઠ દક્ષિણ, મોદીનગર ઉત્તર, મોદીનગર દક્ષિણ, મુરાદનગર, દુહાઈ, ગુલધર અને ગાઝિયાબાદ જેવા પ્રમુખ સ્ટેશનોનો સમાવેશ થાય છે. મોટાભાગના સ્ટેશનો પર ગેટ નંબર બે બંધ રાખવામાં આવશે. ખાસ કરીને, બેગમપુલ સ્ટેશન પર ગેટ નંબર બે અને ત્રણ, દુહાઈ પર ગેટ ત્રણ અને ચાર, જ્યારે ગાઝિયાબાદ સ્ટેશન પર ગેટ નંબર ત્રણ અને પાંચ બંધ રહેશે.</p><h3 style="text-align: justify; "><b>વૈકલ્પિક ગેટનો ઉપયોગ કરવાની સલાહ</b></h3><p style="text-align: justify; ">મુસાફરોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે NCRTC એ અપીલ કરી છે કે તેઓ સંબંધિત સ્ટેશનો પર ઉપલબ્ધ વૈકલ્પિક (Alternative) ગેટનો ઉપયોગ કરે. કોર્પોરેશને મુસાફરોને થયેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો છે. રાહતની વાત એ છે કે આ નિયંત્રણો વચ્ચે પણ નમો ભારત ટ્રેન સેવાઓ સરાઈ કાલે ખાનથી મોદીપુરમ કોરિડોર પર સંપૂર્ણપણે સામાન્ય રીતે કાર્યરત રહેશે. મુસાફરોની સુવિધા માટે તા. 14 ઓગસ્ટ સુધી દરરોજ સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી દર આઠ મિનિટે નિયમિત અંતરે ટ્રેનો દોડતી રહેશે.</p><h4 style="text-align: justify; "><b>મુસાફરીમાં થયો વધારો</b></h4><p style="text-align: justify; ">બીજી તરફ, દિલ્હી-મેરઠ નમો ભારત કોરિડોર પર મુસાફરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને તે નવા રેકોર્ડ બનાવી રહી છે. અગાઉ ગત 8 જૂન, 2026 ના રોજ આ કોરિડોર પર આશરે 1,25,500 મુસાફરોએ એક જ દિવસમાં મુસાફરી કરીને સૌથી મોટો રેકોર્ડ બનાવ્યો હતો. વહીવટી તંત્ર અને મુસાફરોની વધતી અવરજવર વચ્ચે યાત્રા સુરક્ષિત અને સુચારૂ રહે તે માટે તંત્ર દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/world/news/another-enemy-of-ukraine-was-preparing-to-attack-but-an-apology-stopped-the-war" target="_blank">આ પણ વાંચોઃ Ukraine નો વધુ એક દુશ્મન હુમલો કરવાની તૈયારીમાં, પરંતુ એક માફીએ રોકાવ્યું યુદ્ધ!</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/kxkxCYecK3BsLesr2O35gCijHghjwcwK5pNVYRb8.webp'/></item><item><title><![CDATA[Rajkot અને સૌરાષ્ટ્રવાસીઓ માટે રાહતના સમાચાર: એમ્સ (AIIMS) હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીની શરૂઆત ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/relief-news-for-the-people-of-rajkot-and-saurashtra-spine-surgery-begins-at-aiims-hospital</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/relief-news-for-the-people-of-rajkot-and-saurashtra-spine-surgery-begins-at-aiims-hospital</guid><pubDate>Tue, 04 Aug 2026 09:45:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્ર ક્ષેત્રના દર્દીઓ માટે એક અત્યંત રાહતજનક સમાચાર સામે આવ્યા છે. રાજકોટ સ્થિત એમ્સ (AIIMS) હોસ્પિટલ ખાતે અધ્યતન સ્પાઈન સર્જરી (કરોડરજ્જુના ઓપરેશન) વિભાગની વિધિવત શરૂઆત કરી દેવામાં આવી છે. હોસ્પિટલના ડૉ. એલ. એન. દોરાયરાજન અને તેમની નિષ્ણાત ટીમ દ્વારા પ્રથમ સ્પાઈન સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. અત્યાર સુધી એમ્સના ઓર્થોપેડિક વિભાગમાં માત્ર સામાન્ય સર્જરીઓ જ હાથ ધરવામાં આવતી હતી, પરંતુ હવેથી કરોડરજ્જુની જટિલ સર્જરીઓ પણ અહીં ઉપલબ્ધ બનતાં દર્દીઓને મોટી સુવિધા મળી રહેશે.</p><h2 style="text-align: justify; "><b>ખાનગી હોસ્પિટલોના મોંઘા ખર્ચમાંથી દર્દીઓને મુક્તિ</b></h2><p style="text-align: justify; ">કરોડરજ્જુ કે સ્પાઈન સંબંધિત ગંભીર બીમારીઓના ઓપરેશન માટે ખાનગી હોસ્પિટલોમાં રૂ.1.5 લાખથી લઈને 3 લાખ સુધીનો તોતિંગ ખર્ચ થતો હોય છે. સામાન્ય અને ગરીબ પરિવારના દર્દીઓ માટે આટલો મોંઘો ખર્ચ વહન કરવો અત્યંત મુશ્કેલ બની જતો હતો. રાજકોટ એમ્સ ખાતે સ્પાઈન સર્જરી શરૂ થતાં જ ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ખાનગી હોસ્પિટલોના આ ભારે આર્થિક બોજમાંથી કાયમી મુક્તિ મળશે. અદ્યતન તબીબી સુવિધાઓ ધરાવતી એમ્સ હોસ્પિટલ હવેથી જટિલ ઓપરેશનો માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે.