<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ganga Water Level Rises: ઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે ગંગા નદીના જળસ્તરમાં સતત વધારો, બિહારમાં પૂરનો ખતરો ]]></title><link>https://sandesh.com/india/news/ganga-water-level-rises-heavy-rains-in-north-india-continue-to-raise-water-level-of-ganga-river-threat-of-flood-in-bihar</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ganga-water-level-rises-heavy-rains-in-north-india-continue-to-raise-water-level-of-ganga-river-threat-of-flood-in-bihar</guid><pubDate>Mon, 24 Aug 2026 09:38:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગંગાના વધતા પ્રવાહને કારણે બિહારના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ ઊભું થયું છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી સાથે ફોન પર વાત કરી અને ફરક્કા બેરેજના તમામ દરવાજા ખોલવાની અપીલ કરી છે.</p><h2 style="text-align: justify; "><b>બિહારમાં પૂરનું જોખમ ઘટાડવામાં મદદ મળી&nbsp;</b></h2><p style="text-align: justify; ">મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે ગંગા નદીનું જળસ્તર વધી રહ્યું છે અને બિહારના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. આવી પરિસ્થિતિમાં ફરક્કા બેરેજના ગેટ ખોલવામાં આવે તો નદીના પાણીનો પ્રવાહ વધુ સરળ બની શકે છે અને બિહારમાં પૂરનું જોખમ ઘટાડવામાં મદદ મળી શકે છે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/samrat4bjp/status/2091557929065599460"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; ">સમ્રાટ ચૌધરીએ કહ્યું કે તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી સાથે ફોન પર વાત કરીને ફરક્કા બેરેજના તમામ ગેટ ખોલવાની વિનંતી કરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે બિહારની સુરક્ષા અને રાહત કામગીરી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.</p><h3 style="text-align: justify; "><b>શુભેન્દુ અધિકારીએ ઝડપી કાર્યવાહીનું આશ્વાસન આપ્યું</b></h3><p style="text-align: justify; ">સમ્રાટ ચૌધરીના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. બિહાર સરકારનું માનવું છે કે બેરેજના દરવાજા ખોલવાથી ગંગાના પાણીનો પ્રવાહ સરળ થઈ શકે છે અને બિહારના પૂરગ્રસ્ત તથા નીચાણવાળા વિસ્તારો પર પાણીનું દબાણ ઘટાડવામાં મદદ મળી શકે છે.</p><p style="text-align: justify; ">હાલમાં ઉત્તર ભારતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નદીઓના જળસ્તરમાં વધારો નોંધાઈ રહ્યો છે. તેથી બિહારના અનેક જિલ્લાઓમાં વહીવટી તંત્ર પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.</p><h4 style="text-align: justify; "><b>ફરક્કા બેરેજ સંધિને લઈને જેડીયુ સાંસદની ચિંતા</b></h4><p style="text-align: justify; ">આ દરમિયાન જનતા દળ (યુનાઇટેડ)ના સાંસદ સંજય ઝાએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થયેલી 1996ની ફરક્કા બેરેજ સંધિને લઈને પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આ સંધિ ડિસેમ્બર 2026માં 30 વર્ષ પૂર્ણ કરશે. સંધિના નવીનીકરણ અંગે કોઈપણ નિર્ણય લેતા પહેલાં બિહારના હિતોને ધ્યાનમાં રાખવા જોઈએ.</p><p style="text-align: justify; ">સંજય ઝાએ કેન્દ્ર સરકારને અપીલ કરી કે બિહારના હિતોને ધ્યાનમાં લીધા વિના સંધિના નવીનીકરણ અંગે નિર્ણય ન લેવાય. તેમણે કહ્યું કે ગંગાના પાણી અને તેના પ્રવાહ સાથે જોડાયેલા કોઈપણ નિર્ણયમાં બિહારના હિતોને મહત્વ આપવું જરૂરી છે.