<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[NEET UG 2026 : રી-ટેસ્ટ માટે એડમિટ કાર્ડ કરાયા જાહેર, 21 જૂને યોજાશે પરીક્ષા ]]></title><link>https://sandesh.com/india/news/neet-ug-2026-retest-admit-card-released-exam-june-21</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/neet-ug-2026-retest-admit-card-released-exam-june-21</guid><pubDate>Sun, 14 Jun 2026 20:59:06 +05:30</pubDate><description><![CDATA[<p>આગામી 21 જૂન 2026ના રોજ યોજાનારી NEET (UG) પરીક્ષામાં બેસનારા લાખો વિદ્યાર્થીઓની રાહનો અંત આવ્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ પરીક્ષા માટે એડમિટ કાર્ડ સત્તાવાર રીતે જાહેર કરી દીધા છે. હવે ઉમેદવારો NTAની અધિકૃત વેબસાઈટ પરથી પોતાનો એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/NTA_Exams/status/2066151568198766823"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><br></p><h2><b>સમય અને પેટર્નમાં કેટલાક ‘કૅન્ડિડેટ-ફ્રેન્ડલી’ ફેરફારો કર્યા</b></h2><p>આ વર્ષે પરીક્ષા ઘણા અર્થમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે તાજેતરમાં NTAએ વિદ્યાર્થીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને પરીક્ષાના સમય અને પેટર્નમાં કેટલાક ‘કૅન્ડિડેટ-ફ્રેન્ડલી’ ફેરફારો કર્યા છે. એડમિટ કાર્ડ જાહેર થતાં જ વિદ્યાર્થીઓને પોતાની તૈયારી અને પરીક્ષા કેન્દ્ર સંબંધિત તમામ વ્યવસ્થાઓ અંતિમ રૂપ આપવા સલાહ આપવામાં આવી છે.</p><h3><b>એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું?</b></h3><ul><li>સૌપ્રથમ અધિકૃત વેબસાઇટ <a href="neet.nta.nic.in" target="_blank">neet.nta.nic.in</a> પર જાઓ</li><li>હોમપેજ પર આપેલ NEET (UG) 2026 Admit Card લિંક પર ક્લિક કરો</li><li>નવા પેજ પર તમારો એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો</li><li>સિક્યુરિટી પિન ભરી Submit પર ક્લિક કરો</li><li>આ પછી તમારૂં ડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે. તેનો કલર અથવા બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટઆઉટ કાઢી પરીક્ષા કેન્દ્ર પર લઈ જવું જરૂરી રહેશે.</li></ul><h4><b>પરીક્ષાનો સમય વધારીને 195 મિનિટ કરાયો&nbsp;</b></h4><p>આ વર્ષે NEET (UG) પરીક્ષાની સમયસીમા વધારીને 195 મિનિટ (3 કલાક 15 મિનિટ) કરવામાં આવી છે. પરીક્ષા બપોરે 2:00 વાગ્યે શરૂ થઈને સાંજે 5:15 વાગ્યે પૂર્ણ થશે. NTAનું કહેવું છે કે આ વધારાનો સમય વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન બાયોમેટ્રિક હાજરી અને અન્ય પ્રક્રિયાઓમાં થતા સમયના નુકસાનની ભરપાઈ માટે આપવામાં આવ્યો છે. ઉપરાંત, ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના ગણિતીય પ્રશ્નો માટે આ વર્ષે વધુ રફ વર્ક જગ્યા પણ આપવામાં આવી છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/-political-news/rebellion-of-20-tmc-mps-will-merge-with-nationalist-citizen-party-and-support-nda" target="_blank">આ પણ વાંચો : TMCના 20 સાંસદોનો બળવો!, નેશનાલિસ્ટ સિટીઝન પાર્ટીમાં વિલય કરી NDAને આપશે સમર્થન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/14/fnr0GYyLWh1im8Qot8nG81L8rFkCBHLOdeI8JhJr.webp'/></item><item><title><![CDATA[TMCના 20 સાંસદોનો બળવો!, નેશનાલિસ્ટ સિટીઝન પાર્ટીમાં વિલય કરી NDAને આપશે સમર્થન ]]></title><link>https://sandesh.com/india/news/-political-news/rebellion-of-20-tmc-mps-will-merge-with-nationalist-citizen-party-and-support-nda</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/-political-news/rebellion-of-20-tmc-mps-will-merge-with-nationalist-citizen-party-and-support-nda</guid><pubDate>Sun, 14 Jun 2026 20:22:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">બળવાખોર સાંસદો લોકસભા સ્પીકર સાથે મળ્યા હતા. ટીએમસીના બળવાખોર જૂથે નેશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટીમાં ભળી જવાનો નિર્ણય કર્યો છે.