<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Vadodara News: વાઘોડિયાના ગુતાલમાં પ્રેમપ્રકરણમાં મહિલાની દારૂણ હત્યા, 12 ગુનાનો આરોપી વિષ્ણુ મકવાણા ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/vadodara/waghodia-gutal-murder-case-solved-love-affair-murder</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/vadodara/waghodia-gutal-murder-case-solved-love-affair-murder</guid><pubDate>Sat, 29 Aug 2026 16:45:00 +05:30</pubDate><description><![CDATA[<p>વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામેથી ગત 26 ઓગસ્ટના રોજ એક ખેતરની અવાવરું ઓરડીમાંથી મહિલાનો અર્ધસળગેલો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને વડોદરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતદેહની તપાસ કરતા મૃતક મહિલાની ઓળખ સાવલીના લક્ષ્મી રોહિત તરીકે થઈ હતી.&nbsp;&nbsp;</p><h2><b>કંપનીમાં સાથે કામ કરતા-દોઢ મહિના પહેલાં થયો હતો પ્રેમ</b></h2><p>પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક લક્ષ્મી રોહિત અને સાવલીનો આરોપી વિષ્ણુ મકવાણા મંજૂસર સ્થિત એક કંપનીમાં સાથે નોકરી કરતા હતા. સાથે કામ કરતી વખતે જ બંને વચ્ચે પરિચય થયો હતો અને છેલ્લાં દોઢ મહિનાથી તેમની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. ગત 25 ઓગસ્ટના રોજ લક્ષ્મી પોતાના પ્રેમી વિષ્ણુની બાઇક પર બેસીને ગુતાલ ગામે આવી પહોંચી હતી.</p><h2><b>ઝઘડો થતાં ધારિયાના ઘા ઝીંકી કરી હત્યા</b></h2><p>ગુતાલ ગામ પાસે આવેલા એક અવાવરું સ્થળે કોઈ બાબતે વિષ્ણુ અને લક્ષ્મી વચ્ચે તીવ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. આવેશમાં આવેલા વિષ્ણુ મકવાણાએ ધારિયા જેવા તીક્ષ્ણ શસ્ત્ર વડે લક્ષ્મી પર તાબડતોબ ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ આરોપીએ મૃતદેહને સંતાડવા માટે ખેતરની ઓરડીમાં મૂકી ઉપર ઘાસ પાથરી દીધું હતું.</p><h2><b>પકડાઈ જવાના બીકે મૃતદેહ સળગાવ્યો</b></h2><p>પાપ છુપાવવા અને પકડાઈ જવાના ડરથી આરોપી વિષ્ણુએ મૃતદેહ પર જ્વલનશીલ પદાર્થ છાંટી તેને સળગાવી દેવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આટલું જ નહીં, પોલીસ તપાસમાં પોતાની ઓળખ ન છતી થાય અને પોલીસ ગેરમાર્ગે દોરાય તે માટે તેણે બાઇક અને મોબાઇલ પણ ચોરી કર્યા હોવાનું સામે આવ્યું છે.</p><h2><b>આરોપી સામે અગાઉથી નોંધાયેલા છે 12 ગુના</b></h2><p>પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી સાવલીના રીઢા આરોપી વિષ્ણુ મકવાણાની અટકાયત કરી કડક પૂછપરછ કરતાં તેણે જ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ઝડપાયેલો આરોપી વિષ્ણુ મકવાણા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેની સામે અગાઉ અલગ-અલગ પોલીસ મથકોમાં 12 જેટલા ગુના નોંધાયેલા છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી તેજ કરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/vadodara/zone-2-police-destroy-illegal-liquor-worth-31-lakhs" target="_blank">Vadodara ઝોન-2 પોલીસે 31 લાખનો વિદેશી દારૂ બુલડોઝર ફેરવી નષ્ટ કર્યો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/t4Ln8OEByUmL7H8341KHMbGgAV0vfqfWEMLX7TSI.webp'/></item><item><title><![CDATA[Surat: ટેક્સટાઈલ વેપારના બહાને 1.28 કરોડનું જોબવર્ક કરાવી ત્રિપુટી ફરાર,  શરૂઆતમાં સમયસર પેમેન્ટ આપી વિશ્વાસ જીત્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/textile-fraud-1-crore-28-lakhs-jobwork-cheating-sarthana-police</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/textile-fraud-1-crore-28-lakhs-jobwork-cheating-sarthana-police</guid><pubDate>Sat, 29 Aug 2026 16:42:45 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત શહેરના સરથાણા વિસ્તારમાં કાપડ વેપારીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. ઠગાઈ આચરનાર ત્રિપુટીએ આયોજિત કાવતરાના ભાગરૂપે પહેલા કાપડ માર્કેટમાં પોતાની સારી શાખ ઊભી કરી હતી. શરૂઆતમાં તેમણે વેપારીઓ પાસેથી નાનો-મોટો માલ ખરીદી તેમજ જોબવર્ક કરાવીને તેનું ચુકવણું નિર્ધારિત સમયે અને રોકડમાં કરી દીધું હતું.</p><h2><b>સુરત કાપડ માર્કેટમાં કરોડોનો ચૂનો</b></h2><p>આ સમયસરના પેમેન્ટના આધારે તેમણે કાપડના વેપારીઓનો સંપૂર્ણ વિશ્વાસ જીતી લીધો હતો, જેથી વેપારીઓને તેમની દાનત પર કોઈ શંકા રહી નહોતી.એકવાર માર્કેટમાં પકડ મજબૂત થઈ ગયા બાદ આ ત્રિપુટીએ પોતાનો અસલી ખેલ શરૂ કર્યો હતો. તેમણે એક-બે નહીં પરંતુ સરથાણા વિસ્તારના ૯ જેટલા કાપડ વેપારીઓ પાસેથી મોટા પ્રમાણમાં કાપડનું પ્રોસેસિંગ અને જોબવર્ક કરાવ્યું હતું.