<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Baruchના દહેજમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રૂ.2,153 કરોડના નશીલા પદાર્થોનો કરાયો નાશ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/narcotics-worth-crores-destroyed-in-baruchs-dowry-in-the-presence-of-home-minister-harsh-sanghvi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/narcotics-worth-crores-destroyed-in-baruchs-dowry-in-the-presence-of-home-minister-harsh-sanghvi</guid><pubDate>Mon, 20 Jul 2026 16:48:26 +05:30</pubDate><description><![CDATA[<p>ભરૂચના દહેજ ખાતે રાજ્યમાં નશાકારક પદાર્થો સામેની ઝુંબેશ અંતર્ગત એક મોટી અને ઐતિહાસિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં દહેજની BEIL (ભરૂચ એન્વાયરો ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ) ખાતે જપ્ત કરાયેલા નશીલા પદાર્થોના નાશની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ કાર્યવાહી દરમિયાન કુલ 1,095 NDPS કેસોમાં જપ્ત કરાયેલ 3,900 કિલોગ્રામ જેટલો નાર્કોટિક્સનો જથ્થો સત્તાવાર રીતે નાશ કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જપ્ત કરાયેલા ડ્રગ્સની અંદાજિત કિંમત રૂપિયા 2,153 કરોડ જેટલી થાય છે.</p><h2><b>16 પોલીસ યુનિટોની હાજરીમાં વિમોચન અને&nbsp;</b></h2><p>આ સમગ્ર નિકાલ પ્રક્રિયા લાકડિયા, ભચાઉ અને ભરૂચ સહિતની કુલ ૧૬ પોલીસ યુનિટોની સઘન હાજરીમાં પાર પાડવામાં આવી હતી. આ પ્રસંગે GACL (ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ) ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગૃહમંત્રી દ્વારા 'NDPS હેન્ડબુક'નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, રાજ્યમાં ડ્રગ્સનું નેટવર્ક બસ્ટ કરનાર અને સફળ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા બાતમીદારોને 'ડ્રગ્સ રિવોર્ડ પોલિસી' હેઠળ પ્રોત્સાહક ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.</p><h3><b>ડ્રગ્સ રિવોર્ડ પોલિસી હેઠળ ઇનામ વિતરણ</b></h3><p>આ કાર્યક્રમમાં પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તેમજ વિવિધ સરકારી વિભાગોના ઉચ્ચ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દહેજ ખાતે યોજાયેલી આ મહત્ત્વપૂર્ણ કાર્યવાહી દ્વારા ગુજરાત સરકારે નશાના કારોબાર સામે પોતાની 'ઝીરો ટોલરન્સ' (Zero Tolerance) નીતિનો સ્પષ્ટ અને આકરો સંદેશ આપ્યો છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે યુવાધન ને બરબાદ કરતા ડ્રગ્સ માફિયાઓ સામે રાજ્ય પોલીસની આવી આકરી કાર્યવાહી આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે.</p><p><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/20/R8qd9E2bUnoKR5MBAVoCex6KSHdW2mgGv1uikLii.webp'/></item><item><title><![CDATA[Ram Mandir: રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં SCનો મોટો આદેશ, કહ્યું ફરીથી કરો SITની રચના ]]></title><link>https://sandesh.com/india/news/ram-mandir-prasad-theft-case--sc-orders-reconstitution-of-sit--next-hearing-27-july</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ram-mandir-prasad-theft-case--sc-orders-reconstitution-of-sit--next-hearing-27-july</guid><pubDate>Mon, 20 Jul 2026 16:31:04 +05:30</pubDate><description><![CDATA[<p>રામ મંદિર (Ram Mandir)પ્રસાદ ચોરી કેસમાં સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સરકારને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ફરીથી બનાવવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસમાં SIT ફરીથી ગઠન કરવામાં આવે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું કે SIT ફરીથી ગઠન કરવામાં આવે. કોર્ટે નિર્દેશ આપ્યો કે IPS અધિકારી સહિત આમાંથી કેટલાક વરિષ્ઠ નિષ્ણાતો તપાસ ટીમનું નેતૃત્વ કરે જેથી તપાસ નિર્ણાયક તબક્કામાં પહોંચી શકે. આ પછી સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલને સરકાર પાસેથી સૂચનાઓ મેળવવા કહ્યું. કોર્ટ હવે આવતા સોમવારે કેસની સુનાવણી કરશે. સરકારને આ સુનાવણીમાં અધિકારીનું નામ આપવા પણ કહેવામાં આવ્યું છે.</p><h3><b>તપાસ નિષ્પક્ષ હોવી જોઈએ
</b></h3><p>સુપ્રીમ કોર્ટે કહ્યું કે તપાસ નિષ્પક્ષ અને કોઈપણ પક્ષપાત વિના હોવી જોઈએ. કોર્ટે કહ્યું કે તપાસ તાર્કિક નિષ્કર્ષ સુધી પહોંચાડવી જોઈએ. કોર્ટે સોલિસિટર જનરલ મહેતાને ઉત્તર પ્રદેશ સરકાર પાસેથી SIT માટે નામો માંગવા કહ્યું. કોર્ટ આગામી સુનાવણી 27 જુલાઈએ કરશે. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે (Ram Mandir) પ્રસાદ ચોરી કેસનું રાજકારણ ન કરવું જોઈએ. તેમણે કહ્યું કે કોર્ટ રાજકારણ માટેનું સ્થાન નથી. કોર્ટે કહ્યું કે આ ગુનાનો એક સરળ કેસ છે. "અમે ફક્ત ખાતરી કરવા માંગીએ છીએ કે તપાસ યોગ્ય રીતે થાય."
