<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Dahod News : લઠ્ઠાકાંડ બાદ પોલીસે આંતરરાજ્ય સરહદો કરી સીલ, કોમ્બિંગ અને સરપ્રાઇઝ ચેકિંગ શરૂ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dahod/police-border-seal-patrolling-illicit-liquor-crackdown</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dahod/police-border-seal-patrolling-illicit-liquor-crackdown</guid><pubDate>Sun, 23 Aug 2026 14:36:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભાવનગર લઠ્ઠાકાંડની ગંભીર ઘટના બાદ દાહોદ પોલીસ તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. ગુજરાતમાં નકલી કે ઝેરી દારૂના પ્રવેશને અટકાવવા માટે મધ્યપ્રદેશ અને રાજસ્થાનને જોડતી આંતરરાજ્ય સરહદો પર સઘન નાકાબંધી અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. દાહોદ જિલ્લાની ધાવડિયા, ખંગેલા, મીનાક્યાર, ચાકલિયા, સેજાવાડા અને સગટાળા સહિતની તમામ મહત્વપૂર્ણ ચેકપોસ્ટ પર પોલીસ કાફલો તૈનાત કરી દેવાયો છે અને રાજ્યમાં પ્રવેશતા નાના-મોટા તમામ વાહનોનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>કરોડોનો વિદેશી દારૂ અને અફીણનો જથ્થો ઝડપાયો&nbsp;</b></h2><p style="text-align: justify; ">ગુનાહિત પ્રવૃત્તિઓ અને નશાકારક પદાર્થોની હેરાફેરી સામે પોલીસે લાલ આંખ કરી છે. છેલ્લા એક જ મહિના દરમિયાન દાહોદ પોલીસે કડક ચેકિંગ ઝુંબેશ ચલાવીને રૂ. 2 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ઉપરાંત, નશીલા પદાર્થોના કારોબાર પર પ્રહાર કરતા પોલીસે 700 કિલોથી વધુ અફીણના જીંડવા પણ જપ્ત કરી મોટી સફળતા મેળવી છે.</p><h3 style="text-align: justify; "><b>પોલીસનું સતત કોમ્બિંગ અને પેટ્રોલિંગ&nbsp;</b></h3><p style="text-align: justify; ">નકલી દારૂની ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં પોલીસ તંત્ર એલર્ટ મોડ પર છે ત્યારે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા સરહદી વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ અને સરપ્રાઇઝ ચેકિંગની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા તત્વોમાં ફાળચ વ્યાપી ગઈ છે. પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે સરહદ પારથી થતી કોઈપણ પ્રકારની ગેરકાયદે હેરાફેરી સામે આગામી દિવસોમાં પણ આ જ પ્રકારે કડક કાનૂની કાર્યવાહી ચાલુ રહેશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/23/Yc5dP5EIs4cnbr55sendau2d0PePvN1yw3Dr9Umf.webp'/></item><item><title><![CDATA[Morbi News: મંત્રી કાંતિ અમૃતિયાના નિવેદનથી તેમના ભાઈ અને ખેડૂતો લાલઘૂમ, જમીનમાં મશીનરી ઘૂસવા નહીં દઈએ ]]></title><link>https://sandesh.com/gujarat/news/morbi/kanti-amrutiyas-statement-sparks-anger-among-farmers-and-his-brother</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/morbi/kanti-amrutiyas-statement-sparks-anger-among-farmers-and-his-brother</guid><pubDate>Sun, 23 Aug 2026 14:35:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મોરબી ખાતે આયોજિત સેફ્ટી સેમિનાર કાર્યક્રમમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાએ વીજપોલના વળતર મુદ્દે કરેલા એક નિવેદનને કારણે મોટો રાજકીય અને સામાજિક ગરમાવો આવી ગયો છે.ખેતરોમાંથી પસાર થતી વીજલાઈન અને થાંભલાઓ અંગે વાત કરતાં મંત્રીએ દાવો કર્યો હતો કે,થાંભલાના 70 લાખ રૂપિયા આપવામાં આવે છે જે રકમ બિલકુલ ઓછી નથી. થાંભલા અને તાર નાખવાથી સરકાર કાંઈ ખેડૂતોની જમીન સાથે લઈ જવાની નથી.આ મુદ્દે દોડધામમાં પોતાનું બે કિલો વજન ઘટી ગયું હોવાનો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ખેતરોમાં ગાડીઓ કે મશીનરી ઘૂસવા દેશે નહીં</b></h2><p style="text-align: justify; ">વળતરની ચોક્કસ રકમ અંગે મંત્રી પોતે જ અસહજ જણાતા હતા અને તેમણે સ્થળ પર ઉપસ્થિત કલેક્ટરને 70 લાખ કે 80 લાખની રકમ અંગે પૂછવું પડ્યું હતું.જેનાથી તેમને વળતર બાબતે પૂરતી માહિતી ન હોવાનું સામે આવ્યું હતું.મંત્રીના આ નિવેદન સામે તેમના જ ભાઈ રાકેશ અમૃતિયાએ તીખી પ્રતિક્રિયા આપતાં વાતાવરણ વધુ ગરમાયું છે.રાકેશ અમૃતિયાએ આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, અમારે 70 કે 80 લાખ રૂપિયા જોઈતા નથી અને અમારી જમીનમાં થાંભલા પણ નથી જોઈતા. ખોટું બોલવાનું બંધ કરો અત્યાર સુધી ક્યાં ગયા હતા? જો સરકાર 4 કરોડ રૂપિયા આપે તો પણ ખેડૂતોને નુકસાન જ છે અને આવું નજીવું વળતર તેમને બિલકુલ મંજૂર નથી.