<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Suratના પુણામાં માતા-પુત્રીના શંકાસ્પદ સંજોગોમાં મોત, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-puna-mother-daughter-suspicious-death-case</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-puna-mother-daughter-suspicious-death-case</guid><pubDate>Thu, 03 Sep 2026 16:25:41 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">Suratના પુણામાં માતા-પુત્રીના શંકાસ્પદ સંજોગોમાં મોત, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી</p><p style="text-align: justify; ">સુરત શહેરના પુણા વિસ્તારમાંથી માતા અને પુત્રીના મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને ખળભળાટ મચી ગયો છે. બનાવની જાણ થતાં જ પુણા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે પ્રાથમિક તબક્કે અકસ્માતે મોતનો ગુનો નોંધીને ઘટના અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.</p><h2 style="text-align: justify; "><b>મૃતદેહોને પીએમ માટે મોકલાયા</b></h2><p style="text-align: justify; ">પોલીસની પ્રાથમિક તપાસ અને સ્થાનિક સ્તરે મેળવેલી માહિતીના આધારે માતા-પુત્રીએ કોઈ અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. જોકે, મોત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાય તે માટે પોલીસે બંને મૃતદેહોને કબ્જે કરીને પોસ્ટમોર્ટમ (PM) અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>પીએમ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે</b></h3><p style="text-align: justify; ">બનાવ અંગે પુણા પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું અને સચોટ કારણ જાણી શકાશે. હાલ પોલીસે પરિવારજનો અને આસપાસના લોકોના નિવેદનો નોંધવાની તજવીજ શરૂ કરી છે. આ મામલે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને આગળની કાનૂની તપાસ ચાલી રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/9LklVmMIgWNJMg75pDBgcYVMw3y7cdFbtDuYXh4d.webp'/></item><item><title><![CDATA[Mehsana News: હોટલમાં ન્યૂઝ પેપરનો ગેરકાયદે ઉપયોગ, આ કલમો હેઠળ થઈ શકે છે કાર્યવાહી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/food-department-raid-illegal-hotels-fatepura-bypass-fssai</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/food-department-raid-illegal-hotels-fatepura-bypass-fssai</guid><pubDate>Thu, 03 Sep 2026 16:22:30 +05:30</pubDate><description><![CDATA[<p>મહેસાણા જિલ્લામાં પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર એટલે કે ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. મહેસાણા જિલ્લામાં આવેલી ખાણી-પીણીની દુકાનો, સ્ટોલ, હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સમાં સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ તપાસ દરમિયાન મહેસાણાના ફતેપુરા બાયપાસ વિસ્તારમાંથી બે હોટલો લાયસન્સ કે રજિસ્ટ્રેશન વગર ગેરકાયદે ધમધમતી હોવાનો પર્દાફાશ થયો છે.</p><h2><b>લાયસન્સ વગર ચાલતી હોટલો સામે કેસ દાખલ</b></h2><p>મહેસાણા ફૂડ વિભાગના દરોડા દરમિયાન ફતેપુરા બાયપાસ પાસે આવેલી ‘માધવ રેસ્ટોરન્ટ’ અને ‘માલગુડી ફૂડ ઈન’ નામના એકમો પાસે કાયદેસરનું ફૂડ લાઈસન્સ ન હોવાનું સામે આવ્યું હતું. કાયદાકીય જોગવાઈ મુજબ લાઈસન્સ કે રજિસ્ટ્રેશન વગર ફૂડ બિઝનેસ કરનાર સામે રૂ. 10 લાખ સુધીના દંડ અને કડક સજાની સખત જોગવાઈ છે. આ બંને હોટલો સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ એડજ્યુડિકેટિંગ કેસ દાખલ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.</p><h2><b>ન્યૂઝ પેપરના ઉપયોગ બદલ રૂ. 2 લાખ સુધીના દંડની જોગવાઈ</b></h2><p>તપાસ દરમિયાન આ બંને રેસ્ટોરન્ટ્સમાં ખાદ્ય પદાર્થો પીરસવા અને પેક કરવા માટે ન્યૂઝ પેપરનો ઉપયોગ થતો હોવાનું માલૂમ પડ્યું હતું. ફૂડ સેફ્ટી કાયદાની કલમ-58 મુજબ ખોરાક માટે ન્યૂઝ પેપરનો ઉપયોગ કરવો એ ગંભીર ગુનો બને છે, જેમાં રૂ. 