<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Deesa: ડીસા નગરપાલિકામાં વિવિધ સમિતિઓની રચના ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/deesa/deesa-formation-of-various-committees-in-deesa-municipality</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/deesa/deesa-formation-of-various-committees-in-deesa-municipality</guid><pubDate>Wed, 05 Aug 2026 05:44:46 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ડીસા નગરપાલિકાની ચૂંટણી બાદ હવે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. જેમાં 19 સમિતિઓ વિવિધ ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરને આપવામાં આવી છે. જોકે આ સમિતિઓની બેઠક ડીસા નગરપાલિકા સભાખંડમાં પાલિકા પ્રમુખ કૌશિક સાધુના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં ચીફ ઓફિસર ચંદ્રકાંત દેસાઈ, ઉપપ્રમુખ પલ્લવી જોષી ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ દ્વારા તમામ સમિતિઓના મેન્ડેડ રજુ કરવામાં આવ્યા હતા. જોકે પાર્ટીએ અને ડીસાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણ માળી દ્વારા સમિતિઓમાં લગભગ મોટા ભાગના જ્ઞાતિઓને સમાવી લીધા હતા. જેથી સમિતિઓની રચના બાદ ભાજપના કોર્પોરેટરોમાં ખુશી જોવા મળી રહી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/ihiNVMAFUyptwdBs1dXCzHA3ITzU5In06zLBXb1u.webp'/></item><item><title><![CDATA[Banaskantha: ભાચલીમાં વરસાદી પાણીનો નિકાલ કરવા માંગ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/banaskantha/banaskantha-demand-to-dispose-of-rainwater-in-bhachli</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/banaskantha/banaskantha-demand-to-dispose-of-rainwater-in-bhachli</guid><pubDate>Wed, 05 Aug 2026 05:43:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વાવ તાલુકાના ભાચલી ગામના લોકોએ ગામમાં તેમજ પ્લોટ વિસ્તારમાં ભરાયેલ વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવામાં આવે તેવી માંગ કરતું આવેદનપત્ર વાવ મામલતદારને પાઠવ્યું હતું. વાવના ભાચલી ગામે દર ચોમાસે વરસાદ આવે ત્યારે ગામમાં તેમજ પ્લોટ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જાય છે જેને લઇ ગામલોકો ઘરની બહાર જઈ શકતા નથી આ વરસાદી પાણીનો કોઈ નિકાલ થતો નથી આ ભરાતા વરસાદી પાણીનો કાયમી નિકાલ કરી આપવા માગ કરી હતી તેમજ વધુમાં જણાવ્યું હતું કે કુણાસરી તળાવનું નાકૂ બંધ કરવાથી ભાચલી થી ચાંદરવા જવાનો રસ્તો સદંતર બંધ થયેલ જેથી ખેતરોમાં રહેતા ખેડૂતોને ખૂબ હાલાકી ભોગવવી પડે છે વરનાળી તથા કુણાસરી તળાવનું નાકું ખોલવામાં આવે તો પાણીનો નિકાલ થઈ શકે તેમ છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/OM93HMATCTUdnrURcbLtDbJ2gSGgZJHTtHOM8OUg.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: બાવળા નગરની વલ્લભનગર સોસાયટીમાં 15 દિવસથી વરસાદી પાણીના અડિંગાથી રહીશોમાં આક્રોશ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-residents-of-vallabhnagar-society-in-bavla-nagar-are-outraged-by-the-lack-of-rainwater-for-15-days</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-residents-of-vallabhnagar-society-in-bavla-nagar-are-outraged-by-the-lack-of-rainwater-for-15-days</guid><pubDate>Wed, 05 Aug 2026 