<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Navsari: જિલ્લામાં 4,073 ડ્રોપ આઉટ બાળકોને પુનઃ શિક્ષણના પ્રવાહમાં જોડાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/navsari/navsari-4073-dropout-children-rejoined-the-stream-of-education-in-the-district</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/navsari/navsari-4073-dropout-children-rejoined-the-stream-of-education-in-the-district</guid><pubDate>Fri, 21 Aug 2026 02:03:48 +05:30</pubDate><description><![CDATA[<p>નવસારીની એસ.એસ. અગ્રવાલ કોલેજ ખાતે શિક્ષણ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે 'સમરસ વિદ્યા સેતુ' અભિયાન કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો.</p><p>રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈના અધ્યક્ષસ્થાને તથા આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં નાણામંત્રીએ જણાવ્યું હતું કે, શાળા છોડી ગયેલા બાળકોને પુનઃ શિક્ષણ તરફ્ વાળવામાં શિક્ષકો અને વાલીઓની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ છે. વિદ્યાર્થીઓનો અભ્યાસ આર્થિક કારણોસર ન અટકે તે માટે રાજ્ય સરકારે સરસ્વતી વિદ્યા સહાય યોજના તેમજ ધોરણ 9થી 12માં અભ્યાસ કરતી દીકરીઓ માટે 'નમો લક્ષ્મી યોજના' અને 'નમો સરસ્વતી યોજના' જેવી કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે.</p><p>આદિજાતિ વિકાસ મંત્રીએ જણાવ્યું કે, સામાજિક મજબૂરીઓ, પરિવારનું સ્થળાંતર કે સિઝનલ રોજગારીના કારણે અભ્યાસ અધૂરો છોડનાર બાળકોને શોધીને શાળાએ લાવવાનું સરાહનીય કાર્ય કર્મયોગીઓએ કર્યું છે. નવસારી જિલ્લાને 100% સાક્ષરતા તરફ્ લઈ જવા અને ડ્રોપઆઉટ દર શૂન્ય કરવા તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. પૂરના કારણે અસરગ્રસ્ત થયેલી શાળાઓના પુસ્તકો અને કમ્પ્યૂટર લેબ્સને પૂર્વવત કરવા પણ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા શાળા શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકોને પુનઃ શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવાના ઉમદા આશય સાથે આ વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં છેલ્લા 4થી 5 મહિનામાં તંત્રના સઘન પ્રયાસોથી નવસારી જિલ્લાના 4,073 ડ્રોપ આઉટ બાળકોને ફરીથી શાળામાં પ્રવેશ આપી અભ્યાસ કરતા કરવામાં આવ્યા છે. શાળા અભ્યાસ ઉપરાંત 1,200થી વધુ યુવાનો અને વિદ્યાર્થીઓને ITI તથા વિવિધ કૌશલ્યવર્ધક અભ્યાસક્રમો સાથે જોડવામાં આવ્યા છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/yD2BnLKRw9hck78ykpOyzpN4hHOvS3H3EpPxA1bL.webp'/></item><item><title><![CDATA[Navsari: સાડી સ્કીમની લાલચ આપી મહિલાઓ સાથે છેતરપિંડી કરનારો બીલીમોરાથી ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/navsari/navsari-man-who-cheated-women-by-luring-them-with-saree-scheme-arrested-from-bilimora</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/navsari/navsari-man-who-cheated-women-by-luring-them-with-saree-scheme-arrested-from-bilimora</guid><pubDate>Fri, 21 Aug 2026 02:03:08 +05:30</pubDate><description><![CDATA[<p>નવસારી એલસીબીના પી.આઈ. વી.જે.જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ્ છેતરપિંડીના નોંધાયેલા ગુનાના આરોપીઓને પકડવા માટે સીસીટીવી ટેકનિકલ સર્વેન્સ અને હ્યુમન સોર્સિસના આધારે કાર્યરત હતાં તે વખતે બાતમી મળી હતી કે મરોલી, ગણદેવી અને બીલીમોરા વિસ્તારમાં સ્કૂલની શિક્ષિકાઓ અને ભોળી ગૃહિણીઓને મુખ્યરૂપે ટાર્ગેટ કરતો હતો. તે મહિલાઓને સાડીઓ ઉપર વિશેષ સ્કીમ આપવાના બહાને લલચાવતો અને કલકત્તાની બ્રાન્ડેડ સિલ્ક-કોટનની સાડીઓનું વેચાણ કરતો હતો. ત્યારબાદ સાડીઓ કે પૈસા પરત આપવાના વાયદા મુજબ પરત નહીં આપીને લાખોની છેતરપિંડી કરવાના ગુનાનો આરોપી બીલીમોરા રેલવે સ્ટેશન પાસે છે. જેના આધારે (LCB)ની ટીમે વોચ ગોઠવી આરોપી સંજુ ઉર્ફે સંજીબ સુશીલ પાલ (રહે. દિનેશ ચૌહાણના ભાડાના મકાનમાં, રામપુરા, ચંદુલાલ શેઠની શેરી, સૈયદપુરા, સુરત- મૂળ રહે. ઓમબિકાપુર ગામ, સોડપુર, થાણા-ધોલા, પોસ્ટ-નાટાગર, જી. 24-પરગણા, વેસ્ટ બંગાલ)ને ઝડપી પાડયો હતો. તેની પાસેથી કલકત્તાની બ્રાન્ડેડ સિલ્ક-કોટનની સાડીઓ અને રોકડ રકમ મળી કુલ 1,05,700નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી સંજુ ઉફ્ર્ સંજીબ પાલે અગાઉ પણ નવસારી શહેર ઉપરાંત બારડોલી, વાલોડ અને તાપી જિલ્લામાં લોભામણી સ્કીમના નામે મહિલાઓ પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હોવાનું બહાર આવ્યું છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/xkDlagDUsgHlVmHtBSN6qA0T9ukUzgstIVHOpYBT.webp'/></item><item><title><![CDATA[Surat: કામરેજમાં ખાઉધરા ગલી સહિત 45 જગ્યાએ ફૂડ વિભાગનો છાપો : હોટલમાલિકોમાં દોડધામ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-food-department-raids-45-places-including-khaudhara-gali-in-kamrej-hotel-owners-in-a-panic</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-food-department-raids-45-places-including-khaudhara-gali-in-kamrej-hotel-owners-in-a-panic</guid><pubDate>Fri, 21 Aug 2026 01:58:41 +05:30</pubDate><description><![CDATA[<p>કીમ : સુરતમાં ફુડપોઇઝીંગની ગંભીર ઘટનાનાં પગલે હરકતમાં આવેલા સુરત ફુડ વિભાગ દ્વારા આજે સ્થાનિક પોલીસને સાથે રાખીને કામરેજની પ્રખ્યાત ખાઉધરા ગલી સહિત 45 સ્થળો પર છાપો મારી બિનઆરોગ્યપ્રદ 131 કિલો ખાદ્ય સામગ્રીનો નાશ કરતા ખાણીપીણીની લારીઓ સહિત હોટલ માલિકોમાં ઉપરોક્ત કાર્યવાહીનાં પગલે હડકંપ મચી ગયો હતો.</p><p>પ્રાપ્ત માહિતી અનુસાર આજે વહેલી સવારે કામરેજ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી બિનઆરોગ્યપ્રદ ખાણીપીણી ચિજવસ્તુઓનું નિયમ વિરૂદ્ધ સરેઆમ ઉલ્લંઘન કરી વેચાણ થતુ હોવાની બાતમી સુરત ફુડ એન્ડ ડ્રગ અધિકારી સૂત્રોને મળી હતી. તેમજ સુરતમાં ફુડ પોઇઝીંગની ગંભીર ઘટના બાદ હરકતમાં આવેલા ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમીનીસ્ટ્રેશન સુરત દ્વારા આજે કામરેજમાં શોખીનપ્રીય લોકોમાં પ્રખ્યાત ખાઉધરા ગલીથી ફુડ વિભાગ દ્વારા ચેકીંગની શરૂઆત કરવામાં આવી હતી. વહેલી સવારથી ખાઉધરા ગલીમાં પહોંચેલા અધિકારી સૂત્રોનાં ઘનિષ્ટ ચેકીંગનાં પગલે કેટલાક ખાણીપીણી દુકાનદારો દુકાન બંધ કરીને ભાગી છૂટયા હતા. જોકે ફુડ સેફ્ટી ઓફિસર સી.એન.