<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Toxicના શૂટિંગ દરમિયાન કિયારા અડવાણીને મળતું હતું સ્પેશિયલ ટ્રીટમેન્ટ, યશે પણ રાખ્યું ખાસ ધ્યાન! ]]></title><link>https://sandesh.com/entertainment/news/toxic-shooting-kiara-advani-special-treatment-yash</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/toxic-shooting-kiara-advani-special-treatment-yash</guid><pubDate>Sat, 15 Aug 2026 14:05:28 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સાઉથ સુપરસ્ટાર યશની ફિલ્મ ટોક્સિક: અ ફેરી ટેલ ફૉર ગ્રોન-અપ્સ રિલીઝની ખૂબ નજીક છે. ફિલ્મની રિલીઝમાં હવે વધારે સમય બાકી નથી, તેથી દર્શકોમાં ફિલ્મને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં યશ સાથે બોલીવુડ અભિનેત્રી કિયારા અડવાણી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. હવે ફિલ્મના એક પ્રમોશનલ કાર્યક્રમમાં યશે કિયારાને લઈને એવો ખુલાસો કર્યો છે, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>કિયારા અડવાણી પ્રેગ્નેન્ટ હતી</b></h2><p style="text-align: justify; ">ફિલ્મના ઓડિયો લોન્ચ કાર્યક્રમમાં યશે કિયારા વિશે ખુલાસો કરતાં કહ્યું કે ફિલ્મ ટોક્સિકના શૂટિંગ દરમિયાન કિયારા અડવાણી પ્રેગ્નેન્ટ હતી. આ છતાં અભિનેત્રીએ પોતાના કામ પ્રત્યે પૂરી કમિટમેન્ટ બતાવી અને ફિલ્મનું શૂટિંગ ચાલુ રાખ્યું હતું. યશે જણાવ્યું કે કિયારાની પ્રેગ્નેન્સીના દરમિયાન તેઓ અને ફિલ્મની ડાયરેક્ટર ગીતુ મોહનદાસ તેની તબિયતને લઈને ખૂબ ચિંતિત રહેતા હતા.</p><h3 style="text-align: justify; "><b>કિયારાની સુરક્ષા અને સુવિધાનું ખાસ ધ્યાન</b></h3><p style="text-align: justify; ">યશે કહ્યું કે ફિલ્મના સેટ પર કિયારાની સુરક્ષા અને સુવિધાનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું. યશે મજાકિયા અંદાજમાં કહ્યું કે તેઓ અને ગીતુ મોહનદાસ સેટ પર કિયારા માટે બાઉન્સર અને બોડીગાર્ડની જેમ રહેતા હતા. બંને સતત એ વાતની ખાતરી કરતા હતા કે કિયારાને કોઈ મુશ્કેલી ન પડે અને તે સુરક્ષિત રહે.</p><h4 style="text-align: justify; "><b>પ્રેગ્નેન્સી દરમિયાન કિયારાએ ખૂબ મહેનત કરી</b></h4><p style="text-align: justify; ">આ ઉપરાંત યશે કિયારાની પ્રશંસા કરતાં કહ્યું કે પ્રેગ્નેન્સી દરમિયાન પણ તે ખૂબ મહેનત અને લગનથી કામ કરતી રહી. તેમના મતે કિયારાની આ કમિટમેન્ટ આખી ટીમ માટે ખાસ હતી. યશે કિયારા પ્રત્યે આભાર વ્યક્ત કરતાં કહ્યું કે તેણે આ મુશ્કેલ સમય દરમિયાન પણ પૂરી મહેનતથી કામ કર્યું છે.</p><h4 style="text-align: justify; "><b>ક્યારે રિલીઝ થશે ફિલ્મ?</b></h4><p style="text-align: justify; ">આ સાથે યશે કિયારાનો આભાર માનતા કહ્યું કે આ અનુભવ તેમના માટે ખૂબ ખાસ રહ્યો. યશની વાત પરથી સ્પષ્ટ થાય છે કે ફિલ્મ ટોક્સિકના શૂટિંગ દરમિયાન કિયારાની તબિયતને લઈને આખી ટીમ ખૂબ સતર્ક હતી અને સૌએ તેની ખાસ કાળજી રાખી હતી. ફિલ્મ ટોક્સિકની રિલીઝની વાત કરીએ તો આ ફિલ્મ 26 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/govinda-girlfriend-wife-comment-viral-photo" target="_blank">આ પણ વાંચો-Govinda : 'દીકરીની ઉંમરની છોકરીને લઈને ફરે...', કથિત ગર્લફ્રેન્ડ સાથે ગોવિંદાને જોઈ પત્ની સુનિતાએ કર્યો કટાક્ષ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/15/iBEcYKpwBQzn9DmOOS303DGz6WXXlWLqe9UIshuy.webp'/></item><item><title><![CDATA[Surat અને ડીસામાં આરોગ્ય વિભાગના ધડાધડ દરોડા: 35 લાખનો શંકાસ્પદ ઘી અને ભેળસેળયુક્ત તેલનો જથ્થો જપ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/surat-kamrej-deesa-fake-ghee-factory-health-department-raid-seized</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/surat-kamrej-deesa-fake-ghee-factory-health-department-raid-seized</guid><pubDate>Sat, 15 Aug 2026 13:29:12 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત અને બનાસકાંઠાના ડીસામાં આરોગ્ય વિભાગ અને ફૂડ સેફ્ટી ટીમે લાલઆંખ કરીને દરોડા પાડ્યા છે. આ કામગીરી દરમિયાન કુલ 35 લાખની કિંમતનો શંકાસ્પદ નકલી ઘી અને ભેળસેળયુક્ત તેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>કેવલ ફૂડ પ્રોડક્ટ' નામની ફેક્ટરી પર દરોડા</b></h2><p style="text-align: justify; ">સુરતના કામરેજ તાલુકામાં આવેલા ધોરણ પારડી સ્થિત હિન્દવા ડ્રીમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી 'કેવલ ફૂડ પ્રોડક્ટ' નામની ફેક્ટરી પર આરોગ્ય વિભાગે અચાનક દરોડો પાડ્યો હતો. આ ફેક્ટરી કોઈ પણ પ્રકારના કાયદેસરના લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહી હતી.