<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Gandhinagar: ખાનગી શાળા-કોલેજોના NCC કેડેટ્સને પણ સરકારી કેડેટ્સ સમાન મળશે કેમ્પ ભથ્થું, 100 ટકા ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-government-announces-ncc-camp-allowance-for-private-school-college-cadets</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-government-announces-ncc-camp-allowance-for-private-school-college-cadets</guid><pubDate>Tue, 01 Sep 2026 15:21:37 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાત સરકારે રાજ્યના યુવાધન અને નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) ના કેડેટ્સના સર્વાંગી વિકાસ માટે મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ તથા શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગાના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.</p><h2><b>ગુજરાત સરકારનો NCC કેડેટ્સ માટે ઐતિહાસિક નિર્ણય</b></h2><p>અત્યાર સુધી સ્થિતિ એ હતી કે સરકારી શાળા-કોલેજોના NCC કેડેટ્સ રાષ્ટ્રીય કક્ષાના કેમ્પ માટે પસંદ થાય ત્યારે તેમને ભારત સરકારના ધોરણો મુજબ ભથ્થાં આપવામાં આવતા હતા. પરંતુ ખાનગી સંસ્થાઓના કેડેટ્સને આવું કોઈ ભથ્થું મળતું ન હોવાથી સમગ્ર ખર્ચ કેડેટ અથવા તેની સંસ્થાએ પોતે ઉઠાવવો પડતો હતો. આ આર્થિક ભારણના કારણે રાષ્ટ્રીય કક્ષાએ દેશનું પ્રતિનિધિત્વ કરવાની ક્ષમતા ધરાવતા અનેક તેજસ્વી કેડેટ્સ આગળ વધતા અચકાતા હતા.</p><h3><b>ગુજરાતમાં NCC કેડેટ્સ વચ્ચેનો આર્થિક ભેદભાવ નાબૂદ</b></h3><p>સરકારના ધ્યાન પર આ વિષય આવતાં જ શિક્ષણ વિભાગે ખાસ ઠરાવ કરીને આ આર્થિક અસમાનતા દૂર કરી છે. હવે ખાનગી સંસ્થાના કેડેટ્સ જ્યારે Republic Day Contingent (RDC), Thal Sainik Camp (TSC), Youth Exchange Programme (YEP), Vayu Sainik Camp (VSC), Naval Sainik Camp (NSC) અને National Level Event (NLE) જેવા આકરા ૪ થી ૫ તબક્કાની સ્પર્ધાત્મક પસંદગી પ્રક્રિયા પાર કરીને રાષ્ટ્રીય કેમ્પમાં પહોંચશે, ત્યારે તેમને સરકારી ધોરણે જ ભથ્થું અપાશે.</p><h4><b>100 ટકા ખર્ચ ભોગવશે રાજ્ય સરકાર</b></h4><p>આ માટે થનારા તમામ ખર્ચનો 100 ટકા હિસ્સો રાજ્ય સરકાર ભોગવશે. ભારત સરકાર દ્વારા વખતોવખત નક્કી કરાતા દરો મુજબ ભથ્થાની ચુકવણી થશે.કેડેટ્સને મેસિંગ (ખોરાક), ટ્રાવેલિંગ (મુસાફરી), જનરેશન, ઇન્સિડેન્ટલ અને POL ચાર્જિસ જેવા વિવિધ ખર્ચમાં સીધી આર્થિક રાહત મળશે.હવે કેડેટ સરકારી સંસ્થાનો છે કે ખાનગી સંસ્થાનો, તેની રાષ્ટ્રીય કક્ષાની પસંદગીનો આધાર તેની આર્થિક ક્ષમતા નહીં પરંતુ તેની મહેનત, શિસ્ત અને પ્રતિભા બનશે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/crime/rajkot/rajkot-news-corn-flour-patties-found-in-khilwad-jain-sweets-with-religious-faith-in-the-name-of-faral" target="_blank">આ પણ વાંચો:Rajkot News : ફરાળના નામે ધાર્મિક આસ્થા સાથે ખિલવાડ, ‘જૈન સ્વિટ્સ’માંથી મળી આવી મકાઈના લોટવાળી પેટીસ</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/Jfk3FGEYM4v67PSx6o7a3PnE5bFqknROQmQLXelH.webp'/></item><item><title><![CDATA[Cockroach Janta Party: દિલ્હીમાં હવે 5 સપ્ટેમ્બરે સીજેપી નહી કરે માર્ચ, જાણો એકાએક કેમ બદલાયો નિર્ણય ]]></title><link>https://sandesh.com/india/news/cockroach-janta-party-cjp-will-not-hold-a-march-in-delhi-on-september-5-know-why-the-decision-was-suddenly-changed</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/cockroach-janta-party-cjp-will-not-hold-a-march-in-delhi-on-september-5-know-why-the-decision-was-suddenly-changed</guid><pubDate>Tue, 01 Sep 2026 15:05:07 +05:30</pubDate><description><![CDATA[<p>CJP એ 5 સપ્ટેમ્બરના રોજ યોજાનારી માર્ચની જાહેરાતને પાછી ખેંચી છે.&nbsp; &nbsp;સંગઠનના પ્રવક્તા, સૌરવ દાસે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર તરફથી મળેલા સકારાત્મક ખાતરીઓ અને આજના કોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.</p><h2><b>સીજેપીએ દિલ્હીમાં કૂચ કરવાની જાહેરાત પાછી ખેંચી&nbsp;</b></h2><p>આજે સુપ્રીમ કોર્ટમાં એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો. 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) એ કોર્ટને જાણ કરી કે તે 5 સપ્ટેમ્બરના રોજ યોજાનારી કૂચ માટેની પોતાની જાહેરાત પાછી ખેંચી રહી છે. CJP ના પ્રવક્તાએ કોર્ટમાં જણાવ્યું હતું કે આ નિર્ણય કેન્દ્ર સરકાર તરફથી મળેલા સકારાત્મક ખાતરીઓ અને આજે કોર્ટ દ્વારા પસાર કરાયેલા આદેશને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.</p><h2><b>સરકાર ત્રણેય વચનો પૂરા કરવા માટે પ્રતિબદ્ધ: સોલિસિટર જનરલ</b></h2><p>કેન્દ્ર અને દિલ્હી પોલીસ વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને માહિતી આપી કે કેન્દ્ર CJP નેતાઓ સાથેની બેઠક દરમિયાન આપેલા ત્રણ વચનોનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે. પહેલું વચન એ હતું કે કેન્દ્ર 20 જુલાઈથી 25 જુલાઈ વચ્ચે નોંધાયેલી FIR અંગે આગળ કોઈ કાર્યવાહી કરશે નહીં.