<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Global South ભાગીદારને ભારતની મદદ, બોલિવિયા માટે જરૂરી અને જીવનરક્ષક દવાઓની મોટી ખેપ રવાના ]]></title><link>https://sandesh.com/india/news/world/india-sends-8-mt-life-saving-medicines-to-bolivia-global-south</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/world/india-sends-8-mt-life-saving-medicines-to-bolivia-global-south</guid><pubDate>Sun, 09 Aug 2026 23:42:10 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતે ગ્લોબલ સાઉથના ભાગીદાર દેશ બોલિવિયાની જાહેર આરોગ્ય વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે 8 મેટ્રિક ટન (MT) જીવનરક્ષક અને આવશ્યક દવાઓની ખેપ મોકલી છે. આ સહાય ભારત અને બોલિવિયા વચ્ચેના સહકાર તથા પરસ્પર એકતાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/MEAIndia/status/2086499367847178542"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>કોરોના મહામારીમાં પણ ભારતે મદદ પૂરી પાડી હતી&nbsp;</b></h2><p>ભારત તરફથી મોકલવામાં આવેલી આ દવાઓનો ઉપયોગ બોલિવિયાની જાહેર આરોગ્ય વ્યવસ્થામાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે કરવામાં આવશે. આ સહાયનો મુખ્ય ઉદ્દેશ દેશની હેલ્થકેર ક્ષમતાને મજબૂત બનાવવાનો અને જરૂરી દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં મદદ કરવાનો છે. ભારત લાંબા સમયથી ગ્લોબલ સાઉથના દેશો સાથે આરોગ્ય, વિકાસ, ટેક્નોલોજી અને માનવતાવાદી સહાય સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા પર ભાર મૂકી રહ્યું છે. કોવિડ-19 મહામારી દરમિયાન પણ ભારતે અનેક દેશોને દવાઓ અને અન્ય જરૂરી તબીબી સામગ્રી પૂરી પાડી હતી.</p><h3><b>ભારત સહકાર અને સંયુક્ત પ્રગતિ માટે હંમેશા તૈયાર</b></h3><p>બોલિવિયા માટે મોકલવામાં આવેલી 8 MT દવાઓની આ ખેપ પણ ભારતની ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. ભારતનું માનવું છે કે વિકાસ અને પ્રગતિનો લાભ માત્ર એક દેશ પૂરતો મર્યાદિત ન રહે, પરંતુ સહકાર અને એકતાના માધ્યમથી અન્ય દેશો સુધી પણ પહોંચે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે ગ્લોબલ સાઉથના ભાગીદાર દેશો સાથે સહકાર અને સંયુક્ત પ્રગતિ માટે હંમેશા તૈયાર છે. દવાઓની આ સહાયથી બોલિવિયાની જાહેર આરોગ્ય સેવાઓને જરૂરી સપોર્ટ મળવાની સાથે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં પણ વધુ મજબૂતી આવવાની અપેક્ષા છે.</p><p>આ પહેલ ભારતની માનવતાવાદી સહાય અને વૈશ્વિક સ્તરે જવાબદાર ભાગીદાર તરીકેની ભૂમિકાને વધુ ઉજાગર કરે છે. આવનારા સમયમાં પણ ભારત અને બોલિવિયા વચ્ચે આરોગ્ય તથા અન્ય વિકાસલક્ષી ક્ષેત્રોમાં સહકાર વધવાની શક્યતા છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/iaf-60-modernisation-projects-defence-technology-india" target="_blank">આ પણ વાંચો : IAFની તાકાતમાં થશે વધારો, 60 આધુનિકીકરણ પ્રોજેક્ટ્સ પર ચાલી રહ્યું છે કામ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/vQyU7iJTeE1s9pUniU9iY2yt3rg2zZZZTCo2TcEu.webp'/></item><item><title><![CDATA[Kutch News: કલ્યાણપરમાં ધાર્મિક વિધિના નામે ઠગાઈ કરતી બનાસકાંઠાની ‘લોટા ગેંગ’ ઝડપાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kutch/rapar-kalyanpar-religious-ritual-fraud-banaskantha-lota-gang-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kutch/rapar-kalyanpar-religious-ritual-fraud-banaskantha-lota-gang-arrested</guid><pubDate>Sun, 09 Aug 2026 23:29:17 +05:30</pubDate><description><![CDATA[<p>કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં આવેલા કલ્યાણપર ગામે ધાર્મિક વિધિના નામે લોકોની શ્રદ્ધા સાથે રમત રમીને ઠગાઈ આચરતી એક શાતિર ત્રિપુટી ઝડપાઈ ગઈ છે. બનાસકાંઠા પંથકની કુખ્યાત 'લોટા ગેંગ'ના સભ્યોએ કલ્યાણપર ગામના સ્થાનિક રહીશ મેપાભાઈ નામના નાગરિકને વિશ્વાસમાં લઈ વિધિ કરવાના નામે છેતરપિંડી આચરી હતી.