<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Sandesh Explainer: સેનેટરી પેડ્સ અને ગર્ભનિરોધક ગોળીઓ ટેક્સ ફ્રી થતા મહિલાઓને મળી મોટી રાહત ]]></title><link>https://sandesh.com/india/news/sandesh-explainer-women-get-big-relief-as-sanitary-pads-and-contraceptive-pills-become-tax-free</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/sandesh-explainer-women-get-big-relief-as-sanitary-pads-and-contraceptive-pills-become-tax-free</guid><pubDate>Thu, 18 Jun 2026 18:03:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">પાકિસ્તાન સરકાર દ્વારા લેવાયેલા ઐતિહાસિક નિર્ણય બાદ આ વિષય પર ગંભીર ચર્ચાઓ શરૂ થઈ છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">'પીરિયડ ટેક્સ' સંપૂર્ણપણે નાબૂદ</h2><p style="text-align: justify; ">પાકિસ્તાન સરકારે મહિલાઓના સ્વચ્છતા ઉત્પાદનો પર લાદવામાં આવતો 'પીરિયડ ટેક્સ' અથવા 'પિંક ટેક્સ' સંપૂર્ણપણે નાબૂદ કર્યો છે. તો સાથે જ  વસ્તીને નિયંત્રિત કરવા માટે, સરકારે ગર્ભનિરોધકને પણ સંપૂર્ણપણે કરમુક્ત કર્યુ છે. સંસદ સત્ર દરમિયાન આ માહિતી આપતાં માહિતી પ્રધાન અતાઉલ્લાહ તરારે જણાવ્યું હતું કે, આ પગલાનો હેતુ સામાન્ય જનતા અને મહિલાઓને મોટી રાહત આપવાનો છે.&nbsp;</p><h3 style="text-align: justify; ">જાણો શું છે 'પિંક ટેક્સ'?</h3><p style="text-align: justify; ">જ્યારે પુરુષો અને મહિલાઓ માટે સમાન ઉપયોગીતા ધરાવતી વસ્તુઓ અથવા સેવાઓ બજારમાં ઉપલબ્ધ હોય, ત્યારે માત્ર 'મહિલાઓ માટે' ના નામે વેચાતી પ્રોડક્ટ્સની કિંમત પુરુષોની પ્રોડક્ટ્સ કરતાં વધુ રાખવામાં આવે છે. તેને પિંક ટેક્સ કહેવાય છે. મહિલાઓ માટેના પિંક રેઝર પુરુષોના બ્લુ રેઝર કરતાં મોંઘા હોય છે. મહિલાઓના પરફ્યુમ, શેમ્પૂ અને કપડાંની કિંમત પણ પુરુષોની સરખામણીએ વધુ જોવા મળે છે.</p><h4 style="text-align: justify; ">લિંગ આધારિત માર્કેટિંગનું સ્વરૂપ</h4><p style="text-align: justify; ">તે સરકારી કર નથી. તે ફક્ત લિંગ આધારિત માર્કેટિંગનું સ્વરૂપ છે. જ્યારે કોઈ ઉત્પાદન 'પિંક' રંગમાં અથવા મહિલાઓ માટે જાહેરાત કરવામાં આવે છે. ત્યારે કંપનીઓ તેની કિંમતમાં વધારો કરે છે. આ ભેદભાવ મહિલાઓના વ્યક્તિગત સંભાળ ઉત્પાદનો, કપડાં, રમકડાં અને ડ્રાય-ક્લીનિંગ, સલુન્સ જેવી સેવાઓમાં પુરુષોની તુલનામાં સ્પષ્ટપણે જોવા મળે છે. ભારતમાં પિંક ટેક્સ વિશે જાગૃતિ હજુ પણ ખૂબ ઓછી છે. સંશોધન દર્શાવે છે કે લગભગ 67% ભારતીયો આ છુપાયેલા આર્થિક બોજથી અજાણ છે.&nbsp;</p><p style="text-align: justify; "><img title="WhatsApp Image 2026-06-18 at 5.42.45 PM (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/06/18/3cOherK7IJj5wL2ItpsTwuvo1VxaYwmbqpCXHDfz.webp"><br></p><h5 style="text-align: justify; ">સેનિટરી ઉત્પાદનો પર GST:&nbsp;</h5><p style="text-align: justify; ">વર્ષ 2018માં જ સેનિટરી નેપકિનને GST માંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી હતી. જે આવા લિંગ ભેદભાવ સામે એક મુખ્ય સીમાચિહ્નરૂપ પગલું માનવામાં આવતું હતું. રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ પંચની ચેતવણીમાં, પંચે સ્પષ્ટતા કરી છે કે, કંપનીઓએ વાજબી ભાવ નીતિઓનું પાલન કરવું જોઈએ અને લિંગના આધારે અન્યાયી રીતે ભાવમાં તફાવત ન કરવો જોઈએ.&nbsp;</p><h5 style="text-align: justify; ">કેમ ફરી ધ્યાન ખેંચ્યુ પિંક ટેક્સે ?</h5><p style="text-align: justify; ">પાકિસ્તાનમાં આર્થિક કટોકટી અને મોંઘવારીની વચ્ચે મહિલાઓના સ્વાસ્થ્ય અને અધિકારોને લઈને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાકિસ્તાન સરકારે તેના તાજેતરના બજેટમાં મહિલાઓની મૂળભૂત જરૂરિયાતો પરથી ટેક્સ હટાવવાની જાહેરાત કરી છે. જેના કારણે આ મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે.</p><h6 style="text-align: justify; ">કેવી રીતે બનાવાય છે સેનેટરી પેડ ?&nbsp;</h6><p style="text-align: justify; ">સેનેટરી પેડ એ મહિલાઓના માસિક ધર્મની સ્વચ્છતા માટે અનિવાર્ય પ્રોડક્ટ છે. જેના માટે વપરાતો કાચો સામાન પણ સૌ કોઇનું ધ્યાન ખેંચે છે.&nbsp;</p><p style="text-align: justify; "><img title="What is Pink Tax" src="https://epapercdn.sandesh.com/images/2026/06/18/QFNIfepC61LV1Qxs1djAYHMdZex5PIfdkNFsLUzV.webp"><br></p><p style="text-align: justify; "><span style="font-size: 2rem;">ઉત્પાદનનો ખર્ચ:</span></p><p style="text-align: justify; ">મોટા પાયે ફેક્ટરીમાં એક સામાન્ય સેનેટરી પેડ બનાવવાનો મેન્યુફેક્ચરિંગ ખર્ચ આશરે 1થી2 રૂપિયા જેટલો જ આવે છે. પરંતુ, તેના પર લાગતો માર્કેટિંગ ખર્ચ, પેકેજિંગ, ટ્રાન્સપોર્ટેશન અને બ્રાન્ડ વેલ્યુ ઉમેરાતાં બજારમાં તેની કિંમત ઘણી વધી જાય છે.