<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Patan News: ભાવનગર બાદ હવે પાટણમાં લઠ્ઠાકાંડની આશંકા, બે મોત થયા બાદ LCB પર ધારાસભ્યનો સીધો આક્ષેપ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/patan/latha-kand-chanasma-bhatsar-liquor-death-mda-allegation-lcb</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/patan/latha-kand-chanasma-bhatsar-liquor-death-mda-allegation-lcb</guid><pubDate>Mon, 31 Aug 2026 12:50:28 +05:30</pubDate><description><![CDATA[<p>રાજ્યમાં ભાવનગર લઠ્ઠાકાંડની શાહી હજુ પૂરી સુકાઈ નથી, ત્યાં પાટણ જિલ્લામાંથી દારૂના દૂષણને કારણે વધુ બે યુવકે જીવ ગુમાવ્યો હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. ચાણસ્મા તાલુકાના ભાટસર ગામના 40 વર્ષીય યુવક અને  35 વર્ષીય યુવકનું મોત દારૂ પીવાના કારણે નીપજ્યું છે. ગેરકાયદેસર રીતે કેનાલ પર વેચાતા ઝેરી દારૂના કારણે જ આ બે યુવકનો જીવ ગયો હોવાનો સનસનાટીભર્યો આક્ષેપ મૃતકના પરિવારજનોએ કર્યો છે. નાની વયે પરિવારના મુખ્ય કમાનાર મોભીનું છત્ર છીનવાઈ જતાં પીડિત પરિવાર પર આભ તૂટી પડ્યું છે.</p><h2><b>ચાણસ્માના ભાટસર અને ઈટોદા ગામના 2 યુવાનોએ જીવ ગુમાવ્યો</b></h2><p>મળતી વિગતો મુજબ, પ્રથમ ઘટના ચાણસ્મા તાલુકાના ભાટસર ગામમાં બની હતી, જ્યાં 40 વર્ષીય યુવકનું દારૂ પીવાના કારણે મોત નીપજ્યું હતું. આ બનાવની ગંભીરતા વચ્ચે ઈટોદા ગામના અન્ય એક 35 વર્ષીય યુવકનું પણ દારૂ પીવાથી મોત થતાં હાહાકાર મચી ગયો છે. મૃતક યુવકના પરિવારજનોના જણાવ્યા મુજબ, તેણે પહેલીવાર જ દારૂ પીધો હતો અને કેનાલ પર ખુલ્લેઆમ વેચાતા દારૂના કારણે તેનો જીવ ગયો છે. નાની વયે જ પરિવારના મોભી અને 2 નાના બાળકોના પિતાનું અવસાન થતાં બંને પરિવારો વેરવિખેર થઈ ગયા છે.</p><p><img alt="Patan News: Alcohol Death, 40-Year-Old Dies in Chanasma; MLA Alleges LCB Corruption" src="https://epapercdn.sandesh.com/images/2026/08/31/mgCLYzSf4YYukXZHfMTiR940vvIr7EKBcbjzO41E.webp" style="width: 100%;"><br></p><h2><b>કેનાલ પર 150 થી 200 યુવાનોની લાઈન, ધારાસભ્યનો સ્ફોટક પર્દાફાશ</b></h2><p>ઘટનાની જાણ થતાં જ ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોર પીડિત પરિવારોની મુલાકાતે પહોંચ્યા હતા. પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ તેમણે તંત્ર સામે અત્યંત ગંભીર આરોપો લગાવતા પર્દાફાશ કર્યો હતો કે, ચાણસ્માના ભાટસર પાસે આવેલી કેનાલ પર રોજ 150 થી 200 જેટલા યુવાનો દારૂ ખરીદવા માટે લાઈનમાં ઊભા રહે છે. ગામડે-ગામડે દારૂનું બેફામ વેચાણ થઈ રહ્યું હોવા છતાં પોલીસ આંખ આડા કાન કરી રહી છે.</p><h2><b>LCB અને પોલીસ અધિકારીઓ પર હપ્તા વસૂલીના આક્ષેપ</b></h2><p>ધારાસભ્ય દિનેશ ઠાકોરે પાટણ LCB અને સ્થાનિક પોલીસ તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સીધો આરોપ લગાવ્યો છે કે, LCB PI આર. જી. ઉનાગર અને કન્સ્ટેબલ કેતન પટેલની રહેમનજર અને હપ્તાખોરી હેઠળ જ દારૂ અને જુગારનો અડ્ડો ચાલી રહ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે, PI આર. જી. ઉનાગરની ભાવનગર ખાતે બદલી થઈ ગઈ હોવા છતાં તેઓ હજુ પણ પાટણ LCBનો ચાર્જ સંભાળી રહ્યા છે.</p><h2><b>DYCM હર્ષ સંઘવી સામે સવાલ અને આરપારની લડાઈની ચેતવણી</b></h2><p>પોલીસે દારૂના અડ્ડાઓ બંધ કરાવવાને બદલે હપ્તાના દર વધારી દીધા છે, જેના કારણે બુટલેગરોએ દારૂના ભાવ વધારી દીધા હોવાનો સ્ફોટક દાવો પણ ધારાસભ્યએ કર્યો છે. આ મુદ્દે DGP અને SPને રૂબરૂ રજૂઆતો કરવા છતાં કોઈ આકરી કાર્યવાહી કરવામાં આવી નથી. ધારાસભ્યએ DYCM હર્ષ સંઘવી સામે સવાલ ઉઠાવ્યો હતો કે, સરકારના કડક આદેશો છતાં પોલીસ કેમ દારૂ બંધ નથી કરાવતી? તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, જો તંત્ર પગલાં નહીં લે તો તેઓ પોતે ગામડે-ગામડે જઈને બુટલેગરો સામે જનતા રેડ અને વ્યાપક ઝુંબેશ ચલાવશે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/patan/patan-santalpur-vauva-village-fox-attack-20-injured" target="_blank">Patan: સાંતલપુરના વૌવા ગામમાં શિયાળનો આતંક, 20થી વધુ લોકોને ઈજા, વન વિભાગની તપાસ શરૂ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/31/j1h3NxkiDGfs7BWMhFXz4GFcteS6hL0nSNLp5SdB.webp'/></item><item><title><![CDATA[Madhya Pradesh : ચિત્રકૂટમાં પૂરનો કહેર, ડોડા ડેમ ઓવરફ્લો થતા અનેક ગામો અને રેલવે ટ્રેક ડૂબ્યા ]]></title><link>https://sandesh.com/india/news/mp-floods-chitrakoot-doda-dam-railway-submerged</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/mp-floods-chitrakoot-doda-dam-railway-submerged</guid><pubDate>Mon, 31 Aug 2026 12:49:39 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મધ્યપ્રદેશના ચિત્રકૂટ અને સતના જિલ્લામાં સતત ભારે વરસાદને કારણે પૂર જેવી અત્યંત ગંભીર સ્થિતિ સર્જાઈ છે. મંદાકિની નદીનું જળસ્તર ભયજનક સપાટીને વટાવી જતાં સામાન્ય જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ કુદરતી આફતને કારણે રામઘાટ સહિત આસપાસના બાર ગામોને ભારે અસર પહોંચી છે.