<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Amreli News: રાજુલા નજીક નેશનલ હાઈવે પર રખડતા પશુ સાથે બાઇક અથડાતા 25 વર્ષીય યુવાનનું કમકમાટીભર્યું મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/amreli-news-a-25-year-old-youth-died-in-a-horrific-accident-after-his-bike-collided-with-a-stray-animal-on-the-national-highway-near-rajula</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/amreli-news-a-25-year-old-youth-died-in-a-horrific-accident-after-his-bike-collided-with-a-stray-animal-on-the-national-highway-near-rajula</guid><pubDate>Thu, 25 Jun 2026 23:43:28 +05:30</pubDate><description><![CDATA[<p>અમરેલી જિલ્લાના રાજુલા-ઉના રોડ પરથી પસાર થતા ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર એક અત્યંત કરુણ અને ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. હાઈવે પર અચાનક આડી ઉતરેલી ગાય સાથે એક બાઇક ધડાકાભેર અથડાયું હતું. બાઇક અને ગાય વચ્ચેની આ ટક્કર એટલી ભયાનક હતી કે બાઇક પર સવાર બંને યુવાનો રોડ પર જોરથી ફંગોળાયા હતા. આ દુર્ઘટનાને પગલે હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.</p><h2>એક ઈજાગ્રસ્ત યુવાન હોસ્પિટલમાં સારવાર હેઠળ</h2><p>આ ગોઝારા અકસ્માતમાં બાઇક સવાર એક યુવાનને માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં જીવલેણ ઇજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે તેની સાથે સવાર અન્ય એક યુવાન અતિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની જાણ થતાં જ હાઇવે પેટ્રોલિંગની 112ની ટીમ અને 108 એમ્બ્યુલન્સની વાન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પેરામેડિકલ સ્ટાફે ગંભીર રીતે ઘવાયેલા યુવાનને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે રાજુલાની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં હાલ તેની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.</p><h3>મૃતક અને ઇજાગ્રસ્ત બંને રાજુલાના રહેવાસી હોવાનો ખુલાસો</h3><p>ઘટનાની વિગત મળતા જ સ્થાનિક પોલીસે હોસ્પિટલ અને અકસ્માત સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક અને ઇજાગ્રસ્ત બંને યુવાનો રાજુલા શહેરના જ રહેવાસી હતા. અકસ્માતમાં કાળનો કોળિયો બનેલા ૨૫ વર્ષીય મૃતક યુવાનનું નામ રામભાઈ દિલુભાઈ સોલંકી છે. જ્યારે 30 વર્ષીય કરનભાઈ હકુભાઈ સોલંકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. પોલીસે મૃતક રામભાઈના શવને કબજે કરીને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ મોકલી આપ્યો છે.&nbsp;</p><p><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/ZbWjEo6biaksez8BEGsHG86Fxp5ujohZpWoG3rGK.webp'/></item><item><title><![CDATA[Vav-Tharadમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પર તંત્રનો હથોડો, રામપુરાના મહિલા સરપંચને હોદ્દા પરથી કરાયા સસ્પેન્ડ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/vav-tharad/the-administrations-hammer-on-local-self-government-institutions-in-vav-tharad-the-female-sarpanch-of-rampura-was-suspended-from-her-post</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/vav-tharad/the-administrations-hammer-on-local-self-government-institutions-in-vav-tharad-the-female-sarpanch-of-rampura-was-suspended-from-her-post</guid><pubDate>Thu, 25 Jun 2026 23:18:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વાવ-થરાદ પંથકમાંથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ગેરરીતિ આચરતા પ્રતિનિધિઓ સામે તંત્ર દ્વારા લાલઆંખ કરવામાં આવી છે. થરાદ તાલુકાના રામપુરા ગ્રામ પંચાયતના મહિલા સરપંચને તાત્કાલિક અસરથી તેમના હોદ્દા પરથી દૂર કરવાનો એક મોટો અને કડક આદેશ જિલ્લા પંચાયત દ્વારા આપવામાં આવ્યો છે. સરપંચ સામે લાંબા સમયથી ચાલી રહેલી તપાસના અંતે જિલ્લા વિકાસ અધિકારી (DDO) કલ્પેશ કુમાર શર્મા દ્વારા આ આકરો નિર્ણય લેવામાં આવ્યો છે, જેને પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.