<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Junagadh: સગીરા પર દુષ્કર્મ કેસમાં મેંદરડા તાલુકા પંચાયતનો અપક્ષ સભ્ય સુભાષ ભાદરકા ઝબ્બે ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/mendarda-taluka-panchayat-member-subhash-bhadarka-arrested-pocso</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/mendarda-taluka-panchayat-member-subhash-bhadarka-arrested-pocso</guid><pubDate>Tue, 08 Sep 2026 21:11:24 +05:30</pubDate><description><![CDATA[<p>જૂનાગઢ જિલ્લાના મેંદરડા પંથકમાં જનપ્રતિનિધિ દ્વારા આચરવામાં આવેલા શરમજનક અને કાળી ટીલી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મેંદરડા તાલુકા પંચાયતની નાગલપુર બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાયેલા સભ્ય સુભાષ ભાદરકાએ એક 16 વર્ષીય અલ્પવયસ્ક કિશોરીને પોતાની હવસનો શિકાર બનાવી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની હૃદયકંપાવનારી વિગતો સામે આવી છે.</p><h2><b>તાલુકા પંચાયતનો અપક્ષ સભ્ય સુભાષ ભાદરકા ઝડપાયો</b></h2><p>સગીરા પર થઈ રહેલા અત્યાચાર અંગે જાણ થતાં પીડિતાની માતાએ હિંમત દર્શાવી મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી આરોપી સુભાષ ભાદરકા વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી હતી.પીડિતાની માતાની ફરિયાદના આધારે મેંદરડા પોલીસે કાયદાનો શિકંજો કસતાં ગંભીર કલમો તેમજ સગીરો પરના લૈંગિક અપરાધ નિવારણ કાયદા (POCSO Act) હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી મેંદરડા પોલીસે તાત્કાલિક દરોડો પાડી આરોપી સુભાષ ભાદરકાની ધરપકડ કરી લીધી છે.</p><h3><b>16 વર્ષીય કિશોરીને બનાવી હતી હવસનો શિકાર</b></h3><p>રાજકીય ઓથ ધરાવતા તાલુકા પંચાયત સભ્યની હવસખોરીના કારણે સમગ્ર જૂનાગઢ જિલ્લાના રાજકીય અને સામાજિક વર્તુળોમાં અરેરાટી સાથે ભારે રોષ વ્યાપી ગયો છે. પોલીસે આરોપીનું મેડિકલ પરીક્ષણ કરાવવા સહિતની આગળની કાયદાકીય કાર્યવાહી ઝડપથી હાથ ધરી છે. નાગલપુર બેઠકના અપક્ષ તાલુકા પંચાયત સભ્ય પર 16 વર્ષીય કિશોરી પર દુષ્કર્મનો આક્ષેપ. મેંદરડા પોલીસે પોક્સો એક્ટ દાખલ કરીને આરોપીને ત્વરિત ઝડપી લીધો. લોકપ્રતિનિધિના આ ક્રૂર કૃત્યથી સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ભારે ચકચાર અને આક્રોશ.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/chief-election-commissioner-gyanesh-kumar-gujarat-visit" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર 10 અને 11 સપ્ટેમ્બરે ગુજરાતની બે દિવસીય મુલાકાતે</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/2ZLpsfJe02A99XpjRbZAcJM9VQLpwMWaVmRjHLW5.webp'/></item><item><title><![CDATA[Global Fintech Fest 2026: વૈશ્વિક પડકારો વચ્ચે ભારતની GDP 7.8%, PM મોદીએ કહ્યું, ‘વિકસિત ભારત’ પર વિશ્વાસ વધ્યો ]]></title><link>https://sandesh.com/india/news/pm-modi-global-fintech-fest-2026-india-gdp-growth-7-8-percent</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/pm-modi-global-fintech-fest-2026-india-gdp-growth-7-8-percent</guid><pubDate>Tue, 08 Sep 2026 20:36:09 +05:30</pubDate><description><![CDATA[<p>PM નરેન્દ્ર મોદી મંગળવારે મુંબઈમાં યોજાયેલા Global Fintech Fest 2026માં પહોંચ્યા હતા. આ દરમિયાન PM મોદીએ કહ્યું કે દરેક વ્યક્તિ વૈશ્વિક સ્થિતિથી વાકેફ છે. દુનિયા હાલમાં અનેક પડકારો અને અનિશ્ચિતતાઓનો સામનો કરી રહી છે. તેલને લઈને પણ સ્થિતિ પડકારજનક છે. એપ્રિલથી જૂનનો સમયગાળો ખાસ મુશ્કેલ રહ્યો હતો. આવી સ્થિતિમાં પણ ભારતની GDP 7.8%ના દરે વધી છે, જે વૈશ્વિક સ્તરે ભારતની મજબૂત સ્થિતિ દર્શાવે છે.</p><p><b>વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારત પર વિશ્વાસ વધ્યો</b></p><p>PM મોદીએ કહ્યું કે આ પડકારજનક સમય વચ્ચે દેશની આંતરરાષ્ટ્રીય વિશ્વાસ પણ વધ્યો છે. ‘વિકસિત ભારત’નું વિઝન વધુ મજબૂત બની રહ્યું છે. વડાપ્રધાને કહ્યું, “મને ખુશી છે કે આજે અહીં બીજી એક ‘હેટ્રિક’ બની છે. એક હેટ્રિક તો 2024માં ત્રીજી વખત સરકાર બનવાથી બની હતી અને આ હેટ્રિક અહીં આપ સૌની વચ્ચે હાજર રહેવા સાથે જોડાયેલી છે. Global Fintech Festમાં આ મારું સતત ત્રીજું વર્ષ છે. આ હેટ્રિક દર્શાવે છે કે ‘વિકસિત ભારત’ માટે તમે કેટલા મહત્વપૂર્ણ છો અને તમારું કામ કેટલું જરૂરી છે.”