</p><p style="text-align: justify; ">આ રીતે એક તરફ ગંગાના વધતા જળસ્તરથી બિહારમાં પૂરનું જોખમ વધી રહ્યું છે, તો બીજી તરફ ફરક્કા બેરેજના ગેટ ખોલવાની અપીલ અને 1996ની સંધિના ભવિષ્યને લઈને રાજકીય ચર્ચા પણ તેજ બની છે.</p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/o50bpF59B63UhqjDnG4Oqwx2FaN2uV0F8GyTc1h2.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : પ્રોપર્ટીના વિવાદે લીધો ઉગ્ર વળાંક, બહેરામપુરામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-behrampura-property-dispute-stone-pelting-danilimda-police</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-behrampura-property-dispute-stone-pelting-danilimda-police</guid><pubDate>Mon, 24 Aug 2026 09:07:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં પ્રોપર્ટીના વિવાદને લઈને એક જ સમુદાયના બે જૂથ આમને-સામને આવી જતા તંગદિલીનો માહોલ સર્જાયો હતો. બહેરામપુરા પોલીસ ચોકી નજીક બંને પક્ષો વચ્ચે પહેલા ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ મામલાએ અચાનક ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં પથ્થરમારો શરૂ થયો હતો. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ જોવા મળ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>પ્રોપર્ટીના મુદ્દે બંને જૂથ વચ્ચે લાંબા સમયથી વિવાદ</b></h2><p style="text-align: justify; ">પ્રાથમિક માહિતી મુજબ પ્રોપર્ટીના મુદ્દે બંને જૂથ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદને લઈને બંને પક્ષો વચ્ચે બોલાચાલી થતાં મામલો બગડ્યો હતો અને ત્યારબાદ બંને તરફથી પથ્થરમારો થયો હોવાનું સામે આવ્યું છે. પથ્થરમારાની ઘટનાથી આસપાસના લોકોમાં પણ દોડધામ મચી ગઈ હતી.</p><h3 style="text-align: justify; "><b>અનેક વાહનોને નુકસાન પહોંચ્યું&nbsp;</b></h3><p style="text-align: justify; ">આ અથડામણ દરમિયાન રસ્તા પર અને આસપાસ પાર્ક કરવામાં આવેલા અનેક વાહનોને નુકસાન પહોંચ્યું હતું. પથ્થરમારાના કારણે વાહનોના કાચ અને અન્ય ભાગોને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.</p><h4 style="text-align: justify; "><b>ઘટનાના પગલે પોલીસ સ્થળ પર પહોંચી</b></h4><p style="text-align: justify; ">ઘટના બાદ બંને પક્ષો પોતાની ફરિયાદ નોંધાવવા માટે દાણીલીમડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે બંને પક્ષોની રજૂઆત સાંભળી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પ્રોપર્ટી વિવાદમાં પથ્થરમારો કરનાર કોણ હતા અને કેટલા લોકો આ ઘટનામાં સામેલ હતા તે દિશામાં તપાસ આગળ વધારવામાં આવી રહી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; <a href="https://sandesh.com/explainer/news/india/ahmedabad/sandesh-digital-explainer-sugar-price-hike-40-percent-festive-season-shortage-reasons" target="_blank"><b>&nbsp;Sandesh Digital Explainer : તહેવારો પહેલાં ખાંડ બની કડવી..! 40% સુધીના ભાવવધારા પાછળ શું છે મહત્વના કારણ?</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/fvSBPPWJ5u41U3u0wrF32IYej7aaBAXeWLqbQplo.webp'/></item><item><title><![CDATA[Kutchમાં મોડી રાત્રે ભચાઉ પાસે અનુભવાયો 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો! ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kutch/earthquake-tremors-of-magnitude-33-felt-near-bhachau-in-kutch-late-last-night</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kutch/earthquake-tremors-of-magnitude-33-felt-near-bhachau-in-kutch-late-last-night</guid><pubDate>Mon, 24 Aug 2026 08:52:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કચ્છ જિલ્લામાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. મોડી રાત્રે અંદાજે 1.30 કલાકે ભૂકંપનો આંચકો નોંધાતાં નિદ્રાધીન લોકોમાં થોડા સમય માટે ફાળચ વ્યાપી ગઈ હતી. સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરના જણાવ્યા અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.3 ની નોંધાઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>ભચાઉથી 21 કિમી દૂર કેન્દ્રબિંદુ&nbsp;</b></h2><p style="text-align: justify; ">ગાંધીનગર સ્થિત ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ અને સિસ્મોલોજિકલ સેન્ટરની વિગતો મુજબ, આ આંચકાનું કેન્દ્રબિંદુ કચ્છના ભચાઉથી દક્ષિણ-પૂર્વ દિશામાં અંદાજે 21 કિલોમીટર દૂર નોંધાયું હતું. 3.3 ની તીવ્રતાનો આંચકો હોવાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હળવા કંપનનો અનુભવ થયો હતો.</p><h3 style="text-align: justify; "><b>જાનમાલના કોઈ નુકસાનના અહેવાલ નહીં&nbsp;</b></h3><p style="text-align: justify; ">હળવી તીવ્રતાનો ભૂકંપ હોવાના કારણે સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ કે મોટા માલમિલકતના નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી. જોકે, ભૂકંપની દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાતા કચ્છ વિસ્તારમાં વારંવાર આવતા નાના-મોટા આંચકાઓને પગલે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/rd0f7TXmGzYMBskJx1UGWdrKM3TDx4RMYIgUBeJ1.webp'/></item><item><title><![CDATA[Miss Universe India 2026 : કેરળની 19 વર્ષીય કાઝિયા લિઝ મેઝોએ જીત્યો મિસ યુનિવર્સ ઇન્ડિયાનો ખિતાબ, પ્યુર્ટો રિકોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે ]]></title><link>https://sandesh.com/entertainment/news/kaziah-liz-mejo-becomes-miss-universe-india-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/kaziah-liz-mejo-becomes-miss-universe-india-2026</guid><pubDate>Mon, 24 Aug 2026 08:38:23 +05:30</pubDate><description><![CDATA[<p>કેરળના કેઝિયા લિઝ મેજોએ દેશની સૌથી મોટી સૌંદર્ય સ્પર્ધાઓમાંની એક 'મિસ યુનિવર્સ ઈન્ડિયા 2026'નો પ્રતિષ્ઠિત ખિતાબ પોતાના નામે કર્યો છે. જયપુરના પિંક સિટીમાં 23 ઓગસ્ટના રોજ યોજાયેલા આ ભવ્ય ગ્રાન્ડ ફિનાલેમાં કેઝિયાએ પોતાની બુદ્ધિમત્તા, મનમોહક વ્યક્તિત્વ અને શાનદાર પ્રદર્શનથી નિર્ણાયકોના દિલ જીતી લીધા હતા.</p><p><b>પ્રથમ અને દ્વિતીય રનર-અપ</b></p><p>આ કડક સ્પર્ધામાં તમિલનાડુની વૈષ્ણવી ગણેશ પ્રથમ રનર-અપ (બીજું સ્થાન) રહી હતી, જ્યારે ગુજરાતની અનુશ્રી સાતવલેકર બીજી રનર-અપ (ત્રીજું સ્થાન) બની હતી. ખિતાબ જીત્યા બાદ કેઝિયા હવે વિશ્વની સૌથી મોટી સૌંદર્ય સ્પર્ધા 'મિસ યુનિવર્સ'માં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરશે.</p><p><b>સ્પર્ધા અને આયોજનની ખાસિયતો</b></p><p>આ સ્પર્ધા માત્ર ફેશન કે બાહ્ય સુંદરતા પૂરતી મર્યાદિત નહોતી, પરંતુ સહભાગીઓના વિચારો, નેતૃત્વ ગુણો, વાતચીત કૌશલ્ય અને ભારતીય સંસ્કૃતિની સમજણ પર કેન્દ્રિત હતી. જયપુરમાં આયોજિત આ સમારોહમાં રાજસ્થાની સંસ્કૃતિ અને આધુનિક ભારતનું એક સુંદર મિશ્રણ જોવા મળ્યું હતું.</p><p><b>જીત બાદ કેઝિયા લિઝ મેજોનું નિવેદન</b></p><p>પોતાની જીત પર ખુશી વ્યક્ત કરતા કેઝિયાએ જણાવ્યું કે, "આ ખિતાબ માત્ર એક સિદ્ધિ નથી પરંતુ એક મોટી જવાબદારી છે. આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવું એ મારા માટે ગર્વની વાત છે. આ તક દ્વારા હું ભારતની વિવિધતા, સંસ્કૃતિ અને નવી પેઢીની શક્તિને વિશ્વ સમક્ષ રજૂ કરીશ." તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ વર્ષે મિસ યુનિવર્સનો તાજ ભારતમાં પાછો આવશે.