<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Rajkot News: ઋષિકેશ સોસાયટીમાં નવો વિવાદ, કોર્પોરેટરે કહ્યું- 'પાણી ભરાય છે, એમાં સ્થાનિકોનો જ વાંક છે' ]]></title><link>https://sandesh.com/weather/monsoon-2026/news/gujarat/rajkot/rhishikesh-society-road-controversy-corporator-sanjaysinh-rana-statement</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/monsoon-2026/news/gujarat/rajkot/rhishikesh-society-road-controversy-corporator-sanjaysinh-rana-statement</guid><pubDate>Thu, 30 Jul 2026 14:40:11 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ શહેરની ઋષિકેશ સોસાયટીમાં વિકાસના કામોને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. સોસાયટીમાં લાંબા સમયથી રોડ-રસ્તાનું કામ અટકેલું હોવાથી સ્થાનિક રહીશો દ્વારા પોતાના વિસ્તારના કોર્પોરેટર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. સ્થાનિકોના વિરોધ વચ્ચે આ મામલે કોર્પોરેટર સંજયસિંહ રાણાએ આપેલું ખુલાસો ચોંકાવનારો છે.</p><h2><b>યુદ્ધના કારણે ડામરની અછત હોવાનો કોર્પોરેટરનો દાવો</b></h2><p>રોડ ના બનવા પાછળ સ્થાનિક કોર્પોરેટર સંજયસિંહ રાણાએ એવું વિચિત્ર નિવેદન આપ્યું છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા યુદ્ધના કારણે હાલમાં ડામરની ભારે અછત સર્જાઈ છે. ડામર ન મળવાના કારણે જ ઋષિકેશ સોસાયટીમાં રોડ બનાવવાનું કામ વિલંબિત થઈ રહ્યું હોવાનું સ્પષ્ટતા આપતા તેમણે જણાવ્યું હતું. કોર્પોરેટરના આ નિવેદન બાદ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.</p><h2><b>‘પાણી ભરાવા પાછળ લોકોનો જ દોષ’: કોર્પોરેટર સંજયસિંહ રાણા</b></h2><p>ચોમાસા દરમિયાન સોસાયટીમાં થતા જળબંબારામ અને પાણી ભરાવાની સમસ્યા અંગે પણ કોર્પોરેટરે સ્થાનિકોને જ જવાબદાર ઠેરવ્યા છે. સંજયસિંહ રાણાના જણાવ્યા મુજબ, સ્થાનિક લોકો જાતે જ પોતાના ઘરની આગળ માટી પાથરી દે છે, જેના કારણે અન્ય જગ્યાઓ પર પાણીનો નિકાલ રોકાઈ જાય છે અને પાણી ભરાઈ રહે છે. તેમણે દાવો કર્યો હતો કે, પાણી ભરાવાની સમસ્યા પાછળ લોકોનો જ દોષ છે.</p><h2><b>લાખોના ખર્ચે પથરાયેલી મોરમ ગાયબ, સ્થાનિકોમાં ભારે રોષ</b></h2><p>બીજી તરફ, સોસાયટીના રહીશોનો આક્ષેપ છે કે, લોકોના લાખો રૂપિયાના ખર્ચે જે મોરમ પથરાવવામાં આવી હતી, તે પણ કેટલીક જગ્યાએથી ગાયબ થઈ ગઈ છે અને રસ્તાઓ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા છે. એક તરફ પાણી ભરાવાની સમસ્યા અને બીજી તરફ બિસ્માર રસ્તાઓને કારણે સોસાયટીના રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-news-leopard-terror-in-bhoyra-village-of-vinchiya-killed-6-sheep-and-1-calf-in-a-single-night" target="_blank">Rajkot News : વિંછીયાના ભોયરા ગામમાં દીપડાનો આતંક, એક જ રાતમાં 6 ઘેટાં અને 1 વાછરડીનું મારણ કર્યું</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/3ls7f164xHU46gfw5OMlcqORcRXczmfmL8dUFuaU.webp'/></item><item><title><![CDATA[Thalapathy Vijayની ફિલ્મે બોક્સ ઓફિસ હલાવી! 250 કરોડની ક્લબમાં એન્ટ્રી સાથે બનાવ્યો નવો રેકોર્ડ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/jana-nayagan-day-7-250-crore-record</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/jana-nayagan-day-7-250-crore-record</guid><pubDate>Thu, 30 Jul 2026 14:40:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">થલાપતિ વિજયની ફિલ્મ જન નાયકન એ બોક્સ ઓફિસ પર વધુ એક મહત્વનો પડાવ પાર કરી લીધો છે. ફિલ્મને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મને ફેન્સ ભરપૂર પ્રેમ આપી રહ્યા છે.સેકનિલ્કના અનુસાર, ફિલ્મે 7 દિવસમાં વિશ્વભરમાં 250 કરોડનો આંકડો પાર કરી લીધો છે. બીજી તરફ, તમિલનાડુમાં ફિલ્મે 100 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું છે.</p><h2 style="text-align: justify; "><b>100 કરોડનો આંકડો પાર...</b></h2><p style="text-align: justify; ">જન નાયકન એ 6 દિવસમાં વિશ્વભરમાં 246 કરોડની કમાણી કરી હતી. બીજી તરફ, તમિલનાડુમાં ફિલ્મે 97 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું હતું. પરંતુ હવે 7મા દિવસે રાત્રે 9 વાગ્યા સુધીમાં ફિલ્મે તમિલનાડુમાં 100 કરોડના ગ્રોસ કલેક્શનનો આંકડો પાર કરી લીધો છે. આ સાથે જ આ સિદ્ધિ મેળવનારી ફિલ્મ થલાપતિ વિજયની 9મી ફિલ્મ બની ગઈ છે.</p><h3 style="text-align: justify; "><b>જન નાયકનનું દિવસ પ્રમાણે કલેક્શન</b></h3><p style="text-align: justify; ">આ ફિલ્મે 42.70 કરોડની ઓપનિંગ કરી હતી. ફિલ્મને 13,067 શો મળ્યા હતા અને 41.6 ટકા ઓક્યુપન્સી નોંધાઈ હતી. બીજી તરફ, બીજા દિવસે ફિલ્મે 21.15 કરોડનું કલેક્શન કર્યું હતું. ત્રીજા દિવસે ફિલ્મે 28.90 કરોડની કમાણી કરી હતી. ચોથા દિવસે ફિલ્મે 32 કરોડ કમાયા હતા. પાંચમા દિવસે ફિલ્મે 10.65 કરોડની કમાણી કરી હતી. છઠ્ઠા દિવસે ફિલ્મે 8 કરોડનો બિઝનેસ કર્યો હતો. જ્યારે 7મા દિવસે રાત્રે 9 વાગ્યા સુધીમાં ફિલ્મે 4.61 કરોડની કમાણી કરી હતી. ફિલ્મે અત્યાર સુધીમાં કુલ 148.01 કરોડની નેટ કમાણી કરી છે. જ્યારે ગ્રોસ કલેક્શન 173.01 કરોડ થયું છે.