<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabad News : જૂનાગઢની દુષ્કર્મ પીડિતાને હાઈકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/high-court-allows-abortion-for-13-year-old-junagadh-rape-survivor</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/high-court-allows-abortion-for-13-year-old-junagadh-rape-survivor</guid><pubDate>Mon, 15 Jun 2026 21:23:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાત હાઇકોર્ટે એક અત્યંત સંવેદનશીલ કેસમાં માનવતાવાદી અભિગમ અપનાવીને જૂનાગઢની 13 વર્ષની દુષ્કર્મ પીડિત સગીરાને મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી કરાવવાની મંજૂરી આપી દીધી છે. આ મામલે હાઇકોર્ટે સગીરાના હિતમાં તાત્કાલિક પ્રક્રિયા હાથ ધરવાનો કડક નિર્દેશ આપ્યો છે.સગીરાની નાની ઉંમર અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે તબીબોની વિશેષ પેનલ રચવાનો આદેશ આપ્યો છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ગાયનેકોલોજિસ્ટની એક ખાસ ટીમ બનાવવા સૂચના</b></h2><p style="text-align: justify; ">કોર્ટે જણાવ્યું છે કે આ સમગ્ર ગર્ભપાતની પ્રક્રિયા માટે 3 સિનિયર ગાયનેકોલોજિસ્ટની એક ખાસ ટીમ બનાવવામાં આવે જે પીડિતાની સુરક્ષાની સંપૂર્ણ દેખરેખ રાખશે. સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ટાંક્યું હતું કે, અમારા માટે સગીરાની શારીરિક અને માનસિક સ્થિતિ સૌથી પહેલી પ્રાથમિકતા છે. આ ઉંમરે ગર્ભધારણ સગીરાના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર આઘાત સમાન છે. જેથી તેને વધુ પીડામાંથી મુક્તિ આપવી અનિવાર્ય છે.</p><h2 style="text-align: justify; "><b>દુષ્કર્મનો રહેલો ગર્ભ માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર ઈજા સમાન</b></h2><p style="text-align: justify; ">હાઈકોર્ટે સુનાવણીમાં કહ્યું હતું કે, પીડિતાને દુષ્કર્મનો રહેલો ગર્ભ માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર ઈજા સમાન છે.  આ મામલો જૂનાગઢ જિલ્લાનો છે જ્યાં આ સગીરા પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું અને આ અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે. પીડિતા ગર્ભવતી બનતા મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો, જ્યાં હાઇકોર્ટે ત્વરિત ન્યાયિક નિર્ણય લઈને પીડિત પરિવારને મોટી રાહત આપી છે.</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-initiates-action-to-vacate-dilapidated-houses-in-11-housing-schemes-of-south-zone" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: દક્ષિણ ઝોનમાં 11 આવાસ યોજનાના જર્જરિત મકાનો ખાલી કરાવવા મનપા એક્શનમાં આવી</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/nTYpYCXwogfHkZgMAwjgtPtMs20Zt4X35FohtSXk.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News:  હાઇકોર્ટે પોપ્યુલર બિલ્ડર રમણ પટેલની સજા રદ કરવા અંગેની અરજી ફગાવી ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/high-court-rejects-builder-raman-patels-plea</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/high-court-rejects-builder-raman-patels-plea</guid><pubDate>Mon, 15 Jun 2026 21:06:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પોપ્યુલર બિલ્ડર રમણ પટેલે ચેખલા જમીન કૌભાંડ કેસમાં થયેલી સજા રદ કરવા અંગેની અરજી ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. રમણ પટેલને ખોટા દસ્તાવેજના કેસમાં સાણંદની કોર્ટે ગત વર્ષે ચાર વર્ષની સજા ફટકારી હતી. કોર્ટના ચુકાદાને રમણ પટેલે વડી અદાલતમાં પડકાર્યો હતો. જેમાં તેણે કરેલી અરજીમાં તેને થયેલી સજા રદ કરવા માટેની દાદ માંગવામાં આવી હતી જ્યારે કોર્ટના ચુકાદા પર સ્ટેની માગ કરાઈ હતી. કોર્ટે રમણ પટેલની બંને અરજીઓ ફગાવી દેતા તેની મુશ્કેલીમાં વધારો થયો છે.&nbsp;&nbsp;</p><h2 style="text-align: justify; "><b>પોપ્યુલર બિલ્ડર રમણ પટેલને HCનો ઝટકો</b></h2><p style="text-align: justify; ">પોપ્યુલર બિલ્ડર રમણ પટેલે સાણંદના ચેખલા ગામમાં બોગસ દસ્તાવેજના આધારે જમીન પચાવી પાડી હતી. જેમાં તેને સેશન્સ કોર્ટે ચાર વર્ષની સજા અને દોઢ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. રમણ પટેલે નવી શરતની જમીનને જૂની શરતમાં ફેરવવા માટે મામલતદારનો બનાવટી હુકમ તૈયાર કર્યો હતો જેના દ્વારા આખી જમીન કબજે લીધી હતી. જેથી સરકારી દસ્તાવેજો સાથે ચેડાં અને ઠગાઈની તેની સામે ફરિયાદ કરાતા તેની ધરપકડ કરવામાં આવી હતી.