<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Dabhoi: થરવાસા-નડા માર્ગ પર ઝાડી-ઝાંખરા ઉગતા રોડ સાંકડો બન્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dabhoi/dabhoi-the-road-has-become-narrow-due-to-the-growth-of-bushes-on-the-tharvasa-nada-road</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dabhoi/dabhoi-the-road-has-become-narrow-due-to-the-growth-of-bushes-on-the-tharvasa-nada-road</guid><pubDate>Sun, 06 Sep 2026 01:18:22 +05:30</pubDate><description><![CDATA[<p>ડભોઇ તાલુકાના ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોને જોડતા માર્ગો તંત્રની ઘોર ઉપેક્ષાનો ભોગ બની રહ્યા છે. થરવાસાથી નડા તરફ્ જતા મહત્વના માર્ગની બંને બાજુએ મોટા પ્રમાણમાં કાંટાળા ઝાડી-ઝાંખરા ઊગી નીકળતાં માર્ગ અત્યંત સાંકડો બન્યો છે. રસ્તા પર ઠેર-ઠેર પડેલા ખાડાને કારણે વાહનચાલકાને હાલાકી વેઠવી પડે છે.</p><p>સ્થાનિક રહીશો અને વાહનચાલકોના જણાવ્યા મુજબ, રસ્તાની બંને તરફ્ બાવળ અને ઝાડીઓ એટલી હદે વધી ગઈ છે કે, માર્ગની પહોળાઈ અડધી થઈ ગઈ છે. સામેથી અચાનક બીજું વાહન આવી ચડે ત્યારે સાઇડ આપવા માટે જગ્યા બચતી નથી. જેના કારણે વાહનો ઝાડીઓમાં ઉતારવા પડે છે. અથવા ટ્રાફ્કિ જામ સર્જાય છે. વળાંકો પર સામેથી આવતું વાહન ન દેખાવાને કારણે નાના-મોટા અકસ્માતોની સંભાવના સતત રહે છે. ઝાડી-ઝાંખરા ઉપરાંત રસ્તા પર પડેલા ખાડાઓને કારણે દ્વિચક્રી અને ચાર પૈડાંવાળા વાહનોને મોટું નુકસાન થઈ રહ્યું છે. સરકાર દ્વારા અંતરિયાળ ગામડાંઓના લોકો ઝડપથી તાલુકા મથકે પહોંચી શકે તે માટે શોર્ટકટ અને કનેક્ટિંગ રસ્તા બનાવાયા છે. પરંતુ નિર્માણ બાદ તંત્ર દ્વારા યોગ્ય જાળવણી અને દેખરેખના અભાવે આ માર્ગો બિસ્માર બને છે. થરવાસા-નડા રોડ પરથી નોકરિયાતો, ખેડૂતો, વિદ્યાર્થી અવરજવર કરે છે. જેમને દરરોજ જોખમી મુસાફરી કરવી પડે છે. સ્થાનિક ગ્રામજનોની માંગ છે કે, માર્ગ અને મકાન વિભાગ તેમજ સ્થાનિક વહીવટી તંત્ર તાત્કાલિક કુંભકર્ણ નિંદ્રામાંથી જાગીને રસ્તાની બંને બાજુ ઊગી નીકળેલા ઝાડી-ઝાંખરાનું કટિંગ કરાવીને માર્ગને સુગમ બનાવે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/06/NtmjdPnbBtCaGHvQ7UCG75cBNOQLH3DsXpgGpxQa.webp'/></item><item><title><![CDATA[Vadodara: સાવલી નગર પાલિકાના નગર સેવકોને શોભાના ગાંઠિયા બતાવાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-municipal-servants-of-savli-municipal-corporation-were-presented-with-ornaments</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-municipal-servants-of-savli-municipal-corporation-were-presented-with-ornaments</guid><pubDate>Sun, 06 Sep 2026 01:17:39 +05:30</pubDate><description><![CDATA[<p>સાવલી નગરની ગંદકી સહિત પાયાની સુવિધાની અનદેખી મુદ્દે સાવલી નગર ભાજપ નામના વોટ્સએપ ગ્રૂપમાં ભાજપના કાર્યકરો દ્વારા પાલિકાના કોર્પોરેટરોને શોભાના ગાંઠિયા સમાન ગણાવીને પાલિકાને કોન્ટ્રાકટર અને પાલિકા કર્મચારીને દત્તક આપ્યાનો ઉલ્લેખ કરીને બળાપો વ્યક્ત કરતી પોસ્ટ વાઇરલ થતા ચકચાર મચી છે.</p><p>ભાજપ સાવલી નગરના ગ્રૂપમાં નગરપાલિકાની કામગીરીને લઈને આક્ષેપભર્યા મેસેજિસ વાઇરલ થતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. વાઇરલ મેસેજિસમાં નગર પાલિકાના મોટા ભાગના કોર્પોરેટરો શોભાના ગાંઠિયા સમાન હોવાનો આક્ષેપ કરાયો છે. સાથે જ નીરવ અને કોન્ટ્રાક્ટર રૂપેશ સાવલી નગર ચલાવે છે. તેવા આક્ષેપભર્યા મેસેજિસ પણ વાઇરલ થયા હોવાનું સામે આવ્યું છે. જેમાં નીરવ શાહ નગરપાલિકામાં નોકરી કરતા હોવાનો તેમજ રૂપેશ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર હોવાનો ઉલ્લેખ કરાયો છે. બંનેને લઈને નગરપાલિકાએ દત્તક આપ્યા હોય તેવો કટાક્ષ પણ કરાયો છે.