<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Rajkotમાં ભેળસેળિયા તત્વો સામે SOGની મોટી કાર્યવાહી, ખાદ્યતેલનો જથ્થો ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/rajkot/sog-takes-major-action-against-adulterated-elements-in-rajkot-quantity-of-edible-oil-seized</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/rajkot/sog-takes-major-action-against-adulterated-elements-in-rajkot-quantity-of-edible-oil-seized</guid><pubDate>Tue, 18 Aug 2026 16:05:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયા તત્વો સામે ગ્રામ્ય SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા એક અત્યંત મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. SOG ની ટીમે ભોજપરા ગામ નજીક આવેલા 'મુરલીધર પ્રોટીન' નામના યુનિટ પર અચાનક દરોડો પાડ્યો હતો. આ કામગીરી દરમિયાન સ્થળ પરથી મોટા પ્રમાણમાં ભેળસેળયુક્ત ખાદ્યતેલનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો, જેને પોલીસે જપ્ત કરીને આગળની કાયદાકીય પ્રોસેસ હાથ ધરી છે.</p><h2 style="text-align: justify; "><b>SP વિજયસિંહ ગુર્જરના આદેશથી સ્પેશિયલ ડ્રાઇવ</b></h2><p style="text-align: justify; ">રાજકોટ જિલ્લા પોલીસ વડા (SP) વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં નકલી અને ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોનું વેચાણ કે ઉત્પાદન કરતા અસામાજિક તત્વો સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી કડક કાર્યવાહી કરવાના સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા છે. જિલ્લા કપ્તાનના આ આદેશ બાદ એક્શન મોડમાં આવેલી ગ્રામ્ય SOG ટીમે ચોક્કસ બાતમીના આધારે આ રેડ પાડીને ભેળસેળના કાળો કારોબારનો પર્દાફાશ કર્યો છે.</p><h2 style="text-align: justify; "><b>ભેળસેળિયા તત્વો સામે પોલીસની સતત નજર</b></h2><p style="text-align: justify; ">આ સફળ દરોડા બાદ રાજકોટ જિલ્લાભરમાં ભેળસેળિયા વેપારીઓ અને ઉત્પાદકોમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો છે. સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી આર્થિક લાભ ખાટતા તત્વો સામે હવે જિલ્લા પોલીસ પણ સંપૂર્ણ રીતે સતર્ક બની ગઈ છે. પોલીસે જપ્ત કરેલા તેલના સેમ્પલ FSL અને ફૂડ વિભાગમાં પૃથ્થકરણ માટે મોકલી આપીને આ રેકેટમાં જોડાયેલા અન્ય લોકોની શોધખોળ અને વધુ તપાસ તેજ બનાવી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/junagadh/a-6-year-old-girl-was-brutally-beaten-and-suffered-serious-injuries-in-junagadh-a-complaint-was-filed" target="_blank">Junagadhમાં 6 વર્ષની બાળકી પર ક્રૂરતા, મારપીટથી શરીરે ગંભીર ઈજાઓ, ફરિયાદ નોંધાઈ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/VdeMqO9R4xROJByo1qdEk4vCVsQJhpMIurJvzPuI.webp'/></item><item><title><![CDATA[Auto News: વિદેશી બજારોમાં વાગ્યો ભારતીય ઓટો ગુણવત્તાનો ડંકો, યુરોપ બન્યું ‘મેડ-ઈન-ઈન્ડિયા’ EVsનું મોટું ગ્રાહક! ]]></title><link>https://sandesh.com/business/news/automobile/india-ev-exports-surge-q1-europe-spain</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/india-ev-exports-surge-q1-europe-spain</guid><pubDate>Tue, 18 Aug 2026 16:00:48 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતમાં બનેલી ઈલેક્ટ્રિક કારોની માગ હવે માત્ર દેશના આંતરિક બજાર પૂરતી સીમિત રહી નથી. ભારતીય ઓટોમોબાઈલ કંપનીઓ દ્વારા બનાવવામાં આવતી EVsને વિદેશોમાં પણ ખૂબ જ શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે. નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલથી જૂન 2026) દરમિયાન યુરોપ ભારતીય ઈલેક્ટ્રિક કાર માટે સૌથી મોટું નિકાસ બજાર બનીને ઉભરી આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>નિકાસની કમાણીમાં મજબૂત વધારો&nbsp;</b></h2><p style="text-align: justify; ">વાણિજ્ય મંત્રાલયના તાજેતરના આંકડા મુજબ એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં ભારતમાંથી ઈલેક્ટ્રિક કારની નિકાસ વધીને 36.9 કરોડ ડૉલર (આશરે રૂ.3,400 કરોડ) સુધી પહોંચી ગઈ છે. એક વર્ષ પહેલા સમાન સમયગાળામાં આ આંકડો માત્ર 2.22 કરોડ ડૉલર હતો. આમ, એક જ વર્ષના ગાળામાં ઈલેક્ટ્રિક કારના એક્સપોર્ટથી થતી કમાણીમાં અનેક ગણો ઉછાળો નોંધાયો છે.