<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Mumbai લોકલ ટ્રેનમાં ખચોખચ ભીડ વચ્ચે સીટ પર કૂતરો મીઠી નીંદરમાં, મુંબઇગરાની દરિયાદિલી, Video ]]></title><link>https://sandesh.com/india/news/mumbai-local-train-viral-video-on-social-media-when-a-dog-sleep-on-seat-as-treat-vip-passenger</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/mumbai-local-train-viral-video-on-social-media-when-a-dog-sleep-on-seat-as-treat-vip-passenger</guid><pubDate>Wed, 12 Aug 2026 15:08:43 +05:30</pubDate><description><![CDATA[<p>મુંબઈની લોકલ ટ્રેન અને તેની ભયંકર ભીડ વિશે કોણ નથી જાણતું? ખાસ કરીને પીક અવર્સ (ઓફિસ સમય) દરમિયાન લોકલ ટ્રેનમાં ઊભા રહેવાની એક ઇંચ જગ્યા મેળવવી પણ યુદ્ધ જીતવા સમાન ગણાય છે. પરંતુ જરા વિચારો, જો આવી ભીડભાડ વાળી ટ્રેનમાં મુસાફરોને સીટ પર એક કૂતરો આરામથી સૂતેલો મળે તો શું થાય? સામાન્ય રીતે લોકો તેને ભગાડીને પોતે બેસી જતા હોય છે, પરંતુ મુંબઈકરોએ કંઈક અલગ જ કર્યું. સોશિયલ મીડિયા પર હાલ એક ભાવનાત્મક અને રમુજી વીડિયો ધૂમ મચાવી રહ્યો છે, જેમાં લોકોએ 'ડોગેશ ભાઈ'ની ઊંઘમાં ખલેલ ન પહોંચાડે તે માટે પોતે ઊભા રહીને મુસાફરી કરવાનું યોગ્ય માન્યું.</p><h2><b>મુંબઇલ લોકલ ટ્રેનનો ક્યુટ વીડિયો વાયરલ</b></h2><p>આ સમગ્ર ઘટના મુંબઈની લોકલ ટ્રેનમાં બની હતી. કરણ ભાનુશાલી નામના ઇન્સ્ટાગ્રામ યુઝરે આ વીડિયો પોતાના એકાઉન્ટ પર શેર કર્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રેનનો ડબ્બો મુસાફરોથી ખચાખચ ભરેલો છે અને લોકોને સરખા ઊભા રહેવામાં પણ તકલીફ પડી રહી છે. આ બધી ભીડ વચ્ચે એક કૂતરો આરામથી પગ પહોળા કરીને સીટ પર સૂઈ રહ્યો છે. સૌથી આશ્ચર્યજનક વાત એ રહી કે એક પણ મુસાફરે તે કૂતરાને જગાડવાનો કે સીટ પરથી ઉઠાડવાનો પ્રયાસ ન કર્યો.</p><p><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Db5c3v-M11X/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Db5c3v-M11X/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a></p><h3><b>મુંબઇગરાએ જીત્યા દિલ, 'એટલે જ મુંબઈ મારા હૃદયમાં વસે છે'</b></h3><p>વીડિયો શેર કરનાર કરણ ભાનુશાલીએ ક્લિપ પર એક સુંદર ટેક્સ્ટ લખી હતી: "આ જ કારણ છે કે મુંબઈ મારા હૃદયમાં વસે છે. પીક અવર્સ હોવા છતાં અને લોકલ ટ્રેન સંપૂર્ણપણે ભરેલી હોવા છતાં, એક પણ વ્યક્તિએ આ સૂતેલા કૂતરાને જગાડ્યો નહીં. બધાએ શાંતિથી પોતાને એડજસ્ટ કર્યા, નજીક ઊભા રહ્યા અને તેને પોતાની શાંતિપૂર્ણ ઊંઘ પૂરી કરવા દીધી. 'સ્પિરિટ ઓફ મુંબઈ' માત્ર એક શબ્દ નથી, પરંતુ દયાના આ નાના-નાના કાર્યોમાં તે પ્રતિબિંબિત થાય છે."</p><h3><b>ઇન્ટરનેટ પર મળ્યું 'VIP પેસેન્જર'નું સ્ટેટસ</b></h3><p>કરણે આ વીડિયોને મજેદાર કેપ્શન સાથે પોસ્ટ કરતા લખ્યું, "ભીડના સમયે પણ મુંબઈકરોએ 'ડોગેશ ભાઈ'ની ઊંઘ ખરાબ ન કરી. આ VIP મુસાફર માટે ફર્સ્ટ ક્લાસ ટ્રીટમેન્ટ!" વીડિયો વાયરલ થતાં જ લોકો મુસાફરોના આ સરાહનીય વલણ અને દયાની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. જે મુંબઈ લોકલ ટ્રેન સામાન્ય રીતે ધમાલ અને ધક્કામુક્કી માટે જાણીતી છે, તેનો આ સુંદર વીડિયો લોકોના દિલ સ્પર્શી રહ્યો છે.</p><h5><b>સોશિયલ મીડિયા પર યુઝર્સની રમુજી ટિપ્પણીઓ</b></h5><p>આ વાયરલ ક્લિપ પર યુઝર્સ તરફથી અવનવી પ્રતિક્રિયાઓ આવી રહી છે. એક યુઝરે લખ્યું, "ડોગીને સૂવા માટે દુનિયાની સૌથી સુરક્ષિત જગ્યા મળી ગઈ." બીજા યુઝરે લખ્યું, "ભીડનો સમય હોવા છતાં કોઈ ખલેલ નહીં, અદ્ભુત!" જ્યારે અન્ય એક યુઝરે મજાક કરતા લખ્યું, "VIP મુસાફરોને હંમેશા પ્રાયોરિટી સીટ મળે છે, ડોગેશ ભાઈ ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરી રહ્યા છે."</p><p><br></p><p><a href="https://sandesh.com/india/news/karnataka-blast--kalaburagi-man-straps-explosives--kills-daughter-aged-15" target="_blank">આ પણ વાંચો : Karnataka: ઓ બાપરે! કમર પર વિસ્ફોટક બાંધી વ્યક્તિએ કર્યો આત્મઘાતી હુમલો... 