<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Rajkot ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, 4 ગેરકાયદેસર હથિયારો સાથે રીઢો ગુનેગાર માલિયાસણ ચોકડીથી ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/rajkot/rajkot-crime-branch-conducts-major-operation-habitual-criminal-arrested-with-4-illegal-weapons-from-maliyasan-intersection</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/rajkot/rajkot-crime-branch-conducts-major-operation-habitual-criminal-arrested-with-4-illegal-weapons-from-maliyasan-intersection</guid><pubDate>Tue, 18 Aug 2026 19:39:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અસામાજિક તત્વો અને ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી કરતા ગુનેગારો સામે એક મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે માલિયાસણ ચોકડી નજીક વ્યૂહાત્મક ગોઠવણી કરીને વોચ ગોઠવી હતી. આ ઓપરેશન દરમિયાન પોલીસે ધીરૂ મોહન કુકડીયા નામના રીઢા ગુનેગારને કોર્ડન કરીને ઝડપી લીધો હતો.</p><h2 style="text-align: justify; "><b>ચાર શસ્ત્રો જપ્ત, મધ્યપ્રદેશથી લાવતો હતો હથિયાર</b></h2><p style="text-align: justify; ">ઝડપાયેલા આરોપી ધીરૂ કુકડીયાની તલાશી લેતા તેની પાસેથી 2 દેશી તમંચા અને 2 દેશી બનાવટની પિસ્તોલ મળીને એકસાથે કુલ 4 ગેરકાયદેસર હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે આરોપી આ તમામ જીવલેણ શસ્ત્રો મધ્યપ્રદેશ (MP) થી ખરીદીને રાજકોટમાં સપ્લાય કરવા માટે લાવતો હતો. પોલીસે ચારેય હથિયારો કબ્જે કરીને આગળની કાયદાકીય પ્રોસેસ હાથ ધરી છે.</p><h3 style="text-align: justify; "><b>અગાઉ પણ હથિયારો વેચ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો</b></h3><p style="text-align: justify; ">પોલીસની સઘન પૂછપરછમાં આરોપીએ એવો પણ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે આ અગાઉ પણ તે વિજય અને રિપલ નામના બે શખ્સોને ગેરકાયદે હથિયારો વેચી ચૂક્યો છે. આ ખુલાસા બાદ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે હથિયારો ખરીદનારા આ બંને શખ્સોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/junagadh/farmers-create-ruckus-in-mangrol-junagadh-protest-against-survey-to-extract-stones-from-land" target="_blank">Junagadhના માંગરોળમાં ખેડૂતોનો હોબાળો, જમીનમાં પથ્થર કાઢવાના સર્વે સામે નોંધાવ્યો વિરોધ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/3VbmX7ox7R0jHsHoVXG4ngKBYlv3noRhoOimfRQH.webp'/></item><item><title><![CDATA[Ambaji: ક્રિકેટર અક્ષર પટેલે સહપરિવાર મા અંબાના ચરણોમાં શિશ ઝુકાવ્યું ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/cricket/ambaji/indian-cricketer-axar-patel-visits-ambaji-temple-with-family-offers-prayers</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/cricket/ambaji/indian-cricketer-axar-patel-visits-ambaji-temple-with-family-offers-prayers</guid><pubDate>Tue, 18 Aug 2026 19:23:43 +05:30</pubDate><description><![CDATA[<p>ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અને યાત્રાધામ અંબાજી ખાતે ભારતીય ક્રિકેટ ટીમના જાણીતા ઓલરાઉન્ડર અક્ષર પટેલ તેમના પરિવાર સાથે અંબાજી મા અંબાના દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. મંદિર પરિસરમાં પહોંચીને તેમણે માતાજીના ગર્ભગૃહ સમક્ષ શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી હતી.