<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabad Weather : શહેરમાં ભારે વરસાદથી મીઠાખળી અંડરપાસ બંધ, વાસણા બેરેજના ત્રણ દરવાજા ખોલાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/heavy-rain-in-ahmedabad-mithakhali-underpass-closed-after-heavy-rain</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/heavy-rain-in-ahmedabad-mithakhali-underpass-closed-after-heavy-rain</guid><pubDate>Mon, 14 Sep 2026 11:20:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે, જેના પગલે પૂર્વ વિસ્તારના રબારી કોલોની, વસ્ત્રાલ અને સીટીએમ તેમજ એસ.જી. હાઈવે, બોડકદેવ, સેટેલાઈટ અને ઈસ્કોન સહિત શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરાસદની આ ધમાકેદાર બેટિંગના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે, જેમાં પાલડીની શાંતિકૃપા રેસિડન્સીમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. શહેરમાં ભારે વરસાદને કારણે વાસણા બેરેજના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે.&nbsp;</p><p style="text-align: justify; "><img alt="અમદાવાદના દે ધનાધન" src="https://epapercdn.sandesh.com/images/2026/09/14/J8Pct57QLmCAdgqaXA5vv9xAReQvklDm8SK4MC6M.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>અમરાઈવાડી વિસ્તારમાં પણ પાણી ભરાયા</b></h2><p style="text-align: justify; ">શહેરમાં વરસેલા ભારે વરસાદને કારણે અમરાઈવાડી વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. ખાસ કરીને એપ્રિલપાર્ક મેટ્રો સ્ટેશન નજીક અને ત્યાંથી ગોમતીપુર તેમજ અમરાઈવાડી તરફ જવાના માર્ગો પર પાણી ભરાઈ જવાથી વાહનચાલકોને અવાર-જવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.આ ઉપરાંત, ધોધમાર વરસાદના કારણે શહેરના રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ગુજરાત કોલેજ અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જવા અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે ગરનાળામાં વાહનવ્યવહાર ખોરવાયો છે.  જેને લઈને પીક અવર્સમાં ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો અને મનપાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે.</p><p style="text-align: justify; "><img alt="અમદાવાદનો વરસાદ" src="https://epapercdn.sandesh.com/images/2026/09/14/Qzqyz3fRxJqQ6OkD6TaJZVyvxLasLfjyPFNGaC7y.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>મીઠાખળી અંડરપાસમાં પણ પાણી ભરાઈ ગયા</b></h2><p style="text-align: justify; ">શહેરમાં પડેલા માત્ર 30 મિનિટના વરસાદમાં જ મીઠાખળી અંડરપાસમાં પણ પાણી ભરાઈ જતા તેને બંધ કરવાની ફરજ પડી છે. આસપાસના વિસ્તારોનું પાણી પણ અંડરપાસમાં છોડાતું હોવાને કારણે થોડા જ વરસાદમાં આ સ્થિતિ સર્જાય છે અને વાહનચાલકો માટે અંડરપાસ બંધ કરવો પડે છે. પાણી ભરાઈ જવાના કારણે પાલડીની શાંતિકૃપા રેસિડન્સીમાં તો ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, જેનાથી સામાન્ય જનજીવન ગંભીર રીતે પ્રભાવિત થયું છે. શહેરમાં પરિમલ ગાર્ડન પાસે પાણી ભરાઈ જવાથી વાહન ચાલકો પરેશાન થયાં છે.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/red-alert-in-18-districts-for-extremely-heavy-rain-till-1-pm" target="_blank">આ પણ વાંચોઃ Gujarat Weather News : ગુજરાતીઓ આજે બપોરે 1 વાગ્યા સુધી સાવધાન, 18 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/RxJLbz3xen0txu1SZe8t1K5VVPH9X8sttEBYBf0x.webp'/></item><item><title><![CDATA[Alexander Zverev બન્યો ચેમ્પિયન, બેન શેલ્ટનને હરાવી પ્રથમ US Open ખિતાબ જીત્યો ]]></title><link>https://sandesh.com/sports/news/alexander-zverev-defeats-ben-shelton-to-become-us-open-champion</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/alexander-zverev-defeats-ben-shelton-to-become-us-open-champion</guid><pubDate>Mon, 14 Sep 2026 11:06:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જર્મનીના ટેનિસ ખેલાડી અલેકઝાન્ડર ઝ્વેરેવે શાનદાર રમતનું પ્રદર્શન કરીને 2026 US Openનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. રવિવારે ન્યૂયોર્કમાં રમાયેલી પુરુષ સિંગલ્સની ફાઇનલમાં ઝ્વેરેવે અમેરિકાના બેન શેલ્ટનને 6-3, 7-6 (2), 5-7, 6-2થી હરાવ્યો હતો. આ જીત સાથે ઝ્વેરેવે પોતાના કારકિર્દીનો બીજો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યો છે.