<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Surendranagar: સુરેન્દ્રનગરમાં પ્રાકૃતીક ખેતી પેદાશોની નિકાસની તકો અંગે સેમીનાર યોજાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surendranagar/surendranagar-seminar-held-on-export-opportunities-of-natural-agricultural-products-in-surendranagar</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surendranagar/surendranagar-seminar-held-on-export-opportunities-of-natural-agricultural-products-in-surendranagar</guid><pubDate>Sat, 22 Aug 2026 01:44:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરેન્દ્રનગર : આત્મા પ્રોજેકટ, સુરેન્દ્રનગર અને અપેડા ગુજરાતના સંયુકત ઉપક્રમે શહેરના ત્રીમંદિર ખાતે પાકૃતીક ખેતી પેદાશોની નીકાસની તકો વિશે સેમીનારનું આયોજન કરાયુ હતુ. જેમાં અપેડાના રીજીયોનલ ઓફીસર સુબોધ શાહ, આત્માના પ્રોજેકટ ડાયરેકટર ભરતભાઈ પટેલ સહિતનાઓએ ખેડુતોને પાકૃતીક ખેતી દ્વારા ઉત્પાદીત પેદાશોને આંતરરાષ્ટ્રીય બજારમાં પહોંચાડવાની તકો, નીકાસ માટે જરૂરી ગુણવત્તાના ધોરણો, સર્ટીફીકેશનની પ્રક્રીયા અંગે માહીતી આપી હતી. આ સેમીનારમાં પાકૃતીક કૃષક નારાયણભાઈ લકુમે કપાસના મુખ્ય પાકમાં તાંદરજો, મેથી, મુળા, કાકડી જેવા આંતરપાકનું આયોજન કરવાથી જમીનની ઉત્પાદકતા જળવાઈ રહે અને ખેડુતની આવકમાં વધારો થતો હોવાનું જણાવ્યુ હતુ.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/4RjfQPfJUNo9e1mMabRonRoFm4xAaqW1yOdEq5JY.webp'/></item><item><title><![CDATA[Chotila: ચોટીલા ઝવેરચંદ મેઘાણી કોલેજમાં આપણી પોતાની કળા વિષય પર પરિસંવાદ યોજાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chotila/chotila-a-seminar-on-the-topic-of-our-own-art-was-held-at-chotila-zaverchand-meghani-college</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chotila/chotila-a-seminar-on-the-topic-of-our-own-art-was-held-at-chotila-zaverchand-meghani-college</guid><pubDate>Sat, 22 Aug 2026 01:43:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરેન્દ્રનગર : ચોટીલાની રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી કોલેજના સમાજ શાસ્ત્ર વિભાગ દ્વારા જિલ્લા ઉદ્યોગ ભવન તથા કમીશ્નર કુટીર અને ગ્રામોદ્યોગ કચેરી ગાંધીનગરના સયુકત ઉપક્રમે કુટીર ઉદ્યોગ અને હસ્ત ઉદ્યોગ : આપણી પોતાની કળા વિષય પર એકદિવસીય પરીસંવાદનું આયોજન કરાયુ હતુ. જેમાં નીષ્ણાતો દ્વારા કુટીર ઉદ્યોગનું આર્થીક અને સામાજીક મહત્વ, વીવીધ સરકારી સહાય યોજનાઓ, સ્વરોજગારીની તકો, સ્થાનીક ઉત્પાદનોના માર્કેટીંગ અને પરંપરાગત કામગીરીના સંવર્ધન વિશે માહીતી અપાઈ હતી. આ પરીસંવાદમાં કોલેજની છાત્રાઓ ઉપરાંત આસપાસની ગામની બહેનો પણ સહભાગી બની હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/kZf8xBAYujKLiJs62vbRuCfmEAvMYO68zLBATBcc.