</p><h2><b>અંબાજી ધામે ભારતીય ક્રિકેટર અક્ષર પટેલ</b></h2><p>અક્ષર પટેલે મા અંબાના ભક્તિભાવપૂર્વક દર્શન કરીને દેશ તથા પોતાના ખેલ કરિયર માટે પ્રાથના કરી હતી. અંબાજી મંદિરના મુખ્ય ભટ્ટજી મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે અક્ષર પટેલ અને તેમના પરિવારને વિશેષ મંત્રોચ્ચાર સાથે મા અંબાના પવિત્ર યંત્રની પૂજા-અર્ચના કરાવવામાં આવી હતી. પૂજા વિધિ સંપન્ન થયા બાદ ભટ્ટજી મહારાજે ક્રિકેટરને આશીર્વાદ પાઠવ્યા હતા.</p><h3><b>મા અંબાના દર્શન કરી અનુભવી ધન્યતા</b></h3><p>સ્ટાર ક્રિકેટર અક્ષર પટેલ અંબાજી આવ્યા હોવાના સમાચાર મળતાં જ મંદિર પરિસરમાં હાજર ભક્તો અને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. દર્શન બાદ અક્ષર પટેલે માતાજીના સાનિધ્યમાં પરમ શાંતિ અને ધન્યતાની અનુભૂતિ થઈ હોવાનું વ્યક્ત કર્યું હતું. મંદિર પરિસર ખાતે પધારેલા ક્રિકેટરનું અંબાજી મંદિર ટ્રસ્ટ અને પૂજારીઓ દ્વારા માતાજીની ચૂંદડી અને પ્રસાદ આપીને બહુમાન કરવામાં આવ્યું હતું.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/patan/food-and-drugs-department-raids-tanna-traders-seizes-678kg-suspicious-chutney" target="_blank">આ પણ વાંચો: Patan: જૂના ગંજ બજારમાં તન્ના ટ્રેડર્સ પર ફૂડ વિભાગના દરોડા, 678 કિલો શંકાસ્પદ ચટણી સીઝ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/zveI7IcrKnpWZEAKv8kTjHktCQL8TlFMwgnnPF76.webp'/></item><item><title><![CDATA[Bank Holidays List: આ અઠવાડિયે 3 દિવસ બંધ રહેશે બેન્ક, જાણી લો તારીખ ]]></title><link>https://sandesh.com/india/news/business/bank-holidays-list-3-days-bank-closed-this-week-august-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/bank-holidays-list-3-days-bank-closed-this-week-august-2026</guid><pubDate>Tue, 18 Aug 2026 19:19:42 +05:30</pubDate><description><![CDATA[<p>જો આ અઠવાડિયે તમને ચેક ક્લિયરન્સ, ડ્રાફ્ટ કઢાવવો, રોકડ જમા કરાવવી કે અન્ય કોઈ મહત્વપૂર્ણ બેન્કિંગ કામ હોય તો રજાઓની તારીખો જાણી લેવી જરૂરી છે. ઓગસ્ટ 2026માં તહેવારો અને મહિનાના ચોથા શનિવારને કારણે અલગ-અલગ રાજ્યોમાં બેન્ક શાખાઓ બંધ રહેશે. બેન્ક હોલિડે રાજ્ય પ્રમાણે અલગ હોઈ શકે છે, જ્યારે બીજા અને ચોથા શનિવારે બેન્કો માટે રજા રહે છે.</p><ul><li>19 ઓગસ્ટ, બુધવાર: ત્રિપુરામાં મહારાજા બીર બિક્રમ કિશોર માણિક્ય બહાદુર જયંતિના કારણે બેન્કોમાં રજા રહેશે.</li><li>22 ઓગસ્ટ, શનિવાર: મહિનાનો ચોથો શનિવાર હોવાથી દેશભરની બેન્ક શાખાઓ બંધ રહેશે.</li><li>23 ઓગસ્ટ, રવિવાર: સાપ્તાહિક રજાના કારણે સમગ્ર દેશમાં બેન્કો બંધ રહેશે.</li></ul><p>આ ઉપરાંત આગામી સપ્તાહમાં પણ કેટલાક રાજ્યોમાં તહેવારોને કારણે બેંકિંગ સેવાઓ પર અસર પડશે.</p><ul><li>25 ઓગસ્ટે- મિલાદ-ઉન-નબી અને પ્રથમ ઓણમના અવસર પર કેટલાક રાજ્યોમાં રજા રહેશે.&nbsp;</li><li>26 ઓગસ્ટે- ઈદ-એ-મિલાદ/બારાવફાત અને તિરુવોનમને કારણે અનેક રાજ્યોમાં બેંકો બંધ રહેશે.&nbsp;</li><li>28 ઓગસ્ટે - રક્ષાબંધનના કારણે ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં બેન્ક શાખાઓમાં રજા રહેશે.</li></ul><p>બેન્ક શાખાઓ બંધ હોવા છતાં ગ્રાહકોને ડિજિટલ બેન્કિંગની સુવિધાઓ મળતી રહેશે. મોબાઈલ બેન્કિંગ અને નેટ બેન્કિંગ દ્વારા ફંડ ટ્રાન્સફર કરી શકાશે. ATM સેવા પણ સામાન્ય રીતે ઉપલબ્ધ રહેશે. જોકે, પાસબુક અપડેટ, ચેક સંબંધિત કામ અને બ્રાન્ચમાં રોકડ જમા કરવા જેવા કામ માટે બેન્ક ખુલવાની રાહ જોવી પડશે.