<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Mehsanaમાં વિઝાના નામે મોટી છેતરપિંડી: કેનેડાના વર્ક પરમિટના બહાને ખેડૂત દંપતી સાથે 20 લાખની ઠગાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/big-fraud-in-the-name-of-visa-in-mehsana-farmer-couple-cheated-of-rs-20-lakh-on-the-pretext-of-canadian-work-permit</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/big-fraud-in-the-name-of-visa-in-mehsana-farmer-couple-cheated-of-rs-20-lakh-on-the-pretext-of-canadian-work-permit</guid><pubDate>Sun, 02 Aug 2026 08:57:26 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મહેસાણા જિલ્લામાં વિદેશ જ ઘેલા વચ્ચે વિઝાના નામે વધુ એક મોટી છેતરપિંડીની ઘટના સામે આવી છે. વિજાપુર તાલુકાના એક ખેડૂત દંપતીને કેનેડાના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને 20 લાખ રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી છે. કેનેડામાં સારી રોજીરોટી અને સ્થાયી થવાની લાલચ આપીને ભેજાબાજ એજન્ટે ખેડૂત દંપતીને પોતાની જાળમાં ફસાવ્યા હતા અને તેમની પાસેથી બેંકમાં RTGS દ્વારા તેમજ રોકડ સ્વરૂપે મોટી રકમ મેળવી લીધી હતી.</p><h2 style="text-align: justify; "><b>વિઝા ન મળતાં 6 લાખ પરત કર્યા</b></h2><p style="text-align: justify; ">લાંબો સમય વિત્યા છતાં કેનેડાના વિઝા ન મળતાં ખેડૂત દંપતીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. જેથી તેમણે પોતાના નાણાં પરત માગતાં આરોપી એજન્ટે 6 લાખ રૂપિયા પરત કરી દીધા હતા. પરંતુ બાકીના 14 લાખ રૂપિયા આપવા માટે ધક્કા ખવડાવ્યા બાદ તે રકમ લઈને ફરાર થઈ ગયો હતો. નાણાં પરત મેળવવાના તમામ પ્રયાસો નિષ્ફળ જતાં આખરે પિડિત ખેડૂતે પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>ઋત્વિક પટેલ સામે પોલીસ ગુનો નોંધાયો</b></h3><p style="text-align: justify; ">આ છેતરપિંડી આચરનાર ગાંધીનગરના ઋત્વિક પટેલ નામના વિઝા એજન્ટ સામે પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. એજન્ટે અન્ય કોઈ લોકો સાથે વિઝાના નામે આ પ્રકારે ઠગાઈ આચરી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. ફરાર થઈ ગયેલા આરોપી ઋત્વિક પટેલને ઝડપી પાડવા માટે પોલીસે ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/02/Wu5NlpS5KtikyBaKdbKCaJnP1yqjuQC6huBGkpI3.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: ઈન્દોરથી લેવાયેલો 11 લાખની કિંમતના ભેળસેળિયા ઘીનો જથ્થો સીઝ કરાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/adulterated-ghee-worth-over-rs-11-lakh-seized-by-amc</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/adulterated-ghee-worth-over-rs-11-lakh-seized-by-amc</guid><pubDate>Sun, 02 Aug 2026 08:55:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા શહેરના કાલુપુર ઘી બજાર ખાતે આવેલ જનક વિરેન્દ્ર મોદીને ત્યાંથી 20  જુલાઈના રોજ અગ્નિ બ્રાન્ડના નામે ગાય કા શુધ્ધ દેશી ઘીનું સેમ્પલ લીધુ હતુ.જે સબસ્ટાન્ડર્ડ જાહેર થયુ હતુ. 1 ઓગસ્ટે ફૂડ વિભાગે રામનગર, સાબરમતી ખાતે આવેલા ડિસ્ટ્રીબ્યુટર ઋષભ ઘી ભંડાર ખાતે તપાસ હાથ ધરીને શંકાસ્પદ ઘીનો રૂપિયા 11 લાખથી વધુ કીંમતનો જથ્થો સીઝ કરાયો હતો.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>પેક ટીનમાંથી સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલાયા</b></h2><p style="text-align: justify; ">આ ઉપરાંત અગ્નિ બ્રાન્ડના 15 કીલોના અને પ્યોર કાઉ દેશી ઘી 15 કીલોના પેક ટીનમાંથી સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલી અપાયા છે. સીઝ કરાયેલ ઘીનુ ઉત્પાદન મધ્યપ્રદેશના ઈંદોરમાં થતુ હોવાની વિગત તપાસમાં ખુલતા ઈંદોરના ડેઝિગ્નેટેડ ઓફિસરને ઈ-મેઈલ મારફતે જાણ કરવા ઉપરાંત ફૂડ વિભાગ, ગાધીનગરને પણ જાણ કરવામાં આવી છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>લેવામા આવેલ ઘીનુ સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર થયું</b></h3><p