<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Dabhoi: કનાયડા ગામે રક્તદાન શિબિરમાં 200 યુનિટ રક્ત એકત્ર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dabhoi/dabhoi-200-units-of-blood-collected-in-blood-donation-camp-in-kanayda-village</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dabhoi/dabhoi-200-units-of-blood-collected-in-blood-donation-camp-in-kanayda-village</guid><pubDate>Mon, 07 Sep 2026 01:36:42 +05:30</pubDate><description><![CDATA[<p>ડભોઇ : ડભોઇ તાલુકાના કનાયડા ગામે રહેમતે આલમ બ્લડ ડોનેશન કેમ્પ ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ અને ફૈઝ યંગ સર્કલ કમિટી તથા કનાયડા યંગ સર્કલ આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં મહિલા અને પુરુષો સહિત 200 જેટલા દાતાએ બ્લડનું દાન કર્યું હતું. કેમ્પનું આયોજન સુફી એ મિલ્લત સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબ કલ્લાશરીફ્ની પ્રેરણાથી અને ખલીફાએ સુફી એ મિલ્લત સૈયદ વાહીદ અલી બાવા સાહેબની દુવાથી મોહમ્મદ પૈગંમ્બર સાહેબના 15001માં જન્મદિન પ્રસંગે ડૉ. કનાયડા ગામે કેમ્પમાં સૈયદ મોઈન અલી બાવા તેમજ કોંગ્રેસ ગુજરાત પ્રદેશ મહામંત્રી ચિરાગ શેખની ઉપસ્થિતિમાં કનાયડા પ્રાથમિક શાળા ખાતે મહિલાઓ પુરુષો અને યુવાનો દ્વારા 200 જેટલા દાતાઓએ રક્તદાન કર્યું હતું. કનાયડાના રાજ કાલુભાઈ તથા પઠાણ ઉર્વશભાઈ અને રાજ અનવરભાઈ વગેરે કેમ્પને સફ્ળ બનાવ્યો હતો.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/42yTxi5IhRknY9Lako2C0BMeIx99qFmW2dRmm1jU.webp'/></item><item><title><![CDATA[Vadodara: જરોદ ગામે જન્માષ્ટમીના મેળામાં જનમેદની ઊમટી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-crowds-throng-the-janmashtami-fair-in-jarod-village</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-crowds-throng-the-janmashtami-fair-in-jarod-village</guid><pubDate>Mon, 07 Sep 2026 01:36:00 +05:30</pubDate><description><![CDATA[<p>જરોદ : વાઘોડીયા તાલુકાનાં જરોદ ગામે વિશ્વામિત્રી નદીના કાંઠે આવેલ ચંદ્રેશ્વર મહાદેવ ખાતે પ્રતિવર્ષ મુજબ, જન્માષ્ટમીએ (ગોકુળ આઠમ) મેળો ભરાયો હતો. જેમાં જનમેદની ઊમટી હતી. જરોદ પોલીસ દ્વારા મેળામાં કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. સાથે દ્વારકાધીશ મંદિર, રણછોડજી મંદિરમાં જન્માષ્ઠમી નિમિતે ધાર્મિક પ્રોગ્રામ યોજાયાં હતાં. તેમજ રાત્રે 12 વાગ્યે મંદિરોમાં દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી. આ દિવસે સવારે ડૉ. પ્રવિણ પાઠક દ્વારા ગામના જાગનાથ મહાદેવથી શણગારેલી પાલખીમાં શંકર ભગવાનનું મુખારવિંદ મૂકી ગામમા વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી. જેના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. શ્રીજી સોસાયટીમાં રણછોડજી મંદિર ખાતે મટકી ફોડવામાં આવી હતી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/c8pLdhv4qlNUxYtTLyx2PghNTnqb2SCGSi5hlxh2.webp'/></item><item><title><![CDATA[Vadodara: વાઘોડિયામાં ધારાસભ્યની આગેવાનીમાં સ્વચ્છતા અભિયાન ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-mla-leads-cleanliness-drive-in-waghodia</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-mla-leads-cleanliness-drive-in-waghodia</guid><pubDate>Mon, 07 Sep 2026 01:35:18 +05:30</pubDate><description><![CDATA[<p>વાઘોડિયા : વાઘોડિયા નગરમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા અને નગરને સુંદર બનાવવાના ઉપદેશ સાથે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા વિશેષ ઉપસ્થિત રહી જાતે સફાઈ કામગીરીમાં જોડાઈને ગ્રામજનોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. આ સ્વચ્છતા ઝુંબેશ વાઘોડિયા નગરના ST ડેપોથી શરૂ થઈને જય અંબે ચોકડી સુધી યોજવામાં આવી હતી. આ સ્વચ્છતા અભિયાન દરમિયાન નગરના મુખ્ય માર્ગો પરથી કચરો દૂર કરી સફાઈ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નગરજનોમાં સ્વચ્છતા પ્રત્યે લોકજાગૃતિ લાવવાનો અને પર્યાવરણને સ્વચ્છ રાખવાનો હતો. આ સ્વચ્છતા અભિયાનમાં નગરપાલિકાના પ્રમુખ બ્રિજેશ ગોસ્વામી, ભાજપ સંગઠન પ્રમુખ જયભાઈ જોશી અને તેમની સમગ્ર ટીમ, નગરપાલિકાના તમામ કોર્પોરેટરો ભાઈઓ તેમજ બહેનો તેમજ સ્થાનિક સફાઈ કામદારો મોટી સંખ્યામાં જોડાયા હતા.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/ldHgr6rpx9Rg4oJujuWcc4798NuMzZvy8oWg4Z0s.webp'/></item><item><title><![CDATA[Chhota Udepur: નસવાડી કૉલેજમાં શિક્ષકદિન અને જન્માષ્ટમીની ઉજવણી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhota-udepur-teachers-day-and-janmashtami-celebrated-at-naswadi-college</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhota-udepur-teachers-day-and-janmashtami-celebrated-at-naswadi-college</guid><pubDate>Mon, 07 Sep 2026 01:33:08 +05:30</pubDate><description><![CDATA[<p>નસવાડી : નસવાડીની શ્રી ચુનિલાલ હિંમતભાઈ ભીલ સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ ખાતે સાંસ્કૃતિક વિભાગ દ્વારા શિક્ષક દિન અને જન્માષ્ટમીની ઉજવણી નિમિત્તે દહીંહાંડી (મટકી ફોડ) એમ બે કાર્યક્રમ યોજાયા હતા. શિક્ષક દિનની ઉજવણીમાં કૉલેજના તમામ પ્રાધ્યાપકોનું વિદ્યાર્થીઓ દ્વારા સન્માન અને અભિવાદન કરાયું હતું. કોલેજના આચાર્ય પી.જે. જોશી તથા કોલેજના IQAC કો-ઓર્ડીનેટર ડૉ. એમ. એમ. ડામોર દ્વારા વિદ્યાર્થીઓને આશિર્વચન પાઠવાયા હતા. શિક્ષક તરીકે ભાગ લેનાર વિદ્યાર્થીઓએ પ્રતિભાવો રજૂ કર્યા હતા. અંતે સાંસ્કૃતિક વિભાગના અધ્યક્ષ ડૉ. એન. એમ. રાઠવાએ આભાર વ્યક્ત કર્યો હતો. ત્યાર બાદ કોલેજના પટાંગણમાં જન્માષ્ટમી મહોત્સવનો બીજો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાસ ગરબાની રમઝટ અને દહીંહાંડી (મટુકીફોડ) જેવા કાર્યક્રમો યોજાયા હતા. જેનું સંચાલન ડૉ. પ્રીતેશ રાઠોડે કર્યું હતું.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/siY6mpiNTgZ56ffUd9WJ4MdNhTiiaPtUZ7IEgYNX.webp'/></item><item><title><![CDATA[Vadodara: કરજણ નગર પાલિકા દ્વારા સેવા સેતુમાં લાભાર્થી ઊમટયાં ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-beneficiaries-flocked-to-seva-setu-by-karjan-municipality</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-beneficiaries-flocked-to-seva-setu-by-karjan-municipality</guid><pubDate>Mon, 07 Sep 2026 01:29:27 +05:30</pubDate><description><![CDATA[<p>નાગરિકોને વિવિધ સરકારી જનકલ્યાણકારી યોજનાઓની સેવાઓ અને લાભો સરળતાથી, પારદર્શક રીતે તથા સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવાના હેતુથી કરજણ નગરપાલિકા દ્વારા આયોજિત સેવાસેતુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહી સેવાઓનો લાભ લીધો હતો.