<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[2036 ઓલિમ્પિક માટે ભારતનું મિશન શરૂ, ગામડે ગામડે શોધવામાં આવશે ચેમ્પિયન ]]></title><link>https://sandesh.com/sports/news/india/india-olympics-2036-sports-talent-mission</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india/india-olympics-2036-sports-talent-mission</guid><pubDate>Thu, 20 Aug 2026 20:12:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">2036 ઓલિમ્પિકનું આયોજન કરવાની તૈયારીઓ સાથે ભારતે આગામી દાયકા માટે તેના રમતગમત મિશનનો માર્ગ નક્કી કરવાનું શરૂ કરી દીધું છે. દેશ પાસે ઓલિમ્પિક-બાઉન્ડ એથ્લીટ પૂલ મજબૂત હોય તે સુનિશ્ચિત કરવા માટે, રાજ્ય અને જિલ્લા સ્તરે તેમજ શાળાઓ અને કોલેજોમાંથી રમતગમત પ્રતિભા શોધવામાં આવશે.</p><h2 style="text-align: justify; "><b>મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી બેઠક</b></h2><p style="text-align: justify; ">ભારતીય રમતગમત સત્તામંડળ (SAI)ની 63મી ગવર્નિંગ બોડીની બેઠક કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. લાલ કિલ્લા પરથી રાષ્ટ્રવ્યાપી રમતગમત પ્રતિભા શોધના આહ્વાનને અમલમાં મૂકવા માટે આગામી 10 વર્ષ માટેની વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવી હતી.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>પહેલા ખેલાડીની શોધ કરવામાં આવશે, પછી ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવશે</b></h3><p style="text-align: justify; ">સરકારની યોજના ફક્ત ચંદ્રક વિજેતા રમતવીરો સુધી મર્યાદિત નથી. પ્રતિભા શોધ 2 તબક્કામાં હાથ ધરવામાં આવશે. રાજ્ય અને જિલ્લા સ્તરે સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓની ઓળખ કરવામાં આવશે. ત્યારબાદ તેમની ફિટનેસ, રમત પ્રત્યેનો જુસ્સો અને ભવિષ્યની ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવશે. ધ્યેય એવા ખેલાડીઓને ઓળખવાનો છે જે આગામી વર્ષોમાં ઈન્ટરનેશનલ લેવલે ભારતનું પ્રતિનિધિત્વ કરી શકે.</p><h4 style="text-align: justify; "><b>શાળાઓ અને કોલેજો પ્રતિભા શોધ માટે મુખ્ય કેન્દ્રો બનશે</b></h4><p style="text-align: justify; ">પ્રતિભા શોધને પાયાના સ્તરે લઈ જવા માટે શાળાઓ, કોલેજો અને જિલ્લાઓને અભિયાનમાં સામેલ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આનાથી દેશભરમાં સંભવિત ખેલાડીઓનો મોટો પ્રતિભા સમૂહ બનશે.</p><p style="text-align: justify; ">બેઠકમાં એ પણ ભાર મૂકવામાં આવ્યો હતો કે પ્રતિભા ઓળખ ફક્ત મોટા શહેરો અને સ્થાપિત રમત કેન્દ્રો સુધી મર્યાદિત ન હોવી જોઈએ. જિલ્લા અને રાજ્ય સ્તરે ખેલાડીઓને શરૂઆતથી જ યોગ્ય તાલીમ અને સુવિધાઓ મળવી જોઈએ, જેથી સંસાધનોના અભાવે કોઈ પ્રતિભા પાછળ ન રહી જાય.</p><h5 style="text-align: justify; "><b>ખાનગી ક્ષેત્ર પણ સરકાર સાથે જવાબદારી શેર કરશે</b></h5><p style="text-align: justify; ">રમતવીરો માટે તાલીમ સુવિધાઓના વિસ્તરણમાં જાહેર-ખાનગી ભાગીદારી (PPP) અને કોર્પોરેટ CSR ની ભૂમિકા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ પહેલ દ્વારા નવી તાલીમ એકેડેમી વિકસાવવા અને હાલની સુવિધાઓનો વિસ્તાર કરવાની યોજના છે.</p><h6 style="text-align: justify; "><b>સારા કોચની પણ ઓળખ કરવામાં આવશે</b></h6><p style="text-align: justify; ">બેઠકમાં રાષ્ટ્રીય કોચ માન્યતા બોર્ડ (NCAB) ની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી હતી. તેનો ઉદ્દેશ કોચની ગુણવત્તા અને તેમની માન્યતા પ્રણાલીને મજબૂત બનાવવાનો છે. ડો માંડવિયાએ સ્પષ્ટતા કરી કે ઓલિમ્પિક 2036 માટે ફક્ત યોજનાઓ ઘડવી પૂરતી રહેશે નહીં. તેના બદલે તેનો ઝડપથી અમલ થવો જોઈએ. તેને રમતગમત પ્રોજેક્ટ્સના અમલીકરણને ત્રણ ગણો ઝડપી બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.