<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabad News: સનાતન સંસ્કૃતિનું અપમાન સહન નહીં થાય, પપ્પુ યાદવ સામે ગુજરાતના સંતોએ મોરચો માંડ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/saints-protest-against-pappu-yadav-over-sanatan-culture-controversy</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/saints-protest-against-pappu-yadav-over-sanatan-culture-controversy</guid><pubDate>Tue, 04 Aug 2026 16:53:02 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દિલ્હી ખાતે સંસદ પરિસરમાં અપક્ષ સાંસદ પપ્પુ યાદવ દ્વારા દાન ચોરીના મુદ્દે કરવામાં આવેલા વિવાદિત વિરોધ પ્રદર્શનને લઈને દેશ સહિત ગુજરાતના સાધુ સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ ઘટનાના વિરોધમાં રાજ્યના સંતોએ એક પત્રકાર પરિષદ યોજીને પપ્પુ યાદવના આ કૃત્યની આકરા શબ્દોમાં ટીકા કરી હતી.સંતોએ સ્પષ્ટ કર્યું હતું કે સાંસદ દ્વારા કરવામાં આવેલો આ વિરોધ માત્ર રાજકીય નાટક નથી પરંતુ ભગવાન શ્રીરામ અને આખી સનાતન સંસ્કૃતિનું ઘોર અપમાન છે.</p><h2 style="text-align: justify; "><b>આક્રોશ દેશના રાષ્ટ્રપતિ સુધી પહોંચાડાશે</b></h2><p style="text-align: justify; ">પત્રકાર પરિષદમાં ચૈતન્ય શંભુ મહારાજે જણાવ્યું હતું કે,પપ્પુ યાદવે જે રીતે વિરોધ પ્રદર્શન કર્યું છે તે અત્યંત નિંદનીય છે અને તેનાથી સમગ્ર હિન્દુ ધર્મની લાગણી દુભાઈ છે.તેમણે વિપક્ષ પર નિશાન સાધતા ઉમેર્યું હતું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજ સુધી દર્શન કરવા ગયા નથી.પરંતુ સંસદભવનમાં ચાલતા આવા નાટકોમાં પૂરેપૂરું સમર્થન આપે છે.આ અંગે જલદીથી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને સંત સમાજની નારાજગી અને આક્રોશ દેશના રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવામાં આવશે અને જરૂર પડશે તો પપ્પુ યાદવના પુતળા દહન પણ કરવામાં આવશે.</p><h3 style="text-align: justify; "><b>પપ્પુ યાદવે બનાવટી સંતનો વેશ ધારણ કર્યો</b></h3><p style="text-align: justify; ">દિલીપદાસજી મહારાજ અને મોહનદાસજી મહારાજે આક્ષેપ કર્યો હતો કે 31 જુલાઈના રોજ પપ્પુ યાદવે બનાવટી સંતનો વેશ ધારણ કરીને સંત સમાજની મર્યાદાને લજવવાનું કામ કર્યું છે.તેમણે દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને મલ્લિકાર્જુન ખડગેના કહેવાથી આ કૃત્ય આચરવામાં આવ્યું છે.જે રીતે ભૂતકાળમાં રાવણ પણ સંતના વેશમાં આવ્યો હતો પણ અંતે તેનો નાશ થયો હતો.તેવી જ રીતે સનાતન ધર્મનું અપમાન કરનારાઓ વિનાશના માર્ગે જઈ રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>આપણે ધર્મની રક્ષા કરીશું તો જ ધર્મ આપણી રક્ષા કરશે</b></h2><p style="text-align: justify; ">સુખાનંદ મહારાજે જણાવ્યું હતું કે જો આપણે ધર્મની રક્ષા કરીશું તો જ ધર્મ આપણી રક્ષા કરશે.સંતોએ એક સૂરે સરકાર પાસે કડક માંગણી કરી છે કે સનાતન સંસ્કૃતિનું અપમાન કરનારા પપ્પુ યાદવનું સાંસદ પદ તાત્કાલિક અસરથી રદ્દ કરવામાં આવે અને તેઓ ભવિષ્યમાં ક્યારેય ચૂંટણી ન લડી શકે તેવી કાર્યવાહી થાય.આ મુદ્દાને લઈને સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લાઓમાં એક અઠવાડિયા સુધી વિરોધ કાર્યક્રમો યોજાશે અને રાજ્યપાલને આવેદન અપાશે.જો સરકાર તરફથી યોગ્ય આકરાં પગલાં લેવામાં નહીં આવે તો આગામી સોમવારે રાજ્યભરના સાધુ-સંતો ગાંધીનગરમાં એકઠા થઈને ઉગ્ર આંદોલન કરશે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-seals-16-construction-sites-over-mosquito-breeding" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: રોગચાળાને લઈ AMCએ 16 સાઈટો સીલ કરી, તપાસમાં 211 સ્થળોએ મચ્છરના બ્રિડ મળ્યા</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/vYjjyY69Mshb0Wx6fPoZU5QlXPeW9K0HFsDDqiuQ.webp'/></item><item><title><![CDATA[Vadodara: કરજણમાં કરોડોના ખર્ચે બનેલો નવો બ્રિજ દોઢ મહિનામાં જ બિસ્માર, સામાન્ય વરસાદે ખોલી વિકાસની પોલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/karjan-kandari-nh48-new-bridge-damaged-within-month-potholes</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/karjan-kandari-nh48-new-bridge-damaged-within-month-potholes</guid><pubDate>Tue, 04 Aug 2026 16:50:56 +05:30</pubDate><description><![CDATA[<p>વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આવેલ કંડારી ગામ નજીક નેશનલ હાઇવે-48 (NH-48) પર કરોડો રૂપિયાના ખર્ચે તાજેતરમાં જ નવો બ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો. સ્થાનિકો અને વાહનચાલકોને આશા હતી કે આ બ્રિજથી વાહનવ્યવહાર સુગમ બનશે, પરંતુ માત્ર દોઢ મહિનાના ગાળામાં જ ચોમાસાના સામાન્ય વરસાદે કોન્ટ્રાક્ટર અને તંત્રની નબળી કામગીરીની પોલ ખોલી નાખી છે.