<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Monsoon 2026 : છોટાઉદેપુરના નસવાડીમાં ભારે વરસાદ, નસવાડી-કવાંટ સ્ટેટ હાઇવે 7 દિવસ માટે બંધ, 13 ગામો એલર્ટ પર ]]></title><link>https://sandesh.com/weather/news/gujarat/chhota-udepur/monsoon-2026-chhotaudepur-naswadi-heavy-rain-highway-closed-ashwin-river-flood</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/news/gujarat/chhota-udepur/monsoon-2026-chhotaudepur-naswadi-heavy-rain-highway-closed-ashwin-river-flood</guid><pubDate>Sat, 01 Aug 2026 09:49:50 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પંથકમાં સતત વરસી રહેલા અતિભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદના પરિણામે કંડવા બ્રિજનો એપ્રોચ રોડ ધોવાઈ જતાં તંત્ર દ્વારા નસવાડી-કવાંટ સ્ટેટ હાઇવેને આગામી 7 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ હાઈવે બંધ થતાં છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતો મુખ્ય વાહનવ્યવહાર ભારે પ્રભાવિત થયો છે. રોડ વધુ તૂટવાની આશંકાને પગલે ભારે વાહનોની અવરજવર પર પણ પૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>અશ્વિન નદી સતત બીજા દિવસે પણ બે કાંઠે&nbsp;</b></h2><p style="text-align: justify; ">ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે નસવાડીની અશ્વિન નદી સતત બીજા દિવસે પણ બે કાંઠે વહી રહી છે. કૂકાવટી ગામે નિર્માણધીન નવા બ્રિજના પિલરના ટોપ લેવલ સુધી પૂરના પાણી પહોંચી જતાં ભયજનક સ્થિતિ સર્જાઈ છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>13 જેટલા ગામોને હાઈએલર્ટ કરી દેવામાં આવ્યા&nbsp;</b></h3><p style="text-align: justify; ">આ ઉપરાંત, ધનિયા ઉંમરવા તળાવ છલકાઈ જતાં આસપાસના 13 જેટલા ગામોને હાઈએલર્ટ કરી દેવામાં આવ્યા છે. નસવાડી પંથકમાં વરસાદી માહોલ યથાવત રહેતાં નદી કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે રહેવા સાવચેત કરવામાં આવ્યા છે.</p><h4 style="text-align: justify; "><b>નસવાડી વિસ્તારમાં 2 ઓગસ્ટ સુધી ‘રેડ એલર્ટ’ જાહેર&nbsp;</b></h4><p style="text-align: justify; ">હવામાન વિભાગ દ્વારા નસવાડી વિસ્તારમાં 2 ઓગસ્ટ સુધી ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી મામલતદાર દ્વારા ગ્રામજનોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરાઈ છે, જ્યારે પરિસ્થિતિ પર નજર રાખવા 60 ગ્રામ પંચાયતના તલાટીઓને ખાસ કામગીરી સોંપવામાં આવી છે. જોકે, અશ્વિન નદીના પાણી ધીમે-ધીમે ઓસરવાનું શરૂ થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પૂરના પાણી ઓસર્યા બાદ થયેલા નુકસાનીનો ત્વરિત સર્વે કરવા માટે પણ મામલતદારે આદેશ જારી કરી દીધા છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; &nbsp;<a href="https://sandesh.com/weather/news/gujarat/vadodara/monsoon-2026-vadodara-dabhoi-flood-statue-of-unity-road-submerged-dev-dam" target="_blank"><b> Monsoon 2026 : વડોદરા જિલ્લામાં પાણી જ પાણી, સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પાણીમાં ગરકાવ, અનેક ગામો સંપર્ક વિહોણા</b></a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/01/3Cu4A3Im0wd6ZDp6QHSbTpTVgUYqBVcPigj4fPG5.webp'/></item><item><title><![CDATA[1 ઓગસ્ટથી દેશભરમાં બદલાયા 10 મોટા નિયમો, LPG, રેલ્વે, ITR અને બેંકિંગ સેવાઓ પર સીધી અસર! ]]></title><link>https://sandesh.com/business/news/10-major-rules-changed-across-the-country-from-august-1-direct-impact-on-lpg-railways-itr-and-banking-services</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/10-major-rules-changed-across-the-country-from-august-1-direct-impact-on-lpg-railways-itr-and-banking-services</guid><pubDate>Sat, 01 Aug 2026 09:34:28 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતમાં અત્યારે ચોમાસું બેઠું છે. અનેક સ્થાનો પર ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે. કયાંક પૂરની સ્થિતિ છે તો કયાંક ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. દરમિયાન આજે 1 ઓગસ્ટથી નાગિરકોને અસર કરતા કેટલાક મહત્વના ફેરફાર થયા છે. ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે જ દેશભરમાં 1 ઓગસ્ટથી કેટલાક મહત્વપૂર્ણ નિયમોમાં ફેરફાર થઈ ગયા છે. આ નવા નિયમોની સીધી અસર સામાન્ય નાગરિકોના બજેટ, રેલ્વે મુસાફરી અને રોજીંદા કામકાજ પર પડશે. જાણો આજથી અમલમાં આવેલા 10 મોટા ફેરફારો વિશે.</p><h2><b>1 ઓગસ્ટથી દેશભરમાં બદલાયા ના નિયમો</b></h2><p><b>1. વાણિજ્યિક (Commercial) LPG સિલિન્ડરમાં ઘટાડો</b></p><p>સરકારી તેલ કંપનીઓ (IOCL, BPCL, HPCL) એ 19 કિલોના કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં રાહત આપી છે:</p><p>કોલકાતા: ₹209 નો ઘટાડો (નવો ભાવ: ₹2,872.50)</p><p>દિલ્હી: ₹202 નો ઘટાડો (નવો ભાવ: ₹2,738)</p><p>(નોંધ: 14.2 કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી.)</p><p><b>2. પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત</b></p><p>દેશભરમાં ઈંધણના ભાવ સ્થિર રહ્યા છે. દિલ્હીમાં પેટ્રોલ ₹102.12 અને ડીઝલ ₹95.20 પ્રતિ લિટર પર યથાવત છે. સ્થાનિક VATના કારણે અલગ-અલગ શહેરોમાં મામૂલી તફાવત જોવા મળી શકે છે.</p><p><b>3. રેલ્વે તત્કાલ ટિકિટ માટે નવી 'ટોકન સિસ્ટમ'</b></p><p>રેલ્વે રિઝર્વેશન કાઉન્ટર પર તત્કાલ ટિકિટ બુકિંગમાં થતી અંધાધૂંધી અને લાંબી લાઈનો અટકાવવા આજથી ટોકન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. મુસાફરોને ટોકનના ક્રમ મુજબ ટિકિટ આપવામાં આવશે.</p><p><b>4. મોડા ITR ફાઇલ કરવા પર દંડ (Late Fee)</b></p><p>31 જુલાઈની અંતિમ તારીખ ચૂકી ગયેલા કરદાતાઓ (ITR-1 અને ITR-2) પર હવે આવકવેરા કાયદાની કલમ 234F હેઠળ ₹5,000 સુધીનો દંડ લાગી શકે છે. જે ખાતાઓનું ઓડિટ જરૂરી નથી તેવા ITR-3 અને ITR-4 ફાઇલર્સ માટે છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે.</p><p><b>5. CKYC 2.0 લાગુ</b></p><p>બેંકો, વીમા કંપનીઓ અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં હવે CKYC 2.0 સિસ્ટમ અમલી બની છે. આ ડિજિટલ પદ્ધતિથી કેન્દ્રીય રજિસ્ટ્રીમાંથી ગ્રાહકની KYC વિગતો સીધી મેળવી શકાશે, જેથી વારંવાર દસ્તાવેજો જમા કરાવવામાંથી મુક્તિ મળશે.</p><p><b>6. સ્પીડ પોસ્ટના નવા દર અને શ્રેણીઓ</b></p><p>ટપાલ વિભાગે સ્પીડ પોસ્ટ માટે નવી કેટેગરીઝ બનાવી છે. ઓળખપત્રો, પાસબુક, ચેકબુક અને સરકારી કાગળોને "દસ્તાવેજ" શ્રેણીમાં મૂકાયા છે, જ્યારે અન્ય સામગ્રીને "પાર્સલ" શ્રેણી હેઠળ ગણવામાં આવશે.</p><p><b>7. ઓગસ્ટમાં 14 દિવસ બેંકો બંધ રહેશે</b></p><p>તહેવારો અને રજાઓના કારણે ઓગસ્ટ મહિના દરમિયાન દેશના વિવિધ ભાગોમાં કુલ 14 દિવસ બેંકો બંધ રહેશે. આમાં રવિવાર, બીજો-ચોથો શનિવાર, સ્વતંત્રતા દિવસ, રક્ષાબંધન અને જન્માષ્ટમીનો સમાવેશ થાય છે. બેંકિંગ કામકાજ માટે RBIની રજાઓની યાદી ચકાસવી જરૂરી છે.</p><p><b>8. ખાંડના સ્ટોક પર નવી મર્યાદા</b></p><p>ખાંડના વેપારીઓ માટે સ્ટોક લિમિટ નક્કી કરવામાં આવી છે. હવેથી કોઈ પણ ડીલર 30 દિવસથી વધુ સમય માટે 4,000 ક્વિન્ટલથી વધુ ખાંડનો સંગ્રહ કરી શકશે નહીં. આ નિયમ 30 નવેમ્બર, 2026 સુધી અમલમાં રહેશે.</p><p><b>9. દિલ્હીમાં મહિલાઓ માટે 'ગુલાબી સહેલી સ્માર્ટ કાર્ડ'</b></p><p>દિલ્હીની સરકારી બસોમાં મહિલાઓ માટે મફત મુસાફરી કરવા માટે 'ગુલાબી સહેલી સ્માર્ટ કાર્ડ' ટેપ કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.</p><p><b>10. સેબીના નવા બાયબેક નિયમો</b></p><p>SEBI એ શેર બાયબેકના નિયમો વધુ પારદર્શક બનાવ્યા છે. લિસ્ટેડ કંપનીઓ હવે તેમની કુલ પેઇડ-અપ કેપિટલના મહત્તમ 15% સુધી જ બાયબેક કરી શકશે અને આ આખી પ્રક્રિયા 66 કાર્યકારી દિવસોમાં પૂરી કરવાની રહેશે.</p><p><a href="https://sandesh.com/business/news/upi-transaction-will-repeated-upi-payments-result-in-an-income-tax-notice-know-the-truth" target="_blank">આ પણ વાંચો : UPI Transaction: શું વારંવાર UPI પેમેન્ટ કરવાથી ઇન્કમ ટેક્સની નોટિસ મળે? જાણો શું છે હકીકત</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/01/Ypi0d3LIgH630SaMQmNI7dHfNxrvUjPDMLj85pkn.webp'/></item><item><title><![CDATA[Ahmedabadમાં તંત્રની ઘોર બેદરકારી: ચાંદલોડિયાનું રૂદ્રેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ, સ્થાનિકોમાં ભારે