<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Jio IPO: નવેમ્બરમાં આવી શકે Jio Platformsનો IPO, વિદેશી રોકાણકારો પર કંપનીની નજર ]]></title><link>https://sandesh.com/business/news/jio-platforms-ipo-november-2026-foreign-investors-reliance-fundraising</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/jio-platforms-ipo-november-2026-foreign-investors-reliance-fundraising</guid><pubDate>Wed, 09 Sep 2026 20:19:04 +05:30</pubDate><description><![CDATA[<p>Reliance ઇન્ડસ્ટ્રીઝની ડિજિટલ અને ટેલિકોમ કંપની જિઓ પ્લેટફોર્મ્સના પ્રસ્તાવિત IPOને લઈને તૈયારીઓ હવે વધુ ઝડપી બની રહી છે. કંપની IPO પહેલાં દેશ-વિદેશના મોટા રોકાણકારો સુધી પહોંચવાની તૈયારીમાં હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટ અનુસાર, અમેરિકા, સિંગાપોર, હોંગકોંગ, લંડન અને મિડલ ઈસ્ટમાં સંભવિત રોકાણકારો સાથે બેઠકો યોજાઈ શકે છે.</p><p><b>SEBIની મંજૂરી બાદ આગળનું પગલું</b></p><p>જિઓ પ્લેટફોર્મ્સે 19 જૂન 2026ના રોજ IPO માટે SEBI સમક્ષ ડ્રાફ્ટ દસ્તાવેજો રજૂ કર્યા હતા. ત્યારબાદ 28 ઓગસ્ટે કંપનીને IPO માટે મંજૂરી મળી હતી. પ્રસ્તાવિત ઈશ્યૂ હેઠળ 27 કરોડ સુધીના નવા શેર જારી કરવાની યોજના છે, જે કંપનીની કુલ ઈક્વિટીમાં લગભગ 2.9 ટકાના ડાયલ્યુશન જેટલું થશે.</p><p><b>નવેમ્બરમાં IPO આવવાની શક્યતા</b></p><p>હાલ કંપનીના IPOની ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી. જોકે, રિપોર્ટ મુજબ જો તમામ પ્રક્રિયા યોજના પ્રમાણે આગળ વધશે તો જિઓ પ્લેટફોર્મ્સનો IPO નવેમ્બર 2026માં બજારમાં આવી શકે છે.</p><p><b>વિદેશી રોકાણકારો સાથે બેઠકો</b></p><p>IPO પહેલાં જિઓ પ્લેટફોર્મ્સની ટીમ વૈશ્વિક રોકાણકારો સાથે સીધી ચર્ચા કરી શકે છે. અમેરિકા સહિત સિંગાપોર, હોંગકોંગ, લંડન અને મિડલ ઈસ્ટમાં યોજાનારી બેઠકો દરમિયાન કંપનીનો બિઝનેસ મોડલ, અત્યાર સુધીની વૃદ્ધિ અને ભવિષ્યની સંભાવનાઓ અંગે પ્રેઝન્ટેશન આપવામાં આવી શકે છે.</p><p><b>IPOનું વેલ્યુએશન હજુ નક્કી નથી</b></p><p>જિઓ પ્લેટફોર્મ્સના IPOની અંતિમ વિગતો હજુ સામે આવી નથી. રિપોર્ટ અનુસાર, કંપની અને તેના સલાહકારો વચ્ચે ઈશ્યૂના કદ, કંપનીના વેલ્યુએશન અને IPOના સમયને લઈને ચર્ચા ચાલી રહી છે. એટલે અંતિમ ઓફર સાઈઝ અને વેલ્યુએશનમાં ફેરફાર થવાની શક્યતા પણ છે.</p><p><b>રિલાયન્સ પણ ₹12,500 કરોડ ઊભા કરશે</b></p><p>બીજી તરફ, જિઓના IPOની તૈયારીઓ વચ્ચે તેની પેરન્ટ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પણ ફંડ એકત્ર કરવાની દિશામાં આગળ વધી રહી છે. રિપોર્ટ અનુસાર, રિલાયન્સ સ્થાનિક કરન્સી બોન્ડ દ્વારા આગામી સપ્તાહની શરૂઆતમાં ₹12,500 કરોડ સુધીની રકમ મેળવવાની યોજના બનાવી રહી છે.</p><p><b>બોન્ડ ઈશ્યૂની બેઝ સાઈઝ ₹10,000 કરોડ</b></p><p>રિપોર્ટ પ્રમાણે રિલાયન્સના પ્રસ્તાવિત બોન્ડ ઈશ્યૂની મૂળ સાઈઝ ₹10,000 કરોડ રહેશે. આ ઉપરાંત કંપની પાસે ગ્રીનશૂ ઓપ્શન હેઠળ વધુ ₹2,500 કરોડ એકત્ર કરવાની સંભાવના રહેશે. આ રીતે કુલ ફંડ રેઝિંગ ₹12,500 કરોડ સુધી પહોંચી શકે છે.</p><p><b><a href="https://sandesh.com/business/news/nse-ipo-will-nses-ipo-create-history-know-every-detail-from-price-band-to-listing" target="_blank">આ પણ વાંચો:&nbsp; NSEનો IPO રચશે ઇતિહાસ? જાણો પ્રાઇઝ બેન્ડથી લઇને લિસ્ટિંગ સુધીની દરેક ડિટેલ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/rkIKR0o0X3LcLWkjlrmgiFUBPUNKH1hNWcyV6gjr.webp'/></item><item><title><![CDATA[BRICS Summit 2026: ભારત મંડપમમાં મહામંથન, જુઓ બે દિવસનો મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમ ]]></title><link>https://sandesh.com/india/news/brics-summit-2026-mahamanthan-at-bharat-mandapam-watch-the-two-day-minute-by-minute-program</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/brics-summit-2026-mahamanthan-at-bharat-mandapam-watch-the-two-day-minute-by-minute-program</guid><pubDate>Wed, 09 Sep 2026 19:52:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">18મું બ્રિક્સ સમિટ 12 અને 13 સપ્ટેમ્બરના રોજ પ્રગતિ મેદાન ખાતેના ભવ્ય ભારત મંડપમ ખાતે યોજાશે.