<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Gandhinagar News: મુંબઈમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટનો રોડ શો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુકેશ અંબાણી સાથે બેઠક કરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/cm-bhupendra-patel-meets-mukesh-ambani-at-vibrant-gujarat-summit-2027</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/cm-bhupendra-patel-meets-mukesh-ambani-at-vibrant-gujarat-summit-2027</guid><pubDate>Fri, 04 Sep 2026 12:12:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં આગામી સમયમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2027નું આયોજન કરવામાં આવ્યું છે.આ સમિટને લઈને મુખ્યમંત્રી અને ગુજરાતનું ડેલિગેશન વિદેશ પ્રવાસે ગયું હતું.વિદેશના ઉદ્યોગપતિઓ સાથે તેમણે ગુજરાતમાં રોકાણ લાવવા માટે ચર્ચાઓ કરી હતી.ત્યાર બાદ દિલ્હી અને મુંબઈમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઈબ્રન્ટ સમિટને લઈને એક બેઠક કરી હતી.રાજ્યમાં આ સમિટને લઈને વિવિધ ક્ષેત્રના ઉદ્યોગપતિઓ સાથે મુખ્યમંત્રી મુલાકાત કરી રહ્યાં છે.તેમણે ગઈકાલે અલગ અલગ ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન મુલાકાત કરી હતી. આજે તેઓ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને મળ્યા હતાં.&nbsp;</p><p style="text-align: justify; "><img alt="મુખ્યમંત્રીની મુકેશ અંબાણી સાથે મુલાકાત" src="https://epapercdn.sandesh.com/images/2026/09/04/b6gi237x0NIdwQ08xRbWFLM5wiuKO1LeDe7gOtmj.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુકેશ અંબાણીને મળ્યા</b></h2><p style="text-align: justify; ">મુખ્યમંત્રીએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2027ના મુંબઈ રોડશોના કાર્યક્રમો દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર  મુકેશ અંબાણી અને અનંત અંબાણી સાથે મુલાકાત કરીને અત્યંત આનંદ થયો હતો. આ મુલાકાત દરમિયાન ગ્રીન એનર્જી ઈકોસિસ્ટમ,પેટ્રોકેમિકલ્સ,રિટેલ સપ્લાય ચેઈન અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નેતૃત્વ મજબૂત કરવાની સાથે ગુજરાતમાં રિલાયન્સના પરિવર્તનકારી યોગદાન અને ચાલી રહેલા વિશાળ રોકાણો અંગે સઘન ચર્ચા કરવામાં આવી હતી.જામનગરમાં સોલાર, ગ્રીન હાઈડ્રોજન અને એડવાન્સ્ડ મટિરિયલ્સ ક્ષેત્રે વર્લ્ડ-ક્લાસ મેન્યુફેક્ચરિંગના વિસ્તરણ માટે તેમની પ્રતિબદ્ધતાને આવકારવામાં આવી હતી.જે ભારતના ક્લીન એનર્જી ટ્રાન્ઝિશનને આગળ ધપાવવામાં ગુજરાતની ભૂમિકાને વધુ મજબૂત બનાવશે.<br><br><img alt="વાઈબ્રન્ટ ગુજરાતની તૈયારીઓ તેજ" src="https://epapercdn.sandesh.com/images/2026/09/04/gYrznWNhVbS5qFcYiFQdNNyutT7oz792uzrJP4Iy.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>ગઈકાલે પણ ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક કરી હતી</b></h2><p style="text-align: justify; ">ગઈકાલે મુંબઈ ખાતે મુખ્યમંત્રીએ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા, હિંડાલ્કો ઈન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર સતીશ પાઈ, વેલસ્પન લિવિંગ લિમિટેડના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર દીપાલી ગોએન્કા અને AM/NS ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અમિત હરલાલકા સાથે મુલાકાત કરી હતી. જેમાં રાજ્યમાં રોકાણ લાવવા માટે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકો દરમિયાન ગિફ્ટ સિટીમાં પણ રોકાણ લાવવા માટે ચર્ચાઓ કરાઈ હતી. ગુજરાતનું વિશ્વસ્તરીય પોર્ટ-લેડ લોજિસ્ટિક્સ, સુદ્રઢ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ભવિષ્યલક્ષી ઔદ્યોગિક નીતિઓ નેક્સ્ટ જનરેશન મેન્યુફેક્ચરિંગ તેમજ ફાઇનાન્સિયલ સર્વિસિસ માટે ઉત્તમ વાતાવરણ પૂરું પાડે છે તે બાબત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/news/valsad/dang-bus-accident--54-tourists-miraculously-escape-as-saputara-bound-bus-crashes" target="_blank">આ પણ વાંચોઃ Dangમાં મોટી હોનારત ટળી, સાપુતારા જતી લક્ઝરી બસ રિવર્સમાં ખાડામાં ખાબકી, 54 મુસાફરોનો ચમત્કારિક બચાવ!