<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Auto News: જાણો ભારતીય રસ્તાઓ માટે સૌથી સુરક્ષિત 5-સ્ટાર રેટિંગ ધરાવતી હેચબેક કારો વિશે ]]></title><link>https://sandesh.com/business/news/automobile/india-5-star-safety-cars-altroz-punch-hatchback</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/india-5-star-safety-cars-altroz-punch-hatchback</guid><pubDate>Tue, 15 Sep 2026 21:19:32 +05:30</pubDate><description><![CDATA[<p>નવી કાર ખરીદતી વખતે મોટાભાગના લોકો કિંમત, માઇલેજ અને લેટેસ્ટ ફીચર્સ પર ખાસ ધ્યાન આપતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં ગ્રાહકોની પસંદગી બદલાઈ છે અને હવે લોકો સેફ્ટીને પણ પ્રાથમિકતા આપી રહ્યા છે. ખાસ કરીને જ્યારે પરિવાર માટે કાર લેવાની હોય, ત્યારે મજબૂત બિલ્ડ ક્વોલિટી અને સારી સેફ્ટી રેટિંગ સૌથી મહત્વપૂર્ણ બની જાય છે.</p><h2><b>અન્ય લોકપ્રિય કારોની રેટિંગ</b></h2><p>ભારતમાં કેટલીક એવી હેચબેક કારો છે જેણે ક્રેશ ટેસ્ટમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મેળવ્યું છે. ટાટા અલ્ટ્રોઝ (Tata Altroz) અને ટાટા પંચ (Tata Punch) આ લિસ્ટમાં અગ્રણી છે, જ્યારે કેટલીક અન્ય લોકપ્રિય કારોની રેટિંગ આનાથી અલગ છે. ચાલો આ સુરક્ષિત કારો વિશે વિગતે જાણીએ.</p><h3><b>5 સ્ટાર સેફ્ટી રેટિંગ ધરાવતી પ્રીમિયમ હેચબેક: ટાટા અલ્ટ્રોઝ</b></h3><p>ટાટા અલ્ટ્રોઝ એ ભારતની સૌથી લોકપ્રિય અને પ્રીમિયમ હેચબેક કારોમાંથી એક છે. સુરક્ષાના દ્રષ્ટિકોણથી આ કારે ભારતીય માર્કેટમાં એક નવો બેંચમાર્ક સ્થાપિત કર્યો છે. અલ્ટ્રોઝને ગ્લોબલ NCAP (Global NCAP) અને ભારત NCAP (Bharat NCAP) બંને ક્રેશ ટેસ્ટમાં પૂર્ણ 5 સ્ટાર સેફ્ટી રેટિંગ પ્રાપ્ત થયેલ છે. જે લોકો માટે કાર ખરીદતી વખતે સુરક્ષા સૌથી પહેલી શરત હોય છે, તેમના માટે આ કાર પહેલી પસંદ બની ગઈ છે.</p><h4><b>અલ્ટ્રોઝના પાવરફુલ ફીચર્સ અને દૈનિક વપરાશ</b></h4><p>ટાટા અલ્ટ્રોઝ માત્ર સેફ્ટીમાં જ નહીં પરંતુ વર્સેટિલિટીમાં પણ આગળ છે. આ કારમાં ગ્રાહકોને પેટ્રોલ, ડીઝલ અને ફેક્ટરી-ફિટેડ CNG જેવા વિવિધ એન્જિન વિકલ્પો મળે છે. તેની મજબૂત બોડી બિલ્ડ ક્વોલિટી અને આકર્ષક ગોલ્ડન રેશિયો ડિઝાઇન તેને રોડ પર એક અલગ ઓળખ આપે છે. સિટીમાં રોજિંદા કમ્યુટિંગ માટે હોય કે પછી હાઇવે પર લાંબા અંતરની સફર માટે, અલ્ટ્રોઝ એક આરામદાયક અને સુરક્ષિત ડ્રાઇવિંગ અનુભવ પૂરો પાડે છે.</p><p><img alt="India's safest hatchback cars" src="https://epapercdn.sandesh.com/images/2026/09/15/OhT6fvW7MYXsNJtS98U0QIwNujGW5rIjUgDeyfFQ.webp"><br></p><h5><b>માઇક્રો SUV લુક અને 5 સ્ટાર રેટિંગ: ટાટા પંચ</b></h5><p>ટાટા પંચની ડિઝાઇનમાં સામાન્ય હેચબેક કરતાં થોડી અલગ અને અનોખી શૈલી જોવા મળે છે. તેને માઇક્રો SUV તરીકે પણ ઓળખવામાં આવે છે. કદમાં નાની હોવા છતાં, આ કાર તેની મજબૂત બોડી લાઇન અને ઉત્તમ સેફ્ટી ફીચર્સ માટે જાણીતી છે. ટાટા પંચને પણ ગ્લોબલ NCAP અને ભારત NCAP ના ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મળેલ છે. નાની કારમાં પણ સુરક્ષા સાથે કોઈ સમાધાન ન થઈ શકે, તે આ કારે સાબિત કરી બતાવ્યું છે.</p><h6><b>ટાટા પંચની ખાસિયતો અને સુવિધાઓ</b></h6><p>ટાટા પંચની સૌથી મોટી ખાસિયત એનું કોમ્પેક્ટ સાઈઝ છે. સિટીના ટ્રાફિક અને સાંકડી ગલીઓમાં આ કારને ડ્રાઇવ કરવી અને પાર્ક કરવી ખૂબ જ સરળ રહે છે. આ ઉપરાંત, તેમાં હાઇ સીટિંગ પોઝિશન (High Seating Position) મળે છે, જેનાથી ડ્રાઇવરને સામેના રોડનો સ્પષ્ટ અને બહેતર વ્યુ મળે છે. જે ગ્રાહકોને બજેટ અને કોમ્પેક્ટ સાઈઝમાં SUV જેવો લુક, ઊંચાઈ અને શ્રેષ્ઠ સેફ્ટી જોઈતી હોય, તેમના માટે ટાટા પંચ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.</p><p><b>અન્ય લોકપ્રિય હેચબેક કારો પર એક નજર</b></p><p>ભારતીય માર્કેટમાં સ્વિફ્ટ (Swift), બલેનો (Baleno), ટિયાગો (Tiago) અને i20 પણ ખૂબ પસંદ કરવામાં આવતી હેચબેક કારો છે. મારુતિ સુઝુકી સ્વિફ્ટ તેની ઉત્તમ માઇલેજ, સરળ ડ્રાઇવિંગ અને ઓછી મેન્ટેનન્સ કોસ્ટના કારણે પ્રખ્યાત છે. મારુતિ બલેનોમાં મોટો કેબિન સ્પેસ અને આધુનિક ફીચર્સ મળે છે. ટાટા ટિયાગો બજેટ સેગમેન્ટમાં 4 સ્ટાર સેફ્ટી રેટિંગ સાથે આવે છે. જ્યારે હ્યુન્ડાઇ i20 તેના પ્રીમિયમ ઇન્ટિરિયર અને ગ્લેમરસ લુક માટે જાણીતી છે.