</p><h4><b>SIT રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો
</b></h4><p>આ પહેલાં સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે તેમણે સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો છે. તેમણે કોર્ટને માહિતી આપી હતી કે તપાસ ચાલુ છે અને આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
</p><h5><b>ત્રણ ન્યાયાધીશોની બેન્ચે કેસની સુનાવણી કરી
</b></h5><p>તુષાર મહેતાએ જણાવ્યું હતું કે ઓફર ચોરી કેસમાં આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને ન્યાયાધીશ વી. મોહનાની બનેલી બેન્ચે કેસની સુનાવણી કરી. સરકાર વતી દલીલ કરતા મહેતાએ જણાવ્યું હતું કે તપાસ ચાલુ હોવાથી તેઓ આ બાબત વિશે વધુ ખુલાસો કરી શકતા નથી. ત્યારબાદ મુખ્ય ન્યાયાધીશે પૂછ્યું કે શું SIT પ્રસાદ ચોરી કેસની તપાસ કરી રહી છે.
</p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/india-gets-first-dengue-vaccine-qdenga--dcgi-approves-for-4-to-60-years-age" target="_blank"><b>ભારતમાં ડેન્ગ્યુની પહેલી રસીને મંજૂરી! 4થી 60 વર્ષના લોકો લઈ શકશે QDENGA</b></a>
</p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/20/O7dgbLEbCM60zNKwcOb0DSCHQfamZmqlRHSjvZiI.webp'/></item><item><title><![CDATA[STCG-LTCG Tax : શું શેર પર લાગતા ટેક્સને ખતમ કરશે સરકાર? જાણો સરકારે સંસદમાં શું કહ્યું? ]]></title><link>https://sandesh.com/business/news/india/stcg-ltcg-tax-government-no-plan-to-abolish-equity-capital-gains-tax-parliament</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/stcg-ltcg-tax-government-no-plan-to-abolish-equity-capital-gains-tax-parliament</guid><pubDate>Mon, 20 Jul 2026 16:07:10 +05:30</pubDate><description><![CDATA[<p>કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે હાલ રિટેલ અને ઘરેલુ રોકાણકારો માટે ઈક્વિટી ટ્રાન્ઝેક્શન પર લાગતો લોન્ગ-ટર્મ કેપિટલ ગેઈન્સ (LTCG) ટેક્સ દૂર કરવાની કોઈ યોજના વિચારાધીન નથી. લોકસભામાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લેખિત જવાબમાં જણાવ્યું કે બજારનું સેન્ટિમેન્ટ સુધારવા અને ઘરેલુ તથા વિદેશી રોકાણકારો વચ્ચે સમાનતા લાવવા માટે LTCG ટેક્સ હટાવવાનો કોઈ પ્રસ્તાવ સરકાર પાસે નથી.</p><h2><b>બે વર્ષમાં સરકારને 2.01 લાખ કરોડની થઈ આવક&nbsp;</b></h2><p>તેમણે વધુમાં જણાવ્યું કે કેપિટલ ગેઈન્સ ટેક્સ સહિતની ટેક્સ નીતિઓની સમયાંતરે વાર્ષિક બજેટ પ્રક્રિયા અને કાનૂની જોગવાઈઓ હેઠળ સમીક્ષા કરવામાં આવે છે. આ દરમિયાન દેશની આર્થિક સ્થિતિ અને અન્ય મહત્વના પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે. સરકારના આંકડા મુજબ, ઈક્વિટી ટ્રાન્ઝેક્શન પરથી LTCG ટેક્સની વસૂલાતમાં નોંધપાત્ર વધારો થયો છે. એસેસમેન્ટ વર્ષ 2024-25માં 72,249 કરોડ રૂપિયા વસૂલાયા હતા, જ્યારે એસેસમેન્ટ વર્ષ 2025-26માં આ આંકડો વધીને 1,29,158 કરોડ રૂપિયા થયો છે. એટલે કે બે વર્ષમાં સરકારે કુલ 2.01 લાખ કરોડ રૂપિયાની આવક LTCG ટેક્સ દ્વારા મેળવી છે.</p><h3><b>LTCGમાં 1.25 લાખ રૂપિયા સુધીની કમાણી પર ટેક્સ લાગતો નથી&nbsp;</b></h3><p>હાલમાં લિસ્ટેડ ઈક્વિટી અને ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં એક નાણાકીય વર્ષ દરમિયાન 1.25 લાખ રૂપિયાથી વધુના લાંબા ગાળાના નફા પર 12.5 ટકા LTCG ટેક્સ લાગુ પડે છે. 12 મહિનાથી વધુ સમય સુધી રાખવામાં આવેલી સંપત્તિને લોંગ-ટર્મ કેપિટલ એસેટ તરીકે ગણવામાં આવે છે.</p><h5><b>આ મામલે વિચાર કરવામાં આવશે&nbsp;</b></h5><p>સરકારે એ પણ સ્પષ્ટ કર્યું કે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI), ઘરેલુ અને રિટેલ રોકાણકારો માટે ઈક્વિટી રોકાણ પર 12.5 ટકાનો LTCG ટેક્સ સમાન છે. જોકે, સરકારે સરકારી સિક્યોરિટીઝ (G-Secs)માં વિદેશી રોકાણકારોના રોકાણ પર વ્યાજ અને કેપિટલ ગેઈન્સને આવકવેરામાંથી મુક્તિ આપી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ નાણાંમંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે સરકાર LTCG અને STCG ટેક્સ અંગે બજારના હિતધારકોના સૂચનો સાંભળવા અને યોગ્ય સમયે તેના પર વિચાર કરવા માટે તૈયાર છે.