<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Surat: હોટ ફિક્સ કચરાના નિકાલ માટે SMC બનાવશે નવી નીતિ; સ્વચ્છતા અને રોજગાર બંને જળવાશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/hotfix-waste-management-review-meeting-minister-praful-pansheriya-smc</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/hotfix-waste-management-review-meeting-minister-praful-pansheriya-smc</guid><pubDate>Tue, 01 Sep 2026 16:21:26 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત શહેરના મુખ્ય ટેક્સટાઇલ હબ ગણાતા વરાછા, પુણા-સીમાડા, સરથાણા, લિંબાયત અને કતારગામ જેવા વિસ્તારોમાં ટેક્સટાઇલ પર હોટફિક્સ (નંગ અને ડાયમંડ ચોંટાડવા) નું કામ મોટા પાયે ચાલે છે. આ યુનિટ્સ મોટાભાગે રહેણાંક વિસ્તારોમાં ચાલતા હોવાથી અને તેનાથી ઉત્પન્ન થતો નકામો કચરો જાહેર રસ્તાઓ કે ડમ્પિંગ સાઇટ પર જતો હોવાથી સ્થાનિક સ્તરે ગંભીર સમસ્યાઓ સર્જાઈ રહી છે.</p><h2><b>સુરતમાં હોટફિક્સ કચરાની સમસ્યા</b></h2><p>તકનીકી રીતે હોટફિક્સ કચરો ઔદ્યોગિક કચરાની શ્રેણીમાં આવે છે. હોટફિક્સ સીટો કે સામગ્રી પાછળ ગુંદરનું ખાસ સ્તર હોવાના કારણે તેનું સામાન્ય પ્લાસ્ટિકની જેમ રિસાયક્લિંગ કરવું અત્યંત મુશ્કેલ બને છે. નિયમ મુજબ આ કચરાના સુરક્ષિત નિકાલની પ્રાથમિક જવાબદારી સંબંધિત ઉદ્યોગોની રહે છે, પરંતુ યોગ્ય વ્યવસ્થાના અભાવે આ સમસ્યા વિકટ બની હતી.</p><h3><b>સ્વચ્છતા અને રોજગારી બંને મહત્વપૂર્ણ</b></h3><p>આ સમસ્યાના કાયમી અને વ્યવહારુ ઉકેલ માટે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ મીટિંગ યોજી હતી. બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે SMC દ્વારા પ્લાસ્ટિક અને હોટફિક્સ કચરાને અલગથી એકત્રિત કરવા માટે ખાસ પ્લોટ ફાળવવાની ગંભીરતાપૂર્વક વિચારણા કરવામાં આવશે.</p><h4><b>SMC અધિકારીઓ સાથે હાઇલેવલ વર્ચ્યુઅલ બેઠક</b></h4><p>આ ગૃહઉદ્યોગ સાથે હજારો નાના વેપારીઓ અને ગરીબ કારીગરો રોજીરોટી મેળવી રહ્યા છે, તેથી કોઈ કડક પગલાંથી તેમની રોજીરોટી છીનવાય નહીં તેનું ખાસ ધ્યાન રખાશે. બેઠક બાદ મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, “સ્વચ્છતા અને રોજગારી બંને મહત્વપૂર્ણ છે, બંને વચ્ચે સંતુલન જાળવીને ઉકેલ લાવવામાં આવશે.” SMC દ્વારા ટૂંક સમયમાં હોટફિક્સ કચરાના યોગ્ય કલેક્શન અને વૈજ્ઞાનિક નિકાલ માટેની નીતિ ઘડીને અમલમાં મૂકવામાં આવશે, જેથી રહેણાંક વિસ્તારોમાં સ્વચ્છતા જળવાઈ રહે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/muli/muli-bhavanigarh-liquor-raid-rajkot-range-team-seizes-goods" target="_blank">આ પણ વાંચો: Surendranagar: ભવાનીગઢમાં દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી પર રાજકોટ રેન્જ ટીમનો દરોડો, 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/p7hCyWtUVj8oc6Q4ELQVumAsNkHLlC91apn2ESVH.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : અડધો બ્રિજ અધૂરો, પણ ચમકાવવાની ઉતાવળ, નરોડા પાટિયા બ્રિજમાં મનપાની કામગીરી સામે સવાલો ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-naroda-patiya-incomplete-bridge-painting-amc-questions</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-naroda-patiya-incomplete-bridge-painting-amc-questions</guid><pubDate>Tue, 01 Sep 2026 16:16:41 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં મનપાની કામગીરીનો વધુ એક વિચિત્ર નમૂનો સામે આવ્યો છે. અહીં બ્રિજનું બાંધકામ હજુ સંપૂર્ણ રીતે પૂર્ણ થયું નથી, બ્રિજનો વચ્ચેનો મહત્વનો ભાગ પણ અધૂરો છે, પરંતુ જે ભાગનું કામ પૂર્ણ થયું છે ત્યાં કલરકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. અધૂરા બ્રિજને અડધો ચમકાવવાની આ કામગીરીને લઈને હવે મનપાની આયોજનશક્તિ અને ખર્ચ સામે સવાલો ઊભા થયા છે.</p><h2 style="text-align: justify; "><b>બ્રિજના કેટલાક ભાગમાં બાંધકામનું કામ ચાલુ&nbsp;</b></h2><p style="text-align: justify; ">નરોડા પાટિયા વિસ્તારનો બ્રિજ હજુ નાગરિકોના ઉપયોગ માટે સંપૂર્ણ રીતે તૈયાર થયો નથી. એક તરફ બ્રિજના કેટલાક ભાગમાં બાંધકામનું કામ ચાલુ છે, જ્યારે બીજી તરફ પૂર્ણ થયેલા ભાગ પર કલરકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. એટલે કે બ્રિજનું કામ પૂર્ણ થયા પહેલા જ તેને ચમકાવવાની કામગીરી શરૂ થતાં સ્થાનિકોમાં પણ ચર્ચા જાગી છે.