<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Vadodara: ઓ બાપરે... જોઈને જ ઉલટી થઈ જશે, વડોદરાના હરિઓમ કાઠિયાવાડીમાં ગંદકીનું સામ્રાજ્ય! ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/vadodara--health-dept-shuts-hariom-kathiyawadi-hotel-in-sama-for-unhygienic-conditions</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/vadodara--health-dept-shuts-hariom-kathiyawadi-hotel-in-sama-for-unhygienic-conditions</guid><pubDate>Wed, 19 Aug 2026 13:43:06 +05:30</pubDate><description><![CDATA[<p>Vadodara: સુરતમાં સામે આવેલી ઘટનાના પગલે વડોદરા આરોગ્ય તંત્ર પણ એક્શનમાં આવ્યું છે. શહેરના હોટેલ-રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. વડોદરાના સમા-સાવલી વિસ્તારમાં આવેલી હરિઓમ કાઠિયાવાડી હોટેલમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડો પાડી તપાસ હાથ ધરી હતી.</p><h4><b>હોટેલમાં જોવા મળી ગંદકી</b></h4><p>મળતી માહિતી અનુસાર તપાસ દરમિયાન હોટેલમાં અત્યંત ગંદકી વચ્ચે ભોજન બનાવવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. હોટેલના ફ્રિજમાં પણ ભારે ગંદકી જોવા મળી હતી. આ ઉપરાંત રો મટીરીયલના સ્ટોરેજ વિસ્તારમાં પણ સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો.</p><h4><b>બંધ કરાવી હોટેલ</b></h4><p>નોંધનીય છે કે, આરોગ્ય વિભાગની ટીમે સમગ્ર પરિસ્થિતિને ગંભીરતાથી લેતાં હોટેલ બંધ કરાવી દીધી હતી. જ્યાં સુધી હોટેલમાં સંપૂર્ણ સ્વચ્છતા જાળવવામાં નહીં આવે ત્યાં સુધી તેને બંધ રાખવા માટે આદેશ આપવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા હોટેલ સંચાલક સામે દંડનીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. શહેરમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા અંગેની ચકાસણી આગામી દિવસોમાં પણ ચાલુ રહે તેવી શક્યતા છે.<br><a href="https://www.youtube.com/watch?v=lRo2ZYjAp-o" target="_blank">https://www.youtube.com/watch?v=lRo2ZYjAp-o</a></p><p><br></p><p><b style="font-size: 1.5rem;">ફૂડ પોઇઝનિંગથી માસૂમ બાળકીનું મોત</b><br></p><p>ઉલ્લેખનીય છે કે, સુરતમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટનામાં એક માસૂમ બાળકીનું કરુણ મોત નિપજતાં સમગ્ર રાજ્યમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં તાકીદની વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્યના તમામ જિલ્લા અને શહેરોની હોટલો તથા રેસ્ટોરન્ટ્સમાં આગામી 3 દિવસ સુધી સઘન અને કડક ચકાસણી હાથ ધરવાના સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા છે. આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન હોટલ-રેસ્ટોરન્ટના રસોડામાં રાખવામાં આવતી સ્વચ્છતા, ખોરાકની ગુણવત્તા અને હાઈજીન મેઈન્ટેનન્સની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવી અપ્રિય ઘટનાઓ રોકી શકાય.</p><p><br><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/news/surat-municipal-corporation-health-team-caught-more-than-50--people-throwing-garbage-in-public-at-bamroli-khadi--pandesara" target="_blank">Surat: જાહેરમાં કચરો ફેંકનારાઓની હવે ખેર નથી! આરોગ્ય વિભાગની ટીમે 50થી વધુ લોકોને ઝડપ્યા</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/7dCi5RCsJBamjjA6ZrVJac3XngEMwcjrNxU2b7Hc.webp'/></item><item><title><![CDATA[Gold Silver Price Today: સોનું 1.50 લાખને પાર, ચાંદી ઘટી? જાણો 24 કેરેટ સોનાનો લેટેસ્ટ રેટ ]]></title><link>https://sandesh.com/business/news/gold-silver-price-today-gold-crosses-rs-150-lakh-silver-falls-know-the-latest-rate-of-24-carat-gold</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/gold-silver-price-today-gold-crosses-rs-150-lakh-silver-falls-know-the-latest-rate-of-24-carat-gold</guid><pubDate>Wed, 19 Aug 2026 13:35:44 +05:30</pubDate><description><![CDATA[<p><b>Gold Silver Price Today:</b> સોના ચાંદીના ભાવમાં રોજબરોજ ફેરફાર જોવા મળે છે. ક્યારેક સોનાના ભાવમાં વધારો થાય છે તો ક્યારેક ઘટાડો.&nbsp; સોનુ અને ચાંદી. આ બંને એવી કિંમતી ધાતુઓ છે જેની જરૂર લગભગ દરેક વ્યક્તિને છે. કોઇ મોજશોખ માટે તો કોઇ રોકાણ માટે સોના ચાંદી ખરીદે છે. કોઇને સોના ચાંદીના દાગીનાનો શોખ હોય તો પછી કોઇ લગ્ન પ્રસંગને લઇને તેની ખરીદી કરે છે. ત્યારે જો તમે આજે સોનું ચાંદી ખરીદવા માગતા હોવ તો કેટલી કિંમત ચૂકવવી પડશે આવો જાણીએ.&nbsp;</p><h2><b>આજે સોના- ચાંદીનો ભાવ&nbsp;</b></h2><p>આજે, 19 ઓગસ્ટ, 2026 ના રોજ ઘરેલુ વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બપોરે 12:00 વાગ્યાની આસપાસ, MCX પર ઓક્ટોબર એક્સપાયરીના સોનાના કોન્ટ્રેક્ટ આશરે ₹1,53,725 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યા હતા, જે ₹537 અથવા 0.35% ઘટીને ₹1,53,404 પ્રતિ 10 ગ્રામ સુધીના ઊંચા ભાવે ટ્રેડ થઈ રહ્યા હતા. દરમિયાન, સપ્ટેમ્બર એક્સપાયરીના ચાંદીના કોન્ટ્રેક્ટ ₹3,819 અથવા 1.64% ઘટીને ₹2,28,600 પ્રતિ કિલોગ્રામની આસપાસ ટ્રેડ થઈ રહ્યા હતા. આજે ચાંદી ₹2,27,931 ની નીચી સપાટી અને ₹2,30,528 ની ઊંચી સપાટીને સ્પર્શી ગઈ છે.