<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Dalai Lamaના જીવન પર પુસ્તકનું વિમોચન, ડૉ. કરણ સિંહે ગણાવ્યા શાંતિના અવાજ ]]></title><link>https://sandesh.com/india/news/book-launch-on-dalai-lamas-life-dr-karan-singh-calls-him-a-voice-of-peace</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/book-launch-on-dalai-lamas-life-dr-karan-singh-calls-him-a-voice-of-peace</guid><pubDate>Thu, 10 Sep 2026 23:38:23 +05:30</pubDate><description><![CDATA[<p>Tibetના આધ્યાત્મિક ગુરુ દલાઈ લામાના જીવન અને વારસા પર આધારિત પુસ્તક ‘ઇટરનલ લાઇટ: ધ લાઇફ એન્ડ લેગસી ઓફ ધ 14th દલાઈ લામા’નું ગુરુવારે દિલ્હીમાં વિમોચન કરવામાં આવ્યું. આ પુસ્તક વરિષ્ઠ પત્રકાર અને લેખક અરવિંદ યાદવે લખ્યું છે, જ્યારે તેનું પ્રકાશન વેસ્ટલેન્ડ બુક્સ દ્વારા કરવામાં આવ્યું છે.</p><p><b>દલાઈ લામાના જીવન અને આધ્યાત્મિક સફરનો ઉલ્લેખ</b></p><p>પુસ્તકમાં દલાઈ લામાના જીવન, તેમની આધ્યાત્મિક સફર અને તેમની વિરાસત વિશે જણાવવામાં આવ્યું છે. કાર્યક્રમમાં ગેશે ચોપા તેનઝિન લ્હાડ્રોનના નેતૃત્વમાં લૉન્ગ-લાઇફ પ્રેયર કરવામાં આવી હતી. ત્યારબાદ પદ્મશ્રી પ્રો. નગાવાંગ સામતેન અને ડૉ. અરવિંદ યાદવે દલાઈ લામાના જીવન અને તેમની વિરાસત પર પોતાના વિચારો રજૂ કર્યા.</p><p><b>ડૉ. કરણ સિંહની હાજરીમાં પુસ્તકનું વિમોચન</b></p><p>પદ્મ વિભૂષણ ડૉ. કરણ સિંહની હાજરીમાં પુસ્તકનું ઔપચારિક વિમોચન કરવામાં આવ્યું. તેમણે કાર્યક્રમમાં પોતાના વિચારો પણ રજૂ કર્યા. આ દરમિયાન દલાઈ લામાના અસાધારણ જીવન, તેમના આધ્યાત્મિક સંદેશ અને દુનિયાભરમાં તેમના પ્રભાવને યાદ કરવામાં આવ્યા.</p><p><b>લેખક અરવિંદ યાદવે શું કહ્યું?</b></p><p>પુસ્તકના લેખક અરવિંદ યાદવે કહ્યું કે આ બાયોગ્રાફી દરેક વ્યક્તિએ વાંચવી જોઈએ. તેમણે પુસ્તકના કેટલાક અંશો વાંચીને પણ સંભળાવ્યા. તેમણે તિબેટના રિવાજો, પ્રાર્થનાઓ અને ત્યાંના જીવન વિશે વાત કરી. અરવિંદ યાદવે કહ્યું કે દલાઈ લામાએ સત્ય અને કરુણા માટે લડાઈ લડી છે. તેમના વિચારોની લોકો પર ઊંડી અસર થઈ છે. દુનિયામાં જ્યાં પણ તિબેટના લોકો વસ્યા છે, ત્યાં તેમણે એક નાનું તિબેટ બનાવી લીધું છે.</p><p><b>તિબેટની સંસ્કૃતિનો પણ ઉલ્લેખ</b></p><p>તેમણે કહ્યું કે તિબેટની કલા, મંત્ર-તંત્ર માત્ર પુસ્તકો સુધી સીમિત બાબતો નથી, પરંતુ તે ત્યાંની વાસ્તવિક સંસ્કૃતિનો ભાગ છે. અરવિંદ યાદવે કહ્યું કે દલાઈ લામાએ દુનિયાને અહિંસાના માર્ગે જીવન જીવવાનું શીખવ્યું. તેઓ રાજનેતા નથી, પરંતુ તેમણે દુનિયાને માર્ગ બતાવવાનું કામ કર્યું છે. તેમણે જીવનમાં ક્યારેય આશા ગુમાવી નથી અને નેતૃત્વની નવી વ્યાખ્યા આપી છે. લેખકે કહ્યું કે, દલાઈ લામા એક મહાન વ્યક્તિ છે. તેમણે દુનિયાને ખુશીનો માર્ગ બતાવ્યો છે અને તેમના જીવનથી અનેક પેઢીઓ પ્રભાવિત થઈ છે.</p><p><b>‘દલાઈ લામા પર ફિલ્મ બનવી જોઈએ’</b></p><p>પુસ્તકની પ્રકાશક મીનાક્ષી ઠાકુરે કહ્યું કે દલાઈ લામા પર અનેક બાયોગ્રાફી હોવા છતાં આ પુસ્તક પ્રકાશિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, કારણ કે આ પુસ્તકને દલાઈ લામાના આશીર્વાદ પ્રાપ્ત છે. તેમણે કહ્યું કે દલાઈ લામાના જીવનથી દરેક પેઢી પ્રભાવિત થઈ છે. તેમની યાત્રા કરુણા શીખવે છે અને તેમનું જીવન સમય સાથે બદલાતું અને વિકસતું રહ્યું છે. પવન વર્માએ કહ્યું કે આ પુસ્તક વાંચ્યા બાદ તેમને દલાઈ લામાની હિંમત વિશે જાણવા મળ્યું. તેમણે એવા નિર્ણયો લીધા જેમાં મોટું જોખમ હતું, છતાં તેઓ પાછળ હટ્યા નહીં. તેમણે કહ્યું કે દલાઈ લામા અને મહાત્મા ગાંધી બંનેએ સંવાદ અને અહિંસાની વાત કરી છે. દલાઈ લામાએ હંમેશા વાતચીતનો માર્ગ અપનાવવાની વાત કરી છે, પછી મુદ્દો ચીનનો હોય કે તિબેટનો. તેમણે કહ્યું કે તિબેટ ભલે ચીનનો ભાગ હોય, પરંતુ તિબેટના લોકોની લાગણી કોઈ એક રાષ્ટ્ર પૂરતી સીમિત નથી. દલાઈ લામા પર એક ફિલ્મ બનવી જોઈએ.</p><p><b>ડૉ. કરણ સિંહે દલાઈ લામાને શાંતિનો અવાજ ગણાવ્યા</b></p><p>ડૉ. કરણ સિંહે પોતાના સંબોધનમાં કહ્યું કે દલાઈ લામા કરુણા, શાંતિ અને પ્રેમનો સંદેશ દુનિયા સુધી લઈ ગયા છે. તેમણે દલાઈ લામાને બૌદ્ધ ધર્મની સાથે સમગ્ર વિશ્વ માટે શાંતિ અને કરુણાના અવાજ તરીકે રજૂ કર્યા.</p><p><a href="https://sandesh.com/opinion/news/opinion-dalai-lama-90-why-is-china-so-upset-with-the-tibetan-spiritual-leader" target="_blank">આ પણ વાંચો:&nbsp; તિબેટીયન ધર્મગુરુથી ચીન કેમ ફફડે છે?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/10/kHpyZdKo8Q9DDHBFA0z50Y7WRy1aqYEsk301Syhg.webp'/></item><item><title><![CDATA[Kanpur : કરોડપતિ દવા વેપારી હત્યાકાંડમાં નવો વળાંક, વહુ શાલૂને ‘માસ્ટરમાઇન્ડ’ ગણાવતી પોલીસ થિયરી સામે પતિ-પરિજનો મેદાને ]]></title><link>https://sandesh.com/india/news/crime/kanpur-vineet-minocha-murder-case-shalu-family-support</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/crime/kanpur-vineet-minocha-murder-case-shalu-family-support</guid><pubDate>Thu, 10 Sep 2026 22:30:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઉત્તર પ્રદેશના ઔદ્યોગિક શહેર કાનપુરમાં ચર્ચિત કરોડપતિ દવા વેપારી વિનિત મિનોચા હત્યાકાંડની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ મામલો વધુ પેચીદો બની રહ્યો છે. પોલીસે મૃતકની વહુ શાલૂને મુખ્ય આરોપી બનાવી જેલ મોકલી છે અને ઝડપાયેલા હત્યારાઓએ પણ તેને કથિત રીતે કાવતરાની માસ્ટરમાઇન્ડ ગણાવી હોવાનું સામે આવ્યું છે. જોકે હવે શાલૂના પરિજનો અને તેના પતિએ પોલીસની થિયરી સામે સવાલો ઉઠાવ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>‘શાલૂ સામેના આરોપો પાયાવિહોણા’</b></h2><p style="text-align: justify; ">શાલૂના ભાઈ ધીરજ અરોરા, બહેન અને પરિવાર તરફથી કેસની કાનૂની પેરવી કરી રહેલા વરિષ્ઠ વકીલ શિવકાંત દીક્ષિતે મીડિયા સમક્ષ શાલૂનો બચાવ કર્યો છે. પરિજનોનો દાવો છે કે શાલૂ પર લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે અને મીડિયા દ્વારા તેને એકતરફી રીતે નકારાત્મક રીતે રજૂ કરવામાં આવી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>પરિવારમાં કોઈ વિવાદ નહોતો?</b></h3><p style="text-align: justify; ">પરિજનોનું કહેવું છે કે શાલૂ અને પરિવાર વચ્ચે કોઈ પ્રકારનો પારિવારિક વિવાદ કે મનદુઃખ નહોતું. વકીલ શિવકાંત દીક્ષિતે જણાવ્યું કે પોલીસ પોતાની કાયદેસરની તપાસ કરી રહી છે અને પરિવારને પોલીસની નિષ્પક્ષ તપાસ પર વિશ્વાસ છે, પરંતુ સંપૂર્ણ સત્ય સામે આવ્યા પહેલાં શાલૂને વિલન તરીકે રજૂ કરવી યોગ્ય નથી.</p><h4 style="text-align: justify; "><b>પતિએ પત્ની પર વિશ્વાસ વ્યક્ત કર્યો</b></h4><p style="text-align: justify; ">હત્યાકાંડમાં સૌથી મોટો વળાંક એ છે કે મૃતક વિનિત મિનોચાના પુત્ર અને શાલૂના પતિએ પણ પોતાની પત્નીનો ખુલ્લેઆમ બચાવ કર્યો છે. પતિનું કહેવું છે કે શાલૂ આ પ્રકારની જઘન્ય ઘટનાનો વિચાર પણ કરી શકે નહીં.</p><h4 style="text-align: justify; "><b>‘સાચા આરોપી કોણ?’ હવે તપાસ પર નજર</b></h4><p style="text-align: justify; ">પરિવારના સભ્યોનું કહેવું છે કે વિનિત મિનોચાના માતા-પિતા આ ઘટનાથી માનસિક રીતે સંપૂર્ણપણે તૂટી ગયા છે અને મીડિયા સામે આવવાની સ્થિતિમાં નથી. બીજી તરફ ભાઈ ધીરજ અને બહેને ન્યાયતંત્ર તથા પોલીસની નિષ્પક્ષ તપાસ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હવે તપાસ આગળ વધે તેમ પોલીસની થિયરી અને પરિજનોના દાવા વચ્ચેનું સત્ય શું છે અને હત્યાના કાવતરાના પાછળના અસલી ચહેરા કોણ છે તે બહાર આવે છે કે નહીં તેના પર સૌની નજર છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/political-news/ahmedabad/statue-of-unity-gujarat-national-film-awards-ekta-nagar-uddhav-thackeray-political-row" target="_blank"><b> Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/10/lJQbzxP6fu4t5zRVUOndcDIDBuIGKIKECvOIMvEN.webp'/></item><item><title><![CDATA[ACBનો દાહોદથી નવસારી સુધી સપાટો, 3 લાંચીયા અધિકારી-કર્મચારી ઝડપાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/dahod-navsari-acb-bribe-trap-ration-card-wall-bill-engineers</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/dahod-navsari-acb-bribe-trap-ration-card-wall-bill-engineers</guid><pubDate>Thu, 10 Sep 2026 22:18:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં ACBએ લાંચિયા તત્વો સામે એકસાથે બે અલગ-અલગ ટ્રેપમાં કાર્યવાહી કરી છે. દાહોદમાં રેશનકાર્ડનું વિભાજન કરી આપવા રૂ.500ની લાંચ લેતા સંજય ડામોર ઝડપાયો છે, જ્યારે નવસારીમાં દિવાલના બિલની મંજૂરી માટે રૂ.40 હજારની લાંચ લેતા નાયબ કાર્યપાલક ઇજનેર બ્રિજેશ ગોંડલીયા અને મદદનીશ ઇજનેર નયન બલદાણીયા ACBના છટકામાં ઝડપાયા છે.</p><h2 style="text-align: justify; "><b>દાહોદમાં પહેલા રૂ.2,500, પછી ફરી રૂ.500ની માંગણી</b></h2><p style="text-align: justify; ">દાહોદમાં અરજદારે રેશનકાર્ડનું વિભાજન કરાવવા માટે મામલતદાર કચેરીમાં અરજી કરી હતી. આ કામ કરી આપવા સંજય ડામોરે અગાઉ રૂ.2,500 લીધા હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ ફરી રૂ.500ની લાંચ માંગવામાં આવતા અરજદારે ACBનો સંપર્ક કર્યો હતો. ACBએ ટ્રેપ ગોઠવી રૂ.500 સ્વીકારતા સંજય ડામોરને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>નવસારીમાં રૂ.50 હજારની માંગણી, રૂ.40 હજારમાં સોદો</b></h3><p style="text-align: justify; ">નવસારીમાં દિવાલના બિલની મંજૂરી માટે રૂ.50 હજારની લાંચ માંગવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો હતો. બાદમાં રૂ.40 હજાર લેવાનું નક્કી થયું હતું. ફરિયાદના આધારે ACBએ છટકું ગોઠવ્યું અને નક્કી કરેલી લાંચની રકમ સ્વીકારતા નાયબ કાર્યપાલક ઇજનેર બ્રિજેશ ગોંડલીયા તથા મદદનીશ ઇજનેર નયન બલદાણીયાને ઝડપી પાડ્યા હતા.</p><h3 style="text-align: justify; "><b>સરકારી કામમાં લાંચનો ખેલ કેટલો ઊંડો?