<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Greater Noida : બાળકીની હત્યા કરનારો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર ]]></title><link>https://sandesh.com/india/news/crime/greater-noida--accused-who-killed-a-girl-shot-dead-in-an-encounter</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/crime/greater-noida--accused-who-killed-a-girl-shot-dead-in-an-encounter</guid><pubDate>Sat, 29 Aug 2026 19:37:54 +05:30</pubDate><description><![CDATA[<p>ગ્રેટર નોઈડાના ઈકોટૅક-3 પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હલ્દૌની ગામમાં 7 વર્ષની માસૂમ બાળકીની ગળું દબાવીને હત્યા કરવાના મામલામાં પોલીસે આરોપીને એન્કાઉન્ટરમાં ઠાર કર્યો છે. પોલીસ આરોપી બલરાજને ઘટનાસ્થળે લઈ ગઈ હતી ત્યારે તે અચાનક પોલીસ કસ્ટડીમાંથી ભાગવા લાગ્યો હતો. પોલીસે તેને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીએ એક સબ-ઇન્સ્પેક્ટરની પિસ્તોલ છીનવી લઈને પોલીસ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો.&nbsp;</p><h2><b>ગોળી આરોપીને વાગતાં તે ગંભીર રીતે ઘાયલ થયો</b></h2><p>પોલીસે જવાબી કાર્યવાહી કરતાં ગોળીબાર કર્યો, જેમાં પોલીસની એક ગોળી આરોપીને વાગતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસ ટીમ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગઈ હતી, પરંતુ હોસ્પિટલ પહોંચતા જ ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. મળતી માહિતી મુજબ, મામલો ગ્રેટર નોઈડાના હલ્દૌની ગામનો છે. 28 ઓગસ્ટની સાંજે બાળકીના પરિવારજનોએ પોલીસને બાળકી ગુમ થયાની જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસે બાળકીની શોધ માટે પાંચ ટીમો બનાવી હતી. તપાસ દરમિયાન આસપાસના વિસ્તારોમાં લાગેલા CCTV કેમેરાની ફૂટેજ તપાસવામાં આવી હતી.</p><p>ગ્રેટર નોઈડા સેન્ટ્રલ ઝોનના એડિશનલ DCPએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ માસૂમ બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરી હતી. હત્યા કર્યા પછી બાળકીના મૃતદેહને બોરીમાં ભરીને ઠેકાણે લગાવવાનો પ્રયાસ કર્યો હતો.</p><h3><b>ઘટનાસ્થળેથી ભાગતી વખતે વાગી ગોળી</b></h3><p>પોલીસ આરોપીને પકડવા માટે સતત દરોડા પાડી રહી હતી. તેના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડીને તેની શોધખોળ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. એડિશનલ DCPએ જણાવ્યું કે જ્યારે આરોપીને ઘટનાસ્થળે લઈ જવામાં આવ્યો, ત્યારે તેણે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેણે એક દરોગાની પિસ્તોલ છીનવી લઈને પોલીસ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું.</p><h4><b>હોસ્પિટલ લઈ જતી વખતે મોત</b></h4><p>પોલીસની જવાબી કાર્યવાહીમાં ગોળી વાગવાથી આરોપી ઘાયલ થયો હતો. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક બાળકીના પરિવારજનો સતત આરોપીને ફાંસીની સજા આપવાની માગ કરી રહ્યા હતા. માસૂમ બાળકીના હત્યારાના મોતના સમાચાર મળતા પરિવારજનોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.<br><br><b><a href="https://sandesh.com/india/news/uttarakhand-rudrapur-maulana-mujeeb-arrested-inflammatory-speech" target="_blank">આ પણ વાંચો : Uttrakhand : રુદ્રપુરમાં ભડકાઉ ભાષણ બદલ મૌલાનાની ધરપકડ, CM ધામીએ આપ્યો કડક સંદેશ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/gmTJ2QCEIxftlnXZVxu0E5PHsPdJY2HgjgKTE0Pp.webp'/></item><item><title><![CDATA[Dwarka News: CMનો મહત્વપૂર્ણ નિર્ણય, દ્વારકા અને જામનગરને સૌની યોજના મારફતે મળશે પાણી ]]></title><link>https://sandesh.com/gujarat/news/dwarka/jamnagar-sauni-yojana-cm-bhupendra-patel-water-release</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/dwarka/jamnagar-sauni-yojana-cm-bhupendra-patel-water-release</guid><pubDate>Sat, 29 Aug 2026 19:35:25 +05:30</pubDate><description><![CDATA[<p>દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના નાગરિકો તેમજ ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે આ બંને જિલ્લાઓમાં પીવાના અને સિંચાઈના પાણીની જરૂરિયાત સ્થાનિક જળાશયો દ્વારા પૂરી કરવામાં આવતી હોય છે, પરંતુ ચાલુ વર્ષે ઓછો વરસાદ થયો હોવાથી અને નર્મદા બેસિનમાં પણ જળસંગ્રહ સાધારણ કરતાં ઓછો હોવાથી સ્થાનિક કક્ષાએ પાણીની ખેંચ અનુભવાઈ રહી હતી, જેને ધ્યાને રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ મંજૂરી આપી છે.</p><h2><b>મચ્છુ-2 જળાશયમાંથી સૌની લીન્ક-1 મારફતે 600 ક્યુસેક પાણી છોડાશે</b></h2><p>રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ તરફથી મળતી અધિકૃત માહિતી અનુસાર, મુખ્યમંત્રીના નિર્દેશ બાદ સૌની યોજનાની પાઇપલાઇન મારફતે મચ્છુ-2 જળાશયમાંથી પાણી ઉપાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં સૌની લીન્ક-1 મારફતે 600 ક્યુસેક પાણીનો જથ્થો સતત વહાવવામાં આવી રહ્યો છે, જેથી બંને જિલ્લા સુધી નિર્ધારિત સમયમાં પાણી પહોંચાડી શકાય.</p><h2><b>સૌપ્રથમ પીવાના પાણીને પ્રાધાન્ય, ત્યારબાદ સિંચાઈ માટે વિતરણ</b></h2><p>સરકારની નીતિ મુજબ ઉપાડવામાં આવેલા પાણીના વિતરણમાં સૌપ્રથમ નાગરિકો માટે પીવાના પાણીની જરૂરિયાતને પ્રાધાન્ય આપવામાં આવશે. પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવ્યા બાદ બાકી રહેતો પાણીનો જથ્થો ખેતી અને સિંચાઈના હેતુ માટે ખેડૂતોને પૂરો પાડવામાં આવશે.</p><h2><b>ખેડૂતો અને નાગરિકોને મળશે મોટી રાહત</b></h2><p>રાજ્ય સરકારના આ પ્રજાલક્ષી અને સમયસરના નિર્ણયથી દ્વારકા અને જામનગર જિલ્લાના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા હળવી થશે. આ સાથે જ સિંચાઈનું પાણી મળવાથી ખેતીના ઊભા પાકને પણ મોટું જીવનદાન મળશે, જેથી સ્થાનિક રહીશો અને જગતના તાત એવા ખેડૂતોમાં આનંદની લહેર વ્યાપી ગઈ છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-traffic-police-next-gen-e-challan-system" target="_blank">Ahmedabad News: હવે ખોટા ઈ-ચલણને બે વખત પડકારી શકાશે, જાણો ક્યારથી થશે અમલ?</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/v9Cnqx8hvlI0Ll8VO80kb27RnDv7KHL7KmVaXl1e.webp'/></item><item><title><![CDATA[Mehsana: દેવગઢમાંથી ટ્રેક્ટર ચોરીને ભાગેલા તસ્કરો પાછળ પોલીસે વાહનો દોડાવ્યા, ગલીઓમાં પગપાળા દોડાવીને 2 ને દબોચ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/kadi-police-filmi-chase-arrests-two-tractor-thieves</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/kadi-police-filmi-chase-arrests-two-tractor-thieves</guid><pubDate>Sat, 29 Aug 2026 19:32:14 +05:30</pubDate><description><![CDATA[<p>મહેસાણા જિલ્લાના કડી શહેરમાં રાત્રિના સમયે ગુનાખોરી સામે કડી પોલીસની સતર્કતાનો એક પ્રશંસનીય કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કડી તાલુકાના દેવગઢ ખાતેથી અજ્ઞાત તસ્કરો ટ્રેક્ટર ચોરીને ભાગી રહ્યા હોવાની માહિતી મળતાં જ કડી પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી.</p><h2><b>કડીમાં મધ્યરાત્રિએ હાઇ-વોલ્ટેજ ડ્રામા</b></h2><p>PSI આર. બી. દવે અને તેમની ટીમ (જેમાં પોલીસ કર્મચારી ભાવેશ રબારી તથા મેલાજી ઠાકોર સામેલ હતા) એ સહેજ પણ સમય બગાડ્યા વિના પોતાની સરકારી ગાડીઓ ચોરોની પાછળ દોડાવી હતી. કડીના રસ્તાઓ પર મધ્યરાત્રિએ કાળજું કંપાવી દે તેવો પીછો શરૂ થયો હતો. પોલીસની ગાડીઓ પાછળ પડેલી જોઈને ગભરાયેલા ચોરોએ ટ્રેક્ટરને કડીની સાંકડી ગલીઓમાં ઊભું રાખી દીધું હતું અને વાહન છોડીને અંધારામાં પગપાળા ભાગવાનું શરૂ કર્યું હતું. જોકે, કડી પોલીસની ટીમે જરાય વિલંબ કર્યા વગર ગાડીમાંથી નીચે ઊતરીને ચોરોની પાછળ દોડ મૂકી હતી.</p><h3><b>પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને બે ને દબોચ્યા</b></h3><p>પોલીસ કર્મચારીઓએ ફિલ્મી સ્ટાઇલમાં ચોરોની પાછળ સતત દોડીને તેમને શારીરિક રીતે થકવી નાખ્યા હતા અને આખરે કોર્ડન કરીને દબોચી લીધા હતા. પોલીસે સ્થળ પરથી ચોરાયેલું ટ્રેક્ટર તથા ગુનામાં વપરાયેલી બે બાઇક મળી કુલ રૂ. 3.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. કડી પોલીસે મહિપતભાઈ પરબતભાઈ પરમાર અને જયેશભાઈ કાનજીભાઈ રાવળની ધરપકડ કરી છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક ફરાર ઇસમ પ્રફુલ મોરવાડીયાને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/indias-first-lng-diesel-demu-train-sabarmati-ahmedabad-railway" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: સાબરમતીથી દોડશે દેશની પ્રથમ LNG-ડીઝલ DEMU ટ્રેન, 4 સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રારંભ કરાવશે</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/1Gvf2H4TXiuVmNxgHuejNiqEjULyNm7Gv7ke481A.webp'/></item><item><title><![CDATA[Uttrakhand : રુદ્રપુરમાં ભડકાઉ ભાષણ બદલ મૌલાનાની ધરપકડ, CM ધામીએ આપ્યો કડક સંદેશ ]]></title><link>https://sandesh.com/india/news/uttarakhand-rudrapur-maulana-mujeeb-arrested-inflammatory-speech</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/uttarakhand-rudrapur-maulana-mujeeb-arrested-inflammatory-speech</guid><pubDate>Sat, 29 Aug 2026 19:08:28 +05:30</pubDate><description><![CDATA[<p>ઉત્તરાખંડના રુદ્રપુરમાં બારાવફાતના ધાર્મિક જુલૂસ દરમિયાન ભડકાઉ ભાષણ આપવાના આરોપમાં પોલીસે રામપુરના મૌલાના મુજીબની ધરપકડ કરી છે. બુધવારે યોજાયેલા જુલૂસ દરમિયાન હજારો લોકોની હાજરીમાં મૌલાનાએ ઉત્તરાખંડ સરકાર પર મદરેસા બંધ કરાવવાનો આરોપ લગાવીને કથિત રીતે ભડકાઉ નિવેદન આપ્યું હતું. ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ મામલો ગરમાયો હતો.</p><h2><b>ઉત્તરાખંડ કોઈ પાકિસ્તાન નથી</b></h2><p>વીડિયો સામે આવ્યા બાદ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ મામલે કડક વલણ અપનાવ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ઉત્તરાખંડ કોઈ પાકિસ્તાન નથી. તેમણે કહ્યું કે ઉત્તરાખંડની ઓળખ દેવભૂમિ તરીકે રહી છે અને આગળ પણ રહેશે. CM ધામીએ કહ્યું કે દેશ અને રાજ્યમાં ધમકી અને તુષ્ટિકરણનો સમય હવે પૂરો થઈ ગયો છે. સરકાર ડેમોગ્રાફિક ચેન્જના મુદ્દે પણ મૌન નહીં રહે. તેમણે સ્પષ્ટ કર્યું કે બંધારણ વિરુદ્ધ કામ કરનારા અથવા અશાંતિ ફેલાવનારા તત્વો સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.&nbsp;</p><h3><b>વાયરલ વીડિયો અંગેની તપાસ શરૂ&nbsp;</b></h3><p>CMના નિવેદન બાદ ઉધમસિંહનગર પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે શુક્રવારે રુદ્રપુર કોતવાલી ખાતે મૌલાના મુજીબ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. ત્યારબાદ શુક્રવારની રાત્રે જ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ હવે વાયરલ વીડિયોની તપાસ સહિત સમગ્ર મામલે વધુ પુરાવા એકત્ર કરી રહી છે. ભાષણ દરમિયાન કયા શબ્દોનો ઉપયોગ થયો હતો અને તેના કારણે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર કોઈ અસર પડી કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ કાયદો અને વ્યવસ્થા જાળવવા લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.