<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Amreli News: લાઠી નજીક છકડો પલટી જતા અકસ્માત, 7 મુસાફરો લોહીલુહાણ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/lathi-chhakdo-rickshaw-road-accident-seven-injured</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/lathi-chhakdo-rickshaw-road-accident-seven-injured</guid><pubDate>Thu, 25 Jun 2026 21:00:14 +05:30</pubDate><description><![CDATA[<p>અમરેલી જિલ્લાના લાઠી પંથકમાંથી મોટા અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. લાઠીના ચાંવડ અને ગળકોટડી ગામ નજીકથી પસાર થઈ રહેલી એક પેસેન્જર ભરેલી છકડો રિક્ષા અચાનક રોડ પર પલટી મારી ગઈ હતી. છકડો રિક્ષાના ચાલકે પૂરપાટ ઝડપે જઈ રહેલા વાહન પરથી અચાનક કાબૂ ગુમાવી દેતા આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતાં જ રોડ પર મુસાફરોની ચીસાચીસથી અરેરાટી વ્યાપી ગઈ હતી.</p><h2><b>7 મુસાફરો લોહીલુહાણ, સ્થાનિકો મદદે દોડી આવ્યા</b></h2><p>આ કાળજું કંપાવી દેનારા અકસ્માત સમયે છકડો રિક્ષામાં સવાર મુસાફરોમાંથી અંદાજે સાત જેટલા લોકોને નાની-મોટી અને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. અકસ્માતનો લાઈવ મંજર જોતા જ આસપાસના સ્થાનિક ગ્રામજનો અને માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો તાત્કાલિક ઈજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા અને વાહનમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.</p><h2><b>ઈજાગ્રસ્તોને બાબરા સિવિલ હોસ્પિટલ ખસેડાયા</b></h2><p>સ્થાનિક લોકોએ માનવતા મહેકાવીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. તમામ 7 ઈજાગ્રસ્તોને તાબડતોબ સારવાર અર્થે બાબરાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરોની ટીમ દ્વારા તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ પેસેન્જરોના જીવ અદ્ધર થઈ ગયા હતા.</p><h2><b>નિયમોના ધજાગરા: લોડિંગ વાહનમાં પેસેન્જર બેસાડતા ઉઠ્યા સવાલ</b></h2><p>આ અકસ્માત બાદ માલસામાનની હેરફેર માટે વપરાતા લોડિંગ વાહનોમાં ઘેટાં-બકરાંની જેમ પેસેન્જરોને બેસાડવાના કારણે ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. કમાણીની લાલચમાં માનવ જિંદગી જોખમમાં મૂકતા આવા વાહનચાલકો સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, અકસ્માતના કારણે હાઈવે પર ઘટના સ્થળે લોકોના મોટા ટોળેટોળા એકઠા થઈ ગયા હતા, જેના લીધે થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.</p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/khamba-chaturi-village-lioness-attacks-5-year-old-child-jiyan-sidha-missing" target="_blank"> Amreli: ખાંભાના ચતુરી ગામે દાદાની નજર સામેથી 5 વર્ષના માસૂમ બાળકને સિંહણ ઉઠાવી ગઈ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/Bd3Xztkwsg5gf6LUhFbrXba6ToyzSI3Ihs2eEZ19.webp'/></item><item><title><![CDATA[Vadodaraના સાધલીમાં બ્યુટીફિકેશન કામગીરી દરમિયાન વીજ પોલ થયો ધારાશાયી, એક મહિલા ગંભીર ઇજાગ્રસ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/an-electricity-pole-fell-during-beautification-work-in-sadhli-vadodara-a-woman-was-seriously-injured</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/an-electricity-pole-fell-during-beautification-work-in-sadhli-vadodara-a-woman-was-seriously-injured</guid><pubDate>Thu, 25 Jun 2026 20:21:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરાના સાધલીમાંથી તંત્ર અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી ઉજાગર કરતી એક મોટી દુર્ઘટના સામે આવી છે. સાધલીમાં તળાવના બ્યુટીફિકેશન (સુશોભીકરણ) ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન એક હાઇડ્રોલિક હિટાચી મશીન રસ્તા પરથી પસાર થઈ રહેલા હાઈ-ટેન્શન વીજ વાયરો સાથે ધડાકાભેર અથડાયું હતું. ચાલકની બેદરકારીના કારણે એક વિશાળ વીજ પોલ પળવારમાં મુખ્ય માર્ગ પર ધારાશાયી થઈ ગયો હતો. મદીના મસ્જિદની બિલકુલ સામે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી.</p><h2 style="text-align: justify; ">મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત, બાઇકનો કચ્ચરઘાણ</h2><p style="text-align: justify;">વીજ પોલ જ્યારે રસ્તા પર પડ્યો ત્યારે તેની લપેટમાં ત્યાં નજીક ઉભેલી એક સ્થાનિક મહિલા આવી ગઈ હતી. લોખંડનો ભારેભરખમ પોલ માથે પડતાં મહિલાને શરીરે અને માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી મહિલાને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી. આ ઉપરાંત, વીજ પોલની બિલકુલ નીચે ઉભેલી એક મોટરસાયકલ પર થાંભલો પડતાં બાઇકને પણ મોટું નુકસાન થયું હતું અને તેનો કચ્ચરઘાણ વળી ગયો હતો.</p><h3 style="text-align: justify; ">જીવતા વીજ વાયરો રસ્તા પર ફેલાતા ભયનો માહોલ</h3><p style="text-align: justify; ">આ અકસ્માત એટલો જોખમી હતો કે પોલ તૂટવાની સાથે જ હજારો વોલ્ટનો કરંટ ધરાવતા જીવતા વીજ વાયરો સરેઆમ મુખ્ય રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા. રસ્તા પર જીવતા વાયરો ફેલાઈ જતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે ભયનો માહોલ વ્યાપી ગયો હતો. સ્થાનિક લોકોએ તુરંત વીજ કંપનીને જાણ કરીને લાઇન બંધ કરાવી હતી, જેના કારણે મોટી જાનહાનિ થતાં અટકી ગઈ હતી. ગ્રામજનોનો સીધો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર અને હિટાચી ચાલકે આસપાસના વીજ વાયરોનું ધ્યાન રાખ્યા વિના મશીન ચલાવતા આ દુર્ઘટના સર્જાઈ છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/nVCbLqsaj3xJvkG076w09ZSk23rXlcKjA3yunFnh.webp'/></item><item><title><![CDATA[Ram Mandirમાં લાગુ થયા 8 મોટા નિયમ, હવે દાનની રકમમાં નહીં થાય કોઈ ગોલમાલ! ]]></title><link>https://sandesh.com/india/news/ram-mandir-new-rules-donation-transparency-audit-system-uttar-pradesh</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ram-mandir-new-rules-donation-transparency-audit-system-uttar-pradesh</guid><pubDate>Thu, 25 Jun 2026 20:06:23 +05:30</pubDate><description><![CDATA[<p>અયોધ્યાના રામ મંદિરમાં દાનની રકમમાં અનિયમિતતાના આરોપો બાદ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે દાન ગણતરી અને બેન્કમાં જમા કરવાની સમગ્ર પ્રક્રિયામાં મોટા ફેરફારો કર્યા છે. ટ્રસ્ટે સુરક્ષા, દેખરેખ અને જવાબદારી વધારવા માટે કુલ 8 નવા નિયમો લાગુ કર્યા છે, જેથી કોઈપણ પ્રકારની ગેરરીતિની શક્યતા ન રહે.</p><h2><b>કડક સુરક્ષા વ્યવસ્થા અમલમાં મુકાઈ&nbsp;</b></h2><p>નવા નિયમો મુજબ હવે દાનપેટીથી લઈને ગણતરી રૂમ સુધી પ્રવેશ કરનાર કર્મચારીઓ માટે કડક સુરક્ષા વ્યવસ્થા અમલમાં મુકાઈ છે. એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર ફરજિયાત ફ્રિસ્કિંગ (તપાસ) કરવામાં આવશે. કર્મચારીઓને ખિસ્સા વગરના કપડાં પહેરીને જ દાન ગણતરી પ્રક્રિયામાં જોડાવાની મંજૂરી આપવામાં આવશે. મોબાઈલ ફોન, ઈલેક્ટ્રોનિક ગેજેટ, પર્સ અથવા બેગ સાથે પ્રવેશ સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે.</p><h3><b>CCTV ફૂટેજ 180 દિવસ સુધી સુરક્ષિત રાખવામાં આવશે</b></h3><p>ટ્રસ્ટે CCTV દેખરેખને વધુ મજબૂત બનાવી છે. હવે CCTV ફૂટેજ 45 દિવસની બદલે 180 દિવસ સુધી સુરક્ષિત રાખવામાં આવશે. કેશ બોક્સ ડબલ લોક સિસ્ટમ હેઠળ બેન્કમાં મોકલવામાં આવશે અને તેની ચાવીઓ બે અલગ અલગ વ્યક્તિઓ પાસે રહેશે. દાનપેટી ખોલવાથી લઈને રોકડ ગણતરી સુધીની સમગ્ર પ્રક્રિયા હવે સતત કેમેરાની નજર હેઠળ રહેશે.