<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Sandesh Indepth : દારૂમુક્ત ગુજરાતનો ફ્લોપ શો: કરોડોનો દારૂ, નકલી ફેક્ટરીઓ અને 'ખાખી'ની ખામોશી ]]></title><link>https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-indepth-gujarat-prohibition-failure-liquor-scam-police-nexus</link><guid isPermaLink="true">https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-indepth-gujarat-prohibition-failure-liquor-scam-police-nexus</guid><pubDate>Thu, 20 Aug 2026 12:17:13 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર અમલી હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં કાયદાકીય રીતે દારૂબંધી હોવા છતાં દર વર્ષે કરોડો રૂપિયાનો દારૂ ઘૂસાડવામાં આવે છે. તાજેતરના આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં દારૂની હેરાફેરી એક સંગઠિત અને વિશાળ ઉદ્યોગ બની ચૂક્યો છે. વર્ષ 2024માં જ ગુજરાત પોલીસે આશરે 82 લાખ IMFL (ભારતમાં બનેલા વિદેશી પ્રકારના દારૂ) બોટલો જપ્ત કરી હતી, જેની અંદાજિત કિંમત 144 કરોડ રૂપિયા હતી. આ આંકડો માત્ર પકડાયેલા મુદ્દામાલનો છે, જે દર્શાવે છે કે વાસ્તવિકતામાં દારૂનું દૂષણ કેટલું ઊંડું ઉતરી ગયું છે.</p><h2 style="text-align: justify; "><b>અમદાવાદ અને સરહદી વિસ્તારોમાં દારૂનું મોટું નેટવર્ક</b></h2><p style="text-align: justify; ">ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદમાં જ વર્ષ 2025 દરમિયાન 11.85 કરોડનો વિદેશી દારૂ અને 1.77 કરોડનો દેશી દારૂ ઝડપાયો હતો, એટલે કે એક જ શહેરમાંથી 13.62 કરોડનો દારૂ પકડાયો. રાજ્યની સરહદો પરની સ્થિતિ પણ વધુ ચિંતાજનક છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફની બોર્ડર ચેકપોસ્ટ પરથી છેલ્લા બે વર્ષમાં 10.49 લાખથી વધુ IMFL બોટલ અને 1.59 લાખથી વધુ બીયરની બોટલ જપ્ત કરવામાં આવી, જેની કિંમત 42 કરોડથી વધુ થાય છે. આ કાર્યવાહીમાં 1,018 આરોપીઓની ધરપકડ થઈ જ્યારે 141 આરોપીઓ ફરાર છે. દારૂ ઘૂસાડવા માટે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતની સરહદો ઉપરાંત હવે ગીર સોમનાથ જેવા વિસ્તારોમાં દમણથી દરિયાઈ માર્ગે બોટ દ્વારા હેરાફેરી કરવાનો ટ્રેન્ડ પણ સામે આવ્યો છે.</p><p style="text-align: justify; "><img alt="Sandesh Indepth: Gujarat Prohibition Reality, Illegal Liquor and Police Nexus" src="https://epapercdn.sandesh.com/images/2026/08/20/tqlEW4y9mN0BMPv38LUJPRPvQzpR55EwpuAClpMx.webp" style="width: 100%;"><br></p><h3 style="text-align: justify; "><b>તાજેતરના વર્ષોમાં પકડાયેલ મુખ્ય જથ્થો (2025-2026)</b></h3><p style="text-align: justify; ">વર્ષ 2025 અને 2026 દરમિયાન ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી કરોડો રૂપિયાનો દારૂ ઝડપાયો છે, જે દર્શાવે છે કે રાજ્યમાં દારૂની ઘૂસણખોરી કેટલી વ્યાપક છે. જુલાઈ 2026માં મહીસાગર ખાતેથી પોલીસે 1.86 કરોડની કિંમત ધરાવતી 41,600 દારૂની બોટલો જપ્ત કરી હતી, જેમાં 7 આરોપીઓ ઝડપાયા હતા જ્યારે 16 આરોપીઓ ફરાર થઈ ગયા હતા. વર્ષ 2026માં જ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા રાજકોટના ભારુડી ગામ નજીકથી 1.51 કરોડથી વધુની કિંમતનો 41,580 બોટલ દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. આ સિવાય, વડોદરામાં પ્રોહિબિશન એન્ડ ક્રાઇમ બ્રાન્ચ (PCB) દ્વારા 34.87 લાખથી વધુની કિંમતના 9,000 દારૂના ટીન જપ્ત કરાયા હતા. ઓગસ્ટ 2026માં SMC એ બનાસકાંઠામાંથી 1.05 કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો, જ્યારે 15 ઓગસ્ટ 2026ના રોજ અમદાવાદ ગ્રામ્ય પોલીસે એક ટ્રકમાંથી ₹26.81 લાખની કિંમતની 7,164 બોટલો કબ્જે કરી હતી.</p><p style="text-align: justify; "><img alt="Sandesh Indepth: Gujarat Prohibition Reality, Illegal Liquor and Police Nexus" src="https://epapercdn.sandesh.com/images/2026/08/20/pr2ib02VaobMuFqB03MjRVtrGi2HkAvpK50r8gME.webp" style="width: 100%;"><br></p><h3 style="text-align: justify; "><b>ગુજરાતમાં જ ધમધમતી નકલી દારૂની "મિની ફેક્ટરીઓ"</b></h3><p style="text-align: justify; ">રાજ્ય બહારથી આવતા દારૂ ઉપરાંત હવે સ્થાનિક સ્તરે જ નકલી દારૂ બનાવવાનું ભયાનક નેટવર્ક સામે આવ્યું છે. સપ્ટેમ્બર 2025માં અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી નકલી વિદેશી દારૂ બનાવતી મિની ફેક્ટરી પકડાઈ હતી. ત્યારબાદ ઓગસ્ટ 2026માં અમદાવાદમાં જ PCBએ ફરી એકવાર નકલી પ્રીમિયમ દારૂની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો, જ્યાંથી 227 સીલબંધ IMFL બોટલો, ખાલી બ્રાન્ડેડ બોટલો, નકલી સ્ટીકર, કેપ, સ્પિરિટ, ફ્લેવરિંગ કેમિકલ સહિત 1.56 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત જૂન 2026માં કચ્છના અંજાર તાલુકાના સતાપર ગામેથી પણ 8.79 લાખથી વધુનો મુદ્દામાલ અને હજારો બોટલો સાથે નકલી દારૂ બનાવવાનું કારખાનું ઝડપાયું હતું, જેમાં 2 આરોપીઓ પકડાયા હતા અને 2 ફરાર થયા હતા.</p><p style="text-align: justify; "><img alt="Sandesh Indepth: Gujarat Prohibition Reality, Illegal Liquor and Police Nexus" src="https://epapercdn.sandesh.com/images/2026/08/20/J7oFaQsXA07aavHl4Q7QT3dbJNnoCYiiHjuGA7Rb.webp" style="width: 100%;"><br></p><h4 style="text-align: justify; "><b>સ્પિરિટ, કેમિકલ, ખાલી બ્રાન્ડેડ બોટલ, બોગસ સ્ટીકર મળ્યા હતા</b></h4><p style="text-align: justify; ">દારૂની હેરાફેરી ઉપરાંત હવે ગુજરાતમાં જ નકલી દારૂ બનાવવાનું જોખમી નેટવર્ક ફાટી નીકળ્યું છે. સપ્ટેમ્બર 2025માં સરખેજ (અમદાવાદ) અને ત્યારબાદ ઓગસ્ટ 2026માં અમદાવાદમાં PCBએ નકલી પ્રીમિયમ દારૂની ફેક્ટરી ઝડપી પાડી હતી, જ્યાંથી સ્પિરિટ, કેમિકલ, ખાલી બ્રાન્ડેડ બોટલ, બોગસ સ્ટીકર અને 227 સીલબંધ બોટલો મળી આવી હતી. આવી જ રીતે જૂન 2026માં કચ્છના અંજારના સતાપર ગામેથી ₹8.79 લાખનો મુદ્દામાલ અને નકલી દારૂ બનાવવાની સામગ્રી સાથે ફેક્ટરી પકડાઈ હતી. આ ઝેરી અને નકલી દારૂ લોકોના સ્વાસ્થ્ય અને જિંદગી સામે મોટો ખતરો ઊભો કરે છે.</p><h4 style="text-align: justify; "><b>પોલીસ અને બુટલેગરોની અસામાજિક યુતિ (ગઠબંધન)</b></h4><p style="text-align: justify; ">સૌથી ગંભીર અને શરમજનક બાબત એ છે કે દારૂબંધીનો અમલ કરાવવાની જેમના શિરે જવાબદારી છે, તે જ પોલીસકર્મીઓ બુટલેગરો સાથે હપ્તાખોરી અને હેરાફેરીમાં સંકળાયેલા મળી આવ્યા છે.</p><p style="text-align: justify; ">દાહોદ (ચાકલિયા): દારૂની હેરાફેરીમાં સંડોવણી ખુલ્લી પડતાં હેડ કોન્સ્ટેબલ અર્જુન ભુરિયા, મોહન તાવિયાડ અને પ્રકાશ હાથીલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા.</p><p style="text-align: justify; ">વડોદરા (જરોદ કાંડ): ઓગસ્ટ 2025માં ઝડપાયેલા 39.65 લાખના દારૂના જથ્થામાંથી માલખાનામાં રાખેલા દારૂની પેટીઓ પોલીસકર્મીઓએ જ બુટલેગરોને વેચી મારવાના આક્ષેપ સામે આવ્યા.</p><h4 style="text-align: justify; "><b>વહીવટી તંત્ર અને સિસ્ટમ સામે ઉઠતા તીખા સવાલો</b></h4><p style="text-align: justify; ">24 કલાક ચેકપોસ્ટ પર સઘન ચેકિંગનો દાવો હોવા છતાં વિશાળ ટ્રકો, કન્ટેનરો અને ટેન્કરો દારૂ ભરીને રાજ્યમાં કેવી રીતે પ્રવેશ કરે છે? દારૂ પકડાય ત્યારે માત્ર નાના કર્મચારીઓ (કોન્સ્ટેબલ) સામે જ કેમ કાર્યવાહી થાય છે? શું ઉચ્ચ અધિકારીઓ (SP કે રેન્જ IG) ની કોઈ નૈતિક કે વહીવટી જવાબદારી બનતી નથી? જપ્ત કરાયેલો દારૂ માલખાનામાંથી જ જો બુટલેગરો સુધી પહોંચતો હોય તો પોલીસની સુરક્ષા વ્યવસ્થા પર કોનો કાબૂ છે?</p><h4 style="text-align: justify; "><b>દારુબંધીના અમલીકરણમાં પોલીસ સદંતર નિષ્ફળ</b></h4><p style="text-align: justify; ">આ તમામ આંકડા અને ઘટનાઓ સાબિત કરે છે કે ગુજરાતમાં દારૂબંધી કાયદાની નિષ્ફળતા નથી, પરંતુ તેના અમલીકરણમાં રહેલા ભ્રષ્ટાચાર અને પોલીસ-બુટલેગરની મિલીભગતનું પરિણામ છે. જો સત્તાવાળાઓ દ્વારા કડક હાથે પગલાં લેવામાં નહીં આવે તો દારૂનું આ દૂષણ રાજ્યના સામાજિક તાણાવાણાને વધુ છીન્નભિન્ન કરી નાખશે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો :&nbsp; <a href="https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/bhavnagar-fake-liquor-tragedy-7-dead-21-bootleggers-booked-4-police-suspended" target="_blank"><b>&nbsp;Bhavnagar : નકલી દારૂનો કાળો કેર: લઠ્ઠાકાંડમાં 7ના મોત, MP ના 'ડોક્ટરે' ઘડ્યો હતો કાળો ખેલ, 21 સામે ગુનો</b></a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/MRKiukTkLFdTgY9EqwxLLTafvXmQTB87KDJpgl41.webp'/></item><item><title><![CDATA[Dhari-Amreli હાઇવે પર માળીલા ફાટક પાસે કાર રેલવે ટ્રેકની જાળી સાથે અથડાતાં સર્જાયો અકસ્માત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/an-accident-occurred-when-a-car-collided-with-a-railway-track-fence-near-malila-phatak-on-the-dhari-amreli-highway</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/an-accident-occurred-when-a-car-collided-with-a-railway-track-fence-near-malila-phatak-on-the-dhari-amreli-highway</guid><pubDate>Thu, 20 Aug 2026 12:12:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમરેલી જિલ્લાના ધારી-અમરેલી હાઇવે પર ચલાલા નજીક આવેલા માળીલા ફાટક પાસે એક અકસ્માતની ઘટના સામે આવી છે. ધારીથી અમરેલી તરફ જઈ રહેલી એક કારના ચાલકે અચાનક પોતાના સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. કાબૂ બહાર ગયેલી કાર માળીલા ફાટક પાસે આવેલી રેલવે ટ્રેકની રક્ષણાત્મક જાળી સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતને પગલે આસપાસના વિસ્તારમાં ક્ષણભર માટે દોડધામ મચી ગઈ હતી અને ઘટનાસ્થળે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા.</p><h2 style="text-align: justify; "><b>રેલવે ટ્રેકની જાળી સાથે કાર અથડાતાં વાહનને નુકસાન</b></h2><p style="text-align: justify; ">અકસ્માત એટલો સખત હતો કે કાર રેલવે ટ્રેકની જાળી સાથે અથડાતાં વાહનના આગળના ભાગને મોટું નુકસાન પહોંચ્યું હતું. સદ્ભાગ્યે આ ઘટનામાં રેલવે વાહતુક પર કોઈ મોટી અસર પડી નહોતી. અકસ્માતના અવાજને કારણે આસપાસના સ્થાનિકો અને અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ અર્થે દોડી આવ્યા હતા. પ્રાથમિક તબક્કે કારમાં સવાર મુસાફરોની સ્થિતિ અને ઈજાઓ અંગેની માહિતી મેળવી ત્વરિત રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.</p><h3 style="text-align: justify; "><b>પોલીસ વિભાગ દ્વારા ઘટના અંગે વધુ તપાસ શરૂ</b></h3><p style="text-align: justify; ">બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત કારને રસ્તા પરથી ખસેડીને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. આ દુર્ઘટના કયા કારણોસર સર્જાઈ, કાર ચાલકની બેદરકારી હતી કે વાહનમાં કોઈ યાંત્રિક ખામી સર્જાઈ હતી તે દિશામાં પોલીસ વિભાગ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/bepG0w3tIApoEIFCsmqCAF9Jr80NYHtommhe8sH7.webp'/></item><item><title><![CDATA[Emraan Hashmiની આવારાપન 2 બની HIT, છઠ્ઠા દિવસે પણ બોક્સ ઓફિસ પર ધમાકો! ]]></title><link>https://sandesh.com/entertainment/news/awarapan-2-box-office-day-6-200-crore</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/awarapan-2-box-office-day-6-200-crore</guid><pubDate>Thu, 20 Aug 2026 12:02:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">શિવમ પંડિતની બોક્સ ઓફિસ પર એન્ટ્રી આટલી ધમાકેદાર રહેશે, એવું કદાચ તેણે પોતે પણ વિચાર્યું નહીં હોય. પહેલી ફિલ્મ તે સમયે ભલે વધારે કમાણી કરી શકી નહોતી, પરંતુ બાદમાં ફિલ્મને કલ્ટનો દરજ્જો મળ્યો હતો. બીજી તરફ, ઈમરાન હાશ્મીની આ ફિલ્મની સિક્વલની પણ લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. આવારાપન 2ની કહાની ખૂબ એક્સ્ટ્રા ઓર્ડિનરી નથી, પરંતુ મોટી સંખ્યામાં લોકો આ ફિલ્મ સાથે જોડાયેલા રહ્યા છે. તેનો ફાયદો પાર્ટ 2ની રિલીઝ બાદ જોવા મળી રહ્યો છે. ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. હવે આ બધાની વચ્ચે છઠ્ઠા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન પણ સામે આવી ગયું છે. ઈમરાન હાશ્મીની આવારાપન 2એ છઠ્ઠા દિવસે માત્ર 6.75 કરોડ રૂપિયાની કમાણી કરી છે.</p><h2 style="text-align: justify; "><b>આવારાપન 2ની કમાણીમાં 30.8 ટકાનો ઘટાડો</b></h2><p style="text-align: justify; ">સેકનિલ્કનો રિપોર્ટ પણ સામે આવ્યો છે. તેના અનુસાર, ઈમરાન હાશ્મીની આવારાપન 2ની કમાણીમાં પાછલા દિવસની સરખામણીએ 30.8 ટકાનો ઘટાડો થયો છે. મંગળવારે જે કમાણી 9.75 કરોડ રૂપિયા હતી, તે હવે ઘટીને 6.75 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ ઉપરાંત કુલ 11,071 શો બુક થયા હતા. આ સાથે ફિલ્મનું ભારતમાં કુલ નેટ કલેક્શન હવે 107.50 કરોડ રૂપિયા થઈ ગયું છે. હવે ફિલ્મની કમાણી ઘટી રહી છે. જો ફિલ્મે શક્ય તેટલી ઝડપથી 200 કરોડ રૂપિયા સુધી પહોંચવું હોય, તો તેની દૈનિક કમાણી 5 કરોડ રૂપિયાથી વધુ રહેવી જરૂરી છે. નહીં તો આગળ જતા વધુ નુકસાન થઈ શકે છે.</p><h3 style="text-align: justify; "><b>200 કરોડથી હવે વધારે દૂર નથી</b></h3><p style="text-align: justify; ">ઈમરાન હાશ્મીની આવારાપન 2ની ગ્રોસ કમાણી 128.29 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ સાથે ફિલ્મે અત્યાર સુધી દુનિયાભરના બોક્સ ઓફિસ પરથી 153.59 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. એટલે કે ફિલ્મ ટૂંક સમયમાં 200 કરોડનો આંકડો પણ પાર કરી શકે છે. ફિલ્મ ઝડપથી આગળ વધી રહી છે તેનું કારણ એ છે કે તેને ઓવરસીઝમાંથી પણ કમાણી થઈ રહી છે. પાછલા દિવસે જ ફિલ્મે ઓવરસીઝમાંથી 1.50 કરોડ રૂપિયા કમાયા હતા. ત્યાંથી અત્યાર સુધીમાં ફિલ્મે 25.30 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જોકે, હવે જોવું રહેશે કે વીક ડેઝ સુધી પહોંચતા ફિલ્મની દૈનિક કમાણી 5 કરોડ રૂપિયાથી વધુ રહે છે કે નહીં. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મનું બજેટ 45 કરોડ રૂપિયા હોવાનું જણાવાઈ રહ્યું છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DcAqVaDsmtn/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DcAqVaDsmtn/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DcAqVaDsmtn/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DcAqVaDsmtn/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h3 style="text-align: justify; "><b>આવારાપન 2 ફિલ્મની શરૂઆત 22 કરોડ રૂપિયાની કમાણી સાથે થઈ હતી</b></h3><p style="text-align: justify; ">છઠ્ઠા દિવસે ભારતમાં ફિલ્મે માત્ર 6.75 કરોડ રૂપિયાની કમાણી જ નથી કરી, પરંતુ કુલ શોની સંખ્યા પણ 11,071 રહી હતી. ફિલ્મનો ઓક્યુપન્સી રેટ પણ 16 ટકા રહ્યો હતો. આ અત્યાર સુધીની ફિલ્મની સૌથી ઓછી કમાણી છે. કારણ કે ફિલ્મની શરૂઆત 22 કરોડ રૂપિયાની કમાણી સાથે થઈ હતી. ત્યારબાદ બીજા દિવસે 33.75 કરોડ રૂપિયા, ત્રીજા દિવસે 26 કરોડ રૂપિયા, ચોથા દિવસે 9.25 કરોડ રૂપિયા અને પાંચમા દિવસે 9.75 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. ફિલ્મનો સની દેઓલની બટવારા 1947 સાથે બોક્સ ઓફિસ પર ક્લેશ થયો હતો, જેને પાછળ છોડીને ઈમરાન હાશ્મીની ફિલ્મ હવે આગળ નીકળી ગઈ છે.