&nbsp;</p><h2 style="text-align: justify; ">દેશોના ટોચના નેતાઓ ઉપસ્થિત&nbsp;</h2><p style="text-align: justify; ">નવી દિલ્હી 12 અને 13 સપ્ટેમ્બરના રોજ ભારત મંડપમ ખાતે 18મું બ્રિક્સ સમિટનું આયોજન કરશે. ભારતની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકની સત્તાવાર થીમ 'સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણું માટે નિર્માણ' છે. વિદેશ મંત્રાલયે બુધવારે આ બે દિવસ માટે નિર્ધારિત બેઠકો અને કાર્યક્રમોનું શેડ્યૂલ શેર કર્યું છે. બે દિવસીય આ શિખર સંમેલનમાં બ્રિક્સ સભ્ય દેશોના નેતાઓ, તેમજ ભાગીદાર દેશો અને આમંત્રિત દેશોના ટોચના નેતાઓ હાજરી આપશે.&nbsp;</p><h3 style="text-align: justify; ">ઉચ્ચ-સ્તરીય કાર્યક્રમો યોજાશે&nbsp;</h3><p style="text-align: justify; ">ભારતના પ્રમુખપદ દરમિયાન, 25 થી વધુ શહેરોમાં 350 થી વધુ બેઠકો અને ઉચ્ચ-સ્તરીય કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. શનિવારે, બ્રિક્સ સભ્ય દેશોના નેતાઓ ભારત મંડપમ પહોંચશે. "સમાવેશક વૈશ્વિક શાસન અને બહુપક્ષીયતાને મજબૂત બનાવવું" વિષય પર એક બંધ સત્ર લગભગ 2:35 વાગ્યે યોજાશે. બપોરે 4:25 વાગ્યે, બ્રિક્સ નેતાઓને "ઇન્ડિયા ઇનોવેટ્સ એક્ઝિબિશન" ની મુલાકાત લેવા માટે આમંત્રિત કરવામાં આવશે. ત્યારબાદ સાંજે 5:05 વાગ્યે નેતાઓનો કૌટુંબિક ફોટો અને સાંજે 5:10 વાગ્યે સંયુક્ત વૃક્ષારોપણ સમારોહ યોજાશે. દિવસનો અંત પ્રધાનમંત્રી દ્વારા આયોજિત ગાલા ડિનર સાથે થશે, જે ભારત મંડપમના સ્તર 3 પર સાંજે 7:30 વાગ્યે યોજાશે.</p><h4 style="text-align: justify; ">વૈશ્વિક વિકાસ માટે ચર્ચા&nbsp;</h4><p style="text-align: justify; ">રવિવાર, 13 સપ્ટેમ્બરના રોજ સવારે 9-55 વાગ્યે, "આઉટરીચ પ્રોગ્રામ" હેઠળ ભાગીદાર દેશો અને અન્ય દેશોના રાજ્યના વડાઓ/સરકારના વડાઓ ભારત મંડપમ ખાતે પહોંચશે. તે જ દિવસે સવારે 10-35 વાગ્યે એક કૌટુંબિક ફોટો યોજાશે. ત્યારબાદ, સમિટનું મહત્વપૂર્ણ ખુલ્લું સત્ર સવારે 10-50 વાગ્યે શરૂ થશે. તેની થીમ "સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણું માટે નિર્માણ, સમાવેશી વૈશ્વિક વિકાસ માટે ભવિષ્યને આકાર આપવો" હશે.</p><h5 style="text-align: justify; ">સમિટ વૈશ્વિક શાસનમાં સુધારા</h5><p style="text-align: justify; ">આ સત્રમાં, બ્રિક્સ દેશોના નેતાઓ, ભાગીદાર અને આમંત્રિત દેશો સાથે, વૈશ્વિક વિકાસ, આર્થિક સહયોગ અને ભવિષ્યના પડકારો પર મંતવ્યો શેર કરશે. 2026નું બ્રિક્સ સમિટ ભારત માટે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે આ વર્ષે જૂથ તેની સ્થાપનાના 20 વર્ષની ઉજવણી કરે છે. ભારત ચોથી વખત તેનું અધ્યક્ષપદ સંભાળી રહ્યું છે. આ સમિટ વૈશ્વિક શાસનમાં સુધારા, બહુપક્ષીયતાને મજબૂત બનાવવા અને વેપાર, નાણાં, ટેકનોલોજી, ઉર્જા સુરક્ષા અને ટકાઉ વિકાસ જેવા મુદ્દાઓ પર સહયોગ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી અપેક્ષા છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/india/news/brics-2026-news-know-how-putin-will-pay-while-shopping-in-delhi" target="_blank">દિલ્હીમાં ખરીદી સમયે Putin કેવી રીતે કરશે પેમેન્ટ, જાણો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/QgCAKj4v4XdcS6TAce2pHjlMrFwGag3XKqNYnYhZ.webp'/></item><item><title><![CDATA[Sri Lanka સાથે ભારતની સંરક્ષણ ભાગીદારી મજબૂત, રાજનાથ સિંહને મળ્યા રાષ્ટ્રપતિ દિસાનાયકે ]]></title><link>https://sandesh.com/world/news/india/rajnath-singh-sri-lanka-visit-india-defense-cooperation-indian-ocean-security</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/india/rajnath-singh-sri-lanka-visit-india-defense-cooperation-indian-ocean-security</guid><pubDate>Wed, 09 Sep 2026 19:51:58 +05:30</pubDate><description><![CDATA[<p>Rajnath Singh Sri Lanka visit: ભારત અને શ્રીલંકા વચ્ચે વધતો સંરક્ષણ સહયોગ માત્ર બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો પૂરતો સીમિત નથી. તેની સીધી અસર હિંદ મહાસાગરની પ્રાદેશિક સુરક્ષા અને ભારતની દરિયાઈ વ્યૂહરચના પર પડે છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની શ્રીલંકા મુલાકાત પણ આ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાની દિશામાં એક મહત્વનું પગલું છે.