<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Surendranagar: મુંજપર ગામના વાડામાંથી ઘાસચારા નીચે છુપાવેલો દારૂ-બિયર પકડાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surendranagar/surendranagar-liquor-and-beer-hidden-under-fodder-were-seized-from-the-fence-of-munjpar-village-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surendranagar/surendranagar-liquor-and-beer-hidden-under-fodder-were-seized-from-the-fence-of-munjpar-village-1</guid><pubDate>Mon, 10 Aug 2026 06:00:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ તાલુકાના મુંજપર ગામે આવેલ વાડામાં દારૂ હોવાની બાતમી મળતા જોરાવરનગર પોલીસે રેડ કરી હતી. જેમાં ઘાસચારા નીચે છુપાવેલ દેશી-વિદેશી દારૂ, બીયર સહિત રૂપીયા 69,250ની કિંમતનો મુદ્દામાલ કબજે કરાયો છે. બીજી તરફ સુરેન્દ્રનગર અને ચોટીલા ગ્રામ્યમાં પણ દારૂના દરોડામાં ર પકડાયા છે.</p><p style="text-align: justify; ">જોરાવરનગર પોલીસ મથકના જયરાજસિંહ ઝાલા સહિતનાઓને વિસ્તારમાં પેટ્રોલિંગ દરમીયાન વઢવાણ તાલુકાના મુંજપર ગામે રહેતો રામદેવસિંહ વિક્રમસિંહ પરમાર તેના રહેણાક મકાનથી આગળ આવેલ કાચા રસ્તા પર તેના કબજા ભોગવટાના વાડામાં વિદેશી દારૂ રાખી વેચતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. જયારે વાડામાં ઘાસચારા નીચેથી દારૂના 75 ચપલા, બીયરના 145 ટીન, 20 લીટર દેશી દારૂ, બાઈક સહિત રૂપીયા 69,250નો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ અંગે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધી આરોપી રામદેવસિંહ પરમારને ઝડપી લેવા વધુ તપાસ જોરાવરનગર પોલીસ ચલાવી રહી છે.</p><p style="text-align: justify; ">જયારે સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકના અજયવીરસિંહ સહિતનાઓને સોનાપુરી રોડ પર રહેતો અનીકેત નરેન્દ્રભાઈ વાઘેલા સોનાપુરી રોડ પર ખુલ્લા પ્લોટમાં વિદેશી દારૂ સંતાડી વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં અનીકેત વાઘેલા વિદેશી દારૂના 6 ચપલા અને મોબાઈલ સહિત રૂપીયા 6200ની મત્તા સાથે પકડાયો છે. આ દારૂ તેને રતનપરનો મનોજ વાઘેલા આપી ગયો હોવાનું ખુલતા બન્ને સામે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી મનોજને ઝડપી લેવા વધુ તપાસ એએસઆઈ વી.પી.રાઠોડ ચલાવી રહ્યા છે.</p><p style="text-align: justify; ">બીજી તરફ ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામે રહેતો મહેશગીરી બાબુગીરી ગોસ્વામી દારૂની 58 બોટલો કિંમત રૂપીયા 21,750 સાથે આણંદપુર પોલીસના હાથે પકડાયો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/sfw2sYHYNESDVLNVpJFhSRBjWXxcOXxsDlLCUGiU.webp'/></item><item><title><![CDATA[Surendranagar: લીંબડીની શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલમાં નવી સેવાનો આરંભ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surendranagar/surendranagar-new-service-launched-at-shrimad-rajchandra-sarvamangal-hospital-in-limbdi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surendranagar/surendranagar-new-service-launched-at-shrimad-rajchandra-sarvamangal-hospital-in-limbdi</guid><pubDate>Mon, 10 Aug 2026 05:59:25 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">લીંબડી : લીંબડી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોને તાત્કાલિક આરોગ્ય સેવા ઘર નજીક મળી રહે તે હેતુથી શહેરમાં આજથી નવી આરોગ્ય સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ સંચાલિત શાહ હેપ્પીનેસ અર્જન્ટ કેર સેન્ટરનો ગેન્કો આઈ હોસ્પિટલ ખાતે રવિવારથી પ્રારંભ કરવામાં આવ્યો છે. અર્જન્ટ કેર સેન્ટર શરૂ થતાં હવે લીંબડી સહિત આસપાસના વિસ્તારોના લોકોને આકસ્મિક બીમારી કે દુર્ઘટના જેવી પરિસ્થિતિમાં તાત્કાલિક સારવાર માટે દૂર જવાની જરૂરિયાતમાં ઘટાડો થશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/JZs4F6YxRbk29VNCN9ehtsiuFF4SZaScAdU963gE.