<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[FIFA World Cup 2026ની ફાઈનલ પહેલા ટ્રમ્પે વ્યક્ત કરી ઈચ્છા, કહ્યું- "યુએસને ફરીથી FIFAનું યજમાન બનાવો" ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/donald-trump-fifa-world-cup-2026-hosting-comments</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/donald-trump-fifa-world-cup-2026-hosting-comments</guid><pubDate>Sat, 18 Jul 2026 08:23:27 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફિફા વર્લ્ડકપ 2026 ફાઈનલ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર પોતાના નિવેદનથી ચર્ચામાં છે. ન્યૂયોર્કના ટ્રમ્પ ટાવર ખાતે આયોજિત ફિફા રિસેપ્શન દરમિયાન ટ્રમ્પે કહ્યું કે ભવિષ્યમાં યુનાઈટેડ સ્ટેટ્સે ફરીથી વર્લ્ડકપનું આયોજન કરવું જોઈએ, પરંતુ આ વખતે કેનેડા અને મેક્સિકોનો સમાવેશ ન કરવો જોઈએ.</p><p style="text-align: justify; ">FIFA પ્રમુખ ગિયાની ઈન્ફેન્ટિનોની હાજરીમાં ટ્રમ્પે કહ્યું કે "તમારે આગામી વર્લ્ડકપ યુનાઈટેડ સ્ટેટ્સને પાછો આપવો જોઈએ. આ વખતે અમે કેનેડા અને મેક્સિકોને બહાર રાખીશું." પરંતુ તેમને આ વાત હળવાશથી કહી હતી, તેમનું નિવેદન તરત જ ચર્ચાનો વિષય બની ગયું.</p><p style="text-align: justify; ">ટ્રમ્પે મજાકમાં એવું પણ સૂચન કર્યું કે જો અમેરિકા એકલા આ કાર્યક્રમનું આયોજન ન કરી શકે, તો તે ચીન સાથે ભાગીદારી કરી શકે છે. તેમને વધુમાં કહ્યું કે "તો મેચ વચ્ચેની ફ્લાઈટ્સ ટૂંકી થશે." તેમના નિવેદનથી પ્રેક્ષકોમાં હાસ્ય છવાઈ ગયું.</p><h2 style="text-align: justify; "><b>2026નો વર્લ્ડકપ "અમેરિકન ડ્રીમ"નું પ્રતિક છે!</b></h2><p style="text-align: justify; ">FIFA પ્રમુખ ગિયાની ઈન્ફેન્ટિનોએ પણ ટ્રમ્પની પ્રશંસા કરતા કહ્યું કે 2026નો વર્લ્ડ કપ "અમેરિકન ડ્રીમ"નું પ્રતીક બની ગયો છે અને ટ્રમ્પના સમર્થને ટુર્નામેન્ટના સફળ આયોજનમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.</p><p style="text-align: justify; ">ટ્રમ્પ અને ઈન્ફેન્ટિનોના ગાઢ સંબંધોની ચર્ચા પહેલા પણ થઈ ચૂકી છે. તાજેતરમાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમને ઈન્ફેન્ટિનો સાથે વાત કરી હતી અને અમેરિકન ફૂટબોલર ફોલારિન બાલોગુન પર લાદવામાં આવેલા રેડ કાર્ડ સસ્પેન્શનને રદ્દ કરવાની વિનંતી કરી હતી. બાદમાં બાલોગુનને આગામી મેચમાં રમવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ યુનાઈટેડ સ્ટેટ્સ બેલ્જિયમ સામે 4-1થી હારી ગયું હતું અને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હતું.</p><h3 style="text-align: justify; "><b>યુએસએ, કેનેડા અને મેક્સિકોએ ફિફાનું આયોજન કર્યું</b></h3><p style="text-align: justify; ">ફિફા વર્લ્ડકપ 2026નું આયોજન યુનાઈટેડ સ્ટેટ્સ, કેનેડા અને મેક્સિકો સંયુક્ત રીતે કરી રહ્યા છે. આ ટુર્નામેન્ટ હવે તેના અંતિમ તબક્કામાં છે, રવિવારે ન્યુ જર્સીના મેટલાઈફ સ્ટેડિયમ ખાતે આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે ફાઈનલ મેચ યોજાવાની છે. ટ્રમ્પે કહ્યું કે તેઓ ફાઈનલ મેચમાં હાજર રહેશે.</p><p style="text-align: justify; ">ફિફાએ પહેલાથી જ 2030 વર્લ્ડકપ મોરોક્કો, પોર્ટુગલ અને સ્પેનને અને 2034 વર્લ્ડકપ સાઉદી અરેબિયાને સોંપી દીધો છે. પરંતુ 2038 વર્લ્ડકપ માટે હજુ સુધી યજમાનની પસંદગી કરવામાં આવી નથી. ટ્રમ્પના નિવેદનથી ભવિષ્યની યજમાની તકો અંગે નવી ચર્ચા શરૂ થઈ છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/ishan-kishan-run-out-abhishek-sharma-stump-mic-video" target="_blank">Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/18/NrbrR0NnDTFUWLeLQnJAEApSh51JnkYlYevjxGW3.webp'/></item><item><title><![CDATA[Surat:  ગોડાદરામાં હોર્ન મારવા બાબતે આતંક મચાવી વાહનો તોડનારી ગેંગના 7 સાગરીતો હથિયારો સાથે ગિરફ્તાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/godadra-crime-7-arrested-for-vandalism-and-attack-over-horn-dispute</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/godadra-crime-7-arrested-for-vandalism-and-attack-over-horn-dispute</guid><pubDate>Sat, 18 Jul 2026 08:23:24 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. રસ્તા પરથી પસાર થતી વખતે માત્ર હોર્ન મારવા જેવી તદ્દન નજીવી બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય ઝઘડો જોતજોતામાં લોહિયાળ ખેલમાં ફેરવાઈ ગયો હતો. એક પક્ષના માથાભારે યુવકોએ પોતાના અન્ય સાગરીતોને હથિયારો સાથે ઘટનાસ્થળે બોલાવી લીધા હતા અને સમગ્ર વિસ્તારમાં આતંક મચાવવાનું શરૂ કર્યું હતું.