</p><h3 style="text-align: justify; "><b>આયુષ્માન કાર્ડ અંતર્ગત તદ્દન મફત સારવાર</b></h3><p style="text-align: justify; ">સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આવતા આયુષ્માન કાર્ડ ધરાવતા દર્દીઓને એમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીની આ તમામ સારવાર સંપૂર્ણપણે નિઃશુલ્ક (મફત) પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત, જે દર્દીઓ પાસે આયુષ્માન કાર્ડ ઉપલબ્ધ નહીં હોય, તેમને પણ અત્યંત મામૂલી અને ટોકન દરે આ સર્જરીની સુવિધા મળી રહેશે. રાજકોટ એમ્સના આ સરાહનીય પગલાંથી સૌરાષ્ટ્રભરના હજારો જરૂરિયાતમંદ દર્દીઓને ઘરઆંગણે જ રાહતદરે અને ગુણવત્તાસભર તબીબી સારવાર મળી રહેશે, જેનાથી સમગ્ર પંથકમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/NZ9kM2QA3LRGCBAzNR21WyZXjOHKkp6oUC1t44uh.webp'/></item><item><title><![CDATA[Asian Games 2026 : CWG ના મેડલ વિજેતાઓ હવે એશિયાડમાં મચાવશે ધમાલ, ગોલ્ડ મેડલ પર નજર! ]]></title><link>https://sandesh.com/sports/news/asian-games-2026-cwg-medal-winners-will-now-create-a-stir-in-the-asiad-eyeing-the-gold-medal</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/asian-games-2026-cwg-medal-winners-will-now-create-a-stir-in-the-asiad-eyeing-the-gold-medal</guid><pubDate>Tue, 04 Aug 2026 09:36:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">તાજેતરમાં પૂર્ણ થયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું.ભારતે કુલ 39 મેડલ જીત્યા,જેમાં 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 8 બ્રોન્ઝનો સમાવેશ થાય છે.જોકે, કેટલાક અગ્રણી ખેલાડીઓ ગોલ્ડ મેડલ જીતવાની નજીક પહોંચી ગયા હતા,તેમને સિલ્વર અથવા બ્રોન્ઝથી સંતોષ માનવો પડ્યો હતો.હવે આ ખેલાડીઓ પાસે આની ભરપાઈ કરવાની એક મહત્વપૂર્ણ તક છે.એશિયન ગેમ્સ 2026 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર 2026 દરમિયાન જાપાનના આઈચી-નાગોયામાં યોજાશે, જ્યાં આ સ્ટાર ભારતીય ખેલાડીઓ તેમના મેડલનો રંગ ગોલ્ડમાં બદલવાના લક્ષ્ય સાથે સ્પર્ધા કરશે.</p><h5 style="text-align: justify; "><b>આ 5 ખેલાડીઓની નજર હવે એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલ પર</b>&nbsp;</h5><p style="text-align: justify; ">નીરજ ચોપરા: સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરાએ 85.83 મીટરના થ્રો સાથે કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો. દરમિયાન, શ્રીલંકાના રૂમેશ પથિરાજે 89.75 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો. હવે, આઈચી-નાગોયામાં યોજાનારી એશિયન ગેમ્સમાં તેનું એકમાત્ર લક્ષ્ય તેના થ્રોમાં સુધારો કરીને ગોલ્ડ મેડલ મેળવવાનું રહેશે. નીરજ ચોપરાએ અત્યાર સુધી એશિયન ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ જીત્યા છે. તેથી, તેની નજર ત્રીજો ગોલ્ડ મેડલ મેળવવા પર રહેશે.</p><h5 style="text-align: justify; "><b>લવલીના બોર્ગોહેન</b></h5><p style="text-align: justify; ">ભારતની સ્ટાર બોક્સર, લવલીના બોર્ગોહેન, ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા 75 કિગ્રા વર્ગની ફાઇનલમાં હારી ગઈ હતી. લવલીના બોર્ગોહેનનો સામનો ઓસ્ટ્રેલિયાની એમ્મા-સુ ગ્રીનટ્રી સામે થયો હતો, જેણે ફાઇનલ 4-1થી જીતી હતી. હવે, તે એશિયન ગેમ્સ રિંગમાં પોતાની પંચિંગ કૌશલ્યનું પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ મેળવવાનું લક્ષ્ય રાખશે.</p><h5 style="text-align: justify; "><b>જદુમણી સિંહ</b></h5><p style="text-align: justify; ">બોક્સિંગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી જદુમણી સિંહે કોમનવેલ્થ ગેમ્સમાં દેશ માટે સિલ્વર મેડલ પણ જીત્યો હતો. જદુમણીએ પુરુષોની 55 કિગ્રા વર્ગની ફાઇનલના પહેલા રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયાના જે ડિક્સનને 3-2થી હરાવ્યો હતો. પરંતુ જદુમણી પછી ફાઇનલ મુકાબલાના બીજા રાઉન્ડમાં પાછળ રહી ગયો અને અંતે 0-5થી હારી ગયો. તેથી, તે એશિયન મંચ પર આ મેડલનો રંગ બદલવા માટે ઉત્સુક રહેશે.</p><h5 style="text-align: justify; "><b>લવપ્રીત સિંહ</b></h5><p style="text-align: justify; ">વેઇટલિફ્ટિંગમાં પોતાની પરાક્રમ દર્શાવતા, લવપ્રીત સિંહે CWG 2026 માં સિલ્વર મેડલ જીત્યો. તેણે સ્નેચમાં 176 કિગ્રા અને ક્લીન એન્ડ જર્કમાં 212 કિગ્રા વજન ઉપાડીને કોમનવેલ્થ ગેમ્સનો રેકોર્ડ વેઇટલિફ્ટિંગ રેકોર્ડ હાંસલ કર્યો. આ ઇવેન્ટમાં કુલ 388 કિગ્રા વજન ઉપાડ્યું, પરંતુ તે ફક્ત 1 કિગ્રાથી ગોલ્ડ મેડલ ચૂકી ગયો. પરિણામે, તે જાપાનમાં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ માટે મજબૂત દાવેદારોમાંનો એક હશે.