<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Controversy : 'તારી બેન્ડ વગાડવા પાછો આવીશ...ઓકાતમાં રહેજે', તનિષ્ક બાગચી પર ભડક્યો અમાલ મલિક ]]></title><link>https://sandesh.com/entertainment/news/amaal-mallik-tanishk-bagchi-controversy</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/amaal-mallik-tanishk-bagchi-controversy</guid><pubDate>Sun, 26 Jul 2026 15:45:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સિંગર અને મ્યુઝિક કંપોઝર અમાલ મલિક પોતાના એક પોસ્ટને લઈને ચર્ચામાં છે, તેણે મ્યુઝિક ડાયરેક્ટર તનિષ્ક બાગચી પર લગાવવામાં આવેલા આક્ષેપોવાળી પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ ડિલીટ કરી દીધી છે. જોકે, તેણે સ્પષ્ટ કર્યું છે કે પોસ્ટ હટાવવાનો મતલબ એ નથી કે તેણે પોતાના આક્ષેપો પાછા ખેંચી લીધા છે. અમાલનું કહેવું છે કે તેઓ આજે પણ પોતાની કહેલી દરેક વાત પર અડગ છે.</p><h2 style="text-align: justify; "><b>તનિષ્ક બાગચી પર ભડક્યો અમાલ મલિક</b></h2><p style="text-align: justify; ">અમાલ મલિકે ફરીથી X પર પોસ્ટ શેર કરી છે. જેમાં અમાલ મલિકે કહ્યું કે તેણે પોસ્ટ ફક્ત પોતાની ટાઈમલાઈન સાફ રાખવા માટે ડિલીટ કરી છે. સાથે જ તેણે કહ્યું કે જે કહેવું હતું, તે પહેલા જ કહી ચૂક્યો છે અને પોતાની વાત પર આજે પણ અડગ છે. અમાલ મલિકે સ્પષ્ટ કહ્યું કે તેઓ પોતાના પહેલા લગાવેલા આક્ષેપોથી પાછળ નથી હટી રહ્યો. તેણે લખ્યું કે પોસ્ટ હટાવવી ફક્ત તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી કચરો હટાવવા જેવું હતું અને આનો મતલબ એ બિલકુલ નથી કે તેણે પોતાનું વલણ બદલી નાખ્યું છે.<br><a href="https://x.com/AmaalMallik/status/2081177824212464086" target="_blank">https://x.com/AmaalMallik/status/2081177824212464086</a><br></p><p style="text-align: justify; ">અમાલ મલિકે એ પણ જણાવ્યું કે તેણે હવે જઈને પોતાની વાત પબ્લિકલી કેમ કરી. તેણે લખ્યું, લગભગ 10 વર્ષ સુધી મેં મારા ગુસ્સાને અંદર રાખ્યો. પરંતુ હવે એક દાયકા પછી મારે સામે આવવું પડ્યું, કારણ કે સાચી વાત માટે કોઈ ઊભું રહેતું નથી. પોસ્ટ ડિલીટ કર્યા પછી પણ અમાલ મલિકે પોતાના નવા નિવેદનમાં તનિષ્ક બાગચી પર નિશાન સાધવાનું ચાલુ રાખ્યું. તેણે કહ્યું, એક ખૂબ જ ખરાબ માણસની સચ્ચાઈ આજે હું સામે બતાવી ચૂક્યો છું અને તેને કર્મ પોતાનો હિસાબ જરૂર કરશે.</p><h3 style="text-align: justify; "><b>'મારાથી તો ઓકાત માં જ રહેજે'</b></h3><p style="text-align: justify; ">અમાલે પોસ્ટમાં આગળ લખ્યું, 'બેટા, મારાથી તો ઓકાત માં જ રહેજે' આ લાઇફ લોંગ વોર્નિંગ આપી રહ્યો છું. હવેથી જો કોઈની પણ સાથે કંઈક ખોટું કર્યું, તો યાદ રાખજે, હું ફરી પાછો આવીશ તારી બેન્ડ બજાવવા.'</p><h4 style="text-align: justify; "><b>શું છે મામલો?</b></h4><p style="text-align: justify; ">અમાલ મલિકે તનિષ્ક બાગચી પર મ્યુઝિક કોપી કરવા અને બીજાના કામનો શ્રેય લેવાનો આક્ષેપ કર્યો હતો. તેણે એ પણ દાવો કર્યો હતો કે તેને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નામ લઈને ધમકાવવામાં આવી રહ્યા હતા. આ ઉપરાંત, અમાલે આક્ષેપ કર્યો કે તનિષ્કે કથિત રીતે એક મહિલા સાથે લગ્નનું વચન આપ્યા પછી તેને હેરાન કરી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/kriti-sanon-birthday-net-worth-luxury-house-cars" target="_blank">આ પણ વાંચો-84 કરોડનું ઘર અને લક્ઝરી ગાડીઓ, જાણો કેટલી અમીર છે બોલીવુડ એક્ટ્રેસ કૃતિ સેનન!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/26/xMQPNupIrHSXaD0Y3Ev5WOA7NDhgTtMc6pGzE9JK.webp'/></item><item><title><![CDATA[Surendranagar News: જિલ્લાના 11 ડેમોમાં પાણીની ભારે આવક, 2 ડેમ 100% ભરાયા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/surendranagar/dam-water-level-update-dholidhaja-vansal-overflow</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/surendranagar/dam-water-level-update-dholidhaja-vansal-overflow</guid><pubDate>Sun, 26 Jul 2026 15:37:55 +05:30</pubDate><description><![CDATA[<p>સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં થયેલા સાર્વત્રિક વરસાદને કારણે જળસંપત્તિમાં નોંધપાત્ર વધારો થયો છે. જિલ્લાના મુખ્ય 11 જળાશયોમાં મોટા પ્રમાણમાં નવા નીરની આવક નોંધાઈ છે. ચોમાસાની આ સિઝનમાં જળાશયોમાં પાણીનું સ્તર ઊંચું આવતાં ખેડૂતો અને સ્થાનિક રહીશોમાં આનંદની લહેર વ્યાપી ગઈ છે.