<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Junagadhની નરસિંહ યુનિવર્સિટી કેમ્પસમાં સિંહની દબંગ એન્ટ્રી, ચાલુ ક્લાસે વિદ્યાર્થીઓએ કર્યા સિંહ દર્શન Video ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/junagadh--asiatic-lion-enters-narsinh-university-campus--hunts-prey--video-goes-viral</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/junagadh--asiatic-lion-enters-narsinh-university-campus--hunts-prey--video-goes-viral</guid><pubDate>Thu, 17 Sep 2026 12:05:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જૂનાગઢ સ્થિત ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કેમ્પસમાં અચાનક સાવજની ભવ્ય એન્ટ્રી થતાં સમગ્ર શૈક્ષણિક પરિસરમાં ભારે અફરાતફરી અને ફફડાટનો માહોલ સર્જાયો હતો. ચાલુ ક્લાસ દરમિયાન યુનિવર્સિટી પરિસરમાં સિંહ મુક્તપણે વિહરતો જોવા મળ્યો હતો. ક્લાસરૂમમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓએ બારીમાંથી સિંહના પ્રત્યક્ષ દર્શન કર્યા હતા, જેનાથી વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો.</p><h2 style="text-align: justify; "><b>લોકોની અવરજવર વચ્ચે માણી મિજબાની</b></h2><p style="text-align: justify; ">ચોંકાવનારી વાત એ છે કે વરસાદી વાતાવરણ વચ્ચે યુનિવર્સિટી કેમ્પસમાં લોકોની અવરજવર હોવા છતાં સિંહે જરાય ગભરાયા વિના પોતાના શિકાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. સિંહે પરિસરમાં જ એક પશુનો શિકાર કર્યો હતો અને લોકોની હાજરી વચ્ચે નિશ્ચિંત થઈને શિકારની મિજબાની માણી હતી. સામાન્ય રીતે વન્યજીવો માનવ વસવાટથી દૂર રહેતા હોય છે, પરંતુ જૂનાગઢ ગીર સોમનાથની નજીક અને જંગલ સીમા પાસે હોવાથી અવારનવાર સિંહો શહેરી અને કેમ્પસ વિસ્તારમાં ઘૂસી આવતા હોય છે.</p><h2 style="text-align: justify; "><b>વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ</b></h2><p style="text-align: justify; ">યુનિવર્સિટી કેમ્પસમાં સિંહ દ્વારા શિકાર કરવાનો અને મિજબાની માણવાનો આ આખો નજારો વિદ્યાર્થીઓએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો. આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોમાં ભારે આશ્ચર્ય અને ચર્ચા જાગી છે. બનાવની જાણ થતાં જ વન વિભાગની ટીમ પણ સતર્ક થઈ ગઈ છે અને યુનિવર્સિટી કેમ્પસ તથા આસપાસના વિસ્તારમાં મોનિટરિંગ વધારી દેવામાં આવ્યું છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/pm-modi-popular-among-gen-z--youth-share-development-suggestions-for-india" target="_blank">દેશના Gen-Z યુવાઓમાં PM મોદીનો ક્રેઝ! ભારતની પ્રગતિની ચર્ચા વચ્ચે યુવાનોએ ભવિષ્યના રોડમેપ માટે રજૂ કર્યા વિઝનરી આઈડિયા</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/L1c74ALC8XDt7VCuifwJD7av2qhOXNo2vgRFQmUc.webp'/></item><item><title><![CDATA[LPG Cylinder Booking: ગેસ સિલિન્ડરની ડિલિવરી અટકી? આ ઉપાયો અજમાવો ]]></title><link>https://sandesh.com/business/news/lpg-cylinder-booking</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/lpg-cylinder-booking</guid><pubDate>Thu, 17 Sep 2026 12:03:39 +05:30</pubDate><description><![CDATA[<p>ઘણી વાર ગેસ બુક કરતી વખતે કોઈ કારણસર ગ્રાહકના ફોન પર DAC કોડ આવતો નથી. આવી સ્થિતિમાં ઘણા લોકોને ચિંતા થાય છે કે હવે ગેસ સિલિન્ડરની ડિલિવરી કેવી રીતે મળશે. આ અંગે વિસ્તારથી સમજીએ.</p><h2><b>LPG ગેસ સિલિન્ડર બુક કર્યા પછી DAC કોડ ન આવે તો શું કરવું?</b></h2><p>રાંધણ ગેસ સિલિન્ડર બુક કર્યા પછી તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર DAC કોડનો મેસેજ ન આવ્યો હોય તો ચિંતા કરવાની જરૂર નથી. આજકાલ Indane, Bharatgas અને HP જેવી તમામ મોટી ગેસ કંપનીઓ ગેરરીતિ રોકવા અને યોગ્ય ગ્રાહક સુધી સિલિન્ડર પહોંચાડવા માટે DAC એટલે કે Delivery Authentication Code સિસ્ટમનો ઉપયોગ કરે છે.</p><p>આ કોડ વગર ડિલિવરી બોય તમને સિલિન્ડર આપવાની ના પાડી શકે છે. જો તમને 4 અંકનો આ કોડ મળ્યો નથી, તો કેટલીક સરળ રીતોથી તમે તેને ફરીથી મેળવી શકો છો અને સિલિન્ડર મેળવી શકો છો.