<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Banaskanthaના વાવ-થરાદ અને નડાબેટનું રણ બન્યું દરિયો, ભારે વરસાદથી રણમાં સર્જાયા અદ્ભુત દ્રશ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/the-desert-of-vav-tharad-and-nadabet-of-banaskantha-became-a-sea-heavy-rains-created-wonderful-scenes-in-the-desert</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/the-desert-of-vav-tharad-and-nadabet-of-banaskantha-became-a-sea-heavy-rains-created-wonderful-scenes-in-the-desert</guid><pubDate>Fri, 24 Jul 2026 22:01:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદ પંથકમાં આજે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં ચારેકોર પાણી પાણી થઈ ગયું છે. ભારત-પાકિસ્તાન અંંતરરાષ્ટ્રીય સરહદ નજીક આવેલું અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર ગણાતું નડાબેટનું રણ ભારે વરસાદના કારણે તળાવ કે દરિયામાં ફેરવાઈ ગયું છે. કાયમી ધોરણે સુક્કું ભઠ્ઠ અને ધગધગતું રહેતું આ વાઇટ ડેઝર્ટ/રણ અત્યારે જળમગ્ન બની જતાં અદ્ભુત અને મનમોહક આકાશી દ્રશ્યો સામે આવ્યા છે.</p><h2 style="text-align: justify;"><b>રણમાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી</b></h2><p style="text-align: justify;">વાવ અને થરાદ વિસ્તારમાં પડેલા મુશળધાર વરસાદના કારણે નડાબેટ સરહદી રણ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. રણના વિશાળ પટમાં જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. અનરાધાર વરસાદને કારણે રણમાં વિશાળ દરિયો લહેરાતો હોય તેવો નજારો સર્જાયો છે. રણ વિસ્તારમાં પાણી ભરાવાના કારણે સ્થાનિક બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) અને પ્રશાસન પણ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકાર</b></h3><p style="text-align: justify;">આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અને ખાસ કરીને સરહદી વાવ-થરાદ પંથકમાં ખાબકેલા ભારે વરસાદને પગલે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. કાળઝાળ ગરમી અને રણની વિષમ પરિસ્થિતિ વચ્ચે નડાબેટના રણમાં ભરાયેલા આ પાણીના દ્રશ્યો કુદરતની અદ્ભુત લીલા સમાન બની રહ્યા છે, જેને જોવા માટે સ્થાનિક લોકોમાં પણ ભારે કુતૂહલ સર્જાયું છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/24/KaGAIRD5qMRCFvPnKxdpwSy8FR4RMBU9stYM8Tlc.webp'/></item><item><title><![CDATA[Bharuch News: જંબુસરમાં ખાતરની ભારે અછત, ટોકન છતાં ખેડૂતો ખાલી હાથે પરત ફરવા મજબૂર ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/jambusar-fertilizer-shortage-farmers-protest-long-queues</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/jambusar-fertilizer-shortage-farmers-protest-long-queues</guid><pubDate>Fri, 24 Jul 2026 21:31:39 +05:30</pubDate><description><![CDATA[<p>ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં ખાતરની ભારે અછત સર્જાતા ખેડૂતોમાં તીવ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. ચોમાસાની રવિ/ખરીફ સિઝનમાં પાક માટે ખાતર અત્યંત જરૂરી હોવાથી તાલુકાના દૂર-દૂરના ગામડાઓમાંથી હજારો ખેડૂતો દરરોજ સવારથી જ ખાતર ડેપો પર પહોંચી જાય છે. જોકે, આખો દિવસ લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ પૂરતું ખાતર ન મળતાં ખેડૂતોને ભારે નિરાશા સાથે ખાલી હાથે ઘેર પરત ફરવાનો વારો આવી રહ્યો છે.</p><h2><b>ટોકન આપ્યા બાદ 'સ્ટોક ખલાસ'ના બોર્ડથી ખેડૂતો હેરાન</b></h2><p>સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, વહેલી સવારે લાઈનમાં ઊભા રહ્યા બાદ તેમને તંત્ર કે વિતરણ કેન્દ્ર તરફથી ટોકન તો આપી દેવામાં આવે છે. પરંતુ, થોડી જ વારમાં "ખાતરનો જથ્થો પૂર્ણ થઈ ગયો છે, આવતીકાલે ફરી આવજો" તેમ કહીને તેમને રવાના કરી દેવાય છે. ખાતર મેળવવા માટે પુરુષોની સાથે મોટી સંખ્યામાં મહિલાઓ પણ કલાકો સુધી લાઈનમાં ઊભી રહેવા મજબૂર બની છે.</p><h2><b>રાતોરાત જથ્થો ક્યાં જાય છે? નિષ્પક્ષ તપાસની માગ</b></h2><p>ખેડૂતોએ વિતરણ વ્યવસ્થા સામે ગંભીર આક્ષેપો કરતાં સવાલ ઉઠાવ્યો છે કે, જો વહેલી સવારથી લાઈનમાં ઊભેલા ખેડૂતોને જ ખાતર નથી મળતું, તો પછી રાતોરાત ખાતરનો આટલો મોટો જથ્થો ક્યાં ગાયબ થઈ જાય છે? આ વિતરણ પ્રક્રિયામાં ભારે ગેરરીતિ થઈ રહી હોવાની આશંકા વ્યક્ત કરીને ખેડૂતોએ સમગ્ર કૌભાંડ કે ગોલમાલની નિષ્પક્ષ તપાસ કરવાની ઉગ્ર માંગ કરી છે.</p><h2><b>વારંવારની રજૂઆતો છતાં તંત્ર નિદ્રાધીન, પાક નિષ્ફળ જવાની ભીતિ</b></h2><p>ખાતરની અછત અંગે ખેડૂતો દ્વારા વારંવાર ઉચ્ચ કક્ષાએ અને સંબંધિત વિભાગોમાં રજૂઆતો કરવામાં આવી છે, છતાં આજદિન સુધી આ ગંભીર સમસ્યાનો કોઈ કાયમી કે યોગ્ય ઉકેલ આવ્યો નથી. જો સમયસર ખાતર નહીં મળે તો પાકને મોટું નુકસાન જશે અને આર્થિક પાયમાલી સર્જાશે તેવી ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.