<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Rajesh Khannaના અહંકારે બગાડી નાખ્યું હતું તેમનું કરિયર? કો-સ્ટારે સંભળાવ્યો સેટ પરનો ચોંકાવનારો કિસ્સો! ]]></title><link>https://sandesh.com/entertainment/news/rajesh-khanna-ego-career-co-star-set-story</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/rajesh-khanna-ego-career-co-star-set-story</guid><pubDate>Sun, 09 Aug 2026 13:20:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દિગ્ગજ અભિનેતા તેજ સપ્રુ 4 દાયકાથી વધુ લાંબી કારકિર્દીમાં 300થી વધુ ફિલ્મોનો હિસ્સો રહી ચૂક્યા છે. હિન્દી સિનેમામાં વિલનથી લઈને સપોર્ટિંગ પાત્રો સુધી પોતાની અલગ ઓળખ બનાવનાર તેજ સપ્રુએ હવે દિવંગત સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે જોડાયેલો એક જૂનો કિસ્સો શેર કર્યો છે. તેમણે જણાવ્યું કે એક ફિલ્મના શૂટિંગ દરમિયાન રાજેશ ખન્નાએ અચાનક તેમને ગાળો આપી હતી, જેના કારણે તેઓ ખૂબ દુઃખી થયા હતા. જોકે, બીજા જ દિવસે રાજેશ ખન્નાએ પોતે આગળ આવીને તેમની સાથે સમાધાન કર્યું અને પોતાની ભૂલનો અહેસાસ પણ વ્યક્ત કર્યો.</p><h2 style="text-align: justify; "><b>સ્ટારડમ સાથે આવ્યો અહંકાર, છતાં દિલદાર રહ્યા રાજેશ ખન્ના</b></h2><p style="text-align: justify; ">તેજ સપ્રુએ રાજેશ ખન્ના સાથે સેટ પર થયેલી અનબન વિશે વાત કરી અને જણાવ્યું કે બાદમાં સુપરસ્ટારે તેમની માફી માગી અને બંને વચ્ચે સમાધાન થઈ ગયું. રાજેશ ખન્નાના વ્યક્તિત્વ વિશે વાત કરતા તેજ સપ્રુએ તેમને વિરોધાભાસોથી ભરેલા વ્યક્તિ ગણાવ્યા. તેમના જણાવ્યા મુજબ, સ્ટારડમની ટોચ પર પહોંચ્યા પછી રાજેશ ખન્નામાં ઘમંડ ચોક્કસ આવ્યો હતો, પરંતુ તેમ છતાં તેઓ ખૂબ જ દિલદાર વ્યક્તિ હતા.</p><h3 style="text-align: justify; "><b>શું રાજેશ ખન્નામાં ઘમંડ હતો?</b></h3><p style="text-align: justify; ">એક પોડકાસ્ટમાં તેજ સપ્રુએ કહ્યું, રાજેશ ખન્નામાં ઘમંડ હતો. જ્યારે તમે તમારી કારકિર્દીની ટોચ પર હોવ છો, ત્યારે આવું થઈ જાય છે. ઘણી વખત તમારા કરતાં વધુ તમારી આસપાસના લોકોના માથા ફરવા લાગે છે. આવું થાય છે. પરંતુ સાથે જ, મેં તેમના કરતાં વધુ દિલદાર વ્યક્તિ ક્યારેય જોઈ નથી. આ પછી તેજ સપ્રુએ કાશ્મીરમાં એક ફિલ્મના શૂટિંગ દરમિયાન બનેલી ઘટનાનો ઉલ્લેખ કર્યો. અભિનેતાએ કહ્યું, એક ઘટના બની હતી જ્યારે અમે સાથે કામ કરી રહ્યા હતા. મેં અચાનક પાછળથી કોઈને મને ગાળો આપતા સાંભળ્યા. હું પાછળ ફર્યો અને જોયું કે એ કાકાજી એટલે કે રાજેશ ખન્ના હતા.</p><h3 style="text-align: justify; "><b>કો-સ્ટારને આપી હતી ગાળો</b></h3><p style="text-align: justify; ">તેમણે આગળ કહ્યું, તેમની પહેલી ફિલ્મ મારા પિતા ડી.કે. સપ્રુ સાથે હતી. મારા મનમાં તેમના માટે ઘણું સન્માન છે. માત્ર તેમના માટે જ નહીં, પરંતુ દરેક એવા વ્યક્તિ માટે જે મારાથી સિનિયર છે અથવા જેણે મારા પિતા સાથે કામ કર્યું છે. તે મોટો અભિનેતા હોય કે નાનો, જ્યાં સુધી તે બેસી ન જાય ત્યાં સુધી હું ખુરશી પર બેસતો નથી. આટલું સન્માન આપવા છતાં મને ખબર નથી કે શું થયું કે તેમણે પાછળથી મને ગાળો આપી. હું ખૂબ પરેશાન થઈ ગયો હતો.<br></p><h4><b>રાજેશ ખન્નાએ તેજ સપ્રુ સાથે કરી હતી સમાધાનની પહેલ</b></h4><p></p><p style="text-align: justify; ">બીજા દિવસે બરફવર્ષા વચ્ચે બંને એક ચેઝ સિક્વન્સનું શૂટિંગ કરી રહ્યા હતા. અગાઉની ઘટનાથી નારાજ તેજ સપ્રુએ તે દિવસે પહેલીવાર રાજેશ ખન્નાને જોયા છતાં તેમને વિશ કર્યું નહીં. તેમણે જણાવ્યું, એ પહેલો દિવસ હતો જ્યારે મેં તેમને વિશ કર્યું નહોતું. હું મારી ખુરશી પર એક પગ બીજા પગની ઉપર રાખીને બેસી ગયો. શોટ પૂરો થયા બાદ રાજેશ ખન્ના પોતે તેજ સપ્રુ પાસે આવ્યા અને તેમને કહ્યું, હે, લાંબા છોકરા... ભૂલી જાઓ. તેના પર તેજ સપ્રુએ જવાબ આપ્યો, સર, તમે મને કોઈ કારણ વગર ગાળો આપી હતી. તમે જ મને કહ્યું હતું કે આપણે તો માત્ર મજાક કરી રહ્યા હતા.