<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Maharashtra માં કૃત્રિમ પનીર પર સંપૂર્ણ પ્રતિબંધ, વેચાણ પર થશે જેલ અને દંડ ]]></title><link>https://sandesh.com/india/news/maharashtra-bans-analog-fake-paneer-fda</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/maharashtra-bans-analog-fake-paneer-fda</guid><pubDate>Wed, 05 Aug 2026 09:46:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સામાન્ય જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ખાદ્ય પદાર્થો સામે મહારાષ્ટ્ર સરકારે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. રાજ્યમાં એનાલોગ (કૃત્રિમ અથવા બિન-ડેરી) પનીર ઉત્પાદન, વેચાણ, સંગ્રહ, પરિવહન અને વિતરણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.અગાઉ છત્તીસગઢ દ્વારા આ પ્રકારનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, અને હવે મહારાષ્ટ્ર આ કડક પગલું ભરનારું દેશનું બીજું રાજ્ય બની ગયું છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકોને શુદ્ધ ખાદ્ય સામગ્રી પૂરી પાડવાનો અને બજારમાં થતી છેતરપિંડી અટકાવવાનો છે.</p><h2 style="text-align: justify; "><b>ફૂડ સેફ્ટી કમિશનરે જાહેર કર્યો આદેશ</b></h2><p style="text-align: justify; ">ફૂડ સેફ્ટી કમિશનર તુકારામ મુંધે દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર, રાજ્યભરમાં એનાલોગ ચીઝની તમામ પ્રક્રિયાઓ પર તાત્કાલિક અસરથી રોક લગાવી દેવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ સ્પષ્ટ કર્યું છે કે જે લોકો નકલી કે કૃત્રિમ પનીરને અસલી ડેરી પનીર તરીકે વેચીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરે છે, તેમને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ અન્યાયી વેપાર પ્રથાના ગુનેગાર ગણવામાં આવશે. આ કાયદા હેઠળ કસૂરવાર સાબિત થનાર વ્યક્તિને 6 મહિના સુધીની જેલ અને 1 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. એટલું જ નહીં, જો અસુરક્ષિત ખોરાકના સેવનથી કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, તો ગુનેગારો માટે આજીવન કેદ અને ઓછામાં ઓછા 10 લાખ રૂપિયાના ભારે દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>મહારાષ્ટ્ર વિધાનસભામાં ઉઠાવ્યો હતો મુદ્દો</b></h3><p style="text-align: justify; ">ઉલ્લેખનીય છે કે ગત વર્ષે મહારાષ્ટ્ર વિધાનસભામાં પણ આ ગંભીર મુદ્દો જોરશોરથી ઉઠાવવામાં આવ્યો હતો, જ્યાં ધારાસભ્યો દ્વારા એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂકવાની સતત માંગ કરવામાં આવી રહી હતી. વાસ્તવિક પનીર દૂધમાંથી બનતું હોવાથી તે પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે, જ્યારે એનાલોગ પનીર વનસ્પતિ તેલ અને અન્ય રાસાયણિક ઘટકોમાંથી બનાવવામાં આવે છે, જેમાં ડેરી પ્રોડક્ટ્સનો કોઈ જ ઉપયોગ થતો નથી. ઘણા બિનદક્ષ દુકાનદારો ગ્રાહકોને વ્યાજબી ભાવના ભ્રમમાં રાખીને આ નકલી પનીર અસલી કહીને વેચી રહ્યા હતા. વહીવટીતંત્રને આશા છે કે આ સખત પ્રતિબંધથી બજારમાં શુદ્ધતા આવશે અને નાગરિકોના સ્વાસ્થ્યનું યોગ્ય રક્ષણ થઈ શકશે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/world/news/strait-of-hormuz-deal-us-iran-oman" target="_blank">આ પણ વાંચોઃ Strait of Hormuz નો વિવાદ ઉકેલાશે?  અમેરિકા, ઈરાન અને ઓમાન વચ્ચે આજે થશે ડીલ!</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/ZXBEY0hzmhHt1SJIfXmXNuL3Za3aEJsgYGxVZnMX.webp'/></item><item><title><![CDATA[Entertainment : માલતીને મંત્ર શીખવતી 'મામા' અને મસ્તી કરતી 'મામાસિટા', પ્રિયંકા ચોપરાનો વીડિયો વાયરલ ]]></title><link>https://sandesh.com/entertainment/news/entertainment-mama-teaching-mantras-to-malti-and-mamasita-having-fun-priyanka-chopras-video-goes-viral</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/entertainment-mama-teaching-mantras-to-malti-and-mamasita-having-fun-priyanka-chopras-video-goes-viral</guid><pubDate>Wed, 05 Aug 2026 09:46:21 +05:30</pubDate><description><![CDATA[<p>બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી પોતાની ખાસ ઓળખ બનાવનાર ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા હાલમાં પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ચર્ચામાં છે. