<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Jambusar: દહેગામ દરિયામાં બોટમાં ખામી બાદ 8 તણાયા, SDRF દ્વારા લાપતા યુવકની શોધખોળ ચાલુ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/jambusar/jambusar-dahegam-sea-boat-accident-7-saved-sdrf-searches-missing-akshay-vaghela</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/jambusar/jambusar-dahegam-sea-boat-accident-7-saved-sdrf-searches-missing-akshay-vaghela</guid><pubDate>Fri, 11 Sep 2026 18:39:04 +05:30</pubDate><description><![CDATA[<p>ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા દહેગામ દરિયાઈ કિનારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. દહેગામ દરિયામાં સવાર થઈને ગયેલી એક બોટમાં અચાનક યાંત્રિક કે ટેકનિકલ ખામી સર્જાઈ હતી. બોટ બેકાબૂ બનતાં તેમાં સવાર 8 લોકો દરિયાના મધ્યમાં ધસમસતા પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યા હતા.</p><h2><b>જંબુસરના દહેગામ દરિયામાં મોટી દુર્ઘટના</b></h2><p>ઘટનાને પગલે દરિયા કિનારે હાજર સ્થાનિક લોકો અને માછીમારોએ ત્વરિત સમયસૂચકતા અને હિંમત દાખવીને પોતાની બોટ વડે દરિયામાં ઝંપલાવ્યું હતું. સ્થાનિકોએ ભારે જહેમત બાદ પાણીમાં તણાતા 8 પૈકી 7 લોકોને સલામત રીતે બહાર કાઢીને નવજીવન આપ્યું હતું. આ દુર્ઘટનામાં ૭ લોકોનો આબાદ બચાવ થયો છે, પરંતુ અક્ષય કરસન વાઘેલા નામનો યુવક દરિયાના ઊંડા પાણીમાં તણાઈ જતાં લાપતા બન્યો છે. બનાવની જાણ થતાં જ જંબુસરના મામલતદાર સહિતનો સરકારી અને પોલીસ કાફલો દહેગામ દરિયા કિનારે દોડી આવ્યો હતો.</p><h3><b>બોટમાં ખામી સર્જાતાં 8 લોકો તણાયા</b></h3><p>લાપતા યુવકની શોધખોળ માટે રાજ્ય આપદા પ્રતિસાદ દળ (SDRF) ની ખાસ રેસ્ક્યૂ ટીમ બોલાવવામાં આવી હતી. SDRF ની ટીમે બોટ અને લાઇફ જેકેટ સહિતના આધુનિક સાધનો વડે દરિયાના ઊંડા પાણીમાં વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. યુવકનો હજી સુધી કોઈ પતો ન મળતાં તેનો પરિવાર ઘેરી ચિંતા અને મુંજવણમાં મુકાયો છે, જ્યારે સમગ્ર દહેગામ વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/damnagar/daman-rto-thar-fortuner-sankalp-yatra-collector-saurabh-mishra-oath" target="_blank">આ પણ વાંચો: Valsad: રસ્તા પર 'ભાઈગીરી અને હીરોગીરી' બંધ કરવા કલેક્ટરએ લેવડાવ્યા શપથ, દંડથી પર થઈને આપ્યો સકારાત્મક સંદેશ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/7geN6y3ofeerbtuEEVXg9mOmsNM2jpye8PmsMQJy.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: સ્ટેટ મોનીટરીંગ સેલનો સપાટો, દહેગામ રોડ પરથી 2,690 બોટલ બીયરનો જથ્થો જપ્ત કર્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/smc-raid-degham-chiloda-road-liquor-seized</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/smc-raid-degham-chiloda-road-liquor-seized</guid><pubDate>Fri, 11 Sep 2026 18:26:39 +05:30</pubDate><description><![CDATA[<p>ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદે દારૂની હેરફેર કરતા બુટલેગરો સામે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે મોટી સપાટો બોલાવ્યો છે. ચોક્કસ બાતમીના આધારે SMCની ટીમે દહેગામ-મોટા ચીલોડા રોડ પર આવેલા સ્વર્ગસુધા ગિરફાર્મ નજીક આકસ્મિક દરોડો પાડ્યો હતો. આ કામગીરી દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે.</p><h2><b>2,690 બોટલ બીયર અને વાહનો સહિત રૂ. 18 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે</b></h2><p>પોલીસ દરોડા દરમિયાન સ્થળ પરથી ભારતીય બનાવટના બીયરની આશરે 90 પેટીઓ મળી આવી હતી. જેમાં કુલ 2,690 બોટલ બીયર, જેની કિંમત રૂ. 8,05,495/- થાય છે તે જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, દારૂની હેરફેરમાં વપરાયેલા વાહનો સહિત કુલ રૂ. 18 લાખથી વધુનો મુદ્દામાલ SMC એ પોતાના કબજે લીધો છે. આ મામલે દહેગામ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.