<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabad News: 12 લાખની સામે 25 લાખ ચૂકવ્યા છતાં પેટ ના ફરાયું, વધુ વ્યાજ માટે દબાણ કરતાં બે લોકો સામે ફરિયાદ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/12-lakh-loan-25-lakh-repaid-yet-moneylenders-demanded-more-interest</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/12-lakh-loan-25-lakh-repaid-yet-moneylenders-demanded-more-interest</guid><pubDate>Sun, 30 Aug 2026 16:08:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં વ્યાજખોરી સામે પોલીસની કડક એક્શન હોવા છતાં રોજબરોજ પઠાણી ઉઘરાણી અને તગડું વ્યાજ વસૂલવા અંગેની ફરિયાદો સામે આવી રહી છે. બેફામ બનેલા વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં આવતી હોવા છતાં તેમની પર કાયદાનો ડર હોય તેવી કોઈ અસર જોવા મળતી નથી.અમદાવાદના રાણીપ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણી વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયો છે.ફરિયાદીએ પોતાની જરૂરિયાત માટે રૂપિયા 12 લાખ વ્યાજે લીધા હતા જેના બદલામાં તેમણે તબક્કાવાર કુલ રૂપિયા 25 લાખ જેવી જંગી રકમ ચૂકવી દીધી હોવા છતાં વ્યાજખોરોનું પેટ ભરાયું ન હતું.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ફરિયાદીએ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી</b></h2><p style="text-align: justify; ">આટલી મોટી રકમ વસૂલ કર્યા પછી પણ આરોપી વિક્રમ દેસાઈ અને જયેશ દેસાઈ દ્વારા ફરિયાદી પાસે 10  ટકા લેખે માસિક વ્યાજ અને મૂળ મૂડી પરત આપવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું હતું.એટલું જ નહીં, આરોપીઓએ સુરક્ષાના નામે ફરિયાદી પાસેથી અગાઉથી જ મેળવી લીધેલા 4 કોરા ચેકનો ગેરઉપયોગ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી.આ પઠાણી ઉઘરાણી અને ત્રાસથી કંટાળીને આખરે ફરિયાદીએ રાણીપ પોલીસ સ્ટેશનમાં વિક્રમ દેસાઈ અને જયેશ દેસાઈ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.રાણીપ પોલીસે આ મામલે ગુનો નોંધીને બંને આરોપીઓ સામે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.</p><h3 style="text-align: justify; "><b>વ્યાજખોરો સામે લોક દરબારનું આયોજન કરાય છે</b></h3><p style="text-align: justify; ">છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં નાગરિકોને વ્યાજચક્રમાંથી મુક્ત કરાવવા અને ગેરકાયદેસર રીતે નાણાં ધીરનારા સામે ગુજરાત પોલીસ અને ગૃહ વિભાગ દ્વારા કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છેય.ગૃહ રાજ્યમંત્રીની સૂચનાથી રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં લોક દરબારનું આયોજન કરવામાં આવે છે. જેમાં સામાન્ય નાગરિકો પોલીસ સમક્ષ સીધા આવીને પોતાની આપવીતી જણાવી શકે છે અને વ્યાજખોરો સામે વિના સંકોચે ફરિયાદ કરી શકે છે. ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કડક ધારાઓ હેઠળ વગર લાઈસન્સે વ્યાજનો ધંધો કરતા કે નિર્ધારિત દર કરતાં વધુ વ્યાજ વસૂલતા ઈસમો સામે FIR નોંધી તેમની અટકાયત કરવામાં આવી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/chhota-udepur/kusum-sagar-lake-teacher-drowning-accident-kanu-nayaka" target="_blank">આ પણ વાંચોઃ&nbsp; &nbsp;Chhota Udepur News: કુસુમ સાગર તળાવમાંથી પ્રાથમિક શાળાના શિક્ષકનો મૃતદેહ મળ્યો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/30/EkajSshQrOk37IZwHI3f2HqeaN6ofgHRW2sguN2F.webp'/></item><item><title><![CDATA[Vadodara: સુંદરપુરા પાટિયા પાસે બેકાબૂ ડમ્પર વીજ થાંભલા સાથે અથડાઈ ખાડામાં પલટાયું, જાનહાનિ ટળી ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/jambuva-por-highway-dumper-accident-sundarpura-patiya</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/jambuva-por-highway-dumper-accident-sundarpura-patiya</guid><pubDate>Sun, 30 Aug 2026 16:04:17 +05:30</pubDate><description><![CDATA[<p>વડોદરા નજીક આવેલા જામ્બુવા બાયપાસથી પોર તરફ જતા વ્યસ્ત માર્ગ પર ગત રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. સુંદરપુરા પાટિયા પાસેથી પસાર થઈ રહેલા એક ડમ્પરના ચાલકે અચાનક પોતાના વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલું આ ડમ્પર માર્ગની સાઈડમાં આવેલા વીજ થાંભલા સાથે જોરદાર ધડાકાભેર અથડાયું હતું.