2 લાખ સુધીના દંડની જોગવાઈ રહેલી છે. ન્યૂઝ પેપરની પ્રિન્ટિંગ શાહીમાં રહેલા કેમિકલ્સ, મિનરલ ઓઇલ, નાઇટ્રોસેલ્યુલોઝ અને સીસું જેવા ઝેરી તત્વો ગરમ ખોરાકના સંપર્કમાં આવતાં જ શરીરમાં પ્રવેશ કરે છે, જે કેન્સર અને પાચન તંત્રની ગંભીર બીમારીઓ નોતરી શકે છે.</p><h2><b>તાત્કાલિક 'ફૂડ ગ્રેડ પેપર' વાપરવા કડક તાકીદ</b></h2><p>આ ગંભીર બેદરકારીને ધ્યાનમાં રાખીને મહેસાણા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરોને ન્યૂઝ પેપરનો ઉપયોગ તાત્કાલિક અસરથી બંધ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, ખાદ્ય પદાર્થોના પેકિંગ કે પીરસવા માટે માત્ર પ્રમાણિત 'ફૂડ ગ્રેડ પેપર' અથવા યોગ્ય કન્ટેનરનો જ ઉપયોગ કરવો. જો ભવિષ્યમાં પણ કોઈ વેપારી ન્યૂઝ પેપરનો ઉપયોગ કરતા ઝડપાશે તો તેમની સામે વધુ આકરાં પગલાં લેવામાં આવશે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/sipor-dairy-milk-sale-controversy-dudhsagar-amul-parlour" target="_blank">Mehsana News: ઘરના છોકરા ઘંટી ચાટે અને પારકા આટો ખાય, આ કારણે સિપોર ગામની ડેરીમાં દૂધ વેચાણના મુદ્દે ભારે આક્રોશ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/uU8mXSQQiQqw2MU37mT71yGubVzPIyycYUbIRvYt.webp'/></item><item><title><![CDATA[FTAsથી ભારતને વૈશ્વિક વેપારના 75% સુધી પ્રેફરન્શિયલ માર્કેટ એક્સેસ મળશે: પીયૂષ ગોયલ ]]></title><link>https://sandesh.com/india/news/business/piyush-goyal-ftas-india-75-percent-global-trade-market-access</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/piyush-goyal-ftas-india-75-percent-global-trade-market-access</guid><pubDate>Thu, 03 Sep 2026 16:11:56 +05:30</pubDate><description><![CDATA[<p>ભારત વૈશ્વિક વેપારમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે વિવિધ દેશો અને જૂથો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ (FTAs) પર ઝડપથી આગળ વધી રહ્યું છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું કે આગામી સમયમાં ભારતને વિશ્વના કુલ વેપારના લગભગ 75 ટકા હિસ્સા સુધી પ્રેફરન્શિયલ માર્કેટ એક્સેસ મળી શકે છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2095440271911841920"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>ભારતને વૈશ્વિક વેપારના લગભગ બે તૃતિયાંશ હિસ્સા સુધી પ્રેફરન્શિયલ એક્સેસ મળશે</b></h2><p>પીયૂષ ગોયલના જણાવ્યા મુજબ ભારત દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલા 9 FTAs લગભગ 60 ટ્રિલિયન ડોલરની સંયુક્ત GDP ધરાવતા બજારોને આવરી લે છે. આ કરારોના કારણે ભારતને વૈશ્વિક વેપારના લગભગ બે તૃતિયાંશ હિસ્સા સુધી પ્રેફરન્શિયલ એક્સેસ મળશે. તેમણે જણાવ્યું કે આગામી કેટલાક મહિનાઓ અને વર્ષોમાં કેનેડા, મેક્સિકો, ચિલી, મર્કોસુર, SACU દેશો, GCC અને ઈઝરાયલ સાથેના પ્રસ્તાવિત વેપાર કરારો દ્વારા આ માર્કેટ એક્સેસ વધુ વિસ્તરશે. આ ઉપરાંત ASEAN, દક્ષિણ કોરિયા અને જાપાન સાથેના હાલના કરારોની સમીક્ષા અથવા અન્ય જરૂરી પગલાં દ્વારા પણ ભારતની વેપાર સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.</p><h3><b>ભારતીય ઉત્પાદનો માટે પણ ટેરિફ દરો સ્પર્ધકોની સરખામણીમાં વધુ સારા બનશે</b></h3><p>ગોયલે સમજાવ્યું કે PTA, FTA અથવા દ્વિપક્ષીય વેપાર કરારનો મુખ્ય હેતુ સ્પર્ધાત્મક દેશોની સરખામણીમાં વધુ સારો ટેરિફ રેટ મેળવવાનો હોય છે. તેમના જણાવ્યા પ્રમાણે ભૂતકાળમાં ઘણા વિકાસશીલ દેશોએ વિકસિત દેશો સાથે એવા કરારો કર્યા હતા, જેમાં તેમના નિકાસ ઉત્પાદનો પર ઓછો અથવા શૂન્ય ડ્યૂટી દર હતો, જ્યારે ભારતીય નિકાસકારોને ઊંચી ડ્યૂટીનો સામનો કરવો પડતો હતો.