</p><h3 style="text-align: justify; "><b>અભિનયમાંથી નિવૃત્તિ</b></h3><p style="text-align: justify; ">ફિલ્મનું દિગ્દર્શન એચ. વિનોથે કર્યું છે. આ ફિલ્મમાં થલાપતિ વિજય ઉપરાંત પૂજા હેગડે, મામિથા બૈજુ અને બોબી દેઓલ જેવા કલાકારો જોવા મળ્યા છે. ફિલ્મમાં થલાપતિ વિજય પોતાના એક્શન અવતારમાં જોવા મળ્યા છે. આ થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ છે. વિજયે અભિનયમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. હવે વિજય પોતાના રાજકીય જીવન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તેઓ તમિલનાડુના મુખ્યમંત્રી બની ગયા છે. આ જ કારણે તેમણે અભિનયમાંથી નિવૃત્તિ લીધી છે.</p><h5 style="text-align: justify; "><b>લાંબા સમયથી ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા ફેન્સ</b></h5><p style="text-align: justify; ">ફિલ્મની વાત કરીએ તો ફેન્સ લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મ જાન્યુઆરી મહિનામાં પોંગલના અવસર પર રિલીઝ થવાની હતી. પરંતુ ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી પ્રમાણપત્ર મળ્યું ન હતું. આ કારણે ફિલ્મની રિલીઝ મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારબાદ અનેક વખત રિલીઝ ટળ્યા બાદ ફિલ્મ જુલાઈમાં રિલીઝ થઈ. ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી A પ્રમાણપત્ર મળ્યું છે. આ ફિલ્મ વચ્ચે HD ગુણવત્તામાં લીક પણ થઈ ગઈ હતી. તાજેતરમાં એવા અહેવાલો પણ સામે આવ્યા હતા કે ચેન્નાઈમાં ફિલ્મના કેટલાક શો રદ કરવામાં આવ્યા હતા અને કેટલાક શોનો સમય પણ બદલવામાં આવ્યો હતો.</p><h5 style="text-align: justify; "><b>બાળકો સાથે ફિલ્મ જોવા પહોંચ્યા પરિવારો, શો બંધ કરાવવો પડ્યો</b></h5><p style="text-align: justify; ">કેટલાક પરિવારો નાના બાળકો સાથે ફિલ્મ જોતા જોવા મળ્યા હતા. ત્યારબાદ થિયેટરમાં પોલીસ પહોંચી હતી અને શો બંધ કરાવવો પડ્યો હતો. ફિલ્મને A પ્રમાણપત્ર મળ્યું છે. આ કારણે બાળકો આ ફિલ્મ જોઈ શકતા નથી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/karisma-abhishek-broken-engagement-suneel-darshan" target="_blank">આ પણ વાંચો-Karisma Kapoor-અભિષેક બચ્ચનની તૂટેલી સગાઈ પર મોટો ખુલાસો, સુનીલ દર્શને કહી 22 વર્ષ જૂની કહાની!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/cLw1roKcBi3JluFcmRjU7h7hPLRwW39qnoAspVQr.webp'/></item><item><title><![CDATA[Vadodara News : ભારે વરસાદની શક્યતાને પગલે તંત્ર સજ્જ, શાળાઓ બંધ રાખવા કલેક્ટરનો આદેશ ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/vadodara/vadodara-news-system-prepared-in-view-of-possibility-of-heavy-rain-collector-orders-schools-to-remain-closed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/vadodara/vadodara-news-system-prepared-in-view-of-possibility-of-heavy-rain-collector-orders-schools-to-remain-closed</guid><pubDate>Thu, 30 Jul 2026 14:35:56 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા શહેર અને જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની વર્તાયેલી ગંભીર આગાહીને પગલે વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં જિલ્લા કલેક્ટર દ્વારા આવતીકાલે તમામ સરકારી તેમજ ખાનગી શાળા-કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી વાલીઓ અને વિદ્યાર્થીઓએ રાહત અનુભવી છે.</p><h2 style="text-align: justify; "><b>કલેક્ટરે લોકોને સાવચેત રહેવા કરી અપીલ</b></h2><p style="text-align: justify; ">વરસાદી માહોલ અને પૂરની શક્યતાઓને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરે તમામ નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા માટે ખાસ અપીલ કરી છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવધ રહેવા જણાવવામાં આવ્યું છે. તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવામાં આવ્યા છે અને કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા તાકીદ કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>બચાવ-રાહત કામગીરી માટે તંત્રની તૈયારીઓ તેજ</b></h2><p style="text-align: justify; ">ભારે વરસાદને કારણે સર્જાનારી કોઈપણ વિકટ સ્થિતિ સામે લડવા માટે વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્વતૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. એનડીઆરએફ અને સ્થાનિક ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. પાણી ભરાવાની સંભાવના ધરાવતા વિસ્તારો અને નદી-નાળા કાંઠે સતત મોનિટરિંગ વધારી દેવામાં આવ્યું છે, જેથી કોઈપણ કટોકટીના સમયે ઝડપી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી શકાય.