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: વિરમગામ મર્કન્ટાઈલ બેંકની વાર્ષિક સાધારણ સભા યોજાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-annual-general-meeting-of-viramgam-mercantile-bank-held</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-annual-general-meeting-of-viramgam-mercantile-bank-held</guid><pubDate>Mon, 10 Aug 2026 05:58:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વિરમગામ :વિરમગામમાં કાર્યરત ધી વિરમગામ મર્કન્ટાઈલ કો. ઓ. બેન્કની 56મી વાર્ષિક સાધારણ સભા રવિવારે પટેલ સમાજ વાડીમાં યોજાઈ.જેમા બેંકે પ્રગતિ કરી એ ગ્રુપમાં આવ્યા અંગે માહિતી આપવામાં આવી હતી. બેંકમાં વિશ્વાસ રાખી સાથ આપનાર સાથી સમિતિ, સભાસદો તથા કર્મચારીઓને ચેરમેન ડો.દિલીપ પટેલે અભિનંદન પાઠવ્યા હતા. આ વર્ષે પણ બેંકે સભાસદો માટે 8 ટકા ડિવિડન્ડ જાહેર કર્યું છે. બેંકના ગ્રાહકો માટે ક્યુઆર કોડની સગવડતા શરૂ કરાઈ છે તથા ભારત બિલ પેમેન્ટની સુવિધા પણ ટૂંક સમયમાં શરૂ કરાશે અંગે મેનેજર નિલેશ ચાંપાનેરી દ્વારા સભાસદોને માહિતી અપાઈ હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/ojz8DNHKABqkhoN17sYYf2lbZ3bUL5d7GEykKyPr.webp'/></item><item><title><![CDATA[Vadodara: રંગપુર સઢલીના પીઠોરો આલેખતા યુવાનનું રાજ્ય કલા પારિતોષિકથી સન્માન ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-young-artist-from-rangpur-sadhli-honored-with-state-art-award</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-young-artist-from-rangpur-sadhli-honored-with-state-art-award</guid><pubDate>Mon, 10 Aug 2026 05:49:43 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">છોટાઉદેપુર તાલુકા-જિલ્લાના રાઠ વિસ્તારના રંગપુર સઢલી ગામના વતની દેસિંગભાઈ ચિલિયાભાઈ રાઠવા આજે પરિવારની લગભગ ચોથી પાંચમી પેઢીએ આદિવાસી સમાજની પવિત્ર ચિત્રકારી પીઠોરો લખવાનો વારસો આગળ ધપાવે છે. હાલ તેમનો 10માં ધોરણમાં ભણતો પુત્ર બાબા પીઠોરાની આરાધના જેવી આ ચિત્રકારીના પાઠ ભણીને પરિવારનો વારસો સાચવવા તૈયાર થઈ રહ્યો છે.</p><p style="text-align: justify; ">દેસિંગભાઈને તેમનો પરિવાર આ બાબા પીઠોરાની સાધના તેમના પિતા સ્વ. ચિલિયાભાઈ એમના પિતા પાસેથી અને એમના પિતાએ એમના પિતા પાસેથી આ પવિત્ર પીઠોરા લેખન કલા શીખી હતી. એટલે કે, એમના કુટુંબમાં પેઢી દર પેઢી આ કલા ઊતરી છે. તાજેતરમાં દેસિંગભાઈની ગુજરાતના રાજ્યના કુટિર ઉદ્યોગના ઉપક્રમે હાથશાળ અને હસ્તકલા ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર કારીગરોના સન્માનની યોજના હેઠળ મધ્ય ઝોનમાં પ્રથમ ક્રમે પસંદગી થઈ હતી. તેમને રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર અને શાલથી નવાજાયા છે. 9મી ઓગસ્ટે ઉજવાતા વિશ્વ આદિવાસી દિવસની પૂર્વ સંધ્યાએ આદિવાસી કલા કારીગરીનું સન્માન આનંદની ઘટના ગણાય.