<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Modasa ટાઉનહોલ શોપિંગ સેન્ટરમાં સર્જાયો અકસ્માત: ધાબાની પેરાફિટ ધરાશાયી થતાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/modasa/accident-at-modasa-town-hall-shopping-center-one-person-injured-after-roof-parapet-collapses</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/modasa/accident-at-modasa-town-hall-shopping-center-one-person-injured-after-roof-parapet-collapses</guid><pubDate>Sat, 13 Jun 2026 20:30:31 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાંથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. મોડાસા નગરપાલિકા સંચાલિત ટાઉનહોલ શોપિંગ સેન્ટરના ધાબાની પેરાફિટ (પાલખ) અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. આ અકસ્માતને પગલે શોપિંગ સેન્ટર અને આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. પેરાફિટનો મોટો કાટમાળ નીચે પડવાના કારણે ત્યાં હાજર એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોવાની માહિતી મળી રહી છે.</p><h2 style="text-align: justify; ">એક વ્યક્તિ ઈજાગ્રસ્ત અને તંત્ર સામે આક્રોશ</h2><p style="text-align: justify; ">ટાઉનહોલ શોપિંગ સેન્ટરની આ જર્જરિત પેરાફિટ જ્યારે નીચે પડી ત્યારે તેની ઝપેટમાં એક સ્થાનિક વ્યક્તિ આવી ગયો હતો. ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓ અને નાગરિકોમાં મોડાસા નગરપાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રી-મોન્સૂન કામગીરી અને જર્જરિત ઇમારતોના યોગ્ય મરામતની અભાવે આ દુર્ઘટના ઘટી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. સદનસીબે ઘટના સમયે વધુ ભીડ ન હોવાથી મોટી જાનહાનિ ટળી ગઈ છે.</p><h3 style="text-align: justify; ">દુકાનો બંધ કરાવી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ</h3><p style="text-align: justify; ">અકસ્માતની જાણ થતાં જ મોડાસા ટાઉન પોલીસ અને નગરપાલિકાની ઉચ્ચ અધિકારીઓની ટીમ કાફલા સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. વધુ કોઈ અણબનાવ ન બને તે માટે સાવચેતીના ભાગરૂપે શોપિંગ સેન્ટરની દુકાનો તાત્કાલિક ધોરણે બંધ કરાવી દેવામાં આવી હતી. પાલિકાની ટીમ દ્વારા જેસીબી અને મજૂરોની મદદથી હાઈવે અને ગ્રાઉન્ડ ફ્લોર પર પડેલો ભારેખમ કાટમાળ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે, તેમજ ઇમારતના અન્ય જોખમી ભાગોને ઉતારી લેવાની કવાયત પણ શરૂ કરાઈ છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/Glv3u0LxZ2AptUzdX5T8hlLbEH7KGU8ryOXWMl73.webp'/></item><item><title><![CDATA[Kutch News: ખનીજ માફિયાઓ પર તંત્રનો મોટો સપાટો, નખત્રાણામાં રૂ. 2.29 કરોડનો મુદ્દામાલ સીઝ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kutch/nakhatrana-illegal-sand-mining-4-dumpers-seized</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kutch/nakhatrana-illegal-sand-mining-4-dumpers-seized</guid><pubDate>Sat, 13 Jun 2026 19:41:39 +05:30</pubDate><description><![CDATA[<p>સરહદી જિલ્લા કચ્છમાં ગેરકાયદે ખનીજ ખનન અને વહન કરતા તત્વો સામે સરકારી તંત્રએ લાલ આંખ કરી છે. કચ્છના નખત્રાણા તાલુકાના દેવીસર ગામ નજીક પ્રાંત અધિકારીની ટીમ દ્વારા ઓચિંતું ચેકિંગ હાથ ધરીને ગેરકાયદેસર અને ઓવરલોડ રેતીનું પરિવહન કરતા 4 હાઈટેક ડમ્પરો ઝડપી લેવામાં આવ્યા છે. આ સમગ્ર રેડમાં અંદાજે કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવતા ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. બીજી તરફ, આ પકડાયેલા વાહનો રાજકીય કનેક્શન ધરાવતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.</p><h2><b>51 મેટ્રિક ટનથી વધુનું ઓવરલોડિંગ ઝડપાયું</b></h2><p>મળતી માહિતી અનુસાર, નખત્રાણાના દેવીસર હાઇવે પરથી રેતી ભરીને પસાર થઈ રહેલા ડમ્પરો અંગે તંત્રને શંકા ગઈ હતી. પ્રાંત અધિકારીની ટીમે તુરંત વાહનો અટકાવીને તપાસ હાથ ધરી હતી અને તમામ ડમ્પરોનું સરકારી કાંટા પર વજન કરાવવામાં આવ્યું હતું. આ સઘન તપાસ દરમિયાન ડમ્પરોમાંથી નિયત મર્યાદા કરતા કુલ 51.93 મેટ્રિક ટન રેતીનું ઓવરલોડિંગ મળી આવ્યું હતું. રોયલ્ટી પાસ અને નિયમોના સરેઆમ ધજાગરા ઉડાવીને થઈ રહેલા આ પરિવહન બદલ તંત્રએ કાયદેસરની કાર્યવાહી કરી છે.