</p><h3><b>ટેક્સટાઈલ વેપારના બહાને જોબવર્ક કરાવી ત્રિપુટી ફરાર</b></h3><p>કુલ રૂ. 1.28 કરોડ જેટલું મંગી જોબવર્ક થઈ ગયા બાદ જ્યારે વેપારીઓએ પોતાના બાકી પેમેન્ટની માંગણી કરી ત્યારે આ ત્રિપુટી વાયદાઓ કરવા લાગી હતી. અંતે પોતાની દુકાન/ઓફિસ બંધ કરીને ત્રણેય જણા રાતોરાત ફરાર થઈ ગયા હતા. છેતરપિંડીનો ભોગ બનેલા તમામ 9 વેપારીઓએ એકઠા થઈ સરથાણા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને આ ઠગ ત્રિપુટી સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.</p><h4><b>શરૂઆતમાં સમયસર પેમેન્ટ આપી વિશ્વાસ જીત્યો</b></h4><p>સરથાણા પોલીસે 9 વેપારીઓની સંયુક્ત રજૂઆત અને લેખિત ફરિયાદના આધારે ઠગાઈ તથા વિશ્વાસઘાતનો ગુનો નોંધ્યો છે.પોલીસે આરોપી ત્રિપુટીના વેપારી સ્થળો, રહેણાંક સરનામા તથા સીસીટીવી (CCTV) અને બેંક એકાઉન્ટના આધારે તેમની શોધખોળ હાથ ધરી છે.</p><p><b>આ પણ વાંચો: Surat: ઉધનામાં આધેડ કોન્ટ્રાક્ટરે બે સગીરાઓ પર દુષ્કર્મ આચર્યું, જાનથી મારી નાખવાની ધમકી આપી</b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/JoNiS62b8TSFDgyDKx18C8YpqvzdTEbSkxCdkpFd.webp'/></item><item><title><![CDATA[CBNએ 66.79 લાખ સાઈકોટ્રોપિક ટેબલેટ કરી જપ્ત, એક વ્યક્તિને ઝડપ્યો ]]></title><link>https://sandesh.com/india/news/crime/cbn-seizes-66-79-lakh-psychotropic-tablets-operation-vajra-2-0</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/crime/cbn-seizes-66-79-lakh-psychotropic-tablets-operation-vajra-2-0</guid><pubDate>Sat, 29 Aug 2026 16:41:24 +05:30</pubDate><description><![CDATA[<p>સેન્ટ્રલ બ્યુરો ઑફ નાર્કોટિક્સ (CBN)એ 'ઓપરેશન વજ્ર 2.0' હેઠળ મોટી કાર્યવાહી કરી ચંડીગઢ-બદ્દી રૂટ પર 66,79,980 સાઈકોટ્રોપિક ટેબલેટ જપ્ત કરી છે. આ કાર્યવાહી પંજાબ-હિમાચલ પ્રદેશ કોરિડોરમાં કરવામાં આવી હતી. જપ્ત કરાયેલા જથ્થામાં અલ્પ્રાઝોલામ, ટ્રામાડોલ, નાઈટ્રાઝેપામ અને ક્લોનાઝેપામ જેવી દવાઓનો સમાવેશ થાય છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2093651795163988401"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>એક્સપાયરી ડેટ જાણી જોઈને ભૂંસી નાખવામાં આવી&nbsp;</b></h2><p>CBNના જણાવ્યા અનુસાર, અધિકારીઓએ એક ટ્રકની તપાસ દરમિયાન 120 માસ્ટર કાર્ટનમાંથી આ ટેબલેટનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો હતો. ટ્રકમાં લઈ જવાઈ રહેલા માલ માટે માન્ય ઈન્વૉઈસ અથવા ઈ-વે બિલ પણ મળી આવ્યા નહોતા. પ્રાથમિક તપાસમાં માલના ગેરકાયદે પરિવહન અને ફાર્માસ્યુટિકલ દવાઓના ડાયવર્ઝનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તપાસ દરમિયાન એક મહત્વની બાબત સામે આવી હતી. ટેબલેટના બેચ નંબર અને એક્સપાયરી ડેટ જાણી જોઈને ભૂંસી નાખવામાં આવ્યા હતા. CBNના મતે, આ રીતે દવાઓની ઓળખ અને ટ્રેકિંગ મુશ્કેલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.</p><h3><b>સમગ્ર નેટવર્કને શોધવા તજવીજ હાથ ધરાઈ&nbsp;</b></h3><p>આ કેસમાં CBNએ એક વ્યક્તિની ધરપકડ કરી છે અને એક ટ્રક પણ જપ્ત કર્યો છે. અધિકારીઓ હવે આ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહ્યા છે. ખાસ કરીને આટલી મોટી સંખ્યામાં સાઈકોટ્રોપિક દવાઓ ક્યાંથી આવી અને તેને ક્યાં પહોંચાડવાની હતી તે અંગે તપાસ ચાલી રહી છે.</p><p>CBN દ્વારા દવાઓના ઉત્પાદનથી લઈને તેના ગેરકાયદે વિતરણ સુધીના સમગ્ર નેટવર્કને શોધવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તપાસ એજન્સી એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ જથ્થાના ઉત્પાદન, પરિવહન અને વિતરણમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, તપાસ આગળ વધતાં આ ફાર્મા ડાયવર્ઝન રેકેટ અંગે વધુ ખુલાસા થવાની શક્યતા છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/west-bengal-police-fir-against-mamata-banerjee-action-taken-on-violation-of-hc-conditions" target="_blank">આ પણ વાંચો : West Bengal: મમતા બેનર્જી વિરુદ્ધ પોલીસ FIR, HCની શરતોના ઉલ્લંઘન પર એક્શન</a></b></p><p>&nbsp;&nbsp;</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/SwJkVsWpImqaipiVrC2oBC24lBFFUuoJ6mY30GGF.webp'/></item><item><title><![CDATA[Bollywood Actor ઇમરાન હાશ્મીનો સ્વાઈન ફલૂ ટેસ્ટ પોઝીટીવ, અભિનેતાએ આપી હેલ્થ અપડેટ ]]></title><link>https://sandesh.com/entertainment/news/bollywood-actor-emraan-hashmi-tests-positive-for-swine-flu-actor-gives-health-update</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/bollywood-actor-emraan-hashmi-tests-positive-for-swine-flu-actor-gives-health-update</guid><pubDate>Sat, 29 Aug 2026 16:40:17 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડ અભિનેતા ઇમરાન હાશ્મીની નાદુરસ્ત તબિયતને કારણે તેમણે બેંગલુરુમાં યોજાનાર તેમનો શો મુલતવી રાખવો પડ્યો છે. 