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર એક ક્યૂટ વીડિયો શેર કર્યો છે, જેમાં તેની જિંદગીના બે સુંદર અને સાવ અલગ પાસાઓ જોવા મળે છે. વીડિયોના એક ભાગમાં તે તેની દીકરી માલતી મેરી સાથે પ્રેમાળ ક્ષણ વિતાવતી દેખાય છે, તો બીજી તરફ મિત્રો સાથે ડાન્સ અને મસ્તી કરતી જોવા મળે છે.</p><h2><b>પ્રિયંકાનો દીકરી સાથે ભક્તિમય 'મામા' અવતાર</b></h2><p>વીડિયોની શરૂઆત એક ખૂબ જ ભાવુક અને સુંદર ક્ષણથી થાય છે. જેમાં પ્રિયંકા ચોપરા તેની નાની દીકરી માલતી મેરીને ખોળામાં બેસાડીને દેવી દુર્ગાનો પવિત્ર મંત્ર "સર્વ મંગલ માંગલ્યે" શીખવી રહી છે. માલતી પણ તેની માતા સાથે મંત્ર બોલવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. મા-દીકરીના આ ખાસ અને સંસ્કારી બંધનને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. પ્રિયંકાએ પોતાની આ પ્રેમાળ બાજુને "મામા" (Mama) અવતાર કહ્યો છે.</p><p><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DblNqZvNt8a/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DblNqZvNt8a/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a></p><h3><b>મિત્રો સાથે 'મામાસિટા' સ્ટાઇલ</b></h3><p>વીડિયોના બીજા ભાગમાં પ્રિયંકાનો કૂલ અને ગ્લેમરસ અંદાજ જોવા મળે છે. જેમાં તે પોતાના મિત્રો સાથે ડાન્સ કરતી અને લાઈફ એન્જોય કરતી દેખાય છે. પોતાના આ રમતિયાળ અંદાજને તેણે "મામાસિટા" (Mamasita) અવતાર નામ આપ્યું છે. એક જ વીડિયોમાં માતા તરીકેની ગંભીરતા અને ફ્રી-સ્પિરિટેડ મસ્તી એમ બંને રૂપ બતાવીને પ્રિયંકાએ ફેન્સના દિલ જીતી લીધા છે. આ વીડિયો શેર કરતાં તેણે કેપ્શનમાં "Sound On" લખ્યું છે.</p><h4><b>'વારાણસી' ફિલ્મથી ભારતીય સિનેમામાં વાપસી</b></h4><p>કામની વાત કરીએ તો, પ્રિયંકા ચોપરા ટૂંક સમયમાં જ એસ.એસ. રાજામૌલીની આગામી ફિલ્મ "વારાણસી" દ્વારા ભારતીય સિનેમામાં કમબેક કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુ અને પૃથ્વીરાજ સુકુમારન પણ મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં પ્રિયંકા "મંદાકિની" નું પાત્ર ભજવવાની છે, જેનો ફર્સ્ટ લુક નિર્માતાઓ દ્વારા તાજેતરમાં જ જાહેર કરવામાં આવ્યો હતો. હાલમાં ફિલ્મનું શૂટિંગ ઝડપથી ચાલી રહ્યું છે અને તે એપ્રિલ 2027 માં સિનેમાઘરોમાં રિલીઝ થવાની શક્યતા છે.</p><p><br></p><p><a href="https://sandesh.com/cricket/news/entertainment/brett-lee-breaks-silence-preity-zinta-dating-rumours" target="_blank">આ પણ વાંચો : Brett Lee પ્રીતિ ઝિન્ટાના પ્રેમમાં...! 16 વર્ષ પછી ક્રિકેટરે તોડ્યું મૌન</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/EVHGXMDfDtAEmc6lJox9gT5Tn1R3d0VPbNNAtewW.webp'/></item><item><title><![CDATA[Rajkot News: સૌરાષ્ટ્રને હાઇકોર્ટ બેંચ આપવા બાર સાંસદ રૂપાલાએ કેન્દ્રીય કાયદામંત્રીને પત્ર લખી ભલામણ કરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/mp-rupala-writes-to-union-law-minister-seeking-gujarat-high-court-bench-in-saurashtra</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/mp-rupala-writes-to-union-law-minister-seeking-gujarat-high-court-bench-in-saurashtra</guid><pubDate>Wed, 05 Aug 2026 09:41:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સૌરાષ્ટ્રના વકીલ આલમની વર્ષો જૂની માંગણી એવી સૌરાષ્ટ્રમાં ગુજરાત હાઇકોર્ટની બેંચની સ્થાપના માટે રાજકોટ બાર એસોસિએશન દ્વારા લડત વધુ તેજ બનાવવામાં આવી છે. સૌરાષ્ટ્રના લોકોને ન્યાય મેળવવા માટે અમદાવાદ સુધી લાંબા ન થવું પડે અને સ્થાનિક સ્તરે જ સુલભ તથા ઝડપી ન્યાય મળી રહે તે હેતુથી રાજકોટ બાર એસોસિએશન દ્વારા રાજકીય અગ્રણીઓ અને શાસકોને સાથે રાખીને રજૂઆતોનો દોર શરૂ કરવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>આવેદનપત્ર સોંપીને આ લડતમાં સક્રિય સહયોગ આપવા અપીલ</b></h2><p style="text-align: justify; ">આ ઝુંબેશના ભાગરૂપે રાજકોટ બાર એસોસિએશનના પ્રતિનિધિમંડળે રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા તેમજ દક્ષિણ રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવ્યું હતું.