<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Narmada Rain Update: કરજણ ડેમ છલકાતા 8 દરવાજા ખોલાયા, કાંઠાના 8 ગામોને હાઇ એલર્ટ કરાયા ]]></title><link>https://sandesh.com/weather/monsoon-2026/news/narmada/karjan-dam-8-gates-opened-water-discharge-alert</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/monsoon-2026/news/narmada/karjan-dam-8-gates-opened-water-discharge-alert</guid><pubDate>Fri, 31 Jul 2026 17:57:35 +05:30</pubDate><description><![CDATA[<p>નર્મદા જિલ્લાના ઉપરવાસમાં આવેલા ડેડીયાપાડા અને સાગબારા પંથકમાં પડી રહેલા ધોધમાર વરસાદના કારણે કરજણ ડેમમાં પાણીની મબલખ આવક થઈ રહી છે. ડેમના ઉપરવાસમાંથી હાલમાં 1 લાખ ક્યુસેક જેટલી જંગી પાણીની આવક નોંધાઈ રહી છે. સતત થઈ રહેલી આવકના પરિણામે કરજણ ડેમની હાલની જળસપાટી વધીને 108.04 મીટરે પહોંચી ગઈ છે, જ્યારે ડેમની મહત્તમ સપાટી 116 મીટર છે.</p><h2><b>ડેમના 8 દરવાજા 3 મીટર સુધી ખોલવામાં આવ્યા</b></h2><p>ડેમમાં પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું હોવાથી પાણીના નિકાલ અને સપાટી રૂટીન જાળવી રાખવા માટે વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. કરજણ ડેમના કુલ 8 દરવાજાને 3 મીટર સુધી ખોલી દેવામાં આવ્યા છે. આ 8 દરવાજાઓમાંથી હાલમાં કરજણ નદીમાં 80,721 ક્યુસેક પાણીનો જથ્થો સતત છોડવામાં આવી રહ્યો છે.</p><p><img alt="Narmada Rain Update: Karjan Dam 8 Gates Opened, 80,000 Cusec Water Discharged, 8 Villages Alerted" src="https://epapercdn.sandesh.com/images/2026/07/31/KdKtezKsxQTVUVQfbG7sMCnoYDkLqIwXYh1TKA7w.webp"><br></p><h2><b>નદીકાંઠાના 8 ગામોને એલર્ટ જાહેર</b></h2><p>કરજણ ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડાતાં કરજણ નદી બે કાંઠે વહેતી થઈ છે. સુરક્ષા અને સાવચેતીના ભાગરૂપે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડેમના હેઠવાસમાં આવેલા અને નદીકાંઠા વિસ્તારમાં વસતા 8 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સ્થાનિક રહીશોને નદી કિનારે ન જવાની તેમજ પશુઓને નદીપટથી દૂર રાખવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/narmada/karjan-dam-4-gates-opened-34000-cusecs-water-discharged-villages-alert" target="_blank">Narmada: કરજણ ડેમના 4 ગેટ ખોલાયા, નદીમાં 34 હજાર ક્યુસેક પાણી છોડાતાં ગામો એલર્ટ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/31/epKpPqfkCzmjSFmDJN929SmcmkspBndSkRLRNgfR.webp'/></item><item><title><![CDATA[CWG 2026: બોક્સર અંકુશ પંઘાલે સેમિફાઇનલમાં કેનેડાને હરાવી ફાઇનલમાં પહોંચ્યો ]]></title><link>https://sandesh.com/sports/news/cwg-2026-boxer-ankush-panghal-defeats-canada-in-semifinals-to-reach-final</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/cwg-2026-boxer-ankush-panghal-defeats-canada-in-semifinals-to-reach-final</guid><pubDate>Fri, 31 Jul 2026 17:53:36 +05:30</pubDate><description><![CDATA[<p>કોમનવેલ્થ ગેમ્સ 2026નો 9મો દિવસ ભારતીય ખેલાડીઓ માટે અત્યાર સુધીનો સારો દિવસ રહ્યો છે.ભારતીય બોક્સર પ્રીતિ પવાર (54 કિગ્રા) એ શાનદાર પ્રદર્શન કર્યું,ઝામ્બિયાની કેથરિન મ્વાપેને 5-0 થી હરાવીને કોમનવેલ્થ ગેમ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો.22 વર્ષીય એશિયન ગેમ્સના બ્રોન્ઝ મેડલ વિજેતાએ શરૂઆતથી અંત સુધી મુકાબલામાં પ્રભુત્વ મેળવ્યું.દરમિયાન અંકુશ પંઘાલે પુરુષોની 80 કિગ્રા સેમિફાઇનલમાં કેનેડાના જોશુઆ ઓફોરીને 5-0 થી હરાવીને મેડલ સુનિશ્ચિત કર્યો.</p><h5><b>અંકુશ પંઘાલે સેમિફાઇનલમાં જોશુઆ ઓફોરીને પણ હરાવ્યો</b></h5><p>અંકુશ પંઘાલની વાત કરીએ તો, તેણે પુરુષોની 80 કિગ્રા સેમિફાઇનલમાં કેનેડાના જોશુઆ ઓફોરીને 5-0 ના નિર્ણયથી હરાવ્યો. બધા જજોએ અંકુશના પક્ષમાં ચુકાદો આપ્યો. કેનેડિયન બોક્સર પર આ જીત સાથે, તે આજે ઓછામાં ઓછો સિલ્વર મેડલ મેળવનાર બીજો ભારતીય બોક્સર બન્યો. અંકુશના આક્રમક હુમલાઓ સામે કેનેડિયન બોક્સર લાચાર દેખાતો હતો, વારંવાર પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કરતો હતો. અંકુશે સંપૂર્ણ સંયમ સાથે સચોટ મુક્કા મારીને મુકાબલો જીત્યો અને ભારત માટે બીજો મેડલ સુરક્ષિત કર્યો. હવે, તેની નજર ફાઇનલમાં ગોલ્ડ મેડલ પર રહેશે.