<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Kargil Vijay Diwas 2026: દેશના વીર શહીદોને PM મોદી, અમિત શાહ અને રાજનાથ સિંહે પાઠવી શ્રદ્ધાંજલિ ]]></title><link>https://sandesh.com/india/news/kargil-vijay-diwas-2026-pm-modi-amit-shah-and-rajnath-singh-paid-tribute-to-the-countrys-brave-martyrs</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/kargil-vijay-diwas-2026-pm-modi-amit-shah-and-rajnath-singh-paid-tribute-to-the-countrys-brave-martyrs</guid><pubDate>Sun, 26 Jul 2026 09:51:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કારગિલ વિજય દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સંદેશ પાઠવી ભારતીય સેનાના શૌર્ય, બલિદાન અને દેશભક્તિને સલામ કરી હતી.</p><h2 style="text-align: justify; ">જવાનોનું અવિશ્વસનીય શૌર્ય હંમેશા રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક</h2><p style="text-align: justify; ">વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંદેશમાં જણાવ્યું કે, "કારગિલ વિજય દિવસના અવસરે સમગ્ર દેશ ભારતની સુરક્ષા માટે અદમ્ય સાહસ અને અખંડ સમર્પણ દર્શાવનારા બહાદુર સૈનિકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. અત્યંત કઠિન પરિસ્થિતિઓમાં પણ આપણા જવાનોનું અવિશ્વસનીય શૌર્ય હંમેશા રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક બની રહેશે. તેમની અડગ દેશભક્તિ અને કર્તવ્યનિષ્ઠા આવનારી પેઢીઓને સતત પ્રેરણા આપતી રહેશે."</p><h3 style="text-align: justify; ">કારગિલ યુદ્ધમાં ભારતીય સેનાએ જે બહાદુરી અને સંકલ્પનું પ્રદર્શન કર્યું&nbsp;</h3><p style="text-align: justify; ">વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું કે કારગિલ યુદ્ધમાં ભારતીય સેનાએ જે બહાદુરી અને સંકલ્પનું પ્રદર્શન કર્યું હતું, તે દેશના ઇતિહાસમાં હંમેશા સુવર્ણ અક્ષરે લખાયેલું રહેશે. તેમણે શહીદ જવાનોના બલિદાનને નમન કરતાં કહ્યું કે દેશ તેમની સેવાને ક્યારેય ભૂલી શકશે નહીં.</p><h4 style="text-align: justify; ">અમિત શાહે પોતાના સંદેશમાં જણાવ્યું કે કારગિલ વિજય દિવસ ભારતીય સેનાના અદમ્ય શૌર્ય અને પરાક્રમનું જીવંત પ્રતીક</h4><p style="text-align: justify; ">કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંદેશમાં જણાવ્યું કે કારગિલ વિજય દિવસ ભારતીય સેનાના અદમ્ય શૌર્ય અને પરાક્રમનું જીવંત પ્રતીક છે. તેમણે યાદ અપાવ્યું કે વર્ષ 1999માં હિમાલયની બર્ફીલી અને દુર્ગમ પહાડીઓ પર અત્યંત કઠિન પરિસ્થિતિઓ વચ્ચે ભારતીય સેનાએ 'ઓપરેશન વિજય' દ્વારા દુશ્મનને પરાજિત કરીને દેશની અખંડિતતાનું રક્ષણ કર્યું હતું.</p><h4 style="text-align: justify; ">દેશ હંમેશા તેમના ઋણી રહેશે</h4><p style="text-align: justify; ">અમિત શાહે કહ્યું કે કારગિલ યુદ્ધ દરમિયાન ઊંચાઈ પર સ્થિત દુશ્મનના મજબૂત મોરચાઓનો સામનો કરીને આપણા જવાનોએ અસાધારણ બહાદુરીનું પ્રદર્શન કર્યું હતું. તેમણે દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર તમામ શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને કહ્યું કે દેશ હંમેશા તેમના ઋણી રહેશે.</p><h4 style="text-align: justify; ">કારગિલ વિજય દિવસ દેશના વીર સૈનિકોને નમન</h4><p style="text-align: justify; ">રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ કારગિલ વિજય દિવસના અવસરે દેશના વીર સૈનિકોને નમન કર્યું. તેમણે પોતાના સંદેશમાં જણાવ્યું કે માતૃભૂમિની રક્ષા માટે સર્વસ્વ અર્પણ કરનાર તમામ જવાનોને શત-શત વંદન. તેમણે કહ્યું કે કારગિલની દુર્ગમ અને બર્ફીલી પહાડીઓ પર ભારતીય સેનાએ જે અદભૂત શૌર્ય અને બલિદાનનું પ્રદર્શન કર્યું હતું, તે દેશવાસીઓ માટે હંમેશા ગૌરવની બાબત રહેશે.</p><h5 style="text-align: justify; ">ભારતીય સેનાનું અદમ્ય સાહસ, ત્યાગ અને અડગ સંકલ્પ દેશની યુવા પેઢી માટે પ્રેરણારુપ</h5><p style="text-align: justify; ">રાજનાથ સિંહે ઉમેર્યું કે ભારતીય સેનાનું અદમ્ય સાહસ, ત્યાગ અને અડગ સંકલ્પ દેશની યુવા પેઢીને દેશપ્રેમ, કર્તવ્યનિષ્ઠા અને માતૃભૂમિ માટે સર્વસ્વ સમર્પિત કરવાની પ્રેરણા આપતું રહેશે. તેમણે કારગિલ યુદ્ધના તમામ શહીદોને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરીને તેમના બલિદાનને રાષ્ટ્ર માટે અમર ગણાવ્યું.