</p><h2 style="text-align: justify; ">સત્તાનો દુરુપયોગ અને તંત્રને ગેરમાર્ગે દોરવાનો આરોપ સાબિત</h2><p style="text-align: justify; ">રામપુરા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સીતાબેન ભાવપૂરી ગૌસ્વામી સામે પોતાની ફરજોમાં બેદરકારી રાખવા, કસુરવાર સાબિત થવા, ગેરવર્તણુક કરવા તેમજ સત્તાનો દુરુપયોગ કરવા અંગેની ગંભીર ફરિયાદો ઉઠી હતી. ખાસ કરીને ગામના ગૌચરની કિંમતી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં તેઓ સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા હતા. આટલું જ નહીં, ગૌચરના દબાણ મામલે ઉચ્ચ વહીવટી તંત્રને ખોટી માહિતી આપીને ગેરમાર્ગે દોરવાનો પણ તેમની સામે આક્ષેપ હતો. તપાસ સમિતિના અહેવાલમાં આ તમામ આરોપો સાબિત થતાં આખરે તેમને પદભ્રષ્ટ કરવામાં આવ્યા છે.</p><h3 style="text-align: justify; ">30 દિવસમાં ગાંધીનગર ખાતે અપીલ કરવાની તક</h3><p style="text-align: justify; ">જિલ્લા વિકાસ અધિકારીના આ આદેશ બાદ રામપુરા ગ્રામ પંચાયતમાં સરપંચ પદ પરથી સીતાબેન ગૌસ્વામીની સત્તાનો અંત આવ્યો છે. જો કે, કાયદાકીય જોગવાઈઓ અનુસાર, જો પૂર્વ સરપંચ આ નિર્ણયથી સંતુષ્ટ ન હોય, તો તેઓ આ હુકમની સામે આગામી 30 દિવસની અંદર અધિક વિકાસ કમિશનર, ગાંધીનગરની કચેરી ખાતે પોતાની અપીલ દાખલ કરી શકશે. સરકારી જમીનો અને ગૌચરની સુરક્ષા બાબતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા આ કડક પગલાંથી અન્ય ગ્રામ પંચાયતોના સરપંચો અને સભ્યોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/4nSrlpOc7TTxpXOMp4VOWhYBD6y5WL47HGdHllPu.webp'/></item><item><title><![CDATA[Kachchh News: જિલ્લામાંથી પહેલીવાર ઘાસનો જથ્થો બનાસકાંઠા મોકલાયો, બન્નીમાં 1100 હેક્ટરમાં વાવેતર થશે ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhuj/grass-fodder-sent-to-banaskantha-for-first-time</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhuj/grass-fodder-sent-to-banaskantha-for-first-time</guid><pubDate>Thu, 25 Jun 2026 23:08:24 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કચ્છમાં ખાસ કરીને માનવધન કરતાં પશુધનની સંખ્યા વધુ છે, ત્યારે સ્વાભાવિકપણે જ જ્યારે જ્યારે જિલ્લામાં અછતની સ્થિતિ સર્જાય છે, ત્યારે અબોલ પશુઓને પૂરતા પ્રમાણમાં ઘાસચારો મળી રહે તે માટે વહીવટી તંત્રને હંમેશાં કચ્છ બહારથી ઘાસ મંગાવવાની ફરજ પડતી હોય છે. ત્યારે આવી સ્થિતિમાં બહારના જિલ્લાઓમાંથી ઘાસ મંગાવવું ન પડે તે માટે વન વિભાગ દ્વારા ઘાસના વાવેતર ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે, પરિણામે ગત વર્ષે વિપુલ પ્રમાણમાં ઘાસ ઉગતાં કચ્છમાંથી પહેલીવાર બહારના જિલ્લા બનાસકાંઠામાં ઘાસ મોકલવામાં વિભાગને સફળતા મળી હતી.</p><h2 style="text-align: justify; "><b>ગોડાઉનની કેપેસિટી 28થી 29 લાખ કિલો ઘાસ સંગ્રહ કરવાની</b></h2><p style="text-align: justify; ">આ બાબતે વધુ માહિતી આપતાં બન્ની ગ્રાસલેન્ડ વિભાગનાં અધિકારી એન.વી.ચૌધરીએ જણાવ્યું હતું કે,આ વિભાગ દ્વારા ખાસ કરીને અછત જેવી સ્થિતિ સમયે પશુઓને ઘાસ મળી રહે તે માટે દર વર્ષે 1100 જેટલા હેક્ટરમાં ઘાસનું વાવેતર કરવામાં આવે છે.એટલું જ નહીં આ ઘાસ તૈયાર થઇ જાય ત્યારબાદ તેનો વ્યવસ્થિત સંગ્રહ કરી શકાય તે માટે 17 જેટલા ગોડાઉનો પણ તૈયાર કરવામાં આવ્યા છે.હાલે આ ગોડાઉનમાં 7 લાખ કિલો જેટલા ઘાસના જથ્થાનો સ્ટોક વન વિભાગ પાસે ઉપલબ્ધ છે.