<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabad News: ધોળકાના ભેટાવાડામાં ગંદા પાણીના પ્રશ્ને ખેડૂત આગેવાનની ઉગ્ર ચીમકી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ahmedabad/dholka-bhetawada-villagers-protest-toxic-chemical-water-for-10th-day</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ahmedabad/dholka-bhetawada-villagers-protest-toxic-chemical-water-for-10th-day</guid><pubDate>Mon, 31 Aug 2026 17:36:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ભેટાવાડા ગામે ગંદા અને કેમિકલયુક્ત ઝેરી પાણીની ગંભીર સમસ્યાને લઈને ગ્રામજનોનું આંદોલન આજે 10મા દિવસે પણ યથાવત રહ્યું છે. 10 દિવસ વીતી ગયા હોવા છતાં સરકાર કે તંત્ર દ્વારા કોઈ યોગ્ય ઉકેલ ન લાવવામાં આવતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધોળકા તાલુકાના ભેટાવાડા, ત્રાસંદ, નેસડા, પાલડી અને આંબારેલી એમ પાંચ ગામોના લોકોનો આક્ષેપ છે કે, ધોળકા નગરપાલિકા તેમજ આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાંથી ખુલ્લામાં ગંદુ અને કેમિકલયુક્ત ઝેરી પાણી છોડવામાં આવી રહ્યું છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>પર્યાવરણ અને લોકોના આરોગ્ય પર ગંભીર અસરો</b></h2><p style="text-align: justify; ">આ દૂષિત પાણીના કારણે સ્થાનિક ખેતી, પર્યાવરણ અને લોકોના આરોગ્ય પર ગંભીર અસરો પડી રહી છે તથા ભૂગર્ભ જળ પણ પ્રદૂષિત થઈ રહ્યા છે.આંદોલનના 10મા દિવસે ખેડૂત આગેવાન પિન્ટુ કોળીએ ઉગ્ર ચીમકી આપતાં જણાવ્યું છે કે, જો આ પ્રશ્નનું તાત્કાલિક નિવારણ નહીં આવે તો આ દૂષિત પાણીના ટેન્કર ભરીને સ્થાનિક ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના નિવાસસ્થાને તેમજ ધોળકા નગરપાલિકા કાર્યાલયમાં ઠાલવવામાં આવશે. ગ્રામજનોએ પણ મક્કમ નિર્ધાર વ્યક્ત કરતા કહ્યું છે કે, ભલે આંદોલનમાં જીવ આપવો પડે, પણ જ્યાં સુધી પાણી બંધ નહીં થાય ત્યાં સુધી લડત ચાલુ જ રહેશે.</p><h2 style="text-align: justify; "><b>દૂષિત અને કેમિકલયુક્ત પાણી કાયમી ધોરણે બંધ કરો</b></h2><p style="text-align: justify; ">ગ્રામજનોની મુખ્ય માંગણીઓમાં પાંચેય ગામોમાં આવતું દૂષિત અને કેમિકલયુક્ત પાણી કાયમી ધોરણે બંધ કરવામાં આવે.પ્રદૂષિત પાણી ગામમાં આવતું રોકવા માટે રોડ લેવલથી 5 ફૂટ ઊંચી મજબૂત RCC દિવાલનું બાંધકામ કરવામાં આવે. અસરગ્રસ્ત ગ્રામજનો માટે નર્મદાના શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા થાય અને ભૂગર્ભજળ સુધારવાના પગલાં લેવાય.નિયમોનું ઉલ્લંઘન કરતી કંપનીઓ, GPCB અને નગરપાલિકાના જવાબદાર ચીફ ઓફિસર સામે કડક કાર્યવાહી કરાય.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-to-charge-for-tree-cutting-and-trimming-in-private-societies" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: હવેથી ખાનગી સોસાયટીમાં ઝાડ કાપવા માટે AMC ચાર્જ વસૂલશે</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/31/LY0LiMkEOxRbkQgSfqLJH3GQa5ZoFaDTSsSyz2JC.webp'/></item><item><title><![CDATA[Hit Film : ન કોઈ સુપરસ્ટાર, ન મોટું બજેટ! જાણો તે 5 મોટા કારણો જેનાથી ગેમ ચેન્જર સાબિત થઈ ફિલ્મ હનુમાન અંશ ]]></title><link>https://sandesh.com/entertainment/news/hanuman-ansh-game-changer-5-reasons-success</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/hanuman-ansh-game-changer-5-reasons-success</guid><pubDate>Mon, 31 Aug 2026 17:35:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સિનેમા જગતમાં છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહ્યું છે કે નાના બજેટની ફિલ્મો આવી રહી છે અને બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. જો ફિલ્મમાં નવો ચહેરો હોય તો તે પણ ઘણી કમાણી કરી રહી છે. ગયા વર્ષે આવેલી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ સૈયારા તેનું ઉદાહરણ છે. હવે આ વર્ષે કોઈ મોટા સ્ટાર કે મોટા બજેટ વગર આવેલી ફિલ્મ હનુમાન અંશ શાનદાર કમાણી કરી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>ફ્રેશ કન્ટેન્ટ</b></h2><p style="text-align: justify; ">ફિલ્મ હનુમાન અંશમાં એકદમ નવું કન્ટેન્ટ છે. દર્શકો ઘણીવાર ફ્રેશ કન્ટેન્ટ તરફ વધુ આકર્ષાય છે. હનુમાન અંશમાં બાબા નીમ કરોલીના જીવન પર આધારિત સ્ટોરી બતાવવામાં આવી છે, જેના પર અત્યાર સુધી કોઈ ફિલ્મ બની નથી.<br></p><h3 style="text-align: justify; "><b>કોઈ આડંબર વગરની સાચી સ્ટોરી&nbsp;</b></h3><p style="text-align: justify; ">સિનેમામાં ઘણીવાર જોવા મળે છે કે ફિલ્મને મોટા સ્તર સુધી પહોંચાડવા માટે નિર્માતાઓ પાણીની જેમ પૈસા ખર્ચે છે. તેમાં સત્ય ઘટના પર આધારિત ફિલ્મો પણ સામેલ હોય છે. મોટા સ્તર પર ફિલ્મ બનાવવાના પ્રયાસમાં ઘણીવાર કન્ટેન્ટ પાછળ રહી જાય છે અથવા તેમાં કોઈને કોઈ ખામી રહી જાય છે, જેના કારણે ફિલ્મને ટીકા પણ સહન કરવી પડે છે. પરંતુ હનુમાન અંશ કોઈ આડંબર વગર બનાવવામાં આવી છે, જેમાં નીમ કરોલી બાબાની સ્ટોરીને ખૂબ જ ગંભીરતાથી પડદા પર રજૂ કરવામાં આવી છે.<br><img alt="Hanuman Ansh Movie (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/31/FkuEt2SwZvrQaAcHXyPbq84bmNnP7WDVa6gg13Im.webp"><br></p><h4 style="text-align: justify; "><b>માસ ઓડિયન્સ સાથે સીધો કનેક્શન</b></h4><p style="text-align: justify; ">ફિલ્મ હનુમાન અંશની સ્ટોરી માસ ઓડિયન્સ સાથે સીધી રીતે જોડાય છે. નીમ કરોલી બાબાના જીવન પર અગાઉ કોઈ ફિલ્મ બની નથી. જોકે યુટ્યુબ પર ડોક્યુમેન્ટરી ઉપલબ્ધ છે, પરંતુ મોટા પડદા પર પહેલીવાર નીમ કરોલી બાબાની સ્ટોરી આ ફિલ્મ દ્વારા બતાવવામાં આવી છે. આ પણ એક કારણ છે કે ફિલ્મની સ્ટોરી માસ ઓડિયન્સ સાથે સીધી રીતે કનેક્ટ થાય છે.</p><h4 style="text-align: justify; "><b>ભક્તિ સાથે ભરપૂર ઈમોશન</b></h4><p style="text-align: justify; ">હનુમાન અંશની બીજી ખાસ વાત એ છે કે ફિલ્મમાં ભક્તિની સાથે ભરપૂર ઈમોશન પણ જોવા મળે છે. કોઈપણ સ્ટોરી સાથે દર્શકો ત્યારે સરળતાથી જોડાઈ શકે છે, જ્યારે તેમાં ઈમોશનનું ખાસ ધ્યાન રાખવામાં આવે. ભક્તિ ભારતીય લોકોના જીવન સાથે પહેલેથી જ જોડાયેલી છે અને તેમાં ઈમોશન ઉમેરાતા ફિલ્મ વધુ ખાસ બની ગઈ છે. નીમ કરોલી બાબાની સ્ટોરી સાથે લોકો ઈમોશનના કારણે જોડાઈ શક્યા છે.</p><h5 style="text-align: justify; "><b>આજના સમયથી અલગ ફિલ્મ</b></h5><p style="text-align: justify; ">સિનેમા જગતમાં આજના સમયમાં જોવા મળી રહ્યું છે કે નિર્માતાઓ મોટા બજેટની ફિલ્મો બનાવી રહ્યા છે અને તેમાં ભરપૂર એક્શન, થ્રિલર અને સસ્પેન્સ ઉમેરવામાં આવે છે. લોહિયાળ દૃશ્યોથી ભરેલી ફિલ્મો લોકો પરિવાર સાથે જોઈ શકતા નથી. તાજેતરમાં આવેલી ટોક્સિકમાં પણ લોહિયાળ દૃશ્યોની સાથે ઈન્ટિમેટ સીન છે, જેને પરિવાર અને બાળકો સાથે જોઈ શકાય તેમ નથી. પરંતુ લોકો પરિવાર સાથે ફિલ્મો જોવા માગે છે. હનુમાન અંશને તેનો ફાયદો મળ્યો અને આ ફિલ્મ એક ફેમિલી એન્ટરટેનર બની રહી. ફિલ્મ હનુમાન અંશ'એ બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી છે. તરણ આદર્શની પોસ્ટ અનુસાર, ફિલ્મે 4 અઠવાડિયામાં 39.83 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જ્યારે ફિલ્મે 10 લાખ રૂપિયાની ઓપનિંગ કરી હતી. ફિલ્મનું બજેટ 2 કરોડ રૂપિયા છે અને તેણે બોક્સ ઓફિસ પર 1891.5%નો નફો કર્યો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/govinda-family-tina-ahuja-krushna-abhishek-raksha-bandhan" target="_blank">આ પણ વાંચો-Govinda પરિવારનો ઝઘડો થયો ખતમ? સુનીતા આહુજાની દીકરીએ કૃષ્ણા અભિષેકને બાંધી રાખડી</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/31/uUTlWZKSW1Jmr9XYRKOmqBGvB3JghzSUAGmCm6Xo.webp'/></item><item><title><![CDATA[Indian Navyમાં INS નિપુણ સામેલ, ઊંડા દરિયામાં ડાઈવિંગ ક્ષમતા વધુ મજબૂત બનશે ]]></title><link>https://sandesh.com/india/news/indian-navy-ins-nipun-commissioned-nistar-class-diving-support-vessel</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/indian-navy-ins-nipun-commissioned-nistar-class-diving-support-vessel</guid><pubDate>Mon, 31 Aug 2026 17:33:42 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય નૌસેનાએ પોતાની અંડરવોટર ઓપરેશનલ ક્ષમતામાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો કર્યો છે. INS નિપુણ, નિસ્તાર ક્લાસનું બીજું ડાઈવિંગ સપોર્ટ વેસલ (DSV), 31 ઓગસ્ટ 2026ના રોજ મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે ભારતીય નૌસેનામાં સત્તાવાર રીતે સામેલ કરવામાં આવ્યું.