<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Surat News : 2008માં મનપાએ બનાવેલા આવાસ જર્જરિત થયા, કામદારોના પરિવાર પર તોળાતુ જોખમ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/2008-civic-housing-for-sanitation-workers-turns-dilapidated</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/2008-civic-housing-for-sanitation-workers-turns-dilapidated</guid><pubDate>Wed, 02 Sep 2026 11:06:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરને દેશભરમાં સ્વચ્છતામાં અગ્રેસર રાખવા માટે દિવસ રાત મહેનત કરતા સફાઈ કર્મચારીઓ આજે પોતે જ ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે. સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા નિર્મળનગર ખાતે ડો.આંબેડકર સફાઈ કામદાર આવાસનું સમગ્ર બિલ્ડિંગ અત્યંત જર્જરિત અને ખંઢેર હાલતમાં ફેરવાઈ ગયું છે. જેના કારણે 200થી વધુ સફાઈ કામદાર પરિવારો જીવના જોખમે અહીં વસવાટ કરી રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>લોખંડના સળિયા બહાર દેખાઈ રહ્યા છે</b></h2><p style="text-align: justify; ">વર્ષ 2008માં સુરત મહાનગરપાલિકા દ્વારા સફાઈ કામદારો માટે આ આવાસનું નિર્માણ કરવામાં આવ્યું હતું.જોકે,આટલા ટૂંકા સમયગાળામાં જ આખી ઇમારત કંડમ હાલતમાં આવી ગઈ છે.હાલમાં આવાસ પરિસરમાં જ્યાં નજર કરો ત્યાં બિહામણા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.બિલ્ડિંગના વિવિધ ભાગોમાં સ્લેબમાંથી પોપડા ખરી રહ્યા છે અને છતના સિમેન્ટના પોપડા ઉખડી જતાં લોખંડના સળિયા બહાર દેખાઈ રહ્યા છે.બિલ્ડિંગની મુખ્ય દીવાલોમાં મોટી-મોટી તિરાડો પડી ગઈ છે, જે ગમે તે ઘડીએ મોટો અકસ્માત કે હોનારત સર્જી શકે છે.</p><h3 style="text-align: justify; "><b>રહીશોની રજૂઆત અને માગણી</b></h3><p style="text-align: justify; ">જો આ જર્જરિત ઘરોને તાત્કાલિક ખાલી કરાવવામાં નહીં આવે તો કોઈ મોટી દુર્ઘટના ઘટે અને નિર્મળનગરના સફાઈ કર્મી કે તેમના પરિવારજનોનો ભોગ લેવાય તેવી પૂરેપૂરી શક્યતા છે.આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્મળનગર આવાસના રહીશોએ એકત્ર થઈને સુરત મનપા કમિશનર અને મેયરને લેખિતમાં અરજી પાઠવી છે.આ જર્જરિત આવાસનું તાત્કાલિક ધોરણે રી-ડેવલપમેન્ટ હાથ ધરવામાં આવે.કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી રહેવા માટે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવામાં આવે.શહેરને સ્વચ્છ રાખનારા સફાઈ કામદારો પ્રશાસન સામે આજીજી કરી રહ્યા છે કે કોઈ અપ્રિય ઘટના બને તે પહેલાં તંત્ર જાગે અને તેઓને સુરક્ષિત આશ્રય આપે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/is-your-red-tomato-sauce-real-fake-sauce-market-worth-200-crore" target="_blank">આ પણ વાંચોઃ Sandesh Indepth : તમે નાની હોટેલો અને ખાણીપીણી બજારમાં જે લાલ ચોળ દેખાતો ટોમેટો સોસ ખાઓ છો તે અસલી છે?</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/4Uj3ObPv7AJIWVIlqVfN5SlK0qhu7WPWtfXkvwOJ.webp'/></item><item><title><![CDATA[Movie Collection : 2 કરોડમાં બનેલી હનુમાન અંશ 500 કરોડની ટોક્સિક પર પડી ભારે! કરી જોરદાર કમાણી! ]]></title><link>https://sandesh.com/entertainment/news/hanuman-ansh-box-office-toxic-yash-collection</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/hanuman-ansh-box-office-toxic-yash-collection</guid><pubDate>Wed, 02 Sep 2026 10:48:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નીમ કરોલી બાબાના જીવનની કહાની દર્શાવતી ફિલ્મ હનુમાન અંશ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરતી જોવા મળી રહી છે. સ્થિતિ એવી છે કે રિલીઝના 26મા દિવસે આ ફિલ્મે કમાણીના મામલે યશની ટોક્સિકને પાછળ છોડી દીધી છે. આ પહેલાં 25મા દિવસે પણ હિન્દી ભાષામાં ટોક્સિક કમાણીના મામલે હનુમાન અંશથી પાછળ હતી, પરંતુ 26મા દિવસે ટોક્સિક સમગ્ર ભારતમાં જ પાછળ રહી ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>1 દિવસની કમાણીમાં હનુમાન અંશએ ટોક્સિકને આપી ટક્કર</b></h2><p style="text-align: justify; ">સેકનિલ્ક અનુસાર, 1 સપ્ટેમ્બર મંગળવારે હનુમાન અંશએ સમગ્ર ભારતમાં 8.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. એટલે કે એક જ દિવસમાં આ ફિલ્મે પોતાના બજેટ કરતાં 4 ગણાથી વધુ કમાણી કરી છે. તેનું બજેટ માત્ર 2 કરોડ રૂપિયા છે. જ્યારે ટોક્સિક, જેનું બજેટ 500 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે, તેણે 1 સપ્ટેમ્બરે સમગ્ર ભારતમાં માત્ર 8.20 કરોડ રૂપિયાનું બિઝનેસ કર્યો છે. એટલે કે બંને ફિલ્મોની કમાણીમાં 30 લાખ રૂપિયાનું અંતર છે.