તેમણે સ્પષ્ટ ચીમકી આપી હતી કે તેઓ પોતાના ખેતરોમાં ગાડીઓ કે મશીનરી ઘૂસવા દેશે નહીં.</p><h3 style="text-align: justify; "><b>સ્થાનિક ખેડૂતોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો</b></h3><p style="text-align: justify; ">બીજી તરફ,મંત્રીના નિવેદનને પગલે સ્થાનિક ખેડૂતોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે.જેતપર સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયેલા ખેડૂતોએ આકરા શબ્દોમાં વિરોધ નોંધાવતા કહ્યું હતું કે,કરોડો રૂપિયાની કિંમતી જમીન સામે સરકાર જે વળતર આપી રહી છે તે અત્યંત મામૂલી છે.ખેડૂતોએ સ્પષ્ટ કર્યું કે તેમને 70 લાખનું વળતર મંજૂર નથી અને તેઓ પોતાની જમીનમાં વીજપોલ કે તાર નાખવા દેશે નહીં.મંત્રીના 70 લાખ વ્હાઈટના આપવાના નિવેદન સામે કટાક્ષ કરતાં ખેડૂતોએ કહ્યું કે, અમારે બધું વ્હાઈટ જ હોય છે અમારે કંઈ બ્લેક હોતું નથી.હાલમાં જેતપર સત્યાગ્રહ છાવણીમાં ખેડૂતોના આ આંદોલનને સતત જનસમર્થન સાંપડી રહ્યું છે અને વળતર મુદ્દે આંદોલન વધુ ઘેરૂ બની રહ્યું છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/chairman-dilip-sanghani-spoke-on-msp-procurement-and-farmer-benefits" target="_blank">આ પણ વાંચોઃ Gandhinagar News: ગુજકોમાસોલ ટેકાના ભાવે જણસ ખરીદે તો ખેડૂતને ફાયદો થાય, પુરવઠા નિગમ ખરીદે તો ના થાયઃ દિલીપ સંઘાણી</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/23/NRb3KLOPBWDMt70ct7vvfWGONU8sKz4u1f2xhuIt.webp'/></item><item><title><![CDATA[Govinda એ પર્સનલ લાઈફની અફવાઓ પર કડક વલણ અપનાવ્યું, જાહેર કરી નોટિસ અને આપી 100 કરોડની ચેતવણી! ]]></title><link>https://sandesh.com/entertainment/news/govinda-takes-a-tough-stance-on-personal-life-rumors-issues-notice-and-issues-100-crore-warning</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/govinda-takes-a-tough-stance-on-personal-life-rumors-issues-notice-and-issues-100-crore-warning</guid><pubDate>Sun, 23 Aug 2026 14:23:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડના ચી ચી ગોવિંદા અને તેમની પત્ની સુનીતા આહુજા લાંબા સમયથી ચર્ચામાં છે. તાજેતરમાં ગોવિંદાની પત્ની ફેમિલી કોર્ટની બહાર દીકરા સાથે જોવા મળી હતી, ત્યારબાદ જાણવા મળ્યું કે તેમણે છૂટાછેડાનો કેસ પાછો ખેંચી લીધો છે.</p><h2 style="text-align: justify; "><b>બીજા લગ્નની ચર્ચા વચ્ચે ગોવિંદાએ મીડિયા અને કન્ટેન્ટ ક્રિએટર્સને આપી ચેતવણી</b></h2><p style="text-align: justify; "> </p><p style="text-align: justify; ">એવી ચર્ચા હતી કે અભિનેતા બીજા લગ્ન કરવાનું વિચારી રહ્યા હતા, તેથી સુનીતા આહુજાએ આ પગલું ભર્યું હતું. પરંતુ ગોવિંદાના મેનેજરે આ વાતોને ખોટી ગણાવી હતી. સાથે જ સુનીતા પર પણ સવાલ ઉઠાવ્યો હતો કે જો કેસ પાછો જ ખેંચવાનો હતો તો કર્યો શા માટે હતો. આ તમામ ચર્ચા વચ્ચે અભિનેતા ગઈકાલે હોસ્પિટલની બહાર જોવા મળ્યા હતા. હવે જાણવા મળ્યું છે કે ગોવિંદાએ મીડિયા સંસ્થાઓ, સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સને ચેતવણી આપી છે. સાથે જ એક જાહેર નોટિસ પણ બહાર પાડી છે.</p><h2 style="text-align: justify; "><b>ગોવિંદાના પરિવાર વિશે ખોટી માહિતી ફેલાવનારને કડક ચેતવણી</b></h2><p style="text-align: justify; ">ગોવિંદાની જાહેર નોટિસમાં પરિવાર વિશે ખોટી, બદનામ કરનારી અથવા ચકાસણી વગરની માહિતી પ્રકાશિત કે શેર કરવાની મનાઈ કરવામાં આવી છે. આ નોટિસ AIથી બનાવવામાં આવેલા અને તેમાં ફેરફાર કરવામાં આવેલા કન્ટેન્ટ પર પણ લાગુ પડે છે. અભિનેતાએ ચેતવણી આપી છે કે આવું કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહીં, જે લોકો જવાબદાર ઠરશે તેમની પાસેથી 100 કરોડ રૂપિયા સુધીનું વળતર પણ માગવામાં આવી શકે છે.