<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Major Rishabh Singh Sambyal: મેજર ઋષભ સિંહ સંબ્યાલને કેટલુ મળશે પેન્શન ? 30ની ઉંમરે લીધુ રિટાર્યમેન્ટ ]]></title><link>https://sandesh.com/india/news/major-rishabh-singh-sambyal-how-much-pension-will-major-rishabh-singh-sambyal-get-he-retired-at-the-age-of-30</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/major-rishabh-singh-sambyal-how-much-pension-will-major-rishabh-singh-sambyal-get-he-retired-at-the-age-of-30</guid><pubDate>Tue, 15 Sep 2026 16:20:29 +05:30</pubDate><description><![CDATA[<p>મેજર રિષભ સિંહ સંબ્યાલ કે જેઓ અગાઉ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ADC (એઇડ-ડી-કેમ્પ) હતા અને સોશિયલ મીડિયા પર નેશનલ ક્રશ બન્યા હતા. તેમણે માત્ર 30 વર્ષની વયે ભારતીય સેનામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે. </p><h2><b>મેજર રિષભને કેટલુ મળે પેન્શન ?&nbsp;</b></h2><p>મેજર રિષભ સિંહ સંબ્યાલ તેમની લગભગ 12 વર્ષની સેવા દરમિયાન, તેઓ લદ્દાખ જેવા પડકારજનક વિસ્તારોમાં તૈનાત હતા, 4 પેરા સ્પેશિયલ ફોર્સીસ સાથે સેવા આપી હતી અને અંતે રાષ્ટ્રપતિ ભવનમાં ADC તરીકેની પ્રતિષ્ઠિત ભૂમિકા ભજવી હતી. તેમનો નિર્ણય ઘણાને આશ્ચર્યચકિત કરનારો હતો, પરંતુ હવે પ્રશ્નો ઉઠી રહ્યા છે કે માત્ર 12 વર્ષના ટૂંકા કાર્યકાળ પછી તેમને કયા પેન્શન લાભો મળી શકે છે.</p><p><b style="font-size: 1.75rem;">આર્મી પેન્શન માટે લઘુત્તમ સેવા કેટલી જરૂરી છે?</b></p><p>આર્મી પેન્શનના નિયમો અનુસાર નિવૃત્તિ પેન્શન માટે પાત્ર બનવા માટે અધિકારીએ ઓછામાં ઓછા ૨૦ વર્ષની લાયક સેવા પૂર્ણ કરવી આવશ્યક છે. જો કે, જો કોઈ અધિકારી ૨૦ વર્ષ પૂર્ણ કરતા પહેલા નિર્ધારિત વય મર્યાદા સુધી પહોંચવાને કારણે ફરજિયાત નિવૃત્તિ લે છે—પરંતુ તેમણે ઓછામાં ઓછા ૧૫ વર્ષની સેવા પૂર્ણ કરી હોય—તો તેમને "મોડા જોડાયેલા" (late entrant) ગણીને પાંચ વર્ષની છૂટછાટ સાથે પેન્શન માટે પાત્ર માનવામાં આવે છે. ટૂંકમાં, સામાન્ય સંજોગોમાં, પેન્શન મેળવવા માટે ૧૫ થી ૨૦ વર્ષની સેવા પૂર્ણ કરવી એ ફરજિયાત શરત છે.</p><h3><b>મેજર રિષભની સેવા આ શ્રેણીમાં આવતી નથી</b></h3><p>મેજર રિષભ સિંહ સંબ્યાલે સેનામાં લગભગ 12 વર્ષ સેવા આપી હતી, જે પેન્શન માટે જરૂરી લઘુત્તમ 15 થી 20 વર્ષની મર્યાદા કરતાં ઘણી ઓછી છે. પરિણામે, નિયમો મુજબ, તેઓ નિયમિત માસિક પેન્શન માટે પાત્ર નથી. જો કે, આનો અર્થ એ નથી કે નિવૃત્તિ પર તેમને કંઈ જ નહીં મળે.&nbsp; જે અધિકારીઓ પ્રમાણભૂત સેવા કાર્યકાળ પૂર્ણ કરતા પહેલા નિવૃત્ત થાય છે તેમના માટે ચોક્કસ લાભો અને હકોની જોગવાઈ છે.</p><p><b style="font-size: 1.5rem;">પેન્શનને બદલે મળતા લાભો</b></p><p>ટૂંકા કાર્યકાળ પછી નિવૃત્ત થતા અધિકારીઓને સામાન્ય રીતે એકવાર મળતા લાભોજેમ કે નિવૃત્તિ અથવા સેવા ગ્રેચ્યુઇટીમળે છે, જે માસિક પેન્શનથી અલગ હોય છે. આ ઉપરાંત, તેઓ તેમની સેવા દરમિયાન જમા થયેલ પ્રોવિડન્ટ ફંડની રકમ, ન વપરાયેલી રજાના બદલામાં ચૂકવણી અને અન્ય નિવૃત્તિ-સંબંધિત લાભો મેળવી શકે છે. જો કે, નિયમિત માસિક પેન્શનની તુલનામાં, આ તમામ લાભો એકમુક રકમ (lump sum) તરીકે આપવામાં આવે છે અને તે મર્યાદિત સ્વરૂપના હોય છે.