</p><h4><b>પ્રીતિ પવારની સિદ્ધિઓ</b></h4><p>પ્રીતિ પવાર પહેલાથી જ ઘણી મોટી સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે. આ વર્ષે, તેણીએ એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ અને EUBC ગોલ્ડ ગ્રાન્ડ પ્રિકસમાં ગોલ્ડ જીત્યો હતો. ગયા વર્ષે, તેણીએ વર્લ્ડ બોક્સિંગ ક્લબ ફાઇનલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણીએ એશિયન ગેમ્સ 2022 માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણીએ પેરિસ 2024 માં પણ ભાગ લીધો હતો.</p><h5><b>ફાઇનલમાં પહોંચ્યા પછી પ્રીતિએ શું કહ્યું?</b></h5><p>સેમિફાઇનલમાં જીત બાદ&nbsp; ટાંકવામાં આવેલા પ્રીતિએ પોતાની જીત પછી કહ્યું, "હું ખૂબ જ ખુશ છું કે હું મારી તૈયારીઓને કાર્યમાં પરિવર્તિત કરી શકી. હવે, મારું સંપૂર્ણ ધ્યાન ગોલ્ડ મેડલ જીતવા પર છે અને હું મારું શ્રેષ્ઠ આપીશ." તેણીએ ઉમેર્યું, "હું ક્યારેય કોઈ પ્રતિસ્પર્ધીને હળવાશથી લેતી નથી. હું મારા કોચ સાથે દરેક મુકાબલા માટે સંપૂર્ણ તૈયારી કરું છું અને તે યોજનાઓ અનુસાર બોક્સિંગ રિંગમાં મારી રમત પર કામ કરી શકવાથી ખુશ છું.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/cwg-2026-boxer-preeti-secures-medal-reaches-womens-54-kg-final" target="_blank">CWG 2026: બોક્સર પ્રીતિએ મેડલ કર્યો પાક્કો, મહિલાઓના 54 કિગ્રા ફાઈનલમાં પહોંચી</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/31/vPaNWZyIKokVib8xXXpWLWUGQvapaEh9MjgAfvYk.webp'/></item><item><title><![CDATA[Gujarat weather : સાંજે 7 વાગ્યા સુધીમાં 17 જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/red-alert-in-17-districts-till-7-pm-amid-heavy-rain-forecast</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/red-alert-in-17-districts-till-7-pm-amid-heavy-rain-forecast</guid><pubDate>Fri, 31 Jul 2026 17:45:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાત માટે આગામી 3 કલાક અત્યંત મહત્વપૂર્ણ ગણાવાઈ રહ્યા છે. સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને જોતા રાજ્યના 17 જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 14 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ અને ૩ જિલ્લાઓ માટે યલો એલર્ટ  જાહેર કરીને તંત્રને સ્ટેન્ડબાય મોડ પર રાખવામાં આવ્યું છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>આ વિસ્તારોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર</b></h2><p style="text-align: justify; ">ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રાજ્યમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, છોટાઉદેપુર, મહીસાગર, અરવલ્લીમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. કચ્છ, સાબરકાંઠા, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જામનગર. દેવભૂમી દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.</p><h3 style="text-align: justify; "><b>બપોરે બેથી ચાર વાગ્યા સુધીમાં 110 તાલુકાઓમાં મેઘમહેર</b></h3><p style="text-align: justify; ">ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ વચ્ચે આજે બપોરે 2 થી 4 વાગ્યા સુધીના માત્ર બે કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 110 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ખાબક્યો છે. નેત્રંગમાં માત્ર બે જ કલાકમાં 4.45 ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાતા ચારેકોર પાણી-પાણી થઈ ગયું છે. દક્ષિણ ગુજરાતના અન્ય તાલુકાઓની વાત કરીએ તો સુરતના અંબિકામાં 3.94 ઈંચ, માંગરોળમાં 2.99 ઈંચ, વલસાડના ધરમપુરમાં 3.39 ઈંચ અને વલસાડ શહેરમાં 2.32 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય ડાંગના સુબિરમાં 2.83 ઈંચ, મધ્ય ગુજરાતમાં ખેડાના વસોમાં 2.65 ઈંચ તથા મહેમદાવાદમાં 2.44 ઈંચ વરસાદ પડ્યો છે. સાથે જ નવસારીના ખેરગામમાં 2.44 ઈંચ અને વાંસદામાં 2.40 ઈંચ વરસાદ નોંધાયો છે.