<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Rajkot સિવિલ હોસ્પિટલમાં મહિલા જુનિયર ડોક્ટર સાથે મારામારી, સિનિયર ડોક્ટર સામે ફરિયાદ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/rajkot/rajkot-civil-hospital-senior-doctor-junior-doctor-assault-case</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/rajkot/rajkot-civil-hospital-senior-doctor-junior-doctor-assault-case</guid><pubDate>Fri, 21 Aug 2026 11:26:08 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડોક્ટર દ્વારા મહિલા જુનિયર ડોક્ટર સાથે મારામારી અને ગેરવર્તન કરવાના મામલે વિવાદ વધુ ગંભીર બન્યો છે. ડો. અશ્વિન રામાણી વિરુદ્ધ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ જુનિયર ડોક્ટરોએ હડતાળ સમેટી લીધી છે અને તેઓ ફરી ફરજ પર પરત ફર્યા છે.</p><h2 style="text-align: justify; "><b>વૃદ્ધ દર્દીને વેન્ટિલેટર પર ઇમરજન્સી વોર્ડમાં રાખવાની રજૂઆત&nbsp;</b></h2><p style="text-align: justify; ">આ સમગ્ર મામલો ઇમરજન્સી રૂમમાં ગંભીર હાલતમાં આવેલા એક વૃદ્ધ દર્દીની સારવાર અંગેની ચર્ચા દરમિયાન ઉગ્ર બન્યો હતો. જુનિયર ડોક્ટર ડો. ક્રિશા શિંગાળાએ વૃદ્ધ દર્દીને વેન્ટિલેટર પર ઇમરજન્સી વોર્ડમાં રાખવાની રજૂઆત કરી હતી. બીજી તરફ ડો. અશ્વિન રામાણીએ દર્દીને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવાની વાત કરી હતી. આ મુદ્દે બંને વચ્ચે વિવાદ થયો હોવાનું સામે આવ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>વિવાદિત ડોક્ટર વિરુદ્ધ અગાઉ પણ ગેરવર્તનની ફરિયાદો</b></h3><p style="text-align: justify; ">ડો. ક્રિશા શિંગાળાના આક્ષેપ મુજબ વિવાદ દરમિયાન તેમની સાથે મારામારી કરવામાં આવી અને ગાળો આપવામાં આવી હતી. આ ઘટનાને પગલે જુનિયર ડોક્ટરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જુનિયર ડોક્ટરોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે વિવાદિત ડોક્ટર વિરુદ્ધ અગાઉ પણ અન્ય જુનિયર ડોક્ટરો સાથે ગેરવર્તન અને આ પ્રકારના વર્તનની ફરિયાદો થઈ ચૂકી છે.</p><h4 style="text-align: justify; "><b>મેડિકલ કોલેજ ખાતે બેઠક યોજાઈ&nbsp;</b></h4><p style="text-align: justify; ">મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મેડિકલ કોલેજ ખાતે બેઠક યોજાઈ હતી. બેઠકમાં સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ, મેડિકલ કોલેજના ડીન, RMO, અન્ય ઉચ્ચ ડોક્ટરો, ડો. ક્રિશા શિંગાળા અને તેમના માતા-પિતાને હાજર રાખવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત પણ સામે આવી છે.</p><h4 style="text-align: justify; "><b>પોલીસમાં ફરિયાદ નોંધાઇ&nbsp;</b></h4><p style="text-align: justify; ">બીજી તરફ, ડો. અશ્વિન રામાણી વિરુદ્ધ BNSની કલમ 115(2), 352 અને 351(2) સહિતની જોગવાઈઓ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. જુનિયર ડોક્ટરો હવે ડો. અશ્વિન રામાણી સામે કડક કાર્યવાહી, બદલી અથવા સસ્પેન્શનની માંગ કરી રહ્યા છે.</p><h4 style="text-align: justify; "><b>કાર્યસ્થળની સુરક્ષા અંગે પણ ગંભીર સવાલો&nbsp;</b></h4><p style="text-align: justify; ">આ ઘટનાએ હોસ્પિટલોમાં સિનિયર અને જુનિયર ડોક્ટરો વચ્ચેના વ્યવહાર અને કાર્યસ્થળની સુરક્ષા અંગે પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે. હવે ફરિયાદ નોંધાયા બાદ વિવાદિત ડોક્ટર સામે તંત્ર કઈ પ્રકારની કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર રહેશે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp; &nbsp;:&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/bhavnagar-hooch-tragedy-61-affected-critical-patients-smc-investigation" target="_blank"><b> Live Bhavnagar લઠ્ઠાકાંડ : મૃતકના શરીરમાં 200 એમએલથી વધુ મિથેનોલ મળ્યું</b></a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/IPFc9uvYx8v2HkDyCRs6tFp1MXnMx2X8cDtg7iEt.webp'/></item><item><title><![CDATA[INDIAએ એશિયન ઓપન શોર્ટ ટ્રેક સ્પીડ સ્કેટિંગ ટ્રોફી 2026માં જીત્યા 44 મેડલ ]]></title><link>https://sandesh.com/sports/news/india/india-wins-44-medals-at-asian-open-short-track-speed-skating-trophy-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india/india-wins-44-medals-at-asian-open-short-track-speed-skating-trophy-2026</guid><pubDate>Fri, 21 Aug 2026 11:20:37 +05:30</pubDate><description><![CDATA[<p>Dehradunના મહારાણા પ્રતાપ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્થિત હિમાદ્રિ આઈસ રિંકમાં ચાર દિવસ સુધી ચાલેલી રમત ઓપન શોર્ટ ટ્રેક સ્પીડ સ્કેટિંગ ટ્રોફી 2026નું રોમાંચક સમાપન થયું. એશિયાના 14 દેશોના ટોચના ખેલાડીઓ વચ્ચે યોજાયેલી આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતે શાનદાર પ્રદર્શન કરતાં કુલ 44 મેડલ જીત્યા. જેમાં 13 ગોલ્ડ, 13 સિલ્વર અને 18 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.