<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Anand : ઘરમાં ધમધમતું બ્રાન્ડેડ દારૂના નામે નકલી દારૂનું કારખાનું ઝડપાયું, 575 લીટર સ્પીરીટ સહિત મોટો જથ્થો જપ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/anand/anand-borsad-dehvan-fake-english-liquor-network-575-litre-spirit-seized</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/anand/anand-borsad-dehvan-fake-english-liquor-network-575-litre-spirit-seized</guid><pubDate>Fri, 04 Sep 2026 18:08:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આણંદ જિલ્લામાં નકલી ઈંગ્લીશ દારૂ બનાવવાના મસમોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. બોરસદ તાલુકાના દહેવાણ ઝાંખરીયાપુરા વિસ્તારમાં એક ઘરમાં નકલી ઈંગ્લીશ દારૂ બનાવવામાં આવતો હોવાની માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. LCB આણંદે કાર્યવાહી કરીને નકલી દારૂ બનાવવા માટેનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>575 લીટર સ્પીરીટ સહિત મોટો જથ્થો ઝડપાયો</b></h2><p style="text-align: justify; ">પોલીસ કાર્યવાહી દરમિયાન 575 લીટર આલ્કોહોલિક સ્પીરીટનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત નકલી ઈંગ્લીશ દારૂના 21 ક્વાર્ટર, 1514 ખાલી કાચની બોટલો, નકલી દારૂના સ્ટીકર રોલ અને 64 ઢાંકણ પણ જપ્ત કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આટલા મોટા પ્રમાણમાં સામગ્રી મળી આવતાં વિસ્તારમાં નકલી દારૂનું આયોજનબદ્ધ નેટવર્ક ચાલી રહ્યું હોવાની શંકા વધુ મજબૂત બની છે.</p><p style="text-align: justify; "><img alt="Anand Fake Liquor Network Busted 575 Litres Spirit And 1514 Bottles Seized" src="https://epapercdn.sandesh.com/images/2026/09/04/qG6OXnyK9DE8B9W9h6j45gSobzScQ8i8qTgyAnAE.webp" style="width: 100%;"><br></p><h3 style="text-align: justify; "><b>સ્પીરીટ, કલર અને એસેન્સથી તૈયાર થતો નકલી દારૂ</b></h3><p style="text-align: justify; ">પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સ્પીરીટમાં કલર અને એસેન્સ ભેળવી નકલી દારૂ તૈયાર કરવામાં આવતો હતો. ત્યારબાદ જાણીતી બ્રાન્ડના નામ જેવા નકલી સ્ટીકર અને પ્રિન્ટેડ બુચ લગાવી દારૂને અસલી તરીકે રજૂ કરીને વેચાણ કરવાની તૈયારી કરવામાં આવતી હતી.</p><h4 style="text-align: justify; "><b>મેકડોવેલ્સ નંબર-1ના નામે નકલી દારૂ બનાવાતો હતો</b></h4><p style="text-align: justify; ">મેકડોવેલ્સ નંબર-1ના નામે નકલી દારૂ બનાવવામાં આવતો હોવાની વિગતો પણ સામે આવી છે. ખાલી કાચની બોટલોમાં નકલી દારૂ ભરી તેના પર બ્રાન્ડ જેવા સ્ટીકર લગાવી બજારમાં પહોંચાડવાનો ખેલ ચાલતો હોવાની શંકા છે.</p><p style="text-align: justify; "><img alt="Anand Fake Liquor Network Busted 575 Litres Spirit And 1514 Bottles Seized" src="https://epapercdn.sandesh.com/images/2026/09/04/sAUnP6besPPFSvWmG5ZptSG5cW2zqBZzAPYjhWYa.webp" style="width: 100%;"><br></p><h4 style="text-align: justify; "><b>3 આરોપીઓ સામે ગુનો નોંધાયો</b></h4><p style="text-align: justify; ">આ સમગ્ર મામલે વિરસદ પોલીસ મથકે કુલ 3 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. નકલી દારૂ બનાવવા માટેનો કાચો માલ ક્યાંથી લાવવામાં આવતો હતો અને તૈયાર દારૂ કયા વિસ્તારમાં વેચાણ માટે મોકલવામાં આવતો હતો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.</p><h4 style="text-align: justify; "><b>LCBની વધુ તપાસ શરૂ</b></h4><p style="text-align: justify; ">LCB આણંદ દ્વારા નકલી દારૂના સમગ્ર નેટવર્કની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કારખાના પાછળ અન્ય કેટલા લોકો જોડાયેલા છે અને કેટલા સમયથી આ ધંધો ચાલી રહ્યો હતો તે સહિતના મુદ્દે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp; :&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/supreme-court-gujarat-seized-vehicle-interim-release-prohibition-truck-case" target="_blank"><b>Supreme Courtનો મોટો નિર્ણય, દારૂ તસ્કરીમાં જપ્ત વાહન વર્ષો સુધી સડશે નહીં, 15 લાખની શરતે ટ્રક છોડવાનો આદેશ</b></a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/6bYDf5tgV0Gdhw8V6h4b3ZUP5SgjxBicVuBwtMFx.