</p><p style="text-align: justify; "><img alt="Ahmedabad: Naroda Patiya Bridge Remains Incomplete as Painting Begins, Raising Questions Over AMC Planning and Public Money" src="https://epapercdn.sandesh.com/images/2026/09/01/P7D2dTsCNJNDxWHqa5WVMvUhe3UvS1vB9aOFIipz.webp" style="width: 100%;"><br></p><h3 style="text-align: justify; "><b>વચ્ચેનો ભાગ અધૂરો, અડધા બ્રિજ પર કલર</b></h3><p style="text-align: justify; ">બ્રિજનો મહત્વનો વચ્ચેનો ભાગ હજુ અધૂરો હોવાનું સામે આવ્યું છે. છતાં તૈયાર થયેલા ભાગને કલરથી ચમકાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે સંપૂર્ણ બાંધકામ પૂર્ણ થયા બાદ એકસાથે ફિનિશિંગ અને કલરકામ કરવામાં આવતું હોય છે, ત્યારે અહીં પહેલા કલરકામ શરૂ કરવાનું કારણ શું તેવો સવાલ ઊભો થયો છે.</p><h3 style="text-align: justify; "><b>ફરી કામ થશે તો કલરનો ખર્ચ કોણ ભોગવશે?</b></h3><p style="text-align: justify; ">સ્થાનિકોમાં સૌથી મોટો સવાલ એ છે કે જો અધૂરા બ્રિજનું બાંધકામ પૂર્ણ કરતી વખતે પહેલેથી કલર કરાયેલા ભાગને નુકસાન થાય તો શું ફરી કલરકામ કરવું પડશે? જો ફરી ખર્ચ કરવો પડે તો તેનો બોજો આખરે નાગરિકોના પૈસા પર જ આવશે તેવી ચર્ચા છે.</p><p style="text-align: justify; "><img alt="Ahmedabad: Naroda Patiya Bridge Remains Incomplete as Painting Begins, Raising Questions Over AMC Planning and Public Money" src="https://epapercdn.sandesh.com/images/2026/09/01/vVmzCDjBPnbYNMOOSRWkrQK6Ajf3vrl2QggAMCmq.webp" style="width: 100%;"><br></p><h3 style="text-align: justify; "><b>વિકાસકાર્ય પૂર્ણ કરવાની જગ્યાએ દેખાવ પર ભાર?</b></h3><p style="text-align: justify; ">એક તરફ અમદાવાદમાં અધૂરા રોડ, બ્રિજ અને અન્ય વિકાસકાર્યોને લઈને નાગરિકો પરેશાન છે. બીજી તરફ નરોડા પાટિયા ખાતે બ્રિજ સંપૂર્ણ તૈયાર થાય તે પહેલા જ કલરકામ શરૂ થતાં મનપાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.</p><h4 style="text-align: justify; "><b>બ્રિજનું બાંધકામ ક્યારે પૂર્ણ થશે?&nbsp;</b></h4><p style="text-align: justify; ">હવે સવાલ એ છે કે બ્રિજનું બાંધકામ ક્યારે પૂર્ણ થશે? કલરકામ પહેલાં બાકી રહેલું કામ પૂર્ણ કરવાની જરૂર કેમ ન સમજાઈ? અને આ કામગીરી પાછળ કેટલો ખર્ચ કરવામાં આવી રહ્યો છે? આ તમામ પ્રશ્નોના જવાબની નાગરિકો રાહ જોઈ રહ્યા છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/world/news/nepal-flash-flood-lone-house-survives-village-swept-away-viral-video" target="_blank"><b>Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/H3YmI0CstsfH1yUby4bEvOiQFs50uYPiiPOqC3Ny.webp'/></item><item><title><![CDATA[Bank Strike: બેંક કર્મચારીઓનો મોટો નિર્ણય, 11 સપ્ટેમ્બરથી હડતાળ; 26 ઓક્ટોબરથી અનિશ્ચિતકાળીન બંધ ]]></title><link>https://sandesh.com/india/news/business/bank-strike-big-decision-of-bank-employees-strike-from-september-11-indefinite-shutdown-from-october-26</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/bank-strike-big-decision-of-bank-employees-strike-from-september-11-indefinite-shutdown-from-october-26</guid><pubDate>Tue, 01 Sep 2026 16:14:08 +05:30</pubDate><description><![CDATA[<p>બેંક યુનિયનોએ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને ત્રણ તબક્કામાં હડતાળનું એલાન કર્યું છે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા બેંક કર્મચારીઓની હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત 11 સપ્ટેમ્બરે એક દિવસની હડતાળ, 28થી 30 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસની હડતાળ અને 26 ઓક્ટોબર 2026થી અનિશ્ચિતકાળીન હડતાળનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે.</p><h2><b>પાંચ દિવસનું બેંકિંગ સપ્તાહ લાગુ કરવાની માંગ</b></h2><p>બેંક યુનિયનોની મુખ્ય માંગણીઓમાં 8 માર્ચ 2024ના રોજ થયેલા કરાર મુજબ પાંચ દિવસનું બેંકિંગ સપ્તાહ લાગુ કરવાની માંગ સામેલ છે. આ ઉપરાંત સરકારની પરફોર્મન્સ લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજના પરત ખેંચવાની માંગ કરવામાં આવી છે. યુનિયનોએ દ્વિપક્ષીય વાટાઘાટો દ્વારા પ્રોત્સાહન યોજનામાં સુધારો કરવાની અને લાંબા સમયથી પડતર રહેલા અન્ય મુદ્દાઓનો ઉકેલ લાવવાની પણ માંગ કરી છે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સનું કહેવું છે કે આ માંગણીઓને લઈને સરકાર અને બેંક મેનેજમેન્ટ તરફથી હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે બેંક કર્મચારીઓ અને યુનિયનોએ હડતાળનો નિર્ણય લીધો છે.