<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Bharuch: વાલિયાની મહિલા કોલેજ ખાતે પૂજા થાળી ડેકોરેશન સ્પર્ધા યોજાઇ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bharuch/bharuch-puja-thali-decoration-competition-held-at-walia-womens-college</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bharuch/bharuch-puja-thali-decoration-competition-held-at-walia-womens-college</guid><pubDate>Thu, 30 Jul 2026 04:31:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વાલિયા : શ્રી રંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજ ખાતે ઇનોવેશન ક્લબ, કલા કૌશલ્ય ધારા અને હોમ સાયન્સ વિભાગના સંયુક્ત ઉપક્રમે ગૌરીવ્રત નિમિત્તે પૂજા થાળી ડેકોરેશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં કુલ 21 વિદ્યાર્થીનીઓએભાગ લઈને પોતાની સર્જનાત્મકતા, કલાત્મક અભિવ્યક્તિ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની આસ્થાનું સુંદર પ્રદર્શન કર્યું હતું.આ કાર્યક્રમમાં કોલેજના સેક્રેટરી ડૉ.વનરાજસિંહ મહિડા, ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. નિયતિબેન ભટ્ટ, નેક કો-ઓર્ડિનેટર ડૉ. દિલાવર ખાન પઠાણ ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધામાં પ્રથમ ક્રમે વસાવા રોશની અને વસાવા દીપીકા આવ્યા હતા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/29/NnSN2GxqmF7LftNGZbWlFNtQvoDSthlvdcOvFsq5.webp'/></item><item><title><![CDATA[Narmada: દેડિયાપાડા કૉલેજમાં ગુરુ પૂર્ણિમા ઉજવણી કરાઇ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/narmada/narmada--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/narmada/narmada--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</guid><pubDate>Thu, 30 Jul 2026 04:31:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દેડિયાપાડા : ગવર્નમેન્ટ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, દેડિયાપાડા ખાતે ગુરુ પૂર્ણિમા કાર્યક્રમનું સંચાલન કુ. પ્રીતિકા વસાવાએ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન કોલેજના ગ્રંથપાલ સંજય પરમાર અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. રિતેશ પરમારે ગુરુ પૂર્ણિમાનું આધ્યાત્મિક અને શૈક્ષણિક મહત્ત્વ સમજાવતાં વક્તવ્ય આપ્યાં હતા. ત્યારબાદ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. અનિલાબેન પટેલે વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવતાં જીવનમાં ગુરુના માર્ગદર્શનનું મહત્વ સમજાવ્યું અને આજનો વિચાર રજૂ કર્યો હતો. કાર્યક્રમના અંતે ડૉ. રમેશ વસાવાએ આભારવિધિ કરી હતી. રાષ્ટ્રગીતના સમૂહગાન સાથે સમગ્ર કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/29/sFXccdMZFCIokgl97sbTARhHHkBXNkjVwFrB329l.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: 2025-26માં ખોટી રીતે ITC ક્લેઇમ કરવાના કેસોમાં રૂ. 74,782 કરોડની ગેરરીતિ પકડાઇ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-rs-74782-crore-fraud-detected-in-cases-of-incorrect-itc-claims-in-2025-26</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-rs-74782-crore-fraud-detected-in-cases-of-incorrect-itc-claims-in-2025-26</guid><pubDate>Thu, 30 Jul 2026 02:42:25 +05:30</pubDate><description><![CDATA[<p>ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) અંતર્ગત ગેરકાયદેસર અને ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી) ક્લેઇમ કરવામાં આવ્યું હોય તેની તપાસ દરમિયાન કેન્દ્ર સરકારે 2025-26માં કુલ 30,162 કેસ અંતર્ગત રૂ. 