<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Vadodaraમાંથી ઝડપાઈ મોબાઈલ ટાવરના ASIB કાર્ડ ચોરી કરતી ગેંગ: કંપનીના જ 3 કર્મચારીઓની ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/mobile-tower-asib-cards-theft-gang-busted-crime-branch</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/mobile-tower-asib-cards-theft-gang-busted-crime-branch</guid><pubDate>Fri, 28 Aug 2026 08:08:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે મોબાઈલ ટાવરમાંથી અત્યંત મહત્વપૂર્ણ ગણાતાં ASIB (આરઆરયુ ફાઈબર/સિસ્ટમ ઓપરેટિંગ) કાર્ડની ચોરી કરતી આંતરરાષ્ટ્રીય રેકેટ ચલાવતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે ટાવર કંપનીમાં જ કામ કરતા 3 કર્મચારીઓ આ ચોરીમાં સંકળાયેલા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે પૂરણ રાઠોડ, રાજેશ પઢીયાર અને સંજય કોળી નામના 3 આરોપીઓની અટકાયત કરી છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરીને વડોદરા શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી આચરેલી 5 જેટલી ચોરીઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>આફ્રિકામાં કાર્ડ વેચીને આર્થિક ફાયદો મેળવતા&nbsp;</b></h2><p style="text-align: justify; ">ASIB કાર્ડ એ મોબાઈલ ટાવરના સમગ્ર સંચાલન (Network Operations) માટે અત્યંત મહત્વનું અને મોંઘું કોમ્પોનન્ટ ગણાય છે. આરોપીઓ માત્ર આર્થિક ફાયદા માટે જ પોતાના જ નેટવર્ક કંપનીના ટાવરોને નિશાન બનાવીને આ કાર્ડની ચોરી કરતા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ ચોરી કરેલા ASIB કાર્ડને તેઓ આફ્રિકાના દેશોમાં ગેરકાયદેસર રીતે સપ્લાય કરતા હતા. આશરે 850 ડોલરની કિંમતનું કાર્ડ તેઓ આફ્રિકામાં રૂ.50 હજારમાં વેચી દેતા હતા.</p><h3 style="text-align: justify; "><b>ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી&nbsp;</b></h3><p style="text-align: justify; ">કાર્ડની ચોરી થવાને કારણે ટેલિકોમ કંપનીઓને મોટું આર્થિક નુકસાન થવાની સાથે સાથે નેટવર્ક સેવામાં પણ ખોરવાઈ જવાની સમસ્યા ઊભી થતી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરીને તેમની પાસેથી ચોરીનો માલસામાન કબ્જે કરવાની કવાયત શરૂ કરી છે. આ ચોરીના નેટવર્કમાં આફ્રિકા સુધી કાર્ડ પહોંચાડવામાં અન્ય કોઈ એજન્ટ કે વચેટિયાઓ સામેલ છે કે કેમ તે દિશામાં પોલીસે આગળની સઘન તપાસ હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/28/Cinc5zytBSQcLjRHG6SM4pCqTcGJ1iVAyeAuAoKM.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: રખિયાલમાં રક્ષાબંધને બહેનોને નિઃશુલ્ક સાડીનું વિતરણ કરાતા બહેનોના ચહેરા પર સ્મિત વેરાયું ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-free-sarees-were-distributed-to-sisters-on-raksha-bandhan-in-rakhial-bringing-smiles-to-the-faces-of-the-sisters</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-free-sarees-were-distributed-to-sisters-on-raksha-bandhan-in-rakhial-bringing-smiles-to-the-faces-of-the-sisters</guid><pubDate>Fri, 28 Aug 2026 04:35:54 +05:30</pubDate><description><![CDATA[<p>પવિત્ર રક્ષાબંધનના તહેવાર નિમિત્તે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા રખિયાલ ખાતેના શ્રી મેલડી માતાજીના મંદિર દ્વારા એક અનોખો