<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Panchmahal News: ગોધરામાં સેન્ટ્રલ GST વિભાગની રેડ, હિતેશ ટ્રેડિંગમાં અચાનક તપાસથી વેપારીઓમાં ભારે ફફડાટ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/panchmahal/godhra-central-gst-department-raid-hitesh-trading</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/panchmahal/godhra-central-gst-department-raid-hitesh-trading</guid><pubDate>Wed, 05 Aug 2026 21:08:44 +05:30</pubDate><description><![CDATA[<p>પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા અચાનક મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેના કારણે સ્થાનિક વેપારી આખીમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ગોધરા શહેરના વ્યસ્ત ગણાતા જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલી તેલની જાણીતી દુકાન ‘હિતેશ ટ્રેડિંગ’ ખાતે સેન્ટ્રલ જીએસટીની ટીમે અચાનક રેડ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ બેરોકટોક તપાસ દરમિયાન દુકાનના તમામ મહત્વના દસ્તાવેજો અને નાણાકીય વ્યવહારોની સઘન ચકાસણી કરવામાં આવી રહી છે, જેને પગલે આસપાસના અન્ય વેપારીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે.</p><h2><b>ગોધરામાં સેન્ટ્રલ GST વિભાગની અચાનક કાર્યવાહી</b></h2><p>પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે સેન્ટ્રલ જીએસટી વિભાગની ટીમે અચાનક જ કડક કાર્યવાહી હાથ ધરી છે. વિભાગની આ પ્રકારની અણધારી રેડના કારણે સમગ્ર વેપારી આલમમાં ભારે હડકંપ અને ફફડાટ મચી ગયો છે.</p><h2><b>જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં 'હિતેશ ટ્રેડિંગ' પર રેડ</b></h2><p>ગોધરા શહેરના અત્યંત ધમધમાટવાળા ગણાતા જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં સેન્ટ્રલ જીએસટીની ટીમે રેડ કરી હતી. આ વિસ્તારમાં આવેલી 'હિતેશ ટ્રેડિંગ' નામની તેલની દુકાનમાં જીએસટી અધિકારીઓ દ્વારા અચાનક તપાસનું આયોજન કરવામાં આવ્યું હતું</p><h2><b>દસ્તાવેજો અને નાણાકીય વ્યવહારોની સઘન ચકાસણી</b></h2><p>તેલની આ દુકાનમાં જીએસટી ટીમ દ્વારા બિલ, ચોપડાઓ, ખરીદ-વેચાણના દસ્તાવેજો અને નાણાકીય વ્યવહારોની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. ટેક્સ ચોરી કે અન્ય અનિયમિતતાઓની આશંકાએ આ ડેટાની ક્રોસ-વેરિફિકેશન પ્રક્રિયા ચાલી રહી છે.</p><p><img alt="Panchmahal News: Central GST Raids Hitesh Trading in Godhra Panchmahal, Creates Panic Among Traders" src="https://epapercdn.sandesh.com/images/2026/08/05/AKc9og7JolEGMFPyNiMnUzhr3CCQ8dqPj9crokio.webp" style="width: 100%;"><br></p><h2><b>આસપાસના વેપારીઓમાં ફફડાટ અને આગામી ખુલાસા પર નજર</b></h2><p>સેન્ટ્રલ જીએસટી વિભાગની આ અચાનક અને આક્રમક કાર્યવાહીને પગલે આસપાસના અન્ય દુકાનદારો અને વેપારીઓમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો છે. આ તપાસના અંતે સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા શું વિગતો સામે આવે છે અને કયા ખુલાસા થાય છે, તેના પર હવે સૌની મીટ માંડવામાં આવી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/breakingnews/ahmedabad/-" target="_blank">Gujarat Bans Analog Paneer: આરોગ્ય વિભાગનો ઐતિહાસિક નિર્ણય, એનાલોગ પનીર પર પ્રતિબંધ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/aXhLyLX0XmLnJt79RLRFa78vKMSO92xEquB7Qe7m.webp'/></item><item><title><![CDATA[Palanpur: ડીસા હાઇવે પરથી 19.80 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું, અમદાવાદ અને દાંતીવાડાના 4 શખ્સોને દબોચ્ચા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/palanpur/deesa-highway-md-drugs-seized-four-arrested-palanpur-police</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/palanpur/deesa-highway-md-drugs-seized-four-arrested-palanpur-police</guid><pubDate>Wed, 05 Aug 2026 21:05:01 +05:30</pubDate><description><![CDATA[<p>બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતા પાલનપુર-ડીસા હાઇવે પર માદક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી થતી હોવાની સચોટ બાતમીના આધારે પાલનપુર પશ્ચિમ પોલીસ ટીમે લડબી નાળા નજીક વોચ ગોઠવી હતી. ચેકિંગ દરમિયાન પોલીસે શંકાસ્પદ હલચલ ધરાવતા ચાર શખ્સોની અટકાયત કરીને તલાશી લેતાં તેમની પાસેથી 198 ગ્રામ એમડી ડ્રગ્સ (MD Drugs) મળી આવ્યું હતું.