</p><h2><b>સુંદરપુરા પાટિયા પાસે બેકાબૂ ડમ્પર વીજ થાંભલા સાથે અથડાયું</b></h2><p>વીજ થાંભલા સાથે અથડાયા બાદ પણ ડમ્પરની સ્પીડ વધારે હોવાના કારણે તે રસ્તાની બાજુમાં આવેલા ઊંડા ખાડામાં પલટી ખાઈ ગયું હતું.આ અકસ્માત એટલો ભયંકર હતો કે ડમ્પરની સાથે જોડાયેલું ભારે પૂલર મશીન પણ ખાડામાં ખાબક્યું હતું. જોકે, આ ઘટના મોડી રાત્રે બની હોવાથી માર્ગ પર વાહનવ્યવહાર અત્યંત ઓછો હતો. જેના કારણે કોઈ અન્ય વાહન તેની ચપેટમાં આવ્યું ન હતું અને સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જેથી મોટો અકસ્માત ટળ્યો હતો.</p><h3><b>ડમ્પર ચાલકની બેદરકારી અંગે ગુનો&nbsp;</b></h3><p>ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિકો સ્થળ પર દોડી આવ્યા હતા. ક્રેનની મદદ લઈને ખાડામાં પલટી ગયેલા ડમ્પર અને પૂલર મશીનને બહાર કાઢવામાં આવ્યા હતા. વીજ થાંભલો ક્ષતિગ્રસ્ત થતાં વીજ કંપનીને જાણ કરવામાં આવી હતી. આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ડમ્પર ચાલકની બેદરકારી અંગે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/smc-fake-appointment-letter-fraud-uncovered-cyber-crime-complaint" target="_blank">આ પણ વાંચો: Surat: SMCમાં નોકરી મેળવવા બોગસ નિમણૂક પત્ર લઈને પહોંચેલી મહિલા પકડાઈ, સાયબર સેલમાં નોંધાશે ફરિયાદ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/30/J9qtIglCfFCIa9x8HErBCmd0vNZXQbWf3hEF95bl.webp'/></item><item><title><![CDATA[Chhota Udepur News: કુસુમ સાગર તળાવમાંથી પ્રાથમિક શાળાના શિક્ષકનો મૃતદેહ મળ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/chhota-udepur/kusum-sagar-lake-teacher-drowning-accident-kanu-nayaka</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/chhota-udepur/kusum-sagar-lake-teacher-drowning-accident-kanu-nayaka</guid><pubDate>Sun, 30 Aug 2026 16:02:12 +05:30</pubDate><description><![CDATA[<p>છોટાઉદેપુર શહેરના ઐતિહાસિક કુસુમ સાગર તળાવમાં રવિવારની વહેલી સવારે એક પુરૂષનો મૃતદેહ તરતો મળી આવતાં પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. તળાવમાં ગંગેશ્વર મંદિર પાસેના ભાગે મૃતદેહ હોવાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા.</p><h2><b>મૃતક સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોવાનો ખુલાસો</b></h2><p>ઘટના અંગે તપાસ હાથ ધરતાં મૃતકની ઓળખ કનુ નાયકા તરીકે થઈ છે. તેઓ છોટાઉદેપુર તાલુકાની દડીગામ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે પોતાની આદરણીય ફરજ બજાવતા હતા. શિક્ષકના અચાનક અવસાનના સમાચારથી તેમના પરિવારજનો, દડીગામ શાળા પરિવાર તેમજ શિક્ષણ આલમમાં શોકનું મોજું ફરી વળ્યું છે.</p><h2><b>કઈ રીતે બની આ દુઃખદ ઘટના?</b></h2><p>મળતી વિગતો અનુસાર, કનુ નાયકા વહેલી સવારે રોજિંદા ક્રમ મુજબ કુસુમ સાગર તળાવ કિનારે વોકિંગ માટે નીકળ્યા હતા. વોકિંગ દરમિયાન તળાવમાં ખીલેલા કમળના ફૂલ જોઈને તેઓ તેને લેવા માટે તળાવના કિનારે નીચે ઉતર્યા હતા. આ દરમિયાન અચાનક તેમનો પગ લપસી જતાં તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને ડૂબી જવાથી તેમનું કરૂણ મોત નીપજ્યું હતું.