</b></h3><p style="text-align: justify; ">એક તરફ સામાન્ય નાગરિકના રેશનકાર્ડના કામ માટે રકમ માંગવાનો આક્ષેપ છે, તો બીજી તરફ સરકારી બિલની મંજૂરી માટે ઇજનેરો દ્વારા મોટી રકમની માંગણીનો મામલો સામે આવ્યો છે. બંને કેસમાં ACBની કાર્યવાહી બાદ હવે તપાસમાં લાંચના આ ખેલ પાછળ અન્ય કોઈની ભૂમિકા છે કે કેમ તે બહાર આવે છે કે નહીં તેના પર નજર રહેશે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/political-news/ahmedabad/statue-of-unity-gujarat-national-film-awards-ekta-nagar-uddhav-thackeray-political-row" target="_blank"><b>Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું</b></a></p><p><br></p><p><br></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/10/GY5prwaZSb9VICEbOoue9Jy2ZrFAwlhLjLAxOldj.webp'/></item><item><title><![CDATA[Gandhinagar : GSTમાં મોટા સુધારા, વિધાનસભામાં વિધેયક સર્વાનુમતે પસાર, નાના વેપારીઓને 3 દિવસમાં નોંધણી, ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gandhinagar-gst-amendment-bill-small-traders-registration-export-refund</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gandhinagar-gst-amendment-bill-small-traders-registration-export-refund</guid><pubDate>Thu, 10 Sep 2026 21:56:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતના GST કાયદામાં મહત્વના સુધારા માટેનું વિધેયક ગાંધીનગરમાં મળેલી ગુજરાત વિધાનસભામાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. 56મી GST કાઉન્સિલની ભલામણોના આધારે કરવામાં આવેલા આ સુધારાનો મુખ્ય હેતુ વેપાર-ઉદ્યોગ માટે Ease of Doing Businessને વધુ પ્રોત્સાહન આપવાનો છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં GST સુધારા વિધેયક રજૂ કર્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>નાના વેપારીઓને હવે માત્ર 3 દિવસમાં GST નોંધણી?</b></h2><p style="text-align: justify; ">સુધારા બાદ નાના વેપારીઓ માટે GST નોંધણીની પ્રક્રિયા વધુ ઝડપી અને ફેસલેસ બનશે. ફેસલેસ સિસ્ટમથી માત્ર 3 દિવસમાં GST નોંધણી અને પ્રમાણપત્ર મળવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આથી વેપારીઓને સરકારી કચેરીઓમાં થતી દોડધામ અને પ્રક્રિયામાં લાગતો સમય ઘટશે.</p><h3 style="text-align: justify; "><b>નિકાસકારોને 7 દિવસમાં 90% રિફંડ</b></h3><p style="text-align: justify; ">નિકાસ ક્ષેત્ર માટે પણ મહત્વની જોગવાઈ કરવામાં આવી છે. નિકાસના કિસ્સામાં 7 દિવસમાં 90% પ્રોવિઝનલ રિફંડ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ નિર્ણયથી નિકાસકારોની નાણાકીય જરૂરિયાતો અને કેશ ફ્લોમાં રાહત મળવાની શક્યતા છે.</p><h4 style="text-align: justify; "><b>ડિસ્કાઉન્ટ અને ક્રેડિટ નોટની પ્રક્રિયા પણ સરળ</b></h4><p style="text-align: justify; ">વેચાણ બાદ આપવામાં આવતા ડિસ્કાઉન્ટ અને ક્રેડિટ નોટ સંબંધિત પ્રક્રિયાને વધુ સરળ અને વ્યવહારુ બનાવવામાં આવશે. આથી વેપારીઓ માટે GST સંબંધિત હિસાબી અને વહીવટી પ્રક્રિયામાં સરળતા રહેશે.</p><h4 style="text-align: justify; "><b>રૂ.1,000ની રિફંડ મર્યાદા પણ દૂર કરાશે</b></h4><p style="text-align: justify; ">નિકાસ કરાયેલા માલના રિફંડ માટે લાગુ પડતી રૂ.1,000ની મર્યાદા દૂર કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ ફેરફારથી નાના નિકાસકારોને પણ રાહત મળવાની શક્યતા છે.</p><h4 style="text-align: justify; "><b>GST સુધારાથી વેપાર કરવો કેટલો સરળ બનશે?</b></h4><p style="text-align: justify; ">આ સમગ્ર સુધારાનો ઉદ્દેશ્ય GST વ્યવસ્થાને વધુ ઝડપી, પારદર્શક અને સરળ બનાવવાનો છે. સરકારના જણાવ્યા મુજબ, ઝડપી નોંધણી, સમયસર રિફંડ અને સરળ ક્રેડિટ નોટ પ્રક્રિયાથી વેપાર-ઉદ્યોગ માટે Ease of Doing Businessને વધુ વેગ મળશે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; <a href="https://sandesh.com/gujarat/news/political-news/ahmedabad/statue-of-unity-gujarat-national-film-awards-ekta-nagar-uddhav-thackeray-political-row" target="_blank"><b>&nbsp;Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/10/TjCmKlAdFyIjy1Kgjegnbr1Mqnhzsu5Z33qsvRLn.webp'/></item><item><title><![CDATA[Banaskanthaમાં અમીરગઢ પોલીસે રૂ.1.30 કરોડથી વધુના વિદેશી દારૂ પર ફેરવ્યું બુલડોઝર ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/banaskantha-amirgadh-police-destroyed-liquor-worth-crores</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/banaskantha-amirgadh-police-destroyed-liquor-worth-crores</guid><pubDate>Thu, 10 Sep 2026 20:58:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં પોલીસે દારૂબંધીના કડક અમલવારીના ભાગરૂપે મોટી કાર્યવાહી હાથ ધરી છે. અમીરગઢ પોલીસ સ્ટેશન દ્વારા વર્ષ 2026 દરમિયાન અલગ-અલગ દરોડા અને ચેકિંગ દરમિયાન પકડવામાં આવેલા 44 જેટલા ગુનાઓનો ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. પોલીસે કુલ 37,711 બોટલો, જેની અંદાજિત કિંમત રૂપિયા 1 કરોડ 30 લાખથી પણ વધુ થવા જાય છે, તેના પર રોલર ફેરવીને સંપૂર્ણ જથ્થાનો ખાતમો બોલાવ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરાઈ&nbsp;</b></h2><p style="text-align: justify; ">આ દારૂના જથ્થાના નાશની કામગીરી નિશ્ચિત કરવામાં આવેલા સ્થળે સરકારી નિયમોનુસાર હાથ ધરવામાં આવી હતી. આ તકે અમીરગઢ પોલીસ સ્ટેશનના પી.આઈ. (PI), એસ.ડી.એમ. (SDM) અને ડી.વાય.એસ.પી. (DySP) સહિતના ઉચ્ચ પ્રશાસનિક અને પોલીસ અધિકારીઓની પ્રત્યક્ષ હાજરી રહી હતી. અધિકારીઓની સમક્ષ કરોડો રૂપિયાની કિંમતના દારૂના બોક્સ પર બુલડોઝર ફેરવીને પારદર્શક રીતે નાશ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.