</p><h2><b>પારદર્શક વિતરણ અને તાત્કાલિક જથ્થો ફાળવવા માગ</b></h2><p>જંબુસર તાલુકાના પીડિત ખેડૂતોએ રાજ્ય સરકાર અને ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર પાસે માંગ કરી છે કે, જંબુસરમાં તાત્કાલિક ધોરણે પૂરતો ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે. આ ઉપરાંત વિતરણ વ્યવસ્થાને સંપૂર્ણ પારદર્શક બનાવવામાં આવે જેથી કોઈ કાળાબજારી કે કૌભાંડ ન થાય અને વાસ્તવિક ખેડૂતોને સમયસર ખાતર મળી રહે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/weather/monsoon-2026/news/gujarat/ahmedabad/flood-indian-army-entry-hadr-operation-navsari-valsad-rescue" target="_blank">Gujarat Rain Update: પૂરની વિકટ પરિસ્થિતિ વચ્ચે ભારતીય સેનાની એન્ટ્રી, HADR ઓપરેશન શરૂ, 43 લોકોનું રેસ્ક્યૂ</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/24/ZNEkvhdG3T2cppe2ldr77Sa46M20HCMuBeGQFuNv.webp'/></item><item><title><![CDATA[Sandesh Digital Explainer: ક્લાઈમેટ ચેન્જ અને અર્બન ફ્લડ, વરસાદની બદલાતી પેટર્ન શહેરો માટે કેટલી જોખમી? ]]></title><link>https://sandesh.com/explainer/news/india/sandesh-digital-explainer-climate-change-and-urban-flooding-how-dangerous-are-changing-rainfall-patterns-for-cities</link><guid isPermaLink="true">https://sandesh.com/explainer/news/india/sandesh-digital-explainer-climate-change-and-urban-flooding-how-dangerous-are-changing-rainfall-patterns-for-cities</guid><pubDate>Fri, 24 Jul 2026 21:22:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><span>﻿</span><span>﻿</span><span>﻿</span><br></p><p style="text-align: justify; ">ક્લાઈમેટ ચેન્જના આ યુગમાં શહેરોને પૂરની હોનારતથી બચાવવા માટે 'પાણીનો નિકાલ' કરવાને બદલે 'પાણીનો સંચય' કરવું જરુરી છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">ચોમાસાની બદલાતી પેટર્ન અને શહેરી વિસ્તારો પર અસર&nbsp;</h2><p style="text-align: justify;"><img alt="Urban Flood Management" src="https://epapercdn.sandesh.com/images/2026/07/24/zuOaeLDw4StAt4kXKE1Ss0TfWYj6EBrSId18oUUt.webp"><br></p><h2 style="text-align: justify; "><span style="font-size: 14px;"><b>1. ક્લાઈમેટ ચેન્જ અને અર્બન ફ્લડ મેનેજમેન્ટ&nbsp;</b></span></h2><h2 style="text-align: justify; "><span style="font-size: 14px;">અતિભારે વરસાદની ઘટનાઓ: ક્લાઈમેટ ચેન્જને કારણે ચોમાસાના દિવસો ઘટી રહ્યા છે, પરંતુ ટૂંકા ગાળામાં ખૂબ જ વધારે વરસાદ પડવાની ઘટનાઓ વધી છે.</span></h2><p style="text-align: justify; ">શહેરી ગરમીનો પ્રભાવ: શહેરોમાં કોંક્રિટના બાંધકામ, ડામરના રસ્તા અને વાહનોના ઉત્સર્જનને કારણે તાપમાન ઊંચું રહે છે, જે સ્થાનિક સ્તરે વાદળોના બંધારણ અને તીવ્ર વરસાદમાં વધારો કરે છે.</p><p style="text-align: justify; ">કુદરતી નિકાલનો નાશ: શહેરીકરણના લીધે કુદરતી તળાવો, કાંસ અને ભીની જમીન પર અતિક્રમણ થતાં પાણીના કુદરતી વહેણ રૂંધાયા છે.</p><p style="text-align: justify; "><b>2. પાણી નિકાલ વ્યવસ્થા અને ઉકેલો&nbsp;</b></p><p style="text-align: justify; ">શહેરોને એવા બનાવવાની વિભાવના કે જેથી તે વરસાદી પાણીને શોષી લે, સંગ્રહિત કરે અને બાદમાં પુનઃઉપયોગમાં લે.</p><p style="text-align: justify; ">આ માટે પરવિયસ/પોરસ કોંક્રિટના રસ્તાઓ અને ફૂટપાથ બનાવવામાં આવે છે. જે પાણીને જમીનમાં ઊતરવા દે છે.</p><p style="text-align: justify; "><b>3. નેચર-બેઝ્ડ સોલ્યુશન્સ&nbsp;</b></p><p style="text-align: justify; ">બાયો-સ્વેલ્સ: રસ્તાઓની બાજુમાં વનસ્પતિ ધરાવતી ખાસ ગટર લાઈનો, જે પાણીને ફિલ્ટર કરીને જમીનમાં ઉતારે છે.</p><p style="text-align: justify; ">અર્બન ફોરેસ્ટ્રી અને ગ્રીન રૂફ્સ: ઇમારતોની છત પર ગ્રીન કવર અને શહેરોમાં વૃક્ષોનું પ્રમાણ વધારી સરફેસ રન-ઓફ ઘટાડવું.</p><p style="text-align: justify; "><b>4. આઇઓટી અને સ્માર્ટ સેન્સર આધારિત ડ્રેનેજ સિસ્ટમ:</b></p><p style="text-align: justify; ">ભૂગર્ભ ગટરોમાં સ્માર્ટ સેન્સર્સ મૂકીને પાણીના સ્તર અને ભરાવાની ત્વરિત માહિતી મેળવવી.</p><p style="text-align: justify; ">જીઆઈએસ મેપિંગ દ્વારા પૂરના જોખમવાળા વિસ્તારો પૂર્વ-ચિહ્નિત કરવા.</p><p style="text-align: justify; "><span style="font-size: 1.75rem;">2. જળ સંચય અને 'કેચ ધ રેઈન'&nbsp;</span></p><p style="text-align: justify; "><img alt="Water Conservation" src="https://epapercdn.sandesh.com/images/2026/07/24/5FShfduqGzharEjJmBFbEBSn1MT2QTqxcK8lZlif.webp"><span style="font-size: 1.75rem;"><br></span></p><p style="text-align: justify; "><b>1. વરસાદી પાણીના સંગ્રહ માટે બોરચાર્જિંગ</b>&nbsp;</p><p style="text-align: justify; ">રીચાર્જ શાફ્ટ અને ફિલ્ટરેશન કેવિટી:</p><p style="text-align: justify; ">છત કે ખુલ્લા પરિસરનું પાણી સીધું જમીનમાં ઊંડું ઉતારવા માટે પથ્થર, કાંકરી અને રેતી આધારિત 3-સ્તરીય ફિલ્ટર બનાવવામાં આવે છે.