<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Vadodara: વાઘોડિયાની શાળાના તેજસ્વી બાળકોને ઈનામ વિતરણ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</guid><pubDate>Thu, 20 Aug 2026 06:04:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વાઘોડિયા : વાઘોડિયા વિદ્યોતેજક મિત્ર મંડળ દ્વારા વાઘોડિયાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો પૈકી વાર્ષિક પરીક્ષામાં પ્રથમ, દ્રિતીય ક્રમાંક મેળવનાર અને ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી જેવા મુખ્ય વિષયો તેમજ સંસ્કૃતમાં સર્વાધિક ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરી સન્માનવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મંડળના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/e6lwb272Ly0OCtQjAn66xL1a6LnkOHCxRgcdS0gk.webp'/></item><item><title><![CDATA[Vadodara: નસવાડી તાલુકાના જામલીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-independence-day-celebrated-in-jamli-naswadi-taluka</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-independence-day-celebrated-in-jamli-naswadi-taluka</guid><pubDate>Thu, 20 Aug 2026 06:03:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નસવાડીઃ નસવાડી તાલુકા કક્ષાનો 80મો સ્વાતંર્ત્ય પર્વ જામલી પ્રાથમિક શાળા ખાતે દેશભક્તિ અને ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં નસવાડી મામલતદારના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જામલી ગામના સરપંચ લીલાબેન જનકભાઈ રાઠવા, વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ તાલુકા કક્ષાનો સ્ટાફ્ ઉપસ્થિત રહ્યો હતો. ધ્વજવંદન બાદ જામલી પ્રાથમિક શાળા, ઝેર પ્રાથમિક શાળા અને નવગામ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા દેશભક્તિથી સભર કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/rsK6B48n3lEngX1zEnFlkFxqbveRj3nSMdS5RMwD.webp'/></item><item><title><![CDATA[Vadodara: નસવાડી ગાયત્રી શક્તિપીઠ ખાતે શિબિર યોજાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-camp-held-at-naswadi-gayatri-shaktipeeth</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-camp-held-at-naswadi-gayatri-shaktipeeth</guid><pubDate>Thu, 20 Aug 2026 06:02:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નસવાડી : નસવાડી ગામે આવેલ ગાયત્રી શક્તિપીઠ વિદ્યાપીઠ ખાતે તા. 16ના રોજ દ્વિતીય એક દિવસીય મૌન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાયત્રી શક્તિપીઠ ખાતે યોજાયેલી આ મૌન શિબિરમાં કુલ 63 ભાવિક ભક્તોએ ભાગ લીધો હતો, જેમાં 23 બહેનો અને 40 પુરુષો જોડાયા હતા. શિબિર દરમિયાન ઉપસ્થિત સાધકોએ મૌનનું પાલન કરી ધ્યાન, આત્મચિંતન તથા આધ્યાત્મિક સાધનાના માધ્યમથી આંતરિક શાંતિનો અનુભવ કર્યો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/wqAvXbpj009Pe6aeCqGQEgpnVcLM7EQ2mXZvmBqb.webp'/></item><item><title><![CDATA[Dabhoi: ડભોઈ એસ.