</p><h3 style="text-align: justify; "><b>ગોવિંદાએ જાહેર નોટિસ બહાર પાડી</b></h3><p style="text-align: justify; ">બોલીવુડ અભિનેતા ગોવિંદાની નોટિસમાં ખાસ કરીને એવા લોકો અને કન્ટેન્ટ માટે ચેતવણી આપવામાં આવી છે, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા અથવા બદલવામાં આવેલા ફોટા, વીડિયો, ઓડિયો રેકોર્ડિંગ, મોર્ફ કરવામાં આવેલી તસવીરો, ડીપફેક અને અન્ય કન્ટેન્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કોઈને પણ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ગોવિંદા અને તેમના પરિવારની અંગત માહિતીનો ખોટો ઉપયોગ કરવાની કે નામ અને તસવીર શેર કરવાની પરવાનગી નથી. નોટિસ મુજબ, આવું કન્ટેન્ટ પ્રકાશિત કે શેર કરનાર સામે બદનક્ષી, ઓળખના ખોટા ઉપયોગ અને સાયબર ગુના સાથે જોડાયેલા કાયદા હેઠળ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. નોટિસમાં ભારતીય ન્યાય સંહિતા, 2023 અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000ની જોગવાઈઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દોષી ઠરનારા લોકો પાસેથી તેઓ 100 કરોડ રૂપિયા સુધીનું વળતર માગી શકે છે.</p><h3 style="text-align: justify; "><b>બીજા લગ્નની વાતને ફગાવી</b></h3><p style="text-align: justify; ">સુનીતા આહુજાના ઓડિયો બાદ ગોવિંદા તરફથી એ વાતને નકારી કાઢવામાં આવી છે કે તેઓ બીજા લગ્નની તૈયારી કરી રહ્યા છે. જોકે, પતિ-પત્ની વચ્ચે સોશિયલ મીડિયા પર વિવાદ ચાલી રહ્યો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/kareena-kapoor-third-pregnancy-rumours-saba-pataudi" target="_blank">આ પણ વાંચો-Bollywood : 'જીવો અને જીવવા દો...' કરીના કપૂરની ત્રીજી પ્રેગ્નેન્સીની ચર્ચા પર નણંદ સબા અલી ખાન ગુસ્સે!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/23/Txh8bNJ4JZYsr2pKJnw6IJfZn5IaT5tjQtDRfSl7.webp'/></item><item><title><![CDATA[Indore: મધ્યાન ભોજન બાદ 38 બાળકોની અચાનક તબિયત લથડી, તપાસ શરૂ ]]></title><link>https://sandesh.com/india/news/indore-midday-meal-food-poisoning-students-ill</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/indore-midday-meal-food-poisoning-students-ill</guid><pubDate>Sun, 23 Aug 2026 13:47:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઈન્દોરના સનવેરના સિંઘાસા ગામની સરકારી શાળામાં મધ્યાહન ભોજન ખાધા પછી 38 બાળકોની તબિયત લથડી. કઢી અને ભાત ખાધા પછી થોડા સમય પછી, વિદ્યાર્થીઓએ પેટમાં દુખાવો, ચક્કર અને માથાનો દુખાવો થવાની ફરિયાદ કરી, અને બધાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.</p><h2 style="text-align: justify; "><b>મધ્યાહન ભોજન બાદ અચાનક બીમાર પડ્યા 38 બાળકો</b></h2><p style="text-align: justify; ">ઈન્દોર જિલ્લાના સનવેરના સિંઘાસા ગામની સરકારી માધ્યમિક શાળામાં મધ્યાહન ભોજન ખાધા પછી 38 બાળકો અચાનક બીમાર પડતાં ગભરાટ ફેલાયો. બાળકોને કઢી અને ભાત પીરસવામાં આવ્યા, અને ખાધા પછી તરત જ, તેમાંથી ઘણાને પેટમાં દુખાવો, ચક્કર અને માથાનો દુખાવો થવાની ફરિયાદ થવા લાગી. પરિસ્થિતિ જોઈને, બધા બાળકોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. સદનસીબે, હાલમાં બધા બાળકો સામાન્ય સ્થિતિમાં હોવાનું જાણવા મળ્યું છે. વહીવટીતંત્ર અને ખાદ્ય વિભાગે આ મામલાની તપાસ શરૂ કરી છે અને ખોરાકના નમૂના પરીક્ષણ માટે લેબમાં મોકલ્યા છે.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/Milind_tayde_/status/2091366927319142631"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h3 style="text-align: justify; "><b>બાળકોએ ખાધા હતા કઢી ભાત</b></h3><p style="text-align: justify; ">આ ઘટના સનવેરના સિંઘાસા ગામની સરકારી માધ્યમિક શાળામાં બની. શનિવારે, બાળકોને મધ્યાહન ભોજનના ભાગ રૂપે કઢી અને ભાત પીરસવામાં આવ્યા હતા. જમ્યા પછી થોડા સમય પછી, ઘણા બાળકો અસ્વસ્થ થવા લાગ્યા. કેટલાક વિદ્યાર્થીઓએ પેટમાં દુખાવો, ચક્કર અને માથાનો દુખાવો થવાની ફરિયાદ કરી, જેના કારણે શાળા સંચાલન અને વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો.</p><h4 style="text-align: justify; "><b>તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા</b></h4><p style="text-align: justify; ">બાળકોની બગડતી તબિયતની માહિતી મળતાં, તેમને સારવાર માટે અરબિંદો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. કુલ 38 બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોકટરોની દેખરેખ હેઠળ તેમની સારવાર કરવામાં આવી હતી. ડોકટરોના જણાવ્યા મુજબ, બધા બાળકોની સ્થિતિ નિયંત્રણમાં છે, અને કેટલાક સ્વસ્થ થયા પછી તેમને રજા આપવામાં આવી હતી.