</p><h2 style="text-align: justify; "><b>ડોડા ડેમ તૂટતા આસપાસના ગામો ડૂબ્યા</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, માણિકપુર નજીક આવેલો ડોડા ડેમ ઓવરફ્લો થઈને તૂટી જતાં આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી નદીનું પાણી ઓછું થઈ રહ્યું હતું, પરંતુ પહાડી વિસ્તારોમાં સતત પડી રહેલા વરસાદને કારણે મંદાકિની નદીનું જળસ્તર ફરીથી અચાનક વધી ગયું. પૂરના પ્રચંડ પ્રવાહમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે સેનાના હેલિકોપ્ટરની મદદ લેવી પડી હતી. પ્રશાસન દ્વારા લોકોને પૂરગ્રસ્ત અને જોખમી વિસ્તારોથી દૂર રહેવા માટે સતત ચેતવણી આપવામાં આવી રહી છે તેમજ રામઘાટ પર પીસીએફ (PAC) ની એક કંપની પણ તૈનાત કરવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>ભયાનક પૂરને કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને થયું નુકસાન</b></h3><p style="text-align: justify; ">આ પૂરના કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ વ્યાપક નુકસાન થયું છે. રામઘાટને હનુમાન ધારા સાથે જોડતો મહત્વનો પુલ તૂટી પડવાથી વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. રામઘાટ અને નિર્મોહી અખાડા વિસ્તારમાં નદીના પાણી ફરી વળતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. વહીવટીતંત્રની ટીમો સ્થિતિ પર સતત નજર રાખી રહી છે.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2094273279012082145"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h4 style="text-align: justify; "><b>સતનામાં પૂરનો કહેર યથાવત</b></h4><p style="text-align: justify; ">બીજી તરફ, સતના જિલ્લામાં પણ પૂરનો કહેર યથાવત છે. સતના-માણિકપુર સેક્શન પર ચિત્રારા રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેક પાણીમાં ડૂબી ગયો છે. ટ્રેકની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રેલવે કર્મચારીઓએ એન્જિનની આગળ ચાલીને ટ્રેકનું નિરીક્ષણ કર્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા દ્રશ્યોમાં પૂરના પાણી વચ્ચેથી પેસેન્જર ટ્રેન અને માલગાડી પસાર થતી નજરે પડે છે.</p><h5 style="text-align: justify; "><b>સતત વરસાદને કારણે જળસ્તરો ખતરો યથાવત&nbsp;</b></h5><p style="text-align: justify; ">ઉત્તર ભારતમાં સતત વરસી રહેલા વરસાદ અને નદીઓના વધી રહેલા જળસ્તરને કારણે ખતરો હજુ ટળ્યો નથી. તંત્ર દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને જરૂર પડ્યે નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/world/news/nepal-floods-bank-gold-cash-recovered-nuwakot" target="_blank">આ પણ વાંચોઃ Nepal Floods: આખીને આખી બેંક પાણીમાં તણાઇ, કાટમાળમાંથી મળ્યા 1.5 કરોડ અને 50 કરોડનું સોનું</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/31/e9syldIXMkkTvXTCWaEuDsCSkEVmuXpBxAg2UcB6.webp'/></item><item><title><![CDATA[Celebrity : 40 વર્ષની ઉંમરે માતા બનશે એક્ટ્રેસ કશ્મીરા ઈરાની! લગ્નના 2 વર્ષ પછી શેર કરી ગુડ ન્યૂઝ ]]></title><link>https://sandesh.com/entertainment/news/kashmira-irani-pregnancy-good-news-age-40</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/kashmira-irani-pregnancy-good-news-age-40</guid><pubDate>Mon, 31 Aug 2026 12:49:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ટીવી અને ફિલ્મ અભિનેત્રી કશ્મીરા ઈરાની ટૂંક સમયમાં માતા બનવાની છે. અભિનેત્રીએ 40 વર્ષની ઉંમરે પોતાની પ્રેગ્નેન્સીની ખુશખબર ફેન્સ સાથે શેર કરી છે, ત્યાર બાદ સોશિયલ મીડિયા પર તેમને અનેક શુભેચ્છાઓ મળી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>કશ્મીરા ઈરાનીએ આપી ખુશખબર</b></h2><p style="text-align: justify; ">કશ્મીરા ઈરાનીએ એક સુંદર તસવીર સાથે પોતાની પ્રેગ્નેન્સીની જાહેરાત કરી છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલી તસવીરમાં 2 નાળિયેર જોવા મળે છે, જેના પર 2 કેપ રાખવામાં આવી છે. એક પર મોમ અને બીજા પર ડેડ લખેલું છે. બંને નાળિયેર પર ચશ્મા પણ લગાવવામાં આવ્યા છે. કશ્મીરાએ તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું, કરન્ટ સ્ટેટસ. આ ઉપરાંત તેણે #CominSoon એવું હેશટેગ પણ લખ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>સેલેબ્સે