</p><p style="text-align: justify; "><b>ડિફંક્ટ (બંધ) બોરવેલનો ઉપયોગ:</b></p><p style="text-align: justify; ">સુકાઈ ગયેલા કે બંધ પડેલા બોરવેલને ખાસ ફિલ્ટર ચેમ્બર સાથે જોડીને વરસાદી પાણીથી રિચાર્જ કરવા, જેથી ભૂગર્ભ જળસ્તર ઊંચું આવે.</p><p style="text-align: justify; "><b>ભૂગર્ભ જળની ગુણવત્તામાં સુધારો:</b></p><p style="text-align: justify; ">વરસાદી પાણી શુદ્ધ હોવાથી તે ભૂગર્ભ જળના ક્ષારનું પ્રમાણ ઘટાડવામાં મદદ કરે છે.</p><p style="text-align: justify; "><span style="font-size: 1.5rem;">3. જળ સંચયમાં લોકભાગીદારીનું મહત્વ&nbsp;</span></p><p style="text-align: justify; "><img alt="Rainwater Harvesting" src="https://epapercdn.sandesh.com/images/2026/07/24/VT90XybjVGvRY3ePLBnyPkei0o61OfF5Teno8sKO.webp"><span style="font-size: 1.5rem;"><br></span></p><p style="text-align: justify; "><b>હાઉસિંગ સોસાયટીઓ અને સંસ્થાઓની ભૂમિકા:</b></p><p style="text-align: justify; ">એપાર્ટમેન્ટ્સ અને કોમર્શિયલ બિલ્ડિંગ્સમાં સિસ્ટમ ફરજિયાત બનાવવી અને તેનું નિયમિત મેન્ટેનન્સ કરવું.</p><p style="text-align: justify; "><b>જનજાગૃતિ અને સ્થાનિક સમિતિઓ:</b></p><p style="text-align: justify; ">'વોટર વોરિયર્સ' અથવા સ્થાનિક સ્વયંસેવકો દ્વારા ઝુંબેશ ચલાવીને પાણીના બગાડ અટકાવવા અને જળ સંચયના ફાયદાઓ સમજાવવા.</p><p style="text-align: justify; "><b>સરકારી પ્રોત્સાહન અને નીતિઓ:</b></p><p style="text-align: justify; ">જે સોસાયટીઓ કે મકાનો સક્રિય રીતે રેનવોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અપનાવે તેમને ટેક્સમાં રાહત કે પ્રોત્સાહક યોજનાઓ આપવી.</p><h5 style="text-align: justify; ">નિષ્કર્ષ&nbsp;</h5><p style="text-align: justify; ">સ્પોન્જ સિટી કન્સેપ્ટ, આઈઓટી ટેકનોલોજી અને બોરચાર્જિંગ જેવા વૈજ્ઞાનિક અભિગમોને જો યોગ્ય સરકારી નીતિઓ અને જનભાગીદારી સાથે જોડવામાં આવે, તો જ શહેરોને સુરક્ષિત અને 'વોટર સેક્યોર' બનાવી શકાશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/explainer/news/sandesh-digital-explainer-asian-countries-are-submerged-due-to-terrible-floods-and-waterlogging-know-what-the-situation-is-like" target="_blank">ભયાનક પૂર અને જળબંબાકાર સ્થિતિથી એશિયાના દેશો જળમગ્ન, જાણો ક્યાં કેવી છે સ્થિતિ?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/24/eqabpcgM1erLz3Sg0io6b7SY39DdYILvGC1ypNP8.webp'/></item><item><title><![CDATA[Ahmedabad Rain Update: હવામાન વિભાગની આગાહી ખોટી પડી, યલો એલર્ટ સામે ખાબક્યો 10 ઇંચ વરસાદ ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/ahmedabad-rain-update-rain-imids-forecast-fails</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/ahmedabad-rain-update-rain-imids-forecast-fails</guid><pubDate>Fri, 24 Jul 2026 20:52:58 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરમાં 23 જુલાઈના રોજ હવામાન વિભાગની ભૂલભુલામણી ભરી આગાહી સામે આવી છે. હવામાન ખાતા દ્વારા અમદાવાદ માટે માત્ર 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ તેની સામે શહેરમાં જાણે આભ ફાટ્યું હોય તેમ 'રેડ એલર્ટ' જેવો ભયાનક વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગનું ગણતરીભર્યું અનુમાન ખોટું પડતાં તંત્ર અને સ્થાનિક નાગરિકો બંને અચાનક આવેલી આ આફતથી અવાક રહી ગયા હતા.</p><h2><b>10 ઇંચ અવિરત વરસાદથી આખું અમદાવાદ પાણીમાં ગરકાવ</b></h2><p>શહેરમાં માત્ર કેટલાક જ કલાકોમાં 10 ઇંચ જેટલો મુશળધાર વરસાદ વરસી જતાં અમદાવાદ આખું જળબંબાકાર બની ગયું હતું. મુખ્ય માર્ગો, અંડરપાસ, નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં કમરડૂબ પાણી ભરાઈ ગયા હતા. અચાનક ખાબકેલા આ ભારે વરસાદને કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો અને હજારો નાગરિકો રસ્તાઓ તેમજ નીચાણવાળા ઘરોમાં અટવાઈ પડ્યા હતા.</p><h2><b>"અનુમાન માત્ર સાંકેતિક હોય છે" - બચાવમાં રાહત કમિશનરનું વિવાદિત નિવેદન</b></h2><p>હવામાન વિભાગની આગાહી ખોટી પડવા અંગે અને તંત્રની ઓછી તૈયારીઓ અંગે ઊભા થયેલા પ્રશ્નો વચ્ચે રાહત કમિશનરે તંત્રના બચાવમાં મોટું નિવેદન આપ્યું છે. રાહત કમિશનરે જણાવ્યું હતું કે, હવામાન વિભાગનું અનુમાન માત્ર એક સાંકેતિક માર્ગદર્શન હોય છે." તેમણે ઉમેર્યું કે વરસાદી સિસ્ટમમાં અચાનક તીવ્રતા વધી જવાના કારણે યલો એલર્ટ જેવી સ્થિતિ અચાનક રેડ એલર્ટમાં ફેરવાઈ ગઈ હતી, જેના લીધે આટલો ભારે વરસાદ નોંધાયો હતો.