</p><h4 style="text-align: justify; "><b>10 દિવસમાં થતી હતી મુલાકાત</b></h4><p style="text-align: justify; ">આ પછી રાજેશ ખન્નાએ મામલો પૂરો કરવાનો પ્રયાસ કર્યો અને તેજ સપ્રુને પોતાની સાથે હોટેલ આવવા માટે કહ્યું. તેજ સપ્રુએ જણાવ્યું કે આ ઘટનાની તેમના સંબંધ પર લાંબા સમય સુધી કોઈ અસર પડી નહોતી. રાજેશ ખન્નાની કારકિર્દીમાં ખરાબ સમય શરૂ થયો ત્યારે પણ તેઓ તેમને મળવા જતા રહ્યા. તેમણે જણાવ્યું, જ્યારે તેમનો ખરાબ સમય આવ્યો, ત્યારે ખારમાં તેમની એક ઓફિસ હતી. જો દર અઠવાડિયે નહીં, તો ઓછામાં ઓછા દર 10 દિવસે હું તેમને મળવા જતો હતો. તે સમયે તેમની મનપસંદ વ્હિસ્કી રેડ લેબલ હતી અને હું હંમેશા મારી સાથે એક બોટલ લઈને જતો હતો.</p><h5 style="text-align: justify; "><b>શું અહંકારે ડુબાડી દીધી કારકિર્દી?</b></h5><p style="text-align: justify; ">રાજેશ ખન્નાની કારકિર્દીના ખરાબ સમય વિશે પણ તેજ સપ્રુએ પોતાની વાત કહી. તેમણે કહ્યું કે તેમને લાગે છે કે રાજેશ ખન્નાના અહંકારે તેમના પતનને અમુક અંશે વહેલું લાવી દીધું હતું, ખાસ કરીને જ્યારે તેમની સરખામણી ધર્મેન્દ્ર અને જીતેન્દ્ર જેવા કલાકારો સાથે કરવામાં આવે છે. તેમણે કહ્યું, મને લાગે છે કે તેમનો ખરાબ સમય એ ઘમંડને કારણે વહેલો આવી ગયો, ખાસ કરીને જ્યારે ધર્મજી અને જીતુજી સાથે સરખામણી કરવામાં આવે. મને એવું જ લાગ્યું. પરંતુ એક સ્ટાર તરીકે, મેં ક્યારેય કોઈને તેમની જેવી ફેન ફોલોઇંગ સાથે જોયા નથી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/ramayan-doordarshan-indian-tv-history-profit" target="_blank">આ પણ વાંચો-Ramayan શરુ થતા જ બદલાયો દુરદર્શન અને ભારતીય ટીવીનો ઇતિહાસ, થઈ હતી કરોડોની તગડી કમાણી!</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/YvDIVtAXm8NnzQlBvaJdHnouDtUm2IHYQ5VDO245.webp'/></item><item><title><![CDATA[Air India ની ફ્લાઈટમાં પાયલટ દારૂના નશામાં હતો, ડોપ ટેસ્ટ પોઝિટિવ આવ્યોઃ સૂત્ર ]]></title><link>https://sandesh.com/india/news/air-india-pilot-dope-test-positive--phuket-delhi-flight-turbulence-probe</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/air-india-pilot-dope-test-positive--phuket-delhi-flight-turbulence-probe</guid><pubDate>Sun, 09 Aug 2026 12:35:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">તાજેતરમાં ચર્ચામાં આવેલી એર ઇન્ડિયાની ફુકેટથી દિલ્હી જતી ફ્લાઇટ AI 2379 ના મામલામાં એક મોટો ખુલાસો થયો છે. ગત 4 ઓગસ્ટના રોજ આ ફ્લાઇટ અચાનક ગંભીર ટર્બ્યુલન્સનો શિકાર બની હતી, જેના કારણે વિમાન અચાનક લગભગ 300 ફૂટ નીચે પટકાયું હતું. આ ભયાનક ઘટના બાદ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) મુજબ ફ્લાઇટના બંને પાઇલટ્સનું ફરજિયાત ડોપ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ટેસ્ટમાં એક પાઇલટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેને પગલે ઉડ્ડયન ક્ષેત્રે ભારે ચર્ચા જાગી છે.</p><h2 style="text-align: justify; "><b>&nbsp;DGCA દ્વારા તપાસ શરૂ કરવામાં આવી</b></h2><p style="text-align: justify; ">ઘટનાની ગંભીરતાને જોતા DGCA દ્વારા આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા મુજબ, ડીજીસીએનો તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ નક્કી કરવામાં આવશે કે આ મામલે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા વધુ તપાસ હાથ ધરવી કે નહીં. હાલમાં બંને પાઇલટ્સને સંપૂર્ણ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ફરજ પરથી હટાવી દેવામાં આવ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>પાઇલટ્સે ફ્લાઇટ બાદ સ્ક્રીનીંગ ટેસ્ટ કરાવ્યા</b></h3><p style="text-align: justify; ">બીજી તરફ, એર ઇન્ડિયાના પ્રવક્તાએ મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું છે કે નિયમો અનુસાર પાઇલટ્સે ફ્લાઇટ બાદ સ્ક્રીનીંગ ટેસ્ટ કરાવ્યા હતા, પરંતુ આ ટેસ્ટના અધિકૃત પરિણામો એર ઇન્ડિયા સાથે શેર કરવામાં આવ્યા નથી. આ કારણોસર એરલાઇન કંપની હાલમાં ડોપ ટેસ્ટના પરિણામો અંગે કોઈ સત્તાવાર ટિપ્પણી કરી રહી નથી. તેમ છતાં, કંપનીએ પુષ્ટિ કરી છે કે તેઓ નાગરિક ઉડ્ડયન નિયમોનું પાલન કરીને ક્રૂ સભ્યોનું નિયમિત ડ્રગ પરીક્ષણ કરે છે અને તપાસ અધિકારીઓને સંપૂર્ણ સહકાર આપવામાં આવશે.