<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Sandesh Indepth : તમે નાની હોટેલો અને ખાણીપીણી બજારમાં જે લાલ ચોળ દેખાતો ટોમેટો સોસ ખાઓ છો તે અસલી છે? ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/is-your-red-tomato-sauce-real-fake-sauce-market-worth-200-crore</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/is-your-red-tomato-sauce-real-fake-sauce-market-worth-200-crore</guid><pubDate>Wed, 02 Sep 2026 09:18:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતના નાના-મોટા શહેરોમાં લારી-ગલ્લાથી લઈને કેટલીક નાની હોટેલોમાં સસ્તો અને નકલી ટામેટાં સોસ વાપરવાનું ચલણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.ફૂડ સેફ્ટી વિભાગના દરોડામાં અવારનવાર આ વાત સામે આવતી રહે છે કે જેને આપણે સ્વાદિષ્ટ સમજીને ખાઈએ છીએ, તેમાં ટામેટાંનો એક પણ ટુકડો હોતો નથી.આ ફેક્ટરીઓ ફૂડ લાયસન્સ વગર કે રહેણાંક વિસ્તારોમાં નકલી નામે ચાલતી હોવાથી માત્ર ચોક્કસ બાતમીના આધારે જ પકડાય છે.વળી, માલ પકડાય ત્યારે દંડની રકમ નફાની સરખામણીએ ખૂબ ઓછી હોવાથી,આ નફાખોરીનું બજાર અટકવાનું નામ નથી લેતું. ગ્રાહકો સસ્તા ફાસ્ટ ફૂડની ડિમાન્ડ કરે છે જે આ નકલી બજારના ટર્નઓવરને સતત વેગ આપે છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>નકલી સોસનું વાર્ષિક 200 કરોડનું બજાર</b></h2><p style="text-align: justify; ">આ નકલી સોસના લાલ બજારનું અંદાજિત ટર્નઓવર, પ્રોફિટ માર્જિન અને નફાખોરીનું ગણિત ખૂબ જ સરળ છે.એકલા ગુજરાતના આઠ મોટા શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભુજ, મહેસાણા સહિત અન્ય નગરોના ખાણીપીણી બજારો, હાઈવેના ધાબા અને લારી-ગલ્લાઓનો દૈનિક વપરાશ જોતાં આ નેટવર્ક ઘણું મોટું છે.ગુજરાતનાં અંદાજિત ટર્નઓવરની વાત કરીએ તો રાજ્યભરમાં દરરોજ હજારો લીટર નકલી સોસ બનાવાય છે.માત્ર ગુજરાત પૂરતું જ આ નકલી સોસનું બજાર વાર્ષિક અંદાજે 150થી 200 કરોડનું હોવાનું મનાય છે.</p><p style="text-align: justify; "><img alt="નકલી સોસ" src="https://epapercdn.sandesh.com/images/2026/09/02/PmhuTaGXu7Pvg5ZxJ6MxuhxGlGXFWPeLuXQPDUZ3.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>લાખો રૂપિયાની કમાણી ટેક્સ ચૂકવ્યા વગર&nbsp;</b></h2><p style="text-align: justify; ">જો આખા દેશના મેટ્રો સિટીઝ અને નાના શહેરો ગણીએ તો આ નકલી કલર-કેમિકલ સોસનું માર્કેટ 1500થી 2 હજાર કરોડથી વધુનું ટર્નઓવર ધરાવે છે.નકલી સોસનું બજાર ત્રણ સ્તરે કરોડોની કમાણી કરે છે તેમાં પ્રથમ નંબરે મેન્યુફેક્ચરર્સનો આવે છે.તેઓ કોઈપણ બ્રાન્ડ નેમ વગર અથવા માર્કેટની પ્રખ્યાત બ્રાન્ડના નામે જ નકલી સ્ટીકરો લગાવીને માલ વેચે છે. રૂપિયા 5 માં તૈયાર થતો લીટર સોસ તેઓ હોલસેલરને 15 રૂપિયામાં આપે છે.રોજનું 5 હજાર લીટર પ્રોડક્શન કરનારી નાની ફેક્ટરી પણ દર મહિને લાખો રૂપિયાની કમાણી ટેક્સ ચૂકવ્યા વગર રોકડીથી કરે છે.</p><p style="text-align: justify; "><img alt="અસલી સોસ" src="https://epapercdn.sandesh.com/images/2026/09/02/0NIftT8D9JIbMWoRshF9gqcC9nk02VmVV0pTx6C9.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>કમિશન મેળવીને દર મહિને મોટું ટર્નઓવર રળે છે</b></h2><p style="text-align: justify; ">શહેરોના જથ્થાબંધ અનાજ-કરિયાણા માર્કેટ અથવા શાકભાજી માર્કેટની આસપાસ બેસતા કેમિકલ વેપારીઓ આ સસ્તો સોસ સીધો લારી-ગલ્લાવાળા સુધી પહોંચાડે છે.તેઓ જથ્થાબંધ કમિશન મેળવીને દર મહિને મોટું ટર્નઓવર રળે છે.સામાન્ય રીતે ગ્રાહક ભુજિયા,સમોસા,પફ કે ચાઈનીઝ ખાતી વખતે સોસના અલગ પૈસા આપતો નથી.લારીવાળા માટે સોસ ફ્રી કોમ્પ્લીમેન્ટરી હોય છે.જો લારીવાળો રોજનો 5 કિલો અસલી સોસ વાપરે તો તેને 600નો ખર્ચ થાય.તેના બદલે આ નકલી સોસ વાપરવાથી તેનો રોજનો ખર્ચ માત્ર 100 થાય છે.આમ લારીવાળો સોસના નામે રોજ સોસ દીઠ 500 બચાવે છે આમ મહિને 15 હજારની સીધી બચત/નફો થાય છે.</p><p style="text-align: justify; "><img alt="નકલી ટોમેટા" src="https://epapercdn.sandesh.com/images/2026/09/02/bBjVCBR5kQO8GItENmzO1cdFFmLn3ZeTkzc5NNd5.