</p><h2><b>સુરતમાં ગુંડાઓનો ખાતમો</b></h2><p>આ આરોપીઓ હાથમાં તલવાર, પાઇપ અને છરા જેવા ઘાતક હથિયારો લઈને ફરિયાદીના ઘર પાસે ધસી આવ્યા હતા અને તેમના પર જીવલેણ હુમલો કરી દીધો હતો. ફરિયાદીને બચાવવા વચ્ચે પડેલા સ્થાનિકોને પણ આરોપીઓએ હથિયારો બતાવીને ડરાવ્યા હતા. એટલું જ નહીં, આસપાસના લોકોમાં ભયનો માહોલ પેદા કરવા માટે રસ્તા પર અને સોસાયટીના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી અનેક મોટરસાયકલ અને ફોર-વ્હીલર વાહનોમાં લાકડીઓ અને હથિયારો વડે બેફામ તોડફોડ કરી મોટું નુકસાન પહોંચાડ્યું હતું. આ ગુંડાગર્દીના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા હતા.</p><h3><b>આતંક મચાવનાર 7 મુખ્ય સાગરીતોને દબોચી લીધા</b></h3><p>ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કમિશનરની સૂચનાથી ગોડાદરા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો તુરંત એક્શનમાં આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક બાતમીદારોના આધારે તપાસના ચક્રો ગતિમાન કરીને આ આતંક મચાવનારી ટોળકીના 7 મુખ્ય સાગરીતોને રાતોરાત દબોચી લીધા છે. પોલીસે તેમની પાસેથી હુમલામાં વપરાયેલા હથિયારો પણ જપ્ત કર્યા છે. સ્થાનિક રહીશોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધે તે માટે પકડાયેલા ગુંડાઓને જેલ ભેગા કરતા પહેલાં કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે અને તેમની સામે આકરા કાનૂની પગલાં ભરવાની તજવીજ હાથ ધરાઈ છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/vadodara/police-transfers-2-acp-7-psi-placed-in-leave-reserve-ahead-of-bypolls" target="_blank">આ પણ વાંચો: Vadodara: પેટાચૂંટણી અગાઉ ચૂંટણી પંચની ગાઇડલાઇન હેઠળ 2 ACP અને 7 PSI ની સાગમટે બદલી</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/18/LenkhkYhWQUzjafDnA9rQEzvgL2LyfdmHXYKKlyK.webp'/></item><item><title><![CDATA[Vadodara: પેટાચૂંટણી અગાઉ ચૂંટણી પંચની ગાઇડલાઇન હેઠળ 2 ACP અને 7 PSI ની સાગમટે બદલી ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/police-transfers-2-acp-7-psi-placed-in-leave-reserve-ahead-of-bypolls</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/police-transfers-2-acp-7-psi-placed-in-leave-reserve-ahead-of-bypolls</guid><pubDate>Sat, 18 Jul 2026 07:49:25 +05:30</pubDate><description><![CDATA[<p>વડોદરામાં આગામી દિવસોમાં યોજાનારી પેટાચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમ છે, ત્યારે વહીવટી સ્તરે પણ પૂર્વ તૈયારીઓ અને નિયમોનું ચુસ્ત પાલન શરૂ કરી દેવાયું છે. ચૂંટણી પંચના નિયમ મુજબ જે તે વિસ્તારમાં લાંબા સમયથી ફરજ બજાવતા અથવા સ્થાનિક સ્તરે પ્રભાવ ધરાવતા અધિકારીઓની બદલી કરવાની પ્રક્રિયાના ભાગરૂપે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા મોટો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ આદેશ અન્વયે વડોદરાના ૨ એસીપી અને ૭ પીએસઆઈ સહિત કુલ 9 ઉચ્ચ અધિકારીઓની બદલી અને લીવ રિઝર્વના હુકમ કરાયા છે.</p><h2><b>વડોદરા પોલીસ બેડામાં મોટો ભૂકંપ</b></h2><p>આ આંતરિક બદલીઓમાં સૌથી મહત્વની બદલી વડોદરા શહેરના વ્યસ્ત અને સંવેદનશીલ ગણાતા એફ (F) ડિવિઝનની છે. એફ ડિવિઝનના એસીપી પ્રણવ કટારીયાની બદલી કરવામાં આવી છે અને તેમના સ્થાને વી. પી. ગામિતને નવા એસીપી તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત, શહેરમાં કાયદો અને વ્યવસ્થાની દૃષ્ટિએ મહત્વના ગણાતા માંજલપુર, કપુરાઇ અને મકરપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ (PSI) ને કોઈપણ જાતની નવી નિયુક્તિ વગર સીધા લીવ રિઝર્વ (લાઈન હાજર) માં મૂકી દેવામાં આવ્યા છે.</p><h3><b>2 ACP અને 7 PSI ની સાગમટે બદલી</b></h3><p>પેટાચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની રાજકીય પક્ષપાતની આશંકા ન રહે અને મતદાન પ્રક્રિયા સંપૂર્ણપણે ન્યાયી અને પારદર્શક વાતાવરણમાં સંપન્ન થાય તે માટે આ સફાયો કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે ચૂંટણી જાહેર થતા પૂર્વે અથવા જાહેર થયા બાદ તુરંત જ તંત્ર દ્વારા આવા સંવેદનશીલ પોલીસ સ્ટેશનોના અધિકારીઓને હટાવવામાં આવતા હોય છે. એકસાથે ૭ જેટલા પીએસઆઈને લીવ રિઝર્વમાં મુકાતા વડોદરાના અન્ય પોલીસ અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં હજુ પણ કોર્પોરેશન અને મહેસૂલ વિભાગના અધિકારીઓની પણ મોટી બદલીઓ તોળાઈ રહી હોવાના સંકેતો