<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Valsad : શેરબજારમાં નફાની લાલચ આપી મહિલા સાથે 1.46 કરોડની ઠગાઈ કેસમાં બે ઝબ્બે ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/valsad/valsad-two-arrested-in-case-of-cheating-a-woman-of-rs-146-crore-on-the-pretext-of-profit-in-the-stock-market</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/valsad/valsad-two-arrested-in-case-of-cheating-a-woman-of-rs-146-crore-on-the-pretext-of-profit-in-the-stock-market</guid><pubDate>Wed, 16 Sep 2026 05:22:54 +05:30</pubDate><description><![CDATA[<p>બનાવટી ઇન્વેસ્ટમેન્ટ કંપની ઊભી કરી શેરબજારમાં રોકાણના નામે છેતરપિંડી કરીને સાયબર ફ્રોડ આચરતી ગેંગ દ્વારા વલસાડની એક મહિલાને શેરની લે-વેચ કરી વધુ નફો મેળવવાની લાલચ આપીને રૂા. 1.46 કરોડથી વધુની ઠગાઇ કરાઈ હતી. આ ગુનામાં વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે બનાસકાંઠા જિલ્લાના વધુ બે આરોપીને ઝડપી પાડવામાં સફ્ળતા મેળવી છે.</p><p>સાયબર ઠગભગતોએ બી125-વેલ્ધી વિઝન વીઆઇપી સર્કલ તથા 460-વેલ્ધી વિઝન વીઆઇપી સર્કલ નામના વોટ્સએપ ગ્રુપના ગ્રુપ એડમીન બનીને વલસાડમાં રહેતી એક મહિલાને શેર માર્કેટમાં ઇન્સ્ટીટયુશનલ ટ્રેડીંગ મારફ્તે બલ્કમાં શેરની લે-વેચ કરી વધુ નફો મેળવવાની ખોટી લાલચ આપી હતી. જે બાદ મહિલાને વેલ્ધીઇન બ્રોકીંગ પ્રા.લી. નામની કંપનીની ખોટી ઓળખ ઊભી કરી મહિલાના બેંક એકાઉન્ટમાં રૂા. 1,46,75,000 ટ્રાન્સફર કરાવી લઇ એપ્લીકેશનમાં ખોટો પ્રોફીટ બતાવવામાં આવ્યો હતો. જે નફાની રકમ ઉપાડવા જતા ઠગોએ તે મહિલાને નફાની રકમ પર 15 ટકા કમિશન પેટે વધુ રકમની માંગણી કરી એ કમિશનના રૂપિયા મહિલાના બેલેન્સમાંથી બાદ કરવાનું કહ્યું હતું. જો કે, આ સમયે મહિલાને પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાની સમજ આવી હતી. તેથી તેણીએ વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. સાયબર ક્રાઇમ પોલીસે સાયબર ફ્રોડ કરીને મેળવેલા નાણાં જે બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા હતાં એ ખાતાધારકની તપાસ હાથ ધરતા આરોપી નરેન્દ્ર મહેશ માળી પકડાઈ ગયો હતો. તેની પૂછપરછમાં, તેણે મેળવેલા સાયબર ફ્રોડના રૂપિયા બેંકમાંથી ઉપાડીને ભાર્ગવ નરેશ સોલંકી, ટીંકેશ શંકરલાલ પઢિયાર અને મેહુલ મહેન્દ્ર કચ્છવા (ત્રણેય રહે. માલગઢ ડીસા)ને આપ્યા હોવાનું કબુલાત કરી હતી. જે હકીકતને આધારે પોલીસે ત્રણેય આરોપીઓને શોધવા ડીસા તેમજ રાજસ્થાન જઇ વારંવાર આંટાફેરા માર્યા હતાં. પરંતુ તેઓ મળી આવ્યા નહતાં. ત્યારબાદ પોલીસે ત્રણેય આરોપીના બેંક ખાતા, મોબાઇલ ફોનની વિગતો, સગા-સંબંધીઓના મોબાઇલ ફોનની માહિતી, સોશિયલ મીડિયા એનાલીસીસ અને હ્યુમન રિસોર્સની મદદથી તપાસ કરતાં પી.એસ.આઇ. ડી.એસ. પટેલને માહિતી મળી હતી કે, આ આરોપીઓ પૈકી ભાર્ગવ સોલંકી અને મેહુલ કચ્છવા રાજસ્થાન અને માલગઢ ખાતે ઘણી વખત દેખાયો છે. જેથી સ્થાનિક બાતમીદારો એક્ટિવ કરતા, બંને આરોપીઓ ભાદરવા બીજ મનાવવા માટે માલગઢ ખાતે પોતાના ઘરે આવનાર હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેને આધારે પોલીસે તા. 12-09-26ના રોજ માલગઢ પહોંચી બંને આરોપીઓને પકડી પાડયા હતાં. પોલીસની તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે, પકડાયેલો આરોપી મેહુલ મહેન્દ્ર કચ્છવાના બેંક ખાતામાં સાયબર ફ્રોડના રૂા. 18.70 લાખ આવ્યા હતાં.