<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Price Hike:છેલ્લા 15 દિવસમાં દૂધ, શાકભાજીથી લઈને સાબુ-ટૂથપેસ્ટ સુધીની વસ્તુઓ થઈ મોંઘી ]]></title><link>https://sandesh.com/business/news/price-hike-in-the-last-15-days-things-from-milk-vegetables-to-soap-and-toothpaste-have-become-expensive</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/price-hike-in-the-last-15-days-things-from-milk-vegetables-to-soap-and-toothpaste-have-become-expensive</guid><pubDate>Tue, 16 Jun 2026 12:41:19 +05:30</pubDate><description><![CDATA[<p>પેટ્રોલ, ડીઝલ અને એલપીજી સિલિન્ડરના ભાવમાં થયેલા વધારા બાદ હવે સામાન્ય માણસના ખિસ્સા પર મોંઘવારીનો 'સાયલન્ટ એટેક' થયો છે. ઈંધણ મોંઘું થવાને કારણે ટ્રાન્સપોર્ટ અને માલસામાનની હેરાફેરીનો ખર્ચ (લોજિસ્ટિક્સ કોસ્ટ) વધી ગયો છે. આ જ કારણે છેલ્લા ૧૫ દિવસમાં જ આપણી રોજિંદી જરૂરિયાતની ઘણી બધી વસ્તુઓના ભાવ ચુપચાપ વધી ગયા છે, જેનાથી સામાન્ય પરિવારોનું બજેટ ખોરવાઈ ગયું છે.</p><p><b style="font-size: 2rem;">દૂધ અને ડેરી પ્રોડક્ટ્સના ભાવમાં ભડકો</b></p><p>છેલ્લા કેટલાક દિવસોમાં દૂધના ભાવમાં મોટો વધારો ઝીંકાયો છે. અમૂલ ગોલ્ડ (Amul Gold) ના ૧ લીટરના પેકેટનો ભાવ ૬૮ રૂપિયાથી વધીને ૭૦ રૂપિયા થઈ ગયો છે. જ્યારે અમૂલ તાઝા પણ ૫૫ રૂપિયાથી વધીને ૫૭ રૂપિયા પર પહોંચી ગયું છે. મધર ડેરીનું ફૂલ ક્રીમ દૂધ હવે ૬૯ ને બદલે ૭૨ રૂપિયા પ્રતિ લીટર અને ભેંસનું દૂધ સીધું ૫ રૂપિયા મોંઘું થઈને ૮૦ રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.</p><h3><b>સાબુ, સર્ફ અને ટૂથપેસ્ટ પણ મોંઘા&nbsp;</b></h3><p>કાચા માલના ભાવમાં ૧૧% અને પેકેજિંગ ખર્ચમાં ૫૬% નો તોતિંગ વધારો થતાં HUL, ડાબર અને કોલગેટ જેવી કંપનીઓએ ભાવ વધાર્યા છે. ડવ (Dove) અને પિયર્સ (Pears) જેવા પ્રીમિયમ સાબુ ૪ થી ૫% મોંઘા થયા છે. ડિટર્જન્ટ પાવડરના ભાવમાં ૫ થી ૧૧% નો વધારો થયો છે, જ્યારે ટૂથપેસ્ટની વિવિધ રેન્જ પણ મોંઘી થઈ ગઈ છે.</p><h4><b>&nbsp;રસોઈનું તેલ, દાળ અને શાકભાજી</b></h4><p>ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતાં છૂટક બજારમાં ખુલ્લા ચોખા અને દાળના ભાવમાં કિલોએ ૫ થી ૭ રૂપિયાનો વધારો થયો છે. મેરીકો કંપનીએ તેના પ્રખ્યાત ખાદ્ય તેલ 'સફોલા' (Saffola) ના ભાવમાં ૬ થી ૧૧% નો વધારો કર્યો છે. શાકભાજીની વાત કરીએ તો, ટામેટા જે ૧૫ દિવસ પહેલા ૩૦-૪૦ રૂપિયા કિલો હતા, તે હવે ૬૦-૭૦ રૂપિયા પર પહોંચી ગયા છે. આ સિવાય બટાકા, રીંગણ, ભીંડા, આદુ અને લીલા મરચાના ભાવમાં પણ કિલોએ ૫ થી ૧૦ રૂપિયાનો વધારો થયો છે.</p><h5><b>બહાર જમવું પણ મોંઘું થયું</b></h5><p>કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ વધવાને કારણે રેસ્ટોરન્ટ અને હોટલ માલિકોએ પણ પોતાના ફૂડ મેન્યુના ભાવ આશરે ૧.૮% સુધી વધારી દીધા છે. આમ, સવારના દૂધથી લઈને રાતના ડિનર સુધી બધું જ મોંઘું થતાં સામાન્ય જનતા મુશ્કેલીમાં મુકાઈ છે.</p><p><a href="https://sandesh.com/knowledge/news/marine-life-the-world-of-the-sea-is-more-mysterious-than-space-know-why-it-is-difficult-for-scientists-to-explore-the-depths-of-the-sea-80-of-it-is-still-unexplored" target="_blank">આ પણ વાંચો:Marine Life: અંતરિક્ષ કરતાં પણ રહસ્યમય છે સમુદ્રની દુનિયા! જાણો વૈજ્ઞાનિકો માટે કેમ મુશ્કેલ છે દરિયાના ઊંડાણની ખોજ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/5k0bknALybBil2u2FhMC8kwlN4mt8MPI9Au7BTr1.webp'/></item><item><title><![CDATA[Sanjan-Valsad : સરકારી કાર્યક્રમમાં કમકમાટીભરી બેદરકારી, ધોમધખતા તાપમાં વૃક્ષારોપણ કરાવતા માસૂમ બાળકો ચક્કર ખાઈને ઢળ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/valsad/sanjan-valsad-umargam-sanjan-tree-plantation-event-controversy-students-fainted-due-to-heat</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/valsad/sanjan-valsad-umargam-sanjan-tree-plantation-event-controversy-students-fainted-due-to-heat</guid><pubDate>Tue, 16 Jun 2026 12:40:39 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ વિસ્તારમાં વન વિભાગ અને સરકારી તંત્રની ઘોર લાપરવાહી સામે આવી છે. વન વિભાગના દક્ષિણ રેન્જ દ્વારા આયોજિત 'એક પેડ મા કે નામ' અંતર્ગત 'વન કવચ' વૃક્ષારોપણ કાર્યક્રમ ભારે વિવાદોના વમળમાં ફસાયો છે. ધોમધખતા તાપ અને કાળઝાળ ગરમી વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં આમંત્રિત કરાયેલા શાળાના માસૂમ વિદ્યાર્થીઓની તબિયત લથડતાં સ્થળ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>અનેક વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને ચક્કર આવવા લાગ્યા
</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, કાર્યક્રમ દરમિયાન ગરમીનો પારો આસમાને હોવા છતાં વિદ્યાર્થીઓ પાસે કામ કરાવવામાં આવી રહ્યું હતું. તીવ્ર ગરમી સહન ન થતાં અનેક વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને ચક્કર આવવા લાગ્યા હતા અને તેઓ બેભાન થઈને ઢળી પડ્યા હતા. આ જોઈને હાજર અધિકારીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. 
