<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabad: ધરણીધર-નેહરુનગર ઓવરબ્રિજ સામાન્ય વરસાદમાં જ મસમોટા ગાબડા ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/dharanidhar-nehru-nagar-overbridge-damaged-potholes-on-flyover-raises-safety-concerns</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/dharanidhar-nehru-nagar-overbridge-damaged-potholes-on-flyover-raises-safety-concerns</guid><pubDate>Mon, 20 Jul 2026 10:09:00 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટીના બણગાં ફૂંકવામાં આવી રહ્યા છે, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ ચિત્ર બતાવી રહી છે. શહેરમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થાય તે પહેલા જ માત્ર સામાન્ય વરસાદી ઝાપટાં પડતાં જ ધરણીધરથી નેહરુનગર તરફ જતા વસંતભાઈ ગજેન્દ્રગડકર ઓવરબ્રિજની આખી સરફેસ ધોવાઈ ગઈ છે. બ્રિજ પર એટલા મોટા ગાબડા પડ્યા છે કે વાહનચાલકોને દૂરથી ખાડાનો અંદાજ પણ આવતો નથી, જેના લીધે અનેક વાહનો અચાનક બ્રેક મારતા પાછળના વાહનો અથડાઈ રહ્યા છે.</p><h2><b>બ્રિજ વાહનચાલકો માટે કમરતોડ અને જોખમી</b></h2><p>વર્ષ 2006માં જ્યારે આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, ત્યારે પશ્ચિમ અમદાવાદના લોકોને ટ્રાફિકમાંથી મોટી રાહત મળી હતી. પરંતુ યોગ્ય મેઇન્ટેનન્સના અભાવે અને ભ્રષ્ટ કામગીરીના કારણે આજે આ બ્રિજ વાહનચાલકો માટે કમરતોડ અને જોખમી સાબિત થઈ રહ્યો છે.</p><h3><b>તંત્રના નબળા સમારકામની ખુલી ગઈ પોલ</b></h3><p>સ્થાનિક રહીશો અને વાહનચાલકોના જણાવ્યા અનુસાર, દર વર્ષે રોડ-બ્રિજ રિપેરિંગના નામે ફક્ત સપાટી પર ડામરના થીંગડા મારીને સંતોષ માની લેવાય છે. વરસાદનું પાણી ભરાતાની સાથે જ આ નબળું પેચવર્ક ઉખડી જાય છે અને કપચી રોડ પર પથરાઈ જાય છે. આ કપચીના કારણે મોટરસાયકલ ચાલકો સ્લિપ થઈ રહ્યા છે. શહેરીજનો હવે સોશિયલ મીડિયા પર સવાલો ઉઠાવી રહ્યા છે કે જો સામાન્ય વરસાદમાં જ બ્રિજની આ હાલત થતી હોય, તો ભારે વરસાદમાં શું સ્થિતિ સર્જાશે? લોકો તંત્ર પાસે માત્ર ગલી-કૂચીના રોડ નહીં, પરંતુ આ કાળમુખા બ્રિજોનું પણ કાયમી અને મજબૂત રિપેરિંગ થાય તેવી માગ કરી રહ્યા છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/sayan-railway-station-elderly-passenger-dies-of-heart-attack-in-running-train" target="_blank">આ પણ વાંચો: Surat: કર્ણાટકથી ગિરનાર યાત્રાએ જઈ રહેલા વૃદ્ધનું સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં હાર્ટ એટેક આવતા કરુણ મોત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/20/OOh2UdXBSofDxgXyY7JhCFztDNEjOJp0jZ41XpiI.webp'/></item><item><title><![CDATA[Surat: કર્ણાટકથી ગિરનાર યાત્રાએ જઈ રહેલા વૃદ્ધનું સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં હાર્ટ એટેક આવતા કરુણ મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/sayan-railway-station-elderly-passenger-dies-of-heart-attack-in-running-train</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/sayan-railway-station-elderly-passenger-dies-of-heart-attack-in-running-train</guid><pubDate>Mon, 20 Jul 2026 09:46:37 +05:30</pubDate><description><![CDATA[<p>ઓલપાડ તાલુકામાં આવેલા સાયણ રેલવે સ્ટેશન પર આજે એક અત્યંત કરુણ અને ગમગીન કરનારી ઘટના ઘટી છે. મૂળ કર્ણાટકના વતની અને ધાર્મિક પ્રવાસ અંતર્ગત ગુજરાતના મશહૂર તીર્થસ્થળ ગિરનાર (જૂનાગઢ) ખાતે દર્શન કરવા જઈ રહેલા એક વૃદ્ધ દંપતીનો પ્રવાસ અધવચ્ચે જ આઘાતમાં પરિણમ્યો છે. આ વૃદ્ધ, તેમની પત્ની અને અન્ય બે પરિચિત મહિલાઓ સાથે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં સવાર થઈને ખુશી-ખુશી ગિરનાર તરફ જઈ રહ્યા હતા.</p><h2><b>ટ્રેનમાં હાર્ટ એટેક આવતા મોત&nbsp;</b></h2><p>ટ્રેન જ્યારે સુરત ક્રોસ કરીને સાયણ રેલવે સ્ટેશનની નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક આ વૃદ્ધ મુસાફરને છાતીના ભાગમાં અસહ્ય અને તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. ટ્રેનના ડબ્બામાં હાજર પત્ની અને અન્ય મહિલાઓએ તાત્કાલિક બૂમાબૂમ કરી મૂકતા આસપાસના મુસાફરો મદદે દોડી આવ્યા હતા. જો કે, હાર્ટ એટેક એટલો તીવ્ર હતો કે સેકન્ડોના ભાગમાં જ વૃદ્ધ બેભાન થઈ ગયા હતા અને સારવાર મળે તે પહેલા જ ટ્રેનની અંદર જ તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.