<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[West Bengalના CM શુભેન્દુ અધિકારીના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ; ઉડાન ભરતા જ સર્જાઈ ટેકનિકલ ખામી! ]]></title><link>https://sandesh.com/india/news/west-bengal-cm-shubhendu-adhikaris-helicopter-makes-emergency-landing-technical-fault-occurs-while-taking-off</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/west-bengal-cm-shubhendu-adhikaris-helicopter-makes-emergency-landing-technical-fault-occurs-while-taking-off</guid><pubDate>Tue, 11 Aug 2026 14:05:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના હેલિકોપ્ટરનું મંગળવારે કોલાઘાટ ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી કોલકાતાથી પશ્ચિમ મેદિનીપુરના કેશપુર જઈ રહ્યા હતા, પરંતુ રસ્તામાં હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી અને ખરાબ હવામાનના કારણે તેને વચગાળામાં જ ઉતારી લેવાની ફરજ પડી હતી.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>કોલકાતા એરપોર્ટ પર જ સર્જાઈ હતી પ્રાથમિક ખામી</b></h2><p style="text-align: justify; ">અહેવાલો મુજબ, મુખ્યમંત્રીના હેલિકોપ્ટરમાં કોલકાતા એરપોર્ટ પરથી ટેકઓફ કરતા પહેલા જ ટેકનિકલ ખામી જોવા મળી હતી. જોકે, થોડા જ સમયમાં આ સમસ્યાને સુધારી દેવામાં આવી હતી, ત્યારબાદ હેલિકોપ્ટરે સવારે 11 વાગ્યે ને 21 મિનિટે ઉડાન ભરી હતી. આ પ્રારંભિક ટેકનિકલ ગડબડ અંગે એરપોર્ટ ઓથોરિટી તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.</p><h3 style="text-align: justify; "><b>કોલાઘાટમાં કેમ કરવી પડી ઈમરજન્સી લેન્ડિંગ?</b></h3><p style="text-align: justify; ">ઉડાન ભર્યાના થોડા સમય બાદ, બપોરે લગભગ 12 વાગ્યે હેલિકોપ્ટરમાં અચાનક ફરીથી ટેકનિકલ ખામીનો અનુભવ થયો હતો. બીજી તરફ, મેદિનીપુરમાં ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે ત્યાં હેલિકોપ્ટર લેન્ડ કરવું શક્ય નહોતું. આ બંને પરિસ્થિતિઓ (ટેકનિકલ ખામી અને ખરાબ હવામાન)ને ધ્યાનમાં રાખીને કોલાઘાટના હેલિપેડ પર હેલિકોપ્ટરને સુરક્ષિત રીતે ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.</p><h4 style="text-align: justify; "><b>હવે સડક માર્ગે જશે મુખ્યમંત્રી&nbsp;</b></h4><p style="text-align: justify; ">વહીવટી સૂત્રોના જણાવ્યા અનુસાર, કોલાઘાટમાં એરક્રાફ્ટ મિકેનિક્સ હેલિકોપ્ટરની તપાસ અને સમારકામ કરી રહ્યા છે. જો મિકેનિક્સ તરફથી લીલી ઝંડી મળશે, તો જ મુખ્યમંત્રી હેલિકોપ્ટરથી આગળની મુસાફરી કરશે. જોકે, મેદિનીપુરમાં ખરાબ હવામાન હોવાથી તેમના માટે કેશપુર સુધી સડક માર્ગે જવાની વ્યવસ્થા કરવામાં આવી છે.</p><h5 style="text-align: justify; "><b>શહીદ ખુદીરામ બોઝને શ્રદ્ધાંજલિ આપવા જઈ રહ્યા હતા CM</b></h5><p style="text-align: justify; ">આજે મહાન સ્વતંત્રતા સેનાની શહીદ ખુદીરામ બોઝનો શહાદત દિવસ છે. આ નિમિત્તે મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે તેમના જન્મસ્થળ કેશપુરના મોહબની ગામ જઈ રહ્યા હતા. મોહબની ગામમાં મુખ્યમંત્રીના આગમનને લઈને ગ્રામજનોમાં ભારે ઉત્સાહ હતો. ત્યાં તેમના માટે એક કામચલાઉ હેલિપેડ તૈયાર કરવામાં આવ્યું હતું, જેનું નિરીક્ષણ જિલ્લા પોલીસ વડા (SP) પાપિયા સુલતાનાએ કર્યું હતું. સુરક્ષામાં તેનાત SPG દ્વારા પણ સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/india" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/hVxyugvjoBtRfbC71QRSkLwmlxrJ7BQuLt0RJmwB.webp'/></item><item><title><![CDATA[Gujarat Weather Update: રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી, ગાજવીજ અને પવન સાથે તૂટી પડશે વરસાદ ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/gujarat-weather-update-heavy-rain-forecast-11-august</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/gujarat-weather-update-heavy-rain-forecast-11-august</guid><pubDate>Tue, 11 Aug 2026 14:05:00 +05:30</pubDate><description><![CDATA[<p>હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, ગુજરાત પર એકસાથે 4 જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. આગામી 2 દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા અને 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે તેજ વરસાદ પડી શકે છે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને પૂર્વ પટ્ટાના જિલ્લાઓમાં મેઘરાજા રોદ્ર સ્વરૂપ ધારણ કરે, તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.