<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Morbi: ટંકારાના ડેમી-2 ડેમમાંથી 125 MCFT પાણી છોડાયું, હેઠવાસના 10 ગામોના ચેકડેમ ભરાશે ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/morbi/tankara-demi-2-dam-gate-opened-125-mcft-water-released-for-10-villages</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/morbi/tankara-demi-2-dam-gate-opened-125-mcft-water-released-for-10-villages</guid><pubDate>Thu, 30 Jul 2026 12:41:51 +05:30</pubDate><description><![CDATA[<p>મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલો જળસંચયનો મુખ્ય સ્ત્રોત એવો ડેમી-2 ડેમ ફરી એકવાર હેઠવાસના ગ્રામીણ વિસ્તારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે. ટંકારા અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં આવેલ ચેકડેમો અને તળાવોમાં પાણીના સ્તર જાળવી રાખવા માટે સિંચાઈ વિભાગ અને જિલ્લા પ્રશાસન દ્વારા ડેમી-2 ડેમમાંથી પાણી છોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ, હાલ ડેમી- 2 ડેમમાં 197 MCFT જેટલો જળજથ્થો સંગ્રહિત છે. આ જળરાશિમાંથી કુલ 125 MCFT પાણી ધીમે-ધીમે નીચાણવાળા વિસ્તારો તરફ વહેતું કરવાનું આયોજન ઘડવામાં આવ્યું છે.</p><h2><b>514 ક્યુસેક પાણી વહેતું કરાયું</b></h2><p>આ યોજનાના ભાગરૂપે ગુરુવારે તંત્ર દ્વારા ડેમી-૨ ડેમનો 1 દરવાજો 1 ફૂટ સુધી ખોલીને ૫૧૪ ક્યુસેક પાણી ડેમી નદીના પટમાં છોડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ પાણી વહેતું થતાં જ હેઠવાસમાં આવેલા સળંગ 10 જેટલા ગામોના બિસ્માર કે ખાલી થયેલા ચેકડેમો અને તળાવો ભરાઈ જશે, જેનાથી સ્થાનિક ખેડૂતોને સિંચાઈ માટે અને પશુપાલકો માટે ભારે રાહત થશે.</p><h3><b>10 ગામોને એડવાઇઝરી અને સાવચેતી</b></h3><p>ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી પૂર અને અકસ્માત જેવી સ્થિતિ ન સર્જાય તે માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેઠવાસમાં આવતા નસીતપર, રામપર સહિતના તમામ 10 ગામોના સરપંચો અને ગ્રામજનોને સાવચેત કરી દેવામાં આવ્યા છે. મામલતદાર અને સિંચાઈ વિભાગ દ્વારા ગ્રામજનો, માછીમારો અને પશુપાલકોને ડેમી નદીના પટમાં ન જવા, પોતાના ઢોર-ઢાંખરને નદી કાંઠેથી દૂર રાખવા અને સાવચેતીના તમામ પ્રોટોકોલ જાળવવા માટે કડક સૂચના આપવામાં આવી છે. ડેમ પર સિંચાઈ વિભાગના એન્જિનિયરો અને કર્મચારીઓ દ્વારા પાણીના વહણ અને લેવલ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/vadodara/manjalpur-code-of-conduct-violation-allegations-bjp-congress-ward-president-detained" target="_blank">આ પણ વાંચો: Vadodara: માંજલપુરમાં ભાજપ સામે આચારસંહિતા ભંગનો આરોપ, કોંગ્રેસ વોર્ડ પ્રમુખની ડિટેઇન કરાતાં બબાલ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/AmNUp9nEjVzfDlMnn4eQJYMskz4pzK4sGBkG5Vb2.webp'/></item><item><title><![CDATA[Borsad નગરપાલિકાની બોર્ડ બેઠકમાં ભારે હોબાળો, માત્ર 5 જ મિનિટમાં બેઠક સમેટી લેવાતાં રોષ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/borsad/huge-uproar-in-borsad-municipality-board-meeting-anger-as-meeting-ends-in-just-5-minutes</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/borsad/huge-uproar-in-borsad-municipality-board-meeting-anger-as-meeting-ends-in-just-5-minutes</guid><pubDate>Thu, 30 Jul 2026 12:32:39 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોરસદ નગરપાલિકાની સામાન્ય બોર્ડ બેઠકમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો. સત્તાધારી પક્ષ દ્વારા માત્ર 5 જ મિનિટના ટૂંકા સમયગાળામાં સમગ્ર બેઠક પૂર્ણ કરી દેવામાં આવતાં વિરોધ પક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. એજન્ડા પરના તમામ કામો વંચાણે લીધા વગર કે કોઈ પણ પ્રકારની ચર્ચા કર્યા વિના જ ઉતાવળે મંજૂર કરી દેવામાં આવ્યા હોવાનો આરોપ સામે આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>સુધારા ધ્યાને ન લેવાતાં સત્તાપક્ષ સામે વિપક્ષનો આક્રોશ</b></h2><p style="text-align: justify; ">બોર્ડ બેઠક દરમિયાન વિરોધ પક્ષના કાઉન્સિલરો દ્વારા રજૂ કરવામાં આવેલા સુધારાઓને પણ તદ્દન નજરઅંદાજ કરવામાં આવ્યા હતા. સત્તાધારી પક્ષના કાઉન્સિલરોએ કોઈપણ મુદ્દા પર તંદુરસ્ત ચર્ચા કરવાની જગ્યાએ મનસ્વીપણે બેઠક આટોપી લેતાં વિપક્ષે નગરપાલિકા હોલમાં જ વિરોધ નોંધાવ્યો હતો અને સત્તાપક્ષની કાર્યશૈલી સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>"લોકશાહીનું હનન થઈ રહ્યું છે": વિપક્ષના ગંભીર આરોપો</b></h3><p style="text-align: justify; ">બેઠક બાદ વિરોધ પક્ષે બોર્ડની કામગીરીને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. વિપક્ષી નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે સત્તાધીશો દ્વારા નગરપાલિકામાં ખુલ્લેઆમ લોકશાહીનું હનન કરવામાં આવી રહ્યું છે. શહેર અને નગરજનોના હિતના કોઈ પણ કામ પર ચર્ચા કરવામાં આવતી નથી અને પ્રજાના પ્રશ્નોને નેવે મૂકીને સત્તાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-news-leopard-terror-in-bhoyra-village-of-vinchiya-killed-6-sheep-and-1-calf-in-a-single-night" target="_blank">Rajkot News : વિંછીયાના ભોયરા ગામમાં દીપડાનો આતંક, એક જ રાતમાં 6 ઘેટાં અને 1 વાછરડીનું મારણ કર્યું</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/progRWilnyW4DKz2amudWUYE3C6qOcx49T5RNIZK.webp'/></item><item><title><![CDATA[Vadodara: માંજલપુરમાં ભાજપ સામે આચારસંહિતા ભંગનો આરોપ, કોંગ્રેસ વોર્ડ પ્રમુખની ડિટેઇન કરાતાં બબાલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/manjalpur-code-of-conduct-violation-allegations-bjp-congress-ward-president-detained</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/manjalpur-code-of-conduct-violation-allegations-bjp-congress-ward-president-detained</guid><pubDate>Thu, 30 Jul 2026 12:29:50 +05:30</pubDate><description><![CDATA[<p>વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કા બાદ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. નિયમ મુજબ પ્રચાર-પ્રસારના પડઘમ શાંત થઈ ગયા બાદ પણ સત્તાધારી ભાજપ દ્વારા આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ કરીને મતદારો સંપર્ક અને પ્રચાર ચાલુ રખાયો હોવાનો ગંભીર આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.</p><h2><b>માંજલપુરમાં આચારસંહિતા ભંગ મુદ્દે ધમાસાણ</b></h2><p>આ સમગ્ર મામલે માંજલપુર વિસ્તારમાં કોંગ્રેસના સ્થાનિક કાર્યકરો અને નેતાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ દ્વારા ચૂંટણી પંચના નિયમોને નેવે મૂકીને પ્રચાર ચાલુ રાખવામાં આવ્યો હતો, જેના સ્ટીલ ફોટોગ્રાફ્સ અને વિડિયો પણ તેમની પાસે ઉપલબ્ધ છે.</p><h3><b>ફરિયાદી નેતાની જ અટકાયત કરાતાં વિવાદ&nbsp;</b></h3><p>આચારસંહિતા ભંગ અંગેના પુરાવા લઈને ચૂંટણી પંચ અને પોલીસ તંત્ર સમક્ષ વિધિવત ફરિયાદ કરવા ગયેલા કોંગ્રેસના સ્થાનિક વોર્ડ પ્રમુખની જ પોલીસે અટકાયત કરી લીધી હતી. આ ઘટનાને પગલે કોંગ્રેસી કાર્યકરોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, "નિયમભંગ કરનાર ભાજપના નેતાઓ સામે પગલાં લેવાને બદલે રજૂઆત કરવા ગયેલા વિપક્ષી નેતાની જ અટકાયત કરીને તંત્ર કોના ઈશારે કામ કરી રહ્યું છે તે સાબિત થઈ ગયું છે."</p><h4><b>ચૂંટણી પંચ અને પોલીસની તટસ્થતા સામે સવાલો</b></h4><p>માંજલપુરમાં બનેલી આ ઘટના બાદ વડોદરા કોંગ્રેસે સ્થાનિક પોલીસ અને ચૂંટણી પંચની તટસ્થતા સામે આકરા સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસ નેતાઓએ જણાવ્યું હતું કે, ભાજપ ચૂંટણીમાં પોતાની હાર ભાળી ગયું હોવાથી સરકારી મશીનરી અને વહિવટી તંત્રનો દુરુપયોગ કરી રહ્યું છે. વિડિયો અને ફોટા જેવા નક્કર પુરાવાઓ સોંપવા છતાં પણ કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી, જે મુક્ત અને ન્યાયી ચૂંટણીની પ્રક્રિયા પર મોટું પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરે છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-1899-student-suicides-in-three-years-educationist-mn-patel-expresses-concern" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: ગુજરાતમાં 3 વર્ષમાં 1,899 વિદ્યાર્થીઓએ ટૂંકાવ્યું જીવન, દરેક યુનિવર્સિટી અને કોલેજમાં સાયકોલોજિસ્ટની નિમણૂંક જરૂરી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/BbkH7KPXLWG5eHAd7byL5K4nU9HZ9wm1dyxbeAmv.webp'/></item><item><title><![CDATA[Taarak Mehta માટે 2 વર્ષ સુધી માથાના વાળ કપાવતા રહ્યા જેઠાલાલના બાપુજી! અસિત મોદીએ કર્યો મોટો ખુલાસો! ]]></title><link>https://sandesh.com/entertainment/news/taarak-mehta-amit-bhatt-bapuji-hair-story</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/taarak-mehta-amit-bhatt-bapuji-hair-story</guid><pubDate>Thu, 30 Jul 2026 12:20:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સોની ટીવીનો સૌથી લોકપ્રિય અને જૂનો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને 18 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. 