<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Dahod News : દેવગઢ બારીયાના ચેનપુર રોડ પર રાત્રે દીપડો દેખાયો, વાહનચાલકે બનાવેલો Video Viral ]]></title><link>https://sandesh.com/gujarat/news/dahod/dahod-news-leopard-spotted-at-night-on-chenpur-road-in-devgadh-baria-video-made-by-driver-goes-viral</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/dahod/dahod-news-leopard-spotted-at-night-on-chenpur-road-in-devgadh-baria-video-made-by-driver-goes-viral</guid><pubDate>Sat, 29 Aug 2026 15:50:03 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા વિસ્તારમાં આવેલા ચેનપુર રોડ પર રાત્રીના સમયે અચાનક દીપડો આવી ચડતાં વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. રોડ ક્રોસ કરી રહેલા દીપડાને જોઈને ત્યાંથી પસાર થઈ રહેલા એક જાગૃત વાહનચાલકે પોતાના મોબાઈલ ફોનમાં આ દ્રશ્યો કેદ કરી લીધા હતા. મોબાઈલમાં કેદ થયેલો આ દીપડાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ચર્ચા અને દહેશતનો માહોલ સર્જાયો છે.</p><h2 style="text-align: justify; "><b>માનવ વસ્તીવાળા વિસ્તાર નજીક દીપડાની લટારથી ફફડાટ</b></h2><p style="text-align: justify; ">ચેનપુર રોડ પર અચાનક દીપડો આવી જતાં વાહનચાલકોમાં ગભરાટ ફેલાયો હતો. આ વિસ્તાર માનવ વસ્તીની નજીક આવેલો હોવાથી દીપડાની મુક્ત લટારથી સ્થાનિક રહીશોમાં પણ ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં દીપડાના આંટાફેરા સતત વધી રહ્યા હોવાનું સ્થાનિકોનું કહેવું છે, જેના કારણે રાત્રિના સમયે ઘરની બહાર નીકળવું કે રસ્તા પરથી પસાર થવું જોખમી બની ગયું છે.</p><p style="text-align: justify; "><video controls="" src="https://epapercdn.sandesh.com/images/2026/08/29/LdH4jDwMMqeYOIjbYyTZsSK5y1bdacnBz0j8jKbs.mp4" width="640" height="360" class="note-video-clip"></video><br></p><h2 style="text-align: justify; "><b>વન વિભાગ તાત્કાલિક પગલાં ભરી દીપડાને પાંજરે પૂરે તેવી માંગ</b></h2><p style="text-align: justify; ">નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખીને સ્થાનિક લોકો દ્વારા વન વિભાગ સમક્ષ તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં ભરવાની ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે. વિસ્તારમાં વ્યાપેલા ભયના વાતાવરણને દૂર કરવા માટે વન વિભાગ પાંજરૂ મૂકીને આ દીપડાને વહેલી તકે ઝડપી પાડે અને તેને કોઈ સુરક્ષિત જંગલ વિસ્તારમાં ખસેડે તેવી માંગ બળવત્તર બની છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/bhavnagar-news-gross-negligence-in-the-chief-ministers-matrushakti-yojana-expired-tur-dal-and-gram-were-distributed" target="_blank">Bhavnagar News : મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનામાં ઘોર બેદરકારી, વિતરણ કરાઈ એક્સપાયર થયેલી તુવેરદાળ અને ચણા</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/drbBk7YsSrPU4QOoDx3xWW8KiC2gNnk8gzeaSLMY.webp'/></item><item><title><![CDATA[Auto News: હાઇબ્રિડ એન્જિન અને પ્રીમિયમ ફિચર્સ સાથે આ નવી SUVનું થશે આગમન ]]></title><link>https://sandesh.com/business/news/automobile/kia-sorento-hybrid-suv-launch-india-price-features</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/kia-sorento-hybrid-suv-launch-india-price-features</guid><pubDate>Sat, 29 Aug 2026 15:44:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતના SUV માર્કેટમાં ટૂંક સમયમાં જ એક નવી અને મોટો ધમાકો થવા જઈ રહ્યો છે. કિયા (Kia) તેની ફ્લેગશિપ SUV, Sorento ને 4 સપ્ટેમ્બરે ભારતમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ માત્ર કિયાની એક સામાન્ય નવી કાર નથી, પરંતુ કંપની માટે ભારતીય માર્કેટમાં પોતાની ઓળખને વધુ પ્રીમિયમ બનાવવાની એક શાનદાર તક છે.</p><h2 style="text-align: justify; "><b>કિયા પોર્ટફોલિયોમાં નવો ઉમેરો&nbsp;</b></h2><p style="text-align: justify; ">કિયાએ અત્યાર સુધી ભારતમાં સેલ્ટોસ (Seltos), સોનેટ (Sonet) અને કારેન્સ (Carens) જેવી કાર્સના આધારે મજબૂત પકડ બનાવી લીધી છે. પરંતુ કંપનીના પોર્ટફોલિયોમાં એક એવી મોટી 3-રો (3-row) SUVની ખોટ હતી, જે સેલ્ટોસથી ઉપર સ્થાન ધરાવે. નવી Sorento આ ખાલી જગ્યાને પૂર્ણ કરવા આવી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>ફોર્ચ્યુનર અને કોડિયાક માટે કડક સ્પર્ધા&nbsp;</b></h3><p style="text-align: justify; ">ભારતમાં રૂ.40 લાખથી રૂ.45 લાખની પ્રાઇસ રેન્જમાં SUV ખરીદનારાઓ પાસે પહેલાથી જ કેટલાક લોકપ્રિય મોડેલ્સ છે. આ સેગમેન્ટમાં ટોયોટા ફોર્ચ્યુનર (Toyota Fortuner), સ્કોડા કોડિયાક (Skoda Kodiaq) અને જીપ મેરિડિયન (Jeep Meridian) જેવા વાહનોનું પ્રભુત્વ છે, તેથી Sorento માટે આ માર્ગ સરળ નહીં હોય.