<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Apple હજુ આઇફોન-18 સિરીઝના નવા મોડલ લોન્ચ કરશે, 2027માં આવશે iPhone 18, iPhone Air 2 અને iPhone 18e ]]></title><link>https://sandesh.com/business/news/tech/apple-16-new-products-launch-2027</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/tech/apple-16-new-products-launch-2027</guid><pubDate>Thu, 17 Sep 2026 11:10:38 +05:30</pubDate><description><![CDATA[<p>Appleએ ગયા અઠવાડિયે 'Surprise and Shine' ઈવેન્ટ યોજી હતી, જેમાં કંપનીએ iPhone 18 Pro, iPhone 18 Pro Max અને પોતાનો પહેલો ફોલ્ડેબલ ફોન iPhone Duo લોન્ચ કર્યો હતો. નવા iPhones ઉપરાંત, ક્યુપરટિનો સ્થિત ટેક કંપનીએ નવી Apple Watch અને AirPods પણ રજૂ કર્યા હતા. હવે Bloombergના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કંપની 2027ના પહેલા 6 મહિના સુધીમાં 16 નવા પ્રોડક્ટ્સ લોન્ચ કરી શકે છે.</p><h2><b>આવનારા મહિનાઓ માટે Appleનું પ્રોડક્ટ રોડમેપ</b></h2><p>Bloombergના માર્ક ગુરમેનના એક રિપોર્ટ અનુસાર, Apple 2026ના બાકીના સમયગાળા અને 2027ના પહેલા 6 મહિનામાં 16 નવા હાર્ડવેર પ્રોડક્ટ્સ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. તેમાં એન્ટ્રી-લેવલ iPhone, નવી ડિઝાઈનવાળું MacBook Pro, લાંબા સમયથી અટકેલું સ્માર્ટ હોમ ડિસ્પ્લે અને સ્માર્ટ ગ્લાસના ક્ષેત્રમાં Appleનો પહેલો મોટો પ્રયાસ સામેલ હોઈ શકે છે.</p><p>ગુરમેનના જણાવ્યા અનુસાર, આ વર્ષના અંત સુધીમાં 6 નવા પ્રોડક્ટ્સ લોન્ચ થઈ શકે છે. તેમાં ટચસ્ક્રીનવાળા નવા MacBook Pro મોડલ્સ, જેમાં 14-ઇંચ અને 16-ઇંચના વર્ઝન આવવાની શક્યતા છે, તેમજ M6 ચિપ સાથેનું અપડેટેડ 14-ઇંચ MacBook Pro સામેલ છે. આ MacBook Proમાં ટચસ્ક્રીન નહીં હોય.</p><h2><b>&nbsp;M6 પ્રોસેસર સાથેનું નવું iMac થશે લોન્ચ</b></h2><p>આ ઉપરાંત, નવા રંગો અને M6 પ્રોસેસર સાથેનું નવું iMac પણ લોન્ચ થઈ શકે છે. Apple અપગ્રેડેડ OLED ડિસ્પ્લે સાથેનું iPad Mini પણ રજૂ કરી શકે છે. માનવામાં આવે છે કે આ નવું કોમ્પેક્ટ ટેબલેટ ભવિષ્યમાં OLED iPad Air મોડલ્સની નવી શ્રેણી માટેનો માર્ગ ખોલશે.</p><p>Appleએ આ વર્ષે પોતાની સામાન્ય લોન્ચ કરવાની રીતમાં પણ ફેરફાર કર્યો છે. કંપનીએ ગયા અઠવાડિયે iPhoneની સંપૂર્ણ લાઇનઅપ લોન્ચ કરી ન હતી. અહેવાલો અનુસાર, 3 iPhone મોડલ્સ — iPhone 18, iPhone Air 2 અને iPhone 18e —ને ખાસ કરીને 2027માં લોન્ચ કરવા માટે અટકાવી રાખવામાં આવ્યા છે.</p><p>રિપોર્ટ અનુસાર, 2027ના અંતમાં પણ કેટલાક નવા પ્રોડક્ટ્સ લોન્ચ થઈ શકે છે. તેમાં વધુ ઝડપી M7 ચિપ સાથેના એન્ટ્રી-લેવલ MacBook અને ટચસ્ક્રીનવાળા MacBookના અપડેટેડ વર્ઝન સામેલ છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/wnLMzZQnekGDy4ix2NY53pPBdVxkm2fuJdE7hqi0.webp'/></item><item><title><![CDATA[Maharashtra: મેરે અંગને મે તુમ્હારા ક્યા કામ..ગરબામાં મુસ્લિમોના પ્રતિબંધને લઇને બાબા બાગેશ્વરનું નિવેદન ]]></title><link>https://sandesh.com/india/news/maharashtra-what-do-you-want-me-to-do-with-your-body-baba-bageshwars-statement-on-the-ban-on-muslims-in-garba</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/maharashtra-what-do-you-want-me-to-do-with-your-body-baba-bageshwars-statement-on-the-ban-on-muslims-in-garba</guid><pubDate>Thu, 17 Sep 2026 11:05:35 +05:30</pubDate><description><![CDATA[<p>મહારાષ્ટ્રમાં નવરાત્રિને લઇને મુસલમાનોની એન્ટ્રીને લઇને વિવાદ સર્જાયો છે. પહેલા આ વિવાદમાં દેવેન્દ્ર ફડણવીસના પત્ની અને બીજેપીના નેતા નિતેશ રાણેના નિવેદનને લઇને ચર્ચામાં આવ્યા હતા. ત્યારે આ મામલે બાગેશ્વર ધામના પ્રમુખ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ નિવેદન આપ્યુ છે.&nbsp;</p><h2><b>ધીરેન્દ્ર શાસ્ત્રી નવરાત્રિમાં ગરબાને લઇને શું બોલ્યા ?&nbsp;</b></h2><p>નવરાત્રિના ગરબા કાર્યક્રમોમાં મુસ્લિમોના ભાગ લેવા પરના પ્રતિબંધ અંગેની ચર્ચા ચાલુ છે. બાગેશ્વર ધામના પ્રમુખ ધીરેન્દ્ર શાસ્ત્રીએ હવે વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ની એ માંગનું સમર્થન કર્યું છે કે નવરાત્રિ દરમિયાન ગરબા કાર્યક્રમોમાં મુસ્લિમોને પ્રવેશ ન આપવો જોઈએ.