અને સેવાયજ્ઞ યોજાયો હતો. બહેનો પ્રત્યે સ્નેહ અને સન્માન વ્યક્ત કરવાના આશયથી મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં હજારો સ્થાનિક અને જરૂરિયાતમંદ બહેનોને નિઃશુલ્ક સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે પર્વની ઉજવણી માત્ર ધાર્મિક વિધિઓ પૂરતી સીમિત ન રાખતાં, સમાજના દરેક વર્ગની મહિલાઓ તહેવારનો આનંદ માણી શકે તે હેતુથી આ વિતરણ યોજાયું હતું. વહેલી સવારથી જ રખિયાલ તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ મંદિરે પહોંચી હતી. સાડી મેળવીને બહેનોના મુખ પર ખુશીની લહેર જોવા મળી હતી.</p><p>ગ્રાઉન્ડ પર ભીડને નિયંત્રિત કરવા અને દરેક બહેનને સરળતાથી સાડી મળી રહે તે માટે સ્વયંસેવકો અને મંદિર સમિતિ દ્વારા લાઇન બદ્ધ અને સુસજ્જ વ્યવસ્થા કરવામાં આવી હતી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/28/J0YRXj1uRp2I0GWH8X0W1hNgEVOoeyZVcLqlI48h.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: અનએકેડમી ઓફ્લાઈન સેન્ટર દેશની સૌથી મોટી સ્કોલરશીપ ટેસ્ટ લાવ્યું ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-unacademy-offline-center-brings-the-countrys-largest-scholarship-test</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-unacademy-offline-center-brings-the-countrys-largest-scholarship-test</guid><pubDate>Fri, 28 Aug 2026 04:33:43 +05:30</pubDate><description><![CDATA[<p>અનએકેડમી, ગર્વથી 'અનએકેડમી નેશનલ સ્કોલરશીપ એન્ડ એપ્ટિટયુડ ટેસ્ટ 2026' (UNSAT 2026) ની જાહેરાત કરે છે. 'ધ મેકિંગ ઓફ ચેમ્પિયન્સ' ના સૂત્ર સાથે, આ ટેસ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય દેશભરના તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક યાત્રામાં ઓળખવાનો, પ્રોત્સાહન આપવાનો છે. આ મહત્વપૂર્ણ ટેસ્ટ IIT JEE, NEET UG અને ધોરણ 7 થી 11 (વિજ્ઞાન પ્રવાહ) ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ પરીક્ષા આગામી સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિના દરમિયાન દર રવિવારે અનએકેડમી સેન્ટર , બોડકદેવ , અમદાવાદ ખાતે લેવામા આવશે, જેથી વિદ્યાર્થીઓને તૈયારી માટે પૂરતો સમય મળશે. શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ અનએકેડમી અમદાવાદ ખાતે ઓફ્લાઇન અભ્યાસક્રમોમાં 90% સુધીની આકર્ષક સ્કોલરશીપ મેળવી શકે છે. એટલું જ નહીં, વિદ્યાર્થીઓને મેકબુક્સ, મોબાઇલ, આઈપેડ, એલેક્સા વગેરે જેવા આકર્ષક ઇનામો જીતવાનીસુવર્ણ તક પણ મળશે.UNSAT 2026 માટે નોંધણી સંપૂર્ણપણે મફ્ત છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/28/IQOOMUisW0TlktyHuBXGfCKP215VcV7a2pXb074h.webp'/></item><item><title><![CDATA[Surendranagar: જન્માષ્ટમીના આગોતરા વધામણાં : બાળકો માટે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surendranagar/surendranagar-advance-greetings-on-janmashtami-various-competitions-held-for-children</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surendranagar/surendranagar-advance-greetings-on-janmashtami-various-competitions-held-for-children</guid><pubDate>Fri, 28 Aug 2026 04:31:36 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઈસ્કોન મંદિર, સુરેન્દ્રનગર દ્વારા જન્માષ્ટમી મહોત્સવ-2026 અંતર્ગત સરદાર પટેલ વિદ્યાલય ખાતે કૃષ્ણ સંસ્કાર ચિત્ર મહોત્સવનું આયોજન કરાયુ હતુ. જેમાં બાળકો, યુવાનો, મહિલાઓ, વાલીઓ સહિત 400થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં ધો. 