<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ankleshwar: વિવિધ સ્કૂલમાં ચૂંટણી અને શપથ ગ્રહણ સમારંભ યોજાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ankleshwar/ankleshwar-election-and-oath-taking-ceremonies-held-in-various-schools</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ankleshwar/ankleshwar-election-and-oath-taking-ceremonies-held-in-various-schools</guid><pubDate>Fri, 28 Aug 2026 03:06:38 +05:30</pubDate><description><![CDATA[<p>અંકલેશ્વર : હ્યુમન એડ ટ્રસ્ટ ફાઉન્ડેશન સંચાલીત અંકલેશ્વર પબ્લિક સ્કુલ અને અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલીત સ્વામી વિવેકાનંદ સ્કુલમાં હેડ બોય, હેડ ગર્લ ,આસિસ્ટન્ટ હેડ બોય, આસિસ્ટન્ટ હેડ ગર્લ, કેપ્ટન બોય, કેપ્ટન ગર્લ ,વાઇસ કેપ્ટન બોય ,વાઇસ કેપ્ટન ગર્લ, તથા શાળામાં ચાર જુદા જુદા હાઉસની રચના કરવામાં આવી હતી, વિદ્યાર્થીઓમાં નેતૃત્વ કરવાની અને સમાજ માં તેમની જવાબદારીઓ સમજી પોતાનો સાથે પરીવારનો અને સમાજના વિકાસમાં યોગદાન આપે એ જરુરી થઇ ગયું છે. એ હેતુસર શાળામાં ચૂંટણી યોજવામાં આવી હતી. અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે હાયર સેકન્ડરી અને સેકન્ડરીના આચાર્ય કવીતા કાલગુડે અને પ્રી પ્રાયમરી અને પ્રાયમરી ના આચાર્ય શ્રદ્ધા પટેલ તથા અન્ય ટ્રસ્ટીગણ,સ્કુલ ના શિક્ષકોની ઉપસ્થીતીમાં કાર્યકમ સંમપન્ન થયો હતો.આભારવીધી શિક્ષીકા મુઝકીરા રાયલી એ કરી હતી. જ્યારે સ્વામી વિવેકાનંદ ના આચાર્ય મીનાક્ષી ભારદ્વાજ તથા શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા સફ્ળતાપૂર્વક કાયઁકમ સંપન્નકરાયો હતો.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/28/f4mIT6KnsBAKu6Eke91jvvqLTmgOBdPof5FOyKKv.webp'/></item><item><title><![CDATA[Bharuch: દિવ્યાંગ બાળકો સાથે મહિલા પોલીસ અને શી ટીમે રક્ષાબંધનની ઉજવણી કરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bharuch/bharuch-women-police-and-shi-team-celebrated-raksha-bandhan-with-disabled-children</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bharuch/bharuch-women-police-and-shi-team-celebrated-raksha-bandhan-with-disabled-children</guid><pubDate>Fri, 28 Aug 2026 03:05:55 +05:30</pubDate><description><![CDATA[<p>ભરૂચ : ભરૂચ મહિલા પોલીસ સ્ટેશન તથા મહિલા પોલીસ સ્ટેશન હેઠળ કાર્યરત ભરૂચ અને અંકલેશ્વરની શી ટીમ દ્વારા અસ્મિતા વિકાસ કેન્દ્રના મનો દિવ્યાંગ બાળકો સાથે રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે પોલીસ બહેનોએ બાળકોને રાખડી બાંધી રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી કરી હતી. પોલીસ અને બાળકો વચ્ચેનો આ સ્નેહસભર પ્રસંગ લાગણીસભર બની રહ્યો હતો. બાળકો સાથે સમય વિતાવી તેમની સાથે આત્મીય સંવાદ કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન ભરૂચ મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વૈશાલીબેન આહીર દ્વારા કરવામાં આવ્યુ હતુ. તેમના માર્ગદર્શન અને પહેલથી પોલીસ તથા વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો વચ્ચે સ્નેહ, સુરક્ષા અને માનવતાનો સુંદર સંદેશ પ્રસરી રહ્યો હતો. મહિલા પોલીસ સ્ટેશન અને શી ટીમના આ માનવતાસભર અભિગમને અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા હ્ય્દયપુર્વક બિરદાવવામાં આવ્યો હતો. રક્ષાબંધનના આ પ્રસંગે પોલીસ અને બાળકો વચ્ચેનો પ્રેમ અને લાગણીનો સંબંધ વધુ ગાઢ બન્યો હતો.