<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ratan Tataના નિધન બાદ ₹10,000 કરોડના શેરોનો વિવાદ, જાણો શું છે આખો મામલો ]]></title><link>https://sandesh.com/business/news/controversy-over-shares-worth-10000-crore-after-ratan-tatas-death-know-what-the-whole-matter-is</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/controversy-over-shares-worth-10000-crore-after-ratan-tatas-death-know-what-the-whole-matter-is</guid><pubDate>Sat, 05 Sep 2026 16:11:52 +05:30</pubDate><description><![CDATA[<p>Ratan Tataના નિધન બાદ તેમની વિરાસતને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. ટાટા સન્સના પૂર્વ ચેરમેનની વસિયતમાં નોંધાયેલા લગભગ ₹10,000 કરોડના શેરો પર હવે સવાલ ઊભો થયો છે. મહારાષ્ટ્ર ચેરિટી કમિશનરના  2 સપ્ટેમ્બરના એક નિર્ણય બાદ આ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. વિવાદનું મુખ્ય કારણ રતન ટાટાના પિતા નવલ ટાટા દ્વારા શેરોને લઈને કરવામાં આવેલો એક જૂનો કરાર છે.</p><h2><b>1989ના કરારમાં હતી ખાસ શરત</b></h2><p>વર્ષ 1989માં નવાજબાઈ રતન ટાટા ટ્રસ્ટ (NRTT)એ નવલ ટાટાને શેર ટ્રાન્સફર કર્યા હતા. આ ટ્રાન્સફર દરમિયાન જાણીતા કાયદાશાસ્ત્રી નાની પાલખીવાળાની સલાહથી કેટલીક ખાસ શરતો રાખવામાં આવી હતી. શરત એવી હતી કે નવલ ટાટા પોતાના જીવનકાળ દરમિયાન આ શેરો કોઈ બહારની વ્યક્તિને આપી શકશે નહીં. જો તેઓ શેર આપવા ઈચ્છે તો માત્ર પોતાની પત્ની અથવા બાળકોને જ આપી શકે. સૌથી મહત્વની વાત એ હતી કે તેમના બાળકો પર પણ આ જ નિયમ લાગુ પડશે. એટલે કે બાળકો પણ આ શેરો પોતાના પરિવારના સભ્યો સિવાય કોઈ ત્રીજા પક્ષને આપી શકશે નહીં. આ શરતનો મુખ્ય હેતુ ટાટા સન્સના શેરોને ટાટા પરિવાર પાસે જ સુરક્ષિત રાખવાનો હતો.</p><h3><b>વસિયતના કારણે ઊભો થયો મોટો પ્રશ્ન</b></h3><p>સમસ્યા ત્યારે શરૂ થઈ જ્યારે રતન ટાટાએ પોતાની વસિયતમાં ટાટા સન્સની 0.83 ટકા હિસ્સેદારી બે ચેરિટી સંસ્થાઓના નામે કરી દીધી. આ બે સંસ્થાઓ છે રતન ટાટા એન્ડોવમેન્ટ ટ્રસ્ટ (RTET) અને રતન ટાટા એન્ડોવમેન્ટ ફાઉન્ડેશન (RTEF). ટાટા સન્સમાં 0.83 ટકા હિસ્સેદારીની અંદાજિત કિંમત ₹10,000 કરોડથી વધુ હોવાનું કહેવાય છે. ચેરિટી કમિશનર અમોઘ કાલોટીના નિર્ણય મુજબ, જો રતન ટાટાએ આ શેરો બહારની ચેરિટી સંસ્થાઓને આપીને જૂની શરતોનું ઉલ્લંઘન કર્યું હોય, તો NRTTના ટ્રસ્ટીઓ યોગ્ય પગલાં લઈ શકે છે. આ કારણે નવલ ટાટાની જૂની શરતો અને રતન ટાટાની વસિયત વચ્ચે સીધો ટકરાવ ઊભો થયો છે.</p><h4><b>વિવાદને પરિવારમાં જ ઉકેલવાની તૈયારી</b></h4><p>આ મામલાનો ઉકેલ લાવવા માટે NRTTના ટ્રસ્ટીઓ હવે રતન ટાટાની વસિયતના એગ્ઝિક્યુટર્સ એટલે કે વસિયતના અમલ માટે નિયુક્ત કરાયેલા લોકોનો સંપર્ક કરી શકે છે. NRTTના ટ્રસ્ટીઓમાં નોએલ ટાટા, વેણુ શ્રીનિવાસન અને વિજય સિંહ જેવા નામ સામેલ છે. રતન ટાટાએ પોતાની વસિયત માટે ડેરિયસ ખંભાટા, મેહલી મિસ્ત્રી અને શિરીન જેજીભોય સહિત ચાર એગ્ઝિક્યુટર્સની નિમણૂક કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે આ વિવાદને કોર્ટમાં લઈ જવાને બદલે પરિવારની અંદર ચર્ચા કરીને ઉકેલવાનો પ્રયાસ થઈ શકે છે.</p><p><b><a href="https://sandesh.com/business/news/ratan-tata-has-a-net-worth-of-rs-12-lakh-he-gets-this-much-money-in-pension-every-month" target="_blank">આ પણ વાંચો: Ratan Tataનો પેટ છે 12 લાખ રૂપિયાનો માલિક, દર મહિને પેન્શનમાં મળે છે આટલાં રૂપિયા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/wVfNQVjYIN9zhftoes9sroe2GNxEhd2Tcibo9zsK.webp'/></item><item><title><![CDATA[Kutchના માંડવીમાં નર્મદા કેનાલના અનિયમિત પાણીથી ખેડૂતોમાં ભારે રોષ, સિંચાઈના પાણી માટે નોંધાવ્યો વિરોધ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kutch/kachchh-mandvi-narmada-canal-farmers-protest</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kutch/kachchh-mandvi-narmada-canal-farmers-protest</guid><pubDate>Sat, 05 Sep 2026 16:10:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં નર્મદા કેનાલમાંથી અચાનક પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવતાં સ્થાનિક ખેડૂતોમાં ભારે અસંતોષ અને રોષની લાગણી જન્મી છે. કેનાલમાં અનિયમિત પાણી આવવાના કારણે સિંચાઈ પર નિર્ભર ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગંભીર સમસ્યાને લઈને માંડવી તાલુકાના 6 જેટલા ગામોના અંદાજે 400થી વધુ ખેડૂતો 320 કેનાલ ગેટ ખાતે એકત્રિત થઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>અચાનક પાણી બંધ થતાં ખેડૂતોની મોટરો બળી&nbsp;</b></h2><p style="text-align: justify; ">ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે કેનાલમાં આગોતરી જાણ કર્યા વિના જ અચાનક પાણી બંધ કરી દેવામાં આવ્યું હતું. સિંચાઈ માટે ચાલુ રખાયેલી મોટરો અચાનક પાણી સુકાઈ જતાં બળી ગઈ હતી. પ્રાથમિક અંદાજ મુજબ આશરે 25થી 30 ખેડૂતોની મોટરો બળી જતાં તેમને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. અચાનક સર્જાયેલી આ સ્થિતિના કારણે ખેડૂતોના તૈયાર પાકને પણ અસર પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે.</p><h3 style="text-align: justify; "><b>ખેડૂતોએ કરી નિયમિત પાણી આપવાની માગ</b></h3><p style="text-align: justify; ">આ વિરોધ પ્રદર્શનમાં પિયાવા, કોડાય, મસ્કા, બાગ, નાગલપુર અને પીપરી ગામના ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા. ખેડૂતોએ માંગ કરી છે કે ગેટ-પેકેજ નિયમ પ્રમાણે કેનાલમાં 1થી 1.5 મીટર સુધી પાણીની ભરતી કરવામાં આવે અને ત્યારબાદ જ આગળના ગેટ તરફ પાણી છોડવામાં આવે. કેનાલ નિગમ અને વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવીને ખેતી માટે નિયમિત અને વ્યવસ્થિત પાણી પૂરું પાડવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/FGufwtWW5em7WI3UZ6bZzMPlyUvfAtZjyER7puUV.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : સોલાર ઇન્વર્ટરના નામે 1.46 કરોડ ચાંઉ કરનાર ઠગ રાજકોટથી ઝડપાયો, ઈ-વે બિલ મોકલી ખેલ પાડી દીધો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-bapunagar-police-arrested-fraudster-solar-inverter-crores-scam</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-bapunagar-police-arrested-fraudster-solar-inverter-crores-scam</guid><pubDate>Sat, 05 Sep 2026 16:07:28 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરના બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોલાર ઇન્વર્ટર આપવાના બહાને એક વેપારી સાથે 1.46 કરોડથી વધુ રકમની છેતરપિંડી અને વિશ્વાસઘાત આચરવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. જોકે, ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને બાપુનગર પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપીની રાજકોટથી અટકાયત કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>સોલાર ઇન્વર્ટર સપ્લાય કરવાનું વચન આપીને વિશ્વાસમાં લીધા</b></h2><p style="text-align: justify; ">મળતી વિગતો મુજબ, આરોપીએ ફરિયાદી વેપારીને સોલાર ઇન્વર્ટર સપ્લાય કરવાનું વચન આપીને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ બેંક ટ્રાન્સફર મારફતે બે તબક્કામાં કુલ 1,46,73,913 રુપિયા  મેળવી લીધા હતા, જેમાં પ્રથમ વખત  રુપિયા 56,38,957 અને બીજી વખત રુપિયા 90,34,956 ટ્રાન્સફર કરાવ્યા હતા. વિશ્વાસ સંપાદિત કરવા માટે આરોપીએ ફેક ઇન્વોઇસ અને ઈ-વે બિલ બનાવીને વેપારીને મોકલી આપ્યા હતા, પરંતુ જે-તે સમયે માલની ડિલિવરી કરી ન હતી.</p><h3 style="text-align: justify; "><b>બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ</b></h3><p style="text-align: justify; ">સતત વાયદા કર્યા બાદ પણ સોલાર ઇન્વર્ટર ન મળતા ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. આ મામલે 03 સપ્ટેમ્બર 2026ના રોજ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.</p><h4 style="text-align: justify; "><b>હિતેશ રમેશભાઈ ભુવાની ધરપકડ&nbsp;</b></h4><p style="text-align: justify; ">ફરિયાદ નોંધાતા જ પોલીસે ખાસ તપાસ ટીમની રચના કરી હતી. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે રાજકોટ ખાતે દરોડો પાડીને આરોપી હિતેશભાઈ રમેશભાઈ ભુવાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે આરોપી સામે અગાઉ પણ છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનાઓ નોંધાયેલા છે. હાલ બાપુનગર પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરુ કરી છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp;&nbsp;<a href="https://sandesh.com/india/news/nepal-flash-flood-india-climate-change-response-developed-countries" target="_blank"><b>&nbsp;Nepal Flood : ફ્લેશ ફ્લડ પર નેપાળને ભારતનો જવાબ, વિકસિત દેશોએ જ વિકાસશીલ દેશોની મદદ કરવી જોઈએ</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/wQdUZQ99MVGY5AaPk2BSYCCJhGPw04nuHiHTLrEW.webp'/></item><item><title><![CDATA[Bigg Boss 20માં બાદશાહની એક્સ-વાઇફ ઈશા રિખીની એન્ટ્રી, તૂટેલા સંબંધો પર આપ્યું ચોંકાવનારું નિવેદન! ]]></title><link>https://sandesh.com/entertainment/news/bigg-boss-20-isha-rikhi-badshah-ex-wife-entry</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/bigg-boss-20-isha-rikhi-badshah-ex-wife-entry</guid><pubDate>Sat, 05 Sep 2026 15:58:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડના લોકપ્રિય રેપર બાદશાહ હાલમાં પોતાની પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં છે. તેણે 31 ઓગસ્ટે પોતાની પત્ની અને પંજાબી અભિનેત્રી ઈશા રિખીથી અલગ થવાની વાત કન્ફર્મ કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે બાદશાહ અને ઈશા લગ્નના માત્ર 5 મહિના બાદ જ અલગ થઈ ગયા છે. આ દરમિયાન એવા સમાચાર આવ્યા હતા કે ઈશા રિયાલિટી શો બિગ બોસ 20માં જોવા મળી શકે છે. હવે સલમાન ખાનના શોમાં તેની એન્ટ્રી કન્ફર્મ થઈ ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>બિગ બોસ 20નો પ્રોમો થયો રિલીઝ</b></h2><p style="text-align: justify; ">જિયો હોટસ્ટારે બિગ બોસ 20નો નવો પ્રોમો શેર કર્યો છે, જેમાં ઈશા રિખી પ્રેમમાં મળેલા દગા વિશે વાત કરતી જોવા મળી રહી છે. જોકે, નિર્માતાઓએ તેનો સંપૂર્ણ ચહેરો બતાવ્યો નથી, પરંતુ તેના અવાજ અને વાતો પરથી યુઝર્સે તેને ઓળખી લીધી છે. નિર્માતાઓએ પ્રોમો શેર કરતાં કેપ્શનમાં લખ્યું, આ ઝલક જોઈને તમને ખાતરી થઈ ગઈ કે અમે હજુ કંઈક વધુ કહીએ?<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dc30LB_MhmA/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dc30LB_MhmA/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dc30LB_MhmA/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dc30LB_MhmA/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h3 style="text-align: justify; "><b>ઈશા રિખી થઈ ઈમોશનલ</b></h3><p style="text-align: justify; ">સામે આવેલા પ્રોમોમાં ઈશા રિખી ખૂબ જ ઈમોશનલ જોવા મળી રહી છે. રડતા રડતા તેણે કહ્યું, હું પંજાબી અને હિન્દી ફિલ્મોમાં એક્ટિંગ કરી ચૂકી છું... એ મારી જિંદગીનો સૌથી સારો સમય હતો. ત્યાર બાદ મને પ્રેમ થયો અને... મેં જે કંઈ સહન કર્યું... આઈ એમ સોરી... જ્યારે કેટલાક સંબંધોમાંથી તમારો વિશ્વાસ તૂટી જાય છે ત્યારે...<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DYMNOLWkV2X/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DYMNOLWkV2X/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DYMNOLWkV2X/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DYMNOLWkV2X/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>બાદશાહ અને ઈશા રિખીના લગ્ન ક્યારે થયા?</b></h4><p style="text-align: justify; ">બાદશાહ અને ઈશા રિખીએ માર્ચ 2026માં એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા હતા. ત્યાર બાદ જૂનમાં ઈશાએ ઇન્સ્ટાગ્રામના આસ્ક મી એનિથિંગ સેશન દરમિયાન બાદશાહ સાથેના પોતાના લગ્નની પુષ્ટિ કરી હતી. જોકે, જુલાઈમાં બંનેના સંબંધોમાં અણબનાવના સમાચાર સામે આવવા લાગ્યા હતા. આ દરમિયાન ઈશાએ બાદશાહ સાથે વિતાવેલી પળોની તસવીરો અને વીડિયોનું એક મોન્ટેજ શેર કર્યું હતું, જેની સાથે તેમણે એક ક્રિપ્ટિક કેપ્શન લખ્યું હતું, દરેક તોફાન એક શીખ છે. દરેક પ્રાર્થના એક આશા છે.