<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ekta Nagar : ભારતના હરિત, સ્વચ્છ અને ટકાઉ ભવિષ્યનું જીવંત મોડલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajpipla/ekta-nagar-statue-of-unity-sustainable-green-tourism-model</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajpipla/ekta-nagar-statue-of-unity-sustainable-green-tourism-model</guid><pubDate>Wed, 22 Jul 2026 16:20:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નર્મદા નદીના શાંત કિનારે અને વિંધ્યાચલ તથા સાતપુડા પર્વતમાળાઓની ગોદમાં વસેલું એકતા નગર આજે માત્ર એક પ્રવાસન સ્થળ નથી રહ્યું, પરંતુ ભારતના રાષ્ટ્રીય ગૌરવ, પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસનું જીવંત મોડલ બની ગયું છે.</p><h2 style="text-align: justify; "><b>સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી 182 મીટર ઊંચી પ્રતિમા&nbsp;</b></h2><p style="text-align: justify; ">ગુજરાતના એકતા નગર ખાતે સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી 182 મીટર ઊંચી પ્રતિમા છે, જે ભારતના લોખંડી પુરુષ અને રાષ્ટ્રીય એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત છે. ૩૧ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવેલી આ ભવ્ય પ્રતિમા માત્ર એક એન્જિનિયરિંગ અજાયબી નથી, પરંતુ ભારતની એકતા, શક્તિ અને સામૂહિક પ્રગતિનું જીવંત પ્રતિક છે.સરદાર પટેલે આઝાદી બાદ દેશના વિવિધ રજવાડાઓને એકતાના સૂત્રમાં બાંધીને અખંડ ભારતના નિર્માણમાં ઐતિહાસિક ભૂમિકા ભજવી હતી. તેમની આ દૂરંદેશી વિચારધારા અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વ સમક્ષ રજૂ કરે છે.</p><h3 style="text-align: justify; "><b>સૌથી અનોખા સંકલિત પ્રવાસન ગંતવ્યોમાંનું એક&nbsp;</b></h3><p style="text-align: justify; ">સમય સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર એક સ્મારક પૂરતું સીમિત રહ્યું નથી. આજે એકતા નગર ભારતના સૌથી અનોખા સંકલિત પ્રવાસન ગંતવ્યોમાંનું એક બની ગયું છે, જ્યાં ઇતિહાસ, પ્રકૃતિ, સાહસ, આધ્યાત્મિકતા, આરોગ્ય, શિક્ષણ અને ટકાઉ વિકાસ એક સાથે જોવા મળે છે.</p><p style="text-align: justify; "><img alt="Ekta Nagar: Statue of Unity Emerges as India's First Sustainable Green Tourism Model" src="https://epapercdn.sandesh.com/images/2026/07/22/FbnTB0XA4M9yGistLJK94amlFCgcig260AmJBIsM.webp"><br></p><h3 style="text-align: justify; "><b>એકતા નગર: પ્રવાસનથી આગળ વધેલું વિકાસનું મોડલ</b></h3><p style="text-align: justify; ">વિંધ્યાચલ અને સાતપુડા પર્વતમાળાઓથી ઘેરાયેલું અને પવિત્ર નર્મદા નદીના કિનારે આવેલું એકતા નગર કુદરતી સૌંદર્ય, હરિયાળા જંગલો, રિવરફ્રન્ટ અનુભવ અને ઈકો-ટુરિઝમ માટે વિશેષ ઓળખ ધરાવે છે.</p><p style="text-align: justify; ">આ સ્થળ બાળકો, યુવાનો, પરિવારો અને વરિષ્ઠ નાગરિકો દરેક માટે યાદગાર અનુભવો પ્રદાન કરે છે.</p><p style="text-align: justify; ">એકતા નગરનું પ્રવાસન ઈકોસિસ્ટમ અનેક આકર્ષણોથી સમૃદ્ધ છે, જેમાં:</p><p style="text-align: justify; "><b>•	સ્ટેચ્યુ ઓફ યુનિટી</b></p><p style="text-align: justify; "><b>•	એક્ઝિબિશન હોલ અને વ્યુઇંગ ગેલેરી</b></p><p style="text-align: justify; "><b>•	સરદાર પટેલ ઝૂઓલોજિકલ પાર્ક</b></p><p style="text-align: justify; "><b>•	ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક</b></p><p style="text-align: justify; "><b>•	આરોગ્ય વન</b></p><p style="text-align: justify; "><b>•	મિયાવાકી ફોરેસ્ટ</b></p><p style="text-align: justify; "><b>•	એકતા નર્સરી</b></p><p style="text-align: justify; "><b>•	બોન્સાઈ ગાર્ડન</b></p><p style="text-align: justify; "><b>•	મેઝ ગાર્ડન</b></p><p style="text-align: justify; "><b>•	ગ્લો ગાર્ડન</b></p><p style="text-align: justify; "><b>•	વેલી ઓફ ફ્લાવર્સ</b></p><p style="text-align: justify; "><b>•	રિવરફ્રન્ટ સાયકલિંગ</b></p><p style="text-align: justify; "><b>•	નૌકા વિહાર</b></p><p style="text-align: justify; "><b>•	એકતા ક્રૂઝ</b></p><p style="text-align: justify; ">જેવા અનેક અનુભવોનો સમાવેશ થાય છે.</p><p style="text-align: justify; ">આ ઉપરાંત નજીક આવેલા શૂલપાણેશ્વર મહાદેવ મંદિર, ઝરવાણી ધોધ અને ઝરવાણી ઈકો-ટુરિઝમ જેવા સ્થળો પ્રવાસીઓને આધ્યાત્મિકતા, પ્રકૃતિ અને સાહસ સાથે જોડાવાનો અનોખો અનુભવ આપે છે.</p><p style="text-align: justify; "><img alt="Ekta Nagar: Statue of Unity Emerges as India's First Sustainable Green Tourism Model" src="https://epapercdn.sandesh.com/images/2026/07/22/4HajXpo4TOkd5oSZWnRafnQBw25Oa1zO4UZe7Pci.webp"><br></p><h3 style="text-align: justify; "><b>પ્રધાનમંત્રીના હરિત અને સાતત્યપૂર્ણ વિકાસના વિઝનને સાકાર કરતું એકતા નગર</b></h3><p style="text-align: justify; ">પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હરિત અને ટકાઉ વિકાસના વિઝનને સાકાર કરવાની દિશામાં એકતા નગર સતત નવા માપદંડો સ્થાપિત કરી રહ્યું છે.વૃક્ષ ઉછેર, પ્રદૂષણમુક્ત પરિવહન, સ્વચ્છ ઊર્જા, પર્યાવરણ સંવર્ધન, પ્રવાસન વિકાસ, રાષ્ટ્રપ્રેમના સંસ્કારોનું સિંચન અને સ્થાનિક રોજગારી — આ તમામ ક્ષેત્રોમાં એકતા નગર એક સાથે અનેક લાભોનું સર્જન કરી રહ્યું છે.આજે એકતા નગર માત્ર એક પ્રવાસન ગંતવ્ય નથી, પરંતુ ભારતના હરિત, સ્વચ્છ અને ટકાઉ ભવિષ્યને આકાર આપતી એક જીવંત પ્રયોગશાળા છે.</p><h4 style="text-align: justify; "><b>ભારતનું પ્રથમ સંપૂર્ણ ઇલેક્ટ્રિક વાહન આધારિત પ્રવાસન ક્ષેત્ર</b></h4><p style="text-align: justify; ">5 જૂન 2021ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એકતા નગરને ભારતના પ્રથમ “માત્ર ઈ-વ્હીકલ આધારિત ક્ષેત્ર” તરીકે વિકસાવવાની જાહેરાત કરી હતી. આ માત્ર એક જાહેરાત નહોતી, પરંતુ પર્યાવરણ સંરક્ષણ અને સાતત્યપૂર્ણ વિકાસનો એક અનોખો રાષ્ટ્રીય સંકલ્પ હતો.આજે આ સંકલ્પને સાકાર કરતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા લગભગ ૪૫૯ ઇલેક્ટ્રિક વાહનોનું સંચાલન કરવામાં આવે છે.