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/28/gFBvgsRneBC8NCsuKfjXRjup7478mfGgXKvgZvAj.webp'/></item><item><title><![CDATA[Delhi-Meerut એક્સપ્રેસ વે પર ભયંકર ટ્રાફિકજામ, વાહનોની લાગી લાંબી લાઈનો ]]></title><link>https://sandesh.com/india/news/delhi-meerut-expressway-heavy-traffic-jam-raksha-bandhan</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/delhi-meerut-expressway-heavy-traffic-jam-raksha-bandhan</guid><pubDate>Thu, 27 Aug 2026 23:39:36 +05:30</pubDate><description><![CDATA[<p>રક્ષાબંધનના તહેવારને કારણે ગુરુવારે સાંજે દિલ્હી-NCRના રસ્તાઓ પર અચાનક વાહનોનું ભારણ વધી ગયું હતું. ગાઝિયાબાદથી લઈને નોઇડા અને ગ્રેટર નોઈડા સુધીના અનેક મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે પર વાહનોની ગતિ ધીમી પડી હતી અને અનેક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.</p><p>તહેવારની રજા હોવાથી મોટી સંખ્યામાં લોકો પરિવાર અને સંબંધીઓના ઘરે જવા માટે નીકળ્યા હતા. ઉપરાંત રક્ષાબંધનની ખરીદી માટે બજારોમાં પણ ભીડ વધતા રસ્તાઓ પર વાહનોનો દબાણ વધી ગયો હતો.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/Gzbtrafficpol/status/2093013947486232781"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>સાંજે 4 વાગ્યાથી ટ્રાફિક જામ</b></h2><p>સાંજે લગભગ 4 વાગ્યાથી દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે પર વાહનોનું દબાણ વધવાનું શરૂ થયું હતું. ત્યારબાદ ધીમે ધીમે ટ્રાફિકની ગતિ ઘટતી ગઈ. આઠ લેનના એક્સપ્રેસવે પર પણ વાહનોની લાંબી કતારો લાગી હતી. લાલકુઆથી ડાસના વચ્ચે અનેક સ્થળોએ વાહનો ધીમી ગતિએ આગળ વધતા જોવા મળ્યા હતા. જામની અસર એક્સપ્રેસવે સાથે જોડાયેલા અન્ય રસ્તાઓ પર પણ જોવા મળી હતી. ગાઝિયાબાદથી નોઇડા તરફ જતા ટ્રાફિકના વધેલા દબાણને કારણે ગ્રેટર નોઈડા વેસ્ટના ચાર મૂર્તિ, એક મૂર્તિ, ક્રોસિંગ રિપબ્લિક અને શાહબેરી સહિતના વિસ્તારોમાં વાહનવ્યવહાર ધીમો રહ્યો હતો.</p><h3><b>ટ્રાફિક પોલીસે સંભાળી સ્થિતિ</b></h3><p>તિલપતા માર્ગ, દાદરી અને GT રોડ (NH-91) પર પણ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. અનેક સ્થળોએ ટ્રાફિક પોલીસની ટીમો તૈનાત કરવામાં આવી હતી. વાહનોનું દબાણ ઘટાડવા માટે કેટલાક માર્ગો પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. લાંબા સમય સુધી જામમાં ફસાયેલા વાહનચાલકો અને મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને પરેશાની થઈ હતી. પોલીસે લોકોને તહેવારો દરમિયાન ઘરેથી નીકળતા પહેલાં ટ્રાફિકની સ્થિતિ તપાસવા અને શક્ય હોય ત્યાં વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી.</p><p><b><a href="https://sandesh.com/india/news/bihar-bpsc-tre-4-teacher-recruitment-exam-single-phase" target="_blank">આ પણ વાંચો : BPSC TRE-4 હવે એક જ તબક્કામાં લેવાશે, બિહાર સરકારે વિદ્યાર્થીઓની માગ સ્વીકારી</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/6sfUmVVAVOHgKvM2pEjnIaCMGNlAsoG8GzRt49ZJ.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: કૃષ્ણનગરમાં પેરોલ પર છૂટેલા આરોપીએ સાગરીત સાથે મળી યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરી, દિલિપ ઉર્ફે બકરો સોનકરનું મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/krishnanagar-murder-case-dilip-sonkar-killed-parole-accused</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/krishnanagar-murder-case-dilip-sonkar-killed-parole-accused</guid><pubDate>Thu, 27 Aug 2026 23:22:55 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની હદમાં હત્યાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી ઠક્કરનગર વિરાટનગર રોડ પર વસંતનગરના છાપરા નજીક અંગત અદાવતમાં એક યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી દેવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.