</p><p>બીજું વચન એ હતું કે આ મામલે કોઈ નવી FIR નોંધવામાં આવશે નહીં. ત્રીજું વચન એ હતું કે સરકાર NEET પેપર લીકને કારણે આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને વળતર આપશે.</p><p>સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે NEET પરીક્ષા પછી આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને વળતર અંગે CJP નેતાઓને આપેલા વચનને પૂર્ણ કરવા માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે.&nbsp; જોકે, આ માટેની પદ્ધતિઓ નક્કી કરવામાં ત્રણ મહિના લાગશે. તેમણે ઉમેર્યું, "હાલ માટે, અમે ત્રણેય વચનો પૂરા કરવા માટે પ્રતિબદ્ધ છીએ.</p><p><b style="font-size: 1.5rem;">FIR રદ કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી</b></p><p>આ નિવેદન કેન્દ્ર સરકારે દિલ્હી અને અન્ય રાજ્યોમાં NEET પેપર લીક વિરુદ્ધ પ્રદર્શનો દરમિયાન કથિત હિંસા માટે વિદ્યાર્થી વિરોધીઓ સામે નોંધાયેલી FIR રદ કરવાની માંગ કરતી અરજી અંગે સુપ્રીમ કોર્ટને જાણ કર્યાના એક દિવસ પછી આવ્યું છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/DccgpxGs6iRLLeU06iiRciQZGOy2KZ1HCW4hpvI7.webp'/></item><item><title><![CDATA[Rajkot News : ફરાળના નામે ધાર્મિક આસ્થા સાથે ખિલવાડ, ‘જૈન સ્વિટ્સ’માંથી મળી આવી મકાઈના લોટવાળી પેટીસ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/rajkot/rajkot-news-corn-flour-patties-found-in-khilwad-jain-sweets-with-religious-faith-in-the-name-of-faral</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/rajkot/rajkot-news-corn-flour-patties-found-in-khilwad-jain-sweets-with-religious-faith-in-the-name-of-faral</guid><pubDate>Tue, 01 Sep 2026 14:51:36 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ શહેરમાં ઉપવાસ અને ફરાળ કરતા નાગરિકો માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પવિત્ર દિવસોમાં લોકો શ્રદ્ધાપૂર્વક જે ફરાળી પેટીસ આરોગે છે, તેમાં ફરાળી સામગ્રીને બદલે મકાઈનો લોટ વાપરવામાં આવતો હોવાનું ખુલ્લું પડ્યું છે. રાજકોટના જાણીતા 'જૈન સ્વિટ્સ'માંથી મકાઈના લોટવાળી ફરાળી પેટીસ મળી આવતાં તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું. ધાર્મિક આસ્થા સાથે ખીલવાડ કરતી આ ગંભીર બાબત સામે આવતાં મનપાના આરોગ્ય વિભાગે સ્થળ પર જ 32 કિલો જેટલી બનાવટી ફરાળી પેટીસનો નાશ કર્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>મનપાના 44 ધંધાર્થીઓને ત્યાં દરોડા</b></h2><p style="text-align: justify; ">રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ખાદ્યપદાર્થોનું વેચાણ કરતી 44 જેટલી પેઢીઓ અને ધંધાર્થીઓને ત્યાં સામૂહિક દરોડા પાડવામાં આવ્યા હતા. આ સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન અલગ-અલગ દુકાનો અને રેસ્ટોરન્ટ્સમાંથી કુલ 52 કિલો જેટલો અખાદ્ય અને વાસી ખોરાકનો જથ્થો મળી આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન જાણીતી 'કૃષ્ણમ કાઠિયાવાડી' હોટલમાંથી પણ 20 કિલો જેટલું વાસી શાક અને કણક (લોટ) મળી આવતાં આરોગ્ય વિભાગની ટીમે તેનો પણ સ્થળ પર જ નાશ કરાવી દીધો હતો.</p><h2 style="text-align: justify; "><b>ભેળસેળિયા વેપારીઓ સામે તંત્ર લાલઘૂમ</b></h2><p style="text-align: justify; ">આરોગ્ય વિભાગની ટીમે માત્ર જપ્ત કરાયેલા ખોરાકનો નાશ કરીને અટકી નથી, પરંતુ શંકાસ્પદ જણાતી 17 જેટલી પેઢીઓમાંથી ખાદ્યસામગ્રીના નમૂના (સેમ્પલ) લઈને તેને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. તહેવારો અને ઉપવાસના દિવસોમાં નાગરિકોના સ્વાસ્થ્ય અને આસ્થા સાથે ચેડાં કરતા વેપારીઓ સામે મનપા તંત્રએ લાલ આંખ કરી છે અને આગામી દિવસોમાં પણ આ પ્રકારનું સઘન ચેકિંગ ચાલુ રાખવાની સ્પષ્ટ ચેતવણી આપી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/surat/ragging-controversy-again-in-surat-civil-dean-receives-anonymous-petition-from-surgery-department-hospital-system-is-running-wild" target="_blank">Surat સિવિલમાં ફરી રેગિંગ વિવાદ, સર્જરી વિભાગમાંથી ડીનને મળી નનામી અરજી, હોસ્પિટલ તંત્ર દોડતું થયું!</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/cHZa30KUFjchfJcfvrzYjXLeROihVYxI8zxt1P0i.webp'/></item><item><title><![CDATA[Samay Raina વિવાદ, કાનૂની મુશ્કેલીઓ, ટ્રોલ થયેલા 'સમય'ને આખરે મળ્યું સન્માન ]]></title><link>https://sandesh.com/entertainment/news/samay-raina-controversy-legal-troubles-trolled-samay-finally-gets-respect</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/samay-raina-controversy-legal-troubles-trolled-samay-finally-gets-respect</guid><pubDate>Tue, 01 Sep 2026 14:39:17 +05:30</pubDate><description><![CDATA[<p>સમયનો સૌથી મોટો ગુણ એ છે કે તે ક્યારેય એક સરખો રહેતો નથી. તાજેતરમાં સુધી વિવાદોની વચ્ચે ઘેરાયેલા સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈના માટે પરિસ્થિતિઓ ખૂબ જ મુશ્કેલ બની ગઈ હતી. તેમનો અત્યંત લોકપ્રિય શો "ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ" સોશિયલ મીડિયાના ટ્રોલિંગથી લઈને પોલીસ સ્ટેશન અને કોર્ટની કાનૂની લડાઈ સુધી પહોંચી ગયો હતો. શો દરમિયાન રણવીર અલ્હાબાદિયાની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ થયેલા વિરોધને કારણે રૈના સામે અનેક ફરિયાદો નોંધાઈ હતી અને પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે તેમણે પોતાનો શો હટાવવો પડ્યો હતો.