<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Monsoon 2026 : 10 વાગ્યા સુધી અમદાવાદ, ખેડા અને મહિસાગરમાં ભારે વરસાદની આગાહી, મધ્ય ગુજરાતના જિલ્લામાં યલો એલર્ટ ]]></title><link>https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-gujarat-nowcast-weather-orange-yellow-alert-heavy-rain</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-gujarat-nowcast-weather-orange-yellow-alert-heavy-rain</guid><pubDate>Tue, 11 Aug 2026 08:10:28 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં ચોમાસાની વિધિવત બેટિંગ વચ્ચે હવામાન વિભાગે રાજ્યના નાગરિકો માટે અત્યંત મહત્વપૂર્ણ અને તાકીદની ચેતવણી જારી કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા સવારે 10:00 વાગ્યા સુધી માટે જાહેર કરાયેલા લેટેસ્ટ 'નાઉકાસ્ટ' બુલેટિન મુજબ, રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઇ શકે  છે. ખરાબ હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જુદા-જુદા જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>અમદાવાદ, ખેડા અને મહિસાગરમાં ભારે વરસાદની ચેતવણી&nbsp;</b></h2><p style="text-align: justify; ">હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, મધ્ય ગુજરાતના મુખ્ય જિલ્લાઓ જેવા કે અમદાવાદ, ખેડા અને મહિસાગર સહિતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાને જોતા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઓરેન્જ એલર્ટવાળા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ, આકાશી વીજળી પડવી તેમજ તોફાની પવન ફૂંકાવાની પૂરી સંભાવના છે. આથી નાગરિકોને આ સમયગાળા દરમિયાન અત્યંત સાવચેત રહેવા જણાવાયું છે.</p><h3 style="text-align: justify; "><b>મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર , દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં યેલો એલર્ટ</b></h3><p style="text-align: justify; ">આ ઉપરાંત, રાજ્યના મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર , દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.</p><h4 style="text-align: justify; "><b>કચ્છ સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં અન્ય વિસ્તારોમાં હાલ કોઈ મોટી ચેતવણી નથી</b></h4><p style="text-align: justify; ">બીજી બાજુ, કચ્છ સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં અન્ય વિસ્તારોમાં હાલ કોઈ મોટી ચેતવણી નથી અને સામાન્ય વરસાદી માહોલ રહી શકે છે. હવામાન વિભાગે નાગરિકોને ખાસ અપીલ કરી છે કે તેઓ વાવાઝોડા કે ગાજવીજ વખતે ખુલ્લા મેદાનોમાં ન જાય, વૃક્ષો કે વીજળીના થાંભલાઓથી દૂર રહે અને અત્યંત આવશ્યક હોય તો જ ઘરની બહાર નીકળે.&nbsp; &nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp;&nbsp;<a href="https://sandesh.com/gujarat/news/crime/surat/surat-medical-student-suicide-harsh-pandya-ragging-report" target="_blank"><b> Surat : 'તમે અમારા સ્લેવ છો...' આ શબ્દોએ એક યુવાન ડોક્ટરનું જીવન છીનવી લીધું, હર્ષની કહાની તમને હચમચાવી દેશે</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/TLV3S0hz5nKgCeiwHjluVZvxadswQL1UxYS8Db89.webp'/></item><item><title><![CDATA[Vadodara: પીલોલ-આસોજ રેલવે અંડરપાસમાં મગરનું રેસ્ક્યૂ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-crocodile-rescued-from-pilol-asoj-railway-underpass</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-crocodile-rescued-from-pilol-asoj-railway-underpass</guid><pubDate>Tue, 11 Aug 2026 06:31:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સાવલી તાલુકાના મંજુસર પોલીસ મથકની હદમાં પીલોલથી આસોજ રેલવે અંડરપાસ પાસે મગર દેખાતા રાહદારીઓ માં ફ્ફ્ડાટ વ્યાપ્યો હતો.