<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Surat: પત્નીએ તાપી કિનારે પ્રેમી સાથે જીવન ટૂંકાવ્યું; વિશ્વાસઘાત અને આઘાતમાં પતિએ લીધો આત્યંતિક નિર્ણય ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/varachha-husband-commits-suicide-3-days-after-wifes-death</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/varachha-husband-commits-suicide-3-days-after-wifes-death</guid><pubDate>Fri, 18 Sep 2026 15:15:11 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત શહેરના વરાછા વિસ્તારમાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં પત્નીએ પોતાના સાથી કર્મચારી એવા પ્રેમી સાથે તાપી નદીના કિનારે ઝેરી દવા ગટગટાવીને સામૂહિક આપઘાત કરી લીધો હતો. પત્નીના આત્મહત્યાના પગલાં અને તેના લગ્નેતર સંબંધોની જાણ થતાં જ 40 વર્ષીય પતિ સિદ્ધાર્થ ખેરનાર ઊંડા આઘાતમાં સરી પડ્યા હતા.</p><h2><b>વરાછામાં હૃદય કંપાવી દેતી કરૂણ ઘટના</b></h2><p>પત્નીના મોત અને અચાનક સામે આવેલા વિશ્વાસઘાતના આઘાતમાંથી સિદ્ધાર્થ ખેરનાર બહાર આવી શક્યા નહોતા. પરિવારે તેમને સાંત્વના આપવા અને સંભાળવાના તમામ પ્રયાસો કર્યા હતા, પરંતુ પત્નીના વિયોગ અને વિશ્વાસઘાતનું દુઃખ સહન ન થતાં આખરે પત્નીના આપઘાતના આશરે ૩ દિવસ બાદ જ તેમણે પણ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી. માત્ર ત્રણ જ દિવસના ગાળામાં માતા અને પિતા બંનેના આકસ્મિક મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.</p><p> </p><p><h3><b>2 માસૂમ બાળકો બન્યા નિરાધાર!</b></h3>આ કરુણ ઘટનામાં સૌથી વધુ વિષમ પરિસ્થિતિ સિદ્ધાર્થ ખેરનારના બંને માસૂમ સંતાનોની થઈ છે, જેમણે એકસાથે માતા અને પિતા બંનેની છત્રછાયા ગુમાવી દેતાં તેઓ સંપૂર્ણપણે અનાથ અને નિરાધાર બની ગયા છે. ઘટનાને પગલે પરિવાર અને સમગ્ર વરાછા વિસ્તારમાં ભારે અરેરાટી અને શાનુભૂતિનો માહોલ વ્યાપી ગયો છે. સમગ્ર બનાવ અંગે વરાછા પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ ચલાવી રહી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/bjp-mla-raises-questions-over-amcs-rainwater-drainage-system" target="_blank">આ પણ વાંચો:&nbsp; Ahmedabad News: શહેરમાં કેમ ભરાઈ જાય છે વરસાદી પાણી, ખુદ ભાજપના જ ધારાસભ્યએ મનપાની પોલ ખોલી</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/zhDlFs2iQhbxpCuLT9APLUJhcQXzML5kGv72wD2a.webp'/></item><item><title><![CDATA[Dahodના સુખસરમાં ખેડૂતો સાથે ટ્રેક્ટર ભાડે મેળવી મોટું કૌભાંડ: LCB અને પોલીસે 8 ટ્રેક્ટર સાથે બે ઠગને દબોચ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dahod/dahod-sukhsar-tractor-rental-fraud-8-tractors-seized</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dahod/dahod-sukhsar-tractor-rental-fraud-8-tractors-seized</guid><pubDate>Fri, 18 Sep 2026 14:54:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દાહોદ જિલ્લાના સુખસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થાનિક ખેડૂતોને આર્થિક લાલચ આપી છેતરપિંડી આચરવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. સુખસર પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે સંયુક્ત ઓપરેશન પાર પાડીને ખેડૂતો પાસેથી ટ્રેક્ટર ભાડે મેળવીને પરત ન આપી વિશ્વાસઘાત આચરનાર બે શાતિર આરોપીઓને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે.</p><p style="text-align: justify; "><img alt="Tractor scam in Sukhsar, Dahod" src="https://epapercdn.sandesh.com/images/2026/09/18/JGxfKJo96mX0TZhYTCBVVKhO9wva5G7ZCzBORgcr.webp"><br></p><h2 style="text-align: justify; "><b>માસિક ભાડાની લાલચ આપી આચર્યું કૌભાંડ</b></h2><p style="text-align: justify; ">આરોપીઓ ખેડૂતોનો સંપર્ક કરીને તેમના ટ્રેક્ટર માસિક રૂ.20,000 ના ભાડાથી ઉપયોગમાં લેવાની ખાતરી આપતા હતા. શરૂઆતમાં ખેડૂતોને વિશ્વાસમાં લીધા બાદ આરોપીઓએ કરાર મુજબનું ભાડું આપવાનું બંધ કરી દીધું હતું અને ખેડૂતોના ટ્રેક્ટર પણ પરત ન આપી પચાવી પાડ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં આ સમગ્ર કૌભાંડમાં કુલ 14 જેટલાં ટ્રેક્ટર સંડોવાયેલા હોવાની ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવી છે.