જ્યારે આ ગોડાઉનની કેપેસિટી 28થી 29 લાખ કિલો ઘાસ સંગ્રહ કરવાની છે.</p><h3 style="text-align: justify; "><b>ટાર્ગેટ મુજબ ઘાસનું વાવેતર શરૂ કરવામાં આવશે</b></h3><p style="text-align: justify; ">કચ્છમાં જ્યારે જ્યારે દુષ્કાળની સ્થિતિ ઉદ્ભવે ત્યારે ત્યારે અન્ય જિલ્લાઓમાંથી ઘાસ મંગાવવું પડતુ હતું.થોડા વર્ષો પહેલાં ગાડીની રેક દ્વારા ઘાસનો જથ્થો કચ્છમાં ઠલવાયો હતો. પરંતુ વન વિભાગ દ્વારા ખાસ કરીને બન્ની વિસ્તારમાં ઘાસનું વાવેતર શરૂ કરવામાં આવ્યું અને તેમાં મળેલી સફળતાને પગલે પહેલીવાર કચ્છ જિલ્લામાંથી બહારનાં જિલ્લા બનાસકાંઠામાં ઘાસ મોકલવામાં આવ્યું હતું.વિભાગ પાસે ઉપલબ્ધ 100 હેક્ટર જમીનમાં આગામી દિવસોમાં ટાર્ગેટ મુજબ ઘાસનું વાવેતર શરૂ કરવામાં આવશે.</p><h2 style="text-align: justify; "><b>બંને વિભાગ મળી કુલ 60 લાખ કિલો ઘાસનો જથ્થો ઉપલબ્ધ</b></h2><p style="text-align: justify; ">કચ્છ માટે દુષ્કાળ એ કોઇ નવી બાબત નથી.પહેલાનાં સમયમાં તો પાંચ કે સાત સાત વર્ષ દુષ્કાળની સ્થિતિ લોકો જોઇ ચૂક્યા છે.ત્યારે આવી પરિસ્થિતિમાં બહારથી ઘાસચારો મંગાવવો પડતો હોય છે અને તેમાં સમય પણ ઘણો નીકળી જતો હોય છે.જેને ધ્યાને લઇને વન વિભાગ દ્વારા સ્થાનિકે જ ઘાસ ઉગાડવાની શરૂઆત કરવાની સાથે સાથે તેના સંગ્રહ માટે ગોડાઉનો પણ બનાવવામાં આવ્યા પરિણામે આજે વન વિભાગ પાસે માત્ર બન્ની વિસ્તારમાં જ 7 લાખ કિલો જેટલો ઘાસનો જથ્થો સંગ્રહ થયેલો છે. જ્યારે પૂર્વ અને પિૃમ વિન વિભાગ મળીને આ જથ્થો હાલે 60 લાખ કિલો જેટલો હોવાનું જાણવા મળી રહ્યું છે.<br><br>આ પણ વાંચોઃ&nbsp;</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/akmdEIGZWMzW4It2JemMoJo0ZCjyRF4aQNO3BGPG.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: સિંધુ ભવન રોડ પાર્કિંગનો નિર્ણય પેન્ડિંગ, અધિકારીઓએ સ્ટેન્ડિંગ કમિટીને વિગતો જ ના આપી ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/sindhu-bhavan-road-parking-sale-proposal-put-on-hold-again</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/sindhu-bhavan-road-parking-sale-proposal-put-on-hold-again</guid><pubDate>Thu, 25 Jun 2026 22:55:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના પોશ ગણાતા સિંધુ ભવન રોડ પર આવેલા પાર્કિંગના વેચાણ અંગેનો મામલો ફરી એકવાર પેન્ડિંગ રહ્યો છે.મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ મિલકતને કાયમી વેચાણ આપવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.પરંતુ જરૂરી વિગતો અને સ્પષ્ટતાના અભાવે કમિટીએ તેને ફરી એકવાર પરત મોકલી દીધી છે.સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોએ દરખાસ્ત અંગે અનેક સવાલો ઉઠાવ્યા હતા. ખાસ કરીને પાર્કિંગ જગ્યા સાથે સંકળાયેલી FSI કેટલી છે અને તેનો કેટલો ઉપયોગ થયો છે. તે અંગે અધિકારીઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા.</p><h2 style="text-align: justify; "><b>અમદાવાદ સિંધુ ભવન રોડ પાર્કિંગ નિર્ણય હજુ નહિ</b></h2><p style="text-align: justify; ">મનપામાં ચૂંટાઈને આવેલા સભ્યોએ એવી આશંકા વ્યક્ત કરી હતી કે જો ભવિષ્યમાં આ બિલ્ડિંગ તોડીને નવું નિર્માણ કરવામાં આવે તો આ પાર્કિંગની જગ્યા પર તેની શું અસર પડશે તે સ્પષ્ટ હોવું જરૂરી છે.અગાઉ આ પાર્કિંગની જવાબદારી મણીધરી ઇન્ફ્રાને સોંપવામાં આવી હતી.જોકે, ટેન્ડરની શરતો મુજબ કામગીરી ન થતાં કોર્પોરેશને કંપનીની ડિપોઝિટ જપ્ત કરી લીધી હતી.ત્યારબાદ જ પાર્કિંગના વેચાણ માટેની આ દરખાસ્ત લાવવામાં આવી હતી.સ્ટેન્ડિંગ કમિટીએ બીજી વખત દરખાસ્ત પરત મોકલીને અધિકારીઓ પાસે તમામ ટેકનિકલ અને કાયદાકીય વિગતોની સ્પષ્ટતા માંગી છે. હાલમાં આ મહત્વના નિર્ણયને મુલતવી રાખવામાં આવ્યો છે. જેના કારણે સિંધુ ભવન રોડનું આ પાર્કિંગ ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.