</p><h2><b>રૂ. 2.29 કરોડથી વધુનો મુદ્દામાલ સીઝ</b></h2><p>ઓવરલોડિંગ અને ખનીજ ચોરીના આ મામલામાં સરકારી અધિકારીઓએ કડક વલણ અપનાવ્યું છે. તંત્ર દ્વારા ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા ચારેય ભવ્ય ડમ્પરો અને તેમાં ભરેલી કિંમતી રેતી સહિત અંદાજે રૂપિયા 2.29 કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ ઘટના સ્થળે જ સીઝ કરી દીધો છે. આ તમામ વાહનોને નખત્રાણા પોલીસ સ્ટેશન અથવા સુરક્ષિત સરકારી જગ્યાએ અટકાયતમાં રાખવામાં આવ્યા છે, અને દંડ વસૂલાતની તજવીજ શરૂ કરાઈ છે.</p><h2><b>અબડાસાના ધારાસભ્યના પુત્રના વાહનો હોવાની ચર્ચા</b></h2><p>ખનીજ ચોરીની આ મોટી કાર્યવાહી બાદ કચ્છના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. સ્થાનિક સ્તરે થઈ રહેલી ચર્ચા મુજબ, આ ઝડપાયેલા ડમ્પરો અબડાસા વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પુત્રના હોવાનું સામે આવ્યું છે. આ ચર્ચાને ત્યારે વધુ બળ મળ્યું, જ્યારે પકડાયેલા ડમ્પરોની આગળ અને પાછળના ભાગે મોટા અક્ષરોમાં ધારાસભ્યનું ટૂંકું નામ એટલે કે ‘પીએમ જાડેજા’ લખેલું સ્પષ્ટપણે જોવા મળ્યું હતું. હાઈપ્રોફાઈલ રાજકીય નામ સામે આવ્યા બાદ હવે જોવાનું એ રહેશે કે, ખાણ-ખનીજ વિભાગ આ મામલે કેવા પ્રકારના કડક પગલાં ભરે છે.</p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/kutch/bhuj-smritivan-air-valve-leakage-water-wastage-issue" target="_blank"> Kutch News: ભુજમાં સ્મૃતિવન પાસે એરવાલ્વ લીકેજ, લાખો લીટર પાણીનો વેડફાટ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/YfnQqC5aBlAHQQ3JBhYDUG9KDO1coUzwek6YSJ1V.webp'/></item><item><title><![CDATA[Ram Mandir Donation Row : તપાસ માટે SITની કરાઈ રચના, દાનની રકમની ગણતરી કરનારો કર્મચારી SOGની કસ્ટડીમાં ]]></title><link>https://sandesh.com/india/news/ram-mandir-donation-row-sit-probe-sog-custody-staff</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ram-mandir-donation-row-sit-probe-sog-custody-staff</guid><pubDate>Sat, 13 Jun 2026 19:41:33 +05:30</pubDate><description><![CDATA[<p>અયોધ્યાના રામ જન્મભૂમિ મંદિર ખાતે ભક્તો દ્વારા ચઢાવાયેલા દાન સાથે સંબંધિત નાણાકીય ગડબડના મામલે તપાસ તેજ બની છે. આ કેસમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ એક વ્યક્તિને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી છે, જ્યારે ઉત્તર પ્રદેશ સરકારે સમગ્ર મામલાની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે.</p><h2><b>કર્મચારીની કસ્ટડી અને પૂછપરછ શરૂ
</b></h2><p>કસ્ટડીમાં લેવામાં આવેલા યુવકનું નામ લવ કુશ મિશ્ર જણાવવામાં આવી રહ્યું છે, જે અયોધ્યાના રુદૌલી વિસ્તારના મીનાપુર ફગૌલી ગામનો રહેવાસી છે. પૂછપરછમાં તેની ભૂમિકા દાનપેટીઓમાંથી મળતી રકમની ગણતરી અને સંબંધિત કામગીરીમાં શું હતી તે જાણવા પ્રયત્ન થઈ રહ્યો છે. તપાસ દરમિયાન કેટલીક રોકડ રકમ પણ મળી હોવાની વાત સામે આવી છે, જોકે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
</p><h3><b>CCTV ફૂટેજ અને ટેકનિકલ તપાસ
</b></h3><p>તપાસ એજન્સીઓએ મંદિર પરિસરના CCTV ફૂટેજને મુખ્ય આધાર બનાવ્યો છે. દાનની ગણતરી સાથે જોડાયેલા વિવિધ વિસ્તારોના વીડિયો વિશ્લેષણ કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે અન્ય ટેકનિકલ અને ભૌતિક પુરાવાઓ પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. યુપી સરકાર દ્વારા SITની રચના કરવામાં આવી છે. આ ટીમને પ્રાથમિક રિપોર્ટ 7 દિવસમાં અને અંતિમ રિપોર્ટ 15 દિવસમાં રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. ટીમનું નેતૃત્વ લખનઉના મંડલાયુક્ત વિજય વિશ્વાસ પંત કરી રહ્યા છે, જ્યારે IPS કિરણ એસ અને નાણાં વિભાગના વિશેષ સચિવ નીલ રત્નને સભ્ય બનાવવામાં આવ્યા છે.
