<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabad News: ખાડિયાના ડબગરવાડમાં વધુ એક જર્જરિત મકાન થયું ધરાશાઈ, સદનસીબે જાનહાનિ ટળી! ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-news-another-dilapidated-building-collapsed-in-dabgarwad-khadiya-fortunately-no-casualties-were-reported</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-news-another-dilapidated-building-collapsed-in-dabgarwad-khadiya-fortunately-no-casualties-were-reported</guid><pubDate>Thu, 30 Jul 2026 22:52:46 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના ઐતિહાસિક કોટ વિસ્તાર ગણાતા ખાડિયામાં વધુ એક મકાન ધરાશાઈ થવાની ઘટના સામે આવી છે. ખાડિયા વિસ્તારમાં આવેલા ડબગરવાડ ખાતે એક જૂનું અને અત્યંત જર્જરિત મકાન અચાનક ધરાશાઈ થઈ ગયું હતું. મકાનનો ભાગ તૂટી પડતાં જ આસપાસના વિસ્તારમાં મોટો અવાજ થયો હતો અને લોકોમાં ક્ષણભર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.</p><h2 style="text-align: justify; "><b>સદનસીબે મોટી જાનહાનિ ટળી</b></h2><p style="text-align: justify; ">આ ઘટના બનતાં જ સ્થાનિક રહીશો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સદનસીબે આ મકાન ધરાશાઈ થયું ત્યારે અંદર કે આસપાસ કોઈ હાજર ન હોવાથી મોટો અકસ્માત ટળ્યો હતો અને કોઈ પણ પ્રકારની જાનહાનિ નોંધાઈ નથી. જોકે, મકાનનો મલબો રસ્તા પર આવી જતાં સ્થાનિક તંત્ર દ્વારા તેને ખસેડવાની અને સુરક્ષાના પગલાં લેવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.</p><h3 style="text-align: justify; "><b>ચોમાસાની ઋતુમાં 30થી વધુ મકાનો ધરાશાઈ</b></h3><p style="text-align: justify; ">ઉલ્લેખનીય છે કે, ચાલુ ચોમાસાની ઋતુ દરમિયાન કોટ વિસ્તારમાં જર્જરિત મકાનો તૂટી પડવાના બનાવોમાં ભારે વધારો થયો છે. અત્યાર સુધીમાં અમદાવાદના વિવિધ વિસ્તારોમાં 30થી વધુ જર્જરિત મકાનો ધરાશાઈ થઈ ચૂક્યા છે. વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે સ્થાનિક રહીશોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે અને મનપા દ્વારા બાકીના અત્યંત ભયજનક મકાનો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઊઠી રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/EN7ro9XnXWTvyTb29JtnwofTPAahAF3vmC1hTJxp.webp'/></item><item><title><![CDATA[Bhujમાં ACBની સફળ ટ્રેપ, ખેડૂત ખાતેદારનો દાખલો આપવા રૂ.35 હજારની લાંચ લેતા રેવન્યુ તલાટી ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhuj/acbs-successful-trap-in-bhuj-revenue-collector-caught-taking-a-bribe-of-rs-35-thousand-to-provide-a-farmers-account-holders-example</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhuj/acbs-successful-trap-in-bhuj-revenue-collector-caught-taking-a-bribe-of-rs-35-thousand-to-provide-a-farmers-account-holders-example</guid><pubDate>Thu, 30 Jul 2026 22:32:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કચ્છ જિલ્લાના મુખ્યાલય ભુજ ખાતે લાંચરુશવત વિરોધી બ્યુરો (ACB) દ્વારા એક સફળ ટ્રેપ ગોઠવીને ભ્રષ્ટ અધિકારીને ઝડપી પાડવામાં આવ્યો છે. ભુજમાં ફરજ બજાવતા રેવન્યુ તલાટી ચંદુ હરણે એક અરજદાર પાસે ખેડૂત ખાતેદારનો દાખલો આપવાના બદલામાં ગેરકાયદેસર નાણાંની માગણી કરી હતી. શરૂઆતમાં તલાટીએ રૂ.40 હજારની માગણી કરી હતી, પરંતુ રકઝક બાદ આખરે ₹૩૫ હજારમાં સોદો નક્કી થયો હતો.