<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Dholka: કલિકુંડ-સરોડા રોડ પર એક્ટિવા અને ST બસ વચ્ચે ભયાનક અકસ્માત, અધેડ અમદાવાદ હોસ્પિટલ રીફર કરાયા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dholka/kalikund-saroda-road-st-bus-activa-accident-cctv-footage-ahmedabad-refer</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dholka/kalikund-saroda-road-st-bus-activa-accident-cctv-footage-ahmedabad-refer</guid><pubDate>Mon, 07 Sep 2026 23:29:15 +05:30</pubDate><description><![CDATA[<p>ધોળકા તાલુકામાં કલિકુંડ વિસ્તારમાંથી પસાર થતાં ધોળકા-સરોડા રોડ પર આવેલા શ્રી હરિ સોસાયટી નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મૂળ કેલીયા વાસણા ગામના અને હાલ ધોળકાની સિદ્ધિવિનાયક સોસાયટીમાં નિવૃત્ત જીવન ગાળતા ૫૨ વર્ષીય ભરતભાઈ ઈશ્વરભાઈ સોલંકી પોતાનું એક્ટિવા લઈને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવતી એક એસ.ટી. બસ સાથે એક્ટિવાની ભયાનક અથડામણ થઈ હતી.</p><h2><b>એસ.ટી. બસ સાથે એક્ટિવાની ભયાનક અથડામણ</b></h2><p>આ અકસ્માતમાં ભરતભાઈ રોડ પર પટકાતાં તેમને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બનતાં જ આસપાસના લોકો તાબડતોબ મદદે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત ભરતભાઈને તુરંત ધોળકાની પાર્શ્વનાથ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની તબિયત ગંભીર જણાતાં વધુ અને ગહન સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.</p><h3><b>અધૂરા રોડ અને ગટરના કામને લીધે અકસ્માત</b></h3><p>આ અકસ્માતના દ્રશ્યો નજીકમાં આવેલી શ્રી હરિ સોસાયટીના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગયા છે. સીસીટીવી ફૂટેજ હાલ સ્થાનિક વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યા છે. બીજી તરફ સ્થાનિક પોલીસે પણ અકસ્માત અંગે કાયદેસરની તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, ધોળકા-સરોડા રોડની એક સાઇડ પર છેલ્લા ઘણા સમયથી ગટર લાઇન તથા રોડનું કામકાજ ચાલી રહ્યું છે. જેના કારણે રસ્તાનો એક જ ભાગ (વન-વે) વાહનવ્યવહાર માટે ચાલુ રાખવામાં આવ્યો છે.</p><h4><b>52 વર્ષીય અધેડ અમદાવાદ હોસ્પિટલ રીફર</b></h4><p>એક જ માર્ગ પર બંને તરફથી વાહનો આવતાં-જતાં હોવાથી દરોજ નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે.રોડનું કામ ચાલી રહ્યું હોવા છતાં તંત્ર કે કોન્ટ્રાક્ટર દ્વારા પૂરતા પ્રમાણમાં સાઇન બોર્ડ કે બેરિકેડિંગ મૂકવામાં આવ્યા નથી. સ્થાનિકોએ અકસ્માતો અટકાવવા યોગ્ય ટ્રાફિક વ્યવસ્થા, ડાયવર્ઝન બોર્ડ અને બેરિકેડિંગ તાત્કાલિક મૂકવાની માંગ કરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/rajkot/ahmedabad-highway-accident-navagam-car-crash-airbag-saved-lives" target="_blank">આ પણ વાંચો: Rajkot: નવાગામ પાસે બંધ ટ્રક પાછળ કાર ધડાકાભેર ઘૂસતા કારનો બુકડો બોલ્યો; ટાયર નીકળીને દૂર પડ્યું</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/u3D2hv9YOqcc5wrbafTzX5ePfiCE7pKYhKcSJlZy.webp'/></item><item><title><![CDATA[Mangaluru : 30 વર્ષથી પોલીસને ચકમો, ક્યારેક NIA તો ક્યારેક RAW અધિકારી બનીને કરોડોની ઠગાઈ કરતો આરોપી ઝડપાયો ]]></title><link>https://sandesh.com/india/news/crime/mangaluru-fake-nia-raw-officer-sam-antony-30-years-identity-fraud-arrest</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/crime/mangaluru-fake-nia-raw-officer-sam-antony-30-years-identity-fraud-arrest</guid><pubDate>Mon, 07 Sep 2026 23:26:43 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">લગભગ 30 વર્ષ સુધી અલગ-અલગ નામ અને ઓળખ સાથે પોલીસને ચકમો આપનાર 64 વર્ષીય સેમ એન્ટની ઉર્ફે સેમ પીટરની આખરે ધરપકડ કરવામાં આવી છે. મંગલુરુ સિટી પોલીસે કેરળના કન્નુરમાંથી આરોપીને ઝડપી લીધો છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી ક્યારેક સેમ પીટર, રાહુલ પીટર, ડેની થરક્કન, રાજેશ રોબિન્સન અને એન્થની ફ્રાન્સિસના નામથી ઓળખાતો હતો. પોલીસને શંકા છે કે તેણે આ સિવાય પણ અનેક નકલી ઓળખનો ઉપયોગ કર્યો હોઈ શકે છે.