</p><h2><b>દિલિપ ઉર્ફે બકરો સોનકર પર છરી વડે તાબડતોબ હુમલો</b></h2><p>મળતી માહિતી મુજબ, મૃતક યુવકની ઓળખ દિલિપ ઉર્ફે બકરો સોનકર તરીકે થઈ છે. આરોપીઓએ જૂની અદાવત કે ત્વરિત ઉશ્કેરાટમાં દિલિપ પર તીક્ષ્ણ છરી વડે હુમલો કર્યો હતો. છરીના આડેધડ ઘા વાગવાના કારણે દિલિપ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો અને ઘટનાસ્થળે જ તેનું પ્રાણપંખેરૂં ઊડી ગયું હતું. બનાવને પગલે આસપાસના વિસ્તારમાં લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા.</p><h2><b>પેરોલ પર બહાર આવેલા ભરત ચુનારા અને રોહિત ચુનારાએ આચર્યો ગુનો</b></h2><p>આ ચકચારી હત્યા કેસમાં પ્રાથમિક તપાસ દરમિયાન બે હુમલાખોરોના નામ ખુલીને સામે આવ્યા છે. ભરત ચુનારા અને રોહિત ચુનારા નામના બે શખ્સોએ ભેગા મળીને દિલિપ સોનકરની હત્યા નીપજાવી હોવાનું બહાર આવ્યું છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે મુખ્ય આરોપી ભરત ચુનારા અગાઉના કોઈ ગુનામાં જેલમાં બંધ હતો અને હાલમાં જ પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો હતો, જે દરમિયાન તેણે આ ગંભીર ગુનાને અંજામ આપ્યો છે.</p><h2><b>કૃષ્ણનગર પોલીસ ઘટના સ્થળે, આરોપીઓને પકડવા તજવીજ તેજ</b></h2><p>ઘટના અંગે જાણ થતાં જ કૃષ્ણનગર પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડીને કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. પેરોલ પર બહાર આવીને હત્યા કરનાર ભરત ચુનારા અને તેના સાગરીત રોહિત ચુનારાને ઝડપી પાડવા માટે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ટીમ બનાવીને આરોપીઓની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/india/news/gujarat/28-august-top-news-national-international-updates-gujarati" target="_blank">28 August Top News: રક્ષાબંધનના પર્વ સાથે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ, જાણો દેશ-દુનિયાની મોટી ઘટનાઓ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/6ilCT3AwMpXgvKYFh2EuSBOmqpx4q9huAwGgxeTt.webp'/></item><item><title><![CDATA[CBIની મોટી કાર્યવાહી, BSNLના ચીફ અને સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર રૂ. 1.50 લાખની લાંચ લેતા ઝડપાયા, ભોપાલ સહિત 3 શહેરોમાં સર્ચ ઓપરેશન ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/cbi-arrests-two-bsnl-engineers-in-bribe-case-bhopal-lucknow-kanpur-searches</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/cbi-arrests-two-bsnl-engineers-in-bribe-case-bhopal-lucknow-kanpur-searches</guid><pubDate>Thu, 27 Aug 2026 23:19:12 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશને ભ્રષ્ટાચાર સામે લાલ આંખ કરીને મોટી સફળતા મેળવી છે. સીબીઆઈની ટીમે ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) ના બે સિનિયર એન્જિનિયરોને લાંચ લેવાના કેસમાં રંગેહાથ ઝડપી પાડ્યા છે. ભોપાલ ખાતે ફરજ બજાવતા ચીફ એન્જિનિયર અને સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેમની ધરપકડ કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>પેન્ડિંગ બિલ પાસ કરવા માગી હતી રૂ. 4 લાખની લાંચ</b></h2><p style="text-align: justify;">મળતી વિગતો અનુસાર, જબલપુરની એક ખાનગી એજન્સી/ફર્મના કુલ 14 જેટલા કામોના બિલ BSNL કચેરી ખાતે પેન્ડિંગ પડ્યા હતા. આ પેન્ડિંગ બિલો મંજૂર કરવા અને નાણાં ચૂકવવાના બદલામાં BSNL ના બંને ભ્રષ્ટ અધિકારીઓએ પ્રતિ વ્યક્તિ રૂ. 2 લાખ લેખે કુલ રૂ. 4 લાખની લાંચની માંગણી કરી હતી. આ અંગે ફર્મના સંચાલકે CBI સમક્ષ સત્તાવાર કમ્પ્લેઈન નોંધાવી હતી.</p><h2 style="text-align: justify; "><b>રૂ. 