</p><h3 style="text-align: justify; "><b>વાહનોની સંખ્યામાં મોટો કૂદકો&nbsp;</b></h3><p style="text-align: justify; ">માત્ર કમાણીના સંદર્ભમાં જ નહીં, પરંતુ નિકાસ કરાયેલા વાહનોની સંખ્યામાં પણ મોટો ફાળો જોવા મળ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતે કુલ 10,802 ઈલેક્ટ્રિક કારો વિદેશી બજારોમાં મોકલી છે. તેની સરખામણીએ ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન માત્ર 1,309 કારની નિકાસ કરવામાં આવી હતી.</p><h4 style="text-align: justify; "><b>સ્પેન બન્યું સૌથી મોટું બજાર&nbsp;</b></h4><p style="text-align: justify; ">યુરોપીય દેશોમાં સ્પેન ભારતીય ઈલેક્ટ્રિક કારનો સૌથી મોટો ખરીદદાર દેશ બનીને સામે આવ્યો છે. ભારતે સ્પેનને આશરે 14.64 કરોડ ડૉલરની ઈલેક્ટ્રિક કાર એક્સપોર્ટ કરી છે, જે ભારતના કુલ EV નિકાસના લગભગ 40% જેટલો હિસ્સો ધરાવે છે. આ સમયગાળા દરમિયાન સ્પેનમાં 4,007 ઈલેક્ટ્રિક કાર મોકલવામાં આવી હતી, જેનાથી તે મૂલ્ય અને સંખ્યા બંનેની દ્રષ્ટિએ પ્રથમ સ્થાને રહ્યું છે.</p><h5 style="text-align: justify; "><b>બ્રિટન બીજા ક્રમે રહ્યું&nbsp;</b></h5><p style="text-align: justify; ">યુનાઈટેડ કિંગડમ (UK) ભારતીય EVs માટે બીજું સૌથી મોટું નિકાસ બજાર સાબિત થયું છે. પ્રથમ ત્રિમાસિક ગાળામાં બ્રિટનને આશરે 7.87 કરોડ ડૉલરની કિંમતની 2,646 ઈલેક્ટ્રિક કાર મોકલવામાં આવી છે. ખાસ વાત એ છે કે ગયા વર્ષે આ ગાળામાં બ્રિટનમાં ભારત તરફથી નહિવત નિકાસ થઈ હતી, જ્યારે આ વખતે યુરોપના આ મોટા માર્કેટમાં ભારતીય કારોએ મજબૂત પકડ બનાવી છે.</p><h6 style="text-align: justify; "><b>જર્મની અને નોર્વે સહિતના દેશોમાં વધતી માગ&nbsp;</b></h6><p style="text-align: justify; ">ભારતીય EVsનો ક્રેઝ માત્ર સ્પેન કે બ્રિટન પૂરતો સીમિત નથી રહ્યો. જર્મનીને 2.51 કરોડ ડૉલર, નોર્વેને 2.11 કરોડ ડૉલર અને ડેનમાર્કને 2.10 કરોડ ડૉલરની ઈલેક્ટ્રિક કાર નિકાસ કરવામાં આવી છે. આ સિવાય બેલ્જિયમ, નેધરલેન્ડ્સ, ગ્રીસ, ઇટલી, સ્વીડન અને પોલેન્ડ જેવા અન્ય યુરોપીય દેશોમાં પણ ભારતીય વાહનોની માંગ સતત વધી રહી છે.</p><p style="text-align: justify; "><b>એશિયા અને લેટિન અમેરિકામાં પણ એન્ટ્રી&nbsp;</b></p><p style="text-align: justify; ">યુરોપ ઉપરાંત ભારતે એશિયા-પેસિફિક વિસ્તારમાં પણ પોતાની પહોંચ વિસ્તારવામાં સફળતા મેળવી છે. જાપાનને 1.34 કરોડ ડૉલરની ઈલેક્ટ્રિક કાર મોકલવામાં આવી છે, જ્યારે ઇઝરાયેલ, ઓસ્ટ્રેલિયા, સિંગાપુર, તાઈવાન, દક્ષિણ કોરિયા અને પાડોશી દેશ નેપાળમાં પણ ભારતીય EVs પહોંચી છે. લેટિન અમેરિકાના બ્રાઝિલ, કોલંબિયા, ચિલી અને કોસ્ટા રિકા જેવા દેશોમાં પણ ભારતીય કારોનું નિકાસ થયું છે.</p><p style="text-align: justify; "><b>ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનવાની દિશામાં ભારત&nbsp;</b></p><p style="text-align: justify; ">આ તમામ આંકડાઓ સ્પષ્ટ દર્શાવે છે કે ભારત હવે ધીમે-ધીમે ઈલેક્ટ્રિક વાહનો માટે ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. યુરોપ જેવા કડક ધોરણો ધરાવતા વિકસિત બજારોમાં ભારતીય ઈલેક્ટ્રિક વાહનોની વધતી માંગ દેશના EV ઉદ્યોગની ગુણવત્તા, ક્ષમતા, સુરક્ષા અને વૈશ્વિક સ્પર્ધાત્મકતાને નવી ઓળખ આપી રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/automobile" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/8FR7AuyMYVLMaJBxLwEHOos3MAdZAmj2slw3Bv09.webp'/></item><item><title><![CDATA[UGC-NETમાં ગેરરીતિ બાદ NTAની મોટી કાર્યવાહી, 50થી વધુ કર્મચારીઓ હટાવાયા ]]></title><link>https://sandesh.com/india/news/ugc-net-irregularities-nta-removes-50-employees-exam-reforms</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ugc-net-irregularities-nta-removes-50-employees-exam-reforms</guid><pubDate>Tue, 18 Aug 2026 15:56:59 +05:30</pubDate><description><![CDATA[<p>UGC-NET જૂન 2026ની પરીક્ષામાં પ્રશ્નપત્રને લગતી ગેરરીતિઓ સામે આવ્યા બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ મોટો વહીવટી ફેરફાર કર્યો છે. શિક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પરીક્ષા વ્યવસ્થાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે NTAએ 50થી વધુ કર્મચારીઓ સામે કાર્યવાહી કરીને તેમને હટાવ્યા છે. સાથે જ 10 મહત્વના પદો પર નવા વ્યાવસાયિકોની ભરતી શરૂ કરવામાં આવી છે.