</p><p style="text-align: justify; ">સાવલી તાલુકાના પિલોલ આસોજ ગામને જોડતો રેલવે લાઇન નીચે અંડરપાસ બનાવેલ છે. તે રોડ પર રાત્રે મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.મગરનેરોડની વચ્ચે આંટાફેરા મારતો જોઈને વાહનચાલકોમાં ફ્ફ્ડાટ ફેલાયો હતો. સ્થાનિકો દ્વારા વનવિભાગને જાણ કરાઇ હતી. વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.</p><p style="text-align: justify; ">તેમની સાથે નેચર ફાઉન્ડેશનની ટીમ પણ રેસ્ક્યુ કામગીરીમાં જોડાઈ હતી. વનવિભાગ અને નેચર ફાઉન્ડેશન દ્વારા મગરનું સંયુક્ત રેસ્ક્યુ કરાયું હતું. મગરને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાઇ હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/UawcTKtVlVGSlEcPfSBNmYrziXoIQxg6pfsA57Ix.webp'/></item><item><title><![CDATA[Vadodara: શિનોરમાં દશામા આગમનની શોભાયાત્રાથી ભકિતનો માહોલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-devotion-reigns-in-shinor-with-dashama-procession</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-devotion-reigns-in-shinor-with-dashama-procession</guid><pubDate>Tue, 11 Aug 2026 06:30:25 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">શિનોર : શિનોર ખાતે દશામાના માઈ ભક્તો દ્વારા દશામાંની પ્રતિમાની આગમન શોભાયાત્રા નીકળતા ભક્તિમય માહોલ છવાયો હતો. શોભાયાત્રા ડીજેનાં તાલે આતશબાજી સાથે ભક્તિમય માહોલમા નીકળતા મોટી સંખ્યામાં માઇભક્તો ઊમટી પડયાં હતા. શિનોર ખત્રીવાડ યુવા ગ્રૂપ દ્વારા દર વર્ષે દશામાનું વ્રત ભારે શ્રાદ્ધાપૂર્વક કરે છે. 10 દિવસ સુધી પૂજા અર્ચના ગરબા અને ભજન જેવા કાર્યક્રમ રખાય છે. તા.9 રવિવારનાં દિવસે સાંજે ખત્રીવાડ યુવા ગ્રૂપ દ્વારા માતાજીની પ્રતિમાને રાણાવાસ અંબાજી મંદિરથી શોભાયાત્રા સ્વરૂપે લઇ જવાઇ હતી. શોભાયાત્રા ડીજેનાં તાલે અને ભારે આતશબાજીથી નીકળતા ગામમાં ભક્તિમાય માહોલ ઉભો થયો હતો. મેઈન બજારમાં ગરબાની રમઝટ અને ટીમલી સાથે મેન બજારથી પસાર થઈ બસ સ્ટેન્ડ રણછોડજી મંદિર થઈ ખત્રીવાળ ખાતે આવેલા અંબાજી મંદિર પહોંચી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/nxBWvWwgnDzFewHtsdLUBTly3JjOdrgQfYrvHKH0.webp'/></item><item><title><![CDATA[Chhotaudepur: છોટાઉદેપુરમાં જી સફળ યોજનાના ફિલ્ડ કોચને હેરાનગતિ અંગે રજૂઆત ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-representation-regarding-harassment-of-field-coach-of-g-successful-scheme-in-chhotaudepur</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-representation-regarding-harassment-of-field-coach-of-g-successful-scheme-in-chhotaudepur</guid><pubDate>Tue, 11 Aug 2026 06:29:31 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જી સફ્ળ યોજના મળવા બાબત અને વિકાસના કામો યોગ્ય રીતે ન થતા હોય તેમજ ફ્લ્ડિ કોચને હેરાનગતિ બાબતે કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદન</p><p style="text-align: justify; ">છોટાઉદેપુર જિલ્લામાં જી સફ્લ યોજના તેમજ વિકાસના કામો અને ફ્લ્ડિને હેરાનગતિ બાબતે કંટાળેલા કર્મચારીઓએ આજરોજ છોટાઉદેપુર જિલ્લા સેવાસદન કચેરી ખાતે જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જી સફ્ળ યોજના 8 માર્ચ 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવસારી ખાતેથી ચાલુ કરાઇ હતી. જેમાં કવાંટ તાલુકામાં દરેક ગામોને અંત્યોદય પરિવારને લાભ આપવા માટે