<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Bengaluru : સુપ્રીમ કોર્ટનો ‘ફેક ઓર્ડર’ બતાવી જેલમાંથી નીકળી ગયો આજીવન સજાનો કેદી, 12 લાખનો ખેલ ]]></title><link>https://sandesh.com/crime/news/india/bengaluru-fake-supreme-court-order-life-convict-jail-release-scam</link><guid isPermaLink="true">https://sandesh.com/crime/news/india/bengaluru-fake-supreme-court-order-life-convict-jail-release-scam</guid><pubDate>Fri, 11 Sep 2026 23:38:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બેંગલુરુમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં આજીવન કેદની સજા ભોગવી રહેલો કેદી કથિત રીતે સુપ્રીમ કોર્ટના નકલી આદેશના આધારે જેલમાંથી બહાર નીકળી ગયો હતો. આશ્ચર્યની વાત એ છે કે તેની રિલીઝ બાદ લગભગ 8 વર્ષ સુધી આ કથિત ગોટાળો સામે આવ્યો નહોતો. હવે પોલીસે કેદી શંકર એ. અરાધ્યા અને જેલ કર્મચારી શ્રીકાંત એસ.ની ધરપકડ કરી છે.</p><h2 style="text-align: justify; "><b>2001ના અપહરણ કેસમાં મળી હતી આજીવન કેદ</b></h2><p style="text-align: justify; ">પોલીસના જણાવ્યા મુજબ શંકર એ. અરાધ્યા 2001માં ચિકપેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખંડણી માટેના અપહરણ કેસમાં સજા ભોગવી રહ્યો હતો. ફાસ્ટ ટ્રેક કોર્ટ-Iએ 12 જુલાઈ 2004ના રોજ તેને આજીવન કેદ અને રૂ.10,000ના દંડની સજા ફટકારી હતી. તેણે હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી, પરંતુ તેની સજા યથાવત રહી હતી.</p><h3 style="text-align: justify; "><b>પત્નીની મુલાકાત બાદ શરૂ થયો કથિત ‘રિલીઝ પ્લાન’</b></h3><p style="text-align: justify; ">અરાધ્યાને અગાઉ અનેક વખત પેરોલ મળ્યો હતો. આ દરમિયાન તેની પત્નીની મુલાકાત જેલ કર્મચારી શ્રીકાંત સાથે થઈ હતી. તે સમયે શ્રીકાંત બેંગલુરુ સેન્ટ્રલ જેલના કન્વિક્ટ સેક્શનમાં સેકન્ડ ડિવિઝન આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતો હતો. આ વિભાગમાં કેદીઓની સજા, પ્રવેશ, રિલીઝ અને પેરોલ સંબંધિત દસ્તાવેજોનો રેકોર્ડ રાખવામાં આવે છે.</p><h4 style="text-align: justify; "><b>રૂ.12 લાખની માંગ, રૂ.6 લાખ આપ્યાનો આરોપ</b></h4><p style="text-align: justify; ">પોલીસનો આરોપ છે કે અરાધ્યાની પત્નીએ પતિને જેલમાંથી બહાર કાઢવા શ્રીકાંતનો સંપર્ક કર્યો હતો. શ્રીકાંતે કથિત રીતે રૂ.12 લાખની માંગ કરી હતી અને રિલીઝ કરાવવાની ખાતરી આપી હતી. પરિવાર દ્વારા રૂ.6 લાખ એકત્ર કરી તેને આપ્યાનો પોલીસનો દાવો છે.</p><h4 style="text-align: justify; "><b>ફેક સુપ્રીમ કોર્ટ ઓર્ડરથી જેલ તંત્ર પણ થયું ગેરમાર્ગે?</b></h4><p style="text-align: justify; ">તપાસમાં પોલીસને શંકા છે કે શ્રીકાંતે અરાધ્યાના કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશની નકલી નકલ તૈયાર કરી હતી. કથિત આદેશમાં સુપ્રીમ કોર્ટે અરાધ્યાને જેલમાંથી મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.</p><h4 style="text-align: justify; "><b>13 નવેમ્બર 2018એ જેલમાંથી થઈ ગયો ‘રિલીઝ’</b></h4><p style="text-align: justify; ">પોલીસ ફરિયાદ મુજબ નવેમ્બર 2018માં જેલ અધિકારીઓને કેટલાક દસ્તાવેજો મળ્યા હતા, જેમાં 2 નવેમ્બર 2018ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા રિલીઝનો આદેશ આપવામાં આવ્યો હોવાનું દર્શાવાયું હતું. આ દસ્તાવેજોના આધારે 13 નવેમ્બર 2018ના રોજ અરાધ્યાને બેંગલુરુ સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરી દેવામાં આવ્યો હતો.</p><h4 style="text-align: justify; "><b>8 વર્ષ પછી ફેક ઓર્ડરનો પર્દાફાશ</b></h4><p style="text-align: justify; ">આ સમગ્ર મામલો આ વર્ષે મે મહિનામાં સામે આવ્યો, જ્યારે બેંગલુરુ સેન્ટ્રલ જેલના ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડન્ટે ફરિયાદ નોંધાવી. તપાસ દરમિયાન અરાધ્યાની રિલીઝ માટે રજૂ કરાયેલ સુપ્રીમ કોર્ટનો આદેશ કથિત રીતે નકલી હોવાનું સામે આવ્યું. ત્યારબાદ પરપ્પના અગ્રહારા પોલીસે જાલસાજી, છેતરપિંડી સહિતની કલમો હેઠળ કેસ નોંધ્યો. તપાસ આગળ વધતાં જેલ કર્મચારી શ્રીકાંતની કથિત ભૂમિકા પણ સામે આવી અને બંનેની ધરપકડ કરવામાં આવી.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-gandhinagar-gujarat-rent-bill-2026-tenants-landlords-rent-act-explainer" target="_blank"><b>Sandesh Digital Explainer : મકાન માલિક હવે 3 મહિનાનું ભાડુ એડવાન્સ લઇ શકશે, જાણો, તમારા મનમાં છે તે બધા સવાલોના જવાબ</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/rMed3xRzqJtqQBrPMDNGugxuqTC6bbFtAS3W5rau.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના રાયપુરમાંથી પોલીસે રૂ.2.77 લાખના MD ડ્રગ્સ સાથે મધ્યપ્રદેશનો તસ્કર ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-lcb-police-md-drugs-seized-madhya-pradesh-smuggler-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-lcb-police-md-drugs-seized-madhya-pradesh-smuggler-arrested</guid><pubDate>Fri, 11 Sep 2026 23:23:12 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં નશાના કાળા કારોબાર સામે પોલીસે લાલ આંખ કરી છે. LCB ઝોન-6 અને કાગડાપીઠ પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમે બાતમીના આધારે દરોડો પાડીને નશાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે રાયપુર વિસ્તારમાં આવેલા પારેખ ટાવરની પાછળ પાર્કિંગમાંથી 92.600 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. આ આંતરરાષ્ટ્રીય બજારમાં જપ્ત કરાયેલા એમડી ડ્રગ્સની કિંમત અંદાજે રૂપિયા 2,77,800 હોવાનું સામે આવ્યું છે.</p><h2 style="text-align: justify;"><b>મધ્યપ્રદેશનો આરોપી આદિલખાન મેવાતી પકડાયો&nbsp;</b></h2><p style="text-align: justify;">પોલીસની સંયુક્ત ટીમે દરોડો પાડીને સ્થળ પરથી આદિલખાન સજાદખાન મેવાતી નામના આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી આદિલખાન મૂળ મધ્યપ્રદેશના મંદસૌરનો રહેવાસી છે અને અમદાવાદમાં ડ્રગ્સ સપ્લાય કરવા માટે આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ડ્રગ્સ ઉપરાંત એક સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન તથા રૂપિયા 720ની રોકડ રકમ પણ કબ્જે કરી છે.</p><h3 style="text-align: justify;"><b>NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ&nbsp;</b></h3><p style="text-align: justify;">આ ગંભીર મામલે કાગડાપીઠ પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની ધરપકડ કરી છે. આદિલખાન મધ્યપ્રદેશથી આટલો મોટો ડ્રગ્સનો જથ્થો કોની પાસેથી લાવ્યો હતો અને અમદાવાદમાં કોને-કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાથી શહેરમાં ડ્રગ્સ સપ્લાય કરનારી અન્ય ગેંગોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.</p><p><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/rjphO7jfgGJfrG3vxPKwdPeK90w8K4LoylFgvIah.webp'/></item><item><title><![CDATA[Delhi : પાડોશી મહિલા પર ગોળીબાર બાદ યુવકે પોતાની જાતને ગોળી મારી, સનસનાટીભર્યો બનાવ ]]></title><link>https://sandesh.com/crime/news/india/delhi-johri-pur-firing-rajwati-neeraj-neighbor-shooting-case</link><guid isPermaLink="true">https://sandesh.com/crime/news/india/delhi-johri-pur-firing-rajwati-neeraj-neighbor-shooting-case</guid><pubDate>Fri, 11 Sep 2026 23:21:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દિલ્હીના જૌહરીપુર વિસ્તારમાં શુક્રવારે   ફાયરિંગની સનસનીખેજ ઘટના સામે આવી છે. પોલીસના જણાવ્યા મુજબ 32 વર્ષીય નીરજ નામના યુવકે તેના પિતાની લાઇસન્સવાળી રિવોલ્વરથી 48 વર્ષીય પાડોશી મહિલા રાજવતી પર ગોળી ચલાવી હતી. ગોળી મહિલાના જમણા પગમાં વાગતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.</p><h2 style="text-align: justify; "><b>માટલું માંગવા ફોન કર્યો અને અચાનક ફાયરિંગ!</b></h2><p style="text-align: justify; ">પોલીસની પ્રાથમિક તપાસ મુજબ સવારે આશરે 7:15 વાગ્યે નીરજે રાજવતીને ફોન કરીને માટીનું માટલું માંગ્યું હતું. રાજવતીના પરિવારનો ગોકલપુરી વિસ્તારમાં માટીના વાસણોનો વ્યવસાય છે. આ વાતચીત દરમિયાન જ નીરજે કથિત રીતે રાજવતી પર ફાયરિંગ કરી દીધું હતું. મહિલાના જણાવ્યા પ્રમાણે તેને જમણા પગમાં ગોળી વાગી હતી.</p><h3 style="text-align: justify; "><b>પોતાના ઘરમાં જ બંધ થયો, પછી આવ્યો ગોળીનો અવાજ</b></h3><p style="text-align: justify; ">ફાયરિંગ બાદ નીરજ પોતાના ઘરની પહેલી માળે આવેલા રૂમમાં ગયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે તેણે રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. થોડા સમય બાદ અંદરથી ફરી ગોળી ચાલવાનો અવાજ સંભળાયો. પરિવારના સભ્યો રૂમ પાસે પહોંચ્યા ત્યારે દરવાજો બંધ હતો, જેને તોડીને અંદર પ્રવેશ કરવામાં આવ્યો.