<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Banaskantha News: દિયોદર GIDCમાં જળબંબાકાર, 2 દિવસમાં 15 ઇંચ વરસાદ ]]></title><link>https://sandesh.com/weather/monsoon-2026/news/maru-saher-maru-gaam/banaskantha/deodar-gidc-flooded-heavy-rain-15-inches-industrial-loss</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/monsoon-2026/news/maru-saher-maru-gaam/banaskantha/deodar-gidc-flooded-heavy-rain-15-inches-industrial-loss</guid><pubDate>Sat, 25 Jul 2026 19:54:00 +05:30</pubDate><description><![CDATA[<p>બનાસકાંઠા જિલ્લાના દિયોદર પંથકમાં મેઘરાજાએ ભારે તારાજી સર્જી છે. દિયોદરમાં છેલ્લા 2 દિવસ દરમિયાન ધોધમાર 15 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતા ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ ભારે વરસાદના કારણે દિયોદર સ્થિત ઔદ્યોગિક વસાહત એટલે કે GIDC વિસ્તાર પાણીમાં સંપૂર્ણપણે ડૂબી ગયો છે.</p><h2><b>ઢીંચણસમા પાણી ભરાતા ઉદ્યોગો ઠપ્પ, કરોડોનું આર્થિક નુકસાન</b></h2><p>જીઆઈડીસીના મુખ્ય માર્ગો અને શેરીઓમાં ઢીંચણસમા પાણી ભરાઈ જવાના કારણે તમામ પ્રકારની વ્યવસાયિક પ્રવૃત્તિઓ ઠપ્પ થઈ ગઈ છે. પાણીના નિકાલના યોગ્ય અભાવે ફેક્ટરીઓની અંદર પાણી ઘૂસી જતાં મશીનરી અને કાચો માલ નષ્ટ પામ્યો છે, જેના કારણે સ્થાનિક ઉદ્યોગપતિઓને કરોડો રૂપિયાનું માતબર આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.</p><h2><b>કામદારો અને ઉદ્યોગપતિઓ ફેક્ટરીઓમાં જ ફસાયા</b></h2><p>અચાનક ભારે પાણી ભરાઈ જવાના કારણે જીઆઈડીસીમાં ફરજ બજાવતા સેંકડો કામદારો અને ઉદ્યોગપતિઓ સુરક્ષિત બહાર નીકળી ન શકતા ફેક્ટરીઓની અંદર જ અટવાઈ ગયા છે. રસ્તાઓ પર નદી જેવો પ્રવાહ વહેતો હોવાથી વાહનવ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો છે, જેના કારણે જીઆઈડીસીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા મુશ્કેલ બન્યા છે.</p><h2><b>તંત્ર સામે રોષ અને સ્થિતિ અત્યંત ગંભીર</b></h2><p>માત્ર 2 દિવસમાં પડેલા 15 ઇંચ વરસાદને કારણે દિયોદરના આ મુખ્ય ઔદ્યોગિક એકમોને ભારે ફટકો પડ્યો છે. તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોકળ વાતો સામે ઉદ્યોગકારોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વરસાદી પાણી ઓસર્યા બાદ જ નુકસાનનું સાચું ચિત્ર સામે આવશે, પરંતુ હાલ સમગ્ર GIDC વિસ્તારમાં ચિંતાજનક માહોલ છવાયેલો છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/weather/monsoon-2026/news/maru-saher-maru-gaam/vav-tharad/vav-tharad-high-alert-heavy-rain-bhabhar-11-inches-shankar-chaudhary-meeting" target="_blank">Tharad Rain Update: ભાભરમાં 24 કલાકમાં 11.30 ઇંચ વરસાદ, અધ્યક્ષ શંકર ચૌધરીએ યોજી ઉચ્ચસ્તરીય બેઠક</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/m0XU4CrkbuUmPNnEU6gQ3EhBKeQO86TnUe8LE6aT.webp'/></item><item><title><![CDATA[IDFC ફર્સ્ટ બેન્કનું જોરદાર પ્રદર્શન, જૂન ત્રિમાસિકમાં નફો બમણો થઈ રૂપિયા 1,075 કરોડ પર પહોંચ્યો ]]></title><link>https://sandesh.com/business/news/idfc-first-bank-q1-profit-doubles-1075-crore-nii-growth</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/idfc-first-bank-q1-profit-doubles-1075-crore-nii-growth</guid><pubDate>Sat, 25 Jul 2026 19:06:08 +05:30</pubDate><description><![CDATA[<p>IDFC ફર્સ્ટ બેન્કે 25 જુલાઈએ જૂન ત્રિમાસિકના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. બેન્કના પરિણામો મુજબ જૂન ક્વાર્ટરમાં તેનો નેટ પ્રોફિટ બમણાથી વધુ વધીને ₹1,075 કરોડ થયો છે. ગયા વર્ષના સમાન સમયગાળામાં બેન્કનો નફો ₹465 કરોડ હતો.