</p><h5 style="text-align: justify; "><b>બાળકોની તબિયત લથડતાં ગભરાટનો માહોલ</b></h5><p style="text-align: justify; ">મોટી સંખ્યામાં બાળકોની અચાનક બીમારીથી શાળા પરિસરમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ વાલીઓ શાળા અને હોસ્પિટલમાં દોડી ગયા હતા. શાળા વહીવટીતંત્રે તાત્કાલિક આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રને જાણ કરી અને જરૂરી સહાય માંગી.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/tech/news/aadhaar-address-update-online-step-by-step" target="_blank">આ પણ વાંચોઃ Aadhaar Update: હવે લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટ ખતમ, ઘરે બેઠા ચેન્જ કરો આધારકાર્ડનું એડ્રેસ</a></b></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/23/Q2V4W8mu7R8AAe7390Qz7cPxGoaXyEijJ3IEiKmv.webp'/></item><item><title><![CDATA[Hockey World Cupમાં બે દિગ્ગજ ક્રિકેટર રાહુલ દ્રવિડ અને સ્ટીવ વોને મેચનો આનંદ માણ્યો ]]></title><link>https://sandesh.com/sports/news/two-legendary-cricketers-rahul-dravid-and-steve-vaughan-enjoyed-the-match-in-the-hockey-world-cup</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/two-legendary-cricketers-rahul-dravid-and-steve-vaughan-enjoyed-the-match-in-the-hockey-world-cup</guid><pubDate>Sun, 23 Aug 2026 13:44:49 +05:30</pubDate><description><![CDATA[<p>FIH હોકી વર્લ્ડ કપ 2026ના રોમાંચ વચ્ચે ક્રિકેટ અને બોલિવૂડનો જબરદસ્ત જમાવડો જોવા મળ્યો હતો. ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે રમાયેલી હાઈ-વોલ્ટેજ ગ્રૂપ E મેચમાં ક્રિકેટ જગતના બે દિગ્ગજ ખેલાડીઓ ભારતના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ અને ઓસ્ટ્રેલિયાના મહાન કેપ્ટન સ્ટીવ વો સ્ટેડિયમમાં મેચ નિહાળવા પહોંચ્યા હતા. તેમની સાથે બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચન તેમજ હોકી લેજન્ડ્સ જેમી ડ્વાયર અને ટ્યુન ડી નૂઇજર પણ સ્ટેન્ડ્સમાં ઉપસ્થિત રહ્યા હતા.</p><h5><b>દિગ્ગજોની હાજરીથી મેદાનમાં ઉત્સાહ</b></h5><p>રાહુલ દ્રવિડ,સ્ટીવ વો અને અભિષેક બચ્ચન યુરોપિયન T20 પ્રીમિયર લીગના પ્રમોશન અર્થે હાલ નેધરલેન્ડ્સમાં છે. હોકી ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ દિગ્ગજોની તસવીર શેર કરીને આ ખાસ પળની પ્રશંસા કરી હતી.મેચ બાદ અભિષેક બચ્ચને ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત પણ કરી હતી</p><h5><b>હોકી ઇન્ડિયાએ ફોટો શેર કર્યો</b></h5><p>હોકી ઇન્ડિયાએ X પર આ ખાસ ક્ષણ શેર કરી. ભારત અને ઓસ્ટ્રેલિયાના આ બે દિગ્ગજોની તસવીર શેર કરતા તેમણે લખ્યું, 'ક્રિકેટ દિગ્ગજ સ્ટીવ વો અને રાહુલ દ્રવિડ, હોકી દિગ્ગજ જેમી ડ્વાયર અને ટ્યુન ડી નૂઇજર સાથે, ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચેની મેચનો આનંદ માણ્યો.' જોકે, રાહુલ દ્રવિડ અને અભિષેક બચ્ચનની હાજરીથી ભારતીય હોકી ટીમનું નસીબ બદલાયું નહીં.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/TheHockeyIndia/status/2091401825953939660?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><br></p><h5><b>ભારતીય ટીમનું નિરાશાજનક પ્રદર્શન</b></h5><p>દિગ્ગજોની હાજરી છતાં ટીમ ઈન્ડિયાના નસીબે સાથ ન આપ્યો. નેધરલેન્ડ્સ સામેની આ મહત્વપૂર્ણ મેચમાં ભારતીય ટીમે 1-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. સમગ્ર મેચ દરમિયાન ભારતીય ટીમને 7 પેનલ્ટી કોર્નર મળ્યા હતા, પરંતુ ટીમ માત્ર એક જ પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવી શકી હતી. ચોથા ક્વાર્ટરમાં કેપ્ટન હરમનપ્રીત સિંહે ભારત તરફથી એકમાત્ર ગોલ કર્યો હતો, પરંતુ તે જીત માટે પૂરતો નહોતો.</p><p>આ પણ વાંચો - VIDEO: મેસ્સીએ લાઈવ મેચ દરમિયાન વિરોધી ટીમના એક ખેલાડીને માર્યો થપ્પડ, MLSએ ફટકાર્યો દંડ</p><p><a href="https://sandesh.com/sports/news/video-lionel-messi-slapped-an-opposing-player-during-a-live-match-mls-fined-him" target="_blank">https://sandesh.com/sports/news/video-lionel-messi-slapped-an-opposing-player-during-a-live-match-mls-fined-him</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/23/vRzvx4OEzfuL5angSZCRz3USunf0O64uIjb0Pczm.webp'/></item><item><title><![CDATA[PM મોદીની સ્પેસ સ્ટાર્ટઅપ્સને મોટી સલાહ: ‘જોખમ લો, સરકાર તમારી સાથે છે’, ભારત તરફ આકર્ષાશે દુનિયાભરની પ્રતિભા ]]></title><link>https://sandesh.com/india/news/pm-modis-big-advice-to-space-startups-take-risks-the-government-is-with-you-talent-from-all-over-the-world-will-be-attracted-to-india</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/pm-modis-big-advice-to-space-startups-take-risks-the-government-is-with-you-talent-from-all-over-the-world-will-be-attracted-to-india</guid><pubDate>Sun, 23 Aug 2026 13:36:02 +05:30</pubDate><description><![CDATA[<p>Prime Minister નરેન્દ્ર મોદીએ દેશના સ્પેસ સ્ટાર્ટઅપ્સની ખૂબ જ પ્રશંસા કરી. તેમણે દેશના 20 સ્પેસ સ્ટાર્ટઅપ્સના CEO અને ફાઉન્ડર્સ સાથે વાતચીત કરતાં કહ્યું કે ભારતમાં પ્રતિભાની કોઈ કમી નથી. દેશે સ્પેસ સેક્ટરમાં ઘણું બધું હાંસલ કર્યું છે. તમે જોખમ ઉઠાવો , સરકાર તમારી સાથે છે. આ વાતચીત દરમિયાન PM મોદીએ દેશમાં એવો માહોલ બનાવવાની વાત કરી, જેથી દુનિયાભરની પ્રતિભાઓ ભારત તરફ આકર્ષાય. સ્ટાર્ટઅપ્સના CEO અને સંસ્થાપકો સાથેની વાતચીતમાં વડાપ્રધાને નીતિઓ પર ભાર મૂક્યો અને કહ્યું કે સારી નીતિઓ જોખમ લેનારાઓને વિશ્વાસ અપાવે છે.</p><h2><b>PM નરેન્દ્ર મોદીએ દેશના સ્પેસ સ્ટાર્ટઅપ્સની ખૂબ પ્રશંસા કરી</b></h2><p>PM મોદીએ કહ્યું કે, તમે એક નવા ક્ષેત્રમાં હિંમત બતાવી છે. સૌથી મોટી વાત એ છે કે તમે સરકાર પર વિશ્વાસ કર્યો છે. મારું હંમેશાથી માનવું રહ્યું છે કે આપણે જે નિર્ણય લઈએ, તેના પર અડગ રહેવું જોઈએ. વારંવાર નિર્ણયો બદલવા ન જોઈએ. તેનાથી જે લોકો જોખમ લેવા માટે તૈયાર હોય છે, તેઓ નિશ્ચિંત રહે છે. જો તેમની ભૂલથી કંઈક ખોટું થઈ જાય તો વાત અલગ છે, પરંતુ કોઈ તેમનો સાથ છોડશે નહીં. આ જ વિશ્વાસ અમે જાળવી રાખવા માંગીએ છીએ. મને પૂરો વિશ્વાસ છે કે ભારત સ્પેસ ક્ષેત્રમાં દુનિયાભરની પ્રતિભાઓને પોતાની તરફ આકર્ષી શકે છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/narendramodi/status/2091382436462776696"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b style="font-size: 1.75rem;">ભારતમાં ટેલેન્ટની કમી નથી: PM</b></p><p>વડાપ્રધાને કહ્યું કે, આપણે એવું વાતાવરણ અને વ્યવસ્થા બનાવવી જોઈએ કે જ્યારે દુનિયા સ્પેસ ક્ષેત્ર વિશે વિચારે, ત્યારે સૌથી પહેલા ભારત તરફ જુએ. કોઈ ભારતીય સ્ટાર્ટઅપ અથવા ભારતીય સ્પેસ એજન્સી સાથે જોડાવા માંગે. આપણે આ સમગ્ર પ્રતિભાને ચુંબકની જેમ પોતાની તરફ ખેંચી શકીએ છીએ. આ આપણા માટે ખૂબ મોટી તાકાત બની શકે છે. આપણે ખર્ચના મામલે ખૂબ સસ્તા છીએ. પ્રતિભાની ગુણવત્તા પર કોઈ શંકા નથી અને આપણા દેશના લોકોમાં જોખમ લેવાની સ્વાભાવિક ક્ષમતા વધુ છે. તેથી આપણે ટૂંક સમયમાં આ ક્ષેત્રમાં પોતાનું ખાસ સ્થાન બનાવી શકીએ છીએ. તેમણે અટલ ટિંકરિંગ લેબ્સ સાથે મળીને કામ કરવાની પણ વાત કરી. તેનાથી બાળકોમાં નાની ઉંમરથી જ સ્પેસ એટલે કે અંતરિક્ષ પ્રત્યે જિજ્ઞાસા અને રસ પેદા થઈ શકે છે.</p><h4><b>20 સ્ટાર્ટઅપ્સના CEO-સ્થાપકો બેઠકમાં સામેલ</b></h4><p>આ બેઠકમાં 20 સ્પેસ સ્ટાર્ટઅપ્સના CEO અને સ્થાપકોએ ભાગ લીધો હતો. તેમાં સ્કાયરૂટ એરોસ્પેસ, અગ્નિકુલ કોસ્મોસ, પિક્સેલ, ધ્રુવા સ્પેસ, ગેલેક્સીઆઈ, પિયરસાઈટ, બેલાટ્રિક્સ એરોસ્પેસ, દિગંતરા, સેટશ્યોર, સુહોરા ટેક્નોલોજીસ, મનસ્તુ સ્પેસ, એસ્ટ્રોબેઝ, ટેકમી2સ્પેસ, વ્યોમઆઈસી, કોસ્મોસર્વ સ્પેસ, ઓર્બિટએડ એરોસ્પેસ, સ્કાયસર્વ (હાઈસ્પેસ), સેરેન્ડિપિટી સ્પેસ, વાસર લેબ્સ અને મિસ્ટઈઓનો સમાવેશ થાય છે.</p><p><b><a href="https://sandesh.com/d" target="_blank">વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ&nbsp;</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/23/CLDHH80Ncy2Qo1fNdn61ZLQDoRCnqJr2f64JiU6B.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : જેઠાણીના પ્રેમીએ દેરાણીને બદનામ કરવા બીભત્સ રીલ્સ સોશિયલ મીડિયા પર કર્યા વાયરલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/man-accused-of-sharing-obscene-morphed-reels-to-defame-woman</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/man-accused-of-sharing-obscene-morphed-reels-to-defame-woman</guid><pubDate>Sun, 23 Aug 2026 13:05:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના મણિનગર વિસ્તારમાં સોશિયલ મીડિયાના માધ્યમથી એક મહિલાને બદનામ કરવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.