<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Asian Champions Trophy: પાકિસ્તાને ભારત ટીમ મોકલવાનો કર્યો ઇનકાર, તટસ્થ સ્થળ પર મેચો યોજવાની કરી માંગ! ]]></title><link>https://sandesh.com/sports/news/asian-champions-trophy-pakistan-refuses-to-send-india-team-demands-matches-to-be-held-at-neutral-venue</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/asian-champions-trophy-pakistan-refuses-to-send-india-team-demands-matches-to-be-held-at-neutral-venue</guid><pubDate>Fri, 18 Sep 2026 14:14:31 +05:30</pubDate><description><![CDATA[<p>પાકિસ્તાને ભારત સાથેની ‘સંવેદનશીલ દ્વિપક્ષીય સ્થિતિ’ નો હવાલો આપીને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી માટે પોતાની મેન્સ હૉકી ટીમને યજમાન દેશ મોકલવાનો ઇનકાર કર્યો છે. પાકિસ્તાન હૉકી ફેડરેશન (PHF)એ એશિયન હૉકી મહાસંઘ પાસે આ ટોર્નામેન્ટ અથવા તેની તમામ મૅચોને ન્યૂટ્રલ વેન્યુ (તટસ્થ સ્થળ) પર ખસેડવાની માંગ કરી છે.</p><h2><b>પીએચએફની તટસ્થ સ્થળની માંગ</b></h2><p>પાકિસ્તાન હૉકી ફેડરેશન (PHF) એ જણાવ્યું છે કે, તે પુરુષ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી (ACT) માં પાકિસ્તાનની અવિરત અને સંપૂર્ણ ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે તટસ્થ સ્થળ ઈચ્છે છે. પીએચએફના ઇન્ચાર્જ અધ્યક્ષ મોહિઉદ્દીન અહમદ વાનીએ એક નિવેદનમાં કહ્યું કે, તેમણે આખી ટોર્નામેન્ટ અથવા પાકિસ્તાનની તમામ મૅચોને કોઈ તટસ્થ સ્થળ પર સ્થાનાંતરિત કરવાનો અનુરોધ કર્યો છે.</p><h2><b>સુરક્ષાનો આપ્યો હવાલો</b></h2><p>વાનીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, આ નિર્ણય પાકિસ્તાન અને ભારત વચ્ચેની વર્તમાન સંવેદનશીલ દ્વિપક્ષીય સ્થિતિ તેમજ પ્રવર્તમાન સુરક્ષા પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. તેનો હેતુ રાષ્ટ્રીય ખેલાડીઓ અને અધિકારીઓ માટે સુરક્ષિત, મર્યાદિત અને અનુકૂળ વાતાવરણ સુનિશ્ચિત કરવાનો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પાકિસ્તાન એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી અને વૈશ્વિક સ્તરે હૉકીને પ્રોત્સાહન આપવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.</p><h2><b>ખેલને રાજકારણથી દૂર રાખવાની વાત</b></h2><p>વાનીએ વધુમાં કહ્યું હતું કે, અમે મેદાન પર ભારત તેમજ FIH ના તમામ સભ્ય દેશો સામે રમવા માટે તૈયાર છીએ અને રમતગમતને રાજકારણથી મુક્ત રાખવાના સિદ્ધાંત પ્રત્યે કટિબદ્ધ છીએ. અમને પૂરી આશા છે કે એશિયન હૉકી મહાસંઘ ટોર્નામેન્ટમાં પાકિસ્તાનની અવિરત અને પૂર્ણ ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે તટસ્થ સ્થળના અમારા સન્માનજનક પ્રસ્તાવ પર સકારાત્મક વિચાર કરશે.&nbsp;</p><h2><b>સરકારી મંજૂરી અને વિરોધાભાસ</b></h2><p>આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે PHFના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન સરકારે રાષ્ટ્રીય હૉકી ટીમને ભારત મોકલવાની મંજૂરી આપી નથી. આ વાત ભારતના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના દાવાથી બિલકુલ વિપરીત છે. માને હૉકી ઇન્ડિયાના સચિવ ભોલા નાથ સિંહ સાથે મળીને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનની ભાગીદારીની પુષ્ટિ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતની રમતગમત નીતિ પાકિસ્તાનને દેશમાં યોજાતી બહુરાષ્ટ્રીય રમતોની ટોર્નામેન્ટમાં ભાગ લેવાની મંજૂરી આપે છે.</p><h2><b>આગામી મેચોની વિગતો</b></h2><p>ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને સુરક્ષા સ્થિતિનો હવાલો આપતા ગયા વર્ષે તામિલનાડુમાં આયોજિત FIH જૂનિયર વર્લ્ડ કપ અને એશિયા કપમાંથી પણ પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. આ ક્ષેત્રની આ મુખ્ય ટોર્નામેન્ટમાં ભારત, પાકિસ્તાન, મલેશિયા, ચીન, જાપાન અને કોરિયાની ટીમો ભાગ લઈ રહી છે. આ ટોર્નામેન્ટ 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન મોહાલી અને જલંધરમાં યોજાવાની છે.