<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[inflation rises : ફુગાવાએ  ચિંતા વધારી! જુલાઈમાં સતત નવમા મહિને છૂટક મોંઘવારી વધી ]]></title><link>https://sandesh.com/business/news/inflation-raises-concerns-retail-inflation-rises-for-ninth-consecutive-month-in-july</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/inflation-raises-concerns-retail-inflation-rises-for-ninth-consecutive-month-in-july</guid><pubDate>Wed, 12 Aug 2026 17:05:00 +05:30</pubDate><description><![CDATA[<p>જુલાઈમાં મોંઘવારીએ સામાન્ય માણસના બજેટને સંપૂર્ણપણે ખોરવી નાખ્યું છે. ખાદ્ય ચીજો ઉપરાંત, મુસાફરી, કપડાં અને વ્યક્તિગત સંભાળ ઉત્પાદનોના ખર્ચમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. સતત બીજા મહિને, ફુગાવો RBIના લક્ષ્યાંક કરતાં વધી ગયો છે.</p><h2><b>ફુગાવો વધ્યો&nbsp;</b></h2><p>જુલાઈમાં મોંઘવારીએ ફરી એકવાર જાહેર નાણાંકીય બાબતો પર ભાર મૂક્યો છે. સરકારી આંકડા અનુસાર દેશનો છૂટક ફુગાવાનો દર જૂનમાં 4.38% થી વધીને જુલાઈમાં 4.45% થયો છે. આ સતત બીજા મહિને છે જ્યારે ફુગાવો ભારતીય રિઝર્વ બેંક (RBI) ના 4% ના લક્ષ્યાંક કરતાં ઉપર રહ્યો છે. આ વધારા પાછળનું મુખ્ય કારણ ખાદ્ય ચીજોની આકાશને આંબી રહેલી કિંમતો છે. જ્યારે પણ ખાદ્ય ચીજોના ભાવ વધે છે, ત્યારે તે દરેક ઘરના રસોડાના અને માસિક બજેટને સીધી અસર કરે છે. આ નવો આંકડો આ વર્ષની શરૂઆતમાં નવી CPI શ્રેણી (સુધારેલા આધાર વર્ષ અને વપરાશ બાસ્કેટ દર્શાવતી) ના અમલીકરણ પછી નોંધાયેલ ઉચ્ચતમ સ્તરનું પ્રતિનિધિત્વ પણ કરે છે.</p><p><b style="font-size: 1.75rem;">આ વસ્તુઓને કારણે ગૃહણીઓનું બજેટ ખોરવાયુ&nbsp;</b></p><p>ખાસ કરીને ખાદ્ય ચીજો પર ધ્યાન કેન્દ્રિત કરીને, ગ્રાહક ખાદ્ય ભાવ સૂચકાંક (CFPI) જૂનમાં 5.32% થી વધીને જુલાઈમાં 5.52% થયો. રસપ્રદ વાત એ છે કે, શહેરી વિસ્તારો (5.05%) ની સરખામણીમાં ગ્રામીણ વિસ્તારોમાં (5.79%) ખાદ્ય ચીજો વધુ મોંઘી થઈ છે.&nbsp;</p><p>ડુંગળી, લસણ અને આદુ તમારી થાળી માટે ઓછા પોસાય તેવા બનવાના છે. ડેટા પર નજર નાખતાં જાણવા મળે છે કે જુલાઈમાં ડુંગળીનો ફુગાવાનો દર 4.73% થી વધીને 22.54% થયો છે. લસણનો ફુગાવો 17.93% થી વધીને 35.36% થયો છે જ્યારે આદુના ભાવ રેકોર્ડ તોડી નાખ્યા છે, જે 50.41% થી વધીને આશ્ચર્યજનક રીતે 83.62% થયો છે.</p><p>જોકે, કેટલીક શાકભાજીએ થોડી રાહત આપી છે. ગયા વર્ષની સરખામણીમાં બટાકાના ભાવમાં 16.56%નો ઘટાડો થયો છે. ભીંડા, વટાણા અને ટામેટાંના ભાવમાં ઘટાડો થયો છે જેનાથી શાકભાજી બજારોમાં આવતા ગ્રાહકોને થોડી રાહત મળી છે.</p><h3><b>પરિવહનથી લઈને સૌંદર્ય પ્રસાધનો સુધીની અસર</b></h3><p>ફુગાવાની અસર ફક્ત ખોરાક સુધી મર્યાદિત નથી તે અન્ય વિવિધ જીવન ખર્ચમાં પણ દેખાય છે. મુસાફરી થોડી મોંઘી થઈ છે, કારણ કે પરિવહન માટે ફુગાવાનો દર 4.31% થી વધીને 4.43% થયો છે. માલ પરિવહન સેવાઓ માટે, આ આંકડો 7.77% છે.</p><p>રહેઠાણ માટે ફુગાવાનો દર 2.22% પર રહ્યો. જો તમે બહાર જમવાનું પસંદ કરો છો અથવા કપડાં ખરીદવાની યોજના બનાવો છો, તો નોંધી લો કે રેસ્ટોરન્ટ અને રહેઠાણ સેવાઓમાં મોંઘવારી 7.72% સુધી પહોંચી  છે, જ્યારે કપડાં અને ફૂટવેર માટે તે 3.38% છે. સૌથી નોંધપાત્ર આંકડો વ્યક્તિગત સંભાળ અને સામાજિક સુરક્ષા વસ્તુઓનો છે, જ્યાં ફુગાવો 14.77% પર ઊંચો રહે છે. વધુમાં, આરોગ્ય સેવાઓમાં ફુગાવો 1.34% અને શિક્ષણ સેવાઓમાં 3.64% વધ્યો છે.</p><p><b style="font-size: 1.5rem;">RBI ની નવી આગાહીને સમજવી</b></p><p>એ નોંધનીય છે કે ભારતીય રિઝર્વ બેંક (RBI) ની નાણાકીય નીતિ સમિતિ (MPC) એ 5 ઓગસ્ટના રોજ તેની બેઠક દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ અવલોકનો કર્યા હતા. વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થવાને કારણે, RBI એ 2026-27 નાણાકીય વર્ષ (FY27) માટે ફુગાવાનો અંદાજ 5.1% થી ઘટાડીને 5% કર્યો છે. કેન્દ્રીય બેંકનો અંદાજ છે કે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન ફુગાવો ટોચ પર પહોંચશે પરંતુ ત્યારબાદ ધીમે ધીમે ઘટવાનું શરૂ થશે.