<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Porbandar News: જન્માષ્ટમી લોકમેળામાં ટ્રાફિકનો ભારે ચક્કાજામ, VIP કલ્ચર અને નબળી વ્યવસ્થા સામે લોકોમાં રોષ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/porbandar/porbandar-janmashtami-lok-mela-traffic-jam-vip-culture</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/porbandar/porbandar-janmashtami-lok-mela-traffic-jam-vip-culture</guid><pubDate>Fri, 04 Sep 2026 23:06:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પોરબંદરમાં આયોજિત પવિત્ર જન્માષ્ટમીના લોકમેળામાં જનમેદની ઉમટી પડતાં ભારે અફરાતફરી અને ચક્કાજામના દ્રશ્યો સર્જાયા છે. મેળામાં હજારોની સંખ્યામાં પહોંચેલા સહેલાણીઓના કારણે આસપાસના તમામ મુખ્ય માર્ગો પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. માર્ગો પર સર્જાયેલા આ ભીષણ ટ્રાફિક જામના વિડીયો પણ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યા છે, જેમાં સમગ્ર વિસ્તાર વાહનોથી બ્લોક થયેલો નજરે પડે છે.</p><h2 style="text-align: justify; "><b>કલાકો સુધી આમ પ્રજા ટ્રાફિકમાં ફસાઈ</b></h2><p style="text-align: justify; ">લોકમેળાની મજા માણવા આવેલા સામાન્ય નાગરિકો અને પરિવારજનો કલાકો સુધી કાળઝાળ ગરમી અને ટ્રાફિક જામમાં ફસાયેલા રહ્યા હતા. સુચારુ ટ્રાફિક સંચાલનનો અભાવ હોવાના કારણે વાહનચાલકો ભારે પરેશાન થઈ ગયા હતા. એક તરફ સામાન્ય જનતા કલાકો સુધી રસ્તા પર અટવાયેલી રહી અને હેરાનગતિ ભોગવતી જોવા મળી હતી, જેના કારણે સ્થાનિકો અને મુલાકાતીઓમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો.</p><h3 style="text-align: justify; "><b>VIP કાફલા માટે વિશેષ રૂટ અને પ્રજા માટે હાલાકી</b></h3><p style="text-align: justify; ">એક તરફ આકરી ગરમીમાં સામાન્ય લોકો ટ્રાફિકમાં પીસાઈ રહ્યા હતા, તો બીજી તરફ રાજ્યના મંત્રીઓ અને રાજકીય પદાધિકારીઓ માટે પોલીસ કોન્વોય સાથેની કારનો મોટો કાફલો સહેલાઈથી મેળામાં પ્રવેશતો જોવા મળ્યો હતો. વીઆઈપી (VIP) કાફલા માટે આયોજિત વિશેષ પ્રોટોકોલ અને સામાન્ય જનતા માટેની કથળતી વ્યવસ્થાને લઈને હવે સ્થાનિકો અને મેળાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્રની આ બેવડી નીતિ અને કથળેલી ટ્રાફિક વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/zjEZzHfsGaVj8a5axKCnfMNkOYdDLfefW2DhsqfG.webp'/></item><item><title><![CDATA[Somnath મહાદેવના શિરે 2 કરોડનો સુવર્ણ મુગટ, જ્યોતિર્લિંગ પર સર્જાયો કૃષ્ણાવતારનો અલૌકિક શૃંગાર ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gir-somnath/somnath-krishna-darshan-shringar-janmashtami</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gir-somnath/somnath-krishna-darshan-shringar-janmashtami</guid><pubDate>Fri, 04 Sep 2026 22:20:28 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં આવ્યો છે. પવિત્ર પર્વે સોમનાથધામ ખાતે શ્રદ્ધાનું મહાસાગર ઉમટી પડ્યું છે. આ પાવન અવસરે સોમનાથ મહાદેવના ગર્ભગૃહમાં હરિ (શ્રીકૃષ્ણ) અને હર (મહાદેવ) નો અદભુત અને અદ્વિતીય ત્રિવેણી સંગમ રચાયેલો જોવા મળ્યો હતો, જેને નિહાળીને દેશ-વિદેશમાંથી આવેલા શ્રદ્ધાળુઓ ભાવવિભોર બન્યા હતા.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><img alt="A feast of devotion at Somnath Dham on Janmashtami" src="https://epapercdn.sandesh.com/images/2026/09/04/wJW2OeGIKADpyZ1Bo4API8U0BTbyu3HC9vcN65OX.webp"><br></p><p style="text-align: justify; "><br></p><h2 style="text-align: justify; "><b>કૃષ્ણ લીલાની જીવંત ઝાંખીથી ઝળહળ્યું જ્યોતિર્લિંગ</b></h2><p style="text-align: justify; ">જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવના શિરે અંદાજિત રૂ.2 કરોડનો અત્યંત કીમતી અને સુવર્ણ મુગટ સુશોભિત કરવામાં આવ્યો હતો. જ્યોતિર્લિંગ પર શ્રીકૃષ્ણની સોમ્ય અને મનમોહક પ્રતિકૃતિ કંડારવામાં આવી હતી. આ ઉપરાંત મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શ્રીકૃષ્ણની વિવિધ બાળલીલાઓની દિવ્ય ઝાંખી જીવંત કરવામાં આવી હતી. જેમાં વસુદેવજી દ્વારા ટોપલામાં બાળ સિંહાસન પર બેસાડી યમુના નદી પાર કરવાનો પ્રસંગ, વાંસળીધારી ગોપાળ સ્વરૂપ અને હિંડોળે ઝૂલતા બાળગોપાળના દર્શન વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><img alt="A feast of devotion at Somnath Dham on Janmashtami" src="https://epapercdn.sandesh.com/images/2026/09/04/opRzROoZPbxkgRkzCVdEXTbE0JPyfjFSBA61GPoo.webp"><br></p><p style="text-align: justify; "><br></p><h3 style="text-align: justify; "><b>કાળિયા ઠાકોરના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા</b></h3><p style="text-align: justify; ">મહાદેવના શિવલિંગ પર શ્રીકૃષ્ણના દિવ્ય શૃંગારના દર્શન કરીને ભક્તોએ ભારે ધન્યતા અને આત્મસંતોષ અનુભવ્યો હતો. 'હર હર મહાદેવ' અને 'જય શ્રી કૃષ્ણ'ના પાવન નારાઓથી સોમનાથ મંદિર પરિસર ગુંજી ઊઠ્યું હતું. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી. મહાદેવના સ્વરૂપમાં ભગવાન શ્રીકૃષ્ણના આ અલૌકિક અને દિવ્ય રૂપે સાક્ષાત દર્શન થતાં જ ભક્તોના મુખેથી 'જીવન ધન્ય બન્યું'ના ઉદ્ગાર સરી પડ્યા હતા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/i6Y3k2atKdBNZHqlubC0uGbiiOELOasXpwkxfcgC.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના ઇસ્કોન મંદિરે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી, હજારો ભક્તો માટે મહાપ્રસાદનું વિશિષ્ટ આયોજન ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-iskcon-temple-janmashtami-krishna-mahaprasad</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-iskcon-temple-janmashtami-krishna-mahaprasad</guid><pubDate>Fri, 04 Sep 2026 21:59:27 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના એસ.જી. હાઇવે પર આવેલા પ્રસિદ્ધ ઇસ્કોન મંદિર ખાતે જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણના મનોહર રૂપના દર્શન કરવા અને જન્મોત્સવની ઉજવણીમાં સહભાગી થવા માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. ભક્તિમય માહોલ અને 'હરે કૃષ્ણા' મહામંત્રના જાપથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઊઠ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>હજારોની સંખ્યામાં ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન</b></h2><p style="text-align: justify; ">જન્માષ્ટમી પર્વ પ્રસંગે દર્શનાર્થે આવતા હજારો શ્રદ્ધાળુઓ માટે ઇસ્કોન મંદિર તંત્ર દ્વારા વિશાળ ધોરણે મહાપ્રસાદનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. ભક્તો માટે અવનવી, સાત્વિક અને સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરવામાં આવી રહી છે. મંદિરે આવતા તમામ શ્રદ્ધાળુઓને સુચારુ રીતે અને સન્માનપૂર્વક મહાપ્રસાદ ગ્રહણ કરાવી શકાય તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>વહેલી સવારથી જ મહિલા શ્રદ્ધાળુઓ રસોડાની સેવામાં જોડાઈ</b></h3><p style="text-align: justify; ">મહાપ્રસાદની વિશાળ તૈયારીઓને પહોંચી વળવા માટે વહેલી સવારથી જ અનેક મહિલા શ્રદ્ધાળુઓ અને બહેનો ઉત્સાહભેર સેવામાં જોડાઈ ગઈ છે. મંદિરના વિશાળ રસોડામાં પ્રસાદ બનાવવાથી લઈને તેના પેકિંગ અને વ્યવસ્થાપન સુધીની તમામ કામગીરીમાં બહેનો નિઃસ્વાર્થ ભાવે પોતાનું યોગદાન આપી રહી છે. સ્વયંસેવકોની આ સમર્પિત સેવાની મદદથી વિશાળ જનમેદની વચ્ચે પણ મહાપ્રસાદ વિતરણની કામગીરી અત્યંત વ્યવસ્થિત રીતે ચાલી રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/HyroLNmAIGv8dO9DIThxLXQ6REkabFhiW7ZrNuON.webp'/></item><item><title><![CDATA[5 September Top News: દેશભરના 82 શિક્ષકોને એવોર્ડ, અમદાવાદમાં પ્રથમવાર વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ ]]></title><link>https://sandesh.com/gujarat/news/india/3-september-top-newsnational-teachers-award-2026-pm-modi-srcc-world-archery-para-series-ahmedabad</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/india/3-september-top-newsnational-teachers-award-2026-pm-modi-srcc-world-archery-para-series-ahmedabad</guid><pubDate>Fri, 04 Sep 2026 21:57:03 +05:30</pubDate><description><![CDATA[<p>આવતીકાલે, દેશભરના 82 શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે સવારે 11:30 વાગ્યે વિજ્ઞાન ભવનમાં તેમનું સન્માન કરશે. 