</p><p><b style="font-size: 2rem;">દેશના કેટલાક મોટા શહેરોમાં સોનાના ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)</b></p><table class="table table-bordered"><tbody><tr><td>શહેર&nbsp;</td><td>24 કેરેટ સોનાની કિંમત ( રૂપિયા/10 ગ્રામ) )&nbsp;</td><td>22 કેરેટ સોનાની કિંમત( રૂપિયા/10 ગ્રામ)&nbsp;</td></tr><tr><td>દિલ્હી&nbsp;</td><td>1,55,120&nbsp;</td><td>1,42,200&nbsp; &nbsp;</td></tr><tr><td>કોલકાતા&nbsp;</td><td>1,54,970&nbsp;</td><td>1,42,050&nbsp; &nbsp;</td></tr><tr><td>ચેન્નઈ&nbsp;</td><td>1,54,970</td><td>&nbsp;1,42,050&nbsp; &nbsp;</td></tr><tr><td>બેંગ્લોર&nbsp;</td><td>1,54,970&nbsp;</td><td>1,42,050</td></tr><tr><td>અમદાવાદ</td><td>&nbsp;1,55,020&nbsp;</td><td>1,42,210&nbsp; &nbsp;</td></tr><tr><td>વડોદરા&nbsp;</td><td>1,55,020&nbsp;</td><td>1,42,210&nbsp; &nbsp; &nbsp;<br><br></td></tr></tbody></table><p><br></p><p><b style="font-size: 1.75rem;">સોનું તેના રેકોર્ડ ઉચ્ચતમ સ્તરની સરખામણીમાં કેટલું સસ્તું છે?</b></p><p>આ વર્ષના જાન્યુઆરીમાં, સોનાનો ભાવ ₹1.93 લાખ સુધી પહોંચ્યો હતો, પરંતુ હવે તે ₹1.55 લાખથી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. આનો અર્થ એ થયો કે સોનું લગભગ ₹38,000 સસ્તું છે. ચાંદીની વાત કરીએ તો, તે ₹4.20 લાખ પ્રતિ કિલોગ્રામના રેકોર્ડ ઉચ્ચતમ સ્તર કરતાં ₹1.85 લાખ સસ્તું છે.</p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/yOpo0jYXYfQeokgWuWZHowKEHRv3vlI05fvdv4mx.webp'/></item><item><title><![CDATA[Apoorva Mukhijaએ છોડ્યું ભારત! ન્યૂયોર્ક શિફ્ટ થવાનું કારણ જણાવી બોલી- ક્લેશી ઔરત હવે નથી રહી! ]]></title><link>https://sandesh.com/entertainment/news/apoorva-mukhija-new-york-shift-reason</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/apoorva-mukhija-new-york-shift-reason</guid><pubDate>Wed, 19 Aug 2026 13:08:12 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કન્ટેન્ટ ક્રિએટર અને ઇન્ફ્લુએન્સર અપૂર્વા મુખિજા પોતાના બેફામ નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. છેલ્લે અપૂર્વા લોકઅપ 2માં જોવા મળી હતી. જોકે, આ શોમાં તે ઇન્ફોર્મર તરીકે પહોંચી હતી. લોકઅપ 2માં પણ તેણે શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. અપૂર્વા ઘણી વખત વિવાદોમાં પણ ફસાઈ ચૂકી છે. <br><h2><b>ભારત છોડીને ન્યૂયોર્ક શિફ્ટ થવાનું કારણ જણાવ્યું</b></h2></p><p style="text-align: justify; ">જોકે, હવે એવા સમાચાર છે કે અભિનેત્રીએ ભારત છોડી દીધું છે અને તે વિદેશમાં સેટલ થઈ ગઈ છે. આ વાતનો ખુલાસો પોતે અપૂર્વાએ પણ કર્યો છે. સાથે જ તેણે ભારત છોડીને વિદેશ જવાનું કારણ પણ જણાવ્યું છે. અપૂર્વાએ તાજેતરમાં એક પોડકાસ્ટમાં જણાવ્યું કે તે પોતાના અભ્યાસ માટે ભારત છોડીને ન્યૂયોર્ક શિફ્ટ થઈ ગઈ છે. ત્યાં તે નવા લોકોને મળવા અને જીવનને એક અલગ દૃષ્ટિકોણથી અનુભવવા માગે છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>અપૂર્વા મુખિજા ન્યૂયોર્ક શા માટે ગઈ?</b></h3><p style="text-align: justify; ">અપૂર્વાએ જણાવ્યું કે ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ વિવાદ બાદ તેનું જીવન ઘણું બદલાઈ ગયું છે. તેણે સ્વીકાર્યું કે વારંવાર કેન્સલ થવા અને પછી પાછા આવવાના આ સમગ્ર ચક્રથી તે થાકી ગઈ છે. હવે તે પોતાના વ્લોગમાં કંઈપણ બોલતા પહેલાં પોતાને ફિલ્ટર કરવાનો પ્રયાસ કરે છે. જોકે, તેમ છતાં ઘણી વખત તેને સમજાતું નથી કે આખરે કઈ વાત માટે તેને કેન્સલ કરવામાં આવે છે. તેણે એમ પણ જણાવ્યું કે જો કોઈ ક્રિએટરને થોડા અઠવાડિયા માટે પણ કેન્સલ કરવામાં આવે, તો તેની સીધી અસર બ્રાન્ડ ડીલ્સ પર પડી શકે છે અને કમાણી અટકી શકે છે. અપૂર્વાએ સ્વીકાર્યું કે કેન્સલ થવા દરમિયાન તેને સૌથી વધુ આ જ વાત પરેશાન કરતી હતી, કારણ કે તેને પૈસા કમાવાનું પસંદ છે.</p><p style="text-align: justify; "><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DasUna6mLhJ/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DasUna6mLhJ/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DasUna6mLhJ/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DasUna6mLhJ/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><p style="text-align: justify; ">જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું આ જ કારણસર તે વિદેશ ગઈ છે, ત્યારે અપૂર્વાએ જણાવ્યું કે તે પહેલેથી જ ન્યૂયોર્ક શિફ્ટ થઈ ચૂકી છે. તેણે કહ્યું કે તે ઘણી જગ્યાએ ફરી ચૂકી છે. પરંતુ જ્યારે તે પહેલી વખત ન્યૂયોર્ક પહોંચી ત્યારે તેને લાગ્યું કે તે આ જ શહેરમાં રહેવા માગે છે. તેને શહેરની ફાસ્ટ લાઈફસ્ટાઈલ, લોકોની ફેશન, ખાવાનું અને ત્યાંની ઇમારતો ખૂબ પસંદ આવી. અપૂર્વાએ જણાવ્યું કે તેણે પોતાની પસંદની ઘણી વેબ સિરીઝમાં ન્યૂયોર્ક જોયું હતું અને લાંબા સમયથી આ શહેરમાં રહેવાનું સપનું હતું. આ જ કારણે તેણે ન્યૂયોર્કની માત્ર એક કોલેજમાં અરજી કરી હતી અને હવે તેનું એડમિશન થઈ ગયું છે.