</p><h2 style="text-align: justify; "><b>ભુજ પ્રાંત અને મામલતદાર કચેરી ખાતે ACBની ટ્રેપ</b></h2><p style="text-align: justify; ">લાંચ આપવા ન માંગતા જાગૃત નાગરિકે આ મામલે તાત્કાલિક ACBનો સંપર્ક કરીને લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ACBની ટીમે ભુજ ખાતે આવેલી પ્રાંત અને મામલતદાર કચેરી પરિસરમાં જ સટકું ગોઠવ્યું હતું. આયોજન મુજબ જ્યારે ફરિયાદી પાસેથી રેવન્યુ તલાટી ચંદુ હરણ રૂ.35 હજારની લાંચની રકમ સ્વીકારી રહ્યો હતો, ત્યારે જ ACBની ટીમે તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>મુદ્દામાલ કબજે કરી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો</b></h3><p style="text-align: justify; ">ટ્રેપ દરમિયાન ACBએ લાંચની સંપૂર્ણ રૂ.35 હજારની રકમ રોકડા મુદ્દામાલ તરીકે કબજે કરી લીધી છે. લાંચિયા રેવન્યુ તલાટી ચંદુ હરણ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (એન્ટી કરપ્શન એક્ટ) હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કચેરીમાં જ સરકારી કર્મચારી લાંચ લેતા ઝડપાતાં સરકારી વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/LDZOUCy8xEkb9LiP9EmMHjN1u3erK6ceOT8M0Y42.webp'/></item><item><title><![CDATA[Toll Tax ક્યારે દૂર થશે? સરકારે સંસદમાં આપ્યો આ જવાબ ]]></title><link>https://sandesh.com/india/news/toll-tax-removal-government-parliament-answer-national-highways-toll-collection</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/toll-tax-removal-government-parliament-answer-national-highways-toll-collection</guid><pubDate>Thu, 30 Jul 2026 22:28:28 +05:30</pubDate><description><![CDATA[<p>રાષ્ટ્રીય રાજમાર્ગો પરથી ટોલ ટેક્સ ક્યારે દૂર થશે તે અંગે સરકારને સંસદમાં પૂછાયેલા પ્રશ્નનો સ્પષ્ટ જવાબ આપ્યો છે. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે હાલમાં નેશનલ હાઈવે પરથી ટોલ ટેક્સ હટાવવાનો કે ટોલ પ્લાઝા બંધ કરવાનો કોઈ પ્રસ્તાવ વિચારાધીન નથી. તેથી હાલની ટોલ વસૂલાતની વ્યવસ્થા યથાવત રહેશે.</p><h2><b>આ હાઈવે પર ખાનગી કંપનીઓ ટોલ વસૂલે છે</b></h2><p>માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે જણાવ્યું કે જાહેર-ખાનગી ભાગીદારી (PPP) હેઠળ બનેલા હાઈવે પર કન્સેશન અવધિ સુધી ખાનગી કંપનીઓ ટોલ વસૂલે છે. આ સમયગાળો પૂર્ણ થયા બાદ હાઈવે સરકાર અથવા અધિકૃત એજન્સીને સોંપવામાં આવે છે, પરંતુ ત્યારબાદ પણ નિયમો મુજબ ટોલ વસૂલાત ચાલુ રહે છે. સરકારી ભંડોળથી નિર્મિત રાષ્ટ્રીય રાજમાર્ગો પર પણ ટોલ વસૂલવામાં આવે છે.</p><h3><b>આ બે ટેક્સ છે અલગ પ્રકારના ચાર્જ&nbsp;</b></h3><p>સરકારે સ્પષ્ટ કર્યું કે વાહન ટેક્સ અને ટોલ ટેક્સ બંને અલગ પ્રકારના ચાર્જ છે. વાહન ટેક્સ રાજ્ય સરકારો અથવા કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા વસૂલવામાં આવે છે, જ્યારે ટોલ ટેક્સ રાષ્ટ્રીય રાજમાર્ગનો ઉપયોગ કરનાર મુસાફરો પાસેથી 'યુઝર ફી' તરીકે લેવામાં આવે છે. સરકારના જણાવ્યા મુજબ ટોલમાંથી મળતી આવકનો ઉપયોગ રાષ્ટ્રીય રાજમાર્ગોના જાળવણી, સમારકામ, વિસ્તરણ, નવા માર્ગોના નિર્માણ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ કાર્યો માટે કરવામાં આવે છે. આ રકમ ભારતની સંચિત નિધિમાં જમા થાય છે અને ત્યારબાદ બજેટ ફાળવણી દ્વારા વિવિધ માર્ગ વિકાસ યોજનાઓમાં ખર્ચવામાં આવે છે.</p><p>સરકારનું માનવું છે કે ટોલ વસૂલાત દેશભરમાં આધુનિક, સુરક્ષિત અને ઉચ્ચ ગુણવત્તાવાળા માર્ગોના વિકાસ માટે જરૂરી નાણાકીય સ્ત્રોત છે. તેથી હાલના નિયમો મુજબ દેશના તમામ નેશનલ હાઈવે પર ટોલ પ્લાઝા કાર્યરત રહેશે અને ટોલ ટેક્સની વસૂલાત પણ ચાલુ રહેશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/jharkhand-baba-baidyanath-dham-vip-darshan-ban-shravan-devotees-priority" target="_blank">આ પણ વાંચો : Jharkhand : પ્રસિદ્ધ બાબા વૈદ્યનાથ ધામમાં VIP દર્શન પર પ્રતિબંધ, સામાન્ય ભક્તોને મળશે પ્રાથમિકતા</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/iRIoH481pB8cVhQFRhfpa9xBQzhS2ZpzBoVgbfwu.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: એપ્રિલ 2020થી ડિસેમ્બર 2025 સુધી રાજ્યમાં 73.9 બિલિયન US ડોલરનું ક્યુમ્યુલેટિવ FDI આવ્યું ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-attracts--73-9-billion-cumulative-fdi-from-april-2020-to-december-2025</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-attracts--73-9-billion-cumulative-fdi-from-april-2020-to-december-2025</guid><pubDate>Thu, 30 Jul 2026 22:23:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનો પદગ્રહણ સમારોહ સંપન્ન થયો હતો.