આ ઉપરાંત બે દિવસ પહેલાં જ બાર એસોસિએશને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ મળીને સૌરાષ્ટ્રમાં હાઇકોર્ટ બેંચની અનિવાર્યતા અંગે વિગતવાર રજૂઆત કરી હતી.ન્યાયિક પ્રક્રિયાને વેગ આપવા અને સ્થાનિક કક્ષાએ સર્વસંમતિ સાધવા માટે વકીલોના મંડળે રાજકોટના મેયર અને શહેર ભાજપ પ્રમુખને પણ આવેદનપત્ર સોંપીને આ લડતમાં સક્રિય સહયોગ આપવા અપીલ કરી છે.</p><h3 style="text-align: justify; "><b>હાઇકોર્ટની સર્કિટ બેંચ મંજૂર કરવા માટે મજબૂત ભલામણ</b></h3><p style="text-align: justify; ">રાજકોટ બાર એસોસિએશનની આ રજૂઆતને ગંભીરતાથી લઈને સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાએ ત્વરિત પગલાં ભર્યા છે.તેમણે કેન્દ્રીય કાયદામંત્રી અર્જુન રામ મેઘવાલને પત્ર લખીને સૌરાષ્ટ્રના વિશાળ ભૌગોલિક વિસ્તાર અને અરજદારોની સંખ્યાને ધ્યાને રાખીને વહેલી તકે અહીં હાઇકોર્ટની સર્કિટ બેંચ મંજૂર કરવા માટે મજબૂત ભલામણ કરી છે. હાલમાં રાજકોટ બાર એસોસિએશન દ્વારા તમામ પક્ષના અલગ-અલગ રાજકીય અગ્રણીઓ, સાંસદો અને ધારાસભ્યોનું પૂર્ણ સમર્થન મેળવવા માટેના પ્રયાસો પૂરજોશમાં ચલાવવામાં આવી રહ્યા છે.વકીલ મંડળનું માનવું છે કે જો તમામ રાજકીય ક્ષેત્રે એકસૂર થઈને રજૂઆત કરવામાં આવશે તો કેન્દ્ર સરકાર તરફથી ટૂંક સમયમાં જ સૌરાષ્ટ્રવાસીઓને હાઇકોર્ટ બેંચના રૂપમાં મોટી ભેટ મળી શકે છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/79-217-cancer-cases-and-43-572-deaths-estimated-in-2025" target="_blank">આ પણ વાંચોઃ Gujarat News: રાજ્યમાં દર 10માંથી એક વ્યક્તિને કેન્સરનું જોખમ, એક વર્ષમાં 43572 દર્દીઓના મોત</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/3PpQ9OL7gTfgX68NcqYOPuTCyYOLyg6Eph2wkhBs.webp'/></item><item><title><![CDATA[Assam Flood:આસામ અને કેરળમાં કુદરતનો કહેર, આસામમાં 87 અને કેરળમાં 25 લોકોના મોત ]]></title><link>https://sandesh.com/india/news/assam-kerala-floods-heavy-rain-updates</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/assam-kerala-floods-heavy-rain-updates</guid><pubDate>Wed, 05 Aug 2026 08:56:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દેશભરના વિવિધ રાજ્યોમાં ચોમાસાના ભારે વરસાદે તબાહી મચાવી છે. ખાસ કરીને કેરળ, આસામ અને ઓડિશામાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે, જ્યાં પૂર અને વરસાદને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લાખો લોકો પ્રભાવિત થયા છે અને વહીવટીતંત્ર દ્વારા રાહત તથા બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>કેરળમાં સૌથી ખરાબ પરિસ્થિતિ</b></h2><p style="text-align: justify; ">કેરળમાં સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક છે. અહીં છેલ્લા ચાર દિવસમાં 1 થી 4 ઓગસ્ટ દરમિયાન સામાન્ય કરતાં 181 ટકા વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ (IMD) અનુસાર આ સમયગાળામાં 205.8 મીમી વરસાદ પડ્યો છે. સતત મુશળધાર વરસાદને કારણે પથાનમથિટ્ટા, કોટ્ટાયમ, ઇડુક્કી, એર્નાકુલમ સહિત આઠ જિલ્લાઓમાં 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં વરસાદ અને પૂર સંબંધિત દુર્ઘટનાઓમાં અત્યાર સુધીમાં 25 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 4 લોકો ગુમ છે અને અનેક લોકો ઘાયલ થયા છે.</p><h3 style="text-align: justify; "><b>આસામમાં પૂરની સ્થિતિ વધુ ગંભીર</b></h3><p style="text-align: justify; ">મળતી માહિતી પ્રમાણે ભારે વરસાદને પગલે રાજ્યભરમાં 400થી વધુ રાહત શિબિરો ઊભી કરવામાં આવી છે, જેમાં 18,000 થી વધુ લોકો આશરો લઈ રહ્યા છે. પૂરના કારણે અનેક લોકોના મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ઘરવખરી ધોવાઈ ગઈ છે, જેને લઈને સરકારે દસ્તાવેજો પુનઃ મેળવવા અને બાળકોને નવા પુસ્તકો પૂરા પાડવા માટે ખાસ અદાલતો બનાવવાની જાહેરાત કરી છે. બીજી તરફ, આસામમાં પૂરની સ્થિતિ હજુ પણ ગંભીર છે. રાજ્યમાં પૂરના કારણે મૃત્યુઆંક વધીને 87 પર પહોંચી ગયો છે. શિવસાગર, ચરાઈદેવ અને જોરહાટ સહિત છ જિલ્લાના આશરે 1.28 લાખ લોકો પૂરની ઝપેટમાં છે. જોકે, રાહતની વાત એ છે કે હવે ધીમે ધીમે પાણીનું સ્તર ઓછું થઈ રહ્યું છે, છતાં કટોકટી યથાવત છે.