<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Gandhinagar News: સરકારી કોલેજના વિઝિટિંગ લેક્ચરર્સનું માસિક વેતન 15000થી વધારીને 45000 કરાયું ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/visiting-lecturers-rsquo--monthly-pay-hiked-from--15-000-to--45-000</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/visiting-lecturers-rsquo--monthly-pay-hiked-from--15-000-to--45-000</guid><pubDate>Mon, 03 Aug 2026 22:55:25 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા સરકારી કોલેજોમાં ફરજ બજાવતા વિઝિટિંગ લેક્ચરર્સ (અધ્યાપકો)ના હિતમાં એક અત્યંત મહત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલી રજૂઆતો અને માંગણીઓને ધ્યાનમાં રાખીને સરકારે તેમના મહેનતાણામાં નોંધપાત્ર વધારો કરવાનો આ મહત્વકાંક્ષી નિર્ણય લીધો છે.</p><h2 style="text-align: justify; "><b>અધ્યાપકોને કલાક દીઠ ₹500 ચૂકવવામાં આવશે</b></h2><p style="text-align: justify; ">નવા સુધારેલા દરો મુજબ હવેથી સ્નાતક કક્ષાના વર્ગો લેતા વિઝિટિંગ અધ્યાપકોને કલાક દીઠ ₹500 ચૂકવવામાં આવશે.જ્યારે અનુસ્નાતક કક્ષાના વર્ગો માટે પ્રતિ કલાકનું મહેનતાણું ₹600 નક્કી કરવામાં આવ્યું છે.આ ફેરફારના પરિણામે લેક્ચરર્સ માટેનું મહત્તમ માસિક વેતન ₹15000 થી વધીને સીધું ₹45000 થઈ જશે.</p><h3 style="text-align: justify; "><b>ઉચ્ચ શિક્ષણ વિભાગે આદેશમાં સ્પષ્ટતા કરી</b></h3><p style="text-align: justify; ">ઉચ્ચ શિક્ષણ વિભાગે આદેશમાં સ્પષ્ટતા કરી છે કે સુધારેલા મહેનતાણાના આ નવા દરો ઠરાવ બહાર પડ્યાની તારીખથી જ તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યા છે. સરકારના આ નિર્ણયથી રાજ્યની સરકારી કોલેજોમાં સેવા આપતા હજારો વિઝિટિંગ લેક્ચરર્સને આર્થિક રાહત મળશે અને શિક્ષણનું સ્તર પણ વધુ સુધરશે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-approves-subhash-bridge-work" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: AMC રોડ કમિટીએ સુભાષબ્રિજના કામને મંજૂરી આપી, કુલ ખર્ચમાં 7થી 10 કરોડનો ફાયદો થશે</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/VlwRVqvmeB7RB85B9qh7aDmzQqqlTh7zz36FFvpA.webp'/></item><item><title><![CDATA[Surat News: નાસિરનગરના મકાન માલિકોને હાઈકોર્ટ તરફથી આંશિક રાહત, નોટીસ વિના ડિમોલિશન નહીં કરવા આદેશ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/high-court-relief-for-nasirnagar-residents</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/high-court-relief-for-nasirnagar-residents</guid><pubDate>Mon, 03 Aug 2026 22:47:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતના નાસીરનગરમાં ડિમોલિશન મામલે મકાન માલિકોને હાઇકોર્ટ તરફથી મોટી આંશિક રાહત મળી છે.ગુજરાત હાઇકોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે યોગ્ય અને કાયદેસરની નોટિસ આપ્યા વિના વિસ્તારમાં કોઈપણ પ્રકારનું ડિમોલિશન કરવામાં આવશે નહીં.તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી શકાશે.</p><h2 style="text-align: justify; "><b>પક્ષ સાંભળ્યા વગર એકતરફી કાર્યવાહી કરી શકાય નહીં</b></h2><p style="text-align: justify; ">હાઇકોર્ટે સુરત મહાનગરપાલિકાને આકરી ટકોર કરતાં જણાવ્યું છે કે કોઈપણ મિલકત સામે આકરાં પગલાં લેતાં પહેલાં તમામ સ્થાનિક મિલકતધારકોને પોતાની રજૂઆત કરવાનો પૂરતો મોકો આપવો અનિવાર્ય છે. નાગરિકોનો પક્ષ સાંભળ્યા વગર એકતરફી કાર્યવાહી કરી શકાય નહીં.</p><h3 style="text-align: justify; "><b>રહેવાસીઓએ હાલ પૂરતો રાહતનો શ્વાસ લીધો</b></h3><p style="text-align: justify; ">આ ઉપરાંત, કોર્ટે કડક નિર્દેશ આપ્યા છે કે ડિમોલિશનની આખી પ્રક્રિયા દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલા તમામ નિયમો અને માર્ગદર્શિકાઓનું અક્ષરશઃ પાલન કરવાનું રહેશે. હાઇકોર્ટના આ હુકમથી નાસીરનગરના રહેવાસીઓએ હાલ પૂરતો રાહતનો શ્વાસ લીધો છે.