05:28:52 +05:30</pubDate><description><![CDATA[<p>બાવળા : અમદાવાદ જિલ્લાના બાવળામાં ચોમાસાની સિઝન નગરજનો માટે આફ્ત બની ગઈ છે શહેરમાં વરસાદી પાણીના નિકાલની જટિલ સમસ્યાના કારણે નગરજનો ભારે હાલાકી વેઠી રહ્યા છે ચાલુ વર્ષે એક જ રાતમાં 11 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતા શહેરમાં ઠેર ઠેર ઢીંચણ સમા પાણી ભરાઈ ગયા હતા શહેરમાં આવેલી વલ્લભનગર સોસાયટીમાં વરસાદ બંધ થયાને 15 દિવસ જેટલો સમય થઈ ગયો હોવા છતાં હજુ વરસાદી પાણી ઓસર્યા નથી સોસાયટીની દીવાલો પાણી ભરાઈ રહેવાથી એક તરફ્ દીવાલ પણ તૂટી જવા પામી હતી સોસાયટીના આ રોડ ગામતળ ને જોડતો માર્ગ છે જેથી ત્યાંથી સ્કૂલ, રોજગાર ધંધા જવા માટે નો મુખ્ય માર્ગ છે રોડ પર પાણી ભરાઈ રહેતા રહીશો ને હાલ 1થી 1.5 કિમી ફરીને જવું પડે છે સમસ્યા અંગે સોસાયટીના રહીશો દ્વારા પાણીનો તાત્કાલિક નિકાલ કરવા બાવળા પાલિકા ચીફ્ ઓફ્સિર અને નગર સેવા સદનને લેખિતમાં ફ્રિયાદ કરી હતી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/3E0CmVenp8jThEDQsQFv41LYG3OW6RdhwWXVU9MB.webp'/></item><item><title><![CDATA[Vadodara: જરોદ ગામે દશામા વ્રતની ઉજવણીનું કાઉન્ટડાઉન શરૂ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-countdown-to-dashama-vrat-celebrations-begins-in-jarod-village</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-countdown-to-dashama-vrat-celebrations-begins-in-jarod-village</guid><pubDate>Wed, 05 Aug 2026 05:12:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વાઘોડિયા તાલુકાના જરોદ ગામ તેમજ વિભાગના ગામડાઓમાં આગામી દશામાંના તહેવારોની તૈયારી શરૂ થઈ છે. બજારમાં દશામાંની મૂર્તિયો વેચનાર વેપારીએ મૂર્તિ, પૂજાપો માતાજીની ચૂંદડી વગેરે વસ્તુનો સ્ટોક કર્યો છે. ગામડાના લોકો દશામાનો તહેવાર વાજતે ગાજતે ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરતા હોય છે. હવે ગણતરીના દિવસો બાકી હોવાથી વેપારીઓએ ગ્રાહકોને આકર્ષવા મૂર્તિઓની દુકાનોમાં સજાવટ કરી ગ્રાહકોની રાહ જૂએ છે. આમ તો દશામાની સ્થાપના ભક્તો ઘરમાં જ કરતા હોય છે તો કેટલાક ભક્તો સાથે મળી દશામાની મોટી મૂર્તિ લાવી સમૂહ પૂજા અર્ચના કરશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/UVpUMjQZHdEuz8d5OImbdsng5usdiK1YdkXBcvh9.webp'/></item><item><title><![CDATA[Vadodara: પાદરા તાલુકાના વડુ ગામે વરલી મટકાનો જુગાર રમાડતા 3 ઝડપાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-3-arrested-for-gambling-with-worli-matka-in-vadu-village-of-padra-taluka</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-3-arrested-for-gambling-with-worli-matka-in-vadu-village-of-padra-taluka</guid><pubDate>Wed, 05 Aug 2026 05:11:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)ની ટીમે પાદરા તાલુકાના વડુ ગામે દરોડો પાડી વરલી મટકાનો આંક ફરકનો જુગાર રમાડતા ત્રણ શખ્સોને રંગેહાથ ઝડપી પાડયા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ સહિત કુલ રૂા. 11,865નો મુદ્દામાલ કબજે કરી વડુ પોલીસ મથકે ગુનો નોંધ્યો છે.