<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Delhi Jantar Mantar Protest: સાદા કપડામાં અમારા જવાનો જ હતા, સુપ્રીમ કોર્ટમાં દિલ્હી પોલીસનું સોગંધનામુ ]]></title><link>https://sandesh.com/india/news/delhi-jantar-mantar-protest-only-our-jawans-were-in-plain-clothes-delhi-polices-affidavit-in-the-supreme-court</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/delhi-jantar-mantar-protest-only-our-jawans-were-in-plain-clothes-delhi-polices-affidavit-in-the-supreme-court</guid><pubDate>Tue, 18 Aug 2026 14:08:47 +05:30</pubDate><description><![CDATA[<p>દિલ્હી કોકરોચ જનતા પાર્ટી દ્વારા જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. જે દરમિયાન વિદ્યાર્થીઓ સાથે થયેલી અથડામણના વીડિયો સામે આવ્યા હતા. જેમાં સાદા કપડામાં હાજર લોકો દ્વારા કાર્યવાહી કરવાને લઇને દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટમાં આ ઘટનાના એક મહિના બાદ સોંગધનામુ દાખલ કર્યું છે.</p><h2><b>સાદા કપડામાં જવાનો તૈનાત કરાયા- સચિન શર્મા&nbsp;</b></h2><p>જેમાં જણાવ્યા મુજબ સાદા ડ્રેસમાં જેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હતી તેઓ જવાનો જ હતા.&nbsp; સોગંદનામામાં દિલ્હી પોલીસના ડેપ્યુટી કમિશનર સચિન શર્માએ જણાવ્યું હતું કે તેઓએ જાણી જોઈને ભીડમાં સાદા કપડામાં કર્મચારીઓને તૈનાત કર્યા હતા. પોલીસે દાવો કર્યો છે કે આ એક વ્યૂહાત્મક પગલાના ભાગ રૂપે કરવામાં આવ્યું હતું, નોંધ્યું હતું કે સ્પેશિયલ બ્રાન્ચ અને ક્રાઈમ બ્રાન્ચના કર્મચારીઓને પ્રદર્શનકારીઓમાં તૈનાત કરવામાં આવ્યા હતા.</p><p>લાઈવલો અનુસાર દિલ્હી પોલીસે આ કાર્યવાહીનો બચાવ કર્યો છે, અને કહ્યું છે કે આવી યુક્તિઓનો ઉપયોગ અગાઉ ભીડને નિયંત્રિત કરવા માટે કરવામાં આવ્યો છે અને તે અસામાન્ય નથી. પોલીસે ખિલ્લી વાળી લાકડીના&nbsp; ઉપયોગ અંગેના મુદ્દાને પણ સ્પષ્ટ કર્યો. તેમણે જણાવ્યું હતું કે આવી લાકડીનો ઉપયોગ ફક્ત એક જ જગ્યાએ જોવા મળ્યો હતો અને વાસ્તવમાં તે એક પ્રદર્શનકારીના હાથમાં હતી. શક્ય છે કે તેઓ તેને પર ઝંડો લગાવીને લાવ્યા હોય.&nbsp;&nbsp;</p><h3><b>'ભીડને કાબૂમા કરવા લાઠીચાર્જ કરવો અયોગ્ય નહી'</b></h3><p>વિરોધ દરમિયાન સાદા કપડા પહેરેલા કર્મચારીઓએ પ્રદર્શનકારીઓ પર ભારે લાઠીચાર્જ કર્યો. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આશરે 200 પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હતા, જ્યારે લગભગ 250 પોલીસ કર્મચારીઓને પણ ઇજાઓ પહોંચી હતી. પોલીસનો દાવો છે કે ભીડને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કરવો અયોગ્ય નથી.</p><p>ઉલ્લેખનીય છે કે&nbsp; માનવ અધિકાર આયોગમાં સાદા કપડા પહેરેલા કર્મચારીઓની તૈનાતી અંગે ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. વધુમાં, અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો, એવી દલીલ કરી હતી કે સાદા કપડા પહેરેલા કર્મચારીઓ જ પરિસ્થિતિને વધુ ખરાબ કરે છે અને મુશ્કેલી ઉભી કરે છે.</p><p><br></p><h4><b>સાદા કપડામાં કેમ પોલીસ તૈનાત કરાય છે?&nbsp;</b></h4><p><b>1. ગુપ્ત માહિતી એકત્રિત કરવી: </b></p><p>વિરોધ પ્રદર્શનો અથવા મોટી ઘટનાઓ દરમિયાન, સ્થાનિક ગુપ્તચર એકમ (LIU) અથવા સ્પેશિયલ બ્રાન્ચના કર્મચારીઓ સાદા કપડા પહેરેલા લોકોમાં ભળી જાય છે જેથી ખાતરી કરી શકાય કે અસામાજિક તત્વો ગુપ્ત રીતે હિંસા ભડકાવે નહીં.</p><p><b> 2. પરિસ્થિતિને અસ્થિર બનતી અટકાવવી:</b></p><p>ભીડની અંદરના વિકાસ પર નજર રાખવા અને પછીની રણનીતિ નક્કી કરવા માટે કર્મચારીઓને સાદા કપડા પહેરેલા લોકોમાં તૈનાત કરવામાં આવે છે. તેમની ભૂમિકા ભીડને ઉશ્કેરાયેલી અથવા હિંસક બનતી અટકાવવાની છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/ioOCi1p8R13YFgUi3rS8Ubu4lhqOD2wD5S9RcXo8.webp'/></item><item><title><![CDATA[Rajkotમાં મોટો પર્દાફાશ : 1 કરોડથી વધુની કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપાયો, બે આરોપીઓની ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/rajkot/rajkot-sog-seizes-ganja-worth-1-crore-bamanbor-highway</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/rajkot/rajkot-sog-seizes-ganja-worth-1-crore-bamanbor-highway</guid><pubDate>Tue, 18 Aug 2026 14:07:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટમાં નશાના કારોબાર વિરુદ્ધ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. રાજકોટ શહેર SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા અમદાવાદ-રાજકોટ હાઈવે પર બામણબોર ગામ તરફ જવાના રસ્તેથી રૂ. 