</p><h2 style="text-align: justify; "><b>ક્યારેક NIA તો ક્યારેક RAWનો અધિકારી!</b></h2><p style="text-align: justify; ">આરોપી અલગ-અલગ સરકારી અને કેન્દ્રીય એજન્સીઓનો અધિકારી હોવાનો દાવો કરીને લોકોને વિશ્વાસમાં લેતો હતો. ક્યારેક તે NIAનો અધિકારી બનતો તો ક્યારેક RAW સાથે જોડાયેલો હોવાનું જણાવતો હતો. પોલીસના જણાવ્યા મુજબ તેની પાસે નકલી પાસપોર્ટ, આધાર કાર્ડ અને PAN કાર્ડ સહિતના અનેક દસ્તાવેજો હતા. તે પોતાની નકલી ઓળખને વિશ્વસનીય બનાવવા માટે અલગ-અલગ નામના દસ્તાવેજોનો ઉપયોગ કરતો હતો.</p><h3 style="text-align: justify; "><b>માત્ર 10 મિનિટમાં સામેના વ્યક્તિને વિશ્વાસમાં લેતો!</b></h3><p style="text-align: justify; ">તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ આરોપીની અંગ્રેજી ભાષા પર સારી પકડ હતી અને તેને કાયદાની પણ સારી સમજ હતી. તેની વાત કરવાની શૈલી, પહેરવેશ અને અધિકારી જેવી બોડી લેંગ્વેજને કારણે લોકો તેને ઉચ્ચ અધિકારી અથવા મોટો બિઝનેસમેન માનવા લાગતા હતા. પોલીસના જણાવ્યા મુજબ આરોપી હંમેશાં વ્યવસ્થિત કપડાં પહેરતો અને પોતાની છબી એક ઉચ્ચ અધિકારી જેવી જાળવતો હતો.</p><h4 style="text-align: justify; "><b>અમીર વેપારીઓને બનાવતો હતો નિશાન</b></h4><p style="text-align: justify; ">પોલીસના જણાવ્યા મુજબ આરોપી બેંક ફ્રોડ, ટેક્સ વિવાદ અને કેન્દ્રીય એજન્સીઓ સાથે જોડાયેલા નાણાકીય કેસોમાં ફસાયેલા વેપારીઓનો સંપર્ક કરતો હતો. પછી તે પૈસાના બદલામાં તેમની કાનૂની મુશ્કેલી દૂર કરવાની ખાતરી આપતો હતો. આરોપી ઘણી વખત પોતાને NCIBનો સિનિયર અધિકારી ગણાવતો અને લોકોને ગેરમાર્ગે દોરતો હતો.</p><h4 style="text-align: justify; "><b>નકલી રેડથી લઈને બનાવટી લેટરહેડ સુધીનો ખેલ</b></h4><p style="text-align: justify; ">પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પોતાની ઓળખ અસલી દેખાડવા માટે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરતો હતો. તેમાં છેડછાડ કરેલા મેસેજ, નકલી રેડના વીડિયો અને વિવિધ એજન્સીઓના બનાવટી લેટરહેડનો સમાવેશ થતો હોવાનું પોલીસનું કહેવું છે.</p><h4 style="text-align: justify; "><b>1997થી ગુનાહિત રેકોર્ડ, અનેક રાજ્યોમાં કેસ</b></h4><p style="text-align: justify; ">પોલીસે આરોપીના જૂના રેકોર્ડની તપાસ કરતાં તેની ગુનાહિત પ્રવૃત્તિઓ 1997 સુધી પહોંચતી હોવાનું સામે આવ્યું છે. છત્તીસગઢ, કર્ણાટક સહિત અનેક રાજ્યોમાં તેની સામે કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. આરોપી એક રાજ્યમાં ગુના કર્યા બાદ નવી ઓળખ સાથે બીજા રાજ્યમાં જતો હતો. પોલીસના જણાવ્યા મુજબ તેણે કર્ણાટક ઉપરાંત બિહાર, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં પણ પોતાની ઓળખ બદલીને ગુનાહિત પ્રવૃત્તિઓ કરી હોવાની શંકા છે.</p><h4 style="text-align: justify; "><b>2007માં ઇન્ટરપોલનું રેડ કોર્નર નોટિસ</b></h4><p style="text-align: justify; ">આરોપીની ગુનાહિત પ્રવૃત્તિઓની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વર્ષ 2007માં તેની સામે ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી. પોલીસે તેની સામે અત્યાર સુધી 17 કેસની વિગતો એકત્રિત કરી છે અને દેશભરના પોલીસ સ્ટેશનોને પત્ર લખીને આરોપી સામે અન્ય કોઈ કેસ નોંધાયેલા છે કે નહીં તેની તપાસ શરૂ કરી છે.</p><h4 style="text-align: justify; "><b>2019માં હથિયારો અને નકલી ID સાથે ઝડપાયો હતો</b></h4><p style="text-align: justify; ">વર્ષ 2019માં આરોપી મંગલુરુમાં NCIBના સિનિયર અધિકારી તરીકે રહેતો હોવાની માહિતી પોલીસને મળી હતી. તપાસ દરમિયાન પોલીસે લોજ પર દરોડો પાડી આરોપી અને તેના સાથીઓને ઝડપી લીધા હતા. પોલીસને રિવોલ્વર, પિસ્તોલ, નકલી ID કાર્ડ, રોકડ રકમ, વાહનો, મોબાઇલ ફોન અને મિલકતના દસ્તાવેજો મળી આવ્યા હતા. આ કેસમાં તેની સામે નકલી ઓળખ, ગુનાહિત ષડયંત્ર, આર્મ્સ એક્ટ અને રાજ્યના પ્રતીકના દુરુપયોગ સહિતની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.