75-75 હજારની લાંચ સ્વીકારતા જ CBI ની ટ્રેપ સફળ</b></h2><p style="text-align: justify;">ફરિયાદના આધારે CBI એ છટકું ગોઠવ્યું હતું. ભોપાલ ખાતે જ્યારે બંને અધિકારીઓ ફરિયાદી પાસેથી પ્રથમ હપ્તા પેટે રૂ. 75,000 - 75,000 (કુલ રૂ. 1.50 લાખ) ની રોકડ લાંચ સ્વીકારી રહ્યા હતા, ત્યારે જ CBI ની ટીમે ત્રાટકીને બંનેને રંગેહાથ ઝડપી લીધા હતા.</p><h2 style="text-align: justify; "><b>ભોપાલ, લખનૌ અને કાનપુરમાં CBI નું સર્ચ ઓપરેશન</b></h2><p style="text-align: justify;">બંને અધિકારીઓની ધરપકડ બાદ CBI એ આક્રમક તપાસ હાથ ધરી છે. આરોપી અધિકારીઓના ભોપાલ, લખનૌ અને કાનપુર ખાતે આવેલા નિવાસસ્થાનો અને ઓફિસો પર એકસાથે દરોડા પાડીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ સર્ચ દરમિયાન બેનામી સંપત્તિ, મહત્વના દસ્તાવેજો અને અન્ય ગેરકાયદેસર વ્યવહારો મળી આવવાની શક્યતા સેવાઈ રહી છે. CBI આ કેસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/india/news/gujarat/28-august-top-news-national-international-updates-gujarati" target="_blank">28 August Top News: રક્ષાબંધનના પર્વ સાથે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ, જાણો દેશ-દુનિયાની મોટી ઘટનાઓ</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/Prubb4ubW0fkkXy3I0VwoCbT7Ks19qYVBROTyEVb.webp'/></item><item><title><![CDATA[BPSC TRE-4 હવે એક જ તબક્કામાં લેવાશે, બિહાર સરકારે વિદ્યાર્થીઓની માગ સ્વીકારી ]]></title><link>https://sandesh.com/india/news/bihar-bpsc-tre-4-teacher-recruitment-exam-single-phase</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/bihar-bpsc-tre-4-teacher-recruitment-exam-single-phase</guid><pubDate>Thu, 27 Aug 2026 22:32:32 +05:30</pubDate><description><![CDATA[<p>બિહાર સરકારે શિક્ષક ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારોની મહત્વપૂર્ણ માગ સ્વીકારી છે. BPSC શિક્ષક ભરતી પરીક્ષા TRE-4 હવે પ્રારંભિક અને મુખ્ય પરીક્ષાના અલગ-અલગ તબક્કાને બદલે એક જ તબક્કામાં યોજાશે. મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ આ નિર્ણયની જાહેરાત કરી છે. સરકારના આ નિર્ણયથી PT અને મેઈન્સની અલગ પરીક્ષા પદ્ધતિનો વિરોધ કરી રહેલા ઉમેદવારોને મોટી રાહત મળી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/samrat4bjp/status/2092965285716533565"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>સરકાર વિદ્યાર્થીઓની માગણીઓ અંગે ગંભીર&nbsp;</b></h2><p>મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ જણાવ્યું કે સરકાર શરૂઆતથી જ વિદ્યાર્થીઓની માગણીઓ અંગે ગંભીર રહી છે. ઉમેદવારોની માગને ધ્યાનમાં રાખીને આ વર્ષે TRE-4 પરીક્ષા એક જ તબક્કામાં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત પરીક્ષા અને ભરતી પ્રક્રિયામાં સુધારા માટે અન્ય મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. સરકારે વિવિધ પરીક્ષાઓમાં સુધારા માટે સૂચનો આપવા પરીક્ષા સુધારણા અંગે વિશેષ નિષ્ણાત સમિતિની રચના કરી છે. પટણા હાઈકોર્ટના જજની અધ્યક્ષતાવાળી આ સમિતિ વિદ્યાર્થીઓની પરીક્ષાઓ સંબંધિત ફરિયાદો પણ સાંભળશે.</p><h3><b>આગામી તબક્કો નિષ્ણાત સમિતિનો રિપોર્ટ આવ્યા બાદ શરૂ થશે</b></h3><p>વિદ્યાર્થીઓની સમસ્યાઓના ઝડપી ઉકેલ માટે 'વિદ્યાર્થી સહાય પોર્ટલ' અને 'વિદ્યાર્થી સહાય કેમ્પ' શરૂ કરવામાં આવ્યા છે. સરકારનો દાવો છે કે આ માધ્યમથી વિદ્યાર્થીઓની ફરિયાદોનો ઉકેલ 30 દિવસની અંદર લાવવામાં આવશે. સરકારના જણાવ્યા અનુસાર, 1,799 જગ્યાઓની સબ-ઈન્સ્પેક્ટર ભરતી પરીક્ષાનો આગામી તબક્કો નિષ્ણાત સમિતિનો રિપોર્ટ આવ્યા બાદ શરૂ થશે. BSSC ટૂંક સમયમાં પરીક્ષા કેલેન્ડર જાહેર કરશે.