<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabadના ઓઢવમાં જુની અદાવતમાં ખેલાયો લોહિયાળ ખેલ; એક યુવક પર ત્રણ શખ્સોનો ઘાતકી હુમલો ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/a-bloody-game-played-out-over-old-enmity-in-ahmedabads-odhav-a-young-man-was-brutally-attacked-by-three-men</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/a-bloody-game-played-out-over-old-enmity-in-ahmedabads-odhav-a-young-man-was-brutally-attacked-by-three-men</guid><pubDate>Fri, 12 Jun 2026 23:48:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઓઢવમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. ઓઢવ વિસ્તારમાં જૂના ઝઘડાની અદાવત રાખીને ત્રણ શખ્સોએ એક યુવક પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં મયુર મનોજભાઈ સાવંત નામનો યુવક લોહીલુહાણ થઈને ઢળી પડ્યો હતો. જાહેર વિસ્તારમાં બનેલી આ લોહિયાળ ઘટનાને પગલે સમગ્ર ઓઢવ પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે અને સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે.</p><h2 style="text-align: justify; ">મામા સાથેના જૂના ઝઘડાની વાતચીતમાં તકરાર અને હુમલો</h2><p style="text-align: justify; ">આ હુમલા પાછળ પારિવારિક કે જૂની અદાવત જવાબદાર હોવાનું સામે આવ્યું છે. મયુરના મામા સાથે આરોપીઓનો અગાઉ કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ જૂના ઝઘડા અંગે વાતચીત કરવા અને સમાધાનના ઈરાદે જ્યારે પક્ષકારો ભેગા થયા, ત્યારે અચાનક મામલો બિચક્યો હતો અને બંને પક્ષે ઉગ્ર તકરાર થઈ હતી. આ બોલાચાલી દરમિયાન ઉશ્કેરાઈ ગયેલા રાજા અશોકભાઈ સાવંત, આદિત્ય અશોકભાઈ સાવંત અને આશિષ મકવાણા નામના ત્રણ શખ્સોએ પોતાની પાસે રહેલી તીક્ષ્ણ છરીઓ કાઢીને મયુર પર આડેધડ ઘા ઝીંકવાનું શરૂ કરી દીધું હતું.</p><h3 style="text-align: justify; ">પરિવારજનો દોડી આવ્યા અને ઓઢવ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ</h3><p style="text-align: justify; ">આ હુમલા દરમિયાન મયુરને બરડા, કમર, જમણા હાથની કોણી તેમજ હથેળીના ભાગે છરીના ગંભીર ઘા વાગ્યા હતા. મયુરની બુમાબુમ અને ચીસાચીસ સાંભળીને નજીકમાં હાજર તેના કાકા વિનોદભાઈ અને દાદી પાર્વતીબેન તાત્કાલિક તેને બચાવવા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પરિવારજનોને આવતા જોઈ હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા હતા. લોહીલુહાણ હાલતમાં મયુરને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ ઓઢવ પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચ્યો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/IiHgNi2fwge6V6ay6JHFNED6jSJvbceYAAXhHNnd.webp'/></item><item><title><![CDATA[Amreliના વડિયામાં ખેડૂતે ઝેરી દવા પી જીવન ટૂંકાવવાનો કર્યો પ્રયાસ, પોલીસે હાથ ધરી તપાસ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/farmer-in-amrelis-vadiya-attempts-to-end-his-life-by-consuming-poison-police-launch-investigation</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/farmer-in-amrelis-vadiya-attempts-to-end-his-life-by-consuming-poison-police-launch-investigation</guid><pubDate>Fri, 12 Jun 2026 23:35:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમરેલી જિલ્લાના વડિયા પંથકમાંથી એક હૃદયદ્રાવક અને વહીવટી તંત્રને હચમચાવી મૂકે તેવી ઘટના સામે આવી છે. વડિયામાં રહેતા મનસુખભાઈ જીણાભાઈ નામના એક સ્થાનિક ખેડૂતે આર્થિક અને સામાજિક હેરાનગતિથી કંટાળીને ઝેરી દવા ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. આપઘાતનું આ પગલું ભરતા પહેલાં ખેડૂતે પોતાની ગંભીર આપવીતી અને પીડા દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકના ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ભારે ચકચાર મચી ગઈ છે.