</p><p style="text-align: justify; "><img alt="Tractor scam in Sukhsar, Dahod" src="https://epapercdn.sandesh.com/images/2026/09/18/KeizkdLmi1aMufBC8VyHN8h7p22P5BG32YmZ2tYu.webp"><br></p><h3 style="text-align: justify; "><b>રૂ.36 લાખનો મુદ્દામાલ જપ્ત, અન્ય ટ્રેક્ટરો શોધવા તપાસ તેજ</b></h3><p style="text-align: justify; ">સુખસર પોલીસ અને LCB ની ટીમે દરોડો પાડી પંકજભાઈ મહેશભાઈ ડામોર તેમજ તેજસકુમાર ઉર્ફે ગોટુ રાજેશભાઈ શર્મા નામના બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપીઓના કબ્જામાંથી રૂ.36 લાખની અંદાજિત કિંમતના 8 ટ્રેક્ટર જપ્ત કર્યા છે. કૌભાંડમાં સામેલ બાકીના ટ્રેક્ટરો ક્યાં ગીરવે મૂક્યા છે કે વેચી માર્યા છે તે દિશામાં પોલીસે બંને આરોપીઓની ઘનઘોર પૂછપરછ હાથ ધરીને આગળની કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/UF9J3g0jKJPw3qPBVmkj2ZewQftkFuVW9ltycR2m.webp'/></item><item><title><![CDATA[iPhone18 Craze : 'અસલી અપગ્રેડ સમાજનું કરો', iPhone 18 ખરીદનારાઓ પર સોનુ સૂદનો કટાક્ષ ]]></title><link>https://sandesh.com/entertainment/news/sonu-sood-iphone-18-buyers-social-upgrade</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/sonu-sood-iphone-18-buyers-social-upgrade</guid><pubDate>Fri, 18 Sep 2026 14:44:17 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">Appleનો લેટેસ્ટ iPhone 18 લોન્ચ થતાં જ દેશના અલગ-અલગ સ્ટોર્સ પર તેને ખરીદવા માટે લોકોની લાંબી લાઇનો જોવા મળી રહી છે. તેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે. હવે અભિનેતા સોનુ સૂદે ભારતમાં iPhone 18 ખરીદવા માટે લાઇનમાં ઊભેલા લોકો પર ટિપ્પણી કરી છે અને લોકોને સલાહ આપી છે.</p><h2 style="text-align: justify; "><b>iPhone 18 ખરીદનારા લોકો પર સોનુ સૂદની ટિપ્પણી</b></h2><p style="text-align: justify; ">સોનુ સૂદે પોતાના X હેન્ડલ પર એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં Apple સ્ટોરની બહાર iPhone ખરીદવા માટે લોકોની મોટી ભીડ જોવા મળી રહી છે. અભિનેતાએ પોતાની પોસ્ટ દ્વારા લોકોને માત્ર સ્માર્ટફોનના દેખાડા અને EMIના બોજમાં ફસાવાને બદલે સમાજમાં સુધારો લાવવા અને બીજાની મદદ કરવાની સલાહ આપી. તેમણે લખ્યું, નવો ફોન, નવી EMI… પણ જૂના બિલ તો એવા જ! કદાચ હવે સમય આવી ગયો છે કે આપણે માત્ર ફોન અપગ્રેડ કરવાને બદલે કંઈક બદલાવ લાવવા માટે આગળ આવીએ. સાચું અપગ્રેડ તો એક વધુ સારો સમાજ છે.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/SonuSood/status/2100797357793403142"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p style="text-align: justify; ">સોનુ સૂદની આ પોસ્ટ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે પણ તેના પર પોતાની પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું. ઘણા લોકોએ અભિનેતાની વાત સાથે સહમતિ દર્શાવી. એક યુઝરે લખ્યું, સત્ય કડવું છે, પણ સત્ય છે! હાથમાં દોઢ લાખ રૂપિયાનો ફોન લઈને તમે માત્ર રીલ્સ સ્ક્રોલ કરી રહ્યા છો, પરંતુ દેખાડાની ઇચ્છા પૂરી કરવા માટે મધરાતથી લાઇનમાં ઊભા છો. કાશ, દેશના યુવાનો સમાજમાં બદલાવ લાવવા માટે લાઇનમાં ઊભા થવામાં પણ આટલો જ રસ બતાવે. બીજા એક યુઝરે લખ્યું, આ કોઈ વાયરસથી ઓછું નથી. દુઃખની વાત એ છે કે આપણી પાસે તેનો કોઈ ઉપાય નથી. ત્રીજા યુઝરે કમેન્ટ કરી, આ મોંઘા બિલનો બોજ ઉઠાવવાને બદલે આપણે સમાજને વધુ સારો બનાવવાની દિશામાં આગળ વધવું જોઈએ.<br><img alt="Sonu Sood, iPhone 18 (2)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/18/1bM1nNVGCIRTkrobL6qnLv3AeX8BuZVIuQeBoO4A.webp"><br></p><h3 style="text-align: justify; "><b>સોનુ સૂદની ફિલ્મી કારકિર્દી</b></h3><p style="text-align: justify; ">સોનુ સૂદે જોધા અકબર, સિંઘ ઇઝ કિંગ અને તેલુગુ ફિલ્મ અરુન્ધતી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. દબંગમાં છેદી સિંહની ભૂમિકાએ તેમને વિલન તરીકે પણ ઘણી ઓળખ અપાવી. ત્યાર બાદ તેઓ શૂટઆઉટ એટ વડાલા, આર... રાજકુમાર, હેપ્પી ન્યૂ યર, પલટન, સિંબા અને સમ્રાટ પૃથ્વીરાજ જેવી ફિલ્મોમાં જોવા મળ્યા. વર્ષ 2025માં સોનુ સૂદે ફિલ્મ ફતેહથી દિગ્દર્શનની દુનિયામાં પગ મૂક્યો. આ ફિલ્મમાં તેમણે અભિનય કરવાની સાથે તેનું નિર્માણ પણ કર્યું હતું.