જેઠાણી સાથે ભાગી ગયેલા પ્રેમીએ દેરાણી અને નણંદને બદનામ કરવા માટે તેમના મોર્ફ કરેલા બીભત્સ ફોટા અને રીલ્સ બનાવી ઇન્સ્ટાગ્રામ તથા વોટ્સએપ પર વાયરલ કરી હતી.આ મામલે કંટાળેલી પીડિત મહિલાએ આખરે મણિનગર પોલીસ સ્ટેશનમાં આરોપી લખન પ્રજાપતિ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે.</p><h2 style="text-align: justify; "><b>બીભત્સ રીલ્સ બનાવી અપલોડ કરી</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ,મણિનગરમાં રહેતી મહિલાના પતિએ પત્નીનો મોબાઈલ ચેક કરતાં આ આખા કાંડનો પર્દાફાશ થયો હતો.મહિલાના મોબાઈલ પર અલગ-અલગ અજાણ્યા નંબરો પરથી અજાણ્યા શખ્સ સાથેના તેના બીભત્સ ફોટા બનાવીને મોકલવામાં આવ્યા હતા.આટલું જ નહીં, આરોપીએ ઇન્સ્ટાગ્રામ પર દેરાણી તેમજ તેની નણંદના ફોટાનો ઉપયોગ કરીને બીભત્સ રીલ્સ બનાવી અપલોડ કરી હતી.અજાણ્યા નંબર પરથી સતત આવી રીલ્સ અને બીભત્સ સામગ્રી મોકલાતાં સમગ્ર પરિવાર ચોંકી ઊઠ્યો હતો.પરિવારે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતાં સામે આવ્યું કે,આ કૃત્ય પાછળ મહિલાની જેઠાણી સાથે ભાગી ગયેલા તેના પ્રેમી લખન પ્રજાપતિનો હાથ હતો.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>મણિનગર પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફરિયાદ નોંધાવી</b></h3><p style="text-align: justify; ">આરોપી લખન પ્રજાપતિ અવારનવાર સોશિયલ મીડિયા પર આવી બીભત્સ રીલ્સ અને ફોટા અપલોડ કરીને મહિલાને માનસિક રીતે હેરાન કરતો હતો અને તેને સમાજમાં બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આરોપીની આવી હલકી મનોવૃત્તિ અને સતત થઈ રહેલી સતામણીથી કંટાળીને આખરે પીડિત મહિલાએ હિંમત દર્શાવી મણિનગર પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા હતા.મહિલાની ફરિયાદના આધારે પોલીસે લખન પ્રજાપતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મણિનગર પોલીસે ઘટનામાં ઉપયોગમાં લેવાયેલા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને મોબાઈલ નંબરોના ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/chairman-dilip-sanghani-spoke-on-msp-procurement-and-farmer-benefits" target="_blank">આ પણ વાંચોઃ Gandhinagar News: ગુજકોમાસોલ ટેકાના ભાવે જણસ ખરીદે તો ખેડૂતને ફાયદો થાય, પુરવઠા નિગમ ખરીદે તો ના થાયઃ દિલીપ સંઘાણી</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/23/WTniSpnsCKC4qznFEgx0AUx4M0WfIqJg0PRkepdN.webp'/></item><item><title><![CDATA[ખાંડના ભાવ કેમ વધી રહ્યા છે?, ભારતથી બ્રાઝિલ સુધી આ છે સૌથી મોટું કારણ ]]></title><link>https://sandesh.com/business/news/why-are-sugar-prices-increasing-from-india-to-brazil-this-is-the-biggest-reason</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/why-are-sugar-prices-increasing-from-india-to-brazil-this-is-the-biggest-reason</guid><pubDate>Sun, 23 Aug 2026 12:56:01 +05:30</pubDate><description><![CDATA[<p>Indiaમાં તહેવારોની સિઝન શરૂ થાય તે પહેલાં જ ખાંડનો ભાવ વધી રહ્યો છે. સરકાર કહી રહી છે કે ઇથેનોલના કારણે ખાંડના ભાવમાં કોઈ વધારો થઈ રહ્યો નથી, પરંતુ તેમ છતાં ખાંડની અછતની સ્થિતિ ઊભી થઈ છે. જેના કારણે વિશ્વમાં ખાંડની નિકાસ કરતો દેશ હવે ખાંડની આયાત કરવા જઈ રહ્યો છે.</p><h2><b>વૈશ્વિક સ્તરે ખાંડના પુરવઠામાં ઘટાડો</b></h2><p>સરકારના જણાવ્યા અનુસાર, હાલમાં ખાંડના ભાવમાં વધારો અનેક પરિબળોના સંયોજનને કારણે થયો છે. તેમાં ઘરેલુ ઉત્પાદન અંદાજ કરતાં ઓછું રહેવું, તહેવારોની મોસમ પહેલાં માંગમાં વધારો, હવામાન સંબંધિત કારણોસર શેરડીના પાકને નુકસાન, વૈશ્વિક સ્તરે ખાંડના પુરવઠામાં ઘટાડો અને ઉદ્યોગના કેટલાક વર્ગો દ્વારા સટ્ટાબાજી તથા સંગ્રહખોરી છે. હાલ ચાલુ સિઝનમાં ખાંડનું ઉત્પાદન લગભગ 306 લાખ મેટ્રિક ટન (LMT) રહેવાની આશા છે, જ્યારે શેરડી ઉત્પાદક રાજ્યો દ્વારા શરૂઆતમાં લગભગ 343 LMTનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. શેરડીનો પાક રેડ રોટ (લાલ સડન) અને ટોપ બોરર રોગથી પ્રભાવિત થયો છે.