</p><h2><b>ઓરેન્જ અને યલો એલર્ટ હેઠળના જિલ્લાઓ</b></h2><p>હવામાન વિભાગે આપેલી ચેતવણી મુજબ, મહીસાગર જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પંચમહાલ અને દાહોદ જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ ખેડા, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને કારણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મેઘગર્જના અને વાવાઝોડા જેવા પવન સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.</p><h2><b>6 દિવસની વિગતવાર જિલ્લાવાર આગાહી&nbsp;</b></h2><h3><b>11 ઓગસ્ટની આગાહી - ભારેથી અતિભારે વરસાદનું સંકટ</b></h3><p><b>આગાહી:</b> ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ રહેશે. જ્યારે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તથા સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને ભાવનગરમાં મોટાભાગના સ્થળોએ મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.</p><p><b>એલર્ટ:</b> મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ. ખેડા, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ.</p><p><img alt="Gujarat Weather Update: 4 Weather Systems Active, Heavy Rainfall Warning for Next 2 Days, Orange Alert Issued" src="https://epapercdn.sandesh.com/images/2026/08/11/aJSVSBjqTq1agk1EcUKlTMeYC6gFqUzPb5tq6ki1.webp" style="width: 100%;"><br></p><h3><b>12 ઓગસ્ટની આગાહી -  પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર</b></h3><p><b>આગાહી:</b> દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ મધ્ય-ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ઘણા સ્થળોએ વરસાદી માહોલ રહેશે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદમાં ઘણા સ્થળોએ, જ્યારે રાજકોટ, અમરેલી, મોરબી, ગીર સોમનાથ, કચ્છમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.</p><p><b>એલર્ટ:</b> દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ યથાવત રહેશે.</p><p><img alt="Gujarat Weather Update: 4 Weather Systems Active, Heavy Rainfall Warning for Next 2 Days, Orange Alert Issued" src="https://epapercdn.sandesh.com/images/2026/08/11/YJL9CPpamCyZC6C99JOAmdNFqYOCKpXnghE5RT7I.webp" style="width: 100%;"><br></p><h2><b>13 ઓગસ્ટની આગાહી -  વરસાદનું જોર ક્રમશઃ ઘટશે પરંતુ વરસાદી ઝાપટાં ચાલુ રહેશે</b></h2><p>આગાહી: અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડશે. દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને સંઘપ્રદેશોમાં પણ વરસાદી માહોલ રહેશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના બાકીના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે.</p><p><img alt="Gujarat Weather Update: 4 Weather Systems Active, Heavy Rainfall Warning for Next 2 Days, Orange Alert Issued" src="https://epapercdn.sandesh.com/images/2026/08/11/rSklWFNK9BCVVP7snk5uGa4PrChuGdGAFAfkpkNk.webp" style="width: 100%;"><br></p><h3><b>14 ઓગસ્ટની આગાહી - રાજ્યભરમાં છૂટોછવાયો હળવો વરસાદ</b></h3><p>આગાહી: ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ વગેરે અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં થોડા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદી છાંટા કે ઝાપટાં પડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં પણ એકલ-દોકલ સ્થળોએ વરસાદી વહેણ જોવા મળશે.</p><p><img alt="Gujarat Weather Update: 4 Weather Systems Active, Heavy Rainfall Warning for Next 2 Days, Orange Alert Issued" src="https://epapercdn.sandesh.com/images/2026/08/11/6vCaDCMRfOAVg6Q0WCTNoUUPJFOxttHSscbsPVa4.webp" style="width: 100%;"><br></p><h3><b>15 ઓગસ્ટની આગાહી - સ્વતંત્રતા દિન પર વરસાદી વાતાવરણ</b></h3><p>આગાહી: 15મી ઓગસ્ટે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની પૂરેપૂરી સંભાવના છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ નોંધાઈ શકે છે.</p><p><img alt="Gujarat Weather Update: 4 Weather Systems Active, Heavy Rainfall Warning for Next 2 Days, Orange Alert Issued" src="https://epapercdn.sandesh.com/images/2026/08/11/typp2JSkkkfNK5yMbLdjWRVj7QasVi2k2IczXflv.webp" style="width: 100%;"><br></p><h3><b>16 ઓગસ્ટની આગાહી - વાદળછાયું વાતાવરણ અને હળવા ઝાપટાં</b></h3><p>આગાહી: ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં થોડા સ્થળોએ વરસાદી માહોલ જળવાઈ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓ (સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ) તથા દીવમાં એકલ-દોકલ સ્થળોએ હળવો વરસાદ પડશે.