</p><p><b>કાર ખરીદતી વખતે સેફ્ટી રેટિંગનું મહત્વ</b></p><p>જોકે સ્વિફ્ટ, બલેનો અને i20 જેવી કારો ફીચર્સ અને સેલ્સના મામલે આગળ હોઈ શકે છે, પરંતુ તેમની સેફ્ટી રેટિંગ અલ્ટ્રોઝ અને પંચના 5 સ્ટાર સ્ટાન્ડર્ડ કરતાં અલગ છે. તેથી, જ્યારે પણ તમે પરિવાર માટે નવી કાર ખરીદવાનો નિર્ણય લો, ત્યારે માત્ર માઇલેજ, લુક કે ઇન્ફોટેનમેન્ટ ફીચર્સ જોઈને નિર્ણય ન લો. કારની બોડી શેલ ઇન્ટેગ્રિટી અને NCAP સેફ્ટી રેટિંગ ચોક્કસ ચકાસો, કારણ કે રસ્તા પર તમારી અને તમારા પરિવારની સુરક્ષા જ સૌથી મહત્વપૂર્ણ છે.</p><p><a href="https://sandesh.com/automobile" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/0HLacQVeF2QXU5FFjOjgLD9XzN9eUhPg3S2fn36o.webp'/></item><item><title><![CDATA[Thangadh: તરણેતરના મેળામાં 'મોતનો કૂવો' તૂટી પડતા ભાગદોડ, વઢવાણની ઘટના બાદ રાઇડ તૂટવાનો બીજો કિસ્સો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/thangadh/tarnetar-mela-ride-collapse-than-gadh-surendranagar-permission-questioned</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/thangadh/tarnetar-mela-ride-collapse-than-gadh-surendranagar-permission-questioned</guid><pubDate>Tue, 15 Sep 2026 20:48:02 +05:30</pubDate><description><![CDATA[<p>સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે યોજાયેલા વિશ્વપ્રસિદ્ધ તરણેતરના ભાતીગળ મેળામાં મોટી દુર્ઘટના સર્જાતાં બચી ગઈ છે. મેળામાં ચાલી રહેલા 'મોતનો કૂવો' રાઇડનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો. બનાવને પગલે મેળામાં આવેલા ખેલૈયાઓ અને મુલાકાતીઓમાં ભારે ભાગદોડ અને અફરાતફરી મચી ગઈ હતી.</p><h2><b>ભાતીગળ મેળામાં મોટી દુર્ઘટના સર્જાતાં બચી</b></h2><p>આ અકસ્માતમાં આજુબાજુમાં ઉભેલા લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, પરંતુ સદનસીબે કોઈ મોટી જાનહાનિ કે ગંભીર ઈજા ન થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં મેળામાં રાઇડ દુર્ઘટનાની આ સતત બીજી ઘટના છે. ગત ૭ સપ્ટેમ્બરના રોજ વઢવાણના મેળામાં રાઇડ પરથી પડી જવાથી 12 વર્ષની માસુમ નિહારિકા પરમારનું કરૂણ મોત નીપજ્યું હતું. આટલી મોટી ઘાતક ઘટના બન્યા છતાં તરણેતરના મેળામાં સરકારી નિયમો નેવે મૂકીને રાઇડો શરૂ કરી દેવામાં આવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.</p><h3><b>આસપાસના લોકોને સામાન્ય ઈજા</b></h3><p>દુર્ઘટના બાદ પોલીસ અને સ્થાનિક પ્રશાસન દ્વારા પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે, મેળો શરૂ કરતા પહેલાં આયોજકો દ્વારા રજૂ કરાયેલા સ્ટ્રક્ચરલ ફિટનેસ રિપોર્ટ, ફાયર અને મેકેનિકલ NOC તથા તંત્ર દ્વારા અપાયેલી મંજૂરીઓ સામે સ્થાનિકો અને મુલાકાતીઓ દ્વારા ગંભીર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/pm-modi-birthday-bjp-announces-40000km-vadnagar-varanasi-bike-yatra" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: વડનગરથી વારાણસી વચ્ચે 40 હજાર કિમીનો બાઇક યાત્રાનો રૂટ ભાજપનો એક મોટો રાજકીય માસ્ટરસ્ટ્રોક!</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/XlQiyuoVVTxQAp6qvL9dKe2ICNoszxXfKAzRYn1x.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: વડનગરથી વારાણસી વચ્ચે 40 હજાર કિમીનો બાઇક યાત્રાનો રૂટ ભાજપનો એક મોટો રાજકીય માસ્ટરસ્ટ્રોક! ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/pm-modi-birthday-bjp-announces-40000km-vadnagar-varanasi-bike-yatra</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/pm-modi-birthday-bjp-announces-40000km-vadnagar-varanasi-bike-yatra</guid><pubDate>Tue, 15 Sep 2026 20:13:13 +05:30</pubDate><description><![CDATA[<p>વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે તેમના જીવનના 76 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. આ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના જાહેર જીવન અને સુશાસનના 25 વર્ષ (મુખ્યમંત્રીથી વડાપ્રધાન) ની સફળ સફરને બિરદાવવા માટે 17 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી રાષ્ટ્રવ્યાપી "સેવા સંકલ્પ અભિયાન" નું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે 'વડનગરથી વારાણસી' અને 'વારાણસીથી વડનગર' એમ બે સમાંતર વિશાળ બાઇક યાત્રાઓ યોજાશે.