</p><h4><b>ટ્રસ્ટ અને અધિકારીઓની પ્રતિક્રિયા
</b></h4><p>ટ્રસ્ટના અનુરોધ પર આ તપાસ શરૂ કરવામાં આવી છે. ટ્રસ્ટના અધિકારીઓએ જણાવ્યું છે કે તેઓ નિયમો મુજબ જરૂરી કાર્યવાહી કરશે અને ભક્તોની આસ્થાને નુકસાન ન થાય તેની ખાતરી રાખવામાં આવશે. આ સાથે જ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષે મંદિર પરિસરમાં ચાલી રહેલા નિર્માણ કાર્યોની સમીક્ષા કરી છે, જ્યારે કેટલાક અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેમનો મુખ્ય ફોકસ માત્ર નિર્માણ કાર્ય પર જ છે.<br><br><a href="https://sandesh.com/india/news/west-bengal-ed-raids-mla-madan-mitra-7-locations-recruitment-scam" target="_blank">આ પણ વાંચો : West Bengal : ભરતી કૌભાંડ મામલે ED એક્શનમાં, TMCના ધારાસભ્ય મદન મિત્રાના 7 ઠેકાણાઓ પર પાડ્યા દરોડા</a><b></b></p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/2t80rKDOkNRVumLwKzolFh9mz1xS6TJVkfXaFvzJ.webp'/></item><item><title><![CDATA[Surat News: NH-48 પર ભયાનક દ્રશ્યો, ચાલતી કાર બની અગનગોળો ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/kamrej-vav-village-national-highway-48-car-fire-incident</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/kamrej-vav-village-national-highway-48-car-fire-incident</guid><pubDate>Sat, 13 Jun 2026 19:36:10 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે-48 પર ચાલુ વાહનોમાં આગ લાગવાનો સિલસિલો યથાવત રહ્યો છે. હાઇવે પર કામરેજ સરહદના વાવ ગામ નજીકથી પસાર થઈ રહેલી એક લક્ઝુરિયસ કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આખી કાર અગનગોળામાં ફેરવાઈ ગઈ હતી. જોકે, સદ્નસીબે કાર ચાલકની સતર્કતાના કારણે મોટી જાનહાનિ ટળી ગઈ છે.</p><h2><b>હાઇવે પર કાર બની અગનગોળો</b></h2><p>મળતી માહિતી મુજબ, એક યુવક પોતાની કાર લઈને નેશનલ હાઇવે-48 પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે કામરેજના વાવ ગામના પાટિયા નજીક કારના એન્જિનમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા. કાર ચાલક કંઈ સમજે તે પહેલા જ કારમાં બોનેટના ભાગેથી ભયાનક આગની જ્વાળાઓ ઉઠવા લાગી હતી. શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ અકબંધ કારણોસર કારમાં આ આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.</p><h2><b>સમયસર બહાર નીકળતા યુવકનો આબાદ બચાવ</b></h2><p>કારના બોનેટમાંથી ધુમાડા નીકળતા જોઈ કાર ચાલક યુવકે તરત જ સમયસૂચકતા વાપરી હતી. તેણે ગાડીને હાઇવેની સાઇડમાં થોભાવી દીધી હતી અને ત્વરિત વેગે કારનો દરવાજો ખોલીને બહાર કૂદી ગયો હતો. યુવક બહાર નીકળ્યો તેના ગણતરીના સેકન્ડોમાં જ આગે આખી કારને લપેટમાં લઈ લીધી હતી. જો યુવક સમયસર બહાર ન નીકળ્યો હોત તો તેનો જીવ જોખમમાં મુકાઈ શકત.</p><h2><b>ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબૂ</b></h2><p>હાઇવે પર ચાલુ કાર ભડભડ સળગવા લાગતા રોડની બંને તરફનો ટ્રાફિક થંભી ગયો હતો અને લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ કામરેજ ફાયર વિભાગની ટીમ વોટર ટેન્કર સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવીને કારમાં લાગેલી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. જોકે, આગ એટલી વિકરાળ હતી કે કારનો મોટોભાગ બળીને ખાખ થઈ ગયો હતો.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/surat/national-highway-48-kim-accident-two-trucks-collision-driver-rescued" target="_blank">Surat News: NH-48 પર કાળજું કંપાવનારો અકસ્માત: કિમ નજીક બે ટ્રકો વચ્ચે જોરદાર ટક્કર</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/ZuUNqDaVilLl0cUL1umBrkQer0tSJ8Tq2jAZKaQs.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup: 'રેપિસ્ટ' ખેલાડીના વિઝા થયા રિજેક્ટ, પહેલી મેચ રમી શકશે નહીં, આ દેશની કડક કાર્યવાહી ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/thomas-partey-misses-ghana-fifa-wc-opener-visa-rejection</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/thomas-partey-misses-ghana-fifa-wc-opener-visa-rejection</guid><pubDate>Sat, 13 Jun 2026 19:30:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઘાનાને તેમના ફિફા  વર્લ્ડકપ 2026 અભિયાન પહેલા મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર મિડફિલ્ડર થોમસ પાર્ટે કેનેડાના ટોરોન્ટોમાં પનામા સામે ટીમની શરૂઆતની મેચમાં રમી શકશે નહીં, કારણ કે તેની વિઝા અરજી નકારવામાં આવી છે.