પાઠવી શુભેચ્છાઓ</b></h3><p style="text-align: justify; ">કશ્મીરાની આ ખુશખબર પર ટીવી ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ પણ તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. અભિનેત્રી ગૌહર ખાને કમેન્ટ કરીને લખ્યું, ખૂબ ખૂબ અભિનંદન. ભગવાન તમને હંમેશા ખુશ રાખે અને પોતાની સુરક્ષામાં રાખે. રિદ્ધિમા પંડિતે હાર્ટ ઈમોજી મોકલ્યા છે. આ ઉપરાંત ફેન્સ પણ કપલને અનેક શુભેચ્છાઓ આપી રહ્યા છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/Dcqffi4Spne/?utm_source=ig_web_copy_link&amp;igsi=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/Dcqffi4Spne/?utm_source=ig_web_copy_link&amp;igsi=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/Dcqffi4Spne/?utm_source=ig_web_copy_link&amp;igsi=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/Dcqffi4Spne/?utm_source=ig_web_copy_link&amp;igsi=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h3 style="text-align: justify; "><b>કશ્મીરા ઈરાનીના લગ્ન</b></h3><p style="text-align: justify; ">કશ્મીરા ઈરાનીએ ફેબ્રુઆરી 2024માં પોતાના લાંબા સમયથી બોયફ્રેન્ડ અક્ષત સક્સેના સાથે લગ્ન કર્યા હતા. હવે લગ્નના 2 વર્ષ બાદ બંને પોતાના પહેલા બાળકનું સ્વાગત કરવા જઈ રહ્યા છે.</p><h4 style="text-align: justify; "><b>કશ્મીરા ઈરાનીની કારકિર્દી</b></h4><p style="text-align: justify; ">કશ્મીરા માત્ર 17 વર્ષની ઉંમરે અભિનયમાં કારકિર્દી બનાવવા માટે મુંબઈ આવી હતી. તેણે ગૂગલ, ટાટા સ્કાય અને નેરોલેક જેવા મોટા બ્રાન્ડ્સ માટે અનેક જાહેરાતોમાં કામ કર્યું છે. કશ્મીરાને 2007-2008માં આવેલી ટીવી સીરિયલ અંબર ધારાથી સાચી ઓળખ મળી હતી. ત્યાર બાદ તેમણે બોલીવુડ ફિલ્મોમાં પણ પગ મૂક્યો. તેઓ 2017માં આવેલી ફિલ્મો રંગૂન અને સલમાન ખાનની ફિલ્મ ટાઈગર ઝિંદા હૈમાં જોવા મળી હતી. છેલ્લે કશ્મીરા ફિલ્મ મૈં વાપસ આઉંગા ફિલ્મમાં જોવા મળી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/toxic-yash-acting-five-villains-box-office-records" target="_blank">આ પણ વાંચો-Toxic : એક્ટિંગમાં ફરી છવાયો રોકિંગ સ્ટાર યશ, પરંતુ ટોક્સિકના 5 વિલને બગાડી દીધી રમત!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/31/TUfcFs1rBo361QvJyQW63rUlyhc14SKEvNRxcb9G.webp'/></item><item><title><![CDATA[Junagadh : ઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાતા ફફડાટ, પ્રવાસીઓ માટે ઐતિહાસિક કિલ્લો કરાયો બંધ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/junagadh-uparkot-fort-leopard-sighting-closed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/junagadh-uparkot-fort-leopard-sighting-closed</guid><pubDate>Mon, 31 Aug 2026 12:36:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાતા ભારે ફફડાટ ફેલાયો છે. પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા કિલ્લો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવાસીઓને કિલ્લાની અંદર પ્રવેશવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>દીપડો દેખાતા પ્રવાસીઓમાં ભય</b></h2><p style="text-align: justify; ">ઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાયો હોવાની માહિતી સામે આવતા પ્રવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઐતિહાસિક કિલ્લાની મુલાકાતે આવેલા લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને તાત્કાલિક પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>વન વિભાગનું સર્ચ ઓપરેશન</b></h3><p style="text-align: justify; ">દીપડાની હાજરી અંગેની માહિતી મળ્યા બાદ વન વિભાગની ટીમો કિલ્લા પરિસરમાં પહોંચી ગઈ છે. દીપડાની શોધખોળ માટે કિલ્લાની અંદર સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. વન વિભાગની ટીમો કિલ્લાના વિવિધ વિસ્તારોમાં તપાસ કરી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>કિલ્લાની બહાર પોલીસ બંદોબસ્ત</b></h3><p style="text-align: justify; ">પ્રવાસીઓ કિલ્લામાં પ્રવેશ ન કરે તે માટે ઉપરકોટ કિલ્લાની બહાર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. પોલીસ અને વન વિભાગની ટીમો સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>દીપડો પકડાય ત્યાં સુધી પ્રવેશ બં</b>ધ</h3><p style="text-align: justify; ">હાલ પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વન વિભાગના સર્ચ ઓપરેશન દરમિયાન દીપડાની ચોક્કસ હાજરી અને તેની હિલચાલ અંગે વધુ માહિતી સામે આવવાની શક્યતા છે. દીપડાને શોધી સુરક્ષિત રીતે કાબૂમાં લેવામાં ન આવે ત્યાં સુધી પ્રવાસીઓ માટે ઉપરકોટ કિલ્લો