</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2097319035268747554"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b>‘વિકસિત ભારત’ને લઈને વિશ્વાસ વધુ મજબૂત</b></p><p>PM મોદીએ કહ્યું કે જ્યારે પણ તેઓ અહીં આવે છે, ત્યારે પહેલા કરતાં વધુ યુવાનો જોવા મળે છે. તેમને વધુ ઊર્જા અનુભવાય છે. તેમને સંભાવનાઓનો વિસ્તાર વધતો જોવા મળે છે. આ સ્પષ્ટ છે કે જોખમ લેવાની ઈચ્છા વધી રહી છે. સપનાં પણ મોટા થઈ રહ્યા છે અને આ જ કારણથી ‘વિકસિત ભારત’ના ભવિષ્યને લઈને તેમનો વિશ્વાસ વધુ મજબૂત થઈ રહ્યો છે.</p><p><b>UPI ફિનટેક ક્ષેત્રનું મોટું ઉદાહરણ</b></p><p>PM મોદીએ કહ્યું કે UPI ભારતના ફિનટેક ક્ષેત્રનું સૌથી મોટું ઉદાહરણ છે. આ એવી સિદ્ધિ છે, જેની પ્રશંસા ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોંએ પણ કરી છે અને UPIએ લાખો લોકોને સફળતાપૂર્વક બેન્કિંગ સિસ્ટમ સાથે જોડ્યા છે. PM મોદીએ ભારપૂર્વક કહ્યું કે ભારત હવે પોતાના નિયમો અને ધોરણો પોતે નક્કી કરી રહ્યું છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/narendramodi/status/2097329007931093205"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b>ફિનટેકે ભારતીય નાણાકીય વ્યવસ્થા બદલી</b></p><p>આ પહેલાં Global Fintech Fest 2026માં RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું કે છેલ્લા એક દાયકામાં ફિનટેકે ભારતીય નાણાકીય વ્યવસ્થાને સંપૂર્ણપણે બદલી નાખી છે. તેણે બેન્કિંગને ફિઝિકલ બ્રાન્ચની મર્યાદામાંથી બહાર કાઢીને સીધું દરેક નાગરિકના હાથ સુધી પહોંચાડ્યું છે. આજે નાના શહેરનો કોઈ દુકાનદાર હોય, દૂરના ગામનો ખેડૂત હોય કે મેટ્રો શહેરનો યુવા પ્રોફેશનલ હોય, બધા UPI, આધાર-એનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ અને જનધન ઈકોસિસ્ટમ જેવી સરળ ડિજિટલ સિસ્ટમ દ્વારા લેવડદેવડ કરે છે, બચત કરે છે અને લોન લે છે.</p><p><b>લાખો ભારતીયો માટે ફિનટેક રોજિંદા જીવનનો ભાગ</b></p><p>RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું કે આ નાણાકીય સમાવેશને દર્શાવે છે. આ માત્ર કોઈ નીતિનો હેતુ નથી, પરંતુ લાખો ભારતીયો માટે રોજિંદા જીવનની વાસ્તવિકતા બની ગઈ છે. ફિનટેકના કારણે આ શક્ય બન્યું છે, જે ભારતની વિશાળ અને વિવિધ વસ્તીને ઝડપથી અને ઓછા ખર્ચે ઔપચારિક નાણાકીય વ્યવસ્થા સાથે જોડે છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/prime-minister-narendra-modi-interacting-with-gen-z-and-intellectuals" target="_blank">આ પણ વાંચો: વડાપ્રધાન મોદી GenZ અને બુદ્ધિજીવીઓને સંબોધશે, હેડસેટ લગાવી રેમ્પ પર ચાલીને સંવાદ કરશે&nbsp;</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/LbokTPDB7KLumqqdtKv4rqgApUDNPpz3ftcr3UD3.webp'/></item><item><title><![CDATA[Jambusarના મગણાદ ગામે ઘાસ ભરેલી ટ્રકમાં અચાનક લાગી ભીષણ આગ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/jambusar/jambusar-maganad-grass-truck-fire</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/jambusar/jambusar-maganad-grass-truck-fire</guid><pubDate>Tue, 08 Sep 2026 20:32:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જંબુસર તાલુકાના મગણાદ ગામે ગત રોજ એક ઘાસ ભરેલી ટ્રકમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. રોડ પરથી પસાર થઈ રહેલી ઘાસની ટ્રકમાં અચાનક આગના લપેટા ઊઠતા જ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને આ અંગે જાણ કરવામાં આવી હતી.</p><h2 style="text-align: justify; "><b>ફાયર ફાઇટરોએ આગ પર મેળવ્યો કાબૂ&nbsp;</b></h2><p style="text-align: justify; ">ઘાસથી ભરેલા ટ્રકમાં આગ લાગવાની જાણ થતાં જ જંબુસર અને આમોદની ફાયર ફાઇટર ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત ઉઠાવીને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સમયસર ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલી ત્વરિત કામગીરીને કારણે આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ તેને કંટ્રોલમાં લેવામાં સફળતા મળી હતી.