</p><h2><b>બેન્કની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ 21 ટકા વધી&nbsp;</b></h2><p>જૂન ત્રિમાસિક દરમિયાન બેન્કની આવકમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. બેન્કની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ (NII) 21 ટકા વધીને ₹5,972.3 કરોડ થઈ છે. એક વર્ષ અગાઉ આ આંકડો ₹4,933 કરોડ હતો. વ્યાજની આવકમાં થયેલા વધારાને કારણે બેન્કના પ્રદર્શનને મજબૂતી મળી છે. આ ઉપરાંત બેન્કની એસેટ ક્વોલિટીમાં પણ સુધારો નોંધાયો છે. ગ્રોસ નોન-પરફોર્મિંગ એસેટ (GNPA) ત્રિમાસિક આધાર પર 1.61 ટકાથી ઘટીને 1.51 ટકા થયો છે. જ્યારે નેટ NPA પણ 0.48 ટકાથી ઘટીને 0.44 ટકા પર આવી ગયો છે.</p><h3><b>કંપનીના શેર પર જોવા મળી અસર&nbsp;</b></h3><p>જૂન ત્રિમાસિકમાં બેન્કને NCGTC તરફથી CGFMU યોજના હેઠળ ₹514.82 કરોડ પ્રાપ્ત થયા છે. IDFC ફર્સ્ટ બેન્ક એક ખાનગી ક્ષેત્રની બેન્ક છે. 24 જુલાઈના રોજ બેન્કનો શેર 1.3 ટકા વધીને ₹80.95ના સ્તરે બંધ થયો હતો. જોકે, આ વર્ષે અત્યાર સુધીમાં શેરમાં 5.4 ટકાનો ઘટાડો નોંધાયો છે.</p><p>બીજી તરફ, 24 જુલાઈએ ભારતીય શેરબજારમાં સતત પાંચમા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે, જેની અસર બજારના સેન્ટિમેન્ટ પર પડી રહી છે. હવે IDFC ફર્સ્ટ બેન્કના સારા પરિણામોની અસર આગામી ટ્રેડિંગ સેશનમાં શેરના ભાવ પર કેવી પડે છે તેના પર રોકાણકારોની નજર રહેશે.<br><br><a href="https://sandesh.com/business/news/india/senior-citizen-fd-where-will-you-get-the-highest-interest-on-a-5-year-fd-for-senior-citizens" target="_blank"><b>આ પણ વાંચો : Senior Citizen FD: સિનિયર સિટીઝન્સ માટે 5 વર્ષની FD પર ક્યાં મળશે સૌથી વધુ વ્યાજ</b></a></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/UVaxbiIHWdAVOyessWpmBJ9I0GV0NJ4oEbiOmmkO.webp'/></item><item><title><![CDATA[Kheda News: માતરમાં વરસાદી પાણીથી તારાજી, 6200 વીઘા ખેતીની જમીન પાણીમાં ગરકાવ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/kheda/matar-heavy-rain-floods-crop-damage-baman-daloli-valotri</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/kheda/matar-heavy-rain-floods-crop-damage-baman-daloli-valotri</guid><pubDate>Sat, 25 Jul 2026 19:05:21 +05:30</pubDate><description><![CDATA[<p>ખેડા જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે ચોમેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ખેડાના માતર તાલુકામાં વરસાદી પાણીએ ભારે તારાજી સર્જી છે. ચારેય તરફ પાણી જ પાણી ફરી વળતાં સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. આકાશી આફતના કારણે સ્થાનિક રહેવાસીઓ, વેપારીઓ અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.</p><h2><b>મુખ્ય રસ્તાઓ બંધ, સોલર પ્લાન્ટ અને ફેક્ટરીઓમાં પાણી ઘૂસ્યા</b></h2><p>ભારે વરસાદી પ્રવાહને કારણે બામણગામ, દલોલી અને વાલોત્રી ગામને જોડતા મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે. બામણગામ - દલોલી રોડ સંપૂર્ણપણે જળમગ્ન થઈ જતાં વાહનવ્યવહાર પર માઠી અસર પડી છે. રસ્તાઓ પર પાણી ભરાવા ઉપરાંત આસપાસ આવેલા પેટ્રોલ પંપ, સોલર પ્લાન્ટ તેમજ કેટલીક ફેક્ટરીઓ અને રહેણાંક વિસ્તારોમાં પણ પૂરના પાણી ઘૂસી જતાં ભારે નુકસાન થયું છે.</p><h2><b>6200 વીઘાથી વધુ ખેતીની જમીન ગરકાવ, પાક નષ્ટ</b></h2><p>પૂરના પાણીનો સૌથી મોટો ફટકો ખેડૂતોને પડ્યો છે. માતર તાલુકાના વિવિધ ગામોની હજારો વીઘા ખેતીની જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે.</p><ul><li>દલોલી: 3000 વીઘા જમીન પાણીમાં ગરકાવ</li><li>બામણગામ: 2000 વીઘા જમીન પાણીમાં ગરકાવ</li><li>વાલોત્રી: 1200 વીઘા જમીન પાણીમાં ગરકાવ</li></ul><h2><b>ખેડૂતો પાયમાલીના આરે, વળતરની માગ</b></h2><p>ખેતરોમાં 3 થી 4 ફૂટ સુધી પાણી ભરાઈ રહેતાં વાવેતર કરેલો તમામ પાક કહોવાઈને સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે. મહેનત અને મોંઘા બિયારણો પાછળ કરેલો ખર્ચ પાણીમાં જતાં ખેડૂતો ભારે આર્થિક સંકટમાં મુકાયા છે. ચોમેર નુકસાનના દ્રશ્યો વચ્ચે અસરગ્રસ્ત ખેડૂતો વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક દ્રષ્ટિએ સર્વે કરી યોગ્ય આર્થિક સહાય કે વળતર આપવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kheda/vanakbori-dam-overflows-at-222-5-feet-mahisagar-river-two-banks" target="_blank">Kheda: વણાંકબોરી ડેમ દોઢ ફૂટ ઓવરફ્લો, મહીસાગર નદી બે કાંઠે</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/NDqV5TYqGzE3PxR1nQ9vuVbFpVJVPu1c0Blrg2Rr.webp'/></item><item><title><![CDATA[Dharmendra Pradhanના રાજીનામા બાદ ગીતાંજલિ વાંગચુકનું નિવેદન, કહ્યું 'Gen-Z છે અસલી વિશ્વ ગુરૂ' ]]></title><link>https://sandesh.com/india/news/dharmendra-pradhan-resignation-geetanjali-wangchuk-gen-z-vishwaguru</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/dharmendra-pradhan-resignation-geetanjali-wangchuk-gen-z-vishwaguru</guid><pubDate>Sat, 25 Jul 2026 18:32:22 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચાલી રહેલા પરીક્ષા પેપર લીક વિવાદ અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન વચ્ચે રાજકીય માહોલ ગરમાયો છે. સતત વધી રહેલા દબાણ બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ઘટનાક્રમ બાદ સામાજિક કાર્યકર અને શિક્ષણવિદ્ ગીતાંજલિ આંગમોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરીને દેશના યુવાનોની પ્રશંસા કરી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/GitanjaliAngmo/status/2080964364530856123"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>Gen-Zએ દેશભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું</b></h2><p>ગીતાંજલિ આંગમો, જે સામાજિક કાર્યકર સોનમ વાંગચુકની પત્ની છે, તેમણે પોતાની પોસ્ટમાં જંતર-મંતર પર એક મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે લખ્યું કે ભારતીય યુવાનોએ દુનિયાને બતાવ્યું છે કે સાચા અર્થમાં ‘વિશ્વગુરુ’ હોવાનો અર્થ શું છે. તેમણે કહ્યું કે આજના યુવાનોને પોતાની વાત રજૂ કરવા માટે હિંસા કે નફરતનો સહારો લેવાની જરૂર પડી નથી. તેમણે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરીને હિંમત અને દેશભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગીતાંજલિએ Gen-Zની પ્રશંસા કરતા જણાવ્યું કે આ પેઢીએ માત્ર વિચારોનો પ્રચાર કર્યો નથી, પરંતુ તેને પોતાના આચરણમાં ઉતારીને બતાવ્યું છે.</p><h3><b>સરકાર પર પણ આકરો પ્રહાર કર્યો</b></h3><p>ગીતાંજલિ આંગમોએ પોતાના નિવેદનમાં સરકાર પર પણ આકરો પ્રહાર કર્યો હતો. તેમણે ભાજપને યુવાનો પાસેથી હિંદુ ધર્મ, રાષ્ટ્રવાદ અને ‘વિશ્વગુરુ’ના સાચા અર્થને સમજવાની સલાહ આપી હતી. તેમના આ નિવેદનને કેન્દ્ર સરકાર અને ભાજપ પર સીધા રાજકીય કટાક્ષ તરીકે જોવામાં આવી રહ્યું છે.</p><p>તેમણે અન્ય દેશોમાં થયેલા હિંસક વિદ્યાર્થી આંદોલનોનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભારતીય વિદ્યાર્થીઓએ સાબિત કર્યું છે કે દેશને નુકસાન પહોંચાડ્યા વિના પણ અન્યાય સામે મજબૂતીથી અવાજ ઉઠાવી શકાય છે. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને ગીતાંજલિ આંગમોના નિવેદન બાદ પેપર લીકનો મુદ્દો ફરી એકવાર રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર પણ આ મામલે પક્ષ અને વિરોધ પક્ષના સમર્થકો વચ્ચે ચર્ચા તેજ બની છે.<br><br><b><a href="https://sandesh.com/india/breakingnews/cjp-protest-ends-government-accepts-demands-announcement" target="_blank">આ પણ વાંચો : CJP Protest : સરકારે માગો સ્વીકારી છે, આંદોલનનો આખરે અંત, CJPએ કરી જાહેરાત</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/jtFjH2lP5a4eMYJ994PW0hSrnZ0hxMo3dh4H8LER.webp'/></item><item><title><![CDATA[Ahmedabad Rain Update: વિરમગામ અને માંડલમાં 18 ઇંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ, 2000 લોકોનું સ્થળાંતર ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/viramgam-mandal-flood-heavy-rainfall-evacuation</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/viramgam-mandal-flood-heavy-rainfall-evacuation</guid><pubDate>Sat, 25 Jul 2026 17:59:29 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ જિલ્લાના વિરમગામ અને માંડલ પંથકમાં મેઘરાજાએ મચાવેલા તાંડવને કારણે ચોમેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 3 દિવસ દરમિયાન વિરમગામમાં રેકોર્ડબ્રેક 18 ઇંચ અને માંડલ પંથકમાં 14 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે. વરસાદી આંકડાઓએ સમગ્ર વિસ્તારમાં પૂર જેવી ગંભીર સ્થિતિ નિર્માણ કરી દીધી છે.