<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[UP Flood : યુપીમાં પૂર બન્યું આફત! 16,784 લોકોને સલામત સ્થળે ખસેડાયા, રેસ્ક્યૂ ઓપરેશન તેજ ]]></title><link>https://sandesh.com/india/news/up-flood-16784-people-rescued</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/up-flood-16784-people-rescued</guid><pubDate>Thu, 03 Sep 2026 10:05:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આ સિઝનમાં ઉત્તર પ્રદેશના 35 જિલ્લા પૂરથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 23 જિલ્લાઓમાં હજુ પણ પૂરનું સંકટ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 16,784 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે, જેમાંથી 3,042 લોકોને બુધવારે બચાવવામાં આવ્યા હતા. વરસાદને લગતી ઘટનાઓમાં 3 લોકોના મોત થયા છે. પ્રતાપગઢમાં 18 મહિનાના પ્રિયાંશનું, જ્યારે અમરોહાના ગજરૌલામાં 32 વર્ષના શેરા અને 55 વર્ષના સુરેશનું મોત થયું છે.</p><h2 style="text-align: justify; "><b>ચિત્રકૂટમાં સ્થિતિ વધુ ગંભીર</b></h2><p style="text-align: justify; ">અધિકારીઓએ જણાવ્યું કે ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લામાં મંદાકિની નદીનું પાણીનું સ્તર અચાનક વધવાથી અનેક ગામો પૂરથી ઘેરાઈ ગયા છે. ત્યારબાદ વહીવટીતંત્રે લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાનું શરૂ કર્યું છે. મધ્ય પ્રદેશની સરહદ સાથે જોડાયેલા આ જિલ્લામાં મંદાકિની નદીનું પાણીનું સ્તર 129.2 મીટર નોંધાયું છે.</p><h3 style="text-align: justify; "><b>ચિત્રકૂટના 36 ગામોમાં પૂરથી 14,000 લોકો અસરગ્રસ્ત</b></h3><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ જિલ્લામાં આવેલા 36 ગામોમાં 14,000 લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે. તેમાં કરવી તાલુકાના 19 ગામ, માનિકપુરના 10 ગામ અને રાજાપુર તાલુકાના 7 ગામ સામેલ છે. અનેક વિસ્તારોમાં પૂરનું પાણી ઘરો અને દુકાનોમાં ઘૂસી ગયું છે, જેના કારણે લોકોને ઊંચા સ્થળોએ જવાની ફરજ પડી છે. જ્યાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે અને વાહનોની અવરજવર શક્ય નથી, ત્યાં લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવા માટે હોડીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.</p><h4 style="text-align: justify; "><b>કયા જિલ્લાઓ પૂરથી અસરગ્રસ્ત છે?</b></h4><p style="text-align: justify; ">રાજ્ય સરકારે એક નિવેદનમાં જણાવ્યું કે હાલમાં અયોધ્યા, આઝમગઢ, બલિયા, બારાબંકી, બદાયૂં, ચંદૌલી, ચિત્રકૂટ, ફર્રુખાબાદ, ગાઝીપુર, ગોરખપુર, હાપુડ, હરદોઈ, કાસગંજ, લખીમપુર ખેરી, મિર્ઝાપુર, મુરાદાબાદ, પ્રયાગરાજ, સંત કબીર નગર, શાહજહાંપુર, સીતાપુર, ઉન્નાવ અને વારાણસી સહિત 23 જિલ્લાઓમાં સ્થિતિ ખરાબ છે. નિવેદન અનુસાર પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 1,528 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. રાહત કામગીરી માટે સેંકડો હોડીઓ, પૂર રાહત કેન્દ્રો અને તબીબી ટીમો તૈનાત કરવામાં આવી છે.</p><h4 style="text-align: justify; "><b>પૂરગ્રસ્ત લોકોને બચાવવા તંત્રની ઝડપી કામગીરી</b></h4><p style="text-align: justify; ">અધિકારીઓના જણાવ્યા અનુસાર મંગળવારે કુલ 742 પૂર રાહત કેન્દ્રો, 452 હોડીઓ અને મોટરબોટ તેમજ 225 તબીબી ટીમો કામ કરી રહી હતી. જ્યારે 105 રાહત શિબિરોમાં 2,460 લોકો રહેતા હતા. ચિત્રકૂટમાંથી મળેલા અહેવાલ મુજબ પહાડી પોલીસ મથક વિસ્તારના ચૌરા ગામમાં મંદાકિની નદીનું પાણી અચાનક વધવાથી ફસાયેલા આશરે 150 લોકોને બચાવવામાં આવ્યા હતા. પીએસીની પૂર રાહત ટુકડીએ સ્થાનિક વહીવટીતંત્રની મદદથી મોટરબોટનો ઉપયોગ કર્યો અને લોકોને ભોજન, રાહત સામગ્રી તેમજ તબીબી સહાય પૂરી પાડી.</p><h4 style="text-align: justify; "><b>બલિયા સૌથી વધુ અસરગ્રસ્ત</b></h4><p style="text-align: justify; ">બલિયા ઉત્તર પ્રદેશના પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં સામેલ છે. ગંગા અને સરયુ નદીનું પાણીનું સ્તર વધવાથી સદર, બૈરિયા અને બાંસડીહ તાલુકાના ગામો તથા શહેરી વિસ્તારોમાં આશરે 20,500 લોકો અસરગ્રસ્ત થયા છે. બલિયા જિલ્લા વહીવટીતંત્રે 6,500 રાશન કિટ, 33,843 દવા કિટ અને તૈયાર ભોજનના 83,092 પેકેટનું વિતરણ કર્યું છે.</p><h4 style="text-align: justify; "><b>પીલીભીતમાં નદીઓનું જળસ્તર વધતાં પૂરનો ખતરો વધ્યો</b></h4><p style="text-align: justify; ">પીલીભીતમાં ભારે વરસાદ અને બંધમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ શારદા, દેવહા અને ખકરા નદીઓનું પાણીનું સ્તર વધવાથી પૂરનો ખતરો વધી ગયો છે. બનબસા બેરેજમાંથી શારદા નદીમાં 2 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું છે, જ્યારે નાનક સાગર બંધમાંથી દેવહા નદીમાં 30 હજાર ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું છે.