<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Mehsana પોલીસ વિભાગમાં મોટો ફેરબદલ, SP હિમાંશુ સોલંકીએ જાહેર હિતમાં 4 PIની આંતરિક બદલીના કર્યા ઓર્ડર ]]></title><link>https://sandesh.com/gujarat/news/mehsana/mehsana-police-reshuffle--sp-himanshu-solanki-transfers-4-police-inspectors</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/mehsana/mehsana-police-reshuffle--sp-himanshu-solanki-transfers-4-police-inspectors</guid><pubDate>Thu, 03 Sep 2026 12:14:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મહેસાણા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા અને વહીવટી સરળતા ખાતર પોલીસ વિભાગમાં મહત્વના ફેરબદલ કરવામાં આવ્યા છે. મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક (SP) હિમાંશુ સોલંકી દ્વારા જાહેર હિતને ધ્યાને રાખીને જિલ્લાના 4 બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ની આંતરિક બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. આ ટ્રાન્સફરના આદેશથી જિલ્લાના વિવિધ મહત્વના પોલીસ મથકોના સંચાલનમાં ફેરફાર જોવા મળશે.</p><h2 style="text-align: justify; "><b>બેચરાજી, વિજાપુર, વસાઈ અને 'બી' ડિવિઝન પોલીસ મથકે નવા PIની નિમણૂક</b></h2><p style="text-align: justify; ">જાહેર કરાયેલા આંતરિક બદલીના ઓર્ડર મુજબ, બેચરાજી ખાતે ફરજ બજાવતા PI એ.એન. ગઢવીની બદલી કરીને તેમને મહેસાણા શહેર 'બી' ડિવિઝન ખાતે મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત વિજાપુરના PI આર.જે. ચૌહાણને બદલી કરીને બેચરાજી ખાતે અને વસાઈના PI ટી.જે. દેસાઈની બદલી વિજાપુર પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે. લીવ રિઝર્વમાં રહેલા PI કે.ડી. રાવલને વસાઈ ખાતે નવી નિમણૂક આપવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>સંબંધિત અધિકારીઓને તાત્કાલિક અસરથી નવી જગ્યાએ હાજર થવા સૂચના</b></h2><p style="text-align: justify; ">જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી દ્વારા તમામ 4 બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરોને કોઈ પણ જાતનો વિલંબ કર્યા વગર તાત્કાલિક અસરથી પોતાની નવી બદલી વાળી જગ્યાએ ચાર્જ સંભાળી લેવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં એકસાથે 4 PI ના આંતરિક ટ્રાન્સફરના આદેશથી પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે, અને નવી નિમણૂક પામેલા અધિકારીઓ ટૂંક સમયમાં જ પોતાનો હોદ્દો સંભાળી લેશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-news-preparations-have-been-given-the-final-touches-at-iskcon-temple-the-form-of-kanuda-will-shine-in-the-sky-a-wonderful-sight-for-devotees-on-janmashtami" target="_blank">Ahmedabad News : ઇસ્કોન મંદિરમાં તૈયારીઓને અપાયો આખરી ઓપ, આકાશમાં ચમકશે કાનુડાના રૂપ, જન્માષ્ટમી પર ભક્તો માટે અદ્ભુત નજારો</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/elETwQiTefpEDdFsNozTGNPpzA3bcG8ul6dRfGoD.webp'/></item><item><title><![CDATA[Real Estate : ઓછી ફિલ્મો છતાં અબજોપતિ! રિયલ એસ્ટેટ બિઝનેસથી કરોડો રૂપિયા છાપે છે વિવેક ઓબેરોય! ]]></title><link>https://sandesh.com/entertainment/news/vivek-oberoi-net-worth-business-income-sources</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/vivek-oberoi-net-worth-business-income-sources</guid><pubDate>Thu, 03 Sep 2026 11:50:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડના જાણીતા એક્ટર વિવેક ઓબેરોય આજે પોતાનો 50મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. એક સમયે પોતાની દમદાર એક્ટિંગથી ફેન્સના દિલ પર રાજ કરનારા વિવેક ઓબેરોય હવે ફિલ્મોમાં બહુ ઓછા જોવા મળે છે. જોકે આ છતાં તેઓ અબજો રૂપિયાની સંપત્તિના માલિક છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ડેબ્યૂ ફિલ્મમાં ગેંગસ્ટર બન્યા હતા</b></h2><p style="text-align: justify; ">વિવેક ઓબેરોયનો જન્મ જાણીતા એક્ટર સુરેશ ઓબેરોયના ઘરે 3 સપ્ટેમ્બર 1976ના રોજ હૈદરાબાદમાં થયો હતો. જીવનના 5 દાયકા પૂર્ણ કરી ચૂકેલા વિવેકે પિતાના પગલે ચાલીને ફિલ્મી દુનિયામાં જ કામ કરવાનો નિર્ણય લીધો હતો. તેની ડેબ્યૂ ફિલ્મ કંપની વર્ષ 2002માં આવી હતી. પહેલી જ ફિલ્મમાં એક્ટરે ચંદુ નામના ગેંગસ્ટરનું પાત્ર ભજવ્યું હતું.</p><h3 style="text-align: justify; "><b>1200 કરોડની સંપત્તિ, લક્ઝરી કારનું કલેક્શન</b></h3><p style="text-align: justify; ">વિવેક ઓબેરોયે પોતાની 20 વર્ષથી વધુની એક્ટિંગ કરિયરમાં ગણતરીની હિટ ફિલ્મો આપી છે. અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકેલા વિવેકની સફળ ફિલ્મોમાં મસ્તી, ગ્રાન્ડ મસ્તી, ઓમકારા, શૂટઆઉટ એટ લોખંડવાલા અને ક્રિશ 3 સામેલ છે. એક સમય એવો પણ હતો જ્યારે વિવેકને ફિલ્મી દુનિયામાં કામ મળવાનું બંધ થઈ ગયું હતું.