</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/gujarat-heavy-rain-forecast-7-days-5-systems-active-ahmedabad-surat-red-alert" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad: ગુજરાતમાં 7 દિવસ ભયાનક વરસાદની આગાહી, 5 સિસ્ટમ સક્રિય થતાં અમદાવાદ-સુરત સહિત 5 જિલ્લામાં રેડ એલર્ટ</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/31/DOSX1CafegcgRkf14zbiqwAHM4OIn4fNL9L67x96.webp'/></item><item><title><![CDATA[Delhi: કેન્દ્રીય મંત્રીમંડળના 4 મોટા નિર્ણયો,સૂર્ય ઘર અને સમુદ્ર મંથન યોજનાને મંજૂરી ]]></title><link>https://sandesh.com/india/news/delhi-4-major-decisions-of-the-union-cabinet-approval-of-surya-ghar-and-samudra-manthan-scheme</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/delhi-4-major-decisions-of-the-union-cabinet-approval-of-surya-ghar-and-samudra-manthan-scheme</guid><pubDate>Fri, 31 Jul 2026 17:44:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં દેશના વિકાસ અને નાગરિકોના કલ્યાણ માટે ચાર અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠકમાં ખેડૂતો, યુવાનો, ઉર્જા ક્ષેત્ર અને દરિયાઈ અર્થતંત્રને મજબૂત કરવા માટે અનેક મોટી યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે તેમજ ચાલુ યોજનાઓને લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે. સરકારના આ પગલાંથી દેશના લાખો નાગરિકોને સીધો લાભ મળશે અને આર્થિક વિકાસને વધુ વેગ મળશે.</p><h2 style="text-align: justify; "><b>પીએમ કિસાન યોજના 5 વર્ષ સુધી લંબાવાઇ</b></h2><p style="text-align: justify; ">આ નિર્ણયોની વિગતો અનુસાર, સરકારે દેશના અન્નદાતાઓની આર્થિક સ્થિતિ સુધારવા માટે અત્યંત લોકપ્રિય 'પીએમ કિસાન યોજના' (PM-Kisan) ને આગામી પાંચ વર્ષ માટે લંબાવવાનો મોટો નિર્ણય લીધો છે. અત્યાર સુધીમાં આ યોજના હેઠળ દેશના ખેડૂતોને કુલ ₹3.10 લાખ કરોડથી વધુની રકમ સીધી તેમના ખાતામાં જમા કરાવવામાં આવી છે. આ સહાયના કારણે ખેડૂતોની દેવા પરની નિર્ભરતામાં લગભગ ૮૫% જેટલો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જે ખેડૂતોને આત્મનિર્ભર બનાવવામાં અત્યંત કારગર સાબિત થઈ રહ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>'પીએમ સૂર્ય ઘર યોજના'ને પણ સત્તાવાર મંજૂરી</b></h3><p style="text-align: justify; ">કૃષિ ઉપરાંત ઉર્જા ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે 'પીએમ સૂર્ય ઘર યોજના'ને પણ સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે, જેનાથી દેશમાં સોલાર એનર્જીના ઉપયોગને વેગ મળશે અને વીજળીના બિલમાં મોટી રાહત મળશે. યુવાઓમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધારવા અને ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ પૂરી પાડવા માટે 'ખેલો ઇન્ડિયા યોજના'ને પણ આગામી પાંચ વર્ષ માટે લંબાવવામાં આવી છે. આ યોજના હેઠળ દેશના પ્રતિભાશાળી યુવાનોને આગળ વધવાની સોનેરી તકો મળતી રહેશે.</p><h4 style="text-align: justify; "><b>'સમુદ્ર મંથન યોજના'ને પણ મંજૂરી</b></h4><p style="text-align: justify; ">આ તમામની સાથે સાથે, દરિયાઈ ક્ષેત્રના વિકાસ અને સંસાધનોના શ્રેષ્ઠ ઉપયોગ માટે એક નવી પહેલ તરીકે 'સમુદ્ર મંથન યોજના'ને પણ મંજૂરી આપવામાં આવી છે. સરકારના આ ચારેય મહત્વપૂર્ણ નિર્ણયો દેશના સર્વાંગી વિકાસ, ખેડૂતોની ખુશાલી, સ્વચ્છ ઉર્જા અને યુવા સશક્તિકરણની દિશામાં એક માઈલસ્ટોન સાબિત થશે. કેન્દ્રીય મંત્રીમંડળની આ બેઠકથી દેશના વિવિધ વર્ગોમાં ભારે ઉત્સાહ અને સકારાત્મક વાતાવરણ ફેલાઈ ગયું છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/lifestyle/news/lifestyle-turn-an-empty-balcony-into-a-mini-garden-here-are-the-5-best-ideas" target="_blank">આ પણ વાંચોઃ Lifestyle: ખાલી પડેલી બાલ્કનીને આ રીતે બનાવો મિની ગાર્ડન, આ રહ્યા  બેસ્ટ આઇડિયા</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/31/0c4CvPPT231NIUMm8kPPg3asRt2Q1ryxXGIWgK5d.webp'/></item><item><title><![CDATA[Independence Day : ભારત છોડો આંદોલનથી કેમ ડરી ગયા અંગ્રેજો? જાણો કેવી રીતે હચમચી ગયું હતું બ્રિટિશ રાજ ]]></title><link>https://sandesh.com/knowledge/news/india/independence-day-quit-india-movement-british-fear-1942</link><guid isPermaLink="true">https://sandesh.com/knowledge/news/india/independence-day-quit-india-movement-british-fear-1942</guid><pubDate>Fri, 31 Jul 2026 17:43:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતની આઝાદીની લડાઈમાં અનેક આંદોલનો થયા, પરંતુ ભારત છોડો આંદોલન એ બ્રિટિશ શાસન સામે સૌથી મોટો જનવિરોધ ઊભો કર્યો. 