<br><img alt="Bigg Boss 20, Isha Rikhi (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/05/jSXCIsw2I3t1SSoLCzsEAjs9HgCUVhfJxiczRTnA.webp"><br></p><h4 style="text-align: justify; "><b>કોણ છે ઈશા રિખી?</b></h4><p style="text-align: justify; ">ઈશા રિખી પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી અને મોડલ છે. તેણે વર્ષ 2013માં પંજાબી ફિલ્મ જટ્ટ બોયઝ પુત્ત જટ્ટાં દેથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેણે હેપ્પી ગો લકી, અરદાસ અને જટ્ટ એન્ડ જુલિયટ જેવી અનેક પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે. ઈશાએ વર્ષ 2018માં ફિલ્મ નવાબઝાદેથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં વરુણ ધવન અને રાઘવ જુયાલ જેવા કલાકારો જોવા મળ્યા હતા.</p><h4 style="text-align: justify; "><b>બિગ બોસ 20 ક્યારે શરૂ થશે?</b></h4><p style="text-align: justify; ">બિગ બોસ 20ની વાત કરીએ તો શોના કન્ફર્મ સ્પર્ધકોમાં રોહેડ ખાન, કુશલ તંવર ઉર્ફે ગુલ્લુ, રીતિ તિવારી, મેરી કોમ, આમ્રપાલી દુબે, કાઝી તૌકીર, ખુશી દુબે, ગીતા બસ્રા, શૌવિક ચક્રવર્તી, અમન ગાંધી અને અર્શિફા ખાન જેવા સેલેબ્સના નામ સામેલ છે. બિગ બોસ 20નું ગ્રાન્ડ પ્રીમિયર 6 સપ્ટેમ્બર 2026ના રોજ રાત્રે 9 વાગ્યે થશે. શો જિયો હોટસ્ટાર અને કલર્સ ટીવી પર જોઈ શકાશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/mirzapur-the-movie-fourth-biggest-a-rated-opener" target="_blank">આ પણ વાંચો-Mirzapur The Movie બની ચોથી સૌથી મોટી A રેટેડ ઓપનર! 6 બ્લોકબસ્ટર ફિલ્મોને ચટાડી ધૂળ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/dlMNIjClc5DiqAmS6IICfMksudG3zqVXfs8yrqBc.webp'/></item><item><title><![CDATA[Kheda News: ડાકોરમાં જન્માષ્ટમી અને નંદ મહોત્સવની ઉજવણી, મટકી ફોડ સાથે કૃષ્ણ ભક્તિનો રંગ જામ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dakor/dakor-ranchhodraiyi-temple-janmashtami-nand-mahotsav</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dakor/dakor-ranchhodraiyi-temple-janmashtami-nand-mahotsav</guid><pubDate>Sat, 05 Sep 2026 15:56:22 +05:30</pubDate><description><![CDATA[<p>ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં શ્રી રાજા રણછોડરાયજીના ધામ ખાતે કૃષ્ણ જન્માષ્ટમી પર્વની અત્યંત ધામધૂમ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમી નિમિત્તે ડાકોરમાં દેશ-વિદેશથી હજારો ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી, જેના કારણે મંદિર પરિસરમાં હૈયે હૈયું દળાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. શ્રદ્ધાળુઓની લાગણી અને સુવિધાને ધ્યાનમાં રાખીને શ્રીજીના દર્શન માટે આખી રાત મંદિરના દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા હતા. મોડી રાત સુધી ભક્તોએ કાનુડાના દિવ્ય દર્શનનો લહાવો લીધો હતો.</p><h2><b>ગગનભેદી નારાઓ સાથે ભક્તિમય વાતાવરણ અને યુવાનોમાં અનોખો ઉત્સાહ</b></h2><p>જન્માષ્ટમીની મોડી રાત્રે કાનુડાના જન્મની ક્ષણે સમગ્ર ડાકોર નગરી 'નંદ ઘેર આનંદ ભયો, જય કન્હૈયા લાલ કી' અને 'હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી'ના ગગનભેદી નારાઓથી ગુંજી ઊઠી હતી. મંદિર પરિસરમાં ઉપસ્થિત યુવાનો અને યુવતીઓ સહિત તમામ શ્રદ્ધાળુઓ ઢોલ-નગારાના તાલે નાચતા-ગાતા કૃષ્ણ ભક્તિમાં લીન જોવા મળ્યા હતા.</p><p><img alt="Kheda News: Dakor Janmashtami Celebration: Ranchhodraiyi Temple Holds Grand Nand Mahotsav" src="https://epapercdn.sandesh.com/images/2026/09/05/5iNs06mw4BrByIG6frVsAg2LcHCKsaLCwF1Ndacs.webp"><br></p><h2><b>સેવક-પૂજારીઓની આબેહૂબ વેશભૂષા સાથે યોજાયો ભવ્ય નંદ મહોત્સવ</b></h2><p>જન્માષ્ટમીના પાવન પર્વ બાદ બીજા દિવસે ડાકોરમાં પરંપરાગત ભવ્ય નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિરના સેવક-પૂજારીઓએ નંદ-યશોદા અને ગોપ-ગોપીઓની આબેહૂબ વેશભૂષા ધારણ કરી હતી. આ મનોહર વેશભૂષા સાથે મંદિર પરિસરમાં ઉત્સાહભેર મટકી ફોડ અને દહીંહાંડી મહોત્સવનું આયોજન કરાયું હતું.