</p><p style="text-align: justify; "><a href="http://v" target="_blank">આ પણ વાંચો-Retro Hits : 42 વર્ષ જૂનું કિશોર કુમારનું એ જાદુઈ ગીત, જેણે બધાને બનાવ્યા હતા દીવાના! આજે પણ છે સુપરહિટ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/iJTV61s5Z8PCDnWr1VJNjiFSscfmY29BAQb3hUJc.webp'/></item><item><title><![CDATA[Vav-Tharadના ખેડૂતો માટે રાહત રૂપ સમાચાર: વરસાદ ખેંચાતાં નર્મદાની 5 બ્રાન્ચ કેનાલમાં છોડાયું સિંચાઈનું પાણી! ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/vav-tharad/vav-tharad-narmada-canal-water-released</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/vav-tharad/vav-tharad-narmada-canal-water-released</guid><pubDate>Thu, 20 Aug 2026 11:40:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બનાસકાંઠા જિલ્લાના સરહદી એવા વાવ અને થરાદ પંથકના ખેડૂતો માટે અત્યંત આનંદ અને રાહતના સમાચાર સામે આવ્યા છે. વિસ્તારમાં વરસાદ ખેંચાવાના કારણે ચોમાસૂ પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી હતી, ત્યારે તંત્ર દ્વારા ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નર્મદા નિગમ દ્વારા વાવ-થરાદ પંથકની મુખ્ય પાંચ બ્રાન્ચ કેનાલોમાં સિંચાઈ માટે નર્મદાનું પાણી છોડવામાં આવ્યું છે. મુખ્ય કેનાલોમાં પાણી છોડાતાં જ ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે ખુશીની લહેર દોડી ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>સુકાઈ રહેલા ચોમાસૂ પાકને મળશે નવું જીવતદાન</b></h2><p style="text-align: justify; ">ચાલુ ચોમાસાની ઋતુમાં લાંબા સમયથી વરસાદે ખેંચાણ આપતાં વાવ અને થરાદ તાલુકાના ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા હતા. વાવેતર કરેલો મોંઘાભાવનો ચોમાસૂ પાક પાણી વગર મુરઝાઈ રહ્યો હતો. તેવા કટોકટીના સમયે જ નર્મદા કેનાલોમાં પાણી વહેવડાવવામાં આવતાં ખેડૂતોના મુરઝાયેલા પાકને નવું જીવતદાન મળ્યું છે. પાણી પહોંચતાં જ ખેડૂતોએ સિંચાઈની કામગીરી શરૂ કરી દીધી છે, જેથી વાવેતર કરેલા પાકને મોટું રક્ષણ મળશે.</p><h3 style="text-align: justify; "><b>ખેડૂત આલમમાં ખુશાલી અને તંત્રનો આભાર</b></h3><p style="text-align: justify; ">સિંચાઈ માટે કેનાલોમાં નર્મદાના નીર વહેતા થતાં ખેડૂત આલમમાં હરખની હેલી છવાઈ ગઈ છે. સરહદી પંથકના ખેડૂતોએ સરકાર અને નર્મદા નિગમના આ યોગ્ય સમયે લેવાયેલા નિર્ણયને આવકાર્યો છે. ચોમાસૂ પાક બચી જવાની આશા જાગતાં જ ખેડૂતોમાં ઉત્સાહનો વાતાવરણ સર્જાયું છે અને તેમણે રાહતનો શ્વાસ લીધો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/hjq7JJMYtHW2khyjH9DQ1vqhJXME5lyuKfluFkmF.webp'/></item><item><title><![CDATA[Congress નવી મુસ્લિમ લીગ બની ગઈ, તેના માટે પાર્ટી દેશથી ઉપર... વંદે માતરમ્ વિવાદ પર BJPના પ્રહાર ]]></title><link>https://sandesh.com/india/news/vande-mataram-row--congress-to-sing-2-lines-only--bjp-calls-it-insult</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/vande-mataram-row--congress-to-sing-2-lines-only--bjp-calls-it-insult</guid><pubDate>Thu, 20 Aug 2026 11:29:26 +05:30</pubDate><description><![CDATA[<p>Congress:'વંદે માતરમ' મુદ્દા પર હાલમાં દેશમાં રાજકીય યુદ્ધ ચાલી રહ્યું છે. કોંગ્રેસ પાર્ટીએ કહ્યું છે કે તે 'વંદે માતરમ'ના ફક્ત પહેલી બે પંક્તિ ગાશે અને 1937માં અપનાવવામાં આવેલા ઠરાવનું પાલન કરશે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ કોંગ્રેસના આ પ્રસ્તાવની સખત નિંદા કરી છે. પાર્ટી પર નિશાન સાધતા ભાજપે ટિપ્પણી કરી છે કે કોંગ્રેસ માટે પાર્ટી રાષ્ટ્ર સમક્ષ આવે છે અને ઉમેર્યું છે કે કોંગ્રેસ અસરકારક રીતે "નવી મુસ્લિમ લીગ" બની ગઈ છે.</p><p>આ બાબત અંગે, સરકારનો દાવો છે કે 'વંદે માતરમ'નું સંપૂર્ણ સંસ્કરણ દેશભરના સત્તાવાર કાર્યક્રમોમાં ગાવું જોઈએ. જોકે, કોંગ્રેસ સરકારના વલણને વધુ મહત્વ આપી રહી નથી. પાર્ટીએ સ્પષ્ટપણે કહ્યું છે કે તે તેના કાર્યક્રમોમાં ફક્ત પહેલી બે પંક્તિ ગાશે અને તેના અગાઉના નિર્ણયનું પાલન કરશે. બુધવારે યોજાયેલી કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) ની બેઠક દરમિયાન આ સ્થિતિ સ્પષ્ટ થઈ.</p><p><br></p><h4><b>ભાજપે કોંગ્રેસની દેશભક્તિ પર સવાલ ઉઠાવ્યા</b></h4><p>ભાજપે આ મુદ્દા પર કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે, અને પાર્ટી પર રાષ્ટ્રીય ગીતનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ 'વંદે માતરમ' અંગેના ઠરાવને નિંદનીય ગણાવ્યો હતો અને કહ્યું હતું કે આ નિર્ણય કોંગ્રેસ પક્ષની દેશભક્તિ પર શંકા ઉભી કરે છે. તેમણે નોંધ્યું હતું કે જ્યારે કોંગ્રેસ સ્વતંત્રતા સંગ્રામ પાછળ એકમાત્ર પક્ષ હોવાનો દાવો કરતી હતી, ત્યારે આ નિર્ણયે તે દાવાને નબળો પાડ્યો છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/PTI_News/status/2090114817235538165"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b style="font-size: 1.5rem;">'કોંગ્રેસ માટે, પાર્ટી રાષ્ટ્ર પહેલા આવે છે'</b></p><p>સુધાંશુ ત્રિવેદીએ વધુમાં ટિપ્પણી કરી હતી કે કોંગ્રેસે "નવી મુસ્લિમ લીગ" બની છે કે કેમ તે અંગેની કોઈપણ અટકળોને અસરકારક રીતે વિરામ આપ્યો છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે કોંગ્રેસ 'વંદે માતરમ' અંગે એ જ હઠીલા વલણ અપનાવી રહી છે જે મુસ્લિમ લીગે 1937માં લીધું હતું - ભલે સંસદે ત્યારથી આ બાબતે કાયદો ઘડ્યો હોય. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ પોતાને બંધારણ, સંસદ અને રાષ્ટ્રથી ઉપર રાખે છે.<br><br>આ પણ વાંચો;&nbsp; <a href="https://sandesh.com/india/news/jammu-kashmir-cloudburst--flood-in-pahalgam--kids-rescued-in-doda" target="_blank"><b>Jammu kashmirમાં આસમાની આફત... પહલગામમાં વાદળ ફાટ્યું, પૂરમાં ફસાયેલા બાળકોનું કરાયું રેસ્ક્યુ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/6SF7XnIjUexC3SCEZxWYkMUe6nze8PNZIryP0jwL.webp'/></item><item><title><![CDATA[Assam Flood: આસામમાં પૂરથી 105ના મોત, 96 હજાર ઘર પ્રભાવિત ]]></title><link>https://sandesh.com/india/news/assam-flood-105-dead-96-thousand-houses-affected-due-to-floods-in-assam</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/assam-flood-105-dead-96-thousand-houses-affected-due-to-floods-in-assam</guid><pubDate>Thu, 20 Aug 2026 10:59:23 +05:30</pubDate><description><![CDATA[<p>આસામમાં આવેલા વિનાશક પૂરના એક મહિના પછી પણ, ઘણા અસરગ્રસ્ત પરિવારોનું જીવન સામાન્ય થયું નથી. શિવસાગર જિલ્લામાં, પૂર પીડિતો હજુ પણ તેમના ઘરે પાછા ફરવા અને તેમના જીવનને ફરીથી બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ત્યારે સીએમ હિમંતા બિસ્વા સરમા આજે દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરશે.&nbsp;</p><h2><b>પીએમ મોદીને મળશે હિમંતા બિસ્વા&nbsp;</b></h2><p>પૂરના કારણે ઘણા પરિવારોના ઘરો, આવશ્યક ચીજવસ્તુઓ અને અનાજનો ભંડાર સંપૂર્ણપણે નાશ પામ્યો છે. ઘણા વિસ્તારો હજુ પાણીમાં છે. જ્યારે અન્ય સ્થળોએ, પાણી ઘટવાથી કાંપ અને કાદવના જાડા સ્તરો પાછળ રહી ગયા છે. લોકો તેમના ઘરોને ફરીથી રહેવા યોગ્ય બનાવવા માટે સફાઈ કરવામાં વ્યસ્ત છે. પીડિતોએ જણાવ્યું હતું કે ભારે પૂરના પાણીએ વર્ષોની મહેનત દ્વારા એકઠા કરેલા અનાજ અને ઘરવખરીની વસ્તુઓનો નાશ કર્યો છે. ઘણા પરિવારોને સુરક્ષિત આશ્રયનો અભાવ છે અને તેઓ ભાડાના રૂમમાં રહેવા માટે મજબૂર છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2089035393434067002"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p><b style="font-size: 1.75rem;">પૂરને લઇને કેટલું નુકસાન ?&nbsp;</b></p><p>તાજેતરના પૂરથી ઉપલા આસામ જિલ્લાઓ શિવસાગર, ચરાઈદેવ, જોરહાટ અને ગોલાઘાટમાં વ્યાપક નુકસાન થયું છે. આશરે 105 લોકોએ જીવ ગુમાવ્યા છે, 26,681 ઘરો પ્રભાવિત થયા છે અને અંદાજિત નુકસાન ₹480 કરોડ છે. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 96,842 અસરગ્રસ્ત પરિવારોને ₹15,000 ની વચગાળાની સહાય પૂરી પાડી છે, જેનો ખર્ચ ₹146 કરોડ થયો છે. બેઠક દરમિયાન, મુખ્યમંત્રી શર્મા પૂરગ્રસ્ત વિસ્તારો માટે ખાસ રાહત પેકેજની પણ માંગ કરી શકે છે. તેઓ પ્રધાનમંત્રીને પુનર્વસન, વળતર અને લાંબા ગાળાના પૂર નિયંત્રણ પગલાં વિશે માહિતી આપશે. કેન્દ્રએ પહેલાથી જ સંપૂર્ણ સહયોગની ખાતરી આપી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2082712393847894314"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3><b>25 જિલ્લાઓ અને 2734 ગામો પૂર પ્રભાવિત&nbsp;</b></h3><p>આસામના 25 જિલ્લાઓ અને 2,734 ગામડાઓ પૂરથી પ્રભાવિત થયા છે. પ્રારંભિક અંદાજ મુજબ આશરે ₹450 કરોડનું નુકસાન થયું છે. વળી ચાના ઉત્પાદનને અસર થઈ છે કારણ કે વાવેતર પાણી અને કાંપથી ડૂબી ગયા છે, જેના કારણે એસ્ટેટ માલિકોને નોંધપાત્ર નુકસાન થયું છે.&nbsp; ખેતરોમાં કામ કરતા મજૂરો આજીવિકાના સંકટનો સામનો કરી રહ્યા છે.</p><p>NDRF અને SDRFના કર્મચારીઓના જણાવ્યા અનુસાર, ઘણા લોકો રાહત શિબિરોમાં જવા માટે પોતાના ઘર છોડવા માટે તૈયાર નથી, જેના કારણે સમયસર બચાવ કામગીરી મુશ્કેલ બની રહી છે.</p><p>જોકે કેટલાક વિસ્તારોમાં પૂરના પાણી ઓછુ થઈ રહ્યું છે, પરંતુ કટોકટી હજુ પણ દૂર નથી.&nbsp; બચાવ અને રાહત કામગીરી હાલમાં ચાલી રહી છે.