રોષ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/gross-negligence-of-the-administration-in-ahmedabad-chandlodias-rudreshwar-mahadev-temple-submerged-in-water-huge-anger-among-locals</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/gross-negligence-of-the-administration-in-ahmedabad-chandlodias-rudreshwar-mahadev-temple-submerged-in-water-huge-anger-among-locals</guid><pubDate>Sat, 01 Aug 2026 09:27:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં પડેલા વરસાદ બાદ અનેક વિસ્તારોમાં રહીશો માટે ભારે હાલાકી સર્જાઈ છે. ખાસ કરીને ચાંદલોડિયા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી હજુ સુધી પાણી ઓસર્યા નથી. રસ્તાઓ અને શેરીઓમાં પાણી ભરાયેલા રહેતા વાહનચાલકો અને રાહદારીઓ હેરાન-પરેશાન થઈ ગયા છે. તંત્રના મોટા મોટા દાવોઓ વચ્ચે ચાંદલોડિયાના રહીશો પાણીના નિકાલ માટે વલખાં મારી રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>રૂદ્રેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ</b></h2><p style="text-align: justify; ">તંત્રની બેદરકારીની પરાકાષ્ઠા તો ત્યારે સામે આવી જ્યારે ચાંદલોડિયાનું જાણીતું રૂદ્રેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું. ગર્ભટોક સુધી પાણી પહોંચી જતાં દર્શનાર્થીઓ માટે મંદિરમાં પહોંચવું અત્યંત મુશ્કેલ બની ગયું છે. સ્થાનિકો અને ભક્તોનો આક્ષેપ છે કે વરસાદી પાણીની સાથે ડ્રેનેજની લાઈનોનું ગંદુ પાણી પણ ભળી ગયું છે, જેના કારણે ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે અને પવિત્ર સ્થળ પર ગંદકીના સામ્રાજ્ય વચ્ચે દર્શન કરવા મજબૂર બનવું પડી રહ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>તંત્ર સામે આક્રોશ અને સ્થાનિકોની ઉગ્ર માંગ</b></h3><p style="text-align: justify; ">હવે સવાલ એ થાય છે કે આ લાલિયાવાડી અને બેદરકારીની જવાબદારી આખરે કોના ખભા પર છે? આ પરિસ્થિતિને કારણે તંત્ર સામે સ્થાનિક રહીશો અને દર્શનાર્થીઓમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. ભક્તો અને રહેવાસીઓએ એકસૂરે માંગ કરી છે કે તંત્ર તાત્કાલિક ધોરણે પંપ મૂકીને પાણીનો નિકાલ કરે અને ડ્રેનેજની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે જેથી મંદિર અને આસપાસના વિસ્તારને મુક્તિ મળી શકે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/01/EJ2q1hhZxrsjZklDZO5j4udY8UdTs5dGJ6V0O46I.webp'/></item><item><title><![CDATA[CWG 2026: આજે 10 બોક્સર ફાઇનલમાં ધૂમ મચાવશે, ગોલ્ડ મેડલનો વરસાદ નક્કી! ]]></title><link>https://sandesh.com/sports/news/cwg-2026-10-boxers-will-make-waves-in-the-finals-today-gold-medals-are-sure-to-rain</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/cwg-2026-10-boxers-will-make-waves-in-the-finals-today-gold-medals-are-sure-to-rain</guid><pubDate>Sat, 01 Aug 2026 08:49:50 +05:30</pubDate><description><![CDATA[<p>ગ્લાસગોમાં 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય બોક્સરોએ રિંગની અંદર ઇતિહાસ રચ્યો છે. શુક્રવારે સેમિફાઇનલમાં ભાગ લેનારા તમામ 10 ભારતીય બોક્સરોએ પોતપોતાના મેચ જીતીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સાથે, ભારતે 10 મેડલ મેળવ્યા છે, અને હવે તેઓ 10 ગોલ્ડ મેડલ માટે સ્પર્ધા કરશે. આ સાથે, ભારતીય બોક્સરોએ કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં તેમનો સર્વકાલીન મેડલ રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.</p><h4><b>2018માં સ્થાપિત સર્વકાલીન મેડલ રેકોર્ડ તૂટી ગયો</b></h4><p>ભારતીય બોક્સરોએ કુલ મેડલની દ્રષ્ટિએ કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું છે. અગાઉ, ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન 2018માં ગોલ્ડ કોસ્ટ ખાતે હતું, જ્યાં ભારતે કુલ 9 મેડલ જીત્યા હતા, જેમાં 3 ગોલ્ડ, 3 સિલ્વર અને 3 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. જોકે, ગ્લાસગો ખાતે, તેઓ હવે ઓછામાં ઓછા 10 મેડલ જીતશે તે નિશ્ચિત છે.</p><h4><b>સેમિફાઇનલમાં પ્રદર્શન કેવું રહ્યું?