</p><p><br></p><p><a href="https://sandesh.com/astrology/news/bhakti/shani-transit-shani-dev-will-have-a-great-move-luck-will-shine-for-4-zodiac-signs-from-august-20" target="_blank">આ પણ વાંચો: Shani Transit: શનિ દેવ ચાલશે ગજબની ચાલ, 20 ઑગષ્ટથી 4 રાશિનું ચમકશે નસીબ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/eolDZCjwoi69FamOy8dhYkF4BMa94Aodl6Q1Gl3F.webp'/></item><item><title><![CDATA[Bharuch News: અંકલેશ્વરમાં મહિલાની ધારદાર હથિયારથી ગોઝારી હત્યા, આરોપી ફરાર! ]]></title><link>https://sandesh.com/crime/news/maru-saher-maru-gaam/bharuch/ankleshwar-gadkhol-anand-vihar-woman-ramilabai-murder-case</link><guid isPermaLink="true">https://sandesh.com/crime/news/maru-saher-maru-gaam/bharuch/ankleshwar-gadkhol-anand-vihar-woman-ramilabai-murder-case</guid><pubDate>Wed, 12 Aug 2026 16:49:00 +05:30</pubDate><description><![CDATA[<p>ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલા ગડખોલ વિસ્તારની આનંદ વિહાર સોસાયટીમાં એક હૃદયકંપાવનારી હત્યાની ઘટના સામે આવી છે. સોસાયટીમાં રહેતી 39 વર્ષીય મહિલાની અજાણ્યા શખ્સ દ્વારા કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ અને દહેશતનો માહોલ સર્જાયો છે.</p><h2><b>અજાણ્યા શખ્સે શરીરના વિવિધ ભાગોમાં હથિયારના ઘા ઝીંક્યા</b></h2><p>મળતી માહિતી અનુસાર, મૃતક મહિલાની ઓળખ 39 વર્ષીય રમિલાબાઈ રામસિંગ વસાવે તરીકે થઈ છે. અજાણ્યા હુમલાખોરે રમિલાબાઈ પર તીક્ષ્ણ કે ધારદાર હથિયાર વડે હુમલો કરી તેમના શરીરના અલગ-અલગ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. રક્તરંજિત હાલતમાં ઈજાઓ થવાના કારણે રમિલાબાઈનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. હત્યાની આ વારદાતને અંજામ આપ્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.</p><h2><b>ઘટના સ્થળે પહોંચેલી બી ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો</b></h2><p>હત્યાની ઘટના અંગેની જાણ થતાં જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો ત્વરિત ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવીને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો છે, અને બનાવ અંગે કાયદેસરની ગુનાહિત કાર્યવાહી હાથ ધરી છે.</p><p><img alt="Bharuch News: Woman Murdered in Ankleshwar Anand Vihar Society, Bharuch Police Begins Investigation" src="https://epapercdn.sandesh.com/images/2026/08/12/fu82luV2z6o3zKqSgKzFDG7OawT9InsBIvoLHTll.webp"><br></p><h2><b>તપાસ માટે એફએસએલ અને સીસીટીવીની મદદ લેવાઈ</b></h2><p>અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કરવા એફએસએલની ટીમની મદદ લીધી છે. આ ઉપરાંત આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાની સાથે સ્થાનિક લોકો અને પરિજનોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જૂની અદાવત, અંગત વૈર કે પછી કોઈ અન્ય કારણોસર આ હત્યા કરવામાં આવી છે, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.</p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bharuch/bharuch-rotary-club-of-bharuch-heritage-held-installation-ceremony-of-new-team" target="_blank"> Bharuch: રોટરી કલબ ઓફ ભરૂચ હેરિટેજ દ્વારા નવી ટીમનો ઈન્સ્ટોલેશન સેરેમની યોજાઈ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/whDZj75rIMxGxBfCRMBcE63W2RFDojm1yPSPwxQa.webp'/></item><item><title><![CDATA[Viramgam News: ITIમાં નાપાસ થતાં હતાશ થયેલા વિદ્યાર્થીનો નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ahmedabad/19-year-old-iti-student-found-dead-in-narmada-canal</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ahmedabad/19-year-old-iti-student-found-dead-in-narmada-canal</guid><pubDate>Wed, 12 Aug 2026 16:43:27 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વિરમગામ તાલુકાના નાની કુમાદ ગામ પાસેથી પસાર થતી નર્મદાની સૌરાષ્ટ્ર શાખાની મુખ્ય કેનાલમાંથી આજે 19 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.મૃતકની ઓળખ વિરમગામના દરજીની વાડી પાસે રહેતા દર્શિલ મહેશભાઈ દરજી તરીકે થઈ છે.ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં કેનાલ કિનારે એકઠા થઈ ગયા હતા અને તંત્રને જાણ કરી હતી.</p><h2 style="text-align: justify; "><b>મૃતક દર્શિલ ITIમાં અભ્યાસ કરતો હતો</b></h2><p style="text-align: justify; ">પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક દર્શિલ ITIમાં અભ્યાસ કરતો હતો.