</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/ViRYkPSRMCB6xJQ6hkg7EYFBSfDYMfJeJLkZtQvE.webp'/></item><item><title><![CDATA[ભારત માટે આવી રહ્યુ છે મોટું સંકટ? અલ નીનોને લઇને WMOએ જાહેર કરી ચેતવણી ]]></title><link>https://sandesh.com/india/news/wmo-el-nino-warning-india-weather-crisis</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/wmo-el-nino-warning-india-weather-crisis</guid><pubDate>Fri, 04 Sep 2026 12:08:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વિશ્વ હવામાન સંગઠન (WMO) દ્વારા જારી કરવામાં આવેલા એક નવા વૈશ્વિક અહેવાલમાં અલ નિનોને લઈને ગંભીર ચેતવણી આપવામાં આવી છે, જે ભારત સહિત સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય બન્યો છે. આ વર્ષે ભારતની ચોમાસાની ઋતુ પહેલેથી જ અલ નિનોથી પ્રભાવિત રહી છે, અને હવે આગામી શિયાળાના મહિનાઓ દરમિયાન પણ અસામાન્ય ગરમી રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. WMOના જણાવ્યા અનુસાર, અસામાન્ય રીતે ગરમ થઈ રહેલો પ્રશાંત મહાસાગર વૈશ્વિક હવામાન માટે મોટો પડકાર બની ગયો છે. અલ નિનો હવે સંપૂર્ણપણે સક્રિય થઈ ગયો છે અને તે ફેબ્રુઆરી ૨૦૨૭ સુધી ટકી રહેવાની પૂરી સંભાવના છે. આનો અર્થ એ થયો કે સપ્ટેમ્બરથી નવેમ્બર ૨૦૨૬ દરમિયાન વિશ્વના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતા ઘણું વધારે રહી શકે છે.&nbsp;&nbsp;</p><h2 style="text-align: justify; "><b>સમુદ્રનું તાપમાન વધતાં વૈશ્વિક સ્તરે વધ્યું આબોહવા દબાણ</b></h2><p style="text-align: justify; ">વૈજ્ઞાનિકોના અહેવાલ મુજબ, પેસિફિક મહાસાગરનું તાપમાન સામાન્ય કરતાં ૨.૬ ડિગ્રી સેલ્સિયસ વધારે નોંધાયું છે. આ સમુદ્રી ગરમીને કારણે વૈશ્વિક હવામાન પદ્ધતિમાં ગંભીર વિક્ષેપ પડી શકે છે, જેની સીધી અને નકારાત્મક અસર ભારત પર પણ પડવાની પૂરી શક્યતા છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે આ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વિશ્વ એવા સમયમાં પ્રવેશી રહ્યું છે જ્યાં સમુદ્ર અને જમીન બંને સતત ગરમ થઈ રહ્યા છે, જેના કારણે આબોહવાકીય જોખમોમાં સતત વધારો થઈ રહ્યો છે.&nbsp;&nbsp;<br><img alt="અલનીનોનું સંકટ " src="https://epapercdn.sandesh.com/images/2026/09/04/Yf4crcnEfmaKqHC62XI9ZHvDheSbA42Y3aup2QFX.webp"><br></p><h3 style="text-align: justify; "><b>WMOની ભારત માટે ખતરારૂપ ચેતવણી&nbsp;</b></h3><p style="text-align: justify; ">ભારતના સંદર્ભમાં વાત કરીએ તો, WMOની આ ચેતવણી દેશ માટે એક મોટો સંકેત છે. ભારતમાં ૧ જૂનથી ૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન સમગ્ર દેશમાં સરેરાશ કરતા ૧૩% ઓછો વરસાદ નોંધાયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગરમાં સક્રિય અલ નિનો આગામી મહિનાઓમાં વધુ મજબૂત બની શકે છે. પરિણામે, સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી દેશભરમાં સરેરાશ કરતા ઓછો વરસાદ પડવાની સંભાવના છે. અલ નિનોની આ લાંબી અસરને કારણે ભારતમાં શિયાળાની ઋતુમાં પણ આકરી ગરમી અને હવામાન સંબંધિત અનેક ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.&nbsp;&nbsp;<br><img alt="અલનીનોનું સંકટ " src="https://epapercdn.sandesh.com/images/2026/09/04/8cNxrnidmH3WUPB9q2yoG23CiUs4mFPxigNmane0.webp"><br></p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/gallery/news/genz-gita-guide-krishna-lessons-modern-youth" target="_blank">આ પણ વાંચોઃ કર્મ કરો અને પરિણામની ચિંતા છોડો, GenZ માટે કૃષ્ણના અનમોલ ઉપદેશો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/vlh0NME1oh4USA79Du44tc9IswZSUmtBGHPXqaKZ.webp'/></item><item><title><![CDATA[Gold Price Today : જન્માષ્ટમી પર સોના-ચાંદીના ભાવમાં ભડકો! ખરીદી કરતા પહેલા જાણી લો આજનો તાજો ભાવ ]]></title><link>https://sandesh.com/business/news/india/gold-silver-price-today-janmashtami-new-rates</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/gold-silver-price-today-janmashtami-new-rates</guid><pubDate>Fri, 04 Sep 2026 12:08:17 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">4 સપ્ટેમ્બરે કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. આ વચ્ચે દેશમાં સોનાના ભાવમાં ચાલી રહેલા ઘટાડા પર બ્રેક લાગી છે. જન્માષ્ટમીની સવારે મોટા ભાગના શહેરોમાં 24 અને 22 કેરેટ સોનાના ભાવમાં વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ વધીને 155510 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. મુંબઈમાં ભાવ 155360 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ સોનાનો ભાવ 4,443.93 ડૉલર પ્રતિ ઔંસ છે. નવા ભૂ-રાજકીય તણાવને કારણે સલામત રોકાણ તરીકે સોનાની માગ જળવાઈ છે.