</p><p>મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ જણાવ્યું છે કે પુનર્વસન અને પૂરથી થયેલા નુકસાનની ભરપાઈ માટે ₹1,000 કરોડથી વધુની જરૂર પડી શકે છે. આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (ASDMA) ના 18 ઓગસ્ટ સુધીના ડેટા દર્શાવે છે કે આ વર્ષે પૂરમાં 105 લોકોએ જીવ ગુમાવ્યા છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2083554151053816302"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/y9ZAF9mgDFQoA4WDLB3BrtCmCS5b5LXCSApR316V.webp'/></item><item><title><![CDATA[Suratના વેસુમાં લક્ઝમબર્ગ દેશના બોગસ જોબ લેટર આપી એજન્સીએ આચરી રૂ.5.18 લાખની ઠગાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/agency-cheats-man-of-rs-5-18-lakh-by-giving-fake-job-letter-from-luxembourg-in-surat</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/agency-cheats-man-of-rs-5-18-lakh-by-giving-fake-job-letter-from-luxembourg-in-surat</guid><pubDate>Thu, 20 Aug 2026 10:22:12 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરના પોશ વિસ્તાર ગણાતા વેસુમાંથી વિદેશ જવા ઈચ્છુક નાગરિકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. વેસુ વિસ્તારમાં ચાલી રહેલી ‘વસુધૈવ કુટુંબકમ ઓવરસીઝ’ નામની વિઝા એજન્સીના સંચાલકો દ્વારા યુરોપના વર્ક વિઝા અપાવવાના બહાને એક મહિલા સાથે રૂપિયા 5.18 લાખની ગંભીર ઠગાઈ આચરવામાં આવી છે. એજન્સીના સંચાલકોએ મહિલાને લક્ઝમબર્ગ દેશમાં વર્ક પરમિટ વિઝા અપાવવાની મોટી લાલચ આપી હતી અને વિશ્વાસ સંપાદિત કરવા માટે તેમને લક્ઝમબર્ગના બોગસ જોબ લેટર પણ મોકલી આપ્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>ચેક બાઉન્સ થતાં કૌભાંડ પ્રકાશમાં આવ્યું</b></h2><p style="text-align: justify; ">મહિલાને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેમણે એજન્સીના સંચાલકો પાસે પોતાના નાણાં પરત માગ્યા હતા. આરોપીઓએ નાણાં ચૂકવવાના બદલામાં મહિલાને આપેલા બેંકના ચેક પણ ખોટા સાબિત થયા હતા અને બેંકમાં જમા કરાવતાં બાઉન્સ થયા હતા. આખરે પોતાની સાથે લાખો રૂપિયાની ચોક્કસ છેતરપિંડી થઈ હોવાની ખાતરી થતાં ભોગ બનનાર મહિલાએ હિંમત દર્શાવીને તાત્કાલિક વેસુ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો અને એજન્સીના સંચાલકો સામે વિધિવત ફરિયાદ નોંધાવી હતી.</p><h3 style="text-align: justify; "><b>એજન્સીના સંચાલકો સામે ગુનો દાખલ</b></h3><p style="text-align: justify; ">મહિલાની ફરિયાદના આધારે વેસુ પોલીસ મથકે ‘વસુધૈવ કુટુંબકમ ઓવરસીઝ’ એજન્સીના જવાબદાર સંચાલકો વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાત સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે બનાવ અંગેની કાયદેસરની તપાસ હાથ ધરીને આરોપી એજન્ટોની ધરપકડ કરવા માટે ચક્રગતિમાન કર્યા છે. આ ઉપરાંત, આ એજન્સી દ્વારા ભૂતકાળમાં અન્ય કેટલા વિદેશ જવા ઈચ્છુક લોકોને બોગસ વિઝા કે જોબ લેટર આપીને આવી જ રીતે લાખો રૂપિયાનો ચૂનો લગાડવામાં આવ્યો છે તે દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/RL0qCsk9lZb5n6szcmY3Tjmz1X9iCbZCMrX2J1kI.webp'/></item><item><title><![CDATA[Bhavnagar નકલી દારૂ કાંડ : મુખ્ય સૂત્રધાર રઈશ ઈન્દોરથી ઝડપાયો; 25 પેટી ઝેરી દારૂ વેચાયા બાદ પોલીસ જાગી ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/bhavnagar-fake-liquor-scam-smc-arrests-mastermind-raees-from-indore</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/bhavnagar-fake-liquor-scam-smc-arrests-mastermind-raees-from-indore</guid><pubDate>Thu, 20 Aug 2026 10:07:03 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify;">ભાવનગરમાં ચકચાર મચાવનાર નકલી અને ઝેરી દારૂ કાંડમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ને મોટી સફળતા સાંપડી છે. SMC ની ટીમે આ કાંડના મુખ્ય સૂત્રધાર પૈકીના એક એવા રહીશની મધ્યપ્રદેશના ઈન્દોરથી અટકાયત કરી લીધી છે. SMC ની ટીમ તેને ઝડપીને ભાવનગર લાવવાની તજવીજ હાથ ધરી રહી છે.</p><h2 style="text-align: justify;"><b>આ ટોળકીએ  ડુપ્લીકેટ દારૂ તૈયાર કર્યો</b></h2><p style="text-align: justify;">તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી ગૌતમ સોલંકીની સાથે મળીને રઈશ, જુબેર અને મૃતક નરેન્દ્રસિંહ યાદવે આ ડુપ્લીકેટ દારૂ તૈયાર કર્યો હતો. સમગ્ર ઘટના સામે આવ્યા બાદ વરતેજ પોલીસ મથકમાં 21 શખ્સો સામે નામજોગ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ SMC ના ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો કાફલો ભાવનગરમાં ડેરા તંબૂ તાણીને ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહ્યો છે.</p><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2090296908824957327"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a>&nbsp;&nbsp;</p><p style="text-align: justify;"><br></p><h3 style="text-align: justify;"><b>25 પેટી જેટલો ઝેરી દારૂ બજારમાં વેચાઈ ગયા બાદ પોલીસ તંત્ર હરકતમાં&nbsp;</b></h3><p style="text-align: justify;">આ ઘટનામાં પોલીસની બેદરકારી પણ સામે આવી છે. 25 પેટી જેટલો ઝેરી દારૂ બજારમાં વેચાઈ ગયા બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. આ પહેલાં પણ આરોપીઓએ 51 પેટી જેટલો ઝેરી દારૂ બનાવ્યો હતો, જે ક્યાં સપ્લાય થયો અને કોણે પીધો તેની તપાસ કરવી અતિ જરૂરી બની ગઈ છે</p><h4 style="text-align: justify;"><b>7 માસમાં રૂ. 