</p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/aXblIxIODN1gWp7yZgjmeTCVcVLd8T0XfiF7widc.webp'/></item><item><title><![CDATA[Rajkot News : 60 કિલો અખાદ્ય જથ્થો અને રૂ.7,500 નો દંડ, જાણો રાજકોટમાં કયા 10 ધંધાર્થીઓને ફટકારાઈ નોટિસ? ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/rajkot/rajkot-rmc-raids-39-food-vendors--60-kg-unfit-food-destroyed--37-samples-taken</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/rajkot/rajkot-rmc-raids-39-food-vendors--60-kg-unfit-food-destroyed--37-samples-taken</guid><pubDate>Fri, 18 Sep 2026 14:12:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ શહેરમાં લોકોના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાને રાખીને મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અચાનક સઘન ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ખાણીપીણીના કુલ 39 જેટલા ધંધાર્થીઓને ત્યાં ત્રાટકીને આરોગ્ય નિરીક્ષકોએ ખોરાકની ગુણવત્તા, સંગ્રહ અને બનાવટની પદ્ધતિઓનું ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધર્યું હતું. મનપાની આ આકસ્મિક કાર્યવાહીથી અશુદ્ધ કે અસ્વચ્છ ખોરાક વેચતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.</p><h2 style="text-align: justify; "><b>60 કિલો અખાદ્ય જથ્થાનો નાશ, 10 વેપારીઓને નોટિસ અને દંડ</b></h2><p style="text-align: justify; ">ચકાસણી દરમિયાન આરોગ્ય વિભાગની ટીમને અનેક સ્થળોએ ભારે અનિયમિતતાઓ અને અસ્વચ્છતા જોવા મળી હતી. ટીમે સ્થળ પર જ માનવ આરોગ્ય માટે હાનિકારક એવા 60 કિલોગ્રામ અખાદ્ય ખાદ્યસામગ્રીના જથ્થાને જપ્ત કરી તેનો તાત્કાલિક નાશ કર્યો હતો. આ ઉપરાંત હાઇજેનિક પરિસ્થિતિ ન જાળવવા તથા માન્ય લાઇસન્સ વગર વેપાર કરવા બદલ 10 ધંધાર્થીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી અને નિયમભંગ બદલ કુલ રૂ.7,500 નો વહીવટી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>શંકાસ્પદ ઘી અને મોતીચૂર લાડુ સહિત 37 સેમ્પલ લેવાયા</b></h2><p style="text-align: justify; ">આ દરોડા દરમિયાન ખોરાકમાં ભેળસેળની આશંકાને પગલે આરોગ્ય ટીમે શંકાસ્પદ ઘી, મોતીચૂરના લાડુ તેમજ અન્ય મીઠાઈઓ અને ખાદ્યસામગ્રી સહિત કુલ 37 જેટલા નમૂનાઓ એકત્રિત કર્યા હતા. આ તમામ સેમ્પલ્સને લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. મનપા અધિકારીઓના જણાવ્યા અનુસાર, લેબોરેટરી રિપોર્ટમાં જો ભેળસેળ કે સબ-સ્ટાન્ડર્ડ માલસામાન સાબિત થશે તો સંબંધિત વેપારીઓ સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ વધુ કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/surat/surat--smc-to-seal-214-illegal-dyeing-units-in-singanpore-over-water-contamination" target="_blank">Suratના સિંગણપોરમાં પીવાના પાણીમાં કેમિકલ ભળતાં SMCની લાલ આંખ, 214 ગેરકાયદે ડાઇંગ યુનિટ્સ થશે સીલ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/VwMjCOXhXj6nW9as3qBG4uQisHvgBAvDlydLwcpC.webp'/></item><item><title><![CDATA[Assam પોલીસની ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ પર લાલ આંખ, બાળકો-મહિલા સહિત 27 લોકોની અતકાયત ]]></title><link>https://sandesh.com/india/news/assam-police-detains-27-bangladeshi-nationals-guwahati-rangia-operation</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/assam-police-detains-27-bangladeshi-nationals-guwahati-rangia-operation</guid><pubDate>Fri, 18 Sep 2026 14:11:45 +05:30</pubDate><description><![CDATA[<p>આસામ પોલીસે ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે કડક કાર્યવાહી કરી છે. ગુવાહાટી અને રંગિયામાં હાથ ધરવામાં આવેલા બે અલગ-અલગ ઓપરેશનમાં પોલીસે 27 બાંગ્લાદેશી નાગરિકોને અટકાયતમાં લીધા હતા. આ જૂથમાં પુરુષો, મહિલાઓ અને સગીરોનો સમાવેશ થતો હતો. આ તમામ વ્યક્તિઓ પર માન્ય દસ્તાવેજો વિના રાજ્યમાં રહેવાનો આરોપ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અટકાયત કરાયેલી વ્યક્તિઓને બાંગ્લાદેશ પરત મોકલવામાં આવશે.