<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabad News: વાહનની નંબર પ્લેટ નહીં હોય અને તેની સાથે ચેડાં કર્યા તો થશે કાર્યવાહી ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/no-number-plate-or-tampering-with-plate-will-lead-to-action</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/no-number-plate-or-tampering-with-plate-will-lead-to-action</guid><pubDate>Wed, 09 Sep 2026 09:16:38 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદમાં પોલીસ દ્વારા વાહનવ્યવહારને વધુ સુરક્ષિત અને નિયમિત બનાવવાના હેતુથી એક રાજ્યવ્યાપી વિશેષ ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.આ ખાસ અભિયાન અંતર્ગત ખાસ કરીને વાહનો પર નંબર પ્લેટ ન લગાવનાર અથવા નંબર પ્લેટ સાથે ગેરકાયદેસર ચેડાં કરનાર ચાલકો વિરુદ્ધ આગામી 14 ઓક્ટોબર સુધી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા અને માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે પોલીસ તંત્ર દ્વારા આ ડ્રાઇવને અત્યંત સઘન બનાવવામાં આવી છે જેનાથી વાહનચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.</p><h2><b>પોલીસે 1.69  કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો</b></h2><p>આ ડ્રાઇવના ભાગરૂપે તાજેતરમાં જ રાજ્ય પોલીસે ગત ઓગસ્ટ મહિના દરમિયાન કરેલી કામગીરીના આંકડા જાહેર કર્યા છે.ઓગસ્ટ મહિનામાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે લાલ આંખ કરીને મોટાપાયે દંડકીય કાર્યવાહી કરવામાં આવી છે.રાજ્યમાં રોંગ સાઈડમાં વાહન ચલાવવાના ગંભીર કેસોમાં કુલ 36159 કેસ નોંધીને પોલીસ દ્વારા 3.64 રોડ રૂપિયાનો જંગી દંડ વસૂલવામાં આવ્યો છે.આ ઉપરાંત વાહનોની અનિયંત્રિત ગતિ એટલે કે ઓવર સ્પીડિંગના 38083 કેસ નોંધવામાં આવ્યા હતા જેની સામે પોલીસે 1.69  કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે.</p><h2><b>ટ્રાફિક નિયમોના ભંગ બદલ કુલ 74242 જેટલા કેસ નોંધાયા</b></h2><p>માત્ર આ બે જ મુખ્ય ટ્રાફિક નિયમોના ભંગ બદલ કુલ 74242 જેટલા માતબર કેસો નોંધાયા છે અને સરકારી તિજોરીમાં કુલ 5.33 કરોડ રૂપિયાનો દંડ જમા થયો છે. આ સાથે જ શહેરી વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા નિવારવા માટે ગેરકાયદેસર પાર્કિંગ સામે પણ સખત પગલાં લેવામાં આવ્યા છે.જેના અંતર્ગત 36  હજારથી વધુ વાહનો વિરુદ્ધ ગેરકાયદેસર પાર્કિંગના કેસ કરવામાં આવ્યા છે.પોલીસ વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે આગામી સમયમાં પણ આ પ્રકારની આક્રમક અને સતત કાર્યવાહી ચાલુ જ રહેશે જેથી નાગરિકો ટ્રાફિક નિયમો પ્રત્યે વધુ જાગૃત બને અને અકસ્માતો ટાળી શકાય.</p><p><br><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-assembly-monsoon-session-begins-today-8-bills-to-be-discussed" target="_blank">આ પણ વાંચોઃ Gandhinagar News: આજથી વિધાનસભાનું ચોમાસુ સત્ર મળશે, 8 વિધેયકો ચર્ચા માટે રજૂ થશે</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/jOODAd7DXJWsjpGfYuzCbdp1dyRVDcaoCZ1l1uGv.webp'/></item><item><title><![CDATA[Ahmedabadમાં રાજ્યભરની આંગણવાડી-આશા વર્કર મહિલાઓનું મોટું આંદોલન, પગાર વધારા મુદ્દે 2 દિવસીય ધરણાંની જાહેરાત ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad--anganwadi-and-asha-workers-to-stage-2-day-protest-demanding-wage-hike</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad--anganwadi-and-asha-workers-to-stage-2-day-protest-demanding-wage-hike</guid><pubDate>Wed, 09 Sep 2026 08:46:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં આંગણવાડી અને આશા વર્કર બહેનો દ્વારા પોતાની વિવિધ પડતર માગણીઓને લઈને રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનનું આહ્વાન કરવામાં આવ્યું છે. પોતાના હક્કો અને વ્યાજબી માગણીઓ સંતોષવા માટે સમગ્ર રાજ્યભરના તમામ જિલ્લાઓમાંથી હજારોની સંખ્યામાં આશા વર્કર અને આંગણવાડી કાર્યકર મહિલાઓ અમદાવાદ શહેરમાં એકત્રિત થશે. અમદાવાદના લાલ દરવાજા સ્થિત ઐતિહાસિક સરદારબાગ ખાતે બે દિવસીય આક્રમક ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી સરકાર અને સંબંધિત વિભાગનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરવામાં આવશે.