</p><p style="text-align: justify; ">કારગિલ વિજય દિવસ માત્ર એક ઐતિહાસિક વિજયની યાદ નથી, પરંતુ દેશની સુરક્ષા માટે જીવનું બલિદાન આપનાર દરેક વીર જવાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે. સમગ્ર દેશ આજે તેમના અદમ્ય સાહસ, બલિદાન અને રાષ્ટ્રપ્રેમને સલામ કરે છે.</p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/26/KkUKS9rljSncf9Y0agD81wkq6Tg4GhXF4aBKKFnG.webp'/></item><item><title><![CDATA[Petrol Diesel Price Today : આજે પેટ્રોલ-ડીઝલ કેટલું મોંઘું-સસ્તું? જાણો આજનો લેટેસ્ટ ભાવ ]]></title><link>https://sandesh.com/business/news/india/petrol-diesel-price-today-26-july-2026-city-wise-rates</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/petrol-diesel-price-today-26-july-2026-city-wise-rates</guid><pubDate>Sun, 26 Jul 2026 09:39:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દેશભરમાં સરકારી તેલ કંપનીઓએ 26 જુલાઈ માટે પેટ્રોલ અને ડીઝલના તાજા ભાવ જાહેર કરી દીધા છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દરરોજ સવારે 6 વાગ્યે ઈંધણની કિંમતો અપડેટ કરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ અને ડોલર સામે રૂપિયાની સ્થિતિના આધારે સમયે-સમયે ઈંધણના ભાવમાં ફેરફાર જોવા મળે છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>આજના પેટ્રોલ-ડીઝલના ભાવ</b></h2><p style="text-align: justify; ">અલગ-અલગ રાજ્યોમાં વેટ અને સ્થાનિક કર અલગ હોવાના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં પણ તફાવત હોય છે.</p><table class="table table-bordered" style="text-align: justify;"><tbody><tr><td><b>શહેર</b></td><td><b>પેટ્રોલ</b></td><td><b>ડીઝલ</b></td></tr><tr><td>દિલ્હી</td><td>102.12 રૂપિયા</td><td>95.20 રૂપિયા</td></tr><tr><td>મુંબઈ</td><td>111.18 રૂપિયા</td><td>97.83 રૂપિયા</td></tr><tr><td>કોલકાતા</td><td>113.47 રૂપિયા</td><td>99.82 રૂપિયા</td></tr><tr><td>બેંગલુરુ</td><td>110.93 રૂપિયા</td><td>98.80 રૂપિયા</td></tr><tr><td>અમદાવાદ</td><td>101.83 રૂપિયા</td><td>97.92 રૂપિયા</td></tr><tr><td>હૈદરાબાદ</td><td>115.69 રૂપિયા</td><td>103.82 રૂપિયા</td></tr></tbody></table><h2 style="text-align: justify; "><b>દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે ભાવ</b></h2><p style="text-align: justify; ">દેશની મુખ્ય તેલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો જાહેર કરે છે. જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ અથવા વિનિમય દરમાં ફેરફાર થાય છે, તો તેની અસર ઘરેલુ ઈંધણની કિંમતો પર પણ પડી શકે છે.</p><h3 style="text-align: justify; "><b>કેવી રીતે ચકાસવો તમારા શહેરનો પેટ્રોલ-ડીઝલનો ભાવ?</b></h3><p style="text-align: justify; ">જો તમે તમારા શહેરનો તાજો પેટ્રોલ અને ડીઝલનો ભાવ જાણવા માગતા હોવ, તો સંબંધિત ઓઈલ કંપનીની અધિકૃત વેબસાઈટ, મોબાઈલ એપ અથવા SMS સેવાનો ઉપયોગ કરી શકો છો. કિંમતો દરરોજ અપડેટ કરવામાં આવે છે, તેથી મુસાફરી કરતા પહેલા તાજા ભાવ ચોક્કસ ચકાસી લો.</p><h4 style="text-align: justify; "><b>પેટ્રોલ-ડીઝલની કિંમતો કઈ બાબતો પર આધાર રાખે છે?</b></h4><p style="text-align: justify; ">પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવ કેટલીક બાબતોથી પ્રભાવિત થાય છે, જેમાં સામેલ છે-</p><p style="text-align: justify; "><b>•	</b>આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત</p><p style="text-align: justify; "><b>•	</b>ડોલર સામે રૂપિયાનો વિનિમય દર</p><p style="text-align: justify; "><b>•</b>	કેન્દ્ર અને રાજ્ય સરકારોના કર</p><p style="text-align: justify; ">આ જ કારણોસર અલગ-અલગ રાજ્યો અને શહેરોમાં ઈંધણની કિંમતો અલગ-અલગ હોય છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/spider-man-brand-new-day-india-advance-booking-record" target="_blank">આ પણ વાંચો-ભારતમાં Spider-Man: Brand New Dayનો જલવો, એડવાન્સ બુકિંગમાં આ બે ફિલ્મોને પણ છોડી પાછળ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/26/zSvuHR9xyn0bpWqPXFyEItTsXeVH0SHVvPdDe5Pb.webp'/></item><item><title><![CDATA[Petrol Diesel