<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabad: રાજ્યમાં ચોમાસાની વિદાય પૂર્વે મેઘરાજાની તોફાની બેટિંગ, વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-heavy-rain-roundup-saurashtra-surat-ahmedabad-monsoon-withdrawal-forecast</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-heavy-rain-roundup-saurashtra-surat-ahmedabad-monsoon-withdrawal-forecast</guid><pubDate>Sun, 20 Sep 2026 16:18:17 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતમાં ચોમાસાની અંતિમ ઘડીઓ ચાલી રહી છે ત્યારે મેઘરાજાએ વિદાય પૂર્વે રાજ્યભરમાં ધમાકેદાર હાજરી નોંધાવી છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ઘોબા, પીપરડી અને મોટા ભમોદરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ તોફાની વરસાદ વરસ્યો હતો. ખેતરોમાંથી વરસાદી પાણી વહી નીકળ્યા હતા, જેનાથી ખાસ કરીને કપાસ, મગફળી અને સોયાબીનના પાકને મોટો ફાયદો થતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. બગસરાના પઠડીયા ગામમાં વરસાદ વચ્ચે સેલડીયા પરિવારના માતાજીના મંદિર પર વીજળી ત્રાટકી હતી, જેમાં સામાન્ય નુકસાન થયું હતું પરંતુ નદીઓમાં નવા નીર આવતાં હરખની હેલી છવાઈ છે.</p><h2><b>ગુજરાતમાં મેઘરાજાની વિદાય પૂર્વે તોફાની બેટિંગ</b></h2><p>બીજી તરફ, રાજકોટના જસદણ શહેરમાં માત્ર 30 મિનિટની અંદર એક ઇંચથી વધુ વરસાદ પડી જતાં ચિતલીયા રોડ, નવા બસ સ્ટેશન અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આટકોટ, જંગવડ, ભડલી, સાણથલી સહિતના વિસ્તારોમાં લાંબા 40 દિવસના વિરામ બાદ મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી હતી. આ ઉપરાંત બોટાદના ગઢડા, ઢસા, પાટણા, ભાવનગરના મહુવા ટાઉન અને ધોરાજીમાં પણ ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.</p><p><h3><b>2 થી4 દિવસમાં ચોમાસું લેશે વિદાય!</b></h3>દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટ વચ્ચે સુરતમાં વહેલી સવારના અસહ્ય ઉકળાટ બાદ બપોરે હવામાન પલટાયું હતું. સુરતના પાલ, અડાજણ, રાંદેર, અઠવાલાઇન્સ, વેસુ અને પીપલોદ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરી ગઈ હતી. ભરૂચના જંબુસરમાં ધોધમાર વરસાદ હોવા છતાં 'શ્રીજી'ને વિદાય આપવા ગણેશ ભક્તોનો ઉત્સાહ બેવડાયો હતો અને ઢોલ-નગારા તથા ડીજેના તાલે ગણેશ વિસર્જન યાત્રા ધામધૂમથી નીકળી હતી. અમદાવાદના વસ્ત્રાપુર અને ગુરુકુળ વિસ્તારોમાં પણ તેજ પવન સાથે ભારે વરસાદ તૂટી પડ્યો હતો.</p><h4><b>સૌરાષ્ટ્ર, સુરત અને અમદાવાદમાં ધોધમાર વરસાદ</b></h4><p>હવામાન વિભાગે ચોમાસા અંગે મોટું અપડેટ આપતાં જણાવ્યું છે કે, આગામી 2 થી 4 દિવસમાં રાજ્યમાંથી ચોમાસું વિદાય લેવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. હાલ લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે દક્ષિણ ગુજરાત અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં બે દિવસ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. છેલ્લા 24 કલાકમાં દમણમાં 64 મિમી અને ખેડામાં 61 મિમી વરસાદ નોંધાયો છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/breakingnews/ahmedabad/ahmedabad-paldi-heavy-rainfall-strong-winds-weather-update" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ; વાતાવરણમાં પ્રસરી ઠંડક</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/uX5FC4UruXoW6fAyhvdiC9LGB4NDbPbfhGdfSMje.webp'/></item><item><title><![CDATA[Groundwater Crisis: ભારતમાં ઝડપથી ઘટી રહ્યું છે ભૂગર્ભ જળનું સ્તર! દુનિયાના 34 ટકા વિસ્તારમાં સંકટ વધુ ગંભીર ]]></title><link>https://sandesh.com/india/news/global-groundwater-crisis-worsens-34-percentage-monitoring-stations-report-low-water-level-in-2024</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/global-groundwater-crisis-worsens-34-percentage-monitoring-stations-report-low-water-level-in-2024</guid><pubDate>Sun, 20 Sep 2026 16:16:30 +05:30</pubDate><description><![CDATA[<p>વૈશ્વિક ભૂગર્ભ જળ સંકટ સતત ગંભીર બની રહ્યું છે. વર્ષ 2024માં વિશ્વભરના 34 ટકા ભૂગર્ભ જળ નિરીક્ષણ મથકો પર પાણીનું સ્તર સામાન્ય કરતાં ઓછું નોંધાયું હતું, જેની સરખામણીએ 2024માં આ આંકડો 25 ટકા હતો. આમ, માત્ર એક વર્ષમાં જ આ સંકટની તીવ્રતામાં 9 ટકાનો વધારો જોવા મળ્યો છે. ઉત્તર-પશ્ચિમી વિસ્તારમાં પણ સ્થિતિ ચિંતાજનક છે, જ્યાં ભૂગર્ભ જળનું સ્તર સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે નીચે ગયું છે.