1 કરોડથી વધુની કિંમતનો વિશાળ ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ મામલે સંયુક્ત પોલીસ કમિશનર (JCP) ચૈતન્ય માંડલિક દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને સમગ્ર ઓપરેશનની વિગતો જાહેર કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>સૌરાષ્ટ્રમાં ગાંજાનો મોટો જથ્થો સપ્લાય થવાનો હોવાની બાતમી</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, ઓરિસ્સાથી ટ્રક મારફતે સૌરાષ્ટ્રમાં ગાંજાનો મોટો જથ્થો સપ્લાય થવાનો હોવાની બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે SOGની ટીમે બામણબોર પાસેથી વોચ ગોઠવીને ટ્રકને ઝડપી લીધી હતી.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>બે શખ્સોને રંગે હાથે ઝડપી પાડ્યા</b></h3><p style="text-align: justify; ">આ કાર્યવાહી દરમિયાન પોલીસે મહમદ ઉર્ફે કાળો અને અરબાઝ સંધિ નામના બે શખ્સોને રંગે હાથે ઝડપી પાડ્યા છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે રમીઝ ઉર્ફે માયો દ્વારા આ બંને આરોપીઓને ટ્રક દીઠ 20 હજાર રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.</p><h4 style="text-align: justify; "><b>ગાંજાનો જથ્થો અમિત ઉર્ફે ગુરખો દ્વારા પૂરો પાડવામાં આવ્યો</b></h4><p style="text-align: justify; ">પોલીસ પૂછપરછમાં એ પણ ખુલાસો થયો છે કે ઓરિસ્સાથી આ ગાંજાનો જથ્થો અમિત ઉર્ફે ગુરખો દ્વારા પૂરો પાડવામાં આવ્યો હતો. પોલીસે ગાંજાના જથ્થા સાથે ટ્રક અને અન્ય મુદ્દામાલ સહિત કુલ 1.50  કરોડ રૂપિયાથી વધુની મિલકત જપ્ત કરી છે. આરોપીઓ આ પ્રતિબંધિત નશીલો પદાર્થ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરવાના હતા.</p><h4 style="text-align: justify; "><b>સમગ્ર નેટવર્ક અંગે વધુ મોટા ખુલાસા થવાની સંભાવના&nbsp;</b></h4><p style="text-align: justify; ">મુખ્ય સૂત્રધાર અમિત ઉર્ફે ગુરખો ઝડપાયા બાદ નાણાકીય લેતીદેતી અને સમગ્ર નેટવર્ક અંગે વધુ મોટા ખુલાસા થવાની સંભાવના છે. આ ગંભીર મામલાની આગામી તપાસ હવે ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે સૌરાષ્ટ્રમાં કોણ-કોણ આ ગાંજો ખરીદતું હતું અને કયા-કયા શખ્સોને તેનું વેચાણ કરવામાં આવતું હતું.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">&nbsp;આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; <a href="https://sandesh.com/gujarat/news/political-news/ahmedabad/tarun-chugh-appointed-gujarat-bjp-incharge-profile-and-political-career#google_vignette" target="_blank"><b>&nbsp; PM Modiના રાજ્યમાં પ્રભારી તરીકે મુકાયેલા તરુણ ચુગ કોણ છે ? કેમ સોંપાઇ ગુજરાતની મહત્વની જવાબદારી ?</b></a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/jlwAsM9rSAAtkjxbSwVIAuSnOjiBmqj7ICFylYfH.webp'/></item><item><title><![CDATA[Ahmedabad પોલીસ કમિશનરનું નવું જાહેરનામું: 18 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી હથિયારો, મશાલ અને સરઘસ પર સખત મનાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-police-weapons-prohibition-notification</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-police-weapons-prohibition-notification</guid><pubDate>Tue, 18 Aug 2026 13:47:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા 17 ઓગસ્ટે હથિયારબંધી અંગેનું મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું 18 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર 2026 સુધી અમદાવાદના માત્ર 35 પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ લાગુ રહેશે.</p><h2 style="text-align: justify; "><b>હથિયારો સાથે રાખવા પર સખત પ્રતિબંધ</b></h2><p style="text-align: justify; ">આ આદેશ હેઠળ તલવાર, ભાલા, ખંજર અને અઢી ઇંચથી લાંબી અણીદાર છરી કે ચપ્પુ સાથે રાખવા પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત જાહેર જગ્યાએ હથિયારો સાથે ફરવા, ફાયરિંગ કરવા, ધાર્મિક સરઘસમાં શસ્ત્રો લઈ જવા, પથ્થરો એકઠા કરવા, સળગતી મશાલ સાથે સરઘસ કાઢવા તેમજ ઉશ્કેરણીજનક ભાષણો અને વિરોધ પ્રદર્શનો પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>કેટલાંક વિસ્તાર મુક્ત રખાતાં ઉઠ્યા સવાલો</b></h3><p style="text-align: justify; ">આ જાહેરનામામાંથી અમદાવાદના કેટલાક મહત્વના અને VIP વિસ્તારોને બાદ રાખવામાં આવતાં ભારે ચર્ચા જાગી છે. વસ્ત્રાપુર, બોડકદેવ, આનંદનગર, પાલડી, વાસણા, સેટેલાઈટ, નવરંગપુરા, એલિસબ્રિજ, એરપોર્ટ, ખોખરા, મણિનગર તેમજ સાબરમતી રિવરફ્રન્ટ (ઈસ્ટ અને વેસ્ટ) વિસ્તારમાં આ હથિયારબંધી લાગુ કરાઈ નથી. ખાસ કરીને સિંધુભવન રોડ, જજીસ બંગલો રોડ અને ગુજરાત યુનિવર્સિટી જેવા વિસ્તારોમાં પ્રતિબંધ ન હોવાથી અનેક સવાલો ઊભા થયા છે.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>નિયમભંગ બદલ કાયદેસરની કાર્યવાહીની ચેતવણી</b></h4><p style="text-align: justify; ">પોલીસ તંત્રની સ્પષ્ટતા મુજબ જે પોલીસ સ્ટેશન વિસ્તારોમાં શરીર સંબંધી ગંભીર ગુનાઓ આચરવાની કે શાંતિ ડહોળાવાની શક્યતાઓ વધુ હોય તેવા જ 35 વિસ્તારોમાં આ જાહેરનામું અમલી બનાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ પોલીસ કમિશનર જી.એસ. મલિકના સમયમાં બહાર પાડવામાં આવતા જાહેરનામામાં સમગ્ર અમદાવાદ શહેરને આવરી લેવામાં આવતું હતું. જોકે વર્તમાન જાહેરનામાનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135 મુજબ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી પોલીસ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/VxqhvcEjV6mrTR1BzaatMWZSwjhkLXcp9GkHYqVX.webp'/></item><item><title><![CDATA[Nag Panchami ના દિવસે શાહરૂખ ખાનના બંગલા 'મન્નત'માં નીકળ્યો 8 ફૂટ લાંબો સાપ ]]></title><link>https://sandesh.com/entertainment/news/an-8-foot-long-snake-emerged-in-shahrukh-khans-bungalow-mannat-on-the-day-of-nag-panchami</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/an-8-foot-long-snake-emerged-in-shahrukh-khans-bungalow-mannat-on-the-day-of-nag-panchami</guid><pubDate>Tue, 18 Aug 2026 13:41:22 +05:30</pubDate><description><![CDATA[<p>બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના મુંબઈના બાંદ્રા સ્થિત આલીશાન બંગલા 'મન્નત'માંથી એક સાપ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. 17 ઓગસ્ટના રોજ મન્નતના લૉનમાં અચાનક સાપ દેખાતા તુરંત જ રેસ્ક્યૂ ટીમને જાણ કરવામાં આવી હતી. અગાઉ અભિનેત્રી અર્ચના પૂરન સિંહના બંગલેથી સાપની કાંચળી મળી હતી. શાહરૂખ જેવા સ્ટાર્સના ઘરેથી સાપ નીકળવાની ઘટનાથી તેના ફેન્સ ચિંતિત થયા છે. જો કે ટીમ દ્વારા સુરક્ષિત રીતે સાપનું રેસ્કયૂ કરાયું હતું.</p><h2><b>શાહરૂખના ઘરેથી નીકળેલા સાપનું કરાયું રેસ્કયૂ</b></h2><p>ઘટનાની માહિતી મળતા જ સ્નેક કેચર વિક્કી દુબે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર પરિસરમાં શોધખોળ હાથ ધરી હતી. ટીમે અત્યંત સાવધાનીપૂર્વક સાપને સુરક્ષિત રીતે પકડી લીધો હતો. પકડાયેલો સાપ ધમણ (ઇન્ડિયન રેટ સ્નેક) પ્રજાતિનો હતો. આ સાપ આશરે 8 ફૂટ લાંબો હતો. આ સાપ બિન-ઝેરી હોવાનું સામે આવતા મન્નતના સ્ટાફ અને સિક્યુરિટી ગાર્ડ્સે રાહતનો શ્વાસ લીધો હતો.</p><h3><b>નાગપંચમીના દિવસે શાહરૂખના ઘરે સાપ</b></h3><p>સૌથી રસપ્રદ વાત એ રહી કે આ ઘટના નાગ પંચમીના પવિત્ર દિવસે જ બની હતી. ઉલ્લેખનીય છે કે, બાંદ્રાના પોશ વિસ્તારમાં આવેલો મન્નત બંગલો શાહરૂખ ખાને 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, જેની હાલની કિંમત આશરે ₹300 કરોડ અંકાય છે. નાગપંચમીના દિવસે ઘરમાંથી સાપ નીકળવાને લઈને જુદી-જુદી માન્યાત છે. એક માન્યતા મુજબ ઘરમાં સાપ અથવા તો સાપની કાંચળી નીકળવાને શુભ માનવામાં આવે છે. નાગપંચમીએ સાપ નીકળવાને સુખ, સમૃદ્ધિનો સંકેત ગણાય છે.