</p><h2 style="text-align: justify; "><b>વેતન વધારો અને નિવૃત્તિ વયમર્યાદા વધારવા મુખ્ય માગ</b></h2><p style="text-align: justify; ">આ આંદોલન પાછળ આંગણવાડી અને આશા વર્કરોની લાંબા સમયથી ચાલી આવતી આર્થિક અને સેવાકીય માગણીઓ મુખ્ય કારણ છે. પ્રદર્શનકારી મહિલા કર્મચારીઓની પ્રાથમિક માગણીઓમાં માસિક વેતનમાં યોગ્ય અને સંતોષકારક વધારો કરવો, વધતી મોંઘવારી મુજબ સેવા ભથ્થાં ચૂકવવા તેમજ નિવૃત્તિની વયમર્યાદામાં વધારો કરવો વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય પડતર પ્રશ્નોના કાયમી ઉકેલ માટે રાજ્યના ખૂણે-ખૂણેથી મહિલા કર્મચારીઓ મોટી સંખ્યામાં અમદાવાદ આવી પહોંચશે, જેને પગલે લાલ દરવાજા વિસ્તારમાં મોટો જમાવડો જોવા મળશે.</p><h2 style="text-align: justify; "><b>સ્થાનિક સેવાઓ પર અસરની શક્યતા</b></h2><p style="text-align: justify; ">બે દિવસના આ મોટા પ્રદર્શનને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લાલ દરવાજા અને સરદારબાગ આસપાસ કાયદો-વ્યવસ્થા જાળવવા તથા ટ્રાફિક સુચારુ રાખવા માટે ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. આશા વર્કર અને આંગણવાડી કાર્યકરોની આ હડતાળના કારણે ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં ચાલતી પ્રાથમિક આરોગ્ય, બાળ પોષણ અને રસીકરણ સહિતની સેવાઓ પર આંશિક અસર પડવાની શક્યતા સેવાઈ રહી છે. મહિલા મંડળોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો સરકાર દ્વારા વહેલી તકે વાટાઘાટો કરી સંતોષકારક આશ્વાસન નહીં અપાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/india/ahmedabad/chief-election-commissioner-gyanesh-kumar-to-begin-2-day-gujarat-visit-tomorrow" target="_blank">Ahmedabad News : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર આવશે ગુજરાતમાં! BLO અને ELC સભ્યો સાથે યોજાશે મોટો કાર્યક્રમ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/i0JSoxasf4AQaWPy35KNfxuxguJxZkDltGwyHfSX.webp'/></item><item><title><![CDATA[Festival Effect: દિવાળી-છઠ્ઠનો પ્રવાસ બન્યો મોંઘો! ટ્રેનમાં સીટ નહીં, ફ્લાઇટ ટિકિટના ભાવ દોઢથી બમણાં ]]></title><link>https://sandesh.com/india/news/business/festival-effect-diwali-chhath-travel-becomes-expensive-no-seats-in-trains-flight-ticket-prices-one-and-a-half-times-higher</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/festival-effect-diwali-chhath-travel-becomes-expensive-no-seats-in-trains-flight-ticket-prices-one-and-a-half-times-higher</guid><pubDate>Wed, 09 Sep 2026 08:31:51 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">તહેવારોને હજુ સમય હોવા છતાં અનેક લોકપ્રિય ટ્રેનોમાં બેઠકો પહેલેથી જ ફુલ થઈ ગઈ છે. બુકિંગ શરૂ થયાના થોડા જ મિનિટોમાં ટિકિટો વેચાઈ જતાં હવે મોટાભાગના મુસાફરોને વેઇટિંગ લિસ્ટનો સહારો લેવો પડી રહ્યો છે. કેટલીક ટ્રેનોમાં તો વેઇટિંગ લિસ્ટની ટિકિટ પણ ઉપલબ્ધ નથી.</p><h2 style="text-align: justify; "><b>લોકપ્રિય ટ્રેનોમાં તહેવારોની તારીખોની આસપાસ બેઠકો ઉપલબ્ધ નથી</b></h2><p style="text-align: justify; ">દિલ્હીથી પટણા, વારાણસી, દરભંગા,જનતાનગર, પ્રયાગરાજ અને રાંચી જેવા શહેરો તરફ જતી ટ્રેનોમાં સૌથી વધુ માંગ જોવા મળી રહી છે. સંપૂર્ણ ક્રાંતિ એક્સપ્રેસ, અમૃત ભારત એક્સપ્રેસ, મગધ એક્સપ્રેસ, કાશી વિશ્વનાથ એક્સપ્રેસ, શિવ ગંગા એક્સપ્રેસ, રાજધાની એક્સપ્રેસ અને વંદે ભારત જેવી લોકપ્રિય ટ્રેનોમાં તહેવારોની તારીખોની આસપાસ બેઠકો ઉપલબ્ધ નથી.