<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Surat: ઉધનામાં બેફામ કાર ચાલકે મચાવ્યો કહેર: 7 થી 8 ગાડીઓને અડફેટે લેતા અફરાતફરી, 1 ઈજાગ્રસ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/surat-udhna-reckless-car-accident-hits-multiple-vehicles-1-injured</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/surat-udhna-reckless-car-accident-hits-multiple-vehicles-1-injured</guid><pubDate>Sat, 05 Sep 2026 18:18:39 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરમાં માર્ગ અકસ્માત અને બેફામ વાહન હંકારવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરના ઉધના વિસ્તારમાં આજે એક રફ્તારના કહેરની ગંભીર ઘટના સામે આવી છે. ઉધના ખાતે એક બેફામ કાર ચાલકે પોતાના વાહન પરનો કાબૂ ગુમાવી દેતાં માર્ગ પર પાર્ક કરેલી તથા પસાર થતી 7 થી 8 ગાડીઓને એકપછી એક અડફેટે લીધી હતી.</p><p style="text-align: justify; "><b style="font-size: 2rem;">અકસ્માતમાં 1 કાર ચાલકને ગંભીર ઈજાઓ</b></p><p style="text-align: justify; ">આ ભયાનક અકસ્માતમાં 1 કાર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. કાર અથડાવાના જોરદાર અવાજો આવતા જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.</p><p style="text-align: justify; "><img alt="Surat Accident: Reckless Driver Hits 7 to 8 Vehicles in Udhna, 1 Injured" src="https://epapercdn.sandesh.com/images/2026/09/05/i4w415X9Epf6EoTKlhTYoAu79uWPsEol8pb31S8P.webp" style="width: 100%;"><br></p><h3 style="text-align: justify; "><b>કાર ચાલકને સારવાર માટે ખસેડાયો</b></h3><p style="text-align: justify; ">સ્થાનિકોએ ભેગા થઈને ઈજાગ્રસ્ત કાર ચાલકને કારમાંથી બહાર કાઢીને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો.</p><p style="text-align: justify; "><img alt="Surat Accident: Reckless Driver Hits 7 to 8 Vehicles in Udhna, 1 Injured" src="https://epapercdn.sandesh.com/images/2026/09/05/50dLfKbSndqy3NqnxY8jKByiRwqs5NX9teidQPPw.webp" style="width: 100%;"><br></p><h3 style="text-align: justify; "><b>લોકોના ટોળાં એકઠા થઈ ગયા&nbsp;</b></h3><p style="text-align: justify; ">અકસ્માતને પગલે માર્ગ પર લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા અને થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે સ્થિતિ થાળે પાડીને અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/india/news/nepal-flash-flood-india-climate-change-response-developed-countries" target="_blank"><b>&nbsp;Nepal Flood : ફ્લેશ ફ્લડ પર નેપાળને ભારતનો જવાબ, વિકસિત દેશોએ જ વિકાસશીલ દેશોની મદદ કરવી જોઈએ</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/A1214qhHrPaDecA8H0o3WlR9AY9UBYzL8ZKXrRMC.webp'/></item><item><title><![CDATA[Indiaની એક નોટિસ અને પાકિસ્તાન ટેન્શનમાં...? બોલાવી તાબડતોડ બેઠક ]]></title><link>https://sandesh.com/india/news/india-iaf-17-day-air-exercise-rajasthan-jaisalmer-barmer-pakistan-high-alert-notam</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/india-iaf-17-day-air-exercise-rajasthan-jaisalmer-barmer-pakistan-high-alert-notam</guid><pubDate>Sat, 05 Sep 2026 18:03:23 +05:30</pubDate><description><![CDATA[<p>India: પાકિસ્તાન હાલમાં ભારતના પગલાથી ખૂબ જ ચિંતિત છે. આ ભય એટલો ગંભીર છે કે તેને કારણે ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે અને સરહદ પર દેખરેખ વધારી દેવામાં આવી છે; દેશ હાઈ એલર્ટ પર છે, જે ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યો છે. તમે વિચારી રહ્યા હશો કે પાકિસ્તાનમાં આટલી ચિંતાનું કારણ શું છે. તેનું કારણ ભારત પશ્ચિમ રાજસ્થાનમાં આયોજિત કરી રહ્યું છે તે લશ્કરી કવાયત છે.