<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Gandhinagar Municipal Corporation Election 2026: કોંગ્રેસે જાહેર કર્યો મેનિફેસ્ટો, જાણો શું કરી જાહેરાતો? ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gandhinagar-municipal-corporation-election-2026-congress-manifesto</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gandhinagar-municipal-corporation-election-2026-congress-manifesto</guid><pubDate>Thu, 17 Sep 2026 13:09:21 +05:30</pubDate><description><![CDATA[<p>ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણીની તૈયારીઓ માટે કમર કસી લેવામાં આવી છે અને "બદલાવની લહેર, વિકાસની લહેર" ના નારા સાથે પક્ષ જનતાની વચ્ચે જઈ રહ્યો છે. પક્ષ દ્વારા દરેક વોર્ડમાં 2 થી 3 પેનલ તૈયાર કરવામાં આવી છે અને પક્ષ પલ્ટો ન કરે તેવા મજબૂત ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની રણનીતિ બનાવવામાં આવી છે.</p><h2><b>ભાઈ-ભત્રીજાવાદ અને કોન્ટ્રાક્ટ પ્રથા પર પૂર્ણ વિરામ</b></h2><p>કોંગ્રેસ પક્ષે પોતાના મેનિફેસ્ટોમાં સ્પષ્ટ જાહેરાત કરી છે કે, ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ભાઈ-ભત્રીજાવાદને કોઈ સ્થાન આપવામાં આવશે નહીં. પક્ષના કોઈપણ કાઉન્સિલર કે હોદ્દેદાર કોઈ કોન્ટ્રાક્ટ કે પેટા કોન્ટ્રાક્ટ લેશે નહીં. આ ઉપરાંત, ચેક્સના નાણાંથી જાહેર કાર્યક્રમો ન યોજવાનો પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી વહીવટમાં પારદર્શિતા આવશે.</p><h2><b>કર રાહતો અને જનહિતની મોટી જાહેરાતો</b></h2><p>જનતાને મોંઘવારીમાંથી રાહત આપવા માટે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં મિલકત વેરા અને વાણિજ્ય વેરા સંદર્ભે મોટી જાહેરાતો કરાઈ છે. ઘર વેરામાં 25 ટકા તેમજ વાણિજ્ય વેરામાં 10 ટકા સુધીની રાહત આપવાનું વચન આપવામાં આવ્યું છે. આનાથી સામાન્ય નાગરિકો અને વેપારીઓને મોટો આર્થિક ફાયદો થશે.</p><p><img alt="Gandhinagar Municipal Corporation Election 2026: Congress Manifesto &amp; Updates  " src="https://epapercdn.sandesh.com/images/2026/09/17/G3AlDqqGsQiXCgpVF8tR3D9fcF0UbPI6atavEYvs.webp" style="width: 100%;"><br></p><h2><b>પાયાની સુવિધાઓ અને સફાઈ-આરોગ્ય માળખું</b></h2><p>શહેરમાં નાગરિકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે પાણી અને ગટર વ્યવસ્થાના પ્રશ્નોને અગ્રતા આપીને કાયમી ધોરણે ઉકેલવામાં આવશે. આ સાથે જ સફાઈ, મજબૂત આરોગ્ય માળખું તથા સાર્વજનિક પરિવહન જેવી અત્યાઆવશ્યક બાબતોને પણ મેનિફેસ્ટોમાં વિશેષરૂપે આવરી લેવામાં આવી છે, જેથી ગાંધીનગરનો સર્વાંગી વિકાસ થઈ શકે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/breakingnews/gandhinagar/gandhinagar-municipal-corporation-gmc-election-dates-declared-october" target="_blank">Gandhinagar: ગાંધીનગર મનપા અને 3 નગરપાલિકાની ચૂંટણી જાહેર; 11 ઓક્ટોબરે મતદાન અને 13 ઓક્ટોબરે મતગણતરી</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/vXXXBWhDNrFbRe8t0htQjF0kZK0G8OumSM69fXED.webp'/></item><item><title><![CDATA[PM મોદીએ ઇન્ડસ્ટ્રીમાં ખુલ્લેઆમ ચાલતા એવોર્ડ નેપોટીઝમનો કર્યો ખાતમો...દાદા સાહેબ ફાળકે વિજેતા અભિનેતાએ માન્યો આભાર ]]></title><link>https://sandesh.com/entertainment/news/pm-modi-has-put-an-end-to-the-award-nepotism-that-is-openly-running-in-the-industrydada-saheb-phalke-award-winning-actor-thanks-him</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/pm-modi-has-put-an-end-to-the-award-nepotism-that-is-openly-running-in-the-industrydada-saheb-phalke-award-winning-actor-thanks-him</guid><pubDate>Thu, 17 Sep 2026 13:01:19 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કન્નડ સિનેમાના દિગ્ગજ અભિનેતા અનંત નાગને તાજેતરમાં ભારતીય સિનેમાના સર્વોચ્ચ સન્માન 'દાદાસાહેબ ફાળકે પુરસ્કાર'થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઐતિહાસિક સિદ્ધિ બાદ અભિનેતાએ દેશની ફિલ્મ એવોર્ડ સિસ્ટમમાં ક્રાંતિકારી ફેરફારો લાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુક્તકંઠે પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું કે પીએમ મોદીએ પુરસ્કારોની પસંદગી પ્રક્રિયાને લોકશાહી બનાવીને તેમાંથી ભાઈ-બહેનવાદ અને પક્ષપાતને સંપૂર્ણપણે દૂર કર્યા છે.