</p><h2><b>ડિલિવરી બોયને કહીને તરત કોડ ફરીથી મંગાવો </b></h2><p>સિલિન્ડરની ડિલિવરી વખતે તમારી પાસે DAC કોડ ન હોય તો ડિલિવરી બોયને કોડ ફરીથી મોકલવા માટે કહો. ડિલિવરી બોય પોતાની ઓફિશિયલ એપમાં તમારો મોબાઇલ નંબર દાખલ કરીને ફરીથી મેસેજ મોકલી શકે છે. ત્યાર બાદ થોડી જ સેકન્ડમાં તમારા ફોન પર કોડ આવી શકે છે.</p><h2><b>ગેસ કંપનીના WhatsApp અને મોબાઇલ એપનો ઉપયોગ કરો</b></h2><p>તમે તમારી ગેસ કંપની જેમ કે HP, Bharatgas અથવા Indaneના ઓફિશિયલ WhatsApp નંબર પર DAC અથવા RESEND DAC લખીને મેસેજ મોકલી શકો છો.</p><p>આ ઉપરાંત કંપનીની મોબાઇલ એપમાં લૉગિન કરીને My Booking વિભાગમાં જઈને પણ તમારો 4 અંકનો ડિલિવરી કોડ સીધો સ્ક્રીન પર જોઈ શકો છો. રજિસ્ટર્ડ મોબાઇલ નંબર ચેક અને અપડેટ કરો. ઘણી વાર મોબાઇલ નંબર ખોટો હોવા અથવા નેટવર્કની સમસ્યાને કારણે DAC કોડનો મેસેજ મળતો નથી. ધ્યાન રાખો કે કોડ માત્ર એ જ નંબર પર આવશે જે તમારી ગેસ પાસબુક સાથે લિંક છે. જો તમારો જૂનો નંબર બંધ થઈ ગયો હોય, તો ડિલિવરી બોયની એપ દ્વારા સ્થળ પર જ નવો નંબર અપડેટ કરાવીને કોડ મેળવી શકો છો. </p><h2><b>એજન્સી અથવા હેલ્પલાઇનની મદદ લો</b></h2><p>જો હજુ પણ કોડ ન મળે તો તમારી નજીકની ગેસ એજન્સીના લેન્ડલાઇન નંબર પર ફોન કરીને બુકિંગ નંબર આપો અને કોડ મેળવવા માટે મદદ લો. આ ઉપરાંત કંપનીના ટોલ-ફ્રી IVRS કસ્ટમર કેર નંબર પર ફોન કરીને કોડ ફરીથી મોકલવાનો વિકલ્પ પસંદ કરીને પણ DAC મેળવી શકો છો.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/hKGewnprKVAyTBgHSkDpBe84oGqxS8j3W3ZggBxz.webp'/></item><item><title><![CDATA[Banaskantha News: બજારમાં બટાકાના પૂરતા ભાવ નહીં મળતાં ખેડૂતોને મોટું નુકસાન, જાણો શું માગ કરી? ]]></title><link>https://sandesh.com/gujarat/news/agriculture/banaskantha/potato-farmers-face-losses-as-market-prices-fall</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/agriculture/banaskantha/potato-farmers-face-losses-as-market-prices-fall</guid><pubDate>Thu, 17 Sep 2026 11:51:36 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ડીસામાં બટાકાના પોષણક્ષમ ભાવ અને સબસિડીની માંગણી સાથે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.આ વર્ષે મોંઘા ભાવના ખાતર,બિયારણ અને ખેતી પાછળ ભારે ખર્ચ કરીને ખેડૂતોએ બટાકાનું મબલખત ઉત્પાદન કર્યું હતું,પરંતુ બજારમાં પાકના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ભામાશા યોજના અને વિશેષ સહાય પેકેજ અંતર્ગત બટાકાના ખેડૂતોને પ્રતિ કિલોએ એક રૂપિયાની આર્થિક સહાય તેમજ સ્ટોરેજ ભાડામાં સહાય જાહેર કરવામાં આવી છે, તેવી જ રાહત ગુજરાતના ખેડૂતોને પણ આપવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.</p><h2 style="text-align: justify; "><b>ખેડૂતોને વાવેતરનો ખર્ચ પણ પોસાય તેમ નથી</b></h2><p style="text-align: justify; ">ભાવ વધવાની અને સરકાર દ્વારા કોઈ રાહત પેકેજ કે સબસિડી જાહેર કરવામાં આવશે તેવી આશાએ અનેક ખેડૂતોએ પોતાના બટાકાનો જથ્થો કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહિત કર્યો હતો.જોકે લાંબો સમય વીતી જવા છતાં સરકાર દ્વારા હજુ સુધી કોઈ જ સબસિડી જાહેર કરવામાં આવી નથી અને બજારમાં બટાકાના ભાવમાં પણ કોઈ સુધારો જોવા મળ્યો નથી.હાલ સ્થિતિ એવી બની છે કે ખુલ્લા બજારમાં ખેડૂતોને બટાકાના માત્ર 4થી 6 રૂપિયા પ્રતિ કિલો જેટલો જ ભાવ મળી રહ્યો છે.આટલા ઓછા ભાવના કારણે જો ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાંથી બટાકા બહાર કાઢીને વેચવા જાય તો તેમને મળતી રકમમાંથી કોલ્ડ સ્ટોરેજનું ભાડું અને વહન ખર્ચ પણ પૂરો થઈ શકે તેમ નથી.</p><h2 style="text-align: justify; "><b>કિસાન સંઘના આગેવાનોએ રજૂઆત કરી</b></h2><p style="text-align: justify; ">ખેડૂતો અને કિસાન સંઘના આગેવાનોના જણાવ્યા મુજબ,જો સરકાર દ્વારા પ્રતિ કિલોએ ઓછામાં ઓછા 12થી 15 રૂપિયા જેટલો ભાવ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે અથવા વિશેષ સહાય અપાય તો જ ખેતી પાછળ થયેલી મૂળ મૂડી અને મજૂરી ખર્ચ બહાર આવી શકે તેમ છે.આ ગંભીર આર્થિક સંકટ અંગે અગાઉ અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર કે સરકાર દ્વારા કોઈ સંતોષકારક નિર્ણય લેવામાં આવ્યો નથી.જેના કારણે ખેડૂતોમાં ભારે નારાજગી ફેલાઈ છે.ખેડૂતોએ સરકાર સામે રોષ વ્યક્ત કરતા ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં તેમની આ ન્યાયી માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આવનારી ચૂંટણીઓમાં તેના રાજકીય પરિણામો ભોગવવા પડશે.