</p><h5 style="text-align: justify; "><b>ગુલવીર સિંહ</b></h5><p style="text-align: justify; "> લાંબા અંતરના દોડવીર ગુલવીર સિંહે કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું, 10,000 મીટરમાં સિલ્વર મેડલ અને 5,000 મીટરમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. ગુલવીર એક જ કોમનવેલ્થ ગેમ્સમાં બે એથ્લેટિક્સ મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી પણ બન્યો, પરંતુ તે ગોલ્ડ મેડલ મેળવવામાં નિષ્ફળ ગયો. તેની બેવડી સફળતા પછી, તે હવે એશિયન ગેમ્સમાં ભારતને પોડિયમની ટોચ પર લઈ જવાનું લક્ષ્ય રાખશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/gyaneshwari-yadav-commonwealth-games-silver-dsp-reward" target="_blank">Gyaneshwari Yadavને મળશે 30 લાખ રૂપિયાનું ઈનામ અને પ્રમોશન, છત્તીસગઢના સીએમ વિષ્ણુ દેવ સાંઈએ કરી મોટી જાહેરાત</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/vKDGGDlm7so2k0JtuE5m6HYS8Nx2DvGveeFvA1br.webp'/></item><item><title><![CDATA[Bhavnagar સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના વધુ 2 શંકાસ્પદ કેસ: આરોગ્ય તંત્ર એક્શન મોડમાં! ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/2-more-suspected-cases-of-chandipura-virus-at-bhavnagar-civil-hospital-health-system-in-action-mode</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/2-more-suspected-cases-of-chandipura-virus-at-bhavnagar-civil-hospital-health-system-in-action-mode</guid><pubDate>Tue, 04 Aug 2026 09:19:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભાવનગરની સર ટી. સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના વધુ 2 શંકાસ્પદ કેસ સામે આવતાં જ તબીબી આલમમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હોસ્પિટલમાં દાખલ કરાયેલા દર્દીઓમાં ભાવનગરના કુંભારવાડા વિસ્તારની માત્ર 40 દિવસની માસૂમ બાળકી અને બોટાદ જિલ્લાના ભદ્રાવડી ગામની 8 માસની બાળકીનો સમાવેશ થાય છે. બંને માસૂમ બાળકોમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતાં તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં ભરતી કરવામાં આવ્યા છે, જ્યાં ડૉક્ટરોની ટીમ દ્વારા તેમની ગંભીરતાથી સારવાર શરૂ કરી દેવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>સેમ્પલ ચકાસણી અર્થે GBRC લેબોરેટરીમાં મોકલાયા</b></h2><p style="text-align: justify;">સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા બંને બાળકીઓની પ્રાથમિક સારવારની સાથે વાયરસની સત્તાવાર પુષ્ટિ કરવા માટે તેમના લોહી અને અન્ય જરૂરી સેમ્પલો મેળવવામાં આવ્યા છે. આ સેમ્પલને વધુ સચોટ ચકાસણી અને લેબોરેટરી ટેસ્ટિંગ અર્થે ગાંધીનગર સ્થિત જીબીઆરસી (GBRC) ખાતે મોકલી આપવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ વાયરસ અંગેની આખરી સ્થિતિ સ્પષ્ટ થશે. હાલમાં બંને બાળકોને તબીબોની સઘન દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે અને તેમની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>વાયરસના વધતા ખતરાથી આરોગ્ય વિભાગ તકેદારીના મોડમાં</b></h3><p style="text-align: justify;">શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો વધતાં જ સમગ્ર આરોગ્ય તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. વાયરસનો ફેલાવો અટકાવવા અને રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વે, ડસ્ટિંગ અને જંતુનાશક દવાનો છંટકાવ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સાથે જ તંત્ર દ્વારા વાલીઓને પણ પોતાના નાના બાળકોમાં તાવ, અસ્વસ્થતા કે ઉલટી જેવા કોઈ પણ શંકાસ્પદ લક્ષણો દેખાય તો તુરંત જ તબીબી સલાહ લેવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.