</p><h3 style="text-align: justify; "><b>લોહીલુહાણ હાલતમાં મળ્યો, રિવોલ્વર પણ મળી</b></h3><p style="text-align: justify; ">રૂમની અંદર નીરજ ગંભીર હાલતમાં પડેલો મળી આવ્યો હતો અને તેની નજીક રિવોલ્વર પણ મળી આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ ગોળી વાગવાથી તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે GTB હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે.</p><h4 style="text-align: justify; "><b>પાડોશી હોવા છતાં પરિવારને નહોતી વધુ ઓળખાણ</b></h4><p style="text-align: justify; ">રાજવતીના પતિએ જણાવ્યું કે નીરજ તેમનો પાડોશી હતો, પરંતુ પરિવાર સાથે તેની ખાસ ઓળખાણ નહોતી. તેમના જણાવ્યા મુજબ નીરજે આશરે 4થી 5 રાઉન્ડ ફાયર કર્યા હતા. ઘટનાની જાણ થતાં ફોરેન્સિક ટીમ પણ સ્થળ પર પહોંચી અને જરૂરી પુરાવા એકત્ર કર્યા.</p><h4 style="text-align: justify; "><b>ફાયરિંગ પાછળનું કારણ હજુ રહસ્ય</b></h4><p style="text-align: justify; ">ગોકલપુરી પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 109(1) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં પહેલા રાજવતી પર ફાયરિંગ અને ત્યારબાદ નીરજના મોતની કડી સામે આવી છે, પરંતુ આખરે તેણે પાડોશી મહિલા પર ગોળી શા માટે ચલાવી તેનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસ ઘટનાના તમામ પાસાંની તપાસ કરી રહી છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-gandhinagar-gujarat-rent-bill-2026-tenants-landlords-rent-act-explainer" target="_blank"><b>Sandesh Digital Explainer : મકાન માલિક હવે 3 મહિનાનું ભાડુ એડવાન્સ લઇ શકશે, જાણો, તમારા મનમાં છે તે બધા સવાલોના જવાબ</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/apmCDuTU93kaIOiJxH3tXzM9U2aNdBlU3u3rbN9X.webp'/></item><item><title><![CDATA[Suratમાં પોલીસ કમિશનરની હાજરીમાં યોજાયો ઝોન-6 પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-zone-6-police-tera-tujhko-arpan-program-returns-crores</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-zone-6-police-tera-tujhko-arpan-program-returns-crores</guid><pubDate>Fri, 11 Sep 2026 23:08:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરના ઝોન-6 પોલીસ દ્વારા પ્રજાભિમુખ કામગીરીના ભાગરૂપે ‘તેરા તુજકો અર્પણ’ નામના વિશેષ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સુરત પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન વિવિધ ગુનાઓ અને આર્થિક છેતરપિંડીનો ભોગ બનેલા મૂળ માલિકોને તેમની રકમ પરત સોંપવામાં આવી હતી. પોલીસે સ્થળ પર જ કૂલ 117 જેટલા અરજદારો અને લાભાર્થીઓને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને રૂ.29.46 કરોડની માતબર રકમ તથા મુદ્દામાલ વિધિવત રીતે પરત સોંપ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>સચિન GIDC પોલીસે સૌથી વધુ રકમ પરત અપાવ્યા</b></h2><p style="text-align: justify; ">આ કાર્યક્રમમાં ઝોન-6 હેઠળના વિવિધ પોલીસ સ્ટેશનોની સરાહનીય કામગીરી સામે આવી હતી. જેમાં સૌથી વધુ સચિન GIDC પોલીસ સ્ટેશન દ્વારા રૂ.21 કરોડની રકમ તેના મૂળ માલિકોને પરત અપાવવામાં આવી હતી. આ ઉપરાંત સચિન પોલીસ સ્ટેશન દ્વારા રૂ.7 કરોડ અને ડિંડોલી પોલીસ સ્ટેશન દ્વારા રૂ.78 લાખની રકમ અરજદારોને પરત કરવામાં આવી હતી. આર્થિક ગુનાઓ અને વિવિધ અરજીઓમાં પોલીસે યોગ્ય સમાધાન તથા કાયદાકીય કાર્યવાહી કરીને કૂલ 34 જેટલા ગુનાઓ પણ દાખલ કર્યા હતા.</p><h3 style="text-align: justify; "><b>મૂળ માલિકોમાં ખુશીની લહેર, પોલીસનો માન્યો આભાર&nbsp;</b></h3><p style="text-align: justify;">વર્ષોથી કે લાંબા સમયથી અટવાયેલી પોતાની કમાણી અને કિંમતી મત્તા અચાનક પરત મળી જતાં અરજદારો અને લાભાર્થીઓના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી. પોતાની મહેનતના નાણાં સુરક્ષિત રીતે પરત મળવા બદલ તમામ નાગરિકોએ સ્થાનિક પોલીસ અને સુરત પોલીસ કમિશનરની આ ત્વરિત કામગીરી અને પારદર્શક અભિગમની મુક્ત કંઠે પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/l05MOxOFmvF8DUNOD5GlMR9Iih9SnNYAwtfhQbwM.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: સરદારનગરમાં મહિલા વકીલ પર મરચાંનું પાણી છાંટી હુમલો, 5 પુરૂષો અને 4 મહિલાઓ સામે FIR ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/sardarnagar-woman-lawyer-attacked-over-amc-encroachment-complaint</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/sardarnagar-woman-lawyer-attacked-over-amc-encroachment-complaint</guid><pubDate>Fri, 11 Sep 2026 23:07:02 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલા સંતોષીનગરમાં કાયદાનું પાલન કરાવતી મહિલા વકીલ પર જ અંગત અદાવતમાં હિંસક હુમલો થતાં સનસનાટી મચી ગઈ છે. મહિલા વકીલ રોશની યાદવ અને તેમના ભાઈ દમન યાદવ જ્યારે સવારે કોર્ટ જવા માટે ઘરેથી નીકળ્યા હતા ત્યારે ભૈરવનાથ ટ્રેડર્સ પાસે પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે ચાર મહિલાઓ અને પાંચ પુરુષોના ટોળાએ તેમને ઘેરી લીધા હતા.