</p><p><br></p><h4><b>ભારતના લશ્કરી કવાયતથી પાકિસ્તાન સતર્ક</b></h4><p>ભારતીય વાયુસેના રાજસ્થાનમાં 17 દિવસના લશ્કરી હવાઈ કવાયતની તૈયારી કરી રહી છે. 21 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી ચાલનારા આ કવાયતમાં ભારતીય વાયુસેનાના ઓપરેશન્સ માટે એરસ્પેસનું રિઝર્વેશન સામેલ છે. પરિણામે પાકિસ્તાને તેની સતર્કતા વધારી દીધી છે અને એરસ્પેસ રિઝર્વેશન પર નજીકથી નજર રાખી રહ્યું છે.</p><p><br></p><h4><b>કવાયત માટે એરસ્પેસ આરક્ષિત</b></h4><p>અહેવાલો અનુસાર, ભારતીય વાયુસેનાએ 21 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર દરમિયાન જેસલમેર-બાડમેર-ફલોદી-જોધપુર સેક્ટરમાં આશરે 40,000 ફૂટની ઊંચાઈ સુધીનો હવાઈ વિસ્તાર આરક્ષિત રાખ્યો છે. આ વિસ્તારનો એક ભાગ આંતરરાષ્ટ્રીય સરહદથી 20 કિલોમીટરની અંદર ફેલાયેલો છે. વધુમાં, NAL-બિકાનેર નજીકના વિસ્તારને પણ અવરોધિત કરવામાં આવ્યો છે. આ અંગે એક NOTAM જારી કરવામાં આવ્યો છે.</p><p><br></p><h4><b>NOTAM શું છે?</b></h4><p>NOTAM (એરમેન/એર મિશનને સૂચના) એ એક માનક ઉડ્ડયન ચેતવણી છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે લશ્કરી કવાયત અને શસ્ત્રો પરીક્ષણ જેવી પ્રવૃત્તિઓ માટે થાય છે જેમાં મર્યાદિત સમયગાળા માટે ચોક્કસ હવાઈ ક્ષેત્ર આરક્ષિત કરવાની જરૂર હોય છે.</p><p><br></p><h4><b>પાકિસ્તાને ઇમરજન્સી બેઠક બોલાવી</b></h4><p>અહેવાલો સૂચવે છે કે પાકિસ્તાને તેના સંરક્ષણ દળોના વડાના કાર્યાલયને આ બાબતની જાણ કરી છે. પાકિસ્તાની સંરક્ષણ મંત્રાલયે ભારતની સૂચનાની સમીક્ષા કરવા માટે ખાસ એક બેઠક બોલાવી છે. ઇસ્લામાબાદે ભારત-પાકિસ્તાન સરહદ પર પણ તકેદારી વધારી છે; તેના સશસ્ત્ર દળો કોઈપણ સંભવિત ખતરાને શોધવા માટે ભારતીય વાયુસેનાની પ્રવૃત્તિઓ પર નજર રાખી રહ્યા છે. ભારતીય વાયુસેનાએ એવા સમયે હવાઈ ક્ષેત્ર આરક્ષિત રાખ્યું છે જ્યારે પશ્ચિમ ભારતમાં જાપાનને સંડોવતા બહુરાષ્ટ્રીય કવાયત સહિત બે મુખ્ય હવાઈ કવાયતોની તૈયારીઓ ચાલી રહી છે.</p><p>આ પણ વાંચો:<a href="https://sandesh.com/world/news/nepal-flood-nuwakot-betrawati-woman-alive-after-11-days-under-debris-landslide" target="_blank"><b> Video: નેપાળ ભયંકર તબાહીના 11મા દિવસ બાદ ચમત્કાર! કાટમાળમાંથી જીવતી નીકળી મહિલા</b></a></p><p><br></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/i3ASIVzIMU9ys6vwvHjPYucnvB5Kz9zGs2XEmAHI.webp'/></item><item><title><![CDATA[રિક્ષાચાલકથી લઈને ઘરકામ કરનાર સુધી, આ સરકારી યોજનામાં મળે છે ₹3,000 પેન્શન ]]></title><link>https://sandesh.com/business/news/pm-sym-pradhan-mantri-shram-yogi-maandhan-yojana-3000-pension-55-monthly-contribution</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/pm-sym-pradhan-mantri-shram-yogi-maandhan-yojana-3000-pension-55-monthly-contribution</guid><pubDate>Sat, 05 Sep 2026 17:48:57 +05:30</pubDate><description><![CDATA[<p>PM Modi Scheme: સરકારની ઘણી એવી યોજનાઓ છે, જે ખાસ કરીને દેશના અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આજે અમે તમને આવી જ એક યોજના વિશે જણાવી રહ્યા છીએ, જેમાં માત્ર ₹55ના માસિક રોકાણથી 60 વર્ષની ઉંમર બાદ દર મહિને ₹3,000ની ગેરંટીડ પેન્શન મળવાની જોગવાઈ છે. આ યોજનાનું નામ છે, પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના (PM-SYM).મોદી સરકાર દ્વારા આ યોજના ફેબ્રુઆરી 2019માં શરૂ કરવામાં આવી હતી.</p><h2><b>કોના માટે છે આ યોજના?</b></h2><p>અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો જેમ કે લારી-ગલ્લાવાળા, રિક્ષાચાલકો, મજૂરો, ઘરકામ કરતા લોકો, કૃષિ મજૂરો સહિતના લોકો આ યોજનામાં જોડાઈ શકે છે. જોકે, આ માટે તેમની ઉંમર 18થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને તેમની માસિક કુલ આવક ₹15,000 કે તેનાથી ઓછી હોવી જોઈએ. આ ઉપરાંત અરજદાર ઇન્કમ ટેક્સપેયર ન હોવો જોઈએ અને પહેલેથી EPFO, ESIC અથવા NPS જેવી અન્ય સરકારી સામાજિક સુરક્ષા યોજનાનો સભ્ય પણ ન હોવો જોઈએ.