<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Tamil Nadu પોલીસે ઉદયનિધિ સ્ટાલિનની કરી ધરપકડ, અભિનેત્રી તૃષા પર કરી હતી વિવાદિત ટિપ્પણી ]]></title><link>https://sandesh.com/india/breakingnews/entertainment/tamil-nadu-police-arrest-udayanidhi-stalin-accused-of-targeting-actress-trisha</link><guid isPermaLink="true">https://sandesh.com/india/breakingnews/entertainment/tamil-nadu-police-arrest-udayanidhi-stalin-accused-of-targeting-actress-trisha</guid><pubDate>Tue, 04 Aug 2026 11:22:22 +05:30</pubDate><description><![CDATA[<div>તમિલનાડુના રાજકારણમાં એક મોટો વિવાદ સામે આવ્યો છે, જ્યાં વિપક્ષી નેતા ઉદયનિધિ સ્ટાલિન વિવાદમાં ફસાયા છે. તમિલનાડુમાં કાવેરી જળ વિવાદને લઈને ચાલી રહેલા એક વિરોધ પ્રદર્શન દરમિયાન અભિનેત્રી તૃષા વિરુદ્ધ કથિત રીતે અભદ્ર નિવેદનો આપવા અને અશોભનીય ઈશારા કરવા બદલ તેમની ચારેય બાજુથી આકરી ટીકા થઈ રહી છે.</div><h2><b>ઘરેથી જ ઉઠાવી ગઇ પોલીસ</b></h2><div>આ ગંભીર મામલાની નોંધ લઈને પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. અભિનેત્રી અંગે વિવાદાસ્પદ આચરણ કરવાના આ કેસમાં પોલીસે ઉદયનિધિ સ્ટાલિનની તેમના જ ઘરેથી અટકાયત કરી લીધી છે. એટલું જ નહીં, તેમની સામે કાયદાકીય રીતે કુલ છ અલગ-અલગ ગંભીર કલમો અંતર્ગત ગુનો નોંધીને કાનૂની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ઘટનાને કારણે રાજકીય વર્તુળોમાં ભારે હલચલ મચી ગઈ છે.</div><h3><b>પ્રદર્શન દરમિયાન ઉદયનિધિના અશ્લીલ હાવભાવ</b></h3><div>જળ વિવાદને લઇને થઇ રહેલા પ્રદર્શન દરમિયાન અચાનક ઉપસ્થિત ભીડે લોકપ્રિય અભિનેત્રી 'ત્રિષા'ના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. આ સ્થિતિ પર પ્રતિક્રિયા આપતી વખતે ઉદયનિધિએ કથિત રીતે બેવડા અર્થવાળા નિવેદનો આપ્યા અને અશ્લીલ હાવભાવ કર્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે રોષ ફેલાયો છે.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ActorVijayTeam/status/2084186164811252149"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></div><div><br></div><h4><b>ઉદયનિધિ સ્ટાલિન માફી માંગે તેવી માંગ</b></h4><div>આ અભદ્ર વર્તનને કારણે તેમની ચોતરફથી આકરી ટીકા થઈ રહી છે. શાસક પક્ષ ટીવીકે (TVK) ના નેતા અધવ અર્જુને ઉદયનિધિ સામે આક્રમક વલણ અપનાવતા કહ્યું છે કે તેમણે રાજકીય ધોરણોને તિલાંજલિ આપીને એક મહિલાનું ખુલ્લેઆમ અપમાન કર્યું છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે ડીએમકે નેતા પોતાની અશોભનીય ભાષા અને નીચલા સ્તરના હાવભાવ દ્વારા અન્નાદુરાઈના પવિત્ર આંદોલન અને તેની ગરિમાને ખતમ કરી રહ્યા છે. આ સમગ્ર ઘટના બાદ ટીવીકે પક્ષ દ્વારા ઉદયનિધિ સ્ટાલિન માફી માંગે તેવી જોરદાર માંગ કરવામાં આવી રહી છે, જેના કારણે રાજ્યનું રાજકારણ ગરમાયું છે.</div><div><br></div><div><b><a href="https://sandesh.com/world/news/americas-stern-warning-donald-trump-gives-iran-last-chance-to-make-an-agreement" target="_blank">આ પણ વાંચોઃ America ની કડક ચેતવણી, ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને સમજૂતી કરવા આપી છેલ્લી તક!</a></b></div> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/1U6u6f03CBwhrRfkDNYrrxKzDxzndpx8tSxSfChj.webp'/></item><item><title><![CDATA[Tamil Nadu પોલીસે ઉદયનિધિ સ્ટાલિનની કરી ધરપકડ, અભિનેત્રી તૃષા પર કરી હતી વિવાદિત ટિપ્પણી ]]></title><link>https://sandesh.com/india/breakingnews/entertainment/tamil-nadu-police-arrest-udayanidhi-stalin-accused-of-targeting-actress-trisha</link><guid isPermaLink="true">https://sandesh.com/india/breakingnews/entertainment/tamil-nadu-police-arrest-udayanidhi-stalin-accused-of-targeting-actress-trisha</guid><pubDate>Tue, 04 Aug 2026 11:22:22 +05:30</pubDate><description><![CDATA[<div>તમિલનાડુના રાજકારણમાં એક મોટો વિવાદ સામે આવ્યો છે, જ્યાં વિપક્ષી નેતા ઉદયનિધિ સ્ટાલિન વિવાદમાં ફસાયા છે. તમિલનાડુમાં કાવેરી જળ વિવાદને લઈને ચાલી રહેલા એક વિરોધ પ્રદર્શન દરમિયાન અભિનેત્રી તૃષા વિરુદ્ધ કથિત રીતે અભદ્ર નિવેદનો આપવા અને અશોભનીય ઈશારા કરવા બદલ તેમની ચારેય બાજુથી આકરી ટીકા થઈ રહી છે.