ટી. ડેપોમાં કચરાપેટીઓ ગાયબ થતાં મુસાફરોને હાલાકી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dabhoi/dabhoi-passengers-suffer-as-garbage-bags-disappear-from-dabhoi-st-depot</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dabhoi/dabhoi-passengers-suffer-as-garbage-bags-disappear-from-dabhoi-st-depot</guid><pubDate>Thu, 20 Aug 2026 06:02:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ડભોઈ : ડભોઈના એસ.ટી. ડેપો પરિસરમાં મુસાફરો અને વિદ્યાર્થીઓની સુવિધા માટે અને સ્વચ્છતા ઝુંબેશના ભાગરૂપે મૂકવામાં આવેલી તમામ ડસ્ટબિન (કચરાપેટીઓ) અચાનક ગાયબ થઈ જતાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે, દૈનિક હજારો મુસાફરો અને 200થી વધુ બસોની અવરજવર છતાં ડસ્ટબીન ગાયબ થતાં મુસાફરો જાહેરમાં જ કચરો ફેંકી દેતાં નજરે પડે છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/Z1BosHBv5lC8Naz7t7Ynw7BqtnUnVBWNuGi5SFu3.webp'/></item><item><title><![CDATA[Chhotaudepur: છોટાઉદેપુર ખાતે ઓરસંગ બ્રિજ પર પડેલા ખાડા પુરાવાની કામગીરી શરૂ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</guid><pubDate>Thu, 20 Aug 2026 06:00:46 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">છોટાઉદેપુર નજીકથી પસાર થતા અને મધ્યપ્રદેશને જોડતા મહત્વના માર્ગ પર આવેલો ઓરસંગ નદીનો બ્રિજ છેલ્લા કેટલાક સમયથી ખખડધજ હાલતમાં ફેરવાઈ ગયો હતો. પ્રતિવર્ષ ચોમાસા દરમિયાન બ્રિજ પર પાણી ભરાઈ રહેવાની અને તેના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે માર્ગ પર મોટા ખાડા પડી જવાની સમસ્યા સર્જાય છે. જેના કારણે વાહનચાલકો અને સ્થાનિકોને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો હતો.</p><p style="text-align: justify; ">તાજેતરમાં જ કોન્ટ્રાક્ટર દ્વારા આ બ્રિજ પર પડેલા ઊંડા ખાડાઓનું પુરાણ કામ શરૂ કરવામાં આવ્યું છે. રોડનું રિપેરિંગ થતાં જ આ માર્ગ પરથી પસાર થતા હજારો વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે. ખાડા પુરાઈ જવાથી અકસ્માત થવાનો અને વાહનોને નુકસાન પહોંચવાનો મોટો ભય ટળ્યો છે.</p><p style="text-align: justify; ">આ બ્રિજ નેશનલ હાઈવે 56 પર આવેલો છે, જે ગુજરાતના છોટાઉદેપુરને મધ્યપ્રદેશના અલીરાજપુર સાથે જોડે છે. બ્રિજની જર્જરીત હાલતને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તેના પર 30 ટનથી વધુ વજન ધરાવતા ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. છતાં પણ, કોઈ પણ ડર વગર 30 ટનથી વધુ ક્ષમતા ધરાવતા ઓવરલોડ વાહનો ખુલ્લેઆમ આ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે. તંત્રના કડક નિયંત્રણના અભાવે આ બ્રિજની સ્થિતિ દિન-પ્રતિદિન વધુ જોખમી બની રહી છે. ખાડા પુરાવાથી હાલ પૂરતી રાહત ચોક્કસ મળી છે, પરંતુ સ્થાનિક રહીશો અને વાહનચાલકો આ સમસ્યાનો