</p><h2 style="text-align: justify; ">ખેતરનો રસ્તો બંધ થતાં પરેશાની&nbsp;</h2><p style="text-align: justify; ">વાયરલ વીડિયોમાં મનસુખભાઈએ આક્ષેપ કર્યો છે કે, કેટલાક શખ્સો દ્વારા તેમના ખેતરનો અવરજવર માટેનો મુખ્ય રસ્તો દબાવીને બંધ કરી દેવામાં આવ્યો છે. તેમણે વીડિયોમાં હેરાન કરનારા જવાબદાર વ્યક્તિઓ અને તેમના દીકરાના નામોનો પણ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. ખેડૂતે આક્રોશ સાથે જણાવ્યું કે, સામેવાળા વ્યક્તિઓની રાજકીય અને સામાજિક વગ એટલી મજબૂત છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં તેમને ક્યાંયથી ન્યાય મળતો ન હતો. આ દબાણ અને અન્યાયથી કંટાળીને આખરે તેઓ આ આત્મઘાતી પગલું ભરી રહ્યા છે.</p><h3 style="text-align: justify; ">ખેડૂત હોસ્પિટલમાં સારવાર હેઠળ</h3><p style="text-align: justify; ">સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોના અંતમાં ખેડૂત અત્યંત ભાવુક થઈ ગયા હતા અને "હું મારી રીતે મારું પગલું ભરું છું, મારા ગયા પછી મારા દીકરાનું ધ્યાન રાખજો" તેમ કહેતા નજરે પડે છે. આ વીડિયો સામે આવતા જ પરિવારજનો અને અન્ય ખેડૂતો તાત્કાલિક તેમની વહારે દોડ્યા હતા. ઝેરી દવા પીધેલી હાલતમાં મનસુખભાઈને પ્રથમ સારવાર માટે વડિયા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ તેમની તબિયત વધુ લથડતાં વધુ ગંભીર સારવાર અર્થે તાત્કાલિક ગોંડલની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.&nbsp;</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/rCjLqETxsOlCnJq8xIPoiI3a0CQYf2iOaeDJSEfQ.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: સંતાન સુખ ન મળતા પરિણીતાએ જીવન ટૂંકાવ્યું ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/gandhinagar/ambapur-married-woman-suicide-childless-issue</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/gandhinagar/ambapur-married-woman-suicide-childless-issue</guid><pubDate>Fri, 12 Jun 2026 23:26:17 +05:30</pubDate><description><![CDATA[<p>ગાંધીનગરના અંબાપુર વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં અંબાપુર ખાતે આવેલી એક ખાનગી ફ્લેટની કન્સ્ટ્રક્શન સાઈટ પર રહેતી પરિણીતાએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, લગ્નજીવનના લાંબા સમય બાદ પણ સંતાન સુખ પ્રાપ્ત ન થતાં પરિણીતા ભારે માનસિક તણાવમાં રહેતી હતી, જેના કારણે તેણે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.</p><h2><b>સંતાન ન થવાના દુઃખે લીધો ભોગ</b></h2><p>ઘટનાની મળતી વિગતો અનુસાર, મૃતક પરિણીતા પોતાના પરિવાર સાથે અંબાપુરમાં નિર્માણ પામી રહેલા એક ખાનગી ફ્લેટની કન્સ્ટ્રક્શન સાઈટ પર જ મકાનમાં રહેતી હતી. સંતાન ન થવાના દુઃખ અને માનસિક આઘાતમાં સરી પડેલી પરિણીતાએ રૂમમાં ઉપર લોખંડના હુક સાથે પોતાની સાડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. પરિવારના સભ્યોની નજર પડતાં જ તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા અને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા.</p><h2><b>પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી શરૂ કરી તપાસ</b></h2><p>ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પરિણીતાના મૃતદેહને હુક પરથી નીચે ઉતારી, પોસ્ટ મોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી, પરિવારજનોની પૂછપરછ અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. એક આશાસ્પદ પરિણીતાના આવા કરૂણ અંતથી કન્સ્ટ્રક્શન સાઈટના શ્રમિકો અને સ્થાનિક વિસ્તારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/india/news/gujarat/ahmedabad/13-june-top-news-pm-modi-visit-india-afghanistan-odi-weather-alert-history" target="_blank">વાંચો 13 જૂનના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/Hm7QO1m19Nxy5kKw5VuXpTUdVUgi0vQWoMoD31I3.