<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Kuku Kohliના નિધન પર સલમાન ખાનની ભાવુક પોસ્ટ, અરુણા ઈરાનીને આપી હિંમત! ]]></title><link>https://sandesh.com/entertainment/news/salman-khan-pens-emotional-post-on-kuku-kohli</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/salman-khan-pens-emotional-post-on-kuku-kohli</guid><pubDate>Thu, 27 Aug 2026 12:04:02 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફિલ્મ ફૂલ ઔર કાંટેના ડિરેક્ટર કુકુ કોહલી હવે આપણી વચ્ચે રહ્યા નથી. 25 ઓગસ્ટે 77 વર્ષની ઉંમરે કુકુ કોહલીનું નિધન થયું હતું. તેમના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. 26 ઓગસ્ટે ડિરેક્ટરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જેમાં ફિલ્મ જગતના અનેક મોટા કલાકારો તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. તેમાં વિકી કૌશલ, રોહિત શેટ્ટી, કેટરીના કૈફ, જાવેદ અખ્તર, તેમની પત્ની શબાના આઝમી, રાજપાલ યાદવ, અશોક પંડિત અને ગજેન્દ્ર ચૌહાણ સહિત અનેક કલાકારો સામેલ હતા.</p><h2 style="text-align: justify; "><b>સલમાન ખાને શેર કરી પોસ્ટ&nbsp;</b></h2><p style="text-align: justify; ">કેટલાક કલાકારોએ સોશિયલ મીડિયા પર પણ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમાં સલમાન ખાનનું નામ પણ સામેલ છે. સલમાને 26 ઓગસ્ટની રાત્રે X પર કુકુ કોહલીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું અને એક ભાવુક પોસ્ટ લખી હતી. સાથે જ તેમણે અરુણા ઈરાનીને પતિના નિધન બાદ હિંમત આપી છે.</p><h3 style="text-align: justify; "><b>સલમાને કુકુ કોહલીને શ્રદ્ધાંજલિ આપી</b></h3><p style="text-align: justify; ">સલમાન ખાને X પર દિવંગત ડિરેક્ટરને યાદ કરતાં લખ્યું, કુકુ જી, શાંતિથી આરામ કરો. અરુણા જી, મારું દિલ તમારી સાથે છે. ભગવાન તમને આ મુશ્કેલ સમયમાં હિંમત આપે. કુકુ ફિલ્મ ડિરેક્ટર હોવાની સાથે અભિનેત્રી અરુણા ઈરાનીના પતિ પણ હતા.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/BeingSalmanKhan/status/2092666560108429796"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h4 style="text-align: justify; "><b>અજય દેવગને પણ કુકુ કોહલીને યાદ કર્યા</b></h4><p style="text-align: justify; ">કુકુ કોહલીના નિધન પર અનેક કલાકારોએ સોશિયલ મીડિયા દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. સલમાન ખાનના મિત્ર અને અભિનેતા અજય દેવગને પણ ડિરેક્ટરને યાદ કર્યા હતા. કુકુ કોહલીએ જ અજય દેવગને ફિલ્મ ફૂલ ઔર કાંટેથી બોલીવુડમાં લોન્ચ કર્યા હતા. અજય દેવગને સોશિયલ મીડિયા પર કુકુ કોહલીની એક તસવીર શેર કરીને લખ્યું, કેટલાક લોકો હંમેશાં માટે તમારા જીવનની દિશા બદલી નાખે છે. કુકુ જી મારા માટે એવા જ વ્યક્તિ હતા. મારા પર વિશ્વાસ કરવા બદલ હું હંમેશાં તમારો આભારી રહીશ. કુકુ જી, તમારી ખૂબ યાદ આવશે. ઓમ શાંતિ.</p><h4 style="text-align: justify; "><b>કુકુ કોહલીના અંતિમ સંસ્કારમાં પહોંચ્યા અનેક કલાકારો</b></h4><p style="text-align: justify; ">કુકુ કોહલીના અંતિમ સંસ્કાર બુધવારે મુંબઈના ઓશિવારા સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા. ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અનેક મોટી હસ્તીઓ તેમને અંતિમ વિદાય આપવા પહોંચી હતી. તમામ કલાકારો ખૂબ ભાવુક જોવા મળ્યા હતા. તેમણે દિવંગત ડિરેક્ટરને શ્રદ્ધાંજલિ આપી અને મીડિયા સાથે વાતચીત કર્યા વિના ત્યાંથી નીકળી ગયા હતા. કુકુ કોહલીની પત્ની અને અભિનેત્રી અરુણા ઈરાની પણ પતિના અંતિમ સંસ્કારમાં પહોંચ્યાં હતાં. આ દરમિયાન તેઓ ખૂબ ભાવુક અને આઘાતમાં જોવા મળ્યાં હતાં. પરિવારના સભ્યો તેમને સંભાળીને સ્મશાનગૃહ સુધી લઈ ગયા હતા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/kuku-kohli-funeral-aruna-irani-emotional-last-farewell" target="_blank">આ પણ વાંચો-Aruna Irani : કુકુ કોહલીની અંતિમ વિદાયમાં ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડી પત્ની અરુણા ઈરાની, VIDEO