</p><h2><b>સરદારનગરમાં મહિલા વકીલ પર જીવલેણ હુમલો</b></h2><p>પ્રાથમિક માહિતી મુજબ, સૌપ્રથમ ચાર અજાણી મહિલાઓએ રોશની યાદવ અને તેમના ભાઈની આંખોમાં મરચાંવાળું પાણી છાંટ્યું હતું. ત્યારબાદ પ્રકાશ બાલાજી ખીજડિયા નામના શખ્સે લોખંડનો સળિયો રોશની યાદવના માથાના ભાગે ઝીંકી દીધો હતો. આ હુમલામાં બ્રિજેશ મારવાડી, કમલેશ મારવાડી, પીઠુઠા મારવાડી અને શંકર મારવાડી નામના શખ્સો પણ લાકડાના દંડા અને હથિયારો સાથે જોડાયા હતા અને ભાઈ-બહેનને નિર્દયતાથી માર માર્યો હતો.આ લોહિયાળ ઘર્ષણ પાછળનું મુખ્ય કારણ એ છે કે મહિલા વકીલ રોશની યાદવે અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માં ગેરકાયદેસર દબાણ અંગે સત્તાવાર ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે AMC એ આરોપીઓની દુકાન સીલ કરી દીધી હતી, જેનો ખાર રાખીને આ જાનલેવા હુમલો કરવામાં આવ્યો હતો.</p><h3><b>AMCમાં દબાણની ફરિયાદ કરી દુકાન સીલ કરાવતા હુમલો&nbsp;</b></h3><p>ઝઘડા અને મારમારી દરમિયાન રોશની યાદવનો રૂ. 20,000ની કિંમતનો રેડમી 13 પ્રો મોબાઇલ તેમજ ગળામાંથી સોનાનો દોરો અને કાનની બે બુટ્ટીઓ ગુમ થઈ ગઈ હતી, જેથી કુલ રૂ. 75,000નું નુકસાન થયું છે. ઘટના સ્થળે પરિજનો અને આસપાસના સ્થાનિક લોકો ભેગા થઈ જતાં તમામ હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. સરદારનગર પોલીસે પ્રકાશ બાલાજી ખીજડિયા અને મારવાડી જૂથના શખ્સો સહિત ચાર મહિલાઓ સામે રાયોટિંગ અને હુમલાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ambaji/ambaji-shakti-corridor-project-cleared-by-gujarat-high-court-petitions-dismissed" target="_blank">આ પણ વાંચો:&nbsp; Ambaji: અંબાજી-ગબ્બર શક્તિ કોરિડોર પ્રોજેક્ટને HCની લીલી ઝંડી, PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટને મળ્યું મોટું બળ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/FjudTOULNG9brBWQbYiCR5fv6FP6BGW5CA6Fe2hu.webp'/></item><item><title><![CDATA[Ambaji: અંબાજી-ગબ્બર શક્તિ કોરિડોર પ્રોજેક્ટને HCની લીલી ઝંડી, PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટને મળ્યું મોટું બળ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ambaji/ambaji-shakti-corridor-project-cleared-by-gujarat-high-court-petitions-dismissed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ambaji/ambaji-shakti-corridor-project-cleared-by-gujarat-high-court-petitions-dismissed</guid><pubDate>Fri, 11 Sep 2026 22:53:25 +05:30</pubDate><description><![CDATA[<p>યાત્રાધામ અંબાજીના કાયાકલ્પ માટે આકાર પામી રહેલા અંબાજી શક્તિ કોરિડોર પ્રોજેક્ટને લઈને ગુજરાત હાઇકોર્ટ તરફથી ખૂબ જ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય આવ્યો છે. અંબાજી-ગબ્બર શક્તિ કોરિડોરના નિર્માણ સામે રજૂ કરવામાં આવેલી તમામ વિરોધ અરજીઓને ગુજરાત હાઇકોર્ટે ફગાવી દઈને પ્રોજેક્ટને આખરી લીલી ઝંડી આપી દીધી છે.</p><h2><b>અંબાજી-ગબ્બર શક્તિ કોરિડોર પ્રોજેક્ટને HCની લીલી ઝંડી</b></h2><p>સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે સંબંધિત જમીન સરકારી છે અને પ્રોજેક્ટ અંગે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા લેવાયેલા નિર્ણયમાં કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ કે દખલગીરી કરવાનો અદાલતે ઇનકાર કર્યો છે. હાઇકોર્ટના આ હુકમથી કોરિડોર પ્રોજેક્ટ સામેના તમામ કાનૂની અવરોધો દૂર થઈ ગયા છે.અદાલતે પોતાના મહત્વપૂર્ણ અવલોકનમાં નોંધ્યું હતું કે અંબાજી ધામે આવતા કરોડો શ્રદ્ધાળુઓ અને દર્શાનાર્થીઓની સુવિધા તેમજ વ્યાપક હિત માટે આ શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અત્યંત જરૂરી અને સમયસરનો છે.</p><h3><b>પ્રોજેક્ટ સામેની તમામ અરજીઓ હાઇકોર્ટે ફગાવી</b></h3><p> </p><p>આ કોરિડોર બનવાથી યાત્રિકોને ગબ્બર અને અંબાજી મંદિર વિસ્તારમાં સુગમ દર્શન, સુવિધાસભર માર્ગો અને વૈશ્વિક કક્ષાની સવલતો ઉપલબ્ધ બનશે.