</p><p>આસામ પોલીસે ૧૬ સપ્ટેમ્બરે હાથ ધરવામાં આવેલા અલગ-અલગ ઓપરેશન્સ દરમિયાન ગુવાહાટી અને રંગિયામાંથી ૨૭ બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા છે, જેમાં પુરુષો, મહિલાઓ અને સગીરોનો સમાવેશ થાય છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (બોર્ડર) કુલેન્દ્ર નાથ ડેકાએ જણાવ્યું હતું કે આ લોકો કથિત રીતે મેઘાલય થઈને ભારતમાં પ્રવેશ્યા હતા અને તેમની પાસે કોઈ પણ માન્ય દસ્તાવેજો મળી આવ્યા ન હતા.</p><p><br></p><h4><b>બે અલગ-અલગ ઓપરેશનમાં કાર્યવાહી</b></h4><p>27 લોકોના આ જૂથને 16 સપ્ટેમ્બરના રોજ આસામ પોલીસ દ્વારા બે અલગ-અલગ ઓપરેશન દરમિયાન પકડવામાં આવ્યું હતું. આ બાબતે વિગતો આપતા ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ કુલેન્દ્ર નાથ ડેકાએ જણાવ્યું હતું કે, "શંકાસ્પદ ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓના જૂથ અંગેની માહિતીના આધારે, સૌપ્રથમ ગુવાહાટીમાં આસામ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના પરિસરમાંથી 12 લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા."</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/himantabiswa/status/2100210593840177182"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p>વધુ વિગતો આપતા ડેકાએ જણાવ્યું હતું કે, "અટકાયત કરાયેલી વ્યક્તિઓએ જમ્મુ તવી એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા અન્ય એક જૂથ વિશે માહિતી આપી હતી. આ માહિતીના આધારે બોર્ડર પોલીસે ગવર્નમેન્ટ રેલ્વે પોલીસ (GRP) અને રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) ને એલર્ટ કર્યા, જેના પરિણામે 15 લોકોના અન્ય એક જૂથને અટકાયતમાં લેવામાં આવ્યું."</p><p><br></p><p>15 લોકોના બીજા જૂથને ટ્રેન રંગિયા રેલ્વે જંકશન પસાર કર્યા પછી અટકાયતમાં લેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમને બોંગાઈગાંવ રેલ્વે સ્ટેશન પર ઉતારવામાં આવ્યા હતા અને આગળની કાર્યવાહી માટે આ બાબત આસામ પોલીસને સોંપવામાં આવી હતી.</p><p><br></p><h4><b>પોલીસ આ મામલે કરી રહી છે તપાસ&nbsp;</b></h4><p>પોલીસે આ કેસ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, "અટકાયત કરાયેલા ૨૭ લોકોમાંથી કોઈની પાસે એવા દસ્તાવેજો નહોતા જે ભારતમાં તેમની કાયદેસરની સ્થિતિ સાબિત કરી શકે." અધિકારીઓના જણાવ્યા અનુસાર, અટકાયત કરાયેલા તમામ લોકો બાંગ્લાદેશના વિવિધ વિસ્તારોમાંથી આવ્યા છે, જેમાં ઢાકા, સુનામગંજ, ગોપાલગંજ, બાગેરહાટ, ખુલના અને મયમનસિંહનો સમાવેશ થાય છે. પોલીસ હાલમાં તપાસ કરી રહી છે કે શું કોઈ દલાલ કે મધ્યસ્થીએ મેઘાલય થઈને ભારતમાં તેમના પ્રવેશમાં મદદ કરી હતી કે કેમ. કાયદાકીય કાર્યવાહી બાદ તમામ બાંગ્લાદેશીઓને સ્વદેશ પરત મોકલવામાં આવશે</p><p><br></p><p>પોલીસના ડેપ્યુટી કમિશનર કુલેન્દ્ર નાથ ડેકાએ જણાવ્યું હતું કે, "બોર્ડર પોલીસે સંબંધિત ડેપ્યુટી કમિશનરને દેશનિકાલના આદેશો જારી કરવા વિનંતી કરી છે." તેમણે ઉમેર્યું હતું કે આદેશો જારી થયા બાદ અટકાયતમાં લેવાયેલા લોકોને બાંગ્લાદેશ પરત મોકલી દેવામાં આવશે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અટકાયતમાં લેવાયેલા મોટાભાગના લોકો રોજગારીની શોધમાં ભારત આવ્યા હતા. હવે તપાસ એ બાબત પર કેન્દ્રિત છે કે આ જૂથ કયા સંજોગોમાં ભારતમાં પ્રવેશ્યું હતું અને શું કોઈ વ્યક્તિ કે નેટવર્કે તેમને આસામમાં પ્રવેશવામાં મદદ કરી હતી.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/imd-weather-alert-today-heavy-rain-in-21-states--85-kmph-wind-warning" target="_blank"><b>Heavy Rain: ગુજરાતમાં વહેલી સવારથી મુશળધાર વરસાદ, વીજળી પડવાની શક્યતા વચ્ચે 21 રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/14bTC4tKdDzJC8r4BkWIVPNCpDE1y3ztIvOMzuBm.webp'/></item><item><title><![CDATA[Panchmahalના ઘોઘમ્બા નજીક બે એસટી બસ વચ્ચે સામસામે ગમખ્વાર ટક્કર, ડ્રાઇવર કેબિનમાં