</p><h2 style="text-align: justify; ">પશ્ચિમ બંગાળના રાજકારણમાં ભૂકંપ</h2><p style="text-align: justify; ">પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ, ટીએમસીનો સંસદીય પક્ષ વિભાજીત થવાની આરે છે. નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના નિવાસસ્થાને બળવાખોર ટીએમસી સાંસદોની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ, સાંસદો કાકોલી ઘોષ દસ્તીદાર, સુદીપ બંદોપાધ્યાય અને શતાબ્દી રોયના નેતૃત્વમાં બળવાખોર સાંસદો લોકસભા સ્પીકરને મળ્યા હતા. ટીએમસીના બળવાખોર જૂથે નેશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયામાં ભળી જવાનો નિર્ણય લીધો છે, જે આસામ, ત્રિપુરા, બંગાળ અને ઉત્તરપૂર્વમાં હાજરી ધરાવે છે.</p><h3 style="text-align: justify; ">પશ્ચિમ બંગાળમાં મમતાને મોટો ઝટકો</h3><p style="text-align: justify; ">સ્પીકર સાથે મુલાકાત કર્યા પછી, કાકોલી ઘોષ દસ્તીદારે કહ્યું કે, ટીએમસીમાંથી ચૂંટાયેલા વીસ સાંસદોએ સ્પીકર સાથે મુલાકાત કરી અને અલગ બેઠકની વિનંતી કરતો પત્ર સુપરત કર્યો હતો. આ વીસ સાંસદો અમારી કુલ શક્તિના બે તૃતીયાંશ કરતાં વધુનું પ્રતિનિધિત્વ કરે છે. અમે રાષ્ટ્રવાદી નાગરિક પક્ષમાં ભળી રહ્યા છીએ. અમે દેશ માટે કામ કરીશું અને વડા પ્રધાનના નેતૃત્વમાં એનડીએ સાથે મળીને કામ કરીશું.</p><h4 style="text-align: justify; ">20 બળવાખોર સાંસદો રાષ્ટ્રવાદી નાગરિક પક્ષમાં&nbsp;</h4><p style="text-align: justify; ">બળવાખોર સાંસદ સુદીપ બંદોપાધ્યાયે જણાવ્યું હતું કે, તેઓ રાષ્ટ્રવાદી નાગરિક પક્ષ ઓફ ઇન્ડિયામાં ભળી જશે. સહીઓ સાથેની અરજી સ્પીકરને સુપરત કરવામાં આવી છે. લોકસભા 20 જુલાઈએ ખુલશે. તે પહેલાં, અમને અવરોધિત કરવામાં આવશે. તેમને કાર્યાલયો આપવામાં આવશે. ત્યારબાદ, કોર્ટ નક્કી કરશે કે વાસ્તવિક તૃણમૂલ કોંગ્રેસ કોણ છે, અને કોર્ટ જે પણ નિર્ણય લેશે તે સ્વીકારવામાં આવશે."</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/us-iran-deal-on-one-hand-preparations-for-a-peace-deal-between-america-and-iran-on-the-other-hand-israels-fierce-attacks-on-lebanon" target="_blank">એકતરફ અમેરિકા-ઈરાન વચ્ચે 'શાંતિ ડીલ'ની તૈયારી, તો બીજીતરફ ઇઝરાયેલના લેબનોન પર ભીષણ હુમલા!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/14/NygioslZWzUiw0dUV0446T4FLrzE9LZtkrYVADbb.webp'/></item><item><title><![CDATA['Cocktail 2'ને મળ્યું A સર્ટિફિકેટ, શું ફિલ્મમાં છે વધારે બોલ્ડ સીન? ]]></title><link>https://sandesh.com/entertainment/news/cocktail-2-a-certificate-bold-scenes-cbfc-rating-film-releases-on-june-19</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/cocktail-2-a-certificate-bold-scenes-cbfc-rating-film-releases-on-june-19</guid><pubDate>Sun, 14 Jun 2026 20:09:47 +05:30</pubDate><description><![CDATA[<p>શાહિદ કપૂર, કૃતિ સેનન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ 'Cocktail 2' રિલીઝ પહેલાં જ ચર્ચામાં આવી ગઈ છે. ફિલ્મ 19 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે અને તેને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) તરફથી ‘A’ (એડલ્ટ્સ ઓનલી) સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.</p><h2><b>સેન્સર બોર્ડે કેમ લીધો આ નિર્ણય?</b></h2><p>ફિલ્મમાં અનેક બેડ-કિસિંગ સીન અને ડબલ મીનિંગ જોક્સ હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે સેન્સર બોર્ડે આ નિર્ણય લીધો છે. આ ફિલ્મનું નિર્દેશન હોમી અડાજાનિયાએ કર્યું છે. જોકે ફિલ્મની સ્ટોરી સંપૂર્ણપણે નવી છે, પરંતુ તેને 2012માં આવેલી હિટ ફિલ્મ ‘Cocktail’નો સ્પિરિચ્યુઅલ સીક્વલ માનવામાં આવી રહી છે. પ્રથમ ફિલ્મમાં સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ અને ડાયના પેન્ટી મુખ્ય ભૂમિકામાં હતા.