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DWTeDxljPVv/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DWTeDxljPVv/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DWTeDxljPVv/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DWTeDxljPVv/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><p style="text-align: justify; ">હાલના સમયમાં તેઓ બહુ ઓછી ફિલ્મોમાં એક્ટિવ છે. આ છતાં એક્ટર પાસે ઘણી સંપત્તિ છે. મીડિયા રિપોર્ટ મુજબ વિવેકની કુલ નેટવર્થ 1200 કરોડ રૂપિયા છે. તેની પાસે 3 લક્ઝરી બંગલા છે. તેના કાર કલેક્શનની વાત કરીએ તો એક્ટર પાસે રોલ્સ-રોયસ કલિનન બ્લેક બેજ, મર્સિડીઝ-બેન્ઝ GLE 250D, ક્રાઈસ્લર 300C લિમોઝિન અને લેમ્બોર્ગિની ગેલાર્ડો જેવી લક્ઝરી કાર પણ છે.</p><h3 style="text-align: justify; "><b>ક્યાં-ક્યાંથી થાય છે વિવેક ઓબેરોયની કમાણી?</b></h3><p style="text-align: justify; ">વિવેક ઓબેરોય એક ફિલ્મ માટે 3થી 4 કરોડ રૂપિયા સુધીની ફી લે છે. તેની કમાણીનો મુખ્ય સ્ત્રોત તેનો બિઝનેસ છે. એક્ટરે એક્ટિંગમાં ડેબ્યૂ કરતા પહેલા જ નાની ઉંમરે નાના-મોટા કામ કરીને પૈસા કમાવવાનું શરૂ કરી દીધું હતું. ડેબ્યૂ પહેલા તેણે શેર માર્કેટમાં પૈસા રોકવાનું શરૂ કર્યું હતું. કહેવાય છે કે 19 વર્ષની ઉંમરે તેણે એક ટેક કંપની શરૂ કરી હતી અને તેનાથી તેને 2 કરોડ રૂપિયાનો નફો થયો હતો.<br><img alt="Vivek Oberoi business empire investments (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/03/aXrCjJ4YStsH8WMdogaCzlIUMivFlpiIDmUhd4lR.webp"><br></p><p style="text-align: justify; ">વર્ષ 2015માં વિવેકે રઘુલીલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર નામની કંપની સાથે કન્સ્ટ્રક્શન બિઝનેસમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ 2016માં તેણે પોતાની ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની કર્મ ઈન્ફ્રાસ્ટ્રક્ચર શરૂ કરી હતી. એક્ટરે હેલ્થકેર અને ફૂડ સેક્ટરમાં પણ સારું એવું રોકાણ કર્યું છે. આ ઉપરાંત તે દુબઈમાં રિયલ એસ્ટેટનો બિઝનેસ પણ શરૂ કરી ચૂક્યો છે અને હાલ વિવેક ભારતથી દુબઈ શિફ્ટ થઈ ગયા છે. એક્ટર ઓબેરોય મેગા એન્ટરટેઈનમેન્ટ નામના પ્રોડક્શન હાઉસના માલિક પણ છે. વર્ષ 2016માં એક ઈન્ટરવ્યૂમાં એક્ટરે જણાવ્યું હતું કે તેઓ રિયલ એસ્ટેટ ઉપરાંત રેસિડેન્શિયલ પ્રોપર્ટી, ઈક્વિટી અને મ્યુચ્યુઅલ ફંડ્સ જેવા ક્ષેત્રોમાં પણ કામ કરે છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/who-is-sharon-verma-samay-raina-igl" target="_blank">આ પણ વાંચો-Samay Rainaના IGLથી રાતોરાત સ્ટાર બનેલી બિહારની શેરોન વર્મા કોણ છે? કન્ટેસ્ટન્ટથી જજ સુધીની સફર</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/LTcwgYZzZzREJJCLXBFjXcCPU8zrSXRfNQmut3hf.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : ઇસ્કોન મંદિરમાં તૈયારીઓને અપાયો આખરી ઓપ, આકાશમાં ચમકશે કાનુડાના રૂપ, જન્માષ્ટમી પર ભક્તો માટે અદ્ભુત નજારો ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-news-preparations-have-been-given-the-final-touches-at-iskcon-temple-the-form-of-kanuda-will-shine-in-the-sky-a-wonderful-sight-for-devotees-on-janmashtami</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-news-preparations-have-been-given-the-final-touches-at-iskcon-temple-the-form-of-kanuda-will-shine-in-the-sky-a-wonderful-sight-for-devotees-on-janmashtami</guid><pubDate>Thu, 03 Sep 2026 11:42:25 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પવિત્ર તહેવાર જન્માષ્ટમીને લઈને વિશ્વભરના કૃષ્ણ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે આ વખતે ઇસ્કોન મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી અત્યંત અનોખી અને યાદગાર બનવા જઈ રહી છે. ઇસ્કોન મંદિરના ઈતિહાસમાં પહેલીવાર જન્માષ્ટમીના પાવન અવસરે એક વિશાળ અને આકર્ષક ડ્રોન શોનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ભક્તિ અને ટેકનોલોજીના આ અનોખા સંગમથી આ વર્ષની જન્માષ્ટમીની ઉજવણી શ્રદ્ધાળુઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.