<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Vadodara: 2 કલાકમાં 2 ઇંચ વરસાદથી પાણી ભરાયા, દેવ ડેમના 2 ગેટ ખોલાતાં વાઘોડિયા એલર્ટ ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/vadodara/heavy-rain-dev-dam-2-gates-opened-water-discharged-vaghodia-alert</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/vadodara/heavy-rain-dev-dam-2-gates-opened-water-discharged-vaghodia-alert</guid><pubDate>Fri, 31 Jul 2026 09:50:02 +05:30</pubDate><description><![CDATA[<p>વડોદરા શહેર અને જિલ્લામાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીના માત્ર બે જ કલાકના ટૂંકા સમયગાળામાં વડોદરા શહેરમાં 2 ઇંચ જેટલો ખાબકેલો મુશળધાર વરસાદ નાગરિકો માટે આફત બન્યો છે.</p><h2><b>જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું&nbsp;</b></h2><p>માત્ર એકથી બે કલાકના તીવ્ર વરસાદી સ્પેલમાં જ વડોદરા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ખાસ કરીને મકરપુરા બસ ડેપોની પાછળ આવેલો મુખ્ય રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સવારના સમયે નોકરી-ધંધે નીકળેલા વાહનચાલકો અને રાહદારીઓ પાણી ભરાવાને કારણે ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. કલાકો વીત્યા બાદ પણ પાણી ઓસર્યા ન હોવાથી સ્થાનિકોમાં પ્રશાસનની પ્રી-મોન્સૂન કામગીરી સામે નારાજગી જોવા મળી હતી.</p><h3><b>દેવ ડેમમાંથી દેવ નદીમાં 1819 ક્યુસેક પાણી છોડાયું</b></h3><p>બીજી તરફ, વડોદરા જિલ્લાના ડુંગરાળ અને ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે વાઘોડિયા નજીક આવેલા 'દેવ ડેમ' માં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ડેમનું સલામત રૂલ લેવલ જાળવી રાખવા માટે સિંચાઈ વિભાગ દ્વારા નિર્ણય લઈને દેવ ડેમના ગેટ નંબર 4 અને 5 ને 0.30 મીટર ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી દેવ નદીમાં 1819 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.</p><h4><b>વાઘોડિયા તાલુકાના કાંઠાના ગામોને સાવચેત કરાયા</b></h4><p>દેવ ડેમમાંથી પાણી ડિસ્ચાર્જ થતાં જ દેવ નદીના જળસ્તરમાં વધારો થયો છે. જેના પગલે વાઘોડિયા તાલુકામાંથી પસાર થતી દેવ નદીના કિનારે આવેલા તમામ ગામોના ગ્રામજનોને વહીવટી તંત્ર દ્વારા સાવચેતી જાળવવાની કડક સૂચના આપવામાં આવી છે. લોકોને નદીના પટમાં ન જવા કે ઢોરઢાંખર ન લઈ જવા એડવાઇઝરી જારી કરવામાં આવી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-online-marriage-registration-from-1st-august-offline-closed" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: AMCમાં લગ્ન નોંધણી થશે પૂર્ણપણે ઓનલાઇન, ઓછું ટેકનોલોજી જ્ઞાન ધરાવતા લોકો માટે મુશ્કેલી વધવાની ભીતિ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/31/QBWAmKTaLLaQFpyupXOzCD5NQF2Sb7KjoQnnQLgG.webp'/></item><item><title><![CDATA[Monsoon 2026 : સુરતમાં આગામી 26 કલાક અતિભારે, સાંજ પછી ખાડી પૂરની શક્યતા, મનપા કમિશનરે લોકોને ઘરમાં જ રહેવાની કરી અપીલ ]]></title><link>https://sandesh.com/weather/news/gujarat/surat/monsoon-2026-surat-rain-red-alert-mc-commissioner-appeal-heavy-rainfall-warning</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/news/gujarat/surat/monsoon-2026-surat-rain-red-alert-mc-commissioner-appeal-heavy-rainfall-warning</guid><pubDate>Fri, 31 Jul 2026 09:48:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ અને ડાયમંડ સીટી સુરતમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અત્યંત ભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે. આ ગંભીર સ્થિતિને જોતાં સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજને નાગરિકોને અત્યંત જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળવા કડક અપીલ કરી છે. આ સાથે જ સુરત ટેક્સટાઇલ એસોસિએશન દ્વારા પણ તમામ વેપારીઓને આજે દુકાનો અને માર્કેટ બંધ રાખવા જણાવાયું છે.