ફસાયો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/panchmahal/panchmahal-ghoghamba-bakarol-road-st-bus-accident-10-injured</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/panchmahal/panchmahal-ghoghamba-bakarol-road-st-bus-accident-10-injured</guid><pubDate>Fri, 18 Sep 2026 14:00:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પંચમહાલ જિલ્લાના ઘોઘમ્બા તાલુકામાં આવેલા બાકરોલ રોડ પર શામળકુવા ગામ નજીક બે એસટી બસ વચ્ચે સામસામે ભયાનક અકસ્માત સર્જાયો છે. ઘોઘમ્બા-બાકરોલ અને બાકરોલ-ઘોઘમ્બા રૂટ પર દોડતી બે એસટી બસો સામસામે અથડાતાં ધડાકાભેર અવાજ સાથે બસોના આગળના ભાગનો ભુકડ બોલી ગયો હતો. અકસ્માતને પગલે બંને બસોમાં સવાર મુસાફરોમાં ભારે ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>સ્થાનિકોએ રેસ્ક્યૂ હાથ ધર્યું</b></h2><p style="text-align: justify; ">આ ભયાનક ટક્કરમાં બસનો ડ્રાઇવર કેબિનના ભાગમાં બ बुरी રીતે ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના ગામ લોકો અને શામળકુવા ગામના સ્થાનિકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. ગ્રેન અને દોરડાંની મદદથી ભારે જહમત ઉઠાવીને સ્થાનિકોએ કેબિનમાં ફસાયેલા ડ્રાઇવરને સલામત રીતે બહાર કાઢ્યો હતો.</p><p style="text-align: justify; "><img alt="Collision between 2 ST buses in Panchmahal" src="https://epapercdn.sandesh.com/images/2026/09/18/eMBMtgeaAv4W78fZvBEybBTe14cIhq3qK54z3Xy4.webp"><br></p><h3 style="text-align: justify; "><b>સદનસીબે મોટી જાનહાની ટળી</b></h3><p style="text-align: justify; ">અકસ્માતમાં 10 થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, જોકે સદનસીબે કોઈ મોટી જાનહાની ન થતાં તંત્રએ અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે. ઘટના અંગે જાણ કરવામાં આવતાં જ 108 એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી અને તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ઘોઘમ્બા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની કાયદાકીય તપાસ હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/dxRV6nFd4Ad474iMbMhI0kmTArtVbeVka32poFWC.webp'/></item><item><title><![CDATA[TV Show : નજફગઢના નવાબ વિરેન્દ્ર સેહવાગની લક્ઝરી લાઇફ જાણી દંગ રહી જશો! રાઇઝ એન્ડ ફોલના હોસ્ટ બન્યા વીરૂ ]]></title><link>https://sandesh.com/entertainment/news/cricket/virender-sehwag-net-worth-rise-and-fall-host</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/cricket/virender-sehwag-net-worth-rise-and-fall-host</guid><pubDate>Fri, 18 Sep 2026 14:00:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ધમાકેદાર બેટર વીરેન્દ્ર સહેવાગે વર્ષો સુધી ક્રિકેટની દુનિયામાં પોતાનો દબદબો જાળવી રાખ્યો અને પોતાની આક્રમક બેટિંગથી દુનિયાભરના બોલરોને પરેશાન કર્યા. ત્યાર બાદ તેઓ કોમેન્ટ્રીમાં આવ્યા અને અહીં પણ છવાઈ ગયા. હવે તેઓ રિયાલિટી ગેમ શો રાઇઝ એન્ડ ફોલની સીઝન 2 દ્વારા OTT પર પોતાની અલગ ઓળખ બનાવતા જોવા મળશે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>વીરેન્દ્ર સહેવાગે અશ્વનીર ગ્રોવરને હોસ્ટ તરીકે રિપ્લેસ કર્યા</b></h2><p style="text-align: justify; ">રાઇઝ એન્ડ ફોલની પહેલી સીઝન ભારત પેના પૂર્વ કો-ફાઉન્ડર અશ્વનીર ગ્રોવરે હોસ્ટ કરી હતી. જોકે, તેઓ બીજી સીઝનનો ભાગ નથી. બીજી સીઝન ટૂંક સમયમાં શરૂ થવાની છે. હવે તેમની જગ્યાએ વીરેન્દ્ર સહેવાગ હોસ્ટ બન્યા છે. ફેન્સ તેમને શો હોસ્ટ કરતા જોવા માટે ખૂબ ઉત્સાહિત છે.</p><h3 style="text-align: justify; "><b>વીરેન્દ્ર સહેવાગની નેટવર્થ</b></h3><p style="text-align: justify; ">47 વર્ષના વીરેન્દ્ર સહેવાગ ભારતના સૌથી અમીર ક્રિકેટર્સમાંથી એક છે. તેમની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સહેવાગની કુલ સંપત્તિ 350 કરોડ રૂપિયા છે. સહેવાગ ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL ઉપરાંત ટીવી ચેનલો પર ક્રિકેટ એક્સપર્ટ અને કોમેન્ટેટર તરીકે પણ કમાણી કરે છે. તેમની કમાણીના અન્ય સ્ત્રોતોમાં ઇન્વેસ્ટમેન્ટ, સોશિયલ મીડિયા અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પણ સામેલ છે.