</p><h2 style="text-align: justify; "><b>300 ડ્રોનથી આકાશમાં સર્જાશે ભગવાન શ્રીકૃષ્ણની મોહક આકૃતિઓ</b></h2><p style="text-align: justify; ">આ ભવ્ય શો દરમિયાન એકસાથે 300 જેટલા આધુનિક ડ્રોન હવામાં એકસાથે ઉડાન ભરશે અને રાત્રિના સમયે આકાશને અદ્ભુત રોશનીથી ઝગમગાવી દેશે. આ ડ્રોન્સની મદદથી આકાશમાં ભગવાન શ્રીકૃષ્ણના બાળરૂપ, માખણ ચોરી, કાલિયા નાગ દમણ તેમજ ગીતા ઉપદેશ જેવા વિભિન્ન લીલા પ્રસંગોની આકર્ષક આકૃતિઓ અને ઝલક કંડારવામાં આવશે. આકાશી કેનવાસ પર સર્જાનારા આ નયનરમ્ય દ્રશ્યો દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે એક નવીન અને રોમાંચક અનુભવ સાબિત થશે.</p><h2 style="text-align: justify; "><b>ઇસ્કોન મંદિરમાં તૈયારીઓને અપાઈ રહ્યો છે આખરી ઓપ</b></h2><p style="text-align: justify; ">પરંપરાગત ભક્તિ અને આધુનિક ટેકનોલોજીના સમન્વય સાથે યોજાનારા આ કૃષ્ણ જન્મોત્સવને સફળ બનાવવા માટે મંદિર પ્રશાસન દ્વારા તીવ્ર ગોઠવણ કરવામાં આવી રહી છે. વિશાળ જનમેદનીને ધ્યાનમાં રાખીને સુરક્ષા, લાઈટિંગ અને સાઉન્ડ સિસ્ટમ સહિતની તમામ તૈયારીઓને હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ઇસ્કોન મંદિર ખાતે યોજાનારો આ પહેલો ડ્રોન શો જન્માષ્ટમીના તહેવારની ભવ્યતામાં ચાર ચાંદ લગાવી દેશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/gir-somnath/gir-somnath--10-changing-rooms-installed-at-triveni-sangam-after-news-impact" target="_blank">Gir Somnath News : સંદેશ ન્યૂઝના અહેવાલનો મોટો ઈમ્પેક્ટ, સોમનાથ ટ્રસ્ટ દોડતું થયું, ત્રિવેણી સંગમ પર યુદ્ધના ધોરણે મુકાયા 10 ચેન્જિંગ રૂમ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/n4isgx04feDgFIj8EqDfNQ6UDwNqTlQiyFMo1yVT.webp'/></item><item><title><![CDATA[Chitrakootમાં ભારે વરસાદથી તબાહી... કાચા મકાની દીવાલ ધરાશાયી થતા પિતા સહિત 2 બાળકોના મોત ]]></title><link>https://sandesh.com/india/news/big-breaking-chitrakoot-wall-collapse-father-2-children-dead</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/big-breaking-chitrakoot-wall-collapse-father-2-children-dead</guid><pubDate>Thu, 03 Sep 2026 11:29:54 +05:30</pubDate><description><![CDATA[<p>Chitrakoot: ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં સતત વરસાદને કારણે સ્થિતિ વિકટ બની છે. બુધવારે મોડી સાંજે એક પિતા અને તેના બે બાળકોના માટીના ઘરની દિવાલ ધરાશાયી થતાં દુઃખદ મૃત્યુ થયા. માતા અને બીજી પુત્રી ઘાયલ થયા. મુખ્યમંત્રી યોગીએ આ ઘટનાની નોંધ લીધી છે. વારાણસીમાં, ગંગાના વધતા પાણીના સ્તરને કારણે રહેવાસીઓ ભયમાં જીવી રહ્યા છે.</p><p><br></p><p>ચિત્રકૂટના સદર કરવી તહસીલ વિસ્તારમાં એક ટેકરીની તળેટીમાં આવેલા બરાચ ગામમાં આ ઘટના બની હતી. માટીના ઘરની દિવાલ ધરાશાયી થઈ હતી, જેમાં પિતા તેની દોઢ વર્ષની પુત્રી અને તેના પાંચ વર્ષના પુત્ર ફસાઈ ગયા હતા અને તેમના મોત થયા હતા. માતા અને બીજી પુત્રીને ઈજા થઈ હતી. ઘટનાના સમાચાર મળતાં, સ્થાનિક વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને બચાવ કામગીરી શરૂ કરી હતી.</p><p><br></p><h3>દિવાલ ધરાશાયી થવાથી પિતા અને બે બાળકોના મોત</h3><p>સ્થાનિક લોકોની મદદથી, પોલીસે કાટમાળ સાફ કર્યો અને ઘાયલ માતા અને પુત્રીને હોસ્પિટલમાં દાખલ કર્યા; બંને હાલમાં જિલ્લા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મૃતકોના મૃતદેહોને કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. પોલીસ આગળની કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કરી રહી છે.</p><p><br></p><h4><b>મુખ્યમંત્રી યોગીએ ઘટનાની નોંધ લીધી</b></h4><p>મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુર્ઘટનાની નોંધ લીધી છે અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે અધિકારીઓને ઘાયલોને યોગ્ય તબીબી સારવાર સુનિશ્ચિત કરવા અને મૃતકોના પરિવારો સાથે વાતચીત કરીને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવા સૂચના આપી છે. મુખ્યમંત્રી યોગીએ જાનમાલના નુકસાનનું મૂલ્યાંકન કરવાનો પણ આદેશ આપ્યો છે અને 24 કલાકની અંદર વળતર ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે.</p><p><br></p><p>આ દરમિયાન, વારાણસીમાં વરસાદને કારણે ગંગા નદીનું પાણીનું સ્તર વધી રહ્યું છે. નદીનું સ્તર પ્રતિ કલાક 2 સેન્ટિમીટરના દરે વધી રહ્યું છે, જે તેને ભયના નિશાનની નજીક લઈ ગયું છે. ગુરુવારે, પાણીનું સ્તર 70.54 મીટર નોંધાયું હતું, જેના પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/heavy-rain-alert--delhi-15-districts-warning--gujarat-weather-update" target="_blank"><b>Heavy Rain: ભારેથી અતિભારે વરસાદની આગાહી, દિલ્હી સહિત 15 જિલ્લામાં એલર્ટ; ગુજરાતમાં કેવું રહેશે વાતાવરણ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/GSTgqSBQ8XSr44iScBomNcIu0ZFBDVpAl8VpnWiu.webp'/></item><item><title><![CDATA[Heavy