</p><p><br></p><h4><b>ત્રણ વર્ષમાં ઝડપથી બગડતી જતી સ્થિતિ</b></h4><p>વૈશ્વિક સ્તરે, છેલ્લા ત્રણ વર્ષમાં ભૂગર્ભ જળની સ્થિતિ ઝડપથી બગડી છે. હાલમાં, વિશ્વના 65 ટકા ભૂગર્ભ જળ નિરીક્ષણ મથકો પર પાણીનું સ્તર સામાન્ય મર્યાદાની બહાર (નીચે) જતું રહ્યું છે. વર્ષ 2022 અને 2025ની વચ્ચે, માત્ર ભારતમાં જ નહીં પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપ, મેક્સિકો, ચિલી, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ ભૂગર્ભ જળના સ્તરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.</p><p><br></p><p>ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે, છેલ્લા ત્રણ વર્ષમાં વિશ્વભરના હિમનદીઓ (ગ્લેશિયર્સ) માંથી 1400 ગીગાટન બરફ પીગળીને નષ્ટ થઈ ગયો છે. વધુમાં, છેલ્લા પાંચ વર્ષમાં પાણીની અછત અને સંબંધિત સમસ્યાઓને કારણે થયેલા કુલ મૃત્યુમાંથી 80 ટકા મૃત્યુ એશિયા અને આફ્રિકામાં થયા હતા.</p><p><br></p><p>દરમિયાન, વર્ષ 2021 થી 2025ના ચાર વર્ષના સમયગાળા દરમિયાન ગંગા અને સિંધુ નદીઓના ઉપરના બેસિન વિસ્તારોમાં ભૂગર્ભ જળ સંગ્રહમાં સતત ઘટાડો જોવા મળ્યો છે.</p><p><br></p><h4><b>2025: નદીઓ માટે સૌથી સૂકું વર્ષ</b></h4><p>નદીઓના પ્રવાહની દ્રષ્ટિએ વર્ષ 2025 અત્યંત પ્રતિકૂળ સાબિત થયું હતું. આ સમયગાળા દરમિયાન, વિશ્વના 36 ટકા નદી બેસિનમાં પાણીનો પ્રવાહ સામાન્ય સ્તર કરતાં ઓછો રહ્યો હતો. આંકડાઓ અનુસાર, 1991 થી 2025ના સમયગાળામાં નદીઓ માટે આ વર્ષ સૌથી સૂકું વર્ષ નોંધાયું હતું.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/bjp-leader-brij-bhushan-sharan-singh-slams-rahul-gandhi-over-pm-modi-mother-insult-row" target="_blank"><b>Controversy: કોઈના પણ માતાનું અપમાન કરવું દુર્ભાગ્યપૂર્ણ... Rahul Gandhiના મિમિક્રી વીડિયો પર બ્રિજભૂષણે આપી પ્રતિક્રિયા</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/gESRsD2D9LqvIc3gP4AjcHvz2dQo5qhS3iTtMk7a.webp'/></item><item><title><![CDATA[Bharuch News: અંકલેશ્વરના સારંગપૂરમાં બે યુવાનોના શંકાસ્પદ મોતનો મામલો ચોંકાવનારો ખુલાસો! ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/bharuch-ankleshwar-three-youths-painkiller-overdose-case</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/bharuch-ankleshwar-three-youths-painkiller-overdose-case</guid><pubDate>Sun, 20 Sep 2026 16:13:26 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં આવેલા સારંગપુર વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે. અહીં ત્રણ યુવાનોની તબિયત અચાનક બગડતાં તેમાંથી બે યુવાનોના શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યા છે, જ્યારે ત્રીજા યુવાનની હાલત ગંભીર હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવને પગલે સમગ્ર અંકલેશ્વર પંથકમાં ભારે અરેરાટી સાથે ચકચાર મચી ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>થાક ઉતારવા પેઇન કિલર ગોળીઓનો ઓવરડોઝ લીધાની શંકા</b></h2><p style="text-align: justify; ">પ્રાથમિક માહિતી અનુસાર, આ યુવાનોએ શારીરિક થાક ઉતારવાના ઇરાદાથી અતિશય માત્રામાં પેઇન કિલર (દુખાવાની દવાઓ) નો ઓવરડોઝ લીધો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ક્ષમતા કરતાં વધુ દવાઓનું સેવન કરવાને કારણે યુવાનોના શરીર પર તેની ગંભીર સાઇડ ઇફેક્ટ થઈ હતી, જેના