</p><h3 style="text-align: justify; "><b>&nbsp;સ્થળ પર પ્રાથમિક આરોગ્ય સુવિધા ન હતી
</b></h3><p style="text-align: justify; ">શરમજનક બાબત એ હતી કે, સ્થળ પર પ્રાથમિક આરોગ્ય સુવિધા  કે એમ્બ્યુલન્સની કોઈ વ્યવસ્થા નહોતી, જેથી જવાબદારોએ બાળકોના મોં પર પાણી છાંટીને સંતોષ માન્યો હતો. બાદમાં તબિયત વધુ બગડતાં કેટલાક વિદ્યાર્થીઓને ખાનગી વાહનો દ્વારા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા.
</p><h4 style="text-align: justify; "><b>&nbsp;પરિવહન વ્યવસ્થામાં માનવતાના લીરેલીરા ઉડ્યા
</b></h4><p style="text-align: justify; ">આટલું ઓછું હોય તેમ, કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પરિવહન વ્યવસ્થામાં માનવતાના લીરેલીરા ઉડ્યા હતા. તુંબ પ્રાથમિક શાળાના નાના બાળકોને આ કાળઝાળ ગરમીમાં પરત લઈ જવા માટે એસ.ટી. બસ કે સુરક્ષિત વાહનની જગ્યાએ એક ખુલ્લો ટેમ્પો બોલાવાયો હતો. આ ટેમ્પોમાં નિર્દોષ બાળકોને ઘેટા-બકરાની જેમ ખીચોખીચ ભરીને શાળાએ રવાના કરાયા હતા.
</p><h5 style="text-align: justify; "><b>ધારાસભ્ય અધિકારીઓ હાજર હતા
</b></h5><p style="text-align: justify; ">સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે આ સમગ્ર કમકમાટીભર્યા દ્રશ્યો ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકર, વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને તાલુકા વિકાસ અધિકારીની નજર સમક્ષ બન્યા હતા. તેમ છતાં, સંવેદનહીન બનેલા અધિકારીઓ આ ગંભીર પરિસ્થિતિ તરફ આંખ આડા કાન કરીને એસી ગાડીઓમાં રવાના થઈ ગયા હતા. વાલીઓ અને સ્થાનિક લોકોમાં હાલ સરકારી તંત્રની આ બિનજવાબદાર નીતિ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/india/news/sandesh-digital-explainer-india-monsoon-pause-imd-alert" target="_blank"><b>Sandesh Digital Explainer: મેઘરાજા આકાશી ચક્રવ્યૂહમાં ફસાયા..! કેમ અચાનક ગાયબ થઈ ગયા ચોમાસાના વાદળો? જાણો વિન્ડ વોરની ઇનસાઇડ સ્ટોરી</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/yvPTooN6IvSMqOYl5iv4sffxmaqdGcVQLAT0s9Pr.webp'/></item><item><title><![CDATA[Akshay Kumar મારા પૈસા ખાઈ ગયો.. 16 વર્ષ બાદ ફેમસ કોરિયોગ્રાફર ફરાહ ખાનનો ખુલાસો ]]></title><link>https://sandesh.com/entertainment/news/akshay-kumar-ate-my-money-famous-choreographer-farah-khans-revelation-after-16-years</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/akshay-kumar-ate-my-money-famous-choreographer-farah-khans-revelation-after-16-years</guid><pubDate>Tue, 16 Jun 2026 12:36:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડ કિંગ અક્ષય કુમાર અને પ્રખ્યાત ડાયરેક્ટર ફરાહ ખાનની ફિલ્મ "તીસ માર ખાન" ને આજે ભલે વિવેચકો અને દર્શકો તરફથી મિશ્ર પ્રતિભાવો મળ્યા હોય, પરંતુ આ ફિલ્મ સાથે જોડાયેલા કિસ્સાઓ આજે પણ એટલા જ મસાલેદાર છે. ફિલ્મ રિલીઝ થયાના 16 વર્ષ બાદ હવે અક્ષય કુમાર અને ફરાહ ખાન વચ્ચેનો એક અનોખો અને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે, જેને સાંભળીને તમારું માથું પણ ચકરાવે ચઢવા લાગશે.</p><h2 style="text-align: justify; "><b>અક્ષયને લઈને ફરાહ ખાનનો ચોંકાવનારો ખુલાસો</b></h2><p style="text-align: justify; ">તાજેતરમાં નેટફ્લિક્સના એક ચેટ શો દરમિયાન અક્ષય કુમાર, ફરાહ ખાન, રાજપાલ યાદવ અને પ્રિયદર્શન એકસાથે ચર્ચા કરી રહ્યા હતા. આ દરમિયાન ફરાહ ખાને ફિલ્મ 'તીસ માર ખાન' ના શૂટિંગ દિવસોનું એક મોટું સત્ય જાહેર કર્યું હતું. ફરાહ ખાને શૂટિંગના દિવસોને યાદ કરતાં જણાવ્યું કે, "અમે માલશેજ ઘાટમાં 'તીસ માર ખાન' નું શૂટિંગ કરી રહ્યા હતા. શૂટિંગ લોકેશન મુંબઈથી લગભગ અઢી કલાક દૂર હોવાને કારણે આખી ટીમ અને કલાકારો ત્યાં જ રોકાયા હતા. પરંતુ અક્ષય દરરોજ શૂટિંગ પતાવીને મુંબઈ પોતાના ઘરે જતો અને રોજ સવારે સેટ પર પાછો આવતો.