પરમાર સહિતની ટીમે કામરેજનાં અલગ અલગ વિસ્તારોમાં 45થી વધુ લોકોને વરૂણીમાં લીધા હતા. અને આવા ખાદ્ય વ્યવસાયીક એકમોની તપાસ કરવામાં આવતા બિનઆરોગ્યપ્રદ તથા માનવ ઉપયોગ માટે અયોગ્ય જણાયેલી 131 કિલો ખાદ્ય સામગ્રીનો પોલીસે નાશ કર્યો હતો. ફુડ વિભાગ સૂત્રોએ કરેલી કાર્યવાહીમાં જોકર ગાંઠીયા, ફેમસ વડાપાઉ, ગોપાલ લોચો, સમીક ખમણ, જોકર રેસ્ટોરન્ટ, જલારામ ખમણ,ગણેશ પેટીસ સહિત 45 સ્થળો પર પહોંચેલી ફુડ વિભાગે અખાદ્ય, અનહાઇજેનીક અને વાસી ખોરાકનો બનાવનાં સ્થળે જ નાશ કરવામાં આવ્યો હતો. જોકે નિયમ વિરૂદ્ધ લાયસન્સ વિના બેખોફ વેપાર કરતા 7 હોટલ રેસ્ટોરન્ટોને ફુડ વિભાગ દ્વારા બંધ કરાવવામાં આવી હતી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/8UekI3dKUdl1k7jC7lxJEMnL76vXFgHAZzSp8qYY.webp'/></item><item><title><![CDATA[Surat: કોસંબા મર્કન્ટાઇલ બેંકની સાધારણ સભા તોફાની બની ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-kosamba-mercantile-banks-general-meeting-turns-chaotic</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-kosamba-mercantile-banks-general-meeting-turns-chaotic</guid><pubDate>Fri, 21 Aug 2026 01:57:56 +05:30</pubDate><description><![CDATA[<p>કોસંબા મર્કન્ટાઇલ બેંકની આજે 49મી વાર્ષીક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાંચ વર્ષનો કાર્યકાળ પુરો થતો હોય ત્યારે આજે યોજાયેલી છેલ્લી સાધારણ સભા પ્રથમ ચરણમાં જ વાતાવરણ ગરમાય ગયુ હતું. ઉપસ્થિત મોટી સંખ્યામાં સભાસદો દ્વારા પાંચ વર્ષનાં કોસંબા મર્કન્ટાઇલ બેંકનાં શાસન દરમ્યાન બેંકનાં વહીવટ અને નાણાકીય સ્થિતીને લઇને શાસકોને આકરા પાણીએ લઇ પરસેવો છોડાવી દીધો હતો. જોકે મુખ્ય પ્રશ્ન પૈકી બેંકમાં 26 લાખ રૂપિયાની વધઘટ અને હિસાબી ગડબડ મામલે પુછાયેલા પ્રશ્નથી મામલો ગરમાય ગયો હતો. શાસકો જવાબો આપવાનાં બદલે ગલ્લા તલ્લા કરવામાં આવતા સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ. આજે છેલ્લી સાધારણ સભામાં સભાસદો પુરી તૈયારી કરીને આવ્યા હોય તેમ વહીવટ લક્ષી 50 જેટલા સવાલોનાં જવાબો નહીં આપી શકેલા બેંક શાસકો તરફથી યોગ્ય અને સંતોષકારક જવાબ નહીં મળતા આખી સભામાં હલ્લાબોલ જેવી સ્થિતીનું નિર્માણ થયુ હતુ. પૂર્વ ચેરમેન નટવરસિંહ આડમારે વર્તમાન શાસકો સામે આકરા પ્રહારો કરી જણાવ્યુ હતુ ડિરેક્ટરોનાં ગેરવહીવટનાં કારણે આરબીઆઇ દ્વારા બેંકને બે લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જે હકીકત સભાસદોથી કેમ છુપાવવામાં આવી છે. 26 લાખની કેશ બેંકમાંથી ગેરવલ્લે થયા બાદ જેની રીકવરી પણ કર્મચારીઓ પાસેથી કરવામાં આવી હોવાનાં આરોપ સાથે માજી ચેરમેન નટુ આડમારે બેંક ખોટમાં ચાલી રહી અને એનપીએ વધ્યુ હોવા છતા પણ બેંકને કાગળ પર નફામાં દર્શાવવામાં આવી રહી છે. સભાસદોને કોઇ ડિવીન્ડ કે ગીફ્ટ પણ આપવામાં આવી ન હોવાનું જણાવી શાસકોને આડે હાથ લીધા હતા. જોકે સભાસદો અને બેંક શાસક જુથ આમને સામને આવી જતા માહોલ તંગ બની જતા પરીસ્થિતિ પામી ગયેલા કેટલાક આગેવાનોએ માંડ માંડ મામલો થાળે પાડી સાધારણ સભા પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/wZp5O1Cz8rs0gMNjz9LTrqQR74ozcoCrLP3mfO01.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: નંદુરબારમાં ટપોરીઓને દબોચી લેવાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-taporis-arrested-in-nandurbar</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-taporis-arrested-in-nandurbar</guid><pubDate>Fri, 21 Aug 2026 01:56:23 +05:30</pubDate><description><![CDATA[<p>નવાપુર : મહારાષ્ટ્રના નંદુરબાર બસ સ્ટેન્ડ પરિસરમાં પોલીસે કોમ્બિંગ કરી અસામાજિક તત્ત્વોને પાઠ ભણાવ્યો હતો. નંદુરબાર પોલીસ મથકના પી.આઈ. સંદીપ પાટીલ, પી.