<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Surat News: નાસિરનગર ડિમોલિશન કેસમાં મનપાને ઝટકો, એડવોકેટ જનરલ કેસમાંથી જ ખસી ગયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/advocate-general-kamal-trivedi-withdraws-from-nasirnagar-demolition-case</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/advocate-general-kamal-trivedi-withdraws-from-nasirnagar-demolition-case</guid><pubDate>Tue, 08 Sep 2026 10:07:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતમાં નાસીરનગરમાં થયેલા ભૂતિયા ડિમોલિશન પ્રકરણમાં સુરત મહાનગરપાલિકાની કાનૂની મુશ્કેલીઓ વધુ ઘેરાતી હોય એવું ચિત્ર ઉપસી આવ્યું છે.હાઈકોર્ટમાં ચાલી રહેલા આ ડિમોલિશનના કેસમાં મનપા તરફથી હાજર થતા રાજ્યના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કેસમાંથી હટી જવાની જાણ કરી હોવાનું સામે આવ્યું છે.બીજી તરફ મનપા કમિશ્નરની બદલી બાદ નવા કમિશનર તરીકે રાજકુમાર બેનિવાલે ચાર્જ સંભાળી લીધો છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>એડવોકેટ જનરલે કેસમાંથી ખસી જવાનો સંકેત આપ્યો</b></h2><p style="text-align: justify; ">નાસીરનગરના અસરગ્રસ્ત પરિવારો દ્વારા દાખલ કરવામાં આવેલી પિટિશન ઉપરાંત સમગ્ર પ્રકરણમાં મનપાના સસ્પેન્ડેડ કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિના સસ્પેન્શનને પડકારતી અરજીમાં પણ એડવોકેટ જનરલ ત્રિવેદી મનપાની તરફણમાં રજૂ થતા હતા. જોકે,પાલિકાના અધિકારીઓની ખો ખોની રમત, એફિડેવિટ માટે જરૂરી માહિતી, પુરાવા રજૂ કરવા મુદ્દે બેપરવા વલણ સહિતનાં કારણોને લીધે થોડા સમય પહેલાં જ એડવોકેટ જનરલે કેસમાંથી ખસી જવાનો સંકેત આપ્યો હોવાની ચર્ચા ચાલી હતી.</p><h3 style="text-align: justify; "><b>મનપાએ કાનૂની મોરચે નવી ગોઠવણ કરવાની ફરજ પડી</b></h3><p style="text-align: justify; ">જેમાં હવે તેઓ દ્વારા મનપા તંત્રને જાણ કરી દેવાઈ હોવાનું જાણવા મળ્યું છે. બંને મહત્ત્વના કેસ વચ્ચે એડવોકેટ જનરલના ખસી જવાના નિર્ણયથી હવે મનપાના વહીવટી તંત્રને નવા કાનૂની સલાહકારની વ્યવસ્થા કરવાની કવાયત શરૂ કરવી પડી છે. નાસીરનગર ડિમોલિશન મામલે અગાઉથી જ હાઈકોર્ટની કાર્યવાહી અને મનપાની કામગીરીને લઈને તંત્ર પર દબાણ છે ત્યારે હવે મનપાએ કાનૂની મોરચે નવી ગોઠવણ કરવાની ફરજ પડી છે.</p><h2 style="text-align: justify; "><b>પાલિકા કમિશનરે કેસનો ચિતાર મેળવ્યો</b></h2><p style="text-align: justify; ">2004 બેચના આઈએએસ અધિકારી રાજકુમાર બેનીવાલે સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે સોમવારે પદભાર સંભાળ્યો છે.ચાર્જ સંભાળવાની સાથે જ કમિશનરે વિવાદિત નાસીરનગર પ્રકરણનો ચિતાર મેળવ્યો હતો. કમિશનર બેનીવાલે ડેપ્યુટી કમિશનર નિધિ સીવાચ, ધર્મેશ મિસ્ત્રી અને મનીષ ડૉક્ટર સાથે સમગ્ર કાનૂની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. વધુમાં, કમિશનર બેનીવાલ વિવાદમાં નિમાયેલી ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિના પણ સભ્ય છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-gst-bill-proposes-90--refund-within-7-days" target="_blank">આ પણ વાંચોઃ Gandhinagar News : વેપારીને 7 દિવસમાં 90 ટકા રિફંડ મળશે, ડિસ્કાઉન્ટને કરાર સાથે જોડવાની શરત દૂર કરાશે</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/ANKbxd1eF7oqyublIgaEEUYVOzw1YzLgcEqT0qrK.webp'/></item><item><title><![CDATA[Ahmedabad એરપોર્ટ પર મોટી કાર્યવાહી, મુસાફરને હેરાન કરવા બદલ કસ્ટમ્સના 2 સુપ્રિટેન્ડેન્ટ અને 2 ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-airport--4-customs-officials-suspended-over-passenger-harassment-complaint</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-airport--4-customs-officials-suspended-over-passenger-harassment-complaint</guid><pubDate>Tue, 08 Sep 2026 10:04:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગ દ્વારા એક અત્યંત કડક અને હિસાબી કાર્યવાહી કરવામાં આવી છે. એરપોર્ટ પર ફરજ બજાવતા ચાર કસ્ટમ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરીને ફરજમુક્ત કરવામાં આવ્યા છે. એરપોર્ટ પર ઉતરેલા એક મુસાફર દ્વારા કસ્ટમ ચેકિંગ દરમિયાન અયોગ્ય વર્તન, બિનજરૂરી પજવણી અને હેરાનગતિ કરવામાં આવી હોવાની ચોંકાવનારી ફરિયાદ ઉચ્ચ સ્તરે નોંધાવવામાં આવી હતી, જેના આધારે કસ્ટમ્સના વરિષ્ઠ અધિકારીઓએ આ આકરાં પગલાં લીધાં છે.