<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Lunavada: લુણાવાડામાં શિક્ષકોએ લૂણેશ્વર મહાદેવને આવેદનપત્ર પાઠવ્યું ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/lunavada/lunavada-teachers-in-lunavada-submitted-a-petition-to-luneshwar-mahadev</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/lunavada/lunavada-teachers-in-lunavada-submitted-a-petition-to-luneshwar-mahadev</guid><pubDate>Thu, 13 Aug 2026 06:34:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં સરકારી કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે લુણાવાડા ખાતે મહીસાગર જિલ્લા શિક્ષ4સંઘના શિક્ષકોએ આજે દિવાસાના દિવસે લુણેશ્વર મહાદેવ મંદિરે ભગવાન શિવને આવેદનપત્ર આપીને અનોખી રીતે રજૂઆત કરી હતી.</p><p style="text-align: justify; ">ગઈકાલે લુણાવાડા તાલુકા પ્રાથમિ4શિક્ષ4સંઘ દ્વારા સોશિયલ મીડિયા પર આંદોલનની શરૂઆત કરાઈ હતી, જે બાદ આજે લુણાવાડા અને કોઠંબા તાલુકા પ્રાથમિ4શિક્ષ4સંઘના શિક્ષકોએ લુણાવાડાના શ્રી લૂણેશ્વર મહાદેવ મંદિરે એકઠા થઈ મહાદેવની આરતી ઉતારી વિશેષ પ્રાર્થના કરી ગુજરાત સરકારને મહાદેવ સદબુદ્ધિ આપે અને રાજ્યના તમામ કર્મચારીઓના હિતમાં વહેલી તકે ર્ંઁજી લાગુ થાય. તેવી પ્રાર્થના કરી મહાદેવના ચરણોમાં આવેદનપત્ર અર્પણ કર્યું હતું. જેમાં શિક્ષકોની માંગણી મુખ્ય પાંચ મુદ્દાઓ (1) નિવૃત્તિ બાદ કર્મચારીની સામાજિ4સુરક્ષા. (2) પરિવારની લાંબા ગાળાની આર્થિ4સ્થિરતા. (3) સતત વધતી મોંઘવારી સામે રક્ષણ. (4) શેરબજાર પર આધારિત નવી પેન્શન યોજના (ગ્દઁજી) ની અનિશ્ચિતતાઓ. (5) લાગુ થવાથી કર્મચારીઓના મનોબળ અને સમર્પણમાં થતો વધારો. જેવી રજૂઆત કરાઈ હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/HqZ187YbYpf4WebjyQoWUV091feKNsH0dn4HSjL3.webp'/></item><item><title><![CDATA[Mahisagar: વરસાદી વાતાવરણમાં બે ગરીબ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/mahisagar/mahisagar-two-poor-people-in-rainy-weather</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/mahisagar/mahisagar-two-poor-people-in-rainy-weather</guid><pubDate>Thu, 13 Aug 2026 06:33:42 +05:30</pubDate><description><![CDATA[<p style="">ઘટના સમયે સ્થાનિ4પ્રશાસને અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. ભારે પાણીના ભરાવા અને પૂરના વહેણના કારણે નાય4ફ્ળિયામાં રહેતા નાય4જયંતીભાઈ છગનભાઈ અને નાય4મગનભાઈ છગનભાઈના કાચા મકાનો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયા છે. મકાનો જમીનદોસ્ત થઈ જતાં આ બંને ગરીબ પરિવારોએ પોતાની છત ગુમાવી દીધી છે અને હાલ ભારે આર્થિ4તથા ઘરવિહોણી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. અતિભારે હોનારતને દિવસો વિતી ગયા હોવા છતાં, મકાન ગુમાવનારાઆ બંને પીડિત પરિવારોને આજદિન સુધી સરકાર તરફ્થી કોઈપણ પ્રકારની આર્થિ4કે રાહત સહાય મળી નથી.</p><p style="">કુદરતી આપદામાં સર્વસ્વ ગુમાવી ચૂકેલા આ ગરીબ પરિવારોને તાત્કાલિ4ધોરણે સરકારી નિયમોનુસાર યોગ્ય વળતર અને રહેઠાણની સહાય ચૂકવવામાં આવે તેવીઉગ્ર માંગ ઉઠી રહી છે.