યોજના ચાલુ કરાઇ હોય જેમાં 50 જેવા ફ્લ્ડિ કોચની સાથે ગામના સર્વેની કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં દરેક ગામના અંતેદય લાભાર્થીના સર્વે બે વર્ષ કર્યા બાદ એકવાર સર્વે કર્યું હતું. જેમાં લાભાર્થીને લાભ આપવા જણાવાયું હતું. પણ હાલ યોજનાને સ્થગિત કે બંધ કરાઇ છે. ફ્લ્ડિ કોચ ખૂબ જ હાલાકી વેઠી રહ્યાં છે. તેમજ લાભાર્થીને કોચના ઘરે જઈને અથવા તો રસ્તામાં પૂછે છે કે, યોજનાનો લાભ ક્યારે મળશે ? જે અંગેની રજૂઆત તા.17-7-26ના રોજ તાલુકા કક્ષાએ પણ કરી હતી. પરંતુ એ બાબતે કોઈ જવાબ મળ્યો નથી. જ્યારે લાભાર્થીઓના સવાલોથી અમો કંટાળી ગયા છે. જેની સાથે છેલ્લા મેં 2026 અને જુન મહિનાનું માનવ વેતન આજસુધી અમોને આપવામાં આવ્યું નથી. જેની પણ રજૂઆત કરાઇ હતી. જ્યારે આવનારા 15 દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું તેમ આવેદનમાં ચીમકી ઉચ્ચારી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/AJOaWw2oaVGCeNNx86R1XI89I9K0jYU2GLVCTzKx.webp'/></item><item><title><![CDATA[Panchmahal: પાવીજેતપુરમાં 24 કલાકમાં પોણા બે ઇંચ વરસાદ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/panchmahal/panchmahal-two-and-a-half-inches-of-rain-in-pavijetpur-in-24-hours</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/panchmahal/panchmahal-two-and-a-half-inches-of-rain-in-pavijetpur-in-24-hours</guid><pubDate>Tue, 11 Aug 2026 06:28:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">છોટાઉદેપુર જિલ્લામાં વરસાદના ત્રીજા રાઉન્ડની શાનદાર શરૂઆત થઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન વિવિધ તાલુકામાં વરસાદ નોંધાતા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે. જેમાં બોડેલીના ધોળીવાવ તેમજ બુમડી પંથકના ગામોમાં રાત્રિના બે વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે ગ્રામીણ વિસ્તારના ખેતરોમાં પાણી ભરાયા હતા. અને તે પાણી રોડ પર પણ વહેતા નજરે પડયા હતા. 24 કલાકમાં જિલ્લામાં સૌથી વધુ વરસાદ પાવીજેતપુર તાલુકામાં 45 મિ.મી. નોંધાયો છે. જ્યારે છોટાઉદેપુરમાં 20 મિ.મી. અને બોડેલીમાં 12 મિ.મી. વરસાદ નોંધાયો છે.</p><p style="text-align: justify; ">છોટાઉદેપુર જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, કલેક્ટર કચેરી દ્વારા તા. 10 ઓગસ્ટના રોજ જાહેર કરાયેલ વરસાદની આંકડાકીય માહિતી મુજબ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કુલ 84 મિ.મી. વરસાદ નોંધાયો છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી જિલ્લાના 7 તાલુકામાં મળીને કુલ 3411 મિ.મી. વરસાદ નોંધાયો છે. વરસાદના નવા રાઉન્ડથી ખાસ કરીને ખેતી પર આધારિત ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળે છે. વરસાદના અભાવે ચિંતિત બનેલા ખેડૂતો માટે છેલ્લા 24 કલાકમાં થયેલો વરસાદ ખેતી માટે આશાસ્પદ બન્યો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/11/kya8TIJydJKAgV7YdxsRSie1WlIHBqiOaGMSzJ6T.webp'/></item><item><title><![CDATA[India-Thailand Meeting : ડિજિટલ સહયોગ અને ઓનલાઈન ફ્રોડ સામે લડતને લઈને બંને દેશો વચ્ચે ચર્ચા ]]></title><link>https://sandesh.com/india/news/india-thailand-meeting-digital-cooperation-online-fraud-tourists</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/india-thailand-meeting-digital-cooperation-online-fraud-tourists</guid><pubDate>Mon, 10 Aug 2026 23:44:05 +05:30</pubDate><description><![CDATA[<p>થાઈલેન્ડમાં ભારતના રાજદૂત પુનીત અગ્રવાલે સોમવારે થાઈલેન્ડના ડિજિટલ ઈકોનોમી એન્ડ સોસાયટી મંત્રી