<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Patan: રાધનપુર પંથકમાં ભારે વરસાદથી ખરીફ્ પાકનો સંપૂર્ણ નાશ, ખેતરોમાં હજુ 15 દિવસ પાણી રહેવાની શક્યતા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/patan/patan-heavy-rains-in-radhanpur-panthak-completely-destroy-kharif-crops-water-is-likely-to-remain-in-the-fields-for-another-15-days</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/patan/patan-heavy-rains-in-radhanpur-panthak-completely-destroy-kharif-crops-water-is-likely-to-remain-in-the-fields-for-another-15-days</guid><pubDate>Thu, 06 Aug 2026 01:22:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાધનપુર પંથકમાં તાજેતરમાં નોંધાયેલા અંદાજે 710 મી.મી. વરસાદે જનજીવનની સાથે કૃષિ ક્ષેત્રને પણ ભારે નુકસાન પહોંચાડયું છે. અવિરત વરસાદને કારણે રાધનપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સર્વત્ર પાણી ભરાઈ ગયા હતા, જ્યારે ખેતરોમાં ઉભેલો ખરીફ્ પાક સંપૂર્ણપણે વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. રાધનપુર તાલુકાના ખેડૂતો દ્વારા આ વર્ષે મોંઘા બિયારણો ખરીદી અડદ, મગ, ગવાર સહિતના કઠોળ પાક તેમજ મોટા પ્રમાણમાં ઘાસચારા માટે વાવેતર કરવામાં આવ્યું હતું. જોકે સતત પડેલા ભારે વરસાદને કારણે ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે. હાલમાં અનેક વિસ્તારોમાં પાકના બદલે દૂર દૂર સુધી માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ખેતરોમાંથી વરસાદી પાણી ઉતરવામાં હજુ 15 દિવસ જેટલો સમય લાગી શકે છે. એટલા લાંબા સમય સુધી પાણી ભરાયેલા રહેતાં ખરીફ્ પાક બચી શકે તેવી શક્યતા ખૂબ ઓછી છે. પરિણામે સમગ્ર ચોમાસુ સીઝન ખેડૂતો માટે નિષ્ફ્ળ ગઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/aSx3uNpXWwECX7iFmASYGkZQZWITjaDWA5E1FX5h.webp'/></item><item><title><![CDATA[Patan: શંખેશ્વર નજીક ગાડીનું ટાયર ફાટતાં અકસ્માત, મહિલાનું મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/patan/patan-car-tire-burst-near-shankheshwar-woman-dies-in-accident</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/patan/patan-car-tire-burst-near-shankheshwar-woman-dies-in-accident</guid><pubDate>Thu, 06 Aug 2026 01:21:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં માર્ગ અકસ્માતોની ચિંતાજનક ઘટનાઓ સતત વધી રહી છે. બેફમ ઝડપ, ગફ્લતભર્યું વાહનચાલન તેમજ અન્ય કારણોસર રોજિંદા અકસ્માતોમાં નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે. આવી જ એક કરુણ ઘટના બુધવારે શંખેશ્વર નજીક શક્તિમાતા મંદિર પાસે સર્જાઈ હતી, જેમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.</p><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના પરનાળા ગામના મજૂર વર્ગના છ થી સાત લોકો પોતાના પરિવારજનો અને સગાઓ સાથે ભાભર તરફ્ કેનાલના કામની મજૂરી કરીને સુપરચેરી વાહનમાં પોતાના વતન પરત ફરી રહ્યા હતા તે દરમિયાન શંખેશ્વર હાઈવે પર આવેલા શક્તિમાતા મંદિર નજીક સુપરચેરીનું અચાનક ટાયર ફટી જતાં ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો આથી અકસ્માત સર્જાયો હતો આથી હાઈવે પરથી પસાર થતા લોકોએ તરત જ 108 ઇમરજન્સી સેવાને જાણ કરીને ઈજાગ્રસ્તો આથી શંખેશ્વર 108 એમ્બ્યુલન્સના ઈએમટી ભરતભાઈ સિંધવ તથા પાયલોટ હનુભા ગઢવી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તમામ ઈજાગ્રસ્તોને શંખેશ્વર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડયા હતા સામુહીક આરોગ્ય કેન્દ્ર માં ફરજ પરના તબીબે કોમલબેન રમેશભાઈ ધરજીયાને મૃત જાહેર કર્યા હતા તેમજ અન્ય