</p><h2><b>ફાઈનલ ડે પર પણ ભારતનો દબદબો</b></h2><p>ગોલ્ડ મેડલની સંખ્યાના આધારે ભારત બીજા સ્થાને, જ્યારે થાઈલેન્ડે 16 ગોલ્ડ સાથે ચેમ્પિયનશિપન મેડલમાં પ્રથમ સ્થાને રહ્યું. ચીને 12 ગોલ્ડ, 11 સિલ્વર અને 8 બ્રોન્ઝ સહિત કુલ 31 મેડલ સાથે ત્રીજા સ્થાને રહ્યું હતું. સ્પર્ધાના અંતિમ દિવસે પણ ભારતીય ખેલાડીઓએ શાનદાર દેખાવ કર્યો. જુનિયર A બોયઝ 500 મીટરમાં  ભારતના પ્રણવ માધવ સુરપાનેનીએ બ્રોન્ઝ મેડલ જીત્યો. તેણે 44.13 સેકન્ડના સમય સાથે પોડિયમ પર સ્થાન મેળવ્યું. ઈન્ડોનેશિયાના કાયશાન અજરી પુત્રા ફિરદૌસે ગોલ્ડ અને થાઈલેન્ડના કૃત્સનાપોન ફૌત્રાકુલે સિલ્વર મેડલ જીત્યો.</p><h3><b>ભારતના કીર્તિ રાજ સિંહે બ્રોન્ઝ મેડલ મેળવ્યો</b></h3><p>જુનિયર C બોયઝ 777 મીટરમાં ભારતના સિદ્ધાંત માંજરેએ ગોલ્ડ મેડલ જીતીને શાનદાર પ્રદર્શન કર્યું. સિદ્ધાંતે 1 મિનિટ 13.50 સેકન્ડના સમય સાથે પ્રથમ સ્થાન મેળવ્યું. હોંગકોંગના કાર્લ મેનને સિલ્વર અને ઉઝબેકિસ્તાનના મખમુદોવ અલીશેરે બ્રોન્ઝ મેડલ જીત્યો.જુનિયર B બોયઝ 1000 મીટરમાં ભારતના બે ખેલાડીઓએ પોડિયમ પર સ્થાન મેળવ્યું. થાઈલેન્ડના કોસ્ટિવાનિચ ઔન્નીપિતે ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે ભારતના આરવ અનિરુદ્ધ પટવર્ધને 1 મિનિટ 29.68 સેકન્ડના સમય સાથે સિલ્વર અને ભારતના જ અદ્વૈત કોઠારીએ 1 મિનિટ 29.78 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો. જુનિયર A બોયઝ 1000 મીટરમાં ભારતને સિલ્વર મેડલ, દક્ષિણ કોરિયાના હ્વાંગ સેઓજિને ગોલ્ડ, ભારતના પ્રણવ માધવ સુરપાનેનીએ 1 મિનિટ 33.93 સેકન્ડ સાથે સિલ્વર અને ઈન્ડોનેશિયાના કાયશાન અજરી પુત્રા ફિરદૌસે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.</p><h4><b>રિલેમાં પણ ભારતે જીત્યા બે બ્રોન્ઝ</b></h4><p>ફાઈનલ ડે પર રિલે સ્પર્ધાઓમાં પણ ભારતે પોડિયમ પર સ્થાન મેળવ્યું. મહિલા 3000 મીટર રિલેમાં થાઈલેન્ડે ગોલ્ડ, ચાઈનીઝ તાઈપેઈએ સિલ્વર અને ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો. જ્યારે પુરુષ 3000 મીટર રિલેમાં હોંગકોંગે ગોલ્ડ, થાઈલેન્ડે સિલ્વર અને ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો. સ્પર્ધાની અંતિમ મેડલ ટેલીમાં થાઈલેન્ડ 16 ગોલ્ડ, 6 સિલ્વર અને 3 બ્રોન્ઝ સહિત કુલ 25 મેડલ સાથે પ્રથમ સ્થાને રહ્યું. ભારતે 13 ગોલ્ડ, 13 સિલ્વર અને 18 બ્રોન્ઝ સાથે કુલ 44 મેડલ મેળવીને બીજું સ્થાન મેળવ્યું. ચીન 12 ગોલ્ડ, 11 સિલ્વર અને 8 બ્રોન્ઝ સાથે કુલ 31 મેડલ મેળવી ત્રીજા સ્થાને રહ્યું.</p><h4><b>ભારત માટે ભવિષ્યમાં નવી આશાઓ જગાવી</b></h4><p> </p><p>ભારત ગોલ્ડ મેડલની સંખ્યામાં થાઈલેન્ડથી પાછળ રહીને બીજા સ્થાને રહ્યું, પરંતુ 44 મેડલ સાથે કુલ મેડલની સંખ્યામાં તેનો દેખાવ ખૂબ જ મજબૂત રહ્યો.હવે આ સ્પર્ધામાંથી મળેલા અનુભવ અને ક્વોલિફિકેશન બાદ ભારતીય ખેલાડીઓની નજર વર્લ્ડ કપ અને આગામી ઓલિમ્પિક્સ પર રહેશે. દેહરાદૂનની બરફ પર ચાર દિવસ ચાલેલી આ રમતમાં ભારતીય શોર્ટ ટ્રેક સ્પીડ સ્કેટિંગના ભવિષ્ય માટે નવી આશાઓ ઉભી થઈ છે.</p><p><a href="https://sandesh.com/" target="_blank" style="background-color: rgb(255, 255, 255);">વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ&nbsp;</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/Bous7Kt2ImsBV1z9khFeHs12xByxSpQvCM07CONy.webp'/></item><item><title><![CDATA[INDIAએ એશિયન ઓપન શોર્ટ ટ્રેક સ્પીડ સ્કેટિંગ ટ્રોફી 2026માં જીત્યા 44 મેડલ ]]></title><link>https://sandesh.com/sports/news/india/india-wins-44-medals-at-asian-open-short-track-speed-skating-trophy-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india/india-wins-44-medals-at-asian-open-short-track-speed-skating-trophy-2026</guid><pubDate>Fri, 21 Aug 2026 11:20:37 +05:30</pubDate><description><![CDATA[<p>Dehradunના મહારાણા પ્રતાપ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્થિત હિમાદ્રિ આઈસ રિંકમાં ચાર દિવસ સુધી ચાલેલી રમત ઓપન શોર્ટ ટ્રેક સ્પીડ સ્કેટિંગ ટ્રોફી 2026નું રોમાંચક સમાપન થયું. એશિયાના 14 દેશોના ટોચના ખેલાડીઓ વચ્ચે યોજાયેલી આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતે શાનદાર પ્રદર્શન કરતાં કુલ 44 મેડલ જીત્યા. જેમાં 13 ગોલ્ડ, 13 સિલ્વર અને 18 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.</p><h2><b>ફાઈનલ ડે પર પણ ભારતનો દબદબો</b></h2><p>ગોલ્ડ મેડલની સંખ્યાના આધારે ભારત બીજા સ્થાને, જ્યારે થાઈલેન્ડે 16 ગોલ્ડ સાથે ચેમ્પિયનશિપન મેડલમાં પ્રથમ સ્થાને રહ્યું. ચીને 12 ગોલ્ડ, 11 સિલ્વર અને 8 બ્રોન્ઝ સહિત કુલ 31 મેડલ સાથે ત્રીજા સ્થાને રહ્યું હતું. સ્પર્ધાના અંતિમ દિવસે પણ ભારતીય ખેલાડીઓએ શાનદાર દેખાવ કર્યો. જુનિયર A બોયઝ 500 મીટરમાં  ભારતના પ્રણવ માધવ સુરપાનેનીએ બ્રોન્ઝ મેડલ જીત્યો. તેણે 44.13 સેકન્ડના સમય સાથે પોડિયમ પર સ્થાન મેળવ્યું. ઈન્ડોનેશિયાના કાયશાન અજરી પુત્રા ફિરદૌસે ગોલ્ડ અને થાઈલેન્ડના કૃત્સનાપોન ફૌત્રાકુલે સિલ્વર મેડલ જીત્યો.</p><h3><b>ભારતના કીર્તિ રાજ સિંહે બ્રોન્ઝ મેડલ મેળવ્યો</b></h3><p>જુનિયર C બોયઝ 777 મીટરમાં ભારતના સિદ્ધાંત માંજરેએ ગોલ્ડ મેડલ જીતીને શાનદાર પ્રદર્શન કર્યું. સિદ્ધાંતે 1 મિનિટ 13.50 સેકન્ડના સમય સાથે પ્રથમ સ્થાન મેળવ્યું. હોંગકોંગના કાર્લ મેનને સિલ્વર અને ઉઝબેકિસ્તાનના મખમુદોવ અલીશેરે બ્રોન્ઝ મેડલ જીત્યો.જુનિયર B બોયઝ 1000 મીટરમાં ભારતના બે ખેલાડીઓએ પોડિયમ પર સ્થાન મેળવ્યું. થાઈલેન્ડના કોસ્ટિવાનિચ ઔન્નીપિતે ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે ભારતના આરવ અનિરુદ્ધ પટવર્ધને 1 મિનિટ 29.68 સેકન્ડના સમય સાથે સિલ્વર અને ભારતના જ અદ્વૈત કોઠારીએ 1 મિનિટ 29.78 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો. જુનિયર A બોયઝ 1000 મીટરમાં ભારતને સિલ્વર મેડલ, દક્ષિણ કોરિયાના હ્વાંગ સેઓજિને ગોલ્ડ, ભારતના પ્રણવ માધવ સુરપાનેનીએ 1 મિનિટ 33.93 સેકન્ડ સાથે સિલ્વર અને ઈન્ડોનેશિયાના કાયશાન અજરી પુત્રા ફિરદૌસે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.</p><h4><b>રિલેમાં પણ ભારતે જીત્યા બે બ્રોન્ઝ</b></h4><p>ફાઈનલ ડે પર રિલે સ્પર્ધાઓમાં પણ ભારતે પોડિયમ પર સ્થાન મેળવ્યું. મહિલા 3000 મીટર રિલેમાં થાઈલેન્ડે ગોલ્ડ, ચાઈનીઝ તાઈપેઈએ સિલ્વર અને ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો. જ્યારે પુરુષ 3000 મીટર રિલેમાં હોંગકોંગે ગોલ્ડ, થાઈલેન્ડે સિલ્વર અને ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો. સ્પર્ધાની અંતિમ મેડલ ટેલીમાં થાઈલેન્ડ 16 ગોલ્ડ, 6 સિલ્વર અને 3 બ્રોન્ઝ સહિત કુલ 25 મેડલ સાથે પ્રથમ સ્થાને રહ્યું. ભારતે 13 ગોલ્ડ, 13 સિલ્વર અને 18 બ્રોન્ઝ સાથે કુલ 44 મેડલ મેળવીને બીજું સ્થાન મેળવ્યું. ચીન 12 ગોલ્ડ, 11 સિલ્વર અને 8 બ્રોન્ઝ સાથે કુલ 31 મેડલ મેળવી ત્રીજા સ્થાને રહ્યું.</p><h4><b>ભારત માટે ભવિષ્યમાં નવી આશાઓ જગાવી</b></h4><p> </p><p>ભારત ગોલ્ડ મેડલની સંખ્યામાં થાઈલેન્ડથી પાછળ રહીને બીજા સ્થાને રહ્યું, પરંતુ 44 મેડલ સાથે કુલ મેડલની સંખ્યામાં તેનો દેખાવ ખૂબ જ મજબૂત રહ્યો.હવે આ સ્પર્ધામાંથી મળેલા અનુભવ અને ક્વોલિફિકેશન બાદ ભારતીય ખેલાડીઓની નજર વર્લ્ડ કપ અને આગામી ઓલિમ્પિક્સ પર રહેશે. દેહરાદૂનની બરફ પર ચાર દિવસ ચાલેલી આ રમતમાં ભારતીય શોર્ટ ટ્રેક સ્પીડ સ્કેટિંગના ભવિષ્ય માટે નવી આશાઓ ઉભી થઈ છે.</p><p><a href="https://sandesh.com/" target="_blank" style="background-color: rgb(255, 255, 255);">વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ&nbsp;</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/Bous7Kt2ImsBV1z9khFeHs12xByxSpQvCM07CONy.webp'/></item><item><title><![CDATA[Arjun Bijlaniની કારનો અકસ્માત, શોના પ્રમોશનથી પરત ફરતી વખતે બની ઘટના! ]]></title><link>https://sandesh.com/entertainment/news/arjun-bijlani-car-accident-show-promotion</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/arjun-bijlani-car-accident-show-promotion</guid><pubDate>Fri, 21 Aug 2026 10:52:26 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ટીવી એક્ટર અર્જુન બિજલાની એક અકસ્માતનો ભોગ બન્યો હતો. તેની કારનો અકસ્માત થયો હતો. આગામી શો ચુંબક કોલોનીના પ્રમોશનથી પરત ફરતી વખતે અર્જુન બિજલાની સાથે આ ઘટના બની હતી. સારી વાત એ છે કે તેમને કોઈ ઈજા થઈ નથી.</p><h2 style="text-align: justify; "><b>અર્જુન બિજલાનીની કારનો થયો અકસ્માત</b></h2><p style="text-align: justify; ">અર્જુન બિજલાની પોતાના આગામી વેબ શો ચુંબકની રિલીઝની તૈયારી કરી રહ્યા છે. આ શો ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર રિલીઝ થવાનો છે. એક્ટરે તેનું પ્રમોશન પણ શરૂ કરી દીધું છે. જોકે, પ્રમોશન દરમિયાન તેની કારનો અકસ્માત થયો હતો. અર્જુન આ પ્રોજેક્ટના પ્રમોશન માટે એક ઇન્ડિયન ગેમ શોમાં ગયા હતા. શૂટિંગ પૂરું કરીને પરત ફરતી વખતે તેની કારનો અકસ્માત થયો હતો. સારી વાત એ છે કે અર્જુન અને કારમાં હાજર તમામ લોકો સુરક્ષિત છે. કોઈને ગંભીર ઈજા થઈ નથી અને એક્ટર પણ ઠીક છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DaiVWAtDVif/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DaiVWAtDVif/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DaiVWAtDVif/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DaiVWAtDVif/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><p style="text-align: justify; ">આ ઘટનાથી તેમના ફેન્સ ઘણા ચિંતિત થયા હતા, પરંતુ સારી વાત એ છે કે તમામ લોકો સુરક્ષિત છે. અર્જુનના ફેન્સ હવે નેટફ્લિક્સ પર ચુંબક કોલોનીની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>અર્જુન બિજલાનીનો આગામી પ્રોજેક્ટ</b></h3><p style="text-align: justify; ">આ સિરીઝની વાત કરીએ તો ચુંબક કોલોનીમાં રહેતા 5 અનોખા પરિવારોની આ સ્ટોરી છે, જ્યાં તેમની વચ્ચેના ઝઘડા અને મજેદાર હરકતો દરરોજ નવી પરિસ્થિતિ ઊભી કરે છે. અર્જુન બિજલાની ઉપરાંત નીના ગુપ્તા, દેવેન ભોજાણી, સુમિત વ્યાસ, સંદીપ ધર, સુમિત રાઘવન, અમાયરા દસ્તૂર, ડેલનાઝ ઈરાની અને અનંત વી જોશી પણ આ પ્રોજેક્ટનો ભાગ છે. આ સિરીઝ 28 ઓગસ્ટથી નેટફ્લિક્સ પર રિલીઝ થશે.</p><h5 style="text-align: justify; "><b>અર્જુન બિજલાનીનું વર્ક ફ્રન્ટ</b></h5><p style="text-align: justify; ">કામની વાત કરીએ તો અર્જુન છેલ્લે રાઇઝ એન્ડ ફોલ શોમાં જોવા મળ્યો હતો. અર્જુન આ શોના વિજેતા પણ રહ્યા હતા. આ શોને અશનીર ગ્રોવરે હોસ્ટ કર્યો હતો. તેઓ કોમેડી શો લાફ્ટર શેફ્સમાં પણ જોવા મળ્યો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news//govinda-sunita-second-marriage-phone-call" target="_blank">આ પણ વાંચો-Celebrity Controversy : શું બીજા લગ્ન કરવાની તૈયારીમાં હતા ગોવિંદા? એક ફોન કોલે મચાવી દીધો હતો ભારે હંગામો!