</p><h4 style="text-align: justify; "><b>લખીમપુર ખેરીમાં રાહત કામગીરી તેજ</b></h4><p style="text-align: justify; ">લખીમપુર ખેરીમાં જિલ્લા અધિકારી અજની કુમાર સિંહે મોહના નદીના ગિરજા બેરેજના એફ્લક્સ બંધ પર પૂર અને જમીન ધોવાણ રોકવા માટે ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું. તેમણે એન્જિનિયરોને 24 કલાક કામ કરવાનો આદેશ આપ્યો અને પાણીમાં ડૂબેલા વિસ્તારમાં આવેલા આશરે એક ડઝન ઘરોના રહેવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડવાનો આદેશ આપ્યો.</p><h5 style="text-align: justify; "><b>ગાઝિયાબાદમાં ભારે વરસાદને લઈને યેલો એલર્ટ</b></h5><p style="text-align: justify; ">ગાઝિયાબાદ જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું કે હવામાન વિભાગે 4 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ અને વીજળી પડવાની શક્યતાને લઈને યેલો એલર્ટ જાહેર કર્યું છે. વહીવટીતંત્રે લોકોને બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપી છે. લોકોને જર્જરિત ઇમારતો, વૃક્ષો અને વીજળીના થાંભલા અથવા વાયરથી દૂર રહેવા તેમજ ખરાબ હવામાન દરમિયાન બાળકો અને વૃદ્ધોને ઘરની અંદર જ રાખવા જણાવાયું છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/who-is-sharon-verma-samay-raina-igl" target="_blank">આ પણ વાંચો-Samay Rainaના IGLથી રાતોરાત સ્ટાર બનેલી બિહારની શેરોન વર્મા કોણ છે? કન્ટેસ્ટન્ટથી જજ સુધીની સફર</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/xdbJjfXclZ5l35jMUGd6b9J09zWgt20hg6dmzoFU.webp'/></item><item><title><![CDATA[Ahmedabadમાં VVIP મસ્તાંગ કારમાં આદિત્ય રાઠોડનો આતંક, રોંગ સાઈડમાં કાર ઠોકી યુવકને લાફા ઝીંક્યા, પોલીસે ઝડપ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/aditya-rathores-terror-in-vvip-mustang-car-in-ahmedabad-he-hit-the-car-on-the-wrong-side-and-slapped-the-youth-caught-by-the-police</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/aditya-rathores-terror-in-vvip-mustang-car-in-ahmedabad-he-hit-the-car-on-the-wrong-side-and-slapped-the-youth-caught-by-the-police</guid><pubDate>Thu, 03 Sep 2026 10:05:43 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરના પોશ વિસ્તાર ગણાતા નવરંગપુરામાં આવેલા ગિરીશ કોલ્ડ્રિંક્સ ચાર રસ્તા પાસે કારચાલકની દાદાગીરીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભૂતકાળમાં પણ વિવાદોમાં આવી ચૂકેલો આદિત્ય રાઠોડ પોતાની GT Mustang કાર લઈને રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો, તે સમયે અકસ્માત સર્જાયો હતો. કાર અથડાયા બાદ પોતાની ભૂલ સ્વીકારવાના બદલે આદિત્ય રાઠોડે સામેવાળા વાહનચાલક સાથે ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી કરીને રસ્તા વચ્ચે જ ધમાલ મચાવી હતી.</p><h2><b>લાફા-ફેટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી</b></h2><p>આ સમગ્ર ઘટના અંગે પીડિત વાહનચાલક જય દિનેશભાઈ દેસાઈએ પોલીસ સમક્ષ આપવીતી રજૂ કરી હતી. અકસ્માત બાદ આદિત્ય રાઠોડ કારમાંથી નીચે ઉતરીને અચાનક ઉશ્કેરાઈ ગયો હતો અને ઝપાઝપી પર ઉતરી આવ્યો હતો. તેણે ફરિયાદી જય દેસાઈને લાફા-ફેટ મારીને જાહેર રસ્તા પર જાનથી મારી નાખવાની ગંભીર ધમકીઓ આપી હતી. આ ઘટનાને પગલે આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા અને ભોગ બનનારે નવરંગપુરા પોલીસ મથકે પહોંચીને કાયદેસરની રજૂઆત કરી હતી.</p><h2><b>આદિત્ય રાઠોડ સામે નવરંગપુરા પોલીસની કાર્યવાહી</b></h2><p>અત્રે ઉલ્લેખનીય છે કે, રોંગ સાઈડમાં કાર ચલાવી બબાલ કરનાર આદિત્ય રાઠોડ અમદાવાદના કુખ્યાત બુટલેગર કિશોર લંગડાનો પૌત્ર છે. ઘટનાની જાણ થતાં જ નવરંગપુરા પોલીસની ટીમ હરકતમાં આવી હતી અને આરોપી આદિત્ય રાઠોડને અટકાયતમાં લઈ પોલીસ સ્ટેશન લાવી હતી. પોલીસે GJ-01-KW-0007 નંબરની લક્ઝુરિયસ Mustang કાર અંગે પણ તપાસ હાથ ધરી છે અને ફરિયાદીની રજૂઆતના આધારે આગળની યોગ્ય કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.