</p><h3 style="text-align: justify; ">સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું વલણ&nbsp;</h3><p style="text-align: justify; ">સંયુક્ત રાષ્ટ્ર અને તેની વિવિધ સંસ્થાઓ લાંબા સમયથી 'પિરિયડ પોવર્ટી' એટલે કે, આર્થિક તંગીના કારણે સેનેટરી પ્રોડક્ટ્સ ન ખરીદી શકવવાની સ્થિતિ અને પિંક ટેક્સનો વિરોધ કરતી આવી છે. UNનું માનવું છે કે માસિક ધર્મ એ કુદરતી પ્રક્રિયા છે. તેથી તેનાથી સંબંધિત ઉત્પાદનો પર ટેક્સ વસૂલવો એ માનવાધિકાર અને લિંગ સમાનતાની વિરુદ્ધ છે. UNએ તમામ દેશોને અપીલ કરી છે કે, મહિલાઓની હેલ્થ પ્રોડક્ટ્સ પરના ટેક્સ નાબૂદ કરીને તેને દરેક વર્ગની મહિલાઓ માટે સુલભ બનાવવામાં આવે.</p><p style="text-align: justify; "><b>પિરિયડ્સ દરમિયાન સેનેટરી પેડ્સના ઉપયોગમાં જો યોગ્ય સ્વચ્છતા ન રાખવામાં આવે, તો તે મહિલાઓના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે.&nbsp;</b></p><p style="text-align: justify; "><b>1. યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન&nbsp;</b></p><p style="text-align: justify; "><b>2. વેજાઈનલ ઈન્ફેક્શન&nbsp;</b></p><p style="text-align: justify; "><b>3. ઈસ્ટ ઈન્ફેક્શન&nbsp;</b></p><p style="text-align: justify; "><b>4. બેક્ટેરિયલ વેજિનોસિસ&nbsp;</b></p><p style="text-align: justify; "><b>5. પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિસીઝ&nbsp;</b></p><p style="text-align: justify; "><b>6. સર્વાઇકલ કેન્સરનું જોખમ&nbsp;</b></p><h4 style="text-align: justify; ">સરકારની તિજોરી પર શું અસર ?&nbsp;</h4><p style="text-align: justify; "><b>1. સરકારી આવક પર સીધી અસર&nbsp;</b></p><p style="text-align: justify; ">જ્યારે કોઈ સરકાર સેનેટરી પેડ્સ પરથી વેલ્યુ એડેડ ટેક્સ એટલે કે, VAT અથવા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે, GST હટાવે છે. ત્યારે તેની પ્રથમ અને સીધી અસર તિજોરીની આવક પર થાય છે. સેનેટરી પેડ્સ એ 'ઇનઇલાસ્ટિક ડિમાન્ડ' ધરાવતી પ્રોડક્ટ છે. એટલે કે કિંમત વધે કે ઘટે, મહિલાઓએ તેનો ઉપયોગ કરવો જ પડે છે. આના પરથી ટેક્સ હટાવવાથી સરકારને દર વર્ષે મળતી કરોડો રૂપિયાની નિશ્ચિત ટેક્સ આવક બંધ થાય છે.&nbsp;</p><p style="text-align: justify; "><b>2. સબસિડીનો બોજ</b></p><p style="text-align: justify; ">ટેક્સ ફ્રી કરવાનો અર્થ એ નથી કે સરકાર માટે તેની પડતર શૂન્ય થઈ જાય છે. અહીં 'ઇનપુટ ટેક્સ ક્રેડિટ'નો નિયમ તિજોરી પર પરોક્ષ બોજ વધારે છે. ભલે ફાઇનલ પ્રોડક્ટ ટેક્સ ફ્રી હોય, પરંતુ તેને બનાવવા માટે વપરાતા કાચા માલ પર ઉત્પાદકોએ ટેક્સ ચૂકવવો જ પડે છે. જો સરકાર આ પ્રોડક્ટને 'ઝીરો-રેટેડ' કેટેગરીમાં રાખે, તો ઉત્પાદકોએ કાચા માલ પર ચૂકવેલો ટેક્સ સરકારની તિજોરીમાંથી 'રિફંડ' સ્વરૂપે પાછો આપવો પડે છે. જો સરકાર રિફંડ ન આપે તો ઉત્પાદકો તે ટેક્સનો બોજ કિંમતમાં ઉમેરી દે છે. જેનાથી ગ્રાહકોને ટેક્સ ફ્રી હોવા છતાં કિંમતમાં બહુ મોટી રાહત મળતી નથી.</p><p style="text-align: justify; "><b>3. તિજોરી પર પડતી લાંબાગાળાની સકારાત્મક અસરો&nbsp;</b></p><p style="text-align: justify; ">અર્થશાસ્ત્રના દ્રષ્ટિકોણથી, સેનેટરી પેડ્સ ટેક્સ ફ્રી કરવાથી તિજોરીને જે ટૂંકા ગાળાનું નુકસાન થાય છે, તે લાંબા ગાળે દેશના માનવ વિકાસ સૂચકાંક અને જીડીપીમાં મોટા ફાયદા તરીકે પરત આવે છે. અસ્વચ્છતાને કારણે મહિલાઓને થતા ગર્ભાશયના કેન્સર કે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શનના કેસો ઘટે છે. પરિણામે, સરકારના જાહેર આરોગ્ય બજેટ પરનો બોજ કરોડો રૂપિયા ઘટી જાય છે. સેનેટરી પેડ્સ સસ્તા થવાથી સ્કૂલ ડ્રોપ-આઉટ રેશિયો ઘટે છે. વધુ શિક્ષિત મહિલાઓ ભવિષ્યમાં વર્કફોર્સનો ભાગ બને છે. જેનાથી ડાયરેક્ટ ટેક્સની તિજોરી મજબૂત થાય છે.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/india/news/sandesh-explainer-how-will-the-g7-summit-held-in-france-prove-to-be-important-for-india" target="_blank">&nbsp; ફ્રાન્સમાં યોજાયેલી G7 સમિટ ભારત માટે કેવી રીતે મહત્ત્વની સાબિત થશે?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/18/lKoxxoPxB4kcmMa82gtADxRmhoKtjlQO9C3FrWoh.webp'/></item><item><title><![CDATA[Maharashtra: બ્રેન વૉશ કર્યુ, ચોરી કરાવી અને પેશાબ.. ઢોંગી ગુરુની ખૂલી પોલ ]]></title><link>https://sandesh.com/india/news/crime/maharashtra-brainwashed-made-to-steal-and-urinate-shocking-revelation-of-the-victim-fake-guru-caught</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/crime/maharashtra-brainwashed-made-to-steal-and-urinate-shocking-revelation-of-the-victim-fake-guru-caught</guid><pubDate>Thu, 18 Jun 2026 17:57:15 +05:30</pubDate><description><![CDATA[<p>અત્યારે પૈસા પડાવવા લોકો શું નથી કરતા ? ભગવાનના નામે પણ પાખંડ કરતા ખચકાતા નથી. ને કેટલાક ભોળા શ્રદ્ધાળુઓ આવા પાખંડીઓના સકંજામાં આવીને શારિરીક અને માનસિક પરેશાનીનો સામનો કરે છે. ત્યારે આવી જ એક ઘટના બની મહારાષ્ટ્રમાં. જ્યાં 59 વર્ષીય આધેડએ પોતાને ભગવાનનો અવતાર ગણાવીને લોકોને છેતર્યા.&nbsp; આ પાખંડી શખ્સ પર આરોપ છે કે તેણે સ્વાસ્થ્ય અને પારિવારિક સમસ્યાઓ નિવારવાના બહાને એક ભક્ત મહિલાનું શારીરિક અને માનસિક શોષણ કર્યું હતું.