</p><h3><b>રેલવે પોલીસની ત્વરિત કાર્યવાહી</b></h3><p> ટ્રેનમાં મુસાફરના મોતના પગલે સાયણ રેલવે સ્ટેશનના માસ્ટર અને રેલવે કંટ્રોલ રૂમને તુરંત ચેઈન પુલિંગ અથવા ઈમરજન્સી મેસેજ દ્વારા જાણ કરવામાં આવી હતી. સ્ટેશન સત્તાધીશોએ પ્રોટોકોલ મુજબ સૌરાષ્ટ્ર એક્સપ્રેસને સાયણ સ્ટેશન પર થોભાવી દીધી હતી. ઘટનાની જાણ થતાં જ સુરત રેલવે પોલીસનો કાફલો સાયણ સ્ટેશન પર દોડી ગયો હતો અને ટ્રેનના ડબ્બામાંથી વૃદ્ધના મૃતદેહને નીચે ઉતારી તેનો સત્તાવાર કબજો લીધો હતો.</p><h4><b>અકસ્માત મોત અંગે ડાયરીમાં નોંધ</b></h4><p>રેલવે પોલીસે આ અકસ્માત મોત અંગે ડાયરીમાં નોંધ કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. પવિત્ર યાત્રાએ નીકળેલા પતિનું નજર સામે જ મોત થતાં પત્ની અને સાથે રહેલી મહિલાઓ આઘાતથી ભાંગી પડી હતી અને સાયણ સ્ટેશન પંથક પરિવારના કરુણ કલ્પાંતથી ગુંજી ઉઠ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં મોકલવાની અને કર્ણાટક સ્થિત તેમના અન્ય સગા-સંબંધીઓને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/breakingnews/crime/anand/vasad-child-murder-case-accused-suresh-parmar-killed-in-police-encounter" target="_blank">આ પણ વાંચો: Anand: વાસદ બાળકી હત્યા કેસના આરોપી સુરેશનું એન્કાઉન્ટર, કંથારીયા-આસોદર વચ્ચે પોલીસ પર હુમલો ભારે પડ્યો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/20/GSJ06UYbn5LCqwOUv66EI8DddzhvrS8cqaSOqjyd.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026: આર્જેન્ટીનાને હરાવી સ્પેને રચ્યો ઇતિહાસ, 16 વર્ષના લાંબા ઇતજાર બાદ બીજી વખત બન્યું ફિફા વર્લ્ડ કપ ચેમ્પિયન ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-spain-created-history-by-defeating-argentina-became-fifa-world-cup-champion-for-the-second-time-after-a-long-wait-of-16-years</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-spain-created-history-by-defeating-argentina-became-fifa-world-cup-champion-for-the-second-time-after-a-long-wait-of-16-years</guid><pubDate>Mon, 20 Jul 2026 09:44:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ન્યૂ યોર્ક-ન્યૂ જર્સી સ્ટેડિયમ ખાતે રમાયેલી ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ની મહાફાઇનલમાં સ્પેને નવો ઇતિહાસ રચી દીધો છે. એક અત્યંત રોમાંચક અને શ્વાસ રોકી દેનારા મુકાબલામાં સ્પેને ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાને ૧-૦ થી ધૂળ ચટાવીને બીજી વખત પ્રતિષ્ઠિત ફિફા વર્લ્ડ કપ ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. ૧૬ વર્ષની લાંબી રાહ બાદ સ્પેન ફરી એકવાર વિશ્વ ફૂટબોલનું કિંગ બન્યું છે.</p><h2 style="text-align: justify; "><b>ફિફા વર્લ્ડકપની ફાઈનલ રસાકસી</b></h2><p style="text-align: justify; ">મેચ દરમિયાન ફૂલ ટાઈમ સુધી બંને ટીમો એકપણ ગોલ કરી શકી નહોતી. ત્યારબાદ એક્સ્ટ્રા ટાઈમ (વધારાના સમય) ની ૧૦૬મી મિનિટે ફેરન ટોરેસે મેચનો એકમાત્ર અને નિર્ણાયક ગોલ કરીને સ્પેનની જીત પાકી કરી દીધી હતી. આ અગાઉ સ્પેને વર્ષ ૨૦૧૦ માં સાઉથ આફ્રિકામાં પોતાનો પ્રથમ વર્લ્ડ કપ જીત્યો હતો. ૨૦૨૬ના આ ઐતિહાસિક વિજય સાથે સ્પેને ફરી સાબિત કર્યું છે કે ફૂટબોલની દુનિયામાં તેમનો કોઈ મુકાબલો નથી.</p><h3 style="text-align: justify; "><b>સ્પેનના મજબૂત ડિફેન્સનો નવો રેકોર્ડ</b></h3><p style="text-align: justify; ">આ આખી ટુર્નામેન્ટ દરમિયાન સ્પેનની જીતનો અસલી હીરો તેમનો મજબૂત ડિફેન્સ (બચાવ પક્ષ) રહ્યો છે. સમગ્ર ૨૦૨૬ વર્લ્ડ કપની કુલ ૮ મેચોમાં સ્પેને વિરોધી ટીમોને માત્ર એક જ ગોલ કરવા દીધો હતો. ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં કોઈપણ વિજેતા ટીમ દ્વારા ટુર્નામેન્ટમાં આપવામાં આવેલા ગોલની આ સૌથી ઓછી સંખ્યા છે, જે પોતે જ એક મોટો રેકોર્ડ છે.</p><h4 style="text-align: justify; "><b>મેચમાં જોવા મળ્યું સ્પેનનું એકતરફી વર્ચસ્વ</b></h4><p style="text-align: justify; ">ફાઇનલ મેચમાં શરૂઆતથી જ સ્પેન આર્જેન્ટિના પર હાવી રહ્યું હતું. આખી મેચ દરમિયાન ૬૫ ટકા સમય સુધી બોલ પર સ્પેનનો કબ્જો રહ્યો હતો અને તેમણે આર્જેન્ટિનાના ગોલ પોસ્ટ પર કુલ ૨૦ શોટ ફટકાર્યા હતા. તેની સામે આર્જેન્ટિનાની ટીમ આખી મેચમાં માત્ર ૨ શોટ જ મારી શકી હતી. આર્જેન્ટિનાની મુશ્કેલીઓ ત્યારે વધુ વધી ગઈ જ્યારે તેમના મિડફિલ્ડર એન્ઝો ફર્નાન્ડીઝને બે યલો કાર્ડ મળ્યા બાદ રેડ કાર્ડ બતાવીને મેદાનની બહાર મોકલી દેવાયા. આના કારણે આર્જેન્ટિનાએ મેચનો અંતિમ સમય અને આખો એક્સ્ટ્રા ટાઈમ માત્ર ૧૦ ખેલાડીઓ સાથે જ રમવો પડ્યો હતો. જોકે, આર્જેન્ટિનાના સ્ટાર ગોલકીપર એમિલિયાનો માર્ટિનેઝે સ્પેનના આક્રમણને રોકવા માટે જીવ રેડી દીધો હતો. તેણે મેચમાં શાનદાર ૧૧ સેવ (બચાવ) કર્યા, જે વર્લ્ડ કપ ફાઇનલના ઇતિહાસમાં કોઈપણ ગોલકીપર દ્વારા કરવામાં આવેલા સૌથી વધુ સેવ છે. પરંતુ આખરે ૧૦૬મી મિનિટે તે પણ ફેરન ટોરેસના બુલેટ સમાન ગોલને રોકી શક્યો નહીં.