<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[BRICS Family Photo:  એક બાજુ જિનપિંગ તો બીજી બાજુ પુતિન, પીએમ મોદીનો દુનિયાને સંદેશ ]]></title><link>https://sandesh.com/india/news/brics-summit-2026-family-photo-modi-putin-xi</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/brics-summit-2026-family-photo-modi-putin-xi</guid><pubDate>Sun, 13 Sep 2026 11:47:10 +05:30</pubDate><description><![CDATA[<p>નવી દિલ્હીમાં ચાલી રહેલી ૧૮મી બ્રિક્સ સમિટમાંથી એક અત્યંત શક્તિશાળી અને ચર્ચાસ્પદ છબી સામે આવી છે, જેણે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. બ્રિક્સ સમિટના 'ફેમિલી ફોટો'માં ભારતની કૂટનીતિક તાકાત સ્પષ્ટપણે જોવા મળી રહી છે. આ તસવીરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફોટોના બિલકુલ કેન્દ્રમાં બિરાજમાન છે, જ્યારે તેમની જમણી બાજુ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ડાબી બાજુ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ નજરે પડે છે. આ દશ્ય દુનિયાને સ્પષ્ટ સંકેત આપે છે કે જો ભારત, રશિયા અને ચીન જેવા અગ્રણી દેશો એકસાથે આવે, તો વૈશ્વિક સ્તરે એક વિશાળ શક્તિનું નિર્માણ થાય છે, જે આંતરરાષ્ટ્રીય સમીકરણો બદલવાની ક્ષમતા ધરાવે છે.</p><h2><b>સહિયારા દ્રષ્ટિકોણ અને સહકાર પર ભાર</b></h2><p>ફેમિલી ફોટોશૂટ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક નેતાઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે ભારતના અધ્યક્ષપદ હેઠળ તમામ પ્રયાસો "સતર્કતા, નવીનતા, સહકાર અને ટકાઉપણું" ના ચાર મુખ્ય સ્તંભો પર આધારિત છે. તેમણે ખુશી વ્યક્ત કરી કે તમામ સભ્ય દેશોના સહયોગથી સહિયારા દ્રષ્ટિકોણને મજબૂત સહકારમાં પરિવર્તિત કરવામાં સફળતા મળી છે. વર્તમાન સમયમાં વૈશ્વિક સ્તરે વધી રહેલા તણાવ અને તેના સામાન્ય માનવીના જીવન પર પડતા નકારાત્મક પ્રભાવ વિશે પણ પીએમ મોદીએ ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2099006476530635045"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h3><b>વૈશ્વિક પડકારો અને તાત્કાલિક કાર્યવાહીની જરૂરિયાત</b></h3><p>વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે રોગચાળો, આબોહવાકીય આપત્તિઓ અને સપ્લાય શૃંખલામાં થતા વિક્ષેપએ સાબિત કરી દીધું છે કે આજના પરસ્પર જોડાયેલા વિશ્વમાં કોઈપણ સંકટ માત્ર એક પ્રદેશ પૂરતું મર્યાદિત નથી રહેતું. આ વાતને ધ્યાનમાં રાખીને બ્રિક્સ જૂથમાં સ્થિતિસ્થાપકતા વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.</p><p>કોઈપણ કટોકટીને ઝડપથી ઓળખીને તાત્કાલિક પગલાં લેવા માટે સમિટમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે:</p><p>ચેપી રોગોનું નિવારણ: ચેપી રોગો સામે લડવા માટે 'બ્રિક્સ સંકલિત પ્રારંભિક ચેતવણી પ્રણાલી' સ્થાપિત કરવા પર સહમતિ સધાઈ છે.</p><p>આપત્તિ વ્યવસ્થાપન: આપત્તિ વ્યવસ્થાપન માટે પ્રારંભિક ચેતવણી ડેટા એકીકરણ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે.</p><p>સપ્લાય ચેઇન મજબૂતી: બ્રિક્સ લોજિસ્ટિક્સ સપ્લાય ચેઇન ઓપરેશન ફ્રેમવર્ક સપ્લાય શૃંખલાને વધુ વિશ્વસનીય અને સ્થિતિસ્થાપક બનાવવામાં મદદરૂપ થશે.</p><p>આ સમિટ અને તેના ફોટા માત્ર એક ઔપચારિકતા નથી, પરંતુ તે બદલાતા વૈશ્વિક પરિદૃશ્યમાં ભારતની કેન્દ્રીય ભૂમિકા અને વૈશ્વિક નેતૃત્વની અનોખી સાક્ષી પૂરે છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/xi-jinping-skips-brics-summit-gala-dinner" target="_blank">આ પણ વાંચોઃ BRICS Dinner : રાષ્ટ્રપતિ શી જિનપિંગ કેમ ગાલા ડિનરથી રહ્યા દૂર, જાણો અસલી કારણ&nbsp;</a></b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/13/FhhCVIN07wjRfV509Oczk7wz71hylOFH7SZxoqjY.webp'/></item><item><title><![CDATA[Unhallmarked Jewellery Seized in BIS Gold Raid: હોલમાર્ક વગરનું 804 ગ્રામ સોનું જપ્ત, શું તમે પણ નકલી સોનું ખરીદી લીધું? ]]></title><link>https://sandesh.com/india/news/business/bis-gold-raid-unhallmarked-jewellery-seized-chennai</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/bis-gold-raid-unhallmarked-jewellery-seized-chennai</guid><pubDate>Sun, 13 Sep 2026 11:46:32 +05:30</pubDate><description><![CDATA[<p>સોનું ખરીદતી વખતે મોટાભાગના લોકો તેની ચમક અને કિંમત પર ધ્યાન આપે છે, પરંતુ અસલી સોનાની ઓળખ માટે માત્ર ચમક જોઈને નિર્ણય લેવો યોગ્ય નથી. સોનાની શુદ્ધતા તપાસવા માટે હોલમાર્ક અને HUID નંબર જોવો ખૂબ જરૂરી છે.</p><p>ચેન્નાઈમાં BIS દ્વારા કરવામાં આવેલી મોટી કાર્યવાહીમાં હોલમાર્ક વગરની સોનાની જ્વેલરી જપ્ત કરવામાં આવી છે.