</p><h2><b>ધોળીધજા અને વાંસલ ડેમ છલકાયા, 100% ક્ષમતાએ પહોંચ્યા</b></h2><p>સ્થાનિક જળસંપત્તિ વિભાગના જણાવ્યા અનુસાર, સુરેન્દ્રનગર શહેરની જીવાદોરી સમાન ધોળીધજા ડેમ અને ચુડા તાલુકાનો વાંસલ ડેમ સંપૂર્ણ એટલે કે 100% ભરાઈ ગયા છે. આ સિવાય મૂળી તાલુકામાં આવેલો નાયકા ડેમ 65% સુધી ભરાઈ ચૂક્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના અન્ય નાના-મોટા ડેમોમાં પણ સરેરાશ 60% જેટલી પાણીની નવી આવક નોંધાઈ છે, જેનાથી પીવાના પાણી અને સિંચાઈની સમસ્યામાં મોટો રાહત મળશે.</p><h2><b>નિચાણવાળા ગામો અને સ્થાનિકો માટે હાઇ એલર્ટ</b></h2><p>ધોળીધજા અને વાંસલ ડેમ પૂર્ણ ક્ષમતાએ ભરાઈ જતાં વહીવટી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા નદી કિનારે કે ડેમ નજીકના વિસ્તારોમાં બિનજરૂરી અવરજવર ના કરવા કડક સૂચના આપવામાં આવી છે.</p><h2><b>સિંચાઈ વિભાગની માર્ગદર્શિકા અને સાવચેતીની અપીલ</b></h2><p>આ પરિસ્થિતિ અંગે માહિતી આપતાં સુરેન્દ્રનગર સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર દિવ્યેશ કણસાગરા જણાવ્યું છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના જળાશયોમાં પાણીની આવક સતત થઈ રહી છે. 100% ભરાયેલા ડેમોના વિસ્તારોમાં ખાસ સુરક્ષા તૈનાત કરવામાં આવી છે. આ સાથે તેમણે પશુપાલકોએ પોતાના પશુઓને નદીના પટમાં ન લઈ જવા અને સ્થાનિક નાગરિકોએ પાણીના વહેણથી દૂર રહેવા ખાસ અપીલ કરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surendranagar/surendranagar-bulldozer-overturned-over-11725-bottles-of-liquor-in-wadhwan" target="_blank">Surendranagar: વઢવાણમાં દારૂની 11,725 બોટલો પર બુલડોઝર ફેરવી દેવાયુ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/26/iGckt6ojvPIopuuuxiu0BUEUx1RWZUBD5OUAlSF2.webp'/></item><item><title><![CDATA[દેવેન્દ્ર ફડણવીસે અટકળોનો લાવ્યો અંત.. કહ્યું - 'મહારાષ્ટ્રમાં છું અને અહીં જ રહીશ' ]]></title><link>https://sandesh.com/india/news/devendra-fadnavis-rules-out-joining-centre--says-will-stay-in-maharashtra</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/devendra-fadnavis-rules-out-joining-centre--says-will-stay-in-maharashtra</guid><pubDate>Sun, 26 Jul 2026 15:36:22 +05:30</pubDate><description><![CDATA[<p>
</p><div>મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કેન્દ્રીય રાજકારણમાં તેમના પ્રવેશ અંગે ચાલી રહેલી અટકળોનો અંત લાવી દીધો છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, "હું ગઈકાલે દિલ્હીથી નાગપુર આવ્યો હતો, આજે નાગપુરમાં છું, અને આજે સાંજે મુંબઈ જઈશ. હું મહારાષ્ટ્રમાં છું અને મહારાષ્ટ્રમાં જ રહીશ." મુખ્યમંત્રીના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેઓ કેન્દ્ર સરકાર કે કેન્દ્રીય મંત્રીમંડળમાં જોડાવાના નથી. છેલ્લા કેટલાક દિવસોથી, દિલ્હીની મુલાકાત પછી તેમના કેન્દ્રીય મંત્રી બનવા અને શિક્ષણ મંત્રાલયનો હવાલો સંભાળવાની અટકળો ચાલી રહી હતી. જોકે, ફડણવીસે તેમના નિવેદનમાં આ બધી અટકળોને ફગાવી દીધી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે તેઓ મહારાષ્ટ્રમાં જવાબદારી નીભાવશે.</div><h4><b>ઉદ્ધવ ઠાકરેની આજે રેલી
</b></h4><div>આજે મુંબઈમાં શિવસેના (UBS) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) દ્વારા આયોજિત ઉજવણી રેલી પર પ્રતિક્રિયા આપતા ભાજપના નેતા સીએમ ફડણવીસે કહ્યું કે તેમને ઉજવણી કરવાની તક મળી છે. "સારું, તે સારી વાત છે," તેમણે કહ્યું. તેમણે ઉમેર્યું કે વિદ્યાર્થી મુદ્દો રાજકીય પક્ષનો મુદ્દો નથી, પરંતુ રાષ્ટ્રીય મુદ્દો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થી મુદ્દાઓ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે.