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/IXwO9UAZTAP18LjEDEp8xFG0ZPm1z43FyeP6udbb.webp'/></item><item><title><![CDATA[Surendranagar: તરણેતરના મેળામાં ત્રિ-નેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધ્વજા શિખર પર અર્પણ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surendranagar/surendranagar-a-fifty-two-yard-flag-was-offered-to-tri-netreshwar-mahadev-at-the-tarnetar-fair-on-the-peak</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surendranagar/surendranagar-a-fifty-two-yard-flag-was-offered-to-tri-netreshwar-mahadev-at-the-tarnetar-fair-on-the-peak</guid><pubDate>Wed, 16 Sep 2026 05:22:46 +05:30</pubDate><description><![CDATA[<p><b>થાનગઢ તાલુકામાં વિશ્વ વિખ્યાત તરણેતરના મેળા દરમિયાન મંગળવારે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના શિખર પર બાવન ગજની ધજા ચડાવવામાં આવી હતી. આ પાવન અવસરે સંતો-મહંતો દ્વારા સૌપ્રથમ ધજાજીનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તરણેતરની પરંપરા મુજબ વાજતે-ગાજતે શોભાયાત્રા યોજાઈ હતી. આ તકે વિસામણબાપુની જગ્યાના મહંત નિર્મળાબાએ જણાવ્યું હતું કે, ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે ધ્વજા ચડાવવાની પરંપરા વર્ષોથી ચાલતી આવે છે. શોભાયાત્રા મંદિર ખાતે પહોંચ્યા બાદ મુખ્ય પૂજારીએ પૂજાવિધિ કરાવી હતી. ત્યારબાદ ત્રિ-નેત્રેશ્વર મહાદેવના શિવાલય પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.</b></p><p><b><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/7L5mL3DlybHTYO5ZMGD3yCMoAi67c1lGYsHoFM6s.webp'/></item><item><title><![CDATA[Viramgam: જૈન સમુદાય દ્વારા સૌને મિચ્છામી દુક્કડમ કરાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/viramgam-jain-community-offers-michhami-dukkadam-to-everyone</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/viramgam-jain-community-offers-michhami-dukkadam-to-everyone</guid><pubDate>Wed, 16 Sep 2026 05:19:57 +05:30</pubDate><description><![CDATA[<p>વિરમગામ : અમદાવાદ જિલ્લાના વિરમગામ સહિત શહેર સમીપે આવેલા ધાકડી લબ્ધિ તીર્થમાં પ્રયુષણ પર્વના અંતિમ દિને સંવતસરી પર્વની મંગળવારે જૈન સમાજ દ્વારા ઉજવણી કરાઈ હતી. જીનાલયોમાં ભગવાનને અભિષેક ધારા, પૂજા અર્ચના, વ્યાખ્યાન, મહાપૂજા, સંધ્યા ભક્તિ, આરતી સહિતના અવસર યોજાયા હતા. શહેરમાં શાલીભદ્ર આરાધના ભવનમાં વીર સૈનિકોની ટીમ, જીવીબાના ઉપાશ્રાયે પ્રવચન પ્રભાવીકા યશોવર્ધના શ્રીજી આદિઠાણા, સ્થાનકવાસી જૈન સંઘમાં નંદિની બાઈ માહ સતીજી, પાશ્વચંદ્ર જૈન સંઘમાં સાધ્વીજી ભગવંત વીર ભદ્રાની નિશ્રામાં સંવતસરી પ્રતિક્રમણ માટે જૈન પરિવાર જનો મોટી સંખ્યામાં ઉમટી આવ્યા હતા. પ્રતિક્રમણ કરીને સમાજની સંસ્કૃતિ રીત મુજબ સગા, સંબંધી, સ્નેહીજનોને એકબીજાને મિચ્છામી દુક્કડમ કરી ક્ષમા યાચના માગી હતી અને હર્ષ ઉલ્લાસથી સંવતસરી પર્વની ઉજવણી કરાઈ હતી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/EmvoXGnRs51PJu18Hmcg8Ad7RrrtIWH6aPIFGQaj.webp'/></item><item><title><![CDATA[Kim : કીમ તેરાપંથ સમાજ દ્વારા સંવત્સરી મહાપર્વની ભાવભેર ઉજવણી કરાઇ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/kim-kim-terapanth-samaj-celebrated-the-samvatsari-mahaparva-with-great-enthusiasm</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/kim-kim-terapanth-samaj-celebrated-the-samvatsari-mahaparva-with-great-enthusiasm</guid><pubDate>Wed, 16 Sep 2026 05:18:56 +05:30</pubDate><description><![CDATA[<p>કીમ ખાતે તેરાપંથ શ્રાવક સમાજ દ્વારા સંવત્સરી મહાપર્વની ભક્તિભાવ અને શ્રાદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જૈન ધર્મના સર્વોચ્ચ પર્વ પર્યુષણના 8 દિવસ દરમિયાન સમસ્ત તેરાપંથ ધર્મસંઘના પ્રત્યેક પરિવારે ગહન ધર્મ આરાધના કરી હતી. પરમ પૂજ્ય ગુરૂદેવ આચાર્ય મહાશ્રામણજીના પ્રવક્તા ઉપાસિકા લીલાજી મહેતા તેમજ સહયોગી ઉપાસિકા સુમનજી ભંસાલીના સાંનિધ્યમાં અનેક શ્રાવકોએ તપ, જપ અને ઉપવાસ થકી આત્માશુદ્ધિની સાધના કરી હતી. તેમણે ભગવાન મહાવીર સ્વામીના જીવનદર્શન અને તેમના મૂળભૂત સિદ્ધાંતો પર વિગતવાર પ્રકાશ પાડયો હતો. આ આયોજન કીમ તેરાપંથ ધર્મસંઘના સુશ્રાવક સતીશકુમાર સામરા, કીમ તેરાપંથ સમાજના અધ્યક્ષ સુરેશભાઇ મહેર તેમજ મહિલા મંડળનાં અધ્યક્ષ મંજુલાબેન બાબુલાલ સામરાની વિશેષ ઉપસ્થિતિ અને અધ્યક્ષતા હેઠળ કરાયું હતું.