28 જુલાઈ 2008ના રોજ શરૂ થયેલા આ શોએ અત્યાર સુધી દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી રાખી છે. શોના તમામ કલાકારો દર્શકો માટે ખાસ છે, જોકે જ્યારે વાત બાપુજી અને જેઠાલાલની આવે છે, ત્યારે સૌ તેમને ખૂબ પ્રેમ આપે છે. પરંતુ શું તમે જાણો છો કે બાપુજીનું પાત્ર ભજવવા માટે અમિત ભટ્ટે 2 વર્ષ સુધી પોતાના માથાના વાળ કપાવતા રહ્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>અસિત મોદીએ કર્યો ખુલાસો</b></h2><p style="text-align: justify; ">તાજેતરમાં શોના 18 વર્ષ પૂર્ણ થવા પર નિર્માતાઓએ એક શાનદાર ઉજવણીનું આયોજન કર્યું હતું, જેમાં મીડિયા સામે આખી ટીમ હાજર રહી હતી અને સૌએ પોતાના દિલની વાત કરી હતી. આ દરમિયાન અસિત કુમાર મોદીએ જણાવ્યું કે અભિનેતા અમિત ભટ્ટે જેઠાલાલના બાપુજીનું પાત્ર ભજવવા માટે લગભગ 2 વર્ષ સુધી પોતાના માથાના વાળ કપાવતા રહ્યા હતા. જોકે, બાદમાં પોતાના વાળ છુપાવવા માટે તેમણે ટોપી પહેરવાનું શરૂ કર્યું હતું.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbX7cz6w0bu/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbX7cz6w0bu/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbX7cz6w0bu/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbX7cz6w0bu/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h3 style="text-align: justify; "><b>દિલીપ જોશીને પસંદ હતું બાપુજીનું પાત્ર</b></h3><p style="text-align: justify; ">બીજી તરફ, દિલીપ જોશીએ બાપુજીના પાત્ર વિશે જણાવ્યું કે તેમની પાસે ચંપકલાલ અને જેઠાલાલમાંથી કોઈ એક પાત્ર પસંદ કરવાની સ્વતંત્રતા હતી. તેમને બાપુજીનું પાત્ર પસંદ હતું, પરંતુ આ પાત્ર માટે એવા કલાકારની જરૂર હતી, જે ઉંમરમાં મોટા દેખાઈ શકે અને તેઓ એવા દેખાતા નહોતા. આ કારણે તેમણે જેઠાલાલનું પાત્ર પસંદ કર્યું, જે તેમની ઓળખ બની ગયું.</p><h3 style="text-align: justify; "><b>18 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે શો</b></h3><p style="text-align: justify; ">શોની શરૂઆતમાં અમિત ભટ્ટ ટોપી વગર જોવા મળતા હતા, જેમાં તેમના માત્ર બાજુના સફેદ વાળ દેખાતા હતા. જોકે, થોડા વર્ષો બાદ તેમણે ગાંધી ટોપી પહેરવાનું શરૂ કર્યું, જેથી તેમના વાળ છુપાવી શકાય. ગાંધી ટોપીમાં તેમની વ્યક્તિત્વ વધુ આકર્ષક લાગવા લાગ્યું અને સૌએ તેમને ખૂબ પ્રેમ આપ્યો. શોના 18 વર્ષના આ સફરમાં ઘણા પાત્રો આવ્યા અને ગયા, પરંતુ દર્શકોની ખુશી આજે પણ ઓછી થઈ નથી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/maran-gujarati-film-national-film-award" target="_blank">આ પણ વાંચો-Maranને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, ગુજરાતી સિનેમાએ ફરી દેશભરમાં વધાર્યું ગૌરવ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/K9ry8pALEuKt53DosOMHGqZ8hKHIO79CMWJHApvE.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: ગુજરાતમાં 3 વર્ષમાં 1,899 વિદ્યાર્થીઓએ ટૂંકાવ્યું જીવન, દરેક યુનિવર્સિટી અને કોલેજમાં સાયકોલોજિસ્ટની નિમણૂંક જરૂરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-1899-student-suicides-in-three-years-educationist-mn-patel-expresses-concern</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-1899-student-suicides-in-three-years-educationist-mn-patel-expresses-concern</guid><pubDate>Thu, 30 Jul 2026 12:19:11 +05:30</pubDate><description><![CDATA[<p>યુવા પેઢીમાં વધી રહેલું માનસિક દબાણ અને આત્મહત્યાનું પ્રમાણ હવે સમાજ તેમજ શિક્ષણ જગત માટે લાલબત્તી સમાન બની ગયું છે. તાજેતરમાં જાહેર થયેલા સત્તાવાર આંકડા મુજબ ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષના સમયગાળામાં 1,899 જેટલા હોનહાર વિદ્યાર્થીઓએ વિવિધ કારણોસર આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.</p><h2><b>ગુજરાતમાં&nbsp; વિદ્યાર્થી આપઘાતના ભયાનક આંકડાઓ</b></h2><p>વિદ્યાર્થી આપઘાતના આ ભયાનક આંકડાઓ સામે આવ્યા બાદ દેશના અગ્રણી શિક્ષણવિદ અને ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ એમ. એન. પટેલ નું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે સ્વીકાર્યું હતું કે, "આ વાત સદંતર સાચી છે કે યુવાનો અને વિદ્યાર્થીઓમાં આપઘાતના કિસ્સા સતત વધી રહ્યા છે, અને આ માટે એક નહીં પરંતુ અનેક જટિલ કારણો જવાબદાર છે."