</div><div>મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર સોમવારે એક મહત્વપૂર્ણ બિલ રજૂ કરે તેવી શક્યતા છે, જેમાં પેપર લીક જેવા કેસોમાં કડક કાર્યવાહીની જોગવાઈ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે સરકાર પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા માટે કડક કાયદા બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
</div><h4><b>"સરકાર કાયમી શિક્ષણ મંત્રી શોધી રહી છે"
</b></h4><div>શિવસેના (યુબીટી) ના સાંસદ સંજય રાઉતે રવિવારે કેન્દ્રીય શિક્ષણ મંત્રી તરીકે પ્રહલાદ જોશીની નિમણૂકને "કામચલાઉ વ્યવસ્થા" ગણાવી હતી. તેમણે દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકાર કાયમી રિપ્લેસમેન્ટ શોધી રહી છે અને સૂચન કર્યું હતું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને આ પદ માટે વિચારી શકાય છે.
</div><div>રાઉતે કહ્યું, "પ્રહલાદ જોશી હાલમાં કામચલાઉ શિક્ષણ મંત્રી છે. શ્રેષ્ઠ રીતે, તેઓ એક સારા કોલસા મંત્રી બની શકે છે. તેમણે કોલસા મંત્રી તરીકે અને ભાજપ માટે કામ કર્યું છે, પરંતુ હવે તેમને શિક્ષણ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મારું માનવું છે કે આ એક કામચલાઉ વ્યવસ્થા છે; સરકાર સક્રિયપણે કાયમી શિક્ષણ મંત્રી શોધી રહી છે અને તેના પર વિચાર કરી રહી છે."
</div><div><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/black-sea-advisory-2026--india-warns-citizens-after-5-indians-killed-in-ship-attacks" target="_blank"><b>બ્લેક સીમાં વધતા ખતરા વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ભારતીય નાગરિકોને સાવધાની રાખવા કરી અપીલ</b></a>
</div><div><br></div><div>
</div><div>
</div><div>
</div><div>
</div><div>
</div><div>
</div><div>
</div> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/26/bToS6vjoF6CatH6iDskidMobX08eZs39o5voDt9G.webp'/></item><item><title><![CDATA[Fertilizer Supply : સરકારે યુરિયા અને ડીએપીની આયાતમાં વધારો કર્યો, અનેક દેશો સાથે કર્યા ખાતર સપ્લાય કરાર ]]></title><link>https://sandesh.com/india/news/fertilizer-supply-india-boosts-urea-dap-imports-signs-global-supply-deals</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/fertilizer-supply-india-boosts-urea-dap-imports-signs-global-supply-deals</guid><pubDate>Sun, 26 Jul 2026 15:26:44 +05:30</pubDate><description><![CDATA[<p>ખરીફ સીઝન દરમિયાન ખેડૂતોને ખાતરની અછત ન સર્જાય તે માટે કેન્દ્ર સરકારે મોટાપાયે યુરિયા અને ડીએપી (ડાય-એમોનિયમ ફોસ્ફેટ)ની આયાત કરી છે. સરકારના જણાવ્યા મુજબ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં (એપ્રિલથી જૂન) દેશમાં 25.08 લાખ ટન યુરિયા અને 7.11 લાખ ટન ડીએપીની આયાત કરવામાં આવી છે. આ સાથે ખેડૂતોને સમયસર ખાતર ઉપલબ્ધ કરાવવા માટે સ્થાનિક ઉત્પાદન પણ વધારવામાં આવ્યું છે.</p><h2><b>71.55 લાખ ટન યુરિયા અને 9.84 લાખ ટન ડીએપીનો સમાવેશ</b></h2><p>લોકસભામાં કેન્દ્રીય રાસાયણ અને ખાતર મંત્રી જે.પી. નડ્ડાએ જણાવ્યું કે એપ્રિલ-જૂન દરમિયાન દેશમાં કુલ 115.72 લાખ ટન ખાતરનું ઉત્પાદન થયું હતું. તેમાં 71.55 લાખ ટન યુરિયા અને 9.84 લાખ ટન ડીએપીનો સમાવેશ થાય છે. સરકારનું માનવું છે કે સ્થાનિક ઉત્પાદન અને આયાતના સંયોજનથી દેશમાં ખાતરની પૂરતી ઉપલબ્ધતા જાળવી રાખી શકાય છે. સરકારે વૈશ્વિક સપ્લાય ચેઈનમાં અવરોધો અને એક જ દેશ પર વધુ નિર્ભરતા ટાળવા માટે નવા આયાત સ્ત્રોતો પણ વિકસાવ્યા છે. ચીન દ્વારા સ્પેશિયાલિટી ખાતરના નિકાસમાં ઘટાડો થતાં ભારતીય કંપનીઓએ બેલ્જિયમ, ઈજિપ્ત, જર્મની, મોરોક્કો અને અમેરિકા જેવા દેશોમાંથી વોટર સોલ્યુબલ ખાતરની ખરીદી વધારી છે.</p><h3><b>ડીએપી અને એનપીકે ખાતરની આયાત માટે પણ સમજૂતી કરાઈ</b></h3><p>ખાતરની લાંબા ગાળાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે ભારતે સાઉદી અરેબિયા સાથે દર વર્ષે આશરે 31 લાખ ટન ડીએપી સપ્લાયનો કરાર કર્યો છે. ઉપરાંત રશિયા સાથે 26.50 લાખ ટન ડીએપી અને એનપીકે ખાતરની આયાત માટે પણ સમજૂતી કરવામાં આવી છે. મ્યુરિયેટ ઓફ પોટાશ (MOP)ની ઉપલબ્ધતા માટે રશિયા, જર્મની અને તુર્કમેનિસ્તાનમાંથી 4.80 લાખ ટન આયાત કરવાનો પણ નિર્ણય લેવાયો છે. નિષ્ણાતોના મતે સરકારની આ વ્યૂહરચનાથી ખરીફ તેમજ આગામી રવિ સીઝનમાં ખેડૂતોને ખાતરની અછતનો સામનો કરવો નહીં પડે અને વૈશ્વિક સપ્લાયમાં વિક્ષેપ આવે તો પણ દેશમાં