</p><p style=""><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style=""><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/lW7ATTHaPmUVZtrvi800qrSwNRdVukTATnruw48G.webp'/></item><item><title><![CDATA[Vadodara: સાવલીના પીલોલથી આસોજ માર્ગ પર 12 ફૂટ લાંબા મહાકાય મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યૂ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-12-foot-long-giant-crocodile-rescued-after-great-difficulty-on-the-asoj-road-from-pilol-in-savli</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-12-foot-long-giant-crocodile-rescued-after-great-difficulty-on-the-asoj-road-from-pilol-in-savli</guid><pubDate>Thu, 13 Aug 2026 06:26:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સાવલી : સાવલી તાલુકાના પીલોલથી આસોજ ગામના માર્ગ પર આશરે 12 ફૂટ લાંબો મહાકાય મગરનો રેસ્ક્યુ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સાવલી તાલુકાના પિલોલ અને આસોજ ગામને જોડતા માર્ગ પર મહાકાય મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. મગરને જોવા મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યા હતા. ગ્રામજનોએ ઘટનાની જાણ વન વિભાગને કરી હતી તેના પગલે મગરને પકડવા વન વિભાગ દ્વારા હાથ ધરાઈ કામગીરી હતી. વનવિભાગના કર્મીઓએ 12 ફૂટ જેટલા લાંબા મહાકાય મગરને દોરડાથી બાંધી દીધો હતો. જે સમયના દ્રશ્યો મોબાઈલમાં કેદ કરી લેવાયા બાદ તે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. છેલ્લા એ4અઠવાડિયામાં ઉપરાછાપરી બે મગરો પકડાતા સમગ્ર પંથકમાં ભારે ભયની લાગણી પ્રસરી ગઈ છે, અને ખાસ કરીને મોડી રાત્રે નોકરીથી પરત ફરતા નોકરિયાત વર્ગ અને પશુપાલકો તેમજ ખેડૂતોમાં ભારે ડર જોવા મળી રહ્યો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/A2deJxBwgtaLN0GaeNv1kIah8Z9ixegmbqOs6xWS.webp'/></item><item><title><![CDATA[Surat: કીમ, કોસંબા, કામરેજ, માંગરોળ, ઉમરપાડામાં દશામા માતાની યાત્રા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-dashama-mata-yatra-in-kim-kosamba-kamrej-mangrol-umarpada</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-dashama-mata-yatra-in-kim-kosamba-kamrej-mangrol-umarpada</guid><pubDate>Thu, 13 Aug 2026 04:19:49 +05:30</pubDate><description><![CDATA[<p>દશામા વ્રતના પ્રારંભની પૂર્વ સંધ્યાએ દશામાની મૂર્તિ ખરીદવા લોકોની ભીડ ઉમટી હતી. ત્યાંથી મૂર્તિ લઈ લોકો ઉત્સાહભેર આગમન યાત્રા કાઢી નિર્ધારિત સ્થળે માતાજીની પ્રતિમાને સ્થાપિત કરી દશામાના વ્રતનો પ્રારંભ કર્યો હતો. દશામાની મૂર્તિ પ્રતિષ્ઠા કરી દસ દિવસ જેમની ઉત્સાહભેર પૂજા-અર્ચના કર્યા બાદ તેનું વિસર્જન કરવામાં આવે છે. પર્વની પૂર્વ સંધ્યાએ સુરત જિલ્લાના બજારોમાં દશામાની મૂર્તિ ખરીદવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. કીમ, કોસંબા, કામરેજ, માંગરોળ, ઉમરપાડા સહિતના વિસ્તારોમાં દશામાની મૂર્તિ અને પૂજાપો ખરીદવા શ્રદ્ધાળુઓની ભીડ ઊમટી પડી હતી. આવી જ ભીડ ઉત્સવ નગરી કીમમાં જોવા મળી હતી. બજારમાં ઉમળકાભેર લોકોએ દશામાના વ્રતની તૈયારી રૂપે ખરીદીમાં જોડાયા હતા.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/2VeNuYFc2JurEVVuqu6GMo1O5OYBXv5aJwiST2HY.webp'/></item><item><title><![CDATA[Surat: ખોલવડના સર્વિસ રોડ ઉપર જામનગરનો શખ્સ 10.49 લાખના 21 કિ.