</p><h3><b>પહેલી ફિલ્મ કરતાં લાંબી છે 'Cocktail 2'&nbsp;</b></h3><p>મળતી માહિતી મુજબ 'Cocktail 2'ની રનટાઈમ 150 મિનિટ એટલે કે લગભગ સાડા બે કલાક છે. જે પહેલી ફિલ્મ કરતાં લગભગ 4 મિનિટ લાંબી છે. 2012માં આવેલી 'Cocktail'નો રનટાઈમ 146 મિનિટ હતો. આ વખતે પણ ફિલ્મનું નિર્માણ હોમી અડાજાનિયા અને દિનેશ વિજને કર્યું છે, પરંતુ સ્ટારકાસ્ટ સંપૂર્ણપણે નવી છે.</p><h4><b>કૃતિ સેનન માટે પહેલો A-રેટેડ અનુભવ</b></h4><p>આ ફિલ્મ કૃતિ સેનનના કરિયરમાં એક મહત્વપૂર્ણ પડાવ છે કારણ કે આ તેમની પહેલી A-રેટેડ ફિલ્મ હશે. 'હીરોપંતી'થી કરિયર શરૂ કરનાર કૃતિએ 'બરેલી કી બરફી' અને 'મિમિ' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. બીજી તરફ, રશ્મિકા મંદાના માટે આ બીજી A-રેટેડ હિન્દી ફિલ્મ છે. અગાઉ તેની ફિલ્મ 'Animal'ને પણ A સર્ટિફિકેટ મળ્યું હતું.</p><h5><b>નવી પ્રેમ કહાની દર્શકોને કેટલી પસંદ પડશે?</b></h5><p>શાહિદ કપૂર માટે આ તેમની પાંચમી A-રેટેડ ફિલ્મ છે. તેઓ અગાઉ 'કમીને', 'ઉડતા પંજાબ', 'કબીર સિંહ' અને 'ઓ રોમિયો' જેવી ફિલ્મોમાં જોવા મળ્યા છે. ખાસ વાત એ છે કે પહેલી વાર તેમના કરિયરમાં સતત બે ફિલ્મોને A સર્ટિફિકેટ મળ્યું છે. ફિલ્મના ટ્રેલર લોન્ચ દરમિયાન ડિરેક્ટર હોમી અડાજાનિયાએ સ્પષ્ટ કર્યું હતું કે ફિલ્મમાં દર્શાવાતી કેટલીક ચર્ચાઓ માત્ર અફવા હતી. ફિલ્મની મુખ્ય કહાની એક લવ ટ્રાયએંગલ પર આધારિત છે, જેમાં શાહિદ કપૂરનો પાત્ર બે મહિલાઓ વચ્ચે પોતાના જીવનનો મહત્વપૂર્ણ નિર્ણય લેતા જોવા મળશે. હવે જોવાનું રહેશે કે આ નવી પ્રેમ કહાની દર્શકોને કેટલી પસંદ પડે છે.</p><p><b><a href="https://sandesh.com/entertainment/news/madhuri-dixit-28-year-old-cult-song-shooting-secrets-revealed" target="_blank">આ પણ વાંચો : Madhuri Dixitનું એ ગીત જેના શૂટિંગ માટે રસ્તા પરથી માણસો બોલાવવા પડ્યા હતા, હિસ્ટ્રી બની ગયું ગીત!</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/14/SnbR94sqxEAv1qm3noUEoigRWDm8o1xyJ09hKtyy.webp'/></item><item><title><![CDATA[Kheda News: ગળતેશ્વરના અંબાવ ફાટક પાસે ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ ફસાઈ, કાયમી સમસ્યાથી ભારે હાલાકી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kheda/kheda-news-ambulance-stuck-in-traffic-jam-near-ambav-phatak-in-galateshwar-huge-trouble-due-to-permanent-problem</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kheda/kheda-news-ambulance-stuck-in-traffic-jam-near-ambav-phatak-in-galateshwar-huge-trouble-due-to-permanent-problem</guid><pubDate>Sun, 14 Jun 2026 20:08:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ખેડા જિલ્લાના પ્રખ્યાત પ્રવાસન અને યાત્રાધામ ગળતેશ્વર ખાતેથી વહીવટી તંત્રની આંખ ઉઘાડતી એક ચિંતાજનક ઘટના સામે આવી છે. રવિવારની રજાના દિવસે ગળતેશ્વર મહાદેવ મંદિર અને મહી નદીના કિનારે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. પ્રવાસીઓના ભારે ધસારા અને અંબાવ ફાટક પાસેના ટ્રાફિક મેનેજમેન્ટના અભાવે અહી કિલોમીટરો લાંબો ચક્કાજામ સર્જાયો હતો. આ ગંભીર જામની વચ્ચે એક દર્દીને લઈને જઈ રહેલી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ પણ કલાકો સુધી અટવાઈ પડી હતી, જેને કારણે દર્દીના જીવ પર જોખમ ઊભું થયું હતું.</p><h2 style="text-align: justify; ">અંબાવ ફાટક બન્યું માથાનો દુખાવો</h2><p style="text-align: justify; ">સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ગળતેશ્વરના અંબાવ પાસે આવેલા રેલવે ફાટકના કારણે આ પ્રકારના દ્રશ્યો હવે રોજિંદા બની ગયા છે. ખાસ કરીને રવિવાર, જાહેર રજાઓ અને ધાર્મિક તહેવારોના દિવસોમાં જ્યારે હજારોની સંખ્યામાં સહેલાણીઓ પોતાના ખાનગી વાહનો લઈને અહીં આવે છે, ત્યારે ટ્રાફિકની સ્થિતિ બેકાબૂ બની જાય છે. નવાઈની વાત એ છે કે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ આ કાયમી સમસ્યાથી સારી રીતે વાકેફ હોવા છતાં, આજ દિન સુધી આ ટ્રાફિક આફતનું કોઈ કાયમી નિવારણ કે ઓવરબ્રિજ જેવી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી.</p><h3 style="text-align: justify; ">ઇમરજન્સી સેવાઓ ખોરવાઈ, સ્થાનિકોમાં ભારે આક્રોશ</h3><p style="text-align: justify; ">ટ્રાફિક જામ એટલો પ્રચંડ હતો કે સાયરન વગાડવા છતાં એમ્બ્યુલન્સને આગળ નીકળવા માટે ક્યાંય જગ્યા મળી નહોતી. સોશિયલ મીડિયા પર આ ઘટનાના લાઈવ દ્રશ્યો વાયરલ થયા બાદ લોકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહીશો અને યાત્રિકોની માંગ છે કે, જો રજાના દિવસોમાં અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વાહનોના વન-વે રૂટનું આયોજન કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ટ્રાફિકના કારણે કોઈ નિર્દોષ દર્દીએ સમયસર સારવાર ન મળતા પોતાનો જીવ ગુમાવવો પડશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/14/hwValpbfvgU2bCrq5kNWbTCaXvgQ6X825jMUJzue.webp'/></item><item><title><![CDATA[Gujaratમાં રખડતા આખલાઓના ત્રાસમાંથી મુક્તિ માટે મોટો નિર્ણય: અમરેલી, રાજકોટ અને ભાવનગરમાં બનશે ‘નંદીઘર’ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/big-decision-to-get-rid-of-the-torture-of-stray-bulls-in-gujarat-nandi-ghar-to-be-built-in-amreli-rajkot-and-bhavnagar</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/big-decision-to-get-rid-of-the-torture-of-stray-bulls-in-gujarat-nandi-ghar-to-be-built-in-amreli-rajkot-and-bhavnagar</guid><pubDate>Sun, 14 Jun 2026 19:58:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં રખડતા પશુઓ અને ખાસ કરીને આખલાઓના કારણે સર્જાતી અકસ્માતની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક ઐતિહાસિક અને અત્યંત મહત્વકાંક્ષી પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં સૌપ્રથમવાર અમરેલી, રાજકોટ અને ભાવનગર જિલ્લામાં અદ્યતન 'નંદીઘર' (આખલાઓ માટેનું વિશેષ આશ્રયસ્થાન) બનાવવાનો નિર્ણય લેવાયો છે. આ ભગીરથ પ્રોજેક્ટ પાછળ રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ.100 કરોડનો તોતિંગ ખર્ચ કરવામાં આવશે, જે અંતર્ગત હજારો રખડતા આખલાઓને આશ્રય આપી સુરક્ષિત રાખવામાં આવશે.</p><h2 style="text-align: justify; ">રૂ.100 કરોડના તોતિંગ બજેટની જાહેરાત</h2><p style="text-align: justify; ">રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા દ્વારા આ મેગા પ્રોજેક્ટની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ હેઠળ પ્રાથમિક તબક્કે કુલ 25,000 જેટલા રખડતા નંદીઓ (આખલાઓ) ને એકસાથે રાખવાની વૈજ્ઞાનિક અને અત્યાધુનિક વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. આ નંદીઘરોમાં પશુઓ માટે પૂરતા પ્રમાણમાં ઘાસચારો, પીવાનું શુદ્ધ પાણી, શેડ અને નિષ્ણાત પશુ ચિકિત્સકો (ડોક્ટરો) ની ટીમ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી કરીને રસ્તા પર ભટકતા પશુઓનું યોગ્ય જતન થઈ શકે.</p><h3 style="text-align: justify; ">અમરેલી સહિત સૌરાષ્ટ્રના 3 જિલ્લાથી થશે શરૂઆત</h3><p style="text-align: justify; ">આ પાયલોટ પ્રોજેક્ટના અમલીકરણ માટે સમગ્ર રાજ્યમાંથી સૌરાષ્ટ્રના ત્રણ મહત્વના કેન્દ્રો અમરેલી, રાજકોટ અને ભાવનગરની પસંદગી કરવામાં આવી છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આખલાઓના કારણે થતા જાનમાલના નુકસાનને રોકવા માટે આ નંદીઘર આશીર્વાદરૂપ સાબિત થશે. મંત્રીના જણાવ્યા અનુસાર, જમીન સંપાદન અને વહીવટી મંજૂરીઓ બાદ આવનારા ટૂંક જ દિવસોમાં અમરેલી જિલ્લા સહિત ત્રણેય સ્થળોએ આ પ્રોજેક્ટની ગ્રાઉન્ડ લેવલની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવશે.&nbsp;</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/14/CuWOO5CuJExBMYlDSoGoeoDA33VmFoazowHEjzCL.webp'/></item><item><title><![CDATA[Rajkot News: બાલાજી વેફર્સની ફેક્ટરી સામે જનઆંદોલનની તૈયારી, પ્રદૂષિત પાણીથી 6 ગામના લોકોમાં રોષ ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/protest-brews-against-balaji-wafers-factory-over-pollution-allegations</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/protest-brews-against-balaji-wafers-factory-over-pollution-allegations</guid><pubDate>Sun, 14 Jun 2026 19:51:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટમાં બાલાજી વેફર્સ દ્વારા પ્રદૂષણનો વિવાદ વધુ ઘેરાયો છે.રાજકોટની ન્યારી નદીમાં બાલાજી વેફર્સ દ્વારા દૂષિત પાણી છોડાતાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બાલાજી વેફર્સના પ્રદૂષણના મામલે આસપાસના 6થી વધુ ગામોને અસર થઇ હોવાનું ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો.ન્યારી નદીમાં દૂષિત પાણી છોડાતો હોવાથી ફેક્ટરી પાછળનો વિસ્તાર પ્રદૂષિત બન્યાનો દાવો કરાયો છે.</p><h2 style="text-align: justify; "><b>પ્રદૂષિત પાણીથી 6 ગામના ગ્રામજનોમાં રોષ</b></h2><p style="text-align: justify; ">બાલાજી વેફર્સના પ્રદૂષણના કારણે ખેતી અને જમીનમાં જળસ્તરને ગંભીર અસર થઇ હોવાનો આસપાસના ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.રાજકોટના હરિપર સહિત અનેક ગામો આ મુદ્દે પોલ્યુશન બોર્ડ, વહીવટી તંત્ર સામે ફરિયાદ કરવાની તૈયારી દર્શાવામાં આવી છે.દૂષિત પાણીનો રિપોર્ટ જાહેર કરવાની માંગ સાથે બાલાજી વેફર્સ ફેક્ટરી સામે જનઆંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>ખેડૂતો અને ભૂગર્ભ જળને અસરની ફરિયાદ</b></h3><p style="text-align: justify; ">સ્થાનિક અગ્રણીઓ અને પૂર્વ સરપંચોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, બાલાજી વેફર્સ દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના નામે માત્ર મોટો દેખાડો કરવામાં આવે છે.પરંતુ વાસ્તવિકતામાં તેઓ ગ્રામજનોનું જીવવું હરામ કરી રહ્યા છે.નેતાઓ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે પણ લોકોમાં ભારે રોષ છે. ગ્રામજનોનો આરોપ છે કે અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં છે અને રાજકીય નેતાઓ માત્ર ચૂંટણી ટાણે જ મોઢું બતાવે છે.જો આ પ્રદૂષણ પર તાત્કાલિક રોક લગાવવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં આ સમગ્ર વિસ્તાર રહેવાલાયક નહીં રહે તેવી ભયાનક સ્થિતિ સર્જાઈ છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/rajkot/villagers-allege-balaji-wafers-factory-pollution-damaging-farms-" target="_blank">આ પણ વાંચોઃ Rajkot News: બાલાજી વેફર્સ ફેક્ટરીના ગંદા પાણીથી પશુપાલન સાથે ખેતીને ભયંકર નુકસાન</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/14/ee2BCOlCspBTjKqMaY7c9UJwN2TFL6aGCE5v7RYo.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: CA ફર્મ્સમાં  PM ઇન્ટર્નશિપ અમલી, દર મહિને 9 હજાર રૂપિયાનું સ્ટાઈપેન્ડ મળશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/pm-internship-scheme-extended-to-ca-firms</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/pm-internship-scheme-extended-to-ca-firms</guid><pubDate>Sun, 14 Jun 2026 19:46:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પ્રધાનમંત્રી ઈન્ટર્નશિપ યોજના અંતર્ગત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્મ્સને મોટી રાહત આપતો નિર્ણય લેવાયો છે.અત્યાર સુધી મોટી કંપનીઓ અને કોર્પોરેટ સંસ્થાઓ સુધી મર્યાદિત રહેલી આ યોજનાનો લાભ હવે CA ફર્મ્સને પણ મળશે.આ ફેરફારથી હજારો નાની,મધ્યમ અને મોટી CA ફર્મ્સ માટે નવી તકો ઊભી થશે.</p><h2 style="text-align: justify; "><b>ઇન્ટર્નશિપ યોજનામાં CA ફર્મ્સનો સમાવેશ</b></h2><p style="text-align: justify; ">CA.ડૉ. જૈનિક વકીલ, પૂર્વ ચેરમેન, ICAI અમદાવાદ બાન્ચના જણાવ્યા મુજબ, અગાઉ આ યોજના હેઠળ ઈન્ટર્ન્સને આપવામાં આવતા સ્ટાઈપેન્ડનો હિસ્સો કંપનીઓ તેમના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફંડમાંથી ચૂકવતી હતી.જોકે મોટાભાગની CA ફર્મ્સ ભાગીદારી અથવા પ્રોપ્રાઈટરશિપ મોડેલ હેઠળ કાર્યરત હોવાથી તેમની પાસે CSR બજેટ ઉપલબ્ધ હોતું નથી.