</p><h2><b>રોકડ અને ઘરેણાં લઈને આરોપીઓ ફરાર થયા હતા</b></h2><p>ઘટનાની વિગત મુજબ, આરોપીઓએ ફરિયાદી મેપાભાઈના ઘરે ધાર્મિક વિધિ કરી આપવાના બહાને પૂજા-પાઠનું નાટક રચ્યું હતું. વિધિ દરમિયાન ચાલાકી વાપરીને આરોપીઓ ઘરમાં રાખેલા કિંમતી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સેરવી લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ ગ્રામજનોમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી.</p><h2><b>ગ્રામજનો અને રાપર પોલીસની સતર્કતાથી ગેંગ ઝડપાઈ</b></h2><p>છેતરપિંડીનો ભોગ બન્યાનો અહેસાસ થતાં જ સ્થાનિક ગ્રામજનો અને રાપર પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. ગ્રામજનોની જાગરૂકતા અને પોલીસની ત્વરિત કાયદેસરની કામગીરીને કારણે આખરે બનાસકાંઠાની 'લોટા ગેંગ'ની આ ત્રિપુટીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને ચોરાયેલા સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ રિકવર કરી લીધી છે.</p><h2><b>વાગડ વિસ્તારમાં અન્ય ગુનાઓ પણ આચર્યાનો ખુલાસો</b></h2><p>પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ ત્રિપુટીએ માત્ર કલ્યાણપરમાં જ નહીં, પરંતુ સમગ્ર વાગડ વિસ્તારમાં પણ અન્ય કેટલાય ભોળા લોકોને ધાર્મિક વિધિના નામે વિશ્વાસમાં લઈ છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે.</p><h2><b>રાપર પોલીસે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો</b></h2><p>આરોપીઓ દ્વારા આચરવામાં આવેલા અન્ય ગુનાઓ અંગે વધુ ફરિયાદો નોંધવા માટે રાપર પોલીસે કાયદેસરની તજવીજ હાથ ધરી છે. વાગડ પંથકમાં આ ગેંગનો ભોગ બનેલા અન્ય લોકો પણ સામે આવે તે માટે પોલીસે તપાસ ચાલુ રાખી છે. આ સાથે જ અજાણ્યા સાધુ કે વિધિ કરનારાઓથી સાવચેત રહેવા સ્થાનિકોને અપીલ કરાઈ છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/india/news/gujarat/10-august-top-news-updates-national-international-history" target="_blank">10 August Top News: 10 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/NyfdmDP54idlIkDJKgvucMIJUcyg7ghnxnpLhwub.webp'/></item><item><title><![CDATA[Junagadh સિવિલ હોસ્પિટલમાં નમાઝ પઢતો કર્મચારી કેમેરામાં કેદ, વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/employee-offering-namaz-at-junagadh-civil-hospital-caught-on-camera-video-goes-viral-on-social-media</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/employee-offering-namaz-at-junagadh-civil-hospital-caught-on-camera-video-goes-viral-on-social-media</guid><pubDate>Sun, 09 Aug 2026 23:28:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જુનાગઢની સિવિલ હોસ્પિટલમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં હોસ્પિટલનો એક કર્મચારી જાહેર સ્થળે નમાઝ અદા કરતો જોવા મળી રહ્યો છે. ચાલુ ફરજ દરમિયાન નમાઝ પઢતો આ વીડિયો કેમેરામાં કેદ થઈ ગયા બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સ્થાનિકો અને દર્દીઓમાં ભારે ચર્ચા જાગી છે.