</p><h2><b>ઉપરવાસના પાણી ઘૂસતાં 2000 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર</b></h2><p>સ્થાનિક વરસાદની સાથે ઉપરવાસમાંથી આવેલા પૂરના પાણી પણ નીચાણવાળા અને મુખ્ય રહેણાંક વિસ્તારોમાં ફરી વળ્યા છે. અનેક સોસાયટીઓ અને રસ્તાઓ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર અને સ્થાનિક રેસ્ક્યુ ટીમો દ્વારા જળમગ્ન વિસ્તારોમાંથી અંદાજે 2000 જેટલા લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત આશ્રયસ્થાનોમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.</p><p><img alt="Ahmedabad Rain Update: Viramgam &amp; Mandal Flood News: 18 Inches Rain Causes Flood, 2000 People Evacuated" src="https://epapercdn.sandesh.com/images/2026/07/25/zb0uggFP2qwsT4Q4Q654IRXYKnqjvchNSksTcSFN.webp" style="width: 100%;"><br></p><h2><b>પાણી ન ઓસરતાં જનજીવન ઠપ્પ</b></h2><p>વરસાદે વિરામ લીધો હોવા છતાં નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે હજુ સુધી વરસાદી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. પાણી ભરાયેલા રહેવાને કારણે વિરમગામ અને માંડલના શહેરીજનોનું જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ રહેતાં લોકોને ખાવા-પીવાની ચીજવસ્તુઓ અને દૈનિક કામગીરીમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.</p><h2><b>પ્રી-મોન્સૂન પ્લાન નિષ્ફળ જતાં વિરમગામ પાલિકા સામે ભારે રોષ</b></h2><p>દર વર્ષની જેમ આ વર્ષે પણ વિરમગામ નગરપાલિકાનો પ્રી-મોન્સૂન પ્લાન ચોમાસાના પ્રારંભે જ સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયો છે. પાલિકા તંત્રની ઘોર બેદરકારી અને યોગ્ય ગટર-નાળાંની સફાઈના અભાવે ચોમેર પાણી ભરાયા હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. ચોમાસા પહેલાં માત્ર કાગળ પર જ કામગીરી દર્શાવનાર નિષ્ઠૂર તંત્ર સામે નીચાણવાળા વિસ્તારના રહીશોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/even-though-the-rains-have-stopped-in-ahmedabad-the-problem-persists-locals-are-troubled-by-waterlogging-at-four-roads-of-godrej-garden-city" target="_blank">Ahmedabadમાં વરસાદે વિરામ લીધો છતાં સમસ્યા યથાવત, ગોદરેજ ગાર્ડન સિટીના ચાર રસ્તા પર જળબંબાકારથી સ્થાનિકો પરેશાન</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/qA3tCCVEHgGBP8twZNQOv9d4E3Qi6a8GELDq5xtv.webp'/></item><item><title><![CDATA[Chenab River Flood: વરસાદના પાણીથી પાકિસ્તાનમાં હાહાકાર, ચેનાબમાં પાણીનું સ્તર વધ્યું; પંજાબમાં પૂર જેવા હાલત ]]></title><link>https://sandesh.com/india/news/chenab-river-flood-in-pakistan--bund-breach-in-punjab--19-crore-cusec-water</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/chenab-river-flood-in-pakistan--bund-breach-in-punjab--19-crore-cusec-water</guid><pubDate>Sat, 25 Jul 2026 17:52:59 +05:30</pubDate><description><![CDATA[<p>
</p><div>પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ચેનાબ નદીમાં પાણીનું સ્તર વધવાથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. લિયાકતપુરના બેટ પરારા વિસ્તારમાં ભારે વરસાદથી ચેનાબ નદીનો રક્ષણાત્મક બંધ તૂટી ગયો છે, જેના કારણે આસપાસના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.</div><div>મળતી માહિતી અનુસાર, છેલ્લા છ દિવસમાં ભારતમાંથી ચેનાબ નદી દ્વારા પાકિસ્તાનમાં આશરે 19 કરોડ ક્યુસેક પાણી વહી ગયું છે. ભારતમાં સતત ભારે વરસાદ અને ઉપરના કેચમેન્ટ વિસ્તારોમાં પાણીના સ્તરમાં વધારો થવાને કારણે ડેમ અને બેરેજમાંથી વધારાનું પાણી છોડવામાં આવ્યું, જેની અસર પાકિસ્તાનના નીચે તરફના વિસ્તારો પર પણ પડી.