</p><h2><b>સિસ્ટમની તીવ્રતા વધતાં પરિસ્થિતિ વણસી</b></h2><p>હવામાન નિષ્ણાતોના મતે, અરબી સમુદ્ર અને વાતાવરણમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ અપેક્ષા કરતાં વધુ મજબૂત બની ગઈ હતી. સિસ્ટમની તીવ્રતા ક્ષણવારમાં વધી જતાં અમદાવાદ પર વાદળોનું મોટું ઝૂંડ જમા થઈ ગયું હતું, જેને કારણે આટલો ભયાનક વરસાદ પડ્યો હતો. જોકે, આગાહી ખોટી પડવાને કારણે પ્રિ-મોન્સૂન અને ઈમરજન્સી પ્લૅનિંગ પર ગંભીર અસરો જોવા મળી હતી.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/weather/monsoon-2026/news/gujarat/ahmedabad/flood-indian-army-entry-hadr-operation-navsari-valsad-rescue" target="_blank">Gujarat Rain Update: પૂરની વિકટ પરિસ્થિતિ વચ્ચે ભારતીય સેનાની એન્ટ્રી, HADR ઓપરેશન શરૂ, 43 લોકોનું રેસ્ક્યૂ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/24/6JRGLLx6OfHDOabCSv5nrccAAATUIUkTfg6OToVL.webp'/></item><item><title><![CDATA[Ahmedabad Rain Update: AMCની કામગીરીના પોકળ દાવાઓ ખુલ્લા પડ્યા, કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના આંકડામાં જમીન-આસમાનનો તફાવત ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/amc-claims-exposed-rain-waterlogging-ahmedabad-rain-update</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/amc-claims-exposed-rain-waterlogging-ahmedabad-rain-update</guid><pubDate>Fri, 24 Jul 2026 20:29:48 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની કામગીરી અને તેમના દાવાઓ પર ગંભીર સવાલો ઊભા થયા છે. પાણી ભરાવાની સ્થિતિ મુદ્દે AMC તંત્રના જ બે ઉચ્ચ હોદ્દેદારો વચ્ચે આંકડાઓનો મોટો તફાવત સામે આવ્યો છે. કામગીરી બતાવવાના ચક્કરમાં કમિશનર ખોટા આંકડા આપી રહ્યા હોવાનો ઘાટ સર્જાયો છે, જેનાથી તંત્રની આંતરિક પોલ છતી થઈ ગઈ છે.</p><h2><b>કમિશનર કહે 'પાણી ઓસરી ગયા' – ચેરમેન કહે '79 સોસાયટીમાં હજુ પાણી છે'</b></h2><p>પાણી નિકાલની કામગીરી અંગે માહિતી આપતી વખતે AMC કમિશનરે એવો દાવો કર્યો હતો કે શહેરમાંથી 79 સોસાયટીઓમાંથી પાણી ઓસરી ગયા છે અને રસ્તાઓ પર ક્યાંય પાણી ભરાયેલા નથી. જોકે, તેમની જ પોલ ખોલતાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સ્પષ્ટપણે સ્વીકાર્યું હતું કે શહેરની 79 સોસાયટીઓમાં હજી પણ વરસાદી પાણી ભરાયેલા યથાવત છે. અધિકારીઓ અને શાસકો વચ્ચેના આ પરસ્પર વિરોધી નિવેદનોથી નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.</p><h2><b>ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પાણી ભરાયેલા રોડ પર ચાલવા મજબૂર</b></h2><p>એકતરફ AMC કમિશનર શહેરમાં કે રોડ પર ક્યાંય પાણી ન હોવાના પોકળ દાવા કરી રહ્યા હતા, ત્યારે બીજી તરફ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પોતે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. કમિશનરના "કોરા ધાકોર" રોડના દાવા વચ્ચે જગદીશ વિશ્વકર્મા જાતે ઘૂંટણસમા ભરાયેલા પાણીમાં ચાલીને અસરગ્રસ્તોની મુલાકાત લેતા કેમેરામાં કેદ થયા હતા.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2080663132763267477"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>કાગળ પરની કામગીરી બતાવવા આંકડાની માયાજાળ?</b></h2><p>અમદાવાદના અનેક વિસ્તારોમાં રહીશો હજુ પણ પાણીમાં કેદ છે ત્યારે AMC તંત્ર દ્વારા કાગળ પર બધું 'ઓલ રાઈટ' બતાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. તંત્રના જ જવાબદાર અધિકારીઓ વચ્ચે સત્ય છુપાવવાની આ રમતથી પ્રજા હેરાન-પરેશાન થઈ રહી છે અને પ્રિ-મોન્સૂન કામગીરીના મોટા દાવાઓનો સદંતર વિરોધ થઈ રહ્યો છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/weather/monsoon-2026/news/gujarat/ahmedabad/flood-indian-army-entry-hadr-operation-navsari-valsad-rescue" target="_blank">Gujarat Rain Update: પૂરની વિકટ પરિસ્થિતિ વચ્ચે ભારતીય સેનાની એન્ટ્રી, HADR ઓપરેશન શરૂ, 43 લોકોનું રેસ્ક્યૂ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/24/2b8iPvkOkw8UO3eM60yzA7P37UkFI8W5lxQHYVfT.webp'/></item><item><title><![CDATA[NEET Paper Leak: પેપર લીક મામલે સરકારનો મોટો નિર્ણય, NTAમાંથી 47 અધિકારીઓને કરાયા બરતરફ ]]></title><link>https://sandesh.com/india/news/neet-paper-leak-governments-big-decision-in-the-paper-leak-case-47-officials-dismissed-from-nta</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/neet-paper-leak-governments-big-decision-in-the-paper-leak-case-47-officials-dismissed-from-nta</guid><pubDate>Fri, 24 Jul 2026 20:21:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આવતા મહિને NTAના સમગ્ર માળખામાં ફેરફાર કરવામાં આવશે અને 47 અધિકારીઓને દૂર કરાશે.