</p><h2><b>ખાનગી ક્ષેત્રના નિષ્ણાતોની મદદ પણ લેવાશે</b></h2><p>આ ભરતીમાં મુખ્ય પ્રૌદ્યોગિકી અધિકારી (CTO), મુખ્ય નાણાં અધિકારી (CFO), મુખ્ય માહિતી સુરક્ષા અધિકારી (CISO), પરીક્ષા સુરક્ષાના મહાપ્રબંધક ઉપરાંત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને સાયકૉમેટ્રિક્સ સાથે જોડાયેલા હોદ્દાઓનો સમાવેશ થાય છે. NTA સાયબર સિક્યોરિટી, પ્રશ્નપત્ર તૈયાર કરવાની પ્રક્રિયા અને સાયકૉમેટ્રિક્સ જેવા ક્ષેત્રોમાં ખાનગી ક્ષેત્રના નિષ્ણાતોની મદદ પણ લેશે.</p><h3><b>પુનઃપરીક્ષા 9-10 સપ્ટેમ્બરે યોજાશે</b></h3><p>UGC-NET જૂન 2026ની પરીક્ષા 22થી 30 જૂન દરમિયાન 87 વિષયો માટે યોજાઈ હતી. પ્રશ્નપત્ર સંબંધિત ખામીઓને પગલે અંગ્રેજી અને કોમર્સની પુનઃપરીક્ષા 9 સપ્ટેમ્બરે, જ્યારે સોસિયોલોજીની પુનઃપરીક્ષા 10 સપ્ટેમ્બરે યોજાશે. આ પરીક્ષા JRF, આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની પાત્રતા અને PhD પ્રવેશ માટે લેવામાં આવે છે.</p><h4><b>NTAને આ સૂચના આપવામાં આવી</b></h4><p>પુનઃપરીક્ષાના નિર્ણય બાદ NSUI, SFI, AISA અને KYS સહિતના વિદ્યાર્થી સંગઠનોએ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યા હતા. વિપક્ષે પણ NTAની કાર્યપ્રણાલી પર સવાલ ઉઠાવી જવાબદારી નક્કી કરવાની માગ કરી છે. સરકાર દ્વારા પરીક્ષા પ્રક્રિયાના વ્યાપક ઓડિટ, સુરક્ષિત રૂમ, એર-ગેપ્ડ કમ્પ્યુટર સિસ્ટમ અને ઈલેક્ટ્રોનિક ઉપકરણો જમા કરાવવાની વ્યવસ્થામાં સુધારા સહિતના પગલાં લેવા NTAને સૂચના આપવામાં આવી છે.</p><p><a href="https://sandesh.com/india/news/delhi-jantar-mantar-protest-only-our-jawans-were-in-plain-clothes-delhi-polices-affidavit-in-the-supreme-court" target="_blank"><b>આ પણ વાંચો : Delhi Jantar Mantar Protest: સાદા કપડામાં અમારા જવાનો જ હતા, સુપ્રીમ કોર્ટમાં દિલ્હી પોલીસનું સોગંધનામુ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/ToiO1sLH4QlfgwXTILVHVQnzAkuzpAjoGlorxl2U.webp'/></item><item><title><![CDATA[Shehzad Poonawalla: ટેક્સ ચૂકવવા છતાં મિડલ ક્લાસને મળે છે શું? બીજેપી છોડતા જ શહેઝાદ પૂનાવાલાના તીખા સવાલ ]]></title><link>https://sandesh.com/india/news/shehzad-poonawalla-what-does-the-middle-class-get-despite-paying-taxes-shehzad-poonawallas-sharp-question-after-leaving-bjp</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/shehzad-poonawalla-what-does-the-middle-class-get-despite-paying-taxes-shehzad-poonawallas-sharp-question-after-leaving-bjp</guid><pubDate>Tue, 18 Aug 2026 15:52:11 +05:30</pubDate><description><![CDATA[<p>ભાજપના પ્રવક્તા રહી ચૂકેલા શહેઝાદ પુનાવાલાએ દેશની બધી સરકારો પર સવાલ ઉઠાવ્યા છે. તેઓ સોશિયલ મીડિયામાં એક્ટિવ થયા છે.તેમણે સવાલ ઉઠાવ્યો કે ભારતના મધ્યમ વર્ગને દિવસે દિવસે લૂંટવામાં આવી રહ્યો છે. શું તેમને તેઓ કર ચૂકવે છે તેટલા પ્રમાણમાં સુવિધાઓ મળે છે? </p><p><b style="font-size: 2rem;">સોશિયલ મીડિયા પર કર્યા સવાલ</b></p><p>શહેઝાદ પૂનાવાલાએ પોતાના X એકાઉન્ટ પર એક વિડિઓ પોસ્ટ કરીને ટિપ્પણી કરી કે ભારતનો મધ્યમ વર્ગ અસરકારક રીતે ATM બની ગયો છે. રાષ્ટ્રીય સમાચાર ચેનલો પર ભાજપની નીતિઓનો બચાવ કરતા પૂનાવાલાએ દલીલ કરી હતી કે જ્યાં સુધી વિશ્વ કક્ષાની સુવિધાઓ પૂરી પાડવામાં ન આવે ત્યાં સુધી પગારદાર મધ્યમ વર્ગ માટે વ્યક્તિગત આવકવેરો નાબૂદ કરવાનો સમય આવી ગયો છે.</p><p><b style="font-size: 1.75rem;">17 ઓગષ્ટે આપ્યું રાજીનામુ&nbsp;</b></p><p>શહેઝાદ પૂનાવાલાએ 17 ઓગસ્ટ, 2026 ના રોજ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. તેમણે પોતાના X એકાઉન્ટ પર રાજીનામું પત્ર પોસ્ટ કર્યો હતો. પાર્ટી છોડવાના થોડા કલાકો પહેલા, તેમણે મધ્યમ વર્ગ પર લાદવામાં આવતા આવકવેરો અને દેશમાં રસ્તાઓ, શાળાઓ અને આરોગ્યસંભાળ જેવી મૂળભૂત સુવિધાઓની સ્થિતિ અંગે પ્રશ્નો ઉઠાવવાનું શરૂ કર્યું હતું, આ પ્રશ્નો પૂછવા માટે X પર એક વિડિઓ પણ બનાવ્યો હતો.