&nbsp;&nbsp;</p><h3 style="text-align: justify; "><b>અપીલ ઝડપી પૂર્ણ કરવા સૂચના અપાઈ</b></h3><p style="text-align: justify; ">રમણ પટેલે હાઈકોર્ટમાં કરેલી અરજીમાં તેની ઊંમર અને બિમારી હોવાનો ઉલ્લેખ કરી સજા રદ કરવા માગ કરી હતી. બીજી તરફ સરકાર દ્વારા એવી દલીલ કરાઈ હતી કે, આરોપી સામે જમીન પચાવી પાડવાના અનેક ગુના નોંધાયા છે. તેની રાજકીય વગ છે અને જમીન સંબંધિત 10 કરતાં વધુ ગુના તેની સામે નોંધાયા છે. જેથી કોર્ટે સરકારની દલીલો સાંભળીને રમણ પટેલની સજા રદ કરવા અને કોર્ટના ચુકાદાનો સ્ટે આપવા અંગેની અરજી ફગાવી દીધી હતી.  અપીલ ઝડપી પૂર્ણ કરવા સૂચના અપાઈ હતી.&nbsp;</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/why-farmers-reached-gandhinagar-with-tractor-rally-key-demands-and-issues" target="_blank">આ પણ વાંચોઃ Gujarat Farmer Protest Explainer : કેમ ખેડૂતો ટ્રેક્ટરો લઈને ગાંધીનગર સુધી પહોંચ્યા, જાણો શું છે આખા આંદોલનનો મુખ્ય મુદ્દો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/4mVWEG2ni8LG3w9WoRNpQ5hPsJtwpXkigoRXl8x6.webp'/></item><item><title><![CDATA[PM Modi Slovakia Visit: પ્રધાનમંત્રી મોદીએ ઐતિહાસિક યાત્રા દરમિયાન 11 કરાર અને 3 મોટી જાહેરાત કરી ]]></title><link>https://sandesh.com/world/news/business/pm-modi-slovakia-visit-prime-minister-modi-made-11-agreements-and-3-major-announcements-during-the-historic-visit</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/business/pm-modi-slovakia-visit-prime-minister-modi-made-11-agreements-and-3-major-announcements-during-the-historic-visit</guid><pubDate>Mon, 15 Jun 2026 20:40:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ ઐતિહાસિક મુલાકાતમાં 11 કરારો પર હસ્તાક્ષર થયા અને 3 મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી.</p><h2 style="text-align: justify; ">પીએમ મોદીનું ઉષ્માભર્યુ સ્વાગત&nbsp;</h2><p style="text-align: justify; ">પીએમ મોદીની 14-15 જૂન 2026ના રોજ સ્લોવાકિયાની મુલાકાત દરમિયાન, બંને દેશોએ તેમના દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈએ લઈ ગયા છે. 11 કરારો પર હસ્તાક્ષર કર્યા અને 3 મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. સૌથી મહત્વપૂર્ણ નિર્ણય એ હતો કે, સંબંધોને વ્યાપક ભાગીદારી સુધી પહોંચાડવામાં આવે. બેઠકો પછી બ્રાતિસ્લાવામાં એક સંયુક્ત પ્રેસ નિવેદનમાં, પીએમ મોદીએ ફિકોનો ઉષ્માભર્યો સ્વાગત બદલ આભાર માન્યો અને તેમને ભારતના નજીકના મિત્ર ગણાવ્યા હતા.</p><h3 style="text-align: justify; ">સંબંધોને મજબૂત બનાવવા કરાર</h3><p style="text-align: justify; ">આ મુલાકાતના મહત્વ પર ભાર મૂકતા પીએમ મોદીએ આપણા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાની જાહેરાત કરી. તેમણે કહ્યું, આ કોઈ ભારતીય વડા પ્રધાનની સ્લોવાકિયાની પ્રથમ મુલાકાત છે. મને આનંદ છે કે આ ઐતિહાસિક પ્રસંગે, આપણે આપણા સંબંધોને વ્યાપક ભાગીદારી સુધી પહોંચાડવાનો નિર્ણય લીધો છે. આ આપણી સહિયારી વિશ્વાસ, સામાન્ય પ્રાથમિકતાઓ અને સહિયારી ભવિષ્યનું પ્રતીક છે.</p><h4 style="text-align: justify; ">મુખ્ય કરારો અને નિર્ણયો</h4><p style="text-align: justify; ">1. શ્રમ સ્થળાંતરને પ્રોત્સાહન આપવા માટે ભારત અને સ્લોવાકિયા વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.</p><p style="text-align: justify; ">2. સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે એક પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.</p><p style="text-align: justify; ">3. ડિજિટલ ટેકનોલોજીના ક્ષેત્રમાં ભાગીદારીને મજબૂત બનાવવા માટે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.</p><p style="text-align: justify; ">4. ઉચ્ચ શિક્ષણ અને સંશોધનમાં સહયોગ વધારવા માટે એક સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.</p><p style="text-align: justify; ">5. ફિલ્મ, ટેલિવિઝન અને અન્ય સર્જનાત્મક ક્ષેત્રોમાં સહયોગ માટે ઑડિઓ-વિઝ્યુઅલ સર્જન પર એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.</p><p style="text-align: justify; ">6. સ્લોવાકિયાની કોસિસે ટેકનિકલ યુનિવર્સિટી ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર પ્રથમ ICCR ચેર સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો.</p><p style="text-align: justify; ">7. ક્વોન્ટમ કોમ્યુનિકેશન અને ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોટેક્શનના ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે એક કરાર થયો.</p><p style="text-align: justify; ">8. આયુષ મંત્રાલયની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેચરોપેથી, પુણે અને હેલ્થ સ્પા પીશાની, સ્લોવાકિયા વચ્ચે એક કરાર થયો.