<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Surat સિવિલમાં ફરી રેગિંગ વિવાદ, સર્જરી વિભાગમાંથી ડીનને મળી નનામી અરજી, હોસ્પિટલ તંત્ર દોડતું થયું! ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/ragging-controversy-again-in-surat-civil-dean-receives-anonymous-petition-from-surgery-department-hospital-system-is-running-wild</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/ragging-controversy-again-in-surat-civil-dean-receives-anonymous-petition-from-surgery-department-hospital-system-is-running-wild</guid><pubDate>Tue, 01 Sep 2026 14:06:19 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાતની ઘટના બાદ સિવિલ તંત્ર રેગિંગ મામલે અત્યંત એલર્ટ મોડ પર છે, ત્યાં વધુ એક રેગિંગની ફરિયાદ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. હોસ્પિટલના સર્જરી વિભાગમાંથી ડીન ઓફિસે એક નનામી અરજી દ્વારા ગંભીર ફરિયાદો કરવામાં આવી છે. આ અરજીમાં લખવામાં આવ્યું છે કે "વિભાગમાં કામનો બોજ વધુ રહે છે, રજા આપવામાં આવતી નથી, અભ્યાસમાં તકલીફ પડી રહી છે અને સિનિયર ડોક્ટરો દ્વારા સતત હેરાનગતિ કરવામાં આવે છે."</p><h2 style="text-align: justify; "><b>ડીનની અધ્યક્ષતામાં તાત્કાલિક એન્ટી રેગિંગ કમિટીની મોડી રાત સુધી બેઠક</b></h2><p style="text-align: justify; ">ગત 27 ઓગસ્ટની સાંજે ડીન ઓફિસે આ નનામી પત્ર મળતાં જ સિવિલ તંત્ર હરકતમાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સૌપ્રથમ સર્જરી વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજવામાં આવી હતી. ત્યારબાદ તુરંત જ એન્ટી રેગિંગ કમિટીની વિશેષ બેઠક બોલાવવામાં આવી હતી. અરજીમાં કરાયેલા આક્ષેપો અંગે મોડી રાત સુધી કમિટીના સભ્યો દ્વારા ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા અને તપાસ હાથ ધરવામાં આવી હતી.</p><p style="text-align: justify; "><img alt="Surat Civil Hospital 01" src="https://epapercdn.sandesh.com/images/2026/09/01/ycW0VdkQs1LF2cHr33DEeClWohliXvDbQX5Joxpq.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>રેગિંગ થયાના કોઈ પુરાવા મળ્યા નથી</b></h2><p style="text-align: justify; ">મોડી રાત સુધી ચાલેલી લાંબી બેઠક અને પ્રાથમિક તપાસ બાદ એન્ટી રેગિંગ કમિટી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે હાલની તપાસ દરમિયાન રેસિડેન્ટ ડોક્ટર સાથે રેગિંગ થયું હોય તેવા કોઈ પ્રત્યક્ષ પુરાવા મળી આવ્યા નથી. તેમ છતાં, ભૂતકાળની દુઃખદ ઘટનાને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા સર્જરી વિભાગના વાતાવરણ અને રેસિડેન્ટ ડોક્ટરોની કામગીરી પર સતત દેખરેખ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/epidemic-explodes-in-ahmedabad-during-monsoon-more-than-15000-patients-flock-to-sola-civil-in-just-7-days" target="_blank">Ahmedabadમાં ચોમાસામાં રોગચાળાનો વિસ્ફોટ, સોલા સિવિલમાં માત્ર 7 જ દિવસમાં 15,000થી વધુ દર્દીઓ ઉમટ્યા!</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/AhrA1DgQxKwDVTviAYF4IuWHbbq52CdCVhHsbOfE.webp'/></item><item><title><![CDATA[GST કલેક્શનમાં ફરી ડબલ ડિજિટ ગ્રોથ, ગુજરાત સહિત આ રાજ્યોનું શાનદાર પ્રદર્શન ]]></title><link>https://sandesh.com/business/news/double-digit-growth-again-in-gst-collection-excellent-performance-of-these-states-including-gujarat</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/double-digit-growth-again-in-gst-collection-excellent-performance-of-these-states-including-gujarat</guid><pubDate>Tue, 01 Sep 2026 13:35:16 +05:30</pubDate><description><![CDATA[<p>August મહિનામાં દેશના GST કલેક્શનમાં નોંધપાત્ર વધારો થયો છે. સરકાર દ્વારા 1 સપ્ટેમ્બરે જાહેર કરાયેલા આંકડા મુજબ, ભારતનું ગ્રોસ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન વાર્ષિક ધોરણે 15 ટકા વધીને ₹1.998 લાખ કરોડ થયું છે. સતત ત્રીજા મહિને GST રેવન્યુમાં ડબલ ડિજિટ ગ્રોથ નોંધાઈ છે. જૂનમાં 13.9 ટકા અને જુલાઈમાં 15.4 ટકાની વૃદ્ધિ થઈ હતી. ઓગસ્ટ 2025માં GST કલેક્શન ₹1.74 લાખ કરોડ હતું.</p><h2><b>આયાતમાંથી મળતા GSTમાં 29%નો ઉછાળો</b></h2><p>ઓગસ્ટના GST કલેક્શનમાં વધારા પાછળ આયાતમાંથી મળતા ટેક્સનો મોટો ફાળો રહ્યો છે. આયાત પરના ગ્રોસ GST રેવન્યુમાં 29 ટકાનો વધારો નોંધાયો છે. ગયા વર્ષના ₹48,546 કરોડની સરખામણીએ આ વર્ષે તે વધીને ₹62,604 કરોડ થયું છે. બીજી તરફ, સ્થાનિક બજારમાંથી મળતા ટેક્સમાં 9.3 ટકાનો વધારો થયો છે અને તે ₹1.26 લાખ કરોડથી વધીને ₹1.37 લાખ કરોડ થયો છે.