</p><h3 style="text-align: justify; "><b>હનુમાન અંશએ હિન્દી ભાષામાં ટોક્સિક કરતાં 2.9 કરોડ વધુ કમાયા</b></h3><p style="text-align: justify; ">રિલીઝના પહેલા અઠવાડિયામાં હનુમાન અંશને ખાસ સફળતા મળી નહોતી, પરંતુ ત્યાર બાદ લોકોમાં આ ફિલ્મને લઈને એવો ક્રેઝ જોવા મળ્યો કે હવે દરેક જગ્યાએ તેની ચર્ચા થઈ રહી છે. ખાસ વાત એ છે કે હનુમાન અંશ એ 1 સપ્ટેમ્બરે 8.50 કરોડ રૂપિયાનું જે કલેક્શન કર્યું છે, તે માત્ર હિન્દી ભાષામાંથી છે. જ્યારે ટોક્સિક એ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ મળીને 8.20 કરોડ રૂપિયા કમાયા છે, જેમાં હિન્દીમાંથી માત્ર 5.60 કરોડ રૂપિયાનું કલેક્શન થયું છે. ફિલ્મે બાકીની કમાણી અન્ય 4 ભાષામાંથી કરી છે. જો માત્ર હિન્દી ભાષાની સરખામણી કરીએ તો હનુમાન અંશ એ ટોક્સિક&nbsp; કરતાં 2.9 કરોડ રૂપિયા વધુ કમાયા છે.</p><h4 style="text-align: justify; "><b>હનુમાન અંશની કુલ કમાણી</b></h4><p style="text-align: justify; ">હનુમાન અંશ 7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. 26 દિવસમાં સમગ્ર ભારતમાં આ ફિલ્મે અત્યાર સુધીમાં 63.82 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું છે. જ્યારે નેટ કલેક્શનની વાત કરીએ તો આ આંકડો 54.13 કરોડ રૂપિયા છે.</p><h4 style="text-align: justify; "><b>ટોક્સિકની કુલ કમાણી</b></h4><p style="text-align: justify; ">ટોક્સિક 26 ઓગસ્ટે રિલીઝ થઈ છે. 7 દિવસમાં આ ફિલ્મે ભારતમાં કુલ 229.95 કરોડ રૂપિયાની નેટ કમાણી કરી છે. ભારતમાં ગ્રોસ કલેક્શન 272.80 કરોડ રૂપિયા છે. આ મોટા બજેટની ફિલ્મ છે. તે પ્રમાણે આ કલેક્શન ઘણું ઓછું છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/hanuman-ansh-game-changer-5-reasons-success" target="_blank">આ પણ વાંચો-Hit Film : ન કોઈ સુપરસ્ટાર, ન મોટું બજેટ! જાણો તે 5 મોટા કારણો જેનાથી ગેમ ચેન્જર સાબિત થઈ ફિલ્મ હનુમાન અંશ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/kPOXG7IaUwTxfX8fuVBYsUS5F0bitkICt9kl9iU7.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રાજ્યવ્યાપી કાર્યવાહી, 50 દવા પેઢીઓના લાયસન્સ રદ કરાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-fdca-statewide-crackdown-50-pharma-licenses-revoked</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-fdca-statewide-crackdown-50-pharma-licenses-revoked</guid><pubDate>Wed, 02 Sep 2026 10:15:12 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગાંધીનગર સચિવાલય ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ઓગસ્ટ 2026 દરમિયાન રાજ્યભરમાં હાથ ધરાયેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ હતી.બેઠક દરમિયાન મંત્રીએ રાજ્યના નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર તત્વો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.</p><h2 style="text-align: justify; "><b>11 દવાઓના બનાવટના પરવાના રદ</b></h2><p style="text-align: justify; ">આ અંગે વધુ વિગતો આપતા મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે,FDCA દ્વારા હાથ ધરાયેલી સઘન તપાસના પરિણામે ગંભીર ક્ષતિઓ જણાયેલી 50 દવા પેઢીઓના વેચાણ પરવાના રદ કરવામાં આવ્યા છે.રિસ્ક બેઝ્ડ ઈન્સ્પેક્શન હેઠળ ૨ દવા ઉત્પાદક પેઢીઓને ક્લોઝર ઓર્ડર,8 ઉત્પાદક પેઢીઓના પરવાના સ્થગિત તથા 11 દવાઓના બનાવટના પરવાના રદ કરવામાં આવ્યા છે.લેબોરેટરીની તપાસમાં અપ્રમાણસર જાહેર થયેલી 20 દવાઓના ઉત્પાદકો સામે કારણદર્શક નોટિસ પાઠવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જ્યારે રાજ્યમાં તપાસ કરવામાં આવેલા 42 બ્લડ સ્ટોરેજ સેન્ટર્સ પૈકી 3ને ક્લોઝર ઓર્ડર તથા 12ને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં એન્ટીબાયોટિક દવાઓની ગુણવત્તા ચકાસવા માટે  વિશેષ ડ્રાઇવ યોજવામાં આવી હતી જેમાં કુલ 588 દવાઓના નમૂના લેવામાં આવ્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>બનાવટી દવાઓના નેટવર્ક સામે કડક કાર્યવાહી</b></h2><p style="text-align: justify; ">નશાકારક અને બનાવટી દવાઓના નેટવર્ક સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમ જણાવતા મંત્રી પાનશેરીયાએ જણાવ્યું કે નશાકારક તથા બનાવટી દવાઓના ગેરકાયદેસર નેટવર્ક સામે અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા ખાતેની પેઢીઓમાં FDCA દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ ઉપરાંત એસ.ઓ.જી.સાથેની સંયુક્ત તપાસ માં વડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતે મેડિકલ સ્ટોરની બાજુની દુકાનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવતા ટ્રામાડોલ સહિતના નશાકારક ઈન્જેક્શનનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો અને NDPS ACT હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.બનાવટી Nicardia Retard 10 ટેબ્લેટ્સના કેસમાં સપ્લાય ચેઈન સુધી તપાસ કરવામાં આવી રહી છે,જે અંતર્ગત J.B. Chemicals દ્વારા ઉત્પાદિત હોવાનું દર્શાવતી બનાવટી Nicardia Retard 10 ટેબ્લેટ્સના વેચાણ અંગે 30થી વધુ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી.</p><h2 style="text-align: justify; "><b>1.75 લાખથી વધુનો શંકાસ્પદ જથ્થો જપ્ત</b></h2><p style="text-align: justify; ">આ કાર્યવાહી દરમિયાન રૂ.1.75 લાખથી વધુનો શંકાસ્પદ જથ્થો જપ્ત/પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.