'આવારાપન ૨' અને 'ટાઇગર ૩' જેવી હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા ઇમરાન હાશ્મી તાજેતરમાં કામ અર્થે રાંચી સહિતના સ્થળોએ ગયા હતા. ત્યાંથી પાછા ફર્યા બાદ તેમની તબિયત લથડી હતી. તબીબી તપાસ (મેડિકલ ટેસ્ટ) કરાવ્યા બાદ જાણવા મળ્યું છે કે તેઓ સ્વાઇન ફ્લૂ અને ઈન્ફલ્યુએન્ઝા પોઝિટિવ આવ્યા છે. સોશિયલ મીડિયા પર તેમનો ટેસ્ટ રિપોર્ટ પણ વાયરલ થયો છે.</p><p style="text-align: justify; "><b>ઇન્સ્ટા સ્ટોરી દ્વારા ચાહકો માટે સ્પેશિયલ મેસેજ</b></p><p style="text-align: justify; ">ઇમરાન હાશ્મીએ તેમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ શેર કરીને બેંગલુરુના ચાહકોને માહિતી આપતા લખ્યું કે, "નમસ્તે બેંગલુરુના રહેવાસીઓ, મારી તબિયત સારી નથી અને કમનસીબે હું બેંગલુરુ શોમાં હાજરી આપી શકીશ નહીં. પરંતુ પિક્ચર હજુ બાકી છે, આ કાર્યક્રમ માત્ર મુલતવી રાખવામાં આવ્યો છે. હું ૧૨ સપ્ટેમ્બર (શનિવાર) ના રોજ સનબર્ન યુનિયનમાં તમને ચોક્કસ મળીશ. તમારી જૂની ટિકિટ નવી તારીખ માટે પણ માન્ય રહેશે."</p><p style="text-align: justify; "><img alt="Imaran Hashmi" src="https://epapercdn.sandesh.com/images/2026/08/29/C7q3rcvYdVd2ktnbraQQHLdm5NcWYJxqSoR0zHdj.webp"><br></p><h3 style="text-align: justify; "><b>ડૉક્ટરોની સલાહ અને 'આવારાપન ૨' નું પ્રમોશન</b></h3><p style="text-align: justify; ">અહેવાલો મુજબ, ડૉક્ટરોએ ઇમરાન હાશ્મીને સંપૂર્ણ આરામ કરવા, સમયસર દવાઓ લેવા અને જરૂરી સાવચેતીઓ રાખવાની સલાહ આપી છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો, ઇમરાન હાશ્મી હાલમાં તેમની બહુચર્ચિત ફિલ્મ 'આવારાપન ૨' ના પ્રમોશનમાં વ્યસ્ત હતા. ફિલ્મના પહેલા ભાગને દર્શકો તરફથી ખૂબ પ્રેમ મળ્યો હતો, અને હવે ભાગ ૨ પણ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. આ ફિલ્મમાં ઇમરાન ઉપંરાત દિશા પટાણી, શબાના આઝમી અને સુવિન્દર વિક્કી, વિજયંત કોહલી અને પૂરણ ગબ્બી પણ કલાકારોએ કામ કર્યું છે.</p><h4 style="text-align: justify; "><b>ઇમરાનની આવરાપન-2 બોક્સ ઓફિસ પર હિટ</b></h4><p style="text-align: justify; ">હાશ્મી હાલમાં નીતિન કક્કર દ્વારા દિગ્દર્શિત અને વિશેષ ફિલ્મ્સ દ્વારા નિર્મિત તેની તાજેતરમાં રિલીઝ થયેલી 'આવારાપન 2' ની સફળતાનો આનંદ માણી રહ્યો છે. ઇમરાન હાશ્મીની એક્શન-ડ્રામા ફિલ્મ આવારાપન 2 એ15 દિવસમાં ભારતીય બોક્સ ઓફિસ પર લગભગ ₹151.84 કરોડ અને વૈશ્વિક સ્તરે ₹183 કરોડથી વધુની કમાણી કરી છે. 'આવારાપન 2' એ 2007 માં આવેલી ફિલ્મ 'આવારાપન' ની સિકવલ છે. જેનું દિગ્દર્શન મોહિત સુરી દ્વારા કરવામાં આવ્યું હતું.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/captain-india-kartik-aaryan-shooting-release-date" target="_blank">આ પણ વાંચો : Captain India: સર્જરી બાદ કાર્તિક આર્યન કામભેગો, ‘કેપ્ટન ઈન્ડિયા’નું શૂટિંગ કર્યું શરૂ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/t22l1ltQ1HxCqwZ2GzQ9qzzZJN7MywRI3RCjlrbq.webp'/></item><item><title><![CDATA[Surat: જમીન દલાલનું અપહરણ કરી 50 લાખની ખંડણી માંગનાર 3 બદમાશોને વેસુ પોલીસે દબોચ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/vesu-land-broker-kidnapping-50-lakhs-extortion-3-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/vesu-land-broker-kidnapping-50-lakhs-extortion-3-arrested</guid><pubDate>Sat, 29 Aug 2026 16:34:57 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત શહેરના પોશ અને શાંત ગણાતા વેસુ વિસ્તારમાં કાયદાનો ભય વગર અસામાજિક તત્વો દ્વારા આચરવામાં આવેલી એક અત્યંત શર્મજનક અને ગંભીર ઘટના સામે આવી છે. એક જમીન દલાલને બ્લેકમેલ કરીને આરોપીઓએ તેને પોતાની કારમાં બેસાડી દીધો હતો. ત્યારબાદ ચાલતી કારમાં જ જમીન દલાલને ધમકાવીને તેની પાસેથી જમીનના અત્યંત મહત્વના દસ્તાવેજો/કાગળો અને ખિસ્સામાંથી ₹5,000 રોકડા જબરદસ્તીથી પડાવી લીધા હતા.</p><h2><b>વેસુ વિસ્તારમાં અપહરણ કરી ખંડણી માગી</b></h2><p>આટલેથી ન અટકતાં, આરોપીઓએ જમીન દલાલ પાસેથી ₹50 લાખની જંગી રકમની ખંડણી માંગવાનું શરૂ કર્યું હતું. રકમ મેળવવા અને વેપારી પર માનસિક દબાણ બનાવવા માટે બદમાશોએ તેની સાથે અમાનવીય વર્તન કર્યું હતું.