ઘરઆંગણે રમતા 23 વર્ષના બેન શેલ્ટન પાસેથી અમેરિકન ચાહકોને ઘણી આશા હતી. અમેરિકાને આશા હતી કે 2003માં એન્ડી રૉડિક બાદ પ્રથમ વખત કોઈ અમેરિકન પુરુષ ખેલાડી ગ્રાન્ડ સ્લેમનું ટાઇટલ જીતશે. જોકે, ઝ્વેરેવે શરૂઆતથી જ દબદબો જાળવી રાખ્યો અને શેલ્ટનની આ ઐતિહાસિક તક અધૂરી રહી ગઈ.</p><h3 style="text-align: justify; "><b>પ્રથમ સેટથી જ ઝ્વેરેવનો દબદબો</b></h3><p style="text-align: justify; ">શેલ્ટન પોતાના પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં રમવા ઉતર્યા હતા અને શરૂઆતથી જ તેમના પર દબાણ જોવા મળ્યું.પ્રથમ સેટના શરૂઆતના ગેમમાં ડબલ ફૉલ્ટના કારણે ઝ્વેરેવે ફાયદો ઉઠાવ્યો. જર્મન ખેલાડીએ આ તકનો ઉપયોગ કરીને પ્રથમ સેટ 6-3થી જીતી લીધો.બીજા સેટમાં શેલ્ટને વાપસી કરવાનો પ્રયાસ કર્યો અને બંને ખેલાડીઓ વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો. જોકે, ટાઇબ્રેકમાં ઝ્વેરેવે શાનદાર રમત બતાવી અને 7-2થી સેટ જીતીને મેચમાં પોતાની પકડ વધુ મજબૂત કરી.</p><h4 style="text-align: justify; "><b>શેલ્ટને ત્રીજા સેટમાં કરી વાપસી</b></h4><p style="text-align: justify; ">ત્રીજા સેટમાં બેન શેલ્ટને શાનદાર વાપસી કરી. અમેરિકન ખેલાડીએ દબાણ વચ્ચે પોતાની રમતને વધુ મજબૂત બનાવી અને 7-5થી સેટ પોતાના નામે કર્યો. આ સાથે સ્ટેડિયમમાં હાજર અમેરિકન ચાહકોમાં ફરી આશા જાગી હતી.શેલ્ટનને પ્રોત્સાહન આપવા માટે તેમની ગર્લફ્રેન્ડ અને અમેરિકન ફૂટબોલ ખેલાડી ટ્રિનિટી રોડમેન પણ ફાઇનલ જોવા પહોંચી હતી. તે વૉશિંગ્ટનમાં પોતાનો મેચ પૂર્ણ કર્યા બાદ સમયસર ન્યૂયોર્ક પહોંચી હતી.જોકે, ચોથા સેટમાં ઝ્વેરેવે શેલ્ટનને કોઈ તક આપી નહોતી. તેમણે શરૂઆતથી જ આક્રમક રમત જાળવી રાખી અને 6-2થી સેટ જીતીને મેચ સાથે US Openની ટ્રોફી પણ પોતાના નામે કરી લીધી.</p><h4 style="text-align: justify; "><b>ઝ્વેરેવ માટે યાદગાર વર્ષ</b></h4><p style="text-align: justify; ">2026 ઝ્વેરેવ માટે અત્યાર સુધીનું શાનદાર વર્ષ રહ્યું છે. તેમણે આ વર્ષે ફ્રેન્ચ ઓપનમાં કારકિર્દીનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યો હતો. હવે US Openમાં પણ ચેમ્પિયન બનીને તેમણે પોતાના નામે બીજો મોટો ખિતાબ નોંધાવ્યો છે.ખાસ વાત એ છે કે 2020માં US Openની ફાઇનલમાં મળેલી હાર બાદ ઝ્વેરેવે આ વખતની જીત સાથે જૂની નિરાશાને પણ પાછળ છોડી દીધી છે. આ ઉપરાંત, તેઓ પ્રથમ વખત કોઈ ગ્રાન્ડ સ્લેમમાં નંબર-1 સીડ તરીકે રમ્યા હતા અને આ જવાબદારીને તેમણે ખિતાબ જીતીને સાબિત કરી બતાવી.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/usopen/status/2099264457570488500?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h5 style="text-align: justify; "><b>શેલ્ટનની હારથી અમેરિકાની આશા ફરી અધૂરી</b></h5><p style="text-align: justify; ">બેન શેલ્ટનની હાર સાથે અમેરિકન પુરુષ ટેનિસનો ગ્રાન્ડ સ્લેમ ખિતાબનો ઇંતેજાર યથાવત રહ્યો છે.એન્ડી રૉડિકે 2003માં US Open જીત્યા બાદ કોઈ અમેરિકન પુરુષ ખેલાડી ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન બની શક્યો નથી.શેલ્ટન પાસે 1968માં આર્થર ઍશ બાદ US Open પુરુષ સિંગલ્સ ખિતાબ જીતનારા પ્રથમ અશ્વેત ખેલાડી બનવાની પણ તક હતી. પરંતુ ઝ્વેરેવે આ તક છીનવી લીધી. આ હાર બાદ શેલ્ટન સામે ઝ્વેરેવનો રેકોર્ડ હવે 6-0 થઈ ગયો છે.US Open 2026ની મહિલા સિંગલ્સમાં એલેના રિબાકિનાએ ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્યના સબાલેન્કાને હરાવીને ખિતાબ જીત્યો હતો. હવે પુરુષ સિંગલ્સમાં ઝ્વેરેવના વિજય સાથે આ વર્ષની US Open સ્પર્ધાનો પણ અંત આવ્યો છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/indian-hockey-team-women-beat-china-to-clinch-third-successive-junior-asia-cup-title" target="_blank">Junior Women Asia Cup : ભારતીય દીકરીઓએ રચ્યો ઇતિહાસ, ફાઇનલમાં ચીનને હરાવીને ચેમ્પિયન બન્યું</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/QkaKzmq7cXRxCfD4YFk6ppzcEG4d1rz0NBQoclgQ.webp'/></item><item><title><![CDATA[Gurugram Hit-and-Run Case: ગુરુગ્રામમાં કાર ચાલકે ઇરાદાપૂર્વક મહિલા બાઈક રાઈડરને જોરદાર ટક્કર મારી, Video ]]></title><link>https://sandesh.com/india/news/video-of-incident-where-a-car-driver-hit-a-female-bike-rider-in-gurugram-goes-viral</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/video-of-incident-where-a-car-driver-hit-a-female-bike-rider-in-gurugram-goes-viral</guid><pubDate>Mon, 14 Sep 2026 11:02:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હરિયાણાના ગુરુગ્રામમાં કાયદાના ધજાગરા ઉડાડતી એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે, જ્યાં એક કાર ચાલકે ઇરાદાપૂર્વક મહિલા બાઇકરને ટક્કર મારીને રસ્તા પર ફેંકી દીધી હતી. પીડિત મહિલા બાઈકર, જેની ઓળખ સિયા તરીકે થઈ છે, તેણે આ સમગ્ર ઘટનાનો ભયાનક વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ 'rebelwheels-Sia_' પર શેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કારની ટક્કર બાદ મહિલા રોડ પર પડી જાય છે અને તેની બાઈક ઘણે દૂર સુધી ઘસડાઈ જાય છે, જ્યારે અકસ્માત સર્જીને કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.