</p><h2><b>સમય રૈના, મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માની પ્રશંસા</b></h2><p>વિવાદો અને કાનૂની મુશ્કેલીઓ વચ્ચે પણ સમય રૈનાએ હાર ન માની. તેમણે શાંત રહીને પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પુનરાગમન કરતી વખતે તેમણે આસામમાં આવેલા વિનાશક પૂર દરમિયાન મુખ્યમંત્રી રાહત ભંડોળમાં ₹10 લાખનું યોગદાન આપ્યું. રસપ્રદ વાત એ હતી કે, અગાઉ જે આસામ પોલીસે રૈના સામે એફઆઈઆર (FIR) નોંધીને પુણે સ્થિત તેમના ઘરે નોટિસ મોકલી હતી, તે જ રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ સોશિયલ મીડિયા પર જાહેરમાં રૈનાની આ ઉદારતા અને મદદરૂપ વર્તનની ખુલ્લેઆમ પ્રશંસા કરી.</p><p><img alt="samay raina" src="https://epapercdn.sandesh.com/images/2026/09/01/RkVmmKuyWaUfEVZ8UJgsu7TePT5QUpzWbrMgRr7Y.webp"><br></p><h4><b>દેવેન્દ્ર ફડણવીસે સાથે સ્ટેજ શેર કરી મેળવ્યું સન્માન</b></h4><p>રૈનાની આ સફરનો સૌથી યાદગાર વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા સ્ટેજ પર સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમ દરમિયાન સમય રૈનાએ પોતાની ખાસ અને બિંદાસ શૈલી જાળવી રાખી હતી. મુખ્યમંત્રીની હાજરીમાં જ તેમણે પોલીસ તપાસ પર ચપટી લેતા કહ્યું, "પહેલી વાર કોઈ સાયબર સેલ અધિકારી કોઈ હાસ્ય કલાકારના ઘરે ગયો છે..." રૈનાના આ રમુજી કટાક્ષથી આખો હોલ હાસ્યથી ગૂંજી ઊઠ્યો હતો. જે કાનૂની વિવાદો એક સમયે તેમની કારકિર્દી માટે જોખમરૂપ બન્યા હતા, તેને જ તેમણે પોતાની કોમેડીનો ભાગ બનાવી દીધો.</p><h4><b>"હું હજી પણ અહીં છું" - સમય રૈનાનો સણસણતો જવાબ</b></h4><p>પોતાની આગવી શૈલી કે ઓળખ બદલ્યા વિના સમય રૈનાએ સ્ટેજ પર પરત ફરીને ભાવુક થઈને કહ્યું, "હું હજી પણ અહીં છું." ગઈકાલે જે કલાકારની કારકિર્દીના ભવિષ્ય પર પ્રશ્નો ઉઠાવવામાં આવતા હતા, આજે તે જ સમય રૈના સન્માન સાથે હેડલાઇન્સમાં છે. વિવાદના તોફાનનો સામનો કરીને સમયનું ચક્ર પોતાના પક્ષમાં ફેરવનાર રૈનાની આ વાર્તા સાબિત કરે છે કે મુશ્કેલ સમય કાયમી નથી હોતો, બસ સમયની રાહ જોવી પડે છે.</p><p><br></p><p><a href="https://sandesh.com/entertainment/news/555th-film71-year-old-actor-anupam-khers-insta-post-increases-fans-curiosity" target="_blank">આ પણ વાંચો : My Landmark 555th ફિલ્મ..71 વર્ષના અભિનેતા અનુપમ ખેરની ઇન્સ્ટા પોસ્ટે વધારી ફેન્સની ઉત્સુકતા</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/yh0dEOP2W1jAuzlYX1sJYXoPTRxgNCvmZwiQLOn2.webp'/></item><item><title><![CDATA[Surat સિવિલમાં ફરી રેગિંગ વિવાદ, સર્જરી વિભાગમાંથી ડીનને મળી નનામી અરજી, હોસ્પિટલ તંત્ર દોડતું થયું! ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/ragging-controversy-again-in-surat-civil-dean-receives-anonymous-petition-from-surgery-department-hospital-system-is-running-wild</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/ragging-controversy-again-in-surat-civil-dean-receives-anonymous-petition-from-surgery-department-hospital-system-is-running-wild</guid><pubDate>Tue, 01 Sep 2026 14:06:19 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાતની ઘટના બાદ સિવિલ તંત્ર રેગિંગ મામલે અત્યંત એલર્ટ મોડ પર છે, ત્યાં વધુ એક રેગિંગની ફરિયાદ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. હોસ્પિટલના સર્જરી વિભાગમાંથી ડીન ઓફિસે એક નનામી અરજી દ્વારા ગંભીર ફરિયાદો કરવામાં આવી છે. આ અરજીમાં લખવામાં આવ્યું છે કે "વિભાગમાં કામનો બોજ વધુ રહે છે, રજા આપવામાં આવતી નથી, અભ્યાસમાં તકલીફ પડી રહી છે અને સિનિયર ડોક્ટરો દ્વારા સતત હેરાનગતિ કરવામાં આવે છે."</p><h2 style="text-align: justify; "><b>ડીનની અધ્યક્ષતામાં તાત્કાલિક એન્ટી રેગિંગ કમિટીની મોડી રાત સુધી બેઠક</b></h2><p style="text-align: justify; ">ગત 27 ઓગસ્ટની સાંજે ડીન ઓફિસે આ નનામી પત્ર મળતાં જ સિવિલ તંત્ર હરકતમાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સૌપ્રથમ સર્જરી વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજવામાં આવી હતી. ત્યારબાદ તુરંત જ એન્ટી રેગિંગ કમિટીની વિશેષ બેઠક બોલાવવામાં આવી હતી. અરજીમાં કરાયેલા આક્ષેપો અંગે મોડી રાત સુધી કમિટીના સભ્યો દ્વારા ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા અને તપાસ હાથ ધરવામાં આવી હતી.