બંધ રહેશે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; &nbsp;<a href="https://sandesh.com/world/news/nepal-flash-flood-lone-house-survives-village-swept-away-viral-video" target="_blank"><b>Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video</b></a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/31/s5eH4P4lwYohlXkZlmlYTWwRLGIC1TV82WZMgpb0.webp'/></item><item><title><![CDATA[Controversial statement: 'મહિલાઓ ઘરમાં જ રહે, બહાર નીકાળવા પર થશે વિનાશ', ગ્રાન્ડ મુફ્તી અબુબકરે આપ્યું વિવાદાસ્પદ નિવેદન ]]></title><link>https://sandesh.com/india/news/grand-mufti-women-should-stay-home-controversial-remark-kerala</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/grand-mufti-women-should-stay-home-controversial-remark-kerala</guid><pubDate>Mon, 31 Aug 2026 12:26:43 +05:30</pubDate><description><![CDATA[<p>Controversial statement: ગ્રાન્ડ મુફ્તી શેખ અબુબકર અહેમદે કેરલમની મહિલાઓ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. કોચીમાં 'હુબ્બુલ રસૂલ કોન્ફરન્સ'ને સંબોધતા તેમણે કહ્યું હતું કે મહિલાઓએ તેમના ઘરોમાં જ સીમિત રહેવું જોઈએ અને બહાર ન નીકળવું જોઈએ, કારણ કે તેમને જાહેર ક્ષેત્રમાં લાવવાથી મોટા પાયે વિનાશ થઈ શકે છે. ગ્રાન્ડ મુફ્તી શેખ અબુબકર અહેમદ - જેમને કંથાપુરમ એ.પી. અબુબકર મુસલિયાર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે કોન્ફરન્સમાં મહિલાઓની તુલના સોનાના દાગીના સાથે કરી. તેમણે દલીલ કરી હતી કે જેમ દાગીનાને તેની સુંદરતા જાળવવા માટે બોક્સમાં રાખવામાં આવે છે, તેવી જ રીતે ઇસ્લામે મહિલાઓના ગૌરવ અને સલામતી સુનિશ્ચિત કરવા માટે *પર્દા* (પડદો) પ્રણાલી સૂચવી છે.</p><p><br></p><p><b>મહિલાઓને અપમાનિત કરવાનો હેતુ નથી</b></p><p>અબુબકરે કહ્યું, "મહિલાઓએ તેમના ઘરોમાં જ સીમિત રહેવું જોઈએ. તેઓએ જાહેર ક્ષેત્રમાં પ્રવેશ ન કરવો જોઈએ. પવિત્ર કુરાન પણ એ જ કહે છે. ઉદ્દેશ્ય મહિલાઓને અપમાનિત કરવાનો નહોતો, પરંતુ તેમનું સન્માન અને રક્ષણ કરવાનો હતો. નોંધનીય છે કે ધાર્મિક નેતા (ગ્રાન્ડ મુફ્તી શેખ અબુબકર અહેમદ) ઓલ ઈન્ડિયા સુન્ની જમીય્યાતુલ ઉલામા અને સમસ્થ કેરલમ જમીય્યાતુલ ઉલામા બંનેના મહાસચિવ છે. તેમણે સમજાવ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ સોનાનો હાર ખરીદે છે, ત્યારે તેને કાળજીપૂર્વક કબાટમાંથી, પછી બોક્સમાંથી અને છેલ્લે પેકેજિંગમાંથી બહાર કાઢવામાં આવે છે અને પછી પ્રદર્શિત કરવામાં આવે છે.</p><p><br></p><p>તેનાથી વિપરીત, તેમણે નજીકની એક દુકાનમાં પથ્થરના ગ્રાઇન્ડર વેચવાનું ઉદાહરણ આપ્યું; આ રસ્તાની બાજુમાં મૂકવામાં આવતા હતા, અને પસાર થતા લોકો તેમના પર પગ મૂકતા હતા. કંથાપુરમે દલીલ કરી હતી કે જો સોનાનો હાર રસ્તાની બાજુમાં આ જ રીતે છોડી દેવામાં આવે, તો દરેક પસાર થતો વ્યક્તિ તેને સ્પર્શ કરશે, જેનાથી તેની સુંદરતા અને મૂલ્યનો નાશ થશે.</p><p><br></p><p>આ સમાનતા સ્ત્રીઓ સાથે લાગુ કરતાં, તેમણે દલીલ કરી, "જો ગળાના હારની સુંદરતા સાચવવી હોય, તો તેને બોક્સમાં સુરક્ષિત રાખવી જોઈએ. જો સ્ત્રીઓને આ રીતે જાહેર ક્ષેત્રમાં લાવવામાં આવે છે, તો તે મોટા પાયે વિનાશ તરફ દોરી જશે. તેથી જ ઇસ્લામે મહિલાઓ માટે *પર્દા* વ્યવસ્થા સૂચવી છે." ઈસ્લામે હંમેશા મહિલાઓનો દરજ્જો ઊંચો કર્યો છે. પોતાના ભાષણમાં, અબુ બકરે જણાવ્યું હતું કે ઇસ્લામે ઐતિહાસિક રીતે મહિલાઓનો દરજ્જો ઊંચો કર્યો છે. ઇસ્લામ પૂર્વેના અરબમાં પ્રચલિત સ્ત્રી ભ્રૂણ હત્યા અને સ્ત્રી ભ્રૂણ હત્યાની પ્રથાઓનો ઉલ્લેખ કરતા, તેમણે નોંધ્યું હતું કે ઇસ્લામે તેમને રોકી દીધા હતા. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જ્યારે સ્ત્રીઓને વારસાના અધિકારો નહોતા, ત્યારે ઇસ્લામે તેમને મિલકતનો અધિકાર આપ્યો હતો.</p><p><br></p><p><b>જાહેર જીવન પરના પ્રતિબંધોને આદરની નિશાની તરીકે જોવામાં આવે છે</b></p><p>અબુ બકરે દલીલ કરી હતી કે, "ઇસ્લામમાં મહિલાઓને એક ઉમદા અને આદરણીય સ્થાન આપવામાં આવ્યું છે." તેમણે દાવો કર્યો હતો કે જાહેર ક્ષેત્રમાં મહિલાઓના પ્રવેશ પર લાદવામાં આવેલા પ્રતિબંધોને અનાદર તરીકે નહીં, પરંતુ આદરના પ્રતીક અને રક્ષણના માપદંડ તરીકે જોવું જોઈએ.</p><p><br></p><p><b>બોલવાનો અધિકાર અને ફરજ ધાર્મિક વિદ્વાનો પર છે</b></p><p>તેમના નિવેદન પર સવાલ ઉઠાવતી સંસ્થાઓને તીખો જવાબ આપતા, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ધાર્મિક વિદ્વાનોએ ધર્મનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે; તેથી, આ વિષય પર બોલવાનો અધિકાર અને ફરજ બંને તેમનો છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું, "અમે ધર્મનો અભ્યાસ કર્યો છે, તેથી આપણા સમુદાયને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપવું એ આપણી ફરજ છે. આપણે આપણા વિચારો વ્યક્ત કરતા રહીશું, અને કોઈ આપણને રોકી શકશે નહીં."