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/FsegbZokS6utzoF7pFOqrSUVtS8foCSOUHgs0jpK.webp'/></item><item><title><![CDATA[Lucknow મર્ડર કેસમાં નવો વળાંક... દિવ્યાએ કરી 1 કરોડની માંગણી, બહેન તુલિકા અને પત્નીને થતા ઝઘડા ]]></title><link>https://sandesh.com/india/news/crime/lucknow-divya-mishra-murder-case-1-crore-alimony-twist-manash-bajpai</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/crime/lucknow-divya-mishra-murder-case-1-crore-alimony-twist-manash-bajpai</guid><pubDate>Fri, 21 Aug 2026 10:48:22 +05:30</pubDate><description><![CDATA[<p>Lucknow Murder Case: લખનૌમાં દિવ્યા મિશ્રા હત્યા કેસમાં એક નવો વળાંક આવ્યો છે. અગાઉ માહિતી મુજબ દિવ્યા મિશ્રા અને તેના પતિ માનસ બાજપાઈ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. મામલો છૂટાછેડાની કાર્યવાહી સુધી પહોંચી ગયો હતો. આ સંઘર્ષ એ હદ સુધી વધ્યો કે માનસે દિવ્યાને બેંકમાંથી બહાર બોલાવી અને ગોળી મારી દીધી. ત્યારબાદ તે ઘરે પાછો ફર્યો, તેની માનસિક રીતે અસ્વસ્થ બહેનની હત્યા કરી અને ત્યારબાદ પોતાને પણ ગોળી મારી દીધી. બેવડી હત્યા અને આત્મહત્યાના આ કેસમાં લખનૌમાં સનસનાટી મચી ગઈ છે અને પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. ₹1 કરોડની માંગણી અંગે હવે એક નવો વળાંક સામે આવ્યો છે.</p><p><br></p><p><b>₹1 કરોડ વળતરની માંગ</b></p><p>મળતી માહિતી અનુસાર દિવ્યાએ છૂટાછેડાની કાર્યવાહી દરમિયાન આશરે ₹1 કરોડ વળતરની માંગણી કરી હતી. આ દાવામાં ભરણપોષણ અને સ્ત્રીધન (મહિલાની મિલકત) પરત કરવા માટેના ભંડોળની વિનંતીનો સમાવેશ થાય છે. છૂટાછેડા અને નાણાકીય વિવાદો અંગે દંપતી વચ્ચે નોંધપાત્ર તણાવ હતો.</p><p><br></p><h4><b>નાણાકીય વિવાદો સહિત તમામ પાસાઓની તપાસ</b></h4><p>પોલીસ દ્વારા પ્રાપ્ત કરાયેલા દસ્તાવેજોમાં કાનૂની કાર્યવાહી સંબંધિત માહિતી છે, જેમાં ખાસ કરીને છૂટાછેડા અને સ્ત્રીધનનો ઉલ્લેખ છે. એવું કહેવાય છે કે બે દિવસ પહેલા જ કોર્ટમાં સુનાવણી થઈ હતી, જેના પછી વિવાદ વધુ તીવ્ર બન્યો. પોલીસ હવે ₹1 કરોડની માંગણી, નાણાકીય મતભેદ સહિત કેસના અન્ય તમામ પાસાઓની તપાસ કરી રહી છે.</p><p><br></p><h4><b>માનસિક રીતે અસ્વસ્થ તુલિકા પર વિવાદ</b></h4><p>એવું જાણવા મળ્યું છે કે દિવ્યા અને માનસ માનસિક રીતે અસ્વસ્થ તુલિકા પર વારંવાર ઝઘડા કરતા હતા. તુલિકા માનસની બહેન હતી. દિવ્યાની હત્યા કર્યા પછી માનસે તુલિકાને ગોળી મારીને હત્યા કરી અને પછી આત્મહત્યા કરી.</p><p><br></p><h4><b>દિવ્યાએ માનસને તેની બહેનને પોતાની સાથે રાખવાનો વિરોધ કર્યો</b></h4><p>પ્રાપ્ત માહિતી અનુસાર દિવ્યા મિશ્રા ઇચ્છતા ન હતા કે માનસ તેની બહેનને પોતાની સાથે રાખે અને જીવનભર તેનું ભરણપોષણ કરે. આ દંપતીને બાળકો નહોતા અને દિવ્યાએ આ પરિસ્થિતિ માટે તુલિકાની સ્થિતિ અને માનસના વલણને જવાબદાર ઠેરવ્યું. દિવ્યાની બહેન પ્રજ્ઞાએ માનસ 'માનસિક' હોવાનો દાવો કર્યો છે. આ દરમિયાન, દિવ્યાની બહેન પ્રજ્ઞા મિશ્રાએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કર્યો છે કે માનસ 'માનસિક' છે. ફેમિલી કોર્ટમાં તેનો કાઉન્સેલર સાથે પણ ઝઘડો થયો હતો. પ્રજ્ઞાનો દાવો છે કે તેમના લગ્નની રાત્રે જ માનસે ખર્ચાઓ વહેંચવાની વાત કરી હતી. એક પ્રસ્તાવ દિવ્યાએ સહેલાઈથી સ્વીકારી લીધો હતો.</p><p><br></p><h4><b>દિવ્યાના હાથ પર માનસના નામનું ટેટૂ હતું</b></h4><p>દિવ્યા માનસના વર્તનને કારણે તેનાથી અલગ થઈ ગઈ હતી, છતાં તે અલગ થયા પછી પણ સતત તણાવમાં રહી. તેના હાથ પર માનસના નામનું ટેટૂ પણ હતું. બે મહિના પહેલા દિવ્યાનો અકસ્માત થયો હતો અને તેના પગમાં ઈજા થઈ હતી; પ્રજ્ઞા દાવો કરે છે કે આ અકસ્માત માનસ સાથેના તેના સંબંધોને કારણે થયેલા તણાવને કારણે થયો હતો.</p><p><br></p><h4><b>માનસ અને તેની બહેને તેમની બીમાર માતાને માર માર્યો હતો</b></h4><p>પ્રજ્ઞાએ આ અંગે જણાવ્યું છે કે જો બ્લિંકિટ દ્વારા ઓર્ડર કરાયેલા કોઈપણ ટામેટાં સડેલા નીકળે, તો માનસ દિવ્યાને દોષી ઠેરવતો, પ્રશ્ન કરશે કે તેણે ઓર્ડર કેવી રીતે આપ્યો. પ્રજ્ઞા મિશ્રા આગળ જણાવે છે કે તેની બહેને તેને કહ્યું હતું કે માનસ અને તેની બહેન તુલિકાએ તેમની બીમાર માતાને એટલી સખત માર માર્યો હતો કે તેનું મૃત્યુ થયું.</p><p><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/lucknow-murder-case--wife-divya-mishra-gunned-down-manas-blew-himself-up-while-listening-to-the-hanuman-chalisa" target="_blank"><b>Lucknow મર્ડર કેસમાં ખુલાસો: વોટ્સએપ પર સ્ટેટસ મૂક્યુ... હનુમાન ચાલીસા સાંભળતા બેનને ગોળી મારી પોતે કરી આત્મહત્યા</b></a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/zjf4jDulfQM2ngevlDl0W5RgI399vKkZL7qCUZo4.