</p><h3 style="text-align: justify; "><b>બુટલેગરોમાં ફફડાટ, અમીરગઢ પોલીસની બાઝ નજર&nbsp;</b></h3><p style="text-align: justify; ">સરહદી વિસ્તાર ગણાતા અમીરગઢ પંથકમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને દારૂની હેરાફેરી રોકવા માટે પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. ગુનાખોરી અને બુટલેગરો પર પોલીસની બાઝ નજર હોવાથી અન્ય રાજ્યોમાંથી ઘૂસાડાતા ગેરકાયદેસર જથ્થાને સતત ઝડપી પાડવામાં આવી રહ્યો છે. પોલીસની આ આકરી અને મોટા પાયે કરાયેલી કાર્યવાહીથી બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/10/fGshXt7GXH6eFEQgtw1MQn2ktHaiHXKpcEmWcNuj.webp'/></item><item><title><![CDATA[દુષ્કાળ અંગે લેવાઈ શકે છે નિર્ણય, વિધાનસભામાં રજૂ થયા મોટા બીલો, બોમ્બની ધમકીથી ફ્લાઈટમાં ખળભળાટ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/top-10-news-headlines-10-september-important-news-updates</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/top-10-news-headlines-10-september-important-news-updates</guid><pubDate>Thu, 10 Sep 2026 20:56:53 +05:30</pubDate><description><![CDATA[<p>સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો</p><ol><li><a href="https://sandesh.com/knowledge/news/world/chabahar-port-vs-strait-hormuz-what-is-chabahar-which-is-under-irans-control-and-how-different-is-it-from-the-strait-of-hormuz-know" target="_blank">Chabahar Port VS Strait Hormuz: શું છે ચાબહાર, જેના પર ઈરાનનું છે નિયંત્રણ અને તે હોર્મુઝ સ્ટ્રેટથી કેટલું છે અલગ?, જાણો</a></li><li><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-assembly-education-amendment-bill-strict-rules-schools" target="_blank">Gujarat વિધાનસભામાં શિક્ષણ સુધારા વિધેયક રજૂ: બોર્ડની મંજૂરી વિના ચાલતી શાળાઓ સામે કસાશે સકંજો</a></li><li><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-assembly-monsoon-session-final-day-schedule" target="_blank">Gujarat Assembly: ચોમાસુ સત્રનો 11 સપ્ટેમ્બરે ત્રીજો અને અંતિમ દિવસ, દુષ્કાળ અંગે લેવાઈ શકે છે નિર્ણય</a></li><li><a href="https://sandesh.com/world/news/political-news/brics-summit-2026-pm-tariq-rahman-refuses-to-come-to-india-citing-sheikh-hasinas-excuse" target="_blank">BRICS Summit 2026: Sheikh Hasinaનું બહાનું બતાવી પીએમ Tarique Rahmanએ ભારત આવવાની પાડી ના</a></li><li><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/mehsana/dabhla-illegal-soil-mining-mining-department-raid" target="_blank" style="">Mehsana News: મહેસાણાના ડાભલામાં ખાણ-ખનીજ વિભાગનો સપાટો, ₹1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત</a></li><li><a href="https://sandesh.com/gujarat/news/vadodara/bullet-train-station-youth-education-connectivity" target="_blank">Vadodara Bullet Train Station: શિક્ષણ, રોજગારી અને ગતિશીલતાનું નવું કેન્દ્ર</a></li><li><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-indigo-flight-bomb-threat-emergency-landing-airport-checking-1" target="_blank">Ahmedabad : બોમ્બની ધમકીથી ફ્લાઈટમાં ખળભળાટ, લખનૌથી દમામ જતી ઈન્ડિગો ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ</a></li><li><a href="https://sandesh.com/knowledge/news/world/modi-putin-meeting-brics-preparations-to-increase-major-business-between-india-and-russia-in-sectors-other-than-oil" target="_blank">Modi Putin Meeting BRICS: તેલ સિવાયના સેક્ટર્સમાં ભારત-રશિયા વચ્ચે મોટો કારોબાર વધારવાની તૈયારી</a></li><li><a href="https://sandesh.com/world/news/pakistan-iran-relations-why-is-pakistan-not-coming-forward-to-help-saudi-arabia-know-what-is-the-reason" target="_blank">Pakistan Iran Relations: સાઉદી અરેબિયાની મદદ માટે પાકિસ્તાન કેમ નથી આવી રહ્યું આગળ, જાણો શુ છે કારણ?</a></li><li><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-assembly-passes-animal-feed-bill-speaker-shankar-chaudhary" target="_blank">Gujarat Assembly: પશુ આહાર બીલ સર્વાનુમતે પસાર, અધ્યક્ષ શંકર ચૌધરીએ રચ્યો ઇતિહાસ</a></li></ol> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/10/itjlEV4fLt4GYs4HD2qFqv594ONXfziJgCbFnUEF.webp'/></item><item><title><![CDATA[Auto News: 33 KM માઇલેજ અને સનરૂફ! માત્ર રૂ.6.31 લાખની આ ગાડી બની દેશની પહેલી પસંદ ]]></title><link>https://sandesh.com/business/news/automobile/maruti-suzuki-dzire-highest-selling-sedan-car-sales-august-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/maruti-suzuki-dzire-highest-selling-sedan-car-sales-august-2026</guid><pubDate>Thu, 10 Sep 2026 20:30:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં સેડાન કારનો ક્રેઝ ફરી એકવાર વધતો જોવા મળી રહ્યો છે. ઓગસ્ટ 2026ના સેલ્સ રિપોર્ટ અનુસાર, દેશના સેડાન સેગમેન્ટમાં વાર્ષિક ધોરણે 15.7%નો મજબૂત ગ્રોથ નોંધાયો છે. આ બજારમાં મારુતિ સુઝુકી ડિઝાયરનો એકહથ્થુ દબદબો જોવા મળ્યો છે, જેણે એકલા હાથે સેડાન માર્કેટના લગભગ 56% હિસ્સા પર કબજો જમાવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>સેડાન સેગમેન્ટમાં 15.7% નો જંગી ઉછાળો</b></h2><p style="text-align: justify; ">ઓગસ્ટ 2026માં ભારતીય બજારમાં કુલ 32,913 યુનિટ સેડાન કારનું વેચાણ થયું છે. ગયા વર્ષે ઓગસ્ટ 2025માં આ આંકડો 28,451 યુનિટ હતો. પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો અને ઇલેક્ટ્રિક વાહનો વચ્ચે પણ એન્ટ્રી-લેવલ સેડાન કારોએ મિડલ ક્લાસ પરિવારો વચ્ચે પોતાનું સ્થાન મજબૂત રાખ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>મારુતિ સુઝુકી ડિઝાયર</b></h3><p style="text-align: justify; ">મારુતિ ડિઝાયરે ઓગસ્ટ 2026માં 18,418 યુનિટ્સના વેચાણ સાથે પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. ગયા વર્ષના ઓગસ્ટ મહિનાના 16,509 યુનિટ્સ કરતાં આ વેચાણ 11.6% વધુ છે. આ કાર પોતાના પરવડે તેવા ભાવ, શાનદાર સ્પેસ અને માઇલેજના કારણે મિડલ ક્લાસ ફેમિલીની પહેલી પસંદ બની ગઈ છે.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>નંબર-1 પર એકચક્રી શાસન</b></h4><p style="text-align: justify; ">દિલ્હીમાં આ કારની એક્સ-શોરૂમ કિંમત અંદાજે રૂ.6.31 લાખથી શરૂ થાય છે. તેમાં LED હેડલેમ્પ, 9-ઇંચ ટચસ્ક્રીન, સનરૂફ, 360° કેમેરા અને 5-સ્ટાર BNCAP સેફ્ટી રેટિંગ જેવા પ્રીમિયમ ફીચર્સ મળે છે. 1.2-લીટર Z-સિરીઝ એન્જિન સાથે આ કાર પેટ્રોલમાં 24.79-25.71 kmpl અને CNG મોડેલમાં 33.73 km/kg સુધીની જબરદસ્ત માઇલેજ આપે છે.</p><h5 style="text-align: justify; "><b>હ્યુન્ડાઇ ઓરા: બીજા સ્થાને મજબૂત પકડ</b></h5><p style="text-align: justify; ">હ્યુન્ડાઇ ઓરા 6,685 યુનિટ્સના વેચાણ સાથે સેડાન સેગમેન્ટમાં બીજા ક્રમે રહી છે. ગયા વર્ષે ઓગસ્ટમાં વેચાયેલા 5,336 યુનિટ્સની સરખામણીએ ઓરાએ 25.3% ની મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. તેના આકર્ષક લુક, સુપ્રીમ સેફ્ટી ફીચર્સ અને કંપનીના વિશાળ ડીલર નેટવર્કના લીધે યુવા ખરીદદારો આ કાર તરફ વધુ આકર્ષાયા છે.</p><h6 style="text-align: justify; "><b>હોન્ડા અમેઝ: વેચાણમાં 100% નો બમણો ઉછાળો</b></h6><p style="text-align: justify; ">હોન્ડા અમેઝે વેચાણના મામલે સૌથી ચોંકાવનારો ગ્રોથ દર્શાવ્યો છે. ઓગસ્ટ 2026માં આ આંકડો 3,512 યુનિટ્સ પર પહોંચી ગયો છે, જે ઓગસ્ટ 2025ના 1,753 યુનિટ્સ કરતાં 100.3% વધુ છે. અમેઝના નવા વર્ઝન અને અપગ્રેડેડ ફીચર્સે ગ્રાહકોને ખૂબ લુભાવ્યા છે, જેના કારણે આ કાર ત્રીજા સ્થાને રહી છે.</p><p style="text-align: justify; "><img alt="Sedan car boom in the Indian market" src="https://epapercdn.sandesh.com/images/2026/09/10/e3tKILIOnKnVnlAtrShvOckJQ0OzPnYvpwdIy8vm.webp"><br></p><p style="text-align: justify; "><b>ફોક્સવેગન વર્ટસ: વેચાણમાં 22.3%નો ઘટાડો</b></p><p style="text-align: justify; ">પ્રીમિયમ સેડાન સેગમેન્ટની જાણીતી કાર ફોક્સવેગન વર્ટસના વેચાણમાં આ વખતે ઘટાડો જોવા મળ્યો છે. ઓગસ્ટ 2026માં વર્ટસના 1,301 યુનિટ્સ વેચાયા છે, જે ગયા વર્ષના 1,674 યુનિટ્સ કરતાં 22.3% ઓછા છે. કિંમતમાં સ્પર્ધા અને માર્કેટ સેન્ટિમેન્ટના કારણે વર્ટસના વેચાણ પર અસર પડી છે, જોકે બિલ્ડ ક્વોલિટીમાં તે હજુ પણ લોકપ્રિય છે.</p><p style="text-align: justify; "><b>સ્કોડા સ્લાવિયા: માગમાં 11%નો ઘટાડો</b></p><p style="text-align: justify; ">પાંચમા સ્થાને રહેલી સ્કોડા સ્લાવિયાના વેચાણમાં પણ 11% નો ઘટાડો નોંધાયો છે. ઓગસ્ટ 2026માં સ્લાવિયાના 897 યુનિટ્સ વેચાયા હતા, જે ગયા વર્ષે ઓગસ્ટમાં 1,008 યુનિટ્સ હતા. સ્કોડા સ્લાવિયા તેના પ્રીમિયમ ફીચર્સ અને કેબિન સ્પેસ માટે જાણીતી છે, પરંતુ વધતી કોમ્પિટિશનના કારણે તેની માગ થોડી ધીમી પડી છે.</p><p style="text-align: justify; "><b>અન્ય સેડાન કારોનું પ્રદર્શન</b></p><p style="text-align: justify; ">ટોપ-5 કાર સિવાય અન્ય મોડેલોની વાત કરીએ તો, ટાટા ટિગોરે (Tata Tigor) 862 યુનિટ્સના વેચાણ સાથે 7.1% નો ગ્રોથ મેળવ્યો છે. હ્યુન્ડાઇ વર્નાનું વેચાણ 31.4% ઘટીને 529 યુનિટ્સ રહ્યું હતું. હોન્ડા સિટીએ 514 યુનિટ્સ વેચીને 17.6% નો સુધારો દર્શાવ્યો છે, જ્યારે પ્રીમિયમ સેગમેન્ટમાં ટોયોટા કેમરી (Toyota Camry) 195 યુનિટ્સના વેચાણ સાથે 23.4% નો સકારાત્મક ગ્રોથ મેળવવામાં સફળ રહી છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે ભારતમાં એન્ટ્રી-લેવલ અને બજેટ સેડાન કારોનો દબદબો યથાવત છે અને મિડલ ક્લાસ ગ્રાહકો માઇલેજ અને કિંમતને પ્રાધાન્ય આપી રહ્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/automobile" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/10/z61n3R5dPziSkCEU6F76c4XDjb9mz4PVhTnPVJBA.webp'/></item><item><title><![CDATA[Vadodara Bullet Train Station: શિક્ષણ, રોજગારી અને ગતિશીલતાનું નવું કેન્દ્ર ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/bullet-train-station-youth-education-connectivity</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/bullet-train-station-youth-education-connectivity</guid><pubDate>Thu, 10 Sep 2026 19:32:45 +05:30</pubDate><description><![CDATA[<p>વડોદરા વિદ્યાર્થીઓ, યુવા વ્યાવસાયિકો અને નવી તકોનું શહેર છે. મજબૂત શૈક્ષણિક માળખા અને વિકસતી આર્થિક તકો સાથે આ શહેર ગુજરાત તેમજ દેશના વિવિધ ભાગોમાંથી વિદ્યાર્થીઓ અને યુવા પ્રતિભાઓને આકર્ષે છે. બુલેટ ટ્રેન વડોદરાની આવનારી પેઢીના યુવાનોને પ્રાદેશિક સ્તરે ઉપલબ્ધ તકો સુધી ઝડપી અને સુગમ પહોંચ માટેનું નવું માધ્યમ પૂરું પાડવા જઈ રહી છે.