Price Today : આજે પેટ્રોલ-ડીઝલ કેટલું મોંઘું-સસ્તું? જાણો આજનો લેટેસ્ટ ભાવ ]]></title><link>https://sandesh.com/business/news/india/petrol-diesel-price-today-26-july-2026-city-wise-rates</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/petrol-diesel-price-today-26-july-2026-city-wise-rates</guid><pubDate>Sun, 26 Jul 2026 09:39:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દેશભરમાં સરકારી તેલ કંપનીઓએ 26 જુલાઈ માટે પેટ્રોલ અને ડીઝલના તાજા ભાવ જાહેર કરી દીધા છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દરરોજ સવારે 6 વાગ્યે ઈંધણની કિંમતો અપડેટ કરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ અને ડોલર સામે રૂપિયાની સ્થિતિના આધારે સમયે-સમયે ઈંધણના ભાવમાં ફેરફાર જોવા મળે છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>આજના પેટ્રોલ-ડીઝલના ભાવ</b></h2><p style="text-align: justify; ">અલગ-અલગ રાજ્યોમાં વેટ અને સ્થાનિક કર અલગ હોવાના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં પણ તફાવત હોય છે.</p><table class="table table-bordered" style="text-align: justify;"><tbody><tr><td><b>શહેર</b></td><td><b>પેટ્રોલ</b></td><td><b>ડીઝલ</b></td></tr><tr><td>દિલ્હી</td><td>102.12 રૂપિયા</td><td>95.20 રૂપિયા</td></tr><tr><td>મુંબઈ</td><td>111.18 રૂપિયા</td><td>97.83 રૂપિયા</td></tr><tr><td>કોલકાતા</td><td>113.47 રૂપિયા</td><td>99.82 રૂપિયા</td></tr><tr><td>બેંગલુરુ</td><td>110.93 રૂપિયા</td><td>98.80 રૂપિયા</td></tr><tr><td>અમદાવાદ</td><td>101.83 રૂપિયા</td><td>97.92 રૂપિયા</td></tr><tr><td>હૈદરાબાદ</td><td>115.69 રૂપિયા</td><td>103.82 રૂપિયા</td></tr></tbody></table><h2 style="text-align: justify; "><b>દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે ભાવ</b></h2><p style="text-align: justify; ">દેશની મુખ્ય તેલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો જાહેર કરે છે. જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ અથવા વિનિમય દરમાં ફેરફાર થાય છે, તો તેની અસર ઘરેલુ ઈંધણની કિંમતો પર પણ પડી શકે છે.</p><h3 style="text-align: justify; "><b>કેવી રીતે ચકાસવો તમારા શહેરનો પેટ્રોલ-ડીઝલનો ભાવ?</b></h3><p style="text-align: justify; ">જો તમે તમારા શહેરનો તાજો પેટ્રોલ અને ડીઝલનો ભાવ જાણવા માગતા હોવ, તો સંબંધિત ઓઈલ કંપનીની અધિકૃત વેબસાઈટ, મોબાઈલ એપ અથવા SMS સેવાનો ઉપયોગ કરી શકો છો. કિંમતો દરરોજ અપડેટ કરવામાં આવે છે, તેથી મુસાફરી કરતા પહેલા તાજા ભાવ ચોક્કસ ચકાસી લો.</p><h4 style="text-align: justify; "><b>પેટ્રોલ-ડીઝલની કિંમતો કઈ બાબતો પર આધાર રાખે છે?</b></h4><p style="text-align: justify; ">પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવ કેટલીક બાબતોથી પ્રભાવિત થાય છે, જેમાં સામેલ છે-</p><p style="text-align: justify; "><b>•	</b>આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત</p><p style="text-align: justify; "><b>•	</b>ડોલર સામે રૂપિયાનો વિનિમય દર</p><p style="text-align: justify; "><b>•</b>	કેન્દ્ર અને રાજ્ય સરકારોના કર</p><p style="text-align: justify; ">આ જ કારણોસર અલગ-અલગ રાજ્યો અને શહેરોમાં ઈંધણની કિંમતો અલગ-અલગ હોય છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/spider-man-brand-new-day-india-advance-booking-record" target="_blank">આ પણ વાંચો-ભારતમાં Spider-Man: Brand New Dayનો જલવો, એડવાન્સ બુકિંગમાં આ બે ફિલ્મોને પણ છોડી પાછળ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/26/zSvuHR9xyn0bpWqPXFyEItTsXeVH0SHVvPdDe5Pb.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: વરસાદી પાણીથી સાચવ્યું હવે રોડથી સાચવજો, ભૂવા પડવાથી રસ્તા બંધ થતા વાહનચાલકો પરેશાન ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/rain-damaged-roads-sinkholes-disrupt-traffic</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/rain-damaged-roads-sinkholes-disrupt-traffic</guid><pubDate>Sun, 26 Jul 2026 09:38:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં તાજેતરમાં પડેલા વરસાદ બાદ ઠેર-ઠેર ભુવાઓ પડવાની ભરમાર સર્જાઈ છે.