<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabad News: સિદ્ધપુરથી પકડાયેલા આતંકીઓ પાસેથી મળેલા પુસ્તકોમાં વિસ્ફોટક બનાવવાની માહિતી હતી ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ats-finds-explosive-making-manuals-from-siddhpur-terror-suspects</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ats-finds-explosive-making-manuals-from-siddhpur-terror-suspects</guid><pubDate>Fri, 17 Jul 2026 17:15:24 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાત ATS દ્વારા સિદ્ધપુરથી પકડાયેલા શંકાસ્પદ આતંકીઓ અંગે ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. તપાસ દરમિયાન પકડાયેલા શખ્સો પાસેથી મોટા પ્રમાણમાં જેહાદી સાહિત્ય અને પુસ્તકો મળી આવ્યા છે. આ પુસ્તકોમાં વિસ્ફોટકો કેવી રીતે બનાવવા તેની વિગતવાર અને જોખમી માહિતી આપેલી હતી. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ તમામ શખ્સો જૈશ-એ-મોહમ્મદના આકા મૌલાના અઝહર મસૂદની કટ્ટર વિચારધારાથી ભારે પ્રભાવિત હતા અને તેઓએ અઝહર મસૂદને એક પત્ર પણ લખ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>ષડ્યંત્રકાર અમીન શેરા દ્વારા માહિતી અપાતી</b></h2><p style="text-align: justify; ">આ સમગ્ર નેટવર્ક પાછળ મુખ્ય ષડ્યંત્રકાર તરીકે અમીન શેરા નામનો શખ્સ સક્રિય હતો જે આ આતંકીઓને તમામ પ્રકારની માહિતી અને માર્ગદર્શન પૂરૂં પાડતો હતો.બીજી તરફ એટીએસ દ્વારા પકડાયેલા મુખ્ય આરોપી મોહમ્મદના પિતા અય્યુબભાઈએ મીડિયા સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરી છે.પિતાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જો મારો દીકરો ખરેખર દેશદ્રોહી નીકળે અને આવી પ્રવૃત્તિઓમાં સામેલ હોય તો કાયદો તેને કડક વલણ અપનાવીને સજા કરે.મોહમ્મદના પિતાએ ખુલાસો કર્યો હતો કે તેમનો પુત્ર ઉત્તર પ્રદેશની પ્રખ્યાત દેવબંદ મદ્રેસામાં અભ્યાસ કરી ચૂક્યો છે અને છેલ્લા 6 મહિનાથી તેમની સાથે જ દુકાને કામ પર બેસતો હતો.</p><h2 style="text-align: justify; "><b>તપાસમાં સહયોગ આપવાની પિતાની ખાતરી</b></h2><p style="text-align: justify; ">ઘરમાં તેની પ્રવૃત્તિઓ વિશે વાત કરતા પિતાએ જણાવ્યું કે તે અવારનવાર ફટાકડા અને ઝાડમાં નાખવાના પાવડર લાવીને અલગઅલગ પ્રયોગો કરતો હતો. જેનો હેતુ હવે સ્પષ્ટ થઈ રહ્યો છે. આરોપીના પરિવારે દેશવિરોધી ગતિવિધિઓથી પોતાને તદ્દન અલગ કરી દીધા છે.પિતા અય્યુબભાઈ અને તેમના પરિવારે સ્પષ્ટ કર્યું છે કે,તેઓ ક્યારેય પણ આવી કોઈ દેશવિરોધી પ્રવૃત્તિમાં સહમત નથી અને દેશ હિત જ તેમના માટે સર્વોપરી છે.આ સાથે જ તેમણે એટીએસ અને સ્થાનિક પોલીસની ચાલી રહેલી તમામ તપાસમાં પૂરેપૂરો સહયોગ આપવાની ખાતરી ઉચ્ચારી છે.હાલમાં એટીએસ મોહમ્મદ અને અમીન શેરાના કનેક્શન તેમજ વિસ્ફોટકો બનાવવાના આ પ્રયોગો કયા મોટા ષડ્યંત્રનો ભાગ હતા તે દિશામાં ઉંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-news-bhaktinagar-railway-station-to-be-renovated-pm-modi-will-virtually-inaugurate-it" target="_blank">આ પણ વાંચોઃ Rajkot News: 26.80 કરોડના ખર્ચે ભક્તિનગર રેલવે સ્ટેશનનું નવીનીકરણ, પીએમ મોદી કરશે વર્ચ્યુઅલી લોકાર્પણ</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/rZad089bKKkphrW96OszirP93BNKGbLSgGtwJlgU.webp'/></item><item><title><![CDATA[Rajkot Janmashtami Lok Mela 2026: AI ડ્રોનથી મોનીટરીંગ, સ્ટોલના ભાડામાં મોટો વધારો, જાણો જન્માષ્ટમી લોકમેળાની મહત્વની તારીખો ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/janmashtami-lok-mela-2026-stall-rent-hike</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/janmashtami-lok-mela-2026-stall-rent-hike</guid><pubDate>Fri, 17 Jul 2026 17:09:52 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટમાં દર વર્ષે યોજાતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો લાખો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. આ વર્ષે મેળાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા લોકોની સુરક્ષા અને મેળાની વ્યવસ્થાને વધુ સઘન બનાવવા માટે એક મોટો નિર્ણય લેવાયો છે. આ વખતે મેળામાં ચાંપતી નજર રાખવા માટે અત્યાધુનિક AI ટેક્નોલોજી યુક્ત ડ્રોન દ્વારા સમગ્ર લોકમેળાનું મોનીટરીંગ કરવામાં આવશે.</p><h2><b>સ્ટોલ અને રાઇડ્સના પ્લોટના ભાડામાં અધધ વધારો</b></h2><p>લોકમેળામાં વેપાર કરવા આવતા વેપારીઓને આ વર્ષે મોંઘવારીનો માર સહન કરવો પડશે. તંત્ર દ્વારા મેળાના 228 જેટલા સ્ટોલ અને પ્લોટના ભાડામાં રૂ. 2,000 થી લઈને રૂ. 12,000 સુધીનો સીધો વધારો ઝીંકવામાં આવ્યો છે. નવી બેઝ પ્રાઇઝ મુજબ, ખાણીપીણીની કેટેગરીના નાના સ્ટોલના ભાડામાં રૂ. 