3 થી પના છાત્રો માટે બાળ કૃષ્ણ રંગપુરણી, ધો. 6 થી 8ના છાત્રો માટે વાંસળી, મોરપીંછ, મટકી ચિત્ર રચના, ધો. 9થી 12ના છાત્રો માટે શ્રીકૃષ્ણ અને ગાયનું મુકતહસ્ત ચીત્ર, વાલીઓ અને ઓપન કેટેગરીમાં મુકત ચિત્રકામ અને 20થી 25 વર્ષની મહિલાઓ માટે મટકી સુશોભન સ્પર્ધા રખાઈ હતી. આ સ્પર્ધામાં દરેક કેટેગરીમાં પ્રથમ 3 ક્રમે આવનારને તા. 4ના રોજ યોજાનાર જન્માષ્ટમી મહોત્સવમાં વિશેષ ઈનામો અને પ્રમાણપત્રો એનાયત કરાશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા સરદાર પટેલ સ્કુલના કે.એન.પટેલ સહિતનાઓએ સહયોગ આપ્યો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/28/WOYDcPwDtnHL9hYCps02Qv5fgtYVqfd3wUxzrSNv.webp'/></item><item><title><![CDATA[Mandal: ચબુતરા ચોકમાં સ્થિતિ નર્કાગારની ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/mandal/mandal-the-situation-in-chabutara-chowk-is-hellish</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/mandal/mandal-the-situation-in-chabutara-chowk-is-hellish</guid><pubDate>Fri, 28 Aug 2026 04:30:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">માંડલ નગરના ચબૂતરા ચોક ખાતે આવેલ જર્જરિત આંગણવાડી મકાનની બાજુમાં અસહ્ય ગંદકીએ ભરડો લીધો છે અને ગામના પોશ એરિયામાં જાણે ડમ્પીંગ સ્ટેશન જેવી હાલત ઉભી થઈ ગઈ છે. આંગણવાડીની પાસે કચરો અને ગંદકીના ઢગલાંઓ જોવા મળતાં સ્થાનિક વેપારીઓ,દુકાનદારો અને ખરીદી કરવા આવતાં લોકો પરેશાનીનો સામનો કરી રહ્યાં છે, ચબુતરા ચોક એ માંડલનું મહત્વનું વ્યાપારી સ્થળ છે. આ વિસ્તારમાં ખરીદીનું માર્કેટ ઉપરાંત બેંક અને દુકાનો આવેલી છે, આ કચરાના ઢગલાની આસપાસમાં નાનામોટા કેબીનો પણ આવેલાં છે અને લોકો રોજગારી મેળવે છે. આ વિસ્તાર દિવસભર વ્યસ્ત રહે છે, સ્થાનિક દુકાનદારોનું પણ કહેવું છે કે, ગંદકીના કારણે વેપારીઓ અને ગ્રાહકોને પણ અસુવિધા ઉભી થાય છે અને આ વિસ્તારમાં અસ્વચ્છતાનું વાતાવરણ ઉભું થયું છે. આંગણવાડીની આસપાસ દોઢ બે વર્ષ પહેલાં ગ્રામ પંચાયત દ્વારા પેવરબ્લોક નાખવામાં આવેલ છે તેમ છતાં અહીં સ્થિતિ નર્કાગારની જોવા મળે છે. આસપાસનો વિસ્તાર રહેણાંક વિસ્તાર પણ છે, બેંક હોવાથી દિવસભર અરજદારો,ગ્રાહકો આવતાં જતાં હોય, આસપાસમાં દુકાનો હોવાથી ગ્રાહકો પણ ખરીદી, કોઈ કામ અર્થે આવતાં હોય ત્યારે રોગચાળાનો ભય જોવા મળી રહ્યો છે, ગંદકી અને કચરાના ઢગમાં પશુઓ પણ ખોરાકની શોધ કરતાં હોય છે, પશુઓમાં પણ બિમારી ઉભી થાય તેવી શક્યતાઓ રહેલી છે ત્યારે આ ગંદકી વાળો વિસ્તાર સફાઈ કરાવી આસપાસમાં દિવાલો ઉભી કરી આ જગ્યાનો કોઈ સારો ઉપયોગ કરાય તેવી લોકમાંગ ઉઠી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/28/Dc5yhFcHWu5gH0uAowhHBtW4P1cNGZPwX8clUcYy.webp'/></item><item><title><![CDATA[Delhi-Meerut એક્સપ્રેસ વે પર ભયંકર ટ્રાફિકજામ, વાહનોની લાગી લાંબી લાઈનો ]]></title><link>https://sandesh.com/india/news/delhi-meerut-expressway-heavy-traffic-jam-raksha-bandhan</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/delhi-meerut-expressway-heavy-traffic-jam-raksha-bandhan</guid><pubDate>Thu, 27 Aug 2026 23:39:36 +05:30</pubDate><description><![CDATA[<p>રક્ષાબંધનના તહેવારને કારણે ગુરુવારે સાંજે દિલ્હી-NCRના રસ્તાઓ પર અચાનક વાહનોનું ભારણ વધી ગયું હતું. ગાઝિયાબાદથી લઈને નોઇડા અને ગ્રેટર નોઈડા સુધીના અનેક મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે પર વાહનોની ગતિ ધીમી પડી હતી અને અનેક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.