<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Asian Games 2026 : 36 વર્ષની સુચિકા તારિયાલે રચ્યો ઈતિહાસ, વર્લ્ડ ચેમ્પિયનને હરાવી બ્રોન્ઝ મેડલ જીતી ]]></title><link>https://sandesh.com/sports/news/suchika-tariyal-asian-games-2026-mma-first-medal-india</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/suchika-tariyal-asian-games-2026-mma-first-medal-india</guid><pubDate>Sun, 20 Sep 2026 10:02:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">એશિયન ગેમ્સ 2026માં ભારત માટે 36 વર્ષની સુચિકા તારિયાલે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ભારતીય મિક્સ્ડ માર્શલ આર્ટ્સ ફાઇટર સુચિકા તારિયાલે મહિલાઓની ટ્રેડિશનલ 60 કિલો કેટેગરીની ક્વાર્ટરફાઇનલમાં 2025ની IMMAF વર્લ્ડ ચેમ્પિયન અલ્તાનચિમેગ બૈગલમાને 2-0થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ જીત સાથે તેમણે એશિયન ગેમ્સમાં ભારત માટે મિક્સ્ડ માર્શલ આર્ટ્સનો પ્રથમ મેડલ નિશ્ચિત કર્યો છે.સુચિકા તારિયાલની આ સફળતા ખાસ એટલા માટે છે કારણ કે તેમની રમતની સફર સીધી MMA સુધી પહોંચી નથી. તેમણે વર્ષ 2017માં જીત સાથે MMAમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેમણે લગભગ 7 વર્ષનો વિરામ લીધો હતો. જોકે, આ સમયગાળા દરમિયાન તેમણે જૂડોમાં પોતાની કારકિર્દી આગળ વધારી અને જિયુ-જિત્સુમાં પણ સફળતા મેળવી.</p><h3 style="text-align: justify; "><b>જૂડોએ MMA માટે તૈયાર કરી</b></h3><p style="text-align: justify; ">સુચિકા તારિયાલે પોતાની રમત અંગે વાત કરતાં જણાવ્યું હતું કે જૂડોએ તેમને MMA માટે તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. જૂડોમાંથી મળેલી ગ્રાઉન્ડ ફાઇટીંગ અને ગ્રેપલિંગની કુશળતા MMAમાં તેમના માટે ખૂબ ઉપયોગી બની. MMAમાં તેમણે સ્ટેન્ડિંગ ગેમ અને સ્ટ્રાઇકિંગ પર વધુ ધ્યાન આપ્યું.MMAમાં એક ખેલાડીને અલગ અલગ પ્રકારની કુશળતાની જરૂર પડે છે. સુચિકાએ જૂડોમાં મેળવેલા અનુભવને MMA સાથે જોડીને પોતાની રમતને વધુ મજબૂત બનાવી છે.</p><h4 style="text-align: justify; "><b>આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ</b></h4><p style="text-align: justify; ">સુચિકા તારિયાલે અત્યાર સુધી અનેક મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેમણે 2022 કોમનવેલ્થ ગેમ્સમાં જૂડોમાં ભારત માટે ભાગ લીધો હતો. ત્યારબાદ 2023 એશિયન ગેમ્સમાં તેમણે કુરાશમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.વર્ષ 2024માં તેમણે જિયુ-જિત્સુ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ સફળતા મેળવી હતી. તેમના જણાવ્યા મુજબ, રમતના વહીવટી ફેરફારોને કારણે તેમના માટે રમત બદલવાની પરિસ્થિતિ પણ ઊભી થઈ હતી.જાન્યુઆરી 2026માં એશિયન ગેમ્સ માટે જિયુ-જિત્સુ ટીમની રચનામાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેના કારણે સુચિકા જે રમત માટે તૈયારી કરી રહી હતી તે માર્ગ તેમના માટે બંધ થયો. ત્યારબાદ તેમણે MMA તરફ ફરી વળવાનો નિર્ણય લીધો અને ટ્રાયલ્સમાં ભાગ લીધો.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/ani_digital/status/2101529124879937938?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; "><br></p><h5 style="text-align: justify; "><b>રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન દ્વારા સન્માન</b></h5><p style="text-align: justify; ">સુચિકા તારિયાલને રમતગમત ક્ષેત્રે તેમના યોગદાન બદલ દેશના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન દ્વારા સન્માનિત પણ કરવામાં આવી છે. તેમણે 4 વર્લ્ડ ચેમ્પિયનશિપ અને 30થી વધુ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.રમતગમત ઉપરાંત સુચિકા ટેલિવિઝન અને ડિજિટલ મનોરંજનના કાર્યક્રમોમાં પણ જોવા મળી છે. તેઓ MTV Roadies અને Prime Videoના 'India's Ultimate Warrior' જેવા કાર્યક્રમોમાં પણ ભાગ લઈ ચૂકી છે.</p><h5 style="text-align: justify; "><b>મુંબઈમાં કરી હતી કડક તૈયારી</b></h5><p style="text-align: justify; ">એશિયન ગેમ્સમાં મુકાબલો મુશ્કેલ રહેશે તે અંગે સુચિકા પહેલેથી જ જાણતી હતી. તેમણે મુંબઈના અંધેરીમાં આવેલી One Punch Academyમાં કોચ નિખિલ કુંડરની દેખરેખ હેઠળ તાલીમ લીધી હતી. લાંબા સમયથી વિવિધ કોમ્બેટ સ્પોર્ટ્સમાં મેળવેલો અનુભવ હવે MMAમાં તેમની તાકાત બની રહ્યો છે.