</p><h2><b>પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે હાથ ધરી કાર્યવાહી</b></h2><p>સ્થાનિકો દ્વારા આ દુર્ઘટનાની જાણ કરવામાં આવતાં જ છોટાઉદેપુર પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરોની ટીમે ભારે જહમત બાદ શિક્ષકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડીને આકસ્મિક મોતનો ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhota-udepur-raksha-bandhan-festival-celebrated-with-joy-at-gadh-boriyad-group-primary-school" target="_blank">Chhota Udepur: ગઢ બોરિયાદ ગ્રૂપ પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઇ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/30/RRYQzKLeL67y1dbAIEh3L6kY8hnhse8Ys1R6upBB.webp'/></item><item><title><![CDATA[PM Narendra Modiએ દિગ્ગજ એક્ટર ઉત્તમ કુમારને આપી શ્રદ્ધાંજલિ, કહ્યું- 'હંમેશા લોકોના દિલ પર રાજ કરશે' ]]></title><link>https://sandesh.com/entertainment/news/pm-modi-tribute-uttam-kumar-birth-anniversary</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/pm-modi-tribute-uttam-kumar-birth-anniversary</guid><pubDate>Sun, 30 Aug 2026 15:55:27 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એટલે કે 30 ઓગસ્ટે મન કી બાત દ્વારા દેશને સંબોધિત કર્યો હતો. કાર્યક્રમનો 137મો એપિસોડ પ્રસારિત થયો હતો, જેમાં પીએમ મોદીએ સિનેમા જગત વિશે પણ વાત કરી હતી. આ દરમિયાન તેમણે બંગાળી સિનેમાના મહાનાયક તરીકે જાણીતા દિગ્ગજ અભિનેતા ઉત્તમ કુમારને યાદ કર્યા અને તેમની જન્મજયંતીના અવસરે શ્રદ્ધાંજલિ આપી. તેમણે કહ્યું કે ઉત્તમ કુમારના જીવનમાંથી ક્યારેય હાર ન માનવાની મોટી શીખ મળે છે. ચાલો જાણીએ કે પીએમ મોદીએ શું કહ્યું.</p><h2 style="text-align: justify; "><b>પીએમ મોદીએ ઉત્તમ કુમારને આપી શ્રદ્ધાંજલિ</b></h2><p style="text-align: justify; ">બંગાળી સિનેમાના દિગ્ગજ અભિનેતા ઉત્તમ કુમારની 3 સપ્ટેમ્બરે જન્મજયંતી છે. આ અવસરે પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં દિવંગત અભિનેતા ઉત્તમ કુમારના ભારતીય સિનેમામાં યોગદાનને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું, મારા પ્રિય દેશવાસીઓ, થોડા જ દિવસોમાં 3 સપ્ટેમ્બરે આપણે મહાનાયક ઉત્તમ કુમારજીની જન્મ શતાબ્દી ઉજવીશું. સાથીઓ, ઉત્તમ કુમારજી એક વર્સેટાઇલ અભિનેતા હતા, જેઓ પોતાના અભિનયથી લોકોના દિલમાં વસી ગયા હતા. ફિલ્મપ્રેમીઓનું માનવું છે કે શ્રીમાન સત્યજિત રેએ નાયક ધ હીરો ફિલ્મની આખી સ્ક્રિપ્ટ મહાનાયક ઉત્તમ કુમારજીને ધ્યાનમાં રાખીને લખી હતી. શ્રીમાન સત્યજિત રેએ કહ્યું હતું કે તેમનામાં ગૌરવની સાથે અદભુત ભાવનાત્મક ઊંડાણ પણ હતું. તેઓ પોતાના પાત્રને જીવંત બનાવવા માટે ખૂબ મહેનત કરતા હતા.</p><h3 style="text-align: justify; "><b>તેઓ હંમેશાં દિલમાં રાજ કરશે- પીએમ મોદી</b></h3><p style="text-align: justify; ">પીએમ મોદીએ આગળ કહ્યું, ઉત્તમ કુમારજી પોતાની સરળતા માટે જાણીતા હતા. તેમના જીવનમાંથી ક્યારેય હાર ન માનવાની એક મોટી શીખ પણ મળે છે. તેમની શરૂઆતની ફિલ્મો વધારે ચાલી નહોતી, પરંતુ તેમણે પોતાના કામ પર ધ્યાન જાળવી રાખ્યું હતું. તેનું પરિણામ એ આવ્યું કે તેમણે આટલી મોટી સફળતા મેળવી. સાથીઓ, મને યાદ છે કે જ્યારે હું કોલકાતામાં રોડ શો કરી રહ્યો હતો, ત્યારે હું ઉત્તમ કુમારજીના ઘરની સામેથી પણ પસાર થયો હતો. ત્યાં એક વ્યક્તિએ મને તેમની એક તસવીર ભેટમાં આપી હતી. હું ફરી એકવાર મહાનાયક ઉત્તમ કુમારજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેઓ હંમેશાં આપણા સૌના દિલમાં રાજ કરતા રહેશે.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/mannkibaat/status/2093941574350815739"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h4 style="text-align: justify; "><b>ઉત્તમ કુમારની 100મી જન્મ શતાબ્દી</b></h4><p style="text-align: justify; ">ઉત્તમ કુમારની આ 100મી જન્મ શતાબ્દી છે. દિવંગત અભિનેતાનો જન્મ 3 સપ્ટેમ્બર 1926ના રોજ થયો હતો. તેમણે 1948માં આવેલી ફિલ્મ દૃષ્ટિદાનથી અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. ઉત્તમ કુમારે પોતાની કારકિર્દીમાં હિન્દી અને બંગાળી સહિત અનેક ભાષાઓની 200થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું અને પડદા પર પોતાની અલગ છાપ છોડી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/kk-goswami-vikraal-aur-gabraal-gabru-23-years-later" target="_blank">આ પણ વાંચો-TV star : ક્યાં ગાયબ છે વિકરાલ ઔર ગબરાલનો ગબરૂ? 