<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Navsari: ઉનાઈમાં દહીંહાંડી ઉત્સવમાં મટકી સાથે દારૂની બોટલો લટકાવતાં વિવાદ, 3 ઈસમોની ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/navsari/unai-dahi-handi-liquor-bottles-controversy-vansda-police-arrest-three</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/navsari/unai-dahi-handi-liquor-bottles-controversy-vansda-police-arrest-three</guid><pubDate>Sun, 06 Sep 2026 22:47:43 +05:30</pubDate><description><![CDATA[<p>નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલા ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા ઉનાઈ ગામમાંથી આસ્થા સામે ગંભીર સવાલો ઉભા કરતી ઘટના સામે આવી છે. અહીં આયોજિત કૃષ્ણ જન્મોત્સવ અને દહીંહાંડી ઉત્સવ દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા દહીંહાંડીની મટકી સાથે દારૂની બોટલો લટકાવી દેવામાં આવી હતી.</p><h2><b>ઉનાઈમાં આસ્થા સામે ઉઠ્યા સવાલો</b></h2><p>આ ઘટનાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ભારે વિવાદ સર્જાયો હતો. પવિત્ર તહેવારના દિવસે દહીંહાંડી સાથે દારૂની બોટલો જોઈને હિન્દુ સમાજ અને ધાર્મિક સંગઠનોની લાગણી દુભાઈ હતી અને લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. દહીંહાંડી ઉત્સવમાં દારૂની બોટલો લટકાવી ધાર્મિક લાગણી દુભાવવાનો મામલો ગરમાતાં જ વાંસદા પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે ત્વરિત ઘટનાસ્થળની મુલાકાત લઈ તપાસ શરૂ કરી હતી અને આ કૃત્ય આચરનારાઓ સામે કાયદાનો સિકંજો કસ્યો હતો.</p><h3><b>દહીંહાંડી ઉત્સવમાં મટકી સાથે દારૂની બોટલો લટકાવતાં વિવાદ</b></h3><p>લોકપ્રિય અને પવિત્ર ઉત્સવમાં દારૂની બોટલોનો ઉપયોગ કરાતાં સ્થાનિકોમાં કડક સજાની માંગ.વાંસદા પોલીસે ધરપકડ કરાયેલા ૩ ઈસમો સામે દારૂબંધી અને ધાર્મિક લાગણી દુભાવવા અંગેની કલમો હેઠળ તપાસ હાથ ધરી. પોલીસે ઉત્સવો દરમિયાન ધાર્મિક મર્યાદા જાળવી રાખવા અને કોઈ પણ અફવાઓથી દૂર રહેવા સ્થાનિકોને અપીલ કરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/vadodara/pm-modi-vadodara-visit-police-security-arrangement-traffic-diversion" target="_blank">આ પણ વાંચો: Vadodara: PM મોદીના પ્રવાસને લઈને વડોદરામાં છાવણી જેવો કડક બંદોબસ્ત; 2,000 પોલીસ જવાનો રહેશે તૈનાત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/06/UR94KySmNI9Ns9tc1G1lPMrENtI1qnID12wqTELh.webp'/></item><item><title><![CDATA[Vadodara: PM મોદીના પ્રવાસને લઈને વડોદરામાં છાવણી જેવો કડક બંદોબસ્ત; 2,000 પોલીસ જવાનો રહેશે તૈનાત ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/pm-modi-vadodara-visit-police-security-arrangement-traffic-diversion</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/pm-modi-vadodara-visit-police-security-arrangement-traffic-diversion</guid><pubDate>Sun, 06 Sep 2026 22:08:17 +05:30</pubDate><description><![CDATA[<p>વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરા પ્રવાસને હવે ગણતરીનો સમય બાકી છે ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. વડોદરા પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં શહેરના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સુરક્ષા સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પીએમ મોદીના એરપોર્ટ આગમનથી લઈને કાર્યક્રમ સ્થળ પેવેલિયન સુધીના સમગ્ર રૂટ પર ચુસ્ત અને આકરો બંદોબસ્ત ગોઠવવાનો નિર્ણય લેવાયો છે.</p><h2><b>વડોદરા પૂર્વે પોલીસ છાવણીમાં ફેરવાયું</b></h2><p>પ્રધાનમંત્રીના કાફલાના રૂટ પર 2,000 થી વધુ પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવશે. સુરક્ષાની કમાન્ડ 11 DCP (ડિપ્યુટી કમિશનર ઓફ પોલીસ) અને 17 ACP (આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ) કક્ષાના અધિકારીઓ સાંભળશે. પીએમ મોદીના પ્રવાસ દરમિયાન સંસ્કારી નગરીના તમામ સંવેદનશીલ સ્થળો અને ઊંચી ઇમારતો પર પોલીસ દ્વારા ખાસ વોચ ગોઠવવામાં આવી છે. સમગ્ર રૂટ પર સીસીટીવી કેમેરા અને ડ્રોન સર્વેલન્સ દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવશે.</p><h3><b>એરપોર્ટથી પેવેલિયન સુધી કડક બંદોબસ્ત</b></h3><p>એરપોર્ટ રોડ, કાલાઘોડા, પેવેલિયન ગ્રાઉન્ડ સહિતના મુખ્ય જંકશનો પર રક્ષણ પૂરું પાડવા માટે ક્ષેત્રીય અધિકારીઓ ખડેપગે રહેશે.રૂટ પર આવતા તમામ સંવેદનશીલ પોઇન્ટ પર ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) અને એસઆરપી (SRP) ની ટુકડીઓ ગોઠવાશે. કાર્યક્રમ દરમિયાન સામાન્ય નાગરિકો અને વાહનચાલકોને કોઈ તકલીફ ન પડે તે માટે વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા વૈકલ્પિક માર્ગો અને ટ્રાફિક ડાયવર્ઝનનું નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/chandkheda-cbd-mall-kinjal-rabari-kidnapping-case-bns-complaint" target="_blank">આ પણ વાંચો:&nbsp; Ahmedabad: કિંજલ રબારીના પૂર્વ પતિ સાથે સિવિલ કોર્ટમાં છૂટાછેડાનો કેસ અને અગાઉ આંતરજ્ઞાતીય લગ્ન સમયના વિવાદો ફરી સપાટી પર</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/06/kznCSlFDzJlgpCUEH3V9wCAQla4V9gbD9l2DcWny.webp'/></item><item><title><![CDATA[Delhi Building Collapse:  દિલ્હી બિલ્ડિંગ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, ઈજાગ્રસ્તો માટે કરી પ્રાર્થના ]]></title><link>https://sandesh.com/india/news/delhi-building-collapse-pm-modi-expresses-grief-over-delhi-building-accident-prays-for-injured</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/delhi-building-collapse-pm-modi-expresses-grief-over-delhi-building-accident-prays-for-injured</guid><pubDate>Sun, 06 Sep 2026 21:55:57 +05:30</pubDate><description><![CDATA[<p>Delhi Building Collapse: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં ઈમારત ધરાશાયી થવાથી થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો અને આ ઘટનાને “દુઃખદ” ગણાવી હતી.</p><h2><b>પીએમઓએ X પર પોસ્ટ કરી</b></h2><p>“દિલ્હીના સત્ય નિકેતનમાં ઈમારત ધરાશાયી થવાની ઘટના દુઃખદ છે. પોતાના પ્રિયજનોને ગુમાવનારા લોકો પ્રત્યે મારી સંવેદના,” વડાપ્રધાન કાર્યાલયે X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું. PM મોદીએ કહ્યું કે ઘટનાસ્થળે રાહત અને બચાવ ટીમો અસરગ્રસ્ત લોકોને જરૂરી મદદ પહોંચાડી રહી છે. વડાપ્રધાને વધુમાં કહ્યું કે તેઓ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોના “ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના” કરી રહ્યા છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PMOIndia/status/2096602021982048765"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b style="font-size: 1.5rem;">3 લોકોનાં મોત, 40 વિદ્યાર્થીઓ ફસાયા હોવાની આશંકા</b></p><p>રવિવારે બપોરે દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં છોકરાઓના PG હોસ્ટેલની એક બહુ-માળી ઈમારત ધરાશાયી થતાં ઓછામાં ઓછા ત્રણ લોકોનાં મોત થયા હતા. જ્યારે આશરે 40 વિદ્યાર્થીઓ કાટમાળમાં ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2096600587936903480"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b style="font-size: 1.25rem;">11 લોકોને કાટમાળમાંથી બચાવાયા</b></p><p>દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું હતું કે 11 લોકોને કાટમાળમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. રેખા ગુપ્તા ઘાયલોની સ્થિતિ જાણવા હોસ્પિટલ પહોંચ્યા છે અને અધિકારીઓ પાસેથી સમગ્ર ઘટનાની માહિતી મેળવી છે. તેમણે કહ્યું કે, આ ઘટના માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/outcry-over-delhi-building-tragedy-cm-rekha-gupta-said-those-responsible-will-not-be-spared" target="_blank">આ પણ વાંચો: દિલ્હી ઈમારત દુર્ઘટનાથી હાહાકાર, CM રેખા ગુપ્તાએ કહ્યું, "જવાબદારોને બક્ષવામાં નહીં આવે"</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/06/cBQhD8SnsUH0TvcBFr0YMGD44S8hKi62GmaChYKq.webp'/></item><item><title><![CDATA[Delhi Building Collapse: દિલ્હી ઈમારત દુર્ઘટનાથી હાહાકાર, CM રેખા ગુપ્તાએ કહ્યું, "જવાબદારોને બક્ષવામાં