<br><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gujarat/ambaji/ambaji-bhadarvi-poonam-fair--gsrtc-arranges-special-buses-for-15-lakh-pilgrims" target="_blank">આ પણ વાંચોઃ Ambaji ભાદરવી પૂનમ મેળા માટે GSRTCનું મેગા આયોજન, 15 લાખથી વધુ માઈભક્તો માટે દોડશે વિશેષ એસટી બસો!</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/GwafjOmSlktEUZYcvXQv2UfsLsh5W65rpXjwpJ0Z.webp'/></item><item><title><![CDATA[દેશના Gen-Z યુવાઓમાં PM મોદીનો ક્રેઝ! ભારતની પ્રગતિની ચર્ચા વચ્ચે યુવાનોએ ભવિષ્યના રોડમેપ માટે રજૂ કર્યા વિઝનરી આઈડિયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/pm-modi-popular-among-gen-z--youth-share-development-suggestions-for-india</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/pm-modi-popular-among-gen-z--youth-share-development-suggestions-for-india</guid><pubDate>Thu, 17 Sep 2026 11:41:26 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આજની નવી પેઢી એટલે કે 'Gen-Z' ના યુવાનોમાં PM નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અભૂતપૂર્વ રીતે વધતી જોવા મળી રહી છે. દેશના ભવિષ્ય સમાન યુવાનો PM મોદીને એક દૂરદર્શી નેતા માનતા હોવાની અને તેઓ હંમેશાં દેશના યુવાનો માટે વિચારતા હોવાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. યુવાનો સાથે યોજાયેલા સંવાદ દરમિયાન ભારતને વૈશ્વિક સ્તરે વધુ આગળ લઈ જવા અંગે અને દેશના વિકાસના રોડમેપ વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.</p><h2 style="text-align: justify; "><b>કોરોના મહામારીથી લઈને ચંદ્રયાન મિશનની સફળતાની ચર્ચા</b></h2><p style="text-align: justify; ">આ મહત્વપૂર્ણ ચર્ચા દરમિયાન ભારતે તાજેતરના વર્ષોમાં કરેલી અભૂતપૂર્વ પ્રગતિને રેખાંકિત કરવામાં આવી હતી. કોરોના મહામારી જેવી વૈશ્વિક આપત્તિ સમયે દેશની મજબૂત લડત અને રસીકરણ અભિયાનથી લઈને ચંદ્રયાન મિશનની ઐતિહાસિક સફળતા સુધીની બાબતો પર વિસ્તૃત મંથન થયું હતું. યુવાનોએ સ્વીકાર્યું હતું કે દેશ ક્ષેત્રે મેળવેલી આ સિદ્ધિઓએ વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો છે અને યુવા પેઢીમાં નવો આત્મવિશ્વાસ જગાડ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>Gen-Z ની માંગો અને દેશના વિકાસ માટે અનોખા સૂચનો</b></h2><p style="text-align: justify; ">સંવાદ દરમિયાન Gen-Z યુવાનોએ PM મોદી સમક્ષ દેશના ભવિષ્યને લગતી પોતાની વિવિધ માંગો અને અનોખા સૂચનો રજૂ કર્યા હતા. શિક્ષણ, ઈનોવેશન, ડિજિટલ ટેકનોલોજી અને નવી રોજગારીની તકો ઉભી કરવા અંગે યુવાનોએ PM સાથે પોતાના વિચારો શેર કર્યા હતા. PM મોદીએ પણ યુવાનોના આઈડિયા આવકારીને દેશના આત્મનિર્ભર ભારત અભિયાનમાં યુવા શક્તિની ભાગીદારી સૌથી મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gujarat/ambaji/ambaji-bhadarvi-poonam-fair--gsrtc-arranges-special-buses-for-15-lakh-pilgrims" target="_blank">Ambaji ભાદરવી પૂનમ મેળા માટે GSRTCનું મેગા આયોજન, 15 લાખથી વધુ માઈભક્તો માટે દોડશે વિશેષ એસટી બસો!</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/0MbCpu5fRZEVuHniUaIibhcHKs35CuMUYS4xXjOs.webp'/></item><item><title><![CDATA[હવે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નહીં મળે કફ સિરપ, દવા સંબંધિત નિયમોમાં થયા મસમોટા ફેરફાર ]]></title><link>https://sandesh.com/india/news/cough-syrup-sale-new-rules-cctv-mandatory-licensed-shops-drugs-rules-1945-amendment</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/cough-syrup-sale-new-rules-cctv-mandatory-licensed-shops-drugs-rules-1945-amendment</guid><pubDate>Thu, 17 Sep 2026 11:38:30 +05:30</pubDate><description><![CDATA[<p>ઘણા વિસ્તારોમાં કફ સિરપનો નશાકારક પદાર્થ તરીકે વારંવાર દુરુપયોગ કરવામાં આવે છે. જેને રોકવા માટે સરકારે તેના વેચાણ અંગેના નિયમો કડક બનાવ્યા છે. કફ સિરપ જેવી દવાઓ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન (તબીબી સલાહ-પત્ર) વિના વેચવામાં ન આવે તે સુનિશ્ચિત કરવા માટે નવા નિયમો સૂચવવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર પુખ્ત વયના લોકો માટે બનાવાયેલ કફ સિરપ ઘણીવાર બાળકોને આપવામાં આવે છે. જેને અટકાવવાની જરૂર છે. કફ સિરપના અનિયંત્રિત વેચાણને રોકવા માટે 'ડ્રગ્સ રૂલ્સ' (દવા સંબંધિત નિયમો)માં મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે.</p><p><br></p><p>નવા નિયમો એ સમસ્યાને પણ સંબોધિત કરે છે જેમાં માત્ર પ્રિસ્ક્રિપ્શન દ્વારા મળતી દવાઓ પ્રિસ્ક્રિપ્શન વિના સીધી દુકાન પરથી (OTC - ઓવર-ધ-કાઉન્ટર) વેચવામાં આવે છે; જે બંધ થવું જોઈએ. નજીકના ભવિષ્યમાં, પ્રિસ્ક્રિપ્શનવાળી દવાઓના વેચાણ પર CCTV દ્વારા દેખરેખ રાખવામાં આવી શકે છે.</p><p><br></p><h3><b>લાઇસન્સ પ્રાપ્ત છૂટક દુકાનો માટે CCTV ફરજિયાત; રેકોર્ડ જાળવવા જરૂરી</b></h3><p>સરકારે લાઇસન્સ પ્રાપ્ત છૂટક દુકાનો માટે CCTV લગાવવાનું ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. CCTV રેકોર્ડિંગ ત્રણ મહિના સુધી સાચવી રાખવા જરૂરી રહેશે. આ નિયમ પ્રિસ્ક્રિપ્શનવાળી દવાઓના વેચાણ પર લાગુ થશે. જોકે, જથ્થાબંધ વેચાણને આ આદેશમાં સામેલ કરવામાં આવ્યું નથી. નિયમોના ડ્રાફ્ટમાં 'ડ્રગ્સ રૂલ્સ, 1945'માં સુધારા સૂચવવામાં આવ્યા છે. વાંધાઓ અને સૂચનો રજૂ કરવા માટે 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે. સરકારે જણાવ્યું હતું કે આ ફેરફારો પાછળનો ઉદ્દેશ્ય દવા વિતરણ પ્રક્રિયામાં વધુ જવાબદારી સુનિશ્ચિત કરવાનો છે.</p><p><br></p><h4><b>કફ સિરપની વ્યાપક દાણચોરી</b></h4><p>ઉલ્લેખનીય છે કે 3 સપ્ટેમ્બરના રોજ ઉત્તર પ્રદેશમાં કોડીનયુક્ત કફ સિરપના વેપાર અને માદક પદાર્થોની દાણચોરી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. યુપી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) એ બાંદા જિલ્લામાં કોડીન કફ સિરપની દાણચોરીમાં સામેલ એક ગેંગ સામે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી અને ચાર વ્યક્તિઓની ધરપકડ કરી.</p><p><br></p><p>STFની ટીમે તેમની પાસેથી અંદાજે ₹3 કરોડની કિંમતની ગેરકાયદેસર કોડીન કફ સિરપની 30,000 બોટલ જપ્ત કરી હતી. ધરપકડ કરાયેલ વ્યક્તિઓની ઓળખ ધીરેન્દ્ર કુમાર (બાંદાના રહેવાસી), પ્રવીણ કુમાર ઉર્ફે લકી અને રોહિત પાંડે (અટારાના રહેવાસી) અને શેખર સિંહ (હાપુરના રહેવાસી) તરીકે કરવામાં આવી છે. STFને માહિતી મળી હતી કે એક આંતરરાજ્ય ગેંગ દિલ્હી, હરિયાણા અને ચંદડીગઢથી ગેરકાયદેસર કોડીન-આધારિત કફ સિરપનો જથ્થો મેળવી રહી હતી અને ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને મધ્ય પ્રદેશ સહિતના વિવિધ રાજ્યોમાં તેનો પુરવઠો પૂરો પાડી રહી હતી. આના પર કાર્યવાહી કરતા, STFની પ્રયાગરાજ ફિલ્ડ યુનિટની એક ટીમ ગુરુવારે બાંદામાં હાજર હતી.<br><br>આ પણ વાંચો:<a href="https://sandesh.com/india/news/chatgpt-astra-mumbai-rajkot-train-irctc-booking-demo-manthan-jethwani" target="_blank"><b> ગજબ...! AIએ IRCTC પર જાતે ટ્રેન શોધી, ડિટેઇલ્સ ભરી અને પછી....</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/SPReux9EtfVHWRIS5yymbujhboxGMwj4TqIVTmP8.webp'/></item><item><title><![CDATA[Jammu Kashmir: ઉધમપુર એન્કાઉન્ટરમાં 2 આતંકી ઠાર, જંગલોમાં આખી રાત ચાલ્યો ગોળીબાર ]]></title><link>https://sandesh.com/india/news/jammu-kashmir-2-terrorists-killed-in-udhampur-encounter-firing-continued-in-the-forests-all-night</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/jammu-kashmir-2-terrorists-killed-in-udhampur-encounter-firing-continued-in-the-forests-all-night</guid><pubDate>Thu, 17 Sep 2026 11:31:32 +05:30</pubDate><description><![CDATA[<p>જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં સુરક્ષા દળોએ એક મોટા અભિયાન દરમિયાન બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે આ મિશન 'ઓપરેશન સોહન' હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. બ્રટ્ટલ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગેની ગુપ્ત માહિતીના આધારે સુરક્ષા દળોએ રાત્રે આ અભિયાન શરૂ કર્યું હતું. હાલમાં આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.