<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Suratમાં ફૂડ સેફ્ટી વિભાગની લાલ આંખ: સતત ત્રીજા દિવસે 280 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-food-safety-raid-hotels-restaurants</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-food-safety-raid-hotels-restaurants</guid><pubDate>Fri, 21 Aug 2026 08:18:35 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકો સામે સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગે આક્રમક ઝુંબેશ ચાલુ રાખી છે. સતત ત્રીજા દિવસે પણ તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલો અને રેસ્ટોરન્ટોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ વ્યાપક તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી ટીમે કુલ 280 જેટલી હોટલ અને રેસ્ટોરન્ટોમાં ચકાસણી કરીને માનવ વપરાશ માટે અયોગ્ય એવા 1,413 કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો જપ્ત કરી તેનો સ્થળ પર જ નાશ કર્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>તાકીદના ધોરણે 14 હોટલો બંધ કરાવાઈ</b></h2><p style="text-align: justify; ">તપાસ દરમિયાન આરોગ્યના નિયમોનું ઉલ્લંઘન કરનાર અને ગંદકી વચ્ચે ખોરાક બનાવનાર 148 હોટલ-રેસ્ટોરન્ટોને મનપા દ્વારા કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. આ ઉપરાંત, અત્યંત ગંભીર બેદરકારી અને અસ્વચ્છતા જણાતાં 14 હોટલ અને રેસ્ટોરન્ટોને તાત્કાલિક અસરથી બંધ (સીલ) કરી દેવાનો આકરો આદેશ આપવામાં આવ્યો છે. નિયમોનો અનાદર કરવા બદલ અને અસ્વચ્છતા રાખવા બદલ તંત્ર દ્વારા સ્થળ પર જ કુલ રૂપિયા 4.99 લાખનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>સતત કાર્યવાહી છતાં ભેળસેળિયાઓ બેફામ</b></h3><p style="text-align: justify; ">મનપાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સતત ત્રીજા દિવસે આટલી આકરી કાર્યવાહી કરવામાં આવી હોવા છતાં કેટલાક ભેળસેળિયા અને અપ્રમાણિક વેપારીઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા. લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ રમતો રમી નફો રળતા આવા વેપારીઓ સામે તંત્રએ પણ આગામી દિવસોમાં આ જ રીતે આકરાં પગલાં ભરવાનું ચાલુ રાખવાનો સ્પષ્ટ સંકેત આપ્યો છે. મનપાની આ ઝુંબેશથી ખાણીપીણીના વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/sU9OAV0oXjhsKWicdAe0RprcSoEXgyAJd2TuOMeV.webp'/></item><item><title><![CDATA[Panchmahal: બોડેલી ખાતે વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/panchmahal/panchmahal-guidance-seminar-held-for-students-at-bodeli</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/panchmahal/panchmahal-guidance-seminar-held-for-students-at-bodeli</guid><pubDate>Fri, 21 Aug 2026 06:22:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જાંબુઘોડા : છોટાઉદેપુર જિલ્લાના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ સહિત યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે યોગ્ય દિશા અને નિષ્ણાતોનું માર્ગદર્શન મળી રહે તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોડેલી સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે શિક્ષણશાસ્ત્ર્રી અને સ્પર્ધાત્મક પરીક્ષાના માર્ગદર્શક ડો. તનુ જૈનના અધ્યક્ષસ્થાને વિશેષ અને પ્રેરણાદાયક માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.&nbsp;</p><p style="text-align: justify; ">જેમાં વિદ્યાર્થીઓને યુપીએસસી (UPSC), જીપીએસસી (GPSC) સહિતની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની પદ્ધતિસરની તૈયારી, સમયનું આયોજન, સકારાત્મક અભિગમ અને માનસિક દ્રઢતા અંગે અત્યંત સરળ અને અસરકારક શૈલીમાં સચોટ માર્ગદર્શન પૂરું પાડયું હતું.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/mrP1qJBMXKM5oiNoM1vY7RTqDet7vMmLvXzPN0aK.webp'/></item><item><title><![CDATA[Vadodara: રૂા.37 લાખના ખર્ચે તૈયાર થયેલ ત્રણ આંગણવાડીનું લોકાર્પણ થયું ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-three-anganwadis-built-at-a-cost-of-rs-37-lakhs-inaugurated</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-three-anganwadis-built-at-a-cost-of-rs-37-lakhs-inaugurated</guid><pubDate>Fri, 21 Aug 2026 06:21:50 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કરજણ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં બાળ શિક્ષણ અને વિકાસને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી ગુજરાત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા કુલ રૂ. 