તાજેતરમાં જ આવેલા પરિણામમાં તે પરીક્ષામાં નાપાસ થતાં ભારે હતાશામાં સરી પડ્યો હોવાની વિગતો સામે આવી છે. નાપાસ થવાના માનસિક આઘાતમાં તે ગત બે દિવસ અગાઉ પોતાના ઘરેથી કોઈને પણ કહ્યા વગર અચાનક ગુમ થઈ ગયો હતો.પરિવારે તેની સગા સંબંધીઓ અને જાણીતા સ્થળોએ ભારે શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેનો કોઈ પત્તો મળ્યો નહોતો.આજે નાની કુમાદ ગામ પાસેથી વહેતી નર્મદાની મુખ્ય કેનાલમાં એક યુવકનો મૃતદેહ તરતો હોવાની જાણ સ્થાનિકોને થઈ હતી.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી</b></h3><p style="text-align: justify; ">તપાસ કરતા આ મૃતદેહ બે દિવસથી ગુમ થયેલા દર્શિલનો જ હોવાનું સામે આવ્યું હતું.પ્રાથમિક વિગતો મુજબ હતાશામાં આવીને દર્શિલે કેનાલમાં પડતું મૂકીને પોતાની જીવનલીલા ટૂંકાવી લીધી હોવાનું માનવામાં આવી રહ્યું છે.બનાવની જાણ થતાં જ વિરમગામ ટાઉન પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.પોલીસે સ્થાનિકોની મદદથી મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ત્યારબાદ મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ અર્થે વિરમગામની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આશાસ્પદ યુવાનના આકસ્મિક  અવસાનથી પરિવારજનો પર દૂખનો પહાડ તૂટી પડ્યો છે.આ મામલે વિરમગામ ટાઉન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ ચાલુ કરી છે.</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/crime/news/gujarat/vadodara/manjalpur-nude-calling-center-stripchat-app-manish-padhiyar" target="_blank">આ પણ વાંચોઃ Vadodara News: માંજલપુરમાં ન્યૂડ કોલ સેન્ટર ઝડપાયું, 'Stripchat' એપથી ચાલતો હતો ખેલ</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/KBtqb2w1yyPQAiR7AJ9ky8tpbY6A0sNOya5d8XkJ.webp'/></item><item><title><![CDATA[Banaskantha: પાલનપુરમાં માત્ર દોઢ ઇંચ વરસાદમાં જૂના બસ સ્ટેન્ડ રોડ અને અંબાજી હાઇવે પાણીમાં ગરકાવ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/palanpur-heavy-waterlogging-bus-stand-ambaji-highway-rain</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/palanpur-heavy-waterlogging-bus-stand-ambaji-highway-rain</guid><pubDate>Wed, 12 Aug 2026 16:43:10 +05:30</pubDate><description><![CDATA[<p>બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુરમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજાનું આગમન થયું હતું. જોકે, માત્ર 1 થી દોઢ ઇંચ જેટલા સામાન્ય વરસાદે જ પાલનપુર નગરપાલિકા અને માર્ગ-મકાન વિભાગની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલીને મૂકી દીધી છે.</p><h2><b>સામાન્ય વરસાદે મુખ્ય રસ્તો જળમગ્ન થઈ ગયો</b></h2><p>શહેરના સૌથી ધમધમતા એવા જૂના બસ સ્ટેન્ડ રોડ પર વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન હોવાના કારણે મુખ્ય રસ્તો જળમગ્ન થઈ ગયો હતો. બસ સ્ટેન્ડના મુખ્ય પ્રવેશદ્વાર આગળ જ તળાવ જેવા દ્રશ્યો સર્જાતાં એસ.ટી. બસમાં મુસાફરી કરવા આવતા-જતા મુસાફરોને પોતાના સામાન સાથે ગંદા પાણીમાંથી ચાલીને જવાની ફરજ પડી હતી, જેના કારણે મુસાફરોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.</p><h3><b>હાઇવે પર ઢીંચણસમા પાણી ભરાઈ ગયા</b></h3><p>માત્ર નગરપાલિકા વિસ્તાર જ નહીં, પરંતુ પાલનપુરને પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી સાથે જોડતા મુખ્ય હાઇવે પર પણ વરસાદી પાણીનો નિકાલ ન થતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. પાલનપુર-અંબાજી હાઇવે પર આવેલી રામપુરા ચોકડી નજીક હાઇવે પર ઢીંચણસમા પાણી ભરાઈ ગયા હતા.</p><h4><b>પ્રજા તંત્રની બેદરકારીનો ભોગ બની રહી</b></h4><p>હાઇવે પર પાણી ભરાવાને કારણે અનેક દ્વિચક્રી અને ચાર-ચક્રી વાહનોના સાયલેન્સરમાં પાણી ઘૂસી જતાં વાહનો બંધ પડી ગયા હતા. જેના કારણે હાઇવે પર વાહનોની લાંબી લાઈનો અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા રહે છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી અને પ્રજા તંત્રની બેદરકારીનો ભોગ બની રહી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/deesa-asias-first-desert-theme-zoo-night-safari-cza-approval" target="_blank">આ પણ વાંચો:&nbsp; Banaskantha: જૂના ડીસામાં 542 કરોડના ખર્ચે