</p><h2 style="text-align: justify; "><b>જાણો ક્યાં ક્યાં શાળા કોલેજો બંધ રહેશે</b></h2><p style="text-align: justify; ">સુરત, વડોદરા, નવસારી અને અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે સ્થાનિક તંત્ર દ્વારા આવતીકાલે તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર અને બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરો દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે, સાથે જ પ્રશાસને લોકોને કામ વગર બહાર ન નીકળવા અને સાવચેત રહેવા અપીલ કરી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/modasa/villagers-protest-fiercely-after-youth-dies-in-car-accident-near-madasana-in-modasa-rajendra-nagar-road-blocked" target="_blank">Modasa ના મડાસણા પાસે કાર અકસ્માતમાં યુવકના મોત બાદ ગ્રામજનોનો ઉગ્ર વિરોધ, રાજેન્દ્ર નગર રોડ પર ચક્કાજામ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/GpdzsdLpOCXvOfQtbc79EZqButxjz67OvnKtcHda.webp'/></item><item><title><![CDATA[Bhavnagar: અલંગમાં દરિયાઈ પ્રદૂષણ ફેલાવનારા પ્લોટધારક સામે GPCB ની કાર્યવાહી, પ્લોટ નં. 88 ને ક્લોઝર નોટિસ સાથે 25 લાખનો દંડ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/alang-plot-88-gpcb-closure-notice-25-lakh-penalty-perlite-powder-marine-pollution</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/alang-plot-88-gpcb-closure-notice-25-lakh-penalty-perlite-powder-marine-pollution</guid><pubDate>Thu, 30 Jul 2026 14:33:16 +05:30</pubDate><description><![CDATA[<p>ભાવનગર જિલ્લાના વિશ્વવિખ્યાત અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે જહાજોના ભંગાણ દરમિયાન દરિયાઈ પર્યાવરણ અને જળચરોની સુરક્ષાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરતી કંપાનીઓ સામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા લાલ આંખ કરવામાં આવી છે.</p><h2><b>અલંગમાં GPCB દ્વારા કાર્યવાહી</b></h2><p>મળતી વિગતો અનુસાર, અલંગના પ્લોટ નંબર 88 ખાતે શિપ બ્રેકિંગની કામગીરી દરમિયાન મોટી માત્રામાં જોખમી 'પર્લાઇટ પાવડર' દરિયાના પાણીમાં વહાવી દેવામાં આવ્યો હતો. આ પાવડર પાણીમાં ભળવાના કારણે દરિયાની સપાટી પર દૂર-દૂર સુધી સફેદ ચાદર છવાઈ ગઈ હતી, જેનાથી દરિયાઈ જીવસૃષ્ટિ અને પર્યાવરણને ભારે નુકસાન પહોંચ્યું હતું.</p><h3><b>સુખદેવસિંહ ગોહિલની ફરિયાદ પર ત્વરિત એક્શન</b></h3><p>દરિયાઈ પર્યાવરણને પહોંચી રહેલા આ ગંભીર નુકસાન અંગે સામાજિક/પર્યાવરણ અગ્રણી સુખદેવસિંહ ગોહિલ દ્વારા આધારભૂત પુરાવાઓ સાથે GPCB ના ઉચ્ચ અધિકારીઓને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદને ગંભીરતાથી લઈને જીપીસીબીની ટીમે સ્થળ તપાસ કરી હતી. તપાસમાં ગંભીર ખામીઓ અને નિયમભંગ જણાતાં GPCB એ દાખલો બેસાડતાં પ્લોટ નંબર 88 ના માલિકને તાત્કાલિક કામગીરી બંધ કરવાની 'ક્લોઝર નોટિસ' આપીને રૂ. ૨૫ લાખનો આકરો પર્યાવરણીય દંડ ફટકાર્યો છે.</p><h4><b>શિપબ્રેકરોમાં ખળભળાટ અને પર્યાવરણ બચાવવા અપીલ</b></h4><p>GPCB ની આ આકરી કાર્યવાહીને પગલે અલંગના શિપબ્રેકિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા પ્લોટધારકોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. વારંવાર દરિયામાં કેમિકલ કે જોખમી પાવડર છોડવાના કારણે સ્થાનિક દરિયાઈ પર્યાવરણ નાશ પામી રહ્યું છે. આ મામલે આકરા પગલાં ભરાવનાર સુખદેવસિંહ ગોહિલે તમામ શિપબ્રેકરો અને સ્થાનિકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, "સ્થાનિક લોકો અને શિપબ્રેકરોએ માત્ર ટૂંકા ગાળાના નફા માટે પર્યાવરણ વિરુદ્ધની કામગીરી ન કરવી જોઈએ. આવનારી પેઢી માટે શુદ્ધ હવા અને સમુદ્રી પર્યાવરણની જાળવણી અત્યંત જરૂરી છે, જેથી દરેક પ્લોટધારકે નિયમોનું કડક પાલન કરવું જ પડશે."</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/south-gujarat-heavy-rain-wind-alert-31-july-evacuation-begins-hoardings-removed" target="_blank">આ પણ વાંચો: Surat: 31 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી, જોખમી હોર્ડિંગ્સ હટાવાયા, સ્થળાંતર શરૂ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/UrBmRmeUVPkoVbdsyJNjR7dGWY1Q6BkD2Ersga5j.webp'/></item><item><title><![CDATA[Assamમાં પૂરથી હાહાકાર, 78 લોકોના મોત અને 550 ગામ ડૂબ્યા; હવે ભારે વરસાદને લઈ એલર્ટ ]]></title><link>https://sandesh.com/india/news/assam-floods-2026--death-toll-rises-to-78--3-lakh-affected-as-imd-issues-rain-alert</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/assam-floods-2026--death-toll-rises-to-78--3-lakh-affected-as-imd-issues-rain-alert</guid><pubDate>Thu, 