</p><p style="text-align: justify; ">જેમાં:</p><p style="text-align: justify; "><b>•	પ્રવાસીઓના પરિવહન માટે 55 ઇલેક્ટ્રિક બસ</b></p><p style="text-align: justify; "><b>•	પ્રવાસીઓ માટે 75 પિંક ઇલેક્ટ્રિક રીક્ષા</b></p><p style="text-align: justify; "><b>•	કર્મયોગીઓ માટે 49 ઇલેક્ટ્રિક કાર</b></p><p style="text-align: justify; "><b>•	પ્રવાસન પ્રકલ્પોમાં સુવિધા માટે 45 ગોલ્ફ કાર્ટ</b></p><p style="text-align: justify; "><b>•	પ્રવાસીઓ અને કર્મયોગીઓ માટે 235 ઇલેક્ટ્રિક સાયકલ</b></p><p style="text-align: justify; ">નો સમાવેશ થાય છે.</p><p style="text-align: justify; "><img alt="Ekta Nagar: Statue of Unity Emerges as India's First Sustainable Green Tourism Model" src="https://epapercdn.sandesh.com/images/2026/07/22/8X2GyRCIOpQPvBusozfcPpo5gM3eSj0HzA4IHQpj.webp"><br></p><p style="text-align: justify; ">ખાસ કરીને આદિવાસી મહિલાઓ દ્વારા સંચાલિત પિંક ઇલેક્ટ્રિક રીક્ષા સ્વચ્છ પરિવહન, મહિલા સશક્તિકરણ અને સ્થાનિક રોજગારીનો ત્રિવેણી સંગમ બની છે. આ પહેલના પરિણામે એકતા નગરમાં અવાજ પ્રદૂષણ અને કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે તથા પ્રવાસીઓને સ્વચ્છ, સુરક્ષિત અને પર્યાવરણમૈત્રી પરિવહન ઉપલબ્ધ બન્યું છે.</p><h4 style="text-align: justify; "><b>ગ્રીનિંગ એકતા નગર: ભારતના સૌથી મોટા વૃક્ષારોપણ અભિયાનોમાંનું એક</b></h4><p style="text-align: justify; ">એકતા નગરને વધુ હરિયાળું બનાવવા માટે “ગ્રીનિંગ એકતા નગર” પરિયોજના હેઠળ વ્યાપક વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.</p><p style="text-align: justify; ">માત્ર વૃક્ષો વાવવા પૂરતું નહીં પરંતુ દરેક વૃક્ષની યોગ્ય સંભાળ અને ઉછેર પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. જેના પરિણામે વૃક્ષ ઉછેરમાં ૧૦૦ ટકા સફળતા પ્રાપ્ત થઈ છે.</p><p style="text-align: justify; ">સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના વન વિભાગના નાયબ વનસંરક્ષક પ્રસાદ રવિ રાધાકૃષ્ણના માર્ગદર્શન હેઠળ કર્મયોગીઓ સતત કાર્યરત છે.</p><p style="text-align: justify; ">ગ્રીનિંગ એકતા નગર અંતર્ગત અત્યાર સુધીમાં 15.22&nbsp; લાખથી વધુ છોડનું સફળતાપૂર્વક વાવેતર અને ઉછેર કરવામાં આવ્યું છે.</p><p style="text-align: justify; ">જેમાં:</p><p style="text-align: justify; "><b>•	વર્ષ ૨૦૨૩-૨૪માં – ૪,૫૫,૦૦૦ વૃક્ષો</b></p><p style="text-align: justify; "><b>•	વર્ષ ૨૦૨૪-૨૫માં – ૫,૬૭,૦૦૦ વૃક્ષો</b></p><p style="text-align: justify; "><b>•	વર્ષ ૨૦૨૫-૨૬માં – ૫,૦૦,૦૦૦ વૃક્ષો</b></p><p style="text-align: justify; "><b>અને વર્ષ ૨૦૨૬-૨૭માં વધુ ૫,૦૦,૦૦૦ વૃક્ષો ઉછેરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.</b></p><p style="text-align: justify; ">સ્ટેચ્યુ ઓફ યુનિટીના રાષ્ટ્રાર્પણ બાદ વિવિધ ઈકો-ટુરિઝમ પ્રકલ્પો હેઠળ કુલ મળીને અંદાજે 60 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.</p><h4 style="text-align: justify; "><b>મિયાવાકી ફોરેસ્ટ: જૈવવિવિધતા સંરક્ષણનું નવીન મોડલ</b></h4><p style="text-align: justify; ">જાપાનના વનસ્પતિશાસ્ત્રી અકીરા મિયાવાકી દ્વારા વિકસાવવામાં આવેલી પદ્ધતિ પર આધારિત મિયાવાકી ફોરેસ્ટ એકતા નગરની પર્યાવરણલક્ષી પહેલોમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.</p><p style="text-align: justify; ">સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક લગભગ ૧.૯૮ એકર વિસ્તારમાં ફેલાયેલા આ મિયાવાકી ફોરેસ્ટમાં ૧૦૫ વિવિધ પ્રજાતિના ૧,૦૭,૦૧૦થી વધુ છોડનું વાવેતર કરવામાં આવ્યું છે.</p><p style="text-align: justify; ">આ ફોરેસ્ટને:</p><p style="text-align: justify; "><b>•	ટિમ્બર ફોરેસ્ટ</b></p><p style="text-align: justify; "><b>•	ફ્રુટ ફોરેસ્ટ</b></p><p style="text-align: justify; "><b>•	મેડિકલ ફોરેસ્ટ</b></p><p style="text-align: justify; "><b>•	મૂળ વન</b></p><p style="text-align: justify; ">જેવા વિવિધ થીમ આધારિત ઝોનમાં વિકસાવવામાં આવ્યું છે. આ પહેલ પક્ષીઓ, પતંગિયાં, મધમાખીઓ અને અન્ય જીવસૃષ્ટિ માટે કુદરતી રહેઠાણનું નિર્માણ કરી રહી છે.</p><h4 style="text-align: justify; "><b>ઇકો ટુરિઝમ: પ્રવાસન અને પર્યાવરણ સંરક્ષણનો અનોખો સંગમ</b></h4><p style="text-align: justify; ">એકતા નગર માત્ર પ્રવાસન સ્થળ નથી, પરંતુ પર્યાવરણ સંરક્ષણનું એક અસરકારક માધ્યમ બની ગયું છે.</p><p style="text-align: justify; ">વેલી ઓફ ફ્લાવર્સ, આરોગ્ય વન, વિશ્વ વન, કેક્ટસ ગાર્ડન, એકતા નર્સરી સહિતના પ્રકલ્પો એવી રીતે વિકસાવવામાં આવ્યા છે કે જેથી પ્રવાસીઓ પ્રકૃતિ, જૈવવિવિધતા અને પર્યાવરણ સંરક્ષણનું મહત્વ પ્રત્યક્ષ રીતે સમજી શકે. આ મોડલ “જવાબદાર પ્રવાસન”ની ભાવનાને વધુ મજબૂત બનાવે છે, જ્યાં દરેક પ્રવાસી પર્યાવરણ સંરક્ષણની પ્રક્રિયામાં સહભાગી બને છે.</p><p style="text-align: justify; "><img alt="Ekta Nagar: Statue of Unity Emerges as India's First Sustainable Green Tourism Model" src="https://epapercdn.sandesh.com/images/2026/07/22/3FeKTGdR9CL2xfaNenTNwC3fp9ceDGIHYh001BGb.webp"><br></p><h4 style="text-align: justify; "><b>બટરફ્લાય ગાર્ડન: પ્રકૃતિના શાંત રક્ષકોનું સંરક્ષણ</b></h4><p style="text-align: justify; ">પતંગિયાં માત્ર કુદરતી સૌંદર્યનું પ્રતિક નથી, પરંતુ પર્યાવરણના સ્વાસ્થ્ય અને જૈવવિવિધતાના મહત્વપૂર્ણ સૂચક પણ છે.</p><p style="text-align: justify; ">સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિકસાવવામાં આવેલ બટરફ્લાય ગાર્ડન જૈવવિવિધતા સંરક્ષણ તરફની એક મહત્વપૂર્ણ પહેલ છે.</p><p style="text-align: justify; ">અહીં 83 પ્રજાતિઓના સંરક્ષણ માટે 12163 થી વધુ છોડ સાથે વિશિષ્ટ નિવાસસ્થાનો વિકસાવવામાં આવ્યા છે. આ ગાર્ડન વિવિધ પતંગિયાંના જીવનચક્રને ટેકો આપે છે અને વિસ્તારના પર્યાવરણીય સંતુલનને મજબૂત બનાવે છે. પ્રવાસીઓ માટે આ સ્થળ પ્રકૃતિને નજીકથી સમજવાનું અને પર્યાવરણ સંરક્ષણનું મહત્વ જાણવાનું એક શૈક્ષણિક કેન્દ્ર પણ બની રહ્યું છે.</p><h4 style="text-align: justify; "><b>એકતા નર્સરી: ભવિષ્યના લીલા આવરણનો પાયો</b></h4><p style="text-align: justify; ">એકતા નગરની હરિયાળી વિકાસયાત્રામાં એકતા નર્સરી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.