</p><h3 style="text-align: justify; "><b>હેલિકોપ્ટરનો ટેક્સીની જેમ અક્ષય ઉપયોગ કરતો, ફરાહ</b></h3><p style="text-align: justify; ">જ્યારે ફરાહને પૂછવામાં આવ્યું કે અક્ષય રોજ આટલી દૂર કઈ રીતે મુસાફરી કરતો? ત્યારે ફરાહે હસતા હસતા ખુલાસો કર્યો કે, "તે રોજ હેલિકોપ્ટર દ્વારા આવતો-જતો હતો! મેં મારા જીવનમાં પહેલીવાર કોઈ એવો અભિનેતા જોયો જે હેલિકોપ્ટરનો ઉપયોગ રોજિંદી ટેક્સીની જેમ કરતો હોય. જોકે, અક્ષયની ખાસિયત એ હતી કે તે ગમે તેમ કરીને સેટ પર હંમેશા સમયસર પહોંચી જતો. જો સવારે 8 વાગ્યાનો શિફ્ટ ટાઈમ હોય, તો અક્ષય 7:45 વાગ્યે લોકેશન પર હાજર જ હોય."</p><h3 style="text-align: justify; "><b>તે મારા પૈસા ખાઈ લીધા..ફરાહ ખાન</b></h3><p style="text-align: justify; ">ફરાહની આ વાત પર અક્ષય કુમારે તરત જ વળતો જવાબ આપતાં કહ્યું, "પણ તેમાં કોઈને શું વાંધો હોવો જોઈએ? એ ફિલ્મનો પ્રોડ્યુસર (નિર્માતા) હું પોતે જ હતો." જેના પર ફરાહે મજાકિયા અંદાજમાં ટોણો મારતા કહ્યું, "તે ફિલ્મની પ્રોડ્યુસર હું પણ હતી, તેં હેલિકોપ્ટર પાછળ મારા પૈસા પણ ખાઈ લીધા!" સેટ પર પૈસાની બાબતે અક્ષય અને ફરાહ વચ્ચે થઈ તીખી નોકઝોક.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>તિસ મારખા ફિલ્મની કમાણી તને ફળી, અક્ષયકુમાર</b></h4><p style="text-align: justify; ">અક્ષય પણ ક્યાં પાછો પડે તેમ હતો, તેણે પણ હળવી ભાષામાં ફરાહને વળતો ટોણો મારતા કહી દીધું, "મેં મારા જ પૈસા વાપર્યા હતા, તે ફિલ્મમાંથી સૌથી વધુ કમાણી તો તેં જ કરી છે!" બંને સ્ટાર્સ વચ્ચેની આ મજેદાર નોકઝોક સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે. ઘણા લોકો "તીસ માર ખાન" ને વ્યાપારી રીતે અસફળ માને છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ ફિલ્મ માત્ર ₹45 કરોડના બજેટમાં બની હતી અને તેણે બોક્સ ઓફિસ પર ₹102 કરોડની શાનદાર કમાણી કરી હતી. આંકડાની દ્રષ્ટિએ આ ફિલ્મે સારું કમાણીનું ગણિત દર્શાવ્યું હતું.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/samantha-ruth-prabhu-revealed-many-secrets-about-her-career-and-personal-life-during-the-promotion-of-maa-inti-bangaram-film" target="_blank">આ પણ વાંચો : Maa Inti Bangaram ફિલ્મ પ્રમોશન દરમિયાન સામંથા રૂથ પ્રભુએ ખોલ્યા કરિયર અને અંગત જીવનના અનેક રાઝ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/m0l530mgvqYu5eev6kUKQ6PmUI74IDcQYsV0ssJv.webp'/></item><item><title><![CDATA[Devgadh Baria- Dahod: શાળાએ જવા રોજ હાઈસ્પીડ ટ્રેનો વચ્ચે પાટા ઓળંગતી માસૂમ જિંદગીઓ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dahod/devgadh-baria-piplod-village-railway-crossing-dangerous-for-2800-students-overbridge-demand</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dahod/devgadh-baria-piplod-village-railway-crossing-dangerous-for-2800-students-overbridge-demand</guid><pubDate>Tue, 16 Jun 2026 12:32:43 +05:30</pubDate><description><![CDATA[<p>દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાનું પીપલોદ ગામ આજે પણ આઝાદીના દાયકાઓ પછી એક સુરક્ષિત ઓવરબ્રિજ માટે વલખાં મારી રહ્યું છે. પીપલોદ ગામની મુખ્ય બજાર નજીક આવેલી જૂની રેલવે ફાટક હાલમાં દાહોદ જિલ્લાની સૌથી ગંભીર સમસ્યાઓમાંથી એક બની ચૂકી છે. આ ફાટક પરથી રોજ હજારો લોકો કાળનો સામનો કરીને પસાર થાય છે.