30 Jul 2026 14:17:30 +05:30</pubDate><description><![CDATA[<p>Assam Floods: આસામમાં પૂરની સ્થિતિમાં કેટલાક વિસ્તારોમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો હોય તેવું લાગે છે, પરંતુ રાજ્યના ઘણા ભાગોમાં પરિસ્થિતિ ગંભીર છે. છેલ્લા 24 કલાકમાં વધુ ત્રણ લોકોના મોત બાદ પૂર સંબંધિત ઘટનાઓમાં મૃત્યુઆંક વધીને 78 થઈ ગયો છે. સાત જિલ્લાઓમાં 550 થી વધુ ગામો પાણીમાં ડૂબેલા છે, અને 3,00,000 થી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. મોટી સંખ્યામાં લોકોને રાહત શિબિરોમાં આશ્રય લેવો પડ્યો છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરી છે, જે રાહત અને બચાવ કામગીરી માટે એક નવો પડકાર ઉભો કરે છે.</p><h4><b>કેટલાક જિલ્લાઓમાં ચિંતા યથાવત</b></h4><p>આસામના ઘણા પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાણીનું સ્તર ઘટવાનું શરૂ થયું છે, છતાં પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય થઈ નથી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તાજેતરના દિવસોમાં મોટાભાગના ઉપલા Assam જિલ્લાઓમાં વરસાદના અભાવે થોડી રાહત મળી છે અને ડૂબેલા ગામોમાંથી પાણી ધીમે ધીમે ઓસરી રહ્યું છે. તેમ છતાં સાત જિલ્લાઓમાં 550 થી વધુ ગામો પૂરની ઝપેટમાં છે. આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (ASDMA) અનુસાર રાજ્યમાં હાલમાં 3,00,031 લોકો અસરગ્રસ્ત છે. ચરાઈદેવ જિલ્લો સૌથી વધુ અસરગ્રસ્ત છે, જ્યાં 137,561 લોકો પૂરનો સામનો કરી રહ્યા છે, ત્યારબાદ શિવસાગરમાં 84,600 અને જોરહાટમાં 49,911 લોકો અસરગ્રસ્ત છે.</p><h4><b>મૃત્યુઆંક વધ્યો, જેમાં ત્રણ વધુ લોકો મૃત્યુ પામ્યા</b></h4><p>ASDMA દ્વારા જારી કરાયેલા તાજેતરના બુલેટિન અનુસાર, છેલ્લા 24 કલાકમાં શિવસાગર જિલ્લામાં બે અને ગોલાઘાટ જિલ્લામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું. આ વર્ષે આસામમાં પૂર અને સંબંધિત ઘટનાઓમાં મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા 78 થઈ ગઈ છે. સતત કુદરતી આફતોએ રાજ્યભરમાં હજારો પરિવારોને અસર કરી છે. ઘણા લોકો તેમના ઘરોથી દૂર રાહત શિબિરોમાં રહેવા માટે મજબૂર છે, જ્યારે મોટી સંખ્યામાં ગ્રામજનોની આજીવિકા વધુ ગંભીર સંકટનો સામનો કરી રહી છે. હજારો લોકો રાહત શિબિરોમાં આશ્રય લે છે. પૂરથી વિસ્થાપિત લોકો માટે વિવિધ જિલ્લાઓમાં રાહત શિબિરો ચલાવવામાં આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજ્યભરમાં સ્થાપિત 71 રાહત શિબિરોમાં 16,500 થી વધુ લોકોએ આશ્રય લીધો છે. વધુમાં, 30 રાહત વિતરણ કેન્દ્રો દ્વારા 72,000 થી વધુ લોકોને ખાદ્યાન્ન અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર રાહત કામગીરીમાં સક્રિયપણે રોકાયેલા છે, પરંતુ માર્ગ સંપર્ક તૂટી જવા અને પાણી ભરાઈ જવાને કારણે ઘણા વિસ્તારોમાં પડકારો યથાવત છે.</p><h4><b>કૃષિ અને પશુધનને ગંભીર નુકસાન</b></h4><p>પૂરની અસર માનવ જીવનથી આગળ વધે છે, જેના કારણે કૃષિ અને પશુધન ક્ષેત્રોને નોંધપાત્ર નુકસાન થયું છે. ASDMA અનુસાર, રાજ્યમાં 21,523.08 હેક્ટર ખેતીલાયક જમીન પાણીમાં ડૂબી ગઈ છે, જેના પરિણામે ખેડૂતોને ભારે નાણાકીય નુકસાન થયું છે. વધુમાં 11,000 થી વધુ પશુઓ પૂરના પાણીમાં વહી ગયા છે, જ્યારે આશરે 17,000 અન્ય પ્રાણીઓને અસર થઈ છે. ગ્રામીણ વિસ્તારોમાં પશુધનના નુકસાનથી ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે.</p><h4><b>અમિત શાહે પરિસ્થિતિની સમીક્ષા કરી</b></h4><p>પૂરની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે રાજ્યના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા સાથે ફોન પર વાત કરીને રાજ્યની પરિસ્થિતિનો તાગ મેળવ્યો. મુખ્યમંત્રીએ તેમને માહિતી આપી કે ઘણા વિસ્તારોમાં પાણીનું સ્તર ઘટી ગયું છે, પરંતુ મોટી સંખ્યામાં લોકો હજુ પણ પોતાના ઘરે પાછા ફરી શકતા નથી. તેમણે જણાવ્યું કે પૂરના પાણીથી ઘણા ઘરોને નુકસાન થયું છે, અને અન્ય વિસ્તારોમાં કાદવ અને કાંપ જમા થવાથી રહેવાસીઓ માટે પાછા ફરવાનું મુશ્કેલ બની રહ્યું છે.</p><h4><b>હવામાન વિભાગની નવી ચેતવણી ચિંતાજનક&nbsp;</b></h4><p>આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ (IMD) એ 30 જુલાઈથી 1 ઓગસ્ટ દરમિયાન આસામ, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડના કેટલાક ભાગોમાં વાવાઝોડા અને વીજળી સાથે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આસામના તિનસુકિયા, ધેમાજી અને લખીમપુર જિલ્લાઓ તેમજ નાગાલેન્ડના મોન, મોકોકચુંગ અને વોખા પ્રદેશો માટે ખાસ તકેદારીની સલાહ આપવામાં આવી છે. તિનસુકિયા અને નાગાલેન્ડના કેટલાક જિલ્લાઓ માટે પણ 'ઓરેન્જ એલર્ટ' જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની ચેતવણીથી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે જો ભારે વરસાદ ફરી પડે તો પૂરગ્રસ્ત વિસ્તારોમાં પરિસ્થિતિ ફરી બગડી શકે છે.