48 શાળા શિક્ષકો અને 21 ઉચ્ચ શિક્ષણના શિક્ષકો છે. ગુજરાતના ત્રણ શિક્ષકોનું સન્માન કરવામાં આવશે. શાળા શિક્ષકોમાં, ગુજરાતના નીતિન કુમાર મહેન્દ્રકુમાર પાઠક, દમણ અને દીવના પટેલ પૂર્ણિમા મોહનલાલ, IIT ગાંધીનગરના ડૉ. મિથુન રાધાકૃષ્ણ અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, ગાંધીનગરના પ્રો. સરવૈયા જયરાજસિંહ ઇન્દ્રજીતસિંહનો સમાવેશ થાય છે.</p><h2><b>દિલ્હીમાં શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ (SRCC) ના શતાબ્દી સમારોહ</b></h2><p>વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સાંજે 7 વાગ્યે દિલ્હીમાં શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ (SRCC) ના શતાબ્દી સમારોહમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી સભાને પણ સંબોધિત કરશે.</p><h3><b>ગૃહમંત્રી અમિત શાહનો ગોવા પ્રવાસ</b></h3><p>ગૃહમંત્રી અમિત શાહ શનિવારથી શરૂ થતા ગોવાના ત્રણ દિવસના પ્રવાસે રહેશે. તેઓ શનિવારે સાંજે રાજ્યમાં પહોંચશે અને રવિવારે સાંજે 6 વાગ્યે ચિંબેલમાં નવનિર્મિત ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. તે જ દિવસે તેઓ ભાજપના મંત્રીઓ, ધારાસભ્યો અને કોર કમિટીના સભ્યો સાથે મુલાકાત કરશે. સોમવારે તેઓ સત્તાવાર બેઠકો સાથે તેમની મુલાકાત પૂર્ણ કરશે.</p><h4><b>સુપ્રીમ કોર્ટ ખાતે BRICS ન્યાયિક ફોરમ શરૂ</b></h4><p>બ્રિક્સ ચીફ જસ્ટિસ ફોરમ દિલ્હીમાં સુપ્રીમ કોર્ટ ખાતે યોજાશે. આવતીકાલે બેઠકનો બીજો દિવસ છે. આ ફોરમ 6 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે, જે દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત બ્રિક્સ સભ્ય અને ભાગીદાર દેશોના ન્યાયિક નેતાઓ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. 18મું બ્રિક્સ સમિટ 12-13 સપ્ટેમ્બરના રોજ યોજાઈ રહ્યું છે.</p><h5><b>અમદાવાદમાં ઐતિહાસિક ખેલ આયોજન</b></h5><p>પ્રથમ વખત, ભારત 5 થી 9 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે હ્યુન્ડાઈ વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝનું આયોજન કરશે. 20 દેશોના 100 થી વધુ રમતવીરો ભાગ લઈ રહ્યા છે.<br></p><h6><b>કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાનો પ્રવાસ</b></h6><p></p><p>કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભા સાંસદ ડૉ. મનસુખ માંડવિયા 5 સપ્ટેમ્બર, 2026 (શનિવાર) ના રોજ શિક્ષક દિવસ નિમિત્તે ગુજરાતની મુલાકાત લેશે. તેમના કાર્યક્રમમાં સવારે 9 વાગ્યે પાલિતાણામાં કસ્તુરબા ઉત્તર બુનિયાદી સંસ્થા ખાતે શિક્ષક દિવસ ભવનનું ઉદ્ઘાટન કરવાનો સમાવેશ થાય છે. ત્યારબાદ અનિડા ડેમ ખાતે નવનિર્મિત ઇમારતનું ઉદ્ઘાટન, ભૂતિયા ગામમાં પુલનું ઉદ્ઘાટન અને કદમગીરીમાં શ્રીમદ્ ભાગવત કથામાં હાજરી આપશે. બપોરે બાદમાં, વાશિયાવાડીમાં કાલિકા હજાર મંદિરમાં દર્શન અને સાંજે 4 વાગ્યે પાલિતાણાના નાની રાજસ્થાનીમાં આંબેડકર ભવનનું ઉદ્ઘાટન થશે.<br><br><b><a href="https://sandesh.com/knowledge/news/india/extra-judicial-confession-law-can-swatantra-bharadwajs-confession-of-a-crime-in-the-podcast-be-used-as-evidence-in-court-know-the-rules-of-indian-evidence-act" target="_blank">આ પણ વાંચો: Extra Judicial Confession Law: પોડકાસ્ટમાં સ્વતંત્ર ભારદ્વાજની ગુનાની કબૂલાત શું કોર્ટમાં પુરાવો બની શકે? જાણો ભારતીય પુરાવા કાયદાના નિયમો!