લીધે તેમને કાર્ડિયાક અરેસ્ટ (હૃદય બંધ પડી જવું) આવ્યો હોવાનું તબીબી આંકલન કરવામાં આવી રહ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મરણનું સચોટ કારણ સ્પષ્ટ થશે</b></h3><p style="text-align: justify; ">બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો. પોલીસે મૃતક યુવાનોના મૃતદેહને કાયદેસરની પ્રક્રિયા પૂરી કરીને પેનલ તબીબો દ્વારા પોસ્ટમોર્ટમ (PM) અર્થે મોકલી આપ્યા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, યુવાનોના મોતનું ચોક્કસ અને સચોટ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ તેમજ વિસેરા સેમ્પલના એફએસએલ (FSL) અહેવાલ આવ્યા બાદ જ સ્પષ્ટ થઈ શકશે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/ibRHMsUJ9gS7Pt3jDMHuojJZUE6bbKx9uszchUvF.webp'/></item><item><title><![CDATA[Asian Games 2026: સુચિકા તરિયાલે ભારતને અપાવ્યો પહેલો મેડલ, કોણ છે આ ખેલાડી? ]]></title><link>https://sandesh.com/sports/news/asian-games-2026-suchika-tariyal-won-indias-first-medal-who-is-this-player</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/asian-games-2026-suchika-tariyal-won-indias-first-medal-who-is-this-player</guid><pubDate>Sun, 20 Sep 2026 16:04:15 +05:30</pubDate><description><![CDATA[<p>Asian Games 2026: એશિયન ગેમ્સ 2026માં ભારતનો પહેલો મેડલ પાક્કો થઈ ગયો છે. આ મેડલ ભારતની દીકરી સુચિકા તરિયાલે તેના નામે કર્યો છે. 36 વર્ષની સુચિકા તરિયાલે એ રમતમાં દેશ માટે પહેલો મેડલ પાક્કો કર્યો છે, જેનો એશિયન ગેમ્સ 2026માં ડેબ્યૂ થયો છે. મહિલાઓની 60 કિલોગ્રામ ક્વાર્ટર ફાઈનલ મેચમાં સુચિતાએ મંગોલિયાની એથ્લેટને હરાવી હતી. આ જીત સાથે સુચિકા તરિયાલે સેમિફાઈનલમાં પોતાની જગ્યા પાક્કી કરી અને ભારત માટે મેડલ પણ પાક્કો કર્યો.</p><p><b>MMAમાં ભારતનો પહેલો મેડલ પાક્કો</b></p><p>સુચિકા તરિયાલે ભારત માટે પહેલો મેડલ જીત્યો છે. પરંતુ આ મેડલનો રંગ કયો હશે? તેનો જવાબ એશિયન ગેમ્સ 2026માં તેમના આગળના પ્રદર્શન બાદ મળશે. હાલમાં બ્રોન્ઝ મેડલ પાક્કો કરી ચૂકેલી સુચિતા હવે મંગળવારે પોતાની સેમિફાઈનલ મેચ રમશે. જો તે આ મેચ જીતશે તો ત્યારબાદ ગોલ્ડ મેડલની મેચમાં ઉતરશે.</p><p><b>મંગોલિયાની એથ્લેટને હરાવી સુચિકા તરિયાલ સેમિફાઈનલમાં</b></p><p>સુચિતા તરિયાલ રોહતકની રહેવાસી છે. SAIની એક પ્રેસ રિલીઝ અનુસાર, 12 વર્ષની ઉંમરે તે છેડછાડનો શિકાર બની હતી. આ ઘટનાએ તેમને પોતાની આત્મરક્ષા માટે જુડો અપનાવવા માટે મજબૂર કર્યા હતા. જોકે, તે સમયે સુચિતાને એ વાતનો અંદાજ પણ નહોતો કે એક દિવસ તે લોકપ્રિય MMA એથ્લેટ અને યુવા આઈકન બનશે, જેના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફેન્સ હશે અને જે ભારતનું પ્રતિનિધિત્વ કરશે.</p><p><b>સુચિતા તરિયાલ અને MMA કરિયર</b></p><p>સુચિકા તરિયાલે વર્ષ 2017માં જીત સાથે MMAમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેમણે આ રમતમાં 7 વર્ષનો બ્રેક લીધો હતો. ડિસેમ્બર 2024માં બહેરીનમાં યોજાયેલી BRAVE CF 92માં તેમણે પ્રોફેશનલ MMAમાં વાપસી કરી અને જીત મેળવી હતી. ભારતના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત થઈ ચૂકેલી સુચિતાએ આ વર્ષે જાન્યુઆરી અને મે મહિનામાં યોજાયેલી એશિયન MMA ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સુચિકા તરિયાલ જે આશા સાથે જાપાન પહોંચી હતી, તેની કહાની લખવાની શરૂઆત તેમણે કરી દીધી છે. હવે બસ રાહ છે કે આ મેડલને તે કયા રંગમાં ફેરવે છે અને શું તે ભારત માટે ગોલ્ડ મેડલ જીતી શકે છે.</p><p><b><a href="https://sandesh.com/sports/news/asian-games-india-107-medals-28-gold" target="_blank">આ પણ વાંચો:&nbsp; એશિયન ગેમ્સમાં ભારતનો ઐતિહાસિક દબદબો! 