</p><p style="text-align: justify; "><b>ગોલ્ફ કોર્સ રોડ પર કાર ચાલકે કર્યો પીછો અને આપી ટક્કર</b></p><p style="text-align: justify; ">સિયાએ આ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, તે પોતાની એપ્રિલિયા આરએસ ૪૫૭ (Aprilia RS 457) બાઇક પર પોતાના એક મિત્ર સાથે ગુરુગ્રામના ગોલ્ફ કોર્સ રોડ પરથી પસાર થઈ રહી હતી. એ સમયે એક કાર સતત તેનો પીછો કરી રહી હતી અને કારમાં બેઠેલા શખ્સો વિચિત્ર હરકતો કરી રહ્યા હતા. સિયાએ તેમને દૂર રહેવા જણાવ્યું ત્યારે આરોપીઓએ તેને બાઇક રોકવા માટે કહ્યું હતું. તેઓ નશાની હાલતમાં હોવાની શંકા હોવાથી સિયાએ બાઈક રોકી ન હતી, જેનાથી ગુસ્સે થઈને કાર ચાલકે બાજુમાંથી આવીને તેની બાઈકને જોરદાર ટક્કર મારી દીધી હતી.</p><div style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DdPTUQ9sGZB/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DdPTUQ9sGZB/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a></div><p style="text-align: justify; "><b>બાઇકમાં લાગેલા કેમેરામાં કેદ થઈ સમગ્ર ઘટના, પોલીસે શરૂ કરી તપાસ</b></p><p style="text-align: justify; ">આ અકસ્માતમાં સિયા રસ્તા પર ફેંકાઈ ગઈ હતી અને તેની બાઈક દૂર સુધી લપસી ગઈ હતી. સિયાની બાઇકમાં કેમેરો લગાવેલો હોવાથી આ આખી ઘટના કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી. ઘટના બાદ સિયાના મિત્રએ કારનો પીછો કર્યો અને આગળ ટ્રાફિક સિગ્નલ પર કાર ચાલકને રોકીને વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ડ્રાઇવરે પોતાની ભૂલ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. સિયાએ સોશિયલ મીડિયા પર કારનો નંબર અને માલિકનું નામ શેર કરીને ગુરુગ્રામ પોલીસને આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવા અપીલ કરી છે, જેને લઈને નેટીઝન્સમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/india/news/indian-air-force-veteran-narayan-ramakrishnan-100th-birthday-celebration" target="_blank">આ પણ વાંચો : Indian Air Forceએ નિવૃત્ત અધિકારી નારાયણ રામકૃષ્ણનનો 100મો જન્મદિવસ ઉજવ્યો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/Xu8v7LvCAcRoCRmscGfYKHAre0g5fNk0tWEgPwrw.webp'/></item><item><title><![CDATA[Neem Karoli Babaની બાયોપિક હનુમાન અંશ 38 દિવસમાં 250 કરોડને પાર, વર્ષની સૌથી મોટી બ્લોક બસ્ટર ફિલ્મ છપ્પર ફાડ કમાણી ]]></title><link>https://sandesh.com/entertainment/news/neem-karoli-baba-biopic-hanuman-ansh-crosses--250-crore-in-38-days</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/neem-karoli-baba-biopic-hanuman-ansh-crosses--250-crore-in-38-days</guid><pubDate>Mon, 14 Sep 2026 10:43:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દિગ્દર્શક વિશાલ ચતુર્વેદીની ભક્તિમય ડ્રામા ફિલ્મ 'હનુમાન અંશ' હાલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. શોભિનવ સત્ય અભિનીત આ ફિલ્મની વાર્તા પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ નીમ કરોલી બાબાના જીવન અને તેમની અદ્ભુત યાત્રા પર આધારિત છે. ૭ ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મની શરૂઆત ભલે ધીમી રહી હોય, પરંતુ હવે તેણે બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી દીધો છે.</p><p style="text-align: justify;"><b>ધીમી શરૂઆત બાદ બોક્સ ઓફિસ પર અકલ્પનીય ઉછાળો</b></p><p style="text-align: justify;">રિલીઝના પ્રારંભિક દિવસોમાં ફિલ્મને ખાસ પ્રતિસાદ મળ્યો ન હતો. તેણે પહેલા અઠવાડિયામાં ₹૧.૦૮ કરોડ અને બીજા અઠવાડિયામાં ₹૪૦ લાખની જ કમાણી કરી હતી. જોકે, ત્રીજા અઠવાડિયાથી માઉથ-ઓફ-પબ્લિસિટીના કારણે ફિલ્મે જોર પકડ્યું અને ₹૧૦.૪૦ કરોડનું કલેક્શન કર્યું. ચોથા અઠવાડિયામાં તો અદ્ભુત વૃદ્ધિ સાથે ફિલ્મે ₹૬૧ કરોડ અને પાંચમા અઠવાડિયામાં ₹૯૦.