<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Vadodaraમાં પત્નીના આપઘાત કેસમાં પતિ સામે ફરિયાદ, દહેજ માટે ત્રાસનો આક્ષેપ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/vadodara/complaint-filed-against-husband-in-vadodara-wifes-suicide-case-allegation-of-torture-for-dowry</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/vadodara/complaint-filed-against-husband-in-vadodara-wifes-suicide-case-allegation-of-torture-for-dowry</guid><pubDate>Wed, 12 Aug 2026 18:48:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા શહેરના જવાહરનગર પોલીસ મથક વિસ્તારમાં બનેલી પરિણીતાના આપઘાતની ઘટનામાં પોલીસે પતિ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક મહિલાના ભાઈ દ્વારા જવાહરનગર પોલીસ સ્ટેશનમાં પોતાની બહેનને આપઘાત માટે મજબૂર કરવા બદલ બહેનનો પતિ વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>દહેજ અને 2 લાખ રૂપિયાની માંગણી સાથે મારપીટ કરવાનો આક્ષેપ</b></h2><p style="text-align: justify; ">મૃતકના ભાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેનો બહેનોઈ તેની બહેન પાસે વારંવાર 2 લાખ રૂપિયાની માગણી કરતો હતો અને દહેજ માટે શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતો હતો. પતિ દ્વારા અવારનવાર કરવામાં આવતી મારપીટ અને અસહ્ય માનસિક ઉત્પીડનથી કંટાળીને અંતે પરિણીતાએ આત્યંતિક પગલું ભરી લીધું હોવાનો ગંભીર આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>જવાહરનગર પોલીસે હાથ ધરી આગળની તપાસ</b></h2><p style="text-align: justify; ">મૃતકના ભાઈની ફરિયાદના આધારે જવાહરનગર પોલીસે પતિ વિરુદ્ધ દહેજ પ્રતિબંધક ધારા તેમજ શારીરિક-માનસિક ત્રાસ આપવાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ ચકચારી કેસમાં પોલીસે બનાવ સ્થળનું નિરીક્ષણ કરી વધુ પુરાવા એકત્રિત કરવાની સાથે આરોપી પતિ સામે આગળની સઘન તપાસ હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો :&nbsp;</b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/bEw1cF1nRdBIQ7qgirFArZo2MkGVixV6KTg2XL0e.webp'/></item><item><title><![CDATA[Rajkot News: એરપોર્ટ ઉપર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે રસ્તો ખુલ્યો, આવતીકાલે ઇમિગ્રેશન ચેકિંગ હાથ ધરાશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/international-flights-closer-as-immigration-check-scheduled-at-hirasar-airport</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/international-flights-closer-as-immigration-check-scheduled-at-hirasar-airport</guid><pubDate>Wed, 12 Aug 2026 18:48:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સૌરાષ્ટ્રવાસીઓ માટે એક આનંદદાયક સમાચાર સામે આવ્યા છે.રાજકોટના હિરાસર સ્થિત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સીધી આંતરરાષ્ટ્રીય વિમાની સેવાઓ શરૂ કરવા માટેનો માર્ગ હવે મોકળો થઈ ગયો છે.રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લાંબા સમયથી હિરાસર એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવા માટે ઉગ્ર માગણી કરવામાં આવી રહી હતી જેનો રસ્તો થઈ રહ્યો છે.આંતરરાષ્ટ્રીય વિમાની સેવાઓ શરૂ કરવાના ભાગરૂપે આવતીકાલે એરપોર્ટ પર ઇમિગ્રેશન ચકાસણી હાથ ધરવામાં આવશે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ફોરેન અફેર્સની સ્પેશિયલ ટીમ હિરાસર એરપોર્ટ ખાતે આવશે</b></h2><p style="text-align: justify; ">આ પ્રક્રિયા માટે અમદાવાદથી ફોરેન અફેર્સની સ્પેશિયલ ટીમ હિરાસર એરપોર્ટ ખાતે આવી પહોંચશે અને ઇમિગ્રેશન સેગમેન્ટની વિસ્તૃત તપાસ કરશે.એરપોર્ટ પર કસ્ટમ્સ ક્લિયરન્સની કામગીરી પહેલાથી જ પૂર્ણ કરી દેવામાં આવી છે.ઇમિગ્રેશન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થતાં જ વિવિધ એરલાઇન્સ કંપનીઓ પોતાની ફ્લાઇટ શિડ્યુલ જાહેર કરીને કામગીરી શરૂ કરી શકશે.રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તમામ મંજૂરીઓ મળતાં જ આગામી દિવાળી પૂર્વે જ એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ધમધમતી થઈ જશે.</p><h3 style="text-align: justify; "><b>વેપાર-ઉદ્યોગને પણ નવો વેગ મળશે</b></h3><p style="text-align: justify; ">ચેમ્બરના સુત્રો પ્રમાણે પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્રના વેપારીઓ અને પ્રવાસીઓની માંગને ધ્યાનમાં રાખીને દુબઈ અને બેંગકોક માટેની સીધી ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.રાજકોટથી જ સીધી વિદેશ જવા માટેની કનેક્ટિવિટી મળવાથી સૌરાષ્ટ્રના લાખો લોકોને મોટો ફાયદો થશે. અત્યાર સુધી વિદેશ જવા માટે અહીંના વેપારીઓ, ઉદ્યોગકારો, ટુરિસ્ટ્સ તેમજ ઇમરજન્સી મેડિકલ સારવાર માટે જતાં દર્દીઓને મુંબઈ કે દિલ્હી સુધીના ધક્કા ખાવા પડતા હતા. રાજકોટથી સીધી આંતરરાષ્ટ્રીય ઉડાન શરૂ થતાં સમય અને પૈસા બંનેની બચત થશે અને વિસ્તારના વેપાર-ઉદ્યોગને પણ નવો વેગ મળશે.<br><br><a href="https://sandesh.com/crime/news/gujarat/vadodara/manjalpur-nude-calling-center-stripchat-app-manish-padhiyar" target="_blank">આ પણ વાંચોઃ Vadodara News: માંજલપુરમાં ન્યૂડ કોલ સેન્ટર ઝડપાયું, 'Stripchat' એપથી ચાલતો હતો ખેલ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/xKSlJRZFWuByKiXfxMxlgZ1NjnyBzE0m2JR48wUS.webp'/></item><item><title><![CDATA[Bharuch News: નર્મદા ચોકડી પાસે ગોઝારો અકસ્માત, કન્ટેનરની ટક્કરે બાઇકસવારનું મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/narmada-chokdi-road-accident-container-hits-bike-one-dead</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/narmada-chokdi-road-accident-container-hits-bike-one-dead</guid><pubDate>Wed, 12 Aug 2026 18:43:31 +05:30</pubDate><description><![CDATA[<p>ભરૂચ શહેરના અત્યંત વ્યસ્ત એવા નર્મદા ચોકડી વિસ્તારમાં એક ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવી રહેલા એક કન્ટેનર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઇક સવાર રસ્તા પર પટકાતાં તેને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.</p><h2><b>બાઇક સવારનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત</b></h2><p>અકસ્માતને પગલે આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો તાત્કાલિક મદદ અર્થે દોડી આવ્યા હતા. જોકે, ગંભીર ઈજાઓ થવાના કારણે બાઇક સવારનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે નર્મદા ચોકડી વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી.</p><p><img alt="Bharuch News: Road Accident at Narmada Chokdi in Bharuch: Bike Rider Dies On Spot" src="https://epapercdn.sandesh.com/images/2026/08/12/VaH5CtyJ1RiOz8985YIJH3QyT3NZdggTTrTioaPf.webp" style="width: 100%;"><br></p><h2><b>ભરૂચ પોલીસ ઘટના સ્થળે દોડી આવી</b></h2><p>બનાવ અંગેની જાણ થતાં જ ભરૂચ પોલીસનો કાફલો ત્વરિત ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે વાહન વ્યવહાર પૂર્વવત કરાવવાની સાથે મૃતકના મૃતદેહનો કબ્જો મેળવીને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. મૃતક યુવક/વ્યક્તિ કોણ છે? તેની ઓળખ મેળવવા અને તેના પરિવારજનોનો સંપર્ક કરવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/crime/news/maru-saher-maru-gaam/bharuch/ankleshwar-gadkhol-anand-vihar-woman-ramilabai-murder-case" target="_blank">Bharuch News: અંકલેશ્વરમાં મહિલાની ધારદાર હથિયારથી ગોઝારી હત્યા, આરોપી ફરાર!