</p><p><img alt="Gandhinagar News: State Monitoring Cell Seizes Illegal Liquor Worth ₹18 Lakh" src="https://epapercdn.sandesh.com/images/2026/09/11/JJWsKNvETTBjjVa3qqIsgSOVZc34HdRlCR2MTdlx.webp"><br></p><h2><b>રાજસ્થાનના મુખ્ય બુટલેગર સહિત 7 આરોપીઓ વોન્ટેડ જાહેર</b></h2><p>SMC ની પ્રાથમિક તપાસમાં દારૂના આ મોટા નેટવર્ક અંગે ચોંકાવનારા ખુલાસા થયા છે. રાજસ્થાનના મુખ્ય બુટલેગર મહાવીરસિંહ દેવડા સહિત કુલ 7 આરોપીઓને આ કેસમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે, ક્રેટા કારમાં દારૂનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો અને હેરિયર કાર દ્વારા તેને પાઇલોટિંગ આપવામાં આવી રહ્યું હતું. પોલીસે તમામ ફરાર આરોપીઓની શોધખોળ માટે ચક્ર ગતિમાન કર્યા છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/gandhinagar-gujarat-rent-bill-2026-tenants-landlords-rent-act" target="_blank">Gandhinagar : ભાડૂઆતો અને મકાન માલિકો માટે મોટો ફેરફાર, હવે 3 મહિનાથી વધુ સિક્યોરિટી ડિપોઝિટ નહીં, ‘ગુજરાત ભાડા વિધેયક-2026’ સર્વાનુમતે પસાર</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/mkUAP6S3TMPtAoOpNxJ6oBFtdJRuvHLb0f69aPb0.webp'/></item><item><title><![CDATA[Surat News: અડાજણમાંથી પ્રતિબંધિત વિદેશી સિગરેટના જથ્થા સાથે એક ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/sog-police-raid-illegal-foreign-cigarettes-seized-adajan</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/sog-police-raid-illegal-foreign-cigarettes-seized-adajan</guid><pubDate>Fri, 11 Sep 2026 18:23:26 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ(SOG)ની ટીમે અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે લાલ આંખ કરીને મોટી સફળતા મેળવી છે. SOG પોલીસે ચોક્કસ બાતમીના આધારે સુરત શહેરના અડાજણ વિસ્તારમાંથી નિતેશભાઈ અશોકભાઈ ભગવાગર નામના શખ્સને પ્રતિબંધિત વિદેશી સિગરેટના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે.</p><h2><b>આરોપી પાસેથી રૂ. 34,000 નો વિદેશી સિગરેટનો જથ્થો જપ્ત</b></h2><p>પોલીસ દરોડા દરમિયાન આરોપી પાસેથી ભારત સરકારના નિયમોનુસારની ફરજિયાત હેલ્થ વોર્નિંગ (આરોગ્ય વિષયક ચેતવણી) વગરની વિદેશી સિગરેટનો મોટો જથ્થો મળી આવ્યો હતો. SOG પોલીસે ઘટના સ્થળેથી કાયદાનો ભંગ કરીને વેચવામાં આવતી આ વિદેશી સિગરેટો સહિત કુલ રૂ. 34,000 નો મુદ્દામાલ પોતાના કબજે લીધો છે.</p><p><img alt="Surat News: SOG Seizes Illegal Foreign Cigarettes in Adajan, One Arrested" src="https://epapercdn.sandesh.com/images/2026/09/11/UvWBBZ7szbthDYEsjMY19cNfnX1QOqIrWHsRsipl.webp" style="width: 100%;"><br></p><h2><b>મુંબઈના ક્રોફર્ડ માર્કેટમાંથી ખરીદી છૂટક વેચાણ કરવાનો નેટવર્ક ખુલ્લું પડ્યું</b></h2><p>પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી આ વિદેશી સિગરેટનો જથ્થો મુંબઈના પ્રખ્યાત ક્રોફર્ડ માર્કેટ વિસ્તારમાંથી સસ્તા ભાવે ખરીદીને સુરત લાવતો હતો. અહીં તે સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા પાનના ગલ્લા ધારકોને ચોરીછૂપીથી ઊંચા ભાવે આ સિગરેટ છૂટકમાં વેચતો હતો. હાલમાં પોલીસે આરોપી સામે અડાજણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/news/surat/surat-bank-employees-protest-traffic-jam-police-e-memo" target="_blank">Suratમાં બેંક કર્મચારીઓના વિરોધથી ભારે ટ્રાફિકજામ, 300-400 વાહનો પાર્ક કરી કર્યો ચક્કાજામ!</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/AEZK3dbmqenOwFLlqcaXBQVe3CgDerUn7MEIMiwn.webp'/></item><item><title><![CDATA[Bhavnagar News: સિહોર પાલિકા કચેરીમાં થાળી વગાડી વિરોધ, વોર્ડ નં. 5 અને 9ના રહીશોનો હલ્લાબોલ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/sihor-nagarpalika-ward-5-9-protest-thali-vadan-water-drainage-issue</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/sihor-nagarpalika-ward-5-9-protest-thali-vadan-water-drainage-issue</guid><pubDate>Fri, 11 Sep 2026 18:19:51 +05:30</pubDate><description><![CDATA[<p>ભાવનગર જિલ્લાના સિહોર નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નં. 