</p><h3 style="text-align: justify; "><b>સદનસીબે જાનહાનિ ટળી</b></h3><p style="text-align: justify; ">આગની આ ઘટનામાં ફાયર ફાઇટરોની વિલંબ વગરની કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. સદનસીબે આ ભયાનક બનાવમાં કોઈ મોટી જાનહાનિ કે દુર્ઘટના સર્જાઈ નહોતી. આગ સંપૂર્ણપણે કંટ્રોલમાં આવી જતાં સ્થાનિક રહીશો અને માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોએ પણ સુખદ રાહતનો શ્વાસ લીધો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/OgDKLKYggEws7wuz1q0maB4OyVrAB72u5dIap5L1.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર 10 અને 11 સપ્ટેમ્બરે ગુજરાતની બે દિવસીય મુલાકાતે ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/chief-election-commissioner-gyanesh-kumar-gujarat-visit</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/chief-election-commissioner-gyanesh-kumar-gujarat-visit</guid><pubDate>Tue, 08 Sep 2026 20:17:33 +05:30</pubDate><description><![CDATA[<p>આવતા વર્ષે યોજાનારી ચૂંટણીઓની પૂર્વતૈયારીઓના ભાગરૂપે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર 10 અને 11 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. ચૂંટણી તંત્ર અને વહીવટી સ્તરે આ પ્રવાસને લઈને મોટા પાયે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. CEC પોતાના પ્રવાસની શરૂઆત ઐતિહાસિક સાબરમતી આશ્રમ ખાતે શ્રદ્ધાસુમન અર્પિત કરીને કરશે. આ ઉપરાંત તેઓ ગુજરાતના બેનમૂન સ્થાપત્ય સમાન અડાલજની વાવની પણ મુલાકાત લેશે.</p><h2><b>ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર ગુજરાતના બે દિવસીય પ્રવાસે</b></h2><p>મુલાકાત દરમિયાન અમદાવાદ ખાતે ‘વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં ચૂંટણી વ્યવસ્થા’ વિષય પર એક વિશેષ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોકશાહી પ્રક્રિયાને વધુ સુદ્રઢ અને પારદર્શક બનાવવા માટે રાજ્યના પ્રબુદ્ધ નાગરિકો, ચિંતકો અને વિષય નિષ્ણાતો સાથે વિસ્તૃત વિચાર-વિમર્શ કરવામાં આવશે.ચૂંટણી પ્રક્રિયામાં પાયાની અને અત્યંત મહત્વની ભૂમિકા ભજવતા બૂથ લેવલ ઓફિસરોનો ઉત્સાહ વધારવા માટે CEC જ્ઞાનેશ કુમાર 500થી વધુ BLO અને 1000થી વધુ ઇલેક્ટોરલ લિટરસી ક્લબ (ELC) ના સભ્યો સાથે સીધો સંવાદ સાધશે.</p><h3><b>સાબરમતી આશ્રમ અને અડાલજની વાવની લેશે મુલાકાત</b></h3><p> </p><p>આ સંવાદ દરમિયાન ગ્રાઉન્ડ લેવલના અનુભવો અને ચૂંટણી પ્રક્રિયાને વધુ સુગમ બનાવવા અંગે ચર્ચા થશે.આ ઉપરાંત, ‘રોલથી પોલ સુધી પારદર્શિતા’ના સંકલ્પ સાથે ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા ડિજિટલ સિસ્ટમ ECINET અને મતદાર યાદી સુધારણા તેમજ ચૂંટણી સંચાલન અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/morbi/radhakrishna-jewellers-theft-17-lakh-gold-silver-stolen" target="_blank">આ પણ વાંચો: Morbi: રાધાકૃષ્ણ જ્વેલર્સની દિવાલ તોડી 17.24 લાખની ચોરી; તસ્કરો સોના-ચાંદીનો મુદ્દામાલ ઉઠાવી ગયા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/P3k0CoAAH0WRfvYfnQRQrVChbzpcHK10Fr4Iufmw.webp'/></item><item><title><![CDATA[Kineticએ લોન્ચ કર્યું નવું DX Plus 3.1 kWh, જાણો નવા મોડલમાં શું ખાસ છે ]]></title><link>https://sandesh.com/business/automobile/news/kinetic-launches-new-dx-plus-31-kwh-know-whats-special-about-the-new-model</link><guid isPermaLink="true">https://sandesh.com/business/automobile/news/kinetic-launches-new-dx-plus-31-kwh-know-whats-special-about-the-new-model</guid><pubDate>Tue, 08 Sep 2026 20:02:49 +05:30</pubDate><description><![CDATA[<p>Kineticએ પોતાનું ઇલેક્ટ્રિક સ્કૂટર DX લાઇન-અપને અપડેટ કરીને નવું DX Plus 3.1 kWh વેરિઅન્ટ રજૂ કર્યું છે. આ મોડલમાં 3.1 kWhની મોટી બેટરી આપવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે આ સ્કૂટર એક વખત ફુલ ચાર્જ કર્યા બાદ IDC ટેસ્ટ મુજબ 132 કિમી સુધી ચાલી શકે છે. આ નવું મોડલ એવા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યું છે, જેઓ સ્કૂટર વધુ અંતર સુધી ચલાવવા માગે છે અને વારંવાર ચાર્જિંગ કરવા નથી માગતા. Kinetic DX રેન્જની કિંમત ₹1.18 લાખ (એક્સ-શોરૂમ)થી શરૂ થાય છે અને DX Plus 3.1 kWh આ રેન્જનું સૌથી મોંઘું વેરિઅન્ટ છે.