ત્રણ લોકોને પ્રાથમિક સારવાર આપી વધું સારવાર અર્થે પાટણ રિફર કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ જ સ્થળે રિક્ષા અકસ્માતમાં બે યુવાનોના મોત નીપજ્યા હતા. ફરી એકવાર એ જ સ્થળે અકસ્માતની ઘટનામાં મજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા ગરીબ પરિવાર પર આફ્ત આવી પડી હતી અકાળે મહિલાના મૃત્યુથી સમગ્ર પરીવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/941ml0jGh2iogURnqL8biwRtP7QnIFLaybmmvSul.webp'/></item><item><title><![CDATA[Lock Upp 2ની વિનર બની શ્રેયા કાલરા, જાણો પ્રથમ રનર-અપ કોણ રહ્યું? ]]></title><link>https://sandesh.com/entertainment/news/lock-upp-2-winner-shreya-kalra-finale</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/lock-upp-2-winner-shreya-kalra-finale</guid><pubDate>Wed, 05 Aug 2026 23:22:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નેટફ્લિક્સના શો "લોક અપ 2" ને આ સીઝન માટે વિનર મળી ગઈ છે. શ્રેયા કાલરા વિનર બની છે. નેટફ્લિક્સે તેના OTT પ્લેટફોર્મ પર રાત્રે 8 વાગ્યે શોનો લેટેસ્ટ એપિસોડ રિલીઝ કર્યો. આ એપિસોડનું ટાઈટલ "રિડેમ્પશન ડે" છે. એપિસોડના અંતે શ્રેયા કાલરાને વિજેતા તરીકે જાહેર કરવામાં આવી હતી.</p><h2 style="text-align: justify;"><b>શ્રેયા કાલરા બની વિનર</b></h2><p style="text-align: justify;">"લોક અપ 2" ના આ એપિસોડમાં 35મો નંબર છે, જેનું ટાઈટસ "રિડેમ્પશન ડે" છે. આ 1 કલાક 20 મિનિટ અને 1 સેકન્ડના એપિસોડમાં ઘણા ટ્વિસ્ટ અને ટર્ન છે, જેના પરિણામે શ્રેયા કાલરા શોની વિજેતા બની છે. શ્રેયા કાલરાએ રિયાલિટી શોની ટ્રોફી ઘરે લઈ લીધી છે.</p><h3 style="text-align: justify;"><b>શિવાંગી જોશી રનર-અપ રહી</b></h3><p style="text-align: justify;">શ્રેયા કાલરાએ ફરાહ ખાન અને રિતેશ દેશમુખના રિયાલિટી શો "લોકઅપ 2" માટે ટ્રોફી જીતી છે. તેણે 1 કરોડ રૂપિયાની ઈનામી રકમ પણ જીતી હતી. શિવાંગી જોશી પ્રથમ રનર-અપ હતી, એટલે કે શ્રેયા પ્રથમ સ્થાને રહી અને શિવાંગી બીજા સ્થાને રહી. આ નેટફ્લિક્સ શોએ ઘણો વિવાદ ઉભો કર્યો.</p><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DbqhLhOHTvP/?hl=en" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DbqhLhOHTvP/?hl=en" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a><br></p><h4 style="text-align: justify;"><b>શિવાંગી જોશી અને શ્રેયા કાલરા વચ્ચે ઝઘડો</b></h4><p style="text-align: justify;">તમને જણાવી દઈએ કે શ્રેયા કાલરાએ શિવાંગી જોશીને હરાવી હતી. શો દરમિયાન તેમના સંબંધોની વાત કરીએ તો શરૂઆતમાં તેઓ મિત્રો હતા, પરંતુ જેમ જેમ શો આગળ વધતો ગયો તેમ તેમ શિવાંગી જોશી અને શ્રેયા કાલરા વચ્ચે ઝઘડો થયો, અને શોના અંત સુધી તેમના સંબંધો તણાવપૂર્ણ રહ્યા.</p><h5 style="text-align: justify;"><b>ટોપ 3 માં કોણ કોણ છે?</b></h5><p style="text-align: justify;">આ દરમિયાન શોના ટોચના 5 સ્પર્ધકોની વાત કરીએ તો, શિવાંગી જોશી, રામ કપૂર, શ્રેયા કાલરા, શિલ્પા શિંદે અને યોગેશ રાવત ટોપ 5માં રહ્યા. આ પછી એક પછી એક સ્પર્ધકો બહાર થઈ ગયા અને ફક્ત શ્રેયા કાલરા, શિવાંગી જોશી અને યોગેશ રાવત જ ટોપ 3માં પહોંચ્યા.</p><h5 style="text-align: justify;"><b>આ શો 27 જૂને શરૂ થયો</b></h5><p style="text-align: justify;">"લોકઅપ 2" 27 જૂનના રોજ નેટફ્લિક્સ પર પ્રીમિયર થયું હતું. આ શોમાં સુફી મોતીવાલા, રામ કપૂર, શિલ્પા શિંદે (વાઈલ્ડ કાર્ડ), આકાંક્ષા ચમોલા, વરુણ યાદવ, શિવાંગી જોશી, શ્રેયા કાલરા, માધુરી જૈન, પામેલા, ધીરજ ધૂપર, આકાંક્ષા ચૌધરી, યોગેશ રાવત, હર્ષદ ચોપરા, શ્રેષ્ઠા ઐયર, રિયાઝ અલી અને સુનીતા આહુજા જેવા સેલેબ્સ જોવા મળ્યા હતા.