<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Vadodaraના વાઘોડિયામાં દીપડાનો આતંક યથાવત: પશુપાલકના વાછરડાનું કર્યું મારણ ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/leopard-terror-continues-in-vadodaras-waghodia-cattle-farmers-calf-killed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/leopard-terror-continues-in-vadodaras-waghodia-cattle-farmers-calf-killed</guid><pubDate>Sun, 16 Aug 2026 09:07:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલા દેવ નદી કિનારાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાનો ભારે આતંક જોવા મળી રહ્યો છે. વાઘોડિયાના મહાદેવપુરા ગામે રાત્રિના સમયે શિકારની શોધમાં આવી ચડેલા દીપડાએ એક પશુપાલકના વાછરડા પર પ્રાણઘાતક હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યું હતું. વાછરડાનું મારણ કર્યા બાદ દીપડો સીમ વિસ્તારમાંથી ભાગીને નજીકમાં આવેલા દેવ નદીના કોતરો અને ઝાડી-ઝાંખરા વાળા વિસ્તારમાં ગાયબ થઈ ગયો હતો.</p><h2 style="text-align: justify; "><b>એક જ પશુપાલકને બીજી વખત નિશાન બનાવતાં ચિંતા</b></h2><p style="text-align: justify; ">મહાદેવપુરા ગામના સ્થાનિક પશુપાલક મહેન્દ્રભાઈ નરોત્તમભાઈના પશુધનને દીપડાએ પોતાનો શિકાર બનાવ્યો હતો. ચોંકાવનારી બાબત એ છે કે અગાઉ પણ આ જ પશુપાલકના વાછરડાનું દીપડાએ મારણ કર્યું હતું. એક જ પશુપાલકના પશુઓને વારંવાર નિશાન બનાવવામાં આવતાં મહેન્દ્રભાઈ સહિત સમગ્ર ગામના પશુપાલકોમાં ભારે આર્થિક નુકસાનની સાથે ભારે ચિંતા અને ભયનું મોજું ફરી વળ્યું છે. રાત્રિના સમયે પશુઓની સુરક્ષાને લઈને માલધારીઓ અસમંજસમાં મુકાયા છે.</p><h3 style="text-align: justify; "><b>વન વિભાગને જાણ કરાતાં પાંજરું ગોઠવવા માંગ</b></h3><p style="text-align: justify; ">દેવ નદી કિનારાના વાઘોડિયા પંથકના ગામોમાં વારંવાર દીપડાની અવરજવર અને પશુઓના મારણની ઘટનાઓને પગલે સ્થાનિકોમાં ફાફડાટ વ્યાપી ગયો છે. ઘટના અંગે ગ્રામજનો દ્વારા તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી છે. સ્થાનિક રહીશો અને પશુપાલકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર આવીને તપાસ હાથ ધરે અને દેવ નદી કિનારે પાંજરું ગોઠવીને માનવભક્ષી કે હિંસક બનતા દીપડાને વહેલી તકે પાંજરે પૂરે, જેથી ગ્રામજનો અને પશુધનની સુરક્ષા જળવાઈ રહે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/NjLCxcj9AqUd1IO3C588puqAtkeancHenevMJcWl.webp'/></item><item><title><![CDATA[Petrol Diesel Price Today: પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી શૂન્ય, તો શું દેશમાં પેટ્રોલ ડિઝલ સસ્તું થયું? જાણો નવો રેટ ]]></title><link>https://sandesh.com/business/news/petrol-diesel-price-today-excise-duty-zero-rates</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/petrol-diesel-price-today-excise-duty-zero-rates</guid><pubDate>Sun, 16 Aug 2026 09:03:28 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કેન્દ્ર સરકારે તાજેતરમાં ઓઇલ કંપનીઓને મોટી રાહત આપતા પેટ્રોલ અને ડીઝલ પરના 'વિન્ડફોલ ટેક્સ' (અણધાર્યા કર) માં ધરખમ ઘટાડો કર્યો છે. આ નિર્ણય બાદ પેટ્રોલ પર લાગતી સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી (SAED) હવે સંપૂર્ણપણે શૂન્ય થઈ ગઈ છે. જોકે, આ સમાચાર સાંભળીને સામાન્ય જનતાએ ખુશ થવાની જરૂર નથી.</p><p style="text-align: justify; ">આ ટેક્સ કપાત છતાં સ્થાનિક છૂટક બજારમાં ઈંધણના ભાવમાં કોઈ જ ફેરફાર થયો નથી. પેટ્રોલ પંપ પર ગ્રાહકોએ હજુ પણ જૂના ભાવ જ ચૂકવવા પડશે. દાખલા તરીકે, આજે રવિવાર, ૧૬ ઓગસ્ટના રોજ રાજધાની દિલ્હીમાં ડીઝલની કિંમત પ્રતિ લિટર રૂ. 95.20 પર સ્થિર જોવા મળી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>આજના મુખ્ય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ (₹/લિટર)</b></h2><p style="text-align: justify; ">શહેર	પેટ્રોલ (₹)	ડીઝલ (₹)</p><p style="text-align: justify; ">નવી દિલ્હી	₹102.12	₹95.20</p><p style="text-align: justify; ">મુંબઈ	₹111.21	₹97.83</p><p style="text-align: justify; ">કોલકાતા	₹113.51	₹99.82</p><p style="text-align: justify; ">ચેન્નાઈ	₹107.77	₹99.55</p><h3 style="text-align: justify; "><b>ગુજરાતના મુખ્ય શહેરોના પેટ્રોલ અને ડીઝલના ભાવ(₹/લિટર)</b></h3><p style="text-align: justify; "><br></p><table class="table table-bordered"><tbody><tr><td>શહેર&nbsp;</td><td>&nbsp;પેટ્રોલ (₹)</td><td>ડીઝલ (₹)</td></tr><tr><td>અમદાવાદ&nbsp;</td><td>&nbsp;₹102.15</td><td>₹98.27</td></tr><tr><td>ગાંધીનગર&nbsp;</td><td>₹102.04&nbsp;</td><td>₹98.15</td></tr><tr><td>રાજકોટ&nbsp;</td><td>₹101.57&nbsp;</td><td>₹97.71</td></tr><tr><td>સુરત</td><td>&nbsp;₹101.66&nbsp;</td><td>₹97.79</td></tr><tr><td>વડોદરા&nbsp;</td><td>₹101.46&nbsp;</td><td>₹97.57</td></tr></tbody></table><h4 style="text-align: justify; "><b>તમારા શહેરના ભાવ કેવી રીતે તપાસશો?