<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Karnataka Cabinet Expansion: DK શિવકુમારે મંત્રીઓને સોંપ્યા વિભાગો, મુનિયપ્પા અને રામલિંગા રેડ્ડીના ખાતામાં ફેરફાર ]]></title><link>https://sandesh.com/india/news/karnataka-cabinet-expansion-dk-shivakumar-ministers-portfolios-changes</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/karnataka-cabinet-expansion-dk-shivakumar-ministers-portfolios-changes</guid><pubDate>Wed, 12 Aug 2026 20:01:47 +05:30</pubDate><description><![CDATA[<p>કર્ણાટકમાં મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારના નેતૃત્વ હેઠળ કેબિનેટ વિસ્તરણ બાદ નવા મંત્રીઓને વિભાગોની ફાળવણી કરવામાં આવી છે. 3 ઓગસ્ટે શપથ લેનારા 19 નવા મંત્રીઓના ખાતાની ફાળવણી અંગે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી અટકળોનો હવે અંત આવ્યો છે. કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે ચર્ચા અને વિવિધ નેતાઓ સાથે વિચારવિમર્શ બાદ વિભાગો નક્કી કરવામાં આવ્યા છે.&nbsp;</p><h2><b>એમ.બી. પાટીલને વાણિજ્ય અને ઉદ્યોગ વિભાગ મળ્યો</b></h2><p>મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે નાણાં, કેબિનેટ બાબતો, કર્મચારી અને વહીવટી સુધારા, ગુપ્તચર, માહિતી, કાયદો, ન્યાય અને માનવાધિકાર, સંસદીય તથા વિધાનસભા સંબંધિત બાબતો અને કૃષિ માર્કેટિંગ જેવા મહત્વના વિભાગો પોતાની પાસે રાખ્યા છે. કોઈ મંત્રીને ફાળવવામાં ન આવેલા વિભાગો પણ તેમની પાસે રહેશે.&nbsp;</p><p>બી.ઝેડ. ઝમીર અહેમદ ખાનને આવાસ વિભાગ, કે.એચ. મુનિયપ્પાને સમાજ કલ્યાણ, યુ.ટી. ખાદરને લઘુમતી કલ્યાણ, હજ અને વકફ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણની જવાબદારી સોંપવામાં આવી છે. એમ.બી. પાટીલને વાણિજ્ય અને ઉદ્યોગ વિભાગ મળ્યો છે, જ્યારે રામલિંગા રેડ્ડીને વન, પર્યાવરણ અને પરિસ્થિતિકી વિભાગ આપવામાં આવ્યો છે.&nbsp;</p><h3><b>વરિષ્ઠ મંત્રીઓના ખાતામાં પણ ફેરફાર</b></h3><p>વિભાગોની ફાળવણીમાં કેટલાક વરિષ્ઠ મંત્રીઓના ખાતામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. કે.એચ. મુનિયપ્પા અગાઉ ફૂડ સપ્લાય વિભાગથી નારાજ હોવાનું કહેવાતું હતું. હવે તેમને સમાજ કલ્યાણ વિભાગ સોંપવામાં આવ્યો છે. બીજી તરફ, રામલિંગા રેડ્ડીને અગાઉ અપાયેલ જળ સંસાધન વિભાગના બદલે વન વિભાગ આપવામાં આવ્યો છે.</p><p>વિભાગોની વહેંચણીમાં અનુભવ, પ્રાદેશિક સંતુલન અને રાજકીય સમીકરણોને ધ્યાનમાં લેવામાં આવ્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. આ સાથે શિવકુમાર સરકાર હવે આગામી વિધાનસભા સત્ર માટે નવી ટીમ સાથે આગળ વધશે.<br><br><b><a href="https://sandesh.com/india/news/manipur-illegal-arms-explosives-seized-security-forces-operation" target="_blank">આ પણ વાંચો : Manipur : ગેરકાયદે હથિયારો સામે કડક એક્શન, 1,422 હથિયાર અને 1,137 વિસ્ફોટકો જપ્ત</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/9T6N9n9mjPdfJuYYYLdEKy0dZaSBk8vZlwheOG1W.webp'/></item><item><title><![CDATA[Business News: ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનશે, એમપીના સીએમએ આપ્યું રોકાણનું આમંત્રણ ]]></title><link>https://sandesh.com/business/news/mp-cm-mohan-yadav-meets-arvind-limited-kulin-lalbhai-in-ahmedabad-1200-crore-investment-pm-mitra-park</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/mp-cm-mohan-yadav-meets-arvind-limited-kulin-lalbhai-in-ahmedabad-1200-crore-investment-pm-mitra-park</guid><pubDate>Wed, 12 Aug 2026 19:54:22 +05:30</pubDate><description><![CDATA[<p>મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો. મોહન યાદવે અમદાવાદ ખાતે દેશના અગ્રણી ઔદ્યોગિક ઘરણાં 'અરવિંદ લિમિટેડ'ના વાઈસ ચેરમેન કુલીન લાલભાઈ સાથે ખાસ મુલાકાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પરિકલ્પના મુજબ ટેક્સટાઈલ ક્ષેત્રને વેગ આપવા માટે મધ્યપ્રદેશમાં પીએમ મિત્ર પાર્કની સ્થાપના કરવામાં આવી રહી છે, જેમાં અરવિંદ ગ્રુપ દ્વારા આગામી વર્ષ સુધીમાં ઉત્પાદન શરૂ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.