</p><h4 style="text-align: justify; "><b>જામીન મળ્યા બાદ ફરી ગાયબ, હવે આખરે પકડાયો</b></h4><p style="text-align: justify; ">2023માં જામીન મળ્યા બાદ આરોપી ફરી પોલીસની નજરમાંથી ગાયબ થઈ ગયો હતો. લાંબા સમય સુધી કોઈ ચોક્કસ મોબાઇલ નંબર કે સરનામું ન મળતા પોલીસને તેને શોધવામાં મુશ્કેલી પડી હતી. આખરે મંગલુરુ સિટી પોલીસ અને સિટી ક્રાઇમ બ્રાન્ચની વિશેષ ટીમોએ જૂના સંપર્કો અને અગાઉના સાથીઓ સુધી પહોંચી તપાસ શરૂ કરી હતી. 1 સપ્ટેમ્બરે આરોપીને કેરળના કન્નુરમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો.</p><h4 style="text-align: justify; "><b>ધરપકડ બાદ પણ ચાલતી રહી ઠગની કહાની</b></h4><p style="text-align: justify; ">આરોપીની ધરપકડ બાદ પણ પોલીસ અધિકારીઓને કેટલાક લોકોના ફોન આવ્યા હતા. ફોન કરનારાઓ આરોપીને નિર્દોષ અને ઇમાનદાર વ્યક્તિ ગણાવી રહ્યા હતા. પોલીસ અધિકારીઓને તેની લાંબી ગુનાહિત હિસ્ટ્રી સમજાવીને લોકોને વિશ્વાસ અપાવવો પડ્યો હતો. આ સમગ્ર મામલો બતાવે છે કે આરોપી વર્ષો સુધી પોતાની બનાવટી ઓળખ અને પ્રભાવશાળી વ્યક્તિત્વના આધારે લોકોનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યો હતો.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-gujarat-drowning-deaths-1999-river-lake-check-dam-water-safety" target="_blank"><b> Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/n9qLnjIgkDEhezvJERsGHsyIw5pn6srJ3E4caxbk.webp'/></item><item><title><![CDATA[Rajkot: નવાગામ પાસે બંધ ટ્રક પાછળ કાર ધડાકાભેર ઘૂસતા કારનો બુકડો બોલ્યો; ટાયર નીકળીને દૂર પડ્યું ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/ahmedabad-highway-accident-navagam-car-crash-airbag-saved-lives</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/ahmedabad-highway-accident-navagam-car-crash-airbag-saved-lives</guid><pubDate>Mon, 07 Sep 2026 23:04:06 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલા નવાગામ નજીક એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. હાઇવે પર રોડની સાઇડમાં ઉભેલી એક બંધ ટ્રક પાછળ પુરપાટ ઝડપે આવી રહેલી કાર ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ ચગદાજી ગયો હતો અને કારનો બુકડો બોલી ગયો હતો.</p><h2><b>રાજકોટ-અમદાવાદ હાઇવે પર ભયાનક અકસ્માત</b></h2><p>અથડામણની તીવ્રતા એટલી વધારે હતી કે કારનું ટાયર ધડાકા સાથે નીકળીને રસ્તા પર દૂર સુધી ફેંકાયું હતું. અકસ્માતનો જોરદાર અવાજ આવતાં આસપાસના સ્થાનિકો અને હાઇવે પરથી પસાર થતાં વાહનચાલકો તાત્કાલિક મદદ અર્થે દોડી આવ્યા હતા. સામાન્ય રીતે આવી ભયાનક અથડામણમાં ગંભીર જાનહાની થવાની શક્યતા રહેતી હોય છે, પરંતુ આ અકસ્માતમાં સમયસર કારની સેફ્ટી એરબેગ્સ ખુલી ગઈ હતી. એરબેગ્સ ખુલવાના કારણે કારચાલક અને તેમાં સવાર લોકોને ગંભીર ઇજાઓ થતાં બચી ગઈ હતી.</p><h3><b>એરબેગ્સ સમયસર ખુલી જતાં ચમત્કારિક બચાવ</b></h3><p>સદનસીબે કોઈ જાનહાની ન થતાં સ્થાનિકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટના અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને હાઇવે પર વાહનવ્યવહાર પૂર્વવત કરાવવાની કામગીરી હાથ ધરી હતી.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/lathakand-delhi-trader-manjit-singh-remanded-38-accused-in-jail" target="_blank">આ પણ વાંચો: Bhavnagar: લઠ્ઠાકાંડમાં મિથેનોલ સપ્લાયર દિલ્હીના મનજીતસિંઘના 3 દિવસના રિમાન્ડ; 9 આરોપીઓ જેલહવાલે થતાં કુલ 38 જેલ ભેગા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/X5gH7Ru8El18ST3V5i58lHY8wTozczWv7qTmPt1E.webp'/></item><item><title><![CDATA[Malaysia : 72 વર્ષના ફૂટબોલ દિગ્ગજે 20 વર્ષની યુવતી સાથે કર્યા લગ્ન, તસવીરો વાયરલ થતાં પરિવારે કરી પુષ્ટિ ]]></title><link>https://sandesh.com/world/news/sports/malaysia-football-legend-abdul-alif-marriage-72-year-old-20-year-old-wife</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/sports/malaysia-football-legend-abdul-alif-marriage-72-year-old-20-year-old-wife</guid><pubDate>Mon, 07 Sep 2026 23:00:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મલેશિયન ફૂટબોલના દિગ્ગજ અને પૂર્વ હરિમાઉ મલાયા સ્ટાર દાતુક અબ્દુલ અલિફે 72 વર્ષની ઉંમરે પોતાના જીવનનો નવો અધ્યાય શરૂ કર્યો છે. સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો વાયરલ થયા બાદ તેમના પરિવારે લગ્નની સત્તાવાર પુષ્ટિ કરી છે. અહેવાલ મુજબ 27 ઓગસ્ટે યોજાયેલા ખાનગી સમારંભમાં અબ્દુલ અલિફે પોતાની જીવનસંગિની સાથે નિકાહ કર્યા હતા. તેમની પત્નીની ઉંમર 20 વર્ષ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>લગ્નની ખબર કોણે કરી કન્ફર્મ?