</b></h4><ul><li>લવલીના બોર્ગોહેન (75 કિગ્રા): ઓલિમ્પિક મેડલ વિજેતા લવલીનાએ ટુવાલુની તારોના તાફાકીને 5-0થી હરાવીને પોતાની પહેલી કોમનવેલ્થ ગેમ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો.</li><li>અરુંધતી ચૌધરી (70 કિગ્રા): વિશ્વ નંબર 2અરુંધતીએ 2022ની સુવર્ણ ચંદ્રક વિજેતા વેલ્સની રોઝી એકલ્સને 4-0થી હરાવીને મોટો અપસેટ સર્જ્યો.</li><li>સાક્ષી ચૌધરી (51 કિગ્રા): સાક્ષીએ કેનેડાની એમ્બર-જેન વોલને 5-0થી હરાવી. ફાઇનલમાં તેનો મુકાબલો ઇંગ્લેન્ડની રૂબી વ્હાઇટ સામે થશે.</li><li>પ્રીતિ પવાર (54 કિગ્રા): વિશ્વ નંબર 3 પ્રીતિએ ઝામ્બિયાની કેથરિન મ્વાપેને 5-0થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. તેનો મુકાબલો કેનેડાની સ્કારલેટ ડેલગાડો સામે થશે.</li><li>જાસ્મીન લેમ્બોરિયા (57 કિગ્રા): જાસ્મીનએ RSC દ્વારા લેસોથોની રાપેલાંગ માસેલેલાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. તેનો મુકાબલો ટાઇટલ મુકાબલામાં ઉત્તરી આયર્લેન્ડની માઇકેલા વોલ્શ સામે થશે.</li><li>પ્રિયા ઘંઘાસ (60 કિગ્રા): પ્રિયાએ ઇંગ્લેન્ડની લ્યુસી કિંગ્સ-વ્હીટલીને 5-0 થી હરાવી. હવે તેનો મુકાબલો ફાઇનલમાં કેનેડાની મેરી-બાથૌલ અલ-અહમદિયા સામે થશે.</li><li>જદુમણિ સિંહ (55 કિગ્રા): જદુમણિ નામિબિયાના ફિલિપ હાઓસેબને 5-0 થી હરાવીને ફાઇનલમાં પહોંચ્યો.</li><li>સચિન સિવાચ (60 કિગ્રા): વિશ્વમાં 5મા ક્રમાંકિત સચિને વેલ્સના ઓવેન હેરિસ-એલનને 5-0 થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો.</li><li>અંકુશ પંઘાલ (80 કિગ્રા): વિશ્વના 12મા ક્રમાંકિત અંકુશે કેનેડાના જોશુઆ ઓફોરીને હરાવ્યો. તેનો મુકાબલામાં ઇંગ્લેન્ડના દિમેઝી શિટ્ટુ સામે મુકાબલો થશે.</li><li>નરેન્દ્ર બેરવાલ (+90 કિગ્રા): સુપર હેવીવેઇટ કેટેગરીમાં, નરેન્દ્રએ ત્રિનિદાદ અને ટોબેગોના નિગેલ પોલને 5-0 થી હરાવ્યો.</li></ul><h5><b>ભારતના 10 ગોલ્ડ મેડલ મુકાબલાનું સમયપત્રક</b></h5><ul><li>જદુમણિ સિંહ (55 કિગ્રા) વિરુદ્ધ જય ડિક્સન (ઓસ્ટ્રેલિયા)</li><li>સચિન સિવાચ (60 કિગ્રા) વિરુદ્ધ ટ્રાયજેન ન્દેવેલો (નામિબિયા)</li><li>અંકુશ પંઘાલ (80 કિગ્રા) વિરુદ્ધ દિમેઝી શિટ્ટુ (ઈંગ્લેન્ડ)</li><li>નરેન્દ્ર બેરવાલ (+90 કિગ્રા) વિરુદ્ધ દામર થોમસ (ઈંગ્લેન્ડ)</li><li>સાક્ષી ચૌધરી (51 કિગ્રા) વિરુદ્ધ રૂબી વ્હાઇટ (ઈંગ્લેન્ડ)</li><li>પ્રીતિ પવાર (54 કિગ્રા) વિરુદ્ધ સ્કારલેટ ડેલગાડો (કેનેડા)</li><li>અરુંધતી ચૌધરી (70 કિગ્રા) વિરુદ્ધ ચેન્ટેલ રીડ (ઈંગ્લેન્ડ)</li><li>જાસ્મિન લેમ્બોરિયા (57 કિગ્રા) વિરુદ્ધ માઈકેલા વોલ્શ (ઉત્તરી આયર્લેન્ડ)</li><li>લોવલીના બોર્ગોહેન (75 કિગ્રા) વિરુદ્ધ એમ્મા-સુ ગ્રીનટ્રી (ઓસ્ટ્રેલિયા)</li><li>પ્રિયા ઘંઘાસ (60 કિગ્રા) વિરુદ્ધ મેરી-બાથૌલ અલ-અહમદિયા (કેનેડા)</li></ul><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/cwg-2026-neeraj-chopra-wins-silver-medal-in-javelin-throw-and-yashveer-singh-wins-bronze-medal" target="_blank">CWG 2026: નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં સિલ્વર મેડલ અને યશવીર સિંહે બ્રોન્ઝ મેડલ જીત્યો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/01/Rh1hqbDd658V6QdEDh0TXW6uymPhhlMTPkOTip0o.webp'/></item><item><title><![CDATA[Entertainment :  સલમાન ખાનની બોલીવુડના આ દિગ્ગજ કલાકાર માટે ભાવુક પોસ્ટ, કેપ્શનમાં લખ્યું- 'મારો મોટો ભાઈ' ]]></title><link>https://sandesh.com/entertainment/news/entertainment-salman-khan-and-sanjay-dutts-emotional-reunion-bhaijans-special-message-for-baba-goes-viral</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/entertainment-salman-khan-and-sanjay-dutts-emotional-reunion-bhaijans-special-message-for-baba-goes-viral</guid><pubDate>Sat, 01 Aug 2026 08:33:36 +05:30</pubDate><description><![CDATA[<p>બોલિવૂડમાં દોસ્તીના ઉદાહરણો ઓછા જોવા મળે છે, પરંતુ સલમાન ખાન અને સંજય દત્તની મિત્રતા દાયકાઓ જૂની અને અનન્ય છે. હાલમાં જ આ જોડીનો એક ભાવુક ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેણે ફેન્સના દિલ જીતી લીધા છે. સલમાને પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી સંજય દત્ત સાથેની એક તસવીર શેર કરી છે.