</p><h3><b>રિફંડ વધતાં નેટ GST ગ્રોથ ધીમી રહી</b></h3><p>ગ્રોસ GST કલેક્શન ભલે મજબૂત રહ્યું હોય, પરંતુ રિફંડમાં થયેલા વધારાને કારણે નેટ રેવન્યુની વૃદ્ધિ પ્રમાણમાં ઓછી રહી છે. ઓગસ્ટમાં કુલ GST રિફંડ 67.9 ટકા વધીને ₹31,795 કરોડ થયું, જે ગયા વર્ષે ₹18,935 કરોડ હતું. ડોમેસ્ટિક રિફંડમાં 72.6 ટકા અને ICEGATE મારફતે પ્રોસેસ થયેલા એક્સપોર્ટ GST રિફંડમાં 61.8 ટકાનો વધારો થયો. આના પરિણામે નેટ GST કલેક્શન 8.3 ટકા વધીને ₹1.68 લાખ કરોડ થયું. નેટ ડોમેસ્ટિક રેવન્યુ 3.4 ટકા વધીને ₹1.19 લાખ કરોડ, જ્યારે નેટ કસ્ટમ્સ GST 22.3 ટકા વધીને ₹49,299 કરોડ થયું છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિના એટલે કે એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન ગ્રોસ GST કલેક્શન 11 ટકા વધીને ₹10.43 લાખ કરોડ થયું છે. આ સમયગાળામાં નેટ રેવન્યુ 9 ટકા વધીને ₹8.90 લાખ કરોડ રહ્યું છે.</p><h4><b>રાજ્યોમાં UP અને ગુજરાતનું શાનદાર પ્રદર્શન</b></h4><p>રાજ્યોના ડોમેસ્ટિક GST કલેક્શનની વાત કરીએ તો ઉત્તર પ્રદેશે 19 ટકાની વૃદ્ધિ સાથે શાનદાર પ્રદર્શન કર્યું છે. તે બાદ તેલંગાણા 16 ટકા અને ગુજરાત 15 ટકાની વૃદ્ધિ સાથે આગળ રહ્યા. કર્ણાટક અને કેરળમાં 13 ટકા, જ્યારે હરિયાણા અને પંજાબમાં 12 ટકાની વૃદ્ધિ નોંધાઈ. દેશમાં સૌથી વધુ GST આપતા મહારાષ્ટ્રમાં 8 ટકાનો વધારો થયો છે અને તેનું કલેક્શન ₹28,779 કરોડ રહ્યું. બીજી તરફ તમિલનાડુમાં 1 ટકા અને ઓડિશા તથા આંધ્ર પ્રદેશમાં 7 ટકાનો ઘટાડો નોંધાયો. રાજસ્થાન અને ગોવામાં પણ GST કલેક્શન 2 ટકા ઘટ્યું. આ તમામ આંકડાઓ વચ્ચે આસામનું પ્રદર્શન સૌથી ચોંકાવનારું રહ્યું છે. રાજ્યના GST કલેક્શનમાં એક વર્ષમાં 162 ટકાનો અસાધારણ ઉછાળો નોંધાયો છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-news-gujarat-region-dominates-gst-collection-special-meeting-held-with-revenue-of-rs-2-lakh-crore-per-month#google_vignette" target="_blank">આ પણ વાંચો:&nbsp; GST કલેક્શનમાં ગુજરાત રીજનનો દબદબો, પ્રતિ માસ 2 લાખ કરોડની આવક સાથે ખાસ બેઠક યોજાઈ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/q0JAT4LQEnPqkiuIBAchOwpY3kOprpaAJ4ApBwLV.webp'/></item><item><title><![CDATA[Ahmedabadમાં ચોમાસામાં રોગચાળાનો વિસ્ફોટ, સોલા સિવિલમાં માત્ર 7 જ દિવસમાં 15,000થી વધુ દર્દીઓ ઉમટ્યા! ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/epidemic-explodes-in-ahmedabad-during-monsoon-more-than-15000-patients-flock-to-sola-civil-in-just-7-days</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/epidemic-explodes-in-ahmedabad-during-monsoon-more-than-15000-patients-flock-to-sola-civil-in-just-7-days</guid><pubDate>Tue, 01 Sep 2026 12:49:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં ચોમાસાની ઋતુ જામતાની સાથે જ રોગચાળો ભારે વકર્યો છે. ભેજવાળા વાતાવરણ અને પાણીના ભરાવાને કારણે શહેરમાં વાયરલ, મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના દર્દીઓની સંખ્યામાં કુદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડી (OPD) કેસોમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. હોસ્પિટલના આંકડા અનુસાર, માત્ર 17 ઓગસ્ટથી 23 ઓગસ્ટ સુધીના 7 દિવસના ટૂંકા ગાળામાં જ 15,439 દર્દીઓએ સારવાર અર્થે સોલા સિવિલની મુલાકાત લીધી હતી, જેના કારણે હોસ્પિટલ પરિસર દર્દીઓથી ઊભરાઈ ગયું છે.</p><h2 style="text-align: justify; "><b>મચ્છરજન્ય અને વાયરલ રોગોનો આતંક</b></h2><p style="text-align: justify; ">સોલા સિવિલ હોસ્પિટલમાં નોંધાયેલા કેસોમાં સૌથી વધુ પ્રમાણ મચ્છરજન્ય રોગોનું જોવા મળી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં જ સોલા સિવિલમાં ડેન્ગ્યુના આશ્ચર્યજનક રીતે 140 કેસો નોંધાયા છે, જ્યારે મેલેરિયાના 14 દર્દીઓ સામે આવ્યા છે. આ ઉપરાંત વાયરલ ઇન્ફેક્શનમાં સ્વાઈન ફ્લૂના કેસોમાં પણ ચિંતાજનક વધારો નોંધાયો છે. હોસ્પિટલમાં માત્ર એક જ અઠવાડિયા દરમિયાન સ્વાઈન ફ્લૂના 9 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે, જેથી તબીબો અને આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.