<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Gujarat News: દિલીપ સંઘાણી પનામામાં યોજાયેલી ચૂંટણીમાં ICA ગ્લોબલ બોર્ડના ડિરેક્ટર તરીકે ચૂંટાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/dilip-sanghani-elected-ica-global-board-director-in-panama-election</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/dilip-sanghani-elected-ica-global-board-director-in-panama-election</guid><pubDate>Wed, 16 Sep 2026 09:21:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અંતરરાષ્ટ્રીય સહકારિતા આંદોલન માટે એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ રૂપે ઇફ્કો (IFFCO)ના ચેરમેન દિલીપ સંઘાણી ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ (ICA)ના ગ્લોબલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ડિરેક્ટર તરીકે ચૂંટાયા છે. દિલીપ સંઘાણી વિજેતા જાહેર થતાં જ પનામામાં ઉપસ્થિત ભારતીય સહકારી પ્રતિનિધિમંડળના સભ્યોમાં ઉત્સાહ અને ગર્વની લહેર પ્રસરી ગઈ હતી. તમામ સભ્યોએ એક અવાજે ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી આખા સભાખંડને ગૂંજતો કર્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>વૈશ્વિક સહકાર મંચ પર ભારતની વધતી પ્રતિષ્ઠા</b></h2><p style="text-align: justify; ">વિદેશી ધરતી પર ગૂંજેલા ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓએ વૈશ્વિક સહકાર મંચ પર ભારતની વધતી પ્રતિષ્ઠા અને પ્રભાવને અભિવ્યક્ત કર્યો હતો. પનામા સિટીમાં યોજાયેલી ICAની મહાસભા દરમિયાન થયેલી ચૂંટણીમાં દિલીપ સંઘાણીની જીતને ભારતના વિશાળ સહકાર આંદોલન માટે ગૌરવપૂર્ણ ક્ષણ માનવામાં આવી રહી છે. આ ઉપલબ્ધિ વૈશ્વિક સહકાર જગતમાં ભારતની વધતી ભૂમિકા, પ્રભાવ અને નેતૃત્વને વધુ સશક્ત કરે છે. દિલીપ સંઘાણી છેલ્લા કેટલાક દાયકાઓથી સહકાર ક્ષેત્ર સાથે જોડાયેલા છે અને ખેડૂતો, ગ્રામીણ અર્થવ્યવસ્થા તથા સહકારી સંસ્થાઓના સશક્તિકરણ માટે સતત કાર્ય કરતા રહ્યા છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>દિલીપ સંઘાણી IFFCO અને GUJCOMASOLના ચેરમેન છે</b></h3><p style="text-align: justify; ">હાલમાં દિલીપ સંઘાણી IFFCO અને GUJCOMASOLના ચેરમેન છે અને વિવિધ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સહકારી સંસ્થાઓમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે. ICA વિશ્વનું પ્રમુખ વૈશ્વિક સહકારી સંગઠન છે, જે વિવિધ દેશો અને ક્ષેત્રોની સહકારી સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરે છે. ICAના ગ્લોબલ બોર્ડમાં ભારતનું પ્રતિનિધિત્વ ભારતીય સહકાર આંદોલનના અવાજને આંતરરાષ્ટ્રીય મંચ પર વધુ મજબૂતી પ્રદાન કરશે. દિલીપ સંઘાણીની આ જીત વડાપ્રધાન મોદીના સહકાર સે સમૃદ્ધિના વિઝન તથા ભારતના સહકાર આંદોલનની વૈશ્વિક સ્વીકૃતિને પણ દર્શાવે છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>વૈશ્વિક સહકારના ક્ષેત્રમાં ભારતના વધતા પ્રભાવનું મહત્વપૂર્ણ પ્રતીક</b></h2><p style="text-align: justify; ">ભારત આજે સહકારના માધ્યમથી ખેડૂતો, ગ્રામીણ સમુદાયો અને સામાન્ય નાગરિકોના આર્થિક તેમજ સામાજિક સશક્તિકરણની દિશામાં એક નવો દાખલો પ્રસ્તુત કરી રહ્યું છે. દિલીપ સંઘાણીએ પોતાની જીત બદલ ICAના તમામ સભ્ય દેશો, પ્રતિનિધિઓ અને વૈશ્વિક સહકાર સમુદાયનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે તેઓ ભારતના સહકાર આંદોલનની ભાવના, અનુભવ અને દ્રષ્ટિકોણને વૈશ્વિક મંચ પર પ્રભાવી રીતે પ્રસ્તુત કરવા તથા વિશ્વભરમાં સહકારને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. દિલીપ સંઘાણીનું ICA બોર્ડમાં નિર્વાચન ભારત માટે ગૌરવ, ભારતીય સહકાર આંદોલન માટે સન્માન અને વૈશ્વિક સહકારના ક્ષેત્રમાં ભારતના વધતા પ્રભાવનું મહત્વપૂર્ણ પ્રતીક છે.