</p><p>એક મહત્વપૂર્ણ શૈક્ષણિક અને જ્ઞાન કેન્દ્ર તરીકે વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU), ગતિ શક્તિ યુનિવર્સિટી (GSV), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IIIT) જેવી અગ્રણી સંસ્થાઓ આવેલી છે. આ ઉપરાંત નવરચના યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટી અને સુમનદીપ વિદ્યાપીઠ જેવી ખાનગી યુનિવર્સિટીઓ પણ શહેરની શૈક્ષણિક ઓળખને વધુ મજબૂત બનાવે છે.</p><p>શિક્ષણ ઉપરાંત, વડોદરામાં રોજગાર, ઉદ્યોગસાહસિકતા, સંશોધન, ટેક્નોલોજી અને વ્યાવસાયિક તકોનો પણ સતત વિસ્તરણ થઈ રહ્યો છે. એન્જિનિયરિંગ, ઉત્પાદન, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ તથા અન્ય ઉભરતા ક્ષેત્રોમાં શહેરનો મજબૂત ઔદ્યોગિક આધાર વિદ્યાર્થીઓ અને યુવા વ્યાવસાયિકોને કારકિર્દી ઘડવા, ઇન્ટર્નશિપ કરવા તેમજ ઉદ્યોગ જગતનો વ્યવહારુ અનુભવ મેળવવાની તકો પૂરી પાડે છે. શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગોની મજબૂત હાજરીએ વડોદરામાં એક સશક્ત ‘શિક્ષણથી રોજગાર સુધી’ ઇકોસિસ્ટમ વિકસાવ્યું છે.</p><p><img alt="Vadodara Bullet Train Station: A New Hub for Education &amp; Mobility" src="https://epapercdn.sandesh.com/images/2026/09/10/YxsvxGZgphum5HEaqdW0lqrQF04WCqueQJVhk2Dm.webp"><br></p><p>હજારો વિદ્યાર્થીઓ અને યુવા વ્યાવસાયિકો માટે ગતિશીલતા સીધી રીતે તકો સાથે જોડાયેલી છે—પછી ભલે તે ઉચ્ચ શિક્ષણ, ઇન્ટર્નશિપ, પરીક્ષાઓ, રોજગાર, સંશોધન, વ્યાવસાયિક પ્રવૃત્તિઓ અથવા ઉદ્યોગ જગત સાથે જોડાવા માટેની મુસાફરી હોય કે પરિવાર અને મિત્રો સાથે જોડાયેલા રહેવા માટે પોતાના ઘરે પરત ફરવાની મુસાફરી હોય.</p><p>વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશન શહેરના હાલના પરિવહન નેટવર્ક સાથે હાઈ-સ્પીડ રેલને જોડીને આ ગતિશીલતાને વધુ મજબૂત બનાવશે. અમદાવાદ, સુરત અને મુંબઈ જેવા મુખ્ય શહેરો સાથે ઝડપી અને સુગમ કનેક્ટિવિટીથી વડોદરાના યુવાનો માટે વ્યાપક શૈક્ષણિક અને કારકિર્દીની તકો સુધી પહોંચ વધુ સરળ બનશે. સાથે જ, વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો વધુ સુવિધા સાથે પોતાના ઘરે પરત ફરી શકશે.</p><p><img alt="Vadodara Bullet Train Station: A New Hub for Education &amp; Mobility" src="https://epapercdn.sandesh.com/images/2026/09/10/bbQKHrjb6516H2ytjBo1Cu68TIioupnObj8c0VK0.webp"><br></p><p>આ સ્ટેશન વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7ની ઉપર બનાવવામાં આવી રહ્યું છે, જેનાથી બુલેટ ટ્રેન અને ભારતીય રેલવે વચ્ચે સુગમ આવાગમન શક્ય બનશે. સ્ટેશનનું સ્થાન પશ્ચિમ રેલવે સ્ટેશન તેમજ શહેરના સિટી અને ઇન્ટરસ્ટેટ બસ ડેપો સાથે પણ વધુ સારા એકીકરણને સુનિશ્ચિત કરે છે.</p><p>આ એકીકરણ ખાસ કરીને યુવા મુસાફરો માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તેઓ પોતાની સમગ્ર મુસાફરી દરમિયાન પરિવહનના વિવિધ સાધનોને સરળતાથી એકબીજા સાથે જોડી શકશે અને વધુ સુવિધાજનક તથા સરળ મુસાફરીનો અનુભવ મેળવી શકશે.</p><p><img alt="Vadodara Bullet Train Station: A New Hub for Education &amp; Mobility" src="https://epapercdn.sandesh.com/images/2026/09/10/Razz1UGUgOiel9TvNnZkIWF64gk1XOmm87br03DT.webp"><br></p><p>ફોકસ માત્ર ઝડપ પર જ નહીં, પરંતુ મુસાફરીને સરળ, આરામદાયક અને સુગમ બનાવવા પર પણ છે. સ્ટેશન પર મુસાફરો માટે આરામદાયક વેઇટિંગ લાઉન્જ, શૌચાલય અને રિટેલ સુવિધાઓ, પિક-અપ અને ડ્રોપ-ઓફ વિસ્તાર, કાર, બસ અને ઓટો માટે અલગ-અલગ પાર્કિંગ સુવિધાઓ, આધુનિક સ્ટેશન પ્લાઝા, પેસેન્જર વેઇટિંગ એરિયા, લેન્ડસ્કેપિંગ તેમજ સ્પષ્ટ અને સુવિધાજનક વે-ફાઇન્ડિંગ વ્યવસ્થા જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.</p><p><img alt="Vadodara Bullet Train Station: A New Hub for Education &amp; Mobility" src="https://epapercdn.sandesh.com/images/2026/09/10/XdDLCymWB50ojzupXqyaBuzM35QkKaOMK7KzGMuJ.webp"><br></p><p><b style="font-size: 2rem;">બુલેટ ટ્રેન સ્ટેશનનું સ્થાન અને મલ્ટી-મોડલ કનેક્ટિવિટી</b></p><p>આ આધુનિક સ્ટેશન વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7 ની ઉપર તૈયાર કરવામાં આવી રહ્યું છે. તે પશ્ચિમ રેલવે સ્ટેશન તેમજ શહેરના સિટી અને ઇન્ટરસ્ટેટ બસ ડેપો (GSRTC) સાથે સીધું સંકલિત થશે. આ સુવિધાઓને કારણે વિદ્યાર્થીઓ અને દૈનિક મુસાફરો એકથી બીજા પરિવહન સાધનમાં સરળતાથી ટ્રાન્સફર થઈ શકશે.</p><h2><b>ત્રણ ફૂટ ઓવર બ્રિજ (FOB) દ્વારા સુગમ કનેક્ટિવિટી</b></h2><p>મુસાફરોની અવરજવરને અત્યંત સરળ બનાવવા માટે સ્ટેશનને ત્રણ વિશેષ FOB વડે જોડવામાં આવશે.</p><p><b>FOB 1 (534 મીટર):</b> બુલેટ ટ્રેન સ્ટેશનને વડોદરા રેલવે સ્ટેશન અને GSRTC બસ ડેપો સાથે જોડશે; જેમાં મુસાફરો માટે ટ્રાવેલેટરની સુવિધા હશે.