</p><p style="text-align: justify; ">એકંદરે ભારતનું ઓલિમ્પિક મિશન હવે ફક્ત ઉચ્ચ કક્ષાના ખેલાડીઓ પર આધાર રાખવાથી શાળાના રમતના મેદાનમાં જિલ્લા અને રાજ્ય સ્તરે નવી પ્રતિભા શોધવા અને વિકસાવવા તરફ આગળ વધી રહ્યું છે. આ તૈયારી માટે આગામી 10 વર્ષ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/Cw9rEVNB4aA4Xs43HkXkRpfxT5PRYYjanzzQGP4d.webp'/></item><item><title><![CDATA[2036 ઓલિમ્પિક માટે ભારતનું મિશન શરૂ, ગામડે ગામડે શોધવામાં આવશે ચેમ્પિયન ]]></title><link>https://sandesh.com/sports/news/india/india-olympics-2036-sports-talent-mission</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india/india-olympics-2036-sports-talent-mission</guid><pubDate>Thu, 20 Aug 2026 20:12:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">2036 ઓલિમ્પિકનું આયોજન કરવાની તૈયારીઓ સાથે ભારતે આગામી દાયકા માટે તેના રમતગમત મિશનનો માર્ગ નક્કી કરવાનું શરૂ કરી દીધું છે. દેશ પાસે ઓલિમ્પિક-બાઉન્ડ એથ્લીટ પૂલ મજબૂત હોય તે સુનિશ્ચિત કરવા માટે, રાજ્ય અને જિલ્લા સ્તરે તેમજ શાળાઓ અને કોલેજોમાંથી રમતગમત પ્રતિભા શોધવામાં આવશે.</p><h2 style="text-align: justify; "><b>મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી બેઠક</b></h2><p style="text-align: justify; ">ભારતીય રમતગમત સત્તામંડળ (SAI)ની 63મી ગવર્નિંગ બોડીની બેઠક કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. લાલ કિલ્લા પરથી રાષ્ટ્રવ્યાપી રમતગમત પ્રતિભા શોધના આહ્વાનને અમલમાં મૂકવા માટે આગામી 10 વર્ષ માટેની વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવી હતી.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>પહેલા ખેલાડીની શોધ કરવામાં આવશે, પછી ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવશે</b></h3><p style="text-align: justify; ">સરકારની યોજના ફક્ત ચંદ્રક વિજેતા રમતવીરો સુધી મર્યાદિત નથી. પ્રતિભા શોધ 2 તબક્કામાં હાથ ધરવામાં આવશે. રાજ્ય અને જિલ્લા સ્તરે સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓની ઓળખ કરવામાં આવશે. ત્યારબાદ તેમની ફિટનેસ, રમત પ્રત્યેનો જુસ્સો અને ભવિષ્યની ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવશે. ધ્યેય એવા ખેલાડીઓને ઓળખવાનો છે જે આગામી વર્ષોમાં ઈન્ટરનેશનલ લેવલે ભારતનું પ્રતિનિધિત્વ કરી શકે.</p><h4 style="text-align: justify; "><b>શાળાઓ અને કોલેજો પ્રતિભા શોધ માટે મુખ્ય કેન્દ્રો બનશે</b></h4><p style="text-align: justify; ">પ્રતિભા શોધને પાયાના સ્તરે લઈ જવા માટે શાળાઓ, કોલેજો અને જિલ્લાઓને અભિયાનમાં સામેલ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આનાથી દેશભરમાં સંભવિત ખેલાડીઓનો મોટો પ્રતિભા સમૂહ બનશે.</p><p style="text-align: justify; ">બેઠકમાં એ પણ ભાર મૂકવામાં આવ્યો હતો કે પ્રતિભા ઓળખ ફક્ત મોટા શહેરો અને સ્થાપિત રમત કેન્દ્રો સુધી મર્યાદિત ન હોવી જોઈએ. જિલ્લા અને રાજ્ય સ્તરે ખેલાડીઓને શરૂઆતથી જ યોગ્ય તાલીમ અને સુવિધાઓ મળવી જોઈએ, જેથી સંસાધનોના અભાવે કોઈ પ્રતિભા પાછળ ન રહી જાય.</p><h5 style="text-align: justify; "><b>ખાનગી ક્ષેત્ર પણ સરકાર સાથે જવાબદારી શેર કરશે</b></h5><p style="text-align: justify; ">રમતવીરો માટે તાલીમ સુવિધાઓના વિસ્તરણમાં જાહેર-ખાનગી ભાગીદારી (PPP) અને કોર્પોરેટ CSR ની ભૂમિકા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ પહેલ દ્વારા નવી તાલીમ એકેડેમી વિકસાવવા અને હાલની સુવિધાઓનો વિસ્તાર કરવાની યોજના છે.</p><h6 style="text-align: justify; "><b>સારા કોચની પણ ઓળખ કરવામાં આવશે</b></h6><p style="text-align: justify; ">બેઠકમાં રાષ્ટ્રીય કોચ માન્યતા બોર્ડ (NCAB) ની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી હતી. તેનો ઉદ્દેશ કોચની ગુણવત્તા અને તેમની માન્યતા પ્રણાલીને મજબૂત બનાવવાનો છે. ડો માંડવિયાએ સ્પષ્ટતા કરી કે ઓલિમ્પિક 2036 માટે ફક્ત યોજનાઓ ઘડવી પૂરતી રહેશે નહીં. તેના બદલે તેનો ઝડપથી અમલ થવો જોઈએ. તેને રમતગમત પ્રોજેક્ટ્સના અમલીકરણને ત્રણ ગણો ઝડપી બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.</p><p style="text-align: justify; ">એકંદરે ભારતનું ઓલિમ્પિક મિશન હવે ફક્ત ઉચ્ચ કક્ષાના ખેલાડીઓ પર આધાર રાખવાથી શાળાના રમતના મેદાનમાં જિલ્લા અને રાજ્ય સ્તરે નવી પ્રતિભા શોધવા અને વિકસાવવા તરફ આગળ વધી રહ્યું છે. આ તૈયારી માટે આગામી 10 વર્ષ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/Cw9rEVNB4aA4Xs43HkXkRpfxT5PRYYjanzzQGP4d.webp'/></item><item><title><![CDATA[India-Singapore વચ્ચે મેન્યુફેક્ચરિંગથી ડિજિટલાઈઝેશન સુધીની ભાગીદારી વધુ મજબૂત, ત્રણ મહત્વના થયા કરાર ]]></title><link>https://sandesh.com/india/news/india-singapore-manufacturing-digitalisation-three-key-agreements</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/india-singapore-manufacturing-digitalisation-three-key-agreements</guid><pubDate>Thu, 20 Aug 2026 20:02:37 +05:30</pubDate><description><![CDATA[<p>સિંગાપોરમાં આજે ભારત અને સિંગાપોર વચ્ચે 4થી ઈન્ડિયા-સિંગાપોર મિનિસ્ટ્રીયલ રાઉન્ડટેબલ (ISMR)નું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ભારત તરફથી કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ અફેર્સ મંત્રી નિર્મલા સીતારમણ, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ તથા ઈલેક્ટ્રોનિક્સ અને IT તેમજ વાણિજ્ય-ઉદ્યોગ રાજ્યમંત્રી જિતિન પ્રસાદાએ ભાગ લીધો હતો.