</p><h2><b>પીએમ મોદીના જન્મદિવસે ભાજપનો મોટો ધડાકો</b></h2><p>રાષ્ટ્રીય પ્રભારી અને લોકસભા સાંસદ વી.ડી. શર્માના જણાવ્યા મુજબ, 17 સપ્ટેમ્બરે સવારે 9:30 વાગ્યે વડનગર ખાતેથી ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ યાત્રાને લીલી ઝંડી આપશે. જ્યારે કાશી (વારાણસી) ખાતેથી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુ અને ચિરાગ પાસવાન યાત્રાનો પ્રારંભ કરાવશે.</p><h3><b>વડનગર અને વારાણસીથી શરૂ થશે મેગા બાઇક યાત્રા</b></h3><p>આ બાઇક યાત્રા દેશના 10 રાજ્યોના 193 જિલ્લાઓ અને 1,159 ગામડાંઓમાંથી પસાર થઈને કુલ 40,000 કિલોમીટરથી વધુનું અંતર કાપશે. દેશભરમાંથી પસંદ કરાયેલા 1,000 જેટલા યુવાનો આ બાઇક યાત્રામાં જોડાયા છે.રાજકીય પંડિતોના મતે આ યાત્રા માત્ર એક સામાજિક કે સેવાકીય કાર્યક્રમ નથી, પરંતુ ભાજપનો એક મોટો રાજકીય માસ્ટરસ્ટ્રોક છે. વડનગર (જન્મસ્થળ) અને વારાણસી (કર્મસ્થળ) બંને શહેરો વચ્ચે બૌદ્ધ વિરાસત (સારનાથ અને વડનગર ખોદકામ) તેમજ કુરમી-પાટીદાર સામાજિક સમીકરણોનું મોટું સામ્ય છે. આ યાત્રા આગામી સમયમાં ઉત્તર પ્રદેશ અને ગુજરાતની ચૂંટણીઓમાં યુવા મતદારોને ભાજપ સાથે જોડવામાં મોટી ભૂમિકા ભજવશે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-high-court-grants-divorce-after-44-years-increases-alimony-to-20k" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: ભાઈના જન્મદિવસે ઘર છોડ્યું,, HCએ 3 દાયકા બાદ 67 વર્ષીય પતિને આપ્યા છૂટાછેડા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/0J8og8JsMOtsQUJ7TBEr4FU7fkrHBWsPTuVNSPC5.webp'/></item><item><title><![CDATA[Kutchને રેલવેની મોટી ભેટ: કેન્દ્રીય રેલવે મંત્રીએ અંજારમાં ભુજ-શાલીમાર એક્સપ્રેસના સ્ટોપેજનું કર્યું વર્ચ્યુઅલ લોકાર્પણ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kutch/anjar-railway-new-stopage-bhuj-shalimar-express-launch</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kutch/anjar-railway-new-stopage-bhuj-shalimar-express-launch</guid><pubDate>Tue, 15 Sep 2026 20:06:50 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કચ્છ જિલ્લાના રેલવે કનેક્ટિવિટી અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા એક મહત્ત્વપૂર્ણ વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત અંજાર ખાતે ભુજ-શાલીમાર એક્સપ્રેસ ટ્રેનના નવા સ્ટોપેજનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો છે. લાંબા સમયથી સ્થાનિક લોકો અને વેપારીઓ દ્વારા કરવામાં આવી રહેલી આ માંગ પૂર્ણ થતાં અંજાર અને આસપાસના વિસ્તારના મુસાફરોમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.</p><p style="text-align: justify; "><img alt="Big news for passengers of Kutch" src="https://epapercdn.sandesh.com/images/2026/09/15/12P7ONRF7rD7aPn15cxEE5ScuihzTq2Kvkfk35OB.webp"><br></p><h2 style="text-align: justify; "><b>નવા રેલવે સ્ટેશન અને 4 કાર્ગો ટર્મિનલનું લોકાર્પણ</b></h2><p style="text-align: justify; ">આ કાર્યક્રમ દરમિયાન રેલવે મંત્રી દ્વારા ગોપાલપુર રેલવે સ્ટેશનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, પ્રદેશના વ્યાપાર-ઉદ્યોગને મોટો લાભ પહોંચાડવા માટે શિવલખા અને ભીમાસર GCT સહિત કુલ 4 નવીન કાર્ગો ટર્મિનલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તે જ સમયે લિંચ GCTનું ખાતમુહૂર્ત પણ સંપન્ન કરવામાં આવ્યું હતું, જે આવનારા સમયમાં રેલવે સુવિધાઓનો વ્યાપ વધારશે.