</p><p><b>શ્રીલંકાએ ભારતની સુરક્ષા અંગે આપ્યું મોટું આશ્વાસન</b></p><p>શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે કહ્યું કે, શ્રીલંકાની જમીનનો ઉપયોગ ભારતના સુરક્ષા હિતો વિરુદ્ધ કોઈપણ પ્રવૃત્તિ માટે થવા દેવામાં આવશે નહીં. હિંદ મહાસાગરમાં શ્રીલંકાનું મહત્વનું ભૌગોલિક સ્થાન હોવાથી ભારત માટે આ નિવેદન ખૂબ મહત્વનું છે. શ્રીલંકા હિંદ મહાસાગરના મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોની વચ્ચે આવેલો દેશ છે. તેથી કોલંબો, હંબનટોટા અને શ્રીલંકાની આસપાસનો દરિયાઈ વિસ્તાર ભારતની દરિયાઈ સુરક્ષા માટે ખૂબ જ મહત્વનો છે. હિંદ મહાસાગરમાં ચીનની વધતી હાજરી વચ્ચે ભારત માટે શ્રીલંકા સાથે મજબૂત વ્યૂહાત્મક સંબંધો જાળવી રાખવા જરૂરી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/rajnathsingh/status/2097568031757181404"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><a  target="_blank"></a></p><p><b>ભારતનું ધ્યાન સુરક્ષા સહયોગ મજબૂત કરવા પર</b></p><p>ભારતનો મુખ્ય પ્રયાસ એ છે કે શ્રીલંકા સાથે વિશ્વાસપૂર્ણ સુરક્ષા ભાગીદારી જળવાઈ રહે. હિંદ મહાસાગરમાં કોઈ બાહ્ય શક્તિની પ્રવૃત્તિ ભારતની સુરક્ષા માટે પડકાર ન બને, તે માટે બંને દેશો વચ્ચે સહયોગ વધારવામાં આવી રહ્યો છે. ભારત હવે માત્ર શ્રીલંકાને સૈન્ય સાધનો આપવા પૂરતું સીમિત નથી. શ્રીલંકાની 6 L70 એર ડિફેન્સ ગનનું અપગ્રેડેશન, બંને દેશોની નેશનલ ડિફેન્સ કોલેજ વચ્ચે સહયોગ અને NCC યુથ એક્સચેન્જ પ્રોગ્રામ દર્શાવે છે કે બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ સતત વધી રહ્યો છે.</p><p><b>આપત્તિના સમયે ભારત ‘ફર્સ્ટ રિસ્પોન્ડર’</b></p><p>L70 ગનના અપગ્રેડેશનથી શ્રીલંકાના મહત્વના સ્થળોની હવાઈ સુરક્ષા ક્ષમતા વધુ મજબૂત બનશે. બીજી તરફ, ડિફેન્સ કોલેજ અને NCC વચ્ચેના સહયોગથી બંને દેશોની સૈન્ય સંસ્થાઓ અને યુવા કેડેટ્સ વચ્ચે સંપર્ક અને સમજણ વધશે. ચક્રવાત ‘દિતવાહ’ દરમિયાન ભારતે શ્રીલંકાને રાહત અને પુનર્વસન માટે આપેલી મદદ પણ બંને દેશોની ભાગીદારીનું મહત્વનું ઉદાહરણ છે. રાજનાથ સિંહે સ્પષ્ટ કહ્યું છે કે શ્રીલંકાની મદદ કરવી ભારત માટે કોઈ ઉપકાર નથી, પરંતુ તેની જવાબદારી છે.</p><p><b>શ્રીલંકા સાથે ભારતની સુરક્ષા ભાગીદારી મજબૂત</b></p><p> </p><p>ભારતની વ્યૂહરચના માત્ર સૈન્ય સહયોગ સુધી સીમિત નથી. સંરક્ષણ, આપત્તિ રાહત, માનવતાવાદી મદદ, તાલીમ અને દરિયાઈ સુરક્ષા જેવા વિવિધ ક્ષેત્રોમાં શ્રીલંકા સાથે ભાગીદારી મજબૂત કરવામાં આવી રહી છે. શ્રીલંકા ભારતની ‘નેબરહુડ ફર્સ્ટ’ નીતિ અને હિંદ મહાસાગર વ્યૂહરચનાનો મહત્વનો ભાગ છે. બંને દેશો વચ્ચે વધતો સંરક્ષણ સહયોગ હિંદ મહાસાગરમાં સુરક્ષા અને સ્થિરતા જાળવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/defense-news-india-1-10-lakh-crore-defense-purchases-98-percent-indian-industry" target="_blank">આ પણ વાંચો: સેનાની તાકાત વધારવા મોદી સરકારનો મોટો નિર્ણય, ₹1.10 લાખ કરોડની સંરક્ષણ ખરીદીને મંજૂરી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/VCjMwTALtWYQFclIlbmsgJCnMxnpjg68Ll4oqCwj.webp'/></item><item><title><![CDATA[Vav Tharad: પાણી પૂરું પાડવામાં નિષ્ફળ રહેલી એજન્સીને ફટકારાયો 70 લાખનો દંડ, અધિકારીની લાલ આંખ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/vav-tharad/water-supply-agency-fined-70-lakhs-public-health</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/vav-tharad/water-supply-agency-fined-70-lakhs-public-health</guid><pubDate>Wed, 09 Sep 2026 19:46:40 +05:30</pubDate><description><![CDATA[<p>વાવ-થરાદ પંથકના સરહદી ગામડાઓમાં પીવાનું પાણી સમયસર અને પૂરતા જથ્થામાં પહોંચાડવામાં નિષ્ફળ નીવડેલી પાણી પુરવઠા એજન્સી સામે જિલ્લા પાણી પુરવઠા વિભાગે આકરું વલણ અપનાવ્યું છે. સ્થાનિક ગ્રામજનો દ્વારા સતત પાણી ન મળવાની ફરિયાદો ઉઠ્યા બાદ તંત્ર દ્વારા આ કડક કાનૂની અને દંડાત્મક પગલું ભરવામાં આવ્યું છે.