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : નિકોલમાં નકલી દારૂ ફેક્ટરીનો પર્દાફાશ, સસ્તા દારુની બોટલમાં કેમિકલવાળો માલ બનાવવાનો ખેલ ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-nikol-fake-liquor-premium-brand-label-racket</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-nikol-fake-liquor-premium-brand-label-racket</guid><pubDate>Fri, 21 Aug 2026 10:38:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના નિકોલ વિસ્તારમાં નકલી વિદેશી દારૂ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સસ્તી બ્રાન્ડના દારૂમાં અલગ-અલગ કેમિકલ અને ફ્લેવર ભેળવી તેને મોંઘી બ્રાન્ડના નામે વેચવાની તૈયારી ચાલી રહી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે 3 લોકો સામે ગુનો નોંધી 1 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>વાહનની ડેકીમાંથી દારૂની એક બોટલ મળી આવી</b></h2><p style="text-align: justify; ">નિકોલ પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલને મળેલી બાતમીના આધારે અટલ આવાસ યોજનાના ગેટ પાસે દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં જ્યુપિટર વાહન સાથે ઉભેલા સુનિલ ઉર્ફે સોનુ રમેશભાઈ માખીજાને ઝડપી લેવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન વાહનની ડેકીમાંથી દારૂની એક બોટલ મળી આવી હતી.</p><h3 style="text-align: justify; "><b>દિનેશ જંડાવાલાના ઘરેથી શંકાસ્પદ પ્રવાહી ભરેલી 4 બોટલો મળી&nbsp;</b></h3><p style="text-align: justify; ">આરોપી પાસેથી અંદાજે રૂ.5,000ની કિંમતનો એન્ડ્રોઇડ મોબાઇલ પણ કબજે કરવામાં આવ્યો હતો. પૂછપરછના આધારે તપાસ આગળ વધારતાં કુબેરનગર વિસ્તારમાં દિનેશ જંડાવાલાના ઘરેથી શંકાસ્પદ પ્રવાહી ભરેલી 4 બોટલો મળી આવી હતી. ઉપરાંત પ્લાસ્ટિકની 4 બોટલો અને અન્ય સામગ્રી પણ કબજે કરવામાં આવી હતી. પોલીસે કુલ રૂ.9,500નો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું સામે આવ્યું છે.</p><h4 style="text-align: justify; "><b>સસ્તી બ્રાન્ડના દારૂમાં કેમિકલ અને ફ્લેવર ભેળવતા</b></h4><p style="text-align: justify; ">તપાસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો કે સસ્તી બ્રાન્ડના દારૂમાં વિવિધ કેમિકલ અને ફ્લેવર ભેળવી તેનો સ્વાદ અને દેખાવ બદલવામાં આવતો હતો. ત્યારબાદ ખાલી બોટલોમાં આ દારૂ ભરી મોંઘી બ્રાન્ડના બનાવટી સ્ટીકર અને સીલ લગાવી તેને વેચાણ માટે તૈયાર કરવામાં આવતો હતો.</p><h4 style="text-align: justify; "><b>ભંગારની દુકાનમાંથી ખાલી બોટલો, બ્રાન્ડેડ સ્ટીકર લાવતા</b></h4><p style="text-align: justify; ">તપાસમાં એવી વિગતો પણ સામે આવી છે કે દિનેશ જંડાવાલા ચામુંડા બ્રિજ પાસે આવેલી ભંગારની દુકાનમાંથી ખાલી બોટલો, બ્રાન્ડેડ સ્ટીકર અને સીલ લાવતો હતો. એટલે કે નકલી દારૂને અસલી અને મોંઘી બ્રાન્ડનો દેખાવ આપવા માટે આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.</p><h4 style="text-align: justify; "><b>સુનિલ માખીજાની ધરપકડ</b></h4><p style="text-align: justify; ">પોલીસે સુનિલ ઉર્ફે સોનુ માખીજા અને દિનેશ જંડાવાલા સહિત 3 લોકો સામે ગુનો નોંધ્યો છે. હાલ સુનિલ માખીજાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ફરાર દિનેશ જંડાવાલા સહિત અન્ય આરોપીઓ સુધી પહોંચવા તપાસ તેજ કરવામાં આવી છે.&nbsp; &nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો :&nbsp; &nbsp;&nbsp;<a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/bhavnagar-fake-english-liquor-methanol-network-9-deaths" target="_blank"><b>Bhavnagar નકલી દારૂકાંડમાં બોગસ કંપનીથી બની ‘મોતની બ્રાન્ડ’, સરકારી તંત્રનું 'ટોપ ટુ બોટમ' ફેઈલ્યોર</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/aFevrfuSZipPwfAQ6d1knrS7yG9NAdXfM4vfRBuN.webp'/></item><item><title><![CDATA[Gold Silver Price Today: આજે સોનું ચાંદી ખરીદવુ મોંઘુ પડશે, જાણો 24 કેરેટ સોનાનો લેટેસ્ટ રેટ ]]></title><link>https://sandesh.com/business/news/gold-silver-price-today-buying-gold-and-silver-will-be-expensive-today-know-the-latest-rate-of-24-carat-gold</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/gold-silver-price-today-buying-gold-and-silver-will-be-expensive-today-know-the-latest-rate-of-24-carat-gold</guid><pubDate>Fri, 21 Aug 2026 10:15:56 +05:30</pubDate><description><![CDATA[<p>Gold Silver Price Today: આજે&nbsp; શુક્રવાર, 21 ઓગસ્ટ, અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો હતો. વૈશ્વિક સ્તરે આ ધાતુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. ચાલો હવે જોઈએ કે સ્થાનિક બજારમાં આ ભાવ વધ્યા છે કે ઘટ્યા છે.</p><h2><b>આજે સોના ચાંદીનો ભાવ</b></h2><p>સોના અને ચાંદીના ભાવમાં વધારો ધીમો પડવાના કોઈ સંકેત દેખાતા નથી. આજે, 21 ઓગસ્ટના રોજ, MCX પર સોનાનો ભાવ ₹275 વધીને ₹1,59,700 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદીના ભાવ ₹1,257 વધીને ₹2,44,500 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ બંને ધાતુઓના ભાવમાં વધારો થયો છે; સોનું 0.29% વધીને $4,584 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે ચાંદી 1.04% વધીને $68.85 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે.</p><p><b style="font-size: 2rem;">ચાંદીના ભાવમાં કેટલો વધારો થયો છે?</b></p><p>ચાંદીના ભાવમાં પણ આવી જ તેજી જોવા મળી રહી છે. આજે શુદ્ધ ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ ₹2,35,000 થી વધીને ₹2,45,000 પ્રતિ કિલોગ્રામ થયો છે - જે સીધો ₹10,000 નો ઉછાળો દર્શાવે છે. ચાંદી હાલમાં છેલ્લા સાત અઠવાડિયામાં સૌથી વધુ ભાવે છે; તે છેલ્લે 3 જુલાઈના રોજ પ્રતિ કિલોગ્રામ ₹2,45,000 ના આ સ્તરે પહોંચી હતી.