4.70 કરોડનો દારૂ ઝડપાયો</b></h4><p style="text-align: justify;">ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં છેલ્લા 7 માસમાં રૂ. 4.70 કરોડનો દારૂ ઝડપાયો છે, જેમાં 4 લાખ બોટલ સાથે 852 આરોપીઓ પકડાયા છે.&nbsp;&nbsp;</p><h4 style="text-align: justify;"><b>7 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટિ</b></h4><p style="text-align: justify;">ભાવનગરમાં ઝેરી દારૂકાંડમાં અત્યાર સુધી કુલ 7 લોકોના મોત થયા હોવાના મોટા સમાચાર સામે આવ્યા છે. જિલ્લા કલેક્ટરે આ 7 લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરી છે. હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા દર્દીઓની સ્થિતિને જોતાં હજુ પણ મૃત્યુઆંક વધે તેવી ગંભીર શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કુલ 46 લોકોને ઝેરી દારુની અસર થઇ હતી. હાલ 39 લોકો વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે</p><p style="text-align: justify;"><br></p><p style="text-align: justify;">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp;&nbsp;<a href="https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/bhavnagar-fake-liquor-tragedy-7-dead-21-bootleggers-booked-4-police-suspended" target="_blank"><b> Bhavnagar : નકલી દારૂનો કાળો કેર: લઠ્ઠાકાંડમાં 7ના મોત, MP ના 'ડોક્ટરે' ઘડ્યો હતો કાળો ખેલ, 21 સામે ગુનો</b></a></p><p style="text-align: justify;"><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/TyZGme15wYOZ3Jquiu4lWVPzWcF0PYtQmSIm18VL.webp'/></item><item><title><![CDATA[Petrol Diesel Price Today: અમદાવાદ સહિત આ શહેરમાં વધ્યા પેટ્રોલના ભાવ? જાણો 20 ઑગષ્ટનો લેટેસ્ટ રેટ ]]></title><link>https://sandesh.com/business/news/petrol-diesel-price-today-petrol-prices-increased-in-these-cities-including-ahmedabad-know-the-latest-rate-of-20-august</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/petrol-diesel-price-today-petrol-prices-increased-in-these-cities-including-ahmedabad-know-the-latest-rate-of-20-august</guid><pubDate>Thu, 20 Aug 2026 10:04:25 +05:30</pubDate><description><![CDATA[<p>સતત ચોથા દિવસે તેલના ભાવમાં વધારો ચાલુ રહ્યો. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનના અર્થતંત્રને નુકસાન પહોંચાડવાની જાહેરાત બાદ બ્રેન્ટ ક્રૂડ $92 પ્રતિ બેરલની નજીક ટ્રેડ કરી રહ્યું હતું જ્યારે WTI $85 ને વટાવી ગયું હતું.  સરકારી માલિકીની તેલ માર્કેટિંગ કંપનીઓ - HPCL, BPCL અને ઇન્ડિયન ઓઇલ - એ પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ જાહેર કર્યા છે.&nbsp;</p><h2><b>ટ્રમ્પનું આકરુ નિવેદન અને વધી ગયા તેલના ભાવ&nbsp;</b></h2><p>ટ્રમ્પના આક્રમક નિવેદનોથી તેલના ભાવમાં વધારો થયો છે. છેલ્લા ચાર દિવસમાં ક્રૂડ તેલમાં આશરે $10 નો ઉછાળો આવ્યો છે. બુધવારે તાજેતરની સોશિયલ મીડિયા પોસ્ટમાં, ટ્રમ્પે જણાવ્યું હતું કે આ પગલાં "આર્થિક યુદ્ધ અને અભૂતપૂર્વ સ્તરે અલગતા" સમાન હશે. તેમણે તેને "આર્થિક ડી-ડે" ગણાવ્યું અને ઈરાન દ્વારા ઉભા થયેલા ખતરાથી અલગ થવા અને તેને હરાવવા માટે તમામ સાથી દેશોના સમર્થનની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે વધુમાં ચેતવણી આપી હતી કે કોઈપણ દેશ તેની બેંકો, વ્યવસાયો, એરપોર્ટ અથવા સરકારી સંસ્થાઓને ઈરાનને મદદ કરવાની મંજૂરી આપશે તો તેને ગંભીર આર્થિક પરિણામોનો સામનો કરવો પડી શકે છે.</p><p>નોંધનીય છે કે આ વર્ષની શરૂઆતમાં અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો હતો બંને પક્ષો હોર્મુઝ સ્ટ્રેટ પર આમને-સામને હતા ત્યારથી ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે વધારો જોવા મળ્યો છે. બુધવારે સંયુક્ત આરબ અમીરાતે (UAE) ઈરાન પર બેલિસ્ટિક મિસાઈલ છોડવાનો આરોપ લગાવીને તેહરાન સાથેના તમામ આર્થિક સંબંધો તોડી નાખવાની જાહેરાત કર્યા પછી તેલના ભાવમાં વધુ વધારો થયો હતો.</p><p><b style="font-size: 1.75rem;">આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ (19 ઓગષ્ટ ગુડ રિટર્ન્સ અનુસાર)&nbsp;</b></p><ul><li>દિલ્હી – પેટ્રોલ: 102.12 રૂપિયા | ડીઝલ: 95.20 રૂપિયા</li><li>કોલકાતા – પેટ્રોલ: 113.51 રૂપિયા | ડીઝલ: 99.82 રૂપિયા</li><li>મુંબઈ – પેટ્રોલ: 111.21 રૂપિયા | ડીઝલ: 97.83 રૂપિયા</li><li>ચેન્નઈ – પેટ્રોલ: 107.78 રૂપિયા | ડીઝલ: 99.56 રૂપિયા</li><li>બેંગલુરુ – પેટ્રોલ: 110.93 રૂપિયા | ડીઝલ: 98.80 રૂપિયા</li><li>જયપુર – પેટ્રોલ: 113.97 રૂપિયા | ડીઝલ: 98.96 રૂપિયા</li><li>લખનૌ – પેટ્રોલ: 102.68 રૂપિયા | ડીઝલ: 96.10 રૂપિયા</li></ul><h2><b>ગુજરાતના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ&nbsp;</b></h2><p><br></p><h3>ગુજરાતમાં શહેર પ્રમાણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડો તફાવત જોવા મળી શકે છે. 