</p><h2 style="text-align: justify; "><b>આગામી 26 કલાક સુરત શહેર માટે અતિભારે&nbsp;</b></h2><p style="text-align: justify; ">પાલિકા કમિશનર એમ. નાગરાજને જાતે જ અસરગ્રસ્ત થવાની પૂરેપૂરી શક્યતા ધરાવતા નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આગામી 26 કલાક સુરત શહેર માટે અતિભારે સાબિત થઈ શકે છે. બપોર પછી શહેરમાં ભારે પવન સાથે મૂસળધાર વરસાદ પડવાની સંભાવના છે. ઉપરવાસમાં પણ સતત ભારે વરસાદ વરસી રહ્યો હોવાથી શહેરમાંથી પસાર થતી ખાડીઓનું જળસ્તર ચોક્કસપણે વધશે.</p><h3 style="text-align: justify; "><b>ખાડીનું લેવલ ભયજનક રીતે વધવાની ભીતિ</b></h3><p style="text-align: justify; ">બપોર બાદ મીઠી ખાડી, સીમાડા ખાડી અને ભેદવાડ ખાડીનું લેવલ ભયજનક રીતે વધવાની ભીતિ છે. જેને પગલે ખાડી આસપાસના અને લો-લાઈન વિસ્તારોમાંથી લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. સમગ્ર મનપા તંત્ર, ઈમરજન્સી ટીમ અને ફાયર બ્રિગેડને હાઈએલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-indepth-gujarat-heavy-rain-reason-el-nino-fail-negative-pdo-impact" target="_blank"><b>Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?</b></a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/31/fQRcPfpu6VKoGCXPniTwxz1Px0DvuReBh9al08YO.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: AMCમાં લગ્ન નોંધણી થશે પૂર્ણપણે ઓનલાઇન, ઓછું ટેકનોલોજી જ્ઞાન ધરાવતા લોકો માટે મુશ્કેલી વધવાની ભીતિ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-online-marriage-registration-from-1st-august-offline-closed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-online-marriage-registration-from-1st-august-offline-closed</guid><pubDate>Fri, 31 Jul 2026 09:35:42 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરમાં લગ્ન નોંધણીની પ્રક્રિયાને વધુ પારદર્શક અને ટેકનોલોજીસભર બનાવવાના ઉદ્દેશથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક મોટો નવો નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલી ઓગસ્ટથી શહેરમાં લગ્ન નોંધણીની જૂની ઓફલાઇન પદ્ધતિનો કાયમી અંત આવી રહ્યો છે અને તેના સ્થાને સંપૂર્ણપણે ઓનલાઇન પોર્ટલ કાર્યાન્વિત કરવામાં આવી રહ્યું છે.</p><h2><b>AMC દ્વારા એક મોટો નવો નિર્ણય લેવામાં આવ્યો</b></h2><p>અત્યાર સુધી અમદાવાદ શહેરમાં દર વર્ષે સરેરાશ 35,000થી વધુ લગ્નોની નોંધણી થતી હતી. શહેરીજનો પોતાના સંબંધિત વોર્ડના અર્બન હેલ્થ સેન્ટર (Urban Health Centre) ખાતે આવેલા જન્મ-મરણ અને લગ્ન નોંધણી કેન્દ્રમાં રૂબરૂ જઈને ફોર્મ અને દસ્તાવેજો જમા કરાવતા હતા. પરંતુ ૧ ઓગસ્ટથી શહેરના તમામ 48 વોર્ડની એકપણ કચેરીમાં ઓફલાઇન ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.</p><h3><b>નવી ઓનલાઇન પ્રક્રિયા કેવી રીતે રહેશે?</b></h3><p>નવી વ્યવસ્થા મુજબ, અરજદારોએ AMCની અધિકૃત વેબસાઇટ કે પોર્ટલ પર જઈને લગ્ન નોંધણીનું ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભર્યા બાદ ઓળખના પુરાવા, લગ્નની પત્રિકા, ફોટોગ્રાફ્સ અને સાક્ષીઓના તમામ જરૂરી દસ્તાવેજો ડિજિટલ ફોર્મેટમાં ઓનલાઇન જ અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ પ્રક્રિયા આગળ વધારવા માટે ઓનલાઇન સિસ્ટમમાંથી જ ટોકન મેળવવાનું રહેશે.</p><h4><b>ઓફલાઇન પ્રક્રિયા બંધ થતાં નાગરિકોમાં ગૂંચવણ</b></h4><p>AMC દ્વારા સંપૂર્ણપણે ઓનલાઇન મોડ અપનાવવામાં આવ્યો છે, પરંતુ તેની સામે ઓફલાઇન નોંધણીનો વિકલ્પ સાવ બંધ કરી દેવાનો નિર્ણય અમદાવાદીઓને ગળે ઊતરતો નથી. સામાન્ય અને ઓછું ભણેલા નાગરિકો તેમજ ટેકનોલોજીથી અજાણ લોકો માટે ઓનલાઇન ડોક્યુમેન્ટ અપલોડ કરવા અને ટોકન મેળવવાની પ્રક્રિયા જટિલ સાબિત થઈ શકે છે. આનાથી સાયબર કાફે કે એજન્ટોનો ભ્રષ્ટાચાર વધવાની દહેશત પણ શહેરીજનો વ્યક્ત કરી રહ્યા છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/ankleshwar-heavy-rain-alert-sdrf-deployed-26-boats-ready" target="_blank">આ પણ વાંચો: Bharuch: અંકલેશ્વરમાં સવારથી ધોધમાર, SDRFની ટીમો અને 26 બોટ સાથે તંત્ર ખડેપગે</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/31/4fRAv80aUb07NwIVdh5z5ITxyxlMTYGdC9fm9Jpb.webp'/></item><item><title><![CDATA[Stock Market Opening: શેરબજારની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ 77,929 અંકે ખૂલ્યો ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-opening-stock-market-starts-flat-sensex-opens-at-77929-points</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-opening-stock-market-starts-flat-sensex-opens-at-77929-points</guid><pubDate>Fri, 31 Jul 2026 09:35:21 +05:30</pubDate><description><![CDATA[<p>શુક્રવારે સ્થાનિક શેરબજાર સામાન્ય વધારા સાથે ખુલ્યું, જેને નાણાકીય સેવાઓ ક્ષેત્રના શેરોમાં ખરીદીનો ટેકો મળ્યો.