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/TX6bUrLC1qTavCdR4kYQIFJ3aUOwhEQHXTNIYBVS.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : અંજલી બ્રિજ પર રોંગ સાઈડમાં આવતી ટ્રકે બાઈકને ટક્કર મારી, યુવકનું મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-a-truck-coming-from-the-wrong-side-on-anjali-bridge-hit-a-bike-killing-a-young-man</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-a-truck-coming-from-the-wrong-side-on-anjali-bridge-hit-a-bike-killing-a-young-man</guid><pubDate>Wed, 16 Sep 2026 05:14:26 +05:30</pubDate><description><![CDATA[<p>શહેરના અંજલી બ્રિજ પર વહેલી સવારે બ્રિજ પર રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે ધસી આવેલી એક ટ્રકે બાઈકને જોરદાર ટક્કર મારતા 23 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જં મોત નીપજ્યું હતું, જ્યારે તેનો મિત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ અંગે એન ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે ટ્રકચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વિગત મુજબ, 23 વર્ષીય મિલન વાઘેલા પોતાના મિત્ર કુલદીપ સાથે બાઈક પર સવાર થઈને પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અંજલી બ્રિજ પર સામેથી રોંગ સાઈડમાં આવી રહેલી બેકાબૂ ટ્રકે તેમના બાઈકને અડફેટે લીધું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે મિલન વાઘેલાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલા તેના મિત્ર કુલદીપને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ એન ડિવિઝન ટ્રાફ્કિ પોલીસ મથકનો કાફ્લો તુરંત સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી અકસ્માત સર્જીને નાસી છૂટવાનો પ્રયાસ કરતા ટ્રકચાલકને સ્થળ પરથી જ ઝડપી લીધો હતો. પોલીસે ચાલક સામે ગફ્લતભરી અને જોખમી રીતે વાહન હંકારી માનવવધ કરવા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહત્ત્વનું છે કે શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ભારે વાહનો, ટ્રકો, ડમ્પરો બેફામ રીતે દોડી રહ્યા છે. છતાં ટ્રાફિક પોલીસ, આરટીઓ તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં હજુ પણ દેખાય રહ્યું છે. આવા બનાવ ટાળવા નક્કર કાર્યવાહી જરૂરી છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/16/KtgZFd1WxA15TYUYhiwRWh5wfIaAamwuSf3AIyl9.webp'/></item><item><title><![CDATA[Uttar Pradeshના મેરઠમાં ક્લોરીન ગેસ લીકેજથી અફરાતફરી, 15ની તબિયત લથડી ]]></title><link>https://sandesh.com/india/news/chlorine-gas-leakage-causes-chaos-in-meerut-uttar-pradesh-15-people-fall-ill</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/chlorine-gas-leakage-causes-chaos-in-meerut-uttar-pradesh-15-people-fall-ill</guid><pubDate>Tue, 15 Sep 2026 23:42:49 +05:30</pubDate><description><![CDATA[<p>Pallavpuram gas leak: ઉત્તર પ્રદેશના પલ્લવપુરમ ફેસ-2ના એન પોકેટમાં આવેલા આકાંક્ષા એમ્બિયન્સ કોલોની પાસે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)માંથી મંગળવારે ક્લોરીન ગેસ લીકેજ થતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. અચાનક ગેસની તીવ્ર દુર્ગંધ આસપાસના ઘરો સુધી પહોંચતાં લોકો કંઈ સમજી શક્યા નહોતા. થોડી જ વારમાં લોકો બાળકો અને વૃદ્ધોને લઈને ઘરની બહાર નીકળી ગયા અને સુરક્ષિત જગ્યાએ જવા લાગ્યા. માહિતી મળતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે માઇક દ્વારા લોકોને માસ્ક અથવા રૂમાલથી મોઢું ઢાંકીને રાખવા અને ઘરમાં રહેવાની અપીલ કરી હતી.