</p><p style="text-align: justify; ">9. IIT દિલ્હી અને સ્લોવાક ટેકનિકલ યુનિવર્સિટી વચ્ચે વિદ્યાર્થી વિનિમય, શિષ્યવૃત્તિ અને સંયુક્ત સંશોધન કાર્યક્રમો પર એક કરાર થયો.</p><p style="text-align: justify; ">10. બંને દેશોના ટૂર ઓપરેટર સંગઠનો વચ્ચે પ્રવાસન સહયોગને પ્રોત્સાહન આપવા માટે એક કરાર થયો.</p><p style="text-align: justify; ">11. ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમી (INSA) અને સ્લોવાક એકેડેમી ઓફ સાયન્સ (SAS) વચ્ચે વૈજ્ઞાનિક સહયોગ પર એક કરાર થયો.</p><h5 style="text-align: justify; ">ત્રણ મુખ્ય જાહેરાતો:</h5><p style="text-align: justify; ">1. ભારત અને સ્લોવાકિયાએ તેમના સંબંધોને વ્યાપક ભાગીદારી સુધી વધારવાની જાહેરાત કરી.</p><p style="text-align: justify; ">2. આતંકવાદ સામે લડવામાં સહયોગ વધારવા માટે આતંકવાદ વિરોધી સંયુક્ત કાર્યકારી જૂથની સ્થાપના કરવામાં આવશે.</p><p style="text-align: justify; ">3. નાગરિક સેવાઓ અને વિઝા સંબંધિત બાબતોમાં સહયોગ માટે કોન્સ્યુલર સંવાદ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ&nbsp; <a href="https://sandesh.com/world/news/us-iran-peace-deal-israel-furious-over-iran-america-deal-rebels-against-trump" target="_blank">ઇરાન-અમેરિકા ડીલ પર ભડક્યું ઇઝરાયેલ, ટ્રમ્પ સામે બગાવત!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/3BbuTwQ99ghxgdtRFLa5NW4IaXoDt6vfF0VUOsQT.webp'/></item><item><title><![CDATA[Anand News: મહીસાગર નદીમાં નાહવા પડેલા બાજીપુરાના યુવકનું ડૂબી જતાં કરુણ મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/anand/anand-news-a-young-man-from-bajipura-drowned-while-bathing-in-the-mahisagar-river-and-tragically-died</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/anand/anand-news-a-young-man-from-bajipura-drowned-while-bathing-in-the-mahisagar-river-and-tragically-died</guid><pubDate>Mon, 15 Jun 2026 20:20:08 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાંથી એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મહીસાગર નદીના લાલપુરા કિનારે નાહવા પડેલા બાજીપુરા ગામના એક આશાસ્પદ યુવકનું ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં કરુણ મોત નીપજ્યું છે. આ અકસ્માતને પગલે સ્થાનિક પંથકમાં અને યુવકના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.</p><h2 style="text-align: justify; ">બાજીપુરાના મહેશકુમારનું મોત નીપજયું</h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, બાજીપુરાનો રહેવાસી મહેશકુમાર નામનો યુવક લાલપુરા નજીક વહેતી મહીસાગર નદીમાં નાહવા માટે ગયો હતો. નાહતી વખતે અચાનક પગ લપસતાં અથવા પાણીના પ્રવાહનો અંદાજ ન આવતાં યુવક નદીના ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો. આસપાસના લોકોએ બૂમાબૂમ કરતાં આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગના તરવૈયાઓએ નદીના ઊંડા પાણીમાં ભારે શોધખોળ આદરી હતી અને અંતે યુવકના મૃતદેહને બહાર કાઢવામાં સફળતા મળી હતી.</p><h3 style="text-align: justify; ">ઉમરેઠ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી</h3><p style="text-align: justify; ">આ કમનસીબ ઘટના અંગે સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરાતા ઉમરેઠ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો સંભાળીને અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે. યુવકના શબને પોસ્ટમોર્ટમ અર્થે ઉમરેઠની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. ચોમાસાની શરૂઆતમાં નદીઓ અને જળાશયોમાં પાણીની આવક વધતી હોવાથી વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને નદી કિનારે ન જવા અને જોખમી રીતે નાહવા ન પડવા અપીલ કરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/06Mqys8eoQn35nYcMkrg3LgSkC8ivOGiMHg8mTrV.webp'/></item><item><title><![CDATA[Indian Army Uniform 2026: ભારતીય સેનાએ બ્રિટિશ યુગનો ડ્રેસ કોડ કર્યો નાબૂદ, હવે સૈનિકો 'બંદી જેકેટ' અને નવા લુકમાં દેખાશે ]]></title><link>https://sandesh.com/india/news/indian-army-uniform-2026-indian-army-abolishes-british-era-dress-code-now-soldiers-will-be-seen-in-bandi-jackets-and-new-look</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/indian-army-uniform-2026-indian-army-abolishes-british-era-dress-code-now-soldiers-will-be-seen-in-bandi-jackets-and-new-look</guid><pubDate>Mon, 15 Jun 2026 20:05:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ નવા ડ્રેસ કોડને લાગુ કરવાનો હેતુ બ્રિટિશ યુગની ગુલામીના પ્રતીકોને દૂર કરવાનો અને ભારતીય સંસ્કૃતિ અને કાર્યક્ષમતાને સ્વીકારવાનો છે.