</p><h3 style="text-align: justify; "><b>હવે ભારતમાં નથી રહેતી અપૂર્વા</b></h3><p style="text-align: justify; ">અપૂર્વાએ પોતાના પોડકાસ્ટનો વીડિયો ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરીને લખ્યું, તો હવે હું ભારતમાં નથી રહેતી. તેણે સ્વીકાર્યું કે ન્યૂયોર્ક જવું તેનું સપનું હતું અને આ કારણે તેને ખુશ થવું જોઈએ, પરંતુ સાથે જ તેને ડર પણ લાગી રહ્યો છે. તેના મિત્રો, કરિયર અને અત્યાર સુધીનું આખું જીવન ભારતમાં રહ્યું છે. ન્યૂયોર્કમાં અપૂર્વા એક ડોર્મમાં રહેશે અને ફરીથી સ્ટુડન્ટ લાઇફ શરૂ કરશે. તેણે જણાવ્યું કે તે ત્યાં MBAનો અભ્યાસ કરશે.</p><h4 style="text-align: justify; "><b>નવા લોકોને મળવા માગે છે</b></h4><p style="text-align: justify; ">અપૂર્વાએ જણાવ્યું કે વિદેશ જવાના નિર્ણય પાછળ એક કારણ નવા લોકોને મળવાનું પણ છે. તે પોતાનું સોશિયલ સર્કલ માત્ર કન્ટેન્ટ ક્રિએટર્સ સુધી સીમિત રાખવા માગતી નથી. તેને લાગે છે કે કોલેજમાં અભ્યાસ કરવાથી તેને અલગ-અલગ પ્રકારના લોકોને મળવાની અને નવું સોશિયલ સર્કલ બનાવવાની તક મળશે.</p><h5 style="text-align: justify; "><b>ન્યૂયોર્કમાં મન થાય ત્યારે જ કન્ટેન્ટ બનાવશે અપૂર્વા</b></h5><p style="text-align: justify; ">કન્ટેન્ટને લઈને અપૂર્વાએ કહ્યું કે ક્લેશી ઔરત હવે મરી ચૂકી છે. તેણે જણાવ્યું કે તે કન્ટેન્ટ એટલા માટે બનાવે છે કારણ કે તેને ખબર છે કે શું વેચાય છે અને દર્શકો શું જોવાનું પસંદ કરે છે. જોકે, ન્યૂયોર્કમાં તે જ્યારે મન થશે ત્યારે જ કન્ટેન્ટ બનાવશે. તેણે એવો પણ સંકેત આપ્યો કે તેના સ્ટોરીટાઇમ વીડિયો પહેલાંની જેમ નિયમિત નહીં રહે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/bigg-boss-contestant-salman-khan-evicted" target="_blank">આ પણ વાંચો-Reality Show : બિગ બોસની એ હસીના જેણે વટાવી હતી બધી હદો, સલમાન ખાને બતાવ્યો હતો ઘરની બહારનો રસ્તો!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/qUADQYP1nlaFNRkfZlr1FK28x3eCLjyOOtzs2pVj.webp'/></item><item><title><![CDATA[Shehzad Poonawalla Resigns: હું એક શરતે કોંગ્રેસમાં જોડાવ...રાજીનામા બાદ શહેજાદ પૂનાવાલાએ કરી મોટી વાત ]]></title><link>https://sandesh.com/india/news/shehzad-poonawalla-resigns-i-will-join-congress-on-one-conditionshehzad-poonawalla-made-a-big-statement-after-resigning</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/shehzad-poonawalla-resigns-i-will-join-congress-on-one-conditionshehzad-poonawalla-made-a-big-statement-after-resigning</guid><pubDate>Wed, 19 Aug 2026 13:06:12 +05:30</pubDate><description><![CDATA[<p>શહેઝાદ પૂનાવાલાએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામુ આપ્યું છે. જે બાદ તેઓ કોઇને કોઇ બાબતે ચર્ચામાં રહે છે. ત્યારે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેમણે રાજીનામુ આપવાનું કારણ તથા કોંગ્રેસમાં જોડાવાની અટકળો અંગે કેટલીક મહત્વની વાત કરી છે.&nbsp;</p><h2><b>રાજકીય પક્ષો કાર્યકરોને પગાર નથી આપતા- શહેજાદ પૂનાવાલા&nbsp;</b></h2><p>શહેજાદ પૂનાવાલાએ એક સમાચાર ચેનલ&nbsp; સાથે વાત કરતા જણાવ્યું હતું કે રાજકીય પક્ષો તેમના કાર્યકરોને પગાર આપતા નથી. તેમણે કહ્યું, "મારે ભાડું ચૂકવવું પડે છે. મારા મકાનમાલિક મને ફક્ત એટલા માટે મફતમાં ઘર આપવાના નથી કારણ કે હું ભાજપ સાથે છું. મારે મહિનાની પહેલી તારીખે ભાડું&nbsp; ચૂકવવુ પડે છે.&nbsp; રાજકીય પક્ષો તેમના કાર્યકરોને પગાર આપતા નથી."</p><p><b style="font-size: 1.75rem;">ભાજપનું કામ કાર્યકરને રોજગાર આપવાનું નથી- શહેજાદ પૂનાવાલા&nbsp;</b></p><p>તેમણે ટિપ્પણી કરી હતી કે&nbsp; ભાજપનું કામ મને કે અન્ય કોઈ કાર્યકરને રોજગાર આપવાનું નથી. જ્યારે તમે રાજકીય ચળવળમાં જોડાઓ છો, ત્યારે તે નોકરી નથી. તમે કાર્યકર બનો છો કારણ કે તમને વિચારધારા, વ્યક્તિ ગમે છે અથવા સંગઠન પ્રત્યે લગાવ છે.&nbsp; આ ત્રણેય પરિબળો મને લાગુ પડે છે..&nbsp; તેમણે વધુમા&nbsp;ંકહ્યું કે&nbsp; રાજીનામું આપવાનો તેમનો નિર્ણય અચાનક ન હતો.&nbsp; 2024થી તેના પર વિચાર કરી રહ્યા હતા. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે જ્યારે તેઓ ભાજપ છોડવાનું વિચારી રહ્યા હતા ત્યારે ઘણા નેતાઓએ તેમનો સંપર્ક કર્યો હતો.&nbsp;</p><p><b style="font-size: 1.75rem;">એક શરત પર કોંગ્રેસમાં જોડાઇશ- શહેજાદ પૂનાવાલા&nbsp;</b></p><p>આ વાતચીત દરમિયાન તેમણે કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાનો ઇનકાર કર્યો હતો, જોકે તેમણે કેટલીક શરતો મૂકી હતી. તેમણે કહ્યું, "હું એક શરતે કોંગ્રેસમાં જોડાઈશ,&nbsp; રાહુલ ગાંધીને હટાવો, સોનિયા ગાંધી અને પ્રિયંકા વાડ્રાને હટાવો, અને નેહરુના કાર્યો માટે માફી માંગો." નોંધનીય છે કે તેમણે 2021 માં ભાજપમાં જોડાવા માટે કોંગ્રેસ છોડી દીધી હતી.