</p><h2 style="text-align: justify; "><b>એવોર્ડ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે પીએમ મોદીનો આભાર</b></h2><p style="text-align: justify; ">દાદાસાહેબ ફાળકે પુરસ્કાર પ્રાપ્ત કર્યાના થોડા જ કલાકો બાદ પીટીઆઈ (PTI) સાથેની વાતચીતમાં 79 વર્ષીય અનંત નાગે જણાવ્યું હતું કે, "અગાઉ એવોર્ડ શ્રેણીઓમાં ભત્રીજાવાદ અને પક્ષપાત જેવી બાબતો ખુલ્લેઆમ ચાલતી હતી. પરંતુ પીએમ મોદીએ આ સિસ્ટમને સંપૂર્ણપણે બદલી નાખી. તેમણે દેશના સામાન્ય લોકોને પોતાના મનમાં રહેલા નામો સૂચવવાની તક આપી. આ પહેલી વાર હતું જ્યારે એવોર્ડ પ્રક્રિયામાં આવી પારદર્શિતા લાવવામાં આવી હોય."</p><h3 style="text-align: justify; "><b>અપેક્ષા વગર મળેલી સફળતા અને કર્ણાટકની જનતાને સમર્પણ</b></h3><p style="text-align: justify; ">અનંત નાગે ખુલાસો કર્યો હતો કે તેમને આટલા મોટા પુરસ્કારની બિલકુલ અપેક્ષા નહોતી અને તેઓ હજુ પણ આ ગૌરવપૂર્ણ સન્માનને પચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે આ એવોર્ડ પોતાના ગૃહ રાજ્ય કર્ણાટકના લોકોને સમર્પિત કરતાં કહ્યું, "સાચું કહું તો, મને આ એવોર્ડ મળશે તેવી કોઈ અપેક્ષા નહોતી. હું આ સન્માન કર્ણાટકના લોકોને સમર્પિત કરું છું અને ખાસ કરીને આપણા પ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનુ છું, જેમણે ટ્વિટ કરીને આ જાહેરાત કરી હતી."</p><h4 style="text-align: justify; "><b>અનંત નાગની 5 દાયકાથી વધુ લાંબી સુવર્ણ કારકિર્દી</b></h4><p style="text-align: justify; ">નાટક, રંગમંચ અને સિનેમાના ક્ષેત્રે અનંત નાગ એક જાણીતું અને આદરણીય નામ છે. તેમણે અભિનેતા, નાટ્યકાર અને દિગ્દર્શક તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. પોતાના લાંબા પાંચ દાયકાના કરિયરમાં તેમણે 250 થી વધુ ફિલ્મોમાં યાદગાર અભિનય કર્યો છે. જોકે તેમની મોટાભાગની ફિલ્મો કન્નડ ભાષામાં છે, પણ તેમણે કેટલીક અત્યંત લોકપ્રિય હિન્દી ફિલ્મો અને રંગમંચ પર પણ પોતાની છાપ છોડી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/bigg-boss-20-update-amrapali-dubey-gets-angry-over-cooking-scout-op-creates-ruckus-in-captaincy-task" target="_blank">આ પણ વાંચો : Bigg Boss 20 Update: રસોઈ બનાવવા મુદ્દે ભડકી આમ્રપાલી દુબે, કેપ્ટનસી ટાસ્કમાં સ્કાઉટ ઓપીનો હંગામો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/hDeKhDZLTzlfOit7zMfmHJSH1vBoYKUimlh3el38.webp'/></item><item><title><![CDATA[Flat Rent Agreement: ભાડા કરારનો ખર્ચ કેટલો આવે? મકાનમાલિક-ભાડુઆત માટે આ નિયમો જાણવા જરૂરી ]]></title><link>https://sandesh.com/business/news/rent-agreement-rules-cost-duration-registration</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/rent-agreement-rules-cost-duration-registration</guid><pubDate>Thu, 17 Sep 2026 12:57:20 +05:30</pubDate><description><![CDATA[<p>નોકરી, અભ્યાસ અથવા ધંધા માટે મકાન ભાડે લેતા લોકો માટે ભાડા કરાર એક મહત્વનો દસ્તાવેજ હોય છે. તે મકાનમાલિક અને ભાડુઆત વચ્ચે નક્કી થયેલી શરતોને લેખિત સ્વરૂપ આપે છે. તેમાં માસિક ભાડું, એડવાન્સ, વીજળી-પાણીનું બિલ, ઘર ખાલી કરવાના નિયમો અને અન્ય શરતો હોય છે. ઘણા લોકો એગ્રીમેન્ટ વગર ઘર ભાડે લઈ લે છે અથવા માત્ર સાદા સ્ટેમ્પ પેપર પર સહી કરીને કામ ચલાવી લે છે. જોકે, વિવાદ ઉભો થાય ત્યારે યોગ્ય રીતે તૈયાર કરાયેલો અને બંને પક્ષની સહી ધરાવતો આ લેખિત દસ્તાવેજ મહત્વનો પુરાવો બની શકે છે. ભાડા કરારનો ખર્ચ અને તેની નોંધણીની જરૂરિયાત રાજ્ય, એગ્રીમેન્ટના સમયગાળા અને સ્થાનિક નિયમો પ્રમાણે અલગ-અલગ હોઈ શકે છે.</p><h2><b>ભાડા કરાર શું છે અને તેમાં શું લખવામાં આવે છે?</b></h2><p>મકાનમાલિક અને ભાડુઆત વચ્ચે થતા આ લેખિત કરારમાં મિલકત ભાડે આપવાની નાની-મોટી શરતો લખવામાં આવે છે. તેમાં બંને પક્ષના નામ, સરનામું, ભાડાની રકમ, સિક્યોરિટી ડિપોઝિટ અને ભાડાની અવધિ લખવામાં આવે છે. વીજળી-પાણીના બિલ, સમારકામ, ભાડામાં વધારો અને ઘર ખાલી કરવાના નિયમો પણ તેમાં સામેલ કરી શકાય છે. એગ્રીમેન્ટ પર બંને પક્ષની સહી હોવી જોઈએ. જરૂર પડે તો સાક્ષીઓની સહી પણ લેવામાં આવી શકે છે.</p><h2><b>ભાડા કરાર કેટલા મહિનાનો હોય છે?