<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Mehsana : ડોક્ટર પણ બન્યા ‘ઈમોશનલ સાયબર ફ્રોડ’નો શિકાર, QR કોડ સ્કેન કરાવતા 9,000 રૂપિયા ઠગાયા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/mehsana/mehsana-vadnagar-gmers-doctor-emotional-cyber-fraud-qr-code</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/mehsana/mehsana-vadnagar-gmers-doctor-emotional-cyber-fraud-qr-code</guid><pubDate>Tue, 01 Sep 2026 21:56:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મહેસાણાના વડનગર સ્થિત GMERS મેડિકલ કોલેજમાં ‘ઈમોશનલ સાયબર ફ્રોડ’નો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અજાણ્યા શખ્સે ભાવનાત્મક વાતો કરીને એક મહિલા ડોક્ટરને વિશ્વાસમાં લીધી અને QR કોડ મારફતે 9,000 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાથી મેડિકલ કોલેજમાં ચકચાર મચી છે. ચર્ચા એવી પણ છે કે અન્ય ફેકલ્ટી સભ્યો અને ડોક્ટરોને પણ અજાણ્યા શખ્સ દ્વારા સંપર્ક કરીને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>ભાવનાત્મક વાતો કરીને વિશ્વાસમાં લીધા</b></h2><p style="text-align: justify; ">મહિલા ડોક્ટર સાથે અજાણ્યા વ્યક્તિએ ભાવનાત્મક વાતચીત કરીને વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ QR કોડ મારફતે નાણાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. સાયબર ઠગો હવે માત્ર ટેકનિકલ પદ્ધતિથી જ નહીં, પરંતુ લોકોની લાગણીઓ અને વિશ્વાસનો ઉપયોગ કરીને પણ છેતરપિંડી કરતા હોવાના આક્ષેપો વચ્ચે આ ઘટના ચર્ચામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>અન્ય ડોક્ટરોને પણ ટાર્ગેટ કરવાનો પ્રયાસ?</b></h3><p style="text-align: justify; ">મેડિકલ કોલેજના અન્ય ડોક્ટરો અને ફેકલ્ટી સભ્યોને પણ આવી જ રીતે ઈમોશનલ વાતચીત અથવા દબાણ દ્વારા ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે. જોકે કેટલાક સજાગ ડોક્ટરો શંકાસ્પદ વ્યવહાર ઓળખી લેતાં ઠગાઈથી બચી ગયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ કોલેજના ડોક્ટરો અને સ્ટાફમાં સાયબર સુરક્ષાને લઈને સતર્કતા વધારી છે.</p><h3 style="text-align: justify; "><b>નાણાં પરત ન મળતાં મહિલા ડોક્ટરે કરી આપવીતી જાહેર</b></h3><p style="text-align: justify; ">ઠગાઈ બાદ નાણાં પરત ન મળતાં મહિલા ડોક્ટરે અન્ય લોકો પણ આવી છેતરપિંડીનો શિકાર ન બને તે હેતુથી પોતાની આપવીતી જાહેર કરી છે. તેમણે ટ્રાન્ઝેક્શનના સ્ક્રીનશોટ સાથે સમગ્ર ઘટનાની વિગતો શેર કરીને લોકોને સાયબર ઠગાઈથી સાવચેત રહેવાની અપીલ કરી છે. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે સાયબર ઠગો હવે લોકોના વિશ્વાસ અને લાગણીઓને હથિયાર બનાવી નવી નવી રીતે છેતરપિંડી કરી રહ્યા છે.</p><h4 style="text-align: justify; "><b>QR કોડ સ્કેન કરતાં પહેલાં સાવધાન</b></h4><p style="text-align: justify; ">સાયબર સજાગતા માટે નિષ્ણાતો વારંવાર અપીલ કરે છે કે અજાણી વ્યક્તિની ઓળખની ખાતરી કર્યા વિના કોઈપણ QR કોડ સ્કેન ન કરવો જોઈએ. ખાસ કરીને પૈસા મેળવવાના બહાને મોકલવામાં આવતા શંકાસ્પદ QR કોડ સ્કેન કરતી વખતે વધુ સતર્ક રહેવું જરૂરી છે. કોઈપણ શંકાસ્પદ વ્યવહાર જણાય તો તાત્કાલિક સાયબર ક્રાઇમમાં જાણ કરવી જોઈએ. હવે આ મામલે વધુ કોઈ ફરિયાદ અથવા તપાસ થાય છે કે નહીં તેના પર નજર રહેશે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-gujarat-august-rainfall-deficit-devbhumi-dwarka-87-percent-monsoon" target="_blank"><b>Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/gxUJDdZqw9UW14MFUOZ4h9KMS4kexCQkmMhL263G.webp'/></item><item><title><![CDATA[Bharuch: હાંસોટમાં બે ભાઈઓ ધારીયા અને પાઇપથી જીવલેણ હુમલો કર્યો, 5 આરોપીઓને દબોચી લીધા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/hansot-police-parade-accused-deadly-attack-two-brothers</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/hansot-police-parade-accused-deadly-attack-two-brothers</guid><pubDate>Tue, 01 Sep 2026 21:53:53 +05:30</pubDate><description><![CDATA[<p>ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકા મથકે આવેલા ત્રણ રસ્તા વિસ્તારમાં જૂની અંગત અદાવતને લઈને માથાભારે તત્વોએ લોહિયાળ ખેલ ખેલ્યો હતો. હુમલાખોરોએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે બે સગા ભાઈઓને ઘેરી લઈ તેમના પર ધારીયા અને લોખંડની પાઇપ જેવા પ્રાણઘાતક હથિયારો વડે તૂટી પડ્યા હતા.