</div><h4><b>સિંધુ જળ સંધિ સ્થગિત
</b></h4><div>નોંધનીય છે કે પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી હતી. અગાઉ, સંધિ હેઠળ ભારતને પશ્ચિમી નદીઓ, ખાસ કરીને ચેનાબ નદીમાં પાણી છોડતા પહેલા પાકિસ્તાનને અગાઉથી સૂચના આપવાની જરૂર હતી, જેથી પાકિસ્તાન સંભવિત પૂર માટે તૈયારી કરી શકે.
</div><div>જોકે, ભારતે સ્પષ્ટતા કરી છે કે પાકિસ્તાનમાં હાલની પૂર જેવી પરિસ્થિતિ પાછળ કોઈ ઇરાદાપૂર્વકની કાર્યવાહી નથી. ભારતનો દાવો છે કે દેશમાં સતત ભારે વરસાદને કારણે જળાશયો અને બેરેજમાંથી વધારાનું પાણી છોડવાની જરૂર પડી હતી અને તે ફક્ત કુદરતી પરિસ્થિતિઓને કારણે હતું. ભારતે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, સિંધુ જળ સંધિ સ્થગિત થયા પછી તે પાકિસ્તાનને પાણી છોડવા અંગે અગાઉથી માહિતી આપવા માટે બંધાયેલ નથી.
</div><h4><b>ભારતનું વલણ શું છે?
</b></h4><div>ભારતે પાકિસ્તાનના આરોપને ફગાવી દીધો છે કે તેણે જાણી જોઈને ચિનાબ નદીમાં પૂર લાવ્યું છે. ભારતનો દાવો છે કે પાણીના સ્તરમાં વધારો જમ્મુ અને આસપાસના વિસ્તારોમાં ભારે ચોમાસાના વરસાદનું પરિણામ છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે પાકિસ્તાનની પોતાની પૂર ચેતવણીઓ આને સમર્થન આપે છે અને ઇસ્લામાબાદના દાવાઓને તથ્યપૂર્ણ રીતે પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે. ભારતે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પાર આતંકવાદને ટેકો આપવાનું બંધ ન કરે ત્યાં સુધી સિંધુ જળ સંધિ લાગુ કરવામાં આવશે નહીં.<br><br><a href="https://sandesh.com/india/news/samba-kathua-drone-sighting--bsf-launches-search-operation-at-india-pakistan-border" target="_blank"><b>આ પણ વાંચો: Pakistanની નાપાક હરકત... જમ્મુના કઠુઆ અને સાંબામાં જોવા મળ્યા શંકાસ્પદ ડ્રોન, સર્ચ ઓપરેશન શરૂ</b></a></div><div><br></div><div>
</div><div>
</div><div>
</div><div>
</div><div>
</div> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/SahSu5AfGu8mJGUiyvF4v9RgwSU2EHY5afLgPgCK.webp'/></item><item><title><![CDATA[Ahmedabadમાં વરસાદે વિરામ લીધો છતાં સમસ્યા યથાવત, ગોદરેજ ગાર્ડન સિટીના ચાર રસ્તા પર જળબંબાકારથી સ્થાનિકો પરેશાન ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/even-though-the-rains-have-stopped-in-ahmedabad-the-problem-persists-locals-are-troubled-by-waterlogging-at-four-roads-of-godrej-garden-city</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/even-though-the-rains-have-stopped-in-ahmedabad-the-problem-persists-locals-are-troubled-by-waterlogging-at-four-roads-of-godrej-garden-city</guid><pubDate>Sat, 25 Jul 2026 17:15:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં મેઘરાજાએ વિરામ લીધો હોવા છતાં અનેક વિસ્તારોમાં રહીશો માટે સમસ્યાઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. શહેરના પોશ ગણાતા જગતપુર નજીકના ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં વરસાદ બંધ થયાના કલાકો પછી પણ ઠેર-ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે મુખ્ય માર્ગો તળાવમાં ફેરવાઈ જતાં સ્થાનિક રહીશો તંત્રના અણઘડ વહીવટ સામે ભારે અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>મુખ્ય ચાર રસ્તાની ચારેય તરફ પાણી જ પાણી</b></h2><p style="text-align: justify; ">ગોદરેજ ગાર્ડન સિટીના મુખ્ય ચાર રસ્તા પર ચારેય તરફ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. આ ચાર રસ્તાની એક તરફ વિશાળ રહેણાંક સોસાયટીઓ આવેલી છે જ્યારે બીજી તરફ શાળા આવેલી છે. રસ્તાઓ પર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ રહેવાના કારણે શાળાએ જતા નાનાં બાળકો, વાલીઓ તેમજ નોકરી-ધંધે જતાં સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીના કારણે વાહનો બંધ પડી જવાના અને પગપાળા જતાં રાહદારીઓ લપસી પડવાના બનાવો પણ બની રહ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>તંત્ર વહેલી તકે પાણીનો નિકાલ કરે તેવી સ્થાનિકોની માંગ</b></h3><p style="text-align: justify; ">વરસાદ અટક્યા બાદ પણ કલાકો સુધી પાણી ન ઓસરતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. રહીશોનો આક્ષેપ છે કે દર વર્ષે આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. ગોદરેજ ગાર્ડન સિટીના રહીશોએ માંગ કરી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક પંપિંગ મૂકીને ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં આવે અને ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે ડ્રેનેજ લાઈનની સુધારો કરવામાં આવે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/2d42V9a2y6zkeqNDp9OvO2OLvWwVONWnBClaN9jp.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના ફતેવાડીમાં જૂની અદાવતમાં પિસ્તોલથી ધાણીફૂટ ફાયરિંગ, એક વ્યક્તિ ગંભીર રીતે ઘવાયી ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/in-ahmedabads-fatehwadi-a-man-was-seriously-injured-in-a-gunfight-over-an-old-enmity</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/in-ahmedabads-fatehwadi-a-man-was-seriously-injured-in-a-gunfight-over-an-old-enmity</guid><pubDate>Sat, 25 Jul 2026 16:02:18 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરના વેજલપુર-સરખેજ વિસ્તાર નજીક આવેલા ફતેવાડી પંથકમાં ફાયરિંગની સનસનાટીભરી ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. જૂની અદાવત અને ફરિયાદીની પત્ની સાથેના પ્રેમ સંબંધની તકરારમાં પિસ્તોલ જેવા ઘાતક હથિયારથી યુવક પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ હુમલામાં જાવેદ પઠાણ નામના વ્યક્તિને ગોળી વાગતાં તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં ભારે ભાગદોડ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.</p><h2><b>ઈજાગ્રસ્ત જાવેદ પઠાણ હોસ્પિટલમાં સારવાર હેઠળ</b></h2><p>ગોળી વાગવાથી ગંભીર રીતે ઘવાયેલા જાવેદ પઠાણને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ નાજુક હોવાનું કહેવાઈ રહ્યું છે. ફાયરિંગની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને વિસ્તારને કોર્ડન કરીને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.</p><h3><b>ત્રણ સામે હત્યાના પ્રયાસનો ગુનો, એક આરોપીની અટકાયત</b></h3><p>પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી મુખ્ય આરોપીઓ મુસાહિદ ઉર્ફે બાબુ કાલીયા, સહેજાન ઉર્ફે ભૂરો અને ડેમો નામના ત્રણ શખ્સો વિરુદ્ધ હત્યાના પ્રયાસ (IPC/BNS) તેમજ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આ ઘટનામાં સંડોવાયેલા એક આરોપીની અટકાયત કરી લીધી છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવી આગળની કાયદેસરની તપાસ તેજ કરી છે.