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/rani-mukerji-old-song-alka-yagnik-doordarshan" target="_blank">આ પણ વાંચો-Doordarshan પર સવાર-સવારમાં ગૂંજતું હતું રાની મુખર્જીનું આ ગીત! 27 વર્ષ વીત્યા છતાં નથી ઘટ્યો જાદુ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/Ww73W3uiOEA3h931iwuiGGPHYRKZADJvHAbbJJOh.webp'/></item><item><title><![CDATA[MAITC હશે મમતા બેનર્જીની પાર્ટીનું નવું નામ, ફૂટબોલ ખેલાડી ચૂંટણી ચિહ્ન ]]></title><link>https://sandesh.com/india/breakingnews/political-news/mamata-banerjee-party-new-name-maitc-football-player-symbol</link><guid isPermaLink="true">https://sandesh.com/india/breakingnews/political-news/mamata-banerjee-party-new-name-maitc-football-player-symbol</guid><pubDate>Fri, 18 Sep 2026 14:23:17 +05:30</pubDate><description><![CDATA[<p><div style="text-align: justify;">પશ્ચિમ બંગાળમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચૂંટણી પંચને 3 નામ અને 3 ચૂંટણી ચિહ્નના વિકલ્પ મોકલ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મમતા જૂથે વિકલ્પ તરીકે તૃણમૂલ મમતા કોંગ્રેસ અને ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ મમતા જેવા નામ આપ્યા છે. ચૂંટણી ચિહ્નના વિકલ્પોમાં ફૂટબોલ, પ્રાર્થના અને ક્રિકેટ બેટ સામેલ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ક્રિકેટ બેટ સાથે ખેલા હોબે નારો પણ મોકલવામાં આવ્યો છે. મમતા જૂથે ઈમેલ દ્વારા ચૂંટણી પંચને પોતાની પસંદગી મોકલી છે.</div><h2 style="text-align: justify; "><b>ઋતબ્રત બેનર્જીએ કહ્યું- ચૂંટણી પંચને મોકલ્યા 3 નામ અને 3 ચૂંટણી ચિહ્નના વિકલ્પ</b></h2></p><p style="text-align: justify; ">તૃણમૂલ કોંગ્રેસ TMCના બળવાખોર જૂથની આગેવાની કરી રહેલા ઋતબ્રત બેનર્જીનું પણ કહેવું છે કે અમે ઈમેલ દ્વારા 3 નામ અને 3 ચૂંટણી ચિહ્ન મોકલી દીધા છે, હવે ચૂંટણી પંચ નિર્ણય લેશે. ચૂંટણી પંચે બંને જૂથોને 3-3 નામ અને 3-3 મફત ચૂંટણી ચિહ્નના વિકલ્પ આપવા કહ્યું હતું. આ વ્યવસ્થા આગામી પેટાચૂંટણીઓ માટે વચગાળાની છે. મૂળ પાર્ટીના નામ અને ફૂલ તથા ઘાસવાળા અનામત ચૂંટણી ચિહ્ન અંગે અંતિમ નિર્ણય પેરા 15 હેઠળની કાર્યવાહી બાદ લેવામાં આવશે.</p><h3 style="text-align: justify; "><b>વિવાદની શરૂઆત કેવી રીતે થઈ?</b></h3><p style="text-align: justify; ">આ સમગ્ર વિવાદની શરૂઆત પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ થઈ હતી. આ ચૂંટણીમાં TMCને મોટી હારનો સામનો કરવો પડ્યો હતો અને ભાજપે મોટી જીત મેળવી હતી. TMCની હાર બાદ ચૂંટાયેલા મોટા ભાગના ધારાસભ્યોએ મમતા બેનર્જીને પોતાના નેતા માનવાનો ઇનકાર કર્યો અને ઋતબ્રત બેનર્જીની આગેવાની હેઠળ અલગ જૂથ બનાવી લીધું. ત્યાર બાદ TMC પર અધિકાર મેળવવાની લડાઈ શરૂ થઈ. પહેલા પાર્ટીના ફંડ પર દાવો કરવામાં આવ્યો અને ત્યાર બાદ નામ તથા ચૂંટણી ચિહ્ન પર દાવો કરવામાં આવ્યો.</p><h3 style="text-align: justify; "><b>TMCની નેશનલ વર્કિંગ કમિટીના કાર્યકાળને લઈને ઊભો થયો વિવાદ</b></h3><p style="text-align: justify; ">આ માટે પાર્ટીના સંગઠન માળખા અને નેશનલ વર્કિંગ કમિટીના કાર્યકાળને કારણ બનાવવામાં આવ્યું. ઋતબ્રત બેનર્જીની આગેવાની હેઠળના બળવાખોર જૂથનો દાવો છે કે TMCની નેશનલ વર્કિંગ કમિટીનું રચન ફેબ્રુઆરી 2022માં થયું હતું અને તેનો 3 વર્ષનો કાર્યકાળ ફેબ્રુઆરી 2025માં જ પૂરો થઈ ગયો હતો. આ આધારે આ જૂથે પાર્ટીના હાલના સંગઠન માળખાની માન્યતા પર સવાલ ઉઠાવ્યો. ઋતબ્રત બેનર્જી જૂથનું કહેવું છે કે પાર્ટીના બંધારણ મુજબ નવી કમિટી બનાવવી જોઈતી હતી.</p><h4 style="text-align: justify; "><b>બળવાખોર જૂથે ચૂંટણી પંચ સમક્ષ અસલી TMC હોવાનો કર્યો દાવો</b></h4><p style="text-align: justify; ">આ વિવાદ વચ્ચે 22 જૂન 2026ના રોજ બળવાખોર નેતાઓની બેઠક મળી હતી. આ બેઠકમાં અરુપ રોયને નેશનલ વર્કિંગ કમિટીના ચેરપર્સન તરીકે પસંદ કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ઋતબ્રત જૂથે ચૂંટણી પંચ સમક્ષ દાવો કર્યો કે તેઓ જ અસલી TMC છે અને તેમને પાર્ટીના નામ તથા ચૂંટણી ચિહ્ન પર અધિકાર મળવો જોઈએ.</p><h4 style="text-align: justify; "><b>મમતા જૂથે શું કહ્યું?</b></h4><p style="text-align: justify; ">મમતા બેનર્જી જૂથે આ દાવાઓને ફગાવી દીધા. મમતા જૂથનું કહેવું છે કે બળવાખોર જૂથે પાર્ટીના બંધારણનું ખોટું અર્થઘટન કર્યું છે અને 22 જૂનની બેઠકને માન્ય સંગઠન પ્રક્રિયા માની શકાય નહીં. મમતા જૂથનું કહેવું છે કે પાર્ટીની સંગઠનાત્મક ચૂંટણી અને કમિટીઓની રચનાની પ્રક્રિયા બંધારણ મુજબ થઈ હતી. તેથી મમતા બેનર્જીને હટાવવા અથવા નવું સંગઠન બનાવવાનો બળવાખોર જૂથનો દાવો માન્ય નથી. આ રીતે બંને પક્ષ ચૂંટણી પંચ સમક્ષ પોતાને અસલી તૃણમૂલ કોંગ્રેસ ગણાવીને પાર્ટીના નામ અને ફૂલ તથા ઘાસવાળા ચૂંટણી ચિહ્ન પર પોતાનો દાવો કરવા લાગ્યા. પશ્ચિમ બંગાળની નંદીગ્રામ અને રેજીનગર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત થયા બાદ વિવાદ વધુ વકર્યો. બંને જૂથોએ આ બેઠકો પર ઉમેદવારો ઉતારવાની પ્રક્રિયા શરૂ કરી અને બંને પક્ષો TMCના સત્તાવાર નામ તથા ફૂલ અને ઘાસવાળા ચૂંટણી ચિહ્નનો ઉપયોગ કરવાનો દાવો કરી રહ્યા હતા.