5 અને 9ના પ્રાથમિક પ્રશ્નોનો લાંબા સમયથી નિકાલ ન આવતાં શુક્રવારે પાલિકા કચેરી ખાતે ભારે હોબાળો મચ્યો હતો. વિસ્તારમાં પાણી, ગટર, સ્ટ્રીટ લાઈટ અને ડોર-ટુ-ડોર કચરો ઉપાડવાની ગાડી નિયમિત ન આવતી હોવાના વિરોધમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો વિપક્ષ નેતાની આગેવાની હેઠળ એકઠા થયા હતા. નિષ્ક્રિય તંત્રને જગાડવા માટે રહીશોએ કચેરીમાં થાળી વગાડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને થાળીઓ વગાડતાં-વગાડતાં જ સીધા પ્રમુખની કચેરી સુધી ધસી ગયા હતા.</p><h2><b>વિકાસના નામે શૂન્ય કારોબાર અને પક્ષપાતનો ગંભીર આક્ષેપ</b></h2><p>સ્થાનિક રહીશો અને વિપક્ષે પાલિકા તંત્ર સામે ભારે રોષ ઠાલવતા આક્ષેપ કર્યો હતો કે, કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવવા છતાં વિકાસના કામોમાં શૂન્યતા જોવા મળી રહી છે. વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા પક્ષપાતપૂર્ણ વલણ દાખવીને જાણીજોઈને કામગીરી અટકાવવામાં આવી રહી છે. વિરોધ પ્રદર્શન દરમિયાન માહોલ અત્યંત ગરમાયો હતો અને વિપક્ષના નેતા દ્વારા પ્રમુખની કચેરીમાં જ શાસક પક્ષ અને તંત્ર વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.</p><h2><b>નિયત સમયમાં કામ નહીં થાય તો સામૂહિક હિજરતની વિપક્ષ નેતાની ચેતવણી</b></h2><p>રજૂઆત દરમિયાન વિપક્ષ નેતાએ તંત્રને આખરી ઓપ આપતાં સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી કે, જો ચોક્કસ સમયમર્યાદામાં વોર્ડ નં. 5 અને 9ની તમામ સમસ્યાઓનો નિકાલ કરવામાં નહીં આવે, તો સ્થાનિક રહીશો સામૂહિક હિજરત કરી કલેક્ટર કચેરી ખાતે ધામા નાખશે.</p><h2><b>પ્રમુખ અને ચીફ ઓફિસરે તાત્કાલિક સર્વે અને કામગીરીની ખાતરી આપી</b></h2><p>પરિસ્થિતિ અને હોબાળો વણસતો જોઈને ચીફ ઓફિસર તાત્કાલિક હરકતમાં આવ્યા હતા અને સમગ્ર કામગીરી વહેલી તકે પૂર્ણ કરવાની જવાબદારી સ્વીકારી હતી. ત્યારબાદ નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર બંનેએ રહીશોને શાંત પાડીને સમગ્ર વિસ્તારનો તાત્કાલિક સર્વે કરાવી પાણી, ગટર, લાઈટ અને સફાઈની સમસ્યાઓનો ઉકેલ લાવવાની ખાતરી આપતાં આખરે મામલો થાળે પડ્યો હતો.</p><p><br></p><p>આ પણ વાંચો:<a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/bhavnagar/sihor-deshi-daru-bhatthi-raid-police-seize-material" target="_blank"> Bhavnagar News: સિહોરમાં પીપળીયા વાળી નદીના વોકળામાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, 1.19 લાખનો મુદ્દામાલ જપ્ત</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/K8DbtDT7f4bc7GStCuhxOtXB2J1EUZHFru9dZk8e.webp'/></item><item><title><![CDATA[Vijay Mallya: પૈસા પાછા મળી ગયા... છતાં પણ નહીં બચે વિજય માલ્યા, EDએ કેમ આવું કહ્યું? ]]></title><link>https://sandesh.com/business/news/ed-wont-close-money-laundering-case-against-vijay-mallya-despite-recovery</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/ed-wont-close-money-laundering-case-against-vijay-mallya-despite-recovery</guid><pubDate>Fri, 11 Sep 2026 18:11:23 +05:30</pubDate><description><![CDATA[<p>ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા સામે મની લોન્ડરિંગનો કેસ ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે; આ મામલે તેમને 'ભાગેડુ ગુનેગાર' (fugitive offender) પણ જાહેર કરવામાં આવ્યા છે. જોકે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ માલ્યા પાસેથી બાકી નીકળતી તમામ રકમ વસૂલ કરી લીધી છે, તેમ છતાં તે આ કેસ બંધ કરવા તૈયાર નથી. ED એ બોમ્બે હાઈકોર્ટને સ્પષ્ટપણે જણાવ્યું છે કે માલ્યા સામેની ફોજદારી કાર્યવાહી પાછી ખેંચવામાં આવશે નહીં.</p><p><br></p><h3><b>ED એ હાઈકોર્ટમાં શું કહ્યું?</b></h3><p>વિજય માલ્યા સામે મની લોન્ડરિંગનો કેસ વર્ષોથી પડતર છે. તાજેતરની સુનાવણી દરમિયાન, બોમ્બે હાઈકોર્ટે માલ્યાને છેલ્લી તક આપી હતી કે તેઓ સ્પષ્ટ કરે કે શું તેઓ ભારત પાછા ફરશે અને કોર્ટના અધિકારક્ષેત્ર સમક્ષ હાજર થશે. કાર્યવાહી દરમિયાન ED એ પણ પોતાની દલીલો રજૂ કરી હતી.