<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Gandhinagar: કોડીનયુક્ત સિરપ સામે ફૂડ વિભાગનો સપાટો; કલોલમાં પરવાનો રદ, 83 લાખનો જથ્થો ફ્રીઝ ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-food-drugs-department-raid-codeine-syrup-balaji-pharma-seized</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-food-drugs-department-raid-codeine-syrup-balaji-pharma-seized</guid><pubDate>Tue, 08 Sep 2026 16:51:08 +05:30</pubDate><description><![CDATA[<p>રાજ્યમાં કોડીનયુક્ત દવાઓ અને નશાકારક સિરપના ગેરકાયદે વેચાણને નાબૂદ કરવા માટે આરોગ્ય મંત્રીની કડક સૂચના બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં એક સાથે સ્પેશિયલ ચેકિંગ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.</p><h2><b>રાજ્યવ્યાપી સ્પેશિયલ ડ્રાઇવ શરૂ</b></h2><p>આ ડ્રાઇવ દરમિયાન અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી 'બાલાજી ફાર્મા' ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નિયમોના ભંગ બદલ રૂ. 83.07 લાખની કિંમતનો 'Rexton-T Syrup' નો મોટા પ્રમાણનો જથ્થો પ્રતિબંધિત (Stop-Sale) કરીને ફ્રીઝ કરી દીધો છે.તપાસનો ધમધમાટ આગળ ધપાવતા ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે આવેલી 'હેલ્થ પોઇન્ટ ફાર્મા' દ્વારા કોડીનયુક્ત દવાઓના વેચાણના નિયમોનો ગંભીર ભંગ કરાયો હોવાનું સામે આવ્યું હતું, જેના પગલે તંત્ર દ્વારા આ પેઢીનો દવા વેચાણનો પરવાનો (લાઇસન્સ) તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવ્યો છે.</p><h3><b>શંકાસ્પદ વેપાર કરતી ૭ પેઢીઓને કારણદર્શક નોટિસ</b></h3><p>આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં હાથ ધરાયેલી આ ઝુંબેશ દરમિયાન કોડીન ધરાવતી કફ સિરપ અને દવાનો ગેરકાયદે કે શંકાસ્પદ વેપાર કરતી અન્ય ૭ જેટલી જાણીતી પેઢીઓને કાયદાકીય કલમો હેઠળ 'કારણદર્શક નોટિસ' પાઠવવામાં આવી છે. યુવાધનને નશાની ગરજ સારતી કોડીનયુક્ત સિરપોથી બચાવવા રાજ્ય સરકાર આક્રમક મોડમાં છે. ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના કે ચોપડે નોંધ રાખ્યા વગર કોડીનયુક્ત દવાઓ વેચનાર મેડિકલ સ્ટોર્સ અને ડિસ્ટ્રિબ્યુટર્સ સામે લાઇસન્સ રદ્દીકરણ સુધીના પગલાં લેવાશે. આવનારા દિવસોમાં પણ રાજ્યના તમામ જિલ્લાઓમાં આ પ્રકારની આકસ્મિક તપાસ ચાલુ રાખવામાં આવશે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/navsari/pm-narendra-modi-navsari-visit-inaugurates-ai-based-namo-kamalam-office" target="_blank">આ પણ વાંચો: Navsari: PM મોદીએ AI આધારિત આધુનિક 'નમો કમલમ' કાર્યાલયનું કર્યું લોકાર્પણ, કાર્યકરો અને નાગરિકોમાં ભારે ઉત્સાહ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/LtPUpxTCfI4e3fAiXiVRSIW8xuK6o9dMBEgNncLp.webp'/></item><item><title><![CDATA[Kangana Ranaut On Trusha: મહિલાઓના ચરિત્ર પર આંગળી ઉઠાવાનું બંધ કરો.. તૃષા કૃષ્ણનના સપોર્ટમાં આવી કંગના ]]></title><link>https://sandesh.com/india/news/kangana-ranaut-on-trusha-stop-pointing-fingers-at-womens-character-kangana-comes-in-support-of-trisha-krishnan-vijay-joseph</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/kangana-ranaut-on-trusha-stop-pointing-fingers-at-womens-character-kangana-comes-in-support-of-trisha-krishnan-vijay-joseph</guid><pubDate>Tue, 08 Sep 2026 16:47:24 +05:30</pubDate><description><![CDATA[<p><b>Kangana Ranaut On Trusha:</b> બોલિવૂડ અભિનેત્રી અને સાંસદ કંગના રનૌત સ્પષ્ટ બોલવા અંગે જાણીતી છે. તે રાજકીય બાબત હોય કે પછી કોઇ ચર્ચિત વિષય, તે હંમેશા ટિપ્પણી કરે છે. જો કે તેના નિવેદનો પર તેને ટ્રોલિંગનો પણ સામનો કરવો પડે છે. ત્યારે તમિલનાડુની એક બાબત પર કંગનાએ અભિનેત્રી તૃષાનો સાથ આપ્યો છે.&nbsp;</p><h2><b>કંગના આવી તૃષાના સપોર્ટમાં&nbsp;</b></h2><p> ઉલ્લેખનીય છે કે&nbsp; દક્ષિણ ભારતીય અભિનેત્રી તૃષા કૃષ્ણનને ટેકો આપવા માટે આગળ આવી છે.