</p><h2 style="text-align: justify; "><b>સોનાના ભાવમાં મોટા ઉછાળાનું અનુમાન વ્યક્ત કર્યું</b></h2><p style="text-align: justify; ">ગોલ્ડમેન સેશે આ વર્ષના અંત સુધીમાં સોનાનો ભાવ 4,900 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે અનેક દેશોની સેન્ટ્રલ બેન્કો 2026માં દર મહિને લગભગ 50 ટન સોનું ખરીદી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>દેશના કેટલાક મોટા શહેરોમાં સોનાનો ભાવ</b></h2><table class="table table-bordered"><tbody><tr><td><b>શહેર</b></td><td><b>24 કેરેટ સોનાની કિંમત</b></td><td><b>22 કેરેટ સોનાની કિંમત</b></td></tr><tr><td>દિલ્હી</td><td>1,56,810</td><td>1,43,750</td></tr><tr><td>મુંબઈ</td><td>1,56,660</td><td>1,43,600</td></tr><tr><td>કોલકાતા</td><td>1,56,660</td><td>1,43,600</td></tr><tr><td>ચેન્નઈ</td><td>1,56,660</td><td>1,43,600</td></tr><tr><td>અમદાવાદ</td><td>1,56,710</td><td>1,43,650</td></tr><tr><td>રાજકોટ</td><td>1,56,710</td><td>1,43,650</td></tr></tbody></table><h3 style="text-align: justify; "><b>ચાંદીનો ભાવ</b></h3><p style="text-align: justify; ">સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ તેજી પાછી આવી છે. 4 સપ્ટેમ્બરની સવારે ચાંદીનો ભાવ વધીને 250100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ સિલ્વરનો ભાવ 65.77 ડોલર પ્રતિ ઔંસ છે. એક દિવસ પહેલાં દિલ્હીના સરાફા બજારમાં સોનાના ભાવમાં 3,400 રૂપિયા સુધી અને ચાંદીના ભાવમાં 5000 રૂપિયાનો વધારો થયો હતો. દેશમાં સોના અને ચાંદીના ભાવ પર ડોમેસ્ટિક ફેક્ટર્સની સાથે ગ્લોબલ ફેક્ટર્સની પણ અસર પડે છે.</p><h4 style="text-align: justify; "><b>શું સોના-ચાંદીના ભાવ હજુ વધશે?</b></h4><p style="text-align: justify; ">કોટક સિક્યોરિટીઝ અને કોમોડિટી નિષ્ણાતોના જણાવ્યા મુજબ, જો ભૌગોલિક-રાજકીય તણાવ આ રીતે જ ચાલુ રહેશે અને કેન્દ્રીય બેંકો સોનાની ખરીદી સતત ચાલુ રાખશે, તો આ વર્ષના ડિસેમ્બર સુધીમાં સોનું 1.70 લાખ અને ચાંદી ફરી 3 લાખ પ્રતિ કિલોગ્રામના આંકડાને સ્પર્શી શકે છે.</p><h6 style="text-align: justify; "><b>Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.</b></h6><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/ranbir-kapoor-rishi-kapoor-relationship-4-reasons" target="_blank">આ પણ વાંચો-Ranbir Kapoorને પિતા સાથે કેમ નહોતી બનતી? આ હતા 4 મોટા કારણો, ઋષિ કપૂરે માગી હતી માફી!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/G1g0748nLRvyHeF5kmeGUVMgSE36NAqPiSXXPXjL.webp'/></item><item><title><![CDATA[Gold Price Today : જન્માષ્ટમી પર સોના-ચાંદીના ભાવમાં ભડકો! ખરીદી કરતા પહેલા જાણી લો આજનો તાજો ભાવ ]]></title><link>https://sandesh.com/business/news/india/gold-silver-price-today-janmashtami-new-rates</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/gold-silver-price-today-janmashtami-new-rates</guid><pubDate>Fri, 04 Sep 2026 12:08:17 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">4 સપ્ટેમ્બરે કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. આ વચ્ચે દેશમાં સોનાના ભાવમાં ચાલી રહેલા ઘટાડા પર બ્રેક લાગી છે. જન્માષ્ટમીની સવારે મોટા ભાગના શહેરોમાં 24 અને 22 કેરેટ સોનાના ભાવમાં વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ વધીને 155510 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. મુંબઈમાં ભાવ 155360 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ સોનાનો ભાવ 4,443.93 ડૉલર પ્રતિ ઔંસ છે. નવા ભૂ-રાજકીય તણાવને કારણે સલામત રોકાણ તરીકે સોનાની માગ જળવાઈ છે.</p><h2 style="text-align: justify; "><b>સોનાના ભાવમાં મોટા ઉછાળાનું અનુમાન વ્યક્ત કર્યું</b></h2><p style="text-align: justify; ">ગોલ્ડમેન સેશે આ વર્ષના અંત સુધીમાં સોનાનો ભાવ 4,900 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે અનેક દેશોની સેન્ટ્રલ બેન્કો 2026માં દર મહિને લગભગ 50 ટન સોનું ખરીદી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>દેશના કેટલાક મોટા શહેરોમાં સોનાનો ભાવ</b></h2><table class="table table-bordered"><tbody><tr><td><b>શહેર</b></td><td><b>24 કેરેટ સોનાની કિંમત</b></td><td><b>22 કેરેટ સોનાની કિંમત</b></td></tr><tr><td>દિલ્હી</td><td>1,56,810</td><td>1,43,750</td></tr><tr><td>મુંબઈ</td><td>1,56,660</td><td>1,43,600</td></tr><tr><td>કોલકાતા</td><td>1,56,660</td><td>1,43,600</td></tr><tr><td>ચેન્નઈ</td><td>1,56,660</td><td>1,43,600</td></tr><tr><td>અમદાવાદ</td><td>1,56,710</td><td>1,43,650</td></tr><tr><td>રાજકોટ</td><td>1,56,710</td><td>1,43,650</td></tr></tbody></table><h3 style="text-align: justify; "><b>ચાંદીનો ભાવ</b></h3><p style="text-align: justify; ">સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ તેજી પાછી આવી છે. 