</p><p style="text-align: justify; "><img alt="Big news for passengers of Kutch" src="https://epapercdn.sandesh.com/images/2026/09/15/LuYPqu6dSBuqYsqrx5rOyD4rYLaWDv3z7UFGIADw.webp"><br></p><h3 style="text-align: justify; "><b>કચ્છના કનેક્ટિવિટી અને માલ-પરિવહનને મળશે અભૂતપૂર્વ ગતિ</b></h3><p style="text-align: justify; ">અંજાર ખાતે ટ્રેનના સ્ટોપેજ અને નવા કાર્ગો ટર્મિનલ્સના પ્રારંભથી કચ્છ જિલ્લામાં રેલવે કનેક્ટિવિટી વધુ સુદ્રઢ બનશે. ઔદ્યોગિક ક્ષેત્રે માલ-સામાનના ઝડપી અને સરળ પરિવહન (કાર્ગો લોજિસ્ટિક્સ) માટે આ સુવિધાઓ આશીર્વાદરૂપ સાબિત થશે. તેનાથી પંથકના વેપાર-રોજગારને નવું બળ મળશે અને સ્થાનિક કક્ષાએ આર્થિક પ્રવૃત્તિઓ વધુ ઝડપી બનશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/RCQQG3PcdI72uJEuRNsY9IvYyVyCgP6U5wrQkaPG.webp'/></item><item><title><![CDATA[PM મોદીના જન્મદિવસે BJPનું અભિયાન, 10 રાજ્યોના 193 જિલ્લામાંથી પસાર થશે ‘સેવા સંકલ્પ બાઇક યાત્રા’ ]]></title><link>https://sandesh.com/india/news/political-news/bjps-mega-campaign-on-pm-modis-birthday-seva-sankalp-bike-yatra-will-pass-through-193-districts-of-10-states</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/political-news/bjps-mega-campaign-on-pm-modis-birthday-seva-sankalp-bike-yatra-will-pass-through-193-districts-of-10-states</guid><pubDate>Tue, 15 Sep 2026 19:26:30 +05:30</pubDate><description><![CDATA[<p>BJPનું ‘સેવા સંકલ્પ અભિયાન’ 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી દેશભરમાં ચલાવવામાં આવશે. ‘વડનગરથી વારાણસી’ અને ‘વારાણસીથી વડનગર’ સેવા સંકલ્પ બાઇક યાત્રાનો 17 સપ્ટેમ્બરે પ્રારંભ થશે. સવારે 9:30 વાગ્યે વડનગર અને વારાણસીથી એકસાથે યાત્રા રવાના થશે. વડનગરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ યાત્રાને લીલી ઝંડી બતાવશે. જ્યારે વારાણસીમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના અનેક નેતાઓ હાજર રહેશે અને યાત્રાને લીલી ઝંડી બતાવશે.</p><p><b>10 રાજ્યોના 193 જિલ્લામાંથી પસાર થશે યાત્રા</b></p><p>આ બાઇક યાત્રા 10 રાજ્યોના 193 જિલ્લાઓ અને લગભગ 1,159 ગામોમાંથી પસાર થશે. આ દરમિયાન કાર્યકર્તાઓ લગભગ 40 હજાર કિલોમીટરનું અંતર કાપશે. દેશભરમાંથી લગભગ 1 હજાર યુવાનો આ યાત્રામાં જોડાશે. યાત્રા દરમિયાન સ્વચ્છતા, નશામુક્તિ, ટીબી મુક્ત ભારત, પ્લાસ્ટિક મુક્ત ભારત અને જળ સંરક્ષણ જેવા અભિયાન ચલાવવામાં આવશે. સાથે જ દરરોજ 25 વૃક્ષોની જાળવણી કરવાનો સંકલ્પ લેવામાં આવશે.</p><p><b>લાભાર્થીઓ અને મહિલાઓ સાથે સંવાદ</b></p><p>યાત્રા દરમિયાન વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ, યુવાનો અને મહિલા સશક્તિકરણ યોજનાઓ સાથે જોડાયેલી મહિલાઓ સાથે પણ સંવાદ કરવામાં આવશે. ગુજરાતમાં 13 સપ્ટેમ્બરથી ચાર ઝોનની ઉપયાત્રાઓ વડનગર માટે રવાના થઈ હતી. સોમનાથ, શ્યામળાજી, પાવાગઢ અને ઉનાઈ માતાજીથી નીકળેલી આ ઉપયાત્રાઓ 16 સપ્ટેમ્બર સુધીમાં વડનગર પહોંચશે.</p><p><b>જળસ્રોતોનું પાણી વડનગર અને વારાણસી લઈ જવાશે</b></p><p>ગુજરાતના વિવિધ જળસ્રોતોમાંથી પાણી એકત્ર કરવામાં આવશે. આ પાણીથી વડનગરમાં હાટકેશ્વર મહાદેવ અને વારાણસીમાં કાશી વિશ્વનાથનો જલાભિષેક કરવામાં આવશે. આ યાત્રાનો અંત 7 ઓક્ટોબરે થશે. આ યાત્રાનો મુખ્ય હેતુ યુવાનોને સેવા, સમાજ અને રાષ્ટ્રનિર્માણ સાથે જોડવાનો છે.</p><p><b>&nbsp;17 સપ્ટેમ્બરે PM મોદીના જન્મદિવસે અભિયાન</b></p><p>અમિત શાહે જણાવ્યું કે આ અભિયાનનો હેતુ જનભાગીદારી દ્વારા વિકસિત ભારતના વિઝનમાં યોગદાન આપવાનો છે. તેમણે જણાવ્યું કે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. આ ઉપરાંત આ વર્ષે ઓક્ટોબરમાં મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે તેમના 25 વર્ષ પણ પૂર્ણ થઈ રહ્યા છે. અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી NDA સરકાર હેઠળ શરૂ કરવામાં આવેલી વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક પહેલો વિશે પણ વાત કરી હતી.</p><p><b>સેવા, સુશાસન અને ગરીબોના કલ્યાણ પર ભાર</b></p><p>કેન્દ્રીય આરોગ્યમંત્રી જે.