નહીં આવે" ]]></title><link>https://sandesh.com/india/news/outcry-over-delhi-building-tragedy-cm-rekha-gupta-said-those-responsible-will-not-be-spared</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/outcry-over-delhi-building-tragedy-cm-rekha-gupta-said-those-responsible-will-not-be-spared</guid><pubDate>Sun, 06 Sep 2026 21:32:04 +05:30</pubDate><description><![CDATA[<p>Delhi Building Collapse: દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં ઈમારત ધરાશાયી થયા બાદ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. અત્યાર સુધી કાટમાળમાંથી 11 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, બચાવવામાં આવેલા લોકોમાંથી ત્રણનાં મોત થયા છે. આશંકા છે કે કેટલાક લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા હોઈ શકે છે. આ દરમિયાન મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે, આ ઘટનાના જવાબદારોને બક્ષવામાં આવશે નહીં.</p><h2><b>કાટમાળમાં ફસાયેલા લોકોને શોધવા કેમેરાનો ઉપયોગ</b></h2><p>સત્ય નિકેતન વિસ્તારમાં ઈમારત ધરાશાયી થયા બાદથી બચાવ કામગીરીમાં લાગેલી ટીમો અંદર ફસાયેલા લોકોને શોધવા માટે કેમેરાનો ઉપયોગ કરી રહી છે. અંદર ફસાયેલા લોકો સુધી ઓક્સિજન પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રાહત અને બચાવ કાર્યમાં સામેલ એજન્સીઓ તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. કાટમાળમાં 30થી વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2096600587936903480"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b style="font-size: 1.75rem;">CM રેખા ગુપ્તાએ ઘટનાસ્થળે સ્થિતિનો તાગ મેળવ્યો</b></p><p>દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ સત્ય નિકેતનમાં ઈમારત ધરાશાયી થવાની ઘટના બાદ સ્થિતિનો તાગ મેળવ્યો. તેમણે આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી. તેમણે કહ્યું કે સરકારની પ્રથમ પ્રાથમિકતા કાટમાળમાં ફસાયેલા લોકોના જીવ બચાવવાની છે. તમામ સંબંધિત એજન્સીઓ સતત બચાવ કામગીરીમાં જોડાયેલી છે અને ઘટનાસ્થળે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. CM રેખા ગુપ્તાએ કહ્યું કે બચાવવામાં આવેલા તમામ લોકોના સ્વાસ્થ્ય અંગે માહિતી લેવામાં આવી રહી છે.</p><h4><b>માલિક હોય કે અધિકારી, કોઈને બક્ષવામાં નહીં આવે</b></h4><p>આ દુર્ઘટનાનું કારણ જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, ઈમારત જૂની હતી અને તેમાં બાંધકામ તથા સમારકામનું કામ ચાલી રહ્યું હતું. તેમના જણાવ્યા અનુસાર, બેઝમેન્ટમાં ખોદકામનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન એક પિલર ખસી ગયો, જેના કારણે આખી ઈમારત ધરાશાયી થઈ ગઈ. તેમણે સ્પષ્ટ કહ્યું કે હાદસા માટે જે પણ જવાબદાર હશે, તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. રેખા ગુપ્તાએ ભારપૂર્વક કહ્યું કે કોઈને પણ બક્ષવામાં આવશે નહીં, પછી તે ઈમારતનો માલિક હોય કે કોઈ અધિકારી.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2096602893629735141"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b style="font-size: 1.25rem;">PG તરીકે ઉપયોગમાં લેવાઈ રહી હતી ઈમારત</b></p><p>મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર, ઈમારતનો ઉપયોગ પેઇંગ ગેસ્ટ (PG) તરીકે કરવામાં આવી રહ્યો હતો અને દુર્ઘટના સમયે અંદર યુવાનો હાજર હતા. હાલ વહીવટીતંત્રની પ્રાથમિકતા કાટમાળમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની છે. બચાવ ટીમો સાવચેતીપૂર્વક કાટમાળ હટાવીને અંદર ફસાયેલા લોકોને શોધી રહી છે. ઓક્સિજન સપ્લાય અને કેમેરાની મદદથી બચાવ કામગીરી આગળ વધારવામાં આવી રહી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2096610895732617250"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b style="font-size: 1rem;">ઘાયલોને મળવા હોસ્પિટલ પહોંચ્યા મુખ્યમંત્રી</b></p><p>બચાવવામાં આવેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. રેખા ગુપ્તા ઘાયલોની સ્થિતિ જાણવા હોસ્પિટલ પહોંચ્યા છે અને અધિકારીઓ પાસેથી સમગ્ર ઘટનાની માહિતી