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>રાજયના મુખ્ય વપરાશ કેન્દ્રો</b></h2><p style="text-align: justify; ">અમદાવાદનો માણેકચોક, સુરતનો ખાઉગલી કે રાજકોટ-વડોદરા, જામનગર, ભુજ, જૂનાગઢના લારી-ગલ્લા. અહીં મળતા ભુજીયા, સમોસા, પકોડા, ચાઇનીઝ (નુડલ્સ/મંચુરિયન), પફ, સેન્ડવીચ અને વડાપાઉં સાથે આ સોસ ગ્રાહકોને ફ્રીમાં અને અમર્યાદિત માત્રામાં પીરસવામાં આવે છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/air-india-plane-crash-probe-in-final-stage-report-soon" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News : વિમાન દુર્ઘટનાની તપાસ અંતિમ તબક્કામાં,ટૂંક સમયમાં રિપોર્ટ જાહેર કરાશે : ઉડ્ડયન મંત્રી</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/MCNB9VCeGRLfS3ygcQgGbYuWvaOLrGb384lWdMrX.webp'/></item><item><title><![CDATA[Himachal: 7,000 ફૂટ  ઊંચું પવિત્ર તળાવ અચાનક જ 90% કેમ સૂકાઇ ગયું, જાણો તેના રહસ્ય વિશે! ]]></title><link>https://sandesh.com/india/news/knowledge/himachal-7-000-90-himachal-dehanser-lake-dried-up-barot-mystery</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/knowledge/himachal-7-000-90-himachal-dehanser-lake-dried-up-barot-mystery</guid><pubDate>Wed, 02 Sep 2026 08:46:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હિમાચલ પ્રદેશના પ્રવાસન અને ધાર્મિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ એવા ચૌહર ખીણની બારોટ પંચાયતમાં આવેલું સદીઓ જૂનું કુદરતી તળાવ ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યું છે. દરિયાની સપાટીથી આશરે 7000 ફૂટની ઊંચાઈએ હેડગરમાં સૂરજપુર ગઢ ખાતે આવેલું આ ઐતિહાસિક તળાવ હવે તેના અસ્તિત્વ માટે લડી રહ્યું છે. ભારે હિમવર્ષા અને પ્રતિકૂળ સંજોગોમાં પણ પાણીથી ભરપૂર રહેતું આ પવિત્ર તળાવ આજે લગભગ 90 ટકા જેટલું સુકાઈ ચૂક્યું છે, જેને લઈને સ્થાનિક રહેવાસીઓ અને પર્યાવરણવિદોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મોટું કેન્દ્ર છે આ તળાવ</b></h2><p style="text-align: justify; ">સ્થાનિક નાગરિકો અને પર્યાવરણવિદના મત પ્રમાણે, પ્રાચીન સમયમાં આ કુદરતી તળાવ અંદાજે 300 મીટર લાંબુ અને 100 મીટર પહોળું હતું. પ્રચૂર માત્રામાં પાણી ઉપલબ્ધ હોવાને કારણે આ તળાવ સ્થાનિક લોકો તેમજ દૂર-દૂરથી આવતા શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું એક મોટું કેન્દ્ર રહ્યું છે. આ પવિત્ર તળાવને 'જુનું દેહાંસર' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વના કારણે દર વર્ષે ભાદો અને ચૈત્ર મહિનાની 20મી તારીખે મોટી સંખ્યામાં ભક્તો અહીં આવીને પવિત્ર સ્નાન કરે છે.</p><h3 style="text-align: justify; "><b>તળાવ પોતાનું પ્રાચીન સ્વરૂર ગુમાવવાની કગાર પર</b></h3><p style="text-align: justify; ">જો કે, છેલ્લા કેટલાક વર્ષોથી આ તળાવમાં પાણીનું સ્તર સતત ઘટતું ગયું છે, જેના કારણે તે પોતાનું પ્રાચીન સ્વરૂપ અને ગૌરવ ગુમાવી રહ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે આ તળાવ માત્ર પાણીનો એક સ્ત્રોત નથી, પરંતુ આ સમગ્ર પ્રદેશનો એક અમૂલ્ય કુદરતી અને ધાર્મિક વારસો છે. જો આ કુદરતી સંપદાને બચાવવામાં નહીં આવે, તો આવનારી પેઢીઓ આ ઐતિહાસિક સ્થળના દર્શન કરવાથી વંચિત રહી જશે.</p><h4 style="text-align: justify; "><b>ઐતિહાસિક ધરોહરને બચાવવાની ઉગ્ર માંગ</b></h4><p style="text-align: justify; ">આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક રહેવાસીઓ અને પર્યાવરણવાદીઓએ વહીવટીતંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરી છે કે તત્વજ્ઞાન અને વિજ્ઞાનની મદદથી આ તળાવના કુદરતી પાણીના સ્ત્રોતોનો અભ્યાસ કરવામાં આવે. તળાવને પુનઃજીવિત કરવા માટે વહીવટીતંત્રે વહેલી તકે વિશેષ સંરક્ષણ યોજના તૈયાર કરીને નક્કર પગલાં ભરવા જોઈએ, જેથી આ પવિત્ર અને ઐતિહાસિક તળાવને સંપૂર્ણ નાશ પામતું અટકાવી શકાય.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/world/news/us-iran-war-2-0-gulf-tensions-missile-strikes" target="_blank">આ પણ વાંચોઃ US Iran war 2.0: જોર્ડનથી કુવૈત સુધી યુદ્ધની જ્વાળાઓ ફરી ફાટી નીકળી, અમેરિકાના જવાબી હુમલામાં 5ના મોત</a></b></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/yCTY4dfafjEEhkJAhHqCmuy8tftzLZCWTATeGzo1.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : તંત્રની લોલમલોલથી જીવ ગુમાવતાં બચ્યા અમદાવાદીઓ! ગુપ્તા નગર પાસે ધડામ દઈને પડ્યો સિગ્નલનો થાંભલો... ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-news-ahmedabad-residents-saved-from-losing-their-lives-due-to-the-chaos-of-the-system-a-signal-pole-fell-with-a-bang-near-gupta-nagar</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-news-ahmedabad-residents-saved-from-losing-their-lives-due-to-the-chaos-of-the-system-a-signal-pole-fell-with-a-bang-near-gupta-nagar</guid><pubDate>Wed, 02 Sep 2026 08:42:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના ગુપ્તા નગર ચાર રસ્તા પર આજે એક મોટી હોનારત થતાં થતાં ટળી ગઈ છે. દૈનિક સમય મુજબ ચાલુ વાહન વ્યવહાર વચ્ચે અચાનક જ રસ્તા કિનારે આવેલો ટ્રાફિક સિગ્નલનો ભારેખમ થાંભલો કડાકાભેર ધરાશાયી થયો હતો. જે સમયે આ થાંભલો પડ્યો ત્યારે રોડ પરથી અનેક વાહનચાલકો પસાર થઈ રહ્યા હતા. થાંભલો અચાનક વચ્ચે રોડ પર તૂટી પડતાં જ વાહનચાલકોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.</p><h2 style="text-align: justify; "><b>બે વાહનચાલકોનો આબાદ બચાવ, સદનસીબે જાનહાની નહીં</b></h2><p style="text-align: justify; ">આ દુર્ઘટનામાં સૌથી રાહતના સમાચાર એ રહ્યા કે આટલી મોટી ઘટના છતાં કોઈ જાનહાની નોંધાઈ નથી. સિગ્નલનો થાંભલો બરાબર બે વાહનચાલકોના માથા પર જ પડવાની તૈયારીમાં હતો, પરંતુ સદનસીબે માત્ર સેકન્ડોના તફાવતે તેઓ આગળ નીકળી જતાં થોડા માટે બચી ગયા હતા. જો થાંભલો સીધો વાહનચાલકો પર પડ્યો હોત તો મોટો ગંભીર અકસ્માત સર્જાઈ શક્યો હોત. ઘટના બાદ સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે રસ્તા પરથી થાંભલો બાજુ પર ખસેડી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>મ્યુનિસિપલ તંત્રની કામગીરી પર ઉઠ્યા ગંભીર સવાલો</b></h2><p style="text-align: justify; ">આ ઘટના બાદ સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોઈ પણ પ્રકારના વાવાઝોડા કે ભારે વરસાદ વગર જ અચાનક આટલો મોટો સિગ્નલ પોલ કેવી રીતે તૂટી પડ્યો તે અંગે સ્થાનિક મ્યુનિસિપલ તંત્ર અને મેન્ટેનન્સ વિભાગની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. લોકોનું આક્ષેપ છે કે તંત્ર દ્વારા સમયસર થાંભલાઓનું ચેકિંગ અને જાળવણી કરવામાં આવતી નથી, જેના કારણે આવા અકસ્માતોનું જોખમ વધે છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/air-india-plane-crash-probe-in-final-stage-report-soon" target="_blank">Ahmedabad News : વિમાન દુર્ઘટનાની તપાસ અંતિમ તબક્કામાં,ટૂંક સમયમાં રિપોર્ટ જાહેર કરાશે : ઉડ્ડયન મંત્રી</a></b></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/64zY5AIVf2qiHE6DQfnjBzLaQftw82rCLQyFkzlH.webp'/></item><item><title><![CDATA[2 કરોડની ફિલ્મે 50 કરોડનું કલેકશન કર્યું, ના બિગ પ્રમોશન, ના સુપરસ્ટાર છતાં ફિલ્મ સુપરહિટ, મોટો ચમત્કાર....ડાયરેક્ટર ]]></title><link>https://sandesh.com/entertainment/news/hanuman-ansh-is-a-super-hit-at-the-box-office--collecting-50-crores-in-26-days--a-historical-record</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/hanuman-ansh-is-a-super-hit-at-the-box-office--collecting-50-crores-in-26-days--a-historical-record</guid><pubDate>Wed, 02 Sep 2026 08:39:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સિનેમાઘરોમાં રિલીઝ થયાના 26 દિવસ પછી પણ એક નાની ફિલ્મ 'હનુમાન અંશ' બોક્સ ઓફિસ પર અકલ્પનીય સફળતા મેળવી રહી છે. ધીમી શરૂઆત બાદ ફિલ્મે જે ગતિ પકડી છે તેણે સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. મોટા બજેટની ફિલ્મોની સ્પર્ધા વચ્ચે પણ આ ફિલ્મે થિયેટરોમાં પોતાનો મજબૂત દબદબો જાળવી રાખ્યો છે.</p><p style="text-align: justify; "><br></p><h2 style="text-align: justify; "><b>નીમ કરોલી બાબા પર આધારિત પુસ્તકમાંથી બની હિટ ફિલ્મ</b></h2><p style="text-align: justify; ">ફિલ્મની આ સફળતાથી તેના દિગ્દર્શક ડૉ. વિશાલ ચતુર્વેદી ખૂબ જ ભાવુક છે. તેમણે નીમ કરોલી બાબા પર લખેલા પોતાના પુસ્તક "ડિવાઇન ડીટૂર" પરથી આ ફિલ્મ બનાવી છે, જે આજે વિશ્વભરમાં હિટ સાબિત થઈ રહી છે. હિન્દુસ્તાન ટાઇમ્સ (HT) સાથેની ખાસ વાતચીતમાં તેમણે ફિલ્મની આ સફર વિશે દિલ ખોલીને વાત કરી હતી.</p><h3 style="text-align: justify; "><b>₹૧.૭ કરોડનું બજેટ અને નીમ કરોલી બાબાના આશીર્વાદ</b></h3><p style="text-align: justify; ">ડૉ. વિશાલ ચતુર્વેદીએ ફિલ્મની સફળતાને એક ચમત્કાર ગણાવતા કહ્યું, "અમે આ ફિલ્મ માત્ર ₹૧.૭ કરોડના બજેટમાં બનાવી હતી. અમારી અપેક્ષા માત્ર એટલી જ હતી કે રોકાણ પાછું મળી જાય, પરંતુ ફિલ્મે ધારણા કરતા ઘણું સારું પ્રદર્શન કર્યું. હવે કમાણી કરતાં પણ લોકોનો પ્રેમ અને આશીર્વાદ અમારા માટે વધુ મહત્વના છે. બાબાની દૈવી વાર્તા, સંગીત અને કલાકારોના સમર્પણને કારણે આ શક્ય બન્યું છે."