<br><br><a href="https://sandesh.com/entertainment/news/india/samay-raina-controversy-samay-raina-gets-embroiled-in-controversy-for-his-comments-on-kashmiri-pandits-and-biharis-bjp-mla-protests" target="_blank"><b>આ પણ વાંચો : Samay Raina Controversy: કાશ્મીરી પંડિતો અને બિહારીઓ પર ટિપ્પણી બદલ સમય રૈના ફસાયા વિવાદમાં, BJP MLAએ કર્યો વિરોધ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/cmAY9fcDgaDvlJSlo3wPujMTJka76HIwQnZeIyxo.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: સાબરમતીથી દોડશે દેશની પ્રથમ LNG-ડીઝલ DEMU ટ્રેન, 4 સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રારંભ કરાવશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/indias-first-lng-diesel-demu-train-sabarmati-ahmedabad-railway</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/indias-first-lng-diesel-demu-train-sabarmati-ahmedabad-railway</guid><pubDate>Sat, 29 Aug 2026 19:07:41 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય રેલવેએ પર્યાવરણની જાળવણી અને આર્થિક રીતે કિફાયતી સંચાલન તરફ એક મોટી સિદ્ધિ હાસિલ કરી છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ આવેલ ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડિપો (ICD) સાબરમતી ખાતેથી દેશની સૌપ્રથમ લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) અને ડીઝલ આધારિત ડ્યુઅલ ફ્યુઅલ DEMU ટ્રેન તૈયાર કરવામાં આવી છે.</p><h2><b>ભારતીય રેલવેની ઐતિહાસિક સિદ્ધિ</b></h2><p>અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક (DRM) શ્રી વેદ પ્રકાશે સ્ટાફ અને એન્જિનિયરો સાથે આ ખાસ ટ્રેનનું જાતે નિરીક્ષણ કર્યું હતું. આ ટેક્નોલોજી અંતર્ગત 1400 એચપી ધરાવતા બે DEMU ડ્રાઇવિંગ પાવર કાર (DPC)ને ડ્યુઅલ ફ્યુઅલ પ્રણાલીમાં બદલવામાં આવ્યા છે. જેમાં ડીઝલનો ૪૦ ટકા વપરાશ ઘટાડીને તેની જગ્યાએ સસ્તા અને સ્વચ્છ ઈંધણ એવા LNGનો ઉપયોગ કરવામાં આવશે. 2000 કિલોમીટરથી વધુ સમય સુધીના કડક ફિલ્ડ ટ્રાયલ સફળ રહ્યા બાદ આ ટ્રેનને મુસાફર સેવામાં મૂકવાની મંજૂરી આપવામાં આવી છે.</p><h3><b>દેશની પ્રથમ LNG-ડીઝલ DEMU ટ્રેન</b></h3><p>આ નવતર પ્રયોગના કારણે રેલવેને બેવડો ફાયદો થવા જઈ રહ્યો છે. એક તરફ એન્જિનમાંથી નીકળતા હાનિકારક વાયુઓ જેવા કે કાર્બન ડાયોક્સાઇડ (CO₂), નાઇટ્રોજન ઑક્સાઇડ (NOx) અને પાર્ટિક્યુલેટ મેટર (PM) ના ઉત્સર્જનમાં મોટો ઘટાડો થશે, જેનાથી ટ્રેકના રૂટ આસપાસની હવા સ્વચ્છ રહેશે. તો બીજી તરફ, નાણાકીય દ્રષ્ટિએ પણ આ ટેક્નોલોજી અત્યંત ફાયદાકારક સાબિત થઈ છે. એક DPC માંથી વર્ષે ₹11.9 લાખ અને આખા 8 કોચના DEMU રેકમાંથી પ્રતિ વર્ષ આશરે ₹23.9 (આશરે ₹24) લાખના ઈંધણ ખર્ચની બચત થશે.</p><h4><b>4 સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરાવશે પ્રસ્થાન</b></h4><p>DPC માં 600 થી 2200 લીટર ક્ષમતાની વિશિષ્ટ ટેન્ક મૂકવામાં આવી છે, જે 222 કિમીના દૈનિક સંચાલન માટે પુરતી છે.એન્જિનની શક્તિ અને કાર્યક્ષમતામાં ઘટાડો કર્યા વિના જરૂર પડે ડ્યુઅલ સિસ્ટમમાંથી ડીઝલ પર સ્વિચ થઈ શકાય છે.RDSO દ્વારા ઉત્સર્જન પરીક્ષણ બાદ આગામી સમયમાં વધુ 8 DEMU DPC ને પણ આ સિસ્ટમમાં કન્વર્ટ કરવામાં આવશે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/sidhpur/siddhpur-highway-hotel-car-accident-cctv-one-dead" target="_blank"><sup>આ પણ વાંચો: Sidhpur: સિદ્ધપુર હાઈવે પર હોટલમાં કાર ઘૂસી જતાં એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત, સીસીટીવી આવ્યા સામે</sup></a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/rF2yHPzN65s9LiTZDFEczPeQIrmmf0nMHtmCPKaz.