</p><p style="text-align: justify; ">તેઓને વર્ષે દહાડે સરેરાશ 15 જેટલા પીઠોરા લેખનનું કામ મળે છે. આ કામ એક પ્રકારની પૂજા પરંપરા અને આદિવાસી સંસ્કૃતિનો સમૃદ્ધ વારસો છે. પાંચ, નવ, અઢાર ઘોડા પ્રમાણે આ ચિત્રની લંબાઈ પહોળાઈ નક્કી થાય છે. એક રીતે માનતા કે, બાધા પૂરી કરવાના ભાગરૂપે ઘરમાં બાબા પીઠોરાનું દેવસ્થાન તૈયાર કરવાનું આ કામ છે. દેસિંગભાઈ જેવા સાધકો આ સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખનારા સાધકો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/SDI56nZNgmgGIfgwMTkJxIVHXGtU6JOznu5eS740.webp'/></item><item><title><![CDATA[Vadodara: 125 શિવભક્ત કાવડિયાનું ચાંદોદથી વડોદરા મોટનાથ મહાદેવ ખાતે પ્રસ્થાન ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-125-</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-125-</guid><pubDate>Mon, 10 Aug 2026 05:48:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસનું આગમન થઈ રહ્યું છે. ત્યારે શિવભક્તિનો માહોલ જામ્યો છે. આ પવિત્ર મહિનામાં કાવડયાત્રાનું વિશેષ મહાત્મ્ય રહેલું છે. આ પરંપરાના ભાગરૂપે વડોદરા શહેર અને જિલ્લામાંથી વિવિધ કાવડયાત્રીઓના સંઘ પવિત્ર લોકમાતા નર્મદા નદીના જળ લેવા માટે દક્ષિણ પ્રયાગ તરીકે ઓળખાતા તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે ઊમટી રહ્યાં છે.</p><p style="text-align: justify; ">વડોદરામાં ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા શિવભક્તોના એક સમૂહ દ્વારા સતત 19માં વર્ષે ભવ્ય કાવડયાત્રાનું આયોજન કરાયું છે. મૂળ રાજસ્થાન અને હરિયાણાના વતની અને વર્ષોથી વડોદરામાં સ્થાયી થયેલા આ શિવભક્તો 2008થી સતત આ ધાર્મિક યાત્રાનું આયોજન કરી રહ્યાં છે. આ ટ્રાન્સપોર્ટ એસોસિએશન માત્ર વ્યવસાયમાં જ નહીં, પરંતુ સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિમાં પણ હંમેશા અગ્રેસર રહે છે.</p><p style="text-align: justify; ">શ્રાવણ માસના પ્રારંભ પૂર્વે જ આસ્થા અને ઉત્સાહ સાથે 125 જેટલા કાવડયાત્રીઓ ચાંદોદ ખાતે આવી પહોંચ્યા હતા. આજે વહેલી સવારે ચાંદોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના કિનારે યાત્રીઓએ પવિત્ર નર્મદા નદીમાં સ્નાન કર્યું હતું. ત્યારબાદ વિધિવત પૂજન-અર્ચન કરી નર્મદાજીને શ્રીફ્ળ અર્પણ કરાયું હતું. પૂજ્ય ભાવ સાથે નર્મદાનું પવિત્ર જળ કાવડમાં ભરીને આ શિવભક્તો ચાંદોદથી વડોદરા હરણી સ્થિત મોટનાથ મહાદેવ સુધી જવા માટે પગપાળા પ્રસ્થાન કર્યું હતું. કાવડયાત્રાના આયોજક મદનલાલ શર્માના જણાવ્યા અનુસાર, આ કાવડયાત્રા આજે રાત્રે ડભોઇ ખાતે વિસામો કરશે. ત્યારબાદ સોમવારે રાત્રે આ સંઘ વડોદરા પહોંચશે. આગામી મંગળવાર, તા. 11 ઓગસ્ટના રોજ શ્રાવણ માસની શિવરાત્રીના પવિત્ર દિને આ તમામ કાવડયાત્રી હરણી સ્થિત મોટનાથ મહાદેવને નર્મદાજીના પવિત્ર જળથી જળાભિષેક કરી ભગવાન શિવજીને પ્રાર્થના કરી જગતના કલ્યાણની કામના કરશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/jG7LtKN90Punhnp25uKybvx3BHNLC9CrUOA1TdF8.webp'/></item><item><title><![CDATA[Global South ભાગીદારને ભારતની મદદ, બોલિવિયા માટે જરૂરી અને જીવનરક્ષક દવાઓની મોટી ખેપ રવાના ]]></title><link>https://sandesh.com/india/news/world/india-sends-8-mt-life-saving-medicines-to-bolivia-global-south</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/world/india-sends-8-mt-life-saving-medicines-to-bolivia-global-south</guid><pubDate>Sun, 09 Aug 2026 23:42:10 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતે ગ્લોબલ સાઉથના ભાગીદાર દેશ બોલિવિયાની જાહેર આરોગ્ય વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે 8 મેટ્રિક ટન (MT) જીવનરક્ષક અને આવશ્યક દવાઓની ખેપ મોકલી છે. આ સહાય ભારત અને બોલિવિયા વચ્ચેના સહકાર તથા પરસ્પર એકતાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/MEAIndia/status/2086499367847178542"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>કોરોના મહામારીમાં પણ ભારતે મદદ પૂરી પાડી હતી&nbsp;</b></h2><p>ભારત તરફથી મોકલવામાં આવેલી આ દવાઓનો ઉપયોગ બોલિવિયાની જાહેર આરોગ્ય વ્યવસ્થામાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે કરવામાં આવશે. આ સહાયનો મુખ્ય ઉદ્દેશ દેશની હેલ્થકેર ક્ષમતાને મજબૂત બનાવવાનો અને જરૂરી દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં મદદ કરવાનો છે. ભારત લાંબા સમયથી ગ્લોબલ સાઉથના દેશો સાથે આરોગ્ય, વિકાસ, ટેક્નોલોજી અને માનવતાવાદી સહાય સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા પર ભાર મૂકી રહ્યું છે. કોવિડ-19 મહામારી દરમિયાન પણ ભારતે અનેક દેશોને દવાઓ અને અન્ય જરૂરી તબીબી સામગ્રી પૂરી પાડી હતી.</p><h3><b>ભારત સહકાર અને સંયુક્ત પ્રગતિ માટે હંમેશા તૈયાર</b></h3><p>બોલિવિયા માટે મોકલવામાં આવેલી 8 MT દવાઓની આ ખેપ પણ ભારતની ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. ભારતનું માનવું છે કે વિકાસ અને પ્રગતિનો લાભ માત્ર એક દેશ પૂરતો મર્યાદિત ન રહે, પરંતુ સહકાર અને એકતાના માધ્યમથી અન્ય દેશો સુધી પણ પહોંચે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે ગ્લોબલ સાઉથના ભાગીદાર દેશો સાથે સહકાર અને સંયુક્ત પ્રગતિ માટે હંમેશા તૈયાર છે. દવાઓની આ સહાયથી બોલિવિયાની જાહેર આરોગ્ય સેવાઓને જરૂરી સપોર્ટ મળવાની સાથે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં પણ વધુ મજબૂતી આવવાની અપેક્ષા છે.</p><p>આ પહેલ ભારતની માનવતાવાદી સહાય અને વૈશ્વિક સ્તરે જવાબદાર ભાગીદાર તરીકેની ભૂમિકાને વધુ ઉજાગર કરે છે. આવનારા સમયમાં પણ ભારત અને બોલિવિયા વચ્ચે આરોગ્ય તથા અન્ય વિકાસલક્ષી ક્ષેત્રોમાં સહકાર વધવાની શક્યતા છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/iaf-60-modernisation-projects-defence-technology-india" target="_blank">આ પણ વાંચો : IAFની તાકાતમાં થશે વધારો, 60 આધુનિકીકરણ પ્રોજેક્ટ્સ પર ચાલી રહ્યું છે કામ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/vQyU7iJTeE1s9pUniU9iY2yt3rg2zZZZTCo2TcEu.webp'/></item><item><title><![CDATA[IAFની તાકાતમાં થશે વધારો, 60 આધુનિકીકરણ પ્રોજેક્ટ્સ પર ચાલી રહ્યું છે કામ ]]></title><link>https://sandesh.com/india/news/iaf-60-modernisation-projects-defence-technology-india</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/iaf-60-modernisation-projects-defence-technology-india</guid><pubDate>Sun, 09 Aug 2026 22:41:57 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય વાયુસેના પોતાની ઓપરેશનલ ક્ષમતા અને ટેક્નોલોજીકલ તાકાત વધારવા માટે આશરે 60 આધુનિકીકરણ કાર્યક્રમો પર કામ કરી રહી છે. આ પ્રોજેક્ટ્સમાં DRDO ઉપરાંત દેશની ખાનગી ડિફેન્સ કંપનીઓની પણ મહત્વપૂર્ણ ભાગીદારી રહેશે. આ પહેલથી દેશમાં ₹21,000 કરોડથી વધુનો ડિફેન્સ બિઝનેસ ઊભો થવાની અપેક્ષા છે.</p><p>આધુનિકીકરણ હેઠળ એડવાન્સ્ડ રડાર, ઈલેક્ટ્રોનિક વૉરફેર સિસ્ટમ, એવિઓનિક્સ, કોમ્યુનિકેશન નેટવર્ક, આધુનિક હથિયારો અને એરોસ્પેસ ટેક્નોલોજી વિકસાવવામાં આવશે. તેનો મુખ્ય ઉદ્દેશ વિદેશી હથિયારો અને ટેક્નોલોજી પરની નિર્ભરતા ઘટાડીને સ્વદેશી ડિફેન્સ ક્ષમતાને મજબૂત કરવાનો છે.