&nbsp; તૃષા અને સીએમ વિજય વચ્ચેના સંબંધો વિશે અફવાઓ ફેલાઈ રહી છે. ઘણા લોકો ત્રિશાને ટ્રોલ કરી રહ્યા છે અને તેના પાત્ર પર સવાલ ઉઠાવી રહ્યા છે, પરંતુ કંગના તેના બચાવમાં આવી છે અને તેના પર નિશાન સાધનારાઓને કડક જવાબ આપ્યો છે.&nbsp;<br><h3><b style="font-size: 1.75rem;">કંગનાએ નામ લીધા વિના કરી ટિપ્પણી&nbsp;</b></h3></p><p>તૃષાનું નામ લીધા વિના, કંગનાએ ટિપ્પણી કરી, "તમે જોયું હશે કે તમિલનાડુમાં શું બન્યું. તેમાં એક ખૂબ જ આદરણીય કલાકાર અને અભિનેત્રી સામેલ હતી, અને આ સંબંધ બંને પક્ષોને અસર કરતો હતો. છતાં જ્યારે મૌખિક દુર્વ્યવહાર અને કોઈના ચારિત્ર્ય પર સવાલ ઉઠાવવાની વાત આવે છે, ત્યારે તે હંમેશા મહિલાને જ નિશાન બનાવવામાં આવે છે."</p><h3><b>કંગના રનૌતે તૃષાનો કર્યો બચાવ&nbsp;</b></h3><p>કંગનાએ વધુમાં કહ્યું, "આપણે બધા જાણીએ છીએ કે આ ફક્ત ભારત પૂરતું મર્યાદિત નથી.&nbsp; તે સમગ્ર વિશ્વમાં થાય છે. કામ કરતી મહિલાઓ, સફળ મહિલાઓ, અભિનેત્રીઓ, રાજકારણીઓ અને સત્તા અથવા ઉચ્ચ હોદ્દા પરના લોકોના પાત્રને નબળા પાડવા અને તેમને નીચે લાવવાના પ્રયાસમાં નિશાન બનાવવામાં આવે છે."</p><h4><b>તૃષાપર ઉદયનિધિ સ્ટાલિનની ટિપ્પણીથી વિવાદ&nbsp;</b></h4><p>આ ઘટના ત્યારે બની જ્યારે ઉદયનિધિ સ્ટાલિન કાવેરી જળ વિવાદ વચ્ચે કર્ણાટક દ્વારા પ્રસ્તાવિત મેકેદાતુ પ્રોજેક્ટનો વિરોધ કરવા માટે આયોજિત તંજાવુરમાં ડીએમકે વિરોધ પ્રદર્શનમાં એક સભાને સંબોધિત કરી રહ્યા હતા. તેમના ભાષણ દરમિયાન, તેમણે તમિલનાડુના મુખ્યમંત્રી વિજય પર નિશાન સાધ્યું. અહેવાલો દર્શાવે છે કે જ્યારે ભીડે તૃષાનું નામ બોલવાનું&nbsp; શરૂ કર્યું, ત્યારે ઉદયનિધિએ તમિલમાં એક ટિપ્પણી કરી જેનો આશરે અનુવાદ આ રીતે થયો: "પાણી બીજે ક્યાંયથી આવે કે ન આવે, પાણી ત્યાં જ વહેવું જોઈએ." જોકે તેમણે તરત જ સ્પષ્ટતા કરી કે તેમની ટિપ્પણી કાવેરી પાણીના મુદ્દાનો ઉલ્લેખ કરે છે.</p><h4><b>ઉદયનિધિ સ્ટાલિનની કરવામાં આવી ધરપકડ&nbsp;</b></h4><p>ઉદયનિધિની ટિપ્પણીથી મોટો વિવાદ સર્જાયો. શાસક પક્ષે તેમના પર જાહેર સ્ટેજ પરથી એક મહિલા વિશે વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ મૂક્યો. વિવાદ વધ્યા બાદ ઉદયનિધિ સ્ટાલિનની 4 ઓગસ્ટના રોજ તેમના ચેન્નાઈ નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. તેમના ભાષણ અંગે તેમની સામે કેસ નોંધવામાં આવ્યો હતો; જોકે, બાદમાં તેમને જામીન આપવામાં આવ્યા હતા.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/Fg6lqqJjqlvCd953l6L9ipkfw3UMsO4DfzvfxNFC.webp'/></item><item><title><![CDATA[Ahmedabad મનપા ટેક્ષ વિભાગની લાલિયાવાડી: 10 ટકા ટેક્સ બિલનું વિતરણ હજુ પણ બાકી! ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-amc-property-tax-bill-distribution-delay</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-amc-property-tax-bill-distribution-delay</guid><pubDate>Tue, 08 Sep 2026 16:42:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ટેક્ષ વિભાગની લાલિયાવાડી અને ઢીલી કામગીરી સામે આવી છે. સમગ્ર શહેરમાં મિલકત વેરાના બિલ પહોંચાડવાની કામગીરી અત્યંત ગોકળગતિએ ચાલી રહી છે. ખુદ ટેક્ષ કમિટીના ચેરમેન મુકેશ પટેલના પોતાના ઝોનમાં પણ ટેક્સ બિલનું વિતરણ ઓછું થયું હોવાનું સામે આવ્યું છે, જેના કારણે મનપાની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>2.65 લાખથી વધુ ટેક્સ બિલનું વિતરણ હજુ પણ લટકેલું&nbsp;</b></h2><p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં મિલકતધારકો માટે કુલ 26 લાખ 51 હજાર 178 બિલ જનરેટ કરવામાં આવ્યા છે. જોકે, મનપાના કચેરી તંત્રની બેદરકારીના કારણે હજુ સુધી કુલ બિલના 10 ટકા જેટલા બિલ વિતરણ થવાના બાકી છે. શહેરમાં હજુ પણ 2 લાખ 77 હજાર 935 જેટલા બિલ કરદાતાઓ સુધી પહોંચાડવાના બાકી હોવાથી નાગરિકોમાં અસંતોષ ફેલાયો છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>પૂર્વ ઝોનમાં સૌથી ઓછું વિતરણ, પશ્ચિમ ઝોન પણ પાછળ&nbsp;</b></h3><p style="text-align: justify; ">બિલ વિતરણના આંકડાઓ પર નજર કરીએ તો શહેરમાં સૌથી ખરાબ સ્થિતિ પૂર્વ ઝોનમાં જોવા મળી છે, જ્યાં માત્ર 76.34 ટકા જ બિલનું વિતરણ થઈ શક્યું છે. આ સિવાય પશ્ચિમ ઝોનમાં પણ પરિસ્થિતિ ખાસ સારી નથી, ત્યાં માત્ર 82 ટકા બિલનું વિતરણ પૂરું થયું છે. સમયસર બિલ ન મળવાના કારણે કરદાતાઓને પણ રિબેટ યોજના કે ટેક્સ ભરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.