</div><h2><b>ઘરેથી જ ઉઠાવી ગઇ પોલીસ</b></h2><div>આ ગંભીર મામલાની નોંધ લઈને પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. અભિનેત્રી અંગે વિવાદાસ્પદ આચરણ કરવાના આ કેસમાં પોલીસે ઉદયનિધિ સ્ટાલિનની તેમના જ ઘરેથી અટકાયત કરી લીધી છે. એટલું જ નહીં, તેમની સામે કાયદાકીય રીતે કુલ છ અલગ-અલગ ગંભીર કલમો અંતર્ગત ગુનો નોંધીને કાનૂની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ઘટનાને કારણે રાજકીય વર્તુળોમાં ભારે હલચલ મચી ગઈ છે.</div><h3><b>પ્રદર્શન દરમિયાન ઉદયનિધિના અશ્લીલ હાવભાવ</b></h3><div>જળ વિવાદને લઇને થઇ રહેલા પ્રદર્શન દરમિયાન અચાનક ઉપસ્થિત ભીડે લોકપ્રિય અભિનેત્રી 'ત્રિષા'ના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. આ સ્થિતિ પર પ્રતિક્રિયા આપતી વખતે ઉદયનિધિએ કથિત રીતે બેવડા અર્થવાળા નિવેદનો આપ્યા અને અશ્લીલ હાવભાવ કર્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે રોષ ફેલાયો છે.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ActorVijayTeam/status/2084186164811252149"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></div><div><br></div><h4><b>ઉદયનિધિ સ્ટાલિન માફી માંગે તેવી માંગ</b></h4><div>આ અભદ્ર વર્તનને કારણે તેમની ચોતરફથી આકરી ટીકા થઈ રહી છે. શાસક પક્ષ ટીવીકે (TVK) ના નેતા અધવ અર્જુને ઉદયનિધિ સામે આક્રમક વલણ અપનાવતા કહ્યું છે કે તેમણે રાજકીય ધોરણોને તિલાંજલિ આપીને એક મહિલાનું ખુલ્લેઆમ અપમાન કર્યું છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે ડીએમકે નેતા પોતાની અશોભનીય ભાષા અને નીચલા સ્તરના હાવભાવ દ્વારા અન્નાદુરાઈના પવિત્ર આંદોલન અને તેની ગરિમાને ખતમ કરી રહ્યા છે. આ સમગ્ર ઘટના બાદ ટીવીકે પક્ષ દ્વારા ઉદયનિધિ સ્ટાલિન માફી માંગે તેવી જોરદાર માંગ કરવામાં આવી રહી છે, જેના કારણે રાજ્યનું રાજકારણ ગરમાયું છે.</div><div><br></div><div><b><a href="https://sandesh.com/world/news/americas-stern-warning-donald-trump-gives-iran-last-chance-to-make-an-agreement" target="_blank">આ પણ વાંચોઃ America ની કડક ચેતવણી, ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને સમજૂતી કરવા આપી છેલ્લી તક!</a></b></div> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/1U6u6f03CBwhrRfkDNYrrxKzDxzndpx8tSxSfChj.webp'/></item><item><title><![CDATA[Ahmedabadમાં ભુવાઓની ભરમાળ યથાવત: પાંજરાપોળ-નેહરુનગર રોડ પર ભુવો જોખમી, તંત્રના દાવા પોકળ! ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/the-abundance-of-mosquitoes-in-ahmedabad-mosquitoes-are-dangerous-on-the-panjrapol-nehrunagar-road</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/the-abundance-of-mosquitoes-in-ahmedabad-mosquitoes-are-dangerous-on-the-panjrapol-nehrunagar-road</guid><pubDate>Tue, 04 Aug 2026 10:38:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન રસ્તાઓ ધોવાઈ જવા તેમજ ઠેર-ઠેર ભુવા પડવાની સમસ્યાઓથી વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરના સતત વ્યસ્ત ગણાતા પાંજરાપોળથી નેહરુનગર જતાં મુખ્ય રોડ પર પડેલો મોટો ભુવો હજુ પણ યથાવત સ્થિતિમાં છે. સ્થાનિક તંત્ર દ્વારા સમારકામની નક્કર કામગીરી કરવાને બદલે માત્ર આસપાસ બેરીકેટ્સ મુકીને સંતોષ માની લેવામાં આવ્યો છે. મહાનગરપાલિકાની આ લાપરવાહીના કારણે અહીથી પસાર થતાં હજારો વાહનચાલકોના શિરે સતત અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>તંત્રના દાવા સામે ગ્રાઉન્ડ રિયાલિટી જુદી</b></h2><p style="text-align: justify; ">અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ભુવા અને ખાડા બૂરવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાના મોટા-મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. પરંતુ પાંજરાપોળ-નેહરુનગર રોડ પરની હકીકત જોતાં પાલિકા તંત્રના તમામ દાવાઓ ખોટા સાબિત થઈ રહ્યા છે. તંત્ર કહે છે કે ખાડા અને ભુવાની સફાઈ તેમજ પુરાણ કામ થઈ ગયું છે, જ્યારે ગ્રાઉન્ડ રિયાલિટી તદ્દન અલગ જ ચિત્ર રજૂ કરે છે. કાગળ પર કામગીરી પૂર્ણ બતાવીને અધિકારીઓ સંતોષ માણી રહ્યા છે ત્યારે