<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Shiv Sagar Criticizes Ranbir Kapoor's Casting: રણબીર કપૂર ક્યારેય ‘રામ’ ન બની શકે: શિવ સાગર ]]></title><link>https://sandesh.com/entertainment/news/ranbir-kapoor-ramayana-lord-ram-shiv-sagar-reaction</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/ranbir-kapoor-ramayana-lord-ram-shiv-sagar-reaction</guid><pubDate>Tue, 08 Sep 2026 14:59:02 +05:30</pubDate><description><![CDATA[<p>રણબીર કપૂર (Ranbir Kapoor) નિતેશ તિવારી (Nitesh Tiwari)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ રામાયણ (Ramayana Movie)માં ભગવાન રામના રોલમાં જોવા મળશે. આ અપકમિંગ ફિલ્મનું ટીઝર અને ફર્સ્ટ લુક રિલિઝ થઈ ચૂક્યા છે. જેને જોયા પછી એક તરફ કેટલાક લોકોને ભગવાન રામના રોલમાં રણબીર કપૂર ખૂબ પસંદ આવી રહ્યા છે તો બીજી તરફ કેટલાક લોકો ટીકા પણ કરી રહ્યા છે. ત્યાં જ હવે, રામાનંદ સાગરના પૌત્ર શિવ સાગરે કહ્યું છે કે તેઓ રણબીર કપૂરને ભગવાન રામના રોલમાં ક્યારેય સ્વીકારી શકે નહીં.</p><h2><b>'રણબીર કપૂરને ભગવાન રામના રોલમાં સ્વીકારી શકું નહીં'</b></h2><p>શિવ સાગર ફેમસ ફિલ્મમેકર રામાનંદ સાગરના પૌત્ર છે, જેમણે 1987 માં દૂરદર્શન પર 'રામાયણ' અને ત્યારપછી 'લવ-કુશ' શો બનાવ્યો હતો. તાજેતરમાં, શિવે ભગવાન રામના રોલ માટે રણબીર કપૂરની પસંદગી થવા પર પોતાની નારાજગી વ્યક્ત કરી.</p><p>શિવ સાગરે કહ્યું, " ફક્ત ભગવાન શ્રીરામના કાસ્ટિંગને છોડીને અન્ય પાત્ર પસંદગી બરાબર લાગી રહી છે. પર્સનલી હું રણબીર કપૂરને રામ તરીકે સ્વીકારી શકું નહીં કારણ કે 'એનિમલ' (Animal Movie) પછી, હું તેમને રામના રૂપમાં જોઈ શકતો નથી. જ્યારે હું રામજી વિશે વિચારું છું, ત્યારે મને લાગે છે કે કોઈ નવા ચહેરાને લેવો જોઈતો હતો."</p><h2><b>'ભગવાન રામના રોલ માટે નવો ચહેરો લેવો જોઈતો હતો'</b></h2><p>તેમણે આગળ કહ્યું, "આપણે રણબીરને અલગ-અલગ રોલમાં જોયા છે. તેઓ ખૂબ જ સારા એક્ટર છે. પર્સનલી મને તેમનાથી કોઈ વાંધો નથી. મને લાગે છે કે આ પ્રોજેક્ટ માટે તેમને એટલે લીધા હશે કારણ કે તેમને માર્કેટિંગ માટે બૂસ્ટ જોઈતું હતું, અને કદાચ જો તેઓ રણબીરને ન લેત, તો ફિલ્મનું માર્કેટિંગ આટલું સારું ન થઈ શકત, તો આ પણ વિચારવા જેવી વાત છે, પરંતુ મારું પર્સનલી માનવું છે કે આવા રોલ માટે કોઈ નવા ચહેરાને લેવો વધારે સારું રહેત."</p><h2><b>બાકીની કાસ્ટના વખાણ કર્યા</b></h2><p>શિવ સાગરે બાકીની કાસ્ટના વખાણ કર્યા, જેમાં રાવણના રોલમાં યશ અને સીતાના રોલમાં સાઈ પલ્લવી છે. શિવ સાગરે કહ્યું, "તમે ખૂબ જ મજબૂત સપોર્ટિંગ કાસ્ટ લઈ શકો છો, જેમ કે યશ ખૂબ સારા લાગી રહ્યા છે, સાઈ પલ્લવી ખૂબ સારી લાગી રહી છે, તેમના પર કોઈ 'બેગેજ' નથી. રણબીર પર ઘણું બધું 'બેગેજ' છે. એટલે જ આપણે સામાન્ય રીતે આપણી સીરિયલોમાં નવા ચહેરાઓને લઈએ છીએ, જેથી તેમના પર કોઈ 'બેગેજ' કે જૂની હિસ્ટ્રી ન હોય."</p><h2><b>પબ્લિક કરશે છેલ્લો નિર્ણય</b></h2><p>જોકે, ફિલ્મમેકરે માન્યું કે આખરે, જો ઓડિયન્સ રણબીરને આ રોલમાં પસંદ કરે છે, તો તેમનો પોતાનો ઓપિનિયન કોઈ મહત્વ નહીં રાખે. તેમણે કહ્યું કે 'પબ્લિક જ રાજા છે' અને ફિલ્મ રિલિઝ થયા પછી આ બાબતમાં નિર્ણય તેમનો જ રહેશે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/bOnaZhmPp1FRo5nRx2raKoDZ5WlOThPNxjd3C22Q.webp'/></item><item><title><![CDATA[Surat સિવિલ હોસ્પિટલમાં યુવતીની જાહેરમાં છેડતી: સ્થાનિકોએ વિધર્મી વૃદ્ધને ચખાડ્યો મેથીપાક ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-civil-hospital-woman-harassment-elderly-man-arrest</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-civil-hospital-woman-harassment-elderly-man-arrest</guid><pubDate>Tue, 08 Sep 2026 14:54:46 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતની નવી સિવિલ હોસ્પિટલ પરિસરમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે, જ્યાં હોસ્પિટલમાં આવેલા એક વિધર્મી વૃદ્ધ દ્વારા જાહેરમાં એક યુવતીની છેડતી કરવામાં આવી હતી. દાદાની ઉંમરના વૃદ્ધ દ્વારા કરવામાં આવેલી આ અશ્લીલ હરકતથી યુવતી ચોંકી ઉઠી હતી અને તેણે તરત જ તેનો વિરોધ કરીને બુમાબુમ કરી મૂકી હતી. યુવતીના આક્રોશને જોઈને આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર ભેગા થઈ ગયા હતા.