ચૈયાનોક ચિદચોબ સાથે મુલાકાત કરી. બંને વચ્ચે ભારત અને થાઈલેન્ડ વચ્ચે ડિજિટલ ક્ષેત્રમાં સહયોગ વધારવા, ઓનલાઈન ફ્રોડ સામે સંયુક્ત રીતે કાર્યવાહી કરવા અને પ્રવાસીઓ માટે ડિજિટલ વ્યવસ્થાઓને વધુ સરળ બનાવવા અંગે મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/IndiainThailand/status/2086678278228820072"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>દ્વિપક્ષીય કરાર અંગે કરાઈ ચર્ચા</b></h2><p>ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે રાજદૂત પુનીત અગ્રવાલે થાઈ મંત્રી સાથે શિષ્ટાચાર મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન બંને પક્ષોએ ડિજિટલ ટેક્નોલોજી અંગેના હાલના દ્વિપક્ષીય કરાર હેઠળ સહયોગ વધારવા અંગે વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. આ ઉપરાંત ઓનલાઈન સ્કેમ અને સાયબર ફ્રોડ સામે લડવા માટે બંને દેશો વચ્ચે અનુભવ અને શ્રેષ્ઠ પદ્ધતિઓ શેર કરવા અંગે પણ ચર્ચા થઈ હતી.</p><h3><b>ભારત-થાઈલેન્ડ સંબંધોમાં મહત્વપૂર્ણ પગલું</b></h3><p>બેઠકમાં પ્રવાસીઓ માટે ડિજિટલ ઈકોસિસ્ટમને એકબીજા સાથે જોડીને મુસાફરીની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા અંગે પણ વાતચીત કરવામાં આવી હતી. બંને દેશો વચ્ચે ડિજિટલ ક્ષેત્રે સહયોગ વધારવાના પ્રયાસોને ભારત-થાઈલેન્ડ સંબંધોમાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.</p><p>આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે બંને દેશો વિવિધ ક્ષેત્રોમાં વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે. ગયા મહિને રાજદૂત અગ્રવાલે થાઈલેન્ડના ડેપ્યુટી PM અને પરિવહન મંત્રી ફિફાત રત્ચકિતપ્રકર્ણ સાથે પણ મુલાકાત કરી હતી. તેમાં દરિયાઈ, હવાઈ અને રોડ કનેક્ટિવિટી વધારવા તેમજ પ્રવાસન અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવા અંગે ચર્ચા થઈ હતી.</p><h4><b>થાઈલેન્ડ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ સાથે પણ મુલાકાત કરી</b></h4><p>ભારત અને થાઈલેન્ડના સંબંધોને એપ્રિલ 2025માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેંગકોક મુલાકાત દરમિયાન સ્ટ્રેટેજિક પાટર્નરશીપના સ્તરે ઉન્નત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અગ્રવાલે થાઈલેન્ડના વિદેશ મંત્રાલયના અધિકારીઓ અને થાઈલેન્ડ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ સાથે પણ મુલાકાત કરી હતી. બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ, પ્રવાસન અને લોકો વચ્ચેના સંપર્કને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.</p><p><b><a href="https://sandesh.com/world/news/political-news/nepal-india-relations-why-did-nepal-pm-balen-shahs-attitude-soften-changed-diplomacy-towards-india" target="_blank">આ પણ વાંચો : Nepal India Relations: નેપાળના પીએમ બાલેન શાહના તેવર કેમ પડ્યા નરમ? ભારત પ્રત્યે બદલાયી કૂટનીતિ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/v4MnOMP0UXY3W4S0LeL3XYZQngLrKB4YYWRhOPzq.webp'/></item><item><title><![CDATA[Jharkhand Protest: CM હેમંત સોરેને વિદ્યાર્થીઓને આપ્યું આશ્વાસન, કહ્યુ 'માગણીઓને ગંભીરતાથી ઉકેલાશે' ]]></title><link>https://sandesh.com/india/news/jharkhand-protest-cm-hemant-soren-assures-students-demands</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/jharkhand-protest-cm-hemant-soren-assures-students-demands</guid><pubDate>Mon, 10 Aug 2026 23:01:53 +05:30</pubDate><description><![CDATA[<p>ઝારખંડમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન વચ્ચે મુખ્યમંત્રી હેમંત