પ્રત્યક્ષ સ્થિતિમાં ભુવો હજી પણ એ જ વિકરાળ સ્થિતિમાં જોવા મળી રહ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>રસ્તો ખુલ્લો હોવાથી વાહનચાલકો પર મોટું જોખમ</b></h3><p style="text-align: justify; ">અત્યંત વ્યસ્ત એવા આ માર્ગ પર ભુવાની આસપાસ માત્ર બેરીકેટ્સ મુકીને રસ્તો વાહનવ્યવહાર માટે ખુલ્લો રાખી દેવામાં આવ્યો છે. રાત્રિના સમયે કે વરસાદ દરમિયાન આ ભુવો વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ શકે તેમ છે. અંધારામાં બેરીકેટ્સ ન દેખાવાના કારણે કોઈ મોટો અકસ્માત સર્જાય તેવી પૂરતી શક્યતાઓ રહેલી છે. તંત્રની કાગળ પરની કામગીરી અને સ્થળ પરની નિષ્ક્રિયતા સામે સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, તથા યુદ્ધના ધોરણે આ ભુવો પૂરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/tp7USuaAHsXtPyI6PCOMHfwZjvIM7yeAuei41WGy.webp'/></item><item><title><![CDATA[Sabarkantha : અવિરત વરસાદથી શાકભાજીના પાકને ભારે નુકસાન, વડાલી ભગીરથ માર્કેટમાં આવક ઘટતા ભાવો આસમાને ]]></title><link>https://sandesh.com/gujarat/news/himatnagar/sabarkantha-heavy-rain-vegetable-crop-damage-vadali-bhagirath-market-price-hike</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/himatnagar/sabarkantha-heavy-rain-vegetable-crop-damage-vadali-bhagirath-market-price-hike</guid><pubDate>Tue, 04 Aug 2026 10:22:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા અવિરત અને ભારે વરસાદના કારણે કૃષિ ક્ષેત્રે માઠા પરિણામો સામે આવી રહ્યા છે. ખાસ કરીને શાકભાજીના પાકોમાં વ્યાપક નુકસાન થતાં સ્થાનિક ખેડૂતો ભારે આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. સતત પાણી ભરાઈ રહેવાના કારણે ખેતરોમાં ઉભો શાકભાજીનો પાક કોહવાઈ ગયો છે, જેના લીધે શાકભાજીના ઉત્પાદન અને ઉતારામાં જંગી ઘટાડો નોંધાયો છે.</p><h2 style="text-align: justify; "><b>વડાલી સ્થિત ભગીરથ શાકમાર્કેટ શાકભાજીનું એક મોટું હબ&nbsp;</b></h2><p style="text-align: justify; ">સ્થાનિક વડાલી સ્થિત ભગીરથ શાકમાર્કેટ સમગ્ર વિસ્તારમાં લીલા શાકભાજીનું એક મોટું અને જાણીતું હબ માનવામાં આવે છે. આ માર્કેટમાંથી માત્ર રાજ્યમાં જ નહીં પરંતુ અન્ય આંતરરાજ્ય વિસ્તારોમાં પણ મોટા પાયે શાકભાજીની નિકાસ અને આયાત કરવામાં આવે છે. જોકે, વર્તમાન વરસાદી આફતને કારણે આ માર્કેટમાં લીલા શાકભાજીની આવકમાં બહુ મોટો ઘટાડો નોંધાયો છે.</p><p style="text-align: justify; "><img alt="Heavy Rain: Vegetable Crop Damage Drives Prices High in Market" src="https://epapercdn.sandesh.com/images/2026/08/04/zfyomqrV3mbsg2IdKprKXKdq5JvbX4QURFLlsyJH.webp"><br></p><h3 style="text-align: justify; "><b>હોલસેલ તેમજ રિટેલ બજારોમાં શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો</b>&nbsp;</h3><p style="text-align: justify; ">આવક અને પુરવઠામાં નોંધપાત્ર ઘટાડો થતાં હોલસેલ તેમજ રિટેલ એમ બંને બજારોમાં શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થયો છે. લીલા શાકભાજીના ભાવો આસમાને પહોંચી જતાં સામાન્ય અને મધ્યમ વર્ગની ગૃહિણીઓનું ઘરચલાવ બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. દૈનિક રસોઈમાં વપરાતા શાકભાજી મોંઘા થતાં ગ્રાહકોની ખરીદશક્તિ પર માઠી અસર પડી છે.</p><p style="text-align: justify; "><img alt="Heavy Rain: Vegetable Crop Damage Drives Prices High in Market" src="https://epapercdn.sandesh.com/images/2026/08/04/NcjEtNYNTNn2IS0kBS2fHOetznPpnbPEdxZK4cny.webp"><br></p><h3 style="text-align: justify; "><b>ખેડૂતોને થયેલા આર્થિક નુકસાનને પગલે ભારે નિરાશા&nbsp;</b></h3><p style="text-align: justify; ">બીજી તરફ, શાકભાજીનો પાક નિષ્ફળ જતાં ખેડૂતોને થયેલા આર્થિક નુકસાનને પગલે ભારે નિરાશા વ્યાપી ગઈ છે. ચોમાસાની શરૂઆતમાં જ મોંઘા બિયારણ અને ખાતરનો ખર્ચ કર્યા બાદ આકાશી આફતે તમામ મહેનત પર પાણી ફેરવી દીધું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર સમક્ષ તાત્કાલિક ધોરણે પાક નુકસાનીનો સર્વે કરાવી યોગ્ય આર્થિક વળતર આપવાની માંગ કરવામાં આવી રહી છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp;&nbsp;<a