</p><p><b> મોટી બેટરીથી રેન્જમાં 27 કિમીનો વધારો</b></p><p>નવું DX Plus 3.1 kWh હાલના DX Plus 2.6 kWhની સાથે વેચાણ માટે ઉપલબ્ધ રહેશે. જ્યારે સ્ટાન્ડર્ડ Kinetic DXમાં હજુ પણ 2.6 kWhની નાની બેટરી આપવામાં આવે છે. મોટી બેટરીના કારણે નવા મોડલની દાવો કરાયેલી રેન્જમાં 27 કિમીનો વધારો થયો છે. DX Plus 2.6 kWhની IDC રેન્જ 105 કિમી સુધી છે, જ્યારે નવા 3.1 kWh મોડલની રેન્જ 132 કિમી સુધીની છે. </p><p><b>નવા મોડલમાં LFP બેટરી ટેક્નોલોજીનો ઉપયોગ</b></p><p>નવા મોડલમાં LFP બેટરી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. LFP બેટરી સામાન્ય રીતે સારી થર્મલ સ્ટેબિલિટી અને લાંબી લાઇફ માટે જાણીતી છે. જોકે, 132 કિમીની રેન્જને રસ્તા પર મળતી વાસ્તવિક રેન્જ માનવી જોઈએ નહીં. સ્કૂટર વાસ્તવમાં કેટલું અંતર કાપશે તે અનેક બાબતો પર નિર્ભર રહે છે. તેમાં સ્કૂટરની સ્પીડ, ટ્રાફિક, સવાર અને સામાનનું વજન, રસ્તાની સ્થિતિ, ટાયરનું પ્રેશર, હવામાન અને કયા રાઇડિંગ મોડનો ઉપયોગ કરવામાં આવે છે તો અસર કરે છે.</p><p><b> બેટરી સાથે મોટરમાં પણ કરવામાં આવ્યો ફેરફાર</b></p><p>નવા મોડલમાં માત્ર બેટરી મોટી કરવામાં આવી નથી, પરંતુ મોટરમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. DX Plus 3.1 kWhમાં 3.8 kWની પીક પાવર આપતી મોટર મળે છે. તેની સરખામણીમાં DX Plus 2.6 kWhની મોટર 4.78 kWની છે. એટલે કે નવું 3.1 kWh મોડલ વધુ રેન્જ આપવા પર ધ્યાન આપે છે, જ્યારે 2.6 kWh મોડલ વધુ પાવર અને સારું એક્સેલરેશન ઇચ્છતા ગ્રાહકો માટે વધુ સારો વિકલ્પ બની શકે છે.</p><p><b>બે રાઇડિંગ મોડ, પરંતુ Turbo મોડ નહીં</b></p><p>DX Plus 3.1 kWhમાં Range અને Power નામના બે રાઇડિંગ મોડ આપવામાં આવ્યા છે. તેમાં Turbo મોડ મળતો નથી. Turbo મોડ સ્ટાન્ડર્ડ DX અને DX Plus 2.6 kWh મોડલમાં ઉપલબ્ધ છે. તેથી જો કોઈ ગ્રાહકની પ્રાથમિકતા વધુ રેન્જ અને ઓછા પ્રમાણમાં ચાર્જિંગ કરવાની હોય, તો નવું 3.1 kWh મોડલ વધુ ઉપયોગી બની શકે છે. જ્યારે જેમને ઝડપી એક્સેલરેશન અને વધુ પાવર જોઈએ છે, તેઓ 2.6 kWh મોડલ પર વિચાર કરી શકે છે.</p><p><b>સ્કૂટરમાં રોજિંદા ઉપયોગના ઘણા ફીચર્સ</b></p><p>ફીચર્સની વાત કરીએ તો નવા DX Plus 3.1 kWhમાં સ્ટાન્ડર્ડ DX Plus જેવા જ ફીચર્સ આપવામાં આવ્યા છે. તેમાં મેટલ બોડી સાથે LED લાઇટ્સ અને 8.8 ઇંચની LCD ઇન્સ્ટ્રુમેન્ટ સ્ક્રીન મળે છે. સ્કૂટરમાં 37 લીટરનું અંડર-સીટ સ્ટોરેજ પણ આપવામાં આવ્યું છે, જેથી રોજિંદા ઉપયોગનો સામાન રાખવા માટે સારી જગ્યા મળી રહે છે.</p><p><b>Keyless Goથી લઈને ક્રૂઝ કંટ્રોલ સુધીના ફીચર્સ</b></p><p>આ ઉપરાંત સ્કૂટરમાં Keyless Go સાથે પાસવર્ડ આધારિત ઇગ્નિશન, Easy Flip ફૂટરેસ્ટ, ક્રૂઝ કંટ્રોલ, ટેલિમેટિક્સ, ફ્રન્ટ ડિસ્ક બ્રેક, Park Assist, રિવર્સ મોડ અને રિજનરેટિવ બ્રેકિંગ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. </p><p><b>પાંચ કલર મળશે નવું મોડલ</b></p><p>Kinetic DX Plus 3.1 kWhને પાંચ કલર ઓપ્શનમાં ખરીદી શકાય છે. તેમાં Red, Blue, Black, Grey અને White કલરનો સમાવેશ થાય છે. આ જ કલર હાલના DX Plus મોડલમાં પણ ઉપલબ્ધ છે. Kinetic DX રેન્જની શરૂઆતની કિંમત ₹1.18 લાખ (એક્સ-શોરૂમ) છે, જ્યારે નવું DX Plus 3.1 kWh આ લાઇન-અપનું ટોપ મોડલ છે.</p><p><b> વધુ રેન્જ ઇચ્છતા લોકો માટે ઉપયોગી </b></p><p>એકંદરે, Kinetic DX Plus 3.1 kWh એવા લોકો માટે વધુ ઉપયોગી સાબિત થઈ શકે છે, જેમની પ્રાથમિકતા પાવર કરતાં વધુ રેન્જ છે. મોટી 3.1 kWh બેટરી અને 132 કિમી સુધીની દાવો કરાયેલી IDC રેન્જ તેને એવા ગ્રાહકો માટે આકર્ષક બનાવે છે, જેઓ સ્કૂટરને વારંવાર ચાર્જ કરવા માગતા નથી.