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2090417577436828074"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>દ્વિપક્ષીય સહયોગની પ્રગતિની સમીક્ષા કરી</b></h2><p>સિંગાપોરના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ નાયબ વડાપ્રધાન અને વેપાર-ઉદ્યોગ મંત્રી ગાન કિમ યોંગે કર્યું હતું. બેઠકમાં સિનિયર મંત્રી અને રાષ્ટ્રીય સુરક્ષા માટેના સંકલન મંત્રી કે. શણ્મુગમ, વિદેશ મંત્રી ડૉ. વિવિયન બાલકૃષ્ણન, ડિજિટલ ડેવલપમેન્ટ અને ઈન્ફોર્મેશન મંત્રી જોસેફિન ટેઓ તથા પરિવહન મંત્રી અને નાણાં મંત્રાલયના બીજા મંત્રી જેફ્રી સિયોવ પણ ઉપસ્થિત રહ્યા હતા.</p><p>4થી ISMR દરમિયાન બંને દેશોએ દ્વિપક્ષીય સહયોગની પ્રગતિની સમીક્ષા કરી અને નવા ક્ષેત્રોમાં ભાગીદારીની શક્યતાઓ અંગે ચર્ચા કરી. બેઠકમાં છ મુખ્ય સ્તંભો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. તેમાં એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, કનેક્ટિવિટી, ડિજિટલાઈઝેશન, હેલ્થકેર અને મેડિસિન, સ્કિલ્સ ડેવલપમેન્ટ તથા સસ્ટેનેબિલિટીનો સમાવેશ થાય છે.</p><h3><b>બંને દેશ વચ્ચેના સંબંધ વધુ મજબૂત બનશે</b></h3><p>બેઠક દરમિયાન ભારત અને સિંગાપોર વચ્ચે બે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) અને એક લેટર ઓફ ઇન્ટેન્ટ (LoI)ની પણ આપ-લે કરવામાં આવી હતી. આ કરારો બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત બનાવવાના હેતુથી કરવામાં આવ્યા છે.</p><p>કરારોમાં મેરિટાઈમ હેરિટેજ ક્ષેત્રે સહયોગ, ફૂડ સેફ્ટીના ક્ષેત્રમાં સહકાર તથા ટેલિકોમ્યુનિકેશન અને બ્રોડકાસ્ટિંગ રેગ્યુલેશન ક્ષેત્રે સહયોગનો સમાવેશ થાય છે. બંને દેશોએ આ બેઠક દ્વારા આર્થિક, ટેક્નોલોજી, કનેક્ટિવિટી અને માનવ સંસાધન ક્ષેત્રે સહયોગને વધુ ગતિ આપવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આવનારા સમયમાં આ કરારોના અમલીકરણથી ભારત-સિંગાપોરના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂતી મળવાની અપેક્ષા છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/india-news-journey-from-italy-to-india-and-love-story-with-rajiv-gandhi-many-secrets-will-be-revealed-in-sonia-gandhis-autobiography" target="_blank">આ પણ વાંચો : India News : ઈટાલીથી ભારત સુધીની સફર અને રાજીવ ગાંધી સાથેની પ્રેમકથા, સોનિયા ગાંધીની આત્મકથામાં ખુલશે અનેક રહસ્યો</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/WmffCM9Dr1uYFi90rVBveTrYBs4bYhR69Z7dhjsl.webp'/></item><item><title><![CDATA[Ahmedabadમાં MD ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો, 198.5 ગ્રામ મેફેડ્રોન સાથે શખ્સની ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/large-quantity-of-md-drugs-seized-in-ahmedabad-men-arrested-with-1985-grams-of-mephedrone</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/large-quantity-of-md-drugs-seized-in-ahmedabad-men-arrested-with-1985-grams-of-mephedrone</guid><pubDate>Thu, 20 Aug 2026 19:46:03 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે કડક ઝુંબેશ ચલાવી રહેલી ક્રાઈમ બ્રાન્ચે એક સફળ ઓપરેશન પાર પાડીને ગેરકાયદેસર મેફેડ્રોન (MD) ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે મણિનગર ચાર રસ્તાથી જયહિંદ ચાર રસ્તા તરફ જતા માર્ગ પર આવેલા LG શોરૂમ સામે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન આરોપી પાસેથી 198.5 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત રૂ. 5.95 લાખ આંકવામાં આવી છે. પોલીસે ડ્રગ્સ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 6.05 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.