</p><p><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/surat/surat-crime-branchs-big-success-absconding-accused-of-kidnapping-and-raping-15-year-old-girl-arrested-from-maharashtra" target="_blank">Surat ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા, 15 વર્ષની સગીરાના અપહરણ અને દુષ્કર્મનો ફરાર આરોપી મહારાષ્ટ્રથી ઝબ્બે</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/IjwupnKH6AaDLCkUibDImANF9kxNYH9TQCb3hAn2.webp'/></item><item><title><![CDATA[Karnatkaના બોગલકોટની શાળામાં ચાલુ ક્લાસ દરમિયાન છતના પોપડા પડ્યા, 6 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત ]]></title><link>https://sandesh.com/india/news/karnataka-bagalkot-school-roof-collapse-6-students-injured-during-class</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/karnataka-bagalkot-school-roof-collapse-6-students-injured-during-class</guid><pubDate>Thu, 03 Sep 2026 09:57:46 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કર્ણાટકના બાગલકોટ સ્થિત મુગલ્લોલ્લી તાંડાની એક સરકારી શાળામાં બુધવારે ચાલુ વર્ગખંડ દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી.શાળામાં અભ્યાસ ચાલી રહ્યો હતો તે સમયે જ છતનો એક મોટો ભાગ અચાનક નીચે પડ્યો હતો.છતનો કાટમાળ પડતાં 6 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા.જેના કારણે શાળા પરિસરમાં ભારે દોડધામ મચી ગઈ હતી.ઘટના બાદ તુરંત જ અન્ય બાળકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>છ વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાઓ પહોંચી</b></h2><p style="text-align: justify; ">બાગલકોટ જિલ્લા પંચાયતના મુખ્ય કારોબારી અધિકારી ગજાનન બાલેએ જણાવ્યું હતું કે ઈજાગ્રસ્ત તમામ છ વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાઓ પહોંચી છે.સારવાર અર્થે તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમની સારવાર કરી હતી. હાલ વિદ્યાર્થીઓની સ્થિતિ અંગે કોઈ ગંભીર ચિંતાની બાબત નથી. દુર્ઘટનાની જાણ થતાં જ વહીવટીતંત્રે શાળાની ઇમારતની સ્થિતિને ગંભીરતાથી લીધી છે.સીઈઓ ગજાનન બાલેએ પંચાયત રાજ એન્જિનિયરિંગ વિભાગના અધિકારીઓને ક્ષતિગ્રસ્ત ઇમારતની તાત્કાલિક સમારકામ કામગીરી હાથ ધરવા નિર્દેશ આપ્યા છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>વાલીઓએ અગાઉ શાળા અંગે ચિંતા વ્યક્ત કરી હતી</b></h3><p style="text-align: justify; ">ઘટના બાદ શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્ત બાળકોની મુલાકાત લઈ તેમની સારવાર અંગે ડોક્ટરો પાસેથી વિગતો મેળવી હતી.ઉલ્લેખનીય છે કે,કેટલાક વાલીઓ અગાઉ પણ શાળાની જર્જરિત હાલત અંગે ચિંતા વ્યક્ત કરી ચૂક્યા હતા.વાલીઓએ માગ કરી છે કે માત્ર અસ્થાયી રિપેરિંગના બદલે શાળાની ઇમારતનું કાયમી અને મજબૂત સમારકામ કરવામાં આવે.પ્રશાસને પણ ખાતરી આપી છે કે ક્ષતિગ્રસ્ત ભાગનું સમારકામ ત્વરિત ધોરણે શરૂ કરવામાં આવશે અને બાળકોની સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન રખાશે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/gaurang-vyas-death-pm-modi-and-cm-bhupendra-patel-pay-tribute" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: ગુજરાતના સંગીતકાર ગૌરાંગ વ્યાસનું અમૂલ્ય યોગદાન હંમેશા યાદ રહેશેઃ PM મોદી</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/uphIFdwVlVbjDVpClOnGivpaIYyLhIx2lMReCCCL.webp'/></item><item><title><![CDATA[Ahmedabadમાં ન્યૂઝીલેન્ડના વિઝાના નામે રૂ.70.55 લાખની ઠગાઈ. 'કેપિટલ ઓવરસીઝ'ના 4 સંચાલકો સામે CID ક્રાઈમમાં FIR દાખલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/rs7055-lakh-fraud-in-the-name-of-new-zealand-visa-in-ahmedabad-fir-registered-in-cid-crime-against-4-managers-of-capital-overseas</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/rs7055-lakh-fraud-in-the-name-of-new-zealand-visa-in-ahmedabad-fir-registered-in-cid-crime-against-4-managers-of-capital-overseas</guid><pubDate>Thu, 03 Sep 2026 09:10:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં વિદેશ મોકલવાના બહાને નિર્દોષ નાગરિકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડીનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. શહેરની 'કેપિટલ ઓવરસીઝ' નામની કન્સલ્ટન્સી એજન્સી દ્વારા ન્યૂઝીલેન્ડના વર્ક પરમિટ વિઝા આપવાની લાલચ આપીને નિર્દોષ લોકો પાસેથી કુલ રૂ.70.55 લાખની માતબર રકમ પડાવી લેવામાં આવી છે. વિદેશ જઈને રોજગારી મેળવવાનું સ્વપ્ન સેવતા અરજદારો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવ્યા બાદ વિઝા ન આપીને તેમની સાથે મોટો વિશ્વાસઘાત આચરવામાં આવ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>'કેપિટલ ઓવરસીઝ'ના 4 સંચાલકો સામે ગુનો દાખલ</b></h2><p style="text-align: justify; ">આ સમગ્ર કૌભાંડમાં સંકળાયેલા 'કેપિટલ ઓવરસિસ'ના મુખ્ય સંચાલકો વૈભવ પ્રજાપતિ, અખિલ ચાતુર, ઓઈસઅલી હસનવાલા અને અહેમદ અફલાક વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધવામાં આવી છે. આ આરોપીઓએ ન્યૂઝીલેન્ડમાં આકર્ષક નોકરી અને વર્ક પરમિટ વિઝા અપાવવાની ખોટી ખાતરીઓ આપીને અરજદારો પાસેથી તબક્કાવાર લાખો રૂપિયા મેળવી લીધા હતા. સમયમર્યાદા પૂરી થયા બાદ પણ વિઝા ન મળતા અને નાણાં પરત આપવામાં બહાનાબાજી કરતા ભોગ બનનારાઓએ આખરે કાનૂની રસ્તો અપનાવ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>CID ક્રાઈમે કાયદેસરની કાર્યવાહી કરી તપાસ લંબાવી</b></h2><p style="text-align: justify; ">ભોગ બનનાર નાગરિકોની રજૂઆતના આધારે આ મામલે સીઆઈડી ક્રાઈમ (CID Crime) ખાતે ચારેય આરોપીઓ વિરુદ્ધ વિધિવત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સીઆઈડી ક્રાઈમની ટીમે એજન્સીના દસ્તાવેજો, બેંક ખાતાઓ અને નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ ઠગ ટોળકી દ્વારા અન્ય લોકો સાથે પણ આ પ્રકારની છેતરપિંડી આચરવામાં આવી છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/former-dysp-ashok-singh-chauhan-denied-bail" target="_blank">Ahmedabad News: નહેરુનગર જમીન વિવાદ કેસમાં પૂર્વ DySP અશોકસિંહ ચૌહાણને મોટો ઝટકો</a></b></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/U9bZUHJlfaXZOWkXW4JFqMxD8WHDVTja60yICHXt.webp'/></item><item><title><![CDATA[Banaskanthaમાં ફૂડ સેફ્ટી વિભાગનો સૌથી મોટો સપાટો, ફેલ સેમ્પલ મામલે 14 પેઢીઓને રૂ.54 લાખનો જંગી દંડ ફટકાર્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/banaskantha/food-safety-departments-biggest-crackdown-in-banaskantha-14-firms-fined-rs-54-lakh-for-failed-samples</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/banaskantha/food-safety-departments-biggest-crackdown-in-banaskantha-14-firms-fined-rs-54-lakh-for-failed-samples</guid><pubDate>Thu, 03 Sep 2026 09:07:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બનાસકાંઠા જિલ્લામાં પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતા અને ફૂડ સેફ્ટી નિયમોનું ઉલ્લંઘન કરતા વેપારીઓ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેબોરેટરી ચકાસણી દરમિયાન નાપાસ (ફેલ) જાહેર થયા હતા. આ ગંભીર બેદરકારી બદલ અધિક કલેક્ટરની કોર્ટ દ્વારા કડક વલણ અપનાવીને કુલ 14 કેસોમાં રૂ. 54 લાખનો ભારે દંડ ફટકારવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>પાલનપુર, ડીસા અને અંબાજીની પેઢીઓ સામે મોટો સપાટો</b></h2><p style="text-align: justify; ">આ કડક કાનૂની કાર્યવાહી અંતર્ગત જિલ્લાના મુખ્ય વેપારી મથકો જેવા કે પાલનપુર, ડીસા અને યાત્રાધામ અંબાજી સ્થિત વિવિધ ખાદ્ય સામગ્રીનું વેચાણ કરતી પેઢીઓ સામે કાયદેસરના પગલાં લેવાયા છે. લોકોના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક અને નિમ્ન ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી આ એજન્સીઓ તેમજ દુકાનો સામે તપાસ બાદ આ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. તંત્રના આ પગલાંથી નિયમોનું પાલન ન કરતી પેઢીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ, તંત્રની કાર્યવાહી ચાલુ રહેશે</b></h2><p style="text-align: justify; ">એકસાથે 14 જેટલા કેસોમાં રૂ. 54 લાખનો માતબર દંડ ફટકારાતા બનાસકાંઠા જિલ્લાના ભેળસેળિયા અને અપ્રમાણિક વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. અધિક કલેક્ટર કોર્ટના આ નિર્ણાયક હુકમથી ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારાઓને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે. ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ આવી ચેકિંગ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે, જેથી નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત આહાર મળી રહે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/rs7055-lakh-fraud-in-the-name-of-new-zealand-visa-in-ahmedabad-fir-registered-in-cid-crime-against-4-managers-of-capital-overseas" target="_blank">Ahmedabadમાં ન્યૂઝીલેન્ડના વિઝાના નામે રૂ.70.55 લાખની ઠગાઈ. 'કેપિટલ ઓવરસીઝ'ના 4 સંચાલકો સામે CID ક્રાઈમમાં FIR દાખલ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/lKyR5rwiAFdmHc0FT6GKMhXtiVdiqcFoI07UMqry.