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/entertainment/brett-lee-breaks-silence-preity-zinta-dating-rumours" target="_blank">આ પણ વાંચો: Brett Lee પ્રીતિ ઝિન્ટાના પ્રેમમાં...! 16 વર્ષ પછી ક્રિકેટરે તોડ્યું મૌન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/dGYNTH8CSeQH8tcSpEbdyDXXY5WEMDVgr87xwYkx.webp'/></item><item><title><![CDATA[Vadodaraના ગોત્રીમાં હાઇબ્રિડ ગાંજાનો પર્દાફાશ, અકોટા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/vadodara/vadodara-news-hybrid-marijuana-busted-in-gotri-vadodara-akota-police-nabs-accused</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/vadodara/vadodara-news-hybrid-marijuana-busted-in-gotri-vadodara-akota-police-nabs-accused</guid><pubDate>Wed, 05 Aug 2026 23:05:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા શહેરમાં નશાના કારોબાર સામે અકોટા પોલીસે લાલ આંખ કરીને એક મોટી સફળતા હાંસલ કરી છે. શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા અકોટા ગાર્ડન પાછળના ભાગમાં પોલીસે બાતમીના આધારે સફળ રેડ પાડી હતી. આ દરોડા દરમિયાન પોલીસ દ્વારા પ્રતિબંધિત અને અત્યંત નશાકારક એવો અંદાજે 108 ગ્રામ હાઇબ્રિડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે, જેનાથી શહેરમાં ડ્રગ્સનું નેટવર્ક ચલાવનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>આરોપી ઋષભ સુનિલ શાહ કાર સાથે ઝડપાયો</b></h2><p style="text-align: justify; ">પોલીસની આ કાર્યવાહી દરમિયાન ઋષભ સુનિલ શાહ નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી આ પ્રતિબંધિત નશાકારક પદાર્થ વેચાણ કે હેરાફેરી માટે પોતાની લક્ઝુરિયસ કારમાં બેસીને આવ્યો હતો. અકોટા પોલીસે સ્થળ પરથી આરોપીની કાર અને હાઇબ્રિડ ગાંજાનો જથ્થો એમ બંને કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.</p><h2 style="text-align: justify; "><b>NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને અકોટા પોલીસે વધુ તપાસ શરૂ કરી</b></h2><p style="text-align: justify; ">પકડાયેલા આરોપી વિરુદ્ધ કાયદાકીય જોગવાઈઓ મુજબ NDPS એક્ટ (નારકોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટ) હેઠળ કડક ગુનો નોંધવામાં આવ્યો છે. આ હાઇબ્રિડ ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, તે કોને વેચવાનો હતો અને આ નેટવર્ક સાથે અન્ય કયા કયા શખ્સો સંકળાયેલા છે તે તમામ દિશામાં અકોટા પોલીસે ઊંડાણપૂર્વક વધુ તપાસ હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/vadodara/vadodara-news-terror-of-reckless-driver-in-makarpura-accident-caused-in-front-of-police-station" target="_blank">Vadodara News : મકરપુરામાં બેફામ કારચાલકનો આતંક, પોલીસ સ્ટેશન સામે જ સર્જ્યો અકસ્માત</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/9FeSxf8rFfSpx1ZV0gZJkSjt3Yb2wOAKAg7AYlGL.webp'/></item><item><title><![CDATA[Vadodara News : મકરપુરામાં બેફામ કારચાલકનો આતંક, પોલીસ સ્ટેશન સામે જ સર્જ્યો અકસ્માત ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/vadodara/vadodara-news-terror-of-reckless-driver-in-makarpura-accident-caused-in-front-of-police-station</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/vadodara/vadodara-news-terror-of-reckless-driver-in-makarpura-accident-caused-in-front-of-police-station</guid><pubDate>Wed, 05 Aug 2026 22:41:27 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં દારૂના નשהમાં ચૂર એક કાર ચાલકે બેફામ વાહન ચલાવીને ગંભીર અકસ્માત સર્જ્યો હતો. સૌથી આશ્ચર્યજનક બાબત તો એ છે કે આ અકસ્માત મકરપુરા પોલીસ સ્ટેશનની બિલકુલ સામે જ સર્જાયો હતો, જેના કારણે કાયદો અને વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા થયા છે. નશામાં ધૂત ચાલકે પોતાની કાર બેકાબુ રીતે ચલાવીને રસ્તા પરના અસંખ્ય વાહનોને ટક્કર મારી હતી.