સવારે 9:19 વાગ્યા સુધીમાં, સેન્સેક્સ 43.30 પોઈન્ટ (0.06%) વધીને 77,971.45 પર ટ્રેડ કરી રહ્યો હતો. દરમિયાન, નિફ્ટી 50 પણ 33.55 પોઈન્ટ (0.14%) વધીને 24,350.70 ના સ્તરે પહોંચ્યો.</p><h2>શેરબજારની ફ્લેટ શરૂઆત</h2><p>સવારે 9.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં સામાન્ય વધારા સાથે ખૂલ્યા. સેન્સેક્સ 0.91ના વધારા સાથે 77,929.06 અંકે ખૂલ્યો. જ્યારે નિફ્ટી +17.10 પોઇન્ટના વધારા સાથે 24,334.25 અંકે ખૂલ્યો.&nbsp; બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&amp;M) નિફ્ટી 50 પર ટોચના ગેઇનર્સમાં હતા.વ્યાપક બજારમાં, નિફ્ટી મિડકેપ અને નિફ્ટી સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે 0.32% અને 0.47% ના વધારા સાથે ટ્રેડ કરી રહ્યા હતા.</p><p><br></p><p>ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, નિફ્ટી IT માં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો, જ્યારે નિફ્ટી FMCG અને નિફ્ટી મીડિયામાં પણ નબળાઈના સંકેતો જોવા મળ્યા. તેનાથી વિપરીત, નિફ્ટી ઓટો અને નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસ ક્ષેત્રોમાં ખરીદીમાં રસ જોવા મળ્યો, જે બજારને ટેકો પૂરો પાડતો હતો.</p><p><br></p><h3><b>એશિયન બજારો પર AI રેલીની અસર</b></h3><p>શુક્રવારે એશિયન બજારોમાં ભારે ઉછાળો જોવા મળ્યો. દક્ષિણ કોરિયાના કોસ્પી શરૂઆતના વેપારમાં લગભગ 15% વધ્યો, જે મુખ્યત્વે ચિપ મેન્યુફેક્ચરિંગ શેરોમાં મજબૂત ખરીદીને કારણે થયો.</p><p>SK Hynix ના શેરમાં લગભગ 25%નો ઉછાળો જોવા મળ્યો, જ્યારે સેમસંગના શેરમાં લગભગ 20%નો વધારો થયો. દરમિયાન, જાપાનના નિક્કી 225 માં લગભગ 5.35%નો વધારો થયો, અને ચીનના CSI 100 માં લગભગ 1.83%નો વધારો થયો. યુએસ બજારોમાં પ્રભાવશાળી રેલી</p><p>મુખ્ય યુએસ ટેક કંપનીઓ એમેઝોન અને માઇક્રોસોફ્ટના મજબૂત ત્રિમાસિક પરિણામો પછી વોલ સ્ટ્રીટમાં મજબૂત રેલી જોવા મળી.</p><p>ડાઉ જોન્સ 1.19 % વધીને બંધ થયો, S&amp;P 500 1.66% વધ્યો, અને નાસ્ડેક કમ્પોઝિટ 2.78% વધ્યો. ટેક શેરોમાં આ મજબૂતીની અસર એશિયન બજારોમાં પણ સ્પષ્ટપણે દેખાઈ રહી હતી.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2025/11/19/1WTXJSYAOfx9geBSOTtAWY8gaMA9vMLPgbGghkS2.webp'/></item><item><title><![CDATA[Bharuch: અંકલેશ્વરમાં સવારથી ધોધમાર, SDRFની ટીમો અને 26 બોટ સાથે તંત્ર ખડેપગે ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/ankleshwar-heavy-rain-alert-sdrf-deployed-26-boats-ready</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/ankleshwar-heavy-rain-alert-sdrf-deployed-26-boats-ready</guid><pubDate>Fri, 31 Jul 2026 09:16:59 +05:30</pubDate><description><![CDATA[<p>હવામાન વિભાગ દ્વારા 31 જુલાઈ અને 1 ઓગસ્ટ દરમિયાન ભરૂચ જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની કડક આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગાહીના પગલે ભરૂચ જિલ્લા કલેક્ટર અને વહીવટી તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.બીજી તરફ, હવામાન વિભાગની આગાહી મુજબ જ આજે વહેલી સવારથી અંકલેશ્વર શહેર અને તેના આસપાસના વિસ્તારોમાં મેઘાવી માહોલ જામ્યો છે. અંકલેશ્વર શહેર સહિત GIDCના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. વરસાદી છાંટા અને પવનના કારણે સમગ્ર વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરી ગઈ છે.