<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Actor Yashની Toxic ફિલ્મ માટે નયનતારાએ માથું મુંડાવ્યું ?  અભિનેત્રીનો વાયરલ ફોટા જોઈ ફેન્સ ચોંકયા ]]></title><link>https://sandesh.com/entertainment/news/south-actress-nayantharas-bald-photo-outside-the-temple-goes-viral</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/south-actress-nayantharas-bald-photo-outside-the-temple-goes-viral</guid><pubDate>Tue, 18 Aug 2026 09:14:03 +05:30</pubDate><description><![CDATA[<p>દક્ષિણ ભારતીય સિનેમાની સુપરસ્ટાર નયનતારા હાલ પોતાની આગામી ફિલ્મોના બદલે તેના લુકને લઇને ચર્ચામાં છે. અભિનેત્રીની એક તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ છે. વાયરલ થયેલી તસવીરમાં નયનતારા એક મંદિરની બહાર સંપૂર્ણપણે ટાલ (બાલ્ડ લુક)માં જોવા મળી રહી છે. આ તસવીર સામે આવ્યા બાદ ચાહકોની ચિંતિત થયા. સોશિયલ મીડિયામાં એવી ચર્ચા થઈ રહી છે કે નયનતારાએ પોતાની નવી ફિલ્મ માટે માથે મુંડન કરાવ્યું છે. શું ખરેખર નયનતારાએ માથું મુડાવ્યું? વાયરલ સમાચારનું જાણો સત્ય.</p><h2><b>AI એ રમી યુક્તિ: ફેન્સે પકડ્યો વોટરમાર્ક</b></h2><p>સોશિયલ મીડિયા યુઝર્સે તસવીરનું બારીકાઈથી નિરીક્ષણ કર્યા બાદ આશ્ચર્યજનક સત્ય સામે આવ્યું છે. આ તસવીર નયનતારાના અસલ ફોટો પર AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) દ્વારા ફેરફાર કરીને બનાવવામાં આવી છે. નેટિઝન્સની પ્રતિક્રિયા: વાયરલ ફોટા પર AI નો વોટરમાર્ક જોઈને યુઝર્સે ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. એક યુઝરે લખ્યું, "બીજી વાર ફોટો એડિટ કરો ત્યારે AI વોટરમાર્ક હટાવવાનું ન ભૂલતા." જ્યારે અન્ય યુઝર્સે સ્પષ્ટ કર્યું કે કોઈ પણ હિરોઈન રોલ માટે માથું મુંડાવે નહીં અને આ તસવીર તદ્દન ફેક છે. મૂળ તસવીર ક્યાંની છે?: રિપોર્ટ્સ અનુસાર, આ મૂળ ફોટો એપ્રિલ મહિનાનો છે જ્યારે નયનતારા પતિ વિગ્નેશ શિવન સાથે તિરુપતિ તિરુમાલા મંદિર દર્શન કરવા પહોંચી હતી. મંદિરની બહાર તેની હાજરી સાચી હતી, પરંતુ તેનો ટાલ વાળો લુક ફેક છે.</p><h3><b>યશની 'ટોક્સિક' અને સલમાન ખાન સાથે હિન્દી ફિલ્મ</b></h3><p>કેટલાક લોકોએ આ લુકને તેની આગામી મલ્ટિસ્ટારર ફિલ્મ 'ટોક્સિક' સાથે જોડી દીધો હતો. ગીતુ મોહનદાસના નિર્દેશનમાં બની રહેલી કન્નડ ફિલ્મ 'ટોક્સિક'માં નયનતારા સાઉથ સુપરસ્ટાર યશ, કિયારા અડવાણી, તારા સુતારિયા, હુમા કુરેશી અને રુક્મિણી વસંત સાથે જોવા મળશે. સામાન્ય રીતે ફિલ્મી પ્રમોશનથી દૂર રહેતી નયનતારા યશના અંગત ફોન કોલ બાદ બેંગલુરુમાં યોજાયેલા ટ્રેલર લોન્ચિંગમાં પણ હાજર રહી હતી. આ ફિલ્મ 26 ઓગસ્ટ, 2026ના રોજ તમિલ, હિન્દી સહિત વિવિધ ભાષાઓમાં રિલીઝ થવાની છે.&nbsp; આ ઉપરાંત નયનતારા પાસે 'મુકુથી અમ્માન 2', 'ડિયર સ્ટુડન્ટ્સ' અને 'રક્કાયી' જેવા પ્રોજેક્ટ્સ છે. 'જવાન'ની ભવ્ય સફળતા બાદ તે વામશી પૈડિપલ્લીની ફિલ્મ 'SVC63' માં સલમાન ખાન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે, જે આવતા વર્ષે ઈદ પર રિલીઝ થશે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/XgLBX9MMxsO2T3UNGgATEO8ZzhN52ZkYlsHXqEKT.webp'/></item><item><title><![CDATA[Bharuch News: નેત્રંગના હાથકુંડી ગામમાં કામચલાઉ નાળાથી સ્થાનિકોને ભારે