</p><h4><b>શાહરૂખના આગામી પ્રોજેક્ટ</b></h4><p>શાહરૂખ ખાન ટૂંક સમયમાં જ સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ "કિંગ"માં જોવા મળશે, જે 24 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેમની સાથે દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન, સુહાના ખાન, રાઘવ જુયાલ અને રાની મુખર્જી મુખ્ય ભૂમિકામાં નજરે પડશે.</p><p><br></p><p><a href="https://sandesh.com/entertainment/news/hema-malini-got-emotional-after-watching-batwara-1947-movie-praised-sunny-deol-and-shabana-azmi" target="_blank">આ પણ વાંચો : Batwara 1947 Movie જોઈ ભાવુક થઈ હેમા માલિની, સની દેઓલ અને શબાના આઝમીના વખાણ કર્યા, આપ્યો ખાસ મેસેજ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/QxsUpbiy1gV8mJEmGj17Hyr1dakwwW4g2BuDHdD7.webp'/></item><item><title><![CDATA[Delhi:  જેપી નડ્ડાની દિલ્હી એઈમ્સમાં એન્જીયોપ્લાસ્ટી સફળ, તબિયત હાલ સ્થિર ]]></title><link>https://sandesh.com/india/news/jp-nadda-angioplasty-aiims-delhi-successful</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/jp-nadda-angioplasty-aiims-delhi-successful</guid><pubDate>Tue, 18 Aug 2026 13:24:41 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ 17 ઓગસ્ટના રોજ દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) ખાતે કાર્ડિયોલોજી વિભાગના નિષ્ણાત ડૉક્ટરોની દેખરેખ હેઠળ એન્જીયોપ્લાસ્ટી કરાવી છે. હોસ્પિટલના જણાવ્યા અનુસાર, તેમની તબિયત હાલમાં સંપૂર્ણપણે સ્થિર છે અને તેઓ સતત ડૉક્ટરોની કડક દેખરેખ હેઠળ છે.</p><h2 style="text-align: justify; "><b>દિલ્હી એઈમ્સના કાર્ડિયોલોજીમાં કરાયા હતા દાખલ</b></h2><p style="text-align: justify; ">સ્વાસ્થ્ય સંબંધી અસ્વસ્થતાની ફરિયાદ બાદ જેપી નડ્ડાને 13 ઓગસ્ટની સાંજે દિલ્હી એઈમ્સના કાર્ડિયોલોજી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ થયાના પ્રથમ જ દિવસે ડૉક્ટરો દ્વારા તેમની એન્જીયોગ્રાફી સહિતના મહત્વપૂર્ણ સ્વાસ્થ્ય પરીક્ષણો કરવામાં આવ્યા હતા. આ પ્રારંભિક ટેસ્ટના રિપોર્ટ્સ અને તબીબી મૂલ્યાંકનના આધારે ડૉક્ટરોએ આગળની પ્રક્રિયા તરીકે એન્જીયોપ્લાસ્ટી કરવાનો નિર્ણય લીધો હતો.</p><h3 style="text-align: justify; "><b>જેપી નડ્ડાની એન્જીયોપ્લાસ્ટી રહી સફળ</b></h3><p style="text-align: justify; ">તબીબી ભાષામાં એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી વચ્ચે સ્પષ્ટ તફાવત છે. એન્જીયોગ્રાફી એ એક પ્રકારની તપાસ છે જે હૃદયની રક્તવાહિનીઓમાં રહેલા બ્લોકેજ કે અવરોધને શોધી કાઢવા માટે કરવામાં આવે છે. બીજી બાજુ, એન્જીયોપ્લાસ્ટી એ એક ચિકિત્સીય પ્રક્રિયા છે, જેમાં ડૉક્ટર હાથ કે જાંઘની રક્તવાહિની મારફતે હૃદય સુધી પાતળી નળી (કેથેટર) અને બલૂન પહોંચાડે છે. ત્યારબાદ અવરોધ વાળી જગ્યાએ બલૂન ફુલાવીને રક્તવાહિનીને પહોળી કરવામાં આવે છે અને હૃદયના રક્તસંચારને સરળ રાખવા માટે સ્ટેન્ટ દાખલ કરવામાં આવે છે. હાલમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા હોસ્પિટલમાં જ વિશ્રામ કરી રહ્યા છે અને તબીબી ટીમ તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/world/news/nasdaq-23-hour-trading-us-stock-market" target="_blank">આ પણ વાંચોઃ Americaમાં હવે 23 કલાક થશે ટ્રેડિંગ! દિવસ રાત ચાલશે શેરબજાર, માત્ર 1 કલાકનો બ્રેક</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/sYsbyFZAj7sqwmGEwhlzrkbndXm9thvtGfO7X48f.webp'/></item><item><title><![CDATA[Surat : ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં ખૌફનાક રીતે હોબાળો મચાવનાર વિદેશી શખ્સનું રહસ્યમય મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/surat-golden-temple-train-foreigner-death-mystery</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/surat-golden-temple-train-foreigner-death-mystery</guid><pubDate>Tue, 18 Aug 2026 13:16:39 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મુંબઈથી દિલ્હી જતી ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ ટ્રેનમાં એક વિદેશી નાગરિક દ્વારા મચાવવામાં આવેલા ભારે હોબાળા બાદ તેનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજતા ખળભળાટ મચી ગયો છે. ટ્રેનમાં સવાર મુસાફરો માટે આ ઘટના કોઈ ખૌફનાક અનુભવથી ઓછી નહોતી.