તપાસ દરમિયાન ઉત્તર પ્રદેશના લખનઉ સ્થિત સેના ફાર્માથી શરૂ થઈ અમદાવાદ અને સાણંદ સુધી વિસ્તરેલી સપ્લાય ચેઈનનો પર્દાફાશ થયો છે.સમગ્ર નેટવર્કના મૂળ ઉત્પાદક સુધી પહોંચવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.અમદાવાદના ત્રાગડ ખાતે લાયસન્સ વિના સંચાલિત ‘આનકી હર્બલ’માંથી રૂ.2.68 લાખથી વધુ કિંમતનો ગેરકાયદેસર કોસ્મેટિક્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.તેમજ કપડવંજ ધોળીકૂઇ ખાતે બાવીશી દવાખાનામાંથી નાના બાળકો માટે રતવાની દવાનું ગેરકાયદે ઉત્પાદન ઝડપાયું હતું જ્યાંથી 66400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>બનાસકાંઠામાં 6071 કિગ્રા મરચાં પાઉડરનો જથ્થો જપ્ત</b></h2><p style="text-align: justify; ">ઓગસ્ટ 2026 દરમિયાન રાજ્યભરમાં હાથ ધરાયેલ સઘન ઝુંબેશ હેઠળ કુલ 2238થી વધુ ખાદ્ય વ્યવસાય સંચાલકોની તપાસણી કરવામાં આવી હતી અને વિવિધ ખાદ્યચીજોના 2591જેટલા નમૂનાઓ લેબોરેટરી પરીક્ષણ માટે લેવાયા હતા.આ સમયગાળા દરમિયાન વિવિધ સ્થળોએ પાડવામાં આવેલ દરોડામાં તેલ,મરચા પાઉડર અને દૂધ સહિતની શંકાસ્પદ ખાદ્યચીજનો કુલ 42988 કિલોગ્રામ શંકાસ્પદ ખાદ્યજથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.જેની અંદાજિત કિંમત રૂ.93,47,13 જેટલી થાય છે.રાજ્યના વિવિધ સ્થળોએ હાથ ધરેલી કાર્યવાહી અંતર્ગત પાટણમાં 14709 કિગ્રા તેલ અને 6495 કિગ્રા ખાદ્ય તેલ ,કામરેજ -સુરતમાં 5157 કિગ્રા ઘી, જામનગરમાં 7138 કિગ્રા દૂધ  તેમજ ડીસા- બનાસકાંઠામાં 6071 કિગ્રા મરચાં પાઉડરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>1625થી વધુ એકમોનું નિરીક્ષણ કરાયું હતું</b></h2><p style="text-align: justify; ">રાજ્યમાં રેસ્ટોરન્ટ અને ઢાબાઓની સ્વચ્છતા તથા ગુણવત્તા સુનિશ્ચિત કરવા 1625થી વધુ એકમોનું નિરીક્ષણ કરાયું હતું.જેમાં ક્ષતિઓ જણાતા ૩૦૬ એકમોને સુધારણા નોટિસ પાઠવવામાં આવી હતી અને ગંભીર બેદરકારી બદલ 38 એકમો સામે લાયસન્સ રદ્દ કરવા જેવી કડક કાર્યવાહી કરાઈ હતી.આ ઉપરાંત,ડેરી એનાલોગના ગેરકાયદે વેચાણ અને ઉપયોગ સામે 3078 પેઢીઓની તપાસ કરી 145 શંકાસ્પદ નમૂના લેવાયા હતા અને રૂ.7,54,386ની કિંમતનો 2553.10 કિગ્રા બિન-ગુણવત્તાયુક્ત ડેરી એનાલોગ જથ્થો નાશ કરાવવામાં આવ્યો હતો.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/is-your-red-tomato-sauce-real-fake-sauce-market-worth-200-crore" target="_blank">આ પણ વાંચોઃ Sandesh Indepth : તમે નાની હોટેલો અને ખાણીપીણી બજારમાં જે લાલ ચોળ દેખાતો ટોમેટો સોસ ખાઓ છો તે અસલી છે?</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/IagQltguAgth8bKj4T7kNm381yYKn8jqoHa2yj0S.webp'/></item><item><title><![CDATA[Rajkot News: આજે વિરાસતથી વિકાસ લોકમેળાનો પ્રથમ દિવસ, 34 રાઇડ્સને મંજૂરી નહીં ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/virasat-thi-vikas-lok-mela-2026-34-rides-denied-permission</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/virasat-thi-vikas-lok-mela-2026-34-rides-denied-permission</guid><pubDate>Wed, 02 Sep 2026 10:14:43 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સૌરાષ્ટ્રના સૌથી મોટા અને ભાતીગળ એવા રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વિરાસતથી વિકાસ લોકમેળાનો આજથી પ્રારંભ થવાનો છે. આજે સાંજે 4:30 કલાકે રાજકોટના પ્રભારી મંત્રી જીતુ વાઘાણીના હસ્તે આ ભવ્ય લોકમેળાનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવશે. મેળાના પ્રથમ દિવસે જ રાઇડ્સને લઈને લોકોમાં નિરાશા જોવા મળી છે.કડક સુરક્ષા માપદંડો અને એસઓપીના કડક અમલના કારણે પ્રથમ દિવસે 34 જેટલી મોટી યાંત્રિક રાઇડ્સને મંજૂરી મળી નથી જેના કારણે રાઇડ્સ વિના મેળો ફીક્કો લાગી રહ્યો છે.&nbsp;&nbsp;</p><h2 style="text-align: justify; "><b>મેળામાં 34 રાઇડ્સને મંજૂરી નહીં</b></h2><p style="text-align: justify; ">જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસે લોકોની સલામતી માટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે.મેળામાં આવતા લોકોની સુરક્ષા સાથે કોઈપણ જાતનું સમાધાન ન કરવાનો સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે.તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે જરૂરી મંજૂરી કે લાયસન્સ વિના એક પણ મોટી કે નાની યાંત્રિક રાઇડ શરૂ કરવા દેવામાં આવશે નહીં.13 સભ્યોની કમિટીનો નિર્ણય મેળામાં રાઇડ્સ શરૂ કરવા માટે 34 રાઇડ્સના 11 સંચાલકોએ મંજૂરી માટે અરજી કરી છે.જોકે, આ 34 રાઇડ્સનો જરૂરી અભિપ્રાય હજુ સુધી અધ્યક્ષ અને ડીસીપી જગદીશ બાંગારવાને મળ્યો નથી.</p><h3 style="text-align: justify; "><b>ફિટનેસ ચકાસણીની કામગીરી યુદ્ધના ધોરણે</b></h3><p style="text-align: justify; ">મોટી રાઇડ્સની સુરક્ષા ચકાસણી માટે રચાયેલી 13 સભ્યોની કમિટી દ્વારા ગ્રાઉન્ડ પર એસઓપી મુજબ મશીનરી,બેઠક વ્યવસ્થા અને મજબૂતીની ટેકનિકલ તપાસ કરવામાં આવી રહી છે.