<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabad News : બાળકોના સ્વાસ્થ્ય પર ખાંડનો મોટો ખતરો! શિક્ષણ વિભાગે સ્કૂલોમાં કેમ લગાવવા પડ્યા 'સુગર બોર્ડ'? ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/education-dept-orders-sugar-boards-in-schools-to-reduce-sugar-intake-among-children</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/education-dept-orders-sugar-boards-in-schools-to-reduce-sugar-intake-among-children</guid><pubDate>Sat, 19 Sep 2026 09:23:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના શારીરિક સ્વાસ્થ્ય અને ભવિષ્યની તંદુરસ્તીને ધ્યાનમાં રાખીને એક અત્યંત સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે. બાળકોમાં નાનપણથી જ ખાંડના સેવનના પ્રમાણને નિયંત્રિત કરવા અને તેનાથી થતાં નુકસાન પ્રત્યે જાગૃતિ લાવવાના આશયથી શિક્ષણ બોર્ડ દ્વારા વિશેષ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી શાળાઓમાં અભ્યાસ કરતા હજારો બાળકોમાં આરોગ્યપ્રદ ટેવોનો વિકાસ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો છે.</p><h2 style="text-align: justify; "><b>શાળાઓમાં ‘સુગર બોર્ડ’ લગાવાશે</b></h2><p style="text-align: justify; ">શિક્ષણ બોર્ડના આદેશ અનુસાર, રાજ્યની તમામ શાળાઓમાં ખાસ 'સુગર બોર્ડ' લગાડવામાં આવશે. આ સુગર બોર્ડ પર દૈનિક જીવનમાં વપરાતા વિવિધ ખાદ્યપદાર્થોમાં ખાંડનું પ્રમાણ અને તેનાથી શરીર પર પડતી આડઅસરો વિશેની વિગતો પ્રદર્શિત કરવામાં આવશે. આ ઉપરાંત, શાળાઓમાં વિશેષ જાગૃતિ અભિયાન ચલાવીને વિદ્યાર્થીઓને ખાંડના વધુ પડતા સેવનથી થતી વિવિધ બીમારીઓ જેવી કે સ્થૂળતા (ઓબેસિટી), ડાયાબિટીસ અને દાંતના રોગો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવશે.</p><h2 style="text-align: justify; "><b>ખાંડના વધુ સેવનથી સ્વાસ્થ્ય જોખમ</b></h2><p style="text-align: justify; ">નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, નાની વયે ખાંડનું વધુ પડતું સેવન બાળકોના શારીરિક અને માનસિક વિકાસ પર વિપરીત અસર કરે છે. આ બાબતને ગંભીરતાથી લઈને શિક્ષણ વિભાગે તમામ શાળાઓને બાળકોમાં સુગરના વપરાશને સીમિત કરવા અને પૌષ્ટિક આહાર લેવા માટે પ્રોત્સાહિત કરવાની કડક સૂચના આપી છે. શિક્ષકો અને વાલીઓના સહિયારા પ્રયાસોથી બાળકોને વધુ પડતા ગળ્યા ખોરાક અને જંક ફૂડથી દૂર રાખવા માટેનું સાનુકૂળ વાતાવરણ નિર્માણ કરવામાં આવશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/gujarat-heavy-rain-forecast-yellow-alert-low-pressure-active-2026" target="_blank">Gujarat Rain Update: આ જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/dZw6bMAiCn6XeeR8jLGaGe0oIHAfqYDSEbz4zeK0.webp'/></item><item><title><![CDATA[Isha Koppikar Birthday: જીવનભર નહી ભૂલાય...બોલીવુડના જાણીતા અભિનેતા સાથે ઇશા કોપીકરને થયો કડવો અનુભવ ]]></title><link>https://sandesh.com/entertainment/news/isha-koppikar-birthday-will-never-forget-for-a-lifetime-isha-koppikar-had-a-bitter-experience-with-a-famous-bollywood-actor</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/isha-koppikar-birthday-will-never-forget-for-a-lifetime-isha-koppikar-had-a-bitter-experience-with-a-famous-bollywood-actor</guid><pubDate>Sat, 19 Sep 2026 08:35:39 +05:30</pubDate><description><![CDATA[<p>બોલીવુડમાં "ખલ્લાસ ગર્લ" તરીકે જાણીતી અભિનેત્રી ઈશા કોપ્પીકર આજે પોતાનો 50મો જન્મદિવસ ઉજવી રહી છે. 19 સપ્ટેમ્બર, 1976ના રોજ મુંબઈના માહિમમાં જન્મેલી ઈશાએ મોડેલિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ 22 વર્ષની ઉંમરે 1998માં તમિલ ફિલ્મ "કધલ કવિતાઈ" થી તેણે અભિનય ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું.</p><p><img alt="અભિનેત્રી ઇશા" src="https://epapercdn.sandesh.com/images/2026/09/19/gzBnJYeil9a8cHhhmTzeOXqo9rpNEjLyiyPlxIel.webp"><br></p><p><b>બોલીવુડમાં પ્રવેશ અને આઇટમ સોંગ્સથી ઓળખ</b></p><p>ઈશાએ વર્ષ 2002માં ફિલ્મ "ફિઝા" થી હિન્દી સિનેમામાં કદમ મૂક્યો હતો. તે પછી તેણે "ક્યા સુપર કૂલ હૈ હમ", "26 ચાઇના ટાઉન", "ડોન", "LOC કારગિલ", "એક વિવાહ ઐસા ભી" અને "કૃષ્ણા કોટેજ" જેવી કેટલીય ફિલ્મોમાં કામ કર્યું. જોકે, મુખ્ય અભિનેત્રી તરીકે વિશેષ સફળતા ન મળતાં, તેને "ઇશ્ક સમુંદર" અને "ખાલસા" જેવા લોકપ્રિય આઇટમ સોંગ્સથી અસલી ઓળખ મળી હતી.</p><p><b>એ-લિસ્ટ અભિનેતા સાથે કડવો અનુભવ</b></p><p>પોતાના શરૂઆતના દિવસોમાં ઈશાએ એક કડવો અનુભવ પણ સહન કરવો પડ્યો હતો. સિદ્ધાર્થ કન્નન સાથેના ઇન્ટરવ્યુમાં તેણે ખુલાસો કર્યો હતો કે જ્યારે તે 22 વર્ષની હતી, ત્યારે બોલીવુડના એક પ્રખ્યાત (એ-લિસ્ટ) અભિનેતાએ તેને એકલા મળવા બોલાવી હતી. તેણે ડ્રાઇવર કે અન્ય કોઈને સાથે ન લાવવાની શરત મૂકી હતી, પરંતુ ઈશાએ ગભરાયા વગર આ ઓફરનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.</p><p><b>અભિનેત્રીનું વર્તમાન જીવન</b></p><p>હાલમાં ઈશા કોપ્પીકર ફિલ્મ ઉદ્યોગ અને બોલીવુડથી દૂર છે તેમજ રાજકારણમાં પણ સક્રિય રહી છે. તે છેલ્લે "લવ યુ લોકતંત્ર" ફિલ્મમાં જોવા મળી હતી. ફિલ્મોથી દૂર હોવા છતાં તે સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે અને ફેન્સ સાથે પોતાના ફોટા શેર કરતી રહે છે. તાજેતરમાં જ તેણે ગણેશ ઉત્સવ દરમિયાન બાપ્પા સાથેનો ફોટો પોસ્ટ કરીને ચાહકોને શુભેચ્છાઓ પાઠવી હતી.</p><p><br></p><p><a href="https://sandesh.com/entertainment/news/gondhal-marathi-film-oscar-2027-india-entry" target="_blank">આ પણ વાંચો : Marathi Cinema : ઓસ્કર 2027ની રેસમાં સામેલ થઈ મરાઠી ફિલ્મ ગોંધળ, મળી ઓફિશિયલ એન્ટ્રી</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/6d61Hjal4CgQhpdzQxTNvU9x3V2tPpuaq07yGu9j.webp'/></item><item><title><![CDATA[Tharad : ઢીમા ફીડર બંધ રહેતા ખેડૂતોએ વીજ કચેરીએ જઈ રોષ ઠાલવ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/tharad/tharad-farmers-go-to-the-electricity-office-to-express-their-anger-over-the-feeder-being-shut-down-in-dhima</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/tharad/tharad-farmers-go-to-the-electricity-office-to-express-their-anger-over-the-feeder-being-shut-down-in-dhima</guid><pubDate>Sat, 19 Sep 2026 03:56:58 +05:30</pubDate><description><![CDATA[<p>વાવ-થરાદ પંથકમાં છેલ્લા એક અઠવાડિયાથી વીજળીની અનિયમિતતા અને અચાનક વીજકાપના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને ઢીમા ફીડરમાં દરરોજ સાંજના સમયે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવતો હોવાથી ખેડૂતોના ખેતીકાર્યો પર માઠી અસર પડી રહી છે. જેને લઈને ખેડૂતો થરાદ વીજ કચેરીએ ઘસી આવી રોષ ઠાલવ્યો હતો. વીજકાપથી કંટાળાયેલા સ્થાનિક ખેડૂતો કચેરીએ ઘસી આવી આક્ષેપ કર્યા હતા કે ઢીમા ફીડરમાં છેલ્લા એક અઠવાડિયાથી દરરોજ સાંજે 5 વાગ્યે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવે છે અને રાત્રે 10 વાગ્યે શરૂ કરવામાં આવે છે. ઉનાળા કે પાકને પાણી આપવાની મહત્વની સિઝનમાં પાંચ કલાકના આ અસહ્ય વીજકાપના કારણે ખેડૂતોના ખેતીકામ ખોરવાઈ ગયા છે અને પાકને નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે. વીજળીની આ સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા આખરે રોષે ભરાયેલા ખેડૂતો થરાદ સ્થિત વીજ કંપનીની કચેરીએ દોડી ગયા હતા અને અધિકારીઓ સમક્ષ પોતાની વેદના ઠાલવી હતી. ખેડૂતોના આક્ષેપ છે કે વીજ કચેરીના અધિકારીઓ દ્વારા પ્રશ્નનો યોગ્ય જવાબ આપવાને બદલે 'સવારે આવજો' કહીને તેમને પરત મોકલી દેવામાં આવ્યા હતા, જેના કારણે ખેડૂતોમાં ભારે નારાજગી ફેલાઈ છે. વારંવારના વીજકાપથી કંટાળેલા ખેડૂતોએ માંગ કરી છે કે વીજ કંપની દ્વારા તાત્કાલિક ધોરણે ઢીમા ફીડરનો વીજ પુરવઠો નિયમિત અને અવિરત કરવામાં આવે. જો આગામી સમયમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે, તો ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/pQorItx2GcXAWFlHGeoCQd8YaunMDERZVFjze55A.webp'/></item><item><title><![CDATA[Ambaji : 16 એમ્બ્યુલન્સ, 100થી વધુ આરોગ્ય કર્મચારીઓ મેળામાં ખડેપગે રહેશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ambaji/ambaji-16-ambulances-more-than-100-health-workers-will-be-on-hand-at-the-fair</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ambaji/ambaji-16-ambulances-more-than-100-health-workers-will-be-on-hand-at-the-fair</guid><pubDate>Sat, 19 Sep 2026 03:56:09 +05:30</pubDate><description><![CDATA[<p>યાત્રાધામ અંબાજી ખાતે યોજાનારા ભાદરવી પૂનમ મહામેળામાં લાખો પદયાત્રીઓ અને ભાવિકોની આરોગ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખી 108 ઈમરજન્સી સેવા દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. મેળા દરમ્યાન યાત્રાળુઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે અંબાજી તરફ જતા મુખ્ય માર્ગો પર કુલ 16 એમ્બ્યુલન્સ તૈનાત રાખવામાં આવશે. જેમાં ચાર એડવાન્સ લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભાદરવી પૂનમ મહામેળા દરમ્યાન લાખો માઈભક્તોના ચરણે શીશ ઝુકાવશે ત્યારે આરોગ્યની આપતાકાલીન સ્થિતિને પહોંચી વળવા 108 એમ્બ્યુલન્સ સેવા પણ સજ્જ બની છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે 108 દ્વારા દર વર્ષની સરખામણીમાં 6 એમ્બ્યુલન્સ વધારીને કુલ 16 એમ્બ્યુલન્સ કરવામાં આવી છે. જે બનાસકાંઠા જિલ્લાના હદ વિસ્તારમાં અંબાજીને જોડતા માર્ગો ઉપર સેવા આપશે. જેમાં પાયલોટ, ઈએમટી, ટેકનિકલ, સુપરવાઈઝર, મેનેજર સહિત કુલ 100 કરતા વધુ કર્મચારીઓ ખડેપગે રહેશે. આ 16 એમ્બ્યુલન્સમાં ચાર એમ્બ્યુલન્સ એડવાન્સ લાઈફ સપોર્ટ વાળી રહેશે જે અતિ ગંભીર પરિસ્થિતિ ધરાવતા દર્દીને નજીકની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવા માટે ઉપયોગમાં લેવાશે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/z6z5AIR90RI5FYKkHOJbGWd3cSZvLzRvoTNMUkgO.webp'/></item><item><title><![CDATA[Surat : સુરત જિલ્લાનાં 14 રૂટ ઉપર 929 વિદ્યાર્થીઓેને મફત બસ સેવાનો લાભ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-929-students-benefit-from-free-bus-service-on-14-routes-in-surat-district</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-929-students-benefit-from-free-bus-service-on-14-routes-in-surat-district</guid><pubDate>Sat, 19 Sep 2026 03:08:34 +05:30</pubDate><description><![CDATA[<p>કીમ : સુરત જિલ્લાનાં અંતરિયાળ અને ડુંગરાળ આદિવાસી પંથકમાં રહેતા વિદ્યાર્થીઓને શિક્ષણની મુખ્યધારા સાથે જોડી રાખવા માટે શરૂ કરવામાં આવેલી ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન યોજના સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઇ રહી છે. ખાસ કરીને માંગરોળ, ઉમરપાડા અને માંડવી તાલુકાનાં છેવાડાનાં ગામોમાંથી શિક્ષણ મેળવવા માંગતા છાત્રો માટે આ સુવિધા મોટી રાહત લઇને આવી છે. યોજના અંતર્ગત માંડવી બસ ડેપો ખાતેથી કુલ 14 રૂટ પર નિઃશુલ્ક એસ.ટી. બસ સેવા સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહી છે, જેનો લાભ લઇને હાલમાં 929 જેટલા આદિવાસી વિદ્યાર્થીઓ કોઇપણ મુશ્કેલી વગર પોતાની શાળા અને કોલેજ સુધી નિયમિત અવર જવર કરી રહ્યા છે. અગાઉ આ ડુંગરાળ અને દુર્ગમ વિસ્તારોમાંથી શાળા કે કોલેજ સુધી પહોંચવા માટે વિદ્યાર્થીઓએ લાંબુ અંતર પગપાળા કે મુશ્કેલીભરી રીતે કાપવું પડતું હતું, જેનાં કારણે અભ્યાસમાં અનિયમિતતા સર્જાતી હતી. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ભવ્ય ઉજવણીનાં પાવન અવસરે ગત વર્ષે 15 નવેમ્બરે નર્મદા જિલ્લાનાં ડેડીયાપાડા ખાતેથી આ યોજના હેઠળ 111 બસોને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતુ. ત્યાર બાદ જનજાતિય વિસ્તારોમાં વિદ્યાર્થીઓની સુવિધા વધારવાનાં ભાગરૂપે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા જુલાઇ 2026માં વધુ 139 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ રૂટ પર દોડતી તમામ બસોમાં જીપીએસ સિસ્ટમ મારફતે રિયલ ટાઇમ મોનિટરિંગ કરવામાં આવે છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/VVPpwu4dQpn7zHRjU6Fk3a47frvaX2GCHCkQqgxU.webp'/></item><item><title><![CDATA[Surat : કામરેજનાં ધોરણ પારડી પાસે એમોનિયા ગેસ ભરેલું ટેન્કર પલટી જતા ગભરાટ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-panic-as-tanker-filled-with-ammonia-gas-overturns-near-kamrejs-stad-pardi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-panic-as-tanker-filled-with-ammonia-gas-overturns-near-kamrejs-stad-pardi</guid><pubDate>Sat, 19 Sep 2026 03:05:49 +05:30</pubDate><description><![CDATA[<p>કીમ : કામરેજનાં ધોરણ પારડી ગામની સીમમાં ને.હા. નં-48 પર એમોનિયા ગેસ ભરેલુ ટેન્કર હાઇવેની વચોવચ પલ્ટી મારી જવાની ઘટનાનાં પગલે નાસભાગ મચી ગઇ હતી.</p><p>** એમોનિયા ગેસ ભરેલુ ટેન્કર નં.જીજે-16-એડબ્લ્યુ-325 ધોરણ પારડી ગામની સીમમાં મુંબઇ થી અમદાવાદ તરફ જતા ને.હા.નં-48 પરથી પસાર થઇ રહ્યુ હતુ. જે દરમ્યાન માનવમંદિરથી થોડેક આગળ હાઇવે પર આગળ ચાલી રહેલી એક ફોર વ્હિલ કારનાં ચાલકે અગમ્ય કારણોસર માર્ગ પર અચાનક બ્રેક મારી દીધી હતી. ત્યારે અકસ્માત ટાળવાનાં પ્રયાસમાં પાછળ આવી રહેલા ટેન્કરનાં ચાલકે પણ તાત્કાલિક જોરદાર બ્રેક લગાવી હતી. અચાનક બ્રેક મારવાનાં કારણે ચાલકે સ્ટિયરીંગ ઉપરનો કાબુ ગુમાવી દીધો હતો. જેનાં પગલે બેકાબુ બનેલુ ભારેખમ ટેન્કર નેશનલ હાઇવેનાં મુખ્ય માર્ગની વચોવચ ધડાકાભેર પલ્ટી મારી ગયુ હતુ. સુચીત અકસ્માતની ઘટનાનાં પગલે મુંબઇ થી અમદાવાદ જતા માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી જતા ટ્રાફિક જામની સ્થિતીનું નિર્માણ થયુ હતુ અને હાઇવે પર અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે સમગ્ર ઘટનાની જાણ સુરત જીલ્લા ટ્રાફિક પોલીસને થતા જીલ્લા ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક ધોરણે બનાવનાં સ્થળે દોડી આવી હતી. જોકે ઘટના સ્થળે પહોંચેલી જીલ્લા ટ્રાફિક પોલીસની ટીમે પરીસ્થિતી સંભાળીને ટ્રાફિક નિયંત્રણની તજવીજ હાથ ધરી હતી.**</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/19/sTFL0qf4asgnti5R3CrhAEGfGfy47fTxibxTTRPZ.webp'/></item><item><title><![CDATA[ISIS કેસમાં NIAની મોટી કાર્યવાહી, 9 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ ]]></title><link>https://sandesh.com/india/news/nia-takes-major-action-in-isis-case-chargesheet-filed-against-9-accused</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/nia-takes-major-action-in-isis-case-chargesheet-filed-against-9-accused</guid><pubDate>Fri, 18 Sep 2026 23:35:11 +05:30</pubDate><description><![CDATA[<p>NIA chargesheet: સોશિયલ મીડિયા દ્વારા યુવાઓને કટ્ટરપંથ તરફ ધકેલવા અને આતંકવાદી સંગઠન ISISની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના મામલે NIAએ મોટી કાર્યવાહી કરી છે. NIAએ વિજયવાડાની વિશેષ NIA કોર્ટમાં 9 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. આ મામલો ઓનલાઈન રેડિકલાઇઝેશન સાથે જોડાયેલો છે. ચાર્જશીટમાં મોહમ્મદ રહમતુલ્લાહ શરીફ, મોહમ્મદ દાનિશ, મિર્ઝા સોહેલ બેગ, લકી અહેમદ, ઝીશાન અબ્દુલ મજીદ, મીર આસિફ અલી, અબ્દુલ સલામ, શારુક ખાન અને શેખ ફૈઝ ઉર રહમાનને આરોપી બનાવવામાં આવ્યા છે.</p><p><b>ISISના સભ્ય કે સમર્થક હોવાનો આરોપ</b></p><p>NIAના જણાવ્યા અનુસાર, તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ISISના સભ્ય અથવા સમર્થક હતા. આરોપ છે કે આ લોકોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ખાસ કરીને ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ યુવાઓને પ્રભાવિત કરવા અને કટ્ટરપંથી બનાવવા માટે કર્યો હતો.