વરસાદે વિરામ લીધો હોવા છતાં પણ શહેરીજનો અને વાહનચાલકોની હાલાકી યથાવત જોવા મળી રહી છે.નહેરુનગરથી પાંજરાપોળ તરફ જતાં BRTS ટ્રેક પર પણ મોટો ભુવો પડતાં અને રસ્તો જોખમી બનતાં વાહનચાલકોની સુરક્ષા માટે આ રોડ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે.રસ્તાઓ બંધ થવાના કારણે આ વ્યસ્ત માર્ગ પરથી પસાર થતાં દૈનિક મુસાફરો ભારે પરેશાની અને ટ્રાફિક જામનો સામનો કરી રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>વસ્ત્રાપુરમાં સરકારી વસાહત નજીકનો મુખ્ય રોડ બેસી ગયો</b></h2><p style="text-align: justify; ">શહેરના પોશ વિસ્તાર ગણાતા વસ્ત્રાપુરમાં સરકારી વસાહત નજીકનો મુખ્ય રોડ પણ વરસાદી પાણીમાં ધોવાઈ જતાં જમીનમાં બેસી ગયો છે.વરસાદી પાણી ઓસરતાં જ મનપા દ્વારા કરવામાં આવેલા રોડ-રસ્તાના કામોની પોલ ખુલ્લી પડી ગઈ છે.વરસાદ બાદ આ રસ્તો અત્યંત બિહામણો અને જોખમી બની જતાં અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.જેને પગલે સ્થાનિકો દ્વારા વાહનચાલકોને આ માર્ગ પરથી પસાર થતી વખતે વિશેષ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.કરોડો રૂપિયાના ખર્ચે બનતા રસ્તાઓ માત્ર એક જ વરસાદમાં ધોવાઈ જતાં અથવા બેસી જતાં નાગરિકોમાં મનપાના ભ્રષ્ટ અને નબળા વહીવટ પ્રતી ભારે રોષ જોવા મળી રહ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>અમદાવાદની બોપલ ગામની સોસાયટી બેટમાં ફેરવાઈ&nbsp;</b></h3><p style="text-align: justify; ">અમદાવાદના બોપલ ગામમાં આવેલી ભાગવત સોસાયટી ભારે વરસાદના કારણે બેટમાં ફેરવાઈ ગઈ છે, જ્યાં ત્રણ દિવસ વિતી ગયા હોવા છતાં હજુ સુધી પાણી ઓસર્યા નથી. સોસાયટીમાં જળબંબાકારની સ્થિતિ સતત યથાવત રહેતાં સ્થાનિક રહીશો ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે. આ કટોકટીની સ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના તંત્ર દ્વારા પ્રભાવિત રહીશોને રાહત પહોંચાડવા માટે જરૂરી દવાઓ, પીવાનું પાણી અને ખાવા-પીવાનો સામાન સફળતાપૂર્વક પહોંચાડવામાં આવ્યો છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/red-alert-in-north-gujarat-two-weather-systems-active" target="_blank">આ પણ વાંચોઃ Gujarat Rain News: રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય, ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગનું રેડ એલર્ટ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/26/xJQStZ9ttFzMookHyCyImYJH2sE1y0wVx8iQs1hk.webp'/></item><item><title><![CDATA[CWG 2026 Day 4 :  આજે 5 ગોલ્ડ મેડલ પર ભારતની નજર, બોક્સિંગમાં પાકિસ્તાન સામે હાઈ-વોલ્ટેજ મુકાબલો! ]]></title><link>https://sandesh.com/sports/news/cwg-2026-day-4-india-eyes-5-gold-medals-today-high-voltage-clash-against-pakistan-in-boxing</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/cwg-2026-day-4-india-eyes-5-gold-medals-today-high-voltage-clash-against-pakistan-in-boxing</guid><pubDate>Sun, 26 Jul 2026 09:21:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">23 જુલાઈના રોજ સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ શરૂ થઈ હતી.ત્યારથી ભારતે ત્રણ ઇવેન્ટમાં ફક્ત એક જ મેડલ જીત્યો છે.આ મેડલ બિહારના ઝાંડુ કુમારે પેરા-પાવરલિફ્ટિંગમાં જીત્યો હતો,જે બ્રોન્ઝ હતો.ચોથા દિવસે વિવિધ રમતગમતની ઇવેન્ટ્સમાં ભારતની મેડલ ટેલીમાં વધારો થવાની ધારણા છે,જેમાં મોટાભાગની નજર ઓલિમ્પિક મેડલ વિજેતા અને સ્ટાર મહિલા વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ પર કેન્દ્રિત છે. તેણીએ 2018 અને 2022 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને હવે તેણી ત્રીજો મેડલ જીતે તેવી અપેક્ષા છે.બોક્સિંગમાં,ભારતીય બોક્સર જદુમણી સિંહ પુરુષોની 55 કિગ્રા શ્રેણીમાં પાકિસ્તાનની સુમામા રહેમાનનો સામનો કરશે.</p><h4 style="text-align: justify; "><b>લોન બાઉલ્સમાં રૂપા રાની અને પિંકી પાસેથી અપેક્ષાઓ</b></h4><p style="text-align: justify; ">કોનવેલ્થ ગેમ્સના ચોથા દિવસે, રૂપા રાની તિર્કી અને પિંકીની ભારતીય મહિલા જોડી ટીમ લોન બાઉલમાં ઇંગ્લેન્ડની અમાન્ડા સ્ટીનકેમ્પ અને ડાયના વિલ્જોનનો સામનો કરશે. અપેક્ષાઓ વધારે છે કે તેઓ મેડલ મેળવવાના માર્ગ પર હશે. વધુમાં, સ્વિમિંગમાં, જો ચારેય ભારતીય તરવૈયાઓ પુરુષોની 4x200 મીટર ફ્રીસ્ટાઇલ ટીમ હીટ્સના ક્વોલિફાઇંગ રાઉન્ડમાં સફળ થાય છે, તો તેઓ મેડલ ઇવેન્ટ્સમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરશે. મીરાબાઈ ચાનુ ઉપરાંત, ઋષિકાંત સિંહ પણ પુરુષોની 60 કિગ્રા ફાઇનલમાં વેઇટલિફ્ટિંગ ઇવેન્ટમાં મેડલ માટે પોતાનો દાવો રજૂ કરશે.