બનશે એશિયાનું પ્રથમ ડેઝર્ટ-થીમ ઝૂ અને નાઇટ સફારી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/dMNaCMgj86ln4jfXacpVPkzZOJDbKSc9lB9VpxKl.webp'/></item><item><title><![CDATA[Air India Pilot Marijuana Drug Case: વિમાન ઉડાડતા પહેલા પાયલટ્સના કયા થાય છે પરીક્ષણો?, જાણો ]]></title><link>https://sandesh.com/knowledge/news/india/air-india-pilot-marijuana-drug-case-what-tests-are-done-on-pilots-before-flying-a-plane-know</link><guid isPermaLink="true">https://sandesh.com/knowledge/news/india/air-india-pilot-marijuana-drug-case-what-tests-are-done-on-pilots-before-flying-a-plane-know</guid><pubDate>Wed, 12 Aug 2026 16:25:08 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">પ્રારંભિક પરીક્ષણ નકારાત્મક આવ્યા પછી, પુષ્ટિકરણ પરીક્ષણ કરાયુ હતું, જેમાં પાયલટના નમૂનામાં ગાંજાની હાજરીની પુષ્ટિ કરાઇ હતી.</p><p style="text-align: justify; "><span style="font-size: 2rem;">પાયલટ્સના કયા થાય છે ટેસ્ટ?</span></p><p style="text-align: justify; ">પાયલટ્સ અને ક્રૂ મેમ્બર્સ માટે બ્રેથલાઇઝર ટેસ્ટ જરૂરી છે. આમાં તેમના શ્વાસમાં આલ્કોહોલ છે કે નહીં તે તપાસવા માટે મશીનમાં ફૂંક મારવાનો સમાવેશ થાય છે. માનક રીડિંગ 0.000 હોવું જોઈએ. ફ્લાઇટ પહેલાં અને પછી બ્રેથલાઇઝર ટેસ્ટ લેવામાં આવે છે. પાયલટ્સ ડોપ અથવા સાયકોએક્ટિવ પદાર્થ પરીક્ષણ પણ કરાવે છે. આ પેશાબ અથવા લોહીના નમૂનાઓ દ્વારા ગાંજા, કોકેન, અફીણ અને એમ્ફેટામાઇન જેવા પદાર્થો માટે પરીક્ષણ કરે છે, જોકે આ પરીક્ષણ દરેક ફ્લાઇટ પર કરવામાં આવતું નથી.&nbsp;</p><p style="text-align: justify; "><b>1. બ્રેથલાઇઝર ટેસ્ટ </b>- પાયલટના શ્વાસમાં આલ્કોહોલ માટે પરીક્ષણ કરવામાં આવે છે. રીડિંગ 0.000 હોવું જોઈએ.</p><p style="text-align: justify; "><b>2. ડોપ-ડ્રગ ટેસ્ટ</b> - પાયલટના પેશાબ અથવા લોહીના નમૂનાનું પરીક્ષણ ગાંજા, કોકેન, અફીણ અને એમ્ફેટામાઇન જેવા મનોવૈજ્ઞાનિક પદાર્થો શોધવા માટે કરવામાં આવે છે.</p><p style="text-align: justify; "><b>3. તબીબી તંદુરસ્તી પરીક્ષણ</b> - પાયલટની દૃષ્ટિ, શ્રવણ, શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક તંદુરસ્તીનું મૂલ્યાંકન સ્થાપિત તબીબી પ્રોટોકોલ અનુસાર કરવામાં આવે છે.</p><p style="text-align: justify; "><b>4. ફ્લાઇટ પછીનો પરીક્ષણ</b> - ફરજ પર હોય ત્યારે દારૂના સેવનની તપાસ કરવા માટે પાઇલટ અને ક્રૂ ફ્લાઇટ પછી બ્રેથલાઇઝર પરીક્ષણ પણ કરાવી શકે છે.</p><p style="text-align: justify; "><b>5. પુષ્ટિકારક દવા પરીક્ષણ</b> - જો પ્રારંભિક દવા પરીક્ષણ નકારાત્મક હોય, તો બીજા નમૂનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે. જો પરિણામ સકારાત્મક હોય, તો તબીબી સમીક્ષા અધિકારી એ પણ નક્કી કરે છે કે કારણ પ્રિસ્ક્રિપ્શન દવા છે કે નહીં.</p><p style="text-align: justify; "><b>6. તંદુરસ્તી અને થાક પરીક્ષણ</b> - પાઇલટ્સને પૂરતો આરામ અને ઊંઘ પણ મળવી જોઈએ. DGCAના FDTL નિયમો પાઇલટ્સના ફરજ અને આરામના સમયગાળાને નિયંત્રિત કરે છે.</p><h4 style="text-align: justify; "><font color="#000000" style="background-color: rgb(255, 255, 255);">ગાંજા કેમ ન શોધાયો ?</font></h4><p style="text-align: justify; ">ડ્રગ પરીક્ષણમાં બે અલગ કન્ટેનરમાં નમૂનાઓ મૂકવાનો સમાવેશ થાય છે. પ્રથમ નમૂનાનું પરીક્ષણ કરવામાં આવે છે. જો ટેસ્ટ નેગેટિવ આવે, તો પાયલટને ફરજ પરથી દૂર કરવામાં આવે છે, અને બીજા નમૂનાનો પુષ્ટિકરણ પરીક્ષણ કરવામાં આવે છે. એર ઇન્ડિયા ફ્લાઇટના કિસ્સામાં, પ્રથમ પરીક્ષણ નેગેટિવ આવ્યા પછી બીજો પરીક્ષણ કરવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર, પુષ્ટિકરણ પરીક્ષણમાં ગાંજાની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ તબીબી સમીક્ષા અધિકારી તપાસ કરે છે કે શું સકારાત્મક પરિણામ ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલી દવાને કારણે આવ્યું છે.</p><h5 style="text-align: justify; ">ટેસ્ટ લેવાનો ઇનકાર કરતી વખતે પણ નિયમો લાગુ&nbsp;</h5><p style="text-align: justify; ">જો કોઈ પાઇલટ અથવા સંબંધિત કર્મચારી ડ્રગ ટેસ્ટ લેવાનો ઇનકાર કરે છે, તો DGCA તેને ગંભીરતાથી લે છે. પ્રથમ ઇનકારના પરિણામે કર્મચારીને ફરજ પરથી દૂર કરવામાં આવે છે અને 48 કલાકની અંદર પરીક્ષણ કરાવવાની જરૂર પડે છે. નિયમોનું વારંવાર ઉલ્લંઘન થવાના કિસ્સામાં, લાઇસન્સ સસ્પેન્ડ અથવા રદ પણ થઈ શકે છે.