<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Vadodara: પાદરા-વડું પંથકમાં 13mm વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-13mm-of-rain-falls-in-padra-vadodara-district-waterlogging-in-low-lying-areas</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-13mm-of-rain-falls-in-padra-vadodara-district-waterlogging-in-low-lying-areas</guid><pubDate>Sat, 25 Jul 2026 00:58:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પાદરા-વડું પંથકમાં શુક્રવારે વહેલી સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી કુલ 13 મીમી વરસાદ નોંધાયો હતો. દિવસભર વાદળછાયું વાતાવરણ અને વચ્ચે-વચ્ચે વરસેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, જ્યારે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ ભીના બન્યા હતા.</p><p style="text-align: justify; ">ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં પાદરા-વડું પંથકમાં કુલ 355 મીમી વરસાદ નોંધાયો છે. વરસાદથી ખેતીકાર્યોને વેગ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.</p><p style="text-align: justify; ">હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ પાદરા સહિત વડોદરા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા અને વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવાની સલાહ આપવામાં આવી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/HDhsGTw8RgYpV7z2IXodNioHg5Lb8XITYWu6HQOs.webp'/></item><item><title><![CDATA[Panchmahal: બોડેલીનો જોજવા આડબંધ ઓવરફ્લો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/panchmahal/panchmahal-bodelis-jojwa-dam-overflows</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/panchmahal/panchmahal-bodelis-jojwa-dam-overflows</guid><pubDate>Sat, 25 Jul 2026 00:58:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોડેલી તાલુકાના જોજવા આડબંધમાં પાણીની આવક વધતા આડબંધ ઓવરફ્લો થયો છે. ઓરસંગ નદીમાં નવા પાણીની આવકથી આડબંધ પરથી પાણી વહેતા મનમોહક દ્રશ્યો સર્જાયા છે. કુદરતી સૌંદર્ય નિહાળવા મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટે છે. ત્યારે વહીવટી તંત્રે સાવચેતી રાખવા અપીલ કરી છે. જિલ્લામાં તેમજ ઉપરવાસમાં વરસેલા વરસાદને પગલે છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન લોકમાતા ગણાતી ઓરસંગ નદી બે કાંઠે વહેતી થતા કાંઠા વિસ્તારના ધરતીપુત્રોમાં આનંદની લાગણી ફેલાઈ છે. સતત વરસાદ અને ઓરસંગ નદીમાં પાણીની આવક વધતા બોડેલીના ઐતિહાસિક જોજવા આડબંધમાં ઓવરફ્લોની સ્થિતિ સર્જાઈ છે. 120 વર્ષ અગાઉ ગાયકવાડ શાસનકાળમાં બનાવાયેલો આ આડબંધ આજે પણ ખેડૂતો માટે આશીર્વાદરૂપ મનાય છે. મહારાણી શાંતાદેવીના હસ્તે આ આડબંધનુ લોકાર્પણ કરાયુ હતું. 120 વર્ષ જુનો આ આડબંધ હજી પણ એટલોજ મજબૂત અને સુરક્ષિત છે. અહીં કાંકરો પણ ખર્યો નથી તેમ ગામના વૃદ્ધોએ જણાવ્યું હતું. બોડેલી નજીકનો આ આડબંધ ઓવરફ્લો થતાં ઓરસંગ નદી કિનારા નજીકના ખેડૂતોમા સિંચાઈ માટે પૂરતા પાણીની આશા જાગી છે. જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ્, આડબંધ પરથી ધોધની જેમ વહેતું પાણી અને હરિયાળી વચ્ચે સર્જાયેલા કુદરતી નજારાઓ નિહાળવા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. જોકે, વરસાદી માહોલ અને પાણીના તેજ પ્રવાહને ધ્યાનમાં રાખી વહીવટી તંત્રે લોકોને જોખમી સ્થળોએ ન જવા, સેલ્ફી લેવા માટે પાણીની નજીક ન જવા અને જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/T92anX65pBzDCIn0T0d3dPjDHTZSmiyxFTdgkVSa.webp'/></item><item><title><![CDATA[Vadodara: ચાંદોદમાં સૂકી