<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Banaskantha News: અંબાજી ધામમાં મેઘરાજાને રિઝવવા 'નવકુંડાત્મક પર્જન્ય મહાયજ્ઞ' ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/ambaji-parjanya-mahayajna-rain-worship-north-gujarat</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/ambaji-parjanya-mahayajna-rain-worship-north-gujarat</guid><pubDate>Thu, 23 Jul 2026 22:43:08 +05:30</pubDate><description><![CDATA[<p>ઉત્તર ગુજરાત સહિત રાજ્યના વરસાદની અછત ધરાવતા વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસે તે માટે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભવ્ય ધાર્મિક અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને યાજ્ઞિક વિપ્ર મંડળના સંયુક્ત ઉપક્રમે અંબાજી ધામમાં ભવ્ય 'નવકુંડાત્મક પર્જન્ય મહાયજ્ઞ'નું સફળતાપૂર્વક આયોજન કરાયું હતું.</p><h2><b>9 કુંડોમાં પર્જન્ય સૂક્તની આહુતિઓ અને શાસ્ત્રોક્ત વિધિથી ઈન્દ્રદેવની આરાધના</b></h2><p>આ મહાયજ્ઞ દરમિયાન વિદ્વાન ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર અને સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે વરસાદના દેવ ઈન્દ્રદેવને પ્રસન્ન કરવા માટે વિશેષ આરાધના કરવામાં આવી હતી. યજ્ઞશાળામાં તૈયાર કરવામાં આવેલા 9 કુંડોમાં પર્જન્ય સૂક્તના પાઠ સાથે પવિત્ર આહુતિઓ અર્પણ કરવામાં આવી હતી. આ સમગ્ર વાતાવરણ વૈદિક મંત્રોના નાદથી અત્યંત ભક્તિમય બની ગયું હતું.</p><p><img alt="Banaskantha News: Ambaji Temple Parjanya Yajna For Heavy Rain In North Gujarat" src="https://epapercdn.sandesh.com/images/2026/07/23/pKd76SOJOK0WoL19n0WfOvx1Tc6KbgjcQU1zhMvn.webp" style="width: 100%;"><br></p><h2><b>ખેડૂતો, પશુ-પક્ષીઓ અને જીવસૃષ્ટિના કલ્યાણ અર્થે ભક્તોએ માં અંબા સમક્ષ કરી યાચના</b></h2><p>આ ધાર્મિક આયોજનનો મુખ્ય હેતુ ખેડૂતો, પશુ-પક્ષીઓ અને સમગ્ર જીવસૃષ્ટિનું કલ્યાણ કરવાનો છે. ઉત્તર ગુજરાતમાં જળ સંકટ દૂર થાય અને ધરતીપુત્રોને ખેતી માટે પૂરતું પાણી મળી રહે તે માટે મા અંબાના દર્શને આવતા ભક્તો અને સ્થાનિકોએ મા અંબાના ચરણોમાં શીશ નમાવીને મેઘરાજા મન મૂકીને વરસે તેવી ભાવભરી પ્રાર્થના કરી હતી.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/india/news/gujarat/24-july-top-news-history-national-updates-current-affairs" target="_blank">24 જુલાઈના રોજ બનનારી મહત્વની ઘટનાઓ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/23/tvI0AnV0MH6yeMHZNuQcY0U1F8JN18HTnsHCYRnA.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના ખોખરા વિસ્તારમાં ભારે વરસાદી પાણી ભરાયા, ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં પાણી ઘૂસતાં સ્થાનિકો બેહાલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/heavy-rains-inundate-khokhra-area-of-ahmedabad-locals-in-distress-as-water-enters-gujarat-housing-board-houses</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/heavy-rains-inundate-khokhra-area-of-ahmedabad-locals-in-distress-as-water-enters-gujarat-housing-board-houses</guid><pubDate>Thu, 23 Jul 2026 22:22:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે પૂર્વ વિસ્તારની સ્થિતિ અત્યંત વિકટ બની છે. પૂર્વ અમદાવાદના ખોખરા વિસ્તારમાં ચારેકોર વરસાદી પાણી ભરાઈ જતાં રસ્તાઓ જળમગ્ન થઈ ગયા હતા. ખાસ કરીને ફિઝિકલ ગ્રાઉન્ડ આસપાસના સમગ્ર વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાઈ જવાથી જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે પૂર્વ વિસ્તારના રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં ઘૂસ્યા પાણી</b></h2><p style="text-align: justify; ">વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં ખોખરા સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મકાનોમાં પાણી ભરાઈ જવાથી ઘરોમાં રહેલી ઘરવખરી અને કિંમતી સામાન પલળી જતાં સ્થાનિક રહીશોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઘરની અંદર પાણી ફરી વળતાં નાના બાળકો અને વૃદ્ધો સાથે રહેતા પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને આખી રાત કે દિવસ પાણી ખાલી કરવાની કવાયતમાં વિતાવવો પડ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>મુખ્ય રોડ પર પાણી ભરાતાં વાહનચાલકો અને સ્થાનિકો પરેશાન</b></h3><p style="text-align: justify; ">ખોખરા