4 સપ્ટેમ્બરની સવારે ચાંદીનો ભાવ વધીને 250100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ સિલ્વરનો ભાવ 65.77 ડોલર પ્રતિ ઔંસ છે. એક દિવસ પહેલાં દિલ્હીના સરાફા બજારમાં સોનાના ભાવમાં 3,400 રૂપિયા સુધી અને ચાંદીના ભાવમાં 5000 રૂપિયાનો વધારો થયો હતો. દેશમાં સોના અને ચાંદીના ભાવ પર ડોમેસ્ટિક ફેક્ટર્સની સાથે ગ્લોબલ ફેક્ટર્સની પણ અસર પડે છે.</p><h4 style="text-align: justify; "><b>શું સોના-ચાંદીના ભાવ હજુ વધશે?</b></h4><p style="text-align: justify; ">કોટક સિક્યોરિટીઝ અને કોમોડિટી નિષ્ણાતોના જણાવ્યા મુજબ, જો ભૌગોલિક-રાજકીય તણાવ આ રીતે જ ચાલુ રહેશે અને કેન્દ્રીય બેંકો સોનાની ખરીદી સતત ચાલુ રાખશે, તો આ વર્ષના ડિસેમ્બર સુધીમાં સોનું 1.70 લાખ અને ચાંદી ફરી 3 લાખ પ્રતિ કિલોગ્રામના આંકડાને સ્પર્શી શકે છે.</p><h6 style="text-align: justify; "><b>Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.</b></h6><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/ranbir-kapoor-rishi-kapoor-relationship-4-reasons" target="_blank">આ પણ વાંચો-Ranbir Kapoorને પિતા સાથે કેમ નહોતી બનતી? આ હતા 4 મોટા કારણો, ઋષિ કપૂરે માગી હતી માફી!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/G1g0748nLRvyHeF5kmeGUVMgSE36NAqPiSXXPXjL.webp'/></item><item><title><![CDATA[Suratના ઉત્રાણમાં વેપારી હનીટ્રેપમાં ફસાયો, નગ્ન વીડિયો બનાવી રૂ.70 લાખ અને આખું મકાન હડપવાનો ખેલ, પોલીસ ચોંકી! ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/businessman-in-uttran-surat-gets-caught-in-honeytrap-makes-nude-video-tries-to-grab-rs-70-lakh-and-entire-house-police-shocked</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/businessman-in-uttran-surat-gets-caught-in-honeytrap-makes-nude-video-tries-to-grab-rs-70-lakh-and-entire-house-police-shocked</guid><pubDate>Fri, 04 Sep 2026 11:52:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરના ઉત્રાણ વિસ્તારમાં એક યુવાન વેપારીને હનીટ્રેપની માયાજાળમાં ફસાવીને લાખો રૂપિયા તથા મકાન પડાવી લેવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. યુવાન વેપારી પોતાના મકાનનું ભાડું લેવા માટે ગયો હતો ત્યારે ભાડૂઆત મહિલા અને તેના સાથીદારે તેને છરી બતાવીને માર માર્યો હતો. ત્યારબાદ બળજબરીથી વેપારીના કપડાં ઉતરાવીને તેનો નગ્ન વિડીયો શૂટ કરી લીધો હતો. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને પ્રાથમિક તબક્કે વેપારી પાસેથી રૂ.2.60 લાખની રકમ બળજબરીથી પડાવી લેવામાં આવી હતી.</p><h2 style="text-align: justify; "><b>બળાત્કારની અરજી કરી રૂ.70 લાખની માંગણી અને મકાન લખાવી આપવા દબાણ</b></h2><p style="text-align: justify; ">પ્રાથમિક રકમ મેળવ્યા બાદ પણ આ ઠગ ટોળકી ધરાઈ નહોતી અને વધુ રૂપિયા પડાવવા માટે વેપારી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ખોટી અરજી કરી દીધી હતી. આ કેસ રફેદફે કરવાના બહાને ટોળકીએ શરૂઆતમાં રૂ.70 લાખની માતબર રકમની માંગણી કરી હતી. આખરે કહેવાતા સમાધાનના નામે વેપારી પર રૂ.38 લાખ રોકડા આપવા અથવા તો પોતાનું આખું મકાન મહિલાના નામે કરી આપવા માટે તોતિંગ માનસિક અને કાયદાકીય દબાણ કરવામાં આવ્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>ઉત્રાણ પોલીસે બે મહિલા અને વકીલ સહિત 5 સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી</b></h2><p style="text-align: justify; ">સતત શારીરિક, માનસિક ત્રાસ અને તોતિંગ રકમની માંગણીથી કંટાળીને આખરે પીડિત વેપારીએ હિંમત દર્શાવી ઉત્રાણ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. વેપારીની વિધિવત ફરિયાદના આધારે ઉત્રાણ પોલીસે ઘટનામાં સંકળાયેલી બે મહિલાઓ, એક વકીલ સહિત કુલ 5 આરોપીઓ વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે આ હનીટ્રેપ રેકેટના તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/shocking-case-of-superstition-in-gandhinagar-civil-young-man-stabs-himself-in-the-stomach-to-remove-a-100-note-swallowed-by-his-son" target="_blank">Gandhinagar સિવિલમાં અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો, પુત્રની માનતામાં ગળેલી રૂ.100ની નોટ કાઢવા યુવકે પેટમાં ચાકુ મારી દીધું!