</p><p style="text-align: justify; "><img alt="Surat Civil Hospital 01" src="https://epapercdn.sandesh.com/images/2026/09/01/ycW0VdkQs1LF2cHr33DEeClWohliXvDbQX5Joxpq.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>રેગિંગ થયાના કોઈ પુરાવા મળ્યા નથી</b></h2><p style="text-align: justify; ">મોડી રાત સુધી ચાલેલી લાંબી બેઠક અને પ્રાથમિક તપાસ બાદ એન્ટી રેગિંગ કમિટી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે હાલની તપાસ દરમિયાન રેસિડેન્ટ ડોક્ટર સાથે રેગિંગ થયું હોય તેવા કોઈ પ્રત્યક્ષ પુરાવા મળી આવ્યા નથી. તેમ છતાં, ભૂતકાળની દુઃખદ ઘટનાને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા સર્જરી વિભાગના વાતાવરણ અને રેસિડેન્ટ ડોક્ટરોની કામગીરી પર સતત દેખરેખ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/epidemic-explodes-in-ahmedabad-during-monsoon-more-than-15000-patients-flock-to-sola-civil-in-just-7-days" target="_blank">Ahmedabadમાં ચોમાસામાં રોગચાળાનો વિસ્ફોટ, સોલા સિવિલમાં માત્ર 7 જ દિવસમાં 15,000થી વધુ દર્દીઓ ઉમટ્યા!</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/AhrA1DgQxKwDVTviAYF4IuWHbbq52CdCVhHsbOfE.webp'/></item><item><title><![CDATA[August GST Collection : સરકારી ખજાનામાં આવ્યા કરોડો રૂપિયા.. GST કલેક્શન 15 ટકા વધ્યું ]]></title><link>https://sandesh.com/india/news/august-gst-collection-gst-collection-increased-by-15-percent-know-how-many-crores-came-to-the-government-treasury</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/august-gst-collection-gst-collection-increased-by-15-percent-know-how-many-crores-came-to-the-government-treasury</guid><pubDate>Tue, 01 Sep 2026 13:38:16 +05:30</pubDate><description><![CDATA[<p>ઑગષ્ટ મહિનામાં સરકારની તિજોરી છલકાઇ છે. 1&nbsp; સપ્ટેમ્બરના રોજ સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, ભારતનો કુલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન વાર્ષિક ધોરણે 15 ટકા વધીને ₹1.998 લાખ કરોડ થયો છે.&nbsp;</p><p><b style="font-size: 2rem;">જીએસટીની આવકમાં વૃદ્ધિ&nbsp;</b></p><p>&nbsp;આ GST આવકમાં બે આંકડાની વૃદ્ધિનો સતત ત્રીજો મહિનો છે; આ પહેલા જૂનમાં 13.9 ટકા અને જુલાઈમાં 15.4 ટકાનો વધારો નોંધાયો હતો. પાછલા વર્ષના ઓગસ્ટમાં, આ આંકડો ₹1.74 લાખ કરોડ હતો. તેની તુલનામાં&nbsp; વાર્ષિક ધોરણે 14.8 ટકાનો વધારો દર્શાવે છે. આ માહિતી સરકાર દ્વારા જાહેર કરાયેલા કામચલાઉ ડેટા પર આધારિત છે. </p><p>સ્થાનિક કુલ આવક ₹1,37,249 કરોડ હતી, જ્યારે આયાતમાંથી ₹62,604 કરોડ ઉત્પન્ન થયા હતા. કુલ રિફંડ ₹31,795 કરોડ થયું હતું. ચોખ્ખી GST આવક ₹1,68,057 કરોડ નોંધાઈ હતી, જે 8.3 ટકાનો વધારો દર્શાવે છે. ઓગસ્ટ 2026 સુધીનો કુલ GST કલેક્શન ₹10,42,850 કરોડ પર પહોંચી ગયો છે, જે પાછલા વર્ષના સમાન સમયગાળાના આંકડા કરતા 11 ટકા વધુ છે.</p><p><b style="font-size: 1.75rem;">આયાતમાંથી કર વસૂલાતમાં મોટો વધારો</b></p><p>GST વસૂલાતમાં આ વધારા પાછળ વિદેશમાંથી થતી આયાત મુખ્ય કારણ છે. ડેટા પર નજર નાખતાં જાણવા મળે છે કે આયાતમાંથી મેળવેલી કુલ GST આવકમાં 29%નો નોંધપાત્ર વધારો થયો છે, જે ગયા વર્ષે ₹48,546 કરોડથી વધીને ₹62,604 કરોડ થયો છે. દરમિયાન, સ્થાનિક બજારમાંથી કર આવકમાં 9.3%નો વધારો જોવા મળ્યો છે, જે ₹1.26 લાખ કરોડથી વધીને ₹1.37 લાખ કરોડ થયો છે. આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે GSTના મુખ્ય આંકડાઓને વધારવામાં આયાતોએ મુખ્ય ભૂમિકા ભજવી છે.&nbsp;</p><p><b style="font-size: 1.75rem;">વધતા રિફંડ ચોખ્ખી આવક વૃદ્ધિની ગતિ ધીમી કરે છે</b></p><p>જોકે કુલ GST વસૂલાત રેકોર્ડ ઊંચા સ્તરે પહોંચી ગઈ છે, ચોખ્ખી GST આવકમાં વૃદ્ધિ કંઈક અંશે ધીમી રહી છે. તેનું મુખ્ય કારણ રિફંડમાં તીવ્ર વધારો છે. ઓગસ્ટમાં, સરકારે કુલ રિફંડમાં 67.9% નો જંગી વધારો નોંધાવ્યો હતો.&nbsp; આ આંકડો પાછલા વર્ષના ₹18,935 કરોડથી વધીને ₹31,795 કરોડ થયો હતો. આ સમયગાળા દરમિયાન, સ્થાનિક રિફંડમાં 72.6% નો વધારો થયો હતો, જ્યારે ICEGATE દ્વારા પ્રોસેસ કરાયેલ એક્સપોર્ટ GST રિફંડમાં 61.8% નો વધારો જોવા મળ્યો હતો. આની સીધી અસર ચોખ્ખી વસૂલાત પર પડી હતી, જે 8.3% વધીને ₹1.68 લાખ કરોડ થઈ હતી. આમાં, ચોખ્ખી સ્થાનિક આવક 3.4% વધીને ₹1.19 લાખ કરોડ થઈ હતી, જ્યારે ચોખ્ખી કસ્ટમ્સ GST 22.3% વધીને ₹49,299 કરોડ થઈ હતી. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં (એપ્રિલ-ઓગસ્ટ), કુલ GST કલેક્શન 11% વધીને 10.43&nbsp; લાખ કરોડ રૂપિયા થયું છે, જ્યારે ચોખ્ખી આવક 9% વધીને&nbsp; 8.90&nbsp; લાખ કરોડ રૂપિયા થઈ છે.</p><p><br></p><h3><b>રાજ્યવાર GST વસૂલાત કયા રાજ્યમાં કેટલી ?&nbsp;</b></h3><ul><li>વિવિધ રાજ્યોમાં GST વસૂલાતની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ સૌથી આગળ રહ્યું છે. ત્યાં GST વસૂલાતમાં 19%નો વધારો થયો છે.