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના રખિયાલમાં MD ડ્રગ્સ સાથે એક યુવકની ધરપકડ; કાલુપુરથી માલ સપ્લાય કરનાર ફરાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/a-youth-arrested-with-md-drugs-in-rakhial-ahmedabad-the-person-supplying-the-goods-from-kalupur-is-absconding</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/a-youth-arrested-with-md-drugs-in-rakhial-ahmedabad-the-person-supplying-the-goods-from-kalupur-is-absconding</guid><pubDate>Fri, 12 Jun 2026 23:20:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં નશાના કારોબાર સામે પોલીસે લાલ આંખ કરી છે, ત્યારે પૂર્વ વિસ્તારના રખિયાલમાંથી મેફેડ્રોન (MD) ડ્રગ્સ સાથે એક યુવકને ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે. રખિયાલ પોલીસની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવીને આ યુવકને પ્રતિબંધિત નશીલા પદાર્થ સાથે રંગેહાથ દબોચી લીધો હતો. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, પકડાયેલો યુવક પોતે ડ્રગ્સનો બંધાણી છે અને પોતાના નશાનો ખર્ચ કાઢવા તેમજ લત પૂરી કરવા માટે જ તે ડ્રગ્સની હેરાફેરીના આ કાળા કારોબારમાં કુરિયર અને પેડલર તરીકે ઝંપલાવી બેઠો હતો.</p><h2 style="text-align: justify; ">રૂ.12 હજારનું ડ્રગ્સ જપ્ત અને કાલુપુર કનેક્શન</h2><p style="text-align: justify; ">પોલીસે પકડેલા આરોપી પાસેથી અંદાજે રૂ.12,000ની બજાર કિંમત ધરાવતું 4.200 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો કબ્જે કર્યો છે. આરોપીની કડક પૂછપરછ દરમિયાન ડ્રગ્સના સોર્સ અંગે મોટો ખુલાસો થયો છે. પકડાયેલા યુવકે કબૂલાત કરી છે કે, તે આ નશાનો જથ્થો કાલુપુર રેલ્વે સ્ટેશન પાસે આવતા એક અજાણ્યા શખ્સ પાસેથી ખરીદીને લાવતો હતો. પોતે નશો કરવા માટે અને આસપાસના અન્ય બંધાણીઓને ઊંચા ભાવે છૂટક વેચાણ કરીને કમાણી કરવાના ઈરાદે તે આ માલ લાવ્યો હોવાનું બહાર આવ્યું છે.</p><h3 style="text-align: justify; ">રખિયાલ પોલીસે મુખ્ય સપ્લાયરની શોધખોળ શરૂ કરી</h3><p style="text-align: justify; ">રખિયાલ પોલીસે એનડીપીએસ (NDPS) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને ડ્રગ્સ સાથે પકડાયેલા આ આરોપીની વિધિવત ધરપકડ કરી લીધી છે. આ ગુનામાં કાલુપુર રેલ્વે સ્ટેશન વિસ્તારમાંથી ડ્રગ્સની ડિલિવરી આપનાર મુખ્ય સપ્લાયર હાલ પોલીસ પકડથી દૂર હોવાથી તેને ફરાર જાહેર કરવામાં આવ્યો છે. રખિયાલ પોલીસ અને સ્થાનિક ડિટેક્શન સ્ટાફ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને કાલુપુર રેલ્વે સ્ટેશન આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તે અજાણ્યા સપ્લાયરને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/pc2OuCahmPvukkGCC2zQUKYicGwYn0QX1hd61dGn.webp'/></item><item><title><![CDATA[Rajkot News: લોકાર્પણ પહેલાં રાજકોટનો સાંઢિયા બ્રિજ બન્યો 'હેપી સ્ટ્રીટ' ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/rajkot/sandhiya-bridge-happy-street-event-before-inauguration-rmc</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/rajkot/sandhiya-bridge-happy-street-event-before-inauguration-rmc</guid><pubDate>Fri, 12 Jun 2026 23:14:18 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટવાસીઓ માટે બહુપ્રતીક્ષિત એવો 74 કરોડનો નવો સાંઢિયા પુલ ટૂંક સમયમાં વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાવા જઈ રહ્યો છે. સાંઢિયા પુલના સત્તાવાર લોકાર્પણ પહેલાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ નવનિર્મિત બ્રિજ પર એક અનોખા અને ભવ્ય 'હેપી સ્ટ્રીટ' નું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રિજ શરૂ થાય તે પહેલાં જ તેની ભવ્યતા અને રંગબેરંગી લાઈટોનો નજારો માણવા માટે હજારોની સંખ્યામાં રાજકોટના શહેરીજનો બ્રિજ પર ઉમટી પડ્યા હતા.