૨૫ કરોડનો છાપતો વેપાર કર્યો હતો.</p><p style="text-align: justify;"><img alt="Neem Karlo Baba Hanuman Ansh" src="https://epapercdn.sandesh.com/images/2026/09/14/PDj3bzg5j7BOdbTIQNCr5Kwz6GhzEbkJ8Qf2tWky.webp"><br></p><p style="text-align: justify;"><b>૩૮મા દિવસે કરી બમ્પર કમાણી, ૨૦૦ કરોડનો આંકડો વટાવ્યો</b></p><p style="text-align: justify;">ફિલ્મે તેની રિલીઝના ૩૮મા દિવસે પણ પોતાની મજબૂત પકડ જાળવી રાખી હતી અને આ દિવસે ₹૨૨.૫૦ કરોડનો આંકડો સર કર્યો હતો. આ સાથે જ ભારતમાં ફિલ્મનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન ₹૨૧૪.૬૩ કરોડ થઈ ગયું છે. વૈશ્વિક સ્તરે વાત કરીએ તો, ફિલ્મે અત્યાર સુધીમાં ₹૨૫૩.૫૫ કરોડની ભવ્ય કમાણી કરીને વર્ષની સૌથી મોટી સ્લીપર હિટ અને બ્લોકબસ્ટર ફિલ્મનો તાજ પોતાના નામે કર્યો છે.</p><p style="text-align: justify;"><b>સ્ટીવ જોબ્સથી લઈને વિરાટ કોહલી સુધી, શ્રદ્ધાળુઓમાં દિગ્ગજો સામેલ</b></p><p style="text-align: justify; ">નીમ કરોલી બાબાનો મહિમા માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ વ્યાપકપણે ફેલાયેલો છે. એપલના સ્થાપક સ્ટીવ જોબ્સ ૧૯૭૪માં તેમની શોધો માટે ભારત આવ્યા હતા, જ્યારે મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે પણ ઉત્તરાખંડ સ્થિત તેમના જાણીતા કૈંચી ધામ આશ્રમની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા પણ નીમ કરોલી બાબામાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/ranveer-singh-ad-fees-brand-endorsement" target="_blank">આ પણ વાંચો : Ranveer Singh BMW India: રણવીર સિંહની એક જાહેરાતની ફી સાંભળીને ચોંકી જશો! BMW કારની એડ માટે મળ્યા અધધ..રૂપિયા!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/B4Zd80DhaKrHlzBNQoWyfJJETwRqEq7OaESFOW8X.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : આ વિસ્તારોમાં પ્રોપર્ટીના દસ્તાવેજોની નોંધણીમાં મોટો ઉછાળો, જાણો ભાવમાં કેટલો વધારો થયો? ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/property-document-registrations-surge-in-key-areas</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/property-document-registrations-surge-in-key-areas</guid><pubDate>Mon, 14 Sep 2026 10:03:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના પોશ વિસ્તાર સાયન્સસિટીમાં પહેલી એપ્રિલથી 31મી ઓગસ્ટ સુધીના સમયગાળામાં વર્ષ 2025 કરતાં વર્ષ 2026માં 4 હજાર દસ્તાવેજો વધુ થયા છે. છેલ્લા પાંચ મહિનાના સમયગાળામાં રજિસ્ટર્ડ ધરાવતી સોલા અને બોપલ સબરજિસ્ટ્રાર કચેરીઓમાં વર્ષ 2026માં આશરે 26 હજાર દસ્તાવેજો નોંધાયા છે, જેની સામે વર્ષ 2025માં 22 હજાર દસ્તાવેજ રજિસ્ટર્ડ થયા હતા. આ સિવાય રિડેવલપમેન્ટના કારણે પાલડી, વાસણા અને નારણપુરા સહિત પૂર્વના અમરાઈવાડી, ઈસનપુર અને મણિનગર સહિતના વિસ્તારોમાં રિયલ એસ્ટેટનો વિકાસ વેગવંતો બન્યો છે.&nbsp;<br><br></p><h2 style="text-align: justify; "><b>વર્ષ 2026માં 185111 યુનિટ નોંધાયા</b></h2><p style="text-align: justify; ">અમદાવાદમાં છેલ્લા પાંચ મહિનાના સમયગાળામાં વર્ષ 2025માં 156326ની સામે વર્ષ 2026માં 185111 યુનિટ નોંધાયા છે. જેથી કુલ 28785 યુનિટનો વધારો થયો છે. શહેરની સાબરમતી, અમરાઈવાડી, પાલડી, નરોડા અને અસલાલી કચેરીઓમાં પાંચ મહિનામાં 9 હજારથી વધુ દસ્તાવેજો નોંધાયા છે. ડેવલપર્સ એસોસિએશનના હોદ્દેદારોએ નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું કે, હાલ માર્કેટ પર ગંભીર અસર છે, જેમાં સરકાર તરફથી સુધારો જરૂરી છે. નવા પ્રોજેક્ટમાં 8 થી 9 મહિનાનો સમય તો માત્ર પ્લાન પાસ કરાવવામાં અને રેરા (RERA) રજિસ્ટ્રેશનમાં જ નીકળી જાય છે. આ સમયગાળો ઘટે તો કન્સ્ટ્રક્શન ખર્ચ પર સીધી સાનુકૂળ અસર થઈ શકે છે અને ડેવલપર્સને રો-મટિરિયલ્સના વધતા ભાવ સામે રાહત પણ મળી શકે છે.</p><p style="text-align: justify; "></p><h2><b>નવ હજારથી વધુ નોંધાયેલા દસ્તાવેજ</b></h2><p></p><p style="text-align: justify; "><img alt="અમદાવાદ" src="https://epapercdn.sandesh.com/images/2026/09/14/2irRKicldJVf3qvct0JMPSohHFp6rYtth79L5ket.