પરિણામે તેઓ આ યોજનાનો લાભલઈ શકતા નહોતા. હવે કેન્દ્ર સરકારે નિયમોમાં ફેરફાર કરીને CA ફર્મ્સને પણ યોજનામાં સામેલ કરી છે.જેના કારણે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી ક્ષેત્રના યુવાનોને વ્યાવસાયિક વાતાવરણમાં પ્રાયોગિક તાલીમ મેળવવાની વધુ તક મળશે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>વ્યાવસાયિક કાર્યોમાં તાલીમ આપવામાં આવશે</b></h3><p style="text-align: justify; ">ઇન્ટર્ન્સને ટેક્સ ઓડિટ, સ્ટેટ્યુટરી ઓડિટ, GST કંપ્લાયન્સ, ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગ, એકાઉન્ટિંગ, TDS કંપ્લાયન્સ સહિતના વિવિધ વ્યાવસાયિક કાર્યોમાં તાલીમ આપવામાં આવશે. ખાસ કરીને ટિયર-૨ અને ટિયર-૩ શહેરોમાં કાર્યરતી CA ફર્મ્સ માટે આ યોજના ઉપયોગી સાબિત થઈ શકે છે. સરકારનો હિસ્સો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા સીધો ઈન્ટર્નના બેંક ખાતામાં જમા થશે, જ્યારે CA ફર્મ પોતાનો ફાળો સામાન્ય વ્યવસાયિક ખર્ચમાંથી ચૂકવશે.<br><br><br><a href="https://sandesh.com/gujarat/news/banaskantha/brahma-samaj-demands-cancellation-of-salangpur-trademark" target="_blank">આ પણ વાંચોઃ Banaskantha News : સાળંગપુર ટ્રેડમાર્ક રદ નહીં કરાય તો લડત તેજ થશેઃ બ્રહ્મ સમાજનો હુંકાર</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/14/6w1FCwTVVdtUdpL492Y5A8hEdlSs3AARpGjuX2Z9.webp'/></item><item><title><![CDATA[Petrol:શું પેટ્રોલની જગ્યા લેશે ઈથેનોલ? KPMGના રિપોર્ટમાં ઇંધણને લઈને મોટો ધડાકો ]]></title><link>https://sandesh.com/business/news/ethanol-blending-will-ethanol-replace-petrol-kpmg-report-makes-a-big-splash-on-fuel</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/ethanol-blending-will-ethanol-replace-petrol-kpmg-report-makes-a-big-splash-on-fuel</guid><pubDate>Sun, 14 Jun 2026 19:15:28 +05:30</pubDate><description><![CDATA[<p>વૈશ્વિક સ્તરે વધી રહેલા ભૌગોલિક રાજકીય તણાવ અને ક્રૂડ ઓઈલના ભાવોમાં આવતા ઉતાર-ચઢાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અગ્રણી વૈશ્વિક પરામર્શ કંપની KPMG ના એક નવા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, એથેનોલ (Ethanol) આગામી સમયમાં ભારતીય પરિવહન ઉર્જા પ્રણાલીની મજબૂત કરોડરજ્જુ બની શકે છે. અહેવાલ અનુસાર, ભારતે પેટ્રોલમાં 20% એથેનોલ બ્લેન્ડિંગ (E20) નું લક્ષ્ય સફળતાપૂર્વક પ્રાપ્ત કરી લીધું છે અને હવે દેશે E85 અને E100 જેવા ઉચ્ચ એથેનોલ મિશ્રણ તરફ આગળ વધવાની જરૂર છે.</p><h2><b>તેલ આયાત પર નિર્ભરતા ઘટશે</b></h2><p>ભારત હાલમાં પોતાની ઉર્જા જરૂરિયાતો માટે મોટાભાગે આયાતી ક્રૂડ ઓઈલ પર નિર્ભર છે. આના કારણે આંતરરાષ્ટ્રીય બજારની અસ્થિરતા અથવા રશિયા-યુક્રેન યુદ્ધ અને મધ્ય પૂર્વના તણાવ જેવી પરિસ્થિતિઓની સીધી અસર દેશના અર્થતંત્ર પર પડે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે જો ભારત એથેનોલનો ઉપયોગ વધારશે, તો વિદેશી તેલ પરની નિર્ભરતામાં મોટો ઘટાડો થશે. આનાથી દેશની ઉર્જા સુરક્ષા મજબૂત થશે અને અબજો ડોલરની વિદેશી મુદ્રાની બચત થશે.</p><h3><b>સરકાર તરફથી પ્રોત્સાહન&nbsp;</b></h3><p>છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે એથેનોલના ઉત્પાદન અને વિતરણ નેટવર્કમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. તાજેતરમાં જ સરકારે એક મોટો નિર્ણય લેતા 22% થી 30% સુધી એથેનોલ મિશ્રણ ધરાવતા પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી (ઉત્પાદ શુલ્ક) માં મુક્તિ આપવાની જાહેરાત કરી છે. સરકારના આ પગલાથી હાઈ-બ્લેન્ડિંગ ઇંધણને મોટો વેગ મળવાની આશા છે.