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: નહેરુનગર જમીન વિવાદ કેસમાં પૂર્વ DySP અશોકસિંહ ચૌહાણને મોટો ઝટકો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/former-dysp-ashok-singh-chauhan-denied-bail</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/former-dysp-ashok-singh-chauhan-denied-bail</guid><pubDate>Thu, 03 Sep 2026 08:40:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નહેરુનગર બસ સ્ટેન્ડ પાછળ આવેલી કરોડો રૂપિયાની વિવાદાસ્પદ જમીન ખાલી કરાવવાના મામલે જાહેરમાં ફાયરિંગ કરનાર નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણની ચાર્જશીટ બાદ કરેલી જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે.કોર્ટ નોંધ્યું હતું કે આરોપી સામેના આક્ષેપો ગંભીર છે.તેઓએ ફરિયાદીને એવી ધમકી આપી હતી કે તેમના પિતા પિસ્તોલ લઈને આવી રહ્યા છે. જે સ્પષ્ટ કરે છે કે તેઓ પોતાના પિતાના કૃત્ય અને હથિયાર લાવવા અંગે અગાઉથી પૂરેપૂરા માહિતગાર હતા.</p><h2 style="text-align: justify; "><b>અશોકસિંહ ચૌહાણે જામીન મેળવવા માટે અરજી કરી</b></h2><p style="text-align: justify; ">કોર્ટે કહ્યું હતું કે, ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખતાં જામીન આપી શકાય નહીં.હવે આરોપી ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરશે.આરોપી પૂર્વ ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણે જામીન મેળવવા માટે અરજી કરીને કોર્ટને જણાવ્યું હતું કે,આ સમગ્ર મામલો જમીન વિવાદને લગતો છે અને આરોપી સંપૂર્ણપણે નિર્દોષ છે.નહેરુનગર જમીન વિવાદ કેસમાં ફાયરિંગ દરમિયાન કોઈને ઈજા થઈ નથી અને એફએસએલ રિપોર્ટ કે ભૌતિક પુરાવાઓથી બુલેટની દિશા કે ટ્રેજેક્ટરી સાબિત થતી નથી.વધુમાં,ચાર્જશીટ રજૂ થઈ ચૂકી છે અને કેસ અદાલતમાં પેન્ડિંગ હોવાથી જેલ એ અપવાદ અને જામીન એ નિયમ હેઠળ આરોપીને જામીન આપવા જોઈએ તેવી માંગણી કરવામાં આવી હતી.</p><h3 style="text-align: justify; "><b>શ્રીધર દેરાસરીએ આ જામીન અરજીનો વિરોધ કર્યો</b></h3><p style="text-align: justify; ">મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટ અને મૂળ હરિયાદી તરફથી શ્રીધર દેરાસરીએ આ જામીન અરજીનો વિરોધ કર્યો હતો.ફરિયાદી તરફથી આક્ષેપ કરાયો હતો કે આરોપી નિવૃત્ત ડિવાયએસપી હોવા છતાં કાયદાનો કોઈ ડર રાખ્યા વિના પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે લકઝુરિયસ કારમાં આવ્યા હતા અને જાહેર સ્થળે પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું તેમાંથી જે સાઉન્ડ સીધા હરિયાળીને નિશાન બનાવીને કરવામાં આવા હતી.પરંતુ ફરિયાદી ખસી જતાં તેમનો બચાવ થવો હતો.સમગ્ર ઘટનાને નજરે જોનાર સાથીઓના નિવેદન લેવાયા છે.<br><br><a href="https://sandesh.com/world/news/india/100-year-old-hindu-temple-demolished-in-pakistan-india-expresses-anger" target="_blank">આ પણ વાંચોઃ Pakistanમાં 100 વર્ષ જૂનું હિન્દુ મંદિર તોડાયું, ભારતે વ્યક્ત કર્યો રોષ</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/pnRO7eLch77TlkAT58xvImjcr5BXF1n597yY3khb.webp'/></item><item><title><![CDATA[Ramayan ના આ દિગ્ગજ અભિનેતા ગંભીર બીમારી સપડાતા હોસ્પિટલનું મસમોટા બિલથી પરિવાર મુશ્કેલીમાં મુકાયો, રણબીર, અક્ષય અને કાર્તિકે કરી મદદ ]]></title><link>https://sandesh.com/entertainment/news/this-veteran-actor-of-ramayan-fell-seriously-ill-and-his-family-was-in-trouble-due-to-a-huge-hospital-bill-ranbir-akshay-and-kartik-came-to-his-aid</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/this-veteran-actor-of-ramayan-fell-seriously-ill-and-his-family-was-in-trouble-due-to-a-huge-hospital-bill-ranbir-akshay-and-kartik-came-to-his-aid</guid><pubDate>Thu, 03 Sep 2026 08:37:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ટીવી અને હિન્દી સિનેમાના જાણીતા જ્યેષ્ઠ અભિનેતા સુધીર દળવી હાલમાં પોતાના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. ૧૯૭૭ની સુપરહિટ ફિલ્મ 'શિરડી કે સાંઈ બાબા'માં સાંઈ બાબા અને રામાનંદ સાગરની 'રામાયણ'માં ગુરુ વશિષ્ઠની યાદગાર ભૂમિકા ભજવનાર ૮૬ વર્ષીય સુધીર દળવી ગંભીર બીમારી બાદ હવે હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા છે. જોકે તેમની રિકવરી ખૂબ જ ધીમી છે અને તેઓ વોકરની મદદથી ચાલી રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>સેપ્સિસનો શિકાર બન્યા બાદ ICUમાં દાખલ કરાયા</b></h2><p style="text-align: justify;">૭ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ સુધીર દળવીને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ 'સેપ્સિસ' નામના ગંભીર અને જીવલેણ ઇન્ફેક્શનની ઝપેટમાં આવી ગયા હતા. આ ચેપને કારણે તેમના સાંધાઓ પર ગંભીર અસર પડી હતી અને હાથ-પગની હલનચલન ખૂબ જ મર્યાદિત થઈ ગઈ હતી. તબિયત વણસતાં તેમને એક મહિના સુધી ICUમાં રાખવામાં આવ્યા હતા.