</p><p><br></p><p>સુનાવણી દરમિયાન, ED એ માલ્યાના વિદેશમાં રહેવા અને કોર્ટ સમક્ષ હાજર ન થવાના મુદ્દાને ઉઠાવ્યો હતો. એજન્સીએ જણાવ્યું હતું કે, "તેમની સતત ગેરહાજરી અને વર્તન વર્તમાન કાર્યવાહીના સમગ્ર સંદર્ભમાં મહત્વપૂર્ણ છે." આ હકીકત પર ભાર મૂકતા ED એ હાઈકોર્ટને વિનંતી કરી હતી કે કોઈપણ નિર્ણય લેતા પહેલા આ પાસાઓ પર વિચાર કરવામાં આવે.</p><p><br></p><h5><b>'આ કોઈ વ્યાપારી વિવાદ નથી'</b></h5><p>ED એ સ્પષ્ટ કર્યું છે કે આ કોઈ વ્યાપારી વિવાદ નથી પરંતુ ફોજદારી કેસ છે. પરિણામે, માલ્યા પાસેથી રકમ વસૂલ કર્યા પછી પણ ED આ કેસ બંધ કરવા માંગતી નથી. એજન્સીએ સમજાવ્યું, "PMLA ની કલમ 8(8) હેઠળ સંપત્તિની પુનઃસ્થાપના (restoration) એ એવી વ્યક્તિને સંપત્તિ પરત કરવાની કાયદાકીય પ્રક્રિયા છે જેનો તેમાં કાયદેસરનો હિત હોય; તે પોતે એ નક્કી કરતું નથી કે ગુનો અથવા મની લોન્ડરિંગનો ગુનો વાસ્તવમાં આચરવામાં આવ્યો છે કે નહીં."</p><p><br></p><p>નોંધનીય છે કે ED નો આ જવાબ માલ્યા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના સંદર્ભમાં આવ્યો છે, જેમાં તેમણે આ લાંબા સમયથી પડતર કેસને બંધ કરવાની માંગ કરી હતી. તેમણે દલીલ કરી છે કે તેમના કુલ દેવા કરતાં વધુ રકમ પહેલેથી જ વસૂલ કરવામાં આવી છે, અને તેથી કેસ બંધ કરવો જોઈએ અને તેમને ભારત પાછા ફરવાની મંજૂરી આપવી જોઈએ. મહત્વપૂર્ણ વાત એ છે કે આ કેસ ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે. માલ્યા 2016 માં ભારત છોડીને ગયા હતા અને ત્યારથી બ્રિટનમાં રહે છે. આ કેસના સંબંધમાં 2019 માં તેમને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/business/news/barrier-free-tolling-by-march-2027--no-stopping-at-toll-plaza--onetag-launched" target="_blank"><b>હવે Toll પ્લાઝા પર ઉભુ રહેવું નહીં પડે, માર્ચ 2027 સુધીમાં લાગુ થશે નવો નિયમ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/rnD21gAwbPYPyYtIgoB9wnV5pT0IUiScKCB1yQD3.webp'/></item><item><title><![CDATA[BRICS બિઝનેસ ફોરમમાં પીયૂષ ગોયલનું મોટું નિવેદન, ભારતે કરી આ માંગ ]]></title><link>https://sandesh.com/india/news/brics-business-forum-2026-piyush-goyal-india-big-market-demand</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/brics-business-forum-2026-piyush-goyal-india-big-market-demand</guid><pubDate>Fri, 11 Sep 2026 18:08:27 +05:30</pubDate><description><![CDATA[<p><b>BRICS Summit 2026:&nbsp;</b>નવી દિલ્હીમાં BRICS બિઝનેસ ફોરમ 2026ની શરૂઆત થઈ છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે BRICS દેશો મળીને દુનિયાના લગભગ 25 ટકા વૈશ્વિક વેપારનું પ્રતિનિધિત્વ કરે છે. ભારત BRICS દેશોમાં એન્જિનિયરિંગ સામાન, ઇલેક્ટ્રોનિક્સ અને દવાઓ જેવા ઉત્પાદનો માટે મોટા બજારની તક જોઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, BRICSનો અર્થ સંતુલિત વેપાર પણ છે.</p><p><b>વેપાર પ્રક્રિયા સરળ બનાવવાની જરૂર</b></p><p>પીયૂષ ગોયલે BRICS દેશોને વેપાર માટેના નિયમો સરળ બનાવવા અને માલની ઝડપથી કસ્ટમ ક્લિયરન્સ કરવાની જરૂરિયાત જણાવી. તેમણે કહ્યું કે BRICSના સહયોગનો લાભ ખેડૂતો, મહિલા ઉદ્યોગકારો, યુવાનો અને નાના-મધ્યમ ઉદ્યોગો (MSMEs) સુધી પહોંચવો જોઈએ. ભારત BRICSને પોતાના ઉત્પાદનો માટે એક મહત્વપૂર્ણ બજાર તરીકે જોઈ રહ્યું છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2098379072032456952"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b>મોદીના નેતૃત્વનો ઉલ્લેખ</b></p><p>પીયૂષ ગોયલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ભારત એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે કે BRICSનો સહયોગ માત્ર મોટા ઉદ્યોગો સુધી સીમિત ન રહે. તેનો લાભ ખેડૂતો, નાના વેપારીઓ, યુવાનો અને અન્ય લોકો સુધી પણ પહોંચવો જોઈએ, કારણ કે તેઓ અર્થવ્યવસ્થાની મહત્વની કડી છે.</p><p><b>મહિલાઓ અને યુવાનો પર ખાસ ભાર</b></p><p>ભારતે BRICSના આર્થિક એજન્ડામાં મહિલા ઉદ્યોગકારો અને યુવાનોને પણ મહત્વ આપવાની વાત કરી છે. પીયૂષ ગોયલે કહ્યું કે મહિલાઓને વેપાર અને અન્ય ક્ષેત્રોમાં આગળ વધવા માટે વધુ તકો આપવી જરૂરી છે. સાથે જ યુવા ઉદ્યોગકારો અને MSMEs માટે રોજગાર, વેપાર અને વિકાસની નવી તકો ઊભી કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.