</b></h2><p>ભારતમાં 11 મહિનાનું રેન્ટ એગ્રીમેન્ટ સામાન્ય રીતે જોવા મળે છે, પરંતુ દરેક ભાડાની વ્યવસ્થા માટે 11 મહિનાનો સમયગાળો કાયદાકીય રીતે ફરજિયાત નથી. Registration Act, 1908ની કલમ 17 હેઠળ સામાન્ય રીતે 1 વર્ષથી વધુ સમયગાળા માટે કરવામાં આવેલા લીઝનું રજિસ્ટ્રેશન ફરજિયાત હોય છે. જ્યારે 1 વર્ષ સુધીની ઘણી ભાડાની વ્યવસ્થામાં રજિસ્ટ્રેશનના નિયમો અલગ હોઈ શકે છે. જોકે, સમયગાળો ગમે તેટલો હોય, સ્ટેમ્પ ડ્યુટી અને રાજ્યના ભાડુઆત સંબંધિત કાયદાનું પાલન કરવું જરૂરી બની શકે છે.</p><h2><b>ભાડા કરાર બનાવવામાં કેટલો ખર્ચ આવે છે?</b></h2><p>ભાડા કરારના ખર્ચમાં સ્ટેમ્પ ડ્યુટી, રજિસ્ટ્રેશન ફી, દસ્તાવેજ તૈયાર કરવાની ફી અને કેટલીક વાર નોટરી અથવા અન્ય સેવા ફી સામેલ હોઈ શકે છે. આ ફી રાજ્ય, ભાડાની રકમ, મિલકત અને એગ્રીમેન્ટના સમયગાળા પ્રમાણે બદલાય છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં ભાડા અને લીઝના દસ્તાવેજો પર સ્ટેમ્પ ડ્યુટી તથા રજિસ્ટ્રેશન ફીમાં રાહતની જાહેરાત કરવામાં આવી હતી. આમ, અલગ અલગ રાજ્યના નિયમો પ્રમાણે ખર્ચ અલગ આવી શકે છે.&nbsp;</p><h2><b>ઉત્તર પ્રદેશમાં ભાડા કરારનું રજિસ્ટ્રેશન સસ્તું થયું</b></h2><p>ઉત્તર પ્રદેશ સરકારે રેન્ટ એગ્રીમેન્ટના રજિસ્ટ્રેશનનો ખર્ચ કાયમી ધોરણે ઘટાડવાનો નિર્ણય કર્યો છે. હવે 1 વર્ષ માટે 2 લાખ રૂપિયા સુધીના વાર્ષિક ભાડાવાળા એગ્રીમેન્ટ પર કુલ 2,000 રૂપિયા ખર્ચ થશે. તેમાં 1,000 રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી અને 1,000 રૂપિયા રજિસ્ટ્રેશન ફી સામેલ છે. 10 વર્ષ સુધીના એગ્રીમેન્ટમાં 10 લાખ રૂપિયા સુધીના સરેરાશ વાર્ષિક ભાડા માટે 90% સુધીની રાહત આપવામાં આવી છે. 1 વર્ષથી વધુ સમયગાળાના ભાડાના કરારનું રજિસ્ટ્રેશન કાયદાકીય રીતે જરૂરી છે. તેથી આ નિર્ણય મકાનમાલિકો અને ભાડુઆતો બંને માટે મહત્વનો છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/K9XQerMwEOgyjQ7M315HGXijJG2mDbuSiAuYVmdk.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : પાલડી ઉપાશ્રયના નામે ખોટી ઓળખ આપી વેપારી સાથે 21.79 લાખની ઠગાઈ, તેજસ શાહ સામે ફરિયાદ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad--businessman-duped-of--21-79-lakh-in-religious-donation-fraud</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad--businessman-duped-of--21-79-lakh-in-religious-donation-fraud</guid><pubDate>Thu, 17 Sep 2026 12:56:03 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં ધાર્મિક કાર્યમાં દાન આપવાના નામે એક વેપારી સાથે રૂ. 21.79 લાખની મોટી છેતરપિંડી આચરવામાં આવી હોવાનો સણસણતો કિસ્સો સામે આવ્યો છે. ઠગબાજે પોતાની ઓળખ પાલડી ખાતે આવેલા જાણીતા જૈન ઉપાશ્રયમાંથી બોલતા હોવાની આપી હતી. ધાર્મિક કાર્ય માટે દાનની જરૂરિયાત હોવાનું કહીને વેપારીને વિશ્વાસમાં લીધા હતા અને તબક્કાવાર રીતે કુલ રૂ. 21 લાખ 79 હજારની મોટી રકમ પડાવી લીધી હતી.</p><h2 style="text-align: justify; "><b>તેજસ શાહ નામના શખ્સ સામે ફરિયાદ</b></h2><p style="text-align: justify; ">આ સમગ્ર છેતરપિંડી મામલે ઠગાઈનો ભોગ બનેલા વેપારીને જ્યારે પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનો અહેસાસ થયો, ત્યારે તેમણે તુરંત જ પોલીસનો સંપર્ક કર્યો હતો. બનાવ અંગે અમદાવાદના આનંદનગર પોલીસ મથકમાં તેજસ શાહ નામના શખ્સ સામે વિધિવત રીતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે વેપારીની ફરિયાદના આધારે ગુનો નોંધીને આરોપી તેજસ શાહને ઝડપી પાડવા માટે તપાસ ચક્ર ગતિમાન કર્યા છે.</p><h2 style="text-align: justify; "><b>ધર્મના નામે છેતરપિંડી કરતી ટોળકીથી સાવચેત રહેવા પોલીસની અપીલ</b></h2><p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં ધાર્મિક ભાવનાઓનો દુરુપયોગ કરીને વેપારીઓ અને નાગરિકોને નિશાન બનાવતી આવી ઘટનાઓ વધતાં ચકચાર મચી ગઈ છે. આનંદનગર પોલીસે આ મામલે નાણાકીય લેવડદેવડ અને બેંક એકાઉન્ટ્સની વિગતો મેળવીને આરોપીનું લોકેશન શોધવાની તજવીજ હાથ ધરી છે. આ સાથે જ પોલીસે લોકોને પણ અપીલ કરી છે કે કોઈપણ ઉપાશ્રય કે ધાર્મિક સંસ્થાના નામે આવતા અજાણ્યા કોલ પર નાણાં ટ્રાન્સફર કરતાં પહેલાં રૂબરૂ ચકાસણી અવશ્ય કરવી.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/surat/surat--3-traders-arrested-in-udhna-for-selling-fake-puma-footwear-worth--12-72-lakh" target="_blank">Surat News : ઉધનામાં ‘PUMA’ બ્રાન્ડના ડુપ્લિકેટ બૂટ-ચંપલ વેચતું મોટું રેકેટ પકડાયું, CID ક્રાઇમના દરોડામાં 3 વેપારીઓ દબોચાયા!