</p><p><img alt="Kheda News: Dakor Janmashtami Celebration: Ranchhodraiyi Temple Holds Grand Nand Mahotsav" src="https://epapercdn.sandesh.com/images/2026/09/05/tXuKyMtIg1lLBsTN7PTeTII5sL2IuRtWJxb8iKoN.webp"><br></p><h2><b>માખણ-મિસરી અને ચોકલેટની ઉછામણ સાથે કૃષ્ણભક્તિનો રંગ ગાઢ બન્યો</b></h2><p>નંદ મહોત્સવ દરમિયાન ભક્તો, શ્રદ્ધાળુઓ અને સ્થાનિક નાગરિકોએ ઉલ્લાસભેર આનંદ લૂંટ્યો હતો. લોકોએ નાના ભૂલકાઓ પાસે માખણ, દહીં, ચોકલેટ અને પીપરમિન્ટની ઉછામણ કરાવીને કૃષ્ણ જન્મોત્સવની ખુશીઓ મનાવી હતી. જન્માષ્ટમી બાદ નંદ મહોત્સવની ઉજવણીથી સમગ્ર ડાકોરમાં ભક્તિનો રંગ વધુ ઘાટો અને મનોહર બન્યો હતો.</p><p><img alt="Kheda News: Dakor Janmashtami Celebration: Ranchhodraiyi Temple Holds Grand Nand Mahotsav" src="https://epapercdn.sandesh.com/images/2026/09/05/cXohGFG7DJudCXTRWUDWe9d2VMPoqjD8vQtp57t3.webp"><br></p><p><br></p><p>આ પણ વાંચો: Surat :<a href="https://sandesh.com/gujarat/news/crime/surat/surat-girl-death-restaurant-food-fsl-report-no-poison-mystery" target="_blank"> રેસ્ટોરન્ટનું ભોજન ખાધા બાદ 4 વર્ષની બાળકીનું મોત, તપાસનો રિપોર્ટ આવતા કેસમાં આવ્યો ચોંકાવનારો વળાંક</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/Bz0kFjSJwCr0o1Omg0TaUkf0EwdSzlYTGI8h1lQe.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: સોલા GMERS માં સ્થાયી મેડિકલ બોર્ડની રચના, 8 જિલ્લાના શિક્ષકો અને GSRTC કર્મચારીઓને મોટી સુવિધા ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/sola-gmers-permanent-medical-board-constituted-for-teachers-gsrtc-staff</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/sola-gmers-permanent-medical-board-constituted-for-teachers-gsrtc-staff</guid><pubDate>Sat, 05 Sep 2026 15:45:02 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદની અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યભરના દર્દીઓ ઉપરાંત સરકારી કર્મચારીઓ ખાસ કરીને શિક્ષણ વિભાગ અને એસ.ટી. નિગમના મેડિકલ સર્ટિફિકેટ મેળવવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. આના પરિણામે મેડિકલ બોર્ડ પર કામગીરીનું ભારે ભારણ રહેતું હતું. આ સમસ્યાના કાયમી ઉકેલરૂપે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સોલા GMERS મેડિકલ કોલેજ ખાતે 'સ્થાયી મેડિકલ બોર્ડ' ની સ્થાપના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.</p><h2><b>સોલા GMERS માં સ્થાયી મેડિકલ બોર્ડની રચના</b></h2><p>આ નવા બોર્ડની રચના થવાથી શિક્ષણ વિભાગના વર્ગ-3 ના કર્મચારીઓ જેવા કે શિક્ષકો અને વિદ્યાસહાયકો તેમજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ના વર્ગ-5 અને વર્ગ-4 ના કર્મચારીઓને તબીબી તપાસ કરાવવી વધુ સુલભ બનશે.સોલા GMERS નું આ મેડિકલ બોર્ડ ખાસ કરીને ગંભીર બીમારી કે તબીબી કારણોસર બદલી, કક્ષાબદલી કે નોકરી સંબંધિત તબીબી રાહત માંગતા કર્મચારીઓની ચોક્કસ શારીરિક તપાસ કરશે અને અધિકૃત રીતે ‘ફિટ’ કે ‘અનફિટ’ સર્ટિફિકેટ જારી કરશે.</p><h3><b>8 જિલ્લાના શિક્ષકો અને GSRTC કર્મચારીઓને મોટી સુવિધા</b></h3><p>અમદાવાદ શહેર/ગ્રામ્ય સહિત ઉત્તર ગુજરાત અને આસપાસના કુલ 8 જિલ્લાના શિક્ષકો અને વિદ્યાસહાયકો હવે અસારવા સિવિલના બદલે સોલા GMERS માંથી પ્રમાણપત્ર મેળવી શકશે. એસ.ટી. નિગમના અમદાવાદ, મહેસાણા, હિંમતનગર અને પાલનપુર વિભાગ હેઠળ ફરજ બજાવતા ડ્રાઇવર, કંડક્ટર અને વર્ગ-3/4 ના કર્મચારીઓને આ બોર્ડનો સીધો લાભ મળશે.આ નિર્ણયથી કર્મચારીઓનો કિંમતી સમય બચશે અને અસારવા સિવિલ હોસ્પિટલના જનરલ દર્દીઓ પરનું ધ્યાન વધુ કેન્દ્રિત કરી શકાશે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/deesa/railway-station-char-rasta-main-gas-pipeline-leakage" target="_blank">આ પણ વાંચો: Deesa: રેલવે સ્ટેશન ચાર રસ્તા નજીક મુખ્ય ગેસ પાઇપલાઇનમાં ભંગાણ, હવામાં ફુવારાની જેમ ફેલાયો ગેસ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/A6TKx7lMYlTaHQukXPAoRrylJcEcoKoNCA84NgGK.webp'/></item><item><title><![CDATA[Rajkotમાં ‘વિરાસતથી વિકાસ’ લોકમેળાનો ચોથો દિવસ, બાળપણની સોનેરી યાદો તાજી થયાનો મુલાકાતીઓનો