</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/UojdDGaKEnRiePSAD03JVhDRGVARRlzecz0fa0g5.webp'/></item><item><title><![CDATA[Ranbir Kapoorને પિતા સાથે કેમ નહોતું બનતું? આ હતા 4 મોટા કારણો, ઋષિ કપૂરે માગી હતી માફી! ]]></title><link>https://sandesh.com/entertainment/news/ranbir-kapoor-rishi-kapoor-relationship-4-reasons</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/ranbir-kapoor-rishi-kapoor-relationship-4-reasons</guid><pubDate>Fri, 04 Sep 2026 11:43:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડના કપૂર પરિવારની વાત કરીએ તો આ માત્ર એક ફિલ્મી પરિવાર નથી, પરંતુ ઘણા દાયકાઓથી ચાલી આવતી એક વિરાસત છે. આ પરિવારની અનેક પેઢીઓએ હિન્દી સિનેમામાં પોતાની ખાસ છાપ છોડી છે. આ જ પરિવારના 2 મોટા નામ એક્ટર ઋષિ કપૂર અને તેમના દીકરા રણબીર કપૂર છે. પડદા પર ઋષિ કપૂરે પોતાની અલગ ઓળખ બનાવી હતી. જ્યારે રણબીરે પણ પોતાની એક્ટિંગથી ઈન્ડસ્ટ્રીમાં મજબૂત સ્થાન બનાવ્યું. જોકે પિતા અને દીકરાનો સંબંધ બહારથી દેખાય છે એટલો સરળ હંમેશાં રહ્યો નહોતો. બંને વચ્ચે ઘણી વખત અંતર અને મતભેદના અહેવાલો સામે આવતા રહ્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>ઋષિ કપૂરે રણબીર સાથેના સંબંધને લઈને કર્યા હતા ખુલાસા</b></h2><p style="text-align: justify; ">ઋષિ કપૂરે પોતાની બાયોગ્રાફી ખુલ્લમ ખુલ્લા: ઋષિ કપૂર અનસેન્સર્ડમાં દીકરા રણબીર સાથેના પોતાના સંબંધ વિશે અનેક ખુલાસા કર્યા હતા. તેમણે સ્વીકાર્યું હતું કે તેમની અને રણબીર વચ્ચે એક પ્રકારનું જનરેશન ગેપ હતું. ઋષિ કપૂરે એ પણ સ્વીકાર્યું હતું કે પોતાની કારકિર્દીમાં વ્યસ્ત રહેવાને કારણે તેઓ રણબીરને બાળપણમાં એટલો સમય આપી શક્યા નહોતા, જેટલો એક પિતાએ આપવો જોઈએ. આ જ કારણથી રણબીર પોતાની માતા નીતુ કપૂરની વધુ નજીક રહ્યો.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>કડક ઉછેર અને પેઢીઓ વચ્ચેનું અંતર</b></h3><p style="text-align: justify; ">ઋષિ કપૂરને તેમના સમયના કડક પિતા માનવામાં આવતા હતા. તેમનું માનવું હતું કે પિતા અને દીકરા વચ્ચે એક મર્યાદા અને અંતર જળવાઈ રહેવું જોઈએ. જ્યારે રણબીરની વિચારસરણી અલગ હતી. ઋષિએ પોતે સ્વીકાર્યું હતું કે આ ઘણી હદ સુધી જનરેશન ગેપની અસર હતી. રણબીરને લાગતું હતું કે ભવિષ્યમાં તે પોતાના બાળકો સાથે એવો વ્યવહાર નહીં કરે, જેવો તેના પિતાએ તેની સાથે કર્યો હતો.<br><img alt="Rishi Kapoor and Ranbir Kapoor (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/04/LwBxF4B1W9kMh0KDfBGdQL6yfHRBKmpzAKbLXgVd.webp"><br></p><h4 style="text-align: justify; "><b>કમ્યુનિકેશન ગેપ પણ એક કારણ</b></h4><p style="text-align: justify; ">રણબીર બાળપણથી જ પોતાની માતા નીતુ કપૂરની વધુ નજીક રહ્યો. તેનું એક મોટું કારણ ઋષિ કપૂરનું કામમાં વ્યસ્ત રહેવું હતું. ફિલ્મોના શૂટિંગ અને કારકિર્દીના કારણે તેઓ દીકરાને પૂરતો સમય આપી શકતા નહોતા. ઋષિએ સ્વીકાર્યું હતું કે કદાચ રણબીરને બાળપણમાં પોતાના પિતાની ખોટ અનુભવાઈ હશે.</p><h4 style="text-align: justify; "><b>ફિલ્મો અને કારકિર્દીને લઈને અલગ પસંદગી</b></h4><p style="text-align: justify; ">રણબીરે જ્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવવાનો નિર્ણય લીધો ત્યારે તેની સફર અને વિચારસરણી પોતાના પિતાથી અલગ હતી. ઋષિ કપૂરનો પોતાનો એક ખાસ સમય અને કામ કરવાની રીત હતી, જ્યારે રણબીર નવી પેઢીના એક્ટર તરીકે પોતાની અલગ ઓળખ બનાવવા માગતો હતો. કારકિર્દીને લઈને બંનેની વિચારસરણીમાં રહેલો તફાવત પણ ઘણી વખત તેમના સંબંધોમાં તણાવનું કારણ બન્યો.</p><h4 style="text-align: justify; "><b>બંનેની વિચારસરણી અને વર્તનમાં તફાવત</b></h4><p style="text-align: justify; ">ઋષિ કપૂર અને રણબીરના વ્યક્તિત્વમાં પણ ઘણો તફાવત હતો. ઋષિ પોતાની વાત ખુલ્લેઆમ કહેતા અને શિસ્તને મહત્વ આપતા હતા, જ્યારે રણબીર પોતાની અંગત બાબતોને લઈને ઘણો શાંત અને રિઝર્વ રહ્યો છે. પિતાની કડકાઈ અને દીકરાની અલગ વિચારસરણી વચ્ચેનો આ તફાવત ઘણી વખત અંતરનું કારણ બન્યો.