</a></b></p><p><b><br></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/B3o6dkSSBU1tmP5PTXIamo77w2jEGqJIlLwKoc6s.webp'/></item><item><title><![CDATA[Rajkot મહાનગરપાલિકા દ્વારા પ્રથમ વખત રૂ.1.50 લાખના ઈનામ સાથે ભવ્ય મટકી ફોડ સ્પર્ધાનું આયોજન ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-rmc-janmashtami-matki-phod-competition-1-50-lakh-prize</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-rmc-janmashtami-matki-phod-competition-1-50-lakh-prize</guid><pubDate>Fri, 04 Sep 2026 21:30:29 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે શહેરમાં પ્રથમ વખત સત્તાવાર રીતે ભવ્ય મટકી ફોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટની સુપ્રસિદ્ધ ચૌધરી હાઈસ્કૂલના વિશાળ ગ્રાઉન્ડમાં આ મહોત્સવનું આયોજન કરાયું છે. આ અનોખી સ્પર્ધાને નિહાળવા અને કૃષ્ણ જન્મોત્સવના ઉલ્લાસમાં સહભાગી થવા માટે શહેરભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>35 ફૂટ ઊંચી મટકી અને 1.50 લાખ સુધીના ઈનામો</b></h2><p style="text-align: justify; ">આ સ્પર્ધામાં વિજેતા બનનારી ગોવિંદા મંડળીઓ માટે મહાનગરપાલિકા દ્વારા આકર્ષક રોકડ ઈનામોની જાહેરાત કરવામાં આવી છે. ગ્રાઉન્ડ પર 35 ફૂટ જેટલી મધ્યમથી વધુ ઊંચાઈ પર મટકી બાંધવામાં આવી છે. સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે વિજેતા થનાર ટીમને રૂ.1.50 લાખ, દ્વિતીય ક્રમાંકે આવનાર ટીમને રૂ.1.21 લાખ અને તૃતીય ક્રમાંકે આવનાર ટીમને રૂ.1.01 લાખનું ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે.</p><h3 style="text-align: justify; "><b>સુરત અને ધ્રોલ સહિતની કુલ 6 ટીમો વચ્ચે જંગ</b></h3><p style="text-align: justify; ">આ મટકી ફોડ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે રાજ્યભરમાંથી કુલ 6 જેટલી નામચીન અને મજબૂત ગોવિંદા ટીમોએ મેદાનમાં ઝંપલાવ્યું છે. જેમાં (1) રાજકોટ શહેર પોલીસ, (2) રાજકોટ સપોર્ટ ક્લબ, (3) નાની વાગુદડ (ધ્રોલ), (4) રાજકોટ કોઠારીયા, (5) મોટી વાગુદડ (ધ્રોલ) અને (6) સુરતની ટીમનો સમાવેશ થાય છે. આ તમામ ટીમો વચ્ચે મટકી ફોડીને વિજેતા બનવા માટે ભારે રોમાંચક સ્પર્ધા જોવા મળશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/rOI78YIF2fgfRgbZQZB21z1cKe1ERs3tUx8cOnZF.webp'/></item><item><title><![CDATA[Surat પોલીસને જન્માષ્ટમીના પાવન પર્વે મળી 65 અત્યાધુનિક PCR વાનની ભેટ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-police-65-new-pcr-vans-janmashtami</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-police-65-new-pcr-vans-janmashtami</guid><pubDate>Fri, 04 Sep 2026 20:50:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં જનસુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ ભેટ આપવામાં આવી છે. રાજ્યભર માટે ફાળવવામાં આવેલી કુલ 500 નવી પીસીઆર (PCR) વાનમાંથી સુરત શહેર પોલીસને 65 અત્યાધુનિક વાહનો ફાળવવામાં આવ્યા છે. આ નવા વાહનો મળવાથી સુરત શહેરમાં પોલીસનું પેટ્રોલીંગ અને ઈમરજન્સી રિસ્પોન્સ વધુ ઝડપી બનશે.</p><h2 style="text-align: justify; "><b>સુરતના રસ્તાઓ પર આજથી કાર્યરત થશે વાહનો</b></h2><p style="text-align: justify; ">શહેરના નાગરિકોની સુખ, શાંતિ અને સલામતીને પ્રાથમિકતા આપતાં આ તમામ વાહનોને આજથી જ સુરતના રસ્તાઓ પર કાર્યરત કરી દેવામાં આવ્યા છે. આ અત્યાધુનિક વાહનોની મદદથી કોઈ પણ ઈમરજન્સી કે ઘટનાના સમયે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી શકશે, જેનાથી ગુનાખોરી પર અંકુશ મેળવવામાં અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મોટી મદદ મળશે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><img alt="Big news for the safety of Surat residents" src="https://epapercdn.sandesh.com/images/2026/09/04/D4keKXbOtWqG79DMHbSLjYuPJCsbNqM4wZy9EhkB.webp"><br></p><p style="text-align: justify; "><br></p><h3 style="text-align: justify; "><b>ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં લોકાર્પણ</b></h3><p style="text-align: justify; ">સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત (વાબાંગ જામીર) અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં આ તમામ નવી વાહનોને લીલી ઝંડી આપીને લોકસેવા અર્થે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ નવા વાહનોના ઉમેરાથી સુરત શહેર સુરક્ષાની દ્રષ્ટિએ વધુ સજ્જ બનશે અને પોલીસની કામગીરીમાં વધુ પારદર્શિતા અને ઝડપ આવશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/GdLOYZJMuvtHR3IuJjSTkiyuAFVIe0V8XSwTj97i.webp'/></item><item><title><![CDATA[Extra Judicial Confession Law: પોડકાસ્ટમાં સ્વતંત્ર ભારદ્વાજની ગુનાની કબૂલાત શું કોર્ટમાં પુરાવો બની શકે? જાણો ભારતીય પુરાવા કાયદાના નિયમો! ]]></title><link>https://sandesh.com/knowledge/news/india/extra-judicial-confession-law-can-swatantra-bharadwajs-confession-of-a-crime-in-the-podcast-be-used-as-evidence-in-court-know-the-rules-of-indian-evidence-act</link><guid isPermaLink="true">https://sandesh.com/knowledge/news/india/extra-judicial-confession-law-can-swatantra-bharadwajs-confession-of-a-crime-in-the-podcast-be-used-as-evidence-in-court-know-the-rules-of-indian-evidence-act</guid><pubDate>Fri, 04 Sep 2026 20:33:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">દિલ્હીના જંતર-મંતર ખાતે થયેલા વિરોધ પ્રદર્શન સાથે સંબંધિત જૂના વિવાદમાં એક નવો વળાંક આવ્યો છે.</p><h2 style="text-align: justify; ">પોડકાસ્ટમાં સ્વતંત્ર ભારદ્વાજનો સનસનાટીભર્યો દાવો</h2><p style="text-align: justify; ">તાજેતરના ડિજિટલ ઇન્ટરવ્યુમાં, સ્વતંત્ર ભારદ્વાજે જંતર-મંતર પર પ્રતીકાત્મક વિરોધ પ્રદર્શન કરનાર વિદ્યાર્થી નિશુ આઝાદના પિતાનું માથું કાપી નાખવાનો દાવો કર્યો હતો. વાતચીત દરમિયાન, તેમણે એમ પણ કહ્યું હતું કે તેમના પર હત્યાના પ્રયાસ જેવા ગંભીર આરોપો લગાવવા જોઈતા હતા, પરંતુ દિલ્હી પોલીસે તેમની સામે કડક કાર્યવાહી કરી ન હતી. વધુમાં, તેમણે અગ્રણી રાજકીય વ્યક્તિઓના રક્ષણ હેઠળ હોવાનો દાવો કર્યો હતો.&nbsp;</p><h3 style="text-align: justify; ">કોર્ટની નજરમાં ન્યાયિક કબૂલાત</h3><p style="text-align: justify; ">કાયદાની નજરમાં, જ્યારે કોઈ વ્યક્તિ જાહેર મંચ, મિત્ર અથવા મીડિયા સમક્ષ ગુનો કબૂલ કરે છે, ત્યારે ન્યાયિક કબૂલાતને નવા ભારતીય પુરાવા સંહિતા 2023ની જોગવાઈઓ હેઠળ, આવા વિડીયો અથવા ઓડિયો નિવેદનોને કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરવાની સંપૂર્ણ મંજૂરી છે. કાયદો એ વાતને માન્યતા આપે છે કે જો કોઈ વ્યક્તિ જાહેરમાં ગુનો કબૂલ કરે છે, તો તે નિવેદનનો ઉપયોગ તપાસને આગળ વધારવા અને આરોપો ઘડવા માટે થઈ શકે છે.</p><h4 style="text-align: justify; ">ઇલેક્ટ્રોનિક પુરાવા અને કાનૂની આવશ્યકતાઓની તપાસ</h4><p style="text-align: justify; ">પોડકાસ્ટ સંપૂર્ણપણે ડિજિટલ અને ઇલેક્ટ્રોનિક રેકોર્ડ હોવાથી, તેમને સીધા કોર્ટમાં રજૂ કરી શકાતા નથી. આ માટે કાયદા દ્વારા સ્થાપિત માનક પ્રક્રિયાઓનું પાલન કરવાની જરૂર છે. ઇલેક્ટ્રોનિક પુરાવાને માન્ય કરવા માટે, કલમ 63 હેઠળ એક ખાસ પ્રમાણપત્ર સબમિટ કરવું આવશ્યક છે. આ પ્રમાણપત્ર ખાતરી આપે છે કે પ્રશ્નમાં ઓડિયો અથવા વિડિયો ક્લિપ્સ સંપાદિત કરવામાં આવી નથી અથવા તેમાં ચેડા કરવામાં આવ્યા નથી અને તપાસ ટીમના કબજામાં રહેલી સામગ્રી સંપૂર્ણપણે મૌલિક અને અધિકૃત છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/lifestyle/news/health-fitness/mental-health-awareness-dont-underestimate-work-stress-otherwise-it-will-lead-to-mental-illness" target="_blank">કામના તણાવને ઓછો ન આંકશો નહી તો બનશે માનસિક બીમારી</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/9y3kI7JQHoAU4qGpRgxBc0ftjh8X8akIEJos9Zq8.webp'/></item><item><title><![CDATA[BRICS Summit 2026: ડોલરનું વર્ચસ્વ ઘટાડવાની તૈયારીઓ, ભારતના UPI મોડેલથી ખુલશે ગ્લોબલ પેમેન્ટનો નવો