</p><h2 style="text-align: justify; "><b>દવાબારીના કર્મચારીનો ચાલુ ફરજે નમાઝ પઢતો વીડિયો</b></h2><p style="text-align: justify; ">મળતી વિગતો અનુસાર, જાહેર સ્થળે નમાઝ અદા કરનાર આ યુવક સિવિલ હોસ્પિટલની દવાબારી વિભાગમાં ફરજ બજાવતો કર્મચારી છે. તેણે હોસ્પિટલ પરિસરમાં જ પોતાની ડ્યુટીના સમય દરમિયાન નમાઝ અદા કરી હતી. ચાલુ ફરજે આ પ્રકારે ધાર્મિક ક્રિયા કરવાના વીડિયોએ વિવાદ સર્જ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>વીડિયો વાયરલ થતાં તંત્ર સામે અનેક સવાલો</b></h2><p style="text-align: justify; ">આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે સરકારી હોસ્પિટલમાં શિસ્ત અને ફરજ પ્રત્યેની જવાબદારી સામે અનેક સવાલો ઊભા થયા છે. જાહેર અને સંવેદનશીલ સ્થળે થયેલી આ ઘટના અંગે હોસ્પિટલ તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/surat/surat-news-attempt-to-snatch-mobile-phone-near-bharuch-railway-station-solved-two-accused-arrested-in-mobile-snatching" target="_blank">Surat News : ભરૂચ રેલવે સ્ટેશન નજીક મોબાઈલ ઝૂંટવવાના પ્રયાસનો ભેદ ઉકેલાયો, મોબાઈલ સ્નેચિંગમાં બે આરોપી ઝડપાયા</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/EIGhjlr3DqQRPSiBSQkQ2rcv9myuShNir57ykimU.webp'/></item><item><title><![CDATA[IAFની તાકાતમાં થશે વધારો, 60 આધુનિકીકરણ પ્રોજેક્ટ્સ પર ચાલી રહ્યું છે કામ ]]></title><link>https://sandesh.com/india/news/iaf-60-modernisation-projects-defence-technology-india</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/iaf-60-modernisation-projects-defence-technology-india</guid><pubDate>Sun, 09 Aug 2026 22:41:57 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય વાયુસેના પોતાની ઓપરેશનલ ક્ષમતા અને ટેક્નોલોજીકલ તાકાત વધારવા માટે આશરે 60 આધુનિકીકરણ કાર્યક્રમો પર કામ કરી રહી છે. આ પ્રોજેક્ટ્સમાં DRDO ઉપરાંત દેશની ખાનગી ડિફેન્સ કંપનીઓની પણ મહત્વપૂર્ણ ભાગીદારી રહેશે. આ પહેલથી દેશમાં ₹21,000 કરોડથી વધુનો ડિફેન્સ બિઝનેસ ઊભો થવાની અપેક્ષા છે.</p><p>આધુનિકીકરણ હેઠળ એડવાન્સ્ડ રડાર, ઈલેક્ટ્રોનિક વૉરફેર સિસ્ટમ, એવિઓનિક્સ, કોમ્યુનિકેશન નેટવર્ક, આધુનિક હથિયારો અને એરોસ્પેસ ટેક્નોલોજી વિકસાવવામાં આવશે. તેનો મુખ્ય ઉદ્દેશ વિદેશી હથિયારો અને ટેક્નોલોજી પરની નિર્ભરતા ઘટાડીને સ્વદેશી ડિફેન્સ ક્ષમતાને મજબૂત કરવાનો છે.</p><h2><b>'સુપર સુખોઈ' પર ખાસ ભાર</b></h2><p>ભારતીય વાયુસેનાના રશિયન Su-30MKI ફાઈટર જેટ્સને સ્વદેશી ટેક્નોલોજીથી અપગ્રેડ કરવાની યોજના પણ આગળ વધી રહી છે. ‘સુપર સુખોઈ’ કાર્યક્રમ હેઠળ વિમાનમાં નવા રડાર, એવિઓનિક્સ, ઇલેક્ટ્રોનિક વૉરફેર સિસ્ટમ અને આધુનિક હથિયારોને એકીકૃત કરવામાં આવશે. DRDO અને HALની ભાગીદારીથી આ અપગ્રેડ કાર્યક્રમને આગળ ધપાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન ભારતે રશિયાના Su-57 સ્ટેલ્થ ફાઈટર અંગે પણ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. ભારતનું ધ્યાન નવા રશિયન ફાઈટર ખરીદવા કરતાં Su-30MKI અપગ્રેડ અને સ્વદેશી AMCA પર છે.</p><h3><b>AMCA અને રાફેલ પર નજર</b></h3><p>ભારત પોતાના પાંચમી પેઢીના Advanced Medium Combat Aircraft (AMCA) પર પણ ભાર મૂકી રહ્યું છે. AMCAને ઓપરેશનલ કરવામાં આવે ત્યાં સુધી વાયુસેનાની જરૂરિયાતો પૂરી કરવા માટે 114 રાફેલ ફાઈટર જેટની ખરીદીની પ્રક્રિયા આગળ વધી રહી છે. ફ્રાન્સની Dassault Aviationએ તાજેતરમાં 114 રાફેલ માટે ટેક્નિકલ અને કોમર્શિયલ પ્રસ્તાવ પણ રજૂ કર્યો છે. આ સમગ્ર આધુનિકીકરણ યોજના 'આત્મનિર્ભર ભારત'ને વેગ આપવાની સાથે દેશની ડિફેન્સ ઈન્ડસ્ટ્રી, સ્વદેશી ટેક્નોલોજી અને ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પણ મજબૂત બનાવશે.