વિસ્તારના મુખ્ય માર્ગો પર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. રસ્તાઓ પર ભરાયેલા ઊંડા પાણીમાં અનેક દ્વિચક્રીય અને ચારચક્રીય વાહનો બંધ પડી જતાં વાહનચાલકોને ધક્કા મારવાની નોબત આવી હતી. નોકરિયાતો અને સ્થાનિક રહીશોને આવવા-જવામાં ભારે પરેશાની વેઠવી પડી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વહેલી તકે પંપ મૂકીને પાણીનો નિકાલ કરવામાં આવે તેવી ખોખરાના રહીશોની ઉગ્ર માંગ છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">https://sandesh.com/gujarat</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/23/65H0HPFbiCYEJsJfnD4ewZo8RZLa8thTeJkYMfJ1.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: ભારે વરસાદથી શહેરમાં જળબંબાકાર, 11 અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ કરાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/11-underpasses-closed-after-heavy-rain</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/11-underpasses-closed-after-heavy-rain</guid><pubDate>Thu, 23 Jul 2026 22:12:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં 13 ઈંચથી પણ વધુ આફતરૂપી વરસાદ વરસતાં સમગ્ર શહેર જળબંબાકાર બની ગયું છે. જ્યારે આગામી બે દિવસ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પૂર્વ અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા ફિઝિકલ ગ્રાઉન્ડ પાસે તેમજ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. બીજી તરફ, પાલડીમાં આવેલા 'યસ નિધિ' ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોર પર બે-બે ફૂટ પાણી ભરાઈ જતાં લોકોની ઘરવખરી બરબાદ થઈ ગઈ હતી. શહેરમાં ભારે વરસાદને કારણે 11 અંડરપાસમાં પાણી ભરાવાને કારણે બંધ કરવામાં આવ્યા છે.&nbsp;</p><p style="text-align: justify; "><img alt="અમદાવાદ અંડરપાસ" src="https://epapercdn.sandesh.com/images/2026/07/23/JgZjcgeEIy8sCDAQ6esA8DqbasJyeoYdezIpl1fm.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>ખરાબ વાતાવરણના કારણે હવાઈ સેવાઓ ખોરવાઈ</b></h2><p style="text-align: justify; ">ભારે વરસાદ અને ખરાબ હવામાનની ગંભીર અસર અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરના વિમાન વ્યવહાર પર પણ પડી છે. વાતાવરણ સાનુકૂળ ન હોવાના કારણે અમદાવાદ આવતી ૭ ફ્લાઈટ્સને અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરવી પડી છે, જ્યારે ૬૦થી વધુ ફ્લાઈટ્સ મોડી પડતાં મુસાફરો ભારે રઝળપટ્ટ અને મુશ્કેલીમાં મુકાયા છે. આ ઉપરાંત, પ્રતિકૂળ હવામાનને પગલે અમદાવાદથી મુંબઈ જતી સ્પાઈસજેટની ફ્લાઈટ રદ કરવાની ફરજ પડી છે.</p><h3 style="text-align: justify; "><b>નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા</b></h3><p style="text-align: justify; ">અમદાવાદમાં સવારથી જ શરૂ થયેલા મુસળધાર વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને પશ્ચિમ અમદાવાદના વસ્ત્રાપુર, AEC ચાર રસ્તા, વિજય ચાર રસ્તા, શાસ્ત્રીનગર અને થલતેજ જેવા મુખ્ય માર્ગો તેમજ વિસ્તારો જળમગ્ન બન્યા છે. માર્ગો પર પાણી ફરી વળતાં વાહનચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે અનેક સ્થળે વાહનો ટ્રાફિક જામમાં ફસાયા હતા.<br><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/chandlodia-waterlogged--public-anger-erupts" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: ચાંદલોડિયામાં જળબંબાકારની સ્થિતિ, તંત્ર સામે લોકોમાં ભારે આક્રોશ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/23/PNOCSl1wqkQO8X7QnijfEOU0u816yukFFqTJ8O3y.webp'/></item><item><title><![CDATA[Commonwealth Games 2026નો પ્રારંભ: 19મી વખત મેદાનમાં ભારત! આજથી ગ્લાસગોમાં ભારતીય એથ્લેટ્સ બતાવશે દમ ]]></title><link>https://sandesh.com/sports/news/commonwealth-games-2026-starts-today-india-in-the-field-for-the-19th-time-indian-athletes-will-show-their-mettle-in-glasgow-from-today</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/commonwealth-games-2026-starts-today-india-in-the-field-for-the-19th-time-indian-athletes-will-show-their-mettle-in-glasgow-from-today</guid><pubDate>Thu, 23 Jul 2026 21:55:04 +05:30</pubDate><description><![CDATA[<p>આ વખતે કોમનવેલ્થ ગેમ્સ 2026નું આયોજન સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં કરવામાં આવી રહ્યું છે, જેમાં 74 દેશોના લગભગ 3000 એથ્લેટ્સ ભાગ લેશે. આ વખતની કોમનવેલ્થ ગેમ્સ ખૂબ જ ટૂંકી રહેવાની છે, જેમાં માત્ર 10 રમતની સ્પર્ધાઓ યોજાશે અને કુલ 215 મેડલ ઇવેન્ટ્સ હશે. મેડલ વિજેતા ઇવેન્ટ્સમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવા છતાં, ભારતીય એથ્લેટ્સ પાસેથી આ કોમનવેલ્થ ગેમ્સમાં શ્રેષ્ઠ પ્રદર્શનની આશા રાખવામાં આવી રહી છે. પ્રથમ દિવસે એક તરફ ઓપનિંગ સેરેમનીનું આયોજન થશે, તો બીજી તરફ લૉન બોલ્સ (Lawn Bowls) ઇવેન્ટમાં ભારતીય ખેલાડીઓ એક્શનમાં જોવા મળશે.