<br><img alt="Virender Sehwag Net Worth (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/18/l7FZv02lqHilrqpAn1iEiKjgButr6LpEFshWy3py.webp"><br></p><h4 style="text-align: justify; "><b>130 કરોડનું ઘર અને લક્ઝરી કારનું કલેક્શન</b></h4><p style="text-align: justify; ">વીરુ અને નજફગઢના નવાબ જેવા નામોથી જાણીતા સહેવાગ લક્ઝરી લાઇફ જીવે છે. તેમની સૌથી મોંઘી વસ્તુઓમાં દિલ્હીમાં આવેલું તેમનું ઘર પણ સામેલ છે. દિલ્હીમાં સહેવાગ જે ઘરમાં રહે છે તેનું નામ કૃષ્ણા નિવાસ છે. તેની કિંમત 130 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ બંગલામાં થિયેટર, મોટો ગાર્ડન એરિયા અને જિમ સહિત અનેક લક્ઝરી સુવિધાઓ છે. તેમના કાર કલેક્શનની વાત કરીએ તો પૂર્વ ક્રિકેટર પાસે BMW અને Bentley Continental જેવી કાર પણ છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DdYIz1RN500/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DdYIz1RN500/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DdYIz1RN500/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DdYIz1RN500/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h5 style="text-align: justify; "><b>રાઇઝ એન્ડ ફોલ સીઝન 2 વિશે</b></h5><p style="text-align: justify; ">રાઇઝ એન્ડ ફોલ સીઝન 2માં કુલ 15 કન્ટેસ્ટન્ટ હશે. અત્યાર સુધી 4 કન્ટેસ્ટન્ટના નામ નક્કી થઈ ચૂક્યા છે. આ નામોમાં પ્રિયંકા ચહર ચૌધરી, શહજાદ પૂનાવાલા, સ્વરા ભાસ્કર અને કરણ પટેલ સામેલ છે. રાઇઝ એન્ડ ફોલ સીઝન 2ની શરૂઆત 26 સપ્ટેમ્બર 2026થી પ્રાઇમ વીડિયો અને એમએક્સ પ્લેયર પર થશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/rani-mukerji-old-song-alka-yagnik-doordarshan" target="_blank">આ પણ વાંચો-Doordarshan પર સવાર-સવારમાં ગૂંજતું હતું રાની મુખર્જીનું આ ગીત! 27 વર્ષ વીત્યા છતાં નથી ઘટ્યો જાદુ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/f9abofLQiQBfzQ34txAluCRXyEndoZEMWWsOjdBs.webp'/></item><item><title><![CDATA[Gir Somnathના સુત્રાપાડામાં વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રી, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/gir-somnath/gir-somnath--rain-showers-hit-sutrapada-region-amid-imd-orange-alert</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/gir-somnath/gir-somnath--rain-showers-hit-sutrapada-region-amid-imd-orange-alert</guid><pubDate>Fri, 18 Sep 2026 13:51:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. જિલ્લાના સુત્રાપાડા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ કાળાડીબાંગ વાદળોની ઘેરાબંધી વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી જ શરૂ થયેલા વરસાદના ઝાપટાંના કારણે માર્ગો પર પાણી વહેતા થયા હતા અને સમગ્ર પંથકના વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>હવામાન વિભાગ દ્વારા ગીર સોમનાથ માટે ઓરેન્જ એલર્ટ જાહેર</b></h2><p style="text-align: justify; ">હવામાન વિભાગ દ્વારા ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટની આગાહી વચ્ચે જ જિલ્લામાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને સુત્રાપાડા પંથકમાં સતત વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. વરસાદના કારણે લાંબા સમયથી બફારા અને અસહ્ય ગરમીથી અકળાયેલા લોકોને મોટી રાહત મળી છે અને તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.