</b></h4><p style="text-align: justify; ">તમે તમારી અનુકૂળતા મુજબ નીચેના નંબર પર SMS કરીને તમારા શહેરના તાજા ભાવ જાણી શકો છો:</p><p style="text-align: justify; ">IOCL: 'RSP &lt;સ્પેસ&gt; &lt;સેન્ટર કોડ&gt;' લખીને 92249 92249 પર SMS કરો.</p><p style="text-align: justify; ">HPCL: 'HPPRICE &lt;સ્પેસ&gt; &lt;સેન્ટર કોડ&gt;' લખીને 92222 01122 પર SMS કરો.</p><p style="text-align: justify; ">BPCL: 'RSP &lt;સ્પેસ&gt; &lt;સેન્ટર કોડ&gt;' લખીને 92231 12222 પર SMS કરો.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/atal-bihari-vajpayee-8th-death-anniversary-tributes" target="_blank">આ પણ વાંચોઃ Delhi: અટલજીની 8મી પુણ્યતિથિ નિમિત્તે પીએમ મોદી અને રાષ્ટ્રપતિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી, Video</a></b></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/03/27/fRPOqM4VZpGd5fQDjor75kQ2r4sfn7A3Bwu5UloW.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: મુખ્યમંત્રી અમેરિકાના પ્રવાસે રવાના થયા, વાઈબ્રન્ટ સમિટ 2027 માટે રોકાણકારોને આમંત્રિત કરશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/cm-bhupendra-patel-begins-us-canada-tour-for-vibrant-gujarat-2027</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/cm-bhupendra-patel-begins-us-canada-tour-for-vibrant-gujarat-2027</guid><pubDate>Sun, 16 Aug 2026 09:02:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 17 થી 24 ઓગસ્ટ સુધી ઉચ્ચ અધિકારીઓ સાથે અમેરિકા અને કેનેડાના પ્રવાસે રવાના થયા છે.જે 2002 પછી યુ.એસ.ની મુલાકાતે જનારા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બન્યા છે.આ પ્રવાસનો મુખ્ય હેતુ વાયબ્રન્ટ ગુજરાત 2027 માટે વિદેશી રોકાણકારો, ઉદ્યોગપતિઓ અને ટેકનોલોજી લીડર્સને આકર્ષવાનો અને તેમને સમિટમાં ભાગ લેવાનું સત્તાવાર આમંત્રણ આપવાનો છે.</p><h2 style="text-align: justify; "><b>મુખ્યમંત્રી અમેરિકાના પ્રવાસે રવાના&nbsp;</b></h2><p style="text-align: justify; ">આ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી અમેરિકા અને કેનેડામાં વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત રોડ શૉ યોજવાની સાથે સ્થાનિક સરકારો, વેપાર, ઉદ્યોગ અને ગૃહ ક્ષેત્રના અગ્રણીઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો કરશે.આ ઉપરાંત, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ જ શૃંખલાના ભાગરૂપે આગામી સપ્ટેમ્બર મહિનામાં જાપાન અને યુરોપના પ્રવાસે જશે. સેન ફ્રાન્સિસ્કો ખાતે યોજાનારા ગુજરાતી ડાયસ્પોરાના વિશેષ કાર્યક્રમથી પોતાના પ્રવાસના કાર્યક્રમોની સત્તાવાર શરૂઆત કરશે.&nbsp;&nbsp;</p><h3 style="text-align: justify; "><b>10થી 12 જાન્યુઆરી દરમિયાન વાઈબ્રન્ટ ગુજરાત સમિટ</b></h3><p style="text-align: justify; ">આગામી 10 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનાર 'વાયબ્રન્ટ ગુજરાત 2027 સમિટ માટે રોકાણકારોને આકર્ષવા અને નિમંત્રણ પાઠવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ 24 ઓગસ્ટ સુધીના અમેરિકા અને કેનેડાના વિદેશ પ્રવાસે રવાના થયું છે. આ પ્રતિનિધિમંડળમાં મુખ્યમંત્રીની સાથે રાજ્યના મુખ્ય સચિવ એમ. કે. દાસ, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ સંજીવ કુમાર, અગ્ર સચિવ આલોક પાંડે, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા તેમજ ટી. નટરાજન જેવા ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા છે.<br><br><a href="http://Vadodara News: મકરપુરા એરફોર્સ રોડ પર ટ્રકની ટક્કરે યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત, 108 મોડી પહોંચતા લોકોમાં રોષ" target="_blank">આ પણ વાંચોઃ Gir Somnath News: રિસોર્ટના નામે ચાલતા ગોરખધંધા પર LCBની તવાઈ, અમદાવાદના 9 જુગારી ઝડપાયા</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/NJeS9AKIIhkR5DCdd77iOUGz9PMLOJqCtcIs5gpp.webp'/></item><item><title><![CDATA[Delhi: અટલજીની 8મી પુણ્યતિથિ નિમિત્તે પીએમ મોદી અને રાષ્ટ્રપતિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી, Video ]]></title><link>https://sandesh.com/india/news/atal-bihari-vajpayee-8th-death-anniversary-tributes</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/atal-bihari-vajpayee-8th-death-anniversary-tributes</guid><pubDate>Sun, 16 Aug 2026 08:49:07 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની ૮મી પુણ્યતિથિ પર સમગ્ર દેશ તેમને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. આ અવસરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક દિગ્ગજ નેતાઓએ તેમના સ્મારક "સદૈવ અટલ" પર પહોંચીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પીએમ મોદી પહેલાં, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન પણ સ્મારક પર ઉપસ્થિત રહ્યા હતા. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના અગ્રણીઓએ અટલજીને નમન કર્યા હતા.