</p><p><img alt="Gujarat Weather Update: 4 Weather Systems Active, Heavy Rainfall Warning for Next 2 Days, Orange Alert Issued" src="https://epapercdn.sandesh.com/images/2026/08/11/DiU57lZ9F4rPk2v0UkZKjJWBQ8sRaf30Ka82mtR5.webp" style="width: 100%;"><br></p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gallery/news/fenugreek-seeds-benefits-cholesterol-diabetes?1" target="_blank">Ahmedabad News: નિકોલ ગુરુકુળ સર્કલ અને રિંગ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા, દોઢ કિમી લાંબો ટ્રાફિક જામ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/0jPrztTZxBlYaD9bZBggj8aMYXEKNQLYuVCXdp6f.webp'/></item><item><title><![CDATA[Surat : ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં હોબાળો: જવાબદારો સામે FIR કરવા માટે પોલીસને રિપોર્ટ સબમિટ કરાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/surat-civil-doctor-harsh-pandya-suicide-case-abvp-protest-fir</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/surat-civil-doctor-harsh-pandya-suicide-case-abvp-protest-fir</guid><pubDate>Tue, 11 Aug 2026 14:03:19 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાત અને રેગિંગના વિવાદે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આ ચર્ચાસ્પદ મામલે જવાબદાર વ્યક્તિઓ સામે વિધિવત એફ.આઈ.આર. નોંધાવવા માટે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ખટોદરા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રિપોર્ટ સબમિટ કરી દેવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>ફરિયાદી બનીને પોલીસમાં રિપોર્ટ કરાયો</b></h2><p style="text-align: justify; ">સંદેશ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં નવી સિવિલ હોસ્પિટલના ડીન ડૉ. જયેશે જણાવ્યું હતું કે, તપાસ કમિટીમાં સામે આવેલા ચોંકાવનારા મુદ્દાઓના આધારે તંત્ર દ્વારા જ ફરિયાદી બનીને પોલીસમાં રિપોર્ટ કરાયો છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>ચાર પ્રોફેસરોને કારણ દર્શક નોટિસ</b>&nbsp;</h3><p style="text-align: justify; ">આ મામલે સિવિલના જ અધિકારીઓ ફરિયાદી બનશે. ઉપરાંત, સંકળાયેલી ફેકલ્ટીના ચાર પ્રોફેસરોને કારણ દર્શક નોટિસ આપવામાં આવી છે. જોકે, હોસ્પિટલ તંત્રે રિપોર્ટ સોંપ્યો હોવા છતાં ખટોદરા પોલીસે હજુ સુધી FIR કેમ દાખલ નથી કરી તે અંગે પણ ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>ABVP દ્વારા ઉગ્ર વિરોધ અને મેડિકલ સર્ટિફિકેટ રદ કરવાની માંગ</b></h3><p style="text-align: justify; ">બીજી તરફ, રેગિંગ અને આપઘાતની આ ઘટનાને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા નવી સિવિલ મેડિકલ કોલેજ ખાતે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ABVPના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો છે કે મેડિકલ કોલેજ દ્વારા જવાબદાર રેસિડન્ટ ડૉક્ટરો અને પ્રોફેસરો સામે માત્ર બતાવવા પૂરતી જ કાર્યવાહી કરવામાં આવી રહી છે.</p><h4 style="text-align: justify; "><b>ડૉક્ટર સર્ટિફિકેટ/મેડિકલ લાયસન્સ' તાત્કાલિક રદ કરવામાં આ</b>વે</h4><p style="text-align: justify; ">ABVP એ સ્પષ્ટ માંગ કરી છે કે દોષિત રેસિડન્ટ ડૉક્ટરો તેમજ પ્રોફેસરોના 'ડૉક્ટર સર્ટિફિકેટ/મેડિકલ લાયસન્સ' તાત્કાલિક રદ કરવામાં આવે. વિદ્યાર્થી સંગઠને ચીમકી આપી છે કે જો તેમની માંગણીઓ બે દિવસમાં સંતોષવામાં નહીં આવે, તો ત્રીજા દિવસે સમગ્ર રાજ્યભરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. દરમિયાન, ભવિષ્યમાં આવી કોઈ દુઃખદ ઘટના ન બને તે માટે સિવિલ તંત્રે વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ શરૂ કરવાની વાત કહી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp; :&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-morbi-veerparda-mysterious-well-water-waves-scientific-reason-gsi" target="_blank"><b>Sandesh Digital Explainer: મોરબીનો રહસ્યમય કૂવો: અફવા નહીં, જાણો વૈજ્ઞાનિક હકીકત</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/O1fA0cUR0icW4AdZdedD7BakNCj4KdM1hEHFWCko.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: મહાત્મા મંદિર ખાતે ચેક વિતરણ કાર્યક્રમ, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીની મહત્ત્વની જાહેરાતો ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/spokesperson-minister-jitu-vaghani-urban-development-grants</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/spokesperson-minister-jitu-vaghani-urban-development-grants</guid><pubDate>Tue, 11 Aug 2026 13:34:26 +05:30</pubDate><description><![CDATA[<p>ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ માટે ચેક વિતરણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં શહેરી વિકાસની આ ઉજવણી વર્ષ 2005થી શરૂ કરવામાં આવી હતી. વર્ષ 2005થી શરૂ થયેલી આ યાત્રાના ભંડોળમાં અત્યાર સુધીમાં 40% જેટલો નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લાં 5 વર્ષમાં સરકારે શહેરીજનોની સુવિધા માટે રૂ. 