<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[India News : સ્ટાલિનની ધરપકડ અગાઉ હાઈ-વોલ્ટેજ ડ્રામા, પોલીસ સમક્ષ પત્નીએ કહ્યું 'ટોયલેટમાં છે, 10 મિનિટ રાહ જુઓ...' ]]></title><link>https://sandesh.com/india/news/india-news-high-voltage-drama-before-stalins-arrest-wife-tells-police-he-is-in-the-toilet-wait-for-10-minutes</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/india-news-high-voltage-drama-before-stalins-arrest-wife-tells-police-he-is-in-the-toilet-wait-for-10-minutes</guid><pubDate>Tue, 04 Aug 2026 17:54:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">તમિલનાડુની રાજનીતિમાં એક વિવાદાસ્પદ નિવેદનને કારણે મોટો વિવાદ સર્જાયો છે, જ્યાં DMK નેતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા ઉદયનિધિ સ્ટાલિનને એક વિવાદાસ્પદ ટિપ્પણી બદલ પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ધરપકડ પહેલાં ચેન્નઈ સ્થિત તેમના નિવાસસ્થાને એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં પોલીસ અને પરિવાર વચ્ચે ચાલતી નોકઝોક સ્પષ્ટપણે દેખાઈ રહી છે. ઉદયનિધિની પત્ની કિરુથિગાએ પોલીસને 'તેઓ ટોયલેટમાં છે, 10 મિનિટ રાહ જુઓ' તેમ કહીને સમય માંગ્યો હતો, જ્યારે પોલીસ પોતાની ફરજ અડગ રહીને બજાવી રહી હતી.</p><h2 style="text-align: justify; "><b>પોલીસ અને પરિવાર વચ્ચે '10 મિનિટ'ની ઉગ્ર બોલાચાલી</b></h2><p style="text-align: justify; ">ઘરની અંદર બનેલી આ ઘટનાના વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસ અધિકારીઓ ઉદયનિધિની અટકાયત કરવા માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. પોલીસ અધિકારીએ સ્પષ્ટ કહ્યું કે તેઓ પોતાની કાનૂની ફરજ બજાવી રહ્યા છે અને વધુ સમય રાહ જોઈ શકે નહીં. આ દરમિયાન તમિલનાડુના મંત્રી મા. સુબ્રમણ્યમ પણ ત્યાં હાજર હતા અને તેમણે ઉદયનિધિને તેમની દિનચર્યા માટે થોડો સમય આપવા આગ્રહ કર્યો હતો. જો કે, પોલીસ અધિકારીઓએ કાયદાનું પાલન કરાવવાની વાત પર અડિગ રહીને વારંવાર માંગવામાં આવતા '10 મિનિટ'ના સમય સામે વાંધો વ્યક્ત કર્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>વિવાદનું મૂળ કારણ અને તીખી રાજકીય પ્રતિક્રિયાઓ</b></h2><p style="text-align: justify; ">આ સમગ્ર વિવાદ 3 ઓગસ્ટે તંજાવુર ખાતે કાવેરી જલ વિવાદને લઈને યોજાયેલા DMK ના પ્રદર્શન દરમિયાન શરૂ થયો હતો, જ્યાં ભાષણ વખતે એક અભિનેત્રી અંગે ઉદયનિધિ દ્વારા કથિત ડબલ મિનિંગ ટિપ્પણી કરવામાં આવી હતી. આ નિવેદનને પગલે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS), મહિલા ઉત્પીડન નિવારણ અધિનિયમ અને આઈટી એક્ટની કલમો હેઠળ એફઆઈઆર નોંધાવી છે. ભાજપ અને ટીવીકે સહિતના વિરોધ પક્ષોએ મહિલાઓના અપમાન બદલ સખત કાર્યવાહીની માંગ કરી છે, જ્યારે DMK આ સમગ્ર મામલાને રાજકીય બદલાની ભાવનાથી પ્રેરિત ગણાવી રહી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : India News : <a href="https://sandesh.com/india/news/india-news-prashant-kishors-historic-victory-in-bankipur-jan-suraj-left-behind-even-the-combined-votes-of-bjp-and-rjd" target="_blank">બાંકીપુરમાં પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત, જન સુરાજે ભાજપ અને રાજદના સંયુક્ત મતોને પણ પાછળ છોડ્યા</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/nR9DXq1rhGNo7O1oawgzIIA31qcgcsTfL83tWKex.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી ક્રૂઝ શરૂ થશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/600-passenger-cruise-to-launch-on-narmada-river-at-statue-of-unity</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/600-passenger-cruise-to-launch-on-narmada-river-at-statue-of-unity</guid><pubDate>Tue, 04 Aug 2026 17:49:36 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા દેશ વિદેશના પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષક સુવિધાનો ઉમેરો થયો છે.નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી અત્યાધુનિક અને ભવ્ય ક્રૂઝનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે.આ નવી ક્રૂઝ તમામ જરૂરી સુરક્ષા ધોરણોનું પાલન કરીને તેમજ સંબંધિત વિભાગોની જરૂરી પૂર્વ મંજૂરી પ્રાપ્ત કર્યા બાદ પ્રવાસીઓની સેવામાં ઉપલબ્ધ કરાવાશે.