</p><p style="text-align: justify;"><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/M4ewbFSoMgUWKuWJZaV4kez7cEsgt6ha927Qy9Qc.webp'/></item><item><title><![CDATA[Surat News: ડિંડોલીમાં પત્નીના અનૈતિક સંબંધો અને સાસરિયાના ત્રાસથી કંટાળી યુવકે કરી આત્મહત્યા: પત્ની સહિત ૩ સામે ગુનો દાખલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/surat-dindoli-man-suicide-wife-in-laws-booked-suicide-note</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/surat-dindoli-man-suicide-wife-in-laws-booked-suicide-note</guid><pubDate>Tue, 04 Aug 2026 09:12:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં પત્નીના અનૈતિક સંબંધો અને સાસરિયા પક્ષના સતત માનસિક ત્રાસથી કંટાળીને એક પરિણીત યુવકે ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ મામલે મૃતકની સુસાઇડ નોટના આધારે ડિંડોલી પોલીસે મૃતકની પત્ની સહિત સાસુ અને સસરા સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.</p><h2 style="text-align: justify; "><b>બલીરામ વિશ્વાસ કોળી નામના યુવકે  આપઘાત કર્યો હતો</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના ચોંગા ગામના વતની અને હાલ સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા બલીરામ વિશ્વાસ કોળી નામના યુવકે ગત 17  જૂન 2026ના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>મૃતકે લખેલી  કરુણ સુસાઇડ નોટ મળી આવી</b></h3><p style="text-align: justify; ">મૃતક બલીરામ સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલી એક કાપડની દુકાનમાં નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ઘટના બાદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, જે દરમિયાન મૃતકે લખેલી એક કરુણ સુસાઇડ નોટ મળી આવી હતી.</p><h4 style="text-align: justify; "><b>તેની પત્ની કવિતાના અન્ય વ્યક્તિ સાથે અનૈતિક સંબંધો&nbsp;</b></h4><p style="text-align: justify; ">સુસાઇડ નોટમાં મૃતક બલીરામે સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો હતો કે તેની પત્ની કવિતાના અન્ય વ્યક્તિ સાથે અનૈતિક સંબંધો હતા, જે અંગે વિરોધ કરવા છતાં પત્ની સુધરતી નહોતી. ઉપરાંત, આ બાબતે જ્યારે પણ વાત થતી ત્યારે તેની સાસુ નિર્મલાબેન અને સસરા શિવરામ કોળી પણ પત્નીનો પક્ષ લઈને બલીરામને અસહ્ય માનસિક ત્રાસ આપતા હતા. સાસરિયાઓના મેણા-ટોણા અને પત્નીના અનૈતિક સંબંધોના કારણે માનસિક તણાવમાં આવી જઈને આખરે તેણે આ અંતિમ પગલું ભર્યું હતું.</p><h5 style="text-align: justify; "><b>પત્ની કવિતા, સાસુ નિર્મલાબેન અને સસરા શિવરામ કોળી સામે ગુનો&nbsp;</b></h5><p style="text-align: justify; ">સુસાઇડ નોટ અને પરિવારજનોના નિવેદનોના આધારે ડિંડોલી પોલીસે મૃતકની પત્ની કવિતા, સાસુ નિર્મલાબેન અને સસરા શિવરામ કોળી સામે ભારતીય ન્યાય સંહિતાની દુષ્પ્રેરણાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તેમની અટકાયત કરવાની દિશામાં ચક્રગતિમાન કર્યા છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">&nbsp;આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/crime/gir-somnath/gir-somnath-police-extortion-scandal-two-psi-suspended-range-ig" target="_blank"><b>Gir Somnath પોલીસ બેડામાં ખળભળાટ, હોટલ જુગાર રેડમાં 5 લાખના તોડકાંડ મુદ્દે બે PSI સસ્પેન્ડ</b></a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/MTcv0NoIw8IJdWuzxEXxQzPxvGCN4NhtN4NSPGCR.webp'/></item><item><title><![CDATA[Banaskanthaની વાવ પોલીસે ઉકેલ્યો સતી માતાજી મંદિર ચોરીનો ભેદ, બે આરોપીઓની કરી ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/banaskanthas-vav-police-solve-the-mystery-of-sati-mataji-temple-theft-arrest-two-accused</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/banaskanthas-vav-police-solve-the-mystery-of-sati-mataji-temple-theft-arrest-two-accused</guid><pubDate>Tue, 04 Aug 2026 09:00:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આવેલ ખીમાણાવાસ ગામે ગત 21 જુલાઈના રોજ પ્રસિદ્ધ સતી માતાજીના મંદિરમાં અજાણ્યા ચોરો દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. તસ્કરોએ મંદિરના તાળા તોડીને અંદર પ્રવેશ કરી સોના-ચાંદીના કિંમતી દાગીના તથા દાનપત્રમાંથી રોકડ રકમ મળી કુલ રૂ.1.65 લાખના મુદ્દામાલની ચોરી આચરી હતી. આ ઘટનાને પગલે સમગ્ર ખીમાણાવાસ ગામ અને ભક્તોમાં ભારે રોષ અને આક્રોશનો માહોલ સર્જાયો હતો, તેમજ ધાર્મિક સ્થાનમાં થયેલી ચોરીને પગલે સ્થાનિક પોલીસે