</p><h2><b>ચેન્નાઈમાં કેટલું સોનું જપ્ત થયું?</b></h2><p>1 સપ્ટેમ્બર 2026ના રોજ ચેન્નાઈના અંબત્તુર વિસ્તારમાં BIS દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન કુલ 803.99 ગ્રામ હોલમાર્ક વગરની સોનાની જ્વેલરી જપ્ત કરવામાં આવી છે. કાર્યવાહીમાં સોનાની નાની-મોટી કુલ 237 જ્વેલરી આઇટમ જપ્ત કરવામાં આવી છે. હાલમાં સોનું ઘણું મોંઘું છે અને મોટી સંખ્યામાં લોકો રોકાણની સાથે સોનાની જ્વેલરી પણ ખરીદી રહ્યા છે.</p><h2><b>હોલમાર્ક વગરનું સોનું કેમ ચિંતાનો વિષય છે?</b></h2><p>અહીં એક વાત સમજવી જરૂરી છે કે હોલમાર્ક વગરની જ્વેલરીને સીધું જ નકલી સોનું કહી શકાય નહીં, પરંતુ આવી જ્વેલરી ખરીદતી વખતે તેની શુદ્ધતા અંગે સાવચેત રહેવું ખૂબ જરૂરી છે. હોલમાર્ક સોનાની શુદ્ધતા ઓળખવામાં મદદ કરે છે. તેથી જ્વેલરી ખરીદતી વખતે ગ્રાહકે તેના પર જરૂરી હોલમાર્ક અને HUID સાથે જોડાયેલી માહિતી છે કે નહીં તે જરૂર તપાસવું જોઈએ.</p><h2><b>સોનું ખરીદતી વખતે શું ચેક કરવું જોઈએ?</b></h2><p>આજના સમયમાં સોનાની જ્વેલરી ખરીદતી વખતે HUID કોડ ચેક કરવો ખૂબ જરૂરી છે. આ એક યુનિક કોડ છે, જેની મદદથી હોલમાર્કવાળી જ્વેલરીની માહિતી અને તેની શુદ્ધતા સાથે જોડાયેલી વિગતો વેરિફાય કરી શકાય છે. તેથી માત્ર દુકાનદારની વાત પર ભરોસો કરીને સોનું ખરીદવાને બદલે ગ્રાહકે પોતે પણ જ્વેલરી પર રહેલો હોલમાર્ક અને HUID ચેક કરવો જોઈએ.</p><h2><b>હોલમાર્કવાળું સોનું કેવી રીતે ઓળખવું?</b></h2><p>જો તમે સોનાની જ્વેલરી ખરીદવા જઈ રહ્યા છો તો કેટલીક બાબતોનું ધ્યાન રાખો. સૌથી પહેલા જ્વેલરી પર BISનું સ્ટાન્ડર્ડ માર્ક જુઓ. ત્યારબાદ સોનાની શુદ્ધતા સાથે જોડાયેલી માહિતી અને HUID કોડ જરૂર ચેક કરો. આ ઉપરાંત બિલ લેતી વખતે તેમાં સોનાની શુદ્ધતા, વજન અને કિંમત જેવી જરૂરી માહિતી ચોક્કસ લખાવડાવો.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/13/1aKDwsryFxotFZNBqOMLaYEO5xK4jbziFiuyMwLN.webp'/></item><item><title><![CDATA[Unhallmarked Jewellery Seized in BIS Gold Raid: હોલમાર્ક વગરનું 804 ગ્રામ સોનું જપ્ત, શું તમે પણ નકલી સોનું ખરીદી લીધું? ]]></title><link>https://sandesh.com/india/news/business/bis-gold-raid-unhallmarked-jewellery-seized-chennai</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/bis-gold-raid-unhallmarked-jewellery-seized-chennai</guid><pubDate>Sun, 13 Sep 2026 11:46:32 +05:30</pubDate><description><![CDATA[<p>સોનું ખરીદતી વખતે મોટાભાગના લોકો તેની ચમક અને કિંમત પર ધ્યાન આપે છે, પરંતુ અસલી સોનાની ઓળખ માટે માત્ર ચમક જોઈને નિર્ણય લેવો યોગ્ય નથી. સોનાની શુદ્ધતા તપાસવા માટે હોલમાર્ક અને HUID નંબર જોવો ખૂબ જરૂરી છે.</p><p>ચેન્નાઈમાં BIS દ્વારા કરવામાં આવેલી મોટી કાર્યવાહીમાં હોલમાર્ક વગરની સોનાની જ્વેલરી જપ્ત કરવામાં આવી છે.</p><h2><b>ચેન્નાઈમાં કેટલું સોનું જપ્ત થયું?</b></h2><p>1 સપ્ટેમ્બર 2026ના રોજ ચેન્નાઈના અંબત્તુર વિસ્તારમાં BIS દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન કુલ 803.99 ગ્રામ હોલમાર્ક વગરની સોનાની જ્વેલરી જપ્ત કરવામાં આવી છે. કાર્યવાહીમાં સોનાની નાની-મોટી કુલ 237 જ્વેલરી આઇટમ જપ્ત કરવામાં આવી છે. હાલમાં સોનું ઘણું મોંઘું છે અને મોટી સંખ્યામાં લોકો રોકાણની સાથે સોનાની જ્વેલરી પણ ખરીદી રહ્યા છે.</p><h2><b>હોલમાર્ક વગરનું સોનું કેમ ચિંતાનો વિષય છે?</b></h2><p>અહીં એક વાત સમજવી જરૂરી છે કે હોલમાર્ક વગરની જ્વેલરીને સીધું જ નકલી સોનું કહી શકાય નહીં, પરંતુ આવી જ્વેલરી ખરીદતી વખતે તેની શુદ્ધતા અંગે સાવચેત રહેવું ખૂબ જરૂરી છે. હોલમાર્ક સોનાની શુદ્ધતા ઓળખવામાં મદદ કરે છે. તેથી જ્વેલરી ખરીદતી વખતે ગ્રાહકે તેના પર જરૂરી હોલમાર્ક અને HUID સાથે જોડાયેલી માહિતી છે કે નહીં તે જરૂર તપાસવું જોઈએ.</p><h2><b>સોનું ખરીદતી વખતે શું ચેક કરવું જોઈએ?</b></h2><p>આજના સમયમાં સોનાની જ્વેલરી ખરીદતી વખતે HUID કોડ ચેક કરવો ખૂબ જરૂરી છે. આ એક યુનિક કોડ છે, જેની મદદથી હોલમાર્કવાળી જ્વેલરીની માહિતી અને તેની શુદ્ધતા સાથે જોડાયેલી વિગતો વેરિફાય કરી શકાય છે. તેથી માત્ર દુકાનદારની વાત પર ભરોસો કરીને સોનું ખરીદવાને બદલે ગ્રાહકે પોતે પણ જ્વેલરી પર રહેલો હોલમાર્ક અને HUID ચેક કરવો જોઈએ.</p><h2><b>હોલમાર્કવાળું સોનું કેવી રીતે ઓળખવું?</b></h2><p>જો તમે સોનાની જ્વેલરી ખરીદવા જઈ રહ્યા છો તો કેટલીક બાબતોનું ધ્યાન રાખો. સૌથી પહેલા જ્વેલરી પર BISનું સ્ટાન્ડર્ડ માર્ક જુઓ. ત્યારબાદ સોનાની શુદ્ધતા સાથે જોડાયેલી માહિતી અને HUID કોડ જરૂર ચેક કરો. આ ઉપરાંત બિલ લેતી વખતે તેમાં સોનાની શુદ્ધતા, વજન અને કિંમત જેવી જરૂરી માહિતી ચોક્કસ લખાવડાવો.