&nbsp;</p><h2 style="text-align: justify; ">વહીવટી વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ફેરફારો&nbsp;</h2><p style="text-align: justify; ">NEET પેપર લીક અંગે ચાલી રહેલા હોબાળા અને વિરોધ વચ્ચે NTAમાં મોટા ફેરફારોની તૈયારીઓ શરૂ થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર એજન્સીના માળખામાં વ્યાપક સુધારા લાગુ કરવાની યોજના બનાવી રહી છે. આવતા મહિનાની અંદર NTAનું પુનર્ગઠન અપેક્ષિત છે. જેમાં તેની કામગીરી અને વહીવટી વ્યવસ્થામાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો સામેલ હશે. આ પ્રક્રિયાના ભાગરૂપે NTAમાંથી આશરે 47 કર્મચારીઓને દૂર કરવામાં આવી શકે છે. આમાંના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ સામે પણ કાર્યવાહી થઈ શકે છે.&nbsp;</p><h3 style="text-align: justify; ">લીક-પ્રૂફ પરીક્ષા પ્રણાલી બનાવવાની તૈયારીઓ</h3><p style="text-align: justify; ">સરકારનો ઉદ્દેશ્ય એક લીક-પ્રૂફ પરીક્ષા પ્રણાલી બનાવવાનો છે જે પ્રશ્નપત્ર લીક જેવી ઘટનાઓને સંપૂર્ણપણે અટકાવશે અને રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓની પારદર્શિતા અને વિશ્વસનીયતાને મજબૂત બનાવશે. NTA દર વર્ષે JEE, NEET અને CUET સહિત આશરે 15 થી 20 રાષ્ટ્રીય સ્તરની પ્રવેશ પરીક્ષાઓનું આયોજન કરે છે. તાજેતરના પેપર લીક વિવાદ બાદ, એજન્સીની કામગીરી પર પ્રશ્નો ઉભા થયા હતા. જેના કારણે વ્યાપક સુધારા પ્રક્રિયા શરૂ થઈ હતી.</p><h4 style="text-align: justify; ">શિક્ષણ મંત્રાલય મોટી જાહેરાત કરશે.</h4><p style="text-align: justify; ">NTAની સ્થાપના સ્વ-નાણાકીય સંસ્થા તરીકે કરવામાં આવી હતી. તેનું નેતૃત્વ એક ડિરેક્ટર જનરલ કરે છે, જેની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય સ્ટાફિંગ યોજના હેઠળ કરવામાં આવે છે. હાલમાં, NTA 22 કર્મચારીઓને ડેપ્યુટેશન પર રાખે છે. આ ઉપરાંત, 38 કરાર આધારિત કર્મચારીઓ અને 138 આઉટસોર્સ્ડ કર્મચારીઓ છે. એક કર્મચારીને તેના મૂળ વિભાગમાંથી NTAમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. સરકારે 29 ઓક્ટોબર, 2024 થી અમલમાં મુકાયેલી 16 નવી જગ્યાઓ પણ બનાવી છે. આમાંથી આઠ ડિરેક્ટર સ્તરે અને આઠ સંયુક્ત ડિરેક્ટર સ્તરે છે. નિયુક્ત અધિકારીઓ પરીક્ષા સંબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ છે અને પરીક્ષાઓના સુગમ અને ન્યાયી સંચાલન માટે જરૂરી ઓપરેશનલ અને સુરક્ષા પગલાં લેવામાં આવે છે તેની ખાતરી કરે છે.</p><h5 style="text-align: justify; ">ગંગવાર ઉચ્ચ શિક્ષણ વિભાગના નવા સચિવ તરીકે નિયુક્ત</h5><p style="text-align: justify; ">1994 બેચના રાજસ્થાન-કેડરના IAS અધિકારી નરેશ પાલ ગંગવાર દેશના પરીક્ષા માળખાને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે તેવી અપેક્ષા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમની તાત્કાલિક પ્રાથમિકતાઓમાં રાષ્ટ્રીય સ્તરની પ્રવેશ અને ભરતી પરીક્ષાઓમાં પારદર્શિતા વધારવી, તાજેતરના પરીક્ષા વિવાદોથી પ્રભાવિત વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરવો અને રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સીની કામગીરીની સમીક્ષા કરવી શામેલ હોઈ શકે છે. કેન્દ્રના આ નિર્ણયને જવાબદારીને મજબૂત બનાવવા અને પરીક્ષા પ્રણાલીમાં સુધારાઓને વેગ આપવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/business/usa/us-tariff-impact-america-imposed-an-additional-10-tariff-on-india-in-the-name-of-forced-labor-what-will-be-the-impact-on-indian-industries" target="_blank">અમેરિકાએ Forced Laborના નામે ભારત પર લગાવ્યો 10%નો વધારાનો ટેરિફ, ભારતીય ઉદ્યોગો પર શું પડશે અસર?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/24/DaF50Tm2U2Xal5KbnivueqI5Kc27H654v17wYUGE.webp'/></item><item><title><![CDATA[US Tariff Impact: અમેરિકાએ Forced Laborના નામે ભારત પર લગાવ્યો 10%નો વધારાનો ટેરિફ, ભારતીય ઉદ્યોગો પર શું પડશે અસર? ]]></title><link>https://sandesh.com/world/news/business/usa/us-tariff-impact-america-imposed-an-additional-10-tariff-on-india-in-the-name-of-forced-labor-what-will-be-the-impact-on-indian-industries</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/business/usa/us-tariff-impact-america-imposed-an-additional-10-tariff-on-india-in-the-name-of-forced-labor-what-will-be-the-impact-on-indian-industries</guid><pubDate>Fri, 24 Jul 2026 19:59:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ કાર્યવાહી બળજબરીથી મજૂરી સંબંધિત ચિંતાઓના આધારે કરવામાં આવી હતી.&nbsp;</p><h2 style="text-align: justify; ">બળજબરીથી મજૂરી એટલે શું ?