કાયમી ઉકેલ ઈચ્છી રહ્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/20/PQoUYfJ6R66mZE9uVPs59CRgiusUyiWvASV1JUh3.webp'/></item><item><title><![CDATA[Delhi-NCRમાં પ્રદૂષણ પર લગામ! 2027થી નવા પેટ્રોલ-ડીઝલ-CNG LGVના રજીસ્ટ્રેશન પર પ્રતિબંધ ]]></title><link>https://sandesh.com/india/news/delhi-ncr-pollution-lgv-registration-ban-2027-caqm</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/delhi-ncr-pollution-lgv-registration-ban-2027-caqm</guid><pubDate>Wed, 19 Aug 2026 23:32:25 +05:30</pubDate><description><![CDATA[<p>દિલ્હી-NCRમાં વધતા વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન આયોગ (CAQM)એ મહત્વનો નિર્ણય લીધો છે. 18 ઓગસ્ટે યોજાયેલી CAQMની 29મી પૂર્ણ બેઠકમાં Direction No. 102ને મંજૂરી આપવામાં આવી છે. આ અંતર્ગત પ્રદૂષણ ફેલાવતા પેટ્રોલ, ડીઝલ અને CNGથી ચાલતા N1 કેટેગરીના Light Goods Vehicles (LGVs)ના નવા રજીસ્ટ્રેશન પર તબક્કાવાર પ્રતિબંધ મૂકવામાં આવશે.</p><h2><b>1 જુલાઈ 2027થી આ નિયમ લાગુ થશે</b></h2><p>CAQM અનુસાર, વાહનો દિલ્હી-NCRમાં PM2.5 પ્રદૂષણનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે. દિલ્હીમાં 1 જાન્યુઆરી 2027થી નવા પેટ્રોલ, ડીઝલ અને CNG N1 LGVના રજીસ્ટ્રેશન પર પ્રતિબંધ લાગુ થશે. ત્યારબાદ ગુરુગ્રામ, ફરીદાબાદ, સોનીપત, ગાઝિયાબાદ અને ગૌતમ બુદ્ધ નગર જેવા હાઈ વ્હીકલ ડેન્સિટી ધરાવતા જિલ્લાઓમાં 1 જુલાઈ 2027થી આ નિયમ લાગુ થશે.</p><p>NCRના અન્ય જિલ્લાઓમાં નવા પેટ્રોલ અને ડીઝલ N1 LGVના રજીસ્ટ્રેશન પર 1 જાન્યુઆરી 2028થી પ્રતિબંધ લાગુ થશે. N2 કેટેગરીના LGV માટે પણ 2028 અને 2029 દરમિયાન તબક્કાવાર પ્રતિબંધ લાગુ કરવામાં આવશે. CAQMએ સ્ટોન ક્રશિંગ યુનિટમાંથી થતા પ્રદૂષણને રોકવા Direction No. 103ને પણ મંજૂરી આપી છે. તેમાં ધૂળ નિયંત્રણના પગલાં ફરજિયાત કરવામાં આવશે. સાથે જ વીડિયો સર્વેલન્સ, PM2.5 અને PM10 સેન્સર તથા વ્હીલ-વોશિંગ જેવી વ્યવસ્થાઓ મજબૂત કરવામાં આવશે.</p><h3><b>4.60 કરોડથી વધુ વૃક્ષો અને છોડ વાવવાનો લક્ષ્યાંક</b></h3><p>CAQMએ પ્રદૂષણ નિયંત્રણ માટે ચાર R&amp;D પ્રોજેક્ટને બે વર્ષ માટે કુલ ₹3.25 કરોડથી વધુની આર્થિક મદદ મંજૂર કરી છે. આ પ્રોજેક્ટમાં રોડ ડસ્ટ, મિકેનિકલ રોડ સ્વીપિંગ, પાર્ટિક્યુલેટ મેટર અને પરાળી સળગાવવાની આગાહી જેવા વિષયો સામેલ છે. આ ઉપરાંત નિયમોનું ઉલ્લંઘન કરનારી 1,816 પ્રદૂષણકારી એકમોને ક્લોઝર ઓર્ડર આપવામાં આવ્યા છે. જ્યારે દિલ્હી-NCRમાં 2026-27 દરમિયાન 4.60 કરોડથી વધુ વૃક્ષો અને છોડ વાવવાનો લક્ષ્યાંક પણ નક્કી કરવામાં આવ્યો છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/kozhikode-ed-raids-nine-locations-cmrl-corporate-fraud-case" target="_blank">આ પણ વાંચો : Kozhikodeમાં કથિત કોર્પોરેટ ફ્રોડ કેસમાં EDની મોટી કાર્યવાહી, 9 સ્થળે પાડ્યા