</p><h2 style="text-align: justify; "><b>યુવતીએ 112 પર કોલ કરીને બોલાવી પોલીસ</b></h2><p style="text-align: justify; ">યુવતી સાથે થયેલી છેડતીની ઘટનાની જાણ થતાં જ આસપાસમાં હાજર લોકો ઉશ્કેરાઈ ગયા હતા. જાહેરમાં વિકૃત હરકત કરનાર વિધર્મી વૃદ્ધને લોકોએ મેદાનમાં જ ઘેરી લીધો હતો અને તેને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. આ દરમિયાન હિંમત દાખવીને પીડિત યુવતીએ તાત્કાલિક 112 નંબર પર કોલ કરીને પોલીસને ઘટનાની જાણ કરી હતી, જેથી પોલીસ કંટ્રોલ રૂમની ટીમ તુરંત જ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી.</p><h3 style="text-align: justify; "><b>પોલીસે છેડતી કરનાર વૃદ્ધની કરી અટકાયત&nbsp;</b></h3><p style="text-align: justify; ">ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મેથીપાક પામેલા વિધર્મી વૃદ્ધને ગુસ્સે ભરાયેલા લોકોના હાથમાંથી છોડાવીને પોતાની કસ્ટડીમાં લીધો હતો. પોલીસે યુવતીની છેડતી કરનાર વૃદ્ધની કાયદેસર અટકાયત કરીને તેને પોલીસ મથકે ખસેડ્યો છે. પીડિત યુવતીની ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે અને હોસ્પિટલ પરિસરના સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવી આગળની તપાસ શરુ કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/wFRyh25ATbfGF11UifU0qeQRyzc9HM1hKiv4g0Yr.webp'/></item><item><title><![CDATA[Bharuchમાં વિદ્યાર્થીને પાઇપથી ફટકારનાર શિક્ષક સસ્પેન્ડ, પરિવારની ફરિયાદ બાદ આમોદ પોલીસે ધાકધમકી આપનાર શિક્ષકને જેલભેગો કર્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/bharuch/bharuch--teacher-arrested-and-suspended-for-beating-class-2-student-with-pipe-in-ikhar</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/bharuch/bharuch--teacher-arrested-and-suspended-for-beating-class-2-student-with-pipe-in-ikhar</guid><pubDate>Tue, 08 Sep 2026 14:54:41 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં આવેલા ઇખર ગામે શિક્ષણ જગતને શર્મસાર કરતી અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઇખર ગામની આદર્શ પ્રાથમિક કુમાર શાળામાં ધોરણ 2 માં અભ્યાસ કરતા માસૂમ વિદ્યાર્થી હસનૈન રિઝવાન દીવાનને શાળાના શિક્ષક મુબારક યુસુફ ભડ (બરફા) દ્વારા પાઇપ વડે બેરહમીથી ઢોરમાર મારવામાં આવ્યો હતો. આ અમાનવીય બનાવ અંગે પીડિત બાળકના પરિવારે આમોદ પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્વરિત કડક પગલાં ભરીને શિક્ષક મુબારક ભડની ધરપકડ કરી લીધી છે.</p><h2 style="text-align: justify; "><b>આમોદ TPO ની તપાસમાં શિક્ષક દોષિત જાહેર</b></h2><p style="text-align: justify; ">બનાવની મળતી માહિતી મુજબ, આદર્શ પ્રાથમિક કુમાર શાળામાં અભ્યાસ કરતા 8 વર્ષીય માસૂમ બાળક હસનૈનને શિક્ષક મુબારક ભડે નજીવી બાબતે પાઇપ વડે ફટકારતાં બાળકના શરીર પર ગંભીર ઈજાના નિશાનો ઉપસી આવ્યા હતા. બાળક ઘરે પહોંચતાં જ તેના શરીરે પાઇપના મારના નિશાન જોઈને પરિવારજનો દંગ રહી ગયા હતા. આ મામલે રજૂઆત મળતાં જ આમોદ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી (TPO) ની સંયુક્ત ટીમ દ્વારા શાળા ખાતે પહોંચીને તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. TPO ની પ્રાથમિક તપાસ દરમિયાન જ શિક્ષક મુબારક ભડ વિદ્યાર્થી પર હુમલો કરવા બાબતે સંપૂર્ણપણે દોષિત હોવાનું ખુલ્લું પડ્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>જિલ્લા શિક્ષણ વિભાગે શિક્ષકને કર્યો સસ્પેન્ડ</b></h2><p style="text-align: justify; ">તપાસમાં શિક્ષકનો વાંક સામે આવ્યા બાદ ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ત્વરિત આકરાં પગલાં લેવામાં આવ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળામાં ભયનું વાતાવરણ ઊભું કરનાર અને બાળક પર અત્યાચાર ગુજારનાર શિક્ષક મુબારક યુસુફ ભડને નોકરીમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધો છે. બીજી તરફ, આમોદ પોલીસે પણ બાળકના પરિવારની ફરિયાદ આધારે ગુનો નોંધીને આરોપી શિક્ષકની અટકાયત કરી આગળની ધોરણસરની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. શાળા જેવા પવિત્ર સ્થળે 2 જા ધોરણના બાળક સાથે કરાયેલી આ ક્રૂરતા બદલ સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/mehsana/mehsana--female-doctor-and-family-assaulted-by-neighbors-in-takshashila-society--7-booked" target="_blank">Mehsanaમાં પાડોશી બન્યા જાનના દુશ્મન! મહિલા ડોક્ટરના ઘરમાં ઘૂસી હુમલો કરાતાં સોસાયટીમાં દહેશતનો માહોલ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/1vOx5Wdz0i1TnkGzhWsdmjZ7mquB29ZtuNHP5oSK.webp'/></item><item><title><![CDATA[Mehsanaમાં પાડોશી બન્યા જાનના દુશ્મન! મહિલા ડોક્ટરના ઘરમાં ઘૂસી હુમલો કરાતાં સોસાયટીમાં દહેશતનો માહોલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/mehsana/mehsana--female-doctor-and-family-assaulted-by-neighbors-in-takshashila-society--7-booked</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/mehsana/mehsana--female-doctor-and-family-assaulted-by-neighbors-in-takshashila-society--7-booked</guid><pubDate>Tue, 08 Sep 2026 14:44:08 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મહેસાણા શહેરના વિસનગર રોડ પર આવેલી તક્ષશીલા સોસાયટીમાં રહેતા મહિલા હોમિયોપેથી ડોક્ટર અને તેમના પરિવારજનો પર પાડોશીઓ દ્વારા ઉગ્ર ઝઘડો કરી હુમલો કરવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. તક્ષશીલા સોસાયટીમાં રહેતા મહિલા હોમિયોપેથી ડોક્ટર જયાબેન અશોકભાઈ પરમાર અને તેમના પરિવાર સાથે સોસાયટીના આંતરિક વિવાદ મુદ્દે સામા પક્ષના પાડોશીઓએ અદાવત રાખીને સરેઆમ ગાળાગાળી કરી હુમલો કર્યો હતો. આ બનાવને પગલે શાંત ગણાતી સોસાયટીમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.</p><h2 style="text-align: justify; "><b>ઘરમાં બળજબરીથી પ્રવેશી માર માર્યો</b></h2><p style="text-align: justify; ">બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, સોસાયટીના જૂના વિવાદની અદાવતમાં સામા પક્ષના લોકોએ મહિલા ડોક્ટર જયાબેનના ઘરમાં બળજબરીપૂર્વક પ્રવેશ કર્યો હતો. હુમલાખોરોએ પરિવારના સભ્યો સાથે અત્યંત અમાનવીય વર્તન કરીને ઝપાઝપી કરી હતી અને જાનથી મારી નાખવાની ખુલ્લેઆમ ધમકીઓ આપી હતી. આ હુમલા દરમિયાન ફરિયાદી જયાબેનના પતિ અને ભાઈને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ ઈજાગ્રસ્ત બંને સ્વજનોને ત્વરિત ઈમરજન્સી સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>112 પર કોલ કરતાં પોલીસ દોડી આવી</b></h2><p style="text-align: justify; ">ઘટના સમયે પીડિત પરિવાર દ્વારા કંટ્રોલ રૂમ 112 નંબર પર ઇમરજન્સી કોલ કરવામાં આવતાં જ મહેસાણા પોલીસનો કાફલો તુરંત બનાવ સ્થળે દોડી આવ્યો હતો અને સ્થિતિ કાબૂમાં લીધી હતી. આ સમગ્ર મામલે મહિલા ડોક્ટરની ફરિયાદના આધારે મહેસાણા એ-ડિવિઝન પોલીસે સામા પક્ષના 7 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. પોલીસે સોસાયટીના રહીશોના નિવેદનો નોંધવાની સાથે આરોપીઓની અટકાયત કરવા માટેની કાયદાકીય તજવીજ તેજ કરી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/fake-app-toll-scam--ed-raids-14-locations-across-6-states--seizes--1-03-crore-cash" target="_blank">Ahmedabad News : 100 ટોલ પ્લાઝા પર નકલી એપથી ગેરકાયદે વસૂલી! દેશભરમાં 14 સ્થળે EDના દરોડા, રૂ.1 કરોડથી વધુની રોકડ જપ્ત</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/uLawaIzvWF1vtooxo5snjcPHH8w0GtahfsXrJgpl.