15 વર્ષની દીકરીનું મોત, 5 ઘાયલ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/fltn9Ykxag3aLGo6sUhQAPSYLryrVA85r4WP3LOo.webp'/></item><item><title><![CDATA[Analog paneer : મહારાષ્ટ્ર, ગુજરાત બાદ મધ્યપ્રદેશમાં પણ એનાલોગ પનીરના વેચાણ અને ઉત્પાદન પર પ્રતિબંધ ]]></title><link>https://sandesh.com/india/news/analog-paneer-ban-madhya-pradesh-health-risks</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/analog-paneer-ban-madhya-pradesh-health-risks</guid><pubDate>Wed, 12 Aug 2026 14:44:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નાગરિકોના સ્વાસ્થ્ય અને જાહેર આરોગ્ય સામે જોખમ ઊભું કરતી ખાદ્ય સામગ્રીઓ સામે રાજ્ય સરકારો હવે લાલ આંખ કરી રહી છે. આ જ ક્રમમાં મધ્યપ્રદેશ સરકારે લોકોના સ્વાસ્થ્યની રક્ષા માટે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેતા એનાલોગ પનીરના ઉત્પાદન અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. આ કડક પગલું ભરનાર મધ્યપ્રદેશ એ મહારાષ્ટ્ર, ગુજરાત અને છત્તીસગઢ પછી દેશનું ચોથું રાજ્ય બની ગયું છે.</p><h2 style="text-align: justify; "><b>મધ્યપ્રદેશે તાત્કાલિક ધોરણે મૂક્યો પ્રતિબંધ</b></h2><p style="text-align: justify; ">આ મામલે રાજ્યના તબીબી શિક્ષણ અને આરોગ્ય મંત્રી નરેન્દ્ર શિવાજી પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે પાડોશી રાજ્યોમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ હોવાને કારણે મધ્યપ્રદેશમાં આ હાનિકારક ઉત્પાદન મોટા પ્રમાણમાં ઠાલવવાનો પ્રયાસ થઈ શકે તેમ હતો. આ સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને જ રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે પ્રતિબંધ મૂકવાનો સખત નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી મોહન યાદવે પણ સંબંધિત અધિકારીઓને આ પ્રતિબંધનું ચુસ્તપણે પાલન કરાવવા અને જરૂરી કાર્યવાહી કરવા માટે સ્પષ્ટ નિર્દેશો આપ્યા છે. સરકારે સાફ શબ્દોમાં જણાવ્યું છે કે સામાન્ય જનતાના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારના ચેડાંિલક બિલકુલ સહન કરવામાં આવશે નહીં.</p><h3 style="text-align: justify; "><b>તહેવારોમાં ગમે તેવી વસ્તુ ન વેચાય તેનું રખાશે ધ્યાન</b></h3><p style="text-align: justify; ">મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે હાલમાં તહેવારોની સિઝન ચાલી રહી છે અને આગામી દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર પણ આવી રહ્યો છે. આવા સમયે બજારમાં દૂધ અને દૂધથી બનતી બનાવટોની માંગમાં અચાનક મોટો વધારો થતો હોય છે. તેથી, ગ્રાહકોને બજારમાં શુદ્ધ દૂધ અને શુદ્ધ માવો મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે સરકાર અત્યંત ચિંતિત છે. આ હેતુસર 20 જુલાઈથી જ સમગ્ર રાજ્યમાં શુદ્ધતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.</p><h4 style="text-align: justify; "><b>ગ્રાહકોને આપી રહ્યા હતા ઝેર</b></h4><p style="text-align: justify; ">સામાન્ય નાગરિકો આ વિષયથી અજાણ હોવાને કારણે છેતરાતા હોય છે. એનાલોગ પનીર દેખાવમાં તદ્દન નિયમિત પનીર જેવું જ લાગે છે, પરંતુ તે અસલી દૂધમાંથી બનાવવામાં આવતું નથી. તેમાં દૂધના બદલે વનસ્પતિ તેલ, વેજીટેબલ ફેટ, મિલ્ક પ્રોટીન અને અન્ય રાસાયણિક ઘટકોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. સામાન્ય દૂધના ચીઝ કરતાં તે ઘણું સસ્તું હોવાને કારણે હોટલો, રેસ્ટોરાં, કેટરિંગ વ્યવસાયિકો તેમજ પિઝા અને બર્ગર જેવા પ્રોસેસ્ડ ફૂડમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે. અગાઉ FSSAI દ્વારા આ અંગે માર્ગદર્શિકાઓ જારી કરવામાં આવી હોવા છતાં ગ્રાહકોને જાણ કર્યા વગર તેનું વેચાણ થતું હતું, જેને રોકવા માટે હવે આ કડક કાયદાકીય પગલાં લેવામાં આવ્યા છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/tech/news/world/meta-smart-glasses-banned-uk-restaurants-privacy" target="_blank">આ પણ વાંચોઃ&nbsp; આ દેશે મેટા સ્માર્ટ સ્પેક્સ પર મૂક્યો પ્રતિબંધ, કારણ જાણીને તમે પણ ચોંકશો!