</p><p><b>STPમાંથી ગેસ લીકેજ</b></p><p>આકાંક્ષા એમ્બિયન્સ કોલોની પાસે મંગળવારે સાંજે લગભગ સવા સાત વાગ્યે STPમાંથી ગેસ લીકેજ થતાં અફરાતફરી મચી ગઈ હતી. લોકોએ ઘરના દરવાજા અને બારીઓ બંધ કરી દીધી હતી. બહાર રહેલા પરિવારના સભ્યોને પણ ફોન કરીને સુરક્ષિત સ્થળે જવા અથવા ઘરે પરત ફરવા માટે કહેવામાં આવ્યું હતું. કેટલાક પરિવારો બાળકોને લઈને વિસ્તારથી દૂર ચાલ્યા ગયા હતા.</p><p><b>લોકોની તબિયત બગડી</b></p><p>તબિયત ખરાબ થતાં વિશાલ, દીપાંશુ, વંશી, આદિત્ય, અનિકા, વિક્રાંત ઢાકા, વાણી અને વાન્યાને SDS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.અન્ય લોકોને રાધે શ્યામને ફ્યુચર પ્લસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત CB હોસ્પિટલમાં પણ બે લોકોને દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ પહોંચેલા લોકોએ ગેસના સંપર્કમાં આવ્યા બાદ તકલીફ થતી હોવાની વાત જણાવી હતી.</p><p><b>નગરસેવક વિક્રાંત ઢાકા ICUમાં</b></p><p>નગરસેવક વિક્રાંત ઢાકા ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ આસપાસ રહેતા પરિવારોમાં બાળકો અને વૃદ્ધોની સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ હતી. કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. એચ.એલ. સિંહે જણાવ્યું કે તેઓ પરિવાર સાથે ફેસ-2માં જ રહે છે. સાંજે લગભગ સવા સાત વાગ્યે ગેસ લીકેજ થયો હતો. ગેસની દુર્ગંધ ઘરો સુધી પહોંચતા લોકો ગભરાઈ ગયા અને સુરક્ષિત સ્થળ તરફ જવા લાગ્યા. તેમણે કહ્યું કે અચાનક ફેલાયેલી દુર્ગંધને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. તેમની પુત્રી વાન્યા પણ હોસ્પિટલમાં દાખલ છે.</p><p><b>વોલ્વ લીક થતાં ક્લોરીન ગેસ ફેલાઈ</b></p><p>પલ્લવપુરમ ફેસ-2ના એન પોકેટમાં આવેલા STPમાં મંગળવારે સાંજે ક્લોરીન ગેસ લીકેજની ઘટના બની હતી. આ ઘટનાથી પ્લાન્ટની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ક્લોરીન ગેસના વોલ્વમાં લીકેજ થતાં ગેસ બહાર આવ્યો હતો. નાની ટેકનિકલ ખામી જોતજોતામાં આસપાસ રહેતા લોકો માટે મુશ્કેલીનું કારણ બની ગઈ. ગેસ ફેલાતા લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી અને કેટલાક લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.</p><p><b>પોલીસે ઘરમાં રહેવાની અપીલ કરી</b></p><p>પોલીસે માઇક દ્વારા લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી હતી. પોલીસે લોકોને ઘરમાં રહેવા અને બહાર નીકળવાની જરૂર પડે તો માસ્ક અથવા રૂમાલથી મોઢું ઢાંકીને રાખવા જણાવ્યું હતું. સાથે જ ગેસ લીકેજ થયેલા સ્થળની આસપાસ ન જવાની પણ સૂચના આપવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા.</p><p><b>કુલ 15 લોકો હોસ્પિટલમાં દાખલ</b></p><p>પલ્લવપુરમ પોલીસના જણાવ્યા અનુસાર, રાધેશ્યામ પુત્ર મહિપાલ સિંહ, રહેવાસી મોહમ્મદપુર અમરોહાને ફ્યુચર પ્લસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આદિત્ય પુત્ર પરવિંદર કુમાર, વેદાંશી અને અનિકા પુત્રી અક્ષત, નીલમ સિંહ પત્ની ડૉ. એચ.એલ. સિંહ, વાન્યા પુત્રી ડૉ. એચ.એલ. સિંહ, વિશાલ પુત્ર સેન્સર પાલ, દીપાંશુ પુત્ર પવન કુમાર, ગામ ખનૌદા, પોલીસ સ્ટેશન પલ્લવપુરમ, શોભના પત્ની અક્ષત અને પ્રાંજલ પુત્ર અનુજ ચૌધરી, વાણી, વિક્રાંત ઢાકા સહિતના લોકોને SDS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ તમામ સહિત કુલ 15 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.