</p><h3><b>સરકાર પણ આપે છે 50% યોગદાન</b></h3><p>આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં 50% યોગદાન સરકાર તરફથી આપવામાં આવે છે. એટલે કે આ એક ‘મેચિંગ કોન્ટ્રિબ્યુશન’ એટલે કે 1:1 યોગદાનવાળી યોજના છે. સરળ ભાષામાં સમજીએ તો તમારા બેંક ખાતામાંથી જેટલી રકમ કપાશે, એટલી જ રકમ ભારત સરકાર પણ તમારા પેન્શન ખાતામાં જમા કરશે. ઉદાહરણ તરીકે, જો તમે ₹55 આપો છો તો સરકાર પણ ₹55 આપશે. આ રીતે દર મહિને કુલ ₹110 જમા થશે. ઉંમર વધવાની સાથે તમારું યોગદાન પણ વધતું જાય છે અને સરકારનું યોગદાન પણ તે પ્રમાણે રહે છે.</p><h4><b>કેવી રીતે કરી શકાય અરજી?</b></h4><p>આ યોજનામાં જોડાવા માટે તમે તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જઈ શકો છો અથવા સત્તાવાર Shram Yogi Maandhan Portal દ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકો છો. આ માટે મુખ્યત્વે આધાર કાર્ડ અને સેવિંગ બેંક એકાઉન્ટ અથવા જનધન ખાતું જરૂરી છે, જેમાંથી દર મહિને રકમ ઓટો-ડેબિટ થઈ શકે. જુલાઈ 2026 સુધી આ યોજના હેઠળ રજિસ્ટર્ડ લાભાર્થીઓની સંખ્યા 54 લાખને પાર થઈ ગઈ છે. દેશભરમાં આ યોજના માટે લગભગ 4 લાખ સેન્ટર્સનું નેટવર્ક પણ ઉપલબ્ધ છે.</p><p><b><a href="https://sandesh.com/business/news/pm-kisan-yojana--why-your-rs-2000-installment-stopped--check-3-reasons" target="_blank">આ પણ વાંચો: ખેડૂતોને લઈને મોટા સમાચાર, આ કારણથી રોકાઇ શકે છે હપ્તો!</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/K4Yfw2IDr2lK8vnYtZNANKRf503zJa7o1gaHHz1c.webp'/></item><item><title><![CDATA[Panchmahal: મામલતદાર કચેરીમાં ACB નું સક્સેસફુલ ઓપરેશન: 25 હજારની લાંચ લેતા ક્લાર્ક રંગેહાથ ઝડપાયો! ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/panchmahal/panchmahal-jambughoda-mamlatdar-office-clerk-caught-taking-25000-bribe-acb-trap</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/panchmahal/panchmahal-jambughoda-mamlatdar-office-clerk-caught-taking-25000-bribe-acb-trap</guid><pubDate>Sat, 05 Sep 2026 17:45:29 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાની મામલતદાર કચેરી ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ હોય તેવી ઘટના સામે આવી છે. જમીનના રેકોર્ડમાં નામ દાખલ કરવા જેવી કાયદેસરની કામગીરી માટે પણ સરકારી બાબુઓ દ્વારા બેફામ લાંચ માંગવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. ત્યારે જાંબુઘોડા મામલતદાર કચેરીના એક ક્લાર્કને એન્ટી કરપ્શન બ્યુરો ની ટીમે લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડી કડક કાર્યવાહી કરી છે.</p><h2 style="text-align: justify; "><b>જમીનમાં નામ દાખલ કરવા અરજી કરી</b></h2><p style="text-align: justify; ">મળતી વિગતો અનુસાર, એક જાગૃત નાગરિકે પોતાની જમીનમાં નામ દાખલ કરવા અને નોંધ પાડવાની કામગીરી માટે જાંબુઘોડા મામલતદાર કચેરીનો સંપર્ક કર્યો હતો.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>ક્લાર્ક સુરપાલસિંહ ભુરસિંહ ઝાલાએ રૂપિયા 25,000 ની માગ કરી</b></h3><p style="text-align: justify; ">આ કાર્યવાહી કરી આપવા માટે કચેરીની ATV શાખામાં ફરજ બજાવતા ક્લાર્ક સુરપાલસિંહ ભુરસિંહ ઝાલાએ રૂપિયા 25,000 ની લાંચની માંગણી કરી હતી. જોકે, અરજદાર આ લાંચની રકમ ચૂકવવા માંગતા ન હોવાથી તેમણે તાત્કાલિક લાંચ રૂશ્વત વિરોધી વિભાગનો સંપર્ક સાધ્યો હતો.</p><h4 style="text-align: justify; "><b>મામલતદાર કચેરી જાંબુઘોડા ખાતે લાંચનું છટકું ગોઠવાયું</b></h4><p style="text-align: justify; ">અરજદારની ફરિયાદને આધારે મહીસાગર ACB ની ટીમે મામલતદાર કચેરી જાંબુઘોડા ખાતે લાંચનું છટકું ગોઠવ્યું હતું. પોતાની જાળમાં ફસાતો લાંચિયો ક્લાર્ક સુરપાલસિંહ ઝાલા અરજદાર પાસેથી રૂપિયા 25,000 ની રોકડ રકમ સ્વીકારવા ગયો હતો. લાંચ સ્વીકારતાની સાથે જ પહેલેથી જ ગોઠવાયેલા ACB ના અધિકારીઓએ ત્રાટકીને આરોપી ક્લાર્કને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.