</h2><p style="text-align: justify; ">બળજબરીથી મજૂરીનો અર્થ વ્યક્તિને તેની ઇચ્છા વિરુદ્ધ કામ કરવા માટે દબાણ કરવાનો છે. જો કોઈ કામદાર પોતાની નોકરી છોડવા માંગે છે પરંતુ તેને મંજૂરી નથી, તો તે બળજબરીથી મજૂરી બની શકે છે. જો વ્યક્તિને ધમકી હેઠળ કામ કરવાની ફરજ પાડવામાં આવે તો પણ, મામલો ગંભીર હોઈ શકે છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન બળજબરીથી મજૂરીને માનવ અધિકારોનું ઉલ્લંઘન માને છે. વ્યક્તિની સંમતિ ખરેખર મુક્ત નથી. તેઓ દબાણ હેઠળ કામ કરી રહ્યા છે.</p><h3 style="text-align: justify; ">મુખ્ય વ્યાખ્યા શુ ?&nbsp;</h3><p style="text-align: justify; ">દરેક ઓછા વેતનવાળી નોકરીને બળજબરીથી મજૂરી ગણી શકાય નહીં. ઘણા દેશોમાં, કામદારોને ઓછું વેતન મળે છે. કામના કલાકો પણ લાંબા હોઈ શકે છે. આ શ્રમ અધિકારોનો મુદ્દો હોઈ શકે છે. પરંતુ બળજબરીથી મજૂરી સાબિત કરવા માટે, દબાણ અથવા નિયંત્રણના નક્કર સંકેતો જરૂરી છે. ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિ તેમની ઇચ્છા વિરુદ્ધ ઓછા વેતન માટે કામ કરી રહી છે અને ગમે ત્યારે કામ છોડી શકે છે. આવી પરિસ્થિતિ હંમેશા બળજબરીથી મજૂરીની કાનૂની વ્યાખ્યામાં આવતી નથી. જો કે, જો તેમને ચૂકવણી ન કરવાની, પોલીસ કાર્યવાહી, હિંસા, દેવું અથવા પાસપોર્ટ જપ્ત કરવાની ધમકી આપવામાં આવે છે, તો મામલો અલગ થઈ જાય છે.</p><h4 style="text-align: justify; ">બળજબરીથી મજૂરીના મુખ્ય સંકેતો&nbsp;</h4><p style="text-align: justify; ">બળજબરીથી મજૂરીને અનેક સંકેતો દ્વારા ઓળખવામાં આવે છે. આમાં નોકરી છોડવાની સ્વતંત્રતાનો ઇનકાર, હુમલો અથવા હિંસાની ધમકીઓ, પાસપોર્ટ, ઓળખ કાર્ડ અથવા અન્ય દસ્તાવેજો જપ્ત કરવા, વેતન રોકવું, કામદારોને વધુ પડતા દેવાથી બાંધવા, કામદારોની હિલચાલ પર પ્રતિબંધ મૂકવો, ભરતીના નામે ઊંચી ફી વસૂલવી, બાળકોને ખતરનાક અથવા બળજબરીથી મજૂરી કરવા માટે દબાણ કરવું, કામદારોને અલગ કરવા અને નિયંત્રિત કરવા વગેરેનો સમાવેશ થાય છે. આ સૂચકાંકોમાંથી એક અથવા વધુ શંકા પેદા કરી શકે છે.</p><h5 style="text-align: justify; ">દેવું-આધારિત મજૂર જાળ</h5><p style="text-align: justify; ">જબરદસ્તી મજૂરીના એક સામાન્ય સ્વરૂપમાં દેવું શામેલ છે, જેને બંધુઆ મજૂર તરીકે પણ ઓળખવામાં આવે છે. ધારો કે કોઈ ભરતી એજન્ટ કોઈ કામદારને વિદેશમાં નોકરી મેળવવાના નામે મોટી લોન આપે છે. બાદમાં, કામદારને કહેવામાં આવે છે કે તેઓ લોન ચૂકવ્યા વિના છોડી શકતા નથી. તેમના વેતનમાં પણ કાપ મૂકવામાં આવે છે. આ પરિસ્થિતિમાં, કામદાર નાણાકીય જાળમાં ફસાઈ જાય છે. ક્યારેક દેવું એટલું મોટું હોય છે કે કામદાર વર્ષો સુધી તેને ચૂકવી શકતો નથી. આ પરિસ્થિતિ આંતરરાષ્ટ્રીય વેપારમાં ગંભીર ચિંતાનો વિષય છે.</p><h5 style="text-align: justify; ">આંતરરાષ્ટ્રીય વેપારમાં આ મુદ્દો મહત્વપૂર્ણ&nbsp;</h5><p style="text-align: justify; ">આજે, એક ઉત્પાદન બહુવિધ દેશોમાં બનાવવામાં આવે છે. એક દેશમાં ઉગાડવામાં આવતા કપાસમાંથી કાપડ બનાવી શકાય છે, બીજા દેશમાં યાર્નનું ઉત્પાદન કરી શકાય છે, અને કપડાને ત્રીજા દેશમાં સીવી શકાય છે. પછી અંતિમ ઉત્પાદન ચોથા દેશમાંથી યુનાઇટેડ સ્ટેટ્સ અથવા યુરોપમાં મોકલી શકાય છે. આને વૈશ્વિક પુરવઠા શૃંખલા કહેવામાં આવે છે. આ સિસ્ટમમાં, કોઈપણ એક તબક્કે બળજબરીથી મજૂરીનો આરોપ સમગ્ર ઉત્પાદનને વિવાદાસ્પદ બનાવી શકે છે. ખરીદનાર દેશો ઉત્પાદનના ઉત્પાદનમાં કામદારોના અધિકારોનું સન્માન કરવામાં આવ્યું હતું કે કેમ તે અંગે પ્રશ્નો ઉભા કરે છે.</p><h6 style="text-align: justify; ">ભારત પર 10 ટકા ટેરિફનો સંદર્ભ</h6><p style="text-align: justify; ">યુનાઇટેડ સ્ટેટ્સે ભારતને એવા દેશોના જૂથમાં સામેલ કર્યું છે જેમની આયાત પર વધારાના 10 ટકા ટેરિફ લાદવામાં આવે છે. યુનાઇટેડ સ્ટેટ્સે એવા દેશો સામે વધુ કડક પગલાં લેવાની વિનંતી કરી છે જેઓ બળજબરીથી મજૂરી કરાવતી વસ્તુઓની આયાતને રોકવા માટે પૂરતા પગલાં લેવામાં નિષ્ફળ ગયા છે. એવું કહેવું યોગ્ય રહેશે નહીં કે ભારતમાં દરેક ઉત્પાદન અથવા દરેક ઉદ્યોગ પર બળજબરીથી મજૂરી કરવાનો આરોપ છે. વ્યાપક નીતિ સ્તરે, આ ટેરિફ દબાણનું સાધન છે. તેનો હેતુ પુરવઠા શૃંખલાની ચકાસણી, પારદર્શિતા અને શ્રમ ધોરણોનું પાલન વધારવાનો હોવાનું જણાવાયું છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/india/news/saharanpur-news-4-killed-in-blast-at-firecracker-factory-in-saharanpur-two-bodies-found" target="_blank"> સહારનપુરમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 4ના મોત, બે મૃતદેહ મળ્યા</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/24/2qEnFvwnpy6B9PGargJ2Pl13icuxxk3WFID6Ozoa.webp'/></item><item><title><![CDATA[Surat News: શહેરમાં ખાડીપૂરના કારણે બે દિવસમાં ત્રણ લોકોના મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/three-deaths-reported-in-two-days-amid-heavy-rains</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/three-deaths-reported-in-two-days-amid-heavy-rains</guid><pubDate>Fri, 24 Jul 2026 19:55:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતમાં છેલ્લા 15 દિવસમાં બીજી વાર આવેલા ખાડી પૂર અને અતિભારે વરસાદના કારણે વધુ બે લોકોના મોત નીપજ્યા છે, જેને પગલે છેલ્લા બે દિવસમાં જ પૂરના કારણે મૃત્યુઆંક વધીને ત્રણ પર પહોંચ્યો છે.