</p><h5 style="text-align: justify; "><b>ચૂંટણી પંચે શું નિર્ણય લીધો?</b></h5><p style="text-align: justify; ">ચૂંટણી પંચે બંને પક્ષો પાસેથી સંગઠન, હોદ્દેદારો અને અધિકૃત પ્રતિનિધિઓ સાથે જોડાયેલા દસ્તાવેજો માગ્યા અને બંને જૂથોને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપી. 17 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી પંચે વચગાળાનો આદેશ જાહેર કર્યો. પંચે કહ્યું કે હાલ ન તો મમતા બેનર્જી જૂથ અને ન તો બીજા જૂથને ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ નામનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે અને ન તો ફૂલ તથા ઘાસવાળા અનામત ચૂંટણી ચિહ્નનો ઉપયોગ કરી શકાશે.</p><h4 style="text-align: justify; "><b>બંને જૂથોને મળ્યા નામ-ચિહ્નના વિકલ્પ</b></h4><p style="text-align: justify; ">પંચે બંને જૂથોને કહ્યું કે તેઓ પોતાની પસંદગીના ક્રમમાં 3-3 વૈકલ્પિક પાર્ટી નામ અને 3-3 મફત ચૂંટણી ચિહ્ન આપે. તેમાં એવું નામ પણ પસંદ કરી શકાય છે, જેનાથી મૂળ TMC સાથે જોડાણનો સંકેત મળે. બંને જૂથોને આગામી પેટાચૂંટણીઓ માટે અલગ-અલગ નામ અને ચૂંટણી ચિહ્ન આપવામાં આવશે. આ નિર્ણય વચગાળાની વ્યવસ્થા છે. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે પાર્ટીના વાસ્તવિક નિયંત્રણ અને નામ-ચૂંટણી ચિહ્ન પર અધિકાર અંગેનો અંતિમ નિર્ણય હજુ બાકી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/cricket/virender-sehwag-net-worth-rise-and-fall-host" target="_blank">આ પણ વાંચો-TV Show : નજફગઢના નવાબ વિરેન્દ્ર સેહવાગની લક્ઝરી લાઇફ જાણી દંગ રહી જશો! રાઇઝ એન્ડ ફોલના હોસ્ટ બન્યા વીરૂ</a></p><p>                                    
                                </p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/xBRa7HZhocRzRyNxnN73IytMaof3vmTVpiPS0Mzh.webp'/></item><item><title><![CDATA[Davis Cup: ભારતને મોટો ઝટકો! ડીકે સુરેશ પ્રથમ મેચ 2-1થી હાર્યા ]]></title><link>https://sandesh.com/sports/news/davis-cup-dk-suresh-vs-sunwoo-kwon-india-korea-result</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/davis-cup-dk-suresh-vs-sunwoo-kwon-india-korea-result</guid><pubDate>Fri, 18 Sep 2026 14:22:13 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે સિઓલના ઓલિમ્પિક કોર્ટમાં ડેવિસ કપના બીજા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે. 18 સપ્ટેમ્બરે સિંગલ્સના પ્રથમ મુકાબલામાં ભારતના ડીકે સુરેશ અને દક્ષિણ કોરિયાના સોનવૂ ક્વોન સામસામે આવ્યા હતા.ડીકે સુરેશે મેચની શરૂઆત શાનદાર રીતે કરી હતી અને પ્રથમ સેટ પોતાના નામે કર્યો હતો. જોકે ત્યારબાદ કોરિયન ખેલાડીએ જોરદાર વાપસી કરી હતી. સોનવૂ ક્વોને સતત બીજા અને ત્રીજા સેટમાં જીત મેળવીને મેચ 2-1થી પોતાના નામે કરી હતી.આ જીત સાથે દક્ષિણ કોરિયાએ ડેવિસ કપના આ રાઉન્ડમાં ભારત સામે 1-0ની સરસાઈ મેળવી લીધી છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>પ્રથમ સેટમાં ડીકે સુરેશનો દબદબો</b></h3><p style="text-align: justify; ">મેચના પ્રથમ સેટમાં ડીકે સુરેશે શરૂઆતથી જ શાનદાર રમત બતાવી હતી.9 ગેમ સુધી ચાલેલા આ સેટમાં તેમણે કુલ 6 ગેમ જીતી હતી. ખાસ કરીને શરૂઆતની 3 ગેમમાં ભારતીય ખેલાડીએ એકતરફી દબદબો જાળવી રાખ્યો હતો.બીજી તરફ સોનવૂ ક્વોન શરૂઆતમાં પોતાની લય મેળવી શક્યા નહોતા. તેઓ માત્ર 3 ગેમ જીતી શક્યા હતા. પરિણામે ડીકે સુરેશે પ્રથમ સેટ 6-3થી જીતીને મેચમાં 1-0ની સરસાઈ મેળવી હતી.પ્રથમ સેટમાં મળેલી જીત બાદ ભારતીય ખેલાડી પાસેથી મેચમાં જીત જાળવી રાખવાની આશા હતી. જોકે બીજા સેટમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/DavisCup/status/2100854915233169643?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>બીજા સેટમાં કોરિયન ખેલાડીની વાપસી</b></h4><p style="text-align: justify; ">બીજા સેટની શરૂઆતમાં બંને ખેલાડીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. પ્રથમ 4 ગેમ બાદ સ્કોર 2-2થી બરાબર હતો. ત્યારબાદ સોનવૂ ક્વોને પોતાની રમતનું સ્તર વધાર્યું હતું.