</p><h4 style="text-align: justify; "><b>ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ&nbsp;</b></h4><p style="text-align: justify; ">ACB ની ટીમે સ્થળ પરથી લાંચ પેટે લેવાયેલા રૂપિયા 25,000 પણ રિકવર કર્યા છે. સરકારી કચેરીમાં જ ACB ની સફળ ટ્રેપ થતાં અન્ય ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં લાંચિયા ક્લાર્ક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; ">&nbsp; &nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp;<a href="http://Nepal Flood : ફ્લેશ ફ્લડ પર નેપાળને ભારતનો જવાબ, વિકસિત દેશોએ જ વિકાસશીલ દેશોની મદદ કરવી જોઈએ" target="_blank"><b> Nepal Flood : ફ્લેશ ફ્લડ પર નેપાળને ભારતનો જવાબ, વિકસિત દેશોએ જ વિકાસશીલ દેશોની મદદ કરવી જોઈએ</b></a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/utMLuIh8KrQGBflN6an9vPus8xXboM2kqeh3Pq4a.webp'/></item><item><title><![CDATA[Surendranagarમાં ગીધની સંખ્યામાં ચિંતાજનક ઘટાડા વચ્ચે ઘુડખર અભયારણ્ય વિભાગ આવ્યું હરકતમાં ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/surendranagar/surendranagar-vulture-conservation-ghudkhar-sanctuary</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/surendranagar/surendranagar-vulture-conservation-ghudkhar-sanctuary</guid><pubDate>Sat, 05 Sep 2026 17:41:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરેન્દ્રનગર જિલ્લામાં કુદરતના સફાઈ કામદાર ગણાતા ગીધ (Vulture) ની વસ્તીમાં ચિંતાજનક ઘટાડો નોંધાતાં વન વિભાગ સક્રિય બન્યું છે. લુપ્ત થવાના આરે પહોંચેલા ગીધના સંરક્ષણ અને સંવર્ધન માટે ઘુડખર અભયારણ્ય વિભાગ દ્વારા ખાસ કામગીરી હાથ ધરવામાં આવી છે. વન વિભાગ દ્વારા ગીધની હાજરી ધરાવતા વિસ્તારોને ચિહ્નિત કરીને તેમના સંરક્ષણ માટે પગલાં ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે.</p><p style="text-align: justify; "><b>ગ્રામ્ય વિસ્તારો અને તળાવોના કાંઠે ગીધની હાજરી નોંધાઈ</b></p><p style="text-align: justify;">ઘુડખર અભયારણ્ય વિભાગની તપાસ દરમિયાન જિલ્લાના મેથાણ, ભારદ, અખિયાણા, રાજચરાડી અને ચંદ્રાસર સહિતના ગામોમાં ગીધની હાજરી જોવા મળી છે. ગ્રામ્ય વિસ્તારો તથા તળાવના કાંઠે આવેલા વિશાળ વૃક્ષો પર આશરે 40થી વધુ ગીધ મળી આવ્યા હતા. અધિકારીઓ અને વનકર્મીઓની ટુકડી દ્વારા આ વિસ્તારોમાં ઝાડ પર આવેલા ગીધના માળાની વર્તમાન સ્થિતિ, ઈંડા અને બચ્ચાઓની સંખ્યા અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી.</p><p style="text-align: justify; "><b>ગીધના રક્ષણ માટે ગ્રામજનોને અપાયું માર્ગદર્શન</b></p><p style="text-align: justify;">ગીધની સંખ્યામાં વધારો થાય અને તેમના આશ્રયસ્થાનો સુરક્ષિત રહે તે માટે વન વિભાગ દ્વારા સ્થાનિક ગ્રામજનો સાથે બેઠકો યોજીને જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. વન અધિકારીઓએ ગ્રામજનોને ગીધનું પર્યાવરણીય મહત્વ સમજાવીને તેમના માળા કે વૃક્ષોને નુકસાન ન પહોંચાડવા તથા પશુઓની સારવારમાં ગીધ માટે ઘાતક એવી દવાઓનો ઉપયોગ ન કરવા અંગે ખાસ માર્ગદર્શન આપ્યું હતું. વહીવટી તંત્રના આ પ્રયાસોથી સુરેન્દ્રનગર પંથકમાં ગીધના સંરક્ષણને નવજીવન મળવાની આશા જાગી છે.</p><p style="text-align: justify;"><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/vdhRLzrXJYRSTYtb0R2Yh1P4Nr7YavdnSFy19EE7.webp'/></item><item><title><![CDATA[OMG : 29મા દિવસે હનુમાન અંશ બની બોલીવુડની સૌથી મોટી ફિલ્મ! ધુરંધર 2 અને પુષ્પા 2ના તોડ્યા રેકોર્ડ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/hanuman-ansh-day-29-bollywood-box-office-records</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/hanuman-ansh-day-29-bollywood-box-office-records</guid><pubDate>Sat, 05 Sep 2026 17:40:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આધ્યાત્મિક ગુરુ નીમ કરૌલી બાબાના જીવન પર બનેલી ફિલ્મ હનુમાન અંશ 2026ની સૌથી મોટી સ્લીપર હિટ ફિલ્મોમાંની એક બની ગઈ છે. જોકે, આ ફિલ્મને શરૂઆતના 2 અઠવાડિયામાં કમાણી માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ત્રીજા અઠવાડિયામાં જાણે કોઈ ચમત્કાર થયો અને ત્યારથી અત્યાર સુધી આ ફિલ્મ ઘણી મોટી ફિલ્મોની વચ્ચે પણ જોરદાર કમાણી કરી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>હનુમાન અંશની 29મા દિવસની કમાણી કેટલી રહી?