</p><p style="text-align: justify; ">અહીં 244 વિવિધ પ્રજાતિના 2.40&nbsp; લાખથી વધુ રોપાઓનું સંવર્ધન અને જાળવણી કરવામાં આવે છે., આ નર્સરી એકતા નગર અને આસપાસના વિસ્તારોમાં હાથ ધરાતા વૃક્ષારોપણ કાર્યક્રમોને મજબૂત આધાર આપે છે. પ્રવાસીઓને “એકતા પ્લાન્ટ” સ્મૃતિચિહ્ન તરીકે ઘરે લઈ જવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે જેથી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ વધુ લોકો સુધી પહોંચે.</p><h4 style="text-align: justify; "><b>સ્વચ્છ ઊર્જા તરફ મજબૂત પગલું: સૌર ઊર્જા પ્રોજેક્ટ્સ</b></h4><p style="text-align: justify; ">એકતા નગર સ્વચ્છ અને ટકાઉ ઊર્જાના ક્ષેત્રમાં પણ દેશ માટે પ્રેરણાદાયક ઉદાહરણ બની રહ્યું છે.</p><p style="text-align: justify; ">અહીં સ્થાપિત 5.83&nbsp; મેગાવોટ ક્ષમતાવાળા સૌર ઊર્જા પ્રોજેક્ટ્સ દ્વારા દર વર્ષે 6.7 મિલિયન યુનિટથી વધુ સ્વચ્છ વીજળીનું ઉત્પાદન કરવામાં આવે છે.</p><p style="text-align: justify; ">એકતા નગરમાં કુલ 11 સ્થળોએ સૌર ઊર્જા પ્રોજેક્ટ્સ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમાં:</p><p style="text-align: justify; "><b>•	પાર્કિંગ વિસ્તાર</b></p><p style="text-align: justify; "><b>•	એડમિન બિલ્ડિંગ</b></p><p style="text-align: justify; "><b>•	ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક</b></p><p style="text-align: justify; "><b>•	જંગલ સફારી</b></p><p style="text-align: justify; "><b>•	રેવા ભવન</b></p><p style="text-align: justify; "><b>•	ટેન્ટ સિટી</b></p><p style="text-align: justify; "><b>•	સર્કિટ હાઉસ</b></p><p style="text-align: justify; ">•	ગ્લો ગાર્ડન</p><p style="text-align: justify; ">•	આવાસ સંકુલ</p><p style="text-align: justify; ">જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ પહેલ દ્વારા કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થઈ રહ્યો છે અને સ્વચ્છ ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન મળી રહ્યું છે. પ્લાસ્ટિક મુક્ત અને જવાબદાર જીવનશૈલી એકતા નગરમાં પર્યાવરણમૈત્રી જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે અનેક પહેલો કરવામાં આવી છે.</p><p style="text-align: justify; ">જેમાં:</p><p style="text-align: justify; ">•<b>	બાયોડિગ્રેડેબલ વાસણોનો ઉપયોગ</b></p><p style="text-align: justify; "><b>•	પુનઃવપરાશ યોગ્ય કાચની બોટલો</b></p><p style="text-align: justify; "><b>•	પાણી ભરવાના સ્ટેશનો</b></p><p style="text-align: justify; "><b>•	સિંગલ યુઝ પ્લાસ્ટિકમાં ઘટાડો&nbsp;</b>જેવી પહેલોનો સમાવેશ થાય છે. આ પ્રયાસો પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવે છે.</p><p style="text-align: justify; "><img alt="Ekta Nagar: Statue of Unity Emerges as India's First Sustainable Green Tourism Model" src="https://epapercdn.sandesh.com/images/2026/07/22/lJTnZ2oBBdnw7V3ELUzPz1E9xO7IZbaNmGmbwW0R.webp"><br></p><h4 style="text-align: justify; "><b>મહિલા સશક્તિકરણ અને સ્થાનિક વિકાસ</b></h4><p style="text-align: justify; ">એકતા નગરનો વિકાસ સ્થાનિક સમુદાયોના સશક્તિકરણ સાથે ગાઢ રીતે જોડાયેલો છે.</p><p style="text-align: justify; ">આદિવાસી મહિલાઓ દ્વારા સંચાલિત પિંક ઇલેક્ટ્રિક રીક્ષા ઉપરાંત:</p><p style="text-align: justify; "><b>•	એકતા નર્સરી</b></p><p style="text-align: justify; "><b>•	એકતા કૅફે</b></p><p style="text-align: justify; "><b>•	આરોગ્ય કૅફે</b></p><p style="text-align: justify; ">જેવી પહેલો દ્વારા સ્થાનિક મહિલાઓ અને સ્વસહાય જૂથોને રોજગાર તથા ઉદ્યોગસાહસિકતાની તકો મળી રહી છે.</p><p style="text-align: justify; ">આ વિકાસ મોડલ સ્થાનિક લોકોની ભાગીદારીને પ્રોત્સાહન આપે છે અને પ્રવાસન દ્વારા ગ્રામ્ય આર્થિક વિકાસને નવી દિશા આપે છે.</p><h4 style="text-align: justify; "><b>એકતા નગર: ભવિષ્યને વર્તમાનમાં પરિવર્તિત કરતું ભારતનું મોડલ</b></h4><p style="text-align: justify; ">સ્વચ્છ પરિવહન, હરિયાળું આવરણ, જૈવવિવિધતા સંરક્ષણ, જવાબદાર પર્યટન અને નવીનીકરણીય ઊર્જા જેવા પાંચ મુખ્ય સ્તંભો પર આધારિત વિકાસયાત્રા દ્વારા એકતા નગર આજે સમગ્ર ભારત માટે પ્રેરણાનું કેન્દ્ર બની ગયું છે.</p><p style="text-align: justify; ">સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી એકતા નગરને દેશના શ્રેષ્ઠ હરિત, સ્વચ્છ અને ટકાઉ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે સતત કાર્યરત છે.</p><p style="text-align: justify; ">સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી શ્રી અમિત અરોરાના જણાવ્યા મુજબ:</p><p style="text-align: justify; ">પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 5 જૂન 2021ના રોજ વ્યક્ત કરાયેલા હરિત અને ટકાઉ ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એકતા નગર સતત નવા માપદંડો સ્થાપિત કરી રહ્યું છે. સ્વચ્છ પરિવહન, હરિયાળું આવરણ, જૈવવિવિધતા સંરક્ષણ, જવાબદાર પર્યટન અને નવીનીકરણીય ઊર્જા જેવા પાંચ મુખ્ય સ્તંભો પર આધારિત વિકાસયાત્રા આજે સમગ્ર દેશ માટે પ્રેરણાનું કેન્દ્ર બની છે.”</p><p style="text-align: justify; ">પાંચ વર્ષ પહેલાં એકતા નગરે એવા ભવિષ્યના નિર્માણની શરૂઆત કરી હતી, જેના વિશે આજે સમગ્ર વિશ્વ ચર્ચા કરી રહ્યું છે. આજે એકતા નગર ભવિષ્યની રાહ નથી જોઈ રહ્યું, પરંતુ ભવિષ્યને જ વર્તમાનમાં પરિવર્તિત કરી રહ્યું છે. રાષ્ટ્રીય એકતા, પર્યાવરણ સંરક્ષણ અને સસ્ટેનેબિલિટીના જીવંત પ્રતીક તરીકે એકતા નગર ભારતની નવી વિકાસગાથા લખી રહ્યું છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/22/TlHoYmHCEGaPR3zbr6Ex15vt8t7vvvanWKLgVTk4.webp'/></item><item><title><![CDATA[Amreli News: લાઠીની ગાગડિયા નદીમાં પૂરના પાણીમાં ફસાયા વૃદ્ધ, Video ]]></title><link>https://sandesh.com/weather/monsoon-2026/news/amreli/lathi-gagadiya-river-elderly-man-rescued-municipality-team</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/monsoon-2026/news/amreli/lathi-gagadiya-river-elderly-man-rescued-municipality-team</guid><pubDate>Wed, 22 Jul 2026 16:13:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં માનવતા અને સમયસૂચકતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. લાઠીમાંથી પસાર થતી ગાગડિયા નદીના ધસમસતા પ્રવાહમાં એક વૃદ્ધ ફસાઈ જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સ્થાનિક પાલિકાની ટીમની સમયસરની સક્રિયતાને કારણે વૃદ્ધને સહીસલામત બહાર કાઢી લેવાતાં મોટી હોનારત ટળી છે.