<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Amreliના બાબરામાં પરપ્રાંતીય શ્રમિકની નિર્મમ હત્યા: રાત્રે સૂતેલા આધેડના માથામાં બોથડ પદાર્થ ઝીંકી નીપજાવી હત્યા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/brutal-murder-of-migrant-worker-in-babra-amreli-a-middle-aged-man-was-murdered-by-throwing-a-blunt-object-at-his-head-while-he-was-sleeping-at-night</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/brutal-murder-of-migrant-worker-in-babra-amreli-a-middle-aged-man-was-murdered-by-throwing-a-blunt-object-at-his-head-while-he-was-sleeping-at-night</guid><pubDate>Thu, 13 Aug 2026 11:40:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમરેલી જિલ્લાના બાબરા શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને સનસનાટીભરી ઘટના સામે આવી છે. બાબરાના ભાવનગર હાઇવે પર આવેલા એક કારખાનામાં કામ કરતા પરપ્રાંતીય આધેડ મજૂરની નિર્મમ હત્યા કરવામાં આવી છે. મૃતક મધ્યપ્રદેશના વતની હતા અને અન્ય મજૂરો વચ્ચે 'કાકા' તરીકે ઓળખાતા હતા. રાત્રિના સમયે જ્યારે તેઓ કારખાના પરિસરમાં નિદ્રાધીન હતા, ત્યારે અજ્ઞાત હુમલાખોરે તેમના માથાના ભાગે બોથડ પદાર્થ વડે ઘાતક પ્રહાર કરીને કુરતાપૂર્વક તેમની હત્યા નીપજાવી હતી.</p><h2 style="text-align: justify; "><b>સાથી મજૂરે જ હત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન</b></h2><p style="text-align: justify; ">બનાવ અંગે જાણ થતાં જ કારખાનામાં કામ કરતા અન્ય કર્મચારીઓમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની પ્રાથમિક વિગતો મુજબ, આ જ કારખાનામાં કામ કરતા અન્ય એક સાથી મજૂર સાથે કોઈ બાબતે મનદુઃખ થતાં તેણે જ આ લોહિયાળ ખેલ ખેલ્યો હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. જૂની કોઈ અંગત અદાવત કે તકરારના કારણે જ રાત્રિના અંધારામાં આ કૌર્યપૂર્ણ ગુનો આચરવામાં આવ્યો હોવાની શંકા દ્રઢ બની રહી છે.</p><h3 style="text-align: justify; "><b>બાબરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો</b></h3><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં જ બાબરા પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તેને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત, ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કરીને કારખાનાના અન્ય કર્મચારીઓની પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે. ફરાર થઈ ગયેલા શંકાસ્પદ સાથી મજૂરને ઝડપી પાડવા માટે બાબરા પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/T2sBTyFRVIANV7CudFE77cwdXl0Gog2kmZOnLx7h.webp'/></item><item><title><![CDATA[Vijay Mallya Case: વિવાદ ખતમ કરી આગળ વધવું જોઇએ... વિજય માલ્યાની અરજી પર બોમ્બે હાઈકોર્ટે આપી પ્રતિક્રિયા ]]></title><link>https://sandesh.com/business/news/vijay-mallya-case--bombay-hc-says-end-decade-long-bank-dispute-now</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/vijay-mallya-case--bombay-hc-says-end-decade-long-bank-dispute-now</guid><pubDate>Thu, 13 Aug 2026 11:10:49 +05:30</pubDate><description><![CDATA[<p>Vijay Mallya Case: ભાગેડુ બિઝનેસ મેન વિજય માલ્યાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.  જસ્ટિસ મિલિંદ જાધવની અધ્યક્ષતામાં બોમ્બે હાઈકોર્ટની એકલ ન્યાયાધીશની બેન્ચે અવલોકન કર્યું છે કે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા અને બેંકો વચ્ચે છેલ્લા દાયકાથી ચાલી રહેલા વ્યાપારી વિવાદનો હવે અંત આવવો જોઈએ. કોર્ટે ટિપ્પણી કરી હતી કે જો સંબંધિત પક્ષો આ વિવાદથી આગળ નહીં વધે, તો તેની સીધી અસર દેશના અર્થતંત્ર પર પડશે. એક વિશેષ કોર્ટે અગાઉ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની આગેવાની હેઠળના બેંકોના કન્સોર્ટિયમને માલ્યાની સંપત્તિનો ઉપયોગ કરવાની પરવાનગી આપી હતી જે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા જપ્ત કરવામાં આવી હતી. માલ્યાએ આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો; જવાબમાં કોર્ટે ED પાસેથી તપાસની વર્તમાન સ્થિતિ અને જપ્ત કરાયેલી સંપત્તિ અંગે વિગતો માંગી છે.