</p><h4 style="text-align: justify; "><b>ઉડ્ડયન સુરક્ષાના નિયમો પર ઉઠ્યા ગંભીર સવાલ</b></h4><p style="text-align: justify; ">ઉલ્લેખનીય છે કે 4 ઓગસ્ટની આ દુર્ઘટના દરમિયાન વિમાનમાં થયેલી ગંભીર ઉથલપાથલને કારણે અંદાજે 24 જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી હતી, જેને પગલે તેમને તબીબી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જોકે, નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુએ જણાવ્યું હતું કે મોટાભાગના મુસાફરોને પ્રાથમિક સારવાર બાદ શરૂઆતના થોડા કલાકોમાં જ રજા આપી દેવામાં આવી હતી. પાઇલટનો ટેસ્ટ પોઝિટિવ આવ્યાના અહેવાલો બાદ ઉડ્ડયન સુરક્ષા અને નિયમોના પાલન પર ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/world/us-bill-100-percent-tariff-threat-indian-exports" target="_blank">આ પણ વાંચોઃ ભારતીય માલ પર 100% ટેક્સનો ખતરો! અમેરિકાના નવા બિલથી ભારતીય નિકાસ પર સંકટ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/285v24jgi196VN0afQOjtPTxQjTHIWmXi2JcMC6f.webp'/></item><item><title><![CDATA[Rajkotમાં રિક્ષા ભાડું વધારવાની માગ ઉઠી, મોંઘવારી વચ્ચે ચાલકોએ તંત્રને કરી રજૂઆત ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/demand-to-increase-rickshaw-fares-in-rajkot-drivers-make-representations-to-the-administration-amid-inflation</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/demand-to-increase-rickshaw-fares-in-rajkot-drivers-make-representations-to-the-administration-amid-inflation</guid><pubDate>Sun, 09 Aug 2026 12:25:56 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદમાં રિક્ષા ભાડામાં વધારો થયા બાદ હવે રાજકોટ શહેરના રિક્ષા ચાલકોએ પણ ભાડા વધારા માટે અવાજ ઉઠાવ્યો છે. દિન-પ્રતિદિન વધી રહેલી મોંઘવારી વચ્ચે સીએનજી (CNG) ગેસના ભાવમાં થયેલો સતત વધારો તેમજ રિક્ષાના સ્પેરપાર્ટ્સ અને મેન્ટેનન્સ ખર્ચમાં થયેલા મસમોટા વધારાના કારણે રિક્ષા ચાલકોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. આ પરિસ્થિતિમાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતાં રિક્ષા એસોસિએશન દ્વારા ભાડું વધારવાની તીવ્ર માંગણી કરવામાં આવી છે.</p><h2><b>મિનિમમ ભાડું રૂ.25 થી રૂ.30 કરવા માગ</b></h2><p>રિક્ષા ચાલકોએ મોંઘવારીના પ્રમાણમાં ભાડાની આકારણી કરવાની માંગ કરી છે. હાલમાં જે મિનિમમ ભાડું રૂ.15થી રૂ.20 છે, તે વધારીને ઓછામાં ઓછું રૂ.25થી રૂ.30 રૂપિયા કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત લાંબા રૂટ પર દોડતી રિક્ષાઓ તેમજ શટલ રિક્ષામાં પણ મુસાફર દીઠ રૂ.5નો વધારો આપવાની માંગણી સાથે તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.</p><h3><b>તંત્ર નિર્ણય નહીં લે તો આંદોલનની ચીમકી</b></h3><p>રિક્ષા ચાલકોનું કહેવું છે કે મોંઘવારીના દર સામે વર્તમાન ભાડું તદ્દન પોષાય તેમ નથી. અમદાવાદની તર્જ પર રાજકોટમાં પણ તાત્કાલિક ધોરણે નવું ભાડા માળખું અમલી બનાવવામાં આવે. જો વહીવટી તંત્ર દ્વારા રિક્ષા ચાલકોની આ વાજબી માંગણીઓ સત્વરે સ્વીકારવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં વિરોધ પ્રદર્શન અને આંદોલન કરવાની ચીમકી પણ રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા આપવામાં આવી છે.</p><p><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/LIMNKzMVFoYvJOLf1OzPBiicJhQkhXWLkGLrMTqb.webp'/></item><item><title><![CDATA[Jamnagarમાં પાણીની તંગી વચ્ચે વેડફાટ: જોગર્સ પાર્ક પાસે મુખ્ય લાઈન તૂટતાં રસ્તા પર અડધો કિલોમીટર સુધી પાણી વહ્યું ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/jamnagar/water-flowed-for-half-a-kilometer-on-the-road-after-a-main-line-broke-near-joggers-park-in-jamnagar-</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/jamnagar/water-flowed-for-half-a-kilometer-on-the-road-after-a-main-line-broke-near-joggers-park-in-jamnagar-</guid><pubDate>Sun, 09 Aug 2026 12:09:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જામનગર શહેરમાં એક તરફ પીવાના પાણીની ભારે અછત સર્જાઈ છે, ત્યારે બીજી તરફ વહીવટી તંત્રની ઘોર બેદરકારીના કારણે હજારો લીટર શુદ્ધ પાણીનો વેડફાટ થવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા જોગર્સ પાર્ક નજીક અચાનક પીવાના પાણીની મુખ્ય લાઈન તૂટી ગઈ હતી. પાણીનું દબાણ એટલું વધારે હતું કે જોતજોતામાં રસ્તાઓ પર અડધા કિલોમીટરથી પણ વધુ અંતર સુધી પાણી ફરી વળ્યાં હતાં અને આખો માર્ગ જળબંબાકાર થઈ ગયો હતો.