</p><h4><b>5થી 20 લાખ રૂપિયા દૈનિક બેન્કમાં જમા થાય છે</b></h4><p>આ પ્રક્રિયામાં ભારતીય સ્ટેટ બેન્કના કર્મચારીઓ પણ સામેલ હોય છે. મંદિરમાં દરરોજ સવારે 8થી રાત્રે 8 સુધી રોકડની ગણતરી થાય છે અને સરેરાશ 15થી 20 લાખ રૂપિયા દૈનિક બેન્કમાં જમા થાય છે. ટ્રસ્ટનું કહેવું છે કે આ તમામ ફેરફારોનો મુખ્ય હેતુ દાન વ્યવસ્થામાં સંપૂર્ણ પારદર્શિતા લાવવો અને શ્રદ્ધાળુઓનો વિશ્વાસ વધુ મજબૂત બનાવવો છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/crime/madhya-pradesh-ujjain-badnagar-crane-car-blast-muharram-procession-fir" target="_blank">આ પણ વાંચો : Madhya Pradesh : ઉજ્જૈનના વડનગરમાં ક્રેન પર કાર લટકાવી કર્યો બ્લાસ્ટ, 4 લોકો સામે થઈ FIR</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/PU5xW3AlHz0itOt6Wn0eHPjVlOxGMbYuY1QjHZS5.webp'/></item><item><title><![CDATA[Patan News: સમી પંથકમાં ગાજવીજ સાથે મેઘરાજાની પધરામણી, ખેડૂતોમાં ખુશીનો માહોલ ]]></title><link>https://sandesh.com/weather/monsoon-2026/news/patan/sami-taluka-rain-entry-farmers-happy-weather-update</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/monsoon-2026/news/patan/sami-taluka-rain-entry-farmers-happy-weather-update</guid><pubDate>Thu, 25 Jun 2026 20:00:21 +05:30</pubDate><description><![CDATA[<p>ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાંથી ચોમાસાને લઈને મોટા અને આનંદના સમાચાર સામે આવ્યા છે. પાટણના સમી તાલુકામાં લાંબા સમયની પ્રતીક્ષા બાદ આખરે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગુરૂવારની બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. ત્યારબાદ પવનના સુસવાટા સાથે વરસાદી ઇનિંગ શરૂ થઈ ગઈ હતી.</p><h2><b>સમી, બાસ્પા અને દાઉદપુર પંથક પાણી-પાણી</b></h2><p>સમી તાલુકા મથક ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો છે. સમી સહિત આસપાસના બાસ્પા અને દાઉદપુર જેવા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા. રોડ-રસ્તાઓ પર પાણી વહેતા થઈ ગયા હતા. લાંબા સમયના વિરામ અને ચાતક નજરે જોવાયેલી રાહ બાદ મેઘ મહેર થતાં સમગ્ર પંથકમાં ચોમાસાની સક્રિય શરૂઆતના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.</p><h2><b>અસહ્ય ગરમીથી મુક્તિ, વાતાવરણમાં પ્રસરી ઠંડક</b></h2><p>છેલ્લા કેટલાય દિવસોથી પાટણ સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં લોકો અસહ્ય ગરમી અને બફારાથી તોબા પોકારી ઉઠ્યા હતા. પારો ગગડવાનું નામ નહોતો લેતો, ત્યારે ગુરૂવારના વરસાદે લોકોને મોટી રાહત આપી છે. સમી પંથકમાં વરસાદ પડતાં જ વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી ગઈ છે, અને લોકોને ગરમી તથા ઉકળાટથી મોટી મુક્તિ મળી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2070137579891229094"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>ખેડૂતોમાં ખુશીનો માહોલ, વાવણીના પાક માટે નવી આશા</b></h2><p>આ વરસાદ ગ્રામીણ અર્થતંત્ર અને ખાસ કરીને જગતના તાત માટે અમૃત સમાન સાબિત થયો છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈને બેઠેલા સ્થાનિક ખેડૂતોમાં આ વરસાદથી ખુશીની લહેર દોડી ગઈ છે. આ વરસાદના કારણે ખેતરોમાં વાવણી લાયક માહોલ તૈયાર થશે અને ઊભા પાકને નવું જીવનદાન મળશે, જેનાથી ધરતીપુત્રોમાં કૃષિ સિઝન માટે એક નવી આશા જાગી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/patan/patan-politics-mla-kirit-patel-defamation-case-chief-officer-bu-permission" target="_blank">Patan : કોંગ્રેસ MLA કિરીટ પટેલ સામે ચીફ ઓફિસરે ઠોક્યો બદનક્ષીનો દાવો, રાજકારણમાં મોટો ભડકો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/5pFkH6gx8hgBAkGgG0E5MJyikKt9l7RDkSqjYKXj.webp'/></item><item><title><![CDATA[Indian Citizenship Rules: પાસપોર્ટ નાગરિકતાની ગેરંટી નથી, તો દેશના નાગરિક હોવાનો શું છે અસલી પુરાવો?, જાણો ]]></title><link>https://sandesh.com/knowledge/news/india/indian-citizenship-rules-passport-is-not-a-guarantee-of-citizenship-so-what-is-the-real-proof-of-being-a-citizen-of-the-country-know</link><guid isPermaLink="true">https://sandesh.com/knowledge/news/india/indian-citizenship-rules-passport-is-not-a-guarantee-of-citizenship-so-what-is-the-real-proof-of-being-a-citizen-of-the-country-know</guid><pubDate>Thu, 25 Jun 2026 19:45:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ભારતીય બંધારણના ભાગ II (કલમ 5 થી 11) નાગરિકતા સંબંધિત જોગવાઈઓ પ્રદાન કરે છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">નાગરિકતા માટે કયા પુરાવા જોઇએ ?&nbsp;</h2><p style="text-align: justify; ">દેશમાં એકલ નાગરિકતાની વ્યવસ્થા છે. જેનો અર્થ છે કે વ્યક્તિ ફક્ત ભારતનો નાગરિક હોઈ શકે છે. તેઓ એકસાથે બીજા દેશનું નાગરિકત્વ રાખી શકતા નથી. ભારતમાં નાગરિકતા જન્મ, વંશ અને અરજી દ્વારા આપવામાં આવે છે. સરકારના જણાવ્યા અનુસાર, પાસપોર્ટ, આધાર કાર્ડ અને મતદાર ઓળખ કાર્ડ મુખ્યત્વે ઓળખ અને પ્રવાસ દસ્તાવેજો છે. આને નાગરિકતાના અંતિમ અથવા અકાટ્ય કાનૂની પુરાવા ગણી શકાય નહીં. ભારતમાં અંતિમ નાગરિકત્વ ફક્ત 1955ના નાગરિકત્વ અધિનિયમ હેઠળ જ નક્કી થાય છે.</p><h3 style="text-align: justify; ">ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત કરવાની પાંચ રીત:-&nbsp;</h3><p style="text-align: justify; ">1955ના નાગરિકત્વ અધિનિયમ હેઠળ, વ્યક્તિ ફક્ત નીચેની પદ્ધતિઓ દ્વારા જ ભારતીય નાગરિક બની શકે છે:-&nbsp;</p><p style="text-align: justify; "><b>જન્મ દ્વારા: </b>26 જાન્યુઆરી 1950ના રોજ અથવા તે પછી ભારતમાં જન્મેલા વ્યક્તિઓ&nbsp;</p><p style="text-align: justify; "><b>વંશ દ્વારા: </b>ભારતની બહાર જન્મેલા વ્યક્તિઓ, જો તેમના માતાપિતામાંથી કોઈ એક ભારતીય નાગરિક હોય.</p><p style="text-align: justify; "><b>નોંધણી દ્વારા: </b>ભારતીય મૂળના વ્યક્તિઓ અથવા ભારતીય નાગરિક સાથે લગ્ન કરનારાઓ, અરજી કરે છે.</p><p style="text-align: justify; "><b>કુદરતીકરણ દ્વારા: </b>વિદેશી નાગરિકો કે જેઓ ચોક્કસ સમયગાળા માટે ભારતમાં રહ્યા છે. તેઓ ચોક્કસ માપદંડો પૂર્ણ કરીને નાગરિકત્વ મેળવી શકે છે.</p><p style="text-align: justify; "><b>પ્રવેશ દ્વારા:</b> જો કોઈ નવો પ્રદેશ ભારતમાં જોડવામાં આવે છે. તો ત્યાંના રહેવાસીઓ આપમેળે ભારતીય નાગરિક બની જાય છે.</p><h4 style="text-align: justify; ">નાગરિકત્વ સમાપ્ત કરવાના નિયમોઃ-&nbsp;</h4><p style="text-align: justify; ">ભારતનું બંધારણ બેવડી નાગરિકત્વને મંજૂરી આપતું નથી. ભારતમાં નાગરિકત્વ આ ત્રણ પદ્ધતિઓ દ્વારા સમાપ્ત કરી શકાય છે.</p><p style="text-align: justify; "><b>નાગરિકત્વનો ત્યાગ:</b> જો કોઈ વ્યક્તિ સ્વેચ્છાએ તેમની ભારતીય નાગરિકત્વનો ત્યાગ કરે છે.</p><p style="text-align: justify; "><b>નાગરિકતા સમાપ્ત કરવી: </b>જો કોઈ ભારતીય નાગરિક બીજા દેશનું નાગરિકત્વ મેળવે છે, તો તેમની ભારતીય નાગરિકતા કાયદેસર રીતે તાત્કાલિક સમાપ્ત થઈ જાય છે.</p><p style="text-align: justify; "><b>સરકાર દ્વારા વંચિત રહેવું: </b>જો કોઈએ છેતરપિંડી, બનાવટી દસ્તાવેજો અથવા રાજદ્રોહ દ્વારા નાગરિકત્વ મેળવ્યું હોય, તો કેન્દ્ર સરકાર તેમને નાગરિકત્વથી વંચિત કરી શકે છે.</p><p style="text-align: justify; "><b>નાગરિકતા સુધારો નિયમો, 2026:</b> કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નાગરિકતા (સુધારા) નિયમો, 2026ને સૂચિત કર્યા છે. આ નિયમો હેઠળ, ડ્યુઅલ પાસપોર્ટ ધરાવતા સગીર બાળકો પર કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. ભારતના વિદેશી નાગરિકોની નોંધણી અને ત્યાગની સમગ્ર પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટલાઇઝ કરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><b>નાગરિકતા સુધારો કાયદો: </b>આ કાયદો ડિસેમ્બર 2014 પહેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી લઘુમતીઓને સરળ પ્રક્રિયા દ્વારા ભારતીય નાગરિકત્વ આપવાની જોગવાઈ કરે છે. તેની સમગ્ર પ્રક્રિયા ભારતીય નાગરિકતા ઓનલાઈન પોર્ટલ દ્વારા ડિજિટલ રીતે હાથ ધરવામાં આવે છે.