</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/sTkvWEARirH1qRgnSuzMmMGwog4NXHYszhlabTOb.webp'/></item><item><title><![CDATA[Botad News: બરવાળા અને રાણપુર પોલીસે ઝડપેલી 1.40 કરોડના દારૂ પર ફેરવાયું રોડ રોલર ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/botad/police-destroys-illegal-liquor-in-timbla</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/botad/police-destroys-illegal-liquor-in-timbla</guid><pubDate>Wed, 12 Aug 2026 18:40:20 +05:30</pubDate><description><![CDATA[<p>બોટાદ જિલ્લાના બરવાળા અને રાણપુર પોલીસ મથક હેઠળ નોંધાયેલા વિવિધ પ્રોહિબિશનના ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા ગેરકાયદે વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવા માટે નામદાર કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. કોર્ટના આદેશ બાદ બરવાળા તાલુકાના ટીંબલા ગામે આવેલી સરકારી ખુલ્લી જગ્યામાં જપ્ત કરાયેલા મુદ્દામાલનો નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.</p><h2><b>રૂ. 1.40 કરોડની કિંમતની 25,000 વિદેશી દારૂની બોટલો પર ફરી વળ્યું રોડ રોલર</b></h2><p>ટીંબલા ખાતે યોજાયેલી આ કામગીરી દરમિયાન બરવાળા અને રાણપુર પોલીસ દ્વારા અલગ-અલગ દરોડામાં પકડવામાં આવેલી નાની-મોટી 25,000 થી વધુ વિદેશી દારૂની બોટલોને વિધિવત રીતે જમીન પર ગોઠવવામાં આવી હતી. ત્યારબાદ તેના પર રોડ રોલર ફેરવીને રૂ. 1.40 કરોડની કિંમતના દારૂના જથ્થાનો સંપૂર્ણપણે નાશ કરી દેવામાં આવ્યો હતો.</p><p><img alt="Botad News: Police Destroys Illegal Liquor Worth ₹1.40 Crore via Road Roller in Timbla" src="https://epapercdn.sandesh.com/images/2026/08/12/zbUxKDg2WeSNdJXX7WpV15TBoKaJPziwbUtSMOTF.webp"><br></p><h2><b>પ્રાંત અધિકારી અને DySP ની પ્રેરક ઉપસ્થિતિમાં હાથ ધરાઈ કામગીરી</b></h2><p>દારૂના મુદ્દામાલના નાશની આ સમગ્ર પ્રક્રિયા પ્રાંત અધિકારી એસ. વી. ચૌધરીની સીધી દેખરેખ હેઠળ પાર પાડવામાં આવી હતી. આ તકે ડીવાયએસપી સહિત બરવાળા અને રાણપુર પોલીસ મથકના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સ્ટાફની ખાસ ઉપસ્થિતિ રહી હતી. તમામ પ્રક્રિયાનું વીડિયો શૂટિંગ અને સરકારી પ્રોટોકોલ મુજબ ચોક્કસ પંચનામું પણ કરવામાં આવ્યું હતું.</p><p><img alt="Botad News: Police Destroys Illegal Liquor Worth ₹1.40 Crore via Road Roller in Timbla" src="https://epapercdn.sandesh.com/images/2026/08/12/v0EKQVPJaainVEQcAOKmKf4DxUoY9cqIXviEA29V.webp"><br></p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/botad/municipality-warns-women-councillors-husbands-against-interfering" target="_blank">Botad News : મહિલા સભ્યના પતિ સામે નગરપાલિકાની લાલ આંખ, વહિવટમાં દખલ નહીં કરવા ચેતવણી</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/M6LxyDBVcBnCmy6qj84WoFjCwcEOgZaDjCJKhMOx.webp'/></item><item><title><![CDATA[Controversy: 'ખાય છે આ દેશનું... પણ લડે છે પાડોશી દેશ માટે', નસીરુદ્દીન શાહ પર કંગનાએ કર્યો પલટવાર ]]></title><link>https://sandesh.com/entertainment/news/kangana-vs-naseeruddin-shah--dog-vs-fox-war-over-bollywood-silence-on-students-protest</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/kangana-vs-naseeruddin-shah--dog-vs-fox-war-over-bollywood-silence-on-students-protest</guid><pubDate>Wed, 12 Aug 2026 18:38:52 +05:30</pubDate><description><![CDATA[<p>બોલીવુડ અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતે પીઢ અભિનેતા નસીરુદ્દીન શાહ વચ્ચે હાલ આક્ષેપ-પ્રતિઆક્ષેપ ચાલી રહ્યા છે. ત્યારે કંગનાએ અભિનેતાના એ નિવેદન પર પલટવાર કર્યો છે કે, જેમા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન અંગે બોલિવૂડના મુખ્ય સ્ટાર્સના મૌન પર સવાલ ઉઠાવ્યા છે.. શાહે કોમેન્ટ કરી હતી કે બોલીવુડના અગ્રણી ચહેરાઓ હવે ચૂપ હોઈ શકે છે, પરંતુ જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તેઓ બોલશે. આ ટિપ્પણીનો તીખો જવાબ આપતા કંગનાએ શાહની દેશભક્તિ અને ઇરાદા પર સીધો પ્રશ્ન ઉઠાવ્યો. તાજેતરમાં, એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેણે પૂછ્યું કે ઝારખંડમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો પર તેઓ કેમ ચૂપ છે અને તેઓ આ બાબતે પોતાનો અભિપ્રાય કેમ વ્યક્ત નથી કરી રહ્યા. તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેર કર્યો જેમાં પિયુષ મિશ્રાનો સમાવેશ થાય છે, જેમણે શાહની ટિપ્પણીઓ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. આ વાતચીત દરમિયાન કંગનાએ નસીરુદ્દીન શાહ પર આકરા પ્રહારો કર્યા, તેમને "શિયાળ" પણ કહ્યા.