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>29.75 લાખનો મુદ્દામાલ સીઝ</b></h3><p style="text-align: justify; ">દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી 'શ્રી અનમોલ રતન કાઉ ઘી'ના નામે વેચાતા વિવિધ પેકિંગ સહિત 29.75 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. ફેક્ટરીમાંથી 5157 લીટર શંકાસ્પદ ઘી, 3.63 લાખની કિંમતનું 1485 કિલોગ્રામ પામોલીન તેલ તેમજ 285 કિલોગ્રામ સોયાબીન તેલ જપ્ત કરાયું છે.</p><h4 style="text-align: justify; "><b>ડીસાની 2 વેપારી પેઢીઓમાંથી પણ શંકાસ્પદ ઘીના નમૂના લેવાયા</b></h4><p style="text-align: justify; ">બીજી તરફ, ડીસા શહેરની 2 વેપારી પેઢીઓમાંથી પણ શંકાસ્પદ ઘીના નમૂના લેવામાં આવ્યા હતા, જ્યાંથી ₹6.22 લાખની કિંમતનો 987 લીટર ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા સુરત અને ડીસા બંને સ્થળોએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઍક્ટ-2006 હેઠળ ગુનો નોંધીને આગળની સખત કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/india/ahmedabad/sandesh-indepth-gen-z-radio-to-reels-freedom-struggle-1942-congress-radio" target="_blank"><b>Sandesh Indepth : Gen Z જરૂર જાણે: એક રેડિયોએ કેવી રીતે હલાવી દીધું હતું બ્રિટિશ સામ્રાજ્ય? રેડિયોથી રીલ્સ સુધીની રોચક કહાની</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/15/uiO1indmJgxSG5SYaCYdDzT5ab6e0EEgUcyb65zu.webp'/></item><item><title><![CDATA[Baba Ramdev Statement: આંદોલનો ચાલતા રહેશે તો દેશ કેવી રીતે ચાલશે..બાબા રામદેવે કર્યા સવાલ ]]></title><link>https://sandesh.com/india/news/baba-ramdev-statement-if-the-agitations-continue-how-will-the-country-run-baba-ramdev-asked</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/baba-ramdev-statement-if-the-agitations-continue-how-will-the-country-run-baba-ramdev-asked</guid><pubDate>Sat, 15 Aug 2026 13:14:00 +05:30</pubDate><description><![CDATA[<p>યોગ ગુરુ બાબા રામદેવે સરકારી નોકરી ભરતીમાં કથિત અનિયમિતતાઓ સામે વિરોધ શરૂ કરવાની ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું હતું કે સરકારી નોકરી ઇન્ટરવ્યુ દરમિયાન મોટા પાયે ગેરરીતિઓ થાય છે, જ્યાં ચોક્કસ જાતિ, વર્ગ અથવા સંગઠનોના ઉમેદવારોને પક્ષપાત કરવામાં આવે છે જ્યારે અન્યને બાકાત રાખવામાં આવે છે.</p><h2><b>ભરતી પ્રક્રિયામાં ઇન્ટરવ્યુ દરમિયાન લાંચ&nbsp;</b></h2><p>80મા સ્વતંત્રતા દિવસ પર ધ્વજવંદન સમારોહ પછી મીડિયા સાથે વાત કરતા, બાબા રામદેવે નોંધ્યું હતું કે ભરતી પ્રક્રિયાના ઇન્ટરવ્યુ તબક્કા દરમિયાન લાંચ અને પક્ષપાત અંગેની ફરિયાદો વારંવાર સપાટી પર આવે છે. તેમણે શાળાઓ અને કોલેજોમાં અપૂરતી સુવિધાઓનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.</p><p>તેમણે ચેતવણી આપી હતી કે જો સિસ્ટમમાં સુધારો નહીં થાય, તો તેમને વિરોધ શરૂ કરવાની ફરજ પડી શકે છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ અરાજકતા કે આંદોલનની હિમાયત કરતા નથી, પરંતુ દેશને સતાવતી અનિયમિતતાઓને સુધારવી જરૂરી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2088503577774055795"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3><b>દેશભરમાં હોબાળો મચી ગયો&nbsp;</b></h3><p>યોગ ગુરુ બાબા રામદેવે ટિપ્પણી કરી કે દેશભરમાં હોબાળો મચી ગયો છે. બાળકો શિક્ષકો, વીજળી, પાણી અને શૌચાલયના અભાવ અંગે ફરિયાદ કરી રહ્યા છે. તેમણે પરીક્ષામાં છેતરપિંડી, પેપર લીક અને કૌભાંડોના કિસ્સાઓ તરફ ધ્યાન દોર્યું . તેમણે દાવો કર્યો કે 99% જેટલા સરકારી નોકરીના ઇન્ટરવ્યુ ભ્રષ્ટાચારથી પ્રભાવિત છે. તેમણે ચેતવણી આપી કે અધિકારીઓને તેમના માર્ગો સુધારવા વિનંતી કરી, નહીં તો વધુ આંદોલનોનો સામનો કરવો પડશે. તેમણે એ પણ નોંધ્યું કે દેશમાં વ્યાપક ભ્રષ્ટાચાર છે.</p><h3><b>ઇન્ટરવ્યુ દરમિયાન કૌભાંડો થાય છે</b></h3><p>બાબા રામદેવે આરોપ લગાવ્યો કે 90% થી 99% સરકારી નોકરીના ઇન્ટરવ્યુમાં ભ્રષ્ટાચારનો સમાવેશ થાય છે. તેમણે દાવો કર્યો કે નોકરીઓ જાતિ, વર્ગ, સમુદાય અથવા વૈચારિક જોડાણના આધારે વ્યક્તિઓને આપવામાં આવે છે. જ્યારે અન્યને બાજુ પર રાખવામાં આવે છે. તેમણે આ પ્રથાને અપમાનજનક અને લોકશાહી સિદ્ધાંતોની વિરુદ્ધ ગણાવી.</p><h3><b>જો આંદોલનો ચાલુ રહેશે તો દેશ કેવી રીતે ચાલશે ?