</p><p><b>&nbsp;દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી</b></p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2083039742267101289"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>નર્મદા કાંઠે SDRF અને 26 બોટ ખડેપગે</b></h2><p>સંભવિત અતિભારે વરસાદથી જો પૂર કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય તો ત્વરિત રાહત અને બચાવ કામગીરી કરી શકાય તે માટે ભરૂચ જિલ્લા પ્રશાસને આગોતરું આયોજન કર્યું છે. નર્મદા નદીના બંને કાંઠે SDRFની ટીમોને ડિપ્લોય કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ૨૬ બચાવ બોટ અને જરૂરી ઈમરજન્સી સાધન-સામગ્રી સાથે રેસ્ક્યૂ દળને ૨૪ કલાક ખડેપગે રાખવામાં આવ્યું છે.</p><h3><b>400 સ્વયંસેવકો સજ્જ - નાગરિકોને અપીલ</b></h3><p>જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન&nbsp; હેઠળ 400થી વધુ તાલીમબદ્ધ સ્વયંસેવકોને પણ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અપીલ કરવામાં આવી છે કે અતિ આવશ્યક કામ વગર ઘરમાંથી બહાર ન નીકળવું તેમજ નદી-નાળા અને લો-લાઇન વિસ્તારોથી દૂર રહેવું.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/narmada/karjan-dam-4-gates-opened-34000-cusecs-water-discharged-villages-alert" target="_blank">આ પણ વાંચો: Narmada: કરજણ ડેમના 4 ગેટ ખોલાયા, નદીમાં 34 હજાર ક્યુસેક પાણી છોડાતાં ગામો એલર્ટ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/31/F2xbTWX3W4JGGRFVanX4yJRxhzVk5ZKOnpx5Ekt1.webp'/></item><item><title><![CDATA[Narmada: કરજણ ડેમના 4 ગેટ ખોલાયા, નદીમાં 34 હજાર ક્યુસેક પાણી છોડાતાં ગામો એલર્ટ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/narmada/karjan-dam-4-gates-opened-34000-cusecs-water-discharged-villages-alert</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/narmada/karjan-dam-4-gates-opened-34000-cusecs-water-discharged-villages-alert</guid><pubDate>Fri, 31 Jul 2026 09:08:39 +05:30</pubDate><description><![CDATA[<p>નર્મદા જિલ્લા સહિત તેના ઉપરવાસના વિસ્તારોમાં નોંધાયેલા ભારે વરસાદના કારણે જિલ્લાના મુખ્ય જળાશયોમાં પાણીની આવકમાં તીવ્ર વધારો થયો છે. જિલ્લાના રાજપીપળા નજીક આવેલા મહત્વના કરજણ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં સતત પડી રહેલા વરસાદથી ડેમની જળસપાટી નિયમન સ્તરની નજીક પહોંચી ગઈ છે.જળાશયની સલામતી અને પાણીના આવરાને સંતુલિત કરવા માટે વહીવટી તંત્ર અને સિંચાઈ વિભાગ દ્વારા નિર્ણય લઈને કરજણ ડેમના ૪ દરવાજા (ગેટ) ખોલી દેવામાં આવ્યા છે.</p><p><b>કરજણ નદીમાં પાણીની આવક</b></p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2083039885993382204"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>નદીમાં 34 હજાર ક્યુસેક પાણીનો પ્રવાહ</b></h2><p>ડેમના ગેટ ખોલાતાં જ કરજણ નદીમાં તબક્કાવાર 34,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી છોડાયેલા આ વિપુલ જળજથ્થાના કારણે કરજણ નદી ધસમસતા પ્રવાહ સાથે બે કાંઠે વહેતી થઈ છે અને નદીના જળસ્તરમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.</p><h3><b>નીચાણવાળા ગામોને તંત્રનું એલર્ટ</b></h3><p>કરજણ નદીમાં પાણી છોડાતાં જ નર્મદા જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટિવ થઈ ગયું છે. નદીના નીચાણવાળા ભાગમાં આવેલા તટીય ગામોના ગ્રામજનોને સલામત સ્થળે રહેવા અને નદીના પટમાં કે કિનારે ન જવાની કડક સૂચના આપવામાં આવી છે. મામલતદાર અને સ્થાનિક પોલીસની ટીમો દ્વારા કાંઠાના વિસ્તારોમાં સતત પેટ્રોલીંગ અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી કોઈ પણ ઈમરજન્સી સ્થિતિને પહોંચી વળાય.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/rajkot/bus-port-behind-car-accident-two-injured-driver-flees" target="_blank">આ પણ વાંચો: Rajkot: બસ પોર્ટ પાછળ મોડી રાત્રે કાર ચાલકે સર્જ્યો અકસ્માત, બેકાબૂ કારની હડફેટે આવતાં 2 લોકોને ઈજા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/31/VoZPFmlcBeVi8qw5PKWu9oK9t6BMve9sn4EEFR25.webp'/></item><item><title><![CDATA[Assam Floods: આસામમાં પૂરગ્રસ્તોને મોટી રાહત: લોનની EMI પર 6 મહિનાની છૂટ ]]></title><link>https://sandesh.com/india/news/assam-floods-big-relief-for-flood-victims-in-assam-6-months-waiver-on-loan-emi</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/assam-floods-big-relief-for-flood-victims-in-assam-6-months-waiver-on-loan-emi</guid><pubDate>Fri, 31 Jul 2026 09:01:36 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે પૂરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા અને વિવિધ પ્રકારની લોન લીધેલા લોકોને આગામી છ મહિનાં સુધી લોનની EMI ચૂકવવામાંથી રાહત આપવામાં આવશે. આ નિર્ણય રાજ્ય સ્તરીય બેંકર્સ કમિટીની બેઠકમાં લેવામાં આવ્યો હતો. બીજી તરફ, છેલ્લા 24 કલાક દરમિયાન વધુ બે લોકોના મોત થતાં આ વર્ષે આસામમાં પૂરથી મૃત્યુઆંક વધીને 80 થયો છે, જ્યારે કુલ અસરગ્રસ્ત લોકોની સંખ્યા 2.12 લાખને વટાવી ગઈ છે.