&nbsp;</p><h2><b>પોલીસને ફરિયાદ મળતા દરોડા પાડ્યા&nbsp;</b></h2><p>પુણેના પોલીસ કમિશનર (CP) અમિતેશ કુમારે જણાવ્યું કે, સિંહગઢ રોડ વિસ્તારમાં રહેતી અને શહેરની એક પ્રતિષ્ઠિત કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરતી 41 વર્ષીય પીડિતાએ મંગળવારે રાત્રે પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પુણે સિટી ક્રાઈમ બ્રાંચની ટીમે ઉબાલેનગર સ્થિત એક આલીશાન બંગલા પર દરોડો પાડ્યો હતો. પોલીસે મુખ્ય આરોપી રાધામોહન મિશ્રા (ઉંમર 59 વર્ષ) સાથે જ&nbsp;&nbsp;તેનો મુખ્ય સાથીદાર કનવલ નયન (ઉંમર 58 વર્ષ) અને અન્ય છ મહિલા મદદગારોને ઝડપી પાડ્યા.&nbsp;</p><p>પોલીસના જણાવ્યા અનુસાર, મૂળ હરિયાણાનો રહેવાસી રાધામોહન મિશ્રા છેલ્લા આઠ વર્ષથી પુણેમાં આ બંગલાની અંદર આશ્રમ ચલાવતો હતો. પીડિત મહિલા પણ હરિયાણાની વતની છે અને તેના પિતા વ્યવસાયે તબીબ (ડોક્ટર) છે.</p><p><b style="font-size: 1.75rem;">અશ્લીલ વીડિયો બનાવી બ્લેકમેલિંગનો ખેલ</b></p><p>કોર્ટની કાર્યવાહી દરમિયાન સરકારી વકીલ વિજય કદમે ન્યાયાધીશને જણાવ્યું હતું કે, મુખ્ય આરોપી મિશ્રાએ પીડિત મહિલાના કેટલાક વાંધાજનક અને અશ્લીલ વીડિયો ક્લિપ રેકોર્ડ કરી લીધા હતા. આ વીડિયોના આધારે પીડિતાને બ્લેકમેલ કરવામાં આવી રહી હતી. પોલીસે આ મહત્વના પુરાવા અને વધુ તપાસ માટે આરોપીઓની મહત્તમ કસ્ટડી મેળવી છે.</p><h3><b>અમાનવીય કૃત્યો અને ચોરી કરાવવાનો આક્ષેપ</b></h3><p>પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મિશ્રાએ મહિલા અને તેના અન્ય અનુયાયીઓનો એવો બ્રેઈનવોશ કર્યો હતો કે પોતે સાક્ષાત ઈશ્વરનો અંશ છે. એટલું જ નહીં, તેણે પીડિતાને તેનું પેશાબ પીવા માટે પણ મજબૂર કરી હતી. આરોપ એવો પણ છે કે છેલ્લા છ વર્ષ દરમિયાન આ ઢોંગી ગુરુએ પોતાના આશ્રમને વૈભવી બનાવવા અને પોતે અમીર બનવા માટે પીડિત મહિલા પાસે અલગ-અલગ જગ્યાએ ચોરીઓ પણ કરાવી હતી.</p><h4><b>આશ્રમના ભોંયરામાંથી મળી ચોંકાવનારી વસ્તુઓ&nbsp;</b></h4><ul><li>જ્યારે પોલીસે મિશ્રાના આશ્રમ જેવા બંગલાની તલાશી લીધી, ત્યારે ત્યાંથી એક ગુપ્ત ભોંયરામાં રૂમ મળી આવ્યો હતો. આ રૂમમાંથી પોલીસે મોટી માત્રામાં પુરાવા જપ્ત કર્યા છે. ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ જેમ કે 12 લેપટોપ, 11 મોબાઈલ ફોન, 19 હાર્ડ ડ્રાઈવ, તેમજ અસંખ્ય પેન ડ્રાઈવ અને ઓડિયો-વિડિયો કેસેટો મળી આવી.</li><li>આ ઉપરાંત ₹6.5 લાખની રોકડા રૂપિયા અને અંદાજે ₹15 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના પણ મળી આવ્યા.&nbsp;</li><li>આશ્રમમાંથી શંકાસ્પદ દવાઓ અને કેમિકલ્સનો મોટો જથ્થો પણ મળી આવ્યો છે, જેના કારણે પોલીસે આ મામલે ડ્રગ્સ એંગલથી પણ તપાસ તેજ કરી છે.</li><li>તમામ ડિજિટલ ઉપકરણોને ફોરેન્સિક તપાસ (FSL) માટે મોકલી દેવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓના મતે, આ પાખંડી ગુરુના સંગાથમાં અન્ય પણ કેટલીક મહિલાઓ ભોગ બની હોવાની પ્રબળ આશંકા છે, જેથી આગામી દિવસોમાં વધુ ખુલાસા થઈ શકે છે.</li></ul><p><br></p><p><a href="https://sandesh.com/gallery/news/india/why-are-potatoes-and-chickpeas-the-filling-in-panipuri?2" target="_blank">&nbsp;આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/18/4NA7968QANKO7dgG5nGui8DIQfpdKrgddaG7lLX5.webp'/></item><item><title><![CDATA[Welcome To The Jungleમાં કેમ ન દેખાયા નાના પાટેકર? અભિનેતાએ પોતે જણાવ્યું સાચું કારણ ]]></title><link>https://sandesh.com/entertainment/news/nana-patekar-reveals-why-he-is-not-in-welcome-to-the-jungle</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/nana-patekar-reveals-why-he-is-not-in-welcome-to-the-jungle</guid><pubDate>Thu, 18 Jun 2026 17:36:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વર્ષ 2007 માં રિલીઝ થયેલી Welcome ફિલ્મમાં નાના પાટેકરના પાત્રે લોકોને ખૂબ હસાવ્યા હતા. આ દરમિયાન આની સીક્વલ Welcome To The Jungle ટૂંક સમયમાં સિનેમાઘરોમાં આવવાની છે, જેમાં નાના પાટેકર અને અનિલ કપૂર બંને મિસિંગ રહેશે. પ્રશંસકો સતત સવાલ પૂછી રહ્યા છે કે પોતાની જ ફિલ્મી સીક્વલમાં અનિલ અને નાના બંને કેમ ગાયબ રહેશે?</p><h2 style="text-align: justify; "><b>યોગ્ય હતો પ્રશંસકોનો આ સવાલ</b></h2><p style="text-align: justify; ">પ્રશંસકોનો આ સવાલ વ્યાજબી એટલા માટે પણ હતો, કારણ કે 'Welcome To The Jungle' ની સ્ટાર કાસ્ટ ખૂબ મોટી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, અરશદ વારસી અને સંજય દત્ત સહિત 25 થી વધુ દિગ્ગજ કલાકારો જોવા મળશે. લોકો ઉદય ભાઈ અને મજનૂ ભાઈને ખૂબ મિસ કરશે. દર્શકો આતુરતાથી નાના અને અનિલના ફિલ્મમાં ન હોવાનું કારણ જાણવા માંગતા હતા. જો કે, હવે નાનાએ પોતે ફિલ્મનો હિસ્સો ન બનવા પર સ્પષ્ટતા આપી છે.</p><h3 style="text-align: justify; "><b>નાના પાટેકરે કેમ ન કરી 'Welcome To The Jungle'?