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/Shehzad_Ind/status/2089571485275111653"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3><b>આરોગ્ય અને શિક્ષણ પ્રણાલીઓ પર સવાલ ઉઠાવ્યા</b></h3><p>પૂનાવાલાએ દેશની શાળાકીય શિક્ષણ અને આરોગ્યસંભાળ પ્રણાલીઓ અંગે સ્પષ્ટ પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે નોંધ્યું કે પરિવારોને ઘણીવાર તેમના બાળકોના શિક્ષણ માટે ખાનગી શાળાઓ અને તેમના માતાપિતાની તબીબી સારવાર માટે ખાનગી હોસ્પિટલો પર આધાર રાખવો પડે છે.</p><p>તેમણે કહ્યું, "જ્યારે તમારે તમારા બાળકને શાળામાં મોકલવું પડે છે, ત્યારે તે હંમેશા ખાનગી શાળા હોય છે. જ્યારે તમારે તમારા માતાપિતાને હોસ્પિટલમાં મોકલવા પડે છે, ત્યારે તે હંમેશા ખાનગી હોસ્પિટલ હોય છે."</p><h4><b>ટેક્સ ચૂકવીએ છીએ તો ફેસિલિટી આપો- પૂનાવાલા&nbsp;</b></h4><p>તેમણે X પર લખ્યું, "મધ્યમ વર્ગ બધી સરકારોને આ પ્રશ્ન પૂછી રહ્યો છે. જો આપણે વૈશ્વિક ધોરણો પર કર ચૂકવીએ છીએ, તો શું આપણને વૈશ્વિક ધોરણોની સુવિધાઓ મળે છે? જેમ કે સરકારી શાળાઓ, રસ્તાઓ, શ્વાસ લેવા માટે સ્વચ્છ હવા અને પીવાનું સ્વચ્છ પાણી? સરકારે આનો જવાબ આપવો જ જોઇએ." તેમણે વ્યક્તિગત આવકવેરો, GST, ટોલ, સેસ, ઇંધણ કર અને સ્થાનિક કરનો ઉલ્લેખ કર્યો. જનતા ઘણી બધી વસ્તુઓ માટે ચૂકવણી કરે છે. ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તાએ કહ્યું કે તેમને યોગદાન આપવામાં કોઈ વાંધો નથી. જોકે, આટલું બધું ચૂકવ્યા પછી, બદલામાં તેમને શું મળી રહ્યું છે?</p><p>તેમણે પૂછ્યું કે ભારતના મધ્યમ વર્ગ પાસે સિંગાપોર જેવી વ્યવસ્થા કેમ ન હોઈ શકે ? જેમાં ઓછા કર, સારા રસ્તા, શ્રેષ્ઠ પરિવહન અને સુધારેલ નાગરિક માળખાગત સુવિધા હોય. ભારતીય જનતા વિવિધ કર વસૂલાત કરતી સત્તાવાળાઓ દ્વારા કર તરીકે એકત્રિત કરવામાં આવતા દરેક રૂપિયા માટે જવાબદારીની માંગ કરે છે.</p><p><b style="font-size: 1.5rem;">પગારદાર વર્ગ માટે ઓછા કર</b></p><p>પૂનાવાલાએ મધ્યમ વર્ગ માટે, ખાસ કરીને પગારદાર કરદાતાઓ માટે કરમાં ઘટાડો કરવાની માંગ કરી. તેમણે કહ્યું, "મધ્યમ વર્ગ માટે ઓછા કર. પગારદાર વ્યક્તિઓએ આટલા ઊંચા કર ચૂકવવા ન જોઈએ. તેઓ થોડી રાહતને પાત્ર છે."</p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/Blv4vIRxJy8JhNEUrmUQBoPR6MZh5eopuPdpGhhs.webp'/></item><item><title><![CDATA[Daman: સેશન્સ કોર્ટે ઈ-સ્ટે અરજી ના મંજૂર કરતાં સાંસદ ઉમેશ પટેલનું સાંસદ પદ લટકતી તલવાર પર ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dadara/daman-sessions-court-rejects-stay-application-of-mp-umesh-patel-membership-at-risk</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dadara/daman-sessions-court-rejects-stay-application-of-mp-umesh-patel-membership-at-risk</guid><pubDate>Tue, 18 Aug 2026 15:50:44 +05:30</pubDate><description><![CDATA[<p>દમણની સ્પોર્ટ્સ ક્લબ ખાતે એક્સાઇઝ સબ ઇન્સ્પેક્ટરની ભરતી માટે શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઉમેશ પટેલ પર આક્ષેપ થયો હતો કે તેમણે ફરજ પરના પોલીસકર્મીઓને ધક્કો માર્યો હતો, બળજબરીથી ઓફિસમાં ઘૂસી ગયા હતા અને સરકારી સમિતિના સભ્યોને તેમની કાયદેસરની ફરજ બજાવતા અટકાવ્યા હતા.</p><h2><b>દમણ અને દીવના સાંસદ ઉમેશ પટેલની મુશ્કેલી વધી</b></h2><p>સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરવા અને કાયદાકીય ફરજમાં રૂકાવટ બદલ નોંધાયેલા કેસમાં નીચલી કોર્ટે ઉમેશ પટેલને ૨ વર્ષની જેલની સજા સંભળાવી હતી.નીચલી કોર્ટના આ ચુકાદા સામે ઉમેશ પટેલે દમણ સેશન્સ કોર્ટમાં અપીલ પેન્ડિંગ હોય ત્યાં સુધી સજાના અમલ પર સ્ટે મેળવવા ઈ-અરજી કરી હતી. સાંસદના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે ૨ વર્ષની સજા થતાં જ લોકપ્રતિનિધિત્વ અધિનિયમની જોગવાઈઓ મુજબ ઉમેશ પટેલ આપોઆપ સાંસદ પદેથી ગેરલાયક ઠરી શકે છે. તેથી આ કાયદાકીય પરિણામોને ટાળવા માટે સજા પર સ્ટે આપવો જરૂરી છે.