</p><p><b>આયોજકની પ્રતિક્રિયા અને દિગ્ગજોની હાજરી</b></p><p>મિસ યુનિવર્સ ઈન્ડિયાના માલિક નિખિલ આનંદે જણાવ્યું કે આ સ્પર્ધાનો મુખ્ય હેતુ દેશભરની પ્રતિભાશાળી યુવતીઓને એક વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. આ ભવ્ય કાર્યક્રમમાં બોલિવૂડ અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન, ઉર્વશી રૌતેલા, સેલિના જેટલી તેમજ પૂર્વ મિસ યુનિવર્સ ઈન્ડિયા રિયા સિંઘા (2024) અને મણિકા વિશ્વકર્મા (2025) જેવી અનેક જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/EnLmNGW7l7dCUZrY7E0qo3iKsP0yhuTiIygAiaq9.webp'/></item><item><title><![CDATA['Operation Sindoor' બાદ પણ ઝાંખી ન પડી પ્રેમની આશા, 150 દુલ્હન લગ્ન માટે પાકિસ્તાનથી ભારત આવી ]]></title><link>https://sandesh.com/india/news/150-pakistani-brides-arrive-india-marriage-border-closure</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/150-pakistani-brides-arrive-india-marriage-border-closure</guid><pubDate>Mon, 24 Aug 2026 08:29:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">એપ્રિલ 2025માં પહેલગામ આતંકવાદી હુમલો અને ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવમાં વધારો થયો હતો. આ સુરક્ષાને પગલે બંને દેશો વચ્ચેની અટારી વાઘા બોર્ડરને અનિશ્ચિત કાળ માટે બંધ કરી દેવામાં આવી હતી. જેને કારણે બંને દેશોના પરિવારો વચ્ચે થનારા લગ્નો પર સંકટના વાદળો ઘેરાયા હતા. પરંતુ લાંબી રાહ જોયા બાદ પણ જમીની માર્ગ બંધ રહેતા પ્રેમ અને લગ્નની આશાઓ ધૂંધળી બની ગઇ હતી. પરંતુ આજે જે સમાચાર સામે આવ્યા છે એને સાંભળીને ભલ ભલાના હોંશ ઉડી જાય. લગ્ન કરવા અને પ્રેમને પામવા માટે 150 દુલ્હન પાકિસ્તાનથી ભારત આવી.</p><h2 style="text-align: justify; "><b>વૈકલ્પિક માર્ગો દ્વારા દુલ્હન ભારત આવી&nbsp;</b></h2><p style="text-align: justify; ">વાત એમ છે કે છેલ્લા કેટલાય સમયથી યુદ્ધના કારણે જે સરહદ બંધ કરી દેવામાં આવી હતી જેથી પાકિસ્તાની દુલ્હનો માટે ભારત આવવું અસંભવ બન્યુ હતુ.પરંતુ કહેવાય છે ને કે પ્રેમ પોતાનો રસ્તો આપમેળે જ શોધી લે છે. એમ અંદાજે 150 જેટલી પાકિસ્તાની દુલ્હન મસ્કત, કોલંબો, ઢાકા, દુબઇ અને કતાર જેવા દેશોમાંથી કનેક્ટિંગ ફ્લાઇટ્સના સહારે ઇન્ડિયા પહોંચી હતી. આ લાંબી અને ખર્ચાળ મુસાફરી કરીને પણ આ યુવતીઓ પોતાના પ્રેમને પામવા માટે નાગપુર, જોધપુર, અમદાવાદ, રાયપુર, પુણે અને ભોપાલ જેવા શહેરોમાં પહોંચીને પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.&nbsp;<br><img alt="PAKISTAN INDIA MRG" src="https://epapercdn.sandesh.com/images/2026/08/24/CqcGoA5uftg8wSG45vkmtjBC9WmvgW8nz8dJ9Bmq.webp"><br></p><h3 style="text-align: justify; "><b>સરકાર તરફથી મળી વિશેષ મંજૂરી</b></h3><p style="text-align: justify; ">આ કપરા સમયમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને સિંધના એક આદરણીય ધાર્મિક સ્થળના સંયુક્ત પ્રયાસોથી આ યાત્રાઓ માટે વિશેષ પરવાનગી આપવામાં આવી હતી. દુલ્હનોની સાથે તેમના કેટલાક સંબંધીઓને પણ ભારત આવવાની છૂટ મળી હતી, શરત માત્ર એટલી હતી કે લગ્ન એક સરળ સમારોહ તરીકે થાય અને નિર્ધારિત સમયમર્યાદામાં તેઓ પાકિસ્તાન પરત ફરે. અહેવાલો મુજબ, આ વર્ષે એપ્રિલથી જૂન દરમિયાન અંદાજે 450 જેટલા સંબંધીઓ આ દુલ્હનો સાથે ભારત આવ્યા હતા.