</p><h4 style="text-align: justify; "><b>હાઇબ્રિડ પાવરટ્રેન બનશે સૌથી મોટું આકર્ષણ&nbsp;</b></h4><p style="text-align: justify; ">કિયા સોરેન્ટોનું સૌથી ખાસ પાસું તેનું હાઇબ્રિડ પાવરટ્રેન સેટઅપ હોઈ શકે છે. આ કારમાં 1.6-લીટર ટર્બો પેટ્રોલ એન્જિન સાથે હાઇબ્રિડ સિસ્ટમ મળવાની ધારણા છે. આ પાવરફુલ સેટઅપ લગભગ 235-238 bhp પાવર અને 380 Nm નો ટોર્ક જનરેટ કરી શકે છે.</p><h5 style="text-align: justify; "><b>શા માટે ખાસ છે આ હાઇબ્રિડ ટેકનોલોજી?&nbsp;</b></h5><p style="text-align: justify; ">સરળ શબ્દોમાં કહીએ તો, હાઇબ્રિડ કારમાં પેટ્રોલ એન્જિનની સાથે ઈલેક્ટ્રિક મોટર પણ કામ કરે છે. તેનાથી વાહનમાં ઉત્તમ માઇલેજ મળે છે અને ડ્રાઇવિંગ અનુભવ પણ ઘણો સ્મૂધ બને છે. જે ગ્રાહકો ડીઝલ વાહનોમાંથી બહાર આવવા માગે છે પણ સંપૂર્ણ ઈલેક્ટ્રિક કાર લેવા નથી માંગતા, તેમના માટે હાઇબ્રિડ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.</p><h6 style="text-align: justify; "><b>3-રો સીટીંગથી મોટા પરિવારોને ફાયદો&nbsp;</b></h6><p style="text-align: justify; ">મોટી SUV ખરીદનારા ગ્રાહકો માટે માત્ર પાવર જ નહીં, પરંતુ કેબિનની જગ્યા અને આરામ પણ ખૂબ મહત્વનો હોય છે. Sorento માં 3-રો સીટીંગ લેઆઉટ મળશે. જેથી વધારે લોકો એકસાથે આરામદાયક મુસાફરી કરી શકશે અને મોટા પરિવાર માટે આ SUV આદર્શ સાબિત થશે.</p><p style="text-align: justify; "><b>હાઇ-ટેક અને પ્રીમિયમ કેબિન ફિચર્સ&nbsp;</b></p><p style="text-align: justify; ">Sorento ના ઇન્ટિરિયરને અત્યંત પ્રીમિયમ ફીલ આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. વાહનમાં ડ્યુઅલ 12.3-ઇંચની સ્ક્રીન, કનેક્ટેડ કાર ટેકનોલોજી, ADAS (Advanced Driver Assistance Systems), 360-ડિગ્રી કેમેરા અને કિયાનું AI આસિસ્ટન્ટ જેવા અદ્યતન ફિચર્સ મળવાની પૂર્ણ શક્યતા છે.</p><p style="text-align: justify; "><b>કિંમત અને માર્કેટ પોઝિશનિંગ&nbsp;</b></p><p style="text-align: justify; ">કિયા સોરેન્ટોની અંદાજિત કિંમત રૂ.40 લાખથી રૂ.45 લાખની વચ્ચે રહેવાની ધારણા છે. આ બજેટમાં સોરેન્ટો ફોર્ચ્યુનર અને કોડિયાકને સીધી ટક્કર આપશે. કંપની આ કારને પોતાની ફ્લેગશિપ SUV તરીકે રજૂ કરશે, જેનાથી ભારતીય બજારમાં કિયા બ્રાન્ડની એકંદર છબી વધુ મજબૂત થશે.</p><p style="text-align: justify; "><b>આગામી રસ્તાની મુખ્ય પડકારો&nbsp;</b></p><p style="text-align: justify; ">ભારતમાં આ પ્રાઇસ સેગમેન્ટમાં ગ્રાહકો પાસે ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. ફોર્ચ્યુનરની માર્કેટમાં એક અલગ મજબૂત ઓળખ છે, જ્યારે સ્કોડા કોડિયાક તેના યુરોપિયન કમ્ફર્ટ માટે જાણીતી છે. આ બધી પડકારો વચ્ચે કિયાની આ નવી હાઇબ્રિડ SUV ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં કેવો કમાલ કરે છે તે જોવું રસપ્રદ રહેશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/automobile" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/xtWPK2Jfg3NkX41vk1ziI593JAyTjFzI6mhZ2Rx5.webp'/></item><item><title><![CDATA[Bhavnagar: ચાવડીગેટ પોલીસ ચોકી સામે જ યુવક પર છરી-ધારીયા વડે જીવલેણ હુમલો, હાથની નસ કપાઈ જતાં અમદાવાદ ખસેડાયો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/chavdigate-youth-parbat-solanki-attacked-opposite-police-chowki</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/chavdigate-youth-parbat-solanki-attacked-opposite-police-chowki</guid><pubDate>Sat, 29 Aug 2026 15:30:14 +05:30</pubDate><description><![CDATA[<p>ભાવનગર શહેરના ચાવડીગેટ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. ચાવડીગેટ પોલીસ ચોકીની બિલકુલ સામે જ પરબત સોલંકી નામના યુવક પર ચાર જેટલા અસામાજિક શખ્સોએ જાહેર માર્ગ પર જ ઘેરીને છરી, પાઇપ અને ધારીયા જેવા ઘાતક હથિયારો વડે સરેઆમ હુમલો કરી દીધો હતો.</p><h2><b>ચાવડીગેટ પોલીસ ચોકી સામે યુવક પર હુમલો&nbsp;</b></h2><p>પ્રાપ્ત વિગતો મુજબ, ઈજાગ્રસ્ત પરબત સોલંકીને આરોપીઓ સાથે આશરે ચાર મહિના અગાઉ કોઈ બાબતે માથાકૂટ થઈ હતી. આ જૂની અદાવતની મનદુખ રાખીને કાનાભાઈ સોલંકી તથા તેના ભત્રીજાઓ સહિતના ચાર શખ્સોએ યુવકને આંતરીને તીક્ષ્ણ હથિયારોના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. આ હુમલામાં પરબત સોલંકીને માથાના ભાગે, પીઠ અને પેટમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. સાથોસાથ હુમલા દરમિયાન તેના જમણા હાથની મહત્વની નસ પણ કપાઈ ગઈ હતી.