2,000 થી 5,000 સુધીનો વધારો કરાયો છે. જ્યારે એમ્યુઝમેન્ટ રાઇડ્સ માટેના પ્લોટ અને મોટા સ્ટોલની કિંમતમાં પણ રૂ. 5,000 થી 8,000 સુધીનો વધારો કરવામાં આવ્યો છે.</p><h2><b>વેપારીઓમાં કચવાટ અને ફોર્મ વિતરણની તારીખો જાહેર</b></h2><p>અચાનક સ્ટોલ અને પ્લોટના બેઝ પ્રાઇઝમાં તોતિંગ ભાવ વધારો કરવામાં આવતા નાના અને મધ્યમ વર્ગના વેપારીઓમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, લોકમેળામાં વ્યવસાય કરવા ઈચ્છુક લોકો માટે ફોર્મ વિતરણની પ્રક્રિયાની તારીખો પણ જાહેર કરી દેવાઈ છે. આગામી 20 જુલાઈથી રાજકોટમાં આવેલ તોરલ બિલ્ડીંગ ખાતેની ઇન્ડિયન બેંકની શાખામાંથી ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવશે. વેપારીઓ 28 જુલાઈ સુધી આ ફોર્મ ભરીને સબમીટ કરી શકશે.</p><h2><b>2 થી 6 સપ્ટેમ્બર વચ્ચે યોજાશે જન્માષ્ટમી લોકમેળો 2026</b></h2><p>ચાલુ વર્ષે જન્માષ્ટમીના તહેવારો દરમિયાન યોજાનારો આ રાજકોટનો જન્માષ્ટમી લોકમેળો 2 સપ્ટેમ્બરથી શરૂ થશે, જે 6 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ પાંચ દિવસ દરમિયાન ચાલનારા લોકજીવનના મહોત્સવમાં રાજકોટ શહેર સાથે સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને અન્ય જિલ્લાઓમાંથી પણ લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. આ વ શક્યતા સેવાઈ રહી છે.</p><h2><b>રાજકોટના ઐતિહાસિક રેસકોર્સ મેદાન ખાતે યોજાશે લોકમેળો</b></h2><p>દર વર્ષની પરંપરા મુજબ ચાલુ વર્ષે પણ રોજકોટ જન્માષ્ટમી લોકમેળો રાજકોટના હૃદય સમાન ઐતિહાસિક રેસકોર્સ મેદાન ખાતે યોજાશે. વિશાળ જગ્યા ધરાવતા આ મેદાનમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સીસીટીવી કેમેરા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત, આરોગ્યની ટીમ અને ફાયર સેફ્ટીની પૂરતી સુવિધાઓ ઉભી કરવામાં આવશે, જેથી લોકો કોઈ પણ મુશ્કેલી વગર તહેવારની મોજ માણી શકે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/rajkot/janmashtami-lok-mela-2026-race-course-ground" target="_blank">Rajkot Janmashtami Lok Mela 2026: સૌરાષ્ટ્રના સૌથી મોટા જન્માષ્ટમી લોકમેળાની તૈયારીઓ શરૂ, જાણો તારીખ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/HPJtKXQ1S6xyNZaIlGbnZOvaR9xi3onc66ClB6LR.webp'/></item><item><title><![CDATA[Banaskanthaમાં આધેડના અપહરણ અને માર મારવાના મામલામાં પોલીસે 3 શખ્સોની કરી ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/police-arrest-3-people-in-the-case-of-kidnapping-and-beating-of-a-middle-aged-man-in-banaskantha</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/police-arrest-3-people-in-the-case-of-kidnapping-and-beating-of-a-middle-aged-man-in-banaskantha</guid><pubDate>Fri, 17 Jul 2026 17:03:17 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બનાસકાંઠાથી આધેડના અપહરણ અને તેમને માર મારવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાટણના દાદર ગામના આધેડ અજમલભાઈ પાનાભાઈ ચૌધરીનું ગત 11 જુલાઈના રોજ 10થી 12 શખ્સોના ટોળા દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારો તેમને જાગીરમઠ નામની જગ્યાએ લઈ ગયા હતા, જ્યાં તેમના પર હિંસક હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ઘટનાની ગંભીરતા જોઈને અપહરણ અને રાયોટિંગ (રમખાણ) સહિતની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.</p><h2 style="text-align: justify; "><b>પોલીસે ઘટનાનું પુનઃનિર્માણ કરાવ્યું</b></h2><p style="text-align: justify; ">આ ચકચારી કેસમાં બનાસકાંઠા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને અપહરણની ઘટનામાં સંડોવાયેલા મુખ્ય 3 શખ્સોની અટકાયત કરી લીધી છે. ધરપકડ કર્યા બાદ પોલીસની ટીમ આ આરોપીઓને કડક સુરક્ષા વચ્ચે સીધા જ ઘટનાસ્થળે લઈ ગઈ હતી. જ્યાં આ ગુનાહિત કૃત્યને અંજામ આપવામાં આવ્યો હતો, ત્યાં પોલીસે તમામ આરોપીઓની હાજરીમાં સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન (પુનઃનિર્માણ) કરાવ્યું હતું.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>અન્ય આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન</b></h3><p style="text-align: justify; ">આ ગુનામાં હજુ પણ 7થી 9 જેટલા શખ્સો ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે પકડાયેલા ત્રણેય આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરી છે અને આ ઘટના પાછળનો મુખ્ય હેતુ તેમજ અન્ય ફરાર આરોપીઓ વિશે ચોક્કસ માહિતી મેળવી શકાય. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, કાયદો હાથમાં લેનારા તમામ અસામાજિક તત્વો સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે અને ટૂંક સમયમાં જ બાકીના તમામ ગુનેગારોને પણ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/o6Bk4ILHx2wlMcKqtras5aPexCLNkqwKkkSwQeVd.webp'/></item><item><title><![CDATA[Govinda : 'રૂપા-વુપા બંધ કરો!' ગોવિંદાની કમબેક ફિલ્મના સવાલ પર સુનીતા આહુજાનો ચોંકાવનારો જવાબ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/sunita-ahuja-govinda-comeback-film-statement</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/sunita-ahuja-govinda-comeback-film-statement</guid><pubDate>Fri, 17 Jul 2026 16:49:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગોવિંદા સાત વર્ષ બાદ ફિલ્મ રૂપા દ્વારા બોલીવુડમાં વાપસી કરી રહ્યા છે. પરંતુ તેમની પત્ની સુનીતા આહુજાએ ફિલ્મ અંગે વાત કરવાનું ટાળી માત્ર પોતાના પુત્ર યશવર્ધન અને પોતાની આગામી ફિલ્મની ચર્ચા કરવાની અપીલ કરી. તેમના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ફેન્સમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેટલાકે તેને આત્મવિશ્વાસ ગણાવ્યો તો કેટલાકે ગોવિંદા પ્રત્યેની નારાજગી તરીકે જોયું.</p><h2 style="text-align: justify; "><b>ગોવિંદાની સાત વર્ષ બાદ ફિલ્મી વાપસી</b></h2><p style="text-align: justify; ">હિન્દી સિનેમાના લોકપ્રિય અભિનેતા ગોવિંદા સાત વર્ષના લાંબા વિરામ બાદ રૂપા ફિલ્મ દ્વારા મોટા પડદા પર પરત ફરી રહ્યા છે. મુંબઈમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે પોતાની કમબેક ફિલ્મ વિશે માહિતી આપી હતી. આ ફિલ્મ દ્વારા અભિનેત્રી રાની સ્વર્ણકારને બોલીવુડમાં લોન્ચ કરવામાં આવી રહી છે. ગોવિંદાની વાપસીને લઈને ફેન્સમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો, પરંતુ તેમની પત્ની સુનીતા આહુજાની પ્રતિક્રિયાએ સમગ્ર ચર્ચાનું કેન્દ્ર બદલી નાખ્યું.</p><h3 style="text-align: justify; "><b>‘રૂપા-વુપા બંધ કરો’ કહી સુનીતાએ ટાળી ચર્ચા</b></h3><p style="text-align: justify; ">તાજેતરમાં લોક અપ શોમાંથી બહાર આવેલી સુનીતા આહુજા એક કાર્યક્રમમાં પહોંચી હતી, જ્યાં પાપારાઝીએ ગોવિંદાની ફિલ્મ રૂપા વિશે પ્રશ્ન પૂછ્યો હતો. તેના જવાબમાં સુનીતાએ કહ્યું, આ રૂપા-વુપા વિશે વાત કરવાની જગ્યા નથી. તેમણે વધુમાં જણાવ્યું કે હવે માત્ર તેમના પુત્ર યશવર્ધન અને પોતાની આગામી ફિલ્મ વિશે જ ચર્ચા થવી જોઈએ. સુનીતાએ કહ્યું કે એકતા કપૂર તેની ફિલ્મની નિર્માતા છે અને તેમાં મોટું રોકાણ કર્યું છે, તેથી લોકોનું ધ્યાન હવે તેની નવી શરૂઆત પર હોવું જોઈએ.</p><h3 style="text-align: justify; "><b>પુત્ર યશવર્ધન અંગે વ્યક્ત કર્યો વિશ્વાસ</b></h3><p style="text-align: justify; ">જ્યારે સુનીતાને યાદ અપાવવામાં આવ્યું કે ગોવિંદાએ પોતાના પુત્ર યશવર્ધનને પોતાના કરતાં વધુ પ્રતિભાશાળી ગણાવ્યો છે, ત્યારે તેણે પણ પુત્રના વખાણ કર્યા. સુનીતાએ કહ્યું કે યશવર્ધન ખૂબ જ પ્રતિભાશાળી અને સંસ્કારી છે અને તેનો ઉછેર તેણે કર્યો છે. તેણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે યશવર્ધન ભવિષ્યમાં ચોક્કસ સફળતા મેળવશે અને લોકોનો પ્રેમ તથા આશીર્વાદ તેની સાથે રહેશે.</p><h5 style="text-align: justify; "><b>સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ</b></h5><p style="text-align: justify; ">સુનીતા આહુજાના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી. કેટલાક ફેન્સનું માનવું છે કે તેના શબ્દોમાં ગોવિંદા પ્રત્યેની નારાજગી અને ઈર્ષ્યા સ્પષ્ટ દેખાય છે, જ્યારે કેટલાકે કહ્યું કે પિતા તરીકે ગોવિંદાનું સ્થાન હંમેશા વિશેષ રહેશે. કેટલાક યુઝર્સે એવું પણ લખ્યું કે ભૂતકાળના કેટલાક પ્રસંગોને કારણે સુનીતા હવે પોતાના અને પોતાના પુત્રના કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, તેમાં કંઈ ખોટું નથી. જોકે ઘણા લોકોએ એવું પણ માન્યું કે જાહેરમાં ગોવિંદાની ફિલ્મ વિશે આ પ્રકારની પ્રતિક્રિયા આપવાથી અભિનેતાને અનાવશ્યક રીતે શરમજનક સ્થિતિમાં મૂકવામાં આવ્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/tamannaah-bhatia-ragini-3-london-shooting" target="_blank">આ પણ વાંચો-Tamannaah Bhatiaએ શરૂ કર્યું રાગિની 3નું શૂટિંગ, લંડન શેડ્યૂલની તસવીરોએ વધારી ઉત્સુકતા!