ખાતરની ઉપલબ્ધતા જળવાઈ રહેશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/black-sea-advisory-2026--india-warns-citizens-after-5-indians-killed-in-ship-attacks" target="_blank">આ પણ વાંચો : બ્લેક સીમાં વધતા ખતરા વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ભારતીય નાગરિકોને સાવધાની રાખવા કરી અપીલ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/26/UTQo3TfaRQkSmsUwK0oPJeBLzlCSiHjKxLMMsueh.webp'/></item><item><title><![CDATA[વાંચો બપોરે 12થી 03 વાગ્યા સુધીના મહત્વના સમાચાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-12-pm-to-03-pm-26-july-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-12-pm-to-03-pm-26-july-2026</guid><pubDate>Sun, 26 Jul 2026 14:55:47 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર</b></p><p><a href="https://sandesh.com/gallery/news/cricket/nine-players-made-their-debut-in-team-india-in-50-days" target="_blank"><b>1.ટીમ ઈન્ડિયામાં 50 દિવસમાં નવ ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ</b></a></p><p><a href="https://sandesh.com/world/news/us-job-vs-india-job-amazon-engineer-reveals-which-job-is-better-19-crores-in-america-and-4-million-in-india" target="_blank"><b>2. US Job vs India Job: અમેરિકામાં 1.9 કરોડ અને ભારતમાં 40 લાખ, કઈ નોકરી સારી તે અંગે એમેઝોન એન્જિનિયરનો ખુલાસો</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/yellow-alert-issued-for-rain-tomorrow" target="_blank"><b>3. Gujarat Weather News: આવતીકાલે રાજ્યમાં વરસાદનું યલો એલર્ટ જાહેર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં મેઘમહેરની સંભાવના</b></a></p><p><a href="https://sandesh.com/world/news/france-wildfire-france-spain-forest-fire-becomes-devastating-forcing-locals-to-leave-homes" target="_blank"><b>4. France Wild fire:ફ્રાન્સ-સ્પેનના જંગલની આગ બની 'વિનાશક' સ્થાનિકો ઘર છોડવા મજબૂર</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/traffic-police-advisory-for-lost-vehicle-number-plates-during-heavy-rains" target="_blank"><b>5. Ahmedabad: વરસાદમાં ખોવાયેલી નંબર પ્લેટ માટે પોલીસની એડવાઇઝરી, જાણવાજોગ નોંધાવવા અપીલ</b></a></p><p><a href="https://sandesh.com/india/news/-political-news/neet-controversy-why-did-pm-modi-appoint-pralhad-joshi-as-the-new-education-minister-know-the-reasons" target="_blank"><b>6. NEET Controversy: પીએમ મોદીએ Pralhad Joshiને જ કેમ બનાવ્યા નવા શિક્ષણ મંત્રી? જાણો કારણો</b></a></p><p><a href="https://sandesh.com/world/news/nepal-to-print-controversial-map-with-lipulekh-and-kalapani-on-new-1-rupee-coin" target="_blank"><b>7. Nepal 1 રૂપિયાના નવા સિક્કા પર છાપશે લિપુલેખ અને કાલાપાની ધરાવતો વિવાદિત નકશો</b></a></p><p><a href="https://sandesh.com/india/news/india-nepal-travel--nepal-requests-nid-card-as-valid-document-for-border-cross" target="_blank"><b>8. હવે નેપાળની મુસાફરી બનશે સરળ, મુસાફરોને ID કાર્ડ આપવાનો થઈ રહ્યો છે પ્લાન!</b></a></p><p><a href="https://sandesh.com/india/news/tamil-nadu-news-son-builds-staircase-on-55-foot-tall-palm-tree-for-70-year-old-father" target="_blank"><b>9. Tamil Nadu News: 70 વર્ષના પિતા માટે દીકરાએ 55 ફૂટ ઊંચા ખજૂરના ઝાડ પર બનાવી સીડી</b></a></p><p><a href="https://sandesh.com/cricket/news/ind-vs-zim-abhishek-sharma-created-history-when-the-bat-failed-he-did-wonders-with-the-ball" target="_blank"><b>10. IND vs ZIM : અભિષેક શર્માએ રચ્યો ઈતિહાસ, બેટ નિષ્ફળ ગયું તો બોલથી કર્યો કમાલ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/29/wLbfyTnyUxIYEFJiJxV9BkITi0sHaa4rS7kNibmF.webp'/></item><item><title><![CDATA[Lunawada: પાનમ નદીમાં જળસ્તર વધતાં લુણાવાડા શહેર માટે પીવાના પાણીની સમસ્યા હલ થઈ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mahisagar/panam-river-overflows-godhra-road-checkdam-full-drinking-water-crisis-solved</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mahisagar/panam-river-overflows-godhra-road-checkdam-full-drinking-water-crisis-solved</guid><pubDate>Sun, 26 Jul 2026 14:26:54 +05:30</pubDate><description><![CDATA[<p>લુણાવાડા શહેર માટે ચાલુ ચોમાસાની સીઝન મોટી રાહત લઈને આવી છે. છેલ્લા ત્રણ દિવસથી લુણાવાડા પંથક અને ઉપરવાસમાં વરસી રહેલા સતત વરસાદના કારણે લુણાવાડા શહેરની જીવાદોરી સમાન પાનમ નદીમાં નવા નીરની સપાટ આવક થતાં નદી રૌદ્ર અને રમણીય સ્વરૂપે વહી રહી છે.