</p><h3 style="text-align: justify; "><b>ગયા વર્ષની સરખામણીએ વધુ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની તૈયારી&nbsp;</b></h3><p style="text-align: justify; ">દિવાળી નિમિત્તે મોટી સંખ્યામાં લોકો પોતાના પરિવાર અને ગામમાં તહેવાર ઉજવવા માટે દિલ્હી અને અન્ય મોટા શહેરોમાંથી ઘરે પરત ફરે છે. ખાસ કરીને બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશ તરફ જતાં રૂટ પર ભારે ભીડ રહેતી હોવાથી મુસાફરો બે મહિના પહેલાંથી જ ટિકિટ બુક કરાવવાનું શરૂ કરી દે છે. જે લોકોને નિયમિત ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ મળી નથી, તેમના માટે હવે સ્પેશિયલ ટ્રેનો મુખ્ય વિકલ્પ બની રહી છે.</p><p style="text-align: justify; ">રેલવે મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને ગયા વર્ષની સરખામણીએ વધુ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની તૈયારી કરી રહ્યું છે. ગયા વર્ષે તહેવારો દરમિયાન ઉત્તર રેલવે દ્વારા આશરે 5,400 ફેરા ચલાવવામાં આવ્યા હતા, જ્યારે આ વર્ષે આ સંખ્યા લગભગ 6,000 સુધી પહોંચી શકે છે. અત્યાર સુધીમાં અનેક સ્પેશિયલ ટ્રેનના લગભગ 600 ફેરાની જાહેરાત કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે.</p><p style="text-align: justify; ">વારાણસી, અયોધ્યા કેન્ટ, પટણા, દરભંગા, બરૌણી, સહરસા, પ્રયાગરાજ, જોગબની અને ભાગલપુર જેવા સ્થળો માટે સૌથી વધુ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની યોજના છે. આ ટ્રેનો ઓક્ટોબરના મધ્યથી ડિસેમ્બરના મધ્ય સુધી મુસાફરોની સુવિધા માટે દોડાવવામાં આવશે.</p><p style="text-align: justify; ">બીજી તરફ, ટ્રેનમાં ટિકિટ ન મળવાનો સીધો ફાયદો હવે એરલાઇન્સ કંપનીઓને મળી રહ્યો છે. દિવાળીની આસપાસ અનેક રૂટ પર હવાઈ ભાડાં પહેલેથી જ દોઢથી બે ગણાં સુધી વધી ગયા છે. છઠ્ઠ પર્વ નજીક આવતા ભાડાંમાં હજુ વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.</p><p style="text-align: justify; ">ઉત્તર રેલવેના જણાવ્યા અનુસાર, સૌથી વધુ માગ ધરાવતા રૂટની ઓળખ કરીને સતત સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત કરવામાં આવી રહી છે. જોકે મુસાફરોને સલાહ આપવામાં આવી રહી છે કે તહેવારો દરમિયાન મુસાફરીનું આયોજન વહેલું કરે અને ઉપલબ્ધ ટિકિટ અથવા સ્પેશિયલ ટ્રેનની માહિતી સમયસર તપાસતા રહે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/2EfxDzeWpJc4LOlmr0taNilwZ7dxNWDGubYPbstJ.webp'/></item><item><title><![CDATA[Festival Effect: દિવાળી-છઠ્ઠનો પ્રવાસ બન્યો મોંઘો! ટ્રેનમાં સીટ નહીં, ફ્લાઇટ ટિકિટના ભાવ દોઢથી બમણાં ]]></title><link>https://sandesh.com/india/news/business/festival-effect-diwali-chhath-travel-becomes-expensive-no-seats-in-trains-flight-ticket-prices-one-and-a-half-times-higher</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/festival-effect-diwali-chhath-travel-becomes-expensive-no-seats-in-trains-flight-ticket-prices-one-and-a-half-times-higher</guid><pubDate>Wed, 09 Sep 2026 08:31:51 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">તહેવારોને હજુ સમય હોવા છતાં અનેક લોકપ્રિય ટ્રેનોમાં બેઠકો પહેલેથી જ ફુલ થઈ ગઈ છે. બુકિંગ શરૂ થયાના થોડા જ મિનિટોમાં ટિકિટો વેચાઈ જતાં હવે મોટાભાગના મુસાફરોને વેઇટિંગ લિસ્ટનો સહારો લેવો પડી રહ્યો છે. કેટલીક ટ્રેનોમાં તો વેઇટિંગ લિસ્ટની ટિકિટ પણ ઉપલબ્ધ નથી.</p><h2 style="text-align: justify; "><b>લોકપ્રિય ટ્રેનોમાં તહેવારોની તારીખોની આસપાસ બેઠકો ઉપલબ્ધ નથી</b></h2><p style="text-align: justify; ">દિલ્હીથી પટણા, વારાણસી, દરભંગા,જનતાનગર, પ્રયાગરાજ અને રાંચી જેવા શહેરો તરફ જતી ટ્રેનોમાં સૌથી વધુ માંગ જોવા મળી રહી છે. સંપૂર્ણ ક્રાંતિ એક્સપ્રેસ, અમૃત ભારત એક્સપ્રેસ, મગધ એક્સપ્રેસ, કાશી વિશ્વનાથ એક્સપ્રેસ, શિવ ગંગા એક્સપ્રેસ, રાજધાની એક્સપ્રેસ અને વંદે ભારત જેવી લોકપ્રિય ટ્રેનોમાં તહેવારોની તારીખોની આસપાસ બેઠકો ઉપલબ્ધ નથી.