</p><h2 style="text-align: justify; "><b>પાણીજન્ય રોગોમાં પણ ઉછાળો</b></h2><p style="text-align: justify; ">મચ્છરજન્ય અને વાયરલ રોગોની સાથોસાથ દૂષિત પાણી અને ખોરાકને કારણે થતા પાણીજન્ય રોગોના દર્દીઓ પણ મોટી સંખ્યામાં હોસ્પિટલ પહોંચી રહ્યા છે. સાત દિવસના આંકડા મુજબ ઝાડા-ઉલટીના 52 કેસ, ટાઈફોઈડના 4 કેસ તેમજ કમળાના લક્ષણો ધરાવતા હેપેટાઈટિસ A ના 2 અને હેપેટાઈટિસ E નો 1 કેસ નોંધાયો છે. રોગચાળાના વધતા વ્યાપને ધ્યાનમાં રાખીને સોલા સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓની સારવાર માટે વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે અને લોકોને ઉકાળેલું પાણી પીવા તથા મચ્છરોથી બચાવ કરવા અપીલ કરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/jamnagar/jamnagar-news-food-department-raids-during-festivals-checks-at-152-places-353-kg-of-stale-food-destroyed" target="_blank">Jamnagar News : તહેવારો ટાણે ફૂડ વિભાગનો સપાટો, 152 સ્થળોએ તપાસ, 353 કિલો વાસી ખોરાકનો કરાયો નાશ...</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/cjDCX5cG6dD77y0ST8EikdsGzWi4kFc02thMFW3O.webp'/></item><item><title><![CDATA[Jamnagar News : તહેવારો ટાણે ફૂડ વિભાગનો સપાટો, 152 સ્થળોએ તપાસ, 353 કિલો વાસી ખોરાકનો કરાયો નાશ... ]]></title><link>https://sandesh.com/gujarat/news/jamnagar/jamnagar-news-food-department-raids-during-festivals-checks-at-152-places-353-kg-of-stale-food-destroyed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/jamnagar/jamnagar-news-food-department-raids-during-festivals-checks-at-152-places-353-kg-of-stale-food-destroyed</guid><pubDate>Tue, 01 Sep 2026 12:37:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આગામી તહેવારોની ઉજવણીને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકાનું આરોગ્ય અને ફૂડ વિભાગ સંપૂર્ણ રીતે સતર્ક થઈ ગયું છે. તહેવારો દરમિયાન લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ખીલવાડ ન થાય તે હેતુથી ફૂડ વિભાગ દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત શહેરની હોટલ, રેસ્ટોરન્ટ, ફરસાણની દુકાનો તેમજ લારી-ગલ્લા સહિત કુલ 152 જેટલી ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી પેઢીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>353 કિલો વાસી ખોરાક અને 147 કિલો પસ્તીનો સ્થળ પર નાશ કરાયો</b></h2><p style="text-align: justify; ">ફૂડ વિભાગની ટીમ દ્વારા કરવામાં આવેલી સઘન તપાસ દરમિયાન અનેક જગ્યાએથી ભારે બેદરકારી સામે આવી હતી. ચેકિંગ દરમિયાન અલગ-અલગ પેઢીઓમાંથી કુલ 353 કિલો જેટલો વાસી તથા અખાદ્ય ખોરાક અને નાસ્તો મળી આવ્યો હતો. આ ઉપરાંત, સ્વાસ્થ્ય માટે હાનિકારક એવી 147 કિલો પ્રિન્ટેડ પસ્તી (છાપાનો કાગળ) પણ જપ્ત કરવામાં આવી હતી. નાગરિકોના આરોગ્યને નુકસાન ન પહોંચે તે માટે ફૂડ વિભાગે આ તમામ અખાદ્ય ચીજવસ્તુઓ અને પસ્તીનો સ્થળ પર જ નાશ કરી દીધો હતો.</p><h2 style="text-align: justify; "><b>14 વેપારીઓને રૂ.22,500નો દંડ</b></h2><p style="text-align: justify; ">નિયમોનું ઉલ્લંઘન કરનારી અને ગંદકી કે અસ્વચ્છતા રાખનારી 14 જેટલી પેઢીઓ સામે કડક પગલાં ભરીને કુલ રૂ. 22,500નો રોકડ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. તહેવારોના દિવસોમાં જ ફૂડ વિભાગ દ્વારા આ પ્રકારે આક્રમક અને સઘન કાર્યવાહી કરવામાં આવતાં ભેળસેળિયા અને અસ્વચ્છતા રાખતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તહેવારો દરમિયાન ચેકિંગની આ કામગીરી સતત ચાલુ રહેશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/kheda/kheda-news-after-the-attack-on-a-hindu-youth-in-mahudha-the-system-is-in-chaos-dadas-bulldozer-turned-back-after-48-pressures" target="_blank">Kheda News : મહુધામાં હિન્દુ યુવક પર હુમલા બાદ તંત્ર લાલઘૂમ, 48 દબાણો પર ફરી વળ્યું ‘દાદાનું બુલડોઝર’</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/sJgmtFTX94TDWITnMZNz3Jcj7kVxKBqDrPQ2voBb.webp'/></item><item><title><![CDATA[My Landmark 555th ફિલ્મ..71 વર્ષના અભિનેતા અનુપમ ખેરની ઇન્સ્ટા પોસ્ટે વધારી ફેન્સની ઉત્સુકતા ]]></title><link>https://sandesh.com/entertainment/news/555th-film71-year-old-actor-anupam-khers-insta-post-increases-fans-curiosity</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/555th-film71-year-old-actor-anupam-khers-insta-post-increases-fans-curiosity</guid><pubDate>Tue, 01 Sep 