મેળવી છે. તેમણે કહ્યું કે બચાવ અને રાહત માટે સંસાધનોની કોઈ અછત નહીં રહે અને આ ઘટના માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/delhi-building-collapse-rescue-operation-intensifies-after-building-collapse-in-satya-niketan-amit-shah-cancels-goa-program" target="_blank">આ પણ વાંચો: સત્ય નિકેતનમાં બિલ્ડિંગ ધરાશાયી બાદ રેસ્ક્યૂ ઓપરેશન તેજ, અમિત શાહે રદ કર્યો ગોવાનો કાર્યક્રમ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/06/wUvmA2a3En9bymsADxxXa4EovC7RDg7FmV23UiwU.webp'/></item><item><title><![CDATA[Gir Somnath: સોમનાથ મહાદેવનો 1.25 લાખ બિલ્વપત્રોથી દિવ્ય શૃંગાર; હજારો ભક્તોએ લીધો દર્શનનો લાભ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gir-somnath/somnath-mahadev-1-25-lakh-bilvapatra-divine-shringar-shravan-month</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gir-somnath/somnath-mahadev-1-25-lakh-bilvapatra-divine-shringar-shravan-month</guid><pubDate>Sun, 06 Sep 2026 20:38:41 +05:30</pubDate><description><![CDATA[<p>પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં નિત નવા દિવ્ય મનોરથો અને શૃંગારનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત શ્રાવણ શુક્લ દશમીના પાવન અવસરે સોમનાથ મહાદેવના સ્વયંભૂ જ્યોતિર્લિંગ પર 1.25 લાખથી વધુ પવિત્ર અને લીલાછમ બિલ્વપત્રોનો વિશેષ અલૌકિક શૃંગાર કરવામાં આવ્યો હતો.</p><h2><b>સોમનાથમાં ભક્તિનો મહાસાગર</b></h2><p>શાસ્ત્રોમાં શિવપૂજનમાં બિલ્વપત્રનું અનન્ય મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે. ત્યારે એક લાખ પચીસ હજારથી વધુ બિલ્વપત્રોથી સજાવેલા મહાદેવના આ દિવ્ય રૂપના દર્શન કરીને પરિસરમાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓ ભાવવિભોર બની ગયા હતા. મહા પૂજા અને શૃંગાર આરતી સમયે મંદિરનું વાતાવરણ અત્યંત મંત્રમુગ્ધ કરી દે તેવું બની ગયું હતું. દેશ-વિદેશથી આવેલા હજારો શ્રદ્ધાળુઓએ સોમનાથ દાદાના આ અદ્વિતીય શૃંગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.</p><h3><b>જય સોમનાથ'ના નાદથી ગુંજી ઉઠ્યું પ્રથમ જ્યોતિર્લિંગ</b></h3><p>શિવજીને પ્રિય એવા ત્રિદલ બિલ્વપત્રોને પૂજારીઓ દ્વારા મંત્રોચ્ચાર સાથે જ્યોતિર્લિંગ પર અર્પિત કરી આકર્ષક શણગાર રચવામાં આવ્યો હતો. શ્રાવણ માસના પવિત્ર દિવસો હોવાથી સવારથી જ મંદિર પરિસરમાં દર્શનાર્થીઓની લાંબી લાઈનો જોવા મળી હતી. સાંજના સમયે વિશેષ મહાઆરતી યોજાઈ હતી, જેમાં ડમરૂ, શંખનાદ અને ઢોલ-નગારાના તાલ સાથે સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/jetpur/janmashtami-lok-mela-mla-jayesh-radadiya-enjoys-rides-gifts-toy" target="_blank">આ પણ વાંચો: Jetpur: ધારાસભ્ય જયેશ રાદડિયા રાઇડ્સમાં બેઠા અને બાળકીને રમકડું ભેટ આપ્યું</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/06/7eObW6yTLmNt1fQJxCpgWMBXMo8RJ40a58IeOHvj.webp'/></item><item><title><![CDATA[Ahmedabadમાં કિંજલ રબારી કથિત અપહરણ કાંડમાં નવો વળાંક, માલધારી એકતા સમિતિનું મોટું નિવેદન ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-kinjal-rabari-kidnapping-case-maldhari-samiti</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-kinjal-rabari-kidnapping-case-maldhari-samiti</guid><pubDate>Sun, 06 Sep 2026 20:35:26 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદમાં ચર્ચિત કિંજલ રબારીના કથિત અપહરણ કાંડમાં હવે માલધારી એકતા સમિતિ સામે આવી છે. સમગ્ર વિવાદ અને સમાજમાં ઊભા થયેલા ઘર્ષણના વાતાવરણ વચ્ચે માલધારી એકતા સમિતિએ આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. સમિતિ દ્વારા આ વિવાદિત ઘટનાથી સમાજના લોકોને દૂર રહેવા અને શાંતિ જાળવી રાખવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>માલધારી એકતા સમિતિનું મોટું નિવેદન</b></h2><p style="text-align: justify; ">માલધારી એકતા સમિતિના અધ્યક્ષ નાગજીભાઈ દેસાઈએ એક જાહેર સંદેશ પાઠવીને સમાજના યુવાનોને આ મુદ્દે કોઈ પણ પ્રકારની લાગણીમાં કે આવેશમાં ન આવવા માટે ભારપૂર્વક અપીલ કરી છે. તેની સાથે જ તેમણે સમાજના વરિષ્ઠ અને જવાબદાર આગેવાનોને પણ આ વિવાદથી દૂર રહેવા અને સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમોથી કોઈ પણ ભડકાઉ કે અયોગ્ય નિવેદનો ન આપવા વિનંતી કરી છે, જેથી સામાજિક સૌહાર્દ જળવાઈ રહે.