</p><p>આ બાબતે પોતાનો મત વ્યક્ત કરતા શાસ્ત્રીએ કહ્યું કે નવરાત્રિ એ સનાતન પરંપરાનો તહેવાર છે અને તેમાં મુસ્લિમોની શું ભૂમિકા હોઈ શકે તેવો પ્રશ્ન ઉઠાવ્યો; તેમણે નોંધ્યું કે તેમના ધર્મમાં મૂર્તિપૂજા વર્જિત છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હાલમાં મુંબઈમાં છે, જ્યાં તેઓ અંબાણી પરિવારના ગણેશોત્સવ ('એન્ટિલિયા ચા રાજા')માં સામેલ થવા આવ્યા છે.</p><p><b style="font-size: 2rem;">મેરે અંગને મે તુમ્હારા ક્યા કામ હૈ&nbsp;</b></p><p>મીડિયાના પ્રશ્નોના જવાબમાં શાસ્ત્રીએ કહ્યું કે જોકે દરેક વ્યક્તિએ નવરાત્રિ (સનાતન પરંપરાનો તહેવાર) ઉજવવી જોઈએ. પરંતુ ધાર્મિક પ્રથાઓમાં મૂળભૂત તફાવત છે. તેમણે કહ્યું કે ઇસ્લામમાં મૂર્તિપૂજા વર્જિત છે, જ્યારે આપણી ત્યાં દુર્ગા પૂજા અને ગરબાની ઉજવણી મૂર્તિપૂજા પર આધારિત તહેવારો છે. તો પછી મેરે અંગને મે તુમ્હારા ક્યા કામ હૈ ?"</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2100393518493839506"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p>આ વાતચીત દરમિયાન ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. તેમણે કહ્યું, "હું ભારતના વડાપ્રધાનને તેમના 76મા જન્મદિવસ પર હૃદયપૂર્વકની અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. તેઓ દીર્ઘાયુ અને સુખી જીવન જીવે અને તમામ ભારતીયો તથા આપણા દેશની સુરક્ષા સુનિશ્ચિત કરીને આનંદપૂર્વક રાષ્ટ્રનું સંચાલન કરતા રહે."</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2100388586776653833"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p><b style="font-size: 1.75rem;">મુસ્લિમો પરના પ્રતિબંધ અંગેનો મુદ્દો શું છે?</b></p><p>ઉલ્લેખનીય છે કે ગરબા કાર્યક્રમો પહેલાં, વિશ્વ હિન્દુ પરિષદે (VHP) ગરબા-દાંડિયા કાર્યક્રમોમાં મુસ્લિમોને ભાગ લેવાની મંજૂરી ન આપવા માટે અપીલ કરી હતી. તેમનો તર્ક હતો કે આ તહેવાર દેવીની પૂજા માટે સમર્પિત છે, માત્ર મનોરંજનનું સાધન નથી. આ સંદર્ભમાં, VHPએ સહભાગીઓની ઓળખ ચકાસવા (જેમ કે આધાર કાર્ડ તપાસવા) અને કપાળ પર તિલક લગાવવા જેવી પ્રથાઓનું પાલન કરવા માટે સૂચનાઓ જાહેર કરી હતી.</p><p>રાજ્યના વિપક્ષે VHPની આ અપીલનો સખત વિરોધ કર્યો છે. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ પણ આ પગલાની વિરુદ્ધમાં વાત કરી છે. જોકે, ભાજપ અને અન્ય કેટલાક અગ્રણી વ્યક્તિઓએ આ બાબતે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું છે.</p><p><br></p><p><a href="https://sandesh.com/india/news/100-us-tariff-on-india-america-does-whatever-it-takes-india-will-not-bow-down-indias-reaction-to-the-100-percent-tariff-law" target="_blank">આ પણ વાંચો:100% US Tariff on India: થાય તે કરી લે અમેરિકા, ભારત.... ઝૂકશે નહી, 100 ટકા ટેરિફ લૉ અંગે ભારતની પ્રતિક્રિયા</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/GhTfsnNH8jJaWnAsofjbo60Zfr0fTZYyX1Wwuq0S.webp'/></item><item><title><![CDATA[Tariff:  100% ટેરિફ બિલ સામે ભારત ઝૂકશે નહીં, ટ્રમ્પને ભારતનું અલ્ટીમેટમ ]]></title><link>https://sandesh.com/india/news/india-firm-stand-us-100-percent-tariff-bill-energy-security</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/india-firm-stand-us-100-percent-tariff-bill-energy-security</guid><pubDate>Thu, 17 Sep 2026 10:52:27 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમેરિકા દ્વારા રશિયા અને ઈરાન વિરુદ્ધ લાવવામાં આવેલા નવા પ્રતિબંધો અને 100% ટેરિફના પ્રસ્તાવ પર ભારતે અત્યંત મક્કમ અને સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ મામલે કડક પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે દેશની ૧.૪ અબજથી વધુ વસ્તીની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવી એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે તે બાહ્ય દબાણ કે ટેરિફની ધમકીઓ સામે ઝૂકશે નહીં અને પોતાના રાષ્ટ્રીય હિતો અનુસાર જ નિર્ણયો લેશે.