ઉલ્લેખનીય છે કે અંબાજી શક્તિ કોરિડોર એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. હાઇકોર્ટના આ ચુકાદાથી અંબાજી અને ગબ્બરના પ્રવાસીય તેમજ સુવિધાસભર વિકાસના કામોને અભૂતપૂર્વ બળ મળશે અને હવે નિર્માણ કાર્ય વધુ ઝડપી અને સુચારૂ બનશે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/visnagar/visnagar-kansa-chokdi-accident-milk-tanker-hits-activa-two-dead" target="_blank">આ પણ વાંચો: Visnagar: કાંસા ચોકડી પાસે દૂધના ટેન્કરે એક્ટિવાને કચડ્યું, હવનમાં જઈ રહેલા બે ભૂદેવોનાં ઘટનાસ્થળે જ કરુણ મોત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/7hriDwiXz74dARxZDdQdwr6cclpMmWvR0C8yAWqi.webp'/></item><item><title><![CDATA[Visnagar: કાંસા ચોકડી પાસે દૂધના ટેન્કરે એક્ટિવાને કચડ્યું, હવનમાં જઈ રહેલા બે ભૂદેવોનાં ઘટનાસ્થળે જ કરુણ મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/visnagar/visnagar-kansa-chokdi-accident-milk-tanker-hits-activa-two-dead</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/visnagar/visnagar-kansa-chokdi-accident-milk-tanker-hits-activa-two-dead</guid><pubDate>Fri, 11 Sep 2026 22:38:47 +05:30</pubDate><description><![CDATA[<p>મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના કાંસા ચોકડી વિસ્તારમાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત હવન અને કર્મકાંડ કરાવવા માટે એક્ટિવા બાઇક પર સવાર થઈને જઈ રહેલા બે શ્રદ્ધાળુ ભૂદેવોને પુરપાટ ઝડપે આવી રહેલા દૂધના ટેન્કરે કચડી નાખ્યા હતા.</p><h2><b>એક્ટિવા સવાર બે ભૂદેવોના ટેન્કરની ટક્કરે મોત</b></h2><p>સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કાંસા ચોકડી પાસે ટેન્કરચાલક માતેલા સાંઢની જેમ વાહન ચલાવી રહ્યો હતો. અકસ્માત સર્જાયા બાદ પણ આસપાસના લોકો બૂમો પાડતા રહ્યા તેમ છતાં ડ્રાઇવરે વાહન ઊભું રાખવાની જગ્યાએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં એક્ટિવા પર સવાર બંને ભૂદેવો ટેન્કરના પૈડા નીચે આવી જતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટનાસ્થળે જ તેમના પ્રાણપંખેરુ ઊડી ગયા હતા.</p><h3><b>ડ્રાઇવરને ટોળાએ પકડી પોલીસને સોંપ્યો</b></h3><p>અકસ્માત સર્જીને ભાગવાનો પ્રયાસ કરી રહેલા ટેન્કર ચાલકને ઘટનાસ્થળે એકઠા થયેલા સ્થાનિક લોકોના ટોળાએ હિંમતપૂર્વક પકડી પાડ્યો હતો અને તેને તુરંત સ્થળ પર પહોંચેલી પોલીસને સોંપ્યો હતો. પોલીસે આરોપી ટેન્કર ચાલકની અટકાયત કરી તેને વિસનગર પોલીસ મથકે લઈ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો, જ્યાં મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. પવિત્ર હવન અને પૂજા વિધિ માટે નીકળેલા બે ભૂદેવોના અકાળે અને અચાનક કરુણ અવસાનથી તેમના પરિવારો પર વજ્રપાત થયો છે તેમજ સમગ્ર વિસનગર શહેર અને બ્રાહ્મણ સમાજમાં ઘેરા શોકની કાળી દિબ છવાઈ ગઈ છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/cec-gyanesh-kumar-press-conference-eci-net-app-voter-registration" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: દરેક નાગરિક મતદાર બને અને અચૂક મતદાન કરે તે જ ચૂંટણી પંચનું લક્ષ્ય - CEC જ્ઞાનેશ કુમાર</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/raHteFARvGgTHce48vbI58sUWpQHrWt16sKiPWIO.webp'/></item><item><title><![CDATA[Auto News: iPhone Duoની કિંમતમાં ઘરે લાવો આ નવી કાર: જુઓ આ 5 ઓપ્શન્સની યાદી ]]></title><link>https://sandesh.com/business/news/automobile/iphone-duo-price-cars-under-5-lakh-options</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/iphone-duo-price-cars-under-5-lakh-options</guid><pubDate>Fri, 11 Sep 2026 18:59:14 +05:30</pubDate><description><![CDATA[<p>Apple એ તાજેતરમાં તેનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન iPhone Duo વૈશ્વિક સ્તરે રજૂ કર્યો છે. લોન્ચ થતાની સાથે જ આ ફોનની ટેકનોલોજી કરતાં પણ તેની કિંમત વધુ ચર્ચાનો વિષય બની છે. ખાસ કરીને 2TB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂ.4.49 લાખ રાખવામાં આવી છે. એક સ્માર્ટફોન અને કાર વચ્ચે સરખામણી કરવી ભલે થોડી અજીબ લાગે, પરંતુ iPhone Duo ના આ મોડલની કિંમત એટલી વધારે છે કે તેટલા બજેટમાં ભારતમાં એક નવી બ્રાન્ડ ન્યૂ કાર ખરીદી શકાય છે.