VIRAL</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/me8T5745E3r1edrTp4QnpVGTiOGkMppCZAPH03N6.webp'/></item><item><title><![CDATA[PM Modi Khelo India Dialogue: આધુનિક સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ માટે સરકાર કટિબદ્ધ, સંવાદ કાર્યક્રમમાં બોલ્યા PM ]]></title><link>https://sandesh.com/india/news/pm-modi-khelo-india-dialogue-the-player-who-plays-will-flourish-pm-modis-message-to-the-youth</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/pm-modi-khelo-india-dialogue-the-player-who-plays-will-flourish-pm-modis-message-to-the-youth</guid><pubDate>Thu, 27 Aug 2026 11:40:29 +05:30</pubDate><description><![CDATA[<p>પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે 1,500 થી વધુ સ્થળોએ યુવાનો અને રમતવીરો સાથે વર્ચ્યુઅલી વાર્તાલાપ કરી રહ્યા છે. તેમણે કહ્યું, "મેં 15 ઓગસ્ટના રોજ રાષ્ટ્ર સમક્ષ રમતગમતનું વિઝન રજૂ કર્યું. તે ફક્ત મેડલ જીતવા પૂરતું મર્યાદિત નથી. પરંતુ, તે વિકસિત ભારતનું નિર્માણ અને દેશની રમતગમત કૌશલ્ય વધારવાનું અભિયાન છે.</p><h2><b>જે રમે છે તે ખીલે છે- પીએમ મોદી&nbsp;</b></h2><p>પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી, "હું હંમેશા કહું છું - જે રમે છે, તે ખીલે છે. રમતગમત ફક્ત મેદાન પર જીતવા વિશે નથી; તે વ્યક્તિત્વને નિખારવાનું અને રાષ્ટ્રને ગૌરવ અપાવવાનું એક માધ્યમ છે." રમતના મેદાનમાં પગ મૂક્યા વિના પણ સારી કાર્ય નીતિ અને રમતગમત ભાવના વિશે ઘણું શીખી શકાય છે. રમતગમત આપણને ફક્ત ચેમ્પિયન કેવી રીતે બનવું તે જ નહીં, પણ સારા સ્પર્ધકો કેવી રીતે બનવું તે પણ શીખવે છે.&nbsp;</p><p><a  target="_blank" style="background-color: rgb(255, 255, 255);"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2092857613172289646"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h3><b>સ્પોર્ટ્સ આપણી અંદરનો જુસ્સો વધારે છે- પીએમ મોદી&nbsp;</b></h3><p>રમત ગમતમાં મહાભારત હાંસલ કરવી પડશે. ખેલાડીઓની ઓળખ માટે ટેલેન્ટ હન્ટ કાર્યક્રમ યોજાશે. જેમાં બાળકોને સરકાર ટ્રેનિંગ આપશે. મદદ કરવા માટે સરકાર તૈયાર છે. પછી પોલિસી તૈયાર કરવામાં આવશે. સ્પોર્ટ્સ આપણી અંદરનો જુસ્સો વધારે છે. 2036ની ઓલિમ્પિક માટે આજથી જ બાળકોને તૈયાર કરવા અનિવાર્ય છે. સમાજમાં રમત ગમતને લઇને નજરીયો બદલાયો છે.&nbsp;</p><h4><b>ભારત ગર્વથી ભરેલું છે- PM Modi&nbsp;</b></h4><p>આપણી પાસે તીરંદાજીમાં એક અદ્ભુત ખેલાડી છે - શીતલ. જ્યારે તેણીએ પેરાલિમ્પિક્સમાં મેડલ જીત્યો ત્યારે આખો દેશ ગર્વથી ફૂલી ગયો. પછી આપણી બીજી પુત્રી છે, અવની લેખારા.&nbsp; તેણીએ બે પેરાલિમ્પિક મેડલ જીત્યા છે. જ્યારે પણ હું અવનીને મળું છું, ત્યારે મને ગર્વની લાગણી થાય છે.&nbsp;</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2092861377430134790"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h4><b>વિકસિત ભારતના નિર્માણમાં રમતગમતની ભૂમિકા</b></h4><p>વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે 15 ઓગસ્ટના રોજ તેમણે લાલ કિલ્લા પરથી રાષ્ટ્ર સમક્ષ ભારતનું રમતગમતનું વિઝન રજૂ કર્યું હતું. જ્યારે હું રમતગમતની વાત કરું છું, ત્યારે તે ફક્ત મેડલ જીતવા સુધી મર્યાદિત નથી.&nbsp; તે વિકસિત ભારતના નિર્માણના મિશનમાં ભારતની રમતગમતની ક્ષમતા અને યુવા શક્તિનો ઉપયોગ કરવાનું અભિયાન છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2092859677331878322"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/5Vnxtg6WoQWdabYPihqTtsHqOI9D86v7Bmqtw6o5.webp'/></item><item><title><![CDATA[Porbandar રેલવે પુલ પર પાટા વચ્ચે ઊંટ ફસાતાં સૌરાષ્ટ્ર એક્સપ્રેસ સહિત અનેક ટ્રેનો અટવાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/porbandar/camel-trapped-railway-bridge-trains-delayed-vansjaliya</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/porbandar/camel-trapped-railway-bridge-trains-delayed-vansjaliya</guid><pubDate>Thu, 27 Aug 2026 11:28:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પોરબંદર-વાંસજાળીયા રેલવે સેક્શન પર એક અનોખી પરંતુ ગંભીર ઘટના સામે આવી છે. આ રૂટ પર આવેલા બ્રોડગેજ રેલવે પુલ પરથી પસાર થઈ રહેલું એક ઊંટ અચાનક પાટાની વચ્ચે ફસાઈ ગયું હતું. પુલ પર ઊંટ ફસાઈ જવાની જાણ થતાં જ રેલવે તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાના કારણે સલામતીના કારણોસર આ માર્ગ પરનો રેલવે વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો.</p><h2 style="text-align: justify; "><b>રેલવે અને બચાવ ટીમ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન&nbsp;</b></h2><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં જ રેલવેના ટેકનિકલ અધિકારીઓ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બ્રોડગેજ પુલ પર પાટા વચ્ચે ફસાયેલા ઊંટને કોઈપણ જાતની ઈજા પહોંચાડ્યા વિના સલામત રીતે બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ટીમ દ્વારા યુદ્ધના ધોરણે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.</p><h3 style="text-align: justify; "><b>અનેક ટ્રેનો વિવિધ સ્ટેશનો પર રોકી દેવાઈ&nbsp;</b></h3><p style="text-align: justify; ">આ ઘટનાને પગલે પોરબંદરથી ઊપડતી અને આવતી મુખ્ય ટ્રેનોના શિડ્યુલ પર વિપરીત અસર પડી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોરબંદર-સૌરાષ્ટ્ર એક્સપ્રેસ (મુંબઈ), પોરબંદર-રાજકોટ અને પોરબંદર-ભાવનગર એક્સપ્રેસ સહિત આ રૂટ પરથી પસાર થતી તમામ પેસેન્જર અને એક્સપ્રેસ ટ્રેનોને આસપાસના વિવિધ સ્ટેશનો પર જ રોકી દેવામાં આવી હતી, જેના કારણે મુસાફરોને અગવડતાનો સામનો કરવો પડ્યો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/iH24sCVvFhAQMR37aghrE4pNUjH3eYHQQwCpmccO.webp'/></item><item><title><![CDATA[Gold Silver Price Today: સોનામાં તેજીને વાગી બ્રેક? જાણો 27 ઓગષ્ટે શું છે સિલ્વર અને ગોલ્ડ રેટ ]]></title><link>https://sandesh.com/business/news/gold-silver-price-today-has-the-gold-rally-hit-a-break-know-what-is-the-silver-and-gold-rate-on-august-27</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/gold-silver-price-today-has-the-gold-rally-hit-a-break-know-what-is-the-silver-and-gold-rate-on-august-27</guid><pubDate>Thu, 27 Aug 2026 11:25:33 +05:30</pubDate><description><![CDATA[<p>સોનાના ભાવમાં આખરે વિરામ જોવા મળ્યો છે, જેના કારણે સતત ચાર દિવસથી ચાલી રહેલા વધારાનો ટ્રેન્ડ અટકી ગયો છે. દિલ્હીના બુલિયન માર્કેટમાં, બુધવાર, 27 ઓગસ્ટના રોજ સોનાના ભાવ ₹600 ઘટીને ₹1,66,500 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયા.</p><h2><b>આજે સોના ચાંદીનો ભાવ&nbsp;</b></h2><p>મહત્વનું છે કે&nbsp; પાછલા સત્રમાં, 99.9% શુદ્ધ સોનાનો ભાવ ₹1,67,100 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. જોકે, ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશનના જણાવ્યા અનુસાર, ચાંદીમાં નજીવો વધારો જોવા મળ્યો છે, જે મંગળવારના ₹2.5 લાખ પ્રતિ કિલોગ્રામના બંધ ભાવથી ₹500 વધીને ₹2,50,500 પ્રતિ કિલોગ્રામ (બધા કર સહિત) પર પહોંચી ગયો છે.</p><p><b style="font-size: 2rem;">આજે સોનાનો ભાવ શું છે?</b></p><p>આજે પણ સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.&nbsp; એક અહેવાલ મુજબ 24&nbsp; કેરેટ સોનાનો મૂળ ભાવ પ્રતિ ગ્રામ ₹16200&nbsp; છે, અને 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ₹14850 છે - જે બુધવારની સરખામણીમાં અનુક્રમે ₹174અને ₹150 ઘટીને છે. ગઈકાલનો મૂળ ભાવ આશરે ₹163740 હતો, જ્યારે આજે તે ₹162000 છે. આ 10 ગ્રામ દીઠ ₹1740 નો સીધો તફાવત દર્શાવે છે. એ નોંધવું યોગ્ય છે કે મૂળ ભાવએ કોઈપણ કર, ડ્યુટી અથવા વધારાના શુલ્ક લાગુ કરવામાં આવે તે પહેલાં વસ્તુની મૂળ કિંમતનો ઉલ્લેખ કરે છે.</p><p>સોનાના ભાવમાં આ ઘટાડો યુએસ પર્સનલ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર (PCE) ઇન્ડેક્સને કારણે છે જે જુલાઈમાં 3.7% પર હતો.