</p><h2 style="text-align: justify; "><b>ટેરિફ સામે ઝૂકશે નહીં ભારત</b></h2><p style="text-align: justify; ">ભારત સરકારે યુએસ કોંગ્રેસમાં પસાર થયેલા આ નવા કાયદાઓની નોંધ લીધી છે અને તે વૈશ્વિક ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહી છે. ભારતે અગાઉ પણ સ્પષ્ટ કર્યું છે કે તેની ઉર્જા સુરક્ષા અકબંધ રાખવા માટે વિવિધ દેશો પાસેથી તેલ અને ગેસની આયાત ચાલુ રાખવામાં આવશે. બજારની વર્તમાન પરિસ્થિતિ અને આર્થિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જ આયાત અંગેના નિર્ણયો લેવામાં આવશે.</p><h3 style="text-align: justify; "><b>ભારતે અમેરિકાને ચેતવણી આપી&nbsp;</b></h3><p style="text-align: justify; ">અમેરિકન અધિકારીઓ સાથે અગાઉ થયેલી ઉચ્ચ સ્તરીય બેઠકોમાં પણ ભારતે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. ભારતે અમેરિકાને ચેતવણી આપી છે કે આવા કડક પ્રતિબંધો માત્ર ભારત-અમેરિકાના દ્વિપક્ષીય સંબંધોને જ નહીં, પરંતુ સમગ્ર આંતરરાષ્ટ્રીય ઉર્જા બજારને અસ્થિર કરી શકે છે. ભારત પોતાના વેપાર અને આર્થિક હિતોના રક્ષણ માટે તમામ જરૂરી પગલાં લેવા માટે સક્ષમ અને તૈયાર છે.</p><p style="text-align: justify; ">આ સંભવિત પડકારોનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર દેશના વ્યાપાર અને ઉદ્યોગ સંગઠનો સાથે મળીને રણનીતિ ઘડી રહી છે. ભારતનો સંદેશ બિલકુલ સ્પષ્ટ છે કે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી સહિતના ઉર્જા નિર્ણયો માત્ર ભારતના પોતાના હિતો પર આધારિત હશે, અન્ય કોઈના દબાણ પર નહીં.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/gallery/news/cm-pmnarendra-modi-salary-increase-gujarat-cm-to-prime-minister" target="_blank">આ પણ વાંચોઃ CM થી લઇને PM સુધી નરેન્દ્ર મોદીનો કેટલો પગાર વધ્યો?</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/IAwCxUdydhvJFjvt7w11gEgWIecFsv2HNrToehU1.webp'/></item><item><title><![CDATA[Anand News : બોરસદથી દ્વારકાધીશના ધામે ઉપડ્યો 4 હજાર કાર્યકરોનો સંઘ! પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસે અર્પણ કરાશે 52 ગજની ધજા ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/anand--4-000-workers-head-to-dwarka-on-pm-modis-birthday-to-offer-52-yard-flag</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/anand--4-000-workers-head-to-dwarka-on-pm-modis-birthday-to-offer-52-yard-flag</guid><pubDate>Thu, 17 Sep 2026 10:44:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આણંદ જિલ્લાના બોરસદ પંથકમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે એક વિશાળ ધાર્મિક અને ભક્તિમય પ્રયાણનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદીના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ આયુષ્ય માટે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા બોરસદ અને તેના આસપાસના વિવિધ ગામોમાંથી 4 હજારથી વધુ કાર્યકરો અને શ્રદ્ધાળુઓ દ્વારકા જવા માટે રવાના થયા છે.</p><h2 style="text-align: justify; "><b>65 લક્ઝરી બસો સહિત 95 વાહનોનો કાફલો</b></h2><p style="text-align: justify; ">બોરસદ ખાતેથી પૂર્વ પ્રમુખ વિજયસિંહ રાજના નેતૃત્વમાં આ ભવ્ય કાફલો દ્વારકા માટે રવાના થયો હતો. કાર્યકરોને દ્વારકા લઈ જવા માટે 65 જેટલી લક્ઝરી બસો અને અન્ય નાના-મોટા વાહનો મળીને કુલ 95 વાહનોનો વિશાળ કાફલો તૈયાર કરવામાં આવ્યો હતો. દ્વારકા પ્રયાણ કરતાં પહેલાં તમામ કાર્યકરોએ બોરસદમાં આવેલી મહાન યોદ્ધા મહારાણા પ્રતાપની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને ત્યારબાદ જ દ્વારકાધીશના ધામે જવાનો પ્રારંભ કર્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>દ્વારકાધીશને 52 ગજની ધજા ચઢાવી દેશના વિકાસ માટે કરાશે પ્રાર્થના</b></h2><p style="text-align: justify; ">દ્વારકા પહોંચીને તમામ કાર્યકરો પવિત્ર જગત મંદિર ખાતે દ્વારકાધીશ ભગવાનને 52 ગજની ધજા અર્પણ કરશે અને વિશેષ પૂજા-અર્ચનામાં ભાગ લેશે. દેશના સશક્ત વિકાસ, સમૃદ્ધિ અને પ્રગતિ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા સ્વસ્થ અને દીર્ઘાયુ રહે તે માટે કાર્યકરો કાળિયા ઠાકોરના ચરણોમાં શીશ નમાવીને પ્રાર્થના કરશે. બોરસદથી નિકળેલા આ ભવ્ય કાફલાથી સમગ્ર આણંદ જિલ્લામાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/surat--bizarre-burglary-at-kaveri-vivanta--petition-in-hc-as-police-refuse-fir" target="_blank">Ahmedabad News : પોશ વિસ્તારમાં અનોખી ઘરફોડ ચોરી, કાવેરી વિવંતામાં રાતોરાત ટ્રકમાં ઘરવખરી ભરી ચોરો ફરાર!