<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Patan: રાધનપુરમાંથી મોબાઈલ ફોન હપ્તા પેટે લઈ ખોટુ AI બીલ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/patan/patan-scam-of-taking-mobile-phones-on-installments-and-creating-false-ai-bills-exposed-from-radhanpur</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/patan/patan-scam-of-taking-mobile-phones-on-installments-and-creating-false-ai-bills-exposed-from-radhanpur</guid><pubDate>Mon, 14 Sep 2026 05:16:59 +05:30</pubDate><description><![CDATA[<p>પાટણના રાધનપુરમાં છેલ્લા કેટલાક સમયથી મોબાઈલ ફોનની દુકાનો પરથી ફાયનાન્સ કંપનીના હપ્તા પેટે મોબાઈલ ફોનની ખરીદી કર્યા બાદ તેના હપ્તા નહીં ભરાતાં હોવા સહિત મોબાઈલ ફોન લોક થઈ જતાં ખોટાબીલો રજું કરીને કસ્ટમર કેરમાંથી મોબાઈલ ફોનનો લોક ખોલાવી દેવાતો હોવાની થોડા સમય પહેલા જ રાધનપુરમાં મોબાઈલ ફોનના દુકાન ધારકોએ રજુઆત કરી હતી. જેની તપાસ દરમિયાન પાટણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવામાં સફ્ળતા મળી છે. એસ.ઓ.જી પોલીસે કૌભાંડમાં સામેલ પાંચ આરોપીઓને દબોચીને તેમની પાસેથી રૂ. 2.65 લાખની કિંમતના 9 નંગ મોબાઈલ ફોન જપ્ત કરી વધુ તપાસ માટે રાધનપુર પોલીસને હવાલે કર્યા છે.</p><p>રાધનપુરમાં ફાયનાન્સ કંપનીની લોન દ્વારા હપ્તા પેટે લેવાયેલા મોબાઈલ ફોનના હપ્તા નહીં ભરી અને હપ્તા ન ભરતા મોબાઈલ ફોન લોક થઈ જતાં તેનું AI જનરેટર ખોટા બીલો બનાવી મોબાઈલ ફોનનો લોક પણ ખોલાવી દેવાતો હોવાની રાવ ઉઠવા પામી હતી. જેને લઈ પાટણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ જયદીપસિંહ સોલંકીએ ટીમ બનાવી આરોપીઓ સુધી પહોંચવા માટે ક્વાયત હાથ ધરી હતી. તેવામાં બાતમી મળી હતી કે કેટલાક શખ્સો કાવતરૂં રચી મોબાઈલ લેવા ઈચ્છુક લોકોને વિશ્વાસમાં લઈ સામાન્ય રકમની લાલચ આપી લોનના હપ્તા નહીં ભરવાના ઈરાદે જુદી જુદી મોબાઈલ ફોનની દુકાનોમાંથી લોનથી મોબાઈલો અપાવી ખોટા બીલો બનાવી જે કંપનીના સર્વિસ સેન્ટરમાં રજુ કરી ખરા તરીકે ઉપયોગ કરી હપ્તાથી લીધેલા મોબાઈલ ફોનો ફાયનાન્સ કંપની બંધ કરે તે પહેલાં જ ફાયનાન્સ કંપનીની એપ્લિકેશનો કંપની બંધ કરાવવા અને મોબાઈલ ફોન ચાલુ રહે તે માટે લોક ખોલાવીને હપ્તા પેટે લીધેલા ફોનનું વેચાણ કરવામાં આવતું હોવાનું ધ્યાને આવતાં જ એસ.ઓ.જી પીઆઈ જયદીપસિંહ સોલંકીની ટીમે કૌભાંડમાં સામેલ સમીરખાન બાપજીરાજ મલેક, મહંમદખાન અબ્દુલજબ્બાર નાગોરી, બાબુભાઈ ઉકાભાઈ ઠાકોર તથા કિશન વશરામભાઈ ઠાકોર અને નવીન હેમચંદભાઈ ઠાકોરને ઝડપી પાડીને તેમની પાસેથી રૂ. 2.65 લાખની કિંમતના 9 નંગ મોબાઈલ ફોન જપ્ત કરી વધુ તપાસ માટે રાધનપુર પોલીસને હવાલે કર્યા છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/etwtWXkF12ZuXBTs9BQkFdKhH7lrZJx5po5v6R2x.webp'/></item><item><title><![CDATA[Bardoli: તાલુકામાં પર્વધિરાજ પર્યુષણ પર્વની ભકિતપૂર્વક આરાધના ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bardoli/bardoli-devotional-worship-of-parvadhiraj-paryushan-festival-in-the-taluka</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bardoli/bardoli-devotional-worship-of-parvadhiraj-paryushan-festival-in-the-taluka</guid><pubDate>Mon, 14 Sep 2026 05:16:02 +05:30</pubDate><description><![CDATA[<p>જૈન સમાજના સૌથી મોટા અને પવિત્ર પર્યુષણ મહાપર્વની બોડેલી તેમજ આસપાસના ગામોમાં ભક્તિભાવપૂર્વક આરાધના ચાલે છે. બોડેલીના શ્રી વર્ધમાન જૈન આશ્રમ તથા શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ ખાતે મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ દરરોજ જિનપ્રભુની પૂજા, જપ-તપ, પ્રતિક્રમણ, વ્યાખ્યાન, ભક્તિભાવના, આરતી અને પ્રભુજીની આંગી સહિત વિવિધ ધાર્મિક આરાધનામાં જોડાઈ રહ્યા છે.