</p><h2><b>ગળે લગાવતી ભાવુક તસવીર વાયરલ</b></h2><p>સલમાને શેર કરેલા આ ફોટામાં બંને સુપરસ્ટાર્સ એકબીજાને ખૂબ જ પ્રેમથી ચુસ્તપણે ગળે લગાવતા નજરે પડે છે. સલમાન ખાન: કેઝ્યુઅલ ટી-શર્ટ, જીન્સ અને પોતાની નવી હેરસ્ટાઈલ છુપાવવા માટે કેપમાં જોવા મળ્યો હતો. સંજય દત્તનો શર્ટ અને જીન્સના સિમ્પલ લુકમાં જોવા મળ્યો. તસવીરમાં બંનેના ચહેરા થોડા અસ્પષ્ટ (blur) છે, પરંતુ તેમની વચ્ચેની અતૂટ દોસ્તી અને બોન્ડિંગ સ્પષ્ટપણે જોઈ શકાય છે.</p><h3><b>સલમાને કહ્યું- "સંજુ બાબા મારા મોટા ભાઈ છે"</b></h3><p>પોસ્ટ સાથે સલમાન ખાને પોતાની ખાસ શૈલીમાં એક અત્યંત હૃદયસ્પર્શી કેપ્શન પણ લખ્યું છે: "બાબા હંમેશા બાબા છે... અને બાબા હંમેશા બાબા છે. સંજુ બાબા આપણા બધા માટે બાબા છે અને હવે તે પોતાના બાળકો માટે પણ બાબા છે. મારો મોટો ભાઈ સંજય દત્ત. અલ્લાહ, ભગવાન અને ઈસુ આ માણસને હંમેશા ખુશ રાખે. આઈ લવ યુ બાબા."</p><h4><b>મોડી રાત્રે જન્મદિવસની મુલાકાત?</b></h4><p>સંજય દત્તનો જન્મદિન 29 જુલાઈના રોજ હતો. ફેન્સનું અનુમાન છે કે સલમાન ખાન તેના ખાસ મિત્રને બર્થડે વિશ કરવા માટે જ મોડી રાત્રે તેના ઘરે પહોંચ્યો હતો. સોશિયલ મીડિયા પર ફેન્સે આ ફોટા પર ભારે પ્રેમ વરસાવ્યો છે: એક ફેને લખ્યું: "બે ભાઈઓ, બંને આફતો છે!" અન્ય એક યુઝરે કોમેન્ટ કરી: "કેટલાક સંબંધો ખરેખર ખાસ હોય છે. ભાઈજાન અને સંજુ બાબાનો આ સાથ ખૂબ જ સાચો અને હૃદયસ્પર્શી છે."</p><h4><b>ઓન-સ્ક્રીન અને ઓફ-સ્ક્રીન સુપરહિટ જોડી</b></h4><p>સલમાન અને સંજયે માત્ર વાસ્તવિક જીવનમાં જ નહીં, પરંતુ મોટા પડદા પર પણ પોતાની કેમિસ્ટ્રીથી ધમાલ મચાવી છે. તેમણે એકસાથે કેટલીક યાદગાર ફિલ્મો આપી છે. સાજન (Sajan), ચલ મેરે ભાઈ (Chal Mere Bhai), યે હૈ જલવા (Yeh Hai Jalwa) જેવી ફિલ્મોમાં બંને કલાકારોએ સાથે કામ કર્યું છે. દાયકાઓથી ચાલી આવતી આ મિત્રતા આજે પણ એટલી જ મજબૂત છે, જે આ વાયરલ તસવીર પરથી સાબિત થાય છે.</p><p><br></p><p><a href="https://sandesh.com/entertainment/news/shehnaaz-gill-calls-raghav-juyal-her-only-support-system-in-mumbai#google_vignette" target="_blank">આ પણ વાંચો : Shehnaaz Gill: 'મુંબઈમાં મારો એક જ સહારો છે...', રાઘવ જુયાલને લઈને શહેનાઝે આ શું કહી દીધું?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/01/Z2mI26z3YRCMMr4X2NR1dvNwM7sZICU0ZR8qRr5Z.webp'/></item><item><title><![CDATA[Monsoon 2026 : ડીપ ડિપ્રેશનથી 5 સિસ્ટમ સક્રિય, સવારે 7 થી 10 વાગ્યા સુધી સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં રેડ એલર્ટ, Video ]]></title><link>https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/gujarat-heavy-rain-deep-depression-red-alert-update</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/gujarat-heavy-rain-deep-depression-red-alert-update</guid><pubDate>Sat, 01 Aug 2026 07:36:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં ચોમાસાનો માહોલ વધુ આક્રમક બન્યો છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર હવે વધુ મજબૂત બનીને 'ડીપ ડિપ્રેશન'માં ફેરવાઈ જતાં રાજ્યમાં એકસાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગ દ્વારા સવારે 7:00 થી 10:00 વાગ્યા સુધીના સમયગાળા માટે વિશેષ આગાહી જાહેર કરીને રાજ્યના અનેક જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>રાજકોટ, પોરબંદર, જૂનાગઢ તેમજ સુરેન્દ્રનગર અને બોટાદમાં રેડ એલર્ટ&nbsp;</b></h2><p style="text-align: justify; ">તંત્ર દ્વારા સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ તેમજ સુરેન્દ્રનગર અને બોટાદના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની ભીતિને પગલે ‘રેડ એલર્ટ’ જાહેર કરાયું છે. આ સિવાય અમદાવાદ, આણંદ અને ભાવનગરમાં પણ મેઘરાજા રોદ્ર સ્વરૂપ ધારણ કરે તેવી પૂરી શક્યતા છે.