<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Kangana Ranaut:  "બોલિવૂડનો પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ ક્યારે પૂરો થશે?",  નસીરૂદ્દીન શાહ પર કંગનાનો પ્રહાર ]]></title><link>https://sandesh.com/india/news/entertainment/karoline-leavitt-resigns-white-house-press-secretary-trump</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/entertainment/karoline-leavitt-resigns-white-house-press-secretary-trump</guid><pubDate>Thu, 13 Aug 2026 09:53:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અભિનેત્રી અને રાજકારણી કંગના રનૌતે ફરી એકવાર ફિલ્મ ઉદ્યોગ અને પીઢ અભિનેતા નસીરુદ્દીન શાહ પર આકરા પ્રહારો કર્યા છે. કંગનાનું માનવું છે કે બોલિવૂડનો એક વર્ગ પાકિસ્તાન પ્રત્યે અદભુત સહાનુભૂતિ અને પ્રેમ ધરાવે છે, જે ક્યારેય સમાપ્ત થતો નથી. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે નસીરુદ્દીન શાહે એક મુલાકાતમાં બોલિવૂડ સેલિબ્રિટીઓ પર કટાક્ષ કર્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>વિવાદની શરૂઆત ક્યાંથી થઈ?</b></h2><p style="text-align: justify; ">તાજેતરમાં નસીરુદ્દીન શાહે 'ધ વાયર' સાથેની એક મુલાકાતમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો પર જાહેરમાં સમર્થન ન આપવા બદલ બોલિવૂડ કલાકારોની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, "તેઓ ત્યારે જ બોલશે જ્યારે તેમનો અંતરાત્મા કહેશે. એક કહેવત છે કે મોંમાં હાડકું ધરાવતો કૂતરો ભસી શકતો નથી." આ નિવેદનથી નારાજ થઈને કંગનાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પ્રતિક્રિયા આપતા નસીરુદ્દીન શાહને 'શિયાળ' કહ્યા હતા અને જણાવ્યું હતું કે તે આવા શિયાળ કરતા કૂતરો કહેવડાવવાનું વધુ પસંદ કરશે. કંગનાએ આરોપ લગાવ્યો કે આ કલાકારો ભારતનું ખાય છે પરંતુ પાકિસ્તાન માટે પક્ષ લે છે.</p><h3 style="text-align: justify; "><b>વડાપ્રધાન મોદી અંગેના નિવેદન પર ભડકી કંગના</b></h3><p style="text-align: justify; ">કંગનાએ ખુલાસો કર્યો કે તેણે શા માટે નસીરુદ્દીન શાહની આકરી ટીકા કરી. તેમણે કહ્યું કે, "નસીરુદ્દીન શાહે એક ખૂબ જ વાંધાજનક વીડિયો બનાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અપશબ્દો અને ધમકીભરી ભાષા વાપરી હતી, જે આપણા દેશના સર્વોચ્ચ પ્રતિનિધિ છે." કંગનાના મતે, ભારતમાં રહીને દેશના સર્વોચ્ચ નેતા વિરુદ્ધ બોલવું અને પડોશી દેશ પ્રત્યે વધુ પડતો પ્રેમ દાખવવો એ અસ્વીકાર્ય છે.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2087535721129312439"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h4 style="text-align: justify; "><b>બોલિવૂડનો પાકિસ્તાન પ્રેમ ક્યારે સમાપ્ત થશે?</b></h4><p style="text-align: justify; ">કંગનાએ ફિલ્મ ઉદ્યોગ પર પ્રહાર કરતા સવાલ કર્યો કે આ દેશમાં ભાગલાને આટલા વર્ષો વીતી ગયા છે છતાં બોલિવૂડની પાકિસ્તાન પ્રત્યેની પ્રેમકથા ક્યારે પૂરી થશે? તેમણે દેશમાં થયેલા આતંકી હુમલાઓ અને સુરક્ષાના મુદ્દાઓનો ઉલ્લેખ કરીને કહ્યું કે ભારતીયો વિરુદ્ધ થતી હિંસા છતાં બોલિવૂડના અમુક લોકોનો પાકિસ્તાન પ્રત્યેનો લગાવ અટકવાનું નામ નથી લેતો. કંગનાએ એમ પણ આક્ષેપ કર્યો કે ઉદ્યોગના લોકો માત્ર દેખાડા માટે વિરોધ પ્રદર્શનોમાં મગરના આંસુ વહાવવા જાય છે, પરંતુ વાસ્તવિક મુદ્દાઓ પર તેમનો દંભ જગજાહેર છે. આ નિવેદનો બાદ મનોરંજન અને રાજકીય જગતમાં ભારે ચર્ચા જાગી છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/world/news/karoline-leavitt-resigns-white-house-press-secretary-trump" target="_blank">આ પણ વાંચોઃ Donald Trump ને મોટો ફટકો,સૌથી યુવા પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટ આપશે રાજીનામું</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/GRei9WZY1NOFqaBURSNGyhJzyL8EebwUwiz5qsaG.webp'/></item><item><title><![CDATA[Kangana Ranaut:  "બોલિવૂડનો પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ ક્યારે પૂરો થશે?",  નસીરૂદ્દીન શાહ પર કંગનાનો પ્રહાર ]]></title><link>https://sandesh.com/india/news/entertainment/karoline-leavitt-resigns-white-house-press-secretary-trump</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/entertainment/karoline-leavitt-resigns-white-house-press-secretary-trump</guid><pubDate>Thu, 13 Aug 2026 09:53:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અભિનેત્રી અને રાજકારણી કંગના રનૌતે ફરી એકવાર ફિલ્મ ઉદ્યોગ અને પીઢ અભિનેતા નસીરુદ્દીન શાહ પર આકરા પ્રહારો કર્યા છે. કંગનાનું માનવું છે કે બોલિવૂડનો એક વર્ગ પાકિસ્તાન પ્રત્યે અદભુત સહાનુભૂતિ અને પ્રેમ ધરાવે છે, જે ક્યારેય સમાપ્ત થતો નથી. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે નસીરુદ્દીન શાહે એક મુલાકાતમાં બોલિવૂડ સેલિબ્રિટીઓ પર કટાક્ષ કર્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>વિવાદની શરૂઆત ક્યાંથી થઈ?</b></h2><p style="text-align: justify; ">તાજેતરમાં નસીરુદ્દીન શાહે 'ધ વાયર' સાથેની એક મુલાકાતમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો પર જાહેરમાં સમર્થન ન આપવા બદલ બોલિવૂડ કલાકારોની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, "તેઓ ત્યારે જ બોલશે જ્યારે તેમનો અંતરાત્મા કહેશે. એક કહેવત છે કે મોંમાં હાડકું ધરાવતો કૂતરો ભસી શકતો નથી." આ નિવેદનથી નારાજ થઈને કંગનાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પ્રતિક્રિયા આપતા નસીરુદ્દીન શાહને 'શિયાળ' કહ્યા હતા અને જણાવ્યું હતું કે તે આવા શિયાળ કરતા કૂતરો કહેવડાવવાનું વધુ પસંદ કરશે. કંગનાએ આરોપ લગાવ્યો કે આ કલાકારો ભારતનું ખાય છે પરંતુ પાકિસ્તાન માટે પક્ષ લે છે.</p><h3 style="text-align: justify; "><b>વડાપ્રધાન મોદી અંગેના નિવેદન પર ભડકી કંગના</b></h3><p style="text-align: justify; ">કંગનાએ ખુલાસો કર્યો કે તેણે શા માટે નસીરુદ્દીન શાહની આકરી ટીકા કરી. તેમણે કહ્યું કે, "નસીરુદ્દીન શાહે એક ખૂબ જ વાંધાજનક વીડિયો બનાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અપશબ્દો અને ધમકીભરી ભાષા વાપરી હતી, જે આપણા દેશના સર્વોચ્ચ પ્રતિનિધિ છે." કંગનાના મતે, ભારતમાં રહીને દેશના સર્વોચ્ચ નેતા વિરુદ્ધ બોલવું અને પડોશી દેશ પ્રત્યે વધુ પડતો પ્રેમ દાખવવો એ અસ્વીકાર્ય છે.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2087535721129312439"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h4 style="text-align: justify; "><b>બોલિવૂડનો પાકિસ્તાન પ્રેમ ક્યારે સમાપ્ત થશે?</b></h4><p style="text-align: justify; ">કંગનાએ ફિલ્મ ઉદ્યોગ પર પ્રહાર કરતા સવાલ કર્યો કે આ દેશમાં ભાગલાને આટલા વર્ષો વીતી ગયા છે છતાં બોલિવૂડની પાકિસ્તાન પ્રત્યેની પ્રેમકથા ક્યારે પૂરી થશે? તેમણે દેશમાં થયેલા આતંકી હુમલાઓ અને સુરક્ષાના મુદ્દાઓનો ઉલ્લેખ કરીને કહ્યું કે ભારતીયો વિરુદ્ધ થતી હિંસા છતાં બોલિવૂડના અમુક લોકોનો પાકિસ્તાન પ્રત્યેનો લગાવ અટકવાનું નામ નથી લેતો. કંગનાએ એમ પણ આક્ષેપ કર્યો કે ઉદ્યોગના લોકો માત્ર દેખાડા માટે વિરોધ પ્રદર્શનોમાં મગરના આંસુ વહાવવા જાય છે, પરંતુ વાસ્તવિક મુદ્દાઓ પર તેમનો દંભ જગજાહેર છે. આ નિવેદનો બાદ મનોરંજન અને રાજકીય જગતમાં ભારે ચર્ચા જાગી છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/world/news/karoline-leavitt-resigns-white-house-press-secretary-trump" target="_blank">આ પણ વાંચોઃ Donald Trump ને મોટો ફટકો,સૌથી યુવા પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટ આપશે રાજીનામું</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/GRei9WZY1NOFqaBURSNGyhJzyL8EebwUwiz5qsaG.webp'/></item><item><title><![CDATA[Rajkotમાં શ્રાવણના પ્રથમ દિવસે 150 વર્ષ જૂના પંચનાથ દાદાના અદ્ભુત દર્શન, વહેલી સવારથી શિવભક્તોનું મહેરામણ ઉમટ્યું ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/wonderful-darshan-of-150-year-old-panchnath-dada-on-the-first-day-of-shravan-in-rajkot</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/wonderful-darshan-of-150-year-old-panchnath-dada-on-the-first-day-of-shravan-in-rajkot</guid><pubDate>Thu, 13 Aug 2026 09:45:48 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે રંગીલા રાજકોટના તમામ શિવાલયો 'હર હર મહાદેવ' અને 'બમ બમ ભોલે'ના જયઘોષથી ગુંજી ઉઠ્યા છે. રાજકોટના હૃદયસમા અને શ્રદ્ધાના કેન્દ્ર ગણાતા પંચનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શ્રાવણ માસની પવિત્ર શરૂઆતે શિવજીના દર્શન અને આશીર્વાદ મેળવીને શિવભક્તો ભાવવિભોર અને ધન્ય બન્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>મંદિરમાં જળાભિષેક અને વિશિષ્ટ શણગારનું મહત્વ</b></h2><p style="text-align: justify; ">રાજકોટ સ્થિત પંચનાથ મહાદેવનું મંદિર અંદાજે 150 વર્ષ જેટલું પ્રાચીન અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. શ્રાવણ માસ દરમિયાન શિવલિંગ પર જળાભિષેક, દુગ્ધાભિષેક અને બિલિપત્ર અર્પણ કરવાનું વિશેષ ધાર્મિક મહાત્મ્ય રહેલું છે. જેને લઈને ભક્તો લાંબી કતારોમાં ઊભા રહીને મહાદેવની પૂજા-અર્ચના કરતા નજરે પડ્યા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા દિવસભર પંચનાથ દાદાનો વિવિધ મનોહર શણગાર અને વિશિષ્ટ પૂજા-આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>દિવસભર ધાર્મિક ઉત્સવ જેવો માહોલ</b></h3><p style="text-align: justify; ">શ્રાવણ મહિનાના આ પ્રથમ દિવસે માત્ર પંચનાથ જ નહીં, પરંતુ રાજકોટના તમામ નાના-મોટા શિવ મંદિરોમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો છે. શિવભક્તોની સુરક્ષા અને સુચારૂ દર્શન માટે મંદિરોમાં વિશેષ બેરિકેડિંગ અને વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન મહાદેવની આરાધના, જપ અને તપ માટે રાજકોટ શહેર સંપૂર્ણપણે શિવમય રંગમાં રંગાઈ ગયું છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/NXKM6iPTuhVZqXtdduJGXYJRDwTqmppD22BTJ7oY.webp'/></item><item><title><![CDATA[Bharuchના અંકલેશ્વર-વાલિયા માર્ગ પર હિટ એન્ડ રન: સેમ્પોલ સ્કૂલ પાસે કારની અડફેટે રાહદારીનું મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/hit-and-run-on-ankleshwar-walia-road-in-bharuch-pedestrian-dies-after-being-hit-by-car-near-sampol-school</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/hit-and-run-on-ankleshwar-walia-road-in-bharuch-pedestrian-dies-after-being-hit-by-car-near-sampol-school</guid><pubDate>Thu, 13 Aug 2026 09:25:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-વાલિયા માર્ગ પર એક અત્યંત કરૂણ અને ગંભીર હિટ એન્ડ રનનો બનાવો સામે આવ્યો છે. અંકલેશ્વર નજીક આવેલા કોસમડી ગામ પાસે, સેમ્પોલ સ્કૂલ નજીકથી પસાર થઈ રહેલા એક નિર્દોષ રાહદારીને પુરપાટ ઝડપે આવી રહેલી અજાણી કારના ચાલકે જોરદાર અડફેટે લીધો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે રાહદારી રોડ પર પટકાતાં ગંભીર ઈજાઓના કારણે ઘટનાસ્થળે જ તેનું પ્રાણપંખેડું ઊડી ગયું હતું.</p><h2 style="text-align: justify; "><b>અકસ્માત સર્જી કારચાલક વાહન સાથે ફરાર</b></h2><p style="text-align: justify; ">આ ભયાનક અકસ્માત સર્જાયા બાદ માનવતા મહેકાવવાને બદલે અજાણ્યો કારચાલક પોતાની કાર લઈને ઘટનાસ્થળેથી તુરંત જ ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો અને રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોના ટોળાં એકઠા થઈ ગયા હતા અને બનાવ અંગે તુરંત જ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી.</p><h3 style="text-align: justify; "><b>પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી</b></h3><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતકના મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ (PM) અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ સાથે જ પોલીસે અજાણ્યા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધીને, અંકલેશ્વર-વાલિયા માર્ગ પર આવેલા સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવી ફરાર કારચાલકને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/68xBL5eLTiQWTbhSCQT6udgpty6DCpiEmDGAg68l.webp'/></item><item><title><![CDATA[Vadodara : એક ફ્લેટ... અનેક યુવતીઓ... ઓનલાઈન ન્યુડ વીડિયો કોલ અને લાખોની કમાણી..! વાંચો ચોંકાવનારો કિસ્સો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/vadodara/vadodara-manjalpur-nude-video-call-racket-busted-stripchat-app</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/vadodara/vadodara-manjalpur-nude-video-call-racket-busted-stripchat-app</guid><pubDate>Thu, 13 Aug 2026 09:23:25 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરામાં ઓનલાઈન અશ્લીલતાના ગોરખધંધાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા પ્રકૃતિ પ્લાઝાના એક ફ્લેટમાંથી ચાલતું કથિત ન્યુડ કોલિંગ સેન્ટર પોલીસે ઝડપી પાડ્યું છે. આ સમગ્ર રેકેટમાં આધુનિક ટેક્નોલોજી, મોબાઇલ એપ્લિકેશન અને હાઈટેક સાધનોનો ઉપયોગ કરીને ગ્રાહકોને આકર્ષવામાં આવતા હતા. પોલીસના દરોડા બાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.</p><h2 style="text-align: justify; "><b>ફ્લેટ ખરીદી  ન્યુડ વીડિયો કોલનો ગોરખધંધો&nbsp;</b></h2><p style="text-align: justify; ">માંજલપુર પોલીસને મળેલી બાતમીના આધારે પ્રકૃતિ પ્લાઝામાં આવેલા ફ્લેટ પર દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે ઓનલાઈન વીડિયો કોલિંગની શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન ફ્લેટમાંથી મુખ્ય આરોપી મનીષ પઢિયારને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી ત્રણ લેપટોપ, બે હાઈટેક કેમેરા, આઈફોન-15 સહિતના ડિજિટલ સાધનો કબજે કરવામાં આવ્યા છે. હવે પોલીસ આ તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણોની ફોરેન્સિક તપાસ કરાવી સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>ઓનલાઈન વીડિયો સ્ટ્રીમિંગ માટે Stripchat નામની એપ્લિકેશનનો ઉપયોગ</b></h3><p style="text-align: justify; ">પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી ઓનલાઈન વીડિયો સ્ટ્રીમિંગ માટે Stripchat નામની એપ્લિકેશનનો ઉપયોગ કરતો હતો. અલગ-અલગ યુવતીઓને ફ્લેટ પર બોલાવી ખાસ તૈયાર કરાયેલા રૂમમાં વીડિયો કોલ માટેનું સેટઅપ ગોઠવવામાં આવતું હતું. ત્યારબાદ ગ્રાહકો સાથે ઓનલાઈન વીડિયો કોલ શરૂ કરવામાં આવતો અને ગ્રાહકની માંગ મુજબ યુવતીઓ દ્વારા અશ્લીલ હરકતો કરવામાં આવતી હતી. મળતી આવકમાંથી લગભગ અડધી રકમ યુવતીને આપવામાં આવતી હતી જ્યારે બાકીની રકમ આરોપી પોતાના કમિશન તરીકે રાખતો હતો.</p><p style="text-align: justify; "><img alt="Vadodara Crime: High-Tech Nude Video Call Racket Busted in Manjalpur" src="https://epapercdn.sandesh.com/images/2026/08/13/F6DgnttkFOaARU0N5Fab6qEuodN7FUbgIF7aFdmJ.webp" style="width: 100%;"><br></p><h4 style="text-align: justify; "><b>આરોપી માત્ર 10મું ધોરણ પાસ&nbsp;</b></h4><p style="text-align: justify; ">આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે આરોપી માત્ર 10મું ધોરણ પાસ હોવા છતાં ટેક્નિકલ સમજના આધારે APK ફાઇલની મદદથી એપ્લિકેશન તૈયાર કરીને ગ્રાહકો સુધી પહોંચવાનો રસ્તો શોધી કાઢ્યો હતો.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>500થી રૂ.5,000 સુધીનું રિચાર્જ કરાવવામાં આવતું&nbsp;</b></h4><p style="text-align: justify; ">પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે ગ્રાહકોને એપ્લિકેશનમાં એકાઉન્ટ બનાવડાવી રૂ.500થી રૂ.5,000 સુધીનું રિચાર્જ કરાવવામાં આવતું હતું. રિચાર્જ બાદ ગ્રાહકોને વર્ચ્યુઅલ કોઇન આપવામાં આવતા અને વીડિયો કોલ દરમિયાન જેટલો સમય વાતચીત ચાલે તેટલા કોઇન ખર્ચાતા હતા. આરોપીને દરેક કોઇન સામે નક્કી થયેલું કમિશન મળતું હતું.</p><h4 style="text-align: justify; "><b>11 લાખ રૂપિયામાં ફ્લેટ ખરીદ્યો&nbsp;</b></h4><p style="text-align: justify; ">પોલીસના જણાવ્યા અનુસાર મનીષ પઢિયારે માંજલપુરમાં આશરે 11 લાખ રૂપિયામાં ફ્લેટ ખરીદ્યો હતો અને ત્યાંથી જ આ સમગ્ર કથિત ઓનલાઈન ધંધો ચલાવતો હતો. ફ્લેટમાં લાઈટિંગ, કેમેરા, લેપટોપ અને ઝડપી ઈન્ટરનેટ સાથે સંપૂર્ણ સ્ટુડિયો જેવું સેટઅપ ઉભું કરવામાં આવ્યું હતું. ગ્રાહકોને આકર્ષવા માટે વિવિધ ઓનલાઈન માધ્યમોનો ઉપયોગ થતો હતો અને તેઓને વીડિયો કોલિંગ માટે પ્રોત્સાહિત કરવામાં આવતા હતા.</p><p style="text-align: justify; "><b style="font-size: 1.5rem;">પોલીસે શંકાસ્પદ યુવતીની પૂછપરછ કરી</b></p><p style="text-align: justify; ">તપાસ દરમિયાન એક યુવતી પણ મળી આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ તે મૂળ ગાઝિયાબાદની રહેવાસી છે અને એર હોસ્ટેસ બનવાનો અભ્યાસ કરી રહી હતી. તે આ સમગ્ર પ્રવૃત્તિમાં કઈ રીતે જોડાઈ, તેની ભૂમિકા શું હતી અને અન્ય કેટલી યુવતીઓ આ નેટવર્ક સાથે સંકળાયેલી હતી તે અંગે પોલીસે વિગતવાર પૂછપરછ શરૂ કરી છે.</p><h4 style="text-align: justify; "><b>કોઈ મોટું ઓનલાઈન રેકેટની શંકા&nbsp;</b></h4><p style="text-align: justify; ">પોલીસ હવે માત્ર આ એક ફ્લેટ સુધી તપાસ મર્યાદિત રાખવા માંગતી નથી. તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે આ સમગ્ર પ્રવૃત્તિ પાછળ કોઈ મોટું ઓનલાઈન રેકેટ કાર્યરત હતું કે નહીં. યુવતીઓને કોણ સંપર્ક કરતું હતું, ગ્રાહકો ક્યાં-ક્યાંથી જોડાતા હતા, નાણાં કયા બેંક ખાતામાં જમા થતા હતા અને આ સમગ્ર કામગીરીમાં અન્ય કોઈ વ્યક્તિ કે ટેક્નિકલ ટીમ સંકળાયેલી હતી કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.</p><h4 style="text-align: justify; "><b>પોલીસની તપાસ શરુ</b></h4><p style="text-align: justify; ">દરોડા દરમિયાન જપ્ત કરાયેલા ત્રણ લેપટોપ, મોબાઇલ ફોન, હાઈટેક કેમેરા અને અન્ય ડિજિટલ સાધનો પોલીસ માટે મહત્વના પુરાવા બની શકે છે. ફોરેન્સિક વિશ્લેષણ બાદ ચેટ હિસ્ટ્રી, ટ્રાન્ઝેક્શન, ગ્રાહકોની વિગતો અને ઓનલાઈન એકાઉન્ટ્સ વિશે વધુ માહિતી મળી શકે છે. જો તપાસમાં અન્ય રાજ્યો અથવા દેશોના ગ્રાહકો કે સંચાલકોના તાર જોડાશે તો કેસ વધુ ગંભીર બની શકે છે.