</p><h3><b>હાથની નસ કપાઈ જતાં યુવકની હાલત નાજુક</b></h3><p> લોહીલુહાણ હાલતમાં પડેલા યુવકને તાત્કાલિક અસરથી ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, તેની શારીરિક સ્થિતિ અત્યંત ગંભીર જણાતાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ વિશિષ્ટ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે.બનાવ અંગે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં કાનાભાઈ સોલંકી અને તેના ભત્રીજાઓ સામે નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ ચોકી સામે જ બનેલી આ ઘટનાને પગલે નીલમબાગ પોલીસે ગુનો નોંધી ઘટનાસ્થળના સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવી આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી દરોડા શરૂ કર્યા છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kheda/shedhi-river-dilapidated-bridge-to-be-demolished-new-bridge-construction" target="_blank">આ પણ વાંચો: Kheda: શેઢી નદી પરનો જર્જરિત બ્રિજ તોડી નવો બનાવાશે, કલેક્ટરના જાહેરનામા બાદ વાહનવ્યવહાર બંધ કરાશે</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/tdCsSHT39xLowEgaR8nlyAxHKWXDj0S3fCrWrNre.webp'/></item><item><title><![CDATA[Vadodara ઝોન-2 પોલીસે 31 લાખનો વિદેશી દારૂ બુલડોઝર ફેરવી નષ્ટ કર્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/zone-2-police-destroy-illegal-liquor-worth-31-lakhs</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/zone-2-police-destroy-illegal-liquor-worth-31-lakhs</guid><pubDate>Sat, 29 Aug 2026 15:30:05 +05:30</pubDate><description><![CDATA[<p>વડોદરા શહેરમાં દારૂબંધીના કડક અમલવારીના ભાગરૂપે વડોદરા ઝોન-2 પોલીસે એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. વડોદરા પોલીસે વિવિધ દરોડા દરમિયાન જપ્ત કરેલી રૂ. 31 લાખની કિંમતનો વિદેશી દારૂ કોયલી ચેકપોસ્ટ નજીક વિધિવત રીતે નષ્ટ કર્યો છે. આ કાર્યવાહીથી બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.</p><h2><b>વિવિધ દરોડામાં જપ્ત કરાયો હતો જથ્થો</b></h2><p>ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં હોવાથી વડોદરા પોલીસે અવારનવાર ગેરકાયદે દારૂની હેરાફેરી અને વેચાણ સામે ઝુંબેશ ચલાવવામાં આવે છે. ઝોન-2 પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ-અલગ સમયે પાડવામાં આવેલા દરોડા દરમિયાન રૂ. 31 લાખની કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂની હજારો બોટલો જપ્ત કરવામાં આવી હતી.</p><h2><b>બુલડોઝર ફેરવી વિધિવત નાશ કરાયો</b></h2><p>કોર્ટની મંજૂરી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં આ જપ્ત કરાયેલા દારૂના જથ્થાને નષ્ટ કરવાની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કોયલી ચેકપોસ્ટ પાસે ખુલ્લી જગ્યામાં તમામ બોટલોને પાથરીને તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. દારૂની તમામ બોટલોનો સંપૂર્ણપણે ચૂરો કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો.</p><h2><b>કાયદાકીય પ્રક્રિયા હેઠળ કામગીરી પૂર્ણ</b></h2><p>આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન પોલીસ કાફલો અને સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દારૂના જથ્થાનો નાશ કર્યા બાદ તે જગ્યા પર યોગ્ય સફાઈ કરી પર્યાવરણ અને કાયદાના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. વડોદરા પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, વડોદરા શહેરમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં આવશે નહીં.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-to-mundra-air-taxi-service-launched" target="_blank">Vadodaraથી એર ટેક્સી સેવાનો પ્રારંભ: રક્ષાબંધનના દિવસે પ્રથમ ફ્લાઇટનું સફળ ટેક-ઓફ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/5VS7XzzsoLZWMX61Fn7AwwKLjLzFKpeIqzJX0jmA.webp'/></item><item><title><![CDATA[Bhavnagar News : મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનામાં ઘોર બેદરકારી, વિતરણ કરાઈ એક્સપાયર થયેલી તુવેરદાળ અને ચણા ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/bhavnagar-news-gross-negligence-in-the-chief-ministers-matrushakti-yojana-expired-tur-dal-and-gram-were-distributed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/bhavnagar-news-gross-negligence-in-the-chief-ministers-matrushakti-yojana-expired-tur-dal-and-gram-were-distributed</guid><pubDate>Sat, 29 Aug 2026 15:29:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભાવનગર શહેરના મોતીતળાવ વિસ્તારમાં આવેલી આંગણવાડી નંબર 59 (અર્બન 2) ખાતે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. અહીં સરકારી યોજના હેઠળ લાભાર્થીઓને એક્સપાયરી ડેટ થઈ ચૂકેલું કઠોળ વિતરણ કરવામાં આવતાં સ્થાનિકોમાં ભારે રોષ અને હોબાળો મચી ગયો છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત અપાતી તુવેરદાળ અને ચણાની વાપરવાની સમયસીમા (Expiry Date) પૂર્ણ થઈ ગઈ હોવા છતાં, આ જથ્થો વિસ્તારના લાભાર્થીઓને વહેંચી દેવામાં આવ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>સગર્ભા અને ધાત્રી માતાઓના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં</b></h2><p style="text-align: justify; ">મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સગર્ભા અને ધાત્રી માતાઓને પૌષ્ટિક આહાર પૂરો પાડી તેમના તથા તેમના બાળકના આરોગ્યની જાળવણી કરવાનો છે. જોકે, આવી અતિ સંવેદનશીલ યોજનામાં જ એક્સપાયર થઈ ગયેલું કઠોળ આપીને મહિલાઓ અને નવજાત બાળકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડાં કરવામાં આવ્યા છે. ખરાબ કે સમયસીમા બહારનું અનાજ ખાવાથી આરોગ્ય પર ગંભીર અસરો થવાની ભીતિ હોવાથી લાભાર્થી મહિલાઓ અને પરિવારજનોએ આંગણવાડી ખાતે જઈને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે.</p><h2 style="text-align: justify; "><b>ICDS વિભાગ અને રેશન શોપની કામગીરી સામે ઊઠ્યા સવાલો</b></h2><p style="text-align: justify; ">ઉલ્લેખનીય છે કે, ભાવનગર મહાનગરપાલિકાના આઈસીડીએસ (ICDS) વિભાગ અંતર્ગત શહેરની તમામ આંગણવાડીઓ કાર્યરત હોય છે અને રેશન શોપ મારફતે આ સરકારી ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવે છે. ત્યારે આ ઘટના બાદ સવાલ એ ઊભો થાય છે કે એક્સપાયરી ડેટ વાળો જથ્થો રેશન શોપમાંથી આંગણવાડી સુધી પહોંચ્યો કેવી રીતે અને તંત્ર દ્વારા ચેકિંગ કર્યા વિના જ તેને કેમ વહેંચી દેવાયો? સ્થાનિકો દ્વારા આ મામલે ઉચ્ચ સ્તરે તપાસ કરી જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી રહી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/world/ahmedabad/nepal-flood-nri-couple-from-ahmedabad-who-set-out-on-kailash-mansarovar-yatra-goes-missing-family-worried-in-maninagar" target="_blank">Nepal Flood : કૈલાશ માનસરોવર યાત્રાએ નીકળેલું અમદાવાદનું NRI દંપતી ગુમ, મણિનગરમાં પરિવાર ચિંતાતુર</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/q231x8EQ8KVvK17r0bHl5TC1g70gKnKgTNAhjRMz.webp'/></item><item><title><![CDATA[Kheda: શેઢી નદી પરનો જર્જરિત બ્રિજ તોડી નવો બનાવાશે, કલેક્ટરના જાહેરનામા બાદ વાહનવ્યવહાર બંધ કરાશે ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kheda/shedhi-river-dilapidated-bridge-to-be-demolished-new-bridge-construction</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kheda/shedhi-river-dilapidated-bridge-to-be-demolished-new-bridge-construction</guid><pubDate>Sat, 29 Aug 2026 15:17:57 +05:30</pubDate><description><![CDATA[<p>ખેડા જિલ્લામાંથી પસાર થતા અને દક્ષિણ તથા મધ્ય ગુજરાતને જોડતા અત્યંત મહત્વના એવા ખેડા-તારાપુર સ્ટેટ હાઈવે પર ખેડા શહેર નજીક શેઢી નદી આવેલી છે. આ શેઢી નદી પર વર્ષો જૂનો બ્રિજ આવેલો છે, જેના પરથી દૈનિક હજારો નાના-મોટા વાહનો પસાર થાય છે. જોકે, લાંબા સમયથી યોગ્ય જાળવણીના અભાવે અને સમય જતાં આ બ્રિજ અત્યંત જર્જરિત અને ભયજનક હાલતમાં ફેરવાઈ ગયો હતો.</p><h2><b>ખેડા-તારાપુર હાઈવેના વાહનચાલકો માટે મહત્વના સમાચાર</b></h2><p>સ્થાનિકો અને વાહનચાલકો દ્વારા આ જર્જરિત બ્રિજ અંગે રજૂઆતો કરવામાં આવ્યા બાદ માર્ગ અને મકાન વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી. તપાસના અંતે સુરક્ષાના કારણોસર આ જૂના બ્રિજને તોડી પાડીને તેની જ જગ્યાએ તમામ સુવિધાયુક્ત નવો બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બ્રિજને તોડી પાડવાની અને નવા બ્રિજના નિર્માણની પ્રક્રિયા માટે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા ટૂંક સમયમાં જ બ્રિજ બંધ કરવા અંગેનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે.</p><h3><b>શેઢી નદી પરનો અત્યંત જર્જરિત બ્રિજ તોડી પડાશે</b></h3><p>કલેક્ટરનું જાહેરનામું પ્રસિદ્ધ થતાંની સાથે જ શેઢી નદીના બ્રિજ પરથી તમામ પ્રકારના નાના-મોટા વાહનોની અવરજવર સત્તાવાર રીતે બંધ કરી દેવામાં આવશે.