આ પ્રસંગે ઉપસ્થિત ઉદ્યોગકારોને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાત સદીઓથી વેપાર અને મહાજન પરંપરાની ભૂમિ રહ્યું છે અને આજે તે ઇનોવેશન, ઇન્ડસ્ટ્રી, ટ્રેડ અને ટ્રેડિશનના સંગમ તરીકે વિશ્વમાં ઊભરી રહ્યું છે.રાજ્યની પ્રગતિના આંકડા રજૂ કરતાં ઉમેર્યું કે નીતિ આયોગના ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ 2026માં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે.એપ્રિલ 2020થી ડિસેમ્બર 2025 સુધીમાં રાજ્યમાં 73.9 બિલિયન યુએસ ડોલરનું ક્યુમ્યુલેટિવ એફડીઆઈ આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>એમએસએમઈને પણ વિશેષ પ્રોત્સાહન આપવામાં આવ્યું</b></h2><p style="text-align: justify; ">રાજ્ય સરકારની નવી ઉદ્યોગ નીતિ 2026 અંગે વાત કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે નવી ઉદ્યોગ નીતિ ગુજરાતને ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ પાવર બનાવવાનો રોડમેપ છે. જેમાં પ્રથમવાર ઇન્સેન્ટિવ વિતરણની જોગવાઈ સાથે એમએસએમઈને પણ વિશેષ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.તેમણે ઉદ્યોગપતિઓને આ નવી નીતિનો અભ્યાસ કરી તેનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.તાજેતરમાં જ બે નવી પહેલ તેમના માર્ગદર્શનમાં કરવામાં આવી છે.જેમાં દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન તેમજ સ્પેસ સ્ટાર્ટઅપ દ્વારા  વિક્રમ-1 રોકેટ લૉન્ચ કરવાની ઘટનાઓ વૈશ્વિક મંચ પર ભારતની નવી છબિ પ્રસ્થાપિત કરશે.</p><h3 style="text-align: justify; "><b>ડેટા સેન્ટર જેવાં ભાવિ ક્ષેત્રોમાં લીડર બની રહ્યું છે</b></h3><p style="text-align: justify; ">ગુજરાત હવે સેમીકન્ડક્ટર પ્લાન્ટ્સ, ગિફ્ટ સિટીમાં એઆઈ સેન્ટર અને ડેટા સેન્ટર જેવાં ભાવિ ક્ષેત્રોમાં લીડર બની રહ્યું છે. રાજ્ય સરકાર ઉદ્યોગકારોની પડખે છે. મેક ઇન ગુજરાત, મેક ફોર ધ વર્લ્ડ’ના લક્ષ્ય સાથે પાંચ ટ્રિલિયન ઇકોનોમી અને વિકસિત ભારત @2047ના નિર્માણ માટે ઉપસ્થિત સૌ ઉદ્યોગકારોને આહવાન કર્યું હતું. આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)ના નવનિયુક્ત પ્રમુખ રાજેશભાઈ ગાંધીએ ચેમ્બરની આગામી કાર્યયોજનાની રૂપરેખા રજૂ કરી હતી તેમજ ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે સહકારપૂર્ણ અભિગમ અપનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.<br><br><a href="https://sandesh.com/explainer/news/monsoon-2026/sandesh-digital-explainer-india-monsoon-2026-crisis-15-states-face-up-to-72-percent-rainfall-deficit" target="_blank">આ પણ વાંચોઃ Sandesh Digital Explainer: દેશના 15 રાજ્યોમાં 72 ટકા વરસાદની ઘટ, તો શું વરસાદ વગર જ ચોમાસુ પસાર થઈ જશે?</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/NiqKn9cKRIDRku3pnavVYbk1bWM7PnITUcYX5d8K.webp'/></item><item><title><![CDATA[NEET પેપર લીક મામલે કેમ મૌન રહ્યા રાઘવ ચઢ્ઢા? સંસદમાં આપ્યું આ કારણ ]]></title><link>https://sandesh.com/india/news/political-news/raghav-chadha-neet-paper-leak-silence-parliament-explanation</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/political-news/raghav-chadha-neet-paper-leak-silence-parliament-explanation</guid><pubDate>Thu, 30 Jul 2026 21:35:01 +05:30</pubDate><description><![CDATA[<p>રાજ્યસભામાં એન્ટી પેપર લીક બિલ પર ચર્ચા દરમિયાન પંજાબના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે ઘણા લોકો તેમને પૂછતા હતા કે તેઓ NEET પેપર લીક મુદ્દે શા માટે મૌન હતા. તેમણે જણાવ્યું કે અગાઉ જ્યારે તેઓ વિપક્ષમાં હતા ત્યારે સરકારને પ્રશ્ન પૂછવાનું તેમનું કામ હતું, પરંતુ હવે ટ્રેઝરી બેન્ચનો ભાગ હોવાને કારણે તેમની જવાબદારી માત્ર પ્રશ્નો પૂછવાની નહીં, પરંતુ સમસ્યાનો ઉકેલ રજૂ કરવાની છે.</p><h2><b>શું ઈચ્છતા હતા રાઘવ ચઢ્ઢા?