મળી રહ્યા છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/two-rain-systems-are-active-in-the-state-know-where-and-how-the-rain-will-be-in-the-coming-days" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય, જાણો આગામી દિવસોમાં ક્યાં કેવો રહેશે વરસાદ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/18/rSUjmbyshDYNiSDZDsW2V7IwRCw4Y8CNC963VWsU.webp'/></item><item><title><![CDATA[Himatnagar: નવી ખાતર વિતરણ વ્યવસ્થા સામે ઈડર ધારાસભ્યએ મુખ્યમંત્રીને રજૂઆત કરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/himatnagar/himatnagar-idar-mla-makes-a-representation-to-the-chief-minister-against-the-new-fertilizer-distribution-system</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/himatnagar/himatnagar-idar-mla-makes-a-representation-to-the-chief-minister-against-the-new-fertilizer-distribution-system</guid><pubDate>Sat, 18 Jul 2026 05:58:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કેન્દ્ર સરકારની નેશનલ ફર્ટીલાઇઝર સેલ ફ્રેમવર્ક હેઠળ રાસાયણિક ખાતરના 100 ટકા વિતરણ માટે તાજેતરમાં અમલી બનાવાયેલ નવી પ્રણાલીને લઈને ઈડર તાલુકાના ખેડૂતોએ તેની નોંધણી અને ખરીદી માટે પડી રહેલી મુશ્કેલીઓ દુર કરવા માટે ખેડૂત સંગઠને તાજેતરમાં ઈડરના ધારાસભ્યને કરેલી રજૂઆત બાદ આ ધારાસભ્યે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી યોગ્ય કરવાની માંગ કરી છે. આ અંગે ઇડર ધારાસભ્ય રમણ વોરાએ કરેલી રજૂઆતમાં જણાવાયું છે કે, કૃષિ વિભાગના તા.4મી જૂન 2026ના પરિપત્ર મુજબ સાબરકાંઠા અને નવસારી જિલ્લામાં પ્રાયોગીક ધોરણે નવી ખાતર વિતરણ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. સાબરકાંઠા ખેતીપ્રધાન જિલ્લો હોવાથી અને અગાઉ ડાર્કઝોનની સમસ્યાઓનો સામનો કરી ચૂક્યો હોવાથી ખેડૂતોને આ નવી વ્યવસ્થાથી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વધુમાં કિસાન સંઘની રજૂઆતનો પણ ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે, ચાલુ વર્ષે ઓછા વરસાદને કારણે ખેડૂતોને પહેલેથી જ નુકસાન સહન કરવું પડી રહ્યું છે. આવી સ્થિતિમાં નવી ડિજિટલ આધારિત પ્રણાલી ખેડૂતો માટે વધુ મુશ્કેલી ઉભી થઈ છે. ખેડૂતો દ્વારા 21 પ્રશ્નો અને વાંધાઓ પણ રજૂ કરવામાં આવ્યા છે. અને સ્થાનિક ધારાસભ્યને ખેડૂતોનો અવાજ તથા મુશ્કેલીઓ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરવા કરેલી અપીલ બાદ ધારાસભ્યએ મુખ્યમંત્રીને ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને સાબરકાંઠાને પાયલોટ યોજનામાંથી મુક્તિ આપી અગાઉની જૂની પદ્ધતિથી રાસાયણિક ખાતરનું વિતરણ ચાલુ રાખવા રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સમક્ષ જરૂરી રજૂઆત કરવા વિનંતી કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/18/n2dhzBEGQdMjgG9OYkQTCro3kMPNRz62jZjaHjUl.webp'/></item><item><title><![CDATA[Himatnagar: વકીલો-નોટરી માટે બેસવાની સગવડ આપવા માટે માંગણી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/himatnagar/himatnagar-demand-for-seating-facilities-for-lawyers-and-notaries</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/himatnagar/himatnagar-demand-for-seating-facilities-for-lawyers-and-notaries</guid><pubDate>Sat, 18 Jul 2026 05:57:48 +05:30</pubDate><description><![CDATA[<p>હિંમતનગર- ઈડર રોડ પર પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં અદ્યતન બહુમાળી ન્યાય સંકુલમાં રોજબરોજ અરજદારો, વકીલો તથા જરૂરી સ્ટેમ્પ ટીકીટ તથા સ્ટેમ્પ ખરીદવા માટે અનેક લોકો અવર જવર કરે છે ત્યારે કેટલાક જરૂરીયાતમંદોને નોટરીની કામગીરી કરનારને શોધવા પડે છે, જેથી હિંમતનગરના એડવોકેટ અને નોટરીઓ માટે ન્યાય સંકુલમાં ભોયતળીયે બેસવાની સગવડ આપવાની માંગ કરાઈ રહી છે. આ અંગે નોટરી નરેન્દ્રસિંહ રાઠોડના જણાવાયા મુજબ, રોજબરોજ નોટરી કરનારાઓને પ્રજા સાથે સીધો સંપર્ક રહે તે માટે ભોયતળીયે બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવે તો 150થી વધુ નોટરીનું કામ કરતાં વકીલો અને આમ પ્રજાને સંપર્ક કરવામાં કોઈ મુશ્કેલી થશે નહીં. ઉલ્લેખનીય છે કે, મોડાસા, ગાંધીનગર, મહેસાણા અને અમદાવાદમાં એડવોકેટ તથા નોટરી કરનારાઓ માટે ભોયતળીયે બેસવાની તથા ટેબલની વ્યવસ્થા કરાઈ છે. જેથી હિંમતનગર ન્યાય સંકુલમાં પણ આવી વ્યવસ્થા ઉભી થાય તે જરૂરી છે. એટલુ જ નહીં પણ અગાઉ જયાં જુની કોર્ટ ચાલતી હતી તે બિલ્ડીંગનું પઝેશન આપી દીધા પછી એડવોકેટ, નોટરીઓની બેઠક વ્યવસ્થા હવે રહી નથી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/18/6EAKLyx34kR1DqEYP4zQOPJaaM4P6X292RpYRWTT.