</p><p>સત્તાધારી પક્ષના જ ગ્રૂપમાં નગરપાલિકાની કામગીરી અને જવાબદારો અંગે થયેલી આ ચર્ચાએ સાવલીના રાજકીય માહોલમાં ગરમાવો લાવ્યો છે. જોકે, વાઇરલ મેસેજિસમાં કરેલા આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. જ્યારે સાવલી ભાજપના ગ્રૂપમાં ભાજપના કાર્યકરો દ્વારા ભાજપની જ ચૂંટાયેલી પાંખ પર કટાક્ષ અને આક્ષેપો થતા સમગ્ર તાલુકામાં ભાજપની ભારે ફ્જેતી થઇ છે. જોકે આ મામલે સાવલી શહેર પ્રમુખ રચિત શાહે જણાવ્યું હતું કે, હું જન્માષ્ટમીમાં વ્યસ્ત હોઈ ધ્યાને નથી આવી. પરંતુ આ બાબતે તપાસ કરીને સમસ્યા હશે તો નિરાકરણ અને જે પણ કાર્યકરે આ પ્રકારની પોસ્ટ કરી હશે તો નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરાશે</p><p>જ્યારે વડોદરા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અને સાવલી પાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા હસુભાઈ પટેલને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી અમે આ બાબતનો વિરોધ કરી રજૂઆતો કરતા હતા. પરંતુ હવે ભાજપના કાર્યકરો જ એવી ચર્ચા કરતા હોય કે કોર્પોરેટરો શોભાના ગાંઠિયા સમાન છે. નગરપાલિકાનો કોન્ટ્રાક્ટર અને કર્મચારી પાલિકા ચલાવે છે તો એ અમારી વાત સાચી સાબિત થઇ છે. ભાજપ પાલિકામાં 20 વર્ષથી રાજ કરે છે. પરંતુ નગરજનોને પાયાની સુવિધા પૂરી પાડી શકી નથી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/06/8MOCQepAaDsmve1Lpe8Pk5g5EckNWJfHkVmeB3FG.webp'/></item><item><title><![CDATA[Dabhoi: નોટિસ ફટકારાયા બાદ ડભોઇ પાલિકા પ્રમુખ મેદાનમાં ઉતર્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dabhoi/dabhoi-dabhoi-municipal-president-enters-the-fray-after-notice-is-issued</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dabhoi/dabhoi-dabhoi-municipal-president-enters-the-fray-after-notice-is-issued</guid><pubDate>Sun, 06 Sep 2026 01:16:44 +05:30</pubDate><description><![CDATA[<p>ડભોઇ નગરપાલિકાનો વહીવટ કોગ્રેસના શાસન કર્તાઓ માટે એક પડકાર મનાય છે ડભોઇને અસ્વચ્છતા માટે નોટિસ મળી છે. જે સાથે નગરને સ્વચ્છ રાખવુ એક પડકાર બન્યું હોય એમ લાગે છે. જેને લઈ નગરપાલિકાના પ્રમુખ પુષ્પાબેન રાવલે મોરચો સંભાળી લીધો છે. સફાઈ કર્મચારીઓ જયાં સફાઈ માટે જાય છે. ત્યાં સીધી દેખરેખ માટે પહોંચી જાય છે. જેને સફાઇ કર્મચારીઓમા પણ જોમ જુસ્સો જોવા મળે છે. શાંત પ્રકૃતિના મનાતા પુષ્પાબેન રાવલના સ્વભાવને લઈ સફાઈ કર્મચારીઓ માન ભેર જુએ છે. પુષ્પાબેન રાવળ દ્વારા ડભોઇને સ્વચ્છ , સુંદર અને રમણીય બનાવવા કમર કસી છે. ડભોઇમાં હવે નગરજનોએ પણ સ્વચ્છતા માટે જાગૃતિ લાવી ડભોઇને સ્વચ્છ સુંદર બનાવવા નગરપાલિકાને સાથ સહકાર આપવાનો સમય આવી ગયો છે. ડભોઇ નગરપાલિકાના સફાઈ અભિયાન ઝુંબેશની શરૂઆત થઈ ચુકી છે. હવે આવનાર સમયમા ડભોઇ નગરપાલિકા કચરો રોડ પર નાંખનારા નગરજનોને દંડ ફ્ટકારશે તે પણ નક્કી છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/06/gIk05rIeiC8epTxb3zDqTTB8JbASnTmhHTxqgsU0.webp'/></item><item><title><![CDATA[Vadodara: નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી નો ગુંજારવ ગુંજ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-nand-gher-anand-bhaiya-jai-kanhaiya-lalkis-buzz-echoed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-nand-gher-anand-bhaiya-jai-kanhaiya-lalkis-buzz-echoed</guid><pubDate>Sun, 06 Sep 2026 01:13:37 +05:30</pubDate><description><![CDATA[<p>શહેરના મંદિરોમાં જન્માષ્ટમી-નંદ મહોત્સવની ઉજવણી દરમિયાન વૃંદાવન જેવો અલૌકિક માહોલ સર્જાયો હતો. જન્માષ્ટમીની મધરાતે ફટાકડાના ધૂમધડાકા-આકાશી આતશબાજી સાથે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્યતા-દિવ્યતા સાથે ભાવસભર ઉજવણી કરાઇ હતી.</p><p>પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી દરમિયાન ભજન સંધ્યા, ભક્તિ-સંગીત, સત્સંગ-નૃત્ય સાથે શાનદાર-જાનદાર ઉજવણી કરાઇ હતી. શહેરભરના મંદિરોમાં મધરાતે આનંદ-ઉલ્લાસના ઓઘ સાથે નંદ ઘેર આનંદભયો, જય કનૈયાલાલકી. હાથી ઘોડા-પાલખી જય નંદ લાલકીના ગગનભેદી જયઘોષ સાથે ફટાકડાના ધૂમધડાકા-આકાશી આતશબાજીએ મેઘધનુષી માહોલ સર્જ્યો હતો. ભક્તોએ શ્રીપ્રભુને પંચામૃત અભિષેક કરી માખણ-મિસરી, પંજરી-મેવા-મીઠાઇ સહિતનો ભોગ ધરાવ્યો હતો. કેટલાક મંદિરોમાં ભક્તોએ સાત્વિક કેક કાપી જન્મોત્સવ મનાવ્યો હતો. શહેરના ગોત્રી-ઇસ્કોન મંદિરમાં બે દિવસીય મહોત્સવ દરમિયાન 75,000 કરતા વધુ ભક્તો ઉમટયા હતા. ઇસ્કોન મંદિરના પ્રાંગણમાં રાતે 11.45 કલાકથી શરૂ કરાયેલી આતશબાજી રાતે 1 કલાક સુધી જારી રહી હતી. ભગવાનના ચરણ પખાળવા સવારે 4.30 સુધી ભક્તોનો ધસારો અવિરત જારી રહ્યો હતો. પારણાંના પર્વે સવારે 7.30 કલાકે શ્રુંગાર દર્શન-મંગલા દર્શન બાદ બપોરે 12 કલાકે ભોગ ધરાવાયો હતો. શહેરના માંજલપુર-વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં યોજાયેલા શ્રીકૃષ્ણ જન્મોત્સવ-નંદ મહોત્સવમાં હજારો વૈષ્ણવો, સાંસદ ડો.હેમાંગ જોષી, શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમર સહિત વિવિધક્ષેત્રના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શ્રીકૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે મધુર ભજનો-કીર્તનો સાથે મધરાતે પંચામૃત દર્શનનો લાભ લઇ વૈષ્ણવોએ ધન્યતા અનુભવી હતી. ઉલ્લેખનીય છે કે શહેરભરના વિવિધ વિસ્તારોમાં નંદ મહોત્સવ પ્રસંગે મટકીફોડના દિલધડક કાર્યક્રમોએ રંગત જમાવી હતી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/06/QGMrk2LIG4nyy3S6Bl96xT3c3L7Erx5I9J6fHAZ2.webp'/></item><item><title><![CDATA[Vadodara: સાયબર માફિયાઓ માટે સેફ હેવન 48 કલાકમાં રૂા.1.13 કરોડની ઓનલાઈન લૂંટ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-safe-haven-for-cyber-mafia-online-robbery-of-rs-113-crore-in-48-hours</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-safe-haven-for-cyber-mafia-online-robbery-of-rs-113-crore-in-48-hours</guid><pubDate>Sun, 06 Sep 2026 01:12:52 +05:30</pubDate><description><![CDATA[<p>વડોદરા હવે સાયબર ગઠિયાઓ માટે જાણે ડિજિટલ શિકારગાહ બની રહ્યું હોય તેવી ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. શહેર-જિલ્લામાં સાયબર ઠગોની જાળમાંથી કોઈ વર્ગ બાકાત રહ્યો નથી. માત્ર 48 કલાકના ગાળામાં શહેર-જિલ્લા પોલીસના નાક નીચે ગણતરીના કલાકોમાં જ 11 ગુના નોંધાયા છે. જેમાં ગઠિયાઓએ અલગ-અલગ પદ્ધતિથિ નાગરિકોની રૂા.1.13 કરોડની મહેનતની કમાણી ડિજિટલ રસ્તે સેરવી લીધી છે. આ આંકડો માત્ર ઠગાઈનો નથી, પરંતુ સાયબર ગુનેગારો વડોદરાના નાગરિકોને કેટલી વ્યવસ્થિત રીતે નિશાન બનાવી રહ્યાંનો સંકેત છે. સાયબર ગઠિયાઓ પોલીસ તંત્રની આબરૂના ધજાગરા ઉડાવીને ખૂલ્લેઆમ લોકોને લૂંટી રહ્યાં છે. લગ્નની કંકોત્રી, ટ્રાફ્કિ ઈ-ચલણ અને બૅંક સપોર્ટના નામે ઘાતક APK ફાઈલો મોકલીને, શેરબજારમાં નકલી સેબી સિક્કા બતાવીને, પાર્ટ ટાઈમ જોબના ટાસ્ક આપીને કે પછી દુબઈના સપ્લાયરનો બનાવટી ઈમેલ બનાવીને ગઠિયાઓએ અધિકારી, નિવૃત્ત વૃદ્ધ કે આંગડિયા પેઢી સહિત તમામ વર્ગના બૅંક ખાતાઓ સાફ્ કરી દીધા હતાં. પ્રજા પરસેવાની કમાણી પળવારમાં ગુમાવીને લાચાર બની છે, જ્યારે પોલીસ માત્ર અરજીઓ સ્વીકારી કે FIRનો કાગળિયા ચોપડો ભરીને સંતોષ માણી રહી છે. ખાખીની આ લાચારી ડિજિટલ લૂંટારુઓ માટે લાઈસન્સ સમાન બની ગઈ છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/06/eqDtVcEsyjXDZauD4HoF2kRhSKKVHZxgjmsAfgfM.webp'/></item><item><title><![CDATA[Parisના રસ્તાઓ બન્યા ભારતમય, હજારો ભક્તો સાથે ભવ્ય નગરયાત્રા યોજાઈ ]]></title><link>https://sandesh.com/world/news/india/the-streets-of-paris-became-indias-a-grand-nagar-yatra-was-held-with-thousands-of-devotees</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/india/the-streets-of-paris-became-indias-a-grand-nagar-yatra-was-held-with-thousands-of-devotees</guid><pubDate>Sat, 05 Sep 2026 23:42:13 +05:30</pubDate><description><![CDATA[<p>Franceની રાજધાની પેરિસમાં વિશ્વવિખ્યાત એફિલ ટાવરની નજીક ભારતીય સંસ્કૃતિ, સંગીત, કલા અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ‘ફેસ્ટિવલ ઓફ કલ્ચર’ અંતર્ગત યોજાયેલી ઐતિહાસિક નગરયાત્રામાં હજારો ભક્તો, મુલાકાતીઓ અને વિવિધ દેશોના સહભાગીઓ જોડાયા હતા.