ગ્રા. ગાંજા સાથે ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-a-man-from-jamnagar-was-caught-with-21-kg-of-ganja-worth-rs-1049-lakh-on-the-service-road-of-kholvad</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-a-man-from-jamnagar-was-caught-with-21-kg-of-ganja-worth-rs-1049-lakh-on-the-service-road-of-kholvad</guid><pubDate>Thu, 13 Aug 2026 04:17:20 +05:30</pubDate><description><![CDATA[<p>કામરેજ પોલીસે પૂર્વ બાતમીના આધારે ખોલવડ ને.હા.નં-48ના સર્વિસ રોડ પરથી એક ઇસમને મોટા પ્રમાણમાં ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી કુલ 10.60 લાખનો મુદ્દામાલ કબજે કરી એક મહિલા સહિત બે સપ્લાયરને વોન્ટેડ જાહેર કરતા ચકચાર મચી ગઇ હતી.</p><p>પ્રાપ્ત માહિતી અનુસાર ખોલવડ ગામની સીમમાં મુંબઇથી અમદાવાદ જતા ને.હા.નં-48ના પૂરા થતા સર્વિસ રોડ પર જાહેરમાં હુસેન હસન આમળા નામનો ઇસમ પોતાની પાસે બે બેગ ગાંજાનો જથ્થા હોવાની કામરેજ પોલીસને બાતમી મળી હતી. પોલીસે બાતમીવાળા સ્થળ પર દોડી જઇ શંકાસ્પદ ઇસમને ઝડપી પાડયો હતો. પોલીસે આરોપીની સઘન પૂછપરછ કરતા તે પોતાના વતન જામનગરથી પેસેંજર વાહનમાં બેસીને મહારાષ્ટ્રના ધુલિયા ખાતે ગયો હતો. ત્યાંથી તેણે ઝલીલ અંસારી અને રેખાબેન નામનાં બે વ્યકિતઓ પાસેથી આ ગાંજાનો જથ્થો મેળવ્યો હતો. તે આ માદક પદાર્થ પોતાનાં વતનમાં લાવીને છૂટકમાં વેચાણ કરવાની ફિરાકમાં હતો. પોલીસે આરોપી પાસેથી 1049250 કિંમતનો 20.985 કિ.ગ્રા. ગાંજાનો જથ્થો ઝડપી પાડી 10 હજાર કિંમતનો મોબાઇલ ફોન, 1330 રોકડા મળી કુલ 1060580 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે એનડીપીએસ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી હુસેન હસન આમળા (ઉં.વ.54, ધંધો-રિક્ષા ડ્રાઇવિંગ, રહે. બેડીપોર્ડ રોડ, જોડિયા ભુંગા રોડ, ભાડેલાવાસ, સુલેમાન કિરાણા સ્ટોર્સની બાજુમાં, બેડેશ્વર તા.જી.જામનગર)ની ધરપકડ કરી ગાંજો પૂરો પાડનાર (1) ઝલીલ અંસારી, (2) રેખાબેન (બંને રહે. ધુલિયા મહારાષ્ટ્ર)ને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી હતી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/8NjBxEHUJuw3JMDZCifnNmPJ0Se4ZpGVJxdZ3PUw.webp'/></item><item><title><![CDATA[Lionel Messiની પિતાના અવસાન બાદ પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'મને ખબર નથી કે હવે...' ]]></title><link>https://sandesh.com/sports/news/lionel-messi-father-jorge-messi-death-emotional-post</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/lionel-messi-father-jorge-messi-death-emotional-post</guid><pubDate>Wed, 12 Aug 2026 23:40:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">લિયોનેલ મેસ્સીના પિતા જોર્જ મેસ્સીનું 8 ઓગસ્ટના રોજ 68 વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન થયું હતું. આ પછી લિયોનેલ મેસ્સીએ 12 ઓગસ્ટના રોજ તેમના પિતાના અવસાન પર પહેલીવાર મૌન તોડ્યું જેમાં તેને સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી જેમાં તેમણે ભવિષ્યમાં ફૂટબોલ રમવા અંગે શંકા વ્યક્ત કરી હતી.