<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[CJP Protest: દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીનો જંતર-મંતર પર વિરોધ યથાવત, મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત ]]></title><link>https://sandesh.com/india/news/cjp-protest-cockroach-janata-partys-protest-at-jantar-mantar-continues-in-delhi-large-number-of-police-personnel-deployed</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/cjp-protest-cockroach-janata-partys-protest-at-jantar-mantar-continues-in-delhi-large-number-of-police-personnel-deployed</guid><pubDate>Tue, 21 Jul 2026 10:11:03 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગને લઈને CJP ના પ્રદર્શનકારીઓ છેલ્લા એક મહિનાથી જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દિલ્હીમાં 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) નું પ્રદર્શન ચાલુ છે.20 જુલાઈે સોમવારે દિવસભર પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. આ ઘર્ષણમાં ઘણા વિદ્યાર્થીઓની સાથે મોટી સંખ્યામાં દિલ્હી પોલીસના જવાનો પણ ઘાયલ થયા હતા.દિલ્હી પોલીસે સોમવારે રાત્રે જંતર-મંતર ખાલી કરાવી દીધું હતું. ત્યારબાદ CJP ના સ્થાપક અભિજીત દીપકે, સૌરવ દાસ, આશુતોષ રાંકા અને સોનમ વાંગચુકના પત્ની ગીતાંજલિ કેરળ હાઉસ બહાર ધરણા પર બેસી ગયા હતા.</p><p style="text-align: justify;">સોમવારે ભારે ભીડને કારણે DMRC એ રાજીવ ચોક, જનપથ, પટેલ ચોક, કેન્દ્રીય સચિવાલય અને સેવા તીર્થ મેટ્રો સ્ટેશનોને કેટલાક કલાકો સુધી બંધ કરી દીધા હતા. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હી પોલીસે કનોટ પ્લેસમાં રીગલ સિનેમા પાસે વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા, પથ્થરમારો અને પોલીસ વાહનોમાં તોડફોડના સિલસિલામાં અજાણ્યા વ્યક્તિઓ સામે એફઆઈઆર (FIR) નોંધાવી છે.</p><h2 style="text-align: justify; "><b>&nbsp;કેન્દ્રીય શિક્ષણને પદ પરથી હટાવવામાં આવે</b></h2><p style="text-align: justify; ">કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનને લઈને તમામ વિપક્ષી નેતાઓના નિવેદનો સામે આવ્યા છે. સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવે વિદ્યાર્થીઓના સમર્થનમાં માર્ચ કાઢી હતી, જેમને દિલ્હી પોલીસે અટકાયતમાં લીધા હતા.આ દરમિયાન, CJP નું એક પ્રતિનિધિમંડળ કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાને મળ્યું હતું અને તેમને પોતાની માંગણીઓ અંગે આવેદનપત્ર સોંપ્યું હતું. તેમની મુખ્ય માંગ છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને તેમના પદ પરથી હટાવવામાં આવે. તો બીજી તરફ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર ખેડૂતોની જેમ લાખો વિદ્યાર્થીઓ અને યુવાનોની ગંભીર ચિંતાઓ પ્રત્યે પણ અસંવેદનશીલ અને ઉદાસીન છે.</p><p style="text-align: justify; "><br></p><h3 style="text-align: justify; "><b>આરોપીઓની ઓળખ કરી રહી છે પોલીસ</b></h3><p style="text-align: justify; ">દિલ્હી પોલીસે જણાવ્યું કે CCTV ફૂટેજ, વિડિયો રેકોર્ડિંગ અને અન્ય ઇલેક્ટ્રોનિક પુરાવાઓની મદદથી હિંસામાં સામેલ લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. આ પહેલાં સંસદ માર્ચ દરમિયાન પ્રદર્શનકારીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે હિંસક ઝડપ થઈ હતી.</p><h4 style="text-align: justify; "><b>ઘણી જગ્યાએ બેરિકેડિંગ, વાહનોનું ચેકિંગ શરૂ</b></h4><p style="text-align: justify; ">નવી દિલ્હી, ઉત્તર, દક્ષિણ, દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ જિલ્લાઓ ઉપરાંત અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. અનેક જગ્યાએ બેરિકેડિંગ લગાવવામાં આવ્યા છે, વાહનોનું ચેકિંગ વધારી દેવાયું છે અને પેટ્રોલિંગ ઝડપી બનાવી દેવાયું છે.મુખ્ય સરકારી ભવનો, મુખ્ય ચોકો અને સંભવિત વિરોધ-પ્રદર્શનના સ્થળો આસપાસ વધારાનું પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું છે.</p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>દિલ્હીમાં સુરક્ષા વધારી</b></h4><p style="text-align: justify; ">કોકરોચ જનતા પાર્ટી અને ખેડૂત સંગઠનોના વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પોલીસે દિલ્હીના ઘણા વિસ્તારોમાં સુરક્ષા વધારી દીધી છે અને સંવેદનશીલ સ્થળો પર પોલીસ તથા અર્ધલશ્કરી દળોના જવાનોની ભારે તૈનાતી કરવામાં આવી છે.