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : બાવળાના મેમર પાસે અર્ધસળગેલી લાશ મળતાં ચકચાર, 23 વર્ષીય યુવક 2 દિવસથી હતો ગુમ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/bavla-shocker--missing-23-year-old-youths-partially-burnt-body-found-near-canal</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/bavla-shocker--missing-23-year-old-youths-partially-burnt-body-found-near-canal</guid><pubDate>Fri, 04 Sep 2026 18:00:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના મેમર ગામના પાટીયા નજીક આવેલા બ્રિજ પાસે અને કેનાલના કિનારેથી એક યુવકની સળગાવેલી હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે. મૃતકની ઓળખ મેમર ગામના જ વતની અને આશરે 23 વર્ષીય યુવક કિશનભાઇ મોબતભાઈ ચૌહાણ તરીકે થઈ છે. યુવક છેલ્લા બે દિવસથી ભેદી સંજોગોમાં ગુમ હતો અને આજે તેની અર્ધસળગેલી હાલતમાં લાશ મળી આવતાં રાહદારીઓ તથા ગ્રામજનોના મોટા ટોળેટોળાં ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.</p><h2 style="text-align: justify; "><b>બગોદરા પોલીસ, DYSP, LCB અને FSL સહિતનો કાફલો ઘટનાસ્થળે</b></h2><p style="text-align: justify; ">ઘટના અંગેની જાણ થતાં જ બગોદરા પીઆઈ (PI), ડીવાયએસપી (DYSP), એલસીબી (LCB) શાખા, એફએસએલ (FSL) ની ટીમ તેમજ ડોગ સ્ક્વોડ સહિતનો વિશાળ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ યુવકની નિર્મમ હત્યા કર્યા બાદ ઓળખ છુપાવવા તથા પુરાવાનો નાશ કરવાના હેતુથી મૃતદેહને સળગાવી દેવામાં આવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. FSL અને નિષ્ણાત ટીમોએ ઘટનાસ્થળેથી મહત્વના પુરાવાઓ એકત્રિત કર્યા છે.</p><h2 style="text-align: justify; "><b>ફોરેન્સિક PM માટે મૃતદેહ ખસેડાયો, પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી</b></h2><p style="text-align: justify; ">પોલીસ દ્વારા મૃતદેહનો કબજો મેળવીને તેને વિધિવત ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (FSL PM) અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો છે. આ ચકચારી ઘટના પાછળ કોનો હાથ છે અને યુવકની હત્યા પાછળનું સાચું કારણ શું છે, તે દિશામાં બગોદરા પોલીસ અને LCB દ્વારા અલગ-અલગ તપાસ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. 23 વર્ષીય આશાસ્પદ યુવકના રહસ્યમય મોતને પગલે મેમર ગામમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/surat/surat--tapi-river-protection-wall-completed-in-30-days-in-kamrej" target="_blank">Suratના કામરેજમાં તાપી નદી કિનારે સુરક્ષા દીવાલનું કામ પૂર્ણ, માત્ર 30 દિવસમાં પાળો તૈયાર, પરિવારોને પૂરના ભયથી મોટી રાહત!</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/sUQ0S2AXgjwu8Ps3kFm4HOuIwbybVI7cpINIIL1W.webp'/></item><item><title><![CDATA[Janmashtami 2026: બાંકે બિહારી મંદિરમાં દર બે મિનિટે કેમ ખેંચાય છે પડદો, જાણો શુ છે કારણ? ]]></title><link>https://sandesh.com/janmashtami/news/india/janmashtami-2026-why-is-the-curtain-drawn-every-two-minutes-in-banke-bihari-temple-know-what-is-the-reason</link><guid isPermaLink="true">https://sandesh.com/janmashtami/news/india/janmashtami-2026-why-is-the-curtain-drawn-every-two-minutes-in-banke-bihari-temple-know-what-is-the-reason</guid><pubDate>Fri, 04 Sep 2026 18:00:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ત્યારે બાંકે બિહારી મંદિર એક પરંપરાનું પાલન કરે છે જે તેને વિશ્વના અન્ય તમામ મંદિરોથી અલગ અને અનોખું બનાવે છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">'ઝાંકી દર્શન' અથવા પડદા પ્રણાલી&nbsp;</h2><p style="text-align: justify; ">અહીં, ભક્તોને ભગવાનના સતત દર્શન કરવાની મંજૂરી નથી. દર બે થી ત્રણ મિનિટે, મંદિરના સેવકો ભગવાનની સામે એક ભારે મખમલનો પડદો ખેંચે છે અને પછી થોડી ક્ષણો પછી તેને દૂર કરે છે. પહેલી વાર ભક્તો માટે આ થોડું વિચિત્ર હોઈ શકે છે. પરંતુ આ પ્રથા પાછળની માન્યતા એટલી અલૌકિક છે કે તે કોઈનામાં પણ કરોડરજ્જુમાં ધ્રુજારી લાવી શકે છે. ભક્તોનો પ્રેમ, મંદિરનું રહસ્ય અને તેની પરંપરાઓ આ મંદિરને વિશ્વમાં અન્ય મંદિરોથી અલગ બનાવે છે.&nbsp;</p><h3 style="text-align: justify; ">વારંવાર પડદો મુકવા પાછળ શું રહસ્ય ?