</p><p><b><a href="https://sandesh.com/business/automobile/news/simple-wave-electric-scooter-launched-india-109-lakh-price-243-km-range" target="_blank">આ પણ વાંચો: એક ચાર્જમાં 243km સુધી દોડશે આ ઇલેક્ટ્રિક સ્કૂટર, 70L બૂટ પણ મળશે</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/OEPt7o81WEpuS3ItyEMR6TdrCRqHnDYl5LlKv64m.webp'/></item><item><title><![CDATA[Samantha Ruth Prabhu Visits Isha Foundation: પ્રેગનન્સીમાં સામંથા પહોંચી ઇશા ફાઉન્ડેશન, કરી ગૌસેવા ]]></title><link>https://sandesh.com/entertainment/news/samantha-ruth-prabhu-pregnancy-isha-foundation</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/samantha-ruth-prabhu-pregnancy-isha-foundation</guid><pubDate>Tue, 08 Sep 2026 19:17:52 +05:30</pubDate><description><![CDATA[<p>સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) અને રાજ નિદિમોરુ (Raj Nidimoru) ના ઘરે ટૂંક સમયમાં બાળકનું આગમન થવાનું છે. પ્રેગ્નન્સી દરમિયાન સામંથા પોતાનું ખૂબ ધ્યાન રાખી રહી છે. શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખી રહી છે. તાજેતરમાં તે ઈશા ફાઉન્ડેશન (Isha Foundation) પહોંચી હતી અને ત્યાં ગૌ સેવા કરી હતી.</p><h2><b>સામંથાની છેલ્લા 5 વર્ષની જર્ની કેવી રહી?</b></h2><p>સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu pregnancy) પોતાની તાજેતરની સોશિયલ મીડિયા પોસ્ટમાં પોતાના જીવનની છેલ્લા 5 વર્ષની જર્ની વિશે વાત કરતી જોવા મળી છે. આ સાથે તેણે એ વાત પર ભાર મૂક્યો છે કે એક સારો મેન્ટર તમારી જિંદગીમાં માર્ગદર્શક તરીકે કેટલી મહત્વની ભૂમિકા ભજવી શકે છે.</p><h2><b>શાંતિભરી પળો વિતાવતી જોવા મળી સામંથા</b></h2><p>સામંથા રૂથે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરી છે. તેમાં તેણે તસવીરોની એક સિરીઝ શેર કરી છે. કેટલીક તસવીરોમાં તે કુદરતી નજારાઓ વચ્ચે શાંતિભરી પળો વિતાવતી જોવા મળે છે. કેટલીક તસવીરોમાં તે ધ્યાન કરતી જોવા મળે છે, જ્યારે કેટલીક તસવીરોમાં તે ગૌ સેવા કરતી જોવા મળે છે. તસવીરોમાં સામંથાનો બેબી બમ્પ પણ જોવા મળી રહ્યો છે.</p><p><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/Dc8cDUOmpKo/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/Dc8cDUOmpKo/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a><br></p><h2><b>જિંદગી વિશે સામંથાએ કહી આ વાત</b></h2><p>સામંથાએ પોસ્ટ સાથે કેપ્શનમાં લખ્યું છે, “એવા લોકો અને જગ્યાઓ શોધો, જે તમને આગળ વધવામાં મદદ કરે. મને લાગે છે કે જિંદગીમાં એક સમય એવો આવે છે જ્યારે તમને લાગે છે કે તમે તમારી જાતને સારી રીતે ઓળખો છો. તમે તમારી જાતને કહો છો, ‘હું આવી જ છું. આ મારી ખૂબીઓ છે, આ મારી ખામીઓ છે. આ મારી રીત છે. કદાચ હું અહીં સુધી જ જઈ શકું છું.’ પરંતુ છેલ્લા 5 વર્ષોએ મને કંઈક અલગ જ શીખવ્યું છે.”</p><h2><b>‘પોતાને વધુ સારા બનાવતા રહો’</b></h2><p>અભિનેત્રીએ આગળ લખ્યું છે, “જ્યારે પણ હું અહીં આવું છું, ત્યારે કેટલીક નવી શક્યતાઓ સાથે પાછી ફરું છું. એવો અહેસાસ થાય છે કે હજુ ઘણું શીખવાનું છે, બદલવાનું છે અને પોતાની જાતને વધુ સારી બનાવવાની છે. સારો મેન્ટર આ જ કરે છે. તેઓ તમને એ નથી કહેતા કે તમારે શું બનવાનું છે. તેઓ તમને યાદ અપાવે છે કે પોતાની જાતને વધુ સારી બનાવવાની સફર ક્યારેય પૂરી થતી નથી. તેઓ તમારી ગાડીના ઈંધણ જેવા હોય છે. આવા લોકોને શોધો. આવી જગ્યાઓ શોધો. પોતાની જાતને વધુ સારી બનાવતા રહો. તમારી અંદર હંમેશા કંઈક નવું શોધવા જેવું હોય છે.”