</p><p><b>5,000થી વધુ સહભાગીઓ, 1,500 કલાકારો જોડાયા</b></p><p>એકોલ મિલિટેરથી શરૂ થયેલી નગરયાત્રા પ્લાસ દ લા કોન્કોર્ડ સુધી યોજાઈ હતી. તેમાં 40થી વધુ દેશોનું પ્રતિનિધિત્વ કરતા આશરે 5,000 સહભાગીઓ અને 1,500થી વધુ કલાકારોએ ભાગ લીધો હતો. સંગીત, નૃત્ય અને ભક્તિસભર પ્રસ્તુતિઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું.</p><p><img alt="Parish " src="https://epapercdn.sandesh.com/images/2026/09/05/AJF7WY6SzyXgj4J6LD3Z2fQNi22A4b57SA3jMb86.webp"><br></p><p><b>રથોએ દર્શાવ્યો ભારતનો સાંસ્કૃતિક વારસો</b></p><p>નગરયાત્રામાં 14 સુંદર રીતે સુશોભિત રથો મુખ્ય આકર્ષણ બન્યા હતા. પરંપરાગત વેશભૂષામાં સજ્જ નૃત્યકારો સાથે હિન્દુ દેવી-દેવતાઓની શણગારેલી મૂર્તિઓને પણ રથોમાં લઈ જવામાં આવી હતી. આ રથો દ્વારા ભારતની વિવિધ કલાત્મક અને આધ્યાત્મિક પરંપરાઓ રજૂ કરવામાં આવી હતી.</p><p><b>મોર, હાથી અને હિમાલયની કલાત્મક ઝાંખી</b></p><p>રથોની સજાવટમાં ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઝલક જોવા મળી હતી. મોર, હાથી, હિમાલય અને પરંપરાગત પુષ્પાકૃતિઓ સહિત વિવિધ ભારતીય પ્રતીકોને કલાત્મક રીતે રજૂ કરવામાં આવ્યા હતા. આ ઝાંખીઓએ ભારતની વિવિધતા અને સાંસ્કૃતિક વૈભવને દર્શાવ્યો હતો.</p><p><img alt="Parish " src="https://epapercdn.sandesh.com/images/2026/09/05/0biafPIiaZ6aUzcjElqhfwaUAZgM5OGJBsO0Xn2E.webp"><br></p><p><b>શાંતિ અને સૌહાર્દનો અપાયો સંદેશ</b></p><p>નગરયાત્રામાં સૌહાર્દ, શાંતિ, સેવા અને માનવ મૂલ્યો જેવા સાર્વત્રિક સંદેશાઓને વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું. વિવિધ રથો અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા ભારતીય સંસ્કૃતિ તથા હિન્દુ ધર્મના શાશ્વત સિદ્ધાંતોને જીવંત કરવામાં આવ્યા હતા. ભારત-ફ્રાન્સ ઇનોવેશન વર્ષ 2026 દરમિયાન યોજાયેલી આ નગરયાત્રાએ બંને દેશો વચ્ચેની લાંબા સમયથી ચાલી આવતી મિત્રતા અને સાંસ્કૃતિક સંબંધોની પણ ઉજવણી કરી હતી. </p><p><b>BAPSની પાંચ દાયકાની સેવા યાત્રા</b></p><p>આ પ્રસંગે ફ્રાન્સમાં BAPSની પાંચ દાયકાથી વધુ સમયની ઉપસ્થિતિ અને સેવા યાત્રાને પણ ઉજાગર કરવામાં આવી હતી. સંસ્થા દ્વારા ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને સેવાકીય પ્રવૃત્તિઓના પ્રસાર માટે કરવામાં આવતી કામગીરીને આ કાર્યક્રમમાં વિશેષ સ્થાન મળ્યું હતું.</p><p><img alt="Parish " src="https://epapercdn.sandesh.com/images/2026/09/05/NhNss16hkftAcqBYdEbARaVIU8oYeuczrwP3n45k.webp"><br></p><p><b>પ્લાસ દ લા કોન્કોર્ડ ખાતે નગરયાત્રાનું સમાપન</b></p><p>એકોલ મિલિટેરથી શરૂ થયેલી ભવ્ય નગરયાત્રા પેરિસના માર્ગો પરથી પસાર થઈને પ્લાસ દ લા કોન્કોર્ડ ખાતે પૂર્ણ થઈ હતી. અંતિમ તબક્કામાં પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણ્યો હતો.</p><p><img alt="Parish " src="https://epapercdn.sandesh.com/images/2026/09/05/AJF7WY6SzyXgj4J6LD3Z2fQNi22A4b57SA3jMb86.webp"><br></p><p><b>મહંત સ્વામી મહારાજના દર્શનથી ભક્તોમાં આનંદ</b></p><p>નગરયાત્રામાં ઉપસ્થિત હજારો ભક્તોએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દર્શનનો લાભ લીધો હતો. ભક્તોએ આ સમગ્ર પ્રસંગને યાદગાર ગણાવ્યો હતો. એફિલ ટાવરની પૃષ્ઠભૂમિમાં યોજાયેલી આ ભવ્ય નગરયાત્રાએ પેરિસમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મના વૈશ્વિક પ્રભાવની સુંદર ઝલક રજૂ કરી હતી.