</p><p><b><a href="https://sandesh.com/business/news/stock-market-today-investors-concerns-increased-stock-market-in-red-on-monday-know-why" target="_blank">આ પણ વાંચો : Stock Market Today: રોકાણકારોની વધી ચિંતા, સોમવારે શેરબજાર લાલ નિશાને, જાણો કેમ ?</a></b></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/20/FLGVqgagwbeUu8YXkyNANAQYA4PaLgW1wwwjzM9o.webp'/></item><item><title><![CDATA[STCG-LTCG Tax : શું શેર પર લાગતા ટેક્સને ખતમ કરશે સરકાર? જાણો સરકારે સંસદમાં શું કહ્યું? ]]></title><link>https://sandesh.com/business/news/india/stcg-ltcg-tax-government-no-plan-to-abolish-equity-capital-gains-tax-parliament</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/stcg-ltcg-tax-government-no-plan-to-abolish-equity-capital-gains-tax-parliament</guid><pubDate>Mon, 20 Jul 2026 16:07:10 +05:30</pubDate><description><![CDATA[<p>કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે હાલ રિટેલ અને ઘરેલુ રોકાણકારો માટે ઈક્વિટી ટ્રાન્ઝેક્શન પર લાગતો લોન્ગ-ટર્મ કેપિટલ ગેઈન્સ (LTCG) ટેક્સ દૂર કરવાની કોઈ યોજના વિચારાધીન નથી. લોકસભામાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લેખિત જવાબમાં જણાવ્યું કે બજારનું સેન્ટિમેન્ટ સુધારવા અને ઘરેલુ તથા વિદેશી રોકાણકારો વચ્ચે સમાનતા લાવવા માટે LTCG ટેક્સ હટાવવાનો કોઈ પ્રસ્તાવ સરકાર પાસે નથી.</p><h2><b>બે વર્ષમાં સરકારને 2.01 લાખ કરોડની થઈ આવક&nbsp;</b></h2><p>તેમણે વધુમાં જણાવ્યું કે કેપિટલ ગેઈન્સ ટેક્સ સહિતની ટેક્સ નીતિઓની સમયાંતરે વાર્ષિક બજેટ પ્રક્રિયા અને કાનૂની જોગવાઈઓ હેઠળ સમીક્ષા કરવામાં આવે છે. આ દરમિયાન દેશની આર્થિક સ્થિતિ અને અન્ય મહત્વના પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે. સરકારના આંકડા મુજબ, ઈક્વિટી ટ્રાન્ઝેક્શન પરથી LTCG ટેક્સની વસૂલાતમાં નોંધપાત્ર વધારો થયો છે. એસેસમેન્ટ વર્ષ 2024-25માં 72,249 કરોડ રૂપિયા વસૂલાયા હતા, જ્યારે એસેસમેન્ટ વર્ષ 2025-26માં આ આંકડો વધીને 1,29,158 કરોડ રૂપિયા થયો છે. એટલે કે બે વર્ષમાં સરકારે કુલ 2.01 લાખ કરોડ રૂપિયાની આવક LTCG ટેક્સ દ્વારા મેળવી છે.</p><h3><b>LTCGમાં 1.25 લાખ રૂપિયા સુધીની કમાણી પર ટેક્સ લાગતો નથી&nbsp;</b></h3><p>હાલમાં લિસ્ટેડ ઈક્વિટી અને ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં એક નાણાકીય વર્ષ દરમિયાન 1.25 લાખ રૂપિયાથી વધુના લાંબા ગાળાના નફા પર 12.5 ટકા LTCG ટેક્સ લાગુ પડે છે. 12 મહિનાથી વધુ સમય સુધી રાખવામાં આવેલી સંપત્તિને લોંગ-ટર્મ કેપિટલ એસેટ તરીકે ગણવામાં આવે છે.</p><h5><b>આ મામલે વિચાર કરવામાં આવશે&nbsp;</b></h5><p>સરકારે એ પણ સ્પષ્ટ કર્યું કે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI), ઘરેલુ અને રિટેલ રોકાણકારો માટે ઈક્વિટી રોકાણ પર 12.5 ટકાનો LTCG ટેક્સ સમાન છે. જોકે, સરકારે સરકારી સિક્યોરિટીઝ (G-Secs)માં વિદેશી રોકાણકારોના રોકાણ પર વ્યાજ અને કેપિટલ ગેઈન્સને આવકવેરામાંથી મુક્તિ આપી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ નાણાંમંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે સરકાર LTCG અને STCG ટેક્સ અંગે બજારના હિતધારકોના સૂચનો સાંભળવા અને યોગ્ય સમયે તેના પર વિચાર કરવા માટે તૈયાર છે.</p><p><b><a href="https://sandesh.com/business/news/stock-market-today-investors-concerns-increased-stock-market-in-red-on-monday-know-why" target="_blank">આ પણ વાંચો : Stock Market Today: રોકાણકારોની વધી ચિંતા, સોમવારે શેરબજાર લાલ નિશાને, જાણો કેમ ?