</p><h2 style="text-align: justify; "><b>જોગર્સ પાર્ક પાસે પાણીની લાઈન તૂટી</b></h2><p style="text-align: justify; ">જામનગર મહાનગરપાલિકા દ્વારા જળાશયોમાં પાણીના તળિયા દેખાતાં અને તંગી ઊભી થતાં સમગ્ર શહેરમાં એકાંતરા (એક દિવસ છોડીને એક દિવસ) પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. નાગરિકો ટીપે-ટીપા પાણી માટે ઝૂરતા હોય તેવા સમયે, પોશ વિસ્તારમાં હજારો લીટર પાણી રસ્તા પર વહી જતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકો ભારે પરેશાન થઈ ગયા હતા. તંત્રની આ પ્રકારની ઘોર બેદરકારી અને નીતિ સામે લોકોમાં તીવ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>રસ્તા પર અડધા કિલોમીટર સુધી પાણી</b></h3><p style="text-align: justify; ">પાણીની લાઈન તૂટ્યાના કલાકો વિતી જવા છતાં મહાનગરપાલિકાનું વોટર વર્ક્સ વિભાગ નિદ્રાધીન હોય તેવો ઘાટ સર્જાયો હતો. સ્થાનિકોનો આરોપ છે કે સમયસર લાઈન બંધ કરીને રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી ન હતી, જેના કારણે મોટો જળજથ્થો વેડફાઈ ગયો હતો. વાહનચાલકોને પણ રસ્તા પર ભરાયેલા પાણીના કારણે પસાર થવામાં ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. સ્થાનિકોએ વહેલી તકે લાઈનનું સમારકામ કરી પાણીનો વેડફાટ અટકાવવા કડક માંગ કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/tNwKAu1k7n2sJjlBVRVvhW8i14KxRM3EFW4gE6fY.webp'/></item><item><title><![CDATA[Gold Price Today : એક અઠવાડિયામાં સોનાના ભાવમાં મોટો ઉછાળો, જાણો આજનો લેટેસ્ટ રેટ! ]]></title><link>https://sandesh.com/business/news/india/gold-price-today-24-and-22-karat-rate-hike</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/gold-price-today-24-and-22-karat-rate-hike</guid><pubDate>Sun, 09 Aug 2026 12:08:35 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify;">દેશમાં સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે મોટો ઉછાળો આવ્યો છે. એક અઠવાડિયામાં 24 કેરેટ સોનાની કિંમત 8180 રૂપિયા સુધી વધી છે. જ્યારે 22 કેરેટ સોનું 7600 રૂપિયા સુધી મોંઘું થયું છે. આજે 9 ઓગસ્ટે રાજધાની દિલ્હીમાં સવારે 24 કેરેટ સોનાનો ભાવ 1,52,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. મુંબઈમાં સોનાનો ભાવ 1,52,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.</p><h2 style="text-align: justify;"><b>સોના-ચાંદીની માગમાં તેજી</b></h2><p style="text-align: justify;">શનિવાર, 8 ઓગસ્ટે ઈન્દોરના સરાફા બજારમાં સોના અને ચાંદીની માગ સારી રહી હતી. સોનાનો સરેરાશ ભાવ 1,47,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો સરેરાશ ભાવ 229000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાનો ભાવ 4336.02 ડોલર પ્રતિ ઔંસ છે.</p><h3 style="text-align: justify;"><b>દેશના કેટલાક મોટા શહેરોમાં સોનાના ભાવ</b></h3><table class="table table-bordered"><tbody><tr><td><b>શહેર</b></td><td><b>24 કેરેટ સોનાની કિંમત</b></td><td><b>22 કેરેટ સોનાની કિંમત</b></td></tr><tr><td>દિલ્હી</td><td>1,52,550</td><td>1,39,850</td></tr><tr><td>મુંબઈ</td><td>1,52,350</td><td>1,39,650</td></tr><tr><td>કોલકાતા</td><td>1,52,350</td><td>1,39,650</td></tr><tr><td>ચેન્નઈ</td><td>1,51,640</td><td>1,39,000</td></tr><tr><td>અમદાવાદ</td><td>1,52,450</td><td>1,39,750</td></tr><tr><td>રાજકોટ</td><td>1,52,450</td><td>1,39,750</td></tr></tbody></table><h3 style="text-align: justify;"><b>ચાંદીનો ભાવ</b></h3><p style="text-align: justify;">સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ સાપ્તાહિક ધોરણે તેજી આવી છે. એક અઠવાડિયામાં ચાંદીનો ભાવ 10000 રૂપિયા વધ્યો છે. 9 ઓગસ્ટની સવારે ચાંદીનો ભાવ 245000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર ચાંદી એટલે કે સ્પોટ સિલ્વરનો ભાવ 63.29 ડોલર પ્રતિ ઔંસ છે.</p><h4 style="text-align: justify;"><b>સોનું અને ચાંદી ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું?</b></h4><p style="text-align: justify;">જો તમે સોનું ખરીદી રહ્યા હોવ તો હંમેશા હોલમાર્ક તપાસો અને 6 અંકનો HUID કોડ જોઈને જ ખરીદી કરો. ચાંદી માટે પણ BIS હોલમાર્ક હોય છે અને તેમાં 925 સ્ટર્લિંગ સિલ્વરને સૌથી સારી ગુણવત્તાનું માનવામાં આવે છે. ઉપરાંત, ખરીદી પહેલાં સોના અને ચાંદીની શુદ્ધતાની તપાસ પણ જરૂર કરાવો.</p><h6 style="text-align: justify;"><b>Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.</b></h6><p style="text-align: justify;"><a href="https://sandesh.com/entertainment/news/thalapathy-vijay-sangeetha-love-story" target="_blank">આ પણ વાંચો-Thalapathy Vijayની ફિલ્મ જોઈને ફેન બની સંગીતા, પછી પ્રેમમાં છોડી દીધું લંડન, આવી છે બંનેની લવ સ્ટોરી!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/AXfATGpj0ODz1RFSASJ59tB5KlzAHVP23HSTnFQS.webp'/></item><item><title><![CDATA[Gold Price Today : એક અઠવાડિયામાં સોનાના ભાવમાં મોટો ઉછાળો, જાણો આજનો લેટેસ્ટ રેટ! ]]></title><link>https://sandesh.com/business/news/india/gold-price-today-24-and-22-karat-rate-hike</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/gold-price-today-24-and-22-karat-rate-hike</guid><pubDate>Sun, 09 Aug 2026 12:08:35 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify;">દેશમાં સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે મોટો ઉછાળો આવ્યો છે. એક અઠવાડિયામાં 24 કેરેટ સોનાની કિંમત 8180 રૂપિયા સુધી વધી છે. જ્યારે 22 કેરેટ સોનું 7600 રૂપિયા સુધી મોંઘું થયું છે. આજે 9 ઓગસ્ટે રાજધાની દિલ્હીમાં સવારે 24 કેરેટ સોનાનો ભાવ 1,52,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. મુંબઈમાં સોનાનો ભાવ 1,52,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.</p><h2 style="text-align: justify;"><b>સોના-ચાંદીની માગમાં તેજી</b></h2><p style="text-align: justify;">શનિવાર, 8 ઓગસ્ટે ઈન્દોરના સરાફા બજારમાં સોના અને ચાંદીની માગ સારી રહી હતી. સોનાનો સરેરાશ ભાવ 1,47,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો સરેરાશ ભાવ 229000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાનો ભાવ 4336.02 ડોલર પ્રતિ ઔંસ છે.</p><h3 style="text-align: justify;"><b>દેશના કેટલાક મોટા શહેરોમાં સોનાના ભાવ</b></h3><table class="table table-bordered"><tbody><tr><td><b>શહેર</b></td><td><b>24 કેરેટ સોનાની કિંમત</b></td><td><b>22 કેરેટ સોનાની કિંમત</b></td></tr><tr><td>દિલ્હી</td><td>1,52,550</td><td>1,39,850</td></tr><tr><td>મુંબઈ</td><td>1,52,350</td><td>1,39,650</td></tr><tr><td>કોલકાતા</td><td>1,52,350</td><td>1,39,650</td></tr><tr><td>ચેન્નઈ</td><td>1,51,640</td><td>1,39,000</td></tr><tr><td>અમદાવાદ</td><td>1,52,450</td><td>1,39,750</td></tr><tr><td>રાજકોટ</td><td>1,52,450</td><td>1,39,750</td></tr></tbody></table><h3 style="text-align: justify;"><b>ચાંદીનો ભાવ</b></h3><p style="text-align: justify;">સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ સાપ્તાહિક ધોરણે તેજી આવી છે. એક અઠવાડિયામાં ચાંદીનો ભાવ 10000 રૂપિયા વધ્યો છે. 9 ઓગસ્ટની સવારે ચાંદીનો ભાવ 245000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર ચાંદી એટલે કે સ્પોટ સિલ્વરનો ભાવ 63.29 ડોલર પ્રતિ ઔંસ છે.</p><h4 style="text-align: justify;"><b>સોનું અને ચાંદી ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું?</b></h4><p style="text-align: justify;">જો તમે સોનું ખરીદી રહ્યા હોવ તો હંમેશા હોલમાર્ક તપાસો અને 6 અંકનો HUID કોડ જોઈને જ ખરીદી કરો. ચાંદી માટે પણ BIS હોલમાર્ક હોય છે અને તેમાં 925 સ્ટર્લિંગ સિલ્વરને સૌથી સારી ગુણવત્તાનું માનવામાં આવે છે. ઉપરાંત, ખરીદી પહેલાં સોના અને ચાંદીની શુદ્ધતાની તપાસ પણ જરૂર કરાવો.</p><h6 style="text-align: justify;"><b>Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.</b></h6><p style="text-align: justify;"><a href="https://sandesh.com/entertainment/news/thalapathy-vijay-sangeetha-love-story" target="_blank">આ પણ વાંચો-Thalapathy Vijayની ફિલ્મ જોઈને ફેન બની સંગીતા, પછી પ્રેમમાં છોડી દીધું લંડન, આવી છે બંનેની લવ સ્ટોરી!