</p><p><br></p><p><b>આપણા સમુદાયને સંબોધવાનો સંપૂર્ણ અધિકાર</b></p><p>અબુ બકરે એમ પણ કહ્યું કે તેમનું સંગઠન ક્યારેય અન્ય ધર્મોના અનુયાયીઓની પરંપરાઓમાં દખલ કરતું નથી. તે જ રીતે, મુસ્લિમ ધાર્મિક નેતાઓને પોતાના સમુદાયને સંબોધવાની સંપૂર્ણ સ્વતંત્રતાનો આનંદ માણવો જોઈએ. તેમણે ખાતરી આપી, "આપણને આપણા સમુદાય સાથે વાત કરવાનો સંપૂર્ણ અધિકાર છે, અને અમે તેમ કરતા રહીશું."</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/kiren-rijiju-slams-indian-flag-insult-in-new-york-near-mohan-bhagwat-event" target="_blank"><b>Protest: ભારે કિંમત ચૂકવવી પડશે... ન્યૂયોર્કમાં ત્રિરંગાનું અપમાન કરનારાઓને કિરેન રિજિજુની ચેતવણી</b></a></p><p><br></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/31/We4O7iqyHBTEVRoqSEC18WXoGlqz0gDQL1qJcVLg.webp'/></item><item><title><![CDATA[ITR-3 Deadine Alert: આજે રાત્રે 12 વાગ્યા સુધીમાં ભરી લો  ITR-3,જાણીલો સૌથી મહત્ત્વની વાત ]]></title><link>https://sandesh.com/business/news/itr-3-deadline-alert-fill-itr-3-by-12-midnight-tonight-the-most-important-thing-to-know</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/itr-3-deadline-alert-fill-itr-3-by-12-midnight-tonight-the-most-important-thing-to-know</guid><pubDate>Mon, 31 Aug 2026 11:29:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જો તમારી કમાણીનો મુખ્ય સ્ત્રોત વેપાર, ફ્રીલાન્સિંગ, કન્સલ્ટન્સી અથવા શેર માર્કેટમાં Futures &amp; Options (F&amp;O) ટ્રેડિંગ છે અને તમારા બિઝનેસના હિસાબો ટેક્સ ઓડિટના દાયરામાં આવતા નથી, તો 31 ઓગસ્ટની રાતે 12 વાગ્યા સુધીમાં ITR-3 ફાઇલ કરવું મહત્વપૂર્ણ છે. આવકવેરા રિટર્ન ભરવામાં છેલ્લી ઘડીએ કોઈ ભૂલ ન થાય તે માટે ITR-3 સાથે જોડાયેલી કેટલીક મહત્વની બાબતો સમજવી જરૂરી છે.</p><p style="text-align: justify; "><b style="font-size: 2rem;">કોના માટે ITR-3 જરૂરી છે?</b></p><p style="text-align: justify; ">ઘણા કરદાતાઓ ITR-1, ITR-2 અને ITR-3ને લઈને મૂંઝવણમાં રહે છે. જો તમારી આવકમાં બિઝનેસ અથવા પ્રોફેશનમાંથી થતી કમાણી સામેલ હોય, તો તમારી માટે ITR-3 લાગુ પડી શકે છે.</p><h3 style="text-align: justify; "><b>F&amp;O અને ઇન્ટ્રાડે ટ્રેડર્સ:&nbsp;</b></h3><p style="text-align: justify; ">શેર માર્કેટમાં Futures &amp; Options અથવા ઇન્ટ્રાડે ટ્રેડિંગમાંથી થતો નફો કે નુકસાન સામાન્ય રીતે બિઝનેસ આવક તરીકે ગણવામાં આવે છે. આવા કરદાતાઓ માટે ITR-3 લાગુ પડે છે.</p><h4 style="text-align: justify; "><b>ફ્રીલાન્સર્સ અને કન્સલ્ટન્ટ્સ:&nbsp;</b></h4><p style="text-align: justify; ">જો તમે ફ્રીલાન્સિંગ અથવા કન્સલ્ટન્સીમાંથી કમાણી કરો છો અને તમારી આવક પર TDS કપાય છે, પરંતુ તમે પ્રિઝમ્પ્ટિવ ટેક્સેશન હેઠળ ITR-4નો લાભ લેતા નથી, તો ITR-3 જરૂરી બની શકે છે.</p><h4 style="text-align: justify; "><b>પાર્ટનરશિપ ફર્મના પાર્ટનર્સ:&nbsp;</b></h4><p style="text-align: justify; ">જો તમે કોઈ પાર્ટનરશિપ ફર્મમાં પાર્ટનર છો અને ત્યાંથી સેલેરી, બોનસ અથવા વ્યાજ જેવી આવક મેળવો છો, તો તમારી આવકની સ્થિતિ અનુસાર ITR-3 ભરવાની જરૂર પડી શકે છે.</p><h5 style="text-align: justify; "><b>બિઝનેસ કરનારા વ્યક્તિઓ અથવા HUF:&nbsp;</b></h5><p style="text-align: justify; ">જેમની આવક બિઝનેસ અથવા પ્રોફેશનમાંથી આવે છે અને જેમના હિસાબો ટેક્સ ઓડિટ હેઠળ આવતા નથી, તેઓ માટે પણ ITR-3 મહત્વપૂર્ણ છે.</p><h5 style="text-align: justify; "><b>31 ઓગસ્ટની ડેડલાઈન ચૂકી ગયા તો શું થશે?</b></h5><p style="text-align: justify; ">જો તમે નિર્ધારિત સમયમર્યાદામાં ITR ફાઇલ કરી શકતા નથી, તો બિલેટેડ રિટર્ન ભરવાની સ્થિતિ આવી શકે છે. તેના કારણે કેટલીક આર્થિક અસર થઈ શકે છે.</p><h5 style="text-align: justify; "><b>લેટ ફી:&nbsp;</b></h5><p style="text-align: justify; ">Section 234F હેઠળ મોડું રિટર્ન ભરવા પર ₹5,000 સુધીની લેટ ફી લાગી શકે છે. જો કુલ આવક ₹5 લાખથી વધુ ન હોય, તો લેટ ફી ₹1,000 સુધી હોઈ શકે છે.</p><h6 style="text-align: justify; "><b>બિઝનેસ લોસ કેરી-ફોરવર્ડ:&nbsp;</b></h6><p style="text-align: justify; ">જો F&amp;O અથવા બિઝનેસમાં નુકસાન થયું હોય, તો સમયસર રિટર્ન ન ભરવાથી આવા નુકસાનને ભવિષ્યના વર્ષોની આવક સામે સેટ-ઓફ કરવા માટે આગળ લઈ જવાની સુવિધા ગુમાવી શકાય છે. ખાસ કરીને ટ્રેડર્સ માટે આ બાબત મહત્વપૂર્ણ છે.