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/mAYgMlPL9bzn1TJD3Rgqq6bkHcaKiliHMDfYu66o.webp'/></item><item><title><![CDATA[Rajkot News: મનપાના આરોગ્ય વિભાગનું સઘન ચેકિંગ, બે જાણીતી પેઢીઓને કરી સીલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-news-intensive-checking-by-the-municipal-health-department-two-well-known-firms-sealed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-news-intensive-checking-by-the-municipal-health-department-two-well-known-firms-sealed</guid><pubDate>Fri, 17 Jul 2026 16:44:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. મનપાની ટીમે શહેરમાં ખાણીપીણીના 89 જેટલા ધંધાર્થીઓને ત્યાં આકસ્મિક અને સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ કડક ઝુંબેશ દરમિયાન ગંભીર બેદરકારી દાખવનારી બે જાણીતી પેઢીઓ, 'જય જલારામ લસ્સી' અને 'અડારો રેસ્ટોરન્ટ' ને આરોગ્ય વિભાગ દ્વારા સ્થળ પર જ સીલ કરી દેવામાં આવતા અન્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>વાસી ખોરાકનો નાશ અને 20 હજારનો દંડ વસૂલાયો</b></h2><p style="text-align: justify;">આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન વિવિધ એકમોમાંથી આશરે 59 કિલો જેટલો અખાદ્ય અને વાસી ખાદ્ય પદાર્થોનો જથ્થો મળી આવ્યો હતો, જેને માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાવી તાત્કાલિક સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા વેપારીઓ પાસેથી કુલ 20,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. સ્વચ્છતા અને કાયદાનું પાલન ન કરનારી અન્ય 9 પેઢીઓને સ્ટોરેજ, લાયસન્સ અને હાઈજેનિક કન્ડિશન બાબતે કારણદર્શક નોટિસ પણ ફટકારવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>FSSAI એક્ટ હેઠળ નમૂના લેબોરેટરીમાં મોકલાયા</b></h3><p style="text-align: justify;">આરોગ્ય વિભાગ દ્વારા માત્ર દંડનીય કાર્યવાહી જ નહીં, પરંતુ ગુણવત્તાની ચકાસણી માટે કાયદાકીય પગલાં પણ લેવામાં આવ્યા છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એક્ટ હેઠળ શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના 10 જેટલા નમૂનાઓ લેવામાં આવ્યા છે. આ તમામ નમૂનાઓને ચોક્કસ પૃથ્થકરણ અને ચકાસણી માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. મનપાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ કસૂરવારો સામે આગળની કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.</p><p style="text-align: justify;"><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify;"><br></p><p style="text-align: justify;"><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/uFl6B9ZbL7iFQLSRoBuGeIprxzelZH8BzMI6Yb0u.webp'/></item><item><title><![CDATA[SC: નામમાંથી ડોક્ટર હટાવી દો, ગરીબ હતી એટલે સારવાર નહી કરો? SC આકરાપાણીએ ]]></title><link>https://sandesh.com/india/news/sc-remove-doctor-from-the-name-wont-treat-her-because-she-was-poor-sc-slams-rape-victim-for-not-treating-her</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/sc-remove-doctor-from-the-name-wont-treat-her-because-she-was-poor-sc-slams-rape-victim-for-not-treating-her</guid><pubDate>Fri, 17 Jul 2026 16:42:33 +05:30</pubDate><description><![CDATA[<p>ગાઝિયાબાદની રેપ પીડિતા 4 વર્ષની માસુમ બાળકીની સારવાર કરવાની ના પાડી દેતી ખાનગી હોસ્પિટલને સુપ્રિમ કોર્ટે ઠપકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં કહી દીધુ કે ડોક્ટરના વ્યવસાયમા&nbsp;ં રહીને તમે સંવેદનશીલ નથી. તમારા નામમાંથી ડોક્ટર શબ્દ હટાવી લેવો જોઇએ.&nbsp;</p><p><b style="font-size: 2rem;">રેપ પીડિતાની સારવાર ન કરવા ખાનગી હોસ્પિટલની ઝાટકણી કાઢી&nbsp;</b></p><p>ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે હોસ્પિટલો અને ડોકટરોને ઠપકો આપતા કહ્યું કે ખાનગી હોસ્પિટલએ બાળકીને ફક્ત એટલા માટે અવગણી હતી કારણ કે તે ગરીબ હતી. આવું વર્તન અસંવેદનશીલ છે. આવા લોકોએ પોતાના નામમાંથી ડોક્ટર શબ્દ હટાવી લેવો જોઇએ. એક બળાત્કારની ઘટનામાં સુપ્રિમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી. જો કે બાળકીને સમયસર સારવાર ન મળતા તેનું મોત થયુ હતું.&nbsp;</p><p><b style="font-size: 1.75rem;">બાળકીને સારવાર ન આપવા બદલ સુપ્રીમ કોર્ટ લાલઘુમ</b></p><p>સુપ્રીમ કોર્ટે બે હોસ્પિટલો દ્વારા બાળકને દાખલ કરવાનો ઇનકાર કરવા પર ઊંડી નારાજગી વ્યક્ત કરી. ન્યાયાધીશે ટિપ્પણી કરી કે જો તેઓ તેમની ફરજો બજાવી શકતા નથી તો તેમણે તેમના નામ આગળ 'ડોક્ટર' લખવાનો કોઈ અધિકાર નથી. બેન્ચે અવલોકન કર્યું કે જો તેમની પાસે કોઈ સંવેદનશીલતા હોત તો તેઓ બાળકને દાખલ કરી શક્યા હોત. જો તેમની હોસ્પિટલોમાં જરૂરી સંસાધનોનો અભાવ હોત, તો તેઓ તેને અન્યત્ર રીફર કરી શક્યા હોત. તેના બદલે તેઓએ તેણીને અવગણી કારણ કે તે ગરીબ હતી શું તેઓએ આવું એટલા માટે કર્યું કારણ કે તેનો પરિવાર તેમની ફીનો નાણાકીય બોજ ઉઠાવી શકતો ન હતો?</p><h3><b>ચોકલેટની લાલચ આપીને બળાત્કાર કર્યો&nbsp;</b></h3><p>ન્યાયાધીશ સૂર્યકાન્તે ખાનગી હોસ્પિટલોને બાળકીના પરિવારને કંઇક મદદ કરવા માટે તેઓએને દાન આપવાનો આદેશ આપ્યો. આ ઘટના આ વર્ષની 16 માર્ચની છે. આરોપીએ બાળકીને ચોકલેટનું વચન આપીને લલચાવીને નજીકના સ્થળે લઈ ગયો હતો. તેણે બાળકી પર બળાત્કાર કર્યો અને તેને આઘાતજનક અને વ્યથિત સ્થિતિમાં છોડીને ભાગી ગયો. ઘણા કલાકો સુધી શોધખોળ કર્યા પછી પરિવારને તે બાળકી લોહીથી લથબથ મળી આવી. તે સમયે તે બેભાન હતી. પરિવાર તેને સારવાર માટે બે ખાનગી હોસ્પિટલોમાં લઈ ગયો પરંતુ બંનેએ તેની સારવાર કરવાની ના પાડી દીધી.