</p><h3 style="text-align: justify; "><b>ગયા વર્ષની સરખામણીએ વધુ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની તૈયારી&nbsp;</b></h3><p style="text-align: justify; ">દિવાળી નિમિત્તે મોટી સંખ્યામાં લોકો પોતાના પરિવાર અને ગામમાં તહેવાર ઉજવવા માટે દિલ્હી અને અન્ય મોટા શહેરોમાંથી ઘરે પરત ફરે છે. ખાસ કરીને બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશ તરફ જતાં રૂટ પર ભારે ભીડ રહેતી હોવાથી મુસાફરો બે મહિના પહેલાંથી જ ટિકિટ બુક કરાવવાનું શરૂ કરી દે છે. જે લોકોને નિયમિત ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ મળી નથી, તેમના માટે હવે સ્પેશિયલ ટ્રેનો મુખ્ય વિકલ્પ બની રહી છે.</p><p style="text-align: justify; ">રેલવે મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને ગયા વર્ષની સરખામણીએ વધુ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની તૈયારી કરી રહ્યું છે. ગયા વર્ષે તહેવારો દરમિયાન ઉત્તર રેલવે દ્વારા આશરે 5,400 ફેરા ચલાવવામાં આવ્યા હતા, જ્યારે આ વર્ષે આ સંખ્યા લગભગ 6,000 સુધી પહોંચી શકે છે. અત્યાર સુધીમાં અનેક સ્પેશિયલ ટ્રેનના લગભગ 600 ફેરાની જાહેરાત કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે.</p><p style="text-align: justify; ">વારાણસી, અયોધ્યા કેન્ટ, પટણા, દરભંગા, બરૌણી, સહરસા, પ્રયાગરાજ, જોગબની અને ભાગલપુર જેવા સ્થળો માટે સૌથી વધુ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની યોજના છે. આ ટ્રેનો ઓક્ટોબરના મધ્યથી ડિસેમ્બરના મધ્ય સુધી મુસાફરોની સુવિધા માટે દોડાવવામાં આવશે.</p><p style="text-align: justify; ">બીજી તરફ, ટ્રેનમાં ટિકિટ ન મળવાનો સીધો ફાયદો હવે એરલાઇન્સ કંપનીઓને મળી રહ્યો છે. દિવાળીની આસપાસ અનેક રૂટ પર હવાઈ ભાડાં પહેલેથી જ દોઢથી બે ગણાં સુધી વધી ગયા છે. છઠ્ઠ પર્વ નજીક આવતા ભાડાંમાં હજુ વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.</p><p style="text-align: justify; ">ઉત્તર રેલવેના જણાવ્યા અનુસાર, સૌથી વધુ માગ ધરાવતા રૂટની ઓળખ કરીને સતત સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત કરવામાં આવી રહી છે. જોકે મુસાફરોને સલાહ આપવામાં આવી રહી છે કે તહેવારો દરમિયાન મુસાફરીનું આયોજન વહેલું કરે અને ઉપલબ્ધ ટિકિટ અથવા સ્પેશિયલ ટ્રેનની માહિતી સમયસર તપાસતા રહે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/2EfxDzeWpJc4LOlmr0taNilwZ7dxNWDGubYPbstJ.webp'/></item><item><title><![CDATA[Bigg Boss 20 : રિયોલિટી શો બિગ બોસમાં ડ્રામા શરૂ, આમ્રપાલી અને અરિશ્ફા વચ્ચે જોરદાર ઝગડો, 4 સભ્યો પર લટકતી તલવાર ]]></title><link>https://sandesh.com/entertainment/news/bigg-boss-20-episode-3-a-fierce-fight-between-amrapali-and-arishfa--sword-hanging-over-4-members-in-the-first-nomination</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/bigg-boss-20-episode-3-a-fierce-fight-between-amrapali-and-arishfa--sword-hanging-over-4-members-in-the-first-nomination</guid><pubDate>Wed, 09 Sep 2026 08:28:02 +05:30</pubDate><description><![CDATA[<p>બિગ બોસ 20ના ત્રીજા એપિસોડમાં ઘરનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. કેપ્ટનસી ટાસ્કથી શરૂ થયેલા આ એપિસોડમાં સીઝનની પ્રથમ નોમિનેશન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. આ સાથે જ સ્પર્ધકો વચ્ચે ઉંમર અંગે ગંભીર વિવાદ, લાઇફલાઇન ગુમાવવાની રમત અને અંગત સંબંધો પર મૌન જોવા મળ્યું હતું.</p><h2><b>સલમાનના બિગ બોસ 20માં ડ્રામા શરૂ</b></h2><p>એપિસોડની શરૂઆત ચાલુ કેપ્ટનસી ટાસ્કથી થઈ હતી, જેમાં કનિકા માને પોતાની ખાસ 'ટાસ્કમાસ્ટર' પાવરનો ઉપયોગ કરીને કાઝી તૌકીરને રેસમાંથી બહાર કરી દીધો હતો. ટાસ્કમાં સૌથી પહેલા ઈશા રિખી, અમન ગાંધી અને આમ્રપાલી દુબે બહાર થયા હતા. ત્યારબાદ ઉદિતિ સિંહ, મેરી કોમ, રોહીદ ખાન, કનિકા માન, અરિશ્ફા ખાન અને સ્કાઉટ પણ એલિમિનેટ થઈ ગયા હતા. અંતે માત્ર ગુલ્લુ, આસિફ ખાન અને યંગ ડીએસ જ સ્પર્ધામાં બાકી રહ્યા હતા. આ ટાસ્ક ખૂબ જ કંટાળાજનક રહ્યો હતો, પરંતુ તે પછી ઘરની અંદર થયેલા ઝઘડાઓએ શોમાં ડ્રામા ઉમેર્યો હતો.