<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[NCLTનો મોટો નિર્ણય: સુભાષ ચંદ્રા પોતાની સંપત્તિ હવે વેચી કે ટ્રાન્સફર નહીં કરી શકે ]]></title><link>https://sandesh.com/business/news/nclts-big-decision-subhash-chandra-cannot-sell-or-transfer-his-assets-anymore</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/nclts-big-decision-subhash-chandra-cannot-sell-or-transfer-his-assets-anymore</guid><pubDate>Tue, 01 Sep 2026 12:10:44 +05:30</pubDate><description><![CDATA[<p>National Company Law Tribunal (NCLT)એ મંગળવારે એસ્સેલ ગ્રુપના ચેરમેન સુભાષ ચંદ્રા સાથે જોડાયેલા દિવાળિયા કેસમાં 25 ઓગસ્ટના પોતાના અગાઉના આદેશ પર રોક લગાવી દીધી છે. આ સાથે ટ્રિબ્યુનલે ગેરંટર તરીકે સુભાષ ચંદ્રાને પોતાની સંપત્તિ કોઈ અન્ય વ્યક્તિને સીધી કે પરોક્ષ રીતે ટ્રાન્સફર અથવા વેચાણ ન કરવાનો નિર્દેશ આપ્યો છે. આ કેસની સુનાવણી કરી રહેલા ત્રણ સભ્યોના અગાઉના આદેશોમાં મતભેદ સામે આવ્યા હતા. જેના કારણે હવે આ મામલો NCLTની પાંચ સભ્યોની વિશેષ બેન્ચ સમક્ષ મોકલવામાં આવ્યો છે.</p><h2><b>&nbsp;ટ્રિબ્યુનલે કેસ તમામ પક્ષોને નોટિસ પાઠવી</b></h2><p>મંગળવારે કેસની સુનાવણી શરૂ કરનાર વિશેષ બેન્ચે નોંધ્યું કે અગાઉના આદેશોમાં સ્પષ્ટ મતભેદ જોવા મળે છે અને કોઈ એક એવો બહુમતીનો અભિપ્રાય નથી, જેને સીધી રીતે લાગુ કરી શકાય. ટ્રિબ્યુનલે કેસ સાથે સંકળાયેલા તમામ પક્ષોને નોટિસ પણ પાઠવી છે. આ કાર્યવાહી NCLTના થોડા દિવસો અગાઉના તે આદેશ બાદ થઈ છે, જેમાં સુભાષ ચંદ્રાને આશરે 6.25 કરોડ રૂપિયા ચૂકવીને પોતાની દિવાળિયા કાર્યવાહીનું સમાધાન કરવાનો રસ્તો મળ્યો હતો. ખાસ વાત એ છે કે તેમના વિરુદ્ધ 22,000 કરોડ રૂપિયાથી વધુના દાવા કરવામાં આવ્યા હતા.</p><h3><b>અગાઉના આદેશ સામે ઉઠ્યા હતા સવાલો</b></h3><p>NCLTના અગાઉના આદેશ બાદ કેટલાક મહત્વના સવાલો ઊભા થયા હતા. ખાસ કરીને, મંજૂર થયેલા દાવાઓની કુલ રકમની સરખામણીમાં માત્ર ખૂબ જ નાના હિસ્સાથી આ કેસનું સમાધાન કેવી રીતે થઈ શકે તે અંગે પ્રશ્નો ઉઠ્યા હતા. હવે અગાઉના આદેશ પર રોક લાગતાં પાંચ સભ્યોની વિશેષ બેન્ચ આ સમગ્ર મામલાની ફરીથી સમીક્ષા કરશે. તાજેતરના નિર્દેશ મુજબ, કેસની સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી ગેરંટર પોતાની સંપત્તિ કોઈને સીધી કે પરોક્ષ રીતે ટ્રાન્સફર કે વેચી શકશે નહીં. માનવામાં આવી રહ્યું છે કે પાંચ સભ્યોની બેન્ચ દિવાળિયા કાર્યવાહી અંગે આગળ શું પગલાં લેવા તે નક્કી કરતા પહેલાં અગાઉના સભ્યો દ્વારા આપવામાં આવેલા અલગ-અલગ અભિપ્રાયોનું વિગતવાર મૂલ્યાંકન કરશે.</p><h3><b>ZMCLના શેરમાં ઘટાડો</b></h3><p>NCLTના આ નિર્ણય વચ્ચે **Zee Media Corporation Limited (ZMCL)**ના શેરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. BSEના આંકડા પ્રમાણે ZMCLના શેરમાં લગભગ 1 ટકાનો ઘટાડો થયો હતો અને શેરનો ભાવ આશરે ₹8.54 જોવા મળ્યો હતો. કારોબારી સત્ર દરમિયાન કંપનીનો શેર ₹8.37ના દિવસના નીચલા સ્તર સુધી પણ પહોંચ્યો હતો. જોકે, સોમવારના બંધ ભાવની સરખામણીએ મંગળવારે શેર ₹8.70 પર વધારા સાથે ખુલ્યો હતો. સોમવારે ZMCLનો શેર ₹8.61 પર બંધ થયો હતો.</p><p><b><a href="https://sandesh.com/business/news/india/make-in-india-as-gdp-reaches-78-pm-modi-emphasizes-on-indigenous-people-said-avoid-buying-gold-and-getting-married-abroad" target="_blank">આ પણ વાંચો: GDP 7.8% પહોંચતા PM મોદીનો સ્વદેશી પર ભાર, કહ્યું- સોનું ખરીદવાનું અને વિદેશમાં લગ્ન કરવાનું ટાળો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/TCkrPCB0d6tDLljhgnAG0srVW6uhKacmnepIcMg5.webp'/></item><item><title><![CDATA[Tej Pratap Yadav: થઈ શકે છે મારી હત્યા, કોઈ કાવતરું ઘડી રહ્યું છે... ભોજપુરી બબાલમાં લાલુ યાદવના પુત્રનો શોકિંગ ખુલાસો ]]></title><link>https://sandesh.com/entertainment/news/bhojpuri-bawal-tej-pratap-yadav-sensational-claim-of-his-murder</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/bhojpuri-bawal-tej-pratap-yadav-sensational-claim-of-his-murder</guid><pubDate>Tue, 01 Sep 2026 11:50:32 +05:30</pubDate><description><![CDATA[<p>લાલુ પ્રસાદ યાદવના પુત્ર અને જનશક્તિ જનતા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજ પ્રતાપ યાદવ હાલમાં રિયાલિટી શો "ભોજપુરી બાવલ"ને કારણે ચર્ચામાં છે. રાજકારણ બાદ હવે શોબિઝમાં પ્રવેશ કરનાર તેજ પ્રતાપે શો દરમિયાન એક એવો દાવો કર્યો છે, જેનાથી ચાહકો અને રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.