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: વિરમગામમાં ચાર સોસાયટીઓના રહીશોને આવવા જવા માટે આખરે વૈકલ્પિક રસ્તો કરાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-an-alternative-route-has-finally-been-made-for-residents-of-four-societies-in-viramgam-to-travel</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-an-alternative-route-has-finally-been-made-for-residents-of-four-societies-in-viramgam-to-travel</guid><pubDate>Sat, 22 Aug 2026 01:27:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વિરમગામ : વિરમગામ શહેરમાં છેલ્લા છ મહિનાથી સર્વે નં 498 પૈકી એક,બે જમીન માલિકો તેમજ અવની પાર્ક,સોમેશ્વર સોસાયટી,સંજીવની રેસીડેન્સી અને મંગલમ્ સોસાયટીમાં આવવા જવા માટેના માર્ગને લઈ સર્જાયેલા વિવાદમાં ગુજરાત હાઇકોર્ટના હુકમથી ગુરુવારે વિરમગામ મામલતદાર દ્વારા રસ્તાઓના દરવાજા પર તાળા બંધી કરી હતી.જેથી આ વિસ્તારમાં રહેતા પાંચસો જેટલા પરિવારના રહીશો માર્ગ બંધ થવા કારણે દ્વિધામાં મૂકાઇ ગયા હતા.તંત્ર દ્વારા ટીપીની અમલવારી કરાઈ નથી.ટીપી ની અમલવારી કરવામાં આવે તો મંગલમ્ સોસાયટી પાસેથી રસ્તો પસાર થતો હોવાનુ જાણવા મળ્યુ છે.મંગલમ્ સોસાયટીમાં જવા આવવા બીજો કાચો રસ્તો છે.જેથી મંગલમ્ સોસાયટીના આગેવાનો અવની, સોમેશ્વર, સંજીવની સોસાયટીના આગેવાનો વચ્ચે બેઠક થઈ હતી અને હાલ વૈકલ્પિક રસ્તાની આગળની ત્રણ સોસાયટીના રહીશોને આવવા જવામાટે વ્યવસ્થા કરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/8Esl71mCIoUb7oy50LrqDX7IJiD8kIhHk43CWVxI.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: બગોદરામાં દેવીપૂજક વાસમા મંદિર પાસે જુગાર રમતા 8 ઝબ્બે ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-8-arrested-for-gambling-near-devi-pujak-vasma-temple-in-bagodra</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-8-arrested-for-gambling-near-devi-pujak-vasma-temple-in-bagodra</guid><pubDate>Sat, 22 Aug 2026 01:26:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બગોદરા ગામમાં અંબલી માતાજીના મંદિર નજીક જાહેર જગ્યામાં તીનપત્તીનો જુગાર રમતા આઠ શખ્સોને બગોદરા પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ તેમજ ગંજીપાનાંના પત્તા કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.</p><p style="text-align: justify; ">પોલીસ ફરિયાદ મુજબ તા. 21મી ઓગસ્ટે વહેલી સવારે બગોદરા ગામના દેવપૂજકવાસ વિસ્તારમાં માતાજીના મંદિર આગળ ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો તીનપત્તીનો જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરતાં જુગાર રમતા શખ્સોને ઝડપી પાડયા હતા.