ભાસતી નર્મદામાં નવા નીર આવતા પુનઃજીવિત થઇ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</guid><pubDate>Sat, 25 Jul 2026 00:56:56 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવતા તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે ઘણાં સમયથી સૂકી ભાસતી નર્મદા નદીમાં નવા નીરના આગમન સાથે નવો પ્રાણ સંચાર થયો છે. ઉપરવાસમાંથી ઓરસંગ નદીનું પાણી ભળવાને કારણે અને કરજણ ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. આ નવા નીરના આગમનને કારણે ચાંદોદ ખાતેથી વહેતી નર્મદા નદીનો પ્રવાહ અત્યંત આહ્લાદક અને રમણીય બની ગયો છે.</p><p style="text-align: justify; ">ચાંદોદના સ્થાનિક રહેવાસીઓ અને તીર્થધામમાં આવતા શ્રાદ્ધાળુઓમાં નર્મદા નદી નવા નીર સાથે વહેતી થવાથી ભારે ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જે નદીનો પટ થોડા દિવસો પહેલાં કોરો અને સુમસામ ભાસતો હતો, તે હવે જીવંત બની ગયો છે જેથી સૌ આનંદ વ્યક્ત કરી ને આ નવા નીરના વધામણા કરી રહ્યા છે. આ નજારો જાણે પ્રકૃતિનો ખોળો ખુલ્લો મુક્યો હોય તેવો ભાસ થઈ રહ્યો છે.</p><p style="text-align: justify; ">ઉલ્લેખનીય છે કે, જળસ્તરમાં વધારો થયો હોવા છતાં, ચાંદોદ ખાતે નર્મદા નદીનો અડધો પટ હજુ પણ કોરો કટ છે.</p><p style="text-align: justify; ">આ ઉપરાંત, પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ પણ સંપૂર્ણ રીતે પાણીની બહાર છે. જેના કારણે કાંઠા કિનારાના રહેવાસીઓ માટે કોઈ પણ પ્રકારની ચિંતાનો વિષય નથી. ચાંદોદ વિસ્તારમાં છેલ્લા બે દિવસમાં ખેતીલાયક વરસાદ થતા ધરતી પુત્રોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. ખેડૂતોએ જે વાવેતર કર્યું હતુ તેને નવજીવન મળ્યું છે. વરસાદ અને નદીના વધતા જળસ્તરથી ખેડૂતોની ચિંતા દૂર થઈ છે અને તેઓ હવે આગામી સિઝનની સારી ઉપજની આશા રાખી રહ્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/RqQD8vH8hSxhzZayAOuhNG5BhZi3xrcvXPQ824B5.webp'/></item><item><title><![CDATA[Tharad: વાવ - થરાદ જિલ્લામાં મેઘો ઓળઘોળ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/tharad/tharad--1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/tharad/tharad--1</guid><pubDate>Sat, 25 Jul 2026 00:56:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વાવ - થરાદ જિલ્લામાં ચાલુ વર્ષે નહીવત વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતા છવાઈ હતી. જોકે ગત ગુરૂવારના સાંજના સમયે વરસાદની આગાહીના પગલે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા સમગ્ર જિલ્લામાં મેઘમહેર થઈ હતી. ભાભર, દિયોદર અને ધરણીધર તાલુકા જેવા વિસ્તારોમાં સારો વરસાદ થવાથી ખરીફ્ પાકો જેવા કે બાજરી, એરંડા, કપાસ, મગફ્ળી વગેરેને નવું જીવન મળ્યું છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં હર્ષોલ્લાસની લાગણી ફેલાઈ છે. જોકે ભાભર અને દિયોદરમાં વધુ વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેના પગલે જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયાએ આ વિસ્તારોની મુલાકાત લીધી હતી. ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર એલર્ટ બન્યું હતું. ભાભર શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ગુરૂવારથી શુક્રવાર સવારે 6 વાગ્યા સુધીમાં 113 મિમી વરસાદ પડયો હતો. તેમજ શુક્રવારે સવારે 6 વાગ્યેથી બપોરના 12 વાગ્યા સુધીમાં 165 મીમી વરસાદ ખાબકતા કુલ 11 ઈંચથી વધુ વરસાદ પડતા ભાભર મુખ્ય માર્ગો, લાટી બજાર, લાલચોક, આઝાદચોક, ખાડિયા વિસ્તાર સહિત નીચાણવાળા વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત બન્યું હતું. અનેક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં વેપારીઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો, જ્યારે રોડ-રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.