હાલાકી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/bharuch-news-locals-suffer-greatly-due-to-temporary-drain-in-hathkundi-netrang</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/bharuch-news-locals-suffer-greatly-due-to-temporary-drain-in-hathkundi-netrang</guid><pubDate>Tue, 18 Aug 2026 08:43:35 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલા હાથકુંડી ગામમાં ચોમાસાની શરૂઆત સાથે જ સ્થાનિક રહીશો માટે મોટો પડકાર ઊભો થયો છે. નેત્રંગ વિસ્તાર રાજ્યમાં વધુ વરસાદ ધરાવતો પંથક હોવાથી અહીં ભારે વરસાદ દરમિયાન કોતરોમાંથી ધસમસતા પાણીના પ્રવાહમાં હાથકુંડી ખાડી પર આવેલું કામચલાઉ અને નબળું નાળું વારંવાર ધોવાઈ જાય છે. આ માર્ગ પરથી હાથકુંડી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના 500 જેટલા લોકો તેમજ નાના શાળાના બાળકો દરરોજ અવરજવર કરે છે. વરસાદી સીઝનમાં દર વખતે આ નાળું તણાઈ જતાં સ્થાનિકો માથે જીવનું જોખમ ભમતું રહે છે.</p><h2 style="text-align: justify; "><b>વીજપોલ આડો મૂકી ખાડી પાર કરવા મજબૂર&nbsp;</b></h2><p style="text-align: justify; ">ચાલુ મહિનાના પૂર્વાર્ધમાં જ પડેલા ભારે વરસાદ બાદ હાથકુંડી ખાડી પરનું નાળું સંપૂર્ણપણે ધોવાઈ ગયું હતું. આ પરિસ્થિતિમાં ગામના લોકો અને શાળાએ જતાં બાળકો દિવસો સુધી ખાડી પર વીજપોલ આડો મૂકીને તેના સહારે જીવના જોખમે અવરજવર કરવા મજબૂર બન્યા હતા. દર વર્ષે ચોમાસા દરમિયાન ગ્રામજનોએ આ રીતે જોખમી રીતે ખાડી ઓળંગવી પડે છે. સ્થાનિક રહીશો અને વિદ્યાર્થીઓ માટે આ રસ્તો જ સંપર્કનું એકમાત્ર સાધન હોવાથી દરરોજ સવારે ઘરની બહાર નીકળતી વખતે ભારે ફફડાટ અને ભયનો માહોલ રહે છે.</p><h3 style="text-align: justify; "><b>તંત્રના કામચલાઉ ઉકેલથી જનતામાં રોષ</b></h3><p style="text-align: justify; ">જ્યારે પણ રોડ કે નાળું ધોવાઈ જાય છે ત્યારે તંત્ર દ્વારા માત્ર કામચલાઉ સમારકામ કરીને સંતોષ માની લેવામાં આવે છે. પરંતુ નબળા બાંધકામ અને કામચલાઉ હલના કારણે ફરીથી વરસાદ આવતાની સાથે જ આ સુવિધા પાણીના પ્રવાહમાં તણાઈ જાય છે. તંત્ર દ્વારા વારંવાર આપવામાં આવતા પાકા પુલના આશ્વાસનો અને વિકાસના મોટા દાવાઓ આ પરિસ્થિતિમાં તદ્દન પોકળ સાબિત થયા છે. ગ્રામજનોએ માંગ કરી છે કે દર વર્ષે ઊભી થતી આ જીવલેણ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે અહીં મજબૂત અને કાયમી નાળા કે બ્રિજનું નિર્માણ કરવામાં આવે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/7Mk83KjaP1DeMrHRPmqX3zfI1ANRkqcBkJLvJGCs.webp'/></item><item><title><![CDATA[Uttarakhand: પિથોરાગઢના પર્વત પરથી 'ઓમ' ગાયબ, હિમાલય માટે ગંભીર ચેતવણી? ]]></title><link>https://sandesh.com/india/news/om-parvat-snow-melts-sacred-symbol-faded-pithoragarh</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/om-parvat-snow-melts-sacred-symbol-faded-pithoragarh</guid><pubDate>Tue, 18 Aug 2026 08:42:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઉત્તરાખંડના પિથોરાગઢમાં આશરે 6,000 મીટરની ઉંચાઇએ આવેલા પ્રસિદ્ધ ઓમ પર્વત ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. આ પર્વત પર કુદરકી રીતે બરફના થર જામવાથી ઓમ આકાર રચાય છે, જે ધાર્મિક અને પર્યટનની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ તાજેતરમાં જ આ પર્વત પરથી બરફનું આ આવરણ ઘટવાને કારણે પવિત્ર ઓમ પ્રતીક ઝાંખો પડી ગયો છે. આ પહેલા વર્ષ 2024માં પણ આવી જ ઘટના બની હતી જેમાં ઓમ પ્રતીક થોડાં સમય માટે અસ્પષ્ટ થઇ ગયુ હતુ.