</p><h2><b>'સુપર સુખોઈ' પર ખાસ ભાર</b></h2><p>ભારતીય વાયુસેનાના રશિયન Su-30MKI ફાઈટર જેટ્સને સ્વદેશી ટેક્નોલોજીથી અપગ્રેડ કરવાની યોજના પણ આગળ વધી રહી છે. ‘સુપર સુખોઈ’ કાર્યક્રમ હેઠળ વિમાનમાં નવા રડાર, એવિઓનિક્સ, ઇલેક્ટ્રોનિક વૉરફેર સિસ્ટમ અને આધુનિક હથિયારોને એકીકૃત કરવામાં આવશે. DRDO અને HALની ભાગીદારીથી આ અપગ્રેડ કાર્યક્રમને આગળ ધપાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન ભારતે રશિયાના Su-57 સ્ટેલ્થ ફાઈટર અંગે પણ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. ભારતનું ધ્યાન નવા રશિયન ફાઈટર ખરીદવા કરતાં Su-30MKI અપગ્રેડ અને સ્વદેશી AMCA પર છે.</p><h3><b>AMCA અને રાફેલ પર નજર</b></h3><p>ભારત પોતાના પાંચમી પેઢીના Advanced Medium Combat Aircraft (AMCA) પર પણ ભાર મૂકી રહ્યું છે. AMCAને ઓપરેશનલ કરવામાં આવે ત્યાં સુધી વાયુસેનાની જરૂરિયાતો પૂરી કરવા માટે 114 રાફેલ ફાઈટર જેટની ખરીદીની પ્રક્રિયા આગળ વધી રહી છે. ફ્રાન્સની Dassault Aviationએ તાજેતરમાં 114 રાફેલ માટે ટેક્નિકલ અને કોમર્શિયલ પ્રસ્તાવ પણ રજૂ કર્યો છે. આ સમગ્ર આધુનિકીકરણ યોજના 'આત્મનિર્ભર ભારત'ને વેગ આપવાની સાથે દેશની ડિફેન્સ ઈન્ડસ્ટ્રી, સ્વદેશી ટેક્નોલોજી અને ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પણ મજબૂત બનાવશે.</p><p><a href="https://sandesh.com/india/news/ed-director-rahul-navin-tenure-extension-2027" target="_blank"><b>આ પણ વાંચો : ED Director Extension : કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રાહુલ નવીનને ED ડિરેક્ટર તરીકે ફરી એક વર્ષનું એક્સટેન્શન</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/lQj0zCnOXX8UEYVf0XQQjhfd8c8UDlP2VTYN3vi1.webp'/></item><item><title><![CDATA[US Tariff India Opportunity: અમેરિકા 100% ટેરિફ લગાવે તો પણ ભારતને ડર નથી, જાણો કેમ? ]]></title><link>https://sandesh.com/business/news/world/us-tariff-india-opportunity-even-if-america-imposes-100-tariff-india-is-not-afraid-know-why</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/world/us-tariff-india-opportunity-even-if-america-imposes-100-tariff-india-is-not-afraid-know-why</guid><pubDate>Sun, 09 Aug 2026 20:16:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ટેરિફનો ડર તેને સતાવવા લાગ્યો. જોકે, અર્થશાસ્ત્રી માને છે કે જો અમેરિકા 100% ટેરિફ લાદે તો પણ ભારત પાસે 15 અન્ય વિકલ્પો છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">આયાત-નિકાસ માટે સરળતા&nbsp;</h2><p style="text-align: justify; ">અર્થશાસ્ત્રી માને છે કે જો અમેરિકા ભારત પર 100% ટેરિફ લાદે તો પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ભારતે પહેલાથી જ 15 નવા બજારો બનાવ્યા છે. જ્યાં તે તેના તમામ માલની નિકાસ કરી શકે છે અને નોંધપાત્ર નફો કમાઈ શકે છે. આ 15 અન્ય બજારો છે જ્યાં તે તેના ઉત્પાદનો નિકાસ કરી શકે છે જે તે અમેરિકામાં નિકાસ કરવા માટે ઉપયોગમાં લેતો હતો. ભારત આ બજારોમાંથી 200 અબજ ડોલર કાઢી શકે છે.