</p><h2><b>હાંસોટમાં લુખ્ખા તત્વો પર પોલીસનો સપાટો</b></h2><p>આ અચાનક થયેલા હુમલામાં બંને ભાઈઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફડાતફડી અને દહેશતનો માહોલ સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ભરૂચ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી હાંસોટ પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી તપાસ ધમધમાવી હતી. પોલીસે ટૂંક સમયમાં જ હુમલામાં સંકળાયેલા પાંચેય આરોપીઓ નિઝામ સમુદ્દીન કાનૂગા, અબ્દુલ કાદીર શબ્બીર કાનૂગા, ઈરફાન સલીમ શેખ, ઈંદ્રિશ ઇલ્યાસ ખ્વાજા અને ઇસતીયાક ઇલ્યાસ ખ્વાજાને ઝડપી પાડ્યા હતા.</p><h3><b>બે ભાઈઓ પર ધારીયા-પાઇપથી જીવલેણ હુમલો</b></h3><p>ઝડપાયેલા તમામ આરોપીઓને હાંસોટ ત્રણ રસ્તા ખાતે ઘટનાસ્થળે લઈ જઈ હુમલાની આખી કડીઓનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. વિસ્તારમાં લુખ્ખાઓ અને ગુનેગારોનો ભય દૂર કરવા માટે પોલીસે તમામ આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. આ આકરી કાર્યવાહી દ્વારા પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શાંતિ ડહોળવાનો કે કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરનાર કોઈ પણ તત્વને બક્ષવામાં આવશે નહીં.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/cm-bhupendra-patel-speech-ahmedabad-airport-air-india-plane-crash-report-update" target="_blank">આ પણ વાંચો:Ahmedabad: એર ઇન્ડિયા પ્લેન ક્રેશ તપાસ અંગે કેન્દ્રીય મંત્રીનો ખુલાસો,આંતરરાષ્ટ્રીય એજન્સીઓ કરી રહી છે તપાસ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/1CMjRHlu880XnwbD9o8IyC2lAispODry0dL343KR.webp'/></item><item><title><![CDATA[Air Vice Marshal Shakti Sharmaએ રચ્યો નવો ઈતિહાસ, ટુ-સ્ટાર રેન્ક મેળવનારી પ્રથમ નોન-મેડિકલ મહિલા અધિકારી બન્યા ]]></title><link>https://sandesh.com/india/news/air-vice-marshal-shakti-sharma-first-non-medical-woman-two-star-rank</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/air-vice-marshal-shakti-sharma-first-non-medical-woman-two-star-rank</guid><pubDate>Tue, 01 Sep 2026 21:28:19 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય વાયુસેનાની એર વાઈસ માર્શલ શક્તિ શર્માએ ભારતીય સશસ્ત્ર દળોમાં નવો ઈતિહાસ રચ્યો છે. તેઓ ટુ-સ્ટાર રેન્ક મેળવનારી પ્રથમ નોન-મેડિકલ મહિલા અધિકારી બન્યા છે. 1 સપ્ટેમ્બર, 2026થી તેમણે એર હેડક્વાર્ટરમાં Assistant Chief of Air Staff (Education) તરીકેની જવાબદારી સંભાળી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/IAF_MCC/status/2094772291242746302"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>1 સપ્ટેમ્બરે મહત્વપૂર્ણ પદનો કાર્યભાર સંભાળ્યો</b></h2><p>રક્ષા મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, શક્તિ શર્માએ 1 સપ્ટેમ્બરના રોજ આ મહત્વપૂર્ણ પદનો કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ 18 જૂન, 1994ના રોજ ભારતીય વાયુસેનાની એજ્યુકેશન બ્રાન્ચમાં જોડાયા હતા. ત્યારથી અત્યાર સુધીના ત્રણ દાયકાથી વધુ લાંબા સૈન્ય કારકિર્દીમાં તેમણે અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે.</p><h3><b>32 વર્ષનું ગૌરવપૂર્ણ સૈન્ય કરિયર</b></h3><p>શક્તિ શર્માનો સૈન્ય પ્રવાસ લગભગ 32 વર્ષનો રહ્યો છે. આ સમયગાળા દરમિયાન તેમણે ફીલ્ડ સ્ટેશન, કમાન્ડ હેડક્વાર્ટર, ટ્રેનિંગ સેન્ટર અને એર હેડક્વાર્ટર સહિત વિવિધ મહત્વપૂર્ણ સ્થળોએ જવાબદારીઓ સંભાળી છે. તેમણે શૈક્ષણિક ક્ષેત્ર ઉપરાંત વ્યૂહાત્મક સંરક્ષણ સહયોગને પ્રોત્સાહન આપવા માટે પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમના પ્રયાસોથી IIT કાનપુર અને પુણે યુનિવર્સિટીમાં ભારતીય વાયુસેનાની 'Chair of Excellence'ની સ્થાપના કરવામાં આવી હતી.</p><h4><b>ત્રણેય સેનામાં પ્રથમ મહિલા અધિકારી તરીકે પણ સેવા આપી</b></h4><p>શક્તિ શર્માએ અગાઉ કપુરથલા ખાતે પ્રિન્સિપલ તરીકે સેવા આપતી વખતે ત્રણેય સેનાઓમાં આ પ્રકારની જવાબદારી સંભાળનાર પ્રથમ મહિલા અધિકારી તરીકે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની નવી નિમણૂક અને પ્રમોશનને ભારતીય સશસ્ત્ર દળોમાં મહિલાઓની વધતી ભૂમિકા માટે મહત્વપૂર્ણ સીમાચિહ્ન તરીકે જોવામાં આવી રહ્યું છે. ટુ-સ્ટાર રેન્ક સુધી પહોંચનાર પ્રથમ નોન-મેડિકલ મહિલા અધિકારી તરીકેની તેમની સિદ્ધિ મહિલા અધિકારીઓ માટે નવા માર્ગ ખોલનારી માનવામાં આવી રહી છે.</p><h5><b>મહિલાઓ માટે પ્રેરણારૂપ સિદ્ધિ</b></h5><p>શક્તિ શર્માની સફળતા માત્ર તેમની વ્યક્તિગત ઉપલબ્ધિ નથી, પરંતુ સશસ્ત્ર દળોમાં મહિલાઓની વધતી ભાગીદારીનું પણ પ્રતિબિંબ છે. ત્રણ દાયકાથી વધુની તેમની સેવા, વિવિધ સંસ્થાકીય જવાબદારીઓ અને શિક્ષણ તથા સંરક્ષણ સહયોગ ક્ષેત્રે કરેલા યોગદાનને ધ્યાનમાં રાખીને તેમની નવી જવાબદારીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તેમની આ સિદ્ધિ એવી મહિલાઓ માટે પ્રેરણારૂપ બની શકે છે, જેઓ સૈન્ય ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું સપનું જુએ છે. શક્તિ શર્માની સફર બતાવે છે કે સતત મહેનત, સમર્પણ અને નેતૃત્વની ક્ષમતાના આધારે મહિલાઓ સશસ્ત્ર દળોમાં ઉચ્ચતમ સ્તરની જવાબદારીઓ સુધી પહોંચી શકે છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/uttarakhand-mussoorie-dehradun-road-landslide-traffic-halted" target="_blank">આ પણ વાંચો : Uttarakhand : મસૂરી-દેહરાદૂન રોડ પર લેન્ડસ્લાઈડની ઘટના, વાહનોની અવરજવર કરાઈ બંધ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/GnPJRdThsFkUPPhKqKUuR8BZJqn4bkGm03fC9D5c.webp'/></item><item><title><![CDATA[Vadodara : હોટલ વિન્ટેજ ઈનની તે રૂમમાં શું થયું હતું ? FSLરિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/vadodara/vadodara-dandiya-bazar-hotel-vintage-inn-youth-death-fsl-report</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/vadodara/vadodara-dandiya-bazar-hotel-vintage-inn-youth-death-fsl-report</guid><pubDate>Tue, 01 Sep 2026 21:20:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલી હોટલ વિન્ટેજ ઈનમાં યુવાનના મોતના કેસમાં તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. FSL રિપોર્ટમાં  યુવાનોએ વાયગ્રા લીધી હોવાનું સામે આવ્યું હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. મામલાની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે યુવાનો એક ગે એપ મારફતે સંપર્કમાં આવ્યા હતા. જોકે આ કેસમાં યુવકના મોતનું કારણ કરંટ લાગવું હોવાનું પ્રાથમિક તપાસ અને સામે આવેલી વિગતોમાં જણાવવામાં આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>ભીના હાથે સ્વીચ અડકતાં કરંટ લાગ્યો</b></h2><p style="text-align: justify; ">તપાસ દરમિયાન સામે આવેલી વિગતો મુજબ મુસ્લિમ યુવકે ભીના હાથે ઇલેક્ટ્રિક સ્વીચને અડકતા તેને કરંટ લાગ્યો હતો. કરંટ લાગ્યા બાદ યુવકનું મોત થયું હતું. દાંડિયા બજાર વિસ્તારમાં આવેલી હોટલ વિન્ટેજ ઈનમાં બનેલી આ ઘટનાએ ભારે ચર્ચા જગાવી હતી. હવે FSL રિપોર્ટમાં સામે આવેલી વિગતો બાદ કેસમાં વધુ સ્પષ્ટતા થઈ રહી છે.</p><h3 style="text-align: justify; "><b>FSL રિપોર્ટમાં વાયગ્રા લીધાનો ખુલાસો</b></h3><p style="text-align: justify; ">FSL રિપોર્ટમાં યુવકોએ વાયગ્રા લીધી હોવાનો ખુલાસો થયા બાદ તપાસમાં વધુ એક મહત્વનો મુદ્દો સામે આવ્યો છે. જોકે વાયગ્રા લેવી અને યુવકના મોત વચ્ચે કોઈ સીધો સંબંધ છે કે નહીં, તે અંગે સત્તાવાર તપાસ અને રિપોર્ટના સંપૂર્ણ તારણ બાદ જ સ્પષ્ટ કહી શકાય. તપાસ એજન્સી હોટલમાં બનેલી સમગ્ર ઘટનાક્રમ અને યુવકના મોત પાછળની તમામ પરિસ્થિતિની તપાસ કરી રહી છે.</p><h4 style="text-align: justify; "><b>કરંટ લાગવાથી મોતની તપાસ</b></h4><p style="text-align: justify; ">તપાસમાં યુવકને કરંટ કેવી રીતે લાગ્યો અને હોટલના રૂમમાં વીજ સલામતીની સ્થિતિ કેવી હતી તે અંગે પણ તપાસનો મુદ્દો મહત્વનો બની શકે છે. ભીના હાથે સ્વીચ અડકવાથી કરંટ લાગ્યાની વિગતો સામે આવતા હોટલમાં વીજ વ્યવસ્થા અને સુરક્ષાના પાસાઓ પણ ચર્ચામાં આવ્યા છે.</p><h4 style="text-align: justify; "><b>ઉંડી તપાસ શરુ&nbsp;</b></h4><p style="text-align: justify; ">હવે તપાસમાં અન્ય કોઈ જવાબદારી કે બેદરકારી સામે આવે છે કે નહીં તે જોવાનું રહેશે. યુવકના મોતના કેસમાં પોલીસ અને સંબંધિત તપાસ એજન્સીઓ સમગ્ર ઘટનાક્રમની વધુ તપાસ કરી રહી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-gujarat-august-rainfall-deficit-devbhumi-dwarka-87-percent-monsoon" target="_blank"><b>Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/KdufyFhw66JqAbYAtmfHQMMgeyKEUkXKErXfpVZu.webp'/></item><item><title><![CDATA[Surat : ખાવાનું, પાણી કે સફાઈ... કશાની