</p><p><b><a href="https://sandesh.com/world/news/india/india-role-ukraine-russia-war-peace-deal-brics-summit-2026" target="_blank">આ પણ વાંચો: ભારત કરાવી શકે છે રશિયા-યુક્રેન વચ્ચે સમજૂતી, રશિયાથી આવ્યું મોટું નિવેદન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/Nb5aEqrqIQxBUZMO3QjPRecuSl7KGw93Uley3pKt.webp'/></item><item><title><![CDATA[BRICS Summit 2026: પીએમ મોદી અને પુતિને કરી INNOPROM પ્રદર્શનની મુલાકાત, જાણો શુ છે ખાસ? ]]></title><link>https://sandesh.com/india/news/brics-summit-2026-pm-modi-and-putin-visit-innoprom-exhibition-know-what-is-special</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/brics-summit-2026-pm-modi-and-putin-visit-innoprom-exhibition-know-what-is-special</guid><pubDate>Fri, 11 Sep 2026 17:51:39 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ફેબ્રુઆરી 2022માં યુક્રેનિયન યુદ્ધ શરૂ થયા પછી પુતિન રશિયાની બહાર આયોજિત બ્રિક્સ સમિટમાં વ્યક્તિગત રીતે હાજરી આપી રહ્યા છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">સંબંધોને વધુ મજબૂત બનાવવા પ્રયાસ&nbsp;</h2><p style="text-align: justify; ">આજે દિલ્હીના ભારત મંડપમ ખાતે એક ઐતિહાસિક ક્ષણ પ્રગટ થઈ. PM નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એકબીજાને ભેટી પડ્યા. સમારંભ દરમિયાન, PM મોદીએ પુતિનને લગભગ 2,000 વર્ષ પહેલાં લખાયેલા સંત તિરુવલ્લુવર દ્વારા લખાયેલ તમિલ પુસ્તકનો રશિયન અનુવાદ ભેટમાં આપ્યો. પુસ્તક રજૂ કરતી વખતે, PM મોદીએ પુતિનને કહ્યું કે તે લોકોને એકબીજા સાથે જોડવા વિશે, માનવ જીવન વિશેનું પુસ્તક છે અને તે આપણા સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે હતું.&nbsp;</p><h3 style="text-align: justify; ">રશિયન કંપનીઓના સ્ટોલ&nbsp;</h3><p style="text-align: justify; ">પુતિનને કહ્યું કે તેમણે તેનું રશિયનમાં ભાષાંતર કરાવ્યું છે. પુસ્તક પ્રાપ્ત કર્યા પછી પુતિને પીએમ મોદીનો આભાર માન્યો છે. પુસ્તક રજૂ કર્યા પછી, પીએમ મોદી અને પુતિન વચ્ચે એક મહત્વપૂર્ણ મુલાકાત થઇ હતી. લગભગ 45 મિનિટ સુધી, બંને નેતાઓએ વેપાર, પરમાણુ અને સંરક્ષણ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. બેઠક પછી, તેઓએ INNOPROM પ્રદર્શનની મુલાકાત લીધી હતી. જ્યાં અગ્રણી રશિયન કંપનીઓના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા હતા.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2098373508573417943"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2098375597596803473"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; "><span style="font-size: 1.5rem;">ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવની પ્રતિક્રિયા&nbsp;</span></p><p style="text-align: justify; ">ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે મંગળવારે જણાવ્યું હતું કે બંને પક્ષો બ્રહ્મોસ મિસાઇલને અપગ્રેડ કરવાની શક્યતા પર પણ વિચાર કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે રશિયા બાકીની S-400 સિસ્ટમ ભારતને પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે અને સુખોઈ-57 ફાઇટર જેટના પ્રસ્તાવિત પુરવઠા અંગે ચર્ચા ચાલી રહી છે. ડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિન ગયા અઠવાડિયે બિશ્કેકમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટ દરમિયાન મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન, પીએમ મોદીએ યુક્રેન સંઘર્ષનો તાત્કાલિક અંત લાવવા હાકલ કરી હતી અને પુતિનને અનંત યુદ્ધોથી અંત તરફ આગળ વધવા વિનંતી કરી હતી.