</p><h2 style="text-align: justify; "><b>નશેડી ચાલકની બેફામી અને રોષે ભરાયેલા લોકો</b></h2><p style="text-align: justify; ">નશામાં ચૂર કાર ચાલકે પૂરપાટ ઝડપે વાહનોને અડફેટે લેતા રસ્તા પર ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માતમાં કેટલાક વાહનોને નુકસાન પહોંચ્યું હતું અને મોટી દુર્ઘટના ટળી હતી. નશેડી ચાલકની આ બેજવાબદાર હરકત જોઈને આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ ભારે વિફર્યા હતા અને રોષે ભરાયા હતા. લોકોએ તાત્કાલિક એકત્ર થઈને ગાડી ચાલકને રોક્યો હતો અને તેનો ઘેરાવ કર્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>લોકોએ કાર ચાલકને ઝડપીને પોલીસના હવાલે કર્યો</b></h2><p style="text-align: justify; ">સ્થાનિક લોકોની સતર્કતા અને રોષના કારણે નશેડી કાર ચાલક વધુ નુકસાન કરે તે પહેલા જ પકડાઈ ગયો હતો. રોષે ભરાયેલા લોકોએ કાયદો હાથમાં લેવાને બદલે સમજદારી દાખવીને તાત્કાલિક ઘટનાસ્થળે હાજર પોલીસને બોલાવી હતી. લોકોએ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના આ આરોપી ચાલકને ઝડપીને પોલીસના હવાલે કર્યો હતો, ત્યારબાદ પોલીસે આરોપી સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/junagadh/scholarship-scam-exposed-in-junagadh-embezzlement-of-rs-11-lakh-out-of-rs-24-lakh-of-21-students" target="_blank">Junagadhમાં સ્કોલરશીપ કૌભાંડનો પર્દાફાશ, 21 વિદ્યાર્થીઓના રૂ.24 લાખમાંથી રૂ.11 લાખની ઉચાપત</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/PlkMXp5nZD57ffwq02UIm9nRfPt0HSqomf4jIQAj.webp'/></item><item><title><![CDATA[2 વર્ષમાં 50 OTT પ્લેટફોર્મ ભારતમાં બ્લોક, અશ્લીલતા અને IT એક્ટનું ઉલ્લંઘન કરવા મામલે કરાઈ કાર્યવાહી ]]></title><link>https://sandesh.com/india/news/50-ott-platforms-blocked-in-india-it-act-violations-obscene-content-action</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/50-ott-platforms-blocked-in-india-it-act-violations-obscene-content-action</guid><pubDate>Wed, 05 Aug 2026 22:39:53 +05:30</pubDate><description><![CDATA[<p>ડિજિટલ મીડિયા અને OTT પ્લેટફોર્મ પર વધતા વાંધાજનક કન્ટેન્ટને લઈને કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. લોકસભામાં સરકારે ડિજિટલ પ્લેટફોર્મ્સને નિયંત્રિત કરવા માટે લેવામાં આવેલા પગલાં અંગે માહિતી આપી હતી. માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગને જણાવ્યું કે IT નિયમો, 2021 હેઠળ ડિજિટલ સ્પેસને સુરક્ષિત અને જવાબદાર બનાવવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.</p><h2><b>અશ્લીલ અને વાંધાજનક કન્ટેન્ટ પ્રસારિત કરવાનો આરોપ</b></h2><p>સરકારે છેલ્લા બે વર્ષમાં 50 OTT પ્લેટફોર્મ્સને ભારતમાં જાહેર ઍક્સેસ માટે બ્લોક કર્યા છે. આ પ્લેટફોર્મ્સ પર અશ્લીલ અને વાંધાજનક કન્ટેન્ટ પ્રસારિત કરવાનો આરોપ હતો. સરકારના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી IT એક્ટ, ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 294 અને મહિલાઓના અશ્લીલ પ્રતિનિધિત્વ (નિષેધ) અધિનિયમ, 1986 હેઠળ કરવામાં આવી છે.