</p><p><b>દિલ્હી સેન્ટ્રલ ખાતેથી સુરક્ષા હટાવ્યાનો તેજપ્રતાપનો આક્ષેપ</b></p><p>શોના એક પ્રોમો વીડિયોમાં તેજ પ્રતાપે પોતાના જીવ પર જોખમ હોવાની આશંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, "હરિયાણાના જયચંદે, દિલ્હીના એક અગ્રણી નેતા સાથે મળીને દિલ્હી સેન્ટ્રલ ખાતેથી અમારી સુરક્ષા હટાવી લીધી છે. અમને સતત ધમકીઓ મળી રહી છે. કોઈ ક્યાંય પણ ડાયનામાઈટ કે બોમ્બ પ્લાન્ટ કરી શકે છે. મને લાગે છે કે આ જયચંદ મારી હત્યા કરાવી દેશે, ત્યાર પછી જ આ લોકો શાંત બેસશે."'</p><p><img alt="tej pratap" src="https://epapercdn.sandesh.com/images/2026/09/01/ZEwHR4OQZQtewdvWs9P5z2DtJi1EBZjT258IoKVY.webp"><br></p><p><b>PA પર દગો કરવાનો અને ₹૨૦ લાખ લઈને ભાગવાનો આરોપ</b></p><p>પોતાની વિરુદ્ધ થઈ રહેલા કાવતરાં વિશે આગળ બોલતા તેમણે પોતાના પૂર્વ પીએ (PA) મોતીલાલ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેજ પ્રતાપના જણાવ્યા અનુસાર, જયચંદની નજર RJD ના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા પર હતી અને તેમનો પીએ મોતીલાલ વિરોધીઓ સાથે સાઠગાંઠ કરીને પાર્ટી ફંડમાંથી ₹૨૦ લાખ લઈને ભાગી ગયો છે.</p><p><b>પરિવાર સાથેના સંબંધો પર છલકાયું દુઃખ</b></p><p>આ પહેલી વાર નથી જ્યારે તેજ પ્રતાપે આ શોમાં અંગત બાબતો જાહેર કરી હોય. આ પહેલાં પણ તેમણે પોતાના પિતા લાલુ પ્રસાદ યાદવ અને ભાઈ તેજસ્વી યાદવ સાથેના સંબંધોમાં આવેલી ખટાશ અને પરિવાર દ્વારા મળેલા દગા વિશે ખુલ્લેઆમ વાત કરી હતી. તેમના આ ચોંકાવનારા વિગતવાર ખુલાસાઓ બાદ ચાહકો તેમની સુરક્ષાને લઈને ખૂબ ચિંતિત દેખાઈ રહ્યા છે.</p><p><br></p><p><a href="https://sandesh.com/entertainment/news/hanuman-ansh-game-changer-5-reasons-success" target="_blank">આ પણ વાંચો : Hit Film : ન કોઈ સુપરસ્ટાર, ન મોટું બજેટ! જાણો તે 5 મોટા કારણો જેનાથી ગેમ ચેન્જર સાબિત થઈ ફિલ્મ હનુમાન અંશ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/YLRoH8EpWs0CEBIhk9krmJmdmwJdswqRkoEHIUmW.webp'/></item><item><title><![CDATA[Bhavnagar News: લઠ્ઠાકાંડમાં પોલીસ કર્મી રાજદીપસિંહ ગોહિલની ધરપકડ, સાંજે કોર્ટમાં રજૂ કરાશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/bhavnagar/police-constable-rajdeepsinh-gohil-arrested-in-hoilchand-case</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/bhavnagar/police-constable-rajdeepsinh-gohil-arrested-in-hoilchand-case</guid><pubDate>Tue, 01 Sep 2026 11:47:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ મામલે પોલીસની કાર્યવાહી બાદ હવે કોર્ટની કાર્યવાહી શરૂ થઈ છે. વરતેજ પોલીસ મથકમાં કુલ 21 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો.જેમાંથી 14 આરોપીઓની SMC દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. 10 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ તમામ 14 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થયા બાદ અને વધુ રિમાન્ડની માંગણી ન થતાં કોર્ટે 14 આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>લઠ્ઠાકાંડમાં પોલીસ કર્મી રાજદીપસિંહ ગોહિલની સંડોવણી</b></h2><p style="text-align: justify; ">ભાવનગરમાં લઠ્ઠાકાંડ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભાવનગર ગ્રામ્ય ડિવિઝનની એએસપી કચેરીમાં ફરજ બજાવતો પોલીસ કર્મચારી રાજદીપસિંહ ગોહિલ આ લઠ્ઠાકાંડમાં સીધી રીતે સંડોવાયેલો હોવાનું બહાર આવતા તેની ધરપકડ કરવામાં આવી છે. આ કેસના મુખ્ય આરોપી ગૌતમ સાથે આ પોલીસકર્મીના સંબંધો અને સંડોવણી હોવાની પુષ્ટિ થતા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. એસએમસીની ટીમ દ્વારા ધરપકડ કરાયેલા પોલીસ કર્મચારી રાજદીપસિંહ ગોહિલને આજે સાંજે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને સંબંધિત કોર્ટમાં રજૂ કરવામાં આવશે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>પોલીસે અન્ય રાજ્યોમાં પણ તપાસ આરંભી</b></h3><p style="text-align: justify; ">આ પ્રકરણમાં અન્ય કોઈ પોલીસ કર્મચારીઓની મિલીભગત કે સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે. લઠ્ઠાકાંડ મામલે વરતેજ પોલીસ મથકમાં કુલ 21 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. લઠ્ઠાકાંડ કેસમાં SMC એ મધ્યપ્રદેશ અને ભાવનગરમાંથી વધુ 6 આરોપીઓને ઝડપ્યા હતાં. જેમાં મધ્યપ્રદેશથી 2 શખ્સો, ભાવનગર શહેરમાંથી 2 અને નાના ખોખરા ગામમાંથી 2 શખ્સોનો સમાવેશ થાય છે. આ ઘટનામાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ રાજ્યોમાં તપાસ ટીમો રવાના કરવામાં આવી છે.