</p><h4 style="text-align: justify; "><b>ગ્રાહકોની માંગ મુજબ અશ્લીલ હરકતો કરાવવામાં આવતી</b></h4><p style="text-align: justify; ">આ સમગ્ર મામલે એસીપી વિમલ ગામીતે જણાવ્યું હતું કે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે ફ્લેટમાં યુવતીઓને રાખીને ઓનલાઈન વીડિયો કોલ મારફતે ગ્રાહકોને આકર્ષવામાં આવતા હતા અને ગ્રાહકોની માંગ મુજબ અશ્લીલ હરકતો કરાવવામાં આવતી હતી. આ બદલામાં મળતી રકમ આરોપીના ખાતામાં જમા થતી હતી અને તેમાંથી કમિશન આપવામાં આવતું હતું. હાલમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ અન્ય લોકોની સંડોવણી અંગે તપાસ ચાલુ છે. સાથે જ કોઈ ગ્રાહક સાથે છેતરપિંડી અથવા બ્લેકમેઇલ કરવામાં આવ્યું છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.</p><h4 style="text-align: justify; "><b>ડિજિટલ યુગમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો&nbsp;</b></h4><p style="text-align: justify; ">પોલીસે આરોપી સામે સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ડિજિટલ યુગમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવવાના આવા કિસ્સાઓ કાયદા અમલવારી એજન્સીઓ માટે મોટો પડકાર બની રહ્યા છે. હવે પોલીસની તપાસમાં આ સમગ્ર નેટવર્કના કેટલા નવા તાર બહાર આવે છે અને કેટલા લોકો કાયદાના જાળમાં ફસાય છે તેના પર સૌની નજર છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-morbi-veerparda-mysterious-well-water-waves-scientific-reason-gsi" target="_blank"><b>&nbsp;Sandesh Digital Explainer: મોરબીનો રહસ્યમય કૂવો: અફવા નહીં, જાણો વૈજ્ઞાનિક હકીકત</b></a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/H2jhUfAchPCmYCwAqMPCfdQ4WZfmCb2cyLnq0M5b.webp'/></item><item><title><![CDATA[Weather Update: મુંબઇથી હિમાચલ સુધી વરસાદે મચાવી તબાહી, 18 ઓગસ્ટ સુધી ભારે વરસાદની ચેતવણી ]]></title><link>https://sandesh.com/india/news/india-heavy-rain-alert-mumbai-himachal-landslides-aug-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/india-heavy-rain-alert-mumbai-himachal-landslides-aug-2026</guid><pubDate>Thu, 13 Aug 2026 08:44:28 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દેશના અનેક રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા મુશળધાર વરસાદ અને ભૂસ્ખલનને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મુંબઈથી લઈને હિમાચલ પ્રદેશ સુધી કુદરતી આફતે ભારે તારાજી સર્જી છે, જેમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી ૧૮ ઓગસ્ટ સુધી અનેક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે, જેના કારણે વહીવટીતંત્ર અને નાગરિકોની ચિંતા વધી ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>મહારાષ્ટ્રની રાજધાની મુંબઇ પાણી પાણી</b></h2><p style="text-align: justify; ">મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈમાં વરસાદે ગંભીર પરિસ્થિતિ પેદા કરી છે. મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં ગૌસિયા ચાલ ખાતે બુધવારે વહેલી સવારે ૩:૪૫ વાગ્યે એક દર્દનાક દુર્ઘટના સર્જાઈ હતી. ટેકરીનો વિશાળ કાટમાળ અચાનક ત્રણ ઘરો પર તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં ત્રણ બાળકો સહિત છ લોકોને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે રમેશ યાદવનું સારવાર દરમિયાન મોત થતાં કુલ મૃત્યુઆંક સાત પર પહોંચ્યો છે. આ દુર્ઘટનામાં અન્ય સાત લોકો ઘાયલ થયા છે, જેમની સારવાર ચાલી રહી છે. મુંબઈના મેયર રીતુ તાવડેએ ઘટનાસ્થળની મુલાકાત લઈને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને મૃતકોના પરિવારજનો માટે ₹૪ લાખની સહાયતાની જાહેરાત કરી હતી.