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: BRTS બસે બાઇકચાલકને અડફેટે લીધો, Video ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-news-brts-bus-hits-biker-video</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-news-brts-bus-hits-biker-video</guid><pubDate>Sat, 29 Aug 2026 18:56:28 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરમાં BRTS બસની બેફામ સ્પીડ અને અકસ્માતોનો સિલસિલો થમવાનું નામ નથી લઈ રહ્યો. શહેરના નવાવાડજ વિસ્તારમાં આવેલા વ્યાસવાડી ચાર રસ્તા પાસે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. જંકશન પરથી પસાર થઈ રહેલી પુરઝડપ BRTS બસે એક બાઇકચાલકને જોરદાર અડફેટે લીધો હતો. અકસ્માત એટલો સખત હતો કે બાઇકચાલક જમીન પર પટકાતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.</p><h2><b>ઇજાગ્રસ્ત બાઇકચાલકને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયો</b></h2><p>અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકોના ટોળાં ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. બનાવ અંગે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતાં જ ઈમરજન્સી ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા બાઇકચાલકને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.</p><p><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dcn_15gkh49/?utm_source=ig_web_copy_link&amp;igsi=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dcn_15gkh49/?utm_source=ig_web_copy_link&amp;igsi=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dcn_15gkh49/?utm_source=ig_web_copy_link&amp;igsi=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dcn_15gkh49/?utm_source=ig_web_copy_link&amp;igsi=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h2><b>સમગ્ર અકસ્માતના દ્રશ્યો CCTV કેમેરામાં કેદ</b></h2><p>આ સમગ્ર ભયાનક અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે BRTS બસ કેવી રીતે બાઇકચાલકને અડફેટે લે છે. આ ઘટના બાદ સ્થાનિકોમાં BRTS બસના ડ્રાઇવરોની બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે બનાવ અંગે તપાસ શરૂ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-traffic-police-next-gen-e-challan-system" target="_blank">Ahmedabad News: હવે ખોટા ઈ-ચલણને બે વખત પડકારી શકાશે, જાણો ક્યારથી થશે અમલ?</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/qgjrnNSg0HGH0mTELAVi2kLH9kblq4VauRZLw8fA.webp'/></item><item><title><![CDATA[Samay Raina Controversy: કાશ્મીરી પંડિતો અને બિહારીઓ પર ટિપ્પણી બદલ સમય રૈના ફસાયા વિવાદમાં, BJP MLAએ કર્યો વિરોધ ]]></title><link>https://sandesh.com/entertainment/news/india/samay-raina-controversy-samay-raina-gets-embroiled-in-controversy-for-his-comments-on-kashmiri-pandits-and-biharis-bjp-mla-protests</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/india/samay-raina-controversy-samay-raina-gets-embroiled-in-controversy-for-his-comments-on-kashmiri-pandits-and-biharis-bjp-mla-protests</guid><pubDate>Sat, 29 Aug 2026 18:49:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ વખતે, આ મુદ્દો કાશ્મીરી પંડિતો અને બિહારીઓ વિશે શોમાં કરવામાં આવેલી ટિપ્પણીઓ સાથે સંબંધિત છે.