</p><h2><b>ગુજરાતના સહયોગથી મધ્યપ્રદેશમાં ઔદ્યોગિક ક્રાંતિ</b></h2><p>આ બેઠક બાદ મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે અરવિંદ લિમિટેડ દ્વારા મધ્યપ્રદેશમાં 3 મુખ્ય સ્થળોએ પોતાના ઔદ્યોગિક એકમો સ્થાપવામાં આવી રહ્યા છે. જેમાં દેવાસ નજીક બરલાઈ, ધાર સ્થિત પીએમ મિત્ર પાર્ક અને ઈન્દોરના બેટમાનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સથી મધ્યપ્રદેશના 5,000 થી વધુ યુવાનોને ગારમેન્ટ અને ટેક્સટાઈલ સેક્ટરમાં રોજગારીની નવી તકો પ્રાપ્ત થશે.અરવિંદ લિમિટેડ દ્વારા ધાર જિલ્લામાં સ્થિત પીએમ મિત્ર પાર્કમાં અંદાજે રૂ. 1200 કરોડનું રોકાણ પ્રસ્તાવિત છે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા 105 એકર જમીન ફાળવી દેવામાં આવી છે. કંપની ઈન્દોરમાં પિપકોન પ્રાઈવેટ લિમિટેડ સાથેના કરાર હેઠળ વાર્ષિક 70 લાખથી વધુ તૈયાર વસ્ત્રોનું ઉત્પાદન કરે છે.</p><h3><b>પર્યાવરણ અને સિંહસ્થ કુંભ માટે વિશેષ ચર્ચા</b></h3><p>બેઠકમાં ઔદ્યોગિક ક્ષેત્રોમાં પાણીના પુનઃઉપયોગ માટે જીરો લિક્વિડ ડિસ્ચાર્જ (ZLD) અને સર્ક્યુલર વોટર ઈકોનોમી મોડલ અપનાવવા પર સમંતિ દર્શાવવામાં આવી હતી. આ ઉપરાંત, અરવિંદ લિમિટેડ અને જે.એમ. બક્ષી ગ્રુપના સંયુક્ત સાહસ 'આર્ય ઓમનીટોક' દ્વારા ઉજ્જૈન ખાતે યોજાનારા સિંહસ્થ-2028 માટે પોલીસ, આપદા પ્રબંધન અને સુરક્ષા દળો માટે ખાસ 'મિશન-ક્રિટીકલ વાયરલેસ કમ્યુનિકેશન' અને વોકી-ટોકી નેટવર્ક પૂરું પાડવા અંગે પણ વિચારણા કરવામાં આવી હતી.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/palladium-mall-fined-75000-by-amc-for-dengue-mosquito-breeding" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: પેલેડિયમ મોલમાં ડેન્ગ્યુ-મેલેરિયાના મચ્છરોનું બ્રીડિંગ મળ્યું, AMC ના આરોગ્ય વિભાગે દંડ ફટકાર્યો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/YZMB22cvSG5MvmODHGAksazRv6stSAJ337L77uyH.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: પેલેડિયમ મોલમાં ડેન્ગ્યુ-મેલેરિયાના મચ્છરોનું બ્રીડિંગ મળ્યું, AMC ના આરોગ્ય વિભાગે દંડ ફટકાર્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/palladium-mall-fined-75000-by-amc-for-dengue-mosquito-breeding</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/palladium-mall-fined-75000-by-amc-for-dengue-mosquito-breeding</guid><pubDate>Wed, 12 Aug 2026 19:34:59 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરમાં ચોમાસા તેમજ મચ્છરજન્ય રોગચાળાના નિયંત્રણ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત શહેરના પોશ વિસ્તારમાં આવેલા પ્રખ્યાત પેલેડિયમ મોલ ખાતે AMC ની આરોગ્ય ટીમ દ્વારા અચાનક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.</p><h2><b>મચ્છરજન્ય રોગચાળાના નિયંત્રણ માટે ઝુંબેશ&nbsp;</b></h2><p>આરોગ્ય વિભાગની ટીમે મોલના વિવિધ વિસ્તારો જેવા કે બેઝમેન્ટ, પાર્કિંગ, ફૂડ કોર્ટ, ગાર્ડનિંગ એરિયા અને ટેરેસ સહિત કુલ 30 જેટલી અલગ-અલગ જગ્યાઓ પર ઘનિષ્ઠ તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન મોલના ટેરેસ સહિત 3 થી 4 જેટલી જગ્યાઓ પર ભરાયેલા પાણીમાંથી ડેન્ગ્યુ અને મેલેરિયા ફેલાવતા મચ્છરોના બ્રીડિંગ (લાર્વા/પોરા) મળી આવ્યા હતા.</p><h3><b>મોલ સામે દંડાત્મક કાર્યવાહી</b></h3><p>દરરોજ હજારો મુલાકાતીઓની અવરજવર ધરાવતા આ હાઇપ્રોફાઇલ મોલમાં મચ્છરોનો ઉછેર થતો હોવાનું સામે આવતાં જ AMC ના આરોગ્ય અધિકારીઓ હરકતમાં આવ્યા હતા. મોલમાં યોગ્ય સાફ-સફાઈ અને પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે મચ્છરજન્ય રોગચાળો ફેલાવવાનું જોખમ ઊભું થવા બદલ મોલ તંત્ર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.