</p><h2><b>બ્રિજ ઉત્સવના માહોલમાં ફેરવાયો</b></h2><p>આ હેપી સ્ટ્રીટ દરમિયાન આખો બ્રિજ ઉત્સવના માહોલમાં ફેરવાઈ ગયો હતો. નાના ભૂલકાઓથી લઈને મોટેરાઓએ બ્રિજ પર મુક્તમનથી આનંદ માણ્યો હતો. નાના બાળકો માટે વિવિધ પ્રકારની ઇન્ડોર-આઉટડોર ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રમીને બાળકો ઝૂમી ઉઠ્યા હતા. આ સાથે જ રંગબેરંગી લાઈટોથી ઝગમગતા સાંઢિયા પુલ પર લોકોએ મનભરીને ફોટોગ્રાફી અને સેલ્ફી સેશનનો આનંદ માણ્યો હતો.</p><h2><b>સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ</b></h2><p>લાંબા સમયથી ચાલતા અનેક વિવાદો, વિલંબ અને મુદતો બાદ આખરે આ પુલ તૈયાર થઈને શરૂ થવા જઈ રહ્યો છે, જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે હાશકારો અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ આધુનિક બ્રિજ શરૂ થતાંની સાથે જ રાજકોટથી જામનગર તરફ આવતા-જતા લાખો વાહનચાલકોને વર્ષો જૂની ટ્રાફિકની માથાના દુખાવા સમાન સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે. વાહનોની અવરજવર શરૂ થાય તે પહેલાં મનપાની આ 'હેપી સ્ટ્રીટ'ની પહેલે પ્રજાના ચહેરા પર ખુશી લાવી દીધી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/india/news/gujarat/ahmedabad/13-june-top-news-pm-modi-visit-india-afghanistan-odi-weather-alert-history" target="_blank">વાંચો 13 જૂનના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/4xu5IzQHBaqjTNSR7BvVXphMwclBkMhDkIkkSUFe.webp'/></item><item><title><![CDATA[India Gold: જો વિદેશી બેંકો સ્વદેશી સોનું પરત નહીં કરે તો ભારત ક્યાં કરી શકે છે ફરિયાદ?, જાણો ]]></title><link>https://sandesh.com/knowledge/news/india/india-gold-if-foreign-banks-do-not-return-indigenous-gold-where-can-india-complain-know</link><guid isPermaLink="true">https://sandesh.com/knowledge/news/india/india-gold-if-foreign-banks-do-not-return-indigenous-gold-where-can-india-complain-know</guid><pubDate>Fri, 12 Jun 2026 21:07:41 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ઘણા દેશો સુરક્ષા, પ્રવાહિતા અને આંતરરાષ્ટ્રીય નાણાકીય કામગીરી માટે તેમના સોનાના ભંડારનો એક ભાગ વિદેશી કેન્દ્રીય બેંકો પાસે રાખે છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">ભારતનું સોનું વિદેશમાં કેમ છે?</h2><p style="text-align: justify; ">કેન્દ્રીય બેંકો ઘણીવાર વૈશ્વિક નાણાકીય વ્યવહારોને સરળ બનાવવા અને સુરક્ષિત સંગ્રહ સુનિશ્ચિત કરવા માટે વિશ્વસનીય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસે સોનું રાખે છે. ભારતે સાર્વભૌમ કરારો હેઠળ તેના અનામતનો એક ભાગ વિદેશી સંસ્થાઓ પાસે રાખ્યો છે, જે માલિકી અને કસ્ટડીના અધિકારોને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરે છે.</p><h3 style="text-align: justify; ">ભારત ક્યાં ફરિયાદ કરી શકે છે?</h3><p style="text-align: justify; ">જો કોઈ વિદેશી કેન્દ્રીય બેંક અથવા નાણાકીય સંસ્થા ભારતનું સોનું પરત કરવાનો ઇનકાર કરે છે, તો દેશ પાસે ઘણા કાનૂની અને રાજદ્વારી વિકલ્પો છે.</p><p style="text-align: justify; "><b>1. આંતરરાષ્ટ્રીય સમાધાન માટે બેંકઃ- </b>સ્વિટ્ઝર્લૅન્ડમાં મુખ્ય મથક ધરાવતી બેંક, કેન્દ્રીય બેંકો વચ્ચે સહકાર માટે એક મહત્વપૂર્ણ મંચ તરીકે સેવા આપે છે. ભારત તેના સંલગ્ન માળખા દ્વારા વિવાદ નિરાકરણનો લાભ લઈ શકે છે.</p><p style="text-align: justify; "><b>2. સંબંધિત દેશની કોર્ટઃ- </b>આરબીઆઈ સીધા તે દેશની કોર્ટનો સંપર્ક કરી શકે છે જ્યાં સોનું રાખવામાં આવ્યું છે. સાર્વભૌમ મિલકત અને કસ્ટડી કરારો સંબંધિત વિવાદો સંબંધિત અધિકારક્ષેત્રની વાણિજ્યિક અદાલતમાં સાંભળી શકાય છે.