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/AXfATGpj0ODz1RFSASJ59tB5KlzAHVP23HSTnFQS.webp'/></item><item><title><![CDATA[વાંચો સવારે 08થી બપોરે 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-08-am-to-12-pm-9-august-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-08-am-to-12-pm-9-august-2026</guid><pubDate>Sun, 09 Aug 2026 11:59:45 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર</b></p><p><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/yellow-alert-issued-for-north-central-and-south-gujarat" target="_blank"><b>1. Gujarat Weather News : આજે બપોરે 3 વાગ્યા સુધી ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદનું યલો એલર્ટ</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/surat/surat-new-civil-hospital-resident-doctor-commits-suicide-hanged-himself-in-boys-hostel" target="_blank"><b>2. Surat નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરનો આપઘાત: અગમ્ય કારણોસર બોયઝ હોસ્ટેલમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું</b></a></p><p><a href="https://sandesh.com/cricket/news/ajinkya-rahane-broke-his-silence-after-years-know-how-yashasvi-jaiswal-was-saved-from-ban" target="_blank"><b>3. Ajinkya Rahane એ વર્ષો બાદ મૌન તોડ્યું; જાણો યશસ્વી જયસ્વાલને પ્રતિબંધથી કેવી રીતે બચાવ્યો ?</b></a></p><p><a href="https://sandesh.com/india/news/business/india-data-centers-job-growth-2030-real-estate-demand" target="_blank"><b>4. India માં રોજગારીની આવશે અદ્દભૂત તકો, ડેટા સેન્ટર્સના વિકાસથી 4.33 નવી નોકરીઓનું થશે સર્જન</b></a></p><p><a href="https://sandesh.com/cricket/news/what-did-ravindra-jadeja-do-in-the-dugout-that-made-gambhir-laugh" target="_blank"><b>5. Ravindra Jadejaએ ડગઆઉટમાં એવું શુ કર્યું કે ગંભીર હસવા લાગ્યો</b></a></p><p><a href="https://sandesh.com/world/news/brazil-helicopter-crash-rio-de-janeiro-family-dead" target="_blank"><b>6. Brazil Helicopter Crash: બ્રાઝિલમાં હેલિકોપ્ટર ક્રેશ, એક જ પરિવારના 4 સભ્યોના મોત</b></a></p><p><a href="https://sandesh.com/entertainment/news/shakeel-noorani-arrest-rape-case-actress-complaint" target="_blank"><b>7. Shakeel Noorani પર રેપનો આરોપ, મુંબઈ પોલીસે કરી ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસે નોંધાવી ફરિયાદ</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/breakingnews/ahmedabad/security-on-a-23-year-old-girl-sitting-on-the-roof-of-a-flat-in-jodhpur-village-ahmedabad" target="_blank"><b>8. Ahmedabadના જોધપુર ગામમાં ફ્લેટના ધાબા પર બેઠેલી 23 વર્ષીય યુવતી પર સિક્યુરિટી ગાર્ડે આચર્યું દુષ્કર્મ</b></a></p><p><a href="https://sandesh.com/business/news/petrol-diesel-price-today-india-rates-august-2026" target="_blank"><b>9. Petrol Diesel Price Today: યુદ્ધ વચ્ચે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહની આશા, જાણો લેટેસ્ટ રેટ</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/earthquake-hits-saputara-for-the-second-time-in-24-hours-29-magnitude-tremor-felt-in-the-morning" target="_blank"><b>10. Saputaraમાં 24 કલાકમાં બીજી વાર ધરતી ધ્રૂજી: વહેલી સવારે 5.33 કલાકે અનુભવાયો 2.9 ની તીવ્રતાનો આંચકો!