</p><h4><b>AMC ની કાર્યવાહી</b></h4><p>આરોગ્ય વિભાગ દ્વારા પેલેડિયમ મોલના મેનેજમેન્ટને બેદરકારી દાખવવા બદલ ત્વરિત કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે અને સ્થળ પર જ રૂ. 75,000 નો રોકડ દંડ વસૂલવામાં આવ્યો છે. આ સાથે જ મોલના તમામ વિસ્તારોમાં એન્ટિ-લાર્વલ કામગીરી કરવા અને ભરાયેલા પાણીનો નિકાલ કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/kapodra-snapchat-friendship-fraud-married-woman-blackmailed-two-arrested" target="_blank">આ પણ વાંચો: Surat: પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી 2.80 લાખ અને સોનાના દાગીના પડાવનાર 2 આરોપી ઝડપાયા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/MKXRvkloyeJjPpgCwLW2V7OMG0AENY4hGgxdwHMQ.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: મારા સંસદીય વિસ્તારના ગામોની લાયબ્રેરીને ડિજિટલી જોડવામાં આવી છે : ગૃહમંત્રી અમિત શાહ ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/amit-shah-launches-gramin-gyan-setu-app-to-digitally-connect-village-libraries</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/amit-shah-launches-gramin-gyan-setu-app-to-digitally-connect-village-libraries</guid><pubDate>Wed, 12 Aug 2026 19:32:48 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગાંધીનગરના ટાઉન હોલ ખાતે યોજાયેલા એક વિશેષ આયોજન દરમિયાન 'ગ્રામીણ જ્ઞાન સેતુ' એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વર્ચ્યુઅલ માધ્યમથી હાજરી આપી હતી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રૂબરૂ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર લોકસભા વિસ્તારની તમામ લાઈબ્રેરીઓને ડિજિટલી જોડવામાં આવી છે.જેનાથી ગ્રામીણ ક્ષેત્રના યુવાનો અને વિદ્યાર્થીઓને આધુનિક અભ્યાસ સુવિધાઓ તથા મજબૂત ડિજિટલ કનેક્ટિવિટીનો સીધો લાભ મળશે.</p><h2 style="text-align: justify; "><b>અદ્યતન વ્યવસ્થા ઉભી કરવામાં આવી&nbsp;</b></h2><p style="text-align: justify; ">ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ગ્રામીણ જ્ઞાન સેતુ એપના શુભારંભ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે,મારા સંસદીય વિસ્તારના તમામ ગામોની લાઈબ્રેરીઓને આ એપ સાથે ડિજિટલી જોડવામાં આવી છે.કુલ 752 લાઈબ્રેરીઓના ડિજિટલ જોડાણ અને 2.80  લાખ પુસ્તકોના વિશાળ સંગ્રહ સાથે સિંદબાદની વાર્તાઓથી લઈને તમામ પ્રકારના પુસ્તકો બાળકોને પોતાના ગામમાં જ સરળતાથી મળી રહે તેવી અદ્યતન વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, આ મારો માત્ર એક વિચાર હતો જેને ગુજરાત સરકારે વાસ્તવિકતામાં બદલીને આ શાનદાર વ્યવસ્થા ઊભી કરી છે.આ પુસ્તકો બાળકના ઘર સુધી પહોંચાડવા માટે ખાસ 4 વાન કાર્યરત કરવામાં આવી છે. જે દર 15 દિવસે દરેક ગામની મુલાકાત લેશે અને બાળકોને તેમની પસંદગી મુજબના પુસ્તકોની ડિલિવરી આપશે. આગામી સમયમાં અન્ય પ્રકાશકો અને પ્રેસ પણ આ પ્લેટફોર્મ પર જોડાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>16 વર્ષ સુધી જ્ઞાન મેળવવાનો સતત પ્રયાસ કર્યો</b></h3><p style="text-align: justify; ">તેમણે કહ્યું હતું કે, કોઈ પણ વિષયમાં વાંચન વગર પારંગત ન થવાય અને પ્રાથમિક જ્ઞાન મેળવવું શક્ય નથી.પોતાના વ્યક્તિગત અનુભવનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે,માણસાના પુસ્તકાલયમાં તેમણે 16 વર્ષ સુધી જ્ઞાન મેળવવાનો સતત પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ અમદાવાદ આવ્યા પછી તેઓ ગુજરાત વિદ્યાપીઠ તથા એમ.જે.લાઈબ્રેરી સાથે જોડાયા હતા.જેનાથી તેમનામાં દરેક વિષય ઊંડાણપૂર્વક જાણવાની વૃત્તિ વિકસી જે આગળ જતાં અભ્યાસમાં પરિણમી હતી.વ્યક્તિના ઘડતરમાં પુસ્તકાલયનો બહુ મોટો રોલ હોવાનું ભારપૂર્વક જણાવતાં તેમણે ગૃહિણીઓને ખાસ વિનંતી કરી હતી કે જો તમે વાંચવાની ટેવ કેળવશો તો તમને જોઈને તમારા બાળકો પણ વાંચતા થશે અને જ્ઞાન મેળવ તરફ પ્રેરાશે.