<br><img alt="Rishi Kapoor and Ranbir Kapoor (2)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/04/SlEU7zwZf499aEN1C06MtAgD0JUISgox8PeIRunJ.webp"><br></p><h5 style="text-align: justify; "><b>ઋષિ કપૂરે દીકરા પાસે માફી માગી હતી</b></h5><p style="text-align: justify; ">પોતાની બુકમાં ઋષિ કપૂરે ખૂબ જ ભાવુક અંદાજમાં સ્વીકાર્યું હતું કે રણબીરના બાળપણમાં તેઓ એવા પિતા બની શક્યા નહોતા, જેવો કદાચ તેમનો દીકરો ઈચ્છતો હતો. તેમણે કહ્યું હતું કે જ્યારે રણબીર નાનો હતો ત્યારે તેઓ પોતાના કામ અને ફિલ્મોમાં ખૂબ વ્યસ્ત રહેતા હતા. આ જ કારણથી રણબીર પોતાની માતાની વધુ નજીક થઈ ગયો. ઋષિએ એ પણ કહ્યું હતું કે તેમને આ વાતનો અફસોસ છે અને તેના માટે તેઓ પોતાના દીકરા પાસે માફી માગે છે. તેમણે સ્વીકાર્યું હતું કે રણબીર કદાચ પોતાના બાળકો સાથે એવો સંબંધ નહીં રાખવા માગે, જેવો તેનો પોતાના પિતા સાથે રહ્યો હતો. જોકે સમયની સાથે પિતા અને દીકરાના સંબંધોમાં ઘણો બદલાવ આવ્યો અને બંને વચ્ચે પ્રેમ તથા સન્માન હંમેશાં જળવાઈ રહ્યા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/sonalika-joshi-new-york-empire-state-building-saree-look" target="_blank">આ પણ વાંચો-TMKOC : ન્યૂયોર્કમાં તારક મહેતાની માધવીનો ગ્લેમરસ લુક, સાડીમાં જોઈને ફેન્સ થયા ફિદા!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/ooprj4JcoPdkFymg6fhXD04b7Egb5XbsdDQZiJmk.webp'/></item><item><title><![CDATA[Surat News: ઉત્રાણમાં ભાડુઆત મહિલાએ મકાન ભાડું લેવા ગયેલા વેપારીને હનીટ્રેપમાં ફસાવ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/tenant-woman-allegedly-traps-businessman-in-honey-trap-in-utran</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/tenant-woman-allegedly-traps-businessman-in-honey-trap-in-utran</guid><pubDate>Fri, 04 Sep 2026 11:35:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતમાં અમરોલી અને મોટા વરાછા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી મનીષાબેન ખોડાભાઈ બગડા નામની શાતિર મહિલા અને તેના સાગરીત પ્રકાશભાઈ હરજીભાઈએ ભેગા મળીને એક વેપારી પરિવારને પાયમાલ કરવાનો અને કરોડોની મિલકત પચાવી પાડવાનો ખુલ્લેઆમ ખેલ ખેલ્યો છે.અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી લાખો રૂપિયા બળજબરીપૂર્વક પડાવી લેવાના મામલે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.</p><h2 style="text-align: justify; "><b>મહિલાએ ઘર બંધ કરી વેપારીને ફસાવ્યો</b></h2><p style="text-align: justify; ">ઉત્રાણ પોલીસ દ્વારા પ્રાપ્ત વિગત મુજબ, મોટા વરાછા સુદામા ચોક ખાતે રહેતા અધેડ વયસ્ક સરથાણા અને અમરોલી ખાતેની પોતાની મિલકતોના ભાડા ઉઘરાવવાનું કામ કરે છે.ગત ઓક્ટોબર 2024માં આધેડ અમરોલી ખાતેના મકાનમાં જ્યારે ભાડું વસૂલવા ગયા ત્યારે ભાડૂઆત મનીષાબેને દરવાજો અંદરથી બંધ કરી નગ્ન થઈ જઈ હનીટ્રેપનો ખેલ રચ્યો હતો.તુરંત જ તેનો સાગરીત પ્રકાશ ચપ્પુ સાથે તૂટી પડ્યો હતો અને માર મારીને વેપારીને પણ બળજબરીથી નગ્ન કરી દીધા હતા.આ બાદ બંનેએ પોતાના મોબાઈલમાં આપત્તિજનક વીડિયો ઉતારી લઈ સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી રૂ.7 લાખની તોતિંગ માંગણી કરી હતી.ઈજ્જત અને સામાજિક બદનામીના ડરે પીડિત પરિવારે ટુકડે-ટુકડે રૂ.2.60 લાખ આપી દીધા હોવા છતાં આ રાક્ષસી આકાંક્ષા ધરાવતી ટોળકી ધરાઈ નહોતી.</p><h3 style="text-align: justify; "><b>બળાત્કારની ખોટી ફરિયાદો કરવાની ધમકીઓ</b></h3><p style="text-align: justify; ">મકાન ખાલી કરાવવાની વાત આવતા જ તેઓએ બળાત્કારની ખોટી ફરિયાદો કરવાની ધમકીઓ આપી વારંવાર 50 લાખ અને બાદમાં 70 લાખ રૂપિયા તેમજ મકાન પોતાના નામે કરી આપવા માટે અસહ્ય દબાણ બનાવ્યું હતું.આ મામલે પોલીસ સાથેની મિલીભગત હોય તેમ ચોકી સુધી ધક્કા ખવડાવી રૂ.38 લાખના ચેકો અને પ્રોમિસરી નોટો લખાવી લેવાના અને 10 વર્ષ સુધી જેલમાં ધકેલી દેવાની ધમકીઓ આપવાના ગંભીર આક્ષેપો પણ સામે આવ્યા છે.જોકે, પીડિત પરિવારે હિંમત દાખવી બ્લેકમેઈલિંગના ઓડિયો-વીડિયો રેકોર્ડિંગ પુરાવા તરીકે એકઠા કરી લેતા આખરે ભાડૂઆત મનીષા બગડા , પ્રકાશ હરજીભાઈ, વસંત ચાવડા અને તેના વકીલ સહિત વિરુદ્ધ આધેડના પુત્રે ફરિયાદ નોંધાવતાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/valsad/dang-bus-accident--54-tourists-miraculously-escape-as-saputara-bound-bus-crashes" target="_blank">આ પણ વાંચોઃ Dangમાં મોટી હોનારત ટળી, સાપુતારા જતી લક્ઝરી બસ રિવર્સમાં ખાડામાં ખાબકી, 54 મુસાફરોનો ચમત્કારિક બચાવ!</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/M0n7sjj0WfKnsINBYDswSuq92wAlLJ8sMU27CbNS.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: જાહેરાતના હોર્ડિંગ્સ બચાવવા લીલાછમ વૃક્ષોનું નિકંદન, મિશન મિલિયન ટ્રીના દાવાઓની ખુલી પોલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/trees-cut-to-protect-advertising-hoardings</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/trees-cut-to-protect-advertising-hoardings</guid><pubDate>Fri, 04 Sep 2026 11:19:43 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સ્માર્ટ સિટી અમદાવાદમાં એક તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પર્યાવરણની જાળવણી અને ગ્રીન કવર વધારવા માટે મિશન મિલિયન ટ્રી જેવા મોટા ઉપાડે કાર્યક્રમો ચલાવીને કરોડો રૂપિયાના ધુમાડા કરવામાં આવી રહ્યા છે.