દિલ્હી પોલીસે કનોટ પ્લેસમાં રીગલ સિનેમા પાસે વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા, પથ્થરમારો અને પોલીસ વાહનોમાં તોડફોડ કરવા બદલ અજાણ્યા લોકો સામે કેસ દાખલ કર્યો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/world/news/india-issues-advisory-for-iran-travel-appeals-to-indians-to-postpone-travel-and-leave-the-country" target="_blank">આ પણ વાંચો: Iran પ્રવાસ માટે ભારતે જાહેર કરી એડવાઈઝરી, પ્રવાસ મુલતવી રાખવા અને દેશ છોડવા અપીલ</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/fUVL7I5YAg56dp1e90jx239K1VHCULL02WH0ERna.webp'/></item><item><title><![CDATA[Vadodara: મધ્ય ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના લીધે SSG માં 5 બાળકો પૈકી 3 ગંભીર, ગોત્રી હોસ્પિટલમાં 2 દર્દીઓની સ્થિતિ સ્થિર ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/chandipura-virus-cases-7-suspected-children-ssg-gotri-hospital</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/chandipura-virus-cases-7-suspected-children-ssg-gotri-hospital</guid><pubDate>Tue, 21 Jul 2026 10:10:54 +05:30</pubDate><description><![CDATA[<p>મધ્ય ગુજરાતના મથક ગણાતા વડોદરા શહેરમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. વડોદરાની સરકારી હોસ્પિટલોમાં વડોદરા શહેર-જિલ્લા ઉપરાંત આસપાસના પંચમહાલ, ગોધરા સહિતના વિસ્તારોમાંથી નાના બાળકોને ગંભીર હાલતમાં સારવાર માટે લાવવામાં આવી રહ્યા છે. છેલ્લા 10 દિવસના આંકડા અનુસાર, કુલ 7 શંકાસ્પદ બાળકો ચાંદીપુરા વાયરસના લક્ષણો સાથે સારવાર હેઠળ છે.</p><h2><b>ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ</b></h2><p>સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે સયાજી હોસ્પિટલ (SSG) ના ચાઇલ્ડ વોર્ડમાં દાખલ 5 દર્દીઓમાંથી 3 બાળકોની તબિયત અચાનક વધુ નાજુક બનતાં તેમને લાઈફ સપોર્ટ એટલે કે વેન્ટિલેટર પર ખસેડવાની ફરજ પડી છે. દાખલ થયેલા દર્દીઓમાં સાવલીનો એક ૨ વર્ષનો બાળક પણ સામેલ છે. બીજી તરફ, જીએમઇઆરએસ (GMERS) ગોત્રી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૨ બાળકોની સ્થિતિ હાલ સુધારા પર અને સ્થિર બતાવવામાં આવી રહી છે.</p><h3><b>શું છે ચાંદીપુરા વાયરસ?</b></h3><p>ચાંદીપુરા વાયરસ (CHPV) મુખ્યત્વે 15 વર્ષથી નાની વયના બાળકોને લક્ષ્યાંક બનાવે છે. આ વાયરસ 'સેન્ડ ફ્લાય' (રેતી માખી) ના કરડવાથી ફેલાય છે. બાળકને અચાનક સખત તાવ આવવો, ઉલટી-ઉબકા થવા, બાળકની ચેતના ગુમાવવી (બેભાન થવું) કે આંચકી (ખેંચ) આવવી એ આ વાયરસના મુખ્ય લક્ષણો છે. વાયરસ મગજ પર ઝડપથી અસર કરતો હોવાથી સ્થિતિ ઝડપથી ગંભીર બની જાય છે.આરોગ્ય વિભાગ દ્વારા પંચમહાલ, સાવલી અને ભાયલીના ગ્રામીણ વિસ્તારોમાં સેન્ડ ફ્લાય મિજ કંટ્રોલ માટે ડસ્ટિંગ અને મેલાથિયોન પાવડરનો છંટકાવ કરવાની કામગીરી તેજ કરી દેવામાં આવી છે. તબીબોએ વાલીઓને અપીલ કરી છે કે જો બાળકમાં તીવ્ર તાવ સાથે ખેંચ કે ઉલટીના લક્ષણો દેખાય તો સમય બગાડ્યા વિના તાત્કાલિક નજીકની સરકારી કે બાળરોગ નિષ્ણાત હોસ્પિટલમાં સંપર્ક કરવો.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/patan/radhanpur-police-station-lockup-cctv-viral-accused-jaha-rabari-uses-mobile-in-custody" target="_blank">આ પણ વાંચો: Patan: રાધનપુરમાં 36 લાખની ઉચાપતનો આરોપી લોકઅપમાં જલસાથી વાપરે છે મોબાઈલ ફોન, સીસીટીવી વાયરલ</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/OIFtUXsvgPoGFfsGk5HsRhri93dYKBzre0XWI411.webp'/></item><item><title><![CDATA[Botad : ખમીદાણા પાસે સિમેન્ટ ભરેલો ટ્રક પલટ્યો: 2 શ્રમિકોના નીપજ્યા કરુણ મોત, 3 ઈજાગ્રસ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/news/botad/botad-barwala-truck-accident-khamidana-two-labourers-death</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/botad/botad-barwala-truck-accident-khamidana-two-labourers-death</guid><pubDate>Tue, 21 Jul 2026 10:10:13 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોટાદ જિલ્લાના બરવાળાથી નાવડા રોડ પર આવેલા ખમીદાણા ગામ નજીક નેસડીયા હનુમાનજી મંદિર પાસે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. સિમેન્ટની થેલીઓ ભરીને જઈ રહેલા એક ટ્રકના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ટ્રક રોડ નીચે ઉતરી ખાળિયામાં પલટી મારી ગયો હતો. આ દર્દનાક દુર્ઘટનામાં ટ્રક પર સવાર બે શ્રમિકોના ઘટનાસ્થળે જ નીપજ્યા કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ત્રણ શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.