</p><h2><b>બ્રિજ પર નાના-મોટા ખાડા&nbsp;</b></h2><p>સામાન્ય વરસાદી પાણીના વહેણમાં જ બ્રિજ પર અનેક જગ્યાએ નાના-મોટા ખાડા પડી ગયા છે અને બ્રિજ પર પાણી ભરાવા લાગ્યું છે. હાઇવે પરથી પુરપાટ ઝડપે પસાર થતાં વાહનો માટે આ ખાડાઓ અકસ્માતનું મોટું આહ્વાન બની રહ્યા છે, જેના કારણે વાહનચાલકોના જીવ તાળવે ચોંટ્યા છે. બ્રિજની આ બિસ્માર હાલતનું મીડિયા દ્વારા કવરેજ શરુ કરાતાં જ હરકતમાં આવેલી સંબંધિત એજન્સીએ લોકરોષથી બચવા અને કૌભાંડ છુપાવવા ઉતાવળમાં ખાડા પૂરવાની કામગીરી હાથ ધરી હતી.</p><h3><b>બ્રિજના નબળા બાંધકામ અને ગુણવત્તા અંગે સવાલ</b></h3><p>ઘટનાસ્થળે હાજર જવાબદાર અધિકારીને જ્યારે બ્રિજના નબળા બાંધકામ અને ગુણવત્તા અંગે સવાલ પૂછવામાં આવ્યા, ત્યારે તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું અને ઊલટાનું મીડિયા કર્મચારીઓ સાથે જ દલીલો કરવાનું શરૂ કર્યું હતું. વાહનચાલકો પાસેથી મોટા પ્રમાણમાં ટોલ ટેક્સ વસૂલવામાં આવતો હોવા છતાં આવી હલકી કક્ષાની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ છે. સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય પારદર્શક તપાસ કરી દોષિત એજન્સી અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/hit-and-run-minor-daks-overspeed-bolero-kills-2-on-house-veranda" target="_blank">આ પણ વાંચો: Mehsana: ઘરના ઓટલે બેઠેલા લોકો પર કાર ચડાવી દીધી, 2 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત, 1 ગંભીર</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/AS2uucyv6vuzY2HEk7XIIXkAiDkWo4rY2Ni9TIX9.webp'/></item><item><title><![CDATA[EV અને ઓટો ઉદ્યોગને મોટો બૂસ્ટ, Auto PLI હેઠળ કંપનીઓને મળશે હજારો કરોડનું પ્રોત્સાહન ]]></title><link>https://sandesh.com/business/news/india-auto-pli-scheme-rs-4000-crore-incentives-fy27-ev-auto-industry</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india-auto-pli-scheme-rs-4000-crore-incentives-fy27-ev-auto-industry</guid><pubDate>Tue, 04 Aug 2026 16:48:06 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગ હાલમાં ઈલેક્ટ્રિક વાહનો (EV) અને અદ્યતન ઓટોમોટિવ ટેક્નોલોજી (AAT) તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. આ પરિવર્તનને વેગ આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ (Auto PLI) યોજના હવે તેના સૌથી અસરકારક તબક્કામાં પ્રવેશી છે. નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન આ યોજના હેઠળ અંદાજે ₹4,000 કરોડનું પ્રોત્સાહન વિતરણ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.</p><h2><b>વેચાણના આધારે કંપનીઓને સરકાર તરફથી પ્રોત્સાહન મળવાનું શરૂ થયું</b></h2><p>શરૂઆતના વર્ષોમાં કંપનીઓએ ઉત્પાદન એકમો સ્થાપવા અને મોટા મૂડીરોકાણ કર્યા બાદ હવે મોટા પાયે ઉત્પાદન શરૂ કર્યું છે. તેના પરિણામે વધારાના વેચાણના આધારે કંપનીઓને સરકાર તરફથી પ્રોત્સાહન મળવાનું શરૂ થયું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, બજાજ ઓટો આ નાણાકીય વર્ષમાં Auto PLI હેઠળ પ્રોત્સાહન મેળવતી પ્રથમ કંપની બની છે. કંપનીને લગભગ ₹6,000 કરોડના વધારાના વેચાણ સામે અંદાજે ₹750 કરોડનું ઇન્સેન્ટિવ ચૂકવવામાં આવ્યું છે.</p><h3><b>Auto PLI યોજના માટે ₹5,939.87 કરોડની જોગવાઈ</b></h3><p>બજાજ ઓટોએ અગાઉ જણાવ્યું હતું કે Auto PLI યોજના હેઠળ તેના 13 વાહનોને મંજૂરી મળી છે, જેમાં બે-વ્હીલર અને ત્રણ-વ્હીલર બંનેનો સમાવેશ થાય છે. કંપનીએ સ્થાનિક મૂલ્યવર્ધન સંબંધિત શરતો પણ પૂર્ણ કરી હોવાનું જણાવ્યું હતું. કેન્દ્ર સરકારે FY27ના બજેટમાં Auto PLI યોજના માટે ₹5,939.87 કરોડની જોગવાઈ કરી છે, જે અગાઉના વર્ષના ₹2,091.26 કરોડની સરખામણીએ લગભગ ત્રણ ગણી છે. સપ્ટેમ્બર 2021માં ₹25,938 કરોડના કુલ બજેટ સાથે શરૂ કરાયેલી આ યોજનાનો હેતુ સ્થાનિક ઉત્પાદન વધારવો, રોજગારી સર્જવી અને ભારતને વૈશ્વિક ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકસાવવાનો છે.