</a></b></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/20/FLGVqgagwbeUu8YXkyNANAQYA4PaLgW1wwwjzM9o.webp'/></item><item><title><![CDATA[Dahod News: દેવગઢ બારીઆમાં પરિણીતાનો ગળેફાંસો ખાઈ આત્મહત્યા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dahod/devgadh-baria-piplod-married-woman-commits-suicide</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dahod/devgadh-baria-piplod-married-woman-commits-suicide</guid><pubDate>Mon, 20 Jul 2026 16:05:49 +05:30</pubDate><description><![CDATA[<p>દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકામાં આવેલા પીપલોદ ગામમાં એક અત્યંત દૂખદ અને અરેરાટીભરી ઘટના સામે આવી છે. ગામના માતાનાવડ ફળિયામાં રહેતી એક પરિણીતાએ આંબાના ઝાડ પર ગળેફાંસો ખાઈને પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. આ ઘટનાની જાણ થતાં જ સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.</p><h2><b>પરિણીતા શિલ્પાબેન ડાયરાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું</b></h2><p>ઘટનાની મળતી માહિતી અનુસાર, માતાનાવડ ફળિયાની રહીશ શિલ્પાબેન ડાયરા નામની પરિણીતાએ અગમ્ય કારણોસર આંબાના ઝાડ પર ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિણીતાની આત્મહત્યાના પગલે પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. આ હૃદયદ્રાવક બનાવથી મૃતકના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે અને પરિવારજનોનું આક્રંદ છવાઈ ગયું છે.</p><h2><b>પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી</b></h2><p>ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોએ તાત્કાલિક પીપલોદ પોલીસ સ્ટેશનને માહિતી આપી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબજો મેળવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી કરી પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે.</p><h2><b>આત્મહત્યાનું રહસ્ય અકબંધ, અકસ્માતે મોતનો ગુનો નોંધાયો</b></h2><p>શિલ્પાબેને કયા કારણોસર આટલું અંતિમ અને આત્મઘાતી પગલું ભર્યું તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પીપલોદ પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ અને પરિવારજનોના નિવેદનો લીધા પછી જ આત્મહત્યા પાછળનું સાચું કારણ સામે આવશે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dahod/fatehpura-karmel-village-son-kills-father-with-stick-in-drunk-state-arrested" target="_blank">Dahod: ફતેપુરાના કરમેલ ગામમાં પુત્રએ પિતાને મોતને ઘાટ ઉતાર્યા, પોલીસે ગુનો નોંધી હત્યારાને ઝડપ્યો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/20/fhUk9roLuQU4oXQC0vbJOA3kcO0csH84uTb4VKH7.webp'/></item><item><title><![CDATA[Jana Nayaganની ટિકિટો માટે પડાપડી, એડવાન્સ બુકિંગમાં કરોડોની કમાણી! ]]></title><link>https://sandesh.com/entertainment/news/jana-nayagan-day-1-advance-booking-box-office-record</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/jana-nayagan-day-1-advance-booking-box-office-record</guid><pubDate>Mon, 20 Jul 2026 16:00:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">થલપતિ વિજયની છેલ્લી ફિલ્મ જના નાયગનની રિલીઝની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સેન્સર બોર્ડ તરફથી મંજૂરી મળ્યા પછી, આ ભવ્ય ફિલ્મ આ ગુરુવારે, 23 જુલાઈએ મોટા પાયે થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. હાલમાં આ ફિલ્મનું ધુઆંધાર એડવાન્સ બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે. ટિકિટ વિન્ડો પર પ્રી સેલમાં ફિલ્મને મળી રહેલા પ્રતિસાદે સૌને હેરાન કરી દીધા છે. જેના પછી લાગે છે કે આ ભારતીય બોક્સ ઓફિસ પર કમાણીના તમામ રેકોર્ડ તોડી શકે છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>જના નાયગનની કેવી છે એડવાન્સ બુકિંગ રિપોર્ટ?