આઈ. કિરણકુમાર ખેડકરે શહેર ટ્રાફિક પોલીસની આગેવાનીમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં બિનજરૂરી આંટાફેરા મારતા અને શંકાસ્પદ જણાતા શખ્સોનું ચેકિંગ કર્યુ હતું. આ દરમિયાન કુલ 12 લોકોની અટકાયત કરવામાં આવી હતી. તેમાં ત્રણ મહિલા પણ સામેલ છે. આ સાથે બસ સ્ટેન્ડ વિસ્તારમાં વારંવાર સર્જાતી ટ્રાફિક જામની સમસ્યા દૂર કરવા માટે અનાધિકૃત રીતે વાહનો અને ટેક્સીઓ પાર્ક કરતા ચાલકોની બેઠક જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/p8vmiX13gxpcDQq093d9st8jHN64yQZd8BoOi0d2.webp'/></item><item><title><![CDATA[Lionel Messiનું બ્લોકબસ્ટર કમબેક, જાદુઈ ગોલ કરીને પિતાને આપી શ્રદ્ધાંજલિ, જુઓ VIDEO ]]></title><link>https://sandesh.com/sports/news/lionel-messi-emotional-comeback-inter-miami-goal</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/lionel-messi-emotional-comeback-inter-miami-goal</guid><pubDate>Thu, 20 Aug 2026 23:26:17 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">લિયોનેલ મેસ્સીએ ફૂટબોલના મેદાનમાં શાનદાર વાપસી કરી છે. છેલ્લા કેટલાક અઠવાડિયા તેના માટે મુશ્કેલ રહ્યા હતા. તેના પિતાનું અવસાન થયું, જેના કારણે તે નિરાશ થઈ ગયો. તેને મેદાનથી પણ દૂરી બનાવી દીધી.&nbsp;</p><p style="text-align: justify; ">લિયોનેલ મેસ્સીએ પોતે કહ્યું હતું કે તે ક્યારે પાછો ફરશે તે જાણતો નથી. ફેન્સે તેને રમતમાં જોવા માટે વધુ રાહ જોવી પડી નથી. લિયોનેલ મેસ્સીએ ફરીથી મેદાન પર પોતાની છાપ છોડી દીધી છે.</p><h2 style="text-align: justify; "><b>લિયોનેલ મેસ્સીનું જોરદાર કમબેક</b></h2><p style="text-align: justify; ">ઈન્ટર મિયામી અને ફિલાડેલ્ફિયા યુનિયન વચ્ચેની મેચમાં લિયોનેલ મેસ્સીનો ક્લાસ જોવા મળ્યો. મેચ ડ્રોમાં સમાપ્ત થઈ, પરંતુ લિયોનેલ મેસ્સીએ ફરી એકવાર પ્રભુત્વ મેળવ્યું. તેને 26મી મિનિટે ગોલ કર્યો. તેને એક આસિસ્ટ પણ આપ્યો. તેને 21મી મિનિટે એક શાનદાર ક્રોસ પહોંચાડ્યો, જેને લુઈસ સુઆરેઝે હેડ કરીને ગોલ કર્યો. ત્યારબાદ ડેનિયલ પિન્ટારએ એક અદભુત ગોલ કર્યો.</p><h3 style="text-align: justify; "><b>પિતાના મૃત્યુ પછી મેસ્સીએ પોતાનો પહેલો ગોલ કર્યો</b></h3><p style="text-align: justify; ">લિયોનેલ મેસ્સીના પિતા જોર્જ મેસ્સીનું 7 ઓગસ્ટના રોજ અવસાન થયું. લિયોનેલ મેસ્સીએ 8 ઓગસ્ટના રોજ મોન્ટેરી સામેની મેચમાં ભાગ લીધો ન હતો. તેને તેના પિતાના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી. 12 ઓગસ્ટના રોજ લિયોનેલ મેસ્સીએ લિયોન સામેની મેચમાં 45 મિનિટ મેદાનમાં વિતાવી હતી.&nbsp;</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/MLS/status/2090230393970520575"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p style="text-align: justify; ">આ વખતે લિયોનેલ મેસ્સીએ શાનદાર શોટ વડે પોતાના મનપસંદ લેફ્ટ પગનો ઉપયોગ કરીને ગોલ કર્યો. લિયોનેલ મેસ્સીએ આ સિઝનમાં અત્યાર સુધી મેજર લીગ સોકરમાં પોતાના પ્રદર્શન માટે વ્યાપક પ્રશંસા મેળવી છે. તેને 17 મેચમાં 13 ગોલ કર્યા છે.