</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/wGdsHiZNgyWTyqUKZpc2rNbnrrWXNZj4I2CZy7G4.webp'/></item><item><title><![CDATA[Vadodara : ભાયલીમાં શ્વાન કરડ્યા બાદ ઈલાજ ન કરાવતાં યુવકને હડકવા ઉપડ્યો, પોતાને જ બચકા ભર્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-bhayli-rabies-case-youth-bites-himself-shifted-infectious-hospital</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-bhayli-rabies-case-youth-bites-himself-shifted-infectious-hospital</guid><pubDate>Wed, 12 Aug 2026 14:11:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બનાસકાંઠા બાદ હવે વડોદરાના ભાયલી વિસ્તારમાંથી હડકવા (રેબીસ) નો એક અત્યંત ચોંકાવનારો અને હૃદયકંપાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભાયલીમાં રહેતા હેમંત નામના યુવાનને થોડા સમય પહેલાં શ્વાન કરડ્યું હતું, પરંતુ તેણે સમયસર કોઈ ઈલાજ કે વેક્સિન ન લેતાં આખરે તેને ગંભીર હડકવા ઉપડ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>તેણે પોતાને જ બચકા ભરવાનું શરૂ કરી દીધું હતું</b></h2><p style="text-align: justify; ">હડકવાની અસર થતાં જ યુવકની માનસિક સ્થિતિ વણસી ગઈ હતી અને તેણે પોતાને જ બચકા ભરવાનું શરૂ કરી દીધું હતું. એટલું જ નહીં, તેણે આસપાસના લોકો પર પણ હુમલાનો પ્રયાસ કર્યો હતો.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>લોકોએ યુવકને દોરડા વડે બાંધી દીધો હતો</b></h3><p style="text-align: justify; ">સ્થિતિ બેકાબૂ બનતાં આસપાસના લોકોએ યુવકને દોરડા વડે બાંધી દીધો હતો અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ગોત્રી હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં તેની સ્થિતિ ગંભીર જણાતાં ગોત્રી હોસ્પિટલથી તેને વધુ સારવાર અર્થે ચેપી રોગ હોસ્પિટલ ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.</p><h4 style="text-align: justify; "><b>દર્દીના બચવાના ચાન્સ નહીવત હોય છે</b></h4><p style="text-align: justify; ">આ ગંભીર કિસ્સા અંગે ઇન્ફેક્શન સ્પેશ્યલિસ્ટ ડો. હિતેન કારેલીયાએ જણાવ્યું હતું કે, "હડકવા ઉપડ્યા બાદ દર્દીના બચવાના ચાન્સ નહીવત હોય છે. રેબીસ વાયરસ 2 થી 14 દિવસમાં અસર બતાવે છે અને તે સીધો દર્દીના મગજ પર એટેક કરે છે. આથી જ શ્વાન કરડતાં જ સમય બગાડ્યા વિના એન્ટી રેબીસ વાયરસના ઇન્જેક્શન (વેક્સિન) લેવા અત્યંત જરૂરી છે."</p><h4 style="text-align: justify; "><b>વેક્સીન લેવી જરુરી</b></h4><p style="text-align: justify; ">ડોક્ટરે હડકવાગ્રસ્ત શ્વાનના લક્ષણો અંગે ઉમેર્યું હતું કે, "જો કોઈ શ્વાન એક જગ્યાએ બેસતું ન હોય, પાણીથી ડરતું હોય , કશું ખાતું-પીતું ન હોય અને તેના મોંમાંથી સતત લાળ ટપકતી હોય, તો તેવા શ્વાનથી દૂર રહેવું અને જો તે કરડે તો તુરંત જ હોસ્પિટલ પહોંચીને વેક્સીન લેવી જોઈએ."&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-morbi-veerparda-mysterious-well-water-waves-scientific-reason-gsi" target="_blank"><b>&nbsp;Sandesh Digital Explainer: મોરબીનો રહસ્યમય કૂવો: અફવા નહીં, જાણો વૈજ્ઞાનિક હકીકત</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/ZnuaQf9VgHQYsuM62afVutCrBbJxJK4XMNIKhu3t.webp'/></item><item><title><![CDATA[Banaskantha News: ડીસામાં બનશે એશિયાનું પ્રથમ ડેઝર્ટ-થીમ 'ડ્રાઇવ થ્રુ નાઇટ સફારી' અને ઝૂ, CZA ની મંજૂરી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/deesa-desert-themed-drive-through-night-safari-and-zoo</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/deesa-desert-themed-drive-through-night-safari-and-zoo</guid><pubDate>Wed, 12 Aug 2026 13:32:58 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતના પ્રવાસન અને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે એક નવો સુવર્ણ અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના જૂના ડીસા ખાતે 103 હેક્ટર વિસ્તારમાં રૂ. 542.14 કરોડના અંદાજિત ખર્ચે 'ડેઝર્ટ ઝૂઓલોજિકલ પાર્ક અને નાઇટ સફારી' વિકસાવવામાં આવશે. આ ડ્રીમ પ્રોજેક્ટની ડિઝાઈનને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી તરફથી અધિકૃત મંજૂરી મળી ગઈ છે.