</p><h4><b>પોલીસે કેસ નોંધવાનો કર્યો હતો ઇન્કાર&nbsp;</b></h4><p>આખરે પરિવાર તેને સરકારી હોસ્પિટલમાં લઈ ગયો, જ્યાં તેણીને મૃત જાહેર કરવામાં આવી. એપ્રિલમાં સર્વોચ્ચ અદાલતે નોંધ્યું હતું કે ઘટનાનું સૌથી દુઃખદ પાસું હોસ્પિટલો દ્વારા દર્શાવવામાં આવેલી સંવેદનશીલતાનો અભાવ હતો. વધુમાં સ્થાનિક પોલીસે પણ પરિવારની ચિંતાઓને યોગ્ય મહત્વ આપવામાં નિષ્ફળ રહી હતી અને વારંવાર કેસ નોંધવાનો ઇનકાર કર્યો હતો. અંતે સ્થાનિક લોકો દ્વારા ભારે હોબાળો અને વિરોધ બાદ, 17 માર્ચે FIR નોંધવામાં આવી હતી. ત્યારબાદ 18મી તારીખે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, POCSO એક્ટ અને કલમ 376 હેઠળના આરોપો FIRમાં સામેલ કરવામાં આવ્યા ન હતા.</p><p><br></p><h4><b>SIT તપાસમાં શું બહાર આવ્યું?</b></h4><p>પરિવારે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો, જેમાં આ કેસમાં તપાસ અને તબીબી સારવારમાં ઘોર બેદરકારીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. એપ્રિલમાં, સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા તપાસનો આદેશ આપ્યો હતો. SITની પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું હતું કે ખાનગી હોસ્પિટલો છોકરીને સમયસર જરૂરી તબીબી સહાય પૂરી પાડવામાં નિષ્ફળ ગઈ હતી.</p><p>સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે, "આવા જઘન્ય ગુનાનો ભોગ બનેલી એક છોકરીને તમારી પાસે લાવવામાં આવી હતી, અને તમે તેને પ્રાથમિક સારવાર પણ આપી ન હતી." કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, હોસ્પિટલો પર દંડ લાદવા ઉપરાંત, પીડિતાના પરિવારને યોગ્ય વળતર આપવું જોઈએ.</p><p><br></p><p><a href="https://sandesh.com/astrology/news/bhakti/surya-guru-yuti-2026-mahalakshmi-rajyoga-has-been-formed-the-luck-of-4-zodiac-signs-will-shine-due-to-the-union-of-sun-and-guru" target="_blank">આ પણ વાંચો: Surya Guru Yuti 2026: બન્યો મહાલક્ષ્મી રાજયોગ ! સૂર્ય ગુરુની યુતિથી 4 રાશિની કિસ્મત ચમકશે</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/bXeyHB3haODLN8PcSYixhhk0TIkjhrYMon21pcou.webp'/></item><item><title><![CDATA[માથાથી જોડાયેલી છે આ જોડિયા બહેનો... શુ થાય છે જ્યારે એકને ઉઠવું હોય અને બીજીને સૂવું હોય? ]]></title><link>https://sandesh.com/india/news/patna-craniopagus-twins-saba-farah--life-with-joined-heads</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/patna-craniopagus-twins-saba-farah--life-with-joined-heads</guid><pubDate>Fri, 17 Jul 2026 16:35:05 +05:30</pubDate><description><![CDATA[<p>પટનામાં ઢાબા માલિક શકીલ અહેમદ પોતાની જોડિયા દીકરીઓ માટે દરરોજ ભારે મુશ્કેલીઓનો સામનો કરે છે. તેમના નામ સબા અને ફરાહ છે. બંને બહેનો ક્રેનિયોપેગસ (Craniopagus)નામની બીમારી સાથે જન્મી હતી, એટલે કે તેમના માથા એકબીજા સાથે જોડાયેલા છે. આ કેસ હંમેશા તબીબી વિજ્ઞાન માટે એક મોટો પડકાર રહ્યો છે. જન્મથી જ તેમના પરિવારે તેમને અલગ કરવા માટે ઘણી મોટી હોસ્પિટલોની મુલાકાત લીધી છે, પરંતુ જોખમ એટલું વધારે હતું કે ડોક્ટરોએ ના પાડી દીધી હતી.</p><p>જોકે, 2012 માં, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને શકીલ અહેમદની જોડિયા દીકરીઓની પીડા દૂર કરવા માટે એક મેડિકલ બોર્ડ બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ ટીમમાં અમેરિકન સર્જન ડૉ. બેન્જામિન કાર્સન અને ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (AIIMS) ના અન્ય નિષ્ણાતોનો સમાવેશ થવો જોઈએ. આજે પણ આ બંને છોકરીઓ પોતાનું આખું જીવન એકબીજા પર આધાર રાખીને વિતાવે છે.</p><p><img alt="Saba Farah " src="https://epapercdn.sandesh.com/images/2026/07/17/w8HYw61deAyl6okI0iOK8eNLSGahi4TlWg9oGUb5.webp"><br></p><p>
</p><h2><b>રોજિંદા જીવનમાં તેઓ કયા પડકારોનો સામનો કરે છે?
</b></h2><p>બહેનો સબા અને ફરાહનું જીવન સામાન્ય વ્યક્તિ કરતા સંપૂર્ણપણે અલગ છે. સવારે ઉઠવાથી લઈને રાત્રે સૂવા સુધી, તેમને દરેક વસ્તુ માટે એકબીજા પર આધાર રાખવો પડે છે. તેમના માથા જોડાયેલા છે, તેથી તેઓ એકબીજાને જોઈ પણ શકતા નથી. જો સબાને ચાલવું હોય, તો ફરાહને તેની સાથે તાલમેલ રાખવો પડે છે. બેસવાથી લઈને સૂવા સુધી, તેમની સ્થિતિ નિશ્ચિત છે. તેમના જીવનમાં સૌથી મોટો સંઘર્ષ વ્યક્તિગત ગોપનીયતા અને મૂળભૂત આરામનો અભાવ છે. તેમને હંમેશા એક જ બાજુ સૂવું પડે છે, જે તેમના શરીરમાં સતત પીડા અને જડતાનું કારણ બને છે.