37 લાખના ખર્ચે નવ નિર્મિત ત્રણ આંગણવાડી કેન્દ્રોના નવનિર્મિત મકાનોનું લોકાર્પણ કરજણ-શિનોરના ધારાસભ્ય અક્ષય પટેલના વરદ હસ્તે કરાયું હતું.&nbsp;</p><p style="text-align: justify; ">કરજણ તાલુકાના હાડોદ, ઓસલામ અને આલમપુરા ગામના ભૂલકાઓ હવે નવા અને સુવિધાસભર મકાનમાં પોતાના ભણતરની શરૂઆત કરશે. આંગણવાડીમાં બાળકોને પ્રાથમિક શિક્ષણ સાથે તેમના સર્વાંગી વિકાસ માટેની પ્રવૃત્તિઓ તેમજ રમતગમતની સુવિધાઓ પણ ઉપલબ્ધ બનશે. અંતરિયાળ ગામોના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના બાળકોને તેમના ગામમાં જ સારું વાતાવરણ અને સુવિધા મળી રહે તે દિશામાં આ નવનિર્મિત આંગણવાડી મકાનો મહત્વપૂર્ણ સાબિત થશે. બાળકોના પાયાના શિક્ષણ, પોષણ અને શારીરિક- માનસિક વિકાસને વેગ મળે તે માટે આ સુવિધાઓ ઉપયોગી બનશે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ જ્યોત્સનાબેન રબારી, તાલુકા પંચાયત પ્રમુખ રોશનીબેન રણા સહિત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, ઇનચાર્જ સી.ડી.પી.ઓ. તેમજ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.&nbsp;</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/I5Y8UJeUY15oFXQYZFlgG8UM6OjQKHMalEnTyPBs.webp'/></item><item><title><![CDATA[Dabhoi: પંચેશ્વર મહાદેવ મંદિરનો પાટોત્સવ અને હોમાત્મક મહાયજ્ઞ સંપન્ન થયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dabhoi/dabhoi-the-patotsav-and-homat-mahayagya-of-pancheshwar-mahadev-temple-have-been-completed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dabhoi/dabhoi-the-patotsav-and-homat-mahayagya-of-pancheshwar-mahadev-temple-have-been-completed</guid><pubDate>Fri, 21 Aug 2026 06:20:50 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ડભોઈ નગરમાં નાંદોદી ભાગોળ પાસે સુપ્રસિદ્ધ અને પૌરાણિક પંચેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તિસભર વાતાવરણમાં વિશેષ ધાર્મિક ઉત્સવનું આયોજન કરાયું હતું.</p><p style="text-align: justify; ">મંદિરના જીર્ણોદ્ધાર (રીનોવેશન)ના 75 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે તેમજ પવિત્ર શ્રાવણ માસના રૂડા અવસરે 14મા પાટોત્સવ તથા હોમાત્મક મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરાયું હતું. સમગ્ર ધાર્મિક મહોત્સવ દરમિયાન મંદિર પરિસર વેદોક્ત મંત્રોચ્ચાર, શંખનાદ અને હર હર મહાદેવના જયઘોષથી ગૂંજી ઊઠયું હતું. શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અનુસાર ભૂદેવો દ્વારા હોમાત્મક મહાયજ્ઞ સંપન્ન કરાયો હતો.</p><p style="text-align: justify; ">જેમાં યજમાનોએ આહુતિ આપી વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી હતી શ્રાવણ માસ નિમિત્તે વહેલી સવારથી મોટી સંખ્યામાં શ્રાદ્ધાળુઓએ ઉપસ્થિત રહી મહાયજ્ઞના દર્શન તેમજ મહાદેવની વિશેષ પૂજા-અર્ચનાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.&nbsp;</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/uxMAU8COZlypf0pfgl63Tx0SupK9HTKMT5GCdbMV.webp'/></item><item><title><![CDATA[Vadodara: ડેસર PSIની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-farewell-ceremony-held-for-transfer-of-desar-psi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-farewell-ceremony-held-for-transfer-of-desar-psi</guid><pubDate>Fri, 21 Aug 2026 06:14:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ડેસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ પી.આર. ગઢવીની બદલી થતાં તાલુકાના અનેક ગામોમાં તેમના સન્માન અને વિદાય સમારંભો યોજાયા હતા. તાજેતરમાં ડેસરના પીએસઆઈ બી.ડી. મેરની કંટ્રોલ રૂમ ખાતે બદલી કરાઈ હત, તેમની જગ્યાએ લીવ રિઝર્વમાં ફરજ બજાવતા પીએસઆઈ આર.આર. ચુડાસમાની નિમણૂક કરાઈ છે. જ્યારે પીએસઆઈ પી.આર. ગઢવીની વલણ પોલીસ સ્ટેશન ખાતે બદલી થતાં તેમની જગ્યાએ મંજુસર પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.ડી. ડામોરની નિમણૂક કરાઈ છે. પીએસઆઈ પી.આર. ગઢવીએ શરૂઆતના બે મહિના દરમિયાન ગામે ગામ ફ્રીને વ્યસનમુક્તિ અભિયાન ચલાવ્યું હતું. તેમનો વિદાય સમારંભ એમ.કે. હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. અને તેમને ફૂલહાર પહેરાવી સન્માનિત કર્યા હતા.