<br><br><a href="https://sandesh.com/india/news/are-passport--aadhaar-and-voter-id-not-proof-of-indian-citizenship" target="_blank">આ પણ વાંચોઃ Sandesh Digital Explainer: શું પાસપોર્ટ, આધાર અને ચૂંટણી કાર્ડ નાગરિક હોવાનો પૂરાવો નથી?</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/AApDEQ6Bgt7sssboCt4dxBvqi8CdA9nFAda3OaEQ.webp'/></item><item><title><![CDATA[Iran માટે ભારતે નવી ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી, બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ ]]></title><link>https://sandesh.com/india/news/world/india-revised-travel-advisory-iran-avoid-non-essential-travel-security-alert</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/world/india-revised-travel-advisory-iran-avoid-non-essential-travel-security-alert</guid><pubDate>Thu, 25 Jun 2026 22:46:00 +05:30</pubDate><description><![CDATA[<p>ઈરાનમાં સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ફરી એકવાર સુધારેલી ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. એક અઠવાડિયામાં આ બીજી વખત છે જ્યારે ભારતે પોતાના નાગરિકો માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. એમ્બેસી ઓફ ઈન્ડિયા ઈન તેહરાને જણાવ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં સુરક્ષા સ્થિતિમાં સુધારાના સકારાત્મક સંકેતો જોવા મળ્યા છે, છતાં પરિસ્થિતિ હજુ સંપૂર્ણપણે સામાન્ય નથી.</p><h2><b>વિશેષ સાવચેતી રાખવા અપીલ&nbsp;</b></h2><p>ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને આગામી સૂચના સુધી ઈરાનની બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે. જોકે જેમના માટે ઈરાન જવું અનિવાર્ય હોય અથવા જે પહેલેથી ત્યાં રહેતા હોય, તેમને વિશેષ સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે. દૂતાવાસે ઈરાનમાં રહેલા ભારતીયોને સ્થાનિક સત્તાધિકારીઓના સૂચનોનું પાલન કરવા અને વિશ્વસનીય સ્ત્રોતો પાસેથી સુરક્ષા સંબંધિત માહિતી મેળવતા રહેવા અપીલ કરી છે.&nbsp;</p><h3><b>અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઘટાડવાના પ્રયાસો&nbsp;</b></h3><p>સાથે જ ઈરાનમાં હાજર અને નવા પહોંચતા તમામ ભારતીય નાગરિકોને દૂતાવાસમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. ઈમરજન્સી માટે હેલ્પલાઈન નંબર અને ઈમેલ સુવિધા પણ જાહેર કરવામાં આવી છે. આ એડવાઈઝરી એવા સમયે બહાર પાડવામાં આવી છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઘટાડવાના પ્રયાસો ચાલી રહ્યા છે. બંને દેશો વચ્ચે તાજેતરમાં કતાર અને પાકિસ્તાન જેવા મધ્યસ્થી દેશોની મદદથી ચર્ચાનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે. બંને પક્ષોએ આગામી 60 દિવસમાં વ્યાપક સમજૂતી તરફ આગળ વધવા માટે માર્ગનકશો તૈયાર કરવા સંમતિ દર્શાવી હોવાનું જણાવાયું છે.</p><p>ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે પરિસ્થિતિમાં સુધારો જોવા મળ્યો હોવા છતાં સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે. પશ્ચિમ એશિયામાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા તણાવને કારણે ભારત સતત પોતાના નાગરિકોની સુરક્ષા પર નજર રાખી રહ્યું છે અને સમયાંતરે જરૂરી માર્ગદર્શન આપી રહ્યું છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/are-passport--aadhaar-and-voter-id-not-proof-of-indian-citizenship" target="_blank">આ પણ વાંચો : Sandesh Digital Explainer: શું પાસપોર્ટ, આધાર અને ચૂંટણી કાર્ડ નાગરિક હોવાનો પૂરાવો નથી?</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/BWjN4MsQNQaBDrZoUm3boWXEHtPKqaajbKmw9v1y.