જેમાં પાલનપોર કેનાલ રોડ પર આવેલા હળપતિ વાસ નજીક પાણીથી ભરેલા એક ખાડામાંથી 80 વર્ષના વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો.સુરત શહેરમાં પાંડેસરા વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે બે કાંઠે વહેતી ખાડીમાં એક યુવકની લાશ તરતી જોવા મળતાં ભારે ચકચાર મચી ગઈ હતી. શહેરમાં છેલ્લા એક મહિનામાં ખાડીપુરના કારણે 28થી વધુ લોકોના મોત નિપજ્યા હોવાની વિગતો સામે આવી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ખાડીપૂરના કારણે વધુ એક ભયાનક તારાજીના દ્રશ્યો</b></h2><p style="text-align: justify; ">સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરતાં ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહ બહાર કાઢ્યો હતો. હાલ પોલીસે મૃતકની ઓળખ મેળવવા અને મોતનું સાચું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આવી જોખમી વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને ખાડીઓ, નદીઓ અને નાળાઓથી દૂર રહેવા ખાસ અપીલ કરવામાં આવી છે.ખાડીપૂરના કારણે વધુ એક ભયાનક તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં કમરુનગર અને મીઠી ખાડી વિસ્તાર સંપૂર્ણપણે જળબંબાકાર થઈ ગયો છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>લોકો પોતાના ઘરોમાં જ પુરાઈ રહેવા મજબૂર&nbsp;</b></h3><p style="text-align: justify; ">કમરુનગરમાં પૂરોના પાણી ફરી વળતાં હજારો બાઇકો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને આ તારાજીના ડ્રોન કેમેરાથી લેવાયેલા આકાશી દ્રશ્યોમાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી નજરે પડે છે. પૂરની વિકટ સ્થિતિ દર્શાવતા આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ ભારે વાયરલ થઈ રહ્યા છે. બમરોલી ગામ ફરી એકવાર ખાડીપૂરના પાણીમાં ગરકાવ થઈ જતાં સમગ્ર વિસ્તારમાં ભારે તારાજી સર્જાઈ છે.ગામમાં ચારેય તરફ પાણી ભરાઈ જવાથી બહાર અવરજવર કરવી અત્યંત મુશ્કેલ બની છે જેના કારણે સ્થાનિક લોકો પોતાના ઘરોમાં જ પુરાઈ રહેવા મજબૂર બન્યા છે.માત્ર 15 દિવસના ટૂંકા ગાળામાં જ ખાડીપૂરના લીધે બીજી વખત આવી વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સ્થાનિકોનો આરોપ છે કે મહાનગરપાલિકા દ્વારા માત્ર બ્રિજ બંધ કરીને સંતોષ માની લેવામાં આવે છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/gurukul-shops-flooded-traders-face-heavy-losses" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News : ગુરૂકુળ વિસ્તારમાં દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓને લાખોનું નુકસાન, ગટરના પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નહીં</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/24/s9R8GLOBlg5HnVsVrrSWFus3ZycJoeg7CxduTHuA.webp'/></item><item><title><![CDATA['કરણે મને લાફો માર્યો, મારા મમ્મી-પપ્પાને પણ અપશબ્દો...', અભિનેત્રીના ચોંકાવનારા ખુલાસાથી મચ્યો ખળભળાટ ]]></title><link>https://sandesh.com/entertainment/news/sanvi-talwar-alleges-karan-kundrra-slapped-her-on-yeh-kahan-aa-gaye-hum-set</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/sanvi-talwar-alleges-karan-kundrra-slapped-her-on-yeh-kahan-aa-gaye-hum-set</guid><pubDate>Fri, 24 Jul 2026 17:49:34 +05:30</pubDate><description><![CDATA[<p>ટીવી અભિનેતા કરણ કુન્દ્રા આજકાલ ચર્ચામાં છે. જોકે, આ વખતે તે કોઈ શો નથી, પરંતુ ભૂતકાળનો વિવાદ છે. 2015 માં કરણ કુન્દ્રા અને અભિનેત્રી સાનવી તલવાર ટીવી સીરિયલ "યે કહાં આ ગયે હમ" માં સાથે દેખાયા હતા. તેમની ઓન-સ્ક્રીન જોડી દર્શકોને ખૂબ ગમતી હતી, પરંતુ તેઓ સ્ક્રીનની બહાર ઝઘડતા હતા. આ દરમિયાન સાનવી તલવારે કરણ સાથેના તેના વિવાદ વિશે ખુલ્લેઆમ વાત કરી અને ઘણા ખુલાસા કર્યા જે ખૂબ જ ચોંકાવનારા છે.</p><p><h4><b>મેં કરણને લાફો માર્યો</b></h4>તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કરતા અભિનેત્રી સાનવીએ કહ્યું, "મેં કરણ સાથે સેટ પર વાત નહોતી કરી કારણ કે મને તે પસંદ નહોતો. પરંતુ કરણ અને દિગ્દર્શકને મારા ન બોલવાથી સમસ્યા હતી. ઘણી વાર મને ખબર પડી કે તે મને રિપ્લેસ કરશે." કિસિંગ સીન અંગે, સાનવીએ ખુલાસો કર્યો, "નિર્દેશક બોલે તે પહેલાં કરણે મને કિસ કરી, પરંતુ કોઈએ તેને કંઈ કહ્યું નહીં." મેં ગુસ્સામાં કરણને થપ્પડ મારી, અને તે ચાલ્યો ગયો.</p><h4><b>કરણે સાનવી સાથે દુર્વ્યવહાર કર્યો