</p><h2 style="text-align: justify; "><b>બોડી ઓન કૅમેરા પહેર્યા વગર ચેકિંગ કર્યું, તપાસમાં થયો ખુલાસો</b></h2><p style="text-align: justify; ">સસ્પેન્ડ કરવામાં આવેલા ચાર અધિકારીઓમાં બે સુપરિન્ટેન્ડેન્ટ અને બે ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારીઓનો સમાવેશ થાય છે. કસ્ટમ્સ વિભાગના કડક દિશા-નિર્દેશો મુજબ એરપોર્ટ પર મુસાફરોના ચેકિંગ કે પૂછપરછ દરમિયાન તમામ અધિકારીઓ માટે 'બોડી ઓન કૅમેરા' (Body-on Camera) પહેરવા સંપૂર્ણપણે ફરજિયાત બનાવવામાં આવ્યા છે. આમ છતાં, આ અધિકારીઓએ કૅમેરા પહેર્યા વગર મુસાફર સાથે ગેરવર્તણૂક અને હેરાનગતિ કરી હતી. મુસાફરે આ સમગ્ર બનાવ અંગે કસ્ટમ્સ કમિશનર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતાં જ પ્રાથમિક તપાસમાં અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી હતી.</p><h2 style="text-align: justify; "><b>અમદાવાદ એરપોર્ટ પર પ્રથમવાર આવી કાર્યવાહી</b></h2><p style="text-align: justify; ">અમદાવાદ એરપોર્ટના ઇતિહાસમાં એક સાથે ચાર જેટલા ઉચ્ચ કસ્ટમ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય તેવી આ પ્રથમ ઘટના છે, જેના કારણે એરપોર્ટ પર ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારી વર્તુળોમાં ભારે સન્નાટો અને ખળભળાટ મચી ગયો છે. કસ્ટમ્સ વિભાગ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે મુસાફરો સાથેની ગેરવર્તણૂક, ભ્રષ્ટાચાર કે સરકારી નિયમોનો અનાદર ચલાવી લેવામાં આવશે નહીં. સસ્પેન્ડ કરાયેલા ચારેય અધિકારીઓ સામે ખાતાકીય તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/surat/surat-rape-case--court-rejects-anticipatory-bail-of-advocate-rahim-sheikh" target="_blank">Surat વકીલ બળાત્કાર કેસમાં કોર્ટનો મોટો નિર્ણય, રહીમ શેખની જામીન અરજી ફગાવી, ગમે ત્યારે થશે જેલહવાલે...</a></b></p><p style="text-align: justify; "><b><br></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/reOtQanGoaR7PBVrmhtCuslZMnAAlXHb3ma24pau.webp'/></item><item><title><![CDATA['SVC 63' Salman Khan Look: કેમ બિગ બોસમાં સલમાન ખાન પહેરે છે માથા પર હેટ કેપ, સામે આવ્યું કારણ ]]></title><link>https://sandesh.com/entertainment/news/svc-63-salman-khan-look-why-is-salman-khan-wearing-a-hat-on-his-head-in-bigg-boss-the-reason-has-come-to-light</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/svc-63-salman-khan-look-why-is-salman-khan-wearing-a-hat-on-his-head-in-bigg-boss-the-reason-has-come-to-light</guid><pubDate>Tue, 08 Sep 2026 10:02:55 +05:30</pubDate><description><![CDATA[<p>રિયાલિટી શો બિગ બોસ 20 સિઝનની શરૂઆત થઈ ગઈ છે. આ શોમાં અત્યાર સુધી કરતાં સલમાન ખાનનો સાવ અલગ લુક દેખાયો છે. દંબગ ખાનના કાઉ લુક ફેન્સને ખૂબ પસંદ આવ્યો છે. પરંતુ ખરેખર અભિનેતાનો આ કાઉ લુક કોઈ સ્ટાઈલ છે કે પછી કોઈ બીજું કારણ છે. તાજેતરમાં સલમાન ખાનના કેટલાક એવા પોસ્ટર સામે આવ્યા જેમાં તેના માથા પર ટાલ છે. શું એટલે જ બિગ બોસમાં સલમાન ખાન આ નવી સ્ટાઈલમાં દેખાય છે. સોશિયલ મીડ઼િયામાં સલમાનના નવા લુકને લઈને ફેન્સ સવાલ કરી રહ્યા છે. ત્યાં અભિનેતાને લઈને એક મોટી અપડેટ સામે આવી.</p><h2><b>સલમાન ખાનનો નવો લુક</b></h2><p>બોલીવુડ સ્ટાર સલમાન ખાન છેલ્લા કેટલાક સમયથી બોક્સ ઓફિસ પર મોટી હિટ ફિલ્મ આપવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. તેની પાછલી ફિલ્મો 'કિસી કા ભાઈ કિસી કી જાન' અને 'સિકંદર' દર્શકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી ન હતી. હવે, ચાહકો તેની આગામી ફિલ્મ 'SVC 63' ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જેનું કામચલાઉ નામ 'મોન્સ્ટર' ચર્ચાઈ રહ્યું છે. આ ફિલ્મમાં સલમાન સાથે સાઉથ લેડી સુપરસ્ટાર નયનતારા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.</p><h3><b>'SVC 63' ના ટીઝરમાં સલમાનનો અનોખો અવતાર</b></h3><p>તાજેતરના અહેવાલો મુજબ, નિર્માતાઓ ટૂંક સમયમાં જ એક સરપ્રાઈઝ ટીઝર સાથે ફિલ્મનું સત્તાવાર શીર્ષક જાહેર કરવા જઈ રહ્યા છે. આ ટીઝરમાં સલમાનને એક અનોખા અને અગાઉ ક્યારેય ન જોયેલા શૈલીમાં રજૂ કરવામાં આવશે, જે દર્શકો માટે મોટું સરપ્રાઈઝ સાબિત થશે.</p><p><b>મૃતદેહો વચ્ચેથી ઉઠશે સલમાન: ટાલ અને શર્ટલેસ લુક</b></p><p>ટીઝરમાં સલમાન ખાન અત્યાર સુધીના સૌથી હિંસક અને તીવ્ર અવતારમાં જોવા મળશે. અહેવાલો અનુસાર, તે આ ફિલ્મમાં ટાલ વાળા (બાલડ) અને શર્ટલેસ લુકમાં નજરે પડશે. ટીઝરના એક દ્રશ્યમાં સલમાનનું પાત્ર મૃતદેહોની વચ્ચેથી ઊભું થઈને છરી કાઢતું બતાવવામાં આવ્યું છે, જેના પછી સ્ક્રીન પર ફિલ્મનું નામ આવશે.