</p><h2><b>વિદ્યાર્થીઓ અને શ્રમિકો માટે રોજનો એગ્ઝામ</b></h2><p>પીપલોદ આસપાસના અંદાજે 60 થી 70 ગામોનું મુખ્ય કેન્દ્ર હોવાથી, આસપાસના વિસ્તારોમાંથી રોજ 2800 થી વધુ વિદ્યાર્થીઓ અહીં આવેલી શૈક્ષણિક સંસ્થાઓમાં ભણવા માટે આવે છે. રેલવે લાઇન ગામની મધ્યમાંથી પસાર થતી હોવાથી આ વિદ્યાર્થીઓ પાસે ટ્રેક ઓળંગવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ઘણીવાર ફાટક બંધ હોય ત્યારે અથવા ટ્રેન ઉભી હોય ત્યારે, વિદ્યાર્થીઓ ટ્રેનની નીચેથી કે કપલિંગ વચ્ચેથી પસાર થતા જોવા મળે છે, જે ગમે ત્યારે મોટી હોનારતમાં પરિણમી શકે છે. આ ઉપરાંત રોજગારી અને વેપાર અર્થે આવતા 4000 થી વધુ ગ્રામીણો માટે પણ આ જ મુખ્ય કનેક્ટિવિટી માર્ગ છે.</p><h3><b>20 વર્ષની કાગળ પરની લડત અને જનરોષ</b></h3><p>સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોના જણાવ્યા મુજબ, તેઓ છેલ્લા 20 વર્ષથી રેલવે વિભાગ, સ્થાનિક કલેક્ટર કચેરી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને લેખિત રજૂઆતો કરી રહ્યા છે. ભૂતકાળમાં આ ટ્રેક પર અકસ્માતના કારણે અનેક માસૂમ નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને કેટલાય લોકો કાયમી અપંગ બન્યા છે. તેમ છતાં, પશ્ચિમ રેલવે કે રાજ્યના માર્ગ-મકાન વિભાગ દ્વારા અહીં ફૂટ ઓવરબ્રિજ બનાવવાની મંજૂરી કે બજેટ ફાળવવામાં આવ્યું નથી. સ્થાનિક લોકો હવે આક્રોશ સાથે એક જ સવાલ પૂછી રહ્યા છે કે, “જો આગામી દિવસોમાં કોઈ વિદ્યાર્થી કે નિર્દોષ નાગરિક ટ્રેનની અડફેટે આવી જશે અને તેનો જીવ જશે, તો તેની જવાબદારી કોણ લેશે? રેલવે તંત્ર કે સ્થાનિક વહીવટી પ્રશાસન?” ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે બ્રિજનું કામ શરૂ નહીં થાય તો તેઓ ઉગ્ર આંદોલન અને ચક્કાજામ કરશે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/gandhinagar/gujarat-health-department-launches-mega-vaccination-drive-for-36-lakh-children-phc-schedule" target="_blank">આ પણ વાંચો: Gandhinagar: ગુજરાતના બાળકોને મળશે રસીકરણનું સુરક્ષા કવચ! 36 લાખ બાળકોને સુરક્ષિત કરવાનો લક્ષ્યાંક</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/Jr5nFhZf5lncpkV9STkPqDrO2tNKEC0zTVjkwzfe.webp'/></item><item><title><![CDATA[Shinor-Vadodara : રાત્રે ઘર બહાર ખાટલામાં સૂતેલી 5 વર્ષની માસૂમ દિવ્યા રહસ્યમય રીતે ગુમ, પિતાએ વ્યક્ત કરી અપહરણની શંકા! ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/vadodara/vadodara-shinor-5-year-old-girl-divya-missing-from-bed-outside-home</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/vadodara/vadodara-shinor-5-year-old-girl-divya-missing-from-bed-outside-home</guid><pubDate>Tue, 16 Jun 2026 12:16:13 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના એક ગામમાંથી હૃદય કંપાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં પોતાના ઘરની બહાર ખાટલામાં શાંતિથી સૂતેલી 5 વર્ષની એક માસૂમ બાળકી અચાનક રહસ્યમય રીતે ગુમ થઈ જતાં પરિવાર સહિત સમગ્ર પંથકમાં ચિંતા વ્યાપી ગઈ છે. બાળકીના ગુમ થવાના આ અકળ સમાચારને પગલે સ્થાનીય ગ્રામજનો અને પોલીસ કાફલો તેને શોધવા માટે કાર્યરત બન્યા છે.</p><h2 style="text-align: justify; "><b>બહાર ખાટલામાં સૂતેલી જોવા મળી હતી
</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, ગુમ થયેલી બાળકીનું નામ દિવ્યા ઉર્ફે દિવુ (ઉંમર વર્ષ 5) છે. પરિવારજનોએ જણાવ્યું કે, દિવ્યા છેલ્લે રાત્રે આશરે 11:30 વાગ્યે ઘરની બહાર ખાટલામાં સૂતેલી જોવા મળી હતી. 
</p><h3 style="text-align: justify; "><b>વહેલી સવારે દિવ્યા ના મળી
</b></h3><p style="text-align: justify; ">જોકે, વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ જ્યારે પરિવારની આંખ ખૂલી ત્યારે માસૂમ દિવ્યા ખાટલામાં ન હોવાનું માલૂમ પડ્યું હતું. બાળકીને આસપાસ ન જોતાં પરિવારોના જીવ તાળવે ચોંટ્યા હતા. તુરંત જ પરિવાર અને ગ્રામજનો દ્વારા ગામ, ફળિયા અને આજુબાજુના સીમ-ખેતરોમાં વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ બાળકીનો કોઈ પત્તો લાગ્યો નહોતો.