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2094357042085650652"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>નૌસેનાના અનેક વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા</b></h2><p>INS નિપુણના કમિશનિંગ સમારોહની અધ્યક્ષતા ચીફ ઑફ ધ નેવલ સ્ટાફ એડમિરલ કૃષ્ણ સ્વામિનાથને કરી હતી. આ પ્રસંગે વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઑફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ વાઈસ એડમિરલ સંજય વત્સાયન સહિત નૌસેનાના અનેક વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં વિશાખાપટ્ટનમ સ્થિત હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડના પ્રતિનિધિઓ, નૌસેનાના ભૂતપૂર્વ અધિકારીઓ, વિશિષ્ટ મહેમાનો તેમજ INS નિપુણના કમિશનિંગ ક્રૂના પરિવારજનો પણ હાજર રહ્યા હતા.</p><h3><b>અંડરવોટર સપોર્ટ કામગીરી માટેની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે</b></h3><p>INS નિપુણને ભારતીય નૌસેનામાં સામેલ કરવાથી ઊંડા દરિયામાં ડાઈવિંગ અને અંડરવોટર સપોર્ટ કામગીરી માટેની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. ડાઈવિંગ સપોર્ટ વેસલ તરીકે આ જહાજને દરિયાની ઊંડાઈમાં વિવિધ પ્રકારની કામગીરીને સહાય આપવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. નૌસેનાની અંડરવોટર ક્ષમતાઓને મજબૂત બનાવવાની દિશામાં INS નિપુણનું કમિશનિંગ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.</p><p>ખાસ કરીને ઊંડા દરિયામાં ડાઈવિંગ, અંડરવોટર સપોર્ટ અને સંબંધિત ઓપરેશન દરમિયાન આવા વિશિષ્ટ જહાજોની ભૂમિકા મહત્વપૂર્ણ રહે છે. નિસ્તાર ક્લાસના બીજા DSV તરીકે INS નિપુણનું નૌસેનામાં આગમન ભારતની દરિયાઈ સુરક્ષા અને સ્વદેશી નૌકાદળ ક્ષમતાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસોમાં પણ મહત્વપૂર્ણ પગલું છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/nepal-flood--india-sends-forensic-team-dna-identification-tunnel-rescue" target="_blank">આ પણ વાંચો : India: સંકટ સમયે નેપાળેને ભારતનો સપોર્ટ, રાહત-બચાવમાં ઉતરી ભારતીય ટીમ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/31/vC0vf3SYRhO2NfvsT3O49ydhmtMdre5jO87plfXu.webp'/></item><item><title><![CDATA[Vav-Tharad News: સુઈગામમાં 33 કિમી કેનાલનું કામ 6 મહિનાથી અટવાતા ખેડૂતોમાં રોષ, પાણી છોડવા માગ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/vav-tharad/suigam-canal-work-pending-farmers-protest</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/vav-tharad/suigam-canal-work-pending-farmers-protest</guid><pubDate>Mon, 31 Aug 2026 17:33:02 +05:30</pubDate><description><![CDATA[<p>રાજ્યમાં ચાલુ ચોમાસાની સીઝનમાં વરસાદની ભારે અછત સર્જાતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. બનાસકાંઠા જિલ્લાના ઘણા વિસ્તારોમાં ઓછો વરસાદ નોંધાતાં ખેડૂતો પાક બચાવવા માટે સિંચાઈના પાણીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે વાવ-થરાદ પંથકના સુઈગામ નજીક નર્મદા કેનાલનું કામ છેલ્લા 6 મહિનાથી અટકેલું હોવાના કારણે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.</p><h2><b>33 કિમી લાંબી કેનાલનું 95 ટકા કામ પૂર્ણ, છતાં પાણી માટે તરસતા ખેડૂતો</b></h2><p>થરાદના દેવપુરાથી લઈને સુઈગામ સુધીની 33 કિલોમીટર લાંબી કેનાલનું નવનિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. ખેડૂતોના જણાવ્યા મુજબ, આ કેનાલનું 95 ટકા જેટલું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, પરંતુ અગમ્ય કારણોસર છેલ્લા 6 મહિનાથી બાકી રહેલું કામ અટકાવી દેવામાં આવ્યું છે. કેનાલનું નિર્માણ પૂરું ન થતાં સિંચાઈનું પાણી ખેતરો સુધી પહોંચી શકતું નથી.</p><p><img alt="Vav-Tharad News: Farmers Protest in Suigam Over Pending Work of 33 km Canal" src="https://epapercdn.sandesh.com/images/2026/08/31/ycAxe0ln6ola4rdinhuxRAOHj5TyAC8DCxjcIBau.webp" style="width: 100%;"><br></p><h2><b>જમીન આપવા છતાં પાણી ન મળતા કેનાલ પર જઈ કર્યો વિરોધ</b></h2><p>સુઈગામ પંથકના ખેડૂતોએ કેનાલના નિર્માણ માટે પોતાની કિંમતી જમીનો આપી હતી, છતાં આજે વરસાદની અછત વખતે પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો છે. આ મુદ્દે આક્રોશિત થયેલા મોટી સંખ્યામાં ખેડૂતો કેનાલ પર એકઠા થયા હતા અને તંત્ર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે, સરકાર નર્મદાનું પાણી છોડી પાકને નવું જીવન આપવાનો દાવો કરે છે, પણ કેનાલના અધૂરા કામને કારણે તેઓ આ લાભથી વંચિત રહ્યા છે.