કોરિયન ખેલાડીએ સતત 3 ગેમ જીતીને ડીકે સુરેશ પર દબાણ વધાર્યું હતું. સુરેશે ત્યારબાદ એક ગેમ જીતી હતી, પરંતુ સોનવૂ ક્વોને સેટની 9મી ગેમ જીતીને બીજો સેટ 6-3થી પોતાના નામે કરી લીધો હતો.આ સાથે મેચ 1-1ની બરાબરી પર આવી ગઈ હતી અને અંતિમ સેટ નિર્ણાયક બન્યો હતો.</p><h5 style="text-align: justify; "><b>અંતિમ સેટમાં પણ કોરિયન ખેલાડીનો દબદબો</b></h5><p style="text-align: justify; ">ત્રીજા સેટમાં પણ સોનવૂ ક્વોને પોતાની લય જાળવી રાખી હતી. પ્રથમ સેટ ગુમાવ્યા બાદ તેમણે જે રીતે વાપસી કરી તે મેચનું મહત્વનું પાસું રહ્યું હતું.અંતે કોરિયન ખેલાડીએ ત્રીજો સેટ પણ પોતાના નામે કરીને મેચ 2-1થી જીતી લીધી હતી. આ સાથે ડેવિસ કપના બીજા રાઉન્ડમાં દક્ષિણ કોરિયાને ભારત સામે 1-0ની લીડ મળી છે.ડીકે સુરેશે પ્રથમ સેટમાં શાનદાર શરૂઆત કરીને ભારતને આશા જગાવી હતી, પરંતુ ત્યારબાદ કોરિયન ખેલાડીએ સતત બે સેટ જીતીને મેચનું પરિણામ પોતાના પક્ષમાં ફેરવી નાખ્યું.હવે ભારતની નજર બીજા મુકાબલા પર રહેશે, જ્યાં ટીમ ડેવિસ કપના આ રાઉન્ડમાં વાપસી કરીને સ્કોર બરાબર કરવાનો પ્રયાસ કરશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/asian-champions-trophy-pakistan-refuses-to-send-india-team-demands-matches-to-be-held-at-neutral-venue" target="_blank"> Asian Champions Trophy: પાકિસ્તાને ભારત ટીમ મોકલવાનો કર્યો ઇનકાર, તટસ્થ સ્થળ પર મેચો યોજવાની કરી માંગ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/dVz2uqMsLUVRt2WCGDpvWJWd3w1XmdyKQCBfd3Hv.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના નરોડામાંથી રૂ.55.50 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બેંગ્લોરનો યુવક ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-naroda-1-85-kg-mefedrone-drugs-seized</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-naroda-1-85-kg-mefedrone-drugs-seized</guid><pubDate>Fri, 18 Sep 2026 14:22:02 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાંથી પોલીસે નશાકારક પદાર્થોની હેરાફેરી સામે મોટી સફળતા મેળવી છે. નાના ચિલોડા સર્કલ નજીક આવેલા ચામુંડા ટાયર સામેથી પોલીસે શંકાસ્પદ હાલતમાં જઈ રહેલા એક યુવકની અટકાયત કરી તલાશી લેતાં તેની પાસેથી અંદાજે રૂ.55.50 લાખની કિંમતનું 1.850 કિલોગ્રામ મેફેડ્રોન (MD ડ્રગ્સ) નો મોટો જથ્થો મળી આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>શોલ્ડર બેગમાંથી મળી આવ્યું 1.85 કિલો મેફેડ્રોન</b></h2><p style="text-align: justify; ">પોલીસ દ્વારા પકડાયેલા આરોપીની ઓળખ બેંગ્લોરના 24 વર્ષીય નિકીલેશ ક્રીષ્નપ્પા તરીકે થઈ છે. આરોપીના કબજામાંથી મળી આવેલી શોલ્ડર બેગની ઝડતી લેતાં અંદરથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ની પ્રાથમિક ચકાસણીમાં પણ આ પદાર્થ મેફેડ્રોન હોવાનું સ્પષ્ટ થયું હતું. આરોપી પાસે આ નશાકારક પદાર્થ રાખવા કે તેની હેરાફેરી કરવા અંગે કોઈ કાયદેસરની પાસ કે પરમિટ ન હતી. પોલીસે ડ્રગ્સ ઉપરાંત આરોપી પાસેથી રૂ.5 હજારની કિંમતનો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે.</p><h3 style="text-align: justify; "><b>બેંગ્લોરમાં નાઇજિરિયનને સોંપવાનું હતું સપ્લાય</b></h3><p style="text-align: justify; ">પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ડ્રગ્સના આ આંતરરાજ્ય નેટવર્ક અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી નિકીલેશ આ મેફેડ્રોનનો જથ્થો ચંદીગઢ ખાતે બે નાઇજિરિયન શખ્સો પાસેથી મેળવીને આવ્યો હતો. આ જથ્થો બેંગ્લોર ખાતે રહેતા 'ફ્રેન્ક' નામના અન્ય એક નાઇજિરિયન શખ્સને પહોંચાડવાનો હતો. હાલ નરોડા પોલીસ મથકમાં એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધીને આ આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટમાં સંડોવાયેલા નાઇજિરિયન નાગરિકો સહિત તમામ આરોપીઓને દબોચવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/nnnoKwFE7iHQfN9vHnteKc4yz8Zih3B4hMjHnDtc.webp'/></item><item><title><![CDATA[Rajkot News : 60 કિલો અખાદ્ય જથ્થો અને રૂ.7,500 નો દંડ, જાણો રાજકોટમાં કયા 10 ધંધાર્થીઓને ફટકારાઈ નોટિસ? ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/rajkot/rajkot-rmc-raids-39-food-vendors--60-kg-unfit-food-destroyed--37-samples-taken</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/rajkot/rajkot-rmc-raids-39-food-vendors--60-kg-unfit-food-destroyed--37-samples-taken</guid><pubDate>Fri, 18 Sep 2026 14:12:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ શહેરમાં લોકોના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાને રાખીને મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અચાનક સઘન ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ખાણીપીણીના કુલ 39 જેટલા ધંધાર્થીઓને ત્યાં ત્રાટકીને આરોગ્ય નિરીક્ષકોએ ખોરાકની ગુણવત્તા, સંગ્રહ અને બનાવટની પદ્ધતિઓનું ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધર્યું હતું. મનપાની આ આકસ્મિક કાર્યવાહીથી અશુદ્ધ કે અસ્વચ્છ ખોરાક વેચતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.</p><h2 style="text-align: justify; "><b>60 કિલો અખાદ્ય જથ્થાનો નાશ, 10 વેપારીઓને નોટિસ અને દંડ</b></h2><p style="text-align: justify; ">ચકાસણી દરમિયાન આરોગ્ય વિભાગની ટીમને અનેક સ્થળોએ ભારે અનિયમિતતાઓ અને અસ્વચ્છતા જોવા મળી હતી. ટીમે સ્થળ પર જ માનવ આરોગ્ય માટે હાનિકારક એવા 60 કિલોગ્રામ અખાદ્ય ખાદ્યસામગ્રીના જથ્થાને જપ્ત કરી તેનો તાત્કાલિક નાશ કર્યો હતો. આ ઉપરાંત હાઇજેનિક પરિસ્થિતિ ન જાળવવા તથા માન્ય લાઇસન્સ વગર વેપાર કરવા બદલ 10 ધંધાર્થીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી અને નિયમભંગ બદલ કુલ રૂ.7,500 નો વહીવટી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>શંકાસ્પદ ઘી અને મોતીચૂર લાડુ સહિત 37 સેમ્પલ લેવાયા</b></h2><p style="text-align: justify; ">આ દરોડા દરમિયાન ખોરાકમાં ભેળસેળની આશંકાને પગલે આરોગ્ય ટીમે શંકાસ્પદ ઘી, મોતીચૂરના લાડુ તેમજ અન્ય મીઠાઈઓ અને ખાદ્યસામગ્રી સહિત કુલ 37 જેટલા નમૂનાઓ એકત્રિત કર્યા હતા. આ તમામ સેમ્પલ્સને લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. મનપા અધિકારીઓના જણાવ્યા અનુસાર, લેબોરેટરી રિપોર્ટમાં જો ભેળસેળ કે સબ-સ્ટાન્ડર્ડ માલસામાન સાબિત થશે તો સંબંધિત વેપારીઓ સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ વધુ કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/surat/surat--smc-to-seal-214-illegal-dyeing-units-in-singanpore-over-water-contamination" target="_blank">Suratના સિંગણપોરમાં પીવાના પાણીમાં કેમિકલ ભળતાં SMCની લાલ આંખ, 214 ગેરકાયદે ડાઇંગ યુનિટ્સ થશે સીલ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/VwMjCOXhXj6nW9as3qBG4uQisHvgBAvDlydLwcpC.webp'/></item><item><title><![CDATA[Assam પોલીસની ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ પર લાલ આંખ, બાળકો-મહિલા સહિત 27 લોકોની અટકાયત ]]></title><link>https://sandesh.com/india/news/assam-police-detains-27-bangladeshi-nationals-guwahati-rangia-operation</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/assam-police-detains-27-bangladeshi-nationals-guwahati-rangia-operation</guid><pubDate>Fri, 18 Sep 2026 14:11:45 +05:30</pubDate><description><![CDATA[<p>આસામ પોલીસે ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે કડક કાર્યવાહી કરી છે. ગુવાહાટી અને રંગિયામાં હાથ ધરવામાં આવેલા બે અલગ-અલગ ઓપરેશનમાં પોલીસે 27 બાંગ્લાદેશી નાગરિકોને અટકાયતમાં લીધા હતા. આ જૂથમાં પુરુષો, મહિલાઓ અને સગીરોનો સમાવેશ થતો હતો. આ તમામ વ્યક્તિઓ પર માન્ય દસ્તાવેજો વિના રાજ્યમાં રહેવાનો આરોપ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અટકાયત કરાયેલી વ્યક્તિઓને બાંગ્લાદેશ પરત મોકલવામાં આવશે.</p><p>આસામ પોલીસે ૧૬ સપ્ટેમ્બરે હાથ ધરવામાં આવેલા અલગ-અલગ ઓપરેશન્સ દરમિયાન ગુવાહાટી અને રંગિયામાંથી ૨૭ બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા છે, જેમાં પુરુષો, મહિલાઓ અને સગીરોનો સમાવેશ થાય છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (બોર્ડર) કુલેન્દ્ર નાથ ડેકાએ જણાવ્યું હતું કે આ લોકો કથિત રીતે મેઘાલય થઈને ભારતમાં પ્રવેશ્યા હતા અને તેમની પાસે કોઈ પણ માન્ય દસ્તાવેજો મળી આવ્યા ન હતા.</p><p><br></p><h4><b>બે અલગ-અલગ ઓપરેશનમાં કાર્યવાહી</b></h4><p>27 લોકોના આ જૂથને 16 સપ્ટેમ્બરના રોજ આસામ પોલીસ દ્વારા બે અલગ-અલગ ઓપરેશન દરમિયાન પકડવામાં આવ્યું હતું. આ બાબતે વિગતો આપતા ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ કુલેન્દ્ર નાથ ડેકાએ જણાવ્યું હતું કે, "શંકાસ્પદ ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓના જૂથ અંગેની માહિતીના આધારે, સૌપ્રથમ ગુવાહાટીમાં આસામ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના પરિસરમાંથી 12 લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા."</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/himantabiswa/status/2100210593840177182"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p>વધુ વિગતો આપતા ડેકાએ જણાવ્યું હતું કે, "અટકાયત કરાયેલી વ્યક્તિઓએ જમ્મુ તવી એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા અન્ય એક જૂથ વિશે માહિતી આપી હતી. આ માહિતીના આધારે બોર્ડર પોલીસે ગવર્નમેન્ટ રેલ્વે પોલીસ (GRP) અને રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) ને એલર્ટ કર્યા, જેના પરિણામે 15 લોકોના અન્ય એક જૂથને અટકાયતમાં લેવામાં આવ્યું."</p><p><br></p><p>15 લોકોના બીજા જૂથને ટ્રેન રંગિયા રેલ્વે જંકશન પસાર કર્યા પછી અટકાયતમાં લેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમને બોંગાઈગાંવ રેલ્વે સ્ટેશન પર ઉતારવામાં આવ્યા હતા અને આગળની કાર્યવાહી માટે આ બાબત આસામ પોલીસને સોંપવામાં આવી હતી.</p><p><br></p><h4><b>પોલીસ આ મામલે કરી રહી છે તપાસ&nbsp;</b></h4><p>પોલીસે આ કેસ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, "અટકાયત કરાયેલા ૨૭ લોકોમાંથી કોઈની પાસે એવા દસ્તાવેજો નહોતા જે ભારતમાં તેમની કાયદેસરની સ્થિતિ સાબિત કરી શકે." અધિકારીઓના જણાવ્યા અનુસાર, અટકાયત કરાયેલા તમામ લોકો બાંગ્લાદેશના વિવિધ વિસ્તારોમાંથી આવ્યા છે, જેમાં ઢાકા, સુનામગંજ, ગોપાલગંજ, બાગેરહાટ, ખુલના અને મયમનસિંહનો સમાવેશ થાય છે. પોલીસ હાલમાં તપાસ કરી રહી છે કે શું કોઈ દલાલ કે મધ્યસ્થીએ મેઘાલય થઈને ભારતમાં તેમના પ્રવેશમાં મદદ કરી હતી કે કેમ. કાયદાકીય કાર્યવાહી બાદ તમામ બાંગ્લાદેશીઓને સ્વદેશ પરત મોકલવામાં આવશે</p><p><br></p><p>પોલીસના ડેપ્યુટી કમિશનર કુલેન્દ્ર નાથ ડેકાએ જણાવ્યું હતું કે, "બોર્ડર પોલીસે સંબંધિત ડેપ્યુટી કમિશનરને દેશનિકાલના આદેશો જારી કરવા વિનંતી કરી છે." તેમણે ઉમેર્યું હતું કે આદેશો જારી થયા બાદ અટકાયતમાં લેવાયેલા લોકોને બાંગ્લાદેશ પરત મોકલી દેવામાં આવશે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અટકાયતમાં લેવાયેલા મોટાભાગના લોકો રોજગારીની શોધમાં ભારત આવ્યા હતા. હવે તપાસ એ બાબત પર કેન્દ્રિત છે કે આ જૂથ કયા સંજોગોમાં ભારતમાં પ્રવેશ્યું હતું અને શું કોઈ વ્યક્તિ કે નેટવર્કે તેમને આસામમાં પ્રવેશવામાં મદદ કરી હતી.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/imd-weather-alert-today-heavy-rain-in-21-states--85-kmph-wind-warning" target="_blank"><b>Heavy Rain: ગુજરાતમાં વહેલી સવારથી મુશળધાર વરસાદ, વીજળી પડવાની શક્યતા વચ્ચે 21 રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/14bTC4tKdDzJC8r4BkWIVPNCpDE1y3ztIvOMzuBm.webp'/></item><item><title><![CDATA[Panchmahalના ઘોઘમ્બા નજીક બે એસટી બસ વચ્ચે સામસામે ગમખ્વાર ટક્કર, ડ્રાઇવર કેબિનમાં ફસાયો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/panchmahal/panchmahal-ghoghamba-bakarol-road-st-bus-accident-10-injured</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/panchmahal/panchmahal-ghoghamba-bakarol-road-st-bus-accident-10-injured</guid><pubDate>Fri, 18 Sep 2026 14:00:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પંચમહાલ જિલ્લાના ઘોઘમ્બા તાલુકામાં આવેલા બાકરોલ રોડ પર શામળકુવા ગામ નજીક બે એસટી બસ વચ્ચે સામસામે ભયાનક અકસ્માત સર્જાયો છે. ઘોઘમ્બા-બાકરોલ અને બાકરોલ-ઘોઘમ્બા રૂટ પર દોડતી બે એસટી બસો સામસામે અથડાતાં ધડાકાભેર અવાજ સાથે બસોના આગળના ભાગનો ભુકડ બોલી ગયો હતો. અકસ્માતને પગલે બંને બસોમાં સવાર મુસાફરોમાં ભારે ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>સ્થાનિકોએ રેસ્ક્યૂ હાથ ધર્યું</b></h2><p style="text-align: justify; ">આ ભયાનક ટક્કરમાં બસનો ડ્રાઇવર કેબિનના ભાગમાં બ बुरी રીતે ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના ગામ લોકો અને શામળકુવા ગામના સ્થાનિકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. ગ્રેન અને દોરડાંની મદદથી ભારે જહમત ઉઠાવીને સ્થાનિકોએ કેબિનમાં ફસાયેલા ડ્રાઇવરને સલામત રીતે બહાર કાઢ્યો હતો.