પી. નડ્ડાએ મંગળવારે કહ્યું કે PM મોદીના જન્મદિવસ નિમિત્તે યોજાઈ રહેલું આ અભિયાન સેવા, સુશાસન અને ગરીબોના કલ્યાણ પર કેન્દ્રિત રહેશે. આ સાથે સરકારની યોજનાઓ અને નીતિઓને જમીની સ્તરે લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે. જે.પી. નડ્ડાએ કહ્યું કે સાંજે 7 વાગ્યે લોકો PM મોદીના સારા સ્વાસ્થ્ય અને દેશની સેવા માટે લાંબા આયુષ્યની કામના સાથે ‘આશીર્વાદનો દીવો’ પ્રગટાવશે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/india/gandhinagar/pm-modi-completes-25-years-in-public-service--bjp-to-launch-month-long-campaign" target="_blank">આ પણ વાંચો: PM મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ, 17 સપ્ટેમ્બરથી એક મહિનો દેશભરમાં ચાલશે 'સેવા સંકલ્પ અભિયાન'</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/5eEIpxxYC1c6Y41jsHYpQehDS5FW7c5CwvYHw8zS.webp'/></item><item><title><![CDATA[Delhi : લાંબા સમયથી અટવાયેલા કિશા ડેમ પ્રોજેક્ટનો સુખદ ઉકેલ, અમિત શાહે 6 રાજ્યો વચ્ચેની ગૂંચ ઉકેલી ]]></title><link>https://sandesh.com/india/news/delhi-kishau-multipurpose-dam-project-six-state-consensus</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/delhi-kishau-multipurpose-dam-project-six-state-consensus</guid><pubDate>Tue, 15 Sep 2026 19:14:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">લાંબા સમયથી અટવાયેલા કિશાઉ મલ્ટીપર્પઝ ડેમ પ્રોજેક્ટને હવે મોટી ગતિ મળી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી અને હરિયાણાના મુખ્યમંત્રીઓએ પ્રોજેક્ટને આગળ વધારવા સહમતિ દર્શાવી છે. હવે પ્રોજેક્ટને મંજૂરી માટે કેન્દ્રીય કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.</p><h2 style="text-align: justify; "><b>ટોન્સ નદી પર બનશે વિશાળ જળાશય</b></h2><p style="text-align: justify; ">કિશાઉ મલ્ટીપર્પઝ ડેમ પ્રોજેક્ટ ઉત્તરાખંડમાં યમુનાની મહત્વપૂર્ણ સહાયક નદી ટોન્સ પર પ્રસ્તાવિત છે. આ પ્રોજેક્ટનો હેતુ પાણીનો સંગ્રહ કરીને સિંચાઈ, પીવાના પાણીની સપ્લાય અને જળવિદ્યુત ઉત્પાદન વધારવાનો છે. આ ઉપરાંત, જળાશયમાંથી નિયંત્રિત રીતે પાણી છોડવાથી યમુના નદીમાં સ્વચ્છ પાણીનો પ્રવાહ વધારવા અને તેને પુનર્જીવિત કરવાના પ્રયાસોને પણ મદદ મળી શકે છે.</p><h3 style="text-align: justify; "><b>કેન્દ્ર સરકાર ઉઠાવશે 90% ખર્ચ</b></h3><p style="text-align: justify; ">રાજ્યો વચ્ચે થયેલી સહમતિ મુજબ, પ્રોજેક્ટના વોટર કમ્પોનન્ટના ખર્ચનો 90% હિસ્સો કેન્દ્ર સરકાર કેન્દ્રીય સહાય તરીકે ઉઠાવશે. બાકીનો 10% ખર્ચ છ રાજ્યો વચ્ચે વહેંચવામાં આવશે. હિમાચલ પ્રદેશના પાણીના હિસ્સાને લઈને ચાલતા મુદ્દાને પણ ઉકેલવાનો નિર્ણય લેવાયો છે. હિમાચલ પ્રદેશને ફાળવાયેલું પાણી દિલ્હી અને રાજસ્થાનને આપવામાં આવશે, જ્યારે વીજળી ઉત્પાદન સંબંધિત હિમાચલ પ્રદેશના ખર્ચનો હિસ્સો દિલ્હી અને રાજસ્થાન વહેંચશે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2099833509863112741"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a>&nbsp;</p><p style="text-align: justify; "><br></p><h3 style="text-align: justify; "><b>ચાર રાજ્યો અને દિલ્હીને મળશે વધારાનું પાણી</b></h3><p style="text-align: justify; ">લગભગ રૂ.15,000 કરોડના આ પ્રોજેક્ટથી વિવિધ રાજ્યોને વધારાનું પાણી મળવાની અપેક્ષા છે.</p><p style="text-align: justify; "><b>હરિયાણા : 836 ક્યુસેક</b></p><p style="text-align: justify; "><b>ઉત્તર પ્રદેશ : 543.2 ક્યુસેક</b></p><p style="text-align: justify; "><b>રાજસ્થાન : 163.52 ક્યુસેક</b></p><p style="text-align: justify; "><b>દિલ્હી : 105.28 ક્યુસેક</b></p><p style="text-align: justify; ">વધારાના પાણીથી સિંચાઈ અને પીવાના પાણીની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળશે. સાથે જ વીજળી ઉત્પાદનને પણ વેગ મળવાની શક્યતા છે.</p><h4 style="text-align: justify; "><b>યમુનાને પુનર્જીવિત કરવાની દિશામાં પગલું</b></h4><p style="text-align: justify; ">કિશાઉ જળાશયમાંથી પાણીનો સંગ્રહ અને નિયંત્રિત પ્રવાહ યમુનામાં પાણીની ઉપલબ્ધતા સુધારવામાં મદદરૂપ બની શકે છે. કેન્દ્ર અને રાજ્યો આ પ્રોજેક્ટને યમુનાના પુનર્જીવનના મોટા પ્રયાસ સાથે જોડીને જોઈ રહ્યા છે.