</p><p style="text-align: justify; "><b>3. આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતઃ- </b>જો વિવાદ દેશો વચ્ચે મોટા સંઘર્ષમાં ફેરવાઈ જાય, તો ભારત આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત સમક્ષ આ મામલો ઉઠાવી શકે છે.</p><h4 style="text-align: justify; ">સોનું પરત કરવાનો ઇનકાર કરવાના પરિણામો&nbsp;</h4><p style="text-align: justify; ">સોનાના ભંડાર પરત ન કરવાથી દ્વિપક્ષીય વિવાદ કરતાં વધુ ગંભીર પરિણામો આવી શકે છે. આવા પગલાથી વૈશ્વિક નાણાકીય વ્યવસ્થામાં વિશ્વાસ ઓછો થશે અને વિદેશમાં સંપત્તિ ધરાવતા દેશોમાં ચિંતાઓ વધશે. સંબંધિત બેંક અને દેશની વિશ્વસનીયતાને ભારે નુકસાન થઈ શકે છે. વિશ્વાસ એ આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થાનો પાયો છે. વધુમાં, સાર્વભૌમ સંપત્તિ રોકી રાખવાથી તે સંસ્થામાં વૈશ્વિક વિશ્વાસ નોંધપાત્ર રીતે ઓછો થઈ શકે છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ&nbsp; <a href="https://sandesh.com/world/news/trump-on-oman-ship-attack-as-india-summons-us-ambassador-donald-trump-makes-statement-accuses-iran" target="_blank">ભારતે અમેરિકી રાજદૂતને તલબ કરતા જ ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપતા ઇરાન પર લગાવ્યા આરોપ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/ojWKBDpuIUiYH6ccCHg1grveALi86knBl3iJLGMp.webp'/></item><item><title><![CDATA[Odisha સરકારનો સૌથી મોટો નિર્ણય, સરકારી સ્કૂલ-કોલેજોમાં KGથી લઈને PG સુધીનું ભણતર હવે તદ્દન મફત! ]]></title><link>https://sandesh.com/india/news/the-biggest-decision-of-the-odisha-government-education-from-kg-to-pg-in-government-schools-and-colleges-is-now-completely-free</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/the-biggest-decision-of-the-odisha-government-education-from-kg-to-pg-in-government-schools-and-colleges-is-now-completely-free</guid><pubDate>Fri, 12 Jun 2026 20:15:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ નિર્ણયથી રાજ્યના તમામ વિદ્યાર્થીઓને ફાયદો થશે અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ પણ વધશે.&nbsp;</p><h2 style="text-align: justify; ">પછાત બાળકોને ફાયદો થશેઃ ઓડિશા સીએમ&nbsp;</h2><p style="text-align: justify; ">ઓડિશાના મુખ્યમંત્રીએ રાજ્યમાં ભાજપ સરકારના બે વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે એક પત્રકાર પરિષદ યોજી, મફત શિક્ષણ અંગે આ મોટી જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે આ નિર્ણયથી રાજ્યના તમામ વિદ્યાર્થીઓ, ખાસ કરીને છોકરીઓ અને આર્થિક રીતે પછાત પરિવારોના બાળકોને ફાયદો થશે જે શાળામાં જઈ શકતા નથી.</p><h3 style="text-align: justify; ">યુવાનોના ભવિષ્યને મજબૂત મળશેઃ ઓડિશા સીએમ&nbsp;</h3><p style="text-align: justify; ">મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સરકાર દ્વારા આ નિર્ણય શિક્ષણને સંપૂર્ણપણે મફત અને બધા માટે સુલભ બનાવવા માટે લેવામાં આવ્યો છે. દેશભરમાં શિક્ષણ ક્ષેત્રે આવો નિર્ણય ભાગ્યે જ લેવામાં આવ્યો છે. તેમણે વધુમાં સમજાવ્યું કે તેની ભવિષ્ય પર નોંધપાત્ર અસર પડશે. મફત શિક્ષણ રાજ્યના યુવાનોના ભવિષ્યને મજબૂત બનાવશે અને વિકાસમાં ફાળો આપશે.</p><h4 style="text-align: justify; ">શાળા અને કોલેજ શિક્ષણ મફત&nbsp;</h4><p style="text-align: justify; ">ઓડિશા ઉપરાંત, કેરળમાં પણ શાળા અને કોલેજ શિક્ષણ મફત કરવામાં આવ્યું છે. રાજ્યના શિક્ષણ મંત્રીએ તાજેતરમાં બજેટ સત્ર દરમિયાન આ પ્રસ્તાવ મૂક્યો હતો, જેમાં શાળાથી કોલેજ સુધી મફત શિક્ષણની માંગણી કરવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે સરકારી સંસ્થાઓમાં ગ્રેજ્યુએશન સુધીનું શિક્ષણ મફત આપવામાં આવશે, જેનાથી ગરીબ બાળકો પણ સારું શિક્ષણ મેળવી શકશે.