તાત્કાલિક ચોરોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>CCTV અને ટેકનિકલ સર્વેલન્સથી આરોપીઓ ઝડપાયા</b></h2><p style="text-align: justify; ">મંદિરમાં ચોરીની ગંભીર ઘટના બાદ વાવ પોલીસની ટીમે ત્વરિત તજવીજ હાથ ધરી હતી. પોલીસે ઘટનાસ્થળ તથા આસપાસના રસ્તાઓ પર લાગેલા સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસ્યા હતા અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી હતી. આ સઘન તપાસ દરમિયાન પોલીસને સફળતા મળી હતી અને ચોરીમાં સામેલ દિનેશભાઈ વેણ તથા જામાભાઈ ગોવિંદ મકવાણા નામના બે શંકાસ્પદ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. કડક પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ સતી માતાજીના મંદિરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.</p><h3 style="text-align: justify; "><b>પોલીસે ઘટનાસ્થળે કરાવ્યું ગુનાનું રીકન્સ્ટ્રક્શન</b></h3><p style="text-align: justify; ">આરોપીઓની ધરપકડ કર્યા બાદ વાવ પોલીસે કાનૂની પુરાવા મજબૂત કરવાના ભાગરૂપે બંને આરોપીઓને સાથે રાખીને ખીમાણાવાસ ખાતેના સતી માતાજીના મંદિરે ગુનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આરોપીઓએ કઈ રીતે મંદિરમાં પ્રવેશ કર્યો અને દાગીના તથા રોકડની ચોરી કરી તે અંગેની સમગ્ર પ્રક્રિયા પોલીસે સ્થળ પર સમજી હતી. પોલીસે ચોરી થયેલો મુદ્દામાલ કબજે કરવા આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાવ પોલીસની આ ત્વરિત અને સફળ કામગીરીથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે અને પોલીસ તંત્રની કામગીરીને બિરદાવી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/1kaBHSm6pvlPuV5oq2vJA3NaUsi6zvfbarv9BP4k.webp'/></item><item><title><![CDATA[Petrol Diesel Price Today: પેટ્રોલ ડીઝલની નિકાસ પર વિન્ડફોલ ટેક્સમાં વધારો,  શું પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા? ]]></title><link>https://sandesh.com/business/news/petrol-diesel-price-today-increase-in-windfall-tax-on-petrol-diesel-exports-did-petrol-diesel-prices-increase</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/petrol-diesel-price-today-increase-in-windfall-tax-on-petrol-diesel-exports-did-petrol-diesel-prices-increase</guid><pubDate>Tue, 04 Aug 2026 08:50:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલની નિકાસ પર વિન્ડફોલ ટેક્સમાં વધારો કર્યો છે. વિમાનમાં વપરાતા જેટ ઇંધણ પર પણ ટેક્સ વધારવામાં આવ્યો છે. શું આ નિર્ણય પેટ્રોલ, ડીઝલ અને જેટ ઇંધણના છૂટક ભાવોને અસર કરશે? આજના પેટ્રોલ ડીઝલના રેટ પ્રમાણે દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ સહિત દેશના પ્રમુખ મહાનગરોમાં છૂટક ભાવમાં કોઈ રાહત જોવા મળી નથી.</p><h2 style="text-align: justify; "><b>વિન્ડફોલ ટેક્સમાં નોંધપાત્ર ફેરફાર</b></h2><p style="text-align: justify; ">પેટ્રોલ, ડીઝલ અને એટીએફ (જેટ ઇંધણ) સંબંધિત મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને જેટ ઇંધણ પર વિન્ડફોલ ટેક્સમાં નોંધપાત્ર ફેરફાર કર્યો છે. નાણા મંત્રાલયના એક જાહેરનામા અનુસાર, કેન્દ્ર સરકારે પેટ્રોલ નિકાસ પરના ટેક્સમાં પ્રતિ લિટર ₹1 નો વધારો કર્યો છે. ડીઝલ નિકાસ પર પણ પ્રતિ લિટર આશરે ₹10 નો નોંધપાત્ર કર વધારો થશે. વધુમાં, વિમાનમાં વપરાતા જેટ ઇંધણ પર નિકાસ ડ્યુટીમાં ₹7.50 નો વધારો કરવામાં આવ્યો છે.મહત્વનું છે કે આની અસર આવનારાં સમયમાં જોવા મળી શકે છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>પેટ્રોલ ડીઝલ મોંઘુ થવાના એંધાણ?</b></h3><p style="text-align: justify; ">આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલ સસ્તું થવાથી દેશના નાગરિકોમાં ઇંધણના ભાવ ઘટવાની આશાઓ વધી ગઈ હતી. પરંતુ, 4 ઓગસ્ટના રોજ પ્રાપ્ત થયેલા આંકડા મુજબ દેશના મુખ્ય શહેરોમાં ઇંધણના રેટ અગાઉ મુજબ જ જળવાઈ રહ્યા છે. સ્થાનિક સ્તરે ટેક્સ અને અન્ય પરિબળોને કારણે આંતરરાષ્ટ્રીય ઘટાડાની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર જોવા મળતી નથી.