</p><h3><b>&nbsp;સેશન્સ કોર્ટે સજા પર સ્ટે આપવાની ઈ-અરજી કરી ના મંજૂર</b></h3><p>સેશન્સ કોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને માન્ય રાખીને સજા પર સ્ટે આપવાની અરજી ફગાવી દીધી છે. કાયદા મુજબ 2 કે તેથી વધુ વર્ષની સજા પામેલા લોકપ્રતિનિધિનું સંસદ સભ્યપદ રદ થઈ શકે છે, જો ઉપલી કોર્ટ સજા પર સ્ટે ન આપે. સેશન્સ કોર્ટમાંથી આંચકો મળ્યા બાદ ઉમેશ પટેલ માટે પોતાનું સાંસદ પદ બચાવવા માટે હવે મુંબઈ હાઈકોર્ટમાં અપીલ કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bardoli/sugar-factory-election-results-kisan-parivartan-panel-wins-mla-ishwar-parmar-defeated" target="_blank">આ પણ વાંચો: Bardoli: સુગર ફેક્ટરીની ચૂંટણીમાં સત્તાધારી સહકાર પેનલનો સફાયો, કિસાન પરિવર્તન પેનલનો ઝળહળતો વિજય</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/1GJnm9gJc2MblV233kQBbwqXnjY2QVvhiFCcRspV.webp'/></item><item><title><![CDATA[Ahmedabad સાયબર ક્રાઈમનો મોટો પર્દાફાશ: 'બોસ સ્કેમ' આચરતી આંતરરાષ્ટ્રીય ગેંગ ઝડપાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-cyber-crime-busted-boss-scam-pakistan-china-connection</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-cyber-crime-busted-boss-scam-pakistan-china-connection</guid><pubDate>Tue, 18 Aug 2026 15:11:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ટેકનોલોજીનો દુરુપયોગ કરીને આચરવામાં આવતા 'બોસ સ્કેમ'  સાયબર ક્રાઈમ રેકેટનો પર્દાફાશ કર્યો છે. જૂન 2026 માં નોંધાયેલા રૂ. 1.30 કરોડના ફ્રોડ કેસની તપાસ દરમિયાન પશ્ચિમ બંગાળથી 2 મુખ્ય આરોપીઓને ઝડપીને અમદાવાદ લાવવામાં આવ્યા છે. આ ગેંગ 'સાયબર ક્રાઈમ એઝ અ સર્વિસ' તરીકે કામ કરતી હતી અને આંતરરાષ્ટ્રીય સ્તરે છેતરપિંડી આચરતી હતી.</p><h2 style="text-align: justify; "><b>વોટ્સએપ ના ઓટીપી વેચતા</b></h2><p style="text-align: justify; ">પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે કે, આ આરોપીઓ વોટ્સએપ દ્વારા પ્રતિ OTP દીઠ રૂ. 100 થી રૂ. 200 કમિશન લઈને સાયબર ક્રિમિનલ્સને વેચતા હતા. અત્યાર સુધીમાં તેઓ સાયબર અપરાધીઓને 21,000 થી વધુ OTP આપી ચૂક્યા છે અને 4,500 જેટલા સિમ કાર્ડ દ્વારા સેવા પૂરી પાડતા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ સ્કેમનું મુખ્ય કોલસેન્ટર પાકિસ્તાનના ઇસ્લામાબાદ ખાતે ચાલતું હતું.</p><h3 style="text-align: justify; "><b>હેકિંગ માટે ચીનમાં ખાસ માલવેર  તૈયાર કરવામાં આવતો&nbsp;</b></h3><p style="text-align: justify; ">આ ગેંગની મોડસ ઓપરેન્ડી અત્યંત ખતરનાક હતી. હેકિંગ માટે ચીનમાં ખાસ માલવેર  તૈયાર કરવામાં આવતો હતો. આરોપીઓ SMS, Email અને WhatsApp મારફતે ઝીપ (ZIP) ફાઈલ કે માર્વેલ ફાઈલો મોકલીને લોકોની સિસ્ટમ હેક કરતા હતા. આ માધ્યમથી તેઓએ આશરે 10,000 જેટલા ડિજિટલ ડિવાઇસ હેક કરી લીધા હતા, જોકે તેઓ મોટો સાયબર ક્રાઈમ અંજામ આપે તે પહેલા જ સાયબર ક્રાઈમની ટીમે તેમને દબોચી લીધા છે.</p><h4 style="text-align: justify; "><b>ક્રિપ્ટોકરન્સી (USDT) નો ઉપયોગ કરવામાં આવતો</b></h4><p style="text-align: justify; ">ગુનાની રકમની લેતીદેતી માટે ક્રિપ્ટોકરન્સી (USDT) નો ઉપયોગ કરવામાં આવતો હતો, જેથી નાણાં પરત દેશમાં લાવીને દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરી શકાય. ટેકનિકલ જાણકાર એવા આ બંને આરોપીઓ પાસેથી 3 એન્ડ્રોઇડ ફોન અને મલ્ટીપલ સિમ કાર્ડ યુઝ કરી શકાય તેવા ડિવાઇસ જપ્ત કરવામાં આવ્યા છે. અમદાવાદમાં આ સંદર્ભે 5 જેટલી ફરિયાદો નોંધાઈ છે. સાયબર ક્રાઈમ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ અજાણી ZIP ફાઈલ પર ક્લિક ન કરવું અને સાયબર ફ્રોડથી સાવધ રહેવું.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">&nbsp;આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/political-news/ahmedabad/tarun-chugh-appointed-gujarat-bjp-incharge-profile-and-political-career#google_vignette" target="_blank"><b>PM Modiના રાજ્યમાં પ્રભારી તરીકે મુકાયેલા તરુણ ચુગ કોણ છે ? કેમ સોંપાઇ ગુજરાતની મહત્વની જવાબદારી ?</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/lpeaN9vTJ3nLjJuPVtsDrc3SozX7KMgA4lUR3TCV.webp'/></item><item><title><![CDATA[Suratના જહાંગીરપુરામાં ધોરણ 12ના વિદ્યાર્થીએ કર્યો આપઘાતનો પ્રયાસ! ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/a-class-12-student-attempted-suicide-in-jahangirpura-surat</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/a-class-12-student-attempted-suicide-in-jahangirpura-surat</guid><pubDate>Tue, 18 Aug 2026 14:55:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાંથી એક ચોંકાવનારી અને ચિંતાજનક ઘટના સામે આવી છે. ધોરણ 12માં અભ્યાસ કરતા એક માસુમ વિદ્યાર્થીએ પરીક્ષાના ભારે માનસિક તણાવમાં આવીને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીએ સુરત મહાનગરપાલિકા સંચાલિત મોઝેક ગાર્ડનના શૌચાલયમાં જઈને પોતાના હાથની નસ કાપી નાખી હતી. નસ કાપ્યા બાદ અતિશય લોહી વહી જતાં વિદ્યાર્થી ત્યાં જ ઢળી પડ્યો હતો. બનાવની જાણ થતાં જ તેને અત્યંત ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>ગંભીર હાલતમાં વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડાયો</b></h2><p style="text-align: justify; ">આ વિદ્યાર્થી ધોરણ 12 બોર્ડના અભ્યાસ અને પરીક્ષાના તણાવથી ઝૂરતો હતો. પરીક્ષાના ડર અને અભ્યાસના ભારણને કારણે તેણે આ આત્યંતિક પગલું ભર્યું હોવાની પ્રબળ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગાર્ડનમાં આવેલા શૌચાલયમાંથી લોહીલુહાણ હાલતમાં વિદ્યાર્થી મળી આવતાં જ આસપાસના લોકોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. હાલમાં હોસ્પિટલમાં તબીબો દ્વારા વિદ્યાર્થીની સઘન સારવાર કરવામાં આવી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>જહાંગીરપુરા પોલીસે તપાસ હાથ ધરી</b></h3><p style="text-align: justify; ">બનાવ અંગે જાણ થતાં જ જહાંગીરપુરા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને કાયદેસરની તપાસ હાથ ધરી હતી. પોલીસે ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરી વિદ્યાર્થીના પરિવારજનોને જાણ કરી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારના વાલીઓ અને શિક્ષકોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. નિષ્ણાતો અને પોલીસે પણ વાલીઓને અપીલ કરી છે કે પરીક્ષાના સમયે બાળકો પર અભ્યાસનું બિનજરૂરી દબાણ ન બનાવવું અને તેમના માનસિક સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/Fup58zWEgF4NDIPObKKnAHhVpNvu4IWSusQUIRUE.webp'/></item><item><title><![CDATA[National Sports Awards 2025 announced : તેજસ્વિન શંકર અને અન્ય 17 ખેલાડીઓને મળશે અર્જુન પુરસ્કાર ]]></title><link>https://sandesh.com/sports/news/national-sports-awards-2025-announced-tejaswin-shankar-and-17-other-players-to-receive-arjuna-award</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/national-sports-awards-2025-announced-tejaswin-shankar-and-17-other-players-to-receive-arjuna-award</guid><pubDate>Tue, 18 Aug 2026 14:32:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારત સરકારે રાષ્ટ્રીય રમતગમત પુરસ્કારો 2025 ની જાહેરાત કરી છે. અર્જુન પુરસ્કાર માટે 17 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. એથ્લેટિક્સથી લઈને બેડમિન્ટન, હોકી, ચેસ, શૂટિંગ અને કબડ્ડી સુધીની વિવિધ રમતોના ખેલાડીઓને અર્જુન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. રમતગમત મંત્રાલયે પસંદગી સમિતિની ભલામણોના આધારે આ પુરસ્કારોની જાહેરાત કરી છે.</p><h4 style="text-align: justify;"><b>રાષ્ટ્રીય રમતગમત પુરસ્કારોની યાદી જાહેર</b></h4><p style="text-align: justify;">રાષ્ટ્રીય રમતગમત પુરસ્કારો 2025 ની યાદી જાહેર કરતા, યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે જણાવ્યું હતું કે દર વર્ષે, રમતગમતમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓ, કોચ અને સંસ્થાઓને આ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષે, સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ (નિવૃત્ત) અરુણ કુમાર મિશ્રાની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિએ પુરસ્કારો માટે નામોની ભલામણ કરી હતી.</p><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/IndiaSports/status/2089637873230463475?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify;"><br></p><h5 style="text-align: justify;"><b>આ ખેલાડીઓને અર્જુન પુરસ્કાર મળશે.