</p><h2><b>ઉધમપુરમાં આતંકી છૂપાયા હોવાની માહિતી&nbsp;</b></h2><p>સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર 16-17 સપ્ટેમ્બરની રાત્રે મળેલી ગુપ્ત માહિતીમાં ઉધમપુરના બ્રટ્ટલ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી હોવાનું જણાવાયું હતું. ત્યારબાદ તે વિસ્તારમાં એક લક્ષિત અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.</p><p>મીડિયા અહેવાલો અનુસાર, બુધવારે મોડી રાત્રે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. લાંબા સમય સુધી ચાલેલી ગોળીબારની આ ઘટનામાં અંતે ભારતીય જવાનોને સફળતા મળી અને બંને આતંકવાદીઓ માર્યા ગયા. જોકે, તેમની ઓળખ હજુ સુધી સ્પષ્ટ થઈ શકી નથી. સોહન વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન જવાનોને આ આતંકવાદીઓ અંગે માહિતી મળી હતી.</p><p>ખરાબ હવામાન અને વિસ્તારના દુર્ગમ ભૌગોલિક ભૂપ્રદેશને કારણે આ અભિયાનમાં પડકારોનો સામનો કરવો પડ્યો હતો. ઓછી દૃશ્યતા હોવા છતાં, વ્હાઇટ નાઈટ કોર્પ્સ, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના જવાનોએ સંયુક્ત અભિયાન હાથ ધર્યું હતું.</p><h3><b>અભિયાન દરમિયાન બે આતંકવાદીઓ ઠાર મરાયા</b></h3><p>સુરક્ષા દળોએ પુષ્ટિ કરી છે કે અભિયાન દરમિયાન બે આતંકવાદીઓ માર્યા ગયા છે. જોકે માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ અથવા કોઈ ચોક્કસ સંગઠન સાથેના તેમના જોડાણ અંગેની સત્તાવાર વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.</p><p>સ્થાનિક અહેવાલો સૂચવે છે કે અભિયાન દરમિયાન સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો. અહેવાલો એવું પણ સૂચવે છે કે વિસ્તારની તપાસ દરમિયાન હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2100424920228622690"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3><b>વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ</b></h3><p>સુરક્ષા દળોએ જણાવ્યું હતું કે અભિયાન હજુ પૂર્ણ થયું નથી. વિસ્તારમાં અન્ય કોઈ જોખમ છે કે કેમ તે તપાસવા માટે સતત સર્ચ અને સર્વેલન્સ (નિરીક્ષણ) કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સમગ્ર ક્ષેત્રમાં ચાલી રહેલા સર્ચ ઓપરેશનની સાથે દળો સતર્કતા જાળવી રહ્યા છે.</p><p>મીડિયા અહેવાલો અનુસાર, 2026માં અત્યાર સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સંબંધિત 15 ઘટનાઓ બની છે. આ ઘટનાઓમાં 15 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે, જ્યારે સુરક્ષા દળના બે જવાનો શહીદ થયા છે. આ ઉપરાંત, ત્રણ નાગરિકોએ પણ જીવ ગુમાવ્યા છે.</p><p><a href="https://sandesh.com/india/news/100-us-tariff-on-india-america-does-whatever-it-takes-india-will-not-bow-down-indias-reaction-to-the-100-percent-tariff-law" target="_blank">આ પણ વાંચો:100% US Tariff on India: થાય તે કરી લે અમેરિકા, ભારત.... ઝૂકશે નહી, 100 ટકા ટેરિફ લૉ અંગે ભારતની પ્રતિક્રિયા</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/fwR07DUflb1t6oCUjEqoxRp7hk6J76UIVnFYqH2E.webp'/></item><item><title><![CDATA[Anand News : બોરસદથી દ્વારકાધીશના ધામે ઉપડ્યો 4 હજાર કાર્યકરોનો સંઘ! પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસે અર્પણ કરાશે 52 ગજની ધજા ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/anand--4-000-workers-head-to-dwarka-on-pm-modis-birthday-to-offer-52-yard-flag</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/anand--4-000-workers-head-to-dwarka-on-pm-modis-birthday-to-offer-52-yard-flag</guid><pubDate>Thu, 17 Sep 2026 10:44:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આણંદ જિલ્લાના બોરસદ પંથકમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે એક વિશાળ ધાર્મિક અને ભક્તિમય પ્રયાણનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદીના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ આયુષ્ય માટે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા બોરસદ અને તેના આસપાસના વિવિધ ગામોમાંથી 4 હજારથી વધુ કાર્યકરો અને શ્રદ્ધાળુઓ દ્વારકા જવા માટે રવાના થયા છે.