<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Patan: શહેરમાં માત્ર 2 ઇંચ વરસાદમાં જળબંબાકાર, મોટિસરા અને પીપળા ગેટ પોલીસ ચોકી વિસ્તારમાં ભરાયા ઘૂંટણસમા પાણી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/patan/city-heavy-rain-waterlogging-motisara-pipla-gate-traffic-issue</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/patan/city-heavy-rain-waterlogging-motisara-pipla-gate-traffic-issue</guid><pubDate>Sat, 01 Aug 2026 18:49:24 +05:30</pubDate><description><![CDATA[<p>ઉત્તર ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ વચ્ચે પાટણ શહેરમાં આજે કાળાડિબાંગ વાદળોના ઘેરાવા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. પાટણવાસીઓને ગરમીમાંથી રાહત તો મળી છે, પરંતુ પાટણ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ માત્ર 2 ઇંચ વરસાદમાં જ ધોવાઈ ગયા છે.</p><h2><b>પાટણમાં નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર</b></h2><p>શહેરમાં અંદાજે 2 ઇંચ જેટલો વરસાદ પડતાં જ નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. ખાસ કરીને શહેરના હાર્દસમા અને સતત ધમધમતા મોટિસરા વિસ્તાર તેમજ પીપળા ગેટ પોલીસ ચોકી આસપાસના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. રસ્તાઓ પર કેડસમા અને ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહાર અત્યંત ધીમો પડી ગયો છે.</p><h3><b>વાહનચાલકો અને વેપારીઓ હેરાન</b></h3><p>પાટણના પીપળા ગેટ અને મોટિસરા વિસ્તારમાં દર ચોમાસે વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા વર્ષો જૂની છે. થોડોક જ વરસાદ પડે એટલે આ માર્ગો તળાવમાં ફેરવાઈ જાય છે. રસ્તાઓ પર ભરાયેલા પાણીમાં ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર વાહનો બંધ પડી જવાના કિસ્સાઓ બન્યા છે, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત રસ્તા કિનારે આવેલી દુકાનો આગળ પાણી ભરાતાં સ્થાનિક વેપારીઓના ધંધા-રોજગાર પણ પ્રભાવિત થાય છે.</p><h4><b>કાયમી નિવારણ લાવવા નગરજનોની માગ</b></h4><p>પાટણના સ્થાનિક નાગરિકો અને વેપારી મંડળોમાં તંત્ર સામે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે ચોમાસા પહેલા માત્ર કાગળ પર જ સફાઈ દર્શાવાય છે, વાસ્તવિકતામાં ગટર અને કેચપિટો બ્લોક હોવાથી પાણીનો નિકાલ થતો નથી. શહેરીજનો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે દર ચોમાસે વેઠવી પડતી આ યાતનામાંથી મુક્તિ અપાવી પાણીના ઝડપી નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/vadodara/karjan-dhadhar-river-flood-sambhoi-bridge-closed-padra-road-blocked" target="_blank">આ પણ વાંચો: Vadodara: કરજણમાં ઉપરવાસના વરસાદથી ઢાઢર નદી બે કાંઠે વહી, 10 ગામ હાઇ એલર્ટ પર</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/01/vCM0KHybV4xxvwB7Ksg4MGCZ4i5tDCioOlVyUe4G.webp'/></item><item><title><![CDATA[Vadodara: કરજણમાં ઉપરવાસના વરસાદથી ઢાઢર નદી બે કાંઠે વહી, 10 ગામ હાઇ એલર્ટ પર ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/vadodara/karjan-dhadhar-river-flood-sambhoi-bridge-closed-padra-road-blocked</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/vadodara/karjan-dhadhar-river-flood-sambhoi-bridge-closed-padra-road-blocked</guid><pubDate>Sat, 01 Aug 2026 18:33:49 +05:30</pubDate><description><![CDATA[<p>વડોદરા જિલ્લામાં વરસી રહેલા અવિરત વરસાદ અને ઢાઢર નદીના ઉપરવાસના વિસ્તારોમાં થયેલા ભારે વરસાદના કારણે નદીમાં પાણીની સપાટીમાં ભયજનક વધારો થયો છે. ચાલુ ચોમાસાની સિઝનમાં પહેલીવાર ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ છે, જેના કારણે કરજણ અને આસપાસના તાલુકાઓમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી છે.</p><h2><b>ઢાઢર નદીમાં પાણીની સપાટીમાં ભયજનક</b></h2><p>ઢાઢર નદીમાં ઘોડાપૂર આવતાં જ જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. ઢાઢર નદી કિનારે આવેલા કરજણ તાલુકાના વિરાજઈ, પિંગળવાળા, હરસુંડા, ખેરડા, માનપુર, અભરા, સંભોઈ, સુરવાળા અને ઉમજ સહિતના કુલ 10 ગામોને તકેદારીના ભાગરૂપે હાઇ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે. નદીના પટમાં કોઈ પણ વ્યક્તિને ન જવા અને માલઢોરને પણ દૂર રાખવા તંત્ર દ્વારા સાબદા કરાયા છે.