</p><p>પર્યુષણ પર્વના પ્રથમ ત્રણ દિવસ અષ્ટાહિનકા વ્યાખ્યાન યોજાયા હતા. ચોથા દિવસે શ્રી કલ્પસૂત્રનું વાંચન કરાયું હતું. જ્યારે પાંચમા દિવસે માતા ત્રિશલાજીને આવેલા ચૌદ સ્વપ્નોના દર્શન કરાવ્યા હતા. ભગવાન મહાવીર સ્વામીને પારણામાં ઝુલાવ્યા હતા. આ પ્રસંગે લક્ષ્મીજીના લાભનો લાભ જસવંતલાલ સોમચંદ શાહ પરિવાર દ્વારા લેવાયો હતો. તેમજ શ્રી પ્રભુજીના પારણાંનો લાભ શ્રી વર્ધમાન જૈન આશ્રમના વિદ્યાર્થીઓએ (હસ્તે દિનેશભાઈ વકરભાઈ) લીધો હતો. સાથે રાત્રિ જાગરણનું પણ આયોજન કરાયું હતું.</p><p>શ્રાવક-શ્રાવિકાઓ દ્વારા વિવિધ પ્રકારના તપ અને ધાર્મિક આરાધના કરાય છે. આશ્રમ તથા શ્રી સંઘના તપસ્વી શ્રાવકો દ્વારા અઠ્ઠાઈ સહિતના કઠિન તપ કરાઇ રહ્યા છે. આગામી 15 સપ્ટેમ્બર, 2026ના રોજ સંવત્સરી પર્વની ઉજવણી કરાશે. જ્યારે 16 સપ્ટેમ્બર, 2026ના રોજ ભવ્ય રથયાત્રાનું આયોજન શ્રી પરમાર ક્ષત્રિય જૈન ધર્મ પ્રચારક સભા તથા શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, બોડેલી દ્વારા કરાયું છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/nngOIkm7Tp7kFLih9Iq3y2vPD7siSRULoKRSvsIg.webp'/></item><item><title><![CDATA[Vadodara: ગુતાલ ગામે રામદેવજીના દર્શને ભાવિકો ઊમટયાં ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-devotees-throng-to-have-darshan-of-ramdevji-in-gutal-village</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-devotees-throng-to-have-darshan-of-ramdevji-in-gutal-village</guid><pubDate>Mon, 14 Sep 2026 05:15:03 +05:30</pubDate><description><![CDATA[<p>વાઘોડિયા : વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામે રામદેવજી મહારાજના મંદિરે ભાદરવા સુદ બીજના દિવસે રામદેવજી મહારાજના દર્શન કરવા માટે તાલુકાના તેમજ જિલ્લા બહારના પણ દર્શનાથીઓ આ મંદિરે દર્શન કરવા માટે ઊમટી પડે છે. મંદિરે ભવ્ય ભંડારાનું પણ આયોજન કરાય છે. જેનો પણ શ્રદ્ધાળુઓ લાભ લે છે. ભાદરવા સુદ બીજના દિવસે રામદેવજી મહારાજના દર્શન કરવા માટે દૂર-દૂરથી પણ શ્રદ્ધાળુઓ આસ્થા સાથે પગપાળા ચાલીને ગુતાલ ગામે મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/Rz9kFAZZ4j8RphNSXK5CjUGX98EaDJLfuDcZFTzh.webp'/></item><item><title><![CDATA[Bagodra: અમદાવાદ - રાજકોટ હાઈવે પર ભોગાવા બ્રિજ પાસે ટ્રક પલટતા ત્રણ કિમીનો ટ્રાફિક જામ : બંને સાઈડ વાહનચાલકો કલાકો સુધી અટવાયા ! ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/bagodra-three-km-traffic-jam-after-truck-overturns-near-bhogawa-bridge-on-ahmedabad-rajkot-highway-drivers-on-both-sides-stuck-for-hours</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/bagodra-three-km-traffic-jam-after-truck-overturns-near-bhogawa-bridge-on-ahmedabad-rajkot-highway-drivers-on-both-sides-stuck-for-hours</guid><pubDate>Mon, 14 Sep 2026 05:14:39 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર બગોદરા ટોલ નાકાની પાસે આવેલા ભોગાવા બ્રિજની છેડા પર શનિવારે મોડી રાતે ટ્રક પલટી પડતાં એક તરફ્નો માર્ગ બ્લોક થઈ ગયો હતો. જેના પગલે બગોદરા તરફ્ અંદાજે ત્રણ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી જતાં હાઈવેની બંને સાઈડના વાહનચાલકોને રવિવારે સવારે 10 વાગ્યાના સમયગાળા સુધી ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ ભોગાવા બ્રિજની છેડે એક ભારે ટ્રક પલટી મારી જતાં હાઈવે પરનો એક તરફ્નો માર્ગ સંપૂર્ણપણે અવરોધાયો હતો. ઘટનાની જાણ થતાં બગોદરા પોલીસ તેમજ અમદાવાદ જિલ્લા ટ્રાફ્કિ પોલીસનો કાફ્લો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે ક્રેનની મદદથી પલટી પડેલી ટ્રકને હટાવવાની કામગીરી હાથ ધરી ટ્રાફ્કિ વ્યવસ્થા પૂર્વવત કરવા પ્રયાસો કર્યા હતા. ટ્રાફ્કિજામ દરમિયાન કેટલાક વાહનચાલકો રોંગ સાઈડમાં વાહનો હંકારી જતા પોલીસ દ્વારા આવા વાહનચાલકો સામે કાર્યવાહી કરી દંડ પણ ફ્ટકારવામાં આવ્યો હતો.