</p><h4 style="text-align: justify; "><b>ઓડિશામાં પણ જોવા મળ્યો પૂરનો પ્રકોપ</b></h4><p style="text-align: justify; ">બીજી તરફ ઓડિશામાં પણ પૂરનો પ્રકોપ જોવા મળ્યો છે, જ્યાં 22 જિલ્લાના અંદાજે 8.64 લાખ લોકો પ્રભાવિત થયા છે. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ પૂરગ્રસ્તો માટે 110 કરોડ રૂપિયાના પ્રારંભિક રાહત પેકેજની જાહેરાત કરી છે. પૂરમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સહાય અને સંપૂર્ણ નુકસાન પામેલા મકાનો માટે 1.2 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત, અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને નાગાલેન્ડમાં પણ ભારે વરસાદને કારણે હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેનાથી ઉત્તર-પૂર્વના રાજ્યોમાં પણ ચિંતા વધી ગઈ છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/world/news/us-donald-trump-golf-club-security-suspect-arrested" target="_blank">આ પણ વાંચોઃ US: ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક, બંદૂક અને દારૂગોળો સાથે શંકાસ્પદ વ્યક્તિની કરાઇ ધરપકડ</a></b></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/BCE7qfzwh94w3VmSDJJFHG2WBshDw7U1nZVQeL3e.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: શહેરમાં 33 હજારથી વધુ મકાનોમાં મચ્છરોનું બ્રિડિંગ મળ્યું, પાણીના 47 સેમ્પલ અનફિટ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/mosquito-breeding-found-in-33742-houses</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/mosquito-breeding-found-in-33742-houses</guid><pubDate>Wed, 05 Aug 2026 08:19:48 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદમાં વરસાદના વિરામ અને વાદળછાયાં વાતાવરણના કારણે ડેન્ગ્યુના રોજના બે કેસ નોંધાઈ રહ્યા છે.જુલાઈ મહિનામાં શહેરમાં ડેન્ગ્યુના 60, મેલેરિયાના 38,ઝેરી મેલેરિયાના 4 અને ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયો છે.મચ્છરજન્ય રોગના કેસની સાથે પાણીજન્ય એવા ઝાડા-ઊલટીના 422, ટાઈફોઈડના 267, કમળાના 88 કેસ નોંધાયા છે.શહેરના 7 ઝોનમાં મચ્છર અને તેનું બિડિંગ શોધવા 20.20 લાખથી વધુ રહેઠાણોમાં જુલાઈ મહિનામાં 33742 મકાનોમાં મચ્છર અને તેનું બ્રિડિંગ મળી આવ્યું હતું.આ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શહેરમાં આપવામાં આવતા પાણીના 47 સેમ્પલ જુલાઈ મહિનામાં પીવાલાયક નહોતા.34 પાણીના સેમ્પલમાં ક્લોરિન નહોતું.</p><h2 style="text-align: justify; "><b>મચ્છરોના ઉપદ્રવમાં વધારો જોવા મળ્યો&nbsp;</b></h2><p style="text-align: justify; ">આ વર્ષે વિલંબથી શરૂ થયેલી ચોમાસાની ઋતુ દરમિયાન જુલાઈ મહિનાના અંતિમ પખવાડિયામાં શહેરમાં ભારે વરસાદ વરસ્યો હતો.આ કારણથી શહેરના મોટાભાગના વિસ્તારોમાં મચ્છરોના ઉપદ્રવમાં વધારો જોવા મળ્યો હતો.કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા શહેરમાં પાણીજન્ય રોગચાળો વકરે નહીં એ માટે જુલાઈ મહિનામાં બેક્ટેરિયોલોજીકલ તપાસ માટે 8.575 પાણીના સેમ્પલ લેબોરેટરી તપાસ માટે લીધા હતા.જે પૈકી પાણીના 47 સેમ્પલ અનફ્ટિ જાહેર કરવામાં આવ્યા છે. રેસિડેન્શિયલ ક્લોરિનની તપાસ માટે એક મહિનામાં 59591 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા.જે પૈકી પાણીના 34 સેમ્પલમાં ક્લોરિન જોવા મળ્યું નહોતું.</p><h3 style="text-align: justify; "><b>મચ્છરોનો ઉપદ્રવ કઈ રીતે નક્કી કરાય છે?