2026 12:36:51 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અનુપમ ખેર હિન્દી સિનેમાના દિગ્ગજ કલાકારોમાંના એક છે, જેમણે પોતાના વિવિધ પાત્રોથી દર્શકોના દિલ જીત્યા છે. ચાર દાયકાથી વધુ સમયની કરિયરમાં ક્યારેક કોમેડી તો ક્યારેક ખલનાયકની ભૂમિકા ભજવનાર અનુપમ ખેરે હવે એક નવો માઇલસ્ટોન હાંસલ કર્યો છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ શેર કરીને તેમણે પોતાની કારકિર્દીની 555મી ફિલ્મની સત્તાવાર ઘોષણા કરી છે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DcsfDZ0Oul7/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DcsfDZ0Oul7/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a></p><p style="text-align: justify; "><b>અનુપમ ખેર, ઇન્સ્ટાગ્રામ પર ખાસ પોસ્ટ શેર કરીને આપી માહિતી</b></p><p style="text-align: justify; ">અનુપમ ખેરે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા લખ્યું, "ઘોષણા!! કેટલીક બાબતોને થોડા સમય માટે હૃદયની નજીક રાખવી શ્રેષ્ઠ છે! કારણ કે યોગ્ય સમયે તેને જાહેર કરવાનો આનંદ કંઈક અલગ જ હોય છે. મને મારી ખાસ 555મી ફિલ્મની જાહેરાત કરતા ખૂબ આનંદ થઈ રહ્યો છે. હું યોગ્ય સમયે તેની વિગતો શેર કરીશ, ત્યાં સુધી મને આ સસ્પેન્સનો આનંદ માણવા દો! જય હો!" જોકે, તેમણે ફિલ્મનું નામ કે અન્ય કોઈ વિગતો જાહેર કરી નથી, પરંતુ ફેન્સે કોમેન્ટ સેક્શનમાં અભિનંદનનો વરસાદ શરૂ કરી દીધો છે.</p><p style="text-align: justify; "><img alt="અનુપમ" src="https://epapercdn.sandesh.com/images/2026/09/01/FeRtPAMffMXTA21LlrYUA3invaRxfZsQT6nNNWaj.webp"><br></p><p style="text-align: justify; "><b>અન્ય અપકમિંગ પ્રોજેક્ટ્સ અને તાજેતરના નિવેદનો</b></p><p style="text-align: justify; ">અનુપમ ખેર હાલમાં તેમની આગામી ફિલ્મ "શ્રી રામ જન્મભૂમિ" માટે પણ ચર્ચામાં છે, જેમાં તેઓ અશોક સિંઘલની ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય, તાજેતરમાં તેમણે નેપાળમાં આવેલા વિનાશક પૂર પર દુઃખ વ્યક્ત કરતી એક ભાવુક પોસ્ટ પણ શેર કરી હતી, જેમાં તેમણે કુદરતી આપદા સામે પોતાની લાચારી વ્યક્ત કરી હતી.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/4cHo6PpBsQFKwpFsUwXy9fZlits4gt94LDt3krC2.webp'/></item><item><title><![CDATA[Kheda News : મહુધામાં હિન્દુ યુવક પર હુમલા બાદ તંત્ર લાલઘૂમ, 48 દબાણો પર ફરી વળ્યું ‘દાદાનું બુલડોઝર’ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/kheda/kheda-news-after-the-attack-on-a-hindu-youth-in-mahudha-the-system-is-in-chaos-dadas-bulldozer-turned-back-after-48-pressures</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/kheda/kheda-news-after-the-attack-on-a-hindu-youth-in-mahudha-the-system-is-in-chaos-dadas-bulldozer-turned-back-after-48-pressures</guid><pubDate>Tue, 01 Sep 2026 12:20:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ખેડા જિલ્લાના મહુધામાં એક હિન્દુ યુવક પર થયેલા જાનલેવા હુમલાની ઘટના બાદ તંત્ર અને પોલીસ વિભાગ ભારે આક્રમક મૂડમાં આવી ગયું છે. આ ગંભીર ઘટનામાં પોલીસે તાત્કાલિક ધોરણે 3 આરોપીઓ સામે FIR નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અસામાજિક તત્વોમાં કાયદાનો ભય ઉત્પન્ન થાય અને આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે હેતુથી તંત્ર દ્વારા ગુનેગારો અને અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો સામે આકરા પગલાં ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>ફીનાવ ભાગોળ અને મહુધા ચોકડી પર 'દાદાનું બુલડોઝર'</b></h2><p style="text-align: justify; ">હુમલાની ઘટનાના વિરોધ અને અસામાજિક તત્વોને કડક સબક શીખવવા માટે તંત્ર દ્વારા મહુધામાં મેગા ડિમોલેશન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. સ્ટેટ રોડ અને બિલ્ડિંગ વિભાગની ટીમો દ્વારા 'દાદાના બુલડોઝર' સાથે ફીનાવ ભાગોળ અને મહુધા ચોકડી સહિતના મુખ્ય વિસ્તારોમાં ત્રાટકીને કાર્યવાહી કરવામાં આવી હતી. આ દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન રસ્તા પર નડતરરૂપ અને ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા આશરે 48 જેટલા કાચા-પાકા દબાણો પર બુલડોઝર ફેરવીને તેમને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/sandeshnews/status/2094660931712422178?