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/india/news/passport-fee-hike-india-getting-a-passport-will-become-more-expensive-from-july-1-the-central-government-has-drastically-increased-the-fee" target="_blank">પહેલી જુલાઈથી પાસપોર્ટ કઢાવવો થશે મોંઘો, કેન્દ્ર સરકારે ફીમાં કર્યો તોતિંગ વધારો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/ioFgZWdoylXR5pjJ9KqWNIyk9yEdTZA9XtqpFIKw.webp'/></item><item><title><![CDATA[Vadodara News: મકરપુરાની સોસાયટીમાં એકસાથે 5 મકાનોના તાળા તૂટ્યા, હથિયારો સાથે તસ્કરો CCTVમાં કેદ ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-news-locks-of-5-houses-broken-at-once-in-makarpura-society-smugglers-captured-on-cctv-with-weapons</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-news-locks-of-5-houses-broken-at-once-in-makarpura-society-smugglers-captured-on-cctv-with-weapons</guid><pubDate>Thu, 25 Jun 2026 18:38:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી ગ્રીન પાર્ક સોસાયટીમાં મોડી રાત્રે કુખ્યાત 'ચડ્ડી-બનિયાન ગેંગ'ના તસ્કરોએ ભારે આતંક મચાવ્યો હતો. આ શાતિર ગેંગની ટોળકીએ સોસાયટીમાં ઘૂસીને એક જ રાતમાં એકસાથે ૫ જેટલા મકાનોના તાળા તોડી ધાડ પાડી હતી. આ સામૂહિક ચોરીની ઘટનાને પગલે સમગ્ર સોસાયટી સહિત આસપાસના વિસ્તારોમાં ભારે અરેરાટી અને ભયનો માહોલ વ્યાપી ગયો છે.</p><h2 style="text-align: justify; ">હાથમાં ચપ્પલ અને હથિયારો સાથે રેકી કરતા દેખાયા</h2><p style="text-align: justify; ">આ આખી ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે ગેંગના સાગરીતો પરંપરાગત ચડ્ડી-બનિયાન પહેરીને, અવાજ ન થાય તે માટે હાથમાં ચપ્પલ પકડીને સોસાયટીની ગલીઓમાં રેકી કરી રહ્યા છે. એટલું જ નહીં, તસ્કરોના હાથમાં તીક્ષ્ણ અને જોખમી હથિયારો પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. હથિયારધારી તસ્કરોની આ હિલચાલ જોઈને સ્થાનિક રહીશોમાં પોતાની સુરક્ષાને લઈને ભારે ચિંતા અને ફફડાટ ફેલાયો છે કે જો કોઈ જાગી ગયું હોત તો મોટી જાનહાનિ પણ થઈ શકી હોત.</p><h3 style="text-align: justify; ">CCTV ફૂટેજના આધારે મકરપુરા પોલીસ એક્શનમાં</h3><p style="text-align: justify; ">મકરપુરા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ગ્રીન પાર્ક સોસાયટી ખાતે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને એફએસએલ તેમજ ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની મદદથી સ્થળ પરથી જરૂરી વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે સોસાયટીના સીસીટીવી ફૂટેજ પોતાના કબજામાં લઈ તેના આધારે તસ્કરોની ઓળખ મેળવવા અને તેમને ઝડપી પાડવા માટે જુદી-જુદી ટીમો બનાવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સ્થાનિક લોકોએ વહેલી તકે આ ગેંગને પકડી પાડી વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/J2jxeMMhoqFtRJdUw0c6DsyuRZahCNtnQ8zVSztX.webp'/></item><item><title><![CDATA[Samantha Confirm Pregnancy: સમન્થા અને રાજ બનશે માતા-પિતા, અભિનેત્રીએ પ્રસૂતિ વિરામની કરી જાહેરાત ]]></title><link>https://sandesh.com/entertainment/news/india/samantha-confirms-pregnancy-samantha-and-raj-will-become-parents-actress-announces-maternity-leave</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/india/samantha-confirms-pregnancy-samantha-and-raj-will-become-parents-actress-announces-maternity-leave</guid><pubDate>Thu, 25 Jun 2026 18:38:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">સમન્થા રૂથ પ્રભુ અને રાજ નિદિમોરુ તેમના પ્રથમ બાળકને આવકારવા માટે તૈયાર છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">ચાહકોને ખુશ થવા માટે આપ્યુ કારણ</h2><p style="text-align: justify; ">સમન્થાની 'મા ઇન્તી બંગારામ' બોક્સ ઓફિસ પર જોરદાર સારું પ્રદર્શન કરી રહી છે. ફિલ્મ રિલીઝ થયાના માત્ર છ દિવસમાં જ તેના બજેટમાં બમણી કમાણી કરી ચૂકી છે. 