</p><h3><b>ત્રણ સ્તરીય ફરિયાદ નિવારણ વ્યવસ્થા પણ લાગુ</b></h3><p>સરકારે ડિજિટલ કન્ટેન્ટ અંગે ફરિયાદો માટે ત્રણ સ્તરીય ફરિયાદ નિવારણ વ્યવસ્થા પણ લાગુ કરી છે. પ્રથમ તબક્કામાં ફરિયાદ સીધી કન્ટેન્ટ પબ્લિશર પાસે પહોંચશે. જો ત્યાં ઉકેલ ન મળે તો બીજા તબક્કામાં પબ્લિશર્સની સ્વ-નિયમનકારી સંસ્થા મામલો જોશે. ત્યારબાદ પણ ઉકેલ ન આવે તો કેન્દ્ર સરકારની દેખરેખ વ્યવસ્થા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ફેક ન્યૂઝ રોકવા માટે સરકારે ફેક્ટ ચેક યુનિટ (FCU)ની રચના કરી છે. આ યુનિટ સરકારી યોજનાઓ અને નિર્ણયો સંબંધિત માહિતીની ચકાસણી કરીને સાચી માહિતી લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે.</p><h4><b>આ નિયમોનો હેતુ અભિવ્યક્તિની સ્વતંત્રતા પર રોક લગાવવાનો નથી</b></h4><p>સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ નિયમોનો હેતુ અભિવ્યક્તિની સ્વતંત્રતા પર રોક લગાવવાનો નથી, પરંતુ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર જવાબદારી સુનિશ્ચિત કરવાનો છે. IT નિયમો, 2021 હેઠળ ડિજિટલ ન્યૂઝ અને OTT પબ્લિશર્સ માટે આચાર સંહિતા પણ બનાવવામાં આવી છે, જેથી કાયદાની મર્યાદામાં રહીને સ્વતંત્ર અભિવ્યક્તિને પ્રોત્સાહન મળી શકે.</p><p><b><a href="https://sandesh.com/india/news/monsoon-2026/indian-monsoon-el-nino-may-last-till-february-2027-jitendra-singh-warns-in-lok-sabha" target="_blank">આ પણ વાંચો : Indian Monsoon: ફેબ્રુઆરી 2027 સુધી રહી શકે છે El Nino, Jitendra Singhએ લોકસભામાં આપી ચેતવણી</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/swkF01CUi7udqutjV6iVw6UuUNGNv49pv1rS3hzx.webp'/></item><item><title><![CDATA[Kanpur-Lucknow એક્સપ્રેસવેની ખરાબ હાલત બાદ NHAIનું મોટું પગલું, સમારકામ સુધી ટોલ વસૂલાત બંધ ]]></title><link>https://sandesh.com/india/news/kanpur-lucknow-expressway-toll-suspended-until-road-repairs-nhai</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/kanpur-lucknow-expressway-toll-suspended-until-road-repairs-nhai</guid><pubDate>Wed, 05 Aug 2026 21:39:17 +05:30</pubDate><description><![CDATA[<p>કાનપુર-લખનૌ એક્સપ્રેસવેની ખરાબ હાલત સામે આવ્યા બાદ ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI)એ કડક કાર્યવાહી હાથ ધરી છે. માર્ગનું સંપૂર્ણ સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ વસૂલાત સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરમિયાન મુસાફરો પાસેથી કોઈ ટોલ લેવામાં આવશે નહીં. ટોલથી થનારા આવકના નુકસાનની ભરપાઈ સંબંધિત નિર્માણ કંપની પાસેથી વસૂલવામાં આવશે.</p><h2><b>NHAIએ સમગ્ર મામલાને ગંભીરતાથી લીધો</b></h2><p>માર્ગની ખરાબ ગુણવત્તાનો મુદ્દો પ્રકાશમાં આવ્યા બાદ NHAIએ સમગ્ર મામલાને ગંભીરતાથી લીધો છે. જવાબદાર કંપની, ઈજનેરો અને સંબંધિત અધિકારીઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાથે જ માર્ગની ટેકનિકલ તપાસ પણ શરૂ કરવામાં આવી છે, જેથી રસ્તો આટલા ઓછા સમયમાં કેમ ખરાબ થયો તેની તપાસ થઈ શકે. NHAIએ માર્ગના ખરાબ થયેલા ભાગનું તાત્કાલિક સમારકામ કરવાની સૂચના આપી છે. તપાસ દરમિયાન જો બેદરકારી અથવા ગુણવત્તામાં ખામી સાબિત થશે તો સંબંધિત લોકો સામે વધુ કડક પગલાં લેવામાં આવશે.</p><h3><b>કંપનીને નોટિસ ફટકારવામાં આવી&nbsp;</b></h3><p>પ્રાથમિક તપાસ બાદ માર્ગ નિર્માણ કરનાર PNC ઈન્ફ્રાટેક લિમિટેડને 'નોન-પરફોર્મર' જાહેર કરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. આ નિર્ણય અમલમાં આવ્યા બાદ કંપની ભવિષ્યમાં NHAIના નવા ટેન્ડરમાં ભાગ લઈ શકશે નહીં. ઉપરાંત કંપનીની પરફોર્મન્સ સિક્યોરિટીમાંથી 2 ટકા દંડ વસૂલવાની અને જવાબદાર અધિકારીઓ પર ત્રણ વર્ષનો પ્રતિબંધ મૂકવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.