**</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/WKOWzcVNVgMS4EixEZP7QKHqn6xvw0F3j6TuFF0x.webp'/></item><item><title><![CDATA[PM મોદીની સચિવો સાથે ઉચ્ચસ્તરીય બેઠક, દેશના ભવિષ્ય માટે લાંબા ગાળાની વિચારસરણી પર ભાર ]]></title><link>https://sandesh.com/india/news/pm-modi-high-level-meeting-secretaries-long-term-planning-india-growth</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/pm-modi-high-level-meeting-secretaries-long-term-planning-india-growth</guid><pubDate>Thu, 20 Aug 2026 23:36:39 +05:30</pubDate><description><![CDATA[<p>વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત સરકારના સચિવો સાથે ત્રીજી ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. બેઠક દરમિયાન તેમણે દેશના ભવિષ્યને આકાર આપવા માટે લાંબા ગાળાની વિચારસરણી સાથે કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. વડાપ્રધાને અધિકારીઓને વર્તમાન પડકારોની સાથે આગામી વર્ષોમાં દેશની જરૂરિયાતો અને તકોને ધ્યાનમાં રાખીને નીતિઓ ઘડવા સૂચન કર્યું.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2090475755172175964"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p>PM મોદીએ ડેટાને રાષ્ટ્રીય સંપત્તિ અને ભવિષ્ય માટે મહત્વપૂર્ણ સંસાધન ગણાવ્યું હતું. તેમણે વિવિધ સરકારી વિભાગો વચ્ચે ડેટાની વધુ સારી ઈન્ટરઓપરેબિલિટી અને તેનો અસરકારક ઉપયોગ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો. તેમના જણાવ્યા મુજબ, ડેટાનો યોગ્ય ઉપયોગ નીતિ નિર્માણ અને સરકારી યોજનાઓના અમલીકરણને વધુ અસરકારક બનાવી શકે છે.</p><h2><b>ટીમ સ્પિરિટ વધારવાના મહત્વ પર પણ ચર્ચા થઈ</b></h2><p>વડાપ્રધાને સરકારી વિભાગોમાં રહેલા ‘સિલોઝ’ એટલે કે અલગ-અલગ રીતે કામ કરવાની વૃત્તિને માત્ર સંગઠનાત્મક સમસ્યા નહીં, પરંતુ માનસિકતાની સમસ્યા ગણાવી હતી. તેમણે અધિકારીઓને ટીમ ભાવના અને એકબીજા પ્રત્યેની જવાબદારીની ભાવના સાથે કામ કરવા અપીલ કરી. બેઠકમાં અધિકારીઓ વચ્ચે અનૌપચારિક સંવાદ અને ટીમ સ્પિરિટ વધારવાના મહત્વ પર પણ ચર્ચા થઈ. PM મોદીએ સરકારના વિભાગો, યુનિવર્સિટીઓ અને યુવાનો વચ્ચે વધુ સંવાદ વધારવાની જરૂરિયાત દર્શાવી, જેથી નીતિ નિર્માણમાં નવા વિચારો અને તાજા દૃષ્ટિકોણનો સમાવેશ થઈ શકે.</p><h3><b>નિર્ણય ક્ષમતાને મહત્વ આપવાની જરૂરિયાત</b></h3><p>આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના અસરકારક ઉપયોગ પર પણ વડાપ્રધાને ભાર મૂક્યો હતો. જોકે, AIનો ઉપયોગ કરતી વખતે માનવીય હસ્તક્ષેપ અને નિર્ણય ક્ષમતાને મહત્વ આપવાની જરૂરિયાત તેમણે સ્પષ્ટ કરી. PM મોદીએ ભારતના ડિફેન્સ ઉદ્યોગને વધુ મજબૂત અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. બેઠક દરમિયાન સચિવોએ વિવિધ મહત્વપૂર્ણ પ્રાથમિકતાઓ અને નીતિઓના અમલીકરણમાં આવતા પડકારો અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.</p><p><b><a href="https://sandesh.com/india/news/business/duty-free-sugar-import-government-approves-10-lakh-mt-trq" target="_blank">આ પણ વાંચો : Duty Free Sugar : કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ખાંડની ડ્યુટી ફ્રી આયાતને આપી મંજૂરી</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/DZFbBkotuiyLfaKPEVdjUNcO3uRjIjXz5Y0cMtGV.webp'/></item><item><title><![CDATA[Lionel Messiનું બ્લોકબસ્ટર કમબેક, જાદુઈ ગોલ કરીને પિતાને આપી શ્રદ્ધાંજલિ, જુઓ VIDEO ]]></title><link>https://sandesh.com/sports/news/lionel-messi-emotional-comeback-inter-miami-goal</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/lionel-messi-emotional-comeback-inter-miami-goal</guid><pubDate>Thu, 20 Aug 2026 23:26:17 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">લિયોનેલ મેસ્સીએ ફૂટબોલના મેદાનમાં શાનદાર વાપસી કરી છે. છેલ્લા કેટલાક અઠવાડિયા તેના માટે મુશ્કેલ રહ્યા હતા. તેના પિતાનું અવસાન થયું, જેના કારણે તે નિરાશ થઈ ગયો. તેને મેદાનથી પણ દૂરી બનાવી દીધી.&nbsp;</p><p style="text-align: justify; ">લિયોનેલ મેસ્સીએ પોતે કહ્યું હતું કે તે ક્યારે પાછો ફરશે તે જાણતો નથી. ફેન્સે તેને રમતમાં જોવા માટે વધુ રાહ જોવી પડી નથી. લિયોનેલ મેસ્સીએ ફરીથી મેદાન પર પોતાની છાપ છોડી દીધી છે.