</p><h2 style="text-align: justify; "><b>શ્રમિકો સિમેન્ટની ભારેખમ થેલીઓ અને ટ્રક નીચે દબાઈ ગયા</b></h2><p style="text-align: justify; ">મળતી વિગતો અનુસાર, સિમેન્ટ ખાલી કરવા માટે મજૂરો ટ્રકની ઉપર બેઠા હતા. આ દરમિયાન ચાલકે કાબૂ ગુમાવતાં ટ્રક પલટી મારી ગયો હતો, જેના કારણે ઉપર બેઠેલા શ્રમિકો સિમેન્ટની ભારેખમ થેલીઓ અને ટ્રક નીચે દબાઈ ગયા હતા.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>2 શ્રમિકાનો સ્થળ પર જ મોત</b></h3><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોની મદદથી દબાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ દુર્ભાગ્યવશ બે સગા ભાઈઓ જેવા શ્રમિકો બાબુભાઈ હરજીભાઈ સારોલા (ઉંમર આશરે 40 વર્ષ) અને રમેશભાઈ હરજીભાઈ સારોલા (ઉંમર આશરે 50 વર્ષ)નું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું.</p><h4 style="text-align: justify; "><b>3 મજૂરોને સારવારમાં ખસેડાયા</b></h4><p style="text-align: justify; ">આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા મજૂરો પૈકી સંજયભાઈ ગીધાભાઈ અને વિજયભાઈ ગીધાભાઈને વધુ સારવાર અર્થે બોટાદની હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યારે મફાભાઈ ગોવિંદભાઈ મકવાણાને બરવાળા ખાતે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.</p><h4 style="text-align: justify; "><b>પોલીસે તપાસ શરુ કરી</b></h4><p style="text-align: justify; ">દુર્ઘટના સર્જાયા બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ બરવાળા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી ફરાર ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો :&nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-unjha-cumin-fennel-gi-tag-gujarat-agricultural-products-list-farmers-benefit" target="_blank"><b>Sandesh Digital Explainer : ઊંઝાના જીરા અને વરિયાળીને મળ્યો GI ટેગ, ગુજરાતના કેટલા ઉત્પાદનોને મળ્યો GI ટેગ? વાંચો રસપ્રદ માહિતી</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/JKzfeQgRNCdvh2ZVBlRcWOf7u9zhxibwDrS4fit3.webp'/></item><item><title><![CDATA[Farmers Protest: આજે ખેડૂતોની દિલ્હી તરફ કૂચ, શંભુ બોર્ડર સીલ, જાણો શું છે માગ ]]></title><link>https://sandesh.com/india/news/farmers-protest-farmers-march-towards-delhi-today-shambhu-border-sealed-know-what-are-the-demands</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/farmers-protest-farmers-march-towards-delhi-today-shambhu-border-sealed-know-what-are-the-demands</guid><pubDate>Tue, 21 Jul 2026 10:08:07 +05:30</pubDate><description><![CDATA[<p>મંગળવારે પંજાબ, હરિયાણા અને અન્ય ઘણા રાજ્યોના હજારો ખેડૂતો પ્રસ્તાવિત ભારત-અમેરિકા વેપાર કરારનો વિરોધ કરવા માટે દિલ્હી જવા રવાના થયા છે. તેઓ કિસાન ઘાટ પર આયોજિત મહાપંચાયત (ભવ્ય સભા) માં ભાગ લેવા માટે રાજધાની તરફ જઈ રહ્યા છે. ખેડૂતોની કૂચને ધ્યાનમાં રાખીને, હરિયાણા પોલીસે શંભુ સરહદ સહિત દિલ્હીને જોડતા મુખ્ય માર્ગો પર સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી દીધી છે.</p><h2><b>ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રમુખની અટકાયત&nbsp;</b></h2><p>ભારતીય કિસાન યુનિયન (ચારુની જૂથ) ના રાષ્ટ્રીય પ્રમુખ ગુરનામ સિંહ ચારુનીની અટકાયત કરવામાં આવી છે, જ્યારે વિવિધ સ્થળોએ બેરિકેડ ઉભા કરીને ખેડૂતોની આગળ વધવાની ગતિવિધિઓને રોકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ખેડૂતોએ મહાપંચાયત માં મોટી સંખ્યામાં લોકો આવે તે સુનિશ્ચિત કરવા માટે ટ્રેક્ટરને બદલે બસો અને ખાનગી વાહનોનો ઉપયોગ કરીને દિલ્હી પહોંચવાની રણનીતિ અપનાવી છે.</p><h3><b>દેશ બચાવો મોરચા દ્વારા કરાર રદ કરવાની માગ સાથે આંદોલન</b></h3><p>પંજાબના હજારો ખેડૂતો આજે શંભુ સરહદ પર દિલ્હી તરફ કૂચ કરવા માટે એકઠા થઈ રહ્યા છે. ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર (FTA) સામે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. 