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2 style="text-align: justify; "><b>SP સહિત 250થી વધુ પોલીસ જવાનો તૈનાત</b></h2><p style="text-align: justify; ">ડિમોલેશનની આ કામગીરી દરમિયાન કોઈ અપ્રિય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થળ પર લોખંડી પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. ખેડા જિલ્લા પોલીસ વડા (SP)ની સીધી આગેવાની હેઠળ DYSP, PI, PSI સહિતના ઉચ્ચ અધિકારીઓ અને 250થી વધુ પોલીસ જવાનોનો કાફલો ઘટનાસ્થળે તૈનાત રહ્યો હતો. તંત્રની આ આક્રમક બુલડોઝર કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-news-railway-employee-becomes-an-angel-technician-pulls-middle-aged-man-from-death-after-being-hit-by-moving-train" target="_blank">Ahmedabad News : દેવદૂત બન્યા રેલવે કર્મચારી, ચાલુ ટ્રેને લપસેલા આધેડને ટેક્નિશિયને મોતના મુખમાંથી ખેંચી લીધો...</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/PlAK4KzHV5foHLgJneRHngScqJnU7dRB6N6EeSGM.webp'/></item><item><title><![CDATA[વાંચો સવારે 08થી બપોરે 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-08-am-to-12-pm-1-september-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-08-am-to-12-pm-1-september-2026</guid><pubDate>Tue, 01 Sep 2026 11:57:38 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર</b></p><p><a href="https://sandesh.com/entertainment/news/bhojpuri-bawal-tej-pratap-yadav-sensational-claim-of-his-murder" target="_blank"><b>1. Tej Pratap Yadav: થઈ શકે છે મારી હત્યા, કોઈ કાવતરું ઘડી રહ્યું છે... ભોજપુરી બબાલ શોમાં આ વ્યક્તિનો શોકિંગ ખુલાસો</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/bhavnagar/police-constable-rajdeepsinh-gohil-arrested-in-hoilchand-case" target="_blank"><b>2. Bhavnagar News: લઠ્ઠાકાંડમાં પોલીસ કર્મી રાજદીપસિંહ ગોહિલની ધરપકડ, સાંજે કોર્ટમાં રજૂ કરાશે</b></a></p><p><a href="https://sandesh.com/india/news/indigo-indigo-flight-from-goa-to-delhi-makes-emergency-landing-engine-fails" target="_blank"><b>3. IndiGo: ગોવાથી દિલ્હી આવતી IndiGoની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, એન્જિન ફેલ થયુ</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/police-probe-air-india-emergency-landing-40-handwriting-samples-taken" target="_blank"><b>4. Ahmedabad News : એરપોર્ટ પર વિમાનના ઈમરજન્સી લેન્ડિંગ મામલે પોલીસે ફરિયાદ નોંધી, 40 લોકોના હેન્ડ રાઈટિંગના સેમ્પલ લીધા</b></a></p><p><a href="https://sandesh.com/cricket/news/hardik-pandya-injury-coe-bcci-team-india-comeback-afghanistan-series" target="_blank"><b>5. Hardik Pandya ફરી ઈજાગ્રસ્ત, ટીમ ઈન્ડિયામાં વાપસીની રાહ જોઈ રહેલા ફેન્સ નિરાશ</b></a></p><p><a href="https://sandesh.com/world/news/pm-modi-in-sco-summit-double-standards-on-terrorism-issue-pm-criticized-pakistan-without-naming-him-at-sco-summit" target="_blank"><b>6. PM Modi In SCO Summit: આતંકવાદ મુદ્દે ડબલ સ્ટાન્ડર્ડ તો.. SCO સમિટમાં PMએ નામ લીધા વિના પાકિસ્તાનને સંભળાવ્યું</b></a></p><p><a href="https://sandesh.com/business/news/automobile/e20-petrol-impact-ev-cng-car-demand" target="_blank"><b>7. E-20 Petrolની ફરિયાદોને પગલે EV-CNG ગાડીઓની ફુલ ડિમાન્ડ! 6 મહિના સુધી વેઇટિંગ વધ્યું!</b></a></p><p><a href="https://sandesh.com/business/news/new-record-of-itr-filing-more-than-78-crore-returns-filed-till-august-31" target="_blank"><b>8. ITR Filingનો નવો રેકોર્ડ! 31 ઓગસ્ટ સુધી 7.8 કરોડથી વધુ રિટર્ન ફાઇલ</b></a></p><p><a href="https://sandesh.com/business/news/india/make-in-india-as-gdp-reaches-78-pm-modi-emphasizes-on-indigenous-people-said-avoid-buying-gold-and-getting-married-abroad" target="_blank"><b>9. Make in India: GDP 7.8% પહોંચતા PM મોદીનો સ્વદેશી પર ભાર, કહ્યું- સોનું ખરીદવાનું અને વિદેશમાં લગ્ન કરવાનું ટાળો</b></a></p><p><a href="https://sandesh.com/business/news/gold-silver-price-today-did-gold-prices-increase-or-decrease-after-pm-modis-appeal-not-to-buy-gold-know-the-latest-rate" target="_blank"><b>10. Gold Silver Price Today: સોનું ન ખરીદવાની PM મોદીની ફરી અપીલ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવમાં શું આવ્યો