</p><p><b>STPની સુરક્ષા સામે સવાલ</b></p><p>STPની આસપાસ ગીચ વસ્તી હોવાથી આ ઘટનાએ પ્લાન્ટની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે પ્લાન્ટની આસપાસ મોટી સંખ્યામાં પરિવારો રહે છે. આવી સ્થિતિમાં ફરીથી ગેસ લીકેજ જેવી ઘટના બને તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. લોકોએ STPની સુરક્ષા વ્યવસ્થા, ગેસના ઉપયોગ અને ઇમરજન્સી વ્યવસ્થાની તપાસ કરાવવાની માંગ કરી છે.</p><p><b>કેન્ટ ધારાસભ્ય અને મેયર હોસ્પિટલ પહોંચ્યા</b></p><p>કેન્ટના ધારાસભ્ય અમિત અગ્રવાલ, મેયર હરિકાંત અહલુવાલિયા અને નગર કમિશનર હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્રણેયે હોસ્પિટલમાં દાખલ ગેસની અસરથી પીડિત લોકોની મુલાકાત લઈને તેમની તબિયતની માહિતી મેળવી હતી. કેન્ટના ધારાસભ્ય અમિત અગ્રવાલે જણાવ્યું હતું કે સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવશે. ગેસ લીકેજ માટે જેની પણ ભૂલ સામે આવશે, તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/nagpur-chlorine-gas-leak-godhni-hospitalized" target="_blank">આ પણ વાંચો:&nbsp; ક્લોરિન ગેસ લીક થયો, 40 લોકો હોસ્પિટલમાં દાખલ, 150 ઘર ખાલી કરાવ્યા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/k85Je7qRNbk2KrCUopFy052hQjEj5dHBFq8jMUQd.webp'/></item><item><title><![CDATA[Delhi : પાકિસ્તાનની 2 બ્યુટી ક્રીમ સામે ભારતે આપ્યું હેલ્થ એલર્ટ, CDSCOએ વેચાણ અને ઉપયોગથી દૂર રહેવા આપી ચેતવણી ]]></title><link>https://sandesh.com/india/news/delhi-cdsco-pakistani-beauty-creams-health-alert-goree-chandni</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/delhi-cdsco-pakistani-beauty-creams-health-alert-goree-chandni</guid><pubDate>Tue, 15 Sep 2026 22:42:24 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતમાં પાકિસ્તાનથી આયાત થતા બે બ્યુટી પ્રોડક્ટ્સને લઈને જાહેર આરોગ્ય ચેતવણી જારી કરવામાં આવી છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO)ની કોસ્મેટિક ડિવિઝને ‘ગોરી બ્યુટી ક્રીમ’ અને ‘ચાંદની વ્હાઇટનિંગ ક્રીમ’ને ભારતમાં વેચાણ માટે અનધિકૃત જાહેર કરી છે.</p><h2 style="text-align: justify; "><b>ક્રીમને ભારતમાં કાયદેસર રીતે વેચી શકાતી નથી</b></h2><p style="text-align: justify; ">CDSCOના જણાવ્યા મુજબ, બંને પ્રોડક્ટ્સ માટે ભારતમાં ઇમ્પોર્ટ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ જારી કરવામાં આવ્યું નથી. તેથી આ ક્રીમને ભારતમાં કાયદેસર રીતે વેચી કે વિતરીત કરી શકાતી નથી.</p><h3 style="text-align: justify; "><b>હેવી મેટલ્સની વધુ માત્રા મળ્યાનો અહેવાલ</b></h3><p style="text-align: justify; ">રિપોર્ટ્સ અનુસાર, તપાસ દરમિયાન બંને ક્રીમમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હેવી મેટલ્સ મળી આવ્યા હતા. આવા તત્ત્વોની વધુ માત્રા વપરાશકર્તાઓના સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરી શકે છે. જોકે, પ્રોડક્ટ્સમાં કયા હેવી મેટલ્સ અને કેટલી ચોક્કસ માત્રા મળી તે અંગેની વિગત જાહેર કરવામાં આવી નથી.</p><h3 style="text-align: justify; "><b>CDSCOની ગ્રાહકોને સીધી સલાહ</b></h3><p style="text-align: justify; ">CDSCOએ લોકોને આ બંને ક્રીમ ખરીદવા નહીં અને જો અગાઉથી ખરીદી હોય તો તેનો ઉપયોગ તાત્કાલિક બંધ કરવા સલાહ આપી છે. આ ઉપરાંત, સમાન નામ ધરાવતા અથવા મળતા-જુલતા અનધિકૃત કોસ્મેટિક પ્રોડક્ટ્સથી પણ સાવચેત રહેવા જણાવ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>વેચાણ અને વિતરણ રોકવા એજન્સીઓને આદેશ</b></h3><p style="text-align: justify; ">CDSCOએ સંબંધિત એજન્સીઓને આ પ્રોડક્ટ્સનું વેચાણ અને વિતરણ અટકાવવા સૂચના આપી છે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના ઔષધ નિયંત્રકો ઉપરાંત CDSCOના ઝોન, સબ-ઝોન અને પોર્ટ ઓફિસોને પણ પોતાના અધિકારક્ષેત્રમાં આવા ઉત્પાદનોની ઉપલબ્ધતા રોકવા માટે જરૂરી કાર્યવાહી કરવા કહેવામાં આવ્યું છે.