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/surat/mla-kumar-kanani-seeks-proper-plastic-waste-disposal-facility" target="_blank">આ પણ વાંચોઃ Surat News : કચરાના નિકાલની સુવિધા ઉભી કરો, લોકોની રોજગારી બંધ ના થવી જોઈએ: ધારાસભ્ય કુમાર કાનાણીનો પત્ર</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/Gh3asXQdsYrsGsDz6KObhNP5u31uFyexe1B3dhwf.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : એરપોર્ટ પર વિમાનના ઈમરજન્સી લેન્ડિંગ મામલે પોલીસે ફરિયાદ નોંધી, 40 લોકોના હેન્ડ રાઈટિંગના સેમ્પલ લીધા ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/police-probe-air-india-emergency-landing-40-handwriting-samples-taken</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/police-probe-air-india-emergency-landing-40-handwriting-samples-taken</guid><pubDate>Tue, 01 Sep 2026 11:46:02 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સાઉદી અરેબિયાના દમ્મામથી નવી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઈટના ટોયલેટમાંથી બોમ્બ લખેલું ટિશ્યૂ પેપર મળતાં સોમવારે સાંજે 4.22કલાકે અમદાવાદ એરપોર્ટ પર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. પાઇલટને આ અંગે જાણ થતાં તાત્કાલિક સુરક્ષા પ્રોટોકોલ મુજબ વિમાનને નજીકના અમદાવાદ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરાયું હતું. જોકે સુરક્ષા ચકાસણીમાં કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નહોતી જેને લઈને ફ્લાઈટમાં સવાર 32 મુસાફરો અને 8 કૂ મેમ્બર મળીને 40 લોકોને હાશકારો થયો હતો. આ ઘટનામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડિંગ મામલે તપાસ તેજ</b></h2><p style="text-align: justify; ">અમદાવાદ એરપોર્ટ પર વિમાનના ઈમરજન્સી લેન્ડિંગ મામલે એરપોર્ટ પોલીસ મથકે અજાણ્યા ઈસમ વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફ્લાઇટમાં ટિશ્યુ પેપર પર બોમ્બ રેડ 4.30 એમ લખીને ધમકી આપવામાં આવી હતી, જે મામલે પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ધમકીભર્યો પત્ર કોણે લખ્યો છે તે શોધવા માટે પોલીસે અત્યાર સુધીમાં શંકાસ્પદ ગણાતા આશરે 40 જેટલા લોકોના અક્ષરના નમૂના લીધા છે અને આ દિશામાં વધુ સઘન તપાસ હાથ ધરી છે.</p><h3 style="text-align: justify; "><b>ફ્લાઈટ દમ્મામથી નવી દિલ્હી તરફ જઈ રહી હતી</b></h3><p style="text-align: justify; ">એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર એઆઇ 170 દમ્મામથી નવી દિલ્હી તરફ જઈ રહી હતી ત્યારે વિમાનના ટોયલેટમાંથી કો-પાઈ લટને એક ટિશ્યૂ પેપર મળી આવ્યું હતું. આ ટિશ્યૂ પેપર પર ‘બોમ્બ” લખેલું હોવાનું ધ્યાનમાં આવતાં ઘટનાને ગંભીરતાથી લઈને પાઇલટે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક કર્યો હતો. ત્યારબાદ સાવચેતીના ભાગરૂપે વિમાનને અમદાવાદ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરાયું હતું અને સાંજે આશરે 4.22 કલાકે વિમાનનું અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. વિવિધ સુરક્ષા એજન્સીઓ સીઆઈએસએફ સહિત એરપોર્ટની વિવિધ સુરક્ષા એજન્સીઓ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને અન્ય સંબંધિત ટીમો દ્વારા વિમાનની અંદરનો દરેક ભાગ, મુસાફરોનો સામાન અને અન્ય સંભવિત સ્થળોની તપાસ કરાઈ હતી. કલાકોની તપાસના અંતે કોઈ બોમ્બ કે અન્ય કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. તપાસ દરમિયાન કોઈ વિસ્ફોટક કે શંકાસ્પદ સામગ્રી ન મળતાં મુસાફરો અને એરપોર્ટ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.