</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/8Z6HPI4RckqP9eNKDOWHg6SY6x2WJWWWY1KJkqS8.webp'/></item><item><title><![CDATA[ભારતીય વિદ્યાર્થીઓને લઈને Australiaમાં કડક નિયમો! પત્ની-બાળકોને સાથે લાવવા પર પ્રતિબંધ ]]></title><link>https://sandesh.com/india/news/australia-bans-family-on-student-visa-spouse-children-not-allowed-new-migration-rules-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/australia-bans-family-on-student-visa-spouse-children-not-allowed-new-migration-rules-2026</guid><pubDate>Thu, 17 Sep 2026 12:43:03 +05:30</pubDate><description><![CDATA[<p>વિદેશમાં અભ્યાસ કરવો એ ઘણા લોકોનું સ્વપ્ન હોય છે અને હાલમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ વિવિધ દેશોમાં શિક્ષણ મેળવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા એવું જ એક સ્થળ છે જ્યાં ભારતીય વિદ્યાર્થીઓની નોંધપાત્ર વસ્તી છે. જોકે, ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતા અથવા ત્યાં જવાની ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીઓ માટે હવે એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયન સરકાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વિઝાના નિયમો કડક બનાવવા જઈ રહી છે. નવા નિયમો હેઠળ, વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ દરમિયાન તેમના જીવનસાથી અને બાળકોને પોતાની સાથે ઓસ્ટ્રેલિયા લાવવા પર પ્રતિબંધ મૂકવાની યોજના છે.</p><p><br></p><p>આ ફેરફાર એવા સમયે ઓસ્ટ્રેલિયામાં વિદ્યાર્થીઓને અસર કરી રહ્યો છે જ્યારે સરકાર સ્થળાંતરના વધતા સ્તરને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે. અગાઉ, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તેમના જીવનસાથી અને બાળકોને સાથે લાવવા માટે ચોક્કસ વિઝા વિકલ્પોનો ઉપયોગ કરી શકતા હતા. જોકે, સૂચિત ફેરફારો આ શક્યતાને ગંભીર રીતે મર્યાદિત કરશે.</p><p><br></p><h4><b>ઓસ્ટ્રેલિયામાં સ્થળાંતરમાં ઝડપી વધારો</b></h4><p>ઓસ્ટ્રેલિયન સરકારે સંકેત આપ્યો છે કે પેસિફિક ટાપુ દેશો અને અમુક દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોના વિદ્યાર્થીઓને આ નિયમમાંથી કેટલીક છૂટછાટ મળી શકે છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં પ્રવેશતા લોકોની સંખ્યા ઘટાડવાનો છે. રોઇટર્સના જણાવ્યા અનુસાર, સરકારનો લક્ષ્યાંક 2028 સુધીમાં વાર્ષિક ચોખ્ખા સ્થળાંતર (net migration) ને વર્તમાન આશરે 3 લાખના સ્તરથી ઘટાડીને લગભગ 2,25,000 કરવાનો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઓસ્ટ્રેલિયામાં સ્થળાંતરમાં ઝડપી વધારો થયો હતો.</p><p><br></p><h4><b>કયા દેશોમાંથી સૌથી વધુ વિદ્યાર્થીઓ આવે છે?</b></h4><p>2023માં ચોખ્ખું સ્થળાંતર આશરે 5,18,000 સુધી પહોંચ્યું હતું, અને જૂન 2025 સુધીમાં આ આંકડો ઘટીને લગભગ 3,06,000 થવાનો અંદાજ છે. આ આંકડાઓમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ચીન, ભારત, નેપાળ, વિયેતનામ અને બાંગ્લાદેશ એ ઓસ્ટ્રેલિયામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટેના ટોચના પાંચ સ્ત્રોત દેશો છે. અહેવાલો સૂચવે છે કે આ પાંચ દેશોના વિદ્યાર્થીઓ દેશની કુલ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની વસ્તીના અડધા હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે. જેમાં ચીનનો હિસ્સો સૌથી મોટો છે.</p><p><br></p><p>અહેવાલો અનુસાર, મે 2026 સુધીમાં ઓસ્ટ્રેલિયામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની કુલ સંખ્યા ૬,૮૦,૫૮૨ સુધી પહોંચી હતી. ચીનના વિદ્યાર્થીઓ સૌથી મોટું જૂથ બનાવે છે, જે કુલ સંખ્યાના આશરે 23 ટકા હિસ્સો ધરાવે છે. ચીન પછી, ભારત 16 ટકા, નેપાળ 9 ટકા, વિયેતનામ ૫ ટકા અને બાંગ્લાદેશ 4 ટકા હિસ્સો ધરાવે છે. ખાસ કરીને ચીન અને ભારત આ આંકડાઓમાં નોંધપાત્ર યોગદાન આપે છે. ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા કરવામાં આવેલા ફેરફારો માત્ર વિદ્યાર્થીઓ પૂરતા સીમિત નથી; સરકારે 'વર્કિંગ હોલિડે વિઝા' માટે બેલેટ સિસ્ટમ અને અમુક પ્રકારના વિઝિટર વિઝા ધરાવતા લોકો દેશમાં રહીને અન્ય વિઝા શ્રેણીઓમાં સ્વિચ (બદલાવ) ન કરી શકે તેવા નિયંત્રણો જેવા પગલાંની પણ જાહેરાત કરી છે.