</p><p style="text-align: justify; ">પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભાભર નગરપાલિકા પ્રમુખ સહિત પાલિકાની ટીમ, ભાભર પીઆઇ સહિત વહીવટી તંત્ર તાત્કાલિક મેદાનમાં ઉતરી પડયા હતા. ભાભરમાં પડેલ ભારે વરસાદને લઈ જિલ્લા પોલીસ વડા સહિત પ્રાંત અધિકારી પણ ભાભર દોડી આવ્યા હતા અને વહીવટી તંત્રને જરૂરી સૂચના આપવામાં આવી હતી.</p><p style="text-align: justify; ">નગરપાલિકા દ્વારા નીચાણ વાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે રહેવા માટે ભાભર નગર પાલિકા ટાઉનહોલની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ ગટરો અને વરસાદી પાણીના નિકાલના માર્ગો ખુલ્લા કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે, જેથી પાણીનો વહેલો નિકાલ થઈ શકે અને શહેરની સામાન્ય સ્થિતિ ઝડપથી પુનઃસ્થાપિત થાય. સ્થાનિક નાગરિકોની રજૂઆતો સાંભળી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/OsBX8g1YZOPQ3OPVZP7yaOD8TAzwfGq8tPTZanmN.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: બાવળામાં બારેમેઘ ખાંગા, 36 કલાકમાં 12.25 ઈંચ વરસાદ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-heavy-rain-in-bavla-1225-inches-of-rain-in-36-hours</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-heavy-rain-in-bavla-1225-inches-of-rain-in-36-hours</guid><pubDate>Sat, 25 Jul 2026 00:46:12 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ જિલ્લાના બાવળા શહેરમાં મધરાત્રી બાદ એકાએક શરૂ થયેલા વરસાદમાં શહેરમાં ચારે તરફ્ તારાથી સર્જાઈ હતી શહેરમાં તારીખ 22 ની મોડી રાત્રે શરૂ થયેલા વરસાદે શહેરના તમામ રોડ રસ્તાઓ ઢીંચણમાં પાણીથી ભરી દીધા હતા શહેરમાં 24 કલાકમાં 11:30 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો જેના કારણે રોડ અને હાઈવે તમામ રસ્તાઓ પર મુસાફરો અને શહેરી જેનો અટવાયા હતા પાલિકા દ્વારા અતિભારે વરસાદ વચ્ચે તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરી હતી વરસાદ દરમિયાન ઘુસીના ખાડા તરફ્ જવાના માર્ગ પર આવેલી એપીએમસીની જૂની દિવાલ અચાનક ધરાશાયી થતાં બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા જેને પાલિકાના કર્મચારીઓ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બાવળા નગરપાલિકાની ટીમ દ્વારા JCB મશીનની મદદથી ચાલુ વરસાદે કાટમાળ દૂર કરીને રસ્તો ફરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લો કરવામાં આવ્યો હતો તેમજ UGVCLની ટીમને સ્થળ પર બોલાવી વીજ પુરવઠો બંધ કરાવી ભયજનક વીજ પોલને સુરક્ષિતરીતે દૂર કરવાની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી હતી શહેરમાં વરસાદી માહોલ વચ્ચે ઘણી જગ્યાઓએ વીજપોલ તેમજ થાંભલાઓ ધરાશાહી થયા હતા છેલા 36 કલાક માં શહેરમાં 12.25 ઈંચથી વધુ વરસાદ ખાબકી ચુક્યો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/RBr56OLgZv1mwDxWOhdjsigRvUBNZzEDCKxCjjI0.webp'/></item><item><title><![CDATA[Delhi News: NEET વિરોધ પ્રદર્શન દરમિયાન છાત્રો પર પેલેટ ગન ચલાવાઈ? તપાસના આદેશ ]]></title><link>https://sandesh.com/india/news/neet-protest-probe-ordered-over-pellet-gun-use-allegations</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/neet-protest-probe-ordered-over-pellet-gun-use-allegations</guid><pubDate>Fri, 24 Jul 2026 22:26:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">NEET પેપર લીકને લઈને દિલ્હીના જંતર-મંતર પર પણ આ મુદ્દે સતત વિરોધ પ્રદર્શન ચાલુ છે. 