</p><h3><b>દેશના કેટલાક મોટા શહેરોમાં સોનાના ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)</b></h3><p><br></p><table class="table table-bordered"><tbody><tr><td>શહેર&nbsp;</td><td>24 કેરેટ સોનાની કિંમત ( રૂપિયા/10 ગ્રામ) )&nbsp;</td><td>22 કેરેટ સોનાની કિંમત( રૂપિયા/10 ગ્રામ)&nbsp;</td></tr><tr><td>દિલ્હી</td><td>&nbsp;1,59,430&nbsp;</td><td>1,46,160&nbsp; &nbsp;</td></tr><tr><td>કોલકાતા&nbsp;</td><td>1,59,280&nbsp;</td><td>1,46,010&nbsp; &nbsp;</td></tr><tr><td>ચેન્નઈ&nbsp;</td><td>1,59,280&nbsp;</td><td>1,46,010&nbsp; &nbsp;</td></tr><tr><td>બેંગ્લોર&nbsp;</td><td>1,59,280</td><td>&nbsp;1,46,010&nbsp; &nbsp;</td></tr><tr><td>અમદાવાદ&nbsp;</td><td>1,59,330&nbsp;</td><td>1,46,060&nbsp; &nbsp;</td></tr><tr><td>વડોદરા</td><td>&nbsp;1,59,330<br></td><td>&nbsp;1,46,060&nbsp;<br><br></td></tr></tbody></table><p><b style="font-size: 1.5rem;">સોનું અને ચાંદી ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું?</b></p><p>જો તમે સોનું ખરીદી રહ્યા હોવ તો હંમેશા હોલમાર્ક તપાસો અને 6 અંકનો HUID કોડ જોઈને જ ખરીદી કરો. ચાંદી માટે પણ BIS હોલમાર્ક હોય છે અને તેમાં 925 સ્ટર્લિંગ સિલ્વરને સૌથી સારી ગુણવત્તાનું માનવામાં આવે છે. ઉપરાંત, ખરીદી પહેલાં સોના અને ચાંદીની શુદ્ધતાની તપાસ પણ જરૂર કરાવો.</p><p><br></p><p>Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2025/12/17/yNz2xOJHjSqIukb6ZDzgGyMHmgSfeGw0tEa3KGOC.webp'/></item><item><title><![CDATA[Vadodaraના વડસરમાં મારામારીના વાયરલ વીડિયો મામલે 9 આરોપીઓની ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-vadsar-brawl-viral-video-arrests</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-vadsar-brawl-viral-video-arrests</guid><pubDate>Fri, 21 Aug 2026 10:15:39 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા શહેરના વડસર વિસ્તારમાં થોડા દિવસો પૂર્વે થયેલી જૂથ અડફત અને મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોની ગંભીરતાને ધ્યાને લઈને અટલાદરા પોલીસે તાત્કાલિક એક્શન મોડમાં આવીને સઘન તપાસ હાથ ધરી હતી. પોલીસે આ ઘટનામાં સંકળાયેલા કુલ 9 આરોપીઓની ધડપકડ કરી લીધી છે, જેમાં 5 સગીર વયના કિશોરોનો પણ સમાવેશ થાય છે. અટલાદરા પોલીસે પકડાયેલા આરોપીઓ પાસે ઘટનાસ્થળ નજીક જ કાન પકડીને ઉઠબેસ કરાવી જાહેરમાં માફી મંગાવી હતી, જેથી અસામાજિક તત્વોમાં કડક સંદેશ જાય.</p><h2 style="text-align: justify; "><b>મુખ્ય 4 આરોપીઓની પણ અટકાયત</b></h2><p style="text-align: justify; ">અટલાદરા પોલીસ સ્ટેશનની ટીમે કાર્યવાહી કરીને વુડા (VUDA) ના મકાનોમાં રહેતા મુખ્ય ચાર પુખ્ત વયના આરોપીઓ બિહારી કેસરી, સંદીપ વાઘેલા, સચિન જાદવ અને અનિકેત કેસરીની વિધિવત ધરપકડ કરી છે. આ સિવાય ગુનામાં સામેલ 5 સગીરો સામે પણ કાયદાકીય જોગવાઈ મુજબ બાળ અદાલત સમક્ષ રજૂ કરવા કાર્યવાહી હાથ ધરાઈ છે. વાયરલ વીડિયોમાં આરોપીઓ જે રીતે હિંસક વર્તન કરી રહ્યા હતા તે જોતાં સ્થાનિકોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું, પરંતુ પોલીસની આ આકરી કાર્યવાહીથી રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે.</p><h3 style="text-align: justify; "><b>પાન મસાલાના ગલ્લા પર થયો હતો વિવાદ</b></h3><p style="text-align: justify; ">પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મારામારી પાછળનું તુચ્છ કારણ સામે આવ્યું છે. પાનના ગલ્લા પર પાન-મસાલા કે પડીકી ખરીદતી વખતે રૂપિયા 500ની ચલણી નોટના છૂટા પૈસા આપવા બાબતે બોલાચાલી થઈ હતી. સામાન્ય અણબનાવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં આરોપીઓએ સામસામે આવીને મારપીટ કરી હતી અને વિસ્તારમાં અશાંતિ ફેલાવી હતી. પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરનો ગુનો નોંધીને આગળની તપાસની કામગીરી ચાલુ રાખી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/rIFJP2yXirzOIlbETZAKpgBI4wHhRFZpiJixaUab.webp'/></item><item><title><![CDATA[Sabarkantha : 1.50 લાખમાં માસૂમનો સોદો, કોલ્હાપુર સુધી પહોંચતી કડી, બાળ તસ્કરીનો કાળો ખેલ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/himatnagar/sabarkantha-child-trafficking-gang-kavita-jadav-sitaram-parmar</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/himatnagar/sabarkantha-child-trafficking-gang-kavita-jadav-sitaram-parmar</guid><pubDate>Fri, 21 Aug 2026 09:13:31 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સાબરકાંઠામાં બાળ તસ્કરી ગેંગ મામલે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. તપાસમાં ટ્રાફિકિંગ એજન્ટ તરીકે મહત્વની ભૂમિકા ભજવનાર કવિતા પ્રતાપ જાદવ અને સીતારામ પરમાર પોલીસના સકંજામાં આવ્યા છે. બંને આરોપીઓ હાલ પોલીસ રિમાન્ડ હેઠળ હોવાનું સામે આવ્યું છે અને આગામી દિવસોમાં આ સમગ્ર નેટવર્કને લઈને વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.