&nbsp;</p><h3><b>ભારત 16% શેરડીનું ઉત્પાદન કરે છે</b></h3><p>ખાંડના ભાવમાં વધારો માત્ર ભારતમાં જ નથી. ખાંડનું સંકટ હવે સમગ્ર દુનિયામાં જોવા મળી શકે છે. વિશ્વમાં સૌથી વધુ શેરડીની ખેતી કરતા બ્રાઝિલમાં પણ ખાંડનું સંકટ ઊભું થઈ રહ્યું છે. US ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેન એગ્રીકલ્ચર સર્વિસના ડેટા અનુસાર, બ્રાઝિલ વિશ્વના 24% શેરડીનું ઉત્પાદન કરે છે, ત્યારબાદ ભારત 16% શેરડીનું ઉત્પાદન કરે છે.</p><h4><b>બ્રાઝિલમાં પણ ખાંડનું સંકટ ઊભું થયું</b></h4><p>બ્રાઝિલ પોતાની શેરડીને ઇથેનોલના ઉત્પાદન તરફ વાળવાના કારણે ત્યાં પણ ખાંડનું સંકટ ઊભું થયું છે. બ્રાઝિલની નેશનલ સપ્લાય કંપની કોનાબના જણાવ્યા અનુસાર, ખાંડના ઉત્પાદનમાં લગભગ 3% ઘટાડો થઈ શકે છે, એટલે કે આ વર્ષે બ્રાઝિલમાં ખાંડનું ઉત્પાદન લગભગ 43 મિલિયન ટન ઓછું રહેવાનો અંદાજ છે.  બીજું કારણ અલ નીનોને લઈને છે, જેના કારણે બ્રાઝિલના મધ્ય અને દક્ષિણ ભાગમાં વરસાદમાં વિલંબ અને તાપમાનમાં વધારો થવાથી શેરડીના ઉત્પાદન પર અસર પડી છે. એટલે કે સમગ્ર દુનિયામાં ખાંડની નિકાસ કરનારા બ્રાઝિલમાં ખેડૂતોનું ઇથેનોલ તરફ વળવું વૈશ્વિક ખાંડ પુરવઠા સાંકળને અસર કરી શકે છે.</p><h5><b>હવામાનને કારણે ખાંડના ભાવમાં ઉછાળો આવવાની શક્યતા</b></h5><p>અન્ય દેશોમાં હવામાનને કારણે ખાંડના ભાવમાં ઉછાળો આવવાની શક્યતા છે. વેલોર ઇન્ટરનેશનલના અહેવાલ મુજબ, આ વર્ષે સક્રિય અલ નીનો ખાંડનું ઉત્પાદન કરતા વિસ્તારો પર નકારાત્મક અસર કરી રહ્યો છે. હવામાનમાં ફેરફાર ભારત અને થાઇલેન્ડ જેવા શેરડી ઉત્પાદક વિસ્તારોને અસર કરી રહ્યો છે. વિશ્વના કુલ શેરડી ઉત્પાદનમાંથી 6% શેરડીનું ઉત્પાદન કરનારા થાઇલેન્ડમાં આગામી સપ્તાહથી હવામાનની નકારાત્મક અસર જોવા મળી શકે છે. અલ નીનોના કારણે વરસાદમાં ઘટાડાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.</p><h6><b>ખાંડની અછત વધુ વધવાની શક્યતા</b></h6><p>અમેરિકન કોમોડિટી માર્કેટ અનુસાર, અમેરિકામાં ખાંડના વાયદાના ભાવ પ્રતિ પાઉન્ડ 17 સેન્ટથી ઉપર ટ્રેડ થઈ રહ્યા છે અને મે 2025 પછીના પોતાના સૌથી ઊંચા સ્તરની નજીક છે. વૈશ્વિક સ્તરે ખાંડનો પુરવઠો વધુ મર્યાદિત થવાની શક્યતાને કારણે બજારને સપોર્ટ મળી રહ્યો છે. દાયકાઓના સૌથી મજબૂત અલ નીનોએ ઉત્પાદન સંબંધિત જોખમોમાં વધારો કર્યો છે. વિશ્લેષકોએ 2026/27માં વૈશ્વિક ખાંડની અછતના પોતાના અંદાજમાં વધારો કર્યો છે. શેરડી અને બીટની ઓછી વાવણીને કારણે 2027/28માં આ અછત વધુ વધવાની શક્યતા છે.</p><h6><b>બ્રાઝિલ ઇથેનોલ તરફ કેમ આગળ વધી રહ્યું છે?</b></h6><p>ભારત, યુરોપિયન યુનિયન (EU) અને થાઇલેન્ડને પ્રતિકૂળ હવામાનની સ્થિતિ પ્રત્યે સૌથી વધુ સંવેદનશીલ વિસ્તારો માનવામાં આવી રહ્યા છે. આ દરમિયાન, કાચા તેલના ઊંચા ભાવ બ્રાઝિલ જેવા મોટા ખાંડ ઉત્પાદક દેશોમાં શેરડીને ખાંડના ઉત્પાદનને બદલે ઇથેનોલના ઉત્પાદન તરફ વાળવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. બ્રાઝિલે જુલાઈના અંતમાં ફરજિયાત ઇથેનોલ મિશ્રણનો દર વધારીને 32% કરી દીધો હતો, જે એક મહિના પહેલાં 30% અને એક વર્ષ પહેલાં 27% હતો. આ કારણે ખાંડની ઉપલબ્ધતામાં વધુ ઘટાડો થઈ શકે છે. આનાથી વૈશ્વિક બજારમાં ખાંડના પુરવઠા અને માંગ પર પણ અસર પડી શકે છે.</p><p><b><a href="https://sandesh.com/d" target="_blank">વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ&nbsp;</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/23/PxutKqVAZkfypmZiGEXkrkmM2elLUbho6v90OhLQ.webp'/></item><item><title><![CDATA[ISRO Space Park in Gujarat: ગીર સોમનાથના કોડીનારમાં મંજૂર થયો સ્પેસ પાર્ક ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/isro-space-park-approved-in-kodinar-gir-somnath</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/isro-space-park-approved-in-kodinar-gir-somnath</guid><pubDate>Sun, 23 Aug 2026 12:10:56 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દેશભરમાં ત્રીજા 'નેશનલ સ્પેસ ડે'ની ભવ્ય ઉજવણી વચ્ચે ભારતીય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના ચેરમેન ડો. વી. નારાયણનનું એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ઈસરોએ ચંદ્રયાન મિશન સહિત અનેક ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી દેશનું નામ વિશ્વભરમાં રોશન કર્યું છે. ભવિષ્યમાં પણ ઈસરો અવકાશ ક્ષેત્રે નવી ઊંચાઈઓ આંબવા માટે સતત કાર્યરત રહેશે. આ ઉજવણીના અવસરે તેમણે ગીર સોમનાથના કોડીનારમાં સ્પેસ પાર્ક બનાવવાની મંજૂરી આપવામાં આવી હોવાની મહત્વની જાહેરાત કરી હતી.