<br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/vastral-sports-complex-swimming-pool-video-viral" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સ્વિમિંગ પુલનો વીડિયો વાયરલ, લાઇબ્રેરીના વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/vFrlMZeqdX19aaPBaIKOeAqR6rNDCVRQDy72o1cm.webp'/></item><item><title><![CDATA[Kanwar Yatra 2026 : કાવડ યાત્રા બનશે વધુ ભવ્ય, ઉત્તરપ્રદેશના 7 જિલ્લાઓમાં હેલિકોપ્ટરથી થશે પુષ્પવર્ષા ]]></title><link>https://sandesh.com/india/news/kanwar-yatra-2026-up-helicopter-flower-shower-7-districts</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/kanwar-yatra-2026-up-helicopter-flower-shower-7-districts</guid><pubDate>Mon, 03 Aug 2026 22:43:01 +05:30</pubDate><description><![CDATA[<p>ઉત્તર પ્રદેશ સરકાર આ વર્ષે કાવડ યાત્રાને વધુ ભવ્ય અને શ્રદ્ધાપૂર્ણ બનાવવા માટે વિશેષ આયોજન કરી રહી છે. શિવભક્ત કાવડિયાઓના સન્માનમાં 9 અને 10 ઓગસ્ટના રોજ પશ્ચિમ ઉત્તર પ્રદેશના સાત જિલ્લાઓમાં હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવશે. સરકારનો ઉદ્દેશ કાવડ યાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓનું સ્વાગત કરવો અને તેમને વિશેષ સન્માન આપવાનો છે.</p><h2><b>અલગ અલગ જિલ્લામાં થશે પુષ્પવર્ષા&nbsp;</b></h2><p>આ વિશેષ અભિયાન હેઠળ હેલિકોપ્ટર દ્વારા કુલ લગભગ 10 કલાક સુધી કાવડ યાત્રા માર્ગો પર ફૂલો વરસાવવામાં આવશે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ 9 ઓગસ્ટના રોજ હેલિકોપ્ટર સવારે લખનઉથી બાગપત માટે રવાના થશે. બાગપતમાં સવારે 10:30થી 11:15 વાગ્યા સુધી કાવડિયાઓ પર પુષ્પવર્ષા કરવામાં આવશે. ત્યારબાદ હેલિકોપ્ટર સહારનપુર પહોંચશે, જ્યાં સવારે 11:45થી બપોરે 12:45 વાગ્યા સુધી શિવભક્તોનું ફૂલોથી સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ મુઝફ્ફરનગરમાં બપોરે 1:30થી 2:15 વાગ્યા સુધી અને મેરઠમાં સાંજે 3:45થી 4:30 વાગ્યા સુધી પુષ્પવર્ષા કરવામાં આવશે.</p><h3><b>લાખો શિવભક્તોમાં ઉત્સાહ વધશે</b></h3><p>10 ઓગસ્ટના રોજ બીજા તબક્કામાં મેરઠથી હેલિકોપ્ટર ઉડાન ભરશે અને સૌથી પહેલા ગાઝિયાબાદ પહોંચશે. અહીં સવારે 8:30થી 9:15 વાગ્યા સુધી કાવડિયાઓ પર ફૂલો વરસાવવામાં આવશે. ત્યારબાદ હાપુડમાં સવારે 9:45થી 10:30 વાગ્યા સુધી અને બુલંદશહરમાં સવારે 11:15થી બપોરે 12 વાગ્યા સુધી આ કાર્યક્રમ યોજાશે.</p><p>આ સમગ્ર આયોજનમાં બાગપત, સહારનપુર, મુઝફ્ફરનગર, મેરઠ, ગાઝિયાબાદ, હાપુડ અને બુલંદશહર એમ કુલ સાત જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા હેલિકોપ્ટરની ઉડાન, સમય અને સ્થળનો સંપૂર્ણ કાર્યક્રમ અગાઉથી તૈયાર કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ સરકારનું માનવું છે કે આ આયોજનથી કાવડ યાત્રામાં જોડાયેલા લાખો શિવભક્તોમાં ઉત્સાહ વધશે અને યાત્રાને વધુ ભવ્ય સ્વરૂપ મળશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/supreme-court-order-ensure-space-for-pedestrians-on-every-road-in-the-country" target="_blank">આ પણ વાંચો : Supreme Court Order: દેશના દરેક રોડ પર પગપાળા મુસાફરો માટે જગ્યા સુનિશ્ચિત કરો</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/9HJ7O3SV8v3tSbZJp1kqY6n0Bm6I6BdLIZArFjsD.webp'/></item><item><title><![CDATA[Sandesh Digital Explainer: બાંકીપુરમાં પ્રશાંત કિશોરે કેવી રીતે તોડ્યો ભાજપનો અભેદ્ય કિલ્લો? ]]></title><link>https://sandesh.com/explainer/news/india/how-prashant-kishor-shook-bjp-rsquo-s-stronghold-in-bihar</link><guid isPermaLink="true">https://sandesh.com/explainer/news/india/how-prashant-kishor-shook-bjp-rsquo-s-stronghold-in-bihar</guid><pubDate>Mon, 03 Aug 2026 22:35:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દેશમાં બિહાર, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં વિધાનસભાની ત્રણ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ અને તેમાં બે બેઠકો પર ભાજપની હાર થઈ. ગુજરાતના વડોદરાની માંજલપુર બેઠક પર ભાજપનો વિજય થયો. બીજી બાજુ ભાજપનો ગઢ અને ભાજપ અધ્યક્ષની બેઠક પર પ્રશાંત કિશોરની જીત થતાં રાજકીય ચિત્ર બદલાઈ ગયું. ગઢમાં ગાબડું પડતાં ભાજપ માટે હવે સમય કેવો હશે તે તો સમય બતાવશે. પરંતુ બિહારની બાંકીપુર અને મધ્ય પ્રદેશની દતિયા બેઠકના પરિણામોએ રાજકીય પંડિતો અને નેતાઓને વિચારતાં કરી દીધા છે.પ્રશાંતને 63946 મત મળ્યા જ્યારે ભાજપના ઉમેદવાર નીરજ કુમારને 44700 મત મળ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>ભાજપના આ કિલ્લાને કેવી રીતે ધ્રુજાવી દીધો</b></h2><p style="text-align: justify; ">જનસુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે પોતાની પહેલી જ ચૂંટણીમાં ઇતિહાસ રચી દીધો છે.