ફેરફાર</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/05/30/mDmSiSJWp4EJffsL4XdCg0WZVmFETlBX3EYK5ohQ.webp'/></item><item><title><![CDATA[IndiGo: ગોવાથી દિલ્હી આવતી IndiGoની ફ્લાઇટનું એન્જિન ફેલ, કરાયુ ઇમરજન્સી લેન્ડિંગ ]]></title><link>https://sandesh.com/india/news/indigo-indigo-flight-from-goa-to-delhi-makes-emergency-landing-engine-fails</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/indigo-indigo-flight-from-goa-to-delhi-makes-emergency-landing-engine-fails</guid><pubDate>Tue, 01 Sep 2026 11:46:16 +05:30</pubDate><description><![CDATA[<p>ગોવાથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં એન્જિનમાં ખામીના અહેવાલો બાદ ગોવા પરત ફરવું પડ્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇન્ડિગોની ફ્લાઇટ 6E 2102 મંગળવારે સવારે ગોવાથી દિલ્હી માટે ઉડાન ભરી હતી, પરંતુ તેના થોડા સમય પછી વિમાનના એક એન્જિનમાં ખામી સર્જાઈ હતી. પરિણામે, વિમાનનું ગોવાના મોપા એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું.</p><h2><b>ઇન્ડિગોની ફ્લાઇટ 6E 2102 માં એન્જિનમાં ખામી&nbsp;</b></h2><p>ટેકઓફના થોડા સમય પછી, ગોવાથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E 2102 માં એન્જિનમાં ખામી સર્જાઈ, જેના કારણે વિમાનને મોપા એરપોર્ટ પર કટોકટી ઉતરાણ કરવાની ફરજ પડી.&nbsp; અહેવાલો અનુસાર, ફ્લાઇટ 6E 2102 એ ગોવાથી દિલ્હી માટે સવારે લગભગ 9:16 વાગ્યે ઉડાન ભરી હતી. ટેકઓફ કર્યાના થોડી મિનિટો પછી, વિમાનના એક એન્જિનમાં ખામી સર્જાઈ હોવાની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ, એર ટ્રાફિક કંટ્રોલ (ATC) એ સવારે લગભગ 9:30 વાગ્યે સંપૂર્ણ કટોકટી જાહેર કરી હતી.</p><h3><b>સવારે 9.16 કલાકે દિલ્હી જતી હતી ફ્લાઇટ&nbsp;</b></h3><p>એવું જાણવા મળ્યું છે કે ઇન્ડિગો ફ્લાઇટ 6E 2102 (GOX-DEL) મંગળવારે સવારે 9:16 વાગ્યે દિલ્હી માટે રવાના થઈ હતી. એન્જિનમાં ખામી સર્જાયાના અહેવાલો બાદ, એર ટ્રાફિક કંટ્રોલ (ATC) એ લગભગ 9:30 વાગ્યે સંપૂર્ણ કટોકટી જાહેર કરી હતી. ત્યારબાદ, વિમાનને ગોવાના મોપા એરપોર્ટ પર પાછું વાળવામાં આવ્યું. ફ્લાઇટ સવારે 9:51 વાગ્યે રનવે 28 પર સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું. બાદમાં વિમાનને સ્ટેન્ડ નંબર 6 પર સંપૂર્ણપણે પાર્ક કરવામાં આવ્યું.</p><h3><b>તમામ મુસાફરો સુરક્ષિત&nbsp;</b></h3><p>વિમાન સુરક્ષિત રીતે પાર્ક થયા પછી, ATC એ સવારે 10:03 વાગ્યે સંપૂર્ણ કટોકટી રદ કરી. સદનસીબે, વિમાનમાં રહેલા બધા મુસાફરો સુરક્ષિત છે. ઉતરાણ પછી, બધા મુસાફરોને સુરક્ષિત રીતે ઉતારી દેવામાં આવ્યા અને એરપોર્ટના બોર્ડિંગ વિસ્તારમાં રાખવામાં આવ્યા. </p><p>દિલ્હી જતી ફ્લાઇટ માટે સુધારેલ પ્રસ્થાન સમય હવે બપોરે 3:30 વાગ્યે નક્કી કરવામાં આવ્યો છે. જો કે, આ સમય વિમાનને જરૂરી મંજૂરીઓ અને સંચાલન આવશ્યકતાઓ પ્રાપ્ત થવાને આધીન છે.</p><p>સૂત્રોના જણાવ્યા અનુસાર, એન્જિનમાં ખામીના અહેવાલ પછી વિમાનને ગોવા તરફ પાછું ફેરવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વિમાનને સુરક્ષિત ઉતરાણ માટે મોપા એરપોર્ટ પર પાછું લાવવામાં આવ્યું હતું. વિમાનમાં મુસાફરોની ચોક્કસ સંખ્યા અને એન્જિનમાં ટેકનિકલ ખામીના પ્રકાર અંગે વિગતવાર માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. આ ઘટના અંગે ઇન્ડિગો તરફથી વિગતવાર સત્તાવાર નિવેદનની પણ રાહ જોવાઈ રહી છે.</p><p><a href="https://sandesh.com/business/news/petrol-diesel-price-today-lpg-prices-increased-from-today-know-what-is-the-situation-in-petrol-and-diesel-prices" target="_blank">આ પણ વાંચો-&nbsp; Petrol Diesel Price Today: 1 સપ્ટેમ્બરે વધ્યા LPG, CNG અને PNGના ભાવ.. તો શું પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ થયો ફેરફાર ?