style="text-align: justify; ">મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ ઓફિસર ડોકટર તેજસ શાહે કહ્યું, શુધ્ધ ઘીના નામે ઘીમા વનસ્પતિ ઘી સહિત અન્ય ચીજોની મિલાવટ કરાઈ કે કેમ તે અંગે તપાસ કરાશે. કાલુપુર ઘી બજારના વેપારીને ત્યાંથી લેવામા આવેલ ઘીનુ સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર કરાયા પછી રામનગર, સાબરમતી ખાતે ઋષભ ઘી ભંડાર કે જેના માલિક અશોકકુમાર ફતેહલાલ બાગરેચા છે તેમને ત્યાં તપાસ કરી જથ્થો સીઝ કરાયો છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/surat/escaped-lifer-for-2008-murder-caught-in-surat-he-was-driving-a-panipuri-lorry-in-disguise-in-nagpur" target="_blank">આ પણ વાંચોઃ Surat News : શહેરમાં ભારે વરસાદથી ભેદવાડી ખાડી ઓવરફ્લો થઈ, 161 લોકોનું સ્થળાંતર કરાયુ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/02/crWEXToF8kRQgezSqL6dx2Bfg4A98GQ8PdfhrcTH.webp'/></item><item><title><![CDATA[CWG 2026 : કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે એક જ દિવસમાં 16 મેડલ જીત્યા ]]></title><link>https://sandesh.com/sports/news/cwg-2026-india-wins-16-medals-in-a-single-day-at-commonwealth-games</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/cwg-2026-india-wins-16-medals-in-a-single-day-at-commonwealth-games</guid><pubDate>Sun, 02 Aug 2026 08:48:48 +05:30</pubDate><description><![CDATA[<p>કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતે એવી સ્ટોરી લખી છે. જે વર્ષો સુધી યાદ રહેશે. કોમનવેલ્થ ગેમ્સના 10માં દિવસે 16 મેડલ જીત્યા હતા. CWG 2026નો 10મો દિવસ ભારતીય બોક્સરોના નામે રહ્યો હતો. જેમાં ગોલ્ડ મેડલનો વરસાદ થયો હતો. ભારતે એક જ દિવસમાં જીતેલા 16 મેડલમાંથી અડધાં ગોલ્ડ મેડલ હતા. જેની ભારતને મેડલ ટેલીમાં મોટો ફાયદો થયો છે. એક જ ઝાટકે 6 ટીમને પછાડી હતી.</p><h5><b>મેડલ ટેલીમાં ભારતે મોટી છલાંગ લગાવી</b></h5><p>મેડલ ટેલીમાં ભારતે પહેલા 5 ગોલ્ડ,12 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 23 મેડલ જીતી 10માં સ્થાને હતુ. પરંતુ રમતના 10માં દિવસ આખી બાજી પલટી હતી. કોમનવેલ્થ ગેમ્સના મેડલ ટેલીમાં મોટો ફેરફાર ભારતે કર્યો હતો. માત્ર મેડલ જીતી સંખ્યામાં વધારો કર્યો નથી. પરંતુ તેના રેન્કિંગમાં પણ સારો વધારો થયો છે. 10માં દિવસે ભારતે 8 ગોલ્ડ મેડલ , 5 સિલ્વર અને 3 બ્રોન્ઝની સાથે 16 મેડલ જીત્યા હતા. એક દિવસમાં મળેલી આટલી મોટી સફળતા સાથે મેડલની સંખ્યા 13 ગોલ્ડ મેડલ, 17 સિલ્વર મેડલ અને 9 બ્રોન્ઝ મેડલ સાથે 39 સુધી પહોંચી હતી</p><p><br></p><p><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/Dbg13uds02i/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/Dbg13uds02i/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a></p><h5><b>રેન્કિંગમાં ભારત સીધું 10માં સ્થાનથી ચોથા સ્થાને પહોંચ્યું&nbsp;</b></h5><p>રેન્કિંગમાં ભારત સીધું 10માં સ્થાનથી ચોથા સ્થાને પહોંચ્યું હતુ.CWGમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2010માં દિલ્લીમાં રહ્યું હતુ. ત્યારથી તેમણે 38 ગોલ્ડ મેડલ સાથે કુલ 101 મેડલ જીત્યા હતા. મેડલ ટેલીમાં બીજા નંબરે રહ્યું હતુ. ભારતના 10માંથી 7 મેડલ બોક્સરે જીત્યા હતા.CWG 2026 પછી મેડલ ટેલીમાં ટોપની 10 ટીમો 10 દિવસ બાદ જોઈએ. તો પહેલા સ્થાને ઓસ્ટ્રેલિયા, બીજા સ્થાને ઈંગ્લેન્ડ, ત્રીજા સ્થાને કેનેડા, ચોથા સ્થાને ભારત, પાંચમાં સ્થાને સ્કોટલેન્ડ ત્યારબાદ ક્રમશ નાઈઝીરિયા, જમૈકા, ન્યુઝીલેન્ડ,વેલ્સ અને 10માં સ્થાને મલેશિયાની ટીમ રહી હતી.</p><h5><b>કોમનવેલ્થ ગેમ્સ 2030માં અમદાવાદમાં રમાશે</b></h5><p>ભારત 2030 માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરશે. ગ્લાસગોમાં ગેમ્સના સમાપન સમારોહમાં આગામી યજમાન અમદાવાદની ઝલક જોવા મળશે.કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત 1930માં કેનેડાના હેમિલ્ટનમાં થઈ હતી. 