</p><p style="text-align: justify; ">શુક્રવારે FIFAએ એક નિવેદનમાં પુષ્ટિ આપી હતી કે 32 વર્ષના પાર્ટીને કેનેડામાં પ્રવેશ આપવાની ના પાડવામાં આવી છે. પરિણામે, તે યુએસએના રોડ આઈલેન્ડના સ્મિથફિલ્ડ સ્થિત ઘાનાના બેઝ કેમ્પથી ટોરોન્ટો સુધી મુસાફરી કરી શકશે નહીં. FIFAએ સ્પષ્ટતા કરી હતી કે યજમાન દેશો માટે વિઝા પ્રક્રિયામાં તેની કોઈ ભૂમિકા નથી અને અંતિમ નિર્ણય સંબંધિત સરકારો પાસે રહે છે.</p><h2 style="text-align: justify; "><b>કેનેડાની સરકારે વિઝા અરજી નકારી</b></h2><p style="text-align: justify; ">FIFA ના જણાવ્યા મુજબ કેનેડાની સરકારે તેમની વિઝા અરજી નકારી કાઢી હતી . FIFA યજમાન દેશોની ઈમિગ્રેશન પ્રક્રિયા અથવા વિઝા મંજૂરીઓમાં ભાગ લેતું નથી. ખેલાડીને વિઝા આપવાનો કે દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવાનો નિર્ણય સંબંધિત સરકારની જવાબદારી છે.</p><p style="text-align: justify; ">કેનેડિયન ઈમિગ્રેશન, શરણાર્થીઓ અને નાગરિકતા વિભાગે આ બાબતે તાત્કાલિક કોઈ ટિપ્પણી કરી ન હતી, અને ઘાના ફૂટબોલ એસોસિએશન તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું ન હતું .</p><p style="text-align: justify; ">વિઝા અરજી નકારાયા બાદ થોમસ પાર્ટે રોડ આઈલેન્ડ સ્થિત ઘાનાના બેઝ કેમ્પમાં પાછો ફર્યો છે. પરંતુ તે ટુર્નામેન્ટમાંથી સંપૂર્ણપણે બહાર થવાની અપેક્ષા નથી. તે 23 જૂને ફોક્સબરો, મેસેચ્યુસેટ્સમાં ઈંગ્લેન્ડ સામેની મેચ માટે ઉપલબ્ધ રહેશે. ત્યારબાદ ઘાના 27 જૂને ફિલાડેલ્ફિયામાં ક્રોએશિયા સામે તેની અંતિમ ગ્રુપ મેચ રમશે.</p><h3 style="text-align: justify; "><b>થોમસ પાર્ટે હાલમાં કાનૂની વિવાદમાં ફસાયેલો</b></h3><p style="text-align: justify; ">થોમસ પાર્ટે પણ હાલમાં કાનૂની વિવાદમાં ફસાયેલો છે. 2020 થી 2025 દરમિયાન ઈંગ્લિશ ક્લબ આર્સેનલ સાથેના તેમના કાર્યકાળ દરમિયાન લાગેલા અનેક બળાત્કારના આરોપો માટે તેઓ ટ્રાયલનો સામનો કરી રહ્યા છે. ટ્રાયલ નવેમ્બરમાં અથવા પછી શરૂ થવાની ધારણા છે. થોમસ પાર્ટેએ બધા આરોપોને નકારી કાઢ્યા છે અને પોતાને નિર્દોષ જાહેર કર્યા છે.</p><p style="text-align: justify; ">થોમસ પાર્ટે હાલમાં સ્પેનિશ ક્લબ વિલારિયલ માટે રમે છે. મોરોક્કન ડિફેન્ડર અચરાફ હકીમી પણ ફ્રાન્સમાં સમાન આરોપોમાં ટ્રાયલની રાહ જોઈ રહ્યો છે. ઘાના છેલ્લા 6 ફિફા વર્લ્ડકપમાંથી 5 માટે ક્વોલિફાય થયું છે અને આ વખતે તે વધુ સારા પ્રદર્શન કરશે તેવી અપેક્ષા છે. પરંતુ ટુર્નામેન્ટની શરૂઆતની મેચ પહેલા થોમસ પાર્ટેની ગેરહાજરી ટીમ માટે એક મોટો પડકાર સાબિત થઈ શકે છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/ipl-2026/vaibhav-sooryavanshi-ipl-2026-awards-orange-cap-mvp" target="_blank">Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/ETCVHQqX5of5bS057jQY7eFd8x8RSNmbCetTyLP8.webp'/></item><item><title><![CDATA[West Bengal : ભરતી કૌભાંડ મામલે ED એક્શનમાં, TMCના ધારાસભ્ય મદન મિત્રાના 7 ઠેકાણાઓ પર પાડ્યા દરોડા ]]></title><link>https://sandesh.com/india/news/west-bengal-ed-raids-mla-madan-mitra-7-locations-recruitment-scam</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/west-bengal-ed-raids-mla-madan-mitra-7-locations-recruitment-scam</guid><pubDate>Sat, 13 Jun 2026 19:13:14 +05:30</pubDate><description><![CDATA[<p>પશ્ચિમ બંગાળમાં મ્યુનિસિપલ ભરતી કૌભાંડને લઈને EDએ શનિવારે મોટી કાર્યવાહી હાથ ધરી છે. તપાસ એજન્સીએ મદન મિત્રા સાથે જોડાયેલા અનેક ઠેકાણાઓ પર એકસાથે દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી મ્યુનિસિપલ ભરતી પ્રક્રિયામાં થયેલી ગેરરીતિ અને મની લોન્ડરિંગ કેસની તપાસ અંતર્ગત કરવામાં આવી રહી છે.</p><h2><b>સાત ઠેકાણાઓ પર તપાસ
</b></h2><p>મળતી માહિતી મુજબ મદન મિત્રા સાથે જોડાયેલા કુલ સાત સ્થળોએ સર્ચ અભિયાન ચાલી રહ્યું છે. તેમાં કોલકાતાના ભવાનીપુર સ્થિત તેમનું નિવાસસ્થાન, દક્ષિણેશ્વરનો પાંચ માળનો એપાર્ટમેન્ટ અને જોકા વિસ્તારમાં ફ્લેટનો સમાવેશ થાય છે. ઉપરાંત ઉત્તર કોલકાતાના બેલેઘાટા અને ભવાનીપુર તેમજ સંતોષપુરના બે ક્લબોમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. EDની ટીમે ભવાનીપુર સ્થિત તેમના ઘર પર પહોંચી પરિવાર સાથે પૂછપરછ પણ કરી છે.