</p><h2 style="text-align: justify; "><b>મધ્યપ્રદેશથી ડ્રગ્સ લાવી અમદાવાદમાં વેચવાનું નેટવર્ક</b></h2><p style="text-align: justify; ">ઝડપાયેલા આરોપીની ઓળખ શાહરૂખખાન ઉર્ફે બાવા શરીફખાન પઠાણ તરીકે થઈ છે, જે હાલ મધ્યપ્રદેશના મંદસોર ખાતે નારસૈયદ દરગાહ પાસે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી મંદસોરથી જથ્થાબંધ MD ડ્રગ્સ ખરીદીને અમદાવાદ લાવતો હતો અને અહીંના સ્થાનિક ડ્રગ્સ પેડલરોને સપ્લાય કરતો હતો. પકડાયેલા આરોપી આ અગાઉ રાજસ્થાનના ગડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 8 કિલોગ્રામ લીલા ગાંજા સાથે NDPS એક્ટ હેઠળના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે.</p><h2 style="text-align: justify; "><b>ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાયદાકીય કાર્યવાહી અને આગળની તપાસ</b></h2><p style="text-align: justify; ">અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી શાહરૂખખાન સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને તેની વિધિવત ધરપકડ કરી છે. આરોપી મધ્યપ્રદેશમાં કોની પાસેથી આ ડ્રગ્સ લાવતો હતો અને અમદાવાદમાં કયા-કયા સ્થાનિક પેડલરોને ડ્રગ્સ પહોંચાડવાનો હતો, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર રેકેટ સાથે જોડાયેલા અન્ય સાગરીતોને પણ ઝડપી પાડવા માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/big-revelation-in-bhavnagar-latha-case-duplicate-liquor-was-made-twice-methanol-was-used-in-the-second-time" target="_blank">Bhavnagar લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો, બે વખત બનાવ્યો ડુપ્લિકેટ દારૂ, બીજી વખતમાં કર્યો મિથેનોલનો ઉપયોગ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/6JnjhWkcusPYWkOCPIBCnAG8xuSwTKRkFmO6ir5I.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: પોલીસની બે દિવસીય પ્રોહિબિશન ડ્રાઈવ, 215 કેસ દાખલ, 82 લાખથી વધુનો દારૂ અને મુદ્દામાલ જપ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/police-prohibition-drive-liquor-seized-bootleggers-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/police-prohibition-drive-liquor-seized-bootleggers-arrested</guid><pubDate>Thu, 20 Aug 2026 19:43:55 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગેરકાયદે દારૂના વેચાણ અને હેરાફેરી પર અંકુશ મેળવવા માટે એક વિશેષ પ્રોહિબિશન ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત પોલીસની જુદી જુદી ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં રેડ કરીને બુટલેગરો સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની આ આક્રમક કામગીરીના કારણે અસામાજિક તત્વો અને ગેરકાયદે રીતે દારૂનો વેપાર કરતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.</p><h2><b>2 દિવસમાં 215 કેસ નોંધાયા, 244 આરોપીઓ સામે કાયદેસરનાં પગલાં</b></h2><p>પોલીસ તંત્ર દ્વારા તારીખ 18 અને 19 ઓગસ્ટ દરમિયાન હાથ ધરવામાં આવેલી ડ્રાઈવમાં કુલ 215 જેટલા પ્રોહિબિશનના કેસ ચોપડે નોંધાયા છે. આ ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંકળાયેલા કુલ 244 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર કામગીરી દરમિયાન ભારતીય બનાવીના બનાવટી વિદેશી દારૂ અને બીયરના કુલ 47 મોટા કેસો શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી છે.</p><p><img alt="Ahmedabad News: Major Prohibition Drive in Ahmedabad: Alcohol Worth Over ₹82 Lakh Seized, 244 Booked" src="https://epapercdn.sandesh.com/images/2026/08/20/0Ta79X108DhEW4wlq3kTeRxze5iL59tJWjDHwc7j.webp" style="width: 100%;"><br></p><h2><b>વિદેશી દારૂની 10,885 બોટલો સાથે 77.87 લાખનો મુદ્દામાલ સીઝ</b></h2><p>વિદેશી દારૂના કાસામાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને વિદેશી દારૂ તથા બીયરની કુલ 10,885 બોટલો કબ્જે કરી છે. દારૂનો જથ્થો અને હેરફેર માટે વપરાયેલા વાહનો મળીને કુલ 77.87 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દેશી દારૂના 168 કેસો શોધી કાઢીને 1,941 લીટર દારૂ કબ્જે કરાયો છે, જેમાં 4.26 લાખનો મુદ્દામાલ પોલીસના હસ્તગત થયો છે.