સોરેને મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે વિદ્યાર્થીઓની ચિંતાઓ અને તેમની માગણીઓને ગંભીરતાથી સાંભળી છે અને હવે આ મુદ્દાઓને સંવેદનશીલતા તથા ગંભીરતા સાથે ઉકેલવામાં આવશે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે વિદ્યાર્થીઓના અવાજને અવગણવામાં નહીં આવે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2086847401843986937"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>વહીવટી તંત્ર અને પોલીસ કર્મચારીઓનો પણ આભાર માન્યો</b></h2><p>મુખ્યમંત્રી હેમંત સોરેને વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન સંયમ અને જવાબદારીપૂર્વક સ્થિતિ સંભાળવા બદલ વહીવટી તંત્ર અને પોલીસ કર્મચારીઓનો પણ આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે સરકારનો હેતુ પરીક્ષા વ્યવસ્થાને વધુ પારદર્શક, ટેક્નોલોજી આધારિત, સુરક્ષિત અને જવાબદાર બનાવવાનો છે.</p><h3><b>વિદ્યાર્થીઓ સાથે વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવાની અપીલ</b></h3><p>ઝારખંડમાં ભરતી પરીક્ષાઓ સાથે જોડાયેલી વિવિધ માગણીઓને લઈને વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. આંદોલન દરમિયાન સ્થિતિ તંગ બનતા પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પગલાં લેવામાં આવ્યા હતા. હવે મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓ સાથે વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવાની અપીલ કરી છે.</p><p>CM સોરેને વિદ્યાર્થીઓને રાજકીય હેતુથી કરવામાં આવતા કોઈપણ પ્રયાસોનો શિકાર ન બનવાની અપીલ પણ કરી છે. તેમણે કહ્યું કે શાંતિપૂર્ણ આંદોલન અને સંવાદ દ્વારા જ આ મુદ્દાનો યોગ્ય ઉકેલ શોધી શકાય છે. સરકાર અને વિદ્યાર્થીઓ વચ્ચે વિશ્વાસ જાળવવો જરૂરી છે.</p><h4><b>સરકાર જરૂરી પગલાં લેશે</b></h4><p>મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે પરીક્ષા વ્યવસ્થામાં સુધારા માટે સરકાર જરૂરી પગલાં લેશે. ટેક્નોલોજીના વધુ ઉપયોગ સાથે પરીક્ષાઓને સુરક્ષિત અને ગેરરીતિમુક્ત બનાવવા પર ધ્યાન આપવામાં આવશે. પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા વધારવા અને જવાબદારી નક્કી કરવા માટે પણ વ્યવસ્થાને વધુ મજબૂત કરવામાં આવશે.</p><p>હેમંત સોરેને અંતે વિદ્યાર્થીઓને વિશ્વાસ અપાવ્યો કે તેમની સમસ્યાઓને ગંભીરતાથી લેવામાં આવી રહી છે અને તેમની માંગણીઓ પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. તેમણે તમામ પક્ષોને શાંતિ અને સંવાદ જાળવીને ઉકેલ તરફ આગળ વધવા અપીલ કરી છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/political-news/supriya-sule-ncp-sp-mps-meet-pm-modi-key-issues" target="_blank">આ પણ વાંચો : PM મોદી સાથે સુપ્રિયા સુલેની મુલાકાત, NCP-SPના 8 સાંસદો સાથે કરી બેઠક</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/zWAsJaS5f1Y5YMjzX6UeODo4g7JWwFo0mf6bSr4m.webp'/></item><item><title><![CDATA[PM મોદી સામે બોક્સર નરેન્દ્રએ સંભળાવ્યો પાકિસ્તાની બોક્સરનો કિસ્સો, વાત સાંભળીને હસી પડ્યા વડાપ્રધાન ]]></title><link>https://sandesh.com/sports/news/pm-modi-boxer-narender-pakistani-opponent-funny-story</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pm-modi-boxer-narender-pakistani-opponent-funny-story</guid><pubDate>Mon, 10 Aug 2026 20:09:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગ્લાસગો ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતે કુલ 39 મેડલ સાથે મેડલ ટેબલમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. ગેમ્સ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પોતાના