</p><h3><b>નોકરી કૌભાંડ અને મની લોન્ડરિંગનો આરોપ
</b></h3><p>EDનો આરોપ છે કે મદન મિત્રાએ નગરપાલિકાઓમાં અયોગ્ય ઉમેદવારોની નિમણૂક માટે મધ્યસ્થીઓ મારફતે રોકડ અને સોનાના રૂપમાં લાંચ લીધી હતી. આ કેસમાં લગભગ 125 ગેરકાયદે નિમણૂકો સાથે તેમનો સંબંધ હોવાનું જણાવાયું છે. તપાસ એજન્સી દસ્તાવેજો અને નાણાકીય વ્યવહારોના પુરાવા એકત્રિત કરી રહી છે, જેથી ભરતી પ્રક્રિયામાં થયેલા ભ્રષ્ટાચારની પુષ્ટિ થઈ શકે.
</p><h4><b>એયાન સિલ સાથે જોડાણ
</b></h4><p>આ સમગ્ર કેસની તપાસમાં મુખ્ય આધાર એયાન સિલ પાસેથી મળેલી માહિતી પર છે, જેની 20 માર્ચ 2023ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેમની કંપની ‘એબીએસ ઈન્ફોઝોન પ્રાઈવેટ લિમિટેડ’ ભરતી પ્રક્રિયા સંચાલનમાં જોડાયેલી હોવાનું જણાવાયું છે. કંપની OMR શીટ તૈયાર કરવી, પરીક્ષા લેવડાવવી અને ઈન્ટરવ્યૂ પ્રક્રિયા સંભાળવા જેવી કામગીરી કરતી હતી. તપાસ દરમિયાન ગંભીર ગેરરીતિઓ સામે આવી હતી.
</p><h5><b>કરોડોની ગેરકાયદે વસૂલાતનો આરોપ
</b></h5><p>EDના જણાવ્યા મુજબ ઉમેદવારો પાસેથી નોકરીના બદલામાં કરોડો રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં આ કેસમાં લગભગ 111 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. અગાઉ પણ આ ભરતી કૌભાંડમાં ઘણા નગરપાલિકાઓના નામ સામે આવ્યા છે, જેમ કે કમરહાટી, ટીટીગઢ, કાંચરાપાડા અને અન્ય વિસ્તારો.
</p><h5><b>શું થશે આગળ કાર્યવાહી?
</b></h5><p>આ કેસમાં અગાઉ પણ અનેક રાજકીય નેતાઓ પર કાર્યવાહી થઈ ચૂકી છે. તપાસ એજન્સી હવે નવા પુરાવા એકત્રિત કરીને વધુ લોકોની ભૂમિકા તપાસી રહી છે. EDએ સ્પષ્ટ કર્યું છે કે તપાસ હજુ ચાલુ છે અને જરૂરી કાર્યવાહી આગળ પણ કરવામાં આવશે.