એશિયન ગેમ્સ 2026માં અલ્તાનચિમેગ બૈગલમા સામેની જીત તેમની કારકિર્દીની મહત્વપૂર્ણ જીત બની છે. સેમિફાઇનલમાં પહોંચ્યા બાદ સુચિકા તારિયાલે ભારત માટે MMAમાં ઐતિહાસિક મેડલ નિશ્ચિત કર્યો છે. હવે તેમની નજર સેમિફાઇનલમાં વધુ એક શાનદાર પ્રદર્શન કરીને મેડલનો રંગ વધુ સારો બનાવવા પર રહેશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/asian-games-2026-india-schedule-september-20-cricket-hockey-shooting" target="_blank"> Asian Games 2026 Day 2 : સુપર સન્ડે ધમાકો! મહિલા ક્રિકેટ સેમિફાઇનલથી લઈને હોકી સુધીનું સંપૂર્ણ શેડ્યૂલ</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/99ZDdoscaMVYCOfC4K33cVkzgddZPH6HrOFyzQ2z.webp'/></item><item><title><![CDATA[Surat News: પાંડેસરા GIDCમાં ડોઈંગ મીલમાં આગ લાગતા અફરા તફરી, કરોડોનો માલ સામાન બળીને ખાક ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/massive-fire-breaks-out-at-dyeing-mill-in-pandesara-gidc</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/massive-fire-breaks-out-at-dyeing-mill-in-pandesara-gidc</guid><pubDate>Sun, 20 Sep 2026 09:48:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરમાં ઔદ્યોગિક વિસ્તારોમાં આગની દુર્ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે.પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી પ્રિયાંશી ડાઈંગ મિલમાં એક ભીષણ આગ લાગવાની મોટી ઘટના સામે આવી છે.ડાઈંગ મિલના સેન્ટર મશીનમાં અચાનક આગ ફાટી નીકળતા કંપનીમાં ભારે નાસભાગ મચી ગઈ હતી અને જોતજોતામાં આ આગે અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.</p><h2 style="text-align: justify; "><b>આખો વિસ્તાર ધુમાડાના ગોટેગોટાથી ભરાઈ ગયો&nbsp;</b></h2><p style="text-align: justify; ">ફાયર વિભાગ મુજબ, પ્રિયાંશી ડાઈંગ મિલની અંદર આવેલા સેન્ટર મશીનમાં અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હતી.શોર્ટ સર્કિટ બાદ તણખા ઝરવાથી આગે સેન્ટર મશીનને પોતાની ચપેટમાં લીધું હતું અને જોતજોતામાં આગની લપટો એટલી બધી વધી ગઈ કે કંપનીનો પહેલો માળ આખી આગની ચપેટમાં આવી ગયો હતો.મિલની અંદર જ્વલનશીલ સામગ્રી અને કાપડ તથા કેમિકલ સંબંધિત કામગીરી હોવાના કારણે આગે ક્ષણભરમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે આખો વિસ્તાર ધુમાડાના ગોટેગોટાથી ભરાઈ ગયો હતો.</p><h2 style="text-align: justify; "><b>કામદારો સમયસર બહાર નીકળી ગયા</b></h2><p style="text-align: justify; ">આ આગની દુર્ઘટના સમયે મિલની અંદર અનેક કામદારો અને કર્મચારીઓ પોતાની ફરજ બજાવી રહ્યા હતા.અચાનક આગ ફાટી નીકળતા કંપનીમાં હાજર કર્મચારીઓએ સમયસૂચકતા વાપરી સમયસર બહાર દોડી આવ્યા હતા.સદનસીબે આ મોટી દુર્ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થવા પામી ન હતી. ઘટનાની જાણ થતા જ સુરત ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.ફાયર બ્રિગેડના જવાનોએ ત્વરિત મોરચો સંભાળીને આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લેવા પ્રયાસ</b></h2><p style="text-align: justify; ">બ્રિગેડના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.પરંતુ ત્યાં સુધીમાં આગની આ ભયાનક લપટોમાં ડાઈંગ મિલની અંદર રહેલો કરોડો રૂપિયાનો માલ-સામાન, મશીનરી અને કાપડનો જથ્થો બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ચૂક્યો હતો.આગની આ ઘટનાને પગલે પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/banaskantha/ambaji-bhadarvi-poonam-maha-mela-begins-today" target="_blank">આ પણ વાંચોઃ Banaskantha News : આજથી અંબાજીમાં ભાદરવી પૂનમ મહા મેળાનો પ્રારંભ, 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટશે</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/KRUHS8N1QLY4OEjo9swfx3MpCvi6ZTmmbvqfWNcZ.webp'/></item><item><title><![CDATA[Petrol Diesel Price Today : પેટ્રોલ-ડીઝલ સસ્તું થયું કે મોંઘું? ઘરની બહાર નીકળતાં પહેલાં ચેક કરી લો લેટેસ્ટ રેટ! ]]></title><link>https://sandesh.com/business/news/india/petrol-diesel-price-today-ahmedabad-delhi-mumbai</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/petrol-diesel-price-today-ahmedabad-delhi-mumbai</guid><pubDate>Sun, 20 Sep 2026 09:31:17 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આજે રવિવાર, 20 સપ્ટેમ્બરે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે અને મોટાભાગના મોટા શહેરોમાં કોઈ ફેરફાર થયો નથી. અત્યારે દેશમાં પેટ્રોલની સરેરાશ કિંમત 111.21 રૂપિયા પ્રતિ લિટર છે, જ્યારે ડીઝલની કિંમત 97.83 રૂપિયા પ્રતિ લિટર છે.</p><h2 style="text-align: justify; "><b>મેટ્રો શહેરોમાં પેટ્રોલ અને ડીઝલ</b></h2><p style="text-align: justify; ">મુંબઈમાં પેટ્રોલની કિંમત 111.21 રૂપિયા પ્રતિ લિટર છે, જે આગળના દિવસ જેટલી જ છે. અહીં ડીઝલનો ભાવ 97.83 રૂપિયા પ્રતિ લિટર છે, જે ગઈકાલના ભાવ જેટલો જ છે. દિલ્હીમાં પેટ્રોલ 102.12 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 95.2 રૂપિયા પ્રતિ લિટર છે, જે બીજા મોટા શહેરોની સરખામણીમાં ઓછો છે.