</p><h4><b>સમય પહેલાં નિવૃત્તિ અંગેના નિયમો</b></h4><p>આર્મી અધિકારીઓ માટે, સમય પહેલાં નિવૃત્તિની જોગવાઈ 'આર્મી રૂલ્સ, 1954' હેઠળ આવે છે અને તેના માટે કેન્દ્ર સરકારની મંજૂરી જરૂરી છે. આ નિયમ અધિકારીઓને વ્યક્તિગત અથવા પારિવારિક કારણોસર તેમનો નિર્ધારિત કાર્યકાળ પૂર્ણ કર્યા પહેલાં જ સેના છોડવાની મંજૂરી આપે છે; જોકે, આમાં એક વિશિષ્ટ પ્રક્રિયા અને શરતોનો સમાવેશ થાય છે જે સામાન્ય નિવૃત્તિને લાગુ પડતી પ્રક્રિયા અને શરતો કરતાં અલગ હોય છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/EYBkhKhPvTB2H0edvj8K5QFj2gQyfRzrdIGO19XF.webp'/></item><item><title><![CDATA[Gandhinagarની એમ એસ બિલ્ડિંગના છઠ્ઠા માળે મોડી રાત્રે લાગી આગ ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gandhinagar-ms-building-sixth-floor-fire-ac-short-circuit</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gandhinagar-ms-building-sixth-floor-fire-ac-short-circuit</guid><pubDate>Tue, 15 Sep 2026 16:00:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પાટનગર ગાંધીનગરમાં આવેલી સરકારી કચેરીઓની મહત્વની એમ એસ બિલ્ડિંગમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. બિલ્ડિંગના છઠ્ઠા માળે આવેલી સરકારી કચેરીમાં અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળતા જ આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સરકારી મિલકતમાં લાગેલી આ આગને પગલે સુરક્ષા કર્મચારીઓ અને સ્થાનિક તંત્રમાં તાત્કાલિક દોડધામ મચી ગઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરી અને સ્થિતિ પર કાબૂ</b></h2><p style="text-align: justify; ">ઘટના અંગેની જાણ થતાં જ ગાંધીનગર ફાયર વિભાગનો કાફલો લાઈવ બંબા અને ફાયર ફાઈટરો સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરોએ વિના વિલંબે છઠ્ઠા માળ સુધી પહોંચીને પાણીનો સતત મારો ચલાવ્યો હતો. ફાયર ટીમોની ઝડપી અને સુઝબુઝ ભરેલી કામગીરીના કારણે આગ સમયસર કાબૂમાં આવી ગઈ હતી અને બિલ્ડિંગના અન્ય માળ સુધી પ્રસરતી અટકી હતી.</p><h3 style="text-align: justify; "><b>રજાના કારણે મોટી હોનારત ટળી અને પ્રાથમિક કારણ</b></h3><p style="text-align: justify; ">પ્રાથમિક તપાસ અને મળતી માહિતી અનુસાર, આ આગ કચેરીમાં મૂકેલા એર કન્ડીશનર (AC) માં શોર્ટ સર્કિટ થવાના કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. રાહતની વાત એ રહી કે ઘટના બની તે દિવસે કચેરીઓમાં રજાનો દિવસ હોવાથી અધિકારીઓ કે કર્મચારીઓની હાજરી ન હતી, જેના કારણે એક મોટી જાનહાનિ ટળી ગઈ હતી અને તંત્રએ ભારે રાહતનો શ્વાસ લીધો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/efPWumK9e1UmXd0uI1fX5iesVR7ddeKOOu7SrEfh.webp'/></item><item><title><![CDATA[Ghaziabad : મધરાતે ઘરની બહાર મરચાંનો ધુમાડો કરી પરિવારને બાનમાં લીધું, આતંક મચાવી લૂંટારાઓએ આચરી સનસનીખેજ લૂંટ ]]></title><link>https://sandesh.com/india/news/crime/ghaziabad-kalchhina-robbery-family-hostage-chilli-smoke</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/crime/ghaziabad-kalchhina-robbery-family-hostage-chilli-smoke</guid><pubDate>Tue, 15 Sep 2026 15:57:02 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગાઝિયાબાદના ભોજપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કલછીના ગામમાં મધરાતે 5થી 6 લૂંટારાઓએ એક પરિવારને લગભગ 2 કલાક સુધી બંધક બનાવી લૂંટ ચલાવી હોવાની સનસનીખેજ ઘટના સામે આવી છે. પરિવારના જણાવ્યા મુજબ, લૂંટારાઓએ પહેલાં ઘરની બહાર કપડામાં મરચાં બાંધી આગ લગાવી હતી, જેના કારણે ધુમાડો ઘરમાં ફેલાયો હતો.</p><h2 style="text-align: justify; "><b>મરચાંના ધુમાડાથી પરિવાર પરેશાન</b></h2><p style="text-align: justify; ">મરચાંનો ધુમાડો ઘરમાં ફેલાતા પરિવારના સભ્યોની આંખોમાં ભારે બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. બાળકો ઘરમાં આગ લાગી હોવાનું કહેતા મહિલાએ દરવાજો ખોલ્યો હતો. આ તકનો લાભ લઈ બહાર ઊભેલા લૂંટારાઓ જબરદસ્તી ઘરમાં ઘૂસી ગયા હતા.