</p><p>આ ઉપરાંત ખાલી જગ્યાઓ સામે લાઈબ્રેરિયન ભરતી શરૂ કરવા, કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે અલગ કોટાની શક્યતા તપાસવા, મહત્તમ ડોમિસાઇલ નીતિ, ભરતીમાં મહત્તમ વયમર્યાદા અંગે વિચારણા અને ભરતી કેલેન્ડરનું કડક પાલન જેવા નિર્ણયો પણ લેવાયા છે.  ભરતી પરીક્ષામાં પ્રશ્નપત્ર, OMR શીટ અને ઉત્તરવહીઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે પણ સમિતિ સમક્ષ પ્રસ્તાવ મૂકવામાં આવશે. સાથે જ કથિત પેપર લીકના કેસોની EOU દ્વારા નિયમ મુજબ તપાસ કરવામાં આવી રહી છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/pm-modi-uzbekistan-kyrgyzstan-visit-august-29-sco-summit" target="_blank">આ પણ વાંચો : PM મોદી 29 ઓગસ્ટથી ઉઝબેકિસ્તાન-કિર્ગિઝસ્તાનની ચાર દિવસની મુલાકાતે જશે</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/9SvpD4t0hotiGI66iWTaWJzelRZZ9ami3753P7i3.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : IIM ખાતે યુવતીની છેડતી કરનાર ફૂડ ડિલિવરી બોયની વસ્ત્રાપુર પોલીસે કરી ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-news-vastrapur-police-arrest-food-delivery-boy-who-molested-girl-at-iim</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-news-vastrapur-police-arrest-food-delivery-boy-who-molested-girl-at-iim</guid><pubDate>Thu, 27 Aug 2026 20:58:39 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદની પ્રતિષ્ઠિત આઈઆઈએમ (IIM) સંસ્થાના પરિસરમાં યુવતીની છેડતીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઓનલાઈન ઓર્ડર કરાયેલું ફૂડ ડિલિવરી આપવા માટે આવેલ એક યુવકે ગ્રાહક યુવતી સાથે અસભ્ય વર્તન કર્યું હતું. ફૂડ પાર્સલ આપતી વખતે યુવકની દાનત બગડી હતી અને તેણે યુવતીની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો, જેનાથી કેમ્પસ અને આસપાસના વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>યુવતી સામે બિભસ્ત શબ્દો ઉચ્ચારીને અસભ્ય વર્તન કર્યું</b></h2><p style="text-align: justify; ">ફૂડ ડિલિવરી કરવા આવેલા યુવકે ન કેવળ છેડતી કરી પરંતુ યુવતી સામે અત્યંત બિભસ્ત અને અશોભનીય શબ્દો બોલીને તેનું માનભંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. અચાનક બનેલી આ ઘટનાથી યુવતી સ્તબ્ધ થઈ ગઈ હતી. આરોપી યુવકનું આ પ્રકારનું હીન કૃત્ય સામે આવતાં જ ભોગ બનનાર યુવતીએ હિંમત દાખવીને તાત્કાલિક સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી આરોપી ડિલિવરી બોયની કરી ધરપકડ</b></h2><p style="text-align: justify; ">ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વસ્ત્રાપુર પોલીસે તાત્કાલિક ધોરણે કાયદેસરનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે ગુનામાં સંમેલિત ફૂડ ડિલિવરી બોયની ઓળખ કરી તેની ટૂંક સમયમાં જ ધરપકડ કરી લીધી છે. વસ્ત્રાપુર પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ આગળની કાયદાકીય તપાસ હાથ ધરવામાં આવી છે અને મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખીને ઘટના અંગે વધુ પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો :&nbsp; <a href="https://sandesh.com/india/news/crime/india-news-ncb-takes-strict-action-against-punjabs-absconding-drug-supplier-freezes-property-worth-rs-280-crore" target="_blank">India News : પંજાબના ફરાર ડ્રગ્સ સપ્લાયર સામે NCBની આકરી કાર્યવાહી, 2.80 કરોડની મિલકત કરી ફ્રીઝ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/M4a5fUSwcjlsMCrNVCPQDfKYKQ0AY4rjG4eUWyQh.webp'/></item><item><title><![CDATA[EPFOએ 800 કંપનીઓને આપી ચેતવણી, કહ્યું '31 ઓક્ટોબર સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવાની આપી