</p><h3 style="text-align: justify; "><b>પ્રતિક્રિયા આપતાં લગ્ન સંબંધ અંગે કરી ટકોર</b></h3><p style="text-align: justify; ">આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં અધ્યક્ષ નાગજીભાઈ દેસાઈએ લગ્ન સંબંધો અને કૌટુમ્બિક મૂલ્યો અંગે પણ કડક ટકોર કરી હતી. તેમણે માર્મિક શબ્દોમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, 'જે પોતાના લોહીનું ન થાય, એ કોઈનું ન થઈ શકે.' માલધારી એકતા સમિતિની આ અપીલ બાદ સમાજમાં ચાલી રહેલી ચર્ચાઓ અને વિવાદો શાંત પડે છે કે કેમ તે તરફ સૌની નજર મંડાયેલી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/06/zRynOVkdKPTzgZJ6l7ZkzlChEH49gB6AwAP65MWI.webp'/></item><item><title><![CDATA[Ola, Uber અને Delivery Boy માટે બદલાશે નિયમો, કંપનીઓ પર વધશે નાણાકીય બોજ ]]></title><link>https://sandesh.com/business/news/india/rules-will-change-for-ola-uber-and-delivery-boy-financial-burden-on-companies-will-increase</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/rules-will-change-for-ola-uber-and-delivery-boy-financial-burden-on-companies-will-increase</guid><pubDate>Sun, 06 Sep 2026 19:48:46 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">કેબ, ઓટો અને બાઇક જેવી રાઇડ-હેલિંગ સેવાઓ પર ખાસ કરીને ચુકવણી-આધારિત સિસ્ટમનો બોજ પડવાની શક્યતા છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">સામાજિક સુરક્ષા ભંડોળમાં ફાળો</h2><p style="text-align: justify; ">સામાજિક સુરક્ષા સંહિતા, 2020 હેઠળ, એગ્રીગેટર કંપનીઓએ ગિગ અને પ્લેટફોર્મ કામદારો માટે સ્થાપિત સામાજિક સુરક્ષા ભંડોળમાં ફાળો આપવો જરૂરી છે. આ યોગદાન નક્કી કરવા માટેની ફોર્મ્યુલા હાલમાં વિચારણા હેઠળ છે. સરકાર એ વિચારી રહી છે કે એગ્રીગેટર કંપનીઓ પાસેથી યોગદાન તેમના વાર્ષિક ટર્નઓવરના આધારે વસૂલવામાં આવે કે કામદારોને કરવામાં આવતી ચુકવણીના આધારે. બંને અભિગમોની વિવિધ વ્યવસાયો પર અલગ અલગ અસર પડી શકે છે.</p><h3 style="text-align: justify; ">બે અભિગમો પર વિચારણા&nbsp;</h3><p style="text-align: justify; ">વિશ્લેષકો અને ઉદ્યોગ સૂત્રોના જણાવ્યા મુજબ, શ્રમ અને રોજગાર મંત્રાલય પ્રતિ-વ્યવહાર અથવા પ્રતિ-કામદાર ચુકવણી પ્રણાલીના આધારે સામાજિક સુરક્ષા યોગદાનને પ્રમાણિત કરવાનું વિચારી રહ્યું છે. બીજો વિકલ્પ કંપનીઓના વાર્ષિક ટર્નઓવર પર યોગદાનને આધાર બનાવવાનો છે. વિશ્લેષકો અને ઉદ્યોગ સૂત્રોના જણાવ્યા મુજબ, પ્રતિ-વ્યવહાર અથવા પ્રતિ-કામદાર ચુકવણી મોડેલ એવા વ્યવસાયો પર વધુ નાણાકીય બોજ લાદી શકે છે જેમના વ્યવહારોની સંખ્યા વધુ હોય પરંતુ પ્રતિ-વ્યવહાર મૂલ્ય ઓછું હોય. બંને સિસ્ટમોની અસર વિવિધ પ્લેટફોર્મના વ્યવસાય મોડેલને કારણે અલગ અલગ હોઈ શકે છે.</p><h4 style="text-align: justify; ">શું છે સામાજિક સુરક્ષા કાયદો ?</h4><p style="text-align: justify; ">સામાજિક સુરક્ષા સંહિતા, 2020 હેઠળ, એગ્રીગેટર કંપનીઓ માટે ગિગ અને પ્લેટફોર્મ કામદારો માટે સામાજિક સુરક્ષા ભંડોળમાં યોગદાન આપવું ફરજિયાત છે. નિયમો અનુસાર, એક ગિગ કાર્યકર નાણાકીય વર્ષમાં 90 દિવસ એક જ એગ્રીગેટર સાથે અથવા બહુવિધ એગ્રીગેટર કંપનીઓ સાથે કુલ 120 દિવસ કામ કર્યા પછી આ યોજના હેઠળ લાભો માટે પાત્ર બને છે. એગ્રીગેટર કંપનીઓએ તેમના વાર્ષિક યોગદાનની ગણતરી કરવી અને તેને વાર્ષિક ધોરણે જમા કરાવવી જરૂરી છે. આ યોગદાનની ગણતરી માટે હવે તકનીકી માળખા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.</p><h5 style="text-align: justify; ">ટર્નઓવરના 1 થી 2%, ચુકવણી પર 5% સુધીનું યોગદાન</h5><p style="text-align: justify; ">કોડની કલમ 114(4) હેઠળ, એગ્રીગેટર્સે તેમના વાર્ષિક ટર્નઓવરના 1 થી 2% યોગદાન આપવું જરૂરી છે. જો કે, આ રકમ ગિગ અને પ્લેટફોર્મ કામદારોને કરવામાં આવતી કુલ ચુકવણીના 5% થી વધુ ન હોઈ શકે. વિકલ્પ તરીકે, મંત્રાલય કામદારોને સીધી ચૂકવણી પર આધારિત ફોર્મ્યુલા પર પણ વિચાર કરી રહ્યું છે, જ્યાં ચુકવણીના 5% સુધીનું યોગદાન લઈ શકાય છે. વિશ્લેષકો માને છે કે આવી ચુકવણી-આધારિત સિસ્ટમ રાઇડ-હેલિંગ, એટલે કે, કેબ, ઓટો અને બાઇક સેવાઓ જેવા ઉચ્ચ વ્યવહાર વ્યવસાયો માટે ખૂબ જ બોજારૂપ બની શકે છે.