74,782 કરોડની ગેરરીતિ પકડી છે. આ આંકડો છેલ્લા બે વર્ષમાં આવા કેસની સંખ્યામાં અને ગેરરીતિની રકમમાં નોંધપાત્ર વધારો થયો છે એવું દર્શાવે છે. નિષ્ણાતોના મતે ગેરરીતિના કેસો, રકમ અને આવા કેસો પકડાવવાની સંખ્યામાં વધારો એ કરચોરી વધી રહી છે એ દર્શાવવાની સાથે સાથે સરકાર નિયમોના પાલનમાં પણ ગંભીરતાપૂર્વક આગળ વધી રહી છે એવું પણ દર્શાવે છે. કેન્દ્રિય નાણાંમંત્રાલયે આપેલા આંકડા પરથી આ માહિતી મળી છે. 2025-26માં કુલજે રૂ. 74,782 કરોડની ખોટી રીતે આઇટીસી ક્લેઇમ કરવાની ગેરરિતી પકડાઇ છે તે 2024-25ના રૂ. 58,773 કરોડના આંકડાની તુલનાએ 27 ટકાનો વધારો દર્શાવે છે. 2023-24માં આવી ગેરરીતિનો આંકડો રૂ. 36,373 કરોડ હતો, એવી માહિતી રાજ્યકક્ષાના નાણાંપ્રધાન પંકજ ચૌધરીએ મંગળવારે રાજ્યસભામાં આપી હતી. 2023-24ની તુલનાએ ગણતરી કરીએ તો 2025-26માં ગેરરીતિની રકમમાં 105 ટકાનો વધારો નોંધાયો છે. આવી જ રીતે 2024-25ની તુલનાએ 2025-26માં કેસની સંખ્યા બમણી થઇ છે, જ્યારે 2023-24ની તુલનાએ કેસની સંખ્યામાં ત્રણ ગણો વધારો નોંધાયો છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/YJxXA8MB8nAzflQUkIMXQr7X5RIXqytPjrYjQuq2.webp'/></item><item><title><![CDATA[Surat: 1.56 કરોડની ઠગાઈમાં અમદાવાદ ઉમંગ ઠક્કરનાં ઘરે પોલીસના ધામા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-police-raid-ahmedabad-umang-thakkars-house-in-rs-156-crore-fraud-case</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-police-raid-ahmedabad-umang-thakkars-house-in-rs-156-crore-fraud-case</guid><pubDate>Thu, 30 Jul 2026 02:40:27 +05:30</pubDate><description><![CDATA[<p>કામરેજનાં ખોલવડમાં ટાઇટલ ક્લિયર ન હોવા છતા અને વર્ષો પહેલા અન્યને વેચી મારી હતી એવી વિવાદીત જમીન ઉપર નવા શાનદાર પ્રોજેક્ટના સપના બતાવી અમદાવાદની પતંગ હોટલનાં માલિક અને બિલ્ડર ઉમંગ ઠક્કર અને તેના બે પુત્રો વિરૂદ્ધ 1,56 કરોડ પડાવી લેવાના મામલે ધરપકડ બાદ ઉમંગ ઠક્કર સાથે કામરેજ પોલીસ અમદાવાદ તેના ઘરે પહોંચી હતી. પોલીસ દ્વારા બંને પુત્રોની શોધખોળ અને કૌભાંડ સંદર્ભે દસ્તાવેજો ખંગોળવામાં આવ્યા હતા.</p><p>પ્રાપ્ત માહિતી અનુસાર સુરતનાં ફરિયાદી પુષ્પકભાઇ દિનેશભાઇ પટેલ સહિત 16 જેટલા લોકોએ કામરેજના ખોલવડ ગામની સીમમાં સહજાનંદ નિર્વાણા નામનાં પ્લોટિંગ પ્રોજેક્ટમાં પ્લોટોનું બુકીંગ કરાવી 1.56 કરોડનું રોકાણ કરાવ્યું હતું. આ જમીન અગાઉ અન્યે કોઇને વેચાણ દસ્તાવેજ કરી દીધો હોવા છતા પણ પ્રોજેક્ટનાં માલિક ઉમંગ હરી ઠક્કર, તેમનાં પુત્રો નિલ અને કંઠ ઉમંગ ઠક્કરે પૈસા લઈ ઠગાઈ આચરી હતી. લોકોને કૌભાંધની ગંધ આવી જતાં પિતા-પુત્રોએ પ્લોટનાં દસ્તાવેજ કે રૂપિયા પરત નહીં આપતા મામલો કામરેજ પોલીસ મથકે પહોંચ્યો હતો. ત્રણ મહિના પછી કામરેજ પોલીસે કૌભાંડી ઉમંગ ઠક્કરને સુરત રેલ્વે સ્ટેશનેથી ઝડપી લઈ તેના બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.</p><p>પોલીસ પુછપરછ દરમ્યાન ઉમંગે તેના બંને પુત્રો નિલ અને કંઠ ઠક્કર વિદેશ ગયા હોવાનું જણાવ્યું હતું. જોકે કામરેજ પોલીસ બુધવારે ઉમંગ ઠક્કરનાં અમદાવાદ સેટેલાઇટ સ્થિત ઘરે તપાસ માટે પહોંચી હતી. કામરેજ પોલીસનો ફેરો ફોગટ પડયો હોય તેમ નિલ અને કંઠ પોતાનાં ઘરે નહીં મળી આવ્યા હતા. કામરેજ પોલીસે જોકે, ઉમંગ ઠક્કરનાં ઘરે સઘન સર્ચ પ્રક્રિયા હાથ ધરી હતી. રિમાન્ડ દરમ્યાન ઉમંગ ઠક્કર ભોગ બનનારાઓ સાથે સમાધાન થઇ ગયુ હોવાનું સતત રટણ કરી ગોળગોળ વાતો સાથે તપાસમાં સમય પસાર કરી રહ્યો છે.