પ્રતિસાદ ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-virasat-thi-vikas-lokmelo-fourth-day-crowd</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-virasat-thi-vikas-lokmelo-fourth-day-crowd</guid><pubDate>Sat, 05 Sep 2026 15:34:03 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આયોજિત પવિત્ર જન્માષ્ટમીનો ‘વિરાસતથી વિકાસ’ શિર્ષક હેઠળનો લોકમેળો ચોથા દિવસે પણ જનમેદનીથી ધમધમી ઊઠ્યો છે. મેળાની મજા માણવા અને આહલાદક માહોલનો અનુભવ કરવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. લોકમેળાના વિવિધ સ્ટોલ્સ અને પરિસરમાં ઉમટેલી લોકોની ભીડને પગલે સમગ્ર મેળા પરિસર ઉત્સવમય બની ગયું છે.</p><h2 style="text-align: justify;"><b>સો.મીડિયાના યુગમાં પણ મેળો બન્યો મુલાકાતનું કેન્દ્ર</b></h2><p style="text-align: justify;">મેળામાં પહોંચેલા મુલાકાતીઓ અને પ્રજાજનોએ પોતાના અનુભવો શેર કરતા જણાવ્યું હતું કે મેળામાં પગ મૂકતાં જ બાળપણની સોનેરી યાદો તાજી થઈ જાય છે. પહેલાના સમયમાં સોશિયલ મીડિયા જેવા માધ્યમો ન હોવાથી મેળો જ સગા-સંબંધીઓ અને મિત્રોને મળવાનું મુખ્ય સ્થળ બનતો હતો. જોકે, કેટલાક મુલાકાતીઓના મતે ગત વર્ષની સરખામણીએ આ વખતે મેળામાં લોકોની એકંદર હાજરી થોડી ઓછી જોવા મળી રહી છે.</p><h3 style="text-align: justify;"><b>રાઈડ્સ અને રમકડાંની દુકાનો પર જમાવડો</b></h3><p style="text-align: justify;">મેળામાં આવેલા બાળકો, યુવાનો અને મોટેરાઓએ વિવિધ રાઈડ્સ અને ચકડોળની સવારીનો રોમાંચક આનંદ માણ્યો હતો. ખાણીપીણીના ચટાકેદાર સ્ટોલ્સ તેમજ રમકડાંની ખરીદી માટે લોકોનો ભારે જમાવડો જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા સલામતી અને ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે તે માટે જરૂરી તમામ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી નાગરિકો શાંતિપૂર્વક મેળાની મજા માણી શકે.</p><p style="text-align: justify;"><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/mOo62ILcNC2PwmqzmQ5wJBb36zaqkdUrVxQIZZLZ.webp'/></item><item><title><![CDATA[Delhi જંતર-મંતર હિંસા કેસ: સ્વતંત્ર ભારદ્વાજની ધરપકડ, POCSO સહિતની કલમો ઉમેરાઈ ]]></title><link>https://sandesh.com/india/news/delhi-jantar-mantar-violence-case-swatantra-bharadwaj-arrested-sections-including-pocso-added</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/delhi-jantar-mantar-violence-case-swatantra-bharadwaj-arrested-sections-including-pocso-added</guid><pubDate>Sat, 05 Sep 2026 15:34:01 +05:30</pubDate><description><![CDATA[<p>Delhiના જંતર-મંતર ખાતે CJPના વિરોધ પ્રદર્શન દરમિયાન એક નાબાલિક વિદ્યાર્થીનીના પિતા પર હુમલો કરવાના આરોપી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સ્વતંત્ર ભારદ્વાજને દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના બુલંદશહરમાંથી કસ્ટડીમાં લીધો છે. ધરપકડથી બચવા માટે તે બુલંદશહરના એક ગામમાં છુપાયો હતો. આ મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પોલીસે સ્વતંત્ર ભારદ્વાજ વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ નવી FIR નોંધાવી છે. આ ઉપરાંત જૂની FIRમાં SC/ST એક્ટની સંબંધિત કલમો પણ ઉમેરવામાં આવી છે.</p><p><b>હુમલા બાદ આપ્યું હતું ભડકાઉ નિવેદન</b></p><p>જુલાઈમાં CJPના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા બાદ સ્વતંત્ર ભારદ્વાજે સોશિયલ મીડિયા પર જાહેરમાં દાવો કર્યો હતો કે તેણે નાબાલિક વિદ્યાર્થીનીના પિતાના માથામાં ઈજા કરી છે. તેણે પોતાના રાજકીય સંપર્કોનો ઉલ્લેખ કરીને જેલમાં જવાથી બચી જવાની વાત પણ કરી હતી. આ નિવેદન બાદ CJPના સહ-સંયોજક સૌરવ દાસ અને આશુતોષ રંકા સમર્થકો તથા નેતાઓ સાથે દિલ્હી પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પોલીસે તેમને 72 કલાકમાં આરોપીની ધરપકડ કરવાની ખાતરી આપી હતી.