</p><h4 style="text-align: justify; "><b>ગોલ કર્યા પછી ભાવુક</b></h4><p style="text-align: justify; ">ગોલ કર્યા પછી લિયોનેલ મેસ્સી ભાવુક થઈ ગયો. બોલને નેટમાં નાખ્યા પછી તેને પોતાના પિતાને શ્રદ્ધાંજલિ આપવા માટે આકાશ તરફ આંગળી ઉંચી કરી. લિયોનેલ મેસ્સીનું આ સેલિબ્રેશન દરેક ફેન માટે ઈમોશનલ મોમેન્ટ હતી. ફેન્સે પણ લિયોનેલ મેસ્સીને તાળીઓ પાડી. લિયોનેલ મેસ્સીએ હવે પોતાનું ફોર્મ પાછું મેળવી લીધું છે. તે પોતાની ટીમ ઈન્ટર મિયામીને વિજય તરફ દોરી શકે છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/UUTJhQ50yGU8eX6bf7mD3cS0uzkwhVTrYVUqsmdc.webp'/></item><item><title><![CDATA[Duty Free Sugar : કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ખાંડની ડ્યુટી ફ્રી આયાતને આપી મંજૂરી ]]></title><link>https://sandesh.com/india/news/business/duty-free-sugar-import-government-approves-10-lakh-mt-trq</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/duty-free-sugar-import-government-approves-10-lakh-mt-trq</guid><pubDate>Thu, 20 Aug 2026 22:33:34 +05:30</pubDate><description><![CDATA[<p>કેન્દ્ર સરકારે ખાંડ ક્ષેત્રને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, Tariff Rate Quota (TRQ) યોજના હેઠળ 10 લાખ મેટ્રિક ટન સુધી કાચી ખાંડની ડ્યુટી ફ્રી આયાતને મંજૂરી આપવામાં આવી છે. આ સુવિધા 31 ઓક્ટોબર 2026 સુધી લાગુ રહેશે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2090451788600381728"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>ખાંડની આયાત નીતિમાં સુધારો કર્યો</b></h2><p>સરકારે કાચી ખાંડની આયાત નીતિમાં સુધારો કર્યો છે. નોટિફિકેશન અનુસાર, 10 લાખ મેટ્રિક ટન સુધીની આયાત નિર્ધારિત TRQ દર હેઠળ ડ્યુટી ફ્રી કરવામાં આવી છે. આ નિર્ણયથી ખાંડના સ્થાનિક બજારમાં સપ્લાય વધારવામાં અને ઉપલબ્ધતા જાળવી રાખવામાં મદદ મળી શકે છે. નોટિફિકેશનમાં Advance Authorisations હેઠળ અગાઉથી જારી થયેલા કેટલાક SION E52 સંબંધિત કેસો માટે પણ મહત્વપૂર્ણ જોગવાઈ કરવામાં આવી છે. આવા કિસ્સાઓમાં ખાંડની આયાત માટે આપવામાં આવેલી Advance Authorisationને TRQ યોજના હેઠળ કન્વર્ઝન કરવાની એક વખતની સુવિધા આપવામાં આવશે. જોકે, આ માટે નિર્ધારિત શરતોનું પાલન કરવું પડશે.</p><h3><b>GST પર શું લીધો નિર્ણય?</b></h3><p>આ ઉપરાંત, આયાત કરવામાં આવેલી કાચી ખાંડને દેશમાં રિફાઈન કરીને તૈયાર કરવામાં આવે ત્યારે લાગુ પડતી GST સંબંધિત જોગવાઈઓનું પણ પાલન કરવું પડશે. નોટિફિકેશનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આયાત સમયે કાચી ખાંડ પર લાગુ GST અને બાદમાં તૈયાર ખાંડની નિકાસ સંબંધિત નિયમો મુજબ પ્રક્રિયા હાથ ધરાશે.</p><h4><b>કાચા માલની ઉપલબ્ધતા વધવાની શક્યતા</b></h4><p>DGFTને TRQ અને Advance Authorisationના કન્વર્ઝન માટેની પ્રક્રિયા નક્કી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ માટે જરૂરી પ્રક્રિયા જાહેર નોટિસ મારફતે નક્કી કરવામાં આવશે. સરકારના આ નિર્ણયથી ખાંડ ઉદ્યોગમાં કાચા માલની ઉપલબ્ધતા વધવાની શક્યતા છે. સાથે જ, સ્થાનિક બજારમાં ખાંડના ભાવ અને પુરવઠાને સ્થિર રાખવામાં પણ આ પગલું મહત્વપૂર્ણ બની શકે છે. આ નોટિફિકેશન વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીની મંજૂરી બાદ જારી કરવામાં આવ્યું છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/world/india-mauritius-fuel-deal-petrol-diesel-atf-supply" target="_blank">આ પણ વાંચો : India-Mauritius વચ્ચે મોટી ફ્યુઅલ ડીલ, પેટ્રોલ-ડીઝલ-ATF સપ્લાય કરશે