બિહારની બાંકીપુર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ સામે આવ્યું.પ્રશાંત કિશોરે ભાજપનો ગઢ ગણાતી આ બેઠક પર મોટી જીત હાંસલ કરી લીધી છે.આ પરિણામ ભારતીય જનતા પાર્ટી માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યું છે કારણ કે આ બેઠક ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન સાથે જોડાયેલી હતી.તેમના રાજ્યસભામાં ગયા બાદ બાંકીપુર બેઠક ખાલી પડી હતી જેના કારણે આ પેટાચૂંટણી યોજાઈ હતી.ભાજપે બાંકીપુર બેઠક જીતવા માટે પૂરેપૂરું જોર લગાવી દીધું હતું.પરંતુ પ્રશાંત કિશોરની રણનીતિ ભાજપની સ્ટ્રેટેજી પર ભારે પડી ગઈ છે.ચાલો જાણીએ કે પ્રશાંત કિશોરે ભાજપના આ કિલ્લાને કેવી રીતે ધ્રુજાવી દીધો.</p><p style="text-align: justify; "><img alt="બાંકીપુર" src="https://epapercdn.sandesh.com/images/2026/08/03/03I35DVzwVEi6xfcf3LZHA0ELkYHxRCiJiqCSVcu.webp" style="width: 100%;"><br></p><h3 style="text-align: justify; "><b>પ્રશાંત કિશોરે કેવી રીતે હલાવ્યો ભાજપનો કિલ્લો?</b></h3><p style="text-align: justify; ">બાંકીપુરમાં પ્રશાંત કિશોરે કેવી રીતે ભાજપને ગાબડું પાડ્યું તે બાબતે સતત ચર્ચા ચાલી રહી છે.તમને જણાવી દઈએ કે પ્રશાંત કિશોર બ્રાહ્મણ જ્ઞાતિમાંથી આવે છે. બાંકીપુર બેઠક પર 7 ટકા બ્રાહ્મણ, 7 ટકા ભૂમિહાર અને 5 ટકા રાજપૂત મતદારો છે.પ્રશાંત કિશોરે સમગ્ર પ્રચાર દરમિયાન પોતાને ભાજપના વિકલ્પ તરીકે રજૂ કર્યા હતા.તેમણે ચૂંટણીમાં અપર કાસ્ટ અને EBC (12%થી 15% વોટ)ના મતોમાં ગાબડું પાડ્યું.એવું પણ માનવામાં આવે છે કે પ્રશાંત કિશોરે RJDના મુસ્લિમ વોટ બેંકમાં પણ વિભાજન કર્યું છે.જેનું પરિણામ ચૂંટણી પરિણામોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.ખુદ RJDના નેતાઓનું પણ કહેવું છે કે ભાજપ અને નીતિશ કુમારની JDUનો વોટ પ્રશાંત કિશોર તરફ ટ્રાન્સફર થયો છે.</p><h2 style="text-align: justify; "><b>બાંકીપુર બેઠક કેમ મહત્વપૂર્ણ હતી?</b></h2><p style="text-align: justify; ">પટનાની બાંકીપુર બેઠક બિહારમાં ભાજપનો ગઢ રહી છે.આ બેઠક પર 1995થી ભાજપનો કબજો રહ્યો છે.1995થી 2005સુધી નિતિન નબિનના પિતા નવીન કિશોર આ બેઠક પરથી સતત ચૂંટણી જીતતા આવ્યા હતા.ત્યારે આ બેઠક પટના પશ્ચિમ તરીકે ઓળખાતી હતી.પિતાના અવસાન બાદ વર્ષ 2006માં નિતિન નબિને આ બેઠક પરથી પેટાચૂંટણી જીતી હતી.ત્યારપછી 2010થી નિતિન નવીન સતત બાંકીપુરથી ચૂંટણી જીતતા આવ્યા છે.અધ્યક્ષ બન્યા બાદ નિતિન નવીને બાંકીપુરથી રાજીનામું આપ્યું હતું.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>કોણ કોણ હતા ઉમેદવાર?</b></h2><p style="text-align: justify; ">બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ નીરજ કુમાર સિંહાને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા.પાર્ટીએ ઉમેદવારી નોંધાવવાના અંતિમ સમયે પોતાનો ઉમેદવાર બદલ્યો હતો.બીજી તરફ,બિહારના મુખ્ય વિરોધ પક્ષ RJDએ રેખા ગુપ્તાને ઉમેદવાર જાહેર કર્યા હતા.રેખા ગુપ્તાએ વર્ષ 2025માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પણ બાંકીપુરથી RJDની ટિકિટ પર ચૂંટણી લડી હતી.જ્યારે જનસુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોર પહેલીવાર ખુદ ચૂંટણી મેદાનમાં ઉતર્યા અને બાંકીપુરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી.આવી સ્થિતિમાં બિહારની બાંકીપુર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણી પર સમગ્ર દેશના રાજકારણની નજર ટકેલી હતી.હવે પ્રશાંત કિશોરે આ બેઠક પરથી વિજય મેળવી લીધો છે.</p><h2 style="text-align: justify; "><b>ભાજપના વોટ બેંકમાં જબરદસ્ત ગાબડું</b></h2><p style="text-align: justify; ">ભાજપને પૂરો ભરોસો હતો કે તે આ બેઠક જીતી લેશે.એનું કારણ એ હતું કે બાંકીપુરમાં 33 ટકા સવર્ણ મતદારો હતા.તેમાં પણ 14% કાયસ્થ મતદારો હતા જેઓ નિતિન નબિનના સમાજના જ છે.ભાજપના ઉમેદવાર નીરજ કુમાર પણ કાયસ્થ સમાજના હતા.ભાજપને આશા હતી કે આ લોકો તેમને એકતરફી વોટ કરશે.જોકે, એવું બન્યું નહીં.ચૂંટણી પરિણામોથી સ્પષ્ટ થાય છે કે પ્રશાંત કિશોરે ભાજપના વોટ બેંકમાં પણ ભારે ગાબડું પાડી દીધું છે.