</p><h2><b>ગેરકાયદે કનેક્શનો અને ઢીલી નીતિ સામે કાર્યવાહી</b></h2><p>વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગેરકાયદે પાણીના કનેક્શનો હોવા છતાં તેને રોકવામાં એજન્સી દ્વારા સતત ઢીલી નીતિ દાખવવામાં આવી રહી હતી. કાયદેસરના વપરાશકારો સુધી પાણી પહોંચાડવા માટે કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતાં અને ગેરરીતિઓ ચાલુ રહેતાં જાહેર આરોગ્ય બાંધકામ વિભાગે કડક હાથે કામ લીધું છે.</p><h2><b>એજન્સીને અત્યાર સુધીમાં કુલ 70 લાખ રૂપિયાનો દંડ</b></h2><p>સરહદી ગામોમાં પાણીની સમસ્યા વિકટ બનતાં જિલ્લા પાણી પુરવઠા વિભાગે ભૂતકાળમાં પણ આ જ એજન્સી સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી. છતાં સુધારો ન આવતાં, વારંવારની ગેરરીતિઓ અને બેદરકારી બદલ પાણી પુરવઠા વિભાગ દ્વારા અત્યાર સુધીમાં આ એજન્સીને કુલ રૂ. 70 લાખનો તોતિંગ દંડ ફટકારવામાં આવ્યો છે.</p><p><img alt="Vav Tharad News: Water Supply Agency Fined 70 Lakhs for Negligence" src="https://epapercdn.sandesh.com/images/2026/09/09/JIl5v9Bjom90kZubktTUo2GokgdXCh5fEQ6bgqKb.webp" style="width: 100%;"><br></p><h2><b>કાર્યપાલક ઈજનેર જી. એમ. રાણાનું નિવેદન</b></h2><p>જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ (પાણી પુરવઠા વિભાગ), થરાદના કાર્યપાલક ઈજનેર જી. એમ. રાણાએ જણાવ્યા અનુસાર, પ્રજાને પીવાના પાણીની કોઈ તકલીફ ન પડે તે વિભાગની પ્રાથમિકતા છે. જે પણ એજન્સી પોતાની જવાબદારી યોગ્ય રીતે નહીં નિભાવે અથવા ગેરરીતિ આચરશે તેની સામે ભવિષ્યમાં પણ આવી જ આકરી કાર્યવાહી ચાલુ રહેશે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/vav-tharad/school-principal-accused-of-raping-15-year-old-student" target="_blank">Vav Tharad News: દૈયપ ગામની શાળાના આચાર્ય સામે ગંભીર આક્ષેપ, 15 વર્ષની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/B3ODM4YIHQ0dHwrPOO1nyre9c4e7imG7xinLSggj.webp'/></item><item><title><![CDATA[Chhotaudepur News: નસવાડી APMC ચૂંટણી, 97 ટકા જેવું રેકોર્ડબ્રેક મતદાન, 10 સપ્ટેમ્બર મતગણતરી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/chhota-udepur/naswadi-apmc-election-high-voter-turnout</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/chhota-udepur/naswadi-apmc-election-high-voter-turnout</guid><pubDate>Wed, 09 Sep 2026 19:41:57 +05:30</pubDate><description><![CDATA[<p>છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ની ચૂંટણીમાં બુધવારના રોજ અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારથી જ ખેડૂત મતદારો મતદાન મથકો પર પહોંચ્યા હતા અને રેકોર્ડબ્રેક 97% જેટલું ભારે મતદાન નોંધાયું હતું.</p><h2><b>533 માંથી 516 ખેડૂતોએ મતાધિકારનો ઉપયોગ કર્યો</b></h2><p>નસવાડી બજાર સમિતિની આ ચૂંટણીમાં કુલ 533 નોંધાયેલા ખેડૂત મતદારો હતા. જેમાંથી 516 જેટલા જાગૃત ખેડૂત મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના આ પર્વમાં સક્રિય ભાગીદારી નોંધાવી હતી. આટલું ઊંચું મતદાન થતાં ચૂંટણી માહોલમાં ગરમાવો આવી ગયો છે.</p><h2><b>વિકાસ કે પરિવર્તન? બજારમાં ચર્ચાઓનો દોર શરૂ</b></h2><p>ખેડૂતો દ્વારા કરવામાં આવેલા આ ધમધોકાર મતદાનને લઈને સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે. ભાજપ પ્રેરિત પેનલના વિકાસના દાવાઓ સામે ખેડૂતોએ મતદાન કર્યું છે કે, પછી કોઈ મોટા પરિવર્તનના એંધાણ છે, તે મુદ્દો હાલ સમગ્ર નસવાડી પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.</p><p><img alt="Chhotaudepur News: Naswadi APMC Election: 97 Percent High Voter Turnout Recorded" src="https://epapercdn.sandesh.com/images/2026/09/09/S1yCWPfeNV2jxgA6eDsy927AX8auh3Z9NtJRz5yC.webp"><br></p><h2><b>20 ઉમેદવારોનું ભાવી સીલ, 10 સપ્ટેમ્બર સવારે 9 વાગ્યે મતગણતરી</b></h2><p>આ ચૂંટણી જંગમાં ઝુકાવનારા કુલ 20 ખેડૂત ઉમેદવારોનું રાજકીય ભાવી મતદાન પૂર્ણ થતાં જ મતપેટીઓમાં સીલ થઈ ગયું છે. તમામ ઉમેદવારો અને તેમના સમર્થકો હવે પરિણામની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. 