</p><h3><b>કરજણ-પાદરા તાલુકાનો સંપર્ક કપાયો</b></h3><p>નદીમાં પાણીનું સ્તર એટલું વધી ગયું છે કે કરજણ તાલુકાના સંભોઈ ગામે આવેલો મુખ્ય બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સંભોઈ બ્રિજ ઉપરથી ઢાઢર નદીનો તીવ્ર પ્રવાહ વહેવાનું શરૂ થતાં જ તંત્ર દ્વારા બ્રિજ પરનો તમામ વાહનવ્યવહાર બંધ કરી દેવાયો છે.</p><h3><b>સંભોઈ ગામે પૂરની સ્થિતિ નિર્માણ</b></h3><p>આ બ્રિજ બંધ થવાથી સંભોઈ ગામને પાદરા તાલુકાના થીકરિયા ગામ અને થીકરિયા મઠ સાથે જોડતો મુખ્ય સંપર્ક માર્ગ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. બ્રિજના બંને છેડે પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા બેરિકેડિંગ કરીને લોકોને સુરક્ષિત અંતરે રોકી રાખવામાં આવ્યા છે. મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી (TDO) ની ટીમો સતત ઢાઢર નદીની સપાટી પર નજર રાખી રહી છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને જરૂર પડે સ્થળાંતર કરવા તૈયાર રહેવા જણાવાયું છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/surat/palod-village-submerged-kim-river-flood-laborers-household-loss" target="_blank">આ પણ વાંચો: Surat: કીમ નદીના પૂરમાં પાલોદ ગામ ગરકાવ, શ્રમજીવીઓની ઘરવખરી બરબાદ, મદદ ન મળતા જનઆક્રોશ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/01/5J1zS4Q3yRODc7QMpOAYkOxNCPLqww3xjuRYHHjc.webp'/></item><item><title><![CDATA[EPFO: PF ખાતામાંથી પૈસા ઉપાડવા થયા સરળ, હવે માત્ર 2 દિવસમાં ખાતમાં આવી જશે પૈસા ]]></title><link>https://sandesh.com/business/news/epfo-new-rules-2026--pf-withdrawal-in-1-2-days</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/epfo-new-rules-2026--pf-withdrawal-in-1-2-days</guid><pubDate>Sat, 01 Aug 2026 18:33:08 +05:30</pubDate><description><![CDATA[<p>EPFO: જો તમે પગારદાર કર્મચારી છો અને દર મહિને તમારા સેલરીમાંથી PF કાપવામાં આવે છે, તો તમારા માટે સારા સમાચાર છે. એ દિવસો ગયા જ્યારે PF ઓફિસમાં વારંવાર જવું પડતું હતું અને ફક્ત પોતાના પૈસા ઉપાડવા માટે અઠવાડિયા રાહ જોવી પડતી હતી. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) સતત તેની કામગીરીમાં પરિવર્તન લાવી રહ્યું છે. પરિણામે, PF ભંડોળ ઉપાડવું હવે મ્યુચ્યુઅલ ફંડ રોકાણો કરવા કરતાં પણ વધુ સરળ બની ગયું છે. નવી સિસ્ટમ હેઠળ, તમે ઓનલાઈન ક્લેમ કરી શકો છો, અને પૈસા એક કે બે દિવસમાં તમારા બેંક ખાતામાં જમા થઈ જશે.</p><p><b>90% ક્લેમ આપમેળે થઈ ગયા પાસ</b></p><p>EPFO ના વરિષ્ઠ અધિકારી રમેશ કૃષ્ણમૂર્તિએ સ્પષ્ટતા કરી છે કે વિભાગમાં હવે કોઈ પેન્ડિંગ બેકલોગ નથી. નવી સિસ્ટમ એટલી કાર્યક્ષમ રીતે કાર્ય કરે છે કે લગભગ 90% PF ક્લેમ આપમેળે મંજૂર થઈ રહ્યા છે (ઓટો-સેટલ્ડ). પગારદાર વ્યક્તિઓ આનો લાભ મેળવી રહ્યા છે. જો તમને તબીબી સારવાર, લગ્ન અથવા ઘરના બાંધકામ માટે અચાનક ભંડોળની જરૂર પડે તો તમારા ક્લેમની તમે અરજી કરો તે જ દિવસે અથવા વધુમાં વધુ 48 કલાકની અંદર કરવામાં આવશે.</p><p><b>ભીમ એપ દ્વારા સીધા UPI-લિંક્ડ ખાતાઓમાં પૈસા જમા કરવામાં આવશે</b></p><p>ભવિષ્યમાં આ સુવિધા વધુ અદ્યતન બનવાની તૈયારીમાં છે. EPFO ​​ટૂંક સમયમાં BHIM એપ દ્વારા દાવાની રકમનું વિતરણ શરૂ કરશે. આનો અર્થ એ છે કે તમારા PF ભંડોળ સીધા તમારા UPI સાથે જોડાયેલા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. અધિકારીઓ અપેક્ષા રાખે છે કે નવી સિસ્ટમ આગામી મહિનાની અંદર સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે, જેનાથી નાણાકીય વ્યવહારો ઝડપી અને વધુ પારદર્શક બનશે.</p><p><b>ડિલિવરી બોય અને દૈનિક વેતન મજૂરોને મળશે સુરક્ષા</b></p><p>PF અને સામાજિક સુરક્ષાના લાભો હવે ઓફિસ-આધારિત કર્મચારીઓ સુધી મર્યાદિત રહેશે નહીં. સરકાર એક નવી યોજના તૈયાર કરી રહી છે જે ઈ-કોમર્સ કંપનીઓ માટે કામ કરતા ડિલિવરી કર્મચારીઓ અને અસંગઠિત ક્ષેત્રમાં દૈનિક વેતન મજૂરોને કવરેજ આપશે. નવા બિલમાં આ કામદારોને સમર્પિત એક ખાસ યોજના માટેની જોગવાઈઓ સામેલ છે. એકવાર સરકાર આ અંગે સત્તાવાર જાહેરાત કરશે, તો લાખો દૈનિક વેતન અને ગિગ કામદારોનું ભવિષ્ય પણ સુરક્ષિત થઈ જશે.