</p><p><b>કેબ ડ્રાઈવરના ઘરે છુપાયો હતો</b></p><p>પોલીસથી બચવા માટે સ્વતંત્ર ભારદ્વાજ શુક્રવારે વહેલી સવારે બુલંદશહરના નૈથલા ગામમાં પહોંચ્યો હતો. અહીં તેણે હરિશંકર શર્મા નામના વ્યક્તિના ઘરે આશ્રય લીધો હતો. હરિશંકર દિલ્હી-NCRમાં કેબ ચલાવે છે. હરિશંકર શર્માએ જણાવ્યું કે સ્વતંત્ર અગાઉ એક મુસાફરી દરમિયાન તેને મળ્યો હતો. બાદમાં તેણે ફોન કરીને મળવા આવવાની વાત કરી હતી અને સવારે અન્ય એક વ્યક્તિ સાથે તેના ઘરે પહોંચ્યો હતો. શરૂઆતમાં હરિશંકરને કોઈ શંકા થઈ નહોતી. પરંતુ જ્યારે ગામમાં મીડિયાકર્મીઓ પહોંચવા લાગ્યા ત્યારે તેને કંઈક ગરબડ હોવાની શંકા ગઈ.</p><p><b>કેબ ડ્રાઈવર પાસેથી મોટરસાઈકલ માંગી</b></p><p>હરિશંકરના જણાવ્યા પ્રમાણે, બાદમાં સ્વતંત્રે ‘પાંચ મિનિટમાં પાછો આવું છું’ કહીને મોટરસાઈકલ માંગી હતી. બપોરે લગભગ 2 વાગ્યે દિલ્હી ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી હતી. પોલીસે સ્વતંત્રને કહ્યું, “અમે ક્રાઈમ બ્રાન્ચમાંથી છીએ, સ્વતંત્ર અમારી સાથે ચાલો.” ત્યારબાદ ટીમ તેને પોતાની સાથે લઈ ગઈ. આ પછી જ હરિશંકરને ખબર પડી કે સ્વતંત્ર દિલ્હી પોલીસના એક ગુનાહિત કેસમાં વોન્ટેડ હતો.</p><p><b>સ્થાનિક પોલીસને પણ મોડેથી માહિતી મળી</b></p><p>બુલંદશહરના સ્થાનિક લોકોએ જણાવ્યું કે સાદા કપડાંમાં આવેલી દિલ્હી પોલીસની ટીમે સ્વતંત્રને ધમેડા નરા ગામ પાસે પકડી લીધો હતો. બીજી તરફ, સિકંદરાબાદના CO દીપક કુમારે જણાવ્યું કે સોશિયલ મીડિયા દ્વારા સ્થાનિક પોલીસને સ્વતંત્રની હાજરીની જાણ થઈ હતી. જોકે સ્થાનિક પોલીસની ટીમ પહોંચે ત્યાં સુધી દિલ્હી પોલીસ તેને પોતાની સાથે લઈ જઈ ચૂકી હતી.&nbsp;</p><p><b>કોણ છે સ્વતંત્ર ભારદ્વાજ?</b></p><p>સ્વતંત્ર ભારદ્વાજ મૂળ બિહારનો રહેવાસી છે. તે દિલ્હીમાં રહીને અભ્યાસ અને સરકારી નોકરીની તૈયારી કરતો હતો. સોશિયલ મીડિયા પર તે પોતાને ‘સનાતની યોદ્ધા’ તરીકે રજૂ કરે છે. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર અનેક ભડકાઉ અને કથિત નફરતભર્યા વીડિયો જોવા મળે છે.</p><p><b>નાબાલિક વિદ્યાર્થીનીએ વ્યક્ત કર્યું દુઃખ</b></p><p>આ મામલે FIR નોંધાવનાર નાબાલિક વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે હુમલા બાદ તેને અને તેના પરિવારને મૌખિક દુર્વ્યવહાર તથા ધમકીઓ આપવામાં આવી હતી. વિદ્યાર્થીનીએ જણાવ્યું કે ઘટના બાદ તેના માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું હતું. કેટલાક અઠવાડિયા સુધી તે સ્કૂલે પણ જઈ શકી નહોતી, કારણ કે તેને લાગતું હતું કે દરેક વ્યક્તિ તેને જજ કરી રહ્યો છે. હવે તેને આશા છે કે પોલીસ આ મામલે કડક કાર્યવાહી કરશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/abhijeet-dipke-nashik-tribal-students-protest-12-days-hunger-strike-590-deaths" target="_blank">આ પણ વાંચો: Abhijeet Dipkeએ હવે કરી મોટી જાહેરાત, જરૂર પડી તો અમે મુંબઇમાં પણ...</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/EfV8RNW4uHAfAPHTbE80lQVbwhHmRe0rlu3Xhuyk.webp'/></item><item><title><![CDATA[Jammu Kashmirમાં સુરક્ષાદળોને મોટી સફળતા, બડગામ એન્કાઉન્ટમાં લશ્કર-એ-તૈયબાનો આતંકી યાસિર ઠાર ]]></title><link>https://sandesh.com/india/news/jammu-kashmir-budgam-operation-ashdar-lashkar-terrorist-yasir-killed-pakistani</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/jammu-kashmir-budgam-operation-ashdar-lashkar-terrorist-yasir-killed-pakistani</guid><pubDate>Sat, 05 Sep 2026 15:31:04 +05:30</pubDate><description><![CDATA[<p>Jammu Kashmir: જમ્મુ અને કાશ્મીર પોલીસે બડગામમાં એન્કાઉન્ટરમાં  લશ્કર-એ-તૈયબાના આતંકીને ઠાર માર્યો છે. પોલીસે જણાવ્યું છે કે બડગામમાં 'ઓપરેશન અશદર' દરમિયાન માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ યાસીર તરીકે થઈ છે. તે લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલો પાકિસ્તાની નાગરિક હતો. સુરક્ષા દળોએ તેના ખાત્માને મોટી સફળતા ગણાવી છે.</p><p><br></p><p>જમ્મુ અને કાશ્મીરના બડગામ જિલ્લામાં શુક્રવારે ઓપરેશન 'અશદર' દરમિયાન એક આતંકવાદી માર્યો ગયો હતો, અને હાલમાં આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સેનાએ જણાવ્યું હતું કે મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના અશદર ગલી વિસ્તારમાં ઓપરેશનના બીજા દિવસે આતંકવાદી માર્યો ગયો હતો.