10 સપ્ટેમ્બરની સવારે 9:00 વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, ત્યારબાદ જ સ્પષ્ટ થશે કે નસવાડી APMC નો તાજ કોના શિરે સજશે.</p><p><br></p><p>આ પણ વાંચો:<a href="https://sandesh.com/india/news/gujarat/pm-modi-gujarat-maharashtra-visit-35000-crore-projects" target="_blank"> PM Modiના ગુજરાત-મહારાષ્ટ્ર પ્રવાસ દરમિયાન રૂ.35,000 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ</a></p><p>&nbsp;</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/INIwqsWie0dgBQhGChZ3kxWNSWm7f8YWP1in97gH.webp'/></item><item><title><![CDATA[Vadodara News: GSFC ગેસ ગળતર કેસમાં મોટો નિર્ણય, મૃતક ઘનશ્યામ ગોહિલના પરિવારને 18.51 લાખનું વળતર અને નોકરીની જાહેરાત ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/gsfc-gas-leak-death-compensation-job-announced</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/gsfc-gas-leak-death-compensation-job-announced</guid><pubDate>Wed, 09 Sep 2026 18:56:56 +05:30</pubDate><description><![CDATA[<p>વડોદરા સ્થિત ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ (GSFC) કંપનીમાં બનેલી ગેસ ગળતરની દુર્ઘટનામાં ઘનશ્યામ ગોહિલ નામના કર્મચારીનું કમનસીબે મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે મૃતકના પરિવારજનો અને સ્થાનિકોમાં ભારે શોક અને આક્રોશ વ્યાપી ગયો હતો.</p><h2><b>કંપની દ્વારા 18.51 લાખની નાણાકીય સહાય જાહેર</b></h2><p>ઘટના બાદ વળતર અને ન્યાયની માગ સાથે ચાલી રહેલા વિરોધ વચ્ચે કંપની મેનેજમેન્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મૃતક ઘનશ્યામ ગોહિલના આશ્રિત પરિવારજનોને આર્થિક સહારા માટે રૂ. 18,51,000 ની સહાય રકમ આપવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.</p><h2><b>પરિવારના એક સભ્યને કંપનીમાં નોકરી આપવામાં આવશે</b></h2><p>માત્ર આર્થિક સહાય જ નહીં, પરંતુ પરિવારના ભવિષ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કંપની તંત્ર દ્વારા મૃતકના પરિવારના એક સભ્યને નોકરી આપવાની પણ બાંહેધરી આપવામાં આવી છે. આ નિર્ણયથી પીડિત પરિવારને મોટી સાંત્વના મળી છે.</p><p><img alt="Vadodara News: GSFC Gas Leak: Rs 18.51 Lakh Compensation to Deceased's Family" src="https://epapercdn.sandesh.com/images/2026/09/09/qFypuesQztZGRyc81BKd0kqVHNjRFfglfUBxiKCW.webp"><br></p><h2><b>વળતરની જાહેરાત બાદ મામલો થાળે પડ્યો, પત્નીએ આભાર માન્યો</b></h2><p>કંપની તરફથી યોગ્ય વળતર અને નોકરીની માંગણીઓનો સ્વીકાર કરાતાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો વિવાદ આખરે થાળે પડ્યો છે. તમામ ક્ષેત્રે મળેલી મદદ અને સહકાર બદલ મૃતક ઘનશ્યામ ગોહિલની પત્નીએ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.</p><p><br></p><p>આ પણ વાંચો:<a href="https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-gsfc-gas-leakage-urea-plant-contractor-worker-death" target="_blank"> Vadodara News: વડોદરા GSFC પ્લાન્ટમાં ગેસ ગળતર, સાથી કર્મચારીને બચાવવા જતાં કોન્ટ્રાક્ટ કર્મચારીનું મોત</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/29VOodJCROuKSFeefkNdPwxo4SK8SMRWA9ItfUHV.webp'/></item><item><title><![CDATA[Surat : 17 કલાક બાદ પણ શ્યામ સંગિની માર્કેટની આગ બેકાબૂ, કુલિંગ વચ્ચે ફરી ભડકો, વધુ 3 દુકાનો ઝપેટમાં ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/surat-shyam-sangini-market-fire-17-hours-more-shops</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/surat-shyam-sangini-market-fire-17-hours-more-shops</guid><pubDate>Wed, 09 Sep 2026 18:23:28 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતના શ્યામ સંગિની માર્કેટમાં લાગેલી આગને 17 કલાક વીતી ગયા હોવા છતાં સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નથી. આગ પર કાબૂ મેળવ્યા બાદ કુલિંગની કામગીરી ચાલી રહી હતી ત્યારે ફરી આગ ભભૂકી ઉઠતા સ્થિતિ વધુ ગંભીર બની છે. આગ સતત ફેલાતી હોવાના કારણે આસપાસના વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>17 કલાક પછી પણ આગ ફરી કેમ ભડકી?