</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/05/30/mDmSiSJWp4EJffsL4XdCg0WZVmFETlBX3EYK5ohQ.webp'/></item><item><title><![CDATA[Gujarat Weather News :  આજે બપોરે 3 વાગ્યા સુધી ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદનું યલો એલર્ટ ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/yellow-alert-issued-for-north-central-and-south-gujarat</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/yellow-alert-issued-for-north-central-and-south-gujarat</guid><pubDate>Sun, 09 Aug 2026 11:51:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 3 કલાક એટલે કે બપોરે 12થી 3 વાગ્યા સુધીનું તાત્કાલિક વેધર બુલેટીન જાહેર કર્યું છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદનું એલર્ટ આપ્યું છે. ઉત્તર અને પૂર્વ ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ તેમજ સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં પણ ભારે વરસાદી ઝાપટાં પડવાની સંભાવનાને પગલે તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે</b></h2><p style="text-align: justify; ">હવામાન વિભાગે તા.9થી 11 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપી છે.આ દરમિયાન બનાસકાંઠા, વાવ-ધરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. આ વિસ્તારોમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે સપાટી પર પવન ફૂંકાશે.</p><h3 style="text-align: justify; "><b>17 ઓગસ્ટ સુધી ઉત્તરના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા</b></h3><p style="text-align: justify; ">તા.10થી 15 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.સૌરાષ્ટ્ર-કચ્છમાં આ સમયગાળા દરમિયાન છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડશે.તા.15થી 17 ઓગસ્ટ દરમિયાન હવામાનમાં કોઈ મોટા ફેરફારની શકયતા નથી. ગુજરાતમાં આગામી સાત દિવસ દરમિયાન વરસાદી માહોલ યથાવત્ રહેવાની આગાહી કરાઇ છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dahod/dahod-life-skill-activities-held-in-all-schools-of-dhedela-cluster" target="_blank">આ પણ વાંચોઃ Dahod: ઢઢેલા ક્લસ્ટરની તમામ શાળાઓમાં લાઈફ સ્કીલ પ્રવૃતિઓ યોજાઈ</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/aUs9jSxlbEsKSlClR6lPVOfH0am8Arjs3Tl5bTto.webp'/></item><item><title><![CDATA[Anand News: ખંભાત ગ્રામ્ય પોલીસે ચાર દિવસ બાદ ભાજપ યુવા મોરચાના સભ્ય સામે દુષ્કર્મની ફરિયાદ નોંધી ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/anand/case-filed-against-bjp-yuva-morcha-member-after-four-days</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/anand/case-filed-against-bjp-yuva-morcha-member-after-four-days</guid><pubDate>Sun, 09 Aug 2026 11:43:41 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આણંદ જિલ્લાના ખંભાતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.જ્યાં એક પરિણીતા પર બ્લેકમેલિંગ કરી વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે.આ મામલે આખરે ચાર દિવસ બાદ ભાજપ યુવા મોરચાના કારોબારી સભ્ય સહિત બે શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.ઉચ્ચ પોલીસ અધિકારીની મધ્યસ્થી બાદ ગુનો દાખલ થતાં સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે.</p><h2 style="text-align: justify; "><b>બંને શખ્સોએ વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો</b></h2><p style="text-align: justify; ">ભાજપ યુવા મોરચાના કારોબારી સભ્ય વિજય રાવજી ચૌહાણ અને તેના મિત્ર કિરણ જાદવ નામના બે શખ્સો સામે પરિણીતા પર જબરજસ્તીથી દુષ્કર્મ આચરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.આ બંને શખ્સોએ પરિણીતાના અશ્લીલ વિડીયો અને ફોટા પાડી લીધા હતા.ત્યારબાદ આ વિડીયો-ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાની અને પરિણીતાના પતિને જાનથી મારી નાખવાની ધમકીઓ આપીને તેને સતત બ્લેકમેલ કરવામાં આવતી હતી.આરોપીઓ પીડિતાને બામણવા સ્થિત એક ગેસ્ટ હાઉસમાં લઈ ગયા હતા.જ્યાં તેની મરજી વિરુદ્ધ બંને શખ્સોએ વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપી હતી</b></h3><p style="text-align: justify; ">કંટાળીને પીડિત પરિણીતાએ ગત 4 ઓગસ્ટના રોજ ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપી હતી.જોકે ખંભાત ગ્રામ્ય પોલીસે યેનકેન પ્રકારે આ ગંભીર ગુનાની ફરિયાદ નોંધવામાં આનાકાની કરી હતી.સ્થાનિક પોલીસ તરફથી કોઈ સહકાર ન મળતાં પરિણીતા અને તેના પતિએ હિંમત દાખવીને સમગ્ર મામલે આણંદ જિલ્લા પોલીસ વડાને રૂબરૂ મળીને લેખિત રજૂઆત કરી હતી. જિલ્લા પોલીસ વડાએ મામલાની ગંભીરતા સમજીને ત્વરિત કાર્યવાહી કરવાનો આદેશ આપતાં જ આખરે ખંભાત ગ્રામ્ય પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવો પડ્યો હતો.