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/iran-elon-musk-warning-elon-musk-warns-iran-says-starlink-and-spacex-may-be-attacked" target="_blank">એલોન મસ્કને ઇરાનની ચેતવણી, કહ્યુ સ્ટારલિંક અને સ્પેસએક્સ પર થઈ શકે છે હુમલો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/Mjra54KyotAcL4Y0zUzf9R6q8mCTVwHIuy59fusa.webp'/></item><item><title><![CDATA[SpaceX નો IPO 4400 કર્મચારીઓને બનાવશે કરોડપતિ, આ રીતે તૂટશે રેકોર્ડ ]]></title><link>https://sandesh.com/business/news/spacexs-ipo-will-make-4400-employees-millionaires-this-is-how-the-record-will-be-broken</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/spacexs-ipo-will-make-4400-employees-millionaires-this-is-how-the-record-will-be-broken</guid><pubDate>Fri, 12 Jun 2026 19:40:38 +05:30</pubDate><description><![CDATA[<p>દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલાન મસ્કે કંપની સ્પેસએક્સ તેનો આઈપીઓ લોન્ચ કરી રહી છે.આ વિશ્વનો સૌથી મોટો આઈપીઓ હશે અને હજારો લોકોનું નસીબ બદલી શકે છે.મીડિયા રિપોર્ટ અનુસાર લોન્ચ થતાં જ 4,400 વર્તમાન અને ભૂતપૂર્વ સ્પેસએક્સ કર્મચારીઓ રાતોરાત કરોડપતિ બની જશે.આની સાથે જ મસ્ક દુનિયાના પ્રથમ ટ્રિલેનિયર બની ગયા છે.</p><h4><b>$1.77 ટ્રિલિયનનું મૂલ્યાંકન</b></h4><p>SpaceXનો IPO $135 પ્રતિ શેરના ભાવે આવી રહ્યો છે.આ ભાવે,કંપનીનું કુલ મૂલ્યાંકન $1.77 ટ્રિલિયન સુધી પહોંચશે. નોંધનીય છે કે ગયા વર્ષે કંપનીનું મૂલ્ય $800 બિલિયન હતું.જોકે, ફેબ્રુઆરીમાં મસ્કની AI કંપની xAI સાથે મર્જ થયા પછી, તેનું મૂલ્યાંકન ખૂબ જ ઝડપથી વધ્યું. કંપની આ IPO દ્વારા $75 બિલિયન એકત્ર કરવાનું લક્ષ્ય રાખે છે. આ ઇતિહાસમાં સૌથી મોટું શેરબજાર ડેબ્યૂ હોઈ શકે છે.</p><h4><b>શું કર્મચારીઓ પર પૈસાનો વરસાદ થશે?</b></h4><p>IPO દ્વારા ફક્ત માલિકો અથવા ટોચના અધિકારીઓને જ ફાયદો થાય તે સામાન્ય છે. જોકે, SpaceXની વાર્તા અલગ છે. કંપનીએ તેના કર્મચારીઓને પગાર કરતાં વધુ ઇક્વિટી આપી છે. Hill.comના CEO એન્ડ્રુ બેન્સનના મતે,IPO માં 400 થી વધુ લોકો માટે $100 મિલિયનની સંપત્તિ હોવી ખૂબ જ દુર્લભ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કંપનીના કર્મચારી ટ્રેવર હેયસ 2011 માં જોડાયા હતા જ્યારે SpaceX એક નાની કંપની હતી. કંપની તરફથી તેમને વળતર તરીકે 100,000 થી વધુ શેર મળ્યા. IPO પછી આ શેર હવે ઓછામાં ઓછા $13.5 મિલિયનના મૂલ્યના થવાની ધારણા છે.</p><p><a href="https://x.com/ani_digital/status/2065440755548827760?s=20" target="_blank">https://x.com/ani_digital/status/2065440755548827760?s=20</a></p><p><br></p><h5><b>મસ્ક SpaceX ના હિસ્સાના આશરે 42% ભાગીદારી&nbsp; ધરાવે છે</b></h5><p>આ IPO ફક્ત કર્મચારીઓને જ નહીં પરંતુ એલોન મસ્કને પણ એવી સ્થિતિમાં પહોંચાડી શકે છે જે કોઈ અન્ય ઉદ્યોગપતિએ ક્યારેય પ્રાપ્ત કર્યું નથી. મસ્ક SpaceX ના હિસ્સાના આશરે 42% હિસ્સો ધરાવે છે. આનો અર્થ એ થયો કે $1.77 ટ્રિલિયનના મૂલ્યાંકન પર, મસ્કના શેર $740 બિલિયનના મૂલ્યના થશે. ટેસ્લા અને X જેવી અન્ય કંપનીઓના મૂલ્યાંકનને ઉમેરીને, મસ્ક વિશ્વના પ્રથમ ટ્રિલિયનેર બની શકે છે.</p><h4><b>સામાન્ય રોકાણકારો માટે એક શાનદાર તક</b></h4><p>SpaceXના IPOની વિશિષ્ટ વિશેષતા એ છે કે 30% સુધીના શેર છૂટક રોકાણકારો માટે અનામત છે. વધુમાં,ફક્ત $2,000 ના એકાઉન્ટ બેલેન્સ ધરાવતા નાના રોકાણકારો પણ ફિડેલિટી દ્વારા આ વિશાળ IPO માં હિસ્સો બનાવી શકે છે.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/world/news/business/how-much-did-iran-earn-from-the-strait-of-hormuz-if-this-route-reopens-how-will-it-collect-toll-tax-know" target="_blank">ઇરાને Hormuz Straitમાંથી કેટલી કરી કમાણી, આ માર્ગ ફરી ખુલશે તો તે કેવી રીતે વસૂલશે ટોલ ટેક્સ?, જાણો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/q09QWqtJcchS0YFJWLtOsdHvBAdaY3ZNRz8uUrtq.