વ્યવસ્થા નહીં, સમરસ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓ ધરણા પર બેઠી ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-vnsgu-samras-hostel-students-protest-food-water-sanitation</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-vnsgu-samras-hostel-students-protest-food-water-sanitation</guid><pubDate>Tue, 01 Sep 2026 20:57:26 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓએ હોસ્ટેલની વિવિધ અસુવિધાઓ સામે ધરણાં શરૂ કર્યા છે. ખાવાનું, પીવાનું પાણી, સાફ-સફાઈ અને અન્ય મૂળભૂત સુવિધાઓને લઈને લાંબા સમયથી સમસ્યાનો સામનો કરી રહેલી વિદ્યાર્થીનીઓ અંતે વિરોધના માર્ગે ઉતરી આવી છે. વિદ્યાર્થીનીઓએ યુનિવર્સિટી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો. હોસ્ટેલમાં જરૂરી સુવિધાઓ ન મળતી હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીનીઓએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.</p><h2 style="text-align: justify; "><b>વારંવાર રજૂઆત છતાં સમસ્યાનો અંત નહીં</b></h2><p style="text-align: justify; ">વિદ્યાર્થીનીઓના જણાવ્યા મુજબ, હોસ્ટેલમાં સર્જાતી સમસ્યાઓ અંગે અનેક વખત વોર્ડનને જાણ કરવામાં આવી હતી. ખાવાની ગુણવત્તા, પીવાના પાણી, સાફ-સફાઈ સહિતની સમસ્યાઓ દૂર કરવા રજૂઆતો કરવામાં આવી હોવા છતાં યોગ્ય ઉકેલ આવ્યો ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વારંવાર ફરિયાદો છતાં સ્થિતિમાં સુધારો ન આવતા વિદ્યાર્થીનીઓએ અંતે ધરણાં પર બેસવાનો નિર્ણય લીધો હતો. વિદ્યાર્થીનીઓએ જણાવ્યું કે હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓને મૂળભૂત સુવિધાઓ મળી રહે તે માટે તાત્કાલિક પગલાં ભરવા જરૂરી છે.</p><h3 style="text-align: justify; "><b>હવે તંત્ર શું કરશે?</b></h3><p style="text-align: justify; ">સમરસ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓ ધરણાં પર બેસતાં યુનિવર્સિટી તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે. હોસ્ટેલની અસુવિધાઓ ક્યારે દૂર થશે અને વિદ્યાર્થીનીઓની ફરિયાદોનો ઉકેલ ક્યારે આવશે તે હવે મહત્વનો મુદ્દો બન્યો છે. વિદ્યાર્થીનીઓએ સ્પષ્ટ કર્યું છે કે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો યોગ્ય અને કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી તેમની માંગ છે. હવે યુનિવર્સિટી અને હોસ્ટેલ તંત્ર વિદ્યાર્થીનીઓની રજૂઆતને કેટલું ગંભીરતાથી લે છે તેના પર સૌની નજર રહેશે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-gujarat-august-rainfall-deficit-devbhumi-dwarka-87-percent-monsoon" target="_blank"><b>Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/WLCwO6ocs5mhFP24wLn8Oe6CretP60uGnyNzEyJZ.webp'/></item><item><title><![CDATA[Rajkot : એકલા વૃદ્ધો બનતા હતા લૂંટારૂ ટોળકીનો શિકાર, પોલીસે 2 લૂંટનો ભેદ ઉકેલી 4 આરોપીને દબોચ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/rajkot/rajkot-elderly-target-robbery-gang-4-accused-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/rajkot/rajkot-elderly-target-robbery-gang-4-accused-arrested</guid><pubDate>Tue, 01 Sep 2026 20:30:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટમાં એકલા રહેતા અને વૃદ્ધ લોકોને ટાર્ગેટ કરીને લૂંટ ચલાવતી ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. યુનિવર્સિટી અને તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી લૂંટની 2 અલગ અલગ ઘટનાનો ભેદ ઉકેલી પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે.</p><h2 style="text-align: justify; "><b>આરોપીઓ એકલા વૃદ્ધોને નિશાન બનાવતા હતા&nbsp;</b></h2><p style="text-align: justify; ">પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ એકલા વૃદ્ધોને નિશાન બનાવતા હતા અને તેમની પાસેથી રોકડ રકમ તેમજ સોનાના ઘરેણાં લૂંટી ફરાર થઈ જતા હતા. વૃદ્ધોને ટાર્ગેટ કરીને લૂંટ ચલાવતી આ ટોળકી ઝડપાતા પોલીસને મહત્વની સફળતા મળી છે.</p><h3 style="text-align: justify; "><b>2 લૂંટનો ભેદ ઉકેલી 4 આરોપી ઝડપાયા</b></h3><p style="text-align: justify; ">પોલીસે ગૌતમ મકવાણા, હિતેન ગોહેલ, નિલેશ વાઘેલા અને ભરત પરમારની ધરપકડ કરી છે. આ ચારેય આરોપીઓ સામે લૂંટની 2 ઘટનાઓમાં સંડોવણીની તપાસ ચાલી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>પોલીસે તપાસ તેજ કરી હતી</b></h3><p style="text-align: justify; ">યુનિવર્સિટી પોલીસ સ્ટેશન અને તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૂંટની ઘટનાઓ બન્યા બાદ પોલીસે તપાસ તેજ કરી હતી. ટેક્નિકલ અને અન્ય પુરાવાઓના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી હતી.