</p><p>હવે સ્થિતિ બદલાઈ રહી હોવાનું જણાવતાં ગોયલે કહ્યું કે ભારતીય ઉત્પાદનો માટે પણ ટેરિફ દરો સ્પર્ધકોની સરખામણીમાં વધુ સારા બનશે. વિકસિત બજારોમાં ભારત પાસે હવે નબળા પ્રદર્શનનું બહાનું પણ નહીં રહે અને સફળતા માટે મુખ્ય જવાબદારી ભારતની પોતાની રહેશે. ગોયલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે 'હવે બોલ સંપૂર્ણપણે આપણા કોર્ટમાં છે', એટલે કે વેપાર કરારો બાદ ભારતીય ઉદ્યોગે પોતાની સ્પર્ધાત્મકતા, ગુણવત્તા અને નિકાસ ક્ષમતાના આધારે વૈશ્વિક બજારમાં સફળતા મેળવવી પડશે.<br><br><b><a href="https://sandesh.com/business/news/petrol-diesel-price-today-petrol-in-mumbai-is-11118-while-diesel-is-9783-know-what-is-the-price-of-petrol-and-diesel-in-your-city" target="_blank">આ પણ વાંચો : Petrol Diesel Price Today: મુંબઇમાં પેટ્રોલ 111.18 જ્યારે ડીઝલ ₹97.83.. જાણો તમારા શહેરમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ?</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/IyggevUpd0Iyw7BlQ8CVOp48I7fwcY0j7WRR1otc.webp'/></item><item><title><![CDATA[FTAsથી ભારતને વૈશ્વિક વેપારના 75% સુધી પ્રેફરન્શિયલ માર્કેટ એક્સેસ મળશે: પીયૂષ ગોયલ ]]></title><link>https://sandesh.com/india/news/business/piyush-goyal-ftas-india-75-percent-global-trade-market-access</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/piyush-goyal-ftas-india-75-percent-global-trade-market-access</guid><pubDate>Thu, 03 Sep 2026 16:11:56 +05:30</pubDate><description><![CDATA[<p>ભારત વૈશ્વિક વેપારમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે વિવિધ દેશો અને જૂથો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ (FTAs) પર ઝડપથી આગળ વધી રહ્યું છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું કે આગામી સમયમાં ભારતને વિશ્વના કુલ વેપારના લગભગ 75 ટકા હિસ્સા સુધી પ્રેફરન્શિયલ માર્કેટ એક્સેસ મળી શકે છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2095440271911841920"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>ભારતને વૈશ્વિક વેપારના લગભગ બે તૃતિયાંશ હિસ્સા સુધી પ્રેફરન્શિયલ એક્સેસ મળશે</b></h2><p>પીયૂષ ગોયલના જણાવ્યા મુજબ ભારત દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલા 9 FTAs લગભગ 60 ટ્રિલિયન ડોલરની સંયુક્ત GDP ધરાવતા બજારોને આવરી લે છે. આ કરારોના કારણે ભારતને વૈશ્વિક વેપારના લગભગ બે તૃતિયાંશ હિસ્સા સુધી પ્રેફરન્શિયલ એક્સેસ મળશે. તેમણે જણાવ્યું કે આગામી કેટલાક મહિનાઓ અને વર્ષોમાં કેનેડા, મેક્સિકો, ચિલી, મર્કોસુર, SACU દેશો, GCC અને ઈઝરાયલ સાથેના પ્રસ્તાવિત વેપાર કરારો દ્વારા આ માર્કેટ એક્સેસ વધુ વિસ્તરશે. આ ઉપરાંત ASEAN, દક્ષિણ કોરિયા અને જાપાન સાથેના હાલના કરારોની સમીક્ષા અથવા અન્ય જરૂરી પગલાં દ્વારા પણ ભારતની વેપાર સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.</p><h3><b>ભારતીય ઉત્પાદનો માટે પણ ટેરિફ દરો સ્પર્ધકોની સરખામણીમાં વધુ સારા બનશે</b></h3><p>ગોયલે સમજાવ્યું કે PTA, FTA અથવા દ્વિપક્ષીય વેપાર કરારનો મુખ્ય હેતુ સ્પર્ધાત્મક દેશોની સરખામણીમાં વધુ સારો ટેરિફ રેટ મેળવવાનો હોય છે. તેમના જણાવ્યા પ્રમાણે ભૂતકાળમાં ઘણા વિકાસશીલ દેશોએ વિકસિત દેશો સાથે એવા કરારો કર્યા હતા, જેમાં તેમના નિકાસ ઉત્પાદનો પર ઓછો અથવા શૂન્ય ડ્યૂટી દર હતો, જ્યારે ભારતીય નિકાસકારોને ઊંચી ડ્યૂટીનો સામનો કરવો પડતો હતો.</p><p>હવે સ્થિતિ બદલાઈ રહી હોવાનું જણાવતાં ગોયલે કહ્યું કે ભારતીય ઉત્પાદનો માટે પણ ટેરિફ દરો સ્પર્ધકોની સરખામણીમાં વધુ સારા બનશે. વિકસિત બજારોમાં ભારત પાસે હવે નબળા પ્રદર્શનનું બહાનું પણ નહીં રહે અને સફળતા માટે મુખ્ય જવાબદારી ભારતની પોતાની રહેશે. ગોયલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે 'હવે બોલ સંપૂર્ણપણે આપણા કોર્ટમાં છે', એટલે કે વેપાર કરારો બાદ ભારતીય ઉદ્યોગે પોતાની સ્પર્ધાત્મકતા, ગુણવત્તા અને નિકાસ ક્ષમતાના આધારે વૈશ્વિક બજારમાં સફળતા મેળવવી પડશે.