આરોપીઓએ કારની અંદર જ જમીન દલાલને સંપૂર્ણ નગ્ન કરી દીધો હતો અને તેને ઢોર માર માર્યો હતો. પીડિત વેપારી માનસિક રીતે ભાંગી પડે તે માટે આરોપીઓએ તેને ધમકી આપી હતી કે જો ₹50 લાખ નહીં મળે તો તેની કિડની વેચી દેવામાં આવશે તેમજ તેના હાથ-પગ ભાંગી નાખવામાં આવશે.</p><h3><b>વેપારીને નગ્ન કરી ઢોર માર માર્યો</b></h3><p>આ ભયાનક આપવીતીમાંથી મુક્ત થયા બાદ બનાવ અંગે વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.વેસુ પોલીસે ગુનાની ગંભીરતા સમજીને ટીમ બનાવી ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી અપહરણમાં વપરાયેલી કાર, પડાવી લેવાયેલા કાગળો અને રોકડ રકમ કબજે કરવા તેમજ આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં કડક તપાસ હાથ ધરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/metro-rail-services-to-start-from-november-dreamcity-to-althan" target="_blank">આ પણ વાંચો: Surat: નવેમ્બરમાં શરૂ થશે સુરત મેટ્રો, ડ્રીમસિટીથી અલથાણ સુધી દિવાળી આસપાસ દોડશે ટ્રેન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/niQSSqkwhODp8eZ75jkhhejF9522a76GD4Ff5DTi.webp'/></item><item><title><![CDATA[West Bengal:  મમતા બેનર્જી વિરુદ્ધ પોલીસ FIR, HCની શરતોના ઉલ્લંઘન પર એક્શન ]]></title><link>https://sandesh.com/india/news/west-bengal-police-fir-against-mamata-banerjee-action-taken-on-violation-of-hc-conditions</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/west-bengal-police-fir-against-mamata-banerjee-action-taken-on-violation-of-hc-conditions</guid><pubDate>Sat, 29 Aug 2026 16:11:18 +05:30</pubDate><description><![CDATA[<p>કોલકાતા પોલીસે શનિવારે પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ TMCPના સ્થાપના દિવસ કાર્યક્રમ માટે કલકત્તા હાઈકોર્ટ દ્વારા લાદવામાં આવેલી શરતોના કથિત ઉલ્લંઘન બાદ FIR દાખલ કરી છે. એક અધિકારીએ સમાચાર એજન્સી PTI ને જણાવ્યું હતું કે મમતા બેનર્જી અને તૃણમૂલ છાત્ર પરિષદ (TMCP) ની બેઠકના આયોજકો વિરુદ્ધ હેસ્ટિંગ્સ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે.</p><h2><b>HCની શરતોના ઉલ્લંઘન બદલ દંડ ફટકાર્યો&nbsp;</b></h2><p>અધિકારીએ કહ્યું, "કોર્ટના આદેશના કથિત ઉલ્લંઘન બદલ FIR દાખલ કરવામાં આવી છે. ઉલ્લંઘનમાં સામેલ તમામ લોકોની ભૂમિકાની તપાસ તપાસ દરમિયાન કરવામાં આવશે." શુક્રવારે મધ્ય કોલકાતાના કેથેડ્રલ રોડ પર સભા યોજવા માટે કોર્ટે લાદવામાં આવેલી શરતોની તપાસ બાદ આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.</p><p><b style="font-size: 1.75rem;">શું છે આખો મામલો?</b></p><p>કોલકાતા હાઈકોર્ટે મમતા બેનર્જીને 28 ઓગસ્ટના રોજ કોલકાતાના કેથેડ્રલ રોડ પર તૃણમૂલ છાત્ર પરિષદ (TMCP) ના સ્થાપના દિવસની ઉજવણી કરવાની પરવાનગી આપી હતી, પરંતુ એક બાજુ ખુલ્લી રાખવાનો નિર્દેશ આપ્યો હતો.</p><p>પોલીસે કહ્યું કે પ્રવેશ ખુલ્લો રાખવામાં આવ્યો ન હતો, જે આદેશના તે ભાગનું ઉલ્લંઘન છે. પોલીસે એમ પણ કહ્યું કે કાર્યક્રમ માટે હાઇકોર્ટ દ્વારા નક્કી કરાયેલી સમયમર્યાદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/kLCqzxCKfG04JgTAVTNjEk0d5nuZoiUdvVes0cLp.webp'/></item><item><title><![CDATA[Banaskantha News: પિતાનો કાળ બન્યો પુત્ર, પોલીસે ગણતરીની કલાકોમાં દબોચ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/banaskantha/hadad-police-solves-father-murder-case-son-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/banaskantha/hadad-police-solves-father-murder-case-son-arrested</guid><pubDate>Sat, 29 Aug 2026 16:05:50 +05:30</pubDate><description><![CDATA[<p>બનાસકાંઠા જિલ્લાના હડાદ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ધાગડિયા ગામે એક ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. ગત 27 ઓગસ્ટના રોજ ધાગડિયા ગામે રહેતા હોમીરા દેવાભાઇ મકવાણા નામના પુત્રએ પોતાના પિતા દેવાભાઇ મેતાભાઈ મકવાણા સાથે કોઈ બાબતે ઉગ્ર ઝઘડો કર્યો હતો. આવેશમાં આવી ગયેલા પુત્રએ પોતાના પિતા પર છરી વડે નિર્મમ હુમલો કરી તીક્ષ્ણ શસ્ત્રના ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે પિતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ આરોપી પુત્ર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.</p><h2><b>પોલીસે LCB સહિત અલગ-અલગ ટીમો બનાવી તપાસ ધમધમાવી</b></h2><p>અરેરાટીભરી હત્યાની આ ઘટનાની જાણ થતાં જ હડાદ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસે સ્થાનિક લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિત અલગ-અલગ તપાસ ટીમોની રચના કરી હતી. આરોપી પુત્રને ઝડપી પાડવા માટે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીદારોનું નેટવર્ક સક્રિય કરવામાં આવ્યું હતું.