</p><h4><b>કંગના રનૌતનો વળતો જવાબ</b></h4><p>તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં, કંગનાએ સ્પષ્ટપણે કહ્યું કે સત્ય એ છે કે દરેક વ્યક્તિ કોઈને કોઈ વસ્તુ પ્રત્યે વફાદાર હોય છે. તેણે લખ્યું, "સત્ય એ છે કે દરેક વ્યક્તિ કોઈને કોઈનો કૂતરો હોય છે, પરંતુ મને ગર્વ છે કે હું જે ઘર (દેશ) ની રોટલી ખાઉં છું તેની રક્ષા કરું છું અને તેના માટે લડું છું. જોકે, નસીર સાહેબ આ દેશની રોટલી ખાય છે છતાં પાડોશી દેશ માટે લડે છે. આજના સમયમાં કૂતરો કહેવાવું એ પ્રશંસાથી ઓછું નથી, કારણ કે સુંદરતા અને વફાદારી બંને એકસાથે મળવી દુર્લભ છે. હું નસીરુદ્દીન જેવા 'શિયાળ' કહેવા કરતાં કૂતરો કહેવાનું પસંદ કરીશ." પોતાના મુદ્દાને વધુ વિગતવાર જણાવતા, તેણે ઉમેર્યું કે આજકાલ કોઈને કૂતરો કહેવું એ મૂળભૂત રીતે પ્રશંસા છે, કારણ કે આજકાલ વફાદારી અને નિર્દોષતા કેટલી ઓછી જોવા મળે છે. તેણે સ્પષ્ટપણે કહ્યું કે તે નસીરુદ્દીન શાહ જેવા 'શિયાળ' કરતાં વફાદાર કૂતરો બનવાનું વધુ પસંદ કરશે.<br><img alt="kangna " src="https://epapercdn.sandesh.com/images/2026/08/12/6lhUhgDKluCT4D6yuUb8Jjv3NbUNuBOe8wT77bEs.webp"><br></p><h4><b>નસીરુદ્દીન શાહે બોલિવૂડના મૌન વિશે શું કહ્યું?</b></h4><p>નોંધનીય છે કે, આખો વિવાદ થોડા દિવસો પહેલા શરૂ થયો હતો જ્યારે નસીરુદ્દીન શાહે નવી દિલ્હીમાં 'કોકરોચ જનતા પાર્ટી' ના વિરોધ પ્રદર્શન અંગે બોલિવૂડ કલાકારોના મૌન પર સવાલ ઉઠાવ્યા હતા. 'એક ઈન્ટરવ્યુમાં શાહે ફિલ્મ ઉદ્યોગના અગ્રણી વ્યક્તિઓ પર કટાક્ષ કર્યો, તેમની સરખામણી મોંમાં હાડકું રાખતા કૂતરા સાથે કરી. તેમણે ટિપ્પણી કરી, "તેઓ ત્યારે જ બોલશે જ્યારે તેમનો અંતરાત્મા પરવાનગી આપશે. એક જૂની કહેવત છે કે મોંમાં હાડકું હોય તો તે કૂતરો ભસી શકતો નથી. જે ​​ક્ષણે તેમના મોંમાંથી હાડકું પડી જાય છે અથવા તેનાથી તેમના દાંત તૂટી જાય છે તો તે તરત જ ભસવાનું શરૂ કરી દે છે."</p><h4><b>નસીરુદ્દીન શાહે આપી વધુ એક પ્રતિક્રિયા</b></h4><p>ઇન્ટરવ્યુ દરમિયાન, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમને લાગે છે કે લોકો બીજાના મૌનનો લાભ લઈ રહ્યા છે અને જાણી જોઈને પોતાના અંતરાત્માની અંદર ચાલતી વાતને દબાવવાની વાત કરી રહ્યા છે, ત્યારે શાહે જવાબ આપ્યો, "ચોક્કસ, આવું જ થઈ રહ્યું છે." જોકે, તેમણે ઉમેર્યું, "પરંતુ પ્રશ્ન એ છે: તેઓ ક્યાં સુધી આવું કરી શકશે? સમય જ કહેશે." આ નિવેદન પછી, તેમની અને કંગના વચ્ચે શબ્દયુદ્ધ વધુ તીવ્ર બન્યું છે.<br><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/entertainment/news/atif-aslam-breaks-silence--thank-you-for-the-ban--it-helped-me-find-myself" target="_blank">Atif Aslam: ભારતમાં 10 વર્ષથી પ્રતિબંધ... પાકિસ્તાની સિંગરે તોડ્યું મૌન અને કહ્યું- પ્રતિબંધ લગાવનારાઓનો...</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/LQ6qp9Cv9dQew6ZHLZSjEU5ssteCVCt5SDfSfKT1.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: ગીતામંદિર બસ ટર્મિનલ-2 નોર્થ બ્લોકનું લોકાર્પણ, મુસાફરોને મળશે એરપોર્ટ જેવી સુવિધા ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/gitamandir-bus-terminal-2-north-block-inaugurated-by-harsh-sanghavi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/gitamandir-bus-terminal-2-north-block-inaugurated-by-harsh-sanghavi</guid><pubDate>Wed, 12 Aug 2026 18:38:20 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદના હાર્દસમા ગીતામંદિર વિસ્તારમાં મુસાફરોની સુવિધામાં અભૂતપૂર્વ વધારો કરતા 'બસ ટર્મિનલ-૨ નોર્થ બ્લોક આઈકોનિક બસપોર્ટ' નું આજે સત્તાવાર લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદહસ્તે આ આધુનિક બસ ટર્મિનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.