</p><h4><b>નબળી ગુણવત્તાનું કામ સહન કરવામાં આવશે નહીં</b></h4><p>NHAIએ કંપનીની રોડ ક્વોલિટી રેટિંગ એટલે કે 'પેવમેન્ટ કન્ડિશન ઇન્ડેક્સ' ઘટાડવાનો પણ નિર્ણય કર્યો છે. જેના કારણે ભવિષ્યમાં કંપનીને નવા પ્રોજેક્ટ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. NHAIએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જાહેર નાણાંથી બનતા માર્ગોના નિર્માણમાં કોઈપણ પ્રકારની બેદરકારી કે નબળી ગુણવત્તાનું કામ સહન કરવામાં આવશે નહીં.</p><p><b><a href="https://sandesh.com/india/news/monsoon-2026/indian-monsoon-el-nino-may-last-till-february-2027-jitendra-singh-warns-in-lok-sabha" target="_blank">આ પણ વાંચો : Indian Monsoon: ફેબ્રુઆરી 2027 સુધી રહી શકે છે El Nino, Jitendra Singhએ લોકસભામાં આપી ચેતવણી</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/Su8X7OklpPIV74QOhDdG2deS9JTguGj0phJhMECM.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: વેજલપુરનો કુખ્યાત હિસ્ટ્રીશીટર બે દેશી પિસ્તોલ અને 19 જીવતા કારતૂસ સાથે ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/crime-branch-arrests-wanted-historysheeter-mohmad-mojam-adil-with-pistols</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/crime-branch-arrests-wanted-historysheeter-mohmad-mojam-adil-with-pistols</guid><pubDate>Wed, 05 Aug 2026 20:50:38 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરમાં ગુનાખોરી આચરતા અને નાસતા ફરતા ગુનેગારો સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સપાટો બોલાવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરીને વેજલપુર વિસ્તારના રહેવાસી અને લાંબા સમયથી ચોપડે વોન્ટેડ એવા કુખ્યાત હિસ્ટ્રીશીટર મોહમદ મોજમ ઉર્ફે આદિલને ઝડપી લીધો છે.</p><h2><b>મોહમદ મોજમ કુખ્યાત હિસ્ટ્રીશીટર ઝડપાયો</b></h2><p>પોલીસે આરોપીની તલાશી લેતાં તેની પાસેથી 2 પિસ્તોલ અને 19 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. આ સિવાય ગુનાહિત પ્રવૃત્તિમાં વપરાતી એક હ્યુન્ડાઇ વેન્યુ કાર અને બે મોબાઇલ ફોન મળીને કુલ રૂ. 5.41 લાખનો મુદ્દામાલ પોલીસે ઘટનાસ્થળેથી જપ્ત કર્યો છે.</p><h3><b>અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયા</b></h3><p>પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે ઝડપાયેલો આદિલ રીઢો ગુનેગાર છે અને વર્ષ 2017 થી અત્યાર સુધીમાં તેની સામે 16 થી પણ વધુ ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તે અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનોમાં હત્યાનો પ્રયાસ, ખંડણી ઉઘરાવવી, મારામારી, ધમકી આપવી, આર્મ્સ એક્ટ અને NDPS (નશાકારક પદાર્થોની હેરાફેરી) જેવા ગુનાઓમાં લાંબા સમયથી વોન્ટેડ હતો.</p><h4><b>આરોપી રાજકોટ અને સુરતની જેલમાં જઈ ચૂક્યો&nbsp;</b></h4><p>આરોપી આદિલ અગાઉ પણ પોતાની ગુનાહિત પ્રવૃત્તિઓને કારણે વર્ષ 2019 અને 2022 માં પાસા (PASA) હેઠળ રાજકોટ અને સુરતની જેલમાં જઈ ચૂક્યો છે. જેલમાંથી છૂટ્યા બાદ ફરીથી તે ગુનાખોરીમાં સક્રિય થયો હતો. ક્રાઇમ બ્રાન્ચે આરોપી આદિલ સામે નવો ગુનો નોંધી, તે આ પિસ્તોલ અને કારતૂસ ક્યાંથી લાવ્યો હતો અને અમદાવાદમાં કયા મોટા ગુનાને અંજામ આપવાની ફિરાકમાં હતો તે દિશામાં રિમાન્ડ મેળવી ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/rajkot/kankot-minor-son-strangles-alcoholic-father-to-death-police-investigation" target="_blank">આ પણ વાંચો: Rajkot: કણકોટમાં સગીર પુત્રએ જ કરી પિતાની ગળેટૂંપો આપી હત્યા, દારૂડિયા અને માતા પરના ત્રાસથી કંટાળી ભર્યું