</p><p><a href="https://sandesh.com/india/news/business/india-fdi-rules-15000-crore-investment-direct-approval" target="_blank"><b>આ પણ વાંચો : FDIના નિયમોમાં મોટા ફેરફાર કરવાની શક્યતા, 15,000 કરોડ સુધીના રોકાણને સીધી મંજૂરીની તૈયારી</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/jxItYMyt3k14V2H9VoPIWoO0GC9claNuESETqhm7.webp'/></item><item><title><![CDATA[Bank Holidays List: આ અઠવાડિયે 3 દિવસ બંધ રહેશે બેન્ક, જાણી લો તારીખ ]]></title><link>https://sandesh.com/india/news/business/bank-holidays-list-3-days-bank-closed-this-week-august-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/bank-holidays-list-3-days-bank-closed-this-week-august-2026</guid><pubDate>Tue, 18 Aug 2026 19:19:42 +05:30</pubDate><description><![CDATA[<p>જો આ અઠવાડિયે તમને ચેક ક્લિયરન્સ, ડ્રાફ્ટ કઢાવવો, રોકડ જમા કરાવવી કે અન્ય કોઈ મહત્વપૂર્ણ બેન્કિંગ કામ હોય તો રજાઓની તારીખો જાણી લેવી જરૂરી છે. ઓગસ્ટ 2026માં તહેવારો અને મહિનાના ચોથા શનિવારને કારણે અલગ-અલગ રાજ્યોમાં બેન્ક શાખાઓ બંધ રહેશે. બેન્ક હોલિડે રાજ્ય પ્રમાણે અલગ હોઈ શકે છે, જ્યારે બીજા અને ચોથા શનિવારે બેન્કો માટે રજા રહે છે.</p><ul><li>19 ઓગસ્ટ, બુધવાર: ત્રિપુરામાં મહારાજા બીર બિક્રમ કિશોર માણિક્ય બહાદુર જયંતિના કારણે બેન્કોમાં રજા રહેશે.</li><li>22 ઓગસ્ટ, શનિવાર: મહિનાનો ચોથો શનિવાર હોવાથી દેશભરની બેન્ક શાખાઓ બંધ રહેશે.</li><li>23 ઓગસ્ટ, રવિવાર: સાપ્તાહિક રજાના કારણે સમગ્ર દેશમાં બેન્કો બંધ રહેશે.</li></ul><p>આ ઉપરાંત આગામી સપ્તાહમાં પણ કેટલાક રાજ્યોમાં તહેવારોને કારણે બેંકિંગ સેવાઓ પર અસર પડશે.</p><ul><li>25 ઓગસ્ટે- મિલાદ-ઉન-નબી અને પ્રથમ ઓણમના અવસર પર કેટલાક રાજ્યોમાં રજા રહેશે.&nbsp;</li><li>26 ઓગસ્ટે- ઈદ-એ-મિલાદ/બારાવફાત અને તિરુવોનમને કારણે અનેક રાજ્યોમાં બેંકો બંધ રહેશે.&nbsp;</li><li>28 ઓગસ્ટે - રક્ષાબંધનના કારણે ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં બેન્ક શાખાઓમાં રજા રહેશે.</li></ul><p>બેન્ક શાખાઓ બંધ હોવા છતાં ગ્રાહકોને ડિજિટલ બેન્કિંગની સુવિધાઓ મળતી રહેશે. મોબાઈલ બેન્કિંગ અને નેટ બેન્કિંગ દ્વારા ફંડ ટ્રાન્સફર કરી શકાશે. ATM સેવા પણ સામાન્ય રીતે ઉપલબ્ધ રહેશે. જોકે, પાસબુક અપડેટ, ચેક સંબંધિત કામ અને બ્રાન્ચમાં રોકડ જમા કરવા જેવા કામ માટે બેન્ક ખુલવાની રાહ જોવી પડશે.</p><p><a href="https://sandesh.com/india/news/business/india-fdi-rules-15000-crore-investment-direct-approval" target="_blank"><b>આ પણ વાંચો : FDIના નિયમોમાં મોટા ફેરફાર કરવાની શક્યતા, 15,000 કરોડ સુધીના રોકાણને સીધી મંજૂરીની તૈયારી</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/jxItYMyt3k14V2H9VoPIWoO0GC9claNuESETqhm7.webp'/></item><item><title><![CDATA[Donald Trumpના ભારતીય ચૂંટણી પંચ અંગેના નિવેદન પર ભારતનો જવાબ, MEAએ કહ્યું 'ચૂંટણી તંત્રની મજબૂતી વૈશ્વિક સ્તરે જાણીતી' ]]></title><link>https://sandesh.com/india/news/india-response-donald-trump-election-commission-remarks-mea</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/india-response-donald-trump-election-commission-remarks-mea</guid><pubDate>Tue, 18 Aug 2026 19:05:56 +05:30</pubDate><description><![CDATA[<p>નવી દિલ્હીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતના ચૂંટણી પંચ અંગે કરવામાં આવેલી ટિપ્પણીને લઈને વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ટ્રમ્પના નિવેદન પર કોઈ ચોક્કસ ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો. જોકે, તેમણે ભારતની ચૂંટણી વ્યવસ્થાની વિશ્વસનીયતા અને મજબૂતી અંગે સ્પષ્ટ વાત કરી હતી.