આ 13 સભ્યોની કમિટી સંપૂર્ણ નિરીક્ષણ કર્યા બાદ પોઝિટિવ અભિપ્રાય આપશે.ત્યારબાદ જ લાયસન્સ આપવાની આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.રાઇડ્સ શરૂ થવાની શક્યતા સુરક્ષા અને ફિટનેસ ચકાસણીની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.વહીવટી તંત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર, તમામ સુરક્ષા નિયમોનું પાલન થયા બાદ રાઇડ્સની લાયસન્સ પ્રક્રિયા પૂર્ણ થવાની શક્યતા છે.લાયસન્સ મળ્યા બાદ જ મુલાકાતીઓ માટે ચકડોળ અને અન્ય મોટી રાઇડ્સ ખુલ્લી મૂકાશે જેથી મેળો બીજા દિવસથી ખીલશે તેવી આશા સેવાઈ રહી છે.&nbsp;&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/is-your-red-tomato-sauce-real-fake-sauce-market-worth-200-crore" target="_blank">આ પણ વાંચોઃ Sandesh Indepth : તમે નાની હોટેલો અને ખાણીપીણી બજારમાં જે લાલ ચોળ દેખાતો ટોમેટો સોસ ખાઓ છો તે અસલી છે?</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/DrRWs6fN92oKp6ii4EoekNmRnDWLeJvkRGW9mnsr.webp'/></item><item><title><![CDATA[Ahmedabadની EbixCash સાથે રૂ.40 લાખનો વિશ્વાસઘાત, પોતાના જ સેલ્સ મેનેજરે બોગસ KYCથી કંપનીને ફટકાર્યો મોટો ચૂનો! ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/betrayal-of-rs-40-lakhs-with-ebixcash-of-ahmedabad-its-own-sales-manager-hit-the-company-with-a-big-blow-with-bogus-kyc</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/betrayal-of-rs-40-lakhs-with-ebixcash-of-ahmedabad-its-own-sales-manager-hit-the-company-with-a-big-blow-with-bogus-kyc</guid><pubDate>Wed, 02 Sep 2026 10:02:48 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી જાણીતી મની એક્સચેન્જ કંપની 'EbixCash World Money Limited' સાથે રૂ. 40.08 લાખની મોટી છેતરપિંડીનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતા કર્મચારી દેવેન્દ્રસિંહ ગોહિલ સામે કંપની સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ આચરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આરોપી કર્મચારીએ વિવિધ કોર્પોરેટ કંપનીઓના નામે ખોટી રીતે વિદેશી કરન્સી મેળવીને પોતાની જ કંપનીને મોટો આર્થિક ફટકો માર્યો છે.</p><h2 style="text-align: justify; "><b>બોગસ KYC અને 16 ફેક ઈનવોઈસથી આચરાઈ ઠગાઈ</b></h2><p style="text-align: justify; ">આ સમગ્ર કૌભાંડ ઓક્ટોબર 2025થી ફેબ્રુઆરી 2026 દરમિયાન આચરવામાં આવ્યું હતું. આરોપી દેવેન્દ્રસિંહ ગોહિલે એવી વ્યક્તિઓના નામે KYC દસ્તાવેજો રજૂ કર્યા હતા, જેઓ વાસ્તવમાં સંબંધિત કોર્પોરેટ કંપનીઓમાં નોકરી કરતા જ નહોતા. આ બોગસ દસ્તાવેજોના આધારે તેણે અલગ-અલગ કંપનીઓના નામે 16 જેટલા ઈનવોઈસ પ્રોસેસ કરાવીને રૂ. 40,08,941 ની કિંમતની વિદેશી કરન્સી મેળવી લીધી હતી.</p><h2 style="text-align: justify; "><b>પેમેન્ટ ન આવતાં ભોપાળું બહાર આવ્યું: પોલીસ તપાસ શરૂ</b></h2><p style="text-align: justify; ">ઈનવોઈસ પ્રોસેસ થયા બાદ લાંબા સમય સુધી રકમનું પેમેન્ટ ન આવતાં કંપની શંકાના આધારે તપાસ શરૂ કરી હતી. EbixCash કંપનીના પ્રતિનિધિઓએ જ્યારે સંબંધિત કોર્પોરેટ કંપનીઓનો સંપર્ક કર્યો, ત્યારે તે કંપનીઓએ આવા કોઈ ઈનવોઈસ કે વિદેશી કરન્સીની ખરીદી અંગે અજાણ હોવાનું જણાવ્યું હતું. કર્મચારી ગોહિલે આચરેલી છેતરપિંડી ખુલ્લી પડતાં નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેના આધારે પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/vadodara/vadodara-news-rs-10-lakh-e-cigarette-racket-busted-two-main-ringleaders-in-the-clutches-of-sog" target="_blank">Vadodara News : ઈ-સિગરેટના રૂ.10 લાખના રેકેટનો પર્દાફાશ, બે મુખ્ય સૂત્રધાર SOGના સકંજામાં</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/8FXgoyejM3HzZawxuhxy2lz215ozPzZ49PkzcSw8.webp'/></item><item><title><![CDATA[Petrol Diesel Price Today: ટેક્સ વધ્યો, તો શું વધશે પેટ્રોલ ડીઝલના ભાવ? જાણો 2 સપ્ટેમ્બરનો લેટેસ્ટ રેટ ]]></title><link>https://sandesh.com/business/news/petrol-diesel-price-today-if-tax-increases-will-petrol-and-diesel-prices-increase-know-the-latest-rate-as-of-september-2</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/petrol-diesel-price-today-if-tax-increases-will-petrol-and-diesel-prices-increase-know-the-latest-rate-as-of-september-2</guid><pubDate>Wed, 02 Sep 2026 09:50:23 +05:30</pubDate><description><![CDATA[<p>કેન્દ્ર સરકારે પેટ્રોલ નિકાસ પરનો વિન્ડફોલ ટેક્સ ₹1.50 પ્રતિ લિટર કર્યો છે, જે 1 સપ્ટેમ્બર, 2026 થી લાગુ થશે. સરકારે ડીઝલ નિકાસ પરની વસૂલાત પણ ₹1 વધારીને ₹25 પ્રતિ લિટર કરી દીધી છે. ત્યારે આવો જાણીએ 2 સપ્ટેમ્બરના રોજ શું છે પેટ્રોલ ડીઝલની કિંમત.&nbsp;</p><h2><b>ટેક્સમાં થયો વધારો, તો શું વધશે પેટ્રોલ ડીઝલના ભાવ ?