</p><h2 style="text-align: justify; "><b>લિયોનેલ મેસ્સીનું જોરદાર કમબેક</b></h2><p style="text-align: justify; ">ઈન્ટર મિયામી અને ફિલાડેલ્ફિયા યુનિયન વચ્ચેની મેચમાં લિયોનેલ મેસ્સીનો ક્લાસ જોવા મળ્યો. મેચ ડ્રોમાં સમાપ્ત થઈ, પરંતુ લિયોનેલ મેસ્સીએ ફરી એકવાર પ્રભુત્વ મેળવ્યું. તેને 26મી મિનિટે ગોલ કર્યો. તેને એક આસિસ્ટ પણ આપ્યો. તેને 21મી મિનિટે એક શાનદાર ક્રોસ પહોંચાડ્યો, જેને લુઈસ સુઆરેઝે હેડ કરીને ગોલ કર્યો. ત્યારબાદ ડેનિયલ પિન્ટારએ એક અદભુત ગોલ કર્યો.</p><h3 style="text-align: justify; "><b>પિતાના મૃત્યુ પછી મેસ્સીએ પોતાનો પહેલો ગોલ કર્યો</b></h3><p style="text-align: justify; ">લિયોનેલ મેસ્સીના પિતા જોર્જ મેસ્સીનું 7 ઓગસ્ટના રોજ અવસાન થયું. લિયોનેલ મેસ્સીએ 8 ઓગસ્ટના રોજ મોન્ટેરી સામેની મેચમાં ભાગ લીધો ન હતો. તેને તેના પિતાના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી. 12 ઓગસ્ટના રોજ લિયોનેલ મેસ્સીએ લિયોન સામેની મેચમાં 45 મિનિટ મેદાનમાં વિતાવી હતી.&nbsp;</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/MLS/status/2090230393970520575"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p style="text-align: justify; ">આ વખતે લિયોનેલ મેસ્સીએ શાનદાર શોટ વડે પોતાના મનપસંદ લેફ્ટ પગનો ઉપયોગ કરીને ગોલ કર્યો. લિયોનેલ મેસ્સીએ આ સિઝનમાં અત્યાર સુધી મેજર લીગ સોકરમાં પોતાના પ્રદર્શન માટે વ્યાપક પ્રશંસા મેળવી છે. તેને 17 મેચમાં 13 ગોલ કર્યા છે.</p><h4 style="text-align: justify; "><b>ગોલ કર્યા પછી ભાવુક</b></h4><p style="text-align: justify; ">ગોલ કર્યા પછી લિયોનેલ મેસ્સી ભાવુક થઈ ગયો. બોલને નેટમાં નાખ્યા પછી તેને પોતાના પિતાને શ્રદ્ધાંજલિ આપવા માટે આકાશ તરફ આંગળી ઉંચી કરી. લિયોનેલ મેસ્સીનું આ સેલિબ્રેશન દરેક ફેન માટે ઈમોશનલ મોમેન્ટ હતી. ફેન્સે પણ લિયોનેલ મેસ્સીને તાળીઓ પાડી. લિયોનેલ મેસ્સીએ હવે પોતાનું ફોર્મ પાછું મેળવી લીધું છે. તે પોતાની ટીમ ઈન્ટર મિયામીને વિજય તરફ દોરી શકે છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/UUTJhQ50yGU8eX6bf7mD3cS0uzkwhVTrYVUqsmdc.webp'/></item><item><title><![CDATA[21 August Top News: 21 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ ]]></title><link>https://sandesh.com/india/news/gujarat/21-august-top-news-updates-gujarat-india-national-events-history</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/gujarat/21-august-top-news-updates-gujarat-india-national-events-history</guid><pubDate>Thu, 20 Aug 2026 23:01:22 +05:30</pubDate><description><![CDATA[<p>21 ઓગસ્ટ 2026ના રોજ રાષ્ટ્રીય, રાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ આકાર લઈ રહી છે. એક તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના સિલીગુડીના પ્રવાસે છે, તો બીજી તરફ પંજાબમાં કૌમી ઇન્સાફ મોરચા દ્વારા 'પંજાબ બંધ'નું એલાન આપવામાં આવ્યું છે. ગુજરાતમાં સ્થાનિક રાજકારણ, વિકાસ કાર્યો, વિરોધ પ્રદર્શનો અને ધાર્મિક બેઠકોનો ધમધમાટ છે. આ સાથે જ BRICS બેઠક, કીવમાં શોક દિવસ અને જ્યોતિષીય ઘટના સમસપ્તક યોગ જેવા વિવિધ મુદ્દાઓ આજે ચર્ચાના કેન્દ્રમાં છે.</p><h2><b>અમિત શાહનો સિલીગુડી પ્રવાસ, સીમા સુરક્ષા અને કાયદાકીય સમીક્ષા</b></h2><p>કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 21 અને 22 ઓગસ્ટના રોજ પશ્ચિમ બંગાળના સિલીગુડીના બે દિવસીય પ્રવાસે રહેશે. આ મુલાકાતનો મુખ્ય હેતુ 'ચિકન નેક' વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સીમાઓની સુરક્ષા, સરહદ વ્યવસ્થાપન અને સુરક્ષા એજન્સીઓ વચ્ચેનો તાલમેલ મજબૂત કરવાનો છે. તેઓ સવારે 11:15 વાગ્યે SSB સીમાંત મુખ્યાલય ખાતે વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ/શિલાન્યાસ કરશે, બપોરે 2:30 વાગ્યે કાવાખાલી ગ્રાઉન્ડ ખાતે નવા ત્રણ કાયદાઓ પરની પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે અને સાંજે 4:20 વાગ્યે હોટેલ મેફેરમાં હેલ્પલાઇન સમીક્ષા બેઠક યોજશે.</p><h2><b>પંજાબમાં કૌમી ઇન્સાફ મોરચાનું 'પંજાબ બંધ'નું એલાન</b></h2><p>જેલમાં બંધ સિખ કેદીઓની મુક્તિની માગણી સાથે કૌમી ઇન્સાફ મોરચા દ્વારા 21 ઓગસ્ટના રોજ 'પંજાબ બંધ'નું આહ્વાન કરવામાં આવ્યું છે. અગાઉના પ્રદર્શનો દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલા ટકરાવને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે.</p><h2><b>દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શનને પગલે કલમ 144 લાગુ</b></h2><p>હાલની અનામત પ્રથાના વિરોધમાં 21 ઓગસ્ટના રોજ દિલ્હીના જંતર-મંતર ખાતે પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી છે. સ્થિતિને નિયંત્રણમાં રાખવા દિલ્હી પોલીસ એલર્ટ પર છે અને જંતર-મંતર ખાતે નિષેધાજ્ઞા લાગુ કરી 5 કે તેથી વધુ લોકોના એકઠા થવા કે સરઘસ કાઢવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે.</p><h2><b>જમ્મુ-કાશ્મીર વિધાનસભાનું શિયાળુ સત્ર 21 ઓગસ્ટથી શરુ</b></h2><p>જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાની મંત્રીપરિષદની ભલામણ પર 21 ઓગસ્ટથી વિધાનસભાનું શિયાળુ સત્ર બોલાવ્યું છે. આ સત્રમાં પૂર્ણ રાજ્યનો દરજ્જો, રાજકીય મુદ્દાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશ સંબંધિત પ્રશ્નો ગાજવાની શક્યતા છે.</p><h2><b>કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલનો સિંઘાપોર પ્રવાસનો અંતિમ દિવસ</b></h2><p>કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ 70 સભ્યોના પ્રતિનિધિમંડળ સાથે સિંઘાપોરના પ્રવાસે છે. 21 ઓગસ્ટના રોજ મુલાકાતના અંતિમ દિવસે તેઓ મરીના બે સેન્ડ્સ ખાતે આયોજિત ICAI ASEAN Conference 2026ને મુખ્ય વક્તા તરીકે સંબોધિત કરશે.</p><h2><b>બીજેપી મહિલા મોરચા દ્વારા પીએમ મોદીને રક્ષા કવચ મોકલાશે</b></h2><p>21 ઓગસ્ટના રોજ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ પ્રેસ કોન્ફરન્સ યોજશે. આગામી રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાતની મહિલા મોરચાની બહેનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રક્ષા કવચ મોકલવામાં આવશે.</p><h2><b>AMC રોડ કમિટીની બેઠક: નવા આઇકોનિક રોડને મળશે મંજૂરી</b></h2><p>અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની રોડ કમિટીની બેઠક 21 ઓગસ્ટે બપોરે 2:30 વાગ્યે યોજાશે. આ બેઠકમાં શહેરમાં નવા આઇકોનિક રોડના નિર્માણ કાર્યોને મંજૂરી આપવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.</p><h2><b>સાબરમતી રિવરફ્રન્ટ ખાતે MP-MLA સંકલન બેઠક</b></h2><p>21 ઓગસ્ટના રોજ રિવરફ્રન્ટ સ્થિત AMC ઓફિસ ખાતે સાંસદો અને વિધાયકોની સંકલન બેઠક યોજાશે. જેમાં શહેરના વિકાસ અને સ્થાનિક પ્રશ્નો અંગે ધારાસભ્યો પોતાના મુદ્દાઓ રજૂ કરશે.</p><h2><b>ઉંદરિયાવાસને અલગ ગ્રામ પંચાયત બનાવવાની માગ સાથે રેલી</b></h2><p>શિહોરી ગ્રામ પંચાયતમાંથી અંદાજે 1,300થી 1,500ની વસ્તી ધરાવતા ઉંદરિયાવાસ ગામને અલગ પંચાયત બનાવવાની 5 વર્ષ જૂની માગ સાથે 21 ઓગસ્ટે 200થી વધુ ગ્રામજનો શિહોરી હાઇવે ચાર રસ્તાથી મામલતદાર કચેરી સુધી વિરોધ રેલી યોજી આવેદનપત્ર પાઠવશે.</p><h2><b>શાળા છોડી ગયેલા બાળકો માટે 'સમરસ વિદ્યા સેતુ અભિયાન'</b></h2><p>શાળા છોડી ગયેલા ડ્રોપઆઉટ બાળકોને શોધીને ફરી શિક્ષણ સાથે જોડવા માટે આરોગ્ય અને તબીબી શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને 21 ઓગસ્ટે 'સમરસ વિદ્યા સેતુ અભિયાન' કાર્યક્રમ યોજાશે.</p><h2><b>ભરૂચ કોંગ્રેસ દ્વારા લઠ્ઠાકાંડના વિરોધમાં પ્રદર્શન</b></h2><p>ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા રાજ્યમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટનાના વિરોધમાં 21 ઓગસ્ટના રોજ ઉગ્ર વિરોધ પ્રદર્શન અને દેખાવો યોજવામાં આવશે.</p><h2><b>થરાદ કલેક્ટર કચેરી સામે કોંગ્રેસના ધરણા</b></h2><p>વાવ-થરાદ વિસ્તારમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદે દારૂ અને નશીલા પદાર્થોના વેચાણના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા 21 ઓગસ્ટે થરાદ કલેક્ટર કચેરી સામે ધરણા અને પ્રદર્શન કરાશે.</p><h2><b>મામલતદાર કચેરી ખસેડવાના વિરોધમાં બાયડ બંધનું એલાન</b></h2><p>બાયડ શહેરથી મામલતદાર કચેરી 5 કિલોમીટર દૂર વાત્રક ખાતે ખસેડવાના નિર્ણયના વિરોધમાં સ્થાનિકો દ્વારા 21 ઓગસ્ટે બાયડ બંધનું એલાન આપવામાં આવ્યું છે. લોકોની માગ છે કે કચેરી બાયડ શહેરમાં જ રાખવામાં આવે.</p><h2><b>સાપુતારામાં ભાજપનું ત્રણ દિવસીય પ્રશિક્ષણ મહાભિયાન</b></h2><p>પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગુજરાત પ્રશિક્ષણ મહાભિયાન 2026 અંતર્ગત ડાંગના સાપુતારા ખાતે ભાજપનું 3 દિવસીય પ્રશિક્ષણ યોજાશે, જેમાં સંગઠન મહામંત્રી રત્નાકર અને ડૉ. પ્રશાંત કોરાટ કાર્યકરોને માર્ગદર્શન આપશે.</p><h2><b>પાટણને નવી ટ્રેનનું સ્ટોપેજ, ભરતસિંહ ડાભી લીલી ઝંડી આપશે</b></h2><p>ટ્રેન નં. 20625/20626 ભગત કી કોઠી-ચેન્નઈ સુપરફાસ્ટ એક્સપ્રેસને પાટણ રેલવે સ્ટેશને સ્ટોપેજ મળ્યું છે. 21 ઓગસ્ટ, 2026 (શુક્રવાર)ના રોજ સવારે 11:00 વાગ્યે સાંસદ ભરતસિંહજી ડાભી આ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે.</p><h2><b>કામરેજ સુગર મિલની ચૂંટણીની મતગણતરી</b></h2><p>કામરેજ સુગર મિલની વ્યવસ્થાપક સમિતિની 14 બેઠકો પર 35 ઉમેદવારો માટે સરેરાશ 56% મતદાન બાદ 21 ઓગસ્ટે મતગણતરી હાથ ધરાશે. 4 બેઠકો અગાઉ બિનહરીફ થઈ ચૂકી છે.</p><h2><b>અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા અંગે મંત્રી ઋષિકેશ પટેલની બેઠક</b></h2><p>અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાની પદયાત્રિકોની સુવિધા અને સેવા વ્યવસ્થા અંગે શ્રી ભાદરવી પૂનમીયા સંઘ સેવા ટ્રસ્ટ અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને મહત્વની બેઠક યોજાશે.</p><h2><b>પુણેમાં 12મી BRICS કમ્યુનિકેશન્સ મંત્રીઓની બેઠક</b></h2><p>21 ઓગસ્ટે ભારતના યજમાનપદે પુણે ખાતે 12મી BRICS કમ્યુનિકેશન્સ મંત્રીઓની બેઠક યોજાશે. કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ICT ક્ષેત્રે સહયોગ પર ચર્ચા થશે.</p><h2><b>રશિયન હુમલા બાદ કીવમાં 21 ઓગસ્ટે શોક દિવસની જાહેરાત</b></h2><p>કીવ પર રશિયાના મિસાઇલ અને ડ્રોન હુમલામાં 12 લોકોના મોત અને 34 લોકો ઘાયલ થતાં, મેયર વિટાલી ક્લિટ્સ્કોએ 21 ઓગસ્ટના રોજ કીવમાં અધિકૃત શોક દિવસ જાહેર કર્યો છે.</p><h2><b>IMD હવામાન આગાહી: દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદની શક્યતા</b></h2><p>હવામાન વિભાગ (IMD) અનુસાર 21 ઓગસ્ટે પૂર્વ મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે, જ્યારે પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.</p><h2><b>જ્યોતિષીય ઘટના: શુક્ર-શનિનો સમસપ્તક યોગ</b></h2><p>21 ઓગસ્ટ 2026ના રોજ શુક્ર અને શનિ એકબીજાથી 180 ડિગ્રી પર આવતાં સમસપ્તક (પ્રતિચ્યુતિ) યોગ સર્જાશે. આ યોગ વેપારમાં ધીરજ અને લાંબા ગાળાના રોકાણ માટે શુભ માનવામાં આવે છે.</p><h2><b>વિશ્વ ઉદ્યોગસાહસિક દિવસ</b></h2><p>દરેક વર્ષે 21 ઓગસ્ટે વિશ્વ ઉદ્યોગસાહસિક દિવસ ઉજવાય છે. આ દિવસ દેશના આર્થિક વિકાસ અને રોજગારી સર્જનમાં મહત્વપૂર્ણ યોગદાન આપતા સાહસિકોના સન્માન માટે સમર્પિત છે.</p><h2><b>21 ઓગસ્ટની ઐતિહાસિક ઘટનાઓ</b></h2><ul><li>1790 - જનરલ મીડોઝના નેતૃત્વમાં બ્રિટિશ સેનાએ ડિંડીગુલ પર કબજો કર્યો.</li><li>1915 - પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઇટાલીએ તુર્કી સામે યુદ્ધની ઘોષણા કરી.</li><li>1959 - હવાઈ અમેરિકાનું 50મું રાજ્ય બન્યું.</li><li>1965 - યુરોપિયન દેશ રોમાનિયામાં નવું બંધારણ અપનાવવામાં આવ્યું.</li><li>1972 - ભારતની સંસદમાં વન્યજીવ સંરક્ષણ કાયદો પસાર થયો.</li><li>1983 - ફિલિપાઈન્સના વિરોધ પક્ષના નેતા બેનિગ્રો એસ. સ્વદેશ પરત ફરતા જ તેમની ગોળી મારીને હત્યા કરાઈ.</li><li>1988 - ભારત-નેપાળ સરહદ પર આવેલા ભયંકર ભૂકંપને કારણે 1,000થી વધુ લોકોના મોત થયા.</li><li>1991 - સોવિયેત યુનિયનમાં રાષ્ટ્રપતિ ગોર્બાચોવ વિરૂદ્ધનો તખ્તાપલટો નિષ્ફળ ગયો અને તેઓ ફરી સત્તા પર આવ્યા.</li><li>1993 - રાષ્ટ્રપતિ બોરિસ યેલતસિને રશિયન સંસદ ભંગ કરી.</li><li>1997 - પૂર્વ ચીનમાં ચક્રવાત 'વિની'ના કારણે 140 લોકોના મોત થયા અને 3,000થી વધુ ઘાયલ થયા.</li><li>2000 - દક્ષિણ-પૂર્વ આર્ડેક પ્રાંતમાં આગથી 1,600 હેક્ટર જંગલ નષ્ટ થયું; રશિયન સબમરીનના તમામ 118 સભ્યોના મોતની પુષ્ટિ થઈ.</li><li>2003 - યુએન સેક્રેટરી જનરલ કોફી અન્નાને ઇરાકમાં શાંતિ સેના મોકલવાનો પ્રસ્તાવ નકાર્યો.</li><li>2005 - બાંગ્લાદેશ અને ભારતના BSF સૈનિકો વચ્ચે યુદ્ધવિરામ કરાર થયો.</li><li>2006 - ઇરાકના પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈને નરસંહારની સુનાવણીમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો.</li><li>2008 - POKની રાજધાની શ્રીનગર અને મુઝફ્ફરાબાદ વચ્ચેની 'કારવાં-એ-અમન' બસ સેવા પુનઃ શરૂ થઈ અને ભારતે ચંદ્ર મિશન માટે નાસા સાથે કરાર કર્યા.</li><li>2009 - ભારતીય નૌકાદળનું ફાઇટર એરક્રાફ્ટ 'સી હેરિયર' ગોવા નજીક અરબી સમુદ્રમાં ક્રેશ થતાં લેફ્ટનન્ટ કમાન્ડર સૌરભ સક્સેનાનું નિધન થયું.</li><li>2012 - ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ઇબોલા વાયરસના ચેપથી 20 લોકોના મોત થયા.</li><li>2013 - મલેશિયામાં ચિન સ્વી મંદિર પાસે બસ દુર્ઘટનામાં 37 લોકોના મોત થયા.</li><li>2014 - રફાહમાં ઇઝરાયેલી હવાઈ હુમલામાં હમાસના ત્રણ ટોચના કમાન્ડર માર્યા ગયા.</li></ul><h2><b>21 ઓગસ્ટના રોજ પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ</b></h2><ul><li>1871 - ગોપાલ કૃષ્ણ દેવધર - ભારતના પ્રખ્યાત સામાજિક કાર્યકર અને સેવક.