</p><p style="text-align: justify; "><br></p><h5 style="text-align: justify; "><b>ભારતના ગોલ્ડ મેડલ મેચો</b></h5><ol><li style="text-align: justify;">ઋષિકાંત સિંહ (60 કિગ્રા) - પુરુષોનું વેઇટલિફ્ટિંગ - બપોરે 2:15 વાગ્યે</li><li style="text-align: justify;">તપન મોહંતી-યોગેશ્વર સિંહ - જિમ્નેસ્ટિક્સ - સાંજે 4:30 વાગ્યે</li><li style="text-align: justify;">મીરાબાઈ ચાનુ (48 કિગ્રા) - મહિલા વેઇટલિફ્ટિંગ - સાંજે 6:45 વાગ્યે</li><li style="text-align: justify;">એમ. રાજા (65 કિગ્રા) - પુરુષોનું વેઇટલિફ્ટિંગ - રાત્રે 11:15 વાગ્યે</li><li style="text-align: justify;">ભારત - સ્વિમિંગ પુરુષોની 4 x 200 મીટર ફ્રીસ્ટાઇલ રિલે - સવારે 1:56 વાગ્યે</li></ol><h4 style="text-align: justify;"><b>26 જુલાઈના રોજ બે બોક્સિંગ મુકાબલા (16રાઉન્ડ)</b></h4><ul><li style="text-align: justify;">જદુમણી સિંહ (55કિગ્રા) વિરુદ્ધ સુમામા રહેમાન (પાકિસ્તાન) - રાત્રે11:45વાગ્યે</li><li style="text-align: justify;">આદિત્ય પ્રતાપ યાદવ (65કિગ્રા) વિરુદ્ધ નુહુ બાટે (યુજીએ) - રાત્રે 12:45વાગ્યે</li></ul><h5 style="text-align: justify;"><b>ત્રણ લૉન બાઉલ્સ મુકાબલા</b></h5><p style="text-align: justify;">26જુલાઈના રોજ કોમનવેલ્થ ગેમ્સ 2026માં લૉન બાઉલ્સ મુકાબલા પણ રમાશે, જેમાં ભારતની રૂપા રાની અને પિંકી સિંહ મહિલા જોડીમાં ભાગ લેશે, જ્યારે પુતુલ સોનોવાલ પુરુષ સિંગલ્સમાં જોવા મળશે.</p><ul><li style="text-align: justify;">રૂપા રાની/પિંકી સિંહ વિરુદ્ધ નામિબિયા (મહિલા) - ગ્રુપ સ્ટેજ - બપોરે 1૦૦ વાગ્યે</li><li style="text-align: justify;">રૂપા રાની/પિંકી સિંહ વિરુદ્ધ ઇંગ્લેન્ડ (મહિલા) - ગ્રુપ સ્ટેજ - રાત્રે10:05વાગ્યે</li><li style="text-align: justify;">પુતુલ સોનોવાલ (ભારત) વિરુદ્ધ શોન જેમ્સ (માલ્ટા) - પુરુષો સિંગલ્સ, ગ્રુપ સ્ટેજ - સાંજે 7:15વાગ્યે</li></ul><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/world-junior-squash-championship-anahat-singh-created-history-at-the-age-of-18-becoming-the-first-player-in-this-matter" target="_blank">World Junior Squash Championship : અનાહત સિંહે 18 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો, આ મામલે પ્રથમ ખેલાડી બની</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/26/TGgrPEMPgewDPSTcIjRYIrKz9nyIbw6PlH1xUhAz.webp'/></item><item><title><![CDATA[Rajkot:'ફેસ્ટિવલ હોલીડે'ના અભિનવ અને ધારા પટેલ સામે 50 લાખની ઠગાઈની ફરિયાદ ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/festival-holiday-owners-abhinav-dhara-patel-booked-for-50-lakh-tour-scam</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/festival-holiday-owners-abhinav-dhara-patel-booked-for-50-lakh-tour-scam</guid><pubDate>Sun, 26 Jul 2026 08:22:16 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટમાં ટ્રાવેલ એજન્ટો અને પ્રવાસન પેઢીઓની આડમાં ગ્રાહકો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીના બનાવો સતત વધી રહ્યા છે. રાજકોટ શહેરના માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 'ફેસ્ટિવલ હોલીડે' નામની પેઢી ચલાવતા દંપતીએ આકર્ષક આંતરરાષ્ટ્રીય પ્રવાસ પેકેજોની લાલચ આપીને અનેક પરિવારના મહેનતના નાણાં પચાવી પાડ્યા હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે.</p><h2><b>દંપતીએ લાલચ આપીને નાણાં પચાવી પાડ્યા</b></h2><p>મળતી માહિતી મુજબ, આરોપી અભિનવ પટેલ અને તેની પત્ની ધારા પટેલ પોતાની 'ફેસ્ટિવલ હોલીડે' પેઢી મારફતે લોકોને વિદેશ પ્રવાસે લઈ જવાની જાહેરાતો અને સસ્તા પેકેજો બતાવીને જાળમાં ફસાવતા હતા. આરોપી દંપતીએ મુખ્યત્વે વિયેતનામ, બાલી, મલેશિયા અને થાઇલેન્ડ જેવા પ્રવાસી દેશોના હોલીડે પેકેજો બુક કરાવવાના નામે નાગરિકો પાસેથી એડવાન્સ પેમેન્ટ વસૂલ કરી લીધું હતું.