</p><h2><b>બનાસકાંઠામાં ડ્રગ્સ માફિયાઓ સામે કાર્યવાહી</b></h2><p>પોલીસના જણાવ્યા અનુસાર, ઝબ્બે કરાયેલા ડ્રગ્સની અંદાજિત કિંમત રૂ. 19,80,000 થાય છે. આ નશીલા પદાર્થની હેરાફેરીમાં વપરાયેલા વાહન અને અન્ય ચીજવસ્તુઓ મળીને પોલીસે કુલ રૂ. 25.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા ચાર આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે તેમાંથી ત્રણ શખ્સો અમદાવાદના રહેવાસી છે, જ્યારે એક શખ્સ બનાસકાંઠાના દાંતીવાડા વિસ્તારનો છે. આ અંગે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.</p><h3><b>MD ડ્રગ્સ સાથે 4 શખ્સો ઝડપાયા</b></h3><p>આટલી મોટી માત્રામાં એમડી ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ઉત્તર ગુજરાત કે અમદાવાદમાં કોને સપ્લાય કરવાનો હતો તે અંગે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. પોલીસ આરોપીઓને અદાલતમાં રજૂ કરી રિમાન્ડ મેળવશે, જેથી આ ડ્રગ્સ રેકેટ પાછળ સંકળાયેલા મુખ્ય સૂત્રધારો અને સ્થાનિક નેટવર્કનો પર્દાફાશ કરી શકાય.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/crime-branch-arrests-wanted-historysheeter-mohmad-mojam-adil-with-pistols" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: વેજલપુરનો કુખ્યાત હિસ્ટ્રીશીટર બે દેશી પિસ્તોલ અને 19 જીવતા કારતૂસ સાથે ઝડપાયો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/Mqpg4qP11qG4b3uJPcwyfDOboUMEwWLxCgDIYviJ.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: વેજલપુરનો કુખ્યાત હિસ્ટ્રીશીટર બે દેશી પિસ્તોલ અને 19 જીવતા કારતૂસ સાથે ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/crime-branch-arrests-wanted-historysheeter-mohmad-mojam-adil-with-pistols</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/crime-branch-arrests-wanted-historysheeter-mohmad-mojam-adil-with-pistols</guid><pubDate>Wed, 05 Aug 2026 20:50:38 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરમાં ગુનાખોરી આચરતા અને નાસતા ફરતા ગુનેગારો સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સપાટો બોલાવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરીને વેજલપુર વિસ્તારના રહેવાસી અને લાંબા સમયથી ચોપડે વોન્ટેડ એવા કુખ્યાત હિસ્ટ્રીશીટર મોહમદ મોજમ ઉર્ફે આદિલને ઝડપી લીધો છે.</p><h2><b>મોહમદ મોજમ કુખ્યાત હિસ્ટ્રીશીટર ઝડપાયો</b></h2><p>પોલીસે આરોપીની તલાશી લેતાં તેની પાસેથી 2 પિસ્તોલ અને 19 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. આ સિવાય ગુનાહિત પ્રવૃત્તિમાં વપરાતી એક હ્યુન્ડાઇ વેન્યુ કાર અને બે મોબાઇલ ફોન મળીને કુલ રૂ. 5.41 લાખનો મુદ્દામાલ પોલીસે ઘટનાસ્થળેથી જપ્ત કર્યો છે.</p><h3><b>અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયા</b></h3><p>પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે ઝડપાયેલો આદિલ રીઢો ગુનેગાર છે અને વર્ષ 2017 થી અત્યાર સુધીમાં તેની સામે 16 થી પણ વધુ ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તે અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનોમાં હત્યાનો પ્રયાસ, ખંડણી ઉઘરાવવી, મારામારી, ધમકી આપવી, આર્મ્સ એક્ટ અને NDPS (નશાકારક પદાર્થોની હેરાફેરી) જેવા ગુનાઓમાં લાંબા સમયથી વોન્ટેડ હતો.