</p><p>બોમ્બે હાઈકોર્ટે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના નેતૃત્વ હેઠળના બેંકોના કન્સોર્ટિયમ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા કાનૂની વિવાદ પર ટિપ્પણી કરી છે. જસ્ટિસ મિલિંદ જાધવની બેન્ચે સ્પષ્ટપણે કહ્યું હતું કે આવા વ્યાપારી વિવાદોનો ઉકેલ હવે લાવવો જોઈએ.</p><h4><b>કોર્ટે અવલોકન કર્યું: તે દેશના અર્થતંત્ર પર અસર કરશે</b></h4><p>કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો સંડોવાયેલા પક્ષો આ વિવાદોમાંથી પસાર થઈને ઉકેલ લાવવા માટે કામ નહીં કરે, તો તેની સીધી અને નકારાત્મક અસર દેશના અર્થતંત્ર પર પડશે. કોર્ટનો મત છે કે લગભગ એક દાયકાથી ચાલી રહેલ આ મામલો હવે તાર્કિક નિષ્કર્ષ પર પહોંચવો જોઈએ.</p><p>આ અવલોકન વિજય માલ્યા દ્વારા દાખલ કરાયેલ 2020 ની અરજીની સુનાવણી દરમિયાન કરવામાં આવ્યું હતું. માલ્યાએ સ્પેશિયલ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) કોર્ટ દ્વારા પસાર કરાયેલા આદેશને પડકાર્યો હતો, જેણે SBI-ની આગેવાની હેઠળના બેંકોના કન્સોર્ટિયમને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા જપ્ત કરાયેલી તેમની સંપત્તિનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. માલ્યાએ દલીલ કરી હતી કે તેમની સંપત્તિ બેંકોને સોંપવાનો આદેશ ગેરવાજબી હતો. જો કે, કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે વાણિજ્યિક વિવાદોના ઉકેલો ઘણીવાર વિવાદોમાં જ રહે છે, અને પક્ષોએ એકબીજા સાથે સંઘર્ષમાં રહેવાને બદલે વ્યવહારિક ઉકેલો તરફ આગળ વધવું જોઈએ.&nbsp;</p><h4><b>હાઇકોર્ટે ED ને નોટિસ ફટકારી</b></h4><p>મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, હાઇકોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ને નોટિસ ફટકારી છે. કોર્ટે EDના ડેપ્યુટી ડિરેક્ટરને વિજય માલ્યા સામે ચાલી રહેલી તપાસની વર્તમાન સ્થિતિ અંગે એક વ્યાપક અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. વધુમાં, કોર્ટે અત્યાર સુધી જપ્ત કરાયેલી બધી સંપત્તિઓનો વિગતવાર હિસાબ માંગ્યો છે. કોર્ટને કેસની સ્પષ્ટ તસવીર મળે અને બેંકો દ્વારા લોન વસૂલાત માટે જપ્ત કરાયેલી સંપત્તિનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે નક્કી કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. કેસની આગામી સુનાવણીમાં EDનો રિપોર્ટ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/XzDmGQp5Mpc4niznhNvDUVrnGXYqiVxYcDTCTg2n.webp'/></item><item><title><![CDATA[Srideviએ રિજેક્ટ કરી દીધી હતી 9 હજાર કરોડની કમાણી કરનારી હોલીવુડ ફિલ્મ, માત્ર 4 વર્ષની ઉંમરે કર્યું હતું ડેબ્યૂ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/sridevi-jurassic-park-hollywood-film-rejected</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/sridevi-jurassic-park-hollywood-film-rejected</guid><pubDate>Thu, 13 Aug 2026 11:04:41 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હિન્દી સિનેમામાં એકથી એક સુંદર અભિનેત્રીઓ રહી છે. ઘણી અભિનેત્રીઓએ પોતાના શાનદાર અભિનયથી વર્ષો અને દાયકાઓ સુધી લોકોના દિલ પર રાજ કર્યું છે. જ્યારે કેટલીક અભિનેત્રીઓએ પોતાની એક્ટિંગની સાથે ડાન્સ અને સુંદરતાથી પણ ફેન્સનું દિલ જીત્યું હતું. શ્રીદેવી પણ આવી જ એક અભિનેત્રી હતી. બોલીવુડથી લઈને સાઉથ સિનેમા સુધી પોતાની ખાસ ઓળખ બનાવનાર શ્રીદેવીએ એક હોલીવુડ ફિલ્મની ઓફર ઠુકરાવી હતી, જેણે દુનિયાભરમાં લગભગ 9 હજાર કરોડ રૂપિયાની કમાણી કરી હતી.</p><h2 style="text-align: justify; "><b>ભારતીય સિનેમાના ઇતિહાસની બેસ્ટ અભિનેત્રી</b></h2><p style="text-align: justify; ">જ્યારે પણ હિન્દી સિનેમા કે ભારતીય સિનેમાના ઇતિહાસની શ્રેષ્ઠ અભિનેત્રીઓની વાત થાય છે, ત્યારે શ્રીદેવીનું નામ ભૂલી શકાય નહીં. બાળપણમાં જ તેમણે કેમેરાનો સામનો કરી લીધો હતો અને મોટી થયા પછી પણ તેમણે એક્ટિંગનો શોખ જાળવી રાખ્યો હતો. તમિલ, તેલુગુ, મલયાલમ સિનેમાથી લઈને હિન્દી સિનેમા સુધી પોતાની અમિટ છાપ છોડનાર શ્રીદેવીની આજે બર્થ એનિવર્સરી છે.