</p><h3 style="text-align: justify; ">ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત વેપાર&nbsp;</h3><p style="text-align: justify; ">ભારત પાસે ઘણા અન્ય નિકાસ વિકલ્પો છે અને તે યુએસ બજાર પર વધુ પડતું નિર્ભર નથી. જો કે, ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત વેપાર અને આર્થિક સંબંધો છે. તેમણે કહ્યું, આપણી પાસે 15 બજારો છે જ્યાં આપણે હાલમાં જે ઉત્પાદનો અમેરિકામાં મોકલીએ છીએ તે જ ઉત્પાદનો નિકાસ કરી શકીએ છીએ. જો અમેરિકામાં આપણી માલસામાન નિકાસ લગભગ $87-88 બિલિયન છે, તો 15 અન્ય દેશોમાં આ જ ઉત્પાદનો માટે લગભગ $200 બિલિયનનું વિશાળ બજાર છે.</p><h4 style="text-align: justify; ">નવા બજારો ક્યાં બનાવાયા ?</h4><p style="text-align: justify; ">નેધરલેન્ડ્સ, ફ્રાન્સ, યુકે, લેટિન અમેરિકન દેશો, સાઉદી અરેબિયા, યુએઈ અને નેપાળ જેવા બજારોનો ઉલ્લેખ કર્યો હતો જ્યાં ભારતીય નિકાસકારો પોતાનો વ્યવસાય વિસ્તારી શકે છે. તેમના મતે, અમેરિકા ઉપરાંત ભારતમાં ઘણા બજારો છે જ્યાં ભારતીય ઉત્પાદનોની માંગ વધી રહી છે. તેમણે જણાવ્યું હતું કે 2025-26માં અમેરિકામાં ભારતની નિકાસ $87.3 બિલિયન હતી, જે 2024-25માં $86.5 બિલિયન હતી. ટેરિફ અંગે અનિશ્ચિતતા અને વૈશ્વિક સ્તરે અસંખ્ય પડકારો હોવા છતાં, ભારતીય નિકાસકારોએ તેમના પ્રદર્શનમાં સુધારો કર્યો છે. શર્માએ કહ્યું કે અમેરિકામાં ભારતીય ઉત્પાદનોની મજબૂત માંગ છે અને ભારત સ્પર્ધાત્મક ભાવે શ્રમ-સઘન ઉત્પાદનો પ્રદાન કરી રહ્યું છે.</p><h5 style="text-align: justify; ">અન્ય દેશોમાં નિકાસ ઝડપથી વધી&nbsp;</h5><p style="text-align: justify; ">ભારતની અમેરિકા કરતાં અન્ય કેટલાક બજારોમાં નિકાસ ઝડપથી વધી રહી છે. તેમણે કહ્યું, "જ્યારે અમેરિકામાં આપણી નિકાસ 10-15 ટકાના દરે વધી રહી છે, ત્યારે અન્ય બજારો સાથે નિકાસ વૃદ્ધિ દર 20-25 ટકાની વચ્ચે છે." તેમનું માનવું છે કે ભારત પાસે વિકલ્પો છે અને તે અમેરિકન અર્થતંત્ર પર વધુ પડતો નિર્ભર નથી. શર્માએ એમ પણ કહ્યું કે ભારત અને અમેરિકા મજબૂત આર્થિક સંબંધો ધરાવે છે અને દ્વિપક્ષીય વેપાર કરાર પર વાટાઘાટો કરી રહ્યા છે. તેમનું માનવું છે કે વેપાર વધારવો બંને દેશો માટે વધુ ફાયદાકારક રહેશે. જોકે, રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પર 100% સુધીનો ટેરિફ લાદવો અમેરિકા અને ભારત બંને માટે હાનિકારક હોઈ શકે છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/lifestyle/news/health-fitness/sleepy-after-eating-why-do-you-feel-sleepy-and-drowsy-after-eating-know-the-causes-and-remedies" target="_blank"> જમ્યા પછી કેમ આવે છે સુસ્તી અને ઊંઘ? જાણો કારણો અને ઉપાયો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/J51EHWEo029EvqF4TzNsQJ8u9cBXWEIhELO8ySkY.webp'/></item><item><title><![CDATA[Commonwealth Gamesના મેડલ વિજેતાઓને મળ્યા પીએમ મોદી, ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો VIDEO ]]></title><link>https://sandesh.com/sports/news/india/pm-modi-meets-india-commonwealth-games-medal-winners</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india/pm-modi-meets-india-commonwealth-games-medal-winners</guid><pubDate>Sun, 09 Aug 2026 19:37:43 +05:30</pubDate><description><![CDATA[<p>સ્કોટલેન્ડના ગ્લાસગોમાં 2026માં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં કુલ 39 મેડલ જીત્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નિવાસસ્થાને તમામ મેડલ વિજેતાઓને મળ્યા હતા, તેમને તેમના મેડલ જીતવા બદલ અભિનંદન આપ્યા હતા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક રીલ શેર કરી હતી, જેમાં લખ્યું હતું, "જો ખેલેગા વો ખિલેગા."