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>નિષ્ણાંત અને પર્યવરણવિદોએ ચિંતા વ્યક્ત કરી&nbsp;</b></h2><p style="text-align: justify; ">આ ઘટના પાછળ પર્યાવરણવિદો અને નિષ્ણાતોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. વૈજ્ઞાનિકોના મતે, હિમાલયના ઉપરના વિસ્તારોમાં શિયાળા દરમિયાન હિમવર્ષા ઘટવી, ચોમાસા પહેલાના વરસાદમાં ઘટાડો અને સતત વધતું વૈશ્વિક તાપમાન આનું મુખ્ય કારણ છે. ગ્લોબલ વોર્મિંગની અસર હવે હિમાલયના ઊંચા શિખરો પર પણ સ્પષ્ટપણે દેખાઈ રહી છે, જેના કારણે મોસમી બરફ ટકી શકતો નથી. વાહન પ્રદૂષણ અને માનવ ગતિવિધિઓ પણ આ પર્યાવરણીય દબાણમાં વધારો કરી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>હવામાન અને બદલાતા પ્રકૃતિનો પ્રકોપ</b></h3><p style="text-align: justify; ">જોકે, માત્ર એક ઘટનાને સીધી રીતે ગ્લોબલ વોર્મિંગ સાથે જોડવી વૈજ્ઞાનિક રીતે પૂરતી નથી, પરંતુ સ્થાનિક હવામાન અને બદલાતા પ્રકૃતિના પ્રકોપને નકારી શકાય તેમ નથી. ગત વર્ષે બરફવર્ષા થયા બાદ ઓમ આકાર ફરીથી સ્પષ્ટ થયો હતો, પરંતુ આ પ્રકારે વારંવાર બરફ ગાયબ થવો એ હિમાલયના નાજુક પર્યાવરણ માટે ખતરાની ઘંટી સમાન છે.</p><h4 style="text-align: justify; "><b>શું આ ખતરો કે પછી મનુષ્યની બેદરકારી?</b></h4><p style="text-align: justify; ">આ પરિવર્તન માત્ર આ પર્વતની પ્રાકૃતિક સુંદરતાને જ અસર કરતું નથી, પરંતુ ભવિષ્યમાં હિમાલયના હિમનદીઓ અને પાણીના મહત્વપૂર્ણ સ્ત્રોતો માટે પણ મોટું સંકટ બની શકે છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પર્યાવરણના અભ્યાસ અને રક્ષણ માટે તાત્કાલિક પગલાં ભરવાની જરૂર છે, જેથી હિમાલયની પવિત્રતા અને કુદરતી સંતુલન જળવાઈ રહે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/world/news/israel-strikes-syrian-airbase-abu-al-duhur-runway-destroyed" target="_blank">આ પણ વાંચોઃ Israelનો સીરિયન એરબેઝ પર હવાઈ હુમલો,અબુ અલ-દુહુરનો રનવે ધ્વસ્ત</a></b></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/FeL9xFl40FczRvCYxzqJHpojdbUwIJ8vLrGA8Pin.webp'/></item><item><title><![CDATA[Ahmedabadમાં વેજલપુરથી મકરબા જતો માર્ગ બંધ થતાં વાહનચાલકો અને સ્થાનિકો મુશ્કેલીમાં ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/motorists-and-locals-in-trouble-as-road-from-vejalpur-to-makarba-in-ahmedabad-closed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/motorists-and-locals-in-trouble-as-road-from-vejalpur-to-makarba-in-ahmedabad-closed</guid><pubDate>Tue, 18 Aug 2026 08:32:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં વિકાસકામો અને બ્રિજ નિર્માણને કારણે વાહનવ્યવહાર પર મોટી અસર પડી રહી છે. તાજેતરમાં જ તંત્ર દ્વારા વેજલપુર ક્રોસિંગ તરફનો મહત્વનો રોડ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. વેજલપુરથી મકરબા તરફ જતો આ મુખ્ય માર્ગ બંધ થવાને કારણે આ વિસ્તારમાંથી પસાર થતાં હજારો વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. પીક અવર્સ દરમિયાન અન્ય વૈકલ્પિક રસ્તાઓ પર ટ્રાફિકનું ભારે ભારણ વધી ગયું છે, જેના કારણે વાહનચાલકોને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવામાં કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાઈ રહેવું પડે છે.