</p><h3 style="text-align: justify; "><b>પરિવારને ઘેરી મારપીટ કરી</b></h3><p style="text-align: justify; ">કલછીનામાં રહેતા સદ્દામ પોતાની પત્ની અફરોજી અને 6 બાળકો સાથે ઘરમાં સૂતા હતા. આરોપ છે કે લૂંટારાઓએ સદ્દામના હાથ બાંધી પરિવારને ઘેરી લીધો હતો અને મારપીટ કરી હતી. મહિલાના જણાવ્યા મુજબ, બદમાશોએ ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો, જેમાં બચાવ કરતી વખતે તેના હાથમાં ઈજા થઈ હતી.</p><h3 style="text-align: justify; "><b>10 કિલો ચાંદી અને રૂ.5 લાખની માંગ</b></h3><p style="text-align: justify; ">લૂંટારાઓએ ઘરમાં રૂ.5 લાખ રોકડા અને 10 કિલો ચાંદી હોવાની માહિતી મળ્યાનું કહી પૂછપરછ કરી હતી. પરિવારે આવી કોઈ રકમ કે ચાંદી હોવાનો ઇનકાર કર્યો હતો, છતાં  તેમણે આખું ઘર ખંગાળ્યું હતું.પરિવારના આક્ષેપ મુજબ, બદમાશો મહિલાના કાનના કુંડળ, વીંટી, હાથના કડા, પુત્રીના લગ્ન માટે રાખેલા દાગીના, રોકડ અને અન્ય સામાન લૂંટી ફરાર થઈ ગયા હતા.</p><h4 style="text-align: justify; "><b>પોલીસ દ્વારા CCTV તપાસ શરૂ</b></h4><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં ભોજપુર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પરિવાર પાસેથી માહિતી મેળવી ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસ આસપાસના CCTV કેમેરાની ફૂટેજ તપાસી રહી છે અને તસ્કરોની ઓળખ માટે પ્રયાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ, ટૂંક સમયમાં સમગ્ર ઘટનાનો ખુલાસો કરવામાં આવશે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/crime/surat/surat-utran-wife-swapping-pressure-katargam-police-case" target="_blank"><b> Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/VwVfQtqQqMhnLoGzARKLLyV2X3iUmMFAML9Ww9jV.webp'/></item><item><title><![CDATA[Disha Salian Case: FIR બાદ ભડક્યા Sanjay Raut, CBI તપાસને લઈને ઉઠાવ્યા સવાલ ]]></title><link>https://sandesh.com/india/news/entertainment/disha-salian-case-sanjay-raut-cbi-fir-political-conspiracy</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/entertainment/disha-salian-case-sanjay-raut-cbi-fir-political-conspiracy</guid><pubDate>Tue, 15 Sep 2026 15:48:47 +05:30</pubDate><description><![CDATA[<p>દિશા સાલિયાન કેસમાં CBIની FIRને લઈને શિવસેના UBTના નેતા સંજય રાઉતની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે હાઈકોર્ટનો સીધો આદેશ છે કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ સામે સીધો આરોપ સાબિત ન થાય ત્યાં સુધી તેને આરોપી માનવામાં આવતો નથી અને FIRમાં તેનું નામ પણ આવતું નથી. તેમણે કહ્યું કે આ FIR અજાણ્યા લોકો સામે નોંધવામાં આવી છે.</p><h2><b>'સૌથી લોકપ્રિય રાજકીય પરિવારને બદનામ કરવાનું ષડયંત્ર'</b></h2><p>આગળ તેમણે કહ્યું, "2 દિવસ પહેલાં દેશના ગૃહમંત્રી મહારાષ્ટ્ર આવ્યા હતા. તેમની સાથે અન્ય એક નેતા 1 કલાક સુધી બેઠા હતા. બંને એક જ કારમાં ગયા હતા. ત્યારબાદ FIRમાં નામ ઉમેરવામાં આવ્યા છે. આ એક રાજકીય ષડયંત્ર છે. મહારાષ્ટ્રના સૌથી લોકપ્રિય રાજકીય પરિવારને બદનામ કરવાનો પ્રયાસ છે. અમે લડીશું અને અમારી લડાઈ ચાલુ રહેશે. અમે બતાવીશું કે મહારાષ્ટ્ર અને અમારી વિરુદ્ધ કેવા પ્રકારનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે."</p><h2><b>'કેન્દ્રીય એજન્સીઓનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે'</b></h2><p>આ મામલે રાજકારણ થઈ રહ્યું છે કે કેમ, એવા સવાલના જવાબમાં સંજય રાઉતે કહ્યું, "ચોક્કસ રાજકારણ થઈ રહ્યું છે. આ દબાણ છે અને અનૈતિક દબાણ છે. કેન્દ્રીય એજન્સીઓનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે."</p><h2><b>'CBI તપાસનો ઉપયોગ આદિત્ય ઠાકરેને નિશાન બનાવવા માટે થઈ રહ્યો છે'</b></h2><p>સંજય રાઉતે કહ્યું, "જે રીતે આ મામલો કોર્ટમાં લઈ જવામાં આવ્યો અને કોર્ટે કેસ CBIને સોંપવાનો આદેશ આપ્યો, તે આખું એક ષડયંત્ર છે. કોર્ટે સ્પષ્ટપણે CBI તપાસ કરાવવાનું કહ્યું છે, પરંતુ કોઈનું નામ ન લેવાનો નિર્દેશ આપ્યો છે. તેમ છતાં મીડિયામાં નામ લેવામાં આવી રહ્યાં છે."</p><p>તેમણે દાવો કર્યો કે CBI તપાસનો ઉપયોગ આદિત્ય ઠાકરેને નિશાન બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. આદિત્ય ઠાકરે વિવિધ જનમુદ્દાઓને લઈને દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર સરકાર પર સતત સવાલ ઉઠાવી રહ્યા છે.</p><p>આ સાથે જ તેમણે આરોપ લગાવ્યો કે તેનો હેતુ મરાઠા અનામત માટે આંદોલન કરી રહેલા કાર્યકર મનોજ જરાંગેના આંદોલન પરથી લોકોનું ધ્યાન હટાવવાનો અથવા સંસદમાં સીમાંકન બિલના સમર્થન માટે શિવસેના UBT પર દબાણ બનાવવાનો પણ હોઈ શકે છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/nesAIKStkzbsfWUx25yVSvNaMQlqeQO3dhS35Hhj.webp'/></item><item><title><![CDATA[Navsariમાં ગણેશ મંડળો સામે પોલીસની લાલ આંખ: જાહેરનામાના ભંગ બદલ 9 મંડળો અને મૂર્તિકારો સામે નોંધાયો ગુનો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/navsari/navsari-ganeshotsav-police-action-9-mandals-idol-makers</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/navsari/navsari-ganeshotsav-police-action-9-mandals-idol-makers</guid><pubDate>Tue, 15 Sep 2026 15:46:26 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નવસારી શહેરમાં વિઘ્નહર્તા ગણેશજીના ઉત્સવ દરમિયાન મંડળો અને મૂર્તિકારો માટે કાયદાકીય વિઘ્ન ઊભું થયું છે. જિલ્લા કલેક્ટર દ્વારા ગણેશ મૂર્તિઓની ઊંચાઈને લઈને બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો ભંગ કરવા બદલ નવસારી ટાઉન પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની આ અચાનક અને કડક ઝુંબેશને કારણે ઉત્સવના માહોલ વચ્ચે વિવિધ ગણેશ મંડળોના આયોજકો અને મૂર્તિકારોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>12 ફૂટથી વધુ ઊંચાઈની મહાકાય મૂર્તિઓ પર કાર્યવાહી</b></h2><p style="text-align: justify; ">જિલ્લા કલેક્ટરના નિયમ મુજબ ગણેશ મૂર્તિઓની ઊંચાઈ પર ચોક્કસ મર્યાદા નક્કી કરવામાં આવી હતી. આમ છતાં, શહેરના વિવિધ વિસ્તારોમાં 12 ફૂટથી વધુ એટલે કે 14 ફૂટથી લઈને 24 ફૂટ જેટલી મહાકાય ઊંચાઈ ધરાવતી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી. નિયમોની અણદેખી કરીને કરવામાં આવેલી આવી વિશાળ મૂર્તિઓની સ્થાપના અને નિર્માણ બદલ પોલીસે કાયદાકીય ડંડો ઉગામ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>જિલ્લા પોલીસ વડાની સૂચનાથી દાખલો બેસાડવાનો પ્રયાસ</b></h3><p style="text-align: justify; ">જિલ્લા પોલીસ વડાની સ્પષ્ટ અને કડક સૂચના બાદ નવસારી ટાઉન પોલીસે શહેરના 9 જાણીતા ગણેશ મંડળો તેમજ મૂર્તિ બનાવનાર મૂર્તિકારો વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કર્યો છે. ભવિષ્યમાં પણ જાહેરનામાના નિયમોનું કડકપણે પાલન થાય અને કોઈ આયોજક નિયમોનો ભંગ ન કરે તે માટે દાખલો બેસાડવાના હેતુથી