&nbsp;</b></h2><p>આ પછી, સરકારી તેલ માર્કેટિંગ કંપનીઓએ આજે, બુધવાર, 2 સપ્ટેમ્બરના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા. દિલ્હીમાં, ઇથેનોલ-મિશ્રિત ન હોય તેવા એક લિટર પેટ્રોલનો ભાવ આજે ₹167.35 છે. દરમિયાન, E5 પેટ્રોલનો ભાવ ₹109.24 પ્રતિ લિટર છે, અને E20 પેટ્રોલ (20% ઇથેનોલ મિશ્રણ ધરાવતું) ₹102.12 પ્રતિ લિટર છે.</p><p><b style="font-size: 2rem;">શું આનાથી સામાન્ય માણસ પર અસર થશે?</b></p><p>નોંધનીય છે કે આ ઇંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી, કારણ કે વિન્ડફોલ ટેક્સ ફક્ત નિકાસ પર લાગુ થાય છે. તેનો સ્થાનિક વેચાણ કે સામાન્ય ગ્રાહકો પર કોઈ પ્રભાવ નથી. સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં વપરાતા પેટ્રોલ અને ડીઝલ પરના હાલના એક્સાઇઝ ડ્યુટી દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેથી નવા નક્કી કરાયેલા દરો ફક્ત નિકાસ પર લાગુ પડે છે અને સ્થાનિક બજારમાં વેચાતા પેટ્રોલ અને ડીઝલને અસર કરશે નહીં.</p><p>અગાઉ, 15 ઓગસ્ટની સમીક્ષા દરમિયાન, પેટ્રોલ નિકાસ પરનો વેરો શૂન્ય કરવામાં આવ્યો હતો. મંગળવારે, એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) નિકાસ પરનો વેરો 50 પૈસા ઘટાડીને ₹19 પ્રતિ લિટર કરવામાં આવ્યો હતો.</p><p>સરકારની નવીનતમ સમીક્ષા બાદ, પેટ્રોલ પરનો સમગ્ર ₹1.50 પ્રતિ લિટર લેવી સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી (SAED) તરીકે વસૂલવામાં આવશે. ડીઝલ પરના કુલ ₹25 લેવી અંગે, ₹24 SAED તરીકે અને ₹1 રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ (RIC) તરીકે વસૂલવામાં આવશે. ATF પરનો સમગ્ર ₹19 પ્રતિ લિટર લેવી SAED તરીકે વસૂલવામાં આવશે.</p><h2><b><br></b><b>આજે પેટ્રોલ અને ડીઝલનો ભાવ શું છે?</b></h2><p><b style="font-size: 1.75rem;">આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ (2 સપ્ટેમ્બર ઓગષ્ટ ગુડ રિટર્ન્સ અનુસાર)&nbsp;</b></p><p><br></p><ul><li>દિલ્હી – પેટ્રોલ: 102.12 રૂપિયા | ડીઝલ: 95.20 રૂપિયા</li><li>કોલકાતા – પેટ્રોલ: 113.51 રૂપિયા | ડીઝલ: 99.82 રૂપિયા</li><li>મુંબઈ – પેટ્રોલ: 111.21 રૂપિયા | ડીઝલ: 97.83 રૂપિયા</li><li>ચેન્નઈ – પેટ્રોલ: 107.78 રૂપિયા | ડીઝલ: 99.56 રૂપિયા</li><li>બેંગલુરુ – પેટ્રોલ: 110.93 રૂપિયા | ડીઝલ: 98.80 રૂપિયા</li><li>જયપુર – પેટ્રોલ: 113.97 રૂપિયા | ડીઝલ: 98.96 રૂપિયા</li><li>લખનૌ – પેટ્રોલ: 102.68 રૂપિયા | ડીઝલ: 96.10 રૂપિયા</li><li>ચંડીગઝ- પેટ્રોલ: 98.10 રૂપિયા | ડીઝલ: 86.10 રૂપિયા</li></ul><h2><b>ગુજરાતના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ&nbsp;</b></h2><p>ગુજરાતમાં શહેર પ્રમાણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડો તફાવત જોવા મળી શકે છે. 1 સપ્ટેમ્બરના લેટેસ્ટ ભાવ નીચે મુજબ છે:</p><p><br></p><table class="table table-bordered"><tbody><tr><td>શહેર</td><td>&nbsp;પેટ્રોલ /લિટર</td><td>&nbsp;ડીઝલ/લિટર&nbsp;&nbsp;</td></tr><tr><td>અમદાવાદ&nbsp;</td><td>₹102.15&nbsp;<br></td><td>₹98.27&nbsp;</td></tr><tr><td>ગાંધીનગર&nbsp;</td><td>₹102.04</td><td>&nbsp;₹98.15</td></tr><tr><td>રાજકોટ</td><td>&nbsp;₹101.85</td><td>&nbsp;₹97.99</td></tr><tr><td>સુરત&nbsp;</td><td>₹101.44</td><td>&nbsp;₹97.95</td></tr><tr><td>વડોદરા&nbsp;</td><td>₹101.82&nbsp;</td><td>₹97.57</td></tr><tr><td>ભાવનગર&nbsp;</td><td>₹103.41&nbsp;</td><td>₹99.53&nbsp;</td></tr><tr><td>જામનગર&nbsp;</td><td>₹102.31</td><td>&nbsp;₹97.55</td></tr><tr><td>જૂનાગઢ&nbsp;</td><td>₹102.05&nbsp;</td><td>₹98.19&nbsp;</td></tr></tbody></table><p><b style="font-size: 1.75rem;">તમારા શહેરના ભાવ કેવી રીતે તપાસશો?</b></p><p>તમે તમારી અનુકૂળતા મુજબ નીચેના નંબર પર SMS કરીને તમારા શહેરના તાજા ભાવ જાણી શકો છો:</p><p><br></p><ul><li>IOCL: 'RSP &lt;સ્પેસ&gt; &lt;સેન્ટર કોડ&gt;' લખીને 92249 92249 પર SMS કરો.</li><li>HPCL: 'HPPRICE &lt;સ્પેસ&gt; &lt;સેન્ટર કોડ&gt;' લખીને 92222 01122 પર SMS કરો.</li><li>BPCL: 'RSP &lt;સ્પેસ&gt; &lt;સેન્ટર કોડ&gt;' લખીને 92231 12222 પર SMS કરો.&nbsp;</li></ul> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2025/12/06/SM6jnSOu7AiowmcTNpaHsU5FdLSvYMRNqvuUndXf.webp'/></item><item><title><![CDATA[Heavy Rain Uttarakhand: ઉત્તરાખંડમાં ભારે વરસાદનો કહેર અત્યાર સુધીમાં 7નાં મોત ]]></title><link>https://sandesh.com/weather/news/india/heavy-rain-uttarakhand-heavy-rain-wreaks-havoc-in-uttarakhand-7-deaths-so-far</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/news/india/heavy-rain-uttarakhand-heavy-rain-wreaks-havoc-in-uttarakhand-7-deaths-so-far</guid><pubDate>Wed, 02 Sep 2026 09:33:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મેદાની વિસ્તારોમાં નદીઓના જળસ્તરમાં વધારો થતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અનેક લોકોને સુરક્ષિત અને ઊંચાણવાળા સ્થળોએ ખસેડવાની ફરજ પડી છે. બીજી તરફ, ઉત્તરાખંડ સહિતના પહાડી રાજ્યોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓએ મુશ્કેલીઓ વધારી દીધી છે.