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: અમદાવાદ શહેરમાંથી ચોરેલા બાઈક સાથે ધ્રાંગધ્રાના યુવાનને પોલીસે ઝડપી પાડયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-police-nab-a-young-man-from-dhrangadhra-with-a-stolen-bike-from-ahmedabad-city</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-police-nab-a-young-man-from-dhrangadhra-with-a-stolen-bike-from-ahmedabad-city</guid><pubDate>Sat, 18 Jul 2026 05:50:29 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર એલસીબી ટીમના કીશોરભાઈ પારધી, દશરથભાઈ સહિતનાઓને ધ્રાંગધ્રા બીએસએનએલ કચેરી પાસેથી એક શખ્સ શંકાસ્પદ બાઈક સાથે પસાર થવાનો હોવાની બાતમી મળતા વોચ રખાઈ હતી. જેમાં ધ્રાંગધ્રાના મેળાના મેદાન પાછળ રહેતો મુન્ના બેચરભાઈ દલસાણીયા અમદાવાદના બોડકદેવ પોલીસ મથક વિસ્તારમાંથી ચોરેલ બાઈક સાથે ઝડપાયો હતો. આ બાઈક ચોરીની ઈ-એફઆઈઆર નોંધાયેલી છે. એલસીબી ટીમે રૂપીયા 50 હજારના બાઈક સાથે મુન્નાને ઝડપી લઈ સ્થાનીક પોલીસના હવાલે કર્યો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/18/nI6Y1TywHx3dCRkeGooCANJpXW5CH75V1D1cpJ4l.webp'/></item><item><title><![CDATA[વાંચો 18 જુલાઈના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે ]]></title><link>https://sandesh.com/india/news/gujarat/18-july-top-news-history-current-affairs-events</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/gujarat/18-july-top-news-history-current-affairs-events</guid><pubDate>Fri, 17 Jul 2026 22:20:37 +05:30</pubDate><description><![CDATA[<p>18 જુલાઈનો દિવસ વૈશ્વિક અને રાષ્ટ્રીય સ્તરે અત્યંત મહત્વપૂર્ણ છે. એક તરફ જ્યાં 18 જુલાઈના રોજ વિશ્વભરમાં નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યાં બીજી તરફ અવકાશ ક્ષેત્રે ભારતની ખાનગી કંપની સ્કાઈરૂટ એરોસ્પેસ નવો ઈતિહાસ રચવા જઈ રહી છે. આ ઉપરાંત દેશમાં રાજકીય ગરમાવો, ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની કડક કાર્યવાહી અને 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જેવી અનેક મહત્વની ગતિવિધિઓ કેન્દ્રસ્થાને છે.</p><h2><b>સ્કાઈરૂટ એરોસ્પેસનું પ્રથમ પ્રાઈવેટ ઓર્બિટલ મિશન અને પીએમ મોદીનો સંદેશ</b></h2><p>18 જુલાઈના રોજ હૈદરાબાદ સ્થિત સ્પેસ સ્ટાર્ટઅપ 'સ્કાઈરૂટ એરોસ્પેસ' દ્વારા આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતેથી ભારતના પ્રથમ પ્રાઈવેટ ઓર્બિટલ લોન્ચ વ્હીકલ 'વિક્રમ-1' (ટેસ્ટ ફ્લાઈટ-1) નું લોન્ચિંગ કરવામાં આવશે. આ ઐતિહાસિક ઉડાનની ખાસ વાત એ છે કે, તેના દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે લખાયેલું પોસ્ટકાર્ડ 'વંદે માતરમ્' પણ અંતરિક્ષમાં મોકલવામાં આવશે.</p><h2><b>દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ</b></h2><p>18 જુલાઈના રોજ હવામાન વિભાગ દ્વારા ઉત્તર પ્રદેશ, બિહાર સહિત દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ વિસ્તારોમાં 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ખાસ કરીને પર્વતીય અને પૂર્વ ભારતના રાજ્યોમાં વીજળી પડવા અને વાવાઝોડાને લઈને કડક એલર્ટ જાહેર કરાયું છે.</p><h2><b>અમિત શાહનો બંગાળ પ્રવાસ અને સંગઠનની બેઠકો</b></h2><p>કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 18-19 જુલાઈ દરમિયાન પશ્ચિમ બંગાળના પ્રવાસે રહેશે. આ મુલાકાત દરમિયાન તેઓ ભાજપના સાંસદો અને ધારાસભ્યો સાથે મહત્વની બેઠકો કરશે તેમજ તેમને શાસન અને સંગઠનના પાઠ ભણાવશે, જે આગામી સમય માટે રાજકીય રીતે ખૂબ મહત્વનું માનવામાં આવે છે.</p><h2><b>CM યોગી આદિત્યનાથ દ્વારા કરોડોના વિકાસકાર્યોની ભેટ</b></h2><p>18 જુલાઈના રોજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સંભલ જિલ્લાની મુલાકાતે જશે. ત્યાં તેઓ રૂ. 1,000 કરોડથી પણ વધુના ખર્ચે સાકાર થનારી વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું શિલાન્યાસ અને લોકાર્પણ કરીને જનતાને મોટી ભેટ આપશે.</p><h2><b>રાહુલ ગાંધીના માનહાનિ કેસમાં સુનાવણીની શક્યતા</b></h2><p>લોકસભાના નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીના માનહાનિ કેસ મામલે સુલતાનપુરની એમએલએ કોર્ટમાં 18 જુલાઈના રોજ સુનાવણી થઈ શકે છે. કોર્ટે અગાઉ 15 જુલાઈના રોજ સુનાવણી હાથ ધરીને પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો, જેના પર નજર રહેશે.