</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/car-dealer-was-allegedly-honey-trapped-by-a-woman" target="_blank">આ પણ વાંચોઃ Bhavnagar News: કાર ડીલરને હનીટ્રેપમાં ફસાવી 3 લાખ પડાવી લીધા, મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/LsiRIXj6KKRRp33PbM4NvDsgzyL9DYQDWpMbUrTB.webp'/></item><item><title><![CDATA[PM મોદીને મળેલી ભેટો ખરીદવાની સોનેરી તક, 17 સપ્ટેમ્બરથી શરૂ થશે પ્રક્રિયા, જાણો કેવી રીતે? ]]></title><link>https://sandesh.com/india/news/pm-modi-gifts-e-auction-namami-gange</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/pm-modi-gifts-e-auction-namami-gange</guid><pubDate>Wed, 16 Sep 2026 09:18:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશ-વિદેશમાંથી મળેલી અનોખી ભેટ-સોગાદોની ઈ-હરાજી ફરી એકવાર શરૂ થવા જઈ રહી છે. પ્રજાકલ્યાણ અને પારદર્શિતાના ઉમદા હેતુ સાથે શરૂ થતી આ હરાજી પીએમના જન્મદિવસે એટલે કે ૧૭ સપ્ટેમ્બરથી શરૂ થશે અને ૨ ઓક્ટોબર સુધી ચાલુ રહેશે.</p><h2 style="text-align: justify; "><b>પ્રદર્શન અને કલાત્મક ભેટોની ઝાંખી</b></h2><p style="text-align: justify; ">આ હરાજીમાં મૂકવામાં આવેલી તમામ ભેટોને દિલ્હીની જાણીતી નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટ (National Gallery of Modern Art) ખાતે સુંદર રીતે પ્રદર્શિત કરવામાં આવી છે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત આ પ્રદર્શનની મુલાકાત લઈને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવાના છે. સામાન્ય નાગરિકો પણ આ પ્રદર્શનની રૂબરૂ મુલાકાત લઈ શકે છે અને પોતાની પસંદગીની ચીજવસ્તુઓ નિહાળી શકે છે.</p><h3 style="text-align: justify; "><b>ઈ-હરાજીમાં ભાગ કેવી રીતે લેવો?</b></h3><p style="text-align: justify; ">દેશનો કોઈપણ સામાન્ય નાગરિક આ ઓનલાઈન ઈ-હરાજીમાં સરળતાથી ભાગ લઈ શકે છે. સરકારે આ માટે ખાસ સત્તાવાર પોર્ટલ તૈયાર કર્યું છે, જેના દ્વારા રસ ધરાવતી વ્યક્તિઓ પોતાની મનપસંદ ભેટ ખરીદવા માટે બોલી (બિડ) લગાવી શકે છે. આ પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ્ય ભેટોના વહીવટમાં પારદર્શિતા લાવવાનો અને તેને સીધા જ લોકકલ્યાણના કાર્યો સાથે જોડવાનો છે.</p><h4 style="text-align: justify; "><b>ગંગા નદીની સફાઈ માટે વિશેષ યોગદાન</b></h4><p style="text-align: justify; ">આ ઈ-હરાજી થકી એકત્ર થનારી સંપૂર્ણ રકમ ખૂબ જ પવિત્ર અને પ્રેરણાદાયી હેતુ માટે વાપરવામાં આવશે. મળતી માહિતી મુજબ, હરાજીમાંથી આવતી બધી જ રકમ 'નમામી ગંગે' પ્રોજેક્ટ હેઠળ રાષ્ટ્રીય નદી ગંગાને શુદ્ધ અને સ્વચ્છ બનાવવા માટે ઉપયોગમાં લેવાશે.</p><p style="text-align: justify; ">ઉલ્લેખનીય છે કે, આ વિશેષ પહેલની શરૂઆત સૌપ્રથમવાર 2019 માં કરવામાં આવી હતી. ત્યારથી લઈને આજદિન સુધી દર વર્ષે વડાપ્રધાનના જન્મદિવસની આસપાસ આ હરાજીનું સફળ આયોજન કરવામાં આવે છે, જેને જનતા તરફથી પણ ભારે સમર્થન મળતું રહ્યું છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/himalayan-glaciers-melting-threat-india-economy" target="_blank">આ પણ વાંચોઃ Himalay નો પીગળતો બરફ ભારત માટે ખતરાંની ઘંટડી!શું નોકરીઓ અને અર્થવ્યવસ્થા પર આવશે મોટું સંકટ?</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/qxIpwrlQf0LKWr9zzzZyK1OjaFYMcbiBsM81aryY.webp'/></item><item><title><![CDATA[RBI Repo Rate Hike: લોન લેનારાઓ માટે મોટા સમાચાર! RBI વ્યાજદર વધારી શકે ]]></title><link>https://sandesh.com/business/news/rbi-repo-rate-hike-big-news-for-borrowers-rbi-may-increase-interest-rates</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/rbi-repo-rate-hike-big-news-for-borrowers-rbi-may-increase-interest-rates</guid><pubDate>Wed, 16 Sep 2026 09:07:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">છેલ્લા એક વર્ષથી વધુ સમયથી રેપો રેટમાં મોટો ફેરફાર ન કરનાર ભારતીય રિઝર્વ બેંક (RBI) હવે વ્યાજદરમાં વધારો કરવાની તૈયારી કરી શકે છે. બજાર નિષ્ણાતો અને કેટલીક મોટી વિદેશી બેંકોના અનુમાન મુજબ, આરબીઆઈ ઓક્ટોબર અને ડિસેમ્બરની મોનેટરી પોલિસી બેઠકોમાં 0.25-0.25 ટકા એટલે કે કુલ 0.50 ટકાનો વધારો કરી શકે છે.</p><h2 style="text-align: justify; "><b>આરબીઆઈ વ્યાજદર કેમ વધારી શકે?