</b></h2><p style="text-align: justify; ">આગ પર કાબૂ મેળવવા માટે સતત કામગીરી ચાલી રહી હતી. જોકે કુલિંગ દરમિયાન ફરી આગ લાગતાં ફાયર વિભાગની મુશ્કેલી વધી છે. આગના કેટલાક હિસ્સામાં હજુ પણ ધુમાડો અને ગરમી હોવાના કારણે આગ ફરી ભડકવાની સ્થિતિ સર્જાઈ હોવાનું સામે આવ્યું છે.</p><p style="text-align: justify; "><img alt="Surat Shyam Sangini Market Fire Remains Uncontrolled After 17 Hours" src="https://epapercdn.sandesh.com/images/2026/09/09/BVR6QYhrbBiHeF5FMZj93e5KqOzawWvuAsiR9Dc1.webp" style="width: 100%;"><br></p><h3 style="text-align: justify; "><b>એક પછી એક દુકાનો આગની ઝપેટમાં</b></h3><p style="text-align: justify; ">આગ વધુ ફેલાતા આસપાસની વધુ 3 દુકાનો પણ તેની ઝપેટમાં આવી હોવાની માહિતી સામે આવી છે. લાંબા સમયથી ચાલી રહેલી આગને કારણે માર્કેટમાં નુકસાનનો વ્યાપ વધવાની ચિંતા ઊભી થઈ છે. આગ કયા ભાગમાં વધુ ફેલાઈ રહી છે તેના પર સતત નજર રાખવામાં આવી રહી છે.</p><p style="text-align: justify; "><img alt="Surat Shyam Sangini Market Fire Remains Uncontrolled After 17 Hours" src="https://epapercdn.sandesh.com/images/2026/09/09/oCVQWErhJ1sIAcnXtmcIagJQgyCa8btBmWmTVRbY.webp" style="width: 100%;"><br></p><h3 style="text-align: justify; "><b>વેપારીઓમાં ચિંતા, કરોડોના માલનો ભય</b></h3><p style="text-align: justify; ">માર્કેટમાં આગ સતત ફેલાતી હોવાના કારણે વેપારીઓની ચિંતા વધી છે. દુકાનોમાં રહેલો માલ આગની ઝપેટમાં આવવાની શક્યતા હોવાથી વેપારીઓમાં ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી આગ સંપૂર્ણપણે કાબૂમાં ન આવતાં નુકસાન અંગે પણ ચિંતા વધી રહી છે.</p><h4 style="text-align: justify; "><b>હવે આગ સંપૂર્ણ કાબૂમાં ક્યારે આવશે?</b></h4><p style="text-align: justify; ">આગ પર કાબૂ મેળવ્યા બાદ ફરી ભડકો થતાં ફાયર વિભાગ માટે પડકાર વધ્યો છે. આસપાસની દુકાનો સુધી આગ વધુ ન ફેલાય અને સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં આવે તે માટે કામગીરી ચાલુ છે. 17 કલાક બાદ પણ આગ બેકાબૂ રહેતાં હવે સૌથી મોટો સવાલ એ છે કે શ્યામ સંગિની માર્કેટમાં આગનું તાંડવ આખરે ક્યારે સંપૂર્ણપણે અટકશે?&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો :&nbsp; <a href="https://sandesh.com/gujarat/news/political-news/ahmedabad/statue-of-unity-gujarat-national-film-awards-ekta-nagar-uddhav-thackeray-political-row" target="_blank"><b>&nbsp;Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/SzuzJpIS3rOiMJxq4nIuU08uvMrq40ufmb4lIg0u.webp'/></item><item><title><![CDATA[Surat News: અલથાણા પોલીસે 1.36 લાખના ગાંજા સાથે પૂનમભાઈ બહેરાને ઝડપ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/althana-police-ganja-seized-accused-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/althana-police-ganja-seized-accused-arrested</guid><pubDate>Wed, 09 Sep 2026 18:11:12 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત શહેરમાં નશાકારક પદાર્થોના દૂષણને નાબૂદ કરવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત અલથાણા પોલીસને મોટી સફળતા સાંપડી છે. ગુપ્ત બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને પૂનમભાઈ બહેરા નામના ઈસમની ધરપકડ કરી છે.</p><h2><b>2.720 કિલોગ્રામ ગાંજો અને અન્ય મુદ્દામાલ જપ્ત</b></h2><p>પોલીસની આ સફળ કામગીરી દરમિયાન આરોપી પૂનમભાઈ પાસેથી રૂ. 1,36,000 ની કિંમતનો કુલ 2.720 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી જ ગાંજાનો જથ્થો, રોકડા રૂપિયા તેમજ મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 1,37,220 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.</p><h2><b>આરોપી અગાઉ પણ બે વખત ઝડપાઈ ચૂક્યો છે</b></h2><p>પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ઝડપાયેલો આરોપી પૂનમભાઈ બહેરા રીઢો ગુનેગાર છે. આ અગાઉ પણ તે બે વખત ગાંજાના વેચાણ અને હેરાફેરીના કેસમાં અલથાણ પોલીસ સ્ટેશનના હાથે જ ઝડપાઈ ચૂક્યો છે. જેલમાંથી છૂટ્યા બાદ પણ તેણે ફરીથી આ ગેરકાયદે કાળો કારોબાર શરૂ કરી દીધો હતો.