<br><br><a href="https://sandesh.com/crime/news/gujarat/vadodara/manjalpur-nude-calling-center-stripchat-app-manish-padhiyar" target="_blank">આ પણ વાંચોઃ Vadodara News: માંજલપુરમાં ન્યૂડ કોલ સેન્ટર ઝડપાયું, 'Stripchat' એપથી ચાલતો હતો ખેલ</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/IxGxHtn43GeJJahRBtlRdSXqP44rrBoqmKYd0ejD.webp'/></item><item><title><![CDATA[Rajkot News: ગ્રામ્ય પોલીસે ઝડપી ચોર ગેંગ, મોબાઈલ ટાવરમાંથી RRU સાધનો ચોરી દિલ્હી મોકલતા 3 ઝડપાયા ]]></title><link>https://sandesh.com/crime/news/rajkot/shapar-veraval-police-busts-mobile-tower-rru-theft-gang</link><guid isPermaLink="true">https://sandesh.com/crime/news/rajkot/shapar-veraval-police-busts-mobile-tower-rru-theft-gang</guid><pubDate>Wed, 12 Aug 2026 19:31:01 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ ગ્રામ્ય પોલીસ હેઠળ આવતા શાપર વેરાવળ પોલીસ સ્ટેશનની ટીમે એક અત્યંત અનોખી અને હાઇટેક ચોર ગેંગને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. આ ગેંગ મોબાઈલ ટાવર પર લાગેલા અત્યંત મહત્વપૂર્ણ અને કિંમતી સાધનોની ચોરી કરવામાં સ્પેશિયાલિસ્ટ હતી. પોલીસે બાતમીના આધારે રેડ કરીને આ ગેંગના 3 મુખ્ય સાગરીતોની ધરપકડ કરી લીધી છે.</p><h2><b>મોબાઈલ સિગ્નલનું કામ કરતું 8 કિલોનું 'RRU' ઉપકરણ ચોરતા હતા</b></h2><p>પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ ગેંગના સભ્યો મોબાઈલ ટાવર પર જઈને રિમોટ રેડિયો યુનિટ નામના વિશિષ્ટ સાધનની ચોરી કરતા હતા. આ સાધન આશરે 7 થી 8 કિલો વજનનું હોય છે, અને મોબાઈલ નેટવર્ક તથા સિગ્નલ ફેલાવવાનું મુખ્ય કામ કરે છે. ચોરી કરેલા એક યુનિટની કિંમત બ્લેક માર્કેટમાં આશરે રૂ. 70,000 થી રૂ. 80,000 સુધી મળતી હતી.</p><h2><b>ત્રણ આરોપીઓની ધરપકડ, અન્ય સહ-આરોપીઓની શોધખોળ શરૂ</b></h2><p>શાપર વેરાવળ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને ચોરીના આ નેટવર્ક સાથે સંકળાયેલા નીચે મુજબના 3 આરોપીઓની ધરપકડ કરી છે.</p><ul><li>જયદીપ બાવળિયા</li><li>ધર્મેશ મેવાસિયા</li><li>રાહુલ સતવાણી</li></ul><p>આ ગેંગ સાથે જોડાયેલા અન્ય સહ-આરોપીઓને પકડી પાડવા માટે પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.</p><h2><b>રાજકોટ અને અમદાવાદના 20 ટાવરોમાંથી કરોડોની ચોરી કરી દિલ્હી મોકલતા</b></h2><p>પ્રારંભિક તપાસ દરમિયાન આ ગેંગે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આરોપીઓએ રાજકોટના 8 ટાવરોમાંથી 15 યુનિટ, અમદાવાદના 2 ટાવરોમાંથી 5 યુનિટ ની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. ટાવરમાંથી ચોરી કરવામાં આવેલા આ તમામ કિંમતી RRU સાધનોને આરોપીઓ દિલ્હી ખાતે કુરિયર મારફતે મોકલી આપતા હતા. પોલીસ હવે દિલ્હી ખાતે આ સાધનો ખરીદનાર મુખ્ય રેકેટ સુધી પહોંચવા માટે આગળની કાનૂની તપાસ ચલાવી રહી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/rajkot/international-flights-closer-as-immigration-check-scheduled-at-hirasar-airport" target="_blank">Rajkot News: એરપોર્ટ ઉપર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે રસ્તો ખુલ્યો, આવતીકાલે ઇમિગ્રેશન ચેકિંગ હાથ ધરાશે</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/bCzLhm9VlBTYCxZb0B9jGgbZoqJgv1NyNRMG3HjB.webp'/></item><item><title><![CDATA[IAF માટે મેગા ડીલ, 60 મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ માટે ₹1 લાખ કરોડનું ટેન્ડર જાહેર ]]></title><link>https://sandesh.com/india/news/iaf-60-multirole-transport-aircraft-1-lakh-crore-tender</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/iaf-60-multirole-transport-aircraft-1-lakh-crore-tender</guid><pubDate>Wed, 12 Aug 2026 19:27:10 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય વાયુસેનાના જૂના થઈ રહેલા કાર્ગો વિમાનના કાફલાને બદલવા માટે સંરક્ષણ મંત્રાલયે મોટી ખરીદી પ્રક્રિયા શરૂ કરી છે. મંત્રાલયે ભારતીય વાયુસેના માટે 60 મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખરીદવા આશરે રૂ. 