<br><br><a href="https://sandesh.com/india/news/crime/chandigarh-medical-store-firing-cashier-killed-triggering-panic-in-the-area" target="_blank">આ પણ વાંચો : Chandigarh : ધોળા દિવસે મેડિકલની દુકાનમાં ફાયરિંગ, માસ્ક પહેરેલા શખ્સોએ કેશિયરને ગોળી મારી</a><b></b></p><p><br></p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/8qii3JWcTmfd4yv7xKBhTbFE92eI19uaTo0Tg28z.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: પત્ની સાથે અફેરની શંકાએ લીધો પાડોશીનો જીવ, પતિને આજીવન કેદ! ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/gomtipur-murder-case-verdict-abid-khan-pathan</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/gomtipur-murder-case-verdict-abid-khan-pathan</guid><pubDate>Sat, 13 Jun 2026 18:54:40 +05:30</pubDate><description><![CDATA[<p>શંકા વ્યાધિ સમાન છે અને આ જ શંકા જ્યારે મગજ પર સવાર થઈ જાય, ત્યારે માણસ લોહીની હોળી રમતા પણ અચકાતો નથી. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં વર્ષ 2022માં માત્ર પત્ની સાથેના આડા સંબંધોની શંકાના આધારે પાડોશી યુવકની ઘાતકી હત્યા કરવાના ચકચારી કેસમાં અમદાવાદ સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. અદાલતે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને મુખ્ય આરોપી આબિદ ખાન પઠાણને દોષિત જાહેર કરી આજીવન કેદની સખત સજા ફટકારી છે.</p><h2><b>શું હતી સમગ્ર ઘટના?</b></h2><p>સમગ્ર મામલાની વિગત એવી છે કે, વર્ષ 2022માં અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશનની હદમાં લોહીયાળ ખેલ ખેલાયો હતો. વિસ્તારમાં રહેતા આબિદ ખાન પઠાણ નામના શખ્સને મનમાં એવી વહેમ-શંકા પેસી ગઈ હતી કે, તેના પાડોશમાં રહેતા એક યુવકને તેની પત્ની સાથે ગેરકાયદે સંબંધો છે. આ આંધળી શંકાના કારણે આબિદ ખાને તમામ હદો પાર કરી દીધી હતી. એક દિવસ ઉશ્કેરાયેલા આબિદ ખાને તલવાર જેવા ધારદાર હથિયાર વડે પાડોશી યુવક પર તૂટી પડી, તેને જાહેરમાં ક્રૂરતાપૂર્વક રહેંસી નાખ્યો હતો.</p><h2><b>ગોમતીપુર પોલીસે મજબૂત પુરાવા રજૂ કર્યા</b></h2><p>આ ચકચારી હત્યાની ઘટના બાદ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધી આરોપી આબિદ ખાન પઠાણની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ઘટના સ્થળના પુરાવા, પંચનામા અને સાક્ષીઓના નિવેદનો સાથે કોર્ટમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરી હતી.</p><h2><b>અદાલતે ફટકારી આજીવન કેદ</b></h2><p>આ કેસ અમદાવાદની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં, સરકારી વકીલની ધારદાર દલીલો અને પોલીસના મજબૂત વૈજ્ઞાનિક અને પ્રત્યક્ષ પુરાવાઓને આધારે અદાલતે આરોપીને ગુનાહિત માનસ ધરાવતો ગણ્યો હતો. કોર્ટે અવલોકન કર્યું કે, વહેમ અને શંકાના કારણે એક નિર્દોષ યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી છે. જેથી સમાજમાં આવો ગુનો કરનારા તત્વોમાં કાયદાનો ડર રહે, તે માટે સેશન્સ કોર્ટે કડક વલણ અપનાવીને આરોપી આબિદ ખાન પઠાણને આજીવન જેલની સજા સંભળાવી સલાખો પાછળ ધકેલી દીધો છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/india/news/ahmedabad-news-employee-stayed-in-the-washroom-for-53-minutes-then-the-boss-demanded-an-account-said-now-sit-in-the-office-for-40-more-minutes" target="_blank">Ahmedabad News:કર્મચારી 53 મિનિટ વોશરૂમમાં રહ્યો તો બોસે માંગ્યો હિસાબ! કહ્યું- 'હવે 40 મિનિટ ઓફિસમાં વધારે બેસો'</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/6NBUco9Oa0S2NdldHSpFxajfwC9fSyC8yHW3CJ6U.webp'/></item><item><title><![CDATA[Rajkotમાં તસ્કરો બન્યા બેફામ: ઉમાકાંત ઉદ્યોગનગરમાં કારખાનાને બનાવ્યું નિશાન ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/smugglers-in-rajkot-have-become-ruthless-they-targeted-a-factory-in-umakant-udyognagar</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/smugglers-in-rajkot-have-become-ruthless-they-targeted-a-factory-in-umakant-udyognagar</guid><pubDate>Sat, 13 Jun 2026 18:54:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ તસ્કરો દિન-પ્રતિદિન વધુ બેફામ બની રહ્યા છે. શહેરમાં ચોરી અને લૂંટફાટના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે રાજકોટના પ્રખ્યાત ઔદ્યોગિક વિસ્તાર ઉમાકાંત ઉદ્યોગનગરમાંથી ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આવેલા એક એન્જિનિયરિંગ કારખાનામાં તસ્કરોએ રાત્રિના સમયે ત્રાટકીને બિન્ધાસ્ત રીતે ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. આ સમગ્ર ઘટના કારખાનામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.