સલાહ' ]]></title><link>https://sandesh.com/business/news/epfo-warning-800-noida-companies-pf-enrolment-october-31</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/epfo-warning-800-noida-companies-pf-enrolment-october-31</guid><pubDate>Thu, 27 Aug 2026 19:20:28 +05:30</pubDate><description><![CDATA[<p>કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાં આશરે 800 કંપનીઓની ઓળખ કરી છે, જ્યાં કામ કરતા કર્મચારીઓની PF હેઠળ હજુ સુધી રજિસ્ટ્રેશન કર્યું નથી. EPFOએ આ કંપનીઓને નોટિસ પાઠવીને કર્મચારીઓનું PF રજિસ્ટ્રેશન 31 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવા સૂચના આપી છે.</p><h2><b>સંગઠને કર્મચારીઓને કરી આ અપીલ&nbsp;</b></h2><p>EPFOના જણાવ્યા મુજબ, આ યાદીમાં રેસ્ટોરન્ટ, શ્રમ સપ્લાય એજન્સીઓ, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર્સ, ટ્રાન્સપોર્ટ કંપનીઓ સહિત અન્ય સંસ્થાઓનો સમાવેશ થાય છે. સંગઠને કર્મચારીઓને પણ પોતાના PF કવરેજ અને નોંધણીની સ્થિતિ તપાસવા અપીલ કરી છે. EPFOએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે નિર્ધારિત સમયમર્યાદામાં નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો સંબંધિત કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે. સંગઠનનું કહેવું છે કે કર્મચારીઓને PF વ્યવસ્થામાં સામેલ કરવાની જવાબદારી મુખ્યત્વે નોકરીદાતાની છે.</p><h3><b>EPFO ચલાવી રહ્યું છે જાગૃતિ અભિયાન</b></h3><p>પ્રાદેશિક ભવિષ્ય નિધિ કમિશનરે જણાવ્યું કે EPFO કંપનીઓ અને કર્મચારીઓને PFના નિયમો તથા તેમના અધિકારો અંગે માહિતી આપવા માટે વિશેષ અભિયાન ચલાવી રહ્યું છે. પ્રથમ તબક્કામાં કંપનીઓને નિયમોની જાણકારી આપી પાલન સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.</p><h4><b>ડેડલાઈન બાદ થશે તપાસ</b></h4><p>31 ઓક્ટોબર બાદ EPFO દ્વારા ઓળખાયેલી કંપનીઓએ નિયમોનું પાલન કર્યું છે કે નહીં તેની સમીક્ષા કરવામાં આવશે. જો કંપનીઓ દ્વારા PF નોંધણી પૂર્ણ નહીં કરવામાં આવે તો કાર્યવાહી શરૂ થઈ શકે છે. PF વ્યવસ્થા કર્મચારીઓને ભવિષ્યની નાણાકીય સુરક્ષા ઉપરાંત પેન્શન, વીમા અને અન્ય સામાજિક સુરક્ષા લાભ મેળવવામાં મદદ કરે છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/madhya-pradesh-jabalpur-defence-manufacturing-hub-new-project" target="_blank">આ પણ વાંચો : Madhya Pradesh : જબલપુરને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની મોટી તૈયારી, સંરક્ષણ ક્ષેત્રના નવા પ્રોજેક્ટનો કરાયો શુભારંભ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/LhLAKeLDp0HW4Bmhd6bb4CX7vjqJaSNApNWAuRP0.webp'/></item><item><title><![CDATA[Manoj Bajpayeeની 'Last Man In Tower'નું ટીઝર આઉટ, લોકોએ કહ્યું 'આને ભૂલથી ય થિયેટરમાં ન લાવતા!' ]]></title><link>https://sandesh.com/entertainment/news/manoj-bajpayee-last-man-in-tower-teaser-ott-release</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/manoj-bajpayee-last-man-in-tower-teaser-ott-release</guid><pubDate>Thu, 27 Aug 2026 18:58:23 +05:30</pubDate><description><![CDATA[<p>મનોજ બાજપેયીની આગામી ફિલ્મ 'લાસ્ટ મેન ઇન ટાવર'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ થોડા જ દિવસોમાં થિયેટરમાં રિલીઝ થવાની છે. બેન રેખીના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મને રાણા દગ્ગુબાતીની 'સ્પિરિટ મીડિયા'એ પ્રોડ્યુસ કરી છે. જો કે સોશિયલ મીડિયા પર આ ફિલ્મને અલગ અલગ પ્રતિભાવો મળી રહ્યા છે.&nbsp;</p><p>ટીઝરની શરૂઆતનું દ્રશ્ય મનોજ બાજપેયીથી શરૂ થાય છે જે એક નિવૃત્ત શિક્ષક છે. જે પોતાના સમુદાયના લોકોની વિરુદ્ધ જતા તેમને કોઇ પસંદ નથી કરી રહ્યું.