</p><h3 style="text-align: justify; "><b>આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ&nbsp;</b></h3><p style="text-align: justify; ">બીજી તરફ, કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, ભાવનગર, અમદાવાદ, વડોદરા અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારો તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી અને ભરૂચ સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદની શક્યતાને પગલે ‘ઓરેન્જ એલર્ટ’ આપવામાં આવ્યું છે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2083372372078510314"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a>&nbsp; &nbsp;</p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>આ વિસ્તારોમાં યલો એલર્ટ&nbsp;</b></h4><p style="text-align: justify; ">આ ઉપરાંત, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા તથા દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ, સુરત, નવસારી, ખેડા, પંચમહાલ અને દાહોદ જેવા જિલ્લાઓમાં ‘યલો એલર્ટ’ જાહેર કરાયું છે.</p><h4 style="text-align: justify; "><b>તમામ જિલ્લા કલેક્ટરો એલર્ટ&nbsp;</b></h4><p style="text-align: justify; ">હવામાન વિભાગની આ ગંભીર ચેતવણીને પગલે રાજ્ય પ્રશાસન અને તમામ જિલ્લા કલેક્ટરો એલર્ટ મોડ પર આવી ગયા છે. નીચાણવાળા વિસ્તારો અને નદી કિનારે રહેતા લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે, જ્યારે NDRF અને SDRFની ટીમોને કોઈપણ ઈમરજન્સી પરિસ્થિતિ માટે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; &nbsp;<a href="https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-google-ahmedabad-weather-forecast-rain-prediction-afternoon-heavy-rainfall#google_vignette" target="_blank"><b>Monsoon 2026 : રેડ એલર્ટ છતાં અમદાવાદમાં હજું સુધી એક ટીપું પડ્યું નહી તેવો સવાલ થાય છે ? જાણો Google શું કહે છે</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/01/PJXOg9uQj948fi6QNyBhsyJz92ir6fOtSn8fxuP4.webp'/></item><item><title><![CDATA[Deesa: કરજાપુરા શાળામાં મહિલા આચાર્યનું હાર્ટ એટેકથી મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/deesa/deesa-female-principal-dies-of-heart-attack-at-karjapura-school</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/deesa/deesa-female-principal-dies-of-heart-attack-at-karjapura-school</guid><pubDate>Sat, 01 Aug 2026 06:11:19 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ડીસા તાલુકાના આસેડા ગામે આવેલા પગાર કેન્દ્ર શાળા ખાતે ચાલી રહેલી ધોરણ 1 થી 5 ની શિક્ષકોની તાલીમ દરમિયાન કરજાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય મંજુલાબેન ઈૃરભાઈ રાઠોડનું હાર્ટ એટેક આવવાથી દુઃખદ અવસાન થયું છે. આ આકસ્મિક ઘટનાથી સમગ્ર શિક્ષણ જગતમાં ભારે શોક વ્યાપી ગયો છે. આસેડા પ્રાથમિક શાળા ખાતે ધોરણ 1 થી 5 ના શિક્ષકોની તાલીમ ચાલી રહી હતી. આ તાલીમમાં કરજાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવતા 52 વર્ષીય મંજુલાબેન ઈૃરભાઈ રાઠોડ પણ ઉપસ્થિત હતા. તાલીમ ચાલુ હતી તે દરમિયાન અચાનક તેમની તબિયત લથડી હતી અને તેઓને હાર્ટ એટેક હ્ય્દયરોગનો હુમલો આવ્યો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/01/8q3ziAjmEd4ofd080RGOzO6cA9TyFM0SE3jk4H0t.webp'/></item><item><title><![CDATA[Vadodara: સંખેડા તાલુકામાં વહેલી સવારે બે કલાકમાં અઢી ઇંચ વરસાદ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-two-and-a-half-inches-of-rain-in-two-hours-in-sankheda-taluka-early-in-the-morning</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-two-and-a-half-inches-of-rain-in-two-hours-in-sankheda-taluka-early-in-the-morning</guid><pubDate>Sat, 01 Aug 2026 05:49:43 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સંખેડા તાલુકામાં ભારે વરસાદને પગલે સવારે 6થી 8 સુધી બે કલાકમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. છીપાવડમાં ખાલી મકાન ધરાશાયી થયું હતું કોઈ જાનહાનિ થઇ નહતી. હેરણ અને ઉચ્છ નદીમાં પાણી આવ્યા હતા. લોકટોળા જોવા ઊમટયાં હતા. તાલુકા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવ્યું હતું. સંખેડા મામલતદારે સ્થળ નિરીક્ષણ કર્યુ હતું. સંખેડા તાલુકામાં ભારે વરસાદની આગાહીને લઈ સંખેડા સહિત સમગ્ર તાલુકામાં વહેલી સવારના 6થી 8 વાગ્યા સુધીમાં બેકલાકમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં વરસાદના પાણી ભરાયા હતા. સંખેડા છીપવાડમાં બિનરહેણાંક મકાન ધરાશાયી થયું હતું. ત્યારે એરણ અને ઉચ્છ નદીમાં પાણીની આવક વધી હતી. જ્યારે ઓરસંગ નદી યથા સ્થિતિમાં જોવા મળી હતી. ઉચ્છ નદીમાં પાણીની આવક વધતા કોઈ અઘટિત ઘટના ન બને તે માટે સંખેડા મામલતદાર દિનેશ પટેલે સ્થળ સ્થિતિની મુલાકાત કરી નિરીક્ષણ કર્યું હતું.