</p><h4 style="text-align: justify; "><b>સોનાચાંદી સહિત 2.87 લાખનો મુદ્દામાલ કબજે</b></h4><p style="text-align: justify; ">આરોપીઓની ધરપકડ બાદ પોલીસે તેમની પાસેથી સોનાચાંદીના દાગીના અને અન્ય મુદ્દામાલ સહિત કુલ 2.87 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓ પાસેથી મળેલા મુદ્દામાલ અને અન્ય પુરાવાઓના આધારે પોલીસે તપાસ આગળ વધારી છે. આરોપીઓ અન્ય ગુનાઓમાં પણ સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.</p><h4 style="text-align: justify; "><b>એકલા વૃદ્ધોને નિશાન બનાવતી ટોળકી</b></h4><p style="text-align: justify; ">પોલીસની પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓ ખાસ કરીને એકલા અને વૃદ્ધ લોકોને ટાર્ગેટ કરતા હતા. રોકડ અને કિંમતી ઘરેણાંની લાલચમાં વૃદ્ધોને નિશાન બનાવી લૂંટ ચલાવવામાં આવતી હોવાનો આરોપ છે. વૃદ્ધો સામે વધતા ગુનાઓ વચ્ચે રાજકોટ પોલીસે આ ટોળકીને ઝડપી પાડી 2 લૂંટના કેસનો ભેદ ઉકેલ્યો છે. જોકે આ ટોળકી દ્વારા અન્ય વૃદ્ધોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે કે નહીં તે જાણવા માટે વધુ તપાસ ચાલી રહી છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; &nbsp; &nbsp; <a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-gujarat-august-rainfall-deficit-devbhumi-dwarka-87-percent-monsoon" target="_blank"><b>Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/YFopo5foNHyioHNwQs3dEFFQv1mZgvCf7Gb679Sk.webp'/></item><item><title><![CDATA[Madhya Pradesh : ખેડૂતો માટે બનાવાયા 20 લાખથી વધુ ATM કાર્ડ પણ માત્ર 2.5 લાખ કાર્ડ જ એક્ટિવ ]]></title><link>https://sandesh.com/india/news/madhya-pradesh-farmers-20-lakh-atm-cards-only-2-5-lakh-activated</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/madhya-pradesh-farmers-20-lakh-atm-cards-only-2-5-lakh-activated</guid><pubDate>Tue, 01 Sep 2026 20:06:33 +05:30</pubDate><description><![CDATA[<p>મધ્યપ્રદેશમાં ખેડૂતોને બેન્કિંગ સુવિધાઓ સાથે જોડવા માટે તૈયાર કરાયેલા ATM કાર્ડ હવે સવાલોના ઘેરામાં આવ્યા છે. સહકારી બેન્કોએ મોટી સંખ્યામાં ATM કાર્ડ તૈયાર કરાવ્યા હતા, પરંતુ તેમાંથી મોટાભાગના કાર્ડ ખેડૂતો સુધી પહોંચી શક્યા નથી. મળતી માહિતી મુજબ, રાજ્યમાં આશરે 23 લાખ ખેડૂતો સહકારી બેન્કોમાંથી લોન લે છે, જ્યારે 20 લાખથી વધુ ATM કાર્ડ તૈયાર કરાવવામાં આવ્યા હતા. જોકે અત્યાર સુધી માત્ર આશરે 2.5 લાખ કાર્ડ જ ખેડૂતોને આપવામાં આવ્યા છે.</p><h2><b>₹23 કરોડથી વધુ ખર્ચનો દાવો</b></h2><p>મધ્યપ્રદેશના અપેક્સ બેન્ક અને 38 જિલ્લા સહકારી બેન્કોમાં ATM કાર્ડની ખરીદી પાછળ આશરે ₹23 કરોડથી વધુનો ખર્ચ થયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે લગભગ 19.5 લાખ ATM કાર્ડ ખરીદવામાં આવ્યા હતા, પરંતુ અત્યાર સુધી માત્ર 2.5 લાખ જેટલા કાર્ડ જ એક્ટિવેટ થઈ શક્યા છે. આ સ્થિતિને કારણે મોટી સંખ્યામાં કાર્ડનો ઉપયોગ ન થવા અંગે સવાલો ઊભા થયા છે. જો આ કાર્ડ સમયસર ખેડૂતો સુધી નહીં પહોંચે તો તેના પર કરવામાં આવેલો સરકારી ખર્ચ બિનઉપયોગી જવાની આશંકા છે.</p><h3><b>કેટલાક ATM કાર્ડ હવે પોતાની વેલિડિટી પૂર્ણ થવાની નજીક</b></h3><p>આ મામલે સૌથી મોટી ચિંતા એ કાર્ડને લઈને છે, જે હજુ સુધી ખેડૂતોને આપવામાં આવ્યા નથી. જણાવવામાં આવી રહ્યું છે કે વર્ષ 2022-23માં ખરીદાયેલા કેટલાક ATM કાર્ડ હવે પોતાની વેલિડિટી પૂર્ણ થવાની નજીક છે. જો આ કાર્ડની વેલિડિટી પૂરી થઈ જશે તો તેનો ખેડૂતો માટે ઉપયોગ કરવો મુશ્કેલ બની શકે છે. આવી સ્થિતિમાં ફરીથી નવા કાર્ડ તૈયાર કરાવવા પડી શકે છે, જેના કારણે સરકારી નાણાંનો વધારાનો ખર્ચ થવાની શક્યતા છે.</p><h4><b>38 સહકારી બેન્કોને હતી જવાબદારી</b></h4><p>રાજ્યની 38 જિલ્લા સહકારી બેન્કોની આશરે 825 શાખાઓ મારફતે ATM કાર્ડ ખેડૂતો સુધી પહોંચાડવાના હતા. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને સરળતાથી બેન્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો હતો. જોકે, કાર્ડ તૈયાર થયા બાદ પણ તેનું વિતરણ અપેક્ષા મુજબ થઈ શક્યું નથી.