</b></h2><p>રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું કે સરકાર હવે પેપર લીક જેવી ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે કડક કાનૂની માળખું લઈને આવી છે. તેમણે કહ્યું કે તેઓ માત્ર મીડિયા સમક્ષ નિવેદન આપવા માગતા ન હતા, પરંતુ અસરકારક ઉકેલ સાથે જ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા ઈચ્છતા હતા.</p><h3><b>કોમ્પ્યુટર આધારિત પદ્ધતિથી પરીક્ષા યોજવાની તૈયારી&nbsp;</b></h3><p>NEETના વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે કહ્યું કે તેમનો ગુસ્સો, દુઃખ અને લાગણીઓ સંપૂર્ણપણે યોગ્ય છે. વિદ્યાર્થીઓએ પોતાની વ્યથા સરકાર સમક્ષ રજૂ કરી હતી અને તેના આધારે પરીક્ષા વ્યવસ્થામાં સુધારા કરવામાં આવ્યા છે. તેમણે દાવો કર્યો કે તપાસને ઝડપી બનાવવામાં આવી અને ટૂંકા ગાળામાં ચાર્જશીટ પણ ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં દાખલ કરવામાં આવી. આગામી સમયમાં NEET પરીક્ષા OMR શીટને બદલે કોમ્પ્યુટર આધારિત પદ્ધતિથી યોજવાની પણ તૈયારી કરવામાં આવી રહી છે.</p><h4><b>આ એક રાજ્ય કે રાજકીય પક્ષનો મુદ્દો નથી</b></h4><p>રાઘવ ચઢ્ઢાએ પેપર લીકને સમગ્ર દેશની સમસ્યા ગણાવી હતી. તેમના મતે આ માત્ર કોઈ એક રાજ્ય કે રાજકીય પક્ષનો મુદ્દો નથી, પરંતુ દેશના યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલો સંગઠિત ગુનો છે. તેમણે પંજાબમાં ફાર્મસી ઓફિસર ભરતી પરીક્ષામાં બ્લૂટૂથ ડિવાઇસ દ્વારા થયેલી કથિત ગેરરીતિનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે નકલ કરાવવા માટે લાખો રૂપિયાની વસૂલી થતી હતી. તેમણે તમામ રાજકીય પક્ષોને અપીલ કરી કે વિદ્યાર્થીઓના હિતમાં રાજકીય મતભેદોથી ઉપર ઊઠીને પેપર લીક વિરોધી કડક કાયદાને સમર્થન આપવું જોઈએ, જેથી પરીક્ષા પ્રણાલી પર વિદ્યાર્થીઓનો વિશ્વાસ વધુ મજબૂત બની શકે.</p><p><b><a href="https://sandesh.com/india/news/political-news/lok-sabha-meeting-after-the-controversy-in-the-lok-sabha-the-meeting-between-rahul-gandhi-and-kiren-rijiju-became-a-topic-of-discussion" target="_blank">આ પણ વાંચો : Lok Sabha Meeting: લોકસભામાં વિવાદ પછી Rahul Gandhi અને Kiren Rijijuની મુલાકાત બની ચર્ચાસ્પદ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/K2EpA9tnrZy7hX0lOXRz3wAtcRRgHyxEP3yiO62p.webp'/></item><item><title><![CDATA[Vav-Tharadના સુઇગામમાં સસ્તા અનાજની દુકાનદારનો ઓછું રાશન આપતો વીડિયો થયો વાયરલ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/vav-tharad/video-of-cheap-food-shopkeeper-giving-less-ration-in-suigam-vav-tharad-goes-viral</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/vav-tharad/video-of-cheap-food-shopkeeper-giving-less-ration-in-suigam-vav-tharad-goes-viral</guid><pubDate>Thu, 30 Jul 2026 21:05:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ પંથકમાં આવેલા સુઇગામ તાલુકામાંથી સસ્તા અનાજની દુકાનનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. સરકારી યોજના હેઠળ મળતા સસ્તા અનાજના વિતરણ દરમિયાન દુકાનદાર લાભાર્થીઓને નિયત જથ્થા કરતા ઓછું રાશન આપતો હોવાના ગંભીર આક્ષેપો સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ગરીબ અને જરૂરિયાતમંદ લાભાર્થીઓના હક પર સીધી તરાપ મારવામાં આવી રહી હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં લોકોમાં રોષ</b></h2><p style="text-align: justify; ">સસ્તા અનાજની દુકાનદારની આ ગેરરીતિનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ સમગ્ર તાલુકામાં ભારે ખળભળાટ મચી ગયો છે. સામાન્ય નાગરિકો અને લાભાર્થીઓમાં દુકાનદારની આ પ્રકારની દાદાગીરી અને છેતરપિંડી સામે ભારે રોષ અને આક્રોશ વ્યાપી ગયો છે. સરકારી સહાયથી વંચિત રાખવાના આ પ્રયાસ સામે સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>જિલ્લા પુરવઠા અધિકારી સમક્ષ તાત્કાલિક કાર્યવાહીની માંગ</b></h3><p style="text-align: justify; ">આ સમગ્ર મામલે લોકોમાં આક્રોશ ફેલાતાં જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા પુરવઠા અધિકારી સમક્ષ રજૂઆત કરી તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરવાની માંગ કરવામાં આવી છે. ગરીબોના રાશનમાં કાપ મૂકનાર જવાબદાર દુકાનદાર સામે આકરાં પગલાં ભરવામાં આવે અને તેનો પરવાનો રદ કરી દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઊઠી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/omxgMNXEudouoS5L5GuIRxAfI71SY7pZsdWGPCuK.webp'/></item><item><title><![CDATA[Narmadaમાં ભારે વરસાદની આગાહીને પગલે તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર, કલેક્ટર ગંગા સિંહનો નિર્ણય ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/narmada/holiday-declared-in-all-schools-and-colleges-due-to-heavy-rain-forecast-in-narmada-collector-ganga-singhs-decision</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/narmada/holiday-declared-in-all-schools-and-colleges-due-to-heavy-rain-forecast-in-narmada-collector-ganga-singhs-decision</guid><pubDate>Thu, 30 Jul 2026 19:44:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નર્મદા જિલ્લામાં આવતીકાલે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ચોમાસાની સિસ્ટમ સક્રિય થવાના કારણે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં અનરાધાર વરસાદ પડવાની શક્યતા સેવાઈ રહી છે. વરસાદના કારણે વિદ્યાર્થીઓને શાળા-કોલેજે જવામાં ભારે મુશ્કેલી ન પડે અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પ્રશાસન દ્વારા આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>જિલ્લા કલેક્ટર ગંગા સિંહનો સાવચેતીનો નિર્ણય</b></h2><p style="text-align: justify; ">ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંહે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે સાવચેતીના પગલાં રૂપે જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં આવતીકાલે શૈક્ષણિક કાર્ય બંધ રાખીને રજા જાહેર કરી છે. કલેક્ટરના આ નિર્ણયથી વિદ્યાર્થીઓ અને વાલીઓને મોટી રાહત મળી છે.</p><h3 style="text-align: justify; "><b>સુરક્ષાના ભાગરૂપે પ્રશાસન એલર્ટ મોડ પર</b></h3><p style="text-align: justify;">જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય માત્ર બાળકો અને યુવાનોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે સમગ્ર જિલ્લાનું સરકારી તંત્ર એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારો અને નદી-નાળા કાંઠે રહેતા લોકોને પણ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.</p><p style="text-align: justify;"><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/00iueAybJ3GDMYCx70zpUqpsu04aOXOMhKtlbTFD.webp'/></item><item><title><![CDATA[Personal Loanના EMI ન ચૂકવવા પર શું જવું પડે છે જેલ? આ છે RBIના નિયમ ]]></title><link>https://sandesh.com/business/news/personal-loan-emi-missed--will-police-come-or-jail-happen--know-truth</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/personal-loan-emi-missed--will-police-come-or-jail-happen--know-truth</guid><pubDate>Thu, 30 Jul 2026 18:26:06 +05:30</pubDate><description><![CDATA[<p>આજકાલ મોબાઇલ એપ અથવા બેંક દ્વારા પર્સનલ લોન મેળવવામાં થોડી જ મિનિટો લાગે છે અને પૈસા તરત જ તમારા ખાતામાં જમા થઈ જાય છે. જોકે, વાસ્તવિક ચિંતા ત્યારે થાય છે જ્યારે તમે તમારી નોકરી ગુમાવો છો તમારો વ્યવસાય નિષ્ફળ જાય છે અથવા તમારે અન્ય અનિવાર્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવી પરિસ્થિતિઓમાં  EMI બાઉન્સ થવા લાગે છે. જેમ જેમ પરિસ્થિતિ વધુ વણસે છે, તેમ તેમ એક સામાન્ય ભય ઊભો થાય છે: જો હું લોન ચૂકવીશ નહીં તો શું પોલીસ મારા ઘરે આવશે? શું મારે જેલમાં જવું પડશે? સ્પષ્ટ અને સીધો જવાબ છે ના. ફક્ત લોન ચૂકવવામાં અસમર્થ રહેવું એ કાયદા હેઠળ ગુનો નથી. જો તમારા ઇરાદા પ્રામાણિક હોય પરંતુ તમે પ્રતિકૂળ પરિસ્થિતિઓને કારણે તમારો EMI ચૂકવી શકતા નથી, તો તમને ફક્ત એટલા માટે જેલમાં મોકલી શકાય નહીં.