</p><h4 style="text-align: justify; "><b>આજના મુખ્ય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ (₹/લિટર):</b></h4><p style="text-align: justify; ">શહેર	પેટ્રોલ (₹)	ડીઝલ (₹)</p><p style="text-align: justify; ">નવી દિલ્હી	₹101.85	₹94.98</p><p style="text-align: justify; ">મુંબઈ	₹110.82	₹97.45</p><p style="text-align: justify; ">કોલકાતા	₹113.10	₹99.45</p><p style="text-align: justify; ">ચેન્નાઈ	₹107.35	₹99.15</p><h5 style="text-align: justify; "><b>ગુજરાતના પ્રમુખ શહેરોમાં ઇંધણના લેટેસ્ટ રેટ (4 ઓગસ્ટ):</b></h5><p style="text-align: justify; ">ગુજરાત રાજ્યમાં પણ સ્થાનિક કરવેરા અને વેટ (VAT) અનુસાર ઇંધણના દરો લગભગ સ્થિર સ્તરે જળવાઈ રહ્યા છે. અમદાવાદ તથા આસપાસના વિસ્તારોમાં પેટ્રોલ અંદાજે ₹101 થી ₹102 અને ડીઝલ આશરે ₹97 થી ₹98 પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે.</p><p style="text-align: justify; "><br></p><table class="table table-bordered"><tbody><tr><td>શહેર&nbsp;&nbsp;</td><td>પેટ્રોલ (₹)</td><td>ડીઝલ (₹)</td></tr><tr><td>અમદાવાદ&nbsp;&nbsp;</td><td>₹101.75</td><td>₹97.90</td></tr><tr><td>ગાંધીનગર&nbsp;&nbsp;</td><td>₹101.60</td><td>₹97.75</td></tr><tr><td>રાજકોટ&nbsp;&nbsp;</td><td>₹100.95</td><td>₹98.05</td></tr><tr><td>સુરત&nbsp;</td><td>₹101.45&nbsp;</td><td>₹97.60</td></tr><tr><td>વડોદરા&nbsp;</td><td>&nbsp;₹101.75</td><td>₹97.90</td></tr></tbody></table><h6 style="text-align: justify; "><b>તમારા શહેરના તાજા ભાવ કેવી રીતે ચેક કરશો?</b></h6><p style="text-align: justify; ">જો તમે તમારા ઘર આંગણે કે પોતાના શહેરના લેટેસ્ટ રેટ જાણવા માંગતા હોવ, તો ઓઇલ કંપનીઓના આ નંબર પર SMS મોકલી શકો છો:</p><p style="text-align: justify; ">IOCL: 'RSP &lt;સ્પેસ&gt; &lt;સેન્ટર કોડ&gt;' લખીને 92249 92249 પર મોકલો.</p><p style="text-align: justify; ">HPCL: 'HPPRICE &lt;સ્પેસ&gt; &lt;સેન્ટર કોડ&gt;' લખીને 92222 01122 પર મોકલો.</p><p style="text-align: justify; ">BPCL: 'RSP &lt;સ્પેસ&gt; &lt;સેન્ટર કોડ&gt;' લખીને 92231 12222 પર મોકલો.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/business/news/lic-ofs-government-sells-6-5-percent-stake-11-percent-discount-share-offer" target="_blank">આ પણ વાંચોઃ LIC OFS : LICમાં સરકાર વેચશે 6.5 ટકા હિસ્સો, રોકાણકારોને 11 ટકા ડિસ્કાઉન્ટમાં મળશે શેર</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/05/09/7MQZmsCYwOci20A2lUkFKFy4iaOpMeQaHrLXJpHJ.webp'/></item><item><title><![CDATA[Noida ની ફેક્ટરીમાં ભીષણ આગ, બચાવ કામગીરી દરમિયાન 2 ફાયર ફાઇટરના મોત ]]></title><link>https://sandesh.com/india/news/massive-fire-breaks-out-in-noida-factory-2-firefighters-die-during-rescue-operations</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/massive-fire-breaks-out-in-noida-factory-2-firefighters-die-during-rescue-operations</guid><pubDate>Tue, 04 Aug 2026 08:28:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગ્રેટર નોઈડાના ઇકોટેક-3 ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી ઇલેક્ટ્રોનિક ચિપ્સ બનાવતી ILGIM કંપનીની ફેક્ટરીમાં ગત રાત્રે એક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગને કાબૂમાં લેવાના પ્રયાસ દરમિયાન બનેલી એક ગોઝારી દુર્ઘટનામાં બે ફાયર ફાઇટરોના મોત થયા છે, જ્યારે અન્ય 3 કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.</p><h2 style="text-align: justify; "><b>ઇલેક્ટ્રોનિક ચિપ્સ બનાવતી ફેક્ટરીમાં લાગી આગ</b></h2><p style="text-align: justify; ">પોલીસ અને ફાયર વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ,  4 ઓગસ્ટ, 2026 ની રાત્રે કંપનીમાં આગ લાગ્યાની સૂચના મળતાની સાથે જ સ્થાનિક પોલીસ, ફાયર સર્વિસ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અનેક ફાયર ટેન્ડરોની મદદથી ફાયર ફાઇટરોએ કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી હતી.</p><h3 style="text-align: justify; "><b>દુર્ઘટનામાં 2 ફાયર ફાઇટરોના મોત</b></h3><p style="text-align: justify; ">પરંતુ, આગ ઓલવવાની આ જટિલ કામગીરી ચાલુ હતી ત્યારે અચાનક ફેક્ટરીની એક બાજુની ભારે દિવાલ અને લોખંડનો એક મોટો બીમ તૂટીને નીચે પડ્યો હતો. આ અચાનક બનેલી દુર્ઘટનામાં આગ બુઝાવી રહેલા પાંચ ફાયર કર્મચારીઓ કાટમાળ નીચે દબાઈ ગયા હતા. આ તમામ કર્મચારીઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.