20 જુલાઈના રોજ કોકરોચ જનતા પાર્ટી દ્વારા ચલો સંસદ માર્ચનું એલાન કરવામાં આવ્યું હતું.આ દરમિયાન પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે હિંસક ઝડપ થઈ હતી.પ્રદર્શન દરમિયાન પેલેટ ગનનો ઉપયોગ કરાયો હોવાના ગંભીર આરોપો લાગ્યા હતા.હવે આ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. રેપિડ એક્શન ફોર્સ દ્વારા પોતાના જવાનો પર લાગેલા બળપ્રયોગ અને પેલેટ ગનના કથિત ઉપયોગના આરોપોની તપાસ માટે વેરિફિકેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>પેલેટ ગનના ઉપયોગના તમામ આરોપોને નકારી કાઢ્યા</b></h2><p style="text-align: justify; ">અહેવાલો મુજબ દિલ્હીમાં વિદ્યાર્થીઓના પ્રદર્શન દરમિયાન RAFના જવાનો દ્વારા જરૂરિયાતથી વધુ બળપ્રયોગ કરવા અને પેલેટ ગન ચલાવવાના આરોપોની તપાસ શરૂ કરી દેવાઈ છે.મીડિયા રિપોર્ટ્સમાં ઈજાગ્રસ્તોની જુબાની અને મેડિકલ રેકોર્ડના આધારે દાવો કરાયો હતો કે 20 જુલાઈની માર્ચ દરમિયાન અનેક પ્રદર્શનકારીઓને પેલેટ ગનના કારણે ઈજાઓ પહોંચી હતી. મીડિયા રિપોર્ટ્સમાં દેશની રાજધાની દિલ્હીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પેલેટ ગનના ઉપયોગની આ એક દુર્લભ ઘટના ગણાવાઈ રહી છે.દિલ્હી પોલીસે પેલેટ ગનના ઉપયોગના તમામ આરોપોને નકારી કાઢ્યા છે.પોલીસનું કહેવું છે કે તેઓ ભીડને કાબૂમાં લેવા માટે પેલેટ ગન રાખતા પણ નથી અને તેનો ઉપયોગ પણ કરતા નથી.</p><h3 style="text-align: justify; "><b>કોર્ટ ઓફ ઈન્ક્વાયરીના આદેશ આપવામાં આવ્યા નથી</b></h3><p style="text-align: justify; ">અધિકારીઓના જણાવ્યા અનુસાર, રેપિડ એક્શન ફોર્સ જે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ હેઠળ કામ કરે છે.તેણે RAFના ઈન્સ્પેક્ટર જનરલને 20 જુલાઈના ઓપરેશન દરમિયાન બનેલી ઘટનાઓનો આખો ક્રમ ફરીથી તપાસવા સૂચના આપી છે.આ વેરિફિકેશન દરમિયાન બંને પક્ષોની ઘટનાઓની નિષ્પક્ષ તપાસ થશે.જેમાં પ્રદર્શનકારીઓને કાબૂમાં લેવા માટે કરાયેલી કાર્યવાહી તેમજ RAFના જવાનો પર થયેલા કથિત હુમલા બંને પાસાં આવરી લેવાશે.CRPFના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે હજુ સુધી કોઈ ઔપચારિક કોર્ટ ઓફ ઈન્ક્વાયરીના આદેશ આપવામાં આવ્યા નથી.</p><h2 style="text-align: justify; "><b>વીડિયો અને તસવીરોની પણ થશે ગહન તપાસ</b></h2><p style="text-align: justify; ">અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ માત્ર વેરિફિકેશન દ્વારા ઘટનાના સાચા તથ્યો મેળવવામાં આવી રહ્યા છે.આ પ્રક્રિયા પૂરી થયા બાદ જ નિર્ણય લેવાશે કે મામલે સત્તાવાર તપાસની જરૂર છે કે નહીં.RAFએ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા અનેક વીડિયો અને તસવીરોની પણ નોંધ લીધી છે.જેમાં બ્લુ કૅમોફ્લાજ વર્દીમાં સજ્જ જવાનો ભીડને નિયંત્રિત કરવા માટે લાઠી અને શસ્ત્રો સાથે દેખાઈ રહ્યા છે.આ સિવાય કેટલાક વીડિયોમાં RAFના જવાનો પ્રદર્શનકારીઓથી ઘેરાયેલા અને તેમના પર હુમલો થતો પણ જોવા મળે છે.આ તમામ વીડિયો અને તસવીરોની ખરાઈ તપાસ દરમિયાન કરવામાં આવશે.<br><br><a href="https://sandesh.com/india/news/neet-paper-leak-governments-big-decision-in-the-paper-leak-case-47-officials-dismissed-from-nta" target="_blank">આ પણ વાંચોઃ NEET Paper Leak: પેપર લીક મામલે સરકારનો મોટો નિર્ણય, NTAમાંથી 47 અધિકારીઓને કરાયા બરતરફ</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/24/FR9ZAEYa7FjjwlxCsAajzQHVfT4NzpsxmteyzuKq.webp'/></item><item><title><![CDATA[Delhi News: કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી રવનીતસિંહ બિટ્ટુએ રાજીનામું આપ્યું, રાષ્ટ્રપતિએ મંજૂર કર્યું ]]></title><link>https://sandesh.com/india/news/ravneet-singh-bittu-resigns-as-union-minister-of-state-for-railways</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ravneet-singh-bittu-resigns-as-union-minister-of-state-for-railways</guid><pubDate>Fri, 24 Jul 2026 21:23:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની કેબિનેટમાંથી રેલ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ રાજીનામું આપી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ભારતીય બંધારણના આર્ટિકલ 75(2) હેઠળ કેન્દ્રીય મંત્રી પરિષદમાંથી રવનીત સિંહનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારી લીધું છે.રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર આ રાજીનામું તાત્કાલિક ધોરણે અમલી બનશે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>રવનીત સિંહ બિટ્ટુની રાજકીય સફર</b></h2><p style="text-align: justify; ">રવનીત સિંહ બિટ્ટુની રાજ્યસભાની મુદત 21 જૂનના રોજ પૂર્ણ થઈ ગઈ હતી.18  જૂને યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા તેમને ફરીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા ન હતા. તેમ છતાં અત્યાર સુધી તેમની પાસેથી રાજીનામું માગવામાં આવ્યું ન હતું. પરંતુ શુક્રવારે તેમનું રાજીનામું મંજૂર કરી દેવામાં આવ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>2024ના રોજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા</b></h3><p style="text-align: justify; ">રવનીત સિંહ બિટ્ટુ 24 માર્ચ 2024ના રોજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને 2024માં પીએમ નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળમાં કેન્દ્રીય મંત્રી બન્યા હતા.તેઓ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં લુધિયાણાથી તથા 2009માં આનંદપુર સાહેબ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>કોંગ્રેસ પક્ષના નેતા તરીકે સેવા આપી ચૂક્યા છે</b></h2><p style="text-align: justify; ">તેઓ 11 માર્ચ 2021થી 18 જુલાઈ 2021 સુધી લોકસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે સેવા આપી ચૂક્યા છે.પશ્ચિમ બંગાળ ચૂંટણી દરમિયાન અધિર રંજન ચૌધરી વ્યસ્ત હોવાથી તેમને આ જવાબદારી સોંપાઈ હતી.ઉપરાંત તેઓ લોકસભામાં પક્ષના વ્હિપ પણ રહ્યા હતા.રવનીત સિંહ બિટ્ટુ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બેઅંત સિંહના પૌત્ર છે.જાન્યુઆરી 2021માં જન સંસદ કાર્યક્રમ દરમિયાન સિંઘુ બોર્ડર પર તેમના પર હુમલો પણ થયો હતો.<br><br><a href="https://sandesh.com/india/news/neet-paper-leak-governments-big-decision-in-the-paper-leak-case-47-officials-dismissed-from-nta" target="_blank">આ પણ વાંચોઃ NEET Paper Leak: પેપર લીક મામલે સરકારનો મોટો નિર્ણય, NTAમાંથી 47 અધિકારીઓને કરાયા બરતરફ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/24/YlNg0cAPvmPafmaBNqrf6A1I6E1LH5r236IipT6t.webp'/></item><item><title><![CDATA[US Tariff Impact: અમેરિકાએ Forced Laborના નામે ભારત પર લગાવ્યો 10%નો વધારાનો ટેરિફ, ભારતીય ઉદ્યોગો પર શું પડશે અસર? ]]></title><link>https://sandesh.com/world/news/business/usa/us-tariff-impact-america-imposed-an-additional-10-tariff-on-india-in-the-name-of-forced-labor-what-will-be-the-impact-on-indian-industries</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/business/usa/us-tariff-impact-america-imposed-an-additional-10-tariff-on-india-in-the-name-of-forced-labor-what-will-be-the-impact-on-indian-industries</guid><pubDate>Fri, 24 Jul 2026 19:59:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ કાર્યવાહી બળજબરીથી મજૂરી સંબંધિત ચિંતાઓના આધારે કરવામાં આવી હતી.