</p><h5><b>મંત્રીએ આપ્યા તપાસના આદેશ</b></h5><p>મામલો સામે આવ્યા બાદ મધ્યપ્રદેશના સહકાર મંત્રી વિશ્વાસ સારંગે તપાસના આદેશ આપ્યા છે. તપાસમાં ATM કાર્ડની વાસ્તવિક જરૂરિયાત કેટલી હતી, મોટી સંખ્યામાં કાર્ડ બનાવવાનો નિર્ણય કયા આધારે લેવાયો અને લાખો કાર્ડ ખેડૂતો સુધી કેમ ન પહોંચ્યા તે અંગે તપાસ કરવામાં આવશે. મંત્રીએ કહ્યું છે કે તપાસમાં જે પણ દોષી સાબિત થશે, તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.</p><h5><b>આટલી મોટી બેદરકારી કેવી રીતે થઈ?</b></h5><p>બીજી તરફ કોંગ્રેસે આ મુદ્દે સરકાર પર નિશાન સાધ્યું છે. વિપક્ષના નેતા ઉમંગ સિંઘારે આ મામલાને કૌભાંડ ગણાવી સરકારની ટીકા કરી છે. તેમણે સરકાર પાસે તપાસની સાથે જવાબદારો સામે વાસ્તવિક કાર્યવાહી કરવાની માગ કરી છે. હવે મુખ્ય સવાલ એ છે કે ખેડૂતોની જરૂરિયાતની જાણકારી હોવા છતાં આટલી મોટી સંખ્યામાં ATM કાર્ડ શા માટે તૈયાર કરાવવામાં આવ્યા અને ખેડૂતો સુધી કાર્ડ પહોંચાડવામાં આટલી મોટી બેદરકારી કેવી રીતે થઈ.</p><p><b><a href="https://sandesh.com/india/news/monsoon-2026/nepal-floods-after-the-floods-in-nepal-large-fish-were-stranded-in-the-gandak-river-in-bihar-warning-against-eating-fish" target="_blank">આ પણ વાંચો : Nepal Floods: નેપાળના પૂર બાદ બિહારની ગંડક નદીમાં મોટી માછલીઓ તણાઇ, માછલીઓ ખાવા સામે ચેતવણી</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/AA9kYQj2Vb0AUKdXOQ4uFzfD3372oaT2cjL9TJJU.webp'/></item><item><title><![CDATA[Business News : રેલવે કંપનીને મળ્યો 1100 કરોડ રૂપિયાનો આંતરરાષ્ટ્રીય ઓર્ડર, શેરમાં આવ્યો 7 ટકાનો ઉછાળો ]]></title><link>https://sandesh.com/business/news/texmaco-rail-1100-crore-international-order-share-rises-7-percent</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/texmaco-rail-1100-crore-international-order-share-rises-7-percent</guid><pubDate>Tue, 01 Sep 2026 19:01:52 +05:30</pubDate><description><![CDATA[<p>રેલવે સેક્ટરની કંપની Texmaco Rail and Engineeringના શેરમાં મંગળવાર, 1 સપ્ટેમ્બરના રોજ જોરદાર તેજી જોવા મળી હતી. કંપનીના શેરમાં ઈન્ટ્રાડે દરમિયાન લગભગ 7%નો ઉછાળો આવ્યો હતો. આ તેજી પાછળ કંપનીને મળેલો આશરે ₹1,100 કરોડનો આંતરરાષ્ટ્રીય ઓર્ડર મુખ્ય કારણ માનવામાં આવી રહ્યો છે.</p><h2><b>શું છે ઓર્ડર?</b></h2><p>કંપનીએ સ્ટોક એક્સચેન્જને કરેલી ફાઈલિંગમાં જણાવ્યું કે Tsiko Africa Logistics અને Barberry Holdings તરફથી તેને Letter of Award મળ્યો છે. આ ઓર્ડર હેઠળ Texmaco Railને Wabtec ES43ACi ડીઝલ-ઈલેક્ટ્રિક લોકોમોટિવની ડિઝાઈનિંગ, મેન્યુફેક્ચરિંગ, સપ્લાય અને કમિશનિંગનું કામ કરવાનું રહેશે. આ લોકોમોટિવની ક્ષમતા 4,500 HP હશે. કંપનીએ આ પ્રોજેક્ટને ફાઈનલ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર થયા બાદ 20થી 24 મહિનાની અંદર પૂર્ણ કરવાનો રહેશે. આંતરરાષ્ટ્રીય સ્તરે મળેલો આ ઓર્ડર કંપનીના રેલવે મેન્યુફેક્ચરિંગ બિઝનેસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.</p><h2><b>જર્મન કંપની સાથે પણ કરાર</b></h2><p>Texmaco Railએ ગયા અઠવાડિયે જ જર્મનીની Bochumer Verein Verkehrstechnik GmbH (BVV) સાથે પણ એક મહત્વપૂર્ણ કરાર કર્યો હતો. બંને કંપનીઓ ભારતમાં રેલવે માટેના વ્હીલસેટ, વ્હીલ, એક્સલ અને અન્ય રેલવે કમ્પોનન્ટ્સના ઉત્પાદન માટે સંયુક્ત સાહસ એટલે કે Joint Ventureની સંભાવનાઓ તપાસી રહી છે. આ ભાગીદારીથી ભારતમાં રેલવે કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ ક્ષમતા વધારવાની સાથે કંપનીને લાંબા ગાળે નવા બિઝનેસની તકો મળી શકે છે.</p><h4><b>પ્રથમ ત્રિમાસિક ગાળામાં નફો 67% વધ્યો</b></h4><p>કંપનીના જૂન ક્વાર્ટરના પરિણામો પણ મિશ્ર રહ્યા હતા. કંપનીનો નેટ પ્રોફિટ 66.8% વધીને ₹50 કરોડ થયો હતો. ગયા વર્ષે સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીનો નફો ₹30 કરોડ હતો. જોકે, આ સમયગાળા દરમિયાન કંપનીની આવકમાં ઘટાડો નોંધાયો હતો. રેવન્યુ 16.9% ઘટીને ₹757 કરોડ રહ્યું હતું, જે ગયા વર્ષે ₹911 કરોડ હતું. કંપનીનું EBITDA પણ 19.6% ઘટીને ₹57 કરોડ થયું હતું, જ્યારે ગયા વર્ષે તે ₹71 કરોડ હતું. જોકે, EBITDA માર્જિન 8% પર સ્થિર રહ્યું હતું.</p><h4><b>શેરનું કેવું રહ્યું પ્રદર્શન?