</p><h2><b>ગુજરાતના શહેરોમાં સંકલન બેઠકોનો ધમધમાટ</b></h2><p>18 જુલાઈના રોજ અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ધારાસભ્યો અને સાંસદોની મહત્વની સંકલન બેઠક યોજાશે, જેમાં સ્થાનિક પ્રશ્નોની રજૂઆત કરાશે. બીજી તરફ નર્મદા જિલ્લામાં પણ ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શના દેશમુખ દ્વારા ઉઠાવેલા પ્રશ્નોને કારણે સંકલન બેઠક તોફાની બનવાના એંધાણ છે. ઉપરાંત રાજપીપળા કમલમ ખાતે ચૂંટણીલક્ષી આદિજાતિ મોર્ચાની અગત્યની બેઠક યોજાશે.</p><h2><b>ફાયર સેફ્ટી અને ડીસા બ્લાસ્ટ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી</b></h2><p>ગુજરાતમાં ફાયર સેફ્ટીના અભાવ મામલે થયેલી અરજીઓ તેમજ ડીસા ખાતે થયેલા ફટાકડા બ્લાસ્ટની ગંભીર ઘટના સંદર્ભે 18 જુલાઈના રોજ ગુજરાત હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી હાથ કરવામાં આવશે, જેના પર સૌની નજર ટકેલી છે.</p><h2><b>દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોનો વિરોધ પ્રદર્શન</b></h2><p>દક્ષિણ ગુજરાતમાં નવી વીજલાઇન નાખવાના કારણે થયેલા નુકસાન સામે તંત્ર દ્વારા ઓછું વળતર અપાતા ખેડૂતોમાં રોષ છે. આ મુદ્દે 18 જુલાઈના રોજ ખેડૂત સમાજ દ્વારા મોટી સંખ્યામાં ખેડૂતોને સાથે રાખીને કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.</p><h2><b>પોરબંદરમાં મેઘરાજાને રિઝવવા પગપાળા પ્રાર્થના યાત્રા</b></h2><p>પોરબંદરમાં વરસાદ ખેંચાતા હોલસેલ, રિટેલ અને કરિયાણા એસોસિએશન દ્વારા અનોખું આયોજન કરાયું છે. 18 જુલાઈના રોજ સાંજે 4 વાગ્યે વેપારીઓ સુતરવાડાથી રોકડિયા હનુમાન મંદિર સુધી પગપાળા જઈને મેઘરાજાને રિઝવવા હનુમાનજીને સામૂહિક પ્રાર્થના કરશે.</p><h2><b>કોડીનારમાં વિજેતા ગર્લ્સ વોલીબોલ ટીમનું ભવ્ય સન્માન</b></h2><p>થાઈલેન્ડમાં યોજાયેલી 16મી એશિયન ગર્લ્સ અંડર-18 વોલીબોલ ચેમ્પિયનશિપમાં ભારતનું નામ રોશન કરીને પરત ફરેલી ટીમની ગુજરાતની ત્રણ દીકરીઓ અને કોચ માટે કોડીનારમાં 18 જુલાઈના રોજ ભવ્ય સ્વાગત યાત્રા અને સન્માન સમારોહ યોજાશે. જેમાં શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા હાજર રહેશે.</p><h2><b>અમદાવાદ અને સુરતમાં 18 જુલાઈના રોજ વિવિધ સાંસ્કૃતિક તથા વ્યાપારી કાર્યક્રમો</b></h2><ul><li><b>PRSI રાષ્ટ્રીય કોન્ફરન્સ: </b>અમદાવાદમાં પબ્લિક રિલેશન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા ‘AI ના યુગમાં ફેક્ટ-ચેકિંગ’ વિષય પર રાષ્ટ્રીય પરિસંવાદ યોજાશે.</li><li><b>સૌથી મોટી કૃષ્ણ મૂર્તિનું આગમન:</b> સુરતના કોટસફીલ રોડ પર મલિક ગ્રુપ દ્વારા ભારતની સૌથી મોટી ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિની ભવ્ય શોભાયાત્રા રાત્રે 8:00 વાગ્યે નીકળશે.</li><li><b>કોકટેલ લાઈફસ્ટાઈલ એક્ઝિબિશન:</b> અમદાવાદના સેટેલાઇટ સ્થિત સીમા હોલ ખાતે તહેવારોની ખરીદી માટે ફેશન અને જ્વેલરીનું વિશેષ પ્રદર્શન ચાલુ રહેશે (17, 18 અને 19 જુલાઈ).</li><li><b>સાંસ્કૃતિક કાર્યક્રમ:</b> અમદાવાદના એચ.કે. હોલમાં સાંજે 7:30 વાગ્યે અવિનાશ ગુપ્તા સાથે ‘ટ્રિપ ડાઉન મેમરી લેન’ મ્યુઝિકલ શો યોજાશે.</li></ul><h2><b>ગુજરાત ATS ની મોટી કાર્યવાહી બાદ કડક સુરક્ષા</b></h2><p>ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા તાજેતરમાં 17 જુલાઈના રોજ પ્રતિબંધિત સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે કનેક્શન ધરાવતા 5 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરવામાં આવ્યા બાદ સમગ્ર રાજ્યની બોર્ડર અને સંવેદનશીલ વિસ્તારોમાં 18 જુલાઈ દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.</p><h2><b>નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિન</b></h2><p>દર વર્ષે 18 જુલાઈના રોજ વિશ્વ શાંતિ, રંગભેદ વિરોધી આંદોલન અને માનવ અધિકારોના રક્ષક નેલ્સન મંડેલાની યાદમાં આ દિવસ ઉજવાય છે. તેમનો જન્મ 18 જુલાઈ 1918ના રોજ દક્ષિણ આફ્રિકામાં થયો હતો. તેઓ મહાત્મા ગાંધીને પોતાના પ્રેરણારૂપ માનતા હતા અને અહિંસક માર્ગે ચાલતા હતા. વર્ષ 1993માં તેમને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો અને વર્ષ 2013માં 95 વર્ષની વયે તેમનું નિધન થયુ હતું. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તેમના જન્મદિને વિશ્વ શાંતિમાં તેમના યોગદાનને સન્માનિત કરવા આ દિવસની ઘોષણા કરવામાં આવી હતી.</p><h2><b>18 જુલાઇની ઐતિહાસિક ઘટનાઓ</b></h2><ul><li>1743 - ન્યૂયોર્કના એક સાપ્તાહિક અખબારમાં દુનિયાની સૌપ્રથમ અડધા પાનાની જાહેરાત (Half-Page Ad) પ્રકાશિત થઈ હતી.