</p><p>ભારે ઉદ્યોગ મંત્રાલયના આંકડા મુજબ, યોજનાના લાભાર્થીઓએ અત્યાર સુધીમાં ₹32,879 કરોડનું વધારાનું વેચાણ નોંધાવ્યું છે. સરકારનું માનવું છે કે Auto PLI યોજના 'મેક ઈન ઈન્ડિયા' અભિયાનને વધુ મજબૂત બનાવશે, ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપશે અને ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.</p><p><b><a href="https://sandesh.com/business/news/lic-ofs-government-to-sell-6-5-percent-stake-share-price-falls-8-percent" target="_blank">આ પણ વાંચો : LICમાં સરકાર વેચશે 6.5% સુધીનો હિસ્સો, OFSની જાહેરાત બાદ શેરમાં 8% સુધીનો કડાકો</a></b></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/AXDZgW4DZPfPXIhvNy8TeYpkamPqolU2bsqbM6He.webp'/></item><item><title><![CDATA[Himmatnagarમાં 5 કરોડથી વધુની છેતરપિંડી, જી. ગ્રા. વિકાસ એજન્સીના અધિકારી દ્વારા ફરિયાદ નોંધાઈ... ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/himatnagar/fraud-of-more-than-5-crores-in-himmatnagar-complaint-registered-by-g-gram-development-agency-officer</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/himatnagar/fraud-of-more-than-5-crores-in-himmatnagar-complaint-registered-by-g-gram-development-agency-officer</guid><pubDate>Tue, 04 Aug 2026 16:47:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હિંમતનગર વિસ્તારમાં છેતરપિંડીનો એક મોટો મામલો સામે આવ્યો છે, જેમાં ૫ કરોડ રૂપિયાથી વધુની રકમની છેતરપિંડી થયાની સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે. આ ગંભીર કૌભાંડ બહાર આવતા સહકારી અને વહીવટી બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. આર્થિક અપરાધ સાથે જોડાયેલા આ મામલાને લઈને પોલીસ દ્વારા સઘન તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>એજન્સી દ્વારા ટેન્ડરની પ્રક્રિયામાં આચરવામાં આવી ગેરરીતિ</b></h2><p style="text-align: justify; ">જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના જવાબદાર અધિકારી દ્વારા આ મામલે કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે 'ઉમા એન્ટરપ્રાઇઝ' નામની એજન્સી દ્વારા ટેન્ડર મેળવવા માટે અનામત રકમમાં ગંભીર પ્રકારની બનાવટ કરવામાં આવી હતી. એજન્સી દ્વારા ટેન્ડરની નિયમોનુસારની રકમ સમયસર જમા ન કરાવવી પડે તે માટે વિવિધ પ્રકારના તરકટો અને દસ્તાવેજોમાં છેડછાડ કરવામાં આવી હોવાનું ખુલ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>પોલીસ તપાસ શરૂ અને આરોપીઓ સામે સકંજાની તૈયારી</b></h2><p style="text-align: justify; ">ફરિયાદ નોંધાતાની સાથે જ પોલીસે કાગળોની ચકાસણી અને ટેન્ડર પ્રક્રિયા સાથે જોડાયેલા દસ્તાવેજો એકત્ર કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. આ કૌભાંડ પાછળ અન્ય કયા કયા લોકો સંકળાયેલા છે અને આ નાણાંકીય ગેરરીતિમાં કયા મોટા માથાઓનો હાથ છે તે દિશામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે. પોલીસ દ્વારા ટૂંક સમયમાં જ સંડોવાયેલા શખ્સો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/ahmedabad/monsoon-2026-rains-in-viramgam-have-opened-the-floodgates-causing-huge-potholes-on-the-main-roads" target="_blank">Monsoon 2026 : વિરમગામમાં વરસાદે ખોલી તંત્રની પોલ, મુખ્ય માર્ગો પર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય...</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/ArJlPgNNhCHRAM6GDrnmX5rQeWqruThetzMxHtqs.webp'/></item><item><title><![CDATA[Mehsana: ઘરના ઓટલે બેઠેલા લોકો પર કાર ચડાવી દીધી, 2 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત, 1 ગંભીર ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/hit-and-run-minor-daks-overspeed-bolero-kills-2-on-house-veranda</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/hit-and-run-minor-daks-overspeed-bolero-kills-2-on-house-veranda</guid><pubDate>Tue, 04 Aug 2026 16:40:39 +05:30</pubDate><description><![CDATA[<p>મહેસાણા શહેરમાં વધુ એક નબીરાની બેફામ ડ્રાઇવિંગે બે નિર્દોષ લોકોનો ભોગ લીધો છે. સોસાયટીમાં પોતાના ઘરના ઓટલા અને પગથિયાં પર બેસીને શાંતિથી વાતો કરી રહેલા પરિવારજનો અને પાડોશીઓ પર અચાનક કાળ બનીને આવેલી એક ઓવરસ્પીડ બોલેરો ગાડી ચડી ગઈ હતી.