92,000 કરોડનું ભંડોળ ફાળવ્યું છે, જ્યારે આજે વધુ રૂ. 3,850 કરોડની રકમ વિકાસ કામો અર્થે ફાળવવામાં આવી છે.</p><h2><b>પ્રજાના માળખાકીય વિકાસ અને જીવનધોરણ સુધારવા પર મુખ્યમંત્રીનું વિઝન</b></h2><p>પ્રવક્તા મંત્રીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની પ્રશંસા કરતા કહ્યું કે, મુખ્યમંત્રીએ સમગ્ર રાજ્યમાં વિકાસને નવી ઊંચાઈઓ પર પહોંચાડવાનું કામ કર્યું છે. વહીવટી તંત્ર અને પદાધિકારીઓને યોગ્ય માર્ગદર્શન આપીને પ્રજાને પાયાની માળખાકીય સુવિધાઓ સરળતાથી મળે અને તેમના જીવનધોરણમાં સુધારો થાય તે માટે મુખ્યમંત્રી સતત ચિંતા કરી રહ્યા છે.</p><h2><b>સ્વચ્છતા ગ્રાન્ટ અંગે સ્પષ્ટતા, મહિનાના પ્રથમ રવિવારે 'શ્રમદાન' કરવા આહ્વાન</b></h2><p>સ્વચ્છતા ગ્રાન્ટ બંધ કરવા અંગે ચાલી રહેલી ચર્ચાઓ પર વિરામ મુકતા જીતુ વાઘાણીએ સ્પષ્ટ કર્યું કે, મુખ્યમંત્રીએ આ વાત કોઈ ચીમકી સ્વરૂપે નહીં પરંતુ જનજાગૃતિ લાવવાના હેતુથી કરી છે. સ્વચ્છતા એ માત્ર સરકારી યોજના નથી, પરંતુ દરેક નાગરિકના નિરંતર જીવનનો ભાગ બનવી જોઈએ. મુખ્યમંત્રીએ આ બાબતને એક 'મહાઅભિયાન' તરીકે ઉપાડ્યું છે અને તમામ નાગરિકોને મહિનાના પ્રથમ રવિવારે ફરજિયાતપણે શ્રમદાન કરવા અપીલ કરવામાં આવી છે.</p><h2><b>દક્ષિણ ગુજરાતમાં પાક નુકસાની અંગે સરકારે દાખવી છે ઉદારતા</b></h2><p>રાજ્યમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન અને પાક નુકસાની સર્વે અંગે બોલતા મંત્રીએ ઉમેર્યું હતું કે, નવસારી અને વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સરકારે ખેડૂતો પ્રત્યે પૂરી ઉદારતા રાખી છે. પરિસ્થિતિ અને સ્થાનિક સ્થિતિને અનુરૂપ સરકાર દ્વારા હંમેશાં પ્રજાહિતના નિર્ણયો લેવામાં આવતા રહ્યા છે. આગામી સમયમાં પણ રાજ્ય સરકાર ખેડૂતો અને જનતાના હિતમાં જ યોગ્ય નિર્ણયો લેશે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gallery/news/fenugreek-seeds-benefits-cholesterol-diabetes?1" target="_blank">Ahmedabad News: નિકોલ ગુરુકુળ સર્કલ અને રિંગ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા, દોઢ કિમી લાંબો ટ્રાફિક જામ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/GJzxSQ5pJdVwKM7rlAduniZiMDeouRrQwVZya7Lr.webp'/></item><item><title><![CDATA[Ahmedabadમાં PCB નો સપાટો: ન્યુ રાણીપના કલાસાગર હાઇટ્સમાં હાઇપ્રોફાઇલ જુગારધામ ઝડપાયું ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/pcb-bust-in-ahmedabad-high-profile-gambling-den-busted-in-kalasagar-heights-new-ranip</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/pcb-bust-in-ahmedabad-high-profile-gambling-den-busted-in-kalasagar-heights-new-ranip</guid><pubDate>Tue, 11 Aug 2026 13:33:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેર પોલીસ કમિશનરની પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ (PCB) એ શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. સાબરમતી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ન્યુ રાણીપ વિસ્તારના કલાસાગર હાઇટ્સમાં PCB ની ટીમે બાતમીના આધારે સરપ્રાઇઝ દરોડો પાડ્યો હતો. અહીં ફ્લેટમાં મકાનમાલિક અને તેના સાગરીતો દ્વારા ગોળ કુંડાળું વાળી પત્તા-પાના વડે નાણાંની હારજીતનો મોટો જુગાર રમાડવામાં આવી રહ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>ગૌતમ પટેલના ફ્લેટમાંથી 8 જુગારીઓ ઝડપાયા</b></h2><p style="text-align: justify; ">PCB ના દરોડા દરમિયાન ગૌતમ પટેલ નામના શખ્સના ફ્લેટમાંથી જુગાર રમી રહેલા કુલ 8 આરોપીઓને રેડ હેન્ડેડ ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે દાવ પર લગાવેલા તેમજ આરોપીઓની અંગઝડતીમાંથી રોકડા રૂપિયા 3.55 લાખ સ્થળ પરથી જ જપ્ત કર્યા હતા. હાઇપ્રોફાઇલ રીતે ચાલતા આ જુગારધામ પરથી મોટી રકમની હેરફેર થતી હોવાનું પણ સામે આવ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી</b></h3><p style="text-align: justify; ">પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી આરોપીઓના મોંઘાદાટ મોબાઇલ ફોન, 3 લક્ઝુરિયસ કાર તેમજ 1 ટુ-વ્હીલર મળીને કુલ રૂપિયા 38.15 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પકડાયેલા તમામ 8 આરોપીઓ સામે સાબરમતી પોલીસ સ્ટેશનમાં જુગારધારાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાબરમતી પોલીસની નાક નીચે ચાલતા આ જુગારધામને PCB એ ઝડપી પાડતાં સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/jAYMG2nrsNIaDY8EZP1uFPg74kJVMR6RDzQfp0J7.webp'/></item><item><title><![CDATA[Jharkhand Student Protest : જૂની વિધાનસભા બહાર ABVP દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન, બસ પર ચડીને કર્યા સુત્રોચ્ચાર ]]></title><link>https://sandesh.com/india/news/jharkhand-student-protest-abvp-staged-a-fierce-protest-outside-the-old-assembly-climbed-on-a-bus-and-raised-slogans</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/jharkhand-student-protest-abvp-staged-a-fierce-protest-outside-the-old-assembly-climbed-on-a-bus-and-raised-slogans</guid><pubDate>Tue, 11 Aug 2026 13:29:01 +05:30</pubDate><description><![CDATA[<p>ઝારખંડ લોક સેવા આયોગ (JPSC) અને ઝારખંડ કર્મચારી પસંદગી આયોગ (JSSC) ની ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિ અને પેપર લીકના વિરોધમાં વિદ્યાર્થીઓનું આંદોલન હવે હિંસક ઉગ્ર રૂપ ધારણ કરી ચૂક્યું છે. વિદ્યાર્થીઓ દ્વારા યોજાયેલા વિધાનસભા માર્ચ દરમિયાન પોલીસ સાથે થયેલી હિંસક ઝડપ અને ત્યારબાદ કરાયેલા લાઠીચાર્જને કારણે સમગ્ર રાજ્યમાં ભારે રોષ વ્યાપી ગયો છે. આ ઘટના બાદ ઝારખંડનું રાજકારણ ગરમાયું છે.</p><h5><b>પોલીસનો લાઠીચાર્જ અને વિદ્યાર્થીઓનો વિરોધ</b></h5><p>વિધાનસભા ઘેરાવ કરવા પહોંચેલા આંદોલનકારી વિદ્યાર્થીઓને રોકવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. ઘટનાસ્થળે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના કાર્યકર્તાઓએ જૂની વિધાનસભા પાસે ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસ દ્વારા લાવવામાં આવેલી બસોને રોકવા માટે વિદ્યાર્થીઓ બસની છત પર ચડી ગયા હતા, જેના કારણે પ્રશાસને વધારાની બસો બોલાવવી પડી હતી.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/ANI/status/2087080201897517086?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><br></p><h5><b>રાજ્યભરમાં વિરોધ  પ્રદર્શન</b></h5><p>પાકુડના બિરસા ચોક ખાતે હેમંત સોરેન સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરાઈ રહ્યા હતા. બપોરે પોલીસે ભાજપના અનેક કાર્યકરો અને નેતાઓની અટકાયત કરી હતી.</p><p>ભાજપના પ્રદેશ અધ્યક્ષ આદિત્ય સાહૂ પોતે રાંચીના રાતુ રોડ વિસ્તારમાં સેંકડો કાર્યકરો સાથે રસ્તા પર ઉતર્યા હતા અને વેપારીઓને બંધ પાળવા અપીલ કરી હતી.</p><p><img alt="Jharkhand" src="https://epapercdn.sandesh.com/images/2026/08/11/nL0mOTdfBVsThwjOT8BfmMSkP5nGeRa2XGhDlnW7.webp" style="width: 100%;"><br></p><h5><b>વિવિધ જિલ્લાઓમાં અસર</b></h5><p>ચતરા, રામગઢ, અને ધ્રુવા વિસ્તારમાં બંધની વ્યાપક અસર જોવા મળી હતી. રામગઢમાં રાંચી-પટના નેશનલ હાઇવે પર કુજૂ નયા મોડ જંકશનને જામ કરી દેવામાં આવ્યું હતું. જ્યારે કાંકે રોડ પર ટાયરો સળગાવીને વિરોધ નોંધાવાયો હતો.</p><h5><b>સીએમ હાઉસની સુરક્ષામાં વધારો</b></h5><p>વિરોધ પ્રદર્શન અને બંધના એલાનને પગલે રાજધાની રાંચીમાં મુખ્યમંત્રી આવાસ (CM House) ની સુરક્ષા સખત કરી દેવામાં આવી છે. સીએમ આવાસની આસપાસ બેરિકેડ્સ લગાવીને વધારાનો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/india/news/political-news/supriya-sule-ncp-sp-mps-meet-pm-modi-key-issues" target="_blank">PM મોદી સાથે સુપ્રિયા સુલેની મુલાકાત, NCP-SPના 8 સાંસદો સાથે કરી બેઠક</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/vlx2cSOognLmGQQd2zmciTHjhRp1EA9usNaj6r3t.webp'/></item><item><title><![CDATA[Gold- Silver Price Today: સોના ચાંદીએ તો પકડી રફતાર, ચાંદી 2.40 લાખને નજીક, જાણો લેટેસ્ટ રેટ ]]></title><link>https://sandesh.com/business/news/gold-silver-price-today--11-august-2026-gold-and-silver-have-picked-up-speed-silver-is-close-to-240-lakhs-know-the-latest-rate</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/gold-silver-price-today--11-august-2026-gold-and-silver-have-picked-up-speed-silver-is-close-to-240-lakhs-know-the-latest-rate</guid><pubDate>Tue, 11 Aug 2026 11:58:37 +05:30</pubDate><description><![CDATA[<p><b>Gold- Silver Price Today 11 August 2026:&nbsp; &nbsp;</b>આજે 11&nbsp; ઓગસ્ટ, 2026 ના રોજ સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. 24 કેરેટ અને 22 કેરેટ સોના બંનેના ભાવમાં વધારો થયો છે, અને ચાંદીના ભાવમાં પણ તીવ્ર વધારો જોવા મળ્યો છે. જો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આજના નવા ભાવ જાણવા જરૂરી છે.