&nbsp;</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/v5c9NfZ7u0q4Prik8VBnrEQfvkql59sqMSE8cA4n.webp'/></item><item><title><![CDATA[Samsung India Layoffs: સેમસંગે ભારતમાં 80થી 100 કર્મચારીઓની છટણી કરી, હવે કઇ કંપનીનો વારો? ]]></title><link>https://sandesh.com/india/news/world/samsung-india-layoffs-80-100-officials-job-cuts</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/world/samsung-india-layoffs-80-100-officials-job-cuts</guid><pubDate>Tue, 08 Sep 2026 16:33:08 +05:30</pubDate><description><![CDATA[<p>નોકરી કરતા લોકો માટે સપ્ટેમ્બર મહિનો ચિંતા સાથે શરૂ થયો છે. દુનિયાભરની અનેક મોટી ટેક્નોલોજી કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે. ભારતમાં સેમસંગે (Samsung) પણ પોતાના ટેલિવિઝન બિઝનેસ સાથે જોડાયેલા લગભગ 80 થી 100 કર્મચારીઓને નોકરી પરથી છુટા કરી દીધા છે. આ છટણી અલગ-અલગ તબક્કામાં કરવામાં આવી રહી છે અને તેમાં વિવિધ હોદ્દા પર કામ કરતા કર્મચારીઓ સામેલ છે.</p><p>બીજી તરફ, સપ્ટેમ્બરના શરૂઆતના 10 દિવસમાં દુનિયાભરમાં 6,300થી વધુ ટેક્નોલોજી નોકરીઓમાં કાપ મુકાયાના અહેવાલો સામે આવ્યા છે. ઉબર (uber), પેપાલ (Paypal), ઝોમેટો (Zomato) એપલ (Apple) અને ઓરેકલ (Oracle) જેવી મોટી કંપનીઓ કર્મચારીઓની સંખ્યા ઘટાડી રહી છે. કેટલીક કંપનીઓમાં હજુ છટણી થઈ નથી, પરંતુ તેની તૈયારી ચાલી રહી છે.</p><h2><b>કોની નોકરી ગઈ?</b></h2><p>ભારતમાં સેમસંગમાં થયેલી છટણી (Samsung layoffs) ટેલિવિઝન અને ઘરગથ્થુ ઉપકરણોના બિઝનેસ વિભાગમાં કરવામાં આવી છે. મીડિયા અહેવાલ મુજબ, કંપનીએ ડિરેક્ટર સ્તરના અધિકારીઓ, ટીમ હેડ અને મેનેજર સહિત અનેક હોદ્દા પર કામ કરતા લોકોને હટાવવાનો નિર્ણય લીધો છે.</p><p>કંપનીમાં તમામ કર્મચારીઓને એકસાથે હટાવવામાં આવી રહ્યા નથી. કર્મચારીઓને અલગ-અલગ તબક્કામાં બહાર કરવામાં આવી રહ્યા છે. કેટલાક કર્મચારીઓને તો નોટિસ પિરિયડ પૂરો કર્યા વિના જ કંપની છોડવા માટે કહેવામાં આવ્યું છે.</p><h2><b>કંપનીઓ શા માટે છટણી કરી રહી છે?</b></h2><p>આ પાછળનું સૌથી મોટું કારણ વધતો ખર્ચ અને બિઝનેસ પરનું દબાણ છે. કંપનીઓ ઓછા ખર્ચે વધુ કામ કરવા અને નફા પરનું દબાણ ઘટાડવા માંગે છે.</p><p>સેમસંગના કિસ્સામાં મેમરી ચિપની કિંમત ઘણી વધી ગઈ છે. આ ઉપરાંત રૂપિયો નબળો પડવાથી અને કાચા માલની વધતી કિંમતને કારણે કંપનીનો ખર્ચ પણ વધ્યો છે. બીજી તરફ, ભારતમાં સ્માર્ટફોનના વેચાણમાં પણ નબળાઈ જોવા મળી છે.</p><h2><b>અનેક મોટી કંપનીઓ પણ કરી રહી છે છટણી</b></h2><p>સપ્ટેમ્બરના શરૂઆતના 10 દિવસમાં દુનિયાની અનેક મોટી ટેક્નોલોજી કંપનીઓએ કર્મચારીઓની સંખ્યા ઘટાડી છે. ઉબર લગભગ 3,300 કર્મચારીઓની નોકરી ઘટાડવાની યોજના બનાવી રહી છે. આ તેના દુનિયાભરના કુલ કર્મચારીઓના લગભગ 10 ટકા છે.</p><p>ભારતમાં પેપાલ પોતાના કર્મચારીઓની સંખ્યામાં લગભગ 4 ટકાનો ઘટાડો કરવા જઈ રહી છે. તેનાથી લગભગ 220 કર્મચારીઓ પર અસર પડી શકે છે. બીજી તરફ, ઝોમેટો અને એપલે મળીને લગભગ 250 હોદ્દા નાબૂદ કર્યા છે. ઓરેકલમાં પણ મોટા પાયે કર્મચારીઓની સંખ્યા ઘટાડવામાં આવી હોવાના અહેવાલ છે.</p><h2><b>AI પણ બની રહ્યું છે એક કારણ</b></h2><p>કંપનીઓમાં છટણીનું એક કારણ બદલાતી ટેક્નોલોજી પણ છે. કંપનીઓ હવે AI ટેક્નોલોજી પર વધુ પૈસા ખર્ચી રહી છે. તેના કારણે કેટલાક એવા કામ ઓછા થઈ રહ્યા છે, જે અગાઉ મોટી સંખ્યામાં કર્મચારીઓ કરતા હતા.</p><p>કોરોના મહામારી દરમિયાન જરૂરિયાત કરતાં વધુ કર્મચારીઓની ભરતી થઈ ગઈ હતી. કંપનીઓ હવે તેમાં પણ ઘટાડો કરી રહી છે.</p><h2><b>શું હજુ વધુ છટણી થશે?</b></h2><p>મીડિયા અહેવાલ મુજબ, દિવાળી બાદ કંપની કર્મચારીઓની સંખ્યાની ફરી સમીક્ષા કરી શકે છે. જોકે, હાલમાં મોબાઇલ બિઝનેસમાં મોટા પાયે છટણી કરવાની કોઈ યોજના બનાવવામાં આવી નથી.