</p><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ એલસીબીના મુકેશભાઈ તથા હરેશભાઈને બાતમી મળી હતી કે વડુ ગામે કસ્બામાં નજીક ગોયા તળાવ પાસે આવેલા બંધ ખંડેર મકાનની પાછળ ખુલ્લી જગ્યામાં વરલી મટકાનો હારજીતનો જુગાર રમાડાઇ રહ્યો છે. જેના આધારે એલસીબી પોલીસે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન મહંમદહુશૈન ઉર્ફે જામુ ઇસ્માઇલ પરમાર (રહે. વડુ), ભુપેન્દ્ર ખુમાનસિંહ રાણા (રહે. મુજપુર) તથા રણજીત સુરસંગ જાદવ (રહે. ડબકા)ને જુગાર રમાડતા ઝડપી લેવાયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂા.11,700, જુગારના આંકડા લખેલી 26 કાપલી, ત્રણ બુક, કાર્બન પેપરના 22 ટુકડા અને ત્રણ બોલપેન મળી કુલ રૂા.11,865નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બનાવ અંગે એલસીબીના હરેશભાઈ અમરૂભાઈની ફરિયાદને આધારે વડુ પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ મુજબ ગુનો નોંધાયો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/05/9UsslNCLDbQKqCSDntqB9tTP8CUN91jbMmmgCH2B.webp'/></item><item><title><![CDATA[Pradeep Rawat Death : અભિનેતા પ્રદીપ રાવતનું કેન્સરની બિમારીને કારણે નિધન, 150થી વધુ ફિલ્મમાં કર્યું હતું કામ ]]></title><link>https://sandesh.com/entertainment/news/pradeep-rawat-death-veteran-actor-known-for-ghajini-passes-away-at-74</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/pradeep-rawat-death-veteran-actor-known-for-ghajini-passes-away-at-74</guid><pubDate>Tue, 04 Aug 2026 23:00:42 +05:30</pubDate><description><![CDATA[<p>હિન્દી ફિલ્મ જગત માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આમિર ખાનની સુપરહિટ ફિલ્મ 'ગજની' સહિત અનેક યાદગાર ફિલ્મોમાં પોતાના અભિનયથી ઓળખ બનાવનાર વરિષ્ઠ અભિનેતા પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે. તેઓ લાંબા સમયથી કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડી રહ્યા હતા. તેમના નિધનના સમાચાર સામે આવતા ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ફેન્સમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.</p><h2><b>મધ્યપ્રદેશમાં થયો હતો જન્મ</b></h2><p>21 જાન્યુઆરી, 1953ના રોજ મધ્ય પ્રદેશના જબલપુરમાં જન્મેલા પ્રદીપ રાવતના પિતા એમ.એસ. રાવત ભારતીય સેનામાં હતા. પ્રદીપ રાવતનું પણ સપનું સેનામાં જોડાવાનું હતું, પરંતુ તેમાં સફળતા ન મળતા તેમણે ગ્રેજ્યુએશન બાદ જબલપુરની એક બેંકમાં નોકરી શરૂ કરી હતી. બાદમાં તેમણે અભિનેતા રાજ બબ્બરના થિયેટર ગ્રુપ 'એકજૂટ' સાથે જોડાઈ અભિનય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો.</p><h3><b>ફિલ્મ 'મેરી જંગ'થી બોલિવૂડમાં કારકિર્દીની શરૂઆત કરી&nbsp;</b></h3><p>તેમણે 1985માં સુભાષ ઘઈ દિગ્દર્શિત ફિલ્મ 'મેરી જંગ'થી બોલિવૂડમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે ક્યારેય પાછળ વળી જોયું નહીં. હિન્દી ઉપરાંત તેમણે તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ભોજપુરી, નેપાળી, બંગાળી અને અંગ્રેજી સહિત અનેક ભાષાઓની ફિલ્મોમાં અભિનય કર્યો હતો.</p><h4><b>'ગજની'માં ભજવેલા પાત્રએ અપાવી એક નવી ઓળખ</b></h4><p>પ્રદીપ રાવતે પોતાની 41 વર્ષની કારકિર્દીમાં 150થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. 'ગજની'માં ભજવેલું તેમનું ખતરનાક વિલનની ભૂમિકા આજે પણ યાદગાર માનવામાં આવે છે. આ ઉપરાંત તેમણે 'લગાન', 'સરફરોશ', 'કોયલા', 'ધ હીરો: લવ સ્ટોરી ઑફ અ સ્પાય' અને એસ.એસ. રાજામૌલીની 'સાઈ' જેવી ફિલ્મોમાં પણ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. ફિલ્મો ઉપરાંત તેઓ બી.