</p><h4 style="text-align: justify; "><b>હવે આગળ શું?</b></h4><p style="text-align: justify; ">છ રાજ્યો વચ્ચે સહમતિ બન્યા બાદ હવે પ્રોજેક્ટની મંજૂરી પ્રક્રિયા આગળ વધશે. કિશાઉ મલ્ટીપર્પઝ ડેમ પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. કેબિનેટની મંજૂરી બાદ અમલીકરણની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. લાંબા સમયથી ચાલતા આંતરરાજ્ય વિવાદો ઉકેલાયા બાદ આ પ્રોજેક્ટ પાણી સુરક્ષા, સિંચાઈ અને જળવિદ્યુત ક્ષેત્રે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">&nbsp;આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/crime/surat/surat-utran-wife-swapping-pressure-katargam-police-case" target="_blank"><b>Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’</b></a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/Kb55wyflNYYpLHHgoOm17Gdal0ETMTQhHoLVl2AT.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: ભાઈના જન્મદિવસે ઘર છોડ્યું,, HCએ 3 દાયકા બાદ 67 વર્ષીય પતિને આપ્યા છૂટાછેડા ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-high-court-grants-divorce-after-44-years-increases-alimony-to-20k</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-high-court-grants-divorce-after-44-years-increases-alimony-to-20k</guid><pubDate>Tue, 15 Sep 2026 19:04:05 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાત હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ કૌટુંબિક ચુકાદામાં 44 વર્ષથી અલગ રહેતા 67 વર્ષીય વરિષ્ઠ નાગરિક પતિની છૂટાછેડાની અરજી મંજૂર કરી છે. જસ્ટિસ ઇલેશ જે. વોરા અને જસ્ટિસ આર.ટી. વાછાણીની ખંડપીઠે ફેમિલી કોર્ટના 2015ના જૂના આદેશને રદબાતલ ઠેરવીને ત્યાગ (Desertion) ના આધારે લગ્નજીવનનો અંત આણ્યો હતો.</p><h2><b>ભાઈના જન્મદિવસે પિયર ગયેલી પત્ની ક્યારેય પાછી ન ફરી</b></h2><p>કેસની પ્રાપ્ત વિગતો મુજબ, દંપતીના લગ્ન 1989 માં થયા હતા અને તેમને બે પુત્રો છે. ઓગસ્ટ 1992માં પત્ની પોતાના ભાઈના જન્મદિવસે હાજરી આપવા પિયર ગઈ હતી અને ત્યારબાદ ક્યારેય સાસરે પરત ફરી નહોતી. પતિએ 1999માં પ્રથમ વખત કાનૂની જંગ શરૂ કર્યો હતો, પરંતુ 2015માં ફેમિલી કોર્ટે અરજી ફગાવી દીધી હતી. જેથી પતિએ વકીલ સી.બી. દસ્તુર મારફતે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા.</p><h3><b>44 વર્ષથી અલગ રહેતા દંપતીના છૂટાછેડા મંજૂર</b></h3><p>હાઈકોર્ટે બંને પક્ષોની મૌખિક જુબાનીઓ અને દલીલો ગ્રાહ્ય રાખતા નોંધ્યું હતું કે, પત્ની કોઈપણ વાજબી કારણ વિના દાયકાઓથી અલગ રહેતી હતી અને તેને વૈવાહિક જીવન પુનઃ શરૂ કરવામાં કોઈ રસ નહોતો.પત્નીના વકીલ રશેષ પરીખની રજૂઆતો અને પત્ની પાસે આવકનું કોઈ સાધન ન હોવાથી તે ધાર્મિક સંસ્થામાં રહેતી હોવાની બાબત ધ્યાને લઈ કોર્ટે માનવતાવાદી અભિગમ અપનાવ્યો હતો. હાઈકોર્ટે પતિને દર મહિને ₹20,000 પત્નીના બેંક ખાતામાં સીધા જમા કરાવવા આદેશ કર્યો હતો. આ ઉપરાંત પતિની સંમતિથી, છૂટાછેડા પછી પણ પત્ની તેના પેન્શન અને સરકારી નિવૃત્તિ લાભોમાં એકમાત્ર નોમિની તરીકે કાયમ રહેશે તેવું પણ સ્પષ્ટ કર્યું હતું.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/sog-seizes-md-drugs-worth-1-57-lakhs-in-rander-arrests-one" target="_blank">આ પણ વાંચો: Surat: રાંદેર વિસ્તારમાંથી 1.57 લાખથી વધુના MD ડ્રગ્સ સાથે એક ઇસમ ગિરફ્તાર</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/gw4yFmG36QQnjJ85LDrwNIoY1WxJKMBXYxyHxFud.webp'/></item><item><title><![CDATA[Surat: રાંદેર વિસ્તારમાંથી 1.57 લાખથી વધુના MD ડ્રગ્સ સાથે એક ઇસમ ગિરફ્તાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/sog-seizes-md-drugs-worth-1-57-lakhs-in-rander-arrests-one</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/sog-seizes-md-drugs-worth-1-57-lakhs-in-rander-arrests-one</guid><pubDate>Tue, 15 Sep 2026 18:14:41 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત શહેરને ડ્રગ્સમુક્ત કરવાના અભિયાન હેઠળ સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. SOG ની ટીમે ચોક્કસ બાતમીના આધારે રાંદેર વિસ્તારમાં દરોડો પાડીને બાશીત રઝાક સૈયદ નામના ઇસમને ગેરકાયદેસર મેફેડ્રોન (MD) ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે.</p><h2><b>રાંદેર વિસ્તારમાંથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઇસમ ઝડપાયો</b></h2><p>પોલીસે આરોપી પાસેથી 52.360 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત રૂપિયા 1,57,080 થવા જાય છે.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી બાશીત સૈયદ અગાઉ કપડાં વેચવાનો વ્યવસાય કરતો હતો. પરંતુ કપડાંના ધંધામાં યોગ્ય કમાણી કે નફો ન થતાં તેણે રાતોરાત અમીર બનવા અને શોર્ટકટથી પૈસા કમાવાના ચક્કરમાં ડ્રગ્સ સપ્લાય કરવાનો માર્ગ પસંદ કર્યો હતો.</p><h3><b>શોર્ટકટથી પૈસા કમાવા અપનાવ્યો ડ્રગ્સનો કારોબાર</b></h3><p>આરોપીએ આ ડ્રગ્સનો જથ્થો એક વોન્ટેડ શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું કબૂલ્યું છે. સુરત SOG એ આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને મુખ્ય ડ્રગ્સ સપ્લાયરને ઝડપી પાડવા માટે આગળની તપાસ ચાલુ કરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-railway-gift-ashwini-vaishnaw-dedicates-4-gati-shakti-cargo-terminals" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: મીઠાના પરિવહનની મુશ્કેલીઓનો ઉકેલ, 4 નવા ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ દેશને સમર્પિત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/iAKZD0xC4hwauDBv9NIVTtSp0qUk1Xp31cbMM596.webp'/></item><item><title><![CDATA[Disha Salian Case: FIR બાદ ભડક્યા Sanjay Raut, CBI તપાસને લઈને ઉઠાવ્યા સવાલ ]]></title><link>https://sandesh.com/india/news/entertainment/disha-salian-case-sanjay-raut-cbi-fir-political-conspiracy</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/entertainment/disha-salian-case-sanjay-raut-cbi-fir-political-conspiracy</guid><pubDate>Tue, 15 Sep 2026 15:48:47 +05:30</pubDate><description><![CDATA[<p>દિશા સાલિયાન કેસમાં CBIની FIRને લઈને શિવસેના UBTના નેતા સંજય રાઉતની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે હાઈકોર્ટનો સીધો આદેશ છે કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ સામે સીધો આરોપ સાબિત ન થાય ત્યાં સુધી તેને આરોપી માનવામાં આવતો નથી અને FIRમાં તેનું નામ પણ આવતું નથી. તેમણે કહ્યું કે આ FIR અજાણ્યા લોકો સામે નોંધવામાં આવી છે.</p><h2><b>'સૌથી લોકપ્રિય રાજકીય પરિવારને બદનામ કરવાનું ષડયંત્ર'</b></h2><p>આગળ તેમણે કહ્યું, "2 દિવસ પહેલાં દેશના ગૃહમંત્રી મહારાષ્ટ્ર આવ્યા હતા. તેમની સાથે અન્ય એક નેતા 1 કલાક સુધી બેઠા હતા. બંને એક જ કારમાં ગયા હતા. ત્યારબાદ FIRમાં નામ ઉમેરવામાં આવ્યા છે. આ એક રાજકીય ષડયંત્ર છે. મહારાષ્ટ્રના સૌથી લોકપ્રિય રાજકીય પરિવારને બદનામ કરવાનો પ્રયાસ છે. અમે લડીશું અને અમારી લડાઈ ચાલુ રહેશે. અમે બતાવીશું કે મહારાષ્ટ્ર અને અમારી વિરુદ્ધ કેવા પ્રકારનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે."</p><h2><b>'કેન્દ્રીય એજન્સીઓનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે'</b></h2><p>આ મામલે રાજકારણ થઈ રહ્યું છે કે કેમ, એવા સવાલના જવાબમાં સંજય રાઉતે કહ્યું, "ચોક્કસ રાજકારણ થઈ રહ્યું છે. આ દબાણ છે અને અનૈતિક દબાણ છે. કેન્દ્રીય એજન્સીઓનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે."</p><h2><b>'CBI તપાસનો ઉપયોગ આદિત્ય ઠાકરેને નિશાન બનાવવા માટે થઈ રહ્યો છે'</b></h2><p>સંજય રાઉતે કહ્યું, "જે રીતે આ મામલો કોર્ટમાં લઈ જવામાં આવ્યો અને કોર્ટે કેસ CBIને સોંપવાનો આદેશ આપ્યો, તે આખું એક ષડયંત્ર છે. કોર્ટે સ્પષ્ટપણે CBI તપાસ કરાવવાનું કહ્યું છે, પરંતુ કોઈનું નામ ન લેવાનો નિર્દેશ આપ્યો છે. તેમ છતાં મીડિયામાં નામ લેવામાં આવી રહ્યાં છે."