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/HK135B9HYOejgk601hXtEq9LGFJTRWMP1ofLvzMc.webp'/></item><item><title><![CDATA[Surat: પી. પી. સવાણી હોસ્ટેલમાં ફૂડ સેફ્ટીનું ચેકિંગ, 800 જેટલા વિદ્યાર્થીઓને અસર થયાનો સનસનીખેજ દાવો ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/pp-savani-hostel-food-poisoning-smc-food-safety-team-inspection</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/pp-savani-hostel-food-poisoning-smc-food-safety-team-inspection</guid><pubDate>Sun, 13 Sep 2026 23:21:29 +05:30</pubDate><description><![CDATA[<p>સુરતના અબ્રામા ખાતે આવેલી જાણીતી ‘પી. પી. સવાણી ગર્લ્સ હોસ્ટેલ’માં ઘટેલી ફૂડ પોઇઝનિંગની ગંભીર ઘટના બાદ સુરત મહાનગરપાલિકાનો ફૂડ સેફ્ટી વિભાગ હરકતમાં આવ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ફૂડ સેફ્ટી ઓફિસર અને તેમની ટીમ તાત્કાલિક હોસ્ટેલના મુખ્ય મેસ (રસોડા) ખાતે દોડી આવી હતી અને સઘન તપાસ હાથ ધરી હતી.</p><h2><b>હોસ્ટેલમાં ફૂડ સેફ્ટી વિભાગની કાર્યવાહી</b></h2><p>તપાસ દરમિયાન મનપાની ટીમે વિદ્યાર્થીઓને પીરસવામાં આવેલા ભોજન પૈકી ભાખરી, દાળ અને છાશ ના સેમ્પલ કબ્જે કરીને તેને પૃથક્કરણ અર્થે સ્ટેટ ફૂડ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. લેબ રિપોર્ટ આવ્યા બાદ ખોરાકની ગુણવત્તા અને તેમાં રહેલા દૂષિત તત્વો અંગે સ્પષ્ટતા થશે.તપાસ દરમિયાન હોસ્ટેલના વિદ્યાર્થીઓએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, હોસ્ટેલ તંત્ર ભલે ઓછી સંખ્યા બતાવતું હોય પરંતુ ફૂડ પોઇઝનિંગની ઝેરી અસર 600 થી 800 જેટલા વિદ્યાર્થીઓને થઈ હતી અને અનેક વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી.</p><h3><b>ટીમે સ્થળ પર પહોંચી ભોજનના સેમ્પલ લીધા</b></h3><p>બીજી તરફ, આ સમગ્ર બાબતે સુરત મનપાના ફૂડ સેફ્ટી ઓફિસરે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, "અમને આ ઘટના અંગેની પ્રાથમિક માહિતી મીડિયાના માધ્યમથી પ્રાપ્ત થઈ હતી. માહિતી મળતાં જ અમારી ટીમે સ્થળ પર પહોંચી ભોજનના સેમ્પલ લીધા છે. લેબોરેટરીમાંથી જે પણ રિઝલ્ટ (રિપોર્ટ) આવશે તે આધારે હોસ્ટેલ સંચાલકો અને મેસ કોન્ટ્રાક્ટર સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે."</p><p><b><a href="https://sandesh.com/india/news/manipur-violence-tamenglong-4-killed-child-injured-in-fresh-attack" target="_blank">આ પણ વાંચો: India: મણિપુરમાં બે અલગ-અલગ હુમલામાં દંપતી સહિત 4 લોકોની નિર્મમ હત્યા, 6 વર્ષના બાળકને ગોળી વાગી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/13/Fu2ZPVp6sIc2ktY53AiEN1PS55mOT7nyZmCN1wu3.webp'/></item><item><title><![CDATA[India: મણિપુરમાં બે અલગ-અલગ હુમલામાં દંપતી સહિત 4 લોકોની નિર્મમ હત્યા, 6 વર્ષના બાળકને ગોળી વાગી ]]></title><link>https://sandesh.com/india/news/manipur-violence-tamenglong-4-killed-child-injured-in-fresh-attack</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/manipur-violence-tamenglong-4-killed-child-injured-in-fresh-attack</guid><pubDate>Sun, 13 Sep 2026 23:04:43 +05:30</pubDate><description><![CDATA[<p>મણિપુરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો વચ્ચે તામેંગલોંગ જિલ્લામાં રવિવારે ફરી એકવાર સશસ્ત્ર હુમલાખોરોએ રક્તપાત આચર્યો છે. પહેલી ઘટના તામેંગલોંગના કૈમાઈ પોલીસ સ્ટેશન હેઠળના ટોલોન ગામમાં સવારે આશરે 5:30 વાગ્યાના સુમારે બની હતી. સશસ્ત્ર ગુનેગારોએ એક પરિવાર પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં 46 વર્ષીય મહિલા લિંગઝાંગાઈ સિંગસિતનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.