</p><p><img alt="You can get this car for the price of a phone!" src="https://epapercdn.sandesh.com/images/2026/09/11/zzlOvCA5jlbiaJHRl2HgviKFhHSq600GWpRy4HCk.webp"><br></p><h2><b>Maruti Suzuki S-Presso</b></h2><p>ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં Maruti Suzuki S-Presso એ સૌથી સસ્તા અને ભરોસાપાત્ર વિકલ્પોમાંથી એક છે. નાના કદની હોવા છતાં તેનો બોલ્ડ લુક Mini-SUV જેવો અનુભવ આપે છે, જે ખાસ કરીને સિટી ડ્રાઇવિંગ માટે શ્રેષ્ઠ છે. આ કારમાં 1.0-લીટરનું પેટ્રોલ એન્જિન અને બળતણની બચત માટે આઈડલ સ્ટાર્ટ-સ્ટોપ ટેકનોલોજી મળે છે. તેની એક્સ-શોરૂમ કિંમત રૂ.3.49 લાખથી રૂ.5.27 લાખ વચ્ચે છે, જે iPhone Duo ના પ્રીમિયમ વેરિઅન્ટ કરતાં પણ ઓછી છે.</p><h3><b>Maruti Suzuki Alto K10</b></h3><p>દાયકાઓથી ભારતીય મધ્યમ વર્ગની પહેલી પસંદ રહેલી Alto K10 ઓછી કિંમત અને જાળવણીના સરળ ખર્ચ માટે જાણીતી છે. આ કારમાં 1.0-લીટર પેટ્રોલ એન્જિન સાથે મેન્યુઅલ અને ઓટોમેટિક (AMT) ગિયરબોક્સના વિકલ્પો ઉપલબ્ધ છે. વધારે માઇલેજ ઈચ્છતા ગ્રાહકો માટે કંપની આમાં CNG વેરિઅન્ટ પણ આપે છે. રૂ.3.69 લાખથી રૂ.5.44 લાખની એક્સ-શોરૂમ રેન્જ ધરાવતી આ કાર iPhone Duo ના બજેટમાં આસાનીથી ફીટ બેસે છે.</p><p><img alt="You can get this car for the price of a phone!" src="https://epapercdn.sandesh.com/images/2026/09/11/yZOrtlEBPGd1PcSZJ4PfIS8GA6x7WL84cuYCkpCS.webp"><br></p><h4><b>Renault Kwid</b></h4><p>જો તમે સસ્તા બજેટમાં આકર્ષક અને સ્પોર્ટી ડિઝાઇન ધરાવતી કાર શોધી રહ્યા છો, તો Renault Kwid એક શ્રેષ્ઠ વિકલ્પ છે. 1.0-લીટર પેટ્રોલ એન્જિન ધરાવતી આ કારમાં 8-ઈંચની ટચસ્ક્રીન, LED DRLs, ડ્યુઅલ એરબેગ્સ, ABS અને હિલ સ્ટાર્ટ આસિસ્ટ જેવા આધુનિક ફીચર્સ મળે છે. તેની એક્સ-શોરૂમ કિંમત રૂ.4.53 લાખથી રૂ.5.60 લાખ છે, જે iPhone Duo ના 2TB મોડલની કિંમતની બિલકુલ બરાબર કે થોડી જ વધારે છે.</p><h5><b>Tata Tiago</b></h5><p>સુરક્ષા અને મજબૂતીની દ્રષ્ટિએ Tata Tiago આ સેગમેન્ટમાં એક ઉત્તમ હેચબેક કાર ગણાય છે. ડીલરશીપ પર મળતા ડિસ્કાઉન્ટ કે ઑફર્સ પછી તેનું બેઝ મોડલ આશરે રૂ.4.5 લાખ આસપાસ મળી રહે છે. Tiago માં પેટ્રોલ અને CNG સિવાય ઇલેક્ટ્રિક (EV) ઓપ્શન પણ ઉપલબ્ધ છે. રૂ.4.70 લાખથી રૂ.8.55 લાખની રેન્જમાં આવતી આ કાર એક પ્રીમિયમ સ્માર્ટફોનની કિંમતમાં ઉત્કૃષ્ટ સવારીનો અનુભવ આપી શકે છે.</p><p><img alt="You can get this car for the price of a phone!" src="https://epapercdn.sandesh.com/images/2026/09/11/LywQb3hpl5zFjlidXht1dYEXpBvXuRDoDzQ831tR.webp"><br></p><h6><b>Maruti Suzuki Celerio</b></h6><p>વધારે માઇલેજ અને આરામદાયક સિટી ડ્રાઇવિંગ માટે Maruti Celerio ભારતમાં ખૂબ લોકપ્રિય છે. તેમાં 1.0-લીટર પેટ્રોલ એન્જિન સાથે મેન્યુઅલ અને AMT નો વિકલ્પ મળે છે, તેમજ કંપની ફિટેડ CNG મોડલ પણ ઉપલબ્ધ છે જે દૈનિક વપરાશકારો માટે ખર્ચ ઓછો કરે છે. તેની એક્સ-શોરૂમ કિંમત રૂ.4.69 લાખથી રૂ.6.75 લાખ સુધીની છે.</p><p><b>સ્માર્ટફોન કે કાર: આખરી નિર્ણય તમારો</b></p><p>iPhone Duo ના 2TB વેરિઅન્ટ માટે રૂ.4.49 લાખ ખર્ચવા કે પછી તે જ રકમમાં S-Presso કે Alto K10 જેવી નવી કાર ઘરે લાવવી, તે સંપુર્ણપણે ગ્રાહકની જરૂરિયાત પર આધાર રાખે છે. જોકે, આ સરખામણી એ વિચારવા ચોક્કસ મજબૂર કરે છે કે એક સ્માર્ટફોન પાછળ લાખો રૂપિયા ખર્ચવા યોગ્ય છે કે તે જ બજેટમાં આખા પરિવાર માટે એક નવી કાર ખરીદવી વધુ ફાયદાકારક છે.</p><p><img alt="You can get this car for the price of a phone!" src="https://epapercdn.sandesh.com/images/2026/09/11/lgbtisSbwItSnCD2ZBk2RWKtS4qsrVCXffhepD5e.webp"><br></p><p><a href="https://sandesh.com/automobile" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/iwQCtrfNRAGT6urJv0Qfrms4ocQOyLA6NL8wSDxj.webp'/></item><item><title><![CDATA[Box Office : 2 કરોડ પણ ન કમાઈ શકી હૈવાન! મિર્ઝાપુરે પહેલા જ દિવસે બગાડી અક્ષય-સૈફની ફિલ્મની રમત! ]]></title><link>https://sandesh.com/entertainment/news/haiwaan-day-1-box-office-mirzapur-akshay-kumar</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/haiwaan-day-1-box-office-mirzapur-akshay-kumar</guid><pubDate>Fri, 11 Sep 2026 17:47:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની જોડી 18 વર્ષ બાદ હૈવાન સાથે મોટા પડદા પર પાછી આવી છે. આ વખતે બંને ક્રાઇમ થ્રિલર ફિલ્મ લઈને આવ્યા છે, જેમાં અક્ષય કુમારે વિલનની ભૂમિકા ભજવી છે. ફિલ્મ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>હૈવાનનું એડવાન્સ બુકિંગ કેટલું થયું?