</p><h2 style="text-align: justify; ">આસામના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી</h2><p style="text-align: justify; ">આસામના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને નુકસાનનું નિરીક્ષણ કર્યું અને રાહત તથા બચાવ કામગીરીની સમીક્ષા કરી. તેમણે અધિકારીઓને અસરગ્રસ્ત લોકોને ઝડપથી મદદ પહોંચાડવા અને પુનર્વસન કાર્યમાં કોઈ કસર ન રાખવા સૂચના આપી.</p><h3 style="text-align: justify; ">હિમંત બિસ્વા સરમાએ જણાવ્યું કે રાજ્ય સરકારે રાહત પેકેજની માગ કરી</h3><p style="text-align: justify; ">મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ જણાવ્યું કે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે પૂરથી થયેલા વ્યાપક નુકસાનને ધ્યાનમાં રાખીને વિશેષ રાહત પેકેજની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI), નાબાર્ડ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) તેમજ અન્ય તમામ કોમર્શિયલ બેંકોના પ્રતિનિધિઓ સાથે રાજ્ય સ્તરીય બેંકર્સ કમિટીની વિશેષ બેઠક યોજાઈ હતી.</p><h4 style="text-align: justify; ">શિવસાગર, ચરાઈદેવ, જોરહાટ અને ગોલાઘાટ જિલ્લાઓના લોનધારકો માટે ખાસ રાહત યોજના પર નિર્ણય</h4><p style="text-align: justify; ">મુખ્યમંત્રીએ જણાવ્યું કે બેઠકમાં શિવસાગર, ચરાઈદેવ, જોરહાટ અને ગોલાઘાટ જિલ્લાઓના લોનધારકો માટે ખાસ રાહત યોજના પર નિર્ણય લેવાયો છે. આ ચાર જિલ્લાઓમાં પૂરથી અસરગ્રસ્ત ગ્રાહકોને છ મહિનાનો મોરેટોરિયમ આપવામાં આવશે, એટલે કે આ સમયગાળા દરમિયાન તેમને EMI ચૂકવવાની ફરજ નહીં રહે.</p><h4 style="text-align: justify; ">બેંકો દરેક ગ્રાહકની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરશે</h4><p style="text-align: justify; ">તેમણે સ્પષ્ટ કર્યું કે આ સુવિધાનો લાભ માત્ર વાસ્તવમાં પૂરથી અસરગ્રસ્ત લોકો જ મેળવી શકશે. બેંકો દરેક ગ્રાહકની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરશે અને જે લોકો પૂરથી પ્રભાવિત નથી તેમને નિયમિત રીતે EMI ચૂકવવાની અપીલ કરવામાં આવી છે.</p><h4 style="text-align: justify; ">પૂરગ્રસ્ત લોકોની લોનની મુદત લોનના પ્રકાર અનુસાર એક વર્ષથી લઈને સાત વર્ષ સુધી વધારી શકાય</h4><p style="text-align: justify; ">મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે પૂરગ્રસ્ત લોકોની લોનની મુદત લોનના પ્રકાર અનુસાર એક વર્ષથી લઈને સાત વર્ષ સુધી વધારી શકાય છે. નાના વેપારીઓ અને રિટેલ દુકાનદારો, જેમની દુકાનો પૂરમાં સંપૂર્ણપણે નાશ પામી છે, તેમને વધારાના ગીરવે અથવા કોલેટરલ વિના તેમના લોન ખાતામાં 10,000 રૂપિયાની વધારાની સહાય પણ આપવામાં આવશે.</p><p style="text-align: justify; ">રાજ્ય સરકારે શિવસાગર અને ચરાઈદેવ જિલ્લાઓમાં આવેલા વૈષ્ણવ સંપ્રદાયના ધાર્મિક સ્થળો 'નામઘર'ના પુનઃનિર્માણ માટે પણ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. દરેક નામઘરને પુનઃનિર્માણ માટે એકમુષ્ટ 1.5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.</p><p style="text-align: justify; ">આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના બુલેટિન મુજબ, છેલ્લા 24 કલાકમાં શિવસાગર જિલ્લામાં બે લોકોના ડૂબી જવાથી મોત થયા છે, જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. આ સાથે આ વર્ષે પૂરને કારણે મૃત્યુઆંક વધીને 80 થયો છે.