</b></h2><p style="text-align: justify; ">અબ્દુલ અલિફના નાના ભાઈ અને પૂર્વ ખેલાડી તથા કોચ દાતુક યુનુસ અલિફે લગ્નની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે 27 ઓગસ્ટે બંનેના લગ્ન થયા હતા અને બંને પરિવારોની સંમતિ તથા આશીર્વાદ સાથે આ સંબંધ બંધાયો છે. પરિવાર દ્વારા નવદંપતીના સુખી દાંપત્ય જીવન માટે શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>ફોન નહીં ઉઠાવતા ભાઈએ શું કહ્યું?</b></h3><p style="text-align: justify; ">લગ્ન બાદ અબ્દુલ અલિફ મીડિયા સંપર્કમાં ન આવતા તેમના ભાઈ યુનુસ અલિફે જણાવ્યું હતું કે તેઓ સંભવતઃ હનીમૂન પર હોવાથી ફોનનો જવાબ આપી શકતા નથી.જોકે પરિવારે સ્પષ્ટ કર્યું છે કે બંનેના નિકાહ થઈ ચૂક્યા છે અને પરિવાર તરફથી બંનેને શુભકામનાઓ આપવામાં આવી છે.</p><h4 style="text-align: justify; "><b>મલેશિયન ફૂટબોલના દિગ્ગજ રહ્યા છે અબ્દુલ અલિફ</b></h4><p style="text-align: justify; ">અબ્દુલ અલિફ મલેશિયન ફૂટબોલ ઇતિહાસના જાણીતાં ખેલાડીઓમાં સામેલ રહ્યા છે. 1970ના અંતિમ વર્ષો અને 1980ના શરૂઆતના સમયમાં મલેશિયન ફૂટબોલના સફળ સમયગાળામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.તેઓ તે મલેશિયન ટીમના સભ્ય હતા જેણે ક્વોલિફાઇંગ મેચમાં દક્ષિણ કોરિયાને 2-1થી હરાવી 1980ના મોસ્કો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું.</p><h4 style="text-align: justify; "><b>ઓલિમ્પિક રમવાનું સપનું કેમ અધૂરું રહ્યું?</b></h4><p style="text-align: justify; ">મલેશિયાએ સોવિયેત સંઘના અફઘાનિસ્તાન પરના આક્રમણના વિરોધમાં 1980ના મોસ્કો ઓલિમ્પિકનો બહિષ્કાર કર્યો હતો. જેના કારણે અબ્દુલ અલિફ સહિત અનેક ખેલાડીઓનું ઓલિમ્પિકમાં રમવાનું સપનું અધૂરું રહી ગયું હતું. લાંબા સમય સુધી વ્યાવસાયિક ફૂટબોલ અને મીડિયા લાઇમલાઇટથી દૂર રહ્યા બાદ આ દિગ્ગજ ખેલાડી હવે પોતાના અંગત જીવનના નવા નિર્ણયને કારણે ફરી ચર્ચામાં આવ્યા છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">&nbsp; આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-gujarat-drowning-deaths-1999-river-lake-check-dam-water-safety" target="_blank"><b>Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/oQuxxQEBdhQdWmZFxk2LOPbwDJRpf6zDEmwi2pJ3.webp'/></item><item><title><![CDATA[Mangaluru : સંતરા વેચીને સ્કૂલ બનાવનાર પદ્મશ્રી હજબ્બાને નોટિસ, હવે પોતાની ઓળખ સાબિત કરવા દસ્તાવેજો રજૂ કરવા પડશે ]]></title><link>https://sandesh.com/india/news/mangaluru-padmashri-harekala-hajabba-voter-list-name-mismatch-identity-notice</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/mangaluru-padmashri-harekala-hajabba-voter-list-name-mismatch-identity-notice</guid><pubDate>Mon, 07 Sep 2026 22:41:25 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કર્ણાટકના મેંગલુરુની સડકો પર સંતરા વેચીને પોતાના ગામમાં શાળા ઊભી કરનાર અને પદ્મશ્રી સન્માન મેળવનાર સામાજિક કાર્યકર હરેકાલા હજબ્બા હાલ એક અલગ કારણસર ચર્ચામાં આવ્યા છે. દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંથી એક મેળવનાર હજબ્બાને હવે પોતાની ઓળખ સાબિત કરવા માટે દસ્તાવેજો રજૂ કરવાની સ્થિતિ ઊભી થઈ છે.</p><h2 style="text-align: justify; "><b>મતદાર યાદીમાં નામનો ફરક બન્યો મુશ્કેલી</b></h2><p style="text-align: justify; ">આ સમગ્ર મામલો મતદાર યાદીમાં નોંધાયેલા નામના ફરકને કારણે સામે આવ્યો છે. વર્ષ 2002ની જૂની મતદાર યાદીમાં તેમનું નામ માત્ર 'હજબ્બા' તરીકે નોંધાયેલું હતું.