</p><h2><b>બેફામ ડ્રાઇવિંગે બે નિર્દોષ લોકોનો ભોગ લીધો&nbsp;</b></h2><p>પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, દક્ષ નામનો સગીર વયનો નબીરો અંદાજે ૧૦૦ કિમી પ્રતિ કલાકની ભયાનક ઝડપે બોલેરો ચલાવી રહ્યો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે ગાડી ઓટલા પર બેઠેલા લોકોને કચડીને સોસાયટીના કમ્પાઉન્ડ વોલના મુખ્ય દરવાજા અને સિમેન્ટના પીલર સાથે અથડાઈ હતી, જેના કારણે ગેટ અને પીલર પણ તૂટીને ધરાશાયી થઈ ગયા હતા.</p><h3><b>અન્ય 1 વ્યક્તિને ગંભીર ઈજાઓ</b></h3><p>આ ગોઝારા અકસ્માતમાં બોલેરો નીચે કચડાવાથી 2 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 1 વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતાં તાત્કાલિક ધોરણે સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે.ટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને શોકની કાલિમા છવાઈ ગઈ છે. નાના બાળકો કે સગીરોને સ્ટંટ કરવા માટે સ્પીડમાં વાહનો આપતા વાલીઓ અને અકસ્માત સર્જનાર સગીર આરોપી સામે પોલીસ દ્વારા વહેલામાં વહેલી તકે કડકમાં કડક કાનૂની પગલાં લેવામાં આવે તેવી મૃતકોના પરિજનો અને સ્થાનિક રહીશોએ ઉગ્ર માગ કરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/monsoon-2026-disaster-in-ahmedabad-villages-despite-the-passage-of-fifteen-days-rainwater-is-still-present-in-the-societies" target="_blank">આ પણ વાંચો: Monsoon 2026 : અમદાવાદ ગ્રામ્યમાં આફત, પંદર દિવસ વીતવા છતાં સોસાયટીઓમાં હજુ પણ વરસાદી પાણી યથાવત...</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/qCNxoY8O8rKqExuAaBAYMT9NZHGcdkmwq00iKflB.webp'/></item><item><title><![CDATA[India News : બાંકીપુરમાં પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત, જન સુરાજે ભાજપ અને રાજદના સંયુક્ત મતોને પણ પાછળ છોડ્યા ]]></title><link>https://sandesh.com/india/news/india-news-prashant-kishors-historic-victory-in-bankipur-jan-suraj-left-behind-even-the-combined-votes-of-bjp-and-rjd</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/india-news-prashant-kishors-historic-victory-in-bankipur-jan-suraj-left-behind-even-the-combined-votes-of-bjp-and-rjd</guid><pubDate>Tue, 04 Aug 2026 16:30:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બિહારની રાજનીતિમાં મોટા પરિવર્તનના સંકેત આપતા, બાંકીપુર વિધાનસભા ઉપચૂંટણીના પરિણામોએ સૌકોઈને ચોંકાવી દીધા છે. આ ચૂંટણીમાં જન સુરાજના સંસ્થાપક પ્રશાંત કિશોરે ઐતિહાસિક જીત નોંધાવી છે. જન સુરાજને મળેલો જનાદેશ માત્ર એક બેઠકની જીત નથી, પરંતુ બિહારના બદલાતા રાજકીય સમીકરણોની મોટી સાબિતી છે. મતદારોએ પરંપરાગત પક્ષોને બદલે એક નવા રાજકીય વિકલ્પ પર ભરોસો મૂક્યો છે, જ્યાં દરેક બીજો મત પ્રશાંત કિશોરના ખાતામાં ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>કોને કેટલા મતો મળ્યા?</b></h2><ul><li style="text-align: justify;">કુલ માન્ય મતો: 1,30,313</li><li style="text-align: justify;">પ્રશાંત કિશોર (જન સુરાજ): 64,151 મતો (49.23%)</li><li style="text-align: justify;">નીરજ કુમાર (ભાજપ): 44,827 મતો (34.40%)</li><li style="text-align: justify;">રેખા કુમારી (રાજદ): 14,273 મતો (10.95%)</li></ul><h2 style="text-align: justify; "><b>ભાજપ અને રાજદના સંયુક્ત મતો પણ ઓછા પડ્યા</b></h2><ul><li style="text-align: justify;">આ ચૂંટણીનું સૌથી મોટું આશ્ચર્ય એ રહ્યું કે, ભાજપ અને રાજદના સંયુક્ત મતો પણ પ્રશાંત કિશોરના કુલ આંકડા સુધી પહોંચી શક્યા નહીં.</li><li style="text-align: justify;">ભાજપ (44,827) અને રાજદ (14,273) ના કુલ મતો ભેગા કરીએ તો 59,100 થાય છે.</li><li style="text-align: justify;">જ્યારે પ્રશાંત કિશોર એકલા 64,151 મતો મેળવવામાં સફળ રહ્યા.