</b></h3><p>તેમણે અવલોકન કર્યું કે એક તરફ આપણે સત્યમેવ જયતે (સત્યનો જ વિજય) ની વાત કરીએ છીએ, તો બીજી તરફ પૂર્વ-આયોજિત સોદાઓ દ્વારા લાખો કે કરોડો રૂપિયાના બદલામાં નોકરીઓ વહેંચવામાં આવી રહી છે. તેમણે પ્રશ્ન કર્યો કે જો રાષ્ટ્ર સતત આંદોલનોમાં ફસાયેલું રહે તો દેશ કેવી રીતે ચાલી શકે. તેમણે કહ્યું કે હાલમાં એક રેકેટ કાર્યરત છે જ્યાં સરકારી નોકરીઓ માટે ભરતીમાં ₹50 લાખથી ₹1 કરોડ સુધીની લાંચનો સમાવેશ થાય છે.</p><h4><b>નહી તો મારે આંદોલનમાં કરવુ પડશે- બાબ રામદેવ&nbsp;</b></h4><p>બાબા રામદેવે કહ્યું કે હજી સમય છે સુધરી જાઓ નહીં તો દેશમાં વધુ આંદોલન થઇ શકે છે. તેમણે કહ્યું કે આમ તો આંદોલનના નામ પર અરાજકતાનું સમર્થન અને તેને સહન નથી કરતા. પરંતુ એ વાત પણ સાચી છે કે દેશમાં ભ્રષ્ટાચાર બહુ થાય છે. તેમણે કહ્યુ કે ગોટાળા સંકેલી લો નહીં કો એવી ના થાય કે બાબા રામદેવને આંદોલન કરવુ પડે. તેમણે કહ્યું કે આજ દેશમાં નફરત અને ઘૃણાનો માહોલ બની ગયો છે. દેશની સંસદમાં પક્ષ અને વિપક્ષ પાકિસ્તાન અને હિંદુસ્તાનની જેમ એકબીજાની વિરોધમાં ઉભા છે.&nbsp;</p><p><br></p><p><br></p><p><a href="https://sandesh.com/astrology/news/bhakti/shani-transit-shani-dev-will-have-a-great-move-luck-will-shine-for-4-zodiac-signs-from-august-20" target="_blank" style="background-color: rgb(255, 255, 255);">આ પણ વાંચો: Shani Transit: શનિ દેવ ચાલશે ગજબની ચાલ, 20 ઑગષ્ટથી 4 રાશિનું ચમકશે નસીબ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/15/EUxDXs9A5mY94MRtPoL5OLkIMJbuz0bGszeCuhlW.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : લગ્નની ખોટી લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ આચરનાર મોહંમદ ઇસુફ સામે ફરિયાદ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-narol-police-case-mohammad-isuf-rape-lure-of-marriage</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-narol-police-case-mohammad-isuf-rape-lure-of-marriage</guid><pubDate>Sat, 15 Aug 2026 13:10:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરના નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગ્નની લાલચ આપી યુવતી સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચરવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. આ મામલે પીડિત યુવતીએ ફતેવાડી કેનાલ વિસ્તારમાં રહેતા મોહંમદ ઇસુફ જુલહે નામના યુવક સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.</p><h2 style="text-align: justify; "><b>મસાલાના એક ગોડાઉનમાં બંનેની ઓળખાણ થઈ&nbsp;</b></h2><p style="text-align: justify; ">ફરિયાદમાં જણાવ્યા મુજબ, આશરે 2 વર્ષ પહેલા રાજ કાટા પાસે પીપળજ રોડ પર આવેલા મસાલાના એક ગોડાઉનમાં બંનેની ઓળખાણ થઈ હતી. ત્યારબાદ ફેસબુક મેસેન્જર મારફતે વાતચીત શરુ થઈ હતી. આરોપી મોહંમદ ઇસુફે પોતે અપરિણિત છે અને યુવતી સાથે જ લગ્ન કરશે તેવી ખાતરી આપીને તેને વિશ્વાસમાં લીધી હતી. લગ્નની લાલચ આપી આરોપીએ રાજ કાટા પાસેના ગોડાઉનમાં આશરે 3 મહિના સુધી સાથે રહીને યુવતી સાથે વારંવાર શરીર સંબંધ બાંધ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>એક મકાનમાં આશરે 3 મહિના સાથે રહ્યા&nbsp;</b></h3><p style="text-align: justify; ">ત્યારબાદ બંને કમોડ ચાર રસ્તા પાસેના એક મકાનમાં પણ આશરે 3 મહિના સાથે રહ્યા હતા. જોકે મકાન માલિકને બંને સાથે રહેતા હોવાની જાણ થતાં તેમણે મકાન ખાલી કરાવ્યું હતું. બાદમાં બંને વટવા ચાર માળિયા ખાતે ભાડે રહેવા ગયા હતા અને ત્યાં પણ આરોપીએ લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધવાનું ચાલુ રાખ્યું હતું.</p><h4 style="text-align: justify; "><b>આરોપી મોહંમદ ઇસુફે લગ્ન કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો</b></h4><p style="text-align: justify; ">ફેબ્રુઆરી-2026 માં યુવતીએ લગ્ન કરવા બાબતે વાત કરતાં આરોપી મોહંમદ ઇસુફે લગ્ન કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો અને બોલાચાલી બાદ ઘર છોડીને ભાગી ગયો હતો. આ સમગ્ર ઘટના અંગે યુવતીએ પોતાની બહેનોને જાણ કર્યા બાદ નારોલ પોલીસ સ્ટેશનમાં પહોંચી ફરિયાદ નોંધાવી હતી. નારોલ પોલીસે યુવતીની ફરિયાદના આધારે આરોપી મોહંમદ ઇસુફ જુલહે સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/india/ahmedabad/sandesh-indepth-gen-z-radio-to-reels-freedom-struggle-1942-congress-radio" target="_blank"><b>&nbsp;Sandesh Indepth : Gen Z જરૂર જાણે: એક