28 ગોલ્ડ સાથે જીત્યા રેકોર્ડબ્રેક 107 મેડલ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/JpPs9F3HjKxhB2oQTXXBSpCtDgRgQ7D2XHS0ecOW.webp'/></item><item><title><![CDATA[Controversy: કોઈના પણ માતાનું અપમાન કરવું દુર્ભાગ્યપૂર્ણ... Rahul Gandhiના મિમિક્રી વીડિયો પર બ્રિજભૂષણે આપી પ્રતિક્રિયા ]]></title><link>https://sandesh.com/india/news/bjp-leader-brij-bhushan-sharan-singh-slams-rahul-gandhi-over-pm-modi-mother-insult-row</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/bjp-leader-brij-bhushan-sharan-singh-slams-rahul-gandhi-over-pm-modi-mother-insult-row</guid><pubDate>Sun, 20 Sep 2026 16:01:58 +05:30</pubDate><description><![CDATA[<p>કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા આયોજિત 'છાત્રો કી ગૂંજ' (વિદ્યાર્થીઓનો અવાજ) કાર્યક્રમ ફરી એકવાર વિવાદમાં સપડાયો છે. મધ્યપ્રદેશના ઈન્દોરમાં યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા વિશે કરવામાં આવેલી ટિપ્પણી બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. ભાજપના નેતા બ્રિજભૂષણ શરણ સિંહે આ ઘટના પર આકરી પ્રતિક્રિયા આપતા તેને રાહુલ ગાંધીની દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિનું પ્રતિબિંબ ગણાવ્યું છે.</p><p><br></p><p>બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું, "આ રાહુલ ગાંધીનું દુર્ભાગ્ય છે. જો હું ત્યાં હોત અથવા મારા કોઈ કાર્યક્રમમાં હોત અને કોઈએ કોઈના પણ માતા વિશે માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જ નહીં, પરંતુ કોઈના પણ માતા વિશે, ભલે તે રાહુલ ગાંધીના માતા હોય અભદ્ર ટિપ્પણી કરી હોત, તો મેં તેને રોકવાનો પ્રયાસ કર્યો હોત અથવા ખેદ વ્યક્ત કર્યો હોત."</p><p><br></p><h4><b>'કોઈના પણ માતાનું અપમાન કરવું દુર્ભાગ્યપૂર્ણ છે'</b></h4><p>બ્રિજભૂષણ સિંહે કહ્યું, "તેઓ વિપક્ષના નેતા (LoP) છે; જો તેમની હાજરીમાં અને તેમના મંચ પર દેશની માતાઓનું જેમાં એવી માતાઓનો પણ સમાવેશ થાય છે જેઓ હવે આ દુનિયામાં નથી અને અપમાન કરવામાં આવતું હોય, તો તે દુર્ભાગ્યપૂર્ણ છે. રાહુલ ગાંધીને ભારતીય સંસ્કૃતિ, ભારતીય ઇતિહાસ અને માતાના ઉચ્ચ દરજ્જા અંગેની આપણી પરંપરાઓનું જ્ઞાન નથી."</p><p><br></p><h4><b>'છાત્રો કી ગૂંજ' કાર્યક્રમને લઈને ભાજપ આક્રમક મુડમાં</b></h4><p>ઉલ્લેખનીય છે કે ભાજપે કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ઈન્દોરમાં આયોજિત 'છાત્રો કી ગૂંજ' કાર્યક્રમના આયોજકો પર વડાપ્રધાન મોદીના માતાનું અપમાન કરવાનો આરોપ મૂક્યો છે. ભારતીય જનતા પાર્ટીએ આ કાર્યક્રમ અંગે આક્રમક વલણ અપનાવ્યું છે. આ દરમિયાન પૂર્વ સાંસદ અને ભાજપના નેતા બ્રિજભૂષણ શરણ સિંહે આ ઘટનાને રાહુલ ગાંધીના દુર્ભાગ્યની નિશાની ગણાવી છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/cough-syrup-warning-red-label-for-children-under-4-years" target="_blank"><b>Cough Syrup: હવે કફ સિરપની બોટલ પર લાલ રંગમાં છાપવામાં આવશે ચેતવણી, જાણો કેમ લીધો આવો નિર્ણય</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/mDMvgXMzFvvXRWHTNe9CRoXnP1cwuR1nhMMmRAtI.webp'/></item><item><title><![CDATA[Vijay Sethupathi: Maharaja ફિલ્મનો હોલિવૂડમાં ડંકો, સિક્વલ પર પણ તૈયારીઓ શરૂ ]]></title><link>https://sandesh.com/entertainment/news/maharaja-2-vijay-sethupathi-sequel-hollywood-remake</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/maharaja-2-vijay-sethupathi-sequel-hollywood-remake</guid><pubDate>Sun, 20 Sep 2026 15:42:09 +05:30</pubDate><description><![CDATA[<p>વિજય સેતુપતિની એક્શન થ્રિલર ફિલ્મ ‘મહારાજા’ને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. હવે ખુદ અભિનેતાએ તેના બીજા ભાગ અંગે અપડેટ આપી છે. વિજયે પુષ્ટિ કરી છે કે ‘મહારાજા 2’ પર કામ ચાલી રહ્યું છે.</p><p>સાઉથ એક્ટરે જણાવ્યું કે દિગ્દર્શક નિથિલન સામીનાથને તેમને ફિલ્મની સિક્વલની વાર્તા પણ સંભળાવી છે, જે તેમને ખૂબ જ સુંદર લાગી. આ વાતચીત દરમિયાન અભિનેતાએ ફિલ્મના હોલિવૂડ રિમેક અંગે પણ વાત કરી હતી.</p><h2><b>‘મહારાજા 2’ અંગે શું કહ્યું વિજય સેતુપતિએ?