</p><h3 style="text-align: justify; "><b>હૈદરાબાદ અને બેંગલુરુમાં ઈંધણ મોંઘું</b></h3><p style="text-align: justify; ">બેંગલુરુ સહિત બીજા મોટા શહેરોમાં પેટ્રોલની કિંમત 110.82 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 98.77 રૂપિયા પ્રતિ લિટર છે, જ્યારે હૈદરાબાદમાં બીજા મેટ્રો શહેરો કરતાં કિંમતો સૌથી વધુ છે. અહીં પેટ્રોલ 115.71 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 103.84 રૂપિયા પ્રતિ લિટરમાં વેચાઈ રહ્યું છે. કોલકાતામાં ડીઝલની કિંમત 99.82 રૂપિયા પ્રતિ લિટર છે, જ્યારે ચેન્નાઈમાં તે 99.55 રૂપિયા પ્રતિ લિટર છે.</p><h4 style="text-align: justify; "><b>આજના પેટ્રોલ-ડીઝલના ભાવ</b></h4><table class="table table-bordered"><tbody><tr><td><b>શહેર</b></td><td><b>પેટ્રોલ</b></td><td><b>ડીઝલ</b></td></tr><tr><td>અમદાવાદ</td><td>101.81 રૂપિયા</td><td>97.92 રૂપિયા</td></tr><tr><td>દિલ્હી</td><td>102.12 રૂપિયા</td><td>95.20 રૂપિયા</td></tr><tr><td>મુંબઈ</td><td>111.31 રૂપિયા</td><td>97.97 રૂપિયા</td></tr><tr><td>કોલકાતા</td><td>113.51 રૂપિયા</td><td>99.82 રૂપિયા</td></tr><tr><td>ચેન્નાઈ</td><td>107.76 રૂપિયા</td><td>99.55 રૂપિયા</td></tr><tr><td>હૈદરાબાદ</td><td>115.69 રૂપિયા</td><td>103.82 રૂપિયા</td></tr></tbody></table><h4 style="text-align: justify; "><b>આજે ક્રૂડ ઓઈલની કિંમત</b></h4><p style="text-align: justify; ">આજે રવિવાર હોવાથી ICE અને NYMEX જેવા કોમોડિટી માર્કેટ્સ બંધ રહે છે, તેથી કિંમતો અગાઉના લેવલ પર જ ટકેલી છે. એટલે કે શુક્રવાર 18 સપ્ટેમ્બરે માર્કેટ બંધ થયું ત્યારે જેટલા ભાવ હતા, તેટલા જ છે. શુક્રવારે કાચા તેલના ભાવ પાછલા કેટલાક દિવસોની તેજી પછી આશરે 1% ના ઘટાડા સાથે બંધ થયા હતા. આ દિવસે બ્રેન્ટ ક્રૂડ લગભગ 0.91% ઘટીને 103.87 પ્રતિ બેરલ પર બંધ થયું હતું. બ્રેન્ટ ક્રૂડની કિંમત 104 ડોલર પ્રતિ બેરલથી નીચે આવી જવાના લીધે ગયા અઠવાડિયે ઈંધણના ભાવ ઘણા અંશે સ્થિર રહ્યા હતા.</p><h6 style="text-align: justify; "><b>દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે ભાવ</b></h6><p style="text-align: justify; ">દેશની મુખ્ય તેલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો જાહેર કરે છે. જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ અથવા વિનિમય દરમાં ફેરફાર થાય છે, તો તેની અસર ઘરેલુ ઈંધણની કિંમતો પર પણ પડી શકે છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/india/breakingnews/entertainment/disha-salian-aaditya-thackeray-500-crore-notice" target="_blank">આ પણ વાંચો-Disha Salian કેસમાં આદિત્ય ઠાકરેને 500 કરોડની માનહાનિ નોટિસ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/ZeyGqQwd3RLkwO9WY1eLtwcqkwg27vnT2RA1hKTG.webp'/></item><item><title><![CDATA[Petrol Diesel Price Today : પેટ્રોલ-ડીઝલ સસ્તું થયું કે મોંઘું? ઘરની બહાર નીકળતાં પહેલાં ચેક કરી લો લેટેસ્ટ રેટ! ]]></title><link>https://sandesh.com/business/news/india/petrol-diesel-price-today-ahmedabad-delhi-mumbai</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/petrol-diesel-price-today-ahmedabad-delhi-mumbai</guid><pubDate>Sun, 20 Sep 2026 09:31:17 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આજે રવિવાર, 20 સપ્ટેમ્બરે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે અને મોટાભાગના મોટા શહેરોમાં કોઈ ફેરફાર થયો નથી. અત્યારે દેશમાં પેટ્રોલની સરેરાશ કિંમત 111.21 રૂપિયા પ્રતિ લિટર છે, જ્યારે ડીઝલની કિંમત 97.83 રૂપિયા પ્રતિ લિટર છે.</p><h2 style="text-align: justify; "><b>મેટ્રો શહેરોમાં પેટ્રોલ અને ડીઝલ</b></h2><p style="text-align: justify; ">મુંબઈમાં પેટ્રોલની કિંમત 111.21 રૂપિયા પ્રતિ લિટર છે, જે આગળના દિવસ જેટલી જ છે. અહીં ડીઝલનો ભાવ 97.83 રૂપિયા પ્રતિ લિટર છે, જે ગઈકાલના ભાવ જેટલો જ છે. દિલ્હીમાં પેટ્રોલ 102.12 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 95.2 રૂપિયા પ્રતિ લિટર છે, જે બીજા મોટા શહેરોની સરખામણીમાં ઓછો છે.</p><h3 style="text-align: justify; "><b>હૈદરાબાદ અને બેંગલુરુમાં ઈંધણ મોંઘું</b></h3><p style="text-align: justify; ">બેંગલુરુ સહિત બીજા મોટા શહેરોમાં પેટ્રોલની કિંમત 110.82 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 98.77 રૂપિયા પ્રતિ લિટર છે, જ્યારે હૈદરાબાદમાં બીજા મેટ્રો શહેરો કરતાં કિંમતો સૌથી વધુ છે. અહીં પેટ્રોલ 115.71 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 103.84 રૂપિયા પ્રતિ લિટરમાં વેચાઈ રહ્યું છે. કોલકાતામાં ડીઝલની કિંમત 99.82 રૂપિયા પ્રતિ લિટર છે, જ્યારે ચેન્નાઈમાં તે 99.55 રૂપિયા પ્રતિ લિટર છે.