</p><h4 style="text-align: justify; "><b>લિયોનેલ મેસ્સીનું સતત બીજી વાર વર્લ્ડ કપ જીતવાનું સપનું તૂટ્યું</b></h4><p style="text-align: justify; ">આ ફાઇનલ મેચ આર્જેન્ટિનાના મહાન ખેલાડી ૩૯ વર્ષીય લિયોનેલ મેસ્સી માટે ખૂબ જ ભાવુક અને ખાસ હતી. મેસ્સી પોતાની કરિયરમાં ત્રીજી વખત વર્લ્ડ કપ ફાઇનલ રમી રહ્યો હતો અને સતત બીજી વાર ટાઇટલ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતર્યો હતો. પરંતુ સ્પેનની આક્રમક રમતશૈલી સામે આર્જેન્ટિનાની આશાઓ પર પાણી ફરી વળ્યું અને મેસ્સીનું સપનું અધૂરું રહી ગયું.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/20/ak1H92nDpnfCraWrL20PPXnDVrvlkkGh4qhkyrrS.webp'/></item><item><title><![CDATA[Vav News : સગીરા શોષણ કેસમાં થરાદ સેશન્સ કોર્ટના આદેશ બાદ મામલતદાર સહિત 3 સામે પોક્સો હેઠળ ગુનો દાખલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/vav-tharad/vav-news-vav-pocso-case-mamlatdar-dd-pandya-registered-thrard-court-order</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vav-tharad/vav-news-vav-pocso-case-mamlatdar-dd-pandya-registered-thrard-court-order</guid><pubDate>Mon, 20 Jul 2026 09:40:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વાવ થરાદ જિલ્લાના વાવ તાલુકામાંથી એક અત્યંત ચોંકાવનારો અને સરકારી તંત્રને હચમચાવી મૂકે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક સગીરાના શારીરિક શોષણ અને અડપલાં કરવાના ગંભીર કેસમાં થરાદ સેશન્સ કોર્ટના કડક આદેશ બાદ આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ હૃદયકંપાવનારી ઘટનામાં વારાહીના વર્તમાન મામલતદાર ડી.ડી. પંડ્યા સહિત ત્રણ લોકો સામે વાવ પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>શારીરિક શોષણ, બિભત્સ અડપલાંના ગંભીર આરોપ</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, પીડિત સગીરાએ ફરિયાદમાં શારીરિક શોષણ, બિભત્સ અડપલાં અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે</p><h3 style="text-align: justify; "><b>મામલતદાર સહિતના શખ્સો સામે આરોપ</b></h3><p style="text-align: justify; ">આ મામલે પાટણના સાંતલપુરના તત્કાલીન અને હાલ વારાહી ખાતે ફરજ બજાવતા મામલતદાર ડી.ડી. પંડ્યા ઉપરાંત પીડિતાના પોતાના જ સગા કાકી સપના દરજી અને કાકા બાબુ દરજી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. શરૂઆતમાં આ મામલે યોગ્ય કાયદાકીય ફરિયાદ ન નોંધાતા, ન્યાય મેળવવા માટે પીડિત સગીરાએ થરાદ સેશન્સ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.</p><h4 style="text-align: justify; "><b>થરાદ સેશન્સ કોર્ટે તાકીદે એફઆઈઆર નોંધવા હુકમ કર્યો&nbsp;</b></h4><p style="text-align: justify; ">સગીરાની રજૂઆત અને મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને થરાદ સેશન્સ કોર્ટે તાકીદે એફઆઈઆર (FIR) નોંધવાનો હુકમ કર્યો હતો. કોર્ટના આદેશ બાદ વાવ પોલીસે તત્કાલ હરકતમાં આવીને મામલતદાર અને સગીરાના કાકા-કાકી વિરૂદ્ધ પોક્સો એક્ટ તેમજ અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. વાવ પોલીસે આ સમગ્ર હાઈપ્રોફાઈલ કેસમાં ઊંડાણપૂર્વકની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/india/ahmedabad/sandesh-digital-explainer-india-first-private-rocket-vikram-1-skyroot-aerospace-launched" target="_blank"><b>Sandesh Digital Explainer : અવકાશમાં નવા ભારતની ગર્જના, 'વિક્રમ-1'એ લખ્યો નવો ઇતિહાસ, બધું જ વાંચી લો એક જ ક્લિકમાં..