&nbsp; જે યુએસ ફેડરલ રિઝર્વ (ફેડ) ના 2% ના લક્ષ્યાંકથી ઘણો ઉપર છે. પરિણામે, હાજર સોનાનો ભાવ ત્રણ મહિનાની ઊંચી સપાટીથી ઘટીને $4633&nbsp; પ્રતિ ઔંસ થયો.</p><h3><b>આજે ચાંદીના ભાવ</b></h3><p>આજે, 27 ઓગસ્ટ સુધીમાં, ભારતમાં ચાંદીનો સરેરાશ ભાવ આશરે ₹2,59,900 અને ₹2,65,000 પ્રતિ કિલોગ્રામની વચ્ચે છે. વૈશ્વિક બજારો અને સ્થાનિક કોમોડિટી એક્સચેન્જ (MCX) માં વહેલી સવારના ટ્રેડિંગ સત્રો દરમિયાન જોવા મળેલા વધારાને કારણે છૂટક ભાવમાં વધારો જોવા મળ્યો છે. આજે, 1 ગ્રામ ચાંદીનો ભાવ ₹260 થી ₹265, 10 ગ્રામનો ભાવ ₹2,600 થી ₹2,650 અને 1 કિલોગ્રામનો ભાવ ₹2,59,900 થી ₹2,65,000 ની વચ્ચે રહે છે.</p><p><span style="font-size: 24px;"><b>દેશના કેટલાક મોટા શહેરોમાં સોનાનો ભાવ</b></span></p><table class="table table-bordered"><tbody><tr><td>શહેર&nbsp;</td><td>24 કેરેટ સોનાની કિંમત&nbsp;</td><td>22 કેરેટ સોનાની કિંમત&nbsp;</td></tr><tr><td>દિલ્હી&nbsp;</td><td>1,63,130&nbsp;</td><td>1,49,550</td></tr><tr><td>મુંબઈ&nbsp;</td><td>1,62,980</td><td>&nbsp;1,49,400</td></tr><tr><td>કોલકાતા</td><td>&nbsp;1,62,980</td><td>&nbsp;1,49,400</td></tr><tr><td>ચેન્નઈ&nbsp;</td><td>1,62,980</td><td>&nbsp;1,49,400</td></tr><tr><td>અમદાવાદ&nbsp;</td><td>1,63,030&nbsp;</td><td>1,49,450</td></tr><tr><td>રાજકોટ</td><td>&nbsp;1,63,030&nbsp;</td><td>1,49,450</td></tr></tbody></table><h4><b>સોનું અને ચાંદી ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું?</b></h4><p>જો તમે સોનું ખરીદી રહ્યા હોવ તો હંમેશા હોલમાર્ક તપાસો અને 6 અંકનો HUID કોડ જોઈને જ ખરીદી કરો. ચાંદી માટે પણ BIS હોલમાર્ક હોય છે અને તેમાં 925 સ્ટર્લિંગ સિલ્વરને સૌથી સારી ગુણવત્તાનું માનવામાં આવે છે. ઉપરાંત, ખરીદી પહેલાં સોના અને ચાંદીની શુદ્ધતાની તપાસ પણ જરૂર કરાવો.</p><p><br></p><p>Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/05/22/ufi8sFvshBVfaevszYIKc8xe9wwUe7h0oWClYl0J.webp'/></item><item><title><![CDATA[UP Weather Updates:  ઉત્તર પ્રદેશમાં 16 જિલ્લાઓમાં અતિભારે વરસાદની ચેતવણી, સીતાપુરમાં શાળાઓ બંધ ]]></title><link>https://sandesh.com/india/news/up-weather-update-heavy-rain-alert-sitapur-schools-closed</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/up-weather-update-heavy-rain-alert-sitapur-schools-closed</guid><pubDate>Thu, 27 Aug 2026 11:24:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઉત્તર પ્રદેશમાં ચોમાસાની સક્રિયતા યથાવત છે, જેના પરિણામે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. એક તરફ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો બીજી તરફ પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં લોકો હજુ પણ બફારા અને ભેજવાળી ગરમીનો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગે રાજ્યના ૩૩ જેટલા જિલ્લાઓમાં વરસાદની આગાહી અને ચેતવણી જારી કરી છે.</p><h2 style="text-align: justify; "><b>સીતાપુરમાં શાળાઓમાં રજા જાહેર</b></h2><p style="text-align: justify; ">રાજધાની લખનૌ અને તેની આસપાસના વિસ્તારોમાં મોડી રાતથી જ કાળા ડિબાંગ વાદળો છવાયેલા છે અને વરસાદ અવિરત વરસી રહ્યો છે. સીતાપુરમાં રાત્રે 1 વાગ્યાથી સતત અને ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદની ગંભીરતા અને બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, સીતાપુરના જિલ્લા મેજિસ્ટ્રેટે ધોરણ ૮ સુધીની તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે. તમામ શાળા સંચાલકોને આ આદેશનું કડક પાલન કરવા સૂચના આપવામાં આવી છે. પ્રયાગરાજ, વારાણસી અને અયોધ્યામાં પણ સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે, અને દિવસભર વરસાદ ચાલુ રહેવાની પ્રબળ સંભાવના છે.</p><h3 style="text-align: justify; "><b>ચોમાસાની સક્રિયતાનું મુખ્ય કાર</b>ણ</h3><p style="text-align: justify; ">હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, વરસાદના આ નવા રાઉન્ડ પાછળ એક ભૌગોલિક પરિબળ જવાબદાર છે.ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશ પર સર્જાયેલા 'ઓછા દબાણ' (Low Pressure) વાળા વિસ્તારને કારણે ઉત્તર પ્રદેશમાં મોસમી ગતિવિધિઓ તેજ બની છે.આ સિસ્ટમની સૌથી વધુ અસર બુંદેલખંડ, વિંધ્ય અને રાજ્યના મધ્ય ભાગોમાં જોવા મળી રહી છે, જ્યાં વાદળોની ભારે હિલચાલ સાથે નોંધપાત્ર વરસાદ થઈ રહ્યો છે. જોકે, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં તેની અસર સાધારણ છે, જ્યાં માત્ર છૂટોછવાયો કે મધ્યમ વરસાદ નોંધાયો છે.</p><h4 style="text-align: justify; "><b>16  જિલ્લાઓમાં 'ભારે વરસાદ'નું એલર્ટ</b></h4><p style="text-align: justify; ">હવામાન વિભાગે નીચે મુજબના ૧૬ જિલ્લાઓમાં ભારે પવન, વીજળીના કડાકા-ભડાકા અને ગાજવીજ સાથે અતિભારે વરસાદની ચેતવણી (એલર્ટ) આપી છે,પ્રયાગરાજ, મિર્ઝાપુર, સોનભદ્ર, પ્રતાપગઢ, કૌશાંબી, ચિત્રકૂટ, બાંદા, ફતેહપુર, રાયબરેલી, ઉન્નાવ, કાનપુર, હમીરપુર, જાલૌન, મહોબા, ઝાંસી અને લલિતપુર</p><h5 style="text-align: justify; "><b>અન્ય વિસ્તારો માટે આગાહી</b></h5><p style="text-align: justify; ">આ ઉપરાંત રાયબરેલી, અમેઠી, અયોધ્યા, ગોરખપુર, વારાણસી, સુલતાનપુર, બસ્તી અને દેવરિયા સહિતના અનેક વિસ્તારોમાં પણ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે બીજી તરફ નોઈડા, ગાઝિયાબાદ, આગ્રા, લખનૌ, બારાબંકી, હરદોઈ અને મૈનપુરી જેવા વિસ્તારોમાં સવારથી જ આંશિક વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ત્યાં હળવા ઝાપટાં પડી શકે છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/gallery/news/why-bridges-collapse-during-floods-science-explained" target="_blank">આ પણ વાંચોઃ Nepal Flood : વિનાશક પૂર અને આફતોમાં મજબૂત પુલ કેમ તૂટી જાય છે?</a></b></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/1H5nVjWKcZG7radzjtVXtNS3v7cq1pNos9BsiaQs.webp'/></item><item><title><![CDATA[Dwarka News: કલ્યાણપુર તાલુકામાં સોનાની સફાઈના બહાને મહિલાઓ સાથે ઠગાઈ, 82 હજારની કિંમતનું સોનું પડાવ્યું ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dwarka/women-cheated-of-gold-worth-rs-82-000-in-jewellery-cleaning-scam</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dwarka/women-cheated-of-gold-worth-rs-82-000-in-jewellery-cleaning-scam</guid><pubDate>Thu, 27 Aug 2026 11:16:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા પંથકમાંથી છેતરપિંડીનો એક કિસ્સો સામે આવ્યો છે.કલ્યાણપુર તાલુકાના લાંબા અને રાવલ ગામે અજાણ્યા ઠગોએ સોનાના દાગીના સાફ કરી આપવાની લાલચ આપીને બે મહિલાઓને પોતાનો શિકાર બનાવી છેતરપિંડી આચરી છે.કેમિકલ વડે દાગીના ચોખ્ખા કરવાના બહાને આ શખ્સોએ મહિલાઓના કિંમતી સોનાની ચોરી કરી લીધી હતી.</p><h2 style="text-align: justify; "><b>સોનું કેમિકલ પ્રક્રિયા દ્વારા ઓગાળીને સેરવી લેવાયું&nbsp;</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ,લાંબા અને રાવલ ગામે દિવસ દરમિયાન ઘરે આવેલી અજાણી વ્યક્તિઓએ ઘરકામ કરતી અને એકલી રહેલી મહિલાઓને વિશ્વાસમાં લીધી હતી.લાંબા ગામે એક વૃદ્ધ મહિલાના હાથમાં પહેરેલી બે સોનાની બંગડીઓ કેમિકલથી સાફ કરી આપવાનું કહીને ઠગોએ તેમાંથી આશરે 16.88 ગ્રામ સોનું સેરવી લીધું હતું.આ ગાયબ થયેલા સોનાની આશરે કિંમત રૂ.47 હજાર જેટલી આંકવામાં આવી રહી છે.આવો જ બીજો બનાવ રાવલ ગામે બન્યો હતો,જ્યાં એક મહિલાના ગળામાં પહેરેલી સોનાની ચેન સાફ કરવાના બહાને તેનામાંથી આશરે 6 ગ્રામ સોનું કેમિકલ પ્રક્રિયા દ્વારા ઓગાળીને સેરવી લેવાયું હતું.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>સોનું ઓગાળીને તેઓ સ્થળ પરથી ફરાર થઈ જતા</b></h3><p style="text-align: justify; ">આ ચેનમાંથી ચોરાયેલા સોનાની અંદાજિત કિંમત રૂ.35 હજાર હોવાનું સામે આવ્યું છે.બંને બનાવો મળીને આ અજાણ્યા શખ્સોએ કુલ રૂ.82  હજારની કિંમતનું સોનું મહિલાઓની નજર સામે જ છેતરપિંડીથી પડાવી લીધું હતું.