8 ઓગસ્ટ 1942ના રોજ મહાત્મા ગાંધીના નેતૃત્વમાં શરૂ થયેલી આ ચળવળે દેશના સામાન્ય નાગરિકથી લઈને યુવાનો સુધી સૌને આઝાદીની લડાઈમાં જોડ્યા. કરો યા મરોના એક નારાએ દેશભરમાં નવી ઊર્જા ભરી અને બ્રિટિશ સરકાર સામેનો વિરોધ વધુ ઉગ્ર બન્યો. નેતાઓની ધરપકડ બાદ પણ આંદોલન અટક્યું નહીં અને જનતાએ પોતાના સ્તરે તેની કમાન સંભાળી.</p><h2 style="text-align: justify; "><b>જનતાએ જાતે સંભાળ્યું આંદોલનનું નેતૃત્વ</b></h2><p style="text-align: justify; ">8 ઓગસ્ટ 1942ના રોજ મુંબઈમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સંમેલનમાં ભારત છોડો આંદોલનનો ઠરાવ પસાર થયો. મહાત્મા ગાંધીએ દેશવાસીઓને ‘કરો યા મરો’નો સંદેશ આપ્યો. બીજા જ દિવસે 9 ઓગસ્ટે બ્રિટિશ સરકારે ગાંધીજી સહિત કોંગ્રેસના મોટા નેતાઓની ધરપકડ કરી. અંગ્રેજોને લાગ્યું હતું કે નેતાઓ જેલમાં જતા આંદોલન શાંત પડી જશે. પરંતુ થયું તેનાથી વિપરીત. દેશભરના લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને પોતાના સ્તરે આંદોલન આગળ વધાર્યું.</p><h3 style="text-align: justify; "><b>સામાન્ય જનતાનો મળ્યો જોરદાર સાથ</b></h3><p style="text-align: justify; ">આ આંદોલનની સૌથી મોટી ખાસિયત તેનો વ્યાપક જનસમર્થન હતો. મહિલાઓ, વિદ્યાર્થીઓ, ખેડૂતો અને મજૂરો મોટી સંખ્યામાં આઝાદીની લડાઈમાં જોડાયા. લોકોમાં અંગ્રેજોના શાસન સામેનો ગુસ્સો સતત વધતો ગયો. ગાંધીજીના ‘કરો યા મરો’ના નારાએ લોકોના મનમાં આઝાદી માટેનો જુસ્સો વધુ મજબૂત કર્યો. હવે આ લડાઈ માત્ર રાજકીય નેતાઓ પૂરતી સીમિત રહી નહોતી, પરંતુ સામાન્ય લોકો પણ તેનો મહત્વનો ભાગ બની ગયા હતા.</p><h3 style="text-align: justify; "><b>યુવા નેતાઓએ વધારી આંદોલનની તાકાત</b></h3><p style="text-align: justify; ">ભારત છોડો આંદોલન દરમિયાન જયપ્રકાશ નારાયણ અને રામ મનોહર લોહિયા જેવા યુવા નેતાઓ આગળ આવ્યા. તેમણે યુવાનોને બ્રિટિશ શાસન સામે અવાજ ઉઠાવવા પ્રેરિત કર્યા. નેતાઓ જેલમાં હોવા છતાં યુવાનો અને કાર્યકરોએ આંદોલનને જીવંત રાખ્યું.</p><h4 style="text-align: justify; "><b>જાપાની ધમકીથી બ્રિટિશ શાસન સામે વધ્યો અવિશ્વાસ</b></h4><p style="text-align: justify; ">બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાની સેના ભારતની પૂર્વ સરહદ તરફ આગળ વધી રહી હતી. આ સ્થિતિમાં ભારતીયોમાં એવી લાગણી મજબૂત બની કે બ્રિટિશ સરકાર દેશનું યોગ્ય રક્ષણ કરવામાં સક્ષમ નથી. તેના કારણે બ્રિટિશ શાસન પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ નબળો પડ્યો.</p><h4 style="text-align: justify; "><b>ક્રિપ્સ મિશનનો પ્રસ્તાવ પણ નિષ્ફળ રહ્યો</b></h4><p style="text-align: justify; ">સર સ્ટેફોર્ડ ક્રિપ્સ ભારત માટે એક પ્રસ્તાવ લઈને આવ્યા હતા. તેમાં યુદ્ધ પૂરું થયા બાદ ભારતને સ્વતંત્રતા આપવાની વાત કરવામાં આવી હતી. પરંતુ કોંગ્રેસે આ પ્રસ્તાવ સ્વીકાર્યો નહીં, કારણ કે તે ભારતની અપેક્ષાઓ કરતાં ઘણો ઓછો હતો. આ નિષ્ફળતાએ પણ ભારત છોડો આંદોલન માટેની જમીન તૈયાર કરી.</p><h5 style="text-align: justify; "><b>બ્રિટનની નબળી સ્થિતિ બની મોટું કારણ</b></h5><p style="text-align: justify; ">બીજા વિશ્વયુદ્ધે બ્રિટનની આર્થિક અને લશ્કરી સ્થિતિને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. યુદ્ધ બાદ ભારત જેવી મોટી વસાહત પર લાંબા સમય સુધી નિયંત્રણ જાળવી રાખવું બ્રિટન માટે મુશ્કેલ બન્યું. આ સ્થિતિએ ભારતની આઝાદીની પ્રક્રિયાને વધુ વેગ આપ્યો.</p><h4 style="text-align: justify; "><b>ધરપકડ અને દમન છતાં લોકો પાછળ ન હટ્યા</b></h4><p style="text-align: justify; ">9 ઓગસ્ટ બાદ દેશના અનેક વિસ્તારોમાં પોલીસ કાર્યવાહી શરૂ થઈ. લાઠીચાર્જ, ગોળીબાર અને મોટા પાયે ધરપકડો કરવામાં આવી. ગાંધીજીને આગા ખાન પેલેસમાં નજરકેદ કરવામાં આવ્યા હતા. તેમની સાથે તેમના સેક્રેટરી મહાદેવ દેસાઈ અને પત્ની કસ્તુરબા ગાંધી પણ હતા. મહાદેવ દેસાઈનું જેલમાં અવસાન થયું અને ત્યારબાદ કસ્તુરબા ગાંધીનું પણ અવસાન થયું. ગાંધીજી માટે આ બંને મૃત્યુ અત્યંત દુઃખદ રહ્યા.