</p><h3><b>એકેડેમિક બોજ અને બદલાતી જીવનશૈલી</b></h3><p>શિક્ષણવિદ એમ. એન. પટેલે વિદ્યાર્થીઓના માનસિક તણાવના મુખ્ય કારણો વર્ણવતાં જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓની ક્લાસમાં હાજરી ઓછી રહેતી હોય છે અને જ્યારે પરીક્ષા નજીક આવે ત્યારે તેના પરિણામ અને સિલેબસનું ભારે ટેન્શન ઊભું થાય છે. આ સિવાય આજનો યુવાન સામાજિક રીતે એકલવાયું જીવન જીવી રહ્યો છે. ફેમિલી સપોર્ટ સિસ્ટમ ઓછી થવી, પર્સનલ રિલેશનશિપમાં તણાવ અને બદલાતી જીવનશૈલીમાં 'લિવ-ઇન રિલેશનશિપ' જેવા નિર્ણયો પણ જ્યારે નિષ્ફળ જાય છે ત્યારે તે વિદ્યાર્થી માનસિક રીતે ભાંગી પડે છે અને આ તમામ પરિબળો મળીને અભ્યાસ પર અસહ્ય ભાર ઊભો કરે છે.</p><h4><b>UGC નો સાયકોલોજિસ્ટ રાખવા અંગેનો આદેશ</b></h4><p>વિદ્યાર્થીઓમાં વધતા જતાં ડિપ્રેશન અને આત્મહત્યાના કિસ્સા અટકાવવા માટે જ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા દેશની તમામ યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને કેમ્પસમાં કાયમી 'સાયકોલોજિસ્ટ' (માનસિક વિજ્ઞાનના તબીબ/કાઉન્સિલર) રાખવા માટે સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી છે. શિક્ષણવિદોનું માનવું છે કે જો યોગ્ય સમયે વિદ્યાર્થીને કાઉન્સિલિંગ મળે અને તેના મનનો ભાર હળવો કરવામાં આવે તો આવા અનેક કિંમતી જીવ બચાવી શકાય તેમ છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/lcb-zone-7-busts-purse-snatching-gang-4-arrested-including-two-minors" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: LCB ઝોન-7 એ 2 સગીર સહિત 4 પર્સ સ્નેચરોને દબોચ્યા, 9 ગુનાનો ભેદ ઉકેલાયો</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/dhfgO8XVD18QP741GzS8C0afwT2B3OEOt5KRbap3.webp'/></item><item><title><![CDATA[Ram Mandir Donation Scam: રામ મંદિરના CEO પહેલા સચિવની નિયુક્તિ, જાણો કોણ છે જગદીશ આફલે ]]></title><link>https://sandesh.com/india/news/ram-mandir-donation-scam-ram-mandir-ceo-appoints-first-secretary-know-who-is-jagdish-affle</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ram-mandir-donation-scam-ram-mandir-ceo-appoints-first-secretary-know-who-is-jagdish-affle</guid><pubDate>Thu, 30 Jul 2026 12:17:28 +05:30</pubDate><description><![CDATA[<p>અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરીની ઘટના બાદ સંગઠનાત્મક ફેરફારોના ભાગ રૂપે, મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) ની આગળ એક સચિવની નિમણૂક કરવામાં આવી છે. જગદીશ આફલેને પ્રથમ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રવક્તા માટે પસંદગી પ્રક્રિયા પણ ચાલી રહી છે. ઘણા નામો પર ચર્ચા થઈ છે અને ટૂંક સમયમાં આ અંગે જાહેરાત થવાની અપેક્ષા છે.&nbsp;</p><h2><b>જગદીશ આફલેને બનાવ્યા સચિવ&nbsp;</b></h2><p>જગદીશ આફલેની નિમણૂકની સત્તાવાર જાહેરાત 2 સપ્ટેમ્બરના રોજ ટ્રસ્ટની બેઠક દરમિયાન કરવામાં આવશે. ટ્રસ્ટે આફલેને તેના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ખાતા માટે સહીકર્તા તરીકે પણ નિયુક્ત કર્યા છે. ચંપત રાય અને ડૉ. અનિલ મિશ્રાના રાજીનામા બાદ સહીકર્તાની ભૂમિકા અંગે મડાગાંઠ હતી.</p><h3><b>કોણ છે જગદીશ આફલે ?&nbsp;</b></h3><ul><li>આફલે બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે સંકળાયેલા છે.&nbsp;</li><li>વ્યવસાયે એન્જિનિયર, રામ મંદિરનું બાંધકામ શરૂ થયું ત્યારે તેમણે પગાર વિના પ્રોજેક્ટ મેનેજરની જવાબદારી સંભાળી.</li><li>મહારાષ્ટ્રના પુણેથી આવેલા, આફલે IIT બોમ્બેમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં B.Tech અને M.Tech પૂર્ણ કર્યું.</li><li>&nbsp;તેમણે વિવિધ બહુરાષ્ટ્રીય કંપનીઓ માટે કામ કર્યું, ઘણા યુરોપિયન દેશો તેમજ યુએસ સ્થિત કંપનીમાં સેવા આપી. નિવૃત્તિ પછી તેઓ ભારત પાછા ફર્યા.&nbsp;</li><li>કોર્ટના ચુકાદા પછી મંદિર બાંધકામ શરૂ થયું ત્યારથી, તેઓ RSS વતી પ્રોજેક્ટ મેનેજર તરીકે સેવા આપી રહ્યા છે.</li><li>&nbsp;ત્યારથી તેઓ તેમની પત્ની સાથે તીર્થ ક્ષેત્ર સંકુલમાં રહે છે.</li></ul><p><h3><b>CEO પદ માટે 5,200 અરજીઓ</b></h3></p><p>&nbsp;નિવૃત્ત ન્યાયાધીશ પ્રમોદ કોહલીની આગેવાની હેઠળની સમિતિ હાલમાં  સીઇઓ માટેની અરજીઓની તપાસ અને શોર્ટલિસ્ટ કરી રહી છે. જો કે, પ્રક્રિયામાં થોડો સમય લાગવાની અપેક્ષા છે. આને ધ્યાનમાં રાખીને, સચિવનું નવું પદ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 2 સપ્ટેમ્બરના રોજ મળેલી બેઠકમાં કારોબારી સમિતિની મંજૂરી બાદ, નિયુક્ત વ્યક્તિઓ તેમની સંબંધિત જવાબદારીઓ સંભાળશે.</p><p>દરમિયાન, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) વચ્ચે ખાતાઓના સંચાલન અંગેના મડાગાંઠને ઉકેલવા તરફ નોંધપાત્ર પ્રગતિ થઈ છે. ટ્રસ્ટે જગદીશ આફલેને અધિકૃત સહીકર્તા તરીકે નિયુક્ત કરતો એક નવો ઠરાવ પસાર કર્યો છે અને તેને SBIને મોકલી આપ્યો છે. ઔપચારિક મંજૂરી બાદ, બેંકે ખાતાના સંચાલન શરૂ કરી દીધા છે.