</b></h2><p style="text-align: justify; ">જના નાયગન પોતાની રિલીઝના કેટલાય મહિનાઓ પહેલાં ઓનલાઇન લીક થઈ ગઈ હતી. છતાં પણ વિજયના ફેન્સ તેમની છેલ્લી ફિલ્મને કોઈ ઉત્સવની જેમ ઉજવવાની તૈયારી કરી રહ્યા છે. તમિલનાડુ, કર્ણાટક અને કેરળમાં ફિલ્મને પ્રી સેલમાં જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે અને આની મોંઘી ટિકિટો પણ હાથોહાથ વેચાઈ રહી છે. હાલમાં, મૂળ તમિલ સંસ્કરણમાં આનું ધુઆંધાર એડવાન્સ બુકિંગ થયું છે જ્યારે તેલુગુ સંસ્કરણનો પ્રતિસાદ અપેક્ષા મુજબ નથી. હિન્દી બુકિંગ નહિવત છે. ફિલ્મના એડવાન્સ બુકિંગ કલેક્શન પર નજર કરીએ તો:</p><ul><li style="text-align: justify;">સેકનિલ્કના આંકડા અનુસાર તમિલ સંસ્કરણમાં આની અત્યાર સુધી 2 લાખ 67 હજાર 111 ટિકિટોનું પ્રી સેલ થયું છે.</li><li style="text-align: justify;">હિન્દી અને તમિલ સંસ્કરણમાં આની કોઈ ટિકિટ વેચાઈ નથી.</li><li style="text-align: justify;">જ્યારે તેલુગુ સંસ્કરણમાં આની 3 હજાર 986 ટિકિટોનું પ્રી બુકિંગ થયું છે.</li><li style="text-align: justify;">આ સાથે જ 'જના નાયગન' એ પહેલા દિવસના એડવાન્સ બુકિંગમાં બ્લોક સીટો વગર અત્યાર સુધી 6.89 કરોડ કમાઈ લીધા છે.</li><li style="text-align: justify;">જ્યારે બ્લોક સીટો સાથે આની પ્રી સેલથી થયેલી કમાણી 10.48 કરોડ રૂપિયા છે.</li><li style="text-align: justify;">હજુ ફિલ્મની રિલીઝમાં ત્રણ દિવસ બાકી છે, એવામાં અપેક્ષા છે કે ફિલ્મની પ્રી-સેલ્સમાં જબરદસ્ત ઉછાળો આવશે અને કુલ કમાણી 15 કરોડ રૂપિયાથી વધુ થઈ જશે.</li></ul><h3 style="text-align: justify; "><b>વર્ષની 6 સૌથી મોટી ઓપનિંગ-ડે પ્રી-સેલનો બનાવ્યો રેકોર્ડ</b></h3><p style="text-align: justify; ">હાલમાં 10.48 કરોડ રૂપિયા સાથે, જના નાયગન એ કરુપ્પુ (4.8 કરોડ રૂપિયા) ને પાછળ છોડીને 2026 માં ઇન્ડિયન બોક્સ ઓફિસ પર કોલીવુડની સૌથી વધુ પહેલા દિવસની પ્રી-સેલ્સનો રેકોર્ડ બનાવી લીધો છે. જ્યારે 2026 ની ટોચની પહેલા દિવસની એડવાન્સ બુકિંગમાં આણે ધ ઓડિસી (10.3 કરોડ રૂપિયા) અને ઉસ્તાદ ભગત સિંહ (10.49 કરોડ રૂપિયા) ને પાછળ છોડી દીધા છે. આ સાથે જ આ વર્ષ 2026 ની સૌથી વધુ પ્રી સેલ કરનારી ફિલ્મોની યાદીમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>ભારતમાં 2026 ની ટોચની પહેલા દિવસની પ્રી-સેલ્સ</b></h2><ul><li style="text-align: justify;">ધુરંધર 2 – 53 કરોડ રૂપિયા</li><li style="text-align: justify;">પેદ્દી – 20.66 કરોડ રૂપિયા</li><li style="text-align: justify;">ધ રાજાસાબ – 15.31 કરોડ રૂપિયા</li><li style="text-align: justify;">માના શંકરા વારા પ્રસાદ ગારૂ – 14 કરોડ રૂપિયાથી વધુ</li><li style="text-align: justify;">બોર્ડર 2 – 12.5 કરોડ રૂપિયા</li><li style="text-align: justify;">જના નાયગન– 9.58 કરોડ રૂપિયા</li><li style="text-align: justify;">ઉસ્તાદ ભગત સિંહ – 10.49 કરોડ રૂપિયા</li><li style="text-align: justify;">ધ ઓડિસી – 10.3 કરોડ રૂપિયા</li></ul><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/dilip-joshi-breaks-silence-on-leaving-tmkoc" target="_blank">આ પણ વાંચો-Taarak Mehta Ka Ooltah Chashmah છોડી રહ્યા છે જેઠાલાલ? દિલીપ જોશીએ કર્યો ખુલાસો!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/20/lRds9CTW9RJICX2eOEPfJzJMtGFbgIETLUAc07B2.webp'/></item><item><title><![CDATA[દિલ્હી-દમણ ફ્લાઈટનું Ahmedabad Airport પર ઈમરજન્સી લેન્ડિંગ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/airport-delhi-daman-flight-emergency-landing-low-visibility</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/airport-delhi-daman-flight-emergency-landing-low-visibility</guid><pubDate>Mon, 20 Jul 2026 15:29:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દિલ્હીથી દમણ તરફ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટનું અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. દમણ એરપોર્ટ પર વાતાવરણ ખરાબ હોવાના કારણે અને વિઝિબિલિટી અત્યંત ઓછી હોવાના લીધે ફ્લાઈટ સુરક્ષિત રીતે લેન્ડ થઈ શકી ન હતી, જેથી વિમાનને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>હવામાં 3 થી 4 ચક્કર લગાવ્યા બાદ પાયલટે અમદાવાદ તરફ વિમાન વાળ્યું</b></h2><p style="text-align: justify; ">દમણ એરપોર્ટ પર ઉતરાણ કરવાનો