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/lifestyle/news/health-fitness/muscle-building-foods-include-these-healthy-foods-in-your-diet-to-strengthen-muscles" target="_blank">મસલ્સને મજબૂત બનાવવા માટે ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ&nbsp;</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/Qqsmouc3uQhCAPBvVeOznezJPLbxOLbXnrKXeus2.webp'/></item><item><title><![CDATA[OTT  પછી મોટા પડદા પર ધમાકો કરવા તૈયાર 'મિર્ઝાપુર', જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ ]]></title><link>https://sandesh.com/entertainment/news/mirzapur-ready-to-make-a-splash-on-the-big-screen-after-ott-know-when-the-film-will-be-released</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/mirzapur-ready-to-make-a-splash-on-the-big-screen-after-ott-know-when-the-film-will-be-released</guid><pubDate>Wed, 12 Aug 2026 16:15:22 +05:30</pubDate><description><![CDATA[<p>OTT પ્લેટફોર્મ પર ધમાલ મચાવ્યા બાદ સુપરહિત વેબ સિરીઝ 'મિર્ઝાપુર' હવે મોટા પડદા પર ધમાકો કરવા તૈયાર છે. બુધવારે ફિલ્મની સ્ટાર કાસ્ટ પ્રમોશન અર્થે લખનૌ પહોંચી હતી. 'મિર્ઝાપુર: ધ મૂવી'નું ઓફિશિયલ ટ્રેલર પહેલાથી જ રિલીઝ થઈ ચૂક્યું છે. લખનૌમાં આયોજિત પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન મુખ્ય ભૂમિકા ભજવી રહેલા અલી ફઝલ (ગુડ્ડુ પંડિત), દિવ્યેન્દુ (મુન્ના ભૈયા) અને જિતેન્દ્ર કુમાર (નવા બબલુ પંડિત) એ સિરીઝથી સિનેમાઘરો સુધીની આ સફર અંગે રસપ્રદ વાતો શેર કરી હતી.</p><h2><b>મોટા પડદા પર વાતાવરણ વધુ ભવ્ય હશે: અલી ફઝલ</b></h2><p>ગુડ્ડુ પંડિતનું પાત્ર ભજવી રહેલા અલી ફઝલે ખુલાસો કર્યો કે આ ફિલ્મ ૪ સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. તેમણે જણાવ્યું કે, "અમે બધા જ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છીએ. વેબ સિરીઝને દર્શકો તરફથી જે અદ્ભુત પ્રેમ મળ્યો છે, તેના કારણે અમારા પર ફિલ્મ અંગે ઘણું દબાણ હતું. અમે પ્રમોશનની શરૂઆત અમારા પોતાના ઘર સમાન શહેર લખનૌથી કરી છે." અલી ફઝલે વધુમાં ઉમેર્યું કે આ વખતે મોટા પડદા પર વાતાવરણ વધુ મોટું, ભવ્ય અને દાવ પર લાગેલી બાબતો પહેલા કરતાં પણ વધુ રોમાંચક હશે.</p><h3><b>વેબ સિરીઝ જેવો જ પાવરફુલ સ્વાદ મળશે: દિવ્યેન્દુ</b></h3><p>મિર્ઝાપુર સીઝન ૧ ની વાર્તાને આગળ વધારતી આ ફિલ્મમાં કાલીન ભૈયા, મુન્ના ભૈયા અને ગુડ્ડુ પંડિત જેવા આઇકોનિક પાત્રો ફરી એકસાથે જોવા મળશે. 'મુન્ના ભૈયા'ના રોલમાં લોકપ્રિયતા મેળવનાર દિવ્યેન્દુએ જણાવ્યું કે ફિલ્મમાં પણ વેબ સિરીઝ જેવો જ અસલી સ્વાદ જળવાઈ રહેશે. તેમણે કહ્યું, "અમે હિન્દી ફિલ્મના હીરો છીએ, અમે અમર છીએ. પડદા પર દમદાર ડાયલોગ્સ અને પાવરફુલ પાત્રો જોવા મળશે. હું દર્શકોને ખાતરી આપું છું કે ફિલ્મ પણ સિરીઝ જેટલી જ મજેદાર અને મનોરંજક હશે."</p><h4><b>નવા 'બબલુ પંડિત' તરીકે જિતેન્દ્ર કુમાર અને રવિ કિશનની એન્ટ્રી</b></h4><p>આ ફિલ્મમાં સૌથી મોટો ફેરફાર બબલુ પંડિતના પાત્રમાં જોવા મળશે. વેબ સિરીઝમાં વિક્રાંત મેસી દ્વારા ભજવવામાં આવેલું આ પાત્ર હવે જાણીતા અભિનેતા જિતેન્દ્ર કુમાર ભજવશે. આ ઉપરાંત, ભોજપુરી સ્ટાર રવિ કિશન પણ આ ફિલ્મમાં એક મહત્વપૂર્ણ ભૂમિકામાં નજર આવશે.</p><h4><b>વિશાળ સ્ટાર કાસ્ટ અને મેકર્સ</b></h4><p>તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલા પોસ્ટરોમાં કાલીન ભૈયા (પંકજ ત્રિપાઠી), મુન્ના ભૈયા (દિવ્યેન્દુ), ગુડ્ડુ પંડિત (અલી ફઝલ) અને બબલુ પંડિત (જિતેન્દ્ર કુમાર) નો અદભુત લુક સામે આવ્યો છે. આ સિવાય ફિલ્મમાં અભિષેક બેનર્જી, રસિકા દુગલ, મોહિત મલિક, શીબા ચડ્ડા, રાજેશ તૈલાંગ, પ્રમોદ પાઠક, શ્રિયા પિલગાંવકર, હર્ષિતા શેખર ગૌર અને શ્વેતા ત્રિપાઠી જેવા દિગ્ગજ કલાકારોની મોટી ફોજ જોવા મળશે. પુનીત કૃષ્ણા દ્વારા લિખિત આ ફિલ્મને રિતેશ સિધવાની અને ફરહાન અખ્તરના 'એક્સેલ એન્ટરટેઈનમેન્ટ' (Excel Entertainment) બેનર હેઠળ પ્રોડ્યુસ કરવામાં આવી છે.