</p><h3 style="text-align: justify; "><b>પીઆર (PR) વગર જ દર્શકો બન્યા ફિલ્મના પ્રમોટર્સ</b></h3><p style="text-align: justify; ">દિગ્દર્શકે જણાવ્યું કે પ્રમોશન કે પીઆર માટે બજેટ ન હોવા છતાં, દર્શકો પોતે જ ફિલ્મના પ્રચારક બન્યા. લોકોએ સોશિયલ મીડિયા પર અનુભવો શેર કરીને ફિલ્મને પોતાના ખભા પર ઉપાડી લીધી. શરૂઆતમાં 'આવારાપન 2' અને 'પાર્ટીશન 1947' જેવી મોટી ફિલ્મો સામે માત્ર 25 શો જ મળ્યા હતા. આમ છતાં, લોકો 200-250 કિલોમીટર દૂરથી પણ ફિલ્મ જોવા આવ્યા હતા. ફિલ્મ પૂરી થયા પછી ભાવુક થઈ ગયેલા દર્શકોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા, જેણે સૌથી મોટું કામ કર્યું.</p><h4 style="text-align: justify; "><b>રોડ ટ્રીપ અને વાયરલ કન્ટેન્ટથી શોમાં થયો વધારો</b></h4><p style="text-align: justify; ">જ્યારે થિયેટરોમાં શો ઘટવા લાગ્યા, ત્યારે ટીમે મુંબઈથી રાજકોટ, સુરત અને અમદાવાદ જેવા શહેરોની રોડ ટ્રીપ કરી. ભંડોળના અભાવ વચ્ચે તેમણે સ્થાનિક મીડિયા, થિયેટર માલિકો અને કન્ટેન્ટ સર્જકોનો સંપર્ક કર્યો. આ પ્રયાસો અને વાયરલ રીલ્સના કારણે ફિલ્મની માગ ફરી વધી.</p><h4 style="text-align: justify; "><b>₹૫૦ કરોડથી વધુ કલેક્શન સાથે બન્યો નવો રેકોર્ડ</b></h4><p style="text-align: justify; ">એક સમયે 21 દિવસમાં જેના શો 350 થી ઘટીને માત્ર 29 થઈ ગયા હતા, તે 'હનુમાન અંશ' ફિલ્મ માઉથ-પબ્લિસિટીના જોરે ફરી બેઠી થઈ. આજે દક્ષિણના સુપરસ્ટાર યશની ફિલ્મ 'ટોક્સિક'ની હાજરી હોવા છતાં, 'હનુમાન અંશ'ના દેશભરમાં 7,000 થી વધુ શો ચાલી રહ્યા છે અને ફિલ્મનું કુલ કલેક્શન ₹50 કરોડનો આંકડો વટાવી ચૂક્યું છે.</p><h4 style="text-align: justify; "><b>હનુમાન અંશ ફિલ્મ વિશે</b></h4><p style="text-align: justify; ">'હનુમાન અંશ' વિશાલ ચતુર્વેદી દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત હતી અને તેમાં શોભિના ડબલ્યુ સત્યા, વિહાન એસ હેગડે, ચંદન આનંદ, પૂર્ણિમા તિવારી, અનિલ કે રસ્તોગી અને ગુલશન પાંડે મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી. આ ફિલ્મનું નિર્માણ રાગિની એસ, નમ્રતા જી સિંહ, અનુપ્રિયા એ નાગર અને વિશાલ ચતુર્વેદી દ્વારા કરવામાં આવ્યું હતું અને સિનેપોલિસ દ્વારા તેને સમગ્ર ભારતમાં થિયેટર રિલીઝ કરવામાં આવી હતી.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/bhojpuri-bawal-tej-pratap-yadav-sensational-claim-of-his-murder" target="_blank">આ પણ વાંચો : Tej Pratap Yadav: થઈ શકે છે મારી હત્યા, કોઈ કાવતરું ઘડી રહ્યું છે... ભોજપુરી બબાલમાં લાલુ યાદવના પુત્રનો શોકિંગ ખુલાસો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/YHQfLjqOjwgr86wkl86qbzffOwUFiYQm8wFvKLNH.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: શહેરમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ વધ્યા, બંને સિવિલ હોસ્પિટલમાં રોજ 20 દર્દીનો રિપોર્ટ પોઝિટીવ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/dengue--malaria-and-h1n1-cases-rise-in-city-hospitals</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/dengue--malaria-and-h1n1-cases-rise-in-city-hospitals</guid><pubDate>Wed, 02 Sep 2026 08:04:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં એક જ સપ્તાહમાં સ્વાઈન ફ્લૂના 31 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે જે પૈકી 8 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 30મી ઓગસ્ટ સુધીના એક સપ્તાહના આ આંકડા છે.જ્યારે આ અગાઉ સ્વાઈન ફ્લૂના 9 પોઝિટિવ કેસ હતા.આમ, સોલા સિવિલમાં બે સપ્તાહમાં સ્વાઈન ફ્લૂના કુલ 17 પોઝિટિવ કેસ નોંધાયા છે.બીજી તરફ,અસારવા સિવિલ હોસ્પિટલમાં આ સપ્તાહે સ્વાઈન ફ્લૂના 3 દર્દીઓને સારવાર આપવામાં આવી છે.જેથી બંને સિવિલ હોસ્પિટલોમાં મળીને H1N1ના કુલ 20 દર્દીઓ નોંધાયા છે.</p><h2 style="text-align: justify; "><b>શરદી-ખાંસી અને તાવ સહિતના કેસો વધ્યા</b></h2><p style="text-align: justify; ">ચોમાસાની સિઝનમાં ડેન્ગ્યુ, શરદી-ખાંસી અને તાવ સહિતના કેસોનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે.સોલા સિવિલમાં એક જ સપ્તાહમાં ડેન્ગ્યુના 809 શંકાસ્પદ કેસ નોંધાયા છે જેમાંથી 118 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અસારવા સિવિલમાં જૂન મહિનામાં ડેન્ગ્યુના 32 કેસ હતા જે વધીને ઓગસ્ટમાં 94 દર્દી સુધી પહોંચ્યા છે.અસારવા સિવિલમાં હિપેટાઈટિસના જુલાઈ માસમાં 174 કેસ હતા જે ઓગસ્ટમાં વધીને 194 થયા છે.સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, સિવિલની OPDમાં માત્ર સાત દિવસમાં 21,903 દર્દીઓ અને IPDમાં 2,268 દર્દીઓને સારવાર આપવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>સાદા મલેરિયાના જૂનમાં 7 કેસ હતા</b></h2><p style="text-align: justify; ">અસારવા સિવિલના સૂત્રો મુજબ,સાદા મલેરિયાના જૂનમાં 7 કેસ હતા, જે 1લી ઓગસ્ટથી 1લી સપ્ટેમ્બર સુધીમાં વધીને 43 થયા છે. એ જ રીતે ઝેરી મલેરિયાના કેસ 2થી વધીને 13 થયા છે. વાયરલ તાવના કેસ 574થી વધીને 939, ટાઈફોઈડના અગાઉ 17 અને નવા 7 કેસ તથા ચિકનગુનિયાના ઓગસ્ટમાં 10 કેસ નોંધાયા છે. સોલા સિવિલના આંકડા અનુસાર, એક સપ્તાહમાં મલેરિયાના 1,377 શંકાસ્પદ સેમ્પલમાંથી 19 પોઝિટિવ આવ્યા છે, જ્યારે ચિકનગુનિયાના 11 શંકાસ્પદમાંથી એક પણ પોઝિટિવ નથી. આ ઉપરાંત, ઝાડા-ઉલટીના 18, વાયરલ હિપેટાઈટિસ Aનો 1 અને ટાઈફોઈડના 3 દર્દીઓને સારવાર આપવામાં આવી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/4-weather-systems-active-rain-deficit-continues" target="_blank">આ પણ વાંચોઃ Gujarat Weather News: રાજ્યમાં 4 સિસ્ટમ સક્રિય છતાં વરસાદની ખેંચ, ભર ચોમાસે ગરમીનો અહેસાસ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/OOdYQZ2Gf1N58NkxvmANr1KdaaPWGNMOzG154KpY.webp'/></item><item><title><![CDATA[પાટણમાં રાહુલ ગાંધી સામે થયેલી ફરિયાદ બાબતે કોંગ્રેસનો વિરોધ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/patan/congress-protests-against-complaint-against-rahul-gandhi-in-patan</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/patan/congress-protests-against-complaint-against-rahul-gandhi-in-patan</guid><pubDate>Wed, 02 Sep 2026 05:29:52 +05:30</pubDate><description><![CDATA[<p>પાટણ । (સં.ન્યૂ.સ.)</p><p>પાટણમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સામે ઉતરાખંડમાં થયેલી ફરીયાદને લઈ વિરોધ દર્શાવ્યો હતો. જે દરમિયાન પાટણની સિદ્ધપુર ચોકડી પાસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ચક્કાજામ કરી ફરીયાદ પરત ખેંચવાની માંગ કરી હતી.</p><p>ઉતરાખંડમાં કોંગ્રેસના લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સામે ઉતરાખંડમાં ફરીયાદ નોંધાતા તેના પડઘા પાટણમાં પડયા હતા. જેમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ એકઠા થયેલા આગેવાનો અને કાર્યકરોએ પાટણ સિદ્ધપુર ચોકડી પાસે ચક્કાજામ કરી આક્ષેપ સાથે માંગ કરી હતી કે રાહુલ ગાંધી વિરુદ્ધ કરવામાં આવેલી ફરીયાદ ખોટી છે. જેને તાત્કાલિક અસરથી પરત ખેંચવામાં આવે. તેમજ લોકશાહી અને બંધારણીય મુલ્યોની રક્ષા માટે કોંગ્રેસનો સંઘર્ષ ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું. ચક્કાજામના કારણે થોડી વાર માટે ટ્રાફ્કિ સર્જાયો હતો. વધુમાં કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે વિપક્ષના નેતા સામે રાજકીય દબાણ કે ખોટી કાર્યવાહી કરવામાં આવશે તો કોંગ્રેસ લોકશાહી ઢબે તેનો સતત વિરોધ કરશે. વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં પક્ષના આગેવાનો અને કાર્યકરો જોડાયાહતા.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p>Congress workers in Patan protested a complaint against Rahul Gandhi in Uttarakhand, holding a road blockade and demanding withdrawal of the complaint.</p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/1Y5NWv5SGx6LuJIP4x3hszzKoGjJgR16tvjYtihI.webp'/></item><item><title><![CDATA[પાટણ પાલિકામાં આઉટ સોર્સિંગ ભરતીના ટેન્ડર મુદ્દે પ્રમુખ સામે ભાજપના જ 14 નગરસેવકોએ મોર્ચો ખોલ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/patan/14-bjp-corporators-open-front-against-the-president-over-the-issue-of-outsourcing-recruitment-tender-in-patan-municipality</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/patan/14-bjp-corporators-open-front-against-the-president-over-the-issue-of-outsourcing-recruitment-tender-in-patan-municipality</guid><pubDate>Wed, 02 Sep 2026 05:28:04 +05:30</pubDate><description><![CDATA[<div>પાટણ (સં.ન્યૂ.સ.)</div><div>પાટણ નગરપાલિકાની ચાલુ ટર્મમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 24 જેટલા નગરસેવકો સાથે સત્તા ફરી વખત પોતાની પાસે જાળવી રાખી હતી. જેમાં મહિલા પ્રમુખની પણ નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ હવે અગાઉની જેમ ચાલું બોડીમાં પણ આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. જેમાં આઉટસોર્સિંગ ભરતીના ટેન્ડરમાં ગેરરીતિ અને ખોટા ઠરાવ કરવાનો અને એલ. 1 ની જગ્યાએ એલ. 2 એજન્સીને વર્ક ઓર્ડર આપી મોટો આર્થિક ફાયદો કરાવવાનો ગંભીર આક્ષેપ ખુદ નગરપાલિકાના શાસક પક્ષના 14 જેટલા સભ્યોએ જ કરતાં પાટણના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.