</p><p>તહેવારની રજા હોવાથી મોટી સંખ્યામાં લોકો પરિવાર અને સંબંધીઓના ઘરે જવા માટે નીકળ્યા હતા. ઉપરાંત રક્ષાબંધનની ખરીદી માટે બજારોમાં પણ ભીડ વધતા રસ્તાઓ પર વાહનોનો દબાણ વધી ગયો હતો.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/Gzbtrafficpol/status/2093013947486232781"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>સાંજે 4 વાગ્યાથી ટ્રાફિક જામ</b></h2><p>સાંજે લગભગ 4 વાગ્યાથી દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે પર વાહનોનું દબાણ વધવાનું શરૂ થયું હતું. ત્યારબાદ ધીમે ધીમે ટ્રાફિકની ગતિ ઘટતી ગઈ. આઠ લેનના એક્સપ્રેસવે પર પણ વાહનોની લાંબી કતારો લાગી હતી. લાલકુઆથી ડાસના વચ્ચે અનેક સ્થળોએ વાહનો ધીમી ગતિએ આગળ વધતા જોવા મળ્યા હતા. જામની અસર એક્સપ્રેસવે સાથે જોડાયેલા અન્ય રસ્તાઓ પર પણ જોવા મળી હતી. ગાઝિયાબાદથી નોઇડા તરફ જતા ટ્રાફિકના વધેલા દબાણને કારણે ગ્રેટર નોઈડા વેસ્ટના ચાર મૂર્તિ, એક મૂર્તિ, ક્રોસિંગ રિપબ્લિક અને શાહબેરી સહિતના વિસ્તારોમાં વાહનવ્યવહાર ધીમો રહ્યો હતો.</p><h3><b>ટ્રાફિક પોલીસે સંભાળી સ્થિતિ</b></h3><p>તિલપતા માર્ગ, દાદરી અને GT રોડ (NH-91) પર પણ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. અનેક સ્થળોએ ટ્રાફિક પોલીસની ટીમો તૈનાત કરવામાં આવી હતી. વાહનોનું દબાણ ઘટાડવા માટે કેટલાક માર્ગો પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. લાંબા સમય સુધી જામમાં ફસાયેલા વાહનચાલકો અને મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને પરેશાની થઈ હતી. પોલીસે લોકોને તહેવારો દરમિયાન ઘરેથી નીકળતા પહેલાં ટ્રાફિકની સ્થિતિ તપાસવા અને શક્ય હોય ત્યાં વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી.</p><p><b><a href="https://sandesh.com/india/news/bihar-bpsc-tre-4-teacher-recruitment-exam-single-phase" target="_blank">આ પણ વાંચો : BPSC TRE-4 હવે એક જ તબક્કામાં લેવાશે, બિહાર સરકારે વિદ્યાર્થીઓની માગ સ્વીકારી</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/6sfUmVVAVOHgKvM2pEjnIaCMGNlAsoG8GzRt49ZJ.webp'/></item><item><title><![CDATA[Nepal Flood વચ્ચે ભારતનું મોટું રેસ્ક્યુ ઓપરેશન! ત્રિશૂલી પ્રોજેક્ટમાંથી 63 ભારતીયો સુરક્ષિત બહાર ]]></title><link>https://sandesh.com/world/news/india/indias-major-rescue-operation-amid-nepal-flood-63-indians-safely-evacuated-from-trishuli-project</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/india/indias-major-rescue-operation-amid-nepal-flood-63-indians-safely-evacuated-from-trishuli-project</guid><pubDate>Thu, 27 Aug 2026 23:33:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નેપાળમાં આવેલી ભયાનક પૂરની હોનારત વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયે (MEA) મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે. ત્રિશૂલી-૧ પ્રોજેક્ટમાં કાર્યરત ગુમ થયેલા ૭3 ભારતીય