</p><p><br></p><h3><b>ભાજપ ભારતની શ્રેષ્ઠ પાર્ટી&nbsp;</b></h3><p><br></p><p>તેમણે ખાતરી આપી કે, વૈચારિક રીતે, તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઉભા રહેશે. તેમણે કહ્યું, "હું રાહુલ ગાંધી જેવો ભવિષ્યવેત્તા નથી, પણ હું એટલું કહી શકું છું કે આ દેશમાં ક્યારેય વડા પ્રધાન મોદી કરતાં મોટો કોઈ નેતા નહોતો થયો અને ક્યારેય નહીં હોય. અને વિશ્વના સૌથી મોટા લોકશાહી પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે સેવા આપ્યા પછી, શું તમને લાગે છે કે હું કોઈ અન્ય પક્ષમાં જોડાઈશ? હાલમાં, ભાજપ ભારતની શ્રેષ્ઠ પાર્ટી છે."</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/r0t9gnpUhFmOPIKtteuLZuiNiu3NvIOnhUwjA7SM.webp'/></item><item><title><![CDATA[Gandhinagar: ગુજરાત સરકારની મોટી પહેલ, 48 કલાક કામની સાપ્તાહિક મર્યાદા સાથે 12 કલાકની શિફ્ટને સરકારે આપી મંજૂરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-allows-12-hour-shifts-at-micron-sanand-plant--first-in-state-for-semiconductor</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-allows-12-hour-shifts-at-micron-sanand-plant--first-in-state-for-semiconductor</guid><pubDate>Wed, 19 Aug 2026 13:05:08 +05:30</pubDate><description><![CDATA[<p>Gandhinagar: ભારતના સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ગુજરાતની સ્થિતિ વધુ મજબૂત બને તે હેતુથી રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નીતિગત નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ માઇક્રોન સેમિકન્ડક્ટર ટેક્નોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સાણંદ સ્થિત પ્લાન્ટમાં 12 કલાકની કામકાજની શિફ્ટ ચલાવવાની મંજૂરી આપી છે. ગુજરાતમાં આ પ્રકારની પ્રથમ મંજૂરી છે. રાજ્યમાં સેમિકંડક્ટર ઉદ્યોગને પ્રોત્સાહન આપવાથી નવી રોજગારી ઉભી થશે. આ 12 કલાકની શિફ્ટમાં કર્મચારીઓ માટે અઠવાડિયામાં કુલ કામકાજનો સમય 48 કલાકનો જ રહેશે.</p><p>આ મંજૂરી ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન્સ (OSH) કોડ, 2020ની જોગવાઈઓ હેઠળ આપવામાં આવી છે, જે 21 નવેમ્બર, 2025થી સમગ્ર દેશમાં અમલમાં આવ્યો છે. આ કોડ રાજ્ય સરકારોને જરૂરી સુરક્ષા જોગવાઈઓ સાથે કેટલીક પરિસ્થિતિઓમાં ફેક્ટરીઓને ચોક્કસ જોગવાઈઓમાંથી છૂટ આપવાની સત્તા આપે છે, પરંતુ કર્મચારીઓના સાપ્તાહિક કામકાજના કલાકો નિર્ધારિત મર્યાદાથી વધુ ન થાય તેની ખાતરી પણ આપે છે.&nbsp;</p><p>ગુજરાતનાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું કે, "ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન્સ (OSH) કોડનો મુખ્ય હેતુ ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ અને ઇઝ ઓફ કોમ્પ્લાયન્સને પ્રોત્સાહન આપવાનો છે. કોડમાં સપ્તાહના મહત્તમ 48 કલાકના કામકાજની જોગવાઈ છે. ગુજરાત સરકારે રાજ્યના વ્યાપક જાહેર હિત, આર્થિક વિકાસ અને રોજગારી સર્જનને ધ્યાનમાં રાખીને આ જોગવાઈનો ઉપયોગ કર્યો છે."</p><p>“કોઇ પણ ઔદ્યોગિક એકમે કર્મચારીઓ માટે 12 કલાકની શિફ્ટ રાખવા માટે સરકારની પૂર્વ મંજુરી લેવી ફરજિયાત છે. મંજુરી વગર કોઇ ઔદ્યોગિક ગૃહ કર્મચારીઓ પાસે 12 કલાકની શિફ્ટ રાખી શકશે નહી. આ પ્રકારની જોગવાઇ ચોક્સ ઉદ્યોગોની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે,’’ કુંવરજીભાઇ બાવળીયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતને વૈશ્વિક ટેક્નોલોજી અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે અગ્રેસર બનાવવાના વિઝનમાં સેમિકન્ડક્ટરને વ્યૂહાત્મક ક્ષેત્ર તરીકે સ્થાન આપ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સેમિકન્ડક્ટર ક્ષેત્રે દેશનું સૌથી આકર્ષક રોકાણ કેન્દ્ર બની રહ્યું છે, જ્યાં ફેબ્રિકેશન, એસેમ્બલી, પેકેજિંગ, ટેસ્ટિંગ અને અદ્યતન ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન જેવા ક્ષેત્રોમાં સતત રોકાણ થઈ રહ્યું છે.</p><p>માઇક્રોન ટેક્નોલોજીનો સાણંદ પ્લાન્ટ કંપનીના વૈશ્વિક ઉત્પાદન નેટવર્કમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 5 લાખ ચોરસ ફૂટથી વધુ ક્લીનરૂમ વિસ્તારનો સમાવેશ થશે, જેમાં વિશ્વના સૌથી મોટા સિંગલ-ફ્લોર સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ ક્લીનરૂમ પૈકીનો એક ક્લીનરૂમ હશે. વર્ષ 2026 દરમિયાન અહીં કરોડો સેમિકન્ડક્ટર ચિપ્સનું એસેમ્બલી અને ટેસ્ટિંગ શરૂ થવાની અપેક્ષા છે, જ્યારે 2027થી ઉત્પાદન ક્ષમતા દર વર્ષે સેંકડો મિલિયન ચિપ્સ સુધી પહોંચવાની સંભાવના છે.</p><p><b>સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં સતત કામગીરી અનિવાર્ય</b></p><p>સેમિકન્ડક્ટર ઉત્પાદન પરંપરાગત ફેક્ટરીઓથી અલગ છે કારણ કે અહીં અત્યંત નિયંત્રિત ક્લીનરૂમ પરિસ્થિતિમાં ઉત્પાદન પ્રક્રિયા સતત ચાલે છે. ચિપ એસેમ્બલી અને ટેસ્ટિંગ માટે અત્યાધુનિક ઓટોમેટેડ મશીનો 24 કલાક કાર્યરત રહે છે, જેના કારણે સતત ઉત્પાદન જાળવવું કાર્યક્ષમતા અને ગુણવત્તા માટે અત્યંત મહત્વપૂર્ણ બને છે.