href="https://sandesh.com/gujarat/news/crime/gir-somnath/gir-somnath-police-extortion-scandal-two-psi-suspended-range-ig" target="_blank"><b>Gir Somnath પોલીસ બેડામાં ખળભળાટ, હોટલ જુગાર રેડમાં 5 લાખના તોડકાંડ મુદ્દે બે PSI સસ્પેન્ડ</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/yRYyPQv1atzOUbqDxdJ5u4G4yeSTHJf7Q7RRUwsQ.webp'/></item><item><title><![CDATA[Suratના પાંડેસરામાં મશ્કરી બાબતે થયેલી કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો: ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓની કરી ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/the-murder-of-karpin-in-pandesara-surat-over-a-joke-has-been-solved-crime-branch-arrests-two-accused</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/the-murder-of-karpin-in-pandesara-surat-over-a-joke-has-been-solved-crime-branch-arrests-two-accused</guid><pubDate>Tue, 04 Aug 2026 10:09:41 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા વડોદ ખાતેના ખુલ્લા મેદાનમાંથી ગત દિવસોમાં એક યુવકની ક્રૂરતાપૂર્વક હત્યા કરાયેલી લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. સમગ્ર ઘટના અંગે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાથ ધરાયેલી સઘન તપાસ દરમિયાન મોટો ખુલાસો થયો હતો. મળતી ચોક્કસ બાતમી અને સર્વેલન્સના આધારે પોલીસે હત્યાની આ ગંભીર ઘટનાનો ભેદ સફળતાપૂર્વક ઉકેલી નાખ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>પત્ની ભાગી ગયાની મશ્કરી કરતાં પિત્તો ગુમાવ્યો</b></h2><p style="text-align: justify; ">પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, મૃતક મન્ટુ રામબિલાશ ઠાકુર અને આરોપીઓ વચ્ચે અંગત બાબતે માથાકૂટ થઈ હતી. મૃતક મન્ટુએ આરોપી બ્રિજેશને "તારી પત્ની ભાગી ગઈ છે" તેમ કહીને તેની સતત ઠેકડી અને મશ્કરી કરી હતી. આ મશ્કરીથી ઉશ્કેરાઈ ગયેલા આરોપીઓએ મન્ટુ સાથે ઝઘડો કર્યો હતો અને ગુસ્સામાં આવીને તેના પર લોખંડના પાઇપ વડે તાબડતોબ ફટકા મારી દીધા હતા.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>ક્રાઈમ બ્રાન્ચે બે હત્યારાઓને ઝડપી પાડ્યા</b></h3><p style="text-align: justify; ">હત્યાની આ સનસનાટીભરી ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને ઘટનામાં સામેલ બંને મુખ્ય આરોપીઓ વિજયબહાદુર રામબિલાવન શ્રીવાસ અને બ્રિજેશ સંતોષભાઈ કહારને ઝડપી પાડ્યા છે. પોલીસે બંને આરોપીઓની અટકાયત કરીને કાનૂની કાર્યવાહી હાથ ધરી છે અને હત્યામાં વપરાયેલ હથિયાર કબ્જે કર્યું છે. નજીવી મશ્કરીમાં યુવકની હત્યા થતાં સમગ્ર પાંડેસરા વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/ZphDvaTSBynH195O3o9W8s4xvhIGGMJQWRrP8dzJ.webp'/></item><item><title><![CDATA[Gold Silver Price: ફરી ચમકી ઉઠ્યુ સોનું-ચાંદી, અચાનક કેમ વધી કિંમત જાણીલો ]]></title><link>https://sandesh.com/business/news/gold-silver-price-gold-and-silver-shine-again-know-why-the-price-suddenly-increased</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/gold-silver-price-gold-and-silver-shine-again-know-why-the-price-suddenly-increased</guid><pubDate>Tue, 04 Aug 2026 10:09:02 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગઈકાલે સોમવાર, 3 ઓગસ્ટે સોનું અને ચાંદીના ભાવમાં દિવસભર તેજી જોવા મળી હતી, પરંતુ રાત્રે અચાનક ઘટાડો નોંધાયો. તેથી આજે એટલે કે મંગળવાર, 4 ઓગસ્ટે ખરીદી કરતા પહેલા ભાવ જાણવા ખૂબ જ જરૂરી છે. ચાલો, બુલિયન માર્કેટથી લઈને આંતરરાષ્ટ્રીય બજાર સુધીના ભાવ પર એક નજર કરીએ.</p><h2 style="text-align: justify; "><b>આંતરરાષ્ટ્રીય બજારમાં શું છે ભાવ?</b></h2><p style="text-align: justify; ">આંતરરાષ્ટ્રીય બજારના Comexમાં સોનું અને ચાંદીના ભાવમાં ફરી તેજી જોવા મળી છે. ઉપલબ્ધ આંકડા મુજબ, સોનાના ભાવમાં 0.61%નો વધારો થયો છે અને તે 4,115.40 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યું છે.</p><p style="text-align: justify; ">બીજી તરફ, ચાંદીના ભાવમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. ચાંદી 1.78% વધી અને હાલમાં 58.885 ડોલર પ્રતિ ઔંસના સ્તરે ટ્રેડ થઈ રહી છે. આ તેજીને કારણે આંતરરાષ્ટ્રીય કિંમતોનો પ્રભાવ સ્થાનિક બજારમાં પણ જોવા મળી શકે છે.