</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/20/DzpJGCbVHbZsF47jsULny47SD6TEb3l38C9qspkV.webp'/></item><item><title><![CDATA[Stock Market Opening: શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ 569.56 પોઇન્ટ ઘટ્યો ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-opening-weak-start-to-the-stock-market-sensex-falls-56956-points</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-opening-weak-start-to-the-stock-market-sensex-falls-56956-points</guid><pubDate>Mon, 20 Jul 2026 09:35:39 +05:30</pubDate><description><![CDATA[<p>સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે ઘરેલુ શેરબજાર તીવ્ર ઘટાડા સાથે ખુલ્યું. પશ્ચિમ એશિયામાં વધતા ભૂ-રાજકીય તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે રોકાણકારોનું સેન્ટિમેન્ટ ઠપ્પ થયું હતું, જે પરિબળો ભારતીય બજારને પણ અસર કરે છે. સવારે 9:19 વાગ્યા સુધીમાં, નિફ્ટી 50 24,191.90 પર ટ્રેડ કરી રહ્યો હતો, જે 142.40 પોઈન્ટ અથવા 0.59 ટકા ઘટીને હતો. દરમિયાન, સેન્સેક્સ 532.35 પોઈન્ટ - અથવા 0.68 ટકા - ઘટીને 77,619.10 ના સ્તરે બંધ થયો હતો.</p><h2><b>સોમવારે શેરબજારમાં ઘટાડો&nbsp;</b></h2><p>સવારે 9.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ 569.56 પોઇન્ટના ઘટાડા સાથે 77,581.89 અંકે ખૂલ્યો જ્યારે નિફ્ટી −152.40 પોઇન્ટના ઘટાડા સાથે 24,181.90 અંકે ખૂલ્યો.</p><h3><b>મિડકેપ અને સ્મોલકેપ શેરો પર દબાણ</b></h3><p>લાર્જ-કેપ શેરોની સાથે વ્યાપક બજારમાં નબળાઈ પ્રવર્તી રહી. નિફ્ટી મિડકેપ અને નિફ્ટી સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે 0.02 ટકા અને 0.09 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થયા.</p><p><b style="font-size: 1.5rem;">ખાનગી બેંકિંગ શેરોમાં ભારે વેચાણ</b></p><p>ક્ષેત્રીય સૂચકાંકોમાં, નિફ્ટી પ્રાઇવેટ બેંક સૂચકાંકમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો. વધુમાં, નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસ અને નિફ્ટી બેંક સૂચકાંકો દબાણ હેઠળ રહ્યા. જોકે, નિફ્ટી પીએસયુ બેંક સૂચકાંકમાં ખરીદી જોવા મળી, જેના કારણે તે ટોચના લાભ મેળવનારા ક્ષેત્રોમાંનો એક બન્યો.</p><p><b style="font-size: 1.5rem;">એશિયન બજારોમાં મિશ્ર વેપાર</b></p><p>સોમવારે એશિયન શેરબજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું. દક્ષિણ કોરિયાનો કોસ્પી લગભગ 2.8 ટકા ઘટ્યો, જ્યારે હોંગકોંગનો હેંગ સેંગ આશરે 1.7 ટકાના વધારા સાથે ટ્રેડ થયો. રોકાણકારો યુએસ અને ઈરાન વચ્ચે વધતા તણાવની સંભવિત આર્થિક અસરનું મૂલ્યાંકન કરી રહ્યા છે.</p><p><b style="font-size: 1.5rem;">શુક્રવારે યુએસ બજારો નીચા સ્તરે બંધ થયા</b></p><p>શુક્રવારે યુએસ શેરબજારોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ અને S&amp;P 500 અનુક્રમે 0.77 ટકા અને 1.01 ટકાના ઘટાડા સાથે બંધ થયા. દરમિયાન, ટેકનોલોજી-હેવી નાસ્ડેક કમ્પોઝિટમાં 1.4 ટકાનો ઘટાડો નોંધાયો.</p><p><br></p><p><a href="https://sandesh.com/astrology/news/bhakti/surya-guru-yuti-2026-mahalakshmi-rajyoga-has-been-formed-the-luck-of-4-zodiac-signs-will-shine-due-to-the-union-of-sun-and-guru" target="_blank">આ પણ વાંચો: Surya Guru Yuti 2026: બન્યો મહાલક્ષ્મી રાજયોગ ! સૂર્ય ગુરુની યુતિથી 4 રાશિની કિસ્મત ચમકશે</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2024/12/16/nssx0nFMCWEFJi9091P88E6iSf9biI9lascMugJJ.jpg'/></item><item><title><![CDATA[Sonam Wangchuk : સંસદ માર્ચ પહેલા સોનમ વાંગચુકનુ એલાન, અનશન તોડવા માટે રાખી આ ત્રણ શરત ]]></title><link>https://sandesh.com/india/news/sonam-wangchuk-sonam-wangchuks-announcement-before-the-parliament-march-these-three-conditions-were-kept-for-breaking-the-fast</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/sonam-wangchuk-sonam-wangchuks-announcement-before-the-parliament-march-these-three-conditions-were-kept-for-breaking-the-fast</guid><pubDate>Mon, 20 Jul 2026 08:33:48 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઘણા સમયથી ચાલી રહેલા તેમના અનશનને લઈને હવે એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. વાંગચુકે દેશના વિવિધ રાજકીય પક્ષોના સાંસદોને પત્ર લખીને જણાવ્યું છે કે જો સરકાર શિક્ષણ વ્યવસ્થાની નિષ્ફળતાઓ અંગે જવાબદારી નક્કી કરવાની દિશામાં પગલાં ભરે અથવા સાંસદો તેમને મળી સંસદના માનસૂન સત્રમાં આ મુદ્દો ઉઠાવવાનો વિશ્વાસ આપે તો તેઓ 20 જુલાઈએ અનશન સમાપ્ત કરવા તૈયાર છે.</p><h2 style="text-align: justify; ">પત્રમાં વાંગચુકે જણાવ્યું કે....</h2><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ani_digital/status/2079023597302218878"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify;">19 જુલાઈની તારીખવાળો આ પત્ર સફદરજંગ હોસ્પિટલમાંથી લખાયો હોવાનું જણાવવામાં આવ્યું છે. પત્રમાં વાંગચુકે જણાવ્યું કે હોસ્પિટલમાં તેમની હલચલ અને લોકો સાથેના સંવાદ પર કડક નિયંત્રણ મૂકવામાં આવ્યા છે, જેના કારણે તેઓ પોતાની વાત સ્વતંત્ર રીતે લોકો સુધી પહોંચાડી શકતા નથી. તેમ છતાં તેમણે સ્પષ્ટ કર્યું કે તેમની લડત વ્યક્તિગત નહીં પરંતુ દેશની શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવાની છે.