</b></h3><p style="text-align: justify; ">એક ઇન્ટરવ્યુમાં નાના પાટેકરે ખુલાસો કર્યો કે તેમને ફિલ્મની સ્ટોરીમાં મજા ન આવી. તેમણે સાફ શબ્દોમાં કહ્યું કે, ફિલ્મની સ્ક્રિપ્ટ અને સ્ટોરીમાં તે મજા નહોતી, જે પહેલાના ભાગોમાં હતી. આ જ કારણ છે કે મેં અને અનિલ કપૂરે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી. આ સિવાય એક અન્ય મીડિયા ઇવેન્ટ પર જ્યારે નાના પાટેકરને તેમના એક્ઝિટને લઈને સવાલ પૂછ્યો તો તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, કદાચ ફિલ્મના મેકર્સને લાગે છે કે અમે ખૂબ જૂના થઈ ગયા છીએ, એટલા માટે તેમણે અમને આ વખતે ફિલ્મ માટે પસંદ ન કર્યા. તેમણે આગળ ઉમેરતા કહ્યું કે, તેઓ દરેક રોલને પોતાની પહેલી અને છેલ્લી ફિલ્મની જેમ પૂરી લગનથી કરે છે, પરંતુ જો મેકર્સને જ લાગે છે કે તેઓ વૃદ્ધ થઈ ગયા છે, તો તેઓ કંઈ કરી શકતા નથી.</p><h3 style="text-align: justify; "><b>'Welcome To The Jungle' વિશે</b></h3><p style="text-align: justify; ">વેલકમ ટુ ધ જંગલ જેને વેલકમ 3 પણ કહેવામાં આવી રહ્યું છે, બોલીવુડની એક ખૂબ જ ચર્ચિત અને મોટી મલ્ટી-સ્ટારર કોમેડી-એક્શન ફિલ્મ છે. આ વર્ષ 2007 ની બ્લોકબસ્ટર ફિલ્મ વેલકમ અને 2015 ની ‘વેલકમ બેક’ પછી આ કલ્ટ ફ્રેન્ચાઇઝીનો ત્રીજો ભાગ છે. આ ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/21-year-old-actress-sara-arjun-becomes-box-office-queen" target="_blank">આ પણ વાંચો-Young Superstar : 21 વર્ષની ઉંમરે બની બોક્સ ઓફિસ ક્વીન! ઉંમરમાં નાની હોવા છતાં ટોપ હસીનાઓને છોડી પાછળ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/18/gBFKTadYXpCcfAERcpeDAo6K4Q7qTIat2lKqM4wY.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: રથયાત્રામાં ગજરાજ બેકાબૂ ના થાય તે માટે ટેકનોલોજીની નજર રખાશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/rath-yatra-2026-gps-and-cameras-to-monitor-elephants-for-enhanced-safety</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/rath-yatra-2026-gps-and-cameras-to-monitor-elephants-for-enhanced-safety</guid><pubDate>Thu, 18 Jun 2026 17:32:31 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદમાં ગત વર્ષની રથયાત્રામાં ડીજેના ભારે અવાજથી ગજરાજ બેકાબૂ બન્યા હતાં. ખાડિયા ચાર રસ્તા પાસે આ ઘટના બની હતી. પોલીસ અને મહાવતોએ ગજરાજોને કાબુમાં કર્યા હતાં. આ ઘટનાને લઈને ચાલુ વર્ષની આગામી રથયાત્રામાં નવી ટેકનોલોજીનો સહારો લેવામાં આવ્યો છે. હવે રથયાત્રામાં ગજરાજો પર ટેકનોલોજીથી નજર રાખવામાં આવશે. જેના કારણે ભક્તોની ભીડમાં કોઈપણ પ્રકારની અરાજકતા ફેલાય નહીં અને શાંતિપૂર્ણ રીતે ભગવાનના રથ નિજ મંદિર સુધી પહોંચી શકે.&nbsp;&nbsp;</p><h2 style="text-align: justify; "><b>અંબાડી પર આધુનિક સાધનો લગાવવામાં આવશે</b></h2><p style="text-align: justify; ">અમદાવાદમાં ભગવાન જગન્નાથની આ વખતે 149મી રથયાત્રા નીકળશે. પોલીસ તંત્ર દ્વારા રથયાત્રામાં સુરક્ષા વ્યવસ્થાને લઈને મોટો નિર્ણય લીધો છે. ભગવાનની નગરચર્યા દરમિયાન ઘણીવાર અચાનક અવાજ કે ભીડના કારણે ગજરાજ બેકાબૂ બનવાની ઘટનાઓ સામે આવે છે. જેની સામે આ વર્ષે આવી ઘટનાઓ પર તાત્કાલિક કાબુ મેળવવા અને ગજરાજોની મુવમેન્ટ પર પળેપળની મુવમેન્ટ રાખવા માટે હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.  18 ગજરાજો પર હાઈટેક ટ્રેકિંગ સિસ્ટમ લગાવાશે. અંબાડી પર આધુનિક સાધનો લગાવવામાં આવશે.</p><h3 style="text-align: justify; "><b>GPS અને કેમેરા ફીડ સીધી કંટ્રોલ રૂમમા મળશે</b></h3><p style="text-align: justify; ">ગજરાજ કયા રૂટ પર છે તેનું લાઈવ લોકેશન ટ્રેક થશે. તેમની આસપાસની ગતિવિધિઓ અને ભીડ પર 360 ડિગ્રી કેમેરાથી નજર રાખી શકાશે. આ ઉપરાંત રથયાત્રા દરમિયાન લાઉડ સ્પીકર કે ફટાકડાના અવાજ માપવા માટે એક મશીન લગાવાશે. જે તાત્કાલિક એલર્ટ આપશે. જેથી ગજરાજ ચમકે તે પહેલા જ તેમને નિયંત્રિત કરી શકાશે.  આ સમગ્ર ટેકનોલોજીનું કંટ્રોલ રૂમ પરથી મોનિટરિંગ કરવામાં આવશે. જેની લાઈવ ફીડ પણ અમદાવાદ પોલીસના કંટ્રોલ રૂમને મળશે. જો કોઈ ગજરાજની મૂવમેન્ટ પર શંકા જશે તો તાત્કાલિક ત્યાં તૈનાત સુરક્ષા કર્મીઓને જાણ કરાશે.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/farmers-demand-10-hours-electricity-and-irrigation-water" target="_blank">આ પણ વાચોઃ Ahmedabad News: ગરમીને કારણે ખેડૂતોના પાક સુકાવાની ભીતિ, પાણી અને વીજળી માટે મુખ્યમંત્રીને રજૂઆત</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/18/mqAFWs2CxTCdHIENSjGgBoLwKTjktq6jDf2bocH0.webp'/></item><item><title><![CDATA[Vadodara News: કરજણ નગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ, બપોર બાદ મેઘરાજાનું આગમન ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-news-rainy-weather-in-rural-areas-including-karjan-nagar-arrival-of-megharaja-in-the-afternoon</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-news-rainy-weather-in-rural-areas-including-karjan-nagar-arrival-of-megharaja-in-the-afternoon</guid><pubDate>Thu, 18 Jun 2026 17:15:43 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા જિલ્લાના કરજણ પંથકમાં લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ અંતે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. કરજણ નગર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું. દિવસભરના ભારે વાદળછાયા વાતાવરણ અને બફારા બાદ, બપોર પછી અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો અને પંથકમાં વરસાદનું આગમન થતાં સ્થાનિક રહીશોએ ભારે ગરમીમાંથી મોટી રાહત અનુભવી છે.