આર. ચોપરાની લોકપ્રિય ટીવી શ્રેણી 'મહાભારત'માં અશ્વત્થામાના પાત્ર માટે પણ જાણીતા હતા. તેમના નિધનથી ભારતીય સિનેમાએ એક બહુમુખી અને પ્રતિભાશાળી અભિનેતાને ગુમાવ્યો છે.</p><p><b><a href="https://sandesh.com/entertainment/news/kangana-ranaut-old-interview-pakistani-groom-viral" target="_blank">આ પણ વાંચો : Kangana Ranaut શોધી રહી છે પાકિસ્તાની વરરાજા! વાયરલ થયો જુનો VIDEO</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/kWoDX5pJEP2HBaeD64lwthbN6yypbSPPM8bahJuR.webp'/></item><item><title><![CDATA[India News : DMK નેતા ઉદયનિધિ સ્ટાલિનને પૂછપરછ બાદ જામીન મળ્યા, સ્ટેશન બહાર સમર્થકોની ભારે ભીડ ઉમટી... ]]></title><link>https://sandesh.com/india/news/india-news-dmk-leader-udayanidhi-stalin-gets-bail-after-questioning-huge-crowd-of-supporters-gathers-outside-the-station</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/india-news-dmk-leader-udayanidhi-stalin-gets-bail-after-questioning-huge-crowd-of-supporters-gathers-outside-the-station</guid><pubDate>Tue, 04 Aug 2026 21:28:27 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અભિનેત્રી તૃષા અંગેના એક વિવાદિત નિવેદનને લઈને DMK નેતા ઉદયનિધિ સ્ટાલિનની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ માעમલે પૂછપરછની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અદાલત દ્વારા તેમને જામીન મંજૂર કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાક્રમને કારણે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે અને વિવાદ વધુ ઘેરો બન્યો છે.</p><h2 style="text-align: justify; "><b>પોલીસ સ્ટેશન બહાર સમર્થકોનો જમાવડો</b></h2><p style="text-align: justify; ">ધરપકડના સમાચાર વાયુવેગે પ્રસરતા જ થાણાની બહાર DMK સમર્થકોની ભારે ભીડ એકત્ર થઈ ગઈ હતી. સમર્થકો દ્વારા કરવામાં આવેલા જમાવડા અને સૂત્રાચારને ધ્યાનમાં રાખીને કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણપણે સતર્ક બની ગયું હતું અને વધારાનો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>પોલીસ સ્ટેશન બદલવા અને ત્યાં ઉતરવાના ઇનકારનો દાવો</b></h2><p style="text-align: justify; ">આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઉદયનિધિ સ્ટાલિને સેંગિપટ્ટી પોલીસ સ્ટેશનમાં ઉતરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. તેમણે અદાલતમાં જે પોલીસ સ્ટેશનનું નામ જણાવવામાં આવ્યું હતું, તેના બદલે તેમને અન્ય અલગ સ્થળે લાવવામાં આવ્યા હોવાનો ગંભીર દાવો કર્યો હતો, જેને લઈને કાનૂની અને પ્રશાસનિક સ્તરે પણ સવાલો ઉઠ્યા છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/india/news/india-news-25-people-tragically-died-10-injured-due-to-megh-tandav-torrential-rain-and-flood-conditions-in-kerala" target="_blank">India News : કેરળમાં મેઘ તાંડવ, ધોધમાર વરસાદ અને પૂરની સ્થિતિને કારણે 25 લોકોના કરૂણ મોત, 10 ઇજાગ્રસ્ત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/Zvp2WWBVfG8GCuP7ZLlj6ovL2z6dJzBGTMsOunUH.webp'/></item><item><title><![CDATA[India News : કેરળમાં મેઘ તાંડવ, ધોધમાર વરસાદ અને પૂરની સ્થિતિને કારણે 25 લોકોના કરૂણ મોત, 10 ઇજાગ્રસ્ત ]]></title><link>https://sandesh.com/india/news/india-news-25-people-tragically-died-10-injured-due-to-megh-tandav-torrential-rain-and-flood-conditions-in-kerala</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/india-news-25-people-tragically-died-10-injured-due-to-megh-tandav-torrential-rain-and-flood-conditions-in-kerala</guid><pubDate>Tue, 04 Aug 2026 21:06:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી સતત પડી રહેલા ધોધમાર અને અતિભારે વરસાદે કેરળમાં ભારે તારાજી સર્જી છે. આ કુદરતી હોનારતમાં અત્યાર સુધીમાં 25 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 10 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અવિરત વરસાદના કારણે નદીઓ ઉભરાઈ ગઈ છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે, જેના કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે.</p><h2 style="text-align: justify; "><b>8 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર</b></h2><p style="text-align: justify; ">સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા રાજ્યના 8 જિલ્લાઓમાં 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. સતત વરસાદને કારણે અનેક સ્થાનો પર ભૂસ્ખલન થવાના અહેવાલો છે, જેનાથી રસ્તાઓ બ્લોક થઈ ગયા છે અને વાહનવ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે. વીજળી અને સંદેશાવ્યવહારની સેવાઓ પણ ખોરવાઈ જતાં રાહત અને બચાવ કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>પ્રશાસન દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ</b></h2><p style="text-align: justify; ">આ ગંભીર આપત્તિના સમયમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની રાહત એજન્સીઓ યુદ્ધના ધોરણે મેદાનમાં ઉતરી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવા માટે વિશેષ બચાવ ટીમો અને સેનાની મદદ લેવામાં આવી રહી છે. પ્રભાવિત વિસ્તારોમાં રાહત છાવણીઓ ઉભી કરીને ઇજાગ્રસ્તોને તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે તેમજ લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/india/news/india-news-we-will-do-whatever-is-necessary-in-the-national-interest-indias-befitting-reply-to-pakistans-deployment-of-250-chinese-howitzers" target="_blank">India News : 'રાષ્ટ્રહિતમાં જે પણ જરૂરી હશે તે કરીશું', પાકિસ્તાનની 250 ચીની હોવિટ્ઝર તૈનાતી પર ભારતનો જડબાતોડ જવાબ</a></b></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/bTKud0IrA3r30lJf88RTSE9FWcxYMHwxS3TWAZHJ.webp'/></item><item><title><![CDATA[Neeraj Chopra ડાયમંડ લીગમાં મળશે જોવા, અરશદ નદીમ અને રૂમેશ પથિરાગેનો કરશે સામનો ]]></title><link>https://sandesh.com/sports/news/neeraj-chopra-lausanne-diamond-league-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/neeraj-chopra-lausanne-diamond-league-2026</guid><pubDate>Tue, 04 Aug 2026 20:58:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતના દિગ્ગજ ભાલા ફેંકનાર અને ઓલિમ્પિક ગોલ્ડ ચંદ્રક વિજેતા નીરજ ચોપરા 21 ઓગસ્ટના રોજ યોજાનારી લૌઝેન ડાયમંડ લીગ સ્પર્ધામાં ભાગ લેશે. આયોજકોએ 3 ઓગસ્ટના રોજ આ વાતની પુષ્ટિ કરી.