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/13/1aKDwsryFxotFZNBqOMLaYEO5xK4jbziFiuyMwLN.webp'/></item><item><title><![CDATA[Mehsana News: મનપાના પદાધિકારી પોતાનો જ હોદ્દો ભૂલ્યા, ડેપ્યુટી મેયરને પોતે જ ડેપ્યુટી મેયર છે તેની જાણ નથી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/deputy-mayor-ramesh-rajput-unaware-of-his-own-post</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/deputy-mayor-ramesh-rajput-unaware-of-his-own-post</guid><pubDate>Sun, 13 Sep 2026 11:43:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મહેસાણા મહાનગરપાલિકામાં ભાજપના શાસન દરમિયાન એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. મનપાના પદાધિકારીઓની અજાણતા અને બેદરકારીનો એવો ઘાટ સર્જાયો છે કે મહેસાણા મનપાના ભાજપના ડેપ્યુટી મેયર રમેશ રાજપૂતને પોતાની જ સાચી ઓળખ કે હોદ્દાની કોઈ ખબર નથી.લાખો રૂપિયાની વસૂલાત સામે સત્તાધીશો પોતાની જ ઓળખ ભૂલી ગયા હોય તેવી આ ઘટના સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની છે.</p><h2 style="text-align: justify; "><b>ડેપ્યુટી મેયરને પૂછો તો વધારે સારું રહેશે</b></h2><p style="text-align: justify; ">જ્યારે મહેસાણામાં ગટર કનેક્શનના મુદ્દે 2200 રૂપિયા ભરીને ગેરકાયદેસર જોડાણને કાયદેસર કરી દેવાની વાત અંગે ડેપ્યુટી મેયર રમેશ રાજપૂતનો સંપર્ક કરવામાં આવ્યો અને તેમને આ બાબતે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે અત્યંત આશ્ચર્યજનક જવાબ આપ્યો હતો.તેમને પોતાની જવાબદારી કે હોદ્દાનું કોઈ ભાન ન હોય તેમ તેમણે એક સવાલનો જવાબ આપતાં કહ્યું હતું કે આ મામલે ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી મેયરને પૂછો તો વધારે સારું રહેશે.તેમને એ વાતની પણ ખબર નહોતી કે હાલ તેઓ જે વહીવટી ખુરશી પર બેઠા છે તે અન્ય કોઈની નહીં પરંતુ ખુદ ડેપ્યુટી મેયરની જ ખુરશી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>પદાધિકારીઓની સભાનતા સામે ગંભીર સવાલો</b></h2><p style="text-align: justify; ">પોતાની જ ખુરશી અને પોતાના જ સત્તાવાર હોદ્દાથી અજાણ રહેલા આ ડેપ્યુટી મેયરનો આ કિસ્સો સામે આવતા જ રાજકીય બેડામાં ભારે ચર્ચા જાગી છે.આ પ્રકારની ઘટનાઓ તંત્રની કામગીરી અને પદાધિકારીઓની સભાનતા સામે ગંભીર સવાલો ખડા કરે છે જ્યાં જનતાના પ્રશ્નો ઉકેલવાની જવાબદારી ધરાવતા નેતાઓ જ પોતાના પદ અને ગરિમાથી અજાણ બેઠા હોય છે.ડેપ્યુટી મેયર રમેશ રાજપૂતે કહ્યું હતું કે, હવે આ તો શું છે તમે ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી મેયરને જ પૂછો તો સારું છે.પણ અમારે ચર્ચા થઈ એમાં ભાઈ ગટર કનેક્શન ગેરકાયદેસર હોય અને જેને  કનેક્શન કર્યું હોય અને પૈસા ના ભર્યા હોય તો 2200 રૂપિયા ભરીને એને રેગ્યુલરાઈઝ થાય.આના કનેક્શન ના હોય અને વેરો ભરવાનું આવ્યું હોય તો એ એક બાંહેધરી આપે કે અમારે કનેક્શન નથી એટલે એને 2200 રૂપિયા ભરવાના થતા નથી.આવી સંકલન મીટિંગમાં અમારે ચર્ચા થયેલી છે.&nbsp;<br><br><a href="http://Sandesh Digital Explainer: ઓગસ્ટમાં ધરતી પર ગરમીની અસર વધી, જાણો 2027 સુધીમાં કેવું રહેશે હવામાન?" target="_blank">આ પણ વાંચોઃ Sandesh Digital Explainer: ઓગસ્ટમાં ધરતી પર ગરમીની અસર વધી, જાણો 2027 સુધીમાં કેવું રહેશે હવામાન?</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/13/NH8krvdFjXCArNKQEjmmOFM8OWH5yUyhZNRBHCyi.webp'/></item><item><title><![CDATA[Sports News : ભારત-અફઘાનિસ્તાન વચ્ચે ‘ફ્રેન્ડશિપ કપ’નો જંગ, અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે પ્રથમ T20 મુકાબલો ]]></title><link>https://sandesh.com/cricket/news/sports/ind-vs-afg-1st-t20--shreyas-iyer-and-ibrahim-zadran-unveil-friendship-cup-trophy</link><guid isPermaLink="true">https://sandesh.com/cricket/news/sports/ind-vs-afg-1st-t20--shreyas-iyer-and-ibrahim-zadran-unveil-friendship-cup-trophy</guid><pubDate>Sun, 13 Sep 2026 11:31:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રણ મેચોની T20 શ્રેણીનો પ્રથમ મુકાબલો દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાવા જઈ રહ્યો છે. આ શ્રેણી માત્ર રમત પૂરતી સીમિત નથી, પરંતુ બંને દેશો વચ્ચેના ક્રિકેટ સંબંધોનો એક નવો અધ્યાય છે, જેમાં અફઘાનિસ્તાન પોતે યજમાનની ભૂમિકા ભજવી રહ્યું છે. મેચ પહેલાં સ્ટેડિયમના ગેટ નંબર ત્રણ પર કાબુલના ઐતિહાસિક 'તાક-એ-ઝફર' ગેટની પ્રતિકૃતિ સામે ભારતીય કેપ્ટન શ્રેયસ ઐયર અને અફઘાન કેપ્ટન ઈબ્રાહિમ ઝાદરાને 'ફ્રેન્ડશિપ કપ' ટ્રોફીનું અનાવરણ કર્યું હતું. કાબુલમાં શહીદોની યાદમાં બનેલા આ ગેટની પ્રતિકૃતિ દર્શાવે છે કે અફઘાન ટીમ માટે ભારત 'ઘરથી દૂર પણ પોતાનું ઘર' સમાન છે.