</p><p><b>'KGF' સાથે સરખામણી અને ચાહકોનો ઉત્સાહ</b></p><p>ટ્રેડ નિષ્ણાતોના મતે આ ફિલ્મ સલમાન ખાન માટે જબરદસ્ત વાપસી સાબિત થશે. ટીઝરની વિગતો સામે આવ્યા બાદ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે આ લુકની સરખામણી 'KGF' જેવી એક્શન ફિલ્મો સાથે કરી છે, જ્યારે ચાહકો સલમાનના આ નવા આક્રમક અવતારને જોવા માટે ભારે ઉત્સાહિત છે.</p><p><b>વામશી પૈદિપલ્લીનું નિર્દેશન અને ૨૦૨૭ની ઈદ પર રિલીઝ</b></p><p>'સિકંદર' પછી ચાહકોની માંગને ધ્યાનમાં રાખીને સલમાને દક્ષિણના જાણીતા દિગ્દર્શક વામશી પૈદિપલ્લી સાથે હાથ મિલાવ્યા છે. દિલ રાજુના બેનર હેઠળ બની રહેલી આ મોટા બજેટની ફિલ્મ ૨૦૨૭ની ઈદના પાવન અવસરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/ilAwt1Leo5fKBLOpW39jZyF9MdS8hjzUDh5zKhw6.webp'/></item><item><title><![CDATA[Stock Market Opening: શેરબજારની મંગળવારે નબળી શરૂઆત, સેન્સેક્સ 75,747 અંકે ખૂલ્યો ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-opening-the-stock-market-started-weakly-on-tuesday-sensex-opened-at-75747-points</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-opening-the-stock-market-started-weakly-on-tuesday-sensex-opened-at-75747-points</guid><pubDate>Tue, 08 Sep 2026 09:39:23 +05:30</pubDate><description><![CDATA[<p>મંગળવારે શરૂઆતના કારોબાર દરમિયાન ભારતીય શેરબજારમાં દબાણ જોવા મળ્યું. ક્રૂડ ઓઇલના ભાવ, સેન્ટ્રલ બેંક નીતિગત પગલાં અને ચાલુ યુએસ-ઈરાન તણાવ વચ્ચે રોકાણકારો બજારની દિશા અંગે સાવચેત દેખાતા હતા.</p><h2><b>ભારતીય શેરબજાર લાલ નિશાને ખૂલ્યુ</b></h2><p>સવારે 9:19 વાગ્યે, સેન્સેક્સ 327.39 પોઈન્ટ અથવા 0.43 ટકા ઘટીને 75,805.42 પર ટ્રેડ કરી રહ્યો હતો. દરમિયાન, નિફ્ટી50 86.15 પોઈન્ટ અથવા 0.36 ટકા ઘટીને 23,692.35 પર બંધ રહ્યો. સવારે 9.36 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને ઘટાડા સાથે ખૂલ્યા. સેન્સેક્સ 385.42 પોઇન્ટના ઘટાડા સાથે 75,747.39 અંકે ખૂલ્યો. જ્યારે નિફ્ટી 94.15 પોઇન્ટના ઘટાડા સાથે&nbsp; 23,685.00 અંકે ખૂલ્યો.&nbsp;</p><p><b style="font-size: 2rem;">ટોચના નુકસાનકર્તા</b></p><p>શ્રીરામ ફાઇનાન્સ, HCL ટેક્નોલોજીસ અને ટેક મહિન્દ્રા શરૂઆતના કારોબાર દરમિયાન નિફ્ટી50 પર ટોચના નુકસાનકર્તાઓમાં સામેલ હતા.</p><p><b style="font-size: 2rem;">મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો પણ નબળા</b></p><p>વ્યાપક બજારમાં પણ હળવું દબાણ જોવા મળ્યું. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 0.17 ટકા નીચે ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સ 0.01 ટકા નીચે હતો.</p><p><img alt="market" src="https://epapercdn.sandesh.com/images/2024/11/18/wiJfNAAC5BuWzYGkaDLc7lnvyT9PCeu9ad1mujcj.jpg"><b style="font-size: 1.75rem;"><br></b></p><p><b style="font-size: 1.75rem;">ગિફ્ટ નિફ્ટીમાં ઘટાડો</b></p><p>ગિફ્ટ નિફ્ટી 75 પોઈન્ટ ઘટીને 23,796 પર ટ્રેડ થઈ રહ્યો હતો. તેનાથી સ્થાનિક બજારમાં શરૂઆતના દબાણની અપેક્ષાઓ વધી ગઈ હતી. રોકાણકારો વૈશ્વિક બજારો અને ભૂ-રાજકીય વિકાસના સંકેતો પર નજીકથી નજર રાખી રહ્યા છે.</p><p><br></p><h3><b>એશિયન બજારોમાં મિશ્ર વેપાર</b></h3><p>મંગળવારે એશિયન શેરબજારોમાં મિશ્ર વેપાર જોવા મળ્યો. ટેકનોલોજી શેરોમાં થયેલા વધારાથી કેટલાક બજારોને ટેકો મળ્યો, જ્યારે યુએસ-ઈરાન તણાવથી રોકાણકારોની જોખમ લેવાની ક્ષમતા પર અસર પડી.</p><p>જાપાનનો નિક્કી 225 લગભગ 0.35 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો, અને દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.74 ટકા વધ્યો હતો. બીજી તરફ, હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 0.82 ટકા નીચે હતો.</p><p><img alt="market" src="https://epapercdn.sandesh.com/images/2024/12/09/8BW03vpUDMMnZmXNktKEXhf3Ujj2YLurWlzlUdDS.jpg"><br></p><h4><b>સોના અને ચાંદીના ભાવમાં વધારો</b></h4><p>સુરક્ષિત રોકાણોની માંગ વચ્ચે કિંમતી ધાતુઓમાં સામાન્ય વધારો જોવા મળ્યો. મંગળવારે, સોનાના વાયદામાં 0.20% નો વધારો નોંધાયો હતો, જ્યારે ચાંદીના વાયદામાં 0.17% નો વધારો થયો હતો.</p><p><br></p><h3><b>આજે ખુલી રહ્યા છે આ IPO</b></h3><p>પ્રાથમિક બજારના મેઈનબોર્ડ સેગમેન્ટમાં ત્રણ IPO મંગળવારે સબ્સ્ક્રિપ્શન માટે ખુલવાના છે. આમાં કનોહર ઇલેક્ટ્રિકલ્સ, પ્રસોલ કેમિકલ્સ અને ગ્લાસ વોલ સિસ્ટમ્સના IPOનો સમાવેશ થાય છે.