પગલું</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/w7EFdnObYtnoE9hAw7oPFtDemu91cFSTguVghGfM.webp'/></item><item><title><![CDATA[Air Indiaની કમાન સંભાળશે ટિવોલ્ડે ગેબ્રેમેરિયમ, કંપનીએ CEO અને MD તરીકે નિયુક્ત કર્યા ]]></title><link>https://sandesh.com/india/news/business/air-india-appoints-tewolde-gebremariam-as-ceo-and-md</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/air-india-appoints-tewolde-gebremariam-as-ceo-and-md</guid><pubDate>Wed, 05 Aug 2026 18:49:15 +05:30</pubDate><description><![CDATA[<p>ટાટા ગ્રુપની માલિકીની એર ઈન્ડિયાએ બુધવારે પૂર્વ ઈથોપિયન એરલાઈન્સના પ્રમુખ ટિવોલ્ડે ગેબ્રેમેરિયમને કંપનીના નવા મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) અને મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકે નિયુક્ત કર્યા છે. એરલાઈન્સ એવા સમયે નવા નેતૃત્વ હેઠળ જઈ રહી છે, જ્યારે કંપની સતત નાણાકીય નુકસાન, નિયમનકારી પડકારો અને ઓપરેશનલ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે.</p><h2><b>એર ઈન્ડિયાની કમાન હવે ટિવોલ્ડે ગેબ્રેમેરિયમના હાથમાં</b></h2><p>ટિવોલ્ડે ગેબ્રેમેરિયમ એર ઈન્ડિયાના પૂર્વ CEO કેમ્પબેલ વિલ્સનની જગ્યા લેશે. વિલ્સન, જે અગાઉ સિંગાપોર એરલાઈન્સ સાથે જોડાયેલા હતા, તેમને વર્ષ 2022માં એર ઈન્ડિયાના પુનર્ગઠન અને સુધારણા માટે જવાબદારી સોંપવામાં આવી હતી. એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે કેમ્પબેલ વિલ્સને 2024માં કંપનીના ચેરમેન એન. ચંદ્રશેખરને આ વર્ષે પદ છોડવાની પોતાની યોજના અંગે જાણ કરી હતી.</p><h3><b>પૂર્વ ઈથોપિયન એરલાઈન્સના હતા ચીફ</b></h3><p>ટિવોલ્ડે ગેબ્રેમેરિયમને વૈશ્વિક ઉડ્ડયન ક્ષેત્રનો લાંબો અનુભવ છે. ઈથોપિયન એરલાઈન્સના CEO તરીકે તેમણે કંપનીના વિસ્તરણ અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેની ઓળખ મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે એર ઈન્ડિયાની કામગીરી સુધારવા અને તેને વધુ સ્પર્ધાત્મક બનાવવા માટે તેમના અનુભવનો ઉપયોગ કરવામાં આવશે.</p><h4><b>એર ઈન્ડિયાની સ્થિતિ મજબૂત કરવાની મોટી જવાબદારી&nbsp;</b></h4><p>એર ઈન્ડિયા હાલ અનેક પડકારોનો સામનો કરી રહી છે. ગયા વર્ષે થયેલા વિમાન અકસ્માત બાદ કંપની પર નિયમનકારી દેખરેખ વધી છે. આ અકસ્માતમાં 260 લોકોના મોત થયા હતા, જેના કારણે સુરક્ષા અને કામગીરી અંગે અનેક સવાલો ઊભા થયા હતા. આ ઉપરાંત મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે ફ્લાઈટ ઓપરેશન પર અસર પડી છે. વધેલા ખર્ચ અને પાકિસ્તાનના એરસ્પેસ પ્રતિબંધ જેવા પરિબળોએ પણ એર ઈન્ડિયાની મુશ્કેલીઓ વધારી છે. હવે નવા CEO ટિવોલ્ડે ગેબ્રેમેરિયમ સામે કંપનીને નફાકારક બનાવવા, મુસાફરોનો વિશ્વાસ વધારવા અને વૈશ્વિક સ્તરે એર ઈન્ડિયાની સ્થિતિ મજબૂત કરવાની મોટી જવાબદારી રહેશે.</p><p><a href="https://sandesh.com/knowledge/news/business/uae-trade-hub-1-port-150-countries-11-thousand-companies-why-is-jebel-ali-port-so-important" target="_blank" style=""><b>આ પણ વાંચો : UAE Trade Hub: 1 પોર્ટ, 150 દેશો, 11 હજાર કંપનીઓ, કેમ આટલું મહત્વનું છે Jebel Ali Port?</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/chfhU9bmnbHWiyHUyM0siP57VFdX3aqwohYKVW2d.webp'/></item><item><title><![CDATA[India અને પાકિસ્તાનની થશે ટક્કર, વર્લ્ડકપ માટે ટીમની કરવામાં આવી જાહેરાત ]]></title><link>https://sandesh.com/sports/news/pakistan-hockey-world-cup-2026-squad</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pakistan-hockey-world-cup-2026-squad</guid><pubDate>Wed, 05 Aug 2026 18:45:48 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પાકિસ્તાન હોકી ફેડરેશને 5 ઓગસ્ટના રોજ FIH મેન્સ હોકી વર્લ્ડકપ 2026 માટે 20 સભ્યોની ટીમ અને મેનેજમેન્ટની જાહેરાત કરી હતી. આ ટુર્નામેન્ટ 15 થી 30 ઓગસ્ટ દરમિયાન એમ્સ્ટલવીન, નેધરલેન્ડ અને બેલ્જિયમમાં રમાશે.