</p><h2 style="text-align: justify; "><b>65 લક્ઝરી બસો સહિત 95 વાહનોનો કાફલો</b></h2><p style="text-align: justify; ">બોરસદ ખાતેથી પૂર્વ પ્રમુખ વિજયસિંહ રાજના નેતૃત્વમાં આ ભવ્ય કાફલો દ્વારકા માટે રવાના થયો હતો. કાર્યકરોને દ્વારકા લઈ જવા માટે 65 જેટલી લક્ઝરી બસો અને અન્ય નાના-મોટા વાહનો મળીને કુલ 95 વાહનોનો વિશાળ કાફલો તૈયાર કરવામાં આવ્યો હતો. દ્વારકા પ્રયાણ કરતાં પહેલાં તમામ કાર્યકરોએ બોરસદમાં આવેલી મહાન યોદ્ધા મહારાણા પ્રતાપની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને ત્યારબાદ જ દ્વારકાધીશના ધામે જવાનો પ્રારંભ કર્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>દ્વારકાધીશને 52 ગજની ધજા ચઢાવી દેશના વિકાસ માટે કરાશે પ્રાર્થના</b></h2><p style="text-align: justify; ">દ્વારકા પહોંચીને તમામ કાર્યકરો પવિત્ર જગત મંદિર ખાતે દ્વારકાધીશ ભગવાનને 52 ગજની ધજા અર્પણ કરશે અને વિશેષ પૂજા-અર્ચનામાં ભાગ લેશે. દેશના સશક્ત વિકાસ, સમૃદ્ધિ અને પ્રગતિ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા સ્વસ્થ અને દીર્ઘાયુ રહે તે માટે કાર્યકરો કાળિયા ઠાકોરના ચરણોમાં શીશ નમાવીને પ્રાર્થના કરશે. બોરસદથી નિકળેલા આ ભવ્ય કાફલાથી સમગ્ર આણંદ જિલ્લામાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/surat--bizarre-burglary-at-kaveri-vivanta--petition-in-hc-as-police-refuse-fir" target="_blank">Ahmedabad News : પોશ વિસ્તારમાં અનોખી ઘરફોડ ચોરી, કાવેરી વિવંતામાં રાતોરાત ટ્રકમાં ઘરવખરી ભરી ચોરો ફરાર!</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/DSYmOlQYvYDmJwlm64x4HTquSH3dp4NbwMwoxmnF.webp'/></item><item><title><![CDATA[PM Modi Birthday: આપણા વડાપ્રધાન પર ગર્વ હોવો જોઈએ....બોલીવુડમાં ઉત્સાહ, પીએમ મોદીને આપી જન્મદિવસની શુભેચ્છા ]]></title><link>https://sandesh.com/entertainment/news/pm-modi-birthday-know-which-bollywood-stars-sent-special-wishes-to-prime-minister-narendra-modi-on-his-76th-birthday</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/pm-modi-birthday-know-which-bollywood-stars-sent-special-wishes-to-prime-minister-narendra-modi-on-his-76th-birthday</guid><pubDate>Thu, 17 Sep 2026 10:25:28 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે, 17 સપ્ટેમ્બરના રોજ તેમનો ૭૬મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ પ્રસંગે દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. સોશિયલ મીડિયા પર તેમના કરોડો ચાહકોની સાથે બોલિવૂડની તમામ જાણીતી હસ્તીઓએ વડાપ્રધાનને જન્મદિવસની ભાવભીની સદભાવનાઓ પાઠવીને તેમના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે.</p><p style="text-align: justify;"><b>શત્રુઘ્ન સિંહાએ પીએમ મોદી સાથેના ફોટા શેર કરી પાઠવી શુભેચ્છા</b></p><p style="text-align: justify;">અભિનેતા અને રાજકારણી શત્રુઘ્ન સિંહાએ તેમના અધિકૃત X (ટ્વિટર) એકાઉન્ટ પર પીએમ મોદી સાથેના બે ખાસ ફોટા શેર કર્યા છે. જેમાં એક ફોટામાં પીએમ મોદી તેમને પ્રેમથી ગળે લગાવતા અને બીજામાં હાથ મિલાવતા નજરે પડે છે. તેમણે કેપ્શનમાં લખ્યું કે, "મારો આ મેસેજ સંદેશાઓના સમુદ્રમાં ખોવાઈ જાય તે પહેલાં, હું તમને જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું. અમારા મિત્ર અને દેશના લોકપ્રિય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની ખુબ ખુબ મુબારક. ઈશ્વર તમને સારું સ્વાસ્થ્ય, ખુશી અને શાંતિ અર્પે."</p><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ShatruganSinha/status/2100114403408630156"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify;"><b>રવિ કિશને પીએમ મોદીના નેતૃત્વને ગણાવ્યું ઐતિહાસિક</b></p><p style="text-align: justify;">સાંસદ અને અભિનેતા રવિ કિશને ઇન્સ્ટાગ્રામ પર પીએમ મોદી સાથેનો ફોટો શેર કરીને એક ભાવુક નોંધ લખી હતી. તેમણે પીએમ મોદીને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને અથાક મહેનતના પ્રતીક ગણાવ્યા હતા. રવિ કિશને જણાવ્યું કે, પીએમ મોદીના "સબકા સાથ, સબકા વિકાસ" અને "વસુધૈવ કુટુમ્બકમ"ના મંત્રથી વિશ્વભરમાં ભારતનો ડંકો વાગ્યો છે. વધુમાં, તેમણે એક સ્ટોરી પોસ્ટ કરીને જણાવ્યું કે તેઓ અને તેમનો પરિવાર પીએમ મોદીના આયુષ્ય માટે "આશીર્વાદ દીવો" પ્રગટાવી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે પીએમની કલ્યાણકારી યોજનાઓને કારણે આજે દેશના ગ્રામીણ વિસ્તારો સુધી શૌચાલય, ગેસ સિલિન્ડર અને પીવાનું પાણી પહોંચ્યું છે.