1 લાખ કરોડનું ટેન્ડર બહાર પાડ્યું છે. આ પ્રોજેક્ટમાં ભારતીય કંપનીઓને મુખ્ય ભૂમિકા આપવામાં આવશે.</p><h2><b>મહિન્દ્રા ડિફેન્સે બ્રાઝિલની એમ્બ્રેર સાથે ભાગીદારી કરી</b></h2><p>સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા મુજબ ટેન્ડર હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL), ટાટા અને મહિન્દ્રા સહિતની ભારતીય કંપનીઓને આપવામાં આવ્યું છે. મહિન્દ્રા ડિફેન્સે બ્રાઝિલની એમ્બ્રેર સાથે ભાગીદારી કરી છે અને C-390 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ રજૂ કરશે. બીજી તરફ ટાટા, લોકહીડ માર્ટિન સાથે મળીને C-130 વિમાન માટે ભાગ લઈ રહી છે. C-130 વિમાનનો ઉપયોગ ભારતીય વાયુસેના પહેલેથી જ સ્પેશિયલ ઓપરેશન માટે કરે છે.</p><h3><b>વિમાનોમાં 60 ટકાથી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવાનો લક્ષ્યાંક</b></h3><p>આ કાર્યક્રમ હેઠળ લગભગ 20 ટકા વિમાન ‘ફ્લાય-અવે’ સ્થિતિમાં એટલે કે તૈયાર સ્થિતિમાં ભારતને મળશે. બાકીના વિમાન ભારતમાં બનાવવામાં આવશે. ભારતમાં ઉત્પાદિત થનારા વિમાનોમાં 60 ટકાથી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ વિમાનો ભારતીય કંપનીઓ અને મૂળ વિમાન ઉત્પાદક કંપનીઓ વચ્ચેના સંયુક્ત સાહસ મારફતે ભારતમાં બનાવવામાં આવશે. ભારતીય વાયુસેના પાસે હાલમાં 12 C-130J સુપર હર્ક્યુલિસ વિમાન છે. આ ઉપરાંત C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ કાર્યક્રમ હેઠળ આશરે 70 વિમાન વાયુસેનામાં સામેલ થવાના છે, જેમાં મોટા ભાગના વિમાન ભારતમાં બનાવવામાં આવશે.</p><h4><b>100થી વધુ ટ્રેનર એરક્રાફ્ટ સામેલ કરવાની યોજના</b></h4><p>વાયુસેના પોતાના આધુનિકીકરણ અભિયાન હેઠળ 114 રાફેલ ફાઈટર જેટ ખરીદવાની પ્રક્રિયા પણ આગળ ધપાવી રહી છે. ઉપરાંત જૂના હોક ટ્રેનર વિમાનોને બદલવા માટે 100થી વધુ ટ્રેનર એરક્રાફ્ટ સામેલ કરવાની યોજના છે. નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનો ઉપયોગ સૈનિકો અને ભારે સાધનોને ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવા ઉપરાંત જરૂરિયાત મુજબ હવામાં જ અન્ય વિમાનોમાં ઇંધણ ભરવા માટે ટેન્કર તરીકે પણ થઈ શકે છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/manipur-illegal-arms-explosives-seized-security-forces-operation" target="_blank">આ પણ વાંચો : Manipur : ગેરકાયદે હથિયારો સામે કડક એક્શન, 1,422 હથિયાર અને 1,137 વિસ્ફોટકો જપ્ત</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/86nuIo9WEIFppB6rCbB6nZAwxy9UICWZhHxg4XzI.webp'/></item><item><title><![CDATA[Mehsana News: આવતીકાલે 108 કલાકારોના ડમરુ નાદથી ગુંજશે વડનગર, હાટકેશ્વર મહાદેવ સુધી યોજાશે પદયાત્રા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/vadnagar-to-resonate-with-damru-beats-by-108-artists-on-august-13</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/vadnagar-to-resonate-with-damru-beats-by-108-artists-on-august-13</guid><pubDate>Wed, 12 Aug 2026 19:13:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઐતિહાસિક નગરી વડનગરના આંગણે આવતીકાલે 13 ઓગસ્ટના રોજ ભક્તિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ રચાવા જઈ રહ્યો છે.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગુજરાત સરકાર દ્વારા આયોજિત વડનગર શ્રવણોત્સવનો વહેલી સવારે ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતેથી મંગલ પ્રારંભ કરાવશે.સાથોસાથ તેઓ આ મહોત્સવના મુખ્ય આકર્ષણ સમાન ભવ્ય ડમરુ યાત્રાને પણ પ્રસ્થાન કરાવશે.</p><h2 style="text-align: justify; "><b>108 નિષ્ણાત કલાકારો દ્વારા ડમરુ વાદન કરવામાં આવશે</b></h2><p style="text-align: justify; ">વડનગરની ગરિમાને અનુરૂપ આ ડમરુ યાત્રામાં કુલ 108 નિષ્ણાત કલાકારો દ્વારા ડમરુ વાદન કરવામાં આવશે જે સમગ્ર નગરને શિવમય બનાવી દેશે.