</li><li>તેલંગાણામાં 16% વધારો</li><li>ગુજરાતમાં 15% વધારો</li><li>કર્ણાટક અને કેરળમાં 13% વધારો</li><li>હરિયાણા અને પંજાબમાં 12% વધારો થયો છે.</li><li>દેશમાં સૌથી વધુ GST વસૂલતું રાજ્ય મહારાષ્ટ્ર છે. ત્યાં પણ 8%નો વધારો થયો છે અને કુલ GST વસૂલાત ₹28,779 કરોડ થઈ છે.&nbsp;</li><li>સૌથી આશ્ચર્યજનક આંકડો આસામનો રહ્યો, જ્યાં GST વસૂલાતમાં અચાનક 162%નો મોટો વધારો નોંધાયો છે. એટલે કે, આસામની GST આવકમાં ગયા સમયની સરખામણીએ ખૂબ જ મોટો ઉછાળો આવ્યો છે. </li></ul><div><br></div><h3><b>કયા રાજ્યોમાં GST વસૂલાત ઘટી ?&nbsp;</b></h3><p>તમિલનાડુમાં 1%, જ્યારે ઓડિશા અને આંધ્રપ્રદેશમાં 7% ઘટાડો થયો છે.</p><p> રાજસ્થાન અને ગોવામાં પણ 2% ઘટાડો નોંધાયો છે.</p><p>આ પણ વાંચો-&nbsp; &nbsp;<a href="https://sandesh.com/business/news/petrol-diesel-price-today-lpg-prices-increased-from-today-know-what-is-the-situation-in-petrol-and-diesel-prices" target="_blank" style="background-color: rgb(255, 255, 255);">Petrol Diesel Price Today: 1 સપ્ટેમ્બરે વધ્યા LPG, CNG અને PNGના ભાવ.. તો શું પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ થયો ફેરફાર ?&nbsp;</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/19WtlkkeivTeNmBd3NSKbVKFT39jyLV2Y4L9BQYw.webp'/></item><item><title><![CDATA[GST કલેક્શનમાં ફરી ડબલ ડિજિટ ગ્રોથ, ગુજરાત સહિત આ રાજ્યોનું શાનદાર પ્રદર્શન ]]></title><link>https://sandesh.com/business/news/double-digit-growth-again-in-gst-collection-excellent-performance-of-these-states-including-gujarat</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/double-digit-growth-again-in-gst-collection-excellent-performance-of-these-states-including-gujarat</guid><pubDate>Tue, 01 Sep 2026 13:35:16 +05:30</pubDate><description><![CDATA[<p>August મહિનામાં દેશના GST કલેક્શનમાં નોંધપાત્ર વધારો થયો છે. સરકાર દ્વારા 1 સપ્ટેમ્બરે જાહેર કરાયેલા આંકડા મુજબ, ભારતનું ગ્રોસ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન વાર્ષિક ધોરણે 15 ટકા વધીને ₹1.998 લાખ કરોડ થયું છે. સતત ત્રીજા મહિને GST રેવન્યુમાં ડબલ ડિજિટ ગ્રોથ નોંધાઈ છે. જૂનમાં 13.9 ટકા અને જુલાઈમાં 15.4 ટકાની વૃદ્ધિ થઈ હતી. ઓગસ્ટ 2025માં GST કલેક્શન ₹1.74 લાખ કરોડ હતું.</p><h2><b>આયાતમાંથી મળતા GSTમાં 29%નો ઉછાળો</b></h2><p>ઓગસ્ટના GST કલેક્શનમાં વધારા પાછળ આયાતમાંથી મળતા ટેક્સનો મોટો ફાળો રહ્યો છે. આયાત પરના ગ્રોસ GST રેવન્યુમાં 29 ટકાનો વધારો નોંધાયો છે. ગયા વર્ષના ₹48,546 કરોડની સરખામણીએ આ વર્ષે તે વધીને ₹62,604 કરોડ થયું છે. બીજી તરફ, સ્થાનિક બજારમાંથી મળતા ટેક્સમાં 9.3 ટકાનો વધારો થયો છે અને તે ₹1.26 લાખ કરોડથી વધીને ₹1.37 લાખ કરોડ થયો છે.</p><h3><b>રિફંડ વધતાં નેટ GST ગ્રોથ ધીમી રહી</b></h3><p>ગ્રોસ GST કલેક્શન ભલે મજબૂત રહ્યું હોય, પરંતુ રિફંડમાં થયેલા વધારાને કારણે નેટ રેવન્યુની વૃદ્ધિ પ્રમાણમાં ઓછી રહી છે. ઓગસ્ટમાં કુલ GST રિફંડ 67.9 ટકા વધીને ₹31,795 કરોડ થયું, જે ગયા વર્ષે ₹18,935 કરોડ હતું. ડોમેસ્ટિક રિફંડમાં 72.6 ટકા અને ICEGATE મારફતે પ્રોસેસ થયેલા એક્સપોર્ટ GST રિફંડમાં 61.8 ટકાનો વધારો થયો. આના પરિણામે નેટ GST કલેક્શન 8.3 ટકા વધીને ₹1.68 લાખ કરોડ થયું. નેટ ડોમેસ્ટિક રેવન્યુ 3.4 ટકા વધીને ₹1.19 લાખ કરોડ, જ્યારે નેટ કસ્ટમ્સ GST 22.3 ટકા વધીને ₹49,299 કરોડ થયું છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિના એટલે કે એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન ગ્રોસ GST કલેક્શન 11 ટકા વધીને ₹10.43 લાખ કરોડ થયું છે. આ સમયગાળામાં નેટ રેવન્યુ 9 ટકા વધીને ₹8.90 લાખ કરોડ રહ્યું છે.</p><h4><b>રાજ્યોમાં UP અને ગુજરાતનું શાનદાર પ્રદર્શન</b></h4><p>રાજ્યોના ડોમેસ્ટિક GST કલેક્શનની વાત કરીએ તો ઉત્તર પ્રદેશે 19 ટકાની વૃદ્ધિ સાથે શાનદાર પ્રદર્શન કર્યું છે. તે બાદ તેલંગાણા 16 ટકા અને ગુજરાત 15 ટકાની વૃદ્ધિ સાથે આગળ રહ્યા. કર્ણાટક અને કેરળમાં 13 ટકા, જ્યારે હરિયાણા અને પંજાબમાં 12 ટકાની વૃદ્ધિ નોંધાઈ. દેશમાં સૌથી વધુ GST આપતા મહારાષ્ટ્રમાં 8 ટકાનો વધારો થયો છે અને તેનું કલેક્શન ₹28,779 કરોડ રહ્યું. બીજી તરફ તમિલનાડુમાં 1 ટકા અને ઓડિશા તથા આંધ્ર પ્રદેશમાં 7 ટકાનો ઘટાડો નોંધાયો. રાજસ્થાન અને ગોવામાં પણ GST કલેક્શન 2 ટકા ઘટ્યું. આ તમામ આંકડાઓ વચ્ચે આસામનું પ્રદર્શન સૌથી ચોંકાવનારું રહ્યું છે. રાજ્યના GST કલેક્શનમાં એક વર્ષમાં 162 ટકાનો અસાધારણ ઉછાળો નોંધાયો છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-news-gujarat-region-dominates-gst-collection-special-meeting-held-with-revenue-of-rs-2-lakh-crore-per-month#google_vignette" target="_blank">આ પણ વાંચો:&nbsp; GST કલેક્શનમાં ગુજરાત રીજનનો દબદબો, પ્રતિ માસ 2 લાખ કરોડની આવક સાથે ખાસ બેઠક યોજાઈ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/q0JAT4LQEnPqkiuIBAchOwpY3kOprpaAJ4ApBwLV.webp'/></item><item><title><![CDATA[Sandesh Digital Explainer:  વિધાનસભાની ચૂંટણી પહેલા જ ગુજરાતમાં અનામતની માગ, શું ચૂંટણીમાં ભાજપને અસર કરી શકે? ]]></title><link>https://sandesh.com/gujarat/news/explainer/ahmedabad/gujarat-reservation-demand-before-assembly-election</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/explainer/ahmedabad/gujarat-reservation-demand-before-assembly-election</guid><pubDate>Tue, 01 Sep 2026 13:07:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાને હજી દોઢ વર્ષ જેટલો સમય બાકી છે. આ ચૂંટણી પહેલા જ રાજ્યમાં ફરીવાર અનામતનું ભૂત ધૂણવા માંડ્યું છે. રાજ્યમાં સવર્ણ સમાજે એક થઈને સરકાર પાસે કેટલીક માગ રજૂ કરી છે. આ માગ પૂરી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ગુજરાતમાં સવર્ણ મતદારો ખાસ કરીને ભાજપના મતદારો હોવાનો દાવો કરવામાં આવે છે. જો આ મતદારોમાં ફાંટા પડે તો આગામી ચૂંટણીમાં મતદાન પર અસર થઈ શકે છે. જો સવર્ણ સમાજના મત ભાજપમાંથી તૂટે તો રાજકીય ચિંત્ર બદલાઈ શકે તેવું નિષ્ણાંતોનું માનવું છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>વિધાનસભાની ચૂંટણી પહેલા જ જાગ્યું અનામતનું ભૂત</b></h2><p style="text-align: justify; ">ગુજરાતમાં સવર્ણ જ્ઞાતિઓ પૈકીની પાટીદાર, બ્રાહ્મણ, ક્ષત્રિય સહિતના સમાજોના અગ્રણીઓ ગાંધીનગરમાં એક થયા હતાં અને એક બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં કેટલીક માગ સરકાર સમક્ષ રજૂ કરાઈ હતી. આ બેઠકમાં જેટલા સવર્ણ સમાજ ભેગા થયા હતાં તેમાંથી મોટાભાગના સમાજના મત ભાજપ તરફી હોવાનું માનવામાં આવી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણી દિવસે દિવસે નજીક આવી રહી છે. જેના કારણે આ સમાજના નેતાઓ પોતાની માગ પૂરી કરવા સરકાર સામે બાંયો ચડાવી રહ્યા હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે. આ સવર્ણ સમાજમાંથી કેટલીક જ્ઞાતિઓ ભાજપથી વિમુખ થાય તો રાજકીય સ્થિતિ શું થાય તેની ચર્ચાઓ થઈ રહી છે. મતોની ટકાવારી અને જ્ઞાતિગત મતદાનની ટકાવારીમાં મોટો ઉલટફેર સર્જાય એમ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>કેટલાક સમાજ કોંગ્રેસથી વિમુખ થયા હતાં</b></h3><p style="text-align: justify; ">ગુજરાતમાં વર્ષ 2026માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને 51 ટકા અને કોંગ્રેસને 30 ટકા જેટલા વોટ મળ્યા હતાં. આ ચૂંટણીઓમાં ભાજપને 1.19 કરોડથી વધુ અને કોંગ્રેસને 53 લાખથી વધુ મત મળ્યા હતાં. એ જ રીતે લોકસભાની ચૂંટણીમાં ભાજપને 61 અને કોંગ્રેસને 31 ટકા મત મળ્યા હતાં. લોકસભામાં ભાજપને 1.78 કરોડ અને કોંગ્રેસને 90 લાખ જેટલા મત મળ્યા હતાં. વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો ભાજપને 52 અને કોંગ્રેસને 27 ટકા મત મળ્યા હતાં. ભાજપને કૂલ મળેલા મત 1.63 કરોડ અને કોંગ્રેસને 86 લાખ 83 હજાર મત મળ્યા હતાં. આ ચૂંટણીમાં ભાજપને ગુજરાતમાં મોટાભાગના સમાજના મત મળ્યા હતાં. આ દરમિયાન કેટલાક સમાજ કોંગ્રેસથી વિમુખ થયા હોવાનું સામે આવ્યું હતું.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>રાજકીય વિશ્લેષક શું કહે છે?</b></h2><p style="text-align: justify; ">આ અંગે રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવીએ કહ્યું હતું કે, અનામત એ ચૂંટણી ટાણે ધૂણતો એવો એક ભુવો છે કે જે ચોક્કસ ચૂંટણી સમયે ધૂણવા મંડે છે. અને એનું કારણ એ છે કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં એક જ સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. છેલ્લા ઘણા સમયથી અનામત નામનું પોટલું એક બંધ બોક્સમાં પડ્યું હતું, જે 2015 પછી પાછું એ બક્ષામાંથી બહાર આવ્યું છે 2015માં પાટીદાર આંદોલન થયું અને પછી એના જે છાંટા ઊડ્યા તો 2017નું પરિણામ આપણા સૌની સામે છે કે ભાજપ ભીંસમાં આવ્યું હતું. ભાજપ એટલે પાટીદાર અથવા તો સવર્ણ વર્ગ અને સવર્ણ વર્ગ એટલે ભાજપ. એ સવર્ણ વર્ગ જો ક્યાંક ને ક્યાંક નારાજ થાય તો ભાજપમાં એ આવડત પણ છે કે એમને ક્યાંકને ક્યાંક સાચવી લે અથવા એને કેવી રીતે ડેમેજ કંટ્રોલ કરવું એ પણ ભાજપને આવડે છે. હવેના પરિસ્થિતિમાં હું એવું નથી માનતો કે સવર્ણ વર્ગ નારાજ થાય અથવા અનામતને લઈને વળી પાછા ક્યાંક જો ઊભા થાય તો ભારતીય જનતા પાર્ટીને તકલીફ પડે એવા દિવસો હવે હું નથી જોઈ રહ્યો ગુજરાતમાં.</p><h2 style="text-align: justify; "><b>ભાજપનું શું કહેવું છે?</b></h2><p style="text-align: justify; ">ભાજપના પ્રવક્તા ડો અનિલ પટેલે કહ્યું હતું કે, ભાજપના ભારતીય જનતા પાર્ટીને હંમેશાં સર્વ સમાજનું સમર્થન મળે છે. ભાજપાનો મંત્ર સૌનો સાથ, સૌનો વિકાસ છે અને સામાજિક સશક્તિકરણમાં ભારતીય જનતા પાર્ટી માને છે. દેશના વડાપ્રધાન મોદીનો મંત્ર પણ દેશમાં GYAN એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીનું સશક્તિકરણ એ મૂળ મંત્ર છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશાં બંધારણને વરેલી છે અને સરકાર હંમેશાં બંધારણ પ્રમાણે જ નિર્ણય લેતી હોય છે અને બંધારણના આધારે કામ કરતી હોય છે.