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : 100 ટોલ પ્લાઝા પર નકલી એપથી ગેરકાયદે વસૂલી! દેશભરમાં 14 સ્થળે EDના દરોડા, રૂ.1 કરોડથી વધુની રોકડ જપ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/fake-app-toll-scam--ed-raids-14-locations-across-6-states--seizes--1-03-crore-cash</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/fake-app-toll-scam--ed-raids-14-locations-across-6-states--seizes--1-03-crore-cash</guid><pubDate>Tue, 08 Sep 2026 14:18:36 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ સહિત દેશભરમાં ચકચાર મચાવનારા બહુચર્ચિત ટોલ પ્લાઝા કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દેશવ્યાપી આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેન્દ્રીય તપાસ એજન્સી ED દ્વારા ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પશ્ચિમ બંગાળ અને દિલ્હી સહિત 6 રાજ્યોમાં કુલ 14 જેટલા સ્થળોએ સામૂહિક દરોડા પાડવામાં આવ્યા છે. નકલી મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને દેશના વિવિધ ટોલ પ્લાઝા પર ગેરકાયદેસર રીતે ટોલ ટેક્સની વસૂલી કરીને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) ને કરોડો રૂપિયાનું મોટું આર્થિક નુકસાન પહોંચાડવાના ગુના હેઠળ આ કડક પગલાં લેવામાં આવ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>'MobData' અને 'Any' એપથી વસૂલી</b></h2><p style="text-align: justify; ">તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, કૌભાંડીઓ દ્વારા 'MobData' અને 'Any' નામની બોગસ એપ્લિકેશન્સ બનાવીને અંદાજે 100 જેટલા ટોલ પ્લાઝા પરથી ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયાની વસૂલાત કરવામાં આવતી હતી. આ સમગ્ર નેટવર્કમાં ખાનગી ટોલ એજન્સીઓની સીધી મિલીભગત હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. ED દ્વારા પાડવામાં આવેલા દરોડા દરમિયાન સ્થળ પરથી રૂ.1.03 કરોડની શંકાસ્પદ રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે, જ્યારે કૌભાંડ સાથે સંકળાયેલા 8 બેંક લોકર્સને તાત્કાલિક અસરથી ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે અનેક ડિજિટલ ઉપકરણો, લેપટોપ, હાર્ડ ડિસ્ક અને શંકાસ્પદ દસ્તાવેજો કબજે લેવાયા છે.</p><h2 style="text-align: justify; "><b>ટોલ એજન્સીઓ સામે કડક કાનૂની કાર્યવાહીની તૈયારી</b></h2><p style="text-align: justify; ">NHAI ને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડનારા આ ટેકનોલોજી આધારિત મોટા કૌભાંડનું નેટવર્ક અત્યંત ઊંડું અને દેશના અનેક રાજ્યોમાં ફેલાયેલું હોવાથી ED દ્વારા સમગ્ર સિન્ડિકેટ અંગે ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે. નકલી એપ્લિકેશન ડેવલપ કરનારા ટેકનિકલ નિષ્ણાતોથી લઈને ટોલ સંચાલકો સુધીના તમામ નામો અને નાણાકીય વ્યવહારોની બારીકાઈથી છાનબીન થઈ રહી છે. ED ના આ દેશવ્યાપી દરોડા બાદ આ કૌભાંડમાં સામેલ અનેક મોટા આકાઓ તથા એજન્સીઓ પર કાયદાનો શિકંજો વધુ તંગ બનવાની અને આગામી દિવસોમાં મોટા નામો સામે આવવાની પૂરેપૂરી સંભાવના છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/vadodara/pm-modi-vadodara-visit--gen-z-excitement-peaks-at-msu-pavilion-for-interactive-event" target="_blank">PM Modi In Gujarat : PM મોદીએ ગુજરાતને આપી રૂ.35 હજાર કરોડની વિકાસ ભેટ, અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/4RqLynWN2NyLd2ZF2SNcQN3Gb6fwvSXQcJ0sdAbx.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : ડીસામાંથી રૂ.16.20 લાખનું હેરોઇન પકડાયું! ડ્રગ્સ સપ્લાયર ‘બલ્લો’ ઠાકોર ANTF ના શિકંજામાં ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-news-heroin-worth-rs-1620-lakhs-seized-from-deesa-drug-supplier-balloo-thakor-in-the-clutches-of-antf</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-news-heroin-worth-rs-1620-lakhs-seized-from-deesa-drug-supplier-balloo-thakor-in-the-clutches-of-antf</guid><pubDate>Tue, 08 Sep 2026 14:17:25 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં નશાકારક પદાર્થોના દૂષણને નાથવા માટે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) દ્વારા