</p><h3 style="text-align: justify; ">વાંગચુકે અનશન સમાપ્ત કરવા માટે ત્રણ મુખ્ય શરતો મૂકી</h3><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2079008136292450448"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify;">વાંગચુકે અનશન સમાપ્ત કરવા માટે ત્રણ મુખ્ય શરતો મૂકી છે. પ્રથમ, સરકારે વારંવાર સામે આવતા પેપર લીક અને અન્ય શૈક્ષણિક ગેરરીતિઓ અંગે સંસદમાં જવાબદારી સ્વીકારવી જોઈએ અને તેની તપાસ માટે સ્પષ્ટ વ્યવસ્થા જાહેર કરવી જોઈએ. બીજી, જો તેઓ અને સીજેએપી (CJP)નું નેતૃત્વ સંસદ ભવનના પ્રવેશદ્વાર સુધી પહોંચે તો વિવિધ પક્ષોના સાંસદો ત્યાં આવી તેમને મળીને માનસૂન સત્રમાં શિક્ષણમાં જવાબદારીનો મુદ્દો ઉઠાવવાનો વિશ્વાસ આપે. ત્રીજી, જો આરોગ્ય કારણોસર તેઓ સંસદ સુધી જઈ ન શકે તો સાંસદોએ હોસ્પિટલમાં આવી તેમની સાથે મુલાકાત કરી આ મુદ્દે સંસદમાં ચર્ચા કરાવવાની પ્રતિબદ્ધતા જાહેર કરવી જોઈએ.</p><h4 style="text-align: justify; ">વાંગચુકની પત્ની ગીતાંજલિ આંગ્મોએ તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવા માટે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો</h4><p style="text-align: justify; ">આ દરમિયાન વાંગચુકની પત્ની ગીતાંજલિ આંગ્મોએ તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવા માટે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. જોકે કોર્ટ તરફથી તેમને તાત્કાલિક રાહત મળી નથી અને વાંગચુક હાલમાં સફદરજંગ હોસ્પિટલમાં જ સારવાર હેઠળ છે.</p><h4 style="text-align: justify; ">આ મુદ્દો રાજકીય રીતે વધુ મહત્વનો</h4><p style="text-align: justify; ">વાંગચુકના સમર્થનમાં ‘સંસદ ચલો’ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે, જે CJPના બેનર હેઠળ ચાલી રહ્યું છે. આયોજકોનો દાવો છે કે આશરે 20 હજાર સમર્થકો જંતર-મંતર ખાતે એકત્ર થયા હતા. સંસદનું માનસૂન સત્ર શરૂ થતાં જ આ મુદ્દો રાજકીય રીતે વધુ મહત્વનો બન્યો છે. વાંગચુકે પોતાના સમર્થકોને ખાસ અપીલ કરી છે કે સમગ્ર આંદોલન સંપૂર્ણપણે અહિંસક અને શાંતિપૂર્ણ રાખવામાં આવે, જેથી કોઈ અસામાજિક તત્વ તેનો દુરુપયોગ ન કરી શકે. તેમણે જણાવ્યું કે શિક્ષણ દેશના ભવિષ્ય સાથે જોડાયેલો વિષય છે અને તેમાં જવાબદારી નક્કી કરવી લોકતંત્ર માટે અત્યંત જરૂરી છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/20/luFKdY8KFxqg6SiEaIRsIeuQ0GnOPAelQRyRfm2j.webp'/></item><item><title><![CDATA[Rajkot: ગોપાલ ચોકમાં પૈસાની તકરારે લીધો જીવ, ધોળકિયા પરિવાર પર હુમલા બાદ એકનું મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/rajkot/gopal-chowk-murder-case-suresh-dholakia-dies-after-stabbing-over-money-dispute</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/rajkot/gopal-chowk-murder-case-suresh-dholakia-dies-after-stabbing-over-money-dispute</guid><pubDate>Mon, 20 Jul 2026 08:33:21 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ શહેર મધરાત્રિના સમયે ખૂની ચીસોથી ધ્રુજી ઉઠ્યું હતું. શહેરના ગોપાલ ચોક વિસ્તારમાં નાણાકીય બાબતોની જૂની અદાવત અને ઉઘરાણીના ચાલતા વિવાદે ઉગ્ર અને હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મોડી રાત્રે ધોળકિયા પરિવારના સભ્યો વચ્ચે કોઈ કથિત રકમ મામલે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત આટલેથી ન અટકતા, આરોપી હાર્દિક ધુળાભાઈ ધોળકિયા એકાએક ઉશ્કેરાઈ ગયો હતો અને તેની પાસે રહેલી તીક્ષ્ણ છરી વડે પિતા, પુત્ર અને કાકા પર આડેધડ હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું.</p><h2><b>રાજકોટમાં નાણાકીય બાબતે હુમલો</b></h2><p>આ અચાનક થયેલા પાશવી હુમલાના કારણે ગોપાલ ચોક જેવા રહેણાંક અને વ્યસ્ત વિસ્તારની સડકો લોહીથી લાલ થઈ ગઈ હતી. હુમલામાં સુરેશ ધોળકિયા, રાજેશ ધોળકિયા સહિત પરિવારના સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ચીસાચીસ થતાં આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને લોહીલુહાણ હાલતમાં તમામને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.