</p><p><br></p><h4><b>સ્ટુડન્ટ વિઝા ફીમાં વધારો</b></h4><p>વિદ્યાર્થીઓને તેમના પરિવારને સાથે લાવવા પર પ્રતિબંધ મૂકવા ઉપરાંત, ઓસ્ટ્રેલિયા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે અન્ય ઘણા નિયમો પણ કડક બનાવી રહ્યું છે. આ પગલાંઓમાં અંગ્રેજી ભાષાની નિપુણતા અને આર્થિક ક્ષમતા અંગેની કડક જરૂરિયાતો તેમજ સ્ટુડન્ટ વિઝા ફીમાં નોંધપાત્ર વધારાનો સમાવેશ થાય છે. અહેવાલો સૂચવે છે કે છેલ્લા ચાર વર્ષમાં સ્ટુડન્ટ વિઝા ફીમાં લગભગ 300 ટકાનો વધારો થયો છે. જોકે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા માટે આવકનો મુખ્ય સ્ત્રોત છે, તેમ છતાં સરકાર તેમની વધતી જતી સંખ્યાને સ્થળાંતર નિયંત્રણના દ્રષ્ટિકોણથી પણ જોઈ રહી છે. આ જ કારણ છે કે સરકાર સ્ટુડન્ટ વિઝા અને પરિવારના સભ્યોને સાથે લાવવાની સુવિધા અંગેના નિયમો કડક બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.<br><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/cough-syrup-sale-new-rules-cctv-mandatory-licensed-shops-drugs-rules-1945-amendment" target="_blank"><b>હવે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નહીં મળે કફ સિરપ, દવા સંબંધિત નિયમોમાં થયા મસમોટા ફેરફાર</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/JjhMihaQF3A8dRSOwrbd5rew4ZjGwpjS8NC1wMUz.webp'/></item><item><title><![CDATA[Surat News : ઉધનામાં ‘PUMA’ બ્રાન્ડના ડુપ્લિકેટ બૂટ-ચંપલ વેચતું મોટું રેકેટ પકડાયું, CID ક્રાઇમના દરોડામાં ૩ વેપારીઓ દબોચાયા! ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/surat--3-traders-arrested-in-udhna-for-selling-fake-puma-footwear-worth--12-72-lakh</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/surat--3-traders-arrested-in-udhna-for-selling-fake-puma-footwear-worth--12-72-lakh</guid><pubDate>Thu, 17 Sep 2026 12:33:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ હરીનગર-1 સ્થિત અરિહંત કોમ્પ્લેક્ષમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી બૂટ-ચંપલ વેચાઈ રહ્યા હોવાની બાતમી મળતાં CID ક્રાઇમ સુરત ઝોને મોટી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રખ્યાત 'PUMA' કંપનીના નામ અને લોગોનો ગેરકાયદેસર ઉપયોગ કરી બનાવટી માલ વેચવામાં આવતો હોવાની પ્રાપ્ત ફરિયાદના આધારે CID ક્રાઇમની ટીમે 16 સપ્ટેમ્બરે અરિહંત કોમ્પ્લેક્ષની 'શિવ ફૂટવેર', 'પ્રેમ ટ્રેડીંગ ફૂટવેર' અને 'સાગર ફૂટવેર' નામની ત્રણ દુકાનો પર સરપ્રાઈઝ રાઉન્ડ પાડી દરોડા પાડ્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>3 વેપારીઓ સામે કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો</b></h2><p style="text-align: justify; ">દરોડા દરમિયાન ત્રણેય દુકાનોમાંથી મોટા પ્રમાણમાં પ્યુમા (PUMA) બ્રાન્ડના ડુપ્લિકેટ બૂટ, ચંપલ અને સ્લીપરનો જથ્થો મળી આવ્યો હતો. CID ક્રાઇમે સ્થળ પરથી કુલ રૂ. 12.72 લાખની કિંમતનો બનાવટી માલસામાન જપ્ત કર્યો છે. આ કેસમાં કૉપીરાઇટ એક્ટ 1957ની કલમ 63 હેઠળ ગુનો નોંધીને ત્રણેય દુકાનદારો ગજાનંદ માંડવ, પ્રશાંત અગ્રવાલ અને સાવલારામ ચૌધરીની સ્થળ પરથી જ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.</p><h2 style="text-align: justify; "><b>ડુપ્લિકેટ માલના નેટવર્ક અંગે CIDની ઊંડાણપૂર્વક તપાસ શરૂ</b></h2><p style="text-align: justify; ">ગ્રાહકો સાથે બ્રાન્ડેડ કંપનીના નામે થતી છેતરપિંડી રોકવા માટે સીઆઈડી ક્રાઇમે આક્રમક વલણ અપનાવ્યું છે. પ્રાથમિક પૂછપરછ બાદ પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આટલા મોટા પ્રમાણમાં ડુપ્લિકેટ બૂટ-ચંપલનો જથ્થો ક્યાંથી સપ્લાય કરવામાં આવતો હતો અને આ કૌભાંડમાં અન્ય કયા કયા સપ્લાયરો કે વચેટિયાઓની સંડોવણી છે. સ્થાનિક વેપારી આલમમાં આ દરોડાથી ભારે ફફડાટ વ્યાપી ગયો છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/junagadh--asiatic-lion-enters-narsinh-university-campus--hunts-prey--video-goes-viral" target="_blank">Junagadhની નરસિંહ યુનિવર્સિટી કેમ્પસમાં સિંહની દબંગ એન્ટ્રી, ચાલુ ક્લાસે વિદ્યાર્થીઓએ કર્યા સિંહ દર્શન Video</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/W97UT4KLRm1BvudMYQGkV0PIpAGhBMwbTTYV1X2G.webp'/></item><item><title><![CDATA[Ganesh Mahotsav 2026 : ‘બાપ્પાની ભક્તિ અને સજાવટની ઝલક હવે પહોંચશે કરોડો વાચકો સુધી!’ સંદેશ ડિજિટલ લઈને આવ્યું છે ભક્તો માટે ગોલ્ડન ચાન્સ ]]></title><link>https://sandesh.com/gujarat/news/bhakti/ahmedabad/ganesh-mahotsav-2026-sandesh-digital-ganpati-photos</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/bhakti/ahmedabad/ganesh-mahotsav-2026-sandesh-digital-ganpati-photos</guid><pubDate>Thu, 17 Sep 2026 12:30:59 +05:30</pubDate><description><![CDATA[<p>ગણેશ મહોત્સવ 2026ની ઉજવણીને વધુ ખાસ અને યાદગાર બનાવવા માટે સંદેશ ડિજિટલ લઈને આવ્યું છે એક સુંદર તક. હવે તમારા ઘેર કે સોસાયટીમાં પધારેલા ગણપતિ બાપ્પાની સુંદર તસવીરો અને વીડિયો માત્ર તમારા પરિવાર કે સોસાયટી પૂરતા સીમિત નહીં રહે, પરંતુ તેને દુનિયા સુધી પહોંચાડવાની તક મળશે. આ પાવન પર્વે તમારા ગણપતિ દાદાની સુંદર તસવીરો અને વીડિયો સંદેશ ડિજિટલ દ્વારા પ્રકાશિત કરવામાં આવશે. </p><p>તમારા શ્રીજીની તસવીરો સંદેશ ડિજિટલની વેબસાઇટ sandesh.com તેમજ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ચમકશે. તમારા ઘેર, ફ્લેટમાં કે સોસાયટીમાં પધારેલા શ્રીજીની સુંદર તસવીરો અને વીડિયો અમને મોકલો. સાથે તમારું નામ અને સ્થળ જરૂરથી લખશો, જેથી તમારી તસવીરો યોગ્ય ઓળખ સાથે પ્રકાશિત કરી શકાય. તો આ ગણેશ મહોત્સવમાં તમારા બાપ્પાની ભક્તિ, શ્રદ્ધા અને સુંદર સજાવટની ઝલક દુનિયા સુધી પહોંચાડો. આજે જ તમારા શ્રીજીની તસવીરો અને વીડિયો મોકલો આ નંબર પર---- 9316724216&nbsp;</p><h2><b>પલાસ મિત્ર મંડળ, પલાસ હોમ્સ, મકરબા, અમદાવાદ</b></h2><p><img alt="ganpati photos" src="https://epapercdn.sandesh.com/images/2026/09/17/QXBVZa64F0FHmm1zZzHw8pgOf6mBpbvp1qHofGku.webp" style="width: 50%;"><br></p><h2><b>ગુર્જર પરિવારના ગણપતિ, પલાસ હોમ્સ, મકરબા, અમદાવાદ</b></h2><p><img alt="ganpati photos" src="https://epapercdn.sandesh.com/images/2026/09/17/LGuxGzhDROp5S2hXCOEMgtloCvfuTIYDvYnvAYdR.webp" style="width: 50%;"></p><p><b>કવિતા બેન અને રાજુ બંદી પરીવાર, રંગસુઝલામ સોસાયટી, નારણપુરા, અમદાવાદ</b></p><p><img alt="ganpati photos" src="https://epapercdn.sandesh.com/images/2026/09/17/k1n4aNIKgUzlbINSmDEJTV5f9WuWBJqNe40j0wcN.webp" style="width: 50%;"><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/iJOZ21MELDKehzMH6tD1bMVxLmiCe0Jjr7MetHR0.webp'/></item><item><title><![CDATA[Junagadhની નરસિંહ યુનિવર્સિટી કેમ્પસમાં સિંહની દબંગ એન્ટ્રી, ચાલુ ક્લાસે વિદ્યાર્થીઓએ કર્યા સિંહ દર્શન Video ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/junagadh--asiatic-lion-enters-narsinh-university-campus--hunts-prey--video-goes-viral</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/junagadh--asiatic-lion-enters-narsinh-university-campus--hunts-prey--video-goes-viral</guid><pubDate>Thu, 17 Sep 2026 12:05:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જૂનાગઢ સ્થિત ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કેમ્પસમાં અચાનક સાવજની ભવ્ય એન્ટ્રી થતાં સમગ્ર શૈક્ષણિક પરિસરમાં ભારે અફરાતફરી અને ફફડાટનો માહોલ સર્જાયો હતો. ચાલુ ક્લાસ દરમિયાન યુનિવર્સિટી પરિસરમાં સિંહ મુક્તપણે વિહરતો જોવા મળ્યો હતો. ક્લાસરૂમમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓએ બારીમાંથી સિંહના પ્રત્યક્ષ દર્શન કર્યા હતા, જેનાથી વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો.</p><h2 style="text-align: justify; "><b>લોકોની અવરજવર વચ્ચે માણી મિજબાની</b></h2><p style="text-align: justify; ">ચોંકાવનારી વાત એ છે કે વરસાદી વાતાવરણ વચ્ચે યુનિવર્સિટી કેમ્પસમાં લોકોની અવરજવર હોવા છતાં સિંહે જરાય ગભરાયા વિના પોતાના શિકાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. સિંહે પરિસરમાં જ એક પશુનો શિકાર કર્યો હતો અને લોકોની હાજરી વચ્ચે નિશ્ચિંત થઈને શિકારની મિજબાની માણી હતી. સામાન્ય રીતે વન્યજીવો માનવ વસવાટથી દૂર રહેતા હોય છે, પરંતુ જૂનાગઢ ગીર સોમનાથની નજીક અને જંગલ સીમા પાસે હોવાથી અવારનવાર સિંહો શહેરી અને કેમ્પસ વિસ્તારમાં ઘૂસી આવતા હોય છે.