</p><h3 style="text-align: justify; "><b>લાખો રૂપિયાના હોસ્પિટલ બિલથી પરિવાર મુશ્કેલીમાં મુકાયો</b></h3><p style="text-align: justify;">લાંબી સારવારના કારણે હોસ્પિટલનું બિલ શરૂઆતમાં ₹૧૦ લાખ અને ત્યારબાદ વધીને ₹૧૯ લાખથી પણ વધુ થઈ ગયું હતું. હોસ્પિટલના સતત વધતા જતા ખર્ચ સામે સુધીર દળવીનો પરિવાર નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યો હતો.</p><h4 style="text-align: justify; "><b>બોલિવૂડ કલાકારો અને સાંઈ ભક્તો મદદ માટે આગળ આવ્યા</b></h4><p style="text-align: justify;">અભિનેતાની આર્થિક તંગીના સમાચાર વાયરલ થતાં જ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાંથી અક્ષય કુમાર, રણબીર કપૂર અને કાર્તિક આર્યન સૌપ્રથમ મદદ માટે આગળ આવ્યા હતા. આ ઉપરાંત સુધીર દળવીના સાંઈ બાબાના યાદગાર પાત્રને કારણે દેશ-વિદેશના અસંખ્ય સાંઈ ભક્તોએ પણ આર્થિક સહાય મોકલી હતી. ડિસેમ્બર ૨૦૨૫માં બોમ્બે હાઈકોર્ટની મંજૂરી બાદ 'શ્રી સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટ' દ્વારા પણ ₹૧૧ લાખ (૧.૧ મિલિયન)ની નાણાકીય મદદ પૂરી પાડવામાં આવી હતી.</p><h4 style="text-align: justify; "><b>"હવે પૈસા નહીં, માત્ર પ્રાર્થનાની જરૂર છે" - પત્ની સુહાસ દળવી</b></h4><p style="text-align: justify; ">સુધીર દળવીની પત્ની સુહાસ દળવીએ તમામ મદદગારો, કલાકારો અને ફેન્સનો આભાર માનતા જણાવ્યું કે, હોસ્પિટલના ડરામણા વાતાવરણમાંથી તેઓ ઘરે આવીને ખુશ છે. તેમણે સ્પષ્ટતા કરી કે હવે પરિવારને વધુ નાણાકીય સહાયની જરૂર નથી, પરંતુ માત્ર લોકોની પ્રાર્થનાની જરૂર છે. તેમણે ફિલ્મ એસોસિએશનને પણ અપીલ કરી કે તેઓ જે માસિક સહાય મોકલે છે તે હવે અન્ય કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આપવામાં આવે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/september-4-2026-movie-box-office-clash-ott" target="_blank">આ પણ વાંચો : Movie Clash : 4 સપ્ટેમ્બરે બોક્સ ઓફિસ પર આ 2 મોટી ફિલ્મો વચ્ચે જામશે જબરદસ્ત ક્લેશ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/TLrhmvMuVTYwmvM1YfajrqpDpmOcAxAPunLBS2Qb.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: જન્મના દાખલામાં બાળકના જૈવિક પિતાનું નામ દૂર કરી શકાશે નહી ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/birth-certificate-rules-biological-father-name-cannot-be-removed-from-birth-record</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/birth-certificate-rules-biological-father-name-cannot-be-removed-from-birth-record</guid><pubDate>Thu, 03 Sep 2026 08:26:48 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જન્મ અને મરણના દાખલામાં નામ સુધારા અંગેની નીતિમાં થતા અલગ-અલગ અર્થઘટનોને દૂર કરવા માટે એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા સાથેનો પરિપત્ર અને નવી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.નવી માર્ગદર્શિકાના 9 મુખ્ય મુદ્દાઓ અનુસાર,જન્મના દાખલામાંથી બાળકના જૈવિક પિતાનું નામ કોઈ પણ સંજોગોમાં દૂર કરી શકાશે નહીં.જો માતા-પિતા સાથે રહેતા હોય અને પિતાની લેખિત સહમતિ હોય તો જ જરૂરી પુરાવાઓના આધારે બાળક પાછળ માતાનું નામ અને અટક લખી શકાશે.</p><h2 style="text-align: justify; "><b>રાજ્યના આરોગ્ય વિભાગે મહત્વની સ્પષ્ટતા કરી</b></h2><p style="text-align: justify; ">જન્મ-મરણના પ્રમાણપત્રમાં નામ અંગે થતા સુધારા-વધારા બાબતે રાજ્યના આરોગ્ય વિભાગે મહત્વની સ્પષ્ટતા કરી છે.અગાઉ બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા રદ કરી તેની જગ્યાએ નવી માર્ગદર્શિકા મુજબ કાર્યવાહી કરવા રજિસ્ટ્રાર અને સબ-રજિસ્ટ્રારને સૂચના આપવામાં આવી છે.નવા પરિપત્ર મુજબ બાળકના જન્મના દાખલામાં જૈવિક પિતાનું નામ દૂર કરી શકાશે નહીં અને પિતાના નામની કોલમમાં તેમનું નામ ફરજિયાત રહેશે.જોકે,માતા-પિતા બંને બાળક સાથે રહેતા હોય અને પિતાની લેખિત સંમતિ હોય તો જરૂરી દસ્તાવેજોના આધારે બાળકના નામની પાછળ માતાનું નામ તથા અટક રાખી શકાશે.