</li><li>1857 - શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક ગણાતી બોમ્બે યુનિવર્સિટીની સ્થાપના આજના દિવસે થઈ હતી.</li><li>1947 - ભારતીય સ્વતંત્રતા અધિનિયમને શાહી સંમતિ મળી હતી.</li><li>1968 - કમ્પ્યુટર ચિપ બનાવનારી વિશ્વની સૌથી મોટી કંપની Intel Corporation ની સ્થાપના કેલિફોર્નિયામાં થઈ હતી.</li><li>1969 - હોન્ડુરાસ અને અલ સાલ્વાડોર વચ્ચે રમાયેલી ફૂટબોલ મેચના તણાવ બાદ શરૂ થયેલું ટૂંકું યુદ્ધ સમાપ્ત થયું હતું.</li><li>1973 - અફઘાનિસ્તાનમાં સદીઓ જૂની રાજાશાહીનો અંત આવ્યો અને પ્રજાસત્તાકની સ્થાપના થઈ.</li><li>1980 - ભારત નિર્મિત સેટેલાઇટ લોન્ચ વ્હીકલ SLV-3 દ્વારા રોહિણી ઉપગ્રહને ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યો. સાથે જ મદ્રાસ (ચેન્નાઈ) દૂરદર્શન પરથી દેશમાં પ્રથમ રંગીન પ્રસારણ શરૂ થયું.</li><li>1994 - બ્રાઝિલે ચોથી વખત વર્લ્ડ કપ ફૂટબોલ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો.</li><li>1999 - ઉડ્ડયન ઈતિહાસમાં સૌથી વધુ કલાક ઉડાડવાનો રેકોર્ડ બનાવનાર એડલોગનું અવસાન થયું. તેમજ પેલેસ્ટાઈનના ઓસામા બરહામને 6 વર્ષની જેલ બાદ ઈઝરાયેલે મુક્ત કર્યો.</li><li>2000 - રતુ જોસેફા ઇલોઇલોએ ફિજીના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા.</li><li>2002 - તેલ અવીવમાં બોમ્બ વિસ્ફોટમાં 6 ના મોત અને 40 ઘાયલ થયા. આ જ દિવસે ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ દેશના 12 મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.</li><li>2003 - વાય. વેણુગોપાલ રેડ્ડી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નવા ગવર્નર બન્યા.</li><li>2004 - અમેરિકાએ પાકિસ્તાનનું 50 કરોડ ડોલરનું દેવું માફ કર્યું.</li><li>2005 - મનમોહન સિંહ અને જ્યોર્જ બુશ વચ્ચેની મંત્રણા બાદ અમેરિકાએ ભારત પરના પરમાણુ ઉર્જા અને ઉચ્ચ તકનીકી પુરવઠા પર લાદેલા પ્રતિબંધો હટાવવાનો નિર્ણય કર્યો.</li><li>2007 - ભારતમાં હરિયાળી ક્રાંતિના જનક ગણાતા અમેરિકન કૃષિ વૈજ્ઞાનિક નોર્મન બોરલોગને કોંગ્રેસનલ ગોલ્ડ મેડલ એનાયત કરાયો.</li><li>2008 - ભારતીય મૂળના પ્રખ્યાત લેખક સલમાન રશ્દીએ પ્રમોશન ટૂર દરમિયાન 57 મિનિટમાં 1,000 પુસ્તકો પર હસ્તાક્ષર કરવાનો રેકોર્ડ બનાવ્યો.</li></ul><h2><b>18 જુલાઈના રોજની મહાન હસ્તીની જન્મજયંતિ</b></h2><ul><li>1861 - કાદમ્બિની ગાંગુલી: ભારતની પ્રથમ મહિલા સ્નાતક (ગ્રેજ્યુએટ) અને પ્રથમ મહિલા ચિકિત્સક (ડોક્ટર).</li><li>1918 - નેલ્સન મંડેલા: દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ પ્રમુખ, અશ્વેત ક્રાંતિકારી અને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા.</li><li>1927 - મેહદી હસન: સંગીત જગતના પ્રખ્યાત ગઝલ ગાયક (શહેનશાહ-એ-ગઝલ).</li><li>1931 - ભાવનમ વેંકટરામી રેડ્ડી: આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ 8 મા મુખ્યમંત્રી.</li><li>1935 - જયેન્દ્ર સરસ્વતી: તમિલનાડુના કાંચીપુરમ સ્થિત કામકોટી પીઠના શંકરાચાર્ય.</li><li>1946 - રાજેશ જોશી: હિન્દી સાહિત્યના પ્રખ્યાત લેખક અને કવિ.</li><li>1970 - અશ્વિની વૈષ્ણવ: પૂર્વ IAS અધિકારી અને ભારતના જાણીતા રાજકારણી તથા કેન્દ્રીય મંત્રી.</li><li>1982 - પ્રિયંકા ચોપરા: બોલિવૂડ અને હોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી તેમજ મિસ વર્લ્ડ (2000).</li><li>1996 - સ્મૃતિ મંધાના: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ઓપનર બેટ્સમેન.</li></ul><h2><b>18 જુલાઈના રોજ પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ</b></h2><ul><li>1948 - પીરુ સિંહ: ભારતીય સેનાના પરમવીર ચક્ર વિજેતા બહાદુર અમર શહીદ.</li><li>1998 - અબ્દુલ હમીદ કૈસર: ભારતના પ્રખ્યાત સ્વતંત્રતા સેનાની અને ક્રાંતિકારી.</li><li>2011 - જગદીશ પ્રસાદ: હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના જાણીતા ગાયક.</li><li>2012 - રાજેશ ખન્ના: ભારતીય સિનેમાના પ્રથમ 'સુપરસ્ટાર' અને લોકપ્રિય અભિનેતા.</li><li>2016 - મુબારક બેગમ: હિન્દી ફિલ્મોની સુરીલી પ્લેબેક સિંગર (પાર્શ્વ ગાયિકા).</li><li>2017 - અજીત શંકર ચૌધરી: જાણીતા ભારતીય કવિ, સંસ્મરણકાર અને વાર્તાકાર.</li><li>2022 - પિન્દર સિંહ: ભારતીય સિનેમાના પ્રખ્યાત પ્લેબેક સિંગર અને ગઝલ ગાયક.