</p><h2 style="text-align: justify; "><b>વરસાદી ઝાપટાં યથાવત, ખેડૂતોમાં આનંદનો વ્યાપ</b></h2><p style="text-align: justify; ">સુત્રાપાડા શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ધાબડ અકબંધ રહેતાં ખેતી પાકો માટે આ વરસાદ સંજીવની સમાન સાબિત થઈ રહ્યો છે. હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટને પગલે સ્થાનિક તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. વાદળછાયા વાતાવરણ અને સતત પડી રહેલા ઝાપટાંથી ધરતીપુત્રોમાં ઘેરો આનંદ જોવા મળી રહ્યો છે અને આગામી કલાકોમાં વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/meghraj/aravalli--heavy-rains-push-meghrajs-vaidi-dam-to-edge-of-overflowing" target="_blank">Arvalliમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વૈડી ડેમમાં પાણીની મબલખ આવકથી ખેડૂતોમાં આનંદ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/JcdZsB6mdGNZnMeYOTvf5TY1tbpPvDAlqmAijEfI.webp'/></item><item><title><![CDATA[Suratના સિંગણપોરમાં પીવાના પાણીમાં કેમિકલ ભળતાં SMCની લાલ આંખ, 214 ગેરકાયદે ડાઇંગ યુનિટ્સ થશે સીલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat--smc-to-seal-214-illegal-dyeing-units-in-singanpore-over-water-contamination</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat--smc-to-seal-214-illegal-dyeing-units-in-singanpore-over-water-contamination</guid><pubDate>Fri, 18 Sep 2026 13:50:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરના સિંગણપોર વિસ્તારમાં આવેલા રહેણાંક ઘરોમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના નળમાં અચાનક કેમિકલયુક્ત રંગીન પાણી આવવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. લોકોના આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થતાં સુરત મહાનગરપાલિકાનું તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. પાલિકાની ટીમે પીવાના પાણીની લાઈનમાં લીકેજ શોધવા અને દૂષિત પાણીના સ્ત્રોતને ઓળખવા માટે સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ ઝુંબેશ હાથ ધરી હતી.</p><h2 style="text-align: justify; "><b>વરસાદી ગટરમાં ગેરકાયદે ડાઇંગ યુનિટ્સના જોડાણ ખુલ્લાં પડ્યાં</b></h2><p style="text-align: justify; ">તપાસ દરમિયાન એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો હતો. વિસ્તારમાં ચાલતા 'તપેલા ડાઇંગ' નામના ગેરકાયદે ડાઇંગ યુનિટ્સ દ્વારા પોતાના કેમિકલયુક્ત પાણીનો ગેરકાયદે નિકાલ કરવા માટે વરસાદી ગટરની લાઈનમાં જોડાણો કરી દેવામાં આવ્યા હતા. આ ડાઇંગ યુનિટ્સનું પ્રદૂષિત પાણી લીકેજને કારણે પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ભળી જતું હતું, જેના કારણે નાગરિકોના ઘરો સુધી દૂષિત રંગીન પાણી પહોંચી રહ્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>214 ગેરકાયદે ડાઇંગ યુનિટ્સ સીલ, કનેક્શનો તાત્કાલિક કાપી નંખાયા</b></h2><p style="text-align: justify; ">લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરનારા તત્વો સામે પાલિકા તંત્રએ ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી કડક પગલાં ભર્યા છે. નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરનારા કુલ 214 ગેરકાયદે ડાઇંગ યુનિટ્સને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ વરસાદી ગટરમાંથી તમામ ગેરકાયદે ડ્રેનેજ કનેક્શનો તાત્કાલિક અસરથી કાપી નાખવામાં આવ્યા છે. પાલિકાએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આગામી દિવસોમાં પણ પ્રદૂષણ ફેલાવતા એકમો સામે આવી જ આકરી કાર્યવાહી ચાલુ રહેશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/gir-somnath/gir-somnath--rain-showers-hit-sutrapada-region-amid-imd-orange-alert" target="_blank">Gir Somnathના સુત્રાપાડામાં વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રી, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/Fo9ItToRpdWdCBuszFhmXD6UnyIpmCYw7ttVUYYq.webp'/></item><item><title><![CDATA[Kuno National Park : માદા ચિત્તા KGP12એ આપ્યો ચાર બચ્ચાંને જન્મ, દેશ માટે ગર્વની ક્ષણ ]]></title><link>https://sandesh.com/india/news/kuno-national-park-female-cheetah-kgp12-four-cubs-born</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/kuno-national-park-female-cheetah-kgp12-four-cubs-born</guid><pubDate>Fri, 