</p><h4 style="text-align: justify; "><b>આજના પેટ્રોલ-ડીઝલના ભાવ</b></h4><table class="table table-bordered"><tbody><tr><td><b>શહેર</b></td><td><b>પેટ્રોલ</b></td><td><b>ડીઝલ</b></td></tr><tr><td>અમદાવાદ</td><td>101.81 રૂપિયા</td><td>97.92 રૂપિયા</td></tr><tr><td>દિલ્હી</td><td>102.12 રૂપિયા</td><td>95.20 રૂપિયા</td></tr><tr><td>મુંબઈ</td><td>111.31 રૂપિયા</td><td>97.97 રૂપિયા</td></tr><tr><td>કોલકાતા</td><td>113.51 રૂપિયા</td><td>99.82 રૂપિયા</td></tr><tr><td>ચેન્નાઈ</td><td>107.76 રૂપિયા</td><td>99.55 રૂપિયા</td></tr><tr><td>હૈદરાબાદ</td><td>115.69 રૂપિયા</td><td>103.82 રૂપિયા</td></tr></tbody></table><h4 style="text-align: justify; "><b>આજે ક્રૂડ ઓઈલની કિંમત</b></h4><p style="text-align: justify; ">આજે રવિવાર હોવાથી ICE અને NYMEX જેવા કોમોડિટી માર્કેટ્સ બંધ રહે છે, તેથી કિંમતો અગાઉના લેવલ પર જ ટકેલી છે. એટલે કે શુક્રવાર 18 સપ્ટેમ્બરે માર્કેટ બંધ થયું ત્યારે જેટલા ભાવ હતા, તેટલા જ છે. શુક્રવારે કાચા તેલના ભાવ પાછલા કેટલાક દિવસોની તેજી પછી આશરે 1% ના ઘટાડા સાથે બંધ થયા હતા. આ દિવસે બ્રેન્ટ ક્રૂડ લગભગ 0.91% ઘટીને 103.87 પ્રતિ બેરલ પર બંધ થયું હતું. બ્રેન્ટ ક્રૂડની કિંમત 104 ડોલર પ્રતિ બેરલથી નીચે આવી જવાના લીધે ગયા અઠવાડિયે ઈંધણના ભાવ ઘણા અંશે સ્થિર રહ્યા હતા.</p><h6 style="text-align: justify; "><b>દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે ભાવ</b></h6><p style="text-align: justify; ">દેશની મુખ્ય તેલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો જાહેર કરે છે. જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ અથવા વિનિમય દરમાં ફેરફાર થાય છે, તો તેની અસર ઘરેલુ ઈંધણની કિંમતો પર પણ પડી શકે છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/india/breakingnews/entertainment/disha-salian-aaditya-thackeray-500-crore-notice" target="_blank">આ પણ વાંચો-Disha Salian કેસમાં આદિત્ય ઠાકરેને 500 કરોડની માનહાનિ નોટિસ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/ZeyGqQwd3RLkwO9WY1eLtwcqkwg27vnT2RA1hKTG.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : ગુજરાતમાં આજે TAT માધ્યમિકની મુખ્ય પરીક્ષા, 5 શહેરોના 403 કેન્દ્રો પર 75 હજાર ઉમેદવારો આપશે કસોટી ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat--tat-secondary-main-exam-held-today--75-000-candidates-appear-across-403-centers</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat--tat-secondary-main-exam-held-today--75-000-candidates-appear-across-403-centers</guid><pubDate>Sun, 20 Sep 2026 09:29:03 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં આજે માધ્યમિક શાળાના શિક્ષકોની ભરતી માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી શિક્ષક અભિરુચિ કસોટી (TAT) ની મુખ્ય પરીક્ષા યોજાવા જઈ રહી છે. રાજ્યભરમાંથી અંદાજે 75 હજાર જેટલા ઉમેદવારો આ મુખ્ય પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે. રાજ્યની માધ્યમિક શાળાઓમાં શ્રેષ્ઠ અને ગુણવત્તાસભર શિક્ષકોની પસંદગીના હેતુથી યોજાતી આ પરીક્ષાને લઈને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ અને તૈયારીઓ જોવા મળી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>5 શહેરોના 403 કેન્દ્રો પરથી લેવાશે પરીક્ષા</b></h2><p style="text-align: justify; ">આ પરીક્ષાના સુચારુ અને પારદર્શક સંચાલન માટે રાજ્યના મુખ્ય 5 શહેરોમાં કુલ 403 પરીક્ષા કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા મુખ્ય મહાનગરોનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો પર કડક સુરક્ષા બંદોબસ્ત, સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ અને ચોરી મુક્ત વાતાવરણમાં પરીક્ષા પૂરી થાય તે માટેની તમામ જરૂરી વહીવટી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>વર્ણનાત્મક સ્વરૂપે બે પેપરમાં કસોટી</b></h2><p style="text-align: justify; ">શિક્ષક અભિરુચિ કસોટી અંતર્ગત લેવાઈ રહેલી આ મુખ્ય પરીક્ષા સંપૂર્ણપણે વર્ણનાત્મક (Descriptive) સ્વરૂપે યોજાઈ રહી છે. આ પરીક્ષા બે અલગ-અલગ પેપરમાં લેવામાં આવશે, જેમાં ઉમેદવારોના વિષય જ્ઞાન, ભાષાકીય કૌશલ્ય અને શિક્ષક તરીકેની શિક્ષણ પદ્ધતિનું ગહન મૂલ્યાંકન કરવામાં