</p><h2><b>દેશને હંમેશા પ્રોત્સાહિત કરો</b></h2><p>કોમનવેલ્થ ગેમ્સ 2026માં મેડલ જીતનારા ખેલાડીઓને મળ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર શેર કરેલી રીલમાં તેમને કહ્યું હતું કે "જો ખેલેગા વો ખિલેગા." હંમેશા દેશને પ્રોત્સાહિત કરો. આ પછી પીએમ મોદીએ ભારત માતા કી જયનો નારા લગાવ્યો, જે તેમની સાથે હાજર તમામ ખેલાડીઓએ વારંવાર બોલ્યો.&nbsp;</p><p>આ રીલમાં કોમનવેલ્થ ગેમ્સ 2026માં ગોલ્ડ મેડલ જીતનાર મહિલા બોક્સિંગ ખેલાડી સાક્ષી ચૌધરીએ વીડિયો હોસ્ટ કર્યો અને આ મુલાકાત માટે પીએમ મોદીનો આભાર માન્યો. વીડિયોમાં સાક્ષી ચૌધરીએ કહ્યું કે નમસ્તે મિત્રો, આજે પીએમ સાહેબે કોમનવેલ્થ ગેમ્સના મેડલ વિજેતાઓને બોલાવ્યા છે અને અમે બધા ખૂબ ગર્વ અનુભવી રહ્યા છીએ.</p><p><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reels/Db0hIieTgy8/" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reels/Db0hIieTgy8/" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a><br></p><h3><b>આ વખતે બોક્સિંગમાં 10 મેડલ જીત્યા</b></h3><p>કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતે બોક્સિંગના વિવિધ વજન કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું જેમાં તે 7 ગોલ્ડ અને 3 સિલ્વર સહિત કુલ 10 મેડલ જીતવામાં સફળ રહ્યું હતું. ભારતે એથ્લેટિક્સમાં કુલ 10 મેડલ મેળવ્યા હતા જેમાં ગુલવીર સિંહે 2 અલગ અલગ ઈવેન્ટમાં મેડલ જીત્યા હતા. વેઈટલિફ્ટિંગમાં 8 મેડલ, પેરા એથ્લેટિક્સમાં 6, જુડોમાં 4 અને પેરા પાવરલિફ્ટિંગમાં 1 મેડલ જીત્યો હતો. પહેલીવાર કોમનવેલ્થ ગેમ્સમાં ભારત જુડો ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યું હતું. હવે બધાની નજર જાપાનમાં યોજાવનારી આગામી એશિયન ગેમ્સ પર છે જ્યાં ભારતીય ખેલાડીઓ પાસેથી શાનદાર પ્રદર્શનની અપેક્ષા છે.</p><p><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/0fyqm4BfEeu88Gm4DZle9uesUw8R5L6FcuQSOLfe.webp'/></item><item><title><![CDATA[Aamir Khan ચોથા લગ્ન ક્યારે કરશે? KBC 18ના પ્રોમો પર યુઝર્સે કરી આવી કોમેન્ટ્સ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/aamir-khan-third-marriage-gauri-spratt-kbc-18</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/aamir-khan-third-marriage-gauri-spratt-kbc-18</guid><pubDate>Sun, 09 Aug 2026 17:29:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડ સુપરસ્ટાર આમિર ખાન ફરી એકવાર ચર્ચામાં છે, પરંતુ આ વખતે કારણ તેની કોઈ ફિલ્મ નહીં, પરંતુ તેની પર્સનલ લાઇફ છે. હાલમાં રિયાલિટી ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ સીઝન 18નો નવો પ્રોમો રિલીઝ થયો છે. આ પ્રોમો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર આમિર ખાનને લઈને લોકોની પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. કમેન્ટ સેક્શનમાં લોકો તેના ત્રીજા લગ્નને લઈને મજાક કરી રહ્યા છે અને મસ્તી કરી રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>બંટવારા 1947નું પ્રમોશન કરવા પહોંચ્યા આમિર ખાન</b></h2><p style="text-align: justify; ">કૌન બનેગા કરોડપતિ 18ના આ ખાસ એપિસોડમાં આમિર ખાન સાથે બોલીવુડ એક્ટર સની દેઓલ અને એક્ટ્રેસ પ્રીતિ ઝિંટા પણ જોવા મળશે. ત્રણેય કલાકારો અમિતાભ બચ્ચન સાથે હોટસીટ પર બેસીને શોની રોનક વધારશે. ત્રણેય કલાકારો ફિલ્મ બંટવારા 1947નું પ્રમોશન કરવા માટે KBCના મંચ પર પહોંચ્યા છે. આ ફિલ્મ 14 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મને લઈને દર્શકોમાં સારો માહોલ છે, પરંતુ પ્રોમો સામે આવતાં જ ફેન્સનું ધ્યાન ફિલ્મ પરથી હટીને આમિર ખાનની પર્સનલ લાઇફ તરફ ગયું.