બીજી તરફ જાહેરાત એજન્સીઓની કમાણી ખાતર શહેરના લીલાછમ વૃક્ષો પર સરકારી આશીર્વાદથી કુહાડી ચલાવવામાં આવી રહી હોવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>એસજી હાઈવેથી રિંગરોડ વચ્ચે વૃક્ષોનું ટ્રિમિંગ</b></h2><p style="text-align: justify; ">શહેરના અતિ વ્યસ્ત અને પોશ ગણાતા એસ.જી. હાઈવેથી લઈને સરદાર પટેલ રિંગરોડ વચ્ચેના માર્ગો પર મોકાની જગ્યાઓએ મૂકવામાં આવેલા જાહેરાતના વિશાળ હોર્ડિંગ્સ અને સાઈન બોર્ડ વાહનચાલકોને સ્પષ્ટ દેખાય અને વૃક્ષોના કારણે ઢંકાઈ ન જાય તે માટે વૃક્ષોનું અવિચારી રીતે નિકંદન કાઢવામાં આવ્યું છે.નિયમ મુજબ માત્ર હળવું ટ્રિમિંગ કરવાની જગ્યાએ જાહેરાત બોર્ડનો વ્યૂ ક્લિયર કરવા માટે મોટા અને ઘટાદાર વૃક્ષોની ડાળીઓને મૂળમાંથી કાપી નાખવામાં આવી છે જેનાથી તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. આ સમગ્ર કૌભાંડમાં ચિત્રા પબ્લિસિટી નામની જાહેરાત એજન્સીનું નામ મોખરે આવી રહ્યું છે.આ એજન્સી દ્વારા અગાઉ પણ પોતાના હોર્ડિંગ્સ બચાવવા માટે આ પ્રકારે કાયદાનો અનાદર કરીને વૃક્ષો કાપવામાં આવ્યા હતા જે બદલ ગાર્ડન વિભાગ દ્વારા તેમને નોટિસ પણ આપવામાં આવી હતી.</p><h3 style="text-align: justify; "><b>નવા રોપા વાવવાની ગુલબાંગો ફેંકવામાં આવે છે&nbsp;</b></h3><p style="text-align: justify; ">વારંવાર આવા કિસ્સાઓ સામે આવવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ આકરી કે દાખલારૂપ કાર્યવાહી કરવામાં ન આવતાં આ એજન્સીઓ બેફામ બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. ચોમાસાની ઋતુમાં એક તરફ નવા રોપા વાવવાની ગુલબાંગો ફેંકવામાં આવે છે અને બીજી તરફ વર્ષો જૂના વૃક્ષોને વેપારી સ્વાર્થ માટે બલિ ચડાવી દેવાય છે.આ ઘટનાએ AMCના ગાર્ડન વિભાગ અને વિજિલન્સની શંકાસ્પદ ભૂમિકા ખુલ્લી પાડી દીધી છે.કોર્પોરેશન માત્ર કાગળ પર જ મિશન મિલિયન ટ્રી ચલાવવા માંગે છે કે પછી પ્રકૃતિનું નિકંદન કાઢતી ખાનગી પબ્લિસિટી એજન્સીઓ સામે કડક પગલાં ભરીને કાળી યાદીમાં મૂકશે તે હવે જોવું રહ્યું.<br><br><a href="https://sandesh.com/gujarat/news/valsad/dang-bus-accident--54-tourists-miraculously-escape-as-saputara-bound-bus-crashes" target="_blank">આ પણ વાંચોઃ Dangમાં મોટી હોનારત ટળી, સાપુતારા જતી લક્ઝરી બસ રિવર્સમાં ખાડામાં ખાબકી, 54 મુસાફરોનો ચમત્કારિક બચાવ!</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/Gt8kZE3vsxrah6ry7lfyHumcP3Q9DqkAW56DissU.webp'/></item><item><title><![CDATA[Dangમાં મોટી હોનારત ટળી, સાપુતારા જતી લક્ઝરી બસ રિવર્સમાં ખાડામાં ખાબકી, 54 મુસાફરોનો ચમત્કારિક બચાવ! ]]></title><link>https://sandesh.com/gujarat/news/valsad/dang-bus-accident--54-tourists-miraculously-escape-as-saputara-bound-bus-crashes</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/valsad/dang-bus-accident--54-tourists-miraculously-escape-as-saputara-bound-bus-crashes</guid><pubDate>Fri, 04 Sep 2026 11:09:25 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જન્માષ્ટમીના પાવન પર્વ અને મિની વેકેશનની રજાઓની ઉજવણી કરવા માટે અમદાવાદથી ગિરિમથક સાપુતારા તરફ જઈ રહેલા પ્રવાસીઓની લક્ઝરી બસને ડાંગ જિલ્લામાં અકસ્માત નડ્યો છે. અમદાવાદથી સાપુતારા સહેલગાહે આવી રહેલી 'રાજ ટ્રાવેલ્સ'ની લક્ઝરી બસ સામગહાન-માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી પસાર થઈ રહી હતી તે સમયે આ બનાવ બન્યો હતો. તહેવારના માહોલ વચ્ચે પ્રવાસીઓ ઉત્સાહભેર મુસાફરી કરી રહ્યા હતા ત્યારે અચાનક માર્ગ પર અકસ્માત સર્જાતાં વાતાવરણ ગંભીર બની ગયું હતું.</p><h2 style="text-align: justify; "><b>ચઢાણમાં બસ બંધ પડતાં રિવર્સમાં ધસી અને ખાડામાં ઉતરી ગઈ</b></h2><p style="text-align: justify; ">અકસ્માતની વિગતો મુજબ, સામગહાન-માલેગામ હાઈવે પરના ઘાટ માર્ગ પર ચઢાણ ચઢતી વખતે રાજ ટ્રાવેલ્સની આ લક્ઝરી બસ એકાએક બંધ પડી ગઈ હતી. બસ બંધ થતાં જ તે ન્યૂટ્રલ થઈને પૂરપાટ ઝડપે રિવર્સમાં પાછળ તરફ ધસી ગઈ હતી. માર્ગની સાઈડમાં આવેલા ખાડામાં બસ ઊંધી ઉતરી ગઈ હતી, પરંતુ સદનસીબે રોડ કિનારે આવેલી એક મજબૂત ભેખડ સાથે બસ જોરદાર અથડાઈને અટકી ગઈ હતી. જો બસ ભેખડ સાથે અથડાઈને રોકાઈ ન હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.