</p><p style="text-align: justify;">લિયોનેલ મેસ્સીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર તેમના પિતા જોર્જ સાથેનો એક ફોટો પોસ્ટ કર્યો અને એક નોટ પણ શેર કરી જેમાં તેને લખ્યું કે તેઓ આ મોટી ખોટ સ્વીકારી શકતા નથી અને તેને સમજાતું નથી કે તે તેના પિતા વિના જીવનમાં કેવી રીતે આગળ વધશે કારણ કે તેઓ મારા બેસ્ટ મિત્ર, માર્ગદર્શક અને એજન્ટ પણ હતા.</p><h2 style="text-align: justify;"><b>મને ખબર નથી કે આગળ કેવી રીતે આગળ વધવું</b></h2><p style="text-align: justify;">પિતાના અવસાન પછી લિયોનેલ મેસ્સીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી એક પોસ્ટમાં લખ્યું છે કે "મને ખબર નથી કે હું તમારા વિના શું કરીશ. મને ખબર નથી કે આગળ કેવી રીતે વધવું. હું ફક્ત ફૂટબોલ રમી રહ્યો હતો, પરંતુ હવે મારી પાસે ઘણા સવાલો છે કે શું હું ચાલુ રાખી શકીશ." મેસ્સીએ સમજાવ્યું કે તેના પિતાએ તેને દરેક બાબતમાં સપોર્ટ આપ્યો અને હંમેશા તેના નિર્ણયોમાં વિશ્વાસ રાખ્યો. "બધા માટે આભાર. હું તમને પ્રેમ કરું છું, પપ્પા."</p><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/Db8MYnQjYsC/?img_index=1" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/Db8MYnQjYsC/?img_index=1" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a><br></p><h3 style="text-align: justify;"><b>વર્લ્ડકપ શરૂ થવાના થોડા દિવસ પહેલા તે બીમાર પડ્યા&nbsp;</b></h3><p style="text-align: justify;">પોતાની પોસ્ટમાં લિયોનેલ મેસ્સીએ સમજાવ્યું કે વર્લ્ડકપ 2026 શરૂ થવાના થોડા દિવસો પહેલા તેના પિતાની તબિયત અચાનક બગડી ગઈ હતી, જેના કારણે જોર્જ પહેલી વાર કોઈ ટુર્નામેન્ટમાં હાજરી આપી શક્યા ન હતા. "હું દરેક મેચ પછી મારા પિતાના મેસેજની રાહ જોતો હતો. મને તમારી ખૂબ જ યાદ આવશે, પણ તમે હંમેશા સાથે રહેશો. ખાસ કરીને મારા બાળકોને ઉછેરવામાં, કારણ કે હું તેમને એ જ રીતે શીખવીશ અને ઉછેરીશ જે રીતે તમે મને ઉછેર્યો છે."</p><h4 style="text-align: justify;"><b>મેસ્સીને રોનાલ્ડોનો સપોર્ટ મળ્યો</b></h4><p style="text-align: justify;">મેસ્સીના પિતાના અવસાન પછી જ્યારે તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી, ત્યારે તેને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો સપોર્ટ મળ્યો, જેમાં રોનાલ્ડોએ તેની પોસ્ટ પર કોમેન્ટ કરી અને લખ્યું છે કે લીઓ, આ મુશ્કેલ સમયમાં તને અને તારા પરિવારને મારું મોટું હગ, તમને ઘણી શક્તિ મળે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/TGH56UwXwOH6bh1EQIGogFs2CidMiip8syDerxly.webp'/></item><item><title><![CDATA[India-SACU વેપાર સંબંધોને મળશે નવી ગતિ, પીયૂષ ગોયલે કહ્યું 'સંતુલિત અને ન્યાયી કરારથી બંને પક્ષને લાભ થશે' ]]></title><link>https://sandesh.com/india/news/world/india-sacu-pta-trade-talks-piyush-goyal-fair-trade-deal</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/world/india-sacu-pta-trade-talks-piyush-goyal-fair-trade-deal</guid><pubDate>Wed, 12 Aug 2026 23:36:09 +05:30</pubDate><description><![CDATA[<p>ભારત અને સધર્ન આફ્રિકન કસ્ટમ્સ યુનિયન (SACU) વચ્ચે Preferential Trade Agreement (PTA) માટેની વાટાઘાટો શરૂ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. બુધવારે નવી દિલ્હીના વાણિજ્ય ભવન ખાતે ભારત અને SACUના પ્રતિનિધિઓએ વાટાઘાટો માટે Terms of Reference (ToR) પર હસ્તાક્ષર કર્યા. આ કરારથી ભારત અને દક્ષિણ આફ્રિકાના SACU સભ્ય દેશો વચ્ચે વેપાર અને આર્થિક સંબંધોને વધુ મજબૂતી મળવાની અપેક્ષા છે.