</p><h2 style="text-align: justify; "><b>વિદેશી શખ્સે ટ્રેનની અંદર મુસાફરો સાથે અચાનક મારામારી શરૂ કરી દીધી હતી</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, આ અજાણ્યા વિદેશી શખ્સે ટ્રેનની અંદર મુસાફરો સાથે અચાનક મારામારી શરૂ કરી દીધી હતી. એટલું જ નહીં, તેણે ટ્રેનમાં લગાવવામાં આવેલું ફાયર ઇન્સ્ટિંગ્યુશર તોડીને મુસાફરો પર સ્પ્રે કરવાનું શરૂ કર્યું, જેના કારણે ટ્રેનમાં ભારે દોડધામ અને અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોઈને રેલવે પોલીસ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું હતું.</p><h3 style="text-align: justify; "><b>પોલીસે જહેમત ઉઠાવી શખ્સને પકડ્યો હતો</b></h3><p style="text-align: justify; ">સુરત સ્ટેશન આવતા જ 15 થી 20 જેટલા GRP અને RPF ના જવાનોએ ભારે જહેમત ઉઠાવી આ શખ્સને માંડ-માંડ કાબૂમાં કર્યો હતો અને તેને ટ્રેનમાંથી નીચે ઉતાર્યો હતો. જોકે, પોલીસ ચોકીમાં પૂછપરછ ચાલી રહી હતી ત્યારે જ આ શખ્સ અચાનક બેભાન થઈ ગયો હતો.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>સારવારમાં મોત</b></h3><p style="text-align: justify; ">પોલીસ તેને તાત્કાલિક સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલ લઈ ગઈ હતી, પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ 45 વર્ષીય આ વિદેશી નાગરિકને મૃત જાહેર કર્યો હતો.</p><h4 style="text-align: justify; "><b>કોઈ પણ પ્રકારના ઓળખના દસ્તાવેજો કે પાસપોર્ટ મળી આવ્યા નથી</b></h4><p style="text-align: justify; ">મૃતક પાસે કોઈ પણ પ્રકારના ઓળખના દસ્તાવેજો કે પાસપોર્ટ મળી આવ્યા નથી, જેના કારણે રેલવે પોલીસ માટે તેની ઓળખ કરવી એક પડકાર બની ગઈ છે. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ વિદેશી નાગરિકનું મોત હૃદયરોગના હુમલાથી થયું છે કે પછી અન્ય કોઈ કારણોસર, તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. સમગ્ર ઘટનાએ સુરત રેલવે સ્ટેશન પર ભારે ચકચાર જગાવી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp; :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/political-news/ahmedabad/tarun-chugh-appointed-gujarat-bjp-incharge-profile-and-political-career" target="_blank"><b>PM Modiના રાજ્યમાં પ્રભારી તરીકે મુકાયેલા તરુણ ચુગ કોણ છે ? કેમ સોંપાઇ ગુજરાતની મહત્વની જવાબદારી ?</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/KLsvOGD3JDsvHW8ebgPAhSjmQ9uBYSESSSAJxwmU.webp'/></item><item><title><![CDATA[Gold Silver Price Today: અચાનક ઘટ્યો સોનાનો ભાવ, ચાંદી પણ સસ્તી, જાણો 24 કેરેટ સોનાનો લેટેસ્ટ રેટ ]]></title><link>https://sandesh.com/business/news/gold-silver-price-today-gold-price-suddenly-dropped-silver-also-cheaper-know-the-latest-rate-of-24-carat-gold</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/gold-silver-price-today-gold-price-suddenly-dropped-silver-also-cheaper-know-the-latest-rate-of-24-carat-gold</guid><pubDate>Tue, 18 Aug 2026 12:16:18 +05:30</pubDate><description><![CDATA[<p><b>Gold Silver Price Today:</b> સોનુ અને ચાંદી. આ બંને એવી કિંમતી ધાતુઓ છે જેની જરૂર લગભગ દરેક વ્યક્તિને છે. કોઇ મોજશોખ માટે તો કોઇ રોકાણ માટે સોના ચાંદી ખરીદે છે. કોઇને સોના ચાંદીના દાગીનાનો શોખ હોય તો પછી કોઇ લગ્ન પ્રસંગને લઇને તેની ખરીદી કરે છે. ત્યારે જો તમે  આજે સોનું ચાંદી ખરીદવા માગતા હોવ તો કેટલી કિંમત ચૂકવવી પડશે આવો જાણીએ.