</b></h2><p style="text-align: justify; ">અર્થશાસ્ત્રીઓ અને વિશ્લેષકોના મતે વ્યાજદર વધારવા પાછળ કેટલાક મુખ્ય કારણો હોઈ શકે છે. </p><h3 style="text-align: justify; "><b>મોંઘવારીમાં વધારો: </b></h3><p style="text-align: justify; ">ઓગસ્ટમાં છૂટક મોંઘવારી દર વધીને 4.82 ટકા થયો હતો, જ્યારે જુલાઈમાં તે 4.45 ટકા હતો. જો મોંઘવારી વધુ વધે તો તેને નિયંત્રિત કરવા માટે આરબીઆઈ વ્યાજદર વધારવાનો નિર્ણય લઈ શકે છે.</p><h4 style="text-align: justify; "><b>કાચા તેલના ભાવ: </b></h4><p style="text-align: justify; ">પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે કાચા તેલના ભાવમાં વધારો થઈ શકે છે. પેટ્રોલ-ડીઝલ મોંઘું થાય તો પરિવહન ખર્ચ વધે છે અને તેની અસર ખાદ્યસામગ્રી સહિત અન્ય વસ્તુઓના ભાવ પર પણ પડી શકે છે.</p><h5 style="text-align: justify; "><b>અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિ: </b></h5><p style="text-align: justify; ">અમેરિકાની વ્યાજદર નીતિમાં ફેરફાર થવાથી ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાજદરના તફાવત પર અસર પડી શકે છે. વ્યાજદરનું આ અંતર ઘટે તો વિદેશી રોકાણના પ્રવાહ પર અસર પડવાની શક્યતા રહે છે.</p><h5 style="text-align: justify; "><b>હવામાન અને અલ નીનોનું જોખમ: </b></h5><p style="text-align: justify; ">અલ નીનો જેવી હવામાનની સ્થિતિ પાકને અસર કરી શકે છે. જો કૃષિ ઉત્પાદન ઘટે તો અનાજ, શાકભાજી અને અન્ય ખાદ્ય વસ્તુઓના ભાવ વધી શકે છે, જે મોંઘવારી પર દબાણ ઊભું કરી શકે છે.</p><h5 style="text-align: justify; "><b>મોટી બેંકોનું શું અનુમાન છે?</b></h5><p style="text-align: justify; ">ડોયચે બેંક, એસબીઆઈ અને એચએસબીસી સહિતની સંસ્થાઓએ વ્યાજદર અંગે અલગ-અલગ અનુમાન રજૂ કર્યા છે. ડોયચે બેંકના અનુમાન મુજબ આરબીઆઈ ઓક્ટોબરથી દર વધારવાની શરૂઆત કરી શકે છે અને 2027ની શરૂઆત સુધી કુલ એક ટકા સુધી વધારો થઈ શકે છે.</p><p style="text-align: justify; ">બીજી તરફ, એસબીઆઈનું અનુમાન છે કે ઓક્ટોબર અને ડિસેમ્બરની બેઠકોમાં 0.25-0.25 ટકાના બે વધારા બાદ આરબીઆઈ થોડો વિરામ લઈ શકે છે. એચએસબીસીનું માનવું છે કે મોંઘવારી આગામી કેટલાક મહિનાઓ સુધી ઊંચી રહી શકે છે અને તેના કારણે બે વખત દર વધારાની શક્યતા છે.</p><p style="text-align: justify; ">હાલમાં આરબીઆઈનો રેપો રેટ 5.25 ટકા પર સ્થિર છે. જોકે, ભવિષ્યમાં દર અંગેનો અંતિમ નિર્ણય આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી દ્વારા આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે.</p><h5 style="text-align: justify; "><b>સામાન્ય લોકો પર શું અસર પડશે?</b></h5><p style="text-align: justify; ">જો રેપો રેટમાં વધારો થાય તો બેંકો માટે આરબીઆઈ પાસેથી નાણાં મેળવવાનો ખર્ચ વધી શકે છે. તેની અસર ગ્રાહકોને આપવામાં આવતી લોનના વ્યાજદર પર પડી શકે છે. ખાસ કરીને ફ્લોટિંગ રેટવાળી હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનના ગ્રાહકોની માસિક EMI વધી શકે છે અથવા લોનની ચુકવણીનો સમયગાળો વધી શકે છે.</p><p style="text-align: justify; ">બીજી તરફ, વ્યાજદર વધવાથી બેંકોની ફિક્સ્ડ ડિપોઝિટ અને બચત ખાતા પર મળતા વ્યાજદરમાં પણ વધારો થવાની શક્યતા રહે છે. એટલે લોન લેનારા ગ્રાહકો માટે ખર્ચ વધી શકે છે, જ્યારે બચત અને થાપણ કરનારા લોકોને વધુ વ્યાજ મળવાનો લાભ મળી શકે છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો: <a href="https://sandesh.com/weather/news/monsoon-2026/weather-update-rain-and-storm-warning-weather-has-changed-from-delhi-to-gujarat-and-maharashtra" target="_blank">Weather Upadte: વરસાદ અને વાવાઝોડાની ચેતવણી! દિલ્હીથી ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી બદલાયું હવામાન</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/NmWF1rhDQe0BkZaFQZYNEjmiIOQefIqjwhFMhlHy.webp'/></item><item><title><![CDATA[Himalay નો પીગળતો બરફ ભારત માટે ખતરાંની ઘંટડી!