</p><h4 style="text-align: justify; "><b>કોઇએ અપહરણ કર્યું હોવાની આશંકા
</b></h4><p style="text-align: justify; ">બાળકીના પિતાએ આ મામલે ભારે આશંકા વ્યક્ત કરતા જણાવ્યું છે કે, કોઈ અજાણ્યો શખ્સ તેમની માસૂમ દીકરીને કોઈ લોભ-લાલચ આપીને ઉઠાવી ગયો હોઈ શકે છે. આ ઘટના અંગે શિનોર પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેના આધારે પોલીસે અલગ-અલગ દિશાઓમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
</p><h4 style="text-align: justify; "><b>બાળકીની ઓળખ અને અપીલ
</b></h4><p style="text-align: justify; ">ગુમ થયેલી 5 વર્ષની દિવ્યાએ છેલ્લે લાલ રંગનું ટી-શર્ટ અને કેસરી રંગની ચડ્ડી પહેરેલી છે. પોલીસે સાર્વજનિક અપીલ કરી છે કે, જો કોઈ પણ નાગરિકને આ માસૂમ બાળકી અંગે કોઈ પણ શંકાસ્પદ માહિતી કે સગડ મળે, તો તેમણે તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">
</p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/india/news/sandesh-digital-explainer-india-monsoon-pause-imd-alert" target="_blank"><b>Sandesh Digital Explainer: મેઘરાજા આકાશી ચક્રવ્યૂહમાં ફસાયા..! કેમ અચાનક ગાયબ થઈ ગયા ચોમાસાના વાદળો? જાણો વિન્ડ વોરની ઇનસાઇડ સ્ટોરી</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/wPN4MYRH3qNacpD9mNOCBB4p51wMQm9saTkBAaT8.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup વચ્ચે બ્રુનાએ આપ્યા સારા સમાચાર,નેમાર 5મી વખત બનશે પિતા! ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/amidst-the-fifa-world-cup-bruna-gave-good-news-neymar-will-become-a-father-for-the-5th-time</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/amidst-the-fifa-world-cup-bruna-gave-good-news-neymar-will-become-a-father-for-the-5th-time</guid><pubDate>Tue, 16 Jun 2026 12:09:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફિફા વર્લ્ડ કપ 2026ના રોમાંચની વચ્ચે બ્રાઝિલના સ્ટાર ફૂટબોલર નેમાર જુનિયરના ચાહકો માટે એક મોટા અને ખુશીના સમાચાર આવ્યા છે.નેમાર ટૂંક સમયમાં જ ૫મી વખત પિતા બનવા જઈ રહ્યો છે.આ મહત્વપૂર્ણ સમાચાર તેની ગર્લફ્રેન્ડ બ્રુના બિયાનકાર્ડીએ પોતાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર એક ખાસ વીડિયો અપલોડ કરીને જાહેર કર્યા છે.વર્લ્ડ કપ દરમિયાન બ્રુના પણ નેમારની સાથે જ છે.</p><h4 style="text-align: justify; "><b>યુટ્યુબ વીડિયો દ્વારા આખો પરિવાર આવ્યો સામે</b></h4><p style="text-align: justify; ">બ્રુનાએ શેર કરેલા આ વીડિયોમાં નેમાર અને બ્રુના ઉપરાંત તેમની બે પુત્રીઓ માવી અને મેલ, તેમજ નેમારનો મોટો પુત્ર ડેવી લુકા પણ જોવા મળી રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે, નેમારની પુત્રી મેલના જન્મના હજુ એક વર્ષથી પણ ઓછો સમય થયો છે, ત્યાં જ કપલે તેમના ઘરે આવી રહેલા નવા મહેમાનની જાહેરાત કરી દીધી છે. જોકે નેમાર ૫મી વખત પિતા બની રહ્યો છે, પરંતુ બ્રુના સાથે તેનું આ ત્રીજું બાળક હશે. નેમારને બ્રુનાથીનની બે દીકરી છે, જ્યારે અન્ય બે બાળકોમાં મોડેલ અમાન્ડા કિમ્બ્રેલીથી એક દીકરી હેલેના અને પૂર્વ ગર્લફ્રેન્ડથી પુત્ર ડેવી લુકા છે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DXuo80YkUFI/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DXuo80YkUFI/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a></p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>ઇજા બાદ મેદાન પર નેમાર ક્યારે વાપસી કરશે?</b></h4><p style="text-align: justify; ">વ્યક્તિગત જીવનની ખુશીઓ વચ્ચે મેદાન પર નેમાર હાલ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. ઇજાના કારણે તે મોરોક્કો સામેની બ્રાઝિલની પ્રથમ મેચ રમી શક્યો ન હતો. અહેવાલો અનુસાર, નેમાર ચાલુ વર્લ્ડ કપમાં બ્રાઝિલની ત્રીજી મેચ દ્વારા મેદાન પર વાપસી કરી શકે છે. સતત ઇજાઓથી પરેશાન હોવાને કારણે ૨૦૨૬ નો આ ફિફા વર્લ્ડ કપ નેમારની કારકિર્દીનો છેલ્લો વર્લ્ડ કપ માનવામાં આવી રહ્યો છે. તેવામાં ફેન્સ આશા રાખી રહ્યા છે કે પિતા બનવાના આ ગુડ ન્યૂઝ નેમારને મેદાન પર શાનદાર પ્રદર્શન કરવા માટે નવી ઉર્જા આપશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-cape-verdes-match-with-spain-draws-a-major-upset-at-the-start-of-the-tournament" target="_blank"> FIFA World Cup 2026 : સ્પેન સાથે કેપ વર્ડેની મેચ ડ્રો, ટૂર્નામેન્ટની શરૂઆતમાં જ સર્જાયો મોટો ઉલટફેર</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/mcY8gsh1FqwjB1c1vNMoufZucP6W0VH82iHgUlbz.webp'/></item><item><title><![CDATA[RSS: ઘણી વસ્તુઓ રજિસ્ટર્ડ નથી, હિંદુ ધર્મ પણ નહી..