</p><p>આયોજિત સેવાસેતુ કેમ્પ દરમિયાન માતૃશક્તિ યોજના, બાળશક્તિ યોજના, ક્કપૂર્ણાક્ર યોજના, વિધવા સહાય યોજના, વયવંદના યોજના, નિરાધાર સહાય યોજના, આભા કાર્ડ, હેલ્થ એન્ડ વેલનેસ કાર્ડ તથા નમોશ્રી યોજના સહિતની વિવિધ યોજનાઓ અંતર્ગત જરૂરી સેવાઓ અને માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત PMJAY તથા PMMY યોજના, આધાર કાર્ડ અને રાશનકાર્ડમાં સુધારા-વધારા તેમજ નાણાકીય સાક્ષરતા સંબંધિત સેવાઓ પણ કેમ્પના માધ્યમથી ઉપલબ્ધ કરાવાઇ હતી. વિવિધ સરકારી સેવાઓ એક જ સ્થળે મળી રહેતાં નાગરિકોના સમય શક્તિ અને આર્થિક નાણાંની બચત થઈ હતી. સરકારી યોજનાઓનો લાભ મેળવવામાં સરળતા રહી હતી. સેવાસેતુ કેમ્પની વિશેષ સિદ્ધિરૂપે આવાસ યોજનાના કુલ 25 લાભાર્થીને એલોટમેન્ટ લેટર એનાયત કરાયા હતા. કેમ્પમાં મામલતદાર છાયાબેન પઢિયાર, મુખ્ય અધિકારી એમ. એ. સોલંકી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાહતા. અધિકારીઓ દ્વારા કેમ્પની કામગીરીનું નિરીક્ષણ કરી નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓનો મહત્તમ લાભ મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન અને સહયોગ આપવામાં આવ્યો હતો.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/nQLERXAQlBdbZsUq3voDADI6mOuCKblcgXWjWAIc.webp'/></item><item><title><![CDATA[Delhi Building Collapse:  દિલ્હી બિલ્ડિંગ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, ઈજાગ્રસ્તો માટે કરી પ્રાર્થના ]]></title><link>https://sandesh.com/india/news/delhi-building-collapse-pm-modi-expresses-grief-over-delhi-building-accident-prays-for-injured</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/delhi-building-collapse-pm-modi-expresses-grief-over-delhi-building-accident-prays-for-injured</guid><pubDate>Sun, 06 Sep 2026 21:55:57 +05:30</pubDate><description><![CDATA[<p>Delhi Building Collapse: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં ઈમારત ધરાશાયી થવાથી થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો અને આ ઘટનાને “દુઃખદ” ગણાવી હતી.</p><h2><b>પીએમઓએ X પર પોસ્ટ કરી</b></h2><p>“દિલ્હીના સત્ય નિકેતનમાં ઈમારત ધરાશાયી થવાની ઘટના દુઃખદ છે. પોતાના પ્રિયજનોને ગુમાવનારા લોકો પ્રત્યે મારી સંવેદના,” વડાપ્રધાન કાર્યાલયે X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું. PM મોદીએ કહ્યું કે ઘટનાસ્થળે રાહત અને બચાવ ટીમો અસરગ્રસ્ત લોકોને જરૂરી મદદ પહોંચાડી રહી છે. વડાપ્રધાને વધુમાં કહ્યું કે તેઓ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોના “ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના” કરી રહ્યા છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PMOIndia/status/2096602021982048765"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b style="font-size: 1.5rem;">3 લોકોનાં મોત, 40 વિદ્યાર્થીઓ ફસાયા હોવાની આશંકા</b></p><p>રવિવારે બપોરે દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં છોકરાઓના PG હોસ્ટેલની એક બહુ-માળી ઈમારત ધરાશાયી થતાં ઓછામાં ઓછા ત્રણ લોકોનાં મોત થયા હતા. જ્યારે આશરે 40 વિદ્યાર્થીઓ કાટમાળમાં ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2096600587936903480"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b style="font-size: 1.25rem;">11 લોકોને કાટમાળમાંથી બચાવાયા</b></p><p>દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું હતું કે 11 લોકોને કાટમાળમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. રેખા ગુપ્તા ઘાયલોની સ્થિતિ જાણવા હોસ્પિટલ પહોંચ્યા છે અને અધિકારીઓ પાસેથી સમગ્ર ઘટનાની માહિતી મેળવી છે. તેમણે કહ્યું કે, આ ઘટના માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/outcry-over-delhi-building-tragedy-cm-rekha-gupta-said-those-responsible-will-not-be-spared" target="_blank">આ પણ વાંચો: દિલ્હી ઈમારત દુર્ઘટનાથી હાહાકાર, CM રેખા ગુપ્તાએ કહ્યું, "જવાબદારોને બક્ષવામાં નહીં આવે"</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/06/cBQhD8SnsUH0TvcBFr0YMGD44S8hKi62GmaChYKq.webp'/></item><item><title><![CDATA[Delhi Building Collapse: દિલ્હી ઈમારત દુર્ઘટનાથી હાહાકાર, CM રેખા ગુપ્તાએ કહ્યું, "જવાબદારોને બક્ષવામાં નહીં આવે" ]]></title><link>https://sandesh.com/india/news/outcry-over-delhi-building-tragedy-cm-rekha-gupta-said-those-responsible-will-not-be-spared</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/outcry-over-delhi-building-tragedy-cm-rekha-gupta-said-those-responsible-will-not-be-spared</guid><pubDate>Sun, 06 Sep 2026 21:32:04 +05:30</pubDate><description><![CDATA[<p>Delhi Building Collapse: દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં ઈમારત ધરાશાયી થયા બાદ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. અત્યાર સુધી કાટમાળમાંથી 11 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, બચાવવામાં આવેલા લોકોમાંથી ત્રણનાં મોત થયા છે. આશંકા છે કે કેટલાક લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા હોઈ શકે છે. આ દરમિયાન મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે, આ ઘટનાના જવાબદારોને બક્ષવામાં આવશે નહીં.</p><h2><b>કાટમાળમાં ફસાયેલા લોકોને શોધવા કેમેરાનો ઉપયોગ</b></h2><p>સત્ય નિકેતન વિસ્તારમાં ઈમારત ધરાશાયી થયા બાદથી બચાવ કામગીરીમાં લાગેલી ટીમો અંદર ફસાયેલા લોકોને શોધવા માટે કેમેરાનો ઉપયોગ કરી રહી છે. અંદર ફસાયેલા લોકો સુધી ઓક્સિજન પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રાહત અને બચાવ કાર્યમાં સામેલ એજન્સીઓ તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. કાટમાળમાં 30થી વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2096600587936903480"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b style="font-size: 1.75rem;">CM રેખા ગુપ્તાએ ઘટનાસ્થળે સ્થિતિનો તાગ મેળવ્યો</b></p><p>દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ સત્ય નિકેતનમાં ઈમારત ધરાશાયી થવાની ઘટના બાદ સ્થિતિનો તાગ મેળવ્યો. તેમણે આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી. તેમણે કહ્યું કે સરકારની પ્રથમ પ્રાથમિકતા કાટમાળમાં ફસાયેલા લોકોના જીવ બચાવવાની છે. તમામ સંબંધિત એજન્સીઓ સતત બચાવ કામગીરીમાં જોડાયેલી છે અને ઘટનાસ્થળે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. CM રેખા ગુપ્તાએ કહ્યું કે બચાવવામાં આવેલા તમામ લોકોના સ્વાસ્થ્ય અંગે માહિતી લેવામાં આવી રહી છે.</p><h4><b>માલિક હોય કે અધિકારી, કોઈને બક્ષવામાં નહીં આવે</b></h4><p>આ દુર્ઘટનાનું કારણ જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, ઈમારત જૂની હતી અને તેમાં બાંધકામ તથા સમારકામનું કામ ચાલી રહ્યું હતું. તેમના જણાવ્યા અનુસાર, બેઝમેન્ટમાં ખોદકામનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન એક પિલર ખસી ગયો, જેના કારણે આખી ઈમારત ધરાશાયી થઈ ગઈ. તેમણે સ્પષ્ટ કહ્યું કે હાદસા માટે જે પણ જવાબદાર હશે, તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. રેખા ગુપ્તાએ ભારપૂર્વક કહ્યું કે કોઈને પણ બક્ષવામાં આવશે નહીં, પછી તે ઈમારતનો માલિક હોય કે કોઈ અધિકારી.