આકરી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ANTF ની ટીમે સફળ દરોડો પાડીને ઉત્તર ગુજરાતના ડીસામાંથી રૂ.16.20 લાખની બજાર કિંમતનું 81 ગ્રામ હેરોઇનનો જથ્થો કબજે કર્યો છે. રાજ્યમાં ગેરકાયદેસર ડ્રગ્સના કાળા કારોબારને ડામવા માટે હાથ ધરાયેલી આ કડક કાર્યવાહીથી નશાનો વેપાર કરતા તત્વોમાં ભારે ધ્રાસકો પડ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>મુખ્ય સપ્લાયર મહેશ ઉર્ફે બલ્લો ઠાકોરની ધરપકડ</b></h2><p style="text-align: justify; ">બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ANTF ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ડીસા વિસ્તારમાં હેરોઇન જેવા ઘાતક નશાકારક પદાર્થનો જથ્થો સપ્લાય કરવામાં આવી રહ્યો છે. મળેલી બાતમીના આધારે ANTF ની ટીમે દરોડો પાડીને 81 ગ્રામ શુદ્ધ હેરોઇન સાથે મુખ્ય સપ્લાયર મહેશ ઉર્ફે બલ્લો ઠાકોરની સ્થળ પરથી જ અટકાયત કરી લીધી હતી. આરોપી લાંબા સમયથી સ્થાનિક વિસ્તારમાં નશાકારક પદાર્થોનું નેટવર્ક ચલાવતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>ANTF એ ગુનો નોંધી તપાસ તેજ કરી</b></h2><p style="text-align: justify; ">જપ્ત કરાયેલા હેરોઇનના જથ્થા સાથે આરોપી ઝડપાઈ જતાં ANTF દ્વારા આ અંગે કાયદેસરનો ગુનો દાખલ કરીને આગળની ધોરણસરની તપાસ શરૂ કરવામાં આવી છે. પકડેલા આરોપી મહેશ ઉર્ફે બલ્લો ઠાકોર આ હેરોઇનનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને આગળ કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં ANTF દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. આ ડ્રગ્સ સિન્ડિકેટ સાથે જોડાયેલા અન્ય તત્વો અને મુખ્ય આકાઓ સુધી પહોંચવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો :&nbsp;</b><a href="http://Heroin Worth ₹16.20 Lakh Seized Near Deesa; ANTF Arrests Key Supplier" target="_blank">Heroin Worth ₹16.20 Lakh Seized Near Deesa; ANTF Arrests Key Supplier</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/O3M5WIklTYB9Z9VdIJl23YTWTu7SoAwv66VaHEny.webp'/></item><item><title><![CDATA[આંતરજાતિય પ્રેમ લગ્ન અંગે Aniruddhacharya Maharajનો ખુલાસો, 'પ્રેમમાં પડતા પહેલા આધાર કાર્ડ તપાસો ]]></title><link>https://sandesh.com/india/news/aniruddhacharya-maharajs-explanation-about-inter-caste-love-marriage-check-aadhaar-card-before-falling-in-love</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/aniruddhacharya-maharajs-explanation-about-inter-caste-love-marriage-check-aadhaar-card-before-falling-in-love</guid><pubDate>Tue, 08 Sep 2026 14:12:46 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">અનિરુદ્ધાચાર્ય મહારાજે આંતરજાતિય પ્રેમ વિવાહ મામલે સલાહ આપી હતી કે, કોઈપણ સંબંધમાં ભવિષ્યનો વિચાર કરવો મહત્વપૂર્ણ છે.</p><h2 style="text-align: justify; ">ભવિષ્યનો વિચાર કરવો જરુરીઃ અનિરુદ્ધાચાર્ય&nbsp;</h2><p style="text-align: justify; ">હરિયાણાના કરનાલ જિલ્લાના તારાવાડીમાં કથાકર અનિરુદ્ધાચાર્ય દ્વારા કથા દરમિયાન, એક યુવતીએ તેમને આંતરજાતિય પ્રેમ લગ્ન વિશે પૂછ્યું. અનિરુદ્ધાચાર્યએ જવાબ આપ્યો કે પ્રેમમાં પડતા પહેલા, વ્યક્તિએ પોતાના પરિવાર, મૂલ્યો અને ભવિષ્યનો વિચાર કરવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે પ્રેમમાં પડતા પહેલા વ્યક્તિએ પોતાનું આધાર કાર્ડ તપાસવું જોઈએ.</p><h3 style="text-align: justify; ">યુવતીએ શુ પૂછ્યો હતો પ્રશ્ન ?&nbsp;</h3><p style="text-align: justify; ">સવાલ-જવાબ સત્ર દરમિયાન, અનિરુદ્ધાચાર્યએ યુવતીને પ્રેમની વ્યાખ્યા પૂછી. મહિલાએ કહ્યું કે તે યુવાનને નિઃસ્વાર્થ પ્રેમ કરે છે. અનિરુદ્ધાચાર્યએ જવાબ આપ્યો કે તેણીએ તેની માતાનો નિઃસ્વાર્થ પ્રેમ પણ જોવો જોઈતો હતો. તેમણે પ્રશ્ન કર્યો કે તેણીને જન્મ આપનાર, તેને ઉછેરનાર, શિક્ષિત કરનાર અને તેના સપના પૂરા કરવા માટે પ્રોત્સાહિત કરનાર માતાના પ્રેમને કેમ સમજી શકતી નથી. તેમણે કહ્યું કે યુવતીએ તેની માતાનો પ્રેમ જોયો નહીં, પરંતુ તેણીએ છોકરાનો પ્રેમ જોયો.