</b></h2><p style="text-align: justify; ">હૈવાનનું એડવાન્સ બુકિંગ ખાસ રહ્યું નથી. ફિલ્મની રિલીઝ પહેલાં તેની બહુ ચર્ચા જોવા મળી નહોતી, જેની અસર તેની પ્રી-સેલ પર પણ પડી છે. બીજી તરફ ક્રાઇમ થ્રિલર મિર્ઝાપુર ધ મૂવી બોક્સ ઓફિસ પર છવાયેલી છે. તેના કારણે હૈવાનની કમાણી પર પણ અસર પડી છે. ફિલ્મ અપેક્ષા મુજબ પ્રી-સેલ કરી શકી નથી અને પહેલા દિવસે પણ મિર્ઝાપુર ધ મૂવીના કારણે તેની કમાણી ઓછી જોવા મળી રહી છે.</p><ol><li style="text-align: justify;">સેકનિલ્ક મુજબ હૈવાનના 7,368 શો માટે 44,176 ટિકિટનું એડવાન્સ બુકિંગ થયું છે.</li><li style="text-align: justify;">આ સાથે પ્રી-ટિકિટ સેલથી બ્લોક સીટ વગર ફિલ્મે 1.03 કરોડ રૂપિયાની કમાણી કરી છે.</li><li style="text-align: justify;">બ્લોક સીટ સાથે ફિલ્મની કમાણી 2.76 કરોડ રૂપિયા રહી છે.</li></ol><h3 style="text-align: justify; "><b>હૈવાન કેટલા કરોડની ઓપનિંગ કરી શકે?</b></h3><p style="text-align: justify; ">હૈવાનને સિનેમાઘરોમાં સુપરહિટ ફિલ્મો મિર્ઝાપુર ધ મૂવી અને હનુમાન અંશ સાથે ટક્કર લેવી પડશે. બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર છવાયેલી છે અને દરરોજ કરોડોની કમાણી કરી રહી છે. હૈવાન 3થી 4 કરોડ રૂપિયાની ઓપનિંગ કરી શકે છે. જો ફિલ્મને સારો વર્ડ ઓફ માઉથ મળે તો આ આંકડો વધી પણ શકે છે.<br><img alt="Haiwan, Akshay Kumar, Saif Ali Khan (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/11/FFCyASEaRIWUDs8dUCv2NdE8CYHfoFg99kPzXahK.webp"><br></p><h4 style="text-align: justify; "><b>હૈવાન વિશે</b></h4><p style="text-align: justify; ">હૈવાનમાં અક્ષય કુમાર અને સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં છે. આ સાથે બોમન ઈરાની, શ્રિયા પિલગાંવકર અને સૈયામી ખેર પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ 2026માં અક્ષય કુમાર અને પ્રિયદર્શનની જોડીની બીજી ફિલ્મ છે. આ વર્ષે રિલીઝ થયેલી તેમની પહેલી ફિલ્મ ભૂત બંગલા હતી, જે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. આ ક્રાઇમ થ્રિલરમાં સૈફ અલી ખાન અંધ વ્યક્તિની ભૂમિકા ભજવી રહ્યા છે, જ્યારે અક્ષય કુમાર મુખ્ય વિલનની ભૂમિકામાં છે. બંને કલાકારોની એકદમ અલગ ભૂમિકાઓ ફિલ્મને ઈન્ટરેસ્ટિંગ બનાવે છે. આ ફિલ્મ મોહનલાલની મલયાલમ ફિલ્મ ઓપ્પમની રીમેક છે. હૈવાનને KVN પ્રોડક્શન્સ અને થેસ્પિયન ફિલ્મ્સના બેનર હેઠળ વેંકટ કે. નારાયણ અને શૈલજા દેસાઈએ પ્રોડ્યુસ કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/taarak-mehta-old-goli-youtube-24-lakh-views" target="_blank">આ પણ વાંચો-YouTube Debut : 80 કલાકમાં 24 લાખ વ્યૂઝ! YouTube પર એન્ટ્રી કરતાં જ છવાઈ ગયો તારક મહેતાનો જૂનો ગોલી!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/eV33Wr1G2wvDdLPdMfDTpcymXa3YkLD3upaN2UN5.webp'/></item><item><title><![CDATA[Delhi High Court : વિનેશ ફોગાટને મોટો ઝટકો, વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલમાંથી બહાર ]]></title><link>https://sandesh.com/sports/news/vinesh-phogat-world-championship-trials-delhi-high-court</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/vinesh-phogat-world-championship-trials-delhi-high-court</guid><pubDate>Fri, 11 Sep 2026 09:21:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને આંતરરાષ્ટ્રીય કુસ્તીમાં વાપસીના પ્રયાસ વચ્ચે મોટો ઝટકો લાગ્યો છે.દિલ્હી હાઈકોર્ટે 2026 સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપની પસંદગી માટે યોજાનારી ટ્રાયલમાં વિનેશને ભાગ લેવાની વચગાળાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે.આ નિર્ણય બાદ વિનેશ માટે 14 સપ્ટેમ્બરે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં યોજાનારી પસંદગી ટ્રાયલમાં ઉતરવાનો રસ્તો બંધ થઈ ગયો છે.જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ ગુરુવારે મોડી રાત્રે વિનેશ ફોગાટની વચગાળાની રાહતની માગ કરતી અરજી ફગાવી દીધી હતી.</p><h4 style="text-align: justify; "><b>દિલ્હી હાઈકોર્ટે શું કહ્યું</b></h4><p style="text-align: justify; ">અદાલતે કહ્યું કે ભારતીય કુસ્તી મહાસંઘ દ્વારા નક્કી કરવામાં આવેલી પાત્રતાની શરતો કોઈ એક ખેલાડી માટે અલગ રીતે લાગુ કરી શકાય નહીં.અદાલતે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું કે 7 સપ્ટેમ્બર 2026ના પરિપત્રમાં નક્કી કરાયેલા માપદંડ તમામ ખેલાડીઓ માટે સમાન છે.જો કોઈ કુસ્તીબાજે નક્કી કરાયેલી સ્પર્ધામાં ભાગ લીધો નથી,તો તે વર્તમાન નિયમો હેઠળ ટ્રાયલ માટે પાત્ર ગણાતો નથી.