</p><h2><b>ગુણવત્તાયુક્ત દવાઓ પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે</b></h2><p>આ પ્રસંગે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ભારત અને SACU વચ્ચેનો પ્રસ્તાવિત વેપાર કરાર બંને પક્ષની ક્ષમતાઓનો લાભ લઈને સહિયારી સમૃદ્ધિ તરફ આગળ વધવામાં મદદ કરી શકે છે. તેમણે સંતુલિત, ન્યાયી અને બંને પક્ષ માટે લાભદાયી વેપાર કરાર પર ભાર મૂક્યો હતો. ગોયલે કહ્યું કે ભારત દક્ષિણ આફ્રિકાના SACU ક્ષેત્રમાં સસ્તી અને ગુણવત્તાયુક્ત દવાઓ પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ ઉપરાંત IT ક્ષેત્રમાં નવા કૌશલ્ય અને પ્રતિભાના વિકાસમાં પણ ભારત સહયોગ આપી શકે છે. તેમણે કહ્યું કે જ્યાં SACU દેશોની કંપનીઓ સ્પર્ધાત્મક છે, ત્યાં તેમને વૈશ્વિક સપ્લાય ચેઈન સાથે જોડવામાં ભારત મદદ કરી શકે છે.</p><h3><b>વેપારની સંભાવનાઓને વધુ વેગ મળી શકે</b></h3><p>પ્રસ્તાવિત PTA હેઠળ એન્જિનિયરિંગ અને મશીનરી, ઓટોમોબાઈલ, ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઈલ, કૃષિ અને એગ્રો-પ્રોસેસિંગ જેવા ક્ષેત્રોમાં વેપારની સંભાવનાઓને વધુ વેગ મળી શકે છે. ગોયલે જણાવ્યું કે ભારતના દક્ષિણ આફ્રિકા સાથેના સંબંધો માત્ર વેપાર પૂરતા મર્યાદિત નથી. તેમણે મહાત્મા ગાંધી અને રંગભેદ વિરોધી સંઘર્ષ દરમિયાન ભારતના સમર્થનનો ઉલ્લેખ કરતા કહ્યું કે બંને પક્ષો વચ્ચે લાંબા સમયથી મજબૂત ભાગીદારી છે.</p><p>તેમણે વાટાઘાટો ઝડપથી આગળ વધારીને PTAને વહેલી તકે અંતિમ સ્વરૂપ આપવાની અપીલ કરી. જોકે તેમણે સ્પષ્ટ કર્યું કે માત્ર ToR પર હસ્તાક્ષર કરવાથી ટેરિફમાં ઘટાડો નહીં થાય. અંતિમ વેપાર કરાર થયા બાદ જ તેનો વાસ્તવિક લાભ મળશે.</p><p><a href="https://sandesh.com/business/news/mp-cm-mohan-yadav-meets-arvind-limited-kulin-lalbhai-in-ahmedabad-1200-crore-investment-pm-mitra-park" target="_blank"><b>આ પણ વાંચો : Business News: ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનશે, એમપીના સીએમએ આપ્યું રોકાણનું આમંત્રણ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/3DAwFIezw4BD3W959cNWyHGiEgK5sQn9RseDq0XG.webp'/></item><item><title><![CDATA[Mumbaiમાં વરસાદનો કહેર, કુર્લામાં લેન્ડસ્લાઈડની દુર્ઘટનામાં મોતનો આંકડો વધીને 7 પર પહોંચ્યો, 7 લોકો ઘાયલ ]]></title><link>https://sandesh.com/india/news/mumbai-heavy-rain-kurla-landslide-7-dead-7-injured</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/mumbai-heavy-rain-kurla-landslide-7-dead-7-injured</guid><pubDate>Wed, 12 Aug 2026 21:39:59 +05:30</pubDate><description><![CDATA[<p>મુંબઈમાં સતત પડી રહેલા ભારે વરસાદ વચ્ચે બુધવારે વહેલી સવારે કુર્લા પશ્ચિમના ચિરાગ નગર વિસ્તારમાં મોટો અકસ્માત સર્જાયો હતો. ભૂસ્ખલન થતાં પહાડીનો એક ભાગ ધસી પડ્યો અને તેનો કાટમાળ આસપાસ આવેલા મકાનો પર પડ્યો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 7 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 7 લોકો ઘાયલ થયા છે.