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/india/news/political-news/pm-modi-putin-meeting-meeting-held-between-pm-modi-and-putin-for-45-minutes-discussion-on-strategic-partnership" target="_blank">પીએમ મોદી અને પુતિન વચ્ચે 45 મિનિટ સુધી યોજાઇ બેઠક, વ્યૂહાત્મક ભાગીદારી પર ચર્ચા</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/PNNBSo6QHDGwCTnCLbDPrKBhck2CnL4kmRO59PPE.webp'/></item><item><title><![CDATA[Box Office : 2 કરોડ પણ ન કમાઈ શકી હૈવાન! મિર્ઝાપુરે પહેલા જ દિવસે બગાડી અક્ષય-સૈફની ફિલ્મની રમત! ]]></title><link>https://sandesh.com/entertainment/news/haiwaan-day-1-box-office-mirzapur-akshay-kumar</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/haiwaan-day-1-box-office-mirzapur-akshay-kumar</guid><pubDate>Fri, 11 Sep 2026 17:47:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની જોડી 18 વર્ષ બાદ હૈવાન સાથે મોટા પડદા પર પાછી આવી છે. આ વખતે બંને ક્રાઇમ થ્રિલર ફિલ્મ લઈને આવ્યા છે, જેમાં અક્ષય કુમારે વિલનની ભૂમિકા ભજવી છે. ફિલ્મ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>હૈવાનનું એડવાન્સ બુકિંગ કેટલું થયું?</b></h2><p style="text-align: justify; ">હૈવાનનું એડવાન્સ બુકિંગ ખાસ રહ્યું નથી. ફિલ્મની રિલીઝ પહેલાં તેની બહુ ચર્ચા જોવા મળી નહોતી, જેની અસર તેની પ્રી-સેલ પર પણ પડી છે. બીજી તરફ ક્રાઇમ થ્રિલર મિર્ઝાપુર ધ મૂવી બોક્સ ઓફિસ પર છવાયેલી છે. તેના કારણે હૈવાનની કમાણી પર પણ અસર પડી છે. ફિલ્મ અપેક્ષા મુજબ પ્રી-સેલ કરી શકી નથી અને પહેલા દિવસે પણ મિર્ઝાપુર ધ મૂવીના કારણે તેની કમાણી ઓછી જોવા મળી રહી છે.</p><ol><li style="text-align: justify;">સેકનિલ્ક મુજબ હૈવાનના 7,368 શો માટે 44,176 ટિકિટનું એડવાન્સ બુકિંગ થયું છે.</li><li style="text-align: justify;">આ સાથે પ્રી-ટિકિટ સેલથી બ્લોક સીટ વગર ફિલ્મે 1.03 કરોડ રૂપિયાની કમાણી કરી છે.</li><li style="text-align: justify;">બ્લોક સીટ સાથે ફિલ્મની કમાણી 2.76 કરોડ રૂપિયા રહી છે.</li></ol><h3 style="text-align: justify; "><b>હૈવાન કેટલા કરોડની ઓપનિંગ કરી શકે?</b></h3><p style="text-align: justify; ">હૈવાનને સિનેમાઘરોમાં સુપરહિટ ફિલ્મો મિર્ઝાપુર ધ મૂવી અને હનુમાન અંશ સાથે ટક્કર લેવી પડશે. બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર છવાયેલી છે અને દરરોજ કરોડોની કમાણી કરી રહી છે. હૈવાન 3થી 4 કરોડ રૂપિયાની ઓપનિંગ કરી શકે છે. જો ફિલ્મને સારો વર્ડ ઓફ માઉથ મળે તો આ આંકડો વધી પણ શકે છે.<br><img alt="Haiwan, Akshay Kumar, Saif Ali Khan (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/11/FFCyASEaRIWUDs8dUCv2NdE8CYHfoFg99kPzXahK.webp"><br></p><h4 style="text-align: justify; "><b>હૈવાન વિશે</b></h4><p style="text-align: justify; ">હૈવાનમાં અક્ષય કુમાર અને સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં છે. આ સાથે બોમન ઈરાની, શ્રિયા પિલગાંવકર અને સૈયામી ખેર પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ 2026માં અક્ષય કુમાર અને પ્રિયદર્શનની જોડીની બીજી ફિલ્મ છે. આ વર્ષે રિલીઝ થયેલી તેમની પહેલી ફિલ્મ ભૂત બંગલા હતી, જે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. આ ક્રાઇમ થ્રિલરમાં સૈફ અલી ખાન અંધ વ્યક્તિની ભૂમિકા ભજવી રહ્યા છે, જ્યારે અક્ષય કુમાર મુખ્ય વિલનની ભૂમિકામાં છે. બંને કલાકારોની એકદમ અલગ ભૂમિકાઓ ફિલ્મને ઈન્ટરેસ્ટિંગ બનાવે છે. આ ફિલ્મ મોહનલાલની મલયાલમ ફિલ્મ ઓપ્પમની રીમેક છે. હૈવાનને KVN પ્રોડક્શન્સ અને થેસ્પિયન ફિલ્મ્સના બેનર હેઠળ વેંકટ કે. નારાયણ અને શૈલજા દેસાઈએ પ્રોડ્યુસ કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/taarak-mehta-old-goli-youtube-24-lakh-views" target="_blank">આ પણ વાંચો-YouTube Debut : 80 કલાકમાં 24 લાખ વ્યૂઝ! YouTube પર એન્ટ્રી કરતાં જ છવાઈ ગયો તારક મહેતાનો જૂનો ગોલી!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/eV33Wr1G2wvDdLPdMfDTpcymXa3YkLD3upaN2UN5.webp'/></item><item><title><![CDATA[Bhavnagarના ઘોઘા જકાતનાકા પાસે કપડાંના વેપારી પાસે ખંડણી માંગી તોડફોડ કરનાર 2 શખ્સોની ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/bhavnagar-ghogha-jakatnaka-extortion-shop-vandalism-arrests</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/bhavnagar-ghogha-jakatnaka-extortion-shop-vandalism-arrests</guid><pubDate>Fri, 11 Sep 2026 17:08:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભાવનગર શહેરમાં અસામાજિક તત્વો અને ગુંડાઓ બેફામ બન્યા