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2088821241646112935"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2 style="text-align: justify; "><b>અટલજીનું પ્રભાવશાળી વ્યક્તિત્વ અને કારકિર્દી</b></h2><p style="text-align: justify; ">અટલ બિહારી વાજપેયી ભારતીય રાજકારણના એવા પ્રભાવશાળી નેતા હતા જેમણે પોતાની વાક્પટુતા, સંવેદનશીલતા અને દીર્ઘદ્રષ્ટિથી દેશનું સફળ માર્ગદર્શન કર્યું હતું. તેમણે પોતાના શાસનકાળ દરમિયાન ત્રણ વખત દેશના વડા પ્રધાન તરીકે સેવા આપી હતી. તેમનો પ્રથમ કાર્યકાળ ૧૯૯૬માં ૧૩ દિવસ માટે રહ્યો હતો, ત્યારબાદ તેમણે ૧૯૯૮ થી ૧૯૯૯ દરમિયાન અને ત્યારબાદ ૧૯૯૯ થી ૨૦૦૪ સુધી પોતાનો સંપૂર્ણ કાર્યકાળ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>વડા પ્રધાન મોદી દ્વારા અપાઇ શ્રદ્ધાંજલિ</b></h3><p style="text-align: justify; ">વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શ્રદ્ધાંજલિ આપતા લખ્યું કે અટલજી એક અસાધારણ દ્રષ્ટિકોણવાળા રાજકારણી હતા, જેમણે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રની સેવા માટે સમર્પિત કરી દીધું હતું. તેમના વિચારો અને પ્રયત્નોએ અનેક પેઢીઓને પ્રેરણા આપી છે અને દેશને મજબૂત બનાવ્યો છે. સુશાસન અને જનકલ્યાણ પ્રત્યેનો તેમનો સમર્પિત ભાવ હંમેશાં માર્ગદર્શક બન્યો રહેશે.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2088816966735913375"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/narendramodi/status/2088800410664649152"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h4 style="text-align: justify; "><b>મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વિટર પર આપી શ્રદ્ધાંજલિ</b></h4><p style="text-align: justify; ">ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ X પર શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું હતું કે દેશભક્તિ, લોકશાહી મૂલ્યો અને આદર્શ રાજકારણના પ્રતિક અટલજીએ રાજકારણમાં નીતિશાસ્ત્ર અને રાષ્ટ્રસેવાના ઉચ્ચ માપદંડો સ્થાપિત કર્યા છે. તેમનું સમગ્ર જીવન 'રાષ્ટ્ર પ્રથમ' ની ભાવનાનું જીવંત ઉદાહરણ છે, જે દરેક નાગરિકને 'વિકસિત ભારત'ના નિર્માણ માટે સતત પ્રેરણા આપતું રહે છે.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/myogiadityanath/status/2088785764649959474"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/world/news/indonesia-earthquake-7-7-magnitude-deaths-displaced" target="_blank">આ પણ વાંચોઃ Indonesia Earthquake છેલ્લા 24 કલાકમાં 5 વખત ધરતી ધ્રૂજી, 2000 લોકો ઘર છોડવા મજબૂર</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/3ZHiwiPWHSfU1ryRzWFByyWcDg3OoLT4rnYE0qtJ.webp'/></item><item><title><![CDATA[Anandના ઉમરેઠ પંથકમાં મોડી રાત્રે મેઘમહેર: વાતાવરણમાં પ્રસરી આહલાદક ઠંડક ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/anand/cloudy-weather-late-at-night-in-umreth-parish-of-anand-pleasant-coolness-pervades-the-atmosphere</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/anand/cloudy-weather-late-at-night-in-umreth-parish-of-anand-pleasant-coolness-pervades-the-atmosphere</guid><pubDate>Sun, 16 Aug 2026 07:57:31 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હવામાનમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો છે. અસહ્ય ઉકળાટ અને બફારા બાદ મોડી રાત્રે આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને પવનના સપાટા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. મોડી રાત્રે શરુ થયેલા આ મેઘમહેરના કારણે ઉમરેઠ પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>બફારાથી મુક્તિ અને વાતાવરણમાં પ્રસરી ઠંડક</b></h2><p style="text-align: justify; ">છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાઈ રહેલી અસહ્ય ગરમી અને બફારા બાદ અચાનક વરસેલા આ ધોધમાર વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં એકદમ આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. રાત્રિના સમયે વાતાવરણમાં પલટો આવતાં અને ઠંડો પવન ફૂંકાતાં સ્થાનિક રહીશોને ભારે ઉકળાટમાંથી મોટી રાહત મળી હતી. સોડમભરી માટીની સુગંધ અને વરસાદી વાતાવરણના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.</p><h3 style="text-align: justify; "><b>ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં આનંદનો માહોલ</b></h3><p style="text-align: justify; ">મોડી રાત્રે વરસેલા આ ધોધમાર વરસાદથી સૌથી વધુ ખુશી જગતના તાત એવા ખેડૂતોમાં જોવા મળી રહી છે. ઉમરેઠ અને આસપાસના સીમ વિસ્તારોમાં વાવેતર કરેલા પાક માટે આ વરસાદ સંજીવની સમાન સાબિત થયો છે. ખેતીલાયક ઉત્તમ વરસાદ વરસવાના કારણે ઊભા પાકને મોટો ફાયદો થશે તેવી આશાએ ખેડૂતોના ચહેરા પર હરખની હેલી જોવા મળી રહી છે અને પંથકના ગ્રામીણ વિસ્તારોમાં આનંદનો માહોલ વ્યાપી ગયો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/G9aPqhOcexSg8kQm3CF6UCZcwSV7ZXT1DotluuSV.webp'/></item><item><title><![CDATA[Gujarat Weather News: રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતાઓ, આ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/heavy-rain-and-strong-winds-yellow-alert-in-districts</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/heavy-rain-and-strong-winds-yellow-alert-in-districts</guid><pubDate>Sun, 16 Aug 2026 07:44:56 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં ચોમાસાની ઋતુએ વધુ એક વખત જોર પકડ્યું છે.હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રાજ્યમાં એકસાથે 6 જેટલી અલગ-અલગ વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે.આ સાયક્લોનિક સરક્યુલેશન અને વરસાદી સિસ્ટમ્સના સંયુક્ત પ્રભાવ હેઠળ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસવાની પૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની તીવ્ર સંભાવનાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>રાજ્યમાં આ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર&nbsp;</b></h2><p style="text-align: justify; ">હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,આગામી દિવસોમાં રાજ્યમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જામશે.આ સમયગાળા દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ કલાકના 30થી 40 કિલોમીટર સુધી પહોંચી શકે છે.વરસાદના જોખમને જોતાં દરિયામાં ભારે કરંટ જોવા મળી શકે છે.સુરક્ષા અને સાવચેતીના ભાગરૂપે માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.દક્ષિણ ગુજરાત અને સરહદી જિલ્લાઓમાં વરસાદની તીવ્રતા વધુ રહેવાની આશંકા છે.હવામાન વિભાગે તાપી, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલી, નવસારી તેમજ વલસાડ જિલ્લામાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપ્યું છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પણ ગાજવીજ સાથે મુસળધાર વરસાદની સંભાવના હોવાથી યલો એલર્ટ જાહેર કરાયું છે.</p><h2 style="text-align: justify; "><b>લોકોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી</b></h2><p style="text-align: justify; ">હવામાન વિભાગના બુલેટિન અનુસાર, યલો એલર્ટ ધરાવતા વિસ્તારો સિવાય પણ રાજ્યના મોટાભાગના ભાગોમાં મેઘરાજા મહેરબાન રહેશે.ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને પાટણ જિલ્લામાં મેઘગર્જના સાથે વરસાદ વરસશે. આ સાથે જ મધ્ય અને પૂર્વ ગુજરાતના દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, મહીસાગર અને ભરૂચ જિલ્લાઓમાં પણ વિધિવત રીતે સાર્વત્રિક વરસાદી ઝાપટાં અને ભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે.સતત વધી રહેલી વરસાદી સિસ્ટમ્સને પગલે નીચાણવાળા વિસ્તારો તેમજ નદી-નાળાઓના કિનારે રહેતા લોકોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/crime/gir-somnath/lcb-raid-9-ahmedabad-gamblers-arrested-at-resort" target="_blank">આ પણ વાંચોઃ Gir Somnath News: રિસોર્ટના નામે ચાલતા ગોરખધંધા પર LCBની તવાઈ, અમદાવાદના 9 જુગારી ઝડપાયા</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/FFKgwUOcybn132dBKgEC8QhaHuersd4ZP05PEXaD.webp'/></item><item><title><![CDATA[Vadodara News: શાળાના રમતના મેદાનમાં ફૂટબોલ રમતા વિદ્યાર્થીને વીજ કરંટ લાગતા મોત નિપજ્યું ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/class-11-student-dies-of-electric-shock</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/class-11-student-dies-of-electric-shock</guid><pubDate>Sun, 16 Aug 2026 07:33:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલી જાણીતી ન્યુ ઇરા હાઇસ્કૂલના કેમ્પસમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.શાળાના રમતના મેદાનમાં મિત્રો સાથે ફૂટબોલ રમી રહેલા ધોરણ 11માં ભણતા એક વિદ્યાર્થીનું વીજ કરંટ લાગવાના કારણે અકાળે કરુણ મોત નીપજ્યું છે.આ ઘટનાને પગલે વિદ્યાર્થીના પરિવારજનોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને સમગ્ર શાળા પરિવાર તેમજ સ્થાનિક વિસ્તારમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>વીજળીનો જોરદાર આંચકો લાગ્યો</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ,ન્યુ ઇરા સ્કૂલમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી શાળાના મેદાનમાં પોતાના મિત્રો સાથે ફૂટબોલ રમી રહ્યો હતો.રમત દરમિયાન અચાનક બેલેન્સ ગુમાવવાના કારણે તે મેદાનની નજીક આવેલા વીજળીના એક થાંભલાને અડી ગયો હતો.એ થાંભલામાં ચોમાસા કે અન્ય કોઈ ટેકનિકલ ખામીના કારણે ઓપન વાયરિંગથી વીજ પ્રવાહ ઉતરેલો હતો.વિદ્યાર્થીએ થાંભલાને સ્પર્શ કરતાની સાથે જ તેને વીજળીનો જોરદાર આંચકો લાગ્યો હતો અને તે જમીન પર ઢળી પડ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>સારવાર મળે તે પહેલાં જ વિદ્યાર્થીએ દમ તોડ્યો</b></h2><p style="text-align: justify; ">ઘટના બનતાની સાથે જ સાથે રમી રહેલા અન્ય વિદ્યાર્થીઓ અને શાળાના કર્મચારીઓ દોડી આવ્યા હતા.તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.પરંતુ દુર્ભાગ્યવશ હોસ્પિટલ પહોંચે અને તબીબી સારવાર મળે તે પહેલાં જ ટૂંકી ક્ષણોમાં તેણે દમ તોડી દીધો હતો.તબીબોએ તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી આવ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ</b></h2><p style="text-align: justify; ">વિદ્યાર્થીના મૃતદેહને કાયદેસરની કાર્યવાહી અને પોસ્ટ મોર્ટમ અર્થે વડોદરાની એસ.એસ.જી.(SSG) સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.આ સમગ્ર મામલે ફતેગંજ પોલીસ સ્ટેશન દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. શાળા તંત્રની બેદરકારીના કારણે થાંભલામાં કરંટ ઉતર્યો હતો કે કેમ વાયરિંગમાં કોઈ ખુલ્લા તાર હતા કે નહીં તે તમામ પાસાઓ પર પોલીસ અને વિજ કંપનીના ટેકનિકલ સ્ટાફ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. એક આશાસ્પદ અને રમતગમતમાં રસ ધરાવતા નિર્દોષ બાળકના અકાળે થયેલા અવસાનથી વાલી પર આભ તૂટી પડ્યું છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/crime/gir-somnath/lcb-raid-9-ahmedabad-gamblers-arrested-at-resort" target="_blank">આ પણ વાંચોઃ Gir Somnath News: રિસોર્ટના નામે ચાલતા ગોરખધંધા પર LCBની તવાઈ, અમદાવાદના 9 જુગારી ઝડપાયા</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/16/nxOhzdrbrKoeApCM7l6DReSj1viDa79j1xLRgdyK.webp'/></item><item><title><![CDATA[16 August Top News: 16 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ ]]></title><link>https://sandesh.com/india/news/gujarat/16-august-top-news-updates-historical-events</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/gujarat/16-august-top-news-updates-historical-events</guid><pubDate>Sat, 15 Aug 2026 21:25:45 +05:30</pubDate><description><![CDATA[<p>16 ઓગસ્ટ 2026ના રોજ દેશભરમાં રાજકીય, પ્રશાસનિક અને સામાજિક ક્ષેત્રે અનેક મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ અને નીતિગત નિર્ણયો અમલી બની રહ્યા છે. રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાનને જાહેર જનતા માટે ખુલ્લું મુકવાથી લઈને 12 રાજ્યોમાં ભારે વરસાદનું રેડ-ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત, ખેડૂતો અને એલપીજી ગ્રાહકો માટે મહત્વપૂર્ણ સમયસીમા પૂર્ણ થઈ રહી છે.</p><h2><b>અમૃત ઉદ્યાનનું ઉદ્ઘાટન</b></h2><p>રાષ્ટ્રપતિ ભવન સ્થિત અમૃત ઉદ્યાનનો ગ્રીષ્મકાલીન વાર્ષિકોત્સવ 16 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર 2026 સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. મુલાકાતીઓ સોમવાર સિવાય દરરોજ સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી મુલાકાત લઈ શકશે.</p><h2><b>ઉપરાષ્ટ્રપતિનો તમિલનાડુ પ્રવાસ</b></h2><p>ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન 16-17 ઓગસ્ટ દરમિયાન તમિલનાડુના બે દિવસીય પ્રવાસે રહેશે. આ દરમિયાન તેઓ ચેન્નઈ, તંજોર સહિત વિવિધ સ્થળોએ શૈક્ષણિક અને સાહિત્યિક કાર્યક્રમોમાં હાજરી આપશે.</p><h2><b>અમિત શાહનો રાજસ્થાન પ્રવાસ</b></h2><p>કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નિમ્બાહેડા અને અલવરમાં રૂ. 6262 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ 16 ઓગસ્ટના રોજ કરશે. આ સિવાય તેઓ અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનું અનાવરણ પણ કરશે.</p><h2><b>UGC-NET 2026 આન્સર કી</b></h2><p>રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (NTA) દ્વારા UGC-NET 2026ની કામચલાઉ (Provisional) આન્સર કી 16 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવશે, જેનાથી ઉમેદવારો પોતાના ગુણનું આકલન કરી શકશે.</p><h2><b>હિમાચલ પ્રદેશમાં 'આપણા સુખી પરિવાર' યોજના</b></h2><p>મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂ નાદોનમાં 16 ઓગસ્ટના રોજ અતિ ગરીબ પરિવારો સાથે સીધો સંવાદ કરશે, જેના આધારે રાજ્યમાં 'મુખ્યમંત્રી આપણું સુખી પરિવાર યોજના'નો રોડમેપ તૈયાર કરાશે.</p><h2><b>મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 16 ઓગસ્ટે અમેરિકા જવા રવાના થશે</b></h2><p>ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 17થી 24 ઓગસ્ટ સુધી અમેરિકા અને કેનેડાના પ્રવાસે જશે. 25 વર્ષ પછી કોઈ વર્તમાન સીએમનો આ પ્રથમ યુએસ પ્રવાસ છે, જે વાઇબ્રન્ટ ગુજરાત 2027 માટે યોજાઈ રહ્યો છે. તેઓ 16 ઓગસ્ટના રોજ વહેલી સવારે અમેરિકા જવા માટે રવાના થશે.</p><h2><b>પશ્ચિમ બંગાળમાં 'આયુષ્માન દિવસ'</b></h2><p>પશ્ચિમ બંગાળ સરકારે 16 ઓગસ્ટના રોજ યોજાતા 'ખેલા હોબે દિવસ'ને રદ્દ કરીને તેની જગ્યાએ સમગ્ર રાજ્યમાં 'આયુષ્માન દિવસ' ઉજવવાની જાહેરાત કરી છે.</p><h2><b>દિલ્હીમાં 'સહેલી પિંક સ્માર્ટ કાર્ડ'</b></h2><p>દિલ્હી DTC બસોમાં મહિલાઓ માટેની મફત યાત્રા માટે 16 ઓગસ્ટથી 'સહેલી પિંક સ્માર્ટ કાર્ડ' ફરજિયાત બનાવવામાં આવ્યું છે, જેનાથી પેપર ટિકિટની વ્યવસ્થા બંધ થશે.</p><h2><b>SADની 'પંજાબ બચાવો' રેલી</b></h2><p>શિરોમણી અકાલી દળ (SAD) દ્વારા ફિરોઝપુરના ગુરુહર સહાયથી 'પંજાબ બચાવો' ઝુંબેશના બીજા તબક્કાની શરૂઆત 16 ઓગસ્ટથી કરવામાં આવશે.</p><h2><b>પીએમ ફસલ વીમા યોજનાની મુદત લંબાઈ</b></h2><p>ખરીફ 2026 પાક વીમા યોજના હેઠળ રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ લંબાવીને 16 ઓગસ્ટ કરવામાં આવી છે, જેનાથી લાખો ખેડૂતોને પાક નુકસાની સામે રક્ષણ મળશે.