</p><p><img alt="Ahmedabad News: Major Prohibition Drive in Ahmedabad: Alcohol Worth Over ₹82 Lakh Seized, 244 Booked" src="https://epapercdn.sandesh.com/images/2026/08/20/UQ4ngGR8XgDm3AW4Lgo7PUuphLo2CcEDAMP8FOY6.webp" style="width: 100%;"><br></p><h2><b>સોલા, સાબરમતી અને નરોડા પોલીસ સ્ટેશનનો મોટો સપાટો</b></h2><p>અમદાવાદ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં સોલા પોલીસે 2,762 બોટલ દારૂ અને બીયર સાથે 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. સાબરમતી પોલીસે 1,740 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સની અટકાયત કરી હતી. જ્યારે સૌથી મોટી કાર્યવાહી નરોડા પોલીસે કરી હતી, જ્યાં આયશર ટ્રક સહિત 3,840 બોટલ વિદેશી દારૂ જપ્ત કરીને 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને 24.73 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. અમદાવાદ પોલીસે સ્પષ્ટ કર્યું છે કે, આવનારી દિવસોમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/dholera-police-raid-seize-suspicious-liquor-mingalpur" target="_blank">Ahmedabad News: ધોલેરા પોલીસે મીંગલપુરની સીમમાંથી શંકાસ્પદ વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો, 3 શખ્સો સામે ગુનો નોંધાયો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/pyf40VNiul1SepZ9iM1iJImo1JxTtL9L3Y4vCtXF.webp'/></item><item><title><![CDATA[Bhavnagar લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો, બે વખત બનાવ્યો ડુપ્લિકેટ દારૂ, બીજી વખતમાં કર્યો મિથેનોલનો ઉપયોગ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/big-revelation-in-bhavnagar-latha-case-duplicate-liquor-was-made-twice-methanol-was-used-in-the-second-time</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/big-revelation-in-bhavnagar-latha-case-duplicate-liquor-was-made-twice-methanol-was-used-in-the-second-time</guid><pubDate>Thu, 20 Aug 2026 19:27:05 +05:30</pubDate><description><![CDATA[<p>ભાવનગર વિદેશી દારૂ લઠ્ઠાકાંડની તપાસમાં પોલીસ અને તપાસ એજન્સી દ્વારા ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓએ ઉજ્જૈનથી કોઈપણ પ્રકારનો દારૂ ખરીદ્યો જ ન હતો, પરંતુ જાતે જ બે વખત ડુપ્લીકેટ દારૂ તૈયાર કર્યો હતો. પ્રથમ પ્રયાસમાં આરોપીઓએ 51 પેટી દારૂ ઇથેનોલ મિશ્રિત કરીને બનાવ્યો હતો, જે બજારમાં વેચાઈ જતાં તેમણે બીજી વખત દારૂ બનાવવાનું જોખમી આયોજન કર્યું હતું.</p><h2><b>ઇથેનોલને બદલે ઝેરી 'મિથેનોલ' વાપર્યું</b></h2><p>બીજી વખત દારૂ બનાવતી વખતે આરોપીઓએ ભયાનક ભૂલ કરીને ઇથેનોલના બદલે અત્યંત જાનલેવા કેમિકલ 'મિથેનોલ'નો ઉપયોગ કરી નાખ્યો હતો. આ મિથેનોલયુક્ત ઝેરી દારૂ પીવાના કારણે ખુદ દારૂ બનાવનાર નરેન્દ્ર યાદવની તબિયત લથડી હતી અને સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આમ છતાં, આ ઝેરી દારૂ ગૌતમ સોલંકીએ પોતાના સાગરીતો મારફતે અલગ-અલગ વિસ્તારોમાં વેચાણ અર્થે પહોંચાડ્યો હતો, જેના કારણે આ ભયાનક લઠ્ઠાકાંડ સર્જાયો હતો.</p><h2><b>ઝડપાયેલા ગુનેગારોનો પ્રોહિબિશન અને મારામારીનો ગુનાહિત ઇતિહાસ</b></h2><p>પોલીસ તપાસમાં વધુ એક મહત્વની વિગત સામે આવી છે કે આ લઠ્ઠાકાંડમાં પકડાયેલા મોટાભાગના આરોપીઓ કોઈ નવોદિત નથી પરંતુ રીઢા ગુનેગારો છે. પકડાયેલા મોટાભાગના આરોપીઓ સામે ભૂતકાળમાં પણ પ્રોહિબિશન (દારૂબંધી) અને સામુહિક મારામારી સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તંત્ર દ્વારા તમામ આરોપીઓ સામે મજબૂત કાનૂની શિકંજો કસવા માટે વધુ પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.</p><p><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/india/news/india-news-journey-from-italy-to-india-and-love-story-with-rajiv-gandhi-many-secrets-will-be-revealed-in-sonia-gandhis-autobiography" target="_blank">India News : ઈટાલીથી ભારત સુધીની સફર અને રાજીવ ગાંધી સાથેની પ્રેમકથા, સોનિયા ગાંધીની આત્મકથામાં ખુલશે અનેક રહસ્યો</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/c5nC8ZzflvCangPHVejQUBPPPP0jd3vdebYanCPh.webp'/></item><item><title><![CDATA[Valsad News: ઉદવાડા ગ્રામ પંચાયતમાં ACBનો સપાટો, સરપંચ, ઉપસરપંચ અને મહિલા સભ્ય લાંચ લેતા ઝડપાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/valsad/udvada-gram-panchayat-sarpanch-acb-trap-bribe-case</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/valsad/udvada-gram-panchayat-sarpanch-acb-trap-bribe-case</guid><pubDate>Thu, 20 Aug 2026 19:26:17 +05:30</pubDate><description><![CDATA[<p>વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં આવેલી ઐતિહાસિક ઉદવાડા ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર અંગે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. જમીનને ખેતીવાડી ઝોનમાંથી રહેણાંક ઝોનમાં ફેરવવા માટે અને આ અંગેનો ગ્રામ પંચાયતનો ઠરાવ પસાર કરવા માટે અરજદાર પાસેથી લાંચની કાયદેસરની માંગણી કરવામાં આવી હતી. હોદ્દાનો દુરુપયોગ કરીને ગેરકાયદે કમાણી કરવાના આ મામલામાં પંચાયતના ત્રણેય મુખ્ય હોદ્દેદારો ચડ્યા છે.