</p><p><a href="http://ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/yxSiKUnepXsFtdbnOwmEbA9atQ5XawMvKzXN7ckF.webp'/></item><item><title><![CDATA[Sports News : ભારતમાં મેચ રમવા આવશે બ્રાઝિલની ટીમ, ક્યાં અને ક્યારે થશે ટક્કર ]]></title><link>https://sandesh.com/sports/news/sports-news-brazilian-team-will-come-to-india-to-play-a-match-where-and-when-will-the-match-take-place</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/sports-news-brazilian-team-will-come-to-india-to-play-a-match-where-and-when-will-the-match-take-place</guid><pubDate>Sat, 25 Jul 2026 15:46:30 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય ફૂટબોલ ચાહકો માટે એક સારા સમાચાર છે.વિશ્વની સૌથી લોકપ્રિય અને પાંચ વખતની વિશ્વ ચેમ્પિયન બ્રાઝિલિયન ફૂટબોલ ટીમ ઓક્ટોબરમાં ભારતનો પ્રવાસ કરે તેવી શક્યતા છે. મીડિયા રિપોર્ટ અનુસાર બ્રાઝિલિયન ફૂટબોલ એસોસિએશન (CBF) ઓક્ટોબરની શરૂઆતમાં ભારતમાં એક મૈત્રીપૂર્ણ મેચ રમવા માટે આયોજકો સાથે વાતચીત કરી રહ્યું છે.</p><h5><b>કોલકાતા એક ઐતિહાસિક મેચનું સાક્ષી બની શકે છે</b></h5><p>ફૂટબોલના મક્કા તરીકે ઓળખાતું કોલકાતા આ પ્રસ્તાવિત મેચનું આયોજન કરે તેવી શક્યતા છે. મીડિયા રિપોર્ટ અનુસાર CBF અને આયોજકો વચ્ચે આ મેચ અંગે પ્રારંભિક ચર્ચાઓ 2026 માં યુનાઇટેડ સ્ટેટ્સમાં યોજાયેલા FIFA વર્લ્ડ કપ દરમિયાન શરૂ થઈ હતી. જોકે, હજુ સુધી સ્પષ્ટ નથી કે પાંચ વખતની વિશ્વ ચેમ્પિયન ટીમ ભારતીય રાષ્ટ્રીય ટીમનો સામનો કરશે કે અન્ય આંતરરાષ્ટ્રીય ટીમનો.</p><h4><b>બ્રાઝિલનો 3-મેચનો આંતરરાષ્ટ્રીય વિન્ડો પ્લાન</b></h4><p>FIFAનો આંતરરાષ્ટ્રીય વિન્ડો 21 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર સુધી ચાલવાનો છે. આ સમયગાળા દરમિયાન, બ્રાઝિલિયન ટીમ કુલ ત્રણ મેચ રમવાની યોજના ધરાવે છે: બે ઓસ્ટ્રેલિયામાં અને એક ભારતમાં.</p><ul><li>25 સપ્ટેમ્બર: ઓસ્ટ્રેલિયાના ટાઉન્સવિલેમાં મેચ.</li><li>29 સપ્ટેમ્બર: ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં બીજી મેચ.</li><li>ઓક્ટોબરની શરૂઆતમાં: ભારતમાં ત્રીજી મૈત્રીપૂર્ણ મેચ.</li></ul><h5><b>સિંગાપોર સાથે પણ વાટાઘાટો થઈ હતી</b></h5><p>બ્રાઝિલિયન ફૂટબોલ એસોસિએશને આ સમયગાળા દરમિયાન બાંગ્લાદેશમાં ચોથી મેચ રમવાનું પણ વિચાર્યું હતું, પરંતુ ખેલાડીઓનો થાક, મુસાફરીનો સમય અને તૈયારીને ધ્યાનમાં રાખીને, યોજના મુલતવી રાખવામાં આવી છે. સિંગાપોર સાથે પણ વાટાઘાટો થઈ હતી, પરંતુ કોઈ કરાર થઈ શક્યો ન હતો, જેના કારણે કોલકાતાની બોલી સૌથી મજબૂત રહી.</p><h5><b>કોલકાતાનો બ્રાઝિલ સાથે લાંબા ગાળાનો સંબંધ</b></h5><p>કોલકાતાનો બ્રાઝિલિયન ફૂટબોલ સાથે લાંબા સમયથી સંબંધ છે. દિગ્ગજ ફૂટબોલ દિગ્ગજ પેલેએ 1977માં ન્યૂ યોર્ક કોસ્મોસ માટે રમતી વખતે ઇડન ગાર્ડન્સ ખાતે મોહન બાગાન સામે ઐતિહાસિક મેચ રમી હતી. ત્યારબાદ તેમણે 2015માં કોલકાતાની મુલાકાત લીધી હતી. જો આ પ્રવાસ નિર્ધારિત સમય મુજબ ચાલે છે, તો કોલકાતાના ચાહકોને વિનિસિયસ જુનિયર જેવા ફૂટબોલ દિગ્ગજોને વ્યક્તિગત રીતે રમતા જોવાની સુવર્ણ તક મળી શકે છે.</p><p>આ પણ&nbsp; વાંચો <a href="https://sandesh.com/sports/news/cwg-2026-medals-tally-australia-no-1-where-is-india-after-jhandu-kumars-bronze-medal" target="_blank">- CWG 2026 Medals Tally : ઓસ્ટ્રેલિયા નંબર-1, ઝાંડુ કુમારના બ્રોન્ઝ મેડલ બાદ ભારત કયા સ્થાને?