</p><h2><b>11 ઓગષ્ટે સોના ચાંદીના ભાવ&nbsp;</b></h2><p>વૈશ્વિક બજાર કોમેક્સ પર સોનું $4,450 પ્રતિ ઔંસની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે જ્યારે ચાંદી $66 પ્રતિ ઔંસની આસપાસ ટ્રેડ થઈ રહી છે. સ્થાનિક વાયદા બજાર એમસીએક્સ પર લખાય છે ત્યારે સોનાના વાયદાના ભાવ રૂ. 1,55,100ની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે ચાંદીના ભાવ રૂ. 2,39,150ની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે.</p><h3><b style="font-size: 1.75rem;">આજે સોનાના ભાવ વધ્યા</b></h3><p>સોનાના વાયદાના ભાવ વધારા સાથે શરૂ થયા હતા. MCX પર સોનાનો બેન્ચમાર્ક ઓક્ટોબર કોન્ટ્રાક્ટ રૂ.1,600ના વધારા સાથે રૂ. 1,54,699 પર ખૂલ્યો હતો. અગાઉની બંધ કિંમત રૂ. 1,53,099 હતી. લખાય છે ત્યારે, આ કોન્ટ્રેક્ટ રૂ. 2001 ના વધારા સાથે રૂ. 1,55,100 પર ટ્રેડ કરી રહ્યો હતો. આ સમયે તે દિવસની ટોચે રૂ. 1,55,437 અને દિવસની નીચી સપાટી રૂ. 1,54,699 પર પહોંચ્યો હતો. સોનાના વાયદાની કિંમત આ વર્ષની સર્વોચ્ચ સપાટી રૂ. 1,80,779 પર પહોંચી ગઈ હતી.</p><h3><b style="font-size: 1.5rem;">આજે ચાંદી પણ ચમકી</b></h3><p>ચાંદીના વાયદાની શરૂઆત તેજી સાથે થઈ હતી. MCX પર ચાંદીનો બેન્ચમાર્ક સપ્ટેમ્બર કોન્ટ્રાક્ટ રૂ. 3,132ના ઉછાળા સાથે રૂ. 2,39,999 પર ખૂલ્યો હતો. અગાઉનો બંધ ભાવ રૂ. 2,36,867 હતો. લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટ રૂ. 2,287ના ઉછાળા સાથે રૂ. 2,39,154 પર ટ્રેડ કરી રહ્યો હતો. આ સમયે તે દિવસની ટોચે રૂ. 2,41,999 અને દિવસની નીચી સપાટી રૂ. 2,37,881 પર પહોંચ્યો હતો. ચાંદીના વાયદાના ભાવ આ વર્ષની સર્વોચ્ચ સપાટીએ રૂ. 4,20,048 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયા હતા.</p><p><br></p><h3><b>દેશના કેટલાક મોટા શહેરોમાં સોનાના ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)</b></h3><p><br></p><table class="table table-bordered"><tbody><tr><td>શહેર&nbsp;</td><td>24 કેરેટ સોનાની કિંમત&nbsp;</td><td>22 કેરેટ સોનાની કિંમત</td></tr><tr><td>દિલ્હી&nbsp;<br><br><br></td><td>1,55,280&nbsp;</td><td>1,42,350</td></tr><tr><td>મુંબઈ&nbsp;</td><td>1,55,130&nbsp;</td><td>1,42,200</td></tr><tr><td>કોલકાતા</td><td>&nbsp;1,55,130&nbsp;</td><td>1,42,200</td></tr><tr><td>ચેન્નઈ&nbsp;</td><td>1,55,460&nbsp;</td><td>1,42,500</td></tr><tr><td>અમદાવાદ</td><td>&nbsp;1,55,180</td><td>&nbsp;1,42,250</td></tr><tr><td>સુરત&nbsp;<br></td><td>1,55,180&nbsp;</td><td>1,42,250</td></tr></tbody></table><p><b style="font-size: 1.5rem;">સોના અને ચાંદીના ભાવ કેમ વધી રહ્યા છે?</b></p><p><b>ડોલર અને તેલના ભાવમાં નરમાઈની અસર: </b>ડોલર ઇન્ડેક્સમાં ઘટાડાને કારણે અન્ય ચલણોનો ઉપયોગ કરતા ખરીદદારો માટે ડોલર-મૂળભૂત સોના અને ચાંદી સસ્તા થયા છે. દરમિયાન, યુએસ અને ઈરાન વચ્ચે સંભવિત કરાર અંગે ચાલી રહેલી અનિશ્ચિતતાને કારણે ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $88 ની આસપાસ રહ્યા છે.</p><p>એવી આશા હતી કે આ કરારથી હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલશે. જોકે, ઈરાને સ્પષ્ટતા કરી છે કે જ્યાં સુધી યુએસ તેની કાર્યવાહી બંધ ન કરે અને નુકસાન માટે વળતર ન આપે ત્યાં સુધી સ્ટ્રેટ બંધ રહેશે.</p><p><b>ફુગાવાના ડેટા પર નજર કરો</b>: બજારનું ધ્યાન હવે બુધવારે આવનારા યુએસ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) ડેટા અને ગુરુવારે આવનારા પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ (PPI) ડેટા પર કેન્દ્રિત છે. આ આંકડા યુએસ ફેડરલ રિઝર્વની ભાવિ નીતિ દિશા અંગે સંકેતો પ્રદાન કરશે.</p><p><b style="font-size: 1.5rem;">જો તમે ઘરેણાં ખરીદવાનું આયોજન કરી રહ્યા છો, તો આ ધ્યાનમાં રાખો</b></p><p>જો તમે આજે સોનાના ઘરેણાં ખરીદવા જઈ રહ્યા છો, તો ફક્ત ઉપર જણાવેલ સોનાના દરોના આધારે તમારા ખર્ચની ગણતરી ન કરો. મેકિંગ ચાર્જ અને GST જેવા ખર્ચ પણ ઘરેણાંના બિલમાં ઉમેરવામાં આવે છે. વધુમાં, બનાવવાનો ચાર્જ એક ઝવેરીથી બીજા ઝવેરી સુધી બદલાઈ શકે છે. તેથી, ઘરેણાં ખરીદતા પહેલા, સોનાની શુદ્ધતા, પ્રતિ ગ્રામ દર, બનાવવાનો ચાર્જ અને બિલનું સંપૂર્ણ વિશ્લેષણ તપાસો.