દરોડા</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/PVUqI1greC8szF5eYEiC7aadm8CaWPX1Uvp5odTH.webp'/></item><item><title><![CDATA[Kozhikodeમાં કથિત કોર્પોરેટ ફ્રોડ કેસમાં EDની મોટી કાર્યવાહી, 9 સ્થળે પાડ્યા દરોડા ]]></title><link>https://sandesh.com/india/news/kozhikode-ed-raids-nine-locations-cmrl-corporate-fraud-case</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/kozhikode-ed-raids-nine-locations-cmrl-corporate-fraud-case</guid><pubDate>Wed, 19 Aug 2026 22:52:46 +05:30</pubDate><description><![CDATA[<p>કેરળના કોઝિકોડમાં કથિત કોર્પોરેટ ફ્રોડ અને લાંચના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી કરી છે. EDની કોચી ઝોનની ટીમે 18 ઓગસ્ટે PMLA હેઠળ કોઝિકોડમાં 9 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ તપાસ કોચીન મિનરલ્સ એન્ડ રૂટાઈલ લિમિટેડ (CMRL) સાથે જોડાયેલી કથિત નાણાકીય ગેરરીતિઓ અને લાંચની ચુકવણીના આરોપોને લઈને ચાલી રહી છે.</p><h2><b>182 કરોડના કથિત ખોટા રોકડ ખર્ચ દર્શાવ્યા</b></h2><p>EDએ આ કેસમાં તપાસ સિરિયસ ફ્રોડ ઈન્વેસ્ટિગેશન ઓફિસ (SFIO)ની તપાસના આધારે શરૂ કરી હતી. SFIOએ 3 એપ્રિલ 2025ના રોજ કથિત કોર્પોરેટ ફ્રોડ મામલે પ્રોસિક્યુશન ફરિયાદ દાખલ કરી હતી. તપાસમાં આરોપ છે કે CMRLએ આશરે 15 વર્ષ દરમિયાન લગભગ ₹182 કરોડના કથિત ખોટા રોકડ ખર્ચ દર્શાવ્યા હતા અને આ નાણાંનો ઉપયોગ વિવિધ લોકોને લાંચ આપવા માટે કરવામાં આવ્યો હતો.</p><h3><b>₹2.78 કરોડની કથિત ચુકવણી</b></h3><p>EDના જણાવ્યા અનુસાર, CMRL તરફથી વીણાની કંપની એક્સાલૉજિક સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડને IT કન્સલ્ટન્સી સર્વિસના નામે આશરે ₹2.78 કરોડ ચૂકવવામાં આવ્યા હતા. જોકે, એજન્સીનો આરોપ છે કે કંપનીએ તેના બદલામાં વાસ્તવિક સેવાઓ પૂરી પાડી નહોતી. આ ઉપરાંત CMRLના MD એસ.એન. શશિધરન કાર્થા સાથે જોડાયેલી કંપનીએ પણ એક્સાલૉજિકને આશરે ₹50 લાખની લોન આપી હોવાનો EDનો દાવો છે.</p><h4><b>અગાઉની તપાસમાં મળ્યા હતા હસ્તલેખિત હિસાબ</b></h4><p>EDએ 27 મે 2026ના રોજ પણ વીણા અને CMRLના પ્રમોટરો સાથે જોડાયેલા સ્થળોએ સર્ચ કર્યું હતું. તે દરમિયાન હસ્તલેખિત હિસાબ-કિતાબ મળી આવ્યા હતા, જેમાં નાણાકીય લેવડદેવડની વિગતો નોંધાયેલી હતી. 18 ઓગસ્ટની કાર્યવાહી દરમિયાન EDએ અનેક ડિજિટલ ડિવાઈસ જપ્ત કર્યા અને સંબંધિત લોકોના નિવેદન નોંધ્યા. એજન્સીનો દાવો છે કે તેને કથિત હવાલા મારફતે નાણાં ટ્રાન્સફર કરવાના પુરાવા પણ મળ્યા છે. હવે ED જપ્ત કરાયેલા દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાના આધારે આગળની તપાસ કરશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/world/india-japan-defence-meeting-maritime-security-china-indo-pacific" target="_blank">આ પણ વાંચો : Chinaની વધતી ગતિવિધિઓ વચ્ચે ભારત-જાપાનની મહત્વપૂર્ણ બેઠક, દરિયાઈ સુરક્ષા પર થશે ચર્ચા</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/07SDYgslVOKb7sopMsWoPjrpSWXHjSa7j4psfzUa.webp'/></item><item><title><![CDATA[Indiaએ પાકિસ્તાનને વર્લ્ડકપમાં 5-3થી હરાવ્યું, 16 વર્ષ પછી રમાઈ આ મેચ ]]></title><link>https://sandesh.com/sports/news/india-beat-pakistan-5-3-hockey-world-cup-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india-beat-pakistan-5-3-hockey-world-cup-2026</guid><pubDate>Wed, 19 Aug 2026 20:52:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">19 ઓગસ્ટ બુધવારે નેધરલેન્ડના એમ્સ્ટેલવીન સ્ટેડિયમ ખાતે હોકી વર્લ્ડકપ 2026ના પૂલ D મેચમાં ભારતે પાકિસ્તાનને 5-3થી હરાવ્યું. 16 વર્ષની લાંબી રાહ બાદ ભારત અને પાકિસ્તાની હોકી ટીમો વચ્ચે વર્લ્ડકપ મેચ રમાઈ હતી.&nbsp;</p><p style="text-align: justify; ">વર્લ્ડકપમાં બંને વચ્ચે છેલ્લી મેચ 2010માં દિલ્હીમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ તે મેચ 4-1થી જીતી હતી. હવે ફરી એકવાર વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને કચડી નાખ્યું. આ સાથે ટીમ ઈન્ડિયા આગળના રાઉન્ડમાં ગઈ અને પાકિસ્તાન ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>બીજો ક્વાર્ટર ખૂબ જ રોમાંચક રહ્યો</b></h2><p style="text-align: justify; ">ભારતે શરૂઆતથી જ મેચ પર પ્રભુત્વ જમાવ્યું હતું. પહેલા ક્વાર્ટરમાં કેપ્ટન હરમનપ્રીત સિંહ (5મી મિનિટ) અને અભિષેક (11મી મિનિટ) ના ગોલને કારણે ટીમ ઈન્ડિયાએ 2-0 ની લીડ મેળવી હતી. બીજો ક્વાર્ટર ખૂબ જ રોમાંચક રહ્યો બંને ટીમોએ 2-2 ગોલ કર્યા. ભારત માટે કેપ્ટન હરમનપ્રીત (21મી મિનિટ) અને અભિષેક (24મી મિનિટ) એ ગોલ કર્યા.&nbsp;</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi</a><br></p><p style="text-align: justify; ">બીજી તરફ પાકિસ્તાન માટે હન્નાન શાહિદ (22મી મિનિટ) અને સુફિયાન ખાન (25મી મિનિટ) એ ગોલ કર્યા. હન્નાને ટીમ માટે ગોલ કર્યો. મેચમાં કુલ 4 ગ્રીન કાર્ડ આપવામાં આવ્યા, 2 ભારતીય ખેલાડીઓને અને 2 પાકિસ્તાની ખેલાડીઓને. બાકીનું યલો કાર્ડ ભારતના આદિત્ય અર્જુનને આપવામાં આવ્યું.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>હાર્દિક સિંહે 35મી મિનિટે પેનલ્ટી કોર્નરથી કર્યો ગોલ</b></h3><p style="text-align: justify; ">બે ક્વાર્ટર પછી ટીમ ઈન્ડિયાએ 4-2 ની લીડ મેળવી લીધી. અડધી મેચ પૂરી થઈ ગઈ હતી અને ભારત આગળ હતું. ત્યારથી, પાકિસ્તાનને જીતવા માટે એક પછી એક ગોલ કરવાની જરૂર હતી, પરંતુ ત્રીજા ક્વાર્ટરમાં વિપરીત થયું. પાકિસ્તાને એક પણ ગોલ કર્યો નહીં, પરંતુ ભારતે એક ગોલ કર્યો. આ ગોલ હાર્દિક સિંહે 35મી મિનિટે પેનલ્ટી કોર્નરથી કર્યો. ત્રણ ક્વાર્ટર પછી ટીમ ઈન્ડિયા પાસે 5-3 ની લીડ હતી.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>ચોથા ક્વાર્ટરમાં પાકિસ્તાને ગોલ કર્યો</b></h4><p style="text-align: justify; ">ચોથા અથવા અંતિમ ક્વાર્ટરમાં પાકિસ્તાને પોતાનો ત્રીજો ગોલ કર્યો, જે શાહિદ હન્નાને 46મી મિનિટે કર્યો. પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું. ત્યારથી પાકિસ્તાન પાસે ફક્ત ઔપચારિકતાઓ જ બાકી હતી. મેચ પહેલાથી જ તેમના હાથમાંથી નીકળી ગઈ હતી.