હોય તેમ વેપારીઓ પાસે ખંડણી માગવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. શહેરના ઘોઘા જકાતનાકા પાસે આવેલી 'જય ભોલે એન્ટરપ્રાઇઝ' નામની રેડીમેઇડ કપડાંની દુકાને પહોંચી અસામાજિક તત્વોએ વેપારી પાસે દુકાન ચલાવવા બદલ મિહિનાના રૂ.5,000ની ખંડણીની માંગણી કરી હતી. વેપારીએ શરૂઆતમાં રકમ આપવાની ના પાડતાં આ તત્વોએ દાદાગીરી કરીને બળજબરીપૂર્વક રૂ.2,000 પડાવી લીધા હતા, જે બાબતનો વિગતવાર ઉલ્લેખ પાછળથી પોલીસ ફરિયાદમાં પણ કરવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>નાણાં ન મળતા દુકાનમાં તોડફોડ અને પથ્થરમારો</b></h2><p style="text-align: justify; ">પ્રાથમિક ઘટના બાદ ગોપાલ ચાવડા અને માધવ બારડ નામના બંને ઈસમો ફરીથી વેપારીની દુકાને ધસી આવ્યા હતા અને જો અહીં વેપાર કરવો હોય તો પૂરા રૂ.5,000 આપવા જ પડશે તેવી ખુલ્લેઆમ ધમકી આપી હતી. વેપારીએ રોકડ રકમ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દેતાં આવેશમાં આવેલા બંને શખ્સોએ દુકાનની અંદર તોડફોડ મચાવી હતી. એટલું જ નહીં, પુરાવા નાશ કરવાના ઈરાદે કે પોતાની દાદાગીરી છુપાવવા માટે દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા પર પથ્થરમારો કરીને આશરે રૂ.35,000નું ભારે આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું.</p><h3 style="text-align: justify; "><b>પોલીસે બંને માથાભારે ઈસમોને દબોચી લીધા&nbsp;</b></h3><p style="text-align: justify; ">ભાવનગરમાં દિવસદહાડે બનેલી આ ઘટનાથી સ્થાનિક વેપારી આલમમાં રોષ અને ભયનો માહોલ વ્યાપી ગયો હતો. ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતાં જ ભાવનગર પોલીસે તુરંત હરકતમાં આવીને ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે વિસ્તારમાં ચક્રો ગતિમાન કરીને વેપારીને ધમકાવનાર અને તોડફોડ કરનાર ગોપાલ ચાવડા તથા માધવ બારડ બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમની સામે કાયદેસરના કડક પગલાં ભરવાની તજવીજ હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/vEFqYEYRa4peNjn3oCIsEe3QA21utzfYTG0bBFBm.webp'/></item><item><title><![CDATA[Delhi High Court : વિનેશ ફોગાટને મોટો ઝટકો, વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલમાંથી બહાર ]]></title><link>https://sandesh.com/sports/news/vinesh-phogat-world-championship-trials-delhi-high-court</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/vinesh-phogat-world-championship-trials-delhi-high-court</guid><pubDate>Fri, 11 Sep 2026 09:21:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને આંતરરાષ્ટ્રીય કુસ્તીમાં વાપસીના પ્રયાસ વચ્ચે મોટો ઝટકો લાગ્યો છે.દિલ્હી હાઈકોર્ટે 2026 સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપની પસંદગી માટે યોજાનારી ટ્રાયલમાં વિનેશને ભાગ લેવાની વચગાળાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે.આ નિર્ણય બાદ વિનેશ માટે 14 સપ્ટેમ્બરે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં યોજાનારી પસંદગી ટ્રાયલમાં ઉતરવાનો રસ્તો બંધ થઈ ગયો છે.જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ ગુરુવારે મોડી રાત્રે વિનેશ ફોગાટની વચગાળાની રાહતની માગ કરતી અરજી ફગાવી દીધી હતી.</p><h4 style="text-align: justify; "><b>દિલ્હી હાઈકોર્ટે શું કહ્યું</b></h4><p style="text-align: justify; ">અદાલતે કહ્યું કે ભારતીય કુસ્તી મહાસંઘ દ્વારા નક્કી કરવામાં આવેલી પાત્રતાની શરતો કોઈ એક ખેલાડી માટે અલગ રીતે લાગુ કરી શકાય નહીં.અદાલતે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું કે 7 સપ્ટેમ્બર 2026ના પરિપત્રમાં નક્કી કરાયેલા માપદંડ તમામ ખેલાડીઓ માટે સમાન છે.જો કોઈ કુસ્તીબાજે નક્કી કરાયેલી સ્પર્ધામાં ભાગ લીધો નથી,તો તે વર્તમાન નિયમો હેઠળ ટ્રાયલ માટે પાત્ર ગણાતો નથી.</p><h5 style="text-align: justify; "><b>વિનેશ ફોગાટે અદાલતનો દરવાજો કેમ ખખડાવ્યો?</b></h5><p style="text-align: justify; ">વિનેશ ફોગાટે ભારતીય કુસ્તી મહાસંઘના નવા પસંદગી નિયમોને પડકાર્યા હતા.7 સપ્ટેમ્બરે જાહેર કરાયેલા પરિપત્રમાં 2026 સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ માટેના ટ્રાયલમાં ભાગ લેવા માટે છ ઓલિમ્પિક વજન વર્ગો માટે પાત્રતાના નિયમો નક્કી કરવામાં આવ્યા છે.