</b></h4><p>મંગળવારે Texmaco Railનો શેર 7.3% વધીને ઈન્ટ્રાડે ₹116.90 સુધી પહોંચ્યો હતો. જોકે, બાદમાં તેજી થોડી ઓછી થઈ અને શેર 4.27%ના વધારા સાથે ₹113.60 પર બંધ થયો હતો. તેમ છતાં, 2026માં અત્યાર સુધી કંપનીના શેરમાં આશરે 18%નો ઘટાડો નોંધાયો છે.<br><br><a href="https://sandesh.com/business/news/car-insurance-claim-rejected-due-to-defect-in-driving-license-now-insurance-company-ordered-to-pay-45-lakh" target="_blank"><b>આ પણ વાંચો : Car Insurance: ડ્રાઇવિંગ લાઇસન્સમાં ખામી કહી ક્લેમ નકાર્યો, હવે વીમા કંપનીને ₹4.5 લાખ ચૂકવવાનો આદેશ</b></a></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/SUsBgVv8onQ4DOh9bnWFq54aHLdEQV3yQMJic03y.webp'/></item><item><title><![CDATA[Samay Raina વિવાદ, કાનૂની મુશ્કેલીઓ, ટ્રોલ થયેલા 'સમય'ને આખરે મળ્યું સન્માન ]]></title><link>https://sandesh.com/entertainment/news/samay-raina-controversy-legal-troubles-trolled-samay-finally-gets-respect</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/samay-raina-controversy-legal-troubles-trolled-samay-finally-gets-respect</guid><pubDate>Tue, 01 Sep 2026 14:39:17 +05:30</pubDate><description><![CDATA[<p>સમયનો સૌથી મોટો ગુણ એ છે કે તે ક્યારેય એક સરખો રહેતો નથી. તાજેતરમાં સુધી વિવાદોની વચ્ચે ઘેરાયેલા સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈના માટે પરિસ્થિતિઓ ખૂબ જ મુશ્કેલ બની ગઈ હતી. તેમનો અત્યંત લોકપ્રિય શો "ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ" સોશિયલ મીડિયાના ટ્રોલિંગથી લઈને પોલીસ સ્ટેશન અને કોર્ટની કાનૂની લડાઈ સુધી પહોંચી ગયો હતો. શો દરમિયાન રણવીર અલ્હાબાદિયાની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ થયેલા વિરોધને કારણે રૈના સામે અનેક ફરિયાદો નોંધાઈ હતી અને પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે તેમણે પોતાનો શો હટાવવો પડ્યો હતો.</p><h2><b>સમય રૈના, મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માની પ્રશંસા</b></h2><p>વિવાદો અને કાનૂની મુશ્કેલીઓ વચ્ચે પણ સમય રૈનાએ હાર ન માની. તેમણે શાંત રહીને પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પુનરાગમન કરતી વખતે તેમણે આસામમાં આવેલા વિનાશક પૂર દરમિયાન મુખ્યમંત્રી રાહત ભંડોળમાં ₹10 લાખનું યોગદાન આપ્યું. રસપ્રદ વાત એ હતી કે, અગાઉ જે આસામ પોલીસે રૈના સામે એફઆઈઆર (FIR) નોંધીને પુણે સ્થિત તેમના ઘરે નોટિસ મોકલી હતી, તે જ રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ સોશિયલ મીડિયા પર જાહેરમાં રૈનાની આ ઉદારતા અને મદદરૂપ વર્તનની ખુલ્લેઆમ પ્રશંસા કરી.</p><p><img alt="samay raina" src="https://epapercdn.sandesh.com/images/2026/09/01/RkVmmKuyWaUfEVZ8UJgsu7TePT5QUpzWbrMgRr7Y.webp"><br></p><h4><b>દેવેન્દ્ર ફડણવીસે સાથે સ્ટેજ શેર કરી મેળવ્યું સન્માન</b></h4><p>રૈનાની આ સફરનો સૌથી યાદગાર વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા સ્ટેજ પર સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમ દરમિયાન સમય રૈનાએ પોતાની ખાસ અને બિંદાસ શૈલી જાળવી રાખી હતી. મુખ્યમંત્રીની હાજરીમાં જ તેમણે પોલીસ તપાસ પર ચપટી લેતા કહ્યું, "પહેલી વાર કોઈ સાયબર સેલ અધિકારી કોઈ હાસ્ય કલાકારના ઘરે ગયો છે..." રૈનાના આ રમુજી કટાક્ષથી આખો હોલ હાસ્યથી ગૂંજી ઊઠ્યો હતો. જે કાનૂની વિવાદો એક સમયે તેમની કારકિર્દી માટે જોખમરૂપ બન્યા હતા, તેને જ તેમણે પોતાની કોમેડીનો ભાગ બનાવી દીધો.</p><h4><b>"હું હજી પણ અહીં છું" - સમય રૈનાનો સણસણતો જવાબ</b></h4><p>પોતાની આગવી શૈલી કે ઓળખ બદલ્યા વિના સમય રૈનાએ સ્ટેજ પર પરત ફરીને ભાવુક થઈને કહ્યું, "હું હજી પણ અહીં છું." ગઈકાલે જે કલાકારની કારકિર્દીના ભવિષ્ય પર પ્રશ્નો ઉઠાવવામાં આવતા હતા, આજે તે જ સમય રૈના સન્માન સાથે હેડલાઇન્સમાં છે. વિવાદના તોફાનનો સામનો કરીને સમયનું ચક્ર પોતાના પક્ષમાં ફેરવનાર રૈનાની આ વાર્તા સાબિત કરે છે કે મુશ્કેલ સમય કાયમી નથી હોતો, બસ સમયની રાહ જોવી પડે છે.