</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/DSYmOlQYvYDmJwlm64x4HTquSH3dp4NbwMwoxmnF.webp'/></item><item><title><![CDATA[PM Modi Birthday: આપણા વડાપ્રધાન પર ગર્વ હોવો જોઈએ....બોલીવુડમાં ઉત્સાહ, પીએમ મોદીને આપી જન્મદિવસની શુભેચ્છા ]]></title><link>https://sandesh.com/entertainment/news/pm-modi-birthday-know-which-bollywood-stars-sent-special-wishes-to-prime-minister-narendra-modi-on-his-76th-birthday</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/pm-modi-birthday-know-which-bollywood-stars-sent-special-wishes-to-prime-minister-narendra-modi-on-his-76th-birthday</guid><pubDate>Thu, 17 Sep 2026 10:25:28 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે, 17 સપ્ટેમ્બરના રોજ તેમનો ૭૬મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ પ્રસંગે દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. સોશિયલ મીડિયા પર તેમના કરોડો ચાહકોની સાથે બોલિવૂડની તમામ જાણીતી હસ્તીઓએ વડાપ્રધાનને જન્મદિવસની ભાવભીની સદભાવનાઓ પાઠવીને તેમના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે.</p><p style="text-align: justify;"><b>શત્રુઘ્ન સિંહાએ પીએમ મોદી સાથેના ફોટા શેર કરી પાઠવી શુભેચ્છા</b></p><p style="text-align: justify;">અભિનેતા અને રાજકારણી શત્રુઘ્ન સિંહાએ તેમના અધિકૃત X (ટ્વિટર) એકાઉન્ટ પર પીએમ મોદી સાથેના બે ખાસ ફોટા શેર કર્યા છે. જેમાં એક ફોટામાં પીએમ મોદી તેમને પ્રેમથી ગળે લગાવતા અને બીજામાં હાથ મિલાવતા નજરે પડે છે. તેમણે કેપ્શનમાં લખ્યું કે, "મારો આ મેસેજ સંદેશાઓના સમુદ્રમાં ખોવાઈ જાય તે પહેલાં, હું તમને જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું. અમારા મિત્ર અને દેશના લોકપ્રિય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની ખુબ ખુબ મુબારક. ઈશ્વર તમને સારું સ્વાસ્થ્ય, ખુશી અને શાંતિ અર્પે."</p><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ShatruganSinha/status/2100114403408630156"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify;"><b>રવિ કિશને પીએમ મોદીના નેતૃત્વને ગણાવ્યું ઐતિહાસિક</b></p><p style="text-align: justify;">સાંસદ અને અભિનેતા રવિ કિશને ઇન્સ્ટાગ્રામ પર પીએમ મોદી સાથેનો ફોટો શેર કરીને એક ભાવુક નોંધ લખી હતી. તેમણે પીએમ મોદીને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને અથાક મહેનતના પ્રતીક ગણાવ્યા હતા. રવિ કિશને જણાવ્યું કે, પીએમ મોદીના "સબકા સાથ, સબકા વિકાસ" અને "વસુધૈવ કુટુમ્બકમ"ના મંત્રથી વિશ્વભરમાં ભારતનો ડંકો વાગ્યો છે. વધુમાં, તેમણે એક સ્ટોરી પોસ્ટ કરીને જણાવ્યું કે તેઓ અને તેમનો પરિવાર પીએમ મોદીના આયુષ્ય માટે "આશીર્વાદ દીવો" પ્રગટાવી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે પીએમની કલ્યાણકારી યોજનાઓને કારણે આજે દેશના ગ્રામીણ વિસ્તારો સુધી શૌચાલય, ગેસ સિલિન્ડર અને પીવાનું પાણી પહોંચ્યું છે.</p><p style="text-align: justify;"><b>બિંદુ દારા સિંહ અને ઈશા કોપ્પિકર સહિતના સેલેબ્સે વ્યક્ત કરી ખુશી</b></p><p style="text-align: justify;">રવિ કિશન અને શત્રુઘ્ન સિંહા ઉપરાંત બિંદુ દારા સિંહ, ઈશા કોપ્પિકર સહિત મનોરંજન જગતના અનેક કલાકારોએ સોશિયલ મીડિયા માધ્યમથી પ્રધાનમંત્રી મોદીને શુભકામનાઓ પાઠવી હતી. તમામ કલાકારોએ દેશને નવી ઊંચાઈઓ પર લઈ જવા બદલ પીએમના વિઝનરી નેતૃત્વના વખાણ કર્યા હતા અને તેમના દીર્ઘાયુની કામના કરી હતી.</p><p style="text-align: justify;"><b>ઈશા કોપ્પીકરે કહ્યું - તમે છેલ્લા 25 વર્ષથી સારું કામ કર્યું છે</b></p><p style="text-align: justify;">આ દરમિયાન, ઈશા કોપ્પિકરે ખુલાસો કર્યો કે તે વડા પ્રધાન મોદીની ખૂબ મોટી ચાહક છે. તેણીએ કહ્યું, "મોદીજીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. તમે છેલ્લા 25 વર્ષોમાં મુખ્યમંત્રી અને વડા પ્રધાન તરીકે સેવા આપીને અદ્ભુત કાર્ય કર્યું છે. તમે ભારતને સારી સ્થિતિમાં પહોંચાડ્યું છે. તમારા જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. ભગવાન તમારા પર આશીર્વાદ વરસાવે."