<br><br>આ પણ વાંચો:&nbsp;<a href="https://sandesh.com/india/news/badrinath-temple-prasad-scam--sit-recovers-cash" target="_blank"><b> Badrinath Templeમાં ચોરી કાંડમાં ખુલાસો, આરોપીના રૂમમાંથી મળ્યો ખજાનો</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/EchSrW5sRIGOvu37UZ2WauaGKaKPrHSJ7dZqjP9j.webp'/></item><item><title><![CDATA[Indian Hockey Team : વાદળીમાંથી કેસરી થઈ હોકી ટીમની જર્સી, હોકી ઈન્ડિયાએ આપ્યો જવાબ! ]]></title><link>https://sandesh.com/sports/news/indian-hockey-team-saffron-jersey-change</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/indian-hockey-team-saffron-jersey-change</guid><pubDate>Thu, 30 Jul 2026 14:17:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય પુરુષ અને મહિલા હોકી ટીમો આગામી મહિને નેધરલેન્ડ્સ અને બેલ્જિયમમાં યોજાનારા FIH વિશ્વ કપમાં પરંપરાગત વાદળી જર્સી નહીં, પરંતુ કેસરી રંગની જર્સી પહેરશે. આ નિર્ણયને લઈને ચર્ચા ચાલી રહી છે. હવે હોકી ઈન્ડિયાએ આ નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું છે કે આખરે જર્સીનો રંગ બદલવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો.</p><h2 style="text-align: justify; "><b>સપોર્ટ સ્ટાફ અને ખેલાડીઓની સલાહ બાદ લેવાયો નિર્ણય</b></h2><p style="text-align: justify; ">હોકી ઈન્ડિયાએ આ અંગે જણાવ્યું, અમે તમને જણાવવા માગીએ છીએ કે જર્સીનો રંગ બદલવાનો નિર્ણય સપોર્ટ સ્ટાફ અને ખેલાડીઓની સલાહ તેમજ તેમની સાથે થયેલી વિગતવાર વાતચીતના આધારે લેવામાં આવ્યો હતો. તેનું મુખ્ય કારણ ટેક્નિકલ હતું. એવું જોવા મળ્યું હતું કે વાદળી રંગની પ્લેઇંગ યુનિફોર્મ વાદળી સિન્થેટિક પ્લેઇંગ સપાટી સાથે ભળી જતી હતી. આ સપાટી હવે આંતરરાષ્ટ્રીય હોકી મેદાનોનો રંગ છે. બંનેનો રંગ એકસરખો દેખાતો હોવાથી ખેલાડીઓને મેદાન પર સ્પષ્ટ રીતે જોવામાં મુશ્કેલી પડતી હતી.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/TheHockeyIndia/status/2081644738240024713"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3 style="text-align: justify; "><b>કેસરી રંગ પસંદ કરવા પાછળનું કારણ</b></h3><p style="text-align: justify; ">હોકી ઈન્ડિયાએ આગળ જણાવ્યું, આ બાબતને ધ્યાનમાં રાખીને કોચ અને ખેલાડીઓએ પીળા અથવા કેસરી જેવા અન્ય રંગોનું સૂચન કર્યું હતું. સારી રીતે વિચારી કર્યા બાદ કેસરી રંગને અંતિમ પસંદગી કરવામાં આવી. ટેક્નિકલ જરૂરિયાત પૂરી કરવા ઉપરાંત, કેસરી રંગનું ઊંડું મહત્વ પણ છે, કારણ કે તે આપણા રાષ્ટ્રીય ધ્વજના રંગોમાંથી એક છે, જે સાહસ, ત્યાગ અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે.</p><h3 style="text-align: justify; "><b>ભારતીય હોકીમાં જર્સીનો રંગ બદલવો નવી વાત નથી</b></h3><p style="text-align: justify; ">એ વાત પણ ધ્યાનમાં લઈ શકાય કે ભારતીય હોકીમાં જર્સીનો રંગ બદલવો કોઈ નવી વાત નથી. સમયાંતરે જરૂરિયાત અને અન્ય કારણોસર રાષ્ટ્રીય ટીમની પ્લેઇંગ કિટનો રંગ બદલવામાં આવતો રહ્યો છે.</p><h4 style="text-align: justify; "><b>2014 અને 2018માં પણ બદલાયો હતો જર્સીનો રંગ</b></h4><p style="text-align: justify; ">ઉદાહરણ તરીકે, 2014 FIH હોકી વિશ્વ કપ દરમિયાન ટીમની જર્સીનો રંગ પીળો કરવામાં આવ્યો હતો અને 2018 FIH હોકી વિશ્વ કપ દરમિયાન રંગ બદલીને આસમાની વાદળી કરવામાં આવ્યો હતો. તે સમયે જર્સીની ડિઝાઇન પણ સંપૂર્ણપણે અલગ હતી. કેસરી રંગમાં કરવામાં આવેલો આ ફેરફાર કોચ અને ખેલાડીઓ પાસેથી મળેલા ટેક્નિકલ પ્રતિસાદ તેમજ રાષ્ટ્રીય ધ્વજનો ભાગ હોવાના કારણે કેસરી રંગના પ્રતીકાત્મક મહત્વને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.</p><h4 style="text-align: justify; "><b>હોકી ઈન્ડિયાની નવી જર્સીમાં શું ખાસ છે?</b></h4><p style="text-align: justify; ">કેસરી રંગ: પરંપરાગત વાદળી જર્સીની જગ્યાએ હવે કેસરી રંગની જર્સી હશે. હોકી ઈન્ડિયાનું કહેવું છે કે આ રંગ સાહસ, ત્યાગ અને જીતનું પ્રતીક છે અને તે ભારતીય રાષ્ટ્રીય ધ્વજ તથા ઉગતા સૂર્યથી પ્રેરિત છે.</p><ul><li style="text-align: justify;"><b>એક ભારત, શ્રેષ્ઠ ભારત થીમ: </b>નવી જર્સીની ડિઝાઇનનો હેતુ એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવના દર્શાવવાનો અને રાષ્ટ્રીય ગૌરવને ઉજાગર કરવાનો છે.</li><li style="text-align: justify;"><b>મંડલા પ્રેરિત પેટર્ન: </b>જર્સીમાં મંડલા શૈલીના ગ્રાફિક્સ છે, જે ભારતના સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરે છે.</li><li style="text-align: justify;"><b>અશોક ચક્રના તત્વો: </b>ઘેરા નેવી-બ્લૂ રંગના ભાગો અશોક ચક્રથી પ્રેરિત છે, જે પ્રગતિ, શાંતિ અને એકાગ્રતાનું પ્રતિનિધિત્વ કરે છે.