</p><h2><b>UADA અને પંચાયતના ઠરાવ માટે 3 લાખની લાંચ માંગવામાં આવી</b></h2><p>અરજદારની જમીનનો ઝોન ફેરવવા માટે UADA (ઉદવાડા એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી) ની TP કમિટીમાં ભલામણ કરવા અને ઉદવાડા ગ્રામ પંચાયતમાં અનુકૂળ ઠરાવ કરી આપવાના બદલામાં પંચાયત તંત્ર દ્વારા 3,00,000ની રકમની માંગણી કરવામાં આવી હતી. જમીન માલિકે આ અંગે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે ACB દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું.</p><h2><b>સરપંચ અને ઉપસરપંચના કહેવાથી મહિલા સભ્યએ સ્વીકાર્યા નાણાં</b></h2><p>ACB દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન સરપંચ ધર્મેન્દ્ર ઉર્ફે રાજુ પટેલ અને ઉપસરપંચ સરોદ ઈરાનીના કહેવાથી વોર્ડ નંબર 4ના મહિલા સભ્ય ધર્મિષ્ઠા ઉર્ફે જીગીબેન પટેલે 3,00,000 ની લાંચની રકમ સ્વીકારી હતી. મહિલા સભ્ય રંગેહાથ લાંચ લેતા ઝડપાઈ જતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.</p><h2><b>ત્રણેય આરોપીઓ વિરુદ્ધ વલસાડ-ડાંગ ACB પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ</b></h2><p>આ સમગ્ર મામલે વલસાડ-ડાંગ ACB પોલીસ સ્ટેશનમાં સરપંચ ધર્મેન્દ્ર પટેલ, ઉપસરપંચ સરોદ ઈરાની અને મહિલા પંચાયત સભ્ય ધર્મિષ્ઠા પટેલ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી દેવામાં આવ્યો છે. જાહેર સેવકના હોદ્દાનો દુરુપયોગ કરી ગેરકાયદે નાણાં મેળવવાના આ ગુનામાં ACBએ વધુ તપાસ હાથ ધરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/valsad/valsad-action-against-noisy-vehicles-10-bullets-with-fancy-silencers-seized" target="_blank">Valsad: ઘોંઘાટ કરતા વાહનો સામે કાર્યવાહી ફેન્સી સાયલેન્સરવાળી 10 બુલેટ જપ્ત કરાઈ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/XetuHg03W7IadUXEnQ4XDrQXOYCQQXEMOxQn0bVT.webp'/></item><item><title><![CDATA[UPI પેમેન્ટ પર કોને આપવો પડશે ચાર્જ? સરકારે કરી સ્પષ્ટતા ]]></title><link>https://sandesh.com/business/news/will-upi-ever-have-charges--govt-clarifies-after-new-payment-bill</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/will-upi-ever-have-charges--govt-clarifies-after-new-payment-bill</guid><pubDate>Thu, 20 Aug 2026 18:35:58 +05:30</pubDate><description><![CDATA[<p>UPI: શું UPI પર ક્યારેય ચાર્જ લાગશે? 6 ઓગસ્ટના રોજ લોકસભાએ કરવેરા અને અન્ય કાયદા (સુધારા) બિલ, 2026, ધ્વનિ મત દ્વારા પસાર કર્યું. રાજ્યસભાએ પણ 10 ઓગસ્ટના રોજ તેને મંજૂરી આપી. રાષ્ટ્રપતિની સંમતિ બાદ આ બિલ હવે કાયદો બની ગયું છે. તે ચુકવણી અને સમાધાન પ્રણાલી અધિનિયમ 2007 ની કલમ 10A માં સુધારો કરે છે.</p><p><br></p><p>સરકારે શું કહ્યું?</p><p>સરકારે સ્પષ્ટ કર્યું છે કે UPI ગ્રાહકો માટે મફત રહેશે અને બધા વ્યક્તિ-થી-વ્યક્તિ (P2P) વ્યવહારો પણ મફત રહેશે. એક નિવેદનમાં નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે ગ્રાહકોએ UPI ચુકવણી માટે કોઈ વ્યવહાર શુલ્ક ચૂકવવા પડશે નહીં અને મોટાભાગના વેપારી વ્યવહારો પણ મફત રહેશે. મંત્રાલયે જણાવ્યું હતું કે જો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) શુલ્ક લાગુ કરવામાં આવે છે, તો તે ફક્ત ચોક્કસ મર્યાદાથી વધુ અને ખૂબ જ ઓછા દરે ચોક્કસ વેપારી વ્યવહારો પર લાગુ થશે. મંત્રાલયે ઉમેર્યું હતું કે ચુકવણી અને સમાધાન પ્રણાલી અધિનિયમમાં સુધારાનો હેતુ UPI ની લાંબા ગાળાની કાર્યક્ષમતા તેમજ ઉભરતા જોખમો સામે તેની તકનીકી પ્રગતિ અને નવા ખતરાઓને કેવી રીતે સોલ્વ કરવા તેની મજબૂતીને સુનિશ્ચત કરવાનો છે.