</li><li>1910 - નારાયણ શ્રીધર બેન્દ્રે - પ્રખ્યાત ભારતીય ચિત્રકાર.</li><li>1912 - ડૉ. બ્રહ્મા પ્રકાશ - પદ્મશ્રી અને પદ્મભૂષણથી સન્માનિત ભારતીય વૈજ્ઞાનિક.</li><li>1915 - ઈસ્મત ચુગતાઈ - ભારતીય સાહિત્યના પ્રખ્યાત અને સશક્ત ઉર્દૂ વાર્તાકાર.</li><li>1927 - બી. સત્ય નારાયણ રેડ્ડી - સ્વાતંત્ર્ય સેનાની, સમાજવાદી નેતા અને પૂર્વ રાજ્યપાલ.</li><li>1934 - સુધાકરરાવ નાઈક - ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્મંત્રી.</li><li>1949 - અહમદ પટેલ - ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા.</li><li>1953 - શૈલેષ નાયક - પ્રખ્યાત ભારતીય વૈજ્ઞાનિક.</li><li>1961 - કૃષ્ણ કન્હાઈ - રાધા-કૃષ્ણ થીમ માટે જાણીતા પ્રખ્યાત ભારતીય ચિત્રકાર.</li><li>1979 - પેમા ખાંડુ - અરુણાચલ પ્રદેશના વર્તમાન અને સૌથી યુવા મુખ્યમંત્રી.</li></ul><h2><b>21 ઓગસ્ટના રોજ પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ</b></h2><ul><li>1931 - વિષ્ણુ દિગંબર પલુસ્કર - પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક.</li><li>1948 - વામનરાવ બલીરામ લાખે - છત્તીસગઢના મહાન સ્વાતંત્ર્ય સેનાની.</li><li>1978 - વિનુ માંકડ - ભારતના મહાન ઓલરાઉન્ડર ક્રિકેટર.</li><li>1981 - કાકા કાલેલકર - પ્રખ્યાત ગાંધીવાદી સ્વાતંત્ર્ય સેનાની, શિક્ષણવિદ અને લેખક.</li><li>1995 - સુબ્રહ્મણ્યમ ચંદ્રશેખર - નોબેલ પુરસ્કાર વિજેતા ખગોળ ભૌતિકશાસ્ત્રી.</li><li>2004 - સચ્ચિદાનંદ રાઉતરાય - ઓરિસ્સાના પ્રખ્યાત સાહિત્યકાર.</li><li>2006 - ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન - ભારત રત્નથી સન્માનિત પ્રખ્યાત શહનાઈ વાદક.</li><li>2007 - કુર્રાતુલએન હૈદર - પ્રખ્યાત ઉર્દૂ સાહિત્યકાર.</li><li>2009 - બાબુલાલ ગૌર - મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી.</li><li>2021 - કલ્યાણ સિંહ - ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ.</li></ul><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/india/20-august-top-10-important-news-headlines" target="_blank">20 ઓગસ્ટના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/SSF5GSjUvaP7iHaNZCa4GL6vvSS6wAwlI8Kpcua4.webp'/></item><item><title><![CDATA[Duty Free Sugar : કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ખાંડની ડ્યુટી ફ્રી આયાતને આપી મંજૂરી ]]></title><link>https://sandesh.com/india/news/business/duty-free-sugar-import-government-approves-10-lakh-mt-trq</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/duty-free-sugar-import-government-approves-10-lakh-mt-trq</guid><pubDate>Thu, 20 Aug 2026 22:33:34 +05:30</pubDate><description><![CDATA[<p>કેન્દ્ર સરકારે ખાંડ ક્ષેત્રને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, Tariff Rate Quota (TRQ) યોજના હેઠળ 10 લાખ મેટ્રિક ટન સુધી કાચી ખાંડની ડ્યુટી ફ્રી આયાતને મંજૂરી આપવામાં આવી છે. આ સુવિધા 31 ઓક્ટોબર 2026 સુધી લાગુ રહેશે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2090451788600381728"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>ખાંડની આયાત નીતિમાં સુધારો કર્યો</b></h2><p>સરકારે કાચી ખાંડની આયાત નીતિમાં સુધારો કર્યો છે. નોટિફિકેશન અનુસાર, 10 લાખ મેટ્રિક ટન સુધીની આયાત નિર્ધારિત TRQ દર હેઠળ ડ્યુટી ફ્રી કરવામાં આવી છે. આ નિર્ણયથી ખાંડના સ્થાનિક બજારમાં સપ્લાય વધારવામાં અને ઉપલબ્ધતા જાળવી રાખવામાં મદદ મળી શકે છે. નોટિફિકેશનમાં Advance Authorisations હેઠળ અગાઉથી જારી થયેલા કેટલાક SION E52 સંબંધિત કેસો માટે પણ મહત્વપૂર્ણ જોગવાઈ કરવામાં આવી છે. આવા કિસ્સાઓમાં ખાંડની આયાત માટે આપવામાં આવેલી Advance Authorisationને TRQ યોજના હેઠળ કન્વર્ઝન કરવાની એક વખતની સુવિધા આપવામાં આવશે. જોકે, આ માટે નિર્ધારિત શરતોનું પાલન કરવું પડશે.</p><h3><b>GST પર શું લીધો નિર્ણય?</b></h3><p>આ ઉપરાંત, આયાત કરવામાં આવેલી કાચી ખાંડને દેશમાં રિફાઈન કરીને તૈયાર કરવામાં આવે ત્યારે લાગુ પડતી GST સંબંધિત જોગવાઈઓનું પણ પાલન કરવું પડશે. નોટિફિકેશનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આયાત સમયે કાચી ખાંડ પર લાગુ GST અને બાદમાં તૈયાર ખાંડની નિકાસ સંબંધિત નિયમો મુજબ પ્રક્રિયા હાથ ધરાશે.