</p><h2 style="text-align: justify; "><b>પ્લેઇંગ-11નું ગણિત અને રાશિદ ખાનના સ્પિન આક્રમણની અગ્નિપરીક્ષા</b></h2><p style="text-align: justify; ">દોસ્તીના માહોલ વચ્ચે મેદાન પર જીત માટે બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. ભારતીય ટીમમાં ટોપ ઓર્ડરમાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી અને અનુભવી સંજુ સેમસનમાંથી કોને તક આપવી તે મોટો પ્રશ્ન છે, જ્યારે પીઠના ખેંચાણ બાદ ઈશાન કિશન રમવા માટે સંપૂર્ણ ફિટ છે. ભારતીય બેટ્સમેનો સામે અફઘાનિસ્તાનના વિશ્વસ્તરીય સ્પિન આક્રમણ જેવા કે રાશિદ ખાન, નૂર અહમદ અને મુજીબ ઉર રહેમાનનો સામનો કરવો એક મોટો પડકાર રહેશે. ભારત માટે આ શ્રેણી આગામી એશિયન ગેમ્સની તૈયારીઓ માટે પણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/ACBofficials/status/2099005103717982229?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2 style="text-align: justify; "><b>ગૌતમ ગંભીરના મેનેજમેન્ટ અને નેતૃત્વ પર કેપ્ટન શ્રેયસનો ભરોસો</b></h2><p style="text-align: justify; ">મુકાબલાની પૂર્વ સંધ્યાએ ભારતીય કેપ્ટન શ્રેયસ ઐયરે મુખ્ય કોચ ગૌતમ ગંભીરના વખાણ કરતા તેમને શાનદાર 'મેન મેનેજર' ગણાવ્યા હતા. શ્રેયસે જણાવ્યું હતું કે ગંભીર દરેક ખેલાડીમાં ઘણો વિશ્વાસ અને આત્મવિશ્વાસ પેદા કરે છે તથા દરેકને પોતાની ભૂમિકા સ્પષ્ટપણે સમજાવે છે. અગાઉ KKR માં સાથે કામ કરી ચૂકેલા શ્રેયસે ઉમેર્યું હતું કે કોચનો દૃષ્ટિકોણ સ્પષ્ટ હોવાથી ખેલાડીઓ વધુ સ્વતંત્રતા અને મજબૂતી સાથે મેદાનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/sports/news/us-open-2026-zverev-enters-final-now-title-fight-against-ben-shelton" target="_blank">US Open 2026: Zverevએ ફાઇનલમાં મારી એન્ટ્રી, હવે Ben Shelton સામે ખિતાબી જંગ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/13/Q909u5LYKzQEFLQUsJqg3f4pFHT5kZgrixQhGL5x.webp'/></item><item><title><![CDATA[Celebrity : અકસ્માતે બરબાદ કરી દીધું કરિયર, કેન્સર સામે પણ લડી જંગ! દર્દથી ભરેલી રહી મહિમા ચૌધરીની જિંદગી! ]]></title><link>https://sandesh.com/entertainment/news/mahima-chaudhry-accident-cancer-life-story</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/mahima-chaudhry-accident-cancer-life-story</guid><pubDate>Sun, 13 Sep 2026 11:22:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">90ના દાયકાના અંતમાં હિન્દી સિનેમામાં પોતાની કારકિર્દી શરૂ કરનારી અભિનેત્રીઓમાં ઐશ્વર્યા રાયનું નામ પણ સામેલ છે. ઐશ્વર્યાએ ફિલ્મી દુનિયામાં મોટું નામ બનાવ્યું. આ જ સમયગાળામાં મહિમા ચૌધરીએ પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો. પોતાની પહેલી જ ફિલ્મથી મહિમા ચર્ચામાં આવી ગઈ હતી. જોકે ત્યારબાદ તેમને પહેલાં જેવી લોકપ્રિયતા મળી નહોતી. કારકિર્દીની શરૂઆતમાં બનેલી એક ઘટનાએ તેમનું જીવન ઘણું બદલી નાખ્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>કેન્સર સામે લડી, અંગત જીવનમાં પણ આવ્યા ઉતાર-ચઢાવ</b></h2><p style="text-align: justify; ">મહિમા ચૌધરી કેન્સર જેવી ગંભીર બીમારી સામે પણ લડી ચૂકી છે. તેમનું અંગત જીવન પણ ઘણા ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે અને છેલ્લા 13 વર્ષથી તેઓ છૂટાછેડા બાદ એકલા જીવન જીવી રહ્યા છે.&nbsp;<br></p><h2 style="text-align: justify; "><b>મિસ દાર્જિલિંગનો ખિતાબ જીત્યો...</b></h2><p style="text-align: justify; ">મહિમા ચૌધરી હવે 53 વર્ષની થઈ ચૂકી છે. અભિનેત્રીનો જન્મ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં 13 સપ્ટેમ્બર 1973ના રોજ થયો હતો. મહિમાને શરૂઆતથી જ ફિલ્મી દુનિયામાં રસ હતો. બોલીવુડમાં ડેબ્યૂ કરતાં પહેલા અભિનેત્રીએ વર્ષ 1995માં ઐશ્વર્યા રાય અને આમિર ખાન જેવા કલાકારો સાથે પેપ્સીના એક જાહેરાતમાં કામ કર્યું હતું. આ ઉપરાંત નાની ઉંમરે જ તેમણે મિસ દાર્જિલિંગનો ખિતાબ પણ જીત્યો હતો.