</p><h4 style="text-align: justify; ">આજના સમયમાં, તે પ્રેમ નથી...: અનિરુદ્ધાચાર્ય</h4><p style="text-align: justify; ">અનિરુદ્ધાચાર્યએ આજે ​​પ્રેમ સંબંધો પર પણ ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે તેમના મતે, આકર્ષણ, વાસના અને ઇચ્છા આજે ઘણા સંબંધો પર પ્રેમ કરતાં વધુ પ્રભુત્વ ધરાવે છે. બાહ્ય સુંદરતા વિશે, તેમણે કહ્યું કે, જો કોઈ વ્યક્તિ સુંદર હોય, તો તેમને હજારો પ્રશંસકો મળી શકે છે. પરંતુ જો કોઈ શ્યામ અથવા ઓછો આકર્ષક હોય, તો લોકોનો તેમના પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. તેમણે યુવતીને કહ્યું કે ફક્ત બાહ્ય આકર્ષણને પ્રેમ સમજવું યોગ્ય નથી. તેમના મતે, સંબંધને સમજવા માટે વ્યક્તિના ઉછેર, કુટુંબ અને જીવન મૂલ્યો જોવાની જરૂર છે.</p><h5 style="text-align: justify; ">માતા-પિતાના સંબંધનું ઉદાહરણ&nbsp;</h5><p style="text-align: justify; ">યુવતીને સમજાવતી વખતે, અનિરુદ્ધાચાર્યે તેના માતાપિતાના સંબંધનું ઉદાહરણ આપ્યું. તેમણે પૂછ્યું કે શું તેની માતા તેના પતિને પ્રેમ કરે છે. જ્યારે યુવતીએ હામાં જવાબ આપ્યો, ત્યારે તેમણે સમજાવ્યું કે તેની માતા તેના પતિથી ભાગી નથી, પરંતુ પરિવાર સાથે રહી છે. તેમણે યુવતીને કહ્યું કે તેના માતાપિતાએ જીવનમાં ચોક્કસ માર્ગ પસંદ કર્યો હોવાથી, તેણીએ પણ તેના પરિવાર અને સંબંધોના આધારે નિર્ણયો લેવા જોઈએ. તેમણે યુવતીને તેની માતા સાથે વાત કરવાની સલાહ પણ આપી હતી.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/canada-is-bowing-to-us-threats-amid-strait-of-hormuz-dispute-so-why-did-iran-express-displeasure-know" target="_blank">Strait of Hormuz વિવાદ વચ્ચે USની ધમકી સામે ઝૂકી રહ્યું છે Canada!, તો Iranએ કેમ વ્યક્ત કરી નારાજગી?, જાણો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/bjOQojH8qWiNV1NZagCWrP4UTsKIB8jJtGtOw5qj.webp'/></item><item><title><![CDATA[Shashi Tharur: વિયેનાની ગલીઓમાં જ્યારે રાજાની જેમ નીકળ્યા શશી થરૂર.. જુઓ Video ]]></title><link>https://sandesh.com/india/news/shashi-tharoor-when-shashi-tharoor-walked-like-a-king-in-the-streets-of-vienna-watch-video</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/shashi-tharoor-when-shashi-tharoor-walked-like-a-king-in-the-streets-of-vienna-watch-video</guid><pubDate>Tue, 08 Sep 2026 13:25:42 +05:30</pubDate><description><![CDATA[<p>કોંગ્રેસના સાંસદ શશી થરૂરે તાજેતરમાં વિયેનામાં 'પ્રોસી' નામના મલયાલી રેસ્ટોરન્ટની મુલાકાત લીધી હતી અને સ્થાનિક મલયાલી સમુદાય સાથે ઓણમની ઉજવણી કરી હતી. તેમણે આ કાર્યક્રમના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આ પ્રસંગે, કોંગ્રેસના સાંસદ પરંપરાગત પોશાક પહેરેલા જોવા મળ્યા હતા જે પોશાક તેમણે ઉધાર લીધો હતો.&nbsp;</p><h2><b>વિયેનામાં ઓણમની ઉજવણી&nbsp;</b></h2><p>થરૂરે સોશિયલ મીડિયા પર ઉજવણીની ઝલક શેર કરી હતી, જેમાં વિયેનામાં તેમના સમય અને ત્યાંના સમુદાય સાથેની તેમની વાતચીતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે મજાકમાં એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે તેમણે એ વાત તરફ ધ્યાન દોરવાનું ટાળ્યું હતું કે કેરળ અને ભારતના અન્ય ભાગોમાં ઓણમની ઉજવણી દસ દિવસ કરતાં વધુ સમય પહેલા પૂર્ણ થઈ ગઈ હતી.</p><h3><b>કપડા ઉધાર લઇને પહેર્યા હતા&nbsp;</b></h3><p>ફોટા શેર કરતા, શશી થરૂરે લખ્યું હતું કે તેઓ સપ્તાહના અંતે ઓણમની ઉજવણી કરવા માટે વિયેનામાં મલયાલીઓ દ્વારા સંચાલિત 'પ્રોસી' રેસ્ટોરન્ટની મુલાકાત લીધી હતી (જોકે થોડી મોડી). તેમણે આ પ્રસંગ માટે પરંપરાગત કપડાં ઉધાર લીધા હતા અને મેળાવડાને સંબોધિત કરી હતી, જેમાં નોંધપાત્ર સંખ્યામાં જિજ્ઞાસુ ઓસ્ટ્રિયન લોકો સામેલ હતા.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ShashiTharoor/status/2097058468729368595"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3><b>સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ&nbsp;</b></h3><p>સોશિયલ મીડિયા પર આ વીડિયોને જોતા લોકોએ તેમની ઉજવણીને વધાવી લીધી હતી.