</h3><p style="text-align: justify; ">ધાર્મિક માન્યતાઓ અને બ્રજ પરંપરાઓ અનુસાર, બાંકે બિહારીજીની આંખો અત્યંત માદક, દૈવી અને અપાર મનમોહક શક્તિથી ભરેલી છે. એવું કહેવાય છે કે જો કોઈ ઠાકુરજીની આંખોમાં નિષ્ઠા અને સંપૂર્ણ એકાગ્રતાથી જુએ છે. તો બિહારીજી તે ભક્તની ભક્તિથી એટલા મોહિત થઈ જાય છે કે તે પોતાનું દિવ્ય સિંહાસન છોડીને તેમનું પાલન કરે છે. આ પડદો પરંપરા પ્રેમના આ અલૌકિક બંધનને જાળવી રાખવા અને બિહારીજીને વૃંદાવન સુધી સીમિત રાખવા માટે સ્થાપિત કરવામાં આવી હતી.</p><h4 style="text-align: justify; ">શુ છે કહાની ?&nbsp;</h4><p style="text-align: justify; ">આ પરંપરા પાછળ ખૂબ જ ભાવનાત્મક અને પ્રાચીન વાર્તા છે. વર્ષો પહેલા, એક વૃદ્ધ ભક્ત બાંકે બિહારીજીના દર્શન કરવા મંદિરમાં આવ્યા હતા. તે ભગવાનની મનમોહક સુંદરતામાં એટલા લીન હતા કે તેઓ આંખ મીંચીને તેમની તરફ જોતા હતા. ભક્તનો પ્રેમ એટલો શુદ્ધ અને ઊંડો હતો કે, ઠાકુરજી પણ તેનો પ્રતિકાર કરી શક્યા નહીં. પોતાના ભક્તના પ્રેમથી અભિભૂત થઈને, બિહારીજી મંદિરના ઉંબરાને ઓળંગીને, તેમની આંગળી પકડીને તેમની સાથે તેમના ગામ તરફ ચાલ્યા.</p><h5 style="text-align: justify; ">ભગવાન માટે જીવ કરતા વધુ પ્રેમ&nbsp;</h5><p style="text-align: justify; ">જ્યારે મંદિરના સેવકોએ જોયું કે બિહારીજીની મૂર્તિ ગર્ભગૃહમાંથી ગાયબ છે, ત્યારે હોબાળો મચી ગયો. તેઓ તરત જ ભક્તને શોધવા દોડ્યા. ઘણું દૂર ચાલ્યા પછી, તેઓએ વૃદ્ધ ભક્તને જોયો, અને તેમની પાછળ બાંકે બિહારીજી પોતે પણ હસતા હતા. સેવકોએ ભગવાનને ખૂબ પ્રાર્થના કરી, તેમના આંસુઓ અર્પણ કર્યા અને તેમને મંદિરમાં પાછા ફરવા વિનંતી કરી. ભક્તના પ્રેમ અને સેવકોની પ્રાર્થના પછી, બિહારીજી મંદિરમાં પાછા ફરવા સંમત થયા હતા.&nbsp;</p><h6 style="text-align: justify; ">પ્રેમ, યુદ્ધ અને ગૌરવનું પ્રતિક</h6><p style="text-align: justify; ">આ ઐતિહાસિક ઘટના પછી જ મંદિરના પ્રબુદ્ધ લોકો અને સેવકોએ એ વાત સ્વીકારી કે હવેથી, દેવતાના દર્શન ફક્ત થોડી ક્ષણો માટે 'ઝાંકી'ના રૂપમાં ઉપલબ્ધ રહેશે. આ પડદો ફક્ત કાપડનો ટુકડો નથી, પરંતુ ભક્ત અને દેવતા વચ્ચે વહેતા પ્રેમના વિશાળ સમુદ્ર પર લાદવામાં આવેલી મર્યાદા છે. આ 'ઝાંકી' દર્શન એ વાતનો પુરાવો છે કે સનાતન પરંપરામાં, ભગવાન ફક્ત એક મૂર્તિ નથી, પરંતુ એક જીવંત, પ્રેમાળ અવતાર છે, જે પોતાના ભક્તની સાચી ભક્તિ માટે બધું જ બલિદાન આપવા તૈયાર છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/political-news/rss-chief-mohan-bhagwat-welcomed-in-london-british-mp-bob-blackman-praised-him-know-what-he-said" target="_blank">RSS પ્રમુખ Mohan Bhagwatનું લંડનમાં સ્વાગત, બ્રિટિશ સાંસદ Bob Blackmanએ કર્યા વખાણ, જાણો શું કહ્યુ?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/G6Tbfgd1SkV1odkIXbyGs78DhLkYlHeZieGFMNlf.webp'/></item><item><title><![CDATA[Suratના કામરેજમાં તાપી નદી કિનારે સુરક્ષા દીવાલનું કામ પૂર્ણ, માત્ર 30 દિવસમાં પાળો તૈયાર, પરિવારોને પૂરના ભયથી મોટી રાહત! ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat--tapi-river-protection-wall-completed-in-30-days-in-kamrej</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat--tapi-river-protection-wall-completed-in-30-days-in-kamrej</guid><pubDate>Fri, 04 Sep 2026 17:51:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત જિલ્લાના કામરેજ ખાતે તાપી નદીના કિનારે ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે થયેલા ગંભીર ધોવાણ સામે સુરક્ષા દીવાલ (સુરક્ષા પાળા) નું નિર્માણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. ચોમાસામાં નદીના ધસમસતા વહેણને કારણે કાંઠા વિસ્તારમાં મોટું ધોવાણ થતાં નજીકમાં આવેલા ઘરો અને પરિવારો માટે ભારે જોખમ ઊભું થયું હતું. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા માત્ર 30 દિવસના ટૂંકા ગાળામાં યુદ્ધના ધોરણે આ રક્ષણાત્મક પાળાનું નિર્માણ પૂરું કરવામાં આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>મંત્રી પ્રફુલ પાનશેરિયાએ કર્યું નિરીક્ષણ</b></h2><p style="text-align: justify; ">નદીકાંઠે સર્જાયેલા ધોવાણની સમસ્યા અંગે આરોગ્ય રાજ્યમંત્રી અને કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનશેરિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ અંગત રસ દાખવીને રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીની મંજૂરી મળતાં જ સિંચાઈ વિભાગે તાત્કાલિક એક્શન મોડમાં આવીને મશીનરી અને માનવબળ સાથે કામગીરી શરૂ કરી દીધી હતી. કામગીરી પૂર્ણ થયા બાદ આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ પોતે ઘટનાસ્થળે પહોંચીને કામગીરીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને કામની ગુણવત્તા ચકાસી હતી.