નિવાસસ્થાને ભારતીય મેડલ વિજેતા ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ખેલાડીઓએ PM મોદી સાથે ખુલ્લા દિલે વાતચીત કરી હતી અને પોતાના અનુભવો પણ શેર કર્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>નરેન્દ્રએ સિલ્વર મેડલ જીત્યો</b></h2><p style="text-align: justify; ">આ મુલાકાત દરમિયાન ભારતીય હેવીવેઈટ બોક્સર નરેન્દ્ર બેરવાલે PM મોદીને એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો હતો. નરેન્દ્રે કોમનવેલ્થ ગેમ્સમાં 90+ કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેમને જણાવ્યું કે વર્ષ 2015માં મિલિટરી ગેમ્સ દરમિયાન તેમની પ્રથમ બાઉટ પાકિસ્તાની બોક્સર સામે હતી. તેમને મિલિટરી તરફથી ફોન કરીને પાકિસ્તાન સામે ન હારવાની વાત કહેવામાં આવી હતી.</p><h3 style="text-align: justify; "><b>મને નરેન્દ્ર નામથી નફરત થઈ ગઈ છે</b></h3><p style="text-align: justify; ">નરેન્દ્રે જણાવ્યું કે તેમણે પ્રથમ બાઉટ 4-1થી અને બીજી બાઉટ 3-2થી જીતી હતી. આ દરમિયાન બંને બોક્સરના માથા પણ અથડાયા હતા અને બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2086683661504843813"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p style="text-align: justify; "> </p><p style="text-align: justify; ">નરેન્દ્રે આગળ જણાવ્યું કે તેમના કોચનું નામ પણ નરેન્દ્ર રાણા હતું અને તે સમયે ભારતના વડાપ્રધાનનું નામ પણ નરેન્દ્ર હતું. આ સંયોગને લઈને પાકિસ્તાની બોક્સરે તેમને કહ્યું હતું કે, “તમારું નામ નરેન્દ્ર છે, તમારા કોચનું નામ પણ નરેન્દ્ર છે અને તમારા PMનું નામ પણ નરેન્દ્ર છે. હવે મને નરેન્દ્ર નામથી નફરત થઈ ગઈ છે.” આ વાત સાંભળીને PM મોદી હસતા જોવા મળ્યા હતા.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>ભારતે બોક્સિંગમાં 10 મેડલ જીત્યા&nbsp;</b></h4><p style="text-align: justify; ">કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય બોક્સિંગ ટીમનું પ્રદર્શન પણ નોંધપાત્ર રહ્યું હતું. ભારતે બોક્સિંગમાં 10 મેડલ જીત્યા હતા, જ્યારે નરેન્દ્ર બેરવાલે 90+ કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. ફાઇનલમાં તેમને ઇંગ્લેન્ડના ડામાર થોમસ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/oMWNn5CGUFi7LAuIfgHkI21UFhgy68SNnoD190zK.webp'/></item><item><title><![CDATA[Real Estate: ભારતના ધનિકો હવે ખાનગી જેટ કરતાં પણ ખરીદી રહ્યા છે મોંઘુ ઘર, Gurugramમાં ₹271 કરોડનો થયો સોદો! ]]></title><link>https://sandesh.com/business/news/india/real-estate-indias-rich-are-now-buying-expensive-houses-instead-of-private-jets-a-deal-worth-271-crore-was-made-in-gurugram</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/real-estate-indias-rich-are-now-buying-expensive-houses-instead-of-private-jets-a-deal-worth-271-crore-was-made-in-gurugram</guid><pubDate>Mon, 10 Aug 2026 19:00:41 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">એક તરફ, ભારતમાં એક મોટો વર્ગ એવો છે જે પોતાની જીવનભરની બચતનું રોકાણ કરીને સસ્તા અને સસ્તા ઘર શોધી રહ્યો છે.</p><h2 style="text-align: justify; ">વૈભવી ઘરોની વ્યાખ્યા બદલાઈ&nbsp;</h2><p style="text-align: justify; ">ઉદ્યોગસાહસિક માનવ સરદાના આજકાલ સૌથી વધુ ચર્ચામાં રહેલા વ્યક્તિ છે. તેમણે તાજેતરમાં ₹271 કરોડમાં એક ભવ્ય પેન્ટહાઉસ ખરીદ્યું છે. આ સમાચારમાં સૌથી રસપ્રદ બાબત ખર્ચ કરાયેલી રકમ નથી, પરંતુ હકીકત એ છે કે આ ઘર દરિયા કિનારાના શહેર મુંબઈમાં સ્થિત નથી. માનવ સરદાનાએ દિલ્હીને અડીને આવેલા ગુરુગ્રામના ગગનચુંબી ઇમારતોમાં આ કરોડો રૂપિયાનું ઘર ખરીદ્યું છે. તેમનું પેન્ટહાઉસ ગુરુગ્રામના પોશ પ્રોજેક્ટ "DLF The Dahlias" માં આવેલું છે.