</p><p style="text-align: justify;"><b>સુભાષ ઘાઈએ વડાપ્રધાન મોદીના વખાણમાં શું કહ્યું?</b></p><p style="text-align: justify; ">સુભાષ ઘાઈએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વૈશ્વિક ઓળખની પ્રશંસા કરતા કહ્યું કે વિશ્વભરના નેતાઓ તેમનો આદર કરે છે. તેમણે સકારાત્મકતા અને પ્રેમના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે આપણને આપણા વડા પ્રધાન પર ગર્વ હોવો જોઈએ.</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/entertainment/news/ranbir-kapoor-trolled-for-refusing--prasad--during-ganpati-visarjan--know-the-truth-behind-the-viral-video" target="_blank">આ પણ વાંચો : Ranbir Kapoor Trolled : હું ડાયેટ પર છું... કહેતા રણબીર કપૂર થયો ટ્રોલ, ભડકયા નેટીઝન્સ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/7Sqq4ArkKXglQfGuFI8oTGrmTcUP7P4eVPYzfHex.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : પોશ વિસ્તારમાં અનોખી ઘરફોડ ચોરી, કાવેરી વિવંતામાં રાતોરાત ટ્રકમાં ઘરવખરી ભરી ચોરો ફરાર! ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/surat--bizarre-burglary-at-kaveri-vivanta--petition-in-hc-as-police-refuse-fir</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/surat--bizarre-burglary-at-kaveri-vivanta--petition-in-hc-as-police-refuse-fir</guid><pubDate>Thu, 17 Sep 2026 09:56:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરના અતિ પોશ ગણાતા કાવેરી વિવંતા એપાર્ટમેન્ટમાં એક અત્યંત વિચિત્ર અને અનોખી ઘરફોડ ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતા રહીશના ઘરમાંથી રાતોરાત ટ્રકમાં આખી ઘરવખરી ભરીને અજાણ્યા શખ્સો ગાયબ થઈ ગયા હતા. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ ચોરી સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ્સની નજર સામે જ અંજામ આપવામાં આવી હતી. એટલું જ નહીં, ચોરી કર્યા બાદ ચોરોએ ઘરમાં કોઈ પ્રવેશી ન શકે તે માટે ઘરનો આખો દરવાજો જ બદલી નાખ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>અંગત વિવાદ, ધમકીની ઓડિયો ક્લિપ અને વીડિયો વાયરલ</b></h2><p style="text-align: justify; ">આ સમગ્ર ચોરીનો આક્ષેપ અંગત વિવાદના કારણે થયો હોવાનું વિગતોમાં સામે આવી રહ્યું છે. ઘટના સંબંધિત કેટલાક ચોંકાવનારા પુરાવા પણ સામે આવ્યા છે, જેમાં ઘર તોડવાનો લાઈવ વીડિયો અને ધમકી આપતી એક ઓડિયો ક્લિપનો સમાવેશ થાય છે. આ ઓડિયો ક્લિપ અને વીડિયો વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. પીડિત પરિવારનો આક્ષેપ છે કે આ ચોરી પાછળ અંગત અદાવત અને મોટું ષડયંત્ર કામ કરી રહ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>CCTV પુરાવા છતાં ફરિયાદ ના નોંધાતા મામલો હાઈકોર્ટે પહોંચ્યો</b></h2><p style="text-align: justify; ">બનાવ અંગે પીડિત પરિવારે સોસાયટીના CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓ સાથે સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. જોકે, પૂરતા પુરાવા હોવા છતાં સ્થાનિક પોલીસે ફરિયાદ ન નોંધી હોવાનો ગંભીર આક્ષેપ પીડિત પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે. આખરે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી ન કરાતાં પીડિત પરિવારે ન્યાય મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે અને અરજી દાખલ કરી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/vadnagar/vadnagar--pm-modi-rsquo-s-birthday-marked-with-shankh-and-damru-naad-by-200-rishi-kumars" target="_blank">PM Modi’s 76th Birthday LIVE : "રામ મંદિર, 370 અને સંસ્કૃતિનું જતન", PM મોદીના જન્મદિવસ પ્રસંગે અખિલેશ્વર દાસજીનું મોટું નિવેદન</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/fluGFwL3G1aQ0Pi2gLUZKLpC7Ye2AJm16ycka0Ww.