<br><br><a href="https://sandesh.com/gujarat/news/surat/mla-kumar-kanani-seeks-proper-plastic-waste-disposal-facility" target="_blank">આ પણ વાંચોઃ Surat News : કચરાના નિકાલની સુવિધા ઉભી કરો, લોકોની રોજગારી બંધ ના થવી જોઈએ: ધારાસભ્ય કુમાર કાનાણીનો પત્ર</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/FjqxiSlIYwepfeK5bkARUvGKJtjxijgJKCg3l0Hd.webp'/></item><item><title><![CDATA[Make in India: GDP 7.8% પહોંચતા PM મોદીનો સ્વદેશી પર ભાર, કહ્યું- સોનું ખરીદવાનું અને વિદેશમાં લગ્ન કરવાનું ટાળો ]]></title><link>https://sandesh.com/business/news/india/make-in-india-as-gdp-reaches-78-pm-modi-emphasizes-on-indigenous-people-said-avoid-buying-gold-and-getting-married-abroad</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/make-in-india-as-gdp-reaches-78-pm-modi-emphasizes-on-indigenous-people-said-avoid-buying-gold-and-getting-married-abroad</guid><pubDate>Tue, 01 Sep 2026 11:12:03 +05:30</pubDate><description><![CDATA[<p>Make in India: આ સમયે સમગ્ર વિશ્વ યુદ્ધની સમસ્યાઓ અને આર્થિક મંદી જેવા પડકારોનો સામનો કરી રહ્યું છે. આવા મુશ્કેલ વૈશ્વિક માહોલ વચ્ચે ભારતીય અર્થતંત્રએ મજબૂત પ્રદર્શન કર્યું છે. નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો GDP ગ્રોથ 7.8 ટકા નોંધાયો છે. એક તરફ દુનિયા અનેક સંકટોમાંથી પસાર થઈ રહી છે, જ્યારે બીજી તરફ ભારતમાં પણ કેટલાક લોકો નિરાશાનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, આ તમામ પડકારો વચ્ચે ભારતે વિકાસની ગતિ જાળવી રાખી છે. સામાન્ય લોકોની ભાગીદારી અને મહેનતને પણ આ વૃદ્ધિ પાછળનું મહત્વનું કારણ માનવામાં આવી રહ્યું છે.</p><h2><b>નિરાશા ફેલાવનારાઓને વિકાસથી જવાબ</b></h2><p>સરકારે આ આર્થિક સફળતાનો શ્રેય દેશના લોકોની સંકલ્પશક્તિને આપ્યો છે. સરકારનું કહેવું છે કે કેટલાક લોકો ‘જૂઠની ગૂંજ’ના માધ્યમથી નિરાશા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમ છતાં 140 કરોડ ભારતીયોની એકતા દેશને સતત આગળ લઈ જઈ રહી છે. વર્ષ 2020માં કોરોના મહામારી બાદથી વિશ્વમાં સ્થિરતા જોવા મળી નથી. અનેક વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારત સતત આગળ વધી રહ્યું છે. આર્થિક મજબૂતી પાછળ દેશની સામૂહિક શક્તિ અને લોકોની મહેનત મહત્વની રહી છે.</p><p><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dcusqf4J5Nc/?utm_source=ig_embed&amp;ig_rid=AMAjH4jtZR025U96SuocI6I" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dcusqf4J5Nc/?utm_source=ig_embed&amp;ig_rid=AMAjH4jtZR025U96SuocI6I" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a></p><p><b style="font-size: 1.75rem;">સ્વદેશી પર ભાર</b></p><p>ભારતના વિકાસની આ ગતિને લાંબા સમય સુધી જાળવી રાખવા માટે આત્મનિર્ભર બનવું જરૂરી છે. સરકાર તરફથી લોકોને ‘વોકલ ફોર લોકલ’ અને ‘મેક ઇન ઈન્ડિયા’ને વધુ પ્રોત્સાહન આપવાની અપીલ કરવામાં આવી છે. આ સાથે કેટલાક ખાસ સૂચનો પણ આપવામાં આવ્યા છે. બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવા અને વિદેશમાં ડેસ્ટિનેશન વેડિંગ કરવાથી બચવાની સલાહ આપવામાં આવી છે. જો ખૂબ જરૂરી ન હોય તો સોનું ખરીદવાનું પણ ટાળવા કહેવામાં આવ્યું છે. સ્વદેશી વસ્તુઓ અને સેવાઓ પર વધુ ભાર મૂકવાથી આઝાદીના 100મા વર્ષ સુધી યુવાનો માટે વિકસિત ભારતનું નિર્માણ કરી શકાશે.</p><h4><b>મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પણ જોરદાર વૃદ્ધિ</b></h4><p>અમેરિકાના નોર્થ કેરોલિનાથી નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ GDPના આ આંકડા પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આ માત્ર એક આંકડો નથી, પરંતુ દેશના વિવિધ ક્ષેત્રોમાં વૃદ્ધિ થઈ રહી છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરે 9.2 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે. વૈશ્વિક પડકારો વચ્ચે પણ જો ભારતીય અર્થતંત્ર 7.8 ટકાની ઝડપે આગળ વધી રહ્યું છે, તો તેમાં ભારતીયોની મહેનતનો મોટો ફાળો છે.</p><h5><b>જૂના કાયદા દૂર થતાં વધ્યો વિશ્વાસ</b></h5><p>ભારતની આ આર્થિક વૃદ્ધિમાં રાજ્યોની ભૂમિકા પણ મહત્વપૂર્ણ રહી છે. વેપાર અને ઉદ્યોગ માટેનું વાતાવરણ સરળ બનાવવા સરકારે નાગરિકો અને વ્યવસાયો પરના કમ્પ્લાયન્સના બોજને ઘટાડવાના પ્રયાસો કર્યા છે. આશરે એક હજાર જૂના કાયદા દૂર કરવામાં આવ્યા છે, જ્યારે 40 હજારથી વધુ નિયમોને સરળ બનાવવામાં આવ્યા છે. સરકાર અને ઉદ્યોગ જગત વચ્ચે સતત ચર્ચા ચાલી રહી છે. આ ઉપરાંત વિવિધ દેશો સાથે દ્વિપક્ષીય વેપાર કરારો પણ કરવામાં આવી રહ્યા છે. ભારતમાં વિદેશી રોકાણ અને NRI દ્વારા મોકલવામાં આવતી રકમમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ભારતીય બેન્કોમાં આવી રહેલા નાણાં એ સંકેત આપે છે કે લોકોનો દેશની બેન્કિંગ સિસ્ટમ પરનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.