&nbsp;</p><p style="text-align: justify;">આ મોટી ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થયા પછી પાકિસ્તાન ટીમ હવે વિશ્વના આ સૌથી મોટા હોકી પ્લેટફોર્મ પર સ્પર્ધા કરવા માટે તૈયાર છે. હોકી વર્લ્ડકપ માટે પાકિસ્તાનની ટીમમાં અનુભવી ઈન્ટરનેશનલ ખેલાડીઓ અને યુવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. ભારત અને પાકિસ્તાન 19 ઓગસ્ટના રોજ આ વર્લ્ડકપમાં એકબીજાનો સામનો કરશે.</p><h2 style="text-align: justify;"><b>અમ્માદ બટ્ટને કેપ્ટનશીપ પરથી હટાવવામાં આવ્યો</b></h2><p style="text-align: justify;">હોકી વર્લ્ડકપ માટે પાકિસ્તાન ટીમની જાહેરાત અનુભવી મિડફિલ્ડર અમ્માદ બટ્ટને કેપ્ટન પદેથી હટાવ્યાના લગભગ એક અઠવાડિયા પછી કરવામાં આવી છે. તે છેલ્લા 14 વર્ષથી ટીમની નેતૃત્વ કરી રહ્યો હતો. 29 જુલાઈના રોજ જાહેર કરાયેલા એક નિવેદનમાં PHFએ જણાવ્યું હતું કે તેની વ્યાવસાયિક વિકાસ સમિતિની સલાહ પર તેને અબુ બકરને પાકિસ્તાન રાષ્ટ્રીય હોકી ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે.</p><p style="text-align: justify;">તે સમયે PHFએ અમ્માદ બટ્ટના રાષ્ટ્રીય ટીમ પ્રત્યેના યોગદાન અને સમર્પણની પ્રશંસા કરી હતી. ફેડરેશને એમ પણ કહ્યું હતું કે તે એક સિનિયર ખેલાડી તરીકે પાકિસ્તાન ટીમનો ભાગ રહેશે. ફેડરેશને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અબુ બકરની કેપ્ટનશીપ હેઠળ ટીમ, સિનિયર ખેલાડીઓ અને યુવા સભ્યોના અનુભવ સાથે એક મજબૂત અને સ્પર્ધાત્મક ટીમમાં વિકાસ કરશે.</p><h3 style="text-align: justify;"><b>હોકી વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમ અને સપોર્ટ સ્ટાફ</b></h3><h4 style="text-align: justify;"><b>હોકી વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની 20 સભ્યોની ટીમ</b></h4><p style="text-align: justify;">વકાર, મુહમ્મદ અબ્દુલ્લા, મુહમ્મદ સુફિયાન ખાન, મોઈન શકીલ, અબ્દુલ વહિદ અશરફ રાણા, અબ્દુલ હનાન શાહિદ, ઝકારિયા હયાત, અરશદ લિયાકત, આદિલ લતીફ, અહેમદ નદીમ, ગઝનફર અલી, ઈમાદ શકીલ બટ્ટ, મોહમ્મદ હમદુદ્દીન અંજુમ, રહેમાન અબ્દુલ, અફરાઝ, ઉમર મુસ્તફા, અબુ બકર મહમૂદ, અલી રઝા, અબ્દુલ મટન અને મુહમ્મદ ઈમાદનો સમાવેશ થાય છે.</p><p style="text-align: justify;">ગોલકીપર : વકાર અને અલી રાજા</p><p style="text-align: justify;">ટીમ મેનેજમેન્ટમાં ટીમ મેનેજર મુહમ્મદ ઓવૈસ કરની, હેડ કોચ બોબ જોહાન વેલ્ધોફ (નેધરલેન્ડ), આસિસ્ટન્ટ કોચ ક્રિસ્ટોફર જોન બોવેન (ગ્રેટ બ્રિટન), આસિસ્ટન્ટ કોચ અદનાન ઝાકીર અને વીડિયો ટેકનિશિયન અશરફ સુલતાન સામેલ છે.</p><h5 style="text-align: justify;"><b>પાકિસ્તાન 15 ઓગસ્ટે પોતાની પહેલી મેચ રમશે</b></h5><p style="text-align: justify;">આ હોકી વર્લ્ડકપમાં પાકિસ્તાન ટીમ 15 ઓગસ્ટે એમ્સ્ટલવીનમાં ઈંગ્લેન્ડ સામે પોતાની પહેલી મેચ રમશે. ટીમની બીજી મેચ 17 ઓગસ્ટે વેલ્સ સામે થશે. પાકિસ્તાન 19 ઓગસ્ટે ભારત સામે ટકરાશે. આ વર્લ્ડકપ માટે, ભારત અને પાકિસ્તાનને પૂલ Dમાં એકસાથે રાખવામાં આવ્યા છે. આ બે ટીમો ઉપરાંત ટીમમાં ઈંગ્લેન્ડ અને વેલ્સનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં એશિયન લિજેન્ડ્સ લીગમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક મેચ રમાઈ હતી.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/BSGFdjBYRdYyrIr1nai9fAg4ZuA06DUq1m8Sv97p.webp'/></item></channel></rss>