</p><h4 style="text-align: justify; "><b>હૃદયસ્પર્શી વાસ્તવિકતાઓ અને સંઘર્ષ</b></h4><p style="text-align: justify; ">આ મુસાફરી કોઈ પરીકથા જેવી સરળ નહોતી. ઉદાહરણ તરીકે, ઇન્કેશ જશ્નાની સાથે સગાઈ કરનાર આરતી સિંધના ખાનપુર તહસીલથી આવી હતી. મે 2025 માં જ્યારે અટારી ગેટ બંધ થયો ત્યારે તે વાઘા બોર્ડરથી માત્ર એક જ કિલોમીટર દૂર હતી, પરંતુ સરહદ બંધ હોવાથી પરત ફરવું પડ્યું હતું. આખરે એક વર્ષથી વધુ સમયની અનિશ્ચિતતા બાદ તે મસ્કત થઈને નાગપુર પહોંચી અને લગ્ન કર્યા, જોકે વિઝા નિયંત્રણોને કારણે તેના માતા-પિતા આ ખુશીના પ્રસંગમાં હાજર રહી શક્યા નહોતા. તેવી જ રીતે, કાજલ અને સંજના જેવી અનેક યુવતીઓએ કરાચીથી મસ્કત અને દિલ્હી થઈને ભારત સુધીની લાંબી સફર ખેડી હતી. આ ઘટના સાબિત કરે છે કે સરહદોની દિવાલો ભલે ગમે તેટલી મજબૂત હોય, પરંતુ સાચો પ્રેમ તમામ અવરોધોને પાર કરીને પોતાની મંઝિલ મેળવી જ લે છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/world/news/guinea-landfill-landslide-conakry-30-dead" target="_blank">આ પણ વાંચોઃ Guinea Waste Dump Collapse:  કોનાક્રીમાં લેન્ફિલ પર ભૂસ્ખલન, 30 લોકોના મોત</a></b></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/SYfGszFxHYlsoZtJQTjwx4XfktdSPxg6uxJZOPOQ.webp'/></item><item><title><![CDATA[Hockey World Cup 2026 : ભારતીય મહિલા હોકી ટીમ ઓસ્ટ્રેલિયા સામે ડ્રો થતાં સેમિફાઇનલની રેસમાંથી બહાર ]]></title><link>https://sandesh.com/sports/news/hockey-world-cup-2026-indian-womens-hockey-team-out-of-semi-final-race-after-draw-against-australia</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/hockey-world-cup-2026-indian-womens-hockey-team-out-of-semi-final-race-after-draw-against-australia</guid><pubDate>Mon, 24 Aug 2026 08:18:56 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતને જીતવાની ખૂબ જ જરૂર હતી તે મેચમાં,ભારતીય મહિલા હોકી ટીમની ગોલની આશા આખરે ઠગારી નીવડી.શનિવારે ઓસ્ટ્રેલિયા સામેની મહત્વપૂર્ણ મેચ 0-0 થી ડ્રો રહી,જેના કારણે ભારત હોકી વર્લ્ડ કપ સેમિફાઇનલની દોડમાંથી બહાર થઈ ગયું.ઓસ્ટ્રેલિયાઓછા ગોલ તફાવત હોવા છતાં,વધુ ગોલ કરવાના આધારે અંતિમ ચારમાં સ્થાન મેળવ્યું.ભારત અગાઉ નેધરલેન્ડ્સ સામે હારી ગયું હતું.</p><h4><b>ભારતીય ખેલાડીઓ પર દબાણ</b></h4><p>ભારતીય ટીમને સેમિફાઇનલમાં પહોંચવા માટે જીતની જરૂર હતી, જ્યારે ઓસ્ટ્રેલિયા માટે ડ્રો પૂરતો હતો. કદાચ આ દબાણ ભારતીય ખેલાડીઓના પ્રદર્શનમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું. બીજા તબક્કાની તેમની પ્રથમ મેચમાં નેધરલેન્ડ્સ સામે બે ગોલથી શાનદાર હાર બાદ, શાનદાર પ્રદર્શન કરનારી ટીમ, ઓસ્ટ્રેલિયા સામે સુમેળમાં ન દેખાઈ. ભારતીય ખેલાડીઓએ ઘણી તકો ગુમાવી અને મિડફિલ્ડમાં બોલ પર કબજો જાળવવા માટે સંઘર્ષ કર્યો.</p><h5><b>&nbsp;ભારતે હાફટાઇમાં તક ગુમાવી&nbsp;</b></h5><p>ઓસ્ટ્રેલિયાએ મેચની આક્રમક શરૂઆત કરી. બીજી મિનિટમાં તેમને ગોલ કરવાની તક મળી, પરંતુ ભારતીય ટીમે રેફરલ લીધો, અને ટીવી અમ્પાયરે શોટને ખતરનાક ગણાવીને તેને મંજૂરી આપી નહીં. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ દબાણ બનાવવાનું ચાલુ રાખ્યું. 10મી મિનિટે, અનુભવી ગોલકીપર સવિતાએ એમી લોટનના રિવર્સ શોટને રોકવા માટે શાનદાર બચાવ કર્યો. ઓસ્ટ્રેલિયાએ બીજા ક્વાર્ટરની શરૂઆતમાં પેનલ્ટી કોર્નર મેળવ્યો, પરંતુ ગોલ કરવામાં નિષ્ફળ ગયો. ગ્રેસ યંગનો રિવર્સ શોટ થોડીવાર પછી જમણી બાજુ ડાઇવ કરતા બિચુ દેવીએ બચાવ્યો. ભારતે હાફટાઇમ પહેલા પેનલ્ટી કોર્નર પણ મેળવ્યો, પરંતુ તેનો લાભ લેવામાં નિષ્ફળ ગયો.