રસ્તો! ]]></title><link>https://sandesh.com/business/news/india/brics-summit-2026-preparations-to-reduce-the-dominance-of-the-dollar-indias-upi-model-will-open-a-new-path-for-global-payments</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/brics-summit-2026-preparations-to-reduce-the-dominance-of-the-dollar-indias-upi-model-will-open-a-new-path-for-global-payments</guid><pubDate>Fri, 04 Sep 2026 18:24:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">BRICS દેશોમાં ડોલર પર નિર્ભરતા ઘટાડવા અને સ્થાનિક ચલણોમાં ચુકવણીને સરળ બનાવવા માટે વિકલ્પો શોધાઇ રહ્યા છે.</p><h2 style="text-align: justify; ">તાત્કાલિક ડિજિટલ ચુકવણીની સરળતા&nbsp;</h2><p style="text-align: justify; ">આ સમગ્ર પ્રયાસમાં ભારતનું UPI મોડેલ ખાસ મહત્વ ધરાવે છે. ભારત BRICS દેશોની વિવિધ ઝડપી ચુકવણી પ્રણાલીઓને એ જ રીતે એકીકૃત કરવા માંગે છે જે રીતે UPIએ દેશની અંદર બેંક ખાતાઓ વચ્ચે તાત્કાલિક ડિજિટલ ચુકવણીઓને સરળ બનાવી છે. આનાથી બે BRICS દેશો વચ્ચે દરેક ચુકવણી માટે મધ્યસ્થી ચલણ તરીકે ડોલરનો ઉપયોગ કરવાની જરૂરિયાત ઓછી થઈ શકે છે. RBI એ BRICS માં ઝડપી ચુકવણી પ્રણાલીઓને લિંક કરવા અને CBDC ઇન્ટરઓપરેબિલિટી જેવા વિકલ્પો પર ચર્ચાઓની પણ પુષ્ટિ કરી છે.&nbsp;</p><h3 style="text-align: justify; ">ચુકવણી કનેક્ટિવિટી પ્રથમ&nbsp;</h3><p style="text-align: justify; ">બ્રિક્સમાં ડોલરથી દૂર જવાની ચર્ચાઓ ઘણીવાર સામાન્ય BRICS ચલણ સાથે જોડાયેલી હોય છે. પરંતુ વર્તમાન પ્રયાસ અલગ છે. વર્તમાન ધ્યેય નવી સામાન્ય ચલણ જારી કરવાનો નથી, પરંતુ હાલની રાષ્ટ્રીય ચલણો અને ડિજિટલ ચુકવણીઓને જોડવાનો છે. આનો અર્થ એ છે કે ભારત અને રશિયા વચ્ચે રૂપિયા અને રુબેલ્સમાં અથવા અન્ય BRICS દેશો વચ્ચે તેમના સંબંધિત ચલણોમાં વેપાર કરી શકાય છે અને સમાધાન માટે વધુ સારું ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી શકાય છે.&nbsp;</p><h4 style="text-align: justify; ">ભારત માટે મોટી અને મહત્ત્વની તક</h4><p style="text-align: justify; ">આ વ્યવસ્થાથી ભારતીય વ્યવસાયોને સૌથી વધુ ફાયદો થઈ શકે છે. BRICS દેશો સાથે વ્યવસાય કરતી કંપનીઓ માટે ચુકવણી ઝડપી અને સસ્તી થવાની અપેક્ષા છે. તે રૂપિયાના આંતરરાષ્ટ્રીય ઉપયોગને પ્રોત્સાહન આપવાના ભારતના પ્રયાસોને પણ વેગ આપી શકે છે. ભારત પહેલાથી જ તેના UPI મોડેલને અન્ય દેશો સાથે એકીકૃત કરવા પર કામ કરી રહ્યું છે. તેથી, BRICSમાં ચુકવણી ઇન્ટરઓપરેબિલિટીનો પ્રસ્તાવ ભારતને તેના ડિજિટલ જાહેર માળખાની શક્તિઓ દર્શાવવાની તક પણ પૂરી પાડે છે.</p><h5 style="text-align: justify; ">ચીન સહિત અનેક પડકારો</h5><p style="text-align: justify; ">BRICS માટે આવા ચુકવણી નેટવર્ક વિકસાવવા સરળ રહેશે નહીં. સભ્ય દેશોમાં વિવિધ બેંકિંગ સિસ્ટમ્સ, ચલણો, નિયમો અને ડિજિટલ માળખાગત સુવિધાઓ છે. વધુમાં, ચલણ જોખમ, પ્રવાહિતા, સાયબર સુરક્ષા, ડેટા સુરક્ષા અને નાણાકીય ગુના નિવારણ જેવા મુદ્દાઓ પર સામાન્ય વ્યવસ્થા સ્થાપિત કરવાની જરૂર પડશે. ખાસ કરીને ચીન જેવા મુખ્ય સભ્ય પાસે પોતાનું ડિજિટલ ચુકવણી અને નાણાકીય માળખાગત સુવિધા છે. તે જોતાં, આંતર-કાર્યક્ષમતા, ડેટા સુરક્ષા અને ડેટા સુરક્ષા સંબંધિત મુદ્દાઓ મહત્વપૂર્ણ રહેશે. તેથી, આને ડોલરને દૂર કરવાની યોજના કહેવું યોગ્ય રહેશે નહીં. બ્રિક્સની વર્તમાન દિશા વધુ વ્યવહારિક છે ડોલર પર નિર્ભરતાની જરૂર ન હોય તેવા વૈકલ્પિક ચુકવણી ચેનલો વિકસાવવા.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/janmashtami/news/india/janmashtami-2026-why-is-the-curtain-drawn-every-two-minutes-in-banke-bihari-temple-know-what-is-the-reason" target="_blank">&nbsp; બાંકે બિહારી મંદિરમાં દર બે મિનિટે કેમ ખેંચાય છે પડદો, જાણો શુ છે કારણ?