</p><h2 style="text-align: justify; ">વ્યાવસાયિક મૂલ્યોને જાળવવાના પ્રયાસ&nbsp;</h2><p style="text-align: justify; ">સેનાના અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, આ ફેરફારો સેનાની ઓળખને મજબૂત બનાવવા અને તેના રેજિમેન્ટલ વારસા અને વ્યાવસાયિક મૂલ્યોને જાળવવાના પ્રયાસનો ભાગ છે. નવા ડ્રેસ નિયમોમાં શિયાળાના જેકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવા ડ્રેસ નિયમોમાં 3B નામનો શિયાળુ ડ્રેસ કોડ સામેલ છે. આમાં શિયાળાના જેકેટનો સમાવેશ થાય છે. આ પ્રકારનો શિયાળુ જેકેટ હાલમાં વાયુસેના અને નૌકાદળના ગણવેશમાં હાજર છે. હવે, તે આર્મી યુનિફોર્મમાં પણ સામેલ કરવામાં આવ્યો છે.&nbsp;</p><h3 style="text-align: justify; ">નવા ડ્રેસ કોડથી વધશે મનોબળ&nbsp;</h3><p style="text-align: justify; ">શિયાળાની ઔપચારિક ફરજો માટે 7A અને 1C નામનો ડ્રેસ કોડ ઉમેરવામાં આવ્યો છે. લડાયક ગણવેશમાં 7A નામનો નવો ડ્રેસ કોડ ઉમેરવામાં આવ્યો છે. તેમાં ટી-શર્ટનો સમાવેશ થાય છે. 7B ગણવેશ શિયાળાની ઔપચારિક ફરજો માટે અધિકારીઓ માટે 1C નામનો નવો ડ્રેસ કોડ ઉમેરવામાં આવ્યો છે. પહેલાં, આ ડ્રેસ સૈનિકો અને JCO માટે હતો. હવે, તે અધિકારીઓ માટે કરવામાં આવ્યો છે.</p><h4 style="text-align: justify; ">ભારતીય સેનાના ગણવેશમાં આ મુખ્ય ફેરફારો&nbsp;</h4><p style="text-align: justify; ">1. અધિકારીઓને તેમના ઔપચારિક ડ્રેસ કોડના ભાગ રૂપે સ્વદેશી રીતે બનાવેલા બંદી જેકેટ પહેરવાની મંજૂરી આપવામાં આવી છે.</p><p style="text-align: justify; ">2. મહિલા અધિકારીઓ માટે સાડી, કુર્તા-સલવાર અને સીધા પેન્ટ પહેરવાનો વિકલ્પ ઉમેરવામાં આવ્યો છે.</p><p style="text-align: justify; ">3. મેસ ગણવેશમાંથી ચળકતો પાઉચ બેલ્ટ દૂર કરવામાં આવ્યો છે.</p><p style="text-align: justify; ">4. શિસ્તને વધુ કડક બનાવવા માટે, ટેટૂ, મૂછની લંબાઈ અને પરફ્યુમના ઉપયોગ અંગે નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.</p><h5 style="text-align: justify; ">ભારતીય સેનાનો ગણવેશ ક્યારે બદલાયો?</h5><p style="text-align: justify; ">આઝાદી પહેલા, બ્રિટિશ યુગ દરમિયાન, ભારતીય સૈનિકોનો ગણવેશ લાલ હતો. જે પાછળથી ખાખી રંગમાં બદલાઈ ગયો હતો. 1947માં સ્વતંત્રતા પછી, ભારતીય સેનાએ પાકિસ્તાની સૈનિકોથી અલગ પાડવા માટે ઓલિવ ગ્રીન ગણવેશ અપનાવ્યો છે. 2000ના દાયકાની શરૂઆતમાં, ફ્રેન્ચ જંગલ ડિઝાઇનથી પ્રેરિત નવી અને વધુ અસરકારક છદ્માવરણ પેટર્ન અપનાવવામાં આવી છે.</p><h6 style="text-align: justify; ">નવો ડિજિટલ લડાઇ ગણવેશ&nbsp;</h6><p style="text-align: justify; ">2022માં આર્મીએ આધુનિક ટેકનોલોજી સાથે એક નવો ડિજિટલ લડાઇ ગણવેશ અપનાવ્યો હતો. તેની વિશિષ્ટ પિક્સેલ પેટર્ન સૈનિકોને રણ, પર્વતો અને જંગલોમાં સરળતાથી છદ્માવરણ કરવામાં મદદ કરે છે. આર્મીએ બ્રિટિશ યુગની પરંપરાઓને દૂર કરીને સૈનિકો માટે એક નવો 3B શિયાળુ ગણવેશ અને ઔપચારિક કાર્યક્રમો માટે બંદી જેકેટ રજૂ કર્યુ છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/iran-deal-protest-uproar-in-iran-over-agreement-with-america-people-protest-on-the-streets" target="_blank">અમેરિકા સાથેના કરાર મામલે ઈરાનમાં હોબાળો, જનતાએ રસ્તા પર કર્યા વિરોધ પ્રદર્શન</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/19FK9j94rnNfQzITeAaRBHuraEFFP5mmdaEOPawS.webp'/></item><item><title><![CDATA[Weather Update: શું ખરેખર ચોમાસા પર સંકટ છે? જાણો કેમ ખેંચાઈ રહ્યો છે વરસાદ? ]]></title><link>https://sandesh.com/india/news/gujarat/ahmedabad/monsoon-2026-super-el-nino-effect-rain-forecast-weather-update</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/gujarat/ahmedabad/monsoon-2026-super-el-nino-effect-rain-forecast-weather-update</guid><pubDate>Mon, 15 Jun 2026 20:04:27 +05:30</pubDate><description><![CDATA[<p>હાલ રાજ્યમાં ખેડૂત કે સામાન્ય જનતા દરેકના મનમાં એક જ સવાલ છે, ચોમાસું ક્યારે બેસશે? વરસાદ ક્યારે થશે? રાજ્યમાં સામાન્ય રીતે જૂન 15 સુધીમાં ચોમાસુ બેસી જતુ હોય છે. જોકે, ચાલુ વર્ષે પરિસ્થિતિમાં પરિવર્તન જોવા મળ્યું છે. આ વર્ષે જૂનના 15 દિવસ વીત્યા બાદ પણ વરસાદ ન પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હાલ વરસાદ ખેંચાતા લોકોને કાળઝાળ ગરમી સહન કરવી પડી રહી છે. આ સાથે સાથે ખેડૂતોને દુષ્કાળનો ભય પણ સતાવી રહ્યો છે.