</p><p><img alt="Vav-Tharad News: Farmers Protest in Suigam Over Pending Work of 33 km Canal" src="https://epapercdn.sandesh.com/images/2026/08/31/xByWTTGlOasJs2HCf2OzZ4topdHKagoiHRDZQqPA.webp" style="width: 100%;"><br></p><h2><b>તાત્કાલિક કામ પૂર્ણ કરી પાણી છોડવા ઉગ્ર માગ</b></h2><p>ખેડૂતોએ તંત્ર સમક્ષ માગ કરી છે કે, કેનાલનું બાકી રહેલું કામ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવે અને તેમાં સત્વરે પાણી છોડવામાં આવે. જો આ 33 કિમી લાંબી કેનાલ કાર્યરત થઈ જાય તો સુઈગામ પંથકના ડઝનબંધ ગામોના ખેડૂતોને સિંચાઈનો મોટો લાભ મળી શકે તેમ છે અને સુકાઈ રહેલા પાકને બચાવી શકાય તેમ છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/crime/vav-tharad/vav-tharad-news-historic-verdict-of-sessions-court-life-imprisonment-for-accused-kama-zozuwadia-in-pravin-thakor-murder-case" target="_blank">Vav-Tharad News : સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, પ્રવિણ ઠાકોર હત્યા કેસમાં આરોપી કમા ઝોઝુવાડિયાને આજીવન કેદ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/31/aNyv5aljONGTu72KiIIu4gBGIJzpyMbwBOn36lCD.webp'/></item><item><title><![CDATA[Gir Somnath: DDO સ્નેહલ ભાપકરનો વિવાદિત આદેશ ગાંધીનગરે કર્યો રદ; સત્તા મર્યાદા બહાર કાર્યવાહી બદલ ઠપકો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gir-somnath/ddo-snehal-bhapkar-controversial-order-cancelled-gandhinagar</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gir-somnath/ddo-snehal-bhapkar-controversial-order-cancelled-gandhinagar</guid><pubDate>Mon, 31 Aug 2026 17:23:02 +05:30</pubDate><description><![CDATA[<p>ગીર સોમનાથ જિલ્લા પંચાયતના DDO (જિલ્લા વિકાસ અધિકારી) સ્નેહલ ભાપકર ફરી એકવાર પોતાના વિવાદિત નિર્ણયો અને આકરા વલણને કારણે ચર્ચાની એરણે ચડ્યા છે. DDO સ્નેહલ ભાપકરે ગત 1 ઓગસ્ટના રોજ પોતાની સત્તા મર્યાદા બહાર જઈને જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર જ્યંત સીતાપરાનો ચાર્જ બદલવા અંગેનો એક આદેશ જારી કર્યો હતો.</p><h2><b>DDOનો વિવાદિત આદેશ ગાંધીનગરે આખરે કર્યો રદ</b></h2><p>નિયમ મુજબ રાજ્ય સરકાર અને વિભાગીય સત્તામંડળ હસ્તક આવતી આવી મહત્વની જગ્યાઓના ચાર્જ બદલવા કે સોંપવાની સત્તા DDO પાસે હોતી નથી છતાં સ્નેહલ ભાપકરે આ નિર્ણય લેતાં વહીવટી વર્તુળોમાં આશ્ચર્ય ફેલાયું હતું.DDO ના આ વહીવટી રીતે અયોગ્ય અને સત્તા મર્યાદા બહારના આદેશ સામે ગાંધીનગર સુધી રજૂઆતો થઈ હતી. ગાંધીનગર પંચાયત વિભાગે સમગ્ર બાબતની ગંભીર નોંધ લેતાં તપાસ હાથ ધરી હતી. તપાસ બાદ પંચાયત વિભાગના ઉપસચિવે DDO નો 1 ઓગસ્ટનો આદેશ વહીવટી નિયમો વિરુદ્ધનો ઠેરવીને તેને તાત્કાલિક અસરથી રદ કરી દીધો હતો.</p><h3><b>DDO ની કાર્યશૈલી સામે સવાલો</b></h3><p>ગાંધીનગરથી મળેલા આકરા ઠપકા અને આદેશ રદ થવાના નિર્ણય બાદ DDO સ્નેહલ ભાપકરે આખરે પોતાનો જ વિવાદિત આદેશ પાછો ખેંચવાની ફરજ પડી છે.રાજ્ય સરકારે આ મામલે DDO ને કડક સૂચના આપી છે કે ભવિષ્યમાં પોતાની સત્તા મર્યાદા બહાર જઈને આવી ભૂલ ન થાય તેની ખાસ તકેદારી રાખવી. DDO ની આવી મનસ્વી કાર્યશૈલી અને અન્ય વહીવટી અધિકારીઓ સાથે સતત થતા ઘર્ષણને કારણે ગીર સોમનાથ જિલ્લા પંચાયતનું રાજકારણ ગરમાયું છે અને અધિકારીઓ-કર્મચારીઓમાં ભારે ચર્ચા જાગી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/food-safety-gitanjali-sweets-sealed-dmart-marriott-hotel-smc-partiality" target="_blank">આ પણ વાંચો: Surat: કોસંબાની ગીતાંજલિ સ્વીટ સીલ, ડી-માર્ટ અને મેરિયટમાં ગેરરીતિ છતાં કડક પગલાં ન લેવાતાં મનપા સામે સવાલો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/31/2s4kJEcmEXVuBNiL4d6jIDt1dtUuQ7InloIXnGDh.webp'/></item><item><title><![CDATA[Car Buying Tips: Alloy Wheels વાળી કાર ખરીદવી વધારે યોગ્ય રહેશે કે Steel Wheels? જાણો ફાયદા અને