</p><p style="text-align: justify; "><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DdYQLSplY-f/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DdYQLSplY-f/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DdYQLSplY-f/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DdYQLSplY-f/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h2 style="text-align: justify; "><b>વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ</b></h2><p style="text-align: justify; ">યુનિવર્સિટી કેમ્પસમાં સિંહ દ્વારા શિકાર કરવાનો અને મિજબાની માણવાનો આ આખો નજારો વિદ્યાર્થીઓએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો. આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોમાં ભારે આશ્ચર્ય અને ચર્ચા જાગી છે. બનાવની જાણ થતાં જ વન વિભાગની ટીમ પણ સતર્ક થઈ ગઈ છે અને યુનિવર્સિટી કેમ્પસ તથા આસપાસના વિસ્તારમાં મોનિટરિંગ વધારી દેવામાં આવ્યું છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/pm-modi-popular-among-gen-z--youth-share-development-suggestions-for-india" target="_blank">દેશના Gen-Z યુવાઓમાં PM મોદીનો ક્રેઝ! ભારતની પ્રગતિની ચર્ચા વચ્ચે યુવાનોએ ભવિષ્યના રોડમેપ માટે રજૂ કર્યા વિઝનરી આઈડિયા</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/L1c74ALC8XDt7VCuifwJD7av2qhOXNo2vgRFQmUc.webp'/></item><item><title><![CDATA[હવે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નહીં મળે કફ સિરપ, દવા સંબંધિત નિયમોમાં થયા મસમોટા ફેરફાર ]]></title><link>https://sandesh.com/india/news/cough-syrup-sale-new-rules-cctv-mandatory-licensed-shops-drugs-rules-1945-amendment</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/cough-syrup-sale-new-rules-cctv-mandatory-licensed-shops-drugs-rules-1945-amendment</guid><pubDate>Thu, 17 Sep 2026 11:38:30 +05:30</pubDate><description><![CDATA[<p>ઘણા વિસ્તારોમાં કફ સિરપનો નશાકારક પદાર્થ તરીકે વારંવાર દુરુપયોગ કરવામાં આવે છે. જેને રોકવા માટે સરકારે તેના વેચાણ અંગેના નિયમો કડક બનાવ્યા છે. કફ સિરપ જેવી દવાઓ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન (તબીબી સલાહ-પત્ર) વિના વેચવામાં ન આવે તે સુનિશ્ચિત કરવા માટે નવા નિયમો સૂચવવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર પુખ્ત વયના લોકો માટે બનાવાયેલ કફ સિરપ ઘણીવાર બાળકોને આપવામાં આવે છે. જેને અટકાવવાની જરૂર છે. કફ સિરપના અનિયંત્રિત વેચાણને રોકવા માટે 'ડ્રગ્સ રૂલ્સ' (દવા સંબંધિત નિયમો)માં મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે.</p><p><br></p><p>નવા નિયમો એ સમસ્યાને પણ સંબોધિત કરે છે જેમાં માત્ર પ્રિસ્ક્રિપ્શન દ્વારા મળતી દવાઓ પ્રિસ્ક્રિપ્શન વિના સીધી દુકાન પરથી (OTC - ઓવર-ધ-કાઉન્ટર) વેચવામાં આવે છે; જે બંધ થવું જોઈએ. નજીકના ભવિષ્યમાં, પ્રિસ્ક્રિપ્શનવાળી દવાઓના વેચાણ પર CCTV દ્વારા દેખરેખ રાખવામાં આવી શકે છે.</p><p><br></p><h3><b>લાઇસન્સ પ્રાપ્ત છૂટક દુકાનો માટે CCTV ફરજિયાત; રેકોર્ડ જાળવવા જરૂરી</b></h3><p>સરકારે લાઇસન્સ પ્રાપ્ત છૂટક દુકાનો માટે CCTV લગાવવાનું ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. CCTV રેકોર્ડિંગ ત્રણ મહિના સુધી સાચવી રાખવા જરૂરી રહેશે. આ નિયમ પ્રિસ્ક્રિપ્શનવાળી દવાઓના વેચાણ પર લાગુ થશે. જોકે, જથ્થાબંધ વેચાણને આ આદેશમાં સામેલ કરવામાં આવ્યું નથી. નિયમોના ડ્રાફ્ટમાં 'ડ્રગ્સ રૂલ્સ, 1945'માં સુધારા સૂચવવામાં આવ્યા છે. વાંધાઓ અને સૂચનો રજૂ કરવા માટે 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે. સરકારે જણાવ્યું હતું કે આ ફેરફારો પાછળનો ઉદ્દેશ્ય દવા વિતરણ પ્રક્રિયામાં વધુ જવાબદારી સુનિશ્ચિત કરવાનો છે.</p><p><br></p><h4><b>કફ સિરપની વ્યાપક દાણચોરી</b></h4><p>ઉલ્લેખનીય છે કે 3 સપ્ટેમ્બરના રોજ ઉત્તર પ્રદેશમાં કોડીનયુક્ત કફ સિરપના વેપાર અને માદક પદાર્થોની દાણચોરી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. યુપી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) એ બાંદા જિલ્લામાં કોડીન કફ સિરપની દાણચોરીમાં સામેલ એક ગેંગ સામે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી અને ચાર વ્યક્તિઓની ધરપકડ કરી.