&nbsp;</p><h2 style="text-align: justify; ">બળજબરીથી મજૂરી એટલે શું ?</h2><p style="text-align: justify; ">બળજબરીથી મજૂરીનો અર્થ વ્યક્તિને તેની ઇચ્છા વિરુદ્ધ કામ કરવા માટે દબાણ કરવાનો છે. જો કોઈ કામદાર પોતાની નોકરી છોડવા માંગે છે પરંતુ તેને મંજૂરી નથી, તો તે બળજબરીથી મજૂરી બની શકે છે. જો વ્યક્તિને ધમકી હેઠળ કામ કરવાની ફરજ પાડવામાં આવે તો પણ, મામલો ગંભીર હોઈ શકે છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન બળજબરીથી મજૂરીને માનવ અધિકારોનું ઉલ્લંઘન માને છે. વ્યક્તિની સંમતિ ખરેખર મુક્ત નથી. તેઓ દબાણ હેઠળ કામ કરી રહ્યા છે.</p><h3 style="text-align: justify; ">મુખ્ય વ્યાખ્યા શુ ?&nbsp;</h3><p style="text-align: justify; ">દરેક ઓછા વેતનવાળી નોકરીને બળજબરીથી મજૂરી ગણી શકાય નહીં. ઘણા દેશોમાં, કામદારોને ઓછું વેતન મળે છે. કામના કલાકો પણ લાંબા હોઈ શકે છે. આ શ્રમ અધિકારોનો મુદ્દો હોઈ શકે છે. પરંતુ બળજબરીથી મજૂરી સાબિત કરવા માટે, દબાણ અથવા નિયંત્રણના નક્કર સંકેતો જરૂરી છે. ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિ તેમની ઇચ્છા વિરુદ્ધ ઓછા વેતન માટે કામ કરી રહી છે અને ગમે ત્યારે કામ છોડી શકે છે. આવી પરિસ્થિતિ હંમેશા બળજબરીથી મજૂરીની કાનૂની વ્યાખ્યામાં આવતી નથી. જો કે, જો તેમને ચૂકવણી ન કરવાની, પોલીસ કાર્યવાહી, હિંસા, દેવું અથવા પાસપોર્ટ જપ્ત કરવાની ધમકી આપવામાં આવે છે, તો મામલો અલગ થઈ જાય છે.</p><h4 style="text-align: justify; ">બળજબરીથી મજૂરીના મુખ્ય સંકેતો&nbsp;</h4><p style="text-align: justify; ">બળજબરીથી મજૂરીને અનેક સંકેતો દ્વારા ઓળખવામાં આવે છે. આમાં નોકરી છોડવાની સ્વતંત્રતાનો ઇનકાર, હુમલો અથવા હિંસાની ધમકીઓ, પાસપોર્ટ, ઓળખ કાર્ડ અથવા અન્ય દસ્તાવેજો જપ્ત કરવા, વેતન રોકવું, કામદારોને વધુ પડતા દેવાથી બાંધવા, કામદારોની હિલચાલ પર પ્રતિબંધ મૂકવો, ભરતીના નામે ઊંચી ફી વસૂલવી, બાળકોને ખતરનાક અથવા બળજબરીથી મજૂરી કરવા માટે દબાણ કરવું, કામદારોને અલગ કરવા અને નિયંત્રિત કરવા વગેરેનો સમાવેશ થાય છે. આ સૂચકાંકોમાંથી એક અથવા વધુ શંકા પેદા કરી શકે છે.</p><h5 style="text-align: justify; ">દેવું-આધારિત મજૂર જાળ</h5><p style="text-align: justify; ">જબરદસ્તી મજૂરીના એક સામાન્ય સ્વરૂપમાં દેવું શામેલ છે, જેને બંધુઆ મજૂર તરીકે પણ ઓળખવામાં આવે છે. ધારો કે કોઈ ભરતી એજન્ટ કોઈ કામદારને વિદેશમાં નોકરી મેળવવાના નામે મોટી લોન આપે છે. બાદમાં, કામદારને કહેવામાં આવે છે કે તેઓ લોન ચૂકવ્યા વિના છોડી શકતા નથી. તેમના વેતનમાં પણ કાપ મૂકવામાં આવે છે. આ પરિસ્થિતિમાં, કામદાર નાણાકીય જાળમાં ફસાઈ જાય છે. ક્યારેક દેવું એટલું મોટું હોય છે કે કામદાર વર્ષો સુધી તેને ચૂકવી શકતો નથી. આ પરિસ્થિતિ આંતરરાષ્ટ્રીય વેપારમાં ગંભીર ચિંતાનો વિષય છે.</p><h5 style="text-align: justify; ">આંતરરાષ્ટ્રીય વેપારમાં આ મુદ્દો મહત્વપૂર્ણ&nbsp;</h5><p style="text-align: justify; ">આજે, એક ઉત્પાદન બહુવિધ દેશોમાં બનાવવામાં આવે છે. એક દેશમાં ઉગાડવામાં આવતા કપાસમાંથી કાપડ બનાવી શકાય છે, બીજા દેશમાં યાર્નનું ઉત્પાદન કરી શકાય છે, અને કપડાને ત્રીજા દેશમાં સીવી શકાય છે. પછી અંતિમ ઉત્પાદન ચોથા દેશમાંથી યુનાઇટેડ સ્ટેટ્સ અથવા યુરોપમાં મોકલી શકાય છે. આને વૈશ્વિક પુરવઠા શૃંખલા કહેવામાં આવે છે. આ સિસ્ટમમાં, કોઈપણ એક તબક્કે બળજબરીથી મજૂરીનો આરોપ સમગ્ર ઉત્પાદનને વિવાદાસ્પદ બનાવી શકે છે. ખરીદનાર દેશો ઉત્પાદનના ઉત્પાદનમાં કામદારોના અધિકારોનું સન્માન કરવામાં આવ્યું હતું કે કેમ તે અંગે પ્રશ્નો ઉભા કરે છે.