</b></h2><p style="text-align: justify; ">હનુમાન અંશને સિનેમાઘરોમાં રિલીઝ થયાને 1 મહિનો પૂરો થઈ ગયો છે. પરંતુ આ ફિલ્મ માટે દર્શકોનો પ્રેમ દરેક પસાર થતા દિવસ સાથે વધી રહ્યો છે. પરિણામે નવી ફિલ્મોની ભીડ વચ્ચે પણ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. લગભગ 2 કરોડના બજેટમાં બનેલી હનુમાન અંશએ 29મા દિવસ સુધીમાં પોતાના બજેટ કરતાં લગભગ 50 ગણું કલેક્શન કરી લીધું છે.</p><ul><li style="text-align: justify;">સેકનિલ્કના શરૂઆતના આંકડા પ્રમાણે આ ફિલ્મે રિલીઝના 29મા દિવસે એટલે કે 5મા શુક્રવારે 10 કરોડ રૂપિયાની કમાણી કરી છે.</li><li style="text-align: justify;">આ સાથે હનુમાન અંશનું ભારતમાં 29 દિવસનું કુલ નેટ કલેક્શન હવે 82.88 કરોડ રૂપિયા થઈ ગયું છે.</li><li style="text-align: justify;">જ્યારે ફિલ્મની ગ્રોસ કમાણી 97.7 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.</li></ul><h3 style="text-align: justify; "><b>હનુમાન અંશ બની 29મા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ</b></h3><p style="text-align: justify; ">હનુમાન અંશએ 29મા દિવસે કમાણીના મામલે કમાલ કરી દીધી છે. કોઈ મોટા સ્ટાર વગર અને સામાન્ય બજેટમાં બનેલી આ ફિલ્મ 29મા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. ઈન્ટરેસ્ટિંગ વાત એ છે કે તેણે ધુરંધરથી લઈને ધુરંધર 2, છાવા અને પુષ્પા જેવી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે.<br><img alt="Hanuman Ansh, Entertainment (2)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/05/jQ6WQ3jfbvb3ZbRpe6CxJ7szPs2g75eZUU3J0Brx.webp"><br></p><h4 style="text-align: justify; "><b>આ છે 29મા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ટોપ 5 ફિલ્મો</b></h4><ul><li style="text-align: justify;">હનુમાન અંશ – 10 કરોડ</li><li style="text-align: justify;">ધુરંધર – 8.75 કરોડ</li><li style="text-align: justify;">છાવા – 6.50 કરોડ</li><li style="text-align: justify;">પુષ્પા 2 – 3.75 કરોડ</li><li style="text-align: justify;">ધુરંધર 2 – 3.25 કરોડ</li></ul><h4 style="text-align: justify; "><b>હનુમાન અંશ હવે દુનિયાભરમાં થશે રિલીઝ</b></h4><p style="text-align: justify; ">ગુરુવારે ફિલ્મના નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટર શેર કરીને જાહેરાત કરી હતી કે હનુમાન અંશ 11 સપ્ટેમ્બર, 2026ના રોજ દુનિયાભરમાં રિલીઝ થશે. તેનાથી ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનમાં વધુ મોટો વધારો થઈ શકે છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/58-year-old-janmashtami-song-lata-mangeshkar" target="_blank">આ પણ વાંચો-Old Song : 58 વર્ષ જૂનું જન્માષ્ટમીનું સૌથી વાયરલ ગીત, લતા મંગેશકરના અવાજમાં આજે પણ હિટ છે આ સદાબહાર ગીત!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/mrOZgUaenL0dwKHPnY4CajapReIvpzjYKAbyVUyU.webp'/></item><item><title><![CDATA[Kangana Ranaut: એવુ તો શું થયુ કે...કે કંગના અધિકારીઓ પર બરાબરની ભડકી,  જુઓ Video ]]></title><link>https://sandesh.com/india/news/kangana-ranaut-dont-make-unnecessary-excuses-kangana-reprimands-officials-watch-video</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/kangana-ranaut-dont-make-unnecessary-excuses-kangana-reprimands-officials-watch-video</guid><pubDate>Sat, 05 Sep 2026 17:38:42 +05:30</pubDate><description><![CDATA[<p>હિમાચલ પ્રદેશના મંડીના ભાજપ સાંસદ કંગના રનૌત શનિવારે જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા) ની બેઠક દરમિયાન ગુસ્સે ભરાયા હતા. તેમણે સાંસદોને ફાળવવામાં આવેલા MPLAD ભંડોળના ધીમા ઉપયોગ અંગે હાજર અધિકારીઓને કડક શબ્દોમાં ઠપકો આપ્યો, તેમને સ્પષ્ટપણે કહ્યું કે તેઓ તેમના ખાલી ભાષણો ન કરે.