&nbsp; તેને મલયાલી સમુદાય દ્વારા વિદેશમાં તેમની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના ઉદાહરણ તરીકે ટાંકીને અન્ય લોકોએ આ કાર્યક્રમના કેટલાક પાસાઓની ટીકા કરી. એક ટિપ્પણીકર્તાએ પ્રશ્ન કર્યો કે શું ઉજવણી જાહેર જગ્યામાં થવી જોઈતી હતી, ખાસ કરીને પરંપરાગત ઉત્સવો - છત્રીઓ અને પરંપરાગત પોશાક દર્શાવતા&nbsp; જાહેર શેરી પર યોજાવા સામે વાંધો ઉઠાવ્યો. એક યુઝરે સૂચવ્યું કે આવી પ્રવૃત્તિઓ ખાનગી સ્થળે પણ યોજાઈ શકે છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/5hUFfzwTKWW47w9Utllcp4a7vhLW4vXxWn2JjS6K.webp'/></item><item><title><![CDATA[8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, વધી જશે સેલરી, પગાર પંચે કામગીરી કરી ઝડપી ]]></title><link>https://sandesh.com/business/news/8th-pay-commission-salary-hike-fitment-factor-update</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/8th-pay-commission-salary-hike-fitment-factor-update</guid><pubDate>Tue, 08 Sep 2026 12:14:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કેન્દ્ર સરકાર દ્વારા 3 નવેમ્બર, 2025 ના રોજ મહત્વપૂર્ણ 8મા પગાર પંચની રચના કરવામાં આવી હતી અને તેને અંતિમ અહેવાલ તૈયાર કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આ નિર્ધારિત સમયમર્યાદામાંથી હાલમાં 10 મહિના પૂરા થઈ ચૂક્યા છે. રિપોર્ટ એકદમ સચોટ અને વ્યાપક બને તે માટે કમિશનની ટીમ દેશભરના વિવિધ રાજ્યોમાં સક્રિયપણે પ્રવાસ કરી રહી છે. આ જ શૃંખલામાં, કમિશનની ટીમ 7-8 સપ્ટેમ્બરના રોજ ચેન્નાઈની મુલાકાતે છે, જ્યાં કર્મચારી સંગઠનો સાથે સીધી બેઠકો યોજાઈ રહી છે. કર્મચારીઓના પગાર અને ભથ્થાની દ્રષ્ટિએ આ બેઠકો અત્યંત નિર્ણાયક માનવામાં આવી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>ચેન્નાઈ બેઠકનો મુખ્ય એજન્ડા અને ચર્ચાઓ</b></h2><p style="text-align: justify; ">ચેન્નાઈમાં યોજાયેલી આ બેઠક દરમિયાન કર્મચારીઓની વિવિધ માંગણીઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી રહી છે. કમિશનનું સૌથી મોટું અને પ્રાથમિક ધ્યાન 'ફિટમેન્ટ ફેક્ટર' (Fitment Factor) પર છે, જેના આધારે કર્મચારીઓનો મૂળભૂત પગાર નક્કી થાય છે. આ ઉપરાંત વર્તમાન કર્મચારીઓ માટે પગાર સુધારણાનો રોડમેપ તૈયાર કરવો, નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં સુધારો કરવો અને મોંઘવારી ભથ્થા (DA) માં વધારા અંગેના વિકલ્પો પર પણ મંતવ્યો લેવામાં આવી રહ્યા છે. આર્થિક લાભો ઉપરાંત કર્મચારીઓની કાર્યકારી પરિસ્થિતિઓમાં સુધારો લાવવાના મુદ્દાઓ પણ આમાં સામેલ છે.</p><h3 style="text-align: justify; "><b>ફિટમેન્ટ ફેક્ટરનું વાસ્તવિક ચિત્ર</b></h3><p style="text-align: justify; ">સોશિયલ મીડિયા પર હાલમાં 2.15, 2.28 કે 2.57 જેવા ફિટમેન્ટ ફેક્ટર અંગે વિવિધ દાવાઓ અને અટકળો ચાલી રહી છે. જો કે, કર્મચારીઓએ એ સમજવું જરૂરી છે કે સરકારે હજુ સુધી કોઈપણ આંકડાને સત્તાવાર રીતે મંજૂરી આપી નથી. અગાઉ 7મા પગાર પંચ દ્વારા 2.57 અને છઠ્ઠા પગાર પંચ દ્વારા 1.86 ના ફિટમેન્ટ ફેક્ટરની ભલામણ કરવામાં આવી હતી. હાલમાં 8મા પગાર પંચ દ્વારા કયા નવા આંકડાની ભલામણ કરવામાં આવશે તે જોવું રસપ્રદ રહેશે, કારણ કે પંચ માત્ર ભલામણો કરે છે અને અંતિમ નિર્ણય સરકારની મંજૂરી બાદ જ લાગુ થાય છે.</p><h4 style="text-align: justify; "><b>કમિશનનું આગામી સમયપત્રક અને પ્રવાસો</b></h4><p style="text-align: justify; ">ચેન્નાઈ પહેલાં કમિશનની ટીમે દિલ્હી, લદ્દાખ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓડિશા જેવા રાજ્યોનો સફળ પ્રવાસ કરીને મુખ્ય હિસ્સેદારોની ચિંતા જાણી લીધી છે. કમિશને જાહેર કરેલા સમયપત્રક મુજબ, ચેન્નાઈ બાદ ટીમ ૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ પુડુચેરી જશે. ત્યારબાદ ૧૬ થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન ચંદીગઢ અને ૭-૮ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ બેંગલુરુમાં પણ મહત્વપૂર્ણ બેઠકો યોજાશે. આ તમામ પ્રયાસોનો હેતુ સમયસર સરકારને સર્વગ્રાહી અહેવાલ સુપરત કરવાનો છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/kanpur-millionaire-murder-daughter-in-law-arrested" target="_blank">આ પણ વાંચોઃ Kanpur Murder Mystery: 21 દિવસમાં જ 330 કોલ...