</p><h2 style="text-align: justify; "><b>સેતાપાટી પુલ નજીક બન્યો બનાવ</b></h2><p style="text-align: justify; ">ઘટનાની મળતી માહિતી અનુસાર, લાઠીના સેતાપાટી વિસ્તાર નજીક આવેલા ગાગડિયા નદીના પુલ પાસેથી પસાર થઈ રહેલા લોકોની નજર નદીના વહેતા પાણીમાં ફસાયેલા એક વૃદ્ધ પર પડી હતી. ચોમાસાના કારણે નદીમાં પાણીનું સ્તર અને પ્રવાહ વધુ હોવાથી વૃદ્ધ પાણીમાંથી બહાર નીકળી શકતા ન હતા અને તેમનો જીવ જોખમમાં મુકાયો હતો.</p><h2 style="text-align: justify; "><b>પાલિકાના કર્મચારીઓએ જીવના જોખમે કર્યું રેસ્ક્યુ</b></h2><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં જ લાઠી નગરપાલિકાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. પાલિકા કર્મચારી અલ્પેશભાઈ ડાંગર, મહેન્દ્રભાઈ બાખલકિયા અને મુન્નાભાઈ સરલીયા સહિતની ટીમે પોતાની જાનની પરવા કર્યા વિના નદીના પાણીમાં ઉતરીને રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. ભારે જહમત બાદ વૃદ્ધને જીવિત અને સુરક્ષિત રીતે નદી બહાર કાઢવામાં આવ્યા હતા.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2079868068537458753"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2 style="text-align: justify; "><b>સ્થાનિકોએ પાલિકાની કામગીરીને બિરદાવી</b></h2><p style="text-align: justify; ">વૃદ્ધનો આબાદ બચાવ થતાં ઉપસ્થિત લોકો અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. સમયસર પહોંચીને વૃદ્ધનો જીવ બચાવવા બદલ પાલિકાના શૂરવીર કર્મચારીઓની કામગીરીને સ્થાનિકો દ્વારા ભારે બિરદાવવામાં આવી રહી છે. તંત્ર દ્વારા નદીના નહેણથી દૂર રહેવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/weather/monsoon-2026/news/ahmedabad/gujarat-rain-update-forecast-3-days-heavy-rainfall-alert" target="_blank">Gujarat Weather Update: રાજ્યમાં 3 દિવસ ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/22/il7udzzaYSK96a3lKw3QJAYEnxhOk43GiwGE5DsK.webp'/></item><item><title><![CDATA[Surat News: ખાડીપૂરના પાણી લોકોના ઘરમાં ઘૂસ્યા, મેયરે કહ્યું ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સ્થિતિ સર્જાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/surat/creek-flood-waters-enter-homes-after-heavy-rain</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/surat/creek-flood-waters-enter-homes-after-heavy-rain</guid><pubDate>Wed, 22 Jul 2026 16:10:25 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરમાં પડી રહેલા મુશળધાર વરસાદને પગલે ભેદવાડ ખાડી ઓવરફ્લો થતાં ક્રિષ્ના નગર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ખાડીપૂરના પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે.થોડા દિવસ અગાઉ પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી.જેના કારણે સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.દર વર્ષે ખાડીપૂરની સમસ્યા અંગે માત્ર વાતો જ થાય છે અને પ્રજાના ટેક્સના પૈસા પાણીમાં જતાં હોવાનો આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે.તેમજ આ અંગે જવાબદાર લોકો કે તંત્ર સામે હજુ સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું</b></h2><p style="text-align: justify; ">સુરત શહેર અને સમગ્ર જિલ્લામાં વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. સતત વરસાદના લીધે શહેરમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તરમાં ભયજનક વધારો નોંધાયો છે. આ દરમિયાન ભેદવાડી ખાડી ઓવરફ્લો થતાં નજીકના ખેતરો, રહેણાંક ઘરો તેમજ કોમ્પલેક્ષોમાં પાણી ઘૂસી જતાં સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.ખાડી પૂર અને જળબંબાકારની ગંભીર સ્થિતિને જોતાં વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને એલર્ટ પર રહેવા કડક આદેશ આપવામાં આવ્યા છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><img alt="સુરત મેયર" src="https://epapercdn.sandesh.com/images/2026/07/22/p1teDAX5UZTLZ9tEiJTKg3wxq3vvdQ8CFRQjus6q.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>મેયર માયાબેન માવાણીને સવાલો કરવામાં આવ્યા</b></h2><p style="text-align: justify; ">શહેરના મેયર માયાબેન માવાણીને સવાલો કરવામાં આવ્યા હતાં પરંતુ તેઓ તંત્રના પાપે આ ખાડી પૂર આવ્યું તેના વિશે કશું જ બોલી શક્યા નહોતા. માત્ર કામગીરી થશે અને કરી છે તેવી વાતોમાં જ રચ્યા પચ્યા હતાં. અધિકારીઓ સામે કામગીરીને લઈને જે એક્શન થવી જોઈએ તે અંગે પણ તેઓ કશું જ બોલી શક્યા નહોતા. તેમણે માત્ર રોડના કામમાં ગેરરીતિ કરનારા અધિકારીઓને નોટીસ આપી છે તેવો ગોળગોળ જવાબ આપ્યો હતો. જે દબાણોને કારણે ખાડીપૂરની સ્થિતિ સર્જાઈ રહી છે તે અંગે પણ તેમણે કહ્યું હતું કે, દબાણોની કામગીરી ચાલુ છે. નિરીક્ષણ કર્યા બાદ એક્શન થશે. પરંતુ જ્યારે આ દબાણો માટેની ફાઈલો પાસ કરવાની વાત આવી ત્યારે તેમણે ચાલતી પકડી હતી.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><img alt="સુરત ખાડી" src="https://epapercdn.sandesh.com/images/2026/07/22/NhTFPe1yIYCb4eXniMDAnpd8Mr8v9SzNadzrQkv3.