</p><h2 style="text-align: justify; "><b>200 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી ક્રૂઝ&nbsp;</b></h2><p style="text-align: justify; ">સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અગાઉથી 200 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી ક્રૂઝ સફળતાપૂર્વક સંચાલિત થઈ રહી છે.જેને પ્રવાસીઓ તરફથી અત્યંત સારો પ્રતિસાદ મળ્યો છે.નર્મદા નદીમાં ક્રૂઝ પ્રવાસ દરમિયાન કુદરતી સૌંદર્ય સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના રમણીય દૃશ્યો નિહાળવાનો અનોખો અનુભવ પ્રવાસીઓ માટે યાદગાર બન્યો છે.પ્રવાસીઓની સતત વધતી સંખ્યા અને માંગને ધ્યાનમાં રાખીને હવે વધુ વિશાળ,આધુનિક અને બહુમુખી સુવિધાઓ ધરાવતી નવી ક્રૂઝ સેવા લોન્ચ કરવામાં  આવી છે.&nbsp;</p><p style="text-align: justify; "><img alt="નર્મદા નદીમાં ક્રૂઝ" src="https://epapercdn.sandesh.com/images/2026/08/04/EANHaQZr2EfKyPRGMvgfObrueI3jksTCeDlhcQ6N.webp" style="width: 100%;"><br></p><h3 style="text-align: justify; "><b>પર્યટન ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ આકર્ષણ બનશે</b></h3><p style="text-align: justify; ">નવી ક્રૂઝ માત્ર નદીમાં પ્રવાસ માટે જ નહીં પરંતુ વિવિધ પ્રકારના સામાજિક,સાંસ્કૃતિક અને કોર્પોરેટ કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને વિશેષ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. આ ક્રૂઝ પર જન્મદિવસની ઉજવણી, કોર્પોરેટ ઇવેન્ટ્સ, સંગીત સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો, ખાનગી સમારંભો તેમજ અન્ય વિશેષ ઉજવણીઓનું આયોજન કરી શકાશે. નર્મદા નદીના મનોહર વાતાવરણ વચ્ચે યોજાતા આવા કાર્યક્રમો પ્રવાસીઓને અનોખો અને યાદગાર અનુભવ કરાવશે.નવી ક્રૂઝને વધુ આકર્ષક બનાવવા માટે તેમાં વિશેષ ડેકોરેટિવ લાઇટિંગની સુવિધા આપવામાં આવી છે, જેના કારણે ખાસ કરીને સાંજ અને રાત્રિના સમયે ક્રૂઝનું સૌંદર્ય અનેકગણું વધી જશે. આધુનિક સુવિધાઓ અને વિશાળ ક્ષમતાથી સજ્જ આ ક્રૂઝ એકતા નગરના પર્યટન ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ આકર્ષણ બનશે.</p><h2 style="text-align: justify; "><b>હાલની ક્રૂઝ કરતાં નોંધપાત્ર રીતે વધુ આધુનિક અને વિશાળ&nbsp;</b></h2><p style="text-align: justify; ">નવી ક્રૂઝ કદ, ક્ષમતા અને સુવિધાઓની દ્રષ્ટિએ હાલની ક્રૂઝ કરતાં નોંધપાત્ર રીતે વધુ આધુનિક અને વિશાળ છે. મુસાફરી ક્ષમતા, વિશાળ ડાઇનિંગ વિસ્તાર અને મોટા સ્ટેજને કારણે મોટા પાયે કાર્યક્રમોનું આયોજન સરળતાથી કરી શકાશે.સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ દ્વારા પ્રવાસીઓને વિશ્વસ્તરીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સતત નવી પહેલ કરવામાં આવી રહી છે. તે જ દિશામાં આ નવી ક્રૂઝનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે એકતા નગરના પર્યટનને નવી ઊંચાઈ આપશે. આ સુવિધાથી લગ્ન સમારંભો, કોર્પોરેટ કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ખાનગી ઉજવણીઓ માટે પણ એક અનોખું અને આકર્ષક સ્થળ ઉપલબ્ધ બનશે<br><br><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/arjun-modhwadia-meets-nitin-gadkari-seeks-drainage-on-nh-51" target="_blank">આ પણ વાંચોઃ Gandhinagar News: અર્જુન મોઢવાડિયાએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે કરી બેઠક, NH 51ની બંને બાજુ ડ્રેનેજની માગ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/qElZelAr5WQazhM0GrhhFFbN2W33Oa2mQjiufxOm.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: ન્યૂ રાણીપ અંડરપાસ પાસેથી MD ડ્રગ્સ સાથે બે યુવકો ઝડપાયા, કુલ 1.04 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/crime-branch-seizes-md-drugs-new-ranip-2-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/crime-branch-seizes-md-drugs-new-ranip-2-arrested</guid><pubDate>Tue, 04 Aug 2026 17:43:46 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરમાં યુવાધનને નશાના કાળા કારોબારથી બચાવવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કડક પેટ્રોલિંગ અને સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે. તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે સાબરમતી ન્યૂ રાણીપ અંડરપાસ નજીકના જાહેર રોડ પર બે શંકાસ્પદ યુવકો કેફી પદાર્થ (એમ.