<br><br><b><a href="https://sandesh.com/business/news/petrol-diesel-price-today-petrol-in-mumbai-is-11118-while-diesel-is-9783-know-what-is-the-price-of-petrol-and-diesel-in-your-city" target="_blank">આ પણ વાંચો : Petrol Diesel Price Today: મુંબઇમાં પેટ્રોલ 111.18 જ્યારે ડીઝલ ₹97.83.. જાણો તમારા શહેરમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ?</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/IyggevUpd0Iyw7BlQ8CVOp48I7fwcY0j7WRR1otc.webp'/></item><item><title><![CDATA[Sonam Wangchukનો ખુલાસો, કેમ આપ્યો CJPનો સાથ? કહ્યું- પાકિસ્તાનમાં પણ... ]]></title><link>https://sandesh.com/india/news/sonam-wangchuk-denies-cjp-link-reacts-to-cia-funding-allegations</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/sonam-wangchuk-denies-cjp-link-reacts-to-cia-funding-allegations</guid><pubDate>Thu, 03 Sep 2026 15:40:36 +05:30</pubDate><description><![CDATA[<p>Sonam Wangchuk: કાર્યકર્તા સોનમ વાંગચુકે 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ચળવળ સાથે તેમના જોડાણના આરોપોને સ્પષ્ટપણે ફગાવી દીધા છે અને સૂચવ્યું છે કે તેમના વિદેશી સંસ્થાઓ સાથે સંબંધો છે. વાંગચુકે જણાવ્યું હતું કે તેમણે જમીની વાસ્તવિકતા, ઉપલબ્ધ ડેટા અને ચળવળના સભ્યો સાથે વાતચીત કર્યા પછી જ તેમનો ટેકો આપ્યો હતો.</p><p><br></p><p><b>શું તમે CIA સાથે જોડાયેલા છો?</b></p><p>એક પોડકાસ્ટ દરમિયાન, વાંગચુકને ચળવળના ભંડોળ અને વિદેશી જોડાણો વિશે પ્રશ્ન કરવામાં આવ્યો હતો. પોડકાસ્ટમાં પૂછવામાં આવ્યું કે "શું તમે CIA સાથે જોડાયેલા છો? આ બધું જે રીતે બહાર આવ્યું, એવું લાગે છે કે ફક્ત CIA એજન્ટ જ આટલું ચતુરાઈભર્યું કંઈક કરી શકે છે." હસતા હસતા વાંગચુકે જવાબ આપ્યો, "જો હું એક હોઉં, તો મને હજી સુધી તેના વિશે ખબર પડી નથી. કદાચ તેમની ભરતી પ્રક્રિયા એટલી ગુપ્ત છે કે કોઈ વ્યક્તિને તેમના મૃત્યુના 500 વર્ષ પછી પણ ખ્યાલ નથી આવતો."</p><p><br></p><p>નોંધનીય છે કે સોનમ વાંગચુકે જૂનમાં જંતર મંતર પર CJP ની આગેવાની હેઠળના વિરોધ પ્રદર્શનોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. પરીક્ષાઓમાં અનિયમિતતાઓને કારણે શરૂ થયેલા આ વિરોધ પ્રદર્શનો આખરે જુલાઈમાં તત્કાલીન શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા તરફ દોરી ગયા. વાંગચુકે વિરોધીઓના સમર્થનમાં અનિશ્ચિત સમય માટે ભૂખ હડતાળ પણ કરી હતી.</p><p><br></p><p><b>CJPના દાવાઓ અને ડેટા ચકાસણી અંગે વાંગચુકનો પ્રતિભાવ</b></p><p>CJPના સ્થાપક અભિજીત દીપકે દ્વારા તેમની શૈક્ષણિક બેકગ્રાઉન્ડ અને પાકિસ્તાન, બાંગ્લાદેશ અથવા યુએસ સાથેના કથિત સંબંધો અંગે કરવામાં આવેલા દાવાઓને સંબોધતા, વાંગચુકે જણાવ્યું હતું કે તેમણે કોઈ મોટી ગુપ્તચર એજન્સી જેવી તપાસ હાથ ધરી નથી. જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેમનો નિર્ણય તેમને રજૂ કરાયેલા ડેટા પર આધારિત છે, ત્યારે તેમણે જવાબ આપ્યો, "હા, તે ડેટા પર આધારિત હતો. અમારા લેફ્ટનન્ટ ગવર્નર (LG) સહિત ઘણા અધિકારીઓ દાવો કરી રહ્યા હતા કે આંદોલનને બાંગ્લાદેશ, પાકિસ્તાન અને યુએસ તરફથી ભારે સમર્થન મળી રહ્યું છે." "જ્યારે મેં તેમના સોશિયલ મીડિયા ફોલોઅર્સ સંબંધિત ડેટાની તપાસ કરી, ત્યારે મને જાણવા મળ્યું કે 94 ટકા ભારતમાંથી હતા, જ્યારે ફક્ત 6 ટકા વિદેશથી હતા."</p><p><br></p><p>તેમણે કહ્યું, "મેં મારી જાતને વિચાર્યું કે ભારત ખરેખર 'વિશ્વગુરુ' (વૈશ્વિક નેતા) બની રહ્યું છે. તેની શરૂઆત ભારતમાં થઈ હતી અને હવે પાકિસ્તાનમાં પણ 'કોકરોચ જનતા પાર્ટી' ઉભરી રહી છે; તેથી ઓછામાં ઓછા વિરોધ પ્રદર્શનોની દ્રષ્ટિએ ભારત વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે."</p><p><br></p><p><b>"અહીં કંઈ ખોટું નથી"</b></p><p>વાંગચુકે આગળ કહ્યું, "6 ટકા વિદેશી અનુયાયીઓ હોવા એ ચિંતાનું કારણ નથી. જો તે આંકડો 30 ટકા હોત, તો હું ચિંતિત હોત. 94 ટકા ભારતીય સમર્થન આધાર અને જમીની વાસ્તવિકતા જોઈને, મને સમજાયું કે કંઈ ખોટું નથી. જ્યારે મેં તેમની સાથે ફોન પર વાત કરી અને પ્રશ્નો પૂછ્યા, ત્યારે મને એવું બિલકુલ લાગ્યું નહીં કે તેઓ કોઈ વિદેશી શક્તિ માટે કામ કરી રહ્યા છે." તેમણે ટિપ્પણી કરી, "લોકો આંદોલનનું નેતૃત્વ કરી રહેલા યુવાનોની જીવનશૈલી અથવા ભૂતકાળના રોજગાર પર વાંધો ઉઠાવી શકે છે, પરંતુ તેઓ ચોક્કસપણે કોઈ વિદેશી શક્તિના ઇશારે કામ કરી રહ્યા નથી."</p><p><br></p><p><b>જ્યારે તેમણે પોતાનો ટેકો આપ્યો</b></p><p>વાંગચુકે જણાવ્યું, "જ્યારે મને ખાતરી થઈ ગઈ કે આંદોલનનો હેતુ સાચો છે ત્યારે મેં તેમને ટેકો આપવાનું નક્કી કર્યું. ખાસ કરીને જ્યારે તેઓએ કહ્યું કે દિલ્હી પહોંચતા જ તેમની ધરપકડ થઈ શકે છે. મેં તેમને કહ્યું કે જો તેમની ધરપકડ કરવામાં આવશે તો હું તેમની સાથે જોડાઈશ અને ભૂખ હડતાળ પર જઈશ. મેં તેમને ટેકો આપ્યો કારણ કે મને સંપૂર્ણ વિશ્વાસ હતો કે તેમાં કંઈ અયોગ્ય નથી."</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/satyendra-jain-gets-bail-in-djb-stp-scam-case-court-grants-rs-2-lakh-bond" target="_blank"><b>Satyendra Jainને મળ્યા જામીન, જલ બોર્ડ ટેન્ડર કૌભાંડમાં થઈ હતી ધરપકડ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/R1IwwNri21Cb0IXcivuiONoi6gPGC1viEOoPYIa1.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના ચાંદખેડામાં સાવકા પિતાએ 17 વર્ષીય સગીર પુત્રીની કરી છેડતી, માતા પહોંચી પોલીસ મથકે! ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-chandkheda-stepfather-minor-girl-molestation-case</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-chandkheda-stepfather-minor-girl-molestation-case</guid><pubDate>Thu, 03 Sep 2026 15:40:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં માનવતાને શરમસારે તેવી એક કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. ચાંદખેડા વિસ્તારમાં એક સાવકા પિતાએ પોતાની જ 17 વર્ષીય સગીર પુત્રી સાથે અડપલાં કરીને પવિત્ર સંબંધને લજવ્યો છે. આ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવતા જ સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારમાં ભારે ખળભળાટ મચી ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>માતાને જાણ થતાં જ પિતા વિરુદ્ધ કાનૂની બ્યુગલ ફુંકાયું</b></h2><p style="text-align: justify; ">આ નરાધમ પિતાની કરતૂત અંગે જ્યારે સગીરાએ પોતાની સગી માતાને આપવીતી જણાવી, ત્યારે સમગ્ર બનાવનો પર્દાફાશ થયો હતો. પોતાની દીકરી સાથે થયેલા અન્યાય અને અત્યાચાર સામે માતાએ સહેજ પણ ઝૂક્યા વિના હિંમત દાખવી હતી. માતાએ દીકરીને ન્યાય અપાવવા માટે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવાનો નિર્ણય લીધો હતો અને મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>ચાંદખેડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી</b></h3><p style="text-align: justify; ">માતાની રજૂઆત અને ફરિયાદના આધારે ચાંદખેડા પોલીસે આરોપી સાવકા પિતા વિરુદ્ધ સંબંધિત કાયદાકીય કલમો હેઠળ ગંભીર ગુનો નોંધ્યો છે. પોલીસે ફરિયાદ આધારે આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ મામલે સગીરાનું નિવેદન નોંધીને આરોપી પિતાની અટકાયત કરવા સહિતની આગળની તથ્યલક્ષી તપાસ પોલીસે તેજ કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/3MAUoeoa8oFbidUbfDPm0suZObUDZfpQBoJOnOZf.webp'/></item><item><title><![CDATA[Gandhinagar : વિજય રૂપાણીના પરિવારને મળ્યા તરુણ ચૂગ, હવે 3 દિવસના ગુજરાત પ્રવાસે ફરી આવશે પ્રદેશ ભાજપ પ્રભારી ]]></title><link>https://sandesh.com/gujarat/news/political-news/gandhinagar/tarun-chugh-meets-vijay-rupani-family-gandhinagar-gujarat-visit-september</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/political-news/gandhinagar/tarun-chugh-meets-vijay-rupani-family-gandhinagar-gujarat-visit-september</guid><pubDate>Thu, 03 Sep 2026 15:40:03 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ પ્રભારી તરુણ ચૂગે પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીના પરિવારજનોની મુલાકાત લીધી હતી. ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને પહોંચીને તેમણે વિજય રૂપાણીના પરિવાર સાથે મુલાકાત કરી હતી. તરુણ ચૂગે અંજલી રૂપાણી અને તેમના પુત્ર ઋષભ રૂપાણી સાથે મુલાકાત કરી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.</p><h2 style="text-align: justify; "><b>જગદીશ વિશ્વકર્મા પણ રહ્યા ઉપસ્થિત</b></h2><p style="text-align: justify; ">આ મુલાકાત દરમિયાન પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના બંને નેતાઓએ રૂપાણી પરિવાર સાથે મુલાકાત કરી હતી. તરુણ ચૂગ અને સ્વ. વિજય રૂપાણીએ અગાઉ પંજાબના પ્રભારી તરીકેની જવાબદારી દરમિયાન સાથે કામ કર્યું હતું. આ જૂની કાર્યસંબંધિત ઓળખને કારણે પણ તરુણ ચૂગની આ મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>9, 10 અને 11 સપ્ટેમ્બરે ફરી ગુજરાત પ્રવાસે આવશે</b></h3><p style="text-align: justify; ">નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રભારી તરુણ ચૂગ ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવવાના છે. તેઓ 9, 10 અને 11 સપ્ટેમ્બર દરમિયાન 3 દિવસીય ગુજરાત પ્રવાસ પર આવશે. આ પ્રવાસ દરમિયાન તરુણ ચૂગ ભાજપના નેતાઓ, પદાધિકારીઓ અને સંગઠનના વિવિધ જવાબદારો સાથે બેઠકો અને મુલાકાતો કરશે.</p><h4 style="text-align: justify; "><b>PM મોદીના જન્મદિવસના કાર્યક્રમોની તૈયારીઓની સમીક્ષા</b></h4><p style="text-align: justify; ">તરુણ ચૂગના આગામી ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમોની તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવશે. ભાજપ સંગઠન દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમો અને તેની તૈયારીઓ અંગે નેતાઓ તથા પદાધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે.</p><h4 style="text-align: justify; "><b>સંગઠનાત્મક બેઠકો પર રહેશે ખાસ નજર</b></h4><p style="text-align: justify; ">3 દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન તરુણ ચૂગની સંગઠનાત્મક બેઠકોને પણ મહત્વ આપવામાં આવશે. વિવિધ સ્તરના નેતાઓ અને પદાધિકારીઓ સાથે મુલાકાત કરીને સંગઠનના આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવશે. ગુજરાતમાં પ્રદેશ ભાજપ પ્રભારી તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ તરુણ ચૂગની સતત સક્રિયતા વચ્ચે આગામી 3 દિવસીય પ્રવાસને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp;&nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-gujarat-august-rainfall-deficit-devbhumi-dwarka-87-percent-monsoon#google_vignette" target="_blank"><b> Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ</b></a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/OxopHJNYdD4rVLUttkTS6h2ifvIdyuhLIsWk8bD0.webp'/></item><item><title><![CDATA[મુસ્લિમ યુવક ચપ્પલ ઉતારીને થિયેટરમાં  જોઈ રહ્યો હતો Hanuman Ansh, લોકોએ કહ્યું- 'આ છે રાજકારણ વગરનું ભારત' ]]></title><link>https://sandesh.com/entertainment/news/hanuman-ansh-muslim-youth-theatre-viral-video</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/hanuman-ansh-muslim-youth-theatre-viral-video</guid><pubDate>Thu, 03 Sep 2026 15:39:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નીમ કરોલી બાબાના જીવન પર આધારિત ફિલ્મ હનુમાન અંશ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. તાજેતરમાં એક મુસ્લિમ વ્યક્તિનો થિયેટરમાં ચપ્પલ ઉતારીને ફિલ્મ જોતો વીડિયો વાયરલ થયો છે. ઓછા બજેટમાં બનેલી ફિલ્મ હનુમાન અંશ હાલમાં અનેક કારણોસર ચર્ચામાં છે. ફિલ્મે ત્રીજા અઠવાડિયામાં અચાનક ઝડપ પકડી હતી અને ત્યારથી શાનદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મ નીમ કરોલી બાબાના જીવનની કહાની પર આધારિત છે અને તેમના જીવનને પડદા પર રજૂ કરે છે.