</p><h5 style="text-align: justify; "><b>60,000થી વધુ લોકોની ધરપકડ</b></h5><p style="text-align: justify; ">ગાંધીજી અને અન્ય નેતાઓની ધરપકડના વિરોધમાં દેશભરમાં મોટી સંખ્યામાં લોકોની ધરપકડ કરવામાં આવી. 60,000થી વધુ લોકો જેલમાં મોકલાયા. અનેક સ્થળોએ સરકારી ઇમારતોને નુકસાન થયું, ટેલિફોન લાઇનો કાપવામાં આવી અને રેલવે ટ્રેકને નુકસાન પહોંચાડવામાં આવ્યું. બ્રિટિશ સરકારે કોંગ્રેસ પર પ્રતિબંધ મૂક્યો, છતાં કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકોએ પોતાની પ્રવૃત્તિઓ ચાલુ રાખી. હજારો શાળા અને કોલેજના વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડીને આંદોલનમાં ભાગ લીધો.</p><h6 style="text-align: justify; "><b>બે વર્ષ સુધી ચાલ્યું આંદોલન</b></h6><p style="text-align: justify; ">ભારત છોડો આંદોલન લગભગ 2 વર્ષ સુધી ચાલ્યું. બ્રિટિશ સરકારે તેને દબાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ ચળવળે બ્રિટિશ શાસનની અંદરથી રહેલી નબળાઈ દુનિયા સામે સ્પષ્ટ કરી દીધી. આંદોલને દેશની જનતાને એકસાથે લાવી, યુવાનોમાં આઝાદી માટેનો જુસ્સો વધાર્યો અને બ્રિટિશ સરકારને સ્પષ્ટ સંદેશ આપ્યો કે ભારત હવે ગુલામી સ્વીકારવા તૈયાર નથી. ભારતની આઝાદીની અંતિમ લડાઈમાં ભારત છોડો આંદોલન એક મહત્વપૂર્ણ વળાંક સાબિત થયું.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/knowledge/news/india/14-august-night-tricolor-hoisting-india" target="_blank">આ પણ વાંચો-Independence Day : ભારતમાં એક એવું શહેર જ્યાં 14 ઓગસ્ટની રાત્રે જ ફરકાવવામાં આવે છે તિરંગો!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/31/yOOCBRdcORO6a0MVs2QDOHl7ebTZQEI2G69jXEXU.webp'/></item><item><title><![CDATA[Bharuchના અંકલેશ્વરમાં ANTFનો ડ્રગ્સ નેટવર્ક પર પ્રહાર, પ્રિસ્ક્રિપ્શન વિના ઈન્જેક્શન વેચતા ભંગારનો વેપારી પકડાયો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/antf-raids-drug-network-in-ankleshwar-bharuch-scrap-dealer-caught-selling-injections-without-prescription</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/antf-raids-drug-network-in-ankleshwar-bharuch-scrap-dealer-caught-selling-injections-without-prescription</guid><pubDate>Fri, 31 Jul 2026 17:37:29 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) દ્વારા ડ્રગ્સ નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તંત્ર દ્વારા અંકલેશ્વરમાં ગેરકાયદેસર રીતે વેચવામાં આવી રહેલા 'Pentazocine Lactate Injection IP 30 mg/ml' ના જથ્થાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ઈન્જેક્શનો કોઈ પણ ડૉક્ટરના માન્ય પ્રિસ્ક્રિપ્શન વગર ગેરકાયદેસર રીતે લોકોને વેચવામાં આવી રહ્યા હતા, જે નશાના આસપાસના કારોબાર સાથે જોડાયેલા હોવાની આશંકા છે.</p><h2 style="text-align: justify; "><b>ઈન્જેક્શન સાથે ભંગારના વેપારીની ધરપકડ&nbsp;</b></h2><p style="text-align: justify; ">ANTFની આ કામગીરી દરમિયાન ભંગારના વેપારી સરફરાજ ખાનની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી કુલ 540 નંગ 'Pentazocine Lactate' ઈન્જેક્શનનો જથ્થો કબજે કરીને કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે આ ગેરકાયદેસર ઈન્જેક્શનનો જથ્થો મુંબઈના આશુતોષ પાંડે નામના ઈસમ દ્વારા મોકલવામાં આવ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>NDPS એક્ટ હેઠળ ભરૂચ B-ડિવિઝનમાં ગુનો દાખલ</b></h3><p style="text-align: justify; ">આ સમગ્ર કૌભાંડ સામે આવ્યા બાદ ભરૂચ B-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ (NDPS Act) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ભરૂચ પોલીસ અને ANTF દ્વારા મુંબઈ સ્થિત સપ્લાયર આશુતોષ પાંડેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ડ્રગ્સ અને નશાકારક દવાઓના નેટવર્કને મૂળમાંથી ઉખાડી ફેંકવા માટે તંત્ર દ્વારા આગળની ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/31/mCR95WlwAbOzrR6GeHtCbu80QfjHC2Vs6F9WKR4K.webp'/></item><item><title><![CDATA[Delhi-Vadodara ફ્લાઇટમાં મોટી બેદરકારી, ચાલુ પ્લેને વિન્ડો ગ્લાસનું પ્લાસ્ટિક કવર ઉખડી ગયું ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/major-negligence-on-delhi-vadodara-flight-plastic-cover-of-window-glass-torn-off-during-flight</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/major-negligence-on-delhi-vadodara-flight-plastic-cover-of-window-glass-torn-off-during-flight</guid><pubDate>Fri, 31 Jul 2026 17:37:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દિલ્હીથી વડોદરા આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં એક ચોંકાવનારી અને ડરામણી ઘટના સામે આવી છે. ચાલુ ફ્લાઇટ દરમિયાન અચાનક પ્લેનની એક બારીનું વિન્ડો ગ્લાસ કવર (અંદરનું પ્લાસ્ટિક કવર) ઉખડીને નીકળી ગયું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. હવામાં હજારો ફૂટની ઊંચાઈએ બારીનું કવર નીકળી જતાં ફ્લાઇટમાં સવાર મુસાફરોમાં ભારે ગભરાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.</p><h2 style="text-align: justify; "><b>અસરગ્રસ્ત રો તાત્કાલિક ખાલી કરાવાઈ</b></h2><p style="text-align: justify; ">ઘટના અંગે જાણ થતાં જ પ્લેનના કેબિન ક્રૂ મેમ્બર્સ તાત્કાલિક હરકતમાં આવ્યા હતા. વિમાનની અંદર કોઈ મોટી હોનારત કે પ્રેશરની સમસ્યા ન સર્જાય તે માટે તકેદારીના ભાગરૂપે ક્રૂએ ગ્લાસ કવર નીકળ્યું હતું તે આખી રો (બેઠક લાઇન) તાત્કાલિક અસરથી ખાલી કરાવી દીધી હતી. ત્યાં બેઠેલા તમામ મુસાફરોને સુરક્ષિત રીતે પ્લેનની અન્ય ખાલી બેઠકો પર ખસેડવામાં આવ્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>વડોદરા એરપોર્ટ પર ફ્લાઇટનું સુરક્ષિત લેન્ડિંગ થતાં રાહત</b></h2><p style="text-align: justify; ">મુસાફરોમાં સર્જાયેલા ભયના માહોલ વચ્ચે પાયલટ અને કેબિન ક્રૂના પરિપક્વ સંચાલનને કારણે વિમાનને વડોદરા એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરી લેવામાં આવ્યું હતું. ફ્લાઇટનું સુરક્ષિત લેન્ડિંગ થતાં જ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. સદ્નસીબે આ ઘટનામાં તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા છે, પરંતુ ફ્લાઇટની મેન્ટેનન્સ અને સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/junagadh/monsoon-2026-heavy-currents-in-mangrol-sea-of-junagadh-waves-5-to-7-feet-high" target="_blank">Monsoon 2026 : જૂનાગઢના માંગરોળ દરિયામાં ભારે કરંટ, 5 થી 7 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા...</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/31/Mp4DFHwzp5hxQjWsdiZus8qqk6h1sIRegKm99e2q.webp'/></item><item><title><![CDATA[Indian Railways History: સુરતથી અમદાવાદ દોડતી 'વંદે ભારત' ટ્રેનમાં પ્રથમવાર લવાયું જીવિત હૃદય, દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ શરૂ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/indian-railways-creates-history-vande-bharat-train-transports-live-heart-surat-to-ahmedabad</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/indian-railways-creates-history-vande-bharat-train-transports-live-heart-surat-to-ahmedabad</guid><pubDate>Fri, 31 Jul 2026 17:24:40 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય રેલવેએ તબીબી ક્ષેત્રે એક અનોખો અને ઐતિહાસિક કીર્તિમાન સ્થાપિત કર્યો છે. સામાન્ય રીતે જીવિત અંગોના ઝડપી પરિવહન માટે એર એમ્બ્યુલન્સ કે હવાઈ માર્ગનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, પરંતુ પ્રથમવાર ભારતીય રેલવે મારફતે જીવિત હૃદય એક જગ્યાએથી બીજી જગ્યાએ સફળતાપૂર્વક પહોંચાડવામાં આવ્યું છે.</p><h2><b>સુરતથી અમદાવાદ વંદે ભારતમાં હૃદય લવાયું</b></h2><p>સુરતથી અમદાવાદ આવી રહેલી સુપરફાસ્ટ 'વંદે ભારત' ટ્રેનમાં આ જીવિત હૃદયને અત્યંત સુરક્ષિત અને ચોક્કસ સમયમર્યાદામાં અમદાવાદ પહોંચાડવામાં આવ્યું હતું. ટ્રેનમાં મેડિકલ ટીમની વિશેષ દેખરેખ હેઠળ આ હૃદયને લાવવામાં આવ્યું હતું. રેલવે તંત્ર દ્વારા આ માટે ખાસ ગ્રીન સિગ્નલ અને વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેથી ટ્રેન વિક્ષેપ વગર સમયસર પહોંચી શકે.