18 Sep 2026 13:40:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મધ્યપ્રદેશના પ્રખ્યાત કૂનો નેશનલ પાર્કમાંથી વન્યજીવપ્રેમીઓ માટે એક અત્યંત આનંદ અને ગર્વના સમાચાર સામે આવ્યા છે. ભારતના મહત્વાકાંક્ષી 'પ્રોજેક્ટ ચિત્તા'ને ચાર વર્ષ પૂર્ણ થયાના બરાબર એક દિવસ પછી, આ અભિયાનને વધુ એક મોટી ઐતિહાસિક સફળતા મળી છે. ભારતીય મૂળની માદા ચિત્તા KGP12 દ્વારા કૂનો નેશનલ પાર્કમાં ચાર નવા શાવકો (બચ્ચાં) ને જન્મ આપવામાં આવ્યો છે, જેનાથી સમગ્ર દેશના વન્યજીવ સંરક્ષણ જગતમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>પ્રોજેક્ટ ચિત્તાની ઐતિહાસિક સિદ્ધિ</b></h2><p style="text-align: justify; ">કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે સોશિયલ મીડિયા પર આ ખુશખબર શેર કરતા કૂનો નેશનલ પાર્કની મેનેજમેન્ટ ટીમ અને પ્રોજેક્ટ ચિત્તા સાથે જોડાયેલા તમામ કર્મચારીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ભારતીય ભૂમિ પર જન્મેલા ચિત્તાઓની પ્રથમ પેઢી માટે આ એક અત્યંત મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ઘટના છે. ચાર વર્ષમાં ચાર નવા જીવન - આ આશા, સ્થિતિસ્થાપકતા અને ભારતમાં ચિત્તા સંરક્ષણની વધતી જતી સફળતાનું સુંદર પ્રતીક છે.</p><h3 style="text-align: justify; "><b>કુનોનું જંગલ ચિત્તાઓના વસવાટ માટે સંપૂર્ણપણે અનુકૂળ</b></h3><p style="text-align: justify; ">નિષ્ણાતોના મતે, કુદરતી વાતાવરણમાં ચિત્તાઓનું આ પ્રકારે સફળ પ્રજનન એ વાત સાબિત કરે છે કે ભારતનું વાતાવરણ અને કુનોનું જંગલ ચિત્તાઓના કુદરતી વસવાટ માટે સંપૂર્ણપણે અનુકૂળ સાબિત થઈ રહ્યું છે. વન વિભાગ દ્વારા આ નવજાત શાવકો અને માદા ચિત્તા KGP12 પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે જેથી તેમની સુરક્ષા અને સ્વાસ્થ્યની પૂરતી કાળજી રાખી શકાય. કૂનોમાં ચિત્તાઓના સફળ સંવર્ધનથી દેશમાં વન્યજીવન સંરક્ષણ માટે નવી આશાઓ જાગી છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/world/news/pakistan-economic-crisis-energy-saving-market-wedding-rules" target="_blank">આ પણ વાંચોઃ&nbsp; Pakistan માં એવું તો શું થયુ કે લગ્નના મેનુથી લઇને બજારો બંધ કરવા સુધીના લેવાયા જોરદાર નિર્ણયો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/ImGj3XaCq2TbuRb0bDMmFwroqiiEPyRDndnO5PlG.webp'/></item><item><title><![CDATA[Bhavnagarના મહુવામાં લાંબા વિરામ બાદ મેઘમહેર: ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદથી ખેડૂતો ખુશખુશાલ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/bhavnagar-mahuva-jadra-bhadra-heavy-rain-farmers-relief</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/bhavnagar-mahuva-jadra-bhadra-heavy-rain-farmers-relief</guid><pubDate>Fri, 18 Sep 2026 13:40:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભાવનગર જિલ્લાના મહુવા ટાઉન તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા સમયની આતુરતાપૂર્વકની રાહ જોયા બાદ આખરે વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. આકાશમાં કાળાડિબંગ વાદળોની ઘેરાબંધી વચ્ચે મહુવા તાલુકાના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ મન મૂકીને વરસી જતાં સમગ્ર પંથકનું વાતાવરણ આહલાદક બની ગયું છે.</p><h2 style="text-align: justify; "><b>જાદરા, ભાદરા અને દુધાળા સહિતના ગામોમાં જોરદાર વરસાદ</b></h2><p style="text-align: justify; ">મહુવા તાલુકાના જાદરા, ભાદરા, દુધાળા, શારદીકા, બાંભણિયા, આસરાણા તેમજ કિકરીયા સહિતના ગ્રામીણ પંથકોમાં મેઘરાજાએ ધમાકેદાર હાજરી નોંધાવી છે. તાલુકાના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વહાલ વરસી રહ્યું છે તો વળી કેટલાક ગામોમાં જોરદાર વરસાદી ઝાપટાં પડતાં રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>ચોમાસુ વાવેતરને જીવતદાન, પાક નુકસાનીનું સંકટ ટળ્યું</b></h3><p style="text-align: justify; ">લાંબા સમયથી વરસાદ ખેંચાતાં ખેડૂતોના ચોમાસુ વાવેતર