શું નોકરીઓ અને અર્થવ્યવસ્થા પર આવશે મોટું સંકટ? ]]></title><link>https://sandesh.com/india/news/himalayan-glaciers-melting-threat-india-economy</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/himalayan-glaciers-melting-threat-india-economy</guid><pubDate>Wed, 16 Sep 2026 09:02:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આબોહવા પરિવર્તનની ગંભીર અસરો હવે સીધી આપણી આજીવિકા, આવક અને નોકરીઓ પર પડી રહી છે. તાજેતરના એક ચોંકાવનારા અભ્યાસમાં ખુલાસો થયો છે કે હિમાલયના હિમનદીઓ (ગ્લેશિયર્સ) અત્યંત ખતરનાક ઝડપે પીગળી રહ્યા છે. આ સ્થિતિ માત્ર પર્યાવરણ માટે જ નહીં, પરંતુ ભારતની અર્થવ્યવસ્થા માટે પણ એક મોટી ચેતવણી સમાન છે.</p><h2 style="text-align: justify; "><b>65% ઝડપથી પીગળતા ગ્લેશિયર્સ અને 'પીક વોટર'નું સંકટ</b></h2><p style="text-align: justify; ">નવા અભ્યાસ મુજબ, હિમાલયના ગ્લેશિયર્સ અગાઉના દાયકાની સરખામણીમાં ૬૫% વધુ ઝડપથી પીગળી રહ્યા છે, જેનું મુખ્ય કારણ બ્લેક કાર્બન છે. આ ઝડપી પીગળવાની પ્રક્રિયા આગામી સમયમાં ગંભીર જળસંકટ ઊભું કરી શકે છે, કારણ કે આ પ્રદેશ સદીના મધ્ય સુધીમાં 'પીક વોટર' તરફ આગળ વધી રહ્યો છે. 'પીક વોટર' એટલે કે એવી સ્થિતિ જ્યારે નદીઓમાં પાણીનો પ્રવાહ તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા બાદ કાયમ માટે ઘટવા લાગે છે, કારણ કે ગ્લેશિયર્સ એટલા નાના થઈ જાય છે કે નદીઓને પૂરતો પાણી પુરવઠો મળતો બંધ થઈ જાય છે.</p><h3 style="text-align: justify; "><b>અસ્થિર તળાવો અને પૂરનું જોખમ</b></h3><p style="text-align: justify; ">રોઇટર્સના અહેવાલ મુજબ, ગ્લેશિયર્સ પીછેહઠ કરવાને કારણે પાછળ અસ્થિર હિમનદી તળાવો છોડી રહ્યા છે. આ તળાવો છૂટા ખડકો અને બરફથી બનેલા છે જે લાખો લોકો વસવાટ કરતા હોય તેવી ખીણોની ઉપર સ્થિત છે. આ અભ્યાસ ટકાઉપણું સલાહકાર પેઢી સિસ્ટમિક દ્વારા ઇન્ટિગ્રેટેડ માઉન્ટેન ઇનિશિયેટિવ, આઈસીઆઈએમઓડી (ICIMOD) અને ભારતના જી.બી. પંત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન એન્વાયર્નમેન્ટના સહયોગથી તૈયાર કરવામાં આવ્યો છે. અફઘાનિસ્તાનથી મ્યાનમાર સુધી ફેલાયેલા આ હિન્દુ કુશ-હિમાલય ક્ષેત્રમાં આશરે ૪૦,૦૦૦ ગ્લેશિયર્સ છે, જેમાંથી હાલ ફક્ત ૨૧ પર જમીન પરથી નજર રાખવામાં આવી રહી છે.</p><h4 style="text-align: justify; "><b>ભારત માટે ચિંતાજનક સ્થિતિ</b></h4><p style="text-align: justify; ">હિમાલય ભારતની કુલ જીડીપી (GDP) માં ૨૦% થી વધુ ફાળો આપે છે અને દેશના કુલ ભૂમિ વિસ્તારના ૧૮% ભાગને આવરી લે છે. છતાં, દેશની કુલ કુદરતી આફતોમાં આ પ્રદેશનો હિસ્સો આશરે ૩૫% જેટલો મોટો છે. ભારતમાં હાલમાં લગભગ ૨૦૦ ગ્લેશિયર તળાવોને ઉચ્ચ જોખમ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે, જેમાંથી ૫૬ તળાવોને "ખૂબ જ ઉચ્ચ જોખમ" શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. આ ગંભીર પરિસ્થિતિ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લાખો નાગરિકોની જાનમાલની સલામતી સામે મોટો ખતરો પેદા કરી રહી છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/world/news/boeing-737-tire-burst-iran-emergency-landing" target="_blank">આ પણ વાંચોઃ Iran: ટેકઓફ વખતે ટાયર ફાટ્યું,કેબિનની છત તૂટી, મુસાફરોની ચીસાચીસનો ભયાનક VIDEO</a></b></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/JCmDTldmrDSGaRSobIkTtBnDJjZA0saedejqaTWO.webp'/></item><item><title><![CDATA[Bhavnagar News: કાર ડીલરને હનીટ્રેપમાં ફસાવી 3 લાખ પડાવી લીધા, મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/car-dealer-was-allegedly-honey-trapped-by-a-woman</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/car-dealer-was-allegedly-honey-trapped-by-a-woman</guid><pubDate>Wed, 16 Sep 2026 09:01:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભાવનગરના લક્ઝરી કારના વેપારી સાથે મહિલાએ ફેસબુક ઉપર ફ્રેન્ડશીપ કરી તેને સાળંગપુર ફરવા લઈ જતાં તેના સાગરીતોએ આવી ક્રાઈમ બ્રાંચમાંથી આવતા હોવાની ઓળખ આપીને વેપારીને હનીટ્રેપમાં ફસાવી છોકરીને ભગાડી જતા હોવાનું અને એન્કાઉન્ટર કરી નાખવાની ધમકી આપી 8 લાખની માંગણી કરી રૂા. 3 લાખ પડાવી લીધા હતા જે મામલે બોરતળાવ પોલીસ મથકમાં ગુનો દાખલ થતા ક્રાઈમ બ્રાંચે સુરત કામરેજના બે શખ્સ અને ફુલસરના મહિલાને ઝડપી પાડ્યા હતા. જ્યારે સુરત, જુનાગઢના શખસોના નામ ખુલવા પામ્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>બળજબરીથી 3 લાખ પડાવી લીધા હતા.