</p><p>જો કોઈને સૂવાની કે ઉઠવાની જરૂર હોય, તો બંનેએ એક જ કામ કરવું પડે છે. જો કોઈને સૂવાની જરૂર હોય, તો બીજાને પણ સૂવાની જરૂર છે. જો કોઈને ઊભા રહેવાની જરૂર હોય, તો બીજાને પણ ઊભા રહેવાની જરૂર છે. તેમનો સંકલન તેમને આ મુશ્કેલ મુસાફરીમાં મદદ કરી રહ્યું છે.
</p><h3><b>સમય જતાં વધતી મુશ્કેલીઓ
</b></h3><p>સબા અને ફરાહ માટે સૌથી મોટા પડકારો તેમના શરીરના વજનમાં વધારો અને ઉંમર સાથે આવતી શારીરિક સમસ્યાઓ છે. તેમના શરીરના ભાગો અલગ છે, પરંતુ માથા સાથે જોડાયેલા રહેવાથી તેમના મગજ અને ચેતા પર ભારે દબાણ આવે છે. ડોકટરો માને છે કે આ સ્થિતિમાં સર્જરી કરવી એ મૃત્યુને આમંત્રણ આપવા સમાન છે, તેથી તેમનો પરિવાર હવે કુદરત પર વિશ્વાસ કરી રહ્યો છે અને તેમને પ્રેમ અને ધીરજથી ઉછેરી રહ્યો છે. આ બે બહેનો શારીરિક રીતે જોડાયેલી હોઈ શકે છે, પરંતુ તેમના મન અને વિચારો અલગ છે.
</p><h4><b>ભાવનાત્મક યાત્રા અને સમાજનો દ્રષ્ટિકોણ
</b></h4><p>તેમના પિતા, શકીલ અહેમદ અને માતા માટે સબા અને ફરાહ ફક્ત પુત્રીઓ જ નહીં, પણ એક જવાબદારી પણ છે જે તેમને ભાવનાત્મક રીતે દબાવી દે છે. સમાજમાં લોકો ઘણીવાર તેમને વિચિત્ર રીતે જુએ છે, જેના કારણે તેમના પરિવારને ભારે તકલીફ પડે છે. જ્યારે સબા દુઃખી હોય છે, ત્યારે ફરાહ તેને હસાવવાનો પ્રયાસ કરે છે અને જ્યારે ફરાહ દુઃખમાં હોય છે, ત્યારે સબા તેની શક્તિ બની જાય છે.
</p><h5><b>શું છે ક્રેનિયોપેગસ?
</b></h5><p>યુએસ નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન અનુસાર, ક્રેનિયોપેગસ એક અત્યંત દુર્લભ જન્મજાત તબીબી સ્થિતિ છે જેમાં જોડિયા બાળકો માથા (ખોપરી) પર જોડાયેલા જન્મે છે. આ જોડિયા બાળકોના મગજ અલગ હોય છે, પરંતુ તેમની ખોપરી, રક્તવાહિનીઓ અને ક્યારેક મગજના ભાગો જોડાયેલા હોઈ શકે છે. આ સ્થિતિ 2.5 મિલિયનમાંથી ફક્ત 1 માં જોવા મળે છે. આવા કિસ્સાઓમાં સર્જરી ખૂબ જ જટિલ હોય છે અને ત્યારે જ કરવામાં આવે છે જ્યારે ડોકટરો માને છે કે જોડિયા બાળકોની ખોપરી, રક્તવાહિનીઓ અને મગજ કેટલી હદ સુધી જોડાયેલા છે તેના પર સારવાર કરવી કે નહીં તે આધાર રાખે છે. જો ડોકટરો માને છે કે જોડિયા બાળકો સુરક્ષિત રીતે અલગ કરી શકાય છે, તો અલગ-અલગ તબક્કામાં ઓપરેશન કરવામાં આવે છે. સર્જરી પહેલાં, MRI, CT સ્કેન અને 3D ઇમેજિંગનો ઉપયોગ કરીને મગજ અને રક્તવાહિનીઓનું સંપૂર્ણ મેપિંગ કરવામાં આવે છે. જો મગજનો કોઈ મહત્વપૂર્ણ ભાગ અથવા મુખ્ય રક્તવાહિનીઓ ભારે રીતે સંકળાયેલી હોય, તો સર્જરીનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. આવા કિસ્સાઓમાં ડૉક્ટર સર્જરી ન કરવાનો નિર્ણય લઈ શકે છે.<br><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/supreme-court-bans--quot-second-class-passenger-quot--term-in-railways" target="_blank"><b>SCનો રેલ્વે સુધારા પર મોટો નિર્ણય, કહ્યું- 'સેકન્ડ ક્લાસ યાત્રી' શબ્દ પર ઉઠાવ્યો વાંધો</b></a></p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/lMdELmcKf0yBAQ9BwBoHDMFo2WTiSz5zlGdyyg1G.webp'/></item><item><title><![CDATA[Surendranagar News: પાનની દુકાનની આડમાં ચાલતું હતું દવાખાનું, ઈશ્વરીયામાંથી બોગસ ડોક્ટર ઝડપાયો ]]></title><link>https://sandesh.com/crime/news/surendranagar/sayla-ishwariya-bogus-doctor-caught</link><guid isPermaLink="true">https://sandesh.com/crime/news/surendranagar/sayla-ishwariya-bogus-doctor-caught</guid><pubDate>Fri, 17 Jul 2026 16:26:48 +05:30</pubDate><description><![CDATA[<p>સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વધુ એક બોગસ ડોક્ટરનો પર્દાફાશ થયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આવેલા ઈશ્વરીયા ગામેથી એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, આ બોગસ ડોક્ટર કોઈ હોસ્પિટલ કે ક્લિનિકમાં નહીં, પરંતુ એક પાનની દુકાનમાં પોતાનું 'દવાખાનું' ચલાવી રહ્યો હતો. દર્દીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવીને તે કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર તેમની સારવાર કરતો હતો.