</p><h2 style="text-align: justify; "><b>બિહારના રાજકારણની દિશા ચોક્કસ બદલી શકે</b></h2><p style="text-align: justify; ">પ્રશાંત કિશોરે પોતે સ્પષ્ટ કર્યું છે કે આ ચૂંટણી ભલે સરકાર ન બદલે, પરંતુ તે બિહારના રાજકારણની દિશા ચોક્કસ બદલી શકે છે. હવે તેમણે આશ્રમમાં રહીને ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ કરવાનો નિર્ણય લીધો છે, જ્યાં તેઓ પોતાને મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે પ્રસ્થાપિત કરવાની નેમ ધરાવે છે. તેમણે "સમ્રાટ ચૌધરી જનાદેશ વિના મુખ્યમંત્રી બન્યા છે અને જનતાએ નીતિશ કુમારને ચૂંટ્યા હતા" એવો આકરો પ્રહાર કરીને આ ચૂંટણી સીધી રીતે વર્તમાન સરકાર સામે જ લડી હતી, જેનાથી સ્પષ્ટ થાય છે કે તેમની સાચી નજર ૨૦૨૭ના આંગણે આવીને ઊભેલા સંગ્રામ પર છે.</p><h2 style="text-align: justify; "><b>પ્રશાંત કિશોરનું આગામી પગલું શું હોઈ શકે?</b></h2><p style="text-align: justify; ">જો વિધાનસભા ચૂંટણીને બાજુ પર રાખીએ, તો જન-સુરાજ પાર્ટીનું પ્રથમ લક્ષ્ય બાંકીપુરમાં ચૂંટણી જીતવાનું હતું, જે પાર્ટીએ હાસલ કરી લીધું છે. હવે જ્યારે પ્રશાંત કિશોર વિધાનસભામાં પહોંચશે, ત્યારે તેઓ પોતાની યોગ્યતાનો પરિચય આપશે. તેઓ પોતાના વિચારો અને વાતોથી બિહારના જન-જન સુધી પહોંચવાનો પ્રયાસ કરશે. તેઓ સારી રીતે જાણે છે કે બિહારની જનતાની નજર તેમના પર જ રહેશે.તેઓ સીધા સરકારને પ્રશ્નો પૂછશે એવા પ્રશ્નો, જેમના વિશે તેઓ સતત વાત કરતા રહ્યા છે.તેઓ અવાસ્તવિક વાતો કે પોકળ વચનો આપવાને બદલે આંકડાઓ સાથે સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે.આમ તો વિપક્ષમાં RJD (રાષ્ટ્રીય જનતા દળ) છે, પરંતુ પ્રશાંત કિશોરની નવી રણનીતિ એ રહેશે કે વિપક્ષની ભૂમિકામાં RJD કરતાં વધુ ચર્ચા જન-સુરાજ પાર્ટીની થાય. પ્રશાંત કિશોર હંમેશા બિહારમાં રાજકીય માળખું બદલવાની વાત કરે છે. અત્યાર સુધી બિહારમાં જ્ઞાતિ આધારિત રાજકારણનું વર્ચસ્વ રહ્યું છે. યાદવ અને મુસ્લિમ મતદારો પર RJD ની મજબૂત પકડ રહી છે, જ્યારે ભાજપ અને JDU ઉચ્ચ જ્ઞાતિઓ, OBC અને EBC મતદારોને પોતાના માને છે.અત્યાર સુધીનો વોટિંગ ટ્રેન્ડ પણ કંઈક આવો જ રહ્યો છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/RhdlTbdintRVnH7K2dzWKfbfQQYyksUQzs9sPQAM.webp'/></item><item><title><![CDATA[LIC OFS : LICમાં સરકાર વેચશે 6.5 ટકા હિસ્સો, રોકાણકારોને 11 ટકા ડિસ્કાઉન્ટમાં મળશે શેર ]]></title><link>https://sandesh.com/business/news/lic-ofs-government-sells-6-5-percent-stake-11-percent-discount-share-offer</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/lic-ofs-government-sells-6-5-percent-stake-11-percent-discount-share-offer</guid><pubDate>Mon, 03 Aug 2026 21:49:58 +05:30</pubDate><description><![CDATA[<p>કેન્દ્ર સરકારે લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)માં પોતાની 6.5 ટકા સુધીની હિસ્સેદારી ઓફર ફોર સેલ (OFS) મારફતે વેચવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ પ્રક્રિયા સરકારના ડિસઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમનો ભાગ છે. સરકારે OFS માટે પ્રતિ શેર ₹382નો ફ્લોર પ્રાઈસ નક્કી કર્યો છે, જે સોમવારે LICના બંધ ભાવ ₹424.35 કરતાં અંદાજે 11 ટકા ઓછો છે.</p><h2><b>8 ઓગસ્ટ સુધી ટ્રેડિંગ વિન્ડો બંધ રહેશે</b></h2><p>ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM)ના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કામાં 2.5 ટકા હિસ્સો વેચવામાં આવશે. જો રોકાણકારો તરફથી વધુ માગ આવશે તો 4 ટકાનો ગ્રીનશૂ વિકલ્પ પણ અમલમાં મૂકવામાં આવશે. આ રીતે કુલ 6.5 ટકા સુધીની હિસ્સેદારી વેચી શકાય છે. OFS 4 ઓગસ્ટે બિન-રિટેલ (Non-Retail) રોકાણકારો માટે ખુલશે, જ્યારે રિટેલ રોકાણકારો 5 ઓગસ્ટે તેમાં ભાગ લઈ શકશે. LICએ આ દરમિયાન કંપનીની ટ્રેડિંગ વિન્ડો 8 ઓગસ્ટ, 2026 સુધી બંધ રાખવાની માહિતી પણ આપી છે.</p><h3><b>કેટલી છે સરકારની ભાગીદારી?</b></h3><p>હાલમાં LICમાં ભારત સરકારની 96.5 ટકા હિસ્સેદારી છે. OFS પૂર્ણ થયા બાદ સરકારનો હિસ્સો ઘટીને આશરે 90 ટકા રહેશે. DIPAMના સચિવ અરુણિશ ચાવલાએ જણાવ્યું હતું કે આ હિસ્સેદારી વેચાણથી સરકાર ન્યૂનતમ જાહેર શેરહોલ્ડિંગનું લક્ષ્ય નિર્ધારિત સમય પહેલાં જ હાંસલ કરી શકશે.</p><p>નોંધનીય છે કે સેબીએ (SEBI) LICને મે 2027 સુધી સરકારની હિસ્સેદારી 90 ટકા સુધી ઘટાડવા માટે સમય આપ્યો હતો. જાહેર શેરહોલ્ડિંગના નિયમો અનુસાર સૂચિબદ્ધ કંપનીઓએ નિર્ધારિત સમયમર્યાદામાં જાહેર રોકાણકારોનો હિસ્સો વધારવો જરૂરી હોય છે. આ OFS તે જ દિશામાં સરકારનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.