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: ગુજરાતના મેન્યુફેક્ચરિંગ MSME એકમોનું થશે GIS આધારિત મેપિંગ ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-manufacturing-msmes-to-get-gis-based-mapping</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-manufacturing-msmes-to-get-gis-based-mapping</guid><pubDate>Thu, 17 Sep 2026 09:19:25 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કેન્દ્ર સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયની ‘રૅઇઝિંગ એન્ડ એક્સેલરેટિંગ એમએસએમઈ પરફોર્મન્સ’(RAMP) યોજના અંતર્ગત ગુજરાત સરકારના MSME કમિશનરેટ દ્વારા ‘PM ગતિ શક્તિ પોર્ટલ સાથે મેન્યુફેક્ચરિંગ MSMEનું મેપિંગ’ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે.આ પ્રોજેક્ટ અંતર્ગત ‘ઉદ્યોગ પોર્ટલ’ પર નોંધાયેલા મેન્યુફેક્ચરિંગ MSME એકમોનું GIS આધારિત જિયો-ટેગિંગ અને મેપિંગ કરવામાં આવશે. આ કામગીરી માટે ગુજરાત ઈન્ફો પેટ્રો લિમિટેડ (GIPL)ને જવાબદારી સોંપવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>MSME એકમોની મુલાકાત લેવામાં આવશે</b></h2><p style="text-align: justify; ">પ્રોજેક્ટના ભાગરૂપે GIPLના અધિકૃત પ્રતિનિધિઓ દ્વારા MSME એકમોની મુલાકાત લેવામાં આવશે.આ મુલાકાત દરમિયાન એકમોનું જિયો-ટેગિંગ કરવા ઉપરાંત જરૂરી માહિતીનું એકત્રીકરણ અને ચકાસણી કરવામાં આવશે. રાજ્યના તમામ MSME એકમોને GIPLના અધિકૃત પ્રતિનિધિઓને જરૂરી સહકાર આપવા તેમજ મેપિંગ માટે જરૂરી માહિતી ઉપલબ્ધ કરાવવા વિનંતી કરવામાં આવી છે.GIS આધારિત આ મેપિંગથી રાજ્યના MSME એકમો અંગેનો સંકલિત અને સુવ્યવસ્થિત ડેટાબેઝ તૈયાર કરવામાં મદદ મળશે. આ ડેટાના આધારે રાજ્યમાં માળખાકીય સુવિધાઓના આયોજન, નીતિ ઘડતર અને વિવિધ યોજનાઓના વધુ અસરકારક અમલીકરણમાં ઉપયોગી માહિતી ઉપલબ્ધ થશે.</p><h3 style="text-align: justify; "><b>&nbsp;નિર્ણય પ્રક્રિયાને વધુ સુદૃઢ બનાવી શકાશે</b></h3><p style="text-align: justify; ">MSME ક્ષેત્રના એકમો અંગેનો ડેટા PM ગતિ શક્તિ પોર્ટલ સાથે સંકલિત થવાથી ડેટા આધારિત આયોજન અને નિર્ણય પ્રક્રિયાને વધુ સુદૃઢ બનાવી શકાશે.GIS આધારિત મેપિંગ દ્વારા MSME એકમોના સ્થાન અને સંબંધિત વિગતોને વધુ વ્યવસ્થિત રીતે ઉપલબ્ધ કરાવી શકાશે, જેનાથી MSME ક્ષેત્રને જરૂરિયાત આધારિત સહાય અને સુવિધાઓ પહોંચાડવામાં પણ મદદ મળશે.રાજ્યના MSME ક્ષેત્રના વિકાસ માટે ડેટા આધારિત આયોજન અને નિર્ણય પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવાની દિશામાં આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ બની રહેશે.આ પ્રોજેક્ટના સફળ અમલીકરણ માટે રાજ્યના તમામ સંબંધિત MSME એકમો અને ઉદ્યોગ સંગઠનોને GIPL તથા તેના અધિકૃત પ્રતિનિધિઓને સંપૂર્ણ સહકાર આપવા તેમજ જરૂરી માહિતી ઉપલબ્ધ કરાવવા MSME કમિશનરની કચેરીની યાદીમાં જણાવાયું છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/pm-modi-birthday-amit-shah-to-flag-off-vadnagar-varanasi-seva-yatra" target="_blank">આ પણ વાંચોઃ Gujarat News : આજે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ, ગૃહમંત્રી અમિત શાહ વડનગરથી વારાણસી યાત્રાનું પ્રસ્થાન કરાવશે</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/ej0eil22Kp40FjQpXgXz8VVHQDHaPrT9kdli74eB.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News : ગુજરાતના સરકારી પ્રાથમિક શિક્ષકો માટે મોટી રાહત, HTAT પરીક્ષા આપવા માટે સ્નાતક હોવું ફરજિયાત નથી! ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat--graduation-degree-not-mandatory-for-primary-teachers-appearing-in-htat-exam</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat--graduation-degree-not-mandatory-for-primary-teachers-appearing-in-htat-exam</guid><pubDate>Thu, 17 Sep 2026 08:47:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતના સરકારી પ્રાથમિક શિક્ષકો માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એક અત્યંત મહત્વનો અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્ય શિક્ષકની ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા (HTAT) અંગે મોટી સ્પષ્ટતા કરતાં જણાવાયું છે કે આ પરીક્ષામાં બેસવા માટે હવે શિક્ષકો માટે સ્નાતક (ગ્રેજ્યુએટ) હોવું ફરજિયાત નથી. સરકારના આ નિર્ણયથી રાજ્યના હજારો પ્રાથમિક શિક્ષકોને મોટો લાભ થશે અને તેમના માટે પ્રમોશન મેળવવાના નવા દ્વાર ખુલશે.