&nbsp;</p><h2><b>18 ઑગષ્ટે સોના ચાંદીનો ભાવ (MCX અનુસાર)&nbsp;</b></h2><p>મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. MCX પર, બંને ધાતુઓના ભાવમાં 1 ટકાથી વધુનો ઘટાડો થયો છે. મલ્ટિ-કોમોડિટી માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 4 સપ્ટેમ્બર ડિલિવરી માટે ચાંદીના વાયદા MCX પર ₹2,400 ઘટીને ₹2,35,650 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યા છે. દરમિયાન, 5 ઓક્ટોબર ડિલિવરી માટે સોનાના વાયદા ₹890 ઘટીને ₹1,55,090 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યા છે. સોના અને ચાંદીના ભાવમાં આ ઘટાડાની અસર બુધવારે બુલિયન માર્કેટમાં દેખાઈ શકે છે. જોકે, આજે દિલ્હીથી પટના સુધીના શહેરોમાં ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ચાલો તમારા શહેરમાં સોના અને ચાંદીના હાલના ભાવ તપાસીએ...</p><h3><b>દેશના કેટલાક મોટા શહેરોમાં સોનાના ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)</b></h3><table class="table table-bordered"><tbody><tr><td>શહેર&nbsp;</td><td>24 કેરેટ સોનાની કિંમત ( રૂપિયા/10 ગ્રામ) )</td><td>&nbsp;22 કેરેટ સોનાની કિંમત( રૂપિયા/10 ગ્રામ)&nbsp;</td></tr><tr><td>દિલ્હી&nbsp;</td><td>1,56,040</td><td>&nbsp;1,43,050&nbsp;&nbsp;</td></tr><tr><td>કોલકાતા&nbsp;</td><td>1,55,890&nbsp;</td><td>1,42,900&nbsp; &nbsp;</td></tr><tr><td>ચેન્નઈ&nbsp;</td><td>1,55,890&nbsp;</td><td>1,42,900&nbsp; &nbsp;&nbsp;</td></tr><tr><td>બેંગ્લોર&nbsp;</td><td>1,55,890</td><td>&nbsp;1,42,900</td></tr><tr><td>અમદાવાદ&nbsp;</td><td>1,55,940</td><td>&nbsp;1,42,950&nbsp; &nbsp; &nbsp;&nbsp;</td></tr><tr><td>વડોદરા</td><td>&nbsp;1,55,940&nbsp;</td><td>1,42,950&nbsp; &nbsp;&nbsp;</td></tr></tbody></table><p><b style="font-size: 2rem;">સોનું તેના રેકોર્ડ ઉચ્ચતમ સ્તરની સરખામણીમાં કેટલું સસ્તું છે?</b></p><p>આ વર્ષના જાન્યુઆરીમાં, સોનાનો ભાવ ₹1.93 લાખ સુધી પહોંચ્યો હતો, પરંતુ હવે તે ₹1.55 લાખથી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. આનો અર્થ એ થયો કે સોનું લગભગ ₹38,000 સસ્તું છે. ચાંદીની વાત કરીએ તો, તે ₹4.20 લાખ પ્રતિ કિલોગ્રામના રેકોર્ડ ઉચ્ચતમ સ્તર કરતાં ₹1.85 લાખ સસ્તું છે.</p><p><br></p><h3><b style="font-size: 1.75rem;">સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો કેમ થયો?</b></h3><ul><li>પહેલું કારણ નફો બુકિંગ છે. ગયા સપ્તાહની તેજી પછી નફા બુકિંગ થયું, જેના કારણે ભાવમાં ઘટાડો જોવા મળ્યો.</li><li>યુએસ ટ્રેઝરી યીલ્ડમાં વધારો થયો છે. જ્યારે બોન્ડ યીલ્ડ વધે છે, ત્યારે નિયમિત વ્યાજ પેદા ન કરતી સંપત્તિઓનું આકર્ષણ જેમ કે સોનું, કંઈક અંશે ઘટે છે.</li><li>યુએસ અને ઈરાન વચ્ચેના તણાવને કારણે, બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $91 ને વટાવી ગયા છે. આનાથી બજારમાં ફરી એકવાર ફુગાવો વધવાની ચિંતા વધી છે.</li><li>વ્યાજ દરો અંગે યુએસ ફેડરલ રિઝર્વના ભાવિ પગલાં અંગે પણ બજાર ચિંતિત છે.</li></ul><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/hORscNKtAPWdbX7GawiAYlMydDafpilgWXvP1DJj.webp'/></item><item><title><![CDATA[Kutch : બન્નીમાં ઇકો સિસ્ટમ મજબૂત કરવા 20 કાળિયાર મુક્ત કરાયા: ચિત્તાના આગમન પહેલા વન વિભાગની મોટી તૈયારી ]]></title><link>https://sandesh.com/gujarat/news/kutch/kutch-banni-blackbuck-release-vantara-cheetah-project-ecosystem</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/kutch/kutch-banni-blackbuck-release-vantara-cheetah-project-ecosystem</guid><pubDate>Tue, 18 Aug 2026 11:48:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કચ્છના વિશ્વપ્રસિદ્ધ બન્ની વિસ્તારમાં વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે એક અગત્યની અને નવી શરૂઆત થઈ છે. બન્નીના ઘાસિયા મેદાન (ગ્રાન્ડ લેન્ડ) ખાતે ચિત્તા સંવર્ધન પ્રોજેક્ટ અંતર્ગત કુદરતી ઇકો સિસ્ટમને વધુ મજબૂત કરવાના હેતુથી વન વિભાગ દ્વારા 20 કાળિયારને સફળતાપૂર્વક મુક્ત કરવામાં આવ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>20 કાળિયારને અત્યંત સુરક્ષિત રીતે બન્ની ખાતે લાવવામાં આવ્યા</b></h2><p style="text-align: justify; ">જામનગર સ્થિત 'વનતારા' ફેસિલિટીમાંથી ખાસ એમ્બ્યુલન્સ વાન મારફતે આ 20 કાળિયારને અત્યંત સુરક્ષિત રીતે બન્ની ખાતે લાવવામાં આવ્યા હતા. વન વિભાગ અને વનતારાની સંયુક્ત ટીમ દ્વારા જરૂરી તબીબી ચકાસણી અને હેલ્થ સ્ક્રીનિંગ પૂર્ણ કર્યા બાદ તેમને કુદરતી આવાસમાં છોડાયા હતા. આ 20 કાળિયારમાં 5 નર અને 15 માદા કાળિયારનો સમાવેશ થાય છે.