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026 : 96 વર્ષ બાદ વર્લ્ડ કપમાં આ ટીમ સાથે ટકરાશે USA, જાણો કેમ ખાસ? ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-usa-will-face-this-team-in-the-world-cup-after-96-years-know-why-it-is-special</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-usa-will-face-this-team-in-the-world-cup-after-96-years-know-why-it-is-special</guid><pubDate>Fri, 12 Jun 2026 18:36:23 +05:30</pubDate><description><![CDATA[<p>ફિફા વર્લ્ડ કપ 2026 ની શરૂઆત શાનદાર રીતે થઈ છે. શાનદાર ઉદ્ઘાટન સમારોહ અને રોમાંચક પ્રથમ દિવસની મેચો પછી, વિશ્વભરના ફૂટબોલ ચાહકો હવે ટુર્નામેન્ટના બીજા દિવસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. બે સહ-યજમાન દેશો, કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સ, જ્યારે કેનેડા બોસ્નિયા અને હર્ઝેગોવિનાનો સામનો કરશે, ત્યારે યુએસએ દિવસની બીજી મોટી મેચમાં દક્ષિણ અમેરિકન ખંડની મજબૂત ટીમ પેરાગ્વેનો સામનો કરશે.</p><h3><b>96 વર્ષ પછી વર્લ્ડ કપમાં રમશે&nbsp;</b></h3><p>યુએસએ અને પેરાગ્વે વચ્ચેની આ મેચ માત્ર એક મેચ નથી, પરંતુ ફૂટબોલ ઇતિહાસમાં એક વળાંક છે, કારણ કે 96 વર્ષની લાંબી રાહ જોયા પછી બંને ટીમો વર્લ્ડ કપ સ્ટેજ પર એકબીજાનો સામનો કરશે. આ ઐતિહાસિક મેચ લોસ એન્જલસ સ્ટેડિયમમાં રમાશે. વર્લ્ડ કપના ઇતિહાસ પર નજર કરીએ તો, બંને ટીમો છેલ્લી વખત 1930 માં પ્રથમ વર્લ્ડ કપમાં મળી હતી. તે મેચ ફિફા ઇતિહાસમાં ખૂબ જ ખાસ માનવામાં આવે છે. 1930ની તે મેચમાં અમેરિકાએ પેરાગ્વેને 3-૦થી હરાવ્યું. તે જ મેચમાં, અમેરિકાના બર્ટ પેટેનાઉડે વર્લ્ડ કપ ફૂટબોલમાં હેટ્રિક ફટકારનાર પ્રથમ ખેલાડી બનીને ઇતિહાસ રચ્યો. લોસ એન્જલસમાં યોજાનારી આ બ્લોકબસ્ટર મેચ&nbsp; 6:૦૦ વાગ્યે શરૂ થશે. ભારતીય ચાહકો 13 જૂને સવારે 6:30 વાગ્યે શરૂ થતી મેચનો આનંદ માણી શકશે. આ ઐતિહાસિક મુકાબલો 9 વર્ષ પછી થઈ રહ્યો છે.</p><h5><b>હેડ-ટુ-હેડ રેકોર્ડમાં યુએસએ આગળ</b></h5><p>જો આપણે બંને દેશો વચ્ચે રમાયેલી કુલ આંતરરાષ્ટ્રીય મેચોની સંખ્યાને ધ્યાનમાં લઈએ, તો યુએસ ટીમ પેરાગ્વે પર ટોચ પર છે. બંને ટીમો વચ્ચે કુલ 9 મેચ રમાઈ છે, જેમાંથી યુએસએ 5જીતી છે. પેરાગ્વેએ 2 જીતી છે. વધુમાં 2 મેચ ડ્રો રહી છે. આંકડા યુનાઇટેડ સ્ટેટ્સની તરફેણમાં હોવા છતાં, પેરાગ્વેને હળવાશથી લઈ શકાય નહીં. પેરાગ્વે, જેણે તેમના વર્લ્ડ કપ ક્વોલિફિકેશન દરમિયાન ક્વોલિફાયરમાં આર્જેન્ટિના અને બ્રાઝિલ જેવી વિશ્વની કેટલીક સૌથી શક્તિશાળી ટીમોને હરાવી હતી, તેણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ યજમાન રાષ્ટ્રને કઠિન લડાઈ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-ticket-prices-skyrocket-thousands-of-seats-remain-empty-in-the-opening-match" target="_blank">Fifa World Cup 2026: ટિકિટના ભાવ આસમાને, ઓપનિંગ મેચમાં હજારો સીટ રહી ખાલી</a></p><p><br></p><p><br></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/oF95bvmYYBQpn25ms5FiVTNsXY68FuN2zS43v3l7.webp'/></item><item><title><![CDATA[Bollywood Friendship : એક ફિલ્મ અને સલમાન ખાન... તૂટી ગઈ હતી રાની-ઐશ્વર્યાની વર્ષો જૂની દોસ્તી! ]]></title><link>https://sandesh.com/entertainment/news/shah-rukh-khan-movie-chalte-chalet-ruined-rany-mukerji-aishwarya-rai-friendship</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/shah-rukh-khan-movie-chalte-chalet-ruined-rany-mukerji-aishwarya-rai-friendship</guid><pubDate>Fri, 12 Jun 2026 17:42:48 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડના બેસ્ટ ફ્રેન્ડ્સની વાત આવે છે, ત્યારે રાની મુખર્જી અને ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ આવવું સ્વાભાવિક છે, પરંતુ વર્ષ 2003 પછીથી આ બંનેના સંબંધો બદલાઈ ગયા હતા અને તેનું કારણ એક ફિલ્મ હતી. 