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>આગામી દિવસોમાં સાનુકૂળ ફેરફારો થઈ શકે છે</b></h2><p style="text-align: justify; ">રિયલ એસ્ટેટનું માર્કેટ સ્થિર હોવાનું જણાવતાં ક્રેડાઈ ગાંધીનગરના પ્રમુખ આલાપ મોદીએ કહ્યું કે, હાલ પ્રોપર્ટી મોંઘી થવા પાછળનું મુખ્ય કારણ યુદ્ધ અને વૈશ્વિક પરિસ્થિતિ છે. જેને લીધે રિયલ એસ્ટેટના કાચા માલના ભાવ વધતાં પ્રોપર્ટીના ભાવમાં સરેરાશ 12 ટકા સુધીનો વધારો થયો છે. હાલ વિવિધ પ્રોજેક્ટસમાં ડેવલપર્સ નોમિનલ પ્રોફિટથી કામ કરે છે. ભારતમાં સૌથી ઓછો પ્રોફિટથી કામ કરનારા ડેવલપર્સની યાદીમાં અમદાવાદનો સમાવેશ થઈ શકે છે. નીતિવિષયક કેટલાક સુધારાજરૂરી છે અને સરકાર પણ હકારાત્મક હોવાથી આગામી દિવસોમાં સાનુકૂળ ફેરફારો થઈ શકે છે.</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/news/crime/rajkot/cyber-fraudsters-digitally-arrest-elderly-couple" target="_blank">આ પણ વાંચોઃ Rajkot News : સાયબર ગઠિયાઓએ મોડી રાત્રે ફોન કરી વૃદ્ધ દંપતીને ડિજિટલ એરેસ્ટ કર્યું, 2 કરોડના ફ્રોડની ધમકી આપી</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/lzTC57dyN2jDKmNQMoA56z10roX2U9tpDQzDy6lO.webp'/></item><item><title><![CDATA[West Bengal: પશ્ચિમ બંગાળમાં 252 મદરેસા બંધ, મંત્રીનો દાવો આતંકી હુમલાના તાર મદરેસા સાથે જોડાયેલા ]]></title><link>https://sandesh.com/india/news/west-bengal-252-madrasas-closed-in-west-bengal-minister-claims-terror-attack-links-to-madrasas</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/west-bengal-252-madrasas-closed-in-west-bengal-minister-claims-terror-attack-links-to-madrasas</guid><pubDate>Mon, 14 Sep 2026 10:02:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજ્ય સરકારના મંત્રી દિલીપ ઘોષે મદરેસાઓ અંગે નિવેદન આપતા દાવો કર્યો છે કે કેટલાક મદરેસાઓમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓ શંકાના ઘેરામાં છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે પશ્ચિમ બંગાળમાં થયેલા કેટલાક આતંકવાદી હુમલાઓમાં કોઈને કોઈ મદરેસા શિક્ષકની સંડોવણી સામે આવી છે.</p><p style="text-align: justify; ">દિલીપ ઘોષે વધુમાં દાવો કર્યો કે બાંગ્લાદેશથી આવતા આતંકવાદીઓ કેટલાક મદરેસાઓમાં આશ્રય લેતા હતા. તેમણે કહ્યું કે આ મુદ્દે અગાઉ પણ અનેક નેતાઓએ ચિંતા વ્યક્ત કરી હતી, પરંતુ તેનું યોગ્ય નિરાકરણ કરવામાં આવ્યું નથી. તેમના જણાવ્યા અનુસાર હવે સરકાર આ મામલે પગલાં લેશે.</p><p style="text-align: justify; ">આ દરમિયાન પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યભરમાં કરવામાં આવેલા સર્વે બાદ 252 બિનમાન્યતા પ્રાપ્ત મદરેસાઓને બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત લગભગ 100 અન્ય મદરેસાઓને કારણ બતાવો નોટિસ પણ આપવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર સર્વે દરમિયાન કેટલીક સંસ્થાઓ પાસે જરૂરી મંજૂરી ન હોવાનું સામે આવ્યું હતું. કેટલીક જગ્યાએ પાયાની સુવિધાઓ અને જરૂરી માળખાકીય વ્યવસ્થાનો પણ અભાવ જોવા મળ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>તમામ મદરેસાઓ સામે કાર્યવાહી નહીં</b></h2><p style="text-align: justify; ">લઘુમતી બાબતો અને મદરેસા શિક્ષણ વિભાગના મંત્રી ક્ષુદિરામ ટુડુએ સ્પષ્ટ કર્યું છે કે જે મદરેસાઓ પાસે જરૂરી મંજૂરી અને માન્યતા છે, તેઓ પોતાની કામગીરી ચાલુ રાખી શકશે. એટલે કે સરકારી કાર્યવાહીનો હેતુ તમામ મદરેસાઓને બંધ કરવાનો નથી, પરંતુ નિયમો અને મંજૂરીનું પાલન ન કરતી સંસ્થાઓની તપાસ કરવાનો છે.</p><p style="text-align: justify; ">વિભાગ દ્વારા જૂનની શરૂઆતથી પશ્ચિમ બંગાળના તમામ જિલ્લાઓમાં જમીની સ્તરે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વેનો મુખ્ય હેતુ રાજ્યમાં કાર્યરત સરકારી અને ખાનગી મદરેસાઓની સ્થિતિનું મૂલ્યાંકન કરવાનો હતો. તેમાં સંસ્થાઓનું પાયાનું માળખું, જરૂરી મંજૂરી, સંચાલન વ્યવસ્થા અને અન્ય સુવિધાઓની તપાસ કરવામાં આવી હતી.</p><h3 style="text-align: justify; "><b>100 મદરેસાઓને કારણ બતાવો નોટિસ</b></h3><p style="text-align: justify; ">અધિકારીઓના જણાવ્યા અનુસાર લગભગ 100 મદરેસાઓને કારણ બતાવો નોટિસ આપવામાં આવી છે. હવે આ સંસ્થાઓ પાસેથી મળનારા જવાબોની તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે.</p><p style="text-align: justify; ">મંત્રી ક્ષુદિરામ ટુડુએ જણાવ્યું કે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં માન્ય અને બિનમાન્ય મદરેસાઓની વાસ્તવિક સંખ્યા જાણવા માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તેમના જણાવ્યા અનુસાર જરૂરી મંજૂરી અને પાયાની સુવિધાઓનો અભાવ ધરાવતી 252 સંસ્થાઓને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જ્યારે અન્ય 100 મદરેસાઓને કારણ બતાવો નોટિસ આપવામાં આવી છે.