</p><p><br></p><p><a href="https://sandesh.com/entertainment/news/555th-film71-year-old-actor-anupam-khers-insta-post-increases-fans-curiosity" target="_blank">આ પણ વાંચો : My Landmark 555th ફિલ્મ..71 વર્ષના અભિનેતા અનુપમ ખેરની ઇન્સ્ટા પોસ્ટે વધારી ફેન્સની ઉત્સુકતા</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/yh0dEOP2W1jAuzlYX1sJYXoPTRxgNCvmZwiQLOn2.webp'/></item><item><title><![CDATA[India Footbal ટીમની જાહેરાત, 26 ખેલાડીઓની પસંદગી કરાઇ ]]></title><link>https://sandesh.com/sports/news/india-football-team-announced-26-players-selected</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india-football-team-announced-26-players-selected</guid><pubDate>Tue, 01 Sep 2026 09:31:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય ફૂટબોલ ટીમ માટે આગામી આંતરરાષ્ટ્રીય વિન્ડો ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાની છે. મુખ્ય કોચ ખાલિદ જમીલે 26 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. ભારતીય ટીમ આગામી દિવસોમાં પનામા, બ્રાઝિલ અને ઉરુગ્વે જેવી મજબૂત ટીમો સામે 3 આંતરરાષ્ટ્રીય મૈત્રી મેચ રમશે. ખાસ કરીને બ્રાઝિલ અને ઉરુગ્વે સામેની મેચ ભારતીય ખેલાડીઓ માટે પોતાની ક્ષમતા સાબિત કરવાની મોટી તક બની રહેશે.</p><h5 style="text-align: justify; "><b>ભારતીય ટીમ અભિયાનની શરૂઆત 26 સપ્ટેમ્બરે કરશે</b></h5><p style="text-align: justify; ">ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 26 સપ્ટેમ્બરે કરશે. બેંગલુરુના શ્રી કાંતિરવા સ્ટેડિયમમાં ભારતનો મુકાબલો પનામા સામે થશે. ત્યારબાદ ભારતીય ટીમ કોલકાતા જશે, જ્યાં 3 ઓક્ટોબરે 5 વખતની વિશ્વ ચેમ્પિયન બ્રાઝિલ અને 6 ઓક્ટોબરે 2 વખતની વિશ્વ ચેમ્પિયન ઉરુગ્વે સામે મેદાનમાં ઉતરશે.આ ત્રણેય ટીમો આ વર્ષે યોજાયેલા FIFA વિશ્વ કપમાં ભાગ લઈ ચૂકી છે. આવી સ્થિતિમાં ભારતીય ખેલાડીઓ માટે વિશ્વસ્તરીય ટીમો સામે રમવાનો અનુભવ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. મુખ્ય કોચ ખાલિદ જમીલ પણ આ મેચો દ્વારા ટીમની તાકાત અને નબળાઈઓ સમજવાનો પ્રયાસ કરશે.</p><h5 style="text-align: justify; "><b>14 સપ્ટેમ્બરથી રાષ્ટ્રીય શિબિર</b></h5><p style="text-align: justify; ">ભારતીય રાષ્ટ્રીય ટીમની શિબિર 14 સપ્ટેમ્બરથી બેંગલુરુમાં શરૂ થશે. પનામા સામેની મેચ બાદ ભારતીય ટીમ 28 સપ્ટેમ્બરે કોલકાતા માટે રવાના થશે. ત્યારબાદ માત્ર થોડા દિવસના અંતરે ભારત બ્રાઝિલ અને ઉરુગ્વે જેવી મજબૂત ટીમો સામે મેચ રમશે.આ ત્રણેય મુકાબલા ભારતીય ટીમ માટે એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે આગામી સમયમાં ટીમને અનેક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ નિભાવવાની છે. ખાસ કરીને બ્રાઝિલ અને ઉરુગ્વે સામે રમવાથી ભારતીય ખેલાડીઓને મોટા મંચ પર પોતાની રમતનું મૂલ્યાંકન કરવાની તક મળશે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/IndianFootball/status/2094461120929034687?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; "><br></p><h5 style="text-align: justify; "><b>ભારતની 26 સભ્યોની ટીમ</b></h5><p style="text-align: justify; ">ગોલકીપર:એલ્બિનો ગોમ્સ, ગુરપ્રીત સિંહ સંધુ, પ્રભસુખન સિંહ ગિલ અને સોમ કુમાર.</p><p style="text-align: justify; ">ડિફેન્ડર:અભિષેક સિંહ ટેકચામ, આકાશ મિશ્રા, અનવર અલી, બિજોય વર્ગીઝ, હમિંગથનમાવિયા રાલ્ટે, જય ગુપ્તા, પ્રમવીર અને રિકી મીતેઈ હાઓબામ.</p><p style="text-align: justify; ">મિડફિલ્ડર:અનિરુદ્ધ થાપા, આશિક કુરુનિયન, ફારુખ ચૌધરી, લાલેંગમાવિયા રાલ્ટે, મેકાર્ટન નિક્સન, મોહમ્મદ સનાન, રિકી શાબોંગ અને સહલ અબ્દુલ સમદ.</p><p style="text-align: justify; ">ફોરવર્ડ:એડમન્ડ લાલરિન્દિકા, ઇરફાન યાડવાડ, મનવીર સિંહ, રહીમ અલી, રેયાન વિલિયમ્સ અને વિક્રમ પ્રતાપ સિંહ.</p><h5 style="text-align: justify; "><b>ભારતનો સંપૂર્ણ કાર્યક્રમ</b></h5><p style="text-align: justify; ">26 સપ્ટેમ્બર:ભારત વિરુદ્ધ પનામા — શ્રી કાંતિરવા સ્ટેડિયમ,બેંગલુરુ</p><p style="text-align: justify; ">3 ઓક્ટોબર:ભારત વિરુદ્ધ બ્રાઝિલ — વિવેકાનંદ યુવા ભારતી ક્રીડાંગણ, કોલકાતા</p><p style="text-align: justify; ">6 ઓક્ટોબર:ભારત વિરુદ્ધ ઉરુગ્વે — વિવેકાનંદ યુવા ભારતી ક્રીડાંગણ, કોલકાતા</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/cricket/news/australia-a-squad-announced-for-the-india-a-series-two-players-of-indian-origin-included-in-the" target="_blank">Australia-A squad : ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયા A ટીમ જાહેર,ભારતીય મૂળના 2 ખેલાડીઓને મળ્યું સ્થાન</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/SPbBPwGbv7y83nxfQ8iZc8DhAECHb1obcZUy0Nan.webp'/></item></channel></rss>