</p><h2><b>આધુનિક બસ ટર્મિનલનું ઉદ્ઘાટન</b></h2><p>ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) અને અમદાવાદ બસ ટર્મિનલ પ્રા.લિ. ના PPP (પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ) પ્રોજેક્ટ હેઠળ આ મોડેલ વિકસાવવામાં આવ્યું છે. કુલ રૂ. 186.67 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ નોર્થ બ્લોક ટર્મિનલમાં મુસાફરોને માત્ર બસ પરિવહન જ નહીં પરંતુ શોપિંગ, ફૂડ અને મનોરંજન સહિતની તમામ સુવિધાઓ એક જ છત નીચે મળશે.</p><h3><b>ટર્મિનલમાં મુસાફરોના આરામ માટે ઉત્તમ વ્યવસ્થા</b></h3><p>આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે અમદાવાદના બે ઐતિહાસિક હેરિટેજ દરવાજાને સહેજ પણ નુકસાન પહોંચાડ્યા વિના આ ટર્મિનલનું સ્થાપત્ય તૈયાર કરવામાં આવ્યું છે. કુલ 4,309 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા આ ટર્મિનલમાં મુસાફરોના આરામ માટે ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં જનરલ વેઇટિંગ હોલમાં 100 બેઠક, મહિલાઓ માટેના સ્પેશિયલ લેડીઝ વેઇટિંગ હોલમાં 75 બેઠક અને ડીલક્સ વેઇટિંગ હોલમાં 25 બેઠકની ક્ષમતા ઉપલબ્ધ કરાવાઈ છે.</p><h3><b>વેપાર અને પાર્કિંગનું નવું કેન્દ્ર</b></h3><p>ટર્મિનલ સંકુલમાં મુસાફરો અને સ્થાનિકો માટે હાઇટેક ફૂડ કોર્ટ તેમજ એકસાથે 130 લોકો જમી શકે તેવી કેન્ટીન બનાવવામાં આવી છે. આ ઉપરાંત commercial દ્રષ્ટિએ 'A', 'B' અને 'C' એમ ત્રણ વિવિધ બ્લોકમાં કુલ 1,448 જેટલી આધુનિક દુકાનો તૈયાર કરાઈ છે. ટ્રાફિક સમસ્યા નિવારવા માટે પાર્કિંગમાં એકસાથે 5,650 ટુ-વ્હીલર અને 806 ફોર-વ્હીલર પાર્ક કરી શકાય તેવી વિશાળ ક્ષમતા પૂરી પાડવામાં આવી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/rajkot/district-cyber-crime-arrests-nigerian-national-from-delhi-in-gift-fraud-case" target="_blank">આ પણ વાંચો: Rajkot: ગિફ્ટ ફ્રોડ આચરનાર નાઇજીરિયન માસ્ટરમાઇન્ડ દિલ્હીથી ઝડપાયો,કિંમતી વસ્તુઓની લાલચ આપી આચરતા હતા કરોડોનું ફ્રોડ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/6lwkXS7SEbJWnDXV0yQBYCetMWExVDuLs8PcC8h8.webp'/></item><item><title><![CDATA[HAL Q1 Results : હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડનો નફો 14.7% વધ્યો, શેરમાં 3%થી વધુ ઉછાળો ]]></title><link>https://sandesh.com/business/news/hal-q1-results-profit-rises-14-7-percent-share-gains</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/hal-q1-results-profit-rises-14-7-percent-share-gains</guid><pubDate>Wed, 12 Aug 2026 18:35:59 +05:30</pubDate><description><![CDATA[<p>સરકારી ડિફેન્સ કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)એ જૂન ક્વાર્ટરમાં બજારની અપેક્ષા કરતાં સારા પરિણામો જાહેર કર્યા છે. કંપનીના નેટ પ્રોફિટ, રેવન્યુ અને EBITDAમાં મજબૂત વૃદ્ધિ નોંધાઈ છે. પરિણામ જાહેર થયા બાદ HALના શેરમાં પણ તેજી જોવા મળી હતી.</p><h2><b>કંપનીની આવક પણ 14.4 ટકા વધી</b></h2><p>જૂન ક્વાર્ટરમાં HALનો નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 14.7 ટકા વધીને રૂ. 1,580 કરોડ થયો છે. બજારને કંપનીના નફા અંગે રૂ. 1,493 કરોડનો અંદાજ હતો. આ રીતે કંપનીએ નફાના મામલે બજારની અપેક્ષાને પાછળ છોડી છે. કંપનીની આવક પણ 14.4 ટકા વધીને રૂપિયા 5,515 કરોડ થઈ છે. બીજી તરફ, જૂન ક્વાર્ટરમાં EBITDA 18.8 ટકા વધીને રૂ. 1,529 કરોડ થયો છે, જ્યારે બજારનો અંદાજ રૂ. 1,358 કરોડનો હતો.</p><h3><b>કેટલો છે શેરનો ભાવ?</b></h3><p>HALનો EBITDA માર્જિન પણ સુધર્યો છે. ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં 26.6 ટકા રહેલો માર્જિન વધીને 27.7 ટકા થયો છે. બજારને 25.8 ટકાના માર્જિનની અપેક્ષા હતી. પરિણામોની જાહેરાત બાદ 12 ઓગસ્ટે HALના શેરમાં 3 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો અને NSE પર શેરે દિવસ દરમિયાન રૂ. 