રાજકીય વગ ધરાવતા આરોપીઓ સામે ચાર દિવસ સુધી કાયદેસરની કાર્યવાહી ન કરાતાં ખંભાત ગ્રામ્ય પોલીસની ભૂમિકા અને તટસ્થતા સામે સ્થાનિકોમાં અનેક પ્રશ્નો ઊભરાયા છે.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/yellow-alert-issued-for-north-central-and-south-gujarat" target="_blank">આ પણ વાંચોઃ Gujarat Weather News : આજે બપોરે 3 વાગ્યા સુધી ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદનું યલો એલર્ટ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/JuhDB4q7Y2KccVN2nUAhTRb0OGlCvK76Ch3KAjgV.webp'/></item><item><title><![CDATA[Lionel Messiના પિતાનું 68 વર્ષની વયે થયું અવસાન, લાંબા સમયથી હતા બીમાર ]]></title><link>https://sandesh.com/sports/news/lionel-messi-father-jorge-messi-passes-away</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/lionel-messi-father-jorge-messi-passes-away</guid><pubDate>Sat, 08 Aug 2026 19:54:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફૂટબોલની દુનિયાના મહાન ખેલાડીઓમાંના એક લિયોનેલ મેસ્સી એક મોટી દુર્ઘટનાનો સામનો કરી રહ્યા છે, તેના પિતા જોર્જ મેસ્સીનું 68 વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન થયું છે. જોર્જ મેસ્સી લાંબા સમયથી બીમાર હતા, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.&nbsp;</p><p style="text-align: justify; ">ફિફા વર્લ્ડકપ દરમિયાન મેસ્સી પણ તેના પિતાના સ્વાસ્થ્ય વિશે ખૂબ ચિંતિત જોવા મળ્યો હતો. તેના પિતા જોર્જ મેસ્સીને સફળ ફૂટબોલ ખેલાડી બનાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, તેમને લાંબા સમય સુધી પુત્રના એજન્ટ તરીકે પણ કામ કર્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>પિતાના સંઘર્ષને કારણે મેસ્સી એક સફળ ફૂટબોલર બન્યો</b></h2><p style="text-align: justify; ">પિતાનું મૃત્યુ લિયોનેલ મેસ્સી માટે એક મોટા આઘાતથી ઓછું નથી, કારણ કે તેના પિતા જોર્જ મેસ્સીએ તેને એક મહાન ફૂટબોલર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. મેસ્સી બાળપણમાં ગ્રોથ હોર્મોનની ઉણપથી પીડાતા હતા, જેને સારવારની જરૂર હતી. તેના પિતા જોર્જે તેમના પુત્રને જરૂરી સારવાર મળે તે સુનિશ્ચિત કરવા માટે કોઈ કસર છોડી ન હતી. બાળપણમાં મેસ્સી ન્યુવેલની ઓલ્ડ બોયઝ યુવા ટીમ માટે રમ્યો હતો.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/YKoluwaseun9/status/2086053507904196798"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p style="text-align: justify; ">ફિફા વર્લ્ડકપ 2026 દરમિયાન લિયોનેલ મેસ્સીએ ઉલ્લેખ કર્યો હતો કે તેનો પરિવાર મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, પરંતુ તેને તેમના પિતાની સ્થિતિ વિશે કોઈ ચોક્કસ વિગતો આપી ન હતી. આ પછી તેના પરિવાર દ્વારા જાહેર કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે જોર્જ મેસ્સી હાલમાં સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે અને ડોકટરોની દેખરેખ હેઠળ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>અલ્જીરિયા સામેની વર્લ્ડ કપ મેચ દરમિયાન મેસ્સી ભાવુક થયો હતો</b></h3><p style="text-align: justify; ">ફિફા વર્લ્ડકપ 2026માં લિયોનેલ મેસ્સીની કેપ્ટનશીપ હેઠળ આર્જેન્ટિનાની ટીમ ફાઈનલમાં પહોંચવામાં સફળ રહી, પરંતુ ટાઈટલ મેચમાં સ્પેન સામે 1-0થી હારી ગઈ. વર્લ્ડકપમાં અલ્જીરિયા સામે ગ્રુપ સ્ટેજ મેચમાં ગોલ કર્યા પછી લિયોનેલ મેસ્સી ખૂબ જ ભાવુક થઈ ગયો.</p><p style="text-align: justify; ">મેચ પછી રડવાનું કારણ પૂછવામાં આવતા મેસ્સીએ જવાબ આપ્યો કે મારા રડવાનો ફૂટબોલ સાથે કોઈ સંબંધ નથી, છેલ્લા કેટલાક દિવસો મારા માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. તમને જણાવી દઈએ કે ફિફા વર્લ્ડકપ 2026માં સૌથી વધુ ગોલ કરવાના મામલે તે બીજા સ્થાને હતો, જેમાં તે ફક્ત કાયલિયન એમબાપ્પેથી પાછળ હતો.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/08/7UsaohX88EglI5pYE3eXIJZMEmPzazR62F3vdzz4.webp'/></item></channel></rss>