</li><li style="text-align: justify;">આ પ્રકારે જન સુરાજે મુખ્ય વિપક્ષોના સંયુક્ત મતો સામે 5,051 મતોની મજબૂત સરસાઈ મેળવી હતી.</li></ul><p style="text-align: justify;"><img alt="બાંકીપુરમાં પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત" src="https://epapercdn.sandesh.com/images/2026/08/04/zq9mkILMfzBgGQNL4XL4iCOfFskW1nubbPUBoqij.webp"><b><br></b></p><h2 style="text-align: justify;"><b>ધાથી વધુ મતો પર પ્રભુત્વ</b></h2><p style="text-align: justify; ">પ્રશાંત કિશોરને કુલ મતોના 49.23% એટલે કે આશરે દર 100 માંથી 49 મતદારોનું સમર્થન મળ્યું. આ ભાજપનો ગઢ ગણાતી બેઠક પર એક નવા રાજકીય પક્ષ માટે ખૂબ જ મોટું પરાક્રમ છે. ભાજપ આ મુકાબલામાં આશરે 15 ટકા પાછળ રહી ગઈ, જ્યારે રાજદ 11% થી પણ ઓછા મત શેર સાથે ત્રીજા સ્થાન પર સમેટાઈ ગઈ. આ ચૂંટણીમાં કુલ 25 ઉમેદવારો મેદાનમાં હતા, પરંતુ મુખ્ય મુકાબલો ટોચના ત્રણ ઉમેદવારો વચ્ચે જ સીમિત રહ્યો હતો. શીર્ષ ત્રણ ઉમેદવારોને કુલ 94.58% મતો મળ્યા, જ્યારે બાકીના 22 ઉમેદવારો અને નોટા (NOTA) મળીને માત્ર 5.42% મતો જ મેળવી શક્યા. મોટાભાગના નાના પક્ષો અને અપક્ષ ઉમેદવારો 1% મત શેર સુધી પણ પહોંચી શક્યા ન હતા અને મોટાભાગના ઉમેદવારોની જમાના જપ્ત થઈ ગઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>આગામી વિધાનસભા ચૂંટણી માટે મોટો સંદેશ</b></h2><p style="text-align: justify; ">બાંકીપુરનું આ પરિણામ માત્ર એક પેટાચૂંટણીનો વિજય નથી, પરંતુ આગામી બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષો માટે રણનીતિ પર નવા સિરેથી વિચાર કરવાનો મોટો સંકેત છે. પરંપરાગત રાજકારણને બાજુએ મૂકીને જનતાએ જે રીતે નવા વિકલ્પને સ્વીકાર્યો છે, તે બિહારની આગામી રાજનીતિની દિશા નક્કી કરશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/india/news/world/india-appoints-vishwesh-negi-new-ambassador-to-iran-hormuz-strait-tensions" target="_blank">Hormuz Strait સંકટ વચ્ચે ભારતનો રાજદ્વારી દાવ, ઈરાનમાં ભારતના નવા રાજદૂત તરીકે વિશ્વેશ નેગીની નિમણૂક</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/XgPk8KMnXR3a36otIL7O1jwhEesmyfXZPzIpA90C.webp'/></item><item><title><![CDATA[Hormuz Strait સંકટ વચ્ચે ભારતનો રાજદ્વારી દાવ, ઈરાનમાં ભારતના નવા રાજદૂત તરીકે વિશ્વેશ નેગીની નિમણૂક ]]></title><link>https://sandesh.com/india/news/world/india-appoints-vishwesh-negi-new-ambassador-to-iran-hormuz-strait-tensions</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/world/india-appoints-vishwesh-negi-new-ambassador-to-iran-hormuz-strait-tensions</guid><pubDate>Tue, 04 Aug 2026 15:47:04 +05:30</pubDate><description><![CDATA[<p>પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટને લઈને સર્જાયેલી અનિશ્ચિતતા વચ્ચે ભારત સરકારે વરિષ્ઠ રાજદ્વારી અધિકારી વિશ્વેશ નેગીને ઈરાનમાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત કર્યા છે. વિદેશ મંત્રાલય (MEA)એ સોમવારે તેમની નિમણૂકની સત્તાવાર જાહેરાત કરી છે. 2002ની બેચના ભારતીય વિદેશ સેવા (IFS)ના અધિકારી વિશ્વેશ નેગી હાલમાં વિદેશ મંત્રાલયમાં સંયુક્ત સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે.&nbsp;</p><h2><b>હાલના રાજદૂત રુદ્ર ગૌરવ શ્રેષ્ઠનું સ્થાન લેશે</b></h2><p>તેઓ ટૂંક સમયમાં તેહરાનમાં પોતાનો કાર્યભાર સંભાળશે અને હાલના રાજદૂત રુદ્ર ગૌરવ શ્રેષ્ઠનું સ્થાન લેશે. રુદ્ર ગૌરવ શ્રેષ્ઠને હવે તુર્કીમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વિશ્વેશ નેગીને આંતરરાષ્ટ્રીય કૂટનીતિ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓનો લાંબો અનુભવ છે. હાલ તેઓ ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર સાથે ભારતના સંબંધોની જવાબદારી સંભાળી રહ્યા છે. અગાઉ તેઓ રક્ષા મંત્રાલયમાં આંતરરાષ્ટ્રીય સહકાર વિભાગના સંયુક્ત સચિવ તરીકે કાર્યરત હતા, જ્યાં તેમણે સંરક્ષણ કૂટનીતિ, આંતરરાષ્ટ્રીય સૈન્ય સહયોગ અને અનેક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય ચર્ચાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે સંયુક્ત રાષ્ટ્રના રાજકીય વિભાગમાં નિર્દેશક તરીકે પણ સેવા આપી છે અને પાકિસ્તાન, ઓશિનિયા સહિત અનેક ક્ષેત્રોમાં રાજદ્વારી જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી છે.