</p><h3 style="text-align: justify; "><b>નામમાં તફાવત બહાર આવ્યો&nbsp;</b></h3><p style="text-align: justify; ">જ્યારે સમય જતાં તેમના અન્ય સરકારી અને સત્તાવાર દસ્તાવેજોમાં નામ 'હરેકાળા હજબ્બા' તરીકે નોંધાયું છે. મતદાર યાદીના રેકોર્ડની ચકાસણી દરમિયાન નામમાં રહેલો આ તફાવત સામે આવતા ચૂંટણી પંચ દ્વારા તેમને નોટિસ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.</p><h4 style="text-align: justify; "><b>આધારથી પાસપોર્ટ સુધી એક જ નામ</b></h4><p style="text-align: justify; ">હાલમાં હજબ્બાના આધાર કાર્ડ, રેશન કાર્ડ, પાસપોર્ટ અને નવા મતદાર ઓળખપત્ર સહિતના મુખ્ય દસ્તાવેજોમાં તેમનું નામ 'હજબ્બા' તરીકે નોંધાયેલું છે.</p><h4 style="text-align: justify; "><b>પદ્મશ્રી સન્માનમાં પણ હજબ્બા જ લખેલું છે</b></h4><p style="text-align: justify; ">આ ઉપરાંત ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા પદ્મશ્રી સન્માન અને અન્ય રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પુરસ્કારોના સત્તાવાર દસ્તાવેજોમાં પણ આ જ નામ નોંધાયેલું છે. તેમ છતાં 2002ની જૂની મતદાર યાદીમાં અલગ નામ હોવાને કારણે વહીવટી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.</p><h4 style="text-align: justify; "><b>આંગણવાડી કાર્યકરે ઘરે પહોંચી નોટિસ આપી</b></h4><p style="text-align: justify; ">આંગણવાડી કાર્યકર પોતે હજબ્બાના ઘરે પહોંચ્યા હતા અને તેમને નોટિસ સોંપવામાં આવી હતી. ચૂંટણી પંચ તરફથી હજબ્બાને 11 સપ્ટેમ્બરના રોજ તેમના ગ્રામ પંચાયત કાર્યાલયમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે.</p><h5 style="text-align: justify; "><b>પદ્મશ્રીને ઓળખ સાબિત કરવાની નોબત કેમ?</b></h5><p style="text-align: justify; ">મતદાર યાદીમાં માત્ર નામના તફાવતને કારણે પદ્મશ્રી સન્માનિત સામાજિક કાર્યકરને દસ્તાવેજો સાથે પોતાની ઓળખની ચકાસણી માટે હાજર રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. હવે ગ્રામ પંચાયત કાર્યાલયમાં રજૂ થનારા દસ્તાવેજોના આધારે આ નામના તફાવતને કેવી રીતે દૂર કરવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-gujarat-drowning-deaths-1999-river-lake-check-dam-water-safety" target="_blank"><b>Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/wNCeuwwuEgvAy4VTIjDDmAy5QOkYswDSCtro3knm.webp'/></item><item><title><![CDATA[Vadodaraના સુરસાગર તળાવ ખાતે ભવ્ય કાર્યક્રમ: PM મોદીના આગમન પૂર્વે શહેર ભક્તિમય બન્યું ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-sursagar-lake-pm-modi-welcome-event</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-sursagar-lake-pm-modi-welcome-event</guid><pubDate>Mon, 07 Sep 2026 22:21:17 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે સમગ્ર શહેરમાં ભારે ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે. પીએમ મોદીના સ્વાગતની તૈયારીઓના ભાગરૂપે વડોદરાના ઐતિહાસિક સુરસાગર તળાવ ખાતે એક અત્યંત ભવ્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વિશેષ ઉપસ્થિત રહીને સુરસાગર તળાવ મધ્યે બિરાજમાન શિવજીની પ્રતિમાની મહાઆરતી કરી હતી અને રાજ્યની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી.</p><h2 style="text-align: justify; "><b>કૈલાશ ખૈરના ભક્તિમય સૂર અને સફાઈ કર્મચારીઓનું સન્માન&nbsp;</b></h2><p style="text-align: justify; ">આ ભવ્ય સાંજે દેશના જાણીતા અને લોકપ્રિય ગાયક કૈલાશ ખૈરે પોતાના સુમધુર કંઠે શિવભક્તિના ગીતો અને સંગીતના સૂર રેલાવ્યા હતા. કૈલાશ ખૈરના સંગીતમય કાર્યક્રમથી સમગ્ર સુરસાગર પરિસર શિવભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું. આ કાર્યક્રમની ખાસિયત એ રહી કે તેમાં શહેરને સ્વચ્છ રાખતા મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ પણ જોડાયા હતા, જેમના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું.</p><h3 style="text-align: justify; "><b>પીએમ મોદીના આગમનને લઈને શહેરીજનોમાં ભારે ઉત્સાહ&nbsp;</b></h3><p style="text-align: justify; ">મહાઆરતી, રોશનીની ઝગમગાટ અને સંગીતના સૂરથી સુરસાગર તળાવ અત્યંત નયનરમ્ય અને ભક્તિમય બની ગયું હતું. વડાપ્રધાનના આગમનને પગલે વડોદરાવાસીઓમાં એક અનોખો આનંદ અને અતિશય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર વડોદરા શહેર અત્યારે પીએમ મોદીના સ્વાગત માટે આતુરતાથી રાહ જોઈ રહ્યું છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/JPwGMmzfGiPuYY2LzmJQz4TnTu1MkoQiGD27xwm6.webp'/></item><item><title><![CDATA[Gandhinagar : 9 વિધેયક સાથે 9 સપ્ટેમ્બરથી વિધાનસભાનું ચોમાસુ સત્ર, અછત મુદ્દે મંત્રી જીતુ વાઘાણી બોલવાનું ટાળ્યું ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gandhinagar-gujarat-assembly-monsoon-session-9-bills-jitu-vaghani-drought-issue</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gandhinagar-gujarat-assembly-monsoon-session-9-bills-jitu-vaghani-drought-issue</guid><pubDate>Mon, 07 Sep 2026 22:01:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આગામી 9, 10 અને 11 સપ્ટેમ્બર એમ 3 દિવસ માટે યોજાવાનું છે. સત્રની તૈયારીઓને લઈને વિધાનસભા અધ્યક્ષની આગેવાનીમાં મહત્વની બેઠક યોજાઈ હતી. બેઠકમાં સરકારના મંત્રીઓ અને કોંગ્રેસના નેતાઓ પણ હાજર રહ્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>3 દિવસના સત્રમાં ગૃહમાં આવશે 9 વિધેયક</b></h2><p style="text-align: justify; ">આગામી ચોમાસુ સત્ર દરમિયાન કુલ 9 વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવશે. સરકાર દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને વિધેયકો રજૂ કરવામાં આવશે અને ગૃહમાં તેના પર ચર્ચા કરવામાં આવશે. ચોમાસુ સત્રને લઈને રાજકીય અને વહીવટી સ્તરે તૈયારીઓ તેજ કરવામાં આવી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>અવસાન પામેલા સભ્યોને અપાશે શ્રદ્ધાંજલિ</b></h3><p style="text-align: justify; ">વિધાનસભાના અગાઉના તેમજ ચાલુ ટર્મ દરમિયાન અવસાન પામેલા સભ્યોને ગૃહમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. સત્રની શરૂઆત દરમિયાન ગૃહ દ્વારા દિવંગત સભ્યોને શોકાંજલિ આપવામાં આવશે.</p><h4 style="text-align: justify; "><b>કોંગ્રેસના આરોપો પર શું કહ્યું?</b></h4><p style="text-align: justify; ">કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા વિવિધ આરોપો અંગે પૂછવામાં આવતા મંત્રી જીતુ વાઘાણીએ ભાજપ સરકારને જનતાની સ્વીકૃતિ હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે લોકશાહીમાં જનતાએ ભાજપને તક આપી છે અને જનતાએ પોતાનો જવાબ ચૂંટણી દ્વારા આપ્યો છે. તેમણે એમ પણ જણાવ્યું કે સરકાર ક્યાંય ચર્ચામાંથી ભાગતી નથી.</p><h4 style="text-align: justify; "><b>કિસાન સંઘની બેઠક પર મૌન કેમ?</b></h4><p style="text-align: justify; ">વિધાનસભા સત્રની બેઠક દરમિયાન કિસાન સંઘ સાથેની બેઠક અને રાજ્યમાં અછતગ્રસ્ત વિસ્તાર જાહેર કરવાના મુદ્દે પૂછાયેલા સવાલો પર કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કોઈ જવાબ આપવાનું ટાળ્યું હતું. કિસાન સંઘ દ્વારા અછતગ્રસ્ત વિસ્તારો જાહેર કરવાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે આ મુદ્દે મંત્રીના મૌને અનેક સવાલો ઉભા કર્યા છે.</p><h5 style="text-align: justify; "><b>સત્રમાં અછતનો મુદ્દો ગુંજશે?</b></h5><p style="text-align: justify; ">આગામી 3 દિવસીય ચોમાસુ સત્રમાં કુલ 9 વિધેયક રજૂ થવાના છે. બીજી તરફ રાજ્યમાં અછતની સ્થિતિ અને ખેડૂતોની મુશ્કેલીઓનો મુદ્દો પણ ચર્ચામાં રહે તેવી શક્યતા છે. હવે સૌની નજર વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન સરકાર અછતગ્રસ્ત વિસ્તાર અને ખેડૂતોના પ્રશ્નો અંગે શું જવાબ આપે છે તેના પર રહેશે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; ">&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચો :&nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-gujarat-drowning-deaths-1999-river-lake-check-dam-water-safety" target="_blank"><b> Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/U0H0XX7rjK3H8vtUWUomY8pThktXzFf4LpO5mBlW.