<br><img alt="Sridevi, Bollywood (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/13/gQjDwGv9AoGG8hjBqLmBvy9TERaxRWNFj2a27bgK.webp"><br></p><h3 style="text-align: justify; "><b>4 વર્ષની ઉંમરે ભગવાન કાર્તિકેયનું પાત્ર ભજવ્યું હતું</b></h3><p style="text-align: justify; ">શ્રીદેવીનો જન્મ 13 ઓગસ્ટ 1963ના રોજ તમિલનાડુના મીનામપટ્ટી ગામમાં થયો હતો. તેમનું સાચું નામ શ્રી અમ્મા યંગર અય્યપ્પન હતું. માત્ર 3 વર્ષની ઉંમરે તેમને પહેલી ફિલ્મ મળી હતી અને જ્યારે તેઓ 4 વર્ષના થયા ત્યારે તેમની ડેબ્યૂ ફિલ્મ રિલીઝ થઈ હતી. તેમણે 1967ની તમિલ ફિલ્મ કંધન કરુણાઈમાં ભગવાન કાર્તિકેયનું પાત્ર ભજવ્યું હતું. આ પાત્રમાં તેમને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમની પાસે ફિલ્મોની લાઇન લાગી ગઈ હતી. ત્યારબાદ તેમણે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે તેમણે મલયાલમ સિનેમામાં 1971માં ફિલ્મ પૂમપટ્ટાથી અને તેલુગુ સિનેમામાં મા નન્ના નિર્દોષીથી 1970માં ડેબ્યૂ કર્યું હતું. જ્યારે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે તેમની પહેલી હિન્દી ફિલ્મ રાની મેરા નામ હતી. આ ફિલ્મ 1972માં રિલીઝ થઈ હતી.</p><h4 style="text-align: justify; "><b>લીડ એક્ટ્રેસ તરીકે પહેલી ફિલ્મમાં રજનીકાંત કરતા વધુ ફી લીધી</b></h4><p style="text-align: justify; ">લીડ એક્ટ્રેસ તરીકે શ્રીદેવીએ તમિલ ફિલ્મ મૂન્દ્રુ મુડિચુથી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ 1976માં રિલીઝ થઈ હતી અને તે સમયે અભિનેત્રી માત્ર 13 વર્ષની હતી. તેમાં તેમણે રજનીકાંત અને કમલ હાસન સાથે કામ કર્યું હતું. રજનીકાંતે આ ફિલ્મ માટે 2 હજાર રૂપિયા જ્યારે શ્રીદેવીએ 5 હજાર રૂપિયા ફી લીધી હતી.<br><img alt="Sridevi, Bollywood (2)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/13/pUfSQn2h1IP6GFWfgTiLFVmKs6wZKJEUIpHW5sH5.webp"><br></p><h4 style="text-align: justify; "><b>બોલીવુડમાં ફ્લોપ ડેબ્યૂ બાદ સાઉથમાં પરત ફર્યા</b></h4><p style="text-align: justify; ">16 વર્ષની ઉંમરે શ્રીદેવીએ સોલવાં સાવન ફિલ્મથી હિન્દી સિનેમામાં લીડ એક્ટ્રેસ તરીકે ડેબ્યૂ કર્યું હતું. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી નહોતી. ત્યારબાદ અભિનેત્રી ફરી સાઉથમાં કામ કરવા લાગી અને અહીં ઘણી શાનદાર ફિલ્મો કરીને તેઓ સાઉથની મોટી સ્ટાર બની ગઈ. બાદમાં તેમણે બોલીવુડમાં પરત ફર્યા હતા.</p><h5 style="text-align: justify; "><b>બોલીવુડમાં કમબેકથી મચાવી ધૂમ</b></h5><p style="text-align: justify; ">શ્રીદેવીએ 1983માં આવેલી ફિલ્મ 'હિમ્મતવાલા'થી હિન્દી સિનેમામાં કમબેક કર્યું હતું અને તેમનું કમબેક યાદગાર રહ્યું હતું. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. તેમાં તેમણે પોતાના કરતા 20 વર્ષ મોટા જિતેન્દ્ર સાથે કામ કર્યું હતું. બંનેની કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ પસંદ આવી હતી.<br><img alt="Sridevi, Bollywood (3)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/13/LjENmDNuHm7n0edz3nO3VV3s5Xv0mxRbe8JQbCrj.webp"><br></p><h4 style="text-align: justify; "><b>શ્રીદેવીની શાનદાર ફિલ્મો</b></h4><p style="text-align: justify; ">હિમ્મતવાલા, ચાલબાઝ, મિસ્ટર ઈન્ડિયા, નગીના, ચાંદની, લાડલા, કર્માથી લઈને જુદાઈ, ઇંગ્લિશ વિંગ્લિશ અને મોમ સહિત તેમણે હિન્દી અને સાઉથમાં કુલ 300 ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે તેલુગુ, તમિલ અને હિન્દી ત્રણેય ભાષામાં 50થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. બોલીવુડમાં તેમણે પોતાની ઊંડી અને અમિટ છાપ છોડી હતી અને તેમને બોલીવુડની પ્રથમ લેડી સુપરસ્ટાર પણ કહેવામાં આવતા હતા.</p><h5 style="text-align: justify; "><b>9 હજાર કરોડની કમાણી કરનારી હોલીવુડ ફિલ્મની ઓફર ઠુકરાવી</b></h5><p style="text-align: justify; ">90ના દાયકામાં જ્યારે શ્રીદેવીની કારકિર્દી ટોચ પર હતી, ત્યારે તેમને હોલીવુડમાંથી પણ ઓફર મળી હતી. 1993ની ફિલ્મ જુરાસિક પાર્કમાં અભિનેત્રીને દિગ્દર્શક સ્ટીવન સ્પીલબર્ગે એક પાત્રની ઓફર કરી હતી. પરંતુ વ્યસ્તતાના કારણે શ્રીદેવીએ આ ઓફર ઠુકરાવી દીધી હતી. આ ફિલ્મે દુનિયાભરમાં રિલીઝ અને ફરી રિલીઝને મળીને લગભગ 9 હજાર કરોડ રૂપિયાની કમાણી કરી હતી.