પાનમ નદીમાં જળસ્તર સતત વધવાના પરિણામે લુણાવાડા શહેરમાં ગોધરા રોડ પુલ ની બાજુમાં આવેલો વિશાળ ચેકડેમ ઓવરફ્લો થઈ ગયો છે.</p><h2><b>ઉનાળાની વિકટ પરિસ્થિતિ બાદ મોટી રાહત</b></h2><p>નોંધનીય છે કે, ચાલુ વર્ષે કાળઝાળ ઉનાળા દરમિયાન આ ચેકડેમમાં પાણીનું સ્તર ભયજનક રીતે ઘટીને સામાન્ય સપાટીથી અંદાજે એક ફૂટ જેટલું નીચે જતું રહ્યું હતું. જેને કારણે આગામી સમયમાં લુણાવાડા શહેરને પીવાના પાણીની મોટી અછતનો સામનો કરવો પડશે તેવી ચિંતા નગરપાલિકા અને નગરજનોને સતાવી રહી હતી.</p><h4><b>ચેકડેમ ઓવરફ્લો થવાના નયનરમ્ય દ્રશ્યો&nbsp;</b></h4><p>પરંતુ છેલ્લા 72 કલાકમાં પડેલા સાર્વત્રિક વરસાદે ચિત્ર બદલી નાખ્યું છે. પાનમ નદીમાં નવા નીર આવવાથી અને ચેકડેમ પૂર્ણ સપાટીએ ભરાઈને ઓવરફ્લો થતાં જ લુણાવાડા શહેરને હવે આખું વર્ષ પીવાનું શુદ્ધ પાણી પૂરતા પ્રમાણમાં મળી રહેશે. નવા નીરના વધામણાં થતાં જ લુણાવાડા વાસીઓમાં ખુશીની લહેર દોડી ગઈ છે. ચેકડેમ ઓવરફ્લો થવાના નયનરમ્ય દ્રશ્યો કેમેરામાં કેદ કરવા અને નવા નીરને નિહાળવા માટે સ્થાનિક નગરજનો ગોધરા રોડ પુલ પર મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahwa/saputara-maharashtra-national-highway-closed-heavy-rain-bus-services-suspended" target="_blank">આ પણ વાંચો: Dang: સાપુતારા-મહારાષ્ટ્ર નેશનલ હાઇવે ધોવાતાં છેલ્લા 4 દિવસથી વાહનવ્યવહાર ઠપ્પ: ગુજરાત-મહારાષ્ટ્રનો સંપર્ક ખોરવાયો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/26/EjP7AdQIvXcvVUX9SD8AWZD9gNerlGAobHNcpWc2.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: વરસાદમાં ખોવાયેલી નંબર પ્લેટ માટે પોલીસની એડવાઇઝરી, જાણવાજોગ નોંધાવવા અપીલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/traffic-police-advisory-for-lost-vehicle-number-plates-during-heavy-rains</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/traffic-police-advisory-for-lost-vehicle-number-plates-during-heavy-rains</guid><pubDate>Sun, 26 Jul 2026 14:00:25 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરમાં છેલ્લા દિવસોમાં પડેલા અનરાધાર વરસાદ અને તેના કારણે વિવિધ માર્ગો પર સર્જાયેલા જળબંબાકારની સ્થિતિમાં અસંખ્ય નાના-મોટા વાહનોની નંબર પ્લેટો તૂટીને પાણીમાં વહી ગઈ હોવાના કે પડી ગઈ હોવાના અનેક બનાવો સામે આવ્યા છે. રસ્તા પરથી નંબર પ્લેટ ગાયબ થઈ જવાના કારણે વાહનચાલકો દંડ અને કાનૂની ગૂંચવણના ભય હેઠળ મુકાયા છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક પોલીસે નાગરિકોની સુરક્ષા અને સુવિધા માટે એક વિશેષ એડવાઇઝરી જારી કરી છે.</p><h2><b>દુરુપયોગ અટકાવવા જાણવાજોગ ફરિયાદ જરૂરી</b></h2><p>ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ, જો વરસાદી પાણીમાં કોઈ વાહનની નંબર પ્લેટ ખોવાઈ ગઈ હોય તો વાહન માલિકે વિલંબ કર્યા વિના નજીકના ટ્રાફિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાનો રહેશે. ખોવાયેલી નંબર પ્લેટ કોઈ અજાણ્યા શખ્સના હાથમાં આવી જાય અને તેના દ્વારા કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કે ટ્રાફિક નિયમોનો ભંગ થાય તો વાહન માલિક મુશ્કેલીમાં ન મુકાય તે માટે 'જાણવાજોગ'&nbsp; રજીસ્ટર કરાવવી અત્યંત જરૂરી છે.</p><h3><b>પુરાવા રજૂ કરીને પોતાની નંબર પ્લેટ મેળવી શકશે</b></h3><p>આ માટે વાહન માલિકે પોતાના વાહનની RC બુક, ડ્રાઇવિંગ લાયસન્સ અને માન્ય ઓળખપત્ર સાથે પોલીસ સ્ટેશને હાજર રહેવાનું રહેશે.બીજી તરફ, સામાન્ય નાગરિકો અને સફાઈ કર્મચારીઓ દ્વારા રસ્તા પરથી મળી આવેલી નંબર પ્લેટો વિવિધ ટ્રાફિક પોલીસ સ્ટેશનો ખાતે જમા કરાવવામાં આવી રહી છે. વાહન માલિકો જરૂરી પુરાવા રજૂ કરીને પોતાની જમા થયેલી નંબર પ્લેટ ચકાસણી બાદ પરત મેળવી શકશે.</p><h4><b>ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ</b></h4><p>જો ખોવાયેલી નંબર પ્લેટ શોધી શકાશે નહીં, તો ટ્રાફિક પોલીસ દ્વારા નિયમાનુસાર ક્લોઝર રિપોર્ટ આપવામાં આવશે. આ ક્લોઝર રિપોર્ટના આધારે વાહનચાલક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી (RTO) ખાતે અરજી કરીને પોતાના વાહન માટે નવી અધિકૃત HSRP નંબર પ્લેટ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી શકશે. પોલીસે તમામ નાગરિકોને આ પ્રક્રિયા અનુસરવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી છે.