</p><h2><b>ભારત 19મી વખત કોમનવેલ્થ ગેમ્સમાં લઈ રહ્યું છે ભાગ</b></h2><p>23 જુલાઈથી શરૂ થઈ રહેલી આ વખતની કોમનવેલ્થ ગેમ્સમાં ભારત 19મી વખત ભાગ લેશે. છેલ્લે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ઈંગ્લેન્ડના બર્મિહામમાં કરવામાં આવ્યું હતું, જેમાં ભારતનું પ્રદર્શન ઉત્કૃષ્ટ રહ્યું હતું અને કુલ 61 મેડલ જીતવામાં સફળતા મળી હતી.</p><h3><b>પ્રથમ દિવસે ભારતનું શિડ્યુલ</b></h3><p>પ્રથમ દિવસના શિડ્યુલની વાત કરીએ તો, લૉન બોલ્સની મહિલા અને પુરુષ બંને કેટેગરીમાં ભારતીય ખેલાડીઓ ગ્રુપ સ્ટેજની મેચો રમશે. આ સિવાય સાંજે યોજાનારી ઓપનિંગ સેરેમનીમાં ભારતીય ટુકડી ભાગ લેશે. કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની ગ્લાસગોના 'ઓવો હાઇડ્રો' (Ovo Hydro) ખાતે યોજાશે.</p><h4><b>પ્રથમ દિવસે ભારતનું ટાઇમટેબલ:</b></h4><ul><li>પુરુષ સિંગલ્સ ગ્રુપ સ્ટેજ (લૉન બોલ્સ): ભારતીય સમય અનુસાર બપોરે 2:00 વાગ્યે</li><li>મહિલા પેર ગ્રુપ સ્ટેજ (લૉન બોલ્સ): ભારતીય સમય અનુસાર બપોરે 2:00 વાગ્યે</li><li>ઓપનિંગ સેરેમની: ભારતીય સમય અનુસાર રાત્રે 10:30 વાગ્યે</li></ul><h4><b>ભારતમાં ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે લાઇવ સ્પર્ધા?</b></h4><p>ભારતમાં કોમનવેલ્થ ગેમ્સ 2026નું સીધું પ્રસારણ ટીવી પર સોની સ્પોર્ટ્સ નેટવર્ક (Sony Sports Network) પર થશે, જ્યારે ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ સોની લિવ (Sony LIV) એપ પર કરવામાં આવશે, જ્યાં ચાહકો લોગિન કરીને મેચ જોઈ શકે છે. આ રમતોની શરૂઆત ભારતીય સમય અનુસાર બપોરે 1:30 વાગ્યે થશે, જ્યારે મોટાભાગની મેડલ ઇવેન્ટ્સ રાત્રે 9:30 વાગ્યાથી શરૂ થશે જે મોડી રાત સુધી ચાલશે.</p><h5><b>આ વખતે આ એથ્લેટ્સ પાસેથી સૌથી વધુ મેડલની આશા</b></h5><p>કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભલે માત્ર 10 રમતોનો જ સમાવેશ કરવામાં આવ્યો હોય, છતાં કેટલાક ભારતીય એથ્લેટ્સ એવા છે જેમના પરથી ગોલ્ડ અને અન્ય મેડલની સૌથી વધુ આશા છે. જેમાં જેવલિન થ્રોમાં સ્ટાર ખેલાડી નીરજ ચોપરા, વેઇટલિફ્ટિંગમાં મીરાબાઈ ચાનુ, લોંગ જમ્પમાં મુર્લી શ્રીશંકર, બોક્સિંગમાં લવલીના બોરગોહેન અને જુડોમાં તુલિકા માન પાસેથી મેડલની આશા રાખવામાં આવી રહી છે.</p><p><a href="https://sandesh.com/sports" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/23/hHtvO4mHofa0kJtkeEeqy1DBG0690lbM23xYjVk9.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News:  ચાંદલોડિયામાં જળબંબાકારની સ્થિતિ, તંત્ર સામે લોકોમાં ભારે આક્રોશ ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/chandlodia-waterlogged--public-anger-erupts</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/chandlodia-waterlogged--public-anger-erupts</guid><pubDate>Thu, 23 Jul 2026 21:49:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદમાં સવારથી જ શરૂ થયેલા મુસળધાર વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.ખાસ કરીને પશ્ચિમ અમદાવાદના વસ્ત્રાપુર,AEC ચાર રસ્તા, વિજય ચાર રસ્તા, શાસ્ત્રીનગર અને થલતેજ અને ચાંદલોડિયા જેવા મુખ્ય માર્ગો તેમજ વિસ્તારો જળમગ્ન બન્યા છે. માર્ગો પર પાણી ફરી વળતાં વાહનચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.જ્યારે મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે અનેક સ્થળે વાહનો ટ્રાફિક જામમાં ફસાયા હતા. સોસાયટીઓ અને રસ્તાઓ જળમગ્ન થઈ જતાં લોકોનો તંત્ર સામે રોષ ફાટી નીકળ્યો હતો.