</p><p>નિષ્ણાતોના જણાવ્યા મુજબ, 12 કલાકની શિફ્ટ વિશ્વભરના સેમિકન્ડક્ટર ઉત્પાદન એકમોમાં સ્વીકૃત કાર્યપદ્ધતિ છે. લાંબી શિફ્ટને કારણે શિફ્ટ બદલવાની સંખ્યા ઘટે છે, ક્લીનરૂમમાં પ્રવેશ ઓછો થાય છે, મશીનોનો વધુ કાર્યક્ષમ ઉપયોગ થાય છે અને અબજો રૂપિયાના રોકાણ ધરાવતા પ્લાન્ટમાં સતત ઉત્પાદન જાળવી શકાય છે. સાથે જ, કર્મચારીઓ સપ્તાહમાં ઓછા દિવસ કામ કરતાં હોવાથી કુલ સાપ્તાહિક કામકાજનો સમય 48 કલાક જ રહે છે.</p><p><b>શ્રમિકોના હિતોના રક્ષણ માટે કડક શરતો</b></p><p>રાજ્ય સરકારે આ મંજૂરી સાથે શ્રમિકોના હિતોની સુરક્ષા માટે કડક શરતો લાગુ કરી છે. પુખ્ત વયના કર્મચારીઓ દિવસના વધુમાં વધુ 12 કલાક કામ કરી શકશે, પરંતુ સપ્તાહમાં કુલ કામકાજનો સમય 48 કલાકથી વધુ નહીં હોય. બાકીના દિવસોને પગારપાત્ર રજા તરીકે ગણવામાં આવશે. મહત્વપૂર્ણ બાબત એ છે કે, માત્ર પોતાની સ્વૈચ્છિક લેખિત સંમતિ આપનારા કર્મચારીઓ જ 12 કલાકની શિફ્ટમાં કામ કરી શકશે. રાજ્ય સરકારે વધુમાં નિર્ધારિત કર્યું છે કે, આરામના વિરામ સહિતનો કુલ કાર્યસમય દિવસના 12 કલાકથી વધુ નહીં હોય.&nbsp;</p><p>કંપનીએ આ વ્યવસ્થા હેઠળ કામ કરતા કર્મચારીઓનો અલગ રેકોર્ડ રાખવો ફરજિયાત રહેશે. તેમજ ફેક્ટરીઓના ચીફ ઇન્સ્પેક્ટર-કમ-ફેસિલિટેટર દ્વારા લાદવામાં આવેલી વધારાની શરતોનું પણ પાલન કરવું પડશે. જો કોઈપણ શરતનો ભંગ થશે તો આપવામાં આવેલી મંજૂરી રદ કરવામાં આવશે અને સંબંધિત સંસ્થા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.</p><p>શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યમંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, "આ છૂટછાટ રાજ્યની ઔદ્યોગિક પ્રગતિને વેગ આપવા, આર્થિક પ્રવૃત્તિઓનો વિસ્તાર કરવા, નવી રોજગારીનું સર્જન કરવા અને ખાસ કરીને રાષ્ટ્રીય વ્યૂહાત્મક મહત્વ ધરાવતા સેમિકન્ડક્ટર જેવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે."</p><p><b>સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતનું નેતૃત્વ વધુ મજબૂત</b></p><p>સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે વિશેષ નીતિ જાહેર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હતું. આ નીતિ હેઠળ ઉદ્યોગોને વ્યાપક પ્રોત્સાહનો અને સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેના પરિણામે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર થયેલા છ મોટા પ્રોજેક્ટ ગુજરાતને મળ્યા છે, જેના દ્વારા અંદાજે ₹1.40 લાખ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ્સથી આશરે 50,000 પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી થવાની અપેક્ષા છે, જે ભારતના ઉભરતા સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમના કેન્દ્ર તરીકે ગુજરાતની સ્થિતિને વધુ મજબૂત બનાવશે.</p><p><br></p><p><br></p><p><br></p><p><br></p><p><br></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/Cjd7kh6Ig9OZZYVI4oy2zsCnYzJMrUtTOUKWCHaS.webp'/></item><item><title><![CDATA[Railway News: ખુરશી નહીં હોય, તો ટ્રેન આગળ વધશે નહીં, સલામતી સૌથી પહેલા, જાણો કેમ વૈશાલી એક્સપ્રેસના ગોરખપુરમાં પૈડાં થંભી ગયા ]]></title><link>https://sandesh.com/india/news/high-voltage-drama-at-gorakhpur-station-guard-refuses-to-operate-train-as-chair-not-available-in-vaishali-express</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/high-voltage-drama-at-gorakhpur-station-guard-refuses-to-operate-train-as-chair-not-available-in-vaishali-express</guid><pubDate>Wed, 19 Aug 2026 12:57:26 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સોમવારના દિવસે ગોરખપુરમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. ગોરખપુર સ્ટેશને અચાનક ૧૦૦ કિમી/કલાકની ઝડપે દોડતી વૈશાલી એક્સપ્રેસના પૈડાં બંધ થઈ ગયા. 59 વર્ષીય ગાર્ડના કારણે ગોરખપુરમાં ટ્રેન એક કલાકથી વધુ સમય સુધી ઉભી રાખવામાં આવી હતી. ટ્રેન ચાલુ ના થતા આખરે મુસાફરો ચિંતિત થયા અને તપાસ કરવા લાગ્યા કે આખરે કારણ શું છે. ત્યારે સામે આવ્યું કે 59 વર્ષીય ગાર્ડે તેમની ખુરશીના મળવાના કારણે ગોરખપુરમાં ટ્રેન ઉભી રાખી.</p><p style="text-align: justify; "><b>ગાર્ડનો ટ્રેન શરૂ કરવાનો ઇનકાર</b></p><p style="text-align: justify; ">ગોરખપુર રેલ્વે સ્ટેશન પર ગાર્ડ કારમાં બેસવા માટે ખુરશી (સીટ) ન હોવાના કારણે ગાર્ડે વૈશાલી એક્સપ્રેસ ટ્રેન આગળ લઈ જવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. અધિકારીઓની લાંબી સમજાવટ અને દેવરિયા સ્ટેશન પર બેઠક વ્યવસ્થા કરી આપવાની ખાતરી બાદ આખરે ટ્રેન ૩૮ મિનિટ મોડી રવાના થઈ શકી હતી.</p><p style="text-align: justify; "><b>"કોઈ રસ્તો નથી, સલામતી પહેલા" ગાર્ડ અડગ રહ્યા</b></p><p style="text-align: justify; ">૧૮ ઓગસ્ટના રોજ નવી દિલ્હીથી લલિતગ્રામ જતી વૈશાલી એક્સપ્રેસ (૧૫૫૬૬) સવારે ૯:૪૭ વાગ્યે ગોરખપુર સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૨ પર આવી પહોંચી હતી. ચાર્જ સંભાળવા પહોંચેલા ગાર્ડ રામાશીષ દાસે ગાર્ડ કારમાં તૂટેલી ખુરશી જોઈ આગળ વધવાનો ઇનકાર કર્યો. ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેનમાં ૮ કલાકની કઠિન ફરજ દરમિયાન બેસવા માટે નિશ્ચિત જગ્યા ન હોવાથી તેમણે વિરોધ નોંધાવ્યો. જ્યારે અધિકારીઓએ તેમને જેમ-તેમ કરીને નીકળી જવા કહ્યું, ત્યારે દાસે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, "કોઈ રસ્તો નથી, સલામતી પહેલા."</p><p style="text-align: justify; "><b>ટૂલબોક્સ પર બેસીને મુસાફરી કરવા મજબૂર</b></p><p style="text-align: justify; ">લખનૌથી ગોરખપુર સુધી લાવનાર ગાર્ડે પોતાના ટૂલબોક્સ પર બેસીને મુસાફરી કરી હતી. પરંતુ ગોરખપુરથી બરૌની સુધી ચાર્જ લેનાર ગાર્ડ પાસે ટ્રોલી બેગ હોવાથી તેમની પાસે બોક્સ પર બેસવાનો વિકલ્પ પણ નહોતો. સ્ટેશન મેનેજમેન્ટ તરફથી તાત્કાલિક ઉકેલ ન મળતાં તેમણે ઉભા રહીને મુસાફરી કરવાની ના પાડી દીધી, જેના કારણે વારાણસીથી સોનપુર રેલ્વે ડિવિઝન સુધી ધમાલ મચી ગઈ હતી.</p><p style="text-align: justify; "><b>મેમો આપ્યા બાદ ટ્રેન ઉપડી, દેવરિયામાં મળ્યું ટેબલ</b></p><p style="text-align: justify; ">રેલ્વે અધિકારીઓની સમજાવટ બાદ ગાર્ડે સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટને એક લેખિત મેમો આપ્યો. તેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું કે ખુરશીના અભાવે ટ્રેન મોડી પડી છે અને તેઓ ખુરશી વગર આગળ નહીં વધે. ત્યારબાદ ટ્રેન રવાના કરવામાં આવી અને આગળ દેવરિયા રેલ્વે સ્ટેશને તેમને એક નાનું ટેબલ બેસવા માટે પૂરું પાડવામાં આવ્યું હતું.</p><p style="text-align: justify; "><b>CPRO ની સ્પષ્ટતા અને તપાસ</b></p><p style="text-align: justify; ">મુખ્ય જનસંપર્ક અધિકારી (CPRO) સુમિત કુમારે જણાવ્યું કે વૈશાલી એક્સપ્રેસ ECR ની ટ્રેન છે અને ગાર્ડ કારમાં જ બિલ્ટ-ઇન ખુરશી હોય છે, અલગથી સ્ટૂલ મૂકવાની જોગવાઈ હોતી નથી. દિલ્હીથી લખનૌ સુધી કોઈને સમસ્યા ન થઈ. હાલમાં લખનૌ ડિવિઝને આગળની સત્તાવાર કાર્યવાહી માટે સોનપુર ડિવિઝનને પત્ર લખ્યો છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/wXSYr8rxkzWlz78ItAjNG8OTJ8EJsJyKDUU3LKhT.webp'/></item><item><title><![CDATA[Bhavnagar ઝેરી દારૂ કાંડમાં ખાસ તપાસ કમિટી રચના કરવા નાયબ મુખ્યમંત્રીનો આદેશ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/bhavnagar-spurious-liquor-tragedy-two-dead-investigation-committee-formed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/bhavnagar-spurious-liquor-tragedy-two-dead-investigation-committee-formed</guid><pubDate>Wed, 19 Aug 2026 12:31:19 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખરકડી ગામે કથિત નકલી (ઝેરી) દારૂ પીવાની દુર્ઘટનામાં ગંભીરતા સતત વધી રહી છે. કથિત ડુપ્લીકેટ દારૂના સેવનથી વધુ 1 વ્યક્તિનું મોત નિપજતાં મૃત્યુઆંક 2 પર પહોંચ્યો છે. જ્યારે અન્ય 19 જેટલા યુવાનોની હાલત લથડતાં તેઓ ભાવનગરની સરકારી સિવિલ હોસ્પિટલ તથા વિવિધ ખાનગી હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે.</p><h2 style="text-align: justify; "><b>નાયબ મુખ્યમંત્રીના આદેશ બાદ ખાસ તપાસ કમિટીની રચના&nbsp;</b></h2><p style="text-align: justify; ">ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને નાયબ મુખ્યમંત્રીના આદેશ બાદ ખાસ તપાસ કમિટીની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્થાનિક ધારાસભ્ય પરસોત્તમ સોલંકીએ ભાવનગર જિલ્લા પોલીસ વડા  સાથે ટેલિફોનિક વાતચીત કરીને સમગ્ર ઘટનામાં નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવાની કડક સૂચના આપી છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>એસ.પી. અને રેન્જ આઈ.જી.ને ઘટનાના મૂળ સુધી જવા આદેશ</b></h3><p style="text-align: justify; ">આ ઉપરાંત જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિક વેકરિયાએ સમગ્ર દુર્ઘટના અંગે તાત્કાલિક ધોરણે વિગતવાર અહેવાલ માંગ્યો છે. એસ.પી. અને રેન્જ આઈ.જી.ને ઘટનાના મૂળ સુધી પહોંચીને કડક કાનૂની કાર્યવાહી કરવાના સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા છે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2089970208077406257"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a>&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>દર્દીઓને  ઇથેનોલ ની બોટલો ચડાવવામાં આવી રહી છે</b></h4><p style="text-align: justify; ">બીજી તરફ, હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સ્થિતિ સુધારવા માટે તબીબો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. શરીરમાંથી મિથેનોલ  ની ઝેરી અસર ઓછી કરવા માટે દર્દીઓને એન્ટિડોટ તરીકે ઇથેનોલ ની બોટલો ચડાવવામાં આવી રહી છે. તબીબી ટીમો તમામ દર્દીઓની ગંભીરતાપૂર્વક દેખરેખ રાખી રહી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp; :&nbsp; <a href="https://sandesh.com/gujarat/news/patan/patan-radhanpur-folk-singer-kinjal-rabari-marriage-mukesh-rabari" target="_blank"><b>Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/nRqNUloDY4WHQAO2suX3T4le5HW6ZSomEeJB8KsJ.webp'/></item><item><title><![CDATA[વાંચો