</p><p>આ દરમિયાન, આજે પ્રણવ કન્સ્ટ્રક્શન્સ અને અપના લોજિસ્ટિક્સના IPO માટે સબ્સ્ક્રિપ્શનનો બીજો દિવસ છે. સાથે મળીને, બંને કંપનીઓ પ્રાથમિક બજારમાંથી અનુક્રમે ₹351.03 કરોડ અને ₹34.14 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે.</p><p>વધુમાં, ક્વોલિઅન્સ ઇન્ટરનેશનલ IPO આજે સબ્સ્ક્રિપ્શનના ત્રીજા દિવસે પ્રવેશ કરશે.</p><p><br></p><p><a href="https://sandesh.com/india/news/maithili-thakur-i-dont-think-it-makes-sense-to-base-the-surname-on-maithili-thakur-breaks-silence-on-reservation" target="_blank">આ પણ વાંચો:  Maithili Thakur: મની નથી લાગતું કે સરનેમને આધારે... અનામતને લઇને મૈથિલી ઠાકુરે તોડ્યુ મૌન</a></p><p><br></p><p><br></p><p><br></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2025/01/06/Oqf5J4FyYRRPta5Ina31iYzCHd4IWMZOO9hONa12.jpg'/></item><item><title><![CDATA[Surat વકીલ બળાત્કાર કેસમાં કોર્ટનો મોટો નિર્ણય, રહીમ શેખની જામીન અરજી ફગાવી, ગમે ત્યારે થશે જેલહવાલે... ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/surat-rape-case--court-rejects-anticipatory-bail-of-advocate-rahim-sheikh</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/surat-rape-case--court-rejects-anticipatory-bail-of-advocate-rahim-sheikh</guid><pubDate>Tue, 08 Sep 2026 09:30:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરમાં મહિલા વકીલ સાથે લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરવાના ગંભીર અને ચકચારી મામલે અદાલત તરફથી મોટો ચુકાદો સામે આવ્યો છે. આ બળાત્કારના ગુનામાં સંકળાયેલા આરોપી વકીલ રહીમ શેખે ધરપકડથી બચવા માટે કરેલી આગોતરા જામીન અરજીને સુરત કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર કરવામાં આવતાં હવે ગુનામાં સંકળાયેલા આરોપી વકીલ રહીમ શેખની વિધિવત ધરપકડ કરવાનો પોલીસ માટે માર્ગ સંપૂર્ણપણે મોકળો થઈ ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>'રોહન' બનીને લગ્ન કરવાની આપી લાલચ</b></h2><p style="text-align: justify; ">કેસની મળતી વિગતો અનુસાર, આરોપી રહીમ શેખે પીડિત મહિલા વકીલને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે લગ્ન કરવાની મોટી-મોટી વાતો કરી હતી. આરોપીએ પીડિતાનો વિશ્વાસ જીતવા માટે એવું વચન પણ આપ્યું હતું કે તે લગ્ન કરવા માટે પોતાનું નામ અને ઓળખ બદલીને 'રોહન' બની જશે. આ પ્રકારે હિન્દુ નામ ધારણ કરી લગ્ન કરવાની ઝાંસીમાં રાખીને આરોપી રહીમ શેખે મહિલા વકીલ સાથે શારીરિક સંબંધો બાંધીને દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં છેતરાયાનો અહેસાસ થતાં પીડિતાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.</p><h2 style="text-align: justify; "><b>કોર્ટે અરજી ફગાવી ધરપકડનો માર્ગ મોકળો કર્યો</b></h2><p style="text-align: justify; ">ગંભીર ગુનાની સુનાવણી દરમિયાન સુરત કોર્ટે કેસની ગંભીરતા અને પ્રાથમિક પુરાવાઓને ધ્યાને રાખીને આરોપી રહીમ શેખની આગોતરા જામીન અરજી રદ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટના આ નીર્ણય બાદ સુરત પોલીસે આરોપી વકીલની અટકાયત કરવા માટે શોધોખોળ અને આગળની કાયદેસરની તજવીજ તેજ કરી દીધી છે. કાયદાના રક્ષક ગણાતા વકીલ દ્વારા જ પોતાના વ્યવસાય સાથે જોડાયેલી મહિલા સાથે આ પ્રકારે છળકપટ કરી દુષ્કર્મ આચરવાના બનાવથી સુરતના વકીલ આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad--amc-seizes-555-kg-ghee-in-madhupura--seals-3-food-establishments-over-hygiene-violations" target="_blank">Ahmedabadમાં અખાદ્ય ખોરાક અને ગંદકી સામે AMC લાલઘૂમ! માધુપુરામાંથી 555 કિલો 'રામસન્સ' ઘીનો જથ્થો સીઝ કરાયો</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/fupKeevLjDjqLeh5KopKbdMBwLHmJLstWqf9Dpyy.webp'/></item><item><title><![CDATA[Padma Shri: પદ્મશ્રી હરેકલા હજબ્બાને ECએ પાઠવી SIR નોટિસ, નામમાં ફર્ક હોવાથી સ્પષ્ટતા કરવા બોલાવ્યા ]]></title><link>https://sandesh.com/india/news/padma-shri-ec-sends-sir-notice-to-padma-shri-harekala-hajbaba-calls-for-clarification-due-to-difference-in-name</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/padma-shri-ec-sends-sir-notice-to-padma-shri-harekala-hajbaba-calls-for-clarification-due-to-difference-in-name</guid><pubDate>Tue, 08 Sep 2026 09:25:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સંતરા વેચીને પોતાના ગામમાં શાળા બનાવનાર હજબ્બાને વર્ષ 2020માં દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન ‘પદ્મશ્રી’થી નવાજવામાં આવ્યા હતા. હવે કર્ણાટકમાં ચાલી રહેલી મતદાર યાદીની વિશેષ સઘન પુનરીક્ષણ પ્રક્રિયા દરમિયાન તેમના નામમાં નોંધાયેલી વિસંગતિને લઈને તેમને નોટિસ પાઠવવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>શું છે સમગ્ર મામલો?