વાહનવ્યવહાર બંધ થયા બાદ ત્વરિત ધોરણે હેવી મશીનરીની મદદથી જૂનો જર્જરિત બ્રિજ જમીનદોસ્ત કરવાની કામગીરી હાથ ધરાશે. ખેડા-તારાપુર હાઈવે પરથી પસાર થતાં વાહનચાલકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા ડાયવર્ઝન રૂટ નક્કી કરીને ટ્રાફિકને અન્ય માર્ગે વાળવામાં આવશે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/narmada-canal-12-lane-bridge-pontoon-platform-launched" target="_blank">આ પણ વાંચો: Gandhinagar: કોબા-એરપોર્ટ રોડ પર નર્મદા કેનાલ પર આકાર લેશે 12 લેનનો વિશાળ બ્રિજ, કેનાલમાં પોન્ટૂન પ્લેટફોર્મ લોન્ચ કરાયું</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/1K6Jx3vzH0VczhrZdJIHr1bOtVFkIkkJoCPnyF40.webp'/></item><item><title><![CDATA[Flight Ticket Hike : તહેવારો ટાણે જ હવાઇ ભાડામાં થયો તોતિંગ વધારો! જાણો કેટલા વધ્યા ભાવ? ]]></title><link>https://sandesh.com/india/news/flight-ticket-price-hike-festive-season-air-fares</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/flight-ticket-price-hike-festive-season-air-fares</guid><pubDate>Sat, 29 Aug 2026 14:59:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આગામી તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને મુસાફરો માટે હવાઈ મુસાફરી મોંઘી સાબિત થઈ રહી છે. મધ્યપ્રદેશના મુખ્ય શહેરમાંથી દેશ અને દુનિયાના વિભિન્ન રૂટ પર દોડતી ફ્લાઇટ્સના ભાડામાં ભારે વધારો નોંધાયો છે. ખાસ કરીને રક્ષાબંધન બાદ શરૂ થયેલી તહેવારોની સીઝનની અસર સીધી હવાઈ ભાડા પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. મુસાફરોની વધતી જતી ભીડ અને માંગને કારણે એરલાઇન્સ કંપનીઓએ ભાડામાં બે થી ત્રણ ગણો વધારો કરી દીધો છે, જેના કારણે સામાન્ય મુસાફરોના બજેટ પર ભારે આર્થિક બોજ પડી રહ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>ફ્લાઇટ ટિકિટના ભાવમાં જોરદાર વધારો</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, ઇન્દોરથી દેશના પ્રમુખ મહાનગરો તરફ જતા વિમાન ભાડા આસમાને પહોંચ્યા છે. ઇન્દોરથી બેંગલુરુનું એક તરફનું વિમાન ભાડું અંદાજે 21,000  રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ ઉપરાંત, મુંબઈનું ભાડું 15,000 રૂપિયા, ચેન્નાઈનું 11,000 રૂપિયા તેમજ દિલ્હી અને પુણે જેવા મહત્વપૂર્ણ રૂટનું ભાડું પણ વધીને ૧૪,૫00 રૂપિયા સુધી પહોંચી ચૂક્યું છે. આંતરરાષ્ટ્રીય રૂટની વાત કરીએ તો, સૌથી મોંઘી ફ્લાઇટ ઇન્દોર-અબુ ધાબી માર્ગ પર નોંધાઈ છે, જ્યાં ૩૦ ઓગસ્ટના રોજ એક તરફી ટિકિટનો ભાવ વધીને આશરે 44,000 રૂપિયા સુધી પહોંચ્યો હતો, જો કે રાહતની વાત એ છે કે અબુ ધાબીથી ઇન્દોરનું પરત (રિટર્ન) ભાડું આશરે 10,000 રૂપિયાની આસપાસ છે.</p><h3 style="text-align: justify; "><b>તહેવારોના કારણે ટિકિટોની માંગમાં ઉછાળો</b></h3><p style="text-align: justify; ">તહેવારોના કારણે ટિકિટોની માંગમાં અચાનક ભારે ઉછાળો આવ્યો છે. સમયના આધારે પણ ભાડામાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે સવારની કેટલીક ફ્લાઇટ્સના ભાડા પ્રમાણમાં ઓછા છે, પરંતુ મુસાફરોની સૌથી વધુ પસંદગીના સમય ગણાતી સાંજ અને રાત્રિની ફ્લાઇટ્સના ભાડા અત્યંત ઊંચા વસૂલ કરવામાં આવી રહ્યા છે. મુસાફરોની આ લાંબી કતારો અને વધતી માંગને કારણે એરલાઇન્સ કંપનીઓએ ડાયનેમિક પ્રાઈસિંગ હેઠળ આ ભાવ વધારો કર્યો છે.</p><h4 style="text-align: justify; "><b>આગામી મહિનામાં પણ ભાવ વધારો રહેશે</b></h4><p style="text-align: justify; ">આ સ્થિતિ હજુ આગામી મહિનાઓમાં પણ યથાવત રહેવાના એંધાણ છે. ટ્રાવેલ એજન્ટોના જણાવ્યા મુજબ, આગામી ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં આવનાર નવરાત્રિ, દશેરા અને દિવાળી જેવા મોટા તહેવારો દરમિયાન ટિકિટના ભાવમાં ફરીથી મોટો ઉછાળો જોવા મળી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમજદાર મુસાફરોએ છેલ્લી ઘડીએ ઊંચા નાણાં ચૂકવવાથી બચવા માટે અત્યારથી જ અગાઉથી (એડવાન્સ) ટિકિટોનું બુકિંગ કરવાનું શરૂ કરી દીધું છે, જેથી મુસાફરી આર્થિક રીતે પરવડે તેવી રહે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/lifestyle/news/gardening-tips-plants-that-attract-snakes-monsoon" target="_blank">આ પણ વાંચોઃ Gardening Tips: બગીચામાં ભૂલથી પણ ન લગાવતા આ 4 છોડ, સાપને કરી શકે છે સીધા આકર્ષિત</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/sIIUkLAc9WPdfLdXy4908YPIX2R0pbjptjQFMxp0.webp'/></item><item><title><![CDATA[Captain India: સર્જરી બાદ કાર્તિક આર્યન કામભેગો, ‘કેપ્ટન ઈન્ડિયા’નું શૂટિંગ કર્યું શરૂ ]]></title><link>https://sandesh.com/entertainment/news/captain-india-kartik-aaryan-shooting-release-date</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/captain-india-kartik-aaryan-shooting-release-date</guid><pubDate>Sat, 29 Aug 2026 14:38:52 +05:30</pubDate><description><![CDATA[<p>બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યનની અપકમિંગ ફિલ્મ ‘કેપ્ટન ઈન્ડિયા’ને લઈને અપડેટ સામે આવ્યું છે. અહેવાલ છે કે ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બરમાં શરૂ થશે. સર્જરી બાદ એક્ટર ફરી કામ પર પરત ફરવા માટે તૈયાર છે.