</p><h2 style="text-align: justify; "><b>સ્પેસ સેક્ટરના વિકાસને મળશે નવો વેગ&nbsp;</b></h2><p style="text-align: justify; ">કોડીનારમાં મંજૂર થયેલા આ સ્પેસ પાર્ક અંગે વાત કરતા ડો. વી. નારાયણણે ઉમેર્યું હતું કે, આ પ્રોજેક્ટથી દેશના સ્પેસ સેક્ટરને એક નવી દિશા અને મોટો વિકાસ મળશે. આ સ્પેસ પાર્ક માત્ર સંશોધન માટે જ નહીં પરંતુ યુવાનોમાં વિજ્ઞાન અને અવકાશ ક્ષેત્રે રસ-રુચિ વધારવા માટે પણ મહત્વની ભૂમિકા ભજવશે. આ પગલું ગુજરાત સહિત સમગ્ર દેશ માટે સ્પેસ ટેકનોલોજીના ક્ષેત્રમાં એક મોટો માઇલસ્ટોન સાબિત થશે.</p><h3 style="text-align: justify; "><b>ખાનગી કંપનીઓને રોકેટ અને સેટેલાઇટ બનાવવાની મંજૂરી&nbsp;</b></h3><p style="text-align: justify; ">ઈસરોના ચેરમેને સ્પેસ સેક્ટરમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી પર ભાર મૂકતા જણાવ્યું કે, સરકારની નવી પોલિસી મુજબ હવે ખાનગી કંપનીઓને પણ રોકેટ અને સેટેલાઇટ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. ખાનગી ક્ષેત્રના પ્રવેશથી ઈસરોની પોતાની ક્ષમતાઓ અને વિકાસને પણ અભૂતપૂર્વ વેગ મળશે. સ્પેસ સેક્ટરમાં ખાનગી કંપનીઓ જોડાયા બાદ કામકાજમાં વધુ ઝડપ આવશે અને દેશને અવકાશ સંશોધનના ક્ષેત્રમાં નવી ટેકનોલોજી અને મદદ ઝડપથી મળી શકશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/23/sORh6ZILkBhbb7hpDyhNmY3CTazyejuAHxSDhnv8.webp'/></item><item><title><![CDATA[Bhavnagar News: લઠ્ઠાકાંડમાં SMCએ 14 આરોપીઓને ઝડપી લીધા, 8 સામે ગુનાહિત ઈતિહાસ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/smc-arrests-14-accused-in-spurious-liquor-case</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/smc-arrests-14-accused-in-spurious-liquor-case</guid><pubDate>Sun, 23 Aug 2026 12:04:46 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભાવનગરમાં લઠ્ઠાકાંડ સર્જાતા સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી જવા પામ્યો છે.ભાવનગરની હોસ્પિટલમાં સારવારમાં રહેલા યુવકનો મૃત્યુઆંક પણ દિન પ્રતિદીન વધી રહ્યો છે. મૃતકોના સ્વજનો પોતાના પરિવારજનોને ગુમાવ્યાના દુખ સાથે આંસુ સારી રહ્યા છે.હજુ પણ જુદી જુદી હોસ્પિટલમાં લઠ્ઠાનો ભોગ બનેલા પિડીતો સારવારમાં છે.ભાવનગર સર.ટી.હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસથી સારવારમાં રહેલા વધુ ત્રણ યુવકે હોસ્પિટલ બિછાને મોત સામે બાથ ભીડી દમ તોડી દેતા મૃત્યુઆંક 13ને આંબ્યો હતો.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>14 આરોપીઓની અટકાયત કરી</b></h2><p style="text-align: justify; ">ભાવનગરમાં થયેલા ચર્ચસ્પદ લઠ્ઠાકાંડ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 14 આરોપીઓની અટકાયત કરી છે.આ પ્રકરણમાં સંડોવાયેલા કુલ 21 આરોપીઓ પૈકી 8 આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું સામે આવ્યું છે.જેમાં મુખ્ય આરોપી ગૌતમ સોલંકી સામે 2022થી દારૂની હેરાફેરી સહિત 7 ગુના,કેવલ ઉર્ફે સાંગો સોલંકી સામે 13 ગુના,અરજણ અલગોતર અને ભાર્ગવ ભટ્ટ સામે 8-8 ગુના,હર્ષ ઉર્ફે હસુ ચૌહાણ સામે 7 ગુના તેમજ મનદીપસિંહ ગોહિલ,ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને સુખદેવ સલાટ સામે 1-1 ગુનો નોંધાયેલો છે.</p><h3 style="text-align: justify; "><b>તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા</b></h3><p style="text-align: justify; ">આટલા ગુનાઓ નોંધાયેલા હોવા છતાં સ્થાનિક પોલીસનું તેમના પર કોઈ સર્વેલન્સ ન હોવાનું સામે આવતાં તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.ત્યારે હાલ SMCની ટીમ સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.ઉક્ત કેસની તપાસ સ્ટેટ મોનિટેરીંગ સેલે સંભાળી લઈ 13 મોતના સોદાગરોની ધરપકડ કરી લઈ 10 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.<br><br><a href="https://sandesh.com/gujarat/news/crime/surat/fir-filed-against-psi-makwana-after-accidental-revolver-firing" target="_blank">આ પણ વાંચોઃ Surat News: રિવોલ્વરની સફાઈ કરતાં ગોળી છૂટ્યાની ઘટનામાં PSI મકવાણા સામે નોંધાયો ગુનો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/23/k1KCx5MnrSdtxWu0eWg9iWKY30QyUZCFJJSAw38h.webp'/></item></channel></rss>