કર્મચારીઓમાંથી 63 નાગરિકોને સુરક્ષિત રીતે ઉગારી લેવાયા છે. આ સિવાય અગાઉ તમિલનાડુના 2૧ લોકોને પણ સલામત બહાર કઢાયા હતા. વિદેશ મંત્રાલય દ્વારા બચાવવામાં આવેલા નાગરિકોની યાદી જાહેર કરવામાં આવી છે અને સ્થિતિ પર સતત નજર રાખવા માટે એક વિશેષ કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>હજુ 290 ભારતીયો ગુમ</b></h2><p style="text-align: justify; ">આ ભીષણ આપદામાં હજુ પણ 290 ભારતીય નાગરિકો સંપર્કવિહોણા છે, જેમને શોધવા માટે બચાવ અભિયાન સતત ચાલી રહ્યું છે. નેપાળી તંત્ર સાથે સંકલન કરીને ભારતીય મિશન આ વિસ્તારોમાં ફસાયેલા તમામ લોકોનો સંપર્ક કરવા માટે રાત-દિવસ કાર્યરત છે. ગુમ થયેલા નાગરિકોની ભાળ મેળવવા અને તેમના પરિવારજનોને મદદરૂપ થવા માટે ભારતીય વિદેશ મંત્રાલય સતત પ્રયત્નશીલ છે.</p><p style="text-align: justify; "><img alt="WhatsApp Image 2026-08-27 at 22.38.45 (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/27/1C4K4xUp5nBU4Lqflx9jgw1VkvY68jsWlZ9CxYj9.webp" style="width: 100%;"><b style="font-size: 2rem;">ભારતીય વાયુસેના દ્વારા રાહત સામગ્રીની પહોંચ</b><br></p><p style="text-align: justify; ">આપદાની આ ઘડીમાં ભારત નેપાળને તમામ શક્ય મદદ પૂરી પાડી રહ્યું છે, જેમાં ભારતીય વાયુસેના મહત્વની ભૂમિકા ભજવી રહી છે. અગાઉ C-130J અને C-17 ગ્લોબમાસ્ટર વિમાનો દ્વારા રાહત સામગ્રી પહોંચાડ્યા બાદ, હવે 2૮ ઓગસ્ટે વધુ એક C-130J ટ્રાન્સપોર્ટ વિમાન જરૂરી સામગ્રી લઈને નેપાળ રવાના થશે. રક્ષા મંત્રાલય નેપાળ સરકાર સાથે સંકલન સાધીને પૂર અસરગ્રસ્ત વિસ્તારો સુધી ઝડપથી પુરવઠો પહોંચાડી રહ્યું છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-news-shocking-incident-in-vastrapur-youth-jumps-from-4th-floor-of-himalaya-arcade-cctv-footage-emerges" target="_blank">Ahmedabad News : વસ્ત્રાપુરમાં ચકચારી ઘટના! હિમાલયા આર્કેડના 4થા માળેથી યુવકે ઝંપલાવ્યું, CCTV સામે આવ્યા</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/dsCcb9tUGrvPYdMVKM6Jz1c476MnVv8DS24EYslU.webp'/></item><item><title><![CDATA[EPFOએ 800 કંપનીઓને આપી ચેતવણી, કહ્યું '31 ઓક્ટોબર સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવાની આપી સલાહ' ]]></title><link>https://sandesh.com/business/news/epfo-warning-800-noida-companies-pf-enrolment-october-31</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/epfo-warning-800-noida-companies-pf-enrolment-october-31</guid><pubDate>Thu, 27 Aug 2026 19:20:28 +05:30</pubDate><description><![CDATA[<p>કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાં આશરે 800 કંપનીઓની ઓળખ કરી છે, જ્યાં કામ કરતા કર્મચારીઓની PF હેઠળ હજુ સુધી રજિસ્ટ્રેશન કર્યું નથી. EPFOએ આ કંપનીઓને નોટિસ પાઠવીને કર્મચારીઓનું PF રજિસ્ટ્રેશન 31 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવા સૂચના આપી છે.</p><h2><b>સંગઠને કર્મચારીઓને કરી આ અપીલ&nbsp;</b></h2><p>EPFOના જણાવ્યા મુજબ, આ યાદીમાં રેસ્ટોરન્ટ, શ્રમ સપ્લાય એજન્સીઓ, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર્સ, ટ્રાન્સપોર્ટ કંપનીઓ સહિત અન્ય સંસ્થાઓનો સમાવેશ થાય છે. સંગઠને કર્મચારીઓને પણ પોતાના PF કવરેજ અને નોંધણીની સ્થિતિ તપાસવા અપીલ કરી છે. EPFOએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે નિર્ધારિત સમયમર્યાદામાં નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો સંબંધિત કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે. સંગઠનનું કહેવું છે કે કર્મચારીઓને PF વ્યવસ્થામાં સામેલ કરવાની જવાબદારી મુખ્યત્વે નોકરીદાતાની છે.