'દેશ બચાવો મોરચા' દ્વારા આ કરાર રદ કરવાની માંગણી સાથે આ આંદોલનનું આહ્વાન કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં સુરક્ષા કડક કરવામાં આવી છે, અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 163 લાગુ કરવામાં આવી છે. બંને બાજુના રસ્તાઓ પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે, અને વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે.</p><p>અમૃતસર અને ગુરદાસપુરથી ખેડૂતોના કાફલા શંભુ સરહદ થઈને દિલ્હી પહોંચવાની તૈયારી કરી રહ્યા છે. ખેડૂતોની મુખ્ય માંગ ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર (FTA) તાત્કાલિક રદ કરવાની છે.</p><p><b style="font-size: 1.5rem;">ભારત-અમેરિકા વેપાર કરારનો વિરોધ શા માટે?</b></p><p>ખેડૂતોનો તર્ક છે કે જો ભારત-અમેરિકા વેપાર કરાર લાગુ કરવામાં આવે છે, તો તેની દેશના કૃષિ, ડેરી ક્ષેત્ર અને ગ્રામીણ અર્થતંત્ર પર મોટી અસર પડશે. તેમનો દાવો છે કે ભારતીય બજારમાં વિદેશી કૃષિ અને ડેરી ઉત્પાદનોનો પ્રવાહ સ્થાનિક ખેડૂતોને સખત સ્પર્ધાનો સામનો કરવા મજબૂર કરશે, જેના કારણે તેમની આવક પર અસર પડશે.</p><p>ખેડૂતો એવું પણ માને છે કે આ કરાર નાના અને સીમાંત ખેડૂતો માટે આજીવિકા સંકટ પેદા કરી શકે છે અને તેમના વ્યવસાયોને ભારે નુકસાન પહોંચાડી શકે છે.</p><p>ખેડૂતોનું કહેવું છે કે પ્રસ્તાવિત વેપાર કરાર ખેડૂતો, ખેતમજૂરો, પશુપાલકો, નાના વેપારીઓ અને નાના ઉદ્યોગો પર પ્રતિકૂળ અસર કરશે.</p><p><b style="font-size: 1.5rem;">FTA વિરુદ્ધ ખેડૂતોની મહાપંચાયત</b></p><p>ભારત-અમેરિકા મુક્ત વેપાર કરાર (FTA) ના વિરોધમાં આજે દિલ્હી તરફ ખેડૂતોની પ્રસ્તાવિત એક દિવસીય કૂચ પહેલા શંભુ સરહદ (પંજાબ-હરિયાણા સરહદ) પર ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. સુરક્ષાના પગલા તરીકે પોલીસે બેરિકેડ પણ ઉભા કર્યા છે.</p><p><br></p><p>ખેડૂતોનું કહેવું છે કે અમેરિકા સાથેના આ કરારથી દેશમાં ઓછા ભાવે વિદેશી માલની આયાત થશે, જેના કારણે તેઓ તેમના પાક માટે વાજબી વળતર મેળવી શકશે નહીં. તેમનr દલીલ છે કે આનાથી ખેડૂતો અને ખેતમજૂરો પર પ્રતિકૂળ અસર પડશે. ખેડૂતોએ માંગ કરી છે કે કેન્દ્ર સરકાર પ્રસ્તાવિત વેપાર કરારને રદ કરવા માટે તાત્કાલિક હસ્તક્ષેપ કરે અને ખેડૂતો અને સામાન્ય લોકોના હિતોનું રક્ષણ સુનિશ્ચિત કરે.</p><p><br></p><p><a href="https://sandesh.com/astrology/news/bhakti/surya-guru-yuti-2026-mahalakshmi-rajyoga-has-been-formed-the-luck-of-4-zodiac-signs-will-shine-due-to-the-union-of-sun-and-guru" target="_blank">આ પણ વાંચો: Surya Guru Yuti 2026: બન્યો મહાલક્ષ્મી રાજયોગ ! સૂર્ય ગુરુની યુતિથી 4 રાશિની કિસ્મત ચમકશે</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/ISYj8jhxsbmv1aqHdDg6bKVd77OutLElFoeUAmmh.webp'/></item><item><title><![CDATA[Thalapathy Vijay ની છેલ્લી ફિલ્મ "જન નાયકન" 23 જુલાઈએ રિલીઝ થશે, ટિકિટના ભાવ આસમાને ]]></title><link>https://sandesh.com/entertainment/news/thalapathy-vijays-last-film-jana-nayakkan-will-release-on-july-23-ticket-prices-skyrocket</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/thalapathy-vijays-last-film-jana-nayakkan-will-release-on-july-23-ticket-prices-skyrocket</guid><pubDate>Tue, 21 Jul 2026 10:07:45 +05:30</pubDate><description><![CDATA[<p>દક્ષિણ ભારતીય સિનેમાના સુપરસ્ટાર થલાપતિ વિજયની મોસ્ટ અવેટેડ ફિલ્મ "જન નાયકન" આખરે ૨૩ જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. વિવાદોને કારણે સાત મહિના મોડી પડેલી આ ફિલ્મ મૂળ જાન્યુઆરીમાં રિલીઝ થવાની હતી. થલાપતિ વિજયની આ છેલ્લી ફિલ્મ હોવાથી ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં બોબી દેઓલ, પૂજા હેગડે અને પ્રકાશ રાજ જેવા દિગ્ગજ કલાકારો પણ મુખ્ય ભૂમિકામાં છે.</p><h2><b>&nbsp;"જન નાયકન" ફિલ્મની ટિકિટના ભાવ આસમાને</b></h2><p>ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થતાં જ ટિકિટો ઝડપથી વેચાઈ રહી છે. વિજયનો ફેન બેઝ માત્ર તમિલનાડુ પૂરતો સીમિત ન રહેતાં કર્ણાટક, તેલંગાણા અને કેરળમાં પણ વ્યાપક છે. બેંગલુરુમાં PVR સિનેમાના રિક્લાઇનર શો માટે ટિકિટના ભાવ ₹૨,૬૦૦ સુધી પહોંચી ગયા છે, છતાં ઘણા પ્રીમિયમ શો હાઉસફુલ થઈ ગયા છે. જયારે તમિલનાડુમાં રાજ્ય સરકાર દ્વારા ટિકિટના દર પર કેપિંગ હોવાને કારણે શરૂઆતના દિવસની ટિકિટ ₹૧૮૩ થી ₹૧૯૦ ની વચ્ચે મળી રહી છે. જોકે કેટલાક સ્થળે બ્લેકમાં ₹૩,૦૦૦ સુધી ટિકિટ વેચાતી હોવાના અહેવાલ છે. કોચીમાં મહત્તમ કિંમત ₹૭૦૦, હૈદરાબાદમાં ₹૭૦૮, દિલ્હીમાં ₹૯૦૦ અને મુંબઈમાં ₹૧,૦૨૦ નોંધાઈ છે.