</p><p><b>વ્યાજ દરો અંગે હાલનું અપડેટ શું છે?</b></p><p>જ્યારે એક અધિકારીને પૂછવામાં આવ્યું કે શું નજીકના ભવિષ્યમાં પીએફ વ્યાજ દરો વધશે, ત્યારે તેમણે કહ્યું કે આ તબક્કે આ બાબતે ટિપ્પણી કરવી ઉતાવળ ગણાશે. હાલમાં, પીએફ પર 8.25 ટકાના પ્રભાવશાળી વ્યાજ મળી રહ્યું છે. ઇપીએફઓએ તાજેતરમાં 34 કરોડથી વધુ ગ્રાહકોના ખાતામાં આશરે ₹1.44 લાખ કરોડનું વ્યાજ ટ્રાન્સફર કર્યું છે. જે પોતે જ એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. વિભાગ નક્કર પ્રયાસો કરી રહ્યું છે કે કાગળકામને એટલું સરળ બનાવવામાં આવે કે કંપનીઓ અને કર્મચારીઓ બંને દ્વારા ઇપીએફઓ પર મૂકેલા વિશ્વાસને વધુ મજબૂત બનાવવાનો છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/world/news/america-makes-visa-bond-program-permanent--is-india-in-the-list-of-50-countries" target="_blank"><b>Americaએ 50 દેશો માટે કાયમી કર્યો વિઝા બોન્ડ પ્રોગ્રામ, જાણો ભારતનું નામ છે કે નહીં?</b></a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/01/lZggGlNeFAaEDqZeiVz7ysMOmu3K7NgXjCKOWZMS.webp'/></item><item><title><![CDATA[PM Modi in Mysuru : ભારતના યુવાનોની પહોંચ હવે અંતરિક્ષ સુધી: વડાપ્રધાન મોદી ]]></title><link>https://sandesh.com/india/breakingnews/pm-modi-mysuru-indian-youth-reaching-space-sector-new-opportunities</link><guid isPermaLink="true">https://sandesh.com/india/breakingnews/pm-modi-mysuru-indian-youth-reaching-space-sector-new-opportunities</guid><pubDate>Sat, 01 Aug 2026 18:27:11 +05:30</pubDate><description><![CDATA[<div>મૈસુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સ્વામી વિવેકાનંદ કલ્ચરલ યુથ સેન્ટર – ‘વિવેક સ્મારક’નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ ભારતના યુવાનોની ક્ષમતા અને દેશની પ્રગતિમાં તેમના યોગદાનની પ્રશંસા કરી.</div><div><br></div><div><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/narendramodi/status/2083525264882180428"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></div><div><br></div><h2><b>આ પ્રગતિ પાછળ દેશના યુવાનોની શક્તિ</b></h2><div>PM મોદીએ કહ્યું કે ભારત આજે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં નવી યાત્રા શરૂ કરી રહ્યું છે અને આ પ્રગતિ પાછળ દેશના યુવાનોની શક્તિ છે. તેમણે જણાવ્યું કે ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે અને દેશ દુનિયાનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બની ચૂક્યું છે. વડાપ્રધાને કહ્યું કે ભારત હવે દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઇલ ફોન ઉત્પાદક દેશ બની ગયો છે. આ ઉપરાંત ભારતના ડિજિટલ સોલ્યુશન્સ વિશ્વના અનેક દેશો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે. તેમણે કહ્યું કે ભારતનો યુવા વર્ગ હવે માત્ર પોતાના વિકાસ માટે નહીં, પરંતુ સમગ્ર વિશ્વના વિકાસને ગતિ આપી રહ્યો છે.</div><div><br></div><h3><b>PMએ સ્વામી વિવેકાનંદના વિચારોને કર્યા યાદ&nbsp;</b></h3><div>સ્વામી વિવેકાનંદના વિચારોને યાદ કરતા PM મોદીએ કહ્યું કે તેઓ યુવાનોના શિક્ષણને રાષ્ટ્ર નિર્માણનો મજબૂત આધાર માનતા હતા. વિવેકાનંદજીનું માનવું હતું કે સાચો જીવન અર્થ એ છે કે વ્યક્તિ અન્ય લોકોની સેવા માટે જીવે. વડાપ્રધાને જણાવ્યું કે લગભગ 130 વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદ યુવા સંન્યાસી તરીકે મૈસુર આવ્યા હતા. તે સમયે તેમની પ્રસિદ્ધિ ઓછી હતી, પરંતુ તેમના વિચારો ખૂબ ઊંચા હતા. મૈસુરના તત્કાલીન મહારાજાએ તેમના વિચારોને ઓળખ્યા અને તેમનું સમર્થન કર્યું હતું.</div><div><br></div><div>PM મોદીએ કહ્યું કે 'વિવેક સ્મારક' એવા યુવાનો તૈયાર કરશે, જેમના માટે સમાજ સેવા, રાષ્ટ્ર હિત અને વંચિત લોકોની મદદ સર્વોચ્ચ પ્રાથમિકતા હશે. તેમણે શ્રી રામકૃષ્ણ આશ્રમના સેવાકાર્યોની પ્રશંસા કરતા વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ સ્મારક યુવાનો અને શ્રદ્ધાળુઓ માટે પ્રેરણાનું કેન્દ્ર બનશે.</div><div><br></div><div><b><a href="https://sandesh.com/india/news/crime/delhi-igi-airport-drug-smuggling-bangkok-passengers-18-15-kg-weed-seized" target="_blank">આ પણ વાંચો : Delhi : IGI એરપોર્ટ પર ડ્રગ્સ સ્મગલિંગનો પર્દાફાશ, બેંગકોકથી આવેલા બે મુસાફરો પાસેથી 18.15 કિલો ગાંજો ઝડપાયો</a></b></div><div><br></div><div><br></div> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/01/iwJ27HnsacKN5v98WsYTsmAeggGmPAMNx8Zfzy7a.webp'/></item><item><title><![CDATA[Puneમાં NSA અજિત ડોભાલનું સન્માન, ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું 'દેશની વિદેશ નીતિને વધુ મજબૂતી મળી' ]]></title><link>https://sandesh.com/india/news/pune-ajit-doval-honored-amit-shah-lokmanya-tilak-national-award-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/pune-ajit-doval-honored-amit-shah-lokmanya-tilak-national-award-2026</guid><pubDate>Sat, 01 Aug 2026 18:20:17 +05:30</pubDate><description><![CDATA[<p>કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલને 'લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર 2026'થી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે શાહે ડોભાલના રાષ્ટ્રીય સુરક્ષા ક્ષેત્રમાં યોગદાનની પ્રશંસા કરતા કહ્યું કે જ્યારે પણ ભારતની આંતરિક અને બાહ્ય સુરક્ષાનો ઈતિહાસ લખાશે, ત્યારે અજિત ડોભાલ માટે એક વિશેષ અને સન્માનજનક પાનું જરૂર રહેશે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/CMOMaharashtra/status/2083481571777040615"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>અમિત શાહે અજિત ડોભાલની કાર્યશૈલીની તુલના તિલકની નિર્ભયતા સાથે કરી</b></h2><p>અમિત શાહે પોતાના ભાષણની શરૂઆત લોકમાન્ય બાલ ગંગાધર તિલકને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કરી હતી. તેમણે તિલકને ‘યુગ પુરુષ’ ગણાવતા કહ્યું કે તેમણે સ્વતંત્રતા આંદોલનને નવી દિશા આપી હતી. તિલકના 'સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે'ના નારાએ દેશના કરોડો લોકોમાં સ્વતંત્રતાની ભાવના જગાવી હતી. શાહે અજિત ડોભાલની કાર્યશૈલીની તુલના તિલકની નિર્ભયતા સાથે કરી હતી. તેમણે જણાવ્યું કે ડોભાલે દેશની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ગુજરાતમાં પોતાના ગૃહમંત્રી કાર્યકાળનો ઉલ્લેખ કરતા શાહે કહ્યું કે અમદાવાદ સહિત દેશના અનેક બોમ્બ વિસ્ફોટ કેસોની તપાસમાં ડોભાલની સલાહ ખૂબ ઉપયોગી સાબિત થઈ હતી.</p><h3><b>દેશે વૈશ્વિક સ્તરે પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી</b></h3><p>ગૃહમંત્રીએ કહ્યું કે 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળ્યા બાદ અજિત ડોભાલને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બનાવ્યા હતા. તેમના મતે, ડોભાલના માર્ગદર્શન અને સરકારની નીતિઓના કારણે ભારતની વિદેશ નીતિને નવી મજબૂતી મળી છે અને દેશે વૈશ્વિક સ્તરે પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે. અમિત શાહે કહ્યું કે લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર માત્ર એક સન્માન નથી, પરંતુ દેશ માટે સમર્પિત રીતે કાર્ય કરનારા લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત છે. તેમણે ઉમેર્યું કે અજિત ડોભાલને મળેલું આ સન્માન દેશની સેવા અને રાષ્ટ્રપ્રતિ નિષ્ઠાનું પ્રતિક છે.</p><p><a href="https://sandesh.com/india/news/crime/delhi-igi-airport-drug-smuggling-bangkok-passengers-18-15-kg-weed-seized" target="_blank"><b>આ પણ વાંચો : Delhi : IGI એરપોર્ટ પર ડ્રગ્સ સ્મગલિંગનો પર્દાફાશ, બેંગકોકથી આવેલા બે મુસાફરો પાસેથી 18.15 કિલો ગાંજો ઝડપાયો</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/01/NiZOGDksFVulebInAytyzAWqYkaKqsw1Q0FRI8WF.webp'/></item><item><title><![CDATA[Monsoon 2026 : વરસાદે ખોલી મનપાની પોલ, રાજકોટમાં 4.5 ઇંચ વરસાદમાં રસ્તાઓ જળબંબાકાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/rajkot/monsoon-2026-rains-open-municipal-water-pipes-roads-flooded-in-rajkot-due-to-45-inches-of-rain</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/rajkot/monsoon-2026-rains-open-municipal-water-pipes-roads-flooded-in-rajkot-due-to-45-inches-of-rain</guid><pubDate>Sat, 01 Aug 2026 18:14:02 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ શહેરમાં ગઈકાલ રાતથી સતત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને અત્યાર સુધીમાં કુલ 4.