</p><h5><b>ભારતીય ટીમે ઘણી તકો ગુમાવી</b></h5><p>બીજા હાફમાં પણ વાર્તા યથાવત રહી. ભારત પાસે ગોલ કરવાની તક હતી, પરંતુ તેમનો અંતિમ પાસ અને ફિનિશિંગનો અભાવ હતો. 46મી મિનિટે, ઓસ્ટ્રેલિયાએ પેનલ્ટી કોર્નર મેળવ્યો, જેને ભારતીય ડિફેન્સ દ્વારા અટકાવવામાં આવ્યો. ત્યારબાદ ભારતે વળતો હુમલો શરૂ કર્યો પરંતુ નવનીત અને લાલરેમસિયામી વચ્ચે સંકલનના અભાવે સુવર્ણ તક ગુમાવી દીધી.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/jannik-sinner-out-of-us-open-know-why-he-took-this-big-decision" target="_blank">Jannik Sinner યુએસ ઓપનમાંથી બહાર, જાણો શા માટે લીધો આ મોટો નિર્ણય</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/dNReRtvpAPqO6MRLGxIN2jVZfIA8WeLdeZJGfIK8.webp'/></item><item><title><![CDATA[Vyara: ડોલવણના બેડચીતના ખેડૂતની નદી કિનારાની જમીનનું ભારે ધોવાણ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vyara/vyara-heavy-erosion-of-land-along-the-riverbank-of-a-farmer-in-bedchit-dolvan</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vyara/vyara-heavy-erosion-of-land-along-the-riverbank-of-a-farmer-in-bedchit-dolvan</guid><pubDate>Mon, 24 Aug 2026 01:50:56 +05:30</pubDate><description><![CDATA[<p>ડોલવણના બેડચીત ગામમાં પુર્ણા નદી કિનારે આવેલી ખેતીલાયક જમીનમાં થોડા સમય પહેલા નદીનું પાણી ધસી જતા આ જમીનનું ભારે ધોવાણ થયું હતું, ખેડૂતની ખેતીવાડી વીજલાઇન પણ તહસનસહ થતા મોટું નુકસાન ભોગવવાની નોબત આવી હતી, તેમણે પ્રોટેકશન વોલ બનાવી આ પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરી છે.</p><p>ડોલવણ તાલુકાના બેડચીત ગામમાંથી વહેતી પુર્ણા નદી કિનારે ખેતી ધરાવતા ખેડૂત સુનિલભાઇ પટેલની જમીનનું વિતેલા દિવસોમાં આવેલા નદીના પુર દરમિયાન ધોવાણ થતા જેઓએ મોટું નુકસાન વેઠવાની નોબત આવી હોવાનું જણાવ્યું હતું. પુરનું પાણી ખેતીલાયક જમીનને ખોદી-ખોદીને તાણી ગયું હતું તેમજ ખેતીવાડી માટે થયેલ વીજલાઇનના થાંભલા તથા વીજલાઇનને પણ નુકસાન થયું હતું. દરવર્ષે ચોમાસા દરમિયાન નદી કિનારે આવેલી ખેતીલાયક જમીનને નુકસાન થતા ખેડૂતો પોતાના ખેતરોમાં પાક લઇ શકતા નથી. જમીનના ધોવાણને અટકાવવા માટે જવાબદાર તંત્ર સ્થળ નિરીક્ષણ કરી પ્રોટેકશન વોલ બનાવી ખેડૂતોના હિતમાં પગલાં લે તો થોડી ઘણી રાહત થવાની શકયતા છે. અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર મળે તેમજ ભવિષ્યમાં જમીનનું ધોવાણ ન થાય તે મુદ્દે પગલાં લેવાની માંગણી કરી છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/2VRUjFmeybOls21HcCOfcSyDiCQnzJcxXcuUoGtu.webp'/></item><item><title><![CDATA[Surat: નજીક લોખંડના સળિયા ભરેલા ટ્રેલર પાછળ કન્ટેનર અથડાયું ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-a-container-crashed-into-the-back-of-a-trailer-loaded-with-iron-bars-near</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-a-container-crashed-into-the-back-of-a-trailer-loaded-with-iron-bars-near</guid><pubDate>Mon, 24 Aug 2026 01:50:04 +05:30</pubDate><description><![CDATA[<p>મહારાષ્ટ્રના નવાપુર શહેર પાસે આવેલા સુરત-ધુલિયા નેશનલ હાઈવે નં.53 પર રાંયગણ ગામની જીનિંગ પાસે શનિવારે મોડી રાત્રે લોખંડના સળિયા ભરેલા ટ્રેલર ટ્રકની પાછળ કન્ટેનર ટ્રક ધડાકાભેર અથડાયું હતું. આ અકસ્માતમાં કન્ટેનરની કેબિનનો ભૂક્કો બોલી ગયો હતો, પરંતુ સદનસીબે ચાલક અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થયો હતો.</p><p>જાલનાથી લોખંડના સળિયા ભરીને સુરત તરફ જઈ રહેલું ટ્રેલર ટ્રક (એમ.એચ.21.બી.એચ.9066)નો ચાલક રામરાજ ભગવતી દિન (ઉં.