<br><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/traffic-police-cancels-1855-e-challans-generated-during-rath-yatra-diversions" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: શહેરમાં વાહનચાલકોને 18 લાખની રાહત, રથયાત્રા ડાયવર્ઝનના 1,855 ઈ-ચલાન રદ્દ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/26/UlLcZXNmLJHPianZtD4jFKRXiP12vVzkKxSHVfQs.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: નારણપુરામાં કન્સ્ટ્રક્શન સાઈટના પાપે લોકો પરેશાન, તંત્રએ 48 મકાનો ખાલી કરાવ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/48-homes-evacuated-after-naranpura-site-incident</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/48-homes-evacuated-after-naranpura-site-incident</guid><pubDate>Sun, 26 Jul 2026 13:09:07 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના નારણપુરા વિસ્તારમાં સૂર્યા લક્ઝુરિયસ નામની કન્સ્ટ્રક્શન સ્કીમનું કામ ચાલી રહ્યું છે.જ્યાં યોગ્ય સેફ્ટી કે પાર્ટિશન વગર જ કામગીરી શરૂ કરવામાં આવી હોવાના કારણે અનેક સ્થાનિક રહીશો ભારે પરેશાન થઈ ગયા છે.તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે આ કન્સ્ટ્રક્શન સાઇટની દીવાલ/માટી ધસી પડતાં આસપાસના રહેણાંક વિસ્તાર પર મોટું જોખમ ઉભું થયું હતું.બિલ્ડરની ઘોર બેદરકારી અને અયોગ્ય કામગીરીના કારણે સર્જાયેલી આ જોખમી સ્થિતિને ધ્યાનમાં રાખીને AMC દ્વારા તાત્કાલિક ધોરણે આસપાસના 48 જેટલા મકાનો ખાલી કરાવવાની ફરજ પડી હતી.</p><h2 style="text-align: justify; "><b>કન્સ્ટ્રક્શન સાઇટની રજા ચિઠ્ઠી રદ કરી દેવામાં આવી</b></h2><p style="text-align: justify; ">આ બનાવની જાણ થતાં જ નારણપુરાના ધારાસભ્ય જીતુભાઈ પટેલ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.જીતુભાઈ પટેલે આ અંગે  જણાવ્યું હતું કે નિયમોનું ઉલ્લંઘન કરનાર આ કન્સ્ટ્રક્શન સાઇટની રજા ચિઠ્ઠી રદ કરી દેવામાં આવી છે.પ્રભાવિત સ્થાનિકો માટે તંત્ર દ્વારા યોગ્ય રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ મોટાભાગના લોકો સુરક્ષાના કારણોસર હાલ પોતાના સગા-સંબંધીઓને ત્યાં આશરો લેવા માટે ગયા છે.નારણપુરા વિસ્તારમાં ડેવલોપરની બેદરકારીના કારણે કન્સ્ટ્રકશન સાઈટની દીવાલ ધસી પડતા લક્ષ્મીકૃપા વિભાગ-2ના 24 તથા કર્ણાવતી એપાર્ટમેન્ટના બે બ્લોકના 24 એમ કુલ મળીને 48 પરિવારો રોડ ઉપર આવી ગયા છે.</p><h2 style="text-align: justify; "><b>લોકોને હાઉસિંગ બોર્ડના કોમ્યુનિટી હોલમાં રાખવામાં આવ્યા&nbsp;</b></h2><p style="text-align: justify; ">આ તમામ પરિવારોને હાલમાં પ્રગતિનગરમાં આવેલા હાઉસિંગ બોર્ડના કોમ્યુનિટી હોલમાં રાખવામાં આવ્યા છે.તમામની માંગ છે કે,ડેવલોપરની બેદરકારીથી તેમના મકાનો રહેવા લાયક રહ્યા નથી ત્યારે ડેવલોપર તમામને ભાડું આપે તો અન્યત્ર રહેવા જઈ શકીએ અથવા તો અમારા મકાન નવા બનાવી આપે. ત્રણ દિવસ સુધી આ ઘટનાને કોર્પોરેશનના અધિકારીઓએ દબાવી રાખી હતી. ડેવલોપરની બેદરકારીથી આ પરિવારો રોડ ઉપર આવી ગયા છે તે ડેવલપર્સ સાથે ભાજપના બે પૂર્વ કોર્પોરેટરો આર.સી.પટેલ અને રીક્રિએશન કમિટીના પૂર્વ ચેરમેન જિજ્ઞેશ પટેલ ભાગીદાર છે. કોર્પોરેશને ડેવલોપરની રજા ચિઠ્ઠી સ્થગિત કરી તે બાબતને પણ ઢાંકવા અધિકારીઓએ પ્રયાસ કર્યો હતો.સ્થાનિક ધારાસભ્ય સહિત ભાજપના કેટલાક નેતાઓના દબાણને વશ થઈ કોર્પોરેશનના અધિકારીઓએ ઘટના ઉપર ત્રણ દિવસ સુધી પડદો પાડવાનો પ્રયાસ કર્યો હતો.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/rain-damaged-roads-sinkholes-disrupt-traffic" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: વરસાદી પાણીથી સાચવ્યું હવે રોડથી સાચવજો, ભૂવા પડવાથી રસ્તા બંધ થતા વાહનચાલકો પરેશાન</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/26/xavo9V43RNptCeuM2aXjJIWADq9a1LP8JP4NfzMc.webp'/></item><item><title><![CDATA[CWG 2026 : જિમ્નાસ્ટનું બેલેન્સ બગડ્યું અને જમીન પર પટકાયો , જુઓ Video ]]></title><link>https://sandesh.com/sports/news/cwg-2026-gymnast-loses-balance-and-falls-to-the-ground-watch-video</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/cwg-2026-gymnast-loses-balance-and-falls-to-the-ground-watch-video</guid><pubDate>Sun, 26 Jul 2026 12:47:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કોઈ પણ રમત હોય તેના માટે ખેલાડીઓ તનતોડ મહેનત કરતા હોય છે. તેમજ પ્રેક્ટિસ કરતી વખતે અથવા તો ફાઈનલમાં પ્રદર્શન દરમિયાન કેટલીક વખત અકસ્માતનો ભોગ બને છે. જે ચાહકો અને ખેલાડીઓ માટે દુખદ ઘટના બને છે. આવી જ એક ઘટના કોમનવેલ્થ ગેમ્સમાંથી સામે આવી રહી છે. કોમનવેલ્થ ગેમમાં પુરુષ ટીમ જિમ્નાસ્ટિક ફાઈનલ દરમિયાન ઈંગ્લેન્ડના ગૈબ્રિયલ લૈંગટન ખરાબ રીતે નીચે પટકાયો હતો.