કરોડપતિ ઉદ્યોગપતિની હત્યા પુત્રવધૂએ ચાલાકીથી કરી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/GSc3JtU49ru7bcYyFfH86sifTvO8e05k3wqJhc6E.webp'/></item><item><title><![CDATA[Malaysia : 72 વર્ષના ફૂટબોલ દિગ્ગજે 20 વર્ષની યુવતી સાથે કર્યા લગ્ન, તસવીરો વાયરલ થતાં પરિવારે કરી પુષ્ટિ ]]></title><link>https://sandesh.com/world/news/sports/malaysia-football-legend-abdul-alif-marriage-72-year-old-20-year-old-wife</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/sports/malaysia-football-legend-abdul-alif-marriage-72-year-old-20-year-old-wife</guid><pubDate>Mon, 07 Sep 2026 23:00:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મલેશિયન ફૂટબોલના દિગ્ગજ અને પૂર્વ હરિમાઉ મલાયા સ્ટાર દાતુક અબ્દુલ અલિફે 72 વર્ષની ઉંમરે પોતાના જીવનનો નવો અધ્યાય શરૂ કર્યો છે. સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો વાયરલ થયા બાદ તેમના પરિવારે લગ્નની સત્તાવાર પુષ્ટિ કરી છે. અહેવાલ મુજબ 27 ઓગસ્ટે યોજાયેલા ખાનગી સમારંભમાં અબ્દુલ અલિફે પોતાની જીવનસંગિની સાથે નિકાહ કર્યા હતા. તેમની પત્નીની ઉંમર 20 વર્ષ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>લગ્નની ખબર કોણે કરી કન્ફર્મ?</b></h2><p style="text-align: justify; ">અબ્દુલ અલિફના નાના ભાઈ અને પૂર્વ ખેલાડી તથા કોચ દાતુક યુનુસ અલિફે લગ્નની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે 27 ઓગસ્ટે બંનેના લગ્ન થયા હતા અને બંને પરિવારોની સંમતિ તથા આશીર્વાદ સાથે આ સંબંધ બંધાયો છે. પરિવાર દ્વારા નવદંપતીના સુખી દાંપત્ય જીવન માટે શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>ફોન નહીં ઉઠાવતા ભાઈએ શું કહ્યું?</b></h3><p style="text-align: justify; ">લગ્ન બાદ અબ્દુલ અલિફ મીડિયા સંપર્કમાં ન આવતા તેમના ભાઈ યુનુસ અલિફે જણાવ્યું હતું કે તેઓ સંભવતઃ હનીમૂન પર હોવાથી ફોનનો જવાબ આપી શકતા નથી.જોકે પરિવારે સ્પષ્ટ કર્યું છે કે બંનેના નિકાહ થઈ ચૂક્યા છે અને પરિવાર તરફથી બંનેને શુભકામનાઓ આપવામાં આવી છે.</p><h4 style="text-align: justify; "><b>મલેશિયન ફૂટબોલના દિગ્ગજ રહ્યા છે અબ્દુલ અલિફ</b></h4><p style="text-align: justify; ">અબ્દુલ અલિફ મલેશિયન ફૂટબોલ ઇતિહાસના જાણીતાં ખેલાડીઓમાં સામેલ રહ્યા છે. 1970ના અંતિમ વર્ષો અને 1980ના શરૂઆતના સમયમાં મલેશિયન ફૂટબોલના સફળ સમયગાળામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.તેઓ તે મલેશિયન ટીમના સભ્ય હતા જેણે ક્વોલિફાઇંગ મેચમાં દક્ષિણ કોરિયાને 2-1થી હરાવી 1980ના મોસ્કો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું.</p><h4 style="text-align: justify; "><b>ઓલિમ્પિક રમવાનું સપનું કેમ અધૂરું રહ્યું?</b></h4><p style="text-align: justify; ">મલેશિયાએ સોવિયેત સંઘના અફઘાનિસ્તાન પરના આક્રમણના વિરોધમાં 1980ના મોસ્કો ઓલિમ્પિકનો બહિષ્કાર કર્યો હતો. જેના કારણે અબ્દુલ અલિફ સહિત અનેક ખેલાડીઓનું ઓલિમ્પિકમાં રમવાનું સપનું અધૂરું રહી ગયું હતું. લાંબા સમય સુધી વ્યાવસાયિક ફૂટબોલ અને મીડિયા લાઇમલાઇટથી દૂર રહ્યા બાદ આ દિગ્ગજ ખેલાડી હવે પોતાના અંગત જીવનના નવા નિર્ણયને કારણે ફરી ચર્ચામાં આવ્યા છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">&nbsp; આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-gujarat-drowning-deaths-1999-river-lake-check-dam-water-safety" target="_blank"><b>Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/oQuxxQEBdhQdWmZFxk2LOPbwDJRpf6zDEmwi2pJ3.webp'/></item></channel></rss>