</p><p style="text-align: justify; ">ઉત્તરાખંડમાં અલ્મોડા, બાગેશ્વર, ટેહરી, નૈનીતાલ, ઉધમસિંહ નગર અને પૌડી સહિતના જિલ્લાઓમાં વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે વહીવટીતંત્ર એલર્ટ પર છે. અલગ-અલગ દુર્ઘટનાઓમાં અત્યાર સુધી 7 લોકોના મોતના અહેવાલ સામે આવ્યા છે. રાજ્ય આપત્તિ પ્રતિસાદ દળ એટલે કે SDRF, પોલીસ અને સ્થાનિક પ્રશાસનની ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી કરી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>172થી વધુ રસ્તાઓ બંધ, વાહનવ્યવહાર પ્રભાવિત</b></h2><p style="text-align: justify; ">ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ઉત્તરાખંડમાં 172થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. પિથોરાગઢ, નૈનીતાલ અને બાગેશ્વર જિલ્લામાં કેટલાક મહત્વપૂર્ણ હાઇવે પણ અસરગ્રસ્ત થયા છે. અનેક સ્થળોએ પહાડ પરથી ભારે માત્રામાં કાટમાળ અને પથ્થરો રસ્તા પર આવી ગયા હોવાથી વાહનવ્યવહાર અટકી ગયો છે.</p><p style="text-align: justify; ">બંધ રસ્તાઓને ફરી શરૂ કરવા માટે જેસીબી અને અન્ય ભારે મશીનરીની મદદથી કાટમાળ દૂર કરવાની કામગીરી ચાલુ છે. જોકે સતત વરસાદને કારણે રાહત કામગીરીમાં પણ મુશ્કેલી પડી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>ગૌલા અને ખકરા નદીઓમાં વધ્યું જળસ્તર</b></h3><p style="text-align: justify; ">સતત વરસાદ બાદ હલ્દ્વાની વિસ્તારમાં ગૌલા નદીમાં પાણીનો પ્રવાહ ઝડપથી વધી રહ્યો છે. નદીમાં અંદાજે 27 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. ઉધમસિંહ નગરના કિચ્છા, પુલભટ્ટા, શાંતિપુરી અને સૂર્યનગર જેવા વિસ્તારોમાં લોકોને નદીથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી રહી છે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2094973013909471461"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; ">પ્રશાસન દ્વારા લાઉડસ્પીકર મારફતે લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે. અનેક સ્થળોએ પાણી ભરાવાની સ્થિતિને કારણે શૈક્ષણિક સંસ્થાઓ અને સ્થાનિક બજારોના કામકાજ પર પણ અસર પડી છે.</p><h4 style="text-align: justify; "><b>ખટીમામાં પરિવારોને ખસેડવામાં આવ્યા</b></h4><p style="text-align: justify; ">ખટીમાના વનગાંવ વિસ્તારમાં ખકરા નદીનું જળસ્તર વધતાં બે ડઝનથી વધુ પરિવારો પાણી ભરાવાની સમસ્યાથી પ્રભાવિત થયા છે. પ્રશાસન, SDRF અને પોલીસની ટીમોએ કેટલાક લોકોને સુરક્ષિત સ્થળો અને રાહત શિબિરોમાં પહોંચાડ્યા છે.</p><p style="text-align: justify; ">રઘુલિયા પ્રાથમિક શાળાને અસ્થાયી રાહત કેન્દ્ર તરીકે તૈયાર કરવામાં આવી છે. અહીં અસરગ્રસ્ત લોકોને ભોજન, પીવાનું પાણી અને અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.</p><h4 style="text-align: justify; "><b>પૌડીમાં કરુણ ઘટના, માતા અને પુત્રીના મોત</b></h4><p style="text-align: justify; ">પૌડી જિલ્લાના કોટદ્વાર વિસ્તારમાં વરસાદ વચ્ચે એક અત્યંત દુઃખદ ઘટના બની હતી. સ્નેહ વિસ્તારમાં કોલ્હૂ નદી પાર કરતી વખતે દોઢ વર્ષની બાળકી અચાનક પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી. પુત્રીને બચાવવાનો પ્રયાસ કરતી તેની 26 વર્ષીય માતા પણ નદીના પ્રવાહમાં વહી ગઈ હતી. SDRF અને પોલીસની ટીમોએ શોધખોળ બાદ બંનેના મૃતદેહો બહાર કાઢ્યા હતા.</p><h4 style="text-align: justify; "><b>બાગેશ્વરમાં હાઇવે સહિત અનેક માર્ગો બંધ</b></h4><p style="text-align: justify; ">બાગેશ્વરમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે NH-109 સહિત 16 મોટર માર્ગો બંધ થઈ ગયા છે. રસ્તો બંધ થતાં બસ, ટેક્સી અને અન્ય વાહનો લાંબા સમય સુધી અટવાઈ ગયા હતા. દર્દીને લઈને જતી એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ હોવાના સમાચાર મળ્યા હતા. નૈનીતાલ જિલ્લામાં પણ કોસી અને શિપ્રા નદીઓના જળસ્તરમાં વધારો જોવા મળી રહ્યો છે. સતત વરસાદને કારણે રાજ્યમાં આગામી સમયમાં પણ સતર્ક રહેવાની જરૂર છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો: <a href="https://sandesh.com/weather/news/monsoon-2026/weather-update-rainy-weather-from-capital-delhi-to-bengal-risk-of-landslides-increased-in-the-mountains" target="_blank">Weather Update: રાજધાની દિલ્હીથી લઇને બંગાળ સુધી વરસાદી માહોલ, પહાડો પર લેન્ડસ્લાઇડનો ખતરો વધ્યો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/bK5TsouoWBfFuyfBLYsAqH4f26Qy6FlnVnDqr0ah.webp'/></item><item><title><![CDATA[Himachal: 7,000 ફૂટ  ઊંચું પવિત્ર તળાવ અચાનક જ 90% કેમ સૂકાઇ ગયું, જાણો તેના રહસ્ય