</p><p>બીજીતરફ અમદાવાદ પહોંચેલી પોલીસને સહ આરોપી બંને પુત્રો નહીં મળી આવતા અને વિદેશ ભાગી છુટેલા બંને આરોપી પુત્રો વિરૂદ્ધ કામરેજ પોલીસે આગામી દિવસોમાં લુક આઉટ નોટીસ જારી કરવાની પ્રક્રિયા હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું. ગુરૂવારે બપોરે ઉમંગ ઠક્કરનાં બે દિવસનાં રિમાન્ડની અવધી પુરી થઈ રહી છે ત્યારે અનેક અનુત્તર સવાલો સાથે તપાસના તથ્યોને ઉજાગર કરવા કામરેજ પોલીસ તેના વધુ રિમાન્ડ મેળવે તેવી શક્યતા છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/y9zHsTadiuEmeSk54upCSrrjgtz0ZzlNR0ppO6QV.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: કર્ણાવતી ક્લબ વિસ્તારમાં દીપડો જોવા મળ્યો હોવાની સોશિયલ મીડિયામાં બૂમ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-social-media-buzzes-with-reports-of-a-leopard-being-spotted-in-the-karnavati-club-area</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-social-media-buzzes-with-reports-of-a-leopard-being-spotted-in-the-karnavati-club-area</guid><pubDate>Thu, 30 Jul 2026 02:39:40 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદના મૂમતપુરા ગામના પાછળના વિસ્તારમાં અને કર્ણાવતી ક્લબ નજીક બુધવારે વહેલી સવારે દીપડો જોવા મળ્યો હોવાની વાયુવેગે ચાલેલી ચર્ચાના પગલે વન વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. થોડા દિવસો અગાઉ શહેરના પોશ ગણાતા એવા બોપલ-ઘૂમામાં દીપડાએ દેખા દીધી હતી. 19 જુલાઈની મોડી રાત્રિએ શરણદીપ સોસાયટીના એક બંગલામાં કોટ કૂદીને દીપડો ઘૂસ્યો હતો. જેના પગલે આસપાસના વિસ્તારોમાં ફ્ફ્ડાટ વ્યાપી ગયો હતો. કર્ણાવતી ક્લબ નજીક મળેલા ફૂટ પ્રિન્ટની તપાસમાં શ્વાનના હોવાનું સામે આવ્યું છે. આમ છતાં વન વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે ઝવેરી સર્કલ પાસે બે પાંજરા મૂકવામાં આવ્યા છે.</p><p>આ અંગે પ્રાપ્ત વિગત મુજબ, અમદાવાદમાં ફરી એક વખત દીપડો દેખાયો હોવાની ચર્ચા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. મૂમતપુરા ગામના પાછળના વિસ્તારમાં વહેલી સવારે દીપડો જોવા મળ્યો હોવાની ચર્ચાને પગલે વન વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારમાં થર્મલ સ્કેનિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. થર્મલ સ્કેનિંગ, સીસીટીવી ફૂટેજ તપાસવા તથા પાંજરું મૂકવામાં આવ્યા પછી પણ દીપડાની હાજરીની ચર્ચાને કોઈ પુષ્ટિ થઈ નથી. વન વિભાગ તરફ્થી અફ્વાઓમાં વિશ્વાસ ના કરવા અપીલ કરવામાં આવી છે. ઉપરાંત કોઈપણ શંકાસ્પદ વન્યજીવ દેખાય તો વન વિભાગને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/kqJ7neh3huhlHrQ0JvTgiLihFWYpjugEjLm83q3M.webp'/></item><item><title><![CDATA[CWG 2026: નીરજ ચોપરા એક્શનમાં મળશે જોવા, 8મા દિવસનું સંપૂર્ણ શેડ્યૂલ ]]></title><link>https://sandesh.com/sports/news/commonwealth-games-2026-day-8-india-neeraj-chopra</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/commonwealth-games-2026-day-8-india-neeraj-chopra</guid><pubDate>Wed, 29 Jul 2026 23:32:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">30 જુલાઈના રોજ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સના 8મા દિવસે ટોક્યો ઓલિમ્પિક્સના ગોલ્ડન બોય નીરજ ચોપરા એક્શનમાં જોવા મળશે. ગુરુવારે વેઈટલિફ્ટિંગમાં 2 સહિત કુલ 5 મેડલ દાવ પર લાગશે. એથ્લેટિક્સમાં પણ તજિન્દરપાલ સિંહ તૂર અને સમરદીપ સિંહ ગિલ (શોટ પુટ) ફાઈનલમાં હશે.</p><p style="text-align: justify; ">પારુલ ચૌધરી 5000 મીટર દોડની ફાઈનલમાં જોવા મળશે. આ ઉપરાંત, બધાની નજર મહિલા ડિસ્કસ થ્રો ફાઈનલમાં સીમા કાલીરામણા અને નિધિ રાની પર રહેશે.