</b></h2><p style="text-align: justify; ">બનાવની વિગતો અનુસાર ભાવનગર શહેરના દેવરાજ નગરની સામે બોરતળાવ પોલીસમાં વેપારીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે એક મહિલાએ તેને ફેસબુકમાં ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી હતી. તેણે રિક્વેસ્ટ એકસેપ્ટ કર્યા બાદ બંને વચ્ચે સંપર્ક થયો હતો. મહિલાએ સાળંગપુર જવાની વાત કરતા વેપારી તેની સાથે સાળંગપુર દર્શન કરવા ગયા હતા ત્યાંથી પરત ફરતા અન્ય કારમાં આવેલા બે શખ્સોએ અમદાવાદ ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ હોવાની ઓળખ આપી ડ્રગ્સ અને ગાંજા સાથે સંકળાયેલ હોવાનું અને છોકરીને ભગાડી લઈ જતાં હોવાનું કહી ધમકાવી 8 લાખની માંગણી કરી બળજબરીથી 3 લાખ પડાવી લીધા હતા.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>રસ્તામાં વેપારીની કાર રોકાવી હતી</b></h3><p style="text-align: justify; ">ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, બોરતળાવ પોલીસ સ્ટેશનમાં હની ટ્રેપના ગુનામાં સંડોવાયેલ શખ્સો ફુલસર, સ્વામી નારાયણ મંદિર પાછળ એક કારમાં બેઠા છે. બાતમી આધારે તપાસ કરતા ધનશ્યામ ઉર્ફે શ્યામ ધીરૂભાઈ લાઠીયા, રાજેશ ભીખાભાઈ કાછડીયા બન્ને કાર સાથે મળી આવતા પોલીસે તેમની અટક કરી લીધી હતી. જ્યારે તપાસ દરમિયાન વિલાસબેન ભીખાભાઈ પુરાણીને ઝડપી લીધા હતા. શખસોની ક્રાઈમ બ્રાંચે પુછપરછ કરતા તેઓ તથા તેના સાગરીતો રમેશ ઉર્ફે કાનો સાગરકા અને નિકુંજ સોલંકી વેપારી સાથે ફેસબુક ઉપર મિત્રતા કેળવી, વેપારી સાથે સાળંગપુર ખાતે દર્શન કરીને પરત આવતા રસ્તામાં વેપારીની કાર રોકાવી હતી.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ત્રણેયને બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોંપાયા</b></h2><p style="text-align: justify; ">અગાઉ કરેલ પ્લાન મુજબ તેમણે અમદાવાદ ક્રાઈમ બ્રાંચના માણસો હોવાની ઓળખ આપી ફરીયાદીને ડ્રગ્સ અને ગાંજા સાથે સંકળાયેલ હોવાનું અને છોકરીને ભગાડી લઈ જતાં હોવાનું કહી ધમકાવી તેની સાગરીત મહીલા વિલાસબેનને વેરના કારમાં બેસાડી ફરિયાદીનું એનકાઉન્ટર કરવાની ધમકી આપી 8 લાખની માંગણી કરતાં ફરીયાદી વેપારીએ ગભરાઈ જઈ કુલ 3 લાખની વ્યવસ્થા કરી આપતાં તેની પાસેથી રૂપીયા લઈ વેપારીને છોડીને નાસી રહેલ હોવાની કબુલાત આપી હતી. આ અંગે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ત્રણેયને બોરતળાવ પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવ્યા હતા.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad--incomplete-speed-breakers-on-iskcon-bridge-create-danger-at-diversion" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News : ડબલ અકસ્માત બાદ પણ ઘોર બેદરકારી, ઇસ્કોન બ્રિજ પર અધૂરા સ્પીડ બ્રેકર બન્યા વાહનચાલકો માટે કાળ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/oH8jDWL4CSpK5ykKVUWC7GXzYlplm7dtpzJ4NDzY.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : ડબલ અકસ્માત બાદ પણ ઘોર બેદરકારી, ઇસ્કોન બ્રિજ પર અધૂરા સ્પીડ બ્રેકર બન્યા વાહનચાલકો માટે કાળ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad--incomplete-speed-breakers-on-iskcon-bridge-create-danger-at-diversion</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad--incomplete-speed-breakers-on-iskcon-bridge-create-danger-at-diversion</guid><pubDate>Wed, 16 Sep 2026 08:57:46 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના અત્યંત વ્યસ્ત ગણાતા ઇસ્કોન બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકો માટે તંત્રની ઘોર બેદરકારીને કારણે મોટું જોખમ ઊભું થયું છે. ભૂતકાળમાં બનેલા ચકચારી ડબલ અકસ્માત બાદ બ્રિજ પર વાહનોની સ્પીડ કંટ્રોલ કરવા માટે સ્પીડ બ્રેકર બનાવવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ તંત્ર દ્વારા માત્ર અડધા રસ્તા પર જ સ્પીડ બ્રેકર બનાવીને કામ છોડી દેવામાં આવતાં વાહનચાલકો માટે આ અધૂરું કામ કાળ સમાન સાબિત થઈ રહ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>ડાયવર્ઝન પહેલાં અધૂરા સ્પીડ બ્રેકર બન્યા કાળ</b></h2><p style="text-align: justify; ">બ્રિજ પર જ્યાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તેની બરાબર પહેલાં જ આ અધૂરા સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા છે. ઝડપથી આવતાં વાહનો અચાનક આ અધૂરા બમ્પ પરથી પસાર થતાં વાહન પરથી કાબૂ ગુમાવવાનો અને પાછળથી આવતા અન્ય વાહનો સાથે અથડાવવાનો ગંભીર ભય સર્જાયો છે. તંત્રની આ અડધીપડધી કામગીરીના કારણે સુરક્ષા વધવાને બદલે અકસ્માતનું જોખમ બેવડાઈ ગયું છે.