પ્રયાસ કરતા સમયે વિઝિબિલિટીનું પ્રમાણ ખૂબ ઓછું હતું. આ પરિસ્થિતિમાં એર ઈન્ડિયાના વિમાને દમણના આકાશમાં 3 થી 4 ચક્કર લગાવ્યા હતા. જોકે, વાતાવરણમાં સુધારો ન થતાં મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાયલટે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક કરીને વિમાનને અમદાવાદ એરપોર્ટ તરફ લઈ જવાનો નિર્ણય કર્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>વિઝિબિલિટી યોગ્ય થતાં વિમાન પુનઃ દમણ માટે રવાના કરાયું</b></h2><p style="text-align: justify; ">અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કર્યા બાદ તમામ મુસાફરોને સુરક્ષિત રાખવામાં આવ્યા હતા. થોડા સમય બાદ દમણ એરપોર્ટ પર હવામાન સાનુકૂળ બનતા અને વિઝિબિલિટી યોગ્ય થતાં જ અમદાવાદ ખાતેથી વિમાનને ફરીથી દમણ જવા માટે રવાના કરી દેવામાં આવ્યું હતું. ફ્લાઈટે સુરક્ષિત ઉડાન ભરતાં મુસાફરો અને એરપોર્ટ તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/delhi-igi-airport-customs-seizes-8-kg-hydroponic-weed-from-bangkok-passenger-ndps-act" target="_blank">Ahmedabad: દિલ્હી IGI એરપોર્ટ પર બેંકોકથી આવેલી ફ્લાઇટના મુસાફર પાસેથી 8.255 કિલો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/20/IBlvMyADBIMVl52mO0nWTVf9zKCRkekU6PGrbVMt.webp'/></item><item><title><![CDATA[વાંચો બપોરે 12થી 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/today-top-breaking-news-bulletin-gujarat-india-read-important-news-from-12-pm-to-03-pm-20-july-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/today-top-breaking-news-bulletin-gujarat-india-read-important-news-from-12-pm-to-03-pm-20-july-2026</guid><pubDate>Mon, 20 Jul 2026 15:00:04 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર&nbsp; &nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/tripura-dgp-anurag-dhankar-found-dead-in-police-hq--probe-ordered" target="_blank">1. ત્રિપુરાના DGP અનુરાગ ધનખરનું પોલીસ હેડક્વાર્ટરમાં શંકાસ્પદ મોત, આત્મહત્યાની આશંકા</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/cjp-protest-protesters-reached-near-parliament-house-police-lathi-charged-section-163-applied" target="_blank">2. CJP Protest: પ્રદર્શન કારીઓ સંસદ ભવન નજીક પહોંચ્યા, પોલીસે કર્યો લાઠીચાર્જ, કલમ 163 લાગુ</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/surat-cng-price-hiked-by-2-rupees-by-gujarat-gas-reaches-85-point-01" target="_blank">3. Surat: ગુજરાત ગેસે CNG માં ઝીંક્યો રૂ. 2 નો વધારો, નવો ભાવ રૂ. 85 ને પાર પહોંચતા અન્ય ચીજો પણ મોંઘી થવાના એંધાણ</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/cjp-protest-central-government-summons-cockroach-janata-party-cjp-spokesperson-reveals" target="_blank">4. CJP Protest: કૉકરોચ જનતા પાર્ટીને કેન્દ્ર સરકારનો બુલાવો, CJP પ્રવક્તાએ કર્યો ખુલાસો</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-ramol-firecracker-factory-blast-accused-police-remand-july-27" target="_blank">5. Ahmedabad : રામોલ બ્લાસ્ટ કેસના 3 આરોપીના 27 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર, લાયસન્સ રદ હોવા છતાં ચાલતી હતી ફટાકડા ફેક્ટરી</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-ghuma-leopard-update-dcf-manil-jani-thermal-drone-4-cages" target="_blank">6. Ahmedabad : ઘુમા વિસ્તારમાં દીપડાએ મરઘાનું મારણ કર્યું, થર્મલ ડ્રોનથી સર્ચ ઓપરેશન, વન વિભાગે 4 પાંજરા ગોઠવ્યા</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/sonam-wangchuk-case--wife-geetanjali-moves-delhi-hc-over-hospital-transfer" target="_blank">7. Sonam Wangchuk: 'મારા પતિને અધિકાર છે કે...', સોનમ વાંગચૂકની પત્નીએ ફરી ખખડાવ્યો હાઈકોર્ટનો દરવાજો</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/delhi-igi-airport-customs-seizes-8-kg-hydroponic-weed-from-bangkok-passenger-ndps-act" target="_blank">8. Ahmedabad: દિલ્હી IGI એરપોર્ટ પર બેંકોકથી આવેલી ફ્લાઇટના મુસાફર પાસેથી 8.255 કિલો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/entertainment/news/bollywood-actor-secret-marriage-pakistani-woman-love-story" target="_blank">9. Secret Marriage : બોલીવુડના આ એક્ટરે 15 વર્ષ મોટી પાકિસ્તાની યુવતી સાથે કર્યા હતા સિક્રેટ લગ્ન!