</p><p><a href="https://sandesh.com/india/news/ed-director-rahul-navin-tenure-extension-2027" target="_blank"><b>આ પણ વાંચો : ED Director Extension : કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રાહુલ નવીનને ED ડિરેક્ટર તરીકે ફરી એક વર્ષનું એક્સટેન્શન</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/lQj0zCnOXX8UEYVf0XQQjhfd8c8UDlP2VTYN3vi1.webp'/></item><item><title><![CDATA[Surat News : ભરૂચ રેલવે સ્ટેશન નજીક મોબાઈલ ઝૂંટવવાના પ્રયાસનો ભેદ ઉકેલાયો, મોબાઈલ સ્નેચિંગમાં બે આરોપી ઝડપાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/surat-news-attempt-to-snatch-mobile-phone-near-bharuch-railway-station-solved-two-accused-arrested-in-mobile-snatching</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/surat-news-attempt-to-snatch-mobile-phone-near-bharuch-railway-station-solved-two-accused-arrested-in-mobile-snatching</guid><pubDate>Sun, 09 Aug 2026 22:15:41 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભરૂચ રેલવે સ્ટેશન નજીક પાનોલી પાસે જયપુર-બાંદ્રા ટ્રેનના દરવાજે બેસેલા મુસાફર અશોક ગુર્જરનો મોબાઈલ ફોન ઝૂંટવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ આઘાતજનક ઘટના દરમિયાન મુસાફર અચાનક ટ્રેન નીચે આવી જતાં તેમનું કરૂણ મોત નિપજ્યું હતું. ઘટના બાદ ભરૂચ રેલવે પોલીસે BNS ની કલમ 105 મુજબ અજાણ્યા ગુનેગારો સામે ગુનો નોંધીને તપાસની ચક્રો ગતિમાન કર્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>સુરત રેલવે LCB એ CCTV અને બાતમીના આધારે ગુનો ઉકેલ્યો</b></h2><p style="text-align: justify; ">સુરત રેલવે LCB ની ટીમે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. પોલીસે ઘટનાસ્થળ આસપાસના CCTV ફૂટેજ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી ઘટનામાં સામેલ 3 આરોપીઓની ઓળખ કરી હતી. પોલીસની સઘન કામગીરી બાદ મુખ્ય આરોપી ઈશ્વર સહિત સહ-આરોપી રાકેશ વસાવાની અટકાયત અને ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી ઈશ્વર અગાઉ પણ 11 ગુનાઓમાં સામેલ રહી ચૂક્યો છે અને પાસા (PASA) હેઠળ જેલવાસ પણ ભોગવી ચૂક્યો છે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2086491405334225028"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2 style="text-align: justify; "><b>અન્ય 6 મોબાઈલ ચોરીની કબૂલાત, આરોપીઓ રિમાન્ડ પર</b></h2><p style="text-align: justify; ">ઝડપાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેઓએ ટ્રેનોમાં અન્ય 6 મોબાઈલ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. હાલમાં ભરૂચ પોલીસ, LCB અને SOG ની સંયુક્ત ટીમો દ્વારા આરોપીઓને રિમાન્ડ પર મેળવીને વધુ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જેથી અન્ય ગુનાઓના રાજ પણ બહાર આવી શકે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/tiranga-yatra-date-changed-in-ahmedabad-will-now-be-held-on-august-12" target="_blank">Ahmedabadમાં તિરંગા યાત્રાની તારીખ બદલાઈ, હવે 12 ઓગસ્ટે યોજાશે</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/j56L94ro575WjTb8BeyrQsxADtb35LJfxs4pnhx6.webp'/></item><item><title><![CDATA[Ahmedabadમાં તિરંગા યાત્રાની તારીખ બદલાઈ, હવે 12 ઓગસ્ટે યોજાશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/tiranga-yatra-date-changed-in-ahmedabad-will-now-be-held-on-august-12</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/tiranga-yatra-date-changed-in-ahmedabad-will-now-be-held-on-august-12</guid><pubDate>Sun, 09 Aug 2026 21:38:41 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં યોજાનાર તિરંગા યાત્રાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ આ તિરંગા યાત્રા 11 ઓગસ્ટના રોજ યોજાનાર હતી, પરંતુ હવે નવી તારીખ મુજબ આ યાત્રા 12 ઓગસ્ટના રોજ યોજવામાં આવશે.