<br><br><b><a href="https://sandesh.com/business/news/coal-india-production-growth-july-2026-share-price-update" target="_blank">આ પણ વાંચો : Coal India Production: સરકારી કંપનીનું કોલસાનું પ્રોડક્શન 8 ટકા વધ્યું, શેરના ભાવ પર રહેશે નજર</a></b></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/f8onXJnZozwFXQWkEAn5pakGz1LRpujX14vpDrNS.webp'/></item><item><title><![CDATA[Gyaneshwari Yadavને મળશે 30 લાખ રૂપિયાનું ઈનામ અને પ્રમોશન, છત્તીસગઢના સીએમ વિષ્ણુ દેવ સાંઈએ કરી મોટી જાહેરાત ]]></title><link>https://sandesh.com/sports/news/gyaneshwari-yadav-commonwealth-games-silver-dsp-reward</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/gyaneshwari-yadav-commonwealth-games-silver-dsp-reward</guid><pubDate>Mon, 03 Aug 2026 21:07:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈએ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં સિલ્વર મેડલ જીતનાર રાજ્ય વેઈટલિફ્ટર જ્ઞાનેશ્વરી યાદવનું સ્વાગત કર્યું. જ્ઞાનેશ્વરીને તેમના નિવાસસ્થાને અભિનંદન આપતા મુખ્યમંત્રીએ 30 લાખ રૂપિયાનું ઈનામ અને પોલીસ વિભાગમાં DSP પદ પર પ્રમોશનની જાહેરાત કરી. જ્ઞાનેશ્વરી હાલમાં રાજનાંદગાંવ જિલ્લા પોલીસ વિભાગમાં સહાયક સબ-ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>વિષ્ણુ દેવ સાંઈએ જ્ઞાનેશ્વરી યાદવને અભિનંદન પાઠવ્યા</b></h2><p style="text-align: justify; ">છત્તીસગઢની જ્ઞાનેશ્વરીએ 53 કિલોગ્રામ વેઈટલિફ્ટિંગ સ્પર્ધામાં કુલ 199 કિલોગ્રામ વજન ઉપાડીને સિલ્વર મેડલ જીત્યો . મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈએ તેને તેના પ્રભાવશાળી વિજય બદલ અભિનંદન આપ્યા અને કહ્યું કે જ્ઞાનેશ્વરીએ બતાવ્યું છે કે દૃઢ નિશ્ચય અને સખત મહેનતથી કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે.</p><p style="text-align: justify; ">તેમને એમ પણ કહ્યું કે તેની સફળતા છત્તીસગઢના રમતગમત ઈતિહાસમાં એક યાદગાર ક્ષણ છે અને રાજ્યના યુવાનો, ખાસ કરીને છોકરીઓને આગળ વધવા માટે પ્રેરણા આપશે. મુખ્યમંત્રીએ કહ્યું કે છત્તીસગઢ સરકાર રમતવીરોને સપોર્ટ આપવા માટે સતત કામ કરી રહી છે. સરકાર તેમને સારું કોચિંગ, ઉત્તમ સુવિધાઓ અને જરૂરી સાધનો પૂરા પાડી રહી છે જેથી તેઓ ઓલિમ્પિક અને એશિયન ગેમ્સ જેવી મોટી ઈવેન્ટ્સમાં દેશ અને રાજ્યનું ગૌરવ વધારી શકે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/vishnudsai/status/2084255157525856593"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3 style="text-align: justify; "><b>જ્ઞાનેશ્વરી એશિયન ગેમ્સમાં મેડલ જીતવા માગે છે</b></h3><p style="text-align: justify; ">પોતાની સફળતા વિશે વાત કરતાં જ્ઞાનેશ્વરીએ તેના પિતાને યાદ કર્યા. તેણે સમજાવ્યું કે તેના પિતા પોતે બોડીબિલ્ડિંગનો અભ્યાસ કરતા હતા અને દરરોજ તેને સાયકલ પર જીમમાં લઈ જતા હતા. તેના પિતાનું સ્વપ્ન હતું કે તેની પુત્રી તે પ્રાપ્ત કરે જે તે પોતે પ્રાપ્ત કરી શક્યા નહીં અને દેશને ગૌરવ અપાવે.</p><p style="text-align: justify; ">જ્ઞાનેશ્વરીએ સમજાવ્યું કે સ્પર્ધાના દિવસે તેનો પીરિયડ્સનો પહેલો દિવસ હતો અને તે ખૂબ પીડા અનુભવી રહી હતી. આમ છતાં તેણે હિંમત હારી નહીં અને એક પછી એક તેને બધી લિફ્ટ્સ યોગ્ય રીતે પૂર્ણ કરી. જ્ઞાનેશ્વરી ડીએસપી બનવાના સમાચારથી ખૂબ જ ખુશ છે. તેણે કહ્યું કે હવે તેનું સંપૂર્ણ ધ્યાન એશિયન ગેમ્સ પર છે, જે એક મહિના પછી યોજાશે, જેના માટે તેણે પહેલેથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/Tx0pUshrkgztKi7d4Qp48C4NxFCfpSYhdyDpdTX9.webp'/></item><item><title><![CDATA[Patadi: શ્રમિક સેવા ટ્રસ્ટની નિવાસી શાળામાં પાણી ભરાયા, 150 વિદ્યાર્થીઓને હાલાકી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/patdi/degam-shramik-sewa-trust-residential-school-waterlogging-150-students-affected</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/patdi/degam-shramik-sewa-trust-residential-school-waterlogging-150-students-affected</guid><pubDate>Mon, 03 Aug 2026 20:16:19 +05:30</pubDate><description><![CDATA[<p>પાટડી તાલુકામાં આવેલા દેગામ ખાતે શ્રમિક સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા આવેલી છે. આ નિવાસી શાળામાં મુખ્યત્વે સમાજના અનાધાર, શ્રમિક અને મધ્યમ વર્ગના આશરે 150 જેટલા ગરીબ બાળકો અભ્યાસ કરે છે. બાળકો માટે રહેવા, જમવા અને ભણવાની તમામ સુવિધાઓ આ જ એક જ બિલ્ડિંગ સંકુલમાં આવેલી છે.