</p><h2 style="text-align: justify; ">ફરી વિવાદનું વંટોળ&nbsp;</h2><p style="text-align: justify; ">હાસ્ય કલાકાર સમય રૈના ફરી એકવાર વિવાદમાં ફસાયા છે. તેમના શો 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ 2' ના નવીનતમ એપિસોડમાં કાશ્મીરી પંડિતો અને બિહારીઓ વિશે કરવામાં આવેલી કથિત મજાકથી વિવાદ થયો છે. ભાજપના ધારાસભ્ય રામ કદમે સમય રૈનાના નિવેદનની સખત નિંદા કરી, તેને કાશ્મીરી પંડિત સમુદાયનું અપમાન ગણાવ્યું. તેમણે કહ્યું કે કાશ્મીરી પંડિતો સામે અપમાનજનક ભાષાનો ઉપયોગ અસ્વીકાર્ય છે.</p><h3 style="text-align: justify; ">ભાજપ ધારાસભ્યની પ્રતિક્રિયા&nbsp;</h3><p style="text-align: justify; ">રામ કદમે કહ્યું, કાશ્મીરી પંડિતો આ દેશનો અભિન્ન ભાગ છે. આતંકવાદીઓ અને પાકિસ્તાન-આઈએસઆઈના કાવતરાને કારણે તેમને ઘર છોડીને વિસ્થાપિત થવાની ફરજ પડી હતી. એક સભ્ય સમાજમાં આટલી પીડા અને અત્યાચાર સહન કરનારા સમુદાય વિરુદ્ધ આવી અપમાનજનક ભાષાનો ઉપયોગ સ્વીકાર્ય નથી. તે સંપૂર્ણપણે નિંદનીય અને અપમાનજનક છે. આવી ટિપ્પણી કરનાર વ્યક્તિએ દેશની માફી માંગવી જોઈએ.</p><h4 style="text-align: justify; ">પ્રચાર માટે નિશાન સાધવું: રામ કદમ</h4><p style="text-align: justify; ">રામ કદમે એમ પણ કહ્યું, અમે કલાકારોની પ્રતિભાનું સન્માન કરીએ છીએ. પરંતુ ચોક્કસ મર્યાદાઓ, સીમાઓ હોય છે. જો કોઈ કોઈની શ્રદ્ધા, લાગણીઓ અથવા માન્યતાઓને ઠેસ પહોંચાડે છે, તો આવી કલાને કલા કહી શકાય નહીં. પછી ભલે તે સમય રૈના હોય કે અન્ય કોઈ કલાકાર. આપણે ભૂતકાળમાં જોયું છે અને વર્તમાનમાં જોઈ રહ્યા છીએ કે તેઓ પ્રસિદ્ધિ મેળવવા માટે ષડયંત્રના ભાગ રૂપે જાણી જોઈને કોઈને નિશાન બનાવે છે. તમે કાશ્મીરી પંડિતોની મજાક ઉડાવશો તેનું કારણ શું છે? શું તમે આપણા બિહારી ભાઈઓની મજાક ઉડાવશો? આ ઇરાદાપૂર્વકનો પબ્લિસિટી સ્ટંટ છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/india/news/bombay-high-court-slams-fda-orders-reopening-of-restaurants-in-mca-complex" target="_blank"> Bombay High Courtએ FDAને લગાવી ફટકાર, MCA કોમ્પ્લેક્સમાં રેસ્ટોરન્ટ્સ ફરી શરૂ કરવાનો આપ્યો આદેશ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/IEcckcNOFR8IUAfxDCrI5Gim6HZh723d2rHSjWMk.webp'/></item><item><title><![CDATA[Credit Card Limit: એકસાથે કેટલા ક્રેડિટ કાર્ડ રાખવા કાયદેસર છે? RBIનો નિયમ જાણો ]]></title><link>https://sandesh.com/business/news/how-many-credit-cards-can-one-person-have-rbi-rules</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/how-many-credit-cards-can-one-person-have-rbi-rules</guid><pubDate>Sat, 29 Aug 2026 18:38:25 +05:30</pubDate><description><![CDATA[<p>આજકાલ લોકો ખર્ચ પૂરા કરવાની સાથે આવતીકાલ માટે બચત પણ કરતા હોય છે. અત્યારના સમયમાં લોકોમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ઝડપથી વધ્યો છે. ખાસ કરીને નોકરી કરતા લોકો અનેક ક્રેડિટ કાર્ડ કઢાવી રહ્યા છે. તે પણ એક જ બેંકના નહીં, પરંતુ અલગ-અલગ બેંકોના અલગ અલગ ક્રેડિટ કાર્ડ. પરંતુ શું તમને ખબર છે કે એક વ્યક્તિ કેટલા ક્રેડિટ કાર્ડ કઢાવી શકે?</p><h2><b>ક્રેડિટ કાર્ડ કઢાવવાના ફાયદા શું છે?</b></h2><p>ક્રેડિટ કાર્ડનો યોગ્ય ઉપયોગ કરવાથી ક્રેડિટ સ્કોર સારો થઈ શકે છે, જેના કારણે મોટી લોન મેળવવામાં સરળતા રહે છે. ઇમરજન્સીમાં પણ ક્રેડિટ કાર્ડ મદદરૂપ થઈ શકે છે. પૈસા ન હોય ત્યારે પણ તમે જરૂરી ખર્ચ કરી શકો છો અને પછી તેને EMI દ્વારા ચૂકવી શકો છો. આ ઉપરાંત ડિસ્કાઉન્ટ, કૅશબૅક જેવી સુવિધાઓ પણ મળી શકે છે.</p><h2><b>ક્રેડિટ કાર્ડના નુકસાન શું છે?</b></h2><p>ક્રેડિટ કાર્ડના કારણે જરૂર ન હોય તેવા ખર્ચ કરવાની આદત પડી શકે છે. જો સમયસર બિલની રકમ ચૂકવવામાં ન આવે તો CIBIL સ્કોર ખરાબ થઈ શકે છે. તેના કારણે ભવિષ્યમાં લોન મેળવવામાં મુશ્કેલી આવી શકે છે.