'મા ઇન્તી બંગારામ'ની સફળતાનો આનંદ માણી રહેલી સામન્થા રૂથ પ્રભુએ ચાહકોને ખુશ થવા માટે બીજું કારણ આપ્યું છે. અભિનેત્રીએ તેની ગર્ભાવસ્થાની પુષ્ટિ કરી છે. આ સારા સમાચાર શેર કરતા, સામન્થાએ એ પણ જાહેરાત કરી કે, તે ટૂંક સમયમાં પ્રસૂતિ વિરામ લેશે.</p><h3 style="text-align: justify; ">મેટરનિટી લીવ લેશે સામન્થા</h3><p style="text-align: justify; ">સમન્થા રૂથ પ્રભુએ બુધવારે હૈદરાબાદમાં તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ મા ઇન્તી બંગારામની સફળતાની મીટિંગમાં આ સારા સમાચાર શેર કર્યા. આ કાર્યક્રમમાં મીડિયા સાથે વાત કરતા, સામન્થાએ કહ્યું કે તે તેના વર્તમાન પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા પછી થોડા સમય માટે અભિનયમાંથી વિરામ લેવાની યોજના ધરાવે છે. સામન્થાએ કહ્યું, મા ઇન્તી બંગારામ પછી, મારી તબિયત ખરાબ હોવાથી મારે થોડો સમય વિરામ લેવો પડશે. મારે મેટરનિટી લીવ લેવી પડશે. તે પછી, હું મારા ચાહકો માટે બીજી ફિલ્મ લઈને પાછી આવીશ.</p><h4 style="text-align: justify; ">"મા ઇન્તી બંગારામ"ની સફળતાની ઉજવણી</h4><p style="text-align: justify; ">આ જાહેરાત પછી, હાજર લોકોએ સામન્થાને અભિનંદન પાઠવ્યા. અભિનેત્રીએ બધાનો આભાર પણ માન્યો અને તેમના પ્રેમ અને સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.નોંધનીય છે કે જ્યારે સામન્થાએ તેની ગર્ભાવસ્થાની પુષ્ટિ કરી, ત્યારે તેના પતિ રાજ નિદિમોરુ તેની બાજુમાં બેઠેલા હતા અને હાજર રહેલા લોકો સાથે હસતા હસતા જોવા મળ્યા. સામન્થાની ગર્ભાવસ્થાની પુષ્ટિ "મા ઇન્તી બંગારામ" ના સફળતાના ઉજવણીના ક્લિપ્સ વાયરલ થયા પછી આવી છે, જેમાં ચાહકોએ અભિનેત્રીને તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોઈ હતી.&nbsp;</p><h5 style="text-align: justify; ">સમન્થા અને રાજનું અંગત જીવન&nbsp;</h5><p style="text-align: justify; ">સમન્થાએ અભિનેતા નાગા ચૈતન્ય સાથે થોડા વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ 2017માં લગ્ન કર્યા હતા. પરંતુ આ દંપતી 2021માં અલગ થયુ હતુ. રાજના પહેલા લગ્ન શ્યામલી ડે સાથે થયા હતા, અને તેઓ ક્યારે અલગ થયા તે જાણી શકાયું નથી. સમન્થાએ રાજ સાથે ધ ફેમિલી મેન સીઝન 2 અને સિટાડેલ: હની બનીમાં કામ કર્યું હતું. ગયા વર્ષે, તેણીએ 1 ડિસેમ્બર, 2025 ના રોજ તેમના લગ્ન પહેલા તેના સોશિયલ મીડિયા પર રાજના ફોટા પોસ્ટ કરવાનું શરૂ કર્યું. જોકે તેમના ડેટિંગની અફવાઓ હતી, પરંતુ તેમના લગ્નના સમાચાર આશ્ચર્યજનક હતા. તેઓએ કોઈમ્બતુરના ઈશા યોગ સેન્ટરમાં લગ્ન કર્યા હતા.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/india/news/business/flight-ticket-price-drop-relief-news-for-air-passengers-flight-tickets-may-soon-become-cheaper" target="_blank">હવાઈ ​​મુસાફરો માટે રાહતના સમાચાર, ફ્લાઇટ ટિકિટ ટૂંક સમયમાં થઈ શકે છે સસ્તી</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/Vy6Xl7l3oCADsU3N2dahUNxXe5KysrsUwkvIvD8p.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: વિરમગામ નગરપાલિકાની ડ્રેનેજ સમિતિના ચેરમેને આપ્યું રાજીનામું, જાણો શું છે કારણ? ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ahmedabad/viramgam-nagarpalika-drainage-committee-chairman-suresh-dalwadi-resigned</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ahmedabad/viramgam-nagarpalika-drainage-committee-chairman-suresh-dalwadi-resigned</guid><pubDate>Thu, 25 Jun 2026 18:07:43 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના વિરમગામમાંથી એક મોટા રાજકીય સમાચાર સામે આવી રહ્યા છે. વિરમગામ નગરપાલિકાના ડ્રેનેજ સમિતિના ચેરમેન સુરેશભાઈ જગદીશભાઈ દલવાડીએ અચાનક જ પોતાના ચેરમેન પદેથી રાજીનામું ધરી દેતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપના શાસનવાળી આ નગરપાલિકામાં ચેરમેનના રાજીનામાને લઈને ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે.</p><h2><b>સામાન્ય સભામાં થઈ હતી નિમણૂંક, ટૂંકા ગાળામાં જ પદ છોડ્યું</b></h2><p>મળતી માહિતી અનુસાર, વિરમગામ નગરપાલિકાના વોર્ડ નંબર-3 ના ચૂંટાયેલા સદસ્ય અને ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર સુરેશભાઈ દલવાડીને નગરપાલિકાની સામાન્ય સભા દરમિયાન ડ્રેનેજ સમિતિના ચેરમેન જેવી મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે, આ નિમણૂંકના ટૂંકા ગાળામાં જ તેમણે પદ પરથી સ્વેચ્છાએ નિકળી જવાનો નિર્ણય કર્યો છે.</p><p><img title="Ahmedabad News: Viramgam Nagarpalika Drainage Committee Chairman Suresh Dalwadi Resigns" src="https://epapercdn.sandesh.com/images/2026/06/25/bTZu9pgpIL2G9avhYXCxYXB7kjagk1rde9H8QrQB.webp" style="width: 100%;"><br></p><h2><b>રાજીનામા પાછળ બીમારીનું કારણ આગળ ધરાયું</b></h2><p>સુરેશભાઈ દલવાડીના આ અચાનક રાજીનામા પાછળ કોઈ રાજકીય નારાજગી છે કે, અન્ય કોઈ કારણ, તે અંગે અટકળો ચાલી રહી હતી. જોકે, તેમણે આપેલા રાજીનામા પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે, તેઓ થોડા સમયથી બીમારીનો સામનો કરી રહ્યા છે. બીમારીના કારણે તેઓ આ મહત્વની જવાબદારી અને ફરજ પૂરતી નિષ્ઠાથી નિભાવી શકે તેમ ન હોવાથી તેમણે સ્વેચ્છાએ ડ્રેનેજ સમિતિના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/viramgam-surendranagar-highway-triple-accident-thori-mubarak-youth-dead-injured" target="_blank">Ahmedabad: વિરમગામ-સુરેન્દ્રનગર હાઈવે પર ત્રિપલ અકસ્માતમાં એકનું મોત, બાળક સહિત 3 ઘાયલ થયા</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/4x1m6uTnOBg7qwkRaOto1lt04kEavXxCw2G0FxsR.webp'/></item><item><title><![CDATA[Share Market 26 જૂનથી સતત 3 દિવસ રહેશે બંધ, જાણો કારણ ]]></title><link>https://sandesh.com/business/news/share-market-closed-3-days-muharram-holiday-on-june-26</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/share-market-closed-3-days-muharram-holiday-on-june-26</guid><pubDate>Thu, 25 Jun 2026 18:01:01 +05:30</pubDate><description><![CDATA[<p>મુહર્રમના તહેવારને કારણે દેશના શેરબજારમાં આ સપ્તાહે ટ્રેડિંગનો એક દિવસ ઓછો રહ્યો છે. સામાન્ય રીતે પાંચ દિવસ ખુલ્લા રહેતા બજારોમાં આ વખતે માત્ર ચાર દિવસ જ વેપાર થયો. હવે 26 જૂનના રોજ દેશના મુખ્ય શેરબજાર BSE અને NSE સંપૂર્ણ રીતે બંધ રહેશે.</p><h2><b>રોકાણકારોને શેરની ખરીદી અને વેચાણ માટે રાહ જોવી પડશે</b></h2><p>મુહર્રમની રજાને કારણે રોકાણકારોને સતત ત્રણ દિવસ સુધી બજારમાં ટ્રેડિંગનો અવકાશ નહીં મળે. આ દરમિયાન શુક્રવારથી લઈને રવિવાર સુધી બજાર બંધ રહેશે અને ફરી 29 જૂન, સોમવારથી નિયમિત કામગીરી શરૂ થશે. આથી રોકાણકારો માટે ખરીદી અને વેચાણ માટે રાહ જોવી પડશે. આ સાથે કમોડિટી માર્કેટ MCX ઈન્ડિયામાં પણ 26 જૂને ખાસ ફેરફાર રહેશે. અહીં સવારે સત્રનું ટ્રેડિંગ બંધ રહેશે, જ્યારે સાંજનું સત્ર યથાવત ચાલુ રહેશે.</p><p>શેરબજારના હોલિડે કેલેન્ડર મુજબ વર્ષ દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ તહેવારો પર રજાઓ રહે છે. આગામી સમયમાં 15 ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ), 14 સપ્ટેમ્બર (ગણેશ ચતુર્થી), 2 ઓક્ટોબર (મહાત્મા ગાંધી જયંતિ) અને 20 ઓક્ટોબર (દશેરા) પર પણ બજાર બંધ રહેશે. જોકે આ વર્ષે 15 ઓગસ્ટ શનિવાર હોવાથી તે સ્વાભાવિક રજામાં આવી જાય છે.