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જોકે, આ સામાન્ય અને ધીમી ધારે પડેલા વરસાદે જ રાજકોટ મહાનગરપાલિકા (RMC)ની કામગીરીની પોલ ખોલી નાખી છે. પ્રી-મોન્સૂન કામગીરી અને પાણીના નિકાલ અંગે મનપા દ્વારા કરવામાં આવેલા તમામ દાવાઓ પહેલા જ વરસાદી રાઉન્ડમાં પોકળ સાબિત થયા છે.</p><h2 style="text-align: justify; "><b>યાજ્ઞિક રોડ અને 150 ફૂટ રિંગ રોડ પર ભરાયા પાણી</b></h2><p style="text-align: justify; ">શહેરના મુખ્ય અને ધમધમતા એવા યાજ્ઞિક રોડ તેમજ 150 ફૂટ રિંગ રોડ જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. યોગ્ય ગટર વ્યવસ્થાના અભાવે માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે કલાકો સુધી વાહન વ્યવહાર ખોરવાયો હતો અને સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.</p><h3 style="text-align: justify; "><b>દુકાનોમાં પાણી ઘૂસતાં વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન</b></h3><p style="text-align: justify; ">રસ્તાઓ પર ભરાયેલા પાણી હવે વેપારીઓ માટે આફત બન્યા છે. માર્ગો પરથી પાણીનો નિકાલ ન થતાં વરસાદી પાણી દુકાનોમાં ઘૂસી ગયા હતા, જેના કારણે સામાન પલળી જતાં વેપારીઓને લાખો રૂપિયાનું ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. મનપાની ઘોર બેદરકારી સામે રોષ ઠાલવતાં વેપારીઓએ વહેલી તકે ઉકેલ લાવવાની માગ કરી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/explainer/news/monsoon-2026/ahmedabad/explainer-this-city-received-the-highest-rainfall-in-the-last-30-years-a-big-revelation" target="_blank">Explainer : 2021, 2022 હોય કે 2026..., રાજ્યમાં ચોમાસું સામાન્ય, પણ સુરતમાં મેઘરાજાની 'તોફાની બેટિંગ'!</a></b></p><p style="text-align: justify; "><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/01/f7nw7VW9V0R7nUmshC7hLFv2I2uvWwmLfEPXEbyS.webp'/></item><item><title><![CDATA[Surendranagar Rain Update: ખેતરમાં પૂરના પાણી વચ્ચે ફસાયા નાગરિકો, નાના કેરાળામાં 6 મહિનાના માસૂમ સહિત 5 લોકોનું રેસ્ક્યૂ, Video ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/surendranagar/rain-update-vadhwan-nana-kerala-flood-rescue-operation</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/surendranagar/rain-update-vadhwan-nana-kerala-flood-rescue-operation</guid><pubDate>Sat, 01 Aug 2026 18:11:49 +05:30</pubDate><description><![CDATA[<p>સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અનેક વિસ્તારોમાં દરિયા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે વઢવાણ તાલુકાના નાના કેરાળા ગામ નજીક આવેલા એક ખેતરમાં ખેતીકામ માટે ગયેલા પરિવારના 5 લોકો અને 6 મહિનાનું માસૂમ બાળક અચાનક પૂરના પાણી આવી જતાં ચારેય તરફથી ઘેરાઈ ગયા હતા.</p><h2><b>પ્રાંત અધિકારી અને ફાયરની ટીમે મોરચો સંભાળ્યો</b></h2><p>ઘટના અંગે તંત્રને જાણ થતાં જ વહીવટી તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું હતું. વઢવાણ પ્રાંત અધિકારી, પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ હોડીઓ સહિતના બચાવ સાધનો સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પૂરના ધસમસતા પ્રવાહ વચ્ચે માસૂમ બાળક અને અન્ય નાગરિકોનો જીવ જોખમમાં હોવાથી તંત્ર દ્વારા તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.