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: મુન્દ્રા ડ્રગ્સ કેસમાં આતંકી કનેક્શનનો ઘટસ્ફોટ, લશ્કર એ તૈયબા સુધી પહોંચતી હતી ડ્રગ્સની રકમ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/terror-funding-link-emerges-in-mundra-drug-seizure-case</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/terror-funding-link-emerges-in-mundra-drug-seizure-case</guid><pubDate>Thu, 25 Jun 2026 22:33:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મુન્દ્રા પોર્ટ પર પકડાયેલા હજારો કરોડના ડ્રગ્સ પ્રકરણમાં હવે આતંકી કનેક્શન સામે આવતા સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી છે.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે,ડ્રગ્સના વેપારમાંથી મળેલી માતબર રકમ હવાલા માધ્યમથી કુખ્યાત આતંકી સંગઠન લશ્કર એ તૈયબા સુધી પહોંચાડવામાં આવતી હતી. ડ્રગ્સના નેટવર્ક દ્વારા કમાયેલા કાળા નાણાંને દિલ્હીની વિવિધ નાઇટ ક્લબોમાં રોકવામાં આવ્યા હતા.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ડ્રગ્સના નાણાંનું દિલ્હી નાઈટ ક્લબોમાં રોકાણ</b></h2><p style="text-align: justify; ">ED હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નાણાંને કઈ રીતે બ્લેકમાંથી વ્હાઇટ કરવામાં આવ્યા હતા.ED દ્વારા દિલ્હીમાં હરપ્રીતસિંહ તલવાર અને શમસુદ્દીનના 5 જેટલા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.જ્યાંથી મહત્વના પુરાવા અને વાંધાજનક દસ્તાવેજો હાથ લાગ્યા છે.આ ગંભીર મામલે NIA, DRI અને ED સંયુક્ત રીતે તપાસ ચલાવી રહ્યા છે.તપાસ દરમિયાન દેશભરમાં ફેલાયેલા શેલ કંપનીઓના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થવાની આશંકા છે.</p><h2 style="text-align: justify; "><b>વિજયવાડાની એક ફર્મની સંડોવણી પણ સામે આવી</b></h2><p style="text-align: justify; ">તપાસમાં વિજયવાડાની એક ફર્મની સંડોવણી પણ સામે આવી છે.જેનો માલિક NIAની ચાર્જશીટમાં પહેલેથી જ આરોપી છે.મુન્દ્રા પોર્ટ પર આશરે 3,000 કિલો ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો.જેની બજાર કિંમત હજારો કરોડમાં અંદાજવામાં આવી હતી.સુરક્ષા એજન્સીઓ હવે આ નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે જેથી આતંકી ફંડિંગના આ સંપૂર્ણ મોડ્યુલને તોડી શકાય.<br><br><a href="https://sandesh.com/india/news/are-passport--aadhaar-and-voter-id-not-proof-of-indian-citizenship" target="_blank">આ પણ વાંચોઃ Sandesh Explainer: શું પાસપોર્ટ, આધાર અને ચૂંટણી કાર્ડ નાગરિક હોવાનો પૂરાવો નથી?</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/RhdKOLtaQacz6d73meFGJEeOUdTA85vYoNyZK9G1.webp'/></item><item><title><![CDATA[Ram Mandir Donation Row : દાન ચોરી મામલે 8 લોકો સામે નામજોગ FIR દાખલ ]]></title><link>https://sandesh.com/india/news/ram-mandir-donation-row-fir-against-8-accused-ayodhya-donation-theft-case</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ram-mandir-donation-row-fir-against-8-accused-ayodhya-donation-theft-case</guid><pubDate>Thu, 25 Jun 2026 21:17:05 +05:30</pubDate><description><![CDATA[<p>અયોધ્યાના રામ મંદિરમાં દાનની રકમમાં થયેલી કથિત ગેરરીતિના મામલે ગુરુવારે સત્તાવાર રીતે FIR નોંધવામાં આવી છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની ફરિયાદ અને વિશેષ તપાસ ટીમ (SIT)ની ભલામણ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2070152157630963907"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>કોના કોના નામ છે સામેલ?