3 ફૂટના એક્ટરને મળતા હતા હાઇટના ટોણા!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/30/CXvavTYbGkgXVu6BQZYn6pKH5uZl8hEXpkmoGAck.webp'/></item><item><title><![CDATA[Business News : રિલાયન્સ-HDFC બેન્ક સહિત 7 દિગ્ગજ કંપનીઓને નુકસાન, TCSને થયો ફાયદો ]]></title><link>https://sandesh.com/business/news/business-news-reliance-hdfc-bank-tcs-market-cap-gain-loss</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/business-news-reliance-hdfc-bank-tcs-market-cap-gain-loss</guid><pubDate>Sun, 30 Aug 2026 15:53:41 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય શેરબજારમાં ગયા સપ્તાહે ભારે ઉથલપાથલ જોવા મળી હતી. પાંચેય કારોબારી દિવસ દરમિયાન બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 276 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 76 પોઈન્ટ ઘટ્યો હતો. બજારમાં આવેલી આ નબળાઈની અસર દેશની ટોચની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓ પર પણ જોવા મળી હતી. જોકે, કેટલીક કંપનીઓએ ઘટાડાવાળા બજારમાં પણ રોકાણકારોને સારું વળતર આપ્યું હતું.</p><h2><b>રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને સૌથી મોટો ઝટકો લાગ્યો</b></h2><p>સેન્સેક્સની ટોપ-10 કંપનીઓમાંથી 7 કંપનીઓના માર્કેટ કેપમાં કુલ આશરે ₹1.13 લાખ કરોડનો ઘટાડો થયો હતો. તેમાં મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને સૌથી મોટો ઝટકો લાગ્યો. કંપનીનું માર્કેટ કેપ ₹40,056 કરોડ ઘટીને લગભગ ₹17.38 લાખ કરોડ રહ્યું. ભારતી એરટેલનું માર્કેટ કેપ પણ ₹40,501 કરોડ ઘટીને ₹11.74 લાખ કરોડ થયું હતું.</p><h3><b>HULની માર્કેટ વેલ્યુ ₹1,551 કરોડ ઘટી</b></h3><p>એચડીએફસી બેન્કની માર્કેટ વેલ્યુમાં ₹11,558 કરોડથી વધુનો ઘટાડો થયો હતો. જ્યારે બજાજ ફાઈનાન્સનું માર્કેટ કેપ ₹10,086 કરોડ, એલએન્ડટીનું ₹6,473 કરોડ, એલઆઈસીનું ₹3,162 કરોડ અને એચયુએલનું ₹1,551 કરોડ ઘટ્યું હતું. બીજી તરફ, ટાટા ગ્રુપની આઈટી કંપની ટીસીએસે ઘટાડાવાળા બજારમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું. પાંચ કારોબારી દિવસમાં TCSનું માર્કેટ કેપ ₹16,643 કરોડ વધીને ₹8.48 લાખ કરોડથી વધુ થયું. આ વૃદ્ધિ સાથે TCSના રોકાણકારોની સંપત્તિમાં નોંધપાત્ર વધારો થયો.</p><p>આ ઉપરાંત ICICI બેન્કનું માર્કેટ કેપ ₹4,475 કરોડ વધ્યું, જ્યારે SBIની માર્કેટ વેલ્યુમાં આશરે ₹600 કરોડનો વધારો નોંધાયો. માર્કેટ કેપમાં ઘટાડા છતાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દેશની સૌથી મૂલ્યવાન કંપની તરીકે નંબર-1 સ્થાને યથાવત રહી. ત્યારબાદ ભારતી એરટેલ, HDFC બેન્ક, ICICI બેન્ક, SBI, TCS, બજાજ ફાઈનાન્સ, L&amp;T, LIC અને HULનો ક્રમ રહ્યો.<br><br><b><a href="https://sandesh.com/business/news/jio-platforms-ipo-sebi-approval-india-largest-ipo" target="_blank">આ પણ વાંચો : Jio Platformsના IPOને SEBIની મંજૂરી, ભારતના સૌથી મોટા IPOમાં સામેલ થવાની શક્યતા</a></b></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/30/7f4JkmaIkVBc3vpk0IHg5rPvIlrDPVQqEjemJjAg.webp'/></item><item><title><![CDATA[Anand News: ખડોલ-અડાસ માર્ગ પર કેનાલમાં મસમોટું ગાબડું, લાખો લીટર પાણી ખેતરોમાં ફરી વળ્યું ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/anand/canal-breach-khadol-adas-road-water-wastage-farmers-crop-damage</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/anand/canal-breach-khadol-adas-road-water-wastage-farmers-crop-damage</guid><pubDate>Sun, 30 Aug 2026 15:47:43 +05:30</pubDate><description><![CDATA[<p>આણંદ જિલ્લાના ખડોલ-અડાસ માર્ગ પર આવેલી સિંચાઈ કેનાલમાં અચાનક મસમોટું ગાબડું પડવાની ઘટના સામે આવી છે. કેનાલની દીવાલ તૂટી જતાં જ ધસમસતા પ્રવાહ સાથે લાખો લીટર પાણી આસપાસના વિસ્તારોમાં વહેવા લાગ્યું હતું. જોતજોતામાં કેનાલનું પાણી માર્ગો અને નજીકના ખેતરોમાં ઘૂસી જતાં ચારેય તરફ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.