રેડિયોએ કેવી રીતે હલાવી દીધું હતું બ્રિટિશ સામ્રાજ્ય? રેડિયોથી રીલ્સ સુધીની રોચક કહાની</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/15/DU3SYr4KzNUy2ppTYkk03aRLdCglNmKesH6NhoDq.webp'/></item><item><title><![CDATA[Mehsanaના વિસનગર નજીક પુદગામ ચેકડેમમાં કેમિકલયુક્ત ઝેરી પાણીના કારણે હજારો માછલીઓ અને કાચબાઓના મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/thousands-of-fish-and-turtles-die-due-to-chemically-contaminated-water-in-pudgam-check-dam-near-visnagar-mehsana</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/thousands-of-fish-and-turtles-die-due-to-chemically-contaminated-water-in-pudgam-check-dam-near-visnagar-mehsana</guid><pubDate>Sat, 15 Aug 2026 12:55:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલા પુદગામ ખાતે રૂપેણ નદીના કિનારે નિર્માણ કરાયેલા ચેકડેમમાંથી એક અત્યંત ચિંતાજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ચેકડેમમાં કોઈ અસામાજિક કે બેજવાબદાર તત્વો દ્વારા ગટરનું અત્યંત ગંદુ પાણી અથવા ફેક્ટરીઓનું કેમિકલયુક્ત ઝેરી પાણી ઠાલવવામાં આવ્યું હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. ઝેરી રસાયણો પાણીમાં ભળી જવાના કારણે ચેકડેમમાં રહેલી મોટી સંખ્યામાં માછલીઓ, કાચબાઓ અને દેડકાંઓ જેવા જળચર જીવોના તડપી-તડપીને કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>તીવ્ર દુર્ગંધથી સ્થાનિકોમાં આક્રોશ અને પશુપાલકોની ચિંતા</b></h2><p style="text-align: justify; ">પાણીની સપાટી પર મોટી સંખ્યામાં મૃત માછલીઓ અને જળચર જીવો તરતા જોવા મળતાં જ સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે. ચેકડેમ અને તેની આસપાસના વિસ્તારોમાં મૃત જીવોના કારણે અસહ્ય દુર્ગંધ ફેલાતાં સ્થાનિક રહીશોમાં ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, આ દૂષિત અને ઝેરી પાણીના કારણે સ્થાનિક પશુપાલકો પોતાના ઢોર-ઢાંખરને ચેકડેમમાંથી પાણી પીવડાવી શકતા નથી. પશુઓના જીવ પર પણ મોટું જોખમ ઊભું થતાં પશુપાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.</p><h3 style="text-align: justify; "><b>તંત્ર સામે સ્થાનિક લોકો દ્વારા કડક તપાસની માંગ</b></h3><p style="text-align: justify; ">આ ગંભીર જળ પ્રદૂષણ અને પર્યાવરણીય હોનારતને લઈને ગામના જાગૃત નાગરિકો અને પશુપાલકોમાં તીવ્ર રોષ વ્યાપી ગયો છે. સ્થાનિક લોકો દ્વારા તંત્ર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) પાસે માંગ કરવામાં આવી છે કે ચેકડેમના પાણીના નમૂના લઈ તાત્કાલિક પૃથ્થકરણ કરવામાં આવે. આ ઉપરાંત, પવિત્ર રૂપેણ નદીના કિનારે આવેલા ચેકડેમમાં ઝેરી કેમિકલયુક્ત પાણી ઠાલવી જળચર જીવોનો સંગઠિત સંહાર કરનારા કસૂરવારો સામે તાત્કાલિક ધોરણે ગુનો નોંધીને કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી જોરદાર માંગ ઉઠી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/15/2umOkwqkd14N3dyejeaz8m0K6Bbhhblq3rUDWbWn.webp'/></item><item><title><![CDATA[Frooti & Appyના શોખીન ચેતીજજો, દરોડામાં મળી એક્સપાયર્ડ વસ્તુઓ... તાબડતોડ રદ કર્યું પાર્લે એગ્રોનું લાયસન્સ ]]></title><link>https://sandesh.com/india/news/frooti-and-appy-fizz--maharashtra-fda-seizes-expired-stock-worth-rs-1-lakh-at-parle-agro-warehouse</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/frooti-and-appy-fizz--maharashtra-fda-seizes-expired-stock-worth-rs-1-lakh-at-parle-agro-warehouse</guid><pubDate>Sat, 15 Aug 2026 12:33:54 +05:30</pubDate><description><![CDATA[<p>Frooti &amp; Appy: ફ્રુટી અને એપી ફિઝ જેવા લોકપ્રિય પીણાં બનાવનારી કંપીની પાર્લે એગ્રોના મુંબઈ વેરહાઉસ સામે મહારાષ્ટ્ર FDA એ મોટી કાર્યવાહી કરી છે, જે  FDA ના દરોડા દરમિયાન ઘણી વધારે એક્સપાર્યર્ડ થયેલા સામાનનો સ્ટોક મળ્યો છે.  પરિણામે, અધિકારીઓએ આશરે ₹99,970 ની કિંમતનો સમયસીમા સમાપ્ત થયેલ સ્ટોક જપ્ત કર્યો અને વેરહાઉસનું લાયસન્સ સસ્પેન્ડ કર્યું.</p><p><br></p><p>મુંબઈમાં FDA દ્વારા હાથ ધરવામાં આવેલા ચાલુ ખાદ્ય સુરક્ષા અભિયાન વચ્ચે આ કાર્યવાહી કરવામાં આવી હતી. અધિકારીઓએ વેરહાઉસને સીલ કરી દીધું છે અને પરિસરમાંથી માલ કાઢવા કે વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે.</p><h4><b>વેરહાઉસમાં શું મળી આવ્યું?