</p><p><b><a href="https://sandesh.com/business/news/gold-silver-price-today-did-gold-prices-increase-or-decrease-after-pm-modis-appeal-not-to-buy-gold-know-the-latest-rate" target="_blank">આ પણ વાંચો: Gold Silver Price Today: સોનું ન ખરીદવાની PM મોદીની ફરી અપીલ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવમાં શું આવ્યો ફેરફાર</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/6Yx2V3JFfDBYgm1KA7PI1fzJfPDazGYCb2GO0xO5.webp'/></item><item><title><![CDATA[Surat News : રૂપિયાની અદાવતમાં પત્નીની બલિ ચડાવનાર નરાધમ પતિ જેલહવાલે, પુણા હત્યા કેસમાં કોર્ટની મોટી કાર્યવાહી ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/surat-news-unscrupulous-husband-who-sacrificed-his-wife-over-money-sent-to-jail-court-takes-major-action-in-pune-murder-case3</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/surat-news-unscrupulous-husband-who-sacrificed-his-wife-over-money-sent-to-jail-court-takes-major-action-in-pune-murder-case3</guid><pubDate>Tue, 01 Sep 2026 11:06:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતના પુણા વિસ્તારમાં વર્ષ 2006માં એક અત્યંત ચકચારી હત્યાની ઘટના સામે આવી હતી. આરોપી પતિ એબલ નકુમે પોતાની અલગ રહેતી પત્નીની ગળું દબાવીને નિર્મમ હત્યા કરી દીધી હતી. પત્ની પોતાના નોકરીના કે કામકાજના પગારના રૂપિયા પતિને આપતી ન હોવાની અદાવત રાખીને પતિએ આ ખૌફનાક આત્યંતિક પગલું ભર્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>હત્યા બાદ આરોપી થયો હતો ફરાર</b></h2><p style="text-align: justify; ">વર્ષ 2006માં પત્નીની ગળું દબાવી હત્યા કર્યા બાદ આરોપી એબલ નકુમ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો અને પોલીસ પકડથી દૂર ભાગતો રહ્યો હતો. જોકે, સમય જતાં તેને પોતાના કુકર્મ પર ભારે પસ્તાવો થયો હતો. આખરે પસ્તાવાની આગમાં બળતા આરોપીએ પોતાની સાસરી પક્ષે જઈને પત્નીની હત્યા કરી હોવાની તમામ હકીકતોની કબૂલાત કરી લીધી હતી.</p><h2 style="text-align: justify; "><b>કોર્ટે ફટકારી આજીવન કેદની સજા</b></h2><p style="text-align: justify; ">આ કબૂલાત બાદ પુણા પોલીસ સ્ટેશનમાં આરોપી સામે હત્યાનો ગુનો નોંધીને તેની કાયદેસર અટકાયત કરવામાં આવી હતી. આ કેસ સુરતની અદાલતમાં ચાલવા પર આવતાં, તમામ પુરાવાઓ અને સાક્ષીઓને ધ્યાને રાખીને કોર્ટે આરોપી પતિ એબલ નકુમને દોષિત ઠેરવ્યો હતો. અદાલતે પત્નીની હત્યાના ગંભીર ગુનામાં આરોપી પતિને આજીવન કેદની સખત સજા ફટકારીને ન્યાય આપ્યો છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/crime/surat/surat-news-a-simple-scolding-from-his-mother-broke-the-silence-a-13-year-old-innocent-hanged-himself-after-refusing-to-have-fun" target="_blank">Surat News : માતાના એક સામાન્ય ઠપકાથી આભ તૂટી પડ્યું, મસ્તી કરવાની ના પાડી તો 13 વર્ષના માસૂમે ગળે ફાંસો ખાધો...</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/Ta2uP63gUPNX5IzuHvPbzJmVQUKUw9c2DsrRx9Oq.webp'/></item><item><title><![CDATA[Mumbai Inflation:  મુંબઇ માટે મોંઘો મંગળવાર... દૂધ, CNG PNG અને ઓટો ટેક્સીના ભાડામાં વધારો ]]></title><link>https://sandesh.com/india/news/mumbai-inflation-an-expensive-tuesday-for-mumbai-milk-cng-png-and-auto-taxi-fares-increase</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/mumbai-inflation-an-expensive-tuesday-for-mumbai-milk-cng-png-and-auto-taxi-fares-increase</guid><pubDate>Tue, 01 Sep 2026 10:45:46 +05:30</pubDate><description><![CDATA[<p><b>Mumbai Inflation:</b> તહેવારોની સિઝન આવી રહી છે. તે પહેલા મુંબઇકરોને મોંઘવારીનો બરાબર ફટકો પડ્યો છે. 1 સપ્ટેમ્બરથી શરૂ થતા નવા મહિને જ જીવન જરૂરી સામાનનો ભાવ આસમાને પહોંચી ગયો છે. ત્યારે મંગળવાર 1 સપ્ટેમ્બરે મુંબઇમાં શું શું મોંઘુ થયુ તે જાણીએ.