</b></h2><p>મળતી માહિતી અનુસાર, FIRમાં કુલ 8 લોકોના નામ સામેલ કરવામાં આવ્યા છે. જેમાં લવકુશ મિશ્રા, અનુકલ્પ મિશ્રા, રમાશંકર યાદવ, અવિનાશ શુક્લા, મનીષ યાદવ, રમાશંકર મિશ્રા, સુભાષ અને કરુણેશનો સમાવેશ થાય છે. પોલીસએ મુખ્ય આરોપી લવકુશ મિશ્રા અને અનુકલ્પ મિશ્રાની ધરપકડ કરી છે. બંને મંદિરના દાનમાં મળેલી રોકડની ગણતરી સાથે સંકળાયેલા હોવાનું જણાવવામાં આવ્યું છે.</p><h3><b>વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો&nbsp;</b></h3><p>આ ઉપરાંત કેટલાક અન્ય આરોપીઓને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ સરકારના નિર્દેશ બાદ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે. આરોપોમાં ચોરી, ગબન, છેતરપિંડી, વિશ્વાસઘાત અને ગુનાહિત કાવતરું રચવા જેવા ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે.</p><h4><b>આ કેસ પ્રથમ વખત 7 જૂને ચર્ચામાં આવ્યો</b></h4><p>તપાસ દરમિયાન જેમની પાસેથી રોકડ રકમ મળી આવી છે, તેઓને પણ કેસમાં નામજોગ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, આગામી દિવસોમાં વધુ ધરપકડો થઈ શકે છે. આ કેસ પ્રથમ વખત 7 જૂને ચર્ચામાં આવ્યો હતો, જ્યારે અખિલેશ યાદવે રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા આપવામાં આવેલા કરોડો રૂપિયાના દાનમાં ગેરરીતિના આરોપો લગાવ્યા હતા અને ન્યાયિક તપાસની માગ કરી હતી.<br><br><b><a href="https://sandesh.com/india/breakingnews/lpg-supply-restrictions-removed-india-government-decision-free-distribution" target="_blank">આ પણ વાંચો : LPG Supply Restrictions : કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, LPG સપ્લાય પર લાગેલા તમામ પ્રતિબંધો હટાવ્યા</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/J9Zm9MAYr7Zy4NcRFDhs9r8DpUx0EyLkycrDrMDE.webp'/></item><item><title><![CDATA[Samantha Confirm Pregnancy: સમન્થા અને રાજ બનશે માતા-પિતા, અભિનેત્રીએ પ્રસૂતિ વિરામની કરી જાહેરાત ]]></title><link>https://sandesh.com/entertainment/news/india/samantha-confirms-pregnancy-samantha-and-raj-will-become-parents-actress-announces-maternity-leave</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/india/samantha-confirms-pregnancy-samantha-and-raj-will-become-parents-actress-announces-maternity-leave</guid><pubDate>Thu, 25 Jun 2026 18:38:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">સમન્થા રૂથ પ્રભુ અને રાજ નિદિમોરુ તેમના પ્રથમ બાળકને આવકારવા માટે તૈયાર છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">ચાહકોને ખુશ થવા માટે આપ્યુ કારણ</h2><p style="text-align: justify; ">સમન્થાની 'મા ઇન્તી બંગારામ' બોક્સ ઓફિસ પર જોરદાર સારું પ્રદર્શન કરી રહી છે. ફિલ્મ રિલીઝ થયાના માત્ર છ દિવસમાં જ તેના બજેટમાં બમણી કમાણી કરી ચૂકી છે. 'મા ઇન્તી બંગારામ'ની સફળતાનો આનંદ માણી રહેલી સામન્થા રૂથ પ્રભુએ ચાહકોને ખુશ થવા માટે બીજું કારણ આપ્યું છે. અભિનેત્રીએ તેની ગર્ભાવસ્થાની પુષ્ટિ કરી છે. આ સારા સમાચાર શેર કરતા, સામન્થાએ એ પણ જાહેરાત કરી કે, તે ટૂંક સમયમાં પ્રસૂતિ વિરામ લેશે.</p><h3 style="text-align: justify; ">મેટરનિટી લીવ લેશે સામન્થા</h3><p style="text-align: justify; ">સમન્થા રૂથ પ્રભુએ બુધવારે હૈદરાબાદમાં તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ મા ઇન્તી બંગારામની સફળતાની મીટિંગમાં આ સારા સમાચાર શેર કર્યા. આ કાર્યક્રમમાં મીડિયા સાથે વાત કરતા, સામન્થાએ કહ્યું કે તે તેના વર્તમાન પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા પછી થોડા સમય માટે અભિનયમાંથી વિરામ લેવાની યોજના ધરાવે છે. સામન્થાએ કહ્યું, મા ઇન્તી બંગારામ પછી, મારી તબિયત ખરાબ હોવાથી મારે થોડો સમય વિરામ લેવો પડશે. મારે મેટરનિટી લીવ લેવી પડશે. તે પછી, હું મારા ચાહકો માટે બીજી ફિલ્મ લઈને પાછી આવીશ.