વિશે! ]]></title><link>https://sandesh.com/india/news/knowledge/himachal-7-000-90-himachal-dehanser-lake-dried-up-barot-mystery</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/knowledge/himachal-7-000-90-himachal-dehanser-lake-dried-up-barot-mystery</guid><pubDate>Wed, 02 Sep 2026 08:46:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હિમાચલ પ્રદેશના પ્રવાસન અને ધાર્મિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ એવા ચૌહર ખીણની બારોટ પંચાયતમાં આવેલું સદીઓ જૂનું કુદરતી તળાવ ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યું છે. દરિયાની સપાટીથી આશરે 7000 ફૂટની ઊંચાઈએ હેડગરમાં સૂરજપુર ગઢ ખાતે આવેલું આ ઐતિહાસિક તળાવ હવે તેના અસ્તિત્વ માટે લડી રહ્યું છે. ભારે હિમવર્ષા અને પ્રતિકૂળ સંજોગોમાં પણ પાણીથી ભરપૂર રહેતું આ પવિત્ર તળાવ આજે લગભગ 90 ટકા જેટલું સુકાઈ ચૂક્યું છે, જેને લઈને સ્થાનિક રહેવાસીઓ અને પર્યાવરણવિદોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મોટું કેન્દ્ર છે આ તળાવ</b></h2><p style="text-align: justify; ">સ્થાનિક નાગરિકો અને પર્યાવરણવિદના મત પ્રમાણે, પ્રાચીન સમયમાં આ કુદરતી તળાવ અંદાજે 300 મીટર લાંબુ અને 100 મીટર પહોળું હતું. પ્રચૂર માત્રામાં પાણી ઉપલબ્ધ હોવાને કારણે આ તળાવ સ્થાનિક લોકો તેમજ દૂર-દૂરથી આવતા શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું એક મોટું કેન્દ્ર રહ્યું છે. આ પવિત્ર તળાવને 'જુનું દેહાંસર' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વના કારણે દર વર્ષે ભાદો અને ચૈત્ર મહિનાની 20મી તારીખે મોટી સંખ્યામાં ભક્તો અહીં આવીને પવિત્ર સ્નાન કરે છે.</p><h3 style="text-align: justify; "><b>તળાવ પોતાનું પ્રાચીન સ્વરૂર ગુમાવવાની કગાર પર</b></h3><p style="text-align: justify; ">જો કે, છેલ્લા કેટલાક વર્ષોથી આ તળાવમાં પાણીનું સ્તર સતત ઘટતું ગયું છે, જેના કારણે તે પોતાનું પ્રાચીન સ્વરૂપ અને ગૌરવ ગુમાવી રહ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે આ તળાવ માત્ર પાણીનો એક સ્ત્રોત નથી, પરંતુ આ સમગ્ર પ્રદેશનો એક અમૂલ્ય કુદરતી અને ધાર્મિક વારસો છે. જો આ કુદરતી સંપદાને બચાવવામાં નહીં આવે, તો આવનારી પેઢીઓ આ ઐતિહાસિક સ્થળના દર્શન કરવાથી વંચિત રહી જશે.</p><h4 style="text-align: justify; "><b>ઐતિહાસિક ધરોહરને બચાવવાની ઉગ્ર માંગ</b></h4><p style="text-align: justify; ">આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક રહેવાસીઓ અને પર્યાવરણવાદીઓએ વહીવટીતંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરી છે કે તત્વજ્ઞાન અને વિજ્ઞાનની મદદથી આ તળાવના કુદરતી પાણીના સ્ત્રોતોનો અભ્યાસ કરવામાં આવે. તળાવને પુનઃજીવિત કરવા માટે વહીવટીતંત્રે વહેલી તકે વિશેષ સંરક્ષણ યોજના તૈયાર કરીને નક્કર પગલાં ભરવા જોઈએ, જેથી આ પવિત્ર અને ઐતિહાસિક તળાવને સંપૂર્ણ નાશ પામતું અટકાવી શકાય.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/world/news/us-iran-war-2-0-gulf-tensions-missile-strikes" target="_blank">આ પણ વાંચોઃ US Iran war 2.0: જોર્ડનથી કુવૈત સુધી યુદ્ધની જ્વાળાઓ ફરી ફાટી નીકળી, અમેરિકાના જવાબી હુમલામાં 5ના મોત</a></b></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/yCTY4dfafjEEhkJAhHqCmuy8tftzLZCWTATeGzo1.webp'/></item><item><title><![CDATA[પાટણમાં રાહુલ ગાંધી સામે થયેલી ફરિયાદ બાબતે કોંગ્રેસનો વિરોધ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/patan/congress-protests-against-complaint-against-rahul-gandhi-in-patan</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/patan/congress-protests-against-complaint-against-rahul-gandhi-in-patan</guid><pubDate>Wed, 02 Sep 2026 05:29:52 +05:30</pubDate><description><![CDATA[<p>પાટણ । (સં.ન્યૂ.સ.)</p><p>પાટણમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સામે ઉતરાખંડમાં થયેલી ફરીયાદને લઈ વિરોધ દર્શાવ્યો હતો. જે દરમિયાન પાટણની સિદ્ધપુર ચોકડી પાસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ચક્કાજામ કરી ફરીયાદ પરત ખેંચવાની માંગ કરી હતી.</p><p>ઉતરાખંડમાં કોંગ્રેસના લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સામે ઉતરાખંડમાં ફરીયાદ નોંધાતા તેના પડઘા પાટણમાં પડયા હતા. જેમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ એકઠા થયેલા આગેવાનો અને કાર્યકરોએ પાટણ સિદ્ધપુર ચોકડી પાસે ચક્કાજામ કરી આક્ષેપ સાથે માંગ કરી હતી કે રાહુલ ગાંધી વિરુદ્ધ કરવામાં આવેલી ફરીયાદ ખોટી છે. જેને તાત્કાલિક અસરથી પરત ખેંચવામાં આવે. તેમજ લોકશાહી અને બંધારણીય મુલ્યોની રક્ષા માટે કોંગ્રેસનો સંઘર્ષ ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું. ચક્કાજામના કારણે થોડી વાર માટે ટ્રાફ્કિ સર્જાયો હતો. વધુમાં કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે વિપક્ષના નેતા સામે રાજકીય દબાણ કે ખોટી કાર્યવાહી કરવામાં આવશે તો કોંગ્રેસ લોકશાહી ઢબે તેનો સતત વિરોધ કરશે. વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં પક્ષના આગેવાનો અને કાર્યકરો જોડાયાહતા.