</p><p><img alt="Surendranagar Rain Update: Rescue Operation: 5 Saved Including 6 Month Old Infant In Nana Kerala" src="https://epapercdn.sandesh.com/images/2026/08/01/Dcn4HjDCVTjch3516R0pah8IHPKXxNYkcOGeuyBV.webp"><br></p><h2><b>2 કલાકની જહેમત બાદ હેમખેમ બચાવ, પ્રાથમિક શાળામાં ખસેડાયા</b></h2><p>ફાયર બ્રિગેડ અને તંત્રની ટીમે સતત 2 કલાકની ભારે જહેમત બાદ હોડકીની મદદથી 6 મહિનાના બાળક સહિત તમામ 5 લોકોને પૂરના પાણીમાંથી સલામત રીતે બહાર કાઢી નવજીવન આપ્યું હતું. </p><p><img alt="Surendranagar Rain Update: Rescue Operation: 5 Saved Including 6 Month Old Infant In Nana Kerala" src="https://epapercdn.sandesh.com/images/2026/08/01/i0FJvqExmZ6GVgEU9jYEbUT0LO1JI52CdmRa9m6I.webp"><br></p><p>રેસ્ક્યૂ કરવામાં આવેલા તમામ લોકોને ત્વરિત તબીબી સહાય અને આશ્રય આપવા માટે નાના કેરાળા ગામની સ્થાનિક શાળા ખાતે ખસેડવામાં આવ્યા છે. તંત્રની આ ઝડપી કામગીરીની સ્થાનિકો દ્વારા સરાહના કરવામાં આવી છે.</p><p><br></p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2083518290681315746"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/weather/monsoon-2026/news/maru-saher-maru-gaam/surendranagar/rain-update-nayka-dholidhaja-dam-overflow-evacuation-alert" target="_blank">Surendranagar Rain Update: નાયકા અને ધોળીધજા ડેમ ઓવરફ્લો, 100 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/01/oYhcm2AmedVyOQEL597ReMwIrNVL38nqfsCGu6RP.webp'/></item><item><title><![CDATA[Ramayanaની સ્ટારકાસ્ટ પર મેકર્સે પાણીની જેમ વાપર્યા કરોડો રૂપિયા! આ એક્ટરે વસૂલી તગડી ફી! ]]></title><link>https://sandesh.com/entertainment/news/ramayana-movie-star-cast-fees-highest-paid-actor</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/ramayana-movie-star-cast-fees-highest-paid-actor</guid><pubDate>Sat, 01 Aug 2026 18:10:19 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફેમસ ડિરેક્ટર નિતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું છે. હવે ફિલ્મની સ્ટારકાસ્ટને મળેલી ફીને લઈને પણ ભારે ચર્ચા ચાલી રહી છે. જાણો કે આ ફિલ્મ માટે કયા કલાકારને કેટલી ફી મળી હોવાનું કહેવાય છે અને સૌથી વધુ ખર્ચ કોના પર થયો છે.</p><h2 style="text-align: justify; "><b>ભગવાન રામના પાત્રમાં રણબીર કપૂર</b></h2><p style="text-align: justify; "><img alt="Nitesh Tiwari Ramayana Star Cast Fees (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/01/BVxvxYlBQt4RM7zJ5tT9XCcLC6iZRafEB1IUxHL6.webp"><b><br></b></p><p style="text-align: justify; ">અહેવાલો મુજબ, ફિલ્મ 'રામાયણ' માટે સૌથી વધુ ફી રણબીર કપૂરે લીધી છે. તેમણે કુલ 150 કરોડ રૂપિયા લીધા હોવાનું કહેવાય છે, જેમાં દરેક ભાગ માટે 75 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે.<br><img alt="Nitesh Tiwari Ramayana Star Cast Fees (2)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/01/svFZhcD6kXIFy8VSYo5MxaDZ0BqokhR1Lrs8tJb5.webp"><br></p><h2 style="text-align: justify; "><b>રાવણના પાત્રમાં યશ</b></h2><p style="text-align: justify; ">ફિલ્મમાં રાવણની ભૂમિકા ભજવનાર યશને અંદાજે 100 કરોડ રૂપિયા મળ્યા હોવાનું કહેવાય છે. એટલે કે દરેક ભાગ માટે લગભગ 50 કરોડ રૂપિયા. સાથે એવી પણ ચર્ચા છે કે ફિલ્મના સહ-નિર્માતા તરીકે તેમને નફામાં પણ ભાગ મળશે.<br><img alt="Nitesh Tiwari Ramayana Star Cast Fees (3)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/01/Ln0gerNYj5Qc4SoI8JGKxNyXpLgybfU5oFLU3I9A.webp"><br></p><h2 style="text-align: justify; "><b>સીતાના પાત્રમાં સાઈ પલ્લવી</b></h2><p style="text-align: justify; ">અહેવાલો મુજબ, સાઈ પલ્લવીએ સીતાના પાત્ર માટે કુલ 12 કરોડ રૂપિયા ફી લીધી છે. એટલે કે દરેક ભાગ માટે 6 કરોડ રૂપિયા.<br></p><h2 style="text-align: justify; "><b>હનુમાનના પાત્રમાં સની દેઓલ</b></h2><p style="text-align: justify; ">અહેવાલો મુજબ, સની દેઓલ ભગવાન હનુમાનનું પાત્ર ભજવવા માટે 40 કરોડ રૂપિયા ફી લઈ રહ્યા છે.