&nbsp;</p><p><b style="font-size: 2rem;">મુંબઇમાં સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો&nbsp;</b></p><p>મહાનગર ગેસ (MGL) એ સોમવારે જાહેરાત કરી હતી કે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં CNG ના ભાવમાં પ્રતિ કિલોગ્રામ ₹2 નો વધારો કરવામાં આવ્યો છે. CNG હવે પ્રતિ કિલોગ્રામ ₹88 ના ભાવે ઉપલબ્ધ થશે. ઘરેલું PNG ના ભાવમાં પણ પ્રતિ SCM ₹1 નો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો 1 સપ્ટેમ્બરની મધ્યરાત્રિથી અમલમાં આવ્યો છે.</p><p>કંપનીનું કહેવું છે કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે, જેની સીધી અસર તેના સંચાલન ખર્ચ પર પડી છે. કંપનીને ઊંચા દરે સ્પોટ RLNG આયાત કરવાની ફરજ પડી હોવાથી, આ ભાવ વધારો જરૂરી બન્યો છે.</p><p><b style="font-size: 2rem;">ઓટો અને ટેક્સીનું ભાડુ વધ્યું</b></p><p>મુંબઈ મેટ્રોપોલિટન રિજન ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (MMRTA)એ ઓટો અને ટેક્સીના ભાડામાં વધારો મંજૂર કર્યો છે. ઓટોનું લઘુત્તમ ભાડું હવે ₹27 છે.  જ્યારે 'કાળી-પીળી' ટેક્સીઓનું લઘુત્તમ ભાડું ₹33 થયું છે. પ્રતિ કિલોમીટર ટેક્સી ભાડું ₹20.66 થી વધીને ₹21.90 થયું છે, અને ઓટો ભાડું ₹17.14 થી વધીને ₹18.22 પ્રતિ કિલોમીટર થયું છે.શરૂઆતના 1.5 કિલોમીટર માટે, મુસાફરોએ હવે ટેક્સીઓ માટે ₹31 ને બદલે ₹33 ચૂકવવા પડશે.</p><p>ડ્રાઇવરોને નવા દરો અનુસાર તેમના મીટરનું માપાંકન કરવા માટે નવેમ્બરના અંત સુધીનો સમય આપવામાં આવ્યો છેઆમ કરવામાં નિષ્ફળતા પર દંડ થઈ શકે છે. મુંબઈમાં 4.5 લાખથી વધુ ઓટો અને 50,000 થી વધુ ટેક્સીઓ કાર્યરત છે. છેલ્લો ભાડા વધારો ફેબ્રુઆરી 2025 માં થયો હતો; આ વધારો લગભગ 18 મહિનાના અંતરાલ પછી આવ્યો છે.</p><p><b style="font-size: 2rem;">પ્રતિ લિટર દૂધના ભાવમાં 9 રૂપિયાનો વધારો&nbsp;</b></p><p>તહેવારોની મોસમ શરૂ થાય તે પહેલાં મુંબઈવાસીઓ ફરી એકવાર ફુગાવાની લહેરનો ભોગ બન્યા છે. આજથી, 1 સપ્ટેમ્બરથી, તબેલા દૂધના ભાવમાં પ્રતિ લિટર 9 રૂપિયાનો વધારો થયો છે. પરિણામે, મુંબઈમાં તબેલાના દૂધનો ભાવ હવે 93 રૂપિયાને બદલે 102 રૂપિયા થશે. નવા દર 1 સપ્ટેમ્બર, 2026 થી 28 ફેબ્રુઆરી, 2027 સુધી અમલમાં રહેશે. મુંબઇમાં ડેરીના દૂધના ભાવ વધારાને લઇને   ઉત્પાદકો જણાવે છે કે પશુ આહાર, ઘાસચારો અને પશુધનના વધતા ખર્ચને કારણે ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે .જે હવે ઘરના બજેટ પર અસર કરશે. ઉત્પાદકોના અહેવાલ મુજબ, પશુ આહાર ના ભાવમાં 25 ટકાનો વધારો થયો છે. વધુમાં, તેલ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ વધુ મોંઘા થયા છે, જેના કારણે તેમના માટે અગાઉના દરે દૂધ વેચવાનું મુશ્કેલ બન્યું છે.</p><p><br></p><p>આ પણ વાંચો-&nbsp; &nbsp;<a href="https://sandesh.com/business/news/petrol-diesel-price-today-lpg-prices-increased-from-today-know-what-is-the-situation-in-petrol-and-diesel-prices" target="_blank">Petrol Diesel Price Today: 1 સપ્ટેમ્બરે વધ્યા LPG, CNG અને PNGના ભાવ.. તો શું પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ થયો ફેરફાર ?&nbsp;</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/1xPkPOnZ7ZlQ7qKS8C5TxJoOGOVAyBVDbF2hZCdy.webp'/></item><item><title><![CDATA[India Footbal ટીમની જાહેરાત, 26 ખેલાડીઓની પસંદગી કરાઇ ]]></title><link>https://sandesh.com/sports/news/india-football-team-announced-26-players-selected</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india-football-team-announced-26-players-selected</guid><pubDate>Tue, 01 Sep 2026 09:31:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય ફૂટબોલ ટીમ માટે આગામી આંતરરાષ્ટ્રીય વિન્ડો ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાની છે. મુખ્ય કોચ ખાલિદ જમીલે 26 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. ભારતીય ટીમ આગામી દિવસોમાં પનામા, બ્રાઝિલ અને ઉરુગ્વે જેવી મજબૂત ટીમો સામે 3 આંતરરાષ્ટ્રીય મૈત્રી મેચ રમશે. ખાસ કરીને બ્રાઝિલ અને ઉરુગ્વે સામેની મેચ ભારતીય ખેલાડીઓ માટે પોતાની ક્ષમતા સાબિત કરવાની મોટી તક બની રહેશે.