</p><h2 style="text-align: justify; "><b>રોજિંદી અવરજવર ખોરવાતા સ્થાનિકોમાં રોષ</b></h2><p style="text-align: justify; ">વેજલપુર-મકરબા રોડ બંધ થવાના કારણે આસપાસની સોસાયટીઓમાં રહેતા સ્થાનિક રહીશોની રોજિંદી અવરજવર ખૂબ જ ખોરવાઈ ગઈ છે. નોકરીયાતો, શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓ અને વેપારીઓને દરરોજ લાંબા ચક્રાવા કાપીને જવું પડે છે. અચાનક રોડ બંધ કરી દેવાતા સ્થાનિક લોકોને રોજબરોજના કામકાજ માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. વિસ્તારમાં નાના-મોટા અકસ્માતો અને વાહનોના લાંબા કાફલા દ્રશ્યમાન થઈ રહ્યા છે, જેનાથી સ્થાનિક રહીશોનું જીવવું દુષ્કર બન્યું છે.</p><h3 style="text-align: justify; "><b>તંત્રની ધીમી નીતિ સામે જનતામાં ભારે નારાજગી</b></h3><p style="text-align: justify; ">આ રોડ બંધ થવાનું મુખ્ય કારણ વિસ્તારમાં ચાલી રહેલી બ્રિજની કામગીરી છે. પરંતુ સ્થાનિકોનો આરોપ છે કે તંત્ર અને કોન્ટ્રાક્ટર દ્વારા ખૂબ જ ધીમી ગતિએ કામ કરવામાં આવી રહ્યું છે. તંત્રની આ ધીમી અને અણઘડ કામગીરીનો ભોગ નિર્દોષ પ્રજા બની રહી છે. સમયસર કામ પૂરું ન થતાં અને યોગ્ય ડાયવર્ઝનનું આયોજન ન હોવાથી લોકોમાં તંત્ર સામે ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહીશોએ માંગ કરી છે કે બ્રિજનું કામ ઝડપથી પૂરું કરવામાં આવે જેથી રાહત મળી શકે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/RXqz4csT9GWDYNbfJ5FD0g0BnZ8RE7jCCqMhzMKU.webp'/></item><item><title><![CDATA[Rajkot News: શહેરમાં એક જ સપ્તાહમાં શરદી-ઉધરસ અને તાવના 1,579 કેસ! ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-news-1579-cases-of-cold-cough-and-fever-in-the-city-in-a-single-week</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-news-1579-cases-of-cold-cough-and-fever-in-the-city-in-a-single-week</guid><pubDate>Tue, 18 Aug 2026 08:19:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટમાં વાતાવરણમાં બદલાવને પગલે રોગચાળાએ માથું ઊંચક્યું છે. સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. છેલ્લા એક જ સપ્તાહમાં સામાન્ય તાવ તેમજ શરદી અને ઉધરસના કેસોમાં તોતિંગ ઉછાળો નોંધાયો છે, જેના કારણે આરોગ્ય વિભાગ ત્વરિત હરકતમાં આવ્યું છે અને વિવિધ વિસ્તારોમાં સર્વેલન્સ કામગીરી ઝડપી બનાવી છે.</p><h2 style="text-align: justify; "><b>આરોગ્ય વિભાગના આંકડા અને કેસોની વિગત</b></h2><p style="text-align: justify; ">આરોગ્ય વિભાગના તાજેતરના અહેવાલ મુજબ શહેરમાં એક જ અઠવાડિયા દરમિયાન તાવ, શરદી અને ઉધરસના કુલ 1,579 જેટલા નવા કેસો નોંધાયા છે. આ સિવાય મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના કેસો પણ સામે આવ્યા છે, જેમાં મેલેરિયાનો 1 અને કમળાનો 1 કેસ નોંધાયો છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધો આ બદલાતા વાતાવરણમાં વાયરલ ઇન્ફેક્શનનો વધુ ભોગ બની રહ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>મનપા દ્વારા ફોગિંગ અને સર્વેલન્સ કામગીરી</b></h3><p style="text-align: justify; ">શહેરમાં રોગચાળો વધુ ન ફેલાય તે માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) ના આરોગ્ય