</li></ul><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/top-10-important-news-headlines-july-17-latest-news-updates" target="_blank">17 જુલાઈના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/SuhGUFKczE5ntA63vxndRVxsZg3UVGE7hHofAklj.webp'/></item><item><title><![CDATA[India News: વડાપ્રધાન મોદીએ પંજાબમાં આડકતરી રીતે ચૈતર વસાવા પર પ્રહારો કર્યા, જુઓ Video ]]></title><link>https://sandesh.com/india/news/gujarat/pm-modi-targets-aap-in-punjab-indirectly-refers-to-chaitar-vasava-conviction</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/gujarat/pm-modi-targets-aap-in-punjab-indirectly-refers-to-chaitar-vasava-conviction</guid><pubDate>Fri, 17 Jul 2026 20:47:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકોને વન કર્મી પર હુમલા કેસમાં રાજપીપળા સેશન્સ કોર્ટે દોષિત જાહેર કરી 7 વર્ષની સજા અને 25 હજારનો દંડ ફટકાર્યો છે. ચૈતર વસાવાને સજા મળતાં જ વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા છે. હવે તેઓ આ કેસમાં જામીન મેળવવા માટે પ્રયાસો કરી રહ્યાં છે. આ કેસમાં એક મહિલાને કોર્ટે જામીન આપ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદી આજે પંજાબમાં આડકતરી રીતે ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી પર વરસ્યા હતાં.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Da5e5WElBwi/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA%3D%3D" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Da5e5WElBwi/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA%3D%3D" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a><br><br><br></p><h2 style="text-align: justify; "><b>ચૈતર વસાવા પર આડકતરી રીતે પ્રહાર</b></h2><p style="text-align: justify; ">વડાપ્રધાને જાહેર સભાને સંબોધતા આડકતરી રીતે કહ્યું હતું કે, કેટલાક દિવસો પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના એક ધારાસભ્યને કોર્ટે સાત વર્ષની સજા સંભળાવી છે. આ સજા સરકારી અધિકારીઓ પર હુમલા અને વસૂલીના મામલામાં સંભળાવી છે. વસૂલી અને ગેરકાયદેસર કબજો એ બધું જ તેમની રાજનીતિનો ટ્રેડ માર્ક બની ચૂક્યો છે. આવા અનેક કેસોમાં ઘણા લોકો જામીન પર બહાર ફરી રહ્યાં છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>પંજાબની સત્તા પર બેઠા છે તેઓ ખૂબ અભિમાની</b></h2><p style="text-align: justify; ">વડાપ્રધાન મોદીએ પંજાબમાં જાહેર સભાને સંબોધતા કહ્યું હતું કે, આજે જે લોકો પંજાબની સત્તા પર બેઠા છે તેઓ ખૂબ અભિમાનથી દેશની રાજનીતિ બદલાવાનો દાવો કરતા હતાં. પરંતુ આજે તેમનું સત્ય દેશ જોઈ રહ્યો છે. બે ત્રણ દિવસ પહેલા જ દિલ્હીમાં તેમના એક નેતાને કોર્ટે દોષિત કરાર આપ્યો છે. તેમની પર કોમી વૈમનસ્ય ફેલાવવાનો આરોપ છે. આ ઉપરાંત પોલીસના આઈબી અધિકારીની હત્યાનો પણ છે. આ લોકોની બેશરમી જુઓ કોર્ટે સાબિતીઓના આધાર પર ચુકાદો આપ્યો અને આ લોકો કોર્ટના ચુકાદા સામે પણ સવાલો ઉઠાવી રહ્યાં છે.&nbsp;&nbsp;</p><h3 style="text-align: justify; "><br></h3><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/terror-suspects-father-seeks-strict-punishment-if-son-found-guilty" target="_blank">આ પણ વાંચોઃ Gujarat ATS Probe : મારો દીકરો દેશદ્રોહી નીકળે તો કડક સજા કરો, ફટાકડા અને ઝાડમાં નાખવાના પાવડરથી પ્રયોગો કરતો : આરોપીના પિતા</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/PrAYf9fGmxtZ3CQ1ArD9yXzXuBDzj2A5QRcCrqQf.webp'/></item><item><title><![CDATA[Arjun Bijlani: મૌની રોય સાથે નામ જોડાવવા પર ભડક્યો અભિનેતા, અર્જુને આપ્યું મોટું નિવેદન ]]></title><link>https://sandesh.com/entertainment/news/arjun-bijlani-mouni-roy-dating-rumours--actors-team-issues-statement</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/arjun-bijlani-mouni-roy-dating-rumours--actors-team-issues-statement</guid><pubDate>Fri, 17 Jul 2026 19:07:26 +05:30</pubDate><description><![CDATA[<p>ટીવી અને બોલિવૂડ કોરિડોરમાં વારંવાર લિંક-અપ્સ અને અફેર્સના સમાચારો સામે આવતા રહે છે. પરંતુ ક્યારેક આ અફવાઓ એટલી હદે વધી જાય છે કે સ્ટાર્સે પોતે આગળ આવીને સ્પષ્ટતા કરવી પડે છે. ટીવી ઈન્ડસ્ટ્રીના સૌથી પ્રિય કલાકારોમાંના એક અર્જુન બિજલાની સાથે પણ આવું જ થયું છે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા અને વિવિધ મીડિયા રિપોર્ટ્સ દ્વારા અર્જુન બિજલાનીનું નામ તેના નજીકની મિત્ર અને બોલિવૂડ અભિનેત્રી મૌની રોય સાથે જોડવામાં આવી રહ્યું છે.</p><p>અર્જુન બિજલાનીની ટીમે હવે આ અફવાઓને લઈને એક નિવેદન બહાર પાડ્યું છે, જેમા અફવા ફેલાવનારાઓને ફટકાર લગાવી છે. અર્જુનનું આ સત્તાવાર નિવેદનમાં કેહવામાં આવ્યું છે કે, અર્જુન અને મૌની રોય વચ્ચેનો સંબંધ માત્રને માત્ર એક સારી મિત્રતાનો છે.