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2089702109784518872"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>વધુમાં શું કહ્યું રણધીર જયસ્વાલે?</b></h2><p>ટ્રમ્પના નિવેદન અંગે પૂછવામાં આવતા રણધીર જયસ્વાલે કહ્યું કે આ ટિપ્પણી પર તેમની પાસે કોઈ ચોક્કસ ટિપ્પણી નથી. જોકે, તેમણે ઉમેર્યું કે ભારતની ચૂંટણી વ્યવસ્થાની વિશ્વસનીયતા અને તેની મજબૂતાઈ વૈશ્વિક સ્તરે સ્થાપિત હકીકત છે. વિદેશ મંત્રાલયના આ નિવેદનને ભારતની ચૂંટણી પ્રક્રિયા અંગેના સત્તાવાર વલણ તરીકે જોવામાં આવી રહ્યું છે. ભારત સતત પોતાની ચૂંટણી વ્યવસ્થાને સ્વતંત્ર, પારદર્શક અને મજબૂત ગણાવતું આવ્યું છે. દેશમાં લોકસભા અને વિધાનસભા સહિતની ચૂંટણીઓનું સંચાલન ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે.</p><h3><b>ચૂંટણી પંચની કામગીરીને લઈને રાજકીય ચર્ચા</b></h3><p>ટ્રમ્પની ટિપ્પણી એવા સમયે સામે આવી છે જ્યારે ભારતની ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી પંચની કામગીરીને લઈને રાજકીય ચર્ચા ચાલી રહી છે. વિપક્ષી પક્ષો અગાઉ પણ મતદાર યાદી અને ચૂંટણી પ્રક્રિયા સંબંધિત મુદ્દાઓ ઉઠાવી ચૂક્યા છે, જ્યારે ચૂંટણી પંચે પોતાની પ્રક્રિયાની પારદર્શિતા અને નિયમો અનુસાર કામગીરી પર ભાર મૂક્યો છે.</p><p>ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વ્યૂહાત્મક અને આર્થિક રીતે મહત્વપૂર્ણ છે. આવા સંજોગોમાં ચૂંટણી પ્રક્રિયા અંગે કરવામાં આવેલી ટિપ્પણીઓ પર ભારતે સીધી રાજકીય પ્રતિક્રિયા આપવાને બદલે પોતાની ચૂંટણી વ્યવસ્થાની વિશ્વસનીયતા પર ભાર મૂક્યો છે.</p><p><b><a href="https://sandesh.com/world/news/imran-khans-mental-health-is-bad-lungs-and-kidneys-are-fine-know-what-the-medical-report-revealed" target="_blank">આ પણ વાંચો : Imran Khanનું માનસિક સ્વાસ્થ્ય ખરાબ, ફેફસાં અને કિડની સારી, જાણો મેડિકલ રિપોર્ટ શું આવ્યુ સામે?</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/zEIiLvp0dpYq87twGJneW2fzdx7csxweuMkQHYdG.webp'/></item><item><title><![CDATA[Patan: જૂના ગંજ બજારમાં તન્ના ટ્રેડર્સ પર ફૂડ વિભાગના દરોડા, 678 કિલો શંકાસ્પદ ચટણી સીઝ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/patan/food-and-drugs-department-raids-tanna-traders-seizes-678kg-suspicious-chutney</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/patan/food-and-drugs-department-raids-tanna-traders-seizes-678kg-suspicious-chutney</guid><pubDate>Tue, 18 Aug 2026 18:41:12 +05:30</pubDate><description><![CDATA[<p>આગામી તહેવારોની ઉજવણી દરમિયાન નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે હેતુથી પાટણ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ખાદ્યપદાર્થોનું વેચાણ કરતા એકમો પર સઘન તપાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત પાટણના જૂના ગંજ બજાર વિસ્તારમાં આવેલા 'તન્ના ટ્રેડર્સ' નામના વેપારી એકમ પર ફૂડ અધિકારીઓની ટીમે ઓચિંતો દરોડો પાડ્યો હતો.</p><h2><b>પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું મેગા ઓપરેશન</b></h2><p>તપાસ દરમિયાન આ પેઢીમાંથી મોટા પ્રમાણમાં વેચાણ અર્થે રાખવામાં આવેલી અને શહેરની વિવિધ હોટલો તથા રેસ્ટોરન્ટોમાં સપ્લાય થતી શંકાસ્પદ લાલ ચટણી મળી આવી હતી. ફૂડ વિભાગની ટીમે સ્થળ પર જ લાલ ચટણીની ગુણવત્તા અંગે શંકા જણાતાં કાયદાકીય જોગવાઈઓ મુજબ તાત્કાલિક ધોરણે રૂ. 20,340 ની કિંમતનો 678&nbsp; કિલો લાલ ચટણીનો જથ્થો સીઝ કરી દીધો હતો.