નુકસાન ]]></title><link>https://sandesh.com/business/news/alloy-wheels-vs-steel-wheels</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/alloy-wheels-vs-steel-wheels</guid><pubDate>Mon, 31 Aug 2026 17:16:19 +05:30</pubDate><description><![CDATA[<p>જ્યારે કોઈ વ્યક્તિ એન્ટ્રી-લેવલ અથવા મિડ-રેન્જ કાર ખરીદવાનું વિચારે છે, ત્યારે તેના મનમાં આ સવાલ જરૂરથી થાય છે કે અલોય વ્હીલ્સવાળી કાર લેવી જોઈએ કે સ્ટીલ વ્હીલ્સવાળી. સામાન્ય રીતે સ્ટીલ વ્હીલ્સની સરખામણીમાં અલોય વ્હીલ્સ બનાવવામાં અને ખરીદવામાં વધુ મોંઘા હોય છે. તેથી જો તમે સ્પોર્ટ્સ કાર અથવા મોંઘી હાઈ-એન્ડ કાર ન ખરીદી રહ્યા હો, તો અગાઉ અલોય વ્હીલ્સ મોટાભાગે આફ્ટરમાર્કેટ વિકલ્પ તરીકે જ મળતા હતા. જોકે, છેલ્લા કેટલાક સમયથી સ્થિતિ બદલાઈ છે અને હવે મોટાભાગની કાર કંપનીઓ પોતાના કેટલાક ખાસ ટ્રિમ લેવલમાં અલોય વ્હીલ્સનો વિકલ્પ આપે છે.</p><p>આજકાલ મોટાભાગની કારમાં અલોય વ્હીલ્સ જોવા મળે છે. તે માત્ર કારનો લુક જ સારો બનાવતા નથી, પરંતુ હેન્ડલિંગ અને કારના અન્ય પરફોર્મન્સમાં પણ સુધારો કરે છે. એન્ટ્રી-લેવલ કારમાં સામાન્ય રીતે સ્ટીલ વ્હીલ્સ મળે છે, કારણ કે તે સસ્તા હોવાની સાથે મજબૂત પણ હોય છે. અહીં ફરી સવાલ આવે છે કે બંનેમાંથી કયું વધુ સારું છે. જો તમે તમારી કારમાં અલગથી અલોય વ્હીલ્સ લગાવવાનું વિચારી રહ્યા છો, તો તે તમારા માટે ફાયદાકારક રહેશે કે નુકસાનકારક? આજે આ તમામ બાબતો વિશે જાણીએ.</p><h2><b>ફાયદા અને નુકસાન પહેલાં આ જાણવું જરૂરી</b></h2><p>અલોય વ્હીલ્સના ફાયદા વિશે વાત કરતા પહેલાં એ જાણવું જરૂરી છે કે તે શું હોય છે. અલોય વ્હીલ્સ એવા વ્હીલ્સ હોય છે જેને એલ્યુમિનિયમ અથવા મેગ્નેશિયમ જેવી ધાતુઓના મિશ્રણથી બનાવવામાં આવે છે. અલોય વ્હીલ્સ સામાન્ય રીતે કાસ્ટિંગ અથવા ફોર્જિંગ પદ્ધતિથી બનાવવામાં આવે છે અને તે સ્ટીલ વ્હીલ્સની સરખામણીમાં હળવા હોય છે. બીજી તરફ, સ્ટીલ વ્હીલ્સ વધુ મજબૂત અને ટકાઉ હોય છે અને તેને રિપેર કરવું પણ સરળ હોય છે. જો મજબૂતી અને ટકાઉપણું મહત્વનું હોય તો ખરીદદારો ફોર્જ્ડ અલોય વ્હીલ્સ પસંદ કરી શકે છે, કારણ કે તે કાસ્ટ અલોય વ્હીલ્સની સરખામણીમાં વધુ મજબૂત હોય છે.</p><h2><b>શા માટે અલોય વ્હીલ્સ પસંદ કરવામાં આવે છે?</b></h2><p>અલોય વ્હીલ્સ સ્ટીલ વ્હીલ્સની સરખામણીમાં ઘણી વખત વધુ સારા દેખાય છે અને તેમાં અનેક પ્રકારની ડિઝાઇન મળે છે. કાસ્ટ હોય કે ફોર્જ્ડ, તેને બનાવવાની આધુનિક પદ્ધતિઓમાં અલગ-અલગ ડિઝાઇન બનાવવાની ઘણી શક્યતા હોય છે. આ જ કારણ છે કે અલોય વ્હીલ્સને એવો લુક આપી શકાય છે, જે ઘણા ડ્રાઈવરો પોતાની કારની સુંદરતા સાથે મેચ કરવા ઈચ્છે છે.</p><h2><b>અલોય વ્હીલ્સથી સુધરે છે પરફોર્મન્સ</b></h2><p>અલોય વ્હીલ્સ ભલે મોંઘા હોય, પરંતુ તેનાથી કારના ડ્રાઈવિંગ પરફોર્મન્સમાં સુધારો થઈ શકે છે. તે હળવા હોવાથી કારને ઝડપ પકડવામાં મદદ મળે છે. અલોય વ્હીલ્સને કારણે ડ્રાઈવર માટે કારને વાળવી અને ઝડપથી પિકઅપ મેળવવું સરળ બને છે. તેની મદદથી બ્રેક લગાવતી વખતે પણ કારને ઝડપથી રોકવામાં મદદ મળે છે. આ જ કારણ છે કે આજકાલ ઘણી હાઈ-એન્ડ કારમાં અલોય વ્હીલ્સ આપવામાં આવે છે.</p><p>અલોય વ્હીલ્સમાં કાટ પણ લાગતો નથી</p><p>અલોય વ્હીલ્સમાં કાટ લાગવાની શક્યતા ઓછી હોય છે. તે ધાતુઓના મિશ્રણથી બનેલા હોવાથી તેમાં કાટ લાગવાની સમસ્યા ઓછી રહે છે અને તેને વધારે મેન્ટેનન્સની પણ જરૂર પડતી નથી. અલોય વ્હીલ્સને વારંવાર સાફ કરવાની પણ જરૂર પડતી નથી અને પાણીની પણ તેના પર ઓછી અસર થાય છે. આ જ કારણ છે કે આજકાલ મોટાભાગના લોકો પોતાની કારમાં અલોય વ્હીલ્સ પસંદ કરે છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/31/tnYlGLY4aPEziUJsuNy7JS7R8G2tv6vZsWDZ9TI3.webp'/></item><item><title><![CDATA[Rajkot News: જન્માષ્ટમી પર્વ પર ભવ્ય શોભાયાત્રા, VHP દ્વારા 21 કિમી લાંબી યાત્રા અને ધર્મસભાનું આયોજન ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/janmashtami-41st-shobhayatra-vhp-route-details</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/janmashtami-41st-shobhayatra-vhp-route-details</guid><pubDate>Mon, 31 Aug 2026 16:53:54 +05:30</pubDate><description><![CDATA[<p>રંગબેરંગી સંસ્કૃતિ અને તહેવારોની ઉજવણી માટે જાણીતા રાજકોટ શહેરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ વર્ષે 41મી જન્માષ્ટમી શોભાયાત્રાનું અત્યંત ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું છે. કૃષ્ણ જન્મોત્સવના પાવન અવસરે સમગ્ર રાજકોટ ભક્તિ અને સંસ્કૃતિના રંગે રંગાશે.