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના સરખેજમાં 'મુનબીન કાફે'માં ચાલતા ગેરકાયદે હુક્કાબાર પર પોલીસનો દરોડો ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-sarkhej-munbeen-cafe-hookah-bar-raid</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-sarkhej-munbeen-cafe-hookah-bar-raid</guid><pubDate>Mon, 07 Sep 2026 21:57:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરના સરખેજ પોલીસ સ્ટેશનની ટીમે ગુપ્ત બાતમીના આધારે સરખેજ વિસ્તારમાં આવેલા 'મુનબીન કાફે' પર અચાનક રેડ પાડી હતી. પોલીસે દરોડા દરમિયાન કાફેમાં ગેરકાયદેસર રીતે ચાલતા હુક્કાબારનો પર્દાફાશ કર્યો છે. કાફેની આડમાં યુવાનોને હુક્કો પીરસવામાં આવતો હોવાનું સામે આવતાં પોલીસે તાત્કાલિક સ્થળ પરથી હુક્કા તેમજ વિવિધ ફ્લેવર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>સંચાલકો વિરુદ્ધ કાયદાકીય ગુનો દાખલ&nbsp;</b></h2><p style="text-align: justify; ">પોલીસની આ કાર્યવાહી દરમિયાન હુક્કાબાર ચલાવવા અને ગેરકાયદે પ્રવૃત્તિ કરવા બદલ મુખ્ય આરોપી હર્ષ ત્રિપાઠી અને જૈનમ દોશી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. કાફેમાંથી મળી આવેલા હુક્કા, હાનિકારક ફ્લેવર્સ અને અન્ય સહાયક સામગ્રીને પોલીસે જપ્ત કરીને આગળની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે.</p><h3 style="text-align: justify; "><b>સરખેજ પોલીસ દ્વારા વધુ તપાસ તેજ&nbsp;</b></h3><p style="text-align: justify; ">સરખેજ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ હુક્કાબાર કેટલા સમયથી ચાલી રહ્યો હતો, તેમાં કયા કયા લોકો આવતા હતા અને ફ્લેવરનો જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો તે અંગે આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. શહેરમાં ગેરકાયદે ચાલતા આવા કેફે અને હુક્કાબાર સામે પોલીસે ઝુંબેશ વધુ કડક બનાવી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/M4rWPxzPA6wMFY1txUyD5cjdHs3HH7VIX8GMcxJt.webp'/></item><item><title><![CDATA[Auto News: તહેવારો પહેલાં જ ખુલી ગયો ઑફર્સનો પિટારો; આ નવી કારની ખરીદી પર મળશે મહા ડિસ્કાઉન્ટ! ]]></title><link>https://sandesh.com/business/news/automobile/maruti-suzuki-september-2026-car-discount-offers</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/maruti-suzuki-september-2026-car-discount-offers</guid><pubDate>Mon, 07 Sep 2026 18:24:13 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય પેસેન્જર વ્હીકલ માર્કેટમાં તહેવારોની સિઝનની શરૂઆત સાથે જ જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક સરસ સમાચાર છે. મારુતિ સુઝુકી (Maruti Suzuki) એ સપ્ટેમ્બર 2026 માટે પોતાના આકર્ષક ડિસ્કાઉન્ટ ઑફર્સ જાહેર કરી દીધા છે. આ ઑફર્સ હેઠળ 'એરેના' (Arena) નેટવર્કના વિવિધ મોડલ્સ પર ગ્રાહકોને મોટો ફાયદો મળી રહ્યો છે. તમે કન્ઝ્યુમર ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ અને લોયલ્ટી અથવા અપગ્રેડ બેનિફિટ્સ દ્વારા મારુતિની કાર ખૂબ જ ઓછી કિંમતમાં ખરીદી શકો છો.</p><h2 style="text-align: justify; "><b>Victoris પર મળી રહ્યું છે સૌથી મોટું ડિસ્કાઉન્ટ</b></h2><p style="text-align: justify; ">સપ્ટેમ્બર મહિનાનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ મારુતિ સુઝુકી Victoris પર આપવામાં આવી રહ્યું છે. આ કારના પેટ્રોલ અને CNG બંને વર્ઝન પર ગ્રાહકોને મહત્તમ રૂ.85,000 સુધીના ફાયદા મળી રહ્યા છે. જ્યારે તેના Strong Hybrid વેરિઅન્ટ પર કંપની સૌથી મોટો એટલે કે રૂ.1.35 લાખ સુધીનો ધમાકેદાર ફાયદો આપી રહી છે, જે આ કારને અત્યંત આકર્ષક બનાવે છે.</p><h3 style="text-align: justify; "><b>Strong Hybrid માટેની ખાસ ઑફર્સ અને શરતો</b></h3><p style="text-align: justify; ">Victoris Strong Hybrid ના ઑફર માળખામાં રૂ.20,000 નું સીધું કન્ઝ્યુમર બેનિફિટ સામેલ છે. આ ઉપરાંત એક્સચેન્જ, લોયલ્ટી કે અપગ્રેડ અને સ્ક્રેપેજ સંબંધિત એડિશનલ ઈન્સેન્ટિવ્સ પણ ગ્રાહકોને આપવામાં આવી રહ્યા છે. જોકે, ગ્રાહક કઈ યોજનાઓ માટે પાત્ર છે તેના આધારે ડિસ્કાઉન્ટની આખરી રકમ નક્કી થશે. તહેવારોમાં જૂની કાર એક્સચેન્જ અથવા અપગ્રેડ કરવા ઈચ્છતા લોકો માટે આ ઑફર્સ હાઇબ્રિડ કારને એક અત્યંત સસ્તો અને સારો વિકલ્પ બનાવી દે છે.