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>વિસ્તારોમાંથી પાણી નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી</b></h2><p style="text-align: justify; ">સુરત શહેરમાં ખાડીપૂરની પરિસ્થિતિને થાળે પાડવા માટે સુરત મહાનગરપાલિકા (SMC)નું તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે અને કર્મચારીઓ દ્વારા વિવિધ વિસ્તારોમાંથી પાણી નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે. કોઈપણ કટોકટી પહોંચી વળવા NDRF અને SDRFની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સલામતીના ભાગરૂપે BRTS અને સિટી બસના ૫ રૂટ બંધ કરવામાં આવ્યા છે અને વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને સુરક્ષિત જગ્યાએ રહેવા અપીલ કરવામાં આવી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahwa/rivers-overflow-as-tourists-enjoy-garba-amid-monsoon" target="_blank">આ પણ વાંચોઃ Dang Rain: જિલ્લામાં વરસાદી માહોલના આહલાદક વાતાવરણમાં પ્રવાસીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/22/yfDVUrdrwMcCaE7nA7mjAF95ZI8RizvfwvxWheJ4.webp'/></item><item><title><![CDATA[Gujrati કોમેડી-થ્રિલર લાયક નાલાયકનું ટ્રેલર લોન્ચ, કોમેડી-થ્રિલરનો મળશે જબરદસ્ત ડોઝ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/layak-nalayakk-gujarati-movie-trailer-music-poster-launch</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/layak-nalayakk-gujarati-movie-trailer-music-poster-launch</guid><pubDate>Wed, 22 Jul 2026 16:10:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઓમ શિવમ પિક્ચર્સ લિમિટેડ (UK) પ્રસ્તુત આગામી ગુજરાતી ફિલ્મ લાયક નાલાયકનું ભવ્ય ટ્રેલર, મ્યુઝિક અને પોસ્ટર લોન્ચિંગ યોજાઈ ગયું. દર્શકોને મનોરંજનથી ભરપૂર રાખવા અને રોમાંચિત કરવા માટે આ ખાસ કોમેડી-થ્રિલર ફિલ્મ 24 જુલાઈ 2026 ના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.<br><h2><b>ટ્રેલર લોન્ચે વધારી દર્શકોની ઉત્સુકતા</b></h2></p><p style="text-align: justify; ">રાજેશ આર. પટેલ દ્વારા નિર્મિત અને તન્મય ગોપાલ સેનગુપ્તા દ્વારા નિર્દેશિત આ મનોરંજક ફિલ્મમાં ગુજરાતી અને હિન્દી સિનેમાના જાણીતા અને દિગ્ગજ કલાકારો એકસાથે પડદા પર જોવા મળશે. ટ્રેલર લોન્ચના આ ખાસ પ્રસંગે ફિલ્મની સમગ્ર સ્ટારકાસ્ટ અને તમામ ક્રૂ મેમ્બર્સ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ટ્રેલર અને રોમાંચક સંગીત લોન્ચ થતાની સાથે જ પ્રેક્ષકોમાં ફિલ્મ પ્રત્યે ભારે ઉત્સુકતા અને આનંદ જોવા મળ્યો હતો.<br><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DbDf1Q9MTJ7/?utm_source=ig_web_copy_link" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DbDf1Q9MTJ7/?utm_source=ig_web_copy_link" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a><br></p><p style="text-align: justify; ">આ ફિલ્મમાં હિતેન કુમાર, આરતી જોશી, હિતુ કનોડિયા, કથા પટેલ, ઓજસ રાવલ, કિરણ આચાર્ય, અશ્મિત પટેલ, સ્મિતા ગોંડકર, શાહવર અલી, શેખર શુક્લા, સુનીલ વીસરાની, ગ્રીવા કંસારા, જીતુ પંડ્યા, જીતેન્દ્ર ઠક્કર, મૌના શાહ, પૂર્વા શાહ, મયંકા પટેલ, મનિન ત્રિવેદી અને રવિ કુમાર પટેલ જેવા બહોળા અને અનુભવી કલાકારોએ પોતાના દમદાર અભિનયના ઓજસ પાથર્યા છે.<br></p><h3 style="text-align: justify; "><b>ફિલ્મની મુખ્ય વિગતો</b></h3><p style="text-align: justify; "><b>•	</b>નિર્દેશક: તન્મય ગોપાલ સેનગુપ્તા</p><p style="text-align: justify; "><b>•	</b>નિર્માતા: રાજેશ આર. પટેલ</p><p style="text-align: justify; "><b>•	</b>સહ-નિર્માતા: જીગ્નેશ આર. પટેલ</p><p style="text-align: justify; "><b>• </b>સ્ટોરી&nbsp;તથા લેખન: હેતલ પટેલ</p><p style="text-align: justify; "><b>•	</b>સ્ક્રીનપ્લે: હેતલ પટેલ, અવિક મઝુમદાર, તન્મય સેનગુપ્તા</p><p style="text-align: justify; "><b>•	</b>સંવાદો: તન્મય સેનગુપ્તા</p><p style="text-align: justify; "><b>•	</b>સંગીત: બિપ્લબ દત્તા</p><p style="text-align: justify; "><b>•	</b>ગીતકાર: જયેશ બારોટ, અવિનાશ ખત્રી, મંથન જોષી</p><p style="text-align: justify; ">ફિલ્મના દિગ્દર્શક તન્મય ગોપાલ સેનગુપ્તાએ જણાવ્યું હતું કે, લાયક નાલાયક માત્ર એક સામાન્ય ફિલ્મ નથી, પરંતુ તે અદ્ભુત કોમેડી અને થ્રિલનું એવું સુંદર મિશ્રણ છે જે પ્રેક્ષકોને અંત સુધી જકડી રાખશે. અમને પૂરી આશા છે કે ગુજરાતી પ્રેક્ષકોને અમારો આ અનોખો પ્રયાસ ખૂબ જ પસંદ આવશે.<br><h2><b>ફિલ્મ ક્યારે રિલીઝ થશે?</b></h2></p><p style="text-align: justify; ">બિપ્લબ દત્તાના સંગીત નિર્દેશનમાં તૈયાર થયેલા આ ફિલ્મના તમામ ગીતો અત્યંત કર્ણપ્રિય છે, જે મ્યુઝિક લોન્ચ વખતે જ દર્શકોના મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. લાયક નાલાયક એક સંપૂર્ણ પારિવારિક મનોરંજક ફિલ્મ છે, તેથી 24 જુલાઈ 2026 ના રોજ તમારા નજીકના સિનેમાઘરોમાં પરિવાર સાથે આ કોમેડી-થ્રિલરની મજા માણી શકો છો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/pankaj-tripathi-oh-my-dog-trailer-release" target="_blank">આ પણ વાંચો-Pankaj Tripathiની OHH MY DOGનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, દિલ જીતી લેશે કહાની!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/22/WEvKgRjYMZm2FCEZK6E0BPPc8Qwjs80R1t4A8Tuw.webp'/></item><item><title><![CDATA['વિદ્યાર્થીઓને બનાવવામાં આવી રહ્યા છે રાજકીય સાધન', દિલ્હીમાં પ્રદર્શન પર રાજનાથ સિંહે આપી પ્રતિક્રિયા ]]></title><link>https://sandesh.com/india/news/rajnath-singh-on-neet-protest--students-being-used-as-political-tools</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/rajnath-singh-on-neet-protest--students-being-used-as-political-tools</guid><pubDate>Wed, 22 Jul 2026 16:06:20 +05:30</pubDate><description><![CDATA[<p>
</p><div>સોનમ વાંગચુકની ભૂખ હડતાળ અને CJPના વિરોધ પ્રદર્શનો તેમજ વિપક્ષના આક્રમક વલણને કારણે સરકાર પાછળ પડી ગઈ હોય તેવું લાગે છે. જોકે, હવે રક્ષા મંત્રી રાજનાથ સિંહના નિવેદને સમગ્ર મુદ્દા પર એક અલગ દ્રષ્ટિકોણ રજૂ કર્યો છે, આ બાબતે પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેમણે પ્રતિક્રિયા આપતા વિપક્ષને આડેહાથ લીધું છે. રાજનાથ સિંહે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે દેશના યુવાનોનો રાજકીય સાધન તરીકે ઉપયોગ ન થવો જોઈએ. તેમણે તેમના પર વ્યક્તિગત લાભ માટે જાણી જોઈને ગુસ્સો ભડકાવવાનો આરોપ લગાવ્યો.</div><h3><b>સરકાર વિદ્યાર્થીની ફરિયાદોનું નિરાકરણ લાવી રહી છે: રાજનાથ સિંહ
</b></h3><div>રાજનાથ સિંહે કહ્યું, "દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો ગંભીર ચિંતાનો વિષય છે. તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે કેટલાક લોકો આપણા દેશના વિદ્યાર્થીઓ અને યુવાનોનો પોતાના રાજકીય લાભ માટે રાજકીય સાધન તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં, અમારી સરકાર વિદ્યાર્થીઓ અને યુવાનોની અપેક્ષાઓ પૂર્ણ કરવા અને તેમના કલ્યાણને સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે."