<br><img alt="Sridevi, Bollywood (4)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/13/K985WzVDE3N2ax2GNnbNVK2sYLYBaumXKBLU98KX.webp"><br></p><h5 style="text-align: justify; "><b>2018માં થયું હતું નિધન</b></h5><p style="text-align: justify; ">શ્રીદેવીએ 54 વર્ષની ઉંમરે 24 ફેબ્રુઆરી 2018ના રોજ દુનિયાને અલવિદા કહ્યું હતું. તેઓ પોતાના એક નજીકના વ્યક્તિના લગ્નમાં હાજરી આપવા પરિવાર સાથે દુબઈ ગયા હતા. અહેવાલો અનુસાર, જુમેરાહ એમિરેટ્સ ટાવર હોટલમાં બેભાન હાલતમાં બાથટબમાં ડૂબી જવાથી તેમનું નિધન થયું હતું.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/dc-tamil-movie-box-office-83-percent-budget-recovery" target="_blank">આ પણ વાંચો-Spider Manના તોફાન સામે આ તમિલ ફિલ્મે મચાવી તબાહી, કરી રેકોર્ડબ્રેક કમાણી!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/8wsJZ4pjtmpvN9ye4lrEdmSu1BaPGnzzTLczZt38.webp'/></item><item><title><![CDATA[Vadodara SOGએ બાજવા-કરચિયા રોડ પરના મકાનમાંથી રૂ.3.64 લાખના હેરોઈન સાથે એક શખ્સની કરી ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-sog-arrests-a-man-with-heroin-worth-rs-3-64-lakh-from-a-house-on-bajwa-karchia-road</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-sog-arrests-a-man-with-heroin-worth-rs-3-64-lakh-from-a-house-on-bajwa-karchia-road</guid><pubDate>Thu, 13 Aug 2026 11:02:50 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા શહેરમાં નશાકારક પદાર્થોના કાળા કારોબાર સામે એસઓજી (SOG) ની ટીમે મોટી કાર્યવાહી કરીને સફળતા મેળવી છે. બાજવા-કરચિયા રોડ પર આવેલા એક શંકાસ્પદ મકાનમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. આ રેડ દરમિયાન મકાનમાંથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ 18.280 ગ્રામ હેરોઇનનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આ નશાકારક પદાર્થ જપ્ત કર્યો હતો, જેની બજાર કિંમત અંદાજે રૂપિયા 3.64 લાખ અંકાઈ રહી છે.</p><h2 style="text-align: justify; "><b>કુલ રૂ.4.20 લાખનો મુદ્દામાલ જપ્ત</b></h2><p style="text-align: justify; ">દરોડા દરમિયાન સ્થળ પરથી જગદીપસિંહ ઉર્ફે દીપ નામના આરોપીની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે તેની પાસેથી હેરોઇન ઉપરાંત રોકડ રકમ અને મોબાઇલ ફોન મળીને એકંદર રૂપિયા 4.20 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી આ જથ્થો પંજાબના અમૃતસરથી એક સપ્લાયર પાસેથી લાવ્યો હતો. ત્યારબાદ તે વડોદરાના સ્થાનિક ગ્રાહકોને છૂટકમાં હેરોઇનની પડીકીઓ બનાવીને વેચતો હોવાનો ખુલાસો થયો છે.</p><h3 style="text-align: justify; "><b>મુખ્ય સપ્લાયરની શોધખોળ શરૂ</b></h3><p style="text-align: justify; ">વડોદરા SOG એ આ સમગ્ર મામલે આરોપી જગદીપસિંહ સામે NDPS (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ હેરોઇનનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે અને અમૃતસરથી આ માદક પદાર્થ કોણે મોકલ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. શહેરમાં નશાના દૂષણને ઉખાડી ફેંકવા માટે પોલીસે સપ્લાયરને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/hdf3U8QQ3BwPZnnIhVigQcyiHXVbGcvTSdumuOWD.webp'/></item><item><title><![CDATA[Air India:'નશામાં ધૂત પાઇલટ સરખો ઉભો પણ રહી શકતો ન હતો...', ક્રુ-મેમ્બરે કરી હતી ફરિયાદ ]]></title><link>https://sandesh.com/india/news/air-india-flight-drops-300-feet--pilot-complaint-over-cannabis-allegation</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/air-india-flight-drops-300-feet--pilot-complaint-over-cannabis-allegation</guid><pubDate>Thu, 13 Aug 2026 11:00:47 +05:30</pubDate><description><![CDATA[<p>Air India: એર ઇન્ડિયાના ટર્બ્યુલન્સની ઘટના અંગે એક મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. મળતી માહિતી અનુસાર 4 ઓગસ્ટના રોજ ફૂકેટથી દિલ્હી જતી ફ્લાઇટ રવાના થાય તે પહેલાં જ એક ક્રૂ મેમ્બરે પાયલટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે પાયલટે ગાંજાનું સેવન કર્યું હતું. એવું કહેવાય છે કે દિલ્હીથી ફૂકેટ જતી ફ્લાઇટ દરમિયાન આ વિવાદ શરૂ થયો હતો.</p><p>પાઇલટ અને કેબિન ક્રૂ મેમ્બર વચ્ચે સીટ સંબંધિત પ્રોટોકોલ અંગે ઝઘડો થયો હતો. ફૂકેટ પહોંચ્યા પછી પણ બંને વચ્ચેનો તણાવ સંપૂર્ણપણે ઓછો થયો ન હતો.