</p><p style="text-align: justify; "><img alt="Collision between 2 ST buses in Panchmahal" src="https://epapercdn.sandesh.com/images/2026/09/18/eMBMtgeaAv4W78fZvBEybBTe14cIhq3qK54z3Xy4.webp"><br></p><h3 style="text-align: justify; "><b>સદનસીબે મોટી જાનહાની ટળી</b></h3><p style="text-align: justify; ">અકસ્માતમાં 10 થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, જોકે સદનસીબે કોઈ મોટી જાનહાની ન થતાં તંત્રએ અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે. ઘટના અંગે જાણ કરવામાં આવતાં જ 108 એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી અને તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ઘોઘમ્બા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની કાયદાકીય તપાસ હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/dxRV6nFd4Ad474iMbMhI0kmTArtVbeVka32poFWC.webp'/></item><item><title><![CDATA[Pakistan Economic Crisis: પાકિસ્તાનમાં સરકારી ગાડીઓનું પેટ્રોલ કરાયુ અડધું, નેતાઓની વિદેશ યાત્રા પર લાગ્યો બ્રેક ]]></title><link>https://sandesh.com/world/news/business/pakistan-economic-crisis-petrol-prices-of-government-vehicles-in-pakistan-reduced-by-half-halt-on-foreign-travel-of-leaders</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/business/pakistan-economic-crisis-petrol-prices-of-government-vehicles-in-pakistan-reduced-by-half-halt-on-foreign-travel-of-leaders</guid><pubDate>Fri, 18 Sep 2026 13:01:19 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">સરકારી વાહનો માટે ઇંધણમાં 50% ઘટાડો કરાયો છે અને ત્રણ મહિના માટે વિદેશ યાત્રા પર પ્રતિબંધ મૂકાયો છે.</p><h2 style="text-align: justify; ">નવા સરકારી વાહનોની ખરીદી પર સંપૂર્ણ પ્રતિબંધ</h2><p style="text-align: justify; ">આર્થિક દબાણનો સામનો કરીને, પાકિસ્તાને હવે સરકારી ખર્ચ ઘટાડવા માટે સરકારી વાહનો અને વિદેશ યાત્રામાં સીધો ઘટાડો કર્યો છે. પાકિસ્તાન સરકારે સરકારી વાહનો માટે ઇંધણની ઉપલબ્ધતામાં 50% ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આ પગલું ત્રણ મહિના સુધી અમલમાં રહેશે. જો કે, સૈન્ય, કાયદો અને વ્યવસ્થા અને આવશ્યક સેવાઓ સંબંધિત કાર્યરત વાહનોને બાકાત રાખવામાં આવ્યા છે. સરકારી કચેરીઓમાં નવા વાહનો અને નવા સાધનોની ખરીદી હાલ પૂરતી બંધ રહેશે.</p><h3 style="text-align: justify; ">વિદેશ યાત્રા પણ કટોકટી સ્થિતિમાં</h3><p style="text-align: justify; ">આગામી ત્રણ મહિના સુધી, સરકારી અધિકારીઓ દ્વારા વિદેશ યાત્રા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આવશ્યક યાત્રાઓને પણ સામાન્ય રીતે મંજૂરી આપવામાં આવશે નહીં. મર્યાદિત અપવાદો રાખવામાં આવ્યા છે, જ્યારે મંત્રીઓ, સલાહકારો અને અન્ય સરકારી અધિકારીઓને આવશ્યક યાત્રાઓ પર ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરવાની જરૂર પડશે. સરકારે એવો પણ નિર્દેશ આપ્યો છે કે શક્ય હોય ત્યાં મીટિંગ્સ માટે ટેલિકોન્ફરન્સિંગનો ઉપયોગ કરવામાં આવે. સરકારી ખર્ચે યોજાતા સેમિનાર, તાલીમ અને પરિષદો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.</p><h4 style="text-align: justify; ">સરકારી ભોજન સમારંભો પણ મુલતવી&nbsp;</h4><p style="text-align: justify; ">પાકિસ્તાની સરકારે સત્તાવાર સરકારી રાત્રિભોજનનું આયોજન કરવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. અપવાદ ફક્ત વિદેશી પ્રતિનિધિમંડળો માટે છે. વધુમાં, લગ્ન સંબંધિત કાર્યક્રમોમાં ફક્ત એક જ વાનગી પીરસવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. બજારનો સમય એ જ રહેશે. દુકાનો અને બજારો રાત્રે 9 વાગ્યા સુધીમાં, લગ્ન હોલ રાત્રે 10 વાગ્યા સુધીમાં અને રેસ્ટોરન્ટ અને કાફે રાત્રે 11 વાગ્યા સુધીમાં બંધ કરવા પડશે. ટેકઅવે અને હોમ ડિલિવરી મુક્ત છે. પાકિસ્તાન સરકારે નાણાકીય વર્ષ 2026-27 માટે નોન-ERE બજેટમાં 5 ટકાનો ઘટાડો કરવાનો પણ નિર્ણય લીધો છે. સરકારે પ્રાંતીય અને પ્રાદેશિક સરકારોને પણ સમાન પગલાં લેવાનું કહ્યું છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/lifestyle/news/health-fitness/smartphone-addiction-keeping-a-smartphone-nearby-reduces-concentration-know-what-research-says" target="_blank">સ્માર્ટફોન નજીક રાખવાથી ઘટે છે એકાગ્રતા, જાણો શું કહે છે રિસર્ચ?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/2WHuulY97MM2ejC7ozhsiDostoTtSw10csYvpPqx.webp'/></item></channel></rss>