પ્રિયાંક ખડગેને મોહન ભાગવતનો વળતો જવાબ ]]></title><link>https://sandesh.com/india/news/rss-many-things-are-not-registered-not-even-hinduism-mohan-bhagwats-reply-to-priyanka-kharge</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/rss-many-things-are-not-registered-not-even-hinduism-mohan-bhagwats-reply-to-priyanka-kharge</guid><pubDate>Tue, 16 Jun 2026 11:49:21 +05:30</pubDate><description><![CDATA[<p>રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની કાનૂની સ્થિતિ અને આર્થિક વ્યવહારો પર સવાલ ઉઠાવતા કર્ણાટકના મંત્રી પ્રિયાંક ખડગેના પત્રને સંઘ પ્રમુખ મોહન ભાગવતે સ્પષ્ટ શબ્દોમાં ફગાવી દીધો છે. મોહન ભાગવતે આ માંગણીને માત્ર એક 'રાજકીય પબ્લિસિટી સ્ટંટ' ગણાવીને તેના પર કોઈ પણ સત્તાવાર પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો છે. તેમણે ઉમેર્યું કે સંઘ હંમેશાં પારદર્શક રીતે કામ કરે છે અને આવા રાજકીય હુમલાઓ આરએસએસ માટે નવા નથી.&nbsp;</p><h2><b>આવા વિવાદોથી અમે ટેવાયેલા છીએ</b></h2><p>કર્ણાટકના મંત્રી પ્રિયાંક ખડગેના ખુલ્લા પત્ર અંગે વાત કરતા સરસંઘચાલક મોહન ભાગવતે જણાવ્યું હતું કે, સંગઠનની સ્થાપનાના પ્રારંભિક દાયકાઓથી જ આવા આક્ષેપો અને વિવાદો સામે આવતા રહ્યા છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, "આ કેવળ રાજકારણ પ્રેરિત યુક્તિઓ છે અને સંઘ આવા હુમલાઓથી ટેવાઈ ચૂક્યો છે. જો ક્યારેક આવા વિવાદો ન થાય, તો અમને લાગે છે કે કંઈક ખૂટે છે.</p><p>તેમણે સ્પષ્ટ કર્યું કે લોકોમાં ભ્રમ અને શંકા પેદા કરવાના હેતુથી આવા નિવેદનો કરવામાં આવે છે, પરંતુ જનતા સંઘના કાર્યોથી સારી રીતે વાકેફ હોવાથી હવે આવા પ્રયાસો સફળ થઈ શકે તેમ નથી. આરએસએસની પ્રવૃત્તિઓ ક્યારેય ગુપ્ત હોતી નથી.&nbsp; સ્વયંસેવકો સમાજની વચ્ચે રહે છે અને દેશભરમાં સંઘની શાખાઓ ખુલ્લા મેદાનોમાં જ યોજાય છે.</p><h3><b>હિન્દુ ધર્મ પણ ક્યાંય રજિસ્ટર્ડ નથી</b></h3><p>સંઘની કાનૂની નોંધણી (Registration) અંગે ઉઠેલા સવાલોનો જવાબ આપતા મોહન ભાગવતે તર્ક આપ્યો કે દેશમાં એવી ઘણી પવિત્ર અને મહત્વપૂર્ણ બાબતો છે જે સત્તાવાર રીતે નોંધાયેલી નથી, જેમાં 'હિન્દુ ધર્મ' પોતે પણ સામેલ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે:</p><ul><li>સરકારી ગ્રાન્ટ કે આર્થિક મદદ લેવા ઈચ્છતી સંસ્થાઓ માટે નોંધણી કરાવવી જરૂરી હોય છે, જે યોગ્ય પણ છે.</li><li>આરએસએસ ક્યારેય કોઈ સરકારી ફંડ લેતું નથી.</li><li>સરકાર સંઘના અસ્તિત્વ અને તેની પ્રવૃત્તિઓથી સંપૂર્ણપણે પરિચિત છે.</li></ul><p>મોહન ભાગવતે યાદ અપાવ્યું કે બ્રિટિશ કાળથી કાર્યરત આ સંગઠન પર ભૂતકાળમાં બે વાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જે બાદમાં કાનૂની પ્રક્રિયા અને સત્યાગ્રહના માધ્યમથી હટાવી લેવાયો હતો. પ્રતિબંધ મૂકવો એ જ સાબિત કરે છે કે સરકાર સંઘના અસ્તિત્વથી અજાણ નહોતી. વધુમાં, 1950ના દાયકામાં જ સંઘે પોતાનું લેખિત બંધારણ સરકારને સોંપ્યું હતું અને વિતેલા 100 વર્ષમાં ક્યારેય અલગ રજિસ્ટ્રેશનની જરૂરિયાત ઊભી થઈ નથી.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2066702755557978274"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p><p></p></p><h4></h4><h3><b>પ્રિયાંક ખડગેએ પત્રમાં શું માંગ કરી હતી?</b></h3><p>ઉલ્લેખનીય છે કે, કર્ણાટકના આઈટી-બીટી અને ગ્રામીણ વિકાસ મંત્રી પ્રિયાંક ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક ખુલ્લો પત્ર શેર કરીને આરએસએસની આર્થિક ઓડિટ અને કાનૂની સ્થિતિ પર સવાલો ઉઠાવ્યા હતા.&nbsp;</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PriyankKharge/status/2066458794276913211"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h4><b>ખડગેની મુખ્ય દલીલો શું હતી ?&nbsp;</b></h4><p><b>પારદર્શિતાની માંગ:</b> જો આરએસએસ દેશનું આટલું મોટું સંગઠન છે, તો તેણે સામાન્ય નાગરિકો, ટ્રસ્ટો અને એનજીઓની જેમ જ બંધારણીય માપદંડો, ઓડિટ અને નાણાકીય પારદર્શિતાનું પાલન કરવું જોઈએ.</p><p><b>આવક-ખર્ચની વિગતો:</b> સંઘે તેની કુલ સંપત્તિ, ભંડોળના સ્ત્રોતો અને ટેક્સ સ્ટેટસની વિગતો જાહેર કરવી જોઈએ.</p><p><b>વિશાળ નેટવર્કનો હવાલો:</b> ખડગેએ સંઘના વર્ષ 2025-26&nbsp; 'અખિલ ભારતીય પ્રતિનિધિ સભા'ના અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે, એકલા કર્ણાટકમાં જ આરએસએસ 4127 દૈનિક શાખાઓ અને 1389 સાપ્તાહિક મિલન (મેળાવડા) ચલાવે છે. આટલો વ્યાપક સામાજિક પ્રભાવ ધરાવતી સંસ્થાએ તેના પદાધિકારીઓ અને આર્થિક સ્ત્રોતોની વિગતો સાર્વજનિક કરવી જ જોઈએ.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/lHVBAWHMxuK6g8QLgGpVPKF0WSAvOVVZ89n9NhJb.webp'/></item><item><title><![CDATA[Telegram Banned: NEET પરીક્ષા પહેલા ટેલિગ્રામ પર રોક, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય ]]></title><link>https://sandesh.com/india/news/telegram-banned-temporary-in-india-ban-on-telegram-before-neet-re-exam--2026-big-decision-of-the-central-government</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/telegram-banned-temporary-in-india-ban-on-telegram-before-neet-re-exam--2026-big-decision-of-the-central-government</guid><pubDate>Tue, 16 Jun 2026 10:39:32 +05:30</pubDate><description><![CDATA[<p>નીટની ફરીથી પરીક્ષા યોજાવાની છે. તે પહેલા કેન્દ્ર સરકારે 22 જૂન સુધી ટેલિગ્રામ પર અસ્થાયી રોક લગાવી છે. 