</p><h4><b>300 ફૂટ નીચે આવી ગયું વિમાન&nbsp;</b></h4><p>મળતી માહીતિ અનુસાર ફૂકેટથી દિલ્હી પરત ફરતી વખતે વિમાન અચાનક લગભગ 300 ફૂટ નીચે આવી ગયું; આ સમય દરમિયાન એવું જોવા મળ્યું કે મુખ્ય પાઇલટ કોકપીટના ફ્લોર પર સૂતો હતો. ત્યારબાદ, પાઇલટ કોકપીટમાં પાછો ફર્યો અને મુસાફરોની તપાસ કરી. ક્રૂને કથિત રીતે મુસાફરો સાથે ઘટનાની ચર્ચા ન કરવાની સૂચના આપવામાં આવી હતી.</p><p><br></p><h4><b>યોગ્ય રીતે ઊભા રહી શકતો ન હતો પાઇલટ</b></h4><p>દિલ્હીમાં ઉતરાણ પછી પાઇલટની સ્થિતિ અંગે પણ પ્રશ્નો ઉભા થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, તે યોગ્ય રીતે ઊભા રહી શકતો ન હતો. તપાસ દરમિયાન તેણે યુરિન સેમ્પલ આપતી વખતે અધિકારીઓએ તેને ટેકો આપવો પડ્યો હતો. ફરિયાદ અને સામે આવેલી પરિસ્થિતિના આધારે તપાસ એજન્સીઓ ઉડાન દરમિયાન પાઇલટની વાસ્તવિક સ્થિતિ અને વિમાનની ઊંચાઈમાં અચાનક ઘટાડો થવા પાછળનું કારણ નક્કી કરવા માટે કામ કરી રહી છે.<br><br>આ પણ વાંચો:<a href="https://sandesh.com/india/news/national-news-un-report-delhi-red-fort-terror-attack-aqis-ai-chatgpt-use" target="_blank"><b> National News : દિલ્હી લાલ કિલ્લા હુમલા પર UN નો ચોંકાવનારો ખુલાસો: AQIS નો હાથ હોવાનો દાવો</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/LtxvUSEKCfkPnw6Bh9HRgJCC56vyCDWMlpbOpCX0.webp'/></item><item><title><![CDATA[Sawan 2026: બાબા મહાકાલનો અલૌકિક શણગાર, ચાંદીના આભૂષણો અને સૂકા ફળોથી સજ્જ થયા મહાદેવ ]]></title><link>https://sandesh.com/india/news/sawan-2026-baba-mahakal-royal-decoration-ujjain-temple</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/sawan-2026-baba-mahakal-royal-decoration-ujjain-temple</guid><pubDate>Thu, 13 Aug 2026 10:59:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પવિત્ર શ્રાવણ મહિનામાં મધ્યપ્રદેશના ઉજ્જૈન સ્થિત વિશ્વપ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિરમાં બાબા મહાકાલનું અદભુત અને અલૌકિક સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ગુરુવારે વહેલી સવારે બ્રહ્મમુહૂર્તમાં ભસ્મ આરતી પછી ભગવાન મહાકાલને ભાંગ, સૂકા ફળો અને ચાંદીના આભૂષણોથી ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા. મહાદેવના આ રાજવી વૈભવ અને દિવ્ય સ્વરૂપના દર્શન કરવા માટે દેશ-વિદેશથી હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર મંદિર પરિસર 'જય મહાકાલ' ના નારાથી ગુંજી ઉઠ્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>ભસ્મ આરતી બાદ મહાકાલના શાહી વૈભવના દર્શન</b></h2><p style="text-align: justify; ">બ્રહ્મમુહૂર્તમાં મંદિરે પોતાના દરવાજા ખોલ્યા બાદ ગર્ભગૃહમાં સ્થાપિત તમામ દેવતાઓની શાસ્ત્રોક્ત વિધિઓ સાથે પૂજા-અર્ચના કરવામાં આવી હતી. મંદિરના પુજારીઓએ વૈદિક મંત્રોચ્ચાર અને પરંપરાગત ધાર્મિક વિધિઓ સંપન્ન કરી હતી, જેનાથી સમગ્ર મંદિર સંકુલમાં એક દિવ્ય અને આધ્યાત્મિક વાતાવરણ છવાઈ ગયું હતું. આ પવિત્ર અવસરે બાબા મહાકાલને દૂધ, દહીં, ઘી, ખાંડ અને ફળોના રસના મિશ્રણથી બનેલા પંચામૃતથી સ્નાન કરાવવામાં આવ્યું હતું. પ્રથમ ઘંટડીના નાદ સાથે ભગવાનને "હરિ ઓમ" નું પવિત્ર જળ અર્પણ કરાયા બાદ ભક્તોએ ઉત્સાહપૂર્વક કપૂર આરતી કરી હતી અને મહાદેવની સ્તુતિ ગાઈ હતી.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ravisen0734/status/2087696904499204218"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h3 style="text-align: justify; "><b>ફૂલોની સુગંધિત માળાઓથી શણગાર કરાયો</b></h3><p style="text-align: justify; ">અભિષેક પૂર્ણ થયા બાદ બાબા મહાકાલને ચંદન, ભાંગ, ચાંદીનો ચંદ્ર, ત્રિપુંડ્ર અને ગુલાબના ફૂલોની સુગંધિત માળાઓથી શણગારવામાં આવ્યા હતા. પરંપરાગત રીતે જ્યોતિર્લિંગને વસ્ત્રોથી ઢાંકીને પવિત્ર ભસ્મ અર્પણ કરવામાં આવી હતી. ભસ્મ આરતીના આ પવિત્ર અને અલૌકિક ક્ષણના સાક્ષી બનવું એ ભક્તો માટે સૌભાગ્યની વાત હતી. ભસ્મ આરતી પછી બાબા મહાકાલને રાજાઓના રાજાના સ્વરૂપમાં પ્રદર્શિત કરાયા હતા. ભાંગ અને વિવિધ સૂકા ફળોથી સજાવટ ઉપરાંત તેમને ચાંદીનો શેષનાગ મુગટ, ખોપરીની ચાંદીની માળા, રુદ્રાક્ષની માળા તથા કિંમતી સોના-ચાંદીના આભૂષણો પહેરાવવામાં આવ્યા હતા. આ શાહી રૂપ જોઈને ભક્તો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.