18 ઓગસ્ટના લેટેસ્ટ ભાવ નીચે મુજબ છે:</h3><p><br></p><table class="table table-bordered"><tbody><tr><td>શહેર</td><td>&nbsp;પેટ્રોલ /લિટર</td><td>&nbsp;ડીઝલ/લિટર&nbsp;</td></tr><tr><td>અમદાવાદ&nbsp;</td><td>₹102.01&nbsp;</td><td>₹98.13&nbsp;&nbsp;</td></tr><tr><td>ગાંધીનગર</td><td>&nbsp;₹101.79&nbsp;</td><td>₹98.08&nbsp;</td></tr><tr><td>રાજકોટ&nbsp;</td><td>₹101.72&nbsp;</td><td>₹98.13</td></tr><tr><td>સુરત&nbsp;</td><td>₹102.85&nbsp;</td><td>₹97.99</td></tr><tr><td>વડોદરા&nbsp;</td><td>₹101.46&nbsp;</td><td>₹97.57</td></tr><tr><td>ભાવનગર&nbsp;</td><td>₹103.41&nbsp;</td><td>₹97.99&nbsp;</td></tr><tr><td>જામનગર&nbsp;</td><td>₹101.72&nbsp;</td><td>₹98.13&nbsp;</td></tr><tr><td>જૂનાગઢ&nbsp;</td><td>₹ 101.72&nbsp;</td><td>₹97.99</td></tr><tr><td>આણંદ&nbsp;</td><td>₹101.79&nbsp;</td><td>₹97.57</td></tr></tbody></table><h4><b>ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ કેવી રીતે નક્કી થાય છે?</b></h4><p>ભારતમાં પેટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા દૈનિક ધોરણે જાહેર કરવામાં આવે છે. સામાન્ય રીતે નવા ભાવ દરરોજ સવારે 6 વાગ્યાથી લાગુ થાય છે.પેટ્રોલ અને ડીઝલના અંતિમ ભાવમાં ક્રૂડ ઓઇલની કિંમત ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારના કર, ડીલર કમિશન, પરિવહન ખર્ચ અને અન્ય ઘટકોનો સમાવેશ થાય છે. આ કારણે દેશના અલગ-અલગ રાજ્યો અને શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ હોઈ શકે છે.</p><p><b style="font-size: 1.5rem;">પેટ્રોલ અને ડીઝલના આજના ભાવ કેવી રીતે તપાસવા?</b></p><p>પેટ્રોલ અને ડીઝલના દૈનિક ભાવ જાણવા માટે ગ્રાહકો સંબંધિત ઓઇલ માર્કેટિંગ કંપનીની સત્તાવાર વેબસાઇટ અથવા SMS સેવા દ્વારા ભાવ તપાસી શકે છે.</p><p>ઇન્ડિયન ઓઇલના ગ્રાહકો RSP લખીને સ્પેસ બાદ શહેરનો કોડ લખી 9224992249 પર SMS કરી શકે છે. BPCLના ગ્રાહકો RSP લખીને સ્પેસ બાદ શહેરનો કોડ 9223112222 પર મોકલી શકે છે. HPCLના ગ્રાહકો HPPRICE લખીને સ્પેસ બાદ શહેરનો કોડ 9222201122 પર SMS કરીને ઇંધણના ભાવ જાણી શકે છે.&nbsp;</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2025/12/06/SM6jnSOu7AiowmcTNpaHsU5FdLSvYMRNqvuUndXf.webp'/></item><item><title><![CDATA[BWF World Championships: પી.વી. સિંધુ અને આયુષ શેટ્ટીનો પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં એન્ટ્રી ]]></title><link>https://sandesh.com/sports/news/bwf-world-championship-pv-sindhu-and-aayush-shetty-enter-pre-quarterfinals</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/bwf-world-championship-pv-sindhu-and-aayush-shetty-enter-pre-quarterfinals</guid><pubDate>Thu, 20 Aug 2026 08:37:21 +05:30</pubDate><description><![CDATA[<p>નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી BWF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતીય શટલરોએ શાનદાર પ્રદર્શન જાળવી રાખ્યું છે. ભારતની સ્ટાર ખેલાડી પી.વી. સિંધુ અને યુવા ખેલાડી આયુષ શેટ્ટીએ પોતપોતાની મેચો જીતીને પ્રી-ક્વાર્ટર ફાઇનલ (રાઉન્ડ ઓફ 16) માં સ્થાન પાક્કું કર્યું છે.</p><p><b>પી.વી. સિંધુની સળંગ ગેમ્સમાં સરળ જીત</b></p><p>9મી ક્રમાંકિત પી.વી. સિંધુએ મહિલા સિંગલ્સના મુકાબલામાં કેનેડાની ઝાંગ વેન્યુને માત્ર 34 મિનિટમાં 21-16, 21-17 થી પરાજય આપ્યો હતો. પ્રથમ ગેમ (21-16)માં સિંધુએ આક્રમક શરૂઆત કરીને સતત 4 પોઈન્ટ સાથે લીડ મેળવી હતી. ઝાંગે વાપસી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સિંધુએ ઇન્ટરવલ સુધી 11-9 ની સરસાઈ જાળવી રાખી. બ્રેક બાદ કેનેડિયન ખેલાડીના દબાણ છતાં, અનુભવી સિંધુએ નિર્ણાયક ક્ષણોમાં સંયમ જાળવીને 16 મિનિટમાં પહેલી ગેમ પોતાના નામે કરી. બીજી ગેમમાં (21-17) ઝાંગે સિંધુને કડક ટક્કર આપી હતી. એક સમયે સ્કોર 9-9 થી બરાબર રહ્યા બાદ ઝાંગે ઇન્ટરવલ સુધી 11-9 ની લીડ મેળવી લીધી હતી. જોકે, બ્રેક પછી સિંધુએ શાનદાર વાપસી કરતાં સતત 5 પોઈન્ટ જીતીને મેચનું પાસું પલટી નાખ્યું અને બીજી ગેમ સાથે મેચ પણ જીતી લીધી.</p><p><b>આગામી પડકાર: વાંગ જી યી સામે ટક્કર</b></p><p>ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે સિંધુનો સામનો ચીનની 3જી ક્રમાંકિત ખેલાડી વાંગ જી યી સામે થશે. વાંગે પોતાની અગાઉની મેચમાં મલેશિયાની કરુપથેવન લેત્શાનાને 21-16, 21-9 થી હરાવીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ જીતથી આત્મવિશ્વાસથી છલકાતી સિંધુ મેડલ તરફ વધુ એક પગલું ભરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.</p><p><b>મેન્સ સિંગલ્સ: આયુષ શેટ્ટીની દબદબાભરી જીત</b></p><p>મહિલા સિંગલ્સ ઉપરાંત મેન્સ સિંગલ્સમાં પણ ભારતને સફળતા મળી હતી. ભારતના આયુષ શેટ્ટીએ શ્રીલંકાના ડુમિન્ડુ અબેવિક્રમાને એકતરફી મુકાબલામાં 21-8, 21-10 થી ધૂળ ચાટતી કરીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પોતાની જગ્યા પાકી કરી લીધી છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/KWwDOVDeKBVOUKY9Up6RYw33BPmdB9C3mh9TUL5O.webp'/></item></channel></rss>