</p><p><b>જેહાદ દ્વારા ભારતમાં ખિલાફત સ્થાપવાની કથિત સાજિશ</b></p><p>તપાસ એજન્સીનો દાવો છે કે આરોપીઓએ ભારતની સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડિતતાને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી હિંસક જેહાદ દ્વારા ભારતમાં ખિલાફત સ્થાપવાની મોટી સાજિશ રચી હતી. આ માટે કથિત રીતે એવા યુવાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેઓ સરળતાથી તેમના પ્રભાવમાં આવી શકે.</p><p><b>વિસ્ફોટક અને હથિયારોની ટ્રેનિંગની તૈયારી</b></p><p>NIAના જણાવ્યા અનુસાર, આરોપીઓએ યુવાઓને હિંસક આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થવા માટે પ્રેરિત કરવા અને કટ્ટરપંથી બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તપાસમાં એ પણ સામે આવ્યું કે આરોપીઓ વિસ્ફોટક બનાવવાની અને હથિયારો ચલાવવાની ટ્રેનિંગની તૈયારી કરી રહ્યા હતા.</p><p><b>ગુપ્ત વાતચીત માટે એપ બનાવ્યાનો આરોપ</b></p><p>આ મામલાની તપાસ દરમિયાન વધુ એક વાત સામે આવી છે. NIAનું કહેવું છે કે આરોપીઓએ એકબીજા સાથે ગુપ્ત રીતે વાતચીત કરવા માટે એક સિક્યોર કમ્યુનિકેશન એપ વિકસાવી હતી. આરોપ છે કે આ એપ બનાવવાનો અને તેનું ટેસ્ટિંગ કરવાનો હેતુ તેમની વચ્ચે થતી વાતચીતને સુરક્ષિત અને ગુપ્ત રાખવાનો હતો.</p><p><b>અત્યાર સુધી 11 આરોપીઓની ધરપકડ</b></p><p>આ મામલો સૌપ્રથમ 23 માર્ચ 2026ના રોજ વિજયવાડાના વિજયવાડા II ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. ત્યારબાદ NIAએ આ મામલાની તપાસ પોતાના હાથમાં લીધી હતી. આ કેસમાં અત્યાર સુધી 11 આરોપીઓ અને કાયદા સાથે સંઘર્ષમાં રહેલા એક બાળકની ધરપકડ કરવામાં આવી છે.</p><p><b>BNS, IT એક્ટ અને UAPA હેઠળ કાર્યવાહી</b></p><p>NIAએ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA)ની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરી છે. NIAએ કહ્યું છે કે આ મામલામાં બાકીના આરોપીઓ અને અન્ય શંકાસ્પદ લોકોની તપાસ હજુ ચાલુ છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/jhiram-ghati-massacre-nia-special-court-death-sentence-10-maoists" target="_blank">આ પણ વાંચો: ઝિરામ ઘાટી નરસંહારમાં NIA કોર્ટનો મોટો નિર્ણય, 10 માઓવાદીઓને ફાંસીની સજા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/rkXt2z4GprHDj2iop2OmOVtEUIVV2hI0jBcg9bK4.webp'/></item><item><title><![CDATA[Ayodhya : રામમંદિરમાં પૂજારીઓ માટે નવી નિયમાવલી લાગુ, પીળાં વસ્ત્રો, તિલક અને પંચકેશી ફરજિયાત ]]></title><link>https://sandesh.com/india/news/ayodhya-ram-temple-priests-new-rules-mobile-ban</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ayodhya-ram-temple-priests-new-rules-mobile-ban</guid><pubDate>Fri, 18 Sep 2026 23:19:07 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અયોધ્યાના શ્રીરામજન્મભૂમિ મંદિર પરિસરમાં સેવા આપતા પૂજારીઓ માટે નવી નિયમાવલી તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવી છે. રામલલા સહિત પરિસરના અન્ય મંદિરોમાં સેવા આપતા પૂજારીઓ માટે વસ્ત્રોથી લઈને ગર્ભગૃહમાં પ્રવેશ અને સેવાકાળ દરમિયાનના વ્યવહાર સુધીના નિયમો નક્કી કરવામાં આવ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>પીળાં વસ્ત્રો અને તિલક ફરજિયાત</b></h2><p style="text-align: justify; ">નવી વ્યવસ્થા મુજબ પૂજારીઓએ ધર્મ સમિતિ દ્વારા નિર્ધારિત પીળાં વસ્ત્રો પહેરવાના રહેશે. ઋતુ અને હવામાન પ્રમાણે વસ્ત્રોમાં જરૂરી ફેરફાર કરી શકાશે. સેવાકાળ દરમિયાન તિલક લગાવવું ફરજિયાત રહેશે. સાથે જ પંચકેશી પરંપરાનું પાલન કરવાનું રહેશે.