</p><p style="text-align: justify; ">ભારત માટે અત્યાર સુધીનો સાતમો દિવસ (આ સમાચાર લખાઈ ત્યાં સુધી) ખૂબ જ સારો રહ્યો છે. બુધવારે, પાંચ બોક્સરોએ સેમીફાઈનલમાં પ્રવેશ કરીને ઓછામાં ઓછા 5 બ્રોન્ઝ મેડલ પાક્કા કર્યા છે. આનાથી ભારતના બોક્સિંગ મેડલની કુલ સંખ્યા 9 થઈ જશે . જાસ્મિન લેમ્બોરિયાની મેચ સાતમા દિવસે મોડી રાત્રે યોજાવાનો છે, અને તે પણ સેમીફાઈનલમાં પ્રવેશ કરીને મેડલ મેળવી શકે છે.</p><h2 style="text-align: justify; "><b>કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતનું આઠમા દિવસનું શેડ્યૂલ&nbsp;</b></h2><p style="text-align: justify; "><img alt="CWG 2026" src="https://epapercdn.sandesh.com/images/2026/07/29/RDY2ZdrVbZFaVMmbM7g3bejvQmIgZZmOp1RRAMkC.webp"><br></p><h3 style="text-align: justify; "><b>ભારતીય બોક્સરોએ પોતાનું મજબૂત પ્રદર્શન ચાલુ રાખ્યું</b></h3><p style="text-align: justify; ">ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય બોક્સરોએ પોતાનું મજબૂત પ્રદર્શન ચાલુ રાખ્યું છે. 29 જુલાઈના રોજ ભારતીય બોક્સિંગ ટીમે ફરી એકવાર શાનદાર પ્રદર્શન કર્યું. સાક્ષી ચૌધરી અને અરુંધતી ચૌધરીએ પોતપોતાની ક્વાર્ટર ફાઈનલ મેચ જીતીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો.&nbsp;</p><p style="text-align: justify; ">આ સાથે બંનેએ ભારત માટે ઓછામાં ઓછો બ્રોન્ઝ મેડલ નિશ્ચિત કર્યો છે. ભારતીય બોક્સરોના પ્રભાવશાળી પ્રદર્શન સાથે બોક્સિંગમાં મેડલની સંખ્યા વધુ વધવાની અપેક્ષા છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/ishan-kishan-run-out-abhishek-sharma-stump-mic-video" target="_blank">Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/29/IGu5ARAlVgf9Wij0b7iM64fYyExX8miFEOm2EIxt.webp'/></item><item><title><![CDATA[Raja Raghuvanshi Murder Case : પતિની હત્યારી સોનમ રઘુવંશીએ કર્યું સરન્ડર, SCની ટિપ્પણી બાદ ફરી પહોંચી જેલ ]]></title><link>https://sandesh.com/india/news/raja-raghuvanshi-murder-case-sonam-raghuvanshi-surrenders-sc-bail-cancelled</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/raja-raghuvanshi-murder-case-sonam-raghuvanshi-surrenders-sc-bail-cancelled</guid><pubDate>Wed, 29 Jul 2026 21:56:29 +05:30</pubDate><description><![CDATA[<p>મેઘાલયના ચર્ચિત હનીમૂન મર્ડર કેસમાં મુખ્ય આરોપી સોનમ રઘુવંશીએ 28 જુલાઈએ સરેન્ડર કર્યું છે. આ પહેલાં સુપ્રીમ કોર્ટે તેના જામીન રદ કરીને ત્રણ અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે પ્રથમ દૃષ્ટિએ સોનમ જામીન મેળવવા પાત્ર નહોતી.</p><h2><b>સની સુનાવણી હાલમાં મહત્વપૂર્ણ તબક્કામાં&nbsp;</b></h2><p>જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ પ્રસન્ના બી. વરાલેની બેન્ચે જણાવ્યું કે આરોપીની ધરપકડ સમયે તેને ધરપકડના કારણોની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. કોર્ટે વધુમાં સ્પષ્ટ કર્યું કે ધરપકડ મેમોમાં ટાઈપિંગની કોઈ ભૂલ હોય તો પણ તેને જામીન આપવાનો આધાર બનાવી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે કેસની સુનાવણી હાલમાં મહત્વપૂર્ણ તબક્કામાં છે, તેથી આરોપીને જામીન આપવું યોગ્ય નથી. જોકે કોર્ટે એ પણ જણાવ્યું કે જો આગામી છ મહિનામાં ટ્રાયલ પૂર્ણ નહીં થાય તો આરોપી કાયદા મુજબ ફરીથી જામીન માટે અરજી કરી શકશે.