</p><h3><b>બેંકિંગ સેવાઓ પર પડી શકે છે અસર</b></h3><p>જો આ હડતાળ નિર્ધારિત કાર્યક્રમ મુજબ થાય છે, તો દેશભરમાં બેંકિંગ સેવાઓ પર તેની અસર જોવા મળી શકે છે. ખાસ કરીને સપ્ટેમ્બર અને ઓક્ટોબર દરમિયાન બેંક શાખાઓમાં સામાન્ય કામગીરી ખોરવાઈ શકે છે. ગ્રાહકોને રોકડ ઉપાડ, જમા, ચેક ક્લિયરન્સ અને અન્ય બેંકિંગ સેવાઓમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. યુનિયનો દ્વારા સરકાર સમક્ષ તેમની પડતર માંગણીઓ પર તાત્કાલિક પહેલ કરવા અને ચર્ચા દ્વારા સમસ્યાઓનો ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે.</p><p><b><a href="https://sandesh.com/business/news/india/bank-holidays-banks-will-be-closed-in-these-cities-on-september-4-due-to-janmashtami-see-complete-list-of-holidays" target="_blank">આ પણ વાંચો:&nbsp; 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમીના કારણે આ શહેરોમાં બેંકો બંધ, જુઓ રજાઓની સંપૂર્ણ યાદી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/gFGLBIRnrf2aDKFHPaftz5J4g8KOSieDMKRQCfQF.webp'/></item><item><title><![CDATA[Bank Strike: બેંક કર્મચારીઓનો મોટો નિર્ણય, 11 સપ્ટેમ્બરથી હડતાળ; 26 ઓક્ટોબરથી અનિશ્ચિતકાળીન બંધ ]]></title><link>https://sandesh.com/india/news/business/bank-strike-big-decision-of-bank-employees-strike-from-september-11-indefinite-shutdown-from-october-26</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/bank-strike-big-decision-of-bank-employees-strike-from-september-11-indefinite-shutdown-from-october-26</guid><pubDate>Tue, 01 Sep 2026 16:14:08 +05:30</pubDate><description><![CDATA[<p>બેંક યુનિયનોએ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને ત્રણ તબક્કામાં હડતાળનું એલાન કર્યું છે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા બેંક કર્મચારીઓની હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત 11 સપ્ટેમ્બરે એક દિવસની હડતાળ, 28થી 30 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસની હડતાળ અને 26 ઓક્ટોબર 2026થી અનિશ્ચિતકાળીન હડતાળનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે.</p><h2><b>પાંચ દિવસનું બેંકિંગ સપ્તાહ લાગુ કરવાની માંગ</b></h2><p>બેંક યુનિયનોની મુખ્ય માંગણીઓમાં 8 માર્ચ 2024ના રોજ થયેલા કરાર મુજબ પાંચ દિવસનું બેંકિંગ સપ્તાહ લાગુ કરવાની માંગ સામેલ છે. આ ઉપરાંત સરકારની પરફોર્મન્સ લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજના પરત ખેંચવાની માંગ કરવામાં આવી છે. યુનિયનોએ દ્વિપક્ષીય વાટાઘાટો દ્વારા પ્રોત્સાહન યોજનામાં સુધારો કરવાની અને લાંબા સમયથી પડતર રહેલા અન્ય મુદ્દાઓનો ઉકેલ લાવવાની પણ માંગ કરી છે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સનું કહેવું છે કે આ માંગણીઓને લઈને સરકાર અને બેંક મેનેજમેન્ટ તરફથી હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે બેંક કર્મચારીઓ અને યુનિયનોએ હડતાળનો નિર્ણય લીધો છે.</p><h3><b>બેંકિંગ સેવાઓ પર પડી શકે છે અસર</b></h3><p>જો આ હડતાળ નિર્ધારિત કાર્યક્રમ મુજબ થાય છે, તો દેશભરમાં બેંકિંગ સેવાઓ પર તેની અસર જોવા મળી શકે છે. ખાસ કરીને સપ્ટેમ્બર અને ઓક્ટોબર દરમિયાન બેંક શાખાઓમાં સામાન્ય કામગીરી ખોરવાઈ શકે છે. ગ્રાહકોને રોકડ ઉપાડ, જમા, ચેક ક્લિયરન્સ અને અન્ય બેંકિંગ સેવાઓમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. યુનિયનો દ્વારા સરકાર સમક્ષ તેમની પડતર માંગણીઓ પર તાત્કાલિક પહેલ કરવા અને ચર્ચા દ્વારા સમસ્યાઓનો ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે.</p><p><b><a href="https://sandesh.com/business/news/india/bank-holidays-banks-will-be-closed-in-these-cities-on-september-4-due-to-janmashtami-see-complete-list-of-holidays" target="_blank">આ પણ વાંચો:&nbsp; 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમીના કારણે આ શહેરોમાં બેંકો બંધ, જુઓ રજાઓની સંપૂર્ણ યાદી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/gFGLBIRnrf2aDKFHPaftz5J4g8KOSieDMKRQCfQF.webp'/></item><item><title><![CDATA[Bhavnagar News : ટ્રેનોની ગતિ અને મુસાફરોની સુવિધાને મળશે નવો વેગ, 125 કરોડના ખર્ચે ભાવનગર પરા યાર્ડનો થશે કાયાકલ્પ... ]]></title><link>https://sandesh.com/gujarat/news/bhavnagar/bhavnagar-news-the-speed-of-trains-and-passenger-facilities-will-get-a-new-boost-bhavnagar-suburban-yard-will-be-rejuvenated-at-a-cost-of-125-crores</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/bhavnagar/bhavnagar-news-the-speed-of-trains-and-passenger-facilities-will-get-a-new-boost-bhavnagar-suburban-yard-will-be-rejuvenated-at-a-cost-of-125-crores</guid><pubDate>Tue, 01 Sep 2026 15:50:29 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય રેલ્વેએ ગુજરાતના ભાવનગરમાં રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે આશરે રૂ.125 કરોડના ખર્ચે ભાવનગર પરા (BVP) યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ભાવનગર ટર્મિનસ (BVC) ખાતે ટ્રેનોના વધતા બોજ અને ભીડને ઓછી કરવાનો છે. ટ્રેનોના સ્ટેબલિંગ અને અન્ય ઓપરેશનલ કાર્યોને ભાવનગર પરા ખાતે સ્થાનાંતરિત કરવાથી ટ્રેનોના સમયપાલનમાં સુધારો થશે, રેક ડિટેન્શન ઘટશે અને રેલવે વ્યવહાર વધુ સક્ષમ તથા સુચારૂ બનશે.</p><h2><b>યાર્ડમાં નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનિકલ સુધારા</b></h2><p>પ્રોજેક્ટ અંતર્ગત ભાવનગર પરા ખાતે કામગીરીની ક્ષમતા વધારવા માટે ચાર લૂપ લાઇન, એક એન્જિન રિવર્સલ લાઇન અને ART તથા ARME સાઇડિંગનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત સ્ટેશન તથા ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ (EI) બિલ્ડિંગનું સ્થાનાંતરણ અને તેને લગતી આધુનિક ઇલેક્ટ્રિકલ તથા સિગ્નલિંગ કામગીરી હાથ ધરાશે. સ્થાનિક વાહનવ્યવહારની સુગમતા માટે બે રોડ અંડર બ્રિજ (RUB)નું નિર્માણ થશે, જેમાં એક નવા RUBનો સમાવેશ થાય છે જ્યારે એક હયાત RUBનો વિસ્તાર કરવામાં આવશે.</p><h2><b>મુસાફરો માટે સુવિધાસભર પ્લેટફોર્મ અને ફુટ ઓવર બ્રિજ</b></h2><p>આ રિમોડેલિંગથી મુસાફરોની સુવિધાઓ અને કનેક્ટિવિટીમાં મોટો વધારો થશે. સ્ટેશન પર એક નવું હાઇ-લેવલ આઇલેન્ડ પ્લેટફોર્મ બનાવવામાં આવશે અને પ્લેટફોર્મ નંબર 2 ને પહોળું કરવામાં આવશે. મુસાફરોની સરળ અવરજવર માટે હયાત ફુટ ઓવર બ્રિજ (FOB)ના વિસ્તાર સાથે એક નવા આધુનિક FOBનું નિર્માણ કરવામાં આવશે. આ તમામ સુધારાઓ ભાવનગર અને આસપાસના ક્ષેત્રના મુસાફરો માટે રેલવે મુસાફરીને વધુ આરામદાયક, સુરક્ષિત અને અનુકૂળ બનાવશે.</p><p><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/kheda/kheda-news-deos-surprise-visit-to-kathlal-school-creates-a-stir-math-teacher-caught-in-a-suspicious-drunken-state" target="_blank">Kheda News : કઠલાલ શાળામાં DEOની સરપ્રાઈઝ વિઝિટથી ખળભળાટ, ગણિતના શિક્ષક શંકાસ્પદ નશાની હાલતમાં ઝડપાયા!</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/lyMDCwZIIhlHzNknw4NGyQVmAu7LGfn6WNuqD6oX.webp'/></item><item><title><![CDATA[Surendranagar: ભવાનીગઢમાં દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી પર રાજકોટ રેન્જ ટીમનો દરોડો, 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/muli/muli-bhavanigarh-liquor-raid-rajkot-range-team-seizes-goods</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/muli/muli-bhavanigarh-liquor-raid-rajkot-range-team-seizes-goods</guid><pubDate>Tue, 01 Sep 2026 15:49:27 +05:30</pubDate><description><![CDATA[<p>સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે રાજકોટ રેન્જના ડીઆઈજી નિર્લિપ્ત રાય દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત મળેલી ચોક્કસ અને સચોટ બાતમીના આધારે રાજકોટ રેન્જ સ્ક્વોડની ટીમે મૂળી તાલુકાના ભવાનીગઢ ગામની સીમમાં દરોડો પાડ્યો હતો. ભવાનીગઢની સીમમાં અવાવરૂ જગ્યાએ મોટા પાયે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ધમધમી રહી હોવાની માહિતી પોલીસને મળી હતી.