</b></h3><p style="text-align: justify; ">મચ્છરોનો ઉપદ્રવ ક્યાં-કેટલો છે તે નક્કી કરવા હાઉસ ઇન્ડેક્સ, ઉપરાંત એડીસ મચ્છરને ટ્રેસ કરવા બ્રેટો ઇન્ડેક્સ અને કન્ટેનર ઇન્ડેક્સ એમ ત્રણ પ્રકારે તપાસ કરવામાં આવે છે. આ ત્રણ ઇન્ડેક્સ પાંચથી ઓછા જોવા મળે તો મચ્છરોના ઉપદ્રવની સ્થિતિ સામાન્ય છે એમ ગણવામાં આવે છે.100 ઘર દીઠ મળતા મચ્છરના લાર્વા ઉપરથી તેના ઉપદ્રવની માત્રા નક્કી થતી હોય છે. મચ્છરોનો ઉપદ્રવ ક્યાં અને કેટલો છે તે તપાસવા હાઉસ અને કન્ટેનર ઇન્ડેક્સ જોવામાં આવે છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-live-news-politics-weather-breaking-updates-08-august-2026" target="_blank">આ પણ વાંચોઃ Gujarat Latest News Live: રાજ્યમાં ગાજવીજ અને પવન સાથે સાર્વત્રિક વરસાદની આગાહી</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/uAlfz603sAuQs8UuBYRo2MInns5xj9LrufOmvlHr.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: રાજ્યમાં કુદરતી આફતોને લીધે 3 વર્ષમાં 605નાં મોત, 1.33 લાખ હેક્ટરમાં પાકને નુકસાન ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-records-605-deaths-and-crop-damage-across-1-33-lakh-hectares-in-3-years</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-records-605-deaths-and-crop-damage-across-1-33-lakh-hectares-in-3-years</guid><pubDate>Wed, 05 Aug 2026 08:00:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં ભારે વરસાદ, વાવાઝોડું, વીજળી પડવા સહિત કુદરતી આફતોના કારણે ત્રણ વર્ષમાં 605 લોકોના મોત થયા છે. જયારે 12370 પશુઓના મોત નોંધાયા છે.વરસાદી આફતને કારણે કાચા અને પાકા મકાનોને સંપૂર્ણ અથવા તો અંશતઃ નુકસાન થયું છે.51,449 મકાનોને નુકસાન થવા પામ્યું છે.આ આંકડા વર્ષ 2023-24થી 2025-26ની સ્થિતિના છે.</p><h2 style="text-align: justify; "><b>ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું</b></h2><p style="text-align: justify; ">ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે.ત્રણ વર્ષના સમય ગાળામાં ગુજરાતમાં 1.33 લાખ હેક્ટરમાં પાકને નુકસાન થયું છે.વર્ષ 2023-24માં સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ હેઠળ રાજ્ય અને કેન્દ્રના હિસ્સા સહિત 1556 કરોડની ફાળવણી કરવામાં આવી હતી.એ પછી 2024-25માં 1635 કરોડ અને વર્ષ 2025-26માં 1716 કરોડની ફાળવણી કરવામાં આવી હતી.</p><h3 style="text-align: justify; "><b>20741 મકાનોને નુકસાન થયું હતું</b></h3><p style="text-align: justify; ">વર્ષ 2023-24 અને 2024-25માં ભારે કુદરતી આફત છતાં નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડ હેઠળ કોઈ વધારાની ફાળવણી કરાઈ ન હતી.કેન્દ્ર સરકારે સંસદમાં આ સંદર્ભે જવાબ રજૂ કર્યો છે.ગુજરાતમાં વર્ષ 2025-26ના સમયમાં કુલ 139 મોત અને 14 હજાર જેટલા મકાનોને સંપૂર્ણ અથવા તો અંશતઃ નુકસાન થયું હતું જ્યારે 2024-25માં 230 લોકોનાં મોત, 7222 પશુઓનાં મોત અને 20741 મકાનોને નુકસાન થયું હતું.<br><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/cyclonic-circulation-western-disturbance-active-rain-forecast" target="_blank">આ પણ વાંચોઃ Gujarat Weather News: સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/9v8cn6TU9L0Exd9vnT6ewsnphBlSGV89Vu8ge468.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: મનપસંદ જુગારધામ થકી મેળવાયેલા કાળા નાણાં દેશવિરોધી પ્રવૃત્તિમાં વપરાયા હોવાની શંકા ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/manpasand-gambling-racket-linked-to-suspected-anti-national-activities</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/manpasand-gambling-racket-linked-to-suspected-anti-national-activities</guid><pubDate>Wed, 05 Aug 2026 07:42:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં આયોજનબદ્ધ રીતે ચાલતા મોટા મનપસંદ જિમખાના જુગારધામ પર પોલીસે પાડેલા દરોડામાં ચોંકાવનારા ખુલાસા થયા છે.જુગારના આ નેટવર્કમાં કાયદાની પકડથી બચવા અને કડીબદ્ધ પુરાવા ન મળે તે માટે આરોપીઓએ રોકડની સાથે સાથે જાણીતી આંગડિયા પેઢીઓ અને યુપીઆઈ ટ્રાન્ઝેક્શન મારફતે હારજીતના મોટા નાણાકીય વ્યવહારો કર્યા હોવાનું બહાર આવ્યું છે.પોલીસે કેશિયર અને જુગાર રમાડનાર મુખ્ય નવ આરોપીઓ વિરુદ્ધ સચોટ પુરાવા એકત્ર કરવા અને એફએસએલ તપાસ માટે મેટ્રોપોલીટન કોર્ટમાં રજૂ કરીને ચાર દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે. માત્ર સામાન્ય જુગાર નહીં, પરંતુ એક સંગઠિત ગુનાહિત ટોળકી દ્વારા આયોજનબદ્ધ રીતે આ અડ્ડો ચલાવવામાં આવતો હતો.