</p><h3><b>જૂના ગંજ બજારમાં 'તન્ના ટ્રેડર્સ' પર દરોડો</b></h3><p>શંકાસ્પદ ચટણીના અધિકૃત નમૂના (સેમ્પલ) લઈને પૃથક્કરણ અર્થે સરકારી ફૂડ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. પેઢી પરિસરમાં સ્વચ્છતાનો અભાવ જણાતાં ફૂડ એન્ડ સેફ્ટી એક્ટ હેઠળ તન્ના ટ્રેડર્સને 'ઇમ્પ્રુવમેન્ટ નોટિસ' (સુધારા નોટિસ) પાઠવવામાં આવી છે.લેબોરેટરી પરીક્ષણનો રિપોર્ટ આવ્યા બાદ જો ચટણીમાં સબ-સ્ટાન્ડર્ડ કે કેમિકલયુક્ત મિશ્રણ સાબિત થશે તો વેપારી સામે કાયદા મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાશે.<br><br><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kutch/income-tax-department-raids-15-locations-in-gujarat-including-gandhidham-and-mundra" target="_blank">આ પણ વાંચો: Kutch: ગાંધીધામ અને મુન્દ્રા સહિત 15 સ્થળોએ ITના દરોડા, મોટા પાયે કરચોરી અને હિસાબોમાં ગેરરીતિની શંકા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/wjE8QVvlXOoBxDN7aWtzaW2jaTGeRmuPHl24imBn.webp'/></item><item><title><![CDATA[Bhavnagar: ખરકડી ગામે કેફી પીણું પીધા બાદ તબિયત લથડતાં 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં સારવાર હેઠળ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/kharkadi-village-youth-dies-after-consuming-suspicious-drink-police-investigation</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/kharkadi-village-youth-dies-after-consuming-suspicious-drink-police-investigation</guid><pubDate>Tue, 18 Aug 2026 18:14:22 +05:30</pubDate><description><![CDATA[<p>ભાવનગર જિલ્લાના ખરકડી ગામેથી એક અત્યંત ચોંકાવનારો અને ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગામમાં રહેતા ત્રણ યુવાનોએ કોઈ અજ્ઞાત અથવા શંકાસ્પદ કેફી પીણું પીધું હતું, જે બાદ અચાનક ત્રણેય યુવકોની તબિયત લથડવા લાગી હતી.</p><h3><b>ભાવનગરના ખરકડી ગામે મોટી દુર્ઘટના</b></h3><p>વિષયક્ત અસર અથવા પીણાની ગંભીર અસરને કારણે ત્રણેય પૈકી 2 યુવકોની સ્થિતિ વધુ નાજુક બનતાં તેમને તાત્કાલિક અસરથી ભાવનગર શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા બે યુવકો પૈકી એક યુવકનું ટૂંકી સારવાર બાદ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ભાવનગર પોલીસનો કાફલો હોસ્પિટલ અને ખરકડી ગામે દોડી ગયો હતો.</p><h3><b>કેફી પીણું પીધા બાદ 3 યુવકોની તબિયત લથડી</b></h3><p>ત્રણેય યુવકોએ કયું કેફી પીણું પીધું હતું અને તે ક્યાંથી લાવવામાં આવ્યું હતું તે અંગે પોલીસે ઘેરી તપાસ હાથ ધરી છે.મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો છે. પીએમ રિપોર્ટ અને એફએસએલ (FSL) ના સેમ્પલિંગ બાદ જ મોતનું સાચું કારણ અને પીણાની ઝેરી તીવ્રતા સ્પષ્ટ થશે.યુવકના અકાળે અવસાનથી ખરકડી ગામમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે અને શંકાસ્પદ કેફી પીણાના વેચાણ અંગે પણ તંત્ર સમક્ષ પ્રશ્નો ઊભા થયા છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/sola-bhuva-chandrakant-panchal-arrested-minor-girl-rape-superstition" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: સોલામાં ઢોંગી ભુવાએ 15 વર્ષની સગીરા પર આચર્યું દુષ્કર્મ, વિધિના નામે કેફી પીણું પીવડાવી વારંવાર લંપટતા આચરી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/Z1Tb5pPhbET9f8bEer63VNHZHVowGSnRdWKPGO8f.