</p><h3 style="text-align: justify; "><b>ગુજરાતમાં જ્ઞાતિગત મતદારોની સ્થિતિ શું છે?</b></h3><p style="text-align: justify; ">હવે વાત કરીએ જ્ઞાતિ ગત મતદાનની પેટર્નની તો ગુજરાતમાં ભાજપ સાથે સવર્ણ માં આવતા બ્રાહ્મણ , પાટીદાર , લેઉવા , વણિક ક્ષત્રિય સમાજ પૈકીના 85 ટકા મતદારો ભાજપ સાથે રહે છે. તો ઓબીસી માથી નાના સમાજ , જેવા કે સઈ, સુથાર , પંચાલ , નાયક જેવી નાની જ્ઞાતિઓ કે જેના 15 ટકા જેટલા વોટ છે જેને ભાજપે કબજે કરી રાખી છે. તો બીજી તરફ ઠાકોર , કોળી , આહીર , ગઢવી, રબારી , ચૌધરી , નાડોદા , અને કારડીયા રાજપૂત જેવા સમજો છે જેમાં મતદાન માટે 2 ભાગ છે.. જેમાં ઘણા ભાજપ જોડે તો ઘણા કોંગ્રેસ જોડે રહે છે. હવે સ્થિતિ એ છે કે જો સવર્ણ સમાજ પૈકી માત્ર 4 થી 5 ટકા મતો ખસકે તો કદાચ સરકાર પર સંકટ આવે તેવી પણ સ્થિતિ થઈ શકે .. કારણ કે સવર્ણ સમાજના 25 ટકા મતો પૈકી 85 ટકા એટલે કે 18 થી 19 ટકા મતો ભાજપ પાસે છે.. જેમાં જો 4 થી 5 ટકાનો ફરક પડે તો ચોક્કસ ભાજપ માથે સંકટ ઊભું થઈ શકે અને સવર્ણ સમાજ નારાજ થાય તે ભાજપને કોઈ સંજોગોમાં પોસાય તેવી સ્થિતિ નથી</p><h2 style="text-align: justify; "><b>હવે જોવું રહ્યું ભાજપની શું રણનીતિ હશે?</b></h2><p style="text-align: justify; ">કોંગ્રેસ અનામત અને બિન અનામતને લઈને સરકાર પર હાવી થઈ ગઈ છે અને ગંભીર આક્ષેપો કરતાં કહે છે કે ભાજપે પહેલેથી જ તમામ સમાજ સાથે ઠગાઈ કરી છે. અનામત વર્ગ હોય કે બિન અનામત વર્ગ તમામ સમાજને રોજગાર મેળવવાનો અધિકાર છે કોઈપણ સમાજ હોય તેને ન્યાય મળવો જોઈએ વર્ષ 2017માં કોંગ્રેસે આર્થિક રીતે અનામત આપવા અંગે કહ્યું હતું પરંતુ ભાજપ કહી રહ્યું હતું કે કોઈપણ સંજોગોમાં અનામત ના મળી શકે પરંતુ આજ ભાજપની કેન્દ્ર સરકારે આર્થિક અનામત આપી છે ત્યારે ભાજપની સરકારમાં લોકો સાથે હંમેશા અન્યાય થયો છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી એટલે આંદોલન અને માગણીઓ શરૂ થઈ ગઈ છે. હવે ભાજપ આગામી સમયમાં પોતાની રણનીતિ શું રાખે છે એ જોવું રહ્યું.&nbsp;</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/explainer/news/india/monsoon-weakness-inflation-water-crisis-2026" target="_blank">આ પણ વાંચોઃ Explainer: શું નબળું ચોમાસું તમારી થાળી મોંઘી કરશે? ખેતી અને મોંઘવારીનું કનેક્શન સમજો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/31/85EuMdYt1pqcYe9EfkfcXl04w2wALM8x3ZW34plU.webp'/></item><item><title><![CDATA[Jamnagar News : તહેવારો ટાણે ફૂડ વિભાગનો સપાટો, 152 સ્થળોએ તપાસ, 353 કિલો વાસી ખોરાકનો કરાયો નાશ... ]]></title><link>https://sandesh.com/gujarat/news/jamnagar/jamnagar-news-food-department-raids-during-festivals-checks-at-152-places-353-kg-of-stale-food-destroyed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/jamnagar/jamnagar-news-food-department-raids-during-festivals-checks-at-152-places-353-kg-of-stale-food-destroyed</guid><pubDate>Tue, 01 Sep 2026 12:37:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આગામી તહેવારોની ઉજવણીને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકાનું આરોગ્ય અને ફૂડ વિભાગ સંપૂર્ણ રીતે સતર્ક થઈ ગયું છે. તહેવારો દરમિયાન લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ખીલવાડ ન થાય તે હેતુથી ફૂડ વિભાગ દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત શહેરની હોટલ, રેસ્ટોરન્ટ, ફરસાણની દુકાનો તેમજ લારી-ગલ્લા સહિત કુલ 152 જેટલી ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી પેઢીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>353 કિલો વાસી ખોરાક અને 147 કિલો પસ્તીનો સ્થળ પર નાશ કરાયો</b></h2><p style="text-align: justify; ">ફૂડ વિભાગની ટીમ દ્વારા કરવામાં આવેલી સઘન તપાસ દરમિયાન અનેક જગ્યાએથી ભારે બેદરકારી સામે આવી હતી. ચેકિંગ દરમિયાન અલગ-અલગ પેઢીઓમાંથી કુલ 353 કિલો જેટલો વાસી તથા અખાદ્ય ખોરાક અને નાસ્તો મળી આવ્યો હતો. આ ઉપરાંત, સ્વાસ્થ્ય માટે હાનિકારક એવી 147 કિલો પ્રિન્ટેડ પસ્તી (છાપાનો કાગળ) પણ જપ્ત કરવામાં આવી હતી. નાગરિકોના આરોગ્યને નુકસાન ન પહોંચે તે માટે ફૂડ વિભાગે આ તમામ અખાદ્ય ચીજવસ્તુઓ અને પસ્તીનો સ્થળ પર જ નાશ કરી દીધો હતો.</p><h2 style="text-align: justify; "><b>14 વેપારીઓને રૂ.22,500નો દંડ</b></h2><p style="text-align: justify; ">નિયમોનું ઉલ્લંઘન કરનારી અને ગંદકી કે અસ્વચ્છતા રાખનારી 14 જેટલી પેઢીઓ સામે કડક પગલાં ભરીને કુલ રૂ. 