</b></h2><p>‘બથ્થા’ના ઓડિયો લોન્ચ દરમિયાન વિજય સેતુપતિએ કહ્યું, “નિથિલન એક શાનદાર દિગ્દર્શક છે. તેમની લેખન ક્ષમતા ખૂબ સારી છે. તેમણે તાજેતરમાં મને ‘મહારાજા 2’ની વાર્તા સંભળાવી. તે ખૂબ જ સુંદર હતી. તેમની સાથે કામ કરવું શાનદાર રહ્યું.”</p><p>આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે સિક્વલ માત્ર શરૂઆતની વાતચીત સુધી સીમિત નથી, પરંતુ તેની સંપૂર્ણ વાર્તા તૈયાર થઈ ગઈ છે.</p><h2><b>‘મહારાજા’એ કેટલી કમાણી કરી હતી?</b></h2><p>આ પુષ્ટિ સાથે અભિનેતાએ ‘મહારાજા’ની સિક્વલ અંગે છેલ્લા ઘણા મહિનાથી ચાલી રહેલી અટકળો પર પણ પૂર્ણવિરામ મૂકી દીધું છે. પહેલી ફિલ્મ નિયો-નોયર થ્રિલર હતી, જેમાં એક માણસ તેની ચોરી થયેલા કચરાપેટીની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચે છે.&nbsp;</p><p>નિથિલન સામીનાથનના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મનું બજેટ લગભગ 20 કરોડ રૂપિયા હતું. ફિલ્મે દુનિયાભરમાં લગભગ 190 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને તે 2024ની સૌથી વધુ નફો કરનારી તમિલ ફિલ્મોમાં સામેલ થઈ હતી.</p><h2><b>શું ફિલ્મના હોલિવૂડ રાઇટ્સ વેચાઈ ગયા છે?</b></h2><p>વિજય સેતુપતિએ ‘મહારાજા’ની સફળતા અંગે પણ ખુલ્લેઆમ વાત કરી હતી. તેમણે કહ્યું કે તેમને હંમેશાં ફિલ્મ પર વિશ્વાસ હતો, પરંતુ ફિલ્મ આટલી આગળ જશે તેનો તેમને અંદાજ નહોતો.</p><p>ફિલ્મની ઈન્ટરનેશનલ સફળતા વિજય સેતુપતિ માટે કરિયરની સૌથી ખુશીની પળોમાંથી એક બની હતી. પ્રોડ્યુસર સુધન સુંદરમે તાજેતરમાં તેમને જણાવ્યું હતું કે એક હોલિવૂડ એજન્સીએ ‘મહારાજા’ના રિમેક રાઇટ્સ ખરીદી લીધા છે.</p><p>વિજય સેતુપતિએ કહ્યું, “પ્રોડ્યુસરે તાજેતરમાં મને ફોન કરીને જણાવ્યું કે તેમણે ફિલ્મના હોલિવૂડ રાઇટ્સ વેચી દીધા છે. મેં તેમને કહ્યું કે હું એક ફિલ્મમાં મફતમાં કામ કરીશ. મને એ હોલિવૂડ રિમેકમાં કોઈ રોલ અપાવો. હું હોલિવૂડ જઈશ. મારી હંમેશાંથી હોલિવૂડમાં કામ કરવાની ઈચ્છા રહી છે, પરંતુ સૌથી વધુ ખુશી એ વાતની છે કે મારી ફિલ્મ હોલિવૂડ જઈ રહી છે.”</p><h2><b>હોલિવૂડમાં મુખ્ય ભૂમિકા કોણ ભજવશે?</b></h2><p>સુધન સુંદરમે આ મહિનાની શરૂઆતમાં જણાવ્યું હતું કે હોલિવૂડ એડેપ્ટેશનની તૈયારી એક A-લિસ્ટ સ્ટાર સાથે કરવામાં આવી રહી છે અને તેના પર આવતા વર્ષ સુધીમાં કામ શરૂ થવાની આશા છે.</p><p>ઓસ્કાર વિજેતા મૅથ્યુ મૅકોનહેનું નામ મુખ્ય ભૂમિકા માટે ઘણી ચર્ચામાં છે. જોકે, સુંદરમે કહ્યું હતું કે કાસ્ટિંગની સત્તાવાર પુષ્ટિ આ પ્રોજેક્ટ સંભાળતી એજન્સી જ કરી શકે છે.</p><h2><b>‘મહારાજા’ની કાસ્ટ</b></h2><p>‘મહારાજા’માં વિજય સેતુપતિ સાથે અનુરાગ કશ્યપે નેગેટિવ રોલ ભજવ્યો હતો. ફિલ્મમાં સચના નામિદાસ, મમતા મોહનદાસ અને નટ્ટી સુબ્રમણ્યમ પણ જોવા મળ્યા હતા. ફિલ્મનું દિગ્દર્શન નિથિલન સામીનાથને કર્યું હતું. ફિલ્મનું સંગીત બી. અજનીશ લોકનાથે આપ્યું હતું, સિનેમેટોગ્રાફી દિનેશ પુરુષોત્તમને કરી હતી અને એડિટિંગ ફિલોમિન રાજે સંભાળ્યું હતું. ફિલ્મને સુધન સુંદરમ અને જગદીશ પાલનીસામીએ પેશન સ્ટુડિયોઝ, થિંક સ્ટુડિયોઝ અને ધ રૂટના બેનર હેઠળ પ્રોડ્યુસ કરી હતી.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/AaxkXQuduINyxppkkAzzglk0flI7VQeqZr2OxP4o.webp'/></item><item><title><![CDATA[Narmada News : ડેડીયાપાડાના કુનબાર ઈકો ટુરિઝમ નજીક કૂવામાં ખાબક્યો દીપડો, વનવિભાગનું સફળ રેસ્ક્યુ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/narmada/narmada--forest-department-safely-rescues-leopard-from-well-in-dediapada</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/narmada/narmada--forest-department-safely-rescues-leopard-from-well-in-dediapada</guid><pubDate>Sun, 20 Sep 2026 15:30:13 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં આવેલા પ્રસિદ્ધ કુનબાર ઈકો ટુરિઝમ નજીક એક ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. ઈકો ટુરિઝમથી માત્ર 100 મીટરના અંતરે આવેલા એક ખેતરના કૂવામાં અચાનક દીપડો ખાબક્યો હતો. કૂવામાં દીપડો પડવાની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં કૂતુહલ સાથે ભયનો માહોલ સર્જાયો હતો.