</p><h2><b>વરસાદની અછત વચ્ચે પાણીનો મોટો વેડફાટ</b></h2><p>ચાલુ વર્ષે એક તરફ વરસાદ ખેંચાતાં ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે સિંચાઈના પાણીની કાગ ડોકે રાહ જોઈ રહ્યા છે. ખેડૂતો વારંવાર પાણી છોડવાની માગ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ આવી બેદરકારીના કારણે લાખો લીટર કિંમતી પાણીનો સરેઆમ વેડફાટ થઈ રહ્યો છે. એન સમયે જ પાણીનો આવો બગાડ થતાં સ્થાનીય ખેડૂતોમાં ઘોર નિરાશા અને રોષ વ્યાપી ગયો છે.</p><h2><b>હજારો લીટર પાણી ખેતરોમાં ઘૂસતાં પાકને નુકસાનની ભીતિ</b></h2><p>કેનાલ તૂટવાના કારણે ધસમસતું પાણી નજીકના ખેતરોમાં ફરી વળ્યું છે. જેને કારણે ખેતરોમાં તૈયાર થઈ રહેલા કે વાવેલા પાકને ભારે નુકસાન પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે. મોંઘા બિયારણ, ખાતર અને મહેનતથી ઉછારેલા પાક પર કેનાલના પાણી ફરી વળતાં ખેડૂતો માટે "મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જવા" જેવી સ્થિતિ નિર્માણ પામી છે.</p><p><img alt="Anand News: Massive Canal Breach on Khadol-Adas Road; Millions of Liters Wasted" src="https://epapercdn.sandesh.com/images/2026/08/30/1YVZrU7TGNbgUAstZJ02gfYtq8mhvnlOqrjYKrGK.webp"><br></p><h2><b>સિંચાઈ વિભાગની કાગળ પરની કામગીરી સામે ગંભીર સવાલો</b></h2><p>આ ઘટના બાદ સિંચાઈ વિભાગની કામગીરી સામે સ્થાનિકો દ્વારા ગંભીર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, દર વર્ષે કેનાલની સફાઈ અને રિપેરિંગ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ આ કામગીરી માત્ર કાગળ પર જ થાય છે. ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થાય છે કે કેમ તે અંગે પણ હવે તપાસની માગ ઉઠી રહી છે.</p><h2><b>ખેડૂતોની તાત્કાલિક સમારકામ અને વળતરની માગ</b></h2><p>હાલમાં સિંચાઈ વિભાગની ઘોર બેદરકારીના કારણે ખેડૂતોને સહન કરવાનો વારો આવ્યો છે. સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતો માંગ કરી રહ્યા છે કે કેનાલનું ગાબડું તાત્કાલિક ધોરણે પૂરવામાં આવે જેથી વધુ પાણીનો વેડફાટ અટકે. આ સાથે જ કેનાલના પાણીથી જે ખેડૂતોના પાકને નુકસાન થયું છે, તેમને વળતર આપવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/anand/umreth-dhuleta-mahi-canal-man-dead-body-found" target="_blank">Anand News: ઉમરેઠના ધુલેટા ગામે ઝાડ પર લટકતી હાલતમાં આધેડનો મૃતદેહ મળતાં મચ્યો ચકચાર</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/30/f2qtnhE1Th1Zo9WfhNL0fD9pUQAILAkJyEZ8hAQ9.webp'/></item><item><title><![CDATA[India-Lao PDRના રાજદ્વારી સંબંધોના 70 વર્ષ, વિયેન્તિયાનમાં વિવિધ ક્ષેત્રે સહયોગ પર ચર્ચા ]]></title><link>https://sandesh.com/india/news/world/india-lao-pdr-70-years-diplomatic-relations-vientiane-cooperation</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/world/india-lao-pdr-70-years-diplomatic-relations-vientiane-cooperation</guid><pubDate>Sun, 30 Aug 2026 15:35:38 +05:30</pubDate><description><![CDATA[<p>કેન્દ્રીય વિદેશ અને કાપડ રાજ્યમંત્રી પબિત્ર મારઘેરિટાએ 26થી 29 ઓગસ્ટ, 2026 દરમિયાન વિયેતનામ અને લાઓ PDRની સત્તાવાર રાજદ્વારી મુલાકાત પૂર્ણ કરી. ચાર દિવસની મુલાકાત દરમિયાન તેમણે બંને દેશો સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનાવવા તેમજ કાપડ, પ્રવાસન, શિક્ષણ અને સાંસ્કૃતિક સહયોગ અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરી.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2093994573924286633"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>વિયેતનામના વડાપ્રધાન સાથે મુલાકાત કરી</b></h2><p>વિયેતનામ પ્રવાસ દરમિયાન રાજ્યમંત્રીએ હનોઈ સ્થિત હો ચી મિન્હ મકબરો ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે વિયેતનામના વડાપ્રધાન લે મિન્હ હંગ સાથે મુલાકાત કરીને દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત વિયેતનામ એકેડેમી ઑફ સોશિયલ સાયન્સિસ ખાતે તેમણે મુખ્ય વક્તવ્ય આપ્યું હતું.