ડી. ડ્રગ્સ) નો જથ્થો લઈને પસાર થવાના છે.</p><h2><b>ન્યૂ રાણીપ અંડરપાસ પાસેથી MD ડ્રગ્સ સાથે બે યુવકો ઝડપાયા</b></h2><p>બાતમીના આધારે પોલીસે ન્યૂ રાણીપ અંડરપાસ પાસે પૂર્વઆયોજિત વોચ ગોઠવી હતી. શંકાસ્પદ હાલતમાં એક્ટીવા સ્કૂટર પર આવી પહોંચેલા બે યુવકોને રોકીને તલાશી લેતાં તેમની પાસેથી નશીલો પદાર્થ મળી આવ્યો હતો.પોલીસે ઘટનાસ્થળેથી અભી પટેલ અને સાહીલ પટેલ નામના બંને યુવકોને અટકાયતમાં લીધા હતા. તેમની પાસે રહેલા 1 ગ્રામ 400 મિલીગ્રામ એમ.ડી. (મેફેડ્રોન) ડ્રગ્સને જપ્ત કરવામાં આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય/સ્થાનિક બજાર કિંમત અંદાજે રૂ. 4,200 થાય છે. આ ઉપરાંત ડ્રગ્સના હેરાફેરીમાં વપરાયેલા બે મોંઘા મોબાઈલ ફોન અને એક એક્ટીવા સ્કૂટર મળી કુલ રૂ. 1,04,200 નો મુદ્દામાલ કબજે લેવાયો છે.</p><h3><b>એક્ટીવા સ્કૂટર મળી કુલ રૂ. 1,04,200 નો મુદ્દામાલ કબજે&nbsp;</b></h3><p>આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં આ નશીલો પદાર્થ આકાશ ઠાકોર નામના શખ્સે સપ્લાય કર્યો હોવાનું ખૂલતાં પોલીસે આકાશ ઠાકોરને વોન્ટેડ જાહેર કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચે તમામ આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને શહેરના અન્ય કયા યુવાનો સુધી પહોંચાડવાનું હતું તે દિશામાં ડ્રગ્સ નેટવર્કના તાર શોધવા તપાસ તેજ કરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/rajkot/trp-gamezone-case-high-court-cancels-dismissal-of-cfo-ilesh-kher" target="_blank">આ પણ વાંચો: Rajkot: TRP ગેમઝોન કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો, ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરની બરતરફી રદ્દ, અડધો પગાર ચૂકવવા મનપાને હુકમ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/TEoTT3l3AmEpW8JLPbtn3vSHwsYZMO9KLHys9CSV.webp'/></item><item><title><![CDATA[Yogi Adityanath: રામ મંદિર ચંદા ચોરી પર CM યોગીના પ્રહાર-વિપક્ષનું વર્તન સનાતન વિરોધી ]]></title><link>https://sandesh.com/india/news/yogi-adityanath-cm-yogis-attack-on-ram-temple-donation-theft-sadhus-and-saints-are-not-guilty-oppositions-behavior-is-anti-sanatan</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/yogi-adityanath-cm-yogis-attack-on-ram-temple-donation-theft-sadhus-and-saints-are-not-guilty-oppositions-behavior-is-anti-sanatan</guid><pubDate>Tue, 04 Aug 2026 17:41:08 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગૃહમાંથી બહાર નીકળીને સીએમ યોગીએ પત્રકારો સાથેની વાતચીતમાં રામ મંદિર ચઢાવાની ચોરી અંગે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે આ મામલે એસઆઈટી (SIT) ની રચના કરવામાં આવી હતી. કેમેરામાં જે લોકો દેખાયા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન સુપ્રીમ કોર્ટે એસઆઈટીની પુનઃરચના કરવાની વાત કહી. એસઆઈટી તપાસમાં કોઈ પણ સાધુ-સંત દોષિત મળ્યા નથી. આવા સમયમાં સાધુ-સંતો અને 1100 કર્મચારીઓ પર આક્ષેપ લગાવવો એ ખૂબ જ આશ્ચર્યજનક બાબત છે. આ આરોપો સપા અને કોંગ્રેસ લગાવી રહ્યા છે, જેમણે હંમેશા રામ જન્મભૂમિ અને ભગવાન રામનું અપમાન કર્યું છે.</p><p style="text-align: justify; ">તેમણે કહ્યું કે એક સમયમાં સપાએ પવિત્ર સરયૂ નદીને રક્તરંજિત કરી હતી. સંસદની અંદર સપા અને કોંગ્રેસના સાંસદો દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા, તે સીધેસીધું સનાતનું અપમાન હતું. એમનું વર્તન સનાતન વિરોધી છે. આ પ્રકરણમાં જે લોકો પણ પકડાયા છે, તેમને ભાજપ અને સાધુ-સંતો સાથે કોઈ લેવાદેવા નથી. આ લોકોએ હંમેશા રામ મંદિરનો વિરોધ કર્યો. આ એ જ લોકો છે જેઓ 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં આમંત્રણ હોવા છતાં ગયા ન હતા. આસ્થાની ચર્ચા એ લોકો કરી રહ્યા છે, જેઓ હિંદુઓ અને સનાતન પરંપરાને હંમેશા કઠોડામાં ઊભી કરતા રહ્યા છે. આ લોકો ચર્ચાથી ભાગી રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>યુપીની છબી ખરડવાનો પ્રયાસ કરી રહ્યું છે વિપક્ષ</b></h2><p style="text-align: justify; ">સપા અને કોંગ્રેસનું આવું વર્તન સનાતનનું અપમાન અને 25 કરોડ જનતા પર કુહાડાનો ઘા છે. યુપી હવે બીમારુ રાજ્ય નથી, ખેડૂત હવે આત્મહત્યા નથી કરી રહ્યો. આજે યુપીએ પોતાને દેશની ટોપ થ્રી ઇકોનોમીમાં ઊભું કર્યું છે. જે લોકોએ યુવાનોના હક પર ડકેતી પાડી હતી, આજે એ જ સપા ફરી દેશની અંદર યુપીની છબી ખરડવાનો પ્રયાસ કરી રહી છે. અધ્યક્ષ પીઠનું અપમાન અને માર્શલો સાથે ધક્કામુક્કી કરવાની અમે નિંદા કરીએ છીએ. આ લોકોએ વાતાવરણ બગાડવાનો પ્રયાસ કર્યો. એમનું વર્તન બંધારણીય મૂલ્યોને તાર-તાર કરનારું છે. યુપીના ધાર્મિક પ્રવાસનને આગળ વધતું રોકવાનો આ નીચ પ્રયાસ છે. અમે એની નિંદા કરીએ છીએ.