યાત્રાનો પ્રારંભ શર્મિષ્ઠા તળાવથી થશે ત્યાંથી અર્જુન બારી થઈને ભગતના ગલ્લાથી વળીને યાત્રા આગળ વધશે.ત્યારબાદ જુના ચાચરેથી પસાર થઈને,સ્વામિનારાયણ મંદિર અને ગોપાલજી મંદિર થઈ આ ભવ્ય ડમરૂ યાત્રા હાટકેશ્વર મહાદેવના મંદિરે સંપન્ન થશે.108 કલાકારોના એકસાથે થતા ડમરૂના ગુંજારવથી સમગ્ર વડનગર શિવમય બનશે અને ભક્તો માટે એક અવિસ્મરણીય અનુભવ બની રહેશે.</p><h3 style="text-align: justify; "><b>નેતાઓ અને પદાધિકારીઓ પણ હાજર રહેશે</b></h3><p style="text-align: justify; ">સંસ્કૃતિ, સંગીત અને શ્રદ્ધાના આ ત્રિવેણી સંગમમાં સહભાગી થવા માટે વહીવટી તંત્ર દ્વારા વડનગરના નગરજનો અને ભાવિક ભક્તોને સહપરિવાર પધારીને સાંસ્કૃતિક વિરાસતના સાક્ષી બનવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં ગરીમામય ઉપસ્થિતિ તરીકે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રેરક ઉપસ્થિતિ તરીકે મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ નીતિનભાઈ પટેલ તેમજ સંસદ સભ્યો સર્વે મયંકભાઈ નાયક, હરીભાઈ પટેલ, ભરતસિંહજી ડાભી અને રાજેશભાઈ શુક્લ ઉપસ્થિત રહી કલાકારોનો ઉત્સાહ વધારશે.સંસ્કૃતિ અને શ્રદ્ધાના આ સંગમમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ સહભાગી થશે.<br><br><a href="https://sandesh.com/crime/news/gujarat/vadodara/manjalpur-nude-calling-center-stripchat-app-manish-padhiyar" target="_blank">આ પણ વાંચોઃ Vadodara News: માંજલપુરમાં ન્યૂડ કોલ સેન્ટર ઝડપાયું, 'Stripchat' એપથી ચાલતો હતો ખેલ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/CcxGw5otdEyGxmWV5Kx4SEciBdnipeXIz8O8V7rf.webp'/></item><item><title><![CDATA[Surat: પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી 2.80 લાખ અને સોનાના દાગીના પડાવનાર 2 આરોપી ઝડપાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/kapodra-snapchat-friendship-fraud-married-woman-blackmailed-two-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/kapodra-snapchat-friendship-fraud-married-woman-blackmailed-two-arrested</guid><pubDate>Wed, 12 Aug 2026 19:12:04 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ગુનાખોરી આચરતો વધુ એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કાપોદ્રા વિસ્તારમાં રહેતી એક પરિણીતાનો ફેબ્રુઆરી ૨૦૨૬માં સોશિયલ મીડિયા એપ 'સ્નેપચેટ' મારફતે સુરતના જકાતનાકા વિસ્તારમાં રહેતા ટોનીશ ઉર્ફે જૈનીલ ઘનશ્યામભાઈ પડસાળા સાથે પરિચય થયો હતો.</p><h2><b>પરિણીતાને પ્રેમસંબંધની જાળમાં ફસાવી લીધી</b></h2><p>પરિચય બાદ આરોપી જૈનીલે પરિણીતાને મીઠી-મીઠી વાતોમાં ભોળવી પ્રેમસંબંધની જાળમાં ફસાવી લીધી હતી. ત્યારબાદ વિવિધ બહાના હેઠળ પરિણીતા પાસેથી રૂ. 2.80 લાખની રોકડ રકમ તેમજ કિંમતી સોનાના દાગીના પડાવી લીધા હતા. નાણાં અને દાગીના પડાવી લીધા બાદ પણ આરોપીની દાનત બગડી હતી. તેણે પરિણીતાને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું અને તેની મરજી વિરુદ્ધ ધમકાવીને શારીરિક સંબંધ બાંધી સતત શોષણ કર્યું હતું. આખરે આ નરકયાતનામાંથી બહાર આવવા માટે પીડિતાએ કાપોદ્રા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સમગ્ર આપવીતી જણાવી હતી.