</p><h3 style="text-align: justify; ">પ્રોજેક્ટ કેમ થયો પ્રખ્યાત ?&nbsp;</h3><p style="text-align: justify; ">આ જ પ્રોજેક્ટમાં, પ્રખ્યાત રોકાણકાર મધુસુદન કેલાએ પણ આશરે ₹121 કરોડમાં એક વૈભવી એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું. તેમના ઉપરાંત, બર્કશાયર હેથવેના વાઇસ ચેરમેન અજિત જૈને પણ DLF The Dahlias માં ₹85 કરોડમાં એક ઘર ખરીદ્યું હતું. 2025 ના આંકડાઓ પર નજર કરીએ તો, ગુરુગ્રામે ₹10 કરોડ અને તેથી વધુ કિંમતના ઘરોના વેચાણમાં મુંબઈને પાછળ છોડી દીધું. 2025 માં, ગુરુગ્રામમાં ₹10 કરોડથી વધુ કિંમતના 1,494 ઘર વેચાયા હતા, જે કુલ ₹24,120 કરોડ હતા. આ આંકડો 2023 માં નોંધાયેલા ₹4,004 કરોડ કરતા લગભગ છ ગણો વધારે છે. દિલ્હીના લુટિયન્સ વિસ્તારમાં પણ, ભાડાના ઘરોની માંગ એટલી ઊંચી છે કે ત્યાંના બંગલાઓનું ભાડું દર મહિને ₹20 લાખ સુધી પહોંચી ગયું છે.</p><h4 style="text-align: justify; ">મુંબઈનું વર્ચસ્વ યથાવત્&nbsp;</h4><p style="text-align: justify; ">ગુરુગ્રામ લક્ઝરી હાઉસિંગ માર્કેટમાં ઝડપથી વિકાસ પામી રહ્યું હોવા છતાં, જ્યારે ₹100 કરોડથી વધુ કિંમતના સુપર-લક્ઝરી ઘરોની વાત આવે છે, ત્યારે મુંબઈ નિર્વિવાદ રાજા રહે છે. ફક્ત વરલી વિસ્તારમાં જ, છેલ્લા 24 મહિનામાં ₹40 કરોડથી વધુ કિંમતના 30 થી વધુ ઘરો વેચાયા છે. આ સોદાઓની કુલ કિંમત ₹5,500 કરોડથી વધુ હોવાનો અંદાજ છે. મુંબઈના કેટલાક મોટા સોદાઓ પર નજર કરીએ તો આશ્ચર્યજનક આંકડા બહાર આવે છે. 2025 માં, USV ચેરપર્સન લીના ગાંધી તિવારીએ વર્લીના નમન ઝાના પ્રોજેક્ટમાં ₹639 કરોડના મૂલ્યના બે સી-ફેસિંગ ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ખરીદ્યા. પ્રખ્યાત બેંકર ઉદય કોટક અને તેમના પરિવારે મુંબઈના શિવ સાગર વિસ્તારમાં ₹400 કરોડથી વધુ કિંમતના અનેક એપાર્ટમેન્ટ ખરીદ્યા. તાન્યા દુબાશે 2025 માં નમન ઝાનામાં ₹226 કરોડમાં એક ડુપ્લેક્સ અને 2026 માં ₹294 કરોડથી વધુ કિંમતના બે વધુ એપાર્ટમેન્ટ ખરીદ્યા.</p><h5 style="text-align: justify; ">સસ્તા ઘરોનું સ્વપ્ન અધૂરું</h5><p style="text-align: justify; ">આ બધા વચ્ચે, ₹20 કરોડથી ઓછી કિંમતના બજારમાં એક અલગ પરિવર્તન જોવા મળી રહ્યું છે. ૨૦૨૬ ના પહેલા ભાગમાં ₹1 કરોડથી વધુ કિંમતના ઘરો કુલ ઘર વેચાણના 54% હતા. સૌથી વધુ વેચાણ ₹1-₹2 કરોડ સેગમેન્ટમાં થયું હતું, જેમાં 50,488 ઘર વેચાયા હતા. પરંતુ વાર્તાની બીજી બાજુ સામાન્ય માણસ માટે થોડી ચિંતાજનક છે. ₹50 લાખથી ઓછી કિંમતના પરવડે તેવા ઘરોના વેચાણમાં 15 ટકાનો ઘટાડો થયો છે. કુલ વેચાણમાં આ સેગમેન્ટનો હિસ્સો હવે ઘટીને માત્ર 16 ટકા થયો છે.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/india/news/political-news/mamata-banerjee-attack-politics-heated-up-after-mahua-moitra-commented-on-the-attack-on-mamata-banerjee" target="_blank"> મમતા બેનર્જી પર થયેલા હુમલા અંગે Mahua Moitraએ ટીપ્પણી કરતા રાજકારણ ગરમાયું</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/hr6S7pa6WbuiqbcbYOEnqiwi7MwJyrR0T8troPx5.webp'/></item><item><title><![CDATA[Varanasiની રિલીઝ પહેલાં સિદ્ધિવિનાયક મંદિર પહોંચી પ્રિયંકા ચોપરા, બાપ્પાના લીધા આશીર્વાદ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/priyanka-chopra-siddhivinayak-varanasi-release</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/priyanka-chopra-siddhivinayak-varanasi-release</guid><pubDate>Mon, 10 Aug 2026 17:46:43 