</p><p><b>આમ્રપાલી અને અરિશ્ફા વચ્ચે 'ઉંમર' મુદ્દે ઉગ્ર બોલાચાલી</b></p><p>લિવિંગ એરિયામાં વાતચીત દરમિયાન આમ્રપાલી દુબેએ 2002ની હિટ ફિલ્મ "રાઝ" નો ઉલ્લેખ કરતા કહ્યું કે જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે ઘરના ઘણા સભ્યોનો જન્મ પણ થયો નહોતો. આ વાત પર અરિશ્ફા ખાન ભડકી ગઈ હતી અને તેને 'બાળક' કહીને એજ-શેમિંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. આમ્રપાલીએ ખુલાસો કર્યો કે તેનો મજાક ઉડાવવાનો ઈરાદો નહોતો, છતાં વિવાદ વધતો ગયો. આ દરમિયાન આમ્રપાલીએ અરિશ્ફાને "ઓવર-રિએક્ટ કરનારી" કહી હતી, જ્યારે માહી વિજે પણ અરિશ્ફાને મામલો શાંત પાડવાની સલાહ આપી હતી.</p><p><b>એક્ટિવિટી રૂમ અને લાઇફલાઇનનું સસ્પન્સ</b></p><p>બિગ બોસે ટાસ્કના વિજેતાઓ ગુલ્લુ, આસિફ અને યંગને એક્ટિવિટી રૂમમાં બોલાવ્યા હતા. ત્યાં '2' (વધારાની લાઇફલાઇન) અને 'X' (લાઇફલાઇન ગુમાવવી) દર્શાવતા બે દરવાજા હતા. સભ્યો પાસે પહેલેથી બે લાઇફલાઇન હોવાથી 'X' દરવાજાની પસંદગી થઈ. તાજેતરના વિવાદને ધ્યાનમાં રાખીને આસિફે અરિશ્ફાની લાઇફલાઇન છીનવી લીધી, ગુલ્લુએ ઉદિતિને અને યંગે કનિકાને નિશાન બનાવી હતી.</p><p><b>બાથરૂમ એરિયામાં 'ભાભીજી' મજાક અને સંસ્કૃતિની વાત</b></p><p>બાથરૂમ એરિયામાં જ્યારે આમ્રપાલી સાડી બદલી રહી હતી ત્યારે કાઝી ત્યાં હાજર હોવાથી માહી વિજે મજાકમાં કહ્યું કે કાઝી "ભાભીજી"ને જોવામાં રસ ધરાવે છે. પાછળથી આ વાત પર ચર્ચા કરતા આમ્રપાલીએ ભારપૂર્વક જણાવ્યું કે ઉત્તર પ્રદેશ અને બિહારની ભોજપુરી સંસ્કૃતિમાં 'ભાભી'ને માતા સમાન આદર આપવામાં આવે છે અને આ ક્ષેત્રો તેની આવકનો મુખ્ય સ્ત્રોત છે.</p><p><b>પ્રથમ નોમિનેશન: ૪ સભ્યો પર લટકતી તલવાર</b></p><p>વોટિંગ પ્રક્રિયાના અંતે આ અઠવાડિયે ઘર બહાર થવા માટે ૪ સ્પર્ધકો નોમિનેટ થયા છે:</p><p>કનિકા માન</p><p>ઉદિતિ સિંહ</p><p>અરિશ્ફા ખાન</p><p>લવ ગિલ</p><p>હવે એ જોવું રસપ્રદ રહેશે કે આ ચારમાંથી સીઝનનો પ્રથમ એક્ઝિટ કોનો થાય છે.</p><p><b>રેપર 'બાદશાહ' સાથેના સંબંધો પર ઈશા રિખીનું મૌન</b></p><p>એપિસોડના અંતમાં રસોડામાં વાતચીત દરમિયાન જ્યારે જંગે પોતાનો પરિચય 'બાદશાહ' તરીકે આપ્યો, ત્યારે ઈશા રિખીએ કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. પરંતુ જ્યારે બાદમાં મ્યુઝિશિયન વિશે પૂછવામાં આવ્યું ત્યારે ઈશાએ તેનું નામ લેવાને બદલે માત્ર "X" કહ્યું અને "નો કોમેન્ટ્સ" કહી વાત ટાળી દીધી હતી. એકંદરે, બિગ બોસ 20ના ત્રીજા એપિસોડથી ઘરમાં નવા જૂથો રચાવવાના અને સ્પર્ધકોના સાચા રંગ સામે આવવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/QJ9gk2gtxW88XYbtxFgz7jsHmgTPf11736FB0vkm.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર આવશે ગુજરાતમાં! BLO અને ELC સભ્યો સાથે યોજાશે મોટો કાર્યક્રમ ]]></title><link>https://sandesh.com/gujarat/news/india/ahmedabad/chief-election-commissioner-gyanesh-kumar-to-begin-2-day-gujarat-visit-tomorrow</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/india/ahmedabad/chief-election-commissioner-gyanesh-kumar-to-begin-2-day-gujarat-visit-tomorrow</guid><pubDate>Wed, 09 Sep 2026 08:25:50 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર આવતીકાલથી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 10 અને 11 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી આ મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યમાં ચૂંટણી પ્રક્રિયા, મતદાતા જાગૃતિ અને ચૂંટણી સંચાલનને સુદ્રઢ બનાવવા સંબંધિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. મુખ્ય ચૂંટણી કમિશનર પોતાના ગુજરાત પ્રવાસનો શુભારંભ ઐતિહાસિક સાબરમતી આશ્રમની મુલાકાત લઈને કરશે. આ ઉપરાંત, તેઓ ગુજરાતની પ્રાચીન સ્થાપત્ય કળાના ઉત્કૃષ્ટ નમૂના સમાન અડાલજની વાવની પણ મુલાકાત લેશે.</p><h2 style="text-align: justify; "><b>500થી વધુ BLO સાથે બેઠક</b></h2><p style="text-align: justify; ">પોતાના બે દિવસીય પ્રવાસ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અમદાવાદ સ્થિત AMA (અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન) ખાતે યોજાનારા વિશેષ કાર્યક્રમમાં પ્રબુદ્ધ નાગરિકો સાથે સીધો સંવાદ સાધશે. આ સંવાદ દરમિયાન 'ભારતમાં ચૂંટણીઓનું સંચાલન' વિષય પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આ ઉપરાંત, લોકશાહીની પાયાની ઈંટ ગણાતા 500થી વધુ બીએલઓ (BLO - બ્લોક લેવલ ઓફિસર) સાથે પણ તેઓ વિશેષ બેઠક કરીને તેમની કામગીરીની સમીક્ષા કરશે અને માર્ગદર્શન પૂરું પાડશે.