22,500નો રોકડ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. તહેવારોના દિવસોમાં જ ફૂડ વિભાગ દ્વારા આ પ્રકારે આક્રમક અને સઘન કાર્યવાહી કરવામાં આવતાં ભેળસેળિયા અને અસ્વચ્છતા રાખતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તહેવારો દરમિયાન ચેકિંગની આ કામગીરી સતત ચાલુ રહેશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/kheda/kheda-news-after-the-attack-on-a-hindu-youth-in-mahudha-the-system-is-in-chaos-dadas-bulldozer-turned-back-after-48-pressures" target="_blank">Kheda News : મહુધામાં હિન્દુ યુવક પર હુમલા બાદ તંત્ર લાલઘૂમ, 48 દબાણો પર ફરી વળ્યું ‘દાદાનું બુલડોઝર’</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/sJgmtFTX94TDWITnMZNz3Jcj7kVxKBqDrPQ2voBb.webp'/></item><item><title><![CDATA[India Footbal ટીમની જાહેરાત, 26 ખેલાડીઓની પસંદગી કરાઇ ]]></title><link>https://sandesh.com/sports/news/india-football-team-announced-26-players-selected</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india-football-team-announced-26-players-selected</guid><pubDate>Tue, 01 Sep 2026 09:31:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય ફૂટબોલ ટીમ માટે આગામી આંતરરાષ્ટ્રીય વિન્ડો ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાની છે. મુખ્ય કોચ ખાલિદ જમીલે 26 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. ભારતીય ટીમ આગામી દિવસોમાં પનામા, બ્રાઝિલ અને ઉરુગ્વે જેવી મજબૂત ટીમો સામે 3 આંતરરાષ્ટ્રીય મૈત્રી મેચ રમશે. ખાસ કરીને બ્રાઝિલ અને ઉરુગ્વે સામેની મેચ ભારતીય ખેલાડીઓ માટે પોતાની ક્ષમતા સાબિત કરવાની મોટી તક બની રહેશે.</p><h5 style="text-align: justify; "><b>ભારતીય ટીમ અભિયાનની શરૂઆત 26 સપ્ટેમ્બરે કરશે</b></h5><p style="text-align: justify; ">ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 26 સપ્ટેમ્બરે કરશે. બેંગલુરુના શ્રી કાંતિરવા સ્ટેડિયમમાં ભારતનો મુકાબલો પનામા સામે થશે. ત્યારબાદ ભારતીય ટીમ કોલકાતા જશે, જ્યાં 3 ઓક્ટોબરે 5 વખતની વિશ્વ ચેમ્પિયન બ્રાઝિલ અને 6 ઓક્ટોબરે 2 વખતની વિશ્વ ચેમ્પિયન ઉરુગ્વે સામે મેદાનમાં ઉતરશે.આ ત્રણેય ટીમો આ વર્ષે યોજાયેલા FIFA વિશ્વ કપમાં ભાગ લઈ ચૂકી છે. આવી સ્થિતિમાં ભારતીય ખેલાડીઓ માટે વિશ્વસ્તરીય ટીમો સામે રમવાનો અનુભવ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. મુખ્ય કોચ ખાલિદ જમીલ પણ આ મેચો દ્વારા ટીમની તાકાત અને નબળાઈઓ સમજવાનો પ્રયાસ કરશે.</p><h5 style="text-align: justify; "><b>14 સપ્ટેમ્બરથી રાષ્ટ્રીય શિબિર</b></h5><p style="text-align: justify; ">ભારતીય રાષ્ટ્રીય ટીમની શિબિર 14 સપ્ટેમ્બરથી બેંગલુરુમાં શરૂ થશે. પનામા સામેની મેચ બાદ ભારતીય ટીમ 28 સપ્ટેમ્બરે કોલકાતા માટે રવાના થશે. ત્યારબાદ માત્ર થોડા દિવસના અંતરે ભારત બ્રાઝિલ અને ઉરુગ્વે જેવી મજબૂત ટીમો સામે મેચ રમશે.આ ત્રણેય મુકાબલા ભારતીય ટીમ માટે એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે આગામી સમયમાં ટીમને અનેક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ નિભાવવાની છે. ખાસ કરીને બ્રાઝિલ અને ઉરુગ્વે સામે રમવાથી ભારતીય ખેલાડીઓને મોટા મંચ પર પોતાની રમતનું મૂલ્યાંકન કરવાની તક મળશે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/IndianFootball/status/2094461120929034687?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; "><br></p><h5 style="text-align: justify; "><b>ભારતની 26 સભ્યોની ટીમ</b></h5><p style="text-align: justify; ">ગોલકીપર:એલ્બિનો ગોમ્સ, ગુરપ્રીત સિંહ સંધુ, પ્રભસુખન સિંહ ગિલ અને સોમ કુમાર.</p><p style="text-align: justify; ">ડિફેન્ડર:અભિષેક સિંહ ટેકચામ, આકાશ મિશ્રા, અનવર અલી, બિજોય વર્ગીઝ, હમિંગથનમાવિયા રાલ્ટે, જય ગુપ્તા, પ્રમવીર અને રિકી મીતેઈ હાઓબામ.</p><p style="text-align: justify; ">મિડફિલ્ડર:અનિરુદ્ધ થાપા, આશિક કુરુનિયન, ફારુખ ચૌધરી, લાલેંગમાવિયા રાલ્ટે, મેકાર્ટન નિક્સન, મોહમ્મદ સનાન, રિકી શાબોંગ અને સહલ અબ્દુલ સમદ.</p><p style="text-align: justify; ">ફોરવર્ડ:એડમન્ડ લાલરિન્દિકા, ઇરફાન યાડવાડ, મનવીર સિંહ, રહીમ અલી, રેયાન વિલિયમ્સ અને વિક્રમ પ્રતાપ સિંહ.</p><h5 style="text-align: justify; "><b>ભારતનો સંપૂર્ણ કાર્યક્રમ</b></h5><p style="text-align: justify; ">26 સપ્ટેમ્બર:ભારત વિરુદ્ધ પનામા — શ્રી કાંતિરવા સ્ટેડિયમ,બેંગલુરુ</p><p style="text-align: justify; ">3 ઓક્ટોબર:ભારત વિરુદ્ધ બ્રાઝિલ — વિવેકાનંદ યુવા ભારતી ક્રીડાંગણ, કોલકાતા</p><p style="text-align: justify; ">6 ઓક્ટોબર:ભારત વિરુદ્ધ ઉરુગ્વે — વિવેકાનંદ યુવા ભારતી ક્રીડાંગણ, કોલકાતા</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/cricket/news/australia-a-squad-announced-for-the-india-a-series-two-players-of-indian-origin-included-in-the" target="_blank">Australia-A squad : ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયા A ટીમ જાહેર,ભારતીય મૂળના 2 ખેલાડીઓને મળ્યું સ્થાન</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/SPbBPwGbv7y83nxfQ8iZc8DhAECHb1obcZUy0Nan.webp'/></item></channel></rss>