</p><h2><b>વરસાદને કારણે અચાનક ભૂસ્ખલન થયું&nbsp;</b></h2><p>મળતી માહિતી મુજબ, ઘટના બુધવારે વહેલી સવારે લગભગ 3 વાગ્યાથી 3:48 વાગ્યાની વચ્ચે બની હતી. ચિરાગ નગરના ગૌશિયા ચાલ અને અશોકનગર વિસ્તારમાં સતત વરસાદને કારણે અચાનક ભૂસ્ખલન થયું હતું. રાતનો સમય હોવાથી લોકો ઊંઘમાં હતા અને તેમને બચવાની તક પણ મળી નહોતી. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન કાટમાળમાંથી અત્યાર સુધીમાં 7 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. પોલીસ અને પ્રશાસનની ટીમો હજુ પણ કાટમાળ હટાવી રહી છે અને કોઈ અન્ય વ્યક્તિ ફસાઈ હોય તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને શોધખોળ ચાલુ છે.</p><h3><b>તમામ ઘાયલોની હાલત હાલમાં સ્થિર</b></h3><p>દુર્ઘટનામાં ઘાયલ થયેલા 7 લોકોને કુર્લાની ભાભા હોસ્પિટલ અને રાજાવાડી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર તમામ ઘાયલોની હાલત હાલમાં સ્થિર છે. ઘટનાની જાણ થતાં જ મુંબઈ ફાયર બ્રિગેડ, પોલીસ, બીએમસી, એનડીઆરએફ, 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક વોર્ડ સ્ટાફની ટીમો સ્થળ પર પહોંચી હતી. તમામ એજન્સીઓ સંયુક્ત રીતે બચાવ કામગીરી ચલાવી રહી છે.&nbsp;</p><p>મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સતત ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ પાણી ભરાવા અને ભૂસ્ખલનનું જોખમ વધ્યું છે. કુર્લાની આ ઘટનાએ ફરી એકવાર વરસાદ દરમિયાન જોખમી ઢાળ અને નબળા વિસ્તારોમાં રહેતા લોકોની સુરક્ષાને લઈને ચિંતા વધારી છે.</p><p><a href="https://sandesh.com/india/news/karnataka-cabinet-expansion-dk-shivakumar-ministers-portfolios-changes" target="_blank"><b>આ પણ વાંચો : Karnataka Cabinet Expansion: DK શિવકુમારે મંત્રીઓને સોંપ્યા વિભાગો, મુનિયપ્પા અને રામલિંગા રેડ્ડીના ખાતામાં ફેરફાર</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/hnYrx9llJxTfmoeDL9vM0UuibSM43VGlyMcGeDQu.webp'/></item><item><title><![CDATA[Reels Effect On Gen-Z: રીલ્સના ચક્કરમાં કેવી રીતે બરબાદ થઈ રહ્યો છે યુવાનોનો કિંમતી સમય?, જાણો ]]></title><link>https://sandesh.com/entertainment/news/india/reels-effect-on-gen-z-how-is-the-precious-time-of-the-youth-being-wasted-in-the-hustle-and-bustle-of-reels-find-out</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/india/reels-effect-on-gen-z-how-is-the-precious-time-of-the-youth-being-wasted-in-the-hustle-and-bustle-of-reels-find-out</guid><pubDate>Wed, 12 Aug 2026 20:25:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">પરંતુ હવે, મોટાભાગના Gen-Z સ્માર્ટફોન પર એક નજર નાખો અને તમને કલા, શિક્ષણ, મહેનત અથવા બુદ્ધિનો કોઈ પત્તો નહીં મળે.&nbsp;</p><h2 style="text-align: justify; ">રીલની દુનિયામાં ખોવાયેલો Gen-Z</h2><p style="text-align: justify; ">આજની દુનિયામાં, જો તમે લાખો ફોલોઅર્સ ઇચ્છતા હોવ, તો તમારે ડિગ્રી, રીતભાત કે ઊંડી સમજણની જરૂર નથી. ઘણા સર્જકો છે જે સામગ્રીના નામે, તેમની રીલ્સ પર કંઈપણ પીરસતા હોય છે, અને તેને લાખો વ્યૂઝ મળી રહ્યા છે. ઉદાહરણ તરીકે, "ડેની પંડિત" ના વાયરલ વિડીયોને લો, જ્યાં તે લાંબા વિગ અને છોકરીઓના કપડાં પહેરીને વાહિયાત રીતે નૃત્ય કરે છે, અને આ રીલ, કોઈપણ છંદ કે પ્રતિભા વિના, 84.2 મિલિયન વ્યૂઝ ધરાવે છે.