Rain: ભારેથી અતિભારે વરસાદની આગાહી, દિલ્હી સહિત 15 જિલ્લામાં એલર્ટ; ગુજરાતમાં કેવું રહેશે વાતાવરણ ]]></title><link>https://sandesh.com/india/news/heavy-rain-alert--delhi-15-districts-warning--gujarat-weather-update</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/heavy-rain-alert--delhi-15-districts-warning--gujarat-weather-update</guid><pubDate>Thu, 03 Sep 2026 10:43:49 +05:30</pubDate><description><![CDATA[<p>Heavy Rain: દેશ વિચિત્ર હવામાનનો અનુભવ કરી રહ્યો છે; જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, તો કેટલાકમાં તીવ્ર ગરમી પડી રહી છે. આ બદલાતા હવામાનને કારણે બીમારીનું જોખમ પણ વધ્યું છે. હવામાન વિભાગે 3 સપ્ટેમ્બર માટે ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જાહેર કરી છે. આ સમયગાળા દરમિયાન 65 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી પણ આગાહી છે. જન્માષ્ટમી પહેલા ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે, જેમાં રાજ્યના 15 જિલ્લાઓમાં આજે વરસાદનો ભય છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ યથાવત છે; અત્યાર સુધીમાં કુલ 35 જિલ્લાઓ પ્રભાવિત થયા છે, જેમાં 23 હજુ પણ પૂરનો સામનો કરી રહ્યા છે. આજની તારીખમાં 16,784 લોકોને સુરક્ષિત વિસ્તારોમાં ખસેડવામાં આવ્યા છે.</p><p><br></p><p>આ દરમિયાન પર્વતીય રાજ્યો માટે ભૂસ્ખલનની ચેતવણી જારી કરવામાં આવી છે અને દેશના પૂર્વીય રાજ્યો માટે વીજળી પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. પાંચથી વધુ રાજ્યો માટે કરા પડવાની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પંજાબ, હરિયાણા, તેલંગાણા, મેઘાલય, આસામ, છત્તીસગઢ અને હિમાચલ પ્રદેશમાં આગામી થોડા કલાકોમાં ભારે વરસાદની આગાહી કરી છે. અહીં તમારા રાજ્ય માટે હવામાન આગાહી પર એક નજર છે.</p><p><br></p><h4><b>આ 17 રાજ્યો માટે તોફાન અને વરસાદની ચેતવણી</b></h4><p>ઉત્તર પ્રદેશ</p><p>દિલ્હી</p><p>બિહાર</p><p>ઉત્તરાખંડ</p><p>રાજસ્થાન</p><p>મધ્ય પ્રદેશ</p><p>પંજાબ</p><p>હિમાચલ પ્રદેશ</p><p>જમ્મુ અને કાશ્મીર</p><p>છત્તીસગઢ</p><p>ઓડિશા</p><p>પશ્ચિમ બંગાળ</p><p>ગુજરાત</p><p>મહારાષ્ટ્ર</p><p>ત્રિપુરા</p><p>આસામ</p><p>કેરળ</p><p><br></p><h4>દિલ્હીનું આજે હવામાન</h4><p>ચોમાસાની વિદાય છતાં દિલ્હી-એનસીઆરમાં વરસાદ બંધ થયો નથી. હવામાન વિભાગે 3 સપ્ટેમ્બરે ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરી છે, જેમાં 30 થી 40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે. દિવસ વાદળછાયું રહેશે અને વરસાદની સંભાવના છે. આગામી ત્રણ દિવસમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.</p><p><br></p><h4><b>ઉત્તર પ્રદેશનું આજનું હવામાન</b></h4><p>હવામાન વિભાગે જન્માષ્ટમી પહેલા ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. 3 અને 4 સપ્ટેમ્બરે વાવાઝોડા અને વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન, ઔરૈયા, બાંદા, ચિત્રકૂટ, ઇટાવા, ફતેહપુર, હમીરપુર, જાલૌન, ઝાંસી, કાનપુર દેહાત, કાનપુર નગર, મહોબા, સીતાપુર અને ઉન્નાવમાં આગામી બે થી ત્રણ કલાકમાં વરસાદ પડવાની શક્યતા છે. 4 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની ધારણા છે. દરમિયાન, પૂર્વી ઉત્તર પ્રદેશમાં પણ 5 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.</p><p><br></p><h5><b>જન્માષ્ટમી પહેલા બિહારમાં હવામાન</b></h5><p>હવામાન વિભાગે આજે પણ બિહારમાં ભારે વરસાદની આગાહી કરી છે. IMD મુજબ, રાજ્યના કેટલાક ભાગોમાં 3 અને 4 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદની સંભાવના છે. વિભાગે 6 સપ્ટેમ્બર સુધી વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા અંગે પણ ચેતવણી આપી છે.</p><p><br></p><h4><b>ઉત્તરાખંડમાં કેવું રહેશે વાતાવરણ</b></h4><p>હવામાન વિભાગે આજે ઉત્તરાખંડના કેટલાક જિલ્લાઓમાં ખૂબ જ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. દેહરાદૂન સહિત ત્રણ જિલ્લાઓ માટે ભારેથી અતિ ભારે વરસાદ માટે 'ઓરેન્જ એલર્ટ' અમલમાં છે. દેહરાદૂન, નૈનિતાલ અને બાગેશ્વર જિલ્લાઓ માટે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. વધુમાં, અન્ય જિલ્લાઓ માટે 'યલો એલર્ટ' જારી કરવામાં આવ્યું છે, જેમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/varanasi-flood-ganga-water-level-increased-in-varanasi-pm-modi-spoke-to-the-mayor-and-dm-of-varanasi" target="_blank"><b>Varansi Flood: વારાણસીમાં વધ્યુ ગંગાનું જળસ્તર.. PM Modiએ મેયર અને DM સાથે કરી વાતચીત</b></a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/wds23yiyEtLIPDyp3FeNE9u2iziw8ARggOQM35n0.webp'/></item><item><title><![CDATA[Suratમાં મા-દીકરીના રહસ્યમય મોતથી ખળભળાટ, ઘરમાંથી બંનેના મોબાઈલ ગાયબ થતાં હત્યાની આશંકા ઘેરાઈ! ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/the-mysterious-death-of-a-mother-and-daughter-in-surat-has-created-a-stir-suspicions-of-murder-have-been-raised-as-both-their-mobile-phones-have-disappeared-from-the-house</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/the-mysterious-death-of-a-mother-and-daughter-in-surat-has-created-a-stir-suspicions-of-murder-have-been-raised-as-both-their-mobile-phones-have-disappeared-from-the-house</guid><pubDate>Thu, 03 Sep 2026 10:40:17 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરના પૂણા કેનાલ રોડ પર આવેલી શિવનગર સોસાયટીના મકાન નંબર 227માંથી માતા અને પુત્રીના રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. મૃતકોની ઓળખ 42 વર્ષીય જાશા શ્રીવાસ્તવ અને તેમની દીકરી મુસ્કાન શ્રીવાસ્તવ તરીકે થઈ છે. ઘટનાસ્થળેથી બંને મૃતકોના મોબાઈલ ફોન ગાયબ મળી આવ્યા છે, જેના કારણે આ બનાવ હત્યા છે કે આત્મહત્યા તે અંગે મોટું રહસ્ય ઘેરાયું છે.</p><h2 style="text-align: justify; "><b>પરિવારે લગાવ્યો હત્યાનો આક્ષેપ, મૃતદેહોને સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા</b></h2><p style="text-align: justify; ">બનાવ અંગે જાણ થતાં જ મૃતકના પરિવારજનોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી અને તેમણે માતા-પુત્રીની આયોજનબદ્ધ રીતે હત્યા કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. ઘટના અંગે માહિતી મળતા જ પૂણા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે સ્થળ તપાસ હાથ ધરીને બંને મૃતદેહોને કબજે લઈ પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલ મોકલી આપ્યા છે. પેનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું અને ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/sandeshnews/status/2095369157974131045?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2 style="text-align: justify; "><b>ગાયબ મોબાઈલ અને ફોરેન્સિક આધારે પૂણા પોલીસે તપાસ તેજ કરી</b></h2><p style="text-align: justify; ">પૂણા પોલીસે આ મામલે હત્યા અને આત્મહત્યા સહિત તમામ શક્ય એંગલ પર ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. બંને મૃતકોના ગાયબ થયેલા મોબાઈલ ફોનની કોલ ડિટેલ્સ (CDR) મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જેથી છેલ્લા કૉલ્સ અંગે જાણકારી મેળવી શકાય. આ ઉપરાંત, ફોરેન્સિક ટીમની મદદ લઈને ઘટનાસ્થળેથી ફિંગરપ્રિન્ટ્સ અને અન્ય મહત્વના પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. આસપાસના સીસીટીવી ફુટેજ મેળવીને પોલીસ આરોપી કે શંકાસ્પદ સુધી પહોંચવા કવાયત કરી રહી છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-news-saurashtras-lok-mela-on-a-break-only-8-out-of-34-rides-allowed-administrators-worried-about-strict-adherence-to-sop" target="_blank">Rajkot News : સૌરાષ્ટ્રના લોકમેળાની મોજ પર બ્રેક?, 34માંથી માત્ર 8 રાઈડ્સને મંજૂરી, SOP ના કડક પાલન સામે સંચાલકો ચિંતામાં!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/B1lbdPTSXaCkpqpeh8iuOh6iVZt4g5wLjaBitTQQ.webp'/></item><item><title><![CDATA[Rajkot News : સૌરાષ્ટ્રના લોકમેળાની મોજ પર બ્રેક?, 34માંથી માત્ર 8 રાઈડ્સને મંજૂરી, SOP ના કડક પાલન સામે સંચાલકો ચિંતામાં! ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-news-saurashtras-lok-mela-on-a-break-only-8-out-of-34-rides-allowed-administrators-worried-about-strict-adherence-to-sop</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-news-saurashtras-lok-mela-on-a-break-only-8-out-of-34-rides-allowed-administrators-worried-about-strict-adherence-to-sop</guid><pubDate>Thu, 03 Sep 2026 10:32:26 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સૌરાષ્ટ્રના સૌથી લોકપ્રિય અને વિશાળ લોકમેળાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જન્માષ્ટમીના તહેવારો દરમિયાન યોજાતા આ મેળાવડામાં આ વખતે સુરક્ષાના કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા હાથ ધરાયેલી ચકાસણી બાદ અત્યાર સુધીમાં કુલ 34 માંથી માત્ર 8 મોટા ફજર ફાળકા અને મનોરંજનની રાઈડ્સને જ કાર્યરત કરવાની મંજૂરી આપવામાં આવી છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી એસ.ઓ.