</p><p style="text-align: justify; "><img alt="Kutch Banni Ecosystem: 20 Blackbucks Released for Cheetah Project" src="https://epapercdn.sandesh.com/images/2026/08/18/ju7x2Wf88DP3pQdKEmchQEXuMx1tS4Nf2mO99Dfb.webp" style="width: 100%;"><br></p><h3 style="text-align: justify; "><b>તમામ કાળિયાર પર સેટેલાઇટ ટેગ લગાવવામાં આવ્યા</b></h3><p style="text-align: justify; ">બન્નીમાં છોડાયેલા તમામ કાળિયાર પર સેટેલાઇટ ટેગ લગાવવામાં આવ્યા છે, જેથી તેમની દૈનિક હિલચાલ અને આરોગ્યની સ્થિતિ પર સતત રેકોર્ડિંગ અને દેખરેખ રાખી શકાય.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક વિશેષ ટાસ્ક ફોર્સની પણ રચના</b></h4><p style="text-align: justify; ">આ ઉપરાંત, તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક વિશેષ ટાસ્ક ફોર્સની પણ રચના કરવામાં આવી છે. ચિત્તાના સંવર્ધન માટે તૃણાહારી પ્રાણીઓની હાજરી અનિવાર્ય હોવાથી આ કાળિયારનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું છે, જેનાથી આગામી સમયમાં બન્નીમાં ચિત્તાના આગમનનો માર્ગ વધુ મોકળો થયો છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/patan/patan-radhanpur-folk-singer-kinjal-rabari-marriage-mukesh-rabari" target="_blank"><b>Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/yVTF3YQ7TorK5hCFX7XnUdYeiyDgYUPVsh3V1rFT.webp'/></item><item><title><![CDATA[Sabarkanthaમાં બાળ તસ્કરીના મોટા નેટવર્કનો પર્દાફાશ: 1 માસની નવજાત બાળકીનો સોદો કરનાર 4 આરોપીઓની ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/himatnagar/large-child-trafficking-network-busted-in-himmatnagar-4-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/himatnagar/large-child-trafficking-network-busted-in-himmatnagar-4-arrested</guid><pubDate>Tue, 18 Aug 2026 10:41:36 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હિંમતનગરમાંથી બાળ તસ્કરી અને ગેરકાયદે વેચાણનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. આ આંતરરાજ્ય બાળ તસ્કરી નેટવર્કમાં રાજસ્થાન અને બનાસકાંઠાનું સીધું કનેક્શન ખૂલ્યું છે. રાજસ્થાનના કોટડા તથા બનાસકાંઠાના અમીરગઢના શખ્સો માસુમ બાળકોને 2થી 3 લાખ રૂપિયામાં વેચવાનું ગેરકાયદેસર નેટવર્ક ચલાવતા હતા. તાજેતરમાં જ 1 માસની નવજાત બાળકીનો 2 લાખ રૂપિયામાં સોદો નક્કી કરી તેનું ગેરકાયદે વેચાણ કરવાનું પૂર્વ આયોજિત કાવતરું ઘડવામાં આવ્યું હતું, જેને પોલીસે સમયસર નિષ્ફળ બનાવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>પોલીસે 4 આરોપીઓની કરી અટકાયત</b></h2><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં જ હિંમતનગર ગ્રામ્ય પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને ગણતરીના કલાકોમાં જ 4 આરોપીઓની અટકાયત કરી લીધી છે. પકડાયેલા આરોપીઓમાં દેવીલાલ ગમાર, પોપટભાઈ ગમાર, પ્રવીણભાઈ ધાંગી અને દિનેશભાઈ ધાંગીનો સમાવેશ થાય છે. પોલીસે ગુનાહિત પ્રવૃત્તિમાં વપરાયેલી ઈકો ગાડી (GJ 27 TT 7650) કબજે કરી લીધી છે. આ રેકેટમાં સામેલ અન્ય 3 આરોપીઓ હાલ ફરાર હોવાથી પોલીસે તેમની ધરપકડ માટે ચક્રગતિમાન કર્યા છે.