</p><p style="text-align: justify; ">સરકારની આ કાર્યવાહી બાદ પશ્ચિમ બંગાળમાં મદરેસાઓની માન્યતા, નિયમો અને માળખાકીય સુવિધાઓને લઈને ચર્ચા તેજ બની છે. જોકે, મદરેસાઓ અંગે કરવામાં આવેલા આતંકવાદ સંબંધિત દાવાઓ રાજકીય નિવેદનોનો ભાગ છે અને આવા દાવાઓને સંબંધિત સત્તાવાર તપાસ તથા પુરાવાના સંદર્ભમાં જ જોવાની જરૂર છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/SLbMTomX79KO3LEzvS9o0iy1yeCU9IuBmViSnLu8.webp'/></item><item><title><![CDATA[EPFO WhatsApp Service: PF ની  A-to-Z માહિતી હવે માત્ર એક "હેલો" પર મળી જશે, જાણો કેવી રીતે? ]]></title><link>https://sandesh.com/business/news/knowledge/epfo-whatsapp-service-check-pf-balance</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/knowledge/epfo-whatsapp-service-check-pf-balance</guid><pubDate>Mon, 14 Sep 2026 09:36:56 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">EPFO એ પોતાના સત્તાવાર X (અગાઉનું ટ્વિટર) હેન્ડલ પરથી એક પોસ્ટ શેર કરીને આ નવી સુવિધાની જાહેરાત કરી છે. આ સેવાનો મુખ્ય ઉદ્દેશ્ય સભ્યો સુધી સીધી અને સરળ પહોંચ બનાવવાનો છે. હવે પીએફ ખાતાધારકોને તેમની માહિતી કે બેલેન્સ જાણવા માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે નહીં. સંસ્થા દ્વારા સમયે-સમયે બહાર પાડવામાં આવતા નવા અપડેટ્સ અને અન્ય જરૂરી માહિતી પણ આ ચેનલના માધ્યમથી સીધી સભ્યો સુધી પહોંચાડવામાં આવશે.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/officialepfo/status/2099043906105278966"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2 style="text-align: justify; "><b>ચેનલ સાથે કેવી રીતે જોડાવું?</b></h2><p style="text-align: justify; ">QR કોડ: EPFO એ તેની X-પોસ્ટમાં એક વિશેષ QR કોડ શેર કર્યો છે. સભ્યો તેમના મોબાઈલથી આ કોડ સ્કેન કરીને સીધા જ વોટ્સએપ ચેનલ સાથે જોડાઈ શકે છે.</p><p style="text-align: justify; ">ડાયરેક્ટ લિંક: સ્કેનિંગ ઉપરાંત, સત્તાવાર લિંક (https://whatsapp.com/channel/0029Vb6kmH48Pgs8ftd6Kw3Y) પર ક્લિક કરીને પણ આ ચેનલનો હિસ્સો બની શકાય છે.</p><h3 style="text-align: justify; "><b>આ સિસ્ટમ કઈ રીતે કામ કરશે?</b></h3><p style="text-align: justify; ">મેસેજ મોકલવાની પ્રક્રિયા: ખાતાધારકે EPFO ની રજિસ્ટર્ડ વોટ્સએપ ચેનલ પર જઈને માત્ર "Hello" (હેલો) લખીને મોકલવાનું રહેશે.</p><p style="text-align: justify; ">યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) વેરિફિકેશન: મેસેજ મળતા જ સિસ્ટમ ચકાસશે કે જે નંબર પરથી મેસેજ આવ્યો છે, તે તમારા UAN સાથે રજિસ્ટર્ડ છે કે નહીં.</p><p style="text-align: justify; ">સ્થાનિક ભાષામાં મેનુ: વેરિફિકેશન સફળ થતાં જ સભ્યને તેમની સ્થાનિક ભાષામાં વિવિધ વિકલ્પોનું એક સરળ મેનુ જોવા મળશે.</p><p style="text-align: justify; ">AI ચેટબોટ: યુઝર દ્વારા પસંદ કરાયેલા વિકલ્પ કે પૂછાયેલા પ્રશ્નનો AI ચેટબોટ સીધો અને સચોટ જવાબ આપશે.</p><h4 style="text-align: justify; "><b>વોટ્સએપ પર ઉપલબ્ધ મુખ્ય સુવિધાઓ</b></h4><p style="text-align: justify; ">બેલેન્સ ચેક: સભ્યો તેમના પીએફ ખાતામાં જમા થયેલી કુલ રકમની સચોટ વિગતો મેળવી શકશે.</p><p style="text-align: justify; ">છેલ્લા પાંચ વ્યવહારો: ખાતામાં થયેલા લેટેસ્ટ પાંચ ટ્રાન્ઝેક્શન (પાસબુક એન્ટ્રી) ની માહિતી સરળતાથી જોઈ શકાશે.</p><p style="text-align: justify; ">ક્લેમ સ્ટેટસ: પીએફ ઉપાડવા માટે કરેલા દાવા (Claim) ની વર્તમાન સ્થિતિ શું છે, તે પણ આ સુવિધા થકી જાણી શકાશે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/world/news/iranian-cargo-ship-attacked-strait-of-hormuz" target="_blank">આ પણ વાંચોઃ&nbsp; Hormuz માં ફરી તણાવ વધ્યો, ઇરાની કાર્ગો જહાજ પર જોરદાર હુમલો, એકનું મોત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/cuATQncOdNhwAcGe114Frq9gyIp4LNVhWfEba3RX.webp'/></item><item><title><![CDATA[Gujarat Dam Level : નર્મદા ડેમ મહત્તમ જળ સપાટીથી માત્ર પોણા બે મીટર દૂર, જાણો રાજ્યના અન્ય ડેમની સ્થિતિ ]]></title><link>https://sandesh.com/gujarat/news/narmada/narmada-dam-1-68-metres-below-maximum-level</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/narmada/narmada-dam-1-68-metres-below-maximum-level</guid><pubDate>Mon, 14 Sep 2026 08:30:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ તેની મહત્તમ જળ સપાટીથી છલોછલ થવાની તૈયારીમાં છે. તા. 