</p><h4><b>થલાપતિના ચાહકો ફિલ્મ જોવા આતુર</b></h4><p>ફિલ્મના પ્રોડક્શન હાઉસના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, ટિકિટના ભાવ મનસ્વી રીતે નક્કી કરવામાં આવ્યા નથી પરંતુ તે બજારની માંગને પ્રતિબિંબિત કરે છે. વિચિત્ર માંગ અને ચાહકોના ભારે ઉત્સાહને જોતાં નિર્માતાઓ, વિતરકો અને થિયેટર માલિકોએ સંયુક્ત રીતે ભાવ નક્કી કર્યા છે. વિજયની અંતિમ ફિલ્મને મોટા પડદા પર નિહાળવા માટે ચાહકો કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર દેખાઈ રહ્યા છે. એડવાન્સ બુકિંગમાં ફિલ્મની&nbsp;ટિકિટના ભાવ 2600એ પહોંચતા જે બતાવે છે કે ચાહકોમાં થલાપતિ વિજયને જોવા કેટલો ક્રેઝ છે.&nbsp;</p><p><br></p><p><a href="https://sandesh.com/entertainment/news/toxic-new-song-yash-tara-sutaria-romantic-track-release-date" target="_blank">આ પણ વાંચો : Toxic New Song : યશ અને તારા સુતરિયાની રોમેન્ટિક કેમેસ્ટ્રી મળશે જોવા, ક્યારે રિલીઝ થશે નવું ગીત?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/jGMHbdx5qurCrtP0tZoyAypzniuj5ConELinO0ds.webp'/></item><item><title><![CDATA[Surat: ઉધનામાં પાણી ભરાતાં ટ્રાફિકજામ, નવસારીમાં કાવેરી નદી ઓવરફ્લો અને દાહોદમાં મેઘમહેર ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/surat/surat-rain-waterlogging-udhna-road-navsari-kaveri-river-overflows-dahod-limdi-rain</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/surat/surat-rain-waterlogging-udhna-road-navsari-kaveri-river-overflows-dahod-limdi-rain</guid><pubDate>Tue, 21 Jul 2026 10:06:53 +05:30</pubDate><description><![CDATA[<p>ક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો બીજા તબક્કાનો પ્રારંભ થતાં જ સુરત શહેરમાં આકાશી આફત જેવા દ્રશ્યો સર્જાયા છે. સુરત શહેરમાં મોડી રાતથી શરૂ થયેલા અવિરત ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખાસ કરીને વેપારી અને ટ્રાફિકથી ધમધમતા ઉધના-નવસારી રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. રસ્તાઓ પર ભરાયેલા વરસાદી પાણીમાં અનેક દ્વિચક્રી અને ચાર-ચક્રી વાહનો બંધ પડી જતાં વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ પરિસ્થિતિને કારણે કલાકો સુધી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા, જેનાથી સ્થાનિક મહાનગરપાલિકા તંત્ર દ્વારા કરાયેલા કરોડો રૂપિયાના પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓ પોકળ સાબિત થયા છે.</p><h2><b>નવસારી જિલ્લામાં પણ વરસાદનું જોર યથાવત</b></h2><p>બીજી તરફ, નવસારી જિલ્લામાં પણ વરસાદનું જોર યથાવત રહ્યું છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં સતત વરસી રહેલા વરસાદને પગલે સ્થાનિક લોકમાતાઓના જળસ્તરમાં ભયજનક વધારો નોંધાયો છે. નવસારીના ચીખલી નજીકથી પસાર થતી કાવેરી નદીમાં ઉપરવાસમાંથી પ્રચંડ પાણીની આવક થતાં નદી બે કાંઠે વહેતી થઈ છે. કાવેરી નદીના રૌદ્ર સ્વરૂપના કારણે ચીખલીને જોડતો લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેનાથી વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત નદીકાંઠે આવેલું ઐતિહાસિક તડકેશ્વર મહાદેવ મંદિર પણ પૂરના પાણીમાં ગરકાવ થઈ જતાં સુરક્ષાના ભાગરૂપે લોકોને નદી કિનારે ન જવાની સૂચના આપવામાં આવી છે.</p><h3><b>દાહોદમાં વાતાવરણમાં પલટો</b></h3><p> દક્ષિણ ગુજરાત સાથે મધ્ય-પૂર્વ ગુજરાતના આદિવાસી બહુલ ધરાવતા દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે. દાહોદના લીમડી તાલુકામાં વહેલી સવારથી જ મેઘરાજાએ મહેર કરી છે. લીમડી શહેર ઉપરાંત આસપાસના વરોડ, ટાંડી, કાળીમહુડી, મીરાખેડી, ડુંગરી, વાંકોલ તેમજ ખેડા અને કચુંબર સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. લાંબા વિરામ બાદ મેઘમહેર થતાં પંથકના ખેડૂતોના સુકાઈ રહેલા પાકને સંજીવની મળી છે, જેથી ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/rajkot/rmc-reveals-official-jangleshwar-demolition-expense-details-in-general-board" target="_blank">આ પણ વાંચો: Rajkot: જંગલેશ્વર ડિમોલિશન ઓપરેશન પાછળ કુલ 2.73 કરોડનો