</p><h2 style="text-align: justify; "><b>DyCMના શિડ્યુલમાં ફેરફાર થતાં તારીખ બદલાઈ</b></h2><p style="text-align: justify; ">યાત્રાની તારીખ લંબાવવા પાછળનું મુખ્ય કારણ નાયબ મુખ્યમંત્રી (DyCM)ના વ્યસ્ત શિડ્યુલમાં આવેલો ફેરફાર છે. તેમના આગામી કાર્યક્રમો અને સમયપત્રકમાં ફેરફાર થવાના કારણે આયોજકો દ્વારા તિરંગા યાત્રાના આયોજનની તારીખમાં એક દિવસનો સુધારો કરવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>ખાડિયા વોર્ડમાં ધામધૂમથી યોજાશે તિરંગા યાત્રા</b></h2><p style="text-align: justify; ">આ તિરંગા યાત્રાનું આયોજન અમદાવાદના ઐતિહાસિક ખાડિયા વોર્ડમાં કરવામાં આવ્યું છે. તારીખ બદલાયા બાદ હવે 12 ઓગસ્ટે ખાડિયા વિસ્તારમાં દેશભક્તિના માહોલ વચ્ચે મંત્રીઓ, સ્થાનિક નેતાઓ અને નાગરિકોની વિશાળ ઉપસ્થિતિમાં આ યાત્રા ધામધૂમથી નીકળશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/gandhinagar/gandhinagar-news-acb-raids-in-kalol-three-arrested-for-taking-bribe-of-rs-15-thousand" target="_blank">Gandhinagar News : કલોલમાં ACBનો સપાટો, રૂ.15 હજારની લાંચ લેતા ત્રણ ઝડપાયા</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/ZG1XQhs2zSBUms5woijErJB1EGtfLOASTQ36RV7b.webp'/></item><item><title><![CDATA[Suratના ઓલપાડના સિવાણ ગામના યુવકે તાપી નદીમાં ઝંપલાવ્યું, ફાયર વિભાગે શોધખોળ શરૂ કરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/a-youth-from-siwan-village-of-olpad-surat-jumped-into-the-tapi-river-the-fire-department-started-a-search</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/a-youth-from-siwan-village-of-olpad-surat-jumped-into-the-tapi-river-the-fire-department-started-a-search</guid><pubDate>Sun, 09 Aug 2026 21:00:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સિવાણ ગામે રહેતા એક માલધારી યુવકે તાપી નદીમાં ઝંપલાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. નેશનલ હાઈવે 48 પર આવેલા તાપી નદીના બ્રિજ પરથી આ યુવકે નદીના ઊંડા પાણીમાં છલાંગ લગાવી હતી. ઘટના અંગે જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>તાપી નદીના બ્રિજ પાસે યુવકની બાઈક મળી આવી</b></h2><p style="text-align: justify; ">ઘટનાસ્થળે તપાસ દરમિયાન તાપી નદીના બ્રિજ પાસે યુવકની મોટરસાઇકલ બિનવારસી હાલતમાં મળી આવી હતી. બાઈકના આધારે યુવકની પ્રાથમિક ઓળખ સિવાણ ગામના રહેવાસી તરીકે થઈ હતી. યુવકે કયા કારણોસર આ આત્યંતિક પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી શકી નથી.</p><h2 style="text-align: justify; "><b>ફાયર બ્રિગેડ દ્વારા નદીમાં શોધોખોળ શરૂ</b></h2><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર વિભાગની ટીમ દ્વારા તાપી નદીના વહેણમાં યુવકની શોધખોળ માટે સઘન રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. હાલમાં યુવકની શોધખોળ હજુ પણ યથાવત ચાલુ જ છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/surat/surat-new-civil-doctor-suicide-case-order-to-submit-report-within-24-hours" target="_blank">Surat નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો, 24 કલાકમાં રિપોર્ટ આપવા આદેશ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/2Jy72rEODKwOfyM4gpApQ031Bloasz5KXmXlnmSc.webp'/></item><item><title><![CDATA[US Tariff India Opportunity: અમેરિકા 100% ટેરિફ લગાવે તો પણ ભારતને ડર નથી, જાણો કેમ? ]]></title><link>https://sandesh.com/business/news/world/us-tariff-india-opportunity-even-if-america-imposes-100-tariff-india-is-not-afraid-know-why</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/world/us-tariff-india-opportunity-even-if-america-imposes-100-tariff-india-is-not-afraid-know-why</guid><pubDate>Sun, 09 Aug 2026 20:16:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ટેરિફનો ડર તેને સતાવવા લાગ્યો. જોકે, અર્થશાસ્ત્રી માને છે કે જો અમેરિકા 100% ટેરિફ લાદે તો પણ ભારત પાસે 15 અન્ય વિકલ્પો છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">આયાત-નિકાસ માટે સરળતા&nbsp;</h2><p style="text-align: justify; ">અર્થશાસ્ત્રી માને છે કે જો અમેરિકા ભારત પર 100% ટેરિફ લાદે તો પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ભારતે પહેલાથી જ 15 નવા બજારો બનાવ્યા છે. જ્યાં તે તેના તમામ માલની નિકાસ કરી શકે છે અને નોંધપાત્ર નફો કમાઈ શકે છે. આ 15 અન્ય બજારો છે જ્યાં તે તેના ઉત્પાદનો નિકાસ કરી શકે છે જે તે અમેરિકામાં નિકાસ કરવા માટે ઉપયોગમાં લેતો હતો. ભારત આ બજારોમાંથી 200 અબજ ડોલર કાઢી શકે છે.</p><h3 style="text-align: justify; ">ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત વેપાર&nbsp;</h3><p style="text-align: justify; ">ભારત પાસે ઘણા અન્ય નિકાસ વિકલ્પો છે અને તે યુએસ બજાર પર વધુ પડતું નિર્ભર નથી. જો કે, ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત વેપાર અને આર્થિક સંબંધો છે. તેમણે કહ્યું, આપણી પાસે 15 બજારો છે જ્યાં આપણે હાલમાં જે ઉત્પાદનો અમેરિકામાં મોકલીએ છીએ તે જ ઉત્પાદનો નિકાસ કરી શકીએ છીએ. જો અમેરિકામાં આપણી માલસામાન નિકાસ લગભગ $87-88 બિલિયન છે, તો 15 અન્ય દેશોમાં આ જ ઉત્પાદનો માટે લગભગ $200 બિલિયનનું વિશાળ બજાર છે.</p><h4 style="text-align: justify; ">નવા બજારો ક્યાં બનાવાયા ?</h4><p style="text-align: justify; ">નેધરલેન્ડ્સ, ફ્રાન્સ, યુકે, લેટિન અમેરિકન દેશો, સાઉદી અરેબિયા, યુએઈ અને નેપાળ જેવા બજારોનો ઉલ્લેખ કર્યો હતો જ્યાં ભારતીય નિકાસકારો પોતાનો વ્યવસાય વિસ્તારી શકે છે. તેમના મતે, અમેરિકા ઉપરાંત ભારતમાં ઘણા બજારો છે જ્યાં ભારતીય ઉત્પાદનોની માંગ વધી રહી છે. તેમણે જણાવ્યું હતું કે 2025-26માં અમેરિકામાં ભારતની નિકાસ $87.3 બિલિયન હતી, જે 2024-25માં $86.5 બિલિયન હતી. ટેરિફ અંગે અનિશ્ચિતતા અને વૈશ્વિક સ્તરે અસંખ્ય પડકારો હોવા છતાં, ભારતીય નિકાસકારોએ તેમના પ્રદર્શનમાં સુધારો કર્યો છે. શર્માએ કહ્યું કે અમેરિકામાં ભારતીય ઉત્પાદનોની મજબૂત માંગ છે અને ભારત સ્પર્ધાત્મક ભાવે શ્રમ-સઘન ઉત્પાદનો પ્રદાન કરી રહ્યું છે.</p><h5 style="text-align: justify; ">અન્ય દેશોમાં નિકાસ ઝડપથી વધી&nbsp;</h5><p style="text-align: justify; ">ભારતની અમેરિકા કરતાં અન્ય કેટલાક બજારોમાં નિકાસ ઝડપથી વધી રહી છે. તેમણે કહ્યું, "જ્યારે અમેરિકામાં આપણી નિકાસ 10-15 ટકાના દરે વધી રહી છે, ત્યારે અન્ય બજારો સાથે નિકાસ વૃદ્ધિ દર 20-25 ટકાની વચ્ચે છે." તેમનું માનવું છે કે ભારત પાસે વિકલ્પો છે અને તે અમેરિકન અર્થતંત્ર પર વધુ પડતો નિર્ભર નથી. શર્માએ એમ પણ કહ્યું કે ભારત અને અમેરિકા મજબૂત આર્થિક સંબંધો ધરાવે છે અને દ્વિપક્ષીય વેપાર કરાર પર વાટાઘાટો કરી રહ્યા છે. તેમનું માનવું છે કે વેપાર વધારવો બંને દેશો માટે વધુ ફાયદાકારક રહેશે. જોકે, રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પર 100% સુધીનો ટેરિફ લાદવો અમેરિકા અને ભારત બંને માટે હાનિકારક હોઈ શકે છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/lifestyle/news/health-fitness/sleepy-after-eating-why-do-you-feel-sleepy-and-drowsy-after-eating-know-the-causes-and-remedies" target="_blank"> જમ્યા પછી કેમ આવે છે સુસ્તી અને ઊંઘ? જાણો કારણો અને ઉપાયો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/J51EHWEo029EvqF4TzNsQJ8u9cBXWEIhELO8ySkY.webp'/></item><item><title><![CDATA[Commonwealth Gamesના મેડલ વિજેતાઓને મળ્યા પીએમ મોદી, ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો VIDEO ]]></title><link>https://sandesh.com/sports/news/india/pm-modi-meets-india-commonwealth-games-medal-winners</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india/pm-modi-meets-india-commonwealth-games-medal-winners</guid><pubDate>Sun, 09 Aug 2026 19:37:43 +05:30</pubDate><description><![CDATA[<p>સ્કોટલેન્ડના ગ્લાસગોમાં 2026માં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં કુલ 39 મેડલ જીત્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નિવાસસ્થાને તમામ મેડલ વિજેતાઓને મળ્યા હતા, તેમને તેમના મેડલ જીતવા બદલ અભિનંદન આપ્યા હતા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક રીલ શેર કરી હતી, જેમાં લખ્યું હતું, "જો ખેલેગા વો ખિલેગા."