</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/entertainment/news/dhamaal-4-box-office-day-wise-collection-10-days-170-crore" target="_blank">10. Hit Franchise: બોક્સ ઓફિસ પર 'ધમાલ 4'નો જલવો, 10 દિવસમાં 170 કરોડની કમાણી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/20/igYEdf35ncANzD3YrDRjIOLcf3M4qdEOWplRkhpi.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: દિલ્હી IGI એરપોર્ટ પર બેંકોકથી આવેલી ફ્લાઇટના મુસાફર પાસેથી 8.255 કિલો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/delhi-igi-airport-customs-seizes-8-kg-hydroponic-weed-from-bangkok-passenger-ndps-act</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/delhi-igi-airport-customs-seizes-8-kg-hydroponic-weed-from-bangkok-passenger-ndps-act</guid><pubDate>Mon, 20 Jul 2026 14:44:25 +05:30</pubDate><description><![CDATA[<p>નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) સતત હાઇ એલર્ટ પર કામ કરી રહ્યું છે. આ દરમિયાન બેંકોકના ડોન મુઆંગથી દિલ્હી આવી પહોંચેલી એરલાઇન્સની ફ્લાઇટ નંબર XJ-230 ના મુસાફરોનું જ્યારે રૂટિન ઇમિગ્રેશન અને કસ્ટમ્સ ક્લિયરન્સ ચાલી રહ્યું હતું, ત્યારે કસ્ટમ્સના એડવાન્સ પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ (APIS) ડેટાબેઝ સોફ્ટવેર દ્વારા એક મુસાફરની પ્રોફાઇલ શંકાસ્પદ હોવાનું સામે આવ્યું હતું.</p><h2><b>દિલ્હી IGI એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી એક્શન</b></h2><p>આ આરોપી મુસાફર કસ્ટમ્સની નજરમાંથી બચવા માટે પોતાના સામાન સાથે એરપોર્ટની ગ્રીન ચેનલ વટાવીને બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જો કે, કસ્ટમ્સ અધિકારીઓએ ગ્રીન ચેનલ પાર કરતાની સાથે જ તેને આંતરી લીધો હતો અને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધો હતો. શરૂઆતમાં મુસાફરે સંતોષકારક જવાબ આપ્યા નહોતા, જેથી તેના રજિસ્ટર્ડ લગેજ (સામાન) ને એક્સ-રે સ્કેનિંગ મશીનમાંથી પસાર કરવામાં આવ્યો હતો.</p><h3><b>વેક્યૂમ-સીલ પેકેટોમાંથી મળ્યું કરોડોનું ડ્રગ્સ</b></h3><p>એક્સ-રે મોનિટર પર બેગની અંદર કેટલીક શંકાસ્પદ વણાટ અને ઓર્ગેનિક વસ્તુઓ હોવાની ગ્રીન સિગ્નલ છબીઓ દેખાઈ હતી. કસ્ટમ્સની ટીમે જ્યારે પંચોની હાજરીમાં મુસાફરની બેગ ખોલાવી, ત્યારે તેમાંથી સિલ્વર કલરના અને પારદર્શક એવા 14 વેક્યૂમ-સીલ પેકેટો મળી આવ્યા હતા. સામાન્ય રીતે ડ્રગ્સની તીવ્ર ગંધ બહાર ન આવે અને સ્નિફર ડોગ્સ તેને પકડી ન શકે તે માટે સ્મગલરો આ વેક્યૂમ ટેકનિકનો ઉપયોગ કરે છે. આ પેકેટો ખોલતા તેમાંથી ઉચ્ચ ગુણવત્તાનો 8.255 કિલોગ્રામ આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ધરાવતો હાઇડ્રોપોનિક ગાંજો (વીડ) મળી આવ્યો હતો.</p><h4><b>મુસાફરની સત્તાવાર ધરપકડ કરવામાં આવી</b></h4><p>કસ્ટમ્સ વિભાગે તાત્કાલિક ધોરણે આ હાઇડ્રોપોનિક ગાંજો અને તેને છુપાવવા માટે ઉપયોગમાં લેવાયેલી તમામ વેક્યૂમ પેકિંગ સામગ્રીને કાયદેસર રીતે સીઝ કરી લીધી છે. નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની વિવિધ કડક કલમો હેઠળ ગુનો નોંધીને કસ્ટમ્સ દ્વારા આરોપી મુસાફરની સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે. આ ગાંજો દિલ્હી-NCR માં કયા ડ્રગ પેડલરને સપ્લાય કરવાનો હતો અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ નેટવર્કના તાર ક્યાં જોડાયેલા છે, તે દિશામાં કસ્ટમ્સ અને અન્ય સેન્ટ્રલ એજન્સીઓએ ઊંડી તપાસ શરૂ કરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/surat-cng-price-hiked-by-2-rupees-by-gujarat-gas-reaches-85-point-01" target="_blank">આ પણ વાંચો: Surat: ગુજરાત ગેસે CNG માં ઝીંક્યો રૂ. 