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2096602893629735141"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b style="font-size: 1.25rem;">PG તરીકે ઉપયોગમાં લેવાઈ રહી હતી ઈમારત</b></p><p>મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર, ઈમારતનો ઉપયોગ પેઇંગ ગેસ્ટ (PG) તરીકે કરવામાં આવી રહ્યો હતો અને દુર્ઘટના સમયે અંદર યુવાનો હાજર હતા. હાલ વહીવટીતંત્રની પ્રાથમિકતા કાટમાળમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની છે. બચાવ ટીમો સાવચેતીપૂર્વક કાટમાળ હટાવીને અંદર ફસાયેલા લોકોને શોધી રહી છે. ઓક્સિજન સપ્લાય અને કેમેરાની મદદથી બચાવ કામગીરી આગળ વધારવામાં આવી રહી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2096610895732617250"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b style="font-size: 1rem;">ઘાયલોને મળવા હોસ્પિટલ પહોંચ્યા મુખ્યમંત્રી</b></p><p>બચાવવામાં આવેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. રેખા ગુપ્તા ઘાયલોની સ્થિતિ જાણવા હોસ્પિટલ પહોંચ્યા છે અને અધિકારીઓ પાસેથી સમગ્ર ઘટનાની માહિતી મેળવી છે. તેમણે કહ્યું કે બચાવ અને રાહત માટે સંસાધનોની કોઈ અછત નહીં રહે અને આ ઘટના માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/delhi-building-collapse-rescue-operation-intensifies-after-building-collapse-in-satya-niketan-amit-shah-cancels-goa-program" target="_blank">આ પણ વાંચો: સત્ય નિકેતનમાં બિલ્ડિંગ ધરાશાયી બાદ રેસ્ક્યૂ ઓપરેશન તેજ, અમિત શાહે રદ કર્યો ગોવાનો કાર્યક્રમ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/06/wUvmA2a3En9bymsADxxXa4EovC7RDg7FmV23UiwU.webp'/></item><item><title><![CDATA[Ola, Uber અને Delivery Boy માટે બદલાશે નિયમો, કંપનીઓ પર વધશે નાણાકીય બોજ ]]></title><link>https://sandesh.com/business/news/india/rules-will-change-for-ola-uber-and-delivery-boy-financial-burden-on-companies-will-increase</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/rules-will-change-for-ola-uber-and-delivery-boy-financial-burden-on-companies-will-increase</guid><pubDate>Sun, 06 Sep 2026 19:48:46 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">કેબ, ઓટો અને બાઇક જેવી રાઇડ-હેલિંગ સેવાઓ પર ખાસ કરીને ચુકવણી-આધારિત સિસ્ટમનો બોજ પડવાની શક્યતા છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">સામાજિક સુરક્ષા ભંડોળમાં ફાળો</h2><p style="text-align: justify; ">સામાજિક સુરક્ષા સંહિતા, 2020 હેઠળ, એગ્રીગેટર કંપનીઓએ ગિગ અને પ્લેટફોર્મ કામદારો માટે સ્થાપિત સામાજિક સુરક્ષા ભંડોળમાં ફાળો આપવો જરૂરી છે. આ યોગદાન નક્કી કરવા માટેની ફોર્મ્યુલા હાલમાં વિચારણા હેઠળ છે. સરકાર એ વિચારી રહી છે કે એગ્રીગેટર કંપનીઓ પાસેથી યોગદાન તેમના વાર્ષિક ટર્નઓવરના આધારે વસૂલવામાં આવે કે કામદારોને કરવામાં આવતી ચુકવણીના આધારે. બંને અભિગમોની વિવિધ વ્યવસાયો પર અલગ અલગ અસર પડી શકે છે.</p><h3 style="text-align: justify; ">બે અભિગમો પર વિચારણા&nbsp;</h3><p style="text-align: justify; ">વિશ્લેષકો અને ઉદ્યોગ સૂત્રોના જણાવ્યા મુજબ, શ્રમ અને રોજગાર મંત્રાલય પ્રતિ-વ્યવહાર અથવા પ્રતિ-કામદાર ચુકવણી પ્રણાલીના આધારે સામાજિક સુરક્ષા યોગદાનને પ્રમાણિત કરવાનું વિચારી રહ્યું છે. બીજો વિકલ્પ કંપનીઓના વાર્ષિક ટર્નઓવર પર યોગદાનને આધાર બનાવવાનો છે. વિશ્લેષકો અને ઉદ્યોગ સૂત્રોના જણાવ્યા મુજબ, પ્રતિ-વ્યવહાર અથવા પ્રતિ-કામદાર ચુકવણી મોડેલ એવા વ્યવસાયો પર વધુ નાણાકીય બોજ લાદી શકે છે જેમના વ્યવહારોની સંખ્યા વધુ હોય પરંતુ પ્રતિ-વ્યવહાર મૂલ્ય ઓછું હોય. બંને સિસ્ટમોની અસર વિવિધ પ્લેટફોર્મના વ્યવસાય મોડેલને કારણે અલગ અલગ હોઈ શકે છે.