</b></h5><p style="text-align: justify; ">2025ના અર્જુન પુરસ્કાર માટે કુલ 17 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. તેજસ્વિન શંકર, મોહમ્મદ અજમલ વી અને પ્રિયંકા ગોસ્વામીને એથ્લેટિક્સમાં આ સન્માન પ્રાપ્ત થશે. બેડમિન્ટનમાં સુપ્રસિદ્ધ કોચ પુલેલા ગોપીચંદની પુત્રી ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદની પસંદગી કરવામાં આવી છે. નરેન્દ્રને બોક્સિંગમાં અર્જુન પુરસ્કાર પ્રાપ્ત થશે.વિદિત સંતોષ ગુજરાતી અને દિવ્યા જીતેન્દ્ર દેશમુખને ચેસમાં આ સન્માન મળશે. ધનુષ શ્રીકાંતનો પણ બહેરા શૂટિંગમાં સમાવેશ થાય છે. લાલરેમસિયામી અને રાજકુમાર પાલને હોકીમાં અર્જુન એવોર્ડ મળશે. કબડ્ડીમાં સુરજીત અને પૂજાની પસંદગી કરવામાં આવી છે. પેરા-શૂટિંગમાં રુદ્રાંશ ખંડેલવાલ, પેરા-એથ્લેટિક્સમાં એકતા ભયાન, રોઇંગમાં અરવિંદ સિંહ અને શૂટિંગમાં અખિલ શિયોરનને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.</p><h5 style="text-align: justify;"><b>આજીવન અર્જુન એવોર્ડની પણ જાહેરાત</b></h5><p style="text-align: justify;">ફૂટબોલના આઈ. અરુમાનયગમને અર્જુન એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે, જે રમતગમતમાં લાંબા ગાળાનું યોગદાન આપનારા ખેલાડીઓને આપવામાં આવે છે. આ એવોર્ડ એવા ખેલાડીઓને આપવામાં આવે છે જેમણે તેમની સક્રિય કારકિર્દી દરમિયાન અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે અને નિવૃત્તિ પછી પણ રમતગમતના વિકાસમાં યોગદાન આપતા રહે છે.</p><h5 style="text-align: justify;"><b>કોચને દ્રોણાચાર્ય એવોર્ડ પણ પ્રાપ્ત થશે</b></h5><p style="text-align: justify;">રાષ્ટ્રીય રમતગમત પુરસ્કારોમાં દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતાઓના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. નિયમિત શ્રેણીમાં, એથ્લેટિક્સના પરવીર સિંહ, બોક્સિંગના છોટે લાલ યાદવ અને શૂટિંગના નેહા નંદકુમાર ચવ્હાણની પસંદગી કરવામાં આવી છે. લાઇફટાઇમ શ્રેણીમાં, બોક્સિંગના ધર્મેન્દ્ર સિંહ યાદવ અને કુસ્તીના વીરેન્દ્ર કુમારને સન્માનિત કરવામાં આવશે.</p><p style="text-align: justify;">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/world-championships-2026-aayush-shetty-scores-historic-win-by-defeating-world-number-1" target="_blank"> World Championships 2026: આયુષ શેટ્ટીએ વિશ્વના નંબર 1 ખેલાડીને હરાવી ઐતિહાસિક જીત મેળવી</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/xo47fWJorHfBwNcq6ohySJESbutGlmhsEtpRZIZR.webp'/></item><item><title><![CDATA[Nag Panchami ના દિવસે શાહરૂખ ખાનના બંગલા 'મન્નત'માં નીકળ્યો 8 ફૂટ લાંબો સાપ ]]></title><link>https://sandesh.com/entertainment/news/an-8-foot-long-snake-emerged-in-shahrukh-khans-bungalow-mannat-on-the-day-of-nag-panchami</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/an-8-foot-long-snake-emerged-in-shahrukh-khans-bungalow-mannat-on-the-day-of-nag-panchami</guid><pubDate>Tue, 18 Aug 2026 13:41:22 +05:30</pubDate><description><![CDATA[<p>બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના મુંબઈના બાંદ્રા સ્થિત આલીશાન બંગલા 'મન્નત'માંથી એક સાપ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. 17 ઓગસ્ટના રોજ મન્નતના લૉનમાં અચાનક સાપ દેખાતા તુરંત જ રેસ્ક્યૂ ટીમને જાણ કરવામાં આવી હતી. અગાઉ અભિનેત્રી અર્ચના પૂરન સિંહના બંગલેથી સાપની કાંચળી મળી હતી. શાહરૂખ જેવા સ્ટાર્સના ઘરેથી સાપ નીકળવાની ઘટનાથી તેના ફેન્સ ચિંતિત થયા છે. જો કે ટીમ દ્વારા સુરક્ષિત રીતે સાપનું રેસ્કયૂ કરાયું હતું.</p><h2><b>શાહરૂખના ઘરેથી નીકળેલા સાપનું કરાયું રેસ્કયૂ</b></h2><p>ઘટનાની માહિતી મળતા જ સ્નેક કેચર વિક્કી દુબે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર પરિસરમાં શોધખોળ હાથ ધરી હતી. ટીમે અત્યંત સાવધાનીપૂર્વક સાપને સુરક્ષિત રીતે પકડી લીધો હતો. પકડાયેલો સાપ ધમણ (ઇન્ડિયન રેટ સ્નેક) પ્રજાતિનો હતો. આ સાપ આશરે 8 ફૂટ લાંબો હતો. આ સાપ બિન-ઝેરી હોવાનું સામે આવતા મન્નતના સ્ટાફ અને સિક્યુરિટી ગાર્ડ્સે રાહતનો શ્વાસ લીધો હતો.