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/knowledge/news/world/un-world-new-map-why-is-the-uns-new-world-map-in-the-news-africa-is-14-times-bigger-than-greenland" target="_blank"> શા માટે ચર્ચામાં છે UNનો નવો 'વર્લ્ડ મેપ'?, ગ્રીનલેન્ડ કરતાં 14 ગણો મોટુ છે આફ્રિકા!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/06/3HXIvHkdgChGsIfQVrFpfCysGZl50QebDbvpAYys.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: કૃષ્ણનગર 50 લાખની લૂંટનો મુખ્ય આરોપી અજૂબા પકડાયો; 47 ગુનાનો ભોપાળો બહાર આવ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/krishnanagar-50-lakh-robbery-main-accused-ajuba-arrested-from-sanand</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/krishnanagar-50-lakh-robbery-main-accused-ajuba-arrested-from-sanand</guid><pubDate>Sun, 06 Sep 2026 19:17:14 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં ગત 27 જૂનના રોજ વિજયપાર્કના મારૂતી પ્લાઝા પાસેથી પસાર થઈ રહેલા એક વેપારીની કારને ટાર્ગેટ કરવામાં આવી હતી. આરોપીઓએ પોતાની ગાડી ઈરાદાપૂર્વક વેપારીની કાર સાથે અથડાવીને અકસ્માત સર્જ્યો હતો. ત્યારબાદ અકસ્માત અંગે ઝઘડો કરી તક મળતાં જ કારનો કાચ તોડી અંદર રાખેલા રૂ. 50 લાખ રોકડા લૂંટીને ફરાર થઈ ગયા હતા.</p><h2><b>અમદાવાદ પોલીસનું મોટું ઓપરેશન</b></h2><p>આ ચકચારી લૂંટ કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરીને અગાઉ મુખ્ય આરોપી અજયની પત્ની દિવ્યાની ધરપકડ કરી તેની પાસેથી લૂંટના ૨૫ લાખ રૂપિયા અને અન્ય આરોપી વિશાલ ઉર્ફે ભાઉ પાસેથી 5 લાખ રૂપિયા રિકવર કર્યા હતા.લૂંટની ઘટના બાદ મુખ્ય આરોપી અજય ઉર્ફે અજૂબા પોલીસથી બચવા માટે સતત પોતાના ઠેકાણા બદલતો હતો. તે પાવાગઢ, રાજસ્થાન, દિલ્હી અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં છુપાતો ફરતો હતો. પોલીસ પકડથી દૂર રહેવા માટે તે મોબાઇલ ફોનનો ઉપયોગ પણ કરતો ન હતો. જોકે, ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીના આધારે પોલીસે તેને સાણંદથી દબોચી લીધો છે.</p><h3><b>કૃષ્ણનગરમાં 50 લાખની લૂંટનો મુખ્ય માસ્ટરમાઇન્ડ ઝડપાયો</b></h3><p>મુખ્ય આરોપી અજૂબા પકડાતાં પોલીસે તેની પાસેથી વધુ 15 લાખ રૂપિયા રિકવર કર્યા છે, જે સાથે 50 લાખમાંથી 45 લાખ રૂપિયા પોલીસ કબ્જે કરી ચૂકી છે.પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે કે અજૂબા વર્ષ 2020 થી લૂંટ અને ચોરીની પ્રવૃત્તિઓમાં સક્રિય હતો. વિવિધ પોલીસ સ્ટેશનોમાં તેની સામે 47 જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે.પોલીસે અજૂબાની ધરપકડ કરી વધુ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે, જ્યારે આ લૂંટના ગુનામાં સંડોવાયેલા અન્ય ફરાર સાગરીતોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dwarka/dwarka-jagat-mandir-viral-video-case-surat-youth-rahul-vastapara-arrested" target="_blank">આ પણ વાંચો: Dwarka: દ્વારકા પોલીસે જાહેરનામાના ભંગ બદલ નોંધ્યો ગુનો, ન્યૂઝીલેન્ડથી આવેલા અને સુરતમાં રહેતા રાહુલ વસતાપરાની અટકાયત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/06/R52rKAgUrdwvDPkeLFc0qDNhMEsxo3zXLfkdxhC3.webp'/></item><item><title><![CDATA[જાસ્મિન-અલી ગોનીના સંબંધમાં પડી તિરાડ! અભિનેત્રીએ કર્યો ખુલાસો ]]></title><link>https://sandesh.com/entertainment/news/jasmin-bhasin-denies-breakup-rumours-with-aly-goni-over-tattoo-post</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/jasmin-bhasin-denies-breakup-rumours-with-aly-goni-over-tattoo-post</guid><pubDate>Sun, 06 Sep 2026 18:29:47 +05:30</pubDate><description><![CDATA[<p>ટીવી અભિનેત્રી જાસ્મીન ભસીને અભિનેતા એલી ગોની સાથેના બ્રેકઅપ અંગેની અફવાઓનો જવાબ આપ્યો છે. આ અફવાઓ તેણીએ તેના પહેલા ટેટૂ વિશે એક ભાવનાત્મક પોસ્ટ શેર કર્યા પછી શરૂ થઈ હતી, જેનાથી ચાહકો અને સોશિયલ મીડિયા યૂઝર્સમાં અટકળો શરૂ થઈ હતી. અભિનેત્રીએ તાજેતરમાં "I AM Enough" લખેલું ટેટૂ કરાવવા અંગે એક રહસ્યમય નોંધ શેર કરી હતી, પરંતુ પછીથી તેણે પોસ્ટ કાઢી નાખી.