ધૂમાડો, 27 લાખનું ભોજન બિલ પેન્ડિંગ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/vr9UaXQWIReG56BttkqLTIGdZPnbG6mqgv9IJhov.webp'/></item><item><title><![CDATA[Sports News  : દુઃખદ સમાચાર,ઇંગ્લેન્ડના પૂર્વ સુકાની અને લેજેન્ડરી ફૂટબોલરનું 75 વર્ષની વયે નિધન ]]></title><link>https://sandesh.com/sports/news/sports-news-sad-news-former-england-captain-and-legendary-footballer-passes-away-at-the-age-of-75</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/sports-news-sad-news-former-england-captain-and-legendary-footballer-passes-away-at-the-age-of-75</guid><pubDate>Tue, 21 Jul 2026 09:41:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ફૂટબોલ કેપ્ટન અને મેનેજર Kevin Keeganનું 75 વર્ષની વયે અવસાન થયું છે. તેમના ભૂતપૂર્વ ક્લબ, ન્યૂકેસલ યુનાઇટેડે 20 જુલાઈના રોજ તેમના મૃત્યુની પુષ્ટિ કરી હતી. કીગન છેલ્લા કેટલાક સમયથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. આ વર્ષના જાન્યુઆરીમાં તેમના પરિવાર અને ન્યૂકેસલ યુનાઇટેડે તેમના નિદાનની જાહેરાત કરી હતી, જોકે તે સમયે આ રોગની વિગતો જાહેર કરવામાં આવી ન હતી. કીગને પોતે જૂનમાં બાદમાં ખુલાસો કર્યો હતો કે તેમને સ્ટેજ 4 કેન્સર છે. તાજેતરમાં પૂર્ણ થયેલા ફિફા વર્લ્ડ કપ 2026માં ઇંગ્લેન્ડ ત્રીજા સ્થાને રહ્યું હતું.</p><h4 style="text-align: justify; "><b>ન્યૂકેસલ યુનાઇટેડે કીગનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો</b></h4><p style="text-align: justify; ">ન્યૂકેસલ યુનાઇટેડે કીગનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો, એક નિવેદનમાં કહ્યું હતું કે તેઓ કેવિન કીગનના નિધનથી ખૂબ જ દુઃખી છે. કીગન તેમના ક્લબના ઇતિહાસમાં સૌથી પ્રખ્યાત, પ્રભાવશાળી અને પ્રિય વ્યક્તિઓમાંના એક હતા. ક્લબે જણાવ્યું હતું કે એક ખેલાડી તરીકે, કીગને સેન્ટ જેમ્સ પાર્કને તેમના ઉત્કૃષ્ટ રમત, મોટા સપના અને તેજસ્વી કેપ્ટનશીપથી એક નવી ઓળખ આપી હતી. મેનેજર (કોચ) તરીકે, તેમણે સમગ્ર ક્લબ અને શહેરમાં નવી આશા જગાવી હતી. તેમની ટીમ જે આક્રમક શૈલી, હિંમત અને જુસ્સા સાથે રમી હતી તેણે વિશ્વભરના ફૂટબોલ ચાહકોના દિલ જીતી લીધા.</p><p style="text-align: justify; "><a href="https://x.com/England/status/2079229857330839647?s=20" target="_blank">https://x.com/England/status/2079229857330839647?s=20</a></p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>કીગને બે વાર બેલોન ડી'ઓર જીત્યો</b></h4><p style="text-align: justify; ">કેવિન કીગનને ઇંગ્લેન્ડના મહાન અને સૌથી વધુ સુશોભિત ફૂટબોલરોમાંના એક માનવામાં આવે છે. તેમણે લિવરપૂલથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને ત્યાં ઘણી મોટી ટુર્નામેન્ટ જીતી. ત્યારબાદ તેઓ જર્મનીના હેમ્બર્ગમાં જોડાયા અને ત્યાં પણ નોંધપાત્ર ખ્યાતિ મેળવી. તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી તેમને 1978 અને 1979 માં સતત બે જીત મળી, જે વિશ્વનો સર્વોચ્ચ ફૂટબોલ પુરસ્કાર હતો. આ સિદ્ધિએ ફૂટબોલના મહાન ખેલાડીઓમાં તેમનું સ્થાન મજબૂત બનાવ્યું.</p><h5 style="text-align: justify; "><b>કેવિન કીગને ઇંગ્લેન્ડ માટે 63 મેચ રમી.</b></h5><p style="text-align: justify; ">કેવિન કીગને 1972 થી 1982 દરમિયાન ઇંગ્લેન્ડ માટે 63 આંતરરાષ્ટ્રીય મેચ રમી, જેમાં 21 ગોલ કર્યા. કીગને આ સમયગાળા દરમિયાન 31 મેચમાં તેમની ટીમનું નેતૃત્વ કર્યું અને અંગ્રેજી ફૂટબોલમાં એક મુખ્ય વ્યક્તિ બન્યા. તેમના નિધનથી ફૂટબોલ જગતમાં એક ખૂબ જ આદરણીય ખેલાડીનો જન્મ થયો છે. ફૂટબોલમાંથી નિવૃત્તિ લીધા પછી, તેમણે કોચ તરીકે પણ અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું. તેમણે 1999થી 2000 સુધી ઇંગ્લેન્ડની રાષ્ટ્રીય ટીમના મુખ્ય કોચ તરીકે સેવા આપી હતી.