2030માં અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ ગેમ્સના100મા વર્ષને ઉજવશે. ત્યારે અમદાવાદમાં કોમનવેલ્થ 2030 યોજાવાની છે.જેને લઈ અમદાવાદ સહિત ગુજરાતના લોકો ખુબ જ ખુસ છે.</p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/gulvir-singh-creates-history-becomes-first-indian-to-win-medal-in-5000m-race-at-cwg" target="_blank"> CWG 2026 : ગુલવીર સિંહે રચ્યો ઇતિહાસ ,CWGમાં 5000 મીટર દોડમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/02/oXCozhYpORA5eNz5NW4M739NYXcUV4DoVizaDMJO.webp'/></item><item><title><![CDATA[Keralam Heavy Rainfall: કેરલમમાં મુશળધાર વરસાદથી સ્થિતિ ગંભીર, 6નાં મોત, 6 લાપતા ]]></title><link>https://sandesh.com/weather/news/india/keralam-heavy-rainfall-situation-critical-due-to-heavy-rain-in-keralam-6-dead-6-missing</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/news/india/keralam-heavy-rainfall-situation-critical-due-to-heavy-rain-in-keralam-6-dead-6-missing</guid><pubDate>Sun, 02 Aug 2026 08:45:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારે વરસાદના પગલે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, નદીઓ અને નાળાઓમાં પાણીનો પ્રવાહ વધ્યો છે અને અનેક વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને રાહત તથા બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવવામાં આવી રહી છે.</p><h2 style="text-align: justify; ">પરિસ્થિતિની સમીક્ષા કરી&nbsp;</h2><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2083746601588363553"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify;">મુખ્યમંત્રી વી.ડી. સતીશન રાજ્યના રાજસ્વ મંત્રી અને અન્ય મંત્રીઓ સાથે સતત સંપર્કમાં રહી સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. વિવિધ જિલ્લાઓમાં મંત્રીઓ સ્થાનિક વહીવટી તંત્ર સાથે મળીને રાહત અને બચાવ કામગીરીનું સંકલન કરી રહ્યા છે. મુખ્યમંત્રી કાર્યાલયના જણાવ્યા મુજબ, સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોના ધારાસભ્યો અને અન્ય જનપ્રતિનિધિઓ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે જેથી સ્થળ પરની વાસ્તવિક સ્થિતિની માહિતી મેળવી શકાય અને જરૂરિયાત મુજબ તાત્કાલિક પગલાં લઈ શકાય.</p><h3 style="text-align: justify; ">6 લોકોનાં મોત થયા</h3><p style="text-align: justify; ">સાંજે 6 વાગ્યા સુધી ઉપલબ્ધ સત્તાવાર માહિતી મુજબ રાજ્યમાં ભારે વરસાદ સંબંધિત ઘટનાઓમાં 6 લોકોનાં મોત થયા છે, જ્યારે 6 લોકો હજુ પણ લાપતા છે. લાપતા લોકોની શોધ માટે સ્થાનિક લોકો, જનપ્રતિનિધિઓ, પોલીસ, ફાયર એન્ડ રેસ્ક્યૂ, એનડીઆરએફ અને અન્ય બચાવ એજન્સીઓ સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.</p><h4 style="text-align: justify; ">65 રાહત કેમ્પો શરૂ કરવામાં આવ્યા&nbsp;</h4><p style="text-align: justify; ">રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં 65 રાહત કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે, જ્યાં 1,465 લોકોને સુરક્ષિત આશ્રય આપવામાં આવ્યો છે. પરિસ્થિતિ વધુ ગંભીર બને તો વધુ લોકોને સલામત સ્થળે ખસેડી શકાય તે માટે વધારાની વ્યવસ્થાઓ પણ તૈયાર રાખવામાં આવી છે. ભારે વરસાદના કારણે 17 મકાનો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયા છે, જ્યારે 127 મકાનોને આંશિક નુકસાન થયું છે.</p><h5 style="text-align: justify; ">17 મકાનો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયા</h5><p style="text-align: justify; ">જ્યાં દિવસ દરમિયાન ભારે વરસાદ પડ્યો હતો ત્યાં સાંજ સુધી વરસાદનું પ્રમાણ ઘટતાં સ્થાનિક લોકોને થોડો રાહતનો શ્વાસ મળ્યો હતો. જોકે, વહીવટી તંત્ર હજુ પણ સંપૂર્ણ સતર્ક છે. બચાવ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે જરૂરિયાત મુજબ અન્ય જિલ્લાઓમાંથી વધારાની બોટો મંગાવવામાં આવી છે જેથી પાણી ભરાયેલા વિસ્તારોમાં ફસાયેલા લોકોને ઝડપથી બહાર કાઢી શકાય.