</p><p><br></p><p>એલી ગોની સાથે બ્રેકઅપની અફવાઓને સંબોધતા,જાસ્મીને હવે બીજી નોંધ શેર કરી છે. તે ભાવનાત્મક પોસ્ટ પછી સોશિયલ મીડિયા પર અટકળો ઉભી થઈ હતી જે જાસ્મીન અને એલીના સંબંધોમાં તિરાડ હોવાનું સૂચવે છે. જો કે, જાસ્મીને હવે આ અટકળોને સંબોધિત કરી છે અને સ્પષ્ટતા કરી છે કે તેની પોસ્ટ તેના સંબંધ વિશે નથી.</p><p><img alt="jasmine " src="https://epapercdn.sandesh.com/images/2026/09/06/erFBNH8Zi4itCAltj9vzrZqUuYwsoxAW23jnsHHm.webp"><br></p><p>રવિવાર, 6 સપ્ટેમ્બર, 2026 ના રોજ, જાસ્મીન ભસીને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર બ્રેકઅપની અફવાઓનું ખંડન કર્યું અને લોકોને વિનંતી કરી કે દરેક વ્યક્તિગત પોસ્ટને તેના સંબંધ વિશે છુપાયેલા સંદેશ તરીકે અર્થઘટન ન કરો. તેણે લખ્યું, "આશ્ચર્યજનક છે કે મીડિયા પોસ્ટને કેવી રીતે ટ્વિસ્ટ કરે છે અને વ્યૂઝ અને અટેન્શન મેળવવા માટે કપલના ફોટાનો ઉપયોગ કરે છે, ફક્ત વધુ લોકોને જોવા માટે. શાંત રહો, મિત્રો."</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/SunshineMusee/status/2096266862359404759"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><br></p><p>તે વાયરલ પોસ્ટમાં, જાસ્મિનએ પોતાના પ્રેમ અને પોતાની જાતને પસંદ કરવાની પોતાની સફર વિશે વાત કરી. તેણે વર્ણવ્યું કે કેવી રીતે વર્ષોથી તે એવી વ્યક્તિ બનવાનો પ્રયાસ કરતી હતી જેને લોકો સરળતાથી પ્રેમ કરી શકે. તેણે લખ્યું કે પ્રેમ, સ્વીકૃતિ અને પોતાનાપણાની ભાવનાની શોધમાં તે સતત નાના બોક્સમાં ફિટ થવા માટે પોતાને બદલવા, સંકોચવા અને સમાયોજિત કરવાનો પ્રયાસ કરતી હતી.</p><p><br></p><p>અભિનેત્રીએ એ પણ સ્વીકાર્યું કે, આ સફરમાં ક્યાંક, તેણે સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ ગુમાવી દીધી હતી: તેણે જણાવ્યું કે તે હવે પહેલા જેવી નચિંત, ખુશખુશાલ, સકારાત્મક છોકરી નથી રહી, કારણ કે તેણી સતત બીજાઓ માટે યોગ્ય બનવાનો પ્રયાસ કરતી હતી જ્યારે ભૂલી ગઈ હતી કે તે પોતાના માટે Enough છે.</p><p><br></p><p>જાસ્મિન અને અલી, જે એક સમયે સારા મિત્રો હતા, તેમણે 2020 માં બિગ બોસ 14 માં ભાગ લેતી વખતે એકબીજા પ્રત્યેના પ્રેમની કબૂલાત કરી હતી. ત્યારથી આ દંપતી સાથે છે, દરેક ખુશીની ક્ષણને સાથે સાથે ઉજવે છે. તાજેતરમાં, જાસ્મિન ભસીનને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો; દુબઈમાં તેનો 36મો જન્મદિવસ ઉજવતી વખતે તે બીમાર પડી ગઈ હતી અને ત્યારબાદ ટર્મિનલ ઇલાઇટિસનું નિદાન થયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જાસ્મિન તાજેતરમાં આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરને મળી હતી અને તેમની સાથેના ઘણા ફોટા શેર કર્યા હતા. તેણે પોતાની પોસ્ટમાં ઉલ્લેખ કર્યો હતો કે તે થોડા સમયથી પરેશાન હતી પરંતુ ગુરુદેવને મળ્યા પછી શાંતિ અનુભવી રહી છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/world/news/china-tropical-cyclone-saudel-landslide-east-china-2-dead-10-missing" target="_blank"><b>Nepal બાદ ચીનમાં ભૂસ્ખલન, બે લોકોના મોત અને 10 ગુમ</b></a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/06/VsF24Hvj1f4FhzECLizMySS6lBn7O85rMcTizAa5.webp'/></item><item><title><![CDATA[China Masters 2026 Badminton : સાત્વિક-ચિરાગની ધમાકેદાર એન્ટ્રી, ચાઇના માસ્ટર્સની ફાઇનલમાં પહોંચ્યા ]]></title><link>https://sandesh.com/sports/news/satwik-chirag-enter-china-masters-2026-final-after-beating-malaysia-pair</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/satwik-chirag-enter-china-masters-2026-final-after-beating-malaysia-pair</guid><pubDate>Sun, 06 Sep 2026 09:04:07 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતની અનુભવી બેડમિન્ટન જોડી સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ચાઇના માસ્ટર્સ 2026ની ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરી લીધું છે. શનિવારે રમાયેલી સેમિફાઇનલમાં ભારતીય જોડીએ મલેશિયાની જોડીને 21-16, 18-21, 21-11થી હરાવીને ખિતાબી મુકાબલામાં પ્રવેશ કર્યો હતો. આ મેચ લગભગ 1 કલાક અને 6 મિનિટ સુધી ચાલી હતી.