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/01/YBe6RIZMbZD2No72dxTvTl2P3ueLiaNjXDR5VlP7.webp'/></item><item><title><![CDATA[Delhi News : PM મોદીએ વધુ એક ઈન્સ્ટા વીડિયો જાહેર કર્યો, કહ્યું, મને ગાળો બોલનારા બાળકોને માફ કરવા માંગુ છું ]]></title><link>https://sandesh.com/india/news/pm-modi-says-i-want-to-forgive-the-children-after-jantar-mantar-protest</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/pm-modi-says-i-want-to-forgive-the-children-after-jantar-mantar-protest</guid><pubDate>Fri, 31 Jul 2026 23:34:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દિલ્હીમાં જંતર મંતર પર થયેલા આંદોલનમાં Gen-Zએ જે પ્રદર્શન કર્યું તેની અસરથી શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવું પડ્યું છે. આ ઘટના બાદ વડાપ્રધાન મોદી ઈન્સ્ટાગ્રામ પર સતત લાઈવ આવીને એક નાના વીડિયોમાં દેશને સંદેશ આપી રહ્યાં છે. આજે પણ તેમણે મોડી રાત્રે ફરી એકવાર મોટો સંદેશ આપ્યો છે. રાત્રે લગભગ 11 વાગ્યા પછી પીએમ મોદી ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવ્યા અને Gen-Zને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે, "હું બાળકોને માફ કરવા માંગુ છું.</p><h2 style="text-align: justify; "><b>જુઓ વડાપ્રધાન મોદીએ વીડિયોમાં શું કહ્યું</b></h2><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dbd25lfFtJp/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA%3D%3D" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dbd25lfFtJp/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA%3D%3D" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a><br><br><br></p><h2 style="text-align: justify; "><b>આપણી દીકરીઓ આ પ્રકારની ભાષા કેવી રીતે બોલી શકે છે</b></h2><p style="text-align: justify; ">વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, જંતર મંતર પર જે થયું તે સમગ્ર વિશ્વએ જોયું છે. કેટલાક તોફાની બાળકોએ ગંદી ગાળો બોલી, કોઈ પણ સભ્ય સમાજને શોભે નહીં તેવા શબ્દોનો પ્રયોગ કર્યો. મને તો ગાળો આપવામાં આવી પણ મારી માતાને પણ ગાળો આપવામાં આવી. પરંતુ હું આજે એ વાત કરવા માંગુ છું કે બાળપણમાં ભૂલો થતી હોય છે અને તેમાં સૌથી વધુ સુધરવાનો મોકો પણ હોય છે. જેથી હું સમાજની અંદર જો આક્રોશ છે તેને સમજી શકું છું. આ એક સામાજિક શોક છે કે આપણી દીકરીઓ આ પ્રકારની ભાષા કેવી રીતે બોલી શકે છે. પરંતુ હવે સમય છે આ બાળકોને ગળે લગાવીને રાહ દેખાડવાનો.&nbsp;<br></p><h3 style="text-align: justify; "><b>હું તેમને માફ કરવા માંગુ છું</b></h3><p style="text-align: justify; ">વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આ બાળકો ગુમરાહ થયેલા છે તેમને રાહ દેખાડવી આપણું કામ છે. તેમને સજા આપવી, કોર્ટના ધક્કા ખવડાવા અને સમાજમાં તેમને હેરાન કરવાથી આપણે પરિસ્થિતિને નહીં બદલી શકીએ. હું તેમને માફ કરવા માંગુ છું અને સમાજ પણ મારી આ વાતનો સ્વીકાર કરે. ક્યારેક ક્યારેક દાંતની વચ્ચે આપણી જીભ આવી જાય છે અને લોહી પણ નીકળે છે પણ આપણે દાંતને તોડતા નથી. કારણ કે દાંત પણ આપણા છે અને જીભ પણ આપણી છે. આ બાળકો પણ આપણાં જ છે અને તેમને રાહ દેખાડવી એ પણ આપણું જ કામ છે.</p><h2 style="text-align: justify; "><b>ગુમરાહને રાહ દેખાડવી કઠીન કામ છે</b></h2><p style="text-align: justify; ">વડાપ્રધાને ઉમેર્યું હતું કે,  ગુમરાહને રાહ દેખાડવી કઠીન કામ છે પણ આ કઠીન કામ આપણે કરવાનું છે. જેથી હું આ બાળકોને કહેવા માંગું છું કે તમે સાથે આવો આપણે દેશ માટે કંઈક કરવા આગળ વધીએ. કંઈક નવું શીખીએ ભૂલોમાંથી પણ શીખીએ અને આપણાં સપનાઓને લઈને નીકળી પડીએ. દેશ ખૂબ આગળ વધી રહ્યો છે અને આગળ વધવાનો છે. અને તમારુ પણ આગળ વધવું નિશ્ચિત હોય એજ મારું સપનું છે. હું તમારા માટે જીવું છું અને તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરુ છું. ચાલો આગળ વધીએ અને ભૂલોમાંથી શીખીએ.