5,055ની ઊંચી સપાટી બનાવી હતી. જોકે ત્યારબાદ થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. બપોરે 2:55 વાગ્યે શેર 1.26 ટકા વધીને રૂ. 4,971 પર ટ્રેડ થઈ રહ્યો હતો.</p><p>HAL ભારતની સરકારી એરોસ્પેસ અને ડિફેન્સ કંપની છે. તે સેનાના ત્રણેય દળો માટે વિમાન, હેલિકોપ્ટર, એન્જિન અને વિવિધ એરોસ્પેસ સિસ્ટમ બનાવે છે. કંપની વિમાન, હેલિકોપ્ટર અને એન્જિનના રિપેર તથા ઓવરહોલિંગનું કામ પણ કરે છે.</p><p><b><a href="https://sandesh.com/business/news/central-government-disinvestment-irctc-hindustan-zinc-copper-mazagon-dock-ofs" target="_blank">આ પણ વાંચો : Central Government Disinvestment : આ કંપનીઓમાં પોતાની ભાગીદારી ઘટાડવાની તૈયારીમાં સરકાર, શેરના ભાવમાં જોવા મળી શકે અસર</a></b></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/DhbFWTTgW9MteFdGoQyCPIT4YHuvHCfSijVwSsUe.webp'/></item><item><title><![CDATA[Indian Navyના યુદ્ધ જહાજ પર લાગશે 'કામિકાઝે ડ્રોન', 15,000 કરોડની થશે ડીલ ]]></title><link>https://sandesh.com/india/news/indian-navy-ship-launched-kamikaze-drones-loitering-munitions-deal</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/indian-navy-ship-launched-kamikaze-drones-loitering-munitions-deal</guid><pubDate>Wed, 12 Aug 2026 18:14:46 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય નૌકાદળની લાંબા અંતરની હુમલાની ક્ષમતા વધારવા માટે સંરક્ષણ મંત્રાલયે જહાજ પરથી લોન્ચ થઈ શકે તેવી લોઈટરિંગ મ્યુનિશન સિસ્ટમ માટે રિક્વેસ્ટ ફોર ઈન્ફોર્મેશન (RFI) જાહેર કરી છે. આ સિસ્ટમ ડ્રોન અને મિસાઈલની સંયુક્ત ક્ષમતા ધરાવતી હશે અને તેને 'કામિકાઝે ડ્રોન' જેવી સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે.</p><h2><b>લક્ષ્ય વિસ્તારની આસપાસ નજર રાખવાની ક્ષમતા</b></h2><p>મળતી માહિતી અનુસાર, પ્રસ્તાવિત સિસ્ટમની લઘુત્તમ રેન્જ 1,000 કિલોમીટર હોવી જોઈએ. તે દરિયાઈ જહાજો ઉપરાંત જમીન પરના લક્ષ્યો સામે પણ કાર્યવાહી કરી શકે તેવી ક્ષમતા ધરાવશે. સિસ્ટમમાં લાંબા સમય સુધી લક્ષ્ય વિસ્તારની આસપાસ નજર રાખવાની ક્ષમતા પણ માગવામાં આવી છે. RFIમાં સિસ્ટમ માટે અનેક તકનીકી માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. તેમાં ક્રૂઝિંગ સ્પીડ 75 નોટથી વધુ અને અંતિમ હુમલા સમયે ઝડપ 200 નોટથી વધુ હોવાની જરૂરિયાત સામેલ છે. ઉપરાંત, ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ અને ઈન્ફ્રારેડ (EO/IR) સીકરથી દિવસ અને રાત્રે લક્ષ્ય શોધવાની તથા ચોકસાઈથી કાર્યવાહી કરવાની ક્ષમતા હોવી જરૂરી રહેશે.</p><h3><b>સ્વદેશી ઉત્પાદનને પ્રાથમિકતા&nbsp;</b></h3><p>આ પ્રોજેક્ટમાં ભારતીય ઉદ્યોગ અને સ્વદેશી ઉત્પાદનને પ્રાથમિકતા આપવામાં આવવાની શક્યતા છે. ડિફેન્સ ક્ષેત્રમાં કાર્યરત કેટલીક ભારતીય કંપનીઓ આ પ્રકારની ટેક્નોલોજી પર પહેલેથી કામ કરી રહી છે. RFIનો મુખ્ય હેતુ ઉદ્યોગ પાસેથી તકનીકી માહિતી મેળવવાનો અને ઉપલબ્ધ સિસ્ટમ અંગે જાણકારી મેળવવાનો છે, ત્યારબાદ આગળની ખરીદી પ્રક્રિયા હાથ ધરાઈ શકે છે.</p><h4><b>યોગ્ય લક્ષ્ય પસંદ કર્યા બાદ હુમલો કરી શકે છે</b></h4><p>લોઈટરિંગ મ્યુનિશન પરંપરાગત ડ્રોન અને મિસાઈલ વચ્ચેની ટેક્નોલોજી માનવામાં આવે છે. તે લક્ષ્ય વિસ્તાર સુધી પહોંચી થોડા સમય માટે નજર રાખી શકે છે અને યોગ્ય લક્ષ્ય પસંદ કર્યા બાદ હુમલો કરી શકે છે. નૌકાદળ માટે જહાજ આધારિત લાંબા અંતરની આ ક્ષમતા ભવિષ્યની દરિયાઈ સુરક્ષા અને ઓપરેશનલ ક્ષમતાને વધુ મજબૂત બનાવી શકે છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/cjp-founder-abhijit-dipke-jantar-mantar-season-2-announcement" target="_blank">આ પણ વાંચો : CJPના ફાઉન્ડર અભિજીત દીપકેની મોટી જાહેરાત કહ્યું 'જંતર-મંતર સીઝન-2 ટૂંક સમયમાં શરૂ થશે'</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/RFalWOYWteEU4K9HfVfjJSiXaeB5lC0ynyWWucFq.webp'/></item><item><title><![CDATA[Weather Alert: દિલ્હી-યુપીથી લઈને એમપી સુધી મેઘરાજાની તોફાની બેટિંગ, આ રાજ્યોમાં IMDનું રેડ-ઓરેન્જ એલર્ટ ]]></title><link>https://sandesh.com/india/news/monsoon-2026/weather-alert-stormy-weather-from-delhi-up-to-mp-imd-issues-red-orange-alert-in-these-states</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/monsoon-2026/weather-alert-stormy-weather-from-delhi-up-to-mp-imd-issues-red-orange-alert-in-these-states</guid><pubDate>Wed, 12 Aug 2026 17:10:31 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">IMDએ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે. જેમાં કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડશે.&nbsp;</p><h2 style="text-align: justify; ">ઉત્તર બંગાળની ખાડીમાં દબાણ</h2><p style="text-align: justify; ">ભારતીય હવામાન વિભાગે 13 ઓગસ્ટના રોજ અનેક રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની ચેતવણી જારી કરી હતી. ધ્યાન પશ્ચિમ બંગાળ અને ઓડિશા પર કેન્દ્રિત છે. જ્યાં કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે. દરમિયાન, દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર અને ઝારખંડમાં પણ હવામાન બદલાવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળ-બાંગ્લાદેશ કિનારાની નજીક ઉત્તર બંગાળની ખાડીમાં એક નીચા દબાણનો વિસ્તાર સક્રિય છે.&nbsp;</p><h3 style="text-align: justify; ">વરસાદની પ્રવૃત્તિમાં વધારો થવાની શક્યતા&nbsp;</h3><p style="text-align: justify; ">આગામી 12 કલાકમાં તે વધુ મજબૂત થવાની ધારણા છે. આ સિસ્ટમ પછી ડિપ્રેશનમાં તીવ્ર બની શકે છે અને આગામી 24 કલાકમાં પશ્ચિમ બંગાળ અને આસપાસના બાંગ્લાદેશી વિસ્તારો તરફ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી શકે છે. આ સિસ્ટમની અસરો પૂર્વી અને મધ્ય ભારતના ઘણા રાજ્યોમાં વરસાદના સ્વરૂપમાં અનુભવાઈ શકે છે. આ ઉપરાંત, ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં એક નીચા દબાણનો વિસ્તાર રચાયો છે. આનાથી મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને આસપાસના વિસ્તારોમાં વરસાદની પ્રવૃત્તિમાં વધારો થઈ શકે છે.</p><h4 style="text-align: justify; ">ભારે વરસાદની આગાહી&nbsp;</h4><p style="text-align: justify; ">આગામી દિવસોમાં પૂર્વી ઉત્તર પ્રદેશમાં વરસાદી ગતિવિધિઓ વધુ વધી શકે છે. IMD એ 14 થી 18 ઓગસ્ટ દરમિયાન પૂર્વી ઉત્તર પ્રદેશમાં ઘણી જગ્યાએ વરસાદની આગાહી કરી છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 14 થી 17 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની પણ અપેક્ષા છે. આનાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે અને સ્થાનિક ટ્રાફિક ખોરવાઈ શકે છે. પર્વતીય રાજ્ય ઉત્તરાખંડમાં હવામાન વધુ પડકારજનક બની શકે છે. 13 ઓગસ્ટે રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે, કેટલાક સ્થળોએ વાવાઝોડાની શક્યતા છે. 15 અને 18 ઓગસ્ટે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.&nbsp;</p><h5 style="text-align: justify; ">દક્ષિણ ભારતમાં વરસાદની આગાહી&nbsp;</h5><p style="text-align: justify; ">મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવામાં 12 થી 15 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. 13 ઓગસ્ટ અને 15-16 ઓગસ્ટે મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. ૧૨ અને ૧૪ ઓગસ્ટે કેટલાક વિસ્તારોમાં ખૂબ ભારે વરસાદ પણ શક્ય છે. દક્ષિણ ભારતના કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને રાયલસીમાના ઘણા વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ ચાલુ રહેશે. 12 થી 18 ઓગસ્ટ દરમિયાન દરિયાકાંઠાના કર્ણાટક અને કેરળમાં વ્યાપક વરસાદની આગાહી છે.