</p><h2 style="text-align: justify; "><b>વાહનચાલકોમાં આક્રોશ, તાત્કાલિક યોગ્ય કામગીરી કરવા માંગ</b></h2><p style="text-align: justify; ">રોજિંદા ધોરણે આ બ્રિજ પરથી પસાર થતા હજારો વાહનચાલકો તંત્રની આ અણઘડ અને અડધીપડધી કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે જો સમયસર આ સ્પીડ બ્રેકર સંપૂર્ણ અને યોગ્ય રીતે બનાવવામાં નહીં આવે તો ફરી એકવાર કોઈ મોટી ગંભીર હોનારત સર્જાઈ શકે છે. વાહનચાલકોએ તંત્ર પાસે માગણી કરી છે કે ડાયવર્ઝન પહેલાં યોગ્ય સાઈનબોર્ડ મૂકીને સ્પીડ બ્રેકરનું કામ તુરંત પૂર્ણ કરવામાં આવે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/police-combing-drive-vejalpur-satellite-vasna-festive-security" target="_blank">Ahmedabad: પશ્ચિમમાં ગણેશ ઉત્સવ અને નવરાત્રી પૂર્વે પોલીસનું વિશાળ કોમ્બિંગ; 23 ટીમો મેદાનમાં</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/jO2zjkjdsloHtqZdjQhvDV8aiAZj9ZKhCl6v7nWW.webp'/></item><item><title><![CDATA[Bigg Boss 20માં હાઈવોલ્ટેજ ડ્રામા, આમ્રપાલી દુબે અને માહી વિજ વચ્ચે સરેઆમ ઝગડો, કિચન ટાસ્કમાં શું થયું ]]></title><link>https://sandesh.com/entertainment/news/mahi-vij-vs-amrapali-dubey-huge-fight-in-big-boss-20-episode-10</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/mahi-vij-vs-amrapali-dubey-huge-fight-in-big-boss-20-episode-10</guid><pubDate>Wed, 16 Sep 2026 08:33:08 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સલમાન ખાનના સુપરહિટ રિયાલિટી શો 'બિગ બોસ 20' (Bigg Boss 20) નો ૧૦મો એપિસોડ હાઇ-વોલ્ટેજ ડ્રામા, તીખી બહેસ અને કેપ્ટનશીપની રેસથી ભરપૂર રહ્યો હતો. ટાસ્ક દરમિયાન ઘરના સભ્યોના અસલી ચહેરા સામે આવ્યા હતા, પરંતુ ભોજપુરી એક્ટ્રેસ આમ્રપાલી દુબે અને ટીવી એક્ટ્રેસ માહી વિજ વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીએ આખા એપિસોડનું ધ્યાન ખેંચ્યું હતું.</p><p style="text-align: justify; "><b>"રંગ દે" ટાસ્ક અને કેપ્ટનશીપની રેસમાંથી બહાર થતા સ્પર્ધકો</b></p><p style="text-align: justify; ">ઘરમાં નવા કેપ્ટનની પસંદગી માટે "રંગ દે" નામનો એક ખાસ ટાસ્ક યોજવામાં આવ્યો હતો. આ ટાસ્કમાં છોકરીઓએ તે સ્પર્ધક પર રંગ ફેંકવાનો હતો, જેને તેઓ આગામી કેપ્ટન તરીકે જોવા માંગતી ન હતી. સફેદ કપડાં પહેરીને લાઈનમાં ઊભેલા મેલ સ્પર્ધકોમાંથી જેમના પર સૌથી વધુ રંગ પડ્યો, તેઓ રેસમાંથી બહાર ફેંકાઈ ગયા હતા. આ ટાસ્ક દરમિયાન સ્કાઉટ ઓપી (Scout OP), કાઝી તૌકીર, યંગ ડીએસએ અને રોહીદ ખાન કેપ્ટનશીપની રેસમાંથી બહાર થઈ ગયા હતા.</p><p style="text-align: justify; "><b>અરિશ્ફા અને સ્કાઉટ ઓપી વચ્ચે વ્યક્તિગત હુમલા</b></p><p style="text-align: justify; ">ટાસ્ક દરમિયાન અરિશ્ફા અને યુટ્યુબર સ્કાઉટ ઓપી વચ્ચે ભારે ઝઘડો જોવા મળ્યો હતો. બંનેએ એકબીજા પર તીખા વ્યક્તિગત પ્રહારો કર્યા હતા અને અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. અરિશ્ફાના આક્ષેપો સામે સ્કાઉટે શાંતિથી પરિસ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એપિસોડના અંતે બંને સ્પર્ધકો ભાવુક થઈને રડતા જોવા મળ્યા હતા.</p><p style="text-align: justify; "><b>રસોડામાં ચિકન-બટાકા મુદ્દે આમ્રપાલી અને માહી વચ્ચે મહાસંગ્રામ</b></p><p style="text-align: justify; ">કેપ્ટનશીપ ટાસ્ક કરતાં પણ વધુ ચર્ચા આમ્રપાલી દુબે અને માહી વિજ વચ્ચેના ઝઘડાની રહી હતી. કિચનમાં રસોઈ બનાવવા દરમિયાન ચિકનમાં બટાકા ઉમેરવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલી બહેસ જોતજોતામાં વ્યક્તિગત હુમલા સુધી પહોંચી ગઈ હતી. ઝઘડો એટલો વણસી ગયો કે માહીએ આમ્રપાલી માટે અપમાનજનક શબ્દો વાપર્યા હતા અને બાદમાં તે રડી પડી હતી. બીજી તરફ, આમ્રપાલી પણ પોતાની વાત પર મક્કમ રહી હતી.