વ.49)ને શનિવારે રાત્રે 12:30 વાગ્યાના અરસામાં રાંયગણ ગામ નજીક ટ્રેલરના પાછળના વ્હીલમાંથી અવાજ આવતા તેણે ગાડી રોડ સાઈડ ઊભી રાખીને ચેક કરવાનું શરૂ કર્યું હતું, એ જ સમયે (કે.એ.51.એ.જી.9026)માં બેંગ્લોરથી પ્લાસ્ટિકની ખાલી બોટલો ભરીને સુરત જઈ રહેલા કન્ટેનરના ચાલક વિજયકુમારે ઊભેલા ટ્રેલર પાછળ કન્ટેર અથડાવી દીધું હતું. કન્ટેનરમાં ચાલક સાથે સવાર ક્લીનર પંકજપુરી બનવારીપુરી (19 રહે. નવલગડ, જિ. ઝુંઝનુ, રાજસ્થાન) કેબિનમાં જ ફસાઈ ગયા હતા. અવાજ સાંભળીને આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ બંનેને બહાર કાઢયા હતા. આ અકસ્માતમાં ક્લીનર અને ચાલકના પગમાં ઈજા પહોંચી હતી. અકસ્માતને કારણે નેશનલ હાઈવે પર થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/bMJhIkYVYhtBUtmhL5hvRSrEHToc0jtWARV9MYR6.webp'/></item><item><title><![CDATA[Surat: કામરેજના કોસમાડા, એન્થમ સર્કલ વિસ્તારના સાત એકમોમાં ફૂડ સેફ્ટી વિભાગે દરોડા પાડયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-food-safety-department-raids-seven-units-in-kosmada-anthem-circle-area-of-kamrej</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-food-safety-department-raids-seven-units-in-kosmada-anthem-circle-area-of-kamrej</guid><pubDate>Mon, 24 Aug 2026 01:48:15 +05:30</pubDate><description><![CDATA[<p>કામરેજના કોસમાડા અને એન્થમ સર્કલ વિસ્તારમાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અહીંથી અંદાજે 22477 રૂપિયા કિંમત ધરાવતી કુલ 172 કિલોગ્રામ અખાદ્ય સામગ્રી જપ્ત કરીને સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ સાથે જ ગંભીર બેદરકારી દાખવનાર બે જાણીતા રેસ્ટોરન્ટને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવ્યા છે.</p><p>ફૂડ સેફ્ટી ઓફિસર સી.એન.પરમાર, યુ.એસ.પાટીલ, વી.ડી.પટેલ અને બી.એન.ચૌધરીની ટીમે સંયુક્ત રીતે વિસ્તારનાં સાત જેટલા એકમોમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. કેટલાક એકમોમાં ગંદકી વચ્ચે ખાદ્ય પદાર્થો તૈયાર થતા હોવાનું, માન્ય ફૂડ લાઇસન્સ ન હોવાનું તેમજ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી અખાદ્ય સામગ્રી પીરસવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. નિયમોના ઉલ્લંઘન અને ગંભીર બેદરકારીને ધ્યાને રાખીને એન્થમ સર્કલ નજીક કોસમાડા ખાતે આવેલા ખોડિયાર કાઠિયાવાડી ઢાબા તેમજ અવસર ગાર્ડન રેસ્ટોરન્ટને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા આ બંને એકમોને જરૂરી તમામ સુધારા કરી સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોનું સંપૂર્ણ પાલન કર્યા બાદ જ ફરીથી વ્યવસાય શરૂ કરવાની તાકીદ કરવામાં આવી છે. આ સાથે જ વિસ્તારનાં તમામ ખાદ્ય વ્યાવસાયિકોને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006 અને તેના નિયમોના શેડયુલ-4નું ચુસ્તપણે પાલન કરવાની કડક ચેતવણી આપવામાં આવી છે. ઉપરોક્ત સમગ્ર કાર્યવાહી અંગે સુરત ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના એચ.કે.સોલંકીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને વિભાગની સૂચના મુજબ સમગ્ર ગુજરાતમાં હોટલો, રેસ્ટોરન્ટો અને ખાણીપીણીના સ્ટોરોમાં સાફસફાઇ તથા હાઇજીન બાબતે વિશેષ અભિયાન ચાલી રહ્યુ છે. જેના અનુસંધાને સુરત શહેરને અડીને આવેલા કોસમાડા અને એન્થમ સર્કલ વિસ્તારમાં ટીમો દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ જે એકમો કાયદાનું કે હાઇજીનનું પાલન નહીં કરે તેમની સામે તાત્કાલિક કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/NCyoadfzaNUump0UEhQB1kwrMobYar8camc8gGFi.webp'/></item><item><title><![CDATA[YouTubeમાંથી