</p><p><b><a href="https://sandesh.com/gallery/news/world/baps-hindu-temple-madhya-pradesh-chief-minister-dr-mohan-yadav-visited-the-baps-hindu-temple-in-abu-dhabi" target="_blank">આ પણ વાંચો: મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે અબુ ધાબીના BAPS હિન્દુ મંદિરની લીધી મુલાકાત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/w46AgAGACUJLX8PYs0pAUOIDf2Kl1fQds55xAe05.webp'/></item><item><title><![CDATA[Gwalior: બંધ મકાનમાં 18 મિનિટમાં 30 તોલા સોનાની ચોરી, શાંતિર ચોરોએ એક ભુલ કરી નાખીને કાંડ થઇ ગયો ]]></title><link>https://sandesh.com/india/news/crime/gwalior-madhavganj-police-arrested-thieves-30-tola-gold-theft-cc</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/crime/gwalior-madhavganj-police-arrested-thieves-30-tola-gold-theft-cc</guid><pubDate>Sat, 05 Sep 2026 22:18:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મધ્યપ્રદેશના ગ્વાલિયરના માધૌગંજ વિસ્તારમાં એક હેરાન કરી દેનારી ચોરીની ઘટના સામે આવી છે. તસ્કરોએ બંધ મકાનમાંથી માત્ર 18 મિનીટમાં હાથફેરો કરીને 30 તોલાના સોનાના દાગીનાની ચોરી કરી હતી. ઘટનાના પગલે પોલીસ તંત્રમાં દોડધામ થઇ ગઇ હતી.</p><h2 style="text-align: justify; "><b>બંધ મકાન જોઇ ખાતર પાડ્યું</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી પ્રમાણે  યશવંત સિંહ તોમર નામના રહીશ રક્ષાબંધનનો તહેવાર મનાવવા અશોકનાગર ગયા હતા, ત્યારે 28 અને 29 ઓગસ્ટ 2026ની મધ્યરાત્રિએ તેમના બંધ મકાનને નિશાન બનાવવામાં આવ્યું હતું.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>18 મિનીટમાં જ ખેલ પાડી દીધો</b></h3><p style="text-align: justify; ">ચોરોએ દિવસે રેકી કર્યા બાદ રાત્રે 1:40 વાગ્યે મોં પર રૂમાલ બાંધીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને માત્ર 18 મિનિટમાં, એટલે કે રાત્રે 1:58 વાગ્યે 30 તોલા સોનું ચોરીને ફરાર થઈ ગયા હતા.</p><h4 style="text-align: justify; "><b>પોલીસે 100થી વધુ CCTV કેમેરાના ફૂટેજ ફંફોસી નાંખ્યા</b></h4><p style="text-align: justify; ">ચોરીની ફરિયાદ મળતા જ માધૌગંજ પોલીસે ખાસ ટીમ બનાવીને આસપાસના 100થી વધુ CCTV કેમેરાના ફૂટેજ ફંફોસ્યા હતા. તપાસ દરમિયાન ત્રણ શંકાસ્પદો એક બાઇક પર જતા નજરે પડ્યા હતા. બાઇકના નંબરના આધારે પોલીસે સઘન તપાસ હાથ ધરીને મુખ્ય સૂત્રધાર ફરહાન ખાન, રાજ ખાન અને વિવેક પ્રજાપતિની ધરપકડ કરી લીધી છે. મુખ્ય આરોપી ફરહાન અગાઉ પણ ચોરીના ગુનામાં જેલ જઈ ચૂક્યો છે અને ગુનામાં વપરાયેલી બાઇક પણ તેની જ છે.</p><h4 style="text-align: justify; "><b>મોટાભાગનો મુદ્દામાલ કબજે&nbsp;</b></h4><p style="text-align: justify; ">પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરાયેલા 5 સોનાના હાર, 10 વીંટી, 12 બંગડીઓ, 1 ચેઇન અને કાનના ટોપ્સ સહિત મોટાભાગનો મુદ્દામાલ રિકવર કરી લીધો છે.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>તસ્કરો બાઉન્ડ્રી વોલ કૂદીને પળવારમાં ચોરી કરી દેતા</b></h4><p style="text-align: justify; ">આ ગેંગ બંધ મકાનોની રેકી કરીને બાઉન્ડ્રી વોલ કૂદીને ચોરી આચરતી હતી. પૂછપરછ દરમિયાન આરોપીઓએ ગ્વાલિયરના અન્ય 3 અલગ-અલગ વિસ્તારમાં પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/crime/surat/surat-girl-death-restaurant-food-fsl-report-no-poison-mystery" target="_blank"><b>Surat : રેસ્ટોરન્ટનું ભોજન ખાધા બાદ 4 વર્ષની બાળકીનું મોત, તપાસનો રિપોર્ટ આવતા કેસમાં આવ્યો ચોંકાવનારો વળાંક</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/cSlpuB72uJfd9KLeNJqXApCSLBbDfUXeNtWuD5gb.webp'/></item><item><title><![CDATA[Auto News: રૂ.5,000ના રેટ્રોફિટ ડિવાઇસથી જૂના ડીઝલ વાહનોને મળશે નવું જીવન! ]]></title><link>https://sandesh.com/business/news/automobile/old-diesel-vehicles-retrofit-device-nitin-gadkari</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/old-diesel-vehicles-retrofit-device-nitin-gadkari</guid><pubDate>Sat, 05 Sep 2026 20:32:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ જૂના ડીઝલ વાહનો ધરાવતા લોકો અને ટ્રક-બસના માલિકો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જૂના ડીઝલ વાહનોમાં એક ખાસ 'રેટ્રોફિટ ડિવાઇસ' લગાવવાની ટૂંક સમયમાં મંજૂરી આપવામાં આવી શકે છે, જેનાથી વાહનોનું પ્રદૂષણ નોંધપાત્ર રીતે ઘટશે. આ ડિવાઇસની અંદાજિત કિંમત રૂ.4,000 થી રૂ.5,000 ની આસપાસ રહેવાની શક્યતા છે.