</p><h3><b>ફાળવામાં આવેલા ભંડોળનો ઉપયોગ કેમ નથી કરતા&nbsp;</b></h3><p>બેઠક દરમિયાન, કંગના રનૌતે ધ્યાન દોર્યું કે સાંસદોના મતવિસ્તાર માટે ફાળવવામાં આવેલા ભંડોળનો ખરેખર ખૂબ જ ઓછો ઉપયોગ થયો છે. અધિકારીઓને ઠપકો આપતા, તેમણે કહ્યું કે સાંસદની ભૂમિકા ભંડોળ પૂરું પાડવાની છે. તેમણે નોંધ્યું કે માર્ચ-એપ્રિલ સુધીમાં, મંડી મતવિસ્તાર માટે ફાળવવામાં આવેલા 11 કરોડ રૂપિયામાંથી એક કરોડ રૂપિયા પણ ખર્ચવામાં આવ્યા નથી.&nbsp; ફક્ત મંડીમાં, 50-60 લાખ રૂપિયાથી ઓછાનો ઉપયોગ થયો છે. તેમણે ઉલ્લેખ કર્યો કે મંત્રાલયને અનેક પત્રો મોકલવા પડતા હતા, જેમાં પૂછવામાં આવતું હતું કે, "શું તેમની પાસે બીજું કોઈ કામ નથી? તેમને દરરોજ મંત્રાલયની ઓફિસમાં બેસવું પડતું હતું."</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/KR_Insta2/status/2096152285961441530"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3><b>તમે લોકો મારી વાત હજી સાંભળતા નથી- કંગના રનોત&nbsp;</b></h3><p>કંગનાએ અધિકારીઓને કહ્યું, "જો મને ફક્ત એક દિવસ માટે તમારા કાર્યાલયનો હવાલો આપવામાં આવે, તો હું બધું કામ કરાવીશ." ભાજપના સાંસદે આગળ ટિપ્પણી કરી, "તમે લોકો મારી વાત પણ સાંભળતા નથી. આ ફક્ત ખાલી બકવાસ છે; મને એ ન આપો. દરેક દિશા સમિતિની બેઠકમાં મને ખાલી ભાષણો સિવાય કંઈ મળતું નથી. અડધા ભંડોળનો ઉપયોગ થતો નથી. અહીં એવા લોકો છે જે પૈસા લઈને ચાલ્યા ગયા છે." તેણીએ ઉમેર્યું, "શું તમને કોઈ શરમ નથી આવતી?"</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2096204355313737944"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h4><b>કંગના રનોતે અધિકારીઓને તતડાવ્યા&nbsp;</b></h4><p>કંગના રનૌતે અધિકારીઓના વલણ પર પણ પ્રશ્ન ઉઠાવ્યો, નકારાત્મક પ્રચાર અને પરિસ્થિતિ વિશે સોશિયલ મીડિયા પર રીલ બનાવનારા લોકોની સંખ્યાને ધ્યાનમાં લેતા. તેણીએ કહ્યું, "આ બધું હોવા છતાં, તમે લોકો હસી રહ્યા છો, વિચારી રહ્યા છો, 'ઓહ, તે ફક્ત એક હિરોઇન છે.' જો હું તમારા બધાને ખુલ્લા પાડું તો શું? જો હું તમારી કાર્ય સંસ્કૃતિ જાહેર કરું તો શું? તમે લોકો મારી ઓફિસની વાત પણ સાંભળતા નથી." મીટિંગ દરમિયાન કંગના રનૌતે અધિકારીઓને ઠપકો આપતા કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.</p><p><a  target="_blank" style="background-color: rgb(255, 255, 255);"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2096196068082090259"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/1qoOYD4tytlzMzxz4dL4y3U34wddWLmxCSi1Gq3V.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: AMC એ અખાદ્ય ખોરાક બનાવતા 3 એકમો સીલ કર્યા, 2666 કિલો જથ્થો સીઝ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-seals-3-units-seizes-2666-kg-unhygienic-food-and-substandard-ghee-ahmedabad</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-seals-3-units-seizes-2666-kg-unhygienic-food-and-substandard-ghee-ahmedabad</guid><pubDate>Sat, 05 Sep 2026 17:30:14 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરમાં નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે માટે AMC ના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા વિવિધ વિસ્તારોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ તપાસ દરમિયાન વટવા, વેજલપુર અને ચાંદલોડિયા વિસ્તારમાંથી ગંભીર ગેરરીતિઓ સામે આવતાં તંત્ર દ્વારા 3 વેપારી એકમોને સ્થળ પર જ સીલ કરી દેવામાં આવ્યા છે.