</p><p style="text-align: justify; ">નીરજ એથલેટિસિમા તરીકે ઓળખાતી સ્પર્ધામાં ચોથી વખત ભાગ લેશે. તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સમાં 85.83 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યા બાદ નીરજ આ ટુર્નામેન્ટ દ્વારા પોતાના ભૂતપૂર્વ ફોર્મમાં પરત ફરવાનો પ્રયાસ કરશે.</p><h2 style="text-align: justify; "><b>નીરજ ચોપરાનો સામનો શ્રીલંકાના રૂમેશ પથિરાગે સામે થશે</b></h2><p style="text-align: justify; ">28 વર્ષના નીરજ ચોપરાએ 2022માં 89.08 મીટરના બેસ્ટ થ્રો સાથે આ ઈવેન્ટ જીતી હતી અને પછીના વર્ષે 87.66 મીટરના ભાલા ફેંકીને પોતાની જીતનો સિલસિલો ચાલુ રાખ્યો હતો. ત્યારબાદ 89.49 મીટરના શાનદાર પ્રદર્શન છતાં તે 2024 લુઝેન ડાયમંડ લીગ ઈવેન્ટમાં બીજા સ્થાને રહ્યો.</p><p style="text-align: justify; ">2026ની ઈવેન્ટ ખૂબ જ રોમાંચક હોવાની અપેક્ષા છે, કારણ કે તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર શ્રીલંકાના રૂમેશ પથિરાગે પણ ભાગ લઈ રહ્યો છે. તેને 89.75 મીટરના બેસ્ટ થ્રો સાથે CWG 2026માં પ્રથમ સ્થાન મેળવ્યું અને ગોલ્ડ મેડલ જીત્યો.</p><h3 style="text-align: justify; "><b>ઘણા અનુભવી ખેલાડીઓ લૌઝેન ડાયમંડ લીગમાં ભાગ લેશે</b></h3><p style="text-align: justify; ">પાકિસ્તાનનો ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમ પણ આ સ્પર્ધામાં ભાગ લેશે, જે ફેન્સ માટે બીજી એક રોમાંચક સ્પર્ધા બનશે. તેના સિવાય બે વખતના વિશ્વ ચેમ્પિયન એન્ડરસન પીટર્સ, જર્મનીના થોમસ રોહલર અને ત્રિનિદાદ અને ટોબેગોના કેશોર્ન વોલકોટ પણ ભાલા ફેંકમાં પોતાની શક્તિનું પ્રદર્શન કરતા જોવા મળશે.</p><h4 style="text-align: justify; "><b>દોહા ડાયમંડ લીગમાં નીરજ ચોપરા ચોથા નંબરે રહ્યો</b></h4><p style="text-align: justify; ">લૌઝેન ડાયમંડ લીગ નીરજ ચોપરાની વર્ષની ત્રીજી મોટી સ્પર્ધા હશે. તે અગાઉ જૂનમાં દોહા ડાયમંડ લીગમાં ચોથા નંબરે રહ્યો હતો અને પછી કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો. ગંભીર ઈજા અને ટોક્યોમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ પછી બ્રેકને કારણે લાંબી ગેરહાજરી બાદ નીરજ આ વર્ષે મેદાનમાં પરત ફર્યો છે. આખી સીઝનમાં તેનું બેસ્ટ પ્રદર્શન ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં રહ્યું.</p><h5 style="text-align: justify; "><b>લૌઝેન ડાયમંડ લીગ 2026 જેવેલિન થ્રો એન્ટ્રી લિસ્ટ</b></h5><p style="text-align: justify; ">એન્ડરસન પીટર્સ (ગ્રેનાડા)</p><p style="text-align: justify; ">અરશદ નદીમ (પાકિસ્તાન)</p><p style="text-align: justify; ">કર્ટિસ થોમ્પસન (યુએસએ)</p><p style="text-align: justify; ">જાકુબ વાડલેચ (ચેકિયા)</p><p style="text-align: justify; ">જુલિયન વેબર (જર્મની)</p><p style="text-align: justify; ">કેશોર્ન વોલકોટ (ત્રિનિદાદ અને ટોબેગો)</p><p style="text-align: justify; ">નીરજ ચોપરા (ભારત)</p><p style="text-align: justify; ">રુમેશ પાથિરાગે (શ્રીલંકા)</p><p style="text-align: justify; ">સાઈમન વીલેન્ડ (સ્વિટ્ઝર્લૅન્ડ)</p><p style="text-align: justify; ">થોમસ રોહલર (જર્મની)</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/ZQYBy8LBmgXlHyY1AXRQwO7F2gQ5xJMQHAaQK1oS.webp'/></item><item><title><![CDATA[India Oil Production: સમુદ્રમાં તેલના 60 કૂવા ખોદશે ભારત, દરેક કૂવા પાછળ સરકાર 650 કરોડ ખર્ચશે ]]></title><link>https://sandesh.com/business/news/india-oil-production-india-will-drill-60-oil-wells-in-the-sea-the-government-will-spend-650-crores-for-each-well</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india-oil-production-india-will-drill-60-oil-wells-in-the-sea-the-government-will-spend-650-crores-for-each-well</guid><pubDate>Tue, 04 Aug 2026 19:01:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની અસ્થિર કિંમતો અને વિદેશી આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટે ભારત સરકારે એક ઐતિહાસિક અને સાહસિક કદમ ઉઠાવ્યું છે. દેશને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે સરકારે વિશિષ્ટ ‘સમુદ્ર મંથન’ (Samudra Manthan) યોજનાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ ભારતીય દરિયાઈ સીમામાં 60 નવા તેલના કૂવા ખોદવાનું મહત્વાકાંક્ષી આયોજન કરવામાં આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>દરેક કૂવા પાછળ 650 કરોડનો ખર્ચ</b></h2><p style="text-align: justify; ">દરિયાના ઊંડા પાણીમાં તેલ અને ગેસના ભંડારો શોધવા એ અત્યંત જટિલ અને ખર્ચાળ પ્રક્રિયા છે. આથી જ, ભારત સરકાર આ મેગા પ્રોજેક્ટ માટે કમર કસી રહી છે. મિશન ‘સમુદ્ર મંથન’ હેઠળ દરિયામાં દરેક ઊંડા તેલના કૂવા (Deepsea Well)ના ડ્રિલિંગ માટે અંદાજે 650 કરોડનો અધધ ખર્ચ કરવામાં આવશે. આ રોકાણ દેશના ઊર્જા ભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.</p><h3 style="text-align: justify; "><b>આયાત પરનું નિર્ભરતા ઘટાડવાનો માસ્ટરપ્લાન</b></h3><p style="text-align: justify; ">હાલમાં ભારત પોતાની જરૂરિયાતનું 85% થી વધુ ક્રૂડ ઓઈલ વિદેશમાંથી આયાત કરે છે, જેના કારણે દેશની તિજોરી પર કરોડો ડોલરનું ભારે બોજ પડે છે. આ નવી યોજનાનો મુખ્ય હેતુ દેશમાં જ ક્રૂડ ઓઈલ અને નૈસર્ગિક ગેસનું ઉત્પાદન વધારીને આ મોંઘી આયાતમાં મોટો કાપ મૂકવાનો છે. જો આ 60 કૂવાઓમાંથી ધાર્યા મુજબ તેલ અને ગેસનો જથ્થો મળી આવશે, તો ભારતનું વિદેશી હૂંડિયામણ બચશે અને સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ સ્થિરતા લાવી શકાશે.</p><h4 style="text-align: justify; "><b>આધુનિક ટેકનોલોજી અને વૈશ્વિક તકો</b></h4><p style="text-align: justify; ">દરિયાની ઊંડાઈમાં ડ્રિલિંગ કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરની અદ્યતન ટેકનોલોજી અને નિષ્ણાતોની મદદ લેવામાં આવશે. હિંદ મહાસાગર, બંગાળની ખાડી અને અરબી સમુદ્રના સંભવિત વિસ્તારોમાં આ સર્વેક્ષણ અને ડ્રિલિંગ હાથ ધરવામાં આવશે. આ પ્રોજેક્ટથી ભારતનું એનર્જી સેક્ટર વધુ મજબૂત બનશે જ, સાથે સાથે દેશમાં ટેકનિકલ ક્ષેત્રે નવી રોજગારીની તકો પણ ઊભી થશે. સરકારનું આ કદમ ભારતને 'ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર' બનાવવાની દિશામાં એક માઈલસ્ટોન સાબિત થશે. સમુદ્રમાંથી તેલ મેળવવાનું આ 'મંથન' ભારતની આર્થિક સ્થિતિને એક નવી ઊંચાઈ પર લઈ જવાની ક્ષમતા ધરાવે છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/india/news/yogi-adityanath-cm-yogis-attack-on-ram-temple-donation-theft-sadhus-and-saints-are-not-guilty-oppositions-behavior-is-anti-sanatan" target="_blank">આ પણ વાંચો: Yogi Adityanath: રામ મંદિર ચંદા ચોરી પર CM યોગીના પ્રહાર-વિપક્ષનું વર્તન સનાતન વિરોધી</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/04/FpA8IMNnT7gF90illP5yJAGaZZThrvz79iKBvAST.webp'/></item></channel></rss>