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/WGQCJbtFOvCHvaDTTKLtlr0kve93CEqEqB8sKmod.webp'/></item><item><title><![CDATA[Shehnaaz Gill મસ્જિદમાં માથું ટેકવતી નજરે પડી, શું રાઘવ જુયાલ સાથે કરશે લગ્ન? ]]></title><link>https://sandesh.com/entertainment/news/india/shehnaaz-gill-seen-bowing-her-head-in-the-mosque-will-raghav-marry-juyal</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/india/shehnaaz-gill-seen-bowing-her-head-in-the-mosque-will-raghav-marry-juyal</guid><pubDate>Sat, 25 Jul 2026 12:11:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બિગ બોસ ફેમ અને બોલિવૂડ અભિનેત્રી શહેનાઝ ગિલ અવારનવાર પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર શહેનાઝ ગિલનો એક નવો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક મસ્જિદમાં જઈને શ્રદ્ધાપૂર્વક માથું ટેકવતી જોવા મળી રહી છે. આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ અને યુઝર્સ વચ્ચે ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>સોશિયલ મીડિયા પર સવાલો</b></h2><p style="text-align: justify; ">વાયરલ થઈ રહેલી આ ઝલકમાં શહેનાઝ ખૂબ જ સાદગીપૂર્ણ અંદાજમાં મસ્જિદમાં પ્રવેશતી અને નમન કરતી નજરે પડે છે. આ દ્રશ્ય જોયા બાદ નેટીઝન્સ વિવિધ પ્રકારની અટકળો લગાવી રહ્યા છે. કેટલાક યુઝર્સ સવાલ ઉઠાવી રહ્યા છે કે શું શહેનાઝ ગિલ પોતાના જીવનમાં કોઈ મોટો નિર્ણય લેવા જઈ રહી છે? શું તે બીજા ધર્મમાં લગ્ન કરવાની યોજના બનાવી રહી છે? આવા અનેક પ્રશ્નો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ટ્રેન્ડ કરવા લાગ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>રાઘવ જુયાલ સાથે જોડાતું નામ</b></h3><p style="text-align: justify; ">આ વીડિયો વાયરલ થતાંની સાથે જ શહેનાઝ ગિલ અને જાણીતા ડાન્સર-એક્ટર રાઘવ જુયાલના અફેરની અફવાઓને ફરી એકવાર હવા મળી છે. અગાઉ પણ બંનેના ડેટિંગ અને ખાસ બોન્ડિંગને લઈને મીડિયામાં અહેવાલો વહેતા થયા હતા. જોકે, ભૂતકાળમાં શહેનાઝ અને રાઘવ બંને સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે તેઓ માત્ર ખૂબ સારા મિત્રો છે અને એકબીજાને સપોર્ટ કરે છે. તેમ છતાં, મસ્જિદની આ મુલાકાત બાદ યુઝર્સ ફરીથી બંનેના સંબંધો અને અલગ ધર્મમાં લગ્નની શક્યતાઓને જોડીને ચર્ચા કરી રહ્યા છે.</p><h4 style="text-align: justify; "><b>ફેન્સની પ્રતિક્રિયા</b></h4><p style="text-align: justify; ">એકતરફ જ્યાં કેટલાક લોકો આ બાબતે જાતજાતના તર્કો લગાવી રહ્યા છે, તો બીજી તરફ શહેનાઝના પ્રશંસકો તેને સર્વધર્મ સંભાવના ઉદાહરણ ગણાવી રહ્યા છે. ફેન્સનું માનવું છે કે દરેક ધર્મસ્થળ પ્રત્યે આદર દાખવવો એ સરાહનીય બાબત છે અને તેને લગ્ન કે અફેર સાથે જોડવું યોગ્ય નથી. શહેનાઝ તરફથી હજુ સુધી આ વાયરલ વીડિયો અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/thalapathy-vijays-last-film-jana-nayakkan-released-in-cinemas-earned-a-whopping-rs-50-crore-on-the-first-day" target="_blank">આ પણ વાંચો: Thalapathy Vijayની છેલ્લી ફિલ્મ "જન નાયકન" સિનેમાઘરોમાં રિલીઝ, ફર્સ્ટ ડે 50 કરોડની ધૂમ કમાણી કરી</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/25/zokbrfVToEjH7QXf8QFadATHaQXjmhwVLavlpNy0.webp'/></item></channel></rss>