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>આંગડિયા પેઢીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો</b></h2><p style="text-align: justify; ">રિમાન્ડમાં તપાસનીશ અધિકારીએ શંકા વ્યક્ત કરી છે કે જુગાર દ્વારા મેળવાયેલા કાળા નાણાંની ગેરકાયદેસર હેરાફેરી કરી તેનો ઉપયોગ આતંકવાદ કે નાર્કોટિક્સ ડ્રગ્સ જેવી દેશવિરોધી પ્રવૃત્તિઓમાં થયો હોઈ શકે છે.આ ગંભીર નેટવર્કનો પર્દાફાશ કરવો જરૂરી છે.જ્યારે 178 આરોપીઓને કોર્ટે જામીન પર મુક્ત કર્યા છે. એસએમસીના અધિકારીએ ગોવિંદ પટેલ, સત્તાર વોરા, હુસેન સિપાઈ, લક્ષ્મણ પરમાર, દિનેશ ભાવસાર, કિશોર પઢિયાર, નારણ રાવલ, સલીમ મસુરી અને આનંદ ઠાકોરના રિમાન્ડ મેળવવા માટે અરજી કરી હતી.રિમાન્ડ અરજીમાં જણાવ્યું હતું કે, જુગારધામમાં બહારથી રમવા આવતા ગ્રાહકો પાસેથી મોટી હારજીતના નાણાકીય વ્યવહારો માટે અલગ-અલગ આંગડિયા પેઢીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>મોપેડમાંથી જુગારના પૈસા કબજે કરવામાં આવ્યા</b></h3><p style="text-align: justify; ">માધુપુરા અને કાલુપુર વિસ્તારની જાણીતી આર.કે. આંગડિયા, રમેશ કાંતિ આંગડિયા, એચ.આર. આંગડિયા અને પી.એમ. આંગડિયા પેઢી મારફતે વ્યવહારો થયાનું ખુલ્યું છે. આ પેઢીઓમાંથી દસ્તાવેજી પુરાવા મળ્યા છે. જુગાર રમવા આવતા ગ્રાહકો રોકડ ઉપરાંત ઓનલાઈન યુપીઆઈ ટ્રાન્ઝેક્શન મારફતે પણ હારજીતના પૈસાની લેવડદેવડ કરતા હતા. આ ડિજિટલ ટ્રાન્ઝેક્શનના નેટવર્ક અને બેંક ખાતાઓની ઊંડી તપાસ કરવાની છે. કેશિયર આરોપી નારણ રાવલ અને ટેબલ ભાડે રાખી જુગાર રમાડનાર આરોપી લક્ષ્મણ પરમારની જીમખાના પાસે પાર્ક કરેલી મોપેડમાંથી જુગારના પૈસા કબજે કરવામાં આવ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>આંક લખેલી-સહી કરેલી ચિઠ્ઠીઓ મળી આવી</b></h2><p style="text-align: justify; ">રેડ દરમિયાન આંક લખેલી અને સહી કરેલી ચિઠ્ઠીઓ તેમજ પ્રિન્ટેડ શીટ મળી આવી છે.આવી અન્ય ગુપ્ત ચિઠ્ઠીઓ અને હિસાબો ક્યાં સંતાડયા છે તે અંગે યુક્તિપ્રયુક્તિથી પૂછપરછ હાથ ધરાશે.કબજે કરાયેલી ચિઠ્ઠીઓ આરોપી નારાયણનાથ ઉર્ફે નારણ કમલનાથ રાવલ દ્વારા જુગાર રમવા આવનાર વ્યક્તિઓ પાસેથી પૈસા મેળવી લખી સહી કરી આપ્યાનું ખુલ્યું છે. સચોટ વૈજ્ઞાનિક પુરાવો મેળવવા આરોપીના હસ્તાક્ષરના નમૂના લઈ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ખાતે મોકલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>અન્ય કયા મોટા માથાઓ સંડોવાયેલા તેની તપાસ ચાલુ</b></h2><p style="text-align: justify; ">આરોપીઓએ જુગારના નેટવર્કથી મેળવેલા લાખો રૂપિયાના હિસાબો અને આ ગુનામાં અન્ય કયા મોટા માથાઓ સંડોવાયેલા છે તેની પણ તપાસ ચાલુ છે. પોલીસ રેડ દરમિયાન ઘણા આરોપીઓ નાસી જવામાં સફળ રહ્યા હતા. પકડાયેલા આરોપીઓએ જ તેમને જુગાર રમવા બોલાવ્યા હોવાથી, ફરાર થઈ ગયેલા આરોપીઓને પકડવા અને તેમના નેટવર્કને તોડવા માટે રિમાન્ડ જરૂરી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/cyclonic-circulation-western-disturbance-active-rain-forecast" target="_blank">આ પણ વાંચોઃ Gujarat Weather News: સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/lpyMNpMbRRNKqSX6RVPUOkqyM8sZGKiBjCIlD2Y7.webp'/></item><item><title><![CDATA[Deesa: ડીસા નગરપાલિકામાં વિવિધ સમિતિઓની રચના ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/deesa/deesa-formation-of-various-committees-in-deesa-municipality</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/deesa/deesa-formation-of-various-committees-in-deesa-municipality</guid><pubDate>Wed, 05 Aug 2026 05:44:46 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ડીસા નગરપાલિકાની ચૂંટણી બાદ હવે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. જેમાં 19 સમિતિઓ વિવિધ ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરને આપવામાં આવી છે. જોકે આ સમિતિઓની બેઠક ડીસા નગરપાલિકા સભાખંડમાં