&nbsp;</p><p>આ પરિસ્થિતિ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશના અન્ય ભાગોમાં પણ દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું નોંધપાત્ર રીતે ધીમું પડી ગયું છે. 15 જૂનની સેટેલાઇટ ઈમેજ સ્પષ્ટ કરે છે કે, દેશના મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે ચોમાસાના વાદળો ગાયબ છે.</p><h2><b>16 રાજ્યોમાં વરસાદની લાંબી રાહ</b></h2><p>દક્ષિણ ભારતમાં આગળ વધ્યા પછી મોન્સૂન સિસ્ટમ મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્રપ્રદેશની આસપાસ આવીને અટકી ગઈ છે. બીજી તરફ, ઉત્તરપૂર્વના રાજ્યોને આવરી લીધા બાદ ચોમાસું બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં પણ આગળ વધી શક્યું નથી. હવામાન વિભાગના આંકડા મુજબ, 4 જૂનથી 15 જૂન દરમિયાન દેશમાં સામાન્ય 53.7 મિલિમીટરની સરખામણીએ માત્ર 19.2 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સીધી 64 ટકા વરસાદની ખાધ દર્શાવે છે. સર્જાયેલી નબળી પ્રવૃત્તિને લીધે ગુજરાત સાથે સાથે અન્ય રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દિલ્હી&nbsp; અને છત્તીસગઢ સહિત 16 રાજ્યોમાં વરસાદની રાહ વધુ લાંબા સમય સુધી જોવી પડી શકે છે.</p><h2><b>ઉપરના વાતાવરણમાં પવનોની અસામાન્ય પેટર્ન</b></h2><p>હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ચોમાસું નબળું પડવાનું કારણ સમુદ્રમાં ભેજનો અભાવ નથી. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પૂરતો ભેજ હોવા છતાં વાદળો બંધાતા નથી, કારણ કે ઉપરના વાતાવરણમાં પવનોની અસામાન્ય પેટર્ન સર્જાઈ છે. આ વર્ષે પશ્ચિમી જેટ સ્ટ્રીમ સામાન્ય કરતાં વધુ દક્ષિણ તરફ વળી ગયો છે, જે ચોમાસાને આગળ ધપાવતા પવનોને રોકી રહ્યો છે. આગામી દિવસોમાં પરિસ્થિતિ સુધરે તેવી આશા રાખવામાં આવી રહી છે.</p><h2><b>'સુપર અલ નીનો'નું મોટું જોખમ</b></h2><p>આ તમામ કુદરતી પડકારો પાછળ 'અલ નીનો' જવાબદાર માનવામાં આવે છે, અને આ વખતે તો ચોમાસા પર 'સુપર અલ નીનો'નું જોખમ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા ચાલુ વર્ષે લાંબા સમયની સરેરાશ ઘટાડીને 870 મિલિમીટર વરસાદનું પૂર્વાનુમાન કર્યું છે. પેસિફિક મહાસાગરની સપાટી અસામાન્ય ગરમ થવાની આ પ્રક્રિયા (અલ નીનો) જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે તેની ટોચ પર હશે, જે મુખ્ય ચોમાસાનો સમયગાળો છે. આ સ્થિતિ જો લાંબી ખેંચાશે, તો કૃષિ ઉત્પાદન ઘટશે, જેનાથી દેશના સમગ્ર અર્થતંત્ર પર માઠી અસર પડી શકે છે.</p><h2><b>કેન્દ્રના નવા નિર્દેશોએ ચિંતા વધારી</b></h2><p>કેન્દ્ર સરકારના નવા નિર્દેશો મુજબ, દેશના કેટલાક ભાગોમાં પાણી મોડું આવશે, જેના કારણે ઉત્તર અને મધ્ય ભારતના વરસાદ આધારિત વિસ્તારોમાં ચિંતા વધી છે. ઇતિહાસ પર નજર કરીએ તો, વર્ષ 2002માં મજબૂત અલ નીનોને કારણે ગંભીર દુકાળ પડ્યો હતો, જ્યારે 2009માં નબળું મોન્સૂન રહ્યું હતું. વૈજ્ઞાનિકોના મત અનુસાર, વૈશ્વિક ક્લાઇમેટ ચેન્જના કારણે આગામી વર્ષોમાં અલ નીનોની તીવ્રતા હજુ વધશે, તેથી અત્યારથી જ જળ વ્યવસ્થાપન અને કૃષિ આયોજન પર વિશેષ ધ્યાન આપવું અનિવાર્ય બન્યું છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/gujarat-weather-forecast-unseasonal-rain-and-heatwave-updates" target="_blank">Weather Update: આગામી 2 દિવસ આ શહેરોમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/W9zBCztcTzxbonaEhGsL6zDUM5LsCh8WBlo08r2E.webp'/></item><item><title><![CDATA[Weather Update: શું ખરેખર ચોમાસા પર સંકટ છે? જાણો કેમ ખેંચાઈ રહ્યો છે વરસાદ? ]]></title><link>https://sandesh.com/india/news/gujarat/ahmedabad/monsoon-2026-super-el-nino-effect-rain-forecast-weather-update</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/gujarat/ahmedabad/monsoon-2026-super-el-nino-effect-rain-forecast-weather-update</guid><pubDate>Mon, 15 Jun 2026 20:04:27 +05:30</pubDate><description><![CDATA[<p>હાલ રાજ્યમાં ખેડૂત કે સામાન્ય જનતા દરેકના મનમાં એક જ સવાલ છે, ચોમાસું ક્યારે બેસશે? વરસાદ ક્યારે થશે? રાજ્યમાં સામાન્ય રીતે જૂન 15 સુધીમાં ચોમાસુ બેસી જતુ હોય છે. જોકે, ચાલુ વર્ષે પરિસ્થિતિમાં પરિવર્તન જોવા મળ્યું છે. આ વર્ષે જૂનના 15 દિવસ વીત્યા બાદ પણ વરસાદ ન પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હાલ વરસાદ ખેંચાતા લોકોને કાળઝાળ ગરમી સહન કરવી પડી રહી છે. આ સાથે સાથે ખેડૂતોને દુષ્કાળનો ભય પણ સતાવી રહ્યો છે.&nbsp;</p><p>આ પરિસ્થિતિ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશના અન્ય ભાગોમાં પણ દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું નોંધપાત્ર રીતે ધીમું પડી ગયું છે. 