</p><p style="text-align: justify; "><img alt="CDSCO Issues Health Alert on Two Pakistani Beauty Creams" src="https://epapercdn.sandesh.com/images/2026/09/15/ndhTIVTTeJGpYSZBCMMK8Xwz5GDqjRfbHCckvQbf.webp" style="width: 100%;"><br></p><h4 style="text-align: justify; "><b>કોસ્મેટિક ખરીદતી વખતે લેબલ તપાસો</b></h4><p style="text-align: justify; ">CDSCOએ ગ્રાહકોને માત્ર અધિકૃત કોસ્મેટિક પ્રોડક્ટ્સ જ ખરીદવા અને ઉપયોગમાં લેવા અપીલ કરી છે. ખરીદી પહેલાં પેકિંગ પર મેન્યુફેક્ચરિંગ લાઇસન્સ નંબર, ઉત્પાદકની વિગતો, બેચ નંબર, મેન્યુફેક્ચરિંગ અને એક્સપાયરી તારીખ જેવી માહિતી તપાસવી જોઈએ. આયાત કરાયેલા કોસ્મેટિક્સ પર રજિસ્ટ્રેશન નંબર પણ હોવો જરૂરી છે.</p><h4 style="text-align: justify; "><b>અહીં ફરિયાદ કરો</b></h4><p style="text-align: justify; ">લેબલમાં કોઈ ગેરરીતિ જણાય તો ભારતમાં બનેલા પ્રોડક્ટ્સ અંગે સંબંધિત રાજ્ય ઔષધ નિયંત્રકને અને આયાતી કોસ્મેટિક્સ અંગે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાને જાણ કરવા CDSCOએ જણાવ્યું છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/crime/surat/surat-utran-wife-swapping-pressure-katargam-police-case" target="_blank"><b>Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/YO4lAJM8f6wWw6CqrVvWdWRpfB7lrycC0mRkh8W6.webp'/></item><item><title><![CDATA[Automobile News: 200 કિમી સુધી પેટ્રોલ વગર દોડશે Volvo XC60, જાણો બેટરી, રેન્જ, ફીચર્સ અને કિંમત ]]></title><link>https://sandesh.com/business/automobile/news/automobile-news-volvo-xc60-will-run-for-200-km-without-petrol-know-the-battery-range-features-and-price</link><guid isPermaLink="true">https://sandesh.com/business/automobile/news/automobile-news-volvo-xc60-will-run-for-200-km-without-petrol-know-the-battery-range-features-and-price</guid><pubDate>Tue, 15 Sep 2026 22:07:13 +05:30</pubDate><description><![CDATA[<p>Volvoએ ગ્લોબલ માર્કેટમાં પોતાની લોકપ્રિય SUV XC60 અને XC90ના અપડેટેડ પ્લગ-ઇન હાઇબ્રિડ (PHEV) વર્ઝન રજૂ કર્યા છે. બંને SUVમાં પહેલાંની સરખામણીમાં મોટી બેટરી આપવામાં આવી છે, જેના કારણે તેમની ઇલેક્ટ્રિક રેન્જ ઘણી વધી ગઈ છે. XC60 PHEV હવે માત્ર ઇલેક્ટ્રિક પાવર પર 200 કિમી સુધી ચાલી શકે છે. જ્યારે XC90 PHEVની ઇલેક્ટ્રિક રેન્જ 162 કિમી સુધી પહોંચી ગઈ છે.</p><p><b>બેટરીની ક્ષમતા બમણાથી વધુ</b></p><p>બંને SUVમાં પહેલાં 19kWhની બેટરી મળતી હતી, જેને હવે 41.2kWhની મોટી બેટરીથી બદલવામાં આવી છે. તેમાંથી લગભગ 37.9kWh બેટરીનો ઉપયોગ કરી શકાય છે. એટલે કે બેટરીની ક્ષમતા બમણાથી પણ વધારે થઈ ગઈ છે. આ કારણે બંને SUVની ઇલેક્ટ્રિક રેન્જમાં પણ મોટો ફેરફાર થયો છે.</p><p><b>પહેલાં કેટલી રેન્જ મળતી હતી?</b></p><p>નવી XC60 PHEVની ઇલેક્ટ્રિક રેન્જ પહેલાં લગભગ 79 કિમી હતી, જે હવે વધીને 200 કિમી થઈ ગઈ છે. એટલે કે તેમાં લગભગ 121 કિમીનો વધારો થયો છે. બીજી તરફ, XC90 PHEVની રેન્જ પહેલાં 66 કિમી હતી, જે હવે વધીને 162 કિમી થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ઘણા લોકોનું રોજનું ઓફિસ આવવા-જવાનું અને શહેરમાં નાનું અંતર પેટ્રોલ એન્જિન ચાલુ કર્યા વગર પણ થઈ શકે છે.</p><p><b>એન્જિન અને પાવર</b></p><p>બંને SUVમાં 2.0-લિટર, ચાર સિલિન્ડરવાળું પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે આગળનાં વ્હીલ્સને પાવર આપે છે. જ્યારે પાછળ ઇલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે, જેના કારણે ઓલ-વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ મળે છે. XC60નો કુલ પાવર આઉટપુટ 461hp અને 759Nm છે. જ્યારે XC90માં પણ 461hpની પાવર અને 751Nmનો ટોર્ક મળે છે.