</p><p><b><a href="https://sandesh.com/astrology/news/bhakti/shani-transit-shani-dev-will-have-a-great-move-luck-will-shine-for-4-zodiac-signs-from-august-20" target="_blank">આ પણ વાંચો: Shani Transit: શનિ દેવ ચાલશે ગજબની ચાલ, 20 ઑગષ્ટથી 4 રાશિનું ચમકશે નસીબ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/7le7hsej5BWQsRf1Aiv0tBTwiONkSX6eFuYWVPmd.webp'/></item><item><title><![CDATA[Partition 1947માં મહિલાઓના ચિત્રણ વિવાદ પર ટિકાકારો અને વિરોધ કરનારાઓને પ્રિતી ઝિન્ટાનો રોકડો જવાબ ]]></title><link>https://sandesh.com/entertainment/news/controversy-over-portrayal-of-women-in-partition-1947-it-is-unfair-to-reach-final-conclusions-without-understanding-preity-zintas-blunt-response</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/controversy-over-portrayal-of-women-in-partition-1947-it-is-unfair-to-reach-final-conclusions-without-understanding-preity-zintas-blunt-response</guid><pubDate>Tue, 11 Aug 2026 11:48:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા આશરે આઠ વર્ષના લાંબા વિરામ બાદ પીરિયડ ડ્રામા ફિલ્મ "પાર્ટીશન 1947" દ્વારા મોટા પડદા પર કમબેક કરી રહી છે. તાજેતરમાં જ ૧૯૪૭ના યુગની મહિલાઓના ચિત્રણ બાબતે થયેલી ટીકાઓ પર પ્રીતિ ઝિન્ટાએ પોતાનું મૌન તોડ્યું છે. તેણે સ્પષ્ટ કર્યું છે કે તેના નિવેદનને સંપૂર્ણપણે સંદર્ભ બહાર લેવામાં આવ્યું છે અને તેણે લોકોને ફિલ્મ જોયા વગર કોઈ અભિપ્રાય ન બનાવવાની વિનંતી કરી છે.</p><h2 style="text-align: justify;"><b>"પાર્ટીશન 1947"&nbsp; શું હતો આખો વિવાદ?</b></h2><p style="text-align: justify;">આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે પ્રીતિ ઝિન્ટાએ એક ઈન્ટરવ્યુમાં પીરિયડ ફિલ્મમાં કામ કરવાના પોતાના અનુભવ વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે સેટ પર ડિરેક્ટર રાજકુમાર સંતોષી તેને મોટાભાગના દ્રશ્યોમાં રસોઈ બનાવવી, ઘરની સફાઈ કરવી કે સીવણ કામ જેવાં રોજીંદા ઘરકામ કરવાની જ સૂચના આપતા હતા. જ્યારે પ્રીતિએ આ અંગે પૂછપરછ કરી, ત્યારે ડિરેક્ટરે તેને સમજાવ્યું હતું કે ૧૯૪૭ના સમયગાળામાં મહિલાઓ પાસે સ્વતંત્રતા સેનાની બનવા સિવાય અન્ય કોઈ વ્યાવસાયિક કારકિર્દી વિકલ્પ નહોતો; તેમનો પરિવાર, પતિ, બાળકો અને ઘર જ એમની મુખ્ય કારકિર્દી હતા.</p><h3 style="text-align: justify;"><b>પ્રીતિ ઝીન્ટાએ ધ પ્રિન્ટ મીડિયા હાઉસ પર કર્યા પ્રહાર</b></h3><p style="text-align: justify;">પ્રીતિના આ નિવેદન બાદ 'ધ પ્રિન્ટ' મીડિયા હાઉસમાં એક અભિપ્રાય લેખ પ્રકાશિત થયો હતો, જેમાં સંતોષી અને પ્રીતિના આ દ્રષ્ટિકોણની ટીકા કરવામાં આવી હતી. આ લેખનો કડક જવાબ આપતાં પ્રીતિ ઝિન્ટાએ લખ્યું, "મારા શૂટિંગ અનુભવ પર આપેલા અભિપ્રાયને તદ્દન સંદર્ભની બહાર જઈને રજૂ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ એક ચોક્કસ પરિવારની વાર્તા પર આધારિત છે, તે સમગ્ર સમાજ પર કોઈ એક સામાન્ય અભિપ્રાય લાદતી નથી." તેણે વધુમાં ઉમેર્યું કે ફિલ્મ અથવા દિગ્દર્શકની વિચારસરણીને સમજ્યા વિના જ આવા અંતિમ નિષ્કર્ષ પર પહોંચવું અન્યાયી છે અને પત્રકારત્વ વધુ જવાબદાર તથા નિષ્પક્ષ હોવું જોઈએ.</p><h4 style="text-align: justify;"><b>ક્યારે રિલીઝ થશે 'પાર્ટીશન 1947'?</b></h4><p style="text-align: justify; ">રાજકુમાર સંતોષીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ "પાર્ટીશન 1947" માં પ્રીતિ ઝિન્ટા ફરી એકવાર સની દેઓલ સાથે મુખ્ય ભૂમિકામાં દેખાશે. આ ફિલ્મમાં શબાના આઝમી પણ મહત્વના રોલમાં છે. આ પીરિયડ ડ્રામાનું નિર્માણ આમિર ખાન કરી રહ્યા છે, જેમણે અગાઉ "દિલ ચાહતા હૈ" ફિલ્મમાં પ્રીતિ સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ ૧૪ ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/samay-raina-roasts-badshah-for-mentioning-yo-yo-honey-singhs-song-in-the-bonus-episode-of-indias-got-talent-2" target="_blank">આ પણ વાંચો : Samay Raina 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ 2'ના બોનસ એપિસોડમાં યો યો હની સિંહના ગીતનો ઉલ્લેખ કરી બાદશાહને કર્યો રોસ્ટ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/B2wSOwGZL6cLR882rBCJV1gVIQkRPkV2ppGOg5nn.webp'/></item><item><title><![CDATA[Narmadaના સાગબારામાં જંગલ જમીન વિવાદ: ચાલુ વરસાદે પણ આદિવાસીઓનું અહિંસક આંદોલન યથાવત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/narmada/forest-land-dispute-in-sagbara-of-narmada-tribals-non-violent-agitation-continues-despite-ongoing-rains</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/narmada/forest-land-dispute-in-sagbara-of-narmada-tribals-non-violent-agitation-continues-despite-ongoing-rains</guid><pubDate>Tue, 11 Aug 2026 10:35:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીનના ખેડાણ અને અધિકારોને લઈને શરૂ થયેલો વિવાદ વધુ ઘેરો બન્યો છે. ધોધમાર ચાલુ વરસાદ હોવા છતાં આદિવાસી ખેડૂતો અને સ્થાનિક ગ્રામજનો પોતાના હક માટે ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આંદોલન પર અડગ ઊભા છે. ચોમાસાની ઋતુમાં ખુલ્લામાં ધરણાં કરી રહેલા આદિવાસીઓએ જણાવ્યું હતું કે આસપાસના જંગલ વિસ્તારમાંથી દીપડા અને ઝેરી વીંછી જેવા હિંસક વન્યજીવો પણ દેખાઈ રહ્યા છે. આમ છતાં, જીવના જોખમે પણ લોકો પોતાના અધિકાર માટે આંદોલન સ્થળ પરથી હટવા તૈયાર નથી.