</p><p>ઈશા ફાઉન્ડેશનની સ્થાપના આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવે કરી છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/hBQXRzPbteo5O7kGpKpDBKkIqkiXA4bp7GpPTTfP.webp'/></item><item><title><![CDATA[Politics News:  2029 પહેલાં કોંગ્રેસમાં થશે મોટો ફેરફાર, યુવા ચહેરાઓ પર રાહુલ ગાંધીનું ફોકસ ]]></title><link>https://sandesh.com/india/news/political-news/rahul-gandhi-congress-organisation-changes-2029-election</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/political-news/rahul-gandhi-congress-organisation-changes-2029-election</guid><pubDate>Tue, 08 Sep 2026 19:16:08 +05:30</pubDate><description><![CDATA[<p>Congress સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હવે પાર્ટીના સંગઠનમાં પોતાની પસંદગીની ટીમ તૈયાર કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. 2029ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેઓ એવા નેતાઓ અને હોદ્દેદારોને જવાબદારી સોંપવા માગે છે, જેમના પર તેમને વિશ્વાસ હોય અને જે તેમની રાજકીય વિચારસરણી અનુસાર કામ કરી શકે. પાર્ટીની અંદર આ પહેલને સંગઠનમાં મોટા ફેરફારની કવાયત તરીકે જોવામાં આવી રહી છે. તાજેતરમાં રાહુલ ગાંધીએ સતત બે દિવસ સુધી પાર્ટીના સચિવ પદ માટેના ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લીધા હતા. આ સચિવો મહાસચિવો અને વરિષ્ઠ નેતાઓ સાથે મળીને સંગઠન સંબંધિત કામગીરી સંભાળશે.</p><p><b>ભલામણથી નહીં, પોતાની પસંદગીથી થશે નિમણૂક</b></p><p>રિપોર્ટ અનુસાર, કેટલાક વરિષ્ઠ નેતાઓની ભલામણથી આવેલા કેટલાક નામોને પણ રાહુલ ગાંધીએ નકારી કાઢ્યા હતા. આ ઇન્ટરવ્યૂના માધ્યમથી રાહુલ ગાંધીએ કોંગ્રેસના સિનિયર નેતાઓને સંકેત આપ્યો છે કે સંગઠનમાં નિમણૂક માટે હવે માત્ર ભલામણ પર આધાર રાખવામાં આવશે નહીં. તેઓ પોતાની પસંદગી અને રાજકીય મૂલ્યાંકનના આધારે યોગ્ય લોકોને જવાબદારી આપવા માગે છે. તેમના આ વલણને કોંગ્રેસના જૂના નેતૃત્વ અને યુવા નેતૃત્વ વચ્ચે ચાલી રહેલા પરિવર્તન સાથે પણ જોડવામાં આવી રહ્યું છે.</p><p><b>કોંગ્રેસમાં બદલાવની કમાન હવે રાહુલ ગાંધીના હાથમાં</b></p><p>છેલ્લા કેટલાક વર્ષોથી કોંગ્રેસમાં અસંતુષ્ટ નેતાઓના જૂથ અને સંગઠનના નિર્ણયને લઈને સવાલો ઉઠતા રહ્યા છે. શરૂઆતના તબક્કામાં સોનિયા ગાંધી પણ રાહુલ ગાંધીને પાર્ટીમાં ફેરફાર કરતી વખતે ધીમે ધીમે આગળ વધવાની અને સંતુલન જાળવવાની સલાહ આપતા હતી. જોકે હવે રાહુલ ગાંધી પોતાના રાજકીય દૃષ્ટિકોણ પ્રમાણે સંગઠનને ઢાળવામાં સીધી ભૂમિકા ભજવતા જોવા મળી રહ્યા છે.</p><p><b>નાના સંગઠનાત્મક ફેરફારોમાં પણ રાહુલની રણનીતિ</b></p><p>તાજેતરમાં થયેલા કેટલાક સંગઠનાત્મક ફેરફારોમાં પણ રાહુલ ગાંધીની વ્યૂહરચના જોવા મળી રહી છે. પંજાબમાં સચિન પાયલટને પાર્ટીના પ્રભારી બનાવવાનો નિર્ણય પણ આ દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પંજાબ કોંગ્રેસ માટે એક મહત્વપૂર્ણ રાજ્ય છે અને પાર્ટીને અહીં ફરી સત્તામાં પરત ફરવાની શક્યતા દેખાઈ રહી છે. જોકે લાંબા સમયથી ચાલી રહેલી આંતરિક જૂથબાજી પાર્ટી માટે મોટો પડકાર બની રહી છે.</p><p><b> રાહુલ ગાંધીનો યુવા નેતાઓ પર વધી રહ્યો છે વિશ્વાસ</b></p><p>રાહુલ ગાંધીના આ નિર્ણયની અસર માત્ર પંજાબ પૂરતી મર્યાદિત માનવામાં આવી રહી નથી. સચિન પાયલટને જવાબદારી આપીને તેમણે એવો સંકેત આપ્યો છે કે તેઓ પોતાના રાજકીય નિર્ણયોમાં વિશ્વાસ રાખવા અને જરૂર પડે ત્યારે પાર્ટીના જૂના નેતાઓની પસંદગીથી અલગ રસ્તો અપનાવવા પણ તૈયાર છે. ખાસ કરીને અશોક ગેહલોત જેવા વરિષ્ઠ નેતાઓ અને સચિન પાયલટ વચ્ચે અગાઉ રહેલા મતભેદોના સંદર્ભમાં આ નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. કોંગ્રેસમાં હવે યુવા ચહેરાઓ પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે.</p><p><b>2029 પહેલાં કોંગ્રેસમાં મજબૂત સંગઠન બનાવવાની કવાયત</b></p><p>કોંગ્રેસ હવે 2029ની લોકસભા ચૂંટણી માટે સંગઠનને વધુ મજબૂત બનાવવા અને વિશ્વાસુ નેતાઓની ટીમ તૈયાર કરવાની દિશામાં આગળ વધી રહી છે. આવી સ્થિતિમાં સચિવોની નિમણૂકથી લઈને રાજ્યોના પ્રભારીઓની પસંદગી સુધી રાહુલ ગાંધીની ભૂમિકા વધુ મજબૂત થતી જોવા મળી રહી છે. જાણકારોના મતે, રાહુલ ગાંધી 2029ની લોકસભા ચૂંટણી પહેલાં પોતાની ટીમને લઈને સંપૂર્ણ રીતે આશ્વસ્ત થવા માગે છે. તેઓ ઇચ્છે છે કે પાર્ટીનું ટોચનું નેતૃત્વ સ્થાનિક કાર્યકર્તાઓ સાથે સતત જોડાયેલું રહે અને અલગ-અલગ અભિયાનોને જમીન પર અસરકારક રીતે પહોંચાડી શકાય.