</p><p style="text-align: justify; ">વ્યાજની જવાબદારી:&nbsp;</p><p style="text-align: justify; ">જો તમારી પાસે ટેક્સ ભરવાની બાકી જવાબદારી હોય, તો મોડું રિટર્ન ભરવાથી Section 234A હેઠળ વ્યાજની જવાબદારી ઊભી થઈ શકે છે.</p><p style="text-align: justify; ">અંતિમ ક્ષણ સુધી રાહ જોવાને બદલે ITR-3માં આવક, ખર્ચ, TDS, ટ્રેડિંગ નફો-નુકસાન અને અન્ય વિગતો યોગ્ય રીતે ચકાસીને રિટર્ન ફાઇલ કરવું વધુ સારું છે. જો તમારી આવક અને વ્યવહાર જટિલ હોય, તો ફાઇલિંગ પહેલાં ટેક્સ નિષ્ણાતની સલાહ લેવી યોગ્ય રહેશે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/31/auFPTgA9kl7MeXs238VAvpvsDXFQne9POZEiCwbZ.webp'/></item><item><title><![CDATA[Surat : કડોદરામાં બુટલેગર જૂથો વચ્ચે લોહિયાળ જંગ, એકને પગમાં ગોળી વાગી; ચપ્પુથી હુમલામાં 2 ઘાયલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/surat-kadodara-group-clash-firing-knife-attack</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/surat-kadodara-group-clash-firing-knife-attack</guid><pubDate>Mon, 31 Aug 2026 11:27:35 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતના કડોદરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત હોવાના આક્ષેપો વચ્ચે ગત રાત્રે ક્રિષ્ના નગર સોસાયટીમાં બે જૂથો વચ્ચે લોહિયાળ અથડામણ સર્જાઈ હતી. ચપ્પુ અને બંદૂકથી થયેલા હુમલામાં એક વ્યક્તિને પગમાં ગોળી વાગી હતી, જ્યારે 2 લોકો પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી છે.</p><h2 style="text-align: justify; "><b>બે જૂથો વચ્ચે ધમસાણ</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ અજય બાદશાહ અને સાહીલ મકવાણા સાથે સંકળાયેલા જૂથના માણસો વચ્ચે તકરાર બાદ મામલો ઉગ્ર બન્યો હતો. બંને જૂથો વચ્ચે મારામારી દરમિયાન ચપ્પુ અને બંદૂકનો ઉપયોગ થતાં સ્થિતિ ગંભીર બની હતી. જાહેર વિસ્તારમાં થયેલી આ અથડામણને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.</p><h3 style="text-align: justify; "><b>નયન પાટીલને પગમાં ગોળી</b></h3><p style="text-align: justify; ">અથડામણ દરમિયાન નયન પાટીલ નામના વ્યક્તિના પગમાં ગોળી વાગી હતી. ગોળી વાગતાં તેને તાત્કાલિક સુરતની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનામાં બંદૂકનો ઉપયોગ કેવી રીતે થયો અને ગોળીબાર પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>અજય બાદશાહ અને કાલુ પર ચપ્પુથી હુમલો</b></h3><p style="text-align: justify; ">અજય બાદશાહ અને કાલુ ઉર્ફે સંતોષ જયસવાલ પર પણ ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો. બંનેને ઈજા થતાં સારવાર માટે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનામાં ઈજાગ્રસ્તોની સ્થિતિ અંગે વધુ વિગતો પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે.</p><h4 style="text-align: justify; "><b>સાહીલ મકવાણા પોલીસ કસ્ટડીમાં</b></h4><p style="text-align: justify; ">ઘટનામાં સાહીલ મકવાણાની કડોદરા પોલીસે અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે. જ્યારે પીન્કેશ નામનો શખ્સ ઘટનાસ્થળેથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હોવાની માહિતી છે. પોલીસ દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.</p><h4 style="text-align: justify; "><b>કડોદરા પોલીસની ફરિયાદની કાર્યવાહી</b></h4><p style="text-align: justify; ">ઘટના બાદ કડોદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે. કયા કારણોસર બંને જૂથો વચ્ચે વિવાદ થયો અને અથડામણમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા હતા તે અંગે તપાસ ચાલી રહી છે. કડોદરામાં વારંવાર અસામાજિક તત્વો વચ્ચેની અથડામણની ઘટનાઓ સામે આવતા પોલીસની કામગીરી અને કાયદો-વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા છે.&nbsp; &nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp;<a href="https://sandesh.com/world/news/nepal-flash-flood-lone-house-survives-village-swept-away-viral-video" target="_blank"> <b>Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/31/tBnxg2TOkNY2Am2AeTvah9s0YL02HB6zxFfDi9it.webp'/></item><item><title><![CDATA[Sugar Shortage : તહેવારો ટાણે ખાંડની અછતનો ભય, 10 લાખથી વધુ પરિવારોને સરકારી ખાંડ નહીં મળે? ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-sugar-shortage-festival-permit-ration-shops</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-sugar-shortage-festival-permit-ration-shops</guid><pubDate>Mon, 31 Aug 2026 10:48:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજ્યમાં તહેવારોની શરૂઆત વચ્ચે જ સરકારી વિતરણ વ્યવસ્થામાં ખાંડને લઈને મોટી ગૂંચવણ ઊભી થઈ છે. સસ્તા અનાજની દુકાનો પર સપ્ટેમ્બર મહિનાની ખાંડની પરમિટ જ ઇસ્યુ ન થતાં લાખો પરિવારોને તહેવારોમાં ખાંડ નહીં મળે તેવી ભીતિ ઊભી થઈ છે. ખાંડ ક્યારે આવશે તેની પણ હાલ કોઈ સ્પષ્ટતા ન હોવાથી ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોની ચિંતા વધી છે.</p><p><div style="text-align: justify;"><br></div><h2 style="text-align: justify; "><b>સરકારી પોર્ટલ પરથી ખાંડની પરમિટ ગાયબ</b></h2></p><p><div style="text-align: justify;"><br></div><div style="text-align: justify;">સસ્તા અનાજની દુકાનના સંચાલકો માટે સરકારી પોર્ટલ પરથી સપ્ટેમ્બર મહિનાની ખાંડની પરમિટ ગાયબ હોવાનું સામે આવ્યું છે. પરિણામે દુકાનદારો ખાંડનો જથ્થો ઉપાડી શકે તેવી પ્રક્રિયા આગળ વધી રહી નથી. તહેવારોના દિવસોમાં જ આ સમસ્યા સર્જાતા સમગ્ર વિતરણ વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે.</div></p><p><div style="text-align: justify;"><br></div><h3 style="text-align: justify; "><b>850થી વધુ દુકાનદારો મુશ્કેલીમાં</b></h3></p><p><div style="text-align: justify;"><br></div><div style="text-align: justify;">રાજ્યમાં 850થી વધુ સસ્તા અનાજની દુકાનના દુકાનદારો આ સમસ્યાને કારણે મુશ્કેલીમાં મુકાયા છે. સપ્ટેમ્બરની ખાંડના ચલણ જનરેટ ન થતાં દુકાનદારો માટે ખાંડ મેળવવાની પ્રક્રિયા અટવાઈ ગઈ છે. હવે જથ્થો ક્યારે ફાળવાશે અને પરમિટ ક્યારે ઇસ્યુ થશે તે અંગે સ્પષ્ટતા જરૂરી બની છે.</div></p><h3><div style="text-align: justify;"><b><br></b></div><b><div style="text-align: justify;"><b style="font-size: 1.75rem;">10 લાખથી વધુ પરિવારો પર અસરની ભીતિ</b></div></b></h3><p><div style="text-align: justify;"><br></div><div style="text-align: justify;">આ સ્થિતિ યથાવત રહે તો શહેર સહિત રાજ્યના અંદાજે 10 લાખથી વધુ પરિવારોને સરકારી વિતરણ વ્યવસ્થા હેઠળ ખાંડ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. ખાસ કરીને તહેવારો દરમિયાન ખાંડની માંગ વધતી હોવાથી સમયસર પુરવઠો નહીં મળે તો ગરીબ પરિવારોના તહેવારો ફિક્કા પડી શકે છે.</div></p><p><div style="text-align: justify;"><br></div><h4 style="text-align: justify; "><b>તહેવારો શરૂ, ખાંડ ક્યાં?</b></h4></p><p><div style="text-align: justify;"><br></div><div style="text-align: justify;">આજથી તહેવારોનો માહોલ શરૂ થયો છે, ત્યારે સરકારી ખાંડના પુરવઠા અંગે સ્પષ્ટતા નહીં હોવાને કારણે લાભાર્થી પરિવારોમાં ચિંતા છે. સવાલ એ છે કે તહેવારો પહેલા ખાંડનો જથ્થો પહોંચશે કે પછી લાખો પરિવારોને બજારમાંથી મોંઘી ખાંડ ખરીદવાની ફરજ પડશે? તંત્ર હવે આ મુદ્દે ક્યારે સ્પષ્ટતા કરે છે તેના પર સૌની નજર છે.&nbsp;&nbsp;</div><div style="text-align: justify;"><br></div><div style="text-align: justify;">આ પણ વાંચો :&nbsp;&nbsp;<a href="https://sandesh.com/world/news/nepal-flash-flood-lone-house-survives-village-swept-away-viral-video" target="_blank"><b>Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video</b></a></div></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/31/OR9YiU5SLk7dDB0Oh9u4SOhs1h6ai3yB0hzsC0Tj.webp'/></item><item><title><![CDATA[Vadodara : ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસમાં આજે સજાનો દિવસ, 5 દોષિત આરોપીઓ સામે થશે સજાનું એલાન ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/vadodara/vadodara-bhayli-gang-rape-case-sentence</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/vadodara/vadodara-bhayli-gang-rape-case-sentence</guid><pubDate>Mon, 31 Aug 2026 10:31:35 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરાના ભાયલી વિસ્તારમાં વર્ષ 2024માં બનેલા ચકચારી સામૂહિક દુષ્કર્મ કેસમાં આજે મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાશે. વડોદરા કોર્ટ દ્વારા અગાઉ 5 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. હવે કોર્ટ દ્વારા દોષિત આરોપીઓને સજા જાહેર કરવામાં આવનાર હોવાથી સમગ્ર મામલે સૌની નજર કોર્ટના નિર્ણય પર છે.</p><h2 style="text-align: justify; "><b>નવરાત્રી દરમિયાન સગીરા પર સામૂહિક દુષ્કર્મ</b></h2><p style="text-align: justify; ">વર્ષ 2024માં નવરાત્રીના સમયગાળા દરમિયાન સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. મળતી માહિતી મુજબ સગીરા પરત ફરી રહી હતી ત્યારે આરોપીઓએ તેને નિશાન બનાવી હતી. ઘટનાએ સમગ્ર વડોદરા સહિત ગુજરાતમાં ભારે ચકચાર મચાવી હતી.