</p><h4 style="text-align: justify; ">શું છે સામાજિક સુરક્ષા કાયદો ?</h4><p style="text-align: justify; ">સામાજિક સુરક્ષા સંહિતા, 2020 હેઠળ, એગ્રીગેટર કંપનીઓ માટે ગિગ અને પ્લેટફોર્મ કામદારો માટે સામાજિક સુરક્ષા ભંડોળમાં યોગદાન આપવું ફરજિયાત છે. નિયમો અનુસાર, એક ગિગ કાર્યકર નાણાકીય વર્ષમાં 90 દિવસ એક જ એગ્રીગેટર સાથે અથવા બહુવિધ એગ્રીગેટર કંપનીઓ સાથે કુલ 120 દિવસ કામ કર્યા પછી આ યોજના હેઠળ લાભો માટે પાત્ર બને છે. એગ્રીગેટર કંપનીઓએ તેમના વાર્ષિક યોગદાનની ગણતરી કરવી અને તેને વાર્ષિક ધોરણે જમા કરાવવી જરૂરી છે. આ યોગદાનની ગણતરી માટે હવે તકનીકી માળખા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.</p><h5 style="text-align: justify; ">ટર્નઓવરના 1 થી 2%, ચુકવણી પર 5% સુધીનું યોગદાન</h5><p style="text-align: justify; ">કોડની કલમ 114(4) હેઠળ, એગ્રીગેટર્સે તેમના વાર્ષિક ટર્નઓવરના 1 થી 2% યોગદાન આપવું જરૂરી છે. જો કે, આ રકમ ગિગ અને પ્લેટફોર્મ કામદારોને કરવામાં આવતી કુલ ચુકવણીના 5% થી વધુ ન હોઈ શકે. વિકલ્પ તરીકે, મંત્રાલય કામદારોને સીધી ચૂકવણી પર આધારિત ફોર્મ્યુલા પર પણ વિચાર કરી રહ્યું છે, જ્યાં ચુકવણીના 5% સુધીનું યોગદાન લઈ શકાય છે. વિશ્લેષકો માને છે કે આવી ચુકવણી-આધારિત સિસ્ટમ રાઇડ-હેલિંગ, એટલે કે, કેબ, ઓટો અને બાઇક સેવાઓ જેવા ઉચ્ચ વ્યવહાર વ્યવસાયો માટે ખૂબ જ બોજારૂપ બની શકે છે.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/knowledge/news/world/un-world-new-map-why-is-the-uns-new-world-map-in-the-news-africa-is-14-times-bigger-than-greenland" target="_blank"> શા માટે ચર્ચામાં છે UNનો નવો 'વર્લ્ડ મેપ'?, ગ્રીનલેન્ડ કરતાં 14 ગણો મોટુ છે આફ્રિકા!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/06/3HXIvHkdgChGsIfQVrFpfCysGZl50QebDbvpAYys.webp'/></item><item><title><![CDATA[જાસ્મિન-અલી ગોનીના સંબંધમાં પડી તિરાડ! અભિનેત્રીએ કર્યો ખુલાસો ]]></title><link>https://sandesh.com/entertainment/news/jasmin-bhasin-denies-breakup-rumours-with-aly-goni-over-tattoo-post</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/jasmin-bhasin-denies-breakup-rumours-with-aly-goni-over-tattoo-post</guid><pubDate>Sun, 06 Sep 2026 18:29:47 +05:30</pubDate><description><![CDATA[<p>ટીવી અભિનેત્રી જાસ્મીન ભસીને અભિનેતા એલી ગોની સાથેના બ્રેકઅપ અંગેની અફવાઓનો જવાબ આપ્યો છે. આ અફવાઓ તેણીએ તેના પહેલા ટેટૂ વિશે એક ભાવનાત્મક પોસ્ટ શેર કર્યા પછી શરૂ થઈ હતી, જેનાથી ચાહકો અને સોશિયલ મીડિયા યૂઝર્સમાં અટકળો શરૂ થઈ હતી. અભિનેત્રીએ તાજેતરમાં "I AM Enough" લખેલું ટેટૂ કરાવવા અંગે એક રહસ્યમય નોંધ શેર કરી હતી, પરંતુ પછીથી તેણે પોસ્ટ કાઢી નાખી.</p><p><br></p><p>એલી ગોની સાથે બ્રેકઅપની અફવાઓને સંબોધતા,જાસ્મીને હવે બીજી નોંધ શેર કરી છે. તે ભાવનાત્મક પોસ્ટ પછી સોશિયલ મીડિયા પર અટકળો ઉભી થઈ હતી જે જાસ્મીન અને એલીના સંબંધોમાં તિરાડ હોવાનું સૂચવે છે. જો કે, જાસ્મીને હવે આ અટકળોને સંબોધિત કરી છે અને સ્પષ્ટતા કરી છે કે તેની પોસ્ટ તેના સંબંધ વિશે નથી.</p><p><img alt="jasmine " src="https://epapercdn.sandesh.com/images/2026/09/06/erFBNH8Zi4itCAltj9vzrZqUuYwsoxAW23jnsHHm.webp"><br></p><p>રવિવાર, 6 સપ્ટેમ્બર, 2026 ના રોજ, જાસ્મીન ભસીને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર બ્રેકઅપની અફવાઓનું ખંડન કર્યું અને લોકોને વિનંતી કરી કે દરેક વ્યક્તિગત પોસ્ટને તેના સંબંધ વિશે છુપાયેલા સંદેશ તરીકે અર્થઘટન ન કરો. તેણે લખ્યું, "આશ્ચર્યજનક છે કે મીડિયા પોસ્ટને કેવી રીતે ટ્વિસ્ટ કરે છે અને વ્યૂઝ અને અટેન્શન મેળવવા માટે કપલના ફોટાનો ઉપયોગ કરે છે, ફક્ત વધુ લોકોને જોવા માટે. શાંત રહો, મિત્રો."