</p><h3 style="text-align: justify; "><b>MCX પર આજે ભાવ શું છે?</b></h3><p style="text-align: justify; ">ભારતના સ્થાનિક કોમોડિટી બજાર MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર પણ સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. MCX પર સોનાનો ભાવ વધીને લગભગ ₹1.43 લાખ પ્રતિ 10 ગ્રામની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.</p><p style="text-align: justify; ">બીજી તરફ, ચાંદીના ભાવમાં પણ તેજી જોવા મળી છે. MCX પર ચાંદીનો ભાવ વધીને લગભગ ₹2.19 લાખ પ્રતિ કિલોગ્રામની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. સ્થાનિક બજારમાં કિંમતોમાં આવેલી આ તેજીનો મુખ્ય આધાર આંતરરાષ્ટ્રીય બજારમાં જોવા મળેલા વધારા પર માનવામાં આવી રહ્યો છે.</p><h4 style="text-align: justify; "><b>દેશના કેટલાક મોટા શહેરોમાં સોનાના ભાવ</b></h4><h4 style="text-align: justify; "><b><br></b></h4><table class="table table-bordered"><tbody><tr><td><b><br>શહેર</b></td><td><b>&nbsp;24 કેરેટ સોનાની કિંમત</b></td><td><b>&nbsp;22 કેરેટ સોનાની કિંમત</b></td></tr><tr><td>દિલ્હી</td><td>₹1,44,360</td><td>&nbsp;₹1,32,340</td></tr><tr><td>મુંબઈ</td><td>&nbsp; ₹1,44,210</td><td>&nbsp;₹1,32,190</td></tr><tr><td>કોલકાતા</td><td>&nbsp; ₹1,44,210</td><td>&nbsp; ₹1,32,190</td></tr><tr><td>ચેન્નઈ</td><td>₹1,44,560</td><td>₹1,32,510</td></tr><tr><td>અમદાવાદ</td><td>&nbsp; ₹1,44,260</td><td>&nbsp; ₹1,32,240</td></tr><tr><td>રાજકોટ</td><td>₹1,44,050<br><br><br></td><td>₹13,20,500&nbsp;</td></tr></tbody></table><h4 style="text-align: justify; "><b>સોનું અને ચાંદી ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું?</b></h4><div>જો તમે સોનું ખરીદી રહ્યા હોવ તો હંમેશા હોલમાર્ક તપાસો અને 6 અંકનો HUID કોડ જોઈને જ ખરીદી કરો. ચાંદી માટે પણ BIS હોલમાર્ક હોય છે અને તેમાં 925 સ્ટર્લિંગ સિલ્વરને સૌથી સારી ગુણવત્તાનું માનવામાં આવે છે. ઉપરાંત, ખરીદી પહેલાં સોના અને ચાંદીની શુદ્ધતાની તપાસ પણ જરૂર કરાવો.</div><div><b><br></b></div><div><b>Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.</b></div><div><b><br></b></div><div><b><br></b></div><h4 style="text-align: justify; "><b><br></b></h4> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/9h2l6XZknlHvdsPindH0wnIwAb73CNqIGyNu1tsp.webp'/></item><item><title><![CDATA[Namo Bharat Train ના મુસાફરો માટે મહત્વના સમાચાર, આજથી 17 સ્ટેશનના ગેટ બંધ રહેશે, જાણો કેમ? ]]></title><link>https://sandesh.com/india/news/namo-bharat-train-17-stations-gates-closed-kanwar-yatra</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/namo-bharat-train-17-stations-gates-closed-kanwar-yatra</guid><pubDate>Tue, 04 Aug 2026 10:06:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જો તમે દરરોજ નમો ભારત ટ્રેનમાં મુસાફરી કરો છો, તો તમારા માટે આ અત્યંત મહત્વના સમાચાર છે. પવિત્ર કાવડ યાત્રાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર પરિવહન નિગમ (NCRTC) દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વહીવટી સૂચનાઓ અને સુરક્ષા વ્યવસ્થાને સરળ બનાવવાના હેતુથી, આજથી એટલે કે 4 ઓગસ્ટથી લઈને 12 ઓગસ્ટ સુધી નમો ભારત કોરિડોરના 17 સ્ટેશનો પર પ્રવેશ અને બહાર નીકળવાના કેટલાક દરવાજા (Gates) બંધ રાખવામાં આવશે. આ સાથે જ આ સ્ટેશનો પર વાહનો માટેની પાર્કિંગ સુવિધાઓ પણ કામચલાઉ ધોરણે મર્યાદિત કે બંધ રહેશે.</p><h2 style="text-align: justify; "><b>ટ્રાફિક નિયંત્રણને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય</b></h2><p style="text-align: justify; ">કાવડ યાત્રા દરમિયાન ભક્તોની ભારે ભીડ અને ટ્રાફિક નિયંત્રણને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. એનસીઆરટીસી (NCRTC) દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, આ નિયંત્રણો હેઠળ મોદીપુરમ, મેરઠ ઉત્તર, એમઇએસ કોલોની, બેગમપુલ, ભૈંસલી, મેરઠ સેન્ટ્રલ, બ્રહ્મપુરી, શતાબ્દી નગર, રિઠાની, પરતાપુર, મેરઠ દક્ષિણ, મોદીનગર ઉત્તર, મોદીનગર દક્ષિણ, મુરાદનગર, દુહાઈ, ગુલધર અને ગાઝિયાબાદ જેવા પ્રમુખ સ્ટેશનોનો સમાવેશ થાય છે. મોટાભાગના સ્ટેશનો પર ગેટ નંબર બે બંધ રાખવામાં આવશે. ખાસ કરીને, બેગમપુલ સ્ટેશન પર ગેટ નંબર બે અને ત્રણ, દુહાઈ પર ગેટ ત્રણ અને ચાર, જ્યારે ગાઝિયાબાદ સ્ટેશન પર ગેટ નંબર ત્રણ અને પાંચ બંધ રહેશે.</p><h3 style="text-align: justify; "><b>વૈકલ્પિક ગેટનો ઉપયોગ કરવાની સલાહ</b></h3><p style="text-align: justify; ">મુસાફરોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે NCRTC એ અપીલ કરી છે કે તેઓ સંબંધિત સ્ટેશનો પર ઉપલબ્ધ વૈકલ્પિક (Alternative) ગેટનો ઉપયોગ કરે. કોર્પોરેશને મુસાફરોને થયેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો છે. રાહતની વાત એ છે કે આ નિયંત્રણો વચ્ચે પણ નમો ભારત ટ્રેન સેવાઓ સરાઈ કાલે ખાનથી મોદીપુરમ કોરિડોર પર સંપૂર્ણપણે સામાન્ય રીતે કાર્યરત રહેશે. મુસાફરોની સુવિધા માટે તા. 14 ઓગસ્ટ સુધી દરરોજ સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી દર આઠ મિનિટે નિયમિત અંતરે ટ્રેનો દોડતી રહેશે.</p><h4 style="text-align: justify; "><b>મુસાફરીમાં થયો વધારો</b></h4><p style="text-align: justify; ">બીજી તરફ, દિલ્હી-મેરઠ નમો ભારત કોરિડોર પર મુસાફરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને તે નવા રેકોર્ડ બનાવી રહી છે. અગાઉ ગત 8 જૂન, 2026 ના રોજ આ કોરિડોર પર આશરે 1,25,500 મુસાફરોએ એક જ દિવસમાં મુસાફરી કરીને સૌથી મોટો રેકોર્ડ બનાવ્યો હતો. વહીવટી તંત્ર અને મુસાફરોની વધતી અવરજવર વચ્ચે યાત્રા સુરક્ષિત અને સુચારૂ રહે તે માટે તંત્ર દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/world/news/another-enemy-of-ukraine-was-preparing-to-attack-but-an-apology-stopped-the-war" target="_blank">આ પણ વાંચોઃ Ukraine નો વધુ એક દુશ્મન હુમલો કરવાની તૈયારીમાં, પરંતુ એક માફીએ રોકાવ્યું યુદ્ધ!</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/kxkxCYecK3BsLesr2O35gCijHghjwcwK5pNVYRb8.webp'/></item><item><title><![CDATA[Rajkot અને સૌરાષ્ટ્રવાસીઓ માટે રાહતના સમાચાર: એમ્સ (AIIMS) હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીની શરૂઆત ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/relief-news-for-the-people-of-rajkot-and-saurashtra-spine-surgery-begins-at-aiims-hospital</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/relief-news-for-the-people-of-rajkot-and-saurashtra-spine-surgery-begins-at-aiims-hospital</guid><pubDate>Tue, 04 Aug 2026 09:45:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્ર ક્ષેત્રના દર્દીઓ માટે એક અત્યંત રાહતજનક સમાચાર સામે આવ્યા છે. રાજકોટ સ્થિત એમ્સ (AIIMS) હોસ્પિટલ ખાતે અધ્યતન સ્પાઈન સર્જરી (કરોડરજ્જુના ઓપરેશન) વિભાગની વિધિવત શરૂઆત કરી દેવામાં આવી છે. હોસ્પિટલના ડૉ. એલ. એન. દોરાયરાજન અને તેમની નિષ્ણાત ટીમ દ્વારા પ્રથમ સ્પાઈન સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. અત્યાર સુધી એમ્સના ઓર્થોપેડિક વિભાગમાં માત્ર સામાન્ય સર્જરીઓ જ હાથ ધરવામાં આવતી હતી, પરંતુ હવેથી કરોડરજ્જુની જટિલ સર્જરીઓ પણ અહીં ઉપલબ્ધ બનતાં દર્દીઓને મોટી સુવિધા મળી રહેશે.</p><h2 style="text-align: justify; "><b>ખાનગી હોસ્પિટલોના મોંઘા ખર્ચમાંથી દર્દીઓને મુક્તિ</b></h2><p style="text-align: justify; ">કરોડરજ્જુ કે સ્પાઈન સંબંધિત ગંભીર બીમારીઓના ઓપરેશન માટે ખાનગી હોસ્પિટલોમાં રૂ.1.5 લાખથી લઈને 3 લાખ સુધીનો તોતિંગ ખર્ચ થતો હોય છે. સામાન્ય અને ગરીબ પરિવારના દર્દીઓ માટે આટલો મોંઘો ખર્ચ વહન કરવો અત્યંત મુશ્કેલ બની જતો હતો. રાજકોટ એમ્સ ખાતે સ્પાઈન સર્જરી શરૂ થતાં જ ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ખાનગી હોસ્પિટલોના આ ભારે આર્થિક બોજમાંથી કાયમી મુક્તિ મળશે. અદ્યતન તબીબી સુવિધાઓ ધરાવતી એમ્સ હોસ્પિટલ હવેથી જટિલ ઓપરેશનો માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે.</p><h3 style="text-align: justify; "><b>આયુષ્માન કાર્ડ અંતર્ગત તદ્દન મફત સારવાર</b></h3><p style="text-align: justify; ">સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આવતા આયુષ્માન કાર્ડ ધરાવતા દર્દીઓને એમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીની આ તમામ સારવાર સંપૂર્ણપણે નિઃશુલ્ક (મફત) પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત, જે દર્દીઓ પાસે આયુષ્માન કાર્ડ ઉપલબ્ધ નહીં હોય, તેમને પણ અત્યંત મામૂલી અને ટોકન દરે આ સર્જરીની સુવિધા મળી રહેશે. રાજકોટ એમ્સના આ સરાહનીય પગલાંથી સૌરાષ્ટ્રભરના હજારો જરૂરિયાતમંદ દર્દીઓને ઘરઆંગણે જ રાહતદરે અને ગુણવત્તાસભર તબીબી સારવાર મળી રહેશે, જેનાથી સમગ્ર પંથકમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/NZ9kM2QA3LRGCBAzNR21WyZXjOHKkp6oUC1t44uh.webp'/></item><item><title><![CDATA[Asian Games 2026 : CWG ના મેડલ વિજેતાઓ હવે એશિયાડમાં મચાવશે ધમાલ, ગોલ્ડ મેડલ પર નજર! ]]></title><link>https://sandesh.com/sports/news/asian-games-2026-cwg-medal-winners-will-now-create-a-stir-in-the-asiad-eyeing-the-gold-medal</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/asian-games-2026-cwg-medal-winners-will-now-create-a-stir-in-the-asiad-eyeing-the-gold-medal</guid><pubDate>Tue, 04 Aug 2026 09:36:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">તાજેતરમાં પૂર્ણ થયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું.ભારતે કુલ 39 મેડલ જીત્યા,જેમાં 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 8 બ્રોન્ઝનો સમાવેશ થાય છે.જોકે, કેટલાક અગ્રણી ખેલાડીઓ ગોલ્ડ મેડલ જીતવાની નજીક પહોંચી ગયા હતા,તેમને સિલ્વર અથવા બ્રોન્ઝથી સંતોષ માનવો પડ્યો હતો.હવે આ ખેલાડીઓ પાસે આની ભરપાઈ કરવાની એક મહત્વપૂર્ણ તક છે.એશિયન ગેમ્સ 2026 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર 2026 દરમિયાન જાપાનના આઈચી-નાગોયામાં યોજાશે, જ્યાં આ સ્ટાર ભારતીય ખેલાડીઓ તેમના મેડલનો રંગ ગોલ્ડમાં બદલવાના લક્ષ્ય સાથે સ્પર્ધા કરશે.</p><h5 style="text-align: justify; "><b>આ 5 ખેલાડીઓની નજર હવે એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલ પર</b>&nbsp;</h5><p style="text-align: justify; ">નીરજ ચોપરા: સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરાએ 85.83 મીટરના થ્રો સાથે કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો. દરમિયાન, શ્રીલંકાના રૂમેશ પથિરાજે 89.75 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો. હવે, આઈચી-નાગોયામાં યોજાનારી એશિયન ગેમ્સમાં તેનું એકમાત્ર લક્ષ્ય તેના થ્રોમાં સુધારો કરીને ગોલ્ડ મેડલ મેળવવાનું રહેશે. નીરજ ચોપરાએ અત્યાર સુધી એશિયન ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ જીત્યા છે. તેથી, તેની નજર ત્રીજો ગોલ્ડ મેડલ મેળવવા પર રહેશે.</p><h5 style="text-align: justify; "><b>લવલીના બોર્ગોહેન</b></h5><p style="text-align: justify; ">ભારતની સ્ટાર બોક્સર, લવલીના બોર્ગોહેન, ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા 75 કિગ્રા વર્ગની ફાઇનલમાં હારી ગઈ હતી. લવલીના બોર્ગોહેનનો સામનો ઓસ્ટ્રેલિયાની એમ્મા-સુ ગ્રીનટ્રી સામે થયો હતો, જેણે ફાઇનલ 4-1થી જીતી હતી. હવે, તે એશિયન ગેમ્સ રિંગમાં પોતાની પંચિંગ કૌશલ્યનું પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ મેળવવાનું લક્ષ્ય રાખશે.</p><h5 style="text-align: justify; "><b>જદુમણી સિંહ</b></h5><p style="text-align: justify; ">બોક્સિંગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી જદુમણી સિંહે કોમનવેલ્થ ગેમ્સમાં દેશ માટે સિલ્વર મેડલ પણ જીત્યો હતો. જદુમણીએ પુરુષોની 55 કિગ્રા વર્ગની ફાઇનલના પહેલા રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયાના જે ડિક્સનને 3-2થી હરાવ્યો હતો. પરંતુ જદુમણી પછી ફાઇનલ મુકાબલાના બીજા રાઉન્ડમાં પાછળ રહી ગયો અને અંતે 0-5થી હારી ગયો. તેથી, તે એશિયન મંચ પર આ મેડલનો રંગ બદલવા માટે ઉત્સુક રહેશે.