</b></h4><p>સાનવીએ આગળ કહ્યું, "લગભગ 10-15 મિનિટ પછી, કરણ આવ્યો અને તેને એટલી જોરથી થપ્પડ મારી કે તે જમીન પર પડી ગઈ. તેણે મને અને મારા માતા-પિતાને પણ અપશબ્દો કહ્યા. તેના આવા વ્યવહાર પછી પણ કોઈએ મને સપોર્ટ કર્યો નહીં. પછી હું મારી કાર લઈને ચાલી ગઈ. મેં નક્કી કર્યું હતું કે હું ફરી ક્યારેય ત્યાં કામ નહીં કરું, પરંતુ એકતા કપૂરે માફી માંગી અને મને શોમાં પાછા ફરવાનું કહ્યું."
</p><h4><b>શો ટૂંક સમયમાં જ બંધ થઈ ગયો
</b></h4><p>નોંધનીય છે કો સિરિયલ "યે કહાં આ ગયે હમ" એક મ્યુઝિકલ ડ્રામા હતી. આ સિરીઝમાં કરણે રાહુલ સભરવાલ નામના રોકસ્ટારની ભૂમિકા ભજવી હતી અને સાનવી જેને માનવી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક ગાયિકા હતી. બાલાજી ફિલ્મ્સની આ સિરિયલની વાર્તા તે સમયે દર્શકોનું ધ્યાન ખેંચવામાં નિષ્ફળ ગઈ. આ શો 26 ઓક્ટોબર 2015 ના રોજ શરૂ થયો હતો, પરંતુ 24 ઓગસ્ટ 2016 ના રોજ બંધ થઈ ગયો.
</p><p><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/entertainment/news/akanksha-puri-claim--money-offered-to-celebs-for-neet-protest" target="_blank"><b>આ ગંદકીમાં નથી પડવું... વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા માટે ઓફર થઈ રહ્યા છે પૈસા, અભિનેત્રીનો મોટો દાવો</b></a></p><p><br><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/24/xdJvrJTsWTNVeKizkjpYbKp2OfZ45yJyfJ4HXTT0.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup ફાઈનલમાં હાર્યા બાદ આર્જેન્ટિનાના દિગ્ગજે લીધો સંન્યાસ, જાણો શાનદાર રેકોર્ડ ]]></title><link>https://sandesh.com/sports/news/argentina-legend-retires-after-losing-in-fifa-world-cup-final-know-his-amazing-record</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/argentina-legend-retires-after-losing-in-fifa-world-cup-final-know-his-amazing-record</guid><pubDate>Fri, 24 Jul 2026 17:38:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સ્પેને ફિફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં આર્જેન્ટિનાને 1-0 થી હરાવ્યું.સ્પેને 16 વર્ષ પછી ટ્રોફી જીતી.આર્જેન્ટિનાને સતત બીજી ટ્રોફી જીતવાની તક મળી હતી,પરંતુ તે નિષ્ફળ ગયો.આ લિયોનેલ મેસ્સીનો છેલ્લો વર્લ્ડ કપ હોવાનું માનવામાં આવતું હતું.મેસીએ હજુ સુધી નિવૃત્તિની જાહેરાત કરી નથી,અને અહેવાલો અનુસાર તે થોડા મહિનાઓ સુધી આંતરરાષ્ટ્રીય ફૂટબોલ રમશે. હવે, તેના સાથી ખેલાડીએ નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે.</p><h4 style="text-align: justify; "><b>આર્જેન્ટિનાના ડિફેન્ડરે નિવૃત્ત જાહેર કરી</b></h4><p style="text-align: justify; ">આર્જેન્ટિનાના ડિફેન્ડર નિકોલસ ઓટામેન્ડીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે, જેનાથી તેની 17 વર્ષની કારકિર્દીનો અંત આવ્યો છે. 38 વર્ષીય ડિફેન્ડરને આર્જેન્ટિનાના સૌથી સફળ ડિફેન્ડરોમાંના એક માનવામાં આવે છે. તેણે ફિફા વર્લ્ડ કપ 2026 માં સ્પેન સામે આર્જેન્ટિના માટે તેની છેલ્લી મેચ રમી હતી. નિવૃત્તિ પર, તેણે કહ્યું, આજે હું મારી કારકિર્દીના સૌથી મુશ્કેલ શબ્દો લખવા જઈ રહ્યો છું. હું ભાગ્યશાળી છું કે મારી છેલ્લી મેચ વર્લ્ડ કપ ફાઇનલ હતી." ભલે પરિણામ અમારા પક્ષમાં ન હતું, હું માથું ઉંચુ કરીને વિદાય આપી રહ્યો છું. વર્લ્ડ કપ જીતવાનું મારું સ્વપ્ન પૂરું કરવા બદલ આર્જેન્ટિનાનો આભાર.</p><p style="text-align: justify; "><a href="https://x.com/argfootballafa/status/2080262132634132692?s=20" target="_blank">https://x.com/argfootballafa/status/2080262132634132692?s=20</a></p><p style="text-align: justify; "><br></p><h5 style="text-align: justify; "><b>આર્જેન્ટિના માટે કેટલી મેચ રમી?</b></h5><p style="text-align: justify; ">નિકોલસ ઓટામેન્ડીએ આર્જેન્ટિના માટે 139મેચ રમી અને વર્ષોથી ટીમની સફળતામાં મુખ્ય પરિબળ રહ્યા. ઓટામેન્ડી માત્ર આર્જેન્ટિનામાં જ નહીં પરંતુ ફૂટબોલ લીગમાં પણ પોતાનું નામ બનાવવામાં સફળ રહ્યા. તેઓ પોર્ટો, વેલેન્સિયા, માન્ચેસ્ટર સિટી અને બેનફિકા માટે રમ્યા છે. તેમણે ચાર વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેઓ એક વારસો છોડીને ગયા છે અને ભવિષ્યના ઘણા ડિફેન્ડરોને પ્રેરણા આપશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/ferran-torres-love-story-he-made-the-coachs-daughter-his-girlfriend-then-this-is-why-they-broke-up" target="_blank">Ferran Torres Love Story: કોચની દીકરીને બનાવી ગર્લફ્રેન્ડ, પછી આ કારણે થયું બ્રેકઅપ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/24/uZjDSQITA43mVbUUCCRYfsXVySD3aBpao7mMJPH1.webp'/></item></channel></rss>