</p><h2 style="text-align: justify; ">રાત્રિના અંધારામાં કારખાનામાં ઘૂસ્યો ચોર</h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, ઉમાકાંત ઉદ્યોગનગરમાં આવેલા 'શ્રી ખોડલ એન્જિનિયરિંગ' નામના કારખાનાને તસ્કરોએ પોતાનું નિશાન બનાવ્યું હતું. રાત્રિના સમયે જ્યારે કારખાનામાં કામ કરતા શ્રમિક કારીગરો દિવસભરનો થાક ઉતારવા માટે ગાઢ નિદ્રામાં સૂતા હતા, ત્યારે એક અજાણ્યો ચોર કોઈ પણ જાતના ડર વગર કારખાનાની અંદર બિન્ધાસ્ત રીતે ઘૂસ્યો હતો. આ તસ્કરે ત્યાં સૂતેલા નિર્દોષ કારીગરોના કિંમતી મોબાઈલ ફોન અને રોકડ રકમ ભરેલા પાકીટની ચોરી કરી હતી અને પળવારમાં ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો.</p><h3 style="text-align: justify; ">સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ</h3><p style="text-align: justify; ">સવારે જ્યારે કારીગરો જાગ્યા ત્યારે પોતાના મોબાઈલ અને પાકીટ ગાયબ હોવાનું જણાતા કારખાના માલિકને આ અંગે જાણ કરવામાં આવી હતી. કારખાનાના સીસીટીવી (CCTV) કેમેરા ચેક કરતાં એક શખ્સ ચોરી કરતો સ્પષ્ટ નજરે પડ્યો હતો. આ વીડિયો ફૂટેજ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા છે. ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ કબ્જે કરીને તેના આધારે તસ્કરની ઓળખ મેળવવા અને તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/nJ3sh525pvNULqsN483KTcQvReLuq8r5VcYkbO86.webp'/></item><item><title><![CDATA[Bollywood Singer : 52 વર્ષનો એ સિંગર, જેના 43ની ઉંમરે થયા છૂટાછેડા, પછી ક્યારેય ન થયો પ્રેમ...! ]]></title><link>https://sandesh.com/entertainment/news/singer-vishal-dadlani-real-life-story-divorce-loneliness</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/singer-vishal-dadlani-real-life-story-divorce-loneliness</guid><pubDate>Sat, 13 Jun 2026 17:44:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઇન્ડિયન મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના કેટલાક નામો એવા છે, જે પોતાની પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં રહે છે. આજે અમે તમને એક એવા જ ગાયક વિશે જણાવી રહ્યા છીએ. ચાલો જાણીએ કે આ કોણ છે?</p><h2 style="text-align: justify; "><b>વિશાલ દદલાની</b></h2><p style="text-align: justify; ">અમે જેમની વાત કરી રહ્યા છીએ, તે બીજા કોઈ નહીં પણ ગાયક, સંગીત નિર્દેશક અને રિયાલિટી શોના જજ તરીકે પોતાની ઓળખ બનાવનારા વિશાલ દદલાની છે. લાઈમલાઈટથી દૂર અંગત જીવન આમ તો વિશાલ પોતાની પર્સનલ લાઈફને લાઈમલાઈટથી દૂર જ રાખે છે, પરંતુ એક ઇન્ટરવ્યુમાં તેમણે પોતાની લવ લાઈફ અને લગ્ન વિશે વાત કરી હતી.</p><h3 style="text-align: justify; "><b>પ્રિયાલી કપૂર સાથે પ્રેમ</b></h3><p style="text-align: justify; ">મેશેબલ ઇન્ડિયા સાથેની વાતચીત દરમિયાન વિશાલે શેર કર્યું હતું કે 23 વર્ષની ઉંમરે તેમને પહેલીવાર પ્રિયાલી કપૂર સાથે પ્રેમ થયો હતો, જેના પછી તેમણે 25 વર્ષની ઉંમરે લગ્ન કરી લીધા હતા.<br><img title="Vishal Dadlani, Bollywood (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/06/13/G45h6d9slpBYzfbAuE53vj5xO00OhKk3HRPF3fh0.webp"><br></p><h3 style="text-align: justify; "><b>2017માં છૂટાછેડા</b></h3><p style="text-align: justify; ">વર્ષ 1999માં બંનેએ લગ્ન કર્યા હતા અને આ લગ્નજીવન 18 વર્ષ સુધી ચાલ્યું, પરંતુ પછી બંનેએ છૂટાછેડા લઈને પોતાના રસ્તા અલગ કરી લીધા. વર્ષ 2017માં બંનેના સત્તાવાર રીતે છૂટાછેડા થઈ ગયા હતા.</p><h4 style="text-align: justify; "><b>52 વર્ષની ઉંમરે સિંગલ</b></h4><p style="text-align: justify; ">છૂટાછેડા પછી વિશાલે ક્યારેય બીજા લગ્ન ન કર્યા અને ના તો તેમને ફરી ક્યારેય પ્રેમ થયો. 