30 જૂન સુધી ટેલિગ્રામનુ મેસેજિંગ ફીચર બંધ રહેશે, મહત્વનું છે કે 21 જૂને નીટની રિ એક્ઝામ થવાની છે. આ પહેલા કોઇ પેપરલીકની ઘટના ન બને તે માટે સાવચેતીના ધોરણે કેન્દ્ર સરકારે ટેલિગ્રામ પર અસ્થાયી રોક લગાવી છે. NTA એ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે NEET-UG 2026 પુનઃપરીક્ષા સુરક્ષિત અને ન્યાયી રીતે યોજાય તે સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લીધો છે.&nbsp;</p><h3><b style="font-size: 2rem;">કેમ લેવામાં આવ્યો આ નિર્ણય ?&nbsp;</b></h3><p>ઉલ્લેખનીય છે કે NTA અનુસાર કેટલીક વિદ્યાર્થ ગેંગ દ્વારા ટેલિગ્રામ દ્વારા છેતરપિંડી આચરવામાં આવે છે.. પેપર લીક્ડ NEET,” “Re-NEET 2026,” અને “Private Mafia” જેવા નામો ધરાવતી ચેનલો હજારોથી લાખો રૂપિયા સુધીની રકમની માંગણી કરી રહી હતી. એજન્સીએ સ્પષ્ટતા કરી છે કે પરીક્ષાનું પ્રશ્નપત્ર સંપૂર્ણપણે સુરક્ષિત છે અને પરીક્ષા પહેલાં કોઈને પણ ઉપલબ્ધ નથી. NEET-UG 2026 પુનઃપરીક્ષા પહેલા સરકારે એક મોટું પગલું ભર્યું છે. ટેલિગ્રામ પર કામચલાઉ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.&nbsp;&nbsp;</p><p>NTA એ જણાવ્યું હતું કે ટેલિગ્રામ પર 'એડિટ' સુવિધાનો ઘણા કિસ્સાઓમાં દુરુપયોગ થયો હતો. પરીક્ષા થયા પછી, વાસ્તવિક પ્રશ્નપત્ર જૂના સંદેશાઓમાં ઉમેરવામાં આવતું હતું જેથી એવું લાગે કે પેપર પહેલાથી જ લીક થઈ ગયું છે. આવી નકલી 'પેપર લીક' સામગ્રીના પ્રસારને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.</p><p><br></p><h3><b>સમય અને પેટર્નમાં કેટલાક ‘કૅન્ડિડેટ-ફ્રેન્ડલી’ ફેરફારો કર્યા</b></h3><p>આ વર્ષે પરીક્ષા ઘણા અર્થમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે તાજેતરમાં NTAએ વિદ્યાર્થીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને પરીક્ષાના સમય અને પેટર્નમાં કેટલાક ‘કૅન્ડિડેટ-ફ્રેન્ડલી’ ફેરફારો કર્યા છે. એડમિટ કાર્ડ જાહેર થતાં જ વિદ્યાર્થીઓને પોતાની તૈયારી અને પરીક્ષા કેન્દ્ર સંબંધિત તમામ વ્યવસ્થાઓ અંતિમ રૂપ આપવા સલાહ આપવામાં આવી છે.</p><p><br></p><h3><b>એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું?</b></h3><ul><li>સૌપ્રથમ અધિકૃત વેબસાઇટ neet.nta.nic.in પર જાઓ</li><li>હોમપેજ પર આપેલ NEET (UG) 2026 Admit Card લિંક પર ક્લિક કરો</li><li>નવા પેજ પર તમારો એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો</li><li>સિક્યુરિટી પિન ભરી Submit પર ક્લિક કરો</li><li>આ પછી તમારૂં ડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે. તેનો કલર અથવા બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટઆઉટ કાઢી પરીક્ષા કેન્દ્ર પર લઈ જવું જરૂરી રહેશે.</li></ul><h4><b>પરીક્ષાનો સમય વધારીને 195 મિનિટ કરાયો&nbsp;</b></h4><p>આ વર્ષે NEET (UG) પરીક્ષાની સમયસીમા વધારીને 195 મિનિટ (3 કલાક 15 મિનિટ) કરવામાં આવી છે. પરીક્ષા બપોરે 2:00 વાગ્યે શરૂ થઈને સાંજે 5:15 વાગ્યે પૂર્ણ થશે. NTAનું કહેવું છે કે આ વધારાનો સમય વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન બાયોમેટ્રિક હાજરી અને અન્ય પ્રક્રિયાઓમાં થતા સમયના નુકસાનની ભરપાઈ માટે આપવામાં આવ્યો છે. ઉપરાંત, ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના ગણિતીય પ્રશ્નો માટે આ વર્ષે વધુ રફ વર્ક જગ્યા પણ આપવામાં આવી છે.</p><p><br></p><p><a href="https://sandesh.com/gallery/news/lifestyle/this-district-is-considered-the-litchi-capital-of-india-know-which-one" target="_blank">આ પણ વાંચો-  આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?&nbsp;</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/aVAsJbUw130gYxzQK9iTFzKaUdXKtMnc9zT4Isv6.webp'/></item><item><title><![CDATA[Surat: ચોક બજાર દુષ્કર્મ કેસના આરોપીને કડક સજા, અંતિમ શ્વાસ સુધી જેલમાં સડશે નરાધમ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/chowk-bazar-4-year-old-girl-rape-case-accused-ankit-gautam-sentenced-to-life-imprisonment-until-death</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/chowk-bazar-4-year-old-girl-rape-case-accused-ankit-gautam-sentenced-to-life-imprisonment-until-death</guid><pubDate>Tue, 16 Jun 2026 10:29:58 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત શહેરમાં માસૂમ બાળાઓ અને મહિલાઓની સુરક્ષા સામે સવાલિયા ચિહ્નો ઊભા કરતી ઘટનાઓ વચ્ચે ન્યાયતંત્ર દ્વારા આવા રાક્ષસી માનસિકતા ધરાવતા તત્વોને પાઠ ભણાવતો એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. સુરતના ચોક બજાર વિસ્તારમાં અગાઉ એક 4 વર્ષની બાળકી રમી રહી હતી ત્યારે આરોપી અંકિત ગૌતમ તેની માસૂમિયતનો લાભ ઉઠાવી, ફોસલાવીને અપહરણ કરી ગયો હતો. ત્યારબાદ આ નરાધમે બાળકી સાથે હેવાનિયતની તમામ હદો વટાવીને દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં સુરતની સ્પેશિયલ પોક્સો (POCSO) કોર્ટે આરોપીને સમાજ માટે કલંક ગણાવી કડક સજા સંભળાવી છે.