</p><h3 style="text-align: justify; "><b>વાયરલ પ્રોમોમાં શું છે?</b></h3><p style="text-align: justify; ">KBC 18નો જે પ્રોમો વીડિયો સામે આવ્યો છે, તેમાં આમિર ખાન શોના હોસ્ટ અમિતાભ બચ્ચનને સવાલ કરતા જોવા મળે છે. આમિર પૂછે છે કે આ વખતે સીઝનની થીમ સોચના પડેગા કેમ રાખવામાં આવી છે. આમિર કહે છે, તમે પ્રોમોમાં કહ્યું છે કે સોચના પડેગા, તો શું વિચારવું પડશે? તેના પર અમિતાભ બચ્ચન પોતાના દમદાર અંદાજમાં જવાબ આપે છે. બિગ બી કહે છે કે આ સીઝનમાં વસ્તુઓ એટલી સરળ નહીં હોય, કારણ કે હવે દરેક સવાલ બાદ કન્ટેસ્ટન્ટ્સે ઊંડાણથી વિચારવું પડશે. તેના પર આમિર ખાન હસતાં-હસતાં સહમત થાય છે અને કહે છે, સોચના પડેગા સર... ખરેખર સોચના પડેગા.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbxpyvjnZNI/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbxpyvjnZNI/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbxpyvjnZNI/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbxpyvjnZNI/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h2 style="text-align: justify; "><b>કમેન્ટ સેક્શનમાં ટ્રોલર્સે કરી મજાક</b></h2><p style="text-align: justify; ">પ્રોમોમાં આમિર ખાન અને અમિતાભ બચ્ચન વચ્ચેની આ વાતચીત ખૂબ મજેદાર લાગી રહી છે, પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સને ટ્રોલ કરવા માટે નવું કારણ મળી ગયું. કમેન્ટ સેક્શનમાં અનેક લોકો આમિર ખાનના લગ્નને લઈને મજાક કરવા લાગ્યા. હાલમાં જ આમિર ખાને ત્રીજી વાર લગ્ન કર્યા છે, તેથી નેટિઝન્સે પ્રોમોના બહાને તેની પર્સનલ લાઇફ પર અનેક કમેન્ટ્સ કર્યા.</p><p style="text-align: justify; "><img alt="Aamir Khan KBC 18 (2)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/09/GPLAez0tAaoPPaRflAly6xta0EXLaOlazhP4mrsz.webp"><br></p><p style="text-align: justify; ">એક યુઝરે મજાક કરતાં લખ્યું, અમિતાભજીએ આમિરને પૂછવું જોઈએ કે તેઓ ચોથા લગ્ન ક્યારે કરી રહ્યા છે? જ્યારે બીજા યુઝરે કમેન્ટ કરી, શું આમિર અહીં પોતાના લગ્ન વિશે વાત કરવા આવ્યા છે? કેટલાક યુઝર્સે તો KBCની થીમ સોચના પડેગાને પણ આમિરના લગ્ન સાથે જોડી દીધા. એક યુઝરે મજાક કરતાં લખ્યું, ત્રીજા લગ્ન બાદ આમિરને હવે ખરેખર વિચારવું પડશે. સોશિયલ મીડિયા પર આવા અનેક કમેન્ટ્સ વાયરલ થઈ રહ્યા છે, જેમાં લોકો આમિરની પર્સનલ લાઇફને લઈને અલગ-અલગ પ્રકારની મજાક કરી રહ્યા છે.</p><h4 style="text-align: justify; "><b>ગૌરી સ્પ્રૈટ સાથે આમિર ખાનની ત્રીજા લગ્ન&nbsp;</b></h4><p style="text-align: justify; ">આમિર ખાને 5 જુલાઈ 2026ના રોજ ગૌરી સ્પ્રૈટ સાથે લગ્ન કરી છે. આ લગ્ન મુંબઈના બાંદ્રામાં આવેલા આમિરના ઘરે ખૂબ જ સાદી અને ખાનગી રીતે થયા હતા. બંનેએ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ કોર્ટ મેરેજ રજિસ્ટર કરાવી હતી. ગૌરી સ્પ્રૈટ સાથેની આ આમિર ખાનની ત્રીજા લગ્ન છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/mahesh-babu-net-worth-property-luxury-cars" target="_blank">આ પણ વાંચો-Tollywood Actor : કરોડોનું ઘર અને લક્ઝરી કાર, સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુની નેટવર્થ જાણી દંગ રહી જશો!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/SWTLrXP8Ds54t1wAMfT8Y7oYOsU0U8DHLUmCMYO9.webp'/></item></channel></rss>