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: સોલામાં ઢોંગી ભુવાએ 15 વર્ષની સગીરા પર આચર્યું દુષ્કર્મ, વિધિના નામે કેફી પીણું પીવડાવી વારંવાર લંપટતા આચરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/sola-bhuva-chandrakant-panchal-arrested-minor-girl-rape-superstition</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/sola-bhuva-chandrakant-panchal-arrested-minor-girl-rape-superstition</guid><pubDate>Tue, 18 Aug 2026 18:03:53 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરા ગત વર્ષે સતત બીમાર રહેતી હતી. જેથી તેના માતા-પિતા ઓળખીતા ચંદ્રકાંત પંચાલ નામના શખ્સના સંપર્કમાં આવ્યા હતા. ચંદ્રકાંત પંચાલ પોતાની ઓળખ ભુવા તરીકે આપતો હતો. તેણે સગીરાને ભૂત વળગ્યું હોવાનું કહીને વિધિ કરવાની વાત કરી હતી.</p><h2><b>ઢોંગીએ 15 વર્ષની સગીરા પર આચર્યું દુષ્કર્મ</b></h2><p>વિધિ દરમિયાન માતા-પિતાને રૂમની બહાર મોકલી દઈ, આરોપીએ સગીરાને કેફી પીણું પીવડાવી અર્ધબેભાન કરી દીધી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ રીતે વિધિના નામે તેણે 3 થી 4 વખત સગીરાને પિછાણ કરી હતી.આરોપીએ માત્ર અંધશ્રદ્ધાનો સહારો લીધો નહોતો, પરંતુ પરિવારની નબળી આર્થિક સ્થિતિનો પણ ગેરફાયદો ઉઠાવ્યો હતો. તેણે વિધિ કરવાથી ઘરની સ્થિતિ સુધરી જશે અને 'સોનું મળશે' તેવી લાલચ આપીને સગીરાને વારંવાર બોલાવી હતી. કુકર્મ બાદ જો આ અંગે કોઈને કહેશે તો પરિવારનું ખરાબ થઈ જશે તેવી ધમકીઓ પણ આપી હતી.</p><h3><b>સગીરા સાથેના ફોટા વાયરલ કર્યા</b></h3><p>આરોપી ચંદ્રકાંત પંચાલે સગીરા સાથેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરતાં સંબંધીઓના ધ્યાને આવ્યા હતા. પરિવારને જાણ થતાં તેમણે તાત્કાલિક સોલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.સોલા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ચંદ્રકાંત પંચાલની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી સામે અગાઉ પણ છેતરપિંડીના 4 ગુના નોંધાઈ ચૂક્યા છે અને તેણે વિધિના નામે લોકો પાસેથી રૂ. 56 લાખ જેટલી રકમ પણ પડાવી લીધી હતી.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/ukharla-3-youths-death-well-police-raid-controversy-vartej" target="_blank">આ પણ વાંચો: Bhavnagar: ઉખરલા ગામે 3 યુવકોના મોત મામલે પોલીસ અને વાડી માલિકના વિરોધાભાસી નિવેદનોથી રહસ્ય ઘેરાયું</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/YdMpcyM4FdLTOpn76LmHPvRbW7TEpmxJXQNyNHqD.webp'/></item><item><title><![CDATA[Hollywood Box Office India: ભારતમાં Spider Man બની સૌથી વધુ કમાણી કરનારી હોલીવુડ ફિલ્મ ]]></title><link>https://sandesh.com/entertainment/news/india/hollywood-box-office-india-spider-man-becomes-highest-grossing-hollywood-film-in-india</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/india/hollywood-box-office-india-spider-man-becomes-highest-grossing-hollywood-film-in-india</guid><pubDate>Tue, 18 Aug 2026 17:36:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">હવે, માર્વેલની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ "સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે" છે. "સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે" એ અત્યાર સુધીમાં ₹550 કરોડની કમાણી કરી છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">હોલીવુડની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ</h2><p style="text-align: justify; ">હોલીવુડ ફિલ્મ "સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે" નો જાદુ ભારતમાં દર્શકોમાં છવાઈ ગયો છે. માર્વેલ કોમિક બ્રહ્માંડના દરેક સુપરહીરો ભારતમાં ચાહક ફોલોઇંગ ધરાવે છે. પરંતુ સ્પાઇડર-મેન લગભગ દરેક વય જૂથના દર્શકો સાથે જોડાઈ શક્યો છે. કદાચ આ જ કારણ છે કે ટોમ હોલેન્ડ અભિનીત આ ફિલ્મ ભારતમાં હોલીવુડની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે. હા, તેણે માર્વેલની સીમાચિહ્ન ફિલ્મ "એવેન્જર્સ: એન્ડગેમ" ના રેકોર્ડને પણ તોડી નાખ્યો છે.