</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી અનુસાર, વર્ષ 2002ની જૂની મતદાર યાદીમાં તેમનું નામ માત્ર ‘હજબ્બા’ તરીકે નોંધાયેલું હતું. જોકે ત્યારબાદના લગભગ તમામ સત્તાવાર દસ્તાવેજોમાં તેમનું સંપૂર્ણ નામ ‘હેરેકલા હજબ્બા’ તરીકે નોંધાયેલું છે. તેમના ઓળખપત્રો, રેશન કાર્ડ, પાસપોર્ટ, નવા મતદાર ઓળખપત્ર તેમજ પદ્મશ્રી સન્માન સંબંધિત દસ્તાવેજોમાં પણ ‘હરેકલા હજબ્બા’ નામ જ દર્શાવવામાં આવ્યું છે.</p><p style="text-align: justify; ">જૂની મતદાર યાદી અને હાલના સત્તાવાર દસ્તાવેજોમાં નામના આ તફાવતને ચૂંટણી પંચે ‘વિસંગતિ’ની શ્રેણીમાં મૂક્યો છે. આ કારણે તેમને દસ્તાવેજોની ચકાસણી માટે નોટિસ મોકલવામાં આવી છે.</p><p style="text-align: justify; ">આંગણવાડી કાર્યકરો તેમના નિવાસસ્થાને પહોંચી નોટિસ સોંપી હતી. નોટિસમાં તેમને 11 સપ્ટેમ્બરે તમામ મૂળ દસ્તાવેજો સાથે ગ્રામ પંચાયત સમક્ષ હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. સુનાવણી દરમિયાન ગ્રામ લેખાકાર દ્વારા તેમના દસ્તાવેજોની ભૌતિક ચકાસણી કરવામાં આવશે.</p><h3 style="text-align: justify; "><b>સંતરા વેચવાથી લઈને પદ્મશ્રી સુધીની પ્રેરણાદાયક સફર</b></h3><p style="text-align: justify; ">હરેકલા હજબ્બાની જીવનયાત્રા અનેક લોકો માટે પ્રેરણારૂપ છે. કર્ણાટકના મંગલુરુ વિસ્તારમાં રસ્તાઓ અને બસ સ્ટેન્ડ પર સંતરા વેચીને તેઓ પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેઓ પોતે ઔપચારિક શિક્ષણથી વંચિત રહ્યા હતા, પરંતુ જીવનમાં શિક્ષણનું મહત્વ તેમણે ખૂબ નજીકથી સમજ્યું હતું.</p><p style="text-align: justify; ">પોતાની રોજિંદી નાની-નાની બચતમાંથી તેમણે પોતાના પૈતૃક ગામના બાળકો માટે પ્રાથમિક શાળા સ્થાપવાનો નિર્ણય કર્યો હતો. શિક્ષણના ક્ષેત્રમાં તેમના આ અનોખા યોગદાન અને સમાજસેવા બદલ ભારત સરકારે વર્ષ 2020માં તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.</p><h4 style="text-align: justify; "><b>કર્ણાટકમાં લાખો મતદારોને નોટિસ</b></h4><p style="text-align: justify; ">ચૂંટણી પંચના અધિકારીઓના જણાવ્યા મુજબ, હજબ્બા એવા લાખો મતદારોમાં સામેલ છે જેમને કર્ણાટકમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે વિશેષ સઘન પુનરીક્ષણ પ્રક્રિયા હેઠળ નોટિસ મોકલવામાં આવી રહી છે.</p><p style="text-align: justify; ">‘નો મેપિંગ’ અને ‘વિસંગતિ’ જેવી શ્રેણીઓ હેઠળ અત્યાર સુધીમાં 43.81 લાખથી વધુ નોટિસ જારી કરવામાં આવ્યા છે, જેમાંથી 7.31 લાખથી વધુ નોટિસની તામિલી થઈ ચૂકી છે. મતદાર યાદીમાં દાવા અને વાંધાઓના નિકાલની પ્રક્રિયા 24 ઓગસ્ટથી 22 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે.</p><p style="text-align: justify; ">આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કર્ણાટકની અંતિમ મતદાર યાદી 27 ઓક્ટોબરે પ્રકાશિત કરવામાં આવશે. હેરેકલા હજબ્બાના મામલાએ એકવાર ફરી મતદાર યાદીમાં માહિતીની ચોકસાઈ અને દસ્તાવેજોની યોગ્ય નોંધણી અંગે ચર્ચા જગાવી છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/fYZQDUUgJagrazv6O4cU2ti2cTesiUt1Llx6u1an.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News : વેપારીને 7 દિવસમાં 90 ટકા રિફંડ મળશે, ડિસ્કાઉન્ટને કરાર સાથે જોડવાની શરત દૂર કરાશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-gst-bill-proposes-90--refund-within-7-days</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-gst-bill-proposes-90--refund-within-7-days</guid><pubDate>Tue, 08 Sep 2026 08:58:17 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ-2017ની કલમ 15(3) હેઠળ અત્યારે વેચાણ કે ખરીદીના તબક્કે ડિસ્કાઉન્ટ આપવા માટેની યોજના કે શરત નક્કી હોવી ફરજિયાત છે.જેથી પાછળથી રિટેલર વેપારી માલનું વેચાણ ન કરી શકે તેવી સ્થિતિમાં વેચનાર ઉત્પાદક કે પછી હોલસેલર ડિસ્કાઉન્ટ આપે તોપણ તે જીએસટીના દાયરામાં આવે છે.જેના કારણે સરવાળે સૌને અર્થાત્ ગ્રાહક સુધીની ચેનલને નુકસાન ઉઠાવવું પડે છે.આવી વિચિત્ર પરિસ્થિતિને ઉકેલવા નાણાપ્રભારી કનુભાઈ દેસાઈ બુધવારથી મળી રહેલા વિધાનસભાના ચોમાસું સત્રમાં ઉપરોક્ત કાયદામાં સુધારા વિધેયક રજૂ કરશે.