</p><h2 style="text-align: justify; "><b>યુવા મતદાતાઓમાં જાગૃતિ લાવવા કવાયત</b></h2><p style="text-align: justify; ">મુખ્ય ચૂંટણી કમિશનરની આ મુલાકાતથી રાજ્યના ચૂંટણી તંત્રમાં નવી ઊર્જાનો સંચાર થશે. કમિશનર આ પ્રવાસ દરમિયાન શાળા-કોલેજોમાં કાર્યરત 1000થી વધુ ઈલેક્ટોરલ લિટરસી ક્લબ (ELC) ના સભ્યો સાથે ખાસ મુલાકાત કરી તેમને પ્રોત્સાહિત કરશે, જેથી નવા અને યુવા મતદાતાઓમાં લોકશાહી તેમજ મતદાન પ્રક્રિયા અંગે વધુ જાગૃતિ લાવી શકાય. મુખ્ય ચૂંટણી કમિશનરના આ બે દિવસીય પ્રવાસને ધ્યાને રાખીને રાજ્યના ચૂંટણી વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-assembly-monsoon-session-begins-today-8-bills-to-be-discussed" target="_blank">Gandhinagar News: આજથી વિધાનસભાનું ચોમાસુ સત્ર મળશે, 8 વિધેયકો ચર્ચા માટે રજૂ થશે</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/r8N1WR093vsnXSdMQic7lGvTkq1XFlRSOkV7JDn1.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર આવશે ગુજરાતમાં! BLO અને ELC સભ્યો સાથે યોજાશે મોટો કાર્યક્રમ ]]></title><link>https://sandesh.com/gujarat/news/india/ahmedabad/chief-election-commissioner-gyanesh-kumar-to-begin-2-day-gujarat-visit-tomorrow</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/india/ahmedabad/chief-election-commissioner-gyanesh-kumar-to-begin-2-day-gujarat-visit-tomorrow</guid><pubDate>Wed, 09 Sep 2026 08:25:50 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર આવતીકાલથી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 10 અને 11 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી આ મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યમાં ચૂંટણી પ્રક્રિયા, મતદાતા જાગૃતિ અને ચૂંટણી સંચાલનને સુદ્રઢ બનાવવા સંબંધિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. મુખ્ય ચૂંટણી કમિશનર પોતાના ગુજરાત પ્રવાસનો શુભારંભ ઐતિહાસિક સાબરમતી આશ્રમની મુલાકાત લઈને કરશે. આ ઉપરાંત, તેઓ ગુજરાતની પ્રાચીન સ્થાપત્ય કળાના ઉત્કૃષ્ટ નમૂના સમાન અડાલજની વાવની પણ મુલાકાત લેશે.</p><h2 style="text-align: justify; "><b>500થી વધુ BLO સાથે બેઠક</b></h2><p style="text-align: justify; ">પોતાના બે દિવસીય પ્રવાસ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અમદાવાદ સ્થિત AMA (અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન) ખાતે યોજાનારા વિશેષ કાર્યક્રમમાં પ્રબુદ્ધ નાગરિકો સાથે સીધો સંવાદ સાધશે. આ સંવાદ દરમિયાન 'ભારતમાં ચૂંટણીઓનું સંચાલન' વિષય પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આ ઉપરાંત, લોકશાહીની પાયાની ઈંટ ગણાતા 500થી વધુ બીએલઓ (BLO - બ્લોક લેવલ ઓફિસર) સાથે પણ તેઓ વિશેષ બેઠક કરીને તેમની કામગીરીની સમીક્ષા કરશે અને માર્ગદર્શન પૂરું પાડશે.</p><h2 style="text-align: justify; "><b>યુવા મતદાતાઓમાં જાગૃતિ લાવવા કવાયત</b></h2><p style="text-align: justify; ">મુખ્ય ચૂંટણી કમિશનરની આ મુલાકાતથી રાજ્યના ચૂંટણી તંત્રમાં નવી ઊર્જાનો સંચાર થશે. કમિશનર આ પ્રવાસ દરમિયાન શાળા-કોલેજોમાં કાર્યરત 1000થી વધુ ઈલેક્ટોરલ લિટરસી ક્લબ (ELC) ના સભ્યો સાથે ખાસ મુલાકાત કરી તેમને પ્રોત્સાહિત કરશે, જેથી નવા અને યુવા મતદાતાઓમાં લોકશાહી તેમજ મતદાન પ્રક્રિયા અંગે વધુ જાગૃતિ લાવી શકાય. મુખ્ય ચૂંટણી કમિશનરના આ બે દિવસીય પ્રવાસને ધ્યાને રાખીને રાજ્યના ચૂંટણી વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-assembly-monsoon-session-begins-today-8-bills-to-be-discussed" target="_blank">Gandhinagar News: આજથી વિધાનસભાનું ચોમાસુ સત્ર મળશે, 8 વિધેયકો ચર્ચા માટે રજૂ થશે</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/r8N1WR093vsnXSdMQic7lGvTkq1XFlRSOkV7JDn1.webp'/></item><item><title><![CDATA[ગણદેવી પંથકનાં પાંચ શિવાલયોમાં શ્રાવણના છેલ્લા સોમવારે લાખો ભક્તોએ પદયાત્રા કરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/navsari/lakhs-of-devotees-performed-a-padyatra-on-the-last-monday-of-shravan-to-the-five-shiva-temples-of-ganadevi-panthak</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/navsari/lakhs-of-devotees-performed-a-padyatra-on-the-last-monday-of-shravan-to-the-five-shiva-temples-of-ganadevi-panthak</guid><pubDate>Wed, 09 Sep 2026 05:03:57 +05:30</pubDate><description><![CDATA[<p>શિવભક્તોએ પવિત્ર શ્રાવણ માસનો છેલ્લા સોમવારે ગણદેવી પંથકમાં 10 કિ.મી. વિસ્તારમાં પાંચ પ્રાચીન મહાદેવના દર્શનની પરંપરા છે. જેમાં ગડત કામેશ્વર મહાદેવ, અમલસાડ અંધેશ્વર મહાદેવ, કછોલી ગંગેશ્વર મહાદેવ, બીલીમોરા સોમનાથ મહાદેવ મંદિરે લાખો શિવભક્તો ભક્તો ઊમટી પડયા હતા.</p><p>બીલીમોરા સોમનાથ મહાદેવ મંદિરે દક્ષિણ ગુજરાતના દાદા તરીકે જાણીતા છે. અહીં ભગવાન શિવનું જ્યોતિ સ્વરૂપ શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું હતું. જે સ્વયંભૂ શિવલિંગ પ્રાચીનકાળથી યથાસ્થાને છે. જેના પવિત્ર દર્શને દેશ વિદેશથી લાખો ભક્તો ઊમટી પડે છે. શિવદર્શન સાથે આખો મહિનો અહીં શ્રાવણી મેળો ભરાય છે. જેમાં નીતનવી ચીજવસ્તુઓ ખાણીપીણી, ચકડોળનો દર્શનાર્થીઓ સહેલાણીઓ માટે આકર્ષણ બને છે. શ્રાવણમાં સોમવારનું અનેરું માહાત્મ્ય છે. સોમનાથ દાદાના વિશાળ મંદિર પરિસરની લગોલગ ગાયત્રી શક્તિપીઠ, જલારામ મંદિર, બહ્માકુમારી અને સાઈ મંદિર છે. તદુપરાંત નજીકમાં ગણદેવીના ગડત ગામે રામાયણ યુગનું કામેશ્વર મહાદેવ મંદિર, અમલસાડ ગામે અંધેશ્વર મહાદેવ મંદિર, કછોલી ગામે અંબિકા નદી કાંઠે ગંગેશ્વર મહાદેવ મંદિર, માજીગામ મલ્લિકાર્જુન મહાદેવ ભક્તોની આસ્થા કેન્દ્રો છે. શિવભક્તો આ પ્રાચીન પાંચ મહાદેવ મંદિરની જાત્રા સાથે દર્શનનો લહાવો લે છે. અહીં વહેલી સવારથી રણકતા ઘંટારવ અને ઓમ નમઃશિવાયના મંત્રોચ્ચાર થી વાતાવરણ ગુંજી ઉઠે છે. શિવમંદિરોમાં દર્શનાર્થે લાખો ભક્તો પગપાળા ઉમટયા હતા. જેમાં પણ શ્રાવણ માસના છેલ્લા સોમવારનું મંદિર મહત્ત્વ છે અને સુરત, નવસારી, વલસાડ, વાંસદા સહિત અનેક સ્થળોથી લાખો ભક્તો રવિવાર મધરાતેથી પગપાળા દર્શનાર્થી આવા શરૂ થયા હતા. માર્ગમાં જય ભવાની સેવા ટ્રસ્ટ, જય રાધેકૃષ્ણ જીવદયા ટ્રસ્ટ, જય જલારામ જન સેવા ટ્રસ્ટ, સમસ્ત શિવ પરિવાર, બજરંગ દળ ગણદેવી દેવસર બીલીમોરા બાલા હનુમાનજી મંદિર સોમનાથ રોડ સહિત અનેક સ્થળોએ દર્શનાર્થીઓ માટે ચા, પાણી, છાશ, લીંબુ શરબત, બિસ્કિટ, ફળાહારની વિનામૂલ્ય સેવા ઉપલબ્ધ કરાવી હતી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/m97hsXXWdlGVbPaD5ovhqMkwTJJRfq3aUfsins0c.webp'/></item><item><title><![CDATA[નવસારીમાં માછી સમાજ દ્વારા ભવ્ય નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/navsari/a-grand-free-all-disease-diagnosis-camp-was-organized-by-the-fish-society-in-navsari</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/navsari/a-grand-free-all-disease-diagnosis-camp-was-organized-by-the-fish-society-in-navsari</guid><pubDate>Wed, 09 Sep 2026 05:01:57 +05:30</pubDate><description><![CDATA[<p>નવસારી કૃષિ યુનિવર્સિટી પાસે આવેલા માનવ કલ્યાણ સંચાલિત મમતા મંદિર ખાતે માછી સમાજ સંગઠન દ્વારા નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું સફ્ળ આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક રહીશો અને જરૂરિયાતમંદ પરિવારના નાગરિકો માટે સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્યથી યોજાયેલા કેમ્પને સમાજના અગ્રણીઓ, હોદ્દેદારો અને સ્થાનિક શ્રોષ્ઠીઓની ઉપસ્થિતિમાં ખુલ્લો મૂકાયો હતો.</p><p>સમાજના વડીલોએ તંદુરસ્ત સમાજના નિર્માણ માટે આવા આયોજનોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કેમ્પમાં વિવિધ રોગોના નિષ્ણાત ડોક્ટરો દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. તપાસ કરાવનાર દર્દીઓને નિષ્ણાત તબીબોના માર્ગદર્શન હેઠળ સ્થળ પર જ જરૂરિયાતમંદ દર્દીઓ માટે શુગર, પ્રેશર, ઈ.