</p><p>મારઘેરિટાએ 'એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ ફાપ વાન પેગોડા ખાતે વૃક્ષારોપણ પણ કર્યું. તેમણે વિયેતનામના પ્રવાસન અને કાપડ ઉદ્યોગના અગ્રણી પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી અને બંને દેશો વચ્ચે આ ક્ષેત્રોમાં સહકારની તકો અંગે ચર્ચા કરી.</p><h3><b>વ્યાપક દ્વિપક્ષીય વાટાઘાટો કરી</b></h3><p>ત્યારબાદ 27થી 29 ઓગસ્ટ દરમિયાન રાજ્યમંત્રીએ લાઓ PDRની મુલાકાત લીધી હતી. આ મુલાકાત ભારત અને લાઓ PDR વચ્ચેના રાજદ્વારી સંબંધોના 70 વર્ષ પૂર્ણ થવાના અવસર સાથે વિશેષ મહત્વ ધરાવતી હતી. વિયેન્તિયાનમાં તેમણે લાઓ PDRના નાયબ વડાપ્રધાન તથા વિદેશમંત્રી થોંગસાવન ફોમવિહાને અને રક્ષા મંત્રી જનરલ ખામલિએંગ ઓઉથાકાયસોન સાથે વ્યાપક દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી.</p><p>મારઘેરિટાએ 'India-Lao PDR at 70' વિષયક સંયુક્ત સેમિનારમાં મુખ્ય વક્તવ્ય આપ્યું હતું. તેમણે ફલક-ફલમ નૃત્યના સંરક્ષણ તથા લાઓ PDRની નેશનલ આર્ટ્સ કોલેજના વિકાસ માટેના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. મુલાકાત દરમિયાન તેમણે લાઓ PDRના કાપડ અને પ્રવાસન ક્ષેત્રના હિતધારકો, ITEC તથા ICCRના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વિયેન્તિયાનમાં વસતા ભારતીય સમુદાય સાથે પણ સંવાદ કર્યો હતો.<br><br><b><a href="https://sandesh.com/india/news/manipur-will-get-its-5th-chief-secretary-rajiv-singh-thakur-likely-to-be-appointed" target="_blank">આ પણ વાંચો : Manipurને મળશે 5માં મુખ્ય સચિવ, રાજીવ સિંહ ઠાકુરની નિમણૂકની શક્યતા</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/30/D9JmebdKydvUqrcJyFv8sdMHYr1Ee9qTO3KObzmh.webp'/></item><item><title><![CDATA[Manipurને મળશે 5માં મુખ્ય સચિવ, રાજીવ સિંહ ઠાકુરની નિમણૂકની શક્યતા ]]></title><link>https://sandesh.com/india/news/manipur-will-get-its-5th-chief-secretary-rajiv-singh-thakur-likely-to-be-appointed</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/manipur-will-get-its-5th-chief-secretary-rajiv-singh-thakur-likely-to-be-appointed</guid><pubDate>Sun, 30 Aug 2026 15:01:20 +05:30</pubDate><description><![CDATA[<p>Manipurમાં જાતીય સંઘર્ષ 2023માં શરૂ થયો હતો. આવી સ્થિતિમાં છેલ્લા ત્રણ વર્ષ બાદ રાજ્યને તેના પાંચમા મુખ્ય સચિવ મળવાના છે. મુખ્યમંત્રી યુમનમ ખેમચંદ સિંહે શનિવારે મુખ્ય સચિવ પુનીત ગોયલ સાથે મુલાકાત કરી હતી. મુખ્ય સચિવ પુનીત ગોયલ આ મહિનામાં નિવૃત્ત થઈ રહ્યા છે. ગોયલે 21 જુલાઈ, 2025ના રોજ રાજ્યના ટોચના અધિકારી તરીકે પદભાર સંભાળ્યો હતો. જોકે સરકારે હજુ સુધી નવા મુખ્ય સચિવના નામની જાહેરાત કરી નથી, પરંતુ આ મામલાથી જોડાયેલા લોકોનું કહેવું છે કે 1995 બેચના IAS અધિકારી રાજીવ સિંહ ઠાકુરની આ પદ પર નિમણૂક થવાની સંભાવના છે.</p><h2><b>રાજીવ સિંહ ક્યાં કાર્યરત છે?</b></h2><p>રાજીવ સિંહ હાલમાં નીતિ આયોગમાં વહીવટ, ગવર્નન્સ અને સુધારા તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કનેક્ટિવિટીના પ્રોગ્રામ ડિરેક્ટર છે. કાર્મિક અને તાલીમ વિભાગ (DoPT)એ 28 ઓગસ્ટના આદેશમાં ઠાકુરનું કેડર રાજસ્થાનથી બદલીને મણિપુર કરવાનો નોટિફિકેશન જાહેર કર્યો હતો. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે, “કેબિનેટની નિમણૂક સમિતિ (ACC)એ નીતિમાં છૂટ આપતાં રાજીવ સિંહ ઠાકુર, IAS (રાજસ્થાન 1995)ના રાજસ્થાન કેડરમાંથી મણિપુર કેડરમાં ઇન્ટર-કેડર ટ્રાન્સફર માટે કાર्मिक અને તાલીમ વિભાગના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ ટ્રાન્સફર તેમના કેન્દ્રીય ડેપ્યુટેશનના કાર્યકાળને ઘટાડીને 30.6.2029 એટલે કે તેમની નિવૃત્તિની તારીખ સુધી માટે કરવામાં આવ્યું છે.”</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/YKhemchandSingh/status/2093703254328938634"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b style="font-size: 1.75rem;">અગાઉ રાજ્યના મુખ્ય સચિવ કોણ હતા?