</p><p><img alt="Indian Railways History: Live Heart Transported from Surat to Ahmedabad in Vande Bharat" src="https://epapercdn.sandesh.com/images/2026/07/31/KtFtF3apW3XgHiFfCgBd2QU158tYTygB7p9l0pkZ.webp"><br></p><h2><b>અમદાવાદ સ્ટેશનથી હોસ્પિટલ સુધી ગ્રીન કોરિડોર</b></h2><p>વંદે ભારત ટ્રેન અમદાવાદ રેલવે સ્ટેશને પહોંચતા જ ટ્રાફિક પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને કાલુપુર સ્ટેશનથી લઈને યુ. એન. મહેતા હોસ્પિટલ સુધીનો ખાસ 'ગ્રીન કોરિડોર' તૈયાર કરી આપ્યો હતો. કોઈપણ પ્રકારના ટ્રાફિક અવરોધ વિના રેકોર્ડ સમયમાં હૃદયને હોસ્પિટલ પહોંચાડી દેવાયું હતું.</p><p><img alt="Indian Railways History: Live Heart Transported from Surat to Ahmedabad in Vande Bharat" src="https://epapercdn.sandesh.com/images/2026/07/31/Ww1dBiActhzChtJwmm3beU2gSg6wS63JLcS9YrJ0.webp"><br></p><h2><b>યુ. એન. મહેતા હોસ્પિટલમાં સર્જરી શરૂ</b></h2><p>હૃદય હોસ્પિટલે પહોંચતાં જ નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા દર્દીમાં હૃદયના સફળ ટ્રાન્સપ્લાન્ટ માટેની સર્જરી હાથ ધરવામાં આવી છે. રેલવે, પોલીસ તંત્ર અને તબીબી ટીમના આ ઉત્કૃષ્ટ તાલમેલ અને માનવતાવાદી અભિગમની સમગ્ર દેશમાં સરાહના થઈ રહી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/weather/ahmedabad/110-talukas-receive-rain-in-2-hours-netrang-records-4-45-inches" target="_blank">Gujarat Weather Update: છેલ્લા 2 કલાકમાં 110 તાલુકાઓમાં મેઘમહેર, સૌથી વધુ નેત્રંગમાં 4.45 ઈંચ વરસાદ નોંધાયો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/31/dYxZJ65d4tqrRmMJLFiNdZx9uSqXj0Fhe2cI2Rqk.webp'/></item><item><title><![CDATA[Mystery Man : નિયા શર્મા કોને કરી રહી છે ડેટ? માલદીવની તસવીરોએ વધારી ચર્ચા! ]]></title><link>https://sandesh.com/entertainment/news/nia-sharma-dating-mystery-man-maldives-photos</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/nia-sharma-dating-mystery-man-maldives-photos</guid><pubDate>Fri, 31 Jul 2026 17:20:17 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ટીવી પડદાની સૌથી ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક નિયા શર્મા અવારનવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. નિયા પોતાની પ્રોફેશનલ લાઇફની સાથે સ્ટાઇલ અને ફેશન સેન્સને લઈને પણ ઘણી ચર્ચામાં રહે છે. હવે અભિનેત્રી ફરી એકવાર સમાચારોમાં છે, પરંતુ આ વખતે કારણ તેમનું અંગત જીવન છે.</p><h2 style="text-align: justify; "><b>નિયા શર્માએ શેર કરી સુંદર તસવીરો</b></h2><p style="text-align: justify; ">નિયા શર્માએ તાજેતરમાં પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર માલદીવ વેકેશનની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. જોકે, આ તસવીરો કરતાં તેમના અંગત જીવનની વધુ ચર્ચા થઈ રહી છે. તસવીરોમાં નિયા સાથે એક વ્યક્તિ પણ જોવા મળી રહ્યો છે, જેના બાદ સોશિયલ મીડિયા પર તેમની ડેટિંગની અફવાઓ ફરી તેજ બની છે. ચાહકો સતત પૂછી રહ્યા છે કે આખરે આ વ્યક્તિ કોણ છે.<br><img alt="Nia Sharma (10)" src="https://epapercdn.sandesh.com/images/2026/07/31/tPXjPmyTvlGBAVxoJLyIIlwON79wCWc4Xk9oJoIN.webp"><br></p><h3 style="text-align: justify; "><b>સિકંદર સિંહ સાથે જોવા મળી નિયા શર્મા</b></h3><p style="text-align: justify; ">નિયા શર્મા સાથે જોવા મળી રહેલી આ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ સિકંદર સિંહ છે. તેની તસવીરો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર બંનેના સંબંધોને લઈને અલગ-અલગ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. નિયા શર્મા અને સિકંદર સિંહના લિંકઅપની વાતો અગાઉ પણ ઘણી વખત સામે આવી ચૂકી છે. જોકે, બંનેએ ક્યારેય આ અફવાઓ પર ખુલ્લેઆમ કંઈ કહ્યું નથી. હવે માલદીવ વેકેશનની તસવીરો બાદ બંનેના સંબંધોને લઈને અટકળો ફરી તેજ થઈ ગઈ છે.