</p><h2 style="text-align: justify; "><b>IIT દિલ્હીનું ઇનોવેશન અને સફળ ટેસ્ટિંગ</b></h2><p style="text-align: justify; ">આ ટેકનોલોજી IIT દિલ્હીના ઇનોવેશન દ્વારા વિકસાવવામાં આવી છે. નિતિન ગડકરીના જણાવ્યા અનુસાર, આ ટેકનોલોજીનું ટેસ્ટિંગ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. હવે BS-III, BS-IV અને અન્ય જૂના ડીઝલ વાહનોમાં આ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>રૂ.5,000નું ડિવાઇસ કેવી રીતે કામ કરશે?</b></h3><p style="text-align: justify; ">આ રેટ્રોફિટ એમિશન કન્ટ્રોલ ડિવાઇસ (RECD) નો મુખ્ય હેતુ જૂના ડીઝલ વાહનોમાંથી નીકળતા હાનિકારક પ્રદૂષકોને ઘટાડવાનો છે. આ ડિવાઇસ પર્ટીક્યુલેટ મેટર (PM) ના કણોને 90% સુધી અને નાઇટ્રોજન ઓક્સાઇડ (NOx) ના ઉત્સર્જનને લગભગ 60% સુધી ઘટાડી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો, જૂના ટ્રક કે બસને માત્ર પ્રદૂષણના કારણે સ્ક્રેપ કરવાની કે બદલવાની જરૂર નહીં પડે. આ ડિવાઇસ ફીટ કરીને તેના એમિશનને BS-VI ના સ્તરની નજીક લાવવાનો પ્રયાસ કરવામાં આવશે, જેથી વાહન માલિકોને નવું વાહન ખરીદવાના મોટા ખર્ચમાંથી મુક્તિ મળશે.</p><h4 style="text-align: justify; "><b>ડીઝલ જનરેટર બાદ હવે રસ્તા પરના વાહનો માટે ટેકનોલોજી</b></h4><p style="text-align: justify; ">ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે આ પ્રકારની એમિશન કન્ટ્રોલ ટેકનોલોજીનો ઉપયોગ પહેલાથી જ ડીઝલ જનરેટર સેટ્સમાં પ્રદૂષણ ઘટાડવા માટે થઈ રહ્યો છે. હવે સરકાર આ જ સફળ ઉકેલને રસ્તા પર દોડતા ભારે વાહનો સુધી પહોંચાડવા માગે છે.</p><h5 style="text-align: justify; "><b>વાહનો સ્ક્રેપ કરવા ઉપરાંત મળશે બીજો વિકલ્પ</b></h5><p style="text-align: justify; ">સરકારની આ યોજના જૂના વાહનોને સ્ક્રેપ કરવાની નીતિનો વિકલ્પ નથી, પરંતુ તેની સાથે એક વધારાના વિકલ્પ તરીકે કામ કરશે. જે જૂના ટ્રક અને બસ હાલ સ્ક્રેપિંગના દાયરામાં નથી આવતા, તેના માલિકો ઓછા ખર્ચે પોતાના વાહનોનું પ્રદૂષણ ઘટાડી શકશે.</p><h6 style="text-align: justify; "><b>AIS-228 માનકો અને નિયમો નક્કી કરવાની તૈયારી</b></h6><p style="text-align: justify; ">આ ટેકનોલોજી માટે જરૂરી નિયમો અને માનકો નક્કી કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. માર્ગ પરિવહન મંત્રાલય Automotive Industry Standard (AIS) 228 ને નોટિફાય કરવાની દિશામાં કામ કરી રહ્યું છે. આ અંતર્ગત રેટ્રોફિટ ડિવાઇસની ટેકનિકલ ક્ષમતા અને પરફોર્મન્સ સંબંધિત ધોરણો નક્કી કરવામાં આવશે, જેથી બજારમાં આવતા ડિવાઇસ નક્કી કરેલા માપદંડો પર ખરા ઊતરે.</p><p style="text-align: justify; "><b>દેશમાં બસોની અછત અંગે ગડકરીનું નિવેદન</b></p><p style="text-align: justify; ">કાર્યક્રમ દરમિયાન ગડકરીએ દેશમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની સ્થિતિ અંગે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે ભારતમાં દર 1,000 લોકો પર માત્ર બે બસો ઉપલબ્ધ છે, જ્યારે વૈશ્વિક સ્તરે આ આંકડો લગભગ આઠ બસોનો છે. તેમણે નાના શહેરોમાં મેટ્રોની સરખામણીએ ઓછા ખર્ચાળ હોય તેવા પબ્લિક ટ્રાન્સપોર્ટ મોડલ્સ વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.