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><img alt="ચાંદલોડિયા વરસાદી પાણી" src="https://epapercdn.sandesh.com/images/2026/07/23/DrUxhQFJAqYGULIqB35rF7G4fZNnSSXCWOTnBy3o.webp"><br></p><h2 style="text-align: justify; "><b>ચાંદલોડિયામાં લોકોનો તંત્ર સામે ગુસ્સો ફૂટ્યો</b></h2><p style="text-align: justify; ">અમદાવાદના ચાંદલોડિયામાં રોડ અને રસ્તા પર પાણી ભરાઈ ગયા હતાં. આ ઉપરાંત સોસાયટીઓમાં પણ લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા હતાં. જેને લઈને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતાં લોકોનો ગુસ્સો ફૂટ્યો હતો. તંત્ર સામે લોકોએ રોષ ઠાલવ્યો હતો. સાંજના સમયે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતાં. લોકોએ કહ્યું હતું કે, ચૂંટણી સમયે મત લેવા માટે અનેક લોકો આવે છે પણ આવી સ્થિતિમાં કોઈ જોવા પણ આવતુ નથી.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><img alt="ચાંદલોડિયા વરસાદ" src="https://epapercdn.sandesh.com/images/2026/07/23/v60JNukI6aNqeJqWkrnjS1ixYc5bYQkY7CAP5Sl0.webp"><br></p><h3 style="text-align: justify; "><b>ત્રણ કલાકના ટૂંકા ગાળામાં ધોધમાર વરસાદ વરસ્યો</b></h3><p style="text-align: justify; ">અમદાવાદમાં પડેલા ભારે વરસાદ અંગે AMC કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે, શહેરમાં માત્ર ત્રણ કલાકના ટૂંકા ગાળામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેમાં ખાસ કરીને SG હાઇવે, જોધપુર, વેજલપુર અને સૌથી વધુ સરખેજ તથા બોપલ વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે. કમિશનરે સ્પષ્ટ કર્યું કે AMC સ્થિતિ પ્રત્યે સંપૂર્ણ સજ્જ છે અને ગયા વર્ષની સરખામણીએ આ વખતે ઓછી જગ્યાઓએ પાણી ભરાયા છે. છતાં પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી તમામ અધિકારીઓ ફિલ્ડમાં તૈનાત છે. કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે સાઉથ-વેસ્ટ અને નોર્થ-વેસ્ટ ઝોનમાં એક-એક વધારાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (DyMC) ની નિયુક્તિ કરવામાં આવી છે. આગામી બે દિવસ પણ ભારે વરસાદની આગાહી હોવાથી સાવચેતીના ભાગરૂપે તમામ શાળા-કોલેજો બંધ રાખવા સૂચના આપી દેવામાં આવી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/surat/heavy-rain-alert-traffic-diversions-across-city" target="_blank">આ પણ વાંચોઃ Surat News : શહેરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, પાણી ભરાયેલા વિસ્તારોમાં ડાયવર્ઝન અપાયુ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/23/xTadYaJWEY8rEHSa7QNFVp241POmyAJu2Ytu6HnQ.webp'/></item><item><title><![CDATA[Anand News: સોજીત્રામાં વરસાદથી 2 માળનું મકાન ધરાશાયી, 20 સેકન્ડમાં કાટમાળ બન્યું, Video ]]></title><link>https://sandesh.com/weather/monsoon-2026/news/anand/sojitra-kasor-house-collapse-rain-video</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/monsoon-2026/news/anand/sojitra-kasor-house-collapse-rain-video</guid><pubDate>Thu, 23 Jul 2026 20:53:48 +05:30</pubDate><description><![CDATA[<p>આણંદ જિલ્લામાં પડી રહેલા વરસાદ વચ્ચે સોજીત્રા તાલુકાના કાસોર ગામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કાસોર ગામમાં આવેલું બે માળનું જર્જરિત મકાન વરસાદના કારણે જોતજોતામાં માત્ર 20 સેકન્ડના ટૂંકા સમયમાં પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયું હતું. મકાન ધરાશાયી થવાનો આ ભયાનક લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. સદનસીબે આ મકાન સાવ ખાલી હોવાના કારણે કોઈ જાનહાની નોંધાઈ નથી, જેથી સ્થાનિક તંત્રે રાહતનો શ્વાસ લીધો છે.</p><h2><b>મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે</b></h2><p>મકાન ધરાશાયી થયાની જાણ થતાં જ સોજીત્રાના મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. માર્ગ અને આસપાસના વિસ્તારમાં પથરાયેલા મકાનના મોટા કાટમાળને ઝડપથી દૂર કરવા માટે તંત્ર દ્વારા JCB ની મદદ લેવામાં આવી હતી. કાટમાળ હટાવીને રસ્તો પુનઃ શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.</p><p><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbI7OQFFIF-/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbI7OQFFIF-/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbI7OQFFIF-/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbI7OQFFIF-/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h2><b>સાવચેતીના ભાગરૂપે MGVCL દ્વારા વીજ પુરવઠો બંધ કરાયો</b></h2><p>ઘટનાને પગલે કોઈ અન્ય હોનારત કે શોર્ટ સર્કિટ ન સર્જાય તે માટે પ્રશાસન દ્વારા કડક સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા. મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા ગ્રામજનોને પણ જર્જરિત મકાનોથી દૂર રહેવા અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/anand/anand-two-smugglers-who-stole-jewelry-and-watches-from-anand-were-caught" target="_blank">Anand: આણંદમાંથી દાગીના અને ઘડિયાળની ચોરી કરનાર બે તસ્કરો પકડાઇ ગયા</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/23/Faau65Cemu3A3R4xxsimPSjLmWV2XuOXdPuoEQkI.webp'/></item><item><title><![CDATA[Trademark for Jagannath Mandir: 'જગન્નાથ ધામ' અને 'મહાપ્રસાદ' સહિત જાણો કયા 5 પવિત્ર નામ થયા સુરક્ષિત? ]]></title><link>https://sandesh.com/india/news/trademark-for-jagannath-mandir-know-which-5-holy-names-including-jagannath-dham-and-mahaprasad-have-been-protected</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/trademark-for-jagannath-mandir-know-which-5-holy-names-including-jagannath-dham-and-mahaprasad-have-been-protected</guid><pubDate>Thu, 23 Jul 2026 20:43:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">જેમાં 'જગન્નાથ ધામ'નો સમાવેશ થાય છે. પાંચ વધુ ટ્રેડમાર્ક અરજીઓ સ્વીકારવામાં આવી છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ</h2><p style="text-align: justify; ">હિન્દુઓના ચાર પવિત્ર તીર્થસ્થાનો પૈકીના એક, ઓડિશામાં શ્રી જગન્નાથ મંદિર વહીવટીતંત્રએ પુરી મંદિર સાથે સંકળાયેલા પાંચ વધુ નામો માટે ટ્રેડમાર્ક સુરક્ષા મેળવી છે, જેમાં 'જગન્નાથ ધામ'નો પણ સમાવેશ થાય છે. એક અધિકારીએ ગુરુવારે આ જાહેરાત કરી. પુરીમાં શ્રી જગન્નાથ મંદિર કાર્યાલયે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે SJTA એ 12મી સદીના પવિત્ર મંદિરની ઓળખ અને વારસાને જાળવવાના પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે.</p><h3 style="text-align: justify; ">કાનૂની રક્ષણ પણ મજબૂત બનશે&nbsp;&nbsp;</h3><p style="text-align: justify; ">ભગવાન કૃષ્ણ, તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને સમર્પિત આ મંદિરના SGTA એ જણાવ્યું હતું કે ટ્રેડ માર્ક્સ રજિસ્ટ્રી દ્વારા બીજા રાઉન્ડની ચકાસણી પછી, આગામી ટ્રેડ માર્ક્સ જર્નલમાં પ્રકાશન માટે પાંચ વધુ ટ્રેડમાર્ક અરજીઓ સ્વીકારવામાં આવી છે. આ શબ્દો છે: 'જગન્નાથ ધામ', 'શ્રી ક્ષેત્ર', 'મહાપ્રસાદ', 'નીલચક્ર' અને 'કોઈલી વૈકુંઠ'. મંદિર કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ નોંધણીઓ મહાપ્રભુ શ્રી જગન્નાથની પવિત્ર પરંપરાઓ સાથે સંકળાયેલા નામો અને ઓળખને સુરક્ષિત રાખવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે, અને તેમના દુરુપયોગ અને અનધિકૃત વ્યાપારી ઉપયોગ સામે કાનૂની રક્ષણને પણ મજબૂત બનાવે છે.</p><h4 style="text-align: justify; ">પાંચ નામોનો અર્થ&nbsp;</h4><p style="text-align: justify; ">જગન્નાથ ધામ: આ પુરીમાં સ્થિત ભગવાન જગન્નાથનું મુખ્ય નિવાસસ્થાન છે, જેને સનાતન ધર્મમાં ચાર ધામોમાંનું એક માનવામાં આવે છે.</p><p style="text-align: justify; ">શ્રી ક્ષેત્ર: પૌરાણિક ગ્રંથોમાં ભગવાન જગન્નાથની હાજરીને કારણે પુરીને 'પૃથ્વીનું વૈકુંઠ' અથવા 'શ્રી ક્ષેત્ર' કહેવામાં આવે છે.</p><p style="text-align: justify; ">મહાપ્રસાદ: દેવી વિમલાને અર્પણ કર્યા પછી મંદિરના રસોડામાં તૈયાર કરવામાં આવતા આ પ્રસાદને 'મહાપ્રસાદ' કહેવામાં આવે છે. તે બધા ભક્તો, ભલે ગમે તે હોય, જાતિના હોય, તેનું સેવન કરે છે.</p><p style="text-align: justify; ">નીલચક્ર: આ મંદિરની ટોચ પર આઠ ધાતુઓથી બનેલી આ મોટી ડિસ્ક ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્રનું પ્રતીક છે.</p><p style="text-align: justify; ">કોઈલી વૈકુંઠ: આ મંદિર સંકુલની અંદર એક પવિત્ર સ્થળ અને બગીચો છે જ્યાં નવકાલેવર દરમિયાન ભગવાન જગન્નાથની જૂની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે.</p><h6 style="text-align: justify; ">ટ્રેડમાર્ક સંરક્ષણની પ્રક્રિયા</h6><p style="text-align: justify; ">તાજેતરના વર્ષોમાં, કેટલીક વ્યક્તિઓ અને સંસ્થાઓ ભગવાન જગન્નાથ સાથે સંકળાયેલા પવિત્ર નામો અને પ્રતીકોનો વ્યાપારી રીતે ઉપયોગ કરી રહી હતી. આને ધ્યાનમાં રાખીને, મંદિર વહીવટીતંત્રે આ ધાર્મિક ઓળખ પ્રતીકોને કાનૂની રક્ષણ આપવાનું નક્કી કર્યું હતુ. પશ્ચિમ બંગાળના દિઘામાં જગન્નાથ મંદિર માટે 'જગન્નાથ ધામ' નામનો ઉપયોગ કરવામાં આવ્યા બાદ આ મુદ્દો પ્રકાશમાં આવ્યો હતો. આ નામના ઉપયોગ અંગેના વિવાદને પગલે, સંબંધિત સંદર્ભ દૂર કરવામાં આવ્યો હતો. આ પછી, પુરી મંદિર વહીવટીતંત્રે અગ્રણી ધાર્મિક નામો અને પ્રતીકો માટે ટ્રેડમાર્ક સંરક્ષણની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવી છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/lifestyle/news/health-fitness/leg-swelling-reasons-dont-ignore-it-by-mistake-this-could-be-a-sign-of-serious-illnesses" target="_blank">ભૂલથી પણ ન કરો અવગણા, આ ગંભીર બીમારીઓનો હોઈ શકે છે સંકેત!