પોલીસે આ કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/UY365wgRqGfuj9T1vIyvZZaW0SCeZqg0OcRF7EOS.webp'/></item><item><title><![CDATA[Rajkot: શહેરમાં 16 થી 21 સપ્ટેમ્બર સુધી 6 દિવસ પાણીકાપ; નર્મદા પાઇપલાઇનમાં મેન્ટેનન્સની કામગીરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/water-cut-announced-from-16-to-21-september-narmada-pipeline-maintenance</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/water-cut-announced-from-16-to-21-september-narmada-pipeline-maintenance</guid><pubDate>Tue, 15 Sep 2026 15:44:02 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ શહેરમાં ભરચોમાસે નાગરિકો માટે પાણીના કાપના સમાચાર સામે આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં તારીખ 16 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી સતત છ દિવસ સુધી તબક્કાવાર પાણીકાપની જાહેરાત કરવામાં આવી છે.</p><h2><b>રાજકોટ શહેરમાં પાણીના કાપના સમાચાર</b></h2><p>સૂત્રોના જણાવ્યા મુજબ, શહેરને પાણી પૂરું પાડતી નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં જરૂરી રિપેરિંગ અને મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવાની હોવાથી આ નિર્ણય લેવાયો છે.શરૂઆતમાં 16 અને 17 સપ્ટેમ્બરે સામાકાંઠા વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહેશે, જેમાં 16 તારીખે ઇસ્ટ ઝોનના વોર્ડ નંબર 5 અને 17 તારીખે વોર્ડ નંબર 4 માં પાણીકાપ રહેશે.</p><h3><b>અલગ અલગ વિસ્તારોમાં 6 દિવસ પાણીકાપની જાહેરાત</b></h3><p>ત્યારબાદ 18 સપ્ટેમ્બરે વોર્ડ 1, 2, 3, 7, 9, 10, 11, 12 માં રૈયાધાર, જ્યુબેલી, જંકશન પ્લોટ, ગાંધીગ્રામ અને મવડી વિસ્તારો પ્રભાવિત થશે. 19 સપ્ટેમ્બરે વોર્ડ 2, 4, 8, 9, 10, 11, 13, 15, 16 અને 18 ના 150 ફૂટ રિંગ રોડ, ચંદ્રેશનગર અને બેડીપરામાં પાણી નહીં આવે. 20 અને 21 સપ્ટેમ્બરે પણ શહેરના અન્ય તમામ ઝોનના વોર્ડ વિસ્તારોમાં તબક્કાવાર પાણીકાપ રહેશે. મનપા દ્વારા નાગરિકોને પાણીનો સંગ્રહ કરવા અને વિવેકપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/shaherkotda-police-station-youth-commits-suicide-in-electric-room" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: શહેરકોટડા પો.સ્ટેશનમાં યુવકે ગળેફાંસો ખાધો; સાથે રહેલ મિત્રનો ફોન સ્વિચ ઓફ આવતા તપાસ શરૂ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/ukbrbQ6sZ20RLNrdmsiwH8EKAJjPLqg5Opxz85jn.webp'/></item><item><title><![CDATA[Stock Market Closing: 777 પોઇન્ટ તૂટ્યો સેન્સેક્સ, નિફ્ટી 23,118 અંકે બંધ ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-closing-sensex-falls-777-points-nifty-closes-at-23118-points</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-closing-sensex-falls-777-points-nifty-closes-at-23118-points</guid><pubDate>Tue, 15 Sep 2026 15:41:32 +05:30</pubDate><description><![CDATA[<p>મંગળવારના ટ્રેડિંગ સત્ર દરમિયાન સ્થાનિક શેરબજારોએ શરૂઆતી લાભ ગુમાવ્યા હતા. ક્રૂડ ઓઈલના ઊંચા ભાવને કારણે રોકાણકારોની જોખમ લેવાની વૃત્તિ પર અસર પડી હતી, જેનાથી બેન્ચમાર્ક સૂચકાંકો દબાણ હેઠળ આવ્યા હતા. જોકે, IT શેરોમાં આવેલા ઉછાળાએ બજારના ઘટાડાને અમુક અંશે મર્યાદિત કરવામાં મદદ કરી હતી.</p><h2><b>શેરબજાર લાલ નિશાને બંધ&nbsp;</b></h2><p>બપોરે 3:00 વાગ્યા સુધીમાં, સેન્સેક્સ 592.96 પોઈન્ટ (0.79%) ઘટીને 74,188.80 પર પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી50 217.50 પોઈન્ટ (0.93%) ઘટીને 23,180.60 પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે બપોરે 3.