વિભાગ દ્વારા સઘન પગલાં લેવામાં આવી રહ્યા છે. મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માટે સંવેદનશીલ વિસ્તારોમાં મનપાની ટીમો દ્વારા 776 જેટલા ઘરોમાં ફોગિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ ઘરે-ઘરે જઈને પાણીના ભરાવા અને મચ્છરોના લાર્વા ચકાસવાની કામગીરી સાથે લોકોને ઉકાળેલું પાણી પીવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/FU4CESonqKQi5BBxDzvjvwkVizrASPc99vfPHzsR.webp'/></item><item><title><![CDATA[World Championships 2026: આયુષ શેટ્ટીએ વિશ્વના નંબર 1 ખેલાડીને હરાવી ઐતિહાસિક જીત મેળવી ]]></title><link>https://sandesh.com/sports/news/world-championships-2026-aayush-shetty-scores-historic-win-by-defeating-world-number-1</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/world-championships-2026-aayush-shetty-scores-historic-win-by-defeating-world-number-1</guid><pubDate>Tue, 18 Aug 2026 08:05:36 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઉભરતા ભારતીય બેડમિન્ટન સ્ટાર આયુષ શેટ્ટીએ BWF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ટુર્નામેન્ટનો સૌથી મોટો અપસેટ સર્જીને ઇતિહાસ રચ્યો. 21 વર્ષીય ભારતીય શટલરે રોમાંચક અને રોમાંચક મેચમાં વિશ્વના નંબર 1 ચીનના શી યુ ચીને 21-14, 13-21, 21-19 થી હરાવીને પુરુષોની સિંગલ્સના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો.શરૂઆતથી જ, આયુષ શેટ્ટીએ તેના સચોટ કોર્ટ કવરેજથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા, ચીની સ્ટારને બેકફૂટ પર ધકેલી દીધો.</p><h5 style="text-align: justify; "><b>આયુષ શેટ્ટીની ઐતિહાસિક જીત</b></h5><p style="text-align: justify; ">આયુષ શેટ્ટીએ ઉત્તમ સ્મેશ અને નેટ પ્લે સાથે 11-5ની લીડ બનાવી,ચીની ખેલાડીને અનફોર્સ્ડ એરર્સમાં પહેલી ગેમ 21-14 થી જીતી લીધી. પછી, બીજી ગેમમાં, અનુભવી શી યુ ચીએ લાંબી રેલીઓ સાથે વાપસી કરી, મેચને અંતિમ ગેમમાં લઈ જવામાં મદદ કરી. ત્રીજી ગેમમાં, આયુષે સંયમ બતાવ્યો અને 15-5 ની લીડ મેળવી. ત્યારબાદ ચીની ખેલાડીએ મજબૂત વળતો હુમલો કર્યો,ખાધને 20-19 પર બંધ કરી. જોકે, આયુષે અંતિમ ક્ષણોમાં શાનદાર રમત બતાવી, મેચ પોઈન્ટ જીતીને પોતાની કારકિર્દીની સૌથી મોટી જીત નોંધાવી.</p><h5 style="text-align: justify; "><b>આયુષ શેટ્ટીએ કર્યો કમાલ&nbsp;</b></h5><p style="text-align: justify; ">આ મોટી જીત અંગે,આયુષ શેટ્ટીએ કહ્યુંમને ખૂબ જ સારું લાગી રહ્યું છે.આ ખરેખર ખાસ જીત છે.હું આજે જે રીતે રમ્યો તેનાથી હું ખુશ છું.મને ખબર હતી કે આ એક મુશ્કેલ મેચ હશે અને મારે સખત મહેનત કરવી પડશે.હું તેના માટે માનસિક અને શારીરિક રીતે તૈયાર હતો.યુએસ ઓપન 300 ચેમ્પિયન શેટ્ટીએ વધુમાં ઉમેર્યું, "ઘરે વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતવી એ ચોક્કસપણે એક સ્વપ્ન છે જે તમે નાના થયા છો.હું આજે ખૂબ જ સારું અનુભવી રહી છું, પરંતુ હાલ માટે,હું આગામી રાઉન્ડ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું."</p><h5 style="text-align: justify; "><b>પીવી સિંધુનો એકતરફી વિજય</b></h5><p style="text-align: justify; ">બીજી તરફ, મહિલા સિંગલ્સમાં નવમા ક્રમાંકિત પીવી સિંધુએ આયર્લેન્ડની સોફિયા નોબલને માત્ર 29 મિનિટમાં 21-7, 21-11 થી હરાવીને બીજા રાઉન્ડમાં આગળ વધ્યો. સિંધુના નામે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પહેલાથી જ પાંચ મેડલ છે, જેમાં એક ગોલ્ડ, બે સિલ્વર અને બે બ્રોન્ઝનો સમાવેશ થાય છે. જો તે આ ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચે છે, તો તે વર્લ્ડ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં છ મેડલ જીતનારી પ્રથમ ખેલાડી બનીને ઇતિહાસ રચશે. સિંધુનો સામનો બીજા રાઉન્ડમાં કેનેડાની વેન યુ ઝાંગ સામે થશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/cricket/news/virat-kohli-no-18-jersey-story" target="_blank">Virat Kohli કેમ પહેરે છે 18 નંબરની જર્સી? 'કિંગ'એ જાતે જણાવ્યું ખાસ કારણ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/muBvpONuGMGPLZk0jvPcgMnayzV6sZMI6hniI8kh.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: જેતલપુરમાં સહકાર મોલનું લોકાર્પણ, ગ્રામજનોને મળશે એક જ છત નીચે તમામ સુવિધાઓ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-inauguration-of-sahakari-mall-in-jetalpur-villagers-will-get-all-the-facilities-under-one-roof</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-inauguration-of-sahakari-mall-in-jetalpur-villagers-will-get-all-the-facilities-under-one-roof</guid><pubDate>Tue, 18 Aug 2026 05:45:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જેતલપુર : જેતલપુર સેવા સહકારી મંડળી લિ. દ્વારા ગ્રામજનો તેમજ આસપાસના ગામોના રહેવાસીઓની સુવિધા માટે નિર્માણ કરાયેલા સહકાર મોલનું લોકાર્પણ સ્વામિનારાયણ મંદિર, જેતલપુરના પરમ પૂજ્ય શ્રી કૃષ્ણપ્રકાશ સ્વામી, શ્રી હરિસ્વરૂપ બ્રહ્મચારી તથા દસ્ક્રોઇના ધારાસભ્ય બાબુભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું. મંડળીના ચેરમેન નીતિનભાઈ વાડીભાઈ પટેલ, વાઈસ ચેરમેન પ્રહલાદભાઈ નટવરભાઈ પટેલ અને કમિટીના સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મંડળીના હોદ્દેદારોએ જણાવ્યું કે 101 વર્ષની ગૌરવશાળી સફર પૂર્ણ કરનાર મંડળી દ્વારા સહકારના માધ્યમથી વિકાસની નવી દિશામાં આ મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. કેન્દ્રના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે આ મોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ટૂંકા સમયમાં તૈયાર થયેલો આ સહકાર મોલ સંપૂર્ણપણે બહેનો દ્વારા સંચાલિત દસ્ક્રોઇ તાલુકાનો પ્રથમ મોલ હોવાનું પણ જણાવાયું. અહીં જીવનજરૂરી ચીજવસ્તુઓ એક જ સ્થળે ઉપલબ્ધ બનતા ગ્રામજનોને મોટી રાહત મળશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/4jD97hKnUrLLTOD0WGJzJyS2jQypdtCO1ZvXPeCu.webp'/></item><item><title><![CDATA[Mandal: માંડલના ત્રણેય પોલીસ મથકો, સિવિલ કોર્ટ અને સરકારી કચેરીઓમાં ધ્વજવંદન કરાયું ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/mandal/mandal-flag-hoisting-ceremony-at-all-three-police-stations-civil-courts-and-government-offices-of-mandal</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/mandal/mandal-flag-hoisting-ceremony-at-all-three-police-stations-civil-courts-and-government-offices-of-mandal</guid><pubDate>Tue, 18 Aug 2026 05:44:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">માંડલ : માંડલમાં 1પમી ઓગસ્ટે