પર મોટું સંકટ તોળાઈ રહ્યું હતું. જોકે, આ સમયે જ પડેલા આ સાર્વત્રિક વરસાદને કારણે ચોમાસુ પાકને મોટું નવું જીવતદાન મળ્યું છે. હવે ચોમાસુ વાવેતરમાં નુકસાની જવાની શક્યતા નહિવત બની જતાં મહુવા પંથકના જગતના તાત ગણાતા ખેડૂતોમાં ભારે આનંદ અને હરખની હેલી જોવા મળી રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/eit8NM6xz4zBNYzlR6rzSNuAP2BGJsnjPsSx7hk7.webp'/></item><item><title><![CDATA[Pakistan Economic Crisis: પાકિસ્તાનમાં સરકારી ગાડીઓનું પેટ્રોલ કરાયુ અડધું, નેતાઓની વિદેશ યાત્રા પર લાગ્યો બ્રેક ]]></title><link>https://sandesh.com/world/news/business/pakistan-economic-crisis-petrol-prices-of-government-vehicles-in-pakistan-reduced-by-half-halt-on-foreign-travel-of-leaders</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/business/pakistan-economic-crisis-petrol-prices-of-government-vehicles-in-pakistan-reduced-by-half-halt-on-foreign-travel-of-leaders</guid><pubDate>Fri, 18 Sep 2026 13:01:19 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">સરકારી વાહનો માટે ઇંધણમાં 50% ઘટાડો કરાયો છે અને ત્રણ મહિના માટે વિદેશ યાત્રા પર પ્રતિબંધ મૂકાયો છે.</p><h2 style="text-align: justify; ">નવા સરકારી વાહનોની ખરીદી પર સંપૂર્ણ પ્રતિબંધ</h2><p style="text-align: justify; ">આર્થિક દબાણનો સામનો કરીને, પાકિસ્તાને હવે સરકારી ખર્ચ ઘટાડવા માટે સરકારી વાહનો અને વિદેશ યાત્રામાં સીધો ઘટાડો કર્યો છે. પાકિસ્તાન સરકારે સરકારી વાહનો માટે ઇંધણની ઉપલબ્ધતામાં 50% ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આ પગલું ત્રણ મહિના સુધી અમલમાં રહેશે. જો કે, સૈન્ય, કાયદો અને વ્યવસ્થા અને આવશ્યક સેવાઓ સંબંધિત કાર્યરત વાહનોને બાકાત રાખવામાં આવ્યા છે. સરકારી કચેરીઓમાં નવા વાહનો અને નવા સાધનોની ખરીદી હાલ પૂરતી બંધ રહેશે.</p><h3 style="text-align: justify; ">વિદેશ યાત્રા પણ કટોકટી સ્થિતિમાં</h3><p style="text-align: justify; ">આગામી ત્રણ મહિના સુધી, સરકારી અધિકારીઓ દ્વારા વિદેશ યાત્રા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આવશ્યક યાત્રાઓને પણ સામાન્ય રીતે મંજૂરી આપવામાં આવશે નહીં. મર્યાદિત અપવાદો રાખવામાં આવ્યા છે, જ્યારે મંત્રીઓ, સલાહકારો અને અન્ય સરકારી અધિકારીઓને આવશ્યક યાત્રાઓ પર ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરવાની જરૂર પડશે. સરકારે એવો પણ નિર્દેશ આપ્યો છે કે શક્ય હોય ત્યાં મીટિંગ્સ માટે ટેલિકોન્ફરન્સિંગનો ઉપયોગ કરવામાં આવે. સરકારી ખર્ચે યોજાતા સેમિનાર, તાલીમ અને પરિષદો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.</p><h4 style="text-align: justify; ">સરકારી ભોજન સમારંભો પણ મુલતવી&nbsp;</h4><p style="text-align: justify; ">પાકિસ્તાની સરકારે સત્તાવાર સરકારી રાત્રિભોજનનું આયોજન કરવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. અપવાદ ફક્ત વિદેશી પ્રતિનિધિમંડળો માટે છે. વધુમાં, લગ્ન સંબંધિત કાર્યક્રમોમાં ફક્ત એક જ વાનગી પીરસવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. બજારનો સમય એ જ રહેશે. દુકાનો અને બજારો રાત્રે 9 વાગ્યા સુધીમાં, લગ્ન હોલ રાત્રે 10 વાગ્યા સુધીમાં અને રેસ્ટોરન્ટ અને કાફે રાત્રે 11 વાગ્યા સુધીમાં બંધ કરવા પડશે. ટેકઅવે અને હોમ ડિલિવરી મુક્ત છે. પાકિસ્તાન સરકારે નાણાકીય વર્ષ 2026-27 માટે નોન-ERE બજેટમાં 5 ટકાનો ઘટાડો કરવાનો પણ નિર્ણય લીધો છે. સરકારે પ્રાંતીય અને પ્રાદેશિક સરકારોને પણ સમાન પગલાં લેવાનું કહ્યું છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/lifestyle/news/health-fitness/smartphone-addiction-keeping-a-smartphone-nearby-reduces-concentration-know-what-research-says" target="_blank">સ્માર્ટફોન નજીક રાખવાથી ઘટે છે એકાગ્રતા, જાણો શું કહે છે રિસર્ચ?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/2WHuulY97MM2ejC7ozhsiDostoTtSw10csYvpPqx.webp'/></item></channel></rss>