</p><h5 style="text-align: justify; ">35 કલાકમાં 340 મિમી વરસાદ નોંધાયો</h5><p style="text-align: justify; ">હવામાન વિભાગના આંકડા મુજબ, કોઝિકોડ જિલ્લાના અનાક્કમ્પોયિલ વિસ્તારમાં છેલ્લા 35 કલાકમાં 340 મિમી વરસાદ નોંધાયો છે, જ્યારે વાયનાડ જિલ્લાના મેપ્પાડીમાં 177 મિમી વરસાદ નોંધાયો છે. સતત વરસાદને કારણે ભૂસ્ખલન અને પૂરનું જોખમ પણ વધ્યું છે.</p><h5 style="text-align: justify; ">&nbsp;પહાડી વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની સૂચના</h5><p style="text-align: justify; ">રાજ્ય સરકાર વિવિધ બંધોમાં પાણીની આવક પર સતત નજર રાખી રહી છે. ખાસ કરીને પહાડી વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા, અનાવશ્યક મુસાફરી ટાળવા અને જિલ્લા વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ આપાતકાલીન સ્થિતિનો સામનો કરવા માટે તમામ વિભાગોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે અને રાહત તથા બચાવ કામગીરીમાં કોઈ કસર છોડવામાં આવશે નહીં. નાગરિકોને અફવાઓથી દૂર રહી માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/02/YGabs2M63mXJn9CHcXK0MCTzcikxt5JSeBRueEpU.webp'/></item><item><title><![CDATA[Suratમાં 2008ના હત્યાનો આજીવન કેદનો ફરાર કેદી ઝડપાયો: નાગપુરમાં વેશપલટો કરી ચલાવતો હતો પાણીપુરીની લારી ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/escaped-lifer-for-2008-murder-caught-in-surat-he-was-driving-a-panipuri-lorry-in-disguise-in-nagpur</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/escaped-lifer-for-2008-murder-caught-in-surat-he-was-driving-a-panipuri-lorry-in-disguise-in-nagpur</guid><pubDate>Sun, 02 Aug 2026 08:45:13 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા સાંપડી છે. વર્ષ 2008માં સુરતના લિંબાયત વિસ્તારમાં થયેલી ભયાનક હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા અને લાંબા સમયથી ફરાર આરોપી કેદી રાકેશ ઉર્ફે જાલીમસીંહ શાહુને ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રના નાગપુર પાસેથી ઝડપી પાડ્યો છે. ગંભીર ગુનામાં સજા કાપી રહેલો આ કેદી પોલીસને સતત ચકમો આપીને નાસતો ફરતો હતો, જેને આખરે સુરત પોલીસે શોધી કાઢ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>14 દિવસના જામીન પર છૂટીને થયો હતો ફરાર</b></h2><p style="text-align: justify; ">પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, આરોપી કેદી રાકેશ શાહુ સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો. દરમિયાન 11 ઓગસ્ટ 2021ના રોજ તેને 14 દિવસના પેરોલ (જામીન) પર મુક્ત કરવામાં આવ્યો હતો. જામીનની મુદ્દત પૂર્ણ થયા બાદ તેને સમયસર જેલમાં હાજર થવાનું હતું, પરંતુ તે હાજર થવાને બદલે જેલ તંત્રની આંખમાં ધૂળ નાખીને ફરાર થઈ ગયો હતો. તે નાગપુર જઈને વેશપલટો કરી ઓળખ છુપાવીને પાણીપુરીની લારી (ઠેલો) ચલાવી રહ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>આરોપીને જેલહવાલે કરવાની તજવીજ શરૂ</b></h3><p style="text-align: justify; ">લાંબા સમયથી ફરાર આ કેદી અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે એક ખાસ ટીમ મહારાષ્ટ્રના નાગપુર મોકલીને તેને દબોચી લેવામાં આવ્યો હતો. આરોપી કેદીનો કબજો મેળવ્યા બાદ હાલ સુરત પોલીસ દ્વારા તેને વિધિવત રીતે સુરત લાજપોર મધ્યસ્થ જેલને સોંપવાની કાનૂની તજવીજ હાથ ધરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/02/lVtUOQwbl5SpPyCWkmahvqHNvgHKtn4EJdZHzYu7.webp'/></item><item><title><![CDATA[Delhi Earthquake : દિલ્હીમાં વહેલી સવારે ભૂકંપના આંચકા, 2.9ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો ]]></title><link>https://sandesh.com/india/news/delhi-earthquake-earthquake-tremors-felt-in-delhi-early-in-the-morning-29-magnitude-earthquake-recorded</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/delhi-earthquake-earthquake-tremors-felt-in-delhi-early-in-the-morning-29-magnitude-earthquake-recorded</guid><pubDate>Sun, 02 Aug 2026 08:23:03 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સવારે લગભગ 4:14 વાગ્યે આવેલા આ ભૂકંપને કારણે કેટલાક વિસ્તારોમાં લોકોની ઊંઘ ઉડી ગઈ હતી, જ્યારે ઘણા લોકોને આંચકાનો અનુભવ પણ થયો નહોતો. ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ મોટી જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાના સમાચાર મળ્યા નથી.</p><h2 style="text-align: justify; ">દિલ્હીના ઉત્તર જિલ્લામાં રિક્ટર સ્કેલ પર 2.9ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો</h2><p style="text-align: justify; ">નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) મુજબ, રવિવારે સવારે 4:14:01 વાગ્યે (IST) દિલ્હીના ઉત્તર જિલ્લામાં રિક્ટર સ્કેલ પર 2.9ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્ર 28.721° ઉત્તર અક્ષાંશ અને 76.957° પૂર્વ રેખાંશ પર હતું. ભૂકંપની ગહરાઈ માત્ર 8 કિલોમીટર હતી, જેના કારણે તેની અસર આસપાસના વિસ્તારોમાં હળવા આંચકાના રૂપમાં અનુભવાઈ હતી.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2083689885261799464"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; "><span style="font-size: 1.75rem;">2.9ની તીવ્રતાનો ભૂકંપ સામાન્ય રીતે હળવી શ્રેણીમાં ગણાય</span></p><p style="text-align: justify; ">ભૂકંપની ગહરાઈ ઓછી હોવાથી તેની કંપન સપાટી સુધી ઝડપથી પહોંચે છે. જોકે, 2.9ની તીવ્રતાનો ભૂકંપ સામાન્ય રીતે હળવી શ્રેણીમાં ગણાય છે અને આવા ભૂકંપોથી મોટા પાયે નુકસાન થવાની શક્યતા ખૂબ ઓછી રહે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ પ્રકારના ભૂકંપ દરમિયાન લોકો થોડા સેકન્ડ માટે કંપન અનુભવી શકે છે, પરંતુ ઇમારતો અથવા માળખાને ગંભીર નુકસાન થતું નથી.</p><h4 style="text-align: justify; ">ભૂકંપ આવ્યો ત્યારે મોટાભાગના લોકો ઊંઘમાં હતા</h4><p style="text-align: justify; ">જે સમયે ભૂકંપ આવ્યો ત્યારે મોટાભાગના લોકો ઊંઘમાં હતા. કેટલાક લોકોએ પંખા, બારીઓ અથવા પલંગમાં હળવું કંપન અનુભવ્યું હોવાનું જણાવ્યું, જ્યારે ઘણા લોકોને ભૂકંપ આવ્યો હોવાની જાણ સોશિયલ મીડિયા અથવા સમાચાર માધ્યમો દ્વારા થઈ. ઓછી તીવ્રતા અને ટૂંકા સમયગાળાના કારણે મોટાભાગના લોકો માટે આ ઘટના સામાન્ય રહી.</p><h5 style="text-align: justify; ">સંબંધિત એજન્સીઓએ સ્થિતિ પર નજર રાખી હતી</h5><p style="text-align: justify; ">ભૂકંપ બાદ પ્રશાસન અને સંબંધિત એજન્સીઓએ સ્થિતિ પર નજર રાખી હતી. અત્યાર સુધીમાં દિલ્હી અથવા આસપાસના વિસ્તારોમાંથી કોઈ જાનહાનિ, ઇમારતોને નુકસાન અથવા અન્ય મોટી ઘટનાના અહેવાલ સામે આવ્યા નથી. અધિકારીઓએ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવાની અપીલ કરી છે.</p><p style="text-align: justify; ">ભૂકંપ પૃથ્વીની અંદર ટેક્ટોનિક પ્લેટોની હિલચાલને કારણે આવે છે. વૈજ્ઞાનિકો મુજબ, ભૂકંપ પૃથ્વીની સપાટીથી લઈને લગભગ 700 કિલોમીટર સુધીની ગહરાઈએ આવી શકે છે. યુએસ જિયોલોજિકલ સર્વે (USGS) ભૂકંપની ગહરાઈને ત્રણ ભાગમાં વહેંચે છે – ઉથલો (Shallow), મધ્યમ (Medium) અને ઊંડો (Deep). 70 કિલોમીટર સુધીના ભૂકંપને સામાન્ય રીતે ઉથલા ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે, અને તે વધુ સ્પષ્ટ રીતે અનુભવાય છે કારણ કે તેનું કેન્દ્ર સપાટીથી નજીક હોય છે.</p><p style="text-align: justify; ">ભૂકંપ જેવી કુદરતી આપત્તિ દરમિયાન ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. જો આંચકો અનુભવાય તો મજબૂત ટેબલ નીચે આશરો લેવો, લિફ્ટનો ઉપયોગ ટાળવો અને ખુલ્લી જગ્યાએ જવાની તક મળે તો શાંતિથી બહાર નીકળવું જોઈએ. સત્તાવાર એજન્સીઓની સૂચનાઓનું પાલન કરવાથી જોખમને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. દિલ્હીમાં આ વખતે નોંધાયેલો ભૂકંપ હળવો રહ્યો હોવા છતાં આવી ઘટનાઓ કુદરતી આપત્તિઓ પ્રત્યે સજાગ રહેવાની યાદ અપાવે છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/02/M9BMu4mRTPs6nQEqYN1xMwMaylpdYHOe8A4fyutp.webp'/></item><item><title><![CDATA[Gujarat