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/vjkumar411/status/2087745322978054279"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br><br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/kanchan52416283/status/2087207367553507552"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h3 style="text-align: justify; "><b>હિમાચલ પ્રદેશમાં વરસાદે વેર્યો વિનાશ</b></h3><p style="text-align: justify; ">બીજી તરફ, પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં પણ વરસાદ આફત બનીને વરસી રહ્યો છે. સતત ભૂસ્ખલનને કારણે રાજ્યમાં ૩૧૩ જેટલા મુખ્ય રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ થઈ ગયા છે. સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાં મંડી (૧૧૭ રસ્તા), ચંબા (૭૪), કુલ્લુ (૬૦), શિમલા (૩૬) અને સિરમૌર (૧૩)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૬૫ પીવાના પાણીની યોજનાઓ અને ૧૧૨ ટ્રાન્સફોર્મરને પણ નુકસાન પહોંચ્યું છે. રાજ્ય સરકારના સત્તાવાર આંકડા મુજબ, ૩૦ જૂનથી અત્યાર સુધીમાં વરસાદ સંબંધિત આફતોમાં ૭૫ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે, જ્યારે અંદાજે ₹૯૧૧ કરોડથી વધુનું આર્થિક નુકસાન થયું છે.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/dhauladhar57421/status/2087738028223787316"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h4 style="text-align: justify; "><b>જમ્મુ કાશ્મીર સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી</b></h4><p style="text-align: justify; ">ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને રાજસ્થાન જેવા રાજ્યોમાં પણ મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ સહિતના અનેક પહાડી અને મેદાની વિસ્તારોમાં ૧૭ અને ૧૮ ઓગસ્ટ સુધી ભારે વરસાદ માટે 'યલો એલર્ટ' જારી કર્યું છે. IMDની ચેતવણી અનુસાર, આગામી દિવસોમાં પણ ભૂસ્ખલન અને માર્ગ અવરોધની સમસ્યાઓ યથાવત રહી શકે છે. વહીવટીતંત્રે લોકોને અક્ષમ્ય જોખમ ન ખેડવા અને હવામાન વિભાગની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/indiaprime/status/2087737351921717280"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/world/news/europe-total-solar-eclipse-spain-iceland-2026" target="_blank">આ પણ વાંચોઃ Spain: 27 વર્ષ બાદ જોવા મળ્યું અદ્દભુત સૂર્યગ્રહણ, લાખો લોકોએ નિહાળ્યું કુદરતી અજાયબીનું દ્રશ્ય</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/8kYDeVVloTtJpLiwvi5pLKYBnu9VfYoeyqANWecx.webp'/></item><item><title><![CDATA[Rajkotમાં કુખ્યાત જેનિસ મહાજનનો ફરી આતંક: SK ચોકમાં બે મહિલાઓને ધોકો મારી છરી બતાવી વાહનોમાં તોડફોડ કરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/rajkot/rajkot-notorious-jenis-mahajan-attack-sk-chowk-gandhigram-police</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/rajkot/rajkot-notorious-jenis-mahajan-attack-sk-chowk-gandhigram-police</guid><pubDate>Thu, 13 Aug 2026 08:17:35 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે. શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાત શખ્સ જેનિસ મહાજને શહેરના SK ચોક વિસ્તારમાં ફરી એકવાર ભારે ઉત્પાત મચાવી આતંક ફેલાવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>5 થી 6 સ્થળોએ લોકો સાથે માથાકૂટ કરી&nbsp;</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, જેનિસ મહાજને SK ચોક વિસ્તારમાં એક પછી એક એમ 5 થી 6 સ્થળોએ લોકો સાથે માથાકૂટ કરી હતી. આતંકના આ ખેલ દરમિયાન આરોપીએ બે નિર્દોષ મહિલાઓ પર ધોકા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી અને હાથમાં છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ભયનો માહોલ ઊભો કર્યો હતો.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>વાહનોમાં પણ તોડફોડ કરી</b></h3><p style="text-align: justify; ">જેનિસ મહાજને આટલેથી ન અટકતા, તેને વિસ્તારમાં પાર્ક કરેલી ગાડીઓ અને વાહનોમાં પણ તોડફોડ કરી મોટું નુકસાન પહોંચાડ્યું હતું</p><h3 style="text-align: justify; "><b>સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ&nbsp;</b></h3><p style="text-align: justify; ">બનાવને પગલે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો. જેનિસના ત્રાસથી કંટાળેલા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને એકઠા થઈ ગયા હતા અને આરોપી સામે કડકમાં કડક પગલાં ભરવાની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો.</p><h4 style="text-align: justify; "><b>જેનિસ મહાજન રીઢો ગુનેગાર છે&nbsp;</b></h4><p style="text-align: justify; ">અત્રે ઉલ્લેખનીય છે કે જેનિસ મહાજન રીઢો ગુનેગાર છે અને તેની સામે અગાઉ પણ છરી અને ધોકા વડે હુમલો કરવાના અસંખ્ય કેસો નોંધાઈ ચૂક્યા છે. ભૂતકાળમાં તેણે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પર સોડા બોટલ વડે હુમલો કરવાની પણ હિંમત દાખવી હતી. વારંવાર ગુના આચરતા આ અસામાજિક તત્વ સામે પોલીસ હવે કેવા સખત પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">&nbsp;આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-morbi-veerparda-mysterious-well-water-waves-scientific-reason-gsi" target="_blank"><b> Sandesh Digital Explainer: મોરબીનો રહસ્યમય કૂવો: અફવા નહીં, જાણો વૈજ્ઞાનિક હકીકત</b></a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/RuqZA3pFnitqRV4r5uTwFYDWiRyRlaXjqg2zN9Md.webp'/></item><item><title><![CDATA[Lunavada: લુણાવાડામાં શિક્ષકોએ લૂણેશ્વર મહાદેવને આવેદનપત્ર પાઠવ્યું ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/lunavada/lunavada-teachers-in-lunavada-submitted-a-petition-to-luneshwar-mahadev</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/lunavada/lunavada-teachers-in-lunavada-submitted-a-petition-to-luneshwar-mahadev</guid><pubDate>Thu, 13 Aug 2026 06:34:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં સરકારી કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે લુણાવાડા ખાતે મહીસાગર જિલ્લા શિક્ષ4સંઘના શિક્ષકોએ આજે દિવાસાના દિવસે લુણેશ્વર મહાદેવ મંદિરે ભગવાન શિવને આવેદનપત્ર આપીને અનોખી રીતે રજૂઆત કરી હતી.</p><p style="text-align: justify; ">ગઈકાલે લુણાવાડા તાલુકા પ્રાથમિ4શિક્ષ4સંઘ દ્વારા સોશિયલ મીડિયા પર આંદોલનની શરૂઆત કરાઈ હતી, જે બાદ આજે લુણાવાડા અને કોઠંબા તાલુકા પ્રાથમિ4શિક્ષ4સંઘના શિક્ષકોએ લુણાવાડાના શ્રી લૂણેશ્વર મહાદેવ મંદિરે એકઠા થઈ મહાદેવની આરતી ઉતારી વિશેષ પ્રાર્થના કરી ગુજરાત સરકારને મહાદેવ સદબુદ્ધિ આપે અને રાજ્યના તમામ કર્મચારીઓના હિતમાં વહેલી તકે ર્ંઁજી લાગુ થાય. તેવી પ્રાર્થના કરી મહાદેવના ચરણોમાં આવેદનપત્ર અર્પણ કર્યું હતું. જેમાં શિક્ષકોની માંગણી મુખ્ય પાંચ મુદ્દાઓ (1) નિવૃત્તિ બાદ કર્મચારીની સામાજિ4સુરક્ષા. (2) પરિવારની લાંબા ગાળાની આર્થિ4સ્થિરતા. (3) સતત વધતી મોંઘવારી સામે રક્ષણ. (4) શેરબજાર પર આધારિત નવી પેન્શન યોજના (ગ્દઁજી) ની અનિશ્ચિતતાઓ. (5) લાગુ થવાથી કર્મચારીઓના મનોબળ અને સમર્પણમાં થતો વધારો. જેવી રજૂઆત કરાઈ હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/13/HqZ187YbYpf4WebjyQoWUV091feKNsH0dn4HSjL3.webp'/></item><item><title><![CDATA[Lionel Messiની પિતાના અવસાન બાદ પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'મને ખબર નથી કે હવે...' ]]></title><link>https://sandesh.com/sports/news/lionel-messi-father-jorge-messi-death-emotional-post</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/lionel-messi-father-jorge-messi-death-emotional-post</guid><pubDate>Wed, 12 Aug 2026 23:40:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">લિયોનેલ મેસ્સીના પિતા જોર્જ મેસ્સીનું 8 ઓગસ્ટના રોજ 68 વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન થયું હતું. આ પછી લિયોનેલ મેસ્સીએ 12 ઓગસ્ટના રોજ તેમના પિતાના અવસાન પર પહેલીવાર મૌન તોડ્યું જેમાં તેને સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી જેમાં તેમણે ભવિષ્યમાં ફૂટબોલ રમવા અંગે શંકા વ્યક્ત કરી હતી.</p><p style="text-align: justify;">લિયોનેલ મેસ્સીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર તેમના પિતા જોર્જ સાથેનો એક ફોટો પોસ્ટ કર્યો અને એક નોટ પણ શેર કરી જેમાં તેને લખ્યું કે તેઓ આ મોટી ખોટ સ્વીકારી શકતા નથી અને તેને સમજાતું નથી કે તે તેના પિતા વિના જીવનમાં કેવી રીતે આગળ વધશે કારણ કે તેઓ મારા બેસ્ટ મિત્ર, માર્ગદર્શક અને એજન્ટ પણ હતા.</p><h2 style="text-align: justify;"><b>મને ખબર નથી કે આગળ કેવી રીતે આગળ વધવું</b></h2><p style="text-align: justify;">પિતાના અવસાન પછી લિયોનેલ મેસ્સીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી એક પોસ્ટમાં લખ્યું છે કે "મને ખબર નથી કે હું તમારા વિના શું કરીશ. મને ખબર નથી કે આગળ કેવી રીતે વધવું. હું ફક્ત ફૂટબોલ રમી રહ્યો હતો, પરંતુ હવે મારી પાસે ઘણા સવાલો છે કે શું હું ચાલુ રાખી શકીશ." મેસ્સીએ સમજાવ્યું કે તેના પિતાએ તેને દરેક બાબતમાં સપોર્ટ આપ્યો અને હંમેશા તેના નિર્ણયોમાં વિશ્વાસ રાખ્યો. "બધા માટે આભાર. હું તમને પ્રેમ કરું છું, પપ્પા."