</p><h4 style="text-align: justify; ">"મા ઇન્તી બંગારામ"ની સફળતાની ઉજવણી</h4><p style="text-align: justify; ">આ જાહેરાત પછી, હાજર લોકોએ સામન્થાને અભિનંદન પાઠવ્યા. અભિનેત્રીએ બધાનો આભાર પણ માન્યો અને તેમના પ્રેમ અને સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.નોંધનીય છે કે જ્યારે સામન્થાએ તેની ગર્ભાવસ્થાની પુષ્ટિ કરી, ત્યારે તેના પતિ રાજ નિદિમોરુ તેની બાજુમાં બેઠેલા હતા અને હાજર રહેલા લોકો સાથે હસતા હસતા જોવા મળ્યા. સામન્થાની ગર્ભાવસ્થાની પુષ્ટિ "મા ઇન્તી બંગારામ" ના સફળતાના ઉજવણીના ક્લિપ્સ વાયરલ થયા પછી આવી છે, જેમાં ચાહકોએ અભિનેત્રીને તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોઈ હતી.&nbsp;</p><h5 style="text-align: justify; ">સમન્થા અને રાજનું અંગત જીવન&nbsp;</h5><p style="text-align: justify; ">સમન્થાએ અભિનેતા નાગા ચૈતન્ય સાથે થોડા વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ 2017માં લગ્ન કર્યા હતા. પરંતુ આ દંપતી 2021માં અલગ થયુ હતુ. રાજના પહેલા લગ્ન શ્યામલી ડે સાથે થયા હતા, અને તેઓ ક્યારે અલગ થયા તે જાણી શકાયું નથી. સમન્થાએ રાજ સાથે ધ ફેમિલી મેન સીઝન 2 અને સિટાડેલ: હની બનીમાં કામ કર્યું હતું. ગયા વર્ષે, તેણીએ 1 ડિસેમ્બર, 2025 ના રોજ તેમના લગ્ન પહેલા તેના સોશિયલ મીડિયા પર રાજના ફોટા પોસ્ટ કરવાનું શરૂ કર્યું. જોકે તેમના ડેટિંગની અફવાઓ હતી, પરંતુ તેમના લગ્નના સમાચાર આશ્ચર્યજનક હતા. તેઓએ કોઈમ્બતુરના ઈશા યોગ સેન્ટરમાં લગ્ન કર્યા હતા.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/india/news/business/flight-ticket-price-drop-relief-news-for-air-passengers-flight-tickets-may-soon-become-cheaper" target="_blank">હવાઈ ​​મુસાફરો માટે રાહતના સમાચાર, ફ્લાઇટ ટિકિટ ટૂંક સમયમાં થઈ શકે છે સસ્તી</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/Vy6Xl7l3oCADsU3N2dahUNxXe5KysrsUwkvIvD8p.webp'/></item><item><title><![CDATA[Share Market 26 જૂનથી સતત 3 દિવસ રહેશે બંધ, જાણો કારણ ]]></title><link>https://sandesh.com/business/news/share-market-closed-3-days-muharram-holiday-on-june-26</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/share-market-closed-3-days-muharram-holiday-on-june-26</guid><pubDate>Thu, 25 Jun 2026 18:01:01 +05:30</pubDate><description><![CDATA[<p>મુહર્રમના તહેવારને કારણે દેશના શેરબજારમાં આ સપ્તાહે ટ્રેડિંગનો એક દિવસ ઓછો રહ્યો છે. સામાન્ય રીતે પાંચ દિવસ ખુલ્લા રહેતા બજારોમાં આ વખતે માત્ર ચાર દિવસ જ વેપાર થયો. હવે 26 જૂનના રોજ દેશના મુખ્ય શેરબજાર BSE અને NSE સંપૂર્ણ રીતે બંધ રહેશે.</p><h2><b>રોકાણકારોને શેરની ખરીદી અને વેચાણ માટે રાહ જોવી પડશે</b></h2><p>મુહર્રમની રજાને કારણે રોકાણકારોને સતત ત્રણ દિવસ સુધી બજારમાં ટ્રેડિંગનો અવકાશ નહીં મળે. આ દરમિયાન શુક્રવારથી લઈને રવિવાર સુધી બજાર બંધ રહેશે અને ફરી 29 જૂન, સોમવારથી નિયમિત કામગીરી શરૂ થશે. આથી રોકાણકારો માટે ખરીદી અને વેચાણ માટે રાહ જોવી પડશે. આ સાથે કમોડિટી માર્કેટ MCX ઈન્ડિયામાં પણ 26 જૂને ખાસ ફેરફાર રહેશે. અહીં સવારે સત્રનું ટ્રેડિંગ બંધ રહેશે, જ્યારે સાંજનું સત્ર યથાવત ચાલુ રહેશે.</p><p>શેરબજારના હોલિડે કેલેન્ડર મુજબ વર્ષ દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ તહેવારો પર રજાઓ રહે છે. આગામી સમયમાં 15 ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ), 14 સપ્ટેમ્બર (ગણેશ ચતુર્થી), 2 ઓક્ટોબર (મહાત્મા ગાંધી જયંતિ) અને 20 ઓક્ટોબર (દશેરા) પર પણ બજાર બંધ રહેશે. જોકે આ વર્ષે 15 ઓગસ્ટ શનિવાર હોવાથી તે સ્વાભાવિક રજામાં આવી જાય છે.