હવે ફાઇનલમાં સાત્વિક અને ચિરાગનો સામનો ચીનની ઘરઆંગણાની જોડી સામે થશે. ભારતીય જોડી છેલ્લા 4 વર્ષમાં ત્રીજી વખત આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે. જોકે, તેઓ અત્યાર સુધી એક પણ વખત ચાઇના માસ્ટર્સનો ખિતાબ જીતી શક્યા નથી. તેથી આ વખતે ભારતીય ચાહકોને સાત્વિક-ચિરાગ પાસેથી પ્રથમ વખત ચેમ્પિયન બનવાની મોટી આશા છે.</p><h5 style="text-align: justify; "><b>મલેશિયાની જોડી સામે ફરી ભારતનો દબદબો</b></h5><p style="text-align: justify; ">વિશ્વ રેન્કિંગમાં 5મા ક્રમે રહેલી સાત્વિક-ચિરાગની ભારતીય જોડીએ સેમિફાઇનલમાં શાનદાર રમત બતાવી હતી. બીજા સેટમાં થોડો પડકાર મળ્યા બાદ ભારતીય ખેલાડીઓએ નિર્ણાયક ત્રીજા સેટમાં જોરદાર વાપસી કરી હતી.મલેશિયાની 29મા ક્રમાંકની જોડી સામે સાત્વિક અને ચિરાગનો રેકોર્ડ પહેલેથી જ સારો હતો. આ મેચ પહેલાં બંને જોડીઓ વચ્ચે 2 મુકાબલા રમાયા હતા અને બંનેમાં ભારતીય જોડીનો વિજય થયો હતો. સાત્વિક-ચિરાગે 2024 થાઇલેન્ડ ઓપન અને 2025 મલેશિયા ઓપનમાં પણ આ જોડી સામે જીત મેળવી હતી.ભારતીય જોડી 2023 અને 2025માં પણ ચાઇના માસ્ટર્સની રનર-અપ રહી ચૂકી છે. એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી આ જોડી હવે ત્રીજી વખત ફાઇનલમાં પહોંચી છે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/ani_digital/status/2096259001201885563?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h5 style="text-align: justify; "><b>શરૂઆતમાં 0-5થી પાછળ હતા</b></h5><p style="text-align: justify; ">સેમિફાઇનલની શરૂઆત ભારતીય જોડી માટે સારી રહી નહોતી. ચોથી ક્રમાંકિત સાત્વિક અને ચિરાગ એક સમયે 0-5થી પાછળ ચાલી રહ્યા હતા. જોકે બંને ખેલાડીઓએ જોરદાર વાપસી કરતાં સતત 7 પોઇન્ટ મેળવી લીધા હતા.મેચ દરમિયાન 34 શોટની લાંબી રેલી પણ જોવા મળી હતી. આ રેલી બાદ ભારતે 7-5ની સરસાઈ મેળવી હતી. મલેશિયાના ખેલાડી નૂરની કેટલીક ભૂલોનો ફાયદો ઉઠાવીને ભારતીય જોડી 10-6થી આગળ થઈ હતી. જોકે ત્યારબાદ સાત્વિક અને ચિરાગ તરફથી પણ કેટલીક ભૂલો થઈ હતી. તેમ છતાં ભારતીય જોડી બ્રેક સમયે 11-9થી આગળ હતી.</p><h5 style="text-align: justify; "><b>નિર્ણાયક સેટમાં ભારતીય ખેલાડીઓનો દબદબો</b></h5><p style="text-align: justify; ">બીજા સેટમાં મલેશિયાની જોડીએ 21-18થી જીત મેળવીને મેચને નિર્ણાયક ત્રીજા સેટમાં પહોંચાડી હતી.જોકે ત્રીજા સેટમાં સાત્વિક અને ચિરાગે શરૂઆતથી જ મજબૂત રમત બતાવી હતી.ભારતીય જોડીએ લાંબા શોટ્સ પર પોતાની પકડ જાળવી રાખી અને બ્રેક સુધી 11-4ની મોટી સરસાઈ મેળવી લીધી હતી. ત્યારબાદ સાત્વિકે જોરદાર સ્મેશ ફટકારીને ભારતની સરસાઈ 13-6 કરી હતી.મેચ આગળ વધતાં મલેશિયાના ખેલાડીઓ પર થાક સ્પષ્ટ દેખાવા લાગ્યો હતો. ભારતીય જોડીએ તેનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને મેચ પર પોતાની પકડ વધુ મજબૂત કરી. ચિરાગના એક સચોટ શોટ બાદ ભારત મેચ જીતવાની નજીક પહોંચી ગયું હતું.મલેશિયાના ખેલાડી ટૈને શરૂઆતના 2 મેચ પોઇન્ટ બચાવ્યા હતા, પરંતુ ત્યારબાદ ચિરાગે સચોટ સર્વ કરીને મહત્વનો પોઇન્ટ મેળવ્યો અને ભારતની જીત પર મહોર મારી હતી.હવે સાત્વિક-ચિરાગની નજર ચાઇના માસ્ટર્સની ટ્રોફી પર છે. અગાઉ 2 વખત ફાઇનલમાં પહોંચ્યા બાદ ખિતાબથી વંચિત રહેલી ભારતીય જોડી આ વખતે ચીનની ઘરઆંગણાની જોડી સામે પ્રથમ ચાઇના માસ્ટર્સ ટ્રોફી જીતવા માટે કોર્ટ પર ઉતરશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો<a href="https://sandesh.com/sports/news/us-open-2026-aryna-sabalenka-stops-play-after-smelling-marijuana-during-match--complains-to-umpire" target="_blank"> - US Open 2026: ના વરસાદ, ના કોઈ ટેકનિકલ ખામી, સ્ટેડિયમમાં ગાંજાની ગંધ અને રોકાઈ રમત..</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/06/AhbIusQIZ09BJVatoI8b1zMTDEo9dtsbr3FXqYET.webp'/></item></channel></rss>