</p><h2 style="text-align: justify; "><b>ખેડૂતની સતર્કતા અને વનવિભાગનું ત્વરિત રેસ્ક્યુ ઓપરેશન</b></h2><p style="text-align: justify; ">ખેતરમાં આવેલા કૂવામાં દીપડો પડ્યો હોવાની જાણ થતાં જ સ્થાનિક ખેડૂતે ત્વરિત સતર્કતા દાખવીને વનવિભાગને સમગ્ર બાબતની જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને સમજીને વનવિભાગની ટીમ તાત્કાલિક જરૂરી સાધન-સામગ્રી સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. વનકર્મીઓએ ગણતરીના સમયમાં જ કૂવામાંથી દીપડાને સલામત રીતે બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>દીપડાને સલામત બહાર કાઢી પાંજરામાં પૂર્યો, તબીબી તપાસ શરૂ</b></h2><p style="text-align: justify; ">વનવિભાગની ટીમે ભારે જહેમત બાદ દીપડાને કૂવામાંથી સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થયા બાદ દીપડાને પાંજરામાં પૂરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ દીપડાની શારીરિક સ્થિતિ જાણવા માટે તબીબી તપાસ (મેડિકલ ચેકઅપ) હાથ ધરીને વનવિભાગ દ્વારા આગળની જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/bhavnagar/bhavnagar--heavy-rain-lashes-mahuva--2-inches-in-1-hour-triggers-waterlogging" target="_blank">Bhavnagar News : વીજળીના કડાકા-ભડાકા સાથે મહુવામાં મેઘતાંડવ, 1 કલાકમાં 2 ઈંચ અનરાધાર વરસાદ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/iAqiiH09XENmHMPPxA6r7bHjmrUAfwZxohcOOiyz.webp'/></item><item><title><![CDATA[Surat: દિહેણ ગામે ગાડી પર પેવર બ્લોકથી હુમલો કરાયો; જીવ બચાવવા ભાગતા અરિયાણા પાસે કાર અકસ્માતમાં નીપજ્યું મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/olpad-amish-patel-death-case-sog-adds-culpable-homicide-charge-7-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/olpad-amish-patel-death-case-sog-adds-culpable-homicide-charge-7-arrested</guid><pubDate>Sun, 20 Sep 2026 15:26:27 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત ગ્રામ્યના ઓલપાડ તાલુકાના સરોલી ગામના રહીશ અમીષ પટેલના શંકાસ્પદ સંજોગોમાં થયેલા મોત મામલે મોટો અને ચોંકાવનારો પર્દાફાશ થયો છે. પ્રાથમિક તબક્કે અકસ્માત ગણાવાયેલી આ ઘટનામાં પરિવારજનો દ્વારા ઘાતક હુમલાના આક્ષેપો કરાતાં સુરત ગ્રામ્ય પોલીસ વડા દ્વારા તપાસ SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ને સોંપવામાં આવી હતી. SOG ની સઘન તપાસમાં સામે આવ્યું છે કે આ ઘટના સાદો અકસ્માત નહીં પરંતુ હુમલા અને પીછો કરવાના કારણે સર્જાયેલી કરૂણાંતિકા હતી.</p><h2><b>ઓલપાડના અમીષ પટેલ મોત કેસ</b></h2><p>પોલીસ તપાસની વિગતો મુજબ, ગત 12 સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે અમીષ પટેલ પીંજરત ગામેથી પોતાના ગામ સારોલી તરફ પોતાની કારમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન દિહેણ ગામે અજાણ્યા ટોળા દ્વારા તેમની કાર રોકીને તોડફોડ કરવામાં આવી હતી અને પેવર બ્લોક વડે જીવલેણ હુમલો કરાયો હતો. આ ઘાતકી હુમલા બાદ પોતાનો જીવ બચાવવા માટે અમીષ પટેલે કાર પુરપાટ ઝડપે ચલાવી હતી, પરંતુ હુમલાખોરોએ કાર અને બાઇક પર તેમનો પીછો કર્યો હતો. આ પીછા દરમિયાન અરિયાણા ગામ નજીક અમીષ પટેલની કાર અકસ્માતગ્રસ્ત થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.</p><h3><b>કાર પર પેવર બ્લોકથી હુમલો કરાયો હતો</b></h3><p>SOG પોલીસે તપાસ દરમિયાન ઘટનાસ્થળ તેમજ રસ્તા પરના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા અને સ્થાનિક સાક્ષીઓના નિવેદનો નોંધ્યા હતા. આ ઉપરાંત મૃતક અમીષ પટેલના મોબાઈલ ફોનમાંથી મહત્વની ફોન કોલ ક્લિપ મળી આવી હતી, જેણે સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.