</p><h2 style="text-align: justify; "><b>પૂર અને ધોવાણના જોખમ સામે નદીકાંઠાના પરિવારોને મળી મોટી રાહત</b></h2><p style="text-align: justify; ">માત્ર એક જ મહિના જેવા રેકોર્ડ સમયગાળામાં સુરક્ષા દીવાલ તૈયાર થઈ જતાં તાપી નદીકાંઠે વસવાટ કરતા અસંખ્ય પરિવારોને પૂર અને નદીના ધોવાણના કાયમી જોખમ સામે મોટી રાહત મળી છે. પોતાના ઘરની તદ્દન નજીક થયેલા ધોવાણને કારણે ભયના ઓથાર હેઠળ જીવી રહેલા સ્થાનિક નાગરિકોમાં હવે સુરક્ષાની ભાવના પ્રબળ બની છે. સ્થાનિકોએ રાજ્ય સરકાર, ધારાસભ્ય તેમજ સિંચાઈ વિભાગની આ ત્વરિત અને ઝડપી કામગીરીને બિરદાવીને આભાર વ્યક્ત કર્યો છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/rajkot/sensation-as-body-of-young-man-found-in-a-parked-rickshaw-in-rajkot-body-of-a-man-named-bhavesh-found-near-ambedkarnagar-chowk" target="_blank">Rajkotમાં બંધ રિક્ષામાંથી યુવકની લાશ મળતાં સનસનાટી, આંબેડકરનગર ચોક પાસે ભાવેશ નામના શખ્સનો મૃતદેહ મળ્યો!</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/VZQAI76DZRAFlSMM551Zv4NH1R5l7R2QnU7ohFpg.webp'/></item><item><title><![CDATA[Vadodaraના ખોડિયાર નગરમાં પાલિકાની ક્રેનની ટક્કરે બાઈક સવાર મહિલાનું કરૂણ મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-khodiyar-nagar-crane-bike-accident-woman-death</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-khodiyar-nagar-crane-bike-accident-woman-death</guid><pubDate>Fri, 04 Sep 2026 17:51:02 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા શહેરના ખોડિયાર નગર વિસ્તારમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલી એક ક્રેનના ચાલકે બાઈક સવારને જોરદાર અડફેટે લેતાં મોટો અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનાને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>બાઈક પાછળ બેસેલી મહિલાનું કમકાતીભર્યું મોત</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, ક્રેને બાઈકને અડફેટે લેતાં બાઈક પર પાછળ બેસેલી મહિલા જમીન પર પટકાઈ હતી અને ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે તેમનું સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું હતું. બનાવને પગલે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને તાત્કાલિક સ્થાનિક પોલીસને બનાવ અંગે જાણ કરવામાં આવી હતી.</p><h3 style="text-align: justify; "><b>પાલિકાના કોન્ટ્રાક્ટ પર ચાલતી હતી ક્રેન</b></h3><p style="text-align: justify; ">પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે અકસ્માત સર્જનાર ક્રેન વડોદરા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટ હેઠળ ચાલી રહી હતી. દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને કબ્જે કરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને ક્રેન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/WraEzrnziXgMGa1tFz8HDWoSHocZ6zgRGbc3zV5a.webp'/></item><item><title><![CDATA[Formula 1 રેસિંગ માટે દેશમાં તૈયાર થશે વધુ એક ટ્રેક, તમિલનાડુના CM વિજયે કરી મોટી જાહેરાત ]]></title><link>https://sandesh.com/india/news/tamil-nadu-motorsport-city-chennai-f1-track-announced-cm-joseph-vijay</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/tamil-nadu-motorsport-city-chennai-f1-track-announced-cm-joseph-vijay</guid><pubDate>Fri, 04 Sep 2026 17:35:41 +05:30</pubDate><description><![CDATA[<p>Formula 1: ફોર્મ્યુલા 1 રેસિંગનો ફક્ત ઉલ્લેખ થતાં જ રેસટ્રેક પર ઝડપથી દોડતી કારની તસવીરો સામે આવવા લાગે છે. હવે, દેશ F1 રેસિંગને સમર્પિત બીજો રેસટ્રેક મેળવવા માટે તૈયાર છે. તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે રાજ્ય વિધાનસભામાં એક મોટી જાહેરાત કરી, જેમાં ચેન્નાઈમાં 'મોટરસ્પોર્ટ્સ સિટી' બનાવવાની યોજના જાહેર કરવામાં આવી. આ પ્રોજેક્ટમાં ફોર્મ્યુલા 1 (F1), F2, F3, F4 અને અન્ય આંતરરાષ્ટ્રીય રેસિંગ સ્પર્ધાઓનું આયોજન કરવા સક્ષમ એક નવું આંતરરાષ્ટ્રીય-માનક રેસટ્રેક બનાવવાનો સમાવેશ થાય છે. વધુમાં, ચેન્નાઈમાં 'ઓલિમ્પિક સિટી' સ્થાપિત કરવાની યોજના છે.