</p><p style="text-align: justify; ">હાલમાં ચરાઈદેવ, ગોલાઘાટ, જોરહાટ અને શિવસાગર જિલ્લાઓમાં કુલ 2,12,400થી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે. તેમાં ચરાઈદેવ જિલ્લો સૌથી વધુ અસરગ્રસ્ત છે, જ્યાં આશરે 80 હજાર લોકો અસરગ્રસ્ત થયા છે. ત્યારબાદ શિવસાગરમાં લગભગ 71 હજાર અને જોરહાટમાં 40 હજારથી વધુ લોકો પૂરની અસર હેઠળ છે. રાજ્ય સરકાર અને બચાવ એજન્સીઓ સતત રાહત અને પુનર્વસનની કામગીરીમાં વ્યસ્ત છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/31/dlskkRhO8XvUocbI3u6fBBUJWpu8PxGZ1YoYu1Mz.webp'/></item><item><title><![CDATA[CWG 2026માં ભારતે જીત્યા વધુ 2 મેડલ, લવપ્રીત સિંહે જીત્યો સિલ્વર, સીમા કાલીરામણને મળ્યો બ્રોન્ઝ મેડલ ]]></title><link>https://sandesh.com/sports/news/india-won-2-more-medals-in-cwg-2026-lovepreet-singh-won-silver-seema-kaliraman-got-bronze-medal</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india-won-2-more-medals-in-cwg-2026-lovepreet-singh-won-silver-seema-kaliraman-got-bronze-medal</guid><pubDate>Fri, 31 Jul 2026 08:34:35 +05:30</pubDate><description><![CDATA[<p>સ્કોટલેન્ડના ગ્લાસગોમાં રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓનું પ્રભાવશાળી પ્રદર્શન સતત જારી છે. ભારતના સ્ટાર વેઇટલિફ્ટર લવપ્રીત સિંહે પુરુષોના +110 કિગ્રા વર્ગમાં દેશ માટે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. બીજી તરફ, સીમા કાલીરામણે મહિલા ડિસ્કસ થ્રોમાં બ્રોન્ઝ મેડલ મેળવીને સફળતા મેળવી છે. આ બે નવા મેડલ સાથે ભારતે સ્પર્ધામાં અત્યાર સુધીમાં કુલ 16 મેડલ (3 ગોલ્ડ, 10 સિલ્વર અને 3 બ્રોન્ઝ) પોતાના નામે કરી લીધા છે.</p><h2><b>લવપ્રીત સિંહ ગોલ્ડ ચૂકયો મળ્યો સિલ્વર</b></h2><p>વેઇટલિફ્ટિંગની +110 કિગ્રા ફાઇનમાં લવપ્રીત સિંહે કુલ 388 કિલોગ્રામ (સ્નેચમાં 176 કિગ્રા + ક્લીન એન્ડ જર્કમાં 212 કિગ્રા) વજન ઉપાડીને બીજું સ્થાન મેળવ્યું. રોમાંચક ફિનિશ કરી. સ્નેચ રાઉન્ડ પછી ન્યુઝીલેન્ડનો ડેવિડ લિટ્ટી લવપ્રીત કરતાં 10 કિગ્રા પાછળ હતો. પરંતુ ક્લીન એન્ડ જર્કના બીજા રાઉન્ડમાં ડેવિડે 223 કિગ્રા વજન ઉપાડીને કોમનવેલ્થ ગેમ્સનો નવો રેકોર્ડ બનાવ્યો. આખરી પરિણામ જોઈએ તો ડેવિડે કુલ 389 કિગ્રા વજન સાથે લવપ્રીત કરતાં માત્ર 1 કિલોગ્રામ વધુ વજન ઉપાડીને ગોલ્ડ મેડલ જીતી લીધો.</p><h3><b>"ગોલ્ડ ગુમાવવાનું દુઃખ છે, ભવિષ્યમાં વધુ સારું કરીશ"</b></h3><p>માત્ર 1 કિગ્રાના અંતરથી ગોલ્ડ ચૂકી ગયા બાદ નિરાશા વ્યક્ત કરતા લવપ્રીત સિંહે ANI ને જણાવ્યું: "જ્યારે તમે ગોલ્ડ ચૂકી જાઓ છો ત્યારે સ્વાભાવિક રીતે દુઃખ થાય છે. પરંતુ હું એશિયન ગેમ્સ જેવી આગામી સ્પર્ધાઓમાં વધુ સારું પ્રદર્શન કરીશ."&nbsp; તેમણે ઉમેર્યું કે તેઓ આ મેડલ તેમના કોચ વિજય શર્મા, ભારતીય વેઇટલિફ્ટિંગ ફેડરેશનના સહદેવ સર, ભારત સરકાર અને ભારતીય નૌકાદળના કેપ્ટન વિજય કુમારને સમર્પિત કરે છે.</p><h3><b>સીમા કાલીરામણ: એથ્લેટિક્સમાં ભારતનું ખાતું ખોલાવ્યું</b></h3><p>ટ્રેક એન્ડ ફિલ્ડ ક્ષેત્રે પણ ભારત માટે સારા સમાચાર આવ્યા છે. સીમા કાલીરામણે મહિલા ડિસ્કસ થ્રો ફાઇનલમાં 58.65 મીટરના શાનદાર થ્રો સાથે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. સીમાના આ પ્રદર્શન સાથે જ ચાલુ કોમનવેલ્થ ગેમ્સમાં એથ્લેટિક્સ ક્ષેત્રે ભારતની મેડલ ટેલી પણ ખુલી ગઈ છે. હરિયાણાના ભિવાનીની રહેવાસી સીમાની આ સફળતા પાછળ તેના પતિ અને કોચ રવિન્દરનો મોટો ફાળો છે. રવિન્દર પોતે પણ જુનિયર અને સબ-જુનિયર લેવલે નેશનલ ચેમ્પિયન રહી ચૂક્યા છે, પરંતુ ઈજાના કારણે તેમની રમતગમતની કારકિર્દી અટકી ગઈ હતી.</p><p>ગ્લાસગો ખાતે ગુરુવારે (30 જુલાઈ) આખો દિવસ ભારતીય ચાહકો મેડલની રાહ જોતા રહ્યા હતા. દિવસના અંતે વેઈટલિફ્ટિંગમાં લવપ્રીત સિંહે સિલ્વર મેડલ જીતીને રાહત આપી હતી. ત્યારબાદ યોજાયેલી મહિલા ડિસ્કસ થ્રોની ફાઇનલમાં સીમાએ 58.65 મીટરના થ્રો સાથે બ્રોન્ઝ મેડલ જીતી લીધો.