</p><h2><b>મણિપુરમાં ફરી લોહિયાળ હિંસા</b></h2><p>જ્યારે તેમના પતિ સેનેહ સિંગસિત અને 6 વર્ષના માસૂમ પુત્રને ગંભીર રીતે ગોળી વાગી હતી. ઘાયલ પિતા-પુત્રને સારવાર અર્થે પાડોશી રાજ્ય આસામની સિલચર મેડિકલ કોલેજ લઈ જવામાં આવી રહ્યા હતા, પરંતુ રસ્તામાં જ પતિ સેનેહ સિંગસિતનું પણ કરુણ મોત નીપજ્યું હતું. 6 વર્ષના બાળકની હાલત હજુ પણ ગંભીર જણાવાઈ રહી છે અને તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.</p><h3><b>હુમલાખોરોએ દંપતી સહિત 4 લોકોની કરી નિર્મમ હત્યા</b></h3><p>પ્રથમ ઘટનાના ગણતરીના કલાકો બાદ જ, બપોરે આશરે 3:00 વાગ્યાના અરસામાં નુંગબા પોલીસ સ્ટેશન ક્ષેત્રના લોંગપી ગામમાં બીજો હુમલો થયો હતો. જેમાં લોંગપી ગામના રહીશ જિલી સિંગસિન અને રેયોલ ગેંગટે નામના બે લોકોના મોત થયા હતા. કુકી સંગઠન 'વેસ્ટર્ન વિલેજ વોલેન્ટિયર્સ' (WVV) ના પ્રવક્તા ઓબેન સિંગસને નિવેદન આપતાં આરોપ લગાવ્યો છે કે, આ હુમલો નાગા ઉગ્રવાદી જૂથો NSCN-IM અને ZUF-K ના સભ્યો દ્વારા કરવામાં આવ્યો હતો.</p><h4><b>6 વર્ષના માસૂમ બાળકને ગોળી વાગતાં સારવાર હેઠળ</b></h4><p>હત્યા બાદ હુમલાખોરો ગામના સેન્ટર તરફ આગળ વધ્યા હતા, પરંતુ સ્થાનિક ગ્રામીણ વોલેન્ટિયર્સ સાથેના વળતા ગોળીબાર બાદ તેઓને પીછેહઠ કરવાની ફરજ પડી હતી. પોલીસ સ્ટેશનથી 30 કિલોમીટર દૂર અને ખરાબ રસ્તા ધરાવતા વિસ્તારમાં આ ઘટના બની હોવાથી પોલીસે ઘટનાસ્થળે પહોંચી સઘન તપાસ અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.</p><p><b><a href="https://sandesh.com/world/news/brics-summit-2026-iran-uae-meeting-trump-reaction-new-delhi-declaration" target="_blank">આ પણ વાંચો: BRICS Summit 2026: ઈરાન-UAE નેતાઓની બેઠક પર ટ્રમ્પને લાગ્યા મરચા-કહ્યું મને કોઈ ફર્ક નથી પડતો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/13/V2DA340Bx9SnOB1htBOCz4Ufeo8TY6UPFAbPpuIv.webp'/></item><item><title><![CDATA[Indian Air Forceએ નિવૃત્ત અધિકારી નારાયણ રામકૃષ્ણનનો 100મો જન્મદિવસ ઉજવ્યો ]]></title><link>https://sandesh.com/india/news/indian-air-force-veteran-narayan-ramakrishnan-100th-birthday-celebration</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/indian-air-force-veteran-narayan-ramakrishnan-100th-birthday-celebration</guid><pubDate>Sun, 13 Sep 2026 19:40:25 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય વાયુસેનાએ પોતાના વરિષ્ઠ નિવૃત્ત અધિકારી MWO (HFO) નારાયણ રામકૃષ્ણનનો 100મો જન્મદિવસ અત્યંત ગૌરવપૂર્ણ રીતે ઉજવ્યો છે. વાયુસેનામાં અપ્રતિમ સમર્પણ, શિસ્ત અને પ્રતિષ્ઠા સાથે સેવા આપનાર આ વીર જવાનના સદી લાંબા જીવન અને તેમની નિષ્ઠાવાન દેશસેવાની વિરાસતને સન્માનિત કરવામાં આવી હતી.</p><h2><b>વર્ષ 1981માં વાયુસેનામાંથી થયા હતા નિવૃત્ત</b></h2><p>નારાયણ રામકૃષ્ણન વર્ષ 1981માં ભારતીય વાયુસેનામાંથી પોતાની દીર્ઘ અને ગૌરવશાળી સેવા પૂરી કરીને નિવૃત્ત થયા હતા. વાયુસેનામાં તેમના કાર્યકાળ દરમિયાન આપેલા મહત્વપૂર્ણ યોગદાન અને ઉત્કૃષ્ટ સેવાઓને આજે પણ વાયુસેના પરિવાર શ્રદ્ધા અને ગૌરવ સાથે યાદ કરે છે.