સી.જી. અને કેલ્શિયમની તપાસ સહિતના કેટલાક પાયાના લેબોરેટરી ટેસ્ટ પણ વિનામૂલ્યે કરવામાં આવ્યા હતાં, આ સમગ્ર આયોજનને સફ્ળ બનાવવા માટે સમાજના પ્રમુખ ઈશ્વર એન. ટંડેલ, મંત્રી રમણીકલાલ વી. ટંડેલ, કન્વીનરો કૃષ્ણવદન એસ. ટંડેલ, નિલયકુમાર એચ. ટંડેલ તથા ડો. અરવિંદ આર. ટંડેલ અને સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/09/mlUw5IB5LAwcUW0eS6PWM56Qho1HS0SjCGZ02O8T.webp'/></item><item><title><![CDATA[Malaysia : 72 વર્ષના ફૂટબોલ દિગ્ગજે 20 વર્ષની યુવતી સાથે કર્યા લગ્ન, તસવીરો વાયરલ થતાં પરિવારે કરી પુષ્ટિ ]]></title><link>https://sandesh.com/world/news/sports/malaysia-football-legend-abdul-alif-marriage-72-year-old-20-year-old-wife</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/sports/malaysia-football-legend-abdul-alif-marriage-72-year-old-20-year-old-wife</guid><pubDate>Mon, 07 Sep 2026 23:00:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મલેશિયન ફૂટબોલના દિગ્ગજ અને પૂર્વ હરિમાઉ મલાયા સ્ટાર દાતુક અબ્દુલ અલિફે 72 વર્ષની ઉંમરે પોતાના જીવનનો નવો અધ્યાય શરૂ કર્યો છે. સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો વાયરલ થયા બાદ તેમના પરિવારે લગ્નની સત્તાવાર પુષ્ટિ કરી છે. અહેવાલ મુજબ 27 ઓગસ્ટે યોજાયેલા ખાનગી સમારંભમાં અબ્દુલ અલિફે પોતાની જીવનસંગિની સાથે નિકાહ કર્યા હતા. તેમની પત્નીની ઉંમર 20 વર્ષ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>લગ્નની ખબર કોણે કરી કન્ફર્મ?</b></h2><p style="text-align: justify; ">અબ્દુલ અલિફના નાના ભાઈ અને પૂર્વ ખેલાડી તથા કોચ દાતુક યુનુસ અલિફે લગ્નની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે 27 ઓગસ્ટે બંનેના લગ્ન થયા હતા અને બંને પરિવારોની સંમતિ તથા આશીર્વાદ સાથે આ સંબંધ બંધાયો છે. પરિવાર દ્વારા નવદંપતીના સુખી દાંપત્ય જીવન માટે શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>ફોન નહીં ઉઠાવતા ભાઈએ શું કહ્યું?</b></h3><p style="text-align: justify; ">લગ્ન બાદ અબ્દુલ અલિફ મીડિયા સંપર્કમાં ન આવતા તેમના ભાઈ યુનુસ અલિફે જણાવ્યું હતું કે તેઓ સંભવતઃ હનીમૂન પર હોવાથી ફોનનો જવાબ આપી શકતા નથી.જોકે પરિવારે સ્પષ્ટ કર્યું છે કે બંનેના નિકાહ થઈ ચૂક્યા છે અને પરિવાર તરફથી બંનેને શુભકામનાઓ આપવામાં આવી છે.</p><h4 style="text-align: justify; "><b>મલેશિયન ફૂટબોલના દિગ્ગજ રહ્યા છે અબ્દુલ અલિફ</b></h4><p style="text-align: justify; ">અબ્દુલ અલિફ મલેશિયન ફૂટબોલ ઇતિહાસના જાણીતાં ખેલાડીઓમાં સામેલ રહ્યા છે. 1970ના અંતિમ વર્ષો અને 1980ના શરૂઆતના સમયમાં મલેશિયન ફૂટબોલના સફળ સમયગાળામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.તેઓ તે મલેશિયન ટીમના સભ્ય હતા જેણે ક્વોલિફાઇંગ મેચમાં દક્ષિણ કોરિયાને 2-1થી હરાવી 1980ના મોસ્કો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું.</p><h4 style="text-align: justify; "><b>ઓલિમ્પિક રમવાનું સપનું કેમ અધૂરું રહ્યું?</b></h4><p style="text-align: justify; ">મલેશિયાએ સોવિયેત સંઘના અફઘાનિસ્તાન પરના આક્રમણના વિરોધમાં 1980ના મોસ્કો ઓલિમ્પિકનો બહિષ્કાર કર્યો હતો. જેના કારણે અબ્દુલ અલિફ સહિત અનેક ખેલાડીઓનું ઓલિમ્પિકમાં રમવાનું સપનું અધૂરું રહી ગયું હતું. લાંબા સમય સુધી વ્યાવસાયિક ફૂટબોલ અને મીડિયા લાઇમલાઇટથી દૂર રહ્યા બાદ આ દિગ્ગજ ખેલાડી હવે પોતાના અંગત જીવનના નવા નિર્ણયને કારણે ફરી ચર્ચામાં આવ્યા છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">&nbsp; આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-gujarat-drowning-deaths-1999-river-lake-check-dam-water-safety" target="_blank"><b>Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/oQuxxQEBdhQdWmZFxk2LOPbwDJRpf6zDEmwi2pJ3.webp'/></item></channel></rss>