</p><h2 style="text-align: justify; "><b>અંતરિયાળ વિસ્તારોમાંથી બાળકોની ખરીદી&nbsp;</b></h2><p style="text-align: justify; ">તપાસમાં સામે આવ્યું છે કે કવિતા જાદવ એજન્ટોના માધ્યમથી અંતરિયાળ વિસ્તારોમાંથી બાળકોની ખરીદી કરતી હતી. આ માટે સાબરકાંઠા, બનાસકાંઠા અને રાજસ્થાન સહિતના વિસ્તારોમાં એજન્ટોનું નેટવર્ક કાર્યરત હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>બાળકોને 1.50 લાખ સુધીની રકમમાં ખરીદવામાં આવતા&nbsp;</b></h3><p style="text-align: justify; ">આ ગેંગમાં સીતારામ પરમારની ભૂમિકા પણ મહત્વપૂર્ણ હોવાનું સામે આવ્યું છે. તે વિવિધ વિસ્તારોમાં કાર્યરત એજન્ટો પાસેથી બાળકોને ખરીદીને મુખ્ય એજન્ટ સુધી પહોંચાડતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. માસૂમ બાળકોને અંદાજે 1.25 લાખથી 1.50 લાખ સુધીની રકમમાં ખરીદવામાં આવતા હોવાનું પણ સામે આવ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>મહારાષ્ટ્રના નૂરી હારુન શેખનું નામ ખુલ્યું&nbsp;</b></h3><p style="text-align: justify; ">તપાસ દરમિયાન મહારાષ્ટ્રના નૂરી હારુન શેખ મારફતે મેરઠ તેમજ કોલ્હાપુર સુધી બાળકોના સોદાની કડીઓ જોડાતી હોવાનું બહાર આવ્યું છે. કોલ્હાપુરના મુન્નો સહિત અન્ય શખ્સો સાથે પણ આ નેટવર્કના સંપર્કોની તપાસ ચાલી રહી છે.</p><h4 style="text-align: justify; "><b>બાળ તસ્કરી નેટવર્ક અંગે વધુ માહિતી મેળવવાના પ્રયાસો&nbsp;</b></h4><p style="text-align: justify; ">પોલીસ રિમાન્ડ દરમિયાન કવિતા જાદવ અને સીતારામ પરમાર પાસેથી આ બાળ તસ્કરી નેટવર્ક અંગે વધુ માહિતી મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. બાળકો ક્યાંથી લાવવામાં આવતા હતા, કોને સોંપવામાં આવતા હતા અને આ સમગ્ર ગેરકાયદે કારોબારમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે દિશામાં તપાસ આગળ વધી રહી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/crime/gandhinagar/bhavnagar-fake-liquor-scam-methanol-parcel-from-ahmedabad-dholera-seizure" target="_blank"><b>Bhavnagar લઠ્ઠાકાંડની તપાસમાં સનસનાટીભર્યા ખુલાસા, આરોપીઓએ 3 વખત ઝેરી દારુ બનાવ્યો પણ.....</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/21/6Tk7kRgs3m5OgLGrmPixfJ2OUQcpfJu5LpzaPCVd.webp'/></item><item><title><![CDATA[Gujarat Rainfall Deficit Explainer: ચોમાસાની વિચિત્ર ભાત, ક્યાંક ગાજ્યા અને વરસ્યા, તો ક્યાંક માત્ર વાદળાં ઘેરાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/explainer/gandhinagar/gujarat-monsoon-2026-rainfall-deficit-explainer-imd-report</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/explainer/gandhinagar/gujarat-monsoon-2026-rainfall-deficit-explainer-imd-report</guid><pubDate>Fri, 21 Aug 2026 07:26:58 +05:30</pubDate><description><![CDATA[<p>ચાલુ વર્ષે ગુજરાતમાં મેઘરાજાનો મિજાજ કંઈક અલગ જ રૂપ ધારણ કરીને આવ્યો છે. રાજ્યમાં “ક્યાંક ગાજ્યા અને વરસ્યા, તો ક્યાંક માત્ર વાદળાં ઘેરાયા” જેવી સ્થિતિ સર્જાઈ છે. દક્ષિણ ગુજરાતના એક છેડે ધોધમાર વરસાદથી નદી-નાળાં અને ડેમો છલકાઈ રહ્યા છે, તો બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ધરતી ચિરાઈ રહી છે. ભારતીય હવામાન વિભાગ, અમદાવાદ કેન્દ્ર દ્વારા 1 જૂન 2026 થી 20 ઓગસ્ટ 2026 સુધીના સંચિત વરસાદના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ આંકડાઓનું વિશ્લેષણ કરીએ તો સમગ્ર ગુજરાતનો સરેરાશ વરસાદ સામાન્યની નજીક એટલે કે -3% દેખાય છે, પરંતુ આ આંકડા પાછળ વિસ્તાર અનુસાર વરસાદના આંકડાની મોટી અસમાનતા છુપાયેલી છે.</p><h2><b>દ્વારકામાં દુકાળના એંધાણ: -86% વરસાદની રેકોર્ડબ્રેક અછત</b></h2><p>ગુજરાતમાં હાલની સૌથી ચિંતાજનક સ્થિતિ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોવા મળી રહી છે, જ્યાં “દુકાળમાં અધિક માસ” જેવો ઘાટ સર્જાયો છે. 20 ઓગસ્ટ સુધી દ્વારકામાં સામાન્ય રીતે 422.3 મીમી વરસાદ થવો જોઈતો હતો, પરંતુ તેની સામે વાસ્તવિક વરસાદ માત્ર 58.0 મીમી જ નોંધાયો છે. પરિણામે જિલ્લામાં વરસાદની અછત સીધી -86% સુધી પહોંચી ગઈ છે. અત્યાર સુધી સિઝનનો માત્ર 14% વરસાદ પડતાં પીવાના પાણીથી લઈને ખેતી અને પશુધન માટે આગામી દિવસો અત્યંત નિર્ણાયક બની રહેશે.</p><p><img alt="Gujarat Rainfall Deficit Explainer: Devbhumi Dwarka Sees 86% Rainfall Shortfall" src="https://epapercdn.sandesh.com/images/2026/08/20/uTm7a09vlfMCUL1HyOT59i7SqpWlMwCIrQc03SYv.webp" style="width: 100%;"><br></p><h2><b>પોરબંદર અને જામનગરમાં પણ મેઘરાજાએ ‘હાથતાળી’ આપી</b></h2><p>દ્વારકા બાદ પશ્ચિમ સૌરાષ્ટ્રના અન્ય દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ ચોમાસું તદ્દન નબળું સાબિત થયું છે. પોરબંદરમાં સામાન્ય 526.3 મીમી વરસાદ સામે માત્ર 159.4 મીમી વરસાદ નોંધાતાં -70% ની તીવ્ર અછત સર્જાઈ છે. જ્યારે જામનગરમાં સામાન્ય 478.4 મીમી ની સામે 216.0 મીમી વરસાદ પડતાં -55% ની અછત નોંધાઈ છે. આ વિસ્તારોમાં “આભ ફાટ્યું નહીં અને ધરતી તરસી રહી” જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ ઉપરાંત જૂનાગઢમાં -30% (478.2 મીમી), ગીર સોમનાથમાં -33% (468.4 મીમી) અને સૌરાષ્ટ્રના આર્થિક કેન્દ્ર રાજકોટમાં -25% (354.7 મીમી) અછત નોંધાઈ છે.