</p><h3><b>બેન્કો અને સરકારી કચેરીઓ પણ 26 જૂને બંધ રહેશે</b></h3><p>બીજી તરફ, દેશના મોટા ભાગના વિસ્તારોમાં બેન્કો અને સરકારી કચેરીઓ પણ 26 જૂને બંધ રહેશે. જોકે અમદાવાદ, ભુવનેશ્વર, ચંડીગઢ, દેહરાદૂન, ગંગટોક, ગુવાહાટી, ઈમ્ફાલ, ઇટાનગર, જયપુર, કોહિમા, શિમલા, શિલોંગ અને તિરુવનંતપુરમ જેવા શહેરોમાં બેન્કો કાર્યરત રહેશે. વધુમાં, 27 જૂને મહિનાનો ચોથો શનિવાર હોવાથી બેન્કો બંધ રહેશે. સામાન્ય રીતે દર મહિનાના બીજા અને ચોથા શનિવારે બેન્કોમાં રજા હોય છે. આ તમામ રજાઓને કારણે રોકાણકારો અને સામાન્ય નાગરિકોએ આગામી દિવસોમાં પોતાના નાણાકીય વ્યવહારોનું આયોજન કરી લેવું જરૂરી બન્યું છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/business/india-government-psu-share-sale-ofs-rs-25491-crore-highest-in-11-years" target="_blank">આ પણ વાંચો : PSUs Share Sale : 11 વર્ષમાં સરકારે સૌથી વધુ શેર વેચ્યા, OFS દ્વારા 25,491 કરોડ એકત્ર કરાયા</a></b></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/5EU6pHqbrpBtHnwNkFwnnTmlxXH21F0WPT978IL2.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026: બોસ્નિયાએ કતારને હરાવીને નોકઆઉટમાં પહોંચવાની આશા રાખી જીવંત ]]></title><link>https://sandesh.com/sports/news/bosnia-herzegovina-vs-qatar-3-1-win-tournament-hopes</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/bosnia-herzegovina-vs-qatar-3-1-win-tournament-hopes</guid><pubDate>Thu, 25 Jun 2026 16:27:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સિએટલ સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી મેચમાં બોસ્નિયા અને હર્ઝેગોવિનાએ કતારને 3-1થી હરાવીને પોતાની ટુર્નામેન્ટની આશા મજબૂત કરી. બોસ્નિયાએ પહેલા હાફમાં આક્રમક શરૂઆત કરી અને 29મી મિનિટે 18 વર્ષના કેરીમ અલાજબેગોવિચે બોક્સની બહારથી શાનદાર ગોલ કરીને ટીમને લીડ અપાવી.</p><h2 style="text-align: justify; "><b>બોસ્નિયા અને હર્ઝેગોવિનાએ લીડ બમણી કરી</b></h2><p style="text-align: justify; ">34મી મિનિટે બોસ્નિયાની લીડ બમણી થઈ ગઈ જ્યારે કતારના સુલતાન અલ્બ્રેકે (સ્કોરકાર્ડ મુજબ મહમૂદ અબુનાદા) એડિન ડઝેકોના ક્રોસને ક્લિયર કરવાનો પ્રયાસ કરતી વખતે બોલને પોતાના જ ગોલમાં ડિફ્લેક્ટ કર્યો.</p><p style="text-align: justify; ">પરંતુ કતારે વાપસી કરવાનો પ્રયાસ કર્યો અને 42મી મિનિટે અનુભવી હસન અલ્હાયડોસે ગોલ કરીને 2-1નો ફરક બનાવ્યો. પ્રથમ હાફ આ સ્કોર સાથે સમાપ્ત થયો.</p><h3 style="text-align: justify; "><b>એરમિન માહમિકના ડિફ્લેક્ટેડ શોટે કતારની આશાઓ પર પાણી ફેરવ્યું</b></h3><p style="text-align: justify; ">બીજા હાફમાં કતારે બરાબરી માટે દબાણ કર્યું અને કેટલીક સારી તકો બનાવી, પરંતુ બોસ્નિયાએ પોતાનો સંયમ જાળવી રાખ્યો. 80મી મિનિટે સબસ્ટિટ્યૂટ એરમિન માહમિકના ડિફ્લેક્ટેડ શોટે કતારની આશાઓ પર પાણી ફેરવી દીધું. આ જીત સાથે બોસ્નિયાએ 3-1થી નિર્ણાયક વિજય મેળવ્યો.</p><p style="text-align: justify; ">આ જીતથી બોસ્નિયા અને હર્ઝેગોવિનાને 4 પોઈન્ટ પણ મળ્યા, પરંતુ ગોલ તફાવત અને અન્ય માપદંડોને કારણે, ટીમ ત્રીજા સ્થાને રહી. હવે તેઓ અન્ય જૂથોના પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરશે, કારણ કે તેઓ બેસ્ટ ત્રીજા ક્રમાંકિત ટીમોમાં જોડાઈને રાઉન્ડ 32માં સ્થાન મેળવી શકે છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/entertainment/virat-kohli-photos-with-son-akaay-anushka-sharma" target="_blank">Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા&nbsp;</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/m8FwBuWVmBwMw2qSdCi9Bdthh1IC1o24akZVfjW8.webp'/></item></channel></rss>