</p><h5 style="text-align: justify; "><b>લવપ્રીત સિંહ</b></h5><p style="text-align: justify; ">વેઇટલિફ્ટિંગમાં પોતાની પરાક્રમ દર્શાવતા, લવપ્રીત સિંહે CWG 2026 માં સિલ્વર મેડલ જીત્યો. તેણે સ્નેચમાં 176 કિગ્રા અને ક્લીન એન્ડ જર્કમાં 212 કિગ્રા વજન ઉપાડીને કોમનવેલ્થ ગેમ્સનો રેકોર્ડ વેઇટલિફ્ટિંગ રેકોર્ડ હાંસલ કર્યો. આ ઇવેન્ટમાં કુલ 388 કિગ્રા વજન ઉપાડ્યું, પરંતુ તે ફક્ત 1 કિગ્રાથી ગોલ્ડ મેડલ ચૂકી ગયો. પરિણામે, તે જાપાનમાં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ માટે મજબૂત દાવેદારોમાંનો એક હશે.</p><h5 style="text-align: justify; "><b>ગુલવીર સિંહ</b></h5><p style="text-align: justify; "> લાંબા અંતરના દોડવીર ગુલવીર સિંહે કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું, 10,000 મીટરમાં સિલ્વર મેડલ અને 5,000 મીટરમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. ગુલવીર એક જ કોમનવેલ્થ ગેમ્સમાં બે એથ્લેટિક્સ મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી પણ બન્યો, પરંતુ તે ગોલ્ડ મેડલ મેળવવામાં નિષ્ફળ ગયો. તેની બેવડી સફળતા પછી, તે હવે એશિયન ગેમ્સમાં ભારતને પોડિયમની ટોચ પર લઈ જવાનું લક્ષ્ય રાખશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/gyaneshwari-yadav-commonwealth-games-silver-dsp-reward" target="_blank">Gyaneshwari Yadavને મળશે 30 લાખ રૂપિયાનું ઈનામ અને પ્રમોશન, છત્તીસગઢના સીએમ વિષ્ણુ દેવ સાંઈએ કરી મોટી જાહેરાત</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/vKDGGDlm7so2k0JtuE5m6HYS8Nx2DvGveeFvA1br.webp'/></item><item><title><![CDATA[Banaskanthaની વાવ પોલીસે ઉકેલ્યો સતી માતાજી મંદિર ચોરીનો ભેદ, બે આરોપીઓની કરી ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/banaskanthas-vav-police-solve-the-mystery-of-sati-mataji-temple-theft-arrest-two-accused</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/banaskanthas-vav-police-solve-the-mystery-of-sati-mataji-temple-theft-arrest-two-accused</guid><pubDate>Tue, 04 Aug 2026 09:00:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આવેલ ખીમાણાવાસ ગામે ગત 21 જુલાઈના રોજ પ્રસિદ્ધ સતી માતાજીના મંદિરમાં અજાણ્યા ચોરો દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. તસ્કરોએ મંદિરના તાળા તોડીને અંદર પ્રવેશ કરી સોના-ચાંદીના કિંમતી દાગીના તથા દાનપત્રમાંથી રોકડ રકમ મળી કુલ રૂ.1.65 લાખના મુદ્દામાલની ચોરી આચરી હતી. આ ઘટનાને પગલે સમગ્ર ખીમાણાવાસ ગામ અને ભક્તોમાં ભારે રોષ અને આક્રોશનો માહોલ સર્જાયો હતો, તેમજ ધાર્મિક સ્થાનમાં થયેલી ચોરીને પગલે સ્થાનિક પોલીસે તાત્કાલિક ચોરોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>CCTV અને ટેકનિકલ સર્વેલન્સથી આરોપીઓ ઝડપાયા</b></h2><p style="text-align: justify; ">મંદિરમાં ચોરીની ગંભીર ઘટના બાદ વાવ પોલીસની ટીમે ત્વરિત તજવીજ હાથ ધરી હતી. પોલીસે ઘટનાસ્થળ તથા આસપાસના રસ્તાઓ પર લાગેલા સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસ્યા હતા અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી હતી. આ સઘન તપાસ દરમિયાન પોલીસને સફળતા મળી હતી અને ચોરીમાં સામેલ દિનેશભાઈ વેણ તથા જામાભાઈ ગોવિંદ મકવાણા નામના બે શંકાસ્પદ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. કડક પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ સતી માતાજીના મંદિરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.</p><h3 style="text-align: justify; "><b>પોલીસે ઘટનાસ્થળે કરાવ્યું ગુનાનું રીકન્સ્ટ્રક્શન</b></h3><p style="text-align: justify; ">આરોપીઓની ધરપકડ કર્યા બાદ વાવ પોલીસે કાનૂની પુરાવા મજબૂત કરવાના ભાગરૂપે બંને આરોપીઓને સાથે રાખીને ખીમાણાવાસ ખાતેના સતી માતાજીના મંદિરે ગુનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આરોપીઓએ કઈ રીતે મંદિરમાં પ્રવેશ કર્યો અને દાગીના તથા રોકડની ચોરી કરી તે અંગેની સમગ્ર પ્રક્રિયા પોલીસે સ્થળ પર સમજી હતી. પોલીસે ચોરી થયેલો મુદ્દામાલ કબજે કરવા આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાવ પોલીસની આ ત્વરિત અને સફળ કામગીરીથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે અને પોલીસ તંત્રની કામગીરીને બિરદાવી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/1kaBHSm6pvlPuV5oq2vJA3NaUsi6zvfbarv9BP4k.webp'/></item></channel></rss>