આવશે. આ પરીક્ષામાં સફળ થનારા ઉમેદવારો રાજ્યની માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકેની પોતાની સેવાઓ આપવા માટે યોગ્ય ઠરશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/rainy-system-active-rain-expected-in-these-areas-today" target="_blank">Gujarat Weather News: રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ, આ વિસ્તારોમાં આજે વરસાદની સંભાવના</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/FAfOEnCTgL7NMYBHkCFtiO5xLGyJkDQxA5U00oqj.webp'/></item><item><title><![CDATA[Maharashtra: મુંબઈના લાલબાગમાં વહેલી સવારે દુર્ઘટના, ગણપતિ પંડાલ પાસે કરંટ લાગતાં બેના મોત ]]></title><link>https://sandesh.com/india/news/maharashtra-early-morning-accident-in-mumbais-lalbagh-two-die-after-getting-electrocuted-near-ganpati-pandal</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/maharashtra-early-morning-accident-in-mumbais-lalbagh-two-die-after-getting-electrocuted-near-ganpati-pandal</guid><pubDate>Sun, 20 Sep 2026 09:22:31 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મુંબઈના લાલબાગ વિસ્તારમાં રવિવારે વહેલી સવારે વીજ કરંટ લાગવાથી બે લોકોનાં મોત થયા છે. આ અકસ્માત લાલબાગ વિસ્તારમાં આવેલા ગણપતિ પંડાલ નજીક થયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીની માહિતી અનુસાર બે લોકોનાં મોત થયા છે, જ્યારે અન્ય કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના કાલાચૌકીમાં દત્તારામ લાડ માર્ગ પર આવેલા કાલાચૌકી વિભાગ સાર્વજનિક ઉત્સવ મંડળ નજીક વહેલી સવારે આશરે બે વાગ્યે વીસ મિનિટે બની હતી. તે સમયે ગણપતિ ઉત્સવને કારણે લાલબાગ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ હતી. ઘટનાની તપાસ હાલ ચાલી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>ગણપતિ પંડાલ પાસે થયો અકસ્માત</b></h2><p style="text-align: justify; ">અધિકારીઓના જણાવ્યા અનુસાર રવિવારે વહેલી સવારે મુંબઈના લાલબાગ વિસ્તારમાં ગણપતિ પંડાલ નજીક વીજ કરંટ લાગવાથી બે લોકોનાં મોત થયા હતા. આ ઘટનામાં આશરે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ કાલાચૌકીમાં દત્તારામ લાડ માર્ગ પર કાલાચૌકી વિભાગ સાર્વજનિક ઉત્સવ મંડળ નજીક વહેલી સવારે આશરે બે વાગ્યે વીસ મિનિટે આ ઘટના બની હતી. તે સમયે લાલબાગ વિસ્તારમાં ચાલી રહેલા ગણપતિ ઉત્સવને કારણે મોટી સંખ્યામાં ભીડ હાજર હતી.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PTI_News/status/2101492059987382618"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; "><b style="font-size: 1.75rem;">ઈજાગ્રસ્તોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરાયા</b></p><p style="text-align: justify; ">મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું કે ઘટનાની જાણ મુંબઈ ફાયર બ્રિગેડને વહેલી સવારે બે વાગ્યે બેતાલીસ મિનિટે કરવામાં આવી હતી. માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડ, પોલીસ, બેસ્ટ એન્ડ ઈસ્ટ તેમજ મહાનગરપાલિકાના વોર્ડ કાર્યાલયના કર્મચારીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.</p><p style="text-align: justify; ">ઘટનાસ્થળે હાજર પોલીસકર્મીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર પાંચ ઈજાગ્રસ્તોને બાયકુલાની મસીના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને પરેલની ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં તમામ ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>બે લોકોનાં કરંટ લાગવાથી મોત</b></h3><p style="text-align: justify; ">મસીના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલી આઠ વર્ષની રાગની ઘનશ્યામ યાદવને તબીબોએ મૃત જાહેર કરી હતી. જ્યારે કિરણ અકબર નાઈક, ઉંમર ઓગણીસ વર્ષ, તન્વી નરશ હાંડે, ઉંમર ઓગણીસ વર્ષ, સાહિલ સંદીપ તારે, ઉંમર ઓગણીસ વર્ષ અને રૂહી સિંહ, ઉંમર બાર વર્ષ, સારવાર હેઠળ હતા. તેમની સ્થિતિ અંગે વધુ માહિતીની રાહ જોવાઈ રહી હતી.</p><p style="text-align: justify; ">બાદમાં એક અધિકારીએ બીજી વ્યક્તિના મોતની પણ પુષ્ટિ કરી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ એક મહિલાનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. જોકે મૃતક મહિલાની ઓળખ અને તેની સાથે જોડાયેલી અન્ય વિગતો અંગે હજુ વધુ માહિતીની રાહ જોવામાં આવી રહી છે.</p><p style="text-align: justify; ">ગણપતિ ઉત્સવ દરમિયાન લાલબાગ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોવાથી આ અકસ્માત બાદ વિસ્તારમાં ચિંતા ફેલાઈ છે. પોલીસ અને સંબંધિત વિભાગો દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે અને અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે.</p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/AZTaeVR4oTRf3YKRso0o7hM7e7Ez0mtptluM32Rj.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: અમદાવાદીઓ સાવધાન! AMCએ 5 વર્ષમાં 700 કરોડ ખર્ચ્યા છતાં શહેરની હવા ઝેરી બની ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-spent--700-crore-in-5-years-yet-air-pollution-remains-a-concern</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-spent--700-crore-in-5-years-yet-air-pollution-remains-a-concern</guid><pubDate>Sun, 20 Sep 2026 09:06:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નેશનલ ક્લીન એર પ્રોગ્રામ અંતર્ગત અમદાવાદ શહેરની પ્રદૂષિત હવાને શુદ્ધ કરવા અને વાયુ પ્રદૂષણનું સ્તર ઘટાડવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં મોટા પાયે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.આ ગ્રાન્ટ પૈકી અંદાજે રૂપિયા 708 કરોડ જેટલી માતબર રકમ રોડના નિર્માણ,સ્મશાનગૃહના આધુનિકરણ તેમજ AMTS અને BRTS માટે ઇલેક્ટ્રિક બસોની ખરીદી જેવા વિવિધ પ્રોજેક્ટ્સ પાછળ ખર્ચ કરવામાં આવી છે.વાસ્તવિકતા એ છે કે કરોડો રૂપિયાના આંધણ છતાં શહેરની હવા સતત ઝેરી અને દૂષિત બની રહી છે. હવાની ગુણવત્તા બાબતે તાજેતરમાં જાહેર થયેલા સ્વચ્છ સર્વેક્ષણના આંકડા પણ ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>સર્વેક્ષણમાં માત્ર 189 પોઇન્ટ જ પ્રાપ્ત થયા</b></h2><p style="text-align: justify; ">અમદાવાદની સરખામણીમાં પ્રમાણમાં નાનું શહેર હોવા છતાં અન્ય એક શહેર 10 લાખથી વધુ વસ્તી ધરાવતી કેટેગરીમાં પ્રથમ નંબરે સ્થાન મેળવવામાં સફળ રહ્યું હતું.જ્યારે બીજી તરફ અમદાવાદને આ સર્વેક્ષણમાં માત્ર 189 પોઇન્ટ જ પ્રાપ્ત થયા હતા.શહેરમાં પ્રદૂષણ વધવા પાછળ માત્ર વાહનો જ નહીં પરંતુ અન્ય વ્યવસ્થાઓ પણ જવાબદાર હોવાનું જણાય છે.તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચથી વોલ ટુ વોલ પાકા રોડ બનાવવામાં આવ્યા છે.જેના કારણે વરસાદી કે અન્ય પાણી જમીનમાં ઉતરી શકતું નથી અને જમીનની શ્વાસ લેવાની ક્ષમતા ઘટે છે.આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનરે પણ સાપ્તાહિક રિવ્યુ બેઠક દરમિયાન ફૂટપાથ ઉપર પેવર બ્લોક અથવા પેવિંગ કરતી વખતે માટીનો યોગ્ય ઉપયોગ કરવા સૂચના આપી હતી,જેથી જમીનમાં પાણી સરળતાથી ઉતરી શકે અને ભૂગર્ભ જળસ્તર જળવાઈ રહે.</p><p style="text-align: justify; "><img alt="અમદાવાદની હવાની ગુણવત્તા" src="https://epapercdn.sandesh.com/images/2026/09/20/qePwQmosYnMKoCCvxcn84oUzBRmxF6dWke7Sqm41.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>મહત્વપૂર્ણ કામગીરી અત્યંત મંદ ગતિએ ચાલી રહી છે</b></h2><p style="text-align: justify; ">શનિવારે સાંજે 7 કલાકે અમદાવાદ શહેરનો ઓવરઓલ એર ક્વોલિટી ઇન્ડેક્સ 105 એટલે કે પુઅર શ્રેણીમાં નોંધાયો હતો.નેશનલ ક્લીન એર પ્રોગ્રામ અને 15મા નાણાંપંચ તરફથી મળેલી ગ્રાન્ટની રકમમાંથી એર ક્વોલિટી મોનિટરિંગ અને સ્માર્ટ સેન્સર્સ લગાવવા માટે અંદાજે રૂપિયા 25 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે. આ યોજના હેઠળ રિયલ-ટાઇમ પ્રદૂષણ માપવા માટે શહેરના તમામ વોર્ડ અને મુખ્ય રસ્તાઓ ઉપર 1500 જેટલા સ્માર્ટ એર સેન્સર્સ અને ડિસ્પ્લે બોર્ડ લગાવવાની મોટી જાહેરાતો તંત્ર દ્વારા કરવામાં આવી હતી.પરંતુ દુઃખદ બાબત એ છે કે આ મહત્વપૂર્ણ કામગીરી અત્યંત મંદ ગતિએ ચાલી રહી છે. ગ્રાન્ટમાંથી મોટા પાયે રોડ રિસરફેસિંગ અને વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાની કામગીરી પણ ચાલી રહી છે.કરોડો રૂપિયાનો તોતિંગ ખર્ચ કરવા છતાં અમદાવાદ શહેરનો ઓવરઓલ તેમજ વિવિધ વિસ્તારોનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 200થી 300 સુધીના અત્યંત ચિંતાજનક સ્તર ઉપર નોંધાઈ રહ્યો છે.&nbsp;&nbsp;</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/rce3LQfQKabj4lhcz12wbZGlLgmgfHSsrqEJ2OYA.webp'/></item><item><title><![CDATA[Banaskantha News : આજથી અંબાજીમાં ભાદરવી પૂનમ મહા મેળાનો પ્રારંભ, 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/banaskantha/ambaji-bhadarvi-poonam-maha-mela-begins-today</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/banaskantha/ambaji-bhadarvi-poonam-maha-mela-begins-today</guid><pubDate>Sun, 20 Sep 2026 07:31:08 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">શક્તિધામ અંબાજીમાં લાખોમાં ભક્તોની શ્રદ્ધા ભક્તિ અને આસ્થાના મહાન પર્વ સમાન ભાદરવી પૂનમના સાત દિવસના મહાન મેળાનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. આજે તારીખ 20 થી 26 સપ્ટેમ્બર સુધી સાત દિવસ ચાલનારા આ મહા મેળા ને લઈ અંબાજી ધામમાં ભક્તિમય માહોલ છવાયો છે . આયો ભાદરવો આયો મેળો અંબે માતનો જેવા ગુંજતા નાદ વચ્ચે લાખો યાત્રિકોને આવકારવા અંબાજી સજ્જ બની થનગની રહ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>માર્ગો દિવ્ય અને ભવ્ય રોશનીથી ઝળહળતા કરાયા</b></h2><p style="text-align: justify; ">મેળાના વિધિવત પ્રારંભ પ્રસંગે કલેક્ટર સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં મા અંબાનું વિશેષ પૂજન અર્ચન કરી અંબાજી પ્રવેશદ્વાર રથો અને સંઘોના યાત્રિકોનું અભિવાદન કરી મહા મેળાનો પ્રારંભ કરાશે. ભાદરવી પૂનમ મહા મેળામાં આવનાર લાખો પદયાત્રીકોની સુખ સુવિધા સુરક્ષા અને વ્યવસ્થાને લઈ વિવિધ સરકારી વિભાગો દ્વારા તૈયાર કરવામાં આવેલા એક્શન પ્લાન મુજબની કામગીરીનો પણ પ્રારંભ થશે.અંબાજી સહિત મા અંબાના મૂળ સ્થાન ગબ્બર સુધી દિવ્ય અને ભવ્ય રોશનીઓ ઝળહળાટ કરવામાં આવ્યો છે.મહામેળાને વધાવવા અંબાજી મંદિર સહિતના માર્ગો દિવ્ય અને ભવ્ય રોશનીથી ઝળહળતા કરવામાં આવ્યા છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>30 લાખથી વધુ યાત્રિકો ઉમટવાની સંભાવના</b></h3><p style="text-align: justify; ">આજથી પ્રારંભ થનાર સાત દિવસના મહા મેળામાં ગુજરાત રાજસ્થાન અને અન્ય રાજ્યોમાંથી 30 લાખથી વધુ યાત્રિકો ઉમટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે શક્તિની આરાધનાના પવિત્ર નવરાત્રી પર્વમાં પોતાના ધામમાં પધારવા માં અંબાને આમંત્રણ આપવા હજારો લાખો ભક્તો કઠિન પદયાત્રા કરીને અંબાજી પહોંચે છે. બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે આવતા પદયાત્રીકોની શ્રદ્ધા અને આસ્થા અંબાજીના માર્ગો પર સાત દિવસ સુધી જોવા મળશે.અંબાજીમાં યોજાનાર સાત દિવસના મહા મેળામાં લાખો પદયાત્રીકો ઉમટવાના હોય પોલીસ તંત્ર દ્વારા વિવિધ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>અંબાજી ભાદરવી મહાકુંભને લઈને પોલીસ તંત્ર સજ્જ</b></h2><p style="text-align: justify; ">બનાસકાંઠાના અંબાજી ભાદરવી મહાકુંભને લઈને પોલીસ તંત્ર સજ્જ બન્યું છે.મહામેળામાં 2 SP,25 DYSP,17 PI,120 PSI સહિત 6 હજાર  પોલીસ જવાનો ખડેપગે રહેશે. મેળા દરમિયાન સમગ્ર પોલીસ સ્ટાફને 10 સેક્ટર ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. 600થી વધુ CCTV કેમેરા અને બોડી વોર્ન કેમેરાથી મેળા પર બાજ નજર રાખવામાં આવશે. પગપાળા આવતા ભક્તોની મદદ માટે 63 પોલીસ સહાયતા કેન્દ્રો કાર્યરત રહેશે, જ્યારે પહાડી વિસ્તારમાં ઘોડેસવાર પોલીસ પણ તૈનાત રહેશે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-live-news-politics-weather-breaking-updates-20-september-2026" target="_blank">આ પણ વાંચોઃ Gujarat Latest News Live: રાજ્યમાં મોન્સૂન ટ્રફ સક્રિય થતાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/KLP8eiRt5e7WuaGgxt0KAlE9TJsNlKuTCftWJZc9.webp'/></item><item><title><![CDATA[Valsad : ગાંધીવાડીમાં યુવકનો ગળા પર છરી ફેરવી આપઘાતનો પ્રયાસ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/valsad/valsad-a-young-man-attempted-suicide-by-stabbing-himself-in-gandhiwadi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/valsad/valsad-a-young-man-attempted-suicide-by-stabbing-himself-in-gandhiwadi</guid><pubDate>Sun, 20 Sep 2026 05:42:50 +05:30</pubDate><description><![CDATA[<p>ઉમરગામ : ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં</p><p>એક પરપ્રાંતીય યુવકે પોતાના ગળા પર છરી ફેરવી આપઘાત કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ</p><p>હતી. મળતી માહિતી મુજબ ગાંધાવાડીના ગોકુલધામ પાસે, અયપ્પા મંદિરની બાજુમાં રહેતા સોનુ કુમાર અશોક પ્રસાદ કુશવાહ (ઉ.વ. 32)એ શનિવારે બપોરે આશરે બાર વાગ્યે અચાનક પોતાના ગળા પર છરી ફેરવી દીધી હતી. તેથી તેના ગળા પર ગંભીર ઈજા થવા સાથે યુવક લોહીલુહાણ હાલતમાં નીચે પડી ગયો હતો. ઘટનાના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને યુવકને તાત્કાલિક ઉમરગામની સરકારી</p><p>હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. ત્યાંથી વધુ સારવાર માટે તેને વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ્ બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકે આ પગલું શા</p><p>માટે ભર્યું તે અંગે વધુ તપાસ ઉમરગામ પોલીસે હાથ ધરી છે.</p><p>.