</p><h3 style="text-align: justify; "><b>સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ</b></h3><p style="text-align: justify; ">આ સમગ્ર કૌભાંડની ગંભીરતાને ધ્યાને રાખીને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) અને હિંમતનગર ગ્રામ્ય પોલીસે સંયુક્ત રીતે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ ગિરોહે ભૂતકાળમાં અન્ય કેટલા માસુમ બાળકોની તસ્કરી કરી છે અને આ નેટવર્કના મૂળ ક્યાં સુધી ફેલાયેલા છે તે દિશામાં પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. બાળ તસ્કરીના આ મોટા પર્દાફાશથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/Vpy1RfsRDAQCvOVD7iy0CVfWyWZKKQckLKr7JMOY.webp'/></item><item><title><![CDATA[World Championships 2026: આયુષ શેટ્ટીએ વિશ્વના નંબર 1 ખેલાડીને હરાવી ઐતિહાસિક જીત મેળવી ]]></title><link>https://sandesh.com/sports/news/world-championships-2026-aayush-shetty-scores-historic-win-by-defeating-world-number-1</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/world-championships-2026-aayush-shetty-scores-historic-win-by-defeating-world-number-1</guid><pubDate>Tue, 18 Aug 2026 08:05:36 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઉભરતા ભારતીય બેડમિન્ટન સ્ટાર આયુષ શેટ્ટીએ BWF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ટુર્નામેન્ટનો સૌથી મોટો અપસેટ સર્જીને ઇતિહાસ રચ્યો. 21 વર્ષીય ભારતીય શટલરે રોમાંચક અને રોમાંચક મેચમાં વિશ્વના નંબર 1 ચીનના શી યુ ચીને 21-14, 13-21, 21-19 થી હરાવીને પુરુષોની સિંગલ્સના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો.શરૂઆતથી જ, આયુષ શેટ્ટીએ તેના સચોટ કોર્ટ કવરેજથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા, ચીની સ્ટારને બેકફૂટ પર ધકેલી દીધો.</p><h5 style="text-align: justify; "><b>આયુષ શેટ્ટીની ઐતિહાસિક જીત</b></h5><p style="text-align: justify; ">આયુષ શેટ્ટીએ ઉત્તમ સ્મેશ અને નેટ પ્લે સાથે 11-5ની લીડ બનાવી,ચીની ખેલાડીને અનફોર્સ્ડ એરર્સમાં પહેલી ગેમ 21-14 થી જીતી લીધી. પછી, બીજી ગેમમાં, અનુભવી શી યુ ચીએ લાંબી રેલીઓ સાથે વાપસી કરી, મેચને અંતિમ ગેમમાં લઈ જવામાં મદદ કરી. ત્રીજી ગેમમાં, આયુષે સંયમ બતાવ્યો અને 15-5 ની લીડ મેળવી. ત્યારબાદ ચીની ખેલાડીએ મજબૂત વળતો હુમલો કર્યો,ખાધને 20-19 પર બંધ કરી. જોકે, આયુષે અંતિમ ક્ષણોમાં શાનદાર રમત બતાવી, મેચ પોઈન્ટ જીતીને પોતાની કારકિર્દીની સૌથી મોટી જીત નોંધાવી.</p><h5 style="text-align: justify; "><b>આયુષ શેટ્ટીએ કર્યો કમાલ&nbsp;</b></h5><p style="text-align: justify; ">આ મોટી જીત અંગે,આયુષ શેટ્ટીએ કહ્યુંમને ખૂબ જ સારું લાગી રહ્યું છે.આ ખરેખર ખાસ જીત છે.હું આજે જે રીતે રમ્યો તેનાથી હું ખુશ છું.મને ખબર હતી કે આ એક મુશ્કેલ મેચ હશે અને મારે સખત મહેનત કરવી પડશે.હું તેના માટે માનસિક અને શારીરિક રીતે તૈયાર હતો.યુએસ ઓપન 300 ચેમ્પિયન શેટ્ટીએ વધુમાં ઉમેર્યું, "ઘરે વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતવી એ ચોક્કસપણે એક સ્વપ્ન છે જે તમે નાના થયા છો.હું આજે ખૂબ જ સારું અનુભવી રહી છું, પરંતુ હાલ માટે,હું આગામી રાઉન્ડ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું."</p><h5 style="text-align: justify; "><b>પીવી સિંધુનો એકતરફી વિજય</b></h5><p style="text-align: justify; ">બીજી તરફ, મહિલા સિંગલ્સમાં નવમા ક્રમાંકિત પીવી સિંધુએ આયર્લેન્ડની સોફિયા નોબલને માત્ર 29 મિનિટમાં 21-7, 21-11 થી હરાવીને બીજા રાઉન્ડમાં આગળ વધ્યો. સિંધુના નામે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પહેલાથી જ પાંચ મેડલ છે, જેમાં એક ગોલ્ડ, બે સિલ્વર અને બે બ્રોન્ઝનો સમાવેશ થાય છે. જો તે આ ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચે છે, તો તે વર્લ્ડ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં છ મેડલ જીતનારી પ્રથમ ખેલાડી બનીને ઇતિહાસ રચશે. સિંધુનો સામનો બીજા રાઉન્ડમાં કેનેડાની વેન યુ ઝાંગ સામે થશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/cricket/news/virat-kohli-no-18-jersey-story" target="_blank">Virat Kohli કેમ પહેરે છે 18 નંબરની જર્સી? 'કિંગ'એ જાતે જણાવ્યું ખાસ કારણ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/18/muBvpONuGMGPLZk0jvPcgMnayzV6sZMI6hniI8kh.webp'/></item></channel></rss>