</p><h3><b>અર્જુને નિવેદનમાં શું કહ્યું?
</b></h3><p>અર્જુન બિજલાની અને મૌની રોયને લઈને ચાલી રહેલી પાયાવિહોણી અફવાઓને અમે સંપૂર્ણપણે નકારી કાઢીએ છીએ. દરેક મિત્રતાને કોઈ પણ રોમેન્ટિક અર્થ આપવો અથવા તેને અફેર તરીકે લેવું સંપૂર્ણપણે ખોટું છે. બંને ખૂબ સારા મિત્રો છે અને વર્ષોથી મજબૂત બોન્ડ શેર કરે છે. આવા બનાવટી સમાચાર ફક્ત સ્ટાર્સને જ ખલેલ પહોંચાડતા નથી પરંતુ તેમના અંગત જીવનને પણ અસર કરે છે.
</p><h5><b>"નાગિન" થી શરૂ થયેલી મિત્રતા
</b></h5><p>તમને જણાવી દઇએ કે અર્જુન બિજલાની અને મૌની રોયની મિત્રતા નવી નથી. તેઓએ એકતા કપૂરના સુપરહિટ સુપરનેચરલ શો "નાગિન" માં મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી. ઋત્વિક અને શિવન્યા તરીકેની તેમની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. ઑફસ્ક્રીન તેઓ ઘણીવાર સાથે પાર્ટી કરતા અને મુશ્કેલીઓમાં એકબીજાની પડખે ઉભા રહેતા જોવા મળે છે. અર્જુન પહેલાથી જ પત્ની નેહા સ્વામી સાથે ખુશહાલ જીંદગી જીવી રહ્યો છે અને તેમનો એક પુત્ર છે. નોંધનીય છે કે, મૌની રોય તાજેતરમાં સૂરજ નામ્બિયારથી અલગ થઈ ગઈ છે. અર્જુને તેમની પવિત્ર મિત્રતા વિશે ઉઠાવવામાં આવેલા પ્રશ્નોનો યોગ્ય જવાબ આપ્યો છે.
</p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/entertainment/news/raj-kundra-on-2021-case---quot-ready-to-face-punishment-if-guilty-quot-" target="_blank">'મેં કંઈ ખોટું નથી કર્યું...' રાજ કુન્દ્રાએ કર્યો મોટો ખુલાસો</a>
</p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/uqmxCDz2JzENRtGnK9YgCSpF9Y2jaoiAPEqMtfOi.webp'/></item><item><title><![CDATA[Stock Market Closing: શાનદાર તેજી સાથે માર્કેટ બંધ, સેન્સેક્સ 964 પોઇન્ટના ઉછાળા સાથે 78,151.45 અંકે ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-closing-market-closes-with-a-strong-rally-sensex-jumps-964-points-to-7815145</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-closing-market-closes-with-a-strong-rally-sensex-jumps-964-points-to-7815145</guid><pubDate>Fri, 17 Jul 2026 15:44:04 +05:30</pubDate><description><![CDATA[<p>17 જુલાઇએ&nbsp; ઘરેલુ શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી. આઈટી અને બેંકિંગ ક્ષેત્રો તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા હેવીવેઇટ શેરોમાં જોરદાર ખરીદીને કારણે, સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ટ્રેડિંગ સેશન દરમિયાન 1 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો. મોટી કંપનીઓના પ્રથમ ક્વાર્ટર (Q1) ના પરિણામો પહેલા રોકાણકારોનો રસ લાર્જ-કેપ શેરો તરફ વળ્યો, જેનાથી બજારને મજબૂતી મળી.</p><h2><b>શેરબજારમાં તેજી&nbsp;</b></h2><p>શુક્રવારે સેન્સેક્સ અને નિફ્ટી શાનદાર તેજી સાથે બંધ થયા. સેન્સેક્સ +964.59 પોઇન્ટના વધારા સાથે 78,151.45 અંકે બંધ થયો.. જ્યારે નિફ્ટી +261.55 પોઇન્ટના વધારા સાથે 24,334.30 અંકે&nbsp; બંધ થયો.</p><h3><b>આઇટી અને બેંકિંગ શેરોમાં ખરીદી</b></h3><p>ક્ષેત્રીય સૂચકાંકોની દ્રષ્ટિએ, નિફ્ટી આઇટી સૌથી વધુ વધ્યો હતો, જેમાં 1 ટકાથી વધુનો વધારો નોંધાયો હતો. નિફ્ટી બેંક પણ લગભગ 1 ટકા મજબૂત થયો હતો. જોકે, વ્યાપક બજારમાં સમાન સ્તરની મજબૂતાઈ જોવા મળી ન હતી; નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100 સૂચકાંકોમાં અનુક્રમે 0.61 ટકા અને 0.86 ટકાનો ઘટાડો નોંધાયો હતો.</p><p><b style="font-size: 1.5rem;">RIL સૌથી વધુ વધનાર તરીકે ઉભરી આવ્યો</b></p><p>સેન્સેક્સના શેરોમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) એ સૌથી વધુ વધારો નોંધાવ્યો, જે 2 ટકાથી વધુ વધ્યો. શુક્રવારે જાહેર થનારા કંપનીના પ્રથમ ત્રિમાસિક પરિણામો પહેલા રોકાણકારો શેર પર નજર રાખી રહ્યા છે.</p><p><br></p><p>વધુમાં, TCS, કોટક મહિન્દ્રા બેંક, ટેક મહિન્દ્રા, હિન્દુસ્તાન યુનિલિવર, એક્સિસ બેંક, ઇન્ફોસિસ, HDFC બેંક, મહિન્દ્રા અને મહિન્દ્રા, HCL ટેક અને ICICI બેંકના શેરમાં પણ 1 ટકાથી વધુનો વધારો નોંધાયો. આ હેવીવેઇટ શેરોમાં ખરીદીની પ્રવૃત્તિએ બજારના ઉપરના વેગને પ્રોત્સાહન આપ્યું.</p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/03/16/gLJ4WtokoymfX6Y0aSSr5fk0mQbgABzBzdoZamiA.webp'/></item></channel></rss>