</p><h2><b>પોશીનાના દોતડ ગામેથી હતિયાર સાથે આરોપી ઝબ્બે</b></h2><p>પોલીસની સતત મથામણ અને બાતમીદારોની ચોક્કસ માહિતીના આધારે હડાદ પોલીસને મોટી સફળતા મળી હતી. ફરાર આરોપી હોમીરા મકવાણા પોશીના તાલુકાના દોતડ ગામે છુપાયો હોવાની પાકી બાતમી મળતાં પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં જ હત્યામાં વપરાયેલા હથિયાર સાથે રંગેહાથ ઝડપી પાડ્યો હતો.</p><h2><b>આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી કાયદાકીય કાર્યવાહી શરૂ</b></h2><p>પિતાની હત્યા કરનાર નરાધમ પુત્રની ધરપકડ કરીને હડાદ પોલીસે તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને પોલીસ દ્વારા આગળની રિમાન્ડ અને પૂછપરછની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગણતરીના કલાકોમાં આ અતિ સંવેદનશીલ કેસનો ભેદ ઉકેલી નાખવા બદલ સ્થાનિક પ્રજાએ હડાદ પોલીસની કામગીરીને બિરદાવી છે.</p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/ambaji-danta-hadad-world-tribal-day-celebration" target="_blank"> Banaskantha News: દાંતા અને હડાદમાં 'વિશ્વ આદિવાસી દિવસ'ની ભવ્ય ઉજવણી</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/7goyeiA8rbwpwpOVJAvJ1cqLhl8BuXKdswrtREk2.webp'/></item><item><title><![CDATA[Dahod News : દેવગઢ બારીયાના ચેનપુર રોડ પર રાત્રે દીપડો દેખાયો, વાહનચાલકે બનાવેલો Video Viral ]]></title><link>https://sandesh.com/gujarat/news/dahod/dahod-news-leopard-spotted-at-night-on-chenpur-road-in-devgadh-baria-video-made-by-driver-goes-viral</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/dahod/dahod-news-leopard-spotted-at-night-on-chenpur-road-in-devgadh-baria-video-made-by-driver-goes-viral</guid><pubDate>Sat, 29 Aug 2026 15:50:03 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા વિસ્તારમાં આવેલા ચેનપુર રોડ પર રાત્રીના સમયે અચાનક દીપડો આવી ચડતાં વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. રોડ ક્રોસ કરી રહેલા દીપડાને જોઈને ત્યાંથી પસાર થઈ રહેલા એક જાગૃત વાહનચાલકે પોતાના મોબાઈલ ફોનમાં આ દ્રશ્યો કેદ કરી લીધા હતા. મોબાઈલમાં કેદ થયેલો આ દીપડાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ચર્ચા અને દહેશતનો માહોલ સર્જાયો છે.</p><h2 style="text-align: justify; "><b>માનવ વસ્તીવાળા વિસ્તાર નજીક દીપડાની લટારથી ફફડાટ</b></h2><p style="text-align: justify; ">ચેનપુર રોડ પર અચાનક દીપડો આવી જતાં વાહનચાલકોમાં ગભરાટ ફેલાયો હતો. આ વિસ્તાર માનવ વસ્તીની નજીક આવેલો હોવાથી દીપડાની મુક્ત લટારથી સ્થાનિક રહીશોમાં પણ ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં દીપડાના આંટાફેરા સતત વધી રહ્યા હોવાનું સ્થાનિકોનું કહેવું છે, જેના કારણે રાત્રિના સમયે ઘરની બહાર નીકળવું કે રસ્તા પરથી પસાર થવું જોખમી બની ગયું છે.</p><p style="text-align: justify; "><video controls="" src="https://epapercdn.sandesh.com/images/2026/08/29/LdH4jDwMMqeYOIjbYyTZsSK5y1bdacnBz0j8jKbs.mp4" width="640" height="360" class="note-video-clip"></video><br></p><h2 style="text-align: justify; "><b>વન વિભાગ તાત્કાલિક પગલાં ભરી દીપડાને પાંજરે પૂરે તેવી માંગ</b></h2><p style="text-align: justify; ">નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખીને સ્થાનિક લોકો દ્વારા વન વિભાગ સમક્ષ તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં ભરવાની ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે. વિસ્તારમાં વ્યાપેલા ભયના વાતાવરણને દૂર કરવા માટે વન વિભાગ પાંજરૂ મૂકીને આ દીપડાને વહેલી તકે ઝડપી પાડે અને તેને કોઈ સુરક્ષિત જંગલ વિસ્તારમાં ખસેડે તેવી માંગ બળવત્તર બની છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/bhavnagar-news-gross-negligence-in-the-chief-ministers-matrushakti-yojana-expired-tur-dal-and-gram-were-distributed" target="_blank">Bhavnagar News : મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનામાં ઘોર બેદરકારી, વિતરણ કરાઈ એક્સપાયર થયેલી તુવેરદાળ અને ચણા</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/drbBk7YsSrPU4QOoDx3xWW8KiC2gNnk8gzeaSLMY.webp'/></item><item><title><![CDATA[Auto News: હાઇબ્રિડ એન્જિન અને પ્રીમિયમ ફિચર્સ સાથે આ નવી SUVનું