</p><p><b>FOB 2 (90 મીટર):</b> રેલવે ટ્રેકની ઉપરથી પસાર થઈને સ્ટેશનને અલકાપુરી વિસ્તાર સાથે જોડશે.</p><p><b>FOB 3 (51 મીટર): </b>પાર્કિંગ અને સ્ટેશન પ્લાઝા સાથે જોડાણ આપશે, જેમાં લિફ્ટ અને એસ્કેલેટર ઉપલબ્ધ રહેશે.</p><p><img alt="Vadodara Bullet Train Station: A New Hub for Education &amp; Mobility" src="https://epapercdn.sandesh.com/images/2026/09/10/bnW6puZOjjcBPaJMDKvPvJRpVQhL9cpYWpwSEs5M.webp"><br></p><h2><b>આધુનિક સુવિધાઓ અને 'વડ' ના વૃક્ષથી પ્રેરિત ડિઝાઇન</b></h2><p>સ્ટેશનની સ્થાપત્ય રચના વડના વૃક્ષથી પ્રેરિત છે, જે વડોદરાની ઓળખ અને ‘વડ’ વૃક્ષ સાથે શહેરના ઐતિહાસિક જોડાણને પ્રતિબિંબિત કરે છે. સ્ટેશનના પેસેન્જર વિસ્તારોને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે અહીં પૂરતી માત્રામાં કુદરતી પ્રકાશ ઉપલબ્ધ રહે અને મુસાફરોને બહારના આકાશનાં દૃશ્યો પણ જોવા મળે. તેનાથી સ્ટેશનની અંદર ખુલ્લું, પ્રકાશમય અને આરામદાયક વાતાવરણ ઊભું થશે.</p><p><img alt="Vadodara Bullet Train Station: A New Hub for Education &amp; Mobility" src="https://epapercdn.sandesh.com/images/2026/09/10/pFyyQylGiZmBFDFDowfmzjxz066PJqBJIF2ugHVd.webp"></p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-indigo-flight-bomb-threat-emergency-landing-airport-checking-1" target="_blank">Ahmedabad : બોમ્બની ધમકીથી ફ્લાઈટમાં ખળભળાટ, લખનૌથી દમામ જતી ઈન્ડિગો ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/10/2AhnDX6MZqoWVIMubQ5gZUfl6tVYvG14zgdanXFz.webp'/></item><item><title><![CDATA[Kala Hiran Film Controversy: 'કાલા હિરન'ની રિલીઝ અટકશે? મેકર્સે કહ્યું સલમાનના જીવન પર નથી ]]></title><link>https://sandesh.com/entertainment/news/kala-hiran-film-controversy-salman-khan</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/kala-hiran-film-controversy-salman-khan</guid><pubDate>Thu, 10 Sep 2026 17:53:49 +05:30</pubDate><description><![CDATA[<p>'કાલા હિરન' (Kala Hiran Film) ફિલ્મ રિલીઝ પહેલાં જ વિવાદમાં સપડાઈ છે. આરોપ છે કે આ ફિલ્મ સલમાન ખાન (Salman Khan)ના કાળા હરણ (Kala Hiran Case) કેસથી પ્રેરિત છે. આ કારણે ફિલ્મની રિલીઝ (Kala Hiran Movie) પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે. આ મામલે દિલ્હી હાઈકોર્ટ (Delhi Highcourt) માં કેસ ચાલી રહ્યો છે.&nbsp;</p><h2><b>કોર્ટમાં મેકર્સે શું કહ્યું?</b></h2><p>ગુરુવારે દિલ્હી હાઈકોર્ટમાં ફિલ્મના મેકર્સે કહ્યું કે 'કાલા હિરન' હજુ રિલીઝ માટે તૈયાર નથી, કારણ કે તેને સેન્સર બોર્ડ (Censor Board) તરફથી સર્ટિફિકેશન મળ્યું નથી. જસ્ટિસ જ્યોતિ સિંહ સમક્ષ આ વાત કહેવામાં આવી હતી. તેઓ બોલિવૂડ અભિનેતા સલમાન ખાન (Salman Khan)ની એ અરજી પર સુનાવણી કરી રહ્યાં હતાં, જેમાં ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે.</p><h2><b>કોર્ટે શું કહ્યું?</b></h2><p>કોર્ટે ફિલ્મના નિર્દેશકને સલમાન ખાનની અરજી પર 2 અઠવાડિયામાં જવાબ દાખલ કરવા કહ્યું છે. આ કેસની આગામી સુનાવણી 30 સપ્ટેમ્બરે થશે. ફિલ્મની રિલીઝ તારીખ અંગે પણ જવાબ માંગ્યો. કોર્ટે નિર્માતા અમિત જાનીના વકીલને 14 સપ્ટેમ્બરે ફિલ્મની સૂચિત રિલીઝ તારીખ અંગે માહિતી આપવા કહ્યું છે. કોર્ટે ત્યાં સુધી ફિલ્મ રિલીઝ નહીં કરવાની વાત પણ કહી છે.</p><h2><b>સલમાનના વકીલે શું દલીલ કરી?</b></h2><p>સલમાન ખાનના વકીલે કહ્યું કે મેકર્સ પોતે કહી રહ્યા છે કે ફિલ્મ સપ્ટેમ્બરમાં રિલીઝ થવાની છે. જો ફિલ્મ રિલીઝ થશે તો તેનાથી સલમાન ખાનને મોટું નુકસાન થઈ શકે છે. </p><h2><b>ફિલ્મને હજુ સર્ટિફિકેટ મળ્યું નથી</b></h2><p>નિર્માતાના વકીલે કહ્યું કે ફિલ્મ હાલ રિલીઝની સ્થિતિમાં નથી અને તેને હજુ સર્ટિફિકેશન માટે સેન્સર બોર્ડ પાસે મોકલવાની બાકી છે. ફિલ્મનું ટ્રેલર પણ હજુ રિલીઝ કરવામાં આવ્યું નથી. સલમાન ખાનની આ અરજી તેમના પર્સનાલિટી રાઇટ્સની સુરક્ષા સાથે જોડાયેલી છે.</p><h2><b>કોર્ટે અગાઉ શું આદેશ આપ્યો હતો?</b></h2><p>આ પહેલાં જુલાઈમાં સલમાન ખાનની વાંધાની અરજી બાદ હાઈકોર્ટે ફિલ્મના ટીઝર અને તેની સાથે જોડાયેલી અન્ય પોસ્ટને ઓનલાઈન પ્લેટફોર્મ પરથી હટાવવાનો વચગાળાનો આદેશ આપ્યો હતો. </p><h2><b>મેકર્સે કહ્યું, સલમાનની બાયોપિક નથી ફિલ્મ</b></h2><p>મેકર્સે સ્પષ્ટ કર્યું છે કે આ ફિલ્મ સલમાન ખાનની બાયોપિક નથી. તેમનું કહેવું છે કે બ્લેકબક વિવાદ સાથે જોડાયેલી જાહેર ઘટનાઓને હટાવવા માટે પોતાના પર્સનાલિટી રાઇટ્સનો ઉપયોગ કરી શકે નહીં.</p><h2><b>સલમાનના વકીલે જવાબ આપ્યો</b></h2><p>સલમાન ખાનના વકીલે કહ્યું કે આ ઘટના પર જાહેરમાં ચર્ચા થાય તેનો વાંધો નથી, પરંતુ આ ફિલ્મ દ્વારા તેમની છબી ખરડાઇ શકે છે. સલમાનની ઓળખ સાથે જોડાયેલી વસ્તુઓ, જેમ કે તેઓ કાંડા પર જે બ્રેસલેટ પહેરે છે તે અને કાનની બુટ્ટી એ વસ્તુઓ તેમની ઓળખ સમાન છે, જેનો પરવાનગી વગર વ્યાવસાયિક ઉપયોગ ન કરી શકાય.</p><p>આ પહેલાં અભિનેતાએ કહ્યું હતું કે 29 મેના રોજ જાહેર કરવામાં આવેલા ફિલ્મના પોસ્ટરમાં તેમની તરફ સ્પષ્ટ સંકેત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફિલ્મનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું. અરજીમાં કહેવામાં આવ્યું છે કે રાજસ્થાનની એક કોર્ટે સલમાન ખાનને આર્મ્સ એક્ટ હેઠળના ગુનામાંથી નિર્દોષ જાહેર કર્યા હતા. તેમ છતાં પોસ્ટરમાં મુખ્ય પાત્રના હાથમાં બંદૂક બતાવવામાં આવી છે, જેને માનહાનિકારક ગણાવવામાં આવ્યું છે.