</p><p style="text-align: justify; ">પોલીસે પકડાયેલા શખ્સો પાસેથી જુગારના દાવ પરની રોકડ રકમ તથા તેમની પાસેથી મળેલી રોકડ સહિતની રકમ કબજે કરી હતી. ફરિયાદમાં કુલ આઠ આરોપીઓના નામ નોંધવામાં આવ્યા છે. જેમાં અશોકભાઈ વલ્લભભાઈ મકવાણા, ભૂપતભાઈ નટુભાઈ મકવાણા, વિજયભાઈ સવજીભાઈ વાઘેલા સહિતના શખ્સોનો સમાવેશ થાય છે. બગોદરા પોલીસે તમામ આરોપીઓ સામે ગુજરાત જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/FSDvYuV2Fd1nVOE7qM40ZFZPRDWVkE56XE1BYPAA.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: વિસરવાડી-ખાંડબારા રોડને કોન્ટ્રાક્ટરે ચોમાસામાં ખોદીને બદતર બનાવી દીધો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-contractor-made-visarwadi-khandbara-road-worse-by-digging-it-during-monsoon</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-contractor-made-visarwadi-khandbara-road-worse-by-digging-it-during-monsoon</guid><pubDate>Sat, 22 Aug 2026 00:56:03 +05:30</pubDate><description><![CDATA[<p>નવાપુર : મહારાષ્ટ્રના નવાપુર તાલુકાના વિસરવાડી-ખાંડબારા માર્ગ પર ચોમાસાની સિઝન દરમિયાન જ પુલ નિર્માણ માટે ડામરનો રસ્તો ખોદી નાખવામાં આવતા વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. પ્રી-કાસ્ટ બ્લોક બેસાડવાના નામે રસ્તો તોડી પડાયો હોવાથી નાના-મોટા વાહનો માટે અહીથી પસાર થવું જોખમી બન્યું છે. વિસરવાડી-ખાંડબારા માર્ગ પર ખોદકામને કારણે માર્ગ પર માટી અને કાદવનું સામ્રાજ્ય સ્થાયું છે. જેના કારણે ભારે લોડિંગ વાહનો રસ્તામાં ફસાઈ રહ્યા છે.જ્ યારે કાર જેવા નાના વાહનોના એન્જિંનના ચેમ્બર નીચે અથડાવાથી વાહન માલિકોને મોટું આર્થિક નુક્સાન સહન કરવાનો વારો આવ્યો છે. તાજેતરમાં જ નંદુરબાર જિલ્લાના પાલક મંત્રી હસન મુશ્રીફ સુરતથી નંદુરબાર આવી રહ્યા હતા. ત્યારે તેમને સુરત-નાગપુર હાઈવે નં.53ની બિસ્માર હાલતનો રૂબર અનુભવ થયો હતો. તેમણે કહ્યું હતું કે,વિસરવાડી-ખાંડબારા રોડ તો હાઈવે કરતા પણ વધુ ખરાબ છે. કમનસીબીએ છે કે, વહીવટી તંત્રના આશીર્વાદથી કોન્ટ્રાક્ટરે ચોમાસામાં જ ખોદકામ કરીને રસ્તાની હાલત વધુ ખરાબ કરી દીધી છે. સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકોનો અક્ષેપ છે.કે જો પુલ માટે બ્લોક બેસાડવાના જ હતા.તો આ કામ ચોમાસા પછી પણ થઈ શકતું હતું પરંતુ કોન્ટ્રાક્ટરે મનમાની કરીને રસ્તો ખોદી નાંખ્યો છે.જેને ન તો ધારાસભ્યએ રોક્યો કે ન તો વહીવટી તંત્રએ. આ માર્ગ પરથી પસાર થવું એ અકસ્માતને આમંત્રણ આપવા સમાન બની ગયું છે. સ્થાનિકો માંગ કરી રહ્યા છે.