</p><h2 style="text-align: justify; ">મિયાગામ, કરમડી અને કુરાઈમાં વરસાદી ઝાપટાં</h2><p style="text-align: justify; ">કરજણ નગરની સાથે-સાથે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચોમાસાની જમાવટ જોવા મળી રહી છે. તાલુકાના મિયાગામ, કરમડી અને કુરાઈ જેવા અનેક ગામોમાં પવનના સૂસવાટા સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા. ગ્રામ્ય પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે શરૂ થયેલા આ વરસાદને કારણે સમગ્ર પંથકનું વાતાવરણ આહલાદક અને ઠંડુંગાર બની ગયું છે. રસ્તાઓ પાણી-પાણી થઈ જતાં વાહનચાલકોને થોડી મુશ્કેલી પડી હતી, પરંતુ ગરમી શાંત થતાં લોકોમાં ખુશીનો માહોલ છે.</p><h3 style="text-align: justify; ">વરસાદના આગમનથી જગતનો તાત આનંદિત</h3><p style="text-align: justify; ">ચોમાસાની રાહ જોઈને બેઠેલા કરજણ તાલુકાના ધરતીપુત્રોમાં આ વરસાદી માહોલને પગલે ભારે આનંદની લાગણી વ્યાપી ગઈ છે. મિયાગામ અને આસપાસના કૃષિ પ્રધાન વિસ્તારોમાં વરસાદ પડતાં જ ખેડૂતો હવે વાવણીના કાર્યોની તૈયારીમાં જોતરાઈ ગયા છે. આ પ્રારંભિક વરસાદ આગામી દિવસોમાં સારા ચોમાસાના સંકેત આપી રહ્યો છે, જેને કારણે સ્થાનિક વેપારીઓ અને ગ્રામજનોમાં પણ આગામી સીઝનને લઈને વ્યાપક ઉત્સાહ જોવા મળી રહ્યો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/18/MFvTIC4QZnBLgIzP5amxvJUGWDN7lRgnmZ8jY1SX.webp'/></item><item><title><![CDATA[Bhavnagar મેડિકલ કોલેજમાં સિનિયરોના આતંકથી ફફડી ઉઠ્યા વિદ્યાર્થીઓ, કોલેજ કેમ્પસમાં ચુસ્ત માહોલ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/students-in-bhavnagar-medical-college-panicked-due-to-seniors-terror-tense-atmosphere-on-the-college-campus</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/students-in-bhavnagar-medical-college-panicked-due-to-seniors-terror-tense-atmosphere-on-the-college-campus</guid><pubDate>Thu, 18 Jun 2026 16:55:48 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભાવનગર સરકારી મેડિકલ કોલેજમાંથી શિક્ષણ જગતને શર્મસાર કરતી એક મોટી ઘટના સામે આવી છે. કોલેજના ઓર્થોપેડિક વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા 13 જેટલા જુનિયર વિદ્યાર્થીઓ ક્રૂર રેગિંગનો ભોગ બન્યા છે. આરોપ છે કે, આ જ વિભાગના 6 સિનિયર ડોક્ટરોએ માનવતાની તમામ હદો વટાવીને આ જુનિયર વિદ્યાર્થીઓનું એક-બે દિવસ નહીં, પરંતુ છેલ્લા 5 મહિનાથી અલગ-અલગ પ્રકારે સતત શોષણ અને રેગિંગ ચાલુ રાખ્યું હતું. તબીબી ક્ષેત્રે ભવિષ્ય બનાવવા આવેલા યુવાનો આ સિનિયરોના ત્રાસથી ફફડી ઉઠ્યા હતા.</p><h2 style="text-align: justify; ">5 મહિના સુધી અલગ-અલગ પ્રકારે અપાતો હતો ત્રાસ</h2><p style="text-align: justify; ">ભોગ બનનાર જુનિયર તબીબો પાસેથી મળતી વિગતો મુજબ સિનિયર ડોક્ટરો દ્વારા છેલ્લા 5 માસથી તેમનું શારીરિક અને માનસિક શોષણ કરવામાં આવતું હતું. અલગ-અલગ બહાને તેમને મોડી રાત સુધી હેરાન કરવા, માનસિક ટોર્ચર કરવું અને ધાક-ધમકીઓ આપવી જેવી પ્રવૃત્તિઓ બેરોકટોક ચાલી રહી હતી. ભવિષ્ય બગડવાના ડરે વિદ્યાર્થીઓ અત્યાર સુધી આ અત્યાચાર મૂંગા મોઢે સહન કરી રહ્યા હતા, પરંતુ અંતે પાણી માથા પરથી જતાં સમગ્ર મામલો કોલેજ પ્રશાસન અને એન્ટી રેગિંગ કમિટી સમક્ષ પહોંચ્યો છે.</p><h3 style="text-align: justify; ">સાંજે 5 કલાકે એન્ટી રેગિંગ કમિટીની મહત્વની બેઠક</h3><p style="text-align: justify; ">આ ગંભીર અને ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ભાવનગર મેડિકલ કોલેજ તંત્ર તાબડતોબ એક્શનમાં આવ્યું છે. સમગ્ર મામલાની તપાસ અને દોષિતોને સજા આપવા માટે આજે જ સાંજે 5 કલાકે એન્ટી રેગિંગ કમિટીના સભ્યોની એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી છે. તેમજ ભોગ બનનાર વિદ્યાર્થીઓના નિવેદનો અને પુરાવાઓની ચકાસણી કરવામાં આવશે. કમિટીની બેઠક પૂર્ણ થયા બાદ રેગિંગ કરનારા તમામ 6 સિનિયર ડોક્ટરો સામે સસ્પેન્શન કે પોલીસ ફરિયાદ સહિતના કડક અને દાખલારૂપ નિર્ણયો લેવાય તેવી પૂરેપૂરી સંભાવના છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/18/tsHlaiOb35Xm3YDbV6f2warK9jBw4g7KhRA32uyE.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: કોલવડામાં જનઆક્રોશ, મેયર ઓફિસે હોબાળા બાદ કમિશનર એક્શનમાં! ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/kolavada-residents-protest-at-gmc-mayor-office-civic-issues</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/kolavada-residents-protest-at-gmc-mayor-office-civic-issues</guid><pubDate>Thu, 18 Jun 2026 16:54:42 +05:30</pubDate><description><![CDATA[<p>ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ કોલવડા ગામના રહીશો લાંબા સમયથી પાયાની સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે. વારંવારની રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા ગ્રામજનોમાં પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો હતો. ગુરૂવારે મોટી સંખ્યામાં કોલવડાના ગ્રામજનો ગાંધીનગર કોર્પોરેશન કચેરી ખાતે ધસી ગયા હતા. ગામ લોકોએ મેયર ઓફિસ સામે જોરદાર સૂત્રોચ્ચાર સાથે હોબાળો મચાવ્યો હતો.</p><h2><b>પાયાની સમસ્યાઓથી જનતા ત્રસ્ત</b></h2><p>સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ગામમાં રસ્તા બિસ્માર હાલતમાં છે, ગટર લાઈનો ઉભરાઈ રહી છે અને પીવાના શુદ્ધ પાણીની પણ વિકટ સમસ્યા છે. ચોમાસાની શરૂઆત પહેલા જ આવી સ્થિતિ હોવાથી ગ્રામજનોનું જીવવું દુષ્કર બન્યું છે. આ અંગે સ્થાનિક કોર્પોરેટરને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ સમસ્યા જસની તસ રહી છે.</p><h2><b>'મત લેવા આવતા નેતાઓ યાદ રાખે'</b></h2><p>ગાંધીનગર મનપા કચેરીએ પહોંચેલા રોષે ભરાયેલા નાગરિકો અને મહિલાઓએ લોકશાહીના ઢબે વિરોધ નોંધાવતા રાજકીય નેતાઓને આકરી ચેતવણી આપી છે. ગ્રામજનોએ સાફ શબ્દોમાં જણાવ્યું છે કે, ચૂંટણી ટાણે મોટા-મોટા વાયદા કરીને મત લઈ જનારા નેતાઓ હવે મોઢું બતાવતા નથી. જો અમારી સમસ્યાઓ હલ નહીં થાય, તો આગામી ચૂંટણીમાં કોઈ પણ પક્ષને ગામમાંથી મત નહીં મળે. અમે કડક રીતે મતદાનનો બહિષ્કાર કરીશું.</p><p><img title="Gandhinagar News: Kolavada Residents Protest at GMC Over Civic Issues" src="https://epapercdn.sandesh.com/images/2026/06/18/UXLH5Jl6HhyfnWd68jsvE0VIcUTbi01SNoVanQCv.webp"><br></p><h2><b>ગાંધીનગર મનપા કમિશનરની મધ્યસ્થી અને બાંહેધરી</b></h2><p>ગાંધીનગર મેયર ઓફિસ બહાર મામલો વધુ ગરમાતા આખરે મનપા કમિશનરે મધ્યસ્થી કરવી પડી હતી. કમિશનરે આક્રોશિત ગ્રામજનોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને તેમની તમામ ફરિયાદો સાંભળી હતી. મામલો થાળે પાડવા માટે કમિશનરે સત્તાવાર બાંહેધરી આપી છે કે, 1 સપ્તાહની અંદર કોલવડા ગામના રસ્તા, ગટર અને પાણીની તમામ પ્રાથમિક સમસ્યાઓનો કાયમી નિકાલ લાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવશે. કમિશનરની આ ખાતરી બાદ ગ્રામજનો શાંત પડ્યા હતા, પરંતુ જો સમયસર કામ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/cm-bhupendra-patel-travels-by-vande-bharat-train-to-valsad" target="_blank">Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ વંદેભારત ટ્રેનમાં બેસી વલસાડ રવાના થયા</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/18/O7GI9TD9luja5AXURivUBQcnvpiF93T0y9mAjklG.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ વંદેભારત ટ્રેનમાં બેસી વલસાડ રવાના થયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/cm-bhupendra-patel-travels-by-vande-bharat-train-to-valsad</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/cm-bhupendra-patel-travels-by-vande-bharat-train-to-valsad</guid><pubDate>Thu, 18 Jun 2026 16:52:36 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડાપ્રધાન મોદીએ કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ કર્યા છે. આ કાર્યકાળની ઉજવણી રાજ્યમાં કરવામાં આવી રહી છે. બીજી તરફ વડાપ્રધાન દ્વારા ઈંધણ બચાવવા માટે કરવામાં આવેલી હાકલને લઈને મંત્રીઓ અને અધિકારીઓ હવે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યાં છે. તેના ભાગ રૂપે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ગાંધીનગરથી વંદેભારત ટ્રેન મારફતે નવસારી જવા રવાના થયા હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વંદેભારત ટ્રેનમાં મુસાફરો સાથે ચર્ચાઓ કરી હતી.&nbsp;</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DZuRbxWFGR1/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA%3D%3D" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DZuRbxWFGR1/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA%3D%3D" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a><br><br><br></p><h2 style="text-align: justify; "><b>મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટ્રેનમાં બેસી વલસાડ જવા રવાના થયા</b></h2><p style="text-align: justify; ">આજે ગાંધીનગર રેલવે સ્ટેશનથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વંદે ભારત ટ્રેનમાં બેસીને વલસાડ જવા રવાના થયા હતાં. તેમની સાથે ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ જોડાયા હતાં. બંને નેતાઓ ટ્રેન મારફતે વલસાડ જવા રવાના થયા હતાં. વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવેલી ઈંધણ બચાવવાની હાકલને લોકો સુધી પહોંચાડવા અને લોકોને આ મુદ્દે જાગૃત કરવા મુખ્યમંત્રીએ પોતાના કાફલાની જગ્યાએ ટ્રેનમાં મુસાફરી કરી હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ એસટી બસ અને ટ્રેનમાં મુસાફરી કરી રહ્યાં છે.