પી. (SOP) ના કડક પાલન બાદ જ બાકીની રાઈડ્સને પરવાનગી આપવામાં આવશે, જેના કારણે ઉત્સવના માહોલ વચ્ચે સંચાલકોમાં ચિંતા જોવા મળી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>સંચાલકો મૂંઝવણમાં અને તંત્ર સુરક્ષાના એસઓપી મુદ્દે કડક</b></h2><p style="text-align: justify; ">સરકારી નિયમો અને ફિટનેસ સર્ટિફિકેટના કડક અમલીકરણને પગલે રાઈડ્સના સંચાલકો ભારે મૂંઝવણમાં મુકાઈ ગયા છે. બીજી તરફ, કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્ર દ્વારા એસ.ઓ.પી.નું અક્ષરશઃ પાલન કરાવવા માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. સંચાલકો દ્વારા જરૂરી દસ્તાવેજો અને સુરક્ષાના માપદંડો પૂર્ણ કરવામાં આવ્યા બાદ જ અન્ય રાઈડ્સ શરૂ કરવા દેવામાં આવશે. તંત્રની આ કડક કાર્યવાહીના કારણે લોકમેળો શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે બાકીની રાઈડ્સ ચાલુ થઈ શકશે કે કેમ તે અંગે પ્રશ્નાર્થ ઊભો થયો છે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/sandeshnews/status/2095377944231424042?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2 style="text-align: justify; "><b>ફજર ફાળકા વગર મેળો અધૂરો: સાતમ-આઠમે ગ્રામ્ય જનમેદની ઉમટી પડશે</b></h2><p style="text-align: justify; ">ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રના આ વિશાળ લોકમેળામાં સાતમ અને આઠમના પવિત્ર દિવસે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાંથી લાખોની સંખ્યામાં જનમેદની મેળો માણવા માટે ઉમટી પડે છે. લોકમેળામાં મોટા ફજર ફાળકા અને ચકડોળ જ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હોય છે, અને આ રાઈડ્સ વગર મેળો તેની ખરી જમાવટ કરી શકતો નથી. જો બાકીની રાઈડ્સને સમયસર મંજૂરી નહીં મળે તો મેળાનો આનંદ માણવા આવતા લાખો મુલાકાતીઓ અને ખેલૈયાઓને ભારે નિરાશા સાંપડી શકે છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/surat/surat-crime-branchs-big-success-absconding-accused-of-kidnapping-and-raping-15-year-old-girl-arrested-from-maharashtra" target="_blank">Surat ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા, 15 વર્ષની સગીરાના અપહરણ અને દુષ્કર્મનો ફરાર આરોપી મહારાષ્ટ્રથી ઝબ્બે</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/q8qi2I1pBvEjsJCZb0uOE6UPv4sXiRCthp0FefqB.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News : રાજ્યના તમામ હેલીપૅડને સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવા સરકારનો આદેશ ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/government-orders-all-helipads-to-remain-operational-at-all-times</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/government-orders-all-helipads-to-remain-operational-at-all-times</guid><pubDate>Thu, 03 Sep 2026 10:19:27 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજ્યમાં આપત્તિ વ્યવસ્થાપન, તબીબી કટોકટી, રાહત અને બચાવ કામગીરી તેમજ માનનીય વડાપ્રધાનઅને મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોના રાજ્યના પ્રવાસ દરમિયાન હેલીપૅડની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થતી હોય છે.કટોકટીના આવા સમયે હેલીપૅડનો તાત્કાલિક અને વિના અવરોધે ઉપયોગ થઈ શકે તે હેતુથી રાજ્ય સરકારે એક અત્યંત સકારાત્મક અને મહત્વનું પગલું ભર્યું છે.રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ હયાત હેલીપૅડની નિયમિત અને ચુસ્ત જાળવણી કરવા માટે તમામ સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ દિશા-નિર્દેશો આપવામાં આવ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>ત્રણ માસે એકવાર ફરજિયાતપણે સ્થળ નિરીક્ષણ</b></h2><p style="text-align: justify; ">મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યરત રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરીને આપવામાં આવેલા આ નવા દિશા-નિર્દેશો મુજબ હવે રાજ્યના દરેક હેલીપૅડનું ઓછામાં ઓછું દર ત્રણ માસે એકવાર ફરજિયાતપણે સ્થળ નિરીક્ષણ કરવામાં આવશે.જેથી તેની કાર્યક્ષમતાની સતત ચકાસણી કરી શકાય.નિરીક્ષણ દરમિયાન જો કોઈ પણ પ્રકારની ખામી કે મરામતની જરૂરિયાત જણાશે તો તેને કોઈપણ પ્રકારના વિલંબ વિના તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવશે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>જવાબદારી સંબંધિત કાર્યપાલક ઈજનેરને સોંપાઈ</b></h3><p style="text-align: justify; ">તમામ હયાત હેલીપૅડ હંમેશા સંપૂર્ણપણે ઉપયોગલાયક એટલે કે ઑપરેશનલ કન્ડીશનમાં રહે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી સંબંધિત કાર્યપાલક ઈજનેરને સોંપવામાં આવી છે.