</p><h3><b>પોલીસની ત્વરિત કાર્યવાહી</b></h3><p>બનાવની ગંભીરતા સમજી કાપોદ્રા પોલીસ મથકની સર્વેલન્સ ટીમે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી દરોડા પાડ્યા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય સૂત્રધાર ટોનીશ ઉર્ફે જૈનીલ ઘનશ્યામભાઈ પડસાળા અને આ ગુનામાં મદદગારી કરનાર તેના સાથીદાર એમ કુલ બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસે ગુનામાં વપરાયેલા મોબાઇલ ફોન અને મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/udhna-road-5-man-climbs-100-ft-water-tank-fire-brigade-rescue-operation" target="_blank">આ પણ વાંચો: Surat: ઉધનામાં અજાણ્યો યુવક 100 ફૂટ ઊંચી પાણીની ટાંકી પર ચડતાં ભારે અફરાતફરી, સુરક્ષિત રીતે નીચે લાવવા મથામણ કરી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/rQA1eiBTQ1GjmlJ5aJQr0R36gSGGDqtQNK3FDF2I.webp'/></item><item><title><![CDATA[Controversy: 'ખાય છે આ દેશનું... પણ લડે છે પાડોશી દેશ માટે', નસીરુદ્દીન શાહ પર કંગનાએ કર્યો પલટવાર ]]></title><link>https://sandesh.com/entertainment/news/kangana-vs-naseeruddin-shah--dog-vs-fox-war-over-bollywood-silence-on-students-protest</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/kangana-vs-naseeruddin-shah--dog-vs-fox-war-over-bollywood-silence-on-students-protest</guid><pubDate>Wed, 12 Aug 2026 18:38:52 +05:30</pubDate><description><![CDATA[<p>બોલીવુડ અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતે પીઢ અભિનેતા નસીરુદ્દીન શાહ વચ્ચે હાલ આક્ષેપ-પ્રતિઆક્ષેપ ચાલી રહ્યા છે. ત્યારે કંગનાએ અભિનેતાના એ નિવેદન પર પલટવાર કર્યો છે કે, જેમા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન અંગે બોલિવૂડના મુખ્ય સ્ટાર્સના મૌન પર સવાલ ઉઠાવ્યા છે.. શાહે કોમેન્ટ કરી હતી કે બોલીવુડના અગ્રણી ચહેરાઓ હવે ચૂપ હોઈ શકે છે, પરંતુ જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તેઓ બોલશે. આ ટિપ્પણીનો તીખો જવાબ આપતા કંગનાએ શાહની દેશભક્તિ અને ઇરાદા પર સીધો પ્રશ્ન ઉઠાવ્યો. તાજેતરમાં, એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેણે પૂછ્યું કે ઝારખંડમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો પર તેઓ કેમ ચૂપ છે અને તેઓ આ બાબતે પોતાનો અભિપ્રાય કેમ વ્યક્ત નથી કરી રહ્યા. તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેર કર્યો જેમાં પિયુષ મિશ્રાનો સમાવેશ થાય છે, જેમણે શાહની ટિપ્પણીઓ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. આ વાતચીત દરમિયાન કંગનાએ નસીરુદ્દીન શાહ પર આકરા પ્રહારો કર્યા, તેમને "શિયાળ" પણ કહ્યા.</p><h4><b>કંગના રનૌતનો વળતો જવાબ</b></h4><p>તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં, કંગનાએ સ્પષ્ટપણે કહ્યું કે સત્ય એ છે કે દરેક વ્યક્તિ કોઈને કોઈ વસ્તુ પ્રત્યે વફાદાર હોય છે. તેણે લખ્યું, "સત્ય એ છે કે દરેક વ્યક્તિ કોઈને કોઈનો કૂતરો હોય છે, પરંતુ મને ગર્વ છે કે હું જે ઘર (દેશ) ની રોટલી ખાઉં છું તેની રક્ષા કરું છું અને તેના માટે લડું છું. જોકે, નસીર સાહેબ આ દેશની રોટલી ખાય છે છતાં પાડોશી દેશ માટે લડે છે. આજના સમયમાં કૂતરો કહેવાવું એ પ્રશંસાથી ઓછું નથી, કારણ કે સુંદરતા અને વફાદારી બંને એકસાથે મળવી દુર્લભ છે. હું નસીરુદ્દીન જેવા 'શિયાળ' કહેવા કરતાં કૂતરો કહેવાનું પસંદ કરીશ." પોતાના મુદ્દાને વધુ વિગતવાર જણાવતા, તેણે ઉમેર્યું કે આજકાલ કોઈને કૂતરો કહેવું એ મૂળભૂત રીતે પ્રશંસા છે, કારણ કે આજકાલ વફાદારી અને નિર્દોષતા કેટલી ઓછી જોવા મળે છે. તેણે સ્પષ્ટપણે કહ્યું કે તે નસીરુદ્દીન શાહ જેવા 'શિયાળ' કરતાં વફાદાર કૂતરો બનવાનું વધુ પસંદ કરશે.<br><img alt="kangna " src="https://epapercdn.sandesh.com/images/2026/08/12/6lhUhgDKluCT4D6yuUb8Jjv3NbUNuBOe8wT77bEs.webp"><br></p><h4><b>નસીરુદ્દીન શાહે બોલિવૂડના મૌન વિશે શું કહ્યું?</b></h4><p>નોંધનીય છે કે, આખો વિવાદ થોડા દિવસો પહેલા શરૂ થયો હતો જ્યારે નસીરુદ્દીન શાહે નવી દિલ્હીમાં 'કોકરોચ જનતા પાર્ટી' ના વિરોધ પ્રદર્શન અંગે બોલિવૂડ કલાકારોના મૌન પર સવાલ ઉઠાવ્યા હતા. 'એક ઈન્ટરવ્યુમાં શાહે ફિલ્મ ઉદ્યોગના અગ્રણી વ્યક્તિઓ પર કટાક્ષ કર્યો, તેમની સરખામણી મોંમાં હાડકું રાખતા કૂતરા સાથે કરી. તેમણે ટિપ્પણી કરી, "તેઓ ત્યારે જ બોલશે જ્યારે તેમનો અંતરાત્મા પરવાનગી આપશે. એક જૂની કહેવત છે કે મોંમાં હાડકું હોય તો તે કૂતરો ભસી શકતો નથી. જે ​​ક્ષણે તેમના મોંમાંથી હાડકું પડી જાય છે અથવા તેનાથી તેમના દાંત તૂટી જાય છે તો તે તરત જ ભસવાનું શરૂ કરી દે છે."