</p><p><br></p><p><a href="https://sandesh.com/entertainment/news/box-office-collection-spider-man-crosses-rs-500-crore-thalapathy-vijays-jana-nayagan-slows-down" target="_blank">આ પણ વાંચો : Box Office Collection: 'સ્પાઇડર-મેન'ની 500 કરોડ પાર કમાણી, થલાપતિ વિજયની 'જના નાયગન'ની રફતાર ધીમી પડી</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/CwAPRyqM5hAWFLacRkl1iCoHTuSjc4KYn26FlYUB.webp'/></item><item><title><![CDATA[Surat News: ડિંડોલી હત્યા કેસમાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ, એક સગીર ]]></title><link>https://sandesh.com/crime/news/gujarat/surat/dindoli-pravin-murder-case-police-arrests-three-accused</link><guid isPermaLink="true">https://sandesh.com/crime/news/gujarat/surat/dindoli-pravin-murder-case-police-arrests-three-accused</guid><pubDate>Wed, 12 Aug 2026 16:13:33 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ગત 30 જુલાઈ 2026ના રોજ જૂની અદાવતને રાખિને પ્રવીણ ઉર્ફે આંબા નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. આ ચકચારી હત્યા કેસમાં ડિંડોલી પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી અને ઘટનામાં સામેલ અન્ય આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.</p><h2><b>ડિંડોલી પોલીસે વધુ ત્રણને પકડી પાડ્યા, એક સગીરા પણ સામેલ</b></h2><p>પ્રવીણ હત્યા કેસમાં તપાસ ચલાવી રહેલી ડિંડોલી પોલીસને મોટી સફળતા સાંપડી છે. પોલીસ દ્વારા આ કેસમાં વધુ ત્રણ લોકોને ઝડપી લેવામાં આવ્યા છે. જેમાં પકડાયેલા લોકોમાં એક સગીર પણ સામેલ હોવાનું સામે આવ્યું છે.</p><h2><b>હત્યાના દિવસે જ પોલીસે 3 મુખ્ય આરોપીઓને ઝડપી લીધા હતા</b></h2><p>ઉલ્લેખનીય છે કે, 30 જુલાઈ 2026ના રોજ જ્યારે આ હત્યાની ઘટના બની હતી, ત્યારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ઘટનાના દિવસે જ 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ હાથ ધરવામાં આવેલી આગળની તપાસમાં અન્ય 3 સાગરીતોના નામ ખુલતા પોલીસે તેમની પણ અટકાયત કરી લીધી છે.</p><p><img alt="Surat News: Dindoli Pravin Murder Case: Police Arrests 3 More Accused Including Minor" src="https://epapercdn.sandesh.com/images/2026/08/12/AQBwWrU8wpdeIUeSeWfPybistWFho4GP74ipBH4q.webp"><br></p><h2><b>પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી</b></h2><p>જૂની અદાવતમાં આચરવામાં આવેલા આ ગુનામાં હવે તમામ સંડોવાયેલા આરોપીઓ પોલીસની ગિરફ્તમાં આવી ગયા છે. ડિંડોલી પોલીસે પકડાયેલા તમામ આરોપીઓ અને સગીરા સામે કાયદાકીય જોગવાઈઓ મુજબ ગુનો નોંધીને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/gujarat/news/crime/surat/dindoli-murder-pravin-amba-killed-by-bhushan-patil-and-four-others" target="_blank"> Surat: ડિંડોલીમાં અંગત અદાવતમાં યુવકની હત્યા, પોલીસે 4 લોકો ગુનો નોંધી તપાસ હાથ ધરી</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/vtVqnL966EX4TqLOTRyOMj2soTGDUHxW4VekBr7B.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: શ્રાવણ માસમાં ભક્તો માટે AMTSની ખાસ વ્યવસ્થા, ભક્તો એક દિવસમાં 30 મંદિરોમાં દર્શન કરી શકશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/amts-shravan-special-bus-yatra-to-visit-multiple-temples</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/amts-shravan-special-bus-yatra-to-visit-multiple-temples</guid><pubDate>Wed, 12 Aug 2026 16:12:08 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આવતીકાલથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદમાં AMTS દ્વારા શ્રદ્ધાળુઓને વિવિધ મંદિરે દર્શન કરાવવા માટે એક વિશેષ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.AMTSની બસોમાં અલગ અલગ વિસ્તારમાં આવેલા વિવિધ મંદિરોમાં લોકોને દર્શન કરાવશે.આખા દિવસના ધાર્મિક બસ પ્રવાસમાં 8થી 10 મંદિરોમાં લોકો દર્શન કરી શકશે તેમજ નાગરિકોને ઘરેથી બસ લઈ જશે અને મૂકી જશે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>વધુમાં વધુ 40 લોકો તેમાં બેસી શકશે</b></h2><p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં AMCની હદમાં રહેતા નાગરિકોએ પ્રતિ બસ રૂ.3,000 તથા ઔડાની હદમાં રહેતા નાગરિકોએ રૂ.5,000 ચૂકવવાના રહેશે. જે પણ વ્યક્તિ આ યોજનાનો લાભ લે તેને પ્રોપર્ટી ટેક્ષ બિલ તેમજ ભરેલ પહોંચની નકલ પણ જમા કરાવવાની રહેશે.