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયા. સેન્સેક્સ 777.94 પોઇન્ટના ઘટાડા સાથે 74,003 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 279.50 પોઇન્ટના ઘટાડા સાથે 23,118 અંકે બંધ થયો.&nbsp;</p><h3><b>સૌથી વધુ ઘટાડો નોંધાવનાર શેરો</b></h3><p>નિફ્ટી ઇન્ડેક્સ પર સૌથી વધુ ઘટાડો નોંધાવનારા શેરોમાં ભારત ઇલેક્ટ્રોનિક્સ (BEL), શ્રીરામ ફાઇનાન્સ અને અદાણી એન્ટરપ્રાઇઝિસનો સમાવેશ થતો હતો. વ્યાપક બજારમાં પણ વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું; નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 1.67% અને નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સ 2.07% નીચે ટ્રેડ કરી રહ્યા હતા.</p><h3><b>IT શેરોનો બજારને ટેકો</b></h3><p>સેક્ટોરલ સૂચકાંકોની વાત કરીએ તો, નિફ્ટી ITમાં લગભગ 5%નો ઉછાળો જોવા મળ્યો હતો અને તે તમામ સેક્ટોરલ સૂચકાંકોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સૂચકાંક બન્યો હતો. તેની સામે, નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો.</p><h4><b>India VIXમાં 10%થી વધુનો ઉછાળો</b></h4><p>બજારમાં વધતી જતી અનિશ્ચિતતાની અસર India VIX પર પણ જોવા મળી હતી. નિફ્ટી ઇન્ડિયા વોલેટિલિટી ઇન્ડેક્સ (India VIX) 10.33% વધીને 13.57 પર પહોંચ્યો હતો.<br><br><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/04/22/ImEoH8XVKSpwKohsEtbZTWR6IaJ4XBQ4dmVVsfy6.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : પ્લાસ્ટિકની બોટલને અલવિદા કરવાની દિશામાં AMCનું મોટું પગલું, હવે કાચની બોટલમાં મળશે AMC JALનું પાણી ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-amc-jal-glass-bottles-instead-of-plastic</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-amc-jal-glass-bottles-instead-of-plastic</guid><pubDate>Tue, 15 Sep 2026 15:27:28 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ મહાનગરપાલિકા હવે પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવા અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે મહત્વપૂર્ણ પહેલ કરી રહી છે. AMC JALના પાણીના પ્લાન્ટમાં પ્લાસ્ટિકની બોટલના વિકલ્પ તરીકે કાચની બોટલનો ઉપયોગ શરૂ કરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>AMC JALમાં કાચની બોટલનો વિકલ્પ</b></h2><p style="text-align: justify; ">વર્ષ 2014થી કાર્યરત AMC JALના 3000 LPH ક્ષમતાવાળા પ્લાન્ટમાંથી અત્યાર સુધી મુખ્યત્વે 500 એમએલ અને 1 લીટરની પ્લાસ્ટિક બોટલમાં પાણી ઉપલબ્ધ કરાવવામાં આવતું હતું. હવે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે કાચની બોટલમાં પાણી ઉપલબ્ધ કરાવવાની નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>250 એમએલથી 1000 એમએલ સુધીની બોટલ</b></h3><p style="text-align: justify; ">નવા આયોજન મુજબ 250 એમએલ, 300 એમએલ, 500 એમએલ અને 1000 એમએલની કાચની બોટલ તૈયાર કરવામાં આવશે. મનપાના વિવિધ કાર્યક્રમો અને સત્તાવાર ઉપયોગમાં હવે પ્લાસ્ટિકની જગ્યાએ કાચની બોટલ જોવા મળશે.</p><h3 style="text-align: justify; "><b style="font-size: 1.5rem;">કાચની બોટલનો ફરી ઉપયોગ થશે</b></h3><p style="text-align: justify; ">કાચની બોટલનો ઉપયોગ માત્ર એક વખત કરીને ફેંકી દેવાને બદલે તેને અલગથી એકત્રિત કરીને ફરી ઉપયોગમાં લેવામાં આવશે. આ વ્યવસ્થાથી બોટલનો ખર્ચ ઘટાડવા સાથે પ્લાસ્ટિકના ઉપયોગમાં પણ ઘટાડો લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.