</p><h3 style="text-align: justify; "><b>આ વર્તન શરમજનક છે</b></h3><p style="text-align: justify; ">યુપી વિધાનસભામાં બુધવારે પૂરક બજેટ રજૂ કરવામાં આવ્યું છે. પૂરક બજેટ પર ચર્ચા કરવા માટે જેવા સીએમ યોગી બોલવા માટે ઊભા થયા કે તરત જ વિપક્ષી ધારાસભ્યો, ખાસ કરીને સપાના સભ્યોએ હંગામો મચાવી દીધો. તેઓ રામ મંદિર ચઢાવાની ચોરી પર પહેલા ચર્ચા કરવા માંગતા હતા. સીએમ યોગીએ હંગામા પર ટીપ્પણી કરતા કહ્યું કે આ વર્તન શરમજનક છે. પૂરક બજેટનો એજન્ડા પહેલાથી જ નક્કી થઈ ગયો હતો. આના પર વિરોધી પક્ષોના લોકોએ રસ દાખવ્યો નહીં, પરંતુ અન્ય મુદ્દાઓ પર તેઓ વિઘ્ન નાખી રહ્યા છે.</p><h4 style="text-align: justify; "><br></h4><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/world/news/us-iran-war-us-bombed-a-taxi-drivers-house-in-iran-know-what-is-the-reason" target="_blank">આ પણ વાંચો: US Iran War: ઈરાનમાં ટેક્સી ડ્રાઈવરના ઘર પર USએ કર્યો બોમ્બથી હુમલો, જાણો શુ છે કારણ?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/4qvglpLZQZ9e5prRUgIFRSf9txEEZXRrI9jRlpef.webp'/></item><item><title><![CDATA[Rajkot: TRP ગેમઝોન કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો, ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરની બરતરફી રદ્દ, અડધો પગાર ચૂકવવા મનપાને હુકમ ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/trp-gamezone-case-high-court-cancels-dismissal-of-cfo-ilesh-kher</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/trp-gamezone-case-high-court-cancels-dismissal-of-cfo-ilesh-kher</guid><pubDate>Tue, 04 Aug 2026 17:11:53 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટના બહુચર્ચિત TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક પગલાંના ભાગરૂપે બરતરફ કરવામાં આવેલા અધિકારીઓના મામલે ગુજરાત હાઈકોર્ટે એક અત્યંત મહત્વનો ચુકાદો આપ્યો છે. RMC ના પૂર્વ ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર દ્વારા પોતાની બરતરફી સામે હાઈકોર્ટમાં કરાયેલી પિટિશનમાં તેમને મોટી સફળતા મળી છે.</p><h2><b>TRP ગેમઝોન અગ્નિકાંડ&nbsp;</b></h2><p>હાઈકોર્ટે ઈલેશ ખેરની બરતરફી (ડિસમિસલ) નો હુકમ રદ્દબાતલ ઠેરવ્યો છે અને તેમને નોકરીમાંથી બરતરફ કરવાને બદલે 'સસ્પેન્ડેડ' ગણવા રાજકોટ મનપાને સ્પષ્ટ આદેશ કર્યો છે. આ ઉપરાંત સસ્પેન્શન સમયગાળા દરમિયાન નિયમ મુજબ મળવાપાત્ર અડધો પગાર (સસ્પેન્શન ભથ્થું) પણ ચૂકવી આપવા મનપા તંત્રને તાકીદ કરી છે.</p><h3><b>&nbsp;પૂર્વ ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરની બરતરફી રદ્દ</b></h3><p>ગેમઝોન દુર્ઘટના બાદ વહીવટી તંત્ર દ્વારા આકરાં પગલાં દર્શાવવા માટે ૬ જેટલા અધિકારીઓને ઈન્કવાયરી રિપોર્ટ આપ્યા વગર કે ખાતાકીય તપાસની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના સીધા જ બરતરફ કરી દેવામાં આવ્યા હતા. હાઈકોર્ટમાં કાનૂની દલીલો દરમિયાન આ જ મુદ્દો સૌથી નિર્ણાયક સાબિત થયો હતો.</p><h4><b>ડિસમિસ નહીં પરંતુ સસ્પેન્ડ ગણવા હાઈકોર્ટનો હુકમ</b></h4><p>આ અગાઉ એસિસ્ટન્ટ ટાઉન પ્લાનર (ATP) મુકેશ મકવાણા અને રાજેશ મકવાણાને પણ હાઈકોર્ટમાંથી આવી જ રાહત મળી ચૂકી છે. હવે ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરના કેસમાં પણ બરતરફી રદ્દ થતાં, કાનૂની લડત લડી રહેલા 6 માંથી કુલ 3 અધિકારીઓને હાઈકોર્ટમાંથી મોટી રાહત સાંપડી છે. આ ચુકાદાથી મનપાના ઉતાવળે લેવાયેલા નિર્ણયો સામે કાનૂની રીતે મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/surendranagar/tarangadham-priest-kills-wife-and-commits-suicide-dhangadhra" target="_blank">આ પણ વાંચો: Surendranagar: તારંગાધામમાં પૂજારી પતિએ પત્નીની હત્યા કરી આત્મહત્યા કરી, DySP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/mHxaXXgcZuPZnCjqZO7Z342sVp2OF662Z80yFuDC.webp'/></item><item><title><![CDATA[Monsoon 2026 : ધારાસભ્ય હાર્દિક પટેલે CM ને પત્ર લખ્યો, નળકાંઠા વિસ્તારમાં નુકસાની સહાય આપવા કરી માંગણી... ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/ahmedabad/monsoon-2026-mla-hardik-patel-writes-a-letter-to-cm-demands-compensation-for-damages-in-nalkantha-area</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/ahmedabad/monsoon-2026-mla-hardik-patel-writes-a-letter-to-cm-demands-compensation-for-damages-in-nalkantha-area</guid><pubDate>Tue, 04 Aug 2026 17:01:17 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે રાજ્યના CM ને પત્ર પાઠવીને નળકાંઠા વિસ્તારમાં ભારે વરસાદના કારણે થયેલા નુકસાન અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આ વિસ્તારના ખેડૂતો અને અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે નુકસાની સહાય ચૂકવવામાં આવે તેવી જોરદાર રજૂઆત કરી છે.</p><h2 style="text-align: justify; "><b>વિરમગામ, માંડલ અને દેત્રોજમાં વિશેષ સર્વેની રજૂઆત</b></h2><p style="text-align: justify; ">પત્રમાં જણાવ્યા અનુસાર, ભારે વરસાદ અને જળબંબાકારની સ્થિતિના કારણે નળકાંઠા વિસ્તારના વિરમગામ, માંડલ અને દેત્રોજ તાલુકામાં વ્યાપક નુકસાન થયું છે. ધારાસભ્ય દ્વારા આ ત્રણેય તાલુકાઓમાં તાત્કાલિક વિશેષ સર્વે હાથ ધરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે, જેથી પાક નુકસાન અને મિલકતને થયેલા નુકસાનનો સાચો અંદાજ મેળવી શકાય.</p><h2 style="text-align: justify; "><b>રાહત પેકેજ અને માર્ગોના સમારકામ માટે વિશેષ અપીલ</b></h2><p style="text-align: justify; ">અસરગ્રસ્ત ખેડૂતો, નાના વેપારીઓ અને સામાન્ય પ્રજાની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને એક વિશેષ રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત, વરસાદથી ધોવાઈ ગયેલા અને ખાડા પડી ગયેલા રસ્તાઓનું વહેલી તકે સમારકામ કરાવવામાં આવે જેથી નાગરિકોની હાલાકી દૂર થઈ શકે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/himatnagar/fraud-of-more-than-5-crores-in-himmatnagar-complaint-registered-by-g-gram-development-agency-officer" target="_blank">Himmatnagarમાં 5 કરોડથી વધુની છેતરપિંડી, જી. ગ્રા. વિકાસ એજન્સીના અધિકારી દ્વારા ફરિયાદ નોંધાઈ...</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/VtUkkwbgVw6ImrPZFtLQnombKeVribGVkVeE7rln.webp'/></item><item><title><![CDATA[Surendranagar: તારંગાધામમાં પૂજારી પતિએ પત્નીની હત્યા કરી આત્મહત્યા કરી, DySP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/surendranagar/tarangadham-priest-kills-wife-and-commits-suicide-dhangadhra</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/surendranagar/tarangadham-priest-kills-wife-and-commits-suicide-dhangadhra</guid><pubDate>Tue, 04 Aug 2026 16:59:04 +05:30</pubDate><description><![CDATA[<p>સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા હેઠળ આવતા ચુલી ગામ હાઇવે પર આવેલા પ્રસિદ્ધ તારંગાધામ મંદિર પરિસરમાંથી એક હૃદયકંપાવનારી અને ચકચારમચાવનારી ઘટના સામે આવી છે. ધામમાં છેલ્લા છ વર્ષથી પૂજારી તરીકે સેવા આપતા અને મૂળ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના વતની એવા પ્રવીણભાઈ રાઠવા અને તેમનાં પત્ની વર્ષાબેન રાઠવા ના સંકુલમાંથી જ શંકાસ્પદ સંજોગોમાં મૃતદેહ મળી આવ્યા હતા.</p><h2><b>છ વર્ષથી પૂજારી તરીકે સેવા આપતા</b></h2><p>પ્રાથમિક માહિતી અનુસાર, પતિ પ્રવીણભાઈ રાઠવા અને પત્ની વર્ષાબેન વચ્ચે કોઈ કારણોસર ઉગ્ર બોલાચાલી કે ગૃહકલેશ થયો હતો. જેણે બાદમાં હિંસક સ્વરૂપ ધારણ કરી લેતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.બનાવની વિગતો મુજબ, બોલાચાલી ઉગ્ર બનતાં પૂજારી પ્રવીણભાઈ રાઠવાએ આવેશમાં આવીને પત્ની વર્ષાબેન રાઠવા પર તીક્ષ્ણ હથિયાર વડે તીવ્ર ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે વર્ષાબેનનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પત્નીને મોતને ઘાટ ઉતાર્યા બાદ ગુનાના ભય કે ગ્લાનિમાં આવીને પતિ પ્રવીણભાઈએ પણ મંદિર પરિસરમાં જ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું.</p><h3><b>પતિએ પત્નીની હત્યા કરી આત્મહત્યા કરી</b></h3><p>બનાવની જાણ થતાં જ ધ્રાંગધ્રા ડિવિઝનના DySP, સ્થાનિક PI સહિતનો મોટો પોલીસ કાફલો તારંગાધામ ખાતે દોડી ગયો હતો. પોલીસે તુરંત જ ગુનાવાળી જગ્યાને કોર્ડન કરી ફોરેન્સિક અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની મદદ લીધી છે. બંને મૃતકોની ડેડબોડીને કાયદેસરની પ્રોસેસ પૂરી કરી પોસ્ટમોર્ટમ (P.M.) અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પૂજારી દંપતી વચ્ચે કયા કારણે આટલો ગંભીર વિવાદ સર્જાયો તે દિશામાં પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/vadodara/karjan-kandari-nh48-new-bridge-damaged-within-month-potholes" target="_blank">આ પણ વાંચો: Vadodara: કરજણમાં કરોડોના ખર્ચે બનેલો નવો બ્રિજ દોઢ મહિનામાં જ બિસ્માર, સામાન્ય વરસાદે ખોલી વિકાસની પોલ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/mxIbeFjhgjJcRJ7ThiutUwwh0sBrHeQBOdsfloFz.webp'/></item><item><title><![CDATA[EV અને ઓટો ઉદ્યોગને મોટો બૂસ્ટ, Auto PLI હેઠળ કંપનીઓને મળશે હજારો કરોડનું પ્રોત્સાહન ]]></title><link>https://sandesh.com/business/news/india-auto-pli-scheme-rs-4000-crore-incentives-fy27-ev-auto-industry</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india-auto-pli-scheme-rs-4000-crore-incentives-fy27-ev-auto-industry</guid><pubDate>Tue, 04 Aug 2026 16:48:06 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગ હાલમાં ઈલેક્ટ્રિક વાહનો (EV) અને અદ્યતન ઓટોમોટિવ ટેક્નોલોજી (AAT) તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. આ પરિવર્તનને વેગ આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ (Auto PLI) યોજના હવે તેના સૌથી અસરકારક તબક્કામાં પ્રવેશી છે. નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન આ યોજના હેઠળ અંદાજે ₹4,000 કરોડનું પ્રોત્સાહન વિતરણ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.</p><h2><b>વેચાણના આધારે કંપનીઓને સરકાર તરફથી પ્રોત્સાહન મળવાનું શરૂ થયું</b></h2><p>શરૂઆતના વર્ષોમાં કંપનીઓએ ઉત્પાદન એકમો સ્થાપવા અને મોટા મૂડીરોકાણ કર્યા બાદ હવે મોટા પાયે ઉત્પાદન શરૂ કર્યું છે. તેના પરિણામે વધારાના વેચાણના આધારે કંપનીઓને સરકાર તરફથી પ્રોત્સાહન મળવાનું શરૂ થયું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, બજાજ ઓટો આ નાણાકીય વર્ષમાં Auto PLI હેઠળ પ્રોત્સાહન મેળવતી પ્રથમ કંપની બની છે. કંપનીને લગભગ ₹6,000 કરોડના વધારાના વેચાણ સામે અંદાજે ₹750 કરોડનું ઇન્સેન્ટિવ ચૂકવવામાં આવ્યું છે.</p><h3><b>Auto PLI યોજના માટે ₹5,939.87 કરોડની જોગવાઈ</b></h3><p>બજાજ ઓટોએ અગાઉ જણાવ્યું હતું કે Auto PLI યોજના હેઠળ તેના 13 વાહનોને મંજૂરી મળી છે, જેમાં બે-વ્હીલર અને ત્રણ-વ્હીલર બંનેનો સમાવેશ થાય છે. કંપનીએ સ્થાનિક મૂલ્યવર્ધન સંબંધિત શરતો પણ પૂર્ણ કરી હોવાનું જણાવ્યું હતું. કેન્દ્ર સરકારે FY27ના બજેટમાં Auto PLI યોજના માટે ₹5,939.87 કરોડની જોગવાઈ કરી છે, જે અગાઉના વર્ષના ₹2,091.26 કરોડની સરખામણીએ લગભગ ત્રણ ગણી છે. સપ્ટેમ્બર 2021માં ₹25,938 કરોડના કુલ બજેટ સાથે શરૂ કરાયેલી આ યોજનાનો હેતુ સ્થાનિક ઉત્પાદન વધારવો, રોજગારી સર્જવી અને ભારતને વૈશ્વિક ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકસાવવાનો છે.</p><p>ભારે ઉદ્યોગ મંત્રાલયના આંકડા મુજબ, યોજનાના લાભાર્થીઓએ અત્યાર સુધીમાં ₹32,879 કરોડનું વધારાનું વેચાણ નોંધાવ્યું છે. સરકારનું માનવું છે કે Auto PLI યોજના 'મેક ઈન ઈન્ડિયા' અભિયાનને વધુ મજબૂત બનાવશે, ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપશે અને ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.