</div><div>પાટણ નગરપાલિકામાં અગાઉ પણ 24 માંથી 7 સભ્યોએ આ બાબતે પ્રમુખને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી પરંતુ તે સ્વીકારવામાં આવ્યું ન હતું. 30 જુલાઈના દિવસે મળેલી સામાન્ય સભામાં વધારાના કામોની યાદીમાં માત્ર જાણ માટે મૂકવામાં આવેલા કામમાં ખોટો ઠરાવ ક્રમાંક 106 લખવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. નગરપાલિકાના સભ્યો દ્વારા આપેલા પત્રમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે રાજ્ય સરકારના પ્રવર્તમાન નિયમો મુજબ સૌથી ઓછા ભાવ દર્શાવનારL1 એજન્સીના ભાવ મંજૂર કરવાના હોય છે તેના બદલે રાજકોટની રુદ્રા સિક્યુરિટી સર્વિસીસ નામની એજન્સીને 3.85 ટકાના ભાવે વર્ક ઓર્ડર આપવાનો નિયમ વિરુદ્ધનો ઠરાવ લખવામાં આવ્યો હતો. જેથી કરીને સભ્યોએ આક્ષેપ લગાવ્યો છે કે સામાન્ય સભામાં આવો કોઈ જ નિર્ણય થયો ન હોવા છતાં આ ખોટો ઠરાવ કરીને એજન્સીને મોટો આર્થિક ફાયદો કરાવવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેનાથી નગરપાલિકાના જાહેર સ્વભંડોળના નાણાંનો દુરપયોગ થશે. જેને લઈ 14 જેટલા શાસક પક્ષના જ સભ્યોએ લેખિતમાં સખત વાંધો રજુ કરીને ખોટા ઠરાવના કારણે ભવિષ્યમાં ઊભી થનારી આર્થિક અથવા કાયદાકીય જવાબદારી પ્રમુખની વ્યક્તિગત રહેશે તેમ જણાવ્યું હતું. તેમજ વિરોધ પત્રની નકલ ઉત્તર ઝોન ગાંધીનગરના પ્રાદેશિક કમિશનર તેમજ પાટણ નગરપાલિકાના ચીફ્ ઓફ્સિરને પણ રવાના કરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જેને લઈને પાટણના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો છે.</div><div><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></div><div><br></div> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/02/nK728Ai92WqAdD2hu96UVcHjkvxFbXhv3IDSJ0Gk.webp'/></item><item><title><![CDATA[Maharashtra : FDAની મોટી કાર્યવાહી, મુંબઈની 2 હોટલ અને અકોલામાં Blinkit સેન્ટરનું લાઈસન્સ સસ્પેન્ડ કરાયું ]]></title><link>https://sandesh.com/india/news/maharashtra-fda-suspends-mumbai-hotels-blinkit-akola-license</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/maharashtra-fda-suspends-mumbai-hotels-blinkit-akola-license</guid><pubDate>Tue, 01 Sep 2026 22:29:12 +05:30</pubDate><description><![CDATA[<p>મહારાષ્ટ્રમાં ખાદ્ય અને પીણાની વસ્તુઓની સુરક્ષાને લઈને FDA (Food and Drug Administration)એ કડક કાર્યવાહી કરી છે. વિભાગે મુંબઈની બે હોટલ અને અકોલામાં Blinkitના એક સેન્ટરનું લાઈસન્સ સસ્પેન્ડ કર્યું છે. તપાસ દરમિયાન સ્વચ્છતા, ખાદ્ય સામગ્રીના સંગ્રહ, કર્મચારીઓની હાઈજીન અને અન્ય ખાદ્ય સુરક્ષા નિયમોમાં ગંભીર બેદરકારી સામે આવી હતી. આ ઉપરાંત સાંગલીમાં યોગ્ય રીતે સંગ્રહ ન કરાયેલું 165 લીટર દૂધ જપ્ત કરીને સ્થળ પર જ નષ્ટ કરવામાં આવ્યું હતું.</p><h2><b>અકોલામાં Blinkit સેન્ટરની સ્થિતિ ખરાબ</b></h2><p>અકોલામાં Blink Commerce Private Limited (Blinkit)ના સ્ટોર પર તપાસ દરમિયાન અનેક ખામીઓ મળી આવી હતી. તપાસ ટીમને ફ્રીઝરના પ્લાસ્ટિક પડદા ફાટેલી હાલતમાં જોવા મળ્યા હતા. ખાદ્ય અને પીણાની વસ્તુઓને નોન-ફૂડ સામગ્રી સાથે એક જ રેકમાં રાખવામાં આવી હતી. કેટલીક ખાદ્ય વસ્તુઓ તો સીધી જ જમીન પર ધૂળ અને કચરા વચ્ચે પડેલી મળી હતી. વિભાગે અગાઉ 12 ઓગસ્ટે સુધારા માટે ચેતવણી આપી હતી. જોકે, ત્યારબાદ પણ સ્થિતિમાં સુધારો ન થતાં 31 ઓગસ્ટે સેન્ટરનું લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું.</p><h3><b>મુંબઈની બે હોટલ સામે કાર્યવાહી</b></h3><p>મુંબઈના મલાડ વેસ્ટ વિસ્તારમાં આવેલી 'દિલ્હી સ્વીટ એન્ડ ભેલપુરી હાઉસ'માં તપાસ દરમિયાન ફ્રીઝરમાં ખાદ્ય સામગ્રી સાથે કાચા ઈંડા રાખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું. ઉપરાંત રસોઈ માટે દૂષિત પાણીનો ઉપયોગ થતો હોવાની માહિતી પણ મળી હતી. રસોડાની દિવાલો પર ભેજ અને ગંદકી જોવા મળી હતી.</p><p>કુર્લા વેસ્ટની 'ગુલઝાર મોહમ્મદી હોટલ'માં પણ સ્વચ્છતાની સ્થિતિ સંતોષકારક ન હતી. હાઇજીન તપાસમાં હોટલને 100માંથી માત્ર 24 માર્ક્સ મળ્યા હતા. રસોડાની દિવાલો પર તેલનું જાડું પડ જમેલું હતું અને નાળીઓ પણ ગંદી હતી. કર્મચારીઓએ ગ્લવ્સ અને હેડગિયર પહેર્યા નહોતા. આ ખામીઓના પગલે બંને હોટલના લાઈસન્સ તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા.</p><h4><b>સાંગલીમાં 165 લીટર દૂધ નષ્ટ</b></h4><p>સાંગલીના મિરજમાં આવેલા 'મયક્કા મિલ્ક કલેક્શન સેન્ટર'માં પણ ગંભીર બેદરકારી સામે આવી હતી. અહીં 120 લીટર ગાયનું અને 43 લીટર ભેંસનું દૂધ કોઈ કૂલિંગ વ્યવસ્થા વિના ચાર કલાકથી વધુ સમય સુધી સામાન્ય રૂમમાં રાખવામાં આવ્યું હતું. દૂધનો રેકોર્ડ પણ રજિસ્ટરમાં નોંધાયેલો નહોતો. ઉપરાંત અગાઉ સીલ કરાયેલી ક્રીમ કાઢવાની મશીનની સરકારી સીલ તૂટેલી મળી હતી. લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે તેવા આ 165 લીટર દૂધને FDAની ટીમે સ્થળ પર જ નષ્ટ કરાવ્યું. FDAએ સ્પષ્ટ કર્યું છે કે ખાદ્ય સુરક્ષા સંબંધિત નિયમોનું પાલન કરવું તમામ ફૂડ બિઝનેસ માટે ફરજિયાત છે. તપાસમાં ગંભીર ખામીઓ મળતા ત્રણ સ્થળોના લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/air-vice-marshal-shakti-sharma-first-non-medical-woman-two-star-rank" target="_blank">આ પણ વાંચો : Air Vice Marshal Shakti Sharmaએ રચ્યો નવો ઈતિહાસ, ટુ-સ્ટાર રેન્ક મેળવનારી પ્રથમ નોન-મેડિકલ મહિલા અધિકારી બન્યા</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/LlraV5nx4SZxIroPLZIGky0Vyp8bq2j7g28eGs52.webp'/></item><item><title><![CDATA[Business News : રેલવે કંપનીને મળ્યો 1100 કરોડ રૂપિયાનો આંતરરાષ્ટ્રીય ઓર્ડર, શેરમાં આવ્યો 7 ટકાનો ઉછાળો ]]></title><link>https://sandesh.com/business/news/texmaco-rail-1100-crore-international-order-share-rises-7-percent</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/texmaco-rail-1100-crore-international-order-share-rises-7-percent</guid><pubDate>Tue, 01 Sep 2026 19:01:52 +05:30</pubDate><description><![CDATA[<p>રેલવે સેક્ટરની કંપની Texmaco Rail and Engineeringના શેરમાં મંગળવાર, 1 સપ્ટેમ્બરના રોજ જોરદાર તેજી જોવા મળી હતી. કંપનીના શેરમાં ઈન્ટ્રાડે દરમિયાન લગભગ 7%નો ઉછાળો આવ્યો હતો. આ તેજી પાછળ કંપનીને મળેલો આશરે ₹1,100 કરોડનો આંતરરાષ્ટ્રીય ઓર્ડર મુખ્ય કારણ માનવામાં આવી રહ્યો છે.</p><h2><b>શું છે ઓર્ડર?</b></h2><p>કંપનીએ સ્ટોક એક્સચેન્જને કરેલી ફાઈલિંગમાં જણાવ્યું કે Tsiko Africa Logistics અને Barberry Holdings તરફથી તેને Letter of Award મળ્યો છે. આ ઓર્ડર હેઠળ Texmaco Railને Wabtec ES43ACi ડીઝલ-ઈલેક્ટ્રિક લોકોમોટિવની ડિઝાઈનિંગ, મેન્યુફેક્ચરિંગ, સપ્લાય અને કમિશનિંગનું કામ કરવાનું રહેશે. આ લોકોમોટિવની ક્ષમતા 4,500 HP હશે. કંપનીએ આ પ્રોજેક્ટને ફાઈનલ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર થયા બાદ 20થી 24 મહિનાની અંદર પૂર્ણ કરવાનો રહેશે. આંતરરાષ્ટ્રીય સ્તરે મળેલો આ ઓર્ડર કંપનીના રેલવે મેન્યુફેક્ચરિંગ બિઝનેસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.</p><h2><b>જર્મન કંપની સાથે પણ કરાર</b></h2><p>Texmaco Railએ ગયા અઠવાડિયે જ જર્મનીની Bochumer Verein Verkehrstechnik GmbH (BVV) સાથે પણ એક મહત્વપૂર્ણ કરાર કર્યો હતો. બંને કંપનીઓ ભારતમાં રેલવે માટેના વ્હીલસેટ, વ્હીલ, એક્સલ અને અન્ય રેલવે કમ્પોનન્ટ્સના ઉત્પાદન માટે સંયુક્ત સાહસ એટલે કે Joint Ventureની સંભાવનાઓ તપાસી રહી છે. આ ભાગીદારીથી ભારતમાં રેલવે કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ ક્ષમતા વધારવાની સાથે કંપનીને લાંબા ગાળે નવા બિઝનેસની તકો મળી શકે છે.</p><h4><b>પ્રથમ ત્રિમાસિક ગાળામાં નફો 67% વધ્યો</b></h4><p>કંપનીના જૂન ક્વાર્ટરના પરિણામો પણ મિશ્ર રહ્યા હતા. કંપનીનો નેટ પ્રોફિટ 66.8% વધીને ₹50 કરોડ થયો હતો. ગયા વર્ષે સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીનો નફો ₹30 કરોડ હતો. જોકે, આ સમયગાળા દરમિયાન કંપનીની આવકમાં ઘટાડો નોંધાયો હતો. રેવન્યુ 16.9% ઘટીને ₹757 કરોડ રહ્યું હતું, જે ગયા વર્ષે ₹911 કરોડ હતું. કંપનીનું EBITDA પણ 19.6% ઘટીને ₹57 કરોડ થયું હતું, જ્યારે ગયા વર્ષે તે ₹71 કરોડ હતું. જોકે, EBITDA માર્જિન 8% પર સ્થિર રહ્યું હતું.</p><h4><b>શેરનું કેવું રહ્યું પ્રદર્શન?</b></h4><p>મંગળવારે Texmaco Railનો શેર 7.3% વધીને ઈન્ટ્રાડે ₹116.90 સુધી પહોંચ્યો હતો. જોકે, બાદમાં તેજી થોડી ઓછી થઈ અને શેર 4.27%ના વધારા સાથે ₹113.60 પર બંધ થયો હતો. તેમ છતાં, 2026માં અત્યાર સુધી કંપનીના શેરમાં આશરે 18%નો ઘટાડો નોંધાયો છે.