&nbsp;</p><h5 style="text-align: justify; "><b>ભારત આગામી રાઉન્ડમાં પહોંચ્યું, પાકિસ્તાન ટુર્નામેન્ટમાંથી બહાર થયું&nbsp;</b></h5><p style="text-align: justify; ">આ જીત સાથે, ટીમ ઈન્ડિયા આગળના રાઉન્ડમાં આગળ વધી ગઈ. પુલમાં ટીમ ઈન્ડિયાએ તેમની 3માંથી 2 મેચ જીતી અને 6 પોઈન્ટ મેળવીને આગળ વધ્યું. બીજી તરફ પાકિસ્તાન એક પણ જીત મેળવવામાં નિષ્ફળ રહ્યું. ટીમે તેની 3 માંથી 2 મેચ હારી ગઈ, અને બીજી 1 ડ્રો રહી. આ ખરાબ પ્રદર્શનનો અર્થ એ થયો કે ટીમ આગળ વધી શકી નહીં.&nbsp;</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/fBKQMIPhDIy1VTdqGFPlx1AguO4eVjyRBzzilwvy.webp'/></item><item><title><![CDATA[Govinda Divorce : ગોવિંદાથી છૂટાછેડા નહીં લે સુનીતા આહૂજા! સામે આવ્યું ફેમિલી કોર્ટ પહોંચવાનું સાચું કારણ ]]></title><link>https://sandesh.com/entertainment/news/govinda-sunita-ahuja-family-court-divorce-reason</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/govinda-sunita-ahuja-family-court-divorce-reason</guid><pubDate>Wed, 19 Aug 2026 17:57:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અભિનેતા ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહૂજા લાંબા સમયથી પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. બંને વચ્ચેનો અણબનાવ હવે જાહેરમાં પણ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ગોવિંદા અને સુનીતાના છૂટાછેડાને લઈને સમાચાર આવ્યા હતા. એવા અહેવાલ હતા કે સુનીતાએ છૂટાછેડા માટે કેસ કર્યો છે. બુધવારે સુનીતા ફેમિલી કોર્ટની બહાર પણ જોવા મળી હતી. ત્યારથી બંનેના છૂટાછેડાના સમાચારને વધુ વેગ મળ્યો હતો. જોકે, હવે સુનીતા ફેમિલી કોર્ટમાં શા માટે ગઈ હતી તેનું કારણ સામે આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>છૂટાછેડાનો કેસ પાછો લેવા કોર્ટ પહોંચી હતી સુનીતા</b></h2><p style="text-align: justify; ">સુનીતા ફેમિલી કોર્ટમાં છૂટાછેડાનો કેસ પાછો લેવા માટે ગઈ હતી. મીડિયા રિપોર્ટ મુજબ, સુનીતાએ છૂટાછેડાનો કેસ કર્યો હતો અને એ જ કેસ પાછો ખેંચવા માટે તે ફેમિલી કોર્ટ પહોંચી હતી.</p><h3 style="text-align: justify; "><b>ગોવિંદાના મેનેજરે પણ કરી પુષ્ટિ</b></h3><p style="text-align: justify; ">ગોવિંદાના મેનેજર શશી સિંહાએ પણ આ સમાચારની પુષ્ટિ કરી છે. તેણે કહ્યું, એકવાર તે કોર્ટ પહોંચી ગઈ તો આખી દુનિયાને ખબર પડી ગઈ. શું દુનિયાને આ જાણવાની જરૂર હતી? તેની કોઈ જરૂર નથી. પરિવારની વાતો પરિવાર સુધી જ રહેવી જોઈએ. બેસીને વાત કરવાથી ઘણી બાબતો ઠીક થઈ જાય છે. જો આજે કેસ પાછો જ લેવો હતો, તો કેસ કર્યો જ શા માટે હતો? આ વાતનું મને દુઃખ થાય છે. આપણે તમાશો શા માટે બનીએ? બધું ખૂબ અચાનક થયું. ગોવિંદાની કોઈ પ્રતિક્રિયા નથી. ભગવાન સૌને સદબુદ્ધિ આપે. સૌ સમજદારીથી કામ કરે. મેં હંમેશા ગોવિંદા, સુનીતા અને તેમના બાળકો માટે સારું જ કહ્યું છે.