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/ferran-torres-love-story-he-made-the-coachs-daughter-his-girlfriend-then-this-is-why-they-broke-up" target="_blank"> Ferran Torres Love Story: કોચની દીકરીને બનાવી ગર્લફ્રેન્ડ, પછી આ કારણે થયું બ્રેકઅપ</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/3ggupZkfXuRRsH751sYXuHTz1DXJMTA9eZUN0qyR.webp'/></item><item><title><![CDATA[Stock Market Opening: શેરબજારમાં સુસ્તી, સેન્સેક્સ ફલેટ, નિફ્ટી 24,246 અંકે ખૂલ્યો ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-opening-slowdown-in-the-stock-market-sensex-flat-nifty-opens-at-24246-points</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-opening-slowdown-in-the-stock-market-sensex-flat-nifty-opens-at-24246-points</guid><pubDate>Tue, 21 Jul 2026 09:34:09 +05:30</pubDate><description><![CDATA[<p>અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવની અસર વૈશ્વિક બજારોમાં દેખાઈ રહી છે. મંગળવારે પણ ભારતીય શેરબજાર માટે નબળા ખુલવાના સંકેતો મળી રહ્યા છે. GIFT નિફ્ટી 24,148 ના સ્તરની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો, જે લગભગ 110 પોઈન્ટ ઘટીને ખુલી શકે છે, જે દર્શાવે છે કે સ્થાનિક બજારો દબાણ હેઠળ ખુલી શકે છે.</p><h2><b>શેરબજારની ફ્લેટ શરૂઆત&nbsp;</b></h2><p>ત્યારે સવારે 9.30 કલાકે શેરબજારની નબળી શરૂઆત થઇ.સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાનમાં પણ ફ્લેટ ખૂલ્યા. સવારે 9.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ +4.45 પોઇન્ટના વધારા સાથે 77,712.97 અંકે ખૂલ્યો જ્યારે નિફ્ટી +1.55 પોઇન્ટના વધારા સાથે&nbsp; 24,240.05 અંકે ખૂલ્યો.</p><p><br></p><p>શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન, HDFC બેંક, મારુતિ સુઝુકી ઇન્ડિયા અને આઇશર મોટર્સ નિફ્ટી 50 પર સૌથી વધુ ઘટાડાવાળા શેરોમાં સામેલ હતા. આ દરમિયાન, વ્યાપક બજારમાં ખરીદીનો ટ્રેન્ડ જોવા મળ્યો. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ અને નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સ અનુક્રમે 0.17 ટકા અને 0.34 ટકાના વધારા સાથે ટ્રેડિંગ કરી રહ્યા હતા. ક્ષેત્રીય સૂચકાંકોમાં, નિફ્ટી સિમેન્ટ ટોચનો દેખાવ કરનાર હતો, જે લગભગ 1 ટકા વધ્યો હતો. બીજી તરફ, નિફ્ટી ફાર્મા અને નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સ દબાણ હેઠળ ટ્રેડિંગ કરતા જોવા મળ્યા.</p><p><br></p><h3><b>વૈશ્વિક બજારમાં શું છે સ્થિતિ ?&nbsp;</b></h3><p>એશિયન બજારોમાં મિશ્ર વેપાર જોવા મળ્યો. દક્ષિણ કોરિયાના કોસ્પી અને જાપાનના નિક્કી 225 અનુક્રમે 2.8 ટકા અને 2.02 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યા હતા, જ્યારે રોકાણકારો પશ્ચિમ એશિયામાં વિકાસ પર નજર રાખી રહ્યા હતા.</p><p>યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તેહરાને ત્રણ યુએસ સૈનિકોના મૃત્યુ માટે જવાબ આપવો પડશે. આ નિવેદનથી બજારની ચિંતાઓમાં વધારો થયો કે યુએસ અને ઈરાન વચ્ચે તણાવ વધુ વધી શકે છે.</p><p>સોમવારે યુએસ શેરબજાર પણ દબાણ હેઠળ રહ્યા. ડાઉ જોન્સ, S&amp;P 500 અને નાસ્ડેક કમ્પોઝિટ અનુક્રમે 0.59 ટકા, 0.19 ટકા અને 0.05 ટકાના ઘટાડા સાથે બંધ થયા.</p><p>કોમોડિટી બજારમાં, બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં શરૂઆતના વધારા પછી થોડી નરમાઈ જોવા મળી; બ્રેન્ટ ક્રૂડ જુલાઈ ફ્યુચર્સ પ્રતિ બેરલ $88.44 ની આસપાસ ટ્રેડ કરી રહ્યા હતા. દરમિયાન, સલામત-હેવન સંપત્તિઓની માંગમાં વધારો થવાને કારણે સોના અને ચાંદીના ભાવમાં થોડો વધારો નોંધાયો. સોનાના ફ્યુચર્સ આશરે 0.33 ટકા વધ્યા હતા, અને ચાંદીના ફ્યુચર્સ 0.15 ટકા વધ્યા હતા.</p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2025/02/05/g4hzOhHuT2btxgYU8iQjBawDeORuLBfQb35pqEgZ.jpg'/></item><item><title><![CDATA[Vadodara : આંતકવાદી મોડ્યુલ કેસમાં મોટો ખુલાસો, વડોદરામાં થઈ હતી સીક્રેટ મીટિંગ, ATS દ્વારા કાશ્મીરી કનેક્શન અંગે સઘન ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/vadodara/patan-terrorist-module-vadodara-connection-kashmiri-link-ats-investigation</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/vadodara/patan-terrorist-module-vadodara-connection-kashmiri-link-ats-investigation</guid><pubDate>Tue, 21 Jul 2026 09:26:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પાટણમાંથી ગુજરાત એટીએસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા  આતંકીઓના તાર હવે વડોદરા સુધી લંબાયા છે. તપાસ દરમિયાન અત્યંત વિસ્ફોટક ખુલાસો થયો છે કે પાટણથી પકડાયેલા આતંકીઓ પૈકી કેટલાકે થોડા સમય પહેલાં વડોદરાની મુલાકાત લીધી હતી અને ત્યાં એક સીક્રેટ બેઠક યોજી હતી. આ ખુલાસા બાદ ગુજરાત એટીએસની ટીમોએ વડોદરામાં ધામા નાખીને સઘન તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.