</p><h6 style="text-align: justify; ">ભારત પર 10 ટકા ટેરિફનો સંદર્ભ</h6><p style="text-align: justify; ">યુનાઇટેડ સ્ટેટ્સે ભારતને એવા દેશોના જૂથમાં સામેલ કર્યું છે જેમની આયાત પર વધારાના 10 ટકા ટેરિફ લાદવામાં આવે છે. યુનાઇટેડ સ્ટેટ્સે એવા દેશો સામે વધુ કડક પગલાં લેવાની વિનંતી કરી છે જેઓ બળજબરીથી મજૂરી કરાવતી વસ્તુઓની આયાતને રોકવા માટે પૂરતા પગલાં લેવામાં નિષ્ફળ ગયા છે. એવું કહેવું યોગ્ય રહેશે નહીં કે ભારતમાં દરેક ઉત્પાદન અથવા દરેક ઉદ્યોગ પર બળજબરીથી મજૂરી કરવાનો આરોપ છે. વ્યાપક નીતિ સ્તરે, આ ટેરિફ દબાણનું સાધન છે. તેનો હેતુ પુરવઠા શૃંખલાની ચકાસણી, પારદર્શિતા અને શ્રમ ધોરણોનું પાલન વધારવાનો હોવાનું જણાવાયું છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/india/news/saharanpur-news-4-killed-in-blast-at-firecracker-factory-in-saharanpur-two-bodies-found" target="_blank"> સહારનપુરમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 4ના મોત, બે મૃતદેહ મળ્યા</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/24/2qEnFvwnpy6B9PGargJ2Pl13icuxxk3WFID6Ozoa.webp'/></item><item><title><![CDATA['કરણે મને લાફો માર્યો, મારા મમ્મી-પપ્પાને પણ અપશબ્દો...', અભિનેત્રીના ચોંકાવનારા ખુલાસાથી મચ્યો ખળભળાટ ]]></title><link>https://sandesh.com/entertainment/news/sanvi-talwar-alleges-karan-kundrra-slapped-her-on-yeh-kahan-aa-gaye-hum-set</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/sanvi-talwar-alleges-karan-kundrra-slapped-her-on-yeh-kahan-aa-gaye-hum-set</guid><pubDate>Fri, 24 Jul 2026 17:49:34 +05:30</pubDate><description><![CDATA[<p>ટીવી અભિનેતા કરણ કુન્દ્રા આજકાલ ચર્ચામાં છે. જોકે, આ વખતે તે કોઈ શો નથી, પરંતુ ભૂતકાળનો વિવાદ છે. 2015 માં કરણ કુન્દ્રા અને અભિનેત્રી સાનવી તલવાર ટીવી સીરિયલ "યે કહાં આ ગયે હમ" માં સાથે દેખાયા હતા. તેમની ઓન-સ્ક્રીન જોડી દર્શકોને ખૂબ ગમતી હતી, પરંતુ તેઓ સ્ક્રીનની બહાર ઝઘડતા હતા. આ દરમિયાન સાનવી તલવારે કરણ સાથેના તેના વિવાદ વિશે ખુલ્લેઆમ વાત કરી અને ઘણા ખુલાસા કર્યા જે ખૂબ જ ચોંકાવનારા છે.</p><p><h4><b>મેં કરણને લાફો માર્યો</b></h4>તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કરતા અભિનેત્રી સાનવીએ કહ્યું, "મેં કરણ સાથે સેટ પર વાત નહોતી કરી કારણ કે મને તે પસંદ નહોતો. પરંતુ કરણ અને દિગ્દર્શકને મારા ન બોલવાથી સમસ્યા હતી. ઘણી વાર મને ખબર પડી કે તે મને રિપ્લેસ કરશે." કિસિંગ સીન અંગે, સાનવીએ ખુલાસો કર્યો, "નિર્દેશક બોલે તે પહેલાં કરણે મને કિસ કરી, પરંતુ કોઈએ તેને કંઈ કહ્યું નહીં." મેં ગુસ્સામાં કરણને થપ્પડ મારી, અને તે ચાલ્યો ગયો.</p><h4><b>કરણે સાનવી સાથે દુર્વ્યવહાર કર્યો
</b></h4><p>સાનવીએ આગળ કહ્યું, "લગભગ 10-15 મિનિટ પછી, કરણ આવ્યો અને તેને એટલી જોરથી થપ્પડ મારી કે તે જમીન પર પડી ગઈ. તેણે મને અને મારા માતા-પિતાને પણ અપશબ્દો કહ્યા. તેના આવા વ્યવહાર પછી પણ કોઈએ મને સપોર્ટ કર્યો નહીં. પછી હું મારી કાર લઈને ચાલી ગઈ. મેં નક્કી કર્યું હતું કે હું ફરી ક્યારેય ત્યાં કામ નહીં કરું, પરંતુ એકતા કપૂરે માફી માંગી અને મને શોમાં પાછા ફરવાનું કહ્યું."
</p><h4><b>શો ટૂંક સમયમાં જ બંધ થઈ ગયો
</b></h4><p>નોંધનીય છે કો સિરિયલ "યે કહાં આ ગયે હમ" એક મ્યુઝિકલ ડ્રામા હતી. આ સિરીઝમાં કરણે રાહુલ સભરવાલ નામના રોકસ્ટારની ભૂમિકા ભજવી હતી અને સાનવી જેને માનવી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક ગાયિકા હતી. બાલાજી ફિલ્મ્સની આ સિરિયલની વાર્તા તે સમયે દર્શકોનું ધ્યાન ખેંચવામાં નિષ્ફળ ગઈ. આ શો 26 ઓક્ટોબર 2015 ના રોજ શરૂ થયો હતો, પરંતુ 24 ઓગસ્ટ 2016 ના રોજ બંધ થઈ ગયો.