&nbsp;</p><h3 style="text-align: justify; ">ત્રીજા સપ્તાહના અંતે નોંધપાત્ર અસર પડી.</h3><p style="text-align: justify; ">31 જુલાઈના રોજ ભારતીય સિનેમાઘરોમાં રિલીઝ થયેલી "સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે" એ ભારતીય બોક્સ ઓફિસ પર ₹550 કરોડનો આંકડો વટાવી દીધો છે. આનાથી તે અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી હોલીવુડ ફિલ્મ બની ગઈ છે. રિલીઝ પછી, "સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે" ને "આવારાપન 2" અને "બંટવારા 1947" જેવી ફિલ્મો સાથે સ્પર્ધા કરવી પડી. આમ છતાં, માર્વેલ સ્ટુડિયો ફિલ્મે તેના ત્રીજા સપ્તાહના અંતે ₹228 મિલિયનની કમાણી કરી હતી.&nbsp;</p><h4 style="text-align: justify; ">આ રેકોર્ડ ફક્ત 18 દિવસમાં સ્થાપિત થયો</h4><p style="text-align: justify; ">સોની પિક્ચર્સ ઇન્ડિયાએ 'સ્પાઇડર-મેન - બ્રાન્ડ ન્યૂ ડે' ની કમાણીના આંકડા જાહેર કરતી વખતે એક પોસ્ટમાં લખ્યું, "દુનિયા કદાચ પીટરને ભૂલી ગઈ હશે, પરંતુ ભારતે ખાતરી કરી છે કે રેકોર્ડ બુક્સ તેને ક્યારેય ભૂલશે નહીં. ₹550 કરોડનો આંકડો પાર કરી દેવામાં આવ્યો છે, અને ગણતરી હજુ પણ ચાલુ છે. નોંધનીય છે કે આ ફિલ્મે માત્ર 18 દિવસમાં આ રેકોર્ડ હાંસલ કર્યો છે. ફિલ્મના થિયેટર રિલીઝની વાત કરીએ તો, તે ભારતમાં ઘણી ભાષાઓમાં રિલીઝ થઈ હતી. હિન્દી અને અંગ્રેજી ઉપરાંત, તે તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થઈ હતી.</p><h5 style="text-align: justify; ">ટોચની 5 ફિલ્મોની યાદીમાં કઈ ફિલ્મ ?</h5><p style="text-align: justify; ">જો તમે વિચારી રહ્યા છો કે કઈ ફિલ્મો હવે 'સ્પાઇડર-મેન - બ્રાન્ડ ન્યૂ ડે' થી પાછળ રહી ગઈ છે, તો ચાલો તમને સંપૂર્ણ યાદી આપીએ. ₹550 કરોડનો આંકડો પાર કર્યા પછી, આ ફિલ્મ નંબર 1 પર છે. નંબર 2 પર 'અવતાર - ધ વે ઓફ વોટર' ₹483 કરોડની કમાણી સાથે છે. યાદીમાં ત્રીજા નંબર પર "એવેન્જર્સ: એન્ડગેમ" છે. ₹438 કરોડની કમાણી સાથે. ચોથા ક્રમે "એવેન્જર્સ: ઇન્ફિનિટી વોર" (₹438 કરોડ) છે. ટોચના પાંચમાં ક્રમે "સ્પાઇડર-મેન: નો વે હોમ" (₹268 કરોડ) છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/lifestyle/news/health-fitness/liver-health-news-fatty-liver-problem-in-thin-people-know-what-is-lean-fatty-liver-and-its-causes" target="_blank">પાતળા લોકોમાં ફેટી લીવરની સમસ્યા, જાણો શું છે Lean Fatty Liver અને તેનાં કારણો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/KAU3pTgxrF9FYPpVju93oGbfKmtxFLS3VoB6ovq6.webp'/></item><item><title><![CDATA[National Sports Awards 2025 announced : તેજસ્વિન શંકર અને અન્ય 17 ખેલાડીઓને મળશે અર્જુન પુરસ્કાર ]]></title><link>https://sandesh.com/sports/news/national-sports-awards-2025-announced-tejaswin-shankar-and-17-other-players-to-receive-arjuna-award</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/national-sports-awards-2025-announced-tejaswin-shankar-and-17-other-players-to-receive-arjuna-award</guid><pubDate>Tue, 18 Aug 2026 14:32:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારત સરકારે રાષ્ટ્રીય રમતગમત પુરસ્કારો 2025 ની જાહેરાત કરી છે. અર્જુન પુરસ્કાર માટે 17 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. એથ્લેટિક્સથી લઈને બેડમિન્ટન, હોકી, ચેસ, શૂટિંગ અને કબડ્ડી સુધીની વિવિધ રમતોના ખેલાડીઓને અર્જુન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. રમતગમત મંત્રાલયે પસંદગી સમિતિની ભલામણોના આધારે આ પુરસ્કારોની જાહેરાત કરી છે.