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મુંબઈમાં હાજર અભિનેત્રી પ્રિયંકા ચોપરાને તાજેતરમાં સોમવાર, 10 ઓગસ્ટ 2026ના રોજ સિદ્ધિવિનાયક મંદિરમાં બાપ્પાના આશીર્વાદ લેતા જોવા મળી હતી. અભિનેત્રી શહેરના મંદિરે પહોંચી હતી અને મંદિરની બહાર એકઠા થયેલા ફેન્સનું અભિવાદન કરતી જોવા મળી હતી. પ્રિયંકા મંદિરની બહાર એકદમ સાદા અને સિમ્પલ સૂટમાં જોવા મળી હતી. બોલીવુડની દેશી ગર્લે સુંદર એથનિક પિંક સૂટ પહેર્યો હતો અને વાળ ખુલ્લા રાખ્યા હતા, જેના કારણે તેનો લુક સિમ્પલ હોવા છતાં ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો. મંદિર પરિસરમાંથી બહાર નીકળતી વખતે અભિનેત્રી ખુશ મૂડમાં જોવા મળી હતી અને ફેન્સને જોઈને સ્મિત કરતી તેમજ હાથ હલાવતી જોવા મળી હતી.</p><h2 style="text-align: justify; "><b>મંદિરમાંથી બહાર આવતાં જ પ્રિયંકાએ ફેન્સને કહ્યું હેલો</b></h2><p style="text-align: justify; ">પ્રિયંકા ચોપરાનું લોકો સાથેનું ગરમજોશીભર્યું વર્તન સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. આ દરમિયાન ઘણા ફેન્સ તેમની એક ઝલક મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મંદિરની અંદર જતા પહેલાં તેમણે સ્મિત સાથે લોકોનું અભિવાદન કર્યું હતું અને બહાર આવતી વખતે પણ પોતાના ફેન્સને હેલો કહ્યું હતું. સોશિયલ મીડિયા પર અભિનેત્રીનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Db2nGePqfKm/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Db2nGePqfKm/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Db2nGePqfKm/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Db2nGePqfKm/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h3 style="text-align: justify; "><b>પ્રિયંકા ચોપરાની દીકરી માલતી સાથેની પહેલી મુલાકાત</b></h3><p style="text-align: justify; ">પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં પોતાની દીકરી માલતી મેરી ચોપરા જોનસને પહેલીવાર ખોળામાં લેવાના એ દિવસ વિશે વાત કરી હતી, જે તેની જિંદગીનો સૌથી ખાસ દિવસ હતો. તેણે જે શેટ્ટીના પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે, તે પહેલીવાર મારી છાતી પર હતી અને ત્યારે તે લગભગ 27.5 અઠવાડિયાની હતી. તે એટલી નાની હતી કે તેની આંગળીઓ મને પતંગિયા જેવી લાગતી હતી. તેનું વજન 1 પાઉન્ડ 11 ઔંસ હતું. તે સમયે મને લાગ્યું કે તેની સુરક્ષા માટે હું દુનિયામાં કોઈપણ હદ સુધી જઈ શકું છું. આ એવો અહેસાસ હતો જે મેં પહેલાં ક્યારેય અનુભવ્યો નહોતો અને મને લાગે છે કે પહેલીવાર માતા-પિતા બનનાર દરેક વ્યક્તિ આવું જ કહે છે. પરંતુ આ ખરેખર તમારા શરીરની બહાર ધબકતું તમારું હૃદય હોય છે.</p><h4 style="text-align: justify; "><b>વારાણસીમાં મહેશ બાબુ સાથે જોવા મળશે પ્રિયંકા</b></h4><p style="text-align: justify; ">પ્રિયંકા ચોપરાની આગામી ફિલ્મોની યાદીમાં મોટા ઇન્ટરનેશનલ અને પેન-ઇન્ડિયન પ્રોજેક્ટ્સ સામેલ છે. તેમાં એસ. એસ. રાજામૌલીની જબરદસ્ત એડવેન્ચર ફિલ્મ વારાણસી પણ સામેલ છે, જે 7 એપ્રિલ 2027ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં પ્રિયંકા મહેશ બાબુ સાથે જોવા મળશે. આ ઉપરાંત તે રસેલ ક્રો સાથે તાજેતરમાં જાહેર થયેલી સાઇ-ફાઇ એક્શન થ્રિલર 'બ્લૂફ્લાય'માં પણ જોવા મળશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/toxic-bo-prediction-yash-hindi-opening-kgf2-record" target="_blank">આ પણ વાંચો-Toxic બનશે યશની હિન્દી સિનેમાની બીજી સૌથી મોટી ઓપનર? શું તોડી શકશે KGF 2નો રેકોર્ડ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/J7OP3D3ufgIBZPMnPreQVEPtVzVxS8yEiyoj2hvo.webp'/></item></channel></rss>