</p><h2><b>એશિયાનું પ્રથમ અને વિશ્વનું ચોથું નાઇટ સફારી ઝૂ બનશે</b></h2><p>વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, ડીસા ખાતે બની રહેલું આ પ્રાણીસંગ્રહાલય એશિયાનું પ્રથમ ડેઝર્ટ-થીમ આધારિત ઝૂ હશે. આ ઉપરાંત તે વિશ્વનું આ પ્રકારનું ત્રીજું ડેઝર્ટ-થીમ ઝૂ અને વિશ્વનું ચોથું નાઇટ સફારી ઝૂ બનવા જઈ રહ્યું છે. આ આધુનિક સંરક્ષણ સુવિધા મુલાકાતીઓ માટે વન્યજીવોનો અનોખો અનુભવ પૂરો પાડશે અને સાથે જ પ્રજનન, વન્યજીવ રેસ્ક્યૂ, પુનર્વસન તથા પર્યાવરણીય શિક્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે.</p><h2><b>83 પ્રજાતિઓના 2700 પ્રાણી-પક્ષીઓનું બનશે સરનામું, રાત્રિ સફારી મુખ્ય આકર્ષણ</b></h2><p>આ ઝૂઓલોજિકલ પાર્કની મુખ્ય વિશેષતા તેની વિશ્વકક્ષાની નાઇટ સફારી હશે, જ્યાં સૂર્યાસ્ત પછી મુલાકાતીઓ ખાસ ડિઝાઇન કરવામાં આવેલા એન્ક્લોઝરમાં નિશાચર પ્રાણીઓને નિહાળી શકશે. પ્રોજેક્ટમાં એક અલગ 'ડે ઝૂ' અને નાઇટ સફારી માટેના 5 સમર્પિત એન્ક્લોઝર હશે. અહીં કુલ 83 પ્રજાતિઓના આશરે 2700 દેશી અને વિદેશી પશુ-પક્ષીઓને રાખવામાં આવશે.</p><p><img alt="Banaskantha News: Deesa to Get Asia's First Desert-Themed Drive-Through Night Safari &amp; Zoo, Gets CZA Approval" src="https://epapercdn.sandesh.com/images/2026/08/12/lERIPtEfqhGezefSRsb1WwL2ECY24FiY2A1AzaKd.webp" style="width: 100%;"><br></p><h2><b>ભારતીય, આફ્રિકન અને ઓસ્ટ્રેલિયન રણના પ્રાણીઓનું અનોખું સંગમ</b></h2><p>અગ્ર મુખ્ય વન સંરક્ષક (વન્યજીવ) ડો. જયપાલ સિંઘના જણાવ્યા અનુસાર, આ પાર્કમાં વિવિધ પ્રદેશોના પ્રાણીઓ જોવા મળશે. જેમાં...</p><ul><li><b>ભારતીય પ્રાણીઓ: </b>ચિંકારા, કાળિયાર, ભારતીય ઘૂડખર, એશિયાટીક સિંહ, દીપડા, શાહુડી, સસલું, શેળો, ડેઝર્ટ હેર, રીંછ, કેરેકલ, ભારતીય વરુ, શિયાળ, ઝરખ અને ભારતીય રણ લોમડી.</li><li><b>આફ્રિકન રણના પ્રાણીઓ:</b> એંગોલન જિરાફ, ગ્રેવીઝ ઝેબ્રા, સિમિતાર ઓરિક્સ, આફ્રિકન કુડુ સ્પ્રિંગબોક, અદ્રા ગેઝેલ, બ્લેક રાઇનોસરોસ, ચિમ્પાન્ઝી, મીરકાટ, આફ્રિકન ચિત્તો, આફ્રિકન સિંહ, ફેનેક ફોક્સ, બેટ-ઇયર્ડ ફોક્સ અને શાહમૃગ.</li><li><b>ઓસ્ટ્રેલિયન પ્રાણીઓ</b>: કાંગારૂ, એમુ અને વોલાબી.</li><li><b>અન્ય આકર્ષણો: </b>રેપ્ટાઇલ સફારી, રેઇન ફોરેસ્ટ બાયોમ, એક્વેરિયમ, બટરફ્લાય પાર્ક, સરિસૃપ ઘર, અને સોવેનિયર શોપ.</li></ul><p><img alt="Banaskantha News: Deesa to Get Asia's First Desert-Themed Drive-Through Night Safari &amp; Zoo, Gets CZA Approval" src="https://epapercdn.sandesh.com/images/2026/08/12/Ma6wtP5pzDe3eOxnVTXHNsUtkOwqzNPDaOipTxjf.webp"><br></p><h2><b>ગ્રીન ટેકનોલોજી અને ઇકો-ફ્રેન્ડલી વ્યવસ્થા</b></h2><p>ગાંધીનગર વાઇલ્ડલાઇફ સર્કલના મુખ્ય વન સંરક્ષક આરાધના સાહૂએ જણાવ્યું હતું કે, પર્યાવરણીય અસરો ઘટાડવા માટે આ પ્રોજેક્ટમાં રેઇનવોટર હાર્વેસ્ટિંગ (વર્ષાજળ સંચય), સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સોલર એનર્જી, સ્થાનિક વનસ્પતિઓનું વાવેતર અને ગ્રીન બફર ઝોન જેવી ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે.</p><h2><b>ઉત્તર ગુજરાતના પ્રવાસન સર્કિટને મળશે નવો વેગ</b></h2><p>બનાસકાંઠા વાઇલ્ડલાઇફ ડિવિઝનના નાયબ વન સંરક્ષક પોપટરાવ ગારડીના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ વડનગર, અંબાજી અને નડાબેટ જેવા પ્રખ્યાત પ્રવાસન સ્થળોની સાથે ઉત્તર ગુજરાતની ટુરિઝમ સર્કિટ માટે ફ્લેગશિપ ડેસ્ટિનેશન બની રહેશે.</p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/sipu-dam-water-level-falls-farmers-demand-narmada-water" target="_blank"> Banaskantha News: વરસાદ ખેંચાતા સીપુ ડેમના તળિયા દેખાયા, ખેડૂતોએ નર્મદાના પાણીની માગ કરી</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/iZM3Em73alSS8Q96sseP4wSYzYBulhVAbNITQ14V.webp'/></item><item><title><![CDATA[Amreli News: 12 વર્ષ પહેલાં ગુમ થયેલી સગીરા મળી, 'હેપી બર્થડે'ની એક પોસ્ટે ઉકેલ્યો પોક્સો કેસનો ભેદ! ]]></title><link>https://sandesh.com/crime/news/maru-saher-maru-gaam/amreli/amreli-police-solves-missing-girl-case-happy-birthday-post</link><guid isPermaLink="true">https://sandesh.com/crime/news/maru-saher-maru-gaam/amreli/amreli-police-solves-missing-girl-case-happy-birthday-post</guid><pubDate>Wed, 12 Aug 2026 13:14:57 +05:30</pubDate><description><![CDATA[<p>અમરેલી જિલ્લામાંથી વર્ષ 2014માં એક 13 વર્ષની સગીરા ગુમ થઈ હતી. આ ગુમ થયેલી સગીરાનો ભેદ 12 વર્ષ બાદ આખરે ઉકેલાયો છે. 