</p><p><b>UPI નું વધતું મહત્વ</b></p><p>મંત્રાલયે જણાવ્યું હતું કે જેમ જેમ વ્યવહારોનું પ્રમાણ વધશે તેમ તેમ સાયબર સુરક્ષા, છેતરપિંડી નિવારણ, ટેકનોલોજી અને માળખાગત સુવિધાઓમાં સતત રોકાણ જરૂરી બનશે. તેમણે ભારતના ડિજિટલ ચુકવણી માળખાના એક મહત્વપૂર્ણ ઘટક તરીકે UPI ના વધતા મહત્વ પર પણ ભાર મૂક્યો. ગયા મહિને જ, પ્લેટફોર્મે ₹29.9 લાખ કરોડના મૂલ્યના 2366 કરોડ વ્યવહારો પર પ્રક્રિયા કરી હતી અને તે હવે 11 વિદેશી દેશોમાં કાર્યરત છે.</p><p><br></p><p><b>ખર્ચનો બોજ કેટલો મહત્વપૂર્ણ છે?</b></p><p>અત્યાર સુધી UPI અને RuPay ડેબિટ કાર્ડને શુલ્કમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી હતી. આ બિલ સાથે તે સ્વચાલિત સુરક્ષા દૂર કરવામાં આવી છે. ચુકવણી પદ્ધતિ મફત રહે છે કે નહીં તે હવે સરકાર પર નિર્ભર રહેશે. UPI વિશ્વનું સૌથી મોટું રીઅલ-ટાઇમ ચુકવણી નેટવર્ક છે. તેના સંચાલનનો વાર્ષિક ખર્ચ આશરે ₹20,000 કરોડ હોવાનો અંદાજ છે. ફક્ત જુલાઈ 2026 માં 2366 કરોડ વ્યવહારો થયા, જે ₹29.9 લાખ કરોડના મૂલ્યના છે. AI, છેતરપિંડી નિવારણ અને સુરક્ષા માટે વધુ રોકાણ જરૂરી છે. RBI ગવર્નર અને NPCI વડા પણ પ્રશ્ન કરી રહ્યા છે કે આ ખર્ચ કોણ ઉઠાવશે.</p><p><br></p><p><b>નાના વેપારીઓ માટે જોખમ</b></p><p>મોટાભાગના UPI વ્યવહારો નાના હોય છે, જે ₹30 થી ₹40 સુધીના હોય છે. ₹2000 થી વધુના વ્યવહારો વોલ્યુમના માત્ર 4% હિસ્સો ધરાવે છે પરંતુ કુલ મૂલ્યના બે તૃતીયાંશ ભાગનું પ્રતિનિધિત્વ કરે છે. જો નાના વ્યવહારો પર શુલ્ક વસૂલવામાં આવે તો રિક્ષાચાલકો અને શેરી વિક્રેતાઓ રોકડનો ઉપયોગ કરવા પાછા ફરી શકે છે. આ ડિજિટલ અર્થતંત્રના ઉદ્દેશ્યને નબળી પાડશે. નાણામંત્રીએ ખાતરી આપી છે કે ઓછી કિંમતની ચુકવણીઓ મફત રહેશે અને હાલમાં કોઈ MDR (વેપારી ડિસ્કાઉન્ટ રેટ) નક્કી કરવામાં આવ્યો નથી. જો કે, આ વચન બિલમાં સમાવિષ્ટ નથી; અંતિમ નિર્ણય એક્ઝિક્યુટિવ સૂચના પર રહે છે.</p><p><br></p><p><b>આગળ વધવાનો સારો માર્ગ</b></p><p>RBI ના સરપ્લસ અથવા ક્રેડિટ ઉત્પાદનોમાંથી ઉત્પન્ન થતી આવકનો ઉપયોગ કરીને સિસ્ટમને ભંડોળ પૂરું પાડી શકાય છે. જ્યારે સુરક્ષા અને AI માટે ભંડોળની જરૂર છે, ₹30 ના વ્યવહાર પર શુલ્ક લાદવાથી UPI ની સૌથી મોટી શક્તિનો નાશ થશે. હવે પડકાર આ વચનોને કાયદાકીય સુરક્ષામાં રૂપાંતરિત કરવાનો છે.<br><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/nitin-nabin-viral-video-fact-check--truth-behind-non-veg-claim" target="_blank">Nitin Nabin: શું નિતિન નવીને શ્રાવણ મહિનામાં ખાધુ નોનવેજ? કોંગ્રેસે કહ્યું- 'આખો દેશ જોઈ રહ્યો છે'</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/CffDBTjcnM2HcVItSZWfx311fgoNvfIMvrS3hBvs.webp'/></item><item><title><![CDATA[Junagadh News : માણાવદરમાં સરાજાહેર હત્યાથી ચકચાર, મોબાઇલ વેપારીને દુકાનમાં જ છરીના ઘા ઝીંક્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/junagadh/junagadh-news-shocking-murder-in-manavadar-mobile-trader-stabbed-in-shop</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/junagadh/junagadh-news-shocking-murder-in-manavadar-mobile-trader-stabbed-in-shop</guid><pubDate>Thu, 20 Aug 2026 18:26:03 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જૂનાગઢ જિલ્લાના માણાવદર શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને સનસનાટીભરી ઘટના સામે આવી છે. માણાવદરમાં આવેલી એક મોબાઈલની દુકાનમાં અજાણ્યા શખ્સ દ્વારા ઘાતકી હુમલો કરીને વેપારીની સરાજાહેર હત્યા કરવામાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ વ્યાપી ગયો છે તેમજ સ્થાનિક વેપારી આલમમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>ઘટનાસ્થળે જ વેપારીનું કરૂણ મોત</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, મૃતક વેપારી પોતાની મોબાઈલની દુકાને હાજર હતા તે દરમિયાન અચાનક ધસી આવેલા અજાણ્યા શખ્સે તીક્ષ્ણ છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. હુમલો એટલો ગંભીર હતો કે ગંભીર રીતે ઘવાયેલા વેપારીનું ટૂંકી ક્ષણોમાં જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. હુમલાખોર શખ્સ વહેલી તકે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.