</p><h3><b>દુબઈથી સસ્તા આઇફોન આપવાની પણ આપી લાલચ</b></h3><p>ગ્રાહકોનો વધુ વિશ્વાસ જીતવા માટે અને વધારે પૈસા પડાવવા માટે આરોપી દંપતીએ એવો પણ દાવો કર્યો હતો કે તેઓ ડ્યુટી-ફ્રી કનેક્શન દ્વારા દુબઈથી માર્કેટ કરતાં ખૂબ જ સસ્તા ભાવે એપલ આઇફોન (iPhone) મંગાવી આપે છે. આ આકર્ષક લાલચમાં આવીને અનેક લોકોએ આઇફોન બુક કરાવવા માટે લાખો રૂપિયા એડવાન્સ ચુકવી દીધા હતા.</p><h4><b>50 લાખથી વધુની રકમની ઠગાઈ</b></h4><p>નાણાં મેળવ્યા બાદ પણ કોઈ ટૂરનું બુકિંગ કે આઇફોનની ડિલિવરી ન મળતાં અને દંપતી દ્વારા વારંવાર બહાના બતાવવામાં આવતાં, આખરે છેતરાયેલા ગ્રાહકો માલવીયાનગર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. પ્રાથમિક તપાસમાં કુલ 9 જેટલા લોકો સાથે રૂ. 50 લાખથી વધુની રકમની ઠગાઈ આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.માલવીયાનગર પોલીસે ભોગ બનનાર નાગરિકોની ફરિયાદના આધારે અભિનવ પટેલ અને ધારા પટેલ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસને આશંકા છે કે તપાસ દરમિયાન અન્ય પણ અનેક પીડિતો સામે આવી શકે છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/aravalli/bhiloda-heavy-rain-3-inches-in-2-hours-indrashi-river-overflows" target="_blank">આ પણ વાંચો:&nbsp; Aravalli: ભિલોડામાં વહેલી પરોઢે 2 કલાકમાં 3 ઇંચ ખાબક્યો, ઇન્દ્રાશી નદીમાં નવા નીરની આવક</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/26/GlWYdS3OTXuY1c8rntBE2ZQrzf2OSMSjxnymkoX7.webp'/></item><item><title><![CDATA[Aravalli: ભિલોડામાં વહેલી પરોઢે 2 કલાકમાં 3 ઇંચ ખાબક્યો, ઇન્દ્રાશી નદીમાં નવા નીરની આવક ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/aravalli/bhiloda-heavy-rain-3-inches-in-2-hours-indrashi-river-overflows</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/aravalli/bhiloda-heavy-rain-3-inches-in-2-hours-indrashi-river-overflows</guid><pubDate>Sun, 26 Jul 2026 08:12:14 +05:30</pubDate><description><![CDATA[<p>અરવલ્લી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજાએ મધ્યરાત્રિથી વહેલી પરોઢ સુધી ધુઆંધાર બેટિંગ કરી છે. વાદળોના ગડગડાટ અને વીજળીના ભયાનક કડાકા-ભડાકા સાથે શરૂ થયેલા તોફાની વરસાદે સમગ્ર જિલ્લાને ભીંજવી દીધો છે.સૌથી વધુ વરસાદી જોર ભિલોડા તાલુકામાં જોવા મળ્યું હતું. ભિલોડામાં વહેલી પરોઢે માત્ર ૨ કલાકના ગાળામાં આકાશમાંથી મુસળધાર ૩ ઇંચ જેટલું પાણી ઝીંકાયું હતું. ટૂંકા સમયમાં પડેલા ભારે વરસાદને કારણે ભિલોડા સબ-ડિવિઝનના મુખ્ય રસ્તાઓ, બાહ્ય વિસ્તારો અને નીચાણવાળી સોસાયટીઓમાં પાણી વહેતા થઈ ગયા હતા.</p><p><b>ઇન્દ્રાશી નદીમાં પૂરના નવા નીર</b></p><p>ઉપરવાસ અને ભિલોડા પંથકમાં અનરાધાર વરસાદ વરસવાના કારણે સ્થાનિક ઇન્દ્રાશી નદીમાં પૂરના નવા નીરની મોટી આવક થઈ છે. સુકાઈ ગયેલી ઇન્દ્રાશી નદીમાં ઘોડાપૂર સમાન પાણીના પ્રવાહને જોઈને સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. આ પાણીની આવકથી આસપાસના ભૂગર્ભ જળસ્તર ઊંચા આવવાની પૂર્ણ શક્યતા છે.</p><p><b>રાત્રિ દરમિયાન 2 ઇંચ જેટલો વરસાદ&nbsp;</b></p><p>અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી પંથકમાં પણ રાત્રિ દરમિયાન 2 ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. આ સિવાય મોડાસા, બાયડ, માલપુર અને ધનસુરા સહિતના અન્ય તાલુકાઓમાં સરેરાશ ૧ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. લાંબા વિરામ બાદ વરસેલા આ અમૃતધારા સમાન વરસાદથી મકાઈ, કપાસ અને મગફળી જેવા ચોમાસું પાકોને નવું જીવનદાન મળતાં ધરતીપુત્રોમાં આનંદ વ્યાપી ગયો છે.<br><b><a href="https://sandesh.com/gujarat/news/crime/rajkot/crime-branch-seizes-48-illegal-arms-in-15-days-two-arrested-on-kuwadwa-road" target="_blank">આ પણ વાંચો: Rajkot: શહેરમાં 15 દિવસમાં 48 ગેરકાયદે હથિયારો જપ્ત, કુવાડવા રોડ પરથી 4 પિસ્તોલ સાથે 2 પકડાયા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/26/9ymkYchmt65sEpCGffr9n5ZB1nCVi909c6baBakM.webp'/></item><item><title><![CDATA[Surat News: દિલ્હીમાં જંતરમંતર પર યુવતીના મોતનો ખોટો વીડિયો બનાવનાર વરાછાનો યુવક ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/varachha-youth-arrested-for-fake-jantar-mantar-video</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/varachha-youth-arrested-for-fake-jantar-mantar-video</guid><pubDate>Sun, 26 Jul 2026 08:02:29 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દિલ્હીના જંતર-મંતર ખાતે ચાલતા વિરોધ પ્રદર્શનના નામે એક યુવતીના મૃત્યુ અને તેની શ્રદ્ધાંજલિની ખોટી પોસ્ટ અને વીડિયો બનાવી વાયરલ કરનાર વરાછાના ફેશન વીડિયો ક્રિએટરને સાયબર સેલે જેલભેગો કર્યો હતો.