<br><img alt="Nitesh Tiwari Ramayana Star Cast Fees (4)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/01/VVtRrNnp2l6LxfH3ivrGWdIs8WX4eeTiyH3I1Bv9.webp"><br></p><h2 style="text-align: justify; "><b>લક્ષ્મણના પાત્રમાં રવિ દુબે</b></h2><p style="text-align: justify; ">ટેલિવિઝન અભિનેતા રવિ દુબેને લક્ષ્મણના પાત્ર માટે 2 કરોડથી 4 કરોડ રૂપિયા વચ્ચે ફી મળી હોવાનું કહેવાય છે.<br><img alt="Nitesh Tiwari Ramayana Star Cast Fees (5)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/01/KtPSxk7JdIYoMoiRnSfZGa4SEjS7HqlDmHVgtBEs.webp"><br></p><h2 style="text-align: justify; "><b>અરુણ ગોવિલ</b></h2><p style="text-align: justify; ">ટીવી સિરિયલ 'રામાયણ'માં ભગવાન રામનું પાત્ર ભજવી ચૂકેલા અરુણ ગોવિલ ફિલ્મ 'રામાયણ'માં રાજા દશરથની ભૂમિકામાં જોવા મળશે. અહેવાલો મુજબ, તેમને આ પાત્ર માટે 2.5 કરોડ રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે.<br><img alt="Nitesh Tiwari Ramayana Star Cast Fees (6)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/01/oK4ighp9GyCDK522DJrkS2qCdRSVBz2xzbGQR6wd.webp"><br></p><h2 style="text-align: justify; "><b>કૈકેયીના પાત્રમાં લારા દત્તા</b></h2><p style="text-align: justify; ">અહેવાલો મુજબ, ફિલ્મમાં કૈકેયીની ભૂમિકા માટે લારા દત્તાને 3 કરોડ રૂપિયા ફી આપવામાં આવી રહી છે.<br><img alt="Nitesh Tiwari Ramayana Star Cast Fees (7)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/01/baOoAe1tORbaXQ7SCxU8oUuk9KDGNAi2gXlX8OT1.webp"><br></p><h2 style="text-align: justify; "><b>શૂર્પણખાના પાત્રમાં રકુલ પ્રીત સિંહ</b></h2><p style="text-align: justify; ">અહેવાલો મુજબ, શૂર્પણખાનું પાત્ર ભજવનારી રકુલ પ્રીત સિંહે 1 કરોડથી 2 કરોડ રૂપિયા વચ્ચે ફી લીધી હોવાનું કહેવાય છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/dayaben-return-tmkoc-jethalal-reacts-9-years" target="_blank">આ પણ વાંચો-TMKOCમાં 9 વર્ષ પછી દયાબેનની ગ્રાન્ડ એન્ટ્રી? જેઠાલાલે તોડ્યું મૌન, રડી પડ્યા પોપટલાલ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/01/0VkBU39buRnNOysFj5WIwNqjKNthewkzO6rTq5Gr.webp'/></item><item><title><![CDATA[CWG 2026: પેરા શોટ પુટમાં સોમન રાણાએ જીત્યો ગોલ્ડ મેડલ, શુભમ જુયાલે સિલ્વર મેળવ્યો ]]></title><link>https://sandesh.com/sports/news/cwg-2026-soman-rana-gold-shubham-juyal-silver-para-athletics</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/cwg-2026-soman-rana-gold-shubham-juyal-silver-para-athletics</guid><pubDate>Sat, 01 Aug 2026 17:31:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કોમનવેલ્થ ગેમ્સ 2026નો 10મો દિવસ ભારતીય ખેલાડીઓ માટે એક નોંધપાત્ર દિવસ રહ્યો છે. ભારતીય ખેલાડીઓએ આ દિવસે 3 ગોલ્ડ મેડલ જીતી લીધા છે. ભારતે બોક્સિંગમાં 2 ગોલ્ડ મેડલ અને પેરા-એથ્લેટિક્સમાં શોટ પુટમાં ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો.&nbsp;</p><p style="text-align: justify; ">ભારતે પેરા-એથ્લેટિક્સમાં બેવડી સફળતા મેળવી હતી. સોમન રાણાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે શુભમ જુયાલે સિલ્વર મેડલ જીત્યો હતો. આ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં 8 ગોલ્ડ મેડલ જીત્યા છે.</p><h2 style="text-align: justify; "><b>શોટ પુટમાં સોમન અને શુભમનું પ્રદર્શન કેવું રહ્યું?</b></h2><p style="text-align: justify; ">ભારતીય પેરા-એથ્લીટ સોમન રાણાએ કોમનવેલ્થ ગેમ્સના F57 શોટ પુટ ઈવેન્ટમાં પોતાના બીજા પ્રયાસમાં 13.40 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો જ્યારે તેનો સાથી ભારતીય શુભમ જુયાલે બીજા સ્થાને રહ્યો. સોમને 13.40 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે પ્રથમ સ્થાન મેળવ્યું. પરંતુ તેનો પહેલો પ્રયાસ (13.38 મીટર) ગોલ્ડ મેડલ જીતવા માટે પૂરતો હતો, પરંતુ તેને બીજા પ્રયાસમાં પોતાનું પ્રદર્શન સુધારીને 13.40 મીટર કર્યું. બીજી તરફ શુભમ જુયાલે તેના છઠ્ઠા અને અંતિમ પ્રયાસમાં 13.28 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો.</p><p style="text-align: justify; ">ભારતીય સેનામાં સેવા આપનાર સોમન અગાઉ બોક્સર હતો, પરંતુ 2006માં લેન્ડમાઈન અકસ્માત બાદ તેને પેરા-એથ્લેટિક્સનો અભ્યાસ શરૂ કર્યો. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ અને એશિયન ગેમ્સમાં સિલ્વર જીત્યા બાદ તેને હવે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. શુભમે બીજા સ્થાને રહીને સિલ્વર મેડલ પણ જીત્યો.</p><h3 style="text-align: justify; "><b>સોમનના નામ સાથે જોડાયેલો છે આ ખાસ રેકોર્ડ</b></h3><p style="text-align: justify; ">સોમન F57 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે. કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે ભારતે F57 કેટેગરીમાં એક સાથે બે મેડલ જીત્યા છે. આ ગેમ્સમાં આ ચોથી વાર છે જ્યારે 2 ભારતીયોએ એક જ ઈવેન્ટમાં મેડલ જીત્યા છે.&nbsp;</p><p style="text-align: justify; ">આ પહેલા બે ભારતીય ખેલાડીઓએ મહિલા શોટ પુટ F57 (શર્મિલા ઢાકા - ગોલ્ડ, શિલ્પા શૈલા - બ્રોન્ઝ), પુરુષોની 100 મીટર T47 દોડ (દિલીપ ગાવિત - ગોલ્ડ, મોહમ્મદ બેસિલ - સિલ્વર), પુરુષોની ભાલા ફેંક (નીરજ ચોપરા - સિલ્વર, યશવીર સિંહ - બ્રોન્ઝ) અને પુરુષોની ટ્રિપલ જમ્પ (પ્રવીણ ચિત્રાવલે - સિલ્વર, સેલ્વા પ્રભુ - બ્રોન્ઝ) માં એક સાથે મેડલ જીત્યા છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/ind-vs-sl-test-series-warm-up-match-updated-schedule" target="_blank">Team Indiaનું શ્રીલંકા પ્રવાસ માટે બદલાયું શેડ્યૂલ, આ મેચ ફક્ત 3 દિવસની રહેશે</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/01/Yf7l6LLZ5rG3zTNCggZvBpaSIxrhsfDSuJIpgp59.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: ગુજરાતમાં સવારે 6 થી 4 વાગ્યામાં 234 તાલુકામાં મેઘમહેર, મોરબીમાં 8 ઇંચથી વધુ વરસાદ ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/gujarat-heavy-rain-update-234-talukas-morbi-8-inch-surendranagar-waterlogging</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/gujarat-heavy-rain-update-234-talukas-morbi-8-inch-surendranagar-waterlogging</guid><pubDate>Sat, 01 Aug 2026 17:12:01 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાત રાજ્ય પર સર્જાયેલી વરસાદી સિસ્ટમ ભારે સક્રિય થતાં સવારથી જ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. સવારે 6 વાગ્યાથી લઈને સાંજના 4 વાગ્યા સુધીના માત્ર 10 કલાકના ગાળામાં રાજ્યના 234 જેટલા તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. આજના દિવસમાં મેઘરાજાનું સૌથી રૌદ્ર સ્વરૂપ સૌરાષ્ટ્રના મોરબી અને સુરેન્દ્રનગર (ઝાલાવાડ) જિલ્લામાં જોવા મળ્યું છે.</p><h2><b>મોરબી અને સુરેન્દ્રનગરમાં અતિભારે વરસાદ</b></h2><p>સત્તાવાર આંકડાઓ અનુસાર, મોરબી શહેરમાં સૌથી વધુ 8.31 ઇંચ વરસાદ ખાબકતા શહેરના તમામ નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર કેડસમા પાણી ભરાઈ ગયા છે. મોરબી જિલ્લાના ટંકારામાં 6.73 ઇંચ, હળવદમાં 6.3 ઇંચ અને માળીયામાં 4.61 ઇંચ વરસાદ પડતાં સમગ્ર જિલ્લો જળતરબોળ થઈ ગયો છે.બીજી તરફ, સુરેન્દ્રનગર જિલ્લામાં પણ જળપ્રલય જેવી સ્થિતિ નિર્માણ પામી છે. ધ્રાંગધ્રામાં 6.93 ઇંચ, વઢવાણમાં 6.18 ઇંચ અને લખતરમાં 4.49 ઇંચ વરસાદ પડતાં ખેતરો અને રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે. મુળી અને ચુડામાં પણ 3.66ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.</p><h3><b>મધ્ય અને દક્ષિણ ગુજરાત</b></h3><p>સૌરાષ્ટ્ર ઉપરાંત રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ પડ્યો છે. નર્મદા જિલ્લાના તિલકવાડામાં 4.17 ઇંચ અને ગરુડેશ્વરમાં 3.43 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ખેડા જિલ્લાના મહુધામાં 3.94 ઇંચ અને કઠલાલમાં 3.07 ઇંચ વરસાદ ખાબકતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/vadodara/heavy-rain-shinore-fertilizer-loss-savli-road-closed-108-ambulance-operations" target="_blank">આ પણ વાંચો: Vadodara: શિનોરમાં પૂરથી 5 લાખથી વધુના ખાતરનું નુકસાન, સાવલીમાં તળાવ છલકાયું, 108 દ્વારા 730 ઇમરજન્સી કેસ એટેન્ડ કરાયા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/01/Q7R1AfdEk4GIb6HGHd3ugdXXZYVA06p4Py6dv7OO.webp'/></item></channel></rss>