&nbsp;&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/weather/navsari/flood-situation-in-three-major-rivers--128-roads-closed" target="_blank">આ પણ વાંચોઃ Navsari News : જિલ્લાની ત્રણેય મુખ્ય નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ, 128 માર્ગો થયા બંધ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/31/yrJbyjwq4DW5fYfaIFwy5nd3khR68NMolYYOhESP.webp'/></item><item><title><![CDATA[India News: કાશ્મીરના કુલગામમાં આતંકીઓએ બે શ્રમિકો પર ફાયરીંગ કર્યું, એકનું મોત ]]></title><link>https://sandesh.com/india/news/kulgam-terror-attack--militants-fire-at-two-workers--one-killed-in-kashmir</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/kulgam-terror-attack--militants-fire-at-two-workers--one-killed-in-kashmir</guid><pubDate>Fri, 31 Jul 2026 22:10:08 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલો થયો છે. આતંકીઓએ બે બિન-સ્થાનિક લોકોને નિશાન બનાવીને ફાયરિંગ કર્યું હતું. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે ઘાયલની સારવાર ચાલી રહી છે. સુરક્ષાબળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકીઓની શોધખોળ ચાલુ છે. જમ્મુ-કશ્મીર પોલીસનું કહેવું છે કે સુરક્ષાબળોએ વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે અને હુમલાખોરોની ભાળ મેળવવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.</p><h2 style="text-align: justify;"><b>બહારના મજૂરો પર ફાયરિંગ કરવામાં આવ્યું</b></h2><p style="text-align: justify;">ડીજીપી નલિન પ્રભાતે એલજી મનોજ સિંહાને આ હુમલા વિશે માહિતી આપી હતી.આ દરમિયાન એલજીએ એ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે કે હુમલા માટે જવાબદાર આતંકવાદીઓને વહેલામાં વહેલી તકે ખતમ કરવામાં આવે. અધિકારીઓએ જણાવ્યું કે જિલ્લાના કેલ્લમ વિસ્તારમાં આતંકીઓએ આ કાયરતાપૂર્ણ હુમલો કર્યો છે, જેમાં બહારના મજૂરો પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઘાયલ મજૂરને વધુ સારી સારવાર માટે જીએમસી અનંતનાગ ખસેડવામાં આવ્યો છે.</p><h3 style="text-align: justify;"><b>નિર્દોષ મજૂરની નિર્મમ હત્યા એક ઘૃણાસ્પદ ગુનો</b></h3><p style="text-align: justify;">ભાજપના પ્રવક્તા અલ્તાફ ઠાકુરે આ આતંકી હુમલાની સખત નિંદા કરી હતી. તેમણે આને કાયરતાપૂર્ણ અને અમાનવીય ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે ઈમાનદારીથી રોજી-રોટી કમાવવા માટે જમ્મુ-કશ્મીર આવેલા નિર્દોષ મજૂરની નિર્મમ હત્યા એક ઘૃણાસ્પદ ગુનો છે. આવી બર્બર હરકતો માનવતા અને ભાઈચારા તથા મહેમાનગતિની સદીઓ જૂની પરંપરાઓ પર પ્રહાર છે. દોષિતો અને તેમને સાથ આપનારાઓને વિલંબ કર્યા વિના સજા મળવી જોઈએ. હું પોલીસ નેતૃત્વ અને સુરક્ષા એજન્સીઓને અપીલ કરું છું કે તેઓ ઊંડાણપૂર્વક તપાસ કરે.&nbsp;</p><h2 style="text-align: justify;"><b>દોષિતોને કાયદા હેઠળ કડકમાં કડક સજા મળે</b></h2><p style="text-align: justify;">તેમણે આગળ કહ્યું કે,આ કાયરતાપૂર્ણ હુમલામાં સામેલ દરેક આતંકવાદીની ઓળખ કરે, આની પાછળના સમગ્ર નેટવર્કને ખતમ કરે અને એ સુનિશ્ચિત કરે કે દોષિતોને કાયદા હેઠળ કડકમાં કડક સજા મળે.જમ્મુ-કશ્મીરના લોકોએ હંમેશા હિંસાને નકારી છે. આતંકવાદીઓ લોહીયાળ ખેલ દ્વારા આ વિસ્તારનું ભવિષ્ય નક્કી કરી શકે નહીં. આતંકવાદને હરાવવાનો અને શાંતિ જાળવી રાખવાનો સંકલ્પ પહેલાં કરતા પણ વધુ મજબૂત છે. ભાજપ નેતાએ લોકોને અપીલ કરી કે તેઓ આતંકવાદ સામે એકજૂટ રહે અને શાંતિ જાળવવામાં તથા નિર્દોષ લોકોના જીવ બચાવવામાં સુરક્ષા બળોના પ્રયાસોનું સમર્થન કરે.<br><br><a href="https://sandesh.com/india/news/himachal-monsoon-havoc--landslide-blocks-nh-05--1-dead-in-chamba--red-alert-issued" target="_blank">આ પણ વાંચોઃ Himachalમાં તબાહી! કિન્નૌરમાં NH-05 બંધ, ચંબામાં નાળામાં તણાઈ જવાથી મહિલાનું મોત</a></p><p style="text-align: justify;"><br></p><p style="text-align: justify;"><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/31/OJqyoVAYzM2ItCxCY9yiAK2bnNdjs7PdpIuqKuJz.webp'/></item></channel></rss>