</p><h3><b>તમામ દોષિતોને કડક સજા મળશે</b></h3><p>આ દરમિયાન મૃતક રાજા રઘુવંશીના ભાઈ વિપિન રઘુવંશીએ સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે તેમને શરૂઆતથી જ ન્યાયતંત્ર પર સંપૂર્ણ વિશ્વાસ હતો અને તેમને ખાતરી હતી કે અંતે ન્યાય મળશે. તેમણે મેઘાલય સરકાર તેમજ તપાસ એજન્સીઓની કામગીરીની પણ પ્રશંસા કરી હતી. વિપિન રઘુવંશીએ જણાવ્યું કે તપાસ એજન્સીઓની અસરકારક કામગીરીના કારણે તેમના ભાઈની હત્યાની મુખ્ય આરોપી ફરી જેલમાં પહોંચી છે. તેમણે આશા વ્યક્ત કરી કે કેસનો ટ્રાયલ ઝડપથી પૂર્ણ થશે અને તમામ દોષિતોને કડક સજા મળશે. આ કેસ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો અને હવે તેની કાનૂની કાર્યવાહી પર સૌની નજર ટકેલી છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/vande-mataram-insult-criminal-offence-bill-passed-rajya-sabha" target="_blank">આ પણ વાંચો : 'Vande Mataram'નું અપમાન હવે ગણાશે ગુનો, રાજ્યસભામાં પાસ થયું બિલ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/29/QCR90KkZDMMknwWmlyRRPHYAezk5ONrOlfI6ACoG.webp'/></item><item><title><![CDATA['Vande Mataram'નું અપમાન હવે ગણાશે ગુનો, રાજ્યસભામાં પાસ થયું બિલ ]]></title><link>https://sandesh.com/india/news/vande-mataram-insult-criminal-offence-bill-passed-rajya-sabha</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/vande-mataram-insult-criminal-offence-bill-passed-rajya-sabha</guid><pubDate>Wed, 29 Jul 2026 21:26:11 +05:30</pubDate><description><![CDATA[<p>લોકસભામાં એન્ટી પેપર લીક બિલ પસાર થયા બાદ હવે રાજ્યસભાએ પણ 'વંદે માતરમ'ના અપમાનને દંડનીય ગુનો બનાવતું રાષ્ટ્રીય સન્માનના અપમાનની રોકથામ (સંશોધન) વિધેયક, 2026 ધ્વનિમતથી પસાર કર્યું છે. બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો અને બાદમાં વોકઆઉટ પણ કર્યું હતું. તેમ છતાં સરકાર બિલ પસાર કરવામાં સફળ રહી.</p><h2><b>બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે 1875માં આ ગીતની રચના કરી હતી</b></h2><p>બિલ પર ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કોંગ્રેસ પર તીખો પ્રહાર કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ તુષ્ટિકરણની રાજનીતિના કારણે 'વંદે માતરમ' જેવા રાષ્ટ્રીય ગૌરવના પ્રતિકનો વિરોધ કરી રહી છે. તેમના જણાવ્યા મુજબ, ‘વંદે માતરમ’નો વિરોધ કરવો એ દેશવિરોધી તત્વોનું મનોબળ વધારવા સમાન છે. નિત્યાનંદ રાયે જણાવ્યું કે ‘વંદે માતરમ’ માત્ર એક ગીત નથી, પરંતુ ભારતની આત્મા, રાષ્ટ્રીય ચેતના અને સાંસ્કૃતિક વારસાનું પ્રતિક છે. તેમણે યાદ અપાવ્યું કે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે 1875માં આ ગીતની રચના કરી હતી અને સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન અનેક ક્રાંતિકારીઓએ પોતાના અંતિમ શ્વાસ સુધી ‘વંદે માતરમ’નો જયઘોષ કર્યો હતો.</p><h3><b>રાષ્ટ્રીય પ્રતીકોનું સન્માન રાજકારણથી ઉપર હોવું જોઈએ</b></h3><p>કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે રાષ્ટ્રીય પ્રતીકોનું સન્માન રાજકારણથી ઉપર હોવું જોઈએ. તેમણે દાવો કર્યો કે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પને સાકાર કરવા માટે ‘વંદે માતરમ’નું સન્માન જરૂરી છે. તેમના જણાવ્યા અનુસાર દેશના યુવાનો સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છે અને રાષ્ટ્રીય ગૌરવ સાથે જોડાયેલા મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરશે. બિલ પસાર થયા બાદ હવે ‘વંદે માતરમ’ના અપમાન સામે કાનૂની કાર્યવાહી માટે વધુ સ્પષ્ટ જોગવાઈઓ અમલમાં આવશે, જ્યારે આ મુદ્દે સરકાર અને વિપક્ષ વચ્ચે રાજકીય મતભેદ વધુ ઘેરા બન્યા છે.</p><p><b><a href="https://sandesh.com/knowledge/news/india/cause-of-death-certificate-why-is-a-medical-certificate-required-for-every-death-in-india-know-how-mccd-can-save-millions-of-lives" target="_blank">આ પણ વાંચો : Cause of Death Certificate: ભારતમાં દરેક મૃત્યુનું મેડિકલ સર્ટિફિકેટ કેમ જરૂરી, જાણો MCCD કેવી રીતે બચાવી શકે છે લાખો જીવ?