&nbsp;</p><p><br></p><p>સીએમ વિજયે જણાવ્યું હતું કે ચેન્નાઈમાં મોટરસ્પોર્ટ્સ સિટીની સ્થાપનાથી પર્યટન, વિશિષ્ટ વાહન ઉત્પાદન ઉદ્યોગ, રોજગાર અને આર્થિક વિકાસ માટે નવી તકો ઊભી થશે. વિધાનસભામાં પોતાના સંબોધન દરમિયાન મુખ્યમંત્રીએ પ્રોજેક્ટના મુખ્ય હાઇલાઇટ્સનો ઉલ્લેખ કર્યો:</p><p>આંતરરાષ્ટ્રીય સ્તરનો રેસટ્રેક - F1, F2, F3 અને F4 જેવી વિશ્વ-સ્તરીય રેસનું આયોજન કરવા માટે અત્યાધુનિક માળખાગત સુવિધા.</p><p>રેસિંગ ટેલેન્ટનો વિકાસ - ભારતીય યુવાનોમાં મોટરસ્પોર્ટ્સ પ્રતિભાને ઓળખવામાં આવશે અને તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચેમ્પિયન બનવા માટે તાલીમ અને રેસિંગની તકો પૂરી પાડવામાં આવશે.</p><p>અર્થતંત્ર અને રોજગારને વેગ આપવો - વિશ્વ કક્ષાના કાર રેસિંગ એરેનાનું નિર્માણ પ્રવાસન, વિશિષ્ટ વાહન ઉત્પાદન ઉદ્યોગ, રોજગાર અને સ્થાનિક અર્થતંત્રને નોંધપાત્ર પ્રોત્સાહન આપશે.</p><p><br></p><h3><b>મોટરસ્પોર્ટ્સમાં તમિલનાડુનું પ્રભુત્વ</b></h3><p>તામિલનાડુ પહેલાથી જ ભારતમાં મોટરસ્પોર્ટ્સ અને ઓટોમોબાઈલ ઉત્પાદન માટેનું કેન્દ્ર માનવામાં આવે છે.</p><p>રાજ્ય મદ્રાસ ઇન્ટરનેશનલ સર્કિટ (MIC) અને કારી મોટર સ્પીડવે જેવા પ્રખ્યાત રેસટ્રેકનું ઘર છે, જે મોટાભાગની રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ રેસનું આયોજન કરે છે.</p><p>તેમાં મદ્રાસ ઇન્ટરનેશનલ કાર્ટિંગ એરેના (MIKA) પણ છે, જે વૈશ્વિક CIK ધોરણોને પૂર્ણ કરતો દેશનો પ્રથમ કાર્ટિંગ ટ્રેક છે. તમિલનાડુ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર્સના ઉત્પાદનમાં દેશનું અગ્રણી રાજ્ય છે.</p><p><br></p><h4><b>F1 રેસિંગના પુનરાગમન માટેની તૈયારીઓ</b></h4><p>F1 રેસિંગને ભારતમાં પાછું લાવવા માટે કેન્દ્ર સરકાર અને રમતગમત મંત્રાલય દ્વારા પ્રયાસો ચાલી રહ્યા છે. F1 ઇન્ડિયન ગ્રાન્ડ પ્રિકસ 2011 અને 2013 ની વચ્ચે ગ્રેટર નોઇડામાં બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટ (BIC) ખાતે યોજાઈ હતી. જોકે, ત્યારબાદ આ રેસ બંધ કરવામાં આવી હતી કારણ કે તત્કાલીન ઉત્તર પ્રદેશ સરકારે F1 ને રમતને બદલે મનોરંજન તરીકે વર્ગીકૃત કર્યું હતું.</p><p><br></p><h5><b>સરકારની નવી પહેલ</b></h5><p>રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ સંકેત આપ્યો છે કે સરકાર આંતરરાષ્ટ્રીય રેસિંગ આયોજકોને કર મુક્તિ અથવા રિફંડ આપવા માટે નિયમોમાં સુધારો કરવાનું વિચારી રહી છે. F1 ના CEO સ્ટેફાનો ડોમેનિકલીએ જણાવ્યું છે કે F1 ને ભારતમાં પાછું લાવવામાં નોંધપાત્ર રસ છે; જોકે, યોગ્ય પ્રમોટર્સ, સહયોગ અને યોગ્ય સમય સુરક્ષિત કરવામાં થોડા વર્ષો લાગી શકે છે.<br><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/p-chidambaram-raghav-chadha-voter-list-shifted-punjab-sir-draft-row" target="_blank">SIR: "મિત્ર, તું એકલો નથી...", ડ્રાફ્ટ મતદાર યાદીમાં નથી રાઘવ ચઢ્ઢાનું નામ, ચિદમ્બરમે કર્યો કટાક્ષ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/y1Uz1TEy7qZPluzB3CgvvkLJnWg4TqNwnAYYkjFl.webp'/></item><item><title><![CDATA[Mirzapur The Movie: 'સબસે બડે અલ્ફા આપ હો...' મિર્ઝાપુર ફિલ્મના ભૌકાલ ડાયલોગ્સ સાંભળીને ફેન્સ થયા ક્રેઝી! ]]></title><link>https://sandesh.com/entertainment/news/mirzapur-the-movie-10-famous-dialogues</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/mirzapur-the-movie-10-famous-dialogues</guid><pubDate>Fri, 04 Sep 2026 17:31:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">OTT પર રાજ કર્યા પછી હવે કાલીન ભૈયા અને ગુડ્ડુ પંડિતનો ડર સિનેમાઘરોમાં ગૂંજી રહ્યો છે. મિર્ઝાપુર: ધ મુવી થિયેટરોમાં આવી ગઈ છે. આ વખતે સ્ટોરી માત્ર ગાદીની નથી, પણ મોટા પડદા પર વટ પાડવાની પણ છે. મુન્ના ભૈયાની વાપસી અને નવા પાત્રો સાથે ટક્કર વધુ ખતરનાક બની ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>મુન્ના ભૈયાની ધમાકેદાર વાપસી</b></h2><p style="text-align: justify; "> </p><p style="text-align: justify; ">ખાસ વાત એ છે કે OTT સિરીઝમાં મૃત્યુ પામેલા મુન્ના ભૈયા દિવ્યેન્દુ શર્માની સિનેમાઘરવાળા આ અલગ યુનિવર્સમાં વાપસી દર્શકો માટે મોટું સરપ્રાઈઝ છે. ત્યાં જ, કાલીન ભૈયા પંકજ ત્રિપાઠી અને ગુડ્ડુ પંડિત અલી ફઝલનો સામસામે મુકાબલો વિઝ્યુઅલ્સ અને હેવી બેકગ્રાઉન્ડ સ્કોર સાથે વધુ ધમાકેદાર લાગે છે. સાથે જ રવિ કિશન અને જિતેન્દ્ર કુમાર જેવા નવા કલાકારોની એન્ટ્રીથી પૂર્વાંચલની આ ગેંગવોરમાં નવો વળાંક આવ્યો છે.