</p><h2><b>&nbsp;ભવાનીગઢમાં દેશી દારૂની ભઠ્ઠી પર રેન્જ ટીમનો દરોડો</b></h2><p>પોલીસે અચાનક પાડેલા દરોડા દરમિયાન સ્થળ પરથી મોટા પ્રમાણમાં દેશી દારૂ અને તે બનાવવાનો કાચો માલ-સામાન મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી 620 લીટર તૈયાર દેશી દારૂ તેમજ દેશી દારૂ બનાવવામાં વપરાતો 4,000 લીટર ઠંડો આથો કબ્જે કર્યો હતો. આ ઉપરાંત દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા વાસણો અને સાધન-સામગ્રી સહિત કુલ રૂ. 2,08,100 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.</p><h3><b>આરોપી હસમુખ દેકાવાડીયા સામે ગુનો દાખલ</b></h3><p>દરોડા દરમિયાન દારૂની ભઠ્ઠી ચલાવનાર આરોપી હસમુખભાઈ મધુભાઈ દેકાવાડીયા સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો. રાજકોટ રેન્જ ટીમ દ્વારા આ મામલે મૂળી પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે. મૂળી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપી હસમુખ દેકાવાડીયાને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/dindoli-cctv-assault-six-anti-social-elements-arrested-by-police" target="_blank">આ પણ વાંચો: Surat: ડીંડોલીમાં જાહેરમાં હથિયારોથી આતંક મચાવનાર 6 રીઢા ગુનેગારો CCTV ના આધારે ઝડપાયા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/11NNvRsApRSblsY7LzqmFHu6VgCHEeBBUCvyPZPG.webp'/></item><item><title><![CDATA[Gandhidham : પ્રેમિકાને ફોન આવ્યો ને ભડક્યો બોયફ્રેન્ડ!, ચારિત્ર્યની શંકામાં ગળું દબાવી હત્યા, પછી મધ્યપ્રદેશ ફરાર ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/gandhidham/gandhidham-girlfriend-murder-boyfriend-arrested-madhya-pradesh</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/gandhidham/gandhidham-girlfriend-murder-boyfriend-arrested-madhya-pradesh</guid><pubDate>Tue, 01 Sep 2026 15:42:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગાંધીધામમાં 24 વર્ષીય યુવતીની હત્યાના બનાવનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. ભારતનગર વિસ્તારમાં આવેલા સોનલનગરમાં ભાડાના મકાનમાં એકલી રહેતી મીનાક્ષી લાલસિંહ પરિહારની હત્યા પાછળ તેના જ બોયફ્રેન્ડની સંડોવણી સામે આવી છે. હત્યા બાદ ફરાર થયેલા આરોપી પ્રેમીને પોલીસે મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>યુવતી ભાડાના મકાનમાં રહેતી હતી&nbsp;</b></h2><p style="text-align: justify; ">મીનાક્ષી ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં સોનલનગરમાં ભાડાના મકાનમાં રહેતી હતી અને સોનાના શોરૂમમાં નોકરી કરતી હતી. ગત 20 ઓગસ્ટે તેના રહેણાંક મકાનમાંથી કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.</p><p style="text-align: justify; "><img alt="Gandhidham: Boyfriend Arrested from Madhya Pradesh for Girlfriend's Murder" src="https://epapercdn.sandesh.com/images/2026/09/01/AFRsszDigQoyJk9kN1mDNtmM2z8WFJbVGftsaybY.webp" style="width: 100%;"><br></p><h3 style="text-align: justify; "><b>PM રિપોર્ટમાં ગળું દબાવી હત્યાનો ખુલાસો</b></h3><p style="text-align: justify; ">યુવતીના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે લાશને જામનગર ખાતે PM માટે મોકલવામાં આવી હતી. PM રિપોર્ટમાં મીનાક્ષીનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થતાં પોલીસ તપાસ વધુ ગંભીર બની હતી. તપાસ દરમિયાન પોલીસની શંકાની સોય મીનાક્ષીના બોયફ્રેન્ડ ગૌરવ ખ્યાલસિંગ તરફ ગઈ હતી.</p><h4 style="text-align: justify; "><b>ફોન આવતા ચારિત્ર્ય અંગે શંકા</b></h4><p style="text-align: justify; ">પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો મુજબ મીનાક્ષીને અવારનવાર અન્ય લોકોના ફોન આવતા હોવાના કારણે ગૌરવ તેના ચારિત્ર્ય અંગે શંકા રાખતો હતો. બનાવના દિવસે પણ મીનાક્ષીને કોઈ વ્યક્તિનો ફોન આવતા બંને વચ્ચે આ મુદ્દે બોલાચાલી થઈ હતી.</p><h4 style="text-align: justify; "><b>દુપટ્ટાથી ગળું દબાવી હત્યા કરી ફરાર</b></h4><p style="text-align: justify; ">બોલાચાલી ઉગ્ર બનતા ગૌરવ ઉશ્કેરાઈ ગયો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ દુપટ્ટા વડે મીનાક્ષીનું ગળું દબાવી હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ આરોપી મકાનને તાળું મારીને મધ્યપ્રદેશ ફરાર થઈ ગયો હતો.