પાલિકા પ્રમુખ કૌશિક સાધુના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં ચીફ ઓફિસર ચંદ્રકાંત દેસાઈ, ઉપપ્રમુખ પલ્લવી જોષી ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ દ્વારા તમામ સમિતિઓના મેન્ડેડ રજુ કરવામાં આવ્યા હતા. જોકે પાર્ટીએ અને ડીસાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણ માળી દ્વારા સમિતિઓમાં લગભગ મોટા ભાગના જ્ઞાતિઓને સમાવી લીધા હતા. જેથી સમિતિઓની રચના બાદ ભાજપના કોર્પોરેટરોમાં ખુશી જોવા મળી રહી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/ihiNVMAFUyptwdBs1dXCzHA3ITzU5In06zLBXb1u.webp'/></item><item><title><![CDATA[Neeraj Chopra ડાયમંડ લીગમાં મળશે જોવા, અરશદ નદીમ અને રૂમેશ પથિરાગેનો કરશે સામનો ]]></title><link>https://sandesh.com/sports/news/neeraj-chopra-lausanne-diamond-league-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/neeraj-chopra-lausanne-diamond-league-2026</guid><pubDate>Tue, 04 Aug 2026 20:58:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતના દિગ્ગજ ભાલા ફેંકનાર અને ઓલિમ્પિક ગોલ્ડ ચંદ્રક વિજેતા નીરજ ચોપરા 21 ઓગસ્ટના રોજ યોજાનારી લૌઝેન ડાયમંડ લીગ સ્પર્ધામાં ભાગ લેશે. આયોજકોએ 3 ઓગસ્ટના રોજ આ વાતની પુષ્ટિ કરી.</p><p style="text-align: justify; ">નીરજ એથલેટિસિમા તરીકે ઓળખાતી સ્પર્ધામાં ચોથી વખત ભાગ લેશે. તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સમાં 85.83 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યા બાદ નીરજ આ ટુર્નામેન્ટ દ્વારા પોતાના ભૂતપૂર્વ ફોર્મમાં પરત ફરવાનો પ્રયાસ કરશે.</p><h2 style="text-align: justify; "><b>નીરજ ચોપરાનો સામનો શ્રીલંકાના રૂમેશ પથિરાગે સામે થશે</b></h2><p style="text-align: justify; ">28 વર્ષના નીરજ ચોપરાએ 2022માં 89.08 મીટરના બેસ્ટ થ્રો સાથે આ ઈવેન્ટ જીતી હતી અને પછીના વર્ષે 87.66 મીટરના ભાલા ફેંકીને પોતાની જીતનો સિલસિલો ચાલુ રાખ્યો હતો. ત્યારબાદ 89.49 મીટરના શાનદાર પ્રદર્શન છતાં તે 2024 લુઝેન ડાયમંડ લીગ ઈવેન્ટમાં બીજા સ્થાને રહ્યો.</p><p style="text-align: justify; ">2026ની ઈવેન્ટ ખૂબ જ રોમાંચક હોવાની અપેક્ષા છે, કારણ કે તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર શ્રીલંકાના રૂમેશ પથિરાગે પણ ભાગ લઈ રહ્યો છે. તેને 89.75 મીટરના બેસ્ટ થ્રો સાથે CWG 2026માં પ્રથમ સ્થાન મેળવ્યું અને ગોલ્ડ મેડલ જીત્યો.</p><h3 style="text-align: justify; "><b>ઘણા અનુભવી ખેલાડીઓ લૌઝેન ડાયમંડ લીગમાં ભાગ લેશે</b></h3><p style="text-align: justify; ">પાકિસ્તાનનો ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમ પણ આ સ્પર્ધામાં ભાગ લેશે, જે ફેન્સ માટે બીજી એક રોમાંચક સ્પર્ધા બનશે. તેના સિવાય બે વખતના વિશ્વ ચેમ્પિયન એન્ડરસન પીટર્સ, જર્મનીના થોમસ રોહલર અને ત્રિનિદાદ અને ટોબેગોના કેશોર્ન વોલકોટ પણ ભાલા ફેંકમાં પોતાની શક્તિનું પ્રદર્શન કરતા જોવા મળશે.</p><h4 style="text-align: justify; "><b>દોહા ડાયમંડ લીગમાં નીરજ ચોપરા ચોથા નંબરે રહ્યો</b></h4><p style="text-align: justify; ">લૌઝેન ડાયમંડ લીગ નીરજ ચોપરાની વર્ષની ત્રીજી મોટી સ્પર્ધા હશે. તે અગાઉ જૂનમાં દોહા ડાયમંડ લીગમાં ચોથા નંબરે રહ્યો હતો અને પછી કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો. ગંભીર ઈજા અને ટોક્યોમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ પછી બ્રેકને કારણે લાંબી ગેરહાજરી બાદ નીરજ આ વર્ષે મેદાનમાં પરત ફર્યો છે. આખી સીઝનમાં તેનું બેસ્ટ પ્રદર્શન ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં રહ્યું.