</p><h3 style="text-align: justify; "><b>જરૂરી દસ્તાવેજોના આધારે કાર્યવાહી કરી શકાશે</b></h3><p style="text-align: justify; ">છૂટાછેડાના કેસમાં બાળકની કસ્ટડી માતા પાસે હોય તો કોર્ટના હુકમમાં જરૂરી સ્પષ્ટતા હોય ત્યારે જ માતાનું નામ અને અટક ઉમેરવાની મંજૂરી મળશે.ઉપરાંત, બાળકના નામમાં પ્રથમ અટક, ત્યારબાદ નામ અને અંતે પિતાનું નામ કરવાની સુવિધા પણ દસ્તાવેજોના આધારે રહેશે.જન્મ તથા મરણના પ્રમાણપત્રમાં પિતા અથવા પતિનું નામ અથવા અટક તરીકે રાખવું વૈકલ્પિક રહેશે.બંને ન રાખવા માંગતા હોય તો તે પણ શક્ય બનશે.નામ સુધારા માટે સરકારી ગેઝેટ,આધાર, પાનકાર્ડ તથા જરૂરી દસ્તાવેજોના આધારે કાર્યવાહી કરી શકાશે.<br><br><a href="https://sandesh.com/world/news/india/100-year-old-hindu-temple-demolished-in-pakistan-india-expresses-anger" target="_blank">આ પણ વાંચોઃ Pakistanમાં 100 વર્ષ જૂનું હિન્દુ મંદિર તોડાયું, ભારતે વ્યક્ત કર્યો રોષ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/W2Jzr3VVb4uyP1nxqd40qtpQq8bfM1PMkLtoHWxZ.webp'/></item><item><title><![CDATA[RBIની સ્કીમે કમાલ કરી, NRI પાસેથી ભારતમાં આવ્યા $127 અબજ ]]></title><link>https://sandesh.com/business/news/rbi-fcnr-b-dollar-rupee-swap-nri-deposits-127-billion</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/rbi-fcnr-b-dollar-rupee-swap-nri-deposits-127-billion</guid><pubDate>Wed, 02 Sep 2026 20:26:52 +05:30</pubDate><description><![CDATA[<p>Reserve Bank of India (RBI)ની ખાસ ડોલર-રૂપિયા ફોરેન કરન્સી સ્વેપ સુવિધા હેઠળ ભારતે 127.23 અબજ ડોલરની વિદેશી ચલણની FCNR-B ડિપોઝિટ મેળવી છે. NRI એટલે કે વિદેશમાં રહેતા ભારતીયોએ આ યોજનામાં ખૂબ રસ દાખવ્યો હતો. જેના કારણે આ યોજના નક્કી કરેલા સમય કરતાં એક મહિના પહેલા જ 31 ઓગસ્ટે બંધ કરી દેવામાં આવી હતી. RBIએ 8 જૂન, 2026ના રોજ FCNR(B) ડિપોઝિટ, વિદેશમાંથી વિદેશી ચલણમાં લેવાતી લોન અને એક્સટર્નલ કોમર્શિયલ બોરોઇંગ (ECB) માટે આ ખાસ ડોલર-રૂપિયા સ્વેપ સુવિધા શરૂ કરી હતી. વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા વચ્ચે દેશની બાહ્ય આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા અને દેશમાં પૂરતી વિદેશી ચલણની ઉપલબ્ધતા જાળવી રાખવા માટે આ પગલાં લેવામાં આવ્યા હતા.</p><h2><b>FCNR(B) ડિપોઝિટમાંથી જ આવ્યા $127.226 અબજ</b></h2><p>RBIના આંકડા પ્રમાણે, આ તમામ પગલાંના કારણે દેશમાં વિદેશી ચલણનો પ્રવાહ ઝડપથી વધ્યો હતો. 31 ઓગસ્ટ સુધીમાં કુલ 136.377 અબજ ડોલરથી વધુ વિદેશી ચલણનો પ્રવાહ દેશમાં આવ્યો હતો. તેમાંથી માત્ર FCNR(B) ડિપોઝિટ દ્વારા 127.226 અબજ ડોલરથી વધુ રકમ આવી હતી. આ આંકડો અસ્થાયી છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે વિદેશમાં રહેતા ભારતીયોએ આ યોજનાને સારો પ્રતિસાદ આપ્યો હતો. FCNR(B) યોજના હેઠળ બેંકોએ વિદેશી ચલણમાં ડિપોઝિટ મેળવવા માટે આકર્ષક વ્યાજ દરોની ઓફર કરી હતી. જેના કારણે NRI તરફથી આ યોજનામાં સારો પ્રતિસાદ મળ્યો. યોજનાને અપેક્ષા કરતાં વધુ સારો પ્રતિસાદ મળતાં RBIએ તેને 30 સપ્ટેમ્બરના બદલે 31 ઓગસ્ટ, 2026ના રોજ જ બંધ કરી દીધી હતી. RBIએ જણાવ્યું કે યોજનાએ નક્કી કરેલા સમય કરતાં વહેલા જ પોતાનો હેતુ પૂર્ણ કરી લીધો હતો.</p><h2><b>શું છે FCNR(B) ડિપોઝિટ?</b></h2><p>FCNR(B) એટલે Foreign Currency Non-Resident (Bank) Deposit. આ વિદેશી ચલણમાં રાખવામાં આવતી એક પ્રકારની ફિક્સ્ડ ડિપોઝિટ છે. આ ડિપોઝિટમાં જે ચલણમાં પૈસા જમા કરવામાં આવે છે, તે જ વિદેશી ચલણમાં મૂળ રકમ અને વ્યાજ બંને ચૂકવવામાં આવે છે. એટલે કે ડિપોઝિટ ડોલરમાં હોય તો તેનું પેમેન્ટ પણ ડોલરમાં જ થાય છે. આ યોજનાના અન્ય ભાગોમાં પણ વિદેશી ચલણનો સારો પ્રવાહ જોવા મળ્યો હતો. વિદેશમાંથી વિદેશી ચલણમાં લેવાયેલી લોન દ્વારા 5.26 અબજ ડોલર, જ્યારે એક્સટર્નલ કોમર્શિયલ બોરોઇંગ (ECB) દ્વારા 3.891 અબજ ડોલરનો પ્રવાહ આવ્યો હતો.  આ સુવિધા અગાઉ નક્કી કરાયેલા સમય મુજબ 31 ડિસેમ્બર, 2026 સુધી ઉપલબ્ધ રહેશે.</p><p><b><a href="https://sandesh.com/business/news/rbi-rules-dont-panic-if-money-is-suddenly-deducted-from-your-account-get-it-back-this-way" target="_blank">આ પણ વાંચો:&nbsp; ખાતામાંથી અચાનક પૈસા કપાયા તો ગભરાશો નહીં, આ રીતે મેળવો પરત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/cxfg2nIAf80SOiZttnbuNxeNmYrwFUiOSjTxXeHS.webp'/></item><item><title><![CDATA[Commonwealth Q Sports Championship અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાશે, 45 દેશોના ખેલાડીઓ ભાગ લેશે ]]></title><link>https://sandesh.com/sports/news/commonwealth-q-sports-championship-to-be-held-at-veer-savarkar-sports-complex-in-ahmedabad-players-from-45-countries-will-participate</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/commonwealth-q-sports-championship-to-be-held-at-veer-savarkar-sports-complex-in-ahmedabad-players-from-45-countries-will-participate</guid><pubDate>Wed, 02 Sep 2026 15:08:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ આંતરરાષ્ટ્રીય રમતગમતના નકશા પર પોતાની ઓળખ વધુ મજબૂત કરવા માટે તૈયાર છે. અમદાવાદ શહેરમાં 7 થી 10 ઓક્ટોબર 2026 દરમિયાન કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ યોજાવાની છે.