</p><h3><b>EPFO ચલાવી રહ્યું છે જાગૃતિ અભિયાન</b></h3><p>પ્રાદેશિક ભવિષ્ય નિધિ કમિશનરે જણાવ્યું કે EPFO કંપનીઓ અને કર્મચારીઓને PFના નિયમો તથા તેમના અધિકારો અંગે માહિતી આપવા માટે વિશેષ અભિયાન ચલાવી રહ્યું છે. પ્રથમ તબક્કામાં કંપનીઓને નિયમોની જાણકારી આપી પાલન સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.</p><h4><b>ડેડલાઈન બાદ થશે તપાસ</b></h4><p>31 ઓક્ટોબર બાદ EPFO દ્વારા ઓળખાયેલી કંપનીઓએ નિયમોનું પાલન કર્યું છે કે નહીં તેની સમીક્ષા કરવામાં આવશે. જો કંપનીઓ દ્વારા PF નોંધણી પૂર્ણ નહીં કરવામાં આવે તો કાર્યવાહી શરૂ થઈ શકે છે. PF વ્યવસ્થા કર્મચારીઓને ભવિષ્યની નાણાકીય સુરક્ષા ઉપરાંત પેન્શન, વીમા અને અન્ય સામાજિક સુરક્ષા લાભ મેળવવામાં મદદ કરે છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/madhya-pradesh-jabalpur-defence-manufacturing-hub-new-project" target="_blank">આ પણ વાંચો : Madhya Pradesh : જબલપુરને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની મોટી તૈયારી, સંરક્ષણ ક્ષેત્રના નવા પ્રોજેક્ટનો કરાયો શુભારંભ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/LhLAKeLDp0HW4Bmhd6bb4CX7vjqJaSNApNWAuRP0.webp'/></item><item><title><![CDATA[Manoj Bajpayeeની 'Last Man In Tower'નું ટીઝર આઉટ, લોકોએ કહ્યું 'આને ભૂલથી ય થિયેટરમાં ન લાવતા!' ]]></title><link>https://sandesh.com/entertainment/news/manoj-bajpayee-last-man-in-tower-teaser-ott-release</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/manoj-bajpayee-last-man-in-tower-teaser-ott-release</guid><pubDate>Thu, 27 Aug 2026 18:58:23 +05:30</pubDate><description><![CDATA[<p>મનોજ બાજપેયીની આગામી ફિલ્મ 'લાસ્ટ મેન ઇન ટાવર'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ થોડા જ દિવસોમાં થિયેટરમાં રિલીઝ થવાની છે. બેન રેખીના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મને રાણા દગ્ગુબાતીની 'સ્પિરિટ મીડિયા'એ પ્રોડ્યુસ કરી છે. જો કે સોશિયલ મીડિયા પર આ ફિલ્મને અલગ અલગ પ્રતિભાવો મળી રહ્યા છે.&nbsp;</p><p>ટીઝરની શરૂઆતનું દ્રશ્ય મનોજ બાજપેયીથી શરૂ થાય છે જે એક નિવૃત્ત શિક્ષક છે. જે પોતાના સમુદાયના લોકોની વિરુદ્ધ જતા તેમને કોઇ પસંદ નથી કરી રહ્યું.&nbsp;</p><h2><b>મનોજ બાજપેયીનો ધ્રૂજતો અવાજ</b></h2><p>ટીઝરની શરૂઆતમાં ધ્રૂજારી સાથે મનોજ બાજપેયી કહેતા જોવા મળે છે કે કોઇ વ્યક્તિ તેના સમાજ કે તેની આસપાસના લોકો પૂરતો મર્યાદિત તો ન હોઇ શકે ને! ત્યારબાદ વધુ એક અવાજ સંભળાય છે, "સંબંધોને તો સન્માન મળી જ જાય છે, પરંતુ શું તે આ સન્માનને લાયક પણ છે?" ત્યારબાદ મનોજ બાજપેયીના પાત્ર વિશે કોઈ કહે છે, "મને તો નથી લાગતું કે તેણે જેને ભણાવેલો હોય તે ક્યારેય પાસ પણ થયો હોય." બીજી તરફ મહિલાઓ તેમની વચ્ચે વાત કરતી જોવા મળે છે. તેઓ કહે છે, "બહાર તો ગાંધીજી બનીને ફરે છે, પરંતુ ઘરમાં તો બિલકુલ સરમુખત્યાર છે." અંતમાં મનોજ બાજપેયી આ અવાજોથી ડરીને ભાગીને પોતાના