સવારે 8.15 વાગ્યેથી બુકિંગ કરાવેલા રૂટના મંદિરો પર દર્શન કરાવી સાંજે 4.45 વાગ્યે પરત આવશે. એક બસમાં બેસવાની કેપેસિટી 30 લોકોની છે પરંતુ વધુમાં વધુ 40 લોકો તેમાં બેસી શકશે.&nbsp;</p><p style="text-align: justify; "><img alt="અમદાવાદ દર્શન યોજના" src="https://epapercdn.sandesh.com/images/2026/08/12/8XbJAOxqXRtMsg73wNGurcECTSqbgiJD2GGEfbTH.webp" style="width: 100%;"><br></p><h3 style="text-align: justify; "><b>ગત વર્ષે એક લાખ લોકોએ ધાર્મિક બસ પ્રવાસ યોજનાનો લાભ મેળવ્યો</b></h3><p style="text-align: justify; ">બસમાં બેસવા માટે લાલ દરવાજા ટર્મિનસ, સારંગપુર ટર્મિનસ, વાડજ ટર્મિનસ અને મણિનગર ટર્મિનસ પર બુકિંગ કરાવવાનું રહેશે. ગત વર્ષે શ્રાવણ માસમાં એક મહિનામાં AMTSએ 1000થી વધુ બસો દ્વારા શહેરના નાગરિકોએ ધાર્મિક પ્રવાસનો લાભ લીધો હતો.જેમાં અંદાજિત 1 લાખ જેટલા ભક્તોએ શહેરના વિવિધ ધાર્મિક મંદિરોની મુલાકાત લીધી હતી.મોટી સંખ્યામાં ભક્તોએ મ્યુનિ.ના આ ધાર્મિક બસ પ્રવાસ યોજનાનો લાભ મેળવ્યો હતો.<br><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kheda/farmers-demand-compensation-for-paddy-crop-damage-in-nadiad" target="_blank">આ પણ વાંચોઃ Kheda News: નડિયાદના હાથનોલી ગામના ખેડૂતો બગડેલી ડાંગર લઈ કલેક્ટર કચેરી પહોંચ્યા</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/wHKqiLw0tvXHgaQxtP5XlZiviSQvU2Pv3bQahBtY.webp'/></item><item><title><![CDATA[Amit Shah: વિદ્યાર્થી આંદોલન મુદ્દે સરકાર ચર્ચા કરવા તૈયાર, અમિત શાહે લોકસભા સ્પીકરને લખ્યો પત્ર ]]></title><link>https://sandesh.com/india/news/amit-shah-government-ready-to-discuss-the-issue-of-student-agitation-amit-shah-wrote-a-letter-to-the-lok-sabha-speaker</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/amit-shah-government-ready-to-discuss-the-issue-of-student-agitation-amit-shah-wrote-a-letter-to-the-lok-sabha-speaker</guid><pubDate>Wed, 12 Aug 2026 15:14:30 +05:30</pubDate><description><![CDATA[<p>સંસદમાં વિપક્ષ દ્વારા અમિત શાહ જવાબ આપે તેવી માગ કરવામાં આવી હતી. આ મામલે તેઓએ સદનમાં હોબાળો કર્યો અને સંસદ પરિસરમાં પણ વિરોધ પ્રદર્શન કર્યા. આ મામલે સરકાર કહી ચૂકી છે કે તે વાત કરવા તૈયાર છે. વિપક્ષના દરેક જવાબ આપવા તૈયાર છે પરંતુ વિપક્ષ ભાગે નહીં, સાંભળે. આ મામલે 11 ઓગ્ષટે એનડીએ સાંસદો દ્વારા અમિત શાહ જવાબ આપશે રાહુલ ગાંધી ભાગે નહીં તેવા બેનરો સાથે માર્ચ કાઢવામાં આવી હતી. ત્યારે હવે આ જે અમિત શાહે સ્પષ્ટ કર્યુ છે કે જેટલો સમય જોઇએ તેટલો ફાળવો જવાબ આપવા તૈયાર છીએ.</p><h2><b>સંસદમાં ચર્ચા માટે સહમતિ બનાવો- અમિત શાહ</b></h2><p>આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભા સ્પીકરને પત્ર લખ્યો છે. તેમાં કહ્યું છે કે વિપક્ષ સાથે વાત કરો અને ચર્ચા કરવા માટે સહમતિ બનાવે. લોકતંત્રમાં ચર્ચા અને સંવાદથી જ સમાધાન શક્ય છે. પત્રમાં એમ પણ લખ્યું છે કે સમય નક્કી કરો..અને કલાકો ફાળવો. તે નક્કી સમયે હાજર રહીને વિપક્ષના દરેક સવાલનો જવાબ આપીશ. વિદ્યાર્થી આંદોલન અંગે સરકાર ચર્ચા કરવા તૈયાર છે.  વિપક્ષ સાથે વાત કરીને સમય નક્કી કરો.&nbsp;&nbsp;</p><p><a  target="_blank" style="background-color: rgb(255, 255, 255);"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2087469626745614509"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h4><b>દિવસો અને કલાકો ફાળવો, પરસ્પર સહમતિ બનાવો- અમિત શાહ</b>&nbsp;</h4><p>હું એ પણ નિર્દેશ કરવા માંગુ છું કે, વિપક્ષની વિનંતી પહેલાં પણ, સંસદના વર્તમાન સત્ર દરમિયાન 'જાહેર પરીક્ષાઓ (અન્યાયી માધ્યમોનું નિવારણ) સુધારા બિલ, 2026' પર ચર્ચા કરવામાં આવી હતી; છતાં, તે સમયે ગૃહમાં NEET પરીક્ષા અંગે વિરોધ પક્ષના કોઈપણ સભ્યએ કોઈ મંતવ્યો વ્યક્ત કર્યા ન હતા. તેમ છતાં, સરકાર આ મુદ્દા પર ફરીથી ચર્ચા કરવા તૈયાર છે. હું તમને વિનંતી કરું છું કે તમે વિપક્ષ સાથે વાત કરો અને પરસ્પર સંમતિના આધારે&nbsp; તમને યોગ્ય લાગે તેટલો સમય ફાળવો - પછી ભલે તે દિવસો હોય કે કલાકો. . હું આ મુદ્દા પર ચર્ચામાં ભાગ લેવા માટે નિર્ધારિત સમય દરમિયાન ગૃહમાં હાજર રહેવાનો ઇરાદો રાખું છું અને વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા તમામ પ્રશ્નોના જવાબ આપવા તૈયાર છું.