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/31/xxyAcMjriflm0LJZXFCVRHi6q0bVl20LWY35UZ5c.webp'/></item><item><title><![CDATA[Maharashtraના ભિવંડીમાં ચાર માળની ઇમારતનો એક ભાગ ધરાશાયી, એકનું મોત ]]></title><link>https://sandesh.com/india/news/part-of-a-four-storey-building-collapses-in-bhiwandi-maharashtra-one-dead</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/part-of-a-four-storey-building-collapses-in-bhiwandi-maharashtra-one-dead</guid><pubDate>Fri, 31 Jul 2026 08:23:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મહારાષ્ટ્રના ભિવંડી શહેરમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. પાવરલૂમ ઉદ્યોગ માટે જાણીતા ભિવંડીના બાલાજી નગર વિસ્તારમાં આવેલી કોહિનૂર બિલ્ડિંગનો એક મોટો ભાગ ગુરુવારે રાત્રે અંદાજે 11:30 વાગ્યે અચાનક ધરાશાયી થઈ ગયો. ચાર માળની આ જૂની ઇમારતનો મોટો હિસ્સો તૂટી પડતાં ભારે અકસ્માત સર્જાયો અને વિસ્તારમાં ભય તથા અફરાતફરીનું વાતાવરણ ફેલાઈ ગયું.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2083005972105363761"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; "><span style="font-size: 2rem;">અકસ્માત સમયે ઇમારતમાં કેટલાક મજૂરો કામ કરી રહ્યા હતા</span></p><p style="text-align: justify; ">પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માત સમયે ઇમારતમાં કેટલાક મજૂરો કામ કરી રહ્યા હતા, જ્યારે એક પરિવાર પણ ત્યાં હાજર હતો. ઇમારતનો ભાગ તૂટી પડતાં તેઓ કાટમાળ નીચે દટાઈ ગયા. અત્યાર સુધીમાં એક વ્યક્તિના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે હજુ પણ 7થી 8 લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.</p><h3 style="text-align: justify; ">NDRFએ રેસ્ક્યુ હાથ ધર્યુ</h3><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગની ટીમો તરત જ સ્થળ પર પહોંચી ગઈ હતી. ત્યારબાદ રાષ્ટ્રીય આપત્તિ પ્રતિસાદ દળ (NDRF)ને પણ તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવ્યું. બચાવ ટીમોએ યુદ્ધસ્તરે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું અને ભારે મશીનો તેમજ વિશેષ સાધનોની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી.</p><h4 style="text-align: justify; ">એક મહિલાને જીવિત અને સુરક્ષિત બહાર કાઢી&nbsp;</h4><p style="text-align: justify; ">રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન NDRFની ટીમે કાટમાળમાંથી એક મહિલાને જીવિત અને સુરક્ષિત બહાર કાઢી હતી. મહિલાને તરત જ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. બચાવ ટીમો હજુ પણ કાટમાળમાં ફસાયેલા અન્ય લોકોને શોધવાનો પ્રયાસ કરી રહી છે. બચાવ કામગીરી દરમિયાન દરેક હલચલ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે જેથી કોઈપણ જીવિત વ્યક્તિને સુરક્ષિત બહાર કાઢી શકાય.</p><h5 style="text-align: justify; ">&nbsp;બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ કરવામાં આવશે</h5><p style="text-align: justify; ">સ્થાનિક લોકો પણ બચાવ કામગીરીમાં પ્રશાસનને સહયોગ આપી રહ્યા છે. ઘટનાસ્થળની આસપાસ સુરક્ષા માટે વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે જેથી બચાવ કામગીરીમાં કોઈ અવરોધ ન આવે. ઇમારત જૂની હોવાના કારણે તેના માળખાકીય સુરક્ષાને લઈને પણ સવાલો ઉભા થયા છે. પ્રાથમિક અનુમાન મુજબ, ઇમારતની જર્જરિત સ્થિતિને કારણે તેનો ભાગ તૂટી પડ્યો હોઈ શકે છે, જોકે અકસ્માતનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.</p><h5 style="text-align: justify; ">સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવાની અપીલ&nbsp;</h5><p style="text-align: justify; ">પ્રશાસને જણાવ્યું છે કે બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ કરવામાં આવશે. જો ઇમારતની જાળવણીમાં બેદરકારી અથવા નિયમોના ઉલ્લંઘન સામે આવશે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ તમામનું ધ્યાન કાટમાળમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા અને તેમને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવવા પર કેન્દ્રિત છે. સ્થાનિક પ્રશાસને લોકોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવાની અપીલ કરી છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/31/3O3RO2iJVGfdrkHGFosJ0GZFodHg9ZaGdpFVCbEl.webp'/></item><item><title><![CDATA[Mahira Sharmaના રાણા જી 2.0 પર મમતા કુલકર્ણીની પ્રતિક્રિયા, કહ્યું- 'ઓરિજિનલની વાત જ અલગ છે' ]]></title><link>https://sandesh.com/entertainment/news/mahira-sharma-rana-ji-2-mamta-kulkarni-reaction</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/mahira-sharma-rana-ji-2-mamta-kulkarni-reaction</guid><pubDate>Thu, 