15 જૂનની સેટેલાઇટ ઈમેજ સ્પષ્ટ કરે છે કે, દેશના મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે ચોમાસાના વાદળો ગાયબ છે.</p><h2><b>16 રાજ્યોમાં વરસાદની લાંબી રાહ</b></h2><p>દક્ષિણ ભારતમાં આગળ વધ્યા પછી મોન્સૂન સિસ્ટમ મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્રપ્રદેશની આસપાસ આવીને અટકી ગઈ છે. બીજી તરફ, ઉત્તરપૂર્વના રાજ્યોને આવરી લીધા બાદ ચોમાસું બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં પણ આગળ વધી શક્યું નથી. હવામાન વિભાગના આંકડા મુજબ, 4 જૂનથી 15 જૂન દરમિયાન દેશમાં સામાન્ય 53.7 મિલિમીટરની સરખામણીએ માત્ર 19.2 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સીધી 64 ટકા વરસાદની ખાધ દર્શાવે છે. સર્જાયેલી નબળી પ્રવૃત્તિને લીધે ગુજરાત સાથે સાથે અન્ય રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દિલ્હી&nbsp; અને છત્તીસગઢ સહિત 16 રાજ્યોમાં વરસાદની રાહ વધુ લાંબા સમય સુધી જોવી પડી શકે છે.</p><h2><b>ઉપરના વાતાવરણમાં પવનોની અસામાન્ય પેટર્ન</b></h2><p>હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ચોમાસું નબળું પડવાનું કારણ સમુદ્રમાં ભેજનો અભાવ નથી. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પૂરતો ભેજ હોવા છતાં વાદળો બંધાતા નથી, કારણ કે ઉપરના વાતાવરણમાં પવનોની અસામાન્ય પેટર્ન સર્જાઈ છે. આ વર્ષે પશ્ચિમી જેટ સ્ટ્રીમ સામાન્ય કરતાં વધુ દક્ષિણ તરફ વળી ગયો છે, જે ચોમાસાને આગળ ધપાવતા પવનોને રોકી રહ્યો છે. આગામી દિવસોમાં પરિસ્થિતિ સુધરે તેવી આશા રાખવામાં આવી રહી છે.</p><h2><b>'સુપર અલ નીનો'નું મોટું જોખમ</b></h2><p>આ તમામ કુદરતી પડકારો પાછળ 'અલ નીનો' જવાબદાર માનવામાં આવે છે, અને આ વખતે તો ચોમાસા પર 'સુપર અલ નીનો'નું જોખમ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા ચાલુ વર્ષે લાંબા સમયની સરેરાશ ઘટાડીને 870 મિલિમીટર વરસાદનું પૂર્વાનુમાન કર્યું છે. પેસિફિક મહાસાગરની સપાટી અસામાન્ય ગરમ થવાની આ પ્રક્રિયા (અલ નીનો) જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે તેની ટોચ પર હશે, જે મુખ્ય ચોમાસાનો સમયગાળો છે. આ સ્થિતિ જો લાંબી ખેંચાશે, તો કૃષિ ઉત્પાદન ઘટશે, જેનાથી દેશના સમગ્ર અર્થતંત્ર પર માઠી અસર પડી શકે છે.</p><h2><b>કેન્દ્રના નવા નિર્દેશોએ ચિંતા વધારી</b></h2><p>કેન્દ્ર સરકારના નવા નિર્દેશો મુજબ, દેશના કેટલાક ભાગોમાં પાણી મોડું આવશે, જેના કારણે ઉત્તર અને મધ્ય ભારતના વરસાદ આધારિત વિસ્તારોમાં ચિંતા વધી છે. ઇતિહાસ પર નજર કરીએ તો, વર્ષ 2002માં મજબૂત અલ નીનોને કારણે ગંભીર દુકાળ પડ્યો હતો, જ્યારે 2009માં નબળું મોન્સૂન રહ્યું હતું. વૈજ્ઞાનિકોના મત અનુસાર, વૈશ્વિક ક્લાઇમેટ ચેન્જના કારણે આગામી વર્ષોમાં અલ નીનોની તીવ્રતા હજુ વધશે, તેથી અત્યારથી જ જળ વ્યવસ્થાપન અને કૃષિ આયોજન પર વિશેષ ધ્યાન આપવું અનિવાર્ય બન્યું છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/gujarat-weather-forecast-unseasonal-rain-and-heatwave-updates" target="_blank">Weather Update: આગામી 2 દિવસ આ શહેરોમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/W9zBCztcTzxbonaEhGsL6zDUM5LsCh8WBlo08r2E.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: સ્વર્ણિમ સંકુલ-1 ના બેઝમેન્ટમાં AC કોમ્પ્રેશરમાં લાગી આગ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gandhinagar/fire-breaks-out-in-swarnim-sankul-1-basement-ac-compressor</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gandhinagar/fire-breaks-out-in-swarnim-sankul-1-basement-ac-compressor</guid><pubDate>Mon, 15 Jun 2026 19:23:42 +05:30</pubDate><description><![CDATA[<p>રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવેલા વીઆઈપી સરકારી ભવન સ્વર્ણિમ સંકુલ-1માંથી આગ લાગવાની ઘટનાથી દોડધામ મચી જવા પામી હતી. સચિવાલય પરિસરમાં આવેલા સ્વર્ણિમ સંકુલ-1 ના બેઝમેન્ટ એરિયામાં સોમવારે અચાનક આગ ફાટી નીકળતાં થોડીવાર માટે મંત્રીઓ, અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી.</p><h2><b>AC કોમ્પ્રેશરમાં શોર્ટ સર્કિટના કારણે આગ</b></h2><p>પ્રાથમિક માહિતી અનુસાર, સ્વર્ણિમ સંકુલ-1ના બેઝમેન્ટમાં રાખવામાં આવેલા સેન્ટ્રલ એસીના કોમ્પ્રેશરમાં કોઈ ટેકનિકલ ખામી અથવા શોર્ટ સર્કિટના કારણે એકાએક આગ લાગી ગઈ હતી. જોતજોતામાં કોમ્પ્રેશરમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવાનું શરૂ થઈ ગયું હતું, જેને પગલે ત્યાં હાજર સુરક્ષાકર્મીઓ અને સ્ટાફ તાત્કાલિક હરકતમાં આવી ગયો હતો.