</p><h2 style="text-align: justify; "><b>ફિલ્મની સફળતા બાદ સીક્વલની જાહેરાત</b></h2><p style="text-align: justify; ">ફિલ્મની સફળતાને જોતા મેકર્સે તેના સીક્વલની પણ જાહેરાત કરી છે. હવે થિયેટરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક મુસ્લિમ વ્યક્તિ ખૂબ જ ધ્યાનથી ફિલ્મ જોતો જોવા મળે છે અને તેણે ફિલ્મ જોતી વખતે ચપ્પલ પણ ઉતારી દીધી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>લોકોએ વ્યક્ત કર્યો પ્રેમ</b></h3><p style="text-align: justify; ">આ વીડિયો પર ઘણા યુઝર્સે પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે કમેન્ટ કર્યું, તેણે ચપ્પલ પણ ઉતારી દીધી. અન્ય એક યુઝરે લખ્યું, રાજકારણ વગરનું ભારત. અન્ય એક યુઝરે લખ્યું કે આજે સિનેમાઘરમાં એક એવું દૃશ્ય જોવા મળ્યું જેને સમજવું મુશ્કેલ છે. એક વૃદ્ધ અંકલે પોતાના જૂતા ઉતારીને સંપૂર્ણ શ્રદ્ધા સાથે હનુમાન અંશ ફિલ્મ જોઈ. યુઝરે આ દૃશ્યને અનોખું ગણાવ્યું.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/Geetashloks/status/2095113152581001642"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3 style="text-align: justify; "><b>7 ઓગસ્ટે રિલીઝ થઈ હતી ફિલ્મ</b></h3><p style="text-align: justify; ">હનુમાન અંશને કોઈ ખાસ માર્કેટિંગ વિના 7 ઓગસ્ટ, 2026ના રોજ રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મે પહેલા દિવસે માત્ર 10 લાખ રૂપિયાની કમાણી કરી હતી. આ રીતે ભારતમાં 2 અઠવાડિયામાં ફિલ્મનું કલેક્શન માત્ર 1.48 કરોડ રૂપિયા થયું હતું.</p><h4 style="text-align: justify; "><b>27 દિવસમાં 61 કરોડની કમાણી</b></h4><p style="text-align: justify; ">2 અઠવાડિયા સુધી નબળા પ્રદર્શન બાદ એવી શક્યતા હતી કે ફિલ્મને થિયેટરમાંથી હટાવી દેવામાં આવશે. પરંતુ ત્રીજા અઠવાડિયામાં ફિલ્મની કમાણીમાં મોટો ઉછાળો આવ્યો. દર્શકોને ફિલ્મ પસંદ આવતાં તેને જોરદાર વર્ડ ઓફ માઉથ મળ્યું અને ફિલ્મની કમાણી સતત વધતી ગઈ. હવે હનુમાન અંશ 27 દિવસમાં 61 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કરી ચૂકી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/vivek-oberoi-net-worth-business-income-sources" target="_blank">આ પણ વાંચો-Real Estate : ઓછી ફિલ્મો છતાં અબજોપતિ! રિયલ એસ્ટેટ બિઝનેસથી કરોડો રૂપિયા છાપે છે વિવેક ઓબેરોય!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/OW6lcxpDPhTTNTN3XQtUrGCxhVeEfWvtbcPRAcXG.webp'/></item><item><title><![CDATA[Surat સ્મીમેર હોસ્પિટલમાં ડોક્ટરોની હાજરી મુદ્દે તંત્ર લાલઘૂમ: OPDમાં સવારે 9 વાગ્યે હાજરી ફરજિયાત ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-smimer-hospital-doctors-opd-attendance-9-am</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-smimer-hospital-doctors-opd-attendance-9-am</guid><pubDate>Thu, 03 Sep 2026 15:03:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતની સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા અને સારવાર વ્યવસ્થામાં સુધારો લાવવા માટે હોસ્પિટલ તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. OPD સમય દરમિયાન ડોક્ટરોની ગેરહાજરી અને વિલંબથી આવવાની ફરિયાદોને પગલે હવે તમામ ડોક્ટરો માટે સવારે 9 વાગ્યે ફરજિયાત હાજર રહેવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, હોસ્પિટલના પેરામેડિકલ સ્ટાફે સવારે 8:30 કલાકે પહોંચીને કામગીરી શરૂ કરી દેવાની રહેશે, જેથી દર્દીઓને સમયસર સારવાર મળી રહે.