</p><h3 style="text-align: justify; "><b>ગર્ભગૃહમાં મોબાઇલ અને પર્સ નહીં લઈ જઈ શકાય</b></h3><p style="text-align: justify; ">પૂજારીઓ હવે ગર્ભગૃહમાં મોબાઇલ ફોન, પર્સ અથવા અન્ય કોઈપણ ખાનગી વસ્તુ લઈ જઈ શકશે નહીં. મંદિર વ્યવસ્થા દ્વારા આપવામાં આવતા ભોગ-પ્રસાદ સિવાય બહારની કોઈ સામગ્રી પણ ગર્ભગૃહમાં લઈ જવા પર પ્રતિબંધ રહેશે. ખાનગી સામાન રાખવા માટે લોકરની વ્યવસ્થા કરવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>શૌચ બાદ સ્નાન કર્યા વિના પ્રવેશ નહીં</b></h3><p style="text-align: justify; ">નવી નિયમાવલીમાં શારીરિક શુચિતાને લઈને પણ સ્પષ્ટ નિયમો બનાવવામાં આવ્યા છે. શૌચ કર્યા બાદ સ્નાન કર્યા વિના પૂજારીઓ મંદિર અથવા કોઠારમાં પ્રવેશ કરી શકશે નહીં. સેવાકાળ દરમિયાન પોતાના નિર્ધારિત સેવા સ્થળે હાજર રહેવું પડશે.</p><h4 style="text-align: justify; "><b>સ્થળ છોડવું હોય તો લેખિત જાણ કરવી પડશે</b></h4><p style="text-align: justify; ">સેવાકાળ દરમિયાન કોઈ જરૂરી કારણસર નિર્ધારિત સ્થળ છોડવું પડે તો શિફ્ટ ઇન્ચાર્જને લેખિત જાણ કરવાની રહેશે. પૂજારીઓને તેમની ફરજ દરમિયાન મંદિરની આંતરિક વ્યવસ્થા અને નિર્ધારિત સેવા પદ્ધતિનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે.</p><h4 style="text-align: justify; "><b>સેવાકાળ દરમિયાન વાતચીત અને હાસ્ય-મજાક પર રોક</b></h4><p style="text-align: justify; ">પૂજારીઓને સેવાકાળ દરમિયાન અનાવશ્યક વાતચીત, સમૂહમાં ચર્ચા અને હાસ્ય-મજાકથી દૂર રહેવા જણાવાયું છે. મંદિર વ્યવસ્થા, ધર્મગુરુ અને આચાર્યો સિવાય ટ્રસ્ટના કર્મચારીઓ અથવા સુરક્ષાકર્મીઓ સાથે પણ અનાવશ્યક સંપર્ક અને વાતચીત ટાળવાની સૂચના આપવામાં આવી છે.</p><h4 style="text-align: justify; "><b>નિયમોના ભંગ બદલ શુદ્ધિકરણની જોગવાઈ</b></h4><p style="text-align: justify; ">મંદિરની નિર્ધારિત મર્યાદાનો ભંગ થાય તો શુદ્ધિકરણની પ્રક્રિયા અપનાવવાની જોગવાઈ રાખવામાં આવી છે. નિયમોનું વારંવાર ઉલ્લંઘન થાય તો કાર્યવાહી પણ થઈ શકે છે. નવી નિયમાવલીનો હેતુ પૂજા પદ્ધતિ, શુચિતા અને મંદિરની આંતરિક વ્યવસ્થામાં શિસ્ત જાળવવાનો છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp; :&nbsp; &nbsp;<a href="https://sandesh.com/weather/news/india/cyclone-alert-bay-of-bengal-cyclone-arnava-low-pressure-september-19-weather-alert" target="_blank"><b>Cyclone Alert : બંગાળની ખાડીમાંથી આવી રહ્યું છે 'અર્નવ' વાવાઝોડું..!</b></a>&nbsp;&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp; :&nbsp; &nbsp;<a href="https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026--withdrawal-september-19-west-rajasthan-weather-update" target="_blank"><b>Sandesh Digital Explainer : આવતીકાલથી ચોમાસું લેશે વિદાય, ચોમાસું અચાનક નથી જતું, આ રીતે થાય છે વિદાય, સમજો ગણિત</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/33QuXgZ21W07Q3gEI5HZV01iou9rWtZZey5Lp6fZ.webp'/></item><item><title><![CDATA[Auto News: આ નવી SUV બચાવશે તમારો પેટ્રોલનો ખર્ચ, એક ચાર્જમાં 200 KM, પછી પેટ્રોલનો સહારો! ]]></title><link>https://sandesh.com/business/news/automobile/xc60-xc90-phev-200-km-range-new-hybrid-suv</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/xc60-xc90-phev-200-km-range-new-hybrid-suv</guid><pubDate>Fri, 18 Sep 2026 21:21:07 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વોલ્વોએ તેની લોકપ્રિય લક્ઝરી SUV XC60 અને XC90 ના નવા લોંગ-રેન્જ પ્લગ-ઇન હાઇબ્રિડ (PHEV) વર્ઝન રજૂ કર્યા છે. આ બંને મોડલની સૌથી મોટી ખાસિયત તેમની વધેલી ઇલેક્ટ્રિક રેન્જ છે. નવી XC60 એકવાર ફૂલ ચાર્જ થવા પર માત્ર ઇલેક્ટ્રિક પાવર પર લગભગ 200 કિલોમીટર સુધી ચાલી શકે છે, જ્યારે XC90 ઇલેક્ટ્રિક મોડમાં લગભગ 160 કિલોમીટર સુધી ચાલવાની ક્ષમતા ધરાવે છે. આ આંકડા WLTP ટેસ્ટ પર આધારિત છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>માત્ર ઇલેક્ટ્રિક પાવર પર ચાલશે ગાડી</b></h2><p style="text-align: justify; ">નવી Volvo XC60 અને XC90 PHEV માં ઇલેક્ટ્રિક રેન્જ વધારવા માટે મોટી બેટરી અને વધુ પાવરફુલ ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. XC60 માં 41.2 kWh ની બેટરી આપવામાં આવી છે, જેનાથી તેની ઇલેક્ટ્રિક-ઓન્લી રેન્જ નોંધપાત્ર રીતે વધી છે.