</p><p><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/entertainment/news/akanksha-puri-claim--money-offered-to-celebs-for-neet-protest" target="_blank"><b>આ ગંદકીમાં નથી પડવું... વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા માટે ઓફર થઈ રહ્યા છે પૈસા, અભિનેત્રીનો મોટો દાવો</b></a></p><p><br><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/24/xdJvrJTsWTNVeKizkjpYbKp2OfZ45yJyfJ4HXTT0.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup ફાઈનલમાં હાર્યા બાદ આર્જેન્ટિનાના દિગ્ગજે લીધો સંન્યાસ, જાણો શાનદાર રેકોર્ડ ]]></title><link>https://sandesh.com/sports/news/argentina-legend-retires-after-losing-in-fifa-world-cup-final-know-his-amazing-record</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/argentina-legend-retires-after-losing-in-fifa-world-cup-final-know-his-amazing-record</guid><pubDate>Fri, 24 Jul 2026 17:38:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સ્પેને ફિફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં આર્જેન્ટિનાને 1-0 થી હરાવ્યું.સ્પેને 16 વર્ષ પછી ટ્રોફી જીતી.આર્જેન્ટિનાને સતત બીજી ટ્રોફી જીતવાની તક મળી હતી,પરંતુ તે નિષ્ફળ ગયો.આ લિયોનેલ મેસ્સીનો છેલ્લો વર્લ્ડ કપ હોવાનું માનવામાં આવતું હતું.મેસીએ હજુ સુધી નિવૃત્તિની જાહેરાત કરી નથી,અને અહેવાલો અનુસાર તે થોડા મહિનાઓ સુધી આંતરરાષ્ટ્રીય ફૂટબોલ રમશે. હવે, તેના સાથી ખેલાડીએ નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે.</p><h4 style="text-align: justify; "><b>આર્જેન્ટિનાના ડિફેન્ડરે નિવૃત્ત જાહેર કરી</b></h4><p style="text-align: justify; ">આર્જેન્ટિનાના ડિફેન્ડર નિકોલસ ઓટામેન્ડીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે, જેનાથી તેની 17 વર્ષની કારકિર્દીનો અંત આવ્યો છે. 38 વર્ષીય ડિફેન્ડરને આર્જેન્ટિનાના સૌથી સફળ ડિફેન્ડરોમાંના એક માનવામાં આવે છે. તેણે ફિફા વર્લ્ડ કપ 2026 માં સ્પેન સામે આર્જેન્ટિના માટે તેની છેલ્લી મેચ રમી હતી. નિવૃત્તિ પર, તેણે કહ્યું, આજે હું મારી કારકિર્દીના સૌથી મુશ્કેલ શબ્દો લખવા જઈ રહ્યો છું. હું ભાગ્યશાળી છું કે મારી છેલ્લી મેચ વર્લ્ડ કપ ફાઇનલ હતી." ભલે પરિણામ અમારા પક્ષમાં ન હતું, હું માથું ઉંચુ કરીને વિદાય આપી રહ્યો છું. વર્લ્ડ કપ જીતવાનું મારું સ્વપ્ન પૂરું કરવા બદલ આર્જેન્ટિનાનો આભાર.</p><p style="text-align: justify; "><a href="https://x.com/argfootballafa/status/2080262132634132692?s=20" target="_blank">https://x.com/argfootballafa/status/2080262132634132692?s=20</a></p><p style="text-align: justify; "><br></p><h5 style="text-align: justify; "><b>આર્જેન્ટિના માટે કેટલી મેચ રમી?</b></h5><p style="text-align: justify; ">નિકોલસ ઓટામેન્ડીએ આર્જેન્ટિના માટે 139મેચ રમી અને વર્ષોથી ટીમની સફળતામાં મુખ્ય પરિબળ રહ્યા. ઓટામેન્ડી માત્ર આર્જેન્ટિનામાં જ નહીં પરંતુ ફૂટબોલ લીગમાં પણ પોતાનું નામ બનાવવામાં સફળ રહ્યા. તેઓ પોર્ટો, વેલેન્સિયા, માન્ચેસ્ટર સિટી અને બેનફિકા માટે રમ્યા છે. તેમણે ચાર વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેઓ એક વારસો છોડીને ગયા છે અને ભવિષ્યના ઘણા ડિફેન્ડરોને પ્રેરણા આપશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/ferran-torres-love-story-he-made-the-coachs-daughter-his-girlfriend-then-this-is-why-they-broke-up" target="_blank">Ferran Torres Love Story: કોચની દીકરીને બનાવી ગર્લફ્રેન્ડ, પછી આ કારણે થયું બ્રેકઅપ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/24/uZjDSQITA43mVbUUCCRYfsXVySD3aBpao7mMJPH1.webp'/></item></channel></rss>