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p>Congress workers in Patan protested a complaint against Rahul Gandhi in Uttarakhand, holding a road blockade and demanding withdrawal of the complaint.</p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/1Y5NWv5SGx6LuJIP4x3hszzKoGjJgR16tvjYtihI.webp'/></item><item><title><![CDATA[India Footbal ટીમની જાહેરાત, 26 ખેલાડીઓની પસંદગી કરાઇ ]]></title><link>https://sandesh.com/sports/news/india-football-team-announced-26-players-selected</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india-football-team-announced-26-players-selected</guid><pubDate>Tue, 01 Sep 2026 09:31:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય ફૂટબોલ ટીમ માટે આગામી આંતરરાષ્ટ્રીય વિન્ડો ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાની છે. મુખ્ય કોચ ખાલિદ જમીલે 26 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. ભારતીય ટીમ આગામી દિવસોમાં પનામા, બ્રાઝિલ અને ઉરુગ્વે જેવી મજબૂત ટીમો સામે 3 આંતરરાષ્ટ્રીય મૈત્રી મેચ રમશે. ખાસ કરીને બ્રાઝિલ અને ઉરુગ્વે સામેની મેચ ભારતીય ખેલાડીઓ માટે પોતાની ક્ષમતા સાબિત કરવાની મોટી તક બની રહેશે.</p><h5 style="text-align: justify; "><b>ભારતીય ટીમ અભિયાનની શરૂઆત 26 સપ્ટેમ્બરે કરશે</b></h5><p style="text-align: justify; ">ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 26 સપ્ટેમ્બરે કરશે. બેંગલુરુના શ્રી કાંતિરવા સ્ટેડિયમમાં ભારતનો મુકાબલો પનામા સામે થશે. ત્યારબાદ ભારતીય ટીમ કોલકાતા જશે, જ્યાં 3 ઓક્ટોબરે 5 વખતની વિશ્વ ચેમ્પિયન બ્રાઝિલ અને 6 ઓક્ટોબરે 2 વખતની વિશ્વ ચેમ્પિયન ઉરુગ્વે સામે મેદાનમાં ઉતરશે.આ ત્રણેય ટીમો આ વર્ષે યોજાયેલા FIFA વિશ્વ કપમાં ભાગ લઈ ચૂકી છે. આવી સ્થિતિમાં ભારતીય ખેલાડીઓ માટે વિશ્વસ્તરીય ટીમો સામે રમવાનો અનુભવ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. મુખ્ય કોચ ખાલિદ જમીલ પણ આ મેચો દ્વારા ટીમની તાકાત અને નબળાઈઓ સમજવાનો પ્રયાસ કરશે.</p><h5 style="text-align: justify; "><b>14 સપ્ટેમ્બરથી રાષ્ટ્રીય શિબિર</b></h5><p style="text-align: justify; ">ભારતીય રાષ્ટ્રીય ટીમની શિબિર 14 સપ્ટેમ્બરથી બેંગલુરુમાં શરૂ થશે. પનામા સામેની મેચ બાદ ભારતીય ટીમ 28 સપ્ટેમ્બરે કોલકાતા માટે રવાના થશે. ત્યારબાદ માત્ર થોડા દિવસના અંતરે ભારત બ્રાઝિલ અને ઉરુગ્વે જેવી મજબૂત ટીમો સામે મેચ રમશે.આ ત્રણેય મુકાબલા ભારતીય ટીમ માટે એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે આગામી સમયમાં ટીમને અનેક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ નિભાવવાની છે. ખાસ કરીને બ્રાઝિલ અને ઉરુગ્વે સામે રમવાથી ભારતીય ખેલાડીઓને મોટા મંચ પર પોતાની રમતનું મૂલ્યાંકન કરવાની તક મળશે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/IndianFootball/status/2094461120929034687?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; "><br></p><h5 style="text-align: justify; "><b>ભારતની 26 સભ્યોની ટીમ</b></h5><p style="text-align: justify; ">ગોલકીપર:એલ્બિનો ગોમ્સ, ગુરપ્રીત સિંહ સંધુ, પ્રભસુખન સિંહ ગિલ અને સોમ કુમાર.</p><p style="text-align: justify; ">ડિફેન્ડર:અભિષેક સિંહ ટેકચામ, આકાશ મિશ્રા, અનવર અલી, બિજોય વર્ગીઝ, હમિંગથનમાવિયા રાલ્ટે, જય ગુપ્તા, પ્રમવીર અને રિકી મીતેઈ હાઓબામ.</p><p style="text-align: justify; ">મિડફિલ્ડર:અનિરુદ્ધ થાપા, આશિક કુરુનિયન, ફારુખ ચૌધરી, લાલેંગમાવિયા રાલ્ટે, મેકાર્ટન નિક્સન, મોહમ્મદ સનાન, રિકી શાબોંગ અને સહલ અબ્દુલ સમદ.</p><p style="text-align: justify; ">ફોરવર્ડ:એડમન્ડ લાલરિન્દિકા, ઇરફાન યાડવાડ, મનવીર સિંહ, રહીમ અલી, રેયાન વિલિયમ્સ અને વિક્રમ પ્રતાપ સિંહ.</p><h5 style="text-align: justify; "><b>ભારતનો સંપૂર્ણ કાર્યક્રમ</b></h5><p style="text-align: justify; ">26 સપ્ટેમ્બર:ભારત વિરુદ્ધ પનામા — શ્રી કાંતિરવા સ્ટેડિયમ,બેંગલુરુ</p><p style="text-align: justify; ">3 ઓક્ટોબર:ભારત વિરુદ્ધ બ્રાઝિલ — વિવેકાનંદ યુવા ભારતી ક્રીડાંગણ, કોલકાતા</p><p style="text-align: justify; ">6 ઓક્ટોબર:ભારત વિરુદ્ધ ઉરુગ્વે — વિવેકાનંદ યુવા ભારતી ક્રીડાંગણ, કોલકાતા</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/cricket/news/australia-a-squad-announced-for-the-india-a-series-two-players-of-indian-origin-included-in-the" target="_blank">Australia-A squad : ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયા A ટીમ જાહેર,ભારતીય મૂળના 2 ખેલાડીઓને મળ્યું સ્થાન</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/SPbBPwGbv7y83nxfQ8iZc8DhAECHb1obcZUy0Nan.webp'/></item></channel></rss>