</p><p>કાર્તિક આર્યનની તાજેતરમાં ઘૂંટણની સર્જરી થઈ છે અને હાલ તેઓ ઘરે આરામ કરી રહ્યા છે. આ દરમિયાન સમાચાર સામે આવી રહ્યા છે કે તેઓ ટૂંક સમયમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘કેપ્ટન ઈન્ડિયા’નું શૂટિંગ શરૂ કરશે. કાર્તિક આ ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે.</p><h2><b>સપ્ટેમ્બરમાં શરૂ થશે ‘કેપ્ટન ઈન્ડિયા’નું શૂટિંગ</b></h2><p>અહેવાલ મુજબ ફિલ્મનું શૂટિંગ 1 સપ્ટેમ્બર 2026થી લંડનમાં શરૂ થશે અને ઓક્ટોબરના અંત સુધીમાં પૂરું થવાની આશા છે. ફિલ્મનું ડિરેક્શન શિમિત અમીન કરશે, જેઓ શાહરુખ ખાનની ફિલ્મ ‘ચક દે! ઈન્ડિયા’ માટે જાણીતા છે. ‘કેપ્ટન ઈન્ડિયા’ને T-Seriesના ભૂષણ કુમાર અને બાવેજા સ્ટુડિયોઝ, ડોપામિન સ્ટુડિયોઝ સાથે મળીને પ્રોડ્યુસ કરી રહ્યા છે. ફિલ્મમાં ઈમોશન સાથે જબરદસ્ત એક્શન પણ જોવા મળશે. ફિલ્મની સ્ટોરી નૈશ વજીફદાર, સંચિત ગુપ્તા અને પ્રિયદર્શી શ્રીવાસ્તવે લખી છે. કાર્તિક સાથે ફિલ્મમાં અન્ય ઘણા કલાકારો પણ જોવા મળશે.</p><h2><b>ક્યારે રિલીઝ થશે ફિલ્મ?</b></h2><p>દર્શકો ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 13 ઓગસ્ટ 2027ના રોજ સ્વતંત્રતા દિવસના વીકએન્ડ પર સિનેમાઘરોમાં રિલીઝ થશે. જણાવી દઈએ કે કાર્તિક આર્યનને તાજેતરમાં કબીર ખાનની સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મના શૂટિંગ દરમિયાન ઘૂંટણમાં ગંભીર ઈજા થઈ હતી. ત્યારબાદ એક્ટરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમના ઘૂંટણની સર્જરી કરવામાં આવી હતી. હવે તેઓ હોસ્પિટલમાંથી ઘરે પરત આવી ગયા છે.</p><h2><b>કાર્તિક આર્યનની અપકમિંગ ફિલ્મો</b></h2><p>કાર્તિક આર્યન છેલ્લે અનન્યા પાંડે સાથે ‘તૂ મેરી મેં તેરા, મેં તેરા તૂ મેરી’માં જોવા મળ્યા હતા. હાલમાં કાર્તિક પાસે ઘણા મોટા પ્રોજેક્ટ્સ છે. તેમાં ‘નાગઝીલા’ પણ સામેલ છે, જે હવે ફેબ્રુઆરી 2027માં રિલીઝ થશે.</p><p>આ ઉપરાંત તેઓ અનુરાગ બાસુ અને કબીર ખાનની ફિલ્મમાં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે એક્ટ્રેસ શ્રીલીલા લીડ રોલમાં જોવા મળશે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/rcqTORVU3QTWyfBLjLJrvNYbCaNPSRpZS4QkjZHJ.webp'/></item><item><title><![CDATA[Budget 2027ની તૈયારી શરૂ, સરકારી ખર્ચ પર નિયંત્રણ અને બિન-કર આવક વધારવા પર ભાર ]]></title><link>https://sandesh.com/business/news/india/preparations-for-budget-2027-begin-emphasis-on-controlling-government-expenditure-and-increasing-non-tax-revenue</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/preparations-for-budget-2027-begin-emphasis-on-controlling-government-expenditure-and-increasing-non-tax-revenue</guid><pubDate>Sat, 29 Aug 2026 14:37:07 +05:30</pubDate><description><![CDATA[<p>Budget 2027ની તૈયારી શરૂ થઈ ગઈ છે. નાણાં મંત્રાલયે તમામ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોને આગામી નાણાકીય વર્ષ માટે ખર્ચ અને આવકનો વાસ્તવિક અંદાજ તૈયાર કરવા કહ્યું છે. સરકારનું ફોકસ સરકારી ખર્ચને નિયંત્રિત કરવા, યોજનાઓની સમીક્ષા કરવા અને બિન-કર આવક વધારવા પર રહેશે. નાણાં મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા બજેટ સર્ક્યુલર મુજબ, 12 ઓક્ટોબર 2026થી પ્રી-બજેટ બેઠકો શરૂ થશે..</p><h2>&nbsp;<b>12 ઓક્ટોબર 2026થી પ્રી-બજેટ બેઠકો શરૂ થશે</b></h2><p> </p><p>આ બેઠકો નવેમ્બરના મધ્ય સુધી ચાલશે. આ બેઠકોની અધ્યક્ષતા ખર્ચ સચિવ કરશે. મંત્રાલયોએ બજેટ સાથે જોડાયેલી જરૂરી માહિતી 6 ઓક્ટોબર સુધી જમા કરાવવાની રહેશે, જ્યારે ટેક્સથી થતી આવકનો અંદાજ 15 ઓક્ટોબર સુધી આપવાનો રહેશે. મંત્રાલયોએ પહેલા તે ખર્ચ માટે જોગવાઈ કરવાની રહેશે, જે પહેલાથી ચાલી રહ્યા છે અથવા જેને પૂર્ણ કરવા જરૂરી છે. ત્યારબાદ જ નવી યોજનાઓ અથવા નવા ખર્ચ માટે નાણાંની માંગ કરી શકાશે. ખર્ચનો અંદાજ લગાવતી વખતે સપ્ટેમ્બર 2026 સુધીનો વાસ્તવિક ખર્ચ, ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન થયેલો ખર્ચ, બાકી ચૂકવણી અને બચેલી રકમને ધ્યાનમાં લેવાની રહેશે.</p><h3><b>જૂની યોજનાઓની થશે સમીક્ષા</b></h3><p>સરકારે બંધ થઈ ચૂકેલી યોજનાઓને સુધારેલા અંદાજમાં સામેલ નહીં કરવાની સૂચના આપી છે. જ્યારે જે યોજનાઓ 2026-27 પછી ચાલુ નહીં રહે, તેમના માટે Budget 2027-28માં કોઈ રકમ ફાળવવામાં આવશે નહીં. સરકાર મંત્રાલયોને એવી પણ સૂચના આપી રહી છે કે નાણાકીય વર્ષના અંતે મોટી રકમ ખર્ચ્યા વિના પરત ન કરવી પડે. જો કોઈ ગ્રાન્ટમાં 100 કરોડ રૂપિયા કે તેનાથી વધુની બચત થાય છે, તો તેનું કારણ જણાવવું પડશે.