</p><p><br></p><p>STFની ટીમે તેમની પાસેથી અંદાજે ₹3 કરોડની કિંમતની ગેરકાયદેસર કોડીન કફ સિરપની 30,000 બોટલ જપ્ત કરી હતી. ધરપકડ કરાયેલ વ્યક્તિઓની ઓળખ ધીરેન્દ્ર કુમાર (બાંદાના રહેવાસી), પ્રવીણ કુમાર ઉર્ફે લકી અને રોહિત પાંડે (અટારાના રહેવાસી) અને શેખર સિંહ (હાપુરના રહેવાસી) તરીકે કરવામાં આવી છે. STFને માહિતી મળી હતી કે એક આંતરરાજ્ય ગેંગ દિલ્હી, હરિયાણા અને ચંદડીગઢથી ગેરકાયદેસર કોડીન-આધારિત કફ સિરપનો જથ્થો મેળવી રહી હતી અને ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને મધ્ય પ્રદેશ સહિતના વિવિધ રાજ્યોમાં તેનો પુરવઠો પૂરો પાડી રહી હતી. આના પર કાર્યવાહી કરતા, STFની પ્રયાગરાજ ફિલ્ડ યુનિટની એક ટીમ ગુરુવારે બાંદામાં હાજર હતી.<br><br>આ પણ વાંચો:<a href="https://sandesh.com/india/news/chatgpt-astra-mumbai-rajkot-train-irctc-booking-demo-manthan-jethwani" target="_blank"><b> ગજબ...! AIએ IRCTC પર જાતે ટ્રેન શોધી, ડિટેઇલ્સ ભરી અને પછી....</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/SPReux9EtfVHWRIS5yymbujhboxGMwj4TqIVTmP8.webp'/></item><item><title><![CDATA[પાકિસ્તાનની ટીમ ભારત આવશે! એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં જામશે ભારત-પાક જંગ ]]></title><link>https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</guid><pubDate>Mon, 14 Sep 2026 15:47:21 +05:30</pubDate><description><![CDATA[<p>આવતા મહિને પાકિસ્તાનની હોકી ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે. 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન પંજાબમાં યોજાનારી AHF મેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026માં પાકિસ્તાન સહિત કુલ છ ટીમો ભાગ લેશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પાકિસ્તાનની ભાગીદારી અંગેની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, મલ્ટી-નેશનલ ઇવેન્ટ્સ અંગે કેન્દ્ર સરકારની નીતિ હેઠળ બંને દેશોની ટીમો આમને-સામને રમશે.</p><h2><b>ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જાલંધરમાં રમાશે</b></h2><p>એશિયન મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન થશે. આ ટૂર્નામેન્ટમાં યજમાન ભારત અને પાકિસ્તાન ઉપરાંત ચીન, જાપાન, મલેશિયા અને કોરિયાની પણ ભાગ લેશે. લીગ સ્ટેજના મુકાબલા જાલંધરમાં યોજાશે, જ્યારે સેમિફાઇનલ અને ફાઇનલ મેચ મોહાલીના હોકી સ્ટેડિયમમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 1 નવેમ્બરે જાલંધરમાં રમાશે. કોઈ ટીમ છેલ્લી ઘડીએ ખસી જાય તો તે સ્થિતિ માટે ઓમાન અને બાંગ્લાદેશને રિઝર્વ ટીમન તરીકે રાખવામી આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PTI_News/status/2099416960278868155"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમવામાં કોઈ મુશ્કેલી નથી</b></h2><p>પાકિસ્તાનની ભાગીદારી અને જરૂરી મંજૂરીઓ અંગે પંજાબના મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં બંને દેશો વચ્ચે રમવામાં કોઈ મુશ્કેલી નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝનું આયોજન અલગ બાબત છે, કારણ કે કેન્દ્ર સરકારની વર્તમાન નીતિ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય રમત-ગમતના આયોજનની મંજૂરી આપતી નથી. પરંતુ મલ્ટી-નેશનલ ટૂર્નામેન્ટમાં બંને દેશોના ખેલાડીઓને એકબીજા સામે રમવાની પરવાનગી છે, જેથી પાકિસ્તાની ટીમ ભારત આવી શકશે.</p><h2><b>ભારત વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે</b></h2><p>ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. ભારતે 2023માં ચેન્નાઈ અને 2024માં ચીનના હુલુનબુઈરમાં યોજાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ગત વર્ષે આ સ્પર્ધા યોજાઈ શકી નહોતી. હવે પંજાબ પ્રથમ વખત આ ટૂર્નામેન્ટની મેજબાની કરવા જઈ રહ્યું છે.</p><h2><b>અગાઉ પાકિસ્તાની ટીમે ના કહી હતી&nbsp;</b></h2><p>પાકિસ્તાનની આ વખતની ભાગીદારી એટલા માટે પણ ખાસ છે, કારણ કે ગત વર્ષે તેણે તમિલનાડુમાં આયોજિત જૂનિયર હોકી વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તે સમયે બંને દેશો વચ્ચેના તણાવને તેનું કારણ ગણાવવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે અને પાકિસ્તાની ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે પૂરી રીતે તૈયાર છે.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/V6jwdiIr9RTCvR6EyBaGsP2qfZvYLq2JfkL7pytm.webp'/></item></channel></rss>