</p><h2><b>એક વ્યક્તિ કેટલા ક્રેડિટ કાર્ડ કઢાવી શકે?</b></h2><p>ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBIએ એક વ્યક્તિ કેટલા ક્રેડિટ કાર્ડ રાખી શકે તેની કોઈ મર્યાદા નક્કી કરી નથી. એટલે એક વ્યક્તિ પોતાની જરૂરિયાત અને યોગ્યતા પ્રમાણે જેટલી બેંકોમાંથી ક્રેડિટ કાર્ડ મેળવવા પાત્ર હોય તેટલા ક્રેડિટ કાર્ડ લઈ શકે છે. જોકે, ક્રેડિટ કાર્ડના બિલની ચુકવણીને લઈને નિયમો ચોક્કસપણે મહત્વના છે. તમે ગમે તેટલી બેંકોમાંથી ક્રેડિટ કાર્ડ લઈ શકો છો, પરંતુ તમામ કાર્ડના બિલની સમયસર ચુકવણી કરવી જરૂરી છે.</p><p>જો તમે બિલ ચૂકવી ન શકો, તો તમારી ક્રેડિટ હિસ્ટ્રી પર ખરાબ અસર પડી શકે છે અને લાંબા સમય સુધી ચુકવણી ન થાય તો લોન ડિફોલ્ટર તરીકે નોંધાઈ શકો છો. તેથી ક્રેડિટ કાર્ડ જેટલા લેવા હોય તેટલા લો, પરંતુ દરેક કાર્ડની સમયસર ચુકવણી કરવાનું ખાસ ધ્યાન રાખો.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/XnV4kFmRaJI8SUkiAov74GVtvBo19IO9EluqNjfh.webp'/></item><item><title><![CDATA[Vadodara News: શિનોરની શિવશક્તિ ડેરીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ધામા ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/shinor-food-and-drug-department-raid-shivshakti-dairy</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/shinor-food-and-drug-department-raid-shivshakti-dairy</guid><pubDate>Sat, 29 Aug 2026 18:23:59 +05:30</pubDate><description><![CDATA[<p>વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં સંદેશ ન્યૂઝના નિડર અને સચોટ અહેવાલની ગંભીર અને સીધી અસર જોવા મળી છે. સંદેશ ન્યૂઝના સંવાદદાતાએ હાથ ધરેલા સ્ટિંગ ઓપરેશનમાં શિનોર ખાતે આવેલી શિવશક્તિ ડેરીમાં ગેરકાયદે એનાલોગ પનીર રૂ. 500 પ્રતિ કિલોના ભાવે ખુલ્લેઆમ વેચાતું હોવાનો પર્દાફાશ થયો હતો. આ અહેવાલ પ્રસારિત થતાંની સાથે જ માત્ર 24 કલાકના ટૂંકા ગાળામાં વડોદરા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હરકતમાં આવ્યું હતું અને ડેરી પર સરપ્રાઈઝ દરોડો પાડ્યો હતો.</p><h2><b>ડીપ ફ્રિઝરમાંથી એનાલોગ પનીર અને મિઠાઈનો જથ્થો પકડાયો</b></h2><p>ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે શિનોર સ્થિત શિવશક્તિ ડેરી પર ધામા નાખીને સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ડેરીના ડીપ ફ્રિઝરમાંથી 2 કિલો 500 ગ્રામ જેટલું શંકાસ્પદ એનાલોગ પનીર મળી આવ્યું હતું, જેને પોલીસે સીઝ કર્યું છે. આ ઉપરાંત ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં થવાની આશંકાને પગલે ડેરીમાંથી વેચાતા મથુરા પેડા અને એલચી મઠાના પણ શંકાસ્પદ સેમ્પલ લેવામાં આવ્યા છે.</p><h2><b>ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમ તપાસમાં જોડાઈ</b></h2><p>આ દરોડા અને ચેકિંગ કામગીરીમાં વડોદરા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ ઓફિસર રમાકાંત સહિત કુલ 3 જેટલા જવાબદાર કર્મચારીઓ અને અધિકારીઓ સીધા જોડાયા હતા. અધિકારીઓએ ડેરીમાંથી મળી આવેલા તમામ ખાદ્યપદાર્થોના સેમ્પલ લઈને તેને આગળની લેબોરેટરી ટેસ્ટિંગ પ્રક્રિયા માટે મોકલી આપ્યા છે.