</p><h2><b>કોઈ જાનહાનિ નહીં, મોટી દુર્ઘટના ટળી</b></h2><p>આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ બિલ્ડિંગમાં લાગેલા ફાયર સેફ્ટીના સાધનો અને ફાયર બ્રિગેડની મદદથી અત્યંત ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી હતી. સદનસીબે, આગ વધુ ફેલાય તે પહેલાં જ તેના પર તાત્કાલિક સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ બહુ મોટી રાહતની વાત છે કે, સમયસર લેવાયેલા એક્શનને કારણે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈને ઈજા પહોંચી નથી.</p><h2><b>તંત્ર દ્વારા તપાસ શરૂ કરાઈ</b></h2><p>ઉલ્લેખનીય છે કે, સ્વર્ણિમ સંકુલ-1માં રાજ્યના મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓની ઓફિસો આવેલી હોવાથી આ સ્થળ સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત મહત્વનું છે. આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે હાલ તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/gandhinagar-farmers-protest-mega-tractors-rally" target="_blank">Gandhinagar Farmers Protest: હજારો ટ્રેક્ટરોના કાફલા સાથે સરકાર સામે મોરચો, ટ્રાફિક ચક્કાજામ!</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/qEIJiN2dNqXqwoTPSPQysyKgMCYlxTY9MuEif1yn.webp'/></item><item><title><![CDATA[Neeraj Chopra દોહા ડાયમંડ લીગમાં ભાગ લેશે,જાણો ક્યારે થશે મેચ ]]></title><link>https://sandesh.com/sports/news/neeraj-chopra-doha-diamond-league-return-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/neeraj-chopra-doha-diamond-league-return-2026</guid><pubDate>Mon, 15 Jun 2026 17:45:39 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતના સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરાએ 2 ઓલિમ્પિક મેડલ જીત્યા છે, તે ફરીથી એક્શનમાં આવવા માટે તૈયાર છે. તે 19 જૂને દોહા ડાયમંડ લીગમાં એક્શનમાં પાછો ફરશે. તે 275 દિવસની ગેરહાજરી પછી એક્શનમાં પાછો ફરશે.&nbsp;</p><p style="text-align: justify;">2025 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આઠમા સ્થાને રહ્યા પછી તેને કોઈપણ રમતમાં ભાગ લીધો ન હતો. નીરજ ચોપરાએ 2020 ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ અને 2024 પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો.</p><h2 style="text-align: justify;"><b>નીરજે ગયા વર્ષે દોહા ડાયમંડ લીગમાં 90 મીટર ભાલા ફેંક્યો હતો</b></h2><p style="text-align: justify;">નીરજ ચોપરાની પસંદગી દોહા ડાયમંડ લીગ માટે થઈ છે, જ્યાં તેને ગયા વર્ષે 90 મીટરથી વધુ ભાલા ફેંક્યો હતો. હરિયાણાનો રહેવાસી નીરજ હાલમાં સ્વિટ્ઝર્લેન્ડમાં તેના ફિઝિયો અને કોચ સાથે 47 દિવસની સખત ટ્રેનિંગ લઈ રહ્યો છે. આગામી કોમનવેલ્થ ગેમ્સ માટે તેને ભારતીય ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો છે. પરંતુ આ સ્પર્ધામાં પોતાનું સ્થાન સુરક્ષિત કરવા માટે તેને એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના નિયમો અનુસાર ઓછામાં ઓછા 82.61 મીટર ભાલા ફેંકીને ક્વોલિફાય થવું પડશે.</p><h3 style="text-align: justify;"><b>નીરજ ચોપરા કોમનવેલ્થ ગેમ્સમાં પણ ભાગ લઈ શકે છે</b></h3><p style="text-align: justify;">કોમનવેલ્થ ગેમ્સ આવતા મહિને ગ્લાસગોમાં યોજાવાની છે. જો ભારતના સ્ટાર એથ્લીટ નીરજ ચોપરા ભાગ લે છે, તો ભારત પાસે ભાલા ફેંક સ્પર્ધામાં કુલ 3 એથ્લીટ હશે. બાકી રોહિત યાદવ અને યશવીર સિંહ, પહેલાથી જ ક્વોલિફાય થઈ ગયા છે. વધુમાં, આગામી દોહા ડાયમંડ લીગમાં પણ વિશ્વના બેસ્ટ એથ્લીટો વચ્ચે તીવ્ર સ્પર્ધા જોવા મળશે.&nbsp;</p><p style="text-align: justify;">ભૂતપૂર્વ ઓલિમ્પિક ચેમ્પિયન કેશોર્ન વોલકોટ (ત્રિનિદાદ અને ટોબેગો) અને શ્રીલંકાના રુમેશ તારંગા પથિરાજ જેવા અગ્રણી ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. પરંતુ પેરિસ ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા અને પાકિસ્તાનના સ્ટાર એથ્લીટ અરશદ નદીમ આ વખતે દોહા ડાયમંડ લીગમાં રમતા જોવા મળશે નહીં.</p><h4 style="text-align: justify;"><b>દોહા ડાયમંડ લીગમાં કેટલાક બેસ્ટ ભાલાધારી ખેલાડીઓ ભાગ લેશે</b></h4><p style="text-align: justify;">ટુર્નામેન્ટમાં ભાગ લેનારા ખેલાડીઓના લિસ્ટમાં ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ (આ સિઝનનો શ્રેષ્ઠ થ્રો 86.08 મીટર), યુનાઈટેડ સ્ટેટ્સના કર્ટિસ થોમ્પસન (85.33 મીટર) અને ચેક રિપબ્લિકના જેકબ વેલ્સ (85.24 મીટર)નો સમાવેશ થાય છે. દોહા સ્પર્ધામાં, ભારતના નીરજ ચોપરાએ શાનદાર 90.23 મીટર ફેંક્યો હતો, પરંતુ જર્મનીના જુલિયન વેબરે તેના છેલ્લા (છઠ્ઠા) પ્રયાસમાં 91.06 મીટર ભાલા ફેંકીને ખિતાબ પોતાના નામે કર્યો હતો.