<br><br><a href="https://sandesh.com/business/news/car-insurance-claim-rejected-due-to-defect-in-driving-license-now-insurance-company-ordered-to-pay-45-lakh" target="_blank"><b>આ પણ વાંચો : Car Insurance: ડ્રાઇવિંગ લાઇસન્સમાં ખામી કહી ક્લેમ નકાર્યો, હવે વીમા કંપનીને ₹4.5 લાખ ચૂકવવાનો આદેશ</b></a></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/SUsBgVv8onQ4DOh9bnWFq54aHLdEQV3yQMJic03y.webp'/></item><item><title><![CDATA[India Footbal ટીમની જાહેરાત, 26 ખેલાડીઓની પસંદગી કરાઇ ]]></title><link>https://sandesh.com/sports/news/india-football-team-announced-26-players-selected</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india-football-team-announced-26-players-selected</guid><pubDate>Tue, 01 Sep 2026 09:31:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય ફૂટબોલ ટીમ માટે આગામી આંતરરાષ્ટ્રીય વિન્ડો ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાની છે. મુખ્ય કોચ ખાલિદ જમીલે 26 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. ભારતીય ટીમ આગામી દિવસોમાં પનામા, બ્રાઝિલ અને ઉરુગ્વે જેવી મજબૂત ટીમો સામે 3 આંતરરાષ્ટ્રીય મૈત્રી મેચ રમશે. ખાસ કરીને બ્રાઝિલ અને ઉરુગ્વે સામેની મેચ ભારતીય ખેલાડીઓ માટે પોતાની ક્ષમતા સાબિત કરવાની મોટી તક બની રહેશે.</p><h5 style="text-align: justify; "><b>ભારતીય ટીમ અભિયાનની શરૂઆત 26 સપ્ટેમ્બરે કરશે</b></h5><p style="text-align: justify; ">ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 26 સપ્ટેમ્બરે કરશે. બેંગલુરુના શ્રી કાંતિરવા સ્ટેડિયમમાં ભારતનો મુકાબલો પનામા સામે થશે. ત્યારબાદ ભારતીય ટીમ કોલકાતા જશે, જ્યાં 3 ઓક્ટોબરે 5 વખતની વિશ્વ ચેમ્પિયન બ્રાઝિલ અને 6 ઓક્ટોબરે 2 વખતની વિશ્વ ચેમ્પિયન ઉરુગ્વે સામે મેદાનમાં ઉતરશે.આ ત્રણેય ટીમો આ વર્ષે યોજાયેલા FIFA વિશ્વ કપમાં ભાગ લઈ ચૂકી છે. આવી સ્થિતિમાં ભારતીય ખેલાડીઓ માટે વિશ્વસ્તરીય ટીમો સામે રમવાનો અનુભવ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. મુખ્ય કોચ ખાલિદ જમીલ પણ આ મેચો દ્વારા ટીમની તાકાત અને નબળાઈઓ સમજવાનો પ્રયાસ કરશે.</p><h5 style="text-align: justify; "><b>14 સપ્ટેમ્બરથી રાષ્ટ્રીય શિબિર</b></h5><p style="text-align: justify; ">ભારતીય રાષ્ટ્રીય ટીમની શિબિર 14 સપ્ટેમ્બરથી બેંગલુરુમાં શરૂ થશે. પનામા સામેની મેચ બાદ ભારતીય ટીમ 28 સપ્ટેમ્બરે કોલકાતા માટે રવાના થશે. ત્યારબાદ માત્ર થોડા દિવસના અંતરે ભારત બ્રાઝિલ અને ઉરુગ્વે જેવી મજબૂત ટીમો સામે મેચ રમશે.આ ત્રણેય મુકાબલા ભારતીય ટીમ માટે એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે આગામી સમયમાં ટીમને અનેક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ નિભાવવાની છે. ખાસ કરીને બ્રાઝિલ અને ઉરુગ્વે સામે રમવાથી ભારતીય ખેલાડીઓને મોટા મંચ પર પોતાની રમતનું મૂલ્યાંકન કરવાની તક મળશે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/IndianFootball/status/2094461120929034687?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; "><br></p><h5 style="text-align: justify; "><b>ભારતની 26 સભ્યોની ટીમ</b></h5><p style="text-align: justify; ">ગોલકીપર:એલ્બિનો ગોમ્સ, ગુરપ્રીત સિંહ સંધુ, પ્રભસુખન સિંહ ગિલ અને સોમ કુમાર.</p><p style="text-align: justify; ">ડિફેન્ડર:અભિષેક સિંહ ટેકચામ, આકાશ મિશ્રા, અનવર અલી, બિજોય વર્ગીઝ, હમિંગથનમાવિયા રાલ્ટે, જય ગુપ્તા, પ્રમવીર અને રિકી મીતેઈ હાઓબામ.</p><p style="text-align: justify; ">મિડફિલ્ડર:અનિરુદ્ધ થાપા, આશિક કુરુનિયન, ફારુખ ચૌધરી, લાલેંગમાવિયા રાલ્ટે, મેકાર્ટન નિક્સન, મોહમ્મદ સનાન, રિકી શાબોંગ અને સહલ અબ્દુલ સમદ.</p><p style="text-align: justify; ">ફોરવર્ડ:એડમન્ડ લાલરિન્દિકા, ઇરફાન યાડવાડ, મનવીર સિંહ, રહીમ અલી, રેયાન વિલિયમ્સ અને વિક્રમ પ્રતાપ સિંહ.</p><h5 style="text-align: justify; "><b>ભારતનો સંપૂર્ણ કાર્યક્રમ</b></h5><p style="text-align: justify; ">26 સપ્ટેમ્બર:ભારત વિરુદ્ધ પનામા — શ્રી કાંતિરવા સ્ટેડિયમ,બેંગલુરુ</p><p style="text-align: justify; ">3 ઓક્ટોબર:ભારત વિરુદ્ધ બ્રાઝિલ — વિવેકાનંદ યુવા ભારતી ક્રીડાંગણ, કોલકાતા</p><p style="text-align: justify; ">6 ઓક્ટોબર:ભારત વિરુદ્ધ ઉરુગ્વે — વિવેકાનંદ યુવા ભારતી ક્રીડાંગણ, કોલકાતા</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/cricket/news/australia-a-squad-announced-for-the-india-a-series-two-players-of-indian-origin-included-in-the" target="_blank">Australia-A squad : ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયા A ટીમ જાહેર,ભારતીય મૂળના 2 ખેલાડીઓને મળ્યું સ્થાન</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/SPbBPwGbv7y83nxfQ8iZc8DhAECHb1obcZUy0Nan.webp'/></item></channel></rss>