</p><h4><b>આરોપી રાજકોટ અને સુરતની જેલમાં જઈ ચૂક્યો&nbsp;</b></h4><p>આરોપી આદિલ અગાઉ પણ પોતાની ગુનાહિત પ્રવૃત્તિઓને કારણે વર્ષ 2019 અને 2022 માં પાસા (PASA) હેઠળ રાજકોટ અને સુરતની જેલમાં જઈ ચૂક્યો છે. જેલમાંથી છૂટ્યા બાદ ફરીથી તે ગુનાખોરીમાં સક્રિય થયો હતો. ક્રાઇમ બ્રાન્ચે આરોપી આદિલ સામે નવો ગુનો નોંધી, તે આ પિસ્તોલ અને કારતૂસ ક્યાંથી લાવ્યો હતો અને અમદાવાદમાં કયા મોટા ગુનાને અંજામ આપવાની ફિરાકમાં હતો તે દિશામાં રિમાન્ડ મેળવી ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/rajkot/kankot-minor-son-strangles-alcoholic-father-to-death-police-investigation" target="_blank">આ પણ વાંચો: Rajkot: કણકોટમાં સગીર પુત્રએ જ કરી પિતાની ગળેટૂંપો આપી હત્યા, દારૂડિયા અને માતા પરના ત્રાસથી કંટાળી ભર્યું પગલું</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/w7EFdnObYtnoE9hAw7oPFtDemu91cFSTguVghGfM.webp'/></item><item><title><![CDATA[Rajkot: કણકોટમાં સગીર પુત્રએ જ કરી પિતાની ગળેટૂંપો આપી હત્યા, દારૂડિયા અને માતા પરના ત્રાસથી કંટાળી ભર્યું પગલું ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/kankot-minor-son-strangles-alcoholic-father-to-death-police-investigation</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/kankot-minor-son-strangles-alcoholic-father-to-death-police-investigation</guid><pubDate>Wed, 05 Aug 2026 20:19:07 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ શહેર નજીક આવેલા કણકોટ ગામની સીમમાં સ્થિત એક બાંધકામ સાઈટ પર પિતા અને પુત્ર વચ્ચેનો કૌટુંબિક કલહ લોહીયાળ જંગમાં પરિણમ્યો છે. બાંધકામ સાઈટ પર મજૂરી કામ કરતા અને પરિવાર સાથે રહેતા 40 વર્ષીય ભરતસિંગ ડામોર નામના વ્યક્તિની તેના જ સગીર વયના પુત્ર દ્વારા ગળેટૂંપો આપી હત્યા કરી દેવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.</p><h2><b>સગીર પુત્રએ પિતાને ગળેટૂંપો આપી દીધો</b></h2><p>ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને રાજકોટ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યા પાછળનું પ્રાથમિક કારણ અત્યંત ચોંકાવનારું બહાર આવ્યું છે. મૃતક ભરતસિંગ ડામોર દારૂ પીવાની સખત કૂટેવ ધરાવતો હતો અને રોજ દારૂ પીને ઘરે આવીને સગીર પુત્રની માતા (પોતાની પત્ની) સાથે અમાનુષી મારપીટ અને ગાળાગાડી કરતો હતો. આ સિવાય તે દારૂ પીવા અને ઘરખર્ચ માટે વારંવાર પૈસા માગીને પરિવારને સતત માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો.</p><h3><b>સગીર પુત્રનો ગુસ્સો સીમા વટાવી ગયો&nbsp;</b></h3><p>પિતાના રોજબરોજના ત્રાસ અને માતા પર થતા અત્યાચારને જોઈને સગીર પુત્રનો ગુસ્સો સીમા વટાવી ગયો હતો. આવેગમાં આવીને સગીર પુત્રએ પોતાના જ પિતાને ગળેટૂંપો આપી દીધો હતો, જેના કારણે ભરતસિંગનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. રાજકોટ તાલુકા પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે અને ગુનો નોંધીને સગીર આરોપી પુત્રને પોતાના સિકંજામાં લઈ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે.<br></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/chandkheda-jagatpur-flat-servant-steals-27-5-lakh-valuables-police-investigation" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: ચાંદખેડાના જગતપુરમાં ફ્લેટમાંથી ઘરઘાટી 27.50 લાખની ચોરી કરી ફરાર, ઘરેણાં સહિત રોકડમાં હાથફેરો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/lcyMfhprrsfPtx1vsDoUrNnHJAe1iYJZHFGP437R.webp'/></item><item><title><![CDATA[Indian Monsoon: ફેબ્રુઆરી 2027 સુધી રહી શકે છે El Nino, Jitendra Singhએ લોકસભામાં આપી ચેતવણી ]]></title><link>https://sandesh.com/india/news/monsoon-2026/indian-monsoon-el-nino-may-last-till-february-2027-jitendra-singh-warns-in-lok-sabha</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/monsoon-2026/indian-monsoon-el-nino-may-last-till-february-2027-jitendra-singh-warns-in-lok-sabha</guid><pubDate>Wed, 05 Aug 2026 20:16:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ડૉ. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે AI આધારિત આગાહી પ્રણાલીઓ સૂચવે છે કે અલ નીનો ફેબ્રુઆરી 2027 સુધી ચાલુ રહી શકે છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">દરિયાકાંઠાની તૈયારીઓ મજબૂત&nbsp;&nbsp;</h2><p style="text-align: justify; ">ડૉ. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, INCOIS એ આગાહીઓ અને અનિશ્ચિતતાના અંદાજો સાથે સ્વદેશી AI/ML-આધારિત NSO આગાહી પ્રણાલી વિકસાવી છે. હિંદ મહાસાગર દ્વિધ્રુવ, મેડન-જુલિયન ઓસિલેશન અને પ્રાદેશિક સમુદ્ર-વાતાવરણ ક્રિયાપ્રતિક્રિયાઓ પણ ભારતીય ચોમાસાને પ્રભાવિત કરે છે. ડૉ. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે સરકાર અદ્યતન તકનીકો દ્વારા સમુદ્રી સ્થિતિ આગાહી, પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓ અને દરિયાકાંઠાની તૈયારીઓને મજબૂત બનાવી રહી છે.</p><h3 style="text-align: justify; ">ગ્લોબલ ઓશન ડેટા સિસ્ટમ</h3><p style="text-align: justify; ">વિજ્ઞાન અને ટેકનોલોજી અને પૃથ્વી વિજ્ઞાન રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે આજે જણાવ્યું હતું કે ભારતીય રાષ્ટ્રીય મહાસાગર માહિતી સેવા કેન્દ્ર દ્વારા તાજેતરના મૂલ્યાંકન સૂચવે છે કે મે 2026માં વિકસિત અલ નીનો પરિસ્થિતિઓ જૂન 2026 થી ફેબ્રુઆરી 2027 સુધી ચાલુ રહેવાની સંભાવના છે. આગાહી કરાયેલ સંભાવના 70 થી 90 ટકાની વચ્ચે છે. આ મૂલ્યાંકન INCOISની સ્વદેશી કૃત્રિમ બુદ્ધિ અને મશીન લર્નિંગ આધારિત અલ નીનો સધર્ન ઓસિલેશન આગાહી સિસ્ટમ અને ગ્લોબલ ઓશન ડેટા સિસ્ટમ પર આધારિત છે.</p><h4 style="text-align: justify; ">આબોહવા પરિબળોથી પ્રભાવિત&nbsp;</h4><p style="text-align: justify; ">ડૉ. જીતેન્દ્ર સિંહે સમજાવ્યું કે જ્યારે અલ નીનો ઐતિહાસિક રીતે દેશના કેટલાક ભાગોમાં ભારતીય ઉનાળાના ચોમાસાના વરસાદમાં ઘટાડો સાથે જોડાયેલો છે, તે ચોમાસાનું એકમાત્ર નિર્ણાયક નથી. ભારતીય ચોમાસું ઘણા ક્રિયાપ્રતિક્રિયા કરતા આબોહવા પરિબળોથી પ્રભાવિત થાય છે, જેમાં હિંદ મહાસાગર દ્વિધ્રુવ, મેડન-જુલિયન ઓસિલેશન અને પ્રાદેશિક સમુદ્ર-વાતાવરણ ક્રિયાપ્રતિક્રિયાઓનો સમાવેશ થાય છે.</p><h5 style="text-align: justify; ">અલ નીનો ચાલુ રહેવાનો સંકેત</h5><p style="text-align: justify; ">ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે વર્તમાન આગાહીઓ અલ નીનો ચાલુ રહેવાનો સંકેત આપે છે, પરંતુ ભારતીય ચોમાસા પર તેની અંતિમ અસર ચોમાસા દરમિયાન સંકળાયેલ સમુદ્ર-વાતાવરણની પરિસ્થિતિઓના ઉત્ક્રાંતિ પર આધારિત રહેશે, જેમાં હિંદ મહાસાગરના દ્વિધ્રુવીય અને પ્રવર્તમાન પવન પેટર્નનો સમાવેશ થાય છે. તેથી, અદ્યતન આગાહી પ્રણાલીઓ દ્વારા પરિસ્થિતિનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/india/news/fertilizer-crisis-fertilizer-has-become-a-new-geopolitical-weapon-how-big-a-threat-is-it-to-indias-agriculture-amidst-global-wars" target="_blank">ખાતર બન્યું નવું જિયોપોલિટિકલ હથિયાર, વૈશ્વિક યુદ્ધો વચ્ચે ભારતની ખેતી પર કેટલો મોટો ખતરો?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/luuCm1R8NnVTXXdDcjE3V5FGtGdWa9DNoWu0EiZz.webp'/></item><item><title><![CDATA[India-Sri Lanka વચ્ચે 350 મિલિયન ડોલરની લાઈન ઓફ ક્રેડિટ સમજૂતી, રેલવે અને પશુપાલન ક્ષેત્રને મળશે મદદ ]]></title><link>https://sandesh.com/india/news/world/india-sri-lanka-350-million-dollar-line-of-credit-railway-livestock-projects</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/world/india-sri-lanka-350-million-dollar-line-of-credit-railway-livestock-projects</guid><pubDate>Wed, 05 Aug 2026 20:10:20 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ શ્રીલંકાની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી. વિદેશ મંત્રાલય (MEA)ના જણાવ્યા અનુસાર, આ મુલાકાત દરમિયાન વિક્રમ મિસ્રીએ શ્રીલંકાના વિવિધ નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજી.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2085004845472428483"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>શ્રીલંકા સાથેના ઐતિહાસિક અને વ્યૂહાત્મક સંબંધો વધુ મજબૂત બનશે</b></h2><p>વિદેશ સચિવે આ બેઠકોમાં ભારતની 'નેબરહુડ ફર્સ્ટ' નીતિ અને 'વિઝન મહાસાગર' હેઠળ શ્રીલંકા પ્રત્યેની સતત પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ભારતે સ્પષ્ટ કર્યું કે શ્રીલંકા સાથેના ઐતિહાસિક અને વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે સહયોગ ચાલુ રહેશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે બંને દેશોએ દ્વિપક્ષીય મુદ્દાઓ અને વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સમાં ચાલી રહેલા સહકારની વ્યાપક સમીક્ષા કરી હતી. ખાસ કરીને આર્થિક સહાય, વિકાસ કાર્યો અને પરસ્પર હિતના ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.