</p><h3><b>એકનું કરુણ મોત અને આરોપી પર સકંજો</b></h3><p> ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયેલા સુરેશ ધોળકિયાને છરીના ઊંડા ઘા વાગ્યા હોવાથી અને અતિશય લોહી વહી ગયું હોવાથી, સારવાર દરમિયાન જ તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ સાથે જ આ સમગ્ર મામલો હવે હત્યાના ગુનામાં ફેરવાઈ ગયો છે. અન્ય ઇજાગ્રસ્ત રાજેશ ધોળકિયાની હાલત પણ અત્યંત નાજુક હોવાનું તબીબો જણાવી રહ્યા છે. બીજી તરફ, હુમલો કરનાર આરોપી હાર્દિક ધોળકિયા પણ આ ઝપાઝપીમાં ઇજાગ્રસ્ત બન્યો હતો, જેને સ્થાનિક લોકો અને પોલીસની મદદથી ખાનગી હોસ્પિટલમાં જ સારવાર માટે ખસેડાયો છે, જ્યાં પોલીસ તેને રજા મળતા જ સત્તાવાર લોકઅપ ભેગો કરશે.</p><h4><b>હોસ્પિટલ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત</b></h4><p>ઘટનાની જાણ થતાં જ રાજકોટ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી. કોઈપણ અનિચ્છનીય બનાવ કે જૂથ અથડામણ ન થાય તે માટે હોસ્પિટલ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવાની પ્રક્રિયા હાથ ધરી છે અને આરોપી હાર્દિક વિરૂદ્ધ હત્યા તેમજ હત્યાના પ્રયાસની કડક કલમો હેઠળ ગુનો નોંધીને કાનૂની પુરાવા એકત્ર કરવા તપાસ તેજ કરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/gyaspur-illegal-firework-factory-seized-material-destroyed-with-water-at-midnight" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: ગેરકાયદે ચાલતી ફટાકડા ફેક્ટરીઓ સામે કાર્યવાહી, મોટી હોનારત ટાળવા ફાયર વિભાગે દારૂગોળાના જથ્થા પર પાણી ફેરવ્યું</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/20/uzL5qm7zWbqhCNni8SPfWwBdQHZoUXnf7z2lDJP4.webp'/></item><item><title><![CDATA[Somnath : શ્રાવણ માસમાં સોમનાથ ટ્રસ્ટનો મોટો નિર્ણય, માત્ર 51 રુપિયામાં શિવભક્તો કરી શકશે મહામૃત્યુંજય યજ્ઞ ]]></title><link>https://sandesh.com/gujarat/news/bhakti/gir-somnath/somnath-temple-shravan-mass-mahamrityunjay-yagna-online-booking-price</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/bhakti/gir-somnath/somnath-temple-shravan-mass-mahamrityunjay-yagna-online-booking-price</guid><pubDate>Mon, 20 Jul 2026 08:01:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પવિત્ર શ્રાવણ માસ નજીક આવી રહ્યો છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા શ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવવા માટે લાખો ભક્તો ઉમટી પડશે. આ વર્ષે શિવભક્તો માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક અભૂતપૂર્વ અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>મંદિર પરિસરમાં 51 કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞનું આયોજન&nbsp;</b></h2><p style="text-align: justify; ">શ્રાવણ માસના પવિત્ર 30 દિવસ સુધી સોમનાથ મંદિર પરિસરમાં 51 કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવશે. ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે કોઈ પણ શિવભક્ત પૈસાના અભાવે પૂજાના લાભથી વંચિત ન રહે, તેથી માત્ર ₹51 જેવી નજીવી ટોકન રકમમાં ભક્તોને આ મહાયજ્ઞમાં બેસવાની સુવર્ણ તક આપવામાં આવી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>મંદિર પરિસરમાં 3 વિશાળ યજ્ઞશાળાઓ તૈયાર કરવામાં આવી</b></h3><p style="text-align: justify; ">શિવભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિર પરિસરમાં 3 વિશાળ યજ્ઞશાળાઓ તૈયાર કરવામાં આવી રહી છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા દરરોજ 9 અલગ-અલગ ટાઈમ સ્લોટમાં આ યજ્ઞનું સુઆયોજન કરવામાં આવશે, જેથી દરેક ભક્ત સરળતાથી પૂજાનો લાભ લઈ શકે.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>પરંપરાગત ધોતી (વસ્ત્રો)ની વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા જ કરાશે</b></h4><p style="text-align: justify; ">આ ઉપરાંત, યજ્ઞમાં બેસવા માટે જરૂરી પરંપરાગત ધોતી (વસ્ત્રો)ની વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા જ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. જે ભક્તો શ્રાવણ માસમાં સોમનાથ આવવાના છે, તેઓ ટૂંક સમયમાં જ ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટ somnath.org પર જઈને પોતાનો ઓનલાઇન સ્લોટ બુક કરાવી શકશે. લાખો શિવભક્તોની સુવિધા અને સુરક્ષા માટે અત્યારથી જ વહીવટી તંત્ર અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp; :&nbsp; <a href="https://sandesh.com/explainer/news/india/ahmedabad/sandesh-digital-explainer-india-first-private-rocket-vikram-1-skyroot-aerospace-launched" target="_blank"><b>&nbsp;Sandesh Digital Explainer : અવકાશમાં નવા ભારતની ગર્જના, 'વિક્રમ-1'એ લખ્યો નવો ઇતિહાસ, બધું જ વાંચી લો એક જ ક્લિકમાં..