ફ્લેટમાં પ્રવેશતા જોવા મળે છે. તેમના ફ્લેટ પર 'લાસ્ટ મેન ઇન ટાવર' લખેલું જોવા મળે છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/INOXMovies/status/2092888255461249124"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>'આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ ન કરો, OTT પર લાવો'</b></h2><p>ટીઝર જોયા બાદ લોકોએ કહ્યું કે આ ફિલ્મને સિનેમામાં રિલીઝ ન કરો, તેને OTT પર રિલીઝ કરો. અન્ય એક વ્યક્તિએ પણ OTT પર રિલીઝ કરવાની વાત કહી. એક અન્ય વ્યક્તિએ કહ્યું કે આશા છે કે આ ફિલ્મ 'ધ વાઇટ ટાઇગર' જેવી ગડબડ નહીં કરે.</p><h2><b>અરવિંદ અડિગાની આ જ નામની નવલકથા પરથી બની છે ફિલ્મ</b></h2><p>આ ફિલ્મ ભારતીય મૂળના લેખક અને બુકાર પ્રાઇઝ વિજેતા પત્રકાર અરવિંદ અડિગાની આ જ નામની નવલકથા પરથી બની છે. આ ફિલ્મ દ્વારા પહેલીવાર મનોજ બાજપેયી અને બોમન ઈરાની સાથે કામ કરતા જોવા મળશે.</p><h2><b>'લાસ્ટ મેન ઇન ટાવર' ક્યારે રિલીઝ થશે?</b></h2><p>ફિલ્મની સ્ક્રીનપ્લે સોની તારાપોરવાલાએ લખી છે અને જુહી ચતુર્વેદીએ હિન્દી ડાયલોગ લખ્યા છે. ફિલ્મમાં દિવ્યા દત્તા અને સુકાંત ગોયત પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 11 સપ્ટેમ્બર 2026ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/AhvFSK5h0VbmloV7cu9psM2LS2zX5qZBNJtxWts0.webp'/></item><item><title><![CDATA[Gujarat Super League Season 3: 1 સપ્ટેમ્બરથી થશે ધમાકેદાર પ્રારંભ, અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે ટ્રોફી-જર્સી અનાવરણ સાથે નવી ડિજિટલ એપ લોન્ચ ]]></title><link>https://sandesh.com/sports/news/gujarat/ahmedabad/gujarat-super-league-season-3-schedule-transstadia-ahmedabad-gsfa-app-launch</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/gujarat/ahmedabad/gujarat-super-league-season-3-schedule-transstadia-ahmedabad-gsfa-app-launch</guid><pubDate>Thu, 27 Aug 2026 17:08:43 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતમાં ફૂટબોલની રમતે પકડાવેલા મજબૂત વાતાવરણ વચ્ચે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશને ગુજરાત સુપર લીગની ત્રીજી સીઝનની જાહેરાત કરી છે. GSL સીઝન-3 નો પ્રારંભ 1 સપ્ટેમ્બર, 2026 ના રોજ સાંજે 4:00 વાગ્યે અમદાવાદના વિશ્વકક્ષાના સ્ટેડિયમ ટ્રાન્સસ્ટેડિયા એરેના ખાતે થશે. આ લીગ રાજ્યમાં ઉચ્ચ સ્તરની ફૂટબોલ પ્રતિભાઓ તૈયાર કરવામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે.</p><h2><b>GSL-3 ની જર્સી અને ટ્રોફીનું ભવ્ય અનાવરણ</b></h2><p>અગ્રણી હોદ્દેદારો અને ટીમ માલિકોની વિશેષ ઉપસ્થિતિમાં GSFA ના ઉપપ્રમુખ પ્રદિપસિંહ વાઘેલા દ્વારા GSL સીઝન-3 ની સત્તાવાર ટ્રોફી અને ટીમ જર્સીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ જર્સી ગુજરાતના ફૂટબોલ ક્ષેત્રની આધુનિક ઊર્જાનું પ્રતિબિંબ પાડે છે, જ્યારે ટ્રોફી આ આખી સીઝન દરમિયાન સર્વોચ્ચ એવોર્ડ માટે ટીમો વચ્ચે ખેલાનાર રોમાંચક જંગનું પ્રતીક બનશે.</p><h2><b>U-20 ખેલાડીઓને મળશ જર્મનીમાં રમવાની મોટી તક</b></h2><p>આ વખતની સીઝનની સૌથી મોટી વિશેષતા યુવા ખેલાડીઓ માટેનું આંતરરાષ્ટ્રીય એક્સપોઝર છે. GSL-3 માંથી શાનદાર પ્રદર્શન કરનાર બે U-20 ફૂટબોલરોની પસંદગી જર્મનીમાં ટાયર-3 અને ટાયર-4 ડોમેસ્ટિક ટુર્નામેન્ટ્સના ટ્રાયલ માટે કરવામાં આવશે. જર્મન સાયકોલોજીસ્ટ પ્રોફેસર જેન માયર અને બોસ ટેકનોલોજી દ્વારા સ્પોર્ટ્સ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ખેલાડીઓની બારીકાઈથી પસંદગી કરવામાં આવશે.