</p><h2 style="text-align: justify; "><b>કાશ્મીરી વ્યક્તિ સાથે ગુપ્ત બેઠક કરી હોવાની ચર્ચા</b></h2><p style="text-align: justify; ">મળતી વિગતો અનુસાર, પકડાયેલા આતંકીઓએ વડોદરામાં રહેતા એક કાશ્મીરી વ્યક્તિ સાથે ગુપ્ત બેઠક કરી હતી. આ કાશ્મીરી શખ્સ કોણ છે અને તેનો આતંકી મોડ્યુલ સાથે શું સંબંધ છે તે દિશામાં એટીએસ દ્વારા ઊંડાણપૂર્વક પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>સ્થાનિક પોલીસનું અજાણ હોવાનું નાટક</b></h3><p style="text-align: justify; ">જોકે, નવાઈની વાત એ છે કે એટીએસ દ્વારા વડોદરામાં કરવામાં આવી રહેલી આ હાઈ-પ્રોફાઈલ કાર્યવાહી અને પૂછતાછથી સ્થાનિક પોલીસ તંત્ર તદ્દન અજાણ અને બેખબર હોવાનું સામે આવ્યું છે.</p><h4 style="text-align: justify; "><b>વડોદરાની આ બેઠકમાં શું ષડયંત્ર રચાયું હતું</b></h4><p style="text-align: justify; ">એટીએસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે વડોદરાની આ બેઠકમાં શું ષડયંત્ર રચાયું હતું, શું કોઈ આર્થિક વ્યવહારો કે હથિયારો અંગે ચર્ચા થઈ હતી અને ગુજરાતમાં અન્ય ક્યાં-ક્યાં આ મોડ્યુલના સ્લીપર સેલ સક્રિય છે. આવનારા દિવસોમાં આ મામલે વધુ ચોંકાવનારા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp; &nbsp;:&nbsp; &nbsp; &nbsp; <a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-unjha-cumin-fennel-gi-tag-gujarat-agricultural-products-list-farmers-benefit" target="_blank"><b>Sandesh Digital Explainer : ઊંઝાના જીરા અને વરિયાળીને મળ્યો GI ટેગ, ગુજરાતના કેટલા ઉત્પાદનોને મળ્યો GI ટેગ? વાંચો રસપ્રદ માહિતી</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/21/UDctXA63dGNgicjJlvIjZgyQizt13cGT1GjZ1OTW.webp'/></item><item><title><![CDATA[નવસારી અને વલસાડમાં 7.72 ઇંચ સુધી વરસાદ, સૌરાષ્ટ્રના 47 તાલુકામાં ઝાપટાં ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/navsari/up-to-772-inches-of-rain-in-navsari-and-valsad-gusty-winds-in-47-talukas-of-saurashtra</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/navsari/up-to-772-inches-of-rain-in-navsari-and-valsad-gusty-winds-in-47-talukas-of-saurashtra</guid><pubDate>Tue, 21 Jul 2026 01:51:00 +05:30</pubDate><description><![CDATA[<p>દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય થયો છે. સોમવારે સૌથી વધુ વરસાદ નવસારીના જલાલપોરમાં 7.72 ઇંચ ખાબક્યો હતો, જ્યારે વલસાડના પારડીમાં 5.16 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને 15 જેટલા રસ્તાઓ વાહનોની અવરજવર માટે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યા છે, જેને પગલે કેટલાક ગામોનો મુખ્ય મથક સાથેનો સંપર્ક તૂટી ગયો છે.</p><p>આંકડાકીય વિગતો મુજબ, સોમવારે નવસારીમાં 6.04 ઇંચ, ગણદેવીમાં 6.0 ઇંચ, ખેરગામમાં 4.56 ઇંચ, ચીખલીમાં 1.4 ઇંચ, વલસાડમાં 4.36 ઇંચ, ઉમરગામમાં 2.88 ઇંચ, વાપીમાં 2.60 ઇંચ, ધરમપુરમાં 2.48 ઇંચ, નાનાપોંઢામાં 2.08 ઇંચ, કપરાડામાં 1.36 ઇંચ અને સુરતના મહુવામાં 4.0 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પલસાણામાં 3.36 ઇંચ, ઉમરપાડામાં 2.36 ઇંચ, બારડોલીમાં 2.20 ઇંચ, સુરત શહેરમાં 0.76 ઇંચ અને કામરેજમાં 0.68 ઇંચ વરસાદ પડયો છે. પૂર્ણા નદીની સપાટી 10 ફૂટ, અંબિકાની 12.26 ફૂટ અને જૂજ ડેમની સપાટી 154.70 ફૂટે પહોંચી ગઈ છે. વરસાદના કારણે સુરતનું મહત્તમ તાપમાન 30.3 ડિગ્રી અને લઘુત્તમ 26 ડિગ્રી રહ્યું હતું.બીજી તરફ્, સૌરાષ્ટ્રના 47 તાલુકાઓમાં પણ મેઘરાજાએ હાજરી પુરાવી છે. જૂનાગઢના ગિરનાર ઉપર સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ પડયો છે. ગીર સોમનાથના ડોળાસામાં 1 ઇંચ (26 મીમી) તેમજ બગસરા, કુંકાવાવ-વડિયા, અમરેલી અને વિસાવદરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે માણાવદર, વંથલી, મેંદરડા, કેશોદ અને માળિયામાં અડધો ઇંચ વરસાદ પડયો છે. રાજકોટ શહેરમાં 2 મીમી અને ગ્રામ્ય વિસ્તારો જેવા કે કોટડાસાંગાણી, જસદણ તથા ધોરાજીમાં 4 થી 5 મીમી વરસાદ નોંધાયો છે. આ સિવાય મોરબીના માળિયામિયાણા, પોરબંદર અને રાણાવાવમાં 4 મીમી તથા દ્વારકાના ભાણવડમાં 1 મીમી વરસાદ પડયો છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/20/Lm7nTQl7bMjVPMaGFbeuGtETjURQo4vqCZji2c1A.webp'/></item></channel></rss>