</li><li style="text-align: justify;"><b>સુદર્શન ચક્ર ગ્રાફિક: </b>છાતી પર સુદર્શન ચક્રનું આધુનિક સ્વરૂપ બનાવવામાં આવ્યું છે, જે શક્તિ, એકતા અને ગતિનું પ્રતીક છે.</li><li style="text-align: justify;"><b>તિરંગાની ડિટેલિંગ: </b>ખભા અને કિનારીઓ પર તિરંગા રંગની પાઇપિંગ આપવામાં આવી છે, જે રાષ્ટ્રીય ઓળખ અને ગૌરવને વધુ મજબૂત બનાવે છે.</li><li style="text-align: justify;"><b>સ્ટાઇલિશ INDIA બ્રાન્ડિંગ: </b>દેશની ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતાની ઉજવણી કરવા માટે INDIAને દેવનાગરીથી પ્રેરિત સ્ટાઇલિશ ડિઝાઇનમાં લખવામાં આવ્યું છે.</li><li style="text-align: justify;"><b>વૈકલ્પિક સફેદ કિટ:</b> કેસરી જર્સી ઉપરાંત ભારતીય ટીમો પાસે સફેદ જર્સી પણ હશે, જેમાં આ જ ડિઝાઇન તત્વોનો સમાવેશ કરવામાં આવ્યો છે.</li></ul><p style="text-align: justify; "><a href="https://sandesh.com/world/news/tech/us-ban-chinese-humanoid-robots-trump" target="_blank">આ પણ વાંચો-Americaમાં હ્યુમનોઇડ રોબોટ્સની એન્ટ્રી પર બેન, ડોનાલ્ડ ટ્રમ્પને હેકિંગનો ડર કે ચીન પર ભરોસો નહીં?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/Y0NAmbSPfG8N6PiVvh0X0R4g0Lmw3rqaA5IacVOM.webp'/></item><item><title><![CDATA[Uttarakhand: ભૂસ્ખલનને કારણે કેદારનાથ યાત્રા સ્થગિત કરાઇ,10 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ ]]></title><link>https://sandesh.com/india/news/uttarakhand-kedarnath-yatra-suspended-due-to-landslides-heavy-rain-alert-in-10-districts</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/uttarakhand-kedarnath-yatra-suspended-due-to-landslides-heavy-rain-alert-in-10-districts</guid><pubDate>Thu, 30 Jul 2026 13:52:50 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઉત્તરાખંડમાં ચોમાસાની ઋતુ દરમિયાન મેઘરાજાએ ત્રાહીમામ પોકારાવ્યો છે, જેના કારણે રાજ્યભરમાં ભૂસ્ખલન અને પૂરની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે ચારધામ યાત્રાને ભારે અસર થઈ છે. બે દિવસના અસ્થાયી સ્થગિત બાદ ગુરુવારે સવારે શરૂ થયેલી ચારધામ યાત્રા ગણતરીના કલાકોમાં જ ફરીથી રોકવી પડી છે. કેદારનાથ ટ્રેકિંગ રૂટ પર ગૌરીકુંડ નજીક અચાનક ભીષણ ભૂસ્ખલન (Landslide) થવાને કારણે યાત્રાળુઓની અવરજવર સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. આ ઉપરાંત, સોનપ્રયાગ વિસ્તારમાં ટેકરીઓ પરથી સતત પથ્થરો પડવાના કારણે યાત્રાળુઓના જીવન સામે ગંભીર જોખમ ઊભું થયું છે, જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા કેદારનાથ યાત્રાને તાત્કાલિક અસરથી અસ્થાયી રૂપે સ્થગિત કરી દેવામાં આવી છે.</p><h2 style="text-align: justify;"><b>ગુરૂવારે વહેલી સવારે બની ભૂસ્ખ્લનની ઘટના</b></h2><p style="text-align: justify;">જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, બુધવારે મોડી રાત્રે અને ગુરુવારે વહેલી સવારે અનેક સંવેદનશીલ સ્થળોએ મોટા પાયે કાટમાળ અને પથ્થરો રસ્તા પર આવી ગયા હતા. ગૌરીકુંડ પાસે માર્ગ બંધ થઈ જતાં રસ્તા પરથી મોટા પથ્થરો હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. સોનપ્રયાગમાં પથ્થરોનો વરસાદ થવાને કારણે મુસાફરોને સુરક્ષિત આશ્રયસ્થાનોમાં રોકી દેવામાં આવ્યા છે. યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સ્થળ પર પોલીસ, એસડીઆરએફ (SDRF) અને એનડીઆરએફ (NDRF) ની ટીમોને તૈનાત કરવામાં આવી છે. હવામાન સામાન્ય થયા બાદ અને રસ્તો સંપૂર્ણ સુરક્ષિત જાહેર થયા પછી જ યાત્રા ફરીથી શરૂ કરવામાં આવશે.</p><h3 style="text-align: justify;"><b>નદીઓનું વધતું જતું જળસ્તર અને હવામાન વિભાગની ચેતવણી</b></h3><p style="text-align: justify;">સતત અને ધોધમાર વરસાદને કારણે રુદ્રપ્રયાગ જિલ્લામાં વહેતી પવિત્ર અલકનંદા અને મંદાકિની નદીઓનું જળસ્તર ભયજનક સપાટી અથવા ચેતવણીના નિશાનને વટાવી ચૂક્યું છે. તંત્ર દ્વારા નદી કિનારે વસતા નાગરિકો માટે હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને તેમને સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના અપાઈ છે. હવામાન વિભાગે રાજ્યના ૧૦ મહત્વપૂર્ણ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. બાગેશ્વર, નૈનિતાલ, ચંપાવત અને પિથોરાગઢ માટે ઓરેન્જ એલર્ટ જ્યારે ઉત્તરકાશી, દેહરાદૂન, ચમોલી, પૌરી, ટિહરી અને ઉધમ સિંહ નગરમાં યલો એલર્ટ જારી કરાયું છે.