</p><h2 style="text-align: justify; "><b>ફીડર કેડરના શિક્ષકો લાયકાતના આધારે આપી શકશે પરીક્ષા</b></h2><p style="text-align: justify; ">શિક્ષણ વિભાગની નવી સ્પષ્ટતા મુજબ, બઢતી (પ્રમોશન) માટેની અન્ય તમામ નિયત શરતો પૂર્ણ કરતાં હોય તેવા ફીડર કેડરના શિક્ષકો પોતાની લાયકાતના આધારે HTAT પરીક્ષા આપી શકશે. ઉમેદવાર શિક્ષક સ્નાતક છે કે નહીં તે બાબતને ધ્યાનમાં લીધા વિના જ તેમને આ ખાસ સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવા માટે પાત્ર ગણવામાં આવશે. આ સ્પષ્ટતાના કારણે લાંબા સમયથી પરીક્ષાની રાહ જોઈ રહેલા શિક્ષકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>જિલ્લા ફેરબદલી અટકેલા શિક્ષકોને પણ પરીક્ષાની મંજૂરી</b></h2><p style="text-align: justify; ">આ ઉપરાંત અન્ય એક સંવેદનશીલ મુદ્દા પર વિગતો આપતાં જણાવવામાં આવ્યું છે કે, જે શિક્ષકોના જિલ્લા ફેરબદલીના હુકમો થઈ ગયા હોય પરંતુ કોઈ વહીવટી કારણોસર તેમને હાલની શિક્ષણ સમિતિમાંથી ફરજમુક્ત (રિલીવ) કરવામાં આવ્યા ન હોય, તેવા શિક્ષકોને પણ HTAT પરીક્ષા માટે પાત્ર ગણવામાં આવશે. આ નિર્ણયથી વહીવટી પ્રક્રિયામાં અટવાયેલા શિક્ષકોની તક છીનવાઈ જશે નહીં, જેને તમામ શિક્ષક મંડળો દ્વારા આવકારવામાં આવ્યો છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/dengue-cases-rise-viral-fever-and-flu-spread-across-city" target="_blank">Ahmedabad News: શહેરમાં ડેન્ગ્યુના કેસોમાં ચિંતાજનક વધારો, શરદી અને ખાંસી સાથે વાયરલ ફિવરનો કહેર</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/Jf0YUIRHU2buvvTG6ILQuXHn25VEEK0ovHLcFgKm.webp'/></item><item><title><![CDATA[Gujarat News: ઘર અને હોટલ બંનેની થાળી મોંઘી થઈ, લીંંબુ અને ડુંગળીના ભાવમાં મોટો ભડકો ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/lemon-and-onion-prices-surge-thali-prices-rise-amid-inflation</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/lemon-and-onion-prices-surge-thali-prices-rise-amid-inflation</guid><pubDate>Thu, 17 Sep 2026 08:42:05 +05:30</pubDate><description><![CDATA[<p>દેશમાં મોંઘવારીએ માઝા મુકી છે. ડુંગળી અને લીંબુના ભાવમાં છેલ્લા બે સપ્તાહમાં જ ત્રણ ગણો વધારો થયો છે.એક સપ્તાહ પહેલાં હોલસેલમાં રૂ.80 પ્રતિ કિલોના ભાવે મળતા લીંબુ અત્યારે રિટેલમાં રૂ.300ની કિંમતે વેચાવા માંડ્યા છે.જ્યારે રૂ.20પ્રતિ કિલો મળતી ડુંગળી રૂ.80 પ્રતિ કિલો વેચાઈ રહી છે.બીજી તરફ લીલા શાકભાજીમાં કિલોએ રૂ.20થી 30નો વધારો થયો છે.</p><h2><b>લેભાગુ તત્ત્વો કૃત્રિમ ભાવવધારો કરી રહ્યા છે</b></h2><p>વેપારીઓના જણાવ્યા કે મુજબ ડુંગળી અને લીંબુની આવક ઓછી હોવાને લીધે રિટેલમાં કૃત્રિમ ઉછાળો આવ્યો છે.નાની ગુજરાતી અને પંજાબી હોટેલોમાં થાળીમાંથી ડુંગળી અને લીંબુ ગાયબ થઈ ગયા છે.જ્યારે પાંઉભાજી અને દાળવડાની લારીઓ પર માપસરની ડુંગળી આપવાનું શરૂ કરાયું છે.આમ શાકભાજી,લીંબુ અને ડુંગળીના ભાવો આસમાને પહોંચી ગયા હોવા છતાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં પોઢી રહ્યા હોવાથી છેલ્લા ઘણા સમયથી કેટલાક લેભાગુ તત્ત્વો કૃત્રિમ ભાવવધારો કરી રહ્યા છે.જેના લીધે ગૃહિણીઓના બજેટ ઉપર સીધી અસર જોવા મળી છે.ગૃહિણીઓએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે,હવે ક્યાં સુધી અમે ધીરજ રાખીશું.</p><p><img alt="શાકભાજીના ભાવમાં વધારો" src="https://epapercdn.sandesh.com/images/2026/09/17/sZHoFdcsCWTSKZjwKvM6iBvRhnHaPeQvdlhnaQMb.webp" style="width: 100%;"><br></p><h2><b>ઊલટાનું મોંઘવારી વધતી જાય છે</b></h2><p>મોંઘવારી ઘટવાનું નામ લેતી નથી,ઊલટાનું મોંઘવારી વધતી જાય છે.બીજી તરફ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ તેમજ તોલમાપ વિભાગમાં અપૂરતા સ્ટાફને લીધે બજારમાં કોઈ તપાસ કરવા જતું નથી.જેના લીધે કેટલાક લેભાગુ વેપારીઓ કૃત્રિમ ઉછાળો લાવીને પ્રજાને છેતરી રહ્યા છે.સામાન્ય દિવસોમાં લીંબુ રિટેલમાં રૂ.60 પ્રતિ કિલો મળતા હતા.