</p><h4 style="text-align: justify; "><b>પાણીનો બગાડ ઘટાડવા 200 એમએલની બોટલ</b></h4><p style="text-align: justify; ">મનપા દ્વારા પાણીનો બગાડ ઘટાડવા માટે 200 એમએલની બોટલનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જરૂરિયાત મુજબ નાની બોટલ ઉપલબ્ધ કરાવવાથી પાણીનો બગાડ ઓછો થાય તેવો પ્રયાસ કરવામાં આવશે.</p><h4 style="text-align: justify; "><b>કોમનવેલ્થ પહેલાં પ્લાસ્ટિક મુક્ત શહેરનો પ્રયાસ</b></h4><p style="text-align: justify; ">કોમનવેલ્થ ગેમ્સ પહેલાં અમદાવાદને વધુ પર્યાવરણમૈત્રી અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની દિશામાં મનપા દ્વારા આ પહેલને મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/crime/surat/surat-utran-wife-swapping-pressure-katargam-police-case#google_vignette" target="_blank"><b>Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/XX6XwrK5JjqAQmcdRDSoAhzGwiU4U2bZHx9SWzhs.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: શહેરકોટડા પો.સ્ટેશનમાં યુવકે ગળેફાંસો ખાધો; સાથે રહેલ મિત્રનો ફોન સ્વિચ ઓફ આવતા તપાસ શરૂ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/shaherkotda-police-station-youth-commits-suicide-in-electric-room</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/shaherkotda-police-station-youth-commits-suicide-in-electric-room</guid><pubDate>Tue, 15 Sep 2026 15:21:12 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલા શહેરકોટડા પોલીસ મથક પરિસરમાં એક યુવકે આપઘાત કરી લેતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી અને જામનગરથી ટ્રેન મારફતે યુપી જવા નીકળેલો રાજુ નામનો યુવક છેલ્લા ચાર દિવસથી ભારે માનસિક તણાવમાં હતો. ટ્રેનમાં મુસાફરી દરમિયાન કોઈ તેને હેરાન કરતું હોવાનો ડર લાગતાં તે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 12 પર ઉતરી ગયો હતો.</p><h2><b>શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં યુવકે આત્મહત્યા કરી</b></h2><p>અહીંથી તેણે પોલીસને ફોન કરીને હેરાનગતિ અંગે ફરિયાદ કરતા શહેરકોટડા પોલીસની ટીમ તેને સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશને લાવ્યા હતા. પોલીસે માનવતા દાખવીને રાજુના ભાઈ સાથે ફોન પર વાત કરાવી હતી. રાજુ પાસે પૈસા ન હોવાથી તેના ભાઈએ એક દિવસમાં રૂપિયા મોકલી આપવાની અને સવારે તેને લેવા આવવાની ખાતરી આપી હતી. દરમિયાન એક પોલીસ કર્મચારીએ તેને નાસ્તા માટે 100 રૂપિયા પણ આપ્યા હતા.</p><h3><b>યુપી જવા નીકળેલ યુવક માનસિક તણાવમાં હતો</b></h3><p>પરિવારજનો સવારે તેને લેવા આવે તે પહેલાં, સવારે આશરે 5:00 વાગ્યાના અરસામાં રાજુને તક મળતાં તે પોલીસ સ્ટેશનના ઈલેક્ટ્રિક રૂમમાં જતો રહ્યો હતો. ત્યાં તેણે પોતાના પેન્ટ વડે પંખા સાથે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. થોડીવાર બાદ પોલીસ કર્મચારીઓને જાણ થતાં તાત્કાલિક તપાસ હાથ ધરાઈ હતી પરંતુ યુવકનો જીવ બચાવી શકાયો નહોતો.