</p><p style="text-align: justify; "><img alt="What's special about the new SUV?" src="https://epapercdn.sandesh.com/images/2026/09/18/IMWxb3Rx0WCi8v90zMNjPxwF3qndx3oEserpvFT0.webp"><br></p><h3 style="text-align: justify; "><b>બંને કારની ખાસિયત અને દૈનિક ઉપયોગમાં ફાયદો&nbsp;</b></h3><p style="text-align: justify; ">કંપનીના જણાવ્યા અનુસાર, XC60 ની ઇલેક્ટ્રિક રેન્જમાં લગભગ 121 કિલોમીટર અને XC90 ની રેન્જમાં લગભગ 96 કિલોમીટરનો વધારો થયો છે. તેનો સૌથી મોટો ફાયદો એ થશે કે રોજિંદા ઓફિસે આવવા-જવા કે શહેરની અંદરના નાના પ્રવાસો પેટ્રોલ એન્જિન ચાલુ કર્યા વિના જ પૂરા કરી શકાશે.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>લાંબી મુસાફરીમાં પેટ્રોલ એન્જિનનો ઉપયોગ</b></h4><p style="text-align: justify; ">PHEV (પ્લગ-ઇન હાઇબ્રિડ) કારોમાં ઇલેક્ટ્રિક મોટરની સાથે પેટ્રોલ એન્જિન પણ હોય છે. આથી ડ્રાઇવરે લાંબી મુસાફરીમાં સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક ચાર્જિંગ પર નિર્ભર રહેવું પડતું નથી. બેટરી ખતમ થયા પછી પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરી શકાય છે, જેનાથી રેન્જની ચિંતા રહેતી નથી. ગ્રાહકોની PHEV ની માંગને ધ્યાનમાં રાખીને વોલ્વોએ આ અપડેટ આપ્યું છે.</p><p style="text-align: justify; "><img alt="What's special about the new SUV?" src="https://epapercdn.sandesh.com/images/2026/09/18/vzXrAlemgZVcOePTWLrwISZAeK6lO7GnogaQXQTU.webp"><br></p><h5 style="text-align: justify; "><b>XC60 ની ડિઝાઇનમાં ફેરફાર અને આધુનિક ઇન્ટિરિયર&nbsp;</b></h5><p style="text-align: justify; ">નવી XC60 PHEV માં માત્ર પાવરટ્રેન જ નહીં, પરંતુ ડિઝાઇન અને કેબિનમાં પણ મહત્વપૂર્ણ અપડેટ્સ કરવામાં આવ્યા છે. તેના એક્સટીરિયરમાં ફ્રન્ટ ગ્રિલ, લાઇટ્સ અને અન્ય બોડી એલિમેન્ટ્સમાં ફેરફાર જોવા મળે છે. ઇન્ટિરિયરની વાત કરીએ તો, નવા મટિરિયલ અને અપડેટેડ ડેશબોર્ડ સાથે 11.2-ઇંચની શાનદાર ટચસ્ક્રીન આપવામાં આવી છે. તેના ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમમાં ગૂગલની નવી ટેક્નોલોજી અને 'Gemini' વોઇસ આસિસ્ટન્ટનો સપોર્ટ પણ આપવામાં આવ્યો છે.</p><h6 style="text-align: justify; "><b>અદ્યતન સેફ્ટી ફીચર્સ અને XC90ની વિશાળ સ્પેસ&nbsp;</b></h6><p style="text-align: justify; ">વોલ્વો હંમેશા તેની કારોમાં સુરક્ષાને વિશેષ મહત્વ આપે છે. નવી XC60 માં અનેક એડવાન્સ્ડ ડ્રાઇવર આસિસ્ટન્સ ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે, જેમાં ઓટોમેટિક ઇમરજન્સી સ્ટીયરિંગ, લેન-ચેન્જ આસિસ્ટ અને 360-ડિગ્રી કેમેરા જેવા ફીચર્સ સામેલ છે. બીજી તરફ, XC90 એક મોટી અને થ્રી-રો (ત્રણ હરોળ) વાળી SUV છે. તેથી તેમાં પેસેન્જર સ્પેસ વધુ મળે છે જે લાંબા અંતરની યાત્રા માટે ખૂબ જ ઉપયોગી છે. નવા હાઇબ્રિડ સિસ્ટમ સાથે XC90 ને પણ નવી ટેક્નોલોજી અને સેફ્ટી અપડેટ્સ મળે છે.</p><p style="text-align: justify; "><img alt="What's special about the new SUV?" src="https://epapercdn.sandesh.com/images/2026/09/18/KhocWaUHrL1Fz9g8CjbCa95AnmDjIli4e3aeyV3O.webp"><br></p><p style="text-align: justify; "><b>પ્રોડક્શન ક્યારે શરૂ થશે?