</p><h2><b>21 કિલોમીટર લાંબી શોભાયાત્રા અને પૂર્વે ભવ્ય ધર્મસભા</b></h2><p>VHP દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ વર્ષે રાજકોટના માર્ગો પર 21 કિલોમીટર લાંબી વિશાળ શોભાયાત્રા નીકળશે. શોભાયાત્રાના પ્રારંભ પૂર્વે શહેરના નિર્ધારિત સ્થળે એક ભવ્ય ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સંતો-મહંતો અને અગ્રણીઓ ઉપસ્થિત રહીને શ્રદ્ધાળુઓને આશીર્વચન પાઠવશે.</p><h2><b>સનાતન ધર્મની ઝાંખીઓ અને વ્યસનમુક્તિનો સંદેશ આપતા ફ્લોટ્સ</b></h2><p>આ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ સનાતન ધર્મની વિવિધ વારસાગત ઝાંખીઓ રહેશે. રથયાત્રા અને શોભાયાત્રામાં ભગવાન શ્રીકૃષ્ણના બાલસ્વરૂપથી લઈને રાસલીલા અને ગીતા ઉપદેશને દર્શાવતા સુશોભિત ફ્લોટ્સ જોડાશે. આ ઉપરાંત, સામાજિક જાગૃતિના ભાગરૂપે સમાજને વ્યસનમુક્તિનો સંદેશ આપતા વિશેષ આકર્ષક ફ્લોટ્સ પણ શોભાયાત્રામાં સામેલ કરવામાં આવશે.</p><h2><b>ઠેર-ઠેર મટકી ફોડ અને કલાત્મક સુશોભન</b></h2><p>જન્માષ્ટમી નિમિત્તે રાજકોટ શહેરના અલગ-અલગ મુખ્ય ચોક અને માર્ગો પર વિશેષ કલાત્મક લાઇટિંગ અને સુશોભન કરવામાં આવ્યું છે. નંદઘેર આનંદ ભયોના નાદ સાથે શહેરના વિભિન્ન વિસ્તારોમાં યુવક મંડળો દ્વારા ઠેર-ઠેર મટકી ફોડના રોમાંચક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી સમગ્ર રાજકોટમાં કૃષ્ણમય વાતાવરણ સર્જાશે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/crime/rajkot/jamkandorna-gambling-raid-range-police-action" target="_blank">Rajkot News: જામકંડોરણાના થોરડીમાં જુગારના અડ્ડા પર રેડ, 7 શકુનીઓ પકડાયા</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/31/OwCY1lYBj9aMan63e4nncIRNCTRTffOUlQO1l4pm.webp'/></item><item><title><![CDATA[India: સંકટ સમયે નેપાળેને ભારતનો સપોર્ટ, રાહત-બચાવમાં ઉતરી ભારતીય ટીમ ]]></title><link>https://sandesh.com/india/news/nepal-flood--india-sends-forensic-team-dna-identification-tunnel-rescue</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/nepal-flood--india-sends-forensic-team-dna-identification-tunnel-rescue</guid><pubDate>Mon, 31 Aug 2026 16:53:06 +05:30</pubDate><description><![CDATA[<p>India: વિનાશક પૂરે નેપાળમાં ભારે તબાહી મચાવી છે. આ મુશ્કેલ સમયમાં ભારતે પાડોશી તરીકેની પોતાની ફરજ ખરેખર નિભાવી છે. ભારતે નેપાળમાં રાહત સામગ્રી જ મોકલી નથી, પરંતુ જમીન પર મદદ કરવા માટે બચાવ નિષ્ણાતો અને ફોરેન્સિક ટીમો પણ તૈનાત કરી છે. ડીએનએ-આધારિત ઓળખથી લઈને સુરંગોમાં ફસાયેલા લોકોને શોધવા સુધી, ભારતીય અને નેપાળી ટીમો સંયુક્ત રાહત અને બચાવ કામગીરી ચલાવી રહી છે.</p><p><br></p><p>નેપાળમાં ભારતના રાજદૂત નવીન શ્રીવાસ્તવે X પર પોસ્ટ કર્યું હતું કે ભારતના ફોરેન્સિક નિષ્ણાતો નેપાળ પોલીસની સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી અને ત્રિભુવન યુનિવર્સિટી ટીચિંગ હોસ્પિટલમાં તેમના નેપાળી સમકક્ષો સાથે મળ્યા છે. આ ટીમ રાસુવામાં પૂરમાં જીવ ગુમાવનારાઓની ઓળખ કરવા માટે ડીએનએ નમૂનાઓના વિશ્લેષણમાં મદદ કરી રહી છે. આપત્તિ પછી મૃતદેહોની ઓળખ કરવી ઘણીવાર પડકાર બની જાય છે, અને આવી પરિસ્થિતિઓમાં અસરગ્રસ્ત પરિવારો માટે ડીએનએ પરીક્ષણ મહત્વપૂર્ણ સાબિત થાય છે.</p><p><br></p><p><b>મૃતકોની ઓળખમાં મદદ કરતી ભારતીય ટીમો</b></p><p>રાજદૂતે ભારતીય ફોરેન્સિક ટીમના સભ્યો સાથે પણ મુલાકાત કરી હતી જે ભારતની ચોથી રાહત ફ્લાઇટમાં કાઠમંડુ પહોંચી હતી. અત્યાધુનિક ફોરેન્સિક સાધનોથી સજ્જ, ટીમ મૃતકોની ઓળખ માટે નેપાળી અધિકારીઓ સાથે કામ કરી રહી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/navsri6619/status/2094074288752246962"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p>આ દરમિયાન ભારતે સુરંગોમાં શોધ અને બચાવ કામગીરી માટે એક વિશિષ્ટ ટેકનિકલ ટીમ નેપાળ મોકલી છે. નેપાળ આર્મી સાથે સંકલનમાં કામ કરીને, આ ટીમ ચિલીમે અને લેંગટાંગ પ્રદેશોમાં હાઇડ્રોપાવર પ્રોજેક્ટ ટનલ સાઇટ્સ પર કાર્યરત છે. સુરંગોની અંદર શોધ કામગીરી અત્યંત જટિલ અને જોખમી માનવામાં આવે છે, જેમાં વિશિષ્ટ સાધનો અને પ્રશિક્ષિત નિષ્ણાતોની જરૂર પડે છે. ભારતીય ટીમ નેપાળ આર્મી સાથે સંકલનમાં સતત શોધ અને બચાવ કામગીરી ચલાવી રહી છે.