2 નો વધારો, નવો ભાવ રૂ. 85 ને પાર પહોંચતા અન્ય ચીજો પણ મોંઘી થવાના એંધાણ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/20/J01B2hi0715JY4mWmpVMM8A6BoQCuRHZlvU5wtEe.webp'/></item><item><title><![CDATA[કઈ ટૂર્નામેન્ટમાં મળે છે સૌથી વધુ Prize Money, ક્રિકેટ વર્લ્ડ કપ કે ફીફા વર્લ્ડ કપ? ]]></title><link>https://sandesh.com/sports/news/prize-money-which-tournament-offers-the-most-prize-money-the-cricket-world-cup-or-the-fifa-world-cup</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/prize-money-which-tournament-offers-the-most-prize-money-the-cricket-world-cup-or-the-fifa-world-cup</guid><pubDate>Mon, 20 Jul 2026 12:41:55 +05:30</pubDate><description><![CDATA[<p>વિશ્વમાં રમતગમતના બે સૌથી મોટા મહાકુંભ&nbsp; ફૂટબોલનો ફિફા વર્લ્ડ કપ અને ક્રિકેટનો આઇસીસી વનડે વર્લ્ડ કપ જ્યારે ઇનામી રકમ (Prize Money) ની વાત આવે છે, ત્યારે બંને વચ્ચે  મોટો  તફાવત જોવા મળે છે.ફૂટબોલની વૈશ્વિક પહોંચના કારણે ફિફા વર્લ્ડ કપની પ્રાઇઝ મની ક્રિકેટ વર્લ્ડ કપ કરતાં ઘણી ગણી વધારે છે. અહીં અમે ફૂટબોલ વર્લ્ડકપ અને ક્રિકેટ વર્લ્ડ કપની ઇનામ રકમ વચ્ચેનો તફાવત સમજાવીએ છીએ.</p><h4><b>ઇનામી રકમની સરખામણી</b></h4><table class="table table-bordered"><tbody><tr><td>કેટેગરી&nbsp;</td><td>ફિફા વર્લ્ડ કપ 2026</td><td>ICC ODI ક્રિકેટ વર્લ્ડ કપ</td><td>તફાવત</td></tr><tr><td>કુલ પ્રાઇઝ પૂલ</td><td>$871 મિલિયન (આશરે ₹8,362 કરોડ)</td><td>$10 મિલિયન (આશરે ₹83 કરોડ)</td><td>ફિફા 87 ગણું વધારે&nbsp;</td></tr><tr><td>ચેમ્પિયન&nbsp;</td><td>$51 મિલિયન (આશરે ₹481 કરોડ)</td><td>$4 મિલિયન (આશરે ₹33.2 કરોડ)</td><td>ફિફા 12 ગણું વધારે&nbsp;</td></tr><tr><td>રનર-અપ (Runner-up)</td><td>$33 મિલિયન (આશરે ₹318કરોડ)</td><td>$2 મિલિયન (આશરે ₹16.6 કરોડ)</td><td>ફિફા 16 ગણું વધારે&nbsp;</td></tr><tr><td>ભાગ લેનાર ટીમને&nbsp;</td><td>$12.5 મિલિયન (આશરે ₹120 કરોડ)</td><td>$100,000 (આશરે ₹83 લાખ)</td><td>ફિફા 144 ગણું વધારે</td></tr></tbody></table><h5><b>શા માટે આટલો મોટો તફાવત છે?</b></h5><p>આ તફાવત પાછળનું મુખ્ય કારણ રમતની ગ્લોબલ રીચ (Global Reach) અને બ્રોડકાસ્ટિંગ રાઇટ્સ છે. ફૂટબોલ વિશ્વના ૨૦૦થી વધુ દેશોમાં રમાય છે અને 2026&nbsp; વર્લ્ડ કપમાં 48 દેશોએ ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય સ્પોન્સર્સ અને વૈશ્વિક દર્શકોની સંખ્યાના કારણે ફિફાની કમાણી અરબો ડોલરમાં થાય છે, જેમાંથી મોટો હિસ્સો ઇનામી રકમ તરીકે વહેંચાય છે.</p><h4><b>વુમેન્સ T20 વર્લ્ડ કપ પ્રાઇઝમની કેટલી&nbsp;</b></h4><p>વુમેન્સ T20 વર્લ્ડ કપ 2026 ચેમ્પિયન ટીમ માટે US$2,340,000 ની ઇનામી રકમ જાહેર કરવામાં આવી છે. ભારતીય ચલણમાં, આ આશરે ₹22 કરોડ થાય છે. ભારતીય મહિલા ટીમને ODI વર્લ્ડ કપ 2026 જીતવા બદલ ₹4.48 મિલિયન મળ્યા હતા, જે ભારતીય ચલણમાં આશરે ₹39 કરોડ થાય છે.</p><h5><b>ટીમને T20 વર્લ્ડ કપ જીતવા કેટલા પૈસા મળે છે</b></h5><p>સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમે પુરુષોનો T20 વર્લ્ડ કપ 2026 જીત્યો હતો, અને ટીમ ઇન્ડિયાને ₹3 મિલિયન, અથવા આશરે ₹27 કરોડ, ઇનામી રકમ તરીકે મળ્યા હતા. જોકે, ફૂટબોલ વર્લ્ડ કપ વિજેતાની ઇનામી રકમ આના કરતા ઘણી વધારે છે.</p><p>આ પણ વાંચો-<a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/ferran-torres-love-story-he-made-the-coachs-daughter-his-girlfriend-then-this-is-why-they-broke-up" target="_blank"> Ferran Torres Love Story: કોચની દીકરીને બનાવી ગર્લફ્રેન્ડ, પછી આ કારણે થયું બ્રેકઅપ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/20/R66zrZDp645D12bC4ctUcwNEdygdALXoHHYeklw9.webp'/></item></channel></rss>