</p><p><br></p><p><b style="font-size: 1.75rem;">ઠરાવ પસાર કરીને જગદીશ અફલેના નામ પર સર્વસંમતિ&nbsp;</b></p><p>6 જુલાઈના રોજ ટ્રસ્ટની બેઠક દરમિયાન તત્કાલીન જનરલ સેક્રેટરી ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાના રાજીનામા સ્વીકારાયા પછી અધિકૃત સહીકર્તાઓમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરિણામે, વચગાળાના જનરલ સેક્રેટરી કૃષ્ણ મોહન અને ભૂતપૂર્વ એન્જિનિયર જગદીશ આફલેના નામ બેંકને સુપરત કરવામાં આવ્યા હતા. જોકે, ટ્રસ્ટ ડીડમાં જોગવાઈઓનો ઉલ્લેખ કરીને, SBI એ એ હકીકત અંગે વાંધો ઉઠાવ્યો કે જગદીશ અફલે ટ્રસ્ટી નથી અને આ બાબતે કાનૂની અભિપ્રાય માંગ્યો. આના કારણે ખાતાના સંચાલનમાં કામચલાઉ અવરોધ સર્જાયો.</p><p><br></p><p>સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રસ્ટમાં આ બાબતની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહામંત્રી કૃષ્ણ મોહને જણાવ્યું હતું કે ટ્રસ્ટે એક નવો ઠરાવ પસાર કર્યો હતો . જગદીશ અફલેના નામ પર સર્વસંમતિને પુષ્ટિ આપી હતી - અને તે ઠરાવ બેંકમાં મોકલાયો હતો.&nbsp;</p><p>&nbsp;</p><h4><b>પગાર અને ચુકવણી પર અસર</b></h4><p><br></p><p>ખાતા કામગીરીમાં વિક્ષેપથી ટ્રસ્ટની નાણાકીય પ્રવૃત્તિઓ પર પણ અસર પડી હતી. જૂન મહિના માટે આશરે 1,000 કર્મચારીઓના પગાર સમયસર ચૂકવી શકાયા ન હતા. વધુમાં, ટ્રસ્ટ સાથે સંકળાયેલી વિવિધ આઉટસોર્સિંગ એજન્સીઓને ચૂકવણી પણ પ્રભાવિત થઈ હતી. જોકે, SBIના ચીફ જનરલ મેનેજર દીપેશ રાજે જણાવ્યું હતું કે SBI અને ટ્રસ્ટ વચ્ચે કોઈ વિવાદ નથી, નોંધ્યું હતું કે ટ્રસ્ટના ખાતાઓ સાથે સંકળાયેલા તમામ વ્યવહારો SBI દ્વારા સંભાળવામાં આવી રહ્યા હતા.</p><p><br></p><p><a href="https://sandesh.com/india/news/dharmendra-pradhan-resigns-dharmendra-pradhan-resigns-from-the-post-of-education-minister-cjp-protest-delhi-police-jantar-mantar-sonam-wangchukl" target="_blank">આ પણ વાંચો: Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણમંત્રી પદેથી આપ્યુ રાજીનામુ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/g0BmhackT63WKEQkYJ5jg59Mfw3ARYrMNc6m67vW.webp'/></item><item><title><![CDATA[Badrinath Templeમાં ચોરી કાંડમાં ખુલાસો, આરોપીના રૂમમાંથી મળ્યો ખજાનો ]]></title><link>https://sandesh.com/india/news/badrinath-temple-prasad-scam--sit-recovers-cash</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/badrinath-temple-prasad-scam--sit-recovers-cash</guid><pubDate>Thu, 30 Jul 2026 12:11:50 +05:30</pubDate><description><![CDATA[<p>Badrinath Temple Prasad Scam: ઉત્તરાખંડના પ્રખ્યાત બદ્રીનાથ ધામમાં ભક્તો દ્વારા ચઢાવવામાં આવતા પ્રસાદ અંગે કથિત ગેરરીતિઓની તપાસ તેજ બની છે. ખાસ તપાસ ટીમ (SIT) એ આ કેસમાં મોટી સફળતા મેળવી છે. ટીમે મુખ્ય આરોપી, બદ્રી-કેદાર મંદિર સમિતિ (BKTC) ના ભૂતપૂર્વ અંગત સહાયક, પ્રમોદ નૌટિયાલના બદ્રીનાથ સ્થિત સરકારી નિવાસસ્થાનમાંથી મંદિર માટે બનાવાયેલ કિંમતી પ્રસાદ અને મોટી રકમ રોકડ જપ્ત કરી છે. તપાસ ટીમ આરોપીને પોલીસ રિમાન્ડ પર બદ્રીનાથ લાવી હતી, અને તેમણે આપેલી માહિતીના આધારે રિકવરી કામગીરી હાથ ધરવામાં આવી હતી. તપાસમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે સમગ્ર રિકવરી પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવી હતી.</p><h4><b>નીલકંઠ ગેસ્ટ હાઉસ રૂમમાં મહત્વપૂર્ણ પુરાવા મળ્યા</b></h4><p>SIT એ બદ્રીનાથમાં નીલકંઠ VVIP ગેસ્ટ હાઉસના પહેલા માળે સ્થિત આરોપી, પ્રમોદ નૌટિયાલના સરકારી નિવાસસ્થાનની શોધખોળ કરી, તેને તાળું ખોલ્યા પછી. શોધ દરમિયાન, મંદિર માટે બનાવાયેલ કિંમતી ભેટો અને રૂમમાંથી ₹500 ની નોટો સહિત મોટી રકમ રોકડ મળી આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ પૂછપરછ દરમિયાન કબૂલ્યું હતું કે તે કેટલીક વસ્તુઓ પોતાની સાથે લઈ ગયો હતો. SIT હવે જપ્ત કરાયેલી વસ્તુઓ અને દસ્તાવેજોના આધારે કેસની વિગતો એકત્રિત કરવાનું કામ કરી રહી છે.</p><h4><b>દહેરાદૂનના નિવાસસ્થાન પર દરોડા; સંપત્તિ અને બેંક ખાતાઓની તપાસ</b></h4><p>બદ્રીનાથમાં કાર્યવાહીની સાથે જ, SITની બીજી ટીમે દહેરાદૂનના નહેરુ કોલોનીમાં પ્રમોદ નૌટિયાલના ખાનગી નિવાસસ્થાન પર દરોડો પાડ્યો હતો. પરિસરમાંથી સંપત્તિ, બેંક ખાતા અને નાણાકીય વ્યવહારો સંબંધિત દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. તપાસ એજન્સીઓ હવે એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે કે મંદિરના પ્રસાદમાંથી મળેલા કથિત ભંડોળનો ઉપયોગ મિલકત ખરીદવા માટે કરવામાં આવ્યો હતો કે અન્ય રોકાણો માટે.