</p><p><b><a href="https://sandesh.com/india/news/rahul-gandhi-hc-bombay-hc-gives-rahul-gandhi-a-setback-the-case-is-about-his-comments-against-pm-modi" target="_blank">આ પણ વાંચો: રાહુલ ગાંધીને બોમ્બે HCનો ઝટકો, PM મોદી વિરુદ્ધ ટિપ્પણી મામલે અરજી ફગાવી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/3PK11Q1ab7UQ2YXyUNobkAEAMKGQJrwL2q0de1aJ.webp'/></item><item><title><![CDATA[Rajkotના રામનાથ મંદિરમાં ચોરીના ઇરાદે આવેલ શખ્સને દર્શનાર્થીઓએ ચખાડ્યો મેથીપાક! ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-ramnath-mahadev-temple-theft-attempt</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-ramnath-mahadev-temple-theft-attempt</guid><pubDate>Tue, 08 Sep 2026 19:09:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે રાજકોટના પ્રસિદ્ધ રામનાથ મહાદેવ મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટી રહી છે. આ ભીડનો ગેરલાભ ઉઠાવીને ગત રાત્રે એક શખ્સ ચોરી કરવાના ઇરાદે મંદિરના પટાંગણમાં ઘૂસી આવ્યો હતો. જોકે, તેની શંકાસ્પદ હિલચાલ અને ચોરી કરવાના પ્રયાસો દરમિયાન જ તે મંદિરમાં હાજર લોકોની નજરે ચડી ગયો હતો અને રંગેહાથ ઝડપાઈ ગયો હતો.</p><h2 style="text-align: justify; "><b>ચોર પકડાતા જ ભક્તોએ કાયદો હાથમાં લઈ મેથીપાક ચખાડ્યો&nbsp;</b></h2><p style="text-align: justify; ">પવિત્ર શ્રાવણ મહિનામાં મંદિરમાં ચોરી કરવાના ઇરાદે આવેલ આ શખ્સને ઝડપી પાડ્યા બાદ ત્યાં હાજર લોકો અને ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ પોલીસને જાણ કરવાને બદલે કાયદો પોતાના હાથમાં લઈને આ ચોરને બરાબરનો લમધાર્યો હતો. લોકોએ તેને પકડીને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે, જેના કારણે મંદિર પરિસરમાં થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી.</p><h3 style="text-align: justify; "><b>ચોરને માર મારતો સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો</b></h3><p style="text-align: justify; ">રામનાથ મંદિરના પટાંગણમાં ગત રાત્રે બનેલી આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ હવે સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે લોકો ચોરને પકડીને કેવી રીતે ગુસ્સો ઠાલવી રહ્યા છે અને માર મારી રહ્યા છે. શ્રાવણ માસમાં મંદિરોમાં મોટી સંખ્યામાં ભીડ રહેતી હોવાથી શ્રદ્ધાળુઓએ પોતાના કિંમતી સામાન અંગે વધુ સાવચેત રહેવાની જરૂર છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/Du0cGt2XUqpF9nbm8nhn2T37Tb293CocXI5Gccsp.webp'/></item><item><title><![CDATA[Suratના ભાઠેનામાં ભયાનક અકસ્માત સર્જનાર ડંપર ચાલકની પોલીસે કરી ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-bhathena-dumper-accident-driver-arrest</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-bhathena-dumper-accident-driver-arrest</guid><pubDate>Tue, 08 Sep 2026 17:46:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતના ભાઠેના વિસ્તારમાં સર્જાયેલા ભયાનક ડંપર અકસ્માત મામલે સલાબતપુરા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પૂરપાટ ઝડપે આવી રહેલા ડંપરે બાઈક પર સવાર બે યુવાનોને જોરદાર અડફેટે લીધા હતા. આ ગોઝારા અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘવાયેલો હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>સ્પીડમાં હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો</b></h2><p style="text-align: justify; ">અકસ્માતની ઘટના બાદ સલાબતપુરા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ડંપર ચાલક પ્રમોદ યાદવની ધરપકડ કરી લીધી છે તેમજ અકસ્માત સર્જનાર ડંપરને પણ કબજે કર્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે ડંપર ચાલક અત્યંત સ્પીડમાં વાહન ચલાવી રહ્યો હતો. જોકે, ડંપર ચાલક પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવાનું સામે આવ્યું છે, પરંતુ તે સમયે તે નશાની હાલતમાં હતો કે કેમ તે દિશામાં પોલીસે તપાસ ચાલુ કરી છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી અને તપાસ તેજ&nbsp;</b></h3><p style="text-align: justify; ">અકસ્માત સર્જીને એક માસૂમનો જીવ લેનાર ડંપર ચાલક સામે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચાલકના બ્લડ સેમ્પલ લઈને તે નશામાં હતો કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. ભરચક વિસ્તારમાં પૂરપાટ ઝડપે વાહનો હંકારતા ચાલકો સામે કડક પગલાં ભરવા સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે.&nbsp;</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/pvtr6AHtFndGIAmc0SXIaQnQ4b8PhsdLHbPvSJCU.webp'/></item><item><title><![CDATA[Malaysia : 72 વર્ષના ફૂટબોલ દિગ્ગજે 20 વર્ષની યુવતી સાથે કર્યા લગ્ન, તસવીરો વાયરલ થતાં પરિવારે કરી પુષ્ટિ ]]></title><link>https://sandesh.com/world/news/sports/malaysia-football-legend-abdul-alif-marriage-72-year-old-20-year-old-wife</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/sports/malaysia-football-legend-abdul-alif-marriage-72-year-old-20-year-old-wife</guid><pubDate>Mon, 07 Sep 2026 23:00:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મલેશિયન ફૂટબોલના દિગ્ગજ અને પૂર્વ હરિમાઉ મલાયા સ્ટાર દાતુક અબ્દુલ અલિફે 72 વર્ષની ઉંમરે પોતાના જીવનનો નવો અધ્યાય શરૂ કર્યો છે. સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો વાયરલ થયા બાદ તેમના પરિવારે લગ્નની સત્તાવાર પુષ્ટિ કરી છે. અહેવાલ મુજબ 27 ઓગસ્ટે યોજાયેલા ખાનગી સમારંભમાં અબ્દુલ અલિફે પોતાની જીવનસંગિની સાથે નિકાહ કર્યા હતા. તેમની પત્નીની ઉંમર 20 વર્ષ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>લગ્નની ખબર કોણે કરી કન્ફર્મ?</b></h2><p style="text-align: justify; ">અબ્દુલ અલિફના નાના ભાઈ અને પૂર્વ ખેલાડી તથા કોચ દાતુક યુનુસ અલિફે લગ્નની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે 27 ઓગસ્ટે બંનેના લગ્ન થયા હતા અને બંને પરિવારોની સંમતિ તથા આશીર્વાદ સાથે આ સંબંધ બંધાયો છે. પરિવાર દ્વારા નવદંપતીના સુખી દાંપત્ય જીવન માટે શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>ફોન નહીં ઉઠાવતા ભાઈએ શું કહ્યું?</b></h3><p style="text-align: justify; ">લગ્ન બાદ અબ્દુલ અલિફ મીડિયા સંપર્કમાં ન આવતા તેમના ભાઈ યુનુસ અલિફે જણાવ્યું હતું કે તેઓ સંભવતઃ હનીમૂન પર હોવાથી ફોનનો જવાબ આપી શકતા નથી.જોકે પરિવારે સ્પષ્ટ કર્યું છે કે બંનેના નિકાહ થઈ ચૂક્યા છે અને પરિવાર તરફથી બંનેને શુભકામનાઓ આપવામાં આવી છે.</p><h4 style="text-align: justify; "><b>મલેશિયન ફૂટબોલના દિગ્ગજ રહ્યા છે અબ્દુલ અલિફ</b></h4><p style="text-align: justify; ">અબ્દુલ અલિફ મલેશિયન ફૂટબોલ ઇતિહાસના જાણીતાં ખેલાડીઓમાં સામેલ રહ્યા છે. 1970ના અંતિમ વર્ષો અને 1980ના શરૂઆતના સમયમાં મલેશિયન ફૂટબોલના સફળ સમયગાળામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.તેઓ તે મલેશિયન ટીમના સભ્ય હતા જેણે ક્વોલિફાઇંગ મેચમાં દક્ષિણ કોરિયાને 2-1થી હરાવી 1980ના મોસ્કો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું.</p><h4 style="text-align: justify; "><b>ઓલિમ્પિક રમવાનું સપનું કેમ અધૂરું રહ્યું?</b></h4><p style="text-align: justify; ">મલેશિયાએ સોવિયેત સંઘના અફઘાનિસ્તાન પરના આક્રમણના વિરોધમાં 1980ના મોસ્કો ઓલિમ્પિકનો બહિષ્કાર કર્યો હતો. જેના કારણે અબ્દુલ અલિફ સહિત અનેક ખેલાડીઓનું ઓલિમ્પિકમાં રમવાનું સપનું અધૂરું રહી ગયું હતું. લાંબા સમય સુધી વ્યાવસાયિક ફૂટબોલ અને મીડિયા લાઇમલાઇટથી દૂર રહ્યા બાદ આ દિગ્ગજ ખેલાડી હવે પોતાના અંગત જીવનના નવા નિર્ણયને કારણે ફરી ચર્ચામાં આવ્યા છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">&nbsp; આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-gujarat-drowning-deaths-1999-river-lake-check-dam-water-safety" target="_blank"><b>Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/oQuxxQEBdhQdWmZFxk2LOPbwDJRpf6zDEmwi2pJ3.webp'/></item></channel></rss>