</p><h2 style="text-align: justify; "><b>મૃતદેહ પીએમ અર્થે ખસેડી તપાસનો ધમધમાટ શરૂ</b></h2><p style="text-align: justify; ">બનાવની જાણ થતાં જ માણાવદર પોલીસનો કાફલો તુરંત જ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવીને મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે સ્થાનિક સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. હત્યા પાછળનું કારણ અંગત અદાવત છે કે લૂંટનો ઈરાદો, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને આરોપીને ઝડપી પાડવા ચારેય તરફ નાકાબંધી કરી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-will-get-relief-from-traffic-jams-24-main-highways-of-the-city-will-soon-be-hawker-free" target="_blank">Rajkotમાં ટ્રાફિક જામમાંથી મળશે મુક્તિ, શહેરના મુખ્ય 24 રાજમાર્ગો ટૂંક સમયમાં થશે હોકર્સ ફ્રી</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/YZ48CvWZOsdCTu9lkGTU8ZJhhhpcwM5nftO54W7D.webp'/></item><item><title><![CDATA[Rocking Star Yash : રિલિઝ પહેલાં જ ટોક્સિકનો અમેરિકામાં દબદબો! એડવાન્સ બુકિંગમાં કમાયા કરોડો ]]></title><link>https://sandesh.com/entertainment/news/toxic-usa-advance-booking-india-date</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/toxic-usa-advance-booking-india-date</guid><pubDate>Thu, 20 Aug 2026 17:43:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સાઉથ સુપરસ્ટાર યશની ફિલ્મ ટોક્સિક હવે રિલીઝની ખૂબ નજીક પહોંચી ગઈ છે. ફિલ્મનું અમેરિકામાં એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે અને તેણે એડવાન્સ બુકિંગમાં શાનદાર શરૂઆત કરી છે. જાણો કે ફિલ્મે અમેરિકામાં અત્યાર સુધી કેટલી કમાણી કરી છે અને ભારતમાં તેનું એડવાન્સ બુકિંગ ક્યારથી શરૂ થશે?</p><h2 style="text-align: justify; "><b>અમેરિકામાં પ્રી-સેલ્સ શરૂ</b></h2><p style="text-align: justify; ">અમેરિકામાં ફિલ્મ ટોક્સિકનું પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે. ફિલ્મે અમેરિકામાં પ્રી-સેલ્સ દ્વારા સત્તાવાર રીતે 1,20,000 ડોલરની કમાણી કરી લીધી છે અને હજુ તેની રિલીઝને 7 દિવસ બાકી છે. વિદેશમાં ફિલ્મ સારી કમાણી કરશે તેવી આશા છે. કારણ કે જો આગામી 7 દિવસ સુધી પણ ફિલ્મ આ જ રીતે કમાણી કરતી રહેશે, તો મોટું કલેક્શન થઈ શકે છે.</p><h3 style="text-align: justify; "><b>એડવાન્સ બુકિંગનું કલેક્શન</b></h3><p style="text-align: justify; ">અમેરિકાની વેંકી બોક્સ ઓફિસના રિપોર્ટ અનુસાર, USAમાં ફિલ્મ ટોક્સિકના એડવાન્સ બુકિંગે સત્તાવાર રીતે 1,20,000 ડોલરની કમાણીનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મની રિલીઝને હજુ 7 દિવસ બાકી છે અને તે સારા પ્રદર્શન તરફ આગળ વધી રહી છે.</p><h4 style="text-align: justify; "><b>અમેરિકાથી સારી કમાણીની આશા</b></h4><p style="text-align: justify; ">મળતી માહિતી પ્રમાણે ફિલ્મે 204 લોકેશન અને 589 શોમાં 1,21,258 ડોલર એટલે કે 1.16 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અત્યાર સુધી નોર્થ અમેરિકન માર્કેટમાં ફિલ્મની 5,550થી વધુ ટિકિટ વેચાઈ ચૂકી છે અને દરરોજ લગભગ 10,000 ડોલરનું બુકિંગ થઈ રહ્યું છે. અમેરિકાથી સારા અને મોટા કલેક્શનની આશા રાખવામાં આવી રહી છે.</p><h4 style="text-align: justify; "><b>ભારતમાં ક્યારથી શરૂ થશે એડવાન્સ બુકિંગ?</b></h4><p style="text-align: justify; ">ફિલ્મના ભારતમાં એડવાન્સ બુકિંગની વાત કરીએ તો ટોક્સિકનું એડવાન્સ બુકિંગ 21 ઓગસ્ટથી શરૂ થવાનું છે. જોકે, ફિલ્મને એડવાન્સ બુકિંગમાં ભારતીય દર્શકો તરફથી કેવો પ્રતિસાદ મળે છે તે જોવાનું રહેશે. તેની જાણ ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થયા બાદ જ થશે.</p><h4 style="text-align: justify; "><b>ફિલ્મની કાસ્ટ</b></h4><p style="text-align: justify; ">આ ફિલ્મમાં યશ ઉપરાંત નયનતારા, કિયારા અડવાણી, હુમા કુરેશી, તારા સુતારિયા અને રુક્મિણી વસંત મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના બજેટની વાત કરીએ તો તેનું બજેટ 850 કરોડથી 1000 કરોડ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે, મેકર્સે આ અંગે સત્તાવાર રીતે કોઈ માહિતી આપી નથી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/yash-toxic-movie-runtime-3-hours-11-minutes-dhurandhar" target="_blank">આ પણ વાંચો-Dhurandhar કરતાં પણ વધુ ખતરનાક અને બોલ્ડ હશે યશની 3 કલાક 11 મિનિટની ટોક્સિક!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/BJAKdAKu5bjZm2XkKqobc7q0GE970pBWglBEfN6V.webp'/></item></channel></rss>