</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/29/rR7jccvmZSSUzhiTqO9p5kefUBDPlnEAvd4Sc0pB.webp'/></item><item><title><![CDATA[સહ-અસ્તિત્વની પુનર્વ્યાખ્યા: નેતૃત્વ, વ્યવહારુ અભિગમ અને હીરાના સર્ટિફિકેશનનું વિચલન ]]></title><link>https://sandesh.com/business/news/coexistence-leadership-diamond-certification-industry-analysis</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/coexistence-leadership-diamond-certification-industry-analysis</guid><pubDate>Wed, 29 Jul 2026 21:01:31 +05:30</pubDate><description><![CDATA[<p>વૈશ્વિક હીરા ઉદ્યોગ લાંબા સમયથી સ્પષ્ટ અને અદ્રશ્ય લાગતી સીમાઓ દોરવાનો શોખીન રહ્યો છે. વર્ષોથી, કુદરતી હીરા સામે લેબ-ગ્રોન (પ્રયોગશાળામાં તૈયાર કરાયેલા) વિકલ્પોને ઊભા કરતા નિવેદનોને સમીક્ષકો દ્વારા એક અસ્તિત્વગત, શૂન્ય-સરવાળાના યુદ્ધ (zero-sum war) તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. જો કે, વૈશ્વિક હીરા શાસનના સર્વોચ્ચ સ્તર પરનો એક સૂક્ષ્મ દૃષ્ટિકોણ દર્શાવે છે કે આ વિચારધારાત્મક ખાઈઓ હવે ઝડપથી વ્યાપારી વાસ્તવિકતાને માર્ગ આપી રહી છે. આધુનિક બજાર હવે જડ અસ્વીકારને પ્રોત્સાહિત કરતું નથી; તેના બદલે, તે એક બુદ્ધિપૂર્વકની બેવડી રણનીતિની માંગ કરે છે જે બજારની વાસ્તવિકતાઓ સાથે વ્યાપારી હિમાયતનો સમન્વય કરે છે.</p><p>આ વિચારધારાત્મક પરિવર્તન આપણા વૈશ્વિક સંસ્થાકીય માળખાના સર્વોચ્ચ શિખર પર સંપૂર્ણ રીતે મૂર્તિમંત થાય છે. મે 2026 માં, વર્લ્ડ ડાયમંડ કાઉન્સિલ (WDC) એ રોની વાન્ડરલિંડેનની પ્રમુખ તરીકે અને અનૂપ મહેતાની ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરીને તેના નવા નેતૃત્વનો પ્રારંભ કર્યો. બંને નિઃશંકપણે કુદરતી હીરા ક્ષેત્રના અગ્રણી દિગ્ગજો છે, છતાં, આ નેતૃત્વની જોડીને આપણા વર્તમાન યુગની ઊંડી સૂચક બનાવે છે તે એ છે કે બંનેમાંથી કોઈ પણ વ્યક્તિ લેબ-ગ્રોન ડાયમંડ (LGD) ક્ષેત્રને શત્રુતાની દ્રષ્ટિથી જોતી નથી. તેના બદલે, તેમના સંબંધિત વ્યાપારી અને સંસ્થાકીય પોર્ટફોલિયો આ શ્રેણી સાથે અત્યંત વ્યવહારુ જોડાણ દર્શાવે છે, જે સાબિત કરે છે કે કુદરતી હીરા વ્યાપારની હિમાયત કૃત્રિમ ક્ષેત્રમાં સક્રિય હાજરી સાથે પણ સરળતાથી સહ-અસ્તિત્વ ધરાવી શકે છે.</p><p>વાન્ડરલિંડેનનું જ ઉદાહરણ લો. 1977 માં હીરા કાપનાર (sawyer) તરીકે વેપારમાં પ્રવેશ કરનાર આ અનુભવી અગ્રણી, ન્યૂ યોર્કના કુદરતી હીરા ઉત્પાદક 'ડાયમેક્સ' (Diamex) અને 'પિન્ટુરા લેબ ગ્રોન ડાયમંડ્સ' ના પ્રમુખ તરીકે સેવા આપે છે. આ માત્ર એક નિષ્ક્રિય સંસ્થાકીય જોડાણ નથી, પરંતુ એક પ્રત્યક્ષ વ્યાપારી હિસ્સેદારી છે. વાન્ડરલિંડેનનું વલણ બજારની આવશ્યક વ્યવહારુતાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે જાહેર રીતે લેબ-ગ્રોન હીરાને કુદરતી હીરા માટે અસ્તિત્વના ખતરા તરીકે નહીં, પરંતુ એક એવા પ્રવેશદ્વાર તરીકે રજૂ કર્યા છે જે આખરે વ્યાપક ઝવેરાત અર્થતંત્રને વિસ્તૃત કરી શકે છે. તેમણે પ્રખ્યાત રીતે નોંધ્યું છે કે જો ગ્રાહકની યાત્રા માનવસર્જિત હીરાથી શરૂ થાય છે અને કુદરતી હીરા ખરીદવામાં પરિણમે છે, તો તે દરેક માટે વિન-વિન (સૌનો વિજય) સ્થિતિ દર્શાવે છે. આનો અર્થ એ નથી કે તેઓ ગેરમાર્ગે દોરતા માર્કેટિંગ અથવા શંકાસ્પદ પર્યાવરણીય દાવાઓને માન્ય કરે છે - તેમના નેતૃત્વ હેઠળ, ઉદ્યોગ મંડળોએ કાર્બન-ફૂટપ્રિન્ટના ગેરમાર્ગે દોરતા દાવાઓને યોગ્ય રીતે પડકાર્યા છે, છતાં, તેઓ બજારમાં આ ઉત્પાદનની હાજરીની કાયદેસરતાનો દ્રઢતાથી સ્વીકાર કરે છે.