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/Y1xOGEF73361dV9MMrZV7A3TYEacIcPzxR0RJctt.webp'/></item><item><title><![CDATA[The Family Man Season 4: ક્યારે આવશે 'ધ ફેમિલી મેન-4'? મનોજ બાજપેયીએ શેર કરી મોટી અપડેટ ]]></title><link>https://sandesh.com/entertainment/news/the-family-man-season-4-manoj-bajpayee-update</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/the-family-man-season-4-manoj-bajpayee-update</guid><pubDate>Tue, 08 Sep 2026 16:16:17 +05:30</pubDate><description><![CDATA[<p>મનોજ બાજપેયી (Manoj Bajpayee)ની ‘ધ ફેમિલી મેન’ (The Family Man) ની 3 સિઝન આવી ચૂકી છે અને ત્રણેય સિઝન હિટ રહી છે. હવે ચાહકો તેની ચોથી સિઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ હિટ સિરીઝમાં મનોજ બાજપેયીએ ઇન્ટેલિજન્સ ઓફિસર શ્રીકાંત તિવારી (Srikant Tiwari)ની ભૂમિકામાં ઘણી લોકપ્રિયતા મેળવી છે. હવે અભિનેતાએ આખરે ‘ધ ફેમિલી મેન સિઝન 4’ (The Family Man Season 4)ને લઈને મોટું અપડેટ આપ્યું છે. ચાલો જાણીએ આ બહુ અપેક્ષિત સિરીઝ ક્યારે આવશે?</p><h2><b>‘ધ ફેમિલી મેન 4’ અંગે આપ્યું મોટું અપડેટ</b></h2><p>મનોજ બાજપેયીએ તાજેતરમાં ‘ધ ફેમિલી મેન’ની સિઝન 4 અંગે મોટું અપડેટ આપતાં કહ્યું, “વાતચીત ટૂંક સમયમાં શરૂ થશે. આ ખૂબ સારી વાત છે કે આ એટલી મોટી ફ્રેન્ચાઇઝી બની ગઈ છે કે બાળક હોય કે મોટું, દરેક વ્યક્તિ તેના વિશે પૂછતું રહે છે. એકવાર ચોથી સિઝન અંગે વાતચીત શરૂ થશે, ત્યાર બાદ સ્ક્રિપ્ટ ફાઇનલ કરવામાં આવશે અને પછી અમને તૈયારી શરૂ કરવા અને અમારી તારીખો આપવા માટે બોલાવવામાં આવશે.”</p><h2><b>‘શ્રીકાંત તિવારી’નું પાત્ર છે ખૂબ લોકપ્રિય</b></h2><p>‘ધ ફેમિલી મેન’ સિરીઝમાં શ્રીકાંત તિવારીનું પાત્ર મનોજ બાજપેયીના સૌથી લોકપ્રિય પાત્રોમાંનું એક છે. સિરીઝમાં મનોજ એક એવા ઇન્ટેલિજન્સ ઓફિસરની ભૂમિકામાં છે, જેના પર દેશ બચાવવાની જવાબદારી છે અને એક પછી એક મુશ્કેલ કેસ ઉકેલવાની સાથે મધ્યમવર્ગીય પરિવારના રોજિંદા જીવનના દબાણનો પણ સામનો કરે છે. સિરીઝની તમામ સિઝનમાં આ પાત્ર ચાહકોનું ફેવરિટ બની ગયું છે.</p><h2><b>‘ધ ફેમિલી મેન’ સિઝન 3માં શું થયું હતું?</b></h2><p>સિરીઝની સિઝન 3માં અગાઉની સિઝનની કહાણી અને ટકરાવથી અલગ વાર્તા બતાવાઇ હતી. શ્રીકાંતને નોર્થ-ઈસ્ટ ઇન્ડિયા લઈ જવામાં આવ્યો હતો. તેની કહાણી ‘પ્રોજેક્ટ સહકાર’ની આસપાસ ફરે છે, જે આ વિસ્તારના વિકાસ માટે શરૂ કરવામાં આવેલી સરકારી પહેલ હતી.&nbsp; જયદીપ અહલાવતનું પાત્ર ‘રુકમા’ આ વિસ્તારના મહત્વના નેતાઓની હત્યા કરી નાખે છે. આ ઘટનાથી મોટું રાજકીય અને સુરક્ષા સંકટ ઊભું થાય છે, જેના કારણે શ્રીકાંતને ફરી એક ખતરનાક મિશન શરૂ કરવું પડે છે. તેની સાથે જ શ્રીકાંત પોતાના અંગત જીવનના પડકારોનો પણ સામનો કરતા જોવા મળે છે.</p><h2><b>મનોજ બાજપેયીનું વર્ક ફ્રન્ટ</b></h2><p>‘ધ ફેમિલી મેન’ ઉપરાંત મનોજ બાજપેયી અરવિંદ અડિગાની 2011માં આવેલી નવલકથા પર આધારિત ‘લાસ્ટ મેન ઇન ટાવર’ની તૈયારી કરી રહ્યા છે. તેમાં તેઓ યોગેશ મૂર્તિનું પાત્ર ભજવી રહ્યા છે, જેમને ‘માસ્ટરજી’ તરીકે પણ ઓળખવામાં આવે છે.</p><p>પોતાના પાત્ર વિશે મનોજે કહ્યું, “માસ્ટરજી જિદ્દી છે, પોતાના સિદ્ધાંતો પર અડગ રહે છે અને જેને સાચું કે ખોટું માને છે, તેના પર કાયમ રહે છે. તેઓ પત્ની વગરના વૃદ્ધ વ્યક્તિ છે, જે પોતાની ગરિમા સાથે જરાય સમાધાન કરવા માંગતા નથી અને તેઓ નથી ઇચ્છતા કે તેમના દીકરાને કારણે તેમને ક્યારેય દુઃખ થાય.”</p><p>મનોજ બાજપેયીએ એ પણ જણાવ્યું કે તેમણે પોતાના એક્શન સીન જાતે જ કર્યા છે, જેમાં ક્લાઇમેક્સનો સીન પણ સામેલ છે. તેમણે સ્વીકાર્યું કે ઉંમર વધવાની સાથે શારીરિક રીતે મુશ્કેલ સીન કરવા પડકારજનક બની ગયા છે, પરંતુ તેમ છતાં તેમણે કોઈ બોડી ડબલની મદદ વગર આ સીન કર્યા છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/hz8k3ZQLMsuGeYrIl8lYJRbppiD76fuhez0V2l2s.