</div><div>રાજનાથ સિંહે સ્પષ્ટપણે જણાવ્યું છે કે સરકાર વિદ્યાર્થી સમુદાયની ફરિયાદોનું નિરાકરણ લાવી રહી છે. તેમણે કહ્યું, "આપણા દરેક વિદ્યાર્થીઓની ચિંતાઓ સાંભળવી અને તેનું નિરાકરણ લાવવું એ આપણી જવાબદારી છે. મને વિશ્વાસ છે કે ભારતના જાગૃત, પરિપક્વ અને સમજદાર યુવાનો આવા ભ્રામક પ્રયાસોમાંથી બહાર નીકળશે અને પ્રગતિ, વિકાસ અને રાષ્ટ્રનિર્માણનો માર્ગ પસંદ કરશે. મને પૂરો વિશ્વાસ છે."
</div><h4><b>વિપક્ષી ગઠબંધન દ્વારા રાજકીય ષડયંત્ર: રાજનાથ સિંહ
</b></h4><div>રાજનાથ સિંહે આને વિપક્ષી ગઠબંધન દ્વારા રચવામાં આવેલ રાજકીય ષડયંત્ર ગણાવ્યું. સિંહે કહ્યું, "અમે ખાતરી કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ કે કોઈની સાથે, ખાસ કરીને આપણા વિદ્યાર્થીઓ અને યુવાનો સાથે અન્યાય ન થાય. મારું માનવું છે કે કેટલાક વિપક્ષી નેતાઓ દ્વારા ઇરાદાપૂર્વક પેદા કરાયેલ ગુસ્સો અને રોષ એ જનતા, ખાસ કરીને બાળકો અને યુવાનોને ગેરમાર્ગે દોરવાનો નિષ્ફળ પ્રયાસ છે. અમે યુવાનોની લાગણીઓ અને ચિંતાઓ પ્રત્યે સંપૂર્ણપણે સંવેદનશીલ છીએ. સંસદ હાલમાં સત્રમાં છે. સરકારે દરેક મુદ્દા પર અર્થપૂર્ણ ચર્ચા માટે પણ હાકલ કરી છે, અને ઘણી વખત પોતાનું વલણ પુનરાવર્તિત કર્યું છે."
</div><div>તેમણે કહ્યું, "મારું માનવું છે કે વિપક્ષ સંસદમાં નહીં પણ શેરીઓમાં મુદ્દાઓનું નિરાકરણ લાવવાનો ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે. લોકશાહી મુદ્દાઓ પર ચર્ચા કરવાનું સ્થળ સંસદમાં છે." વિપક્ષ અહીં પોતાના વિચારો વ્યક્ત કરવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે. તેમણે કહ્યું, "જો વિપક્ષ ગંભીર હોય, તો તેણે ચાલુ ચોમાસુ સત્રના સુગમ કાર્યમાં ખલેલ પહોંચાડવી જોઈએ નહીં. તેણે સંસદમાં જે મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગે છે તેની ચર્ચા કરવી જોઈએ. તેણે ગૃહ અને સરકારનું ધ્યાન તેમના તરફ દોરવું જોઈએ."
</div><h4><b>વિપક્ષનો હોબાળો: કાળા કપડાં પહેરીને ગૃહમાં વિરોધ
</b></h4><div>બુધવારે, ગૃહમાં પણ હોબાળો જોવા મળ્યો. 23 જુલાઈના રોજ રાજ્યસભા બપોરે 3 વાગ્યા સુધી અને લોકસભા સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. વિપક્ષી સાંસદોએ કાળા કપડાં પહેરીને સંસદ સંકુલમાં સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને પ્રિયંકા ગાંધી સહિત અન્ય નેતાઓ વિરોધ પ્રદર્શન દરમિયાન હાજર હતા.
</div><div>આ પણ વાંચો:<a href="https://sandesh.com/india/news/cjps-ashutosh-ranka-to-protesters--only-4-slogans-at-jantar-mantar" target="_blank"><b> NEET Protest: CJPએ આંદોલન માટે નક્કી કર્યા માત્ર આ 4 સુત્રોચ્ચાર, આશુતોષ રંકાએ કહ્યું- 'તે બસ તક શોધી રહ્યા છે...'</b></a>
</div><div><br></div><div>
</div><div>
</div><div>
</div><div>
</div><div>
</div><div>
</div><div>
</div> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/22/rLxEsDGe6lR7wn9hbEiwK4wcyzEpWUlmErQW6dVh.webp'/></item><item><title><![CDATA[CJP Protest:  દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા કરાઇ કડક, વિરોધ પ્રદર્શનો વચ્ચે CRPF અને RAF ની 24 કંપનીઓ એરલિફ્ટ ]]></title><link>https://sandesh.com/india/news/cjp-protest-security-tightened-in-delhi-24-companies-of-crpf-and-raf-airlifted-amid-protests</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/cjp-protest-security-tightened-in-delhi-24-companies-of-crpf-and-raf-airlifted-amid-protests</guid><pubDate>Wed, 22 Jul 2026 16:00:56 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દિલ્હીમાં ચાલી રહેલા ઉગ્ર વિરોધ પ્રદર્શનો અને તાજેતરની હિંસક અથડામણોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અત્યંત કડક પગલાં લીધા છે. રાષ્ટ્રીય રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે દેશના વિવિધ ભાગોમાંથી અર્ધલશ્કરી દળોની 24 વધારાની કંપનીઓને એરલિફ્ટ કરીને દિલ્હી બોલાવવામાં આવી છે. સ્થિતિની ગંભીરતાને જોતાં નવી દિલ્હી વિસ્તારના 16 મેટ્રો સ્ટેશનોને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યા છે, જ્યારે વડાપ્રધાનના નિવાસસ્થાનની આસપાસ સુરક્ષાનું અભેદ્ય કવચ ગોઠવી દેવામાં આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>વિરોધ પ્રદર્શન વચ્ચે સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઇ</b></h2><p style="text-align: justify; ">સૂત્રોના જણાવ્યા અનુસાર, જંતર-મંતર સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે, જેમાં વિરોધીઓ અને સુરક્ષા દળો વચ્ચે હિંસક ઝપાઝપી, વાહનોમાં તોડફોડ અને પથ્થરમારા જેવી ઘટનાઓ સામે આવી છે. આ સ્થિતિ વધુ વણસતી અટકાવવા માટે સરકારે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે હવે કાયદો હાથમાં લેનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ગત મંગળવારે વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને અન્ય કોંગ્રેસ સાંસદોએ અચાનક 7 લોક કલ્યાણ માર્ગ સ્થિત વડાપ્રધાનના નિવાસસ્થાનની બહાર પહોંચીને ધરણા પ્રદર્શન કર્યા હતા, જેને પગલે પીએમ હાઉસની બાહ્ય સુરક્ષામાં ભારે વધારો કરીને વધારાના એસપીજી (SPG) કમાન્ડો તૈનાત કરવા પડ્યા હતા.</p><h3 style="text-align: justify; "><b>સુરક્ષા દળોની વિશેષ ટુકડીઓ તૈનાત કરાઇ</b></h3><p style="text-align: justify; ">કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે વિપક્ષી પક્ષો અને પ્રદર્શનકારીઓ પોતાના આંદોલન પર અડગ છે. આ વધતા જતા તણાવને પહોંચી વળવા માટે દિલ્હી પોલીસની સાથે સહયોગ કરવા માટે સુરક્ષા દળોની વિશેષ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. સત્તાવાર માહિતી મુજબ, છત્તીસગઢમાંથી 9, ઝારખંડથી 3, મધ્યપ્રદેશથી 5 અને ઓડિશામાંથી 1 CRPF કંપની દિલ્હી મોકલવામાં આવી છે. આ ઉપરાંત, રેપિડ એક્શન ફોર્સ (RAF) ની પશ્ચિમી ક્ષેત્રમાંથી 4 અને દક્ષિણ ક્ષેત્રમાંથી 2 કંપનીઓ પણ સુરક્ષા વ્યવસ્થા સંભાળવા માટે પહોંચી ચૂકી છે. વહીવટીતંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા બગડે નહીં તે માટે દરેક સંવેદનશીલ સ્થળે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.<br><br><b><a href="https://sandesh.com/knowledge/news/cjp-protest-how-brutal-is-the-water-cannon-used-on-protesters" target="_blank">આ પણ વાંચોઃ CJP Protest: પ્રદર્શનકારીઓ માટે વપરાતું વોટર કેનન વોટર કેટલું ઘાતકી?