</p><p style="text-align: justify; "><img alt="Gandhidham: Boyfriend Arrested from Madhya Pradesh for Girlfriend's Murder" src="https://epapercdn.sandesh.com/images/2026/09/01/1uDQfeuNyLNbX3LudL3XXyI3I5hkcEfIWsHvptya.webp" style="width: 100%;"><br></p><h4 style="text-align: justify; "><b>આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી લેવાયો&nbsp;</b></h4><p style="text-align: justify; ">પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. ટેક્નિકલ સર્વેલન્સ અને અન્ય તપાસના આધારે આખરે આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી લેવામાં આવ્યો છે. ચારિત્ર્ય અંગેની શંકાએ એક પ્રેમસંબંધનો કરુણ અને ભયાનક અંત લાવ્યો છે. પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો :&nbsp; &nbsp;&nbsp;<a href="https://sandesh.com/world/news/nepal-flash-flood-lone-house-survives-village-swept-away-viral-video" target="_blank"><b>Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/R07PL219I0Qm6ze9ahn6NsEICcXpeuXcCFM9IlRM.webp'/></item><item><title><![CDATA[Janmashtami 2026 : વૃંદાવનમાં બહારની ગાડીઓની નો એન્ટ્રી, 3થી 5 સપ્ટેમ્બર સુધી અનેક માર્ગો પર વાહન પ્રવેશ બંધ ]]></title><link>https://sandesh.com/india/news/janmashtami/janmashtami-2026-vrindavan-vehicle-entry-restrictions-september-3-5</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/janmashtami/janmashtami-2026-vrindavan-vehicle-entry-restrictions-september-3-5</guid><pubDate>Tue, 01 Sep 2026 15:35:55 +05:30</pubDate><description><![CDATA[<p>શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના વિશ્વ પ્રસિદ્ધ પર્વને લઈને મથુરા-વૃંદાવનમાં ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને પોલીસ અને વહીવટીતંત્રે સુરક્ષા તથા ટ્રાફિક વ્યવસ્થાનો વ્યાપક પ્લાન તૈયાર કર્યો છે. 3 સપ્ટેમ્બરના સવારે 8 વાગ્યાથી 5 સપ્ટેમ્બરના સવારે 9 વાગ્યા સુધી મથુરા શહેરના અનેક મુખ્ય માર્ગો પર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.&nbsp;</p><h2><b>ભીડ નિયંત્રણ માટે વિવિધ સ્થળોએ હોલ્ડિંગ એરિયા</b></h2><p>ભક્તોને મંદિરો સુધી સરળ અને સુરક્ષિત રીતે પહોંચાડી શકાય તે માટે સમગ્ર વિસ્તારને 7 ઝોન અને 35 સેક્ટરમાં વહેંચવામાં આવ્યો છે. દરેક ઝોન અને સેક્ટરમાં મેજિસ્ટ્રેટ તથા પોલીસ અધિકારીઓની ડ્યૂટી ગોઠવવામાં આવી છે. ભીડ નિયંત્રણ માટે વિવિધ સ્થળોએ હોલ્ડિંગ એરિયા તૈયાર કરવામાં આવ્યા છે. સાથે જ CCTV કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવશે અને સોશિયલ મીડિયા પર પણ મોનિટરિંગ કરવામાં આવશે. ભક્તોને માર્ગદર્શન મળી રહે તે માટે મુખ્ય ચોક અને તિરાહાઓ પર માહિતી પાટિયાં લગાવવામાં આવી રહ્યાં છે.</p><h3><b>વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે</b></h3><p>જન્માષ્ટમી દરમિયાન ભૂતેશ્વર, મસાની, ડીંગ ગેટ, ચોક બજાર, ભરતપુર ગેટ, ગોવર્ધન ચોકડી, મંડિ ચોકડી, કૃષ્ણાપુરી અને હોળીગેટ સહિતના અનેક સ્થળોથી કૃષ્ણ જન્મભૂમિ તરફ જતા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. જરૂરિયાત મુજબ ચાર પૈડાંવાળા વાહનો, ઓટો, ઈ-રિક્ષા અને ટુ-વ્હીલર્સને પણ કેટલાક માર્ગો પર રોકવામાં આવશે.</p><h4><b>અલગ પાર્કિંગ સ્થળોની વ્યવસ્થા કરવામાં આવી</b></h4><p>ભારે અને કોમર્શિયલ વાહનો માટે અલગ-અલગ રૂટ ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યા છે. યમુના એક્સપ્રેસવે, વૃંદાવન, NH-19, ગોકુલ અને ગોવર્ધન તરફથી આવતા ભક્તોના વાહનો માટે અલગ પાર્કિંગ સ્થળોની વ્યવસ્થા કરવામાં આવી છે. PMB પોલિટેકનિક, ISBT, રામલીલા મેદાન, મંડિ પરિસર, GIC ઇન્ટર કોલેજ, રેલવે ગ્રાઉન્ડ ધૌલી પ્યાઉ અને રેલવે માલગોદામ સહિતના સ્થળોએ વાહનો પાર્ક કરાવવામાં આવશે.</p><h4><b>ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે</b></h4><p>વૃંદાવનમાં છટીકરા, સૌ-સૈયા, પાણીગાંવ, રુક્મિણી વિહાર અને વૃંદાવન કટ સહિતના કેટલાક માર્ગો પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. ભક્તોની સુવિધા માટે ITI, દારુખ, મંડિ, પવનહંસ, MVDA, વૈષ્ણો દેવી અને મલ્ટીલેવલ પાર્કિંગ સહિત અનેક પાર્કિંગ સ્થળો તૈયાર કરવામાં આવ્યા છે. ભક્તોની સુરક્ષા અને સુગમ દર્શન માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વ્યવસ્થામાં 8 કંપની PAC, 1 કંપની RAF અને ફ્લડ પ્લાટૂનની તૈનાતી કરવામાં આવી છે. CCTV કેમેરા અને હોલ્ડિંગ એરિયાની મદદથી ભીડની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવશે.<br><br><b><a href="https://sandesh.com/india/news/cockroach-janta-party-cjp-will-not-hold-a-march-in-delhi-on-september-5-know-why-the-decision-was-suddenly-changed" target="_blank">આ પણ વાંચો : Cockroach Janta Party: દિલ્હીમાં હવે 5 સપ્ટેમ્બરે સીજેપી નહી કરે માર્ચ, જાણો એકાએક કેમ બદલાયો નિર્ણય</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/XsRCcdXWjT8It4jW7qftBp7rRwAyt9MG1ko4jv6N.webp'/></item><item><title><![CDATA[Samay Raina વિવાદ, કાનૂની મુશ્કેલીઓ, ટ્રોલ થયેલા 'સમય'ને આખરે મળ્યું સન્માન ]]></title><link>https://sandesh.com/entertainment/news/samay-raina-controversy-legal-troubles-trolled-samay-finally-gets-respect</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/samay-raina-controversy-legal-troubles-trolled-samay-finally-gets-respect</guid><pubDate>Tue, 01 Sep 2026 14:39:17 +05:30</pubDate><description><![CDATA[<p>સમયનો સૌથી મોટો ગુણ એ છે કે તે ક્યારેય એક સરખો રહેતો નથી. તાજેતરમાં સુધી વિવાદોની વચ્ચે ઘેરાયેલા સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈના માટે પરિસ્થિતિઓ ખૂબ જ મુશ્કેલ બની ગઈ હતી. તેમનો અત્યંત લોકપ્રિય શો "ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ" સોશિયલ મીડિયાના ટ્રોલિંગથી લઈને પોલીસ સ્ટેશન અને કોર્ટની કાનૂની લડાઈ સુધી પહોંચી ગયો હતો. શો દરમિયાન રણવીર અલ્હાબાદિયાની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ થયેલા વિરોધને કારણે રૈના સામે અનેક ફરિયાદો નોંધાઈ હતી અને પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે તેમણે પોતાનો શો હટાવવો પડ્યો હતો.</p><h2><b>સમય રૈના, મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માની પ્રશંસા</b></h2><p>વિવાદો અને કાનૂની મુશ્કેલીઓ વચ્ચે પણ સમય રૈનાએ હાર ન માની. તેમણે શાંત રહીને પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પુનરાગમન કરતી વખતે તેમણે આસામમાં આવેલા વિનાશક પૂર દરમિયાન મુખ્યમંત્રી રાહત ભંડોળમાં ₹10 લાખનું યોગદાન આપ્યું. રસપ્રદ વાત એ હતી કે, અગાઉ જે આસામ પોલીસે રૈના સામે એફઆઈઆર (FIR) નોંધીને પુણે સ્થિત તેમના ઘરે નોટિસ મોકલી હતી, તે જ રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ સોશિયલ મીડિયા પર જાહેરમાં રૈનાની આ ઉદારતા અને મદદરૂપ વર્તનની ખુલ્લેઆમ પ્રશંસા કરી.</p><p><img alt="samay raina" src="https://epapercdn.sandesh.com/images/2026/09/01/RkVmmKuyWaUfEVZ8UJgsu7TePT5QUpzWbrMgRr7Y.webp"><br></p><h4><b>દેવેન્દ્ર ફડણવીસે સાથે સ્ટેજ શેર કરી મેળવ્યું સન્માન</b></h4><p>રૈનાની આ સફરનો સૌથી યાદગાર વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા સ્ટેજ પર સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમ દરમિયાન સમય રૈનાએ પોતાની ખાસ અને બિંદાસ શૈલી જાળવી રાખી હતી. મુખ્યમંત્રીની હાજરીમાં જ તેમણે પોલીસ તપાસ પર ચપટી લેતા કહ્યું, "પહેલી વાર કોઈ સાયબર સેલ અધિકારી કોઈ હાસ્ય કલાકારના ઘરે ગયો છે..." રૈનાના આ રમુજી કટાક્ષથી આખો હોલ હાસ્યથી ગૂંજી ઊઠ્યો હતો. જે કાનૂની વિવાદો એક સમયે તેમની કારકિર્દી માટે જોખમરૂપ બન્યા હતા, તેને જ તેમણે પોતાની કોમેડીનો ભાગ બનાવી દીધો.</p><h4><b>"હું હજી પણ અહીં છું" - સમય રૈનાનો સણસણતો જવાબ</b></h4><p>પોતાની આગવી શૈલી કે ઓળખ બદલ્યા વિના સમય રૈનાએ સ્ટેજ પર પરત ફરીને ભાવુક થઈને કહ્યું, "હું હજી પણ અહીં છું." ગઈકાલે જે કલાકારની કારકિર્દીના ભવિષ્ય પર પ્રશ્નો ઉઠાવવામાં આવતા હતા, આજે તે જ સમય રૈના સન્માન સાથે હેડલાઇન્સમાં છે. વિવાદના તોફાનનો સામનો કરીને સમયનું ચક્ર પોતાના પક્ષમાં ફેરવનાર રૈનાની આ વાર્તા સાબિત કરે છે કે મુશ્કેલ સમય કાયમી નથી હોતો, બસ સમયની રાહ જોવી પડે છે.