</p><h2 style="text-align: justify; "><b>ગેરહાજરી અને મુવમેન્ટ રજિસ્ટર અંગે કડક નિયમો લાગુ</b></h2><p style="text-align: justify; ">તંત્રના ધ્યાન પર આવ્યું હતું કે સીનિયર ડોક્ટરો ગેરહાજર રહેતા હોવાના કારણે જુનિયર ડોક્ટરો પર કામનું ભારે બારણ વધતું હતું અને દર્દીઓની લાંબી લાઈનો લાગતી હતી. આ સમસ્યાના ઉકેલ માટે હવે જો કોઈ ડોક્ટર OPD સમયમાં હાજર ન હોય, તો તેમણે લેખિતમાં સ્પષ્ટ ખુલાસો કરવો પડશે. ઉપરાંત, OPD દરમિયાન ક્લિનિકલ કે અન્ય કામ માટે બહાર જતાં પહેલાં 'મૂવમેન્ટ રજિસ્ટર'માં નોંધ કરવી ફરજિયાત બનાવવામાં આવી છે. યોગ્ય કારણ વિના બહાર જનાર ડોક્ટરની ગેરહાજરી અનધિકૃત ગણાશે અને તેમની સામે શિસ્તભંગના કડક પગલાં લેવામાં આવશે.</p><h3 style="text-align: justify; "><b>HOD પર જવાબદારી નક્કી: રેકોર્ડ આધારિત કામગીરી થશે</b></h3><p style="text-align: justify; ">નવા નિયમો મુજબ, OPDમાં સ્ટાફ અને સમગ્ર ટીમ સમયસર હાજર રહે તેની સંપૂર્ણ જવાબદારી જે-તે વિભાગના HOD અને યુનિટ હેડની રહેશે. હવેથી કોઈ પણ મૌખિક રજૂઆતો કે બહાના ચલાવી લેવામાં આવશે નહીં પરંતુ સંપૂર્ણ રેકોર્ડ આધારિત જવાબદારી નક્કી કરાશે. જો દર્દીઓ તરફથી કોઈ ફરિયાદ મળશે તો તેના આધારે મૂવમેન્ટ રજિસ્ટરની વિગતોની બારીકાઈથી તપાસ કરવામાં આવશે, જેથી હોસ્પિટલની શિસ્ત અને દર્દીઓની સુવિધા જળવાઈ રહે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/lKPbpre9Rrd1wT8BND4x19WuSkug8MH5O1XpwXne.webp'/></item><item><title><![CDATA[Asian Games : ગંભીર નહીં તો કોણ? ટીમ ઈન્ડિયાની કમાન હવે આ દિગ્ગજના હાથમાં! ]]></title><link>https://sandesh.com/sports/news/asian-games/asian-games-if-not-serious-then-who-the-command-of-team-india-is-now-in-the-hands-of-this-veteran</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/asian-games/asian-games-if-not-serious-then-who-the-command-of-team-india-is-now-in-the-hands-of-this-veteran</guid><pubDate>Thu, 03 Sep 2026 15:00:31 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય ક્રિકેટ ટીમની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, પણ આ વખતે ફેન્સને એક મોટો ફેરફાર જોવા મળશે. એશિયન ગેમ્સની તારીખો અને ભારત-વેસ્ટઈન્ડીઝ સીરિઝની તારીખો એકસાથે આવતી હોવાથી મુખ્ય કોચ ગૌતમ ગંભીર જાપાન નહીં જઈ શકે. તેમની ગેરહાજરીમાં પૂર્વ દિગ્ગજ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણ ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકેની જવાબદારી સંભાળશે. આ ટુર્નામેન્ટમાં ભારતની કમાન શ્રેયસ અય્યરના હાથમાં રહેશે, જ્યારે સપોર્ટ સ્ટાફમાં સુનીલ જોશી અને ઋષિકેશ કાનિટકર જેવા અનુભવી નામો સામેલ છે.</p><h2 style="text-align: justify; "><b>ભારતીય ટીમ સીધી ક્વાર્ટર ફાઇનલમાં રમશે</b></h2><p style="text-align: justify; ">ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર એ છે કે તેમણે ગ્રુપ સ્ટેજની મેચો રમવી નહીં પડે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશને સીધો ક્વાર્ટર ફાઇનલમાં જ પ્રવેશ આપી દેવાયો છે. શ્રેયસ અય્યરની ટીમ બીજા ક્વાર્ટર ફાઇનલથી પોતાની સફર શરૂ કરશે. તેમની સામે કઈ ટીમ હશે તેનો નિર્ણય હવે પછી થશે.</p><h2 style="text-align: justify; "><b>યુવા અને અનુભવી ખેલાડીઓ સાથે ગોલ્ડ મેડલની દાવેદારી</b></h2><p style="text-align: justify; ">આ વખતે પસંદ કરાયેલી ટીમમાં અનુભવી ખેલાડીઓ અને યુવા જોશનું જબરદસ્ત કોમ્બિનેશન છે. ટીમમાં જસપ્રીત બુમરાહ, સંજૂ સેમસન, ઈશાન કિશન અને અક્ષર પટેલ જેવા અનુભવી ખેલાડીઓ તો છે જ, સાથે આઈપીએલમાં ધમાકો કરનાર 15 વર્ષના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને પણ તક મળી છે. આ ધાકડ ટીમને જોતાં ભારતને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાનું સૌથી મોટું દાવેદાર માનવામાં આવી રહ્યું છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો :&nbsp;</b></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/WeP4hwQCBZMO7NXk9ntAv5saxBh0EMkVcVBfHEmG.webp'/></item></channel></rss>