જિલ્લાકક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાયો હતો પરંતુ દરવર્ષે યોજાતાં સ્થાનિક કોર્ટ-કચેરીઓમાં ધ્વજવંદન કાર્યક્રમ 80માં સ્વતંત્રતા પર્વે પણ કરાયું હતું. માંડલ ટાઉન પોલીસ મથક તેમજ ગ્રામ્યના હાંસલપુર,વિઠલાપુર પોલીસ મથકે સવારે ધ્વજવંદન કરાયું. માંડલ ખાતે આવેલ સીવીલ કોર્ટમાં પણ સૌ વકીલો,કોર્ટ સ્ટાફ મીત્રો દ્વારા ધ્વજવંદન કરીને મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી. એવીજ રીતે મામલતદાર અને તાલુકા પંચાયત સહિતની સરકારી કચેરીઓમાં પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. માંડલ ગ્રામ પંચાયત, શાળા-કોલેજોના કેમ્પસો તેમજ ગ્રામ્ય વિસ્તારોની શાળાઓમાં પણ ધ્વજવંદન કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/BRgJwsk3DybLrFZfWfGroltA2avhn7TdmqxI8S1S.webp'/></item><item><title><![CDATA[BEST Worker Strike : મુંબઈમાં 18 ઓગસ્ટે BEST કર્મચારીઓ અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ પર ઉતરશે ]]></title><link>https://sandesh.com/india/news/best-worker-strike-mumbai-indefinite-hunger-strike-august-18</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/best-worker-strike-mumbai-indefinite-hunger-strike-august-18</guid><pubDate>Mon, 17 Aug 2026 23:43:04 +05:30</pubDate><description><![CDATA[<p>મુંબઈમાં બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ના કર્મચારીઓની લાંબા સમયથી પડતર માગણીઓને લઈને BEST વર્કર્સ યુનિયને આંદોલન વધુ ઉગ્ર બનાવવાનો નિર્ણય લીધો છે. યુનિયનના મહાસચિવ શશાંક રાવે 18 ઓગસ્ટથી અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ શરૂ કરવાની જાહેરાત કરી છે.&nbsp;</p><h2><b>પડતર પગાર કરારોના તાત્કાલિક અમલની માગ</b></h2><p>આ આંદોલનમાં BESTના વર્તમાન કર્મચારીઓ ઉપરાંત ખાનગી કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતી વેટ-લીઝ બસોના કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓની માગણીઓ પણ ઉઠાવવામાં આવશે. યુનિયનની મુખ્ય માગણીઓમાં 2016થી 2021 અને 2021થી 2026ના લાંબા સમયથી પડતર પગાર કરારોનો તાત્કાલિક અમલ કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કર્મચારીઓ માટે સાતમા પગાર પંચની ભલામણો લાગુ કરવાની અને મુંબઈ મહાનગરપાલિકાના કર્મચારીઓ સમાન પગાર ધોરણ આપવાની માંગ કરવામાં આવી છે.</p><h3><b>યુનિયને BESTની નાણાકીય સ્થિતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી</b></h3><p>વેટ-લીઝ બસોના કર્મચારીઓ માટે પણ યુનિયને 'સમાન કામ માટે સમાન વેતન'ના સિદ્ધાંત હેઠળ પગાર અને સુવિધાઓ આપવાની માગ કરી છે. નિવૃત્ત કર્મચારીઓની ગ્રેચ્યુઈટી અને અન્ય અંતિમ બાકી રકમ સમયસર ચૂકવવાની માગ પણ કરવામાં આવી છે. યુનિયને BESTની નાણાકીય સ્થિતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. BESTના સંચાલન માટે જરૂરી નાણાકીય ભંડોળ તાત્કાલિક મંજૂર કરવાની માગ કરવામાં આવી છે.</p><p>યુનિયનના જણાવ્યા અનુસાર, 18 ઓગસ્ટે સવારે 11:30 વાગ્યે મુંબઈના ઓપેરા હાઉસ સ્થિત 42 કેનેડી બ્રિજ ખાતે BEST વર્કર્સ યુનિયનની ઓફિસમાં ભૂખ હડતાળ શરૂ થશે. શશાંક રાવે જણાવ્યું છે કે કર્મચારીઓની પડતર માગણીઓ અંગે નિર્ણય ન આવે ત્યાં સુધી આ ભૂખ હડતાળ ચાલુ રાખવામાં આવશે.