</p><h2><b>અમદાવાદમાં અખાદ્ય ખોરાક સામે AMCની કાર્યવાહી</b></h2><p>તપાસમાં સામે આવ્યું છે કે વટવા ખાતે આવેલી M M ફૂડ પ્રોડક્ટ્સ માં આરોગ્ય માટે અત્યંત હાનિકારક એવા સિન્થેટિક કલરનો ઉપયોગ કરીને સોયા સોસ, ચીલી સોસ અને ચટણી બનાવવામાં આવતી હતી, જ્યાંથી 2516 કિલોગ્રામ જેટલો મોટો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વેજલપુરના માતેશ્વરી ચવાણા માર્ટ માં પણ સિન્થેટિક કલરનો અનધિકૃત ઉપયોગ થતો હોવાથી તેને સીલ કરાયું છે.</p><h3><b>2666 કિલો અખાદ્ય સામગ્રી સીઝ</b></h3><p> </p><p>ચાંદલોડિયાનું ગુજરાત ફ્રાય સેન્ટર કોઈપણ જાતના ફૂડ લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે ચાલતું હોવાથી તેને પણ સીલ મારી દેવાયું છે.AMC ફૂડ વિભાગ દ્વારા અગાઉ લેવાયેલા નમૂનાઓની લેબોરેટરી તપાસ બાદ મોટો ખુલાસો થયો છે. માધુપુરા વિસ્તારમાં આવેલા મહાવીર ઘી નો લેવાયેલો નમૂનો સરકારી લેબોરેટરી પરીક્ષણમાં 'સબ સ્ટાન્ડર્ડ' (ગુણવત્તાહીન) જાહેર થયો છે.</p><h4><b>માધુપુરામાં 'મહાવીર ઘી' નો નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર</b></h4><p>વટવા MM ફૂડ પ્રોડક્ટ્સમાંથી લાખોની કિંમતનો 2516 કિલોગ્રામ સોસ અને ચટણીનો જથ્થો જપ્ત કરી તેનો નાશ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. માધુપુરાના મહાવીર ઘી ખાતેથી 15 કિલોના પેકિંગ ધરાવતો કુલ 1140 કિલોગ્રામ ઘીનો જથ્થો વેચાણ અર્થે રોકી (સ્થગિત) દેવાયો છે, જેની બજાર કિંમત આશરે રૂ. 7,17,000 થાય છે.AMC ફૂડ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં પણ ખાણીપીણીના એકમો, હોટેલો અને પ્રોસેસિંગ યુનિટ્સ પર કડક ચેકિંગ ચાલુ રહેશે અને ગુણવત્તા વગરના કે ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો વેચનારાઓ સામે દંડનીય તેમજ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/bsnl-bulk-sms-scam-ed-attaches-properties-former-sde-swarnjit-singh" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: BSNL બલ્ક SMS કૌભાંડમાં પૂર્વ SDE ની અત્યાર સુધી કુલ રૂ. 2.30 કરોડની મિલકતો જપ્ત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/Z6P76JqBx7FKh6A28qwAGRUZHt68YWAM7EOsQrwg.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: BSNL બલ્ક SMS કૌભાંડમાં પૂર્વ SDE ની અત્યાર સુધી કુલ રૂ. 2.30 કરોડની મિલકતો જપ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/bsnl-bulk-sms-scam-ed-attaches-properties-former-sde-swarnjit-singh</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/bsnl-bulk-sms-scam-ed-attaches-properties-former-sde-swarnjit-singh</guid><pubDate>Sat, 05 Sep 2026 17:16:31 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ BSNL ના પૂર્વ સબ ડિવિઝનલ એન્જિનિયર (SDE) સ્વર્ણજીત સિંહ અને તેમના સહ-આરોપીઓ સામે એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મની લોન્ડરિંગની તપાસ તેજ કરવામાં આવી છે. આ કેસની શરૂઆત CBI-ACB, ચંદીગઢ દ્વારા નોંધવામાં આવેલી પ્રાથમિક માહિતી અહેવાલ (FIR) ના આધારે થઈ હતી, જેના તાર મેળવીને ED એ PMLA હેઠળ કાયદેસરની તપાસ હાથ ધરી હતી.</p><h2><b>BSNL બલ્ક SMS કૌભાંડમાં ED ની મોટી કાર્યવાહી</b></h2><p>તપાસમાં બહાર આવ્યું છે કે સ્વર્ણજીત સિંહ અને અન્ય આરોપીઓએ BSNL ના અત્યંત સંવેદનશીલ એવા Short Message Service Center (SMSC) ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અનધિકૃત અને ગેરકાયદેસર પ્રવેશ મેળવ્યો હતો. આરોપીઓએ નિર્ધારિત DLT પ્લેટફોર્મ અને સત્તાવાર બિલિંગ સિસ્ટમને બાયપાસ કરીને મોટા પાયે બલ્ક SMS ટ્રાફિક ડાયવર્ટ/રૂટ કર્યો હતો.આ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને આરોપીઓએ BSNL ના SMSC સિક્યોર નેટવર્ક મારફતે આશરે 63.37 કરોડ જેટલા બલ્ક પુશ SMS ગેરકાયદેસર રીતે મોકલ્યા હતા. આ સમગ્ર કૌભાંડના કારણે સરકારી ટેલિકોમ કંપની BSNL ને અંદાજે રૂ. 5.42 કરોડનું આવકનું સીધું નુકસાન સહન કરવું પડ્યું હતું.</p><h3><b>ED તપાસ અને મિલકત જપ્તી</b></h3><p>ED ની મની લોન્ડરિંગ તપાસમાં સામે આવ્યું છે કે આ ગુનાહિત પ્રવૃત્તિમાંથી આરોપીઓએ આશરે રૂ. 