52 વર્ષની ઉંમરે પણ તેઓ સિંગલ લાઈફ જીવી રહ્યા છે અને પૂરી રીતે પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. વિશાલ અને પ્રિયાલીએ પોતાના સંબંધો પ્રત્યે હંમેશા આદર અને સન્માન જાળવી રાખ્યું હતું અને ક્યારેય એકબીજા વિશે કંઈ ખોટું નથી કહ્યું, જ્યારે આજકાલના સમયમાં આવું બહુ ઓછું જોવા મળે છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/reena-roy-refused-working-with-shatrughan-sinha" target="_blank">આ પણ વાંચો-Celebrity Relationship : રીના રોયના એક નિર્ણયથી ભડક્યા શત્રુઘ્ન સિન્હા, વર્ષો જૂનો કિસ્સો ફરી ચર્ચામાં!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/elRG7nMF5LGHuN8wEHnvz8F4dP8wORyZqa8VrpgR.webp'/></item><item><title><![CDATA[RBIએ આ બેન્ક પર લગાવ્યો 6 મહિનાનો પ્રતિબંધ, શું તમારૂ પણ બેન્કમાં છે એકાઉન્ટ? ]]></title><link>https://sandesh.com/business/news/india/rbi-imposes-6-month-restrictions-on-mogaveera-cooperative-bank-withdrawal-limit</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/rbi-imposes-6-month-restrictions-on-mogaveera-cooperative-bank-withdrawal-limit</guid><pubDate>Sat, 13 Jun 2026 16:56:35 +05:30</pubDate><description><![CDATA[<p>RBIએ વધુ એક બેન્ક પર કડક પ્રતિબંધો લગાવ્યા છે. નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને RBIએ મોઘાવીરા કો-ઓપરેટિવ બેન્ક પર આગામી 6 મહિના માટે વિવિધ નિયંત્રણો લાગુ કર્યા છે. આ નિર્ણયથી બેન્કના ગ્રાહકો અને કામગીરી બંને પર સીધી અસર પડશે.</p><h2><b>માત્ર રૂપિયા 1 લાખ સુધીની જ રકમ ઉપાડી શકાશે
</b></h2><p>RBIના આદેશ મુજબ હવે બેન્કના બચત ખાતા, ચાલુ ખાતા અથવા અન્ય કોઈપણ ખાતામાંથી ગ્રાહકો વધુમાં વધુ ₹1 લાખ સુધીની જ રકમ ઉપાડી શકશે. તેનાથી વધુ ઉપાડ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જો કે ગ્રાહકો લોનની EMI અને અન્ય બાકી ચુકવણીઓ જમા કરાવી શકશે. બેન્કની હાલની લિક્વિડિટી સ્થિતિને ધ્યાનમાં રાખીને આ મર્યાદા નક્કી કરવામાં આવી છે.
</p><h3><b>બેંક આ કામગીરી કરી શકશે નહીં?
</b></h3><ul><li>કોઈ નવી લોન આપી શકશે નહીં.
</li><li>હાલની લોનનું રિન્યુઅલ અથવા એડવાન્સ ચુકવણી કરી શકશે નહીં.
</li><li>કોઈપણ પ્રકારનું નવું રોકાણ કરી શકશે નહીં.
</li><li>નવી ડિપોઝિટ સ્વીકારી શકશે નહીં.
</li><li>કોઈપણ પ્રકારનું ઉધાર લઈ શકશે નહીં.
</li><li>નવી નાણાકીય જવાબદારીઓ સ્વીકારી શકશે નહીં.
</li></ul><h3><b>RBIએ કેમ લીધો નિર્ણય?
</b></h3><p>આ પ્રતિબંધો શુક્રવારના વ્યવસાય સમાપ્ત થયા બાદથી અમલમાં આવ્યા છે અને આગામી છ મહિના સુધી લાગુ રહેશે. જરૂર મુજબ RBI તેની સમીક્ષા પણ કરી શકે છે. RBIએ જણાવ્યું કે બેન્ક પર વધતા નાણાકીય દબાણ અને જમાકર્તાઓના હિતોની સુરક્ષા માટે પૂરતા પ્રયાસો ન થતાં આ પગલું ભરવું જરૂરી બન્યું હતું. કેન્દ્રીય બેન્ક સતત બેન્કના બોર્ડ અને વરિષ્ઠ મેનેજમેન્ટ સાથે સંપર્કમાં રહી તેની સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરશે.
</p><h4><b>શું બેન્કનું લાઇસન્સ રદ થઈ શકે?
</b></h4><p>RBIએ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રતિબંધોને બેન્કનું લાઈસન્સ રદ કરવાના નિર્ણય તરીકે જોવું નહીં. બેન્ક પોતાની નાણાકીય સ્થિતિ સુધારવાના પ્રયાસો સાથે મર્યાદિત શરતો હેઠળ બેંકિંગ કામગીરી ચાલુ રાખી શકશે. RBIના જણાવ્યા અનુસાર પાત્ર જમાકર્તાઓ DICGC હેઠળ તેમની જમા રકમ પર ₹5 લાખ સુધીના ડિપોઝિટ ઈન્શ્યોરન્સ ક્લેમ મેળવવા માટે હકદાર રહેશે. જમાકર્તાઓ વધુ માહિતી માટે સીધા બેન્કના અધિકારીઓનો સંપર્ક કરી શકે છે. RBIએ જણાવ્યું છે કે તે બેન્કની સ્થિતિ પર સતત નજર રાખશે અને જમાકર્તાઓના હિતમાં જરૂરી પગલાં લેતું રહેશે.
<br><br><a href="https://sandesh.com/business/news/spacexs-ipo-will-make-4400-employees-millionaires-this-is-how-the-record-will-be-broken" target="_blank"><b>આ પણ વાંચો : SpaceX નો IPO 4400 કર્મચારીઓને બનાવશે કરોડપતિ, આ રીતે તૂટશે રેકોર્ડ</b></a></p><p><br></p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/KOG8CdqhtfSCtuxS440eQF024RiGVD0ZsgggLVRZ.webp'/></item></channel></rss>