13 સપ્ટેમ્બર 2026ના સાંજે ડેમની જળસપાટી 137 મીટર નોંધાઈ છે. જે મહત્તમ સપાટીથી માત્ર પોણા બે મીટર જ દૂર છે. ડેમમાં હાલ લાઈવ સ્ટોરેજ 523100 MCM છે. ઉપરવાસમાંથી ડેમમાં 87131 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.પાણીની આવકને ધ્યાનમાં રાખીને નદીમાં પાવરહાઉસ મારફતે 42659 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.જ્યારે કેનાલમાં 13577 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>સપ્તાહમાં નર્મદા ડેમ પૂર્ણ ભરાઈને છલકાઈ શકે</b></h2><p style="text-align: justify; ">નર્મદા ડેમમાંથી નદી અને કેનાલ મારફતે કુલ 56236 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. ડેમની હાલની સપાટી મહત્તમ સપાટીથી માત્ર 1.68 મીટર દૂર છે. ડેમના કેચમેન્ટ એરિયામાં પણ સતત વરસાદ હોવાથી 87000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેના પગલે ડેમની જળ સપાટીમાં ધીમો વધારો થશે અને જો સ્થિતિ આવી જ રહી તો આગામી એક સપ્તાહમાં નર્મદા ડેમ પૂર્ણ ભરાઈને છલકાઈ શકે તેવી શક્યતાઓ છે.</p><h3 style="text-align: justify; "><b>207 જળાશયોમાં હાલ 76.02 % જેટલો કુલ જળસંગ્રહ</b></h3><p style="text-align: justify; ">ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ વચ્ચે જળાશયોમાં પાણીની આવક સતત જળવાઈ રહી છે. જળ સંપત્તિ વિભાગ દ્વારા 13 સપ્ટેમ્બર 2026ના રોજ જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, રાજ્યના કુલ 207 જળાશયોમાં હાલ 76.02 % જેટલો કુલ જળસંગ્રહ નોંધાયો છે.  દક્ષિણ ગુજરાતના 13  ડેમોમાં સૌથી વધુ 78.14% જળસંગ્રહ નોંધાયો છે, જેમાં 6 ડેમો સંપૂર્ણ ભરાઈ ગયા છે. મુખ્ય ઉકાઈ ડેમમાં 77.47% પાણી છે. મધ્ય ગુજરાતના 17 ડેમોમાં 62.36% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. સૌરાષ્ટ્રના 141 ડેમોમાં 48.59% જળસંગ્રહ થયો છે જેમાં 10 ડેમો સંપૂર્ણ ભરાયા છે. ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 42.19% પાણી સંગ્રહિત થયું છે. કચ્છના 20 ડેમોમાં 22.76% જળસંગ્રહ નોંધાયો છે.</p><h2 style="text-align: justify; "><b>207 ડેમો પૈકી 17 ડેમો સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યા છે</b></h2><p style="text-align: justify; ">રાજ્યના કુલ 207 ડેમો પૈકી 17 ડેમો સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યા છે. જ્યારે કેટલાક મોટા ડેમોમાં પાણીની સપાટી વધતા એલર્ટ અને હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યા છે, જેની પર તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.રાજ્યમાં આજે પણ ભારે વરસાદની આગાહીને પગલે મહેસાણા, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર અને ભરૂચ સહિતના 11 જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.વાવાઝોડા સાથે વરસી રહેલા આ વરસાદ દરમિયાન 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.જ્યારે અમદાવાદ, કચ્છ, મોરબી, ડાંગ અને વડોદરા સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને કચ્છ તથા સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની સંભાવના છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/rain-in-234-talukas-in-24-hours-heavy-rain-alert-in-11-districts" target="_blank">આ પણ વાંચોઃ Gujarat Weather News : 24 કલાકમાં 234 તાલુકાઓમાં મેઘમહેર, આજે આ 11 જિલ્લાઓમાં વરસાદ બગડાટી બોલાવશે</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/lrVtsh8cFT9IjiGwu0RjAH9fh94aMAroKeXoowrz.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: રાજ્યમાં 8 મહિનામાં હૃદયરોગની તકલીફના 72 હજાર ઈમરજન્સી કેસ નોંધાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-records-72-307-cardiac-emergency-cases-in-8-months</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-records-72-307-cardiac-emergency-cases-in-8-months</guid><pubDate>Mon, 14 Sep 2026 08:12:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વર્તમાન સમયમાં બદલાતી જીવનશૈલી અને ખાણીપીણીની અયોગ્ય આદતોને કારણે સ્વાસ્થ્ય સંબંધી જોખમો સતત વધી રહ્યા છે. ગુજરાતમાં હૃદય રોગને લગતી ઈમર્જન્સીમાં 13.60 ટકાનો મોટો વધારો થયો છે. રાજ્યમાં વર્ષ 2026માં જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીના માત્ર આઠ મહિનાના સમયગાળામાં જ હાર્ટની તકલીફને લગતા 72307 ઈમર્જન્સી કેસ નોંધાયા છે. જ્યારે ગત વર્ષ 2025માં આ જ સમયગાળા દરમિયાન 63652 કેસ સામે આવ્યા હતા. 