</p><p style="text-align: justify;"><b>બિંદુ દારા સિંહ અને ઈશા કોપ્પિકર સહિતના સેલેબ્સે વ્યક્ત કરી ખુશી</b></p><p style="text-align: justify;">રવિ કિશન અને શત્રુઘ્ન સિંહા ઉપરાંત બિંદુ દારા સિંહ, ઈશા કોપ્પિકર સહિત મનોરંજન જગતના અનેક કલાકારોએ સોશિયલ મીડિયા માધ્યમથી પ્રધાનમંત્રી મોદીને શુભકામનાઓ પાઠવી હતી. તમામ કલાકારોએ દેશને નવી ઊંચાઈઓ પર લઈ જવા બદલ પીએમના વિઝનરી નેતૃત્વના વખાણ કર્યા હતા અને તેમના દીર્ઘાયુની કામના કરી હતી.</p><p style="text-align: justify;"><b>ઈશા કોપ્પીકરે કહ્યું - તમે છેલ્લા 25 વર્ષથી સારું કામ કર્યું છે</b></p><p style="text-align: justify;">આ દરમિયાન, ઈશા કોપ્પિકરે ખુલાસો કર્યો કે તે વડા પ્રધાન મોદીની ખૂબ મોટી ચાહક છે. તેણીએ કહ્યું, "મોદીજીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. તમે છેલ્લા 25 વર્ષોમાં મુખ્યમંત્રી અને વડા પ્રધાન તરીકે સેવા આપીને અદ્ભુત કાર્ય કર્યું છે. તમે ભારતને સારી સ્થિતિમાં પહોંચાડ્યું છે. તમારા જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. ભગવાન તમારા પર આશીર્વાદ વરસાવે."</p><p style="text-align: justify;"><b>સુભાષ ઘાઈએ વડાપ્રધાન મોદીના વખાણમાં શું કહ્યું?</b></p><p style="text-align: justify; ">સુભાષ ઘાઈએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વૈશ્વિક ઓળખની પ્રશંસા કરતા કહ્યું કે વિશ્વભરના નેતાઓ તેમનો આદર કરે છે. તેમણે સકારાત્મકતા અને પ્રેમના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે આપણને આપણા વડા પ્રધાન પર ગર્વ હોવો જોઈએ.</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/entertainment/news/ranbir-kapoor-trolled-for-refusing--prasad--during-ganpati-visarjan--know-the-truth-behind-the-viral-video" target="_blank">આ પણ વાંચો : Ranbir Kapoor Trolled : હું ડાયેટ પર છું... કહેતા રણબીર કપૂર થયો ટ્રોલ, ભડકયા નેટીઝન્સ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/7Sqq4ArkKXglQfGuFI8oTGrmTcUP7P4eVPYzfHex.webp'/></item><item><title><![CDATA[Gujarat Weather News: આ વિસ્તારમાં આજથી બે દિવસ વીજળીના કડાકાભડાકા સાથે વરસાદની આગાહી ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/thunderstorms-and-rain-forecast-for-next-2-days</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/thunderstorms-and-rain-forecast-for-next-2-days</guid><pubDate>Thu, 17 Sep 2026 10:19:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજ્યમાં મોન્સૂન ટ્રફ અને લો પ્રેશરની સિસ્ટમ સક્રિય થવાને કારણે ગાજવીજ અને ભારે પવન સાથે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.જેમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં વરસાદી માહોલ રહેશે.આ સંભવિત ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી સમયમાં દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે.દક્ષિણ ગુજરાતમાં 17 અને 18મી સપ્ટેમ્બરના રોજ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.</p><h2 style="text-align: justify; "><b>ફરી વરસાદી માહોલ છવાયેલો જોવા મળી શકે</b></h2><p style="text-align: justify; ">હવામાન વિભાગે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની સાથે મહત્તમ 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરી છે.બુધવારે વરસાદની ગેરહાજરી વચ્ચે મહત્તમ તાપમાન 2.5 ડિગ્રી સેલ્સિયસ વધી 31.5 ડિગ્રીએ પહોંચ્યું હતું.બીજી તરફ ઉકાઈ ડેમમાં પાણીની સપાટી 333.65 ફૂટે નોંધાઈ હતી.જ્યારે બુધવારે બપોરે 12  વાગ્યા બાદ ડેમમાં પાણીની આવક બંધ થઈ ગઈ હતી.અરબ સાગરમાં સૌરાષ્ટ્ર તરફ સર્જાયેલા લો પ્રેશરની સાથે મોન્સૂન ટ્રફને કારણે આગામી બે દિવસ ફરી વરસાદી માહોલ છવાયેલો જોવા મળી શકે છે.</p><h3 style="text-align: justify; "><b>ભેજનું પ્રમાણ 92 ટકા અને સાંજે 80 ટકા રહ્યું&nbsp;</b></h3><p style="text-align: justify; ">ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.આ સાથે જ મહત્તમ 30થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.વીતેલા ત્રણેક દિવસ દરમિયાન વરસાદી માહોલ છવાયેલો રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.જેને કારણે તાપમાનનો પારો પણ ઘટી ગયો હતો.