આ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે અધિક્ષક ઈજનેરો પણ તેમના કાર્યક્ષેત્રના તમામ હેલીપૅડની સમયાંતરે સતત સમીક્ષા કરતા રહેશે.હેલીપૅડની ગુણવત્તા જાળવી રાખવા માટે તેની સપાટી, પેવમેન્ટ, પેઇન્ટેડ માર્કિંગ, ડ્રેનેજ વ્યવસ્થા અને એપ્રોચ વિસ્તાર સહિતની તમામ આનુષંગિક સુવિધાઓની નિયમિત મરામત કરવામાં આવશે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>રાજ્યના તમામ હેલીપૅડ સજ્જ અને સુરક્ષિત સ્થિતિમાં રહેશે</b></h2><p style="text-align: justify; ">આ ઉપરાંત હેલીપૅડ અથવા તેની આસપાસ થતા કોઈપણ પ્રકારના અનધિકૃત દબાણો, બાંધકામ, સામગ્રીનો સંગ્રહ, વાહનોનું પાર્કિંગ, કચરો, ઝાડી-ઝાંખરા કે સરકારી વિભાગો દ્વારા જપ્ત કરાયેલા બિન-વપરાશી વાહનો જેવા તમામ અવરોધોને તાત્કાલિક અસરથી દૂર કરવા માટે સતત દેખરેખ રાખવામાં આવશે.સરકારના આ પ્રશંસનીય પગલાથી રાજ્યના તમામ હેલીપૅડ હવે હંમેશા સજ્જ અને સુરક્ષિત સ્થિતિમાં રહેશે,જેના પરિણામે આપત્તિના સમયે રાહત કામગીરી અને મહાનુભાવોના પ્રવાસો વધુ સુદ્રઢ અને સુવિધાજનક બનશે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/former-dysp-ashok-singh-chauhan-denied-bail" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: નહેરુનગર જમીન વિવાદ કેસમાં પૂર્વ DySP અશોકસિંહ ચૌહાણને મોટો ઝટકો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/03/fElwjqc7LV6e6NAsbw48BdMyT3k6H1sWBlLahaBx.webp'/></item><item><title><![CDATA[Stock Market Opening: શેરબજારમાં તેજી, સેન્સેક્સ 242.02 પોઇન્ટ ઉછળ્યો ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-opening-stock-market-booms-sensex-rises-24202-points</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-opening-stock-market-booms-sensex-rises-24202-points</guid><pubDate>Thu, 03 Sep 2026 09:36:19 +05:30</pubDate><description><![CDATA[<p>ગુરુવારે ત્રણ ટ્રેડિંગ સત્રો પછી ભારતીય શેરબજાર લીલા રંગમાં પાછા ફર્યા. સકારાત્મક વૈશ્વિક સંકેતો પર બેન્ચમાર્ક સૂચકાંકો મજબૂત રીતે ખુલ્યા. સેન્સેક્સ 76,724 પર ખુલ્યા પછી, લગભગ 220 પોઈન્ટ વધીને 76,800 ની નજીક ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પણ લગભગ 50 પોઈન્ટ વધીને 23,970 પર ટ્રેડ કરી રહ્યો છે. શરૂઆતના ટ્રેડમાં ઇન્ડેક્સ 24,000 ને સ્પર્શ્યો. વ્યાપક બજારમાં પણ તેજી છે.</p><p><b style="font-size: 2rem;">શેરબજારમાં તેજી&nbsp;</b></p><p>સવારે 9.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં ખૂલ્યા. સેન્સેક્સ&nbsp; +218.97 પોઇન્ટના વધારા સાથે 76,789.32 અંકે ખૂલ્યો. જ્યારે નિફ્ટી +72.75 પોઇન્ટના વધારા સાથે&nbsp; 23,987.20 અંકે ખૂલ્યો.&nbsp;</p><p><b style="font-size: 2rem;">કયા ક્ષેત્રોમાં ખરીદી જોવા મળી રહી છે?</b></p><p>NSE પર ક્ષેત્રીય સૂચકાંકો પર નજર કરીએ તો, નિફ્ટી રિયલ્ટી, મીડિયા અને PSU બેંક સૂચકાંકો દરેક 1% ના વધારા સાથે ટ્રેડ કરી રહ્યા છે. જ્યારે IT, ઓટો અને FMCG સૂચકાંકો 0.70% સુધી ઘટ્યા છે.</p><h2><b>કયા શેરોમાં ચમક જોવા મળી?</b></h2><p>નિફ્ટીમાં, ICICI બેંક, SBI અને અદાણી પોર્ટ્સના શેર 1% થી વધુ વધ્યા છે, જેના કારણે તેઓ ટોચના ગેઇનર્સ બન્યા છે. એક્સિસ બેંક, JSW સ્ટીલ અને HDFC બેંકના શેર વધી રહ્યા છે. HCL ટેક, ટેક મહિન્દ્રા અને ઇન્ડિગો ટોચના નુકસાનકર્તાઓમાં સામેલ છે, જેમના ભાવમાં 1% થી વધુનો ઘટાડો થયો છે.</p><p><b style="font-size: 1.75rem;">ક્રૂડ ઓઇલમાં હળવી નબળાઈ</b></p><p>ગુરુવારે બ્રેન્ટ ક્રૂડ લગભગ અડધા ટકા ઘટીને $95.10 પ્રતિ બેરલ થયું. કિંમતો પર દબાણ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી આવ્યું હતું, જેમાં તેમણે ઇરાન સાથે લાંબા સમય સુધી સંઘર્ષની શક્યતાને ઓછી ગણાવી હતી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે હોર્મુઝ સ્ટ્રેટ યુએસના નિયંત્રણ હેઠળ છે. પરિણામે, ક્રૂડ ઓઇલના ભાવ નરમ પડ્યા, જેનાથી ફુગાવા અને વ્યાજ દરો અંગે બજારની ચિંતાઓ ઓછી થઈ.&nbsp;</p><p><br></p><p><a href="https://sandesh.com/gallery/news/world/sonu-sood-visits-flood-affected-areas-in-nepal-bollywood-actor-sonu-sood-visits-trishuli-bazar--one-of-the-most-affected-towns-due-to-the-flash-floods-" target="_blank">આ પણ વાંચો: નેપાળમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે સોનુ સૂદ, જાણો શું કહ્યું ?