</p><h5 style="text-align: justify; "><b>ખેલાડીને સ્ટ્રેચર પર લઈ જવામાં આવ્યો</b></h5><p style="text-align: justify; ">પુરુષ ટીમની ફાઈનલ દરમિયાન તે પોતાનું પ્રદર્શન કરી રહ્યો હતો. આ દરમિયાન તેનું સંતુલન બગડી ગયું હતુ. તે સીધો માથા સાથે નીચે પટકાય છે. આ અકસ્માત પછી મેડીકલ ટીમ તરત તેની પાસે પહોંચી જાય છે. થોડા સમય સુધી બધાના શ્વાસ અધ્ધર થયા હતા. ખેલાડીને સ્ટ્રેચર પર લઈ હોસ્પિટલ પહોંચાડવામાં આવે છે</p><p style="text-align: justify; "><a href="https://x.com/BasilTheGreat/status/2080966449925869674?s=20" target="_blank">https://x.com/BasilTheGreat/status/2080966449925869674?s=20</a></p><h5 style="text-align: justify; "><b>હોસ્પિટલમાંથી રજા</b></h5><p style="text-align: justify; ">હોસ્પિટલમાં ગૈબ્રિયલ લૈંગટનની તપાસ થઈ અને સ્કેન પણ કરવામાં આવ્યું હતુ. જેમાં ગંભીર ઈજાની કોઈ સમસ્યા સામે આવી ન હતી. ઈંગ્લેન્ડ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ખેલાડીને સાંજે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આજે તેનું સ્કેન કરવામાં આવ્યું છે. તેમજ પરિણામ ખુબ સારું રહ્યું. મહત્વની વાત એ છે કે, તેને કોઈ ગંભીર ઈજા થઈ નથી. આજે સાંજે હોસ્પિટલમાંથી રજા આપી હોટલ મોકલવામાં આવશે.&nbsp; નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે, તે સારા મૂડમાં છે અને તેને મળેલા સમર્થનના અસંખ્ય મેસેજ અને તબીબી ટીમ દ્વારા પૂરી પાડવામાં આવેલી ઉત્તમ સંભાળ માટે તે ખૂબ જ આભારી છે. તે પોતાના મેડલની ઉજવણી કરવા માટે ટીમ સાથે ફરી જોડાવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.</p><h5 style="text-align: justify; "><b>મૈક્સ વ્હિટલોકના સ્થાને મળ્યું હતુ ટીમમાં સ્થાન</b></h5><p style="text-align: justify; ">ગૈબ્રિયલ લૈંગટનને આ મહિને ઈંગ્લેન્ડની ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. તેમણે 3 ગોલ્ડ સહિત 6 ઓલિમ્પિક મેડલ જીત્યા હતા. મૈક્સ વ્હિટલોકના સ્થાને લીધું હતુ. વ્હિટલોક ઈજાના કારણે કોમનવેલ્થ ગેમ્સ 2026થી દુર કરવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડની ટીમે સિલ્વર મેડલ પોતાને નામ કર્યો હતો. અકસ્માતના કારણે લૈગટન મેડલ સમારોહમાં સામેલ જઈ શક્યો નહી. જ્યારે તેના સાથી લ્યુક વ્હાઈટહાઉસ, એલેક્સ યોલશિન-કૈશ,જોશ નાથન અને એડમ ટોબિને સિલ્વર મેડલ જીત્યો હતો. ત્યારે તે હોસ્પિટલમાં હતો. 2010માં કોમનવેલ્થ ગેમ્સ પછી આ પહેલી તક છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ પુરુષ જિમ્નાસ્ટિક ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી શકી નહી.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/fih-youth-hockey5s-india-created-history-by-defeating-pakistan-secured-a-place-in-the-world-cup-womens-team-also-shone" target="_blank"> FIH Youth Hockey5s : પાકિસ્તાનને હરાવી ભારતે રચ્યો ઈતિહાસ,વર્લ્ડ કપમાં મેળવ્યું સ્થાન, મહિલા ટીમ પણ ચમકી</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/26/T3QY5Ij1Kufm4PUiGKtNLlQc7aLbAnpoMsvxslIV.webp'/></item><item><title><![CDATA[Gold Price Today : અઠવાડિયામાં જ મોંઘું થયું સોનું-ચાંદી, જાણો તમારા શહેરનો આજનો લેટેસ્ટ રેટ! ]]></title><link>https://sandesh.com/business/news/india/gold-silver-price-today-weekly-rise-city-wise-rates</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/gold-silver-price-today-weekly-rise-city-wise-rates</guid><pubDate>Sun, 26 Jul 2026 11:35:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જો તમે સોનું કે ચાંદી ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે જરૂરી છે. છેલ્લા એક અઠવાડિયામાં સોના અને ચાંદી બંનેની કિંમતોમાં સારો એવો ઉછાળો જોવા મળ્યો છે. જ્યાં 24 કેરેટ સોનું લગભગ 1,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘું થયું છે, ત્યાં 22 કેરેટ સોનાનો ભાવ 1,650 રૂપિયા સુધી વધી ગયો છે. બીજી તરફ, ચાંદીની કિંમતમાં એક સપ્તાહ દરમિયાન 10,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો વધારો નોંધાયો છે.