</p><h4 style="text-align: justify; "><b>WagonR પર પણ થઈ રહી છે શાનદાર બચત</b></h4><p style="text-align: justify; ">મારુતિ સુઝુકીની સૌથી વધુ વેચાતી કારોમાંથી એક એવી લોકપ્રિય WagonR પર પણ આ મહિને ભારે ડિસ્કાઉન્ટ ઓફર થઈ રહ્યું છે. WagonR ના પેટ્રોલ વેરિઅન્ટ પર ગ્રાહકોને રૂ.57,500 સુધીનો કુલ ફાયદો મળી રહ્યો છે, જેમાં પાત્ર વેરિઅન્ટ્સ પર રૂ.30,000 સુધીની કન્ઝ્યુમર ઑફર અને એક્સચેન્જ બોનસનો સમાવેશ થાય છે. બીજી તરફ, જો તમે WagonR CNG ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તેના પર પણ મહત્તમ રૂ.47,500 સુધીના વિવિધ લાભ આપવામાં આવી રહ્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/automobile" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/CLh1Sjb8ImfYHEvgOxEhnPJLpr0eXvLKVWlZDyoM.webp'/></item><item><title><![CDATA['Hanuman Ansh' એ બ્રહ્મચારીઓને પણ પહોંચાડી દીધા થિયેટર , જુઓ વાયરલ VIDEO ]]></title><link>https://sandesh.com/entertainment/news/hanuman-ansh-viral-video-gurukul-brahmacharis</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/hanuman-ansh-viral-video-gurukul-brahmacharis</guid><pubDate>Mon, 07 Sep 2026 13:54:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જ્યારે કોઈ ફિલ્મ પાસેથી શરૂઆતમાં બહુ ઓછી અપેક્ષાઓ હોય, પરંતુ તેની રિલીઝ પછી તેનું પ્રદર્શન અપેક્ષાઓ કરતા અનેકગણું વધી જાય, ત્યારે તે ફિલ્મ ખાસ બની જાય છે. નીમ કરોલી બાબાના જીવન અને તેમની પવિત્ર ઉપદેશો પર આધારિત ભક્તિમય ફિલ્મ 'હનુમાન અંશ' સાથે પણ હાલમાં કઈંક આવું જ જોવા મળી રહ્યું છે. દર્શકો તરફથી આ ફિલ્મને અભૂતપૂર્વ પ્રેમ અને સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થયો છે જેણે સૌનું વિશેષ ધ્યાન ખેંચ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>પરંપરાગત પોશાકમાં પહોંચ્યા બ્રહ્મચારીઓ</b></h2><p style="text-align: justify; ">આ વાયરલ વીડિયોમાં&nbsp; થિયેટરની અંદર અને બહાર ગુરુકુલના કેટલાક બ્રહ્મચારીઓ પરંપરાગત પોશાકમાં નજરે પડી રહ્યા છે. ગુરુકુળના આ યુવા વિદ્યાર્થીઓ એકસાથે થિયેટરમાં પહોંચ્યા હતા અને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક 'હનુમાન અંશ' ફિલ્મનું સ્ક્રીનિંગ નિહાળ્યું હતું. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ આ બ્રહ્મચારીઓની ઉપસ્થિતિએ સિનેમાઘરમાં ઉપસ્થિત અન્ય દર્શકોનું પણ ધ્યાન આકર્ષિત કર્યું હતું. ફિલ્મનો મુખ્ય વિષય મહાન આધ્યાત્મિક ગુરુ નીમ કરોલી બાબાની જીવનકથા હોવાને કારણે ગુરુકુલના વિદ્યાર્થીઓનું આ રીતે ફિલ્મ જોવા પહોંચવું એ એક અનોખો અને પ્રેરણાદાયી સંયોગ બન્યો છે.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/choga_don/status/2096529724243931474"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h3 style="text-align: justify; "><b>હનુમાન અંશે કરી કરોડોની કમાણી</b></h3><p style="text-align: justify; ">વિશાલ ચતુર્વેદી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં શોભિનવ સત્ય મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે, જ્યારે તેમની સાથે વિહાન શેડગે, ચંદન કે. આનંદ, પૂર્ણિમા તિવારી અને ગુલશન પાંડે જેવા કલાકારો પણ મહત્વના રોલમાં છે. ફિલ્મની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ ફિલ્મને રાજ્યમાં કરમુક્ત (Tax-Free) જાહેર કરી છે. સિનેમાઘરોમાં દર્શકોની ભીડ જામી રહી છે અને ગુરુકુલના વિદ્યાર્થીઓનો આ વીડિયો ઇન્ટરનેટ પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/delhi-building-collapse-manual-rescue-body-found" target="_blank">આ પણ વાંચોઃ Delhi Building Collapse: કાટમાળ માંથી વધુ એક મૃતદેહ મળ્યો, હવે JCBથી નહીં મેન્યુઅલી કાટમાળ હટાવાશે</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/XR1zL2uAIINEHpv6AkalgIT8kOxwlwtjySF4eB2V.webp'/></item></channel></rss>