પોલીસની પ્રાથમિક તપાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ અજાણ્યા ઇસમો સોસાયટીઓ અને ગામડાઓમાં ફિનાઇલ કે અન્ય ઘરગથ્થુ વસ્તુઓ વેચવાના બહાને ઘરે-ઘરે ફરીને રેકી કરતા હતા અને તક શોધતા હતા.દિવસના સમયે ઘરમાં એકલી રહેલી મહિલાઓને લક્ષ્ય બનાવી, તેમને ઝાંસામાં લઈને આ પ્રકારની ઠગાઈને અંજામ આપતા હતા. દાગીના સાફ થઈ ગયા છે તેમ કહીને કેમિકલના વાસણમાં સોનું ઓગાળીને તેઓ સ્થળ પરથી ફરાર થઈ જતા હતા.આ ઘટના અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/sandesh-digital-exclusive--kutch-pilgrims-escaped-nepal-flood-disaster-hours-earlier" target="_blank">આ પણ વાંચોઃ Sandesh Digital Exclusive : નેપાળમાં વિનાશક પૂરની દુર્ઘટના પહેલા જ ગુજરાતના પ્રવાસીઓએ છોડી હતી જગ્યા, જાણો કેવી હતી સ્થિતિ?</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/Kn3vohVu1yUV8tb6eiuswyWHPVCnh8jgId047mG4.webp'/></item><item><title><![CDATA[Bhavnagarમાં વન વિભાગની બેદરકારી સામે ઉઠ્યા સવાલો: બોરડી ગામમાં ગેરકાયદેસર ઇલેક્ટ્રિક શોકથી સિંહણનું મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/lioness-dies-electric-shock-bordi-village-mahuva</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/lioness-dies-electric-shock-bordi-village-mahuva</guid><pubDate>Thu, 27 Aug 2026 10:45:19 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બોરડી ગામના વાડી વિસ્તારમાંથી એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. વાડીમાં પાકના રક્ષણ માટે મૂકવામાં આવેલા ગેરકાયદેસર ઇલેક્ટ્રિક શોકના સંપર્કમાં આવતાં એક સિંહણનું અકાળે મોત નીપજ્યું છે. મકાઈ સહિતના પાકને વન્યપ્રાણીઓથી બચાવવા માટે વાડીના માલિક દ્વારા રોડ અને ખેતરની ફરતે ગેરકાયદેસર વીજ પ્રવાહ છોડવામાં આવ્યો હતો, જેમાં આવી જતાં સિંહણે જીવ ગુમાવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>એફએસએલ અને વાઇલ્ડ લાઇફ વિભાગની ટીમ સ્થળ પર&nbsp;</b></h2><p style="text-align: justify; ">આ ઘટનાની જાણ થતાં જ પાલીતાણા શેત્રુંજી ડિવિઝન હેઠળ આવતા વાઇલ્ડ લાઇફ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એફએસએલ (FSL) ની ટીમને પણ તપાસ અર્થે સ્થળ પર બોલાવવામાં આવી છે. સિંહણના મૃતદેહને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પેનલ પીએમ (પોસ્ટમોર્ટમ) માટે ગેબર સેન્ટર ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>વન વિભાગની કામગીરી સામે ઊઠ્યા ગંભીર સવાલો&nbsp;</b></h3><p style="text-align: justify; ">સૌથી ગંભીર બાબત એ છે કે બોરડી અને આસપાસનો વાડી વિસ્તાર વન્યપ્રાણીઓ અને સિંહોની સતત અવરજવર વાળો વિસ્તાર ગણાય છે. આમ છતાં ત્યાં ખુલ્લેઆમ ગેરકાયદેસર રીતે ઇલેક્ટ્રિક ફેન્સિંગ વાયર મૂકવામાં આવ્યા હોવા છતાં વન વિભાગનું કોઈ ધ્યાન ન હતું. સિંહોના સંરક્ષણ માટે લાખો-કરોડો રૂપિયાનો ખર્ચ કરતી વન વિભાગની ટીમ શું કરી રહી હતી તે અંગે સ્થાનિકો અને વન્યપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને બેદરકાર જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માગ ઊઠી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/18OaVCLC77sG4zJ4QZ47Bci0zay1WLav9yUab95e.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: રાણીપમાં રીડેવલપમેન્ટનો કોન્ટ્રાક્ટ રદ થતાં બિલ્ડરે સોસાયટીની મહિલાઓની છેડતી કરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ranip-builder-booked-for-harassment-and-obscene-messages-to-society-women</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ranip-builder-booked-for-harassment-and-obscene-messages-to-society-women</guid><pubDate>Thu, 27 Aug 2026 10:34:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના રાણીપ વિસ્તારમાં સુભાષબ્રિજ નજીક આવેલી એક સોસાયટીની મહિલાઓને હેરાન કરવા,છેડતી કરવા તથા અશ્લીલ મેસેજ મોકલવા બદલ બિલ્ડર તેજસ પટેલ સામે રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.