આ તમામ પુરાવાઓના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 105 (સાઅપરાધ મનુષ્યવધ) તેમજ રાયોટિંગ અને ગેરકાયદેસર મંડળી રચવા સહિતની ગંભીર કલમોનો ઉમેરો કર્યો છે. પોલીસે આ કેસમાં સંડોવાયેલા મુખ્ય 7 આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને બનાવ પાછળના મુખ્ય કારણ અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/surat/surat-downpour--heavy-rain-lashes-adajan--vesu-and-pal--heat-relief-amid-orange-alert" target="_blank">આ પણ વાંચો: Surat News : હવામાન વિભાગની આગાહી સાચી ઠરી, સુરતમાં ઓરેન્જ એલર્ટ વચ્ચે મેઘરાજાની તોફાની બેટિંગ</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/UWD9lh2r2I3A4tzkNq0oDnsRqKXnxi5cwfXLiYRl.webp'/></item><item><title><![CDATA[રાજકોટમાં પોલીસ કર્મી લાંચ લેતા ઝડપાયા, નકલી ડેપ્યુટી કલેકટર બની ઠગાઈ આચરી સહિતના મોટા સમાચાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-12-pm-to-03-pm-20-september-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-12-pm-to-03-pm-20-september-2026</guid><pubDate>Sun, 20 Sep 2026 14:59:06 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર</b></p><p><a href="https://sandesh.com/gujarat/news/crime/anand/fake-deputy-collector-dupes-unemployed-youth-of-7-lakh-in-job-fraud" target="_blank"><b>1.Anand News: નકલી ડેપ્યુટી કલેકટર બની નોકરીની લાલચ આપી, બેરોજગાર યુવક પાસેથી 7.70 લાખ પડાવ્યા</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/rajkot/asi-and-grd-caught-taking--10000-bribe-at-aji-dam-police-chowki" target="_blank"><b>2. Rajkot News: આજી ડેમ પોલીસ ચોકીના ASI અને GRD જવાન 10 હજારની લાંચ લેતા ઝડપાયા</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-sets-new-time-limits-for-tender-approval-process" target="_blank"><b>3. Gandhinagar News: ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા માટે સમયમર્યાદા નિર્ધારિત કરાઈ, હવે આટલા દિવસમાં માન્યતા મળશે</b></a></p><p><a href="https://sandesh.com/world/news/political-news/russia-elections-a-test-of-putins-strength-in-the-midst-of-war-or-just-a-formality-know-what-the-atmosphere-is-like" target="_blank"><b>4. Russia Elections: યુદ્ધ વચ્ચે પુતિનની તાકાતની કસોટી કે માત્ર ઔપચારિકતા, જાણો કેવો છે માહોલ?</b></a></p><p><a href="https://sandesh.com/sports/news/asian-games-india-107-medals-28-gold" target="_blank"><b>5. Asian Games : એશિયન ગેમ્સમાં ભારતનો ઐતિહાસિક દબદબો! 28 ગોલ્ડ સાથે જીત્યા રેકોર્ડબ્રેક 107 મેડલ</b></a></p><p><a href="https://sandesh.com/world/news/israel-military-shortage-heated-discussion-after-deal-for-12-apache-helicopters-stalled-know-what-is-the-reason" target="_blank"><b>6. Israel Military Shortage: 12 અપાચે હેલિકોપ્ટરની ડીલ અટકતા ગરમાઈ ચર્ચા, જાણો શુ છે કારણ?</b></a></p><p><a href="https://sandesh.com/cricket/news/ind-w-vs-ban-w-india-beat-bangladesh-by-114-runs-in-the-semi-final" target="_blank"><b>7. IND W vs BAN W : સેમીફાઇનલમાં ભારતે બાંગ્લાદેશને 114 રને હરાવ્યું, નંદની શર્માએ 3 વિકેટ લીધી</b></a></p><p><a href="https://sandesh.com/india/news/mumbai-bmw-accident-bmw-car-leaps-into-the-air-breaks-the-railing-and-falls-off-the-bridge-scary-video" target="_blank"><b>8. Mumbai BMW Accident: હવામાં ઉછળી, રેલિંગ તોડી બ્રિજથી પડી ધડામ, BMW કારનો VIDEO ડરામણો</b></a></p><p><a href="https://sandesh.com/entertainment/news/salim-merchant-kamakhya-temple-social-media-trolling" target="_blank"><b>9. Kamakhya Temple: Salim Merchant ને મંદિરમાં જોઇને ભડક્યા યુઝર્સ, તસવીરો પર છંછેડાયો વિવાદ</b></a></p><p><a href="https://sandesh.com/india/news/himachal-kullu-tunnel-leakage-parvati-hydro-project-water-floods-village" target="_blank"><b>10. Himachalમાં