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/Vp2wMq5cHEIRMJIJ3f7Zk5zQaB2endfY8KjJSkWq.webp'/></item><item><title><![CDATA[Mirzapur The Movie: 'સબસે બડે અલ્ફા આપ હો...' મિર્ઝાપુર ફિલ્મના ભૌકાલ ડાયલોગ્સ સાંભળીને ફેન્સ થયા ક્રેઝી! ]]></title><link>https://sandesh.com/entertainment/news/mirzapur-the-movie-10-famous-dialogues</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/mirzapur-the-movie-10-famous-dialogues</guid><pubDate>Fri, 04 Sep 2026 17:31:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">OTT પર રાજ કર્યા પછી હવે કાલીન ભૈયા અને ગુડ્ડુ પંડિતનો ડર સિનેમાઘરોમાં ગૂંજી રહ્યો છે. મિર્ઝાપુર: ધ મુવી થિયેટરોમાં આવી ગઈ છે. આ વખતે સ્ટોરી માત્ર ગાદીની નથી, પણ મોટા પડદા પર વટ પાડવાની પણ છે. મુન્ના ભૈયાની વાપસી અને નવા પાત્રો સાથે ટક્કર વધુ ખતરનાક બની ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>મુન્ના ભૈયાની ધમાકેદાર વાપસી</b></h2><p style="text-align: justify; "> </p><p style="text-align: justify; ">ખાસ વાત એ છે કે OTT સિરીઝમાં મૃત્યુ પામેલા મુન્ના ભૈયા દિવ્યેન્દુ શર્માની સિનેમાઘરવાળા આ અલગ યુનિવર્સમાં વાપસી દર્શકો માટે મોટું સરપ્રાઈઝ છે. ત્યાં જ, કાલીન ભૈયા પંકજ ત્રિપાઠી અને ગુડ્ડુ પંડિત અલી ફઝલનો સામસામે મુકાબલો વિઝ્યુઅલ્સ અને હેવી બેકગ્રાઉન્ડ સ્કોર સાથે વધુ ધમાકેદાર લાગે છે. સાથે જ રવિ કિશન અને જિતેન્દ્ર કુમાર જેવા નવા કલાકારોની એન્ટ્રીથી પૂર્વાંચલની આ ગેંગવોરમાં નવો વળાંક આવ્યો છે.</p><p style="text-align: justify; "><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DciXv59guxN/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DciXv59guxN/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DciXv59guxN/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DciXv59guxN/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><p style="text-align: justify; ">મિર્ઝાપુરનો અસલી જીવ હંમેશા તેના એવા ડાયલોગ્સ રહ્યા છે, જે સૌ કોઈની જીભ પર ચડી જાય છે. મોટા પડદા પર જ્યારે કાલીન ભૈયા અને ગુડ્ડુ પંડિત પોતાના કડક અવાજમાં ડાયલોગ્સ બોલે છે, ત્યારે આખું થિયેટર સીટીઓ અને તાળીઓથી ગૂંજી ઊઠે છે. આ વખતે પણ તીખો પૂર્વાંચલનો અંદાજ, એ જ બિન્દાસ ડાયલોગ્સ અને મુન્ના ભૈયાની વન-લાઈનર્સથી દબદબો બમણો થઈ ગયો છે.</p><p style="text-align: justify; "><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DZ9kMEDAttg/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DZ9kMEDAttg/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DZ9kMEDAttg/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DZ9kMEDAttg/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h2 style="text-align: justify; "><b>મિર્ઝાપુર: ધ મુવીના 10 ડાયલોગ્સ</b></h2><ol><li style="text-align: justify;">રાજા કા સામ્રાજ્ય સૈનિક લોગ ચલાતે હૈં ઔર મારે ભી વહી જાતે હૈં: બબલૂ પંડિત જિતેન્દ્ર કુમાર</li><li style="text-align: justify;">યે ઈમાનદારી ના પાપા અજગર હૈ લપેટે આપ હૈ લેકિન દમ સબકા ઘુટતા હૈ.</li><li style="text-align: justify;">મિર્ઝાપુર કા બોર્ડર હમેં રોક થોડી ના પાએગા? જબ મન કરેગા આએંગે જબ મન કરેગા જાએંગે.</li><li style="text-align: justify;">ક્યા જિંદગી ભર હમ સિર્ફ માગતે રહેંગે પાપા? થક ગયે થે માગતે માગતે ઈસલિએ શાયદ છીનને કા મન કિયા?</li><li style="text-align: justify;">મિર્ઝાપુર કે સબસે બડે અલ્ફા આપ હો…</li><li style="text-align: justify;">પૂર્વાંચલ મેં એક હી દરવાજા હૈ યાદવ જી વો હૈ હમારા, અગર હમારા નહીં ખુલા તો ઔર કોઈ ભી દરવાજા નહીં ખુલેગા.</li><li style="text-align: justify;">અખંડાનંદ ત્રિપાઠી અબ બચેંગે નહીં ઔર હમ બનેંગે મિર્ઝાપુર કે કિંગ.</li><li style="text-align: justify;">હમેં એમ્પાયર ચલાના હૈ ગુડ્ડુ ભૈયા બઢાના નહીં હૈ.</li><li style="text-align: justify;">સર પર મારો યા છાતી પર, ગોલી ચલાતે હુએ ચેરિટી નહીં કરની હોતી હૈ.