</p><p><b>ભારતમાં કેટલી છે કિંમત?</b></p><p>XC60 માત્ર 4.8 સેકન્ડમાં 0થી 100 કિમી/કલાકની ઝડપ પકડી શકે છે. જ્યારે XC90ને 0થી 100 કિમી/કલાકની ઝડપ મેળવવામાં 5.2 સેકન્ડ લાગે છે. ભારતમાં હાલમાં XC60 અને XC90ના આ PHEV મોડલ વેચાણ માટે ઉપલબ્ધ નથી. અહીં બંને SUV 48V માઇલ્ડ-હાઇબ્રિડ સિસ્ટમ સાથે 2.0-લિટર એન્જિનમાં આવે છે. આ એન્જિન 250hpની પાવર અને 360Nmનો ટોર્ક આપે છે. ભારતમાં Volvo XC60ની કિંમત ₹70.90 લાખથી શરૂ થાય છે, જ્યારે Volvo XC90ની કિંમત ₹98.80 લાખથી શરૂ થાય છે. આ બંનેની એક્સ-શોરૂમ કિંમતો છે.</p><p><b><a href="https://sandesh.com/business/automobile/news/hyundais-new-suv-bc4i-is-preparing-for-its-entry-including-cng-and-level-2-adas-these-special-features-will-be-available" target="_blank">આ પણ વાંચો: Hyundaiની નવી SUV BC4iની એન્ટ્રીની તૈયારી, CNG અને Level-2 ADAS સહિત મળશે આ ખાસ ફીચર્સ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/PC3YoP5Pphzn5fcwJvDH3rTkFEJcCkqDv1vhDSjf.webp'/></item><item><title><![CDATA[Disha Salian Case: FIR બાદ ભડક્યા Sanjay Raut, CBI તપાસને લઈને ઉઠાવ્યા સવાલ ]]></title><link>https://sandesh.com/india/news/entertainment/disha-salian-case-sanjay-raut-cbi-fir-political-conspiracy</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/entertainment/disha-salian-case-sanjay-raut-cbi-fir-political-conspiracy</guid><pubDate>Tue, 15 Sep 2026 15:48:47 +05:30</pubDate><description><![CDATA[<p>દિશા સાલિયાન કેસમાં CBIની FIRને લઈને શિવસેના UBTના નેતા સંજય રાઉતની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે હાઈકોર્ટનો સીધો આદેશ છે કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ સામે સીધો આરોપ સાબિત ન થાય ત્યાં સુધી તેને આરોપી માનવામાં આવતો નથી અને FIRમાં તેનું નામ પણ આવતું નથી. તેમણે કહ્યું કે આ FIR અજાણ્યા લોકો સામે નોંધવામાં આવી છે.</p><h2><b>'સૌથી લોકપ્રિય રાજકીય પરિવારને બદનામ કરવાનું ષડયંત્ર'</b></h2><p>આગળ તેમણે કહ્યું, "2 દિવસ પહેલાં દેશના ગૃહમંત્રી મહારાષ્ટ્ર આવ્યા હતા. તેમની સાથે અન્ય એક નેતા 1 કલાક સુધી બેઠા હતા. બંને એક જ કારમાં ગયા હતા. ત્યારબાદ FIRમાં નામ ઉમેરવામાં આવ્યા છે. આ એક રાજકીય ષડયંત્ર છે. મહારાષ્ટ્રના સૌથી લોકપ્રિય રાજકીય પરિવારને બદનામ કરવાનો પ્રયાસ છે. અમે લડીશું અને અમારી લડાઈ ચાલુ રહેશે. અમે બતાવીશું કે મહારાષ્ટ્ર અને અમારી વિરુદ્ધ કેવા પ્રકારનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે."</p><h2><b>'કેન્દ્રીય એજન્સીઓનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે'</b></h2><p>આ મામલે રાજકારણ થઈ રહ્યું છે કે કેમ, એવા સવાલના જવાબમાં સંજય રાઉતે કહ્યું, "ચોક્કસ રાજકારણ થઈ રહ્યું છે. આ દબાણ છે અને અનૈતિક દબાણ છે. કેન્દ્રીય એજન્સીઓનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે."</p><h2><b>'CBI તપાસનો ઉપયોગ આદિત્ય ઠાકરેને નિશાન બનાવવા માટે થઈ રહ્યો છે'</b></h2><p>સંજય રાઉતે કહ્યું, "જે રીતે આ મામલો કોર્ટમાં લઈ જવામાં આવ્યો અને કોર્ટે કેસ CBIને સોંપવાનો આદેશ આપ્યો, તે આખું એક ષડયંત્ર છે. કોર્ટે સ્પષ્ટપણે CBI તપાસ કરાવવાનું કહ્યું છે, પરંતુ કોઈનું નામ ન લેવાનો નિર્દેશ આપ્યો છે. તેમ છતાં મીડિયામાં નામ લેવામાં આવી રહ્યાં છે."</p><p>તેમણે દાવો કર્યો કે CBI તપાસનો ઉપયોગ આદિત્ય ઠાકરેને નિશાન બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. આદિત્ય ઠાકરે વિવિધ જનમુદ્દાઓને લઈને દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર સરકાર પર સતત સવાલ ઉઠાવી રહ્યા છે.