30 Jul 2026 18:04:27 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ટીવી અભિનેત્રી માહિરા શર્મા હાલમાં ચર્ચામાં છે અને તેનું કારણ છે તેમનું નવું ગીત. તાજેતરમાં માહિરા શર્માનો નવો મ્યુઝિક વીડિયો રાણાજી 2.0 રિલીઝ થયો છે, જે સતત સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. આ ગીત 90ના દાયકાના સુપરહિટ ગીત રાણાજી માફ કરનાનું રિમેક છે. લોકોના મનમાં સવાલ હતો કે આ ગીતની મૂળ અભિનેત્રી મમતા કુલકર્ણી રિમેક&nbsp; વિશે શું વિચારે છે. હવે પોતે મમતાએ તેના પર પોતાની પ્રતિક્રિયા આપી છે.</p><h2 style="text-align: justify; "><b>મૂળ ગીતમાં મમતા કુલકર્ણીની અદાઓએ જીતી લીધા હતા દિલ</b></h2><p style="text-align: justify; ">1995માં આવેલી સલમાન ખાન, શાહરુખ ખાન અને કાજોલની ફિલ્મ કરણ અર્જુનનું ગીત રાણાજી માફ કરના ખૂબ લોકપ્રિય થયું હતું. આ ગીતમાં મમતા કુલકર્ણીની અદાઓ અને તેમનો ડાન્સ આજે પણ લોકોમાં ખૂબ લોકપ્રિય છે. હવે આ જ ગીતને નવા અંદાજમાં રાણાજી 2.0 નામથી રજૂ કરવામાં આવ્યું છે, જેમાં માહિરા શર્મા જોવા મળી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>મમતા કુલકર્ણીએ આપ્યું પોતાનું મંતવ્ય</b></h3><p style="text-align: justify; ">માહિરા શર્માનું ગીત રાણા જી 2.0 સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે અને તેને મિશ્ર પ્રતિક્રિયાઓ મળી રહી છે. જોકે, મોટાભાગના લોકો તેની ટીકા કરતા જોવા મળ્યા અને કહ્યું કે ફરી એક લોકપ્રિય ગીતને બગાડી નાખવામાં આવ્યું છે. હવે આ રિમેક વિશે વાત કરતાં મમતા કુલકર્ણીએ કહ્યું, તેણે સારું કામ કર્યું છે. વાત એ છે કે તમે એક એવું ગીત જોઈ રહ્યા છો, જે ઘાઘરા-ચોળી અને ભારતીય નૃત્યની મુદ્રાઓ સાથે હતું, જેને હવે પશ્ચિમી સ્વરૂપ અને પશ્ચિમી પોશાકમાં બનાવવામાં આવ્યું છે. તેથી તે અલગ દેખાય છે. પરંતુ જૂનું ગીત લોકોના મનમાં વસેલું છે, એટલે તે તરત યાદ આવી જાય છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbXWAB6t45J/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbXWAB6t45J/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbXWAB6t45J/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbXWAB6t45J/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>આ રીતે થયું હતું મૂળ ગીતનું શૂટિંગ</b></h4><p style="text-align: justify; ">મૂળ ગીતના શૂટિંગને યાદ કરતાં મમતા કુલકર્ણીએ કહ્યું, રાણાજી ગીતના નૃત્ય દિગ્દર્શક ચિન્ની પ્રકાશ માસ્ટરજી હતા. રિહર્સલ 2-3 દિવસ માટે નક્કી કરવામાં આવી હતી. પરંતુ મેં પહેલા જ દિવસે ડાન્સના સ્ટેપ્સ યોગ્ય રીતે શીખી લીધા હતા. જ્યારે હું સેટ પર પહોંચી ત્યારે સ્ટેપ્સ બદલી દેવામાં આવ્યા હતા. મેં તેમને પૂછ્યું કે તેમણે સ્ટેપ્સ કેમ બદલ્યા. મને સમજાતું નહોતું કે પછી રિહર્સલનો અર્થ શું હતો, પરંતુ ચિન્ની પ્રકાશ માસ્ટરજી ખૂબ સારા હતા અને અમે સમયસર ગીતનું શૂટિંગ પૂરું કરી લીધું.</p><h5 style="text-align: justify; "><b>તે સમયે હું યુવાન અને નાદાન હતી</b></h5><p style="text-align: justify; ">બોલીવુડમાં પોતાની સફર વિશે વાત કરતાં મમતા કુલકર્ણીએ કહ્યું, મને અભિનયની ઓફર મળી રહી છે. જો મને એવી કોઈ પટકથા મળે, જેને લઈને હું ખરેખર ઉત્સાહિત હોઉં, તો હું તેમાં કામ કરવા માટે તૈયાર છું. જોકે, આજે હું મુઝકો રાણાજી માફ કરના જેવા ગીતને તેના શબ્દો સાથે કરી શકીશ નહીં. હવે હું આધ્યાત્મિક રીતે વધુ જાગૃત બની ગઈ છું. તેથી કેટલાક ગીતો મારા માટે યોગ્ય નથી. હવે ડાન્સ કરતાં ગીતોના શબ્દો પર વધુ ધ્યાન આપવું પડે છે. અગાઉ હું ગીતના શબ્દો વિશે ક્યારેય વિચારતી નહોતી, કારણ કે મારું વધુ ધ્યાન ડાન્સના સ્ટેપ્સને વધુ સારા બનાવવા પર રહેતું હતું. તે સમયે હું યુવાન અને નાદાન હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/tmkoc-sundarlal-highest-paid-actor" target="_blank">આ પણ વાંચો-TMKOC : જેઠાલાલ નહીં, સુંદરલાલ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સૌથી મોંઘા એક્ટર!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/W9Oeu0jw3pcLr2BYlTbYBRixAAwdeJ8MscsHuc3q.webp'/></item></channel></rss>