અડધીરાતે કુલ્લુમાં આવ્યું અચાનર પૂર... 15 ઘરમાં ઘૂસ્યો કાટમાળ અને પાણી; માંડ-માંડ બચ્યો જીવ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/29/wLbfyTnyUxIYEFJiJxV9BkITi0sHaa4rS7kNibmF.webp'/></item><item><title><![CDATA[Gold Price Today : એક અઠવાડિયામાં સોનું મોંઘું, ચાંદીમાં 10,000નો તોતિંગ ઉછાળો! આજે શું છે ભાવ? ]]></title><link>https://sandesh.com/business/news/india/gold-price-today-24k-22k-silver-rate-weekly-rise</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/gold-price-today-24k-22k-silver-rate-weekly-rise</guid><pubDate>Sun, 20 Sep 2026 11:58:43 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દેશમાં સોનાની કિંમતમાં સાપ્તાહિક ધોરણે વધારો થયો છે. અલગ-અલગ શહેરોમાં 1 અઠવાડિયામાં 24 કેરેટ ગોલ્ડની કિંમત 1260 રૂપિયા સુધી વધી છે. 22 કેરેટ ગોલ્ડ 1150 રૂપિયા સુધી મોંઘું થયું છે. આજે 20 સપ્ટેમ્બરે રાજધાની દિલ્હીમાં સવારના સમયે 24 કેરેટ ગોલ્ડ 155990 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. મુંબઈમાં કિંમત 155840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનું 4,390.11 ડોલર પ્રતિ ઔંસ પર છે. સોનાનો વૈશ્વિક ભાવ 1 અઠવાડિયામાં આશરે 1 ટકા વધ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>સોનું 10,000 ડોલર પહોંચવાની શક્યતા</b></h2><p style="text-align: justify; ">જેફરીઝના ગ્લોબલ હેડ ઓફ ઈક્વિટી સ્ટ્રેટેજી ક્રિસ વુડનું માનવું છે કે સોનાનો ભાવ વધીને 10,000 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે. અત્યારના સ્તરથી જોઈએ તો આ આશરે 130% નો ઉછાળો હશે. વુડે જેફરીઝ ઈન્ડિયા ફોરમ 2026 દરમિયાન સીએનબીસી-ટીવી18 સાથેની વાતચીતમાં કહ્યું કે 10,000 ડોલર પ્રતિ ઔંસનું લેવલ શક્ય છે. અમેરિકન બોન્ડ યીલ્ડને કંટ્રોલ કરવાના પ્રયાસથી ડોલર નબળો પડી શકે છે. આનો ફાયદો સોનાને મળી શકે છે.</p><h3 style="text-align: justify; "><b>દેશના કેટલાક મોટા શહેરોમાં સોનાના ભાવ</b></h3><table class="table table-bordered"><tbody><tr><td><b>શહેર</b></td><td><b>24 કેરેટ સોનાની કિંમત</b></td><td><b>22 કેરેટ સોનાની કિંમત</b></td></tr><tr><td>દિલ્હી</td><td>1,55,990</td><td>1,43,000</td></tr><tr><td>મુંબઈ</td><td>1,55,840</td><td>1,42,850</td></tr><tr><td>કોલકાતા</td><td>1,55,840</td><td>1,42,850</td></tr><tr><td>ચેન્નઈ</td><td>1,55,840</td><td>1,42,850</td></tr><tr><td>અમદાવાદ</td><td>1,55,890</td><td>1,42,900</td></tr><tr><td>રાજકોટ</td><td>1,55,890</td><td>1,42,900</td></tr></tbody></table><h3 style="text-align: justify; "><b>ચાંદીના ભાવમાં પણ તેજી</b></h3><p style="text-align: justify; ">ચાંદીની ચાલ: સોનાની જેમ ચાંદી પણ સાપ્તાહિક ધોરણે મોંઘી થઈ છે. 1 અઠવાડિયામાં ભાવ 10000 રૂપિયા વધ્યો છે. 20 સપ્ટેમ્બરની સવારે ચાંદીની કિંમત 255000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ સિલ્વરની કિંમત 66.70 ડોલર પ્રતિ ઔંસ છે. આ વર્ષે જાન્યુઆરીમાં દેશમાં ચાંદીની કિંમત 4 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામના ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચી ગઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં આ 36 ટકા ઘટી ચૂકી છે.</p><h6 style="text-align: justify; "><b>Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.</b></h6><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/bigg-boss-20-salman-khan-health-promo-clarification" target="_blank">આ પણ વાંચો-Salman Khan Health : બિગ બોસ 20ના સેટ પર ભાઈજાનની તબિયત બગડી, આખરે શું થયું? એક્ટરે જ કર્યો ખુલાસો!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/20/CgDNg3YJ4Vqgxwrb3cUemmJKh0cb43dWbrd7Jz4D.webp'/></item></channel></rss>