</p><p><img alt="Gujarat Rainfall Deficit Explainer: Devbhumi Dwarka Sees 86% Rainfall Shortfall" src="https://epapercdn.sandesh.com/images/2026/08/20/NVtIdSoGmU4xhO4h8uc5qdAfaAgpB8WZYOKha0I4.webp" style="width: 100%;"><br></p><h2><b>કચ્છ પ્રદેશ અને ઉત્તર-મધ્ય ગુજરાતમાં પણ ચિંતાના વાદળો</b></h2><p>રણપ્રદેશ ધરાવતા અને ભૌગોલિક રીતે સંવેદનશીલ એવા કચ્છ જિલ્લામાં સામાન્ય સરેરાશ 297.2 મીમી સામે અત્યાર સુધી માત્ર 136.2 મીમી વરસાદ થયો છે, જે -54% ની મોટી અછત દર્શાવે છે. રણપ્રદેશમાં આટલી મોટી અછતથી પશુપાલકો માટે ઘાસચારાનો વિકટ પ્રશ્ન ઊભો થઈ શકે છે. બીજી તરફ ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ "ચારે તરફ સરખી ગંગા વહેતી નથી" તેવું ચિત્ર છે. દાહોદમાં -36% (360.5 મીમી), અરવલ્લીમાં -35% (394.8 મીમી) અને સાબરકાંઠામાં -34% (410.6 મીમી) અછત છે, જ્યારે મધ્ય ગુજરાતના વડોદરામાં -20% અને છોટાઉદેપુરમાં -17% ઓછો વરસાદ નોંધાયો છે.</p><h2><b>દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર: ‘છપ્પર ફાડીને’ વરસ્યા મેઘરાજા</b></h2><p>એક તરફ જ્યાં સૌરાષ્ટ્ર-કચ્છ પાણી માટે વલખાં મારી રહ્યા છે, ત્યાં દક્ષિણ ગુજરાત પર મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. વલસાડ જિલ્લામાં 2660.2 મીમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 68% વધુ છે. નવસારીમાં 2220.6 મીમી વરસાદ સાથે 58% અને સુરતમાં 1468.1 મીમી વરસાદ સાથે 50% નો વધારો થયો છે. આ સિવાય મધ્ય ગુજરાતના ખેડામાં 45% અને સુરેન્દ્રનગરમાં 28% વધુ વરસાદ નોંધાયો છે. આમ, એક જ રાજ્યમાં વલસાડમાં જળબંબાકાર, તો દ્વારકામાં સૂકીભઠ ધરતી જેવા બે વિરોધાભાસી દ્રશ્યો સર્જાયા છે.</p><p><img alt="Gujarat Rainfall Deficit Explainer: Devbhumi Dwarka Sees 86% Rainfall Shortfall" src="https://epapercdn.sandesh.com/images/2026/08/20/P2SRW5ofOGvUTlrNxiZ8BHffvbbtZCVs2V241lJ8.webp" style="width: 100%;"><br></p><h2><b>ઓછા સમયમાં અતિભારે વરસાદથી તારાજી, છતાં ક્યાંક અછત</b></h2><p>રાજ્યમાં આ વર્ષનું ચોમાસાની સૌથી ગંભીર બાબત એ છે કે, વરસાદની તીવ્રતા ઓછી સમયાવધિમાં ખૂબ વધારે રહી છે. વલસાડ, નવસારી, સુરત ઉપરાંત અમરેલી અને જૂનાગઢના માણાવદર જેવા વિસ્તારોમાં ટૂંકા સમયમાં પડેલા ભારે વરસાદના કારણે પૂર અને પાણી ભરાવાની સ્થિતિથી તારાજી સર્જાઈ હતી. એટલે કે "થોડા સમયમાં ઘણું વરસે અને બાકીનો સમય આકાશ સૂનું રહે" તેવી સ્થિતિથી ક્યાંક પાક ધોવાઈ ગયો છે, તો ક્યાંક પાક સૂકાઈ રહ્યો છે.</p><h2><b>ખેડૂતો અને પશુપાલકો માટે ‘આગળ કૂવો ને પાછળ ખાઈ’ જેવી સ્થિતિ</b></h2><p>સૌરાષ્ટ્ર અને કચ્છના અછતગ્રસ્ત વિસ્તારોમાં કપાસ, મગફળી અને તલ જેવા ખરીફ પાકો પર સંકટના વાદળો ઘેરાયા છે. વાવેતર કર્યા બાદ વરસાદ ન ખેંચાતા પાકની વૃદ્ધિ અટકી ગઈ છે. આ ઉપરાંત ભૂગર્ભ જળસ્તર નીચે જવાથી કૂવા અને બોરવેલ ખાલી થવા લાગ્યા છે, જેનાથી આગામી શિયાળુ પાકના સિંચાઈના પાણી પર પણ પ્રશ્નાર્થ ચિહ્ન મુકાઈ ગયું છે. કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઘાસચારાની અછત સર્જાતા પશુપાલકો માટે પણ પશુધન સાચવવું મુશ્કેલ બની રહ્યું છે.</p><h2><b>કૃષિ અને પીવાના પાણી પર ગંભીર અસરોનું જોખમ</b></h2><p>વરસાદની આ અછતની સીધી અસર સ્થાનિક અર્થતંત્ર પર પડવાની પૂરતી શક્યતા છે:</p><ul><li><b>પાક નિષ્ફળ જવાની ભીતિ:</b> સૌરાષ્ટ્ર અને કચ્છના જે વિસ્તારોમાં વરસાદની -50% થી વધુ અછત છે, ત્યાં કપાસ, મગફળી અને તલ જેવા મુખ્ય ખરીફ પાકોને મોટું નુકસાન થઈ શકે છે.</li><li><b>ભૂગર્ભ જળસ્તરમાં ઘટાડો: </b>વરસાદ ન પડવાના કારણે બોરવેલ અને કૂવાઓના વોટર ટેબલ નીચે જશે, જેનાથી શિયાળુ રવિ પાક માટે સિંચાઈનું સંકટ ઊભું થશે.</li><li><b>ડેમ અને જળાશયોની સ્થિતિ:</b> દ્વારકા, પોરબંદર અને જામનગરના મુખ્ય જળાશયોમાં પાણીની આવક નહિવત રહી છે, જેથી આવનારા દિવસોમાં સ્થાનિક તંત્ર દ્વારા પીવાના પાણીના કાપ અથવા ટેન્કર રાજ શરૂ કરવાની ફરજ પડી શકે છે.</li></ul><p><img alt="Gujarat Rainfall Deficit Explainer: Devbhumi Dwarka Sees 86% Rainfall Shortfall" src="https://epapercdn.sandesh.com/images/2026/08/20/wh6uGLYaz2yHpa6wif2uv1ixnqPyuSwPZv5rD7Jf.webp" style="width: 100%;"><br></p><h2><b>ઓગસ્ટ-સપ્ટેમ્બર બનશે ‘ગેમચેન્જર’: સરકારે ‘પાણી પહેલાં પાળ’ બાંધવી પડશે</b></h2><p>હવામાન વિભાગના 20 ઓગસ્ટ સુધીના ડેટા મુજબ દ્વારકા (-86%), પોરબંદર (-70%), જામનગર (-55%) અને કચ્છ (-54%) માટે ચોમાસાના બાકીના દિવસો અત્યંત નિર્ણાયક છે. જો આગામી દિવસોમાં અરબી સમુદ્ર કે બંગાળની ખાડીમાં કોઈ મજબૂત સિસ્ટમ સક્રિય નહીં થાય, તો પરિસ્થિતિ વધુ વણસી શકે છે. આથી, “પાણી પહેલાં પાળ બાંધવી” ની નીતિ અપનાવી તંત્રે અત્યારથી જ અછતગ્રસ્ત વિસ્તારો માટે પીવાના પાણીના ટેન્કરો, રાહત દરે ઘાસચારો અને ખેડૂતો માટે સિંચાઈના આગોતરા આયોજન પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/india/news/gujarat/21-august-top-news-updates-gujarat-india-national-events-history" target="_blank">21 August Top News: 21 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/2MtlepaX0NZZZUeAES6NFbLP1vodMkaNhB4oVFes.webp'/></item></channel></rss>