</p><h5 style="text-align: justify; "><b>ભારતીય ટીમ અભિયાનની શરૂઆત 26 સપ્ટેમ્બરે કરશે</b></h5><p style="text-align: justify; ">ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 26 સપ્ટેમ્બરે કરશે. બેંગલુરુના શ્રી કાંતિરવા સ્ટેડિયમમાં ભારતનો મુકાબલો પનામા સામે થશે. ત્યારબાદ ભારતીય ટીમ કોલકાતા જશે, જ્યાં 3 ઓક્ટોબરે 5 વખતની વિશ્વ ચેમ્પિયન બ્રાઝિલ અને 6 ઓક્ટોબરે 2 વખતની વિશ્વ ચેમ્પિયન ઉરુગ્વે સામે મેદાનમાં ઉતરશે.આ ત્રણેય ટીમો આ વર્ષે યોજાયેલા FIFA વિશ્વ કપમાં ભાગ લઈ ચૂકી છે. આવી સ્થિતિમાં ભારતીય ખેલાડીઓ માટે વિશ્વસ્તરીય ટીમો સામે રમવાનો અનુભવ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. મુખ્ય કોચ ખાલિદ જમીલ પણ આ મેચો દ્વારા ટીમની તાકાત અને નબળાઈઓ સમજવાનો પ્રયાસ કરશે.</p><h5 style="text-align: justify; "><b>14 સપ્ટેમ્બરથી રાષ્ટ્રીય શિબિર</b></h5><p style="text-align: justify; ">ભારતીય રાષ્ટ્રીય ટીમની શિબિર 14 સપ્ટેમ્બરથી બેંગલુરુમાં શરૂ થશે. પનામા સામેની મેચ બાદ ભારતીય ટીમ 28 સપ્ટેમ્બરે કોલકાતા માટે રવાના થશે. ત્યારબાદ માત્ર થોડા દિવસના અંતરે ભારત બ્રાઝિલ અને ઉરુગ્વે જેવી મજબૂત ટીમો સામે મેચ રમશે.આ ત્રણેય મુકાબલા ભારતીય ટીમ માટે એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે આગામી સમયમાં ટીમને અનેક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ નિભાવવાની છે. ખાસ કરીને બ્રાઝિલ અને ઉરુગ્વે સામે રમવાથી ભારતીય ખેલાડીઓને મોટા મંચ પર પોતાની રમતનું મૂલ્યાંકન કરવાની તક મળશે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/IndianFootball/status/2094461120929034687?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; "><br></p><h5 style="text-align: justify; "><b>ભારતની 26 સભ્યોની ટીમ</b></h5><p style="text-align: justify; ">ગોલકીપર:એલ્બિનો ગોમ્સ, ગુરપ્રીત સિંહ સંધુ, પ્રભસુખન સિંહ ગિલ અને સોમ કુમાર.</p><p style="text-align: justify; ">ડિફેન્ડર:અભિષેક સિંહ ટેકચામ, આકાશ મિશ્રા, અનવર અલી, બિજોય વર્ગીઝ, હમિંગથનમાવિયા રાલ્ટે, જય ગુપ્તા, પ્રમવીર અને રિકી મીતેઈ હાઓબામ.</p><p style="text-align: justify; ">મિડફિલ્ડર:અનિરુદ્ધ થાપા, આશિક કુરુનિયન, ફારુખ ચૌધરી, લાલેંગમાવિયા રાલ્ટે, મેકાર્ટન નિક્સન, મોહમ્મદ સનાન, રિકી શાબોંગ અને સહલ અબ્દુલ સમદ.</p><p style="text-align: justify; ">ફોરવર્ડ:એડમન્ડ લાલરિન્દિકા, ઇરફાન યાડવાડ, મનવીર સિંહ, રહીમ અલી, રેયાન વિલિયમ્સ અને વિક્રમ પ્રતાપ સિંહ.</p><h5 style="text-align: justify; "><b>ભારતનો સંપૂર્ણ કાર્યક્રમ</b></h5><p style="text-align: justify; ">26 સપ્ટેમ્બર:ભારત વિરુદ્ધ પનામા — શ્રી કાંતિરવા સ્ટેડિયમ,બેંગલુરુ</p><p style="text-align: justify; ">3 ઓક્ટોબર:ભારત વિરુદ્ધ બ્રાઝિલ — વિવેકાનંદ યુવા ભારતી ક્રીડાંગણ, કોલકાતા</p><p style="text-align: justify; ">6 ઓક્ટોબર:ભારત વિરુદ્ધ ઉરુગ્વે — વિવેકાનંદ યુવા ભારતી ક્રીડાંગણ, કોલકાતા</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/cricket/news/australia-a-squad-announced-for-the-india-a-series-two-players-of-indian-origin-included-in-the" target="_blank">Australia-A squad : ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયા A ટીમ જાહેર,ભારતીય મૂળના 2 ખેલાડીઓને મળ્યું સ્થાન</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/SPbBPwGbv7y83nxfQ8iZc8DhAECHb1obcZUy0Nan.webp'/></item><item><title><![CDATA[Banaskantha News: અંબાજીમાં ભાદરવી પૂનમના સેવા કેમ્પો માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ ]]></title><link>https://sandesh.com/gujarat/news/banaskantha/ambaji-bhadarvi-poonam-seva-camp-online-registration</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/banaskantha/ambaji-bhadarvi-poonam-seva-camp-online-registration</guid><pubDate>Tue, 01 Sep 2026 09:25:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મા અંબાના પવિત્ર ધામ અંબાજી ખાતે આગામી સમયમાં યોજાનાર લોકપ્રિય ભાદરવી પૂનમ મહામેળો 2026ને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ ઉમટતા આ મહામેળાને સફળ બનાવવા તથા શ્રદ્ધાળુઓની સુવિધા માટે અંબાજી આવતા સેવા કેમ્પોના આયોજન અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.