&nbsp;</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/7Bq5lWy3Ta8LaryNsw1mr8IsnoIJ9pEJsWChnftH.webp'/></item><item><title><![CDATA[Make in India: GDP 7.8% પહોંચતા PM મોદીનો સ્વદેશી પર ભાર, કહ્યું- સોનું ખરીદવાનું અને વિદેશમાં લગ્ન કરવાનું ટાળો ]]></title><link>https://sandesh.com/business/news/india/make-in-india-as-gdp-reaches-78-pm-modi-emphasizes-on-indigenous-people-said-avoid-buying-gold-and-getting-married-abroad</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/make-in-india-as-gdp-reaches-78-pm-modi-emphasizes-on-indigenous-people-said-avoid-buying-gold-and-getting-married-abroad</guid><pubDate>Tue, 01 Sep 2026 11:12:03 +05:30</pubDate><description><![CDATA[<p>Make in India: આ સમયે સમગ્ર વિશ્વ યુદ્ધની સમસ્યાઓ અને આર્થિક મંદી જેવા પડકારોનો સામનો કરી રહ્યું છે. આવા મુશ્કેલ વૈશ્વિક માહોલ વચ્ચે ભારતીય અર્થતંત્રએ મજબૂત પ્રદર્શન કર્યું છે. નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો GDP ગ્રોથ 7.8 ટકા નોંધાયો છે. એક તરફ દુનિયા અનેક સંકટોમાંથી પસાર થઈ રહી છે, જ્યારે બીજી તરફ ભારતમાં પણ કેટલાક લોકો નિરાશાનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, આ તમામ પડકારો વચ્ચે ભારતે વિકાસની ગતિ જાળવી રાખી છે. સામાન્ય લોકોની ભાગીદારી અને મહેનતને પણ આ વૃદ્ધિ પાછળનું મહત્વનું કારણ માનવામાં આવી રહ્યું છે.</p><h2><b>નિરાશા ફેલાવનારાઓને વિકાસથી જવાબ</b></h2><p>સરકારે આ આર્થિક સફળતાનો શ્રેય દેશના લોકોની સંકલ્પશક્તિને આપ્યો છે. સરકારનું કહેવું છે કે કેટલાક લોકો ‘જૂઠની ગૂંજ’ના માધ્યમથી નિરાશા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમ છતાં 140 કરોડ ભારતીયોની એકતા દેશને સતત આગળ લઈ જઈ રહી છે. વર્ષ 2020માં કોરોના મહામારી બાદથી વિશ્વમાં સ્થિરતા જોવા મળી નથી. અનેક વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારત સતત આગળ વધી રહ્યું છે. આર્થિક મજબૂતી પાછળ દેશની સામૂહિક શક્તિ અને લોકોની મહેનત મહત્વની રહી છે.</p><p><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dcusqf4J5Nc/?utm_source=ig_embed&amp;ig_rid=AMAjH4jtZR025U96SuocI6I" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dcusqf4J5Nc/?utm_source=ig_embed&amp;ig_rid=AMAjH4jtZR025U96SuocI6I" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a></p><p><b style="font-size: 1.75rem;">સ્વદેશી પર ભાર</b></p><p>ભારતના વિકાસની આ ગતિને લાંબા સમય સુધી જાળવી રાખવા માટે આત્મનિર્ભર બનવું જરૂરી છે. સરકાર તરફથી લોકોને ‘વોકલ ફોર લોકલ’ અને ‘મેક ઇન ઈન્ડિયા’ને વધુ પ્રોત્સાહન આપવાની અપીલ કરવામાં આવી છે. આ સાથે કેટલાક ખાસ સૂચનો પણ આપવામાં આવ્યા છે. બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવા અને વિદેશમાં ડેસ્ટિનેશન વેડિંગ કરવાથી બચવાની સલાહ આપવામાં આવી છે. જો ખૂબ જરૂરી ન હોય તો સોનું ખરીદવાનું પણ ટાળવા કહેવામાં આવ્યું છે. સ્વદેશી વસ્તુઓ અને સેવાઓ પર વધુ ભાર મૂકવાથી આઝાદીના 100મા વર્ષ સુધી યુવાનો માટે વિકસિત ભારતનું નિર્માણ કરી શકાશે.</p><h4><b>મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પણ જોરદાર વૃદ્ધિ</b></h4><p>અમેરિકાના નોર્થ કેરોલિનાથી નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ GDPના આ આંકડા પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આ માત્ર એક આંકડો નથી, પરંતુ દેશના વિવિધ ક્ષેત્રોમાં વૃદ્ધિ થઈ રહી છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરે 9.2 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે. વૈશ્વિક પડકારો વચ્ચે પણ જો ભારતીય અર્થતંત્ર 7.8 ટકાની ઝડપે આગળ વધી રહ્યું છે, તો તેમાં ભારતીયોની મહેનતનો મોટો ફાળો છે.</p><h5><b>જૂના કાયદા દૂર થતાં વધ્યો વિશ્વાસ</b></h5><p>ભારતની આ આર્થિક વૃદ્ધિમાં રાજ્યોની ભૂમિકા પણ મહત્વપૂર્ણ રહી છે. વેપાર અને ઉદ્યોગ માટેનું વાતાવરણ સરળ બનાવવા સરકારે નાગરિકો અને વ્યવસાયો પરના કમ્પ્લાયન્સના બોજને ઘટાડવાના પ્રયાસો કર્યા છે. આશરે એક હજાર જૂના કાયદા દૂર કરવામાં આવ્યા છે, જ્યારે 40 હજારથી વધુ નિયમોને સરળ બનાવવામાં આવ્યા છે. સરકાર અને ઉદ્યોગ જગત વચ્ચે સતત ચર્ચા ચાલી રહી છે. આ ઉપરાંત વિવિધ દેશો સાથે દ્વિપક્ષીય વેપાર કરારો પણ કરવામાં આવી રહ્યા છે. ભારતમાં વિદેશી રોકાણ અને NRI દ્વારા મોકલવામાં આવતી રકમમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ભારતીય બેન્કોમાં આવી રહેલા નાણાં એ સંકેત આપે છે કે લોકોનો દેશની બેન્કિંગ સિસ્ટમ પરનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.