</p><h4 style="text-align: justify;"><b>બીજી તરફ બદ્રીનાથ હાઇવે ખોલાયો</b></h4><p style="text-align: justify;">બીજી તરફ, કેદારનાથ માર્ગ બંધ હોવા છતાં બદ્રીનાથ ધામના શ્રદ્ધાળુઓ માટે રાહતના સમાચાર છે. બચાવ ટીમોની ભારે જહેમત બાદ ચમોલી જિલ્લામાં બંધ થયેલો બદ્રીનાથ હાઇવે વાહનવ્યવહાર માટે ફરીથી ખોલી દેવામાં આવ્યો છે, જેનાથી યાત્રાળુઓએ રાહતનો શ્વાસ લીધો છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/gallery/news/does-wearing-a-smartwatch-on-your-wrist-cause-cancer-know-the-truth" target="_blank">આ પણ વાંચોઃ શું કાંડા પર સ્માર્ટવોચ પહેરવાથી થાય છે કેન્સર? જાણો સત્ય&nbsp;</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/upIETiuz0em0Q6jTr29pXJ7O42s2qXRv75PZII3g.webp'/></item><item><title><![CDATA[Banaskantha News: જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાને હાર્ટ એટેક, પાલનપુર હોસ્પિટલમાં દાખલ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/bjp-president-kirtisinh-vaghela-suffers-heart-attack</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/bjp-president-kirtisinh-vaghela-suffers-heart-attack</guid><pubDate>Thu, 30 Jul 2026 13:23:37 +05:30</pubDate><description><![CDATA[<p>બનાસકાંઠા રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાને અચાનક હાર્ટ એટેક આવ્યો છે. તબિયત બગડતા જ તેમને તાત્કાલિક અસરથી સારવાર અર્થે પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભાજપના પ્રમુખની તબિયત લથડવાના સમાચાર વાયુવેગે પ્રસરતા રાજકીય વર્તુળોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.</p><h2><b>પાલનપુરની હોસ્પિટલમાં સારવાર શરૂ, તબિયતમાં સુધારો</b></h2><p>હાર્ટ એટેકની ઘટના બાદ કીર્તિસિંહ વાઘેલાને પાલનપુરની હોસ્પિટલમાં તબીબોની દેખરેખ હેઠળ આઈસીયુ (ICU) માં રાખવામાં આવ્યા હતા. જ્યાં તબીબો દ્વારા સમયસર સારવાર શરૂ કરવામાં આવી હતી. પ્રાથમિક સારવાર બાદ તબીબોના જણાવ્યા મુજબ, હાલ તેમની સ્થિતિ સ્થિર છે અને તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે, જેનાથી સમર્થકોએ રાહતનો શ્વાસ લીધો છે.</p><p><img alt="Banaskantha News: District BJP President Kirtisinh Vaghela Suffers Heart Attack" src="https://epapercdn.sandesh.com/images/2026/07/30/kXZ42RE23ON55hQDNd9lCGqCSq9H82y1M7Lz9dHP.webp" style="width: 100%;"><br></p><h2><b>બનાસકાંઠા જિલ્લા ભાજપ સંગઠન અને કાર્યકરોમાં ચિંતાનો મોજું</b></h2><p>બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષને હાર્ટ એટેક આવ્યાના સમાચાર મળતા જ બનાસકાંઠા જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો, નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. ભાજપના અનેક સ્થાનિક નેતાઓ અને સમર્થકો તેમની ખબરઅંતર પૂછવા માટે પાલનપુરની હોસ્પિટલ ખાતે પહોંચી રહ્યા છે, અને તેમના ઝડપી સ્વાસ્થ્ય સુધારા માટે પ્રાર્થના કરી રહ્યા છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/vadgam-nagana-bus-stand-truck-car-accident-one-death" target="_blank">Banaskantha News: વડગામના નગાણા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, એકનું મોત</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/TsEMdjzI0eMJvmb6dDvBE6NSlovX1e18e7hVg60n.webp'/></item><item><title><![CDATA[Modasa ના મડાસણા પાસે કાર અકસ્માતમાં યુવકના મોત બાદ ગ્રામજનોનો ઉગ્ર વિરોધ, રાજેન્દ્ર નગર રોડ પર ચક્કાજામ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/modasa/villagers-protest-fiercely-after-youth-dies-in-car-accident-near-madasana-in-modasa-rajendra-nagar-road-blocked</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/modasa/villagers-protest-fiercely-after-youth-dies-in-car-accident-near-madasana-in-modasa-rajendra-nagar-road-blocked</guid><pubDate>Thu, 30 Jul 2026 12:56:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલા મડાસણા ગામ પાસે સ્થાનિક રહીશો દ્વારા રાજેન્દ્ર નગર રોડ પર ચક્કાજામ કરીને ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ગતરોજ જ આ હાઇવે પર ટ્રકને સાઇડ આપવા જતાં કાર ડિવાઇડર સાથે અથડાવાથી એક યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ અધૂરા રસ્તાના કારણે દરરોજ સર્જાતા અકસ્માતોથી કંટાળેલા સ્થાનિક લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>વાહનોની લાંબી કતારો લાગી</b></h2><p style="text-align: justify; ">વધતા જતા અકસ્માતો અને તંત્રની ઘોર બેદરકારી સામે આક્રોશે ભરાયેલા ગામલોકો અને વાહનચાલકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકોએ રોડ વચ્ચે બેસીને હાઇવે ચક્કાજામ કરી દેતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો અને રસ્તાની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. સ્થાનિકોનો સ્પષ્ટ આરોપ છે કે હાઇવેનું કામ લાંબા સમયથી અટકેલું હોવાથી જ નિર્દોષ વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>રસ્તાનું