</p><h2><b>દેશને હંમેશા પ્રોત્સાહિત કરો</b></h2><p>કોમનવેલ્થ ગેમ્સ 2026માં મેડલ જીતનારા ખેલાડીઓને મળ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર શેર કરેલી રીલમાં તેમને કહ્યું હતું કે "જો ખેલેગા વો ખિલેગા." હંમેશા દેશને પ્રોત્સાહિત કરો. આ પછી પીએમ મોદીએ ભારત માતા કી જયનો નારા લગાવ્યો, જે તેમની સાથે હાજર તમામ ખેલાડીઓએ વારંવાર બોલ્યો.&nbsp;</p><p>આ રીલમાં કોમનવેલ્થ ગેમ્સ 2026માં ગોલ્ડ મેડલ જીતનાર મહિલા બોક્સિંગ ખેલાડી સાક્ષી ચૌધરીએ વીડિયો હોસ્ટ કર્યો અને આ મુલાકાત માટે પીએમ મોદીનો આભાર માન્યો. વીડિયોમાં સાક્ષી ચૌધરીએ કહ્યું કે નમસ્તે મિત્રો, આજે પીએમ સાહેબે કોમનવેલ્થ ગેમ્સના મેડલ વિજેતાઓને બોલાવ્યા છે અને અમે બધા ખૂબ ગર્વ અનુભવી રહ્યા છીએ.</p><p><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reels/Db0hIieTgy8/" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reels/Db0hIieTgy8/" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a><br></p><h3><b>આ વખતે બોક્સિંગમાં 10 મેડલ જીત્યા</b></h3><p>કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતે બોક્સિંગના વિવિધ વજન કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું જેમાં તે 7 ગોલ્ડ અને 3 સિલ્વર સહિત કુલ 10 મેડલ જીતવામાં સફળ રહ્યું હતું. ભારતે એથ્લેટિક્સમાં કુલ 10 મેડલ મેળવ્યા હતા જેમાં ગુલવીર સિંહે 2 અલગ અલગ ઈવેન્ટમાં મેડલ જીત્યા હતા. વેઈટલિફ્ટિંગમાં 8 મેડલ, પેરા એથ્લેટિક્સમાં 6, જુડોમાં 4 અને પેરા પાવરલિફ્ટિંગમાં 1 મેડલ જીત્યો હતો. પહેલીવાર કોમનવેલ્થ ગેમ્સમાં ભારત જુડો ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યું હતું. હવે બધાની નજર જાપાનમાં યોજાવનારી આગામી એશિયન ગેમ્સ પર છે જ્યાં ભારતીય ખેલાડીઓ પાસેથી શાનદાર પ્રદર્શનની અપેક્ષા છે.</p><p><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/0fyqm4BfEeu88Gm4DZle9uesUw8R5L6FcuQSOLfe.webp'/></item><item><title><![CDATA[Aamir Khan ચોથા લગ્ન ક્યારે કરશે? KBC 18ના પ્રોમો પર યુઝર્સે કરી આવી કોમેન્ટ્સ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/aamir-khan-third-marriage-gauri-spratt-kbc-18</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/aamir-khan-third-marriage-gauri-spratt-kbc-18</guid><pubDate>Sun, 09 Aug 2026 17:29:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડ સુપરસ્ટાર આમિર ખાન ફરી એકવાર ચર્ચામાં છે, પરંતુ આ વખતે કારણ તેની કોઈ ફિલ્મ નહીં, પરંતુ તેની પર્સનલ લાઇફ છે. હાલમાં રિયાલિટી ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ સીઝન 18નો નવો પ્રોમો રિલીઝ થયો છે. આ પ્રોમો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર આમિર ખાનને લઈને લોકોની પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. કમેન્ટ સેક્શનમાં લોકો તેના ત્રીજા લગ્નને લઈને મજાક કરી રહ્યા છે અને મસ્તી કરી રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>બંટવારા 1947નું પ્રમોશન કરવા પહોંચ્યા આમિર ખાન</b></h2><p style="text-align: justify; ">કૌન બનેગા કરોડપતિ 18ના આ ખાસ એપિસોડમાં આમિર ખાન સાથે બોલીવુડ એક્ટર સની દેઓલ અને એક્ટ્રેસ પ્રીતિ ઝિંટા પણ જોવા મળશે. ત્રણેય કલાકારો અમિતાભ બચ્ચન સાથે હોટસીટ પર બેસીને શોની રોનક વધારશે. ત્રણેય કલાકારો ફિલ્મ બંટવારા 1947નું પ્રમોશન કરવા માટે KBCના મંચ પર પહોંચ્યા છે. આ ફિલ્મ 14 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મને લઈને દર્શકોમાં સારો માહોલ છે, પરંતુ પ્રોમો સામે આવતાં જ ફેન્સનું ધ્યાન ફિલ્મ પરથી હટીને આમિર ખાનની પર્સનલ લાઇફ તરફ ગયું.