</p><h2><b>NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ</b></h2><p>પોલીસે આરોપી પૂનમભાઈ બહેરા વિરુદ્ધ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને સુરતમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/news/crime/surat/surat--couple-placed-under-6-day-digital-arrest--scammed-out-of--13-lakh" target="_blank">Suratમાં 'ડિજિટલ અરેસ્ટ'નું મોટું કૌભાંડ, ફૂલપાડાના દંપતીને 6 દિવસ કેદ રાખી રૂ.13 લાખ પડાવ્યા</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/C3qHwvHwRsv7g6mYgusgEgqbM6sYwwhXpsY53kFm.webp'/></item><item><title><![CDATA[Hanuman Ansh International Release:  'હનુમાન અંશ' 11 સપ્ટેમ્બરે વિદેશમાં રિલીઝ થશે, KGFના મેકર્સ દુનિયાભરમાં પહોંચાડશે ફિલ્મ ]]></title><link>https://sandesh.com/entertainment/news/hanuman-ansh-global-release-170-crore-box-office</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/hanuman-ansh-global-release-170-crore-box-office</guid><pubDate>Wed, 09 Sep 2026 17:41:42 +05:30</pubDate><description><![CDATA[<p>નીમ કરોલી બાબા (neem karoli baba)ના જીવનસંદેશ પર બનેલી ફિલ્મ&nbsp; 'હનુમાન અંશ' (Hanuman Ansh)ની ધુંઆધાર સફળતાની ચારેકોર ચર્ચા થઇ રહી છે. ફક્ત 2 કરોડના બજેટમાં બનેલી લો બજેટની ફિલ્મ કે જે એક સંતના જીવન પર આધારિત છે, જ્યારે રિલીઝ થઇ તે વખતનો સમય અને હાલ આ ફિલ્મ જે તબક્કામાંથી પસાર થઇ રહી છે તેમાં જમીન આસમાનનો ફરક છે. શરૂઆતમાં જેને થિયેટરમાં પૂરતા શો મેળવવા માટે પણ સંઘર્ષ કરવો પડ્યો હતો, એ ‘હનુમાન અંશ’ ભારત (Hanuman Ansh India Collection)માં 170 કરોડની કમાણીની નજીક પહોંચી છે, અને હવે 11 સપ્ટેમ્બરથી આ ફિલ્મ આંતરરાષ્ટ્રીય થિયેટરોમાં પણ જોવા મળશે. ખાસ વાત એ છે કે વિદેશમાં ફિલ્મની રિલીઝની જવાબદારી KGF જેવી મોટી ફિલ્મો આપનારી હોમબાલે ફિલ્મ્સે (Hombale films) સંભાળી છે.</p><h2><b>2 કરોડની ફિલ્મ, 170 કરોડની નજીક પહોંચી કમાણી</b></h2><p>‘હનુમાન અંશ’ની કહાની માત્ર તેની કમાણીની નથી. આ ફિલ્મે જે સફળતા મેળવી છે, તેની શરૂઆતમાં કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. લગભગ 2 કરોડ રૂપિયાના બજેટ (Hanuman Ansh)માં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ (Box Office) પર એવી ઝડપ પકડી કે મોટા બજેટની ફિલ્મોને પણ પાછળ છોડી દીધી. 33 દિવસમાં ફિલ્મે ભારતમાં 143.13 કરોડ રૂપિયા નેટ અને લગભગ 169.20 કરોડ રૂપિયા ગ્રોસ કમાણી કરી છે. એટલે કે 170 કરોડનો આંકડો હવે બહુ નજીક છે. ખાસ વાત એ છે કે સમય જતાં ફિલ્મની કમાણીની ઝડપ ઘટવાને બદલે કેટલીક વખત વધુ વધી છે. પાંચમા અઠવાડિયામાં પણ ફિલ્મના શો અને કમાણીએ ફિલ્મ સાથે જોડાયેલા લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે.</p><h2><b>હવે વિદેશમાં પણ જોવા મળશે ‘હનુમાન અંશ’</b></h2><p>ભારતમાં દર્શકો તરફથી મળેલા સારા પ્રતિસાદ બાદ હવે આ ફિલ્મ 11 સપ્ટેમ્બર 2026ના રોજ વિદેશમાં રિલીઝ થશે. વિદેશમાં ફિલ્મની રિલીઝની જવાબદારી હોમબાલે ફિલ્મ્સને મળવી એ ફિલ્મ માટે મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.</p><p>નીમ કરોલી બાબાના ચાહકો માત્ર ભારતમાં જ નથી. દુનિયાભરમાં તેમના અનુયાયીઓ છે. સોશિયલ મીડિયા પર પણ વિદેશમાં રહેતા ઘણા લોકો ફિલ્મ ક્યાં અને કેવી રીતે જોઈ શકાય તે અંગે સવાલ કરતા જોવા મળ્યા છે. આવી સ્થિતિમાં નિર્માતાઓને આશા છે કે થિયેટરમાં રિલીઝ થયા બાદ ફિલ્મ એવા દર્શકો સુધી પણ પહોંચશે, જેઓ અત્યાર સુધી તેને જોવાની રાહ જોઈ રહ્યા હતા.</p><h2><b>બોલિવૂડમાંથી મદદ ન મળી, હવે દુનિયાભરના દર્શકો સુધી પહોંચશે&nbsp;</b></h2><p>ફિલ્મના દિગ્દર્શક વિશાલ ચતુર્વેદી (Vishal Chaturvedi) બોલિવૂડ તરફથી પૂરતો સહકાર ન મળવા અંગે પોતાની નારાજગી પહેલાથી જ વ્યક્ત કરી ચૂક્યા છે. શરૂઆતમાં ફિલ્મને બહુ ઓછા શો મળ્યા હતા, પરંતુ દર્શકોના પ્રેમથી ફિલ્મની સ્થિતિ બદલાઈ ગઈ.