</p><h4><b>પ્રસાદમાં ₹36 કરોડ અને CCTV દેખરેખ અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા&nbsp;</b></h4><p>તપાસમાં જાણવા મળ્યું છે કે બદ્રીનાથ મંદિરમાં દાનપેટીઓની 2 જુલાઈ સુધી 34 વખત ગણતરી કરવામાં આવી હતી, જેમાં આશરે ₹36 કરોડની રોકડ રકમ નોંધાઈ હતી. પ્રારંભિક તબક્કામાં, લગભગ ₹23 કરોડની ગણતરી પૂર્ણ થઈ ગઈ હતી. SIT હવે 21 જૂન પછીના CCTV ફૂટેજ, દાન ગણતરી પ્રક્રિયા અને દેખરેખ પ્રણાલીની તપાસ કરી રહી છે. સતત દેખરેખ છતાં કથિત ગેરરીતિ કેવી રીતે ચાલુ રહી તે અંગે પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.</p><h4><b>ઘણા કર્મચારીઓનો સમાવેશ થાય છે તેની તપાસમાં વધારો</b></h4><p>પ્રસાદ સંચાલનમાં સામેલ કર્મચારીઓની ભૂમિકા પણ તપાસ હેઠળ છે. દાફેદાર (એટેન્ડન્ટ્સ), સીસીટીવી મોનિટરિંગ સ્ટાફ, સ્ટોર ઇન્ચાર્જ, સિનિયર આસિસ્ટન્ટ્સ અને એકાઉન્ટ્સ ક્લાર્ક સહિત અનેક વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. ચમોલી પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ પાસેથી મળેલી માહિતીના આધારે અન્ય શંકાસ્પદ સ્થળોએ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તપાસ એજન્સીઓ આ સમગ્ર નેટવર્કમાં સામેલ અન્ય લોકોને ઓળખવાનો પ્રયાસ કરી રહી છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/delhi-weather-august-2026--heavy-rain-forecast-in-delhi-ncr--up--punjab-from-1-aug-2026" target="_blank"><b>Weather Update: દિલ્હી, યુપીથી બિહાર સુધી 16 રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ, હવામાન વિભાગે કરી આગાહી</b></a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/4hHng1VX3Ua80GeJ5UrMBbUgZPhnBAmwu5y7S7oN.webp'/></item><item><title><![CDATA[વાંચો સવારે 08થી બપોરે 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/today-top-breaking-news-bulletin-gujarat-india-read-important-news-from-08-am-to-12-pm-30-july-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/today-top-breaking-news-bulletin-gujarat-india-read-important-news-from-08-am-to-12-pm-30-july-2026</guid><pubDate>Thu, 30 Jul 2026 12:02:17 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર&nbsp; &nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/live-monsoon-parliament-session-anti-paper-leak-bill-rajya-sabha-rahul-gandhi-jp-nadda-cjp-protest-mallikarjun-kharge-parliament-today-news-in-gujrati-on-sandesh-digital" target="_blank">1. Live Monsoon Parliament Session: રાજ્યસભામાં 2 વાગે રજૂ થશે એન્ટી પેપરલીક બિલ, લોકસભા સ્થગિત</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/breakingnews/crime/rajkot/rajkot-angadia-pedhi-armed-robbery-19-lakhs-crime-news" target="_blank">2. Rajkot : આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની લૂંટ ચલાવી 2 શખ્સો ફરાર</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/i-am-proud-of-indian-railways--ndash--what-wangchuk-said-about-the-modi-government-" target="_blank">3. NEET Paper Leak: 'મને ભારતીય રેલ્વે પર ગર્વ, આજ રીતે...', મોદી સરકારને લઈને સોનમ વાંગચૂકે શું કહ્યું?</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/crime/surat/kirti-patel-arrested-puna-police-surendranagar-raju-bhammar-defamation-case" target="_blank">4. Surat : વિવાદિત કીર્તિ પટેલની પોલીસે સુરેન્દ્રનગરથી કરી ધરપકડ, વેપારીની બદનક્ષી અને ધમકી મામલે કાર્યવાહી</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/cricket/news/ajinkya-rahanes-emotional-post-on-social-media-announcing-retirement-from-all-formats-of-cricket" target="_blank">5. Ajinkya Rahaneની સોશિયલ મીડિયામાં ભાવુક પોસ્ટ, ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/police-raid-illegal-hookah-bar-in-ahmedabad-21-hookahs-seized-from-vinviks-cafe-in-tragad" target="_blank">6. Ahmedabad News : ગેરકાયદે હુક્કાબાર પર ત્રાટકી પોલીસ, ત્રાગડના VINVIKS કેફેમાંથી 21 હુક્કા જપ્ત</a>&nbsp; &nbsp;</b></p><p><b><br></b></p><p><a href="https://sandesh.com/gujarat/news/-political-news/ahmedabad/gujarat-local-body-by-election-results-bjp-victory-anand-junagadh-halvad" target="_blank" style=""><b>7. Local Body Bypoll Result : ગુજરાત પેટાચૂંટણી પરિણામો: આણંદ, સાબરકાંઠા, હળવદ અને જૂનાગઢમાં ભાજપનો ભવ્ય વિજય, આપ-કોંગ્રેસના સુપડા સાફ</b></a>&nbsp;&nbsp;</p><p><br></p><p><a