</p><p><img alt="GST" src="https://epapercdn.sandesh.com/images/2026/09/08/Yfd5WtjJliesauEzBJI87F4jGVcARKeA02vACRTa.webp" style="width: 100%;"><br></p><h2><b>યોજના કે શરત અંગે પૂર્વશરતને રદ કરવામાં આવશે</b></h2><p>ગુજરાત જીએસટી એક્ટમાં સુધારા માટે વિધાનસભા પટલ ઉપર મુકાયેલા વિધેયકમાં કુલ ચાર મોટા ફેરફાર સૂચવાયા છે.જેમાં કલમ 15(3)માં ડિસ્કાઉન્ટ આપવાની યોજના કે શરત અંગે પૂર્વશરતને રદ કરવામાં આવશે.જેથી વેપારીઓને વેચાણવૃદ્ધિ માટે નાની સ્કીમ કે ડિસ્કાઉન્ટ માટે પહેલેથી કાયદાકીય કરાર કે કાગળિયાં કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. વેપારી માંગ, સ્ટોક ખાલી કરવા કે ફેસ્ટિવલ સ્કીમ માટે ત્વરિત અને મુક્તપણે ડિસ્કાઉન્ટ આપી શકશે.આ પરિસ્થિતિમાં વેપારીઓને ટેક્સની બચત થશે.&nbsp;</p><p><img alt="GST સુધારો" src="https://epapercdn.sandesh.com/images/2026/09/08/aM22T4tPzs37eeADqdtTBAKG1fFF6LirBPopCsEa.webp" style="width: 100%;"><br></p><h2><b>જેઓ નિકાસ કરે છે તેમને મોટા પાયે લાભ થશે</b></h2><p>તેનો સીધો લાભ ગ્રાહકો સુધી પહોંચતાં સામાન્ય નાગરિકોને પણ સ્પર્ધાત્મક ભાવે ઓછી કિંમતે વસ્તુઓ મળતાં બજારની તરલતા વધશે. વેચાણ પછીના ડિસ્કાઉન્ટ માટે કાયદામાં ક્રેડિટ નોટની જોગવાઈ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત હાલમાં જે રીતે અરજીથી 60 દિવસમાં રિફંડની જોગવાઈ છે અને નિકાસલક્ષી વેપારોમાં ૭ દિવસમાં 90 ટકા પ્રોવિઝનલ રિફંડ ચૂકવાય છે, તેવી જ રીતે ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરમાં પણ સાત દિવસમાં 90 ટકા રિફંડ આપવા કલમ-54માં સુધારામાં આવશે. જેનાથી હેન્ડીક્રાફ્ટથી લઈને નાના ઉત્પાદકો અને વિક્રેતાઓ કે જેઓ નિકાસ કરે છે તેમને મોટા પાયે લાભ થશે.<br><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/vanzari-primary-school-controversy-deo-action-against-principal" target="_blank">આ પણ વાંચોઃ Junagadh: વણઝારી પ્રાથમિક શાળામાં ગેરકાયદે ઉર્ષની રસોઈ મામલે DEO દોડ્યા, આચાર્ય સામે સસ્પેન્શન સહિતની કાર્યવાહીની તૈયારી</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/PrTwBjPjp0MxL27LA2JieMvTFl8P0LUgoCZWOYdW.webp'/></item><item><title><![CDATA[UP: બાગપતમાં ભયાનક અકસ્માત, ગોગામેડી દર્શન કરી પરત ફરી રહેલા બદાયૂંના 13 શ્રદ્ધાળુઓના મોત ]]></title><link>https://sandesh.com/india/news/baghpat-road-accident-13-pilgrims-killed-up</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/baghpat-road-accident-13-pilgrims-killed-up</guid><pubDate>Tue, 08 Sep 2026 08:07:39 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે પર સોમવારે મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનના ગોગામેડી ખાતે જહરવીર બાબાના દર્શન કરીને પોતાના વતન બદાયૂં પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની પિકઅપ ગાડીને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટનામાં બદાયૂં જિલ્લાના 13 શ્રદ્ધાળુઓનાં ઘટનાસ્થળે જ કે સારવાર દરમિયાન કમનસીબ મોત નીપજ્યાં હતાં, જ્યારે 20 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.</p><h2 style="text-align: justify; "><b>100થી વધુ શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા દર્શને&nbsp;</b></h2><p style="text-align: justify; ">પ્રાપ્ત માહિતી અનુસાર, બદાયૂં જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતા ગામોના 100 થી વધુ શ્રદ્ધાળુઓ ચાર પિકઅપ ટ્રકમાં સવાર થઈને આસ્થાની યાત્રાએ ગયા હતા. દર્શન પૂર્ણ કરી પરત ફરતી વેળાએ બાગપત પાસે આ હોનારત સર્જાઈ હતી. મૃતકોમાં અલાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના અલ્લાપુર ચમારી ગામના સાત લોકોનો સમાવેશ થાય છે, જેમાં જયસિંહ ઉર્ફે સાધુ, તેમના પત્ની મુન્ની દેવી, પ્રેમ સિંહ, ભગવતી (પત્ની ચિત્રપાલ), મૂર્તિ (પત્ની થાન સિંહ), રામેશ્વર અને અવનિશ સામેલ છે.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sirajnoorani/status/2097097175364968842"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h3 style="text-align: justify; "><b>ભયાનક અકસ્માતમાં બદાયૂંના 13 લોકોના મોત</b></h3><p style="text-align: justify; ">આ ઉપરાંત, અન્ય વિસ્તારોમાંથી પણ કેટલાક પરિવારોના સભ્યો ભોગ બન્યા હતા. જેમાં જરીફનગર પોલીસ સ્ટેશન વિસ્તારના મદારપુર ગામના નેમપાલનો 12 વર્ષનો પુત્ર જીતેન્દ્ર અને બીનાવર પોલીસ સ્ટેશન વિસ્તારના રસુલ ગામના આનંદ વીરનો 17 વર્ષનો પુત્ર મુનીમ પણ મૃત્યુ પામનારાઓમાં સામેલ છે. આ અચાનક થયેલી આફતથી મૃતકોના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.