&nbsp;</p><h3 style="text-align: justify; ">કેવી થાય છે માનસિક અસર ?&nbsp;</h3><p style="text-align: justify; ">બીજી બાજુ, એક રેન્ડમ રીલ જ્યાં એક મહિલા તેના રૂમમાં સાડી પહેરીને ડાન્સ કરે છે તેને સરળતાથી 14.8 મિલિયન વ્યૂઝ મળે છે. આ ફક્ત થોડા ઉદાહરણો છે કે કેવી રીતે રીલ્સ યુવાનોનો સમય બગાડી રહી છે. ઇન્સ્ટા રીલ્સની દુનિયામાં, લાખો આવી રીલ્સ છે, જેના પર યુવાનો પોતાનો કિંમતી સમય બગાડી રહ્યા છે તે જાણ્યા વિના પણ. માનસિક દ્રષ્ટિકોણથી, આ કોઈ સંયોગ નથી, પરંતુ ધીમું ઝેર છે. રીલ્સ અને શોર્ટ્સના ફોર્મેટ તમારા મગજમાં તરત જ ડોપામાઇન મુક્ત કરવા માટે રચાયેલ છે.&nbsp;</p><h4 style="text-align: justify; ">ચર્ચાનો નવો વિષય&nbsp;</h4><p style="text-align: justify; ">દરેક સ્ક્રોલ સાથે, યુવાનોને એક નવો આંચકો અથવા ચર્ચાનો નવો વિષય મળે છે. આ તેમના ધ્યાનના સમયગાળા પર સીધી અસર કરી રહ્યું છે. આ જ કારણ છે કે આજે મોટાભાગના યુવાનો 2 મિનિટનો ગંભીર વિડિઓ અથવા પુસ્તકનું એક પૃષ્ઠ શાંતિથી વાંચી શકતા નથી. તેમને દર 10 સેકન્ડે કંઈક ઉત્તેજક જોઈએ છે. પરિણામ શું છે? શિક્ષણનું મહત્વ ઘટી રહ્યું છે, ડિગ્રીઓ ફક્ત કાગળના ટુકડા બની રહી છે, અને સર્જનાત્મકતાના નામે, બીજા લોકોના ગીતો સાથે લિપ-સિંકિંગ એક કૌશલ્ય માનવામાં આવે છે.</p><h5 style="text-align: justify; ">આજની પેઢી માટે સૌથી ખતરનાક</h5><p style="text-align: justify; ">આજની પેઢી માટે સૌથી ખતરનાક ઉદાહરણ એ છે કે "વિવાદ એ સફળતાની ચાવી છે." સાચા અને ખોટા વચ્ચેનો ભેદ અદૃશ્ય થઈ ગયો છે. કેટલાક રસ્તા પર પસાર થતા લોકોને હેરાન કરીને રીલ્સ બનાવી રહ્યા છે, જ્યારે કેટલાક તેમનો દુરુપયોગ કરી રહ્યા છે. જ્યાં સુધી મામલો પોલીસ સ્ટેશન સુધી ન પહોંચે અથવા વિવાદ તરફ ન જાય ત્યાં સુધી સામગ્રીને પૂર્ણ માનવામાં આવતી નથી. જનરલ-ઝેડ આંધળાપણે આ જુસ્સાને અનુસરી રહ્યા છે. તેઓ માને છે કે એકવાર રીલ્સ વાયરલ થઈ જાય, પછી જીવન સેટ થઈ જાય છે.&nbsp;</p><h6 style="text-align: justify; ">મનોરંજનના નામે અશ્લીલતા&nbsp;</h6><p style="text-align: justify; ">મનોરંજન ખોટું નથી, પરંતુ જ્યારે મનોરંજનના નામે અશ્લીલતાને "આઇકન" માનવામાં આવે છે, અને નવી પેઢી તેમના શિક્ષણને છોડી દે છે અને રસ્તા પરની રીલ્સને તેમના કારકિર્દીનો માર્ગ બનાવવાનું વિચારે છે, ત્યારે ભયની ઘંટડીઓ વાગી જાય છે. જનરલ-ઝેડને સમજવું જોઈએ કે 15-સેકન્ડની રીલ્સ ક્યારેય તમારા વાસ્તવિક જીવનનું સત્ય હોઈ શકે નહીં. જો આપણે સમયસર તમારા ફોન ડેટા બંધ નહીં કરીએ અને તમારા મગજનો ડેટા ચાલુ નહીં કરીએ, તો આવતીકાલ રીલ્સની દુનિયામાં ડૂબી જશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/business/news/india/online-vs-offline-shopping-why-do-companies-sell-different-products-online-and-offline-know-what-is-the-reason" target="_blank">ઓનલાઇન અને ઓફલાઇન કેમ અલગ પ્રોડક્ટ વેચે છે કંપનીઓ, જાણો શુ છે કારણ?