</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/20/EW7eIuWg2RB5RMnGD9zjvtj1iaF07vOEcT1knpR6.webp'/></item><item><title><![CDATA[Sonam Wangchuk 20 જુલાઈએ કરી શકે છે પારણા, પત્ની ગીતાંજલિએ અનશન તોડવા માટે મૂકી આ મોટી શરત ]]></title><link>https://sandesh.com/india/news/delhi-sonam-wangchuk-hunger-strike-wife-condition-to-end-fast</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/delhi-sonam-wangchuk-hunger-strike-wife-condition-to-end-fast</guid><pubDate>Sun, 19 Jul 2026 23:53:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દિલ્હીથી લદ્દાખી સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકની ભૂખ હડતાળને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. સફદરજંગ હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુક 20 જુલાઈના રોજ પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરી શકે છે, પરંતુ તે માટે તેમની પત્નીએ એક મુખ્ય શરત મૂકી છે. </p><p style="text-align: justify; ">જંતર-મંતર ખાતેથી નિવેદન આપતા સોનમ વાંગચુકના પત્ની ગીતાંજલિ આંગમોએ જણાવ્યું છે કે, જો સંસદ સભ્યો સફદરજંગ હોસ્પિટલ આવીને વાંગચુક સાથે મુલાકાત કરે અને ચાલુ સંસદીય સત્રમાં તેમના મુદ્દાઓ ઉઠાવવાની ખાતરી આપે, તો જ તેઓ અનશનના પારણાં કરશે.</p><h2 style="text-align: justify; "><b>'શિક્ષણ જવાબદારી' મુદ્દે સંસદમાં જવાબદારી નક્કી કરવા માંગ</b></h2><p style="text-align: justify; ">સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલિએ વિગતો આપતા સ્પષ્ટ કર્યું હતું કે, ચાલુ સંસદ સત્રનો મુખ્ય મુદ્દો શિક્ષણ ક્ષેત્રે જવાબદારી અને વ્યાપક સુધારા લાવવાનો રહેશે. તેમની સ્પષ્ટ માગ છે કે, સાંસદો ગૃહમાં આ ગંભીર વિષય પર અવાજ ઉઠાવે અને આ અંગે કડક જવાબદારી નક્કી થાય. </p><p style="text-align: justify; ">ગીતાંજલિએ ચેતવણીભર્યા સૂરમાં જણાવ્યું છે કે, "જો સંસદના માધ્યમથી આ મુદ્દે યોગ્ય જવાબદારી સુનિશ્ચિત કરવામાં નહીં આવે, તો સોનમ વાંગચુક પોતાની ભૂખ હડતાળ ચાલુ રાખશે."</p><h3 style="text-align: justify; "><b>હોસ્પિટલમાં બે દિવસ વિતાવવા છતાં ભૂખ હડતાળ યથાવત</b></h3><p style="text-align: justify; ">આંદોલન અને નાદુરસ્ત તબિયતના કારણે સોનમ વાંગચુકને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના બેડ પર બે દિવસ વિતાવ્યા હોવા છતાં તેમણે હજુ સુધી પોતાનું અનશન તોડ્યું નથી અને તેઓ માત્ર પાણી પર રહીને લડત ચલાવી રહ્યા છે.</p><p style="text-align: justify; ">ઉલ્લેખનીય છે કે, સોનમ વાંગચુક લાંબા સમયથી લદ્દાખમાં શિક્ષણ સુધારા, વિશેષ દરજ્જો અને પર્યાવરણ સંરક્ષણ જેવા ગંભીર મુદ્દાઓ પર સતત સંઘર્ષ કરી રહ્યા છે, અને તેમના આ આમરણ અનશને હવે રાષ્ટ્રીય સ્તરે વ્યાપક જનસમર્થન અને મીડિયાનું ધ્યાન આકર્ષિત કર્યું છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/india" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/19/BkmfkvK7fMqIE2ijH4wHDYF0vbiSWEjVAKr4X8dB.webp'/></item><item><title><![CDATA[Arun Govil: રામાનંદ સાગરની રામાયણમાં રિજેક્ટ થઈ ગયા હતા અરુણ ગોવિલ, પછી આ રીતે મળ્યો શ્રીરામનો રોલ ]]></title><link>https://sandesh.com/entertainment/news/arun-govil-was-rejected-for-ram-role--then-got-it-in-ramayan</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/arun-govil-was-rejected-for-ram-role--then-got-it-in-ramayan</guid><pubDate>Sun, 19 Jul 2026 18:29:27 +05:30</pubDate><description><![CDATA[<p>અરુણ ગોવિલે ફરી એકવાર ચર્ચામાં છે. તેમણે શ્રીરામના રોલને લઈને એક ખુલાસો કર્યો છે. શનિવારે રાત્રે ફિલ્મ "રામાયણ: ભાગ 1" માટે એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ટ્રેલર બતાવવામાં આવ્યું હતું. અરુણ ગોવિલ પણ હાજર હતા. તેઓ ફિલ્મમાં મહારાજ દશરથની ભૂમિકા ભજવશે. તેમણે આ કાર્યક્રમમાં પોતાના પાત્ર વિશે વાત કરી અને રામાનંદ સાગરની રામાયણમાં ભજવેલા શ્રી રામના રોલ પર પણ પ્રતિક્રિયા આપી છે.</p><p>તમને જણાવી દઇએ કે અરુણ ગોવિલ રામાનંદ સાગરની રામાયણમાં શ્રી રામની ભૂમિકા માટે જાણીતા છે. આ ભૂમિકાએ તેમને ખૂબ જ ખ્યાતિ અપાવી. હવે, તેઓ નિતેશ તિવારીની રામાયણમાં દશરથની ભૂમિકા ભજવશે.