આ સ્પર્ધામાં કોમનવેલ્થના વિવિધ દેશોના અગ્રણી ક્યૂ સ્પોર્ટ્સ ખેલાડીઓ ભાગ લેશે.કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપની આ બીજી સીઝન અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાશે. આ સ્પર્ધામાં અંદાજે 45 દેશોના ખેલાડીઓ ભાગ લે તેવી આશા રાખવામાં આવી રહી છે. ખેલાડીઓ 5 અલગ-અલગ ક્યૂ સ્પોર્ટ્સ શાખામાં કુલ 10 મેડલ ઇવેન્ટ્સ માટે સ્પર્ધા કરશે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ ચેમ્પિયનશિપમાં સ્નૂકર, ઇંગ્લિશ બિલિયર્ડ્સ, બ્લેકબોલ, હેબોલ અને 10-બોલ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્પર્ધાનું આયોજન વર્લ્ડ કન્ફેડરેશન ઓફ બિલિયર્ડ્સ સ્પોર્ટ્સ અને બિલિયર્ડ્સ એન્ડ સ્નૂકર ફેડરેશન ઓફ ઇન્ડિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે. એપેક્સ સ્પોર્ટ્સ પ્રમોશન આ સમગ્ર આયોજનની જવાબદારી સંભાળશે.</p><h5 style="text-align: justify; "><b>ભારતમાં પ્રથમ વખત યોજાશે ચેમ્પિયનશિપ</b></h5><p style="text-align: justify; ">કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપની પ્રથમ સીઝન વર્ષ 2025માં મોરેશિયસમાં યોજાઈ હતી. હવે બીજી સીઝનનું આયોજન ભારતમાં પ્રથમ વખત થઈ રહ્યું છે. આ સ્પર્ધાને કોમનવેલ્થ સ્પોર્ટ દ્વારા પણ સમર્થન મળ્યું છે. આ વખતે સ્પર્ધાના કાર્યક્રમમાં એક મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રથમ સીઝનમાં 4 શાખાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જ્યારે અમદાવાદમાં યોજાનારી ચેમ્પિયનશિપમાં ઇંગ્લિશ બિલિયર્ડ્સનો ઉમેરો કરવામાં આવ્યો છે. તમામ 5 શાખામાં પુરુષો અને મહિલાઓ માટે અલગ મેડલ ઇવેન્ટ્સ યોજાશે. દરેક શાખામાં પુરુષો અને મહિલાઓના 16-16 ખેલાડીઓ ભાગ લેશે. જોકે ઇંગ્લિશ બિલિયર્ડ્સમાં બંને વર્ગમાં 8-8 ખેલાડીઓને તક આપવામાં આવશે.</p><h5 style="text-align: justify; "><b>2030 કોમનવેલ્થ ગેમ્સ પહેલાં મોટું આયોજન</b></h5><p style="text-align: justify; ">અમદાવાદમાં આ આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપનું આયોજન એવા સમયે થઈ રહ્યું છે, જ્યારે શહેર 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે પણ તૈયારી કરી રહ્યું છે. તેથી આ સ્પર્ધાને શહેરના રમતગમત ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. વર્લ્ડ પૂલ એસોસિએશનના પ્રમુખ ઈશૌન સિંહે જણાવ્યું કે, અમદાવાદ આંતરરાષ્ટ્રીય રમતગમતના નકશા પર ઝડપથી મહત્વનું સ્થાન બનાવી રહ્યું છે. તેમના મતે ભારતમાં ક્યૂ સ્પોર્ટ્સનો સમૃદ્ધ ઇતિહાસ છે, અને દેશ ભવિષ્યમાં વિશ્વના અગ્રણી ક્યૂ સ્પોર્ટ્સ રાષ્ટ્રોમાં સ્થાન મેળવી શકે છે.</p><h5 style="text-align: justify; "><b>ભારતીય ખેલાડીઓને ઘરઆંગણે મોટી તક</b></h5><p style="text-align: justify; ">બિલિયર્ડ્સ એન્ડ સ્નૂકર ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ એસ. બાલાસુબ્રમણિયમે કહ્યું કે, અમદાવાદમાં આ ચેમ્પિયનશિપનું આયોજન ભારતીય ક્યૂ સ્પોર્ટ્સ માટે ગૌરવની વાત છે. 45 દેશોના ખેલાડીઓની હાજરીથી ભારતીય ખેલાડીઓને ઘરઆંગણે ઉચ્ચ સ્તરની સ્પર્ધાનો અનુભવ મળશે. આ ચેમ્પિયનશિપથી ભારતમાં ક્યૂ સ્પોર્ટ્સને વધુ લોકપ્રિયતા મળવાની સાથે ખેલાડીઓ, રમતગમતના સાધનો બનાવતી કંપનીઓ,આયોજકો અને અન્ય ક્ષેત્રોને પણ નવી તકો મળી શકે છે. ખાસ કરીને હેબોલ અને અન્ય પૂલ શાખાઓમાં ભારતમાં વધી રહેલા રસને આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાથી વધુ વેગ મળવાની આશા છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/china-masters-2026-kidambi-srikanth-wins-in-the-first-round-enters-the-pre-quarterfinals" target="_blank"> China Masters 2026 Badminton : કિદામ્બી શ્રીકાંતનો જલવો, પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં મેળવી એન્ટ્રી!</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/3HUPkVY0qs6E1baoKVkT1q1B5Ynm6uHl68vNWsq6.webp'/></item></channel></rss>