કામ સત્વરે પૂરું કરવા તંત્ર સામે બુલંદ માંગ</b></h3><p style="text-align: justify; ">ચક્કાજામ કરી રહેલા લોકોએ વહીવટી તંત્ર સામે આકરા પ્રહારો કર્યા હતા અને ચોખ્ખા શબ્દોમાં માંગ કરી હતી કે અટકેલા રોડનું કામ વિલંબ વિના તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે. જે સુધી રોડનું કામ ચાલુ કરવાનો અને સુરક્ષાના યોગ્ય પગલાં ભરવાનો નક્કર નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી પણ આપવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ પોલીસ અને વહીવટી અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/borsad/huge-uproar-in-borsad-municipality-board-meeting-anger-as-meeting-ends-in-just-5-minutes" target="_blank">Borsad નગરપાલિકાની બોર્ડ બેઠકમાં ભારે હોબાળો, માત્ર 5 જ મિનિટમાં બેઠક સમેટી લેવાતાં રોષ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/30/O1fjbn0RyCwlHkTZD0E8kJ8AXRK4Nscg1EPCZgki.webp'/></item><item><title><![CDATA[Gold Silver Price Today: સોનાની સાથે ચાંદી પણ મોંઘી, જાણી લો 10 ગ્રામની શું છે કિંમત ]]></title><link>https://sandesh.com/business/news/gold-silver-price-today-along-with-gold-silver-is-also-expensive-know-what-is-the-price-of-10-grams</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/gold-silver-price-today-along-with-gold-silver-is-also-expensive-know-what-is-the-price-of-10-grams</guid><pubDate>Thu, 30 Jul 2026 10:33:24 +05:30</pubDate><description><![CDATA[<p>આજે દેશમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલની સરખામણીમાં સોનું 0.37% મોંઘુ થયું છે, જ્યારે ચાંદીના ભાવમાં પણ 0.77% નો વધારો જોવા મળ્યો છે. સ્થાનિક બજારમાં, 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ 0.37% વધીને ₹1,42,530 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે.&nbsp;</p><p><b style="font-size: 28px;">આજે સોનાનો ભાવ શું છે?</b></p><p>24 કેરેટ સોનાનો બંધ ભાવ ₹1,42,005 પ્રતિ 10 ગ્રામ હતો, જે ₹525 નો વધારો દર્શાવે છે. આજે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,33,990 પ્રતિ 10 ગ્રામ છે, જે ગઈકાલની સરખામણીમાં ₹495 નો વધારો દર્શાવે છે. દરમિયાન, 18 કેરેટ સોનાનો ભાવ ₹405 નો વધારો દર્શાવે છે આજે, તે ₹1,09,630 પ્રતિ 10 ગ્રામ પર છે.</p><p>જો તમે આજે સોનું કે ચાંદી ખરીદવાનું આયોજન કરી રહ્યા છો, તો ખરીદી કરતા પહેલા તમારા શહેરમાં નવીનતમ ભાવ તપાસો. દિલ્હી, જયપુર અને મુંબઈ સહિત અનેક મુખ્ય શહેરોમાં આજે 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે.</p><p><b style="font-size: 1.75rem;">આજે ચાંદીનો ભાવ શું છે?</b></p><p>આજે (30 જુલાઈ) આંતરરાષ્ટ્રીય બજારમાં, હાજર ચાંદી $58.11 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે, જે 0.04% નો નજીવો વધારો દર્શાવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે $58નું આ મજબૂત સમર્થન સ્તર ઔદ્યોગિક ક્ષેત્રમાં ચાંદીની મજબૂત માંગ દર્શાવે છે. નોંધનીય છે કે, સ્થાનિક બજારમાં ચાંદીના ભાવમાં આજે વૈશ્વિક બજાર કરતાં વધુ વધારો થયો છે.</p><p>સ્થાનિક હાજર બજારમાં, ચાંદીનો ભાવ 0.77% વધીને ₹2.17 લાખ પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે. આનો અર્થ એ થાય કે પ્રતિ 10 ગ્રામ ₹2,170 ની કિંમત છે. જો તમે આજે ચાંદીના સિક્કા, વાસણો અથવા ઘરેણાં ખરીદવાનું આયોજન કરી રહ્યા છો, તો ધ્યાનમાં રાખો કે ₹2,17,000 ની મૂળ કિંમત ઉપરાંત 3% GST અને ઝવેરીઓના મેકિંગ ચાર્જ લાગુ કરવામાં આવશે.</p><p><br></p><h4><b>દેશના મોટા શહેરોમાં સોના ચાંદીના ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)&nbsp;</b></h4><p><br></p><p><br></p><table class="table table-bordered"><tbody><tr><td>શહેર</td><td>&nbsp;24 કેરેટ સોનાની કિંમત ( રૂપિયા/10 ગ્રામ) )&nbsp;</td><td>22 કેરેટ સોનાની કિંમત( રૂપિયા/10 ગ્રામ)&nbsp;</td></tr><tr><td>દિલ્હી&nbsp;</td><td>1,44,480&nbsp;</td><td>1,32,450&nbsp;&nbsp;</td></tr><tr><td>કોલકાતા&nbsp;</td><td>1,44,330&nbsp;</td><td>1,32,300&nbsp; &nbsp;</td></tr><tr><td>ચેન્નઈ</td><td>&nbsp;1,44,330&nbsp;</td><td>1,32,300&nbsp; &nbsp;</td></tr><tr><td>બેંગ્લોર&nbsp;</td><td>1,44,330&nbsp;<br></td><td>1,32,300&nbsp; &nbsp; &nbsp;<br></td></tr><tr><td>અમદાવાદ</td><td>&nbsp;1,44,380</td><td>&nbsp;1,32,350&nbsp; &nbsp; &nbsp;&nbsp;</td></tr><tr><td>વડોદરા&nbsp;</td><td>1,44,380&nbsp;</td><td>1,32,350&nbsp; &nbsp;</td></tr></tbody></table><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/wt2KmlhAclEkCTUGa28JaeOzhaOwN7gmpK1u8s9t.webp'/></item></channel></rss>