</p><p style="text-align: justify; "><b>ટ્રાફિક નિયમો માટે નેગેટિવ પોઇન્ટ સિસ્ટમ</b></p><p style="text-align: justify; ">તેમણે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ માટે 'નેગેટિવ પોઇન્ટ સિસ્ટમ' લાવવાની વાત દોહરાવી હતી. નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ પેનલ્ટી પોઇન્ટ્સ થવા પર ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કે કેન્સલ થઈ શકે છે. બીજી તરફ, સારો ડ્રાઇવિંગ રેકોર્ડ ધરાવતા લોકોને વીમા કંપનીઓ તરફથી પ્રોત્સાહન (Incentive) આપવાનો વિકલ્પ પણ રાખી શકાય છે.</p><p style="text-align: justify; "><b>ઓક્ટોબર 2027થી અપડેટેડ ભારત NCAP</b></p><p style="text-align: justify; ">ગડકરીએ માહિતી આપી હતી કે ઓક્ટોબર 2027થી અપડેટેડ ભારત NCAP (B-NCAP) પ્રોગ્રામ લાગુ કરવાની યોજના છે. તેમાં વાહનની સેફ્ટીને માત્ર એક ભાગના આધારે નહીં, પરંતુ પૂરી 'સેફ્ટી ચેઇન' ને ધ્યાનમાં રાખીને પરખવામાં આવશે. સરકારનો મુખ્ય ભાર માર્ગ અકસ્માતો અને તેમાં થતા મૃત્યુદરને ઘટાડવા પર છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/automobile" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/ewt2JM1LbhYcVvre67jD8Ej6xEEbWdhoOEgR01Vo.webp'/></item><item><title><![CDATA[OMG : 29મા દિવસે હનુમાન અંશ બની બોલીવુડની સૌથી મોટી ફિલ્મ! ધુરંધર 2 અને પુષ્પા 2ના તોડ્યા રેકોર્ડ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/hanuman-ansh-day-29-bollywood-box-office-records</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/hanuman-ansh-day-29-bollywood-box-office-records</guid><pubDate>Sat, 05 Sep 2026 17:40:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આધ્યાત્મિક ગુરુ નીમ કરૌલી બાબાના જીવન પર બનેલી ફિલ્મ હનુમાન અંશ 2026ની સૌથી મોટી સ્લીપર હિટ ફિલ્મોમાંની એક બની ગઈ છે. જોકે, આ ફિલ્મને શરૂઆતના 2 અઠવાડિયામાં કમાણી માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ત્રીજા અઠવાડિયામાં જાણે કોઈ ચમત્કાર થયો અને ત્યારથી અત્યાર સુધી આ ફિલ્મ ઘણી મોટી ફિલ્મોની વચ્ચે પણ જોરદાર કમાણી કરી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>હનુમાન અંશની 29મા દિવસની કમાણી કેટલી રહી?</b></h2><p style="text-align: justify; ">હનુમાન અંશને સિનેમાઘરોમાં રિલીઝ થયાને 1 મહિનો પૂરો થઈ ગયો છે. પરંતુ આ ફિલ્મ માટે દર્શકોનો પ્રેમ દરેક પસાર થતા દિવસ સાથે વધી રહ્યો છે. પરિણામે નવી ફિલ્મોની ભીડ વચ્ચે પણ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. લગભગ 2 કરોડના બજેટમાં બનેલી હનુમાન અંશએ 29મા દિવસ સુધીમાં પોતાના બજેટ કરતાં લગભગ 50 ગણું કલેક્શન કરી લીધું છે.</p><ul><li style="text-align: justify;">સેકનિલ્કના શરૂઆતના આંકડા પ્રમાણે આ ફિલ્મે રિલીઝના 29મા દિવસે એટલે કે 5મા શુક્રવારે 10 કરોડ રૂપિયાની કમાણી કરી છે.</li><li style="text-align: justify;">આ સાથે હનુમાન અંશનું ભારતમાં 29 દિવસનું કુલ નેટ કલેક્શન હવે 82.88 કરોડ રૂપિયા થઈ ગયું છે.</li><li style="text-align: justify;">જ્યારે ફિલ્મની ગ્રોસ કમાણી 97.7 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.</li></ul><h3 style="text-align: justify; "><b>હનુમાન અંશ બની 29મા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ</b></h3><p style="text-align: justify; ">હનુમાન અંશએ 29મા દિવસે કમાણીના મામલે કમાલ કરી દીધી છે. કોઈ મોટા સ્ટાર વગર અને સામાન્ય બજેટમાં બનેલી આ ફિલ્મ 29મા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. ઈન્ટરેસ્ટિંગ વાત એ છે કે તેણે ધુરંધરથી લઈને ધુરંધર 2, છાવા અને પુષ્પા જેવી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે.<br><img alt="Hanuman Ansh, Entertainment (2)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/05/jQ6WQ3jfbvb3ZbRpe6CxJ7szPs2g75eZUU3J0Brx.webp"><br></p><h4 style="text-align: justify; "><b>આ છે 29મા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ટોપ 5 ફિલ્મો</b></h4><ul><li style="text-align: justify;">હનુમાન અંશ – 10 કરોડ</li><li style="text-align: justify;">ધુરંધર – 8.75 કરોડ</li><li style="text-align: justify;">છાવા – 6.50 કરોડ</li><li style="text-align: justify;">પુષ્પા 2 – 3.75 કરોડ</li><li style="text-align: justify;">ધુરંધર 2 – 3.25 કરોડ</li></ul><h4 style="text-align: justify; "><b>હનુમાન અંશ હવે દુનિયાભરમાં થશે રિલીઝ</b></h4><p style="text-align: justify; ">ગુરુવારે ફિલ્મના નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટર શેર કરીને જાહેરાત કરી હતી કે હનુમાન અંશ 11 સપ્ટેમ્બર, 2026ના રોજ દુનિયાભરમાં રિલીઝ થશે. તેનાથી ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનમાં વધુ મોટો વધારો થઈ શકે છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/58-year-old-janmashtami-song-lata-mangeshkar" target="_blank">આ પણ વાંચો-Old Song : 58 વર્ષ જૂનું જન્માષ્ટમીનું સૌથી વાયરલ ગીત, લતા મંગેશકરના અવાજમાં આજે પણ હિટ છે આ સદાબહાર ગીત!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/mrOZgUaenL0dwKHPnY4CajapReIvpzjYKAbyVUyU.webp'/></item><item><title><![CDATA[US Open 2026: ના વરસાદ, ના કોઈ ટેકનિકલ ખામી, સ્ટેડિયમમાં ગાંજાની ગંધ અને રોકાઈ રમત.. ]]></title><link>https://sandesh.com/sports/news/us-open-2026-aryna-sabalenka-stops-play-after-smelling-marijuana-during-match--complains-to-umpire</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/us-open-2026-aryna-sabalenka-stops-play-after-smelling-marijuana-during-match--complains-to-umpire</guid><pubDate>Sat, 05 Sep 2026 14:00:42 +05:30</pubDate><description><![CDATA[<p>યુએસ ઓપનમાં શુક્રવારે (4 સપ્ટેમ્બર) એક અત્યંત વિચિત્ર દ્રશ્ય જોવા મળ્યું હતું. લુઇસ આર્મસ્ટ્રોંગ સ્ટેડિયમમાં વિશ્વની નંબર-1 ટેનિસ ખેલાડી આર્યના સબાલેન્કાએ મેચ દરમિયાન રમત અટકાવીને ફરિયાદ કરવી પડી હતી. રમત રોકવાનું કારણ ના વરસાદ, ના કોઈ ઈજા કે ટેકનિકલ ખામી નહીં, પરંતુ સ્ટેન્ડમાંથી આવી રહેલી ગાંજાની (Marijuana) તીવ્ર ગંધ હતી. રમત રમતી વખતે સ્ટેડિયમમાંથી આવતા ગાંજાની ગંધ&nbsp; સબાલેન્કાને સહન ના થઈ અને એમ્પાયરને ફરીયાદ કરી.</p><p><b>સ્ટેન્ડમાંથી આવતી તીવ્ર ગંધથી સબાલેન્કા પરેશાન</b></p><p>લુઇસ આર્મસ્ટ્રોંગ સ્ટેડિયમમાં કમિલા રાખીમોવા સામે ત્રીજા રાઉન્ડની મેચ દરમિયાન આ ઘટના બની હતી. મેચની ત્રીજી ગેમમાં જ્યારે સબાલેન્કા 30-0 ના સ્કોર પર સર્વ કરી રહી હતી, ત્યારે કોર્ટના દક્ષિણ છેડેથી તેને ગાંજાની ગંધ આવી હતી. તેણે તુરંત ચેર અમ્પાયર તરફ ફરીને સ્ટેન્ડ તરફ ઈશારો કર્યો અને કહ્યું, "કોઈ ગાંજો પી રહ્યું છે. શું તમે તેના વિશે કંઈક કરશો? કારણ કે આ ગંધ ખૂબ જ તીવ્ર છે અને તેને અવગણવી મુશ્કેલ છે."</p><p><b>અમ્પાયરે સ્ટાફને સ્ટેન્ડમાં મોકલ્યો</b></p><p>સબાલેન્કાની ફરિયાદ બાદ અમ્પાયરે તુરંત સ્ટેડિયમ સ્ટાફને મદદ માટે બોલાવ્યા હતા. યુએસ ઓપન સ્ટાફે સ્ટેન્ડમાં જઈને ગંધ ક્યાંથી આવી રહી છે તેની તપાસ હાથ ધરી હતી. આ ઘટનાના કારણે મેચ થોડા સમય માટે રોકવી પડી હતી, પરંતુ પરિસ્થિતિ થાળે પડતાં રમત ફરી શરૂ કરવામાં આવી હતી.</p><p><b>એડ્રિયન મન્નારિનોએ પણ કરી હતી ફરિયાદ</b></p><p>માત્ર સબાલેન્કા જ નહીં, પરંતુ ટેનિસ ખેલાડી એડ્રિયન મન્નારિનોએ પણ આ ટુર્નામેન્ટ દરમિયાન સ્ટેન્ડમાંથી આવતી ગાંજાની ગંધ સામે નારાજગી વ્યક્ત કરી હતી. વિવાદ છતાં સબાલેન્કા ચોથા રાઉન્ડમાં પહોંચી. આ સમગ્ર નાટક અને વિક્ષેપ છતાં સબાલેન્કાના પ્રદર્શન પર કોઈ ખાસ અસર પડી નહોતી. બેલારુસિયન ખેલાડી સબાલેન્કાએ આક્રમક રમત રમીને કમિલા રાખીમોવાને પરાજય આપ્યો હતો અને ચોથા રાઉન્ડમાં પોતાની જગ્યા પાકી કરી હતી. આ જીત સાથે જ યુએસ ઓપન ટાઈટલ ડિફેન્ડ કરવાનું તેનું અભિયાન સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/gZhkIswJ669o8sjvLLfJIyZZkbUSwRO2rkOO1Zay.webp'/></item></channel></rss>