</p><h2 style="text-align: justify; "><b>54 પ્રવાસીઓનો ચમત્કારિક બચાવ, પરિવારોએ લીધો રાહતનો શ્વાસ</b></h2><p style="text-align: justify; ">બસ એકાએક રિવર્સમાં ધસીને ખાડામાં ઉતરી જતાં અંદર સવાર પ્રવાસીઓમાં ભારે ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, બસ ભેખડ ટેકો બની જતાં રોકાઈ જવાથી લક્ઝરી બસમાં સવાર તમામ 54 મુસાફરોનો આબાદ અને ચમત્કારિક બચાવ થયો છે. આ બનાવમાં કોઈ પણ મુસાફરને ગંભીર ઈજા કે જાનહાનિ ન થતાં પ્રવાસીઓ તેમજ તેમના પરિવારજનોએ ઈશ્વરનો આભાર માનીને રાહતનો શ્વાસ લીધો હતો.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-drug-bust--crime-branch-seizes-mephedrone-worth--6-38-lakh-in-odhav" target="_blank">Ahmedabadના ઓઢવમાં સ્પાની આડમાં ડ્રગ્સનો કાળો કારોબાર! ક્રાઈમ બ્રાન્ચે રૂ.6.38 લાખના મેફેડ્રોન સાથે 23 વર્ષીય યુવકને દબોચ્યો</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/Z4a8zG2hstLk4mwya2duGxHyN1nmWvDFOQoRNGZ7.webp'/></item><item><title><![CDATA[Asian Games 2026: નીરજ ચોપરાના રિપ્લેસમેન્ટની જાહેરાત, આ સ્ટારને મળ્યું સ્થાન ]]></title><link>https://sandesh.com/sports/news/neeraj-chopra-out-yashvir-singh-asian-games</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/neeraj-chopra-out-yashvir-singh-asian-games</guid><pubDate>Thu, 03 Sep 2026 18:11:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">એશિયન ગેમ્સ 19 સપ્ટેમ્બરથી જાપાનમાં શરૂ થવાની છે. ભારતીય ટીમને તાજેતરમાં મોટો ઝટકો લાગ્યો છે. ઈજાને કારણે બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા અને સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરા 2026 સીઝનની બાકીની બધી સ્પર્ધાઓમાંથી બહાર થઈ ગયો છે. તેને સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરી. ફેન્સને આશા હતી કે તે ગોલ્ડ જીતશે.&nbsp;</p><p style="text-align: justify;">પરંતુ એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ ત્યારબાદ એક નિવેદનમાં જાહેરાત કરી હતી કે તેઓ ટૂંક સમયમાં નીરજના રિપ્લેસમેન્ટની જાહેરાત કરશે. હવે તે ખેલાડીનું નામ જાહેર કરવામાં આવ્યું છે.</p><h2 style="text-align: justify;"><b>નીરજ ચોપરાનું સ્થાન કોણ લેશે?</b></h2><p style="text-align: justify;">ઈજા છતાં નીરજ ચોપરાએ તાજેતરની કેટલીક સ્પર્ધાઓમાં સારું પ્રદર્શન કર્યું. તેને કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો. નીરજના સાથી અને પ્રખ્યાત ભાલા ફેંકનાર યશવીર સિંહે કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. હવે તેને તેનું ઈનામ મળી ગયું છે. યશવીર એશિયન ગેમ્સમાં નીરજનું સ્થાન લેશે. યશવીરને એક મોટી તક મળી છે. તે એશિયન ગેમ્સમાં અજાયબીઓ કરી શકે છે.</p><p style="text-align: justify;">એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બહાદુર સિંહ સાગુએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "અમે એશિયન ગેમ્સ માટે નીરજ ચોપરાની જગ્યાએ યશવીર સિંહને સામેલ કર્યો છે. તેને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યો હતો. નીરજ હાલમાં ઘાયલ છે. તેની ઈજાને કારણે આ ફેરફાર કરવામાં આવ્યો છે. યશવીરના આવવામાં કોઈ સમસ્યા નહોતી."</p><h3 style="text-align: justify;"><b>યશવીર સિંહની સિઝન શાનદાર રહી&nbsp;</b></h3><p style="text-align: justify;">યશવીર સિંહે કોમનવેલ્થ ગેમ્સ  2026માં બ્રોન્ઝ મેડલ જીતીને બધાનું દિલ જીતી લીધું હતું. આ પછી તેની ખૂબ ચર્ચા થઈ હતી. તેને ત્યાં પણ પોતાનું બેસ્ટ પ્રદર્શન કર્યું. યશવીરે 85.41 મીટરનો થ્રો ફેંક્યો. કાશીનાથ નાયક (2010) અને નીરજ (2018, 2026) પછી તે કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનાર ત્રીજો ભારતીય છે.</p><p style="text-align: justify;">2026નું વર્ષ તેમના માટે શાનદાર રહ્યું છે. તેને 8 ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો, જેમાંથી 6માં 80 મીટરથી વધુ થ્રો ફેંક્યા હતા. હવે, બધાની નજર યશવીર પર રહેશે. નીરજના સ્થાને સામેલ થવાથી તેના પર પણ દબાણ આવશે. તે 2026 કોમનવેલ્થ ગેમ્સમાં પોતાના પ્રદર્શનનું કમબેક કરવા અને ભારત માટે મેડલ લાવવા માગશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/bcci-meeting-rohit-sharma-odi-future" target="_blank">Rohit Sharmaના ક્રિકેટ કરિયર અને 2027ના ODI વર્લ્ડકપને લઈને ચર્ચા, BCCI મોટો નિર્ણય લેવા માટે તૈયાર</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/pnZfVXFfDbiVeUTCGLZBXQLYtouFoYzTiWb82QVE.webp'/></item></channel></rss>