</p><h4 style="text-align: justify;"><b>રાષ્ટ્રીય રમતગમત પુરસ્કારોની યાદી જાહેર</b></h4><p style="text-align: justify;">રાષ્ટ્રીય રમતગમત પુરસ્કારો 2025 ની યાદી જાહેર કરતા, યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે જણાવ્યું હતું કે દર વર્ષે, રમતગમતમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓ, કોચ અને સંસ્થાઓને આ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષે, સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ (નિવૃત્ત) અરુણ કુમાર મિશ્રાની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિએ પુરસ્કારો માટે નામોની ભલામણ કરી હતી.</p><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/IndiaSports/status/2089637873230463475?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify;"><br></p><h5 style="text-align: justify;"><b>આ ખેલાડીઓને અર્જુન પુરસ્કાર મળશે.</b></h5><p style="text-align: justify; ">2025ના અર્જુન પુરસ્કાર માટે કુલ 17 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. તેજસ્વિન શંકર, મોહમ્મદ અજમલ વી અને પ્રિયંકા ગોસ્વામીને એથ્લેટિક્સમાં આ સન્માન પ્રાપ્ત થશે. બેડમિન્ટનમાં સુપ્રસિદ્ધ કોચ પુલેલા ગોપીચંદની પુત્રી ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદની પસંદગી કરવામાં આવી છે. નરેન્દ્રને બોક્સિંગમાં અર્જુન પુરસ્કાર પ્રાપ્ત થશે.વિદિત સંતોષ ગુજરાતી અને દિવ્યા જીતેન્દ્ર દેશમુખને ચેસમાં આ સન્માન મળશે. ધનુષ શ્રીકાંતનો પણ બહેરા શૂટિંગમાં સમાવેશ થાય છે. લાલરેમસિયામી અને રાજકુમાર પાલને હોકીમાં અર્જુન એવોર્ડ મળશે. કબડ્ડીમાં સુરજીત અને પૂજાની પસંદગી કરવામાં આવી છે. પેરા-શૂટિંગમાં રુદ્રાંશ ખંડેલવાલ, પેરા-એથ્લેટિક્સમાં એકતા ભયાન, રોઇંગમાં અરવિંદ સિંહ અને શૂટિંગમાં અખિલ શિયોરનને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.</p><h5 style="text-align: justify;"><b>આજીવન અર્જુન એવોર્ડની પણ જાહેરાત</b></h5><p style="text-align: justify;">ફૂટબોલના આઈ. અરુમાનયગમને અર્જુન એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે, જે રમતગમતમાં લાંબા ગાળાનું યોગદાન આપનારા ખેલાડીઓને આપવામાં આવે છે. આ એવોર્ડ એવા ખેલાડીઓને આપવામાં આવે છે જેમણે તેમની સક્રિય કારકિર્દી દરમિયાન અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે અને નિવૃત્તિ પછી પણ રમતગમતના વિકાસમાં યોગદાન આપતા રહે છે.</p><h5 style="text-align: justify;"><b>કોચને દ્રોણાચાર્ય એવોર્ડ પણ પ્રાપ્ત થશે</b></h5><p style="text-align: justify;">રાષ્ટ્રીય રમતગમત પુરસ્કારોમાં દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતાઓના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. નિયમિત શ્રેણીમાં, એથ્લેટિક્સના પરવીર સિંહ, બોક્સિંગના છોટે લાલ યાદવ અને શૂટિંગના નેહા નંદકુમાર ચવ્હાણની પસંદગી કરવામાં આવી છે. લાઇફટાઇમ શ્રેણીમાં, બોક્સિંગના ધર્મેન્દ્ર સિંહ યાદવ અને કુસ્તીના વીરેન્દ્ર કુમારને સન્માનિત કરવામાં આવશે.</p><p style="text-align: justify;">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/world-championships-2026-aayush-shetty-scores-historic-win-by-defeating-world-number-1" target="_blank"> World Championships 2026: આયુષ શેટ્ટીએ વિશ્વના નંબર 1 ખેલાડીને હરાવી ઐતિહાસિક જીત મેળવી</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/xo47fWJorHfBwNcq6ohySJESbutGlmhsEtpRZIZR.webp'/></item></channel></rss>