2014ના વર્ષમાં અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુમ, અપહરણ અને પોક્સો (POCSO) કલમો હેઠળ નોંધાયેલા આ કેસમાં પોલીસ સતત પ્રયત્નશીલ હતી. 'બ્લાઈન્ડ એન્ડ અન્નામડ' બનેલા આ ચકચારી કેસમાં અમરેલી એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટને અદભુત સફળતા સાંપડી છે.</p><h2><b>'હેપી બર્થડે'ની સોશિયલ મીડિયા પોસ્ટ અને રિક્ષાના ફોટાએ આપ્યો સગડ</b></h2><p>અમરેલી પોલીસ ટેકનીકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા સોશિયલ મીડિયા પર સતત નજર રાખી રહી હતી. તે દરમિયાન એક શંકાસ્પદ પ્રોફાઇલ પરથી કરવામાં આવેલી 'હેપી બર્થડે'ની પોસ્ટ પોલીસના ધ્યાનમાં આવી હતી. આ પ્રોફાઇલમાં મૂકવામાં આવેલા એક ફોટોગ્રાફમાં પાછળ દેખાતી રિક્ષા પરથી પોલીસે કડીઓ મેળવવાનું શરૂ કર્યું હતું. આ ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ભલગામડા સુધી પહોંચી હતી.</p><p><img alt="Amreli News: Police Solves 12-Year-Old Missing Girl POCSO Case via Social Media" src="https://epapercdn.sandesh.com/images/2026/08/12/KThfUma98SKizyoS5LZODjVl7zCvMCgPGTgdOhDe.webp" style="width: 100%;"><br></p><h2><b>પોલીસે વસ્તી ગણતરી કરનાર શિક્ષકનો વેશ ધારણ કર્યો</b></h2><p>આરોપી અને ભોગ બનનાર પોતાની ઓળખ છુપાવીને મોરબીના હળવદ તાલુકાના ભલગામડા મુકામે રહેતા હતા. કેસમાં ચોક્કસ બાતમી અને ખાતરી કરવા માટે અમરેલી AHTUની ટીમે અનોખી યોજના બનાવી હતી. પોલીસ કર્મચારીઓ વસ્તી ગણતરી કરનાર શિક્ષક સ્ટાફ બનીને ત્યાં પહોંચ્યા હતા અને તપાસ કરી ભોગ બનનાર સગીરા અને આરોપીની ઓળખની સંપૂર્ણ ખાતરી કરી લીધી હતી.</p><h2><b>સગીરા 4 બાળકોની માતા બની ચૂકી છે, આરોપી પતિની અટકાયત</b></h2><p>તપાસ દરમિયાન સામે આવ્યું કે, 12 વર્ષ પહેલાં 13 વર્ષની વયે ગુમ થયેલી આ સગીરાએ યુવક સાથે રાજીખુશીથી લગ્ન કરી લીધા હતા અને સંસાર વસાવી લીધો હતો. હાલમાં આ મહિલા 4 બાળકોની માતા બની ચૂકી છે. પોલીસે આ કેસમાં 33 વર્ષીય આરોપી સંજય રાજુભાઇ દેત્રોજા (રહે. ભલગામડા, તા. હળવદ, જિ. મોરબી)ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.</p><p><img alt="Amreli News: Police Solves 12-Year-Old Missing Girl POCSO Case via Social Media" src="https://epapercdn.sandesh.com/images/2026/08/12/knyqLKfhc5RD4a8lINayLBZbs6KtoeOvXv1xtvpu.webp" style="width: 100%;"><br></p><h2><b>એસપી સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ AHTU ટીમની શ્રેષ્ઠ કામગીરી</b></h2><p>ભાવનગર રેન્જ આઇજી આર. વી.અસારીના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા પોલીસ અધીક્ષક સંજય ખરાત તથા વિભાગીય પોલીસ અધિકારી ચિરાગ દેસાઇની સૂચનાથી AHTU ના પોલીસ ઇન્સ્પેક્ટર વી. પી. ગોલ, મહિલા પોલીસ કોન્સ્ટેબલ પ્રિયાબેન વી. બગડા તથા નીતાબેન એ. કુંડાલીયા દ્વારા આ પ્રશંસનીય અને સફળ કામગીરી કરવામાં આવી હતી.</p><h2><b>અમરેલી એસપી સંજય ખરાતે આપી વિશેષ માહિતી</b></h2><p>અમરેલી એસપી સંજય ખરાતે આ સફળતા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, અમરેલી પોલીસ દ્વારા ગુમ થયેલા બાળકો અને પ્રૌઢોને શોધવા માટે સતત સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. વર્ષ 2025 અને 2026 દરમિયાન અમરેલી પોલીસે કુલ 111 ગુમ થયેલા બાળકોને શોધી કાઢ્યા છે, જ્યારે 342 થી વધુ પ્રૌઢ વ્યક્તિઓને શોધીને તેમના પરિવાર સાથે પુનઃ મિલન કરાવવાનું વિશિષ્ટ અને સંવેદનશીલ કાર્ય કર્યું છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/amreli/megharaja-re-enters-amreli-after-a-long-break-creating-an-atmosphere-of-happiness-among-farmers" target="_blank">Amreliમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ફરી એન્ટ્રી, ખેડૂતોમાં ખુશીનો માહોલ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/9jkzETMoXgXDOzVQUqfUDm0ZHmHnvC9eGR1Ro4jv.