&nbsp;</p><h2><b>મનોજ બાજપેયીનો ધ્રૂજતો અવાજ</b></h2><p>ટીઝરની શરૂઆતમાં ધ્રૂજારી સાથે મનોજ બાજપેયી કહેતા જોવા મળે છે કે કોઇ વ્યક્તિ તેના સમાજ કે તેની આસપાસના લોકો પૂરતો મર્યાદિત તો ન હોઇ શકે ને! ત્યારબાદ વધુ એક અવાજ સંભળાય છે, "સંબંધોને તો સન્માન મળી જ જાય છે, પરંતુ શું તે આ સન્માનને લાયક પણ છે?" ત્યારબાદ મનોજ બાજપેયીના પાત્ર વિશે કોઈ કહે છે, "મને તો નથી લાગતું કે તેણે જેને ભણાવેલો હોય તે ક્યારેય પાસ પણ થયો હોય." બીજી તરફ મહિલાઓ તેમની વચ્ચે વાત કરતી જોવા મળે છે. તેઓ કહે છે, "બહાર તો ગાંધીજી બનીને ફરે છે, પરંતુ ઘરમાં તો બિલકુલ સરમુખત્યાર છે." અંતમાં મનોજ બાજપેયી આ અવાજોથી ડરીને ભાગીને પોતાના ફ્લેટમાં પ્રવેશતા જોવા મળે છે. તેમના ફ્લેટ પર 'લાસ્ટ મેન ઇન ટાવર' લખેલું જોવા મળે છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/INOXMovies/status/2092888255461249124"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>'આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ ન કરો, OTT પર લાવો'</b></h2><p>ટીઝર જોયા બાદ લોકોએ કહ્યું કે આ ફિલ્મને સિનેમામાં રિલીઝ ન કરો, તેને OTT પર રિલીઝ કરો. અન્ય એક વ્યક્તિએ પણ OTT પર રિલીઝ કરવાની વાત કહી. એક અન્ય વ્યક્તિએ કહ્યું કે આશા છે કે આ ફિલ્મ 'ધ વાઇટ ટાઇગર' જેવી ગડબડ નહીં કરે.</p><h2><b>અરવિંદ અડિગાની આ જ નામની નવલકથા પરથી બની છે ફિલ્મ</b></h2><p>આ ફિલ્મ ભારતીય મૂળના લેખક અને બુકાર પ્રાઇઝ વિજેતા પત્રકાર અરવિંદ અડિગાની આ જ નામની નવલકથા પરથી બની છે. આ ફિલ્મ દ્વારા પહેલીવાર મનોજ બાજપેયી અને બોમન ઈરાની સાથે કામ કરતા જોવા મળશે.</p><h2><b>'લાસ્ટ મેન ઇન ટાવર' ક્યારે રિલીઝ થશે?</b></h2><p>ફિલ્મની સ્ક્રીનપ્લે સોની તારાપોરવાલાએ લખી છે અને જુહી ચતુર્વેદીએ હિન્દી ડાયલોગ લખ્યા છે. ફિલ્મમાં દિવ્યા દત્તા અને સુકાંત ગોયત પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 11 સપ્ટેમ્બર 2026ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/AhvFSK5h0VbmloV7cu9psM2LS2zX5qZBNJtxWts0.webp'/></item><item><title><![CDATA[Gujarat Super League Season 3: 1 સપ્ટેમ્બરથી થશે ધમાકેદાર પ્રારંભ, અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે ટ્રોફી-જર્સી અનાવરણ સાથે નવી ડિજિટલ એપ લોન્ચ ]]></title><link>https://sandesh.com/sports/news/gujarat/ahmedabad/gujarat-super-league-season-3-schedule-transstadia-ahmedabad-gsfa-app-launch</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/gujarat/ahmedabad/gujarat-super-league-season-3-schedule-transstadia-ahmedabad-gsfa-app-launch</guid><pubDate>Thu, 27 Aug 2026 17:08:43 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતમાં ફૂટબોલની રમતે પકડાવેલા મજબૂત વાતાવરણ વચ્ચે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશને ગુજરાત સુપર લીગની ત્રીજી સીઝનની જાહેરાત કરી છે. GSL સીઝન-3 નો પ્રારંભ 1 સપ્ટેમ્બર, 2026 ના રોજ સાંજે 4:00 વાગ્યે અમદાવાદના વિશ્વકક્ષાના સ્ટેડિયમ ટ્રાન્સસ્ટેડિયા એરેના ખાતે થશે. આ લીગ રાજ્યમાં ઉચ્ચ સ્તરની ફૂટબોલ પ્રતિભાઓ તૈયાર કરવામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે.</p><h2><b>GSL-3 ની જર્સી અને ટ્રોફીનું ભવ્ય અનાવરણ</b></h2><p>અગ્રણી હોદ્દેદારો અને ટીમ માલિકોની વિશેષ ઉપસ્થિતિમાં GSFA ના ઉપપ્રમુખ પ્રદિપસિંહ વાઘેલા દ્વારા GSL સીઝન-3 ની સત્તાવાર ટ્રોફી અને ટીમ જર્સીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ જર્સી ગુજરાતના ફૂટબોલ ક્ષેત્રની આધુનિક ઊર્જાનું પ્રતિબિંબ પાડે છે, જ્યારે ટ્રોફી આ આખી સીઝન દરમિયાન સર્વોચ્ચ એવોર્ડ માટે ટીમો વચ્ચે ખેલાનાર રોમાંચક જંગનું પ્રતીક બનશે.