આ નિયમો હેઠળ કેટલીક નિર્ધારિત સ્પર્ધાઓના ચંદ્રક વિજેતા, રાષ્ટ્રીય તાલીમ શિબિરમાં સામેલ કુસ્તીબાજો અને 2026 અંડર-20 વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પસંદ થયેલા ખેલાડીઓ પાત્ર બને છે.વિનેશનું કહેવું હતું કે માતૃત્વના કારણે તે કેટલીક મહત્વની પસંદગી સ્પર્ધાઓમાં ભાગ લઈ શકી નહોતી.તેથી હાલના નિયમો તેમના માટે વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ સુધી પહોંચવાનો માર્ગ બંધ કરે છે.વિનેશે સીધી રીતે વર્લ્ડ ચેમ્પિયનશિપની ટીમમાં પસંદગીની માગ કરી નહોતી. તેમની માગ માત્ર એટલી હતી કે તેમને ટ્રાયલમાં ભાગ લેવાની તક આપવામાં આવે અને ત્યારબાદ તેમના પ્રદર્શનના આધારે ટીમમાં પસંદગી કરવામાં આવે.</p><h4 style="text-align: justify; "><b>એશિયન ગેમ્સના ટ્રાયલનો પણ આપ્યો હતો હવાલો</b></h4><p style="text-align: justify; ">વિનેશે પોતાની દલીલમાં 30 મેના એશિયન ગેમ્સના પસંદગી ટ્રાયલનો પણ ઉલ્લેખ કર્યો હતો.તેમણે 53 કિલોગ્રામ વજન વર્ગમાં ભાગ લીધો હતો અને ક્વાર્ટર ફાઇનલ જીતીને સેમિફાઇનલ સુધી પહોંચ્યા હતા.વિનેશે અદાલતને જણાવ્યું હતું કે માતા બન્યા બાદ તેમણે ફરી તાલીમ શરૂ કરી છે અને સ્પર્ધાત્મક કુસ્તીમાં વાપસી માટે પ્રયાસ કરી રહ્યા છે. તેઓ જુલાઈ 2025માં માતા બન્યા હતા.</p><h4 style="text-align: justify; "><b>માતૃત્વ નીતિ અંગે મોટી લડાઈ હજુ ચાલુ</b></h4><p style="text-align: justify; ">દિલ્હી હાઈકોર્ટે હાલ વિનેશની અરજીમાં ઉઠાવવામાં આવેલા મોટા કાયદાકીય પ્રશ્નો અંગે અંતિમ નિર્ણય આપ્યો નથી.અદાલતે એ પણ નોંધ્યું કે ગર્ભાવસ્થા, બાળકના જન્મ અને ત્યારબાદની શારીરિક પુનઃપ્રાપ્તિ જેવી પરિસ્થિતિઓને મહિલા ખેલાડીઓ માટેની પસંદગી નીતિની કાયદેસરતા અંગે વિચાર કરતી વખતે ધ્યાનમાં લેવાની જરૂર પડી શકે છે.જોકે, આ કારણોસર વિનેશને તાત્કાલિક વચગાળાની છૂટ આપી શકાય નહીં. અદાલતની એક મહત્વની ચિંતા એ પણ હતી કે માત્ર વિનેશને નિયમોમાં છૂટ આપવામાં આવે તો આવી જ સ્થિતિમાં રહેલા અન્ય ખેલાડીઓ સાથે સમાનતાનો પ્રશ્ન ઊભો થઈ શકે છે.વિનેશની કાનૂની લડાઈ માત્ર વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ પૂરતી મર્યાદિત નથી. તેઓ માતૃત્વ બાદ મહિલા ખેલાડીઓ માટે પારદર્શક અને વ્યવસ્થિત પસંદગી વ્યવસ્થા બનાવવાની માગ પણ કરી રહ્યા છે.</p><p style="text-align: justify; "><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/NalinisKitchen/status/2098245458540027916?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>WFIની શિસ્તભંગની કાર્યવાહી પણ પડકારાઈ</b></h4><p style="text-align: justify; ">વિનેશે ભારતીય કુસ્તી મહાસંઘ દ્વારા શરૂ કરવામાં આવેલી શિસ્તભંગની કાર્યવાહી સામે પણ અદાલતનો સંપર્ક કર્યો છે. તેમણે મે અને જૂનમાં આપવામાં આવેલી 2 કારણદર્શક નોટિસ રદ કરવાની માગ કરી છે.બીજી તરફ,કુસ્તી મહાસંઘનું કહેવું છે કે વિનેશને શિસ્ત સમિતિ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક આપવામાં આવી હતી.</p><h5 style="text-align: justify; "><b>ક્યારે યોજાશે વર્લ્ડ ચેમ્પિયનશિપ?</b></h5><p style="text-align: justify; ">2026 સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં 24 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન યોજાવાની છે. દિલ્હી હાઈકોર્ટના હાલના નિર્ણય બાદ વિનેશ ફોગાટ 14 સપ્ટેમ્બરે યોજાનારી ભારતીય પસંદગી ટ્રાયલમાં ભાગ લઈ શકશે નહીં.જોકે, માતૃત્વ બાદ મહિલા ખેલાડીઓને રમતગમતમાં વાપસી માટે કઈ રીતે તક મળવી જોઈએ અને પસંદગી પ્રક્રિયામાં તેમના માટે કેવી વ્યવસ્થા હોવી જોઈએ, તે અંગે વિનેશની મોટી કાનૂની લડાઈ હજુ ચાલુ છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો <a href="https://sandesh.com/cricket/news/shree-charani-breaks-radha-yadav-record-50-t20i-wickets" target="_blank">- Shree Charaniએ નોંધાવી ઐતિહાસિક સિદ્ધિ, રાધા યાદવનો મોટો રેકોર્ડ તોડી રચ્યો ઇતિહાસ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/kFL2T3ixL0obDmcYy4934aTdupVad2PjvKVjk8Ms.webp'/></item></channel></rss>