કે રસ્તા પર તાત્કાલિક મેટલ ગિટ્ટી નાખીને વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/22/NO4OnWNEnt2kEK7dP5mBwADreciRWJ19bM4yY580.webp'/></item><item><title><![CDATA[India News : લોકોએ ઠગ્યા ને દારૂની લત લાગી, જાણો શું છે KBCમાં 5 કરોડ જીતનાર સુશિલ કુમારની અસલી કહાની? ]]></title><link>https://sandesh.com/india/news/kbc-5-crore-winner-sushil-kumars-real-story</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/kbc-5-crore-winner-sushil-kumars-real-story</guid><pubDate>Fri, 21 Aug 2026 21:11:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો લોકપ્રિય રિયાલિટી શો કોન બનેગા કરોડપતિ (KBC) દરેક ઉંમરના લોકોને પસંદ આવે છે. અનેક લોકોનું સપનું હોય છે કે આ શોમાં જઈને કરોડો રૂપિયા જીતીને પોતાની જિંદગી બદલી નાખે. શોમાંથી અત્યાર સુધી ઘણા લોકો કરોડપતિ બની ચૂક્યા છે. પરંતુ આજે એક એવા વિજેતાની વાર્તા સામે આવી છે જેમણે 5 કરોડ રૂપિયાની મોટી રકમ જીતી હોવા છતાં પાછળથી પાયમાલ થવાનો વારો આવ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>15 દિવસ વિવિધ કાર્યક્રમોમાં જવામાં વિતાવતા</b></h2><p style="text-align: justify; ">આ કહાની છે બિહારના રહેવાસી સુશીલ કુમારની. વર્ષ 2011માં કેબીસી સીઝન 5માં 5 કરોડ રૂપિયા જીતનારા તેઓ પ્રથમ સ્પર્ધક બન્યા હતા.આ જંગી રકમ જીતીને તેઓ રાતોરાત દેશભરમાં જાણીતા થઈ ગયા હતા. પરંતુ સમયનો ખેલ એવો રહ્યો કે ખોટી આદતો અને નશાની લતે તેમની આખી જિંદગી બરબાદ કરી નાખી અને તેઓ સંપૂર્ણપણે કંગાળ થઈ ગયા. વર્ષ 2020માં સુશીલ કુમારે ફેસબુક પર પોતાની આપવીતી શેર કરતાં જણાવ્યું હતું કે, કેબીસી જીત્યા બાદ તેઓ લોકલ સેલિબ્રિટી બની ગયા હતા અને દર મહિને 10થી 15 દિવસ વિવિધ કાર્યક્રમોમાં જવામાં વિતાવતા હતા.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>તેમને દાન કરવાની આદત પડી ગઈ</b></h2><p style="text-align: justify; ">આ દરમિયાન તેમને અંધાધૂંધ દાન કરવાની આદત પડી ગઈ હતી જેના લીધે દર મહિને 50 હજારથી વધુ રૂપિયા વપરાઈ જતા હતા. આ સમયગાળા દરમિયાન કેટલાક ચાલાક લોકોએ તેમની સાથે મોટી ઠગાઈ પણ કરી હતી. આ સિવાય તેમને શરાબ અને સિગરેટનો ભારે વ્યસન થઈ ગયું હતું. આ જ કારણોસર તેમની પત્ની સાથે પણ સતત ઝઘડા થતા હતા. એક દિવસ પત્ની સાથે બોલાચાલી થયા બાદ જ્યારે એક પત્રકારનો ફોન આવ્યો ત્યારે ગુસ્સામાં આવીને સુશીલે કહી દીધું હતું કે તેમના બધા જ પૈસા ખતમ થઈ ગયા છે અને તેઓ બે ગાયોનું દૂધ વેચીને ગુજારા કરી રહ્યા છે. આ સમાચાર વાયરલ થતાં જ તેમની આસપાસ રહેતા સ્વાર્થી લોકો દૂર થઈ ગયા જેનાથી તેમને પોતાની ભૂલો સમજીને જિંદગીમાં આગળ શું કરવું તે વિચારવાનો સમય મળ્યો હતો.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/income-tax-officer-jarnail-b--singh-sentenced-to-3-years-in-bribery-case" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: લાંચ લેવાના કેસમાં આવકવેરા અધિકારી જરનૈલ બી. સિંહને 3 વર્ષની કેદની સજા</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/uRNDu8ZHCes7rAqUxWYmc2hjRD7DlrUDMcswytWO.webp'/></item><item><title><![CDATA[Arjun