</p><p><br></p><p><a href="https://sandesh.com/entertainment/news/555th-film71-year-old-actor-anupam-khers-insta-post-increases-fans-curiosity" target="_blank">આ પણ વાંચો : My Landmark 555th ફિલ્મ..71 વર્ષના અભિનેતા અનુપમ ખેરની ઇન્સ્ટા પોસ્ટે વધારી ફેન્સની ઉત્સુકતા</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/yh0dEOP2W1jAuzlYX1sJYXoPTRxgNCvmZwiQLOn2.webp'/></item><item><title><![CDATA[India Footbal ટીમની જાહેરાત, 26 ખેલાડીઓની પસંદગી કરાઇ ]]></title><link>https://sandesh.com/sports/news/india-football-team-announced-26-players-selected</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india-football-team-announced-26-players-selected</guid><pubDate>Tue, 01 Sep 2026 09:31:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય ફૂટબોલ ટીમ માટે આગામી આંતરરાષ્ટ્રીય વિન્ડો ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાની છે. મુખ્ય કોચ ખાલિદ જમીલે 26 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. ભારતીય ટીમ આગામી દિવસોમાં પનામા, બ્રાઝિલ અને ઉરુગ્વે જેવી મજબૂત ટીમો સામે 3 આંતરરાષ્ટ્રીય મૈત્રી મેચ રમશે. ખાસ કરીને બ્રાઝિલ અને ઉરુગ્વે સામેની મેચ ભારતીય ખેલાડીઓ માટે પોતાની ક્ષમતા સાબિત કરવાની મોટી તક બની રહેશે.</p><h5 style="text-align: justify; "><b>ભારતીય ટીમ અભિયાનની શરૂઆત 26 સપ્ટેમ્બરે કરશે</b></h5><p style="text-align: justify; ">ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 26 સપ્ટેમ્બરે કરશે. બેંગલુરુના શ્રી કાંતિરવા સ્ટેડિયમમાં ભારતનો મુકાબલો પનામા સામે થશે. ત્યારબાદ ભારતીય ટીમ કોલકાતા જશે, જ્યાં 3 ઓક્ટોબરે 5 વખતની વિશ્વ ચેમ્પિયન બ્રાઝિલ અને 6 ઓક્ટોબરે 2 વખતની વિશ્વ ચેમ્પિયન ઉરુગ્વે સામે મેદાનમાં ઉતરશે.આ ત્રણેય ટીમો આ વર્ષે યોજાયેલા FIFA વિશ્વ કપમાં ભાગ લઈ ચૂકી છે. આવી સ્થિતિમાં ભારતીય ખેલાડીઓ માટે વિશ્વસ્તરીય ટીમો સામે રમવાનો અનુભવ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. મુખ્ય કોચ ખાલિદ જમીલ પણ આ મેચો દ્વારા ટીમની તાકાત અને નબળાઈઓ સમજવાનો પ્રયાસ કરશે.</p><h5 style="text-align: justify; "><b>14 સપ્ટેમ્બરથી રાષ્ટ્રીય શિબિર</b></h5><p style="text-align: justify; ">ભારતીય રાષ્ટ્રીય ટીમની શિબિર 14 સપ્ટેમ્બરથી બેંગલુરુમાં શરૂ થશે. પનામા સામેની મેચ બાદ ભારતીય ટીમ 28 સપ્ટેમ્બરે કોલકાતા માટે રવાના થશે. ત્યારબાદ માત્ર થોડા દિવસના અંતરે ભારત બ્રાઝિલ અને ઉરુગ્વે જેવી મજબૂત ટીમો સામે મેચ રમશે.આ ત્રણેય મુકાબલા ભારતીય ટીમ માટે એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે આગામી સમયમાં ટીમને અનેક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ નિભાવવાની છે. ખાસ કરીને બ્રાઝિલ અને ઉરુગ્વે સામે રમવાથી ભારતીય ખેલાડીઓને મોટા મંચ પર પોતાની રમતનું મૂલ્યાંકન કરવાની તક મળશે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/IndianFootball/status/2094461120929034687?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; "><br></p><h5 style="text-align: justify; "><b>ભારતની 26 સભ્યોની ટીમ</b></h5><p style="text-align: justify; ">ગોલકીપર:એલ્બિનો ગોમ્સ, ગુરપ્રીત સિંહ સંધુ, પ્રભસુખન સિંહ ગિલ અને સોમ કુમાર.</p><p style="text-align: justify; ">ડિફેન્ડર:અભિષેક સિંહ ટેકચામ, આકાશ મિશ્રા, અનવર અલી, બિજોય વર્ગીઝ, હમિંગથનમાવિયા રાલ્ટે, જય ગુપ્તા, પ્રમવીર અને રિકી મીતેઈ હાઓબામ.</p><p style="text-align: justify; ">મિડફિલ્ડર:અનિરુદ્ધ થાપા, આશિક કુરુનિયન, ફારુખ ચૌધરી, લાલેંગમાવિયા રાલ્ટે, મેકાર્ટન નિક્સન, મોહમ્મદ સનાન, રિકી શાબોંગ અને સહલ અબ્દુલ સમદ.</p><p style="text-align: justify; ">ફોરવર્ડ:એડમન્ડ લાલરિન્દિકા, ઇરફાન યાડવાડ, મનવીર સિંહ, રહીમ અલી, રેયાન વિલિયમ્સ અને વિક્રમ પ્રતાપ સિંહ.</p><h5 style="text-align: justify; "><b>ભારતનો સંપૂર્ણ કાર્યક્રમ</b></h5><p style="text-align: justify; ">26 સપ્ટેમ્બર:ભારત વિરુદ્ધ પનામા — શ્રી કાંતિરવા સ્ટેડિયમ,બેંગલુરુ</p><p style="text-align: justify; ">3 ઓક્ટોબર:ભારત વિરુદ્ધ બ્રાઝિલ — વિવેકાનંદ યુવા ભારતી ક્રીડાંગણ, કોલકાતા</p><p style="text-align: justify; ">6 ઓક્ટોબર:ભારત વિરુદ્ધ ઉરુગ્વે — વિવેકાનંદ યુવા ભારતી ક્રીડાંગણ, કોલકાતા</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/cricket/news/australia-a-squad-announced-for-the-india-a-series-two-players-of-indian-origin-included-in-the" target="_blank">Australia-A squad : ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયા A ટીમ જાહેર,ભારતીય મૂળના 2 ખેલાડીઓને મળ્યું સ્થાન</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/SPbBPwGbv7y83nxfQ8iZc8DhAECHb1obcZUy0Nan.webp'/></item></channel></rss>