</p><h4 style="text-align: justify; "><b>3 કર્મચારીઓની સ્થિતિ ખતરાની બહાર</b></h4><p style="text-align: justify; ">હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ ફાયરમેન રોહિત યાદવ અને ચીફ કોન્સ્ટેબલ ડ્રાઈવર તીરથપાલ સિંહને મૃત જાહેર કર્યા હતા. જ્યારે આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા અન્ય ત્રણ કર્મચારીઓ ચીફ કોન્સ્ટેબલ ડ્રાઈવર રાજપાલ સિંહ, ફાયરમેન મનીષ કુમાર અને અમિત કુમારની સારવાર ચાલી રહી છે. તબીબોના જણાવ્યા અનુસાર, હાલ આ ત્રણેય ઘાયલોની સ્થિતિ ખતરાની બહાર છે.</p><h5 style="text-align: justify; "><b>હાલ આગ સંપૂર્ણપણે નિયંત્રણમાં</b></h5><p style="text-align: justify; ">ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને એસડીઆરએફ (SDRF) ની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રાહત અને બચાવ કામગીરી હાથ ધરીને સમગ્ર પરિસરમાં અન્ય કોઈ વ્યક્તિ અંદર ફસાયેલું નથી તેની ખાતરી કરવામાં આવી હતી. હાલ આગ સંપૂર્ણપણે બુઝાવી દેવામાં આવી છે અને સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/kanwar-yatra-2026-up-helicopter-flower-shower-7-districts" target="_blank">આ પણ વાંચોઃ Kanwar Yatra 2026 : કાવડ યાત્રા બનશે વધુ ભવ્ય, ઉત્તરપ્રદેશના 7 જિલ્લાઓમાં હેલિકોપ્ટરથી થશે પુષ્પવર્ષા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/oMgHH9oGyhpIrtKhpUMgR6PkcuuPhuJZFZpnXnB7.webp'/></item><item><title><![CDATA[Godhra: 173 શિક્ષણ સહાયકોને પૂરા પગારના આદેશો એનાયત ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/godhra/godhra-full-salary-orders-issued-to-173-teaching-assistants</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/godhra/godhra-full-salary-orders-issued-to-173-teaching-assistants</guid><pubDate>Tue, 04 Aug 2026 06:21:02 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET) ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વર્ષ 2021માં કેન્દ્રીયકૃત ભરતી પ્રક્રિયાથી નીમણૂક પામેલા ઉચ્ચતર માધ્યમિક વિભાગના 173 શિક્ષણ સહાયકોને પૂરા પગારના આદેશોનું વિતરણ કરાયું હતું.</p><p style="text-align: justify; ">જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા હાથ ધરાયેલી કામગીરી અંતર્ગત કેમ્પ મોડમાં ઝડપી પ્રક્રિયા પૂર્ણ કરીને નિયમાનુસાર પૂરા પગારમાં પ્રવેશ પામેલા તમામ 173 શિક્ષણ સહાયકોને આદેશો સુપ્રત કરવામાં આવ્યા હતા. આદેશો પ્રાપ્ત થતાં જ તમામ શિક્ષણ સહાયકોએ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીની પારદર્શક અને ઝડપી કામગીરી બિરદાવી ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નિરવભાઈ પટેલ, સંચાલક મંડળના પ્રમુખ પી.ડી. સોલંકી, જિલ્લા શિક્ષણાધિકારી કિરીટ પટેલ તેમજ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આચાર્ય સંઘ, ઉચ્ચતર માધ્યમિક સંઘ સહિત વિવિધ કર્મચારી સંવર્ગના પ્રમુખ અને મંત્રીઓએ પણ હાજરી આપી નવીન શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/LrVMGVJGunDd5swZgnWbJksMYX2qcuMQKBO4EjB3.webp'/></item><item><title><![CDATA[Celebrity Home  : 1 કરોડનું ઈન્ટીરીયર, 5 કરોડનું ઘર... મનીષા રાનીએ બતાવ્યું પોતાનું ડ્રીમ હોમ આંગન ]]></title><link>https://sandesh.com/entertainment/news/bigg-boss-ott-manisha-rani-new-house-1</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/bigg-boss-ott-manisha-rani-new-house-1</guid><pubDate>Mon, 03 Aug 2026 17:47:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">28 વર્ષની ઉંમરે મનીષા રાની એ એવી સિદ્ધિ મેળવી છે, જે મેળવવામાં ઘણા લોકોને વર્ષો લાગી જાય છે. બિહારના મુંગેરની રહેવાસી મનીષાએ મુંબઈના પોશ વિસ્તારમાં પોતાનું ઘર ખરીદીને તેને એક લક્ઝરી હોમમાં ફેરવી દીધું છે. બિગ બોસ OTT ફેમ અને ઇન્ફ્લુએન્સર મનીષા રાની એ આખરે મુંબઈના ગોરેગાંવમાં આવેલા પોતાના ભવ્ય ઘરની ઝલક બતાવી છે. લગભગ 5 કરોડ રૂપિયાની કિંમત ધરાવતા આ ઘરમાં રહેવા જતાં પહેલાં તેણે તેના રિનોવેશનમાં 1 વર્ષથી વધુ સમય આપ્યો હતો. મનીષાએ પોતાના ઘરને આંગન નામ આપ્યું છે. ઘરના મુખ્ય દરવાજા પર પિત્તળના હેન્ડલ સાથે સંપૂર્ણ સફેદ દરવાજો લગાવવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>ઘરનું રિનોવેશન પૂર્ણ કરવામાં 1 વર્ષ લાગ્યું</b></h2><p style="text-align: justify; ">મનીષા રાનીને પોતાના સપનાના ઘરનું રિનોવેશન પૂર્ણ કરવામાં 1 વર્ષ લાગ્યું હતું અને તેણે કસ્ટમાઇઝ્ડ ઇન્ટિરિયર ડિઝાઇન પર લગભગ 1 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. મનીષાનું આ 3-BHK એપાર્ટમેન્ટ લગભગ 5 કરોડ રૂપિયાનું છે. તેનું ઘર મુંબઈની એક સોસાયટીના 17મા માળે આવેલું છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dbke0ITudtV/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dbke0ITudtV/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dbke0ITudtV/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dbke0ITudtV/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h2 style="text-align: justify; "><b>મનીષા રાનીનું લક્ઝરી ઘર</b></h2><p style="text-align: justify; ">મનીષા રાનીએ પોતાના યુટ્યુબ ચેનલ પર હોમ ટૂર વીડિયો શેર કરીને પોતાના સપનાના ઘરની ઝલક બતાવી હતી. તેણે જણાવ્યું કે ઘરના દરેક ખૂણાને તેની પસંદ પ્રમાણે ડિઝાઇન કરવામાં આવ્યો છે. માત્ર ઇન્ટિરિયર પર જ લગભગ 1 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે, જેથી ઘર બરાબર એવું જ બને જેવું તેણે હંમેશા સપનું જોયું હતું. ઘરના પ્રવેશદ્વારથી લઈને લિવિંગ એરિયા સુધી દરેક જગ્યાએ મોડર્ન અને એલિગન્ટ ઇન્ટિરિયર જોવા મળે છે. મનીષાએ જણાવ્યું કે તેમણે પોતાના ઘરને આંગન નામ આપ્યું છે, કારણ કે તેઓ ઇચ્છતા હતા કે આ માત્ર ઘર નહીં, પરંતુ પરિવાર અને પોતાના લોકોની યાદો સાથે જોડાયેલી ખાસ જગ્યા બને.</p><h3 style="text-align: justify; "><b>મનીષા રાનીના ઘરનું પ્રવેશદ્વાર</b></h3><p style="text-align: justify; ">મનીષાના ઘરમાં પ્રવેશ કરતાં જ સૌથી પહેલાં એક નાનું મંદિર જોવા મળે છે. અહીં તેણે ભગવાન હનુમાન, માતા લક્ષ્મી, ભગવાન શિવ અને ભગવાન ગણેશની મૂર્તિઓ સ્થાપિત કરી છે. તેણે જણાવ્યું, પૂજારીએ વાસ્તુ મુજબ મંદિર અહીં રાખવાની સલાહ આપી હતી. મંદિરની બાજુમાં એક નાનો રબર પ્લાન્ટ પણ રાખવામાં આવ્યો છે. મનીષાના જણાવ્યા મુજબ વાસ્તુમાં રબર પ્લાન્ટને આર્થિક સમૃદ્ધિ માટે શુભ માનવામાં આવે છે.<br><img alt="Manisha Rani (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/03/glfTl7G1pDqL5zNLYj1hYoXM1SNyCGhLx0sj2KnS.webp"><br></p><p style="text-align: justify; ">હોમ ટૂર દરમિયાન મનીષાએ પોતાનો લિવિંગ રૂમ, ડાઇનિંગ એરિયા, મોડ્યુલર કિચન, બેડરૂમ, ડ્રેસિંગ એરિયા અને બાલ્કની પણ બતાવી હતી. ઘરમાં મોટી બાલ્કની, ડાઇનિંગ ટેબલ વગરનો વિશાળ ઓપન-પ્લાન લિવિંગ રૂમ અને કસ્ટમ વોક-ઇન વોર્ડરોબ સાથેનો ડ્રેસિંગ રૂમ છે. મનીષા રાનીના નવા ઘરમાં દરેક રૂમ માટે અલગ કલર થીમ રાખવામાં આવી છે અને કિચનમાં માર્બલ ફિનિશવાળી ખાસ કેબિનેટ્સ બનાવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે ઘરના દરેક ભાગનું પ્લાનિંગ તેમણે જાતે કર્યું છે અને દરેક નાની-મોટી બાબતમાં તેમની પસંદ સામેલ છે.</p><h4 style="text-align: justify; "><b>મનીષા રાનીની સફર</b></h4><p style="text-align: justify; ">ઘર બતાવતાં-બતાવતાં મનીષા ઘણી વખત ભાવુક પણ થઈ ગઈ હતી. તેણે કહ્યું કે એક સમય એવો હતો જ્યારે તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે મુંબઈ જેવા શહેરમાં તેનું પોતાનું આટલું સુંદર ઘર હશે. આજે તેનું આ સપનું સાકાર થયું છે અને તેના માટે તેઓ પોતાના ફેન્સનો દિલથી આભાર માને છે. મનીષા રાનીની સફર પણ પ્રેરણાદાયક છે. બિહારના એક નાના શહેરમાંથી બહાર આવી તેમણે સોશિયલ મીડિયા દ્વારા પોતાની ઓળખ બનાવી. ત્યારબાદ 'બિગ બોસ OTT 2', 'ઝલક દિખલા જા 11' અને અનેક મ્યુઝિક વીડિયોઝે તેમને ઘર-ઘરમાં લોકપ્રિય બનાવી દીધા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/highest-paid-bollywood-actresses-fees-top-5" target="_blank">આ પણ વાંચો-Highest Paid Actress : એક ફિલ્મ માટે કરોડો રૂપિયા વસૂલે છે બોલીવુડની આ અભિનેત્રીઓ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/G0uqDpZf2ORCUaVW9xDCXyGHMmRDWrvQ78godrbk.webp'/></item></channel></rss>