</p><h2><b>બિલ્ડિંગની ચારેય બાજુ ગોઠણસમા પાણી&nbsp;</b></h2><p>હાલમાં પડી રહેલા ભારે વરસાદના કારણે શાળાના મુખ્ય ગ્રાઉન્ડ અને બિલ્ડિંગની ચારેય બાજુ ગોઠણસમા વરસાદી પાણી ભરાઈ ગયા છે. આ જ પરિસરમાં વિદ્યાર્થીઓ રહેતા પણ હોવાથી, તેમને ભોજન ખંડ કે રૂમની બહાર નીકળવું અત્યંત જોખમી બન્યું છે. પાણી ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતાં આ માસુમ બાળકોમાં રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી દહેશત વર્તાઈ રહી છે.</p><h3><b>પાણી ભરાઈ જવાની વિકટ સમસ્યા</b></h3><p>શાળાના આચાર્ય અને શ્રમિક સેવા ટ્રસ્ટના સંચાલકોના જણાવ્યા મુજબ, દર વર્ષે ચોમાસામાં શાળા કમ્પાઉન્ડમાં પાણી ભરાઈ જવાની વિકટ સમસ્યા સર્જાય છે. આ અંગે તેમણે પાટડી તાલુકા પંચાયત, મામલતદાર કચેરી તેમજ શિક્ષણ વિભાગમાં વારંવાર રજૂઆતો કરી છે. છતાં પણ આજદિન સુધી આ ભરાયેલા પાણીના નિકાલ માટે કોઈ કાયમી કામગીરી કરવામાં આવી નથી.</p><h4><b>શાળા પરિવાર અને ગ્રામજનોની કડક માગ</b></h4><p>શ્રમિક સેવા ટ્રસ્ટ સંચાલિત આ શાળામાં ભણતાં શ્રમિક પરિવારના બાળકોના આરોગ્ય અને ભવિષ્યને ધ્યાને રાખીને, તંત્ર દ્વારા તાત્કાલિક પંપ મૂકી પાણી ઉલેચવામાં આવે તેમજ ભવિષ્યમાં પાણી ન ભરાય તે માટે ગટર/નાળા મારફતે વરસાદી પાણીના કાયમી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/morbi/juna-malaniyad-road-eroded-dhangadhra-tikkar-route-closed-farmers-detour" target="_blank">આ પણ વાંચો: Morbi: જુના માલણીયાદ પાસે ભારે વરસાદથી રસ્તાનું ધોવાણ, મુખ્ય માર્ગ બંધ થતાં વાહનચાલકો ત્રસ્ત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/a3Ax7VJgIyEZjMCTF4UQseWtpS89dkDkUjPeDohC.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: 16મો ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે, ગુજરાતની 3 સરકારી હોસ્પિટલોને મળ્યા રાષ્ટ્રીય એવોર્ડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-wins-3-national-awards-16th-indian-organ-donation-day-ikdrc-civil-hospitals</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-wins-3-national-awards-16th-indian-organ-donation-day-ikdrc-civil-hospitals</guid><pubDate>Mon, 03 Aug 2026 18:16:39 +05:30</pubDate><description><![CDATA[<p>નવી દિલ્હી ખાતે આયોજિત 16મા 'ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે' સમારોહમાં ગુજરાતની આરોગ્ય સેવાનો સાર્વત્રિક જોશ જોવા મળ્યો હતો. દેશભરમાંથી અંગદાન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સમાન સેવાની કામગીરી કરતી સંસ્થાઓમાં ગુજરાતની સરકારી હોસ્પિટલોએ સિંહફાળો આપ્યો છે.</p><h2><b>ગુજરાતની આરોગ્ય સેવાનો સાર્વત્રિક જોશ જોવા મળ્યો</b></h2><p>આ સમારોહમાં અમદાવાદની જાણીતી IKDRC (ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડીસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર) ને "Excellence in Organ Transplantation" એવોર્ડથી નવાજવામાં આવી હતી. જ્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલને "Best Non-Transplant Organ Retrieval Centre" અને સુરતની નવી સિવિલ હોસ્પિટલને "Best Brain Stem Death Team" નો રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી અંગદાન અંગે જાગૃતિનો મોટો પવન ફૂંકાયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલે 48 બ્રેઈનડેડ મૃતદાતાઓના પરિજનોને પ્રોત્સાહિત કરીને 171 જેટલા મહા મૂલ્યવાન અંગોનું સફળ રીટ્રીવલ કર્યું હતું, જેનાથી દેશભરના દર્દીઓને નવું જીવન મળ્યું છે.</p><h3><b>PM-JAY યોજના હેઠળ વિનામૂલ્યે સારવાર</b></h3><p>IKDRC માં વર્ષ ૨૦૨૫ માં કુલ 597 સફળ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા. આશ્ચર્યજનક અને ગર્વ લેવા જેવી બાબત એ છે કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) હેઠળ 380 ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ની સુવિધા પૂરી પાડવામાં આવી છે. ગુજરાતના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ ટીમ તેમજ અંગદાતાઓના પરિવારોને બિરદાવતા કહ્યું હતું કે, સમાજ અને તબીબોના સહિયારા પ્રયાસોથી આજે ગુજરાત ઓર્ગન ડોનેશન ક્ષેત્રે દેશભરમાં એક મજબૂત અને પ્રેરણાદાયી રોલ મોડેલ બનીને ઉભરી આવ્યું છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/crime/rajkot/bhaktinagar-murder-case-ghanshyamsinh-vaghela-dharmendrasinh-arrested" target="_blank">આ પણ વાંચો: Rajkot: અનૈતિક સંબંધની શંકા અને 2 વર્ષ જૂની અદાવતમાં હત્યા, સમાધાન ન થતાં ખેલાયો ખૂની ખેલ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/fH22J5rZF3zeTL48GRKpGYBHjGQyGu6gWcDWrio0.webp'/></item><item><title><![CDATA[વાંચો બપોરે 03થી સાંજે 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-03-pm-to-06-pm-3-august-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-03-pm-to-06-pm-3-august-2026</guid><pubDate>Mon, 03 Aug 2026 17:59:41 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર</b></p><p><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-approves-subhash-bridge-work" target="_blank"><b>1. Ahmedabad News: AMC રોડ કમિટીએ સુભાષબ્રિજના કામને મંજૂરી આપી, કુલ ખર્ચમાં 7થી 10 કરોડનો ફાયદો થશે</b></a></p><p><a href="https://sandesh.com/india/news/political-news/bankipur-by-election-result-prashant-kishor-wins-bjp-defeat" target="_blank"><b>2. Bankipur By Election Result : પ્રશાંત કિશોરની મોટી લીડ સાથે જીત, ભાજપે હાર સ્વીકારી લીધી</b></a></p><p><a href="https://sandesh.com/india/news/mohan-bhagwat-to-address-gen-z--gen-alpha-in-mumbai-on-aug-6" target="_blank"><b>3. RSSના સંઘ પ્રમુખ મોહન ભાગવત Gen-Z સાથે કરશે સંવાદ, 100થી વધુ શહેરના વિદ્યાર્થીઓ થશે સામેલ</b></a></p><p><a href="https://sandesh.com/cricket/news/moeen-ali-praises-ashish-nehra-cricket-brain" target="_blank"><b>4. Cricketમાં સૌથી તેજ મગજ ધરાવતો ખેલાડી કોણ છે? મોઈન અલીએ કર્યો મોટો ખુલાસો</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/tat-s-2026-mains-exam-date-announced-seb-hall-ticket-september-7" target="_blank"><b>5. Gandhinagar: TAT-S 2026 મુખ્ય પરીક્ષાની તારીખો જાહેર, 20 સપ્ટેમ્બરે મુખ્ય પરીક્ષા, 7 સપ્ટેમ્બરથી ડાઉનલોડ થશે હોલ ટિકિટ</b></a></p><p><a href="https://sandesh.com/cricket/news/shubman-gill-3000-wtc-runs-milestone" target="_blank"><b>6. WTCમાં ઈતિહાસ રચવાથી માત્ર 157 રન દૂર કેપ્ટન શુભમન ગિલ, પહેલો ભારતીય બેટર બનશે</b></a></p><p><a href="https://sandesh.com/india/news/why-did-brij-bhushan-singh-get-relief-even-after-a-1000-page-charge-sheet-and-statements-from-108-people" target="_blank"><b>7. Brij Bhushan Singh વિરુદ્ધ 1000 પાનાની ચાર્જશીટ, 108 લોકોના નિવેદન; છતાં કેમ મળી રાહત?</b></a></p><p><a href="https://sandesh.com/world/news/bangladesh-high-alert-103-bombs-found-from-dhaka-to-chittagong-fear-of-attack-on-police" target="_blank"><b>8. Bangladesh High Alert: ઢાકાથી ચટગાંવ સુધી 103 બોમ્બ મળતા પોલીસ પર હુમલાની આશંકા</b></a></p><p><a href="https://sandesh.com/entertainment/news/bigg-boss-winner-gaurav-khanna-injured-in-khatro-ke-khiladi-15-shares-painful-experience" target="_blank"><b>9. Bigg Boss Winner : ખતરો કે ખિલાડી 15માં ઘાયલ થયો ગૌરવ ખન્ના, શેર કર્યો દર્દનાક અનુભવ!</b></a></p><p><a href="https://sandesh.com/india/news/delhi-bomb-threat--schools--red-fort--mayor-office-targeted--police-probe" target="_blank"><b>10. Delhiની શાળા બાદ હવે લાલ કિલ્લાને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ એક્શન મોડમાં...</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/05/30/ci0PwfUyHcao4H4ziwpdhMLnO6QMfKyI3jwCPvfh.webp'/></item><item><title><![CDATA[Celebrity Home  : 1 કરોડનું ઈન્ટીરીયર, 5 કરોડનું ઘર... મનીષા રાનીએ બતાવ્યું પોતાનું ડ્રીમ હોમ આંગન ]]></title><link>https://sandesh.com/entertainment/news/bigg-boss-ott-manisha-rani-new-house-1</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/bigg-boss-ott-manisha-rani-new-house-1</guid><pubDate>Mon, 03 Aug 2026 17:47:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">28 વર્ષની ઉંમરે મનીષા રાની એ એવી સિદ્ધિ મેળવી છે, જે મેળવવામાં ઘણા લોકોને વર્ષો લાગી જાય છે. બિહારના મુંગેરની રહેવાસી મનીષાએ મુંબઈના પોશ વિસ્તારમાં પોતાનું ઘર ખરીદીને તેને એક લક્ઝરી હોમમાં ફેરવી દીધું છે. બિગ બોસ OTT ફેમ અને ઇન્ફ્લુએન્સર મનીષા રાની એ આખરે મુંબઈના ગોરેગાંવમાં આવેલા પોતાના ભવ્ય ઘરની ઝલક બતાવી