</p><p><img alt="Indian Air Force: IAF Celebrates 100th Birthday of Veteran MWO (HFO) Narayan Ramakrishnan" src="https://epapercdn.sandesh.com/images/2026/09/13/WQhIzRLzx2U1OrjdhMtvOUVTH45pE1kO7GMt89pt.webp"><br></p><h2><b>શતાબ્દી ઉજવણીમાં ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા</b></h2><p>તેમના આ 100મા જન્મદિવસની ભવ્ય ઉજવણીમાં ભારતીય વાયુસેનાના ચીફ ઓફ ધ એર સ્ટાફ (CAS) સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ અને પૂર્વ સૈનિકો વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ નારાયણ રામકૃષ્ણનને જન્મદિવસની શુભકામનાઓ પાઠવીને તેમના દીર્ઘાયુની પ્રાર્થના કરી હતી.</p><p><br><img alt="Indian Air Force: IAF Celebrates 100th Birthday of Veteran MWO (HFO) Narayan Ramakrishnan" src="https://epapercdn.sandesh.com/images/2026/09/13/9mLmz3RMNeBlV9QbF3Zj8YITp82PfxQHfNdRgZwM.webp"></p><p>આ પણ વાંચો:<a href="https://sandesh.com/india/news/rajasthan-jaisalmer-pokhran-iaf-dronathon-2026" target="_blank"> IAF Dronathon 2026: ભારતીય વાયુસેના કરશે 'Dronathon 2026'નું આયોજન, જાણો તારીખ અને સ્થળ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/13/8ylicQxMb5QB7F4f4YiXZR0tNf0dNggJUzD5lBRu.webp'/></item><item><title><![CDATA[Junior Women Asia Cup : ભારતીય દીકરીઓએ રચ્યો ઇતિહાસ, ફાઇનલમાં ચીનને હરાવીને ચેમ્પિયન બન્યું ]]></title><link>https://sandesh.com/sports/news/indian-hockey-team-women-beat-china-to-clinch-third-successive-junior-asia-cup-title</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/indian-hockey-team-women-beat-china-to-clinch-third-successive-junior-asia-cup-title</guid><pubDate>Sun, 13 Sep 2026 18:10:26 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય મહિલા હોકી ટીમે શાનદાર રમતનું પ્રદર્શન કરીને જુનિયર એશિયા કપનો ખિતાબ સતત ત્રીજી વખત પોતાના નામે કર્યો છે. રવિવારે રમાયેલી ફાઈનલમાં ભારતે યજમાન ચીનને 1-0થી હરાવીને ટ્રોફી પર કબજો જમાવ્યો. આ જીત સાથે ભારતીય ટીમે FIH જુનિયર વર્લ્ડ કપ માટે પણ સ્થાન મેળવી લીધું છે.ભારતની જીતમાં સાનિકા ચંદ્રકાંત માણેનું મહત્વનું યોગદાન રહ્યું હતું. તેણે મેચની 17મી મિનિટે શાનદાર ગોલ કરીને ભારતને 1-0ની સરસાઈ અપાવી હતી. આ એકમાત્ર ગોલ અંત સુધી નિર્ણાયક સાબિત થયો અને ભારતીય ટીમે ખિતાબ પોતાના નામે કર્યો.</p><h3 style="text-align: justify; "><b>સાનિકાનો ગોલ બન્યો જીતનો આધાર</b></h3><p style="text-align: justify; ">ભારત અને ચીન વચ્ચેની ફાઈનલની શરૂઆતથી જ બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. પ્રથમ ક્વાર્ટરમાં બંને ટીમોએ ગોલ માટે અનેક પ્રયાસો કર્યા, પરંતુ કોઈ ટીમને સફળતા મળી નહોતી.ત્યારબાદ 17મી મિનિટે ભારતને પેનલ્ટી કોર્નર સહિતના પ્રયાસો બાદ સફળતા મળી અને સાનિકાએ બોલને ગોલમાં પહોંચાડીને ટીમને 1-0થી આગળ કરી દીધી. ભારતીય ટીમે ત્યારબાદ ચીનને વાપસી કરવાની તક આપી નહોતી અને હાફટાઈમ સુધી પોતાની સરસાઈ જાળવી રાખી હતી.બીજા હાફમાં ચીનની ટીમે બરાબરીનો ગોલ કરવા માટે આક્રમક રમત અપનાવી હતી. જોકે ભારતીય ખેલાડીઓએ મજબૂત રક્ષણ સાથે ચીનના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા. અંતિમ સીટી વાગી ત્યારે ભારત 1-0થી આગળ હતું અને તેની સાથે જ ટીમે સતત ત્રીજી વખત જુનિયર એશિયા કપનો ખિતાબ જીતી લીધો.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/TheHockeyIndia/status/2099076730531271099?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h4 style="text-align: justify; "><b>સતત ત્રીજી વખત ચેમ્પિયન</b></h4><p style="text-align: justify; ">ભારતીય મહિલા ટીમ માટે આ જીત ખાસ મહત્વ ધરાવે છે. ટીમે અગાઉની 2 આવૃત્તિઓમાં પણ જુનિયર એશિયા કપની ટ્રોફી જીતી હતી. હવે ચીનને હરાવીને ભારતે ખિતાબની હેટ્રિક પૂરી કરી છે.