&nbsp;&nbsp;</p><h3 style="text-align: justify; "><b>આ કાર્યક્રમ પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલો છે</b></h3><p style="text-align: justify; ">નવસારી જિલ્લાના ખેરગામ અને ચીખલી ખાતે બે દિવસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમ પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલો છે. મુખ્યમંત્રીના કાર્યક્રમને લઈને અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેવાઈ હતી. વલસાડ અને નવસારી રેલવે સ્ટેશનની આસપાસ વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છતા શરૂ કરી દેવાઈ હતી. ટ્રાફિક વ્યવસ્થા અને ગેરકાયદે દબાણો દૂર કરવાની પણ કામગીરી હાથ ધરાઈ હતી.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/farmers-demand-10-hours-electricity-and-irrigation-water" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: ગરમીને કારણે ખેડૂતોના પાક સુકાવાની ભીતિ, પાણી અને વીજળી માટે મુખ્યમંત્રીને રજૂઆત</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/18/QYwnb58u4cwmc7YFXgvpvVqnyqcl2dJtCbZar5zQ.webp'/></item><item><title><![CDATA[Stock Market Closing: શેરબજારમાં તેજી, સેન્સેક્સ 254.36 પોઇન્ટ વધ્યો ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-closing-stock-market-boom-sensex-rises-25436-points</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-closing-stock-market-boom-sensex-rises-25436-points</guid><pubDate>Thu, 18 Jun 2026 15:46:12 +05:30</pubDate><description><![CDATA[<p>ગુરુવારે સ્થાનિક શેરબજારમાં મજબૂતી જોવા મળી હતી, જેનું મુખ્ય કારણ રિયલ્ટી, બેંકિંગ અને નાણાકીય ક્ષેત્રના શેરોમાં વધારો હતો. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. બપોરે 1:00 વાગ્યાની આસપાસ, નિફ્ટી50 37.65 પોઈન્ટ અથવા 0.16 ટકા વધીને 24,123.35 પર બંધ રહ્યો હતો, જ્યારે સેન્સેક્સ 162.18 પોઈન્ટ અથવા 0.21 ટકા વધીને 77,317.80 પર પહોંચ્યો હતો.</p><h2><b>સેન્સેક્સ તેજી સાથે બંધ&nbsp;</b></h2><p>બપોરે 3.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં બંધ થયા. સેન્સેક્સ અને નિફ્ટી બંને તેજી સાથે બંધ થયા. સેન્સેક્સ 254.36 પોઇન્ટના વધારા સાથે 77,409 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી +82.30 પોઇન્ટના વધારા સાથે 24,168 અંકે બંધ થયો.&nbsp;</p><h3><b>શેરબજારમાં તેજી&nbsp;</b></h3><p>ઇન્ફોસિસ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ અને અલ્ટ્રાટેક સિમેન્ટ નિફ્ટી50 ઇન્ડેક્સમાં ટોચના ઘટાડામાં સામેલ હતા. વ્યાપક બજારમાં, નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 0.21 ટકા વધ્યો, અને નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સ 0.55 ટકા વધ્યો.ક્ષેત્રીય સૂચકાંકોમાં, નિફ્ટી આઇટીમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો. તેનાથી વિપરીત, નિફ્ટી પીએસયુ બેંક, નિફ્ટી મેટલ અને નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સે સારું પ્રદર્શન કર્યું અને બજારને ટેકો આપ્યો.</p><p><b style="font-size: 1.5rem;">બજારમાં મૂંઝવણનું કારણ શું છે?</b></p><p>શેરબજારમાં નોંધપાત્ર મૂંઝવણ અમેરિકામાંથી આવતા સારા અને ખરાબ બંને સમાચારોને આભારી છે. યુએસ ફેડરલ રિઝર્વ (યુએસ ફેડ) એ તેના બેન્ચમાર્ક વ્યાજ દરોને યથાવત રાખ્યા છે, તેમને 3.50% થી 3.75% ની રેન્જમાં જાળવી રાખ્યા છે. આ નિર્ણય નવા ફેડ અધ્યક્ષ કેવિન વોર્શની અધ્યક્ષતામાં મળેલી પહેલી બેઠક દરમિયાન લેવામાં આવ્યો હતો, જેમણે કોઈ નીતિગત છૂટછાટની ઓફર કરી ન હતી; આનાથી બજારની ભાવના નબળી પડી છે.</p><p><br></p><p>બીજી બાજુ, સકારાત્મક સમાચાર છે: અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે, જેમાં કરાર પર ઔપચારિક રીતે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે - એક સંકેત છે કે ફુગાવાના જોખમો ઓછા થઈ રહ્યા છે - જે બજારને ટેકો પૂરો પાડી શકે છે.</p><p><br></p><h4><b>અસ્થિરતા વચ્ચે આ 10 શેર ચમક્યા</b></h4><p>શેરબજારમાં વધઘટ વચ્ચે, ઘણા શેર રોકાણકારો માટે લાભ પેદા કરવામાં સફળ રહ્યા. BSE લાર્જ-કેપ કંપનીઓમાં, ટાટા ગ્રુપના ટ્રેન્ટ (1.50% ઉપર), BEL (1.20% ઉપર), અને HDFC બેંક (1.10% ઉપર) ના ભાવમાં વધારો થયો.</p><p>મિડ-કેપ કેટેગરીમાં, Nykaa (૧.૨૦% વધ્યો) અને યસ બેંક (૧.૧૦% વધ્યો) માં વધારો જોવા મળ્યો. સ્મોલ-કેપ સેગમેન્ટમાં, કાર્બોરુનિવ (૭% વધ્યો), રેડિંગ્ટન (૫.૫૦% વધ્યો), ABREL (૨.૫૦% વધ્યો), વોકફાર્મા (૨.૧૦% વધ્યો), અને HSCL (૧.