</p><h3><b>નાગપંચમીના દિવસે શાહરૂખના ઘરે સાપ</b></h3><p>સૌથી રસપ્રદ વાત એ રહી કે આ ઘટના નાગ પંચમીના પવિત્ર દિવસે જ બની હતી. ઉલ્લેખનીય છે કે, બાંદ્રાના પોશ વિસ્તારમાં આવેલો મન્નત બંગલો શાહરૂખ ખાને 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, જેની હાલની કિંમત આશરે ₹300 કરોડ અંકાય છે. નાગપંચમીના દિવસે ઘરમાંથી સાપ નીકળવાને લઈને જુદી-જુદી માન્યાત છે. એક માન્યતા મુજબ ઘરમાં સાપ અથવા તો સાપની કાંચળી નીકળવાને શુભ માનવામાં આવે છે. નાગપંચમીએ સાપ નીકળવાને સુખ, સમૃદ્ધિનો સંકેત ગણાય છે.</p><h4><b>શાહરૂખના આગામી પ્રોજેક્ટ</b></h4><p>શાહરૂખ ખાન ટૂંક સમયમાં જ સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ "કિંગ"માં જોવા મળશે, જે 24 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેમની સાથે દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન, સુહાના ખાન, રાઘવ જુયાલ અને રાની મુખર્જી મુખ્ય ભૂમિકામાં નજરે પડશે.</p><p><br></p><p><a href="https://sandesh.com/entertainment/news/hema-malini-got-emotional-after-watching-batwara-1947-movie-praised-sunny-deol-and-shabana-azmi" target="_blank">આ પણ વાંચો : Batwara 1947 Movie જોઈ ભાવુક થઈ હેમા માલિની, સની દેઓલ અને શબાના આઝમીના વખાણ કર્યા, આપ્યો ખાસ મેસેજ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/QxsUpbiy1gV8mJEmGj17Hyr1dakwwW4g2BuDHdD7.webp'/></item><item><title><![CDATA[Kutch : બન્નીમાં ઇકો સિસ્ટમ મજબૂત કરવા 20 કાળિયાર મુક્ત કરાયા: ચિત્તાના આગમન પહેલા વન વિભાગની મોટી તૈયારી ]]></title><link>https://sandesh.com/gujarat/news/kutch/kutch-banni-blackbuck-release-vantara-cheetah-project-ecosystem</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/kutch/kutch-banni-blackbuck-release-vantara-cheetah-project-ecosystem</guid><pubDate>Tue, 18 Aug 2026 11:48:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કચ્છના વિશ્વપ્રસિદ્ધ બન્ની વિસ્તારમાં વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે એક અગત્યની અને નવી શરૂઆત થઈ છે. બન્નીના ઘાસિયા મેદાન (ગ્રાન્ડ લેન્ડ) ખાતે ચિત્તા સંવર્ધન પ્રોજેક્ટ અંતર્ગત કુદરતી ઇકો સિસ્ટમને વધુ મજબૂત કરવાના હેતુથી વન વિભાગ દ્વારા 20 કાળિયારને સફળતાપૂર્વક મુક્ત કરવામાં આવ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>20 કાળિયારને અત્યંત સુરક્ષિત રીતે બન્ની ખાતે લાવવામાં આવ્યા</b></h2><p style="text-align: justify; ">જામનગર સ્થિત 'વનતારા' ફેસિલિટીમાંથી ખાસ એમ્બ્યુલન્સ વાન મારફતે આ 20 કાળિયારને અત્યંત સુરક્ષિત રીતે બન્ની ખાતે લાવવામાં આવ્યા હતા. વન વિભાગ અને વનતારાની સંયુક્ત ટીમ દ્વારા જરૂરી તબીબી ચકાસણી અને હેલ્થ સ્ક્રીનિંગ પૂર્ણ કર્યા બાદ તેમને કુદરતી આવાસમાં છોડાયા હતા. આ 20 કાળિયારમાં 5 નર અને 15 માદા કાળિયારનો સમાવેશ થાય છે.</p><p style="text-align: justify; "><img alt="Kutch Banni Ecosystem: 20 Blackbucks Released for Cheetah Project" src="https://epapercdn.sandesh.com/images/2026/08/18/ju7x2Wf88DP3pQdKEmchQEXuMx1tS4Nf2mO99Dfb.webp" style="width: 100%;"><br></p><h3 style="text-align: justify; "><b>તમામ કાળિયાર પર સેટેલાઇટ ટેગ લગાવવામાં આવ્યા</b></h3><p style="text-align: justify; ">બન્નીમાં છોડાયેલા તમામ કાળિયાર પર સેટેલાઇટ ટેગ લગાવવામાં આવ્યા છે, જેથી તેમની દૈનિક હિલચાલ અને આરોગ્યની સ્થિતિ પર સતત રેકોર્ડિંગ અને દેખરેખ રાખી શકાય.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક વિશેષ ટાસ્ક ફોર્સની પણ રચના</b></h4><p style="text-align: justify; ">આ ઉપરાંત, તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક વિશેષ ટાસ્ક ફોર્સની પણ રચના કરવામાં આવી છે. ચિત્તાના સંવર્ધન માટે તૃણાહારી પ્રાણીઓની હાજરી અનિવાર્ય હોવાથી આ કાળિયારનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું છે, જેનાથી આગામી સમયમાં બન્નીમાં ચિત્તાના આગમનનો માર્ગ વધુ મોકળો થયો છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/patan/patan-radhanpur-folk-singer-kinjal-rabari-marriage-mukesh-rabari" target="_blank"><b>Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/yVTF3YQ7TorK5hCFX7XnUdYeiyDgYUPVsh3V1rFT.webp'/></item></channel></rss>