</p><h4 style="text-align: justify; "><b>બાબા મહાકાલના દરબારમાં બમ બમ ભોલેનો નાદ</b></h4><p style="text-align: justify; ">શણગાર બાદ ભગવાનને ફળો અને મીઠાઈઓનો ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો. મંદિરની પરંપરા મુજબ તમામ વિધિઓ પૂર્ણ થયા બાદ ભક્તો માટે દર્શનના દરવાજા ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. સવારથી જ મંદિર પરિસરમાં લાંબી કતારો જોવા મળી હતી. ધાર્મિક માન્યતા છે કે ભસ્મ અર્પણ થયા પછી ભગવાન મહાકાલ પોતાના નિરાકાર સ્વરૂપમાં ભક્તોને દર્શન આપે છે. શ્રાવણ મહિનાના આ પાવન અવસરે બાબાના દિવ્ય સ્વરૂપના દર્શન કરીને ભક્તોએ પોતાના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/gallery/news/car-flooded-in-rain-water-damage-prevention-tips" target="_blank">આ પણ વાંચોઃ કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો કરો ફટાફટ આ કામ! નહીં તો લાખોનું નુકસાન</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/unCbL2zzaU66QVQwPQh8gIUxDdcYjR3BUuNnze9j.webp'/></item><item><title><![CDATA[Dwarkaમાં પવિત્ર શ્રાવણના પ્રથમ દિવસે નાગેશ્વર જ્યોતિર્લિંગે શિવભક્તોનું ઘોડાપૂર, જયઘોષથી ગુંજ્યું ધામ! ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dwarka/on-the-first-day-of-the-holy-shravan-in-dwarka--nageshwar-jyotirlinga-was-thronged-with-shiva-devotees</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dwarka/on-the-first-day-of-the-holy-shravan-in-dwarka--nageshwar-jyotirlinga-was-thronged-with-shiva-devotees</guid><pubDate>Thu, 13 Aug 2026 10:30:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આજથી દેવાધિદેવ મહાદેવની આરાધનાના પરમ પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થયો છે. પ્રથમ દિવસે જ ગુજરાત સહિત દેશભરના શિવાલયોમાં ભક્તિનો અનોખો માહોલ છવાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ દ્વાદશ જ્યોતિર્લિંગો પૈકીના એક એવા નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર ખાતે વહેલી સવારથી જ શિવભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ભોળાનાથના દર્શન કરવા માટે મંદિર પરિસરમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી.</p><h2 style="text-align: justify; "><b>જળાભિષેક અને પૂજન સાથે પરિસરમાં ગુંજ્યા શિવનામ</b></h2><p style="text-align: justify; ">મંદિરના દ્વાર ખુલતાની સાથે જ 'હર હર મહાદેવ' અને 'બમ બમ ભોલે'ના ગગનભેદી જયઘોષથી સમગ્ર નાગેશ્વર ધામ ગુંજી ઉઠ્યું હતું. શિવભક્તોએ ભગવાન ભોળાનાથના પવિત્ર જ્યોતિર્લિંગ પર જળાભિષેક, દુગ્ધાભિષેક અને બિલિપત્ર અર્પણ કરીને વિશેષ પૂજા-અર્ચના કરી હતી. શ્રદ્ધાળુઓએ પોતાના પરિવારની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ આરોગ્ય માટે મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર વાતાવરણ ભક્તિરસમાં સરોબોર બની ગયું હતું.</p><h3 style="text-align: justify; "><b>ભક્તોની ભીડને ધ્યાને રાખી પ્રશાસન દ્વારા સુચારૂ વ્યવસ્થા</b></h3><p style="text-align: justify; ">શ્રાવણ માસ દરમિયાન દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શનાર્થે પધારતા હોય છે. તેને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક પ્રશાસન દ્વારા વ્યાપક સુરક્ષા અને સુવિધાઓ ગોઠવવામાં આવી છે. દર્શનાર્થીઓ માટે સુચારૂ લાઈન વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા અને ચાંપતો પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. આગામી આખા મહિના દરમિયાન શિવાલયમાં વિવિધ ધાર્મિક મહોત્સવો અને વિશેષ શણગારનું સુંદર આયોજન પણ કરવામાં આવ્યું છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/9hZRFeINjGtWeS8d58nU1VjOcjFHVYhNZpdlVsj9.webp'/></item><item><title><![CDATA[Rajkotમાં શ્રાવણના પ્રથમ દિવસે 150 વર્ષ જૂના પંચનાથ દાદાના અદ્ભુત દર્શન, વહેલી સવારથી શિવભક્તોનું મહેરામણ ઉમટ્યું ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/wonderful-darshan-of-150-year-old-panchnath-dada-on-the-first-day-of-shravan-in-rajkot</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/wonderful-darshan-of-150-year-old-panchnath-dada-on-the-first-day-of-shravan-in-rajkot</guid><pubDate>Thu, 13 Aug 2026 09:45:48 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે રંગીલા રાજકોટના તમામ શિવાલયો 'હર હર મહાદેવ' અને 'બમ બમ ભોલે'ના જયઘોષથી ગુંજી ઉઠ્યા છે. રાજકોટના હૃદયસમા અને શ્રદ્ધાના કેન્દ્ર ગણાતા પંચનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શ્રાવણ માસની પવિત્ર શરૂઆતે શિવજીના દર્શન અને આશીર્વાદ મેળવીને શિવભક્તો ભાવવિભોર અને ધન્ય બન્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>મંદિરમાં જળાભિષેક અને વિશિષ્ટ શણગારનું મહત્વ</b></h2><p style="text-align: justify; ">રાજકોટ સ્થિત પંચનાથ મહાદેવનું મંદિર અંદાજે 150 વર્ષ જેટલું પ્રાચીન અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. શ્રાવણ માસ દરમિયાન શિવલિંગ પર જળાભિષેક, દુગ્ધાભિષેક અને બિલિપત્ર અર્પણ કરવાનું વિશેષ ધાર્મિક મહાત્મ્ય રહેલું છે. જેને લઈને ભક્તો લાંબી કતારોમાં ઊભા રહીને મહાદેવની પૂજા-અર્ચના કરતા નજરે પડ્યા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા દિવસભર પંચનાથ દાદાનો વિવિધ મનોહર શણગાર અને વિશિષ્ટ પૂજા-આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>દિવસભર ધાર્મિક ઉત્સવ જેવો માહોલ</b></h3><p style="text-align: justify; ">શ્રાવણ મહિનાના આ પ્રથમ દિવસે માત્ર પંચનાથ જ નહીં, પરંતુ રાજકોટના તમામ નાના-મોટા શિવ મંદિરોમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો છે. શિવભક્તોની સુરક્ષા અને સુચારૂ દર્શન માટે મંદિરોમાં વિશેષ બેરિકેડિંગ અને વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન મહાદેવની આરાધના, જપ અને તપ માટે રાજકોટ શહેર સંપૂર્ણપણે શિવમય રંગમાં રંગાઈ ગયું છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/NXKM6iPTuhVZqXtdduJGXYJRDwTqmppD22BTJ7oY.webp'/></item><item><title><![CDATA[Rajkotમાં કુખ્યાત જેનિસ મહાજનનો ફરી આતંક: SK ચોકમાં બે મહિલાઓને ધોકો મારી છરી બતાવી વાહનોમાં તોડફોડ કરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/rajkot/rajkot-notorious-jenis-mahajan-attack-sk-chowk-gandhigram-police</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/rajkot/rajkot-notorious-jenis-mahajan-attack-sk-chowk-gandhigram-police</guid><pubDate>Thu, 13 Aug 2026 08:17:35 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે. શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાત શખ્સ જેનિસ મહાજને શહેરના SK ચોક વિસ્તારમાં ફરી એકવાર ભારે ઉત્પાત મચાવી આતંક ફેલાવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>5 થી 6 સ્થળોએ લોકો સાથે માથાકૂટ કરી&nbsp;</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, જેનિસ મહાજને SK ચોક વિસ્તારમાં એક પછી એક એમ 5 થી 6 સ્થળોએ લોકો સાથે માથાકૂટ કરી હતી. આતંકના આ ખેલ દરમિયાન આરોપીએ બે નિર્દોષ મહિલાઓ પર ધોકા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી અને હાથમાં છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ભયનો માહોલ ઊભો કર્યો હતો.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>વાહનોમાં પણ તોડફોડ કરી</b></h3><p style="text-align: justify; ">જેનિસ મહાજને આટલેથી ન અટકતા, તેને વિસ્તારમાં પાર્ક કરેલી ગાડીઓ અને વાહનોમાં પણ તોડફોડ કરી મોટું નુકસાન પહોંચાડ્યું હતું</p><h3 style="text-align: justify; "><b>સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ&nbsp;</b></h3><p style="text-align: justify; ">બનાવને પગલે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો. જેનિસના ત્રાસથી કંટાળેલા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને એકઠા થઈ ગયા હતા અને આરોપી સામે કડકમાં કડક પગલાં ભરવાની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો.</p><h4 style="text-align: justify; "><b>જેનિસ મહાજન રીઢો ગુનેગાર છે&nbsp;</b></h4><p style="text-align: justify; ">અત્રે ઉલ્લેખનીય છે કે જેનિસ મહાજન રીઢો ગુનેગાર છે અને તેની સામે અગાઉ પણ છરી અને ધોકા વડે હુમલો કરવાના અસંખ્ય કેસો નોંધાઈ ચૂક્યા છે. ભૂતકાળમાં તેણે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પર સોડા બોટલ વડે હુમલો કરવાની પણ હિંમત દાખવી હતી. વારંવાર ગુના આચરતા આ અસામાજિક તત્વ સામે પોલીસ હવે કેવા સખત પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">&nbsp;આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-morbi-veerparda-mysterious-well-water-waves-scientific-reason-gsi" target="_blank"><b> Sandesh Digital Explainer: મોરબીનો રહસ્યમય કૂવો: અફવા નહીં, જાણો વૈજ્ઞાનિક હકીકત</b></a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/RuqZA3pFnitqRV4r5uTwFYDWiRyRlaXjqg2zN9Md.webp'/></item><item><title><![CDATA[Lionel Messiની પિતાના અવસાન બાદ પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'મને ખબર નથી કે હવે...' ]]></title><link>https://sandesh.com/sports/news/lionel-messi-father-jorge-messi-death-emotional-post</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/lionel-messi-father-jorge-messi-death-emotional-post</guid><pubDate>Wed, 12 Aug 2026 23:40:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">લિયોનેલ મેસ્સીના પિતા જોર્જ મેસ્સીનું 8 ઓગસ્ટના રોજ 68 વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન થયું હતું. આ પછી લિયોનેલ મેસ્સીએ 12 ઓગસ્ટના રોજ તેમના પિતાના અવસાન પર પહેલીવાર મૌન તોડ્યું જેમાં તેને સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી જેમાં તેમણે ભવિષ્યમાં ફૂટબોલ રમવા અંગે શંકા વ્યક્ત કરી હતી.</p><p style="text-align: justify;">લિયોનેલ મેસ્સીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર તેમના પિતા જોર્જ સાથેનો એક ફોટો પોસ્ટ કર્યો અને એક નોટ પણ શેર કરી જેમાં તેને લખ્યું કે તેઓ આ મોટી ખોટ સ્વીકારી શકતા નથી અને તેને સમજાતું નથી કે તે તેના પિતા વિના જીવનમાં કેવી રીતે આગળ વધશે કારણ કે તેઓ મારા બેસ્ટ મિત્ર, માર્ગદર્શક અને એજન્ટ પણ હતા.</p><h2 style="text-align: justify;"><b>મને ખબર નથી કે આગળ કેવી રીતે આગળ વધવું</b></h2><p style="text-align: justify;">પિતાના અવસાન પછી લિયોનેલ મેસ્સીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી એક પોસ્ટમાં લખ્યું છે કે "મને ખબર નથી કે હું તમારા વિના શું કરીશ. મને ખબર નથી કે આગળ કેવી રીતે વધવું. હું ફક્ત ફૂટબોલ રમી રહ્યો હતો, પરંતુ હવે મારી પાસે ઘણા સવાલો છે કે શું હું ચાલુ રાખી શકીશ." મેસ્સીએ સમજાવ્યું કે તેના પિતાએ તેને દરેક બાબતમાં સપોર્ટ આપ્યો અને હંમેશા તેના નિર્ણયોમાં વિશ્વાસ રાખ્યો. "બધા માટે આભાર. હું તમને પ્રેમ કરું છું, પપ્પા."</p><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/Db8MYnQjYsC/?img_index=1" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/Db8MYnQjYsC/?img_index=1" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a><br></p><h3 style="text-align: justify;"><b>વર્લ્ડકપ શરૂ થવાના થોડા દિવસ પહેલા તે બીમાર પડ્યા&nbsp;</b></h3><p style="text-align: justify;">પોતાની પોસ્ટમાં લિયોનેલ મેસ્સીએ સમજાવ્યું કે વર્લ્ડકપ 2026 શરૂ થવાના થોડા દિવસો પહેલા તેના પિતાની તબિયત અચાનક બગડી ગઈ હતી, જેના કારણે જોર્જ પહેલી વાર કોઈ ટુર્નામેન્ટમાં હાજરી આપી શક્યા ન હતા. "હું દરેક મેચ પછી મારા પિતાના મેસેજની રાહ જોતો હતો. મને તમારી ખૂબ જ યાદ આવશે, પણ તમે હંમેશા સાથે રહેશો. ખાસ કરીને મારા બાળકોને ઉછેરવામાં, કારણ કે હું તેમને એ જ રીતે શીખવીશ અને ઉછેરીશ જે રીતે તમે મને ઉછેર્યો છે."</p><h4 style="text-align: justify;"><b>મેસ્સીને રોનાલ્ડોનો સપોર્ટ મળ્યો</b></h4><p style="text-align: justify;">મેસ્સીના પિતાના અવસાન પછી જ્યારે તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી, ત્યારે તેને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો સપોર્ટ મળ્યો, જેમાં રોનાલ્ડોએ તેની પોસ્ટ પર કોમેન્ટ કરી અને લખ્યું છે કે લીઓ, આ મુશ્કેલ સમયમાં તને અને તારા પરિવારને મારું મોટું હગ, તમને ઘણી શક્તિ મળે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/TGH56UwXwOH6bh1EQIGogFs2CidMiip8syDerxly.webp'/></item></channel></rss>