સવારે 08થી બપોરે 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/today-top-breaking-news-bulletin-gujarat-india-read-important-news-from-08-am-to-12-pm-19-august-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/today-top-breaking-news-bulletin-gujarat-india-read-important-news-from-08-am-to-12-pm-19-august-2026</guid><pubDate>Wed, 19 Aug 2026 12:05:34 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર&nbsp; &nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/business/news/petrol-diesel-price-today-usa-president-donald-trumps-claim-about-hormuz-strait-and-increased-prices-of-crude-oil-know-what-is-the-price-of-petrol-and-diesel-on-august-19" target="_blank">1. Petrol Diesel Price Today: હોર્મુઝ અંગે ટ્રમ્પનો દાવો અને વધી ગયા ભાવ...જાણો 19 ઓગષ્ટે પેટ્રોલ ડીઝલની શું છે કિંમત</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/crime/deesa/banaskantha-deesa-bjp-corporator-husband-abducted-demanded-50-lakh-ransom" target="_blank">2. Banaskantha : ડીસામાં ભાજપ મહિલા કોર્પોરેટરના પતિનું ભરબપોરે અપહરણ, રૂ. 50 લાખની માંગણી બાદ મુક્ત કરાયા</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/entertainment/news/khaki-ka-sitara-up-polices-official-song-launched-amitabh-bachchan-shares-video" target="_blank">3. Khaki Ka Sitara: યુપી પોલીસનું ઓફિશિયલ ગીત લોન્ચ, અમિતાભ બચ્ચને શેર કર્યો વીડિયો</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/jharkhand-44-recruitment-exams-cancelled-in-jharkhand-soren-government-releases-list-of-exams-cancelled-from-2014-to-2026" target="_blank">4. Jharkhand: ઝારખંડમાં 44 ભરતી પરીક્ષાઓ રદ, 2014થી 2026 સુધી કઈ-કઈ પરીક્ષાઓ થઈ રદ સોરેન સરકારે જાહેર કરી યાદી</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/crime/vadodara/vadodara-police-constable-arrested-bootlegging-liquor-seized" target="_blank">5. Vadodara : પોલીસ કર્મી જ બુટલેગર બન્યો: રેલવે પોલીસનો કોન્સ્ટેબલ રૂ. 4.60 લાખના દારૂની ખેપ મારતા ઝડપાયો</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/crime/vadodara/vadodara-hotel-vintage-inn-youth-death-police-investigation" target="_blank">6. Vadodara : હોટેલ 'વિન્ટેજ ઈન'માં યુવકનું શંકાસ્પદ સંજોગોમાં મોત, સાથી મિત્રની પોલીસે હાથ ધરી પૂછપરછ</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/crime/vadodara/bhavnagar-spurious-liquor-tragedy-one-dead-five-critical-sdm-investigation" target="_blank">7. Bhavnagarમાં કથિત ઝેરી દારૂ પીવાથી 2ના મોત, 17ને સારવારમાં ખસેડાયા : તપાસનો ધમધમાટ શરૂ</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/entertainment/news/anjali-arora-mata-sita-ramayan-teaser-controversy" target="_blank">8. Anjali Arora : કચ્ચા બદામ ગર્લ શ્રી રામાયણ કથામાં બની માતા સીતા, ટીઝર જોઈ નેટીઝન્સે લગાવી ક્લાસ!</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/cricket/news/ind-vs-sl-1st-test-the-thrilling-final-day-of-the-galle-test-begins-india-on-the-field-to-win" target="_blank">9. Live: IND vs SL 1st Test : ગોલ ટેસ્ટનો રોમાંચક અંતિમ દિવસ મેચ, કૃષ્ણાએ ડિકવેલાને આઉટ કર્યો, ભારત 4 વિકેટથી દૂર</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/entertainment/news/rajasthani-fusion-of-shakiras-hit-song-hips-dont-lie-goes-viral-ismail-langa-group-creates-buzz" target="_blank">10. Shakiraનું હિટ સોંગ 'Hips Don't Lie' નું રાજસ્થાની ફ્યુઝન વાયરલ, ઇસ્માઇલ લંગા ગ્રુપે મચાવી ધૂમ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/MHIcDRAzro3zcqLVtYlV1MXwzeKasFcejQGSl9Ub.webp'/></item><item><title><![CDATA[Mehsanaમાં કરોડોનું CCC સર્ટિફિકેટ કૌંભાડ: 142 શિક્ષકોએ ખોટાં પ્રમાણપત્રો રજૂ કરી મેળવ્યા લાભો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/mehsana-teachers-fake-ccc-certificate-scam-notice-issued</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/mehsana-teachers-fake-ccc-certificate-scam-notice-issued</guid><pubDate>Wed, 19 Aug 2026 11:45:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મહેસાણા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં એક મોટું શિક્ષણ કૌભાંડ સામે આવ્યું છે. જિલ્લાની વિવિધ શાળાઓમાં ફરજ બજાવતા 142 જેટલા શિક્ષકોએ CCC (કોમ્પ્યુટર નોલેજ) ના બોગસ અને ખોટાં સર્ટિફિકેટ રજૂ કરીને ઉચ્ચતર પગારધોરણ સહિતના નાણાકીય લાભો મેળવી લીધા હોવાનો પર્દાફાશ થયો છે. આ ઘટનાને પગલે શિક્ષણ આલમમાં ભારે સળવળાટ વ્યાપી ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો અહેવાલ</b></h2><p style="text-align: justify; ">તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી (TPO) ના અહેવાલને આધારે પ્રથમ તબક્કામાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત વિસનગર તાલુકાના 14 શિક્ષકોને બોગસ સર્ટિફિકેટ મામલે 7 દિવસમાં ખુલાસો કરવા માટે કારણદર્શક (શો-કોઝ) નોટિસ ફટકારવામાં આવી છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>અન્ય તાલુકાઓમાં પણ થશે કાર્યવાહી</b></h3><p style="text-align: justify; ">વિસનગર બાદ હવે મહેસાણા, જોટાણા, બહુચરાજી, કડી, વડનગર, ખેરાલુ, વિજાપુર, ઊંઝા અને સતલાસણા તાલુકામાં પણ બોગસ સર્ટિફિકેટ રજૂ કરનાર તમામ શિક્ષકો સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરાશે.</p><h4 style="text-align: justify; "><b>ફેરબદલીથી આવેલા અન્ય 202 જેટલા શિક્ષકોની પણ તપાસ</b></h4><p style="text-align: justify; ">એટલું જ નહીં, મહેસાણા જિલ્લામાં જિલ્લા ફેરબદલીથી આવેલા અન્ય 202 જેટલા શિક્ષકોના CCC સર્ટિફિકેટની પણ આગામી સમયમાં સંબંધિત માન્યતાપ્રાપ્ત સંસ્થાઓ પાસે ઘનન તપાસ અને ચકાસણી કરાવવાનું આયોજન કરાયું છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO) ડૉ. શરદ ત્રિવેદીના જણાવ્યા અનુસાર, શિક્ષકોના ખુલાસા આવ્યા બાદ સરકારી નિયમો મુજબ ખાતાકીય તપાસ હાથ ધરીને તમામ દોષિત શિક્ષકો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/patan/patan-radhanpur-folk-singer-kinjal-rabari-marriage-mukesh-rabari" target="_blank"><b>Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/19/WfNuTIa7ygZfD8JKOExZKlBd49QpeQ5dWKkvDJwZ.webp'/></item><item><title><![CDATA[India Vs Pakistan વચ્ચેની વર્લ્ડકપ મેચ માટે ફેન્સ ખૂબ ઉત્સાહિત, વેચાઈ ગઈ તમામ 10,000 ટિકિટ ]]></title><link>https://sandesh.com/sports/news/india-pakistan-hockey-world-cup-2026-amstelveen</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india-pakistan-hockey-world-cup-2026-amstelveen</guid><pubDate>Tue, 18 Aug 2026 22:49:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બેલ્જિયમ અને નેધરલેન્ડ દ્વારા સંયુક્ત રીતે યોજાઈ રહેલા હોકી વર્લ્ડકપ 2026માં ભારતીય પુરુષ હોકી ટીમ 19 ઓગસ્ટના રોજ પૂલ Dમાં પાકિસ્તાન સામે એમસ્ટેલવીનમાં રમશે. બંને દેશોના ફેન્સ આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ એમસ્ટેલવીનમાં ફેન્સમાં ઘણો ઉત્સાહ છે અને તેથી જ મેચની તમામ 10,000 ટિકિટો વેચાઈ ગઈ છે.&nbsp;</p><p style="text-align: justify; ">ભારત અને પાકિસ્તાન લાંબા સમય પછી હોકી વર્લ્ડકપમાં એકબીજા સામે ટકરાશે અને બંને ટીમો વચ્ચેનો આ મેચ એમસ્ટેલવીનના વેગનર સ્ટેડિયમમાં રમાશે અને તે સંપૂર્ણપણે હાઉસફુલ રહેશે.</p><h2 style="text-align: justify; "><b>ભારતીય મૂળના લોકો આ મેચને લઈને ખૂબ જ ઉત્સાહિત</b></h2><p style="text-align: justify; ">મીડિયા રિપોર્ટ મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચે હોકી વર્લ્ડકપ 2026ની મેચને લઈને નેધરલેન્ડ્સમાં રહેતા ભારતીય મૂળના લોકોમાં ઘણો ઉત્સાહ છે. આ મેચ માટે ટિકિટ વેચાણ અંગેના એક નિવેદનમાં રોયલ ડચ હોકી ફેડરેશનના અધિકારી તમરા બૌવમેન્સે જણાવ્યું હતું કે મેચની ટિકિટ સપ્ટેમ્બર 2025થી ઓનલાઈન વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.&nbsp;</p><p style="text-align: justify; ">ટિકિટનું વેચાણ તબક્કાવાર કરવામાં આવ્યું હતું, જેનો પહેલો તબક્કો સપ્ટેમ્બરમાં શરૂ થયો હતો અને બીજો તબક્કો આ વર્ષે માર્ચમાં શરૂ થયો હતો. ટિકિટનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું, જેમાં નેધરલેન્ડ મેચ સિવાયની મેચો માટે સાઉથ સ્ટેન્ડ ટિકિટ 35 યુરોથી શરૂ થાય છે, જ્યારે ઢંકાયેલ મુખ્ય સ્ટેન્ડ માટે દિવસની ટિકિટની કિંમત 57 યુરો હતી.&nbsp;</p><p style="text-align: justify; ">હોસ્પિટાલિટી ટિકિટની કિંમત 251.34 યુરો હતી. બૌવમેન્સે સમજાવ્યું કે જ્યારે આપેલ દિવસના ગ્રુપ સ્ટેજ માટેની બધી ટિકિટો વેચાય છે, ત્યારે ટિકિટિંગ પ્લેટફોર્મ પર હાફ-ડે પાસ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેનાથી દર્શકો નેધરલેન્ડ મેચ સિવાય તે દિવસે બધી મેચો જોઈ શકે છે.</p><h3 style="text-align: justify; "><b>પાકિસ્તાન સામે ભારતીય ટીમનો અત્યાર સુધીનો આ રેકોર્ડ&nbsp;</b></h3><p style="text-align: justify; ">જો આપણે હોકીમાં પાકિસ્તાન સામે ભારતીય ટીમના હેડ-ટુ-હેડ રેકોર્ડ પર નજર કરીએ તો બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 183 મેચ રમાઈ છે, જેમાંથી ભારતીય ટીમ 69 મેચ જીતવામાં સફળ રહી છે, જ્યારે પાકિસ્તાને 82 મેચ જીતી છે. આ ઉપરાંત 32 મેચ ડ્રો રહી છે. છેલ્લા દાયકામાં ભારતનો દબદબો રહ્યો છે, જેમાં પાકિસ્તાનનો ભારત સામે છેલ્લો વિજય 2016 સાઉથ એશિયન ગેમ્સની ફાઈનલમાં 1-0થી થયો હતો. આ પછી બંને ટીમો વચ્ચે રમાયેલી 19 મેચોમાં પાકિસ્તાન એક પણ મેચ જીતી શક્યું નથી. આમાંથી 17 મેચ ભારતે જીતી છે, જ્યારે 2 મેચ ડ્રો રહી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/tf2tjyGU8vH706ijoENI1WH3RIuxGUJunWpUpCne.webp'/></item></channel></rss>