</p><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/Db8MYnQjYsC/?img_index=1" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/Db8MYnQjYsC/?img_index=1" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a><br></p><h3 style="text-align: justify;"><b>વર્લ્ડકપ શરૂ થવાના થોડા દિવસ પહેલા તે બીમાર પડ્યા&nbsp;</b></h3><p style="text-align: justify;">પોતાની પોસ્ટમાં લિયોનેલ મેસ્સીએ સમજાવ્યું કે વર્લ્ડકપ 2026 શરૂ થવાના થોડા દિવસો પહેલા તેના પિતાની તબિયત અચાનક બગડી ગઈ હતી, જેના કારણે જોર્જ પહેલી વાર કોઈ ટુર્નામેન્ટમાં હાજરી આપી શક્યા ન હતા. "હું દરેક મેચ પછી મારા પિતાના મેસેજની રાહ જોતો હતો. મને તમારી ખૂબ જ યાદ આવશે, પણ તમે હંમેશા સાથે રહેશો. ખાસ કરીને મારા બાળકોને ઉછેરવામાં, કારણ કે હું તેમને એ જ રીતે શીખવીશ અને ઉછેરીશ જે રીતે તમે મને ઉછેર્યો છે."</p><h4 style="text-align: justify;"><b>મેસ્સીને રોનાલ્ડોનો સપોર્ટ મળ્યો</b></h4><p style="text-align: justify;">મેસ્સીના પિતાના અવસાન પછી જ્યારે તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી, ત્યારે તેને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો સપોર્ટ મળ્યો, જેમાં રોનાલ્ડોએ તેની પોસ્ટ પર કોમેન્ટ કરી અને લખ્યું છે કે લીઓ, આ મુશ્કેલ સમયમાં તને અને તારા પરિવારને મારું મોટું હગ, તમને ઘણી શક્તિ મળે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/TGH56UwXwOH6bh1EQIGogFs2CidMiip8syDerxly.webp'/></item><item><title><![CDATA[Online vs Offline Shopping: ઓનલાઇન અને ઓફલાઇન કેમ અલગ પ્રોડક્ટ વેચે છે કંપનીઓ, જાણો શુ છે કારણ? ]]></title><link>https://sandesh.com/business/news/india/online-vs-offline-shopping-why-do-companies-sell-different-products-online-and-offline-know-what-is-the-reason</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/online-vs-offline-shopping-why-do-companies-sell-different-products-online-and-offline-know-what-is-the-reason</guid><pubDate>Wed, 12 Aug 2026 20:10:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સ કંપનીઓ હવે ઓનલાઈન અને ઓફલાઈન ગ્રાહકો માટે અલગ અલગ મોડેલ અને ફીચર્સ ઓફર કરી રહી છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">ઓનલાઈન અને ઓફલાઈન વચ્ચે તફાવત</h2><p style="text-align: justify; ">દેશની સૌથી મોટી ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓમાંની એક, LG, ઓનલાઈન ખરીદીની તુલનામાં સ્ટોરમાં ખરીદેલા કેટલાક ટીવી પર એક થી બે વર્ષની વધારાની વોરંટી આપે છે. કંપની વેચાણ ચેનલના આધારે કેટલાક ઉપકરણો પર સુવિધાઓ પણ તૈયાર કરે છે. તેવી જ રીતે, Haier ઓનલાઈન અને ઓફલાઈન બજારો માટે અલગ અલગ વ્યૂહરચના અપનાવી રહી છે. ઓનલાઈન ગ્રાહકોને વોટર ડિસ્પેન્સર સાથે પ્રીમિયમ રેફ્રિજરેટર મળે છે, જ્યારે સ્ટોરમાં વેચાતા કેટલાક મોડેલો કાચના દરવાજા અથવા મિરર ફિનિશ સાથે આવે છે.&nbsp;</p><h3 style="text-align: justify; ">કંપનીઓ કેમ કરે છે આવું ?</h3><p style="text-align: justify; ">કંપનીઓ અનુસાર, ઈ-કોમર્સ ગ્રાહકો સુધી પહોંચવાનો ઝડપી માર્ગ છે, પરંતુ કંપની પાસે 35,000 થી વધુ સ્ટોર્સનું મોટું ડીલર નેટવર્ક પણ છે. તેથી, બંને ચેનલો વિવિધ સુવિધાઓ અને વોરંટી કવરેજ ધરાવતા મોડેલો સાથે સહઅસ્તિત્વ ધરાવે છે. અલગ મોડેલો રાખવાથી ઓનલાઈન અને ઓફલાઈન ચેનલો વચ્ચેના સંઘર્ષો ઘટાડવામાં મદદ મળે છે. જો કે, આ માટે કંપનીઓને વધારાના સંશોધન અને વિકાસ ખર્ચનો પણ ભોગવવો પડે છે. આ પરિવર્તન એવા સમયે આવ્યું છે જ્યારે ઓનલાઈન ખરીદી સતત વધી રહી છે.&nbsp;</p><h4 style="text-align: justify; ">ગ્રાહકો પર આની શું અસર પડશે?</h4><p style="text-align: justify; ">આ પરિવર્તન ગ્રાહકો પર સીધી અસર કરી શકે છે. ફક્ત કિંમતના આધારે ઓનલાઈન અને ઓફલાઈન મોડેલની સરખામણી કરવી હવે પૂરતી રહેશે નહીં. ખરીદી કરતા પહેલા, મોડેલ નંબર, સુવિધાઓ, વોરંટી, ક્ષમતા અને ઉર્જા રેટિંગ તપાસવું મહત્વપૂર્ણ છે. કેટલીકવાર, થોડી વધારે કિંમત ધરાવતું ઓફલાઈન મોડેલ વધારાની વોરંટી અથવા વધુ સારી સુવિધાઓ આપી શકે છે. દરમિયાન, ઓનલાઈન મોડેલ ઓછી કિંમતે તમને જોઈતી સુવિધાઓ પ્રદાન કરી શકે છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/imran-khans-death-in-jail-claim-did-asim-munir-take-revenge-on-his-old-self-know-what-is-the-truth" target="_blank">Imran Khanના જેલમાં મોતનો દાવો? શું Asim Munirએ પોતાનો જૂનો બદલો લીધો, જાણો શુ છે હકીકત?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/SrZx5msagdbDLwZq6qk8PKZbZmqXGRkiAsC1vp2K.webp'/></item></channel></rss>