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/23/kYo62YxJdHknv8UxG5QFPRCkjG6xNgjYlomrRIjJ.webp'/></item><item><title><![CDATA[Lok Sabha Toll Data: ટોલ પ્લાઝા હિંસા મામલે 85 હજારથી વધુ ફરિયાદો નોંધાઈ, દિલ્હી અને ગુજરાત ટોપ પર ]]></title><link>https://sandesh.com/india/news/lok-sabha-toll-data-more-than-85-thousand-complaints-registered-regarding-toll-plaza-violence-delhi-and-gujarat-on-top</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/lok-sabha-toll-data-more-than-85-thousand-complaints-registered-regarding-toll-plaza-violence-delhi-and-gujarat-on-top</guid><pubDate>Thu, 23 Jul 2026 19:57:46 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">સરકારે લોકસભાને માહિતી આપી હતી કે છેલ્લા ત્રણ વર્ષમાં આવી 85 હજારથી વધુ ફરિયાદો નોંધાઈ છે.</p><h2 style="text-align: justify; ">85 હજારથી વધુ ફરિયાદો નોંધાઇ&nbsp;</h2><p style="text-align: justify; ">લાંબી કતારો, કર્મચારીઓ દ્વારા ગેરવર્તણૂક અને ક્યારેક શારીરિક હિંસા સુધી પહોંચતા વિવાદો દેશભરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી કરતા લોકો તરફથી એક મોટી ફરિયાદ છે. હવે, પહેલીવાર, સરકારે સંસદમાં આવા કેસોના આંકડા શેર કર્યા છે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે લોકસભાને માહિતી આપી હતી કે છેલ્લા ત્રણ વર્ષમાં ટોલ પ્લાઝા પર 85 હજારથી વધુ ફરિયાદો નોંધાઈ છે. જેમાં સ્ટાફ દ્વારા ગેરવર્તણૂક, શારીરિક હુમલો સામેલ છે. સૌથી વધુ ફરિયાદો દિલ્હી, ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાંથી આવી છે.</p><h3 style="text-align: justify; ">ત્રણ વર્ષનો ડેટા શુ કહે છે ?&nbsp;</h3><p style="text-align: justify; ">સરકાર કહે છે કે મોટાભાગની ફરિયાદોનો ઉકેલ લાવવામાં આવ્યો છે. પરંતુ કેટલાક કેસ હજુ પણ પેન્ડિંગ છે. માત્ર ફરિયાદો જ નહીં, પરંતુ નિયમોનું ઉલ્લંઘન કરનારા ટોલ ઓપરેટરો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. સરકારના જણાવ્યા મુજબ, છેલ્લા ત્રણ વર્ષમાં ટોલ ઓપરેટરોને 146 કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી, જેમાં ૫.૫૩ કરોડ રૂપિયાનો નાણાકીય દંડ ફટકારવામાં આવ્યો હતો અને ત્રણ કિસ્સાઓમાં ટોલ સંચાલન કરાર રદ કરવામાં આવ્યા હતા.</p><h4 style="text-align: justify; ">સરકારની પ્રતિક્રિયા&nbsp;</h4><p style="text-align: justify; ">સરકારે એ પણ સ્પષ્ટતા કરી હતી કે જ્યારે રસ્તો સલામત જાહેર કરવામાં આવે અને જરૂરી પ્રમાણપત્રો જારી કરવામાં આવે ત્યારે જ ટોલ વસૂલવામાં આવે છે. જો રસ્તો પહોળો કે અપગ્રેડ કરવામાં આવી રહ્યો હોય, તો નિયમો અનુસાર ટોલ ફી પણ ઘટાડવામાં આવે છે. સરકારે જણાવ્યું હતું કે 1033 હેલ્પલાઇન, પીજી પોર્ટલ, હાઇવે ટ્રાવેલ એપ, ઇમેઇલ અને લેખિત સંદેશાવ્યવહાર દ્વારા ફરિયાદો મળી હતી. આમાં સ્ટાફના ગેરવર્તણૂક, હુમલો અને લાંબા સમય સુધી રાહ જોવા જેવી ફરિયાદોનો સમાવેશ થાય છે. લગભગ બધી ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે.</p><h5 style="text-align: justify; ">કયા રાજ્યોમાં સૌથી વધુ ફરિયાદો ?</h5><p style="text-align: justify; ">1. સરકારી માહિતી અનુસાર, ટોલ પ્લાઝા સંબંધિત સૌથી વધુ ફરિયાદો દિલ્હીમાં નોંધાઈ હતી, જેમાં કુલ 19,461 ફરિયાદો હતી. આ પછી ગુજરાત (11,026), રાજસ્થાન (8,837), ઉત્તર પ્રદેશ (8,697), કર્ણાટક (4,884), પંજાબ (4,532) અને બિહાર (4,424) નો ક્રમ આવે છે.</p><p style="text-align: justify; ">2. કેરળ (3,630), મધ્યપ્રદેશ (3,596), આસામ (3,587) અને આંધ્રપ્રદેશ (3,389) માં પણ નોંધપાત્ર સંખ્યામાં ફરિયાદો નોંધાઈ હતી. સરકારે જણાવ્યું હતું કે મોટાભાગની ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે અને સંબંધિત એજન્સીઓને જરૂરી સૂચનાઓ જારી કરવામાં આવી છે.</p><h6 style="text-align: justify; ">કેટલા રાજ્યોમાં કેસોનું નિરાકરણ ?