</p><h2><b>સુરત પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો</b></h2><p>સામાન્ય રીતે આજીવન કેદની સજામાં 14 વર્ષ કે ચોક્કસ ગાળા બાદ માફીની અરજી કે વહેલી મુક્તિની જોગવાઈઓ હોતી હોય છે, પરંતુ નામદાર કોર્ટે આ કેસની ક્રૂરતા જોઈને ચુકાદામાં સ્પષ્ટ આદેશ કર્યો છે કે આરોપી અંકિત ગૌતમ જ્યાં સુધી જીવતો રહેશે એટલે કે તેના શરીરના અંતિમ શ્વાસ સુધી તે જેલની અંદર જ રહેશે. તેને સામાન્ય કેદની કોઈ માફીનો લાભ મળશે નહીં. અદાલતે નોંધ્યું હતું કે 4 વર્ષની બાળકી પર આવું કૃત્ય કરનાર વ્યક્તિ સમાજમાં રહેવાને લાયક નથી.</p><h3><b>પીડિતાને આર્થિક આશરો, વહીવટી પ્રક્રિયા શરૂ</b></h3><p>કોર્ટે ચુકાદા દરમિયાન માત્ર સજા જ નથી ફટકારી, પરંતુ ભોગ બનનાર બાળકીના ભવિષ્ય, ભણતર અને તેના માનસિક આઘાત (ટ્રોમા) માંથી બહાર આવવા માટે મેડિકલ સહાયના ભાગરૂપે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી (DLSA) ના માધ્યમથી રૂ. 10.50 લાખનું જંગી વળતર ચૂકવવાનો સરકારને આદેશ કર્યો છે. આ ઉપરાંત આરોપી અંકિત ગૌતમને રૂ. 10,000 નો રોકડ દંડ ફટકાર્યો છે, જો તે દંડ ન ભરે તો તેની સજાના ગાળામાં વધુ વધારો કરવામાં આવશે. ચોક બજાર પોલીસે વૈજ્ઞાનિક પુરાવા, ડીએનએ (DNA) રિપોર્ટ અને મેડિકલ ઓફિસર્સની કડક જુબાનીઓ સમયસર કોર્ટ સમક્ષ રજૂ કરી હોવાથી કેસ વહેલો ચાલ્યો હતો અને પીડિત પરિવારને ઝડપી ન્યાય મળ્યો છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/rabari-colony-crossroad-overspeed-car-crashes-into-brts-railing-driver-safe" target="_blank">આ પણ વાંચો: Ahmedabad:  રબારી કોલોની પાસે મોડી રાત્રે અકસ્માત, કારના આગળના ભાગનો કુરચો બોલી ગયો</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/NYhDc059noT0LW46H6G2rFuNQhQ0nPhgNyISSYfS.webp'/></item><item><title><![CDATA[Ahmedabad:  રબારી કોલોની પાસે મોડી રાત્રે અકસ્માત, કારના આગળના ભાગનો કુરચો બોલી ગયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/rabari-colony-crossroad-overspeed-car-crashes-into-brts-railing-driver-safe</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/rabari-colony-crossroad-overspeed-car-crashes-into-brts-railing-driver-safe</guid><pubDate>Tue, 16 Jun 2026 09:57:16 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરમાં સીજી રોડ, એસજી હાઇવે બાદ હવે પૂર્વ વિસ્તારના જાહેર માર્ગો પર પણ નબીરાઓ અને બેફામ વાહન ચલાવનારાઓનો આતંક વધી રહ્યો છે. મોડી રાત્રે પૂર્વ અમદાવાદને જોડતા રબારી કોલોની ચાર રસ્તા પાસે રફતારનો કહેર જોવા મળ્યો હતો. એક અજાણ્યો કાર ચાલક પોતાની વૈભવી કાર લઈને સખત સ્પીડમાં પસાર થઈ રહ્યો હતો. રબારી કોલોની ચાર રસ્તા નજીક ટર્નિંગ પર અથવા સ્પીડ કંટ્રોલ ન થવાના કારણે કાર સીધી જ રોડની વચ્ચે આવેલા BRTS (બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ) ના પ્રોટેક્શન ટ્રેકની લોખંડની મજબૂત રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી.</p><h2><b>રેલિંગ તોડીને કાર અંદર ઘૂસી ગઈ</b></h2><p>અકસ્માત એટલો જોરદાર હતો કે લોખંડના જાડા એંગલ અને રેલિંગના કટકા થઈ ગયા હતા અને કારનો આગળનો બોનેટનો ભાગ સંપૂર્ણપણે રેલિંગની અંદર ખૂંપી ગયો હતો. રાત્રિનો સમય હોવાથી અને સામાન્ય રીતે તે સમયે BRTS બસો બંધ હોવાથી ટ્રેકની અંદર કોઈ અન્ય વાહન કે બસ નહોતી, જેથી મોટી હોનારત ટળી હતી. ધડાકો સાંભળીને આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.</p><h3><b>કોઈ જાનહાનિ નહીં, કાનૂની કાર્યવાહી શરૂ</b></h3><p>આ ભયાનક અકસ્માતમાં કારના એન્જિન અને આગળના વ્હીલના ભાગને ભારે નુકસાન થયું હતું, પરંતુ સદનસીબે કાર ચાલક સુરક્ષિત રીતે બહાર નીકળી આવ્યો હતો. તેનો આબાદ બચાવ થતાં સ્થાનિક નાગરિકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક રબારી કોલોની ચાર રસ્તા પર પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતને કારણે ખોરવાયેલા ટ્રાફિકને હળવો કરવા ક્રેન મંગાવીને કારને ટ્રેકમાંથી બહાર કાઢી પોલીસ સ્ટેશને ખસેડી હતી. પોલીસે સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ અકસ્માતનો ગુનો નોંધીને ચાલકની પૂછપરછ અને સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવવાની કવાયત હાથ ધરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/gujarat-police-operation-childhood-freedom-84-child-labourers-rescued-26-arrested-dgp-gs-malik" target="_blank">આ પણ વાંચો: Surat: ગુજરાત પોલીસનું ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ હેઠળ પ્રથમ 14 દિવસમાં જ 84 બાળમજૂરો મુક્ત, 26 શોષણખોરો સામે ગુનો દાખલ</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/ApxWzM2A0ETg9QpOAU522AzjCNiJehy4sxaG498d.webp'/></item></channel></rss>