</p><h3 style="text-align: justify; "><b>વાયરલ પ્રોમોમાં શું છે?</b></h3><p style="text-align: justify; ">KBC 18નો જે પ્રોમો વીડિયો સામે આવ્યો છે, તેમાં આમિર ખાન શોના હોસ્ટ અમિતાભ બચ્ચનને સવાલ કરતા જોવા મળે છે. આમિર પૂછે છે કે આ વખતે સીઝનની થીમ સોચના પડેગા કેમ રાખવામાં આવી છે. આમિર કહે છે, તમે પ્રોમોમાં કહ્યું છે કે સોચના પડેગા, તો શું વિચારવું પડશે? તેના પર અમિતાભ બચ્ચન પોતાના દમદાર અંદાજમાં જવાબ આપે છે. બિગ બી કહે છે કે આ સીઝનમાં વસ્તુઓ એટલી સરળ નહીં હોય, કારણ કે હવે દરેક સવાલ બાદ કન્ટેસ્ટન્ટ્સે ઊંડાણથી વિચારવું પડશે. તેના પર આમિર ખાન હસતાં-હસતાં સહમત થાય છે અને કહે છે, સોચના પડેગા સર... ખરેખર સોચના પડેગા.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbxpyvjnZNI/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbxpyvjnZNI/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbxpyvjnZNI/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbxpyvjnZNI/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h2 style="text-align: justify; "><b>કમેન્ટ સેક્શનમાં ટ્રોલર્સે કરી મજાક</b></h2><p style="text-align: justify; ">પ્રોમોમાં આમિર ખાન અને અમિતાભ બચ્ચન વચ્ચેની આ વાતચીત ખૂબ મજેદાર લાગી રહી છે, પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સને ટ્રોલ કરવા માટે નવું કારણ મળી ગયું. કમેન્ટ સેક્શનમાં અનેક લોકો આમિર ખાનના લગ્નને લઈને મજાક કરવા લાગ્યા. હાલમાં જ આમિર ખાને ત્રીજી વાર લગ્ન કર્યા છે, તેથી નેટિઝન્સે પ્રોમોના બહાને તેની પર્સનલ લાઇફ પર અનેક કમેન્ટ્સ કર્યા.</p><p style="text-align: justify; "><img alt="Aamir Khan KBC 18 (2)" src="https://epapercdn.sandesh.com/images/2026/08/09/GPLAez0tAaoPPaRflAly6xta0EXLaOlazhP4mrsz.webp"><br></p><p style="text-align: justify; ">એક યુઝરે મજાક કરતાં લખ્યું, અમિતાભજીએ આમિરને પૂછવું જોઈએ કે તેઓ ચોથા લગ્ન ક્યારે કરી રહ્યા છે? જ્યારે બીજા યુઝરે કમેન્ટ કરી, શું આમિર અહીં પોતાના લગ્ન વિશે વાત કરવા આવ્યા છે? કેટલાક યુઝર્સે તો KBCની થીમ સોચના પડેગાને પણ આમિરના લગ્ન સાથે જોડી દીધા. એક યુઝરે મજાક કરતાં લખ્યું, ત્રીજા લગ્ન બાદ આમિરને હવે ખરેખર વિચારવું પડશે. સોશિયલ મીડિયા પર આવા અનેક કમેન્ટ્સ વાયરલ થઈ રહ્યા છે, જેમાં લોકો આમિરની પર્સનલ લાઇફને લઈને અલગ-અલગ પ્રકારની મજાક કરી રહ્યા છે.</p><h4 style="text-align: justify; "><b>ગૌરી સ્પ્રૈટ સાથે આમિર ખાનની ત્રીજા લગ્ન&nbsp;</b></h4><p style="text-align: justify; ">આમિર ખાને 5 જુલાઈ 2026ના રોજ ગૌરી સ્પ્રૈટ સાથે લગ્ન કરી છે. આ લગ્ન મુંબઈના બાંદ્રામાં આવેલા આમિરના ઘરે ખૂબ જ સાદી અને ખાનગી રીતે થયા હતા. બંનેએ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ કોર્ટ મેરેજ રજિસ્ટર કરાવી હતી. ગૌરી સ્પ્રૈટ સાથેની આ આમિર ખાનની ત્રીજા લગ્ન છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/mahesh-babu-net-worth-property-luxury-cars" target="_blank">આ પણ વાંચો-Tollywood Actor : કરોડોનું ઘર અને લક્ઝરી કાર, સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુની નેટવર્થ જાણી દંગ રહી જશો!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/09/SWTLrXP8Ds54t1wAMfT8Y7oYOsU0U8DHLUmCMYO9.webp'/></item></channel></rss>