</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/22/4pbnHOGWCLCh8Q7xF9YIlHjXTlqizibdaez8ahe9.webp'/></item><item><title><![CDATA[Stock Market Closing: 715.06 પોઇન્ટનો સેન્સેક્સમાં ઘટાડો, નિફ્ટી 24 હજારની નીચે બંધ ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-closing-sensex-falls-by-71506-points-nifty-closes-below-24-thousand</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-closing-sensex-falls-by-71506-points-nifty-closes-below-24-thousand</guid><pubDate>Wed, 22 Jul 2026 15:45:30 +05:30</pubDate><description><![CDATA[<p>અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાથી સ્થાનિક શેરબજાર પણ પ્રભાવિત થયું હતું. બુધવારે બપોરના કારોબાર દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં ટ્રેડ કરી રહ્યા હતા.</p><h2><b>શેર બજાર લાલ નિશાનમાં બંધ&nbsp;</b></h2><p>બપોરે 1:00 વાગ્યા સુધીમાં નિફ્ટી50 24,001.70 પર ટ્રેડ કરી રહ્યો હતો. જે 186 પોઈન્ટ અથવા 0.77 ટકા ઘટીને હતો. દરમિયાન, BSE સેન્સેક્સ 687 પોઈન્ટ અથવા 0.89 ટકા ઘટીને 76,783.29 પર પહોંચ્યો. બપોરે 3.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયા. સેન્સેક્સ 715 પોઇન્ટના ઘટાડા સાથે 76,755.05 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 191.45 પોઇન્ટના ઘટાડા સાથે  23,996.25 અંકે બંધ થયો.&nbsp;</p><p><b style="font-size: 1.75rem;">આ ક્ષેત્રોમાં સૌથી વધુ દબાણ જોવા મળ્યું</b></p><p>ખાસ કરીને, ક્ષેત્રીય સૂચકાંકોમાં, નિફ્ટી પીએસયુ બેંક અને નિફ્ટી રિયલ્ટીમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો. બંને ક્ષેત્રોમાં દિવસભર વેચાણ દબાણ રહ્યું, જેનાથી બજારની નબળાઈ વધી.</p><p><b style="font-size: 1.5rem;">FMCG અને ઓટો સ્ટોક્સ મજબૂતાઈ&nbsp;</b></p><p>જ્યારે મોટાભાગના ક્ષેત્રો દબાણ હેઠળ રહ્યા, ત્યારે નિફ્ટી FMCG અને નિફ્ટી ઓટોએ પ્રમાણમાં સારું પ્રદર્શન કર્યું. આ ક્ષેત્રોમાં ખરીદીની પ્રવૃત્તિ જોવા મળી, જેના કારણે બજારના ઘટાડાને અમુક અંશે મર્યાદિત રાખવામાં આવ્યો.<br><br><h4><b>આ 10 શેરોમાં સૌથી વધુ ઘટાડો&nbsp;</b></h4></p><p>ટ્રમ્પની ટેરિફ ધમકીને કારણે ઘણા ફાર્મા શેરોમાં ઘટાડો થયો હતો, જ્યારે અન્ય મોટી કંપનીઓમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. BSEના લાર્જ-કેપ કેટેગરીના શેરોમાં ઇન્ડિગો શેર (3.50%), SBI શેર (1.75%), એક્સિસ બેંક શેર (1.60%) અને ઇન્ફોસિસ શેર (1.40%)નો સમાવેશ થાય છે.</p><p>આ ઉપરાંત, BSEના મિડ-કેપ કેટેગરીમાં વોલ્ટાસ શેર (2.70%), પ્રેઝિસ્ટન્ટ શેર (2.60%), હિન્દુસ્તાન પેટ્રોલિયમ શેર (2.10%) અને ગોદરેજ પ્રોપર્ટીઝ શેર (2%)નો ઘટાડો જોવા મળ્યો હતો. સ્મોલ-કેપ શેરોમાં, PGEL શેર (5.50%) અને બ્રિગેડ શેર (4%) નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા.</p><p><br><h5><b>ફાર્મા શેરો પર મોટી અસર</b></h5></p><p>દરમિયાન, ટ્રમ્પ ચેતવણીની સૌથી મોટી અસર ફાર્માસ્યુટિકલ શેરો પર જોવા મળી. આમાં, લ્યુપિન, ઔરબિંદો ફાર્મા અને ગ્લેન્ડ ફાર્મા જેવા શેરોમાં 3 ટકાનો ઘટાડો જોવા મળ્યો, જ્યારે અલ્કેમ, ઝાયડસ, સિપ્લા, ગ્લેનમાર્ક, મેનકાઇન્ડ ફાર્મા, ફોર્ટિસ હેલ્થકેર અને સનફાર્મા જેવા શેરોમાં 1.50 થી 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો.</p><p><br></p><p><a href="https://sandesh.com/astrology/news/bhakti/surya-guru-yuti-2026-mahalakshmi-rajyoga-has-been-formed-the-luck-of-4-zodiac-signs-will-shine-due-to-the-union-of-sun-and-guru" target="_blank">આ પણ વાંચો: Surya Guru Yuti 2026: બન્યો મહાલક્ષ્મી રાજયોગ ! સૂર્ય ગુરુની યુતિથી 4 રાશિની કિસ્મત ચમકશે</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/04/22/ImEoH8XVKSpwKohsEtbZTWR6IaJ4XBQ4dmVVsfy6.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: ધોળકામાં નશાકારક કફ સિરપના વેપારનો પર્દાફાશ, સાહિલ ઉર્ફે બોડી ઝડપાયો ]]></title><link>https://sandesh.com/crime/news/ahmedabad/dholka-illegal-intoxication-cough-syrup-busted-one-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/crime/news/ahmedabad/dholka-illegal-intoxication-cough-syrup-busted-one-arrested</guid><pubDate>Wed, 22 Jul 2026 15:44:19 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ જિલ્લાના ધોળકા ટાઉન વિસ્તારમાં ગેરકાયદે વેચાતા નશાકારક કફ સિરપના કારોબાર પર પોલીસ દ્વારા મોટો પ્રહાર કરવામાં આવ્યો છે. ચોક્કસ બાતમીના આધારે ધોળકા ટાઉન પોલીસની ટીમે રેડ કરીને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન અને લાયસન્સ વગર વેચાતી નશાકારક કફ સિરપની બોટલોનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>CADIFOS-T કફ સિરપ અને રૂ. 69,596 નો મુદ્દામાલ જપ્ત</b></h2><p style="text-align: justify; ">પોલીસ રેડ દરમિયાન સ્થળ પરથી CADIFOS-T નામની નશાકારક કફ સિરપની કુલ 36 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 9,396 થાય છે. આ ઉપરાંત પોલીસે સ્થળ પરથી એક TVS જ્યુપીટર સ્કૂટર, મોબાઈલ ફોન અને રોકડ રકમ પણ કબજે કરી છે. આમ, પોલીસે કુલ મળીને રૂ. 69,596 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.</p><h2 style="text-align: justify; "><b>મુખ્ય આરોપી સાહિલ ઉર્ફે 'બોડી' પકડાયો, 2 ફરાર</b></h2><p style="text-align: justify; ">આ ઓપરેશન દરમિયાન પોલીસે મુખ્ય આરોપી સાહિલ ઉર્ફે બોડી બિસ્મીલ્લામીયા મલેકની ધરપકડ કરી છે. જોકે, આ કાળા કારોબારમાં સામેલ અન્ય બે સહ-આરોપીઓ નાસીર શેખ અને ઝાકીરહુસેન પોલીસને જોઈને ફરાર થઈ જતાં તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ</b></h2><p style="text-align: justify; ">આરોપીઓ કોઈપણ જાતના મેડિકલ પ્રિસ્ક્રિપ્શન કે લાયસન્સ વિના યુવાનોને નશાના માર્ગે ધકેલતી આ સિરપનું ગેરકાયદે વેચાણ કરતા હતા. ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં તમામ આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ (નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ નશાકારક કફ સિરપનો જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો, અને તેના મુખ્ય તાર ક્યાં જોડાયેલા છે, તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/weather/monsoon-2026/news/ahmedabad/gujarat-rain-update-forecast-3-days-heavy-rainfall-alert" target="_blank">Gujarat Weather Update: રાજ્યમાં 3 દિવસ ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/22/53WUXa4urjMytBzxFgx8JCBJd2CMIrBmEAGTxXlT.