</p><h4><b>કાચા માલની ઉપલબ્ધતા વધવાની શક્યતા</b></h4><p>DGFTને TRQ અને Advance Authorisationના કન્વર્ઝન માટેની પ્રક્રિયા નક્કી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ માટે જરૂરી પ્રક્રિયા જાહેર નોટિસ મારફતે નક્કી કરવામાં આવશે. સરકારના આ નિર્ણયથી ખાંડ ઉદ્યોગમાં કાચા માલની ઉપલબ્ધતા વધવાની શક્યતા છે. સાથે જ, સ્થાનિક બજારમાં ખાંડના ભાવ અને પુરવઠાને સ્થિર રાખવામાં પણ આ પગલું મહત્વપૂર્ણ બની શકે છે. આ નોટિફિકેશન વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીની મંજૂરી બાદ જારી કરવામાં આવ્યું છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/world/india-mauritius-fuel-deal-petrol-diesel-atf-supply" target="_blank">આ પણ વાંચો : India-Mauritius વચ્ચે મોટી ફ્યુઅલ ડીલ, પેટ્રોલ-ડીઝલ-ATF સપ્લાય કરશે દેશ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/ZgTobXU0Aaae3K0oMohQfFAc6Gqhq3alEyY9Aohw.webp'/></item><item><title><![CDATA[Rocking Star Yash : રિલિઝ પહેલાં જ ટોક્સિકનો અમેરિકામાં દબદબો! એડવાન્સ બુકિંગમાં કમાયા કરોડો ]]></title><link>https://sandesh.com/entertainment/news/toxic-usa-advance-booking-india-date</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/toxic-usa-advance-booking-india-date</guid><pubDate>Thu, 20 Aug 2026 17:43:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સાઉથ સુપરસ્ટાર યશની ફિલ્મ ટોક્સિક હવે રિલીઝની ખૂબ નજીક પહોંચી ગઈ છે. ફિલ્મનું અમેરિકામાં એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે અને તેણે એડવાન્સ બુકિંગમાં શાનદાર શરૂઆત કરી છે. જાણો કે ફિલ્મે અમેરિકામાં અત્યાર સુધી કેટલી કમાણી કરી છે અને ભારતમાં તેનું એડવાન્સ બુકિંગ ક્યારથી શરૂ થશે?</p><h2 style="text-align: justify; "><b>અમેરિકામાં પ્રી-સેલ્સ શરૂ</b></h2><p style="text-align: justify; ">અમેરિકામાં ફિલ્મ ટોક્સિકનું પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે. ફિલ્મે અમેરિકામાં પ્રી-સેલ્સ દ્વારા સત્તાવાર રીતે 1,20,000 ડોલરની કમાણી કરી લીધી છે અને હજુ તેની રિલીઝને 7 દિવસ બાકી છે. વિદેશમાં ફિલ્મ સારી કમાણી કરશે તેવી આશા છે. કારણ કે જો આગામી 7 દિવસ સુધી પણ ફિલ્મ આ જ રીતે કમાણી કરતી રહેશે, તો મોટું કલેક્શન થઈ શકે છે.</p><h3 style="text-align: justify; "><b>એડવાન્સ બુકિંગનું કલેક્શન</b></h3><p style="text-align: justify; ">અમેરિકાની વેંકી બોક્સ ઓફિસના રિપોર્ટ અનુસાર, USAમાં ફિલ્મ ટોક્સિકના એડવાન્સ બુકિંગે સત્તાવાર રીતે 1,20,000 ડોલરની કમાણીનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મની રિલીઝને હજુ 7 દિવસ બાકી છે અને તે સારા પ્રદર્શન તરફ આગળ વધી રહી છે.</p><h4 style="text-align: justify; "><b>અમેરિકાથી સારી કમાણીની આશા</b></h4><p style="text-align: justify; ">મળતી માહિતી પ્રમાણે ફિલ્મે 204 લોકેશન અને 589 શોમાં 1,21,258 ડોલર એટલે કે 1.16 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અત્યાર સુધી નોર્થ અમેરિકન માર્કેટમાં ફિલ્મની 5,550થી વધુ ટિકિટ વેચાઈ ચૂકી છે અને દરરોજ લગભગ 10,000 ડોલરનું બુકિંગ થઈ રહ્યું છે. અમેરિકાથી સારા અને મોટા કલેક્શનની આશા રાખવામાં આવી રહી છે.</p><h4 style="text-align: justify; "><b>ભારતમાં ક્યારથી શરૂ થશે એડવાન્સ બુકિંગ?</b></h4><p style="text-align: justify; ">ફિલ્મના ભારતમાં એડવાન્સ બુકિંગની વાત કરીએ તો ટોક્સિકનું એડવાન્સ બુકિંગ 21 ઓગસ્ટથી શરૂ થવાનું છે. જોકે, ફિલ્મને એડવાન્સ બુકિંગમાં ભારતીય દર્શકો તરફથી કેવો પ્રતિસાદ મળે છે તે જોવાનું રહેશે. તેની જાણ ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થયા બાદ જ થશે.</p><h4 style="text-align: justify; "><b>ફિલ્મની કાસ્ટ</b></h4><p style="text-align: justify; ">આ ફિલ્મમાં યશ ઉપરાંત નયનતારા, કિયારા અડવાણી, હુમા કુરેશી, તારા સુતારિયા અને રુક્મિણી વસંત મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના બજેટની વાત કરીએ તો તેનું બજેટ 850 કરોડથી 1000 કરોડ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે, મેકર્સે આ અંગે સત્તાવાર રીતે કોઈ માહિતી આપી નથી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/yash-toxic-movie-runtime-3-hours-11-minutes-dhurandhar" target="_blank">આ પણ વાંચો-Dhurandhar કરતાં પણ વધુ ખતરનાક અને બોલ્ડ હશે યશની 3 કલાક 11 મિનિટની ટોક્સિક!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/BJAKdAKu5bjZm2XkKqobc7q0GE970pBWglBEfN6V.webp'/></item></channel></rss>