</p><h3><b>શ્રીલંકા માટે ભારતની આ સહાય મહત્વપૂર્ણ</b></h3><p>મુલાકાત દરમિયાન ભારત અને શ્રીલંકાએ બે મહત્વપૂર્ણ લાઈન ઓફ ક્રેડિટ કરારો પૂર્ણ થવાનું સ્વાગત કર્યું હતું. તેમાં રેલવે પ્રોજેક્ટ્સ માટે 250 મિલિયન અમેરિકી ડોલરની લાઈન ઓફ ક્રેડિટ અને પશુપાલન તથા અન્ય પ્રાથમિક જરૂરિયાતો માટે 100 મિલિયન અમેરિકી ડોલરની લાઈન ઓફ ક્રેડિટનો સમાવેશ થાય છે. આર્થિક પડકારોનો સામનો કરી રહેલા શ્રીલંકા માટે ભારતની આ સહાય મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. રેલવે ક્ષેત્રમાં થનારા વિકાસથી પરિવહન વ્યવસ્થા વધુ મજબૂત બનશે, જ્યારે પશુપાલન ક્ષેત્રમાં સહાયથી સ્થાનિક વિકાસને વેગ મળશે.</p><p>ભારત અને શ્રીલંકા વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોમાં વેપાર, સુરક્ષા, ઊર્જા, માળખાકીય વિકાસ અને માનવીય સહાય જેવા ક્ષેત્રોમાં સહયોગ સતત વધ્યો છે. વિક્રમ મિસ્રીની આ મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ ગતિ આપનાર પગલું માનવામાં આવી રહી છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/meta-apologizes-for-removing-pm-modi-video-post-technical-error" target="_blank">આ પણ વાંચો : PM Modiનો વીડિયો હટાવવા મામલે મેટાએ માગી માફી, કહ્યું 'ભૂલ થઈ ગઈ'</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/cIEJ2p1yCVMaLGx1mAo1YKFGZkMySXObE0r2lTnN.webp'/></item><item><title><![CDATA[Gujarat Monsoon Report 2026: રાજ્યમાં સરેરાશ 69.92 ટકા વરસાદ નોંધાયો, ડેમો અને જળાશયોમાં પાણીની આવક વધતા હાઈ એલર્ટ જાહેર ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-monsoon-update-2026-report-august</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-monsoon-update-2026-report-august</guid><pubDate>Wed, 05 Aug 2026 20:05:01 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતમાં ચોમાસા 2026 દરમિયાન સક્રિય બનેલા વાતાવરણ વચ્ચે તાજી સ્થિતિ મુજબ રાજ્યમાં આજ સવારના 06:00 કલાક સુધીમાં કુલ એકંદર 635.51 મિમિ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જે સરેરાશ વરસાદની સામે 69.92% જેટલો થાય છે. છેલ્લા કેટલાક વર્ષોની સરખામણી કરીએ તો વર્ષ 2023માં 108.16%, વર્ષ 2024માં 143.14% અને વર્ષ 2025માં 128.57% સરેરાશ વરસાદ નોંધાયો હતો.&nbsp;</p><p>રિજિયન વાઈઝ નજર કરીએ તો સાઉથ ગુજરાતમાં સૌથી વધુ 96.56% અને કચ્છમાં 29.05% સરેરાશ વરસાદ નોંધાયો છે.</p><p><img alt="Gujarat Monsoon Report 2026 (3)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/05/sckmPzXfuwENNO4iEmZNCYYpZsd9yYh1aprQgMdq.webp" style="width: 100%;"><br></p><h2><b>ડેમો અને જળાશયોમાં પાણીની આવક અને એલર્ટની સ્થિતિ</b></h2><p>રાજ્યના જળાશયોમાં પાણીની વિપુલ આવક થઈ રહી છે. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડનો હાલનો સંગ્રહ 266572 મિલિયન ક્યુબિક ફીટ છે, જે તેની કુલ સંગ્રહ ક્ષમતાના 79.79% જેટલો છે. આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં કુલ સંગ્રહ ક્ષમતાના 63.33% પાણી જમા થયું છે. પાણીની સપાટી વધતાં સુરક્ષાના ભાગરૂપે કુલ 35 ડેમો હાઈ એલર્ટ પર, 9 ડેમો એલર્ટ પર અને 10 ડેમો વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે.</p><p><img alt="Gujarat Monsoon Report 2026 (4)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/05/6dLnFijWkHhmVS6eMnmEFQoYRiDRoKBM02v5HZG2.webp" style="width: 100%;"><br></p><h2><b>નાગરિકોની સલામતી, સ્થળાંતર અને રાહત બચાવ કામગીરી</b></h2><p>વરસાદી માહોલ અને પૂરની સંભવિત સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી કુલ 84,318 નાગરિકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે 9,776 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી માટે NDRFની 14 અને SDRFની 32 ટીમો તૈનાત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે.</p><p><img alt="Gujarat Monsoon Report 2026 (2)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/05/asSuBO5pFsfmQHn8FQhv83uNilKri4i57NuyYhGb.webp" style="width: 100%;"><br></p><h2><b>કૃષિ ક્ષેત્રે ખરીફ વાવેતરની પ્રગતિ</b></h2><p>ચોમાસા 2026 દરમિયાન રાજ્યમાં ખેતી ક્ષેત્રે ખરીફ પાકનું વાવેતર પણ જોરશોરથી ચાલી રહ્યું છે. ઉપલબ્ધ ડેટા મુજબ રાજ્યમાં કુલ સામાન્ય વિસ્તાર સામે અંદાજે 67,47,788 હેક્ટર વિસ્તારમાં (જે કુલ સામાન્ય વિસ્તારના 79.10% છે) ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ થઈ ગયું છે, જેમાં કઠોળ, તેલીબિયાં અને કપાસ જેવા મુખ્ય પાકોનો સમાવેશ થાય છે.</p><p><img alt="Gujarat Monsoon Report 2026 (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/05/b0BYLBzCNpCUpNLMBOqxTHRLTOKdqFnefQRHGFv5.webp" style="width: 100%;"><br></p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/breakingnews/ahmedabad/-" target="_blank">Gujarat Bans Analog Paneer: આરોગ્ય વિભાગનો ઐતિહાસિક નિર્ણય, એનાલોગ પનીર પર પ્રતિબંધ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/zGEWjbYEm3dpa74COOkarLoOC9QIYX18gybFKTAj.webp'/></item><item><title><![CDATA[Air Indiaની કમાન સંભાળશે ટિવોલ્ડે ગેબ્રેમેરિયમ, કંપનીએ CEO અને MD તરીકે નિયુક્ત કર્યા ]]></title><link>https://sandesh.com/india/news/business/air-india-appoints-tewolde-gebremariam-as-ceo-and-md</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/air-india-appoints-tewolde-gebremariam-as-ceo-and-md</guid><pubDate>Wed, 05 Aug 2026 18:49:15 +05:30</pubDate><description><![CDATA[<p>ટાટા ગ્રુપની માલિકીની એર ઈન્ડિયાએ બુધવારે પૂર્વ ઈથોપિયન એરલાઈન્સના પ્રમુખ ટિવોલ્ડે ગેબ્રેમેરિયમને કંપનીના નવા મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) અને મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકે નિયુક્ત કર્યા છે. એરલાઈન્સ એવા સમયે નવા નેતૃત્વ હેઠળ જઈ રહી છે, જ્યારે કંપની સતત નાણાકીય નુકસાન, નિયમનકારી પડકારો અને ઓપરેશનલ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે.</p><h2><b>એર ઈન્ડિયાની કમાન હવે ટિવોલ્ડે ગેબ્રેમેરિયમના હાથમાં</b></h2><p>ટિવોલ્ડે ગેબ્રેમેરિયમ એર ઈન્ડિયાના પૂર્વ CEO કેમ્પબેલ વિલ્સનની જગ્યા લેશે. વિલ્સન, જે અગાઉ સિંગાપોર એરલાઈન્સ સાથે જોડાયેલા હતા, તેમને વર્ષ 2022માં એર ઈન્ડિયાના પુનર્ગઠન અને સુધારણા માટે જવાબદારી સોંપવામાં આવી હતી. એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે કેમ્પબેલ વિલ્સને 2024માં કંપનીના ચેરમેન એન. ચંદ્રશેખરને આ વર્ષે પદ છોડવાની પોતાની યોજના અંગે જાણ કરી હતી.</p><h3><b>પૂર્વ ઈથોપિયન એરલાઈન્સના હતા ચીફ</b></h3><p>ટિવોલ્ડે ગેબ્રેમેરિયમને વૈશ્વિક ઉડ્ડયન ક્ષેત્રનો લાંબો અનુભવ છે. ઈથોપિયન એરલાઈન્સના CEO તરીકે તેમણે કંપનીના વિસ્તરણ અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેની ઓળખ મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે એર ઈન્ડિયાની કામગીરી સુધારવા અને તેને વધુ સ્પર્ધાત્મક બનાવવા માટે તેમના અનુભવનો ઉપયોગ કરવામાં આવશે.</p><h4><b>એર ઈન્ડિયાની સ્થિતિ મજબૂત કરવાની મોટી જવાબદારી&nbsp;</b></h4><p>એર ઈન્ડિયા હાલ અનેક પડકારોનો સામનો કરી રહી છે. ગયા વર્ષે થયેલા વિમાન અકસ્માત બાદ કંપની પર નિયમનકારી દેખરેખ વધી છે. આ અકસ્માતમાં 260 લોકોના મોત થયા હતા, જેના કારણે સુરક્ષા અને કામગીરી અંગે અનેક સવાલો ઊભા થયા હતા. આ ઉપરાંત મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે ફ્લાઈટ ઓપરેશન પર અસર પડી છે. વધેલા ખર્ચ અને પાકિસ્તાનના એરસ્પેસ પ્રતિબંધ જેવા પરિબળોએ પણ એર ઈન્ડિયાની મુશ્કેલીઓ વધારી છે. હવે નવા CEO ટિવોલ્ડે ગેબ્રેમેરિયમ સામે કંપનીને નફાકારક બનાવવા, મુસાફરોનો વિશ્વાસ વધારવા અને વૈશ્વિક સ્તરે એર ઈન્ડિયાની સ્થિતિ મજબૂત કરવાની મોટી જવાબદારી રહેશે.</p><p><a href="https://sandesh.com/knowledge/news/business/uae-trade-hub-1-port-150-countries-11-thousand-companies-why-is-jebel-ali-port-so-important" target="_blank" style=""><b>આ પણ વાંચો : UAE Trade Hub: 1 પોર્ટ, 150 દેશો, 11 હજાર કંપનીઓ, કેમ આટલું મહત્વનું છે Jebel Ali Port?