</p><h4 style="text-align: justify; "><b>ઘાયલોની સારવાર અને પ્રશાસનિક સહાય</b></h4><p style="text-align: justify; ">આ ભયાનક અકસ્માતમાં ૨૦ થી વધુ શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ થનારાઓમાં માનસી, સુલતાનશ્રી, પ્રેમવતી, નેપાળ, અનમોલ, આનંદ વીર, છત્રપાલ, દિલીપ, યાદરામ, ખુશી, સોની, પ્રદીપ, કુંવરપાલ, મહેશાદેવી, અખિલેશ, સિંધુ, થાન સિંહ, રાજેશ્વર, કલ્લો, જગદીશનો પુત્ર અખિલેશ અને અરુણ કુમારનો સમાવેશ થાય છે.</p><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને પ્રશાસન તાત્કાલિક ધોરણે હરકતમાં આવ્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની વિશેષ સારવાર ચાલી રહી છે. વહીવટી તંત્ર દ્વારા પીડિત પરિવારજનોને શક્ય તમામ મદદ અને સાંત્વના આપવામાં આવી રહી છે. ધાર્મિક આસ્થા સાથે નીકળેલી આ યાત્રા અંતમાં આખા પરિવાર અને ગામ માટે કાળમીંઢ રાત્રિ સાબિત થઈ, જેને કારણે સમગ્ર બદાયૂં પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/weather-update-heavy-rain-alert-15-states-flood-bihar-mp" target="_blank">આ પણ વાંચોઃ Weather Update : બિહારથી લઇને MP સુધી પૂરની પરિસ્થિતિ, આજે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/UN5ciWynByNj3yHEmWQwBYUU0kbuqJkFiyJ04uJj.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: રાજ્યમાં ચોમાસામાં ઘેર ઘેર માંદગીની સ્થિતિ, ભારે તાવના આઠ મહિનામાં 45 હજાર કેસ નોંધાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-records-45-272-severe-fever-emergency-cases-in-8-months</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-records-45-272-severe-fever-emergency-cases-in-8-months</guid><pubDate>Tue, 08 Sep 2026 07:32:07 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ સહિત રાજ્યભરમાં ચોમાસાની સિઝનમાં અત્યારે નહિવત વરસાદ વચ્ચે ડેન્ગ્યુ-મેલેરિયા સહિત ભારે તાવ, વાયરલ ફીવરને લગતાં કેસોનો સકંડો કસાયો છે. ઘેર ઘેર માંદગીના અહેવાલ હોય તેવી સ્થિતિ છે.આ તરફ ગુજરાતમાં વર્ષ 2026ના 8 મહિનામાં ભારે તાવની મેડિકલ ઇમરજન્સીના 45272 કેસ નોંધાયા છે.ગત વર્ષે 2025માં આ જ સમયગાળામાં 41494 ઇમરજન્સી કેસ હતા.આમ ગત વર્ષની સરખામણીએ ગુજરાતમાં ભારે તાવની મેડિકલ ઇમરજન્સીમાં 9.18 ટકાનો વધારો થયો છે,આ માત્ર 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલે પહોંચેલા દર્દીના આંકડા છે.આ સિવાય અન્ય સરકારી ખાનગી હોસ્પિટલો, ક્લિનિકોમાં ભારે તાવ, વાયરલ ફીવરના કેસની સંખ્યા અત્યારે મોટા પાયે જોવા મળી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>ઓગસ્ટમાં સિવિલમાં જ ડેન્ગ્યુના 90થી વધુ દર્દી નોંધાયા</b></h2><p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં 8 મહિનામાં ભારે તાવના કારણે 108 એમ્બ્યુલન્સ મારફતે 100078 લોકોને વિવિધ હોસ્પિટલે ખસેડીને સારવાર આપવામાં આવી છે.આ તરફ અમદાવાદની અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનામાં ભારે તાવ સહિત વાયરલ ફીવરને લગતાં 230થી વધુ દર્દીઓને સારવાર આપવામાં આવી છે.ઓગસ્ટમાં સિવિલમાં જ ડેન્ગ્યુના 90થી વધુ દર્દી નોંધાયા છે. ચિકનગુનિયાના 144  કેસ છે. દિવસની ઓપીડીમાં 22 હજાર જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવી છે જ્યારે 229થી વધુ દર્દીને દાખલ કરીને સારવાર અપાઈ ચૂકી છે.</p><h3 style="text-align: justify; "><b>પાણીજન્ય સંક્રમણના કેસ જોવા મળી રહ્યા છે</b></h3><p style="text-align: justify; ">સ્વાઈન ફલૂના શંકાસ્પદ કેસનું પ્રમાણમાં વધી ગયું છે. સિવિલમાં સ્વાઈન ફલૂના ત્રણ જેટલા પોઝિટિવ કેસ આવ્યા હતા.સોલા સિવિલમાં સપ્તાહમાં 8 પોઝિટિવ કેસ થયા છે. જ્યારે શંકાસ્પદ કેસોનો આંકડો 30ને પાર જોવા મળ્યો છે.સોલા સિવિલમાં ડેન્ગ્યુના જ એક સપ્તાહમાં 11થી વધુ કેસ સામે આવ્યા છે.એકંદરે અત્યારે મચ્છરજન્ય તો ક્યાંક પાણીજન્ય સંક્રમણના કેસ જોવા મળી રહ્યા છે.108 ઇમરજન્સી ડેટા પ્રમાણે વર્ષ 2026માં સુરતમાં 6752 ભારે તાવના ઇમરજન્સી કેસ આવ્યા છે.ગત વર્ષે 8 મહિનામાં 6228 દર્દી હતાં. આમ ઇમરજન્સીમાં 8.81 ટકાનો વધારો નોંધાયો છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ઉલટી ઉબકાની ફરિયાદો દર્દીઓમાં જોવા મળી રહી છે</b></h2><p style="text-align: justify; ">ભાવનગરમાં ભારે તાવની ઇમરજન્સી 19.52 ટકા વધી છે.