</p><h3><b>બેન્કો અને સરકારી કચેરીઓ પણ 26 જૂને બંધ રહેશે</b></h3><p>બીજી તરફ, દેશના મોટા ભાગના વિસ્તારોમાં બેન્કો અને સરકારી કચેરીઓ પણ 26 જૂને બંધ રહેશે. જોકે અમદાવાદ, ભુવનેશ્વર, ચંડીગઢ, દેહરાદૂન, ગંગટોક, ગુવાહાટી, ઈમ્ફાલ, ઇટાનગર, જયપુર, કોહિમા, શિમલા, શિલોંગ અને તિરુવનંતપુરમ જેવા શહેરોમાં બેન્કો કાર્યરત રહેશે. વધુમાં, 27 જૂને મહિનાનો ચોથો શનિવાર હોવાથી બેન્કો બંધ રહેશે. સામાન્ય રીતે દર મહિનાના બીજા અને ચોથા શનિવારે બેન્કોમાં રજા હોય છે. આ તમામ રજાઓને કારણે રોકાણકારો અને સામાન્ય નાગરિકોએ આગામી દિવસોમાં પોતાના નાણાકીય વ્યવહારોનું આયોજન કરી લેવું જરૂરી બન્યું છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/business/india-government-psu-share-sale-ofs-rs-25491-crore-highest-in-11-years" target="_blank">આ પણ વાંચો : PSUs Share Sale : 11 વર્ષમાં સરકારે સૌથી વધુ શેર વેચ્યા, OFS દ્વારા 25,491 કરોડ એકત્ર કરાયા</a></b></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/5EU6pHqbrpBtHnwNkFwnnTmlxXH21F0WPT978IL2.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026: બોસ્નિયાએ કતારને હરાવીને નોકઆઉટમાં પહોંચવાની આશા રાખી જીવંત ]]></title><link>https://sandesh.com/sports/news/bosnia-herzegovina-vs-qatar-3-1-win-tournament-hopes</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/bosnia-herzegovina-vs-qatar-3-1-win-tournament-hopes</guid><pubDate>Thu, 25 Jun 2026 16:27:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સિએટલ સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી મેચમાં બોસ્નિયા અને હર્ઝેગોવિનાએ કતારને 3-1થી હરાવીને પોતાની ટુર્નામેન્ટની આશા મજબૂત કરી. બોસ્નિયાએ પહેલા હાફમાં આક્રમક શરૂઆત કરી અને 29મી મિનિટે 18 વર્ષના કેરીમ અલાજબેગોવિચે બોક્સની બહારથી શાનદાર ગોલ કરીને ટીમને લીડ અપાવી.</p><h2 style="text-align: justify; "><b>બોસ્નિયા અને હર્ઝેગોવિનાએ લીડ બમણી કરી</b></h2><p style="text-align: justify; ">34મી મિનિટે બોસ્નિયાની લીડ બમણી થઈ ગઈ જ્યારે કતારના સુલતાન અલ્બ્રેકે (સ્કોરકાર્ડ મુજબ મહમૂદ અબુનાદા) એડિન ડઝેકોના ક્રોસને ક્લિયર કરવાનો પ્રયાસ કરતી વખતે બોલને પોતાના જ ગોલમાં ડિફ્લેક્ટ કર્યો.</p><p style="text-align: justify; ">પરંતુ કતારે વાપસી કરવાનો પ્રયાસ કર્યો અને 42મી મિનિટે અનુભવી હસન અલ્હાયડોસે ગોલ કરીને 2-1નો ફરક બનાવ્યો. પ્રથમ હાફ આ સ્કોર સાથે સમાપ્ત થયો.</p><h3 style="text-align: justify; "><b>એરમિન માહમિકના ડિફ્લેક્ટેડ શોટે કતારની આશાઓ પર પાણી ફેરવ્યું</b></h3><p style="text-align: justify; ">બીજા હાફમાં કતારે બરાબરી માટે દબાણ કર્યું અને કેટલીક સારી તકો બનાવી, પરંતુ બોસ્નિયાએ પોતાનો સંયમ જાળવી રાખ્યો. 80મી મિનિટે સબસ્ટિટ્યૂટ એરમિન માહમિકના ડિફ્લેક્ટેડ શોટે કતારની આશાઓ પર પાણી ફેરવી દીધું. આ જીત સાથે બોસ્નિયાએ 3-1થી નિર્ણાયક વિજય મેળવ્યો.</p><p style="text-align: justify; ">આ જીતથી બોસ્નિયા અને હર્ઝેગોવિનાને 4 પોઈન્ટ પણ મળ્યા, પરંતુ ગોલ તફાવત અને અન્ય માપદંડોને કારણે, ટીમ ત્રીજા સ્થાને રહી. હવે તેઓ અન્ય જૂથોના પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરશે, કારણ કે તેઓ બેસ્ટ ત્રીજા ક્રમાંકિત ટીમોમાં જોડાઈને રાઉન્ડ 32માં સ્થાન મેળવી શકે છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/entertainment/virat-kohli-photos-with-son-akaay-anushka-sharma" target="_blank">Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા&nbsp;</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/m8FwBuWVmBwMw2qSdCi9Bdthh1IC1o24akZVfjW8.webp'/></item></channel></rss>