</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/chfhU9bmnbHWiyHUyM0siP57VFdX3aqwohYKVW2d.webp'/></item><item><title><![CDATA[India અને પાકિસ્તાનની થશે ટક્કર, વર્લ્ડકપ માટે ટીમની કરવામાં આવી જાહેરાત ]]></title><link>https://sandesh.com/sports/news/pakistan-hockey-world-cup-2026-squad</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pakistan-hockey-world-cup-2026-squad</guid><pubDate>Wed, 05 Aug 2026 18:45:48 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પાકિસ્તાન હોકી ફેડરેશને 5 ઓગસ્ટના રોજ FIH મેન્સ હોકી વર્લ્ડકપ 2026 માટે 20 સભ્યોની ટીમ અને મેનેજમેન્ટની જાહેરાત કરી હતી. આ ટુર્નામેન્ટ 15 થી 30 ઓગસ્ટ દરમિયાન એમ્સ્ટલવીન, નેધરલેન્ડ અને બેલ્જિયમમાં રમાશે.&nbsp;</p><p style="text-align: justify;">આ મોટી ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થયા પછી પાકિસ્તાન ટીમ હવે વિશ્વના આ સૌથી મોટા હોકી પ્લેટફોર્મ પર સ્પર્ધા કરવા માટે તૈયાર છે. હોકી વર્લ્ડકપ માટે પાકિસ્તાનની ટીમમાં અનુભવી ઈન્ટરનેશનલ ખેલાડીઓ અને યુવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. ભારત અને પાકિસ્તાન 19 ઓગસ્ટના રોજ આ વર્લ્ડકપમાં એકબીજાનો સામનો કરશે.</p><h2 style="text-align: justify;"><b>અમ્માદ બટ્ટને કેપ્ટનશીપ પરથી હટાવવામાં આવ્યો</b></h2><p style="text-align: justify;">હોકી વર્લ્ડકપ માટે પાકિસ્તાન ટીમની જાહેરાત અનુભવી મિડફિલ્ડર અમ્માદ બટ્ટને કેપ્ટન પદેથી હટાવ્યાના લગભગ એક અઠવાડિયા પછી કરવામાં આવી છે. તે છેલ્લા 14 વર્ષથી ટીમની નેતૃત્વ કરી રહ્યો હતો. 29 જુલાઈના રોજ જાહેર કરાયેલા એક નિવેદનમાં PHFએ જણાવ્યું હતું કે તેની વ્યાવસાયિક વિકાસ સમિતિની સલાહ પર તેને અબુ બકરને પાકિસ્તાન રાષ્ટ્રીય હોકી ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે.</p><p style="text-align: justify;">તે સમયે PHFએ અમ્માદ બટ્ટના રાષ્ટ્રીય ટીમ પ્રત્યેના યોગદાન અને સમર્પણની પ્રશંસા કરી હતી. ફેડરેશને એમ પણ કહ્યું હતું કે તે એક સિનિયર ખેલાડી તરીકે પાકિસ્તાન ટીમનો ભાગ રહેશે. ફેડરેશને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અબુ બકરની કેપ્ટનશીપ હેઠળ ટીમ, સિનિયર ખેલાડીઓ અને યુવા સભ્યોના અનુભવ સાથે એક મજબૂત અને સ્પર્ધાત્મક ટીમમાં વિકાસ કરશે.</p><h3 style="text-align: justify;"><b>હોકી વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમ અને સપોર્ટ સ્ટાફ</b></h3><h4 style="text-align: justify;"><b>હોકી વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની 20 સભ્યોની ટીમ</b></h4><p style="text-align: justify;">વકાર, મુહમ્મદ અબ્દુલ્લા, મુહમ્મદ સુફિયાન ખાન, મોઈન શકીલ, અબ્દુલ વહિદ અશરફ રાણા, અબ્દુલ હનાન શાહિદ, ઝકારિયા હયાત, અરશદ લિયાકત, આદિલ લતીફ, અહેમદ નદીમ, ગઝનફર અલી, ઈમાદ શકીલ બટ્ટ, મોહમ્મદ હમદુદ્દીન અંજુમ, રહેમાન અબ્દુલ, અફરાઝ, ઉમર મુસ્તફા, અબુ બકર મહમૂદ, અલી રઝા, અબ્દુલ મટન અને મુહમ્મદ ઈમાદનો સમાવેશ થાય છે.</p><p style="text-align: justify;">ગોલકીપર : વકાર અને અલી રાજા</p><p style="text-align: justify;">ટીમ મેનેજમેન્ટમાં ટીમ મેનેજર મુહમ્મદ ઓવૈસ કરની, હેડ કોચ બોબ જોહાન વેલ્ધોફ (નેધરલેન્ડ), આસિસ્ટન્ટ કોચ ક્રિસ્ટોફર જોન બોવેન (ગ્રેટ બ્રિટન), આસિસ્ટન્ટ કોચ અદનાન ઝાકીર અને વીડિયો ટેકનિશિયન અશરફ સુલતાન સામેલ છે.</p><h5 style="text-align: justify;"><b>પાકિસ્તાન 15 ઓગસ્ટે પોતાની પહેલી મેચ રમશે</b></h5><p style="text-align: justify;">આ હોકી વર્લ્ડકપમાં પાકિસ્તાન ટીમ 15 ઓગસ્ટે એમ્સ્ટલવીનમાં ઈંગ્લેન્ડ સામે પોતાની પહેલી મેચ રમશે. ટીમની બીજી મેચ 17 ઓગસ્ટે વેલ્સ સામે થશે. પાકિસ્તાન 19 ઓગસ્ટે ભારત સામે ટકરાશે. આ વર્લ્ડકપ માટે, ભારત અને પાકિસ્તાનને પૂલ Dમાં એકસાથે રાખવામાં આવ્યા છે. આ બે ટીમો ઉપરાંત ટીમમાં ઈંગ્લેન્ડ અને વેલ્સનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં એશિયન લિજેન્ડ્સ લીગમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક મેચ રમાઈ હતી.