<br><img alt="Mahima Chaudhry life story (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/13/xnIZMVZaCWnU0mA6E2XmZcGrZMziuGrTfZg05Qwg.webp"><br></p><h3 style="text-align: justify; "><b>પહેલી જ ફિલ્મથી લોકોના દિલમાં બનાવી ખાસ જગ્યા</b></h3><p style="text-align: justify; ">16-17 વર્ષની ઉંમરે મોડેલિંગ શરૂ કરનારી મહિમા પાસે ઘણી ફિલ્મોની ઓફર આવી હતી. જોકે ડેબ્યૂ માટે તેમણે દિગ્ગજ ડિરેક્ટર સુભાષ ઘઈની ફિલ્મ પરદેસ પસંદ કરી હતી. આ ફિલ્મમાં તેમની સામે શાહરુખ ખાન જોવા મળ્યા હતા. આ રોમેન્ટિક મ્યુઝિકલ ફિલ્મ મોટા પડદા પર મોટી હિટ સાબિત થઈ હતી અને મહિમા પહેલી જ ફિલ્મથી ચાહકોના દિલમાં ખાસ જગ્યા બનાવી ચૂકી હતી. તેમની એક્ટિંગની સાથે તેમની સ્માઇલ અને સુંદરતા પર પણ દર્શકો ફિદા થઈ ગયા હતા. આ ફિલ્મ માટે મહિમાની પસંદગી 3000 યુવતીઓમાંથી કરવામાં આવી હતી.</p><h3 style="text-align: justify; "><b>એ ભયાનક અકસ્માત, ચહેરામાંથી કાચના 67 ટુકડા કાઢ્યા હતા</b></h3><p style="text-align: justify; ">મહિમા ચૌધરી સાથે વર્ષ 1999માં એવી ઘટના બની હતી જેને અભિનેત્રી ક્યારેય ભૂલી શકતી નથી. પિંકવિલાને આપેલા ઈન્ટરવ્યૂમાં અભિનેત્રીએ જણાવ્યું હતું કે તેઓ અજય દેવગનની ફિલ્મ દિલ ક્યા કરેનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે તેમની સાથે રોડ અકસ્માત થયો હતો. શૂટિંગના છેલ્લા દિવસે અભિનેત્રી હોટેલથી સેટ પર જઈ રહી હતી ત્યારે સામેની તરફથી આવેલા એક ટ્રકે તેમની કારને ટક્કર મારી હતી.<br><img alt="Mahima Chaudhry life story (2)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/13/TDQO6YhvcfdcZu3z6jun91h7YXHnJttlMMTO3TAC.webp"><br></p><p style="text-align: justify; ">આ અકસ્માત એટલો ભયાનક હતો કે મહિમાના ચહેરામાં કાચના અનેક ટુકડા ઘૂસી ગયા હતા. તેમને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અભિનેત્રીએ આગળ જણાવ્યું હતું કે સર્જરી કરીને તેમના ચહેરામાંથી કાચના 67 ટુકડા કાઢવામાં આવ્યા હતા. આ ઘટનાએ તેમની સુંદરતા પર પણ ઘણી અસર કરી હતી. તેની અસર તેમની કારકિર્દી પર પણ પડી હતી. આ સાથે તેમને માનસિક અને શારીરિક પીડામાંથી પણ પસાર થવું પડ્યું હતું. ડોક્ટરે તેમને પોતાનો ચહેરો ન જોવાની સલાહ આપી હતી. તેમના મનમાં સતત એ ડર રહેતો હતો કે આ ઘટનાને કારણે તેમની કારકિર્દી બરબાદ થઈ જશે.</p><h4 style="text-align: justify; "><b>અકસ્માત બાદ કરી હતી દમદાર વાપસી</b></h4><p style="text-align: justify; ">મહિમા ચૌધરીએ આ અકસ્માત બાદ પણ દમદાર વાપસી કરી હતી. ત્યારબાદ તેઓ બાગબાન, ધડકન, કુરુક્ષેત્ર, દિલ હૈ તુમ્હારા, લજ્જા અને ખિલાડી 420 સહિત ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા હતાં.<br><img alt="Mahima Chaudhry life story (3)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/13/Ne0dkDYfN3556suVR4BboOCqNQ7inV5zMw6pK3Jl.webp"><br></p><h4 style="text-align: justify; "><b>2006માં લગ્ન, 2013માં છૂટાછેડા</b></h4><p style="text-align: justify; ">મહિમા ચૌધરીએ વર્ષ 2006માં બોબી મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંનેને એક દીકરી અરિયાના થઈ હતી, જે પોતાની માતા જેવી જ દેખાય છે. જોકે મહિમા અને બોબીનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહોતો. બંને વર્ષ 2013માં છૂટાછેડા લઈને અલગ થઈ ગયા હતા.<br><img alt="Mahima Chaudhry life story (4)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/13/QYNXyUms5aYS0OMxjcS5wog6nvYH1OMlz1R7ucuI.webp"><br></p><h3 style="text-align: justify; "><b>કેન્સરને આપી હતી માત</b></h3><p style="text-align: justify; ">વર્ષ 2022માં મહિમાને બ્રેસ્ટ કેન્સર હોવાનું જાણવા મળ્યું હતું. અભિનેત્રીએ મુંબઈમાં જ આ બીમારીની સારવાર કરાવી હતી અને થોડા જ સમયમાં તેઓ તેમાંથી બહાર આવી ગયા હતા. જ્યારે અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ હતી ત્યારે તેમની ખબર-અંતર પૂછવા અનુપમ ખેર પણ પહોંચ્યા હતા.<br><img alt="Mahima Chaudhry life story (5)" src="https://epapercdn.sandesh.com/images/2026/09/13/0yLIaPIbuBq1DOLsSHq0G8LbC5RcOyQd4op0uJru.webp"><br></p><h5 style="text-align: justify; "><b>હવે શું કરી રહી છે મહિમા ચૌધરી?</b></h5><p style="text-align: justify; ">મહિમા ચૌધરી હજુ પણ ફિલ્મી દુનિયામાં કામ કરી રહી છે. કામની વાત કરીએ તો અભિનેત્રી છેલ્લે સંજય મિશ્રા સાથે ફિલ્મ દુર્લભ પ્રસાદ કી દૂસરી શાદીમાં જોવા મળી હતી. આ ફિલ્મ ડિસેમ્બર 2025માં થિયેટરમાં રિલીઝ થઈ હતી. સિદ્ધાંત રાજ સિંહના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં બંનેએ પતિ-પત્નીની ભૂમિકા ભજવી હતી. ફિલ્મ જિયો હોટસ્ટાર પર જોઈ શકાય છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/kbc-18-amitabh-bachchan-unfulfilled-dream-regret" target="_blank">આ પણ વાંચો-KBCમાં અમિતાભ બચ્ચને જણાવી પોતાની અધૂરી ઈચ્છા! બોલ્યા- 'મને આજે પણ અફસોસ છે...'