</p><p>WDC માં તેમના સમકક્ષ, અનૂપ મહેતા, ભારત ડાયમંડ બુર્સ (Bharat Diamond Bourse) ના પ્રમુખ અને મોહિત ડાયમંડ્સના મેનેજિંગ ડિરેક્ટર તરીકે અડધી સદીથી વધુનો વારસો ધરાવે છે. જોકે મોહિત ડાયમંડ્સ સીધી રીતે લેબ-ગ્રોન હીરાનો વેપાર કરતી નથી, મહેતાએ સંપૂર્ણપણે પારદર્શક રીતે જણાવ્યું છે કે તેમની કંપની એવા ગ્રાહકોને સેવા આપે છે જેઓ રફ લેબ-ગ્રોન હીરાનું ઉત્પાદન કરવા માંગે છે, અને નોંધ્યું છે કે આ શ્રેણીએ તેના ઐતિહાસિક કલંકને દૂર કર્યું છે. તેઓ આ ગતિશીલતાની સરખામણી પરંપરાગત યાંત્રિક ઘડિયાળો સાથે સ્માર્ટવોચના સહ-અસ્તિત્વ સાથે ખૂબ જ ચતુરાઈથી કરે છે. વધુ સ્પષ્ટ બાબત એ છે કે, જૂન 2025 માં, મહેતાની આઈજીઆઈ (ઇન્ટરનેશનલ જેમલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ) ના ચેરમેન અને સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી, જે લેબ-ગ્રોન હીરાનું ગ્રેડિંગ કરતી વિશ્વની અગ્રણી સંસ્થા છે.</p><p>આ બાબત આપણને આજે આપણા વૈશ્વિક વ્યાપારી ક્ષેત્ર સામેના મુખ્ય માળખાકીય વિભાજન પર લાવે છે: સર્ટિફિકેશનનો પ્રશ્ન. મહેતાની શાસન દેખરેખ હેઠળ, આઈજીઆઈ (IGI) — એક સૂચિબદ્ધ, બ્લેકસ્ટોન-સમર્થિત વૈશ્વિક સંસ્થા જે બેલ્જિયમ મૂળ ધરાવે છે અને જેના Q1 FY2026 ના પરિણામો દર્શાવે છે કે કટ લેબ-ગ્રોન હીરા તેની કામગીરીના 54 ટકા હિસ્સો ધરાવે છે — તેણે એક ચોક્કસ ઓપરેશનલ વલણ અપનાવ્યું છે. જ્યારે વિવેચકો કૃત્રિમ હીરાના ગ્રેડિંગનું મૂલ્ય ઘટાડવાનો પ્રયાસ કરે છે, ત્યારે આઈજીઆઈએ લેબ-ગ્રોન હીરા પર સંપૂર્ણ, પરંપરાગત 4Cs સ્કેલ (કટ, કલર, ક્લેરિટી અને કેરેટ) લાગુ કરવાની તેની નીતિનો મજબૂત બચાવ કર્યો છે, અને ભારપૂર્વક જણાવ્યું છે કે ગ્રાહકનો વિશ્વાસ સંપૂર્ણપણે સચોટ પારદર્શિતા અને ઉત્પત્તિના ખુલાસા પર આધારિત છે.</p><p>આ વલણ મુખ્ય જેમલોજિકલ સંસ્થાઓ વચ્ચે એક સ્પષ્ટ અને રસપ્રદ વિચલન દર્શાવે છે. જ્યારે આઈજીઆઈ કડક 4Cs રિપોર્ટિંગ માળખું જાળવી રાખે છે, ત્યારે જીઆઈએ (GIA) એ લેબ-ગ્રોન માટે પરંપરાગત શબ્દભંડોળ નાબૂદ કરવાનો નિર્ણય લીધો, અને યોગ્ય હીરાને વ્યાપક "પ્રીમિયમ" અને "સ્ટેન્ડર્ડ" શ્રેણીઓમાં વર્ગીકૃત કર્યા. તેની સાથે જ, એચઆરડી એન્ટવર્પ (HRD Antwerp) એ કુદરતી અને લેબ-ગ્રોન હીરાની દુનિયા વચ્ચે કડક સીમા દોરવાના પ્રયાસરૂપે, કટ લેબ-ગ્રોન હીરા માટેના પ્રમાણપત્રો સંપૂર્ણપણે બંધ કરીને વધુ એક પગલું પાછળ ભર્યું.</p><p>આ સંસ્થાકીય વિચલન અને WDC નેતૃત્વ માળખું જે દર્શાવે છે તે એ છે કે સાચો વિવાદ હવે એ બાબતે નથી કે લેબ-ગ્રોન હીરા અસ્તિત્વ ધરાવવાનો અધિકાર ધરાવે છે કે નહીં, પરંતુ તે કેવી રીતે સંચાલિત થાય છે, પ્રગટ થાય છે અને એકીકૃત થાય છે. બેવડી ભાગીદારી એ સંઘર્ષનો સંકેત નથી, પરંતુ વિકસતા, બહુ-સ્તરીય બજારનું કુદરતી પરિણામ છે.</p><p>જેમ જેમ આપણે કોમોડિટીઝ વેપારના આગામી દાયકાનું આયોજન કરીએ છીએ, વૈશ્વિક ઉદ્યોગે અસ્વીકારની ભાષા છોડીને, ગ્રેડિંગમાં સંપૂર્ણ પારદર્શિતા સ્વીકારીને અને વિવિધ ગ્રાહક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે એક જ સ્ફટિકના વિવિધ સ્વરૂપોને સુમેળથી જાળવી શકાય છે તે બાબતનો સ્વીકાર કરીને પોતાના સૌથી અનુભવી અગ્રણીઓના માર્ગદર્શનનું પાલન કરવું જોઈએ.