</p><h2 style="text-align: justify; "><b>વિવિધ આદિવાસી આગેવાનોનું સમર્થન</b></h2><p style="text-align: justify; ">જંગલ જમીન પરના પરંપરાગત ખેડાણના અધિકારોનો આ પ્રશ્ન આદિવાસી સમાજની રોજીરોટી સાથે સીધો જોડાયેલો છે. આ લડતમાં હવે વિવિધ સામાજિક અને રાજકીય આદિવાસી આગેવાનોનું પણ પૂર્ણ સમર્થન સાંપડી રહ્યું છે. ગ્રામજનોનું કહેવું છે કે જંગલ જમીન જ તેમની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત છે. એક તરફ આદિવાસીઓ ભારે મુશ્કેલીઓ વચ્ચે આંદોલન કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ સરકાર દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટ ઉકેલ કે વલણ દાખવવામાં ન આવતાં સમગ્ર આદિવાસી વિસ્તારના લોકોમાં ભારે ચિંતા અને અસંતોષ વ્યાપ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>રોજીરોટીનો પ્રશ્ન બનેલી જમીનનો અંતે શું નિવેડો આવશે?</b></h3><p style="text-align: justify; ">સાગબારાના 12થી વધુ ગામોના હજારો આદિવાસી પરિવારો વર્ષોથી જે જમીન પર ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, તે જમીનના કાયદેસરના હક ન મળતાં તેમનું ભવિષ્ય અંધકારમય બન્યું છે. ગાંધીવાદી પદ્ધતિથી ચાલી રહેલા આ આંદોલનને વહીવટી તંત્ર કે સરકાર ક્યારે સાંભળશે અને આટલા દિવસોથી ચાલી રહેલા સળગતા પ્રશ્નનો આખરે શું આદરણીય અને કાયમી નિવેડો આવશે તે એક મોટો પ્રશ્નાર્થ બનીને ઊભો રહ્યો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/RJEtU55k8gZauO2cdAZdJT49gXknwWMi4ykpGllE.webp'/></item><item><title><![CDATA[PM મોદી સામે બોક્સર નરેન્દ્રએ સંભળાવ્યો પાકિસ્તાની બોક્સરનો કિસ્સો, વાત સાંભળીને હસી પડ્યા વડાપ્રધાન ]]></title><link>https://sandesh.com/sports/news/pm-modi-boxer-narender-pakistani-opponent-funny-story</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pm-modi-boxer-narender-pakistani-opponent-funny-story</guid><pubDate>Mon, 10 Aug 2026 20:09:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગ્લાસગો ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતે કુલ 39 મેડલ સાથે મેડલ ટેબલમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. ગેમ્સ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પોતાના નિવાસસ્થાને ભારતીય મેડલ વિજેતા ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ખેલાડીઓએ PM મોદી સાથે ખુલ્લા દિલે વાતચીત કરી હતી અને પોતાના અનુભવો પણ શેર કર્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>નરેન્દ્રએ સિલ્વર મેડલ જીત્યો</b></h2><p style="text-align: justify; ">આ મુલાકાત દરમિયાન ભારતીય હેવીવેઈટ બોક્સર નરેન્દ્ર બેરવાલે PM મોદીને એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો હતો. નરેન્દ્રે કોમનવેલ્થ ગેમ્સમાં 90+ કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેમને જણાવ્યું કે વર્ષ 2015માં મિલિટરી ગેમ્સ દરમિયાન તેમની પ્રથમ બાઉટ પાકિસ્તાની બોક્સર સામે હતી. તેમને મિલિટરી તરફથી ફોન કરીને પાકિસ્તાન સામે ન હારવાની વાત કહેવામાં આવી હતી.</p><h3 style="text-align: justify; "><b>મને નરેન્દ્ર નામથી નફરત થઈ ગઈ છે</b></h3><p style="text-align: justify; ">નરેન્દ્રે જણાવ્યું કે તેમણે પ્રથમ બાઉટ 4-1થી અને બીજી બાઉટ 3-2થી જીતી હતી. આ દરમિયાન બંને બોક્સરના માથા પણ અથડાયા હતા અને બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2086683661504843813"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p style="text-align: justify; "> </p><p style="text-align: justify; ">નરેન્દ્રે આગળ જણાવ્યું કે તેમના કોચનું નામ પણ નરેન્દ્ર રાણા હતું અને તે સમયે ભારતના વડાપ્રધાનનું નામ પણ નરેન્દ્ર હતું. આ સંયોગને લઈને પાકિસ્તાની બોક્સરે તેમને કહ્યું હતું કે, “તમારું નામ નરેન્દ્ર છે, તમારા કોચનું નામ પણ નરેન્દ્ર છે અને તમારા PMનું નામ પણ નરેન્દ્ર છે. હવે મને નરેન્દ્ર નામથી નફરત થઈ ગઈ છે.” આ વાત સાંભળીને PM મોદી હસતા જોવા મળ્યા હતા.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>ભારતે બોક્સિંગમાં 10 મેડલ જીત્યા&nbsp;</b></h4><p style="text-align: justify; ">કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય બોક્સિંગ ટીમનું પ્રદર્શન પણ નોંધપાત્ર રહ્યું હતું. ભારતે બોક્સિંગમાં 10 મેડલ જીત્યા હતા, જ્યારે નરેન્દ્ર બેરવાલે 90+ કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. ફાઇનલમાં તેમને ઇંગ્લેન્ડના ડામાર થોમસ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/oMWNn5CGUFi7LAuIfgHkI21UFhgy68SNnoD190zK.webp'/></item></channel></rss>