</p><h2><b>કડક કાર્યવાહી અને લેબ રિપોર્ટ પર સૌની નજર</b></h2><p>લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી બનાવટી ખાદ્યસામગ્રી પકડાતાં સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે એ જોવું મહત્વનું રહેશે કે, શંકાસ્પદ એનાલોગ પનીરનું ગેરકાયદે વેચાણ કરતી શિવશક્તિ ડેરી સામે તંત્ર દ્વારા કયા પ્રકારના કડક કાનૂની પગલાં ભરવામાં આવે છે. તેમજ લેબોરેટરીમાંથી મથુરા પેડા અને એલચી મઠાના સેમ્પલના રિઝલ્ટ આવ્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કેવા આકરા આદેશો આપે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/vadodara/shinor-shivshakti-dairy-analog-paneer-selling" target="_blank">Vadodara News: શિનોરમાં ‘એનાલોગ પનીર’નો કાળો ખેલ, સંદેશ ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમાં થયો પર્દાફાશ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/M3Gk2egv3zt2LeRipkq8TVeeVNSvTui0S2NP6KQP.webp'/></item><item><title><![CDATA[Neeraj Chopra એશિયન ગેમ્સમાંથી બહાર, ઈજાને કારણે બાકીની સીઝનમાં લેશે નહીં ભાગ ]]></title><link>https://sandesh.com/sports/news/neeraj-chopra-withdraws-asian-games-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/neeraj-chopra-withdraws-asian-games-2026</guid><pubDate>Sat, 29 Aug 2026 15:38:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતના સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરાએ ઈજાને કારણે આ વર્ષે બાકીની બધી સ્પર્ધાઓમાંથી નામ પાછું ખેંચી લીધું છે. તે આવતા મહિને યોજાનારી ડાયમંડ લીગ ફાઈનલ્સ અને એશિયન ગેમ્સમાં ભાગ લઈ શકશે નહીં.&nbsp;</p><p style="text-align: justify;">એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવવાની આશાઓ ઘણી વધારે હતી, તેથી તેનું નામ પાછું ખેંચવું ભારતીય રમત ફેન્સ માટે મોટો ઝટકો છે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા આ સમાચારની જાહેરાત કરી.</p><h2 style="text-align: justify;"><b>નીરજ ચોપરાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં શું લખ્યું?</b></h2><p style="text-align: justify;">નીરજે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને એશિયન ગેમ્સમાંથી ખસી જવાની જાહેરાત કરી. નીરજ ચોપરાએ પુષ્ટિ આપી કે તને અને તેની ટીમને ઈજાને કારણે તેમની સીઝનનો અંત કરવો પડ્યો. તેને લખ્યું છે કે "દુર્ભાગ્યવશ, આના થોડા સમય પછી, ટ્રેનિંગ દરમિયાન મારા પગની ઘૂંટીમાં લિગામેન્ટ ફાટી ગયું. મારા ડોક્ટર અને ટીમ સાથે વાત કર્યા પછી અમે નિર્ણય લીધો છે કે હું આ સીઝનમાં બાકીની ઈવેન્ટ્સમાં ભાગ લઈશ નહીં."</p><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/Neeraj_chopra1/status/2093618631561396553"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3 style="text-align: justify;"><b>નીરજ ડાયમંડ લીગની ફાઈનલમાં પહોંચ્યો હતો</b></h3><p style="text-align: justify;">શુક્રવારે નીરજ ચોપરાએ શાનદાર પ્રદર્શન સાથે ડાયમંડ લીગ ફાઈનલ્સમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું , જેનાથી તેને "Q" માર્ક મળ્યો. ઝુરિચ મીટ ચૂકી જવા છતાં તે ફાઈનલની રેસમાં રહ્યો. પરંતુ ફાઈનલમાં સ્થાન મેળવ્યાના બીજા દિવસે તેને બાકીની બધી ટુર્નામેન્ટમાંથી ખસી જવાનો નિર્ણય લીધો. આ નિર્ણય ફેન્સ માટે આશ્ચર્યજનક હતો.</p><h4 style="text-align: justify;"><b>નીરજ ચોપરાએ ડાયમંડ લીગમાં 12 પોઈન્ટ બનાવ્યા હતા</b></h4><p style="text-align: justify;">આ વર્ષે નીરજ ચોપરાએ ડાયમંડ લીગના દોહા અને લુસાન ઈવેન્ટમાં ભાગ લઈને કુલ 12 પોઈન્ટ મેળવ્યા. સ્વિટ્ઝર્લેન્ડના લુસાનમાં આયોજિત ઈવેન્ટમાં તેને સિઝનનો તેનો શ્રેષ્ઠ થ્રો 88.05 મીટર ફેંક્યો, છતાં તે ફક્ત 9 સેન્ટિમીટરથી પ્રથમ સ્થાન ચૂકી ગયો અને બીજા સ્થાને રહ્યો. અગાઉ 2026માં તેણે દોહા ડાયમંડ લીગ (ચોથું સ્થાન) અને કોમનવેલ્થ ગેમ્સ (બીજું સ્થાન) માં ભાગ લીધો હતો. બંને ટુર્નામેન્ટમાં તે 86 મીટરનું અંતર પણ કાપી શક્યો ન હતો.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/6KB4Tu66cBrAXpIjdIUWte0rSTAXc1SxRevOggAa.webp'/></item></channel></rss>