</p><h2 style="text-align: justify; "><b>ફિલ્મ ચલતે ચલતે
</b></h2><p style="text-align: justify; ">ફિલ્મ ચલતે ચલતે એ બંને હસીનાઓના દોસ્તીના સંબંધોને બદલી નાખ્યા હતા. ફિલ્મ સાથે જોડાયેલા એક નિર્ણયો બંનેને અલગ કરી દીધા. આજે વર્ષો પછી પણ આ વિવાદ ખતમ થયો નથી.
</p><h2 style="text-align: justify; "><b>ઐશ્વર્યા રાય લીડ રોલમાં હતી
</b></h2><p style="text-align: justify; ">આ ફિલ્મમાં શાહરૂખ ખાન લીડ રોલમાં હતો. પહેલા ફિલ્મમાં ઐશ્વર્યા રાય લીડ રોલ ભજવવાની હતી અને શૂટિંગ પણ શરૂ થઈ ચૂક્યું હતું, પરંતુ પછી કંઈક એવું થયું કે ઐશ્વર્યાએ ફિલ્મમાંથી બહાર થવું પડ્યું અને તેમની જગ્યાએ રાનીને સાઇન કરવામાં આવી હતી.
</p><h3 style="text-align: justify; "><b>ઐશ્વર્યા અને સલમાન ખાન
</b></h3><p style="text-align: justify; ">ફિલ્મ ચલતે ચલતે શાહરૂખ ખાનની પ્રોડક્શન કંપની ડ્રીમ્ઝ અનલિમિટેડની મહત્વની ફિલ્મોમાંથી એક માનવામાં આવે છે અને આ એ સમય હતો, જ્યારે ઐશ્વર્યા અને સલમાન ખાનના સંબંધોને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો હતો.
</p><h4 style="text-align: justify; "><b>ઐશ્વર્યાને ફિલ્મમાંથી હટાવી
</b></h4><p style="text-align: justify; ">બોલીવુડના પ્રખ્યાત કિસ્સાઓ અનુસાર, સલમાન કેટલીય વાર ફિલ્મના સેટ પર પહોંચી જતો હતો, જેનાથી શૂટિંગ પ્રભાવિત થતું હતું. સતત વધતા વિવાદ અને પ્રોડક્શન પર પડી રહેલી અસરને જોતા મેકર્સે ઐશ્વર્યાને ફિલ્મમાંથી હટાવી દીધી અને તેમની જગ્યાએ બીજી એક્ટ્રેસને સાઇન કરી લીધી, જે રાની હતી.
</p><h4 style="text-align: justify; "><b>રાનીનો સંપર્ક કર્યો
</b></h4><p style="text-align: justify; ">ફિલ્મ માટે રાનીનો સંપર્ક કરવામાં આવ્યો, પરંતુ તેણે આના માટે ના પાડી દીધી હતી. આ પછી એવું કહેવાય છે કે આ રોલ કાજોલ અને અમીષા પાસે પણ ગયો હતો, પરંતુ કોઈએ આના માટે હા પાડી નહીં અને આખરે રાનીએ ફિલ્મ સાઇન કરી લીધી.
</p><h5 style="text-align: justify; "><b>ઐશ્વર્યાએ નારાજગી વ્યક્ત કરી
</b></h5><p style="text-align: justify; ">રાનીએ ભલે ફિલ્મ સાઇન કરી લીધી હતી, પરંતુ ઐશ્વર્યા આ વાતથી ખૂબ જ નારાજ હતી કે તેની ખાસ મિત્રે તે જ ફિલ્મ સ્વીકારી લીધી, જેમાંથી તેને હટાવવામાં આવી હતી. આ પછી બંને અભિનેત્રીઓના સંબંધોમાં ખટાશ આવવા લાગી અને બંને પહેલાની જેમ ક્યારેય નજીક ન આવી શક્યા.
</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/pardesi-pardesi-jana-nahi-30-year-old-bollywood-sad-song" target="_blank">આ પણ વાંચો-Breakup Song : સમય બદલાયો, યુગ બદલાયો...પણ આજેય તૂટેલા દિલની દવા છે આ 30 વર્ષ જૂનું ગીત!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/CVzj0rOkwJTxyYIdtR4Mngqmg5XaEwl2Lm9XGPSB.webp'/></item></channel></rss>