href="https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-gujarat-heavy-rain-seoc-alert-orders-mamlatdar-disaster-management" target="_blank"><b>8 Monsoon 2026 : ભારે વરસાદની આગાહીને પગલે અધિકારીઓને ઇમરજન્સી આદેશ, જોખમી હોર્ડિંગ્સ ઉતારો અને જર્જરિત મકાનોમાંથી લોકોને ખસેડો</b></a>&nbsp;&nbsp;</p><p><br></p><p><a href="https://sandesh.com/india/news/big-achievement-of-indian-railways-556-lakh-youth-got-jobs-in-12-years" target="_blank"><b>9. Indian Railway ની મોટી ઉપલબ્ધિ, 12 વર્ષમાં 5.56 લાખ યુવાનોને મળી નોકરી</b></a>&nbsp;&nbsp;</p><p><br></p><p><b><a href="https://sandesh.com/entertainment/news/ramayana-trailer-7-powerful-dialogues" target="_blank">10. Ramayana : 'ત્રણેય લોક સામે રાવણનો વધ કરીશ...' રામાયણના આ 7 ડાયલોગ્સે મચાવ્યો તહેલકો!</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/t7NT16xEAhGtOVLPOqrvL8HS73N27rJLgYDLd1ON.webp'/></item><item><title><![CDATA[CWG 2026 Medal Tally: કોમન વેલ્થ ગેમ્સમાં જાણો ભારતનું સ્થાન અને મેડલ ટેબલમાં કોણ ટોચ પર ]]></title><link>https://sandesh.com/sports/news/cwg-2026-medal-tally-know-indias-position-in-the-commonwealth-games-and-who-is-at-the-top-of-the-medal-table</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/cwg-2026-medal-tally-know-indias-position-in-the-commonwealth-games-and-who-is-at-the-top-of-the-medal-table</guid><pubDate>Thu, 30 Jul 2026 11:15:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગ્લાસગો ખાતે રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ માં 29 જુલાઈનો દિવસ ભારત માટે વધુ યાદગાર રહ્યો છે. પેરા એથ્લીટ દિલીપ મહાદુ ગાવિતે પુરુષોની ૧૦૦ મીટર T47 ઈવેન્ટમાં નવો ગેમ્સ રેકોર્ડ બનાવીને ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. બીજી તરફ, સ્ટાર એથ્લીટ મુરલી શ્રીશંકરે પુરુષોની લાંબી કૂદ (Long Jump) માં સતત બીજી વખત કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. આ સાથે જ ભારતે કોમનવેલ્થ ગેમ્સ 2026માં કુલ 15 મેડલ પ્રાપ્ત કરી મેડલ પોઈન્ટ ટેબલમાં 8મું સ્થાન પ્રાપ્ત કર્યું છે.</p><p style="text-align: justify; "><b>ભારત 15 મેડલ સાથે 8માં સ્થાન પર</b></p><p style="text-align: justify; ">દિલીપ મહાદુ ગાવિત અને મુરલી શ્રીશંકરે ઉપરાંત કોમન વેલ્થમાં ભારતીય બોક્સરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું. બોક્સરના સારા પ્રદર્શનના કારણે તેઓએ સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે, જેનાથી ભારત માટે વધુ ૧૦ મેડલ પાકા થઈ ગયા છે. આ નવા સફળ દિવસ બાદ ભારતની કુલ મેડલ સંખ્યા ૧૫ થઈ ગઈ છે. જેમાં ૩ ગોલ્ડ, ૯ સિલ્વર અને ૩ બ્રોન્ઝ મેડલ નો સમાવેશ થાય છે. હાલમાં ભારત મેડલ ટેલીમાં ૮મા સ્થાને છે.</p><ul><li style="text-align: justify;">ભારતના ૩ ગોલ્ડ મેડલ વિજેતા:</li><li style="text-align: justify;">ભારતને અત્યાર સુધી મળેલા ત્રણેય ગોલ્ડ અલગ-અલગ રમતોમાંથી આવ્યા છે:</li><li style="text-align: justify;">મીરાબાઈ ચાનુ – મહિલા ૪૮ કિગ્રા (વેઇટલિફ્ટિંગ)</li><li style="text-align: justify;">શર્મિલા ધનખર – મહિલા શોટ પુટ F57 (પેરા એથ્લેટિક્સ)</li><li style="text-align: justify;">દિલીપ મહાદુ ગાવિત – પુરુષોની ૧૦૦ મીટર T47 (પેરા એથ્લેટિક્સ)</li></ul><p style="text-align: justify; ">આગામી દિવસોમાં એથ્લેટિક્સ, વેઇટલિફ્ટિંગ અને બોક્સિંગની મેચો બાકી હોવાથી ભારતની મેડલ સંખ્યામાં મોટો ઉછાળો આવવાની પૂરી શક્યતા છે.</p><p style="text-align: justify; "><img alt="medal tally" src="https://epapercdn.sandesh.com/images/2026/07/30/jaj59WApLaWk1O5VuUV0NBDN5AT7TzYd01ZuEW6D.webp"><br></p><p style="text-align: justify; "><b>કોમન વેલ્થ મેડલ ટેલીમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ સ્થાને</b></p><p style="text-align: justify; ">મેડલ ટેબલ પર ઓસ્ટ્રેલિયાનો એકચક્રી દબદબો જોવા મળી રહ્યો છે. આ વર્ષ 2026ના કોમનવેલ્થ ગેમ્સમાં ઓસ્ટ્રેલિયા ૪૭ ગોલ્ડ જીતી મેડલ ટેબલમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું. જયારે ગોલ્ડ ઉપરાંત ઓસ્ટ્રિલિયાના ખાતામાં ૨૧ સિલ્વર અને ૩૫ બ્રોન્ઝનો સમાવેશ થાય છે. કુલ ૧૦૩ મેડલ મેળવીને ઓસ્ટ્રેલિયા અનેક દેશોને પાછળ છોડી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.