</p><p>હવે આ ફિલ્મની કહાની એક નવા તબક્કામાં પહોંચી છે. જે ફિલ્મને બોલીવુડ જેવી મોટી ઇન્ડસ્ટ્રીમાં કોઇ મહત્વ મળ્યું નહોતું, તેને KGF જેવી ફિલ્મો બનાવનારી હોમબાલે ફિલ્મ્સ હવે દુનિયાભરના દર્શકો સુધી પહોંચાડી રહી છે. હવે જોવાનું રહેશે કે ભારતમાં 170 કરોડની નજીક પહોંચેલી ‘હનુમાન અંશ’ વિદેશમાં કેટલી કમાણી કરે છે. </p><p>હવે ‘હનુમાન અંશ’ ક્યારે જોઈ શકાશે, કેવી રીતે અને ક્યાં જોઈ શકાશે, તે જાણવા માગતા નીમ કરોલી બાબાના ચાહકોને તેમના સવાલનો જવાબ મળી ગયો છે. હવે જોવાનું રહેશે કે વિદેશમાં આ ફિલ્મને દર્શકો તરફથી કેવો પ્રતિસાદ મળે છે અને તે કેટલી કમાણી કરે છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/CWUMYb2PhlSjKp5dK8Tx9MUOfuggZg1noWAGd4Ce.webp'/></item><item><title><![CDATA[Malaysia : 72 વર્ષના ફૂટબોલ દિગ્ગજે 20 વર્ષની યુવતી સાથે કર્યા લગ્ન, તસવીરો વાયરલ થતાં પરિવારે કરી પુષ્ટિ ]]></title><link>https://sandesh.com/world/news/sports/malaysia-football-legend-abdul-alif-marriage-72-year-old-20-year-old-wife</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/sports/malaysia-football-legend-abdul-alif-marriage-72-year-old-20-year-old-wife</guid><pubDate>Mon, 07 Sep 2026 23:00:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મલેશિયન ફૂટબોલના દિગ્ગજ અને પૂર્વ હરિમાઉ મલાયા સ્ટાર દાતુક અબ્દુલ અલિફે 72 વર્ષની ઉંમરે પોતાના જીવનનો નવો અધ્યાય શરૂ કર્યો છે. સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો વાયરલ થયા બાદ તેમના પરિવારે લગ્નની સત્તાવાર પુષ્ટિ કરી છે. અહેવાલ મુજબ 27 ઓગસ્ટે યોજાયેલા ખાનગી સમારંભમાં અબ્દુલ અલિફે પોતાની જીવનસંગિની સાથે નિકાહ કર્યા હતા. તેમની પત્નીની ઉંમર 20 વર્ષ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>લગ્નની ખબર કોણે કરી કન્ફર્મ?</b></h2><p style="text-align: justify; ">અબ્દુલ અલિફના નાના ભાઈ અને પૂર્વ ખેલાડી તથા કોચ દાતુક યુનુસ અલિફે લગ્નની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે 27 ઓગસ્ટે બંનેના લગ્ન થયા હતા અને બંને પરિવારોની સંમતિ તથા આશીર્વાદ સાથે આ સંબંધ બંધાયો છે. પરિવાર દ્વારા નવદંપતીના સુખી દાંપત્ય જીવન માટે શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>ફોન નહીં ઉઠાવતા ભાઈએ શું કહ્યું?</b></h3><p style="text-align: justify; ">લગ્ન બાદ અબ્દુલ અલિફ મીડિયા સંપર્કમાં ન આવતા તેમના ભાઈ યુનુસ અલિફે જણાવ્યું હતું કે તેઓ સંભવતઃ હનીમૂન પર હોવાથી ફોનનો જવાબ આપી શકતા નથી.જોકે પરિવારે સ્પષ્ટ કર્યું છે કે બંનેના નિકાહ થઈ ચૂક્યા છે અને પરિવાર તરફથી બંનેને શુભકામનાઓ આપવામાં આવી છે.</p><h4 style="text-align: justify; "><b>મલેશિયન ફૂટબોલના દિગ્ગજ રહ્યા છે અબ્દુલ અલિફ</b></h4><p style="text-align: justify; ">અબ્દુલ અલિફ મલેશિયન ફૂટબોલ ઇતિહાસના જાણીતાં ખેલાડીઓમાં સામેલ રહ્યા છે. 1970ના અંતિમ વર્ષો અને 1980ના શરૂઆતના સમયમાં મલેશિયન ફૂટબોલના સફળ સમયગાળામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.તેઓ તે મલેશિયન ટીમના સભ્ય હતા જેણે ક્વોલિફાઇંગ મેચમાં દક્ષિણ કોરિયાને 2-1થી હરાવી 1980ના મોસ્કો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું.</p><h4 style="text-align: justify; "><b>ઓલિમ્પિક રમવાનું સપનું કેમ અધૂરું રહ્યું?</b></h4><p style="text-align: justify; ">મલેશિયાએ સોવિયેત સંઘના અફઘાનિસ્તાન પરના આક્રમણના વિરોધમાં 1980ના મોસ્કો ઓલિમ્પિકનો બહિષ્કાર કર્યો હતો. જેના કારણે અબ્દુલ અલિફ સહિત અનેક ખેલાડીઓનું ઓલિમ્પિકમાં રમવાનું સપનું અધૂરું રહી ગયું હતું. લાંબા સમય સુધી વ્યાવસાયિક ફૂટબોલ અને મીડિયા લાઇમલાઇટથી દૂર રહ્યા બાદ આ દિગ્ગજ ખેલાડી હવે પોતાના અંગત જીવનના નવા નિર્ણયને કારણે ફરી ચર્ચામાં આવ્યા છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">&nbsp; આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-gujarat-drowning-deaths-1999-river-lake-check-dam-water-safety" target="_blank"><b>Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/oQuxxQEBdhQdWmZFxk2LOPbwDJRpf6zDEmwi2pJ3.webp'/></item></channel></rss>