</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/13/AVdpWxVWreymAthptg8c92UgI1ej3vVAIvVD11Ly.webp'/></item><item><title><![CDATA[Rain : ચોમાસું આખરી તબક્કામાં છતાં આજી, ન્યાયી અને ભાદર ખાલીખમ! માત્ર ગ્રામ્ય જ નહીં, સૌરાષ્ટ્રના શહેરોમાં પણ ઘેરાતી પાણીની વિકટ સમસ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/rajkot/saurashtra-faces-39--rain-deficit--cloudy-skies-bring-hope-for-rajkot-crops</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/rajkot/saurashtra-faces-39--rain-deficit--cloudy-skies-bring-hope-for-rajkot-crops</guid><pubDate>Sun, 13 Sep 2026 10:54:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આ વર્ષે ચોમાસાની ઋતુ તેના અંત તરફ જઈ રહી છે ત્યારે મેઘરાજાની ભારે ખેંચ જોવા મળી રહી છે. છેલ્લા એક મહિનાથી સતત વરસાદ ગાયબ રહેતાં આ વર્ષે સૌરાષ્ટ્રમાં 39% વરસાદની મોટી ઘટ નોંધાઈ છે, જે છેલ્લા દસ વર્ષમાં સૌથી ઓછો વરસાદ છે. વરસાદના આ ભારે અભાવને કારણે રાજકોટ શહેર અને જિલ્લાની જીવાદોરી સમાન આજી, ન્યારી અને ભાદર સહિતના મોટાભાગના મુખ્ય ડેમો હજુ પણ ખાલીખમ પડ્યા છે. ચોમાસુ પૂરું થવા આવ્યું હોવા છતાં જળાશયો ન ભરાતાં માત્ર ગ્રામ્ય વિસ્તારો જ નહીં પરંતુ રાજકોટ જેવા શહેરી વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં પીવાના પાણીનું ગંભીર સંકટ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.</p><h2 style="text-align: justify; "><b>24 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી</b></h2><p style="text-align: justify; ">આ ગંભીર અને ચિંતાજનક પરિસ્થિતિ વચ્ચે હવામાન વિભાગ તરફથી એક આશાસ્પદ સમાચાર સામે આવ્યા છે. બંગાળની ખાડીમાં એક મજબૂત લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે, જેના પગલે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વાતાવરણમાં વહેલી સવારથી જ મોટો પલટો આવ્યો છે અને સમગ્ર વિસ્તારમાં વાદળછાંયુ વાતાવરણ છવાઈ ગયું છે. શહેરના અમુક વિસ્તારોમાં વહેલી સવારે છૂટોછવાયો વરસાદ પણ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક દરમિયાન રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે, જેનાથી લોકો અને સ્થાનિક તંત્રમાં રાહતની આશા જાગી છે.</p><h2 style="text-align: justify; "><b>સુકાતી મોલાત અને ઘાસચારાની અછત વચ્ચે મેઘમહેર અત્યંત જરૂરી</b></h2><p style="text-align: justify; ">છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાવાને કારણે સૌરાષ્ટ્રનો ખેડૂત અને માલધારી વર્ગ ભારે મુશ્કેલીમાં મુકાયો છે. ખેતરોમાં વાવેતર કરેલા કપાસ, મગફળી અને સોયાબીન જેવા ખરીફ પાકો વરસાદ વિના સુકાઈ રહ્યા છે, જ્યારે પશુઓ માટે ઘાસચારાની પણ ભારે અછત સર્જાઈ છે. જો આગામી 24 થી 48 કલાકમાં સાર્વત્રિક અને સારો વરસાદ પડે તો જ ખેતરોમાં મુરઝાતી મોલાતને સંજીવની સમાન નવજીવન મળશે અને પશુઓ માટે ઘાસચારાની સમસ્યા હળવી થશે. હાલ સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો અને નાગરિકો એકમાત્ર મેઘરાજાની કૃપાદ્રષ્ટિ થાય તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/dispute-between-amts-and-brts-drivers-halts-public-transit-at-ahmedabads-iscon" target="_blank">Ahmedabad News : ઈસ્કોન ક્રોસ રોડ પર AMTS ડ્રાઈવરની દાદાગીરી: BRTS કોરિડોરમાં બસ મૂકી ભાગી જતાં વાહનવ્યવહાર ઠપ્પ!</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/13/ae3U9J87VylIU8Yi14Gx5TVfa71jiiPVkW1ODjfR.webp'/></item><item><title><![CDATA[Rain Update : સૌરાષ્ટ્રના જસદણ પંથકમાં વહેલી સવારથી વરસાદની એન્ટ્રી, મગફળી-કપાસનો પાક બચી ગયો, ખેડૂતોમાં આનંદ ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/jasdan/early-morning-rain-hits-jasdan--major-relief-for-cotton-and-groundnut-crops</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/jasdan/early-morning-rain-hits-jasdan--major-relief-for-cotton-and-groundnut-crops</guid><pubDate>Sun, 13 Sep 2026 10:21:24 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સૌરાષ્ટ્રના જસદણ પંથકમાં આજે વહેલી સવારથી જ હવામાનમાં અચાનક પલટો આવ્યો છે અને વરસાદી માહોલ જામ્યો છે. જસદણ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારો જેવા કે આટકોટ, જંગવડ, પાંચવડા, જીવાપર, સાણથલી અને બળધોઈ સહિતના વિસ્તારોમાં હળવા થી ભારે વરસાદી ઝાપટાં વરસી રહ્યા છે. વહેલી સવારે પડેલા આ વરસાદને કારણે ગ્રામ્ય માર્ગો અને રોડ-રસ્તા પર પાણી વહી નીકળ્યા હતા, જેનાથી સમગ્ર વિસ્તારના વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે.</p><p style="text-align: justify; "><b>કપાસ અને મગફળીના મુરઝાતા પાકને મળ્યું નવજીવન</b></p><p style="text-align: justify; ">છેલ્લા કેટલાક સમયથી વરસાદ ખેંચાવાને કારણે ખેતરોમાં ઉભેલી મોલાત સુકાઈ રહી હતી અને ખેડૂતો ચિંતાતુર બન્યા હતા. પરંતુ વહેલી સવારે પડેલા આ વરસાદી ઝાપટાં ખેડૂતો માટે સંજીવની સમાન સાબિત થયા છે. વિશેષ કરીને જસદણ પંથકમાં મોટા પાયે વાવેતર કરાયેલા કપાસ અને મગફળીના પાકને આ વરસાદથી મોટું જીવનદાન મળ્યું છે. સુકાતી મોલાતને પાણી મળી રહેતાં પાક બચી ગયો છે, જેનાથી જગતના તાતમાં ભારે ખુશીની લહેર દોડી ગઈ છે.</p><p style="text-align: justify; "><b>ખેડૂતોમાં હાસકારો પરંતુ ધોધમાર વરસાદની હજુ પણ આશા</b></p><p style="text-align: justify; ">વહેલી સવારથી શરૂ થયેલા વરસાદી ઝાપટાંના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે અને તેમણે મોટી રાહત અનુભવી છે. જોકે, હાલ જે વરસાદ વરસ્યો છે તે પાકને તાત્કાલિક હોનારતમાંથી ઉગારવા પૂરતો છે, પરંતુ જમીનમાં ઊંડે સુધી ભેજ ઉતરે અને નદી-નાળા છલકાય તે માટે ખેડૂતો હજુ પણ એક સાર્વત્રિક અને ધોધમાર વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આગામી સમયમાં પણ વરસાદી માહોલ જળવાઈ રહે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/surat/surat-rain-update--imd-issues-orange-alert-as-heavy-rains-return" target="_blank">Suratમાં મેઘરાજાની ધમાકેદાર વાપસી, ધોધમાર વરસાદથી બફાતમાંથી મુક્તિ, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/13/xhZPklRv38Yf8BAfWc0txsm4HHAU43wFcpvzmjRm.webp'/></item><item><title><![CDATA[Sandesh Indepth : જાણો મોબાઈલમાં 20 મિનિટની મોબાઈલ ગેમ બાળકોની આંખો પર કેવી રીતે જોખમ ઊભું કરી શકે છે ]]></title><link>https://sandesh.com/gujarat/news/explainer/ahmedabad/how-20-minutes-of-mobile-gaming-can-harm-childrens-eyes</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/explainer/ahmedabad/how-20-minutes-of-mobile-gaming-can-harm-childrens-eyes</guid><pubDate>Sun, 13 Sep 2026 10:20:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">તાજેતરમાં કોવિડ બાદના સમયગાળામાં અને આધુનિક ડિજિટલ યુગમાં પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ભણતા બાળકોમાં ચશ્માના નંબર (માયોપિયા / નજીકની દ્રષ્ટિની ક્ષતિ) આવવાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આઈ સ્પેશિયાલિસ્ટોના મતે, અગાઉ જે નંબર 10થી 12 વર્ષની વયે જોવા મળતા હતા, તે હવે 3 થી 5 વર્ષના નાનકડા બાળકોમાં પણ જોવા મળી રહ્યા છે. રાજ્યના તબીબોના ડેટા અનુસાર, અમદાવાદ અને અન્ય શહેરી વિસ્તારોમાં શાળાના બાળકોમાં માયોપિયાના કેસમાં 20% થી વધુનો ઉછાળો નોંધાયો છે.</p><h2 style="text-align: justify; "><b>ભવિષ્યમાં અંધાપો આવવાનું જોખમ</b></h2><p style="text-align: justify; ">સામાન્ય રીતે મનુષ્યની આંખ એક મિનિટમાં 15 થી 20 વખત પલકારા મારે છે, જેથી આંખમાં કુદરતી ભેજ જળવાઈ રહે છે. સ્ક્રીન જોતી વખતે કે ગેમિંગ કે શોટ્સ જોતી વખતે બાળકો મિનિટમાં માત્ર 3 થી 5 વખત જ આંખ પટપટાવે છે જેના કારણે નાની વયે જ બાળકોની આંખોનું પાણી સુકાઈ રહ્યું છે જે અગાઉ માત્ર 50 વર્ષથી મોટી ઉંમરના લોકોમાં જોવા મળતું હતું. ચિંતાનું કારણ એ છે કે ભવિષ્યમાં અંધાપો આવવાનું જોખમ. નાની ઉંમરે જો બાળકને -6 ડાયોપ્ટરથી વધુ નંબર આવી જાય, તો તેને 'હાઈ માયોપિયા' કહેવાય છે. મોટી ઉંમરે આવા બાળકોમાં રેટિના અલગ પડી જવું, ગ્લુકોમા (કાચબિંદુ)મોતિયાનું જોખમ સામાન્ય લોકો કરતા 4 થી 5 ગણું વધી જાય છે.&nbsp;</p><p style="text-align: justify; "><img alt="વાલીઓ માટે ખાસ" src="https://epapercdn.sandesh.com/images/2026/09/13/QwHgcbNl1B4YcC57ZO3PdT4rNbaglR3a5lxq2iu0.webp" style="width: 100%;"><br></p><h3 style="text-align: justify; "><b>બાળક સતત સ્ક્રીન કે ચોપડી ખૂબ નજીક રાખે છે</b></h3><p style="text-align: justify; ">આંતરરાષ્ટ્રીય અભ્યાસો મુજબ, જો ડિજિટલ એક્સપોઝર આ જ ઝડપે ચાલુ રહ્યું, તો વર્ષ 2050 સુધીમાં ભારતના શહેરી વિસ્તારના દર બેમાંથી એક બાળકને ચશ્માના નંબર આવી જશે.કેટલાક બાળકોમાં આંખનો ડોળો મોટો થઈ રહ્યો છે, જ્યારે બાળક સતત સ્ક્રીન કે ચોપડી ખૂબ નજીક રાખે છે, ત્યારે આંખની સીલિયરી મસલ્સ પર સતત દબાણ રહે છે, જેના કારણે બાળકની આંખનો ડોળો કુદરતી કદ કરતાં અસામાન્ય રીતે લાંબો થવા લાગે છે. ચોંકાવનારી વાત એ છે કે એકવાર આંખનો ડોળો લાંબો થઈ જાય પછી તે ક્યારેય નાનો થઈ શકતો નથી. સૂર્યપ્રકાશ નથી મળતો એટલે નંબર વધે છે. ઘણા વાલીઓ માને છે કે માત્ર મોબાઈલથી જ નંબર વધે છે, પરંતુ વિજ્ઞાન કહે છે કે સૂર્યપ્રકાશનો અભાવ સૌથી મોટું કારણ છે.