</p><h2><b>અરુણ ગોવિલે "રામ" શબ્દ વિશે શું કહ્યું?
</b></h2><p>આ કાર્યક્રમમાં અરુણ ગોવિલે કહ્યું, "હું ફિલ્મમાં શ્રી રામના પિતા મહારાજ દશરથની ભૂમિકા ભજવું છું. હું જ્યારે જ્યારે સેટ પર હતો, જ્યારે પણ કોઈ સીન થતો હતો ત્યારે રામ મારી સામે હોય કે ન હોય, પરંતુ હું હંમેશા મારી સામે જ હોત." અરુણે કહ્યું, "રામ એક નાનો શબ્દ હોઈ શકે છે, પરંતુ તેમણે આપણા જીવનને ગૂંથ્યું છે." જીવનના કોઈપણ તબક્કામાંથી આપણે પસાર થઈ રહ્યા હોઈએ, ગમે તે લાગણી વ્યક્ત કરી રહ્યા હોઈએ, આ શબ્દ પોતાનો માર્ગ શોધી કાઢે છે. આપણે કહીએ છીએ હે રામ, અરે રામ, રામ રામ, અને રામ દુહાઈ પણ. બધું રામથી ભરેલું છે.
</p><h3><b>રામાનંદ સાગરની રામાયણમાં રામની ભૂમિકા તેમને કેવી રીતે મળી?
</b></h3><p>અભિનેતા અરુણે એ પણ ખુલાસો કર્યો કે રામાનંદ સાગરની રામાયણમાં રામની ભૂમિકા તેમને કેવી રીતે મળી. અરુણે જણાવ્યું કે તેમણે રામાયણ માટે રામાનંદ સાગરનો સંપર્ક કર્યો. તેમણે કહ્યું, "મેં બે વાર વિચાર્યા વિના તેમનો સંપર્ક કર્યો અને કહ્યું કે હું શ્રી રામની ભૂમિકા ભજવવા માંગુ છું. તેમણે મારું ઓડિશન લીધું અને તેમણે મને રિજેક્ટ કર્યો. પછી મેં તેમને કહ્યું કે જો તેમને લાગતું નથી કે હું રામની ભૂમિકા માટે યોગ્ય છું, તો મને જવા દો કારણ કે હું બીજી કોઈ ભૂમિકા નહીં કરું. થોડા મહિના પછી, તેમણે મને ફોન કરીને કહ્યું, 'અમને તમારા જેવો રામ મળ્યો નથી.'"
</p><h4><b>રણબીર કપૂરે તેમની ખૂબ પ્રશંસા કરી
</b></h4><p>રણબીરે પણ કાર્યક્રમમાં અરુણ ગોવિલની પ્રશંસા કરી. રણબીરે કહ્યું, "સાહેબ, તમે વર્ષોથી આ જવાબદારી ખૂબ જ સુંદર અને સત્યતાથી નિભાવી છે. મારા જેવા અભિનેતા સાથેની તમારી આ સફર, ફક્ત મને જ નહીં પરંતુ રામાનંદ સાગરની રામાયણ જોનાર દરેક વ્યક્તિને આત્મવિશ્વાસ અને પ્રેરણા આપી છે. જેમ તમે ભગવાન શ્રી રામને તમારામાં લાવ્યા છો, જો હું આટલું પણ કરી શકું, તો મારી મહેનત રંગ લાવશે. સાહેબ, બાળપણથી જ હું ભગવાન શ્રી રામના આશીર્વાદ, તેમના ઉપદેશો અને તમારા ચહેરાને મારા હૃદયમાં રાખીને મોટો થયો છું. આઈ લવ યૂ."
</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/entertainment/news/lock-up-2--aakanksha-chamola-saved--opens-up-about-divorce" target="_blank"><b>'લોકો મને એવી નજરથી જોતા...', લોકઅપ 2માં આકાંક્ષાનું છલકાયું દર્દ</b></a></p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/19/FIhbcdXUeDVLFJSo7s7rgf2M3NvgkxIOPKxeDuKb.webp'/></item></channel></rss>