</p><p style="text-align: justify; "><b>મેડલ ટેબલમાં ટોચના 10માં કોણ</b></p><p style="text-align: justify; ">કેનેડા ૧૪ ગોલ્ડ, ૧૧ સિલ્વર અને ૧૪ બ્રોન્ઝ (કુલ ૩૯ મેડલ) સાથે બીજા સ્થાને છે. ઈંગ્લેન્ડ ૧૨ ગોલ્ડ અને કુલ ૫૬ મેડલ સાથે ત્રીજા ક્રમે છે. સ્કોટલેન્ડ (યજમાન): ૯ ગોલ્ડ સહિત ૨૩ મેડલ સાથે ચોથા ક્રમે છે. અન્ય દેશોમાં 5માં સ્થાન પર નાઈજીરીયા ૭ ગોલ્ડ, 2 સિલ્વર, 5 બ્રોન્ઝ, 6 ઠ્ઠા સ્થાન પર દક્ષિણ આફ્રિકા અને 7મા સ્થાન પર મલેશિયા ૭મા ક્રમે છે. ભારત કુલ 15 મેડલની જીત સાથે ૮મા સ્થાને છે, જ્યારે ન્યુઝીલેન્ડ અને જમૈકા પણ ટોપ-૧૦ માં સામેલ છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/sports/news/commonwealth-games-2026-day-8-india-neeraj-chopra" target="_blank">આ પણ વાંચો : CWG 2026: નીરજ ચોપરા એક્શનમાં મળશે જોવા, 8મા દિવસનું સંપૂર્ણ શેડ્યૂલ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/Iql1YwdrFV1GJBCXAud8bf9mHbs1TDGMColQPkzA.webp'/></item><item><title><![CDATA[Gold Silver Price Today: સોનાની સાથે ચાંદી પણ મોંઘી, જાણી લો 10 ગ્રામની શું છે કિંમત ]]></title><link>https://sandesh.com/business/news/gold-silver-price-today-along-with-gold-silver-is-also-expensive-know-what-is-the-price-of-10-grams</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/gold-silver-price-today-along-with-gold-silver-is-also-expensive-know-what-is-the-price-of-10-grams</guid><pubDate>Thu, 30 Jul 2026 10:33:24 +05:30</pubDate><description><![CDATA[<p>આજે દેશમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલની સરખામણીમાં સોનું 0.37% મોંઘુ થયું છે, જ્યારે ચાંદીના ભાવમાં પણ 0.77% નો વધારો જોવા મળ્યો છે. સ્થાનિક બજારમાં, 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ 0.37% વધીને ₹1,42,530 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે.&nbsp;</p><p><b style="font-size: 28px;">આજે સોનાનો ભાવ શું છે?</b></p><p>24 કેરેટ સોનાનો બંધ ભાવ ₹1,42,005 પ્રતિ 10 ગ્રામ હતો, જે ₹525 નો વધારો દર્શાવે છે. આજે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,33,990 પ્રતિ 10 ગ્રામ છે, જે ગઈકાલની સરખામણીમાં ₹495 નો વધારો દર્શાવે છે. દરમિયાન, 18 કેરેટ સોનાનો ભાવ ₹405 નો વધારો દર્શાવે છે આજે, તે ₹1,09,630 પ્રતિ 10 ગ્રામ પર છે.</p><p>જો તમે આજે સોનું કે ચાંદી ખરીદવાનું આયોજન કરી રહ્યા છો, તો ખરીદી કરતા પહેલા તમારા શહેરમાં નવીનતમ ભાવ તપાસો. દિલ્હી, જયપુર અને મુંબઈ સહિત અનેક મુખ્ય શહેરોમાં આજે 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે.</p><p><b style="font-size: 1.75rem;">આજે ચાંદીનો ભાવ શું છે?</b></p><p>આજે (30 જુલાઈ) આંતરરાષ્ટ્રીય બજારમાં, હાજર ચાંદી $58.11 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે, જે 0.04% નો નજીવો વધારો દર્શાવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે $58નું આ મજબૂત સમર્થન સ્તર ઔદ્યોગિક ક્ષેત્રમાં ચાંદીની મજબૂત માંગ દર્શાવે છે. નોંધનીય છે કે, સ્થાનિક બજારમાં ચાંદીના ભાવમાં આજે વૈશ્વિક બજાર કરતાં વધુ વધારો થયો છે.</p><p>સ્થાનિક હાજર બજારમાં, ચાંદીનો ભાવ 0.77% વધીને ₹2.17 લાખ પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે. આનો અર્થ એ થાય કે પ્રતિ 10 ગ્રામ ₹2,170 ની કિંમત છે. જો તમે આજે ચાંદીના સિક્કા, વાસણો અથવા ઘરેણાં ખરીદવાનું આયોજન કરી રહ્યા છો, તો ધ્યાનમાં રાખો કે ₹2,17,000 ની મૂળ કિંમત ઉપરાંત 3% GST અને ઝવેરીઓના મેકિંગ ચાર્જ લાગુ કરવામાં આવશે.</p><p><br></p><h4><b>દેશના મોટા શહેરોમાં સોના ચાંદીના ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)&nbsp;</b></h4><p><br></p><p><br></p><table class="table table-bordered"><tbody><tr><td>શહેર</td><td>&nbsp;24 કેરેટ સોનાની કિંમત ( રૂપિયા/10 ગ્રામ) )&nbsp;</td><td>22 કેરેટ સોનાની કિંમત( રૂપિયા/10 ગ્રામ)&nbsp;</td></tr><tr><td>દિલ્હી&nbsp;</td><td>1,44,480&nbsp;</td><td>1,32,450&nbsp;&nbsp;</td></tr><tr><td>કોલકાતા&nbsp;</td><td>1,44,330&nbsp;</td><td>1,32,300&nbsp; &nbsp;</td></tr><tr><td>ચેન્નઈ</td><td>&nbsp;1,44,330&nbsp;</td><td>1,32,300&nbsp; &nbsp;</td></tr><tr><td>બેંગ્લોર&nbsp;</td><td>1,44,330&nbsp;<br></td><td>1,32,300&nbsp; &nbsp; &nbsp;<br></td></tr><tr><td>અમદાવાદ</td><td>&nbsp;1,44,380</td><td>&nbsp;1,32,350&nbsp; &nbsp; &nbsp;&nbsp;</td></tr><tr><td>વડોદરા&nbsp;</td><td>1,44,380&nbsp;</td><td>1,32,350&nbsp; &nbsp;</td></tr></tbody></table><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/wt2KmlhAclEkCTUGa28JaeOzhaOwN7gmpK1u8s9t.webp'/></item></channel></rss>