છે. લગભગ 5 કરોડ રૂપિયાની કિંમત ધરાવતા આ ઘરમાં રહેવા જતાં પહેલાં તેણે તેના રિનોવેશનમાં 1 વર્ષથી વધુ સમય આપ્યો હતો. મનીષાએ પોતાના ઘરને આંગન નામ આપ્યું છે. ઘરના મુખ્ય દરવાજા પર પિત્તળના હેન્ડલ સાથે સંપૂર્ણ સફેદ દરવાજો લગાવવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>ઘરનું રિનોવેશન પૂર્ણ કરવામાં 1 વર્ષ લાગ્યું</b></h2><p style="text-align: justify; ">મનીષા રાનીને પોતાના સપનાના ઘરનું રિનોવેશન પૂર્ણ કરવામાં 1 વર્ષ લાગ્યું હતું અને તેણે કસ્ટમાઇઝ્ડ ઇન્ટિરિયર ડિઝાઇન પર લગભગ 1 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. મનીષાનું આ 3-BHK એપાર્ટમેન્ટ લગભગ 5 કરોડ રૂપિયાનું છે. તેનું ઘર મુંબઈની એક સોસાયટીના 17મા માળે આવેલું છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dbke0ITudtV/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dbke0ITudtV/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dbke0ITudtV/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dbke0ITudtV/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h2 style="text-align: justify; "><b>મનીષા રાનીનું લક્ઝરી ઘર</b></h2><p style="text-align: justify; ">મનીષા રાનીએ પોતાના યુટ્યુબ ચેનલ પર હોમ ટૂર વીડિયો શેર કરીને પોતાના સપનાના ઘરની ઝલક બતાવી હતી. તેણે જણાવ્યું કે ઘરના દરેક ખૂણાને તેની પસંદ પ્રમાણે ડિઝાઇન કરવામાં આવ્યો છે. માત્ર ઇન્ટિરિયર પર જ લગભગ 1 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે, જેથી ઘર બરાબર એવું જ બને જેવું તેણે હંમેશા સપનું જોયું હતું. ઘરના પ્રવેશદ્વારથી લઈને લિવિંગ એરિયા સુધી દરેક જગ્યાએ મોડર્ન અને એલિગન્ટ ઇન્ટિરિયર જોવા મળે છે. મનીષાએ જણાવ્યું કે તેમણે પોતાના ઘરને આંગન નામ આપ્યું છે, કારણ કે તેઓ ઇચ્છતા હતા કે આ માત્ર ઘર નહીં, પરંતુ પરિવાર અને પોતાના લોકોની યાદો સાથે જોડાયેલી ખાસ જગ્યા બને.</p><h3 style="text-align: justify; "><b>મનીષા રાનીના ઘરનું પ્રવેશદ્વાર</b></h3><p style="text-align: justify; ">મનીષાના ઘરમાં પ્રવેશ કરતાં જ સૌથી પહેલાં એક નાનું મંદિર જોવા મળે છે. અહીં તેણે ભગવાન હનુમાન, માતા લક્ષ્મી, ભગવાન શિવ અને ભગવાન ગણેશની મૂર્તિઓ સ્થાપિત કરી છે. તેણે જણાવ્યું, પૂજારીએ વાસ્તુ મુજબ મંદિર અહીં રાખવાની સલાહ આપી હતી. મંદિરની બાજુમાં એક નાનો રબર પ્લાન્ટ પણ રાખવામાં આવ્યો છે. મનીષાના જણાવ્યા મુજબ વાસ્તુમાં રબર પ્લાન્ટને આર્થિક સમૃદ્ધિ માટે શુભ માનવામાં આવે છે.<br><img alt="Manisha Rani (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/03/glfTl7G1pDqL5zNLYj1hYoXM1SNyCGhLx0sj2KnS.webp"><br></p><p style="text-align: justify; ">હોમ ટૂર દરમિયાન મનીષાએ પોતાનો લિવિંગ રૂમ, ડાઇનિંગ એરિયા, મોડ્યુલર કિચન, બેડરૂમ, ડ્રેસિંગ એરિયા અને બાલ્કની પણ બતાવી હતી. ઘરમાં મોટી બાલ્કની, ડાઇનિંગ ટેબલ વગરનો વિશાળ ઓપન-પ્લાન લિવિંગ રૂમ અને કસ્ટમ વોક-ઇન વોર્ડરોબ સાથેનો ડ્રેસિંગ રૂમ છે. મનીષા રાનીના નવા ઘરમાં દરેક રૂમ માટે અલગ કલર થીમ રાખવામાં આવી છે અને કિચનમાં માર્બલ ફિનિશવાળી ખાસ કેબિનેટ્સ બનાવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે ઘરના દરેક ભાગનું પ્લાનિંગ તેમણે જાતે કર્યું છે અને દરેક નાની-મોટી બાબતમાં તેમની પસંદ સામેલ છે.</p><h4 style="text-align: justify; "><b>મનીષા રાનીની સફર</b></h4><p style="text-align: justify; ">ઘર બતાવતાં-બતાવતાં મનીષા ઘણી વખત ભાવુક પણ થઈ ગઈ હતી. તેણે કહ્યું કે એક સમય એવો હતો જ્યારે તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે મુંબઈ જેવા શહેરમાં તેનું પોતાનું આટલું સુંદર ઘર હશે. આજે તેનું આ સપનું સાકાર થયું છે અને તેના માટે તેઓ પોતાના ફેન્સનો દિલથી આભાર માને છે. મનીષા રાનીની સફર પણ પ્રેરણાદાયક છે. બિહારના એક નાના શહેરમાંથી બહાર આવી તેમણે સોશિયલ મીડિયા દ્વારા પોતાની ઓળખ બનાવી. ત્યારબાદ 'બિગ બોસ OTT 2', 'ઝલક દિખલા જા 11' અને અનેક મ્યુઝિક વીડિયોઝે તેમને ઘર-ઘરમાં લોકપ્રિય બનાવી દીધા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/highest-paid-bollywood-actresses-fees-top-5" target="_blank">આ પણ વાંચો-Highest Paid Actress : એક ફિલ્મ માટે કરોડો રૂપિયા વસૂલે છે બોલીવુડની આ અભિનેત્રીઓ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/03/G0uqDpZf2ORCUaVW9xDCXyGHMmRDWrvQ78godrbk.webp'/></item></channel></rss>