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News : રૂ.25 લાખની ખંડણી મામલે NSUI સામે ABVP આક્રમક! કડક કાર્યવાહીની માગ સાથે SP ને સોંપાયું આવેદનપત્ર ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gandhinagar--abvp-protests-against-nsui-leader-over--25-lakh-extortion-demand</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gandhinagar--abvp-protests-against-nsui-leader-over--25-lakh-extortion-demand</guid><pubDate>Tue, 08 Sep 2026 16:14:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">=ગાંધીનગર ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા કલોલ સ્થિત સ્વામિનારાયણ યુનિવર્સિટી પાસે કથિત રીતે માંગવામાં આવેલી રૂ.25 લાખની ખંડણીના મામલે આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ સમગ્ર મામલામાં NSUI ના નેતા સુધીર રાવલ સામે યુનિવર્સિટી સંચાલકો પાસેથી જંગી રકમની ખંડણી માંગવાનો આક્ષેપ થયો છે. આ ઘટનાને પગલે રાજ્યના વિદ્યાર્થી રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે અને ABVP એ આ મુદ્દાને લઈને રસ્તા પર ઉતરી મોરચો માંડ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>મહંત સ્વામીએ નોંધાવી પોલીસ ફરિયાદ</b></h2><p style="text-align: justify; ">બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, કલોલની સ્વામિનારાયણ યુનિવર્સિટીના મહંત સ્વામી દ્વારા કલોલ પોલીસ મથકે કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં સ્પષ્ટ દાવો કરવામાં આવ્યો છે કે NSUI નેતા સુધીર રાવલે યુનિવર્સિટી પાસે રૂ.25 લાખની ગેરકાયદે ખંડણીની માગણી કરી હતી. શૈક્ષણિક સંસ્થાઓને બ્લેકમેઇલ કરી ખંડણી ઉઘરાવવાના આ ગંભીર આક્ષેપો સામે આવ્યા બાદ ABVP ના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને NSUI તથા તેના નેતા સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને કડક વિરોધ નોંધાવ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>ગાંધીનગર SP ને પાઠવવામાં આવ્યું આવેદનપત્ર</b></h2><p style="text-align: justify; ">વિરોધ પ્રદર્શનના અંતે ABVP ના પ્રતિનિધિઓ અને કાર્યકરો દ્વારા ગાંધીનગર જિલ્લા પોલીસ વડા (SP) ને રૂબરૂ મળીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે શિક્ષણ જગતને બદનામ કરતા અને ખંડણીખોરી આચરતા NSUI નેતા સુધીર રાવલ સામે કોઈ પણ શેહશરમ વગર તાત્કાલિક અને કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. પોલીસે પણ આવેદનપત્ર સ્વીકારીને મહંત સ્વામીની ફરિયાદના આધારે આગળની ધોરણસરની તપાસ તેજ કરી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/junagadh/killer-dumper-overturns-on-car-in-junagadh-miraculous-rescue-of-2-people-heart-wrenching-incident-captured-on-cctv" target="_blank">Junagadhમાં કિલર ડમ્પર કાર પર પલટી માર્યું! 2 લોકોનો ચમત્કારિક બચાવ, સમગ્ર કાળજા કંપાવનારી ઘટના CCTV માં કેદ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/puJITuDOdB0N1z9OmPWeWLVamJykaOz9BLpVDry2.webp'/></item><item><title><![CDATA[Bullet Train: મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડશે દેશની પ્રથમ બુલેટ ટ્રેન, જાણો રુટ અને ક્યારે શરૂ થશે ]]></title><link>https://sandesh.com/business/news/india/india-first-bullet-train-mumbai-ahmedabad-trial-may-2027-surat-bilimora</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/india-first-bullet-train-mumbai-ahmedabad-trial-may-2027-surat-bilimora</guid><pubDate>Tue, 08 Sep 2026 15:59:17 +05:30</pubDate><description><![CDATA[<p>India’s first Bullet Train:મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે મહત્વપૂર્ણ તબક્કામાં પહોંચી ગયો છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે જણાવ્યું કે પ્રોજેક્ટનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. ખાસ વાત એ છે કે ટેસ્ટિંગ માટેનો પ્રથમ બુલેટ ટ્રેન કોચ તૈયાર થઈ ગયો છે. મે 2027માં દેશની પાટા પર બુલેટ ટ્રેનનું ટ્રાયલ શરૂ થવાની શક્યતા છે.</p><p><b>‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ સ્વદેશી હાઇ-સ્પીડ ટ્રેન</b></p><p>બુલેટ ટ્રેન માટે ભારત માત્ર વિદેશી ટેક્નોલોજી પર નિર્ભર નથી. ‘મેક ઇન ઇન્ડિયા’ અંતર્ગત દેશ પોતાની હાઇ-સ્પીડ ટ્રેન પણ વિકસાવી રહ્યો છે. ભારતની પ્રથમ સ્વદેશી હાઇ-સ્પીડ ટ્રેનને ‘B-28’ કોડનેમ આપવામાં આવ્યું છે. ચેન્નાઈની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) દ્વારા તેનો કોન્ટ્રાક્ટ BEML લિમિટેડને આપવામાં આવ્યો છે. આ ટ્રેનને આગળના ટેક્નિકલ કાર્ય માટે પણ મોકલવામાં આવી છે.</p><p><b>મુંબઈ-અમદાવાદનું અંતર માત્ર 2 કલાકમાં</b></p><p>હાલ મુંબઈથી અમદાવાદ વચ્ચેની 508 કિલોમીટરની મુસાફરીમાં લગભગ 6થી 8 કલાકનો સમય લાગે છે. બુલેટ ટ્રેન શરૂ થયા બાદ આ સમય ઘટીને આશરે 2 કલાક થઈ જશે. ટ્રેનને 250થી 280 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવવાની યોજના છે. જ્યારે ટ્રેકને ભવિષ્યમાં 350 કિલોમીટર પ્રતિ કલાકની ડિઝાઇન સ્પીડને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહ્યો છે.</p><p><b>સૌપ્રથમ સુરત-બિલીમોરા રૂટ પર દોડશે</b></p><p>બુલેટ ટ્રેન સેવા તબક્કાવાર શરૂ કરવામાં આવશે. સૌપ્રથમ સુરતથી બિલીમોરા વચ્ચેના વિભાગમાં ટ્રેન દોડાવવાની યોજના છે. વાપી-સુરત સેક્શનનું સિવિલ કન્સ્ટ્રક્શન ડિસેમ્બર 2026 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. સમગ્ર કોરિડોર પર ઓગસ્ટ 2027 સુધીમાં હાઇ-સ્પીડ રેલ સેવા શરૂ થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.</p><p><b>12 આધુનિક સ્ટેશનોનું નિર્માણ</b></p><p>મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ કોરિડોર મહારાષ્ટ્ર, ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાંથી પસાર થશે. સમગ્ર માર્ગ પર કુલ 12 આધુનિક સ્ટેશનો બનાવવામાં આવી રહ્યા છે. તેમાં મુંબઈનું બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) ખાસ મહત્વ ધરાવે છે, કારણ કે અહીં દેશનું પ્રથમ અંડરગ્રાઉન્ડ બુલેટ ટ્રેન સ્ટેશન બની રહ્યું છે.</p><p><b>સ્થાનિક સંસ્કૃતિની ઝલક જોવા મળશે</b></p><p>આ રૂટ પર ઠાણે, વિરાર, બોઇસર, વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ/નડિયાદ અને અમદાવાદ સહિતના સ્ટેશનોનો સમાવેશ થાય છે અને અંતે ટ્રેન સાબરમતી પહોંચશે. દરેક સ્ટેશનની ડિઝાઇનમાં સ્થાનિક સંસ્કૃતિ અને વારસાની ઝલક જોવા મળશે. મુસાફરોને આધુનિક સુવિધાઓ ઉપરાંત અન્ય પરિવહન વ્યવસ્થાઓ સાથે સારી કનેક્ટિવિટી પણ મળશે.</p><p><b>2017માં પ્રોજેક્ટનો પાયો નંખાયો હતો</b></p><p>ભારતમાં હાઇ-સ્પીડ રેલ નેટવર્કની શરૂઆત માટે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો શિલાન્યાસ સપ્ટેમ્બર 2017માં કરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટનો હેતુ માત્ર મુસાફરીનો સમય ઘટાડવાનો નથી, પરંતુ મુસાફરોને ઝડપી, સુરક્ષિત અને આરામદાયક પરિવહનનો અનુભવ આપવાનો પણ છે.</p><p><b>આર્થિક વિકાસને પણ મળશે વેગ</b></p><p>સરકારના મતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી મુંબઈ અને અમદાવાદ વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. સાથે જ રૂટ આસપાસના વિસ્તારોમાં વેપાર, રોજગાર અને અન્ય આર્થિક પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન મળી શકે છે. રેલવે મંત્રીની તાજેતરની સમીક્ષા બાદ પ્રોજેક્ટનું કામ ઝડપથી આગળ વધી રહ્યું હોવાનું સામે આવ્યું છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/business/beml-india-first-indigenous-bullet-train-866-crore-contract" target="_blank">આ પણ વાંચો: Bullet Train બનાવશે આ ભારતીય કંપની, 866 કરોડનું છે બજેટ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/eHo56B3gTRS4zfAHhfzar95LbfAKukVCzYTnOhM9.webp'/></item><item><title><![CDATA[Suratના લિંબાયતમાં ઘરફોડ ચોરી મામલે કુખ્યાત આરોપીની ધરપકડ, 'ફેસ મેચ' એપ્લિકેશને ખોલી પોલ! ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-limbayat-house-breaking-case-face-match-accused</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-limbayat-house-breaking-case-face-match-accused</guid><pubDate>Tue, 08 Sep 2026 15:54:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતના લિંબાયતમાં બનેલી એક મોટી ઘરફોડ ચોરીની ઘટનામાં સુરત પોલીસને સફળતા મળી છે. ગત 7 તારીખના રોજ ડૂભાલ ફાયર સ્ટેશનના ફાયર ઓફિસરના બંધ ઘરમાં અજ્ઞાત તસ્કરોએ ત્રાટકીને લાખો રૂપિયાની કિંમતી મત્તાની ચોરી કરી હતી. આ બનાવ અંગે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા જ પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળની મુલાકાત લઈ આજુબાજુના સીસીટીવી (CCTV) ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>'ફેસ મેચ' ટેકનોલોજીથી આરોપીની ધરપકડ</b></h2><p style="text-align: justify;">પોલીસે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને 'ફેસ મેચ' (Face Match) એપ્લિકેશન દ્વારા શંકાસ્પદ વ્યક્તિના ચહેરાની ચકાસણી કરી હતી. આ ટેકનોલોજીની મદદથી આરોપીની ઓળખ અંકુશ કાલે તરીકે થઈ હતી. પકડાયેલ આરોપી સામાન્ય ચોર નથી, પરંતુ તેની સામે અગાઉ ચોરી, ઘરફોડ અને મારામારી જેવા 102થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ શાતીર ગુનેગાર લાંબા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓ આચરી રહ્યો હતો, પરંતુ આ વખતે આધુનિક ડિજિટલ ટેકનોલોજીની મદદથી પોલીસ તેને ઝડપી પાડવામાં સફળ રહી છે.</p><h3 style="text-align: justify; "><b>5થી વધુ ચોરીના ભેદ ઉકેલાયા</b></h3><p style="text-align: justify;">પોલીસે કુખ્યાત આરોપી અંકુશ કાલેની ધરપકડ કરીને તેની પાસેથી 116 ગ્રામ સોનાના દાગીના તેમજ 246 ગ્રામ ચાંદીના ઘરેણાં સહિત કુલ 15 લાખ રૂપિયાથી વધુની કિંમતનો ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો છે. આ સફળ કામગીરીથી માત્ર ફાયર ઓફિસરના ઘરની ચોરી જ નહીં, પરંતુ લિંબાયત અને આસપાસના વિસ્તારોમાં થયેલી અન્ય ૫થી વધુ ઘરફોડ ચોરીના વણઉકેલાયેલા ભેદ પણ ઉકેલાઈ ગયા છે. પોલીસની આ ત્વરિત અને સફળ કામગીરીથી સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે.</p><p style="text-align: justify;"><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/KRGQzAdpId2IhzK2taXWyr3G0cxC7ZYkfPV615kY.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : 60 ટકા આંગણવાડીઓ ભાડાના મકાનમાં, કોર્પોરેશનના કરોડોના બજેટ વચ્ચે ચોંકાવનારી હકીકત ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-60-percent-anganwadi-rented-buildings-amc-budget</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-60-percent-anganwadi-rented-buildings-amc-budget</guid><pubDate>Tue, 08 Sep 2026 15:48:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદમાં આંગણવાડીઓને લઈને ચોંકાવનારી વિગતો સામે આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 2,128 આંગણવાડીઓ ચલાવવામાં આવી રહી છે. જોકે, આમાંથી 1,295 આંગણવાડીઓ ભાડાના મકાનમાં કાર્યરત હોવાનું સામે આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>60 ટકા આંગણવાડીઓ આજે પણ ભાડાના મકાનમાં</b></h2><p style="text-align: justify; ">એટલે કે, અમદાવાદ શહેરની લગભગ 60 ટકા આંગણવાડીઓ આજે પણ ભાડાના મકાનમાં ચાલી રહી છે. કરોડો રૂપિયાનું વાર્ષિક બજેટ ધરાવતા કોર્પોરેશન સામે હવે આ મુદ્દે સવાલો ઊભા થયા છે.</p><h3 style="text-align: justify; "><b>દર મહિને ભાડા પાછળ કેટલો ખર્ચ થાય છે?</b></h3><p style="text-align: justify; ">અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડીઓ માટે દર મહિને અંદાજે 8 હજારથી 14 હજાર રૂપિયા સુધીનું ભાડું ચૂકવવામાં આવી રહ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>યોજન પર પણ પ્રશ્નો ઊભા થયા</b></h3><p style="text-align: justify; ">એક તરફ શહેરમાં મોટી સંખ્યામાં આંગણવાડીઓ માટે દર મહિને ભાડાનો ખર્ચ થઈ રહ્યો છે, ત્યારે વર્ષો સુધી આ ખર્ચ ચાલુ રાખવા પાછળના આયોજન પર પણ પ્રશ્નો ઊભા થયા છે.</p><h4 style="text-align: justify; "><b>પોતાની જમીન છતાં કાયમી મકાનો કેમ નહીં?</b></h4><p style="text-align: justify; ">અમદાવાદમાં કુલ 2,128 આંગણવાડીઓમાંથી માત્ર 603 આંગણવાડીઓ જ કોર્પોરેશનના પોતાના મકાનમાં કાર્યરત છે. જ્યારે 1,295 આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચાલી રહી છે. આ સ્થિતિ વચ્ચે મોટો સવાલ એ ઊભો થયો છે કે, જો કોર્પોરેશન વર્ષોથી આંગણવાડીઓના ભાડા પાછળ મોટી રકમ ખર્ચી રહ્યું છે તો કોર્પોરેશનની પોતાની જમીન પર કાયમી આંગણવાડીઓનું નિર્માણ કેમ કરવામાં આવતું નથી?