</p><h2><b>પટનામાં પપ્પુ યાદવની ભૂખ હડતાળ</b></h2><p>બિહારમાં કાયદો-વ્યવસ્થા અને વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને સાંસદ પપ્પુ યાદવ 16 ઓગસ્ટના રોજ પટનામાં એક દિવસીય ભૂખ હડતાળ કરશે.</p><h2><b>12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ</b></h2><p>હવામાન વિભાગે 16 ઓગસ્ટના રોજ દિલ્હી, યુપી, બિહાર અને રાજસ્થાન સહિત 12 રાજ્યોમાં 80 કિમી/કલાકની ઝડપે પવન અને ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.</p><h2><b>પશ્ચિમ બંગાળમાં આયુષ્માન ભારત યોજના</b></h2><p>16 ઓગસ્ટ 2026થી પશ્ચિમ બંગાળમાં 'આયુષ્માન ભારત PM-JAY' યોજના સત્તાવાર રીતે લાગુ થશે, જેનાથી રાજ્યના 1.5 કરોડ પરિવારોને આરોગ્ય કવચ મળશે.</p><h2><b>ફોરેન એસેટ્સ ડિસ્કલોઝર સ્કીમ</b></h2><p>આવકવેરા વિભાગ દ્વારા ના નાના કરદાતાઓ માટે વિદેશી સંપત્તિ જાહેર કરવાની વિશેષ યોજના 16 ઓગસ્ટથી ખુલ્લી મૂકવામાં આવી રહી છે.</p><h2><b>લાલપુરમાં વીજ પુરવઠો બંધ રહેશે</b></h2><p>PGVCL દ્વારા કેબલ બદલવાની કામગીરીના કારણે જામનગરના લાલપુર શહેરમાં 16 ઓગસ્ટે સવારે 8:30 થી 11:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.</p><h2><b>LPG ગ્રાહકો માટે e-KYC ની મુદત</b></h2><p>ગેસ સિલિન્ડર પર સબસિડી ચાલુ રાખવા માટે તમામ LPG અને ઉજ્જવલા યોજનાના ગ્રાહકોએ 16 ઓગસ્ટ સુધીમાં e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત છે.</p><h2><b>ઉત્તરાખંડમાં ભારે વરસાદની સાવચેતી</b></h2><p>હવામાન વિભાગ (IMD) દ્વારા ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં 16 ઓગસ્ટે અતિભારે વરસાદ અને ભૂસ્ખલનની ચેતવણી આપવામાં આવી છે.</p><h2><b>1946નો ડાયરેક્ટ એક્શન ડે</b></h2><p>16 ઓગસ્ટ 1946ના રોજ મુસ્લિમ લીગ દ્વારા અલગ પાકિસ્તાનની માંગ સાથે 'ડાયરેક્ટ એક્શન ડે'નું આહ્વાન કરાયું હતું, જેના કારણે કલકત્તામાં ભયાનક કોમી રમખાણો થયા હતા.</p><h2><b>લાલ કિલ્લા પર પ્રથમ ધ્વજવંદન (1946)</b></h2><p>દેશ 15 ઓગસ્ટે આઝાદ થયો હતો, પરંતુ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર પંડિત જવાહરલાલ નેહરુ દ્વારા પ્રથમ વખત તિરંગો 16 ઓગસ્ટ 1947ના રોજ સવારે 8:30 વાગ્યે ફરકાવવામાં આવ્યો હતો.</p><h2><b>16 ઓગસ્ટની ઐતિહાસિક ઘટનાઓ</b></h2><ul><li>1691 - વર્જિનિયાના યોર્કટાઉન શહેરની સ્થાપના થઈ.</li><li>1777 - બેનિંગ્ટનના યુદ્ધમાં અમેરિકાએ બ્રિટિશ સેનાને પરાજય આપ્યો.</li><li>1787 - તુર્કીએ રશિયા સામે યુદ્ધની ઘોષણા કરી.</li><li>1896 - કેનેડાની ક્લોન્ડાઇક નદીમાંથી સોનું મળી આવતા ઐતિહાસિક 'ગોલ્ડ રશ' શરૂ થયો.</li><li>1906 - ચિલીમાં 8.6 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ આવ્યો.</li><li>1924 - નેધરલેન્ડ અને તુર્કી વચ્ચે શાંતિ કરાર પર હસ્તાક્ષર થયા.</li><li>1943 - બલ્ગેરિયાના જાર બોરિસ તૃતીયે એડોલ્ફ હિટલર સાથે મુલાકાત કરી.</li><li>1946 - મુસ્લિમ લીગના ડાયરેક્ટ એક્શન ડેના કારણે કલકત્તામાં ભયાનક રમખાણો ફાટી નીકળ્યા.</li><li>1947 - દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ લાલ કિલ્લા પરથી પ્રથમ વખત તિરંગો ફરકાવ્યો.</li><li>1962 - પોંડિચેરી (પુડુચેરી) સત્તાવાર રીતે ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો.</li><li>1979 - મચ્છુ ડેમ અસરોના પાયમાલી બાદ મોરબી શહેરમાં રાહત કાર્યો શરૂ થયા.</li><li>1990 - ચીને લોપ નોર ખાતે પ્રથમ પરમાણુ પરીક્ષણ કર્યું.</li><li>1997 - સુપ્રસિદ્ધ કવાલી ગાયક નુસરત ફતેહ અલી ખાનનું અવસાન થયું.</li><li>2000 - રશિયાની પરમાણુ સબમરીન બારન્ટ્સ સમુદ્રમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ.</li><li>2003 - લિબિયાએ લોકરબી બોમ્બ ધડાકાની જવાબદારી સ્વીકારી.</li><li>2004 - ઓસ્ટ્રેલિયા અને અમેરિકાએ ઓલિમ્પિક નોકાયાનમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.</li><li>2006 - સંયુક્ત રાષ્ટ્રએ હૈતીમાં પોતાના મિશનનો સમયગાળો લંબાવ્યો.</li><li>2008 - જમ્મુમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા અને UN શાંતિ પુરસ્કાર ભારતીય અધિકારીઓને મળ્યો.</li><li>2012 - ઇક્વાડોરે વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાંજેને રાજકીય આશ્રય આપ્યો.</li></ul><h2><b>16 ઓગસ્ટના રોજ મહાન હસ્તીઓની જન્મજયંતિ</b></h2><ul><li>1904 - સુભદ્રા કુમારી ચૌહાણ - સ્વતંત્રતા સેનાની અને પ્રખ્યાત કવિયત્રી.</li><li>1918 - ટી. ગણપતિ - બીજી લોકસભાના સભ્ય.</li><li>1920 - કોટલા વિજય ભાસ્કર રેડ્ડી - આંધ્ર પ્રદેશના 9મા મુખ્યમંત્રી.</li><li>1928 - રજની કોઠારી - જાણીતા શિક્ષણશાસ્ત્રી અને રાજકીય વિશ્લેષક.</li><li>1951 - ડેવિડ ધવન - બોલિવૂડના જાણીતા નિર્દેશક.</li><li>1954 - જેમ્સ કેમેરોન - 'ટાઇટેનિક' અને 'અવતાર' ફેમ હોલીવુડ ડિરેક્ટર.</li><li>1958 - મેડોના - વિશ્વપ્રસિદ્ધ 'ક્વીન ઓફ પોપ' ગાયિકા.</li><li>1968 - અરવિંદ કેજરીવાલ - આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ CM.</li><li>1970 - સૈફ અલી ખાન - બોલિવૂડ અભિનેતા.</li><li>1970 - મનીષા કોઈરાલા - જાણીતી બોલિવૂડ અભિનેત્રી.</li><li>2001 - લક્ષ્ય સેન - ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડી.</li></ul><h2><b>16 ઓગસ્ટના રોજ મહાન હસ્તીઓની પુણ્યતિથિ</b></h2><ul><li>1977 - એલ્વિસ પ્રેસ્લી - પ્રખ્યાત અમેરિકન ગાયક ('કિંગ ઓફ રોક એન્ડ રોલ').</li><li>1991 - સી. અચ્યુત મેનન - કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી.</li><li>1997 - નુસરત ફતેહ અલી ખાન - મહાન સૂફી અને કવાલી ગાયક.</li><li>2001 - અન્ના મણિ - ભારતીય ભૌતિક અને હવામાનશાસ્ત્રી.</li><li>2004 - રામચંદ્ર વીરપ્પા - સ્વાતંત્ર્ય સેનાની અને 7 વખત લોકસભાના સાંસદ.</li><li>2016 - ગુરદયાલ સિંહ - જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા પંજાબી લેખક.</li><li>2018 - અટલ બિહારી વાજપેયી - ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન.</li><li>2018 - આરેથા ફ્રેન્કલિન - અમેરિકાના સુપ્રસિદ્ધ ગાયિકા ('ક્વીન ઓફ સોલ').</li><li>2020 - ચેતન ચૌહાણ - ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને રાજકારણી.</li></ul><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/10-important-news-stories-of-the-day-on-august-15" target="_blank">15 ઓગસ્ટના દિવસભરના 10 મહત્વના સમાચાર</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/15/x6gUXUNfQlmJgaud7Okq7uTGMguZbITXSvU2iSgW.webp'/></item><item><title><![CDATA[Hockey World Cup 2026: કેપ્ટન હરમનપ્રીતના 2 ગોલ, ભારતે વેલ્સને 3-1 થી ચટાડી ધૂળ ]]></title><link>https://sandesh.com/sports/news/hockey-world-cup-2026-india-beat-wales-3-1-in-pool-d-opener</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/hockey-world-cup-2026-india-beat-wales-3-1-in-pool-d-opener</guid><pubDate>Sat, 15 Aug 2026 19:12:30 +05:30</pubDate><description><![CDATA[<p>લ્જિયમ અને નેધરલેન્ડ્સની સંયુક્ત મેજબાની હેઠળ શરૂ થયેલા હોકી વર્લ્ડ કપ 2026 માં ભારતીય પુરુષ હોકી ટીમે અપેક્ષા મુજબનો આક્રમક પ્રારંભ કર્યો છે. 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના પાવન અવસરે પૂલ-ડી ના પ્રથમ મુકાબલામાં ભારતે શરુઆતથી જ વેલ્સ પર દબાણ બનાવી રાખ્યું હતું.</p><h2><b>પૂલ-ડી ની પ્રથમ મેચમાં વેલ્સને 3-1 થી હરાવ્યું</b></h2><p>મેચની 8મી મિનિટે ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો હતો, જેને યુવા ડિફેન્ડર સંજયે શાનદાર ડ્રેગ-ફ્લિક વડે ગોલ બોક્સના ખૂણામાં ધકેલીને ભારતને 1-0 ની બઢત અપાવી હતી. ત્યારબાદ 11મી મિનિટે કેપ્ટન હરમનપ્રીત સિંહે વધુ એક પેનલ્ટી કોર્નરને કન્વર્ટ કરીને ટીમની લીડ 2-0 કરી દીધી હતી. બીજા ક્વાર્ટરમાં વેલ્સે મજબૂત ડિફેન્સ બતાવી ભારતીય એટેકર્સ સૂરજ કરકેરા અને મોહિતના પ્રયાસો નિષ્ફળ બનાવ્યા હતા, જેથી હાફ ટાઇમ સુધી સ્કોર 2-0 રહ્યો હતો.</p><h3><b>કેપ્ટન હરમનપ્રીત સિંહના 2 શાનદાર ગોલ</b></h3><p>બીજા હાફમાં પણ ભારતીય ટીમે મિડફિલ્ડ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. ત્રીજા ક્વાર્ટરમાં ભારતીય ટીમે ઉત્કૃષ્ટ ફિલ્ડ પ્લેનું પ્રદર્શન કર્યું હતું, જેમાં કેપ્ટન હરમનપ્રીતે મેચનો પોતાનો બીજો અને ભારતનો ત્રીજો ગોલ કરીને સ્કોર 3-0 કરી દીધો હતો.ચની 56મી મિનિટે વેલ્સે કાઉન્ટર એટેક કરીને એક શાનદાર ફિલ્ડ ગોલ ફટકારી સ્કોર 3-1 કર્યો હતો. છેલ્લી મિનિટોમાં વેલ્સે વધુ ગોલ કરવાના પ્રયાસો કર્યા પરંતુ ભારતીય ડિફેન્સ લાઇન અને ગોલકીપરે તેમના તમામ હુમલા નિષ્ફળ બનાવી 3-1 થી જીત સુનિશ્ચિત કરી લીધી હતી.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/lunavada/bakshipanch-hostel-6-students-hospitalised-due-to-food-poisoning" target="_blank">આ પણ વાંચો: Lunavada: બક્ષીપંચ કુમાર છાત્રાલયના 6 બાળકોને ફૂડ પોઇઝનિંગ; 108 મારફતે હોસ્પિટલમાં દાખલ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/15/8tDyjJR9VJvQQprJj5ZHzlMCNDluA2zLuRaN0lpd.webp'/></item><item><title><![CDATA[Bollywood Actress : મેલબોર્નની ધરતી પર રાની મુખર્જીનો ડંકો, ડોક્ટરેટની ડિગ્રી મળતા જ છલકાયા એક્ટ્રેસના આંસુ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/rani-mukerji-melbourne-honorary-doctorate</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/rani-mukerji-melbourne-honorary-doctorate</guid><pubDate>Sat, 15 Aug 2026 17:38:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડએક્ટ્રેસ રાની મુખર્જીએ પોતાની કારકિર્દીમાં વધુ એક ગૌરવભર્યું પાનું ઉમેર્યું છે. મેલબોર્નના ફેડરેશન સ્ક્વેર ખાતે યોજાયેલા ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન 2026ના ખાસ સમારોહ દરમિયાન ઓસ્ટ્રેલિયાની જાણીતી લા ટ્રોબ યુનિવર્સિટીએ તેમને ડોક્ટરેટ ઓફ લેટર્સની માનદ પદવીથી સન્માનિત કરી. આ ગૌરવપૂર્ણ ક્ષણે રાની ખૂબ જ ભાવુક જોવા મળી હતી અને તેમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. ભારતીય સિનેમામાં લગભગ 3 દાયકાના તેમના મહત્વપૂર્ણ યોગદાન ઉપરાંત મહિલાઓ, બાળકો અને વંચિત વર્ગોના અધિકારો માટે તેમના સતત પ્રયાસોને માન્યતા આપવા બદલ આ સન્માન આપવામાં આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>શાહરુખ ખાન બાદ આ સન્માન મેળવનારી બીજી ભારતીય</b></h2><p style="text-align: justify; ">આ સર્વોચ્ચ પદવી મેળવ્યા બાદ રાની મુખર્જી દેશની બીજી એવી ફિલ્મ હસ્તી બની છે, જેને લા ટ્રોબ યુનિવર્સિટીએ આ સન્માન આપ્યું છે. તેમના પહેલાં વર્ષ 2019માં બોલિવૂડના 'કિંગ ખાન' એટલે કે શાહરુખ ખાનને સિનેમા અને સામાજિક કાર્યોમાં તેમના યોગદાન માટે આ માનદ પદવી આપવામાં આવી હતી. ત્યારબાદ યુનિવર્સિટીએ તેમના નામે પીએચડી સ્કોલરશિપ પણ શરૂ કરી હતી. રાનીએ આ સિદ્ધિને પોતાના જીવનની સૌથી વિનમ્ર અને ગર્વથી ભરેલી ક્ષણોમાંથી એક ગણાવી છે.