</p><h4><b>બિન-કર આવક વધારવા પર ભાર</b></h4><p>સરકારે મંત્રાલયો પાસેથી યુઝર ચાર્જ, બાકી રકમ અને અન્ય બિન-કર આવકની માહિતી માંગી છે. સેવાઓ માટે લેવામાં આવતા ચાર્જની પણ સમીક્ષા થઈ શકે છે, જેથી સરકારને પોતાની કિંમત સાથે યોગ્ય વળતર મળી શકે. જોકે, હજુ એ સ્પષ્ટ નથી કે Budget 2027માં ટેક્સમાં શું ફેરફાર થશે, સબસિડી કેટલી ઘટશે અથવા કઈ યોજનાને કેટલી રકમ મળશે. બજેટ પ્રક્રિયા આગળ વધશે તેમ આ નિર્ણયો અંગેની તસવીર સ્પષ્ટ થશે.</p><p><b><a href="https://sandesh.com/" target="_blank">વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/hlm3UIHoJwn9Ljl8xgKhCB9llBgcpwj7ogVNPrwe.webp'/></item><item><title><![CDATA[National Sports Day 2026: મેજર ધ્યાનચંદના જીવનના 4 પ્રેરણાદાયી કિસ્સા, જાણો કેવી રીતે બન્યા હોકીના જાદુગર ]]></title><link>https://sandesh.com/sports/news/national-sports-day-2026-4-inspiring-stories-from-the-life-of-major-dhyan-chand-know-how-he-became-a-hockey-magician</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/national-sports-day-2026-4-inspiring-stories-from-the-life-of-major-dhyan-chand-know-how-he-became-a-hockey-magician</guid><pubDate>Sat, 29 Aug 2026 11:42:24 +05:30</pubDate><description><![CDATA[<p>Indiaમાં રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણીની શરૂઆત વર્ષ 2012માં થઈ. સરકારે આ ખાસ દિવસને હોકીના જાદુગર તરીકે ઓળખાતા પ્રસિદ્ધ ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતીના દિવસે ઉજવવાનો નિર્ણય કર્યો. મેજર ધ્યાનચંદનું હોકીમાં ખૂબ મોટું યોગદાન છે. તેઓ 1928, 1932 અને 1936ના ઓલિમ્પિકમાં શાનદાર રમત માટે જાણીતા છે. સતત ત્રણેય વખત ભારતના ખાતામાં સુવર્ણ ચંદ્રક આવ્યો હતો અને તેનો શ્રેય મેજરના નામે નોંધાયેલો છે.</p><h2><b>સેનાની નોકરી સાથે તેમણે હોકીને સાધના તરીકે અપનાવી.</b></h2><p>ભારતીય હોકીના ઇતિહાસમાં મેજર ધ્યાનચંદનું નામ સૌથી ચમકતા તારાની જેમ નોંધાયેલું છે. તેમની હોકીમાં ઝડપ હતી. બોલ પર અદ્ભુત નિયંત્રણ હતું. ગોલ કરવાની કળા એવી હતી કે દર્શકો ઘણીવાર પોતાની આંખો પર વિશ્વાસ કરી શકતા નહોતા. ધ્યાનચંદનો જન્મ 29 ઓગસ્ટ 1905ના રોજ પ્રયાગરાજમાં થયો હતો. તે સમયે તેમનું નામ ધ્યાન સિંહ હતું. બાદમાં હોકી તેમના જીવનનો સૌથી મોટો હિસ્સો બની ગઈ. તેઓ ભારતીય સેનામાં ભરતી થયા. સેનાની નોકરી સાથે તેમણે હોકીને સાધના તરીકે અપનાવી.</p><h3><b>હોકીની પ્રેક્ટિસ માટે સમય રાત્રે જ મળતો હતો</b></h3><p>ધ્યાનચંદના નામ સાથે સૌથી લોકપ્રિય કિસ્સો તેમની પ્રેક્ટિસ સાથે જોડાયેલો છે. કહેવાય છે કે તેઓ રાત્રે હોકીની પ્રેક્ટિસ કરતા હતા. તે સમયે મેદાનોમાં આજની જેમ લાઇટિંગની વ્યવસ્થા નહોતી. ધ્યાન સિંહ દિવસ દરમિયાન સેનાની ડ્યૂટી કરતા હતા. કામ બાદ તેમને હોકીની પ્રેક્ટિસ માટે સમય રાત્રે જ મળતો હતો. તેઓ ચાંદની રાત્રે મેદાનમાં ઉતરતા હતા. હોકી સ્ટિક અને બોલ સાથે લાંબા સમય સુધી પ્રેક્ટિસ કરતા હતા. આ કારણે તેમના સાથીઓ તેમને ચંદ કહેવા લાગ્યા. તેનો અર્થ ચાંદ સાથે જોડાયેલો છે. ધીમે-ધીમે તેમનું નામ ધ્યાન સિંહમાંથી ધ્યાનચંદ થઈ ગયું. આ કિસ્સો માત્ર નામ બદલાવાની કહાની નથી. આ તેમની લગનની કહાની પણ છે. તેઓ સુવિધાઓની રાહ જોતા નહોતા. તેમની પાસે ન તો આધુનિક મેદાન હતું. ન તો મોંઘી ટ્રેનિંગ. ન તો વિશેષ સાધનો. તેમની પાસે માત્ર એક હોકી સ્ટિક હતી. તેઓ માનતા હતા કે પ્રેક્ટિસથી જ રમતમાં નિખાર આવે છે.</p><h4><b>બોલ તેમની સ્ટિક સાથે ચોંટેલો હોય તેવું લાગતું હતું</b></h4><p>ધ્યાનચંદની હોકીનું સૌથી મોટું આકર્ષણ બોલ પર તેમનું નિયંત્રણ હતું. તેઓ બોલને સ્ટિકથી એવી રીતે સંભાળતા હતા કે એવું લાગતું હતું, જાણે બોલ તેમની સ્ટિક સાથે ચોંટી ગયો હોય. તેઓ દોડતી વખતે બોલને ખૂબ નજીક રાખતા હતા. વિરોધી ખેલાડીઓ તેમને રોકવાનો પ્રયાસ કરતા હતા. પરંતુ બોલ તેમના નિયંત્રણની બહાર જતો નહોતો. ઘણી મેચોમાં દર્શકોને લાગતું હતું કે ધ્યાનચંદ કોઈ જાદુનો ઉપયોગ કરી રહ્યા છે. કેટલાક લોકો તો એવું પણ માનવા લાગ્યા હતા કે તેમની સ્ટિકમાં કોઈ ખાસ વસ્તુ લગાવવામાં આવી છે. એક મેચ દરમિયાન અધિકારીઓએ તેમની હોકી સ્ટિકની તપાસ કરાવી. વિરોધી ટીમને શંકા હતી કે સ્ટિકમાં ચુંબક લગાવવામાં આવ્યું છે. તપાસ બાદ એવું કોઈ રહસ્ય મળ્યું નહોતું. આ કિસ્સો ભલે રમત જગતની ચર્ચાઓનો ભાગ બની ગયો હોય, પરંતુ અસલી સત્ય તેમની ટેકનિક હતી. બોલ પર તેમનું નિયંત્રણ વર્ષોની પ્રેક્ટિસનું પરિણામ હતું.