</p><h6 style="text-align: justify; ">આસામ-મેઘાલયમાં ભારે વરસાદની શક્યતા&nbsp;</h6><p style="text-align: justify; ">તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં 12 થી 14 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. 13-14 ઓગસ્ટના રોજ કેરળ અને માહેમાં ભારે વરસાદની આગાહી છે. દરિયાકાંઠાના અને આંતરિક કર્ણાટકમાં પણ ભારે પવન અને વાવાઝોડા સાથે ભારે વરસાદ પડી શકે છે. 12 થી 18 ઓગસ્ટ દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને અન્ય ઉત્તરપૂર્વીય રાજ્યોમાં વ્યાપક વરસાદની આગાહી છે. 13 ઓગસ્ટના રોજ અરુણાચલ પ્રદેશ અને આસામ-મેઘાલયમાં ભારે વરસાદની શક્યતા છે. 15 થી 18 ઓગસ્ટ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ખૂબ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/knowledge/news/india/air-india-pilot-marijuana-drug-case-what-tests-are-done-on-pilots-before-flying-a-plane-know" target="_blank">વિમાન ઉડાડતા પહેલા પાયલટ્સના કયા થાય છે પરીક્ષણો?, જાણો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/fgfQDz5gYMqwLd49fLBgbVwAuiBUy3CKLYXBr0Vi.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News : શક્તિદૂત 2.0નો ભવ્ય પ્રારંભ, 799 ખેલાડીઓને અપાશે એવોર્ડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/sports/gandhinagar/gandhinagar-news-shaktidoot-20-grand-launch-799-players-will-be-awarded</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/sports/gandhinagar/gandhinagar-news-shaktidoot-20-grand-launch-799-players-will-be-awarded</guid><pubDate>Wed, 12 Aug 2026 15:44:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેલાડીઓને વૈશ્વિક મંચ પર પહોંચાડવા માટે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતેથી ‘શક્તિદૂત 2.0’ યોજનાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રીના વરદ હસ્તે આ યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં રાજ્યના રમતગમત માળખાને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી રૂ. 388 કરોડના વિવિધ વિકાસકામોના ઈ-ભૂમિપૂજન અને ઈ-લોકાર્પણ કરવામાં આવ્યા હતા. આ સાથે જ ખેલાડીઓની સુવિધા માટે આધુનિક રમત સંકુલ અને ડિજિટલ લાઇબ્રેરીની પણ ભેટ રાજ્યને અર્પણ કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>ખેલાડીઓ પર પુરસ્કારોનો વરસાદ</b></h2><p style="text-align: justify; ">આ પ્રસંગે રાજ્યનું નામ રોશન કરનાર 799 ઉત્કૃષ્ટ ખેલાડીઓને વિશેષ એવોર્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શક્તિદૂત યોજનાએ રાજ્યના રમતવીરોને વૈશ્વિક ઓળખ અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જેના પરિણામે ગુજરાતના ખેલાડીઓએ અત્યાર સુધીમાં રાષ્ટ્રીય કક્ષાએ 831 એવોર્ડ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ 773 એવોર્ડ મેળવીને રાજ્ય તથા દેશનું ગૌરવ વધાર્યું છે.</p><h2 style="text-align: justify; "><b>આર્થિક સહાયમાં મોટો વધારો</b></h2><p style="text-align: justify; ">રમતવીરોને ઉત્કૃષ્ટ કોચિંગ, આધુનિક સાધનો અને આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ વિના કોઈ અવરોધે મળી રહે તે માટે સરકારે આ યોજના હેઠળ અપાતી આર્થિક સહાયમાં મોટો વધારો કર્યો છે. હવે શક્તિદૂત યોજના હેઠળ ખેલાડીઓને મળતી નાણાકીય સહાયની રકમ વધારીને રૂ. 50 લાખ સુધી કરી દેવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી આગામી સમયમાં ઓલિમ્પિક્સ સહિતની વૈશ્વિક સ્પર્ધાઓમાં ગુજરાતના ખેલાડીઓ વધુ ઝડપથી સફળતાના શિખરો સર કરશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kheda/farmers-demand-compensation-for-paddy-crop-damage-in-nadiad" target="_blank">Kheda News: નડિયાદના હાથનોલી ગામના ખેડૂતો બગડેલી ડાંગર લઈ કલેક્ટર કચેરી પહોંચ્યા</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/qte2i7qUmUitaSGr4hFSCLvtRJj7AUsJyM8dprmU.webp'/></item></channel></rss>