એ જ રીતે મહેસાણામાં ભારે તાવના ઇમરજન્સી કેસમાં 36 ટકા,દેવભૂમિ દ્વારકામાં 37.5 ટકા, ગીર સોમનાતમાં 36.15 ટકા, કચ્છ જિલ્લામાં 120.48 ટકા, ખેડામાં 37.48 ટકા, મોરબીના જિલ્લામાં 21.82 ટકા, મોરબીમાં 53.11 ટકા, પંચમહાલ જિલ્લામાં 36.35 ટકા, પોરબંદરમાં 36.88 ટકા, સાબરકાંઠા જિલ્લામાં 45.33 ટકા, તાપી જિલ્લામાં 15.82 ટકા એમ એકંદરે ગત વર્ષની સરખામણીએ ભારે તાવની લગતી ઇમરજન્સી 9.18 ટકા જેટલી વધી છે.ભારે તાવની સ્થિતિમાં ખૂબ ઠંડી લાગવી, તીવ્ર માથાનો દુખાવો, સ્નાયુઓ અને સાંધામાં અસહ્ય દુખાવો, અતિશય પરસેવો વળવો, ચક્કર આવવા, અશક્તિ, ભૂખ ન લાગવી તેમજ ઉલટી ઉબકાની ફરિયાદો દર્દીઓમાં જોવા મળી રહી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bharuch/mega-camp-organized-to-bring-benefits-of-government-schemes-to-citizens" target="_blank">આ પણ વાંચોઃ નાગરિકો સુધી સરકારી યોજનાનો લાભ પહોંચાડવા મેગા કૅમ્પ યોજાયો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/WAwlwX5ghlQEL6owyM7wqb8juD6Q2NZG70zPUucL.webp'/></item><item><title><![CDATA[Malaysia : 72 વર્ષના ફૂટબોલ દિગ્ગજે 20 વર્ષની યુવતી સાથે કર્યા લગ્ન, તસવીરો વાયરલ થતાં પરિવારે કરી પુષ્ટિ ]]></title><link>https://sandesh.com/world/news/sports/malaysia-football-legend-abdul-alif-marriage-72-year-old-20-year-old-wife</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/sports/malaysia-football-legend-abdul-alif-marriage-72-year-old-20-year-old-wife</guid><pubDate>Mon, 07 Sep 2026 23:00:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મલેશિયન ફૂટબોલના દિગ્ગજ અને પૂર્વ હરિમાઉ મલાયા સ્ટાર દાતુક અબ્દુલ અલિફે 72 વર્ષની ઉંમરે પોતાના જીવનનો નવો અધ્યાય શરૂ કર્યો છે. સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો વાયરલ થયા બાદ તેમના પરિવારે લગ્નની સત્તાવાર પુષ્ટિ કરી છે. અહેવાલ મુજબ 27 ઓગસ્ટે યોજાયેલા ખાનગી સમારંભમાં અબ્દુલ અલિફે પોતાની જીવનસંગિની સાથે નિકાહ કર્યા હતા. તેમની પત્નીની ઉંમર 20 વર્ષ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>લગ્નની ખબર કોણે કરી કન્ફર્મ?</b></h2><p style="text-align: justify; ">અબ્દુલ અલિફના નાના ભાઈ અને પૂર્વ ખેલાડી તથા કોચ દાતુક યુનુસ અલિફે લગ્નની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે 27 ઓગસ્ટે બંનેના લગ્ન થયા હતા અને બંને પરિવારોની સંમતિ તથા આશીર્વાદ સાથે આ સંબંધ બંધાયો છે. પરિવાર દ્વારા નવદંપતીના સુખી દાંપત્ય જીવન માટે શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>ફોન નહીં ઉઠાવતા ભાઈએ શું કહ્યું?</b></h3><p style="text-align: justify; ">લગ્ન બાદ અબ્દુલ અલિફ મીડિયા સંપર્કમાં ન આવતા તેમના ભાઈ યુનુસ અલિફે જણાવ્યું હતું કે તેઓ સંભવતઃ હનીમૂન પર હોવાથી ફોનનો જવાબ આપી શકતા નથી.જોકે પરિવારે સ્પષ્ટ કર્યું છે કે બંનેના નિકાહ થઈ ચૂક્યા છે અને પરિવાર તરફથી બંનેને શુભકામનાઓ આપવામાં આવી છે.</p><h4 style="text-align: justify; "><b>મલેશિયન ફૂટબોલના દિગ્ગજ રહ્યા છે અબ્દુલ અલિફ</b></h4><p style="text-align: justify; ">અબ્દુલ અલિફ મલેશિયન ફૂટબોલ ઇતિહાસના જાણીતાં ખેલાડીઓમાં સામેલ રહ્યા છે. 1970ના અંતિમ વર્ષો અને 1980ના શરૂઆતના સમયમાં મલેશિયન ફૂટબોલના સફળ સમયગાળામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.તેઓ તે મલેશિયન ટીમના સભ્ય હતા જેણે ક્વોલિફાઇંગ મેચમાં દક્ષિણ કોરિયાને 2-1થી હરાવી 1980ના મોસ્કો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું.</p><h4 style="text-align: justify; "><b>ઓલિમ્પિક રમવાનું સપનું કેમ અધૂરું રહ્યું?</b></h4><p style="text-align: justify; ">મલેશિયાએ સોવિયેત સંઘના અફઘાનિસ્તાન પરના આક્રમણના વિરોધમાં 1980ના મોસ્કો ઓલિમ્પિકનો બહિષ્કાર કર્યો હતો. જેના કારણે અબ્દુલ અલિફ સહિત અનેક ખેલાડીઓનું ઓલિમ્પિકમાં રમવાનું સપનું અધૂરું રહી ગયું હતું. લાંબા સમય સુધી વ્યાવસાયિક ફૂટબોલ અને મીડિયા લાઇમલાઇટથી દૂર રહ્યા બાદ આ દિગ્ગજ ખેલાડી હવે પોતાના અંગત જીવનના નવા નિર્ણયને કારણે ફરી ચર્ચામાં આવ્યા છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">&nbsp; આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-gujarat-drowning-deaths-1999-river-lake-check-dam-water-safety" target="_blank"><b>Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/oQuxxQEBdhQdWmZFxk2LOPbwDJRpf6zDEmwi2pJ3.webp'/></item></channel></rss>