થશે આગમન ]]></title><link>https://sandesh.com/business/news/automobile/kia-sorento-hybrid-suv-launch-india-price-features</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/kia-sorento-hybrid-suv-launch-india-price-features</guid><pubDate>Sat, 29 Aug 2026 15:44:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતના SUV માર્કેટમાં ટૂંક સમયમાં જ એક નવી અને મોટો ધમાકો થવા જઈ રહ્યો છે. કિયા (Kia) તેની ફ્લેગશિપ SUV, Sorento ને 4 સપ્ટેમ્બરે ભારતમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ માત્ર કિયાની એક સામાન્ય નવી કાર નથી, પરંતુ કંપની માટે ભારતીય માર્કેટમાં પોતાની ઓળખને વધુ પ્રીમિયમ બનાવવાની એક શાનદાર તક છે.</p><h2 style="text-align: justify; "><b>કિયા પોર્ટફોલિયોમાં નવો ઉમેરો&nbsp;</b></h2><p style="text-align: justify; ">કિયાએ અત્યાર સુધી ભારતમાં સેલ્ટોસ (Seltos), સોનેટ (Sonet) અને કારેન્સ (Carens) જેવી કાર્સના આધારે મજબૂત પકડ બનાવી લીધી છે. પરંતુ કંપનીના પોર્ટફોલિયોમાં એક એવી મોટી 3-રો (3-row) SUVની ખોટ હતી, જે સેલ્ટોસથી ઉપર સ્થાન ધરાવે. નવી Sorento આ ખાલી જગ્યાને પૂર્ણ કરવા આવી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>ફોર્ચ્યુનર અને કોડિયાક માટે કડક સ્પર્ધા&nbsp;</b></h3><p style="text-align: justify; ">ભારતમાં રૂ.40 લાખથી રૂ.45 લાખની પ્રાઇસ રેન્જમાં SUV ખરીદનારાઓ પાસે પહેલાથી જ કેટલાક લોકપ્રિય મોડેલ્સ છે. આ સેગમેન્ટમાં ટોયોટા ફોર્ચ્યુનર (Toyota Fortuner), સ્કોડા કોડિયાક (Skoda Kodiaq) અને જીપ મેરિડિયન (Jeep Meridian) જેવા વાહનોનું પ્રભુત્વ છે, તેથી Sorento માટે આ માર્ગ સરળ નહીં હોય.</p><h4 style="text-align: justify; "><b>હાઇબ્રિડ પાવરટ્રેન બનશે સૌથી મોટું આકર્ષણ&nbsp;</b></h4><p style="text-align: justify; ">કિયા સોરેન્ટોનું સૌથી ખાસ પાસું તેનું હાઇબ્રિડ પાવરટ્રેન સેટઅપ હોઈ શકે છે. આ કારમાં 1.6-લીટર ટર્બો પેટ્રોલ એન્જિન સાથે હાઇબ્રિડ સિસ્ટમ મળવાની ધારણા છે. આ પાવરફુલ સેટઅપ લગભગ 235-238 bhp પાવર અને 380 Nm નો ટોર્ક જનરેટ કરી શકે છે.</p><h5 style="text-align: justify; "><b>શા માટે ખાસ છે આ હાઇબ્રિડ ટેકનોલોજી?&nbsp;</b></h5><p style="text-align: justify; ">સરળ શબ્દોમાં કહીએ તો, હાઇબ્રિડ કારમાં પેટ્રોલ એન્જિનની સાથે ઈલેક્ટ્રિક મોટર પણ કામ કરે છે. તેનાથી વાહનમાં ઉત્તમ માઇલેજ મળે છે અને ડ્રાઇવિંગ અનુભવ પણ ઘણો સ્મૂધ બને છે. જે ગ્રાહકો ડીઝલ વાહનોમાંથી બહાર આવવા માગે છે પણ સંપૂર્ણ ઈલેક્ટ્રિક કાર લેવા નથી માંગતા, તેમના માટે હાઇબ્રિડ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.</p><h6 style="text-align: justify; "><b>3-રો સીટીંગથી મોટા પરિવારોને ફાયદો&nbsp;</b></h6><p style="text-align: justify; ">મોટી SUV ખરીદનારા ગ્રાહકો માટે માત્ર પાવર જ નહીં, પરંતુ કેબિનની જગ્યા અને આરામ પણ ખૂબ મહત્વનો હોય છે. Sorento માં 3-રો સીટીંગ લેઆઉટ મળશે. જેથી વધારે લોકો એકસાથે આરામદાયક મુસાફરી કરી શકશે અને મોટા પરિવાર માટે આ SUV આદર્શ સાબિત થશે.</p><p style="text-align: justify; "><b>હાઇ-ટેક અને પ્રીમિયમ કેબિન ફિચર્સ&nbsp;</b></p><p style="text-align: justify; ">Sorento ના ઇન્ટિરિયરને અત્યંત પ્રીમિયમ ફીલ આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. વાહનમાં ડ્યુઅલ 12.3-ઇંચની સ્ક્રીન, કનેક્ટેડ કાર ટેકનોલોજી, ADAS (Advanced Driver Assistance Systems), 360-ડિગ્રી કેમેરા અને કિયાનું AI આસિસ્ટન્ટ જેવા અદ્યતન ફિચર્સ મળવાની પૂર્ણ શક્યતા છે.</p><p style="text-align: justify; "><b>કિંમત અને માર્કેટ પોઝિશનિંગ&nbsp;</b></p><p style="text-align: justify; ">કિયા સોરેન્ટોની અંદાજિત કિંમત રૂ.40 લાખથી રૂ.45 લાખની વચ્ચે રહેવાની ધારણા છે. આ બજેટમાં સોરેન્ટો ફોર્ચ્યુનર અને કોડિયાકને સીધી ટક્કર આપશે. કંપની આ કારને પોતાની ફ્લેગશિપ SUV તરીકે રજૂ કરશે, જેનાથી ભારતીય બજારમાં કિયા બ્રાન્ડની એકંદર છબી વધુ મજબૂત થશે.