</p><p><br></p><p><a href="https://sandesh.com/astrology/news/bhakti/shani-transit-shani-dev-will-have-a-great-move-luck-will-shine-for-4-zodiac-signs-from-august-20" target="_blank">આ પણ વાંચો: Shani Transit: શનિ દેવ ચાલશે ગજબની ચાલ, 20 ઑગષ્ટથી 4 રાશિનું ચમકશે નસીબ</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/a3voMUeaMRjh6k7KZUABEn9C1fZFVNQrsnrz292l.webp'/></item><item><title><![CDATA[Ronaldo-Georgina marries : 41 વર્ષના ફુટબોલરે 5 બાળકોની હાજરીમાં કર્યા લગ્ન ]]></title><link>https://sandesh.com/sports/news/cristiano-ronaldo-marries-41-year-old-footballer-gets-married-in-the-presence-of-5-children</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/cristiano-ronaldo-marries-41-year-old-footballer-gets-married-in-the-presence-of-5-children</guid><pubDate>Wed, 12 Aug 2026 08:18:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વિશ્વના સૌથી પ્રખ્યાત ફૂટબોલરોમાંના એક ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના જીવનમાં વધુ એક ખાસ પ્રકરણ ઉમેરાયું છે. રોનાલ્ડો અને તેમના લાંબા સમયના જીવનસાથી, જ્યોર્જીના રોડ્રિગ્ઝે આખરે લગ્ન કરી લીધા છે. આ દંપતીએ સોશિયલ મીડિયા પર તેમના લગ્નના સમાચાર શેર કરીને ચાહકોને આશ્ચર્યચકિત કર્યા હતા. 11 ઓગસ્ટના રોજ, 41 વર્ષીય રોનાલ્ડો અને 32 વર્ષીય જ્યોર્જીનાએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં તેમના લગ્નની વીંટીઓ દેખાઈ હતી. તેમણે ફોટોને ટૂંકમાં પરંતુ અનોખી રીતે કેપ્શન આપ્યું હતું, "CG." જોકે, આ દંપતીએ લગ્ન સમારોહના અન્ય કોઈ ફોટા જાહેર કર્યા નથી.</p><h5 style="text-align: justify;"><b>રોનાલ્ડોએ બાળકોની હાજરીમાં કર્યા લગ્ન&nbsp;</b></h5><p style="text-align: justify;">લગ્ન પોર્ટુગલના લિસ્બન નજીક એક સુંદર દરિયાકાંઠાના રિસોર્ટ, કાસ્કેસમાં થયા હતા. રોનાલ્ડોના પબ્લિક રિલેશન્સ મેનેજર, બ્રુન્સવિક ગ્રુપે જણાવ્યું હતું કે સમારોહ ખાનગી રાખવામાં આવ્યો હતો. રોનાલ્ડો અને જ્યોર્જીનાના પાંચ બાળકો પણ હાજર હતા. આ લગ્ને છેલ્લા કેટલાક અઠવાડિયાથી તેમના સંબંધો વિશે ચાલી રહેલી અટકળોનો પણ અંત લાવ્યો. નોંધપાત્ર રીતે, જ્યોર્જિનાએ ઓગસ્ટ 2025 માં તેમની સગાઈની જાહેરાત કરી હતી, અને હવે, બરાબર એક વર્ષ પછી, તેઓ લગ્ન કરી રહ્યા છે. રોનાલ્ડો તાજેતરમાં 2026 ફિફા વર્લ્ડ કપમાં પોર્ટુગલ માટે રમતા જોવા મળ્યો હતો.</p><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/Db6URBZAWgg/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/Db6URBZAWgg/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a></p><p style="text-align: justify;"><br></p><h5 style="text-align: justify;"><b>આ રીતે તેમની પ્રેમકથા શરૂ થઈ</b></h5><p style="text-align: justify;">રોનાલ્ડો અને જ્યોર્જીના પહેલી વાર 2016 માં મેડ્રિડમાં મળ્યા હતા. તે સમયે, જ્યોર્જીના ગુચી સ્ટોરમાં કામ કરતી હતી. તેના થોડા સમય પછી, તેમના સંબંધો હેડલાઇન્સમાં આવવા લાગ્યા. જાન્યુઆરી 2017 માં ઝુરિચમાં આયોજિત બેસ્ટ ફિફા ફૂટબોલ એવોર્ડ સમારોહ દરમિયાન તેઓ પહેલી વાર જાહેરમાં સાથે જોવા મળ્યા હતા.</p><h5 style="text-align: justify; "><b>&nbsp;તેમના સંબંધ ચર્ચામાં રહ્યો&nbsp;</b></h5><p style="text-align: justify; ">આ પછી, તેમનો સંબંધ ધીમે ધીમે વિશ્વના સૌથી ચર્ચિત સેલિબ્રિટી સંબંધોમાંના એકમાં ફેરવાઈ ગયો. જ્યોર્જીનાની નેટફ્લિક્સ શ્રેણી, આઈ એમ જ્યોર્જીના માં પણ તેમની પ્રેમકથા અને પારિવારિક જીવનની ઝલક દર્શાવવામાં આવી હતી. આ જ શ્રેણીમાં રોનાલ્ડોએ જ્યોર્જીના સાથેના પોતાના સંબંધો વિશે વાત કરતા કહ્યું કે શરૂઆતમાં તેમને ખ્યાલ નહોતો કે તે આટલું ગાઢ બનશે. સમય જતાં, તેમને સમજાયું કે જ્યોર્જીના તેમના જીવનમાં એક ખાસ વ્યક્તિ છે. રોનાલ્ડો અને જ્યોર્જીનાને બે પુત્રીઓ, અલાના અને બેલા છે. જ્યોર્જીના રોનાલ્ડોના મોટા પુત્ર, ક્રિસ્ટિયાનો જુનિયર અને જોડિયા, ઈવા મારિયા અને માટેઓનો પણ ઉછેર કરે છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/babita-phogat-welcomes-baby-girl" target="_blank">Babita Phogatએ પુત્રીને આપ્યો જન્મ, શેર કરી પહેલી તસવીર</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/5qKu5ZeFGpbMhgcWzMWcsdDUQmmGRVJ6AYE7zv06.webp'/></item></channel></rss>