&nbsp;</p><p style="text-align: justify; "><img alt="આંખોની સારવાર" src="https://epapercdn.sandesh.com/images/2026/09/13/4945uEi93q6IDTLwvsIaIeOXHDYZA1hWhiFYTzHH.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>દર 5 માંથી 1 બાળકના આંખના નંબરમાં વિસંગતતા</b></h2><p style="text-align: justify; ">સૂર્યપ્રકાશ આંખના રેટિનામાંથી 'ડોપામાઇન' રીલીઝ કરે છે, જે આંખના ડોળાને વધુ લાંબો થતો રોકે છે. ઘરમાં બંધ રહેતા બાળકોમાં આ ડોપામાઇન બનતું જ નથી. આંખોની સુરક્ષા માટે તીરકામઠું, પેન્સિલ, કાતર કે અણીદાર પ્લાસ્ટિકના રમકડાંથી આંખમાં ઈજા ન થાય તેનું ધ્યાન રાખવું. હોળી કે દિવાળીના ફટાકડા વખતે બાળકોની આંખોની વિશેષ કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. અમદાવાદ અને અન્ય શહેરી વિસ્તારોની શાળાઓના બાળકોમાં માયોપિયાના કેસોમાં 20% થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે.AIIMS અને સ્થાનિક રિપોર્ટ અનુસાર દર 5 માંથી 1 બાળકના આંખના નંબરમાં વિસંગતતા જોવા મળી રહી છે.સામાન્ય રીતે મનુષ્યની આંખ એક મિનિટમાં 15 થી 20 વખત પલકારા મારે છે. પરંતુ ડિજિટલ સ્ક્રીન જોતી વખતે આ પ્રમાણ 60% જેટલું ઘટી જાય છે.સ્ક્રીન જોતી વખતે પલકારા ગેમિંગ કે શોટ્સ જોતી વખતે બાળકો મિનિટમાં માત્ર 3 થી 5 વખત જ આંખ પટપટાવે છે, જેથી આંખોની કુદરતી ભેજ સુકાઈ જાય છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/explainer/ahmedabad/rainfall-explainer-which-talukas-are-still-rain-deficient" target="_blank">આ પણ વાંચોઃ Sandesh Digital Explainer : દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા મહેરબાન, જાણો રાજ્યના કયા તાલુકા હજી કોરા ધાકોર છે?</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/13/vEI8MhRXp0CB2bmHhYRR49rOauELJKx94tkgAiBU.webp'/></item><item><title><![CDATA[Suratમાં મેઘરાજાની ધમાકેદાર વાપસી, ધોધમાર વરસાદથી બફાતમાંથી મુક્તિ, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/surat/surat-rain-update--imd-issues-orange-alert-as-heavy-rains-return</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/surat/surat-rain-update--imd-issues-orange-alert-as-heavy-rains-return</guid><pubDate>Sun, 13 Sep 2026 09:58:19 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદની ગેરહાજરીને કારણે ગરમી અને અસહ્ય બફાતનું પ્રમાણ ખૂબ વધી ગયું હતું, જેનાથી લોકો ભારે અકળામણ અનુભવી રહ્યા હતા. જોકે, ગઈકાલ રાતથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને મેઘરાજાએ ધમાકેદાર વાપસી કરી છે. હાલ સમગ્ર સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના આ તુફાની આગમન સાથે જ સમગ્ર શહેરનું વાતાવરણ આહલાદક અને ઠંડકભર્યું બની ગયું છે, જેનાથી સુરતીઓને ભારે ગરમી અને બફાતમાંથી મોટી રાહત મળી છે.</p><h2 style="text-align: justify; "><b>હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ અને આગામી દિવસોની આગાહી</b></h2><p style="text-align: justify; ">સુરતમાં પડી રહેલા આ સાર્વત્રિક વરસાદ વચ્ચે હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જેને ધ્યાનમાં રાખીને સુરત માટે 'ઓરેન્જ એલર્ટ' (Orange Alert) જાહેર કરવામાં આવ્યું છે. ગઈકાલ રાતથી શરૂ થયેલી વરસાદની આ ઇનિંગ્સ આગામી 15મી સપ્ટેમ્બર સુધી સતત ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>શહેરના વાતાવરણમાં પલટો અને તંત્ર એલર્ટ મોડ પર</b></h2><p style="text-align: justify; ">રાતભર વરસેલા ધોધમાર વરસાદને કારણે શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, પરંતુ લાંબા સમય પછી અનુભવાયેલી આહલાદક ઠંડકથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં પ્રસરેલી ભેજ અને ઠંડકને કારણે ખેડૂતો અને સામાન્ય જનતા બંનેએ હાસકારો અનુભવ્યો છે. આગામી 15 સપ્ટેમ્બર સુધી વરસાદની તીવ્રતા જળવાઈ રહેવાની શક્યતા હોવાથી સ્થાનિક તંત્ર પણ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/rain-forecast-red-alert-in-gujarat" target="_blank">Gujarat Weather News: છેલ્લા 24 કલાકમાં આ તાલુકામાં 11 ઈંચ વરસાદ ખાબક્યો, આજે આ વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/13/UV3QgOqCbRw82Q41TF4z8i2hUqAWZQS9aXtMl4f7.webp'/></item></channel></rss>