</p><p><b>જ્યારે EMI ચૂકી જાવ તો બેંક શું કરે છે?</b></p><p>જો તમે સતત તમારા EMI ચૂકવવામાં નિષ્ફળ જાઓ છો, તો બેંક તાત્કાલિક કડક પગલાં લેતી નથી. શરૂઆતમાં, તમને કોલ અને સંદેશાઓ દ્વારા ચુકવણી કરવાનું યાદ અપાવવામાં આવે છે. ત્યારબાદ, કાયદાકીય નોટિસ મોકલવામાં આવે છે. જો ચુકવણી લાંબા સમય સુધી બાકી રહે છે. તો બેંક તમારા લોન ખાતાને NPA' (નોન-પર્ફોર્મિંગ એસેટ) તરીકે વર્ગીકૃત કરે છે. સૌથી નોંધપાત્ર પ્રતિકૂળ અસર તમારા CIBIL સ્કોર પર પડે છે. નબળા CIBIL સ્કોરનો અર્થ એ છે કે ભવિષ્યમાં તમને નવી લોન અથવા ક્રેડિટ કાર્ડ મેળવવામાં મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે. આ પછી, બેંક કોર્ટ દ્વારા બાકી રકમ વસૂલવા માટે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી શકે છે. જો તમે લોન સામે કોઈ કોલેટરલ આપ્યું હોય, તો તે સંપત્તિ અંગે પણ કાર્યવાહી કરી શકાય છે.</p><p><b>કયા કિસ્સાઓમાં જેલનું જોખમ છે?</b></p><p>જેમ અગાઉ ઉલ્લેખ કર્યો છે,  મુશ્કેલીને કારણે EMI ચૂકવવામાં નિષ્ફળતા ગુનો નથી. જેલનું જોખમ ફક્ત છેતરપિંડીના કિસ્સાઓમાં જ થાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈએ બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને લોન મેળવી હોય, તેમના રોજગાર અથવા આવક વિશે બેંકને ખોટું બોલ્યું હોય, અથવા જાણી જોઈને પૈસા લઈને ફરાર થઈ જાય. આવા કિસ્સાઓમાં બેંક FIR દાખલ કરવા માટે સીધી પોલીસનો સંપર્ક કરી શકે છે, જેનાથી ફોજદારી કેસ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો બેંક સાથે ઇરાદાપૂર્વક છેતરપિંડી કરવી અને અનિવાર્ય સંજોગોને કારણે લોન ચૂકવવામાં અસમર્થ રહેવું એ બે સંપૂર્ણપણે અલગ બાબતો છે.</p><p><b>રિકવરી એજન્ટો તરફથી ધમકીઓનો તમે કેવી રીતે સામનો કરી શકો છો?</b></p><p>લોન ચૂકવવામાં ડિફોલ્ટ કરનારા દેવાદારો ઘણીવાર રિકવરી એજન્ટોથી સૌથી વધુ ડરતા હોય છે. જોકે, રિઝર્વ બેંક (RBI) એડવાઈઝરી આ ​​સંદર્ભમાં સામાન્ય વ્યક્તિને સશક્ત બનાવે છે. જ્યારે રિકવરી એજન્ટો તમને ફોન કરી શકે છે અથવા તમારા ઘરે અથવા ઓફિસમાં લેણાં વસૂલવા માટે જઈ શકે છે, ત્યારે તેમને અસભ્ય વર્તન કરવાનો અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાનો અથવા તમને ધમકી આપવાનો કોઈ અધિકાર નથી. તેઓ રાત્રે ફોન કરીને તમને હેરાન કરી શકતા નથી. જો કોઈ એજન્ટ મર્યાદા ઓળંગે છે અથવા તમને અપમાનિત કરવાનો પ્રયાસ કરે છે, તો તમારે પોલીસ અથવા RBIમાં ફરિયાદ નોંધાવવામાં અચકાવું જોઈએ નહીં. આવી બાબતોમાં કાયદો તમને સંપૂર્ણ ટેકો આપે છે.</p><p><b>જો તમને નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડે તો તમારે શું કરવું જોઈએ?</b></p><p>લોકો ઘણીવાર ડરના કારણે બેંકના કોલનો જવાબ આપવાનું બંધ કરી દે છે. આ એક મોટી ભૂલ છે; આમ કરવાથી સમસ્યાનો ઉકેલ આવવાને બદલે તે વધુ ખરાબ થાય છે. જો તમને લાગે કે તમારા EMI ચૂકવવાનું હવે તમારા હાથમાં નથી, તો સીધા બેંકની મુલાકાત લો અને અધિકારીઓને ખુલ્લેઆમ તમારી પરિસ્થિતિ સમજાવો. બેંકો ઘણીવાર આવા કિસ્સાઓમાં સહાય પૂરી પાડે છે. જો જરૂરી હોય તો તેઓ તમારા EMI ઘટાડી શકે છે. લોન ચુકવણીનો સમયગાળો લંબાવી શકે છે અથવા થોડા મહિનાનો ગ્રેસ પીરિયડ આપી શકે છે. ક્યારેક 'વન-ટાઇમ સેટલમેન્ટ' વિકલ્પ પણ શોધી શકાય છે, જે કાયદાકીયમુશ્કેલીઓનો કાયમી ઉકેલ લાવી શકે છે અને તમારા માનસિક તણાવને દૂર કરી શકે છે.</p><p><br>આ પણ વાંચો:<a href="https://sandesh.com/india/news/weather-update-31-july--imd-issues-red-alert-for-19-states--heavy-rain" target="_blank"><b> Weather Update: હવામાન વિભાગે કરી ભયંકર આગાહી, ભારે વરસાદને લઈને આપ્યું અહીં રેડ એલર્ટ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/zbXJMElr3tC6rkr8kmW279uBHzrnuwqnKZiox49M.webp'/></item><item><title><![CDATA[Mahira Sharmaના રાણા જી 2.0 પર મમતા કુલકર્ણીની પ્રતિક્રિયા, કહ્યું- 'ઓરિજિનલની વાત જ અલગ છે' ]]></title><link>https://sandesh.com/entertainment/news/mahira-sharma-rana-ji-2-mamta-kulkarni-reaction</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/mahira-sharma-rana-ji-2-mamta-kulkarni-reaction</guid><pubDate>Thu, 