</p><h3><b>શું રહેશે પડકારો?</b></h3><p>ભારત અને ઈરાન વચ્ચે ઊર્જા, વેપાર અને વ્યૂહાત્મક સહકારના મહત્વપૂર્ણ સંબંધો છે. આવી સ્થિતિમાં વિશ્વેશ નેગીની નિમણૂકને ખાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. પશ્ચિમ એશિયામાં છેલ્લા કેટલાક મહિનાથી સુરક્ષા પરિસ્થિતિ સતત બદલાઈ રહી છે. અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના વધતા તણાવ, હોર્મુઝ સ્ટ્રેટને લઈને ઉભા થયેલા પડકારો તથા ઊર્જા પુરવઠા અને વૈશ્વિક વેપાર પર પડતી અસર વચ્ચે ભારતે હંમેશા શાંતિ, સ્થિરતા અને સંવાદનો માર્ગ અપનાવવાની વકાલાત કરી છે. હવે નવા રાજદૂત તરીકે વિશ્વેશ નેગી ભારત-ઈરાન સંબંધોને વધુ મજબૂત બનાવવા અને પ્રાદેશિક પડકારો વચ્ચે રાજદ્વારી સંતુલન જાળવવાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.</p><p><b><a href="https://sandesh.com/business/news/india/business-in-india-which-states-are-the-best-for-starting-a-new-business-or-startup-in-india" target="_blank">આ પણ વાંચો : Business In India: ભારતમાં નવો બિઝનેસ કે સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે કયા રાજ્યો છે શ્રેષ્ઠ?</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/gxZgdh4j5eF69VdUKQkAMYi2HXNlOysgdjUPTNiS.webp'/></item><item><title><![CDATA[Monsoon 2026 : અમદાવાદ ગ્રામ્યમાં આફત, પંદર દિવસ વીતવા છતાં સોસાયટીઓમાં હજુ પણ વરસાદી પાણી યથાવત... ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/monsoon-2026-disaster-in-ahmedabad-villages-despite-the-passage-of-fifteen-days-rainwater-is-still-present-in-the-societies</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/monsoon-2026-disaster-in-ahmedabad-villages-despite-the-passage-of-fifteen-days-rainwater-is-still-present-in-the-societies</guid><pubDate>Tue, 04 Aug 2026 15:19:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ બંધ થયાને પંદર દિવસનો લાંબો સમય વીતી ગયો હોવા છતાં અનેક સોસાયટીઓમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને રસ્તાઓ પર ભરાયેલા પાણીના કારણે સ્થાનિક રહેવાસીઓને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીના નિકાલના અભાવે વિસ્તારમાં કાદવ-કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત સેવાઈ રહી છે.</p><h2 style="text-align: justify; "><b>તંત્રની ઉદાસીનતા અને માત્ર કાગળ પરના ઠરાવો</b></h2><p style="text-align: justify; ">સ્થાનિક નાગરિકો દ્વારા સંબંધિત પાલિકા તંત્રને વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં જમીની સ્તરે કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. પાલિકા તંત્ર દ્વારા માત્ર કાગળ પર ઠરાવો કરવામાં આવ્યા છે, પરંતુ તેનો અમલ કરવામાં વહીવટી તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું છે. અધિકારીઓની આ પ્રકારની ઉદાસીનતા અને બેદરકારીને કારણે પ્રજાની સમસ્યાઓ દિવસેને દિવસે વધુ ગંભીર બનતી જાય છે.</p><h2 style="text-align: justify; "><b>તાત્કાલિક કાયમી ઉકેલ લાવવા ઉગ્ર માગણી</b></h2><p style="text-align: justify; ">પાણી ભરાવાની આ ગંભીર સમસ્યાથી ત્રસ્ત બનેલી સોસાયટીઓના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નાગરિકોની ઉગ્ર માગણી છે કે વહીવટી તંત્ર તાત્કાલિક ધોરણે હરકતમાં આવે અને આ પાણીનો યોગ્ય નિકાલ કરાવવા માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવે. જો વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે, તો સ્થાનિક લોકો દ્વારા આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીલો પણ ઉચ્ચારવામાં આવી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/possibility-of-light-showers-amid-cloudy-weather-in-gujarat-state-fishermen-advised-not-to-venture-into-the-sea" target="_blank">Gujarat રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાં ઝાપટાંની શક્યતા, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/86IXgpNSpkndzyhCbDN4QiSwXBkyEXQlZlJR17pj.webp'/></item><item><title><![CDATA[Thalapathy