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/BSGFdjBYRdYyrIr1nai9fAg4ZuA06DUq1m8Sv97p.webp'/></item><item><title><![CDATA[Bollywoodના ફેમસ વિલન પ્રદીપ રાવત અંતિમ સફરે નીકળ્યા, સામે આવ્યો વીડિયો ]]></title><link>https://sandesh.com/entertainment/news/pradeep-rawat-last-journey-funeral-video</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/pradeep-rawat-last-journey-funeral-video</guid><pubDate>Wed, 05 Aug 2026 17:28:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આમિર ખાનની ફિલ્મ ગજની ફેમ અભિનેતા પ્રદીપ રાવત હવે આ દુનિયામાં રહ્યા નથી. તેમનું 4 જુલાઈના રોજ નિધન થયું હતું. આજે પ્રદીપ રાવતની અંતિમ વિધિ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર તેમની અંતિમ યાત્રાના વીડિયો પણ સામે આવી રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>અલવિદા પ્રદીપ રાવત...</b></h2><p style="text-align: justify; ">સોશિયલ મીડિયા પર પ્રદીપ રાવતની અંતિમ યાત્રાના વીડિયો સામે આવી રહ્યા છે. તેમની અંતિમ યાત્રા માટે તૈયાર કરવામાં આવેલા વાહનને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. આ વાહન પર તેમની તસવીર પણ લગાવવામાં આવી છે, જેના પર ભાવભીની શ્રદ્ધાંજલિ લખવામાં આવ્યું છે. આ ઉપરાંત વાહનની બાજુમાં પ્રદીપ રાવતનું એક પોસ્ટર પણ લગાવવામાં આવ્યું છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbqBY9ATpuL/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbqBY9ATpuL/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbqBY9ATpuL/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbqBY9ATpuL/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h3 style="text-align: justify; "><b>અંતિમ વિદાય માટે સ્મશાન પહોંચ્યો પરિવાર</b></h3><p style="text-align: justify; ">પ્રદીપ રાવતના પરિવારજનો તેમનો નશ્વર દેહ સ્મશાન ઘાટ લઈ પહોંચી ગયા છે અને અંતિમ વિધિની તૈયારીઓ ચાલી રહી છે. આ સમયે તેમનો દીકરો ખૂબ જ દુઃખી જોવા મળ્યો હતો. ફિલ્મી દુનિયાના કલાકારો પણ પ્રદીપ રાવતના નિધન પર દુઃખ વ્યક્ત કરી રહ્યા છે અને તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચી રહ્યા છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbqCLDjT1Zo/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbqCLDjT1Zo/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbqCLDjT1Zo/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbqCLDjT1Zo/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h3 style="text-align: justify; "><b>ફિલ્મ ગજનીમાં ભજવ્યું યાદગાર પાત્ર</b></h3><p style="text-align: justify; ">પ્રદીપ રાવતે વિલન તરીકે સિનેમામાં પોતાની ખાસ ઓળખ બનાવી હતી અને ખૂબ નામ કમાવ્યું હતું. પોતાની કારકિર્દીમાં લગભગ 150 ફિલ્મોમાં કામ કરનાર પ્રદીપ રાવતને આમિર ખાનની ફિલ્મ ગજની માટે સૌથી વધુ યાદ કરવામાં આવે છે. આ ફિલ્મમાં તેમણે વિલન ગજની ધર્માત્માનું પાત્ર ભજવ્યું હતું અને પોતાના અભિનયથી સૌનું દિલ જીતી લીધું હતું.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbqCLDjT1Zo/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbqCLDjT1Zo/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbqCLDjT1Zo/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbqCLDjT1Zo/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>ભીની આંખોએ આપી અંતિમ વિદાય</b></h4><p style="text-align: justify; ">આ ઉપરાંત પ્રદીપ રાવતને ટીવી સિરિયલ મહાભારતમાં અશ્વત્થામાના યાદગાર પાત્રમાં પણ જોવા મળ્યા હતા. મંગળવારે કેન્સર સામેની લડાઈ હારીને અભિનેતા પ્રદીપ રાવતે દુનિયાને અલવિદા કહી દીધું હતું. તેમની અંતિમ યાત્રામાં અનેક બોલીવુડ કલાકારો દુઃખી જોવા મળ્યા હતા. દરેક વ્યક્તિ ભીની આંખોએ અભિનેતાને અંતિમ વિદાય આપી રહી છે અને તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/jannat-zubair-bigg-boss-20-entry-shivangi-joshi" target="_blank">આ પણ વાંચો-Salman Khanના શો બિગ બોસ 20માં ગ્લેમરનો તડકો! જન્નત ઝુબેર અને શિવાંગી જોશીની જોડી જમાવશે રંગ?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/AMWk3eil2zUZ395xTL1w3Vm7i0EgPfQQnVIAkrow.webp'/></item></channel></rss>