</p><p><b><a href="https://sandesh.com/business/news/lic-ofs-government-to-sell-6-5-percent-stake-share-price-falls-8-percent" target="_blank">આ પણ વાંચો : LICમાં સરકાર વેચશે 6.5% સુધીનો હિસ્સો, OFSની જાહેરાત બાદ શેરમાં 8% સુધીનો કડાકો</a></b></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/AXDZgW4DZPfPXIhvNy8TeYpkamPqolU2bsqbM6He.webp'/></item><item><title><![CDATA[Thalapathy Vijay: 22 વર્ષની મિત્રતાનો જાદુ! પડદાં પર થલાપતિ વિજય અને તૃષાની ફિલ્મી કેમેસ્ટ્રી રહી શાનદાર ]]></title><link>https://sandesh.com/india/news/entertainment/thalapathy-vijay-trisha-friendship-chemistry-movies</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/entertainment/thalapathy-vijay-trisha-friendship-chemistry-movies</guid><pubDate>Tue, 04 Aug 2026 14:19:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દક્ષિણ ભારતીય સિનેમાના મશહૂર સુપરસ્ટાર અને રાજકારણી બની ચૂકેલા થલાપતિ વિજય તથા લોકપ્રિય અભિનેત્રી તૃષા કૃષ્ણનની જોડી હંમેશાં દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર રહી છે. આ બંને દિગ્ગજ કલાકારોએ સાથે મળીને સિનેમા જગતને અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. તેમની પહેલી ફિલ્મ આજથી બાવીસ વર્ષ પહેલાં રિલીઝ થઈ હતી, જેણે બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સફળતા મેળવી હતી. ત્યારથી લઈને આજદિન સુધી આ ઓનસ્ક્રીન જોડીએ ફેન્સના દિલમાં એક ખાસ સ્થાન જાળવી રાખ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>અંગત જીવનમાં પણ બંને છે ગાઢ મિત્ર</b></h2><p style="text-align: justify; ">માત્ર ફિલ્મી પડદે જ નહીં, પરંતુ વાસ્તવિક જીવનમાં પણ થલાપતિ વિજય અને તૃષા કૃષ્ણન ખૂબ જ ગાઢ મિત્રો છે. તેઓ હંમેશાં એકબીજાના સુખ-દુઃખમાં પડછાયાની જેમ સાથ આપતા જોવા મળે છે. તૃષાએ વિજયના ખાસ પ્રસંગોમાં પણ ઉત્સાહપૂર્વક હાજરી આપી છે. ચાલો નજર કરીએ તેમની સાથે કામ કરેલી કેટલીક યાદગાર ફિલ્મો પર:</p><h3 style="text-align: justify; "><b>જોડીએ 2004માં આવેલી ફિલ્મમાં મચાવી હતી ધૂમ</b></h3><p style="text-align: justify; ">'ગિલ્લી' (2004): આ જોડીએ સૌપ્રથમવાર 2004માં આવેલી ફિલ્મ 'ગિલ્લી'માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ તમિલ સિનેમાની સૌથી પ્રિય અને બ્લોકબસ્ટર ફિલ્મોમાં સ્થાન પામી. તેમની રોમાન્ટિક અને એનર્જેટિક કેમેસ્ટ્રીએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા, અને તાજેતરમાં 2024માં આ ફિલ્મે પોતાના શાનદાર 20 વર્ષ પૂરા કર્યા ત્યારે તેને થિયેટરોમાં ફરીથી રિલીઝ કરવામાં આવી હતી.</p><h4 style="text-align: justify; "><b>વિજય અને તૃષાની જોડી રહી હીટ</b></h4><p style="text-align: justify; ">'થિરુપાચી' અને 'આથી': 'ગિલ્લી' ની અપાર સફળતા બાદ આ બંનેએ 'થિરુપાચી' માં શાનદાર અભિનય કર્યો. ત્યારબાદ તેઓ "આથી" માં ફરી એકસાથે પડદા પર આવ્યા. ભલે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધાર્યું પરિણામ ન લાવી શકી, પરંતુ વિજય અને તૃષાની જોડીને દર્શકો દ્વારા ભરપૂર પ્રેમ મળ્યો હતો.</p><h5 style="text-align: justify; "><b>&nbsp;આ ફિલ્મે તો કમાણીના તમામ રેકોર્ડ તોડ્યા</b></h5><p style="text-align: justify; ">'કુરુવી' અને 'લિયો': થોડા જ વર્ષોમાં ચાર ફિલ્મો આપ્યા બાદ આ જોડીએ લાંબો વિરામ લીધો. પરંતુ, પૂરા 14 વર્ષના લાંબા અંતરાલ પછી, લોકેશ કનકરાજની બ્લોકબસ્ટર ફિલ્મ "લિયો" માં તેઓ ફરીથી સાથે પરત ફર્યા. આ ફિલ્મમાં તેમની પરિપક્વ અભિનય શૈલીએ ડાર્ક અને હાઇ-વોલ્ટેજ વાર્તામાં ચાર ચાંદ લગાવી દીધા અને ફિલ્મે કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/vidisha-video-children-risk-lives-crossing-river-route-closed" target="_blank">આ પણ વાંચોઃ Video : વિદિશામાં ભણતર માટે જીવના જોખમે બાળકો પાર કરી રહ્યા છે નદી, તંત્રના ધ્યાને આવતા રસ્તો કરાયો બંધ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/9Cly4Dk8F7dthkWBrSEL9KufFc3DfprxTqzPvfwU.webp'/></item><item><title><![CDATA[Asian Games 2026 : CWG ના મેડલ વિજેતાઓ હવે એશિયાડમાં મચાવશે ધમાલ, ગોલ્ડ મેડલ પર નજર! ]]></title><link>https://sandesh.com/sports/news/asian-games-2026-cwg-medal-winners-will-now-create-a-stir-in-the-asiad-eyeing-the-gold-medal</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/asian-games-2026-cwg-medal-winners-will-now-create-a-stir-in-the-asiad-eyeing-the-gold-medal</guid><pubDate>Tue, 04 Aug 2026 09:36:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">તાજેતરમાં પૂર્ણ થયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું.ભારતે કુલ 39 મેડલ જીત્યા,જેમાં 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 8 બ્રોન્ઝનો સમાવેશ થાય છે.જોકે, કેટલાક અગ્રણી ખેલાડીઓ ગોલ્ડ મેડલ જીતવાની નજીક પહોંચી ગયા હતા,તેમને સિલ્વર અથવા બ્રોન્ઝથી સંતોષ માનવો પડ્યો હતો.હવે આ ખેલાડીઓ પાસે આની ભરપાઈ કરવાની એક મહત્વપૂર્ણ તક છે.એશિયન ગેમ્સ 2026 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર 2026 દરમિયાન જાપાનના આઈચી-નાગોયામાં યોજાશે, જ્યાં આ સ્ટાર ભારતીય ખેલાડીઓ તેમના મેડલનો રંગ ગોલ્ડમાં બદલવાના લક્ષ્ય સાથે સ્પર્ધા કરશે.</p><h5 style="text-align: justify; "><b>આ 5 ખેલાડીઓની નજર હવે એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલ પર</b>&nbsp;</h5><p style="text-align: justify; ">નીરજ ચોપરા: સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરાએ 85.83 મીટરના થ્રો સાથે કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો. દરમિયાન, શ્રીલંકાના રૂમેશ પથિરાજે 89.75 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો. હવે, આઈચી-નાગોયામાં યોજાનારી એશિયન ગેમ્સમાં તેનું એકમાત્ર લક્ષ્ય તેના થ્રોમાં સુધારો કરીને ગોલ્ડ મેડલ મેળવવાનું રહેશે. નીરજ ચોપરાએ અત્યાર સુધી એશિયન ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ જીત્યા છે. તેથી, તેની નજર ત્રીજો ગોલ્ડ મેડલ મેળવવા પર રહેશે.</p><h5 style="text-align: justify; "><b>લવલીના બોર્ગોહેન</b></h5><p style="text-align: justify; ">ભારતની સ્ટાર બોક્સર, લવલીના બોર્ગોહેન, ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા 75 કિગ્રા વર્ગની ફાઇનલમાં હારી ગઈ હતી. લવલીના બોર્ગોહેનનો સામનો ઓસ્ટ્રેલિયાની એમ્મા-સુ ગ્રીનટ્રી સામે થયો હતો, જેણે ફાઇનલ 4-1થી જીતી હતી. હવે, તે એશિયન ગેમ્સ રિંગમાં પોતાની પંચિંગ કૌશલ્યનું પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ મેળવવાનું લક્ષ્ય રાખશે.</p><h5 style="text-align: justify; "><b>જદુમણી સિંહ</b></h5><p style="text-align: justify; ">બોક્સિંગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી જદુમણી સિંહે કોમનવેલ્થ ગેમ્સમાં દેશ માટે સિલ્વર મેડલ પણ જીત્યો હતો. જદુમણીએ પુરુષોની 55 કિગ્રા વર્ગની ફાઇનલના પહેલા રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયાના જે ડિક્સનને 3-2થી હરાવ્યો હતો. પરંતુ જદુમણી પછી ફાઇનલ મુકાબલાના બીજા રાઉન્ડમાં પાછળ રહી ગયો અને અંતે 0-5થી હારી ગયો. તેથી, તે એશિયન મંચ પર આ મેડલનો રંગ બદલવા માટે ઉત્સુક રહેશે.</p><h5 style="text-align: justify; "><b>લવપ્રીત સિંહ</b></h5><p style="text-align: justify; ">વેઇટલિફ્ટિંગમાં પોતાની પરાક્રમ દર્શાવતા, લવપ્રીત સિંહે CWG 2026 માં સિલ્વર મેડલ જીત્યો. તેણે સ્નેચમાં 176 કિગ્રા અને ક્લીન એન્ડ જર્કમાં 212 કિગ્રા વજન ઉપાડીને કોમનવેલ્થ ગેમ્સનો રેકોર્ડ વેઇટલિફ્ટિંગ રેકોર્ડ હાંસલ કર્યો. આ ઇવેન્ટમાં કુલ 388 કિગ્રા વજન ઉપાડ્યું, પરંતુ તે ફક્ત 1 કિગ્રાથી ગોલ્ડ મેડલ ચૂકી ગયો. પરિણામે, તે જાપાનમાં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ માટે મજબૂત દાવેદારોમાંનો એક હશે.</p><h5 style="text-align: justify; "><b>ગુલવીર સિંહ</b></h5><p style="text-align: justify; "> લાંબા અંતરના દોડવીર ગુલવીર સિંહે કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું, 10,000 મીટરમાં સિલ્વર મેડલ અને 5,000 મીટરમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. ગુલવીર એક જ કોમનવેલ્થ ગેમ્સમાં બે એથ્લેટિક્સ મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી પણ બન્યો, પરંતુ તે ગોલ્ડ મેડલ મેળવવામાં નિષ્ફળ ગયો. તેની બેવડી સફળતા પછી, તે હવે એશિયન ગેમ્સમાં ભારતને પોડિયમની ટોચ પર લઈ જવાનું લક્ષ્ય રાખશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/gyaneshwari-yadav-commonwealth-games-silver-dsp-reward" target="_blank">Gyaneshwari Yadavને મળશે 30 લાખ રૂપિયાનું ઈનામ અને પ્રમોશન, છત્તીસગઢના સીએમ વિષ્ણુ દેવ સાંઈએ કરી મોટી જાહેરાત</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/vKDGGDlm7so2k0JtuE5m6HYS8Nx2DvGveeFvA1br.webp'/></item></channel></rss>