પરંતુ છેલ્લા પંદર દિવસમાં બજારમાં લીંબુની આવક ઓછી થઈ જતાં હાલ હોલસેલમાં રૂ.130 પ્રતિ કિલો મળી રહ્યા છે.જ્યારે છૂટક લીંબુનો ભાવ રૂ.300 પ્રતિ કિલોએ પહોંચ્યો છે.જ્યારે ડુંગળી પંદર દિવસ પહેલાં રૂ.20થી 30 પ્રતિ કિલો મળતી હતી તે અત્યારે રિટેલમાં રૂ.80 પ્રતિ કિલો વેચાઈ રહી છે.જ્યારે લીલા શાકભાજીમાં કિલોએ રૂ.20થી 40 સુધીનો વધારો થયો છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/pm-modi-birthday-amit-shah-to-flag-off-vadnagar-varanasi-seva-yatra" target="_blank">આ પણ વાંચોઃ Gujarat News : આજે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ, ગૃહમંત્રી અમિત શાહ વડનગરથી વારાણસી યાત્રાનું પ્રસ્થાન કરાવશે</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/vysN1koq2rOD5NccNqaa4EMKo2bLtW1c224ykHdQ.webp'/></item><item><title><![CDATA[પાકિસ્તાનની ટીમ ભારત આવશે! એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં જામશે ભારત-પાક જંગ ]]></title><link>https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</guid><pubDate>Mon, 14 Sep 2026 15:47:21 +05:30</pubDate><description><![CDATA[<p>આવતા મહિને પાકિસ્તાનની હોકી ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે. 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન પંજાબમાં યોજાનારી AHF મેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026માં પાકિસ્તાન સહિત કુલ છ ટીમો ભાગ લેશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પાકિસ્તાનની ભાગીદારી અંગેની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, મલ્ટી-નેશનલ ઇવેન્ટ્સ અંગે કેન્દ્ર સરકારની નીતિ હેઠળ બંને દેશોની ટીમો આમને-સામને રમશે.</p><h2><b>ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જાલંધરમાં રમાશે</b></h2><p>એશિયન મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન થશે. આ ટૂર્નામેન્ટમાં યજમાન ભારત અને પાકિસ્તાન ઉપરાંત ચીન, જાપાન, મલેશિયા અને કોરિયાની પણ ભાગ લેશે. લીગ સ્ટેજના મુકાબલા જાલંધરમાં યોજાશે, જ્યારે સેમિફાઇનલ અને ફાઇનલ મેચ મોહાલીના હોકી સ્ટેડિયમમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 1 નવેમ્બરે જાલંધરમાં રમાશે. કોઈ ટીમ છેલ્લી ઘડીએ ખસી જાય તો તે સ્થિતિ માટે ઓમાન અને બાંગ્લાદેશને રિઝર્વ ટીમન તરીકે રાખવામી આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PTI_News/status/2099416960278868155"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમવામાં કોઈ મુશ્કેલી નથી</b></h2><p>પાકિસ્તાનની ભાગીદારી અને જરૂરી મંજૂરીઓ અંગે પંજાબના મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં બંને દેશો વચ્ચે રમવામાં કોઈ મુશ્કેલી નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝનું આયોજન અલગ બાબત છે, કારણ કે કેન્દ્ર સરકારની વર્તમાન નીતિ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય રમત-ગમતના આયોજનની મંજૂરી આપતી નથી. પરંતુ મલ્ટી-નેશનલ ટૂર્નામેન્ટમાં બંને દેશોના ખેલાડીઓને એકબીજા સામે રમવાની પરવાનગી છે, જેથી પાકિસ્તાની ટીમ ભારત આવી શકશે.</p><h2><b>ભારત વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે</b></h2><p>ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. ભારતે 2023માં ચેન્નાઈ અને 2024માં ચીનના હુલુનબુઈરમાં યોજાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ગત વર્ષે આ સ્પર્ધા યોજાઈ શકી નહોતી. હવે પંજાબ પ્રથમ વખત આ ટૂર્નામેન્ટની મેજબાની કરવા જઈ રહ્યું છે.</p><h2><b>અગાઉ પાકિસ્તાની ટીમે ના કહી હતી&nbsp;</b></h2><p>પાકિસ્તાનની આ વખતની ભાગીદારી એટલા માટે પણ ખાસ છે, કારણ કે ગત વર્ષે તેણે તમિલનાડુમાં આયોજિત જૂનિયર હોકી વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તે સમયે બંને દેશો વચ્ચેના તણાવને તેનું કારણ ગણાવવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે અને પાકિસ્તાની ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે પૂરી રીતે તૈયાર છે.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/V6jwdiIr9RTCvR6EyBaGsP2qfZvYLq2JfkL7pytm.webp'/></item></channel></rss>