<br><img alt="Nia Sharma (11)" src="https://epapercdn.sandesh.com/images/2026/07/31/V7CrqKDIgGOB9ZYiBERhHuNb3Lvh1H1kEN9IjRk6.webp"><br></p><p style="text-align: justify; ">બંને સાથે ડ્રિંક્સની મજા માણતા જોવા મળે છે. આ ઉપરાંત પિંક કલરની બગ્ગી રાઇડ દરમિયાન તેની રોમેન્ટિક બોન્ડિંગની ઝલક પણ ફેન્સનું ધ્યાન ખેંચી રહી છે. ઇન્ડિયા ટુડેના રિપોર્ટ પ્રમાણે, સિકંદર સિંહ ફ્રીલાન્સર આર્ટિસ્ટ છે અને ચંદીગઢમાં રહે છે.</p><h4 style="text-align: justify; "><b>નિયા શર્માનું વર્કફ્રન્ટ</b></h4><p style="text-align: justify; ">વર્કફ્રન્ટની વાત કરીએ તો નિયા શર્મા છેલ્લે કુકિંગ કોમેડી રિયાલિટી શો લાફ્ટર શેફ્સ-અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટની સીઝન 3માં જોવા મળી હતી, જેમાં તેમની કોમિક ટાઇમિંગ લોકોને ખૂબ પસંદ આવી હતી. આ પહેલાં નિયા કલર્સ ટીવીની લોકપ્રિય સુપરનેચરલ સીરિઝ સુહાગન ચૂડૈલમાં જોવા મળી હતી. હાલમાં તેમણે પોતાના આગામી પ્રોજેક્ટની જાહેરાત કરી નથી. નિયા હાલમાં મુંબઈની ભાગદોડથી દૂર માલદીવમાં શાંતિભરી પળો પસાર કરી રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/farah-naaz-rajesh-khanna-actress-life-now" target="_blank">આ પણ વાંચો-Famous Actress : બે લગ્ન અને વિવાદોથી ભરેલી જિંદગી... રાજેશ ખન્નાની એ હિરોઈન જેણે અચાનક ઈન્ડસ્ટ્રી છોડી દીધી!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/31/FMgMMhiV4K2n8GE9WzkmtWY164PAb8etLe71DAIE.webp'/></item><item><title><![CDATA[Stock Market Closing: શેરબજારમાં તેજી, સેન્સેક્સ 78,094 અંકે બંધ ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-closing-stock-market-rebounds-sensex-closes-at-78094-points</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-closing-stock-market-rebounds-sensex-closes-at-78094-points</guid><pubDate>Fri, 31 Jul 2026 15:38:22 +05:30</pubDate><description><![CDATA[<p>શુક્રવારે બપોરના કારોબાર દરમિયાન સ્થાનિક શેરબજારમાં મજબૂતી જોવા મળી. નાણાકીય સેવાઓ ક્ષેત્રમાં જોરદાર ખરીદીને કારણે, સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. મોટી કંપનીઓના શેરમાં થયેલા વધારાથી બજારનો સેન્ટિમેન્ટ સકારાત્મક રહ્યો.</p><p><b style="font-size: 2rem;">સેન્સેક્સ અને નિફ્ટીમાં મજબૂત વધારો</b></p><p>બપોરે 2:00 વાગ્યા સુધીમાં, BSE સેન્સેક્સ 264.44 પોઈન્ટ અથવા 0.34 ટકા વધીને 78,192.59 પર ટ્રેડ થઈ રહ્યો હતો. દરમિયાન, NSE નિફ્ટી50 94.85 પોઈન્ટ અથવા 0.39 ટકા વધીને 24,412.00 ના સ્તરે પહોંચ્યો.બજારમાં ખરીદીનો વેગ જળવાઈ રહ્યો હોવાથી, મુખ્ય સૂચકાંકો દિવસભર મજબૂતાઈથી ટ્રેડ કરતા રહ્યા. બપોરે 3.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં બંધ થયા. સેન્સેક્સ +166.49 પોઇન્ટના વધારા સાથે 78,094.64 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી +66.45 પોઇન્ટના વધારા સાથે24,383.60 અંકે બંધ થયો.&nbsp;</p><p><b style="font-size: 1.75rem;">સૌથી વધુ મજબૂતાઈ દર્શાવતા શેર</b></p><p>બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&amp;M) ના શેર નિફ્ટી50 ઇન્ડેક્સમાં ટોચના ગેઇનર્સમાં હતા. આ મુખ્ય કંપનીઓના શેરમાં આવેલી તેજીએ બજારને ઉંચુ લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.</p><h3><b>સૌથી વધુ મજબૂતાઈ દર્શાવતા શેર</b></h3><p>નિફ્ટી 50 ઇન્ડેક્સમાં બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&amp;M) ના શેર સૌથી વધુ વધ્યા હતા. આ મુખ્ય કંપનીઓમાં આવેલી તેજીએ બજારને ઉંચુ લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.</p><p><br></p><h4><b>મિડકેપ અને સ્મોલકેપ સ્ટોક્સમાં ખરીદીનો રસ</b></h4><p><br></p><p>લાર્જ-કેપ સ્ટોક્સની સાથે, વ્યાપક બજારમાં પણ રોકાણકારોનો રસ મજબૂત રહ્યો. બપોરે ૨:૦૦ વાગ્યા સુધીમાં, નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ આશરે 0.67 % ના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સ 0.80% ના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો હતો.</p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2024/12/23/kvbnCedElBnNc4v80b8xGl69tkyQbQ7MbeYqfvZy.jpg'/></item></channel></rss>