</p><p style="text-align: justify;"><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/entertainment/abhishek-mahira-sharma-dating-rumors-matching-bracelet" target="_blank">Abhishek Sharma માહિરા શર્માને કરી રહ્યો છે ડેટ? ઈન્સ્ટાગ્રામની 'સીક્રેટ' પોસ્ટમાં થયો ખુલાસો!</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/EqnLHZGTw1ECnw7QCfJKZxKLnBf4nBJQVXBIomC6.webp'/></item><item><title><![CDATA[Arijit Singh બાદ હવે પ્રીતમ પણ લેવા જઈ રહ્યા છે સંન્યાસ? શેર કરી ભાવુક પોસ્ટ ]]></title><link>https://sandesh.com/entertainment/news/music-composer-pritam-hints-at-retirement-break</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/music-composer-pritam-hints-at-retirement-break</guid><pubDate>Mon, 15 Jun 2026 17:37:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અરિજીત સિંહે આ વર્ષની શરૂઆતમાં એક પોસ્ટ શેર કરી હતી, જેની સાથે તેમણે પ્લેબેક સિંગિંગમાંથી સંન્યાસની જાહેરાત કરીને પોતાના પ્રશંસકોને નિરાશ કરી દીધા હતા. હવે એવું લાગે છે કે અરિજીત સિંહ બાદ મ્યુઝિક કમ્પોઝર અને સિંગર પ્રીતમ પણ આ જ રસ્તા પર ચાલવા અંગે વિચાર કરી રહ્યા છે. પ્રીતમે પોતાના જન્મદિવસના અવસર પર એક પોસ્ટ શેર કરી, જેને જોયા પછી સોશિયલ મીડિયા યુઝર્સે અટકળો લગાવવાનું શરૂ કરી દીધું છે કે હવે પ્રીતમ દા પણ મેઈનસ્ટ્રીમ મ્યુઝિકમાંથી બ્રેક લેવાના મૂડમાં છે. પ્રીતમની આ પોસ્ટ પછી મોટાભાગના યુઝર્સ તેમને પૂછી રહ્યા છે કે ક્યાંક તેઓ પણ અરિજીત સિંહની જેમ પ્લેબેક સિંગિંગમાંથી સંન્યાસની જાહેરાત કરવાની તૈયારીમાં તો નથી ને?</p><h2 style="text-align: justify; "><b>પ્રીતમે બ્રેક લેવા તરફ કર્યો ઈશારો</b></h2><p style="text-align: justify; ">પ્રીતમે પોતાના જન્મદિવસ પર એક બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરી છે, જેમાં તેઓ વિચારોમાં ખોવાયેલા જોવા મળી રહ્યા છે. આ તસવીર શેર કરતા તેમણે એક ભાવુક નોંધ પણ લખી છે, જેમાં લખ્યું છે કે તેઓ હવે પોતાની જિંદગી કંઈક અલગ રીતે જીવવા માગે છે. એવી જિંદગી જે તેમને હંમેશાથી આકર્ષિત કરતી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ જિંદગી પાછળ છૂટી ગઈ. પરંતુ હવે તેઓ એ બધી બાબતો પર ધ્યાન આપવા માગે છે, જેના પર અત્યાર સુધી આપી શક્યા નથી.</p><h3 style="text-align: justify; "><b>પ્રીતમ દાની પોસ્ટ</b></h3><p style="text-align: justify; ">પોતાની પોસ્ટમાં પ્રીતમ દાએ લખ્યું- 'તમારા બધાની શુભેચ્છાઓ માટે ખૂબ ખૂબ આભાર. હું દરેક વ્યક્તિને અલગ-અલગ જવાબ આપી શકું તેમ નથી, તેથી કૃપા કરીને મારો હૃદયપૂર્વકનો આભાર સ્વીકારો. આજે, મેં મારી જાતને થોડા વર્ષો એવી રીતે જીવવાની ભેટ આપવાનું નક્કી કર્યું છે જેમાં જિંદગીને અલગ રીતે જીવી શકાય. એ બાબતોને પૂરી કરવા માટે જે હું અત્યાર સુધી કરી શક્યો નથી. હવે એ નવી સફર પર નીકળવાનો સમય આવી ગયો છે, જેને હું લાંબા સમયથી ટાળી રહ્યો હતો. સામાન્ય રસ્તા પર ચાલવું પણ એક શાનદાર અનુભવ હોય છે. પરંતુ, મને હંમેશા એ રસ્તાઓ વિશે જાણવાની વધુ ઉત્સુકતા રહી છે જેના પર હજી સુધી કોઈ ગયું નથી. તમારા બધાના પ્રેમ અને સાથ માટે ધન્યવાદ. હંમેશા....'<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DZkt-EniGuR/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DZkt-EniGuR/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DZkt-EniGuR/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DZkt-EniGuR/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>અરિજીત સિંહના રસ્તે પ્રીતમ?</b></h4><p style="text-align: justify; ">પ્રીતમની આ પોસ્ટ જોયા પછી તેમના પ્રશંસકોને ચિંતા થવા લાગી છે કે ક્યાંક તેઓ પણ પ્લેબેક સિંગિંગમાંથી બ્રેક લેવાના મૂડમાં તો નથી ને. એવામાં ઘણા લોકોએ તેમની પોસ્ટ પર કોમેન્ટ કરીને સવાલો પૂછવાનું શરૂ કરી દીધું. એક યુઝરે લખ્યું- ક્યાંક તમે પણ અરિજીત સિંહનો રસ્તો પકડવાની તૈયારી તો નથી કરી રહ્યા ને? વળી એકે લખ્યું- લાગે છે હવે પ્રીતમ દા પણ બોલીવુડ મ્યુઝિકમાંથી બ્રેક લેવાની તૈયારીમાં છે. વધુ એક લખે છે - શું પ્રીતમ પણ બોલીવુડ મ્યુઝિકમાંથી રિટાયરમેન્ટ લેવાની જાહેરાત કરવાના છે?' આવી જ કોમેન્ટ્સ કરીને યુઝર્સ પ્રીતમને સવાલ પૂછી રહ્યા છે અને રિટાયરમેન્ટ અંગે આશંકા વ્યક્ત કરી રહ્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/mithun-chakraborty-daughter-dishani-engagement" target="_blank">આ પણ વાંચો-Mithun Chakrabortyની દીકરી દિશાનીએ કરી લીધી સગાઈ, જાણો કોણ છે ડિસ્કો ડાન્સરના જમાઈરાજ?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/56ZNZEtTdr1W93Oq5FOUkEH8VwCqWa8pZcNtz2tk.webp'/></item></channel></rss>