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : આનંદ નિકેતન શાળાના કેસમાં કેન્ટીન તુરંત બંધ કરવા અને જવાબદાર સામે FIR કરવા DEOનો આદેશ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-deo-action-anand-niketan-school-canteen-closed-police-complaint</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-deo-action-anand-niketan-school-canteen-closed-police-complaint</guid><pubDate>Wed, 12 Aug 2026 12:59:13 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદની આનંદ નિકેતન શાળામાં સામે આવેલા નાસ્તામાં કાચનો ટુકડો નીકળવાના ગંભીર બનાવ બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળા તંત્ર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. શાળામાં બાળકોના આરોગ્ય સાથે થયેલા ખીલવાડને ગંભીરતાથી લઈને DEO દ્વારા કેન્ટીન સંભાળતા જવાબદાર વ્યક્તિને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો અને તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાવવાનો સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>શાળાની કેન્ટીન તુરંત અસરથી બંધ કરી દેવાનો આદેશ</b></h2><p style="text-align: justify; ">DEO દ્વારા આનંદ નિકેતન શાળાની કેન્ટીન તુરંત અસરથી બંધ કરી દેવાનો આદેશ કરાયો છે. શાળા સંચાલકોને કડક સૂચના આપવામાં આવી છે કે જો તેમની પાસે FSSAIનું માન્ય લાયસન્સ હોય તો તે તાત્કાલિક રજૂ કરવામાં આવે. યોગ્ય તપાસ અને FSSAI ની મંજૂરી મળ્યા બાદ જ કેન્ટીન પુનઃ શરૂ કરી શકાશે. તે સિવાય કેન્ટીન શરૂ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>તમામ શાળાઓની કેન્ટીનની તપાસ થશે</b></h3><p style="text-align: justify; ">આ ઘટના બાદ અમદાવાદ DEO એ તમામ શાળાઓ માટે પણ મહત્વપૂર્ણ આદેશો જાહેર કર્યા છે. હવેથી દરેક શાળા માટે કેન્ટીન ચલાવવા માટે ફૂડ સેફ્ટીનું સર્ટિફિકેટ રાખવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સુરાક્ષા સુનિશ્ચિત કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા સમયાંતરે તમામ શાળાઓની કેન્ટીનોમાં સરપ્રાઈઝ ચેકિંગ અને તપાસ હાથ ધરવામાં આવશે. DEO ના આ કડક વલણથી બેદરકાર શાળા સંચાલકોમાં ભારે ફાળ પડી છે.</p><h3 style="text-align: justify; "><b>&nbsp;સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા સમગ્ર મામલા પર પડદો પાડવાનો પ્રયાસ</b></h3><p style="text-align: justify; ">અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલમાં વિદ્યાર્થીના ભોજનમાંથી કાચનો ટુકડો નીકળવાની ગંભીર ઘટના સામે આવતા ભારે વિવાદ સર્જાયો છે. આટલી મોટી બેદરકારી સામે આવ્યા બાદ પણ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા સમગ્ર મામલા પર પડદો પાડવાનો અને ઘટનાને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાળક જેવા માસૂમ વિદ્યાર્થીના જીવનું જોખમ ઊભું કરનારા જવાબદારો સામે સ્કૂલ પ્રશાસન દ્વારા હજુ સુધી કોઈ જ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. બેદરકાર લોકો સામે પગલાં લેવાના બદલે સ્કૂલ તંત્ર માત્ર વાલીઓ સમક્ષ ચિંતા વ્યક્ત કરીને પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરી રહ્યું હોવાથી વાલીઓમાં ભારે રોષ અને અસંતોષની લાગણી ફેલાઈ છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp;&nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-morbi-veerparda-mysterious-well-water-waves-scientific-reason-gsi" target="_blank"><b>Sandesh Digital Explainer: મોરબીનો રહસ્યમય કૂવો: અફવા નહીં, જાણો વૈજ્ઞાનિક હકીકત</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/1VeSWWAL1ATfnPX9FMxryMMZBJcctaIegeoXyZJE.webp'/></item><item><title><![CDATA[Gold Silver Price Today: સોના ચાંદીની ભાવ આસમાને, જાણો 12 ઑગષ્ટે 24 કેરેટ સોનાનો ભાવ ]]></title><link>https://sandesh.com/business/news/gold-silver-price-today-gold-and-silver-prices-skyrocket-know-the-price-of-24-carat-gold-on-august-12</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/gold-silver-price-today-gold-and-silver-prices-skyrocket-know-the-price-of-24-carat-gold-on-august-12</guid><pubDate>Wed, 