પરિવારજનોના જણાવ્યા અનુસાર યુવક માનસિક રીતે બીમાર અને પરેશાન હતો. બીજી તરફ, મુસાફરી દરમિયાન તેની સાથે રહેલો મિત્ર ફોન ન ઉપાડતો હોવાથી પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/record-7-inches-rain-in-anjar-mandvi-gets-5-inches-in-2-hours" target="_blank">આ પણ વાંચો: Gujarat Weather News : કચ્છના અંજારમાં રેકોર્ડબ્રેક 7 ઈંચ વરસાદ ખાબક્યો, જાણો અન્ય વિસ્તારોની સ્થિતિ</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/15/Kngtw8cyjg3GXG9ReVDlpoHxTyvcGyeWwQ4dUAVk.webp'/></item><item><title><![CDATA[પાકિસ્તાનની ટીમ ભારત આવશે! એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં જામશે ભારત-પાક જંગ ]]></title><link>https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pakistan-team-will-come-to-india-india-pakistan-battle-will-be-held-in-the-asian-champions-trophy</guid><pubDate>Mon, 14 Sep 2026 15:47:21 +05:30</pubDate><description><![CDATA[<p>આવતા મહિને પાકિસ્તાનની હોકી ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે. 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન પંજાબમાં યોજાનારી AHF મેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026માં પાકિસ્તાન સહિત કુલ છ ટીમો ભાગ લેશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પાકિસ્તાનની ભાગીદારી અંગેની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, મલ્ટી-નેશનલ ઇવેન્ટ્સ અંગે કેન્દ્ર સરકારની નીતિ હેઠળ બંને દેશોની ટીમો આમને-સામને રમશે.</p><h2><b>ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જાલંધરમાં રમાશે</b></h2><p>એશિયન મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન થશે. આ ટૂર્નામેન્ટમાં યજમાન ભારત અને પાકિસ્તાન ઉપરાંત ચીન, જાપાન, મલેશિયા અને કોરિયાની પણ ભાગ લેશે. લીગ સ્ટેજના મુકાબલા જાલંધરમાં યોજાશે, જ્યારે સેમિફાઇનલ અને ફાઇનલ મેચ મોહાલીના હોકી સ્ટેડિયમમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 1 નવેમ્બરે જાલંધરમાં રમાશે. કોઈ ટીમ છેલ્લી ઘડીએ ખસી જાય તો તે સ્થિતિ માટે ઓમાન અને બાંગ્લાદેશને રિઝર્વ ટીમન તરીકે રાખવામી આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PTI_News/status/2099416960278868155"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમવામાં કોઈ મુશ્કેલી નથી</b></h2><p>પાકિસ્તાનની ભાગીદારી અને જરૂરી મંજૂરીઓ અંગે પંજાબના મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં બંને દેશો વચ્ચે રમવામાં કોઈ મુશ્કેલી નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝનું આયોજન અલગ બાબત છે, કારણ કે કેન્દ્ર સરકારની વર્તમાન નીતિ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય રમત-ગમતના આયોજનની મંજૂરી આપતી નથી. પરંતુ મલ્ટી-નેશનલ ટૂર્નામેન્ટમાં બંને દેશોના ખેલાડીઓને એકબીજા સામે રમવાની પરવાનગી છે, જેથી પાકિસ્તાની ટીમ ભારત આવી શકશે.</p><h2><b>ભારત વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે</b></h2><p>ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. ભારતે 2023માં ચેન્નાઈ અને 2024માં ચીનના હુલુનબુઈરમાં યોજાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ગત વર્ષે આ સ્પર્ધા યોજાઈ શકી નહોતી. હવે પંજાબ પ્રથમ વખત આ ટૂર્નામેન્ટની મેજબાની કરવા જઈ રહ્યું છે.</p><h2><b>અગાઉ પાકિસ્તાની ટીમે ના કહી હતી&nbsp;</b></h2><p>પાકિસ્તાનની આ વખતની ભાગીદારી એટલા માટે પણ ખાસ છે, કારણ કે ગત વર્ષે તેણે તમિલનાડુમાં આયોજિત જૂનિયર હોકી વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તે સમયે બંને દેશો વચ્ચેના તણાવને તેનું કારણ ગણાવવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે અને પાકિસ્તાની ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે પૂરી રીતે તૈયાર છે.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/14/V6jwdiIr9RTCvR6EyBaGsP2qfZvYLq2JfkL7pytm.webp'/></item></channel></rss>