</h6><p style="text-align: justify; ">લોકસભામાં સરકાર દ્વારા પૂરા પાડવામાં આવેલા ડેટા અનુસાર, છેલ્લા ત્રણ વર્ષમાં ટોલ પ્લાઝા સ્ટાફના ગેરવર્તણૂક, હુમલો અને લાંબા સમય સુધી રાહ જોવાના સમય સંબંધિત મોટાભાગની ફરિયાદોનો ઉકેલ લાવવામાં આવ્યો છે. આંધ્રપ્રદેશ, આસામ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, કેરળ, રાજસ્થાન અને ઉત્તરાખંડ જેવા અનેક રાજ્યોમાં, દાખલ થયેલી તમામ ફરિયાદોમાંથી 100% ફરિયાદોનો ઉકેલ લાવવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; ">કયા રાજ્યોમાં હજુ પણ કેસ બાકી ?</h2><p style="text-align: justify; ">જ્યારે કેટલાક રાજ્યોમાં હજુ પણ મર્યાદિત સંખ્યામાં કેસ બાકી છે, ત્યારે સૌથી વધુ ફરિયાદો દિલ્હી (38) માં છે, ત્યારબાદ પંજાબ (28), બિહાર (22), ગુજરાત (20), ઓડિશા (10), મધ્યપ્રદેશ અને તમિલનાડુ (7-7), ઉત્તર પ્રદેશ (6), કર્ણાટક અને પશ્ચિમ બંગાળ (5-5), અને તેલંગાણા (1) માં છે. 91,000 થી વધુ ફરિયાદોમાંથી, હાલમાં ફક્ત 149 ફરિયાદો બાકી છે, જ્યારે અન્ય બધી ફરિયાદોનો ઉકેલ લાવવામાં આવ્યો છે.</p><h3 style="text-align: justify; ">સરકારે શું કાર્યવાહી કરી ?</h3><p style="text-align: justify; ">માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય અનુસાર, નિયમો અથવા માનક સંચાલન પ્રક્રિયાઓનું ઉલ્લંઘન કરનારા ટોલ ઓપરેટરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. સરકારે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 146 લોકોને કારણદર્શક નોટિસ જારી કરવામાં આવી છે, ઉલ્લંઘન બદલ 5.53 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે, અને ત્રણ ટોલ ઓપરેટરોના કરાર રદ કરવામાં આવ્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે જ્યાં પણ બેદરકારી કે ઉલ્લંઘન જોવા મળ્યું છે, ત્યાં કરારની શરતો અનુસાર કાર્યવાહી કરવામાં આવી છે.</p><h4 style="text-align: justify; ">ટોલ નિયમો શું છે?</h4><p style="text-align: justify; ">સરકારે સંસદમાં સ્પષ્ટતા કરી હતી કે રસ્તા પર ટોલ વસૂલાત ત્યારે જ શરૂ થાય છે જ્યારે તેને કામગીરી માટે તૈયાર જાહેર કરવામાં આવે અને પૂર્ણતા પ્રમાણપત્ર અથવા કામચલાઉ પૂર્ણતા પ્રમાણપત્ર જારી કરવામાં આવે. જો રસ્તો પહોળો કરવાનું કે વિસ્તરણ કરવાનું કામ ચાલી રહ્યું હોય, તો વાહનચાલકોએ સંપૂર્ણ ટોલ ચૂકવવાની જરૂર નથી. નિયમો અનુસાર, બે લેનથી ચાર લેન સુધીના રસ્તાના વિસ્તરણ દરમિયાન ફક્ત 30% ટોલ વસૂલવામાં આવે છે, જ્યારે ચાર લેનથી છ લેન સુધીના રસ્તાના વિસ્તરણ દરમિયાન 75% ટોલ લાગુ પડે છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/lifestyle/news/health-fitness/post-lunch-diet-no-more-drowsiness-after-lunch-include-these-healthy-things-in-your-diet" target="_blank"> બપોરના ભોજન પછી નથી આવતી સુસ્તી! ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી વસ્તુઓ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/23/qATrZcV0ThUJ7w7SJOMAK8SyNvjGKXyGhAcCROtm.webp'/></item><item><title><![CDATA[હું અભિનેતા છું... રાજકીય બાબતો પર ધ્યાન નથી આપતો, કોકરોચ જનતા પાર્ટી પર વિવેક ઓબેરોયે કહી આ વાત ]]></title><link>https://sandesh.com/entertainment/news/vivek-oberoi-on-cjp-i-am-an-actor--not-a-leader--neet-protest</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/vivek-oberoi-on-cjp-i-am-an-actor--not-a-leader--neet-protest</guid><pubDate>Thu, 23 Jul 2026 18:08:55 +05:30</pubDate><description><![CDATA[<p>બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય કોઈપણ મુદ્દા પર તેમના સ્પષ્ટ વિચારો માટે જાણીતા છે. તેમની ફિલ્મો અને અભિનય ઉપરાંત તેઓ તેમના સ્પષ્ટવક્તા માટે પણ સમાચારમાં રહે છે. તાજેતરમાં, તેમણે કોકરોચ જનતા પાર્ટી (CJP) વિશે વાત કરી. તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.</p><h3><b>"હું એક અભિનેતા છું, નેતા નથી..."
</b></h3><p>વિવેક ઓબેરોયે તાજેતરમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાત કરી, જ્યાં તેમને CJP વિશે પણ પ્રશ્ન કરવામાં આવ્યો. જવાબમાં અભિનેતાએ કહ્યું, "હું એક અભિનેતા છું, નેતા નથી. તેથી હું રાજકીય બાબતો પર વધુ ધ્યાન આપતો નથી. આપણે અવલોકન કરીએ છીએ અને શીખીએ છીએ, અને જીવનમાં ઘણું બધું જોવા અને શીખવાનું છે. મેં હમણાં જ જોયું કે આ એક નવી વસ્તુ હતી, અને હું માનું છું કે સ્વસ્થ લોકશાહીમાં દરેક અવાજનું પોતાનું સ્થાન હોય છે. જો લોકો પોતાના વિચારો વ્યક્ત કરી રહ્યા હોય, તો તે સારી વાત છે."