</b></h4><p>મહારાષ્ટ્ર FDA ટીમે મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં સ્થિત પાર્લે એગ્રોના 'વેલોસિટી એક્સપ્રેસ' વેરહાઉસ પર દરોડા પાડ્યા હતા. આ સુવિધા LU ગડકરી માર્ગ પર પ્રયાગ નગર, વાશી નાકા વિસ્તારમાં આવેલી છે. નિરીક્ષણ દરમિયાન, અધિકારીઓને ફ્રુટી, એપી ફિઝ અને કેન્ડી જ્યુસના અસંખ્ય સમયસીમા સમાપ્ત થયેલા બેચ મળી આવ્યા. આ માલના વેચાણ અને પરિવહન પર હવે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા સ્ટોકની કુલ કિંમત આશરે ₹99,970 હોવાનો અંદાજ છે.</p><h4><b>આ કાર્યવાહી કેટલો સમય ચાલી?</b></h4><p>મીડિયા અહેવાલો અનુસાર, FDA કામગીરી 13 ઓગસ્ટના રોજ સાંજે 6 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી અને બીજા દિવસે, 14 ઓગસ્ટના રોજ સવારે 5 વાગ્યા સુધી ચાલુ રહી. FDA ના આઠ અધિકારીઓએ આ કાર્યવાહીમાં ભાગ લીધો હતો. સમયસીમા સમાપ્ત થયેલા સ્ટોકને જપ્ત કરવા ઉપરાંત, અધિકારીઓએ વેરહાઉસને સીલ કરી દીધું હતું અને ઉત્પાદનોના પરિવહન માટે ઉપયોગમાં લેવાતા બે વાહનોને જપ્ત કર્યા હતા.</p><h4><b>લાયસન્સ શા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું?</b></h4><p>દરોડાના પગલે, FDA એ વેરહાઉસના ફૂડ બિઝનેસ લાઇસન્સને સસ્પેન્ડ કરી દીધું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગામી આદેશો સુધી પરિસરમાંથી ખાદ્ય કે પીણાની વસ્તુઓનું વેચાણ કે અવરજવર કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ કાર્યવાહી ખાદ્ય સુરક્ષા ઉલ્લંઘન અને સમયસીમા સમાપ્ત થયેલા ઉત્પાદનોના વેચાણ કે પુરવઠા પર કડક કાર્યવાહીના ભાગ રૂપે લેવામાં આવી હતી.</p><p>શું લોકોએ સમયસીમા સમાપ્ત થયેલા ફ્રુટીનું સેવન કર્યું છે? રિપોર્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે જપ્ત કરાયેલ સમયસીમા સમાપ્ત થયેલ સ્ટોક બજારમાં વેચાણ માટે પહેલેથી જ પહોંચી ગયો હતો કે કોઈ ગ્રાહકે તે ખરીદ્યો હતો. હાલ માટે, FDA એ ફક્ત સ્ટોકનું વેચાણ અને પરિવહન અટકાવી દીધું છે. તેથી, આ ઘટના અંગેની અફવાઓ પર આધાર રાખવાને બદલે, ગ્રાહકોએ વધુ અપડેટ્સની રાહ જોવી જોઈએ.</p><p><br></p><h4><b>સતત ચાલું છે કાર્યવાહી</b></h4><p>પાર્લે એગ્રો વેરહાઉસ સામે આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે જ્યારે મહારાષ્ટ્ર એફડીએ ખાદ્ય સુરક્ષા નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે મુંબઈમાં સતત નિરીક્ષણ કરી રહ્યું છે. આ પહેલા, 12 ઓગસ્ટના રોજ, ચાર ડોમિનોઝ પિઝા આઉટલેટ્સના ફૂડ બિઝનેસ લાઇસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.<br><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/karnataka-govt-withdraws-1-year-ban-on-gutkha-and-tobacco-pan-masala" target="_blank"><b>Karnatakaમાં ગુટખા ખાનારા માટેના ખાસ સમાચાર, કર્ણાટકમાં પ્રતિબંધ પાછો ખેંચાયો</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/15/xxK8o9QWUTwUmYC7ZDFnBb65MrLttVf7Zv1O6NYo.webp'/></item><item><title><![CDATA[Botadના સાળંગપુરધામમાં પવિત્ર શ્રાવણ માસ અને 15મી ઓગસ્ટની અનોખી ઉજવણી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/botad/unique-celebration-of-the-holy-month-of-shravan-and-15th-august-in-salangpurdham-botad</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/botad/unique-celebration-of-the-holy-month-of-shravan-and-15th-august-in-salangpurdham-botad</guid><pubDate>Sat, 15 Aug 2026 12:28:07 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોટાદના પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે પવિત્ર શ્રાવણ માસ અને 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના સમન્વય સાથે શ્રી કષ્ટભંજનદેવ દાદાનો વિશેષ ત્રિરંગા શણગાર કરવામાં આવ્યો હતો. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ દાદાને વિશેષ વાઘા પહેરાવવામાં આવ્યા હતા. શ્રી હનુમાનજી મહારાજ અને ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપોને આકર્ષક રીતે સુશોભિત કરી મંદિર પરિસરમાં પણ ત્રિરંગા થીમની સજાવટ કરાઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>દિવ્ય શિવલિંગ, ટેડી બેર અને કેક બન્યા આકર્ષણનું કેન્દ્ર</b></h2><p style="text-align: justify; ">આ અવસરે દાદાને કેળા, સફરજન, કેરી, ચીકુ, પપૈયા, જામફળ, મોસંબી અને અનાનાસ સહિત વિવિધ ફળોનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ ભવ્ય ઉજવણી દરમિયાન શ્રદ્ધાળુઓ માટે વિશેષ કલાત્મક આકર્ષણો પણ તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાં કાળી દ્રાક્ષ અને વિવિધ ફળોના ઉપયોગથી બનાવેલું દિવ્ય શિવલિંગ, તાજા ફળોમાંથી તૈયાર કરાયેલું ટેડી બેર તેમજ ત્રિરંગા થીમની વિશાળ કેક ભક્તોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા. આ ઉપરાંત, મંદિરની યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું ભવ્ય આયોજન કરાયું હતું.