</p><h2 style="text-align: justify; "><b>આજે શું છે સોનાનો તાજો ભાવ?</b></h2><p style="text-align: justify; ">26 જુલાઈની સવારે જારી કિંમતો અનુસાર, રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનું 1,45,080 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેપાર કરી રહ્યું છે. 22 કેરેટ સોનાનો ભાવ 1,33,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જો મુંબઈની વાત કરીએ તો અહીં 24 કેરેટ સોનાની કિંમત 1,44,930 રૂપિયા અને 22 કેરેટ સોનું 1,32,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેચાઈ રહ્યું છે. ચેન્નાઈમાં 24 કેરેટ સોનું 1,45,090 રૂપિયા અને 22 કેરેટ સોનું 1,33,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. પુણે, બેંગલુરુ અને કોલકાતામાં પણ સોનાની કિંમત લગભગ મુંબઈ જેટલી જ બનેલી છે. જોકે, શુક્રવારે દિલ્હી ઝવેરી બજારમાં 99.9 ટકા શુદ્ધતા વાળા સોનાની કિંમતમાં લગભગ 2,000 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. આ છતાં આખા સપ્તાહના હિસાબે સોનાના ભાવ હજુ પણ વધારામાં છે.<br><h2><b>મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)</b></h2></p><table class="table table-bordered" style="text-align: justify;"><tbody><tr><td><b>શહેર</b></td><td><b>24 કેરેટ સોનાની કિંમત</b></td><td><b>22 કેરેટ સોનાની કિંમત</b></td></tr><tr><td>દિલ્હી</td><td>1,45,080</td><td>1,33,000</td></tr><tr><td>મુંબઈ</td><td>1,44,930</td><td>1,32,850</td></tr><tr><td>કોલકાતા</td><td>1,44,930</td><td>1,32,850</td></tr><tr><td>ચેન્નઈ</td><td>1,45,090</td><td>1,33,000</td></tr><tr><td>અમદાવાદ</td><td>1,44,980</td><td>1,32,900</td></tr><tr><td>રાજકોટ</td><td>1,44,980</td><td>1,32,900</td></tr></tbody></table><h3 style="text-align: justify; "><b>ચાંદી પણ થઈ મોંઘી</b></h3><p style="text-align: justify; ">સોનાની સાથે-સાથે ચાંદીની કિંમતોમાં પણ તેજી બનેલી છે. 26 જુલાઈએ દેશમાં ચાંદીનો ભાવ 2,40,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગયો. એટલે કે છેલ્લા એક સપ્તાહમાં ચાંદી લગભગ 10,000 રૂપિયા પ્રતિ કિલો મોંઘી થઈ છે. જોકે, ઇન્દોર ઝવેરી બજારમાં 25 જુલાઈએ ચાંદીની કિંમતમાં 500 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો હળવો ઘટાડો નોંધાયો અને સરેરાશ ભાવ 2,22,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યો.</p><h4 style="text-align: justify; "><b>આંતરરાષ્ટ્રીય બજારની શું સ્થિતિ છે?</b></h4><p style="text-align: justify; ">વૈશ્વિક બજારમાં પણ કિંમતી ધાતુઓની કિંમતો ઊંચા સ્તરે બનેલી છે. સ્પૉટ ગોલ્ડની કિંમત લગભગ 4,052.78 ડૉલર પ્રતિ ઔંસ છે, જ્યારે સ્પૉટ સિલ્વર 58.11 ડૉલર પ્રતિ ઔંસની આસપાસ વેપાર કરી રહી છે.</p><h4 style="text-align: justify; "><b>કેમ બદલાય છે સોના-ચાંદીના ભાવ?</b></h4><p style="text-align: justify; ">ભારતમાં સોના અને ચાંદીની કિંમતો ફક્ત ઘરેલુ માંગ પર જ નિર્ભર નથી કરતી. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા માલની કિંમત, ડૉલર સામે રૂપિયાની ચાલ, મધ્યસ્થ બેંકોની નીતિઓ, વ્યાજ દરો, વૈશ્વિક આર્થિક સ્થિતિ અને રોકાણકારોની ખરીદી જેવા ઘણા પરિબળો તેના ભાવ નક્કી કરે છે. આ જ કારણ છે કે ઘણીવાર આંતરરાષ્ટ્રીય બજારમાં ઉતાર-ચઢાવની અસર ભારતીય બજારમાં પણ જોવા મળે છે. જો તમે રોકાણ અથવા જ્વેલરી ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો ખરીદી કરતા પહેલા તમારા શહેરનો તાજો દર જરૂર ચકાસી લો.</p><h6 style="text-align: justify; "><b>Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.</b></h6><p style="text-align: justify; "><a href="https://sandesh.com/business/news/world/why-diet-coke-price-increased-in-india-reasons" target="_blank">આ પણ વાંચો-Diet Coke Price Hike : ભારતમાં મોંઘી કેમ થઈ Diet Coke? જાણો શું છે તેની પાછળનું કારણ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/26/sag36thRNWpXqgKwxJZasNfXWEfJ328N88AmJCx8.webp'/></item></channel></rss>