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/bDn2oLQx7JEkOOgd8wO6LLOuryD1iKgjcBJVwhGE.webp'/></item><item><title><![CDATA[Disha Salian કેસમાં આદિત્ય ઠાકરેને 500 કરોડની માનહાનિ નોટિસ ]]></title><link>https://sandesh.com/india/breakingnews/entertainment/disha-salian-aaditya-thackeray-500-crore-notice</link><guid isPermaLink="true">https://sandesh.com/india/breakingnews/entertainment/disha-salian-aaditya-thackeray-500-crore-notice</guid><pubDate>Sun, 20 Sep 2026 01:13:32 +05:30</pubDate><description><![CDATA[<div style="text-align: justify;">દિશા સાલિયાનના પિતા સતીશ સાલિયાને આદિત્ય ઠાકરેને 500 કરોડ રૂપિયાની બદનક્ષીની નોટિસ મોકલી છે. નોટિસમાં 16 સપ્ટેમ્બર 2026 ના રોજ એક્સ પર મૂકવામાં આવેલી અંગ્રેજી અને મરાઠી પોસ્ટને ખોટી અને બદનક્ષીભરી ગણાવી છે. આરોપ છે કે તેમાં સતીશ પર રાજકીય સ્વાર્થ અને અંગત દુશ્મનાવટના આક્ષેપો કરવામાં આવ્યા હતા. વકીલ નિલેશ ઓઝાએ આદિત્યના ઘરની બહાર નોટિસ પહોંચાડી હતી અને માફી તેમજ 500 કરોડ રૂપિયાના ડિમાન્ડ ડ્રાફ્ટની માગણી કરી હતી.</div><h2 style="text-align: justify;"><b>દિશા કેસમાં કાયદાકીય જંગ</b></h2><div style="text-align: justify;">દિશા સાલિયાન મોતના કેસમાં હવે કાયદાકીય લડાઈ તેજ થઈ ગઈ છે. દિશાના પિતા સતીશ સાલિયાને શિવસેના યુબીટી નેતા આદિત્ય ઠાકરેને 500 કરોડ રૂપિયાની બદનક્ષીની નોટિસ મોકલી છે. નોટિસમાં માફી અને વળતરની માગ કરવામાં આવી છે. વકીલ નિલેશ ઓઝાએ કહ્યું કે ધમકીઓ આપવાથી કાયદાની લડાઈ અટકશે નહીં. આ પહેલાં સતીશે કહ્યું હતું કે તેઓ કોઈ રાજકીય વ્યક્તિ નથી અને સીબીઆઈએ યોગ્ય રીતે તપાસ કરી છે. ઉદ્ધવ ઠાકરેએ પણ કાયદાકીય પગલાં લેવાની ચેતવણી આપી હતી.</div><h3 style="text-align: justify;"><b>સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ</b></h3><div style="text-align: justify;">નોટિસ પ્રમાણે આદિત્ય ઠાકરેએ 16 સપ્ટેમ્બર 2026 ના રોજ પોતાના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર અંગ્રેજી અને મરાઠીમાં ખોટી, ખરાબ ઈરાદાવાળી અને બદનક્ષી કરતી પોસ્ટ મૂકી હતી. આરોપ છે કે તેમાં સતીશ સાલિયાન પર રાજકીય હેતુ અને અંગત અદાવતના આક્ષેપ લગાવવામાં આવ્યા હતા. આ બધું તેમની દીકરીના મોત સાથે જોડાયેલી કાર્યવાહી અને સીબીઆઈ તપાસના સંદર્ભમાં કહેવામાં આવ્યું હતું. નોટિસમાં નુકસાની અને વળતર તરીકે 500 કરોડ રૂપિયા માગવામાં આવ્યા છે.</div><h3 style="text-align: justify;"><b>ઘરની બહાર નોટિસ પહોંચાડી</b></h3><div style="text-align: justify;">નોટિસ આપવા માટે વકીલ નિલેશ ઓઝા આદિત્ય ઠાકરેના ઘરની બહાર પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે તેમના એક જુનિયર વકીલ તે જ સમયે નોટિસ આપી રહ્યા હતા. નોટિસમાં માફી અને 500 કરોડ રૂપિયાના ડિમાન્ડ ડ્રાફ્ટની માગ છે. ઓઝાએ કહ્યું કે બંધારણમાં બધા સરખા છે. તેમના જણાવ્યા મુજબ તેમને વકીલાત ન કરવા દેવાની ધમકી આપવામાં આવી હતી, તેથી તેઓ સીધા દરવાજે નોટિસ આપવા આવ્યા હતા. તેમણે કહ્યું કે જેટલા મન ફાવે તેટલા ગુંડા બોલાવી લે, જે કરવું હોય તે કરી લે.</div><h4 style="text-align: justify;"><b>સતીશ સાલિયાનનો આકરો સવાલ</b></h4><div style="text-align: justify;">સતીશ સાલિયાને આદિત્યની કમેન્ટ પર કહ્યું હતું કે તેઓ રાજકીય વ્યક્તિ નથી અને તેમની દીકરી પણ રાજકારણમાં નહોતી. તેમણે સવાલ કર્યો કે શું બળાત્કાર અને હત્યા કરનારાઓએ નેતાઓને પૂછીને આવું કર્યું હતું? સીબીઆઈએ માનપૂર્વક વાત કરી અને કોઈ હેરાનગતિ કરી નથી. પરિવાર સાથે 4 કલાક પૂછપરછ થઈ, જે સારી રીતે પતી ગઈ. તેમણે સ્વીકાર્યું કે આગળ હજુ વધુ મુશ્કેલીઓ આવશે. બીજી તરફ આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું કે તેઓ દિશાને ક્યારેય મળ્યા નથી અને પુરાવા વગર તેમના નામનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે.&nbsp;</div><h5 style="text-align: justify;"><b>દિશા સાલિયાન મોત કેસ</b></h5><div style="text-align: justify;">દિશા 28 વર્ષની હતી અને સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર હતી. 8 જૂન 2020 ના રોજ મલાડની બિલ્ડિંગ પરથી પડી જવાથી તેનું મોત થયું હતું. પોલીસે તેને આત્મહત્યા ગણાવી હતી. 2 સપ્ટેમ્બરે હાઈકોર્ટે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો. સીબીઆઈએ કોઈ પણ આરોપીનું નામ લીધા વગર કેસ દાખલ કર્યો છે.</div><div style="text-align: justify;"><a href="https://sandesh.com/entertainment/news/kbc-18-kapila-taneja-story-amitabh-bachchan-emotional" target="_blank">આ પણ વાંચો-Big B : 'મને કેરોસીન છાંટી સળગાવી...' KBC 18ના મંચ પર મહિલાનું દર્દ છલકાતાં ભાવુક થયા બિગ બી, આપ્યું મોટું નિવેદન</a></div> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/w033t41ZJzGTwMYv0tzpU4DU381NYHhKeQ41xmCi.webp'/></item></channel></rss>