</p><p style="text-align: justify; "><b>આગામી રસ્તાની મુખ્ય પડકારો&nbsp;</b></p><p style="text-align: justify; ">ભારતમાં આ પ્રાઇસ સેગમેન્ટમાં ગ્રાહકો પાસે ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. ફોર્ચ્યુનરની માર્કેટમાં એક અલગ મજબૂત ઓળખ છે, જ્યારે સ્કોડા કોડિયાક તેના યુરોપિયન કમ્ફર્ટ માટે જાણીતી છે. આ બધી પડકારો વચ્ચે કિયાની આ નવી હાઇબ્રિડ SUV ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં કેવો કમાલ કરે છે તે જોવું રસપ્રદ રહેશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/automobile" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/xtWPK2Jfg3NkX41vk1ziI593JAyTjFzI6mhZ2Rx5.webp'/></item><item><title><![CDATA[National Sports Day 2026: મેજર ધ્યાનચંદના જીવનના 4 પ્રેરણાદાયી કિસ્સા, જાણો કેવી રીતે બન્યા હોકીના જાદુગર ]]></title><link>https://sandesh.com/sports/news/national-sports-day-2026-4-inspiring-stories-from-the-life-of-major-dhyan-chand-know-how-he-became-a-hockey-magician</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/national-sports-day-2026-4-inspiring-stories-from-the-life-of-major-dhyan-chand-know-how-he-became-a-hockey-magician</guid><pubDate>Sat, 29 Aug 2026 11:42:24 +05:30</pubDate><description><![CDATA[<p>Indiaમાં રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણીની શરૂઆત વર્ષ 2012માં થઈ. સરકારે આ ખાસ દિવસને હોકીના જાદુગર તરીકે ઓળખાતા પ્રસિદ્ધ ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતીના દિવસે ઉજવવાનો નિર્ણય કર્યો. મેજર ધ્યાનચંદનું હોકીમાં ખૂબ મોટું યોગદાન છે. તેઓ 1928, 1932 અને 1936ના ઓલિમ્પિકમાં શાનદાર રમત માટે જાણીતા છે. સતત ત્રણેય વખત ભારતના ખાતામાં સુવર્ણ ચંદ્રક આવ્યો હતો અને તેનો શ્રેય મેજરના નામે નોંધાયેલો છે.</p><h2><b>સેનાની નોકરી સાથે તેમણે હોકીને સાધના તરીકે અપનાવી.</b></h2><p>ભારતીય હોકીના ઇતિહાસમાં મેજર ધ્યાનચંદનું નામ સૌથી ચમકતા તારાની જેમ નોંધાયેલું છે. તેમની હોકીમાં ઝડપ હતી. બોલ પર અદ્ભુત નિયંત્રણ હતું. ગોલ કરવાની કળા એવી હતી કે દર્શકો ઘણીવાર પોતાની આંખો પર વિશ્વાસ કરી શકતા નહોતા. ધ્યાનચંદનો જન્મ 29 ઓગસ્ટ 1905ના રોજ પ્રયાગરાજમાં થયો હતો. તે સમયે તેમનું નામ ધ્યાન સિંહ હતું. બાદમાં હોકી તેમના જીવનનો સૌથી મોટો હિસ્સો બની ગઈ. તેઓ ભારતીય સેનામાં ભરતી થયા. સેનાની નોકરી સાથે તેમણે હોકીને સાધના તરીકે અપનાવી.</p><h3><b>હોકીની પ્રેક્ટિસ માટે સમય રાત્રે જ મળતો હતો</b></h3><p>ધ્યાનચંદના નામ સાથે સૌથી લોકપ્રિય કિસ્સો તેમની પ્રેક્ટિસ સાથે જોડાયેલો છે. કહેવાય છે કે તેઓ રાત્રે હોકીની પ્રેક્ટિસ કરતા હતા. તે સમયે મેદાનોમાં આજની જેમ લાઇટિંગની વ્યવસ્થા નહોતી. ધ્યાન સિંહ દિવસ દરમિયાન સેનાની ડ્યૂટી કરતા હતા. કામ બાદ તેમને હોકીની પ્રેક્ટિસ માટે સમય રાત્રે જ મળતો હતો. તેઓ ચાંદની રાત્રે મેદાનમાં ઉતરતા હતા. હોકી સ્ટિક અને બોલ સાથે લાંબા સમય સુધી પ્રેક્ટિસ કરતા હતા. આ કારણે તેમના સાથીઓ તેમને ચંદ કહેવા લાગ્યા. તેનો અર્થ ચાંદ સાથે જોડાયેલો છે. ધીમે-ધીમે તેમનું નામ ધ્યાન સિંહમાંથી ધ્યાનચંદ થઈ ગયું. આ કિસ્સો માત્ર નામ બદલાવાની કહાની નથી. આ તેમની લગનની કહાની પણ છે. તેઓ સુવિધાઓની રાહ જોતા નહોતા. તેમની પાસે ન તો આધુનિક મેદાન હતું. ન તો મોંઘી ટ્રેનિંગ. ન તો વિશેષ સાધનો. તેમની પાસે માત્ર એક હોકી સ્ટિક હતી. તેઓ માનતા હતા કે પ્રેક્ટિસથી જ રમતમાં નિખાર આવે છે.</p><h4><b>બોલ તેમની સ્ટિક સાથે ચોંટેલો હોય તેવું લાગતું હતું</b></h4><p>ધ્યાનચંદની હોકીનું સૌથી મોટું આકર્ષણ બોલ પર તેમનું નિયંત્રણ હતું. તેઓ બોલને સ્ટિકથી એવી રીતે સંભાળતા હતા કે એવું લાગતું હતું, જાણે બોલ તેમની સ્ટિક સાથે ચોંટી ગયો હોય. તેઓ દોડતી વખતે બોલને ખૂબ નજીક રાખતા હતા. વિરોધી ખેલાડીઓ તેમને રોકવાનો પ્રયાસ કરતા હતા. પરંતુ બોલ તેમના નિયંત્રણની બહાર જતો નહોતો. ઘણી મેચોમાં દર્શકોને લાગતું હતું કે ધ્યાનચંદ કોઈ જાદુનો ઉપયોગ કરી રહ્યા છે. કેટલાક લોકો તો એવું પણ માનવા લાગ્યા હતા કે તેમની સ્ટિકમાં કોઈ ખાસ વસ્તુ લગાવવામાં આવી છે. એક મેચ દરમિયાન અધિકારીઓએ તેમની હોકી સ્ટિકની તપાસ કરાવી. વિરોધી ટીમને શંકા હતી કે સ્ટિકમાં ચુંબક લગાવવામાં આવ્યું છે. તપાસ બાદ એવું કોઈ રહસ્ય મળ્યું નહોતું. આ કિસ્સો ભલે રમત જગતની ચર્ચાઓનો ભાગ બની ગયો હોય, પરંતુ અસલી સત્ય તેમની ટેકનિક હતી. બોલ પર તેમનું નિયંત્રણ વર્ષોની પ્રેક્ટિસનું પરિણામ હતું.