આ વર્ષે ટીમની જવાબદારી સંભાળનાર કોચ ટિમ વ્હાઇટના માર્ગદર્શન હેઠળ ભારતીય ખેલાડીઓએ આયોજનબદ્ધ તાલીમ કાર્યક્રમ દ્વારા ટૂર્નામેન્ટની તૈયારી કરી હતી. તેની અસર ટીમના પ્રદર્શન પર પણ જોવા મળી અને ભારતે સમગ્ર સ્પર્ધામાં મજબૂત રમત બતાવી.</p><h5 style="text-align: justify; "><b>ખેલાડીઓને મળશે રોકડ પુરસ્કાર</b></h5><p style="text-align: justify; ">ખિતાબ જીત્યા બાદ હોકી ઈન્ડિયાએ ભારતીય મહિલા ટીમ માટે રોકડ પુરસ્કારની પણ જાહેરાત કરી છે. ટીમની દરેક ખેલાડીને 3 લાખ રૂપિયા આપવામાં આવશે, જ્યારે સપોર્ટ સ્ટાફના દરેક સભ્યને 1.5 લાખ રૂપિયાનું ઇનામ મળશે.આ જીતથી ભારતીય મહિલા હોકીના ભવિષ્ય માટે પણ આશા વધી છે. જુનિયર સ્તરે સતત સફળતા મેળવી રહેલી ટીમ હવે FIH જુનિયર વર્લ્ડ કપમાં પણ પોતાની ક્ષમતા સાબિત કરવા ઉતરશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/us-open-2026-elena-rybakina-creates-history-defeats-sabalenka-to-win-first-us-open-title" target="_blank"> US Open 2026: Elena Rybakinaએ રચ્યો ઈતિહાસ, Sabalenkaને હરાવીને જીત્યું પ્રથમ ટાઈટલ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/13/hIKTQqQRttApX5F1PU6edKYWoFmkCpJ1skt68pYl.webp'/></item><item><title><![CDATA[Disaster Movies: મોટા સ્ટાર્સ અને કરોડોનું આંધણ! થિયેટરોમાં ખરાબ રીતે પછડાઈ આ 5 મોંઘી ફિલ્મો ]]></title><link>https://sandesh.com/entertainment/news/toxic-yash-5-big-budget-box-office-flops</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/toxic-yash-5-big-budget-box-office-flops</guid><pubDate>Sun, 13 Sep 2026 17:45:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બોક્સ ઓફિસની રમત અલગ જ છે. દરેક ફિલ્મ માટે બોક્સ ઓફિસ એક પરીક્ષા જેવી હોય છે. ઘણી ફિલ્મો સિનેમાઘરોમાં એવી આવે છે, જે ઓછા બજેટમાં બનેલી હોય છે. આ ફિલ્મોનું પ્રમોશન પણ સારી રીતે કરવામાં આવતું નથી. છતાં બોક્સ ઓફિસ પર તેમનો ધમાકો જોવા મળે છે. આવી જ એક ફિલ્મ હનુમાન અંશ છે. આ ફિલ્મ માત્ર 2 કરોડ રૂપિયાના બજેટમાં બની હતી. પરંતુ ફિલ્મે પોતાના બજેટની સરખામણીમાં લગભગ 250 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધું છે અને હજુ પણ તેની જોરદાર કમાણી ચાલુ છે.</p><h2 style="text-align: justify; "><b>ટોક્સિકની નિષ્ફળતા બાદ 5 મોટી ફિલ્મો</b></h2><p style="text-align: justify; ">બીજી તરફ આ વર્ષે સૌથી મોટા બજેટની ફિલ્મ માનવામાં આવી રહેલી ટોક્સિક સાથે તેનાથી સાવ વિપરીત જોવા મળ્યું હતું. આ ફિલ્મનું બજેટ 500 કરોડથી 600 કરોડ રૂપિયા વચ્ચે હોવાનું માનવામાં આવે છે. તેની સામે ફિલ્મ અત્યાર સુધીમાં 340 કરોડ રૂપિયા કમાઈ ચૂકી છે. હવે તેની કમાણીમાં મોટો વધારો થાય તેવી શક્યતા પણ દેખાતી નથી. એટલે કે ફિલ્મ ઝડપથી ફ્લોપ તરફ આગળ વધી રહી છે.<br><img alt="Yash Toxic box office failure (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/13/477zd5nQbm1DtpJvdaQHDv48qzDCubJbGtrWvAKX.webp"><br></p><h3 style="text-align: justify; "><b>આદિપુરુષ- 600 કરોડ બજેટ- 392 કરોડ</b></h3><p style="text-align: justify; ">આદિપુરુષ ફિલ્મને ભારતીય સિનેમાના ઈતિહાસની સૌથી મોટી ડિઝાસ્ટર ફિલ્મોમાંની એક માનવામાં આવે છે. ફિલ્મનું બજેટ 600 કરોડ રૂપિયા હતું. આટલા મોટા બજેટની ફિલ્મ માટે આ રકમ વસૂલ કરવી એટલી મુશ્કેલ નહોતી, કારણ કે ફિલ્મ રામાયણ પર આધારિત હતી. પરંતુ આ જ વાત ફિલ્મ માટે નુકસાનકારક બની. લોકોને ફિલ્મના ડાયલોગ્સ અને તેની મેકિંગ પસંદ આવી નહોતી. આને લઈને ભારે વિવાદ પણ થયો હતો અને ફિલ્મ 400 કરોડ રૂપિયાની કમાણી પણ કરી શકી નહોતી.