12 Aug 2026 12:48:53 +05:30</pubDate><description><![CDATA[<p>Gold Silver Price Today: આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં વધારો ચાલુ છે. વૈશ્વિક સ્તરે તેલના ભાવમાં વધારો થવા છતાં, કોમોડિટી બજારમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. MCX પર સોનાના ભાવ 10 સપ્તાહની ટોચે પહોંચ્યા છે. </p><h2><b>આજે સોનાનો ભાવ&nbsp;</b></h2><p>COMEX પર, સોનાનો ભાવ પ્રતિ ઔંસ $4,449.70 અને ચાંદીનો ભાવ પ્રતિ ઔંસ $65.370 પર છે. આજે MCX પર, સોનું પ્રતિ 10 ગ્રામ ₹1,54,683 અને ચાંદી પ્રતિ કિલોગ્રામ ₹2,37,860 પર ખુલ્યું. ગઈકાલે, MCX સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,53,639 અને ચાંદીના ભાવ ₹2,35,250 પર બંધ થયો. સોના અને ચાંદીના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે. વિશ્વભરમાં કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ખરીદીને કારણે સોનાના ભાવ 10 અઠવાડિયાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા છે. આ વર્ષની શરૂઆતથી, સોનાના ભાવમાં ₹19,000 થી વધુનો વધારો થયો છે.</p><h2><b>આજે ચાંદીનો ભાવ&nbsp;</b></h2><p>ભારતમાં ચાંદીના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે, જે પ્રતિ કિલોગ્રામ ₹2.37 લાખની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. ગઈકાલે 11 ઓગસ્ટના રોજ ચાંદી પ્રતિ કિલોગ્રામ 235250 રૂપિયા પર બંધ થઈ હતી.&nbsp;</p><p><b style="font-size: 1.75rem;">બજારમાં સોના અને ચાંદીના ભાવ કેમ વધી રહ્યા છે?</b></p><p>સોના અને ચાંદીના ભાવ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોના વલણોથી પ્રભાવિત છે. MCXના અહેવાલ મુજબ, બુધવારે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ આશરે ₹1,200 અને ચાંદીમાં પ્રતિ કિલોગ્રામ આશરે ₹2,612નો વધારો થયો હતો. રોકાણકારોનું ધ્યાન યુએસ ફુગાવાના ડેટા પર કેન્દ્રિત છે. વધુમાં, મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ રોકાણકારો સોનાને સલામત રોકાણ તરીકે જોવા માટે પ્રેરિત કરી રહ્યા છે.&nbsp;</p><h4><b>દેશના કેટલાક મોટા શહેરોમાં સોનાના ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)</b></h4><p><br></p><table class="table table-bordered"><tbody><tr><td><b>શહેર&nbsp;</b></td><td><b>24 કેરેટ સોનાની કિંમત</b></td><td><b>&nbsp;22 કેરેટ સોનાની કિંમત</b></td></tr><tr><td>દિલ્હી&nbsp;</td><td>1,55,010&nbsp;</td><td>1,42,100</td></tr><tr><td>મુંબઈ&nbsp;</td><td>1,54,860&nbsp;</td><td>1,41,950</td></tr><tr><td>કોલકાતા&nbsp;</td><td>1,54,860</td><td>&nbsp;1,41,950</td></tr><tr><td>ચેન્નઈ&nbsp;</td><td>1,54,910&nbsp;</td><td>1,42,000</td></tr><tr><td>અમદાવાદ<br><br></td><td>&nbsp;1,54,910&nbsp;<br><br></td><td>1,42,000</td></tr><tr><td>રાજકોટ</td><td>&nbsp;1,54,910&nbsp;</td><td>1,42,000</td></tr></tbody></table><p><b style="font-size: 1.5rem;">સોનું અને ચાંદી ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું?</b></p><p>જો તમે સોનું ખરીદી રહ્યા હોવ તો હંમેશા હોલમાર્ક તપાસો અને 6 અંકનો HUID કોડ જોઈને જ ખરીદી કરો. ચાંદી માટે પણ BIS હોલમાર્ક હોય છે અને તેમાં 925 સ્ટર્લિંગ સિલ્વરને સૌથી સારી ગુણવત્તાનું માનવામાં આવે છે. ઉપરાંત, ખરીદી પહેલાં સોના અને ચાંદીની શુદ્ધતાની તપાસ પણ જરૂર કરાવો.</p><p><b>Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.</b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/01/10/U77LoUjX8thcjWlauQyawd0MEYRiNKxQmggWnlQG.webp'/></item><item><title><![CDATA[Rajkot : મિલકત પચાવી પાડવા પુત્રવધૂ અને 2 પૌત્રીનું કારસ્તાન: દાદા-દાદીને મારી નાખવા રસોડાના ફ્લોર પર તેલ ઢોળતા.. ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/rajkot/rajkot-property-dispute-daughter-in-law-tortures-grandparents-police-case</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/rajkot/rajkot-property-dispute-daughter-in-law-tortures-grandparents-police-case</guid><pubDate>Wed, 12 Aug 2026 12:35:02 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">&nbsp;રાજકોટમાંથી મિલકત પોતાના નામે કરી લેવા માટે કળિયુગી પુત્રવધૂ અને બે પૌત્રીઓ દ્વારા દાદા-દાદી પર ગુજારવામાં આવતા અત્યાચારનો એક હૃદયકંપાવનારો અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મિલકતમાં ભાગ પચાવી પાડવા માટે વયોવૃદ્ધ દાદા-દાદીને જાનથી મારી નાખવાના પ્રયાસો અને ધમકીઓ અપાતી હોવાના આક્ષેપ સાથે ભોગ બનનાર વૃદ્ધાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.</p><h2 style="text-align: justify; "><b>પુત્રવધૂ તેમજ બે પૌત્રીઓ સામે ગંભીર આક્ષેપો</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, રાજકોટમાં રહેતા ફરિયાદી વૃદ્ધાએ પોતાની પુત્રવધૂ તેમજ બે પૌત્રીઓ સામે ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. વૃદ્ધાએ  સનસનાટીભર્યા ખુલાસા કરતાં જણાવ્યું હતું કે, પુત્રવધૂ અને પૌત્રીઓ દ્વારા તેમને મિલકત પોતાના નામે કરી દેવા માટે સતત દબાણ કરવામાં આવતું હતું.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>હિંચકેથી પાડી દેવા તેમજ રસોડાના ફ્લોર પર તેલ ઢોળતા</b></h3><p style="text-align: justify; ">દાદા-દાદી મરી જાય તો આખી પ્રોપર્ટી પોતાની થઈ જાય તેવા મલીન ઈરાદા સાથે તેમને હિંચકેથી પાડી દેવા તેમજ રસોડાના ફ્લોર પર તેલ ઢોળીને લપસાવી દેવાના અમાનુષી પ્રયાસો કરવામાં આવ્યા હતા.</p><h4 style="text-align: justify; "><b>ગેસની લાઈન તોડીને આખું ઘર ઉડાવી દેવાની ધમકી</b></h4><p style="text-align: justify; ">એટલું જ નહીં, આરોપીઓ દ્વારા ગેસની લાઈન તોડીને આખું ઘર ઉડાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવતી હતી. આ રોજ-રોજના ત્રાસ અને માનસિક અત્યાચારથી કંટાળીને આખરે તેમણે હિંમત દાખવીને તાલુકા પોલીસ મથકમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. તાલુકા પોલીસે પુત્રવધૂ અને બંને પૌત્રીઓ સામે ગુનો નોંધી સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-morbi-veerparda-mysterious-well-water-waves-scientific-reason-gsi" target="_blank"><b>Sandesh Digital Explainer: મોરબીનો રહસ્યમય કૂવો: અફવા નહીં, જાણો વૈજ્ઞાનિક હકીકત</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/eXTvMhTg5ynsgOFAtkOASPToljT0HJbRrxhaTFMD.webp'/></item><item><title><![CDATA[Janhvi Kapoor એ દિલ્હી હાઇકોર્ટના ખટખટાવ્યા દરવાજા, જાણો સમગ્ર મામલો ]]></title><link>https://sandesh.com/entertainment/news/janhvi-kapoor-knocks-on-the-doors-of-delhi-high-court-for-personality-rights</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/janhvi-kapoor-knocks-on-the-doors-of-delhi-high-court-for-personality-rights</guid><pubDate>Wed, 12 Aug 2026 11:45:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂરે પોતાના પર્સનાલિટી રાઇટ્સ (વ્યક્તિત્વ અધિકારો)ના રક્ષણ માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. તેણે AI-જનરેટેડ ડીપફેક વિડિયો, ફેક સોશિયલ મીડિયા પ્રોફાઈલ, અશ્લીલ સામગ્રી અને તેની ઓળખનો દુરુપયોગ કરીને કરવામાં આવતી વ્યાપારી પ્રવૃત્તિઓ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.</p><h2 style="text-align: justify; "><b>જાહ્નવી કપૂરના વકીલની રજૂઆત</b></h2><p style="text-align: justify; ">જાહ્નવી કપૂર તરફથી કોર્ટમાં હાજર રહેલા એડવોકેટ આસવ રાજને જણાવ્યું હતું કે, અભિનેત્રીના નામ, ચહેરા અને ફોટાનો ઉપયોગ તેની પરવાનગી વગર કરવામાં આવી રહ્યો છે. AI ટેકનોલોજીનો દુરુપયોગ કરીને તેના વાંધાજનક અને અશ્લીલ ફોટા-વિડિયો બનાવવામાં આવી રહ્યા છે. આ સિવાય ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને X (ટ્વિટર) પર તેના નામે બનાવટી એકાઉન્ટ્સ ચલાવીને ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. તેમજ તેની ઓળખનો ઉપયોગ વિવિધ પ્રોડક્ટ્સ અને સર્વિસિસના પ્રચાર માટે પણ થઈ રહ્યો છે, જેના પર રોક લગાવવી જરૂરી છે.</p><h3 style="text-align: justify; "><b>દિલ્હી હાઇકોર્ટનું મહત્વનું અવલોકન</b></h3><p style="text-align: justify; ">આ કેસની સુનાવણી