&nbsp;</b></p><p style="text-align: justify; ">આ નવી લોંગ-રેન્જ XC60 અને XC90 PHEV માટે પ્રોડક્શન 2026 ના અંત આસપાસ શરૂ થવાની અપેક્ષા છે. જ્યારે, પસંદગીના બજારોમાં તેની ડિલિવરી 2027 ની શરૂઆતથી થઈ શકે છે. હાલમાં આ નવા વર્ઝનની કિંમત અંગેની માહિતી તમામ બજારો માટે જાહેર કરવામાં આવી નથી. ટૂંકમાં, મોટી બેટરી અને પાવરફુલ મોટર સાથે આ SUVs હવે રોજિંદા વપરાશમાં ઇલેક્ટ્રિક કાર જેવો અનુભવ આપશે અને લાંબી મુસાફરી માટે પેટ્રોલ એન્જિનનો ભરોસો પણ પૂરો પાડશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/automobile" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/3FPFRloDBOCFNsihIzPSZzSbAJZDN0WtPwDU6iio.webp'/></item><item><title><![CDATA[Davis Cup: ભારતને મોટો ઝટકો! ડીકે સુરેશ પ્રથમ મેચ 2-1થી હાર્યા ]]></title><link>https://sandesh.com/sports/news/davis-cup-dk-suresh-vs-sunwoo-kwon-india-korea-result</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/davis-cup-dk-suresh-vs-sunwoo-kwon-india-korea-result</guid><pubDate>Fri, 18 Sep 2026 14:22:13 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે સિઓલના ઓલિમ્પિક કોર્ટમાં ડેવિસ કપના બીજા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે. 18 સપ્ટેમ્બરે સિંગલ્સના પ્રથમ મુકાબલામાં ભારતના ડીકે સુરેશ અને દક્ષિણ કોરિયાના સોનવૂ ક્વોન સામસામે આવ્યા હતા.ડીકે સુરેશે મેચની શરૂઆત શાનદાર રીતે કરી હતી અને પ્રથમ સેટ પોતાના નામે કર્યો હતો. જોકે ત્યારબાદ કોરિયન ખેલાડીએ જોરદાર વાપસી કરી હતી. સોનવૂ ક્વોને સતત બીજા અને ત્રીજા સેટમાં જીત મેળવીને મેચ 2-1થી પોતાના નામે કરી હતી.આ જીત સાથે દક્ષિણ કોરિયાએ ડેવિસ કપના આ રાઉન્ડમાં ભારત સામે 1-0ની સરસાઈ મેળવી લીધી છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>પ્રથમ સેટમાં ડીકે સુરેશનો દબદબો</b></h3><p style="text-align: justify; ">મેચના પ્રથમ સેટમાં ડીકે સુરેશે શરૂઆતથી જ શાનદાર રમત બતાવી હતી.9 ગેમ સુધી ચાલેલા આ સેટમાં તેમણે કુલ 6 ગેમ જીતી હતી. ખાસ કરીને શરૂઆતની 3 ગેમમાં ભારતીય ખેલાડીએ એકતરફી દબદબો જાળવી રાખ્યો હતો.બીજી તરફ સોનવૂ ક્વોન શરૂઆતમાં પોતાની લય મેળવી શક્યા નહોતા. તેઓ માત્ર 3 ગેમ જીતી શક્યા હતા. પરિણામે ડીકે સુરેશે પ્રથમ સેટ 6-3થી જીતીને મેચમાં 1-0ની સરસાઈ મેળવી હતી.પ્રથમ સેટમાં મળેલી જીત બાદ ભારતીય ખેલાડી પાસેથી મેચમાં જીત જાળવી રાખવાની આશા હતી. જોકે બીજા સેટમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/DavisCup/status/2100854915233169643?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>બીજા સેટમાં કોરિયન ખેલાડીની વાપસી</b></h4><p style="text-align: justify; ">બીજા સેટની શરૂઆતમાં બંને ખેલાડીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. પ્રથમ 4 ગેમ બાદ સ્કોર 2-2થી બરાબર હતો. ત્યારબાદ સોનવૂ ક્વોને પોતાની રમતનું સ્તર વધાર્યું હતું.કોરિયન ખેલાડીએ સતત 3 ગેમ જીતીને ડીકે સુરેશ પર દબાણ વધાર્યું હતું. સુરેશે ત્યારબાદ એક ગેમ જીતી હતી, પરંતુ સોનવૂ ક્વોને સેટની 9મી ગેમ જીતીને બીજો સેટ 6-3થી પોતાના નામે કરી લીધો હતો.આ સાથે મેચ 1-1ની બરાબરી પર આવી ગઈ હતી અને અંતિમ સેટ નિર્ણાયક બન્યો હતો.</p><h5 style="text-align: justify; "><b>અંતિમ સેટમાં પણ કોરિયન ખેલાડીનો દબદબો</b></h5><p style="text-align: justify; ">ત્રીજા સેટમાં પણ સોનવૂ ક્વોને પોતાની લય જાળવી રાખી હતી. પ્રથમ સેટ ગુમાવ્યા બાદ તેમણે જે રીતે વાપસી કરી તે મેચનું મહત્વનું પાસું રહ્યું હતું.અંતે કોરિયન ખેલાડીએ ત્રીજો સેટ પણ પોતાના નામે કરીને મેચ 2-1થી જીતી લીધી હતી. આ સાથે ડેવિસ કપના બીજા રાઉન્ડમાં દક્ષિણ કોરિયાને ભારત સામે 1-0ની લીડ મળી છે.ડીકે સુરેશે પ્રથમ સેટમાં શાનદાર શરૂઆત કરીને ભારતને આશા જગાવી હતી, પરંતુ ત્યારબાદ કોરિયન ખેલાડીએ સતત બે સેટ જીતીને મેચનું પરિણામ પોતાના પક્ષમાં ફેરવી નાખ્યું.હવે ભારતની નજર બીજા મુકાબલા પર રહેશે, જ્યાં ટીમ ડેવિસ કપના આ રાઉન્ડમાં વાપસી કરીને સ્કોર બરાબર કરવાનો પ્રયાસ કરશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/asian-champions-trophy-pakistan-refuses-to-send-india-team-demands-matches-to-be-held-at-neutral-venue" target="_blank"> Asian Champions Trophy: પાકિસ્તાને ભારત ટીમ મોકલવાનો કર્યો ઇનકાર, તટસ્થ સ્થળ પર મેચો યોજવાની કરી માંગ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/dVz2uqMsLUVRt2WCGDpvWJWd3w1XmdyKQCBfd3Hv.webp'/></item></channel></rss>