</b></p><p>ગોયલ પહેલાં મણિપુરમાં રાજેશ કુમાર, વિનીત જોશી અને પ્રશાંત કુમાર રાજ્યના મુખ્ય સચિવ રહી ચૂક્યા છે. નવા મુખ્ય સચિવ એવા સમયે પદભાર સંભાળશે જ્યારે તાજેતરની હિંસાની ઘટનાઓને લઈને નાગા અને કુકી સમુદાયો વચ્ચે તણાવ વધ્યો છે. બુધવારે કુકી-બહુલ કાંગપોકપી જિલ્લામાં અજાણ્યા બંદૂકધારીઓના હુમલામાં ચાર નાગા નાગરિકોના મોત થયા હતા.</p><p><b><a href="https://sandesh.com/" target="_blank">વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/30/mFyg33jCWElbUIn4S7Q6X7qkVBAEZxSK3N1gp2gM.webp'/></item><item><title><![CDATA[વાંચો બપોરે 12થી 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/today-top-breaking-news-bulletin-gujarat-india-read-important-news-from-12-pm-to-03-pm-30-august-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/today-top-breaking-news-bulletin-gujarat-india-read-important-news-from-12-pm-to-03-pm-30-august-2026</guid><pubDate>Sun, 30 Aug 2026 14:54:43 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર&nbsp; &nbsp;</b></p><p><b><br></b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/world/news/nepal-flood-teacher-saves-1643-children-lives-nuwakot" target="_blank">1. Nepal Flood : શિક્ષકે માતાની ગરજ સારી બચાવ્યા 1643 બાળકોના જીવ, વાંચો ઇનસાઇડ સ્ટોરી</a>&nbsp;&nbsp;<br></b></p><p><br></p><p><a href="https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-gujarat-monsoon-forecast-normal-rain-saurashtra-kutch-deficit" target="_blank"><b>2. Monsoon 2026 : રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી, મોન્સૂન ટ્રફ સક્રિય છતાં ભારે વરસાદની શક્યતા નહિવત</b></a>&nbsp;&nbsp;</p><p><br></p><p><a href="https://sandesh.com/cricket/news/ind-vs-afg-agarkar-gambhirs-plan-ready-big-update-on-team-india-announcement" target="_blank"><b>3. IND vs AFG : અગરકર-ગંભીરનો પ્લાન તૈયાર! ટીમ ઇન્ડિયાની જાહેરાત અંગે સામે આવ્યું મોટું અપડેટ</b></a>&nbsp;&nbsp;</p><p><br></p><p><a href="https://sandesh.com/world/news/business/india-uzbekistan-relations-pm-modi-will-create-new-history-with-a-big-deal-between-india-and-uzbekistan-china-will-feel-a-setback" target="_blank"><b>4. India Uzbekistan Relations: ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેની મોટી ડીલથી પીએમ મોદી રચશે નવો ઇતિહાસ, ચીનને લાગશે ઝટકો</b></a>&nbsp;&nbsp;</p><p><br></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/crime/rajkot/rajkot-police-mahesh-mand-assault-land-dispute-allegation" target="_blank">5, Rajkot: જમીન દલાલીના આક્ષેપ વચ્ચે પોલીસકર્મી મહેશ મંડ પર માર માર્યાનો આરોપ, ફરિયાદી હોસ્પિટલમાં દાખલ</a>&nbsp; &nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/valsad/valsad-nargol-liquor-ban-relaxation-sarpanch-demand" target="_blank">6. Valsad : લઠ્ઠાકાંડ બાદ દારૂબંધી હળવી કરવાની માંગ સાથે નારગોલના મહિલા સરપંચે મુખ્યમંત્રીને લખ્યો પત્ર</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/world/news/nepal-flood-update-identification-of-bodies-becomes-a-major-challenge-death-toll-in-natural-disaster-crosses-750" target="_blank">7. Nepal Flood Update: મૃતદેહોની ઓળખ બની મોટો પડકાર, કુદરતી આફતમાં મૃત્યુઆંક 750ને પાર</a>&nbsp; &nbsp;'</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/entertainment/news/amidst-the-trolling-of-the-film-toxic-kantara-fame-rishabh-shetty-praises-actor-yash-you-are-bold" target="_blank">8. Toxic ફિલ્મના ટ્રોલિંગ વચ્ચે 'કાંતારા' ફેમ ઋષભ શેટ્ટીએ અભિનેતા યશની કરી પ્રશંસા 'કન્નડ ઇન્ડસ્ટ્રીને અપાવી ઓળખ...'