</p><p><b><a href="https://sandesh.com/business/news/gold-silver-price-today-did-gold-prices-increase-or-decrease-after-pm-modis-appeal-not-to-buy-gold-know-the-latest-rate" target="_blank">આ પણ વાંચો: Gold Silver Price Today: સોનું ન ખરીદવાની PM મોદીની ફરી અપીલ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવમાં શું આવ્યો ફેરફાર</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/6Yx2V3JFfDBYgm1KA7PI1fzJfPDazGYCb2GO0xO5.webp'/></item><item><title><![CDATA[India Footbal ટીમની જાહેરાત, 26 ખેલાડીઓની પસંદગી કરાઇ ]]></title><link>https://sandesh.com/sports/news/india-football-team-announced-26-players-selected</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india-football-team-announced-26-players-selected</guid><pubDate>Tue, 01 Sep 2026 09:31:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય ફૂટબોલ ટીમ માટે આગામી આંતરરાષ્ટ્રીય વિન્ડો ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાની છે. મુખ્ય કોચ ખાલિદ જમીલે 26 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. ભારતીય ટીમ આગામી દિવસોમાં પનામા, બ્રાઝિલ અને ઉરુગ્વે જેવી મજબૂત ટીમો સામે 3 આંતરરાષ્ટ્રીય મૈત્રી મેચ રમશે. ખાસ કરીને બ્રાઝિલ અને ઉરુગ્વે સામેની મેચ ભારતીય ખેલાડીઓ માટે પોતાની ક્ષમતા સાબિત કરવાની મોટી તક બની રહેશે.</p><h5 style="text-align: justify; "><b>ભારતીય ટીમ અભિયાનની શરૂઆત 26 સપ્ટેમ્બરે કરશે</b></h5><p style="text-align: justify; ">ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 26 સપ્ટેમ્બરે કરશે. બેંગલુરુના શ્રી કાંતિરવા સ્ટેડિયમમાં ભારતનો મુકાબલો પનામા સામે થશે. ત્યારબાદ ભારતીય ટીમ કોલકાતા જશે, જ્યાં 3 ઓક્ટોબરે 5 વખતની વિશ્વ ચેમ્પિયન બ્રાઝિલ અને 6 ઓક્ટોબરે 2 વખતની વિશ્વ ચેમ્પિયન ઉરુગ્વે સામે મેદાનમાં ઉતરશે.આ ત્રણેય ટીમો આ વર્ષે યોજાયેલા FIFA વિશ્વ કપમાં ભાગ લઈ ચૂકી છે. આવી સ્થિતિમાં ભારતીય ખેલાડીઓ માટે વિશ્વસ્તરીય ટીમો સામે રમવાનો અનુભવ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. મુખ્ય કોચ ખાલિદ જમીલ પણ આ મેચો દ્વારા ટીમની તાકાત અને નબળાઈઓ સમજવાનો પ્રયાસ કરશે.</p><h5 style="text-align: justify; "><b>14 સપ્ટેમ્બરથી રાષ્ટ્રીય શિબિર</b></h5><p style="text-align: justify; ">ભારતીય રાષ્ટ્રીય ટીમની શિબિર 14 સપ્ટેમ્બરથી બેંગલુરુમાં શરૂ થશે. પનામા સામેની મેચ બાદ ભારતીય ટીમ 28 સપ્ટેમ્બરે કોલકાતા માટે રવાના થશે. ત્યારબાદ માત્ર થોડા દિવસના અંતરે ભારત બ્રાઝિલ અને ઉરુગ્વે જેવી મજબૂત ટીમો સામે મેચ રમશે.આ ત્રણેય મુકાબલા ભારતીય ટીમ માટે એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે આગામી સમયમાં ટીમને અનેક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ નિભાવવાની છે. ખાસ કરીને બ્રાઝિલ અને ઉરુગ્વે સામે રમવાથી ભારતીય ખેલાડીઓને મોટા મંચ પર પોતાની રમતનું મૂલ્યાંકન કરવાની તક મળશે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/IndianFootball/status/2094461120929034687?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; "><br></p><h5 style="text-align: justify; "><b>ભારતની 26 સભ્યોની ટીમ</b></h5><p style="text-align: justify; ">ગોલકીપર:એલ્બિનો ગોમ્સ, ગુરપ્રીત સિંહ સંધુ, પ્રભસુખન સિંહ ગિલ અને સોમ કુમાર.</p><p style="text-align: justify; ">ડિફેન્ડર:અભિષેક સિંહ ટેકચામ, આકાશ મિશ્રા, અનવર અલી, બિજોય વર્ગીઝ, હમિંગથનમાવિયા રાલ્ટે, જય ગુપ્તા, પ્રમવીર અને રિકી મીતેઈ હાઓબામ.</p><p style="text-align: justify; ">મિડફિલ્ડર:અનિરુદ્ધ થાપા, આશિક કુરુનિયન, ફારુખ ચૌધરી, લાલેંગમાવિયા રાલ્ટે, મેકાર્ટન નિક્સન, મોહમ્મદ સનાન, રિકી શાબોંગ અને સહલ અબ્દુલ સમદ.</p><p style="text-align: justify; ">ફોરવર્ડ:એડમન્ડ લાલરિન્દિકા, ઇરફાન યાડવાડ, મનવીર સિંહ, રહીમ અલી, રેયાન વિલિયમ્સ અને વિક્રમ પ્રતાપ સિંહ.</p><h5 style="text-align: justify; "><b>ભારતનો સંપૂર્ણ કાર્યક્રમ</b></h5><p style="text-align: justify; ">26 સપ્ટેમ્બર:ભારત વિરુદ્ધ પનામા — શ્રી કાંતિરવા સ્ટેડિયમ,બેંગલુરુ</p><p style="text-align: justify; ">3 ઓક્ટોબર:ભારત વિરુદ્ધ બ્રાઝિલ — વિવેકાનંદ યુવા ભારતી ક્રીડાંગણ, કોલકાતા</p><p style="text-align: justify; ">6 ઓક્ટોબર:ભારત વિરુદ્ધ ઉરુગ્વે — વિવેકાનંદ યુવા ભારતી ક્રીડાંગણ, કોલકાતા</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/cricket/news/australia-a-squad-announced-for-the-india-a-series-two-players-of-indian-origin-included-in-the" target="_blank">Australia-A squad : ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયા A ટીમ જાહેર,ભારતીય મૂળના 2 ખેલાડીઓને મળ્યું સ્થાન</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/SPbBPwGbv7y83nxfQ8iZc8DhAECHb1obcZUy0Nan.webp'/></item></channel></rss>