</p><p style="text-align: justify; "><b>નોમિનેશનનું વધતું દબાણ અને ઘરનું બદલાતું વાતાવરણ</b></p><p style="text-align: justify; ">બિગ બોસમાં ઝઘડા સામાન્ય છે, પરંતુ જ્યારે ચર્ચા મુદ્દા પરથી હટીને વ્યક્તિગત અપમાન પર આવી જાય ત્યારે તે દર્શકો માટે મનોરંજકને બદલે ઘોંઘાટભર્યું બની જાય છે. હાલમાં રોહેદ ખાન, આસિફ ખાન અને સ્કાઉટ ઓપી પહેલાથી જ નોમિનેટ થઈ ચૂક્યા છે. આગામી એપિસોડમાં કેપ્ટનશીપનો અંતિમ નિર્ણય અને નોમિનેશનની પ્રક્રિયા ઘરના સમીકરણો પૂરેપૂરા બદલી નાખશે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/vkpOPhAaKOmBbZHk18wR0i1MJ4AvaDAqeSMDOfyT.webp'/></item><item><title><![CDATA[Patan: સિદ્ધપુરની મસ્કન ટાઉનશીપમાં ત્રણ ઘરોના તાળાં તૂટયા : લાખોની ચોરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/patan/patan-locks-of-three-houses-broken-in-maskan-township-of-siddhpur-lakhs-stolen</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/patan/patan-locks-of-three-houses-broken-in-maskan-township-of-siddhpur-lakhs-stolen</guid><pubDate>Wed, 16 Sep 2026 05:37:49 +05:30</pubDate><description><![CDATA[<p><br></p><p>રોકડ અને ઘરેણા સહિત કુલ 5.67 લાખની તસ્કરી : સ્થાનિક પોલીસે અને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ડૉગ સ્કવોર્ડ સહિતની મદદ લઈ ચોરોનું પગેરૂ મેળવવા તપાસ આરંભીસિદ્ધપુર શહેરમાં તાવડીયા રોડ પરની મસ્કાન ટાઉનશિપ સોસાયટીમાં તસ્કરોએ ત્રણ મકાનોને નિશાન બનાવીને ચોરીને અંજામ આપ્યો હતો.</p><p>જેમાં એક મકાનમાંથી તસ્કરોએ રૂ.2.60 લાખની રોકડ રકમ સહિત સોનાના અને ચાંદીના ઘરેણા મળીને કુલ 5.67 લાખની ચોરી કરી હતી. તદ્પરાંત અન્ય પાડોશમાં આવેલા બે મકાનોમાં પણ ચોરી થતાં સિદ્ધપુર પોલીસે તાત્કાલિક અસરથી સોસાયટીમાં પહોંચી તપાસ હાથ ધરી છે. ચોરી કરવા માટે આવેલ તસ્કર ટોળકી સીસીટીવી કેમેરાના કેમેરામાં દેખાતાં પોલીસે તેની મદદથી પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હોવાનું જાણવા મળ્યું છે. સિદ્ધપુરની તાવડીયા રોડ પર આવેલ મસ્કાન ટાઉનશિપમાં રહેતાં સાયરાબાનુ તેમની દિકરીના ઘરે ગયા હતા તે દરમિયાન પડોશીએ તેમના મકાનનું તાળુ તુટેલું હોવાથી જાણ કરતાં જ દિકરી સાથે દોડી આવ્યા હતા અને તપાસ કરતાં સોસાયટીમાં અન્ય બે મકાનોમાં ચોરી થઈ હોવાનું સામે આવતાં પોલીસે જાણ કરતાં જ સિદ્ધપુર પીઆઈ એમ.કે. ઝાલાની ટીમે તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન મકાનમાંથી અજાણ્યા તસ્કરો દ્વારા રૂ.2.60 લાખ રોકડ રકમ સહિત સોનાનો સેટ, સોનાની વીંટી, સોનાની ચેઈનો, સોનાની નાકની ચુની, સોનાનું પેંડલ, સોનાની બુટ્ટી, ચાંદીની પાયલ, ચાંદીની ઝાંઝર તથા ચાંદીની લક્કી અને ચાંદીની વીંટીની ચોરી થવા પામી હોવાનું સામે આવતાં અજાણ્યા તસ્કરો સામે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફુંટેજના આધારે અજાણ્યા તસ્કરો સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. તદ્પરાંત શહેરમાં આવેલ ગોકુલધામ સોસાયટીમાં પણ તસ્કરો દ્વારા ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ નિષ્ફ્ળ નિવડયો હોવાનું જાણવા મળ્યું છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/znbkrkqUEAaEypgeQMlZWszUZvrJUMhqjBPkY8OA.webp'/></item><item><title><![CDATA[Botad: ગણેશ ચતુર્થીના પાવન પર્વ ટાણે બોટાદના સાળંગપુરધામમાં દાદાનો 'ગણેશમય' શણગાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/botad/botad-grandpas-ganesh-like-decoration-at-salangpurdham-in-botad-on-the-auspicious-occasion-of-ganesh-chaturthi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/botad/botad-grandpas-ganesh-like-decoration-at-salangpurdham-in-botad-on-the-auspicious-occasion-of-ganesh-chaturthi</guid><pubDate>Wed, 16 Sep 2026 05:35:17 +05:30</pubDate><description><![CDATA[<p>સાળંગપુર : બોટાદ જિલ્લાના સુપ્રસિધ્ધ સાળંગપુરધામમાં ગણપતિ મહોત્સવ નિમિત્તે ગણેશ ચતુર્થીના પાવન દિવસે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને શ્રી ગણેશજીની થીમ પર ભવ્ય અને અનોખો શણગાર કરવામાં આવ્યો હતો. શાસ્ત્ર્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા તથા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આયોજિત ઉત્સવમાં દાદાને લાલ વસ્ત્ર્રો તથા ગુલાબ-સેવંતીના રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યા હતા. ગર્ભગૃહમાં શુભ-લાભ, સ્વસ્તિક અને હાથીની પ્રતિકૃતિઓથી દિવ્ય સજાવટ કરાઈહતી. મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞ બાદ શ્રીહરિ મંદિરમાં ગણપતિદાદાનું પૂજન-અર્ચન અને આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટીસંખ્યામાં ભક્તોએ આ અલૌકિક દર્શનનો ભાવપૂર્વક લાભ લીધો હતો.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/GVzt3KdHY5st6MKasKXfglJZUzQXD19HKGJvQpRJ.webp'/></item><item><title><![CDATA[પાકિસ્તાનની ટીમ ભારત આવશે! એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં જામશે ભારત-પાક જંગ ]]></title><link>https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</guid><pubDate>Mon, 14 Sep 2026 15:47:21 +05:30</pubDate><description><![CDATA[<p>આવતા મહિને પાકિસ્તાનની હોકી ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે. 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન પંજાબમાં યોજાનારી AHF મેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026માં પાકિસ્તાન સહિત કુલ છ ટીમો ભાગ લેશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પાકિસ્તાનની ભાગીદારી અંગેની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, મલ્ટી-નેશનલ ઇવેન્ટ્સ અંગે કેન્દ્ર સરકારની નીતિ હેઠળ બંને દેશોની ટીમો આમને-સામને રમશે.</p><h2><b>ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જાલંધરમાં રમાશે</b></h2><p>એશિયન મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન થશે. આ ટૂર્નામેન્ટમાં યજમાન ભારત અને પાકિસ્તાન ઉપરાંત ચીન, જાપાન, મલેશિયા અને કોરિયાની પણ ભાગ લેશે. લીગ સ્ટેજના મુકાબલા જાલંધરમાં યોજાશે, જ્યારે સેમિફાઇનલ અને ફાઇનલ મેચ મોહાલીના હોકી સ્ટેડિયમમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 1 નવેમ્બરે જાલંધરમાં રમાશે. કોઈ ટીમ છેલ્લી ઘડીએ ખસી જાય તો તે સ્થિતિ માટે ઓમાન અને બાંગ્લાદેશને રિઝર્વ ટીમન તરીકે રાખવામી આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PTI_News/status/2099416960278868155"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમવામાં કોઈ મુશ્કેલી નથી</b></h2><p>પાકિસ્તાનની ભાગીદારી અને જરૂરી મંજૂરીઓ અંગે પંજાબના મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં બંને દેશો વચ્ચે રમવામાં કોઈ મુશ્કેલી નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝનું આયોજન અલગ બાબત છે, કારણ કે કેન્દ્ર સરકારની વર્તમાન નીતિ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય રમત-ગમતના આયોજનની મંજૂરી આપતી નથી. પરંતુ મલ્ટી-નેશનલ ટૂર્નામેન્ટમાં બંને દેશોના ખેલાડીઓને એકબીજા સામે રમવાની પરવાનગી છે, જેથી પાકિસ્તાની ટીમ ભારત આવી શકશે.</p><h2><b>ભારત વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે</b></h2><p>ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. ભારતે 2023માં ચેન્નાઈ અને 2024માં ચીનના હુલુનબુઈરમાં યોજાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ગત વર્ષે આ સ્પર્ધા યોજાઈ શકી નહોતી. હવે પંજાબ પ્રથમ વખત આ ટૂર્નામેન્ટની મેજબાની કરવા જઈ રહ્યું છે.</p><h2><b>અગાઉ પાકિસ્તાની ટીમે ના કહી હતી&nbsp;</b></h2><p>પાકિસ્તાનની આ વખતની ભાગીદારી એટલા માટે પણ ખાસ છે, કારણ કે ગત વર્ષે તેણે તમિલનાડુમાં આયોજિત જૂનિયર હોકી વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તે સમયે બંને દેશો વચ્ચેના તણાવને તેનું કારણ ગણાવવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે અને પાકિસ્તાની ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે પૂરી રીતે તૈયાર છે.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/V6jwdiIr9RTCvR6EyBaGsP2qfZvYLq2JfkL7pytm.webp'/></item></channel></rss>