</p><p><br></p><h4><b>ભારતે સંપૂર્ણ સમર્થનનું વચન આપ્યું</b></h4><p>નેપાળમાં રાહત પ્રયાસોને વધુ મજબૂત બનાવવા માટે ભારતની ચોથી રાહત ફ્લાઇટ કાઠમંડુ પહોંચી. આ ફ્લાઇટમાં આશરે 11 ટન રાહત સામગ્રી જેમાં ધાબળા, સ્લીપિંગ બેગ, તાડપત્રી, પ્લાસ્ટિક શીટ અને સ્વચ્છતા કીટનો સમાવેશ થાય છે - પહોંચાડવામાં આવી હતી. વધુમાં, વિમાનમાં સુરંગ શોધ અને બચાવ કામગીરીને ટેકો આપવા માટે વધારાની ટેકનિકલ ટીમ અને સાધનો હતા. વધુમાં, ફોરેન્સિક નિષ્ણાતો અને ડીએનએ વિશ્લેષણ માટે જરૂરી સાધનો પણ નેપાળ મોકલવામાં આવ્યા હતા.</p><p><br></p><p>ભારતીય ટીમો અચાનક પૂરનો સામનો કરી રહેલા નેપાળમાં રાહત, બચાવ અને પીડિતોની ઓળખ જેવા મહત્વપૂર્ણ કાર્યોમાં સક્રિય ભૂમિકા ભજવી રહી છે. ભારતે ખાતરી આપી છે કે નેપાળમાં ચાલી રહેલા રાહત અને બચાવ કામગીરી માટે તેમનો ટેકો ચાલુ રહેશે.</p><p><br></p><p>નેપાળમાં આ દુર્ઘટના વચ્ચે ભારતની સક્રિય સંડોવણી ફરી એકવાર બંને રાષ્ટ્રો વચ્ચેના ઊંડા અને વિશ્વાસપાત્ર સંબંધોને વિશ્વ સમક્ષ ઉજાગર કરે છે. જ્યારે કોઈ પાડોશી સંકટમાં હોય છે, ત્યારે ભારત માત્ર રાહત પુરવઠો જ નહીં પરંતુ તેની નિષ્ણાત ટીમોને પણ જમીન પર તૈનાત કરીને પીડિતો સાથે ઊભું રહે છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/tamil-nadu-aavin-milk-procurement-price-hiked-to-rs-44-per-litre" target="_blank"><b>Tamil Nadu: આ રાજ્યમાં દૂધના ભાવમાં થયો 3 રૂપિયાનો વધારો, સરકારે આખરે કેમ લીધો આ નિર્ણય</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/31/ApHoXad4mZF5R9WhhY5t0QCA5Fd8z8C7Pnjr436y.webp'/></item><item><title><![CDATA[Bhavnagar News: ગારિયાધારના ગણેશગઢમાં ઝટકા મશીનનો કરંટ લાગતા પરપ્રાંતીય મહિલાનું મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/gariyadhar-ganeshgadh-electric-fencing-zhatka-machine</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/gariyadhar-ganeshgadh-electric-fencing-zhatka-machine</guid><pubDate>Mon, 31 Aug 2026 16:49:42 +05:30</pubDate><description><![CDATA[<p>રેઢિયાર પશુઓથી પાકને બચાવવા માટે ખેતરોમાં મુકવામાં આવતા ઝટકા મશીનો હવે માનવજીવ માટે કાળ સાબિત થઈ રહ્યા છે. ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ગણેશગઢ ગામમાં ઝટકા સિસ્ટમના કારણે વધુ એક નિર્દોષ પરપ્રાંતીય મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વાડીમાં કામ કરતી વખતે ઝટકા મશીનનો જોરદાર કરંટ લાગતાં 35 વર્ષીય મહિલાનું હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ કરુણ મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.</p><h2><b>ઠાકરશીભાઈ મોરડીયાની વાડીમાં બની ઘટના</b></h2><p>મળતી વિગતો મુજબ, ગારિયાધાર તાલુકાના ગણેશગઢ ગામના વાડી વિસ્તારમાં આવેલી ઠાકરશીભાઈ મોરડીયાની વાડીમાં નાનીનકીબેન સમીરભાઈ સાપણિયા નામના પરપ્રાંતીય મહિલા પોતાના પરિવાર સાથે ભાગીયા તરીકે કામ કરતા હતા. રોજિંદા ક્રમ મુજબ તેઓ વાડીમાં ખેતમજૂરીનું કામ કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક વાડીની ફરતે લગાવેલા ઝટકા મશીનના વાયરના સંપર્કમાં આવી ગયા હતા.</p><h2><b>સારવાર મળે તે પહેલા જ દમ તોડ્યો</b></h2><p>વાયરને અડી જતાં જ નાનીનકીબેનને ઝટકા મશીનનો અત્યંત તીવ્ર વીજ કરંટ લાગ્યો હતો. કરંટ એટલો આકરો હતો કે, મહિલા ગંભીર હાલતમાં ઢળી પડ્યા હતા. ઘટનાને પગલે આસપાસથી પરિજનો અને લોકો દોડી આવ્યા હતા અને તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી, પરંતુ કમનસીબે યોગ્ય સારવાર મળે તે પહેલા જ તેમણે રસ્તામાં દમ તોડી દીધો હતો.