દેશ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/ZgTobXU0Aaae3K0oMohQfFAc6Gqhq3alEyY9Aohw.webp'/></item><item><title><![CDATA[Duty Free Sugar : કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ખાંડની ડ્યુટી ફ્રી આયાતને આપી મંજૂરી ]]></title><link>https://sandesh.com/india/news/business/duty-free-sugar-import-government-approves-10-lakh-mt-trq</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/duty-free-sugar-import-government-approves-10-lakh-mt-trq</guid><pubDate>Thu, 20 Aug 2026 22:33:34 +05:30</pubDate><description><![CDATA[<p>કેન્દ્ર સરકારે ખાંડ ક્ષેત્રને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, Tariff Rate Quota (TRQ) યોજના હેઠળ 10 લાખ મેટ્રિક ટન સુધી કાચી ખાંડની ડ્યુટી ફ્રી આયાતને મંજૂરી આપવામાં આવી છે. આ સુવિધા 31 ઓક્ટોબર 2026 સુધી લાગુ રહેશે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2090451788600381728"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>ખાંડની આયાત નીતિમાં સુધારો કર્યો</b></h2><p>સરકારે કાચી ખાંડની આયાત નીતિમાં સુધારો કર્યો છે. નોટિફિકેશન અનુસાર, 10 લાખ મેટ્રિક ટન સુધીની આયાત નિર્ધારિત TRQ દર હેઠળ ડ્યુટી ફ્રી કરવામાં આવી છે. આ નિર્ણયથી ખાંડના સ્થાનિક બજારમાં સપ્લાય વધારવામાં અને ઉપલબ્ધતા જાળવી રાખવામાં મદદ મળી શકે છે. નોટિફિકેશનમાં Advance Authorisations હેઠળ અગાઉથી જારી થયેલા કેટલાક SION E52 સંબંધિત કેસો માટે પણ મહત્વપૂર્ણ જોગવાઈ કરવામાં આવી છે. આવા કિસ્સાઓમાં ખાંડની આયાત માટે આપવામાં આવેલી Advance Authorisationને TRQ યોજના હેઠળ કન્વર્ઝન કરવાની એક વખતની સુવિધા આપવામાં આવશે. જોકે, આ માટે નિર્ધારિત શરતોનું પાલન કરવું પડશે.</p><h3><b>GST પર શું લીધો નિર્ણય?</b></h3><p>આ ઉપરાંત, આયાત કરવામાં આવેલી કાચી ખાંડને દેશમાં રિફાઈન કરીને તૈયાર કરવામાં આવે ત્યારે લાગુ પડતી GST સંબંધિત જોગવાઈઓનું પણ પાલન કરવું પડશે. નોટિફિકેશનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આયાત સમયે કાચી ખાંડ પર લાગુ GST અને બાદમાં તૈયાર ખાંડની નિકાસ સંબંધિત નિયમો મુજબ પ્રક્રિયા હાથ ધરાશે.</p><h4><b>કાચા માલની ઉપલબ્ધતા વધવાની શક્યતા</b></h4><p>DGFTને TRQ અને Advance Authorisationના કન્વર્ઝન માટેની પ્રક્રિયા નક્કી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ માટે જરૂરી પ્રક્રિયા જાહેર નોટિસ મારફતે નક્કી કરવામાં આવશે. સરકારના આ નિર્ણયથી ખાંડ ઉદ્યોગમાં કાચા માલની ઉપલબ્ધતા વધવાની શક્યતા છે. સાથે જ, સ્થાનિક બજારમાં ખાંડના ભાવ અને પુરવઠાને સ્થિર રાખવામાં પણ આ પગલું મહત્વપૂર્ણ બની શકે છે. આ નોટિફિકેશન વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીની મંજૂરી બાદ જારી કરવામાં આવ્યું છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/world/india-mauritius-fuel-deal-petrol-diesel-atf-supply" target="_blank">આ પણ વાંચો : India-Mauritius વચ્ચે મોટી ફ્યુઅલ ડીલ, પેટ્રોલ-ડીઝલ-ATF સપ્લાય કરશે દેશ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/ZgTobXU0Aaae3K0oMohQfFAc6Gqhq3alEyY9Aohw.webp'/></item><item><title><![CDATA[India-Mauritius વચ્ચે મોટી ફ્યુઅલ ડીલ, પેટ્રોલ-ડીઝલ-ATF સપ્લાય કરશે દેશ ]]></title><link>https://sandesh.com/india/news/world/india-mauritius-fuel-deal-petrol-diesel-atf-supply</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/world/india-mauritius-fuel-deal-petrol-diesel-atf-supply</guid><pubDate>Thu, 20 Aug 2026 21:48:22 +05:30</pubDate><description><![CDATA[<p>ભારત અને મોરિશિયસ વચ્ચે એનર્જી સેક્ટરમાં મહત્વપૂર્ણ કરાર થયો છે. મોરિશિયસ સરકારે ગુરુવારે જણાવ્યું કે ભારતે મોરિશિયસને પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ફ્યુઅલ જેવા રિફાઈન્ડ પેટ્રોલિયમ ઉત્પાદનોની સપ્લાય માટે લાંબા ગાળાનો કરાર કર્યો છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને તેના કારણે વૈશ્વિક એનર્જી સપ્લાયમાં સર્જાયેલા વિક્ષેપો વચ્ચે આ કરાર મોરિશિયસની ઊર્જા સુરક્ષા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.</p><h2><b>નાણાકીય શરતો જાહેર કરાઈ નથી</b></h2><p>આ કરારો કેન્દ્રીય પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી હરદીપ પુરીની મોરિશિયસ મુલાકાત દરમિયાન કરવામાં આવ્યા હતા. તેમાં ઓઈલ અને ગેસ ક્ષેત્રે સહયોગ માટે સરકાર-થી-સરકાર MoU તેમજ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન સાથે ખરીદી-વેચાણ કરારનો સમાવેશ થાય છે. જોકે, બંને દેશોએ સપ્લાયના જથ્થા તેમજ વ્યાવસાયિક અને નાણાકીય શરતો જાહેર કરી નથી.</p><h3><b>વિક્ષેપોની અસર વૈશ્વિક તેલ સપ્લાય પર પડી&nbsp;</b></h3><p>હરદીપ પુરીએ જણાવ્યું કે મોરિશિયસ દક્ષિણ એશિયાની બહારનો પ્રથમ દેશ છે, જેણે ભારતીય સરકારી ઓઈલ કંપની સાથે આ પ્રકારનો કરાર કર્યો છે. આ વ્યવસ્થા આ વર્ષની શરૂઆતમાં બંને દેશો વચ્ચે થયેલી ચર્ચાના આધારે તૈયાર થઈ છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ અગાઉ જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયા સંકટે ઊર્જા ક્ષેત્રમાં વ્યૂહાત્મક ભાગીદારીના મહત્વને વધુ સ્પષ્ટ કર્યું છે. ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ આસપાસના સંઘર્ષ અને વિક્ષેપોની અસર વૈશ્વિક તેલ સપ્લાય તથા ક્રૂડ ઓઈલના ભાવ પર પડી રહી છે.</p><h4><b>બાયોફ્યુઅલ ક્ષેત્રે પણ સહયોગ</b></h4><p>ભારત અને મોરિશિયસ વચ્ચે ઊર્જા સહયોગનો વ્યાપ રિન્યુએબલ એનર્જી સુધી પણ વિસ્તરી રહ્યો છે. બંને દેશો સોલર એનર્જી અને બાયોફ્યુઅલ ક્ષેત્રે પણ સહયોગ કરી રહ્યા છે. મોરિશિયસના હેનરિએટામાં 8 મેગાવોટના સોલર પાવર પ્લાન્ટ સહિત વિવિધ પહેલમાં ભારત સહયોગ આપી રહ્યું છે. આ કરાર બંને દેશો વચ્ચેની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવે છે. ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોરિશિયસ મુલાકાત દરમિયાન બંને દેશોએ પોતાના સંબંધોને ‘Enhanced Strategic Partnership’ના સ્તરે લઈ જવાની જાહેરાત કરી હતી. ત્યારથી દરિયાઈ સહયોગ, આરોગ્ય, શિક્ષણ અને વિકાસ સહિતના અનેક ક્ષેત્રોમાં ભાગીદારી વધી છે.</p><p><b><a href="https://sandesh.com/world/news/nasa-22-year-old-swift-telescope-rescue-mission-fails" target="_blank">આ પણ વાંચો : NASAના 22 વર્ષ જૂના Swift ટેલિસ્કોપનું રેસ્ક્યુ મિશન ગયું નિષ્ફળ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/vjLEqMU8IewdadDxl7n9PYyyNzE8lKxGevMJyEyU.webp'/></item><item><title><![CDATA[Rocking Star Yash : રિલિઝ પહેલાં જ ટોક્સિકનો અમેરિકામાં દબદબો! એડવાન્સ બુકિંગમાં કમાયા કરોડો ]]></title><link>https://sandesh.com/entertainment/news/toxic-usa-advance-booking-india-date</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/toxic-usa-advance-booking-india-date</guid><pubDate>Thu, 20 Aug 2026 17:43:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સાઉથ સુપરસ્ટાર યશની ફિલ્મ ટોક્સિક હવે રિલીઝની ખૂબ નજીક પહોંચી ગઈ છે. ફિલ્મનું અમેરિકામાં એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે અને તેણે એડવાન્સ બુકિંગમાં શાનદાર શરૂઆત કરી છે. જાણો કે ફિલ્મે અમેરિકામાં અત્યાર સુધી કેટલી કમાણી કરી છે અને ભારતમાં તેનું એડવાન્સ બુકિંગ ક્યારથી શરૂ થશે?</p><h2 style="text-align: justify; "><b>અમેરિકામાં પ્રી-સેલ્સ શરૂ</b></h2><p style="text-align: justify; ">અમેરિકામાં ફિલ્મ ટોક્સિકનું પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે. ફિલ્મે અમેરિકામાં પ્રી-સેલ્સ દ્વારા સત્તાવાર રીતે 1,20,000 ડોલરની કમાણી કરી લીધી છે અને હજુ તેની રિલીઝને 7 દિવસ બાકી છે. વિદેશમાં ફિલ્મ સારી કમાણી કરશે તેવી આશા છે. કારણ કે જો આગામી 7 દિવસ સુધી પણ ફિલ્મ આ જ રીતે કમાણી કરતી રહેશે, તો મોટું કલેક્શન થઈ શકે છે.</p><h3 style="text-align: justify; "><b>એડવાન્સ બુકિંગનું કલેક્શન</b></h3><p style="text-align: justify; ">અમેરિકાની વેંકી બોક્સ ઓફિસના રિપોર્ટ અનુસાર, USAમાં ફિલ્મ ટોક્સિકના એડવાન્સ બુકિંગે સત્તાવાર રીતે 1,20,000 ડોલરની કમાણીનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મની રિલીઝને હજુ 7 દિવસ બાકી છે અને તે સારા પ્રદર્શન તરફ આગળ વધી રહી છે.</p><h4 style="text-align: justify; "><b>અમેરિકાથી સારી કમાણીની આશા</b></h4><p style="text-align: justify; ">મળતી માહિતી પ્રમાણે ફિલ્મે 204 લોકેશન અને 589 શોમાં 1,21,258 ડોલર એટલે કે 1.16 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અત્યાર સુધી નોર્થ અમેરિકન માર્કેટમાં ફિલ્મની 5,550થી વધુ ટિકિટ વેચાઈ ચૂકી છે અને દરરોજ લગભગ 10,000 ડોલરનું બુકિંગ થઈ રહ્યું છે. અમેરિકાથી સારા અને મોટા કલેક્શનની આશા રાખવામાં આવી રહી છે.</p><h4 style="text-align: justify; "><b>ભારતમાં ક્યારથી શરૂ થશે એડવાન્સ બુકિંગ?</b></h4><p style="text-align: justify; ">ફિલ્મના ભારતમાં એડવાન્સ બુકિંગની વાત કરીએ તો ટોક્સિકનું એડવાન્સ બુકિંગ 21 ઓગસ્ટથી શરૂ થવાનું છે. જોકે, ફિલ્મને એડવાન્સ બુકિંગમાં ભારતીય દર્શકો તરફથી કેવો પ્રતિસાદ મળે છે તે જોવાનું રહેશે. તેની જાણ ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થયા બાદ જ થશે.</p><h4 style="text-align: justify; "><b>ફિલ્મની કાસ્ટ</b></h4><p style="text-align: justify; ">આ ફિલ્મમાં યશ ઉપરાંત નયનતારા, કિયારા અડવાણી, હુમા કુરેશી, તારા સુતારિયા અને રુક્મિણી વસંત મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના બજેટની વાત કરીએ તો તેનું બજેટ 850 કરોડથી 1000 કરોડ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે, મેકર્સે આ અંગે સત્તાવાર રીતે કોઈ માહિતી આપી નથી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/yash-toxic-movie-runtime-3-hours-11-minutes-dhurandhar" target="_blank">આ પણ વાંચો-Dhurandhar કરતાં પણ વધુ ખતરનાક અને બોલ્ડ હશે યશની 3 કલાક 11 મિનિટની ટોક્સિક!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/BJAKdAKu5bjZm2XkKqobc7q0GE970pBWglBEfN6V.webp'/></item></channel></rss>