News: ગુજરાતમાં આજે હળવા વરસાદની શક્યતા, 24 કલાકમાં 257 તાલુકાઓમાં મેઘમહેર ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/light-rain-expected-today-257-talukas-receive-rainfall</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/light-rain-expected-today-257-talukas-receive-rainfall</guid><pubDate>Sun, 02 Aug 2026 07:14:28 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટવાની શક્યતા છે, જોકે સામાન્યથી હળવા વરસાદની આગાહી વચ્ચે કેટલાક વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા સમગ્ર કચ્છ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે.</p><h2 style="text-align: justify; "><b>ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાંની શક્યતા</b></h2><p style="text-align: justify; ">બીજી તરફ, અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ રહેવાની અપેક્ષા છે. આ સિવાય આજે રાજ્યમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદની શક્યતાને પગલે દરિયાઈ વાતાવરણ વણસવાની દહેશતે માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>257 તાલુકાઓમાં સાર્વત્રિક મેઘમહેર</b></h3><p style="text-align: justify; ">છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકાઓમાં સાર્વત્રિક મેઘમહેર નોંધાઈ છે, જેમાં સૌથી વધુ વરસાદ મોરબી જિલ્લામાં 8.5 ખાબક્યો છે. મોરબીના ટંકારામાં 8, ધ્રાંગધ્રામાં 7 અને હળવદમાં 6.5 વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના વઢવાણ અને નર્મદાના તિલકવાડામાં 6, જ્યારે નાંદોદ, ગરુડેશ્વર અને મોરબીના માળિયામાં 5 જેટલો ભારે વરસાદ પડ્યો છે.સુરેન્દ્રનગરના લખતર અને સુરતના ઉમરપાડામાં 4.5 તેમજ ભરૂચ શહેર,મૂળી, ચુડા અને થાનગઢમાં 4 વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં 24 કલાકમાં 3, કચ્છના નખત્રાણા અને લાખણીમાં 2, જ્યારે પાટણના સાંતલપુરમાં 1 વરસાદ પડ્યો છે. રાજ્યના અન્ય  તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદી માહોલ રહ્યો છે.</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/sports/news/narender-berwal-commonwealth-games-2026-silver-medal" target="_blank">આ પણ વાંચોઃ CWG 2026: નરેન્દ્ર બરવાલે પુરુષોની 90+ કિગ્રા ફાઈનલમાં સિલ્વર મેડલ જીત્યો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/02/ULdc8iMnjnnNod9zCUsfAgYLcIzDmsJzEHbRbY8y.webp'/></item><item><title><![CDATA[Bayad: બી ડી શાહ કોલેજમાં ગુરુ ઋણ સ્વીકાર અને બર્થ ડે કાર્ડનું પ્રદર્શન ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bayad/bayad-guru-loan-acceptance-and-birthday-card-exhibition-at-bd-shah-college</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bayad/bayad-guru-loan-acceptance-and-birthday-card-exhibition-at-bd-shah-college</guid><pubDate>Sun, 02 Aug 2026 05:38:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બાયડ : બી ડી શાહ કોલેજ ઓફ્ એજ્યુકેશન, મોડાસામાં કોલેજના આચાર્ય ડો. બી ડી પટેલના માર્ગદર્શન હેઠળ પુસ્તકાલયમાં ગુરુ ઋણ સ્વીકાર કાર્ડ અને બર્થ ડે કાર્ડનું પ્રદર્શન યોજાયું હતું. જેમાં ભૂતપૂર્વ પ્રશિક્ષણાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ કાર્ડ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ પ્રશિક્ષણાર્થીઓમાં સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય તે હતો. સમગ્ર પ્રદર્શનનું આયોજન એસઆરસી ઈન્ચાર્જ ડો. એસ એન બુબડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન સમગ્ર શૈક્ષણિક, વહીવટી સ્ટાફ્ અને પ્રથમ વર્ષના સૌ પ્રશિક્ષણાર્થીઓએ નિહાળ્યું હતું. મંડળ પ્રમુખ મહેન્દ્રભાઈ શાહ, પ્રભારી મંત્રી જયેશભાઈ દોશીએ શુભેચ્છાઓ પાઠવી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/02/fF2jGjrVYuaykTA2i7UIBFtaGGWB7GCJqv0rphux.webp'/></item><item><title><![CDATA[Elon