</p><h3 style="text-align: justify; "><b>5 આરોપીઓને કોર્ટે દોષિત ઠેરવ્યા</b></h3><p style="text-align: justify; ">આ કેસમાં લાંબી કાનૂની કાર્યવાહી બાદ વડોદરા કોર્ટે અગાઉ 5 આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા. આરોપીઓ સામે રજૂ થયેલા પુરાવા અને કોર્ટમાં થયેલી દલીલો બાદ તેમને ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા.</p><h3 style="text-align: justify; "><b>આજે સજા જાહેર થશે</b></h3><p style="text-align: justify; ">કેસમાં દોષિત ઠરેલા 5 આરોપીઓને આજે કોર્ટ દ્વારા સજા જાહેર કરવામાં આવશે. કોર્ટ કઈ સજા ફટકારે છે તેના પર હવે સૌની નજર છે. ગંભીર ગુનામાં દોષિત ઠરેલા આરોપીઓ સામે કોર્ટનો અંતિમ ચુકાદો આજે જાહેર થવાનો છે.</p><h4 style="text-align: justify; "><b>કોર્ટના નિર્ણય પર નજર</b></h4><p style="text-align: justify; ">ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસે વર્ષ 2024માં સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચા જગાવી હતી. હવે આરોપીઓ દોષિત જાહેર થયા બાદ સજાનો તબક્કો આવ્યો છે. આજે કોર્ટમાં થનારી સુનાવણી બાદ કેસમાં આગળની કાનૂની પ્રક્રિયા સ્પષ્ટ થશે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp;&nbsp;<a href="https://sandesh.com/world/news/nepal-flash-flood-lone-house-survives-village-swept-away-viral-video" target="_blank"><b>Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video</b></a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/31/I1RmMPTRxicuCqT9qNtWIx7pLFvdu79rI20qpsnq.webp'/></item><item><title><![CDATA[Germanyએ રચ્યો ઈતિહાસ, સ્પેનને હરાવીને મેન્સ હોકી વર્લ્ડકપ 2026નું જીત્યું ટાઈટલ ]]></title><link>https://sandesh.com/sports/news/germany-beat-spain-hockey-world-cup-2026-final</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/germany-beat-spain-hockey-world-cup-2026-final</guid><pubDate>Sun, 30 Aug 2026 22:49:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હોકી વર્લ્ડકપ 2026ની ફાઈનલ મેચ રવિવારે બેલ્જિયમના વાવરે સ્થિત બેલ્ફિયસ હોકી એરેના ખાતે જર્મની અને સ્પેન વચ્ચે રમાઈ હતી. જર્મનીએ શાનદાર પ્રદર્શન કર્યું અને સ્પેનને હરાવીને ટાઈટલ જીત્યું. જર્મનીએ સ્પેનને 1-0 થી હરાવીને પોતાનું વર્લ્ડકપ ટાઈટલ જાળવી રાખ્યું.</p><h2 style="text-align: justify;"><b>એકમાત્ર ગોલ 44મી મિનિટે થયો</b></h2><p style="text-align: justify;">મેચની શરૂઆતથી જ જર્મની અને સ્પેન સતત ગોલ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. વર્લ્ડકપ ફાઈનલમાં બંને ટીમોએ પોતાના બેસ્ટ પ્રયાસો કર્યા. પહેલા ક્વાર્ટરમાં બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી. પહેલા ક્વાર્ટરની 9મી મિનિટે સ્પેનને પેનલ્ટી કોર્નર આપવામાં આવ્યો, પરંતુ તે ગોલમાં ફેરવવામાં નિષ્ફળ ગયો. ત્યારબાદ જર્મનીને પેનલ્ટી કોર્નર મળ્યો, પરંતુ જર્મની પણ ગોલ કરવામાં નિષ્ફળ ગયો.</p><p style="text-align: justify;">43 મિનિટ સુધી કોઈ પણ ટીમે ગોલ ન કર્યો, જેના કારણે મેચ રોમાંચક બની ગઈ. ત્યારબાદ 44મી મિનિટે, જર્મનીના મિશેલ સ્ટ્રુથોફે ગોલ કરીને ઉત્સાહમાં વધારો કર્યો. ત્યારબાદ જર્મનીએ 1-0ની લીડ મેળવી. સ્પેને અંતિમ મિનિટ સુધી ગોલ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ જર્મનીએ શાનદાર બચાવ દર્શાવ્યો.</p><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/India_AllSports/status/2094109616863105083"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3 style="text-align: justify;"><b>જર્મનીએ સતત બીજું ટાઈટલ જીત્યું</b></h3><p style="text-align: justify;">જર્મનીએ અગાઉ 2023નો હોકી વર્લ્ડકપ જીત્યો હતો અને હવે તેમને 2026નું પણ ટાઈટલ જીત્યું છે. આ જર્મનીનો સતત બીજો ખિતાબ જીતવાનો અને પહેલી વાર પોતાના ખિતાબનો બચાવ કરવાનો રેકોર્ડ છે.</p><p style="text-align: justify;">આ જીત સાથે જર્મનીએ પાકિસ્તાનના રેકોર્ડની બરાબરી કરી. પાકિસ્તાન 3 વખત હોકી વર્લ્ડ કપ જીતી ચૂક્યું છે. જર્મનીએ હવે 3 વખત ટાઈટલ પણ જીતીને પાકિસ્તાનના રેકોર્ડની બરાબરી કરી છે.</p><h4 style="text-align: justify;"><b>બંને ટીમોનો અત્યાર સુધીનો હેડ ટુ હેડ રેકોર્ડ કેવો રહ્યો છે?</b></h4><p style="text-align: justify;">આ ફાઈનલ પછી જર્મની અને સ્પેન 32 મેચ રમી ચૂક્યા છે. જર્મનીએ 16 મેચ જીતી છે, જ્યારે સ્પેને 10 મેચ જીતી છે. વધુમાં 6 મેચ ડ્રો રહી છે. હેડ-ટુ-હેડ રેકોર્ડમાં પણ જર્મનીનું પલડું ભારે છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/30/8PJf0uRR7w51IMgGsvV4dD42tNbx0mb6vHzYQC9F.webp'/></item></channel></rss>