</p><h4><b>ભવિષ્યના પડકારો</b></h4><p>જો કે, E20 થી આગળ વધીને E100 સુધી પહોંચવા માટે ભારતે કેટલાક મોટા પડકારોનો સામનો કરવો પડશે. હાલમાં એથેનોલનું ઉત્પાદન મુખ્યત્વે શેરડી અને અન્ય કૃષિ પાકો પર આધારિત છે, તેથી ભવિષ્યમાં ઉત્પાદન વધારવા માટે વૈકલ્પિક સ્ત્રોતો શોધવા પડશે. આ ઉપરાંત, ઓટોમોબાઈલ સેક્ટરમાં 'ફ્લેક્સ-ફ્યુઅલ' (Flex-Fuel) વાહનોની સંખ્યામાં ઝડપી વધારો કરવો પડશે અને દેશના ફ્યુઅલ સ્ટેશનોને પણ આ ઉચ્ચ મિશ્રણ વાળા ઇંધણ માટે સક્ષમ બનાવવા પડશે. જો ભારત આ આયોજનમાં સફળ રહેશે, તો તે ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફ એક ઐતિહાસિક કદમ હશે.</p><p><a href="https://sandesh.com/tech/news/this-is-mark-zuckerbergs-biggest-mistake-after-laying-off-8000-people-in-the-wake-of-ai" target="_blank">આ પણ વાંચો:AI ના ચક્કરમાં 8 હજાર લોકોને નોકરીમાંથી કાઢ્યા બાદ માર્ક ઝકરબર્ગની લાગી આ સૌથી મોટી ભૂલ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/14/yIWUZRuckcxCIqNbUu8jUKjFbUN8AUNgLjK1kTkX.webp'/></item><item><title><![CDATA[Vadodara News: મિત્રો સાથે મહીસાગર નદીમાં ન્હાવા પડેલો યુવક ડૂબ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/savli-lachanpur-mahisagar-river-youth-drowned</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/savli-lachanpur-mahisagar-river-youth-drowned</guid><pubDate>Sun, 14 Jun 2026 18:49:56 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાંથી એક ચિંતાજનક અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરા જિલ્લાના સાવલીના લાછનપુર ગામ પાસેથી પસાર થતી પવિત્ર મહીસાગર નદીમાં ન્હાવા પડેલો એક આશાસ્પદ યુવક નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તણાયો છે. રવિવારની રજા હોવાથી યુવક પોતાના મિત્રો સાથે નદી કિનારે ફરવા અને ન્હાવા માટે આવ્યો હતો, તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>ન્હાવા પડતા જ ઊંડા પાણીમાં ગરકાવ થયો</b></h2><p style="text-align: justify; ">ઘટનાની મળતી માહિતી અનુસાર, મહીસાગર નદીમાં તણાયેલા યુવકની ઓળખ મુકેશ જબરા રામ સરગરો તરીકે થઈ છે, જે મૂળ રાજસ્થાનના ઝાલોર જિલ્લાના નાગની ગામનો વતની છે. મુકેશ પોતાના મિત્રો સાથે લાછનપુર ખાતે મહીસાગર નદીમાં ન્હાવા માટે પડ્યો હતો. જોકે, નદીના પ્રવાહ અને પાણીના ઊંડાણનો અંદાજ ન આવવાના કારણે તે અચાનક જ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને જોતજોતામાં પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો હતો. મિત્રને આંખની સામે જ ડૂબતો જોઈ સાથે આવેલા અન્ય મિત્રોએ બૂમાબૂમ કરી મૂકી હતી.</p><h2 style="text-align: justify; "><b>પોલીસ કાફલો ઘટના સ્થળે</b></h2><p style="text-align: justify; ">આ ઘટનાની જાણ સ્થાનિક ગ્રામજનોને થતાં જ લોકોના ટોળેટોળા નદી કિનારે ઉમટી પડ્યા હતા. તાત્કાલિક ધોરણે આ અંગે સાવલી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોઈને સાવલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન</b></h2><p style="text-align: justify; ">વડોદરા ફાયર બ્રિગેડની ટીમ પણ રેસ્ક્યૂ બોટ અને ડાઇવર્સ (તરવૈયાઓ) સાથે સ્થળ પર પહોંચી ગઈ હતી. નદીના ધસમસતા પ્રવાહમાં યુવકની શોધખોળ માટે મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. કલાકોની જહેમત બાદ યુવકનો મૃતદેહ મળ્યો હતો. આ અકસ્માતને પગલે યુવકના પરિવારજનો અને સ્થાનિક ગ્રામજનોમાં ભારે ચિંતા અને અરેરાટી વ્યાપી ગઈ છે. ચોમાસા પૂર્વે નદીઓમાં પાણીની આવક અને ઊંડાણ વધતા વહીવટી તંત્રે પણ લોકોને નદીના ખુલ્લા પટમાં ન ન્હાવાની અપીલ કરી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/vadodara/law-and-order-situation-in-savli-vadodara-sarpanchs-son-calls-goons-in-lamdapura-and-creates-terror-with-swords" target="_blank">Vadodaraના સાવલીમાં કાયદો-વ્યવસ્થાના લીરેલીરા: લામડાપુરામાં સરપંચના પુત્રએ ગુંડા બોલાવી તલવારો સાથે મચાવ્યો આતંક</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/14/Dpu559DTad8aj5QTQ3tMJsSEQv1aXJEv0e3GlKL8.