</p><p><br></p><p>શુક્રવારે 'X' પર એક પોસ્ટમાં, સેનાના બદામી બાગ સ્થિત ચિનાર કોર્પ્સે જણાવ્યું હતું કે ઓપરેશન અશદર બડગામ. ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને CRPF (શ્રીનગર) એ બડગામના અશદર ગલી વિસ્તારમાં સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું."</p><p><br></p><p>સેનાએ એક નિવેદન જારી કરીને કહ્યું, "સતર્ક સૈનિકોએ શંકાસ્પદ ગતિવિધિઓ જોઈ; જ્યારે તેમને પડકારવામાં આવ્યો, ત્યારે આતંકવાદીઓએ ગોળીબાર કર્યો, જેના કારણે જબરદસ્ત ગોળીબાર થયો. એન્કાઉન્ટર દરમિયાન એક આતંકવાદી માર્યો ગયો. એક AK રાઇફલ અને અન્ય યુદ્ધ સામગ્રી જપ્ત કરવામાં આવી." બડગામ જિલ્લામાં અગાઉ પણ મોટા આતંકવાદ વિરોધી કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં જાન્યુઆરી 2023 માં ચરાર-એ-શરીફ (જિનપંચલ/હપ્તનાર) અને રેડબુઘ (માગમ) વિસ્તારોમાં કામગીરીનો સમાવેશ થાય છે. જ્યાં લશ્કર-એ-તૈયબા (LeT) ના બે આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/vhp-bans-muslims-entry-in-maharashtra-navratri-garba-dandiya-events-for-10-days-festival" target="_blank"><b>Maharashtra: નવરાત્રિમાં મુસ્લિમોને NO Entry, વિશ્વ હિન્દુ પરિષદે જાહેર કર્યું નિયમોનું લિસ્ટ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/MKAbwjh7KHR6VVUxxZwaR3EinuhYS6o1vKX0sCFf.webp'/></item><item><title><![CDATA[US Open 2026: ના વરસાદ, ના કોઈ ટેકનિકલ ખામી, સ્ટેડિયમમાં ગાંજાની ગંધ અને રોકાઈ રમત.. ]]></title><link>https://sandesh.com/sports/news/us-open-2026-aryna-sabalenka-stops-play-after-smelling-marijuana-during-match--complains-to-umpire</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/us-open-2026-aryna-sabalenka-stops-play-after-smelling-marijuana-during-match--complains-to-umpire</guid><pubDate>Sat, 05 Sep 2026 14:00:42 +05:30</pubDate><description><![CDATA[<p>યુએસ ઓપનમાં શુક્રવારે (4 સપ્ટેમ્બર) એક અત્યંત વિચિત્ર દ્રશ્ય જોવા મળ્યું હતું. લુઇસ આર્મસ્ટ્રોંગ સ્ટેડિયમમાં વિશ્વની નંબર-1 ટેનિસ ખેલાડી આર્યના સબાલેન્કાએ મેચ દરમિયાન રમત અટકાવીને ફરિયાદ કરવી પડી હતી. રમત રોકવાનું કારણ ના વરસાદ, ના કોઈ ઈજા કે ટેકનિકલ ખામી નહીં, પરંતુ સ્ટેન્ડમાંથી આવી રહેલી ગાંજાની (Marijuana) તીવ્ર ગંધ હતી. રમત રમતી વખતે સ્ટેડિયમમાંથી આવતા ગાંજાની ગંધ&nbsp; સબાલેન્કાને સહન ના થઈ અને એમ્પાયરને ફરીયાદ કરી.</p><p><b>સ્ટેન્ડમાંથી આવતી તીવ્ર ગંધથી સબાલેન્કા પરેશાન</b></p><p>લુઇસ આર્મસ્ટ્રોંગ સ્ટેડિયમમાં કમિલા રાખીમોવા સામે ત્રીજા રાઉન્ડની મેચ દરમિયાન આ ઘટના બની હતી. મેચની ત્રીજી ગેમમાં જ્યારે સબાલેન્કા 30-0 ના સ્કોર પર સર્વ કરી રહી હતી, ત્યારે કોર્ટના દક્ષિણ છેડેથી તેને ગાંજાની ગંધ આવી હતી. તેણે તુરંત ચેર અમ્પાયર તરફ ફરીને સ્ટેન્ડ તરફ ઈશારો કર્યો અને કહ્યું, "કોઈ ગાંજો પી રહ્યું છે. શું તમે તેના વિશે કંઈક કરશો? કારણ કે આ ગંધ ખૂબ જ તીવ્ર છે અને તેને અવગણવી મુશ્કેલ છે."</p><p><b>અમ્પાયરે સ્ટાફને સ્ટેન્ડમાં મોકલ્યો</b></p><p>સબાલેન્કાની ફરિયાદ બાદ અમ્પાયરે તુરંત સ્ટેડિયમ સ્ટાફને મદદ માટે બોલાવ્યા હતા. યુએસ ઓપન સ્ટાફે સ્ટેન્ડમાં જઈને ગંધ ક્યાંથી આવી રહી છે તેની તપાસ હાથ ધરી હતી. આ ઘટનાના કારણે મેચ થોડા સમય માટે રોકવી પડી હતી, પરંતુ પરિસ્થિતિ થાળે પડતાં રમત ફરી શરૂ કરવામાં આવી હતી.</p><p><b>એડ્રિયન મન્નારિનોએ પણ કરી હતી ફરિયાદ</b></p><p>માત્ર સબાલેન્કા જ નહીં, પરંતુ ટેનિસ ખેલાડી એડ્રિયન મન્નારિનોએ પણ આ ટુર્નામેન્ટ દરમિયાન સ્ટેન્ડમાંથી આવતી ગાંજાની ગંધ સામે નારાજગી વ્યક્ત કરી હતી. વિવાદ છતાં સબાલેન્કા ચોથા રાઉન્ડમાં પહોંચી. આ સમગ્ર નાટક અને વિક્ષેપ છતાં સબાલેન્કાના પ્રદર્શન પર કોઈ ખાસ અસર પડી નહોતી. બેલારુસિયન ખેલાડી સબાલેન્કાએ આક્રમક રમત રમીને કમિલા રાખીમોવાને પરાજય આપ્યો હતો અને ચોથા રાઉન્ડમાં પોતાની જગ્યા પાકી કરી હતી. આ જીત સાથે જ યુએસ ઓપન ટાઈટલ ડિફેન્ડ કરવાનું તેનું અભિયાન સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/05/gZhkIswJ669o8sjvLLfJIyZZkbUSwRO2rkOO1Zay.webp'/></item></channel></rss>