</p><h4><b>CJP NEET પેપર લીક મુદ્દાનો વિરોધ કરી રહ્યા છે
</b></h4><p>CJP NEET પેપર લીક મુદ્દા પર ઘણા દિવસોથી દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સોમવારે, સંસદનું ચોમાસુ સત્ર શરૂ થતાં જ વિદ્યાર્થીઓ સંસદ ભવન તરફ કૂચ કરવા લાગ્યા. ત્યારબાદ પોલીસે ટીયર ગેસ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો. આ મુદ્દો વધુ વકરતો ગયો છે, અને વિદ્યાર્થીઓ ખુલ્લેઆમ સરકારનો વિરોધ કરવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.
</p><p>NEET પેપર લીકના સંદર્ભમાં CJP અને વિદ્યાર્થીઓ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે. આ માંગના સમર્થનમાં CJP સાથે હજારો વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. માત્ર દિલ્હીમાં જ નહીં, પરંતુ દેશના વિવિધ શહેરોમાં લોકો અને વિદ્યાર્થીઓ પણ સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે.
</p><h4><b>'રામાયણ'માં વિવેક ઓબેરોય અભિનય કરશે
</b></h4><p>અસંખ્ય બ્લોકબસ્ટર ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલા વિવેક ઓબેરોય હવે 4,000 કરોડની ફિલ્મ 'રામાયણ'માં વિદ્યુતજીહ્વાની ભૂમિકા ભજવશે. બે ભાગમાં બની રહેલી આ ફિલ્મનો પહેલો ભાગ 2026ની દિવાળીએ રિલીઝ થશે.
</p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/entertainment/news/sonu-nigam-refuses-to-comment-on-neet-student-protest-in-viral-video-" target="_blank"><b>Sonu Nigam Video: હું અહીં કેમ આવ્યો છું? વિદ્યાર્થીઓના પ્રદર્શન પર પૂછ્યો પ્રશ્ન તો ભડક્યો સોનુ નિગમ</b></a>
</p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/23/9LuRCCbkx79MC6as6lmMIRAbJ7SufPI9aT9HsjdU.webp'/></item><item><title><![CDATA[Stock Market Closing: લાલ નિશાનમાં માર્કેટ બંધ, સેન્સેક્સમાં 363.66 પોઇન્ટનો ઘટાડો ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-closing-market-closes-in-red-sensex-falls-by-36366-points</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-closing-market-closes-in-red-sensex-falls-by-36366-points</guid><pubDate>Thu, 23 Jul 2026 15:45:53 +05:30</pubDate><description><![CDATA[<p>ગુરુવારે ટ્રેડિંગ સત્ર દરમિયાન સ્થાનિક શેરબજારમાં ઘટાડો વધુ તીવ્ર બન્યો. રિયલ્ટી, બેંકિંગ અને ફાઇનાન્શિયલ શેરોમાં વેચવાલી દબાણને કારણે મુખ્ય સૂચકાંકો લાલ નિશાનમાં ટ્રેડ થયા. બપોરે 2:00 વાગ્યા સુધીમાં, સેન્સેક્સ 423 પોઈન્ટ (0.55%) ઘટીને 76,332.16 પર ટ્રેડ થયો હતો. દરમિયાન, નિફ્ટી 50 134.70 પોઈન્ટ (0.56%) ઘટીને 23,861.55 ના સ્તરે પહોંચ્યો હતો.</p><h2><b>શેરબજાર લાલ નિશાનમાં બંધ&nbsp;</b></h2><p>વ્યાપક બજારમાં પણ નબળાઈ જોવા મળી હતી. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ અને નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સ અનુક્રમે 1.04% અને 0.76% ના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. ક્ષેત્રીય સૂચકાંકોની દ્રષ્ટિએ, નિફ્ટી ફાર્મા, નિફ્ટી રિયલ્ટી અને નિફ્ટી હેલ્થકેર સૌથી વધુ દબાણનો સામનો કરી રહ્યા હતા. તેનાથી વિપરીત, નિફ્ટી FMCG અને નિફ્ટી ઓટો સૂચકાંકો પ્રમાણમાં સારું પ્રદર્શન કરતા દેખાયા હતા.</p><h3><b>એશિયન બજારોમાં લાભ</b></h3><p>જોકે, એશિયન શેરબજારોમાં ખરીદીનો માહોલ પ્રવર્તી રહ્યો છે. રોકાણકારો અપેક્ષા રાખે છે કે કૃત્રિમ બુદ્ધિ (AI) માળખાગત સુવિધાઓમાં વધતા વૈશ્વિક રોકાણથી ચિપ-ઉત્પાદક કંપનીઓને ફાયદો થશે.જાપાનનો નિક્કી 225 આશરે 0.99% મજબૂત થયો, જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી લગભગ 3.49% ના વધારા સાથે ટ્રેડ થયો.</p><p><b style="font-size: 1.5rem;">યુએસ બજારો નબળા રહ્યા</b></p><p>બુધવારે યુએસ શેરબજારો મિશ્ર વલણ સાથે બંધ થયા. ડાઉ જોન્સમાં 0.01% નો નજીવો ઘટાડો જોવા મળ્યો, અને S&amp;P 500 0.14% ઘટ્યો. ટેક શેરો પર દબાણને કારણે નાસ્ડેક કમ્પોઝિટ 0.57% ઘટીને બંધ થયો.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/04/22/ImEoH8XVKSpwKohsEtbZTWR6IaJ4XBQ4dmVVsfy6.webp'/></item></channel></rss>