</p><h5><b>  તેમનો આ વીડિયો ઘણી વખત વાયરલ થયો</b></h5><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/OlympicKhel/status/2093541651486544136"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h6><b>પહેલો મોટો મોકો સેનાના મેદાનમાંથી મળ્યો</b></h6><p>ધ્યાનચંદની હોકી કારકિર્દીની શરૂઆત કોઈ મોટી ક્લબ અથવા ચમકતા સ્ટેડિયમથી થઈ નહોતી. તેમને પહેલો મોટો મોકો સેનાના મેદાનોમાં મળ્યો. સેનામાં ભરતી થયા બાદ તેમણે હોકી રમવાનું શરૂ કર્યું. ત્યાં શિસ્ત ખૂબ કડક હતી. દિનચર્યા નક્કી હતી. ડ્યૂટી પણ કરવાની હતી. તેમ છતાં ધ્યાનચંદ પ્રેક્ટિસ માટે સમય કાઢી લેતા હતા. તેમના શરૂઆતના દિવસોનો એક કિસ્સો ઘણીવાર સાંભળવા મળે છે. કહેવાય છે કે તેઓ મેદાનના ખરાબ ભાગોમાં પણ પ્રેક્ટિસ કરતા હતા. મેદાન સમતલ નહોતું. ઘણી જગ્યાએ માટી ઊંચી-નીચી હતી. ક્યારેક બોલ અચાનક ઉછળી જતો હતો. પરંતુ ધ્યાનચંદે આવી જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાનું નિયંત્રણ વધુ સારું બનાવ્યું. તેઓ બોલને અલગ-અલગ ઝડપે ચલાવતા હતા. રોકાતા. વળતા. ઝડપથી દિશા બદલતા. તેનાથી તેમને મેચમાં વિરોધીઓને છકાવવામાં મદદ મળી. સેના સાથે તેમને દેશના અનેક ભાગોમાં રમવાની તક મળી. અલગ-અલગ મેદાનો પર રમવાથી તેમનો અનુભવ વધ્યો. તેમણે સમજ્યું કે દરેક મેદાનનો પોતાનો પડકાર હોય છે. </p><h6><b>મેજર ધ્યાનચંદે સંભળાવ્યા હતા કિસ્સાઓ</b></h6><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/RajatJain/status/2093538302976758242"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h6><b>ઓલિમ્પિકમાં ભારતની શાન બની ગયા</b></h6><p>ધ્યાનચંદને આંતરરાષ્ટ્રીય ઓળખ ઓલિમ્પિક રમતોમાંથી મળી. તેમણે 1928ના એમ્સ્ટરડેમ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. ટીમે સુવર્ણ ચંદ્રક જીત્યો. આ સફળતા બાદ ધ્યાનચંદનું નામ દુનિયાભરમાં ચર્ચામાં આવી ગયું. તેમની ગોલ કરવાની ક્ષમતાએ વિદેશી દર્શકોને પણ પ્રભાવિત કર્યા. 1932ના લોસ એન્જલસ ઓલિમ્પિકમાં પણ ભારતીય ટીમે સુવર્ણ ચંદ્રક જીત્યો. તે સમયગાળામાં ભારતની હોકી ટીમ ખૂબ જ મજબૂત માનવામાં આવતી હતી. ધ્યાનચંદ આ ટીમના સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓમાં સામેલ હતા. 1936ના બર્લિન ઓલિમ્પિકમાં તેમને ભારતીય ટીમની કેપ્ટનશિપ મળી. ફાઇનલમાં ભારતનો મુકાબલો જર્મની સામે હતો. વરસાદને કારણે મેદાન ભીનું હતું. આવી સ્થિતિમાં બોલ પર નિયંત્રણ રાખવું મુશ્કેલ હોય છે. પરંતુ ધ્યાનચંદે ટીમનું નેતૃત્વ સંભાળ્યું.</p><p><b>ભારતીય ટીમે જર્મનીને હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો</b></p><p>ભારતીય ટીમે જર્મનીને હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો. આ મેચ સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો છે. કહેવાય છે કે ધ્યાનચંદે મેચ દરમિયાન જૂતા ઉતારી દીધા હતા. ત્યારબાદ તેમણે ઉઘાડા પગે રમવાનું શરૂ કર્યું. ભીના મેદાન પર તેમને બોલ પર વધુ સારું નિયંત્રણ અનુભવાયું. દર્શકોએ જોયું કે એક ખેલાડી જૂતા વગર પણ આખા મેદાનમાં છવાઈ શકે છે. ધ્યાનચંદે આ મેચમાં માત્ર ગોલ જ કર્યા નહોતા. તેમણે સમગ્ર ટીમને સંભાળી હતી. સાથી ખેલાડીઓને પાસ આપ્યા. રમતની દિશા બદલી. કેપ્ટન તરીકે તેમણે ધીરજ જાળવી રાખી.</p><h6><b>પીએમ મોદીએ યાદ કર્યા</b></h6><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/narendramodi/status/2093545214652846299"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><a  target="_blank"></a></p><h6><b>દેશ માટે રમવું એ પદ અને સન્માન કરતાં વધુ મહત્વનું છે</b></h6><p>ધ્યાનચંદે સેનામાં સેવા આપી હતી. તેમણે પોતાની નોકરી અને રમતગમતની જવાબદારીઓ બંનેમાં ફેરફાર કરવો પડ્યો હતો. તેમણે મેદાન પર દેશનું પ્રતિનિધિત્વ કર્યું અને મેદાનની બહાર સૈનિકની ભૂમિકા ભજવી. તેમની રમત લોકપ્રિયતામાં વધારો થયો, જેના કારણે વિદેશમાં પણ તેમને માન મળ્યું. પરંતુ તેમણે ક્યારેય પોતાની સફળતાને ગૌરવનો સ્ત્રોત બનવા દીધી નહીં. એવું કહેવાય છે કે તેઓ પ્રેક્ટિસ દરમિયાન ખૂબ જ ગંભીર હતા. મેદાન પર આવતાની સાથે જ તેમનું સંપૂર્ણ ધ્યાન રમત પર કેન્દ્રિત થઈ ગયું. તેમણે યુવા ખેલાડીઓમાં શિસ્ત અને ટીમ ભાવનાનું મહત્વ પણ સિંચ્યું. ધ્યાનચંદ વ્યક્તિગત રેકોર્ડ પાછળ ન દોડતા. તેઓ ટીમની જીતને વધુ મહત્વપૂર્ણ માનતા હતા. તેઓ બોલને સારી સ્થિતિમાં રહેલા સાથી ખેલાડીને પાસ કરતા. તેમને ગોલ કરવાની તક ગુમાવવી મુશ્કેલ ન લાગી. આ આદત તેમને અન્ય લોકોથી અલગ પાડે છે. તેઓ જાણતા હતા કે હોકી એકલા જીતી શકાતી નથી; તેમાં સમગ્ર ટીમના યોગદાનની જરૂર હોય છે.</p><h6><b>ધ્યાનચંદનો સૌથી મોટો પાઠ</b></h6><p>મેજર ધ્યાનચંદની વાર્તાઓ ફક્ત રોમાંચક વાર્તાઓ નથી. તેઓ સખત મહેનતની શક્તિ, શિસ્તનું મહત્વ, ટીમવર્ક અને દેશભક્તિની ભાવનાને મૂર્તિમંત કરે છે. તેમની હોકીમાં ચોક્કસપણે જાદુ હતો. પરંતુ તે જાદુ કોઈ રહસ્યમય લાકડીમાં નહોતો. તે સખત મહેનતમાં, વ્યવહારમાં, રમતની સમજમાં હતો. મેજર ધ્યાનચંદે સાબિત કર્યું કે સાચી પ્રતિભા અવાજ કરતી નથી; તે મેદાન પર અસર કરે છે. તેથી જ તેમને આજે પણ હોકીના જાદુગર કહેવામાં આવે છે.</p><p><b><a href="https://sandesh.com/" target="_blank">વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/29/pwL9vy6dS3kb8hQhArQfGEo82EPh5NOqqwEjjuxu.webp'/></item></channel></rss>