</p><p>તેમણે દાવો કર્યો કે CBI તપાસનો ઉપયોગ આદિત્ય ઠાકરેને નિશાન બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. આદિત્ય ઠાકરે વિવિધ જનમુદ્દાઓને લઈને દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર સરકાર પર સતત સવાલ ઉઠાવી રહ્યા છે.</p><p>આ સાથે જ તેમણે આરોપ લગાવ્યો કે તેનો હેતુ મરાઠા અનામત માટે આંદોલન કરી રહેલા કાર્યકર મનોજ જરાંગેના આંદોલન પરથી લોકોનું ધ્યાન હટાવવાનો અથવા સંસદમાં સીમાંકન બિલના સમર્થન માટે શિવસેના UBT પર દબાણ બનાવવાનો પણ હોઈ શકે છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/nesAIKStkzbsfWUx25yVSvNaMQlqeQO3dhS35Hhj.webp'/></item><item><title><![CDATA[પાકિસ્તાનની ટીમ ભારત આવશે! એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં જામશે ભારત-પાક જંગ ]]></title><link>https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</guid><pubDate>Mon, 14 Sep 2026 15:47:21 +05:30</pubDate><description><![CDATA[<p>આવતા મહિને પાકિસ્તાનની હોકી ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે. 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન પંજાબમાં યોજાનારી AHF મેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026માં પાકિસ્તાન સહિત કુલ છ ટીમો ભાગ લેશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પાકિસ્તાનની ભાગીદારી અંગેની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, મલ્ટી-નેશનલ ઇવેન્ટ્સ અંગે કેન્દ્ર સરકારની નીતિ હેઠળ બંને દેશોની ટીમો આમને-સામને રમશે.</p><h2><b>ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જાલંધરમાં રમાશે</b></h2><p>એશિયન મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન થશે. આ ટૂર્નામેન્ટમાં યજમાન ભારત અને પાકિસ્તાન ઉપરાંત ચીન, જાપાન, મલેશિયા અને કોરિયાની પણ ભાગ લેશે. લીગ સ્ટેજના મુકાબલા જાલંધરમાં યોજાશે, જ્યારે સેમિફાઇનલ અને ફાઇનલ મેચ મોહાલીના હોકી સ્ટેડિયમમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 1 નવેમ્બરે જાલંધરમાં રમાશે. કોઈ ટીમ છેલ્લી ઘડીએ ખસી જાય તો તે સ્થિતિ માટે ઓમાન અને બાંગ્લાદેશને રિઝર્વ ટીમન તરીકે રાખવામી આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PTI_News/status/2099416960278868155"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમવામાં કોઈ મુશ્કેલી નથી</b></h2><p>પાકિસ્તાનની ભાગીદારી અને જરૂરી મંજૂરીઓ અંગે પંજાબના મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં બંને દેશો વચ્ચે રમવામાં કોઈ મુશ્કેલી નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝનું આયોજન અલગ બાબત છે, કારણ કે કેન્દ્ર સરકારની વર્તમાન નીતિ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય રમત-ગમતના આયોજનની મંજૂરી આપતી નથી. પરંતુ મલ્ટી-નેશનલ ટૂર્નામેન્ટમાં બંને દેશોના ખેલાડીઓને એકબીજા સામે રમવાની પરવાનગી છે, જેથી પાકિસ્તાની ટીમ ભારત આવી શકશે.</p><h2><b>ભારત વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે</b></h2><p>ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. ભારતે 2023માં ચેન્નાઈ અને 2024માં ચીનના હુલુનબુઈરમાં યોજાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ગત વર્ષે આ સ્પર્ધા યોજાઈ શકી નહોતી. હવે પંજાબ પ્રથમ વખત આ ટૂર્નામેન્ટની મેજબાની કરવા જઈ રહ્યું છે.</p><h2><b>અગાઉ પાકિસ્તાની ટીમે ના કહી હતી&nbsp;</b></h2><p>પાકિસ્તાનની આ વખતની ભાગીદારી એટલા માટે પણ ખાસ છે, કારણ કે ગત વર્ષે તેણે તમિલનાડુમાં આયોજિત જૂનિયર હોકી વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તે સમયે બંને દેશો વચ્ચેના તણાવને તેનું કારણ ગણાવવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે અને પાકિસ્તાની ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે પૂરી રીતે તૈયાર છે.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/V6jwdiIr9RTCvR6EyBaGsP2qfZvYLq2JfkL7pytm.webp'/></item></channel></rss>