</p><h2><b>મેડિકલ ઓફિસરનું બોર્ડ મારી લોકોના જીવ સાથે ચેડા</b></h2><p>પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ઝડપાયેલા આરોપીનું નામ કમલેશ લડવા છે. આ ભેજાબાજ બોગસ ડોક્ટર દર્દીઓને પ્રભાવિત કરવા અને પોલીસથી બચવા માટે 'GOVT OF GUJARAT, મેડિકલ ઓફિસર' ના નામનું બોર્ડ લગાવીને ગેરકાયદે મેડિકલ પ્રેક્ટિસ કરતો હતો. તેની પાસે મેડિકલ કાઉન્સિલનું કોઈ જ સર્ટિફિકેટ કે લાયકાત ન હોવા છતાં, તે બીમાર લોકોના જીવ સાથે સરેઆમ ચેડા કરી રહ્યો હતો.</p><h2><b>સાયલા પોલીસની રેડ, 68 હજારની દવાઓનો જથ્થો જપ્ત</b></h2><p>ખાનગી બાતમીના આધારે સાયલા પોલીસની ટીમે આ પાનની દુકાન પર અચાનક રેડ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસે બોગસ ડોક્ટર કમલેશ લડવાને દર્દીઓને તપાસતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. દુકાનમાં તપાસ કરતા પોલીસને એલોપેથી દવાઓનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અંદાજે 68 હજાર રૂપિયાથી વધુની કિંમતની દવાઓ, ઇન્જેક્શન અને અન્ય મેડિકલ સાધનો જપ્ત કરીને આરોપી સામે ગુનો નોંધ્યો છે.</p><h2><b>દોઢ વર્ષમાં ચોથો કેસ, આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલ</b></h2><p>સાયલા તાલુકામાં બોગસ ડોક્ટરોનું નેટવર્ક કેટલી હદે વ્યાપેલું છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે, છેલ્લા માત્ર દોઢ વર્ષના સમયગાળામાં જ આ ચોથો બોગસ ડોક્ટર ઝડપાયો છે. આ ઘટના બાદ સ્થાનિક આરોગ્ય વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. લોકો સવાલ પૂછી રહ્યા છે કે, જે કામ આરોગ્ય વિભાગનું છે તે પોલીસ કેમ કરી રહી છે? અને આરોગ્ય વિભાગની રહેમનજર હેઠળ જ આવા નકલી દવાખાના ધમધમી રહ્યા છે કે કેમ?</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surendranagar/surendranagar-raid-in-moolina-sarla-seized-valuables-worth-rs-77-lakh" target="_blank">Surendranagar: મૂળીના સરલામાં રેડ, રૂ. 77 લાખનો મુદ્દામાલ સીઝ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/s01UpFOHh62McNxsrtRXegv6k2ADbLdrOwJpKIDT.webp'/></item><item><title><![CDATA[FIFA નો ઐતિહાસિક નિર્ણય, આ વખતે ચેમ્પિયન ટીમને ટ્રોફિ અને મેડલ સાથે આપશે ખાસ ભેટ ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifas-historic-decision-this-time-the-champion-team-will-be-given-a-special-gift-along-with-a-trophy-and-medal</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifas-historic-decision-this-time-the-champion-team-will-be-given-a-special-gift-along-with-a-trophy-and-medal</guid><pubDate>Fri, 17 Jul 2026 16:07:22 +05:30</pubDate><description><![CDATA[<p>FIFA વર્લ્ડ કપ 2026 ફાઇનલના વિજેતાઓને પ્રતિષ્ઠિત ટ્રોફી અને ગોલ્ડ મેડલ ઉપરાંત ખાસ ડિઝાઇન કરેલી ચેમ્પિયનશિપ રિંગ આપવામાં આવશે. પ્રાચીન અમેરિકન રમતગમત પરંપરાથી પ્રેરિત FIFA વેબસાઇટ અનુસાર માહિતી આપવામાં આવી છે. રવિવાર, 19 જુલાઈના રોજ ન્યૂ યોર્ક-ન્યૂ જર્સી સ્ટેડિયમ ખાતે સ્પેન અને આર્જેન્ટિના વચ્ચેની ફાઇનલ પછી આ કસ્ટમાઇઝ્ડ રિંગ્સ ટુર્નામેન્ટ ચેમ્પિયનને રજૂ કરવામાં આવશે. ટુર્નામેન્ટની યાદમાં કુલ 2,026 અનન્ય નંબરવાળી રિંગ્સ બનાવવામાં આવશે. આમાંથી ત્રીસ રિંગ્સ વિજેતા ટીમના સભ્યો માટે અનામત રાખવામાં આવશે, જ્યારે બાકીના 1,996 વિશ્વભરના ચાહકો માટે સત્તાવાર લાઇસન્સ પ્રાપ્ત ઉત્પાદનો તરીકે ઉપલબ્ધ રહેશે.</p><h4><b>રિંગમાં FIFA વર્લ્ડ કપ ટ્રોફી ડિઝાઇન જોવા મળશે</b></h4><p>દરેક રિંગમાં એક બાજુ FIFA વર્લ્ડ કપ ટ્રોફી ડિઝાઇન જોવા મળશે.જ્યારે બીજી બાજુ ચેમ્પિયન ટીમને ઓળખવા માટે કસ્ટમાઇઝ કરવામાં આવશે. દરેક રિંગ અનન્ય રીતે નંબરવાળી, કસ્ટમ-ફિટ કરેલી અને પ્રમાણિકતાનું પ્રમાણપત્ર સાથે હશે.ફાઇનલ પછી તરત જ, વિજેતા ટીમના કેપ્ટન અને મુખ્ય કોચને ઉજવણી દરમિયાન કામચલાઉ ચેમ્પિયનશિપ રિંગ્સ પ્રાપ્ત થશે. બાદમાં, 30 વિજેતાઓને સત્તાવાર રીતે કસ્ટમ-મેઇડ રિંગ્સ આપવામાં આવશે જેથી તેઓ સંપૂર્ણ રીતે ફિટ થાય અને તેમની વર્લ્ડ કપ જીતની યાદમાં રમી શકે.