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/BDWcBPwWEdeVAB3elqDkqbWBLDjhzEiFJfCL7cBo.webp'/></item><item><title><![CDATA[Online vs Offline Shopping: ઓનલાઇન અને ઓફલાઇન કેમ અલગ પ્રોડક્ટ વેચે છે કંપનીઓ, જાણો શુ છે કારણ? ]]></title><link>https://sandesh.com/business/news/india/online-vs-offline-shopping-why-do-companies-sell-different-products-online-and-offline-know-what-is-the-reason</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/online-vs-offline-shopping-why-do-companies-sell-different-products-online-and-offline-know-what-is-the-reason</guid><pubDate>Wed, 12 Aug 2026 20:10:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સ કંપનીઓ હવે ઓનલાઈન અને ઓફલાઈન ગ્રાહકો માટે અલગ અલગ મોડેલ અને ફીચર્સ ઓફર કરી રહી છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">ઓનલાઈન અને ઓફલાઈન વચ્ચે તફાવત</h2><p style="text-align: justify; ">દેશની સૌથી મોટી ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓમાંની એક, LG, ઓનલાઈન ખરીદીની તુલનામાં સ્ટોરમાં ખરીદેલા કેટલાક ટીવી પર એક થી બે વર્ષની વધારાની વોરંટી આપે છે. કંપની વેચાણ ચેનલના આધારે કેટલાક ઉપકરણો પર સુવિધાઓ પણ તૈયાર કરે છે. તેવી જ રીતે, Haier ઓનલાઈન અને ઓફલાઈન બજારો માટે અલગ અલગ વ્યૂહરચના અપનાવી રહી છે. ઓનલાઈન ગ્રાહકોને વોટર ડિસ્પેન્સર સાથે પ્રીમિયમ રેફ્રિજરેટર મળે છે, જ્યારે સ્ટોરમાં વેચાતા કેટલાક મોડેલો કાચના દરવાજા અથવા મિરર ફિનિશ સાથે આવે છે.&nbsp;</p><h3 style="text-align: justify; ">કંપનીઓ કેમ કરે છે આવું ?</h3><p style="text-align: justify; ">કંપનીઓ અનુસાર, ઈ-કોમર્સ ગ્રાહકો સુધી પહોંચવાનો ઝડપી માર્ગ છે, પરંતુ કંપની પાસે 35,000 થી વધુ સ્ટોર્સનું મોટું ડીલર નેટવર્ક પણ છે. તેથી, બંને ચેનલો વિવિધ સુવિધાઓ અને વોરંટી કવરેજ ધરાવતા મોડેલો સાથે સહઅસ્તિત્વ ધરાવે છે. અલગ મોડેલો રાખવાથી ઓનલાઈન અને ઓફલાઈન ચેનલો વચ્ચેના સંઘર્ષો ઘટાડવામાં મદદ મળે છે. જો કે, આ માટે કંપનીઓને વધારાના સંશોધન અને વિકાસ ખર્ચનો પણ ભોગવવો પડે છે. આ પરિવર્તન એવા સમયે આવ્યું છે જ્યારે ઓનલાઈન ખરીદી સતત વધી રહી છે.&nbsp;</p><h4 style="text-align: justify; ">ગ્રાહકો પર આની શું અસર પડશે?</h4><p style="text-align: justify; ">આ પરિવર્તન ગ્રાહકો પર સીધી અસર કરી શકે છે. ફક્ત કિંમતના આધારે ઓનલાઈન અને ઓફલાઈન મોડેલની સરખામણી કરવી હવે પૂરતી રહેશે નહીં. ખરીદી કરતા પહેલા, મોડેલ નંબર, સુવિધાઓ, વોરંટી, ક્ષમતા અને ઉર્જા રેટિંગ તપાસવું મહત્વપૂર્ણ છે. કેટલીકવાર, થોડી વધારે કિંમત ધરાવતું ઓફલાઈન મોડેલ વધારાની વોરંટી અથવા વધુ સારી સુવિધાઓ આપી શકે છે. દરમિયાન, ઓનલાઈન મોડેલ ઓછી કિંમતે તમને જોઈતી સુવિધાઓ પ્રદાન કરી શકે છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/imran-khans-death-in-jail-claim-did-asim-munir-take-revenge-on-his-old-self-know-what-is-the-truth" target="_blank">Imran Khanના જેલમાં મોતનો દાવો? શું Asim Munirએ પોતાનો જૂનો બદલો લીધો, જાણો શુ છે હકીકત?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/SrZx5msagdbDLwZq6qk8PKZbZmqXGRkiAsC1vp2K.webp'/></item></channel></rss>