</p><h4><b>નસીરુદ્દીન શાહે આપી વધુ એક પ્રતિક્રિયા</b></h4><p>ઇન્ટરવ્યુ દરમિયાન, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમને લાગે છે કે લોકો બીજાના મૌનનો લાભ લઈ રહ્યા છે અને જાણી જોઈને પોતાના અંતરાત્માની અંદર ચાલતી વાતને દબાવવાની વાત કરી રહ્યા છે, ત્યારે શાહે જવાબ આપ્યો, "ચોક્કસ, આવું જ થઈ રહ્યું છે." જોકે, તેમણે ઉમેર્યું, "પરંતુ પ્રશ્ન એ છે: તેઓ ક્યાં સુધી આવું કરી શકશે? સમય જ કહેશે." આ નિવેદન પછી, તેમની અને કંગના વચ્ચે શબ્દયુદ્ધ વધુ તીવ્ર બન્યું છે.<br><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/entertainment/news/atif-aslam-breaks-silence--thank-you-for-the-ban--it-helped-me-find-myself" target="_blank">Atif Aslam: ભારતમાં 10 વર્ષથી પ્રતિબંધ... પાકિસ્તાની સિંગરે તોડ્યું મૌન અને કહ્યું- પ્રતિબંધ લગાવનારાઓનો...</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/LQ6qp9Cv9dQew6ZHLZSjEU5ssteCVCt5SDfSfKT1.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News : શક્તિદૂત 2.0નો ભવ્ય પ્રારંભ, 799 ખેલાડીઓને અપાશે એવોર્ડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/sports/gandhinagar/gandhinagar-news-shaktidoot-20-grand-launch-799-players-will-be-awarded</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/sports/gandhinagar/gandhinagar-news-shaktidoot-20-grand-launch-799-players-will-be-awarded</guid><pubDate>Wed, 12 Aug 2026 15:44:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેલાડીઓને વૈશ્વિક મંચ પર પહોંચાડવા માટે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતેથી ‘શક્તિદૂત 2.0’ યોજનાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રીના વરદ હસ્તે આ યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં રાજ્યના રમતગમત માળખાને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી રૂ. 388 કરોડના વિવિધ વિકાસકામોના ઈ-ભૂમિપૂજન અને ઈ-લોકાર્પણ કરવામાં આવ્યા હતા. આ સાથે જ ખેલાડીઓની સુવિધા માટે આધુનિક રમત સંકુલ અને ડિજિટલ લાઇબ્રેરીની પણ ભેટ રાજ્યને અર્પણ કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>ખેલાડીઓ પર પુરસ્કારોનો વરસાદ</b></h2><p style="text-align: justify; ">આ પ્રસંગે રાજ્યનું નામ રોશન કરનાર 799 ઉત્કૃષ્ટ ખેલાડીઓને વિશેષ એવોર્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શક્તિદૂત યોજનાએ રાજ્યના રમતવીરોને વૈશ્વિક ઓળખ અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જેના પરિણામે ગુજરાતના ખેલાડીઓએ અત્યાર સુધીમાં રાષ્ટ્રીય કક્ષાએ 831 એવોર્ડ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ 773 એવોર્ડ મેળવીને રાજ્ય તથા દેશનું ગૌરવ વધાર્યું છે.</p><h2 style="text-align: justify; "><b>આર્થિક સહાયમાં મોટો વધારો</b></h2><p style="text-align: justify; ">રમતવીરોને ઉત્કૃષ્ટ કોચિંગ, આધુનિક સાધનો અને આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ વિના કોઈ અવરોધે મળી રહે તે માટે સરકારે આ યોજના હેઠળ અપાતી આર્થિક સહાયમાં મોટો વધારો કર્યો છે. હવે શક્તિદૂત યોજના હેઠળ ખેલાડીઓને મળતી નાણાકીય સહાયની રકમ વધારીને રૂ. 50 લાખ સુધી કરી દેવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી આગામી સમયમાં ઓલિમ્પિક્સ સહિતની વૈશ્વિક સ્પર્ધાઓમાં ગુજરાતના ખેલાડીઓ વધુ ઝડપથી સફળતાના શિખરો સર કરશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kheda/farmers-demand-compensation-for-paddy-crop-damage-in-nadiad" target="_blank">Kheda News: નડિયાદના હાથનોલી ગામના ખેડૂતો બગડેલી ડાંગર લઈ કલેક્ટર કચેરી પહોંચ્યા</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/qte2i7qUmUitaSGr4hFSCLvtRJj7AUsJyM8dprmU.webp'/></item></channel></rss>