30 Jul 2026 18:04:27 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ટીવી અભિનેત્રી માહિરા શર્મા હાલમાં ચર્ચામાં છે અને તેનું કારણ છે તેમનું નવું ગીત. તાજેતરમાં માહિરા શર્માનો નવો મ્યુઝિક વીડિયો રાણાજી 2.0 રિલીઝ થયો છે, જે સતત સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. આ ગીત 90ના દાયકાના સુપરહિટ ગીત રાણાજી માફ કરનાનું રિમેક છે. લોકોના મનમાં સવાલ હતો કે આ ગીતની મૂળ અભિનેત્રી મમતા કુલકર્ણી રિમેક&nbsp; વિશે શું વિચારે છે. હવે પોતે મમતાએ તેના પર પોતાની પ્રતિક્રિયા આપી છે.</p><h2 style="text-align: justify; "><b>મૂળ ગીતમાં મમતા કુલકર્ણીની અદાઓએ જીતી લીધા હતા દિલ</b></h2><p style="text-align: justify; ">1995માં આવેલી સલમાન ખાન, શાહરુખ ખાન અને કાજોલની ફિલ્મ કરણ અર્જુનનું ગીત રાણાજી માફ કરના ખૂબ લોકપ્રિય થયું હતું. આ ગીતમાં મમતા કુલકર્ણીની અદાઓ અને તેમનો ડાન્સ આજે પણ લોકોમાં ખૂબ લોકપ્રિય છે. હવે આ જ ગીતને નવા અંદાજમાં રાણાજી 2.0 નામથી રજૂ કરવામાં આવ્યું છે, જેમાં માહિરા શર્મા જોવા મળી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>મમતા કુલકર્ણીએ આપ્યું પોતાનું મંતવ્ય</b></h3><p style="text-align: justify; ">માહિરા શર્માનું ગીત રાણા જી 2.0 સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે અને તેને મિશ્ર પ્રતિક્રિયાઓ મળી રહી છે. જોકે, મોટાભાગના લોકો તેની ટીકા કરતા જોવા મળ્યા અને કહ્યું કે ફરી એક લોકપ્રિય ગીતને બગાડી નાખવામાં આવ્યું છે. હવે આ રિમેક વિશે વાત કરતાં મમતા કુલકર્ણીએ કહ્યું, તેણે સારું કામ કર્યું છે. વાત એ છે કે તમે એક એવું ગીત જોઈ રહ્યા છો, જે ઘાઘરા-ચોળી અને ભારતીય નૃત્યની મુદ્રાઓ સાથે હતું, જેને હવે પશ્ચિમી સ્વરૂપ અને પશ્ચિમી પોશાકમાં બનાવવામાં આવ્યું છે. તેથી તે અલગ દેખાય છે. પરંતુ જૂનું ગીત લોકોના મનમાં વસેલું છે, એટલે તે તરત યાદ આવી જાય છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbXWAB6t45J/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbXWAB6t45J/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbXWAB6t45J/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbXWAB6t45J/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>આ રીતે થયું હતું મૂળ ગીતનું શૂટિંગ</b></h4><p style="text-align: justify; ">મૂળ ગીતના શૂટિંગને યાદ કરતાં મમતા કુલકર્ણીએ કહ્યું, રાણાજી ગીતના નૃત્ય દિગ્દર્શક ચિન્ની પ્રકાશ માસ્ટરજી હતા. રિહર્સલ 2-3 દિવસ માટે નક્કી કરવામાં આવી હતી. પરંતુ મેં પહેલા જ દિવસે ડાન્સના સ્ટેપ્સ યોગ્ય રીતે શીખી લીધા હતા. જ્યારે હું સેટ પર પહોંચી ત્યારે સ્ટેપ્સ બદલી દેવામાં આવ્યા હતા. મેં તેમને પૂછ્યું કે તેમણે સ્ટેપ્સ કેમ બદલ્યા. મને સમજાતું નહોતું કે પછી રિહર્સલનો અર્થ શું હતો, પરંતુ ચિન્ની પ્રકાશ માસ્ટરજી ખૂબ સારા હતા અને અમે સમયસર ગીતનું શૂટિંગ પૂરું કરી લીધું.</p><h5 style="text-align: justify; "><b>તે સમયે હું યુવાન અને નાદાન હતી</b></h5><p style="text-align: justify; ">બોલીવુડમાં પોતાની સફર વિશે વાત કરતાં મમતા કુલકર્ણીએ કહ્યું, મને અભિનયની ઓફર મળી રહી છે. જો મને એવી કોઈ પટકથા મળે, જેને લઈને હું ખરેખર ઉત્સાહિત હોઉં, તો હું તેમાં કામ કરવા માટે તૈયાર છું. જોકે, આજે હું મુઝકો રાણાજી માફ કરના જેવા ગીતને તેના શબ્દો સાથે કરી શકીશ નહીં. હવે હું આધ્યાત્મિક રીતે વધુ જાગૃત બની ગઈ છું. તેથી કેટલાક ગીતો મારા માટે યોગ્ય નથી. હવે ડાન્સ કરતાં ગીતોના શબ્દો પર વધુ ધ્યાન આપવું પડે છે. અગાઉ હું ગીતના શબ્દો વિશે ક્યારેય વિચારતી નહોતી, કારણ કે મારું વધુ ધ્યાન ડાન્સના સ્ટેપ્સને વધુ સારા બનાવવા પર રહેતું હતું. તે સમયે હું યુવાન અને નાદાન હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/tmkoc-sundarlal-highest-paid-actor" target="_blank">આ પણ વાંચો-TMKOC : જેઠાલાલ નહીં, સુંદરલાલ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સૌથી મોંઘા એક્ટર!