</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/SunshineMusee/status/2096266862359404759"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><br></p><p>તે વાયરલ પોસ્ટમાં, જાસ્મિનએ પોતાના પ્રેમ અને પોતાની જાતને પસંદ કરવાની પોતાની સફર વિશે વાત કરી. તેણે વર્ણવ્યું કે કેવી રીતે વર્ષોથી તે એવી વ્યક્તિ બનવાનો પ્રયાસ કરતી હતી જેને લોકો સરળતાથી પ્રેમ કરી શકે. તેણે લખ્યું કે પ્રેમ, સ્વીકૃતિ અને પોતાનાપણાની ભાવનાની શોધમાં તે સતત નાના બોક્સમાં ફિટ થવા માટે પોતાને બદલવા, સંકોચવા અને સમાયોજિત કરવાનો પ્રયાસ કરતી હતી.</p><p><br></p><p>અભિનેત્રીએ એ પણ સ્વીકાર્યું કે, આ સફરમાં ક્યાંક, તેણે સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ ગુમાવી દીધી હતી: તેણે જણાવ્યું કે તે હવે પહેલા જેવી નચિંત, ખુશખુશાલ, સકારાત્મક છોકરી નથી રહી, કારણ કે તેણી સતત બીજાઓ માટે યોગ્ય બનવાનો પ્રયાસ કરતી હતી જ્યારે ભૂલી ગઈ હતી કે તે પોતાના માટે Enough છે.</p><p><br></p><p>જાસ્મિન અને અલી, જે એક સમયે સારા મિત્રો હતા, તેમણે 2020 માં બિગ બોસ 14 માં ભાગ લેતી વખતે એકબીજા પ્રત્યેના પ્રેમની કબૂલાત કરી હતી. ત્યારથી આ દંપતી સાથે છે, દરેક ખુશીની ક્ષણને સાથે સાથે ઉજવે છે. તાજેતરમાં, જાસ્મિન ભસીનને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો; દુબઈમાં તેનો 36મો જન્મદિવસ ઉજવતી વખતે તે બીમાર પડી ગઈ હતી અને ત્યારબાદ ટર્મિનલ ઇલાઇટિસનું નિદાન થયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જાસ્મિન તાજેતરમાં આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરને મળી હતી અને તેમની સાથેના ઘણા ફોટા શેર કર્યા હતા. તેણે પોતાની પોસ્ટમાં ઉલ્લેખ કર્યો હતો કે તે થોડા સમયથી પરેશાન હતી પરંતુ ગુરુદેવને મળ્યા પછી શાંતિ અનુભવી રહી છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/world/news/china-tropical-cyclone-saudel-landslide-east-china-2-dead-10-missing" target="_blank"><b>Nepal બાદ ચીનમાં ભૂસ્ખલન, બે લોકોના મોત અને 10 ગુમ</b></a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/06/VsF24Hvj1f4FhzECLizMySS6lBn7O85rMcTizAa5.webp'/></item><item><title><![CDATA[China Masters 2026 Badminton : સાત્વિક-ચિરાગની ધમાકેદાર એન્ટ્રી, ચાઇના માસ્ટર્સની ફાઇનલમાં પહોંચ્યા ]]></title><link>https://sandesh.com/sports/news/satwik-chirag-enter-china-masters-2026-final-after-beating-malaysia-pair</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/satwik-chirag-enter-china-masters-2026-final-after-beating-malaysia-pair</guid><pubDate>Sun, 06 Sep 2026 09:04:07 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતની અનુભવી બેડમિન્ટન જોડી સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ચાઇના માસ્ટર્સ 2026ની ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરી લીધું છે. શનિવારે રમાયેલી સેમિફાઇનલમાં ભારતીય જોડીએ મલેશિયાની જોડીને 21-16, 18-21, 21-11થી હરાવીને ખિતાબી મુકાબલામાં પ્રવેશ કર્યો હતો. આ મેચ લગભગ 1 કલાક અને 6 મિનિટ સુધી ચાલી હતી.હવે ફાઇનલમાં સાત્વિક અને ચિરાગનો સામનો ચીનની ઘરઆંગણાની જોડી સામે થશે. ભારતીય જોડી છેલ્લા 4 વર્ષમાં ત્રીજી વખત આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે. જોકે, તેઓ અત્યાર સુધી એક પણ વખત ચાઇના માસ્ટર્સનો ખિતાબ જીતી શક્યા નથી. તેથી આ વખતે ભારતીય ચાહકોને સાત્વિક-ચિરાગ પાસેથી પ્રથમ વખત ચેમ્પિયન બનવાની મોટી આશા છે.