</p><p><b><a href="https://sandesh.com/india/breakingnews/jharkhand-students-win-tdpl-examinations-cancelled" target="_blank">આ પણ વાંચો : Jharkhand : વિદ્યાર્થીઓની મોટી જીત, TDPL દ્વારા લેવાયેલી તમામ પરીક્ષાઓ રદ્દ જાહેર</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/17/4rAjBM7C5YQbL7oU4pLrqRD1LnRebK1PagZDcXL1.webp'/></item><item><title><![CDATA['Make In India'ને મોટો વેગ, ઈલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ યોજના હેઠળ 106 કંપનીઓને મળી મંજૂરી ]]></title><link>https://sandesh.com/india/news/business/make-in-india-ecms-106-companies-electronics-component-manufacturing</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/make-in-india-ecms-106-companies-electronics-component-manufacturing</guid><pubDate>Mon, 17 Aug 2026 19:00:46 +05:30</pubDate><description><![CDATA[<p>દિલ્હીમાં ઈલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ યોજના (ECMS) હેઠળ મંજૂરી મેળવનારી કંપનીઓ માટે મંજૂરીપત્રો સોંપવાનો કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રાજ્યમંત્રી જિતિન પ્રસાદે કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે શરૂઆતમાં આશરે 60 કંપનીઓને મંજૂરી આપવાનું આયોજન હતું, પરંતુ હવે કુલ 106 કંપનીઓને મંજૂરી મળી ચૂકી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2089328399164846198"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>જમીન પર વાસ્તવિક પ્રગતિ થવી મહત્વપૂર્ણ</b></h2><p>મંત્રીએ જણાવ્યું કે આજે વધુ 31 કંપનીઓને મંજૂરી આપવામાં આવી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે માત્ર મંજૂરી આપવી પૂરતી નથી, પરંતુ જમીન પર વાસ્તવિક પ્રગતિ થવી મહત્વપૂર્ણ છે. આ માટે તેઓ અધિકારીઓ પાસેથી સતત બે બાબતો અંગે માહિતી લે છે—કેટલું બાંધકામ પૂર્ણ થયું છે અને ઉત્પાદન શરૂ થયું કે નહીં.</p><h3><b>રોજગારીની તકોને પણ વેગ મળવાની અપેક્ષા</b></h3><p>અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે 'મેક ઈન ઇન્ડિયા' હેઠળ ભારતે શરૂઆતમાં તૈયાર ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સના એસેમ્બલીથી કરી હતી. ત્યારબાદ મોડ્યુલ્સ અને હવે કોમ્પોનન્ટ્સના ઉત્પાદન તરફ આગળ વધવામાં આવ્યું છે. ભારતમાં ઈલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ્સનું ઉત્પાદન શક્ય બનશે કે નહીં તે અંગે શરૂઆતમાં ઉદ્યોગ અને નીતિ નિર્માતાઓમાં પણ શંકા હતી.</p><p>સરકારે ECMS માટે ₹59,000 કરોડના રોકાણનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો. જોકે, યોજના હેઠળ અત્યાર સુધીમાં ₹69,000 કરોડનું રોકાણ આકર્ષાયું હોવાનું મંત્રીએ જણાવ્યું છે. સરકારના જણાવ્યા મુજબ, આ યોજના ભારતને ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે વધુ આત્મનિર્ભર બનાવવામાં મદદ કરશે. સાથે જ સ્થાનિક ઉત્પાદન, સપ્લાય ચેઈન અને રોજગારીની તકોને પણ વેગ મળવાની અપેક્ષા છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/indian-navy-mq-9b-sea-guardian-drones-1943-crore-deal" target="_blank">આ પણ વાંચો : Indian Navyને મળશે 2 MQ-9B સી ગાર્ડિયન ડ્રોન, રૂપિયા 1,943 કરોડનો થયો કરાર</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/17/Xwh6pqzaxCEZlJXf6jZSu0c2KK9vQPf59qzpHPwy.webp'/></item></channel></rss>