</li><li style="text-align: justify;">ગોલિયાં ચલતી હૈં તો લોગ મરતે હૈં, ઉસે જીવન ભર યાદ નહીં કરતે</li></ol><p style="text-align: justify;"><a href="https://sandesh.com/entertainment/news/ranbir-kapoor-rishi-kapoor-relationship-4-reasons" target="_blank">આ પણ વાંચો-Ranbir Kapoorને પિતા સાથે કેમ નહોતું બનતું? આ હતા 4 મોટા કારણો, ઋષિ કપૂરે માગી હતી માફી!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/5f4Zb4uCyUgYy4VdgAk5opvzF021Cisu8IMEWk1S.webp'/></item><item><title><![CDATA[Asian Games 2026: નીરજ ચોપરાના રિપ્લેસમેન્ટની જાહેરાત, આ સ્ટારને મળ્યું સ્થાન ]]></title><link>https://sandesh.com/sports/news/neeraj-chopra-out-yashvir-singh-asian-games</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/neeraj-chopra-out-yashvir-singh-asian-games</guid><pubDate>Thu, 03 Sep 2026 18:11:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">એશિયન ગેમ્સ 19 સપ્ટેમ્બરથી જાપાનમાં શરૂ થવાની છે. ભારતીય ટીમને તાજેતરમાં મોટો ઝટકો લાગ્યો છે. ઈજાને કારણે બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા અને સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરા 2026 સીઝનની બાકીની બધી સ્પર્ધાઓમાંથી બહાર થઈ ગયો છે. તેને સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરી. ફેન્સને આશા હતી કે તે ગોલ્ડ જીતશે.&nbsp;</p><p style="text-align: justify;">પરંતુ એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ ત્યારબાદ એક નિવેદનમાં જાહેરાત કરી હતી કે તેઓ ટૂંક સમયમાં નીરજના રિપ્લેસમેન્ટની જાહેરાત કરશે. હવે તે ખેલાડીનું નામ જાહેર કરવામાં આવ્યું છે.</p><h2 style="text-align: justify;"><b>નીરજ ચોપરાનું સ્થાન કોણ લેશે?</b></h2><p style="text-align: justify;">ઈજા છતાં નીરજ ચોપરાએ તાજેતરની કેટલીક સ્પર્ધાઓમાં સારું પ્રદર્શન કર્યું. તેને કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો. નીરજના સાથી અને પ્રખ્યાત ભાલા ફેંકનાર યશવીર સિંહે કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. હવે તેને તેનું ઈનામ મળી ગયું છે. યશવીર એશિયન ગેમ્સમાં નીરજનું સ્થાન લેશે. યશવીરને એક મોટી તક મળી છે. તે એશિયન ગેમ્સમાં અજાયબીઓ કરી શકે છે.</p><p style="text-align: justify;">એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બહાદુર સિંહ સાગુએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "અમે એશિયન ગેમ્સ માટે નીરજ ચોપરાની જગ્યાએ યશવીર સિંહને સામેલ કર્યો છે. તેને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યો હતો. નીરજ હાલમાં ઘાયલ છે. તેની ઈજાને કારણે આ ફેરફાર કરવામાં આવ્યો છે. યશવીરના આવવામાં કોઈ સમસ્યા નહોતી."</p><h3 style="text-align: justify;"><b>યશવીર સિંહની સિઝન શાનદાર રહી&nbsp;</b></h3><p style="text-align: justify;">યશવીર સિંહે કોમનવેલ્થ ગેમ્સ  2026માં બ્રોન્ઝ મેડલ જીતીને બધાનું દિલ જીતી લીધું હતું. આ પછી તેની ખૂબ ચર્ચા થઈ હતી. તેને ત્યાં પણ પોતાનું બેસ્ટ પ્રદર્શન કર્યું. યશવીરે 85.41 મીટરનો થ્રો ફેંક્યો. કાશીનાથ નાયક (2010) અને નીરજ (2018, 2026) પછી તે કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનાર ત્રીજો ભારતીય છે.</p><p style="text-align: justify;">2026નું વર્ષ તેમના માટે શાનદાર રહ્યું છે. તેને 8 ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો, જેમાંથી 6માં 80 મીટરથી વધુ થ્રો ફેંક્યા હતા. હવે, બધાની નજર યશવીર પર રહેશે. નીરજના સ્થાને સામેલ થવાથી તેના પર પણ દબાણ આવશે. તે 2026 કોમનવેલ્થ ગેમ્સમાં પોતાના પ્રદર્શનનું કમબેક કરવા અને ભારત માટે મેડલ લાવવા માગશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/bcci-meeting-rohit-sharma-odi-future" target="_blank">Rohit Sharmaના ક્રિકેટ કરિયર અને 2027ના ODI વર્લ્ડકપને લઈને ચર્ચા, BCCI મોટો નિર્ણય લેવા માટે તૈયાર</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/pnZfVXFfDbiVeUTCGLZBXQLYtouFoYzTiWb82QVE.webp'/></item></channel></rss>