</p><h5 style="text-align: justify; "><b>મલેશિયાની જોડી સામે ફરી ભારતનો દબદબો</b></h5><p style="text-align: justify; ">વિશ્વ રેન્કિંગમાં 5મા ક્રમે રહેલી સાત્વિક-ચિરાગની ભારતીય જોડીએ સેમિફાઇનલમાં શાનદાર રમત બતાવી હતી. બીજા સેટમાં થોડો પડકાર મળ્યા બાદ ભારતીય ખેલાડીઓએ નિર્ણાયક ત્રીજા સેટમાં જોરદાર વાપસી કરી હતી.મલેશિયાની 29મા ક્રમાંકની જોડી સામે સાત્વિક અને ચિરાગનો રેકોર્ડ પહેલેથી જ સારો હતો. આ મેચ પહેલાં બંને જોડીઓ વચ્ચે 2 મુકાબલા રમાયા હતા અને બંનેમાં ભારતીય જોડીનો વિજય થયો હતો. સાત્વિક-ચિરાગે 2024 થાઇલેન્ડ ઓપન અને 2025 મલેશિયા ઓપનમાં પણ આ જોડી સામે જીત મેળવી હતી.ભારતીય જોડી 2023 અને 2025માં પણ ચાઇના માસ્ટર્સની રનર-અપ રહી ચૂકી છે. એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી આ જોડી હવે ત્રીજી વખત ફાઇનલમાં પહોંચી છે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/ani_digital/status/2096259001201885563?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h5 style="text-align: justify; "><b>શરૂઆતમાં 0-5થી પાછળ હતા</b></h5><p style="text-align: justify; ">સેમિફાઇનલની શરૂઆત ભારતીય જોડી માટે સારી રહી નહોતી. ચોથી ક્રમાંકિત સાત્વિક અને ચિરાગ એક સમયે 0-5થી પાછળ ચાલી રહ્યા હતા. જોકે બંને ખેલાડીઓએ જોરદાર વાપસી કરતાં સતત 7 પોઇન્ટ મેળવી લીધા હતા.મેચ દરમિયાન 34 શોટની લાંબી રેલી પણ જોવા મળી હતી. આ રેલી બાદ ભારતે 7-5ની સરસાઈ મેળવી હતી. મલેશિયાના ખેલાડી નૂરની કેટલીક ભૂલોનો ફાયદો ઉઠાવીને ભારતીય જોડી 10-6થી આગળ થઈ હતી. જોકે ત્યારબાદ સાત્વિક અને ચિરાગ તરફથી પણ કેટલીક ભૂલો થઈ હતી. તેમ છતાં ભારતીય જોડી બ્રેક સમયે 11-9થી આગળ હતી.</p><h5 style="text-align: justify; "><b>નિર્ણાયક સેટમાં ભારતીય ખેલાડીઓનો દબદબો</b></h5><p style="text-align: justify; ">બીજા સેટમાં મલેશિયાની જોડીએ 21-18થી જીત મેળવીને મેચને નિર્ણાયક ત્રીજા સેટમાં પહોંચાડી હતી.જોકે ત્રીજા સેટમાં સાત્વિક અને ચિરાગે શરૂઆતથી જ મજબૂત રમત બતાવી હતી.ભારતીય જોડીએ લાંબા શોટ્સ પર પોતાની પકડ જાળવી રાખી અને બ્રેક સુધી 11-4ની મોટી સરસાઈ મેળવી લીધી હતી. ત્યારબાદ સાત્વિકે જોરદાર સ્મેશ ફટકારીને ભારતની સરસાઈ 13-6 કરી હતી.મેચ આગળ વધતાં મલેશિયાના ખેલાડીઓ પર થાક સ્પષ્ટ દેખાવા લાગ્યો હતો. ભારતીય જોડીએ તેનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને મેચ પર પોતાની પકડ વધુ મજબૂત કરી. ચિરાગના એક સચોટ શોટ બાદ ભારત મેચ જીતવાની નજીક પહોંચી ગયું હતું.મલેશિયાના ખેલાડી ટૈને શરૂઆતના 2 મેચ પોઇન્ટ બચાવ્યા હતા, પરંતુ ત્યારબાદ ચિરાગે સચોટ સર્વ કરીને મહત્વનો પોઇન્ટ મેળવ્યો અને ભારતની જીત પર મહોર મારી હતી.હવે સાત્વિક-ચિરાગની નજર ચાઇના માસ્ટર્સની ટ્રોફી પર છે. અગાઉ 2 વખત ફાઇનલમાં પહોંચ્યા બાદ ખિતાબથી વંચિત રહેલી ભારતીય જોડી આ વખતે ચીનની ઘરઆંગણાની જોડી સામે પ્રથમ ચાઇના માસ્ટર્સ ટ્રોફી જીતવા માટે કોર્ટ પર ઉતરશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો<a href="https://sandesh.com/sports/news/us-open-2026-aryna-sabalenka-stops-play-after-smelling-marijuana-during-match--complains-to-umpire" target="_blank"> - US Open 2026: ના વરસાદ, ના કોઈ ટેકનિકલ ખામી, સ્ટેડિયમમાં ગાંજાની ગંધ અને રોકાઈ રમત..</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/06/AhbIusQIZ09BJVatoI8b1zMTDEo9dtsbr3FXqYET.webp'/></item></channel></rss>