Rampal Wedding: TITLE- વધુ એક બોલીવુડ સેલિબ્રિટીએ ચોંકાવ્યા! અભિનેતાએ 15 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે શરૂ કર્યો સંસાર ]]></title><link>https://sandesh.com/entertainment/news/arjun-rampal-wedding-gabriella-demetriades-registered-marriage-goa</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/arjun-rampal-wedding-gabriella-demetriades-registered-marriage-goa</guid><pubDate>Fri, 21 Aug 2026 20:39:24 +05:30</pubDate><description><![CDATA[<p>અર્જુન રામપાલ અને ગેબ્રિએલા ડિમિટ્રીએડ્સએ પોતાના નજીકના લોકોની હાજરીમાં ઉત્તર ગોવાના માપુસામાં સબ રજીસ્ટ્રાર ઓફિસમાં જઇ લગ્ન રજીસ્ટર કરાવ્યા હતા. એક અહેવાલ મુજબ યુનિફોર્મ સિવિલ કોડ મુજબ આ લગ્નને સબ રજીસ્ટ્રાર સુરજ વર્નેકરે રજીસ્ટર કર્યા હતા. અર્જુન અને ગેબ્રિએલા કેઝ્યુઅલ ડ્રેસમાં સાંજે 4 વાગ્યાની આસપાસ સબ રજીસ્ટ્રાર ઓફિસમાં પહોંચ્યા હતા. અર્જુનની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા દક્ષિણ આફ્રિકાની છે. છેલ્લા 7 વર્ષથી લીવ ઇનમાં રહીને ડેટિંગ કર્યા બાદ બંને શુક્રવારે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી પતિ પત્ની બન્યા હતા.&nbsp;</p><h2><b>લીવ ઇનમાં રહીને માતાપિતા પણ બન્યા અર્જુન અને ગેબ્રિએલા</b></h2><p>અર્જુન રામપાલ અને ગેબ્રિએલા ડિમિટ્રીએડ્સ વર્ષ 2019થી ડેટિંગ કરી રહ્યા હતા. લાંબા સમય સુધી લીવ ઇનમાં રહ્યા બાદ તેઓ આરિક અને આરિવ બંને પુત્રોના માતાપિતા પણ બન્યા હતા. ગેબ્રિએલા અર્જુનથી 15 વર્ષ નાની છે. બંનેએ વર્ષ 2025માં સગાઇ પણ કરી હતી. બોલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તીના પોડકાસ્ટમાં અર્જુને ગેબ્રિએલા સાથેની સગાઇ કરી લીધી હોવાની જાહેરાત કરી હતી. અને સંબંધને ઔપચારિક સ્વરૂપ આપવાનું નક્કી કર્યું હતું.</p><h2><b>2018માં અર્જુને પહેલી પત્નીને આપ્યા હતા છુટાછેડા</b></h2><p>અર્જુન રામપાલના લગ્ન અગાઉ મોડલ મેહર જેસિયા સાથે થયા હતા. પહેલા લગ્નથી અર્જુનને માહિરા અને માહિકા એમ 2 દીકરીઓ પણ છે. વર્ષ 2018માં તેણે પત્નીને છુટાછેડા આપી દીધા હતા.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/entertainment/news/preity-zintas-new-film-vibe-teaser-released-will-go-on-a-spy-mission-with-kunal-khemu" target="_blank">Preity Zintaની નવી ફિલ્મ ‘વાઇબ’નું ધમાકેદાર ટીઝર રિલીઝ, કુણાલ ખેમૂ સાથે સ્પાય મિશન પર નીકળશે</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/G1CNzOJyhLXs8JhTmlEXHqb55YcMQ4hm0xcqYv8O.webp'/></item><item><title><![CDATA[Maharashtra News: પહાડ પરથી કૂદી રહેલા પુત્રને બચાવવા જતાં પિતાનું મોત, બંનેને જોઈને માતાને આઘાત લાગ્યો ]]></title><link>https://sandesh.com/india/news/crime/father-dies-while-trying-to-save-son-from-mountain-mother-also-dies</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/crime/father-dies-while-trying-to-save-son-from-mountain-mother-also-dies</guid><pubDate>Fri, 21 Aug 2026 20:11:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરના તિસગાંવ વિસ્તારમાં આવેલા એક પહાડ પાસે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં 18 વર્ષીય કુણાલ ચાંદવડે કોઈ અગમ્ય કારણોસર પરેશાન થઈને સવારે પહાડ પર પહોંચી ગયો હતો. પુત્ર પહાડ પર હોવાની જાણ થતાં જ તેના માતા-પિતા, ગ્રામજનો અને સરપંચ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. સવારે 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી એટલે કે સતત ત્રણ કલાક સુધી કુણાલને નીચે ઉતારવાના પ્રયાસો ચાલ્યા હતા.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>પિતા અને પુત્ર બંને પહાડ પરથી નીચે ખાબક્યા</b></h2><p style="text-align: justify; ">તેની માતા સંગીતાબેન સતત તેની સાથે વાત કરીને તેને સમજાવી રહ્યા હતા. પરિસ્થિતિ ગંભીર બનતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક સરપંચે કુણાલને મનાવવા માટે આઇફોન અપાવવાની પણ લાલચ આપી હતી પરંતુ કુણાલ કોઈની વાત સાંભળવા તૈયાર નહોતો. ત્રણ કલાક સુધી ચાલેલી આ સમજાવટ બાદ કુણાલના પિતા મુરલીધર પોતે પહાડ પર તેના સુધી પહોંચ્યા હતા. તેમણે કુણાલને પકડીને સુરક્ષિત નીચે લાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે દરમિયાન જ પિતા અને પુત્ર બંને અચાનક પહાડ પરથી નીચે ખાબક્યા હતા.</p><h3 style="text-align: justify; "><b>બંનેને જોઈને માતા પણ આઘાતમાં સરી પડ્યા</b></h3><p style="text-align: justify; ">આ ભયાનક દ્રશ્ય નજરે જોતાં જ સ્થળ પર હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.પોતાના પતિ અને દિકરાને આંખ સામે જ કાળનો કોળિયો બનતા જોઈને માતા સંગીતાબેન આઘાતમાં સરી પડ્યા હતા. માનસિક આઘાતમાં તેમણે પણ પહાડ પરથી કૂદીને પોતાનો જીવ આપી દીધો હતો. ક્ષણવારમાં જ એક હસતો-રમતો પરિવાર વિખેરાઈ ગયો હતો અને સતારા વિસ્તારમાં રહેતા આ પરિવારના ત્રણ સભ્યોના કરૂણ મોત નિપજ્યા હતા. હાલ પોલીસે પરિજનોનો સંપર્ક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/income-tax-officer-jarnail-b--singh-sentenced-to-3-years-in-bribery-case" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: લાંચ લેવાના કેસમાં આવકવેરા અધિકારી જરનૈલ બી. સિંહને 3 વર્ષની કેદની સજા</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/K4uatiy3o82jmYoycKxfFuUEn18H8ng33KEOUfpc.webp'/></item><item><title><![CDATA[Mobile મેન્યુફેક્ચરિંગ સ્કીમ-2 લોન્ચ, મોબાઇલ ઉત્પાદન બમણું થશે ]]></title><link>https://sandesh.com/business/news/mobile-manufacturing-scheme-2-launched-production-will-double</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/mobile-manufacturing-scheme-2-launched-production-will-double</guid><pubDate>Fri, 21 Aug 2026 18:57:04 +05:30</pubDate><description><![CDATA[<p>Union Minister of Electronics and IT અશ્વિની વૈષ્ણવે શુક્રવારે મોબાઇલ ફોન મેન્યુફેક્ચરિંગ સ્કીમ-2ને સત્તાવાર રીતે લોન્ચ કરી. સરકારનો ઉદ્દેશ આ યોજના દ્વારા દેશમાં મોબાઇલ ફોનનું ઉત્પાદન વધારવાનો અને તેને બમણું કરવાનો છે. </p><h2><b>મોબાઇલ ફોન મેન્યુફેક્ચરિંગ સ્કીમ-2 લોન્ચ</b></h2><p>આ સ્કીમ લોન્ચ કરતી વખતે અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સરકાર ભારતીય કંપનીઓને મોબાઇલ મેન્યુફેક્ચરિંગના અલગ-અલગ સ્તરે જરૂરી સહયોગ આપશે. તેનો હેતુ દેશમાં મોબાઇલ ફોનની સાથે તેના પાર્ટ્સ અને કમ્પોનન્ટ્સનું મજબૂત ઇકોસિસ્ટમ તૈયાર કરવાનો છે. મોબાઇલ ફોનની કિંમતોમાં વધારા અંગે પણ અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, હાલમાં મેમરી ચિપના ભાવ વધી રહ્યા છે, જેના કારણે મોબાઇલ ફોનની કિંમતો પર પણ અસર પડી રહી છે. સરકાર દેશમાં મેમરી ચિપનું ઉત્પાદન વધારવા પર ધ્યાન આપી રહી છે. આ માટે દેશમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ સ્થાપિત કરવા પર પણ કામ કરવામાં આવશે. તેનાથી આવનારા સમયમાં ભારતની આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળી શકે છે.</p><h4><b>એક મોબાઇલમાં લગભગ 1,000 પાર્ટ્સ</b></h4><p>અશ્વિની વૈષ્ણવે કહ્યું કે એક મોબાઇલ ફોનમાં લગભગ 1,000 અલગ-અલગ પાર્ટ્સ હોય છે. ભારતમાં આ પાર્ટ્સનું ઇકોસિસ્ટમ ઝડપથી વિકસ્યું છે અને તેમાં મોટી સંખ્યામાં MSME કંપનીઓ સામેલ છે. પહેલાં ભારતમાં મોબાઇલ મેન્યુફેક્ચરિંગનું ધ્યાન મુખ્યત્વે પ્રોડક્શન પર હતું. હવે સરકાર ભારતમાં ડિઝાઇન અને ભારતમાં જ ઉત્પાદનને પણ પ્રોત્સાહન આપવા માંગે છે.</p><p><b><a href="https://sandesh.com/d\" target="_blank">વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ&nbsp;</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/Wk0IjsnBTkrdOz5AHAk27zrrvyZGqoGDZKUmGDYT.webp'/></item><item><title><![CDATA[Hockey World Cup 2026: સેમિફાઇનલમાં પહોંચવા માટે ભારતે કરવો પડશે આ 'ચમત્કાર', જાણો શું છે સમીકરણ ]]></title><link>https://sandesh.com/sports/news/hockey-world-cup-2026-india-will-have-to-do-this-miracle-to-reach-the-semi-finals-know-what-the-equation-is</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/hockey-world-cup-2026-india-will-have-to-do-this-miracle-to-reach-the-semi-finals-know-what-the-equation-is</guid><pubDate>Fri, 21 Aug 2026 17:58:05 +05:30</pubDate><description><![CDATA[<p>ટીમ ઈન્ડિયા પાકિસ્તાનને હરાવીને બીજા રાઉન્ડમાં પહોંચી ગઈ છે,પરંતુ સેમિફાઈનલમાં પહોંચવાનો રસ્તો અત્યંત મુશ્કેલ છે.