Musk Networth: સ્પેસએક્સના શેર ક્રેશ અને ટેસ્લાના નબળા પરિણામોની મોટી અસર, મસ્કની સંપત્તિ થઈ ગઈ અડધી ]]></title><link>https://sandesh.com/world/news/business/elon-musk-net-worth-drop-spacex-share-crash-tesla-results-impact</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/business/elon-musk-net-worth-drop-spacex-share-crash-tesla-results-impact</guid><pubDate>Sat, 01 Aug 2026 19:49:29 +05:30</pubDate><description><![CDATA[<p>વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કની સંપત્તિમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. થોડા સમય માટે દુનિયાના પ્રથમ ટ્રિલિયન ડોલરથી વધુ સંપત્તિ ધરાવતા વ્યક્તિ બનેલા મસ્કની નેટવર્થમાં આશરે 600 અબજ ડોલરનો ઘટાડો થયો છે. હાલ તેમની કુલ સંપત્તિ લગભગ 684 અબજ ડોલર રહી છે.</p><p>મસ્કની સંપત્તિમાં આવેલા આ મોટા ઘટાડાનું મુખ્ય કારણ તેમની કંપની SpaceXના શેરમાં થયેલો ભારે ઘટાડો માનવામાં આવી રહ્યો છે. કંપનીના શેર પોતાના સર્વોચ્ચ સ્તરથી લગભગ 46 ટકા ઘટીને 108.37 ડોલર પ્રતિ શેર સુધી પહોંચી ગયા છે. 16 જૂને SpaceXના શેર 202 ડોલર પ્રતિ શેરના રેકોર્ડ સ્તરે પહોંચ્યા હતા, ત્યારે મસ્કની કુલ સંપત્તિ લગભગ 1.33 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી હતી.</p><h3><b>IPO દ્વારા મોટી રકમ એકત્ર કરી&nbsp;</b></h3><p>SpaceXએ તેના IPO દ્વારા ઈતિહાસમાં સૌથી મોટી રકમ તરીકે 75 અબજ ડોલર એકત્ર કર્યા હતા. લિસ્ટિંગ બાદ કંપનીના શેરમાં શરૂઆતના દિવસોમાં જોરદાર તેજી જોવા મળી હતી, પરંતુ ત્યારબાદ તેમાં મોટો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત ઈલેક્ટ્રિક વાહન કંપની Teslaના નબળા ત્રિમાસિક પરિણામો પણ મસ્કની સંપત્તિ ઘટવાનું એક મોટું કારણ બન્યા છે. 22 જુલાઈએ જાહેર થયેલા પરિણામો બાદ Teslaના શેરમાં 17 ટકાનો ઘટાડો થયો હતો. કંપની બે વર્ષથી વધુ સમય પછી પહેલીવાર નફાના અંદાજને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી હતી અને નેગેટિવ ફ્રી કેશ ફ્લો નોંધાવ્યો હતો.</p><h3><b>શેરના ભાવ પર વધુ અસર થવાની આશંકા</b></h3><p>જો ભારતીય અબજોપતિઓ સાથે સરખામણી કરવામાં આવે તો મસ્કની સંપત્તિમાં થયેલું નુકસાન ભારતના ટોચના બે ઉદ્યોગપતિઓની કુલ સંપત્તિ કરતાં પણ ઘણું વધારે છે. ભારતના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સંપત્તિ લગભગ 112 અબજ ડોલર અને મુકેશ અંબાણીની સંપત્તિ આશરે 87 અબજ ડોલર છે. આગામી સમયમાં SpaceXના શેર પર વધુ દબાણ આવી શકે છે, કારણ કે મોટી સંખ્યામાં શેરના લોક-ઇન સમયગાળાની સમાપ્તિ બાદ બજારમાં ઉપલબ્ધ થવાની શક્યતા છે. આથી શેરના ભાવ પર વધુ અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.</p><p><a href="https://sandesh.com/business/news/epfo-new-rules-2026--pf-withdrawal-in-1-2-days" target="_blank"><b>આ પણ વાંચો :EPFO: PF ખાતામાંથી પૈસા ઉપાડવા થયા સરળ, હવે માત્ર 2 દિવસમાં ખાતમાં આવી જશે પૈસા</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/01/BlqBwht5yQ3RMZ1ENgLl18cofL6uxpBoOQI3WuXV.webp'/></item><item><title><![CDATA[Ramayanaની સ્ટારકાસ્ટ પર મેકર્સે પાણીની જેમ વાપર્યા કરોડો રૂપિયા! આ એક્ટરે વસૂલી તગડી ફી! ]]></title><link>https://sandesh.com/entertainment/news/ramayana-movie-star-cast-fees-highest-paid-actor</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/ramayana-movie-star-cast-fees-highest-paid-actor</guid><pubDate>Sat, 01 Aug 2026 18:10:19 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફેમસ ડિરેક્ટર નિતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું છે. હવે ફિલ્મની સ્ટારકાસ્ટને મળેલી ફીને લઈને પણ ભારે ચર્ચા ચાલી રહી છે. જાણો કે આ ફિલ્મ માટે કયા કલાકારને કેટલી ફી મળી હોવાનું કહેવાય છે અને સૌથી વધુ ખર્ચ કોના પર થયો છે.