</p><p style="text-align: justify; "><img alt="Unique devotion at Salangpur Hanumanji Temple" src="https://epapercdn.sandesh.com/images/2026/08/15/lQZlMOrcQ2kBLcpdqZ6yDgO69hvIFStLdFt0YUrL.webp"><br></p><h3 style="text-align: justify; "><b>શ્રાવણી હિંડોળા દર્શનનો મંગલ પ્રારંભ</b></h3><p style="text-align: justify; ">પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શ્રીહરિ મંદિરમાં દિવ્ય અને ભવ્ય શ્રાવણી હિંડોળા દર્શનનો પણ મંગલ પ્રારંભ થયો હતો. સાળંગપુરધામના સંતો અને હરિભક્તોએ સતત ત્રણ મહિના સુધી અથાક ભક્તિભાવપૂર્વક મહેનત કરીને આ નયનરમ્ય હિંડોળા તૈયાર કર્યા છે. અદભુત કલાત્મક સજાવટ, ઝીણવટભર્યું કોતરણી કામ અને શ્રીજી મહારાજના મનોહર સ્વરૂપના દર્શન કરીને દેશ-વિદેશથી આવેલા હરિભક્તો ભાવવિભોર બન્યા હતા. સાળંગપુરધામ ખાતે યોજાયેલા આ ત્રિરંગા શણગાર, ફળ-અન્નકૂટ અને હિંડોળા દર્શનનો લાભ લઈ હજારો ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/15/4IBPNvketttq7faiRKMpIgWZshYXGKMFMb81Sjva.webp'/></item><item><title><![CDATA[વાંચો સવારે 08થી બપોરે 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/today-top-breaking-news-bulletin-gujarat-india-read-important-news-from-08-am-to-12-pm-15-august-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/today-top-breaking-news-bulletin-gujarat-india-read-important-news-from-08-am-to-12-pm-15-august-2026</guid><pubDate>Sat, 15 Aug 2026 12:01:28 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર&nbsp; &nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/independence-day-2026-youth-are-the-demographic-dividend-if-not-taken-care-of-they-will-be-the-burden-mohan-bhagwat-warned" target="_blank">1. Independence Day 2026: યુવાઓ ડેમોગ્રાફિક ડિવિડન્ડ, સંભાળ્યા નહીં તો બોજ...મોહન ભાગવતે ચેતવ્યા</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/entertainment/news/independence-day-2026-akshay-kumar-anupam-kher-bollywood" target="_blank">2. Independence Day 2026 : અક્ષય કુમારથી લઈને અનુપમ ખેર સુધી, દેશભક્તિના રંગમાં રંગાયા આ બોલીવુડ સેલેબ્સ!</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/crime/surat/surat-dumas-farmhouse-liquor-party-raid-women-arrested-bapuji-ni-vadi" target="_blank">3. Surat : ડુમસમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી ઝડપાઈ: 8 મહિલા સહિત 20 લોકોની અટકાયત</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/world/news/trumps-statement--irans-sharp-retort-wont-be-intimidated-by-speeches-or-threats-" target="_blank">4. Iran કોઈના ભાષણ કે ધમકીથી ડરશે નહીં... હોર્મુઝ પર કબ્જાના દાવા પર ઘરીબબાદીનો ટ્રમ્પને જડબાતોડ જવાબ</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/patan/patan-radhanpur-folk-singer-kinjal-rabari-marriage-mukesh-rabari" target="_blank">5. Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/crime/jetpur/rajkot-range-dig-nirlipt-rai-raid-jetpur-hotel-vrajvatika-gambling-club" target="_blank">6. Rajkot : રેન્જ ડીઆઈજીની ટીમ દ્વારા હાઈપ્રોફાઈલ જુગાર ક્લબ પર દરોડો, 41 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/independence-day-2026-freed-from-armed-naxalites-left-behind-from-brainy-naxalitespm-modi-gave-a-warning" target="_blank">7 Independence Day 2026: હથિયારધારી નક્સલીઓથી મુક્ત થયા, દિમાગી નક્સલીઓથી બાકી..PM Modiએ આપી ચેતવણી</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/independence-day-celebration-amreli-vadodara" target="_blank">8. Amreliથી Vadodara સુધી દેશભક્તિનો ઉમંગ: CM ભૂપેન્દ્ર પટેલ અને DyCM હર્ષ સંઘવીનું રાષ્ટ્રને પ્રેરણાદાયી સંબોધન</a>&nbsp;<br></b></p><p><br></p><p><a href="https://sandesh.com/india/breakingnews/independence-day/80th-independence-day-pm-modi-red-fort-vande-mataram-celebrations" target="_blank"><b>9.