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026,Day 4 : સુપર સન્ડેમાં આ ચાર ટીમ વચ્ચે ટક્કર,જાણો કેટલા વાગ્યે શરૂ થશે મેચ ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-day-4-these-four-teams-will-clash-on-super-sunday-know-what-time-the-match-will-start</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-day-4-these-four-teams-will-clash-on-super-sunday-know-what-time-the-match-will-start</guid><pubDate>Sun, 14 Jun 2026 13:48:24 +05:30</pubDate><description><![CDATA[<p>ફીફા વર્લ્ડ કપ 2026નો ઉત્સાહ દરેક પસાર થતા દિવસ સાથે વધી રહ્યો છે.ટુર્નામેન્ટના ચોથા દિવસે ફૂટબોલ ચાહકો ઘણી મોટી મેચ જોશે,જેમાં ચાર વખતના ચેમ્પિયન જર્મનીનો સમાવેશ થાય છે, જ્યારે નેધરલેન્ડ અને જાપાન હાઇ-વોલ્ટેજ ટક્કરમાં ટકરાશે. વધુમાં, આઇવરી કોસ્ટ વિરુદ્ધ ઇક્વાડોર અને સ્વીડન વિરુદ્ધ ટ્યુનિશિયાની મેચો પણ ચાહકોના ધબકારા વધારશે.</p><h4><b>જર્મની અને કુરાકાઓ વચ્ચે ટક્કર</b></h4><p>દિવસનો પ્રથમ મુખ્ય મેચ જર્મની અને કુરાકાઓ વચ્ચે રમાશે. જર્મની આ ટુર્નામેન્ટમાં મજબૂત વાપસી કરવા માટે ઉત્સુક છે, જે અગાઉના બે વર્લ્ડ કપની નિરાશાઓને ભૂલી ગયો છે. 2014 માં ચેમ્પિયન બન્યા પછી, ટીમ સતત બે વર્લ્ડ કપમાં ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી. તેથી, જર્મન ટીમ પર આ વખતે મજબૂત શરૂઆત કરવાનું દબાણ રહેશે. દરમિયાન, કુરાકાઓ પહેલીવાર ફીફા વર્લ્ડ કપમાં રમી રહ્યું છે. આશરે 156,000 ની વસ્તી ધરાવતો આ નાનો દેશ પહેલીવાર વર્લ્ડ કપમાં રમી રહ્યો છે.</p><h4><b>જાપાન અને&nbsp; નેધરલેન્ડ્સ</b></h4><p>આગામી, દિવસનો સૌથી રોમાંચક મુકાબલો નેધરલેન્ડ્સ અને જાપાન વચ્ચે થશે. ત્રણ વખત વર્લ્ડ કપ ફાઇનલમાં રમી ચૂકેલી ડચ ટીમ ફરી એકવાર ટાઇટલની શોધમાં હશે. નેધરલેન્ડ્સ 1974 થી લગભગ દરેક વર્લ્ડ કપમાં નોકઆઉટ સ્ટેજ સુધી પહોંચી છે. બીજી તરફ, જાપાન એશિયાની સૌથી મજબૂત ટીમોમાંની એક છે. તેઓ સતત આઠમા વર્લ્ડ કપમાં ભાગ લઈ રહ્યા છે. 1998 માં પ્રથમ વર્લ્ડ કપમાં હાજરી આપ્યા પછી, જાપાને ક્યારેય પાછળ વળીને જોયું નથી. તેથી, આ મેચ ખૂબ જ રોમાંચક હોવાની અપેક્ષા છે.</p><h5><b>આઇવરી કોસ્ટ અને ઇક્વાડોર આમને-સામને થશે</b></h5><p>ગ્રૂપ E ની બીજી મેચમાં, આઇવરી કોસ્ટ ઇક્વાડોરનો સામનો કરશે. ઇક્વાડોર તેના સતત બીજા વર્લ્ડ કપમાં ભાગ લઈ રહ્યું છે અને એકંદરે પાંચમા ક્રમે છે. ટીમે દક્ષિણ અમેરિકન ક્વોલિફાયરમાં શાનદાર પ્રદર્શન કર્યું, આર્જેન્ટિના પછી બીજા સ્થાને રહી. દરમિયાન, આઇવરી કોસ્ટ 12 વર્ષ પછી વર્લ્ડ કપમાં પરત ફરી રહ્યું છે. આફ્રિકન ટીમે ક્વોલિફિકેશન પ્રક્રિયામાં મજબૂત પ્રદર્શન સાથે સીધો સ્થાન મેળવ્યો. ૨૦૧૪ પછી પહેલી વાર વર્લ્ડ કપ રમી રહેલી આઇવરી કોસ્ટ આ વખતે વધુ સારું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે.</p><h5><b>સ્વીડન અને ટ્યુનિશિયા વચ્ચે ટક્કર</b></h5><p>સ્વીડન અને ટ્યુનિશિયા દિવસની અંતિમ મેચમાં એકબીજા સામે ટકરાશે. ટ્યુનિશિયા સાતમી વખત વર્લ્ડ કપ રમી રહ્યું છે અને સતત ત્રીજી વખત ટૂર્નામેન્ટમાં ભાગ લીધો છે. જોકે, ટીમ ક્યારેય ગ્રુપ સ્ટેજથી આગળ વધી શકી નથી. બીજી તરફ, સ્વીડન તેનો ૧૩મો ફિફા વર્લ્ડ કપ રમી રહ્યું છે. ટીમ ૧૯૯૪માં યુનાઇટેડ સ્ટેટ્સમાં યોજાયેલા વર્લ્ડ કપમાં ત્રીજા સ્થાને રહી હતી અને આ વખતે તે પ્રદર્શનનું પુનરાવર્તન કરવાની આશા રાખશે.</p><h4><b>ફિફા વર્લ્ડ કપ 2026 દિવસ 4 શેડ્યૂલ</b></h4><p>જર્મની અને&nbsp; કુરાકાઓ - રાત્રે 10.30 (14 જૂન, IST)</p><p>નેધરલેન્ડ અને&nbsp; જાપાન - સવારે 1.30 (15 જૂન, IST)</p><p>આઇવરી કોસ્ટ અને&nbsp; ઇક્વાડોર - સવારે 4.30 (15 જૂન, IST)</p><p>સ્વીડન અને&nbsp; ટ્યુનિશિયા - સવારે 7.30 (15 જૂન, IST)</p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/australia-starts-fifa-wc-with-a-win-defeats-turkey-2-0" target="_blank">FIFA WCમાં ઓસ્ટ્રેલિયાએ કરી જીત સાથે શરૂઆત, 2-0થી તુર્કીને હરાવ્યું</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/14/oYqAhXHRAcZrEWVec2kSV7nfx0QCELOuRWuM4NpL.webp'/></item></channel></rss>