</p><h2><b>U-20 ખેલાડીઓને મળશ જર્મનીમાં રમવાની મોટી તક</b></h2><p>આ વખતની સીઝનની સૌથી મોટી વિશેષતા યુવા ખેલાડીઓ માટેનું આંતરરાષ્ટ્રીય એક્સપોઝર છે. GSL-3 માંથી શાનદાર પ્રદર્શન કરનાર બે U-20 ફૂટબોલરોની પસંદગી જર્મનીમાં ટાયર-3 અને ટાયર-4 ડોમેસ્ટિક ટુર્નામેન્ટ્સના ટ્રાયલ માટે કરવામાં આવશે. જર્મન સાયકોલોજીસ્ટ પ્રોફેસર જેન માયર અને બોસ ટેકનોલોજી દ્વારા સ્પોર્ટ્સ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ખેલાડીઓની બારીકાઈથી પસંદગી કરવામાં આવશે.</p><p><img alt="Gujarat Super League Season 3 To Begin From Sept 1 at TransStadia Ahmedabad, GSFA Launches App" src="https://epapercdn.sandesh.com/images/2026/08/27/mYRThsdOn1CgdPjaTuzNRHqZvSGmvsSZoUzvPkAY.webp"><br></p><h2><b>ઇજાગ્રસ્ત યુવા ખેલાડી રાહુલ ભાટીયાને મદદની જાહેરાત</b></h2><p>GSFA દ્વારા માત્ર રમત જ નહીં, પરંતુ ખેલાડીઓની સુવિધા અને કલ્યાણ પર પણ પૂરો ભાર મૂકવામાં આવ્યો છે. કાર્યક્રમ દરમિયાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા રાજ્યના યુવા ફૂટબોલર રાહુલ ભાટીયાને રૂ. 2,00,000 ની એક્સ-ગ્રેશિયા રકમ ચૂકવવાની વિશેષ જાહેરાત પણ કરવામાં આવી હતી.</p><h2><b>જીએસએફએ પ્રમુખ પરિમલ નથવાણીનું નિવેદન</b></h2><p>લીગ અંગે વાત કરતાં GSFA ના પ્રમુખ પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, GSLની ત્રીજી સીઝન એ માત્ર એક રમત સ્પર્ધા નથી, પરંતુ ગુજરાતમાં ફૂટબોલના સર્વાંગી વિકાસ માટેની અમારી દ્રષ્ટિનો અગત્યનો ભાગ છે. અમારો મુખ્ય હેતુ રાજ્યના યુવાનોને એક ઉચ્ચ કક્ષાનું પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે, જેથી ગુજરાતમાં ફૂટબોલ લોકોની પહેલી પસંદગીની રમત બની શકે.</p><p><img alt="Gujarat Super League Season 3 To Begin From Sept 1 at TransStadia Ahmedabad, GSFA Launches App" src="https://epapercdn.sandesh.com/images/2026/08/27/SBrNO0oV6iNaXOUq1rCpkn9q7oOHLeld8K7pLy69.webp"><br></p><h2><b>ચાહકો માટે વન-સ્ટોપ 'જીએસએફએ ડિજિટલ એપ' લોન્ચ</b></h2><p>ફૂટબોલ ચાહકોને ટુર્નામેન્ટ સાથે સીધા જોડવા માટે એક વિશેષ સમર્પિત ડિજિટલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે. GSFA ના માનદ સચિવ મુલરાજસિંહ ચૂડાસમાએ પ્રેઝન્ટેશન દ્વારા એપની મુખ્ય વિશેષતાઓ સમજાવી હતી. આ વન-સ્ટોપ એપ મારફતે ચાહકો ઘરબેઠા મેચ ફિક્સ્ચર્સ, લાઇવ પરિણામો, શેડ્યૂલ, ટીમોની વિગત, પોઈન્ટ્સ ટેબલ અને ખેલાડીઓની પ્રોફાઈલ સરળતાથી જોઈ શકશે.</p><p><img alt="Gujarat Super League Season 3 To Begin From Sept 1 at TransStadia Ahmedabad, GSFA Launches App" src="https://epapercdn.sandesh.com/images/2026/08/27/FcXj2DbleZ7RFC3kgwv6f0oCEzmf0v5MfaQ7OuOz.webp"><br></p><h2><b>તમામ મેચોનું શેડ્યૂલ ઓનલાઈન ઉપલબ્ધ</b></h2><p>સમારોહ દરમિયાન GSL સીઝન-3 ના સંપૂર્ણ ફિક્સ્ચર્સ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. તમામ તારીખો, સમય અને ટીમોના મુકાબલાની માહિતી નવી લોન્ચ થયેલી એપ્લિકેશન અને GSFA ના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ઉપલબ્ધ રહેશે. આ ભવ્ય આયોજનમાં સહભાગી થઈ રાજ્યમાં ફૂટબોલનો ઉત્સાહ વધારવા તમામ રમતપ્રેમીઓને હાકલ કરવામાં આવી છે.</p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/gujarat/news/vadodara/fake-doctor-arrested-for-performing-hemorrhoid-surgeries-without-anesthesia" target="_blank"> Vadodara News: ધોરણ 10 ફેલ બોગસ ડોક્ટર ગરમ ચીપીયાથી દર્દીને બેભાન કર્યા વિના હરસ મસાના ઓપરેશન કરતો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/68mJxpU52aqMVN04T7Z4tD4Mb7lQhwAZysqg6G6O.webp'/></item></channel></rss>