</p><p style="text-align: justify; "><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DciXv59guxN/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DciXv59guxN/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DciXv59guxN/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DciXv59guxN/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><p style="text-align: justify; ">મિર્ઝાપુરનો અસલી જીવ હંમેશા તેના એવા ડાયલોગ્સ રહ્યા છે, જે સૌ કોઈની જીભ પર ચડી જાય છે. મોટા પડદા પર જ્યારે કાલીન ભૈયા અને ગુડ્ડુ પંડિત પોતાના કડક અવાજમાં ડાયલોગ્સ બોલે છે, ત્યારે આખું થિયેટર સીટીઓ અને તાળીઓથી ગૂંજી ઊઠે છે. આ વખતે પણ તીખો પૂર્વાંચલનો અંદાજ, એ જ બિન્દાસ ડાયલોગ્સ અને મુન્ના ભૈયાની વન-લાઈનર્સથી દબદબો બમણો થઈ ગયો છે.</p><p style="text-align: justify; "><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DZ9kMEDAttg/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DZ9kMEDAttg/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DZ9kMEDAttg/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DZ9kMEDAttg/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h2 style="text-align: justify; "><b>મિર્ઝાપુર: ધ મુવીના 10 ડાયલોગ્સ</b></h2><ol><li style="text-align: justify;">રાજા કા સામ્રાજ્ય સૈનિક લોગ ચલાતે હૈં ઔર મારે ભી વહી જાતે હૈં: બબલૂ પંડિત જિતેન્દ્ર કુમાર</li><li style="text-align: justify;">યે ઈમાનદારી ના પાપા અજગર હૈ લપેટે આપ હૈ લેકિન દમ સબકા ઘુટતા હૈ.</li><li style="text-align: justify;">મિર્ઝાપુર કા બોર્ડર હમેં રોક થોડી ના પાએગા? જબ મન કરેગા આએંગે જબ મન કરેગા જાએંગે.</li><li style="text-align: justify;">ક્યા જિંદગી ભર હમ સિર્ફ માગતે રહેંગે પાપા? થક ગયે થે માગતે માગતે ઈસલિએ શાયદ છીનને કા મન કિયા?</li><li style="text-align: justify;">મિર્ઝાપુર કે સબસે બડે અલ્ફા આપ હો…</li><li style="text-align: justify;">પૂર્વાંચલ મેં એક હી દરવાજા હૈ યાદવ જી વો હૈ હમારા, અગર હમારા નહીં ખુલા તો ઔર કોઈ ભી દરવાજા નહીં ખુલેગા.</li><li style="text-align: justify;">અખંડાનંદ ત્રિપાઠી અબ બચેંગે નહીં ઔર હમ બનેંગે મિર્ઝાપુર કે કિંગ.</li><li style="text-align: justify;">હમેં એમ્પાયર ચલાના હૈ ગુડ્ડુ ભૈયા બઢાના નહીં હૈ.</li><li style="text-align: justify;">સર પર મારો યા છાતી પર, ગોલી ચલાતે હુએ ચેરિટી નહીં કરની હોતી હૈ.</li><li style="text-align: justify;">ગોલિયાં ચલતી હૈં તો લોગ મરતે હૈં, ઉસે જીવન ભર યાદ નહીં કરતે</li></ol><p style="text-align: justify;"><a href="https://sandesh.com/entertainment/news/ranbir-kapoor-rishi-kapoor-relationship-4-reasons" target="_blank">આ પણ વાંચો-Ranbir Kapoorને પિતા સાથે કેમ નહોતું બનતું? આ હતા 4 મોટા કારણો, ઋષિ કપૂરે માગી હતી માફી!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/5f4Zb4uCyUgYy4VdgAk5opvzF021Cisu8IMEWk1S.webp'/></item><item><title><![CDATA[Junagadhના ઉપરકોટ કિલ્લામાં દહેશત ફેલાવનાર દીપડો આખરે પાંજરે પુરાયો, પ્રવાસીઓ માટે કિલ્લો ખુલ્લો મુકાયો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/junagadh-uparkot-fort-leopard-captured-tourists-allowed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/junagadh-uparkot-fort-leopard-captured-tourists-allowed</guid><pubDate>Fri, 04 Sep 2026 17:03:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જૂનાગઢના ઐતિહાસિક અને પ્રખ્યાત ઉપરકોટ કિલ્લા પરિસરમાં છેલ્લા કેટલાક સમયથી ભયનો માહોલ સર્જનાર હિંસક દીપડો આખરે વહેલી સવારે પાંજરે પુરાઈ ગયો છે. દીપડાની હાજરીના કારણે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વનવિભાગ અને તંત્ર દ્વારા તાત્કાલિક પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. વહેલી સવારે દીપડો સફળતાપૂર્વક કેદ થઈ જતાં વનવિભાગ અને સ્થાનિક તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.