૯૦% વધ્યો) જેવા શેરોમાં વધારો જોવા મળ્યો.</p><p><br></p><p><a href="https://sandesh.com/gallery/news/india/why-are-potatoes-and-chickpeas-the-filling-in-panipuri?2" target="_blank">આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2024/12/23/5WiYroRHizlRsj6kIbBZpE9jEf1dKTuoRUSHgSxj.jpg'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026: ફિફા વર્લ્ડ કપમાં 68 વર્ષ પછી સર્જાયો આ અનોખો મહાસંયોગ! ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-this-unique-coincidence-occurred-after-68-years-in-the-fifa-world-cup</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-this-unique-coincidence-occurred-after-68-years-in-the-fifa-world-cup</guid><pubDate>Thu, 18 Jun 2026 12:30:36 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતમાં સ્પોર્ટસના શોખીનો માટે અત્યારે બહુ સારો સમય છે. આઈપીએલ પૂર્ણ થયા બાદ ટીમ ઇન્ડયા એમાં વૈભવ સૂર્યવંશી સારું પ્રદર્શન કરી રહ્યો છે. જયારે દુબઈમાં મહિલા ટીમ ટી20 વર્લ્ડકપમાં શાનદાર રમત રમી રહી છે. તો બીજી બાજુ ફિફા વર્લ્ડકપ રમાઈ રહ્યો છે. ફૂટબોલના શોખીનો અત્યારે તેમની પસંદગીને ટીમને સપોર્ટ કરી રહ્યા છે. જો કે આ વર્ષે રમાતા ફિફા વર્લ્ડકપમાં એક અદ્ભૂત સંયોગ જોવા મળ્યો. ૧૯૫૮ પછી પહેલીવાર વર્લ્ડ કપમાં એક જ દિવસે ચારેય મુકાબલા ડ્રો થતા ફિફા ૨૦૨૬માં મોટો રેકોર્ડ નોંધાયો.</p><h2 style="text-align: justify; "><b>ફૂટબોલ વર્લ્ડકપના ઇતિહાસમાં અનોખી ઘટના</b></h2><p style="text-align: justify; ">ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ના પાંચમા દિવસે ફૂટબોલના મેદાન પર એક એવો અનોખો રેકોર્ડ બન્યો છે, જેણે ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. સત્તાવાર રીતે ૧૫ જૂનનો આ દિવસ ઓછી જાણીતી અને અંડરડોગ ટીમો માટે યાદગાર સાબિત થયો હતો. ફૂટબોલના ઇતિહાસમાં પૂરા ૬૮ વર્ષ પછી એવું બન્યું છે કે વર્લ્ડ કપની ટુર્નામેન્ટમાં એક જ દિવસે રમાયેલી તમામ ચાર મેચ ડ્રોમાં પરિણમી હોય!</p><h3 style="text-align: justify; "><b>સ્પેન અને ઉરુગ્વે જેવી દિગ્ગજ ટીમો ચોંકી, બધી મેચો રહી ડ્રો</b></h3><p style="text-align: justify; ">૧૫ જૂનના રોજ રમાયેલા ચારેય મુકાબલાઓમાં ઓછી જાણીતી ટીમોએ દિગ્ગજોને હંફાવ્યા હતા.</p><ul><li style="text-align: justify;">સ્પેન વર્સિસ કેપ વર્ડે (૦-૦): પૂર્વ યુરોપિયન ચેમ્પિયન અને ૨૦૧૦ના વર્લ્ડ કપ વિજેતા સ્પેનને કેપ વર્ડે (Cape Verde) ની ટીમે પોતાની શાનદાર રક્ષણાત્મક (Defensive) રમત વડે ૦-૦ ની બરાબરી પર રોકી રાખ્યું.</li><li style="text-align: justify;">બેલ્જિયમ વર્સિસ ઇજિપ્ત (૧-૧): બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર થઈ, પરંતુ અંતે સ્કોર ૧-૧ થી બરાબર રહ્યો.</li><li style="text-align: justify;">સાઉદી અરેબિયા વર્સિસ ઉરુગ્વે (૧-૧): સાઉદી અરેબિયાએ ઉરુગ્વે જેવી મજબૂત ટીમને ૧-૧ થી ડ્રો પર રોકીને મોટો પલટવાર કર્યો.</li><li style="text-align: justify;">ઈરાન વર્સિસ ન્યુઝીલેન્ડ (૨-૨): દિવસની છેલ્લી મેચ સૌથી રોમાંચક રહી. બંને ટીમોએ ૨-૨ ગોલ કરીને મેચને બરાબરી પર પૂરી કરી, જેની સાથે જ આ નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત થયો.</li></ul><h3 style="text-align: justify; "><b>૧૯૫૮ પછી ફૂટબોલમાં પહેલીવાર બન્યો આ રેકોર્ડ</b></h3><p style="text-align: justify; ">એક જ દિવસે ચાર મેચ ડ્રો થવાનો આ અનોખો સંયોગ અગાઉ ૧૫ જૂન, ૧૯૫૮ ના રોજ સ્વીડન વર્લ્ડ કપમાં જોવા મળ્યો હતો. તે સમયે સ્વીડન-વેલ્સ (૦-૦), પશ્ચિમ જર્મની-ઉત્તરી આયર્લેન્ડ (૨-૨), પેરાગ્વે-યુગોસ્લાવિયા (૩-૩) અને ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રિયા (૨-૨) વચ્ચેની મેચો ડ્રો થઈ હતી.</p><h4 style="text-align: justify; "><b>કાયલિયન મ્બાપ્પેએ તોડ્યો ઓલિવિયર ગિરોડનો રેકોર્ડ</b></h4><p style="text-align: justify; ">બુધવારે રમાયેલી ગ્રુપ I ની મેચોમાં ફ્રાન્સે સેનેગલને ૩-૧ થી હરાવીને ટૂર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કરી છે. ન્યુ જર્સીમાં રમાયેલી આ મેચમાં ફ્રાન્સના સ્ટાર ફોરવર્ડ કાયલિયન મ્બાપ્પેએ બે શાનદાર ગોલ ફટકાર્યા હતા. આ બે ગોલની સાથે જ મ્બાપ્પે ફ્રાન્સના ફૂટબોલ ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર ઓલ-ટાઇમ હાઇએસ્ટ સ્કોરર બની ગયો છે. તેણે પૂર્વ સ્ટ્રાઈકર ઓલિવિયર ગિરોડનો રેકોર્ડ તોડી નાખ્યો છે. મેચમાં ફ્રાન્સ તરફથી બ્રેડલી બાર્કોલાએ પણ ૧ ગોલ કર્યો હતો, જ્યારે સેનેગલ તરફથી ઇબ્રાહિમ મ્બાએ ટીમ માટે એકમાત્ર ગોલ નોંધાવ્યો હતો.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/terror-of-poisonous-snakes-in-fifa-world-cup-german-team-barely-survives" target="_blank">આ પણ વાંચો : FIFA વર્લ્ડ કપમાં ઝેરી સાપનો આતંક, માંડ-માંડ બચી જર્મની ટીમ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/18/btabTJJwAPF9Q2yiSFxaLW4CVFyWqefVAGBrj2vo.webp'/></item></channel></rss>