</p><h5><b>  તેમનો આ વીડિયો ઘણી વખત વાયરલ થયો</b></h5><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/OlympicKhel/status/2093541651486544136"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h6><b>પહેલો મોટો મોકો સેનાના મેદાનમાંથી મળ્યો</b></h6><p>ધ્યાનચંદની હોકી કારકિર્દીની શરૂઆત કોઈ મોટી ક્લબ અથવા ચમકતા સ્ટેડિયમથી થઈ નહોતી. તેમને પહેલો મોટો મોકો સેનાના મેદાનોમાં મળ્યો. સેનામાં ભરતી થયા બાદ તેમણે હોકી રમવાનું શરૂ કર્યું. ત્યાં શિસ્ત ખૂબ કડક હતી. દિનચર્યા નક્કી હતી. ડ્યૂટી પણ કરવાની હતી. તેમ છતાં ધ્યાનચંદ પ્રેક્ટિસ માટે સમય કાઢી લેતા હતા. તેમના શરૂઆતના દિવસોનો એક કિસ્સો ઘણીવાર સાંભળવા મળે છે. કહેવાય છે કે તેઓ મેદાનના ખરાબ ભાગોમાં પણ પ્રેક્ટિસ કરતા હતા. મેદાન સમતલ નહોતું. ઘણી જગ્યાએ માટી ઊંચી-નીચી હતી. ક્યારેક બોલ અચાનક ઉછળી જતો હતો. પરંતુ ધ્યાનચંદે આવી જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાનું નિયંત્રણ વધુ સારું બનાવ્યું. તેઓ બોલને અલગ-અલગ ઝડપે ચલાવતા હતા. રોકાતા. વળતા. ઝડપથી દિશા બદલતા. તેનાથી તેમને મેચમાં વિરોધીઓને છકાવવામાં મદદ મળી. સેના સાથે તેમને દેશના અનેક ભાગોમાં રમવાની તક મળી. અલગ-અલગ મેદાનો પર રમવાથી તેમનો અનુભવ વધ્યો. તેમણે સમજ્યું કે દરેક મેદાનનો પોતાનો પડકાર હોય છે. </p><h6><b>મેજર ધ્યાનચંદે સંભળાવ્યા હતા કિસ્સાઓ</b></h6><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/RajatJain/status/2093538302976758242"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h6><b>ઓલિમ્પિકમાં ભારતની શાન બની ગયા</b></h6><p>ધ્યાનચંદને આંતરરાષ્ટ્રીય ઓળખ ઓલિમ્પિક રમતોમાંથી મળી. તેમણે 1928ના એમ્સ્ટરડેમ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. ટીમે સુવર્ણ ચંદ્રક જીત્યો. આ સફળતા બાદ ધ્યાનચંદનું નામ દુનિયાભરમાં ચર્ચામાં આવી ગયું. તેમની ગોલ કરવાની ક્ષમતાએ વિદેશી દર્શકોને પણ પ્રભાવિત કર્યા. 1932ના લોસ એન્જલસ ઓલિમ્પિકમાં પણ ભારતીય ટીમે સુવર્ણ ચંદ્રક જીત્યો. તે સમયગાળામાં ભારતની હોકી ટીમ ખૂબ જ મજબૂત માનવામાં આવતી હતી. ધ્યાનચંદ આ ટીમના સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓમાં સામેલ હતા. 1936ના બર્લિન ઓલિમ્પિકમાં તેમને ભારતીય ટીમની કેપ્ટનશિપ મળી. ફાઇનલમાં ભારતનો મુકાબલો જર્મની સામે હતો. વરસાદને કારણે મેદાન ભીનું હતું. આવી સ્થિતિમાં બોલ પર નિયંત્રણ રાખવું મુશ્કેલ હોય છે. પરંતુ ધ્યાનચંદે ટીમનું નેતૃત્વ સંભાળ્યું.</p><p><b>ભારતીય ટીમે જર્મનીને હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો</b></p><p>ભારતીય ટીમે જર્મનીને હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો. આ મેચ સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો છે. કહેવાય છે કે ધ્યાનચંદે મેચ દરમિયાન જૂતા ઉતારી દીધા હતા. ત્યારબાદ તેમણે ઉઘાડા પગે રમવાનું શરૂ કર્યું. ભીના મેદાન પર તેમને બોલ પર વધુ સારું નિયંત્રણ અનુભવાયું. દર્શકોએ જોયું કે એક ખેલાડી જૂતા વગર પણ આખા મેદાનમાં છવાઈ શકે છે. ધ્યાનચંદે આ મેચમાં માત્ર ગોલ જ કર્યા નહોતા. તેમણે સમગ્ર ટીમને સંભાળી હતી. સાથી ખેલાડીઓને પાસ આપ્યા. રમતની દિશા બદલી. કેપ્ટન તરીકે તેમણે ધીરજ જાળવી રાખી.</p><h6><b>પીએમ મોદીએ યાદ કર્યા</b></h6><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/narendramodi/status/2093545214652846299"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><a  target="_blank"></a></p><h6><b>દેશ માટે રમવું એ પદ અને સન્માન કરતાં વધુ મહત્વનું છે</b></h6><p>ધ્યાનચંદે સેનામાં સેવા આપી હતી. તેમણે પોતાની નોકરી અને રમતગમતની જવાબદારીઓ બંનેમાં ફેરફાર કરવો પડ્યો હતો. તેમણે મેદાન પર દેશનું પ્રતિનિધિત્વ કર્યું અને મેદાનની બહાર સૈનિકની ભૂમિકા ભજવી. તેમની રમત લોકપ્રિયતામાં વધારો થયો, જેના કારણે વિદેશમાં પણ તેમને માન મળ્યું. પરંતુ તેમણે ક્યારેય પોતાની સફળતાને ગૌરવનો સ્ત્રોત બનવા દીધી નહીં. એવું કહેવાય છે કે તેઓ પ્રેક્ટિસ દરમિયાન ખૂબ જ ગંભીર હતા. મેદાન પર આવતાની સાથે જ તેમનું સંપૂર્ણ ધ્યાન રમત પર કેન્દ્રિત થઈ ગયું. તેમણે યુવા ખેલાડીઓમાં શિસ્ત અને ટીમ ભાવનાનું મહત્વ પણ સિંચ્યું. ધ્યાનચંદ વ્યક્તિગત રેકોર્ડ પાછળ ન દોડતા. તેઓ ટીમની જીતને વધુ મહત્વપૂર્ણ માનતા હતા. તેઓ બોલને સારી સ્થિતિમાં રહેલા સાથી ખેલાડીને પાસ કરતા. તેમને ગોલ કરવાની તક ગુમાવવી મુશ્કેલ ન લાગી. આ આદત તેમને અન્ય લોકોથી અલગ પાડે છે. તેઓ જાણતા હતા કે હોકી એકલા જીતી શકાતી નથી; તેમાં સમગ્ર ટીમના યોગદાનની જરૂર હોય છે.</p><h6><b>ધ્યાનચંદનો સૌથી મોટો પાઠ</b></h6><p>મેજર ધ્યાનચંદની વાર્તાઓ ફક્ત રોમાંચક વાર્તાઓ નથી. તેઓ સખત મહેનતની શક્તિ, શિસ્તનું મહત્વ, ટીમવર્ક અને દેશભક્તિની ભાવનાને મૂર્તિમંત કરે છે. તેમની હોકીમાં ચોક્કસપણે જાદુ હતો. પરંતુ તે જાદુ કોઈ રહસ્યમય લાકડીમાં નહોતો. તે સખત મહેનતમાં, વ્યવહારમાં, રમતની સમજમાં હતો. મેજર ધ્યાનચંદે સાબિત કર્યું કે સાચી પ્રતિભા અવાજ કરતી નથી; તે મેદાન પર અસર કરે છે. તેથી જ તેમને આજે પણ હોકીના જાદુગર કહેવામાં આવે છે.</p><p><b><a href="https://sandesh.com/" target="_blank">વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/pwL9vy6dS3kb8hQhArQfGEo82EPh5NOqqwEjjuxu.webp'/></item></channel></rss>