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : શાહીબાગ અંડરપાસનું 24.81 કરોડના ખર્ચે થશે રીડેવલપમેન્ટ, ઓક્ટોબરથી 2 વર્ષ માટે બંધ રહેવાની શક્યતા ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-shahibaug-underpass-redevelopment-cost-traffic-update</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-shahibaug-underpass-redevelopment-cost-traffic-update</guid><pubDate>Wed, 22 Jul 2026 15:02:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ બનાવવા માટે ઓવરબ્રિજ અને અંડરપાસના નવીનીકરણની ઝુંબેશ વચ્ચે હવે શહેરના સૌથી વ્યસ્ત શાહીબાગ અંડરપાસના પુનઃનિર્માણની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એરપોર્ટથી દિલ્હી દરવાજા અને કાલુપુર તરફ જતાં રોજના હજારો વાહનચાલકો માટે અત્યંત મહત્વપૂર્ણ એવા આ વર્ષો જૂના શાહીબાગ અંડરપાસને અંદાજે 24.81  કરોડના ખર્ચે આધુનિક સ્વરૂપ આપવામાં આવશે.</p><h2 style="text-align: justify; "><b>પ્રોજેક્ટ માટે ટેન્ડરિંગ પ્રક્રિયા</b></h2><p style="text-align: justify; ">અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પ્રોજેક્ટ માટે ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને આગામી બેથી ત્રણ મહિનામાં કામગીરી શરૂ થાય તેવી પૂરતી શક્યતા છે. નવા ડિઝાઇન પ્લાન મુજબ અંડરપાસની અપર અને લોઅર લેનની પહોળાઈ વધારવામાં આવશે, જેથી ટ્રાફિકનું ભારણ હળવું કરી શકાય. આ ઉપરાંત, રેલવે લાઇનને સમાંતર નવો માર્ગ પણ તૈયાર કરવામાં આવશે, જેનાથી વાહનોની અવરજવર વધુ સરળ બનશે.</p><h3 style="text-align: justify; "><b>રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ પૂર્ણ થતાં અંદાજે બે વર્ષનો સમય લાગશે</b></h3><p style="text-align: justify; ">જોકે, આ સમગ્ર રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ પૂર્ણ થતાં અંદાજે બે વર્ષનો સમય લાગશે. સંભવિતપણે ઓક્ટોબર મહિનાથી શાહીબાગ અંડરપાસ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવી શકે છે. હાલમાં જ સારંગપુર અને સુભાષબ્રિજ સહિતના અન્ય બ્રિજો પર કામગીરી ચાલી રહી હોવાથી, શાહીબાગ અંડરપાસ બંધ થતાં અમદાવાદીઓને વૈકલ્પિક માર્ગો અપનાવવા પડશે અને ટ્રાફિકની મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp;<a href="https://sandesh.com/weather/news/gujarat/surat/monsoon-2026-surat-heavy-rain-red-alert-causeway-overflow-ukai-dam-water-level" target="_blank"><b>&nbsp;:&nbsp; Monsoon 2026 : સુરતમાં વહેલી સવારથી તોફાની વરસાદ: કોઝવે ઓવરફ્લો, ઉધના ગરનાળું ગરકાવ અને અંબિકા નદીમાં પૂરથી 'રેડ એલર્ટ', Video&nbsp;</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/22/NbNkignBglSofJLwqI9Vntn0jAYxWpY3qlxpoje5.webp'/></item><item><title><![CDATA[Commonwealth Games 2026 : ભારતીય બોક્સિંગ ટીમનો સામાન એરપોર્ટ પરથી થયો ગુમ, ખેલાડીઓ મુશ્કેલીમાં ]]></title><link>https://sandesh.com/sports/news/commonwealth-games-2026-indian-boxing-teams-luggage-goes-missing-from-airport-players-in-trouble</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/commonwealth-games-2026-indian-boxing-teams-luggage-goes-missing-from-airport-players-in-trouble</guid><pubDate>Wed, 22 Jul 2026 10:23:39 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">2026 કોમનવેલ્થ ગેમ્સ સ્કોટલેન્ડના ગ્લાસગોમાં 23 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન યોજાશે.ગ્લાસગોએ અગાઉ 2014માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું હતું.આ વર્ષે 74 દેશોના આશરે 3,000 રમતવીરો 11 દિવસીય રમતોમાં ભાગ લેશે,જેમાં ભારતના 126 રમતવીરો મેડલ માટે સ્પર્ધા કરશે.જોકે 2026 ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ શરૂ થાય તે પહેલાં,ભારતીય બોક્સિંગ ટીમને મોટી કટોકટીનો સામનો કરવો પડ્યો છે.બેલફાસ્ટમાં તાલીમ શિબિર પૂર્ણ કરીને ગ્લાસગો પહોંચેલી 22 સભ્યોની ભારતીય બોક્સિંગ ટીમનો લગભગ અડધો સામાન બેલફાસ્ટ એરપોર્ટ પર છોડી દેવામાં આવ્યો છે.</p><h4 style="text-align: justify; "><b>ભારતીય બોક્સિંગ ટીમનો સામાન થયો ગયો</b></h4><p style="text-align: justify; ">ગુમ થયેલ બેગમાં ખેલાડીઓની તાલીમ કીટ, તેમજ ગુરુવારના ઉદ્ઘાટન સમારોહ માટે સત્તાવાર અને ઔપચારિક ગણવેશનો સમાવેશ થાય છે.ભારતીય ટુકડીના સભ્યોના જણાવ્યા અનુસાર,બેલફાસ્ટથી ગ્લાસગો જતું વિમાન ખૂબ નાનું હતું,જેના કારણે બધો સામાન એકસાથે લોડ થઈ શક્યો નહીં.જે ખેલાડીઓનો સામાન પાછળ રહી ગયો હતો તેમાં વિશ્વ ચેમ્પિયન જાસ્મીન લંબોરિયા,સાક્ષી ચૌધરી,પરવીન હુડા,જદુમણી સિંહ,કપિલ પોખરિયા અને પુરુષોના મુખ્ય કોચ સી.કુટ્ટપ્પાનો સમાવેશ થાય છે.</p><h5 style="text-align: justify; "><b>આવી બેદરકારીનો બીજો બનાવ</b></h5><p style="text-align: justify; ">આશ્ચર્યજનક રીતે, ભારતીય બોક્સિંગ ટીમ સાથે સંકળાયેલી આવી બેદરકારીનો આ બીજો બનાવ છે. આ મહિનાની શરૂઆતમાં જ્યારે ટીમ દોહાથી બેલફાસ્ટ માટે રવાના થઈ ત્યારે એરલાઇન્સ દ્વારા પણ આવી જ બેદરકારીની જાણ કરવામાં આવી હતી. વધુમાં, ટીમ મેનેજમેન્ટે બીજી ખામી અંગે ચિંતા વ્યક્ત કરી છે. મહિલા બોક્સિંગ કોચ મંદાકિની ચાનુને અન્ય બોક્સરોની જેમ જ હોટલમાં રૂમ ફાળવવામાં આવ્યો નથી, જેના કારણે કોચ અને રમતવીરો વચ્ચે સંકલન કરવામાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે.</p><h5 style="text-align: justify; "><b>શુક્રવારથી સ્પર્ધાઓ શરૂ થશે</b></h5><p style="text-align: justify; ">કોમનવેલ્થ ગેમ્સમાં બોક્સિંગ સ્પર્ધાઓ શુક્રવારથી શરૂ થવાની છે. આવી સ્થિતિમાં, ભારતીય ટીમને આશા છે કે પ્રેક્ટિસ અને તૈયારીઓ ગતિ પકડે તે પહેલાં તેમનો બચેલો સામાન ગ્લાસગો સુરક્ષિત રીતે પહોંચી જશે, જેથી ખેલાડીઓ કોઈપણ માનસિક તાણ વિના તેમનું અભિયાન શરૂ કરી શકે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/indian-team-announced-for-hockey-world-cup-know-who-got-a-place" target="_blank">Hockey વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત,જાણો કોને મળ્યું સ્થાન</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/22/YQPXvFamnJwcGZTldVKBqO4PxxnNncOALqdZNWfa.webp'/></item></channel></rss>