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/W9Oeu0jw3pcLr2BYlTbYBRixAAwdeJ8MscsHuc3q.webp'/></item><item><title><![CDATA[CWG 2026માં નીરજ ચોપરાએ મચાવી ધૂમ, પાકિસ્તાનના અરશદ નદીમને હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું ]]></title><link>https://sandesh.com/sports/news/neeraj-chopra-cwg-2026-javelin-final-qualification</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/neeraj-chopra-cwg-2026-javelin-final-qualification</guid><pubDate>Thu, 30 Jul 2026 16:56:15 +05:30</pubDate><description><![CDATA[<p>કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભાલા ફેંકમાં ભારત માટે એક મોટા સમાચાર છે. લાંબા સમય પછી કોમનવેલ્થ ગેમ્સમાં વાપસી કરી રહેલા સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરાએ પુરુષોની ભાલા ફેંકની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ખાસ વાત એ છે કે માત્ર નીરજ જ નહીં, પરંતુ ભારતના ત્રણેય ભાલા ફેંકનારાઓ ક્વોલિફિકેશન પડકારને પાર કરવામાં સફળ રહ્યા હતા.&nbsp;</p><p>રોહિત યાદવ અને યશવીર સિંહે પણ જોરદાર પ્રદર્શન કરીને ફાઈનલમાં ટિકિટ મેળવી લીધી. પાકિસ્તાનનો ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમ પણ આગળના રાઉન્ડમાં પહોંચી ગયો છે. ખાસ વાત એ છે કે ક્વોલિફિકેશન રાઉન્ડમાં નીરજ અરશદ નદીમ કરતા વધુ દૂર ભાલા ફેંકવામાં સફળ રહ્યો હતો.</p><h2><b>નીરજે 79 મીટરનો આંકડો પાર કર્યો</b></h2><p>ગ્લાસગોમાં યોજાયેલા ક્વોલિફિકેશન રાઉન્ડમાં નીરજ ચોપરાએ 79.61 મીટરના બેસ્ટ પ્રયાસ સાથે ભાલા ફેંક્યો. તે 84.00 મીટરના ઓટોમેટિક ક્વોલિફિકેશન માર્કથી ઓછો રહ્યો, પરંતુ બંને ક્વોલિફિકેશન ગ્રુપના એકંદર પ્રદર્શનના આધારે તે પાંચમા નંબરે રહ્યો અને 12-મેન ફાઈનલ માટે ક્વોલિફાય થયો. આ સ્પર્ધામાં રમતવીરો માટે હવામાન એક મોટો પડકાર હતો.&nbsp;</p><p>ગ્લાસગોમાં ઠંડી અને વાદળછાયું વાતાવરણને કારણે કોઈ પણ ખેલાડી 84 મીટરના ઓટોમેટિક ક્વોલિફિકેશન માર્ક સુધી પહોંચી શક્યો નહીં. તેથી બંને ગ્રુપના બેસ્ટ પ્રદર્શનના આધારે ફાઈનલિસ્ટનો નિર્ણય લેવામાં આવ્યો.</p><h3><b>ત્રણેય ભારતીય ખેલાડીઓ ફાઈનલમાં પહોંચ્યા</b></h3><p>ભારત માટે સૌથી મોટી ખુશી એ હતી કે તેના ત્રણેય ખેલાડીઓ ફાઈનલમાં પહોંચ્યા . રોહિત યાદવે 78.37 મીટરના બેસ્ટ થ્રો સાથે નવમા નંબરે ક્વોલિફાય કર્યું, જ્યારે યશવીર સિંહ 78.36 મીટરના પ્રયાસ સાથે 10મા નંબરે રહીને ફાઈનલમાં પહોંચ્યો. આનાથી ભારતને ત્રણ મજબૂત મેડલ દાવેદાર મળ્યા.</p><h4><b>રુમેશ થરંગા ટોપ પર</b></h4><p>ક્વોલિફિકેશન રાઉન્ડમાં શ્રીલંકાના રુમેશ થરંગા પથિરાજે 82.84 મીટરના થ્રો સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ દરમિયાન પાકિસ્તાનના અરશદ નદીમે શરૂઆતના પ્રયાસ પછી પણ પોતાનું અંતર સુધાર્યું ન હતું, પરંતુ 78.63 મીટરના થ્રો સાથે સાતમા નંબરે રહીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. હવે બધાની નજર ફાઈનલ પર રહેશે, જ્યાં નીરજ ચોપરા ફરી એકવાર મોટા મંચ પર ગોલ્ડ મેડલ જીતવાનું લક્ષ્ય રાખશે. ત્રણ ભારતીય ખેલાડીઓ ફાઈનલમાં પહોંચતા દેશની મેડલની આશાઓ પણ નોંધપાત્ર રીતે વધી ગઈ છે.</p><h5><b>ટોપ 12 ખેલાડીઓ ફાઈનલમાં પહોંચ્યા</b></h5><p>રમેશ પથિરાજ (SRI) - 82.84m</p><p>એન્ડરસન પીટર્સ (GRE) - 81.29m</p><p>ડાઉ સ્મિથ (RSA) - 80.64m</p><p>બેન ઈસ્ટ (ENG) - 80.38m</p><p>નીરજ ચોપરા (IND) - 79.61m</p><p>કેમેરોન મેકઈન્ટાયર (AUS) - 78.91m</p><p>અરશદ નદીમ (PAK) - 78.63m</p><p>કીશોન સ્ટ્રેચન (BAH) - 78.60m</p><p>રોહિત યાદવ (IND) - 78.37m</p><p>યશવીર સિંહ (IND) - 78.36m</p><p>કેશોર્ન વોલકોટ (TTO) - 78.26m</p><p>ચિનેચેરેમ નનમડી (NIG) - 75.27m</p><p><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/ishan-kishan-run-out-abhishek-sharma-stump-mic-video" target="_blank">Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/jjZA8np5mdIXWymcC1wyulE70MoGb1vYPfsb8oF3.webp'/></item></channel></rss>