</p><h2 style="text-align: justify; "><b>દહેશત દૂર થતાં જ સહેલાણીઓની ભીડ!&nbsp;</b></h2><p style="text-align: justify; ">દીપડો પાંજરે પુરાયા બાદ તંત્ર દ્વારા સિક્યોરિટી એલર્ટ દૂર કરવામાં આવ્યું હતું અને કિલ્લાને પ્રવાસીઓ માટે તાત્કાલિક ધોરણે ફરી ખોલી દેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ કિલ્લાના મુખ્ય દરવાજે સવારથી જ સહેલાણીઓની ભારે ભીડ જામી હતી. પ્રવાસીઓ માટે ભયમુક્ત અને સુરક્ષિત વાતાવરણ ઊભું થતાં લોકોએ રાહત અનુભવી હતી અને કિલ્લો જોવા માટે લાંબી લાઈનો જોવા મળી હતી.</p><h3 style="text-align: justify; "><b>રજાના દિવસે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પ્રવાસીઓને પ્રવેશ</b></h3><p style="text-align: justify; ">રજાનો દિવસ હોવાથી ઉપરકોટ કિલ્લા પર પ્રવાસીઓનો ભારે જમાવડો જોવા મળ્યો હતો, જેને પગલે તંત્ર દ્વારા સુરક્ષાના કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા હતા. વનવિભાગ અને પોલીસ ટીમે સમગ્ર પરિસરમાં સાવચેતીના ભાગરૂપે પેટ્રોલિંગ પણ જાળવી રાખ્યું હતું. ભયમુક્ત વાતાવરણ સર્જાતાં પ્રવાસીઓ પણ કોઈપણ ડર વગર ઐતિહાસિક કિલ્લાની મુલાકાતનો આનંદ માણતા નજરે પડ્યા હતા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/GyoVji9Iq2vrkkq1SdstLnRsi7XKR3TyP1DMjJ2q.webp'/></item><item><title><![CDATA[America માં ડીઝલના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, જોરદાર નફો કમાવી રહી છે કંપનીઓ ]]></title><link>https://sandesh.com/world/news/business/us-diesel-prices-record-high-war-inflation</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/business/us-diesel-prices-record-high-war-inflation</guid><pubDate>Fri, 04 Sep 2026 15:43:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમેરિકામાં હાલમાં ડીઝલના ભાવ અત્યંત ઊંચા સ્તરે પહોંચી ગયા છે, જ્યારે બીજી તરફ ઇંધણનો સ્ટોક અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે નોંધાયો છે, જેના કારણે બજારમાં કંપનીઓ મોટો નફો કમાઈ રહી છે. ઈરાન અને યુક્રેનમાં ચાલી રહેલા સૈન્ય સંઘર્ષો અને યુદ્ધોને કારણે વૈશ્વિક સ્તરે સપ્લાય ચેઈનમાં મોટો વિક્ષેપ સર્જાયો છે, જેના પરિણામે ડીઝલના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. આ પરિસ્થિતિને કારણે અમેરિકામાં ઇંધણના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે અને ઓગસ્ટ મહિનામાં ડીઝલનો સ્ટોક તળિયે જતો રહ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>યુદ્ધ અને સપ્લાયમાં વિક્ષેપને કારણે ઇંધણની અછત</b></h2><p style="text-align: justify; ">મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ, ઇંધણ કિંમત ટ્રેકિંગ સેવા ગેસબડીના આંકડાઓ દર્શાવે છે કે યુએસમાં ડીઝલનો રાષ્ટ્રીય સરેરાશ ભાવ વધીને પ્રતિ ગેલન ૫.૮૨૦ ડૉલર પર પહોંચી ગયો છે. અગાઉ આટલો ઊંચો રેકોર્ડ ૧૭ જૂન, ૨૦૨૨ ના રોજ નોંધાયો હતો, જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધની શરૂઆતમાં ભાવ ૫.૮૧૯ ડૉલર પ્રતિ ગેલન સુધી ગયા હતા. ઉલ્લેખનીય છે કે એક ગેલન એટલે કે આશરે ૩.૭૮૫ લિટર થાય છે, જે ગણતરી મુજબ હાલમાં એક લિટર ડીઝલની કિંમત લગભગ ૧.૫૩ ડૉલર જેટલી થાય છે.</p><h3 style="text-align: justify; "><b>વર્તમાન વર્ષ ડીઝલ માટે બની શકે છે સૌથી મોંઘું</b></h3><p style="text-align: justify; ">છેલ્લા કેટલાક સમયથી ડીઝલના સરેરાશ ભાવ પ્રતિ ગેલન પાંચ ડૉલરથી ઉપર જ રહેલા છે. બજારના નિષ્ણાતો અને ઉદ્યોગ નિરીક્ષકો એવી આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે વર્તમાન વર્ષ અમેરિકાના ઇતિહાસમાં ડીઝલ માટે સૌથી મોંઘું સાબિત થઈ શકે છે. આગામી સમયમાં મોસમી માંગને કારણે ભાવમાં વધુ વધારો થવાની પૂરી શક્યતા છે, કારણ કે લણણી અને વાવણીની તૈયારીઓ ટાણે ડીઝલનો વપરાશ અને માંગ વધુ વધતી હોય છે. આ ઉપરાંત, શિયાળાની ઋતુ નજીક આવતા હીટિંગ ઓઈલની માંગ પણ વધશે.