કમાણી કરનારા 31 ઓગસ્ટ સુધી કરો આ કામ, નહીંતર દંડ ભરવા રહેજો તૈયાર ]]></title><link>https://sandesh.com/business/news/income-tax-deadline-for-youtubers-and-instagram-creators-is-31-aug-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/income-tax-deadline-for-youtubers-and-instagram-creators-is-31-aug-2026</guid><pubDate>Sun, 23 Aug 2026 18:00:34 +05:30</pubDate><description><![CDATA[<p>YouTube: કન્ટેન્ટ ક્રિએટર્સની કમાણી માત્ર એક જગ્યાએથી નથી થતી. યુટ્યુબર એડસેન્સ દ્વારા પૈસા કમાઈ શકે છે, જ્યારે બ્રાન્ડ ડીલ્સ ઇન્સ્ટાગ્રામ ક્રિએટર્સ માટે આવકનો મુખ્ય પ્રવાહ છે. વધુમાં, કમાણી એફિલિએટ કમિશન, સભ્યપદ, સુપર ચેટ્સ, પ્લેટફોર્મ ચૂકવણી અને મર્ચેન્ડાઇઝ વેચાણમાંથી પણ આવી શકે છે. આવકવેરા વિભાગ ડિજિટલ અર્થતંત્રમાં થતી આ કમાણી પર નજીકથી નજર રાખે છે.</p><p><br></p><p>જો તમે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અથવા ફેસબુકથી નોંધપાત્ર આવક મેળવતા ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર્સ છો, તો 31 ઓગસ્ટ, 2026 ની ડેડલાઈન તમારા માટે મહત્વપૂર્ણ છે. નાણાકીય વર્ષ 2025-26 માટે આ 31 ઓગસ્ટની ડેડલાઈન એવા કરદાતાઓ  (ટેક્સપેયર્સ) માટે લાગુ પડે છે જેમના બિઝનેસ અથવા પ્રોફેશનલ આવક હોય છે જેમના ખાતાઓને ફરજિયાત ઓડિટની જરૂર નથી. આ તારીખ સુધીમાં તેમના ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં નિષ્ફળતા ક્રિએટર્સને ભારે દંડ અને કાયદાકીય નોટિસનો સામનો કરવો પડી શકે છે.</p><h4><b>કન્ટેન્ટ ક્રિએટર્સને આ 5 પ્રકારની કમાણી પર લાગે છે ટેક્સ</b></h4><p>આવકવેરા વિભાગના નિયમો અનુસાર, આ સ્ત્રોતોમાંથી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દ્વારા જનરેટ થતી આવક  'Profits and Gains from Business or Profession' (PGBP) અથવા ''Income from Other Sources' ની ટેક્સ હેઠળ આવે છે:</p><p>એડ રેવેન્યુ: YouTube મોનિટાઇઝેશન અને વીડિયો પર પ્રદર્શિત જાહેરાતોમાંથી સીધી કમાણી.</p><p>સ્પોન્સર્ડ પોસ્ટ્સ: બ્રાન્ડ, ઉત્પાદન અથવા સેવાને પ્રમોટ કરવાના બદલામાં મળનારા પૈસા.</p><p>મર્ચેડાઇઝ અને પેડ સબ્સ્ક્રિપ્શન્સ: વ્યક્તિગત માલ વેચવાથી અથવા YouTube 'જોઈન' બટન અને ફેન્સ સપોર્ટ જેવી સુવિધાઓ દ્વારા થતી આવક.</p><p>એફિલિએટ માર્કેટિંગ: તમારા બાયો અથવા વીડિયો વર્ણનમાં આપેલી લિંક્સ દ્વારા કરવામાં આવેલા ઉત્પાદન વેચાણના બદલામાં મળતું કમિશન.</p><p>ફ્રી પ્રોડક્ટ્સ અને ગિફ્ટ: ટેક્સ નિયમો હેઠળ જો કોઈ કંપની અથવા બ્રાન્ડ પ્રમોશનલ હેતુઓ માટે મોબાઇલ ફોન, કાર અથવા લેપટોપ જેવી વસ્તુઓ મફતમાં આપે છે અથવા વિદેશ પ્રવાસ કરાવે છે તો TDS (સ્રોત પર કર કપાત) 10% ના દરે લાગુ પડે છે.&nbsp;</p><h4><b>31 ઓગસ્ટની ડેડલાઇન ચૂકી જવાના પરિણામો</b></h4><p>જો તમે 31 ઓગસ્ટ પછી રિટર્ન ફાઇલ કરો છો, તો તમારે પહેલા ₹1000 થી ₹5000 સુધીની લેટ ફી ચૂકવવી પડશે. વધુમાં, તમારે તમારી કર જવાબદારી પર દર મહિને 1% ના દરે વધારાનું વ્યાજ ચૂકવવું પડશે. કરચોરી અથવા વિદેશી આવક (જેમ કે YouTube માંથી ડોલરમાં કમાણી) છુપાવવા બદલ તમને આવકવેરા વિભાગ તરફથી કડક નોટિસ પણ મળી શકે છે.<br><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/lifestyle/news/health-fitness/desi-ghee-benefits--5-reasons-why-pure-ghee-is-good-for-health?1" target="_blank"><b>સ્વાસ્થ્ય માટે વરદાન સમાન છે દેશી ઘી, જાણો તેના ફાયદા</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/23/nBseFdPazwxXqeImbTrgkuoI3pgiGEbG3EJSiVxA.webp'/></item></channel></rss>