ફેસબુક એકાઉન્ટ પર ગત 23 જુલાઈના રોજ એક છોકરીના ફોટો સાથે શ્રદ્ધાંજલિની પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી. આ પોસ્ટમાં  જંતર મંતર પર થયેલી ઘટના અત્યંત દુ:ખદ અને હૃદયવિદારક છે, ઈશ્વર દિવંગતના આત્માને શાંતિ આપે અને પરિવારને અસહ્ય દુઃખાવો સહન કરવાની શક્તિ આપે, ઓમ શાંતિ એવું લખાણ હતું.</p><h2 style="text-align: justify; "><b>વીડિયો ક્રિએટરને અફવા ફેલાવવી ભારે પડી</b></h2><p style="text-align: justify; ">સાયબર સેલે આ પોસ્ટ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરતા દિલ્હી પોલીસ તથા સરકારી વધુ ઓથોરાઈઝ ફેક્ટ-ચેક ડોમેઈન દ્વારા આ સમાચાર સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા હોવાનું સામે આવ્યું હતું.ફેસબુક પેજના સંચાલકે કોઈ અધિકૃત ન્યૂઝ પ્લેટફોર્મ ન હોવા છતાં ન્યૂઝ પ્રસારક તરીકેનો સ્વાંગ ધારણ કરી પ્રજાને ગુમરાહ કરી છેતરપિંડી આચરી હતી.લોકોમાં અફવા ફેલાવીને ઉશ્કેરાટ અને વૈમનસ્ય પેદા કરી જાહેર સુલેહ શાંતિનો ભંગ કરવા બદલ સાયબર સેલે ગુનો નોંધી ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરી હતી.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>સાયબર સેલ વધુ પૂછપરછ ચલાવી રહી છે</b></h3><p style="text-align: justify; ">દરમિયાન દિલ્હી જંતર-મંતર ખાતે આવી કોઈ ઘટના બની ન હોવા છતાં. માત્ર સસ્તી પબ્લિસિટી મેળવવાના ઈરાદાથી આ બનાવટી ઈલેક્ટ્રોનિક રેકોર્ડ ઊભો કરવામાં આવ્યો હતો. સાયબર સેલે ફેસબુક એકાઉન્ટધારક આદિત્ય નરેશભાઈ બારૈયાની ધરપકડ કરી હતી. એમએસસી ફિઝિક્સ થયેલો આદિત્ય વ્યવસાયે ફેશન વીડિયો ક્રિએટર છે.સાયબર સેલ વધુ પૂછપરછ ચલાવી રહી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/surat/roads-reopen-as-floodwater-recedes-cleanup-begins" target="_blank">આ પણ વાંચોઃ Surat News: શહેરમાં ખાડીપૂરના પાણી ઓસરતા જ જનજીવન થાળે પડ્યું, બંધ થયેલા 18 રસ્તા ફરી શરૂ કરાયા</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/26/hcF02doMsEgu0Y8Za5r6s1EvAz7oWQaaEmVbF3q4.webp'/></item><item><title><![CDATA[Dabhoi: ડભોઇ-વેગા ઓવરબ્રિજ પર ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય : અકસ્માતનો ભય ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dabhoi/dabhoi-bushes-and-bushes-dominate-the-dabhoi-vega-overbridge-fear-of-accidents</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dabhoi/dabhoi-bushes-and-bushes-dominate-the-dabhoi-vega-overbridge-fear-of-accidents</guid><pubDate>Sun, 26 Jul 2026 01:29:34 +05:30</pubDate><description><![CDATA[<p>ડભોઇ - બોડેલીને જોડતા મુખ્ય માર્ગ પર આવેલા વેગા ઓવરબ્રિજ પરથી નીચે ઉતરતા જ રેલિંગની આસપાસ મોટા પ્રમાણમાં ઝાડી - ઝાંખરાં ઉગી નીકળ્યા છે. જેના કારણે સામેથી આવતાં વાહનો સ્પષ્ટ દેખાતાં ન હોવાથી અકસ્માતનો ગંભીર ભય ઉભો થયો છે. તંત્રની બેદરકારીના કારણે હાલ અહીંથી પસાર થતા હજારો વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.</p><p>સ્ટેટ હાઈવે વિભાગની ઉદાસીનતા નિયમ મુજબ જે સફાઈ અને ઝાડી-ઝાંખરાં દૂર કરવાની કામગીરી ચોમાસા પહેલાં કે ઉનાળા દરમિયાન કરી દેવાની હોય છે, તે કામગીરી સ્ટેટ હાઈવે વિભાગ અધિકારીઓની આ લાપરવાહી અને આળસનું પરિણામ હવે સામાન્ય વાહનચાલકોએ ભોગવવું પડી રહ્યું છે. ડભોઇથી બોડેલી તરફ્ જતો આ એક અત્યંત મહત્વનો અને સતત ધમધમતો સ્ટેટ હાઈવે છે. અહીંથી રોજના હજારો નાના-મોટાં વાહનો, એસ.ટી. બસો અને ભારે વાહનો પસાર થાય છે. બ્રિજ પરથી ઉતરતી વખતે વળાંક અને રેલિંગ પાસે ઉગી નીકળેલાં ઝાડી-ઝાંખરાંને લીધે બ્લાઈન્ડ સ્પોટ ઉભો થયો છે, જેથી સામેથી કોઈ વાહન આવે છે કે નહીં તે દેખાતું જ નથી. તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જુએ છે?