</p><h5><b>આર્જેન્ટિનાએ સેમિફાઇનલમાં વિજય મેળવ્યો</b></h5><p>ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ પર 2-1 થી રોમાંચક વિજય મેળવ્યો. તેઓ પહેલા હાફમાં પાછળ રહીને બરાબરી કરી, અને લૌટારો માર્ટિનેઝે સ્ટોપેજ સમયમાં વિજયી ગોલ કરીને ડિફેન્ડિંગ ચેમ્પિયનને સ્પેન સામે ટાઇટલ મુકાબલામાં આગળ ધપાવ્યું. ઇંગ્લેન્ડ પરની આ જીતથી આર્જેન્ટિના 2026 વર્લ્ડ કપ ફાઇનલમાં સ્થાન મેળવી શક્યું, જ્યારે ઇંગ્લેન્ડની 1966 પછી પહેલી વાર વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચવાની આશા દુ:ખદ રીતે ઠગારી નીવડી. બીજી તરફ, સ્પેને શાનદાર પ્રદર્શન કરીને ફ્રાન્સને 2-0 થી હરાવ્યું અને 2010 ની જીત પછી પ્રથમ ફિફા વર્લ્ડ કપ ફાઇનલ મેળવી. આ જીતમાં લેમિન યામાલે મુખ્ય ભૂમિકા ભજવી</p><h5><b>છઠ્ઠી ક્લીન શીટ મેળવી</b></h5><p>બ્રેક પછી, પેડ્રો પોરોએ દાની ઓલ્મો સાથે શાનદાર સંકલન કરીને સ્પેનની લીડ બમણી કરી, જ્યારે ફ્રાન્સ સ્પષ્ટ ગોલ કરવાની તકો બનાવવામાં સંઘર્ષ કરી રહ્યું હતું. યામાલનો એક ગોલ ઓફસાઇડ માટે નામંજૂર કરવામાં આવ્યો હતો, અને કાયલિયન એમબાપ્પે અને ઓરેલિયન ચૌમેનીના છેલ્લી ઘડીના પ્રયાસો છતાં, સ્પેનના ડિફેન્સે મજબૂતાઈ જાળવી રાખી, ટુર્નામેન્ટની સાત મેચમાં તેમની છઠ્ઠી ક્લીન શીટ મેળવી.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/fifa-world-cup/news/fifa-world-cup-2026-final-the-epic-clash-between-spain-and-argentina-know-when-and-where-to-watch-it-live-in-india" target="_blank">FIFA World Cup 2026 Final: સ્પેન અને આર્જેન્ટિના વચ્ચે મહામુકાબલો, જાણો ભારતમાં ક્યારે Liveજોઈ શકાશે</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/LqXgHChGgrFPEeJhZ2mS6AMKZWcKsJ2XQPt7WGQS.webp'/></item><item><title><![CDATA[Stock Market Closing: શાનદાર તેજી સાથે માર્કેટ બંધ, સેન્સેક્સ 964 પોઇન્ટના ઉછાળા સાથે 78,151.45 અંકે ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-closing-market-closes-with-a-strong-rally-sensex-jumps-964-points-to-7815145</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-closing-market-closes-with-a-strong-rally-sensex-jumps-964-points-to-7815145</guid><pubDate>Fri, 17 Jul 2026 15:44:04 +05:30</pubDate><description><![CDATA[<p>17 જુલાઇએ&nbsp; ઘરેલુ શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી. આઈટી અને બેંકિંગ ક્ષેત્રો તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા હેવીવેઇટ શેરોમાં જોરદાર ખરીદીને કારણે, સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ટ્રેડિંગ સેશન દરમિયાન 1 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો. મોટી કંપનીઓના પ્રથમ ક્વાર્ટર (Q1) ના પરિણામો પહેલા રોકાણકારોનો રસ લાર્જ-કેપ શેરો તરફ વળ્યો, જેનાથી બજારને મજબૂતી મળી.</p><h2><b>શેરબજારમાં તેજી&nbsp;</b></h2><p>શુક્રવારે સેન્સેક્સ અને નિફ્ટી શાનદાર તેજી સાથે બંધ થયા. સેન્સેક્સ +964.59 પોઇન્ટના વધારા સાથે 78,151.45 અંકે બંધ થયો.. જ્યારે નિફ્ટી +261.55 પોઇન્ટના વધારા સાથે 24,334.30 અંકે&nbsp; બંધ થયો.</p><h3><b>આઇટી અને બેંકિંગ શેરોમાં ખરીદી</b></h3><p>ક્ષેત્રીય સૂચકાંકોની દ્રષ્ટિએ, નિફ્ટી આઇટી સૌથી વધુ વધ્યો હતો, જેમાં 1 ટકાથી વધુનો વધારો નોંધાયો હતો. નિફ્ટી બેંક પણ લગભગ 1 ટકા મજબૂત થયો હતો. જોકે, વ્યાપક બજારમાં સમાન સ્તરની મજબૂતાઈ જોવા મળી ન હતી; નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100 સૂચકાંકોમાં અનુક્રમે 0.61 ટકા અને 0.86 ટકાનો ઘટાડો નોંધાયો હતો.</p><p><b style="font-size: 1.5rem;">RIL સૌથી વધુ વધનાર તરીકે ઉભરી આવ્યો</b></p><p>સેન્સેક્સના શેરોમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) એ સૌથી વધુ વધારો નોંધાવ્યો, જે 2 ટકાથી વધુ વધ્યો. શુક્રવારે જાહેર થનારા કંપનીના પ્રથમ ત્રિમાસિક પરિણામો પહેલા રોકાણકારો શેર પર નજર રાખી રહ્યા છે.</p><p><br></p><p>વધુમાં, TCS, કોટક મહિન્દ્રા બેંક, ટેક મહિન્દ્રા, હિન્દુસ્તાન યુનિલિવર, એક્સિસ બેંક, ઇન્ફોસિસ, HDFC બેંક, મહિન્દ્રા અને મહિન્દ્રા, HCL ટેક અને ICICI બેંકના શેરમાં પણ 1 ટકાથી વધુનો વધારો નોંધાયો. આ હેવીવેઇટ શેરોમાં ખરીદીની પ્રવૃત્તિએ બજારના ઉપરના વેગને પ્રોત્સાહન આપ્યું.</p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/03/16/gLJ4WtokoymfX6Y0aSSr5fk0mQbgABzBzdoZamiA.webp'/></item></channel></rss>