</p><h5 style="text-align: justify; "><b>વિનેશ ફોગાટે અદાલતનો દરવાજો કેમ ખખડાવ્યો?</b></h5><p style="text-align: justify; ">વિનેશ ફોગાટે ભારતીય કુસ્તી મહાસંઘના નવા પસંદગી નિયમોને પડકાર્યા હતા.7 સપ્ટેમ્બરે જાહેર કરાયેલા પરિપત્રમાં 2026 સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ માટેના ટ્રાયલમાં ભાગ લેવા માટે છ ઓલિમ્પિક વજન વર્ગો માટે પાત્રતાના નિયમો નક્કી કરવામાં આવ્યા છે.આ નિયમો હેઠળ કેટલીક નિર્ધારિત સ્પર્ધાઓના ચંદ્રક વિજેતા, રાષ્ટ્રીય તાલીમ શિબિરમાં સામેલ કુસ્તીબાજો અને 2026 અંડર-20 વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પસંદ થયેલા ખેલાડીઓ પાત્ર બને છે.વિનેશનું કહેવું હતું કે માતૃત્વના કારણે તે કેટલીક મહત્વની પસંદગી સ્પર્ધાઓમાં ભાગ લઈ શકી નહોતી.તેથી હાલના નિયમો તેમના માટે વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ સુધી પહોંચવાનો માર્ગ બંધ કરે છે.વિનેશે સીધી રીતે વર્લ્ડ ચેમ્પિયનશિપની ટીમમાં પસંદગીની માગ કરી નહોતી. તેમની માગ માત્ર એટલી હતી કે તેમને ટ્રાયલમાં ભાગ લેવાની તક આપવામાં આવે અને ત્યારબાદ તેમના પ્રદર્શનના આધારે ટીમમાં પસંદગી કરવામાં આવે.</p><h4 style="text-align: justify; "><b>એશિયન ગેમ્સના ટ્રાયલનો પણ આપ્યો હતો હવાલો</b></h4><p style="text-align: justify; ">વિનેશે પોતાની દલીલમાં 30 મેના એશિયન ગેમ્સના પસંદગી ટ્રાયલનો પણ ઉલ્લેખ કર્યો હતો.તેમણે 53 કિલોગ્રામ વજન વર્ગમાં ભાગ લીધો હતો અને ક્વાર્ટર ફાઇનલ જીતીને સેમિફાઇનલ સુધી પહોંચ્યા હતા.વિનેશે અદાલતને જણાવ્યું હતું કે માતા બન્યા બાદ તેમણે ફરી તાલીમ શરૂ કરી છે અને સ્પર્ધાત્મક કુસ્તીમાં વાપસી માટે પ્રયાસ કરી રહ્યા છે. તેઓ જુલાઈ 2025માં માતા બન્યા હતા.</p><h4 style="text-align: justify; "><b>માતૃત્વ નીતિ અંગે મોટી લડાઈ હજુ ચાલુ</b></h4><p style="text-align: justify; ">દિલ્હી હાઈકોર્ટે હાલ વિનેશની અરજીમાં ઉઠાવવામાં આવેલા મોટા કાયદાકીય પ્રશ્નો અંગે અંતિમ નિર્ણય આપ્યો નથી.અદાલતે એ પણ નોંધ્યું કે ગર્ભાવસ્થા, બાળકના જન્મ અને ત્યારબાદની શારીરિક પુનઃપ્રાપ્તિ જેવી પરિસ્થિતિઓને મહિલા ખેલાડીઓ માટેની પસંદગી નીતિની કાયદેસરતા અંગે વિચાર કરતી વખતે ધ્યાનમાં લેવાની જરૂર પડી શકે છે.જોકે, આ કારણોસર વિનેશને તાત્કાલિક વચગાળાની છૂટ આપી શકાય નહીં. અદાલતની એક મહત્વની ચિંતા એ પણ હતી કે માત્ર વિનેશને નિયમોમાં છૂટ આપવામાં આવે તો આવી જ સ્થિતિમાં રહેલા અન્ય ખેલાડીઓ સાથે સમાનતાનો પ્રશ્ન ઊભો થઈ શકે છે.વિનેશની કાનૂની લડાઈ માત્ર વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ પૂરતી મર્યાદિત નથી. તેઓ માતૃત્વ બાદ મહિલા ખેલાડીઓ માટે પારદર્શક અને વ્યવસ્થિત પસંદગી વ્યવસ્થા બનાવવાની માગ પણ કરી રહ્યા છે.</p><p style="text-align: justify; "><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/NalinisKitchen/status/2098245458540027916?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>WFIની શિસ્તભંગની કાર્યવાહી પણ પડકારાઈ</b></h4><p style="text-align: justify; ">વિનેશે ભારતીય કુસ્તી મહાસંઘ દ્વારા શરૂ કરવામાં આવેલી શિસ્તભંગની કાર્યવાહી સામે પણ અદાલતનો સંપર્ક કર્યો છે. તેમણે મે અને જૂનમાં આપવામાં આવેલી 2 કારણદર્શક નોટિસ રદ કરવાની માગ કરી છે.બીજી તરફ,કુસ્તી મહાસંઘનું કહેવું છે કે વિનેશને શિસ્ત સમિતિ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક આપવામાં આવી હતી.</p><h5 style="text-align: justify; "><b>ક્યારે યોજાશે વર્લ્ડ ચેમ્પિયનશિપ?</b></h5><p style="text-align: justify; ">2026 સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં 24 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન યોજાવાની છે. દિલ્હી હાઈકોર્ટના હાલના નિર્ણય બાદ વિનેશ ફોગાટ 14 સપ્ટેમ્બરે યોજાનારી ભારતીય પસંદગી ટ્રાયલમાં ભાગ લઈ શકશે નહીં.જોકે, માતૃત્વ બાદ મહિલા ખેલાડીઓને રમતગમતમાં વાપસી માટે કઈ રીતે તક મળવી જોઈએ અને પસંદગી પ્રક્રિયામાં તેમના માટે કેવી વ્યવસ્થા હોવી જોઈએ, તે અંગે વિનેશની મોટી કાનૂની લડાઈ હજુ ચાલુ છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો <a href="https://sandesh.com/cricket/news/shree-charani-breaks-radha-yadav-record-50-t20i-wickets" target="_blank">- Shree Charaniએ નોંધાવી ઐતિહાસિક સિદ્ધિ, રાધા યાદવનો મોટો રેકોર્ડ તોડી રચ્યો ઇતિહાસ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/11/kFL2T3ixL0obDmcYy4934aTdupVad2PjvKVjk8Ms.webp'/></item></channel></rss>