<br><img alt="Yash Toxic box office failure (2)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/13/Dc4o1t59oRFbV51DZ7M6J7tgFc5olY3i3iDz6KFy.webp"><br></p><h3 style="text-align: justify; "><b>બડે મિયાં છોટે મિયાં- 350 કરોડ બજેટ- 102 કરોડ</b></h3><p style="text-align: justify; ">બડે મિયાં છોટે મિયાંની વાત કરીએ તો આ એક્શન ડ્રામા ફિલ્મ પણ 350 કરોડ રૂપિયાના મોટા બજેટમાં બની હતી. ફિલ્મમાં અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ અને પૃથ્વીરાજ સુકુમારન જેવા મોટા કલાકારો જોવા મળ્યા હતા. પરંતુ આ એક્શન-ડ્રામા ફિલ્મ ચાહકોને ખાસ પસંદ આવી નહોતી અને માત્ર 102 કરોડ રૂપિયાની કમાણી કરી શકી હતી.<br><img alt="Yash Toxic box office failure (3)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/13/akt2J0Ewx0eB2tZN411Gl6IT7yMbJLmJZ3srM8C9.webp"><br></p><h4 style="text-align: justify; "><b>કંગુવા- 350 કરોડ બજેટ- 106 કરોડ કલેક્શન</b></h4><p style="text-align: justify; ">કંગુવાની વાત કરીએ તો આ ફિલ્મને સાઉથની જ નહીં, પરંતુ ભારતીય સિનેમાના ઈતિહાસની સૌથી ફ્લોપ ફિલ્મોમાંની એક માનવામાં આવે છે. આ ફિલ્મનું બજેટ ઘણું મોટું હતું. 350 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે માત્ર 106 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મ પણ ડિઝાસ્ટર સાબિત થઈ હતી.<br><img alt="Yash Toxic box office failure (4)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/13/kRaNNan4U3HhWQx40x4RstJZQRwqhupJ02tjPBKu.webp"><br></p><h4 style="text-align: justify; "><b>ધ રાજા સાબ- 450 કરોડ બજેટ- 208 કરોડ કલેક્શન</b></h4><p style="text-align: justify; ">ધ રાજા સાબની વાત કરીએ તો આ ફિલ્મનું બજેટ 450 કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે. આ ફિલ્મ 2026માં જ રિલીઝ થઈ હતી. પરંતુ ફિલ્મ પોતાના બજેટ પ્રમાણે કમાણી કરી શકી નહોતી. 1000 કરોડ રૂપિયા સુધી કમાણી કરવાની ક્ષમતા ધરાવતા પ્રભાસ પણ આ ફિલ્મથી ફેન્સને પ્રભાવિત કરી શક્યા નહોતા. ફિલ્મનું કલેક્શન 208 કરોડ રૂપિયા રહ્યું હતું.<br><img alt="ajay devgn maidaan movie" src="https://epapercdn.sandesh.com/images/2026/09/13/6hj75JMsoAnkoyMYsiXe3uUi7PquWufSBHQscOcb.webp"><br></p><h5 style="text-align: justify; "><b>મેદાન- 235 કરોડ બજેટ- 68 કરોડ કલેક્શન</b></h5><p style="text-align: justify; ">અજય દેવગનની ફિલ્મ મેદાનને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે. જોકે આ વાત દુઃખદ પણ છે, કારણ કે ફિલ્મની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. પરંતુ મેકર્સ કદાચ તેનું યોગ્ય રીતે પ્રમોશન કરી શક્યા નહોતા અથવા ફિલ્મ અસરકારક રીતે દર્શકો સુધી પહોંચી શકી નહોતી. ક્રિટિક્સની પ્રશંસા મળ્યા બાદ પણ રિપોર્ટ્સ મુજબ મેદાને 235 કરોડ રૂપિયાના બજેટ સામે માત્ર 68 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ કલેક્શન ઘણું ઓછું માનવામાં આવે છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/ajith-kumar-silverstone-le-mans-trisha-krishnan-vijay" target="_blank">&nbsp;આ પણ વાંચો-South Star : અજિત કુમારની સિલ્વરસ્ટોન રેસમાં વિજય સાથે જોવા મળી ત્રિશા કૃષ્ણન! વીડિયો થયો જોરદાર વાયરલ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/13/yG3yim5ocG6y0HYECsppt0alZ4BwIw12mbkuxx1i.webp'/></item><item><title><![CDATA[Bank Holidays: બાકી રહેલા બેંકના કામ આજે જ પતાવી લો, 14 થી 20 સપ્ટેમ્બર દરમિયાન 4 દિવસ બેંક રહેશે બંધ ]]></title><link>https://sandesh.com/business/news/india/bank-holidays-september-2026-banks-closed</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/bank-holidays-september-2026-banks-closed</guid><pubDate>Sun, 13 Sep 2026 14:34:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જો તમે આગામી અઠવાડિયે બેંક સંબંધી કોઈ મહત્વપૂર્ણ કામકાજ પતાવવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે અત્યંત ઉપયોગી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના રજા કેલેન્ડર મુજબ, ૧૪ થી ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન દેશના વિવિધ પ્રંતોમાં બેંકો ચાર દિવસ માટે બંધ રહેશે. સ્થાનિક તહેવારો, ઉત્સવો અને સાપ્તાહિક રજાઓને ધ્યાનમાં રાખીને આ રજાઓ જુદા-જુદા શહેરોમાં લાગુ થાય છે.</p><h2 style="text-align: justify; "><b>આ અઠવાડિયે બેંક શાખાઓની રજાઓનું સમયપત્રક નીચે મુજબ છે:</b></h2><p style="text-align: justify; ">૧૪ સપ્ટેમ્બર (સોમવાર): ગણેશ ચતુર્થી, હરતાલિકા અને વિનાયક વ્રત જેવા તહેવારોના કારણે બેલાપુર, બેંગલુરુ, ભુવનેશ્વર, ચેન્નાઈ, હૈદરાબાદ, મુંબઈ, નાગપુર, પણજી અને વિજયવાડામાં બેંકો બંધ રહેશે.</p><p style="text-align: justify; ">૧૫ સપ્ટેમ્બર (મંગળવાર): સંવત્સરી, નુઆખાઈ અને ગણેશ ચતુર્થીના બીજા દિવસ નિમિત્તે અમદાવાદ, ભુવનેશ્વર અને પણજી ખાતે બેંક શાખાઓનું કામકાજ બંધ રહેશે.</p><p style="text-align: justify; ">૧૮ સપ્ટેમ્બર (શુક્રવાર): એકતા વર્ષગાંઠ દિવસના અવસર પર શિલોંગમાં બેંકો બંધ રહેશે.</p><p style="text-align: justify; ">૨૦ સપ્ટેમ્બર (રવિવાર): સાપ્તાહિક રજા હોવાના કારણે સમગ્ર ભારતભરમાં બેંકો બંધ રહેશે.</p><h3 style="text-align: justify; "><b>કુલ 4 દિવસ બેંકો રહેશે બંધ</b></h3><p style="text-align: justify; ">આમ, આ અઠવાડિયામાં પસંદગીના સ્થળોએ ત્રણ દિવસ અને રવિવારની રાષ્ટ્રીય રજા મળીને કુલ ચાર દિવસ બેંક શાખાઓ બંધ રહેશે. જો કે, ગ્રાહકોએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે રોકડ જમા, ચેક પ્રોસેસિંગ જેવી ભૌતિક સેવાઓ બંધ હોવા છતાં ઇન્ટરનેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ, UPI અને ATM જેવી ડિજિટલ બેંકિંગ સેવાઓ રાબેતા મુજબ ૨૪૭ કાર્યરત રહેશે.</p><h4 style="text-align: justify; "><b>સપ્ટેમ્બર મહિનાના અંત ભાગમાં પણ આવશે રજાઓ</b></h4><p style="text-align: justify; ">આ ઉપરાંત, સપ્ટેમ્બર મહિનાના અંત ભાગમાં પણ કેટલીક પ્રાદેશિક રજાઓ આવશે. ૨૧ સપ્ટેમ્બરે શ્રીમંત શંકરદેવ જન્મજયંતિ નિમિત્તે ગુવાહાટી, કોચી અને તિરુવનંતપુરમમાં, ૨૨ સપ્ટેમ્બરે કર્મ પૂજા નિમિત્તે રાંચીમાં, ૨૩ સપ્ટેમ્બરે મહારાજા હરિ સિંહજીના જન્મદિન નિમિત્તે જમ્મુ-શ્રીનગરમાં અને ૨૫ સપ્ટેમ્બરે ઇન્દ્રજાત્રાને કારણે ગંગટોકમાં બેંકો બંધ રહેશે.</p><p style="text-align: justify; ">ભારતમાં બેંક રજાઓનું સંચાલન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ અને અન્ય નિયમો હેઠળ થાય છે. નોંધનીય છે કે અગાઉ ૧૧ સપ્ટેમ્બરે યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા પાંચ દિવસના કાર્ય સપ્તાહની માંગણી સાથે હડતાળ પણ બોલાવવામાં આવી હતી, જેનાથી જાહેર ક્ષેત્રની બેંકોના કામકાજ પર અસર પડી હતી. તેથી, કોઈપણ અસુવિધાથી બચવા માટે ગ્રાહકોએ બેંકની મુલાકાત લેતા પહેલા RBI ની સત્તાવાર રજાઓની યાદી અવશ્ય તપાસી લેવી જોઈએ.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/tech/news/iphone-duo-price-cheapest-country-apple-foldable" target="_blank">આ પણ વાંચોઃ આ દેશમાં સૌથી સસ્તો મળી રહ્યો છે 'iPhone Duo', કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/13/4iOkSvqCciJoVfjl7CculaQcQ9tgC7Rki9RHrenC.webp'/></item></channel></rss>