સોસાયટીના રીડેવલપમેન્ટના કામમાં ઊભેલા વિવાદ અને સોસાયટીના નીતિ-નિયમોના પાલન અંગેની બાબતોને લઈ બિલ્ડર દ્વારા સોસાયટીની મહિલાઓને સતત ત્રાસ આપવામાં આવતો હોવાનો ગંભીર આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>મહિલાઓને લક્ષ્ય બનાવી હેરાનગતિ શરૂ કરી</b></h2><p style="text-align: justify; ">મળતી વિગતો અનુસાર,સુભાષબ્રિજ પાસે આવેલી સોસાયટીના રીડેવલપમેન્ટનું કામ અગાઉ બિલ્ડર તેજસ પટેલને સોંપવામાં આવ્યું હતું.જોકે સોસાયટી દ્વારા નક્કી કરવામાં આવેલી શરતોનું પાલન ન થતાં સભ્યોએ બિલ્ડરને આ કામ ન આપવાનો અને કરાર રદ કરવાનો મહત્વનો નિર્ણય લીધો હતો.આ નિર્ણયથી નારાજ થયેલા બિલ્ડરે સોસાયટીની મહિલાઓને લક્ષ્ય બનાવી હેરાનગતિ શરૂ કરી હતી.મહિલાઓ બજારમાં ખરીદી અર્થે કે અન્ય કામકાજ માટે બહાર જાય ત્યારે તેજસ પટેલ તેમનો પીછો કરતો, રસ્તામાં રોકીને અટકચાળા કરતો અને ગાળો બોલીને ધમકીઓ આપતો હતો.</p><h3 style="text-align: justify; "><b>સોસાયટીની મહિલાઓને ડરાવતો હતો</b></h3><p style="text-align: justify; ">ઘટનાની ગંભીરતા દર્શાવતા એક બનાવ મુજબ 16 મેના રોજ બિલ્ડર પોતાની કાર લઈને સોસાયટી પરિસરમાં ધસી આવ્યો હતો.તે સમયે સોસાયટીની બહાર મૂકેલા બાંકડા પર કેટલીક મહિલાઓ બેઠી હતી.બિલ્ડરે મહિલાઓને ડરાવવાના ઇરાદાથી પોતાની કાર સીધી બાંકડા નજીક લાવીને અથડાવી હતી.મહિલાઓ ભયના માર્યા ત્યાંથી ખસી જતાં મોટી દુર્ઘટના ટળી હતી પરંતુ મહિલાઓ ત્યાંથી હટી ગયા બાદ પણ બિલ્ડરે તેમને જાહેરમાં ગાળો બોલીને ભારે હેરાન પરેશાન કરી હતી. સોસાયટીના આંતરિક પ્રશ્નો અને નિર્ણય અંગે બિલ્ડરે મહિલાઓને પરિણામ ભોગવવાની ધમકીઓ પણ આપી હતી.</p><h2 style="text-align: justify; "><b>પોલીસે બિલ્ડર સામે ફરિયાદ નોંધી</b></h2><p style="text-align: justify; ">બિલ્ડરે છેલ્લા છ મહિનાથી વોટ્સએપ ગ્રુપ બનાવીને સોસાયટીના તમામ સભ્યોને તેમાં જોડ્યા હતા.આ ગ્રુપનો ઉપયોગ તે સોસાયટીના લોકોને માનસિક ત્રાસ આપવા માટે કરતો હતો.ફરિયાદમાં જણાવ્યા અનુસાર,બિલ્ડર તેજસ પટેલ આ વોટ્સએપ ગ્રુપમાં મહિલાઓ અને સોસાયટીના સભ્યો માટે અત્યંત અભદ્ર ભાષામાં કોમેન્ટ્સ લખતો હતો અને અશ્લીલ વીડિયો તેમજ મેસેજ પોસ્ટ કરતો હતો.બિલ્ડરના સતત વધતા જતા શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને સોસાયટીની મહિલાઓએ હિંમત દાખવી રાણીપ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. મહિલાઓની લેખિત રજૂઆત અને પુરાવાઓના આધારે રાણીપ પોલીસે બિલ્ડર તેજસ પટેલ વિરુદ્ધ છેડતી,પીછો કરવો,અશ્લીલ મેસેજ મોકલવા તથા ધાક-ધમકી આપવા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/sandesh-digital-exclusive--kutch-pilgrims-escaped-nepal-flood-disaster-hours-earlier" target="_blank">આ પણ વાંચોઃ Sandesh Digital Exclusive : નેપાળમાં વિનાશક પૂરની દુર્ઘટના પહેલા જ ગુજરાતના પ્રવાસીઓએ છોડી હતી જગ્યા, જાણો કેવી હતી સ્થિતિ?</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/iNVQFasFxRL1UmMtgVouPrFgt0SiYuWoM2QWddFY.webp'/></item><item><title><![CDATA[Suratમાં વહેલી સવારે એલ.પી. સવાણી રોડ પર પલમોનાઝ જ્વેલર્સમાંથી રૂ.30 લાખના દાગીનાની તસ્કરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/palmonas-jewelers-adajan-lp-savani-road-jewellery-theft</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/palmonas-jewelers-adajan-lp-savani-road-jewellery-theft</guid><pubDate>Thu, 27 Aug 2026 10:07:03 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતના પોશ ગણાતા અડાજણ વિસ્તારમાં આવેલી પલમોનાઝ જ્વેલર્સ નામની શોરૂમમાં ચોરીનો મોટો બનાવ સામે આવ્યો છે. અડાજણના અત્યંત વ્યસ્ત એવા એલ.પી. સવાણી મેઈન રોડ પર આ શોરૂમ આવેલો છે, જ્યાં ચોરોએ ત્રાટકીને અંદાજે રૂપિયા 30 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી આચરી છે. મુખ્ય માર્ગ પર સતત વાહનોની અવરજવર હોવા છતાં આ પ્રકારે ચોરી થતાં સમગ્ર અડાજણ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>શોરૂમના જ સંચાલક કે કર્મચારી પર આશંકા&nbsp;</b></h2><p style="text-align: justify; ">પ્રાથમિક તપાસ અને સીસીટીવી ફૂટેજની ચકાસણી દરમિયાન આ ઘટના વહેલી સવારે 4થી 5 વાગ્યાના સમયગાળા દરમિયાન બની હોવાનું સામે આવ્યું છે. ચોરીની પદ્ધતિ અને સમયને જોતાં પોલીસને આશંકા છે કે આ ઘટનામાં શોરૂમ સાથે સંકળાયેલા કોઈ સંચાલક, કર્મચારી કે અંદરની માહિતી ધરાવનાર વ્યક્તિની જ સંડોવણી હોઈ શકે છે. જાણભેદુ સિવાય આટલા ટૂંક સમયમાં અને ધમધમતા રસ્તા પરથી સફળતાપૂર્વક માલસામાન ગાયબ કરવો મુશ્કેલ છે.