</p><h5 style="text-align: justify; "><b>લૌઝેન ડાયમંડ લીગ 2026 જેવેલિન થ્રો એન્ટ્રી લિસ્ટ</b></h5><p style="text-align: justify; ">એન્ડરસન પીટર્સ (ગ્રેનાડા)</p><p style="text-align: justify; ">અરશદ નદીમ (પાકિસ્તાન)</p><p style="text-align: justify; ">કર્ટિસ થોમ્પસન (યુએસએ)</p><p style="text-align: justify; ">જાકુબ વાડલેચ (ચેકિયા)</p><p style="text-align: justify; ">જુલિયન વેબર (જર્મની)</p><p style="text-align: justify; ">કેશોર્ન વોલકોટ (ત્રિનિદાદ અને ટોબેગો)</p><p style="text-align: justify; ">નીરજ ચોપરા (ભારત)</p><p style="text-align: justify; ">રુમેશ પાથિરાગે (શ્રીલંકા)</p><p style="text-align: justify; ">સાઈમન વીલેન્ડ (સ્વિટ્ઝર્લૅન્ડ)</p><p style="text-align: justify; ">થોમસ રોહલર (જર્મની)</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/ZQYBy8LBmgXlHyY1AXRQwO7F2gQ5xJMQHAaQK1oS.webp'/></item><item><title><![CDATA[India Oil Production: સમુદ્રમાં તેલના 60 કૂવા ખોદશે ભારત, દરેક કૂવા પાછળ સરકાર 650 કરોડ ખર્ચશે ]]></title><link>https://sandesh.com/business/news/india-oil-production-india-will-drill-60-oil-wells-in-the-sea-the-government-will-spend-650-crores-for-each-well</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india-oil-production-india-will-drill-60-oil-wells-in-the-sea-the-government-will-spend-650-crores-for-each-well</guid><pubDate>Tue, 04 Aug 2026 19:01:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની અસ્થિર કિંમતો અને વિદેશી આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટે ભારત સરકારે એક ઐતિહાસિક અને સાહસિક કદમ ઉઠાવ્યું છે. દેશને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે સરકારે વિશિષ્ટ ‘સમુદ્ર મંથન’ (Samudra Manthan) યોજનાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ ભારતીય દરિયાઈ સીમામાં 60 નવા તેલના કૂવા ખોદવાનું મહત્વાકાંક્ષી આયોજન કરવામાં આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>દરેક કૂવા પાછળ 650 કરોડનો ખર્ચ</b></h2><p style="text-align: justify; ">દરિયાના ઊંડા પાણીમાં તેલ અને ગેસના ભંડારો શોધવા એ અત્યંત જટિલ અને ખર્ચાળ પ્રક્રિયા છે. આથી જ, ભારત સરકાર આ મેગા પ્રોજેક્ટ માટે કમર કસી રહી છે. મિશન ‘સમુદ્ર મંથન’ હેઠળ દરિયામાં દરેક ઊંડા તેલના કૂવા (Deepsea Well)ના ડ્રિલિંગ માટે અંદાજે 650 કરોડનો અધધ ખર્ચ કરવામાં આવશે. આ રોકાણ દેશના ઊર્જા ભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.</p><h3 style="text-align: justify; "><b>આયાત પરનું નિર્ભરતા ઘટાડવાનો માસ્ટરપ્લાન</b></h3><p style="text-align: justify; ">હાલમાં ભારત પોતાની જરૂરિયાતનું 85% થી વધુ ક્રૂડ ઓઈલ વિદેશમાંથી આયાત કરે છે, જેના કારણે દેશની તિજોરી પર કરોડો ડોલરનું ભારે બોજ પડે છે. આ નવી યોજનાનો મુખ્ય હેતુ દેશમાં જ ક્રૂડ ઓઈલ અને નૈસર્ગિક ગેસનું ઉત્પાદન વધારીને આ મોંઘી આયાતમાં મોટો કાપ મૂકવાનો છે. જો આ 60 કૂવાઓમાંથી ધાર્યા મુજબ તેલ અને ગેસનો જથ્થો મળી આવશે, તો ભારતનું વિદેશી હૂંડિયામણ બચશે અને સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ સ્થિરતા લાવી શકાશે.</p><h4 style="text-align: justify; "><b>આધુનિક ટેકનોલોજી અને વૈશ્વિક તકો</b></h4><p style="text-align: justify; ">દરિયાની ઊંડાઈમાં ડ્રિલિંગ કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરની અદ્યતન ટેકનોલોજી અને નિષ્ણાતોની મદદ લેવામાં આવશે. હિંદ મહાસાગર, બંગાળની ખાડી અને અરબી સમુદ્રના સંભવિત વિસ્તારોમાં આ સર્વેક્ષણ અને ડ્રિલિંગ હાથ ધરવામાં આવશે. આ પ્રોજેક્ટથી ભારતનું એનર્જી સેક્ટર વધુ મજબૂત બનશે જ, સાથે સાથે દેશમાં ટેકનિકલ ક્ષેત્રે નવી રોજગારીની તકો પણ ઊભી થશે. સરકારનું આ કદમ ભારતને 'ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર' બનાવવાની દિશામાં એક માઈલસ્ટોન સાબિત થશે. સમુદ્રમાંથી તેલ મેળવવાનું આ 'મંથન' ભારતની આર્થિક સ્થિતિને એક નવી ઊંચાઈ પર લઈ જવાની ક્ષમતા ધરાવે છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/india/news/yogi-adityanath-cm-yogis-attack-on-ram-temple-donation-theft-sadhus-and-saints-are-not-guilty-oppositions-behavior-is-anti-sanatan" target="_blank">આ પણ વાંચો: Yogi Adityanath: રામ મંદિર ચંદા ચોરી પર CM યોગીના પ્રહાર-વિપક્ષનું વર્તન સનાતન વિરોધી</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/FpA8IMNnT7gF90illP5yJAGaZZThrvz79iKBvAST.webp'/></item></channel></rss>