</p><h2><b>ગેરકાયદે કે અયોગ્ય વપરાશ સામે ઉઠ્યા સવાલો</b></h2><p>આ અકસ્માતની જાણ થતાં જ મૃતકના પરિવારજનો અને ગ્રામજનો ઘટના સ્થળે તેમજ હોસ્પિટલ દોડી આવ્યા હતા. વ્હાલસોયી મહિલાના આકસ્મિક અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને પરિવારમાં ઘેરા શોકની કાળી ડિબંગ છાયા ફરી વળી છે. ખેતરોમાં વાજબી ક્ષમતા કરતા વધુ પાવર આપીને કે બેદરકારીપૂર્વક ઝટકા મશીનનો વપરાશ કરવાની ખોટી સિસ્ટમના કારણે વારંવાર લોકો જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે ગણેશગઢની ઘટના બાદ આવા જોખમી મશીનોના ઉપયોગ સામે અનેક ગંભીર સવાલો ઉભા થયા છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/bhavnagar-laththakand-14-accused-jail-remand" target="_blank">Bhavnagar : લઠ્ઠાકાંડના 14 આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં જેલમાં ધકેલાયા, SMCની તપાસ યથાવત</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/31/OjrwqeqMJad9bz37V9R6Kc2dXaOi9LArjB8WQXwJ.webp'/></item><item><title><![CDATA[US Open 2026માં મોટો ઉલટફેર, જોકોવિચ પહેલા જ રાઉન્ડમાં બહાર ]]></title><link>https://sandesh.com/sports/news/big-upset-in-us-open-2026-djokovic-out-in-the-first-round</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/big-upset-in-us-open-2026-djokovic-out-in-the-first-round</guid><pubDate>Mon, 31 Aug 2026 15:11:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગ્રાન્ડ સ્લેમ ટેનિસમાં સૌથી સફળ પુરુષ ખેલાડીઓમાં સામેલ નોવાક જોકોવિચ માટે US Open 2026ની શરૂઆત નિરાશાજનક રહી છે.ન્યૂયોર્કમાં રમાયેલી પ્રથમ રાઉન્ડની મેચમાં જોકોવિચને અર્જેન્ટિનાના બિનક્રમાંકિત ખેલાડી મારિયાનો નાવોને હરાવીને મોટો ઉલટફેર સર્જ્યો છે. નાવોને જોકોવિચને 7-6, 5-7, 6-4, 2-6, 6-1થી હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધા.આ હાર સાથે જોકોવિચનું 25મું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતવાનું સપનું પણ અધૂરું રહી ગયું છે. આ ઉપરાંત US Openમાં જિમી કોનોર્સના 98 મેચ જીતવાના રેકોર્ડને પાછળ છોડવાની જોકોવિચની આશા પણ પૂર્ણ થઈ શકી નથી.</p><h5 style="text-align: justify; "><b>ન્યૂયોર્કની ગરમીથી પરેશાન દેખાયા જોકોવિચ</b></h5><p style="text-align: justify; ">આર્થર એશ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ દરમિયાન ન્યૂયોર્કની ભારે ગરમી અને ભેજની અસર જોકોવિચના પ્રદર્શન પર જોવા મળી હતી.મેચ દરમિયાન તેઓ ઘણી વખત ઠંડક મેળવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.સ્થિતિ મુશ્કેલ હોવા છતાં જોકોવિચે મેચ છોડ્યા વગર અંત સુધી લડત આપી હતી.મેડિકલ ટીમની મદદ મળ્યા બાદ પણ જોકોવિચ માટે મેચમાં પોતાની સંપૂર્ણ ક્ષમતા સાથે રમવું મુશ્કેલ રહ્યું હતું. તેમ છતાં તેમણે અનુભવ અને જોરદાર રમતનું પ્રદર્શન કરીને મેચમાં વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો.</p><h5 style="text-align: justify; "><b>બીજા અને ચોથા સેટમાં જોરદાર ટક્કર</b></h5><p style="text-align: justify; ">મેચની શરૂઆતમાં જોકોવિચને નાવોને સખત પડકાર આપ્યો હતો. પ્રથમ સેટ ટાઇબ્રેકમાં ગુમાવ્યા બાદ જોકોવિચે બીજા સેટમાં શાનદાર વાપસી કરી હતી અને 7-5થી સેટ જીતી લીધો હતો.ત્રીજા સેટમાં પણ નાવોને દબાણ જાળવી રાખ્યું અને 6-4થી સેટ પોતાના નામે કર્યો. જોકે જોકોવિચે ચોથા સેટમાં ફરી જોરદાર રમત બતાવી હતી. તેમણે 6-2થી સેટ જીતીને મેચને નિર્ણાયક પાંચમા સેટ સુધી પહોંચાડી હતી.</p><h5 style="text-align: justify; "><b>પાંચમા સેટમાં નાવોનનો દબદબો</b></h5><p style="text-align: justify; ">નિર્ણાયક પાંચમા સેટમાં મારિયાનો નાવોને શરૂઆતથી જ પોતાની પકડ મજબૂત બનાવી હતી. નાવોને 4-1ની સરસાઈ મેળવી લીધા બાદ જોકોવિચ માટે વાપસી કરવી મુશ્કેલ બની ગઈ હતી.મેચ આગળ વધતાં જોકોવિચ ભાવુક પણ જોવા મળ્યા હતા. બીજી તરફ નાવોને પોતાની રમત પર ધ્યાન કેન્દ્રિત રાખ્યું અને અંતે પાંચમો સેટ 6-1થી જીતીને કારકિર્દીની સૌથી મોટી જીતમાંથી એક નોંધાવી.આ જીત સાથે મારિયાનો નાવોને US Open 2026માં મોટો ઉલટફેર સર્જ્યો છે, જ્યારે જોકોવિચને ગ્રાન્ડ સ્લેમ ટાઇટલની રેસમાંથી પ્રથમ જ મેચ બાદ બહાર થવું પડ્યું છે. વિમ્બલ્ડનની સેમિફાઇનલ બાદ US Openમાં પણ વહેલી વિદાય જોકોવિચ માટે નિરાશાજનક પરિણામ સાબિત થઈ છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/germany-beat-spain-hockey-world-cup-2026-final" target="_blank">Germanyએ રચ્યો ઈતિહાસ, સ્પેનને હરાવીને મેન્સ હોકી વર્લ્ડકપ 2026નું જીત્યું ટાઈટલ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/31/uRMXQ6qrX2Pd6xGCVIYabWsGLKnrwOoDsgu0kYkr.webp'/></item></channel></rss>