</p><h4 style="text-align: justify; "><b>મોસમી માંગ અને મોંઘવારીની અર્થતંત્ર પર અસર</b></h4><p style="text-align: justify; ">ડીઝલના આ વધતા ભાવ માત્ર પરિવહન જ નહીં, પરંતુ સમગ્ર ઉત્પાદન અને કૃષિ ખર્ચમાં મોટો વધારો કરશે, જેની સીધી અસર આખરે ખાદ્ય પદાર્થો અને રોજિંદી ચીજવસ્તુઓની કિંમતો પર પડવાની સંભાવના છે. ઈરાન સાથેના સંઘર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં ડીઝલના ભાવમાં આશરે ૫૫ ટકાનો જંગી વધારો થઈ ચૂક્યો છે, જે વૈશ્વિક સ્તરે ઊંડું ચિંતાજનક છે. નિષ્ણાતોના મતે ગલ્ફ ક્ષેત્રમાંથી થતી ઇંધણની આપલે પ્રભાવિત થવાથી અમેરિકામાં ડીઝલ રિફાઇનિંગ માર્જિન પણ રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે.<br><br><b><a href="https://sandesh.com/lifestyle/news/skin-tips-diy-cucumber-face-mist-glowing-skin" target="_blank">આ પણ વાંચોઃ&nbsp; Skin Tips: ચહેરાની ખોવાયેલી ચમક પાછી મળશે માત્ર કાકડીથી, જાણો કેવી રીતે ઘરે બનશે ફેસ મિસ્ટ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/04/wWrNOxJkqOs056SoPvOF2HUl1B1Bxvalzq831Bur.webp'/></item><item><title><![CDATA[Asian Games 2026: નીરજ ચોપરાના રિપ્લેસમેન્ટની જાહેરાત, આ સ્ટારને મળ્યું સ્થાન ]]></title><link>https://sandesh.com/sports/news/neeraj-chopra-out-yashvir-singh-asian-games</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/neeraj-chopra-out-yashvir-singh-asian-games</guid><pubDate>Thu, 03 Sep 2026 18:11:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">એશિયન ગેમ્સ 19 સપ્ટેમ્બરથી જાપાનમાં શરૂ થવાની છે. ભારતીય ટીમને તાજેતરમાં મોટો ઝટકો લાગ્યો છે. ઈજાને કારણે બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા અને સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરા 2026 સીઝનની બાકીની બધી સ્પર્ધાઓમાંથી બહાર થઈ ગયો છે. તેને સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરી. ફેન્સને આશા હતી કે તે ગોલ્ડ જીતશે.&nbsp;</p><p style="text-align: justify;">પરંતુ એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ ત્યારબાદ એક નિવેદનમાં જાહેરાત કરી હતી કે તેઓ ટૂંક સમયમાં નીરજના રિપ્લેસમેન્ટની જાહેરાત કરશે. હવે તે ખેલાડીનું નામ જાહેર કરવામાં આવ્યું છે.</p><h2 style="text-align: justify;"><b>નીરજ ચોપરાનું સ્થાન કોણ લેશે?</b></h2><p style="text-align: justify;">ઈજા છતાં નીરજ ચોપરાએ તાજેતરની કેટલીક સ્પર્ધાઓમાં સારું પ્રદર્શન કર્યું. તેને કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો. નીરજના સાથી અને પ્રખ્યાત ભાલા ફેંકનાર યશવીર સિંહે કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. હવે તેને તેનું ઈનામ મળી ગયું છે. યશવીર એશિયન ગેમ્સમાં નીરજનું સ્થાન લેશે. યશવીરને એક મોટી તક મળી છે. તે એશિયન ગેમ્સમાં અજાયબીઓ કરી શકે છે.</p><p style="text-align: justify;">એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બહાદુર સિંહ સાગુએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "અમે એશિયન ગેમ્સ માટે નીરજ ચોપરાની જગ્યાએ યશવીર સિંહને સામેલ કર્યો છે. તેને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યો હતો. નીરજ હાલમાં ઘાયલ છે. તેની ઈજાને કારણે આ ફેરફાર કરવામાં આવ્યો છે. યશવીરના આવવામાં કોઈ સમસ્યા નહોતી."</p><h3 style="text-align: justify;"><b>યશવીર સિંહની સિઝન શાનદાર રહી&nbsp;</b></h3><p style="text-align: justify;">યશવીર સિંહે કોમનવેલ્થ ગેમ્સ  2026માં બ્રોન્ઝ મેડલ જીતીને બધાનું દિલ જીતી લીધું હતું. આ પછી તેની ખૂબ ચર્ચા થઈ હતી. તેને ત્યાં પણ પોતાનું બેસ્ટ પ્રદર્શન કર્યું. યશવીરે 85.41 મીટરનો થ્રો ફેંક્યો. કાશીનાથ નાયક (2010) અને નીરજ (2018, 2026) પછી તે કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનાર ત્રીજો ભારતીય છે.</p><p style="text-align: justify;">2026નું વર્ષ તેમના માટે શાનદાર રહ્યું છે. તેને 8 ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો, જેમાંથી 6માં 80 મીટરથી વધુ થ્રો ફેંક્યા હતા. હવે, બધાની નજર યશવીર પર રહેશે. નીરજના સ્થાને સામેલ થવાથી તેના પર પણ દબાણ આવશે. તે 2026 કોમનવેલ્થ ગેમ્સમાં પોતાના પ્રદર્શનનું કમબેક કરવા અને ભારત માટે મેડલ લાવવા માગશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/bcci-meeting-rohit-sharma-odi-future" target="_blank">Rohit Sharmaના ક્રિકેટ કરિયર અને 2027ના ODI વર્લ્ડકપને લઈને ચર્ચા, BCCI મોટો નિર્ણય લેવા માટે તૈયાર</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/pnZfVXFfDbiVeUTCGLZBXQLYtouFoYzTiWb82QVE.webp'/></item></channel></rss>