&nbsp; &nbsp;</p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/29/gQl9X4ABI7v3Q8sNgbQf311auIojmMh4HPD0NxKE.webp'/></item><item><title><![CDATA[Rajesh Khannaના બંગલાને 'શાપિત' કે 'ભૂતિયા' કહેવું પડશે ભારે, Bombay High Courtએ આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો ]]></title><link>https://sandesh.com/entertainment/news/india/it-would-be-too-much-to-call-rajesh-khannas-bungalow-cursed-or-haunted-bombay-high-court-gives-important-verdict</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/india/it-would-be-too-much-to-call-rajesh-khannas-bungalow-cursed-or-haunted-bombay-high-court-gives-important-verdict</guid><pubDate>Wed, 29 Jul 2026 19:28:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">કોર્ટે મીડિયા આઉટલેટ્સ અને યુટ્યુબ ચેનલોને એવી સામગ્રી પ્રકાશિત કરવા પર પ્રતિબંધ મૂક્યો છે જે મિલકતને "ભૂતિયા," "શાપિત" અથવા "અશુભ" તરીકે વર્ણવે છે.</p><h2 style="text-align: justify; ">રાજેશ ખન્નાનો બંગલો ચર્ચામાં&nbsp;&nbsp;</h2><p style="text-align: justify; ">બોલીવુડના પહેલા સુપરસ્ટાર તરીકે જાણીતા રાજેશ ખન્નાનો પ્રખ્યાત બંગલો "આશીર્વાદ" ફરી એકવાર ચર્ચામાં છે. પરંતુ આ વખતે, કારણ કોઈ ફિલ્મ, વાર્તા કે સ્ટાર સાથે સંબંધિત કોઈ યાદ નથી, પરંતુ બોમ્બે હાઈકોર્ટનો એક મહત્વપૂર્ણ આદેશ છે. કોર્ટે મીડિયા આઉટલેટ્સ અને કેટલીક યુટ્યુબ ચેનલોને બંગલા વિશેના વિડિઓ પ્રકાશિત કરવા અથવા બનાવવા પર પ્રતિબંધ મૂક્યો છે જે તેને "ભૂતિયા," "શાપિત," "અશુભ" અથવા "અશુભ" તરીકે વર્ણવે છે.</p><h3 style="text-align: justify; ">કોણે આરોપ લગાવ્યા ?</h3><p style="text-align: justify; ">આ કેસ ત્યારે શરૂ થયો જ્યારે ઉદ્યોગપતિ શશી કિરણ શેટ્ટી, જે હવે મિલકતના માલિક છે, તેમણે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો. તેમણે જૂનું માળખું તોડીને એક નવું બનાવ્યું, પરંતુ તેઓ હજુ પણ આ સ્થળનું નામ "આશીર્વાદ" રાખે છે. શશી કિરણે આરોપ લગાવ્યો કે કેટલાક મીડિયા રિપોર્ટ્સ અને યુટ્યુબ વીડિયો બંગલા વિશે ખોટા દાવા કરી રહ્યા છે જેનો કોઈ નક્કર આધાર નથી. તેમણે સમજાવ્યું કે કેટલીક જગ્યાએ દાવો કરવામાં આવે છે કે "આશીર્વાદ" શાપિત છે કારણ કે તેણે ત્રણ સુપરસ્ટારની કારકિર્દીનો અંત લાવ્યો હતો.</p><h4 style="text-align: justify; ">પાયાવિહોણી અફવાઓ ફેલાઈ&nbsp;</h4><p style="text-align: justify; ">તેમણે દલીલ કરી હતી કે આવી અફવાઓ તેમની છબી અને તેમની મિલકતની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી રહી છે. કેસની સુનાવણી કરતા, બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ આરિફ ડોક્ટરે કહ્યું કે પ્રથમ નજરમાં, અરજદારની દલીલો મજબૂત લાગે છે. કોર્ટે સ્વીકાર્યું કે "ભૂતિયા" અથવા "શાપિત" તરીકે મિલકતના અપ્રમાણિત દાવાઓ માલિકના અધિકારોને અસર કરી શકે છે. કોર્ટે એમ પણ કહ્યું કે આવા દાવાઓ ફક્ત સનસનાટીભર્યા વાતાવરણ પેદા કરે છે.</p><h5 style="text-align: justify; ">21 ઓગસ્ટે સુનાવણી યોજાશે</h5><p style="text-align: justify; ">કોર્ટના મતે, વ્યક્તિને પોતાની મિલકતમાં ગૌરવ અને શાંતિથી રહેવાનો અધિકાર છે. જોકે, જે મીડિયા સંગઠનો અને ચેનલો પર આરોપ મૂકવામાં આવ્યો છે તેઓ પોતાનો પક્ષ રજૂ કરવા માટે આગળ આવ્યા નથી. રાજેશ ખન્નાનો "આશીર્વાદ" બંગલો તેમના સ્ટારડમનું પ્રતીક રહ્યો છે. કોર્ટના આ આદેશ બાદ, મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ્સે આ મિલકત પર રિપોર્ટિંગ કરતી વખતે સાવધાની રાખવી પડશે. આ કેસની આગામી સુનાવણી 21 ઓગસ્ટે થશે.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/india/news/bhojshala-dispute-dispute-over-alternative-prayer-place-escalates-again-sc-will-hear-muslim-partys-plea-tomorrow" target="_blank">વૈકલ્પિક નમાઝ સ્થળ પર વિવાદ ફરી વધ્યો, SC આવતીકાલે મુસ્લિમ પક્ષની અરજી પર કરશે સુનાવણી</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/29/Z5bXo3KCSEx1jxA9Gh3LuK3TfxkP2Qrgp7BgvZHj.webp'/></item></channel></rss>