જોકે, આજરોજ મહત્તમ તાપમાન 2.5 ડિગ્રી વધી 18 ડિગ્રીથી 31.5 ડિગ્રીએ પહોંચી ગયું હતું.જ્યારે રાત્રીનો પારો 24.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.આ સાથે જ સવારે ભેજનું પ્રમાણ 92 ટકા અને સાંજે 80 ટકા રહ્યું હતું.જ્યારે પવનની ઝડપ પ્રતિકલાક સરેરાશ 9 કિલોમીટરની રહી હતી.વરસાદના જોરથી ગણેશ ભક્તોની ભવ્ય યાત્રા નીકળવાની મનસા ઠેકઠેકાણે મનમાં જ રહી ગઈ ત્યારે હવે આ ઉત્સવ દરમિયાન વરસાદ ખમૈયા કરે તેવી પ્રાર્થના વચ્ચે આગામીથી ગણેશ ભક્તોમાં ચિંતા ફેલાઈ ગઈ છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-manufacturing-msmes-to-get-gis-based-mapping" target="_blank">આ પણ વાંચોઃ Gandhinagar News: ગુજરાતના મેન્યુફેક્ચરિંગ MSME એકમોનું થશે GIS આધારિત મેપિંગ</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/8JWoOSrj77yKkFMAYgOS5JIlaDQ8V9gwOSsVvZyP.webp'/></item><item><title><![CDATA[પાકિસ્તાનની ટીમ ભારત આવશે! એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં જામશે ભારત-પાક જંગ ]]></title><link>https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</guid><pubDate>Mon, 14 Sep 2026 15:47:21 +05:30</pubDate><description><![CDATA[<p>આવતા મહિને પાકિસ્તાનની હોકી ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે. 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન પંજાબમાં યોજાનારી AHF મેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026માં પાકિસ્તાન સહિત કુલ છ ટીમો ભાગ લેશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પાકિસ્તાનની ભાગીદારી અંગેની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, મલ્ટી-નેશનલ ઇવેન્ટ્સ અંગે કેન્દ્ર સરકારની નીતિ હેઠળ બંને દેશોની ટીમો આમને-સામને રમશે.</p><h2><b>ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જાલંધરમાં રમાશે</b></h2><p>એશિયન મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન થશે. આ ટૂર્નામેન્ટમાં યજમાન ભારત અને પાકિસ્તાન ઉપરાંત ચીન, જાપાન, મલેશિયા અને કોરિયાની પણ ભાગ લેશે. લીગ સ્ટેજના મુકાબલા જાલંધરમાં યોજાશે, જ્યારે સેમિફાઇનલ અને ફાઇનલ મેચ મોહાલીના હોકી સ્ટેડિયમમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 1 નવેમ્બરે જાલંધરમાં રમાશે. કોઈ ટીમ છેલ્લી ઘડીએ ખસી જાય તો તે સ્થિતિ માટે ઓમાન અને બાંગ્લાદેશને રિઝર્વ ટીમન તરીકે રાખવામી આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PTI_News/status/2099416960278868155"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમવામાં કોઈ મુશ્કેલી નથી</b></h2><p>પાકિસ્તાનની ભાગીદારી અને જરૂરી મંજૂરીઓ અંગે પંજાબના મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં બંને દેશો વચ્ચે રમવામાં કોઈ મુશ્કેલી નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝનું આયોજન અલગ બાબત છે, કારણ કે કેન્દ્ર સરકારની વર્તમાન નીતિ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય રમત-ગમતના આયોજનની મંજૂરી આપતી નથી. પરંતુ મલ્ટી-નેશનલ ટૂર્નામેન્ટમાં બંને દેશોના ખેલાડીઓને એકબીજા સામે રમવાની પરવાનગી છે, જેથી પાકિસ્તાની ટીમ ભારત આવી શકશે.</p><h2><b>ભારત વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે</b></h2><p>ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. ભારતે 2023માં ચેન્નાઈ અને 2024માં ચીનના હુલુનબુઈરમાં યોજાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ગત વર્ષે આ સ્પર્ધા યોજાઈ શકી નહોતી. હવે પંજાબ પ્રથમ વખત આ ટૂર્નામેન્ટની મેજબાની કરવા જઈ રહ્યું છે.</p><h2><b>અગાઉ પાકિસ્તાની ટીમે ના કહી હતી&nbsp;</b></h2><p>પાકિસ્તાનની આ વખતની ભાગીદારી એટલા માટે પણ ખાસ છે, કારણ કે ગત વર્ષે તેણે તમિલનાડુમાં આયોજિત જૂનિયર હોકી વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તે સમયે બંને દેશો વચ્ચેના તણાવને તેનું કારણ ગણાવવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે અને પાકિસ્તાની ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે પૂરી રીતે તૈયાર છે.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/V6jwdiIr9RTCvR6EyBaGsP2qfZvYLq2JfkL7pytm.webp'/></item></channel></rss>