</p><h4 style="text-align: justify; "><b>હવે ખાલી પ્લોટોની યાદી મંગાવાઈ</b></h4><p style="text-align: justify; ">આ મુદ્દે મહિલા અને બાળ વિકાસ કમિટીના ચેરમેન દ્વારા મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ, કોર્પોરેશનના ખાલી પ્લોટ પર આંગણવાડીઓ બનાવવા માટે તંત્ર પાસેથી ખાલી પ્લોટોની યાદી મંગાવવામાં આવી છે. હવે તંત્ર દ્વારા ખાલી જમીનોની યાદી મળ્યા બાદ કોર્પોરેશનની પોતાની જમીન પર નવી અને કાયમી આંગણવાડીઓ બનાવવાની પ્રક્રિયા આગળ વધે છે કે નહીં, તેના પર નજર રહેશે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-gujarat-drowning-deaths-1999-river-lake-check-dam-water-safety#google_vignette" target="_blank"><b>Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/cJGyLvU8KxdywtK75WBAjO3g2qt0PZ3tWfMXsNyt.webp'/></item><item><title><![CDATA[Malaysia : 72 વર્ષના ફૂટબોલ દિગ્ગજે 20 વર્ષની યુવતી સાથે કર્યા લગ્ન, તસવીરો વાયરલ થતાં પરિવારે કરી પુષ્ટિ ]]></title><link>https://sandesh.com/world/news/sports/malaysia-football-legend-abdul-alif-marriage-72-year-old-20-year-old-wife</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/sports/malaysia-football-legend-abdul-alif-marriage-72-year-old-20-year-old-wife</guid><pubDate>Mon, 07 Sep 2026 23:00:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મલેશિયન ફૂટબોલના દિગ્ગજ અને પૂર્વ હરિમાઉ મલાયા સ્ટાર દાતુક અબ્દુલ અલિફે 72 વર્ષની ઉંમરે પોતાના જીવનનો નવો અધ્યાય શરૂ કર્યો છે. સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો વાયરલ થયા બાદ તેમના પરિવારે લગ્નની સત્તાવાર પુષ્ટિ કરી છે. અહેવાલ મુજબ 27 ઓગસ્ટે યોજાયેલા ખાનગી સમારંભમાં અબ્દુલ અલિફે પોતાની જીવનસંગિની સાથે નિકાહ કર્યા હતા. તેમની પત્નીની ઉંમર 20 વર્ષ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>લગ્નની ખબર કોણે કરી કન્ફર્મ?</b></h2><p style="text-align: justify; ">અબ્દુલ અલિફના નાના ભાઈ અને પૂર્વ ખેલાડી તથા કોચ દાતુક યુનુસ અલિફે લગ્નની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે 27 ઓગસ્ટે બંનેના લગ્ન થયા હતા અને બંને પરિવારોની સંમતિ તથા આશીર્વાદ સાથે આ સંબંધ બંધાયો છે. પરિવાર દ્વારા નવદંપતીના સુખી દાંપત્ય જીવન માટે શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>ફોન નહીં ઉઠાવતા ભાઈએ શું કહ્યું?</b></h3><p style="text-align: justify; ">લગ્ન બાદ અબ્દુલ અલિફ મીડિયા સંપર્કમાં ન આવતા તેમના ભાઈ યુનુસ અલિફે જણાવ્યું હતું કે તેઓ સંભવતઃ હનીમૂન પર હોવાથી ફોનનો જવાબ આપી શકતા નથી.જોકે પરિવારે સ્પષ્ટ કર્યું છે કે બંનેના નિકાહ થઈ ચૂક્યા છે અને પરિવાર તરફથી બંનેને શુભકામનાઓ આપવામાં આવી છે.</p><h4 style="text-align: justify; "><b>મલેશિયન ફૂટબોલના દિગ્ગજ રહ્યા છે અબ્દુલ અલિફ</b></h4><p style="text-align: justify; ">અબ્દુલ અલિફ મલેશિયન ફૂટબોલ ઇતિહાસના જાણીતાં ખેલાડીઓમાં સામેલ રહ્યા છે. 1970ના અંતિમ વર્ષો અને 1980ના શરૂઆતના સમયમાં મલેશિયન ફૂટબોલના સફળ સમયગાળામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.તેઓ તે મલેશિયન ટીમના સભ્ય હતા જેણે ક્વોલિફાઇંગ મેચમાં દક્ષિણ કોરિયાને 2-1થી હરાવી 1980ના મોસ્કો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું.</p><h4 style="text-align: justify; "><b>ઓલિમ્પિક રમવાનું સપનું કેમ અધૂરું રહ્યું?</b></h4><p style="text-align: justify; ">મલેશિયાએ સોવિયેત સંઘના અફઘાનિસ્તાન પરના આક્રમણના વિરોધમાં 1980ના મોસ્કો ઓલિમ્પિકનો બહિષ્કાર કર્યો હતો. જેના કારણે અબ્દુલ અલિફ સહિત અનેક ખેલાડીઓનું ઓલિમ્પિકમાં રમવાનું સપનું અધૂરું રહી ગયું હતું. લાંબા સમય સુધી વ્યાવસાયિક ફૂટબોલ અને મીડિયા લાઇમલાઇટથી દૂર રહ્યા બાદ આ દિગ્ગજ ખેલાડી હવે પોતાના અંગત જીવનના નવા નિર્ણયને કારણે ફરી ચર્ચામાં આવ્યા છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">&nbsp; આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-gujarat-drowning-deaths-1999-river-lake-check-dam-water-safety" target="_blank"><b>Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/oQuxxQEBdhQdWmZFxk2LOPbwDJRpf6zDEmwi2pJ3.webp'/></item></channel></rss>