</p><h4 style="text-align: justify; "><b>આ ફિલ્મથી ગોવિંદા કમબેક કરી રહ્યા છે</b></h4><p style="text-align: justify; ">ગોવિંદા અને સુનીતા વચ્ચે લાંબા સમયથી અણબનાવ જોવા મળી રહ્યો છે. સુનીતા ગોવિંદા પર અનેક આરોપો પણ લગાવી ચૂકી છે. તેણે ગોવિંદાને સુગર ડેડી પણ કહ્યા હતા. ગોવિંદા રાની સ્વર્ણકાર સાથે એક ફિલ્મમાં કામ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મનું નામ રૂપા છે અને ગોવિંદાએ તેની સત્તાવાર જાહેરાત પણ કરી છે. ગોવિંદા અને રાનીને ઘણી વખત સાથે જોવા મળ્યા છે. તાજેતરમાં બંને એરપોર્ટ પર પણ જોવા મળ્યા હતા.</p><h4 style="text-align: justify; "><b>સુનીતા અને ગોવિંદા વચ્ચે શરૂ થઈ શાબ્દિક જંગ</b></h4><p style="text-align: justify; ">ગોવિંદા અને રાનીને લઈને સુનીતાએ જાહેરમાં પ્રતિક્રિયા આપી હતી. સુનીતાએ કહ્યું હતું કે ફિલ્મનું પ્રમોશન થઈ રહ્યું છે, પરંતુ પ્રમોશન માટે પહેલાં ફિલ્મ તો બને. ફિલ્મ બન્યા પહેલાં જ પ્રમોશન થઈ રહ્યું છે. તેમણે ગોવિંદા પર પોતાની દીકરીની ઉંમરની યુવતી સાથે ફરવાનો આરોપ પણ લગાવ્યો હતો. રાની વિશે વાત કરતાં સુનીતાએ કહ્યું હતું કે જો આટલા પૈસાવાળો માણસ સાથે છે તો કપડાં તો યોગ્ય રીતે પહેરવા જોઈએ.</p><h4 style="text-align: justify; "><b>મર્યાદામાં રહેવું જોઈએ: ગોવિંદા</b></h4><p style="text-align: justify; ">ત્યારબાદ ગોવિંદાએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. ગોવિંદાએ કહ્યું હતું કે સુનીતાએ પોતાની મર્યાદામાં રહેવું જોઈએ. તેમણે કહ્યું હતું કે સુનીતા તેમનું નામ ખરાબ કરવાની કોઈ કસર છોડી રહી નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે ઘણા મોટા કલાકારોએ પોતાના કરતાં નાની ઉંમરની અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે, પરંતુ સુનીતા તેમને બદનામ કરી રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/bigg-boss-contestant-salman-khan-evicted" target="_blank">આ પણ વાંચો-Reality Show : બિગ બોસની એ હસીના જેણે વટાવી હતી બધી હદો, સલમાન ખાને બતાવ્યો હતો ઘરની બહારનો રસ્તો!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/IBsWy1LkI5sHMOcRNZobjP2AsCw8CM4z7PpLYKHz.webp'/></item><item><title><![CDATA[Amazon ને ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા બદલ  ફટકાર્યો 1 લાખનો દંડ, ભગવાનના પ્રસાદના નામે વેચતા હતા મિઠાઇ ]]></title><link>https://sandesh.com/business/news/amazon-fined-selling-fake-ayodhya-ram-mandir-prasad</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/amazon-fined-selling-fake-ayodhya-ram-mandir-prasad</guid><pubDate>Wed, 19 Aug 2026 16:03:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન પર સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ ₹1 લાખનો દંડ ફટકાર્યો છે. એમેઝોનના પ્લેટફોર્મ પર સામાન્ય મીઠાઈઓને "શ્રી રામ મંદિર અયોધ્યા પ્રસાદ" તરીકે વેચવામાં આવી રહી હતી, જેની સામે ઓથોરિટીએ આ કડક પગલું ભર્યું છે.