6.47 કરોડની ગેરકાયદે રકમ (Proceeds of Crime) મેળવી હતી. ED એ PMLA હેઠળ તાજેતરમાં રૂ. 1.50 કરોડની કિંમતની 7 સ્થાવર મિલકતો અસ્થાયી રૂપે ટાંચમાં લીધી છે, જેમાં પંજાબના મોહાલી ખાતે આવેલી ખેતીની જમીન તથા ગુજરાતના વડોદરા ખાતેની રહેણાંક અને વાણિજ્યિક મિલકતોનો સમાવેશ થાય છે. આ કેસમાં અગાઉ ED દ્વારા રૂ. 80 લાખની મિલકતો જપ્ત કરવામાં આવી હતી. આ નવી જપ્તી સાથે કેસમાં જપ્ત કરાયેલી કુલ મિલકતોનો આંકડો રૂ. 2.30 કરોડ સુધી પહોંચી ગયો છે.ED દ્વારા મની લોન્ડરિંગના આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય નાણાકીય વ્યવહારો અને સહ-આરોપીઓની ભૂમિકા અંગે સઘન તપાસ ચાલુ રાખવામાં આવી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/sola-gmers-permanent-medical-board-constituted-for-teachers-gsrtc-staff" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: સોલા GMERS માં સ્થાયી મેડિકલ બોર્ડની રચના, 8 જિલ્લાના શિક્ષકો અને GSRTC કર્મચારીઓને મોટી સુવિધા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/mAc0omTZ2EZGro4f5mAq9XNIdRWUFSsMiNiF5P0F.webp'/></item><item><title><![CDATA[US Open 2026: ના વરસાદ, ના કોઈ ટેકનિકલ ખામી, સ્ટેડિયમમાં ગાંજાની ગંધ અને રોકાઈ રમત.. ]]></title><link>https://sandesh.com/sports/news/us-open-2026-aryna-sabalenka-stops-play-after-smelling-marijuana-during-match--complains-to-umpire</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/us-open-2026-aryna-sabalenka-stops-play-after-smelling-marijuana-during-match--complains-to-umpire</guid><pubDate>Sat, 05 Sep 2026 14:00:42 +05:30</pubDate><description><![CDATA[<p>યુએસ ઓપનમાં શુક્રવારે (4 સપ્ટેમ્બર) એક અત્યંત વિચિત્ર દ્રશ્ય જોવા મળ્યું હતું. લુઇસ આર્મસ્ટ્રોંગ સ્ટેડિયમમાં વિશ્વની નંબર-1 ટેનિસ ખેલાડી આર્યના સબાલેન્કાએ મેચ દરમિયાન રમત અટકાવીને ફરિયાદ કરવી પડી હતી. રમત રોકવાનું કારણ ના વરસાદ, ના કોઈ ઈજા કે ટેકનિકલ ખામી નહીં, પરંતુ સ્ટેન્ડમાંથી આવી રહેલી ગાંજાની (Marijuana) તીવ્ર ગંધ હતી. રમત રમતી વખતે સ્ટેડિયમમાંથી આવતા ગાંજાની ગંધ&nbsp; સબાલેન્કાને સહન ના થઈ અને એમ્પાયરને ફરીયાદ કરી.</p><p><b>સ્ટેન્ડમાંથી આવતી તીવ્ર ગંધથી સબાલેન્કા પરેશાન</b></p><p>લુઇસ આર્મસ્ટ્રોંગ સ્ટેડિયમમાં કમિલા રાખીમોવા સામે ત્રીજા રાઉન્ડની મેચ દરમિયાન આ ઘટના બની હતી. મેચની ત્રીજી ગેમમાં જ્યારે સબાલેન્કા 30-0 ના સ્કોર પર સર્વ કરી રહી હતી, ત્યારે કોર્ટના દક્ષિણ છેડેથી તેને ગાંજાની ગંધ આવી હતી. તેણે તુરંત ચેર અમ્પાયર તરફ ફરીને સ્ટેન્ડ તરફ ઈશારો કર્યો અને કહ્યું, "કોઈ ગાંજો પી રહ્યું છે. શું તમે તેના વિશે કંઈક કરશો? કારણ કે આ ગંધ ખૂબ જ તીવ્ર છે અને તેને અવગણવી મુશ્કેલ છે."</p><p><b>અમ્પાયરે સ્ટાફને સ્ટેન્ડમાં મોકલ્યો</b></p><p>સબાલેન્કાની ફરિયાદ બાદ અમ્પાયરે તુરંત સ્ટેડિયમ સ્ટાફને મદદ માટે બોલાવ્યા હતા. યુએસ ઓપન સ્ટાફે સ્ટેન્ડમાં જઈને ગંધ ક્યાંથી આવી રહી છે તેની તપાસ હાથ ધરી હતી. આ ઘટનાના કારણે મેચ થોડા સમય માટે રોકવી પડી હતી, પરંતુ પરિસ્થિતિ થાળે પડતાં રમત ફરી શરૂ કરવામાં આવી હતી.</p><p><b>એડ્રિયન મન્નારિનોએ પણ કરી હતી ફરિયાદ</b></p><p>માત્ર સબાલેન્કા જ નહીં, પરંતુ ટેનિસ ખેલાડી એડ્રિયન મન્નારિનોએ પણ આ ટુર્નામેન્ટ દરમિયાન સ્ટેન્ડમાંથી આવતી ગાંજાની ગંધ સામે નારાજગી વ્યક્ત કરી હતી. વિવાદ છતાં સબાલેન્કા ચોથા રાઉન્ડમાં પહોંચી. આ સમગ્ર નાટક અને વિક્ષેપ છતાં સબાલેન્કાના પ્રદર્શન પર કોઈ ખાસ અસર પડી નહોતી. બેલારુસિયન ખેલાડી સબાલેન્કાએ આક્રમક રમત રમીને કમિલા રાખીમોવાને પરાજય આપ્યો હતો અને ચોથા રાઉન્ડમાં પોતાની જગ્યા પાકી કરી હતી. આ જીત સાથે જ યુએસ ઓપન ટાઈટલ ડિફેન્ડ કરવાનું તેનું અભિયાન સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/gZhkIswJ669o8sjvLLfJIyZZkbUSwRO2rkOO1Zay.webp'/></item></channel></rss>