</p><h3 style="text-align: justify; "><b>બાળપણના સપનાથી સિનેમાની સફર સુધી</b></h3><p style="text-align: justify; ">સમારોહ દરમિયાન પોતાની જીવન સફરને યાદ કરતાં એક્ટ્રેસે કહ્યું કે બાળપણમાં દરેક બાળકની જેમ તેમનું પણ સપનું હતું કે તેઓ પોતાના માતા-પિતા અને દેશનું નામ રોશન કરે. તે સમયે તેમને આ સપનું કેવી રીતે પૂરું કરવું તેની ખબર નહોતી, પરંતુ તેમને એટલો વિશ્વાસ હતો કે જો તેઓ કોઈ કામ પૂરી નિષ્ઠાથી કરશે તો તેમના માતા-પિતાને ગર્વ થશે. આગળ જતાં સિનેમા તેમના આ સપનાને પૂરું કરવાનું મુખ્ય માધ્યમ બન્યું. તેમણે જણાવ્યું કે તેઓ શરૂઆતથી જ જોખમ લેતી એક્ટ્રેસ રહી છે અને હંમેશાં એવી વાર્તાઓ પસંદ કરી છે, જેણે પહેલાં તેમના દિલને સ્પર્શ કર્યો હોય અને સમાજને પ્રેરણા આપી હોય.</p><h3 style="text-align: justify; "><b>સંસ્કૃતિ અને સામાજિક જવાબદારીનું માધ્યમ</b></h3><p style="text-align: justify; ">રાની મુખર્જી માને છે કે એક્ટિંગ માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી, પરંતુ કલાકારોની પોતાની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરવાની એક શાંત જવાબદારી પણ હોય છે. તેમનું માનવું છે કે ફિલ્મોમાં લોકોનું મન બદલતા પહેલાં તેમના દિલને બદલવાની તાકાત હોય છે. જો તેમની એક્ટિંગે દુનિયાભરમાં કોઈ એક વ્યક્તિને પણ ભારત અને અહીંની મહિલાઓના સંઘર્ષને વધુ સારી રીતે સમજવામાં મદદ કરી હોય, તો તેઓ માને છે કે તેમની કલાકાર તરીકેની જવાબદારી પૂરી થઈ છે.</p><h4 style="text-align: justify; "><b>સામાજિક બદલાવ પર આધારિત દમદાર એક્ટિંગ</b></h4><p style="text-align: justify; ">લા ટ્રોબ યુનિવર્સિટીના કુલાધિપતિ જ્હોન બ્રમ્બી એઓએ રાનીના યોગદાનની પ્રશંસા કરતાં કહ્યું કે તેમની ફિલ્મોએ માત્ર મનોરંજન જ નથી કર્યું, પરંતુ સામાજિક ન્યાય, સમાનતા અને દરેકને સાથે લઈને ચાલવા જેવા મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા પણ શરૂ કરી છે. રાનીએ 'બ્લેક', 'નો વન કિલ્ડ જેસિકા', 'હિચકી', 'મર્દાની' સિરીઝ અને 'મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વે' જેવી ફિલ્મો દ્વારા દિવ્યાંગતા, મહિલા સશક્તિકરણ અને માનવ અધિકારો સાથે જોડાયેલા ગંભીર મુદ્દાઓને મોટા પડદા પર ખૂબ જ ઈમાનદારીથી રજૂ કર્યા છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DcAsBaGzInE/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DcAsBaGzInE/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DcAsBaGzInE/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DcAsBaGzInE/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>દેશ અને દર્શકોને સમર્પિત કર્યું સન્માન</b></h4><p style="text-align: justify; ">આ માનદ પદવી સ્વીકારતી વખતે રાની મુખર્જીએ આ સન્માન સમગ્ર ભારત અને દુનિયાભરમાં ફેલાયેલા પોતાના દર્શકોને સમર્પિત કર્યું. તેમણે કહ્યું કે તેઓ આ ડોક્ટરેટ માત્ર રાની તરીકે નહીં, પરંતુ એક ગર્વિત ભારતીય તરીકે સ્વીકારી રહી છે, જેની સંસ્કૃતિને આજે વિદેશની ધરતી પર સન્માન મળી રહ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી કે સિનેમા આ જ રીતે 2 દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા અને સાંસ્કૃતિક અંતર ઘટાડવાનું કામ કરતું રહેશે.</p><h5 style="text-align: justify; "><b>'મર્દાની 3' સાથે મોટા પડદા પર વાપસી</b></h5><p style="text-align: justify; ">કામની વાત કરીએ તો રાની મુખર્જી હાલમાં 'મર્દાની 3'માં જોવા મળી હતી. આ ફિલ્મનું ડાયરેક્શન અભિરાજ મીનાવાલાએ કર્યું છે અને આદિત્ય ચોપડાએ તેનું નિર્માણ કર્યું છે. ફિલ્મમાં તે ફરી એકવાર બહાદુર IPS અધિકારી શિવાની શિવાજી રોયની પોતાની જાણીતી ભૂમિકામાં જોવા મળી છે. ફિલ્મમાં તેમની સાથે જાનકી બોડિવાલા અને મલ્લિકા પ્રસાદે પણ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. આ વખતે વાર્તા 3 મહિનામાં ગુમ થયેલી 93 યુવતીઓની તપાસની આસપાસ ફરે છે, જેમાં શિવાની એક ખતરનાક અને સંગઠિત માનવ તસ્કરીના નેટવર્કનો પર્દાફાશ કરે છે. ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો અને ક્રિટિક્સે પણ તેની પ્રશંસા કરી હતી. આ ફિલ્મ તમે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર જોઈ શકો છો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/trisha-krishnan-attends-vijays-flag-hoisting-ceremony" target="_blank">આ પણ વાંચો-CM Vijayના ફ્લેગ હોસ્ટિંગ સેરેમનીમાં સજી-ધજીને પહોંચી ત્રિશા કૃષ્ણન! યુઝર્સે પૂછ્યું- પત્ની સંગીતા ક્યાં?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/15/A9DbOOrI16CH1Q39LotCyLNTr1OWEv0yCIsO3vzM.webp'/></item></channel></rss>