</p><h2 style="text-align: justify; "><b>એમેઝોન પર કરાયું હતુ ભ્રામક લિસ્ટિંગ</b></h2><p style="text-align: justify; ">તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પાસેથી આ નામ હેઠળ પ્રોડક્ટ્સ વેચવા માટે એમેઝોન કે સંબંધિત વિક્રેતાઓ પાસે કોઈ અધિકૃત પરવાનગી નહોતી. ઓથોરિટીના જણાવ્યા અનુસાર, 22 જાન્યુઆરી, 2024 ના રોજ અયોધ્યામાં યોજાયેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઐતિહાસિક પ્રસંગ પૂર્વે જ એમેઝોન પર આવી ભ્રામક લિસ્ટિંગ કરવામાં આવી હતી. આનાથી દેશભરના લાખો ગ્રાહકોની ધાર્મિક આસ્થા અને વિશ્વાસનો ખોટો દુરુપયોગ થયો હતો.</p><h3 style="text-align: justify; "><b>એમેઝોનને ₹1 લાખનો દંડ</b></h3><p style="text-align: justify; ">CCPA એ 19 જાન્યુઆરી, 2024 ના રોજ એમેઝોનને કારણ બતાવો નોટિસ જાહેર કરી હતી, જે બાદ પ્લેટફોર્મે તે લિસ્ટિંગ દૂર કરી દીધી હતી. જોકે, એમેઝોને પોતાને માત્ર એક 'મધ્યસ્થી' (Intermediary) ગણાવીને બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. ઓથોરિટીએ આ દલીલ નકારી કાઢી જણાવ્યું હતું કે એમેઝોન જેવું મોટું પ્લેટફોર્મ આવી ગેરમાર્ગે દોરનારી પ્રોડક્ટ્સને મંજૂરી આપીને ગ્રાહકોના મનમાં તેની વાસ્તવિકતા વિશે ખોટો વિશ્વાસ ઊભો કરે છે. આ લિસ્ટિંગમાંથી 'ચંદુ ટ્રેડિંગ કંપની' નામના વેચનારે ₹25 લાખથી વધુનું વેચાણ કર્યું હતું, જ્યારે એમેઝોને પણ તેમાંથી કમિશન મેળવ્યું હતું.</p><h4 style="text-align: justify; "><b>15 દિવસમાં ₹1 લાખની દંડની રકમ જમા કરવાનો આદેશ</b></h4><p style="text-align: justify; ">ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019 અને ઈ-કોમર્સ નિયમો, 2020 હેઠળ એમેઝોનને દોષિત ઠેરવતા ઓથોરિટીએ 15 દિવસમાં ₹૧ લાખની દંડની રકમ જમા કરાવવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત, ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે CCPA એ દેશના ૧૦ મુખ્ય ધાર્મિક સ્થળો જેમ કે શ્રી રામ જન્મભૂમિ મંદિર, તિરુપતિ બાલાજી, વૈષ્ણો દેવી, કાશી વિશ્વનાથ, જગન્નાથ પૂરી, સોમનાથ, બદ્રીનાથ, કેદારનાથ, દ્વારકાધીશ અને મહાકાલેશ્વરના નામે કોઈપણ પરવાનગી વગર પ્રસાદ કે ભોગનું વેચાણ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. એમેઝોનને વિક્રેતાઓ શ્રેષ્ઠ અને સ્પષ્ટ વિગતો પ્રદર્શિત કરે તેમજ કીવર્ડ-આધારિત કડક ફિલ્ટરિંગ સિસ્ટમ લાગુ કરે તે સુનિશ્ચિત કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/jharkhand-exam-controversy-students-protest-22-exams-cancelled" target="_blank">આ પણ વાંચોઃ Jharkhand : રાંચીમાં વિદ્યાર્થી આંદોલન 2 મહિના માટે સ્થગિત, સરકારને 60 દિવસનું અલ્ટીમેટમ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/dtD6aicHFgoQvQ4GvGTl3HFfECDDeOttAqEVC25G.webp'/></item></channel></rss>