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/02/CaAY2FUXbtNsFaGtRb58r8LRIkEpFUB44z0bTAfb.webp'/></item><item><title><![CDATA[Commonwealth Q Sports Championship અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાશે, 45 દેશોના ખેલાડીઓ ભાગ લેશે ]]></title><link>https://sandesh.com/sports/news/commonwealth-q-sports-championship-to-be-held-at-veer-savarkar-sports-complex-in-ahmedabad-players-from-45-countries-will-participate</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/commonwealth-q-sports-championship-to-be-held-at-veer-savarkar-sports-complex-in-ahmedabad-players-from-45-countries-will-participate</guid><pubDate>Wed, 02 Sep 2026 15:08:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ આંતરરાષ્ટ્રીય રમતગમતના નકશા પર પોતાની ઓળખ વધુ મજબૂત કરવા માટે તૈયાર છે. અમદાવાદ શહેરમાં 7 થી 10 ઓક્ટોબર 2026 દરમિયાન કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ યોજાવાની છે.આ સ્પર્ધામાં કોમનવેલ્થના વિવિધ દેશોના અગ્રણી ક્યૂ સ્પોર્ટ્સ ખેલાડીઓ ભાગ લેશે.કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપની આ બીજી સીઝન અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાશે. આ સ્પર્ધામાં અંદાજે 45 દેશોના ખેલાડીઓ ભાગ લે તેવી આશા રાખવામાં આવી રહી છે. ખેલાડીઓ 5 અલગ-અલગ ક્યૂ સ્પોર્ટ્સ શાખામાં કુલ 10 મેડલ ઇવેન્ટ્સ માટે સ્પર્ધા કરશે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ ચેમ્પિયનશિપમાં સ્નૂકર, ઇંગ્લિશ બિલિયર્ડ્સ, બ્લેકબોલ, હેબોલ અને 10-બોલ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્પર્ધાનું આયોજન વર્લ્ડ કન્ફેડરેશન ઓફ બિલિયર્ડ્સ સ્પોર્ટ્સ અને બિલિયર્ડ્સ એન્ડ સ્નૂકર ફેડરેશન ઓફ ઇન્ડિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે. એપેક્સ સ્પોર્ટ્સ પ્રમોશન આ સમગ્ર આયોજનની જવાબદારી સંભાળશે.</p><h5 style="text-align: justify; "><b>ભારતમાં પ્રથમ વખત યોજાશે ચેમ્પિયનશિપ</b></h5><p style="text-align: justify; ">કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપની પ્રથમ સીઝન વર્ષ 2025માં મોરેશિયસમાં યોજાઈ હતી. હવે બીજી સીઝનનું આયોજન ભારતમાં પ્રથમ વખત થઈ રહ્યું છે. આ સ્પર્ધાને કોમનવેલ્થ સ્પોર્ટ દ્વારા પણ સમર્થન મળ્યું છે. આ વખતે સ્પર્ધાના કાર્યક્રમમાં એક મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રથમ સીઝનમાં 4 શાખાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જ્યારે અમદાવાદમાં યોજાનારી ચેમ્પિયનશિપમાં ઇંગ્લિશ બિલિયર્ડ્સનો ઉમેરો કરવામાં આવ્યો છે. તમામ 5 શાખામાં પુરુષો અને મહિલાઓ માટે અલગ મેડલ ઇવેન્ટ્સ યોજાશે. દરેક શાખામાં પુરુષો અને મહિલાઓના 16-16 ખેલાડીઓ ભાગ લેશે. જોકે ઇંગ્લિશ બિલિયર્ડ્સમાં બંને વર્ગમાં 8-8 ખેલાડીઓને તક આપવામાં આવશે.</p><h5 style="text-align: justify; "><b>2030 કોમનવેલ્થ ગેમ્સ પહેલાં મોટું આયોજન</b></h5><p style="text-align: justify; ">અમદાવાદમાં આ આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપનું આયોજન એવા સમયે થઈ રહ્યું છે, જ્યારે શહેર 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે પણ તૈયારી કરી રહ્યું છે. તેથી આ સ્પર્ધાને શહેરના રમતગમત ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. વર્લ્ડ પૂલ એસોસિએશનના પ્રમુખ ઈશૌન સિંહે જણાવ્યું કે, અમદાવાદ આંતરરાષ્ટ્રીય રમતગમતના નકશા પર ઝડપથી મહત્વનું સ્થાન બનાવી રહ્યું છે. તેમના મતે ભારતમાં ક્યૂ સ્પોર્ટ્સનો સમૃદ્ધ ઇતિહાસ છે, અને દેશ ભવિષ્યમાં વિશ્વના અગ્રણી ક્યૂ સ્પોર્ટ્સ રાષ્ટ્રોમાં સ્થાન મેળવી શકે છે.</p><h5 style="text-align: justify; "><b>ભારતીય ખેલાડીઓને ઘરઆંગણે મોટી તક</b></h5><p style="text-align: justify; ">બિલિયર્ડ્સ એન્ડ સ્નૂકર ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ એસ. બાલાસુબ્રમણિયમે કહ્યું કે, અમદાવાદમાં આ ચેમ્પિયનશિપનું આયોજન ભારતીય ક્યૂ સ્પોર્ટ્સ માટે ગૌરવની વાત છે. 45 દેશોના ખેલાડીઓની હાજરીથી ભારતીય ખેલાડીઓને ઘરઆંગણે ઉચ્ચ સ્તરની સ્પર્ધાનો અનુભવ મળશે. આ ચેમ્પિયનશિપથી ભારતમાં ક્યૂ સ્પોર્ટ્સને વધુ લોકપ્રિયતા મળવાની સાથે ખેલાડીઓ, રમતગમતના સાધનો બનાવતી કંપનીઓ,આયોજકો અને અન્ય ક્ષેત્રોને પણ નવી તકો મળી શકે છે. ખાસ કરીને હેબોલ અને અન્ય પૂલ શાખાઓમાં ભારતમાં વધી રહેલા રસને આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાથી વધુ વેગ મળવાની આશા છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/china-masters-2026-kidambi-srikanth-wins-in-the-first-round-enters-the-pre-quarterfinals" target="_blank"> China Masters 2026 Badminton : કિદામ્બી શ્રીકાંતનો જલવો, પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં મેળવી એન્ટ્રી!</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/3HUPkVY0qs6E1baoKVkT1q1B5Ynm6uHl68vNWsq6.webp'/></item></channel></rss>