</a>&nbsp; &nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/neet-pg-2026-neet-pg-exam-postponed-in-sitapur-exam-will-now-be-held-on-this-date-due-to-power-outage" target="_blank">9. Jaipur NEET-PG 2026: સીતાપુરમાં NEET-PGની પરીક્ષા સ્થગિત, વીજળી ગૂલ થતા હવે આ તારીખે યોજાશે પરીક્ષા</a>&nbsp; &nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/world/news/switzerland-aarau-rave-party-shooting-1-dead" target="_blank">10. Switzerland : રેવ પાર્ટીમાં ફાયરિંગની ઘટના, એકનું મોત,5 લોકો ઘાયલ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/30/UEeubAeI7ljhedBxebGC3VAvmi9kXfUUtJC6QZBV.webp'/></item><item><title><![CDATA[Womens Hockey World Cup: આર્જેન્ટિનાએ 9 વખતની ચેમ્પિયન નેધરલેન્ડ્સને હરાવીને જીત્યું ટાઈટલ ]]></title><link>https://sandesh.com/sports/news/argentina-win-womens-hockey-world-cup-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/argentina-win-womens-hockey-world-cup-2026</guid><pubDate>Sat, 29 Aug 2026 23:19:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">શુક્રવારે 29 ઓગસ્ટના રોજ ફાઈનલમાં આર્જેન્ટિનાએ 9 વખતની ચેમ્પિયન નેધરલેન્ડ્સને હરાવીને 2026 વિમેન્સ હોકી વર્લ્ડકપ જીત્યો. નેધરલેન્ડ્સનું સતત ચોથું વર્લ્ડકપ જીતવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું.&nbsp;</p><p style="text-align: justify; ">મેચનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટ દ્વારા લેવામાં આવ્યો, જેમાં આર્જેન્ટિનાએ નેધરલેન્ડ્સને 3-1 થી હરાવ્યું. આ આર્જેન્ટિનાના આ ત્રીજું ટાઈટલ હતું. આ જીતે આર્જેન્ટિનાના પાછલી હારનો બદલો પણ લીધો. પાછલા વર્લ્ડકપમાં પણ આર્જેન્ટિનાને નેધરલેન્ડ્સે 3-1થી હરાવ્યું હતું. આર્જેન્ટિનાએ અગાઉ 2002 અને 2010 માં ટાઈટલ જીત્યું હતું.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>મેચમાં પૂર્ણ સમય સુધી સ્કોર 1-1 રહ્યો</b></h2><p style="text-align: justify; ">નેધરલેન્ડ્સના એમ્સ્ટલવીનમાં રમાયેલી આ મેચમાં બંને ટીમોનો સ્કોર 1-1 હતો. 30મી મિનિટે નેધરલેન્ડ્સ માટે જેન્સેન યબ્બીએ ગોલ કર્યો, જ્યારે 54મી મિનિટે આર્જેન્ટિના માટે ગ્રેનાટો મારિયાએ ગોલ કર્યો. મેચનો પહેલો ક્વાર્ટર ગોલ રહિત રહ્યો. નેધરલેન્ડ્સે બીજા ક્વાર્ટરમાં મેચનો પહેલો ગોલ કર્યો. ત્રીજો ક્વાર્ટર પણ ગોલ વિના પસાર થયો. આર્જેન્ટિનાએ ચોથા અને અંતિમ ક્વાર્ટરમાં ગોલ કરીને મેચ 1-1 થી બરાબર કરી દીધી. પૂર્ણ સમય સુધી સ્કોર 1-1 રહ્યો, જેના કારણે પેનલ્ટી શૂટઆઉટનો ઉપયોગ કરવો પડ્યો. આર્જેન્ટિનાને મેચમાં 8 પેનલ્ટી કોર્નર મળ્યા, જ્યારે નેધરલેન્ડ્સને 3 પેનલ્ટી કોર્નર મળ્યા.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/FIH_Hockey/status/2093731216323158526"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3 style="text-align: justify; "><b>આ રીતે પેનલ્ટી શૂટઆઉટ થયું&nbsp;</b></h3><p style="text-align: justify; ">પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિના તરફથી વિક્ટોરિયા ગ્રેનાટો, બ્રિસા બ્રુગેસર અને સોફિયા કૈરોએ ગોલ કર્યા. ડિયાઝ જોનો ગોલ રદ્દ થયો. નેધરલેન્ડ્સ તરફથી એકમાત્ર ગોલ વિએન મારિનનો હતો. પીએન સેન્ડર્સ, ફેલિસ આલ્બર્સ અને મોઈસ ફ્રેક પેનલ્ટી ચૂકી ગયા.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>ટુર્નામેન્ટમાં આર્જેન્ટિનાની સફર&nbsp;</b></h4><p style="text-align: justify; ">પૂલ સ્ટેજમાં આર્જેન્ટિનાએ તેમની 3 માંથી 2 મેચ જીતી અને 1 ડ્રો કરીને આગળના સ્ટેજમાં પ્રવેશ કર્યો. બીજા સ્ટેજમાં ટીમે તેમની 3 માંથી 2 મેચ જીતી, 1 ડ્રો કરીને સેમીફાઈનલમાં સ્થાન મેળવ્યું. ત્યારબાદ ટીમે સેમીફાઈનલ જીતી અને ફાઈનલમાં પ્રવેશ કર્યો, અંતે ફાઈનલમાં શક્તિશાળી નેધરલેન્ડ્સને હરાવીને ટાઈટલ જીત્યું.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/mm1ehzQulQP0oZjKwWwkRnZGzX0VvdFUNeEUALOS.webp'/></item></channel></rss>