</p><h2><b>પહેલાં પણ સલમાને કોર્ટનો સંપર્ક કર્યો હતો</b></h2><p>સલમાન ખાને અગાઉ પણ પોતાના નામ, તસવીરો, વ્યક્તિત્વ અને દેખાવનો પરવાનગી વગર ઉપયોગ રોકવા તથા પોતાના પર્સનાલિટી રાઇટ્સની સુરક્ષા માટે અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ઈ-કોમર્સ વેબસાઇટ્સ સામે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. હાઈકોર્ટે 11 ડિસેમ્બર 2025ના રોજ તેમના પક્ષમાં વચગાળાનો આદેશ આપ્યો હતો.</p><h2><b>'કાલા હિરન' ફિલ્મ વિશે જાણો</b></h2><p>ફિલ્મ 'કાલા હિરન'નું દિગ્દર્શન ભરત એસ. શ્રીનેતે કર્યું છે. અમિત જાની તેના લેખક અને નિર્માતા છે. ફિલ્મમાં નિકુંજ અગ્રવાલ, ઋષભ અરોરા અને રાજેશ દહિયા જેવા કલાકારો જોવા મળશે. મીડિયા અહેવાલો મુજબ ફિલ્મ 14 સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી, પરંતુ તેની સત્તાવાર રિલીઝ તારીખની જાહેરાત હજુ કરવામાં આવી નથી.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/10/ZLUdbrKclO49EdLT0pBtsibjI4QsTtqmR2vaqPng.webp'/></item><item><title><![CDATA[Hockey Asia Cup: ભારતની દીકરીઓ સામે પાકિસ્તાન ઘૂંટણિયે, 19-0ના જંગી સ્કોર સાથે સેમિફાઇનલમાં એન્ટ્રી ]]></title><link>https://sandesh.com/sports/news/hockey-asia-cup-pakistan-kneels-against-indias-daughters-enters-semi-finals-with-a-huge-score-of-19-0</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/hockey-asia-cup-pakistan-kneels-against-indias-daughters-enters-semi-finals-with-a-huge-score-of-19-0</guid><pubDate>Thu, 10 Sep 2026 17:26:39 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય મહિલા ખેલાડીઓએ ક્રિકેટના મેદાન બાદ હવે હોકીના મેદાનમાં પણ પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી છે. મોંગોલિયા ખાતે રમાઈ રહેલા વિમેન્સ જુનિયર એશિયા કપમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 19-0 જંગી સ્કોરથી પરાજય આપ્યો હતો. 10 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા આ મહત્વપૂર્ણ ક્વાર્ટર ફાઇનલ મેચમાં ઈન્ડિયાએ આક્રમણથી લઈને ડિફેન્સ સુધીની દરેક બાબતમાં શાનદાર પ્રદર્શન કરીને પાકિસ્તાનને મેદાનમાં ચારેય ખાને ચિત્ત કરી દીધું હતું.</p><h2><b>પાકિસ્તાની ડિફેન્સ ધ્વસ્ત&nbsp;</b></h2><p>ભારતીય ટીમે મેચની શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવતાં પ્રથમ ક્વાર્ટરમાં જ પાંચ ગોલ કરી દીધા હતા, જ્યારે બીજા ક્વાર્ટરમાં પણ આ જ લય જાળવી રાખીને વધુ પાંચ ગોલ કર્યા હતા. આ ધમાકેદાર આક્રમણના જોરે ભારતે હાફ ટાઇમ સુધીમાં જ 10-0ની વિશાળ સરસાઈ મેળવી લીધી હતી. ટીમ ઈન્ડિયાનો આ એકતરફી દબદબો બીજા હાફમાં પણ યથાવત જોવા મળ્યો હતો, જ્યાં ત્રીજા ક્વાર્ટરમાં 3 ગોલ અને ચોથા અને નિર્ણાયક ક્વાર્ટરમાં વધુ 6 ગોલ કરીને પાકિસ્તાની ડિફેન્સને સંપૂર્ણપણે ધ્વસ્ત કરી નાખ્યું હતું. આમ, સમગ્ર મેચ દરમિયાન પોતાનું વર્ચસ્વ જાળવી રાખીને ભારતીય ટીમે પાકિસ્તાનને 19-0ના જંગી સ્કોરથી પરાજય આપ્યો હતો, જે મહિલા જુનિયર એશિયા કપના ઇતિહાસની સૌથી મોટી અને યાદગાર જીતમાં સામેલ થઈ ગઈ છે.</p><h2><b>પૂજા મલિકે ગોલ ની હેટ્રીક લગાવી&nbsp;</b></h2><p>આ ઐતિહાસિક મેચમાં ભારતે  કરેલા 19 ગોલમાંથી 11 ફિલ્ડ ગોલ હતા, જે દર્શાવે છે કે સમગ્ર મેચ દરમિયાન બોલ પર ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ નિયંત્રણ રહ્યું હતું. આ ઉપરાંત ટીમને 7 ગોલ પેનલ્ટી કોર્નર અને મેચની 13મી મિનિટે પેનલ્ટી શૂટઆઉટ મળ્યું હતું જેને પણ ભારતીય ખેલાડીએ સચોટ રીતે ગોલમાં ફેરવી નાખ્યો હતો.સૌથી રસપ્રદ બાબત એ રહી કે ભારતીય ટીમના કુલ 13 અલગ-અલગ ખેલાડીઓએ સ્કોરબોર્ડ પર પોતાનું નામ નોંધાવ્યું હતું. આ આક્રમણમાં પૂજા મલિક મોખરે રહી હતી, જેણે 27મી, 49મી તેમજ 51મી મિનિટે શાનદાર ગોલ ફટકારીને હેટ્રિક પૂરી કરી હતી. પૂજા સિવાય રોશની, સનિકા માને, મધુ સિદાર અને સુપ્રિયાએ પણ ઉત્કૃષ્ટ લય દર્શાવતા 2-2 ગોલ ટીમ માટે નોંધાવ્યા હતા.</p><h2><b>ભારત સામે પાકિસ્તાની ટીમ લાચાર&nbsp;</b></h2><p>પાકિસ્તાની ટીમ સમગ્ર મેચ દરમિયાન એટલી હદે લાચાર સાબિત થઈ હતી કે તે પોતાનું ખાતું પણ ખોલાવી શકી નહોતી. એક પણ ગોલ નોંધાવવો તો દૂરની વાત, સમગ્ર મેચમાં તેઓ એકમાત્ર પેનલ્ટી કોર્નર કે પેનલ્ટી સ્ટ્રોક મેળવવા પણ સફળ રહ્યા ન હતા.</p><h2><b>જીતની હેટ્રીક માટે ભારતીય ટીમ તૈયાર&nbsp;</b></h2><p>વિમેન્સ જુનિયર એશિયા કપના સેમિફાઇનલ તબક્કામાં હવે ભારતીય ટીમનો મુકાબલો મલેશિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે રમાનારી ચોથી ક્વાર્ટર ફાઇનલ મેચના વિજેતા સામે થશે. આ ટૂર્નામેન્ટનો ગોલ્ડ મેડલ (ફાઇનલ) મુકાબલો 13 સપ્ટેમ્બરના રોજ યોજાશે. ભારતીય મહિલા ટીમ આ સ્પર્ધામાં સતત બે વખત ચેમ્પિયન બની ચૂકી છે, જેથી હવે 2026નું ટાઇટલ પણ પોતાના નામે કરીને ટાઇટલ જીતવાની ઐતિહાસિક હેટ્રિક પૂરી કરવાના દ્રઢ ઇરાદા સાથે ટીમ ઈન્ડિયા આગળ વધશે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/10/8eeQqaMrvJiGSuxRk1UfrLVIgSkTx3ztZcm7tMPY.webp'/></item></channel></rss>