&nbsp; Independence Day 2026 : 1 વર્ષમાં 1 કરોડ યુવાઓને અપાશે AI ટ્રેનિંગ, પીએમની મહત્વની જાહેરાત</b></a>&nbsp;&nbsp;</p><p><br></p><p><a href="https://sandesh.com/cricket/news/ind-vs-sl-1st-test-yashasvi-jaiswals-mistake-cost-him-dearly-this-is-how-the-innings-ended" target="_blank"><b>10. IND vs SL 1st Test: યશસ્વી જયસ્વાલની આ ભૂલ ભારે પડી, આ રીતે ઈનિંગ્સનો આવ્યો અંત</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/15/JeEHzdONWqZEw2qCyd53TvqnEqxPibuAAssCTcyV.webp'/></item><item><title><![CDATA[Hockey World Cup 2026 : ભારત vs વેલ્સ વચ્ચે આજે ટક્કર ,જાણો કોણ મારશે બાજી? ]]></title><link>https://sandesh.com/sports/news/hockey-world-cup-2026-india-vs-wales-clash-today-know-who-will-win-the-bet</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/hockey-world-cup-2026-india-vs-wales-clash-today-know-who-will-win-the-bet</guid><pubDate>Sat, 15 Aug 2026 11:35:07 +05:30</pubDate><description><![CDATA[<p>હોકી વર્લ્ડ કપ 15 ઓગસ્ટથી શરૂ થશે, આ વખતે બેલ્જિયમ અને નેધરલેન્ડ્સ સંયુક્ત રીતે આયોજિત કરી રહ્યા છે.ચાહકો ભારતીય પુરુષ અને મહિલા હોકી ટીમો પર નજીકથી નજર રાખશે,અને તેમના દ્વારા સારું પ્રદર્શન કરવાની અપેક્ષા છે.ભારતીય પુરુષ હોકી ટીમને ઇંગ્લેન્ડ,વેલ્સ અને પાકિસ્તાન સાથે પૂલ ડીમાં મૂકવામાં આવી છે. ભારતીય ટીમ 15 ઓગસ્ટે વેલ્સ સામેની મેચથી તેના અભિયાનની શરૂઆત કરશે,જેમાં ત્રણેય ગ્રુપ સ્ટેજ મેચ તેમના માટે મહત્વપૂર્ણ છે.આ વખતે, પુરુષ અને મહિલા હોકી વર્લ્ડ કપ બંને ટુર્નામેન્ટમાં 16ટીમો ભાગ લઈ રહી છે. હોકી વર્લ્ડ કપનું ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.</p><h4><b>ભારત અને વેલ્સ મેચ ક્યાં, ક્યારે અને કયા જોવા મળશે</b></h4><p>હોકી વર્લ્ડ કપ 2026માં ભારતીય પુરુષ હોકી ટીમનો પહેલો મેચ વેલ્સ સામે હશે, જે એમ્સ્ટલવીનના વેગનર હોકી સ્ટેડિયમમાં રમાશે. મેચ ભારતીય સમય મુજબ સાંજે 4.30 વાગ્યે શરૂ થશે. ભારતીય ચાહકો આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ટીવી પર લાઈવ જોઈ શકે છે, જ્યારે મેચ જિયો હોટસ્ટાર પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે. ભારતીય હોકી ટીમનો વેલ્સ સામે પ્રભાવશાળી રેકોર્ડ છે, તેણે હાલમાં 15મા ક્રમે રહેલા વેલ્સ સામે ચાર મેચ રમી છે અને તે બધી જીતી છે. ટીમ ઈન્ડિયાનો અગાઉનો વર્લ્ડ કપ 2003માં રમાયો હતો અને તે સફળ રહ્યો હતો.</p><h5><b>51 વર્ષના દુષ્કાળનો અંત</b></h5><p>ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો પડકાર 51 વર્ષના દુષ્કાળનો અંત લાવવાનો રહેશે. ભારતીય હોકી ટીમે છેલ્લે 1975માં વર્લ્ડ કપમાં પોડિયમ ફિનિશિંગ હાંસલ કર્યું હતું, જેમાં ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. ત્યારથી, ટીમ ઈન્ડિયા પોડિયમ પર પહોંચી શકી નથી. ભારતીય પુરુષ હોકી ટીમે રાજગીરમાં આયોજિત 2025 એશિયા કપ જીતીને આ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું હતું. હરમનપ્રીત સિંહની કેપ્ટનશીપ હેઠળ આ સિઝનમાં ટીમ ઈન્ડિયાના ફોર્મને જોતાં, તેમની પાસે ટાઇટલ જીતવાની મોટી તક છે. પૂલ સ્ટેજમાં, ફક્ત ઇંગ્લેન્ડ જ ભારતીય હોકી ટીમ કરતાં વધુ સારી રેન્કિંગ ધરાવે છે, જે ત્રીજા ક્રમે છે. વેલ્સ 15મા ક્રમે છે જ્યારે પાકિસ્તાન 12મા ક્રમે છે.</p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/hockey-world-cup-2026-high-voltage-match-to-be-played-between-india-and-pakistan-know-the-complete-schedule" target="_blank"> Hockey World Cup 2026 : ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે હાઈ વોલ્ટેજ મેચ, જાણો સંપૂર્ણ શેડ્યૂલ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/15/17mwgjTgK2XMVzufGGdl5jFHoiwdHqUK2qnohR2W.webp'/></item><item><title><![CDATA[Petrol Diesel Price Today: 15 ઑગષ્ટે મોટા સમાચાર, ઘટાડ્યો વિંડફોલ ટેક્સ, તો શું સસ્તુ થશે પેટ્રોલ ડીઝલ ? ]]></title><link>https://sandesh.com/business/news/petrol-diesel-price-today-big-news-on-august-15-windfall-tax-reduced-so-will-petrol-diesel-prices-become-cheaper</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/petrol-diesel-price-today-big-news-on-august-15-windfall-tax-reduced-so-will-petrol-diesel-prices-become-cheaper</guid><pubDate>Sat, 15 Aug 2026 09:38:49 +05:30</pubDate><description><![CDATA[<p>Petrol Diesel Price Today: પેટ્રોલ અને ડીઝલ ખરીદનારાઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને જેટ ફ્યુઅલ (ATF) ની નિકાસ પરના વિન્ડફોલ ટેક્સમાં સુધારો કર્યો છે, જે 15 ઓગસ્ટથી લાગુ થશે. પેટ્રોલ પરની નિકાસ ડ્યુટી સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી છે, જ્યારે ડીઝલ અને ATF પરનો ટેક્સ પણ ઘટાડવામાં આવ્યો છે. આ સરકારનો નિર્ણય આજથી, 15 ઓગસ્ટથી અમલમાં આવ્યો છે. પરિણામે, સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થાય છે: શું વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો સામાન્ય લોકો માટે પેટ્રોલ અને ડીઝલ સસ્તું કરશે? શું આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે?</p><h2><b>સરકારે પેટ્રોલ અને ડીઝલ પરનો ટેક્સ કેટલો ઘટાડ્યો છે?</b></h2><p>સરકારે પેટ્રોલ, ડીઝલ અને ATF પરની નિકાસ ડ્યુટી ઘટાડી છે. 15 ઓગસ્ટથી લાગુ થતાં, પેટ્રોલ પરની નિકાસ ડ્યુટી ₹3.5 પ્રતિ લિટરથી ઘટાડીને શૂન્ય કરવામાં આવી છે; આનો અર્થ એ છે કે હવે પેટ્રોલ નિકાસ પર કોઈ વિન્ડફોલ ટેક્સ લાગશે નહીં. જ્યારે ડીઝલ પરની નિકાસ ડ્યુટી ₹25.5 થી ઘટાડીને ₹24 પ્રતિ લિટર કરવામાં આવી છે. ATF (એવિએશન ટર્બાઇન ફ્યુઅલ) પરની ડ્યુટી પણ ₹22 થી ઘટાડીને ₹19.5 પ્રતિ લિટર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સરકારે પેટ્રોલ ડીઝલ અને ATF પર નિકાસ ડ્યુટી વધારીને ₹2.5 થી વધારીને ₹3.5 પ્રતિ લિટર કરવામાં આવી હતી. ડીઝલ પરની કુલ ડ્યુટી ₹15.5 થી વધારીને ₹25.5 પ્રતિ લિટર કરવામાં આવી હતી, અને ATF પરની ડ્યુટી ₹14.5 થી વધારીને ₹22 કરવામાં આવી હતી.</p><h3><b>આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ (15 ઓગષ્ટ ગુડ રિટર્ન્સ અનુસાર)&nbsp;</b></h3><ul><li>દિલ્હી – પેટ્રોલ: 102.12 રૂપિયા | ડીઝલ: 95.20 રૂપિયા</li><li>કોલકાતા – પેટ્રોલ: 113.51 રૂપિયા | ડીઝલ: 99.82 રૂપિયા</li><li>મુંબઈ – પેટ્રોલ: 111.21 રૂપિયા | ડીઝલ: 97.83 રૂપિયા</li><li>ચેન્નઈ – પેટ્રોલ: 107.78 રૂપિયા | ડીઝલ: 99.56 રૂપિયા</li><li>બેંગલુરુ – પેટ્રોલ: 110.93 રૂપિયા | ડીઝલ: 98.80 રૂપિયા</li><li>જયપુર – પેટ્રોલ: 113.97 રૂપિયા | ડીઝલ: 98.96 રૂપિયા</li><li>લખનૌ – પેટ્રોલ: 102.68 રૂપિયા | ડીઝલ: 96.10 રૂપિયા</li></ul><p><b style="font-size: 1.75rem;">ગુજરાતના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ&nbsp;</b></p><p>ગુજરાતમાં શહેર પ્રમાણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડો તફાવત જોવા મળી શકે છે. 14 ઓગસ્ટના લેટેસ્ટ ભાવ નીચે મુજબ છે:</p><p><br></p><table class="table table-bordered"><tbody><tr><td><b>શહેર&nbsp;</b></td><td><b>પેટ્રોલ /લિટર&nbsp;</b></td><td><b>ડીઝલ/લિટર&nbsp;</b></td></tr><tr><td>અમદાવાદ&nbsp;</td><td>₹102.15</td><td>&nbsp;₹97.92&nbsp;&nbsp;</td></tr><tr><td>ગાંધીનગર&nbsp;</td><td>₹102.96&nbsp;</td><td>₹98.08&nbsp;</td></tr><tr><td>રાજકોટ&nbsp;</td><td>₹101.56</td><td>&nbsp;₹97.69</td></tr><tr><td>સુરત&nbsp;</td><td>₹102.06&nbsp;</td><td>₹98.19</td></tr><tr><td>વડોદરા&nbsp;</td><td>₹101.84&nbsp;</td><td>₹97.96&nbsp;</td></tr></tbody></table><p><b style="font-size: 1.5rem;">ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ કેવી રીતે નક્કી થાય છે?</b></p><p>ભારતમાં પેટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા દૈનિક ધોરણે જાહેર કરવામાં આવે છે. સામાન્ય રીતે નવા ભાવ દરરોજ સવારે 6 વાગ્યાથી લાગુ થાય છે.પેટ્રોલ અને ડીઝલના અંતિમ ભાવમાં ક્રૂડ ઓઇલની કિંમત ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારના કર, ડીલર કમિશન, પરિવહન ખર્ચ અને અન્ય ઘટકોનો સમાવેશ થાય છે. આ કારણે દેશના અલગ-અલગ રાજ્યો અને શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ હોઈ શકે છે.</p><p><b style="font-size: 1.5rem;">પેટ્રોલ અને ડીઝલના આજના ભાવ કેવી રીતે તપાસવા?</b></p><p>પેટ્રોલ અને ડીઝલના દૈનિક ભાવ જાણવા માટે ગ્રાહકો સંબંધિત ઓઇલ માર્કેટિંગ કંપનીની સત્તાવાર વેબસાઇટ અથવા SMS સેવા દ્વારા ભાવ તપાસી શકે છે.</p><p>ઇન્ડિયન ઓઇલના ગ્રાહકો RSP લખીને સ્પેસ બાદ શહેરનો કોડ લખી 9224992249 પર SMS કરી શકે છે. BPCLના ગ્રાહકો RSP લખીને સ્પેસ બાદ શહેરનો કોડ 9223112222 પર મોકલી શકે છે. HPCLના ગ્રાહકો HPPRICE લખીને સ્પેસ બાદ શહેરનો કોડ 9222201122 પર SMS કરીને ઇંધણના ભાવ જાણી શકે છે.&nbsp;</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2025/03/22/31knHz2nH0bBqMlArJYS8xSdRjG4Yy9I0DWdr1Us.jpg'/></item></channel></rss>