સ્થાનિકો અને વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ તો વાહનચાલકો એક જ માંગ કરી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે યુદ્ધના ધોરણે આ ઝાડી-ઝાંખરાંની સાફ્-સફાઈ કરવામાં આવે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/26/AxCnwPEY2Fk93BtVBf5UcyeQ8vY0A0RblBqFdxG2.webp'/></item><item><title><![CDATA['Gen-Zની જીત' ગણાવતાં સેલિબ્રિટીઓએ વિદ્યાર્થીઓના આંદોલનને બિરદાવ્યું, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અભિનંદન પાઠવ્યા ]]></title><link>https://sandesh.com/entertainment/news/celebrities-reaction-genz-victory-protest-social-media</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/celebrities-reaction-genz-victory-protest-social-media</guid><pubDate>Sat, 25 Jul 2026 21:26:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ સોશિયલ મીડિયા પર વિવિધ એક્ટર અને એક્ટ્રેસ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે. પરીક્ષા પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓના લાંબા સમયથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શન બાદ થયેલા આ રાજકીય ઘટનાક્રમને અનેક સેલિબ્રિટીઓએ યુવાનોની જીત ગણાવી છે.</p><h2 style="text-align: justify; "><b>પ્રકાર રાજ અને અરમાન મલિકે કરી પોસ્ટ&nbsp;</b></h2><p style="text-align: justify; ">એક્ટર પ્રકાશ રાજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને વિદ્યાર્થીઓ અને આંદોલન સાથે જોડાયેલા લોકોની પ્રશંસા કરી હતી. તેમને લખ્યું કે યુવાનોએ એકતા અને સંઘર્ષના બળથી સરકારને નિર્ણય લેવા માટે મજબૂર કરી છે.</p><p style="text-align: justify; ">સિંગર અરમાન મલિકે પણ "Power of the Youth" લખીને યુવાનોની શક્તિને બિરદાવી હતી. એક્ટ્રેસ સંભાવના સેઠે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને છેલ્લા કેટલાક દિવસોમાં વિદ્યાર્થીઓએ દર્શાવેલી હિંમત, ધીરજ અને સંઘર્ષને સલામ કરી હતી.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/prakashraaj/status/2080951840124829901"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3 style="text-align: justify; "><b>અદિતિ રાવ હૈદરીએ વિદ્યાર્થીઓને પાઠવ્યા અભિનંદન&nbsp;</b></h3><p style="text-align: justify; ">એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ પણ સોશિયલ મીડિયા પર લખ્યું કે દેશવ્યાપી વિદ્યાર્થીઓના વિરોધ અને સોનમ વાંગચુકના ઉપવાસ બાદ આંદોલનને સફળતા મળી છે. એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરીએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા લખ્યું કે સત્ય અને અહિંસાની લડાઈની જીત થઈ છે. તેમને આશા વ્યક્ત કરી કે ઈમાનદારી, જવાબદારી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા વધુ મજબૂત બનશે.</p><p style="text-align: justify; "><img alt="Priyanka Chopra Post" src="https://epapercdn.sandesh.com/images/2026/07/25/GcflnWMXh5nVJINRrm1zxmgHrbbsKvyJxKVTZYe2.webp"><br></p><h4 style="text-align: justify; "><b>વાણી કપૂરે કહ્યું 'વિદ્યાર્થીઓ માટે આ ક્ષણ ખાસ'</b></h4><p style="text-align: justify; ">એક્ટ્રેસ દિયા મિર્ઝાએ આ ઘટનાને યુવાનોની મોટી જીત ગણાવી હતી, જ્યારે વાણી કપૂરે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતાં કહ્યું કે સતત પ્રશ્નો પૂછનારા અને આશા જાળવનારા વિદ્યાર્થીઓ માટે આ ક્ષણ ખાસ છે. એક્ટર વિજય વર્માએ પણ પ્રતિક્રિયા આપી હતી. દિવ્યેન્દુ શર્માએ લખ્યું કે અવાજ ઉઠાવવાથી ફેર પડે છે, જ્યારે એક્ટર સોનુ સૂદે પણ સોશિયલ મીડિયા પર Gen-Zની પ્રશંસા કરતી પોસ્ટ શેર કરી હતી.</p><p style="text-align: justify; ">ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ સોશિયલ મીડિયા પર સેલિબ્રિટીઓની આ પ્રતિક્રિયાઓ ઝડપથી વાયરલ થઈ રહી છે અને વિદ્યાર્થીઓના આંદોલન અંગે ચર્ચા વધુ તેજ બની છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/entertainment/kriti-sanon-ziva-dhoni-lords-india-england-odi" target="_blank">MS Dhoniની પુત્રી સાથે કૃતિ સેનને કરી મસ્તી, મેચ દરમિયાન જોવા મળ્યો ક્યૂટ બોન્ડિંગ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/F7iHcGmGoAL3UfIetXpunDc3SxhrLt5W5mg65UYw.webp'/></item></channel></rss>