</p><p><img alt="Gujarat Super League Season 3 To Begin From Sept 1 at TransStadia Ahmedabad, GSFA Launches App" src="https://epapercdn.sandesh.com/images/2026/08/27/mYRThsdOn1CgdPjaTuzNRHqZvSGmvsSZoUzvPkAY.webp"><br></p><h2><b>ઇજાગ્રસ્ત યુવા ખેલાડી રાહુલ ભાટીયાને મદદની જાહેરાત</b></h2><p>GSFA દ્વારા માત્ર રમત જ નહીં, પરંતુ ખેલાડીઓની સુવિધા અને કલ્યાણ પર પણ પૂરો ભાર મૂકવામાં આવ્યો છે. કાર્યક્રમ દરમિયાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા રાજ્યના યુવા ફૂટબોલર રાહુલ ભાટીયાને રૂ. 2,00,000 ની એક્સ-ગ્રેશિયા રકમ ચૂકવવાની વિશેષ જાહેરાત પણ કરવામાં આવી હતી.</p><h2><b>જીએસએફએ પ્રમુખ પરિમલ નથવાણીનું નિવેદન</b></h2><p>લીગ અંગે વાત કરતાં GSFA ના પ્રમુખ પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, GSLની ત્રીજી સીઝન એ માત્ર એક રમત સ્પર્ધા નથી, પરંતુ ગુજરાતમાં ફૂટબોલના સર્વાંગી વિકાસ માટેની અમારી દ્રષ્ટિનો અગત્યનો ભાગ છે. અમારો મુખ્ય હેતુ રાજ્યના યુવાનોને એક ઉચ્ચ કક્ષાનું પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે, જેથી ગુજરાતમાં ફૂટબોલ લોકોની પહેલી પસંદગીની રમત બની શકે.</p><p><img alt="Gujarat Super League Season 3 To Begin From Sept 1 at TransStadia Ahmedabad, GSFA Launches App" src="https://epapercdn.sandesh.com/images/2026/08/27/SBrNO0oV6iNaXOUq1rCpkn9q7oOHLeld8K7pLy69.webp"><br></p><h2><b>ચાહકો માટે વન-સ્ટોપ 'જીએસએફએ ડિજિટલ એપ' લોન્ચ</b></h2><p>ફૂટબોલ ચાહકોને ટુર્નામેન્ટ સાથે સીધા જોડવા માટે એક વિશેષ સમર્પિત ડિજિટલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે. GSFA ના માનદ સચિવ મુલરાજસિંહ ચૂડાસમાએ પ્રેઝન્ટેશન દ્વારા એપની મુખ્ય વિશેષતાઓ સમજાવી હતી. આ વન-સ્ટોપ એપ મારફતે ચાહકો ઘરબેઠા મેચ ફિક્સ્ચર્સ, લાઇવ પરિણામો, શેડ્યૂલ, ટીમોની વિગત, પોઈન્ટ્સ ટેબલ અને ખેલાડીઓની પ્રોફાઈલ સરળતાથી જોઈ શકશે.</p><p><img alt="Gujarat Super League Season 3 To Begin From Sept 1 at TransStadia Ahmedabad, GSFA Launches App" src="https://epapercdn.sandesh.com/images/2026/08/27/FcXj2DbleZ7RFC3kgwv6f0oCEzmf0v5MfaQ7OuOz.webp"><br></p><h2><b>તમામ મેચોનું શેડ્યૂલ ઓનલાઈન ઉપલબ્ધ</b></h2><p>સમારોહ દરમિયાન GSL સીઝન-3 ના સંપૂર્ણ ફિક્સ્ચર્સ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. તમામ તારીખો, સમય અને ટીમોના મુકાબલાની માહિતી નવી લોન્ચ થયેલી એપ્લિકેશન અને GSFA ના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ઉપલબ્ધ રહેશે. આ ભવ્ય આયોજનમાં સહભાગી થઈ રાજ્યમાં ફૂટબોલનો ઉત્સાહ વધારવા તમામ રમતપ્રેમીઓને હાકલ કરવામાં આવી છે.</p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/gujarat/news/vadodara/fake-doctor-arrested-for-performing-hemorrhoid-surgeries-without-anesthesia" target="_blank"> Vadodara News: ધોરણ 10 ફેલ બોગસ ડોક્ટર ગરમ ચીપીયાથી દર્દીને બેભાન કર્યા વિના હરસ મસાના ઓપરેશન કરતો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/68mJxpU52aqMVN04T7Z4tD4Mb7lQhwAZysqg6G6O.webp'/></item></channel></rss>