108 ઈમર્જન્સી એમ્બ્યુલન્સ સર્વિસને મળી રહેલા આવા કોલ્સમાં સતત ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>અમદાવાદમાં સૌથી વધુ 18589 કોલ્સ નોંધાયા</b></h2><p style="text-align: justify; ">આંકડાઓ પર નજર કરીએ તો, અમદાવાદમાં સૌથી વધુ 18589 કોલ્સ નોંધાયા છે. જ્યાં ગત વર્ષના આ જ આઠ મહિનામાં 16058 કેસ આવ્યા હતા. આમ એક વર્ષમાં હૃદય રોગને લગતી ઈમર્જન્સીમાં 2.73 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત, સુરતમાં કાર્ડિયાક ઈમર્જન્સીમાં 5.27 ટકાનો વધારો નોંધાયો છે. જ્યાં ગત વર્ષના 8 મહિનાના 5202 કેસની સામે વર્ષ 2026ના આઠ મહિનામાં 5550 કેસ નોંધાયા છે. વડોદરામાં પણ ગત વર્ષના 3370 કેસ સામે આ વખતે વધીને 3592 ઈમર્જન્સી નોંધાઈ છે. સૌરાષ્ટ્ર અને અન્ય જિલ્લાઓની વાત કરીએ તો ભાવનગરમાં ગત વર્ષે 3326 કોલ્સ કાર્ડિયાકને લગતા હતા જે આ વખતે 16.42 ટકાના વધારા સાથે 3872 કેસ પર પહોંચ્યા છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>ભરૂચમાં 24 ટકાના વધારા સાથે 1062 કેસ નોંધાયા</b></h3><p style="text-align: justify; ">ભરૂચમાં 24 ટકાના વધારા સાથે 1062 કેસ, દાહોદમાં 30.36 ટકાના વધારા સાથે 1271 કેસ, દેવભૂમિ દ્વારકામાં 41.35 ટકાના વધારા સાથે 1176 કેસ, બોટાદમાં 41.86 ટકાના વધારા સાથે 549 કેસ અને મોરબીમાં સૌથી વધુ 63.08 ટકાના ભયજનક વધારા સાથે 1060 કેસ નોંધાયા છે.તબીબોના મતે આ ગંભીર સ્થિતિ પાછળ મુખ્ય કારણોમાં જંકફૂડનો વધુ પડતો ઉપયોગ, તણાવભરી જીવનશૈલી, તેમજ આલ્કોહોલ અને ધૂમ્રપાનનું સેવન જવાબદાર છે, જેના કારણે આજે યુવાનોના હૃદય પણ ઝડપથી વૃદ્ધ થઈ રહ્યા છે. તબીબો સલાહ આપે છે કે જે લોકોને હૃદય રોગની તકલીફ હોય તેમણે તબીબી માર્ગદર્શન અનુસાર નિયમિતપણે હળવી કસરત કરવી જોઈએ અને શરીરની તંદુરસ્તી જાળવવા માટે પૂરતી ઊંઘ લેવી પણ એટલી જ આવશ્યક છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/crime/rajkot/cyber-fraudsters-digitally-arrest-elderly-couple" target="_blank">આ પણ વાંચોઃ Rajkot News : સાયબર ગઠિયાઓએ મોડી રાત્રે ફોન કરી વૃદ્ધ દંપતીને ડિજિટલ એરેસ્ટ કર્યું, 2 કરોડના ફ્રોડની ધમકી આપી</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/7hSTJn1XCK4iPi19Qxs0CqszPWvBHcA0hWrKw91x.webp'/></item><item><title><![CDATA[Himatnagar: ઈડરના ટાઉનહોલમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/himatnagar/himatnagar-workshop-held-under-seva-sankalp-abhiyan-at-idar-town-hall</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/himatnagar/himatnagar-workshop-held-under-seva-sankalp-abhiyan-at-idar-town-hall</guid><pubDate>Mon, 14 Sep 2026 05:36:41 +05:30</pubDate><description><![CDATA[<p>ઈડર ટાઉનહોલમાં શનિવારે સેવા સંકલ્પ 2026 અભિયાન અંતર્ગત સેવા અને સમર્પણ કાર્યક્રમની ઈડર વિધાનસભા ક્ષેત્ર માટે કાર્યશાળા યોજાઈ હતી. આ કાર્યશાળા યોજવા પાછળનો ઉદ્દેશ એ છે કે, તા.17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીના જન્મદિવસથી 17 ઓક્ટોબર સુધી 25 વર્ષના સેવા સંકલ્પના ભાગરૂપે વિવિધ સેવાકીય અને જનજાગૃત્તિ કાર્યક્રમો યોજાશે. કાર્યશાળામાં પ્રદેશ મંત્રી ર્ડા.સંજય દેસાઈ, ભાજપ પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલા, જિલ્લા ભાજપ મહામંત્રી બિપીન ઓઝા, જિલ્લા સાંસદ, ભાજપ પ્રમુખ કનુ પટેલ, ઈડર ધારાસભ્ય રમણ વોરા, ઈડર તાલુકા પ્રમુખ દિનેશ પટેલ, શહેર પ્રમુખ કૃણાલ કંસારા, નગરપાલિકા પ્રમુખ અનુસૂયાબેન પટેલ, કમલેશ બારોટ સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.</p><p>સેવા સંકલ્પ 2026 અંતર્ર્ગત 13 વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડનગરથી વારાણસી બાઈક રેલી, 25 કરોડ બાળકોના સપનાનું ભારત રાષ્ટ્રવ્યાપી ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા, શાળાઓમાં ઇનામ વિતરણ, 'નમો સેવા ગાથા' અંતર્ર્ગત નરેન્દ્ર મોદીના જીવનચરિત્ર પર નાટક સહિતના કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત આંગણવાડી ઉત્સવ, સેવાસેતુ તથા આયુષ્માન કાર્ડ સહિતની વિવિધ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા કાર્યકર્તાઓને કામગીરી કરવા જણાવાયું હતું. તા.17 ઓક્ટોબરે આશીર્વાદનો દીવડો કાર્યક્રમ અંતર્ર્ગત યોજનાઓનો લાભ મેળવનાર પરિવારોના ઘરે દીવડો પ્રગટાવવાનો કાર્યક્રમ પણ યોજાશે. કાર્યશાળામાં ઈડર-વડાલી વિસ્તારના ભાજપ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/qIacjOiVtJ54zCmWuzsXW0MycxNFcaFrd0xqLPJb.webp'/></item></channel></rss>