</p><h2 style="text-align: justify; "><b>ભગવાન રામના પાત્રમાં રણબીર કપૂર</b></h2><p style="text-align: justify; "><img alt="Nitesh Tiwari Ramayana Star Cast Fees (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/01/BVxvxYlBQt4RM7zJ5tT9XCcLC6iZRafEB1IUxHL6.webp"><b><br></b></p><p style="text-align: justify; ">અહેવાલો મુજબ, ફિલ્મ 'રામાયણ' માટે સૌથી વધુ ફી રણબીર કપૂરે લીધી છે. તેમણે કુલ 150 કરોડ રૂપિયા લીધા હોવાનું કહેવાય છે, જેમાં દરેક ભાગ માટે 75 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે.<br><img alt="Nitesh Tiwari Ramayana Star Cast Fees (2)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/01/svFZhcD6kXIFy8VSYo5MxaDZ0BqokhR1Lrs8tJb5.webp"><br></p><h2 style="text-align: justify; "><b>રાવણના પાત્રમાં યશ</b></h2><p style="text-align: justify; ">ફિલ્મમાં રાવણની ભૂમિકા ભજવનાર યશને અંદાજે 100 કરોડ રૂપિયા મળ્યા હોવાનું કહેવાય છે. એટલે કે દરેક ભાગ માટે લગભગ 50 કરોડ રૂપિયા. સાથે એવી પણ ચર્ચા છે કે ફિલ્મના સહ-નિર્માતા તરીકે તેમને નફામાં પણ ભાગ મળશે.<br><img alt="Nitesh Tiwari Ramayana Star Cast Fees (3)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/01/Ln0gerNYj5Qc4SoI8JGKxNyXpLgybfU5oFLU3I9A.webp"><br></p><h2 style="text-align: justify; "><b>સીતાના પાત્રમાં સાઈ પલ્લવી</b></h2><p style="text-align: justify; ">અહેવાલો મુજબ, સાઈ પલ્લવીએ સીતાના પાત્ર માટે કુલ 12 કરોડ રૂપિયા ફી લીધી છે. એટલે કે દરેક ભાગ માટે 6 કરોડ રૂપિયા.<br></p><h2 style="text-align: justify; "><b>હનુમાનના પાત્રમાં સની દેઓલ</b></h2><p style="text-align: justify; ">અહેવાલો મુજબ, સની દેઓલ ભગવાન હનુમાનનું પાત્ર ભજવવા માટે 40 કરોડ રૂપિયા ફી લઈ રહ્યા છે.<br><img alt="Nitesh Tiwari Ramayana Star Cast Fees (4)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/01/VVtRrNnp2l6LxfH3ivrGWdIs8WX4eeTiyH3I1Bv9.webp"><br></p><h2 style="text-align: justify; "><b>લક્ષ્મણના પાત્રમાં રવિ દુબે</b></h2><p style="text-align: justify; ">ટેલિવિઝન અભિનેતા રવિ દુબેને લક્ષ્મણના પાત્ર માટે 2 કરોડથી 4 કરોડ રૂપિયા વચ્ચે ફી મળી હોવાનું કહેવાય છે.<br><img alt="Nitesh Tiwari Ramayana Star Cast Fees (5)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/01/KtPSxk7JdIYoMoiRnSfZGa4SEjS7HqlDmHVgtBEs.webp"><br></p><h2 style="text-align: justify; "><b>અરુણ ગોવિલ</b></h2><p style="text-align: justify; ">ટીવી સિરિયલ 'રામાયણ'માં ભગવાન રામનું પાત્ર ભજવી ચૂકેલા અરુણ ગોવિલ ફિલ્મ 'રામાયણ'માં રાજા દશરથની ભૂમિકામાં જોવા મળશે. અહેવાલો મુજબ, તેમને આ પાત્ર માટે 2.5 કરોડ રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે.<br><img alt="Nitesh Tiwari Ramayana Star Cast Fees (6)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/01/oK4ighp9GyCDK522DJrkS2qCdRSVBz2xzbGQR6wd.webp"><br></p><h2 style="text-align: justify; "><b>કૈકેયીના પાત્રમાં લારા દત્તા</b></h2><p style="text-align: justify; ">અહેવાલો મુજબ, ફિલ્મમાં કૈકેયીની ભૂમિકા માટે લારા દત્તાને 3 કરોડ રૂપિયા ફી આપવામાં આવી રહી છે.<br><img alt="Nitesh Tiwari Ramayana Star Cast Fees (7)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/01/baOoAe1tORbaXQ7SCxU8oUuk9KDGNAi2gXlX8OT1.webp"><br></p><h2 style="text-align: justify; "><b>શૂર્પણખાના પાત્રમાં રકુલ પ્રીત સિંહ</b></h2><p style="text-align: justify; ">અહેવાલો મુજબ, શૂર્પણખાનું પાત્ર ભજવનારી રકુલ પ્રીત સિંહે 1 કરોડથી 2 કરોડ રૂપિયા વચ્ચે ફી લીધી હોવાનું કહેવાય છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/dayaben-return-tmkoc-jethalal-reacts-9-years" target="_blank">આ પણ વાંચો-TMKOCમાં 9 વર્ષ પછી દયાબેનની ગ્રાન્ડ એન્ટ્રી? જેઠાલાલે તોડ્યું મૌન, રડી પડ્યા પોપટલાલ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/01/0VkBU39buRnNOysFj5WIwNqjKNthewkzO6rTq5Gr.webp'/></item></channel></rss>