બીજા રાઉન્ડમાં ટીમ ઈન્ડિયાનો સામનો વર્તમાન ઓલિમ્પિક ચેમ્પિયન નેધરલેન્ડ્સ સામે થશે.આ મેચ શનિવારે એમ્સ્ટલવીનમાં રમાશે.આ મેચમાં એક ભૂલ ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપમાંથી લગભગ બહાર કરી શકે છે.ભારતની સૌથી મોટી ચિંતા એ છે કે ટીમ મજબૂત શરૂઆત પછી નિયંત્રણ ગુમાવે છે.પાકિસ્તાન સામે 3-0 અને 4-1ની લીડ બનાવવા છતાં,ટીમ ઈન્ડિયાએ તેમના વિરોધીઓને વાપસી કરવાની મંજૂરી આપી અને અંતે 5-3થી જીત મેળવી.પહેલા હાફમાં ઈંગ્લેન્ડ સામે 2-1ની લીડ લેવા છતાં,ટીમ ઈન્ડિયા મેચ 2-4થી હારી ગઈ.</p><h5><b>નેધરલેન્ડ્સ અજેય છે</b></h5><p>નેધરલેન્ડ્સ વર્તમાન વર્લ્ડ કપમાં અજેય છે. તેઓએ તેમની ત્રણેય ગ્રુપ મેચ જીતી હતી. ડચ ટીમે પહેલા ન્યુઝીલેન્ડને 5-1, પછી આર્જેન્ટિનાને 3-1 અને અંતે જાપાનને 4-1થી હરાવ્યું. તે સ્પષ્ટ છે કે ટીમ ઈન્ડિયાએ આ ટીમને હરાવવા માટે ચમત્કારિક પ્રદર્શન કરવું પડશે. જો આ ટીમને તક આપવામાં આવે તો હાર નિશ્ચિત છે.</p><h5><b>આ મેદાન નેધરલેન્ડ્સ માટે ખાસ છે</b></h5><p>આ મેદાન નેધરલેન્ડ્સ માટે ખાસ છે, જે પૂલ A માં ટોચ પર હતું. ટીમે 1973 માં ભારતને આ જ મેદાન પર હરાવીને પોતાનો પહેલો વર્લ્ડ કપ જીત્યો હતો, અને 1990 અને 1998 માં ટ્રોફી પણ જીતી હતી. જોકે, ટીમ ઈન્ડિયાએ નેધરલેન્ડ્સને એક મોટો ફટકો આપ્યો છે. જૂનમાં રોટરડેમમાં રમાયેલી FIH પ્રો લીગની અંતિમ મેચમાં ભારતે નેધરલેન્ડ્સને 3-2 થી હરાવ્યું હતું. તે જીતમાં જુગરાજ સિંહ, અભિષેક અને રાજિન્દર સિંહે ગોલ કર્યા હતા, જે ત્રણેય ભારતીય વર્લ્ડ કપ ટીમનો ભાગ છે.</p><h5><b>ફોર્મમાં ભારતીય ખેલાડીઓ</b></h5><p>અભિષેક આ વર્લ્ડ કપમાં પણ ફોર્મમાં છે. તેણે પાકિસ્તાન સામે બે શાનદાર ગોલ કર્યા હતા. કેપ્ટન હરમનપ્રીત સિંહ ઉત્તમ ફોર્મમાં છે, અત્યાર સુધી પાંચ ગોલ સાથે ટુર્નામેન્ટનું નેતૃત્વ કરી રહ્યો છે. જોકે, ભારતીય કેપ્ટન જાણે છે કે જો ટીમ નેધરલેન્ડ્સને આગળ વધારવા અને રોકવા માંગતી હોય, તો તેણે તેના ડિફેન્સને મજબૂત બનાવવાની અને સુધારો કરવાની જરૂર પડશે. પાકિસ્તાન સામેની જીત બાદ, હરમનપ્રીતે સ્વીકાર્યું કે ટીમે તે મેચમાં મૂર્ખ ભૂલ કરી હતી. નેધરલેન્ડ્સ સામે, ભારતે તમામ મોરચે સારું પ્રદર્શન કરવાની જરૂર પડશે, કારણ કે ડચ ટીમને તક આપવાથી હાર નિશ્ચિત છે.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/bwf-world-championships-trisha-jolly-and-gayatri-gopichand-create-history-defeat-chinese-pair-to-secure-medal" target="_blank">BWF world championships: ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદે રચ્યો ઇતિહાસ, ચીની જોડીને હરાવીને મેડલ નિશ્ચિત કર્યો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/DLWwHYskGJYKUAEsxE6HcpomaK38rnCDgii2tsoB.webp'/></item></channel></rss>