</p><h3 style="text-align: justify; "><b>અડાજણ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ એક્શન મોડમાં&nbsp;</b></h3><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં જ અડાજણ પોલીસ સ્ટેશનનો કાફલો અને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમો ત્વરિત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ગુનો નોંધીને શોરૂમ તથા આસપાસના વિસ્તારના સીસીટીવી (CCTV) ફૂટેજ કબ્જે કર્યા છે. આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમ બનાવીને શંકાસ્પદોની સઘન પૂછપરછ અને તપાસ તેજ કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/6fyMIy3XzjurydJ61FjQdClO2rJV2HkJTeYB0yvh.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : 2030 Commonwealth Games માટે એક્શનમાં સરકાર, અમિત શાહની અધ્યક્ષતામાં કાલે બેઠક ]]></title><link>https://sandesh.com/gujarat/news/sports/ahmedabad/ahmedabad-news-government-in-action-for-2030-commonwealth-games-meeting-chaired-by-amit-shah-tomorrow</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/sports/ahmedabad/ahmedabad-news-government-in-action-for-2030-commonwealth-games-meeting-chaired-by-amit-shah-tomorrow</guid><pubDate>Wed, 26 Aug 2026 17:16:51 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતને વૈશ્વિક રમતગમતનું હબ બનાવવાના વિઝન સાથે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 અને ભવિષ્યમાં યોજાનારા ઓલિમ્પિક્સના આયોજન માટેના રોડમેપ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય સ્તરની 'વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ'ના સફળ આયોજન માટેની માળખાકીય સુવિધાઓ અને રાજ્યની સજ્જતા અંગે પણ વિગતવાર માહિતી મેળવી સમીક્ષા કરવામાં આવી હતી.</p><h2><b>કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં કાલે હાઇ-લેવલ મીટિંગ</b></h2><p>આ તમામ તૈયારીઓને વધુ ગતિ આપવા માટે આવતીકાલે અમદાવાદ એનરેક્સી સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાશે. આ બેઠકમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓ અને રમતગમત વિભાગના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ખેલાડીઓની સુવિધાઓ, સુરક્ષા વ્યવસ્થા અને લોજિસ્ટિક્સ પ્લાનિંગ અંગે અમિત શાહ દ્વારા વિસ્તૃત સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે, જે ભારતની દાવેદારીને વૈશ્વિક મંચ પર વધુ મજબૂત બનાવશે.</p><h2><b>ઓલિમ્પિક્સ અને CWG મેજબાની માટે ગુજરાતનો માસ્ટરપ્લાન</b></h2><p>ભારતમાં વિશ્વસ્તરીય રમતગમતના આયોજન માટે અમદાવાદ અને ગાંધીનગરને મુખ્ય સેન્ટર તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. સરદાર પટેલ સ્પોર્ટ્સ એનક્લેવ સહિતની અત્યાધુનિક પાયાની સુવિધાઓ આ વૈશ્વિક સ્પર્ધાઓ માટે સજ્જ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રીની આ સમીક્ષા બેઠકથી મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના આયોજન માટેની કામગીરીને નવી ઊર્જા મળશે. આ તૈયારીઓ ભારતની ઓલિમ્પિક્સ અને કોમનવેલ્થ ગેમ્સ જેવી મોટી સ્પર્ધાઓની મેજબાની કરવાની વ્યાપક ક્ષમતા દર્શાવે છે.</p><p><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/rajkot/accident-near-raiya-telephone-exchange-in-rajkot-a-young-man-crossing-the-brts-road-was-hit-by-a-city-bus" target="_blank">Rajkotમાં રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે અકસ્માત, BRTS રોડ ક્રોસ કરતા યુવકને સિટી બસે અડફેટે લીધો</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/26/H68NkMlE5om42tvOiKCQXzvukLqLhFLn28OZxRzu.webp'/></item></channel></rss>