</p><p>આ સાથે જ તેમણે આરોપ લગાવ્યો કે તેનો હેતુ મરાઠા અનામત માટે આંદોલન કરી રહેલા કાર્યકર મનોજ જરાંગેના આંદોલન પરથી લોકોનું ધ્યાન હટાવવાનો અથવા સંસદમાં સીમાંકન બિલના સમર્થન માટે શિવસેના UBT પર દબાણ બનાવવાનો પણ હોઈ શકે છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/nesAIKStkzbsfWUx25yVSvNaMQlqeQO3dhS35Hhj.webp'/></item><item><title><![CDATA[પાકિસ્તાનની ટીમ ભારત આવશે! એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં જામશે ભારત-પાક જંગ ]]></title><link>https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</guid><pubDate>Mon, 14 Sep 2026 15:47:21 +05:30</pubDate><description><![CDATA[<p>આવતા મહિને પાકિસ્તાનની હોકી ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે. 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન પંજાબમાં યોજાનારી AHF મેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026માં પાકિસ્તાન સહિત કુલ છ ટીમો ભાગ લેશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પાકિસ્તાનની ભાગીદારી અંગેની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, મલ્ટી-નેશનલ ઇવેન્ટ્સ અંગે કેન્દ્ર સરકારની નીતિ હેઠળ બંને દેશોની ટીમો આમને-સામને રમશે.</p><h2><b>ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જાલંધરમાં રમાશે</b></h2><p>એશિયન મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન થશે. આ ટૂર્નામેન્ટમાં યજમાન ભારત અને પાકિસ્તાન ઉપરાંત ચીન, જાપાન, મલેશિયા અને કોરિયાની પણ ભાગ લેશે. લીગ સ્ટેજના મુકાબલા જાલંધરમાં યોજાશે, જ્યારે સેમિફાઇનલ અને ફાઇનલ મેચ મોહાલીના હોકી સ્ટેડિયમમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 1 નવેમ્બરે જાલંધરમાં રમાશે. કોઈ ટીમ છેલ્લી ઘડીએ ખસી જાય તો તે સ્થિતિ માટે ઓમાન અને બાંગ્લાદેશને રિઝર્વ ટીમન તરીકે રાખવામી આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PTI_News/status/2099416960278868155"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમવામાં કોઈ મુશ્કેલી નથી</b></h2><p>પાકિસ્તાનની ભાગીદારી અને જરૂરી મંજૂરીઓ અંગે પંજાબના મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં બંને દેશો વચ્ચે રમવામાં કોઈ મુશ્કેલી નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝનું આયોજન અલગ બાબત છે, કારણ કે કેન્દ્ર સરકારની વર્તમાન નીતિ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય રમત-ગમતના આયોજનની મંજૂરી આપતી નથી. પરંતુ મલ્ટી-નેશનલ ટૂર્નામેન્ટમાં બંને દેશોના ખેલાડીઓને એકબીજા સામે રમવાની પરવાનગી છે, જેથી પાકિસ્તાની ટીમ ભારત આવી શકશે.</p><h2><b>ભારત વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે</b></h2><p>ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. ભારતે 2023માં ચેન્નાઈ અને 2024માં ચીનના હુલુનબુઈરમાં યોજાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ગત વર્ષે આ સ્પર્ધા યોજાઈ શકી નહોતી. હવે પંજાબ પ્રથમ વખત આ ટૂર્નામેન્ટની મેજબાની કરવા જઈ રહ્યું છે.</p><h2><b>અગાઉ પાકિસ્તાની ટીમે ના કહી હતી&nbsp;</b></h2><p>પાકિસ્તાનની આ વખતની ભાગીદારી એટલા માટે પણ ખાસ છે, કારણ કે ગત વર્ષે તેણે તમિલનાડુમાં આયોજિત જૂનિયર હોકી વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તે સમયે બંને દેશો વચ્ચેના તણાવને તેનું કારણ ગણાવવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે અને પાકિસ્તાની ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે પૂરી રીતે તૈયાર છે.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/V6jwdiIr9RTCvR6EyBaGsP2qfZvYLq2JfkL7pytm.webp'/></item></channel></rss>