Vijay: 22 વર્ષની મિત્રતાનો જાદુ! પડદાં પર થલાપતિ વિજય અને તૃષાની ફિલ્મી કેમેસ્ટ્રી રહી શાનદાર ]]></title><link>https://sandesh.com/india/news/entertainment/thalapathy-vijay-trisha-friendship-chemistry-movies</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/entertainment/thalapathy-vijay-trisha-friendship-chemistry-movies</guid><pubDate>Tue, 04 Aug 2026 14:19:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દક્ષિણ ભારતીય સિનેમાના મશહૂર સુપરસ્ટાર અને રાજકારણી બની ચૂકેલા થલાપતિ વિજય તથા લોકપ્રિય અભિનેત્રી તૃષા કૃષ્ણનની જોડી હંમેશાં દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર રહી છે. આ બંને દિગ્ગજ કલાકારોએ સાથે મળીને સિનેમા જગતને અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. તેમની પહેલી ફિલ્મ આજથી બાવીસ વર્ષ પહેલાં રિલીઝ થઈ હતી, જેણે બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સફળતા મેળવી હતી. ત્યારથી લઈને આજદિન સુધી આ ઓનસ્ક્રીન જોડીએ ફેન્સના દિલમાં એક ખાસ સ્થાન જાળવી રાખ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>અંગત જીવનમાં પણ બંને છે ગાઢ મિત્ર</b></h2><p style="text-align: justify; ">માત્ર ફિલ્મી પડદે જ નહીં, પરંતુ વાસ્તવિક જીવનમાં પણ થલાપતિ વિજય અને તૃષા કૃષ્ણન ખૂબ જ ગાઢ મિત્રો છે. તેઓ હંમેશાં એકબીજાના સુખ-દુઃખમાં પડછાયાની જેમ સાથ આપતા જોવા મળે છે. તૃષાએ વિજયના ખાસ પ્રસંગોમાં પણ ઉત્સાહપૂર્વક હાજરી આપી છે. ચાલો નજર કરીએ તેમની સાથે કામ કરેલી કેટલીક યાદગાર ફિલ્મો પર:</p><h3 style="text-align: justify; "><b>જોડીએ 2004માં આવેલી ફિલ્મમાં મચાવી હતી ધૂમ</b></h3><p style="text-align: justify; ">'ગિલ્લી' (2004): આ જોડીએ સૌપ્રથમવાર 2004માં આવેલી ફિલ્મ 'ગિલ્લી'માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ તમિલ સિનેમાની સૌથી પ્રિય અને બ્લોકબસ્ટર ફિલ્મોમાં સ્થાન પામી. તેમની રોમાન્ટિક અને એનર્જેટિક કેમેસ્ટ્રીએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા, અને તાજેતરમાં 2024માં આ ફિલ્મે પોતાના શાનદાર 20 વર્ષ પૂરા કર્યા ત્યારે તેને થિયેટરોમાં ફરીથી રિલીઝ કરવામાં આવી હતી.</p><h4 style="text-align: justify; "><b>વિજય અને તૃષાની જોડી રહી હીટ</b></h4><p style="text-align: justify; ">'થિરુપાચી' અને 'આથી': 'ગિલ્લી' ની અપાર સફળતા બાદ આ બંનેએ 'થિરુપાચી' માં શાનદાર અભિનય કર્યો. ત્યારબાદ તેઓ "આથી" માં ફરી એકસાથે પડદા પર આવ્યા. ભલે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધાર્યું પરિણામ ન લાવી શકી, પરંતુ વિજય અને તૃષાની જોડીને દર્શકો દ્વારા ભરપૂર પ્રેમ મળ્યો હતો.</p><h5 style="text-align: justify; "><b>&nbsp;આ ફિલ્મે તો કમાણીના તમામ રેકોર્ડ તોડ્યા</b></h5><p style="text-align: justify; ">'કુરુવી' અને 'લિયો': થોડા જ વર્ષોમાં ચાર ફિલ્મો આપ્યા બાદ આ જોડીએ લાંબો વિરામ લીધો. પરંતુ, પૂરા 14 વર્ષના લાંબા અંતરાલ પછી, લોકેશ કનકરાજની બ્લોકબસ્ટર ફિલ્મ "લિયો" માં તેઓ ફરીથી સાથે પરત ફર્યા. આ ફિલ્મમાં તેમની પરિપક્વ અભિનય શૈલીએ ડાર્ક અને હાઇ-વોલ્ટેજ વાર્તામાં ચાર ચાંદ લગાવી દીધા અને ફિલ્મે કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/vidisha-video-children-risk-lives-crossing-river-route-closed" target="_blank">આ પણ વાંચોઃ Video : વિદિશામાં ભણતર માટે જીવના જોખમે બાળકો પાર કરી રહ્યા છે નદી, તંત્રના ધ્યાને આવતા રસ્તો કરાયો બંધ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/9Cly4Dk8F7dthkWBrSEL9KufFc3DfprxTqzPvfwU.webp'/></item><item><title><![CDATA[Asian Games 2026 : CWG ના મેડલ વિજેતાઓ હવે એશિયાડમાં મચાવશે ધમાલ, ગોલ્ડ મેડલ પર નજર! ]]></title><link>https://sandesh.com/sports/news/asian-games-2026-cwg-medal-winners-will-now-create-a-stir-in-the-asiad-eyeing-the-gold-medal</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/asian-games-2026-cwg-medal-winners-will-now-create-a-stir-in-the-asiad-eyeing-the-gold-medal</guid><pubDate>Tue, 04 Aug 2026 09:36:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">તાજેતરમાં પૂર્ણ થયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું.ભારતે કુલ 39 મેડલ જીત્યા,જેમાં 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 8 બ્રોન્ઝનો સમાવેશ થાય છે.જોકે, કેટલાક અગ્રણી ખેલાડીઓ ગોલ્ડ મેડલ જીતવાની નજીક પહોંચી ગયા હતા,તેમને સિલ્વર અથવા બ્રોન્ઝથી સંતોષ માનવો પડ્યો હતો.હવે આ ખેલાડીઓ પાસે આની ભરપાઈ કરવાની એક મહત્વપૂર્ણ તક છે.એશિયન ગેમ્સ 2026 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર 2026 દરમિયાન જાપાનના આઈચી-નાગોયામાં યોજાશે, જ્યાં આ સ્ટાર ભારતીય ખેલાડીઓ તેમના મેડલનો રંગ ગોલ્ડમાં બદલવાના લક્ષ્ય સાથે સ્પર્ધા કરશે.</p><h5 style="text-align: justify; "><b>આ 5 ખેલાડીઓની નજર હવે એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલ પર</b>&nbsp;</h5><p style="text-align: justify; ">નીરજ ચોપરા: સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરાએ 85.83 મીટરના થ્રો સાથે કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો. દરમિયાન, શ્રીલંકાના રૂમેશ પથિરાજે 89.75 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો. હવે, આઈચી-નાગોયામાં યોજાનારી એશિયન ગેમ્સમાં તેનું એકમાત્ર લક્ષ્ય તેના થ્રોમાં સુધારો કરીને ગોલ્ડ મેડલ મેળવવાનું રહેશે. નીરજ ચોપરાએ અત્યાર સુધી એશિયન ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ જીત્યા છે. તેથી, તેની નજર ત્રીજો ગોલ્ડ મેડલ મેળવવા પર રહેશે.</p><h5 style="text-align: justify; "><b>લવલીના બોર્ગોહેન</b></h5><p style="text-align: justify; ">ભારતની સ્ટાર બોક્સર, લવલીના બોર્ગોહેન, ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા 75 કિગ્રા વર્ગની ફાઇનલમાં હારી ગઈ હતી. લવલીના બોર્ગોહેનનો સામનો ઓસ્ટ્રેલિયાની એમ્મા-સુ ગ્રીનટ્રી સામે થયો હતો, જેણે ફાઇનલ 4-1થી જીતી હતી. હવે, તે એશિયન ગેમ્સ રિંગમાં પોતાની પંચિંગ કૌશલ્યનું પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ મેળવવાનું લક્ષ્ય રાખશે.</p><h5 style="text-align: justify; "><b>જદુમણી સિંહ</b></h5><p style="text-align: justify; ">બોક્સિંગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી જદુમણી સિંહે કોમનવેલ્થ ગેમ્સમાં દેશ માટે સિલ્વર મેડલ પણ જીત્યો હતો. જદુમણીએ પુરુષોની 55 કિગ્રા વર્ગની ફાઇનલના પહેલા રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયાના જે ડિક્સનને 3-2થી હરાવ્યો હતો. પરંતુ જદુમણી પછી ફાઇનલ મુકાબલાના બીજા રાઉન્ડમાં પાછળ રહી ગયો અને અંતે 0-5થી હારી ગયો. તેથી, તે એશિયન મંચ પર આ મેડલનો રંગ બદલવા માટે ઉત્સુક રહેશે.</p><h5 style="text-align: justify; "><b>લવપ્રીત સિંહ</b></h5><p style="text-align: justify; ">વેઇટલિફ્ટિંગમાં પોતાની પરાક્રમ દર્શાવતા, લવપ્રીત સિંહે CWG 2026 માં સિલ્વર મેડલ જીત્યો. તેણે સ્નેચમાં 176 કિગ્રા અને ક્લીન એન્ડ જર્કમાં 212 કિગ્રા વજન ઉપાડીને કોમનવેલ્થ ગેમ્સનો રેકોર્ડ વેઇટલિફ્ટિંગ રેકોર્ડ હાંસલ કર્યો. આ ઇવેન્ટમાં કુલ 388 કિગ્રા વજન ઉપાડ્યું, પરંતુ તે ફક્ત 1 કિગ્રાથી ગોલ્ડ મેડલ ચૂકી ગયો. પરિણામે, તે જાપાનમાં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ માટે મજબૂત દાવેદારોમાંનો એક હશે.</p><h5 style="text-align: justify; "><b>ગુલવીર સિંહ</b></h5><p style="text-align: justify; "> લાંબા અંતરના દોડવીર ગુલવીર સિંહે કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું, 10,000 મીટરમાં સિલ્વર મેડલ અને 5,000 મીટરમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. ગુલવીર એક જ કોમનવેલ્થ ગેમ્સમાં બે એથ્લેટિક્સ મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી પણ બન્યો, પરંતુ તે ગોલ્ડ મેડલ મેળવવામાં નિષ્ફળ ગયો. તેની બેવડી સફળતા પછી, તે હવે એશિયન ગેમ્સમાં ભારતને પોડિયમની ટોચ પર લઈ જવાનું લક્ષ્ય રાખશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/gyaneshwari-yadav-commonwealth-games-silver-dsp-reward" target="_blank">Gyaneshwari Yadavને મળશે 30 લાખ રૂપિયાનું ઈનામ અને પ્રમોશન, છત્તીસગઢના સીએમ વિષ્ણુ દેવ સાંઈએ કરી મોટી જાહેરાત</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/vKDGGDlm7so2k0JtuE5m6HYS8Nx2DvGveeFvA1br.webp'/></item></channel></rss>