આ વર્ષે મહામેળા દરમિયાન સેવા કેમ્પ શરૂ કરવા ઈચ્છુક સંસ્થાઓ, મંડળો અને ટ્રસ્ટો માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>ભાદરવી પૂનમ મહામેળાની તારીખો</b></h2><p style="text-align: justify; ">આગામી ભાદરવી પૂનમ મહામેળો આગામી 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર 2026 સુધી યોજાનાર છે. આ સાત દિવસીય મહામેળામાં ગુજરાત જ નહીં પરંતુ દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં માઈભક્તો અંબાજી માતાના દર્શનાર્થે પદયાત્રા કરીને આવે છે. પદયાત્રીઓની સેવા માટે રસ્તામાં અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. અંબાજી મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મહામેળા દરમિયાન જે સંસ્થાઓ, ટ્રસ્ટો કે મંડળોએ સેવા કેમ્પ યોજવા હોય તેમણે ફરજિયાતપણે ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>અધિકૃત સેવા કેમ્પોને જ તંત્ર દ્વારા મંજૂરી અપાશે</b></h3><p style="text-align: justify; ">આ માટે અંબાજી મંદિર ટ્રસ્ટની સત્તાવાર વેબસાઈટ www.ambajitemple.in પર ખાસ ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે.ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આયોજકોએ રજિસ્ટ્રેશન ફોર્મ તેમજ ફાયર સેફ્ટીનું સ્વ બાંહેધરી પત્રક પ્રિન્ટ કરીને SDM કચેરી, દાંતા ખાતે સમયસર જમા કરાવવાનું રહેશે. ત્યારબાદ એસ.ડી.એમ. કચેરી દ્વારા સેવા કેમ્પના પ્રસ્તાવિત સ્થળ અને રજૂ કરાયેલા દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવશે. તમામ નિયમો અને શરતોનું યોગ્ય પાલન કરનાર અધિકૃત સેવા કેમ્પોને જ તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવશે. યાત્રાળુઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તંત્ર દ્વારા કેટલીક માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી છે. સેવા કેમ્પના આયોજકોએ કેમ્પમાં ફાયર સેફ્ટી, વીજ સુરક્ષા, પીવાના પાણીની શુદ્ધતા, સ્વચ્છતા અને યાત્રાળુઓની ભૌતિક સલામતીની વિશેષ જવાબદારી નિભાવવાની રહેશે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-hc-rebukes-ias-bijal-shah-in-stamp-duty-case" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: સ્ટેમ્પ ડ્યુટી કેસમાં બેદરકારી સામે IAS બીજલ શાહની હાઈકોર્ટે ઝાટકણી કાઢી</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/851W2O7U97p1mSuwKQMqnQRL0rTYKc5gKYA5rtT5.webp'/></item><item><title><![CDATA[છોટાઉદેપુર જનરલ હૉસ્પિટલમાં તબીબોની અનિયમિતતાથી પરેશાની ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/trouble-due-to-irregularity-of-doctors-at-chhota-udepur-general-hospital</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/trouble-due-to-irregularity-of-doctors-at-chhota-udepur-general-hospital</guid><pubDate>Tue, 01 Sep 2026 05:39:24 +05:30</pubDate><description><![CDATA[<p>છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની અનિયમિતતાથી દર્દીઓ બેહાલઃ દૂર-દૂરથી આવતા ગરીબ દર્દીઓને કલાકો સુધી હાલાકી, જવાબદાર કોણ? જ્યારે ડોક્ટર સમયે સર આવતા નથી તેવી ફરિયાદો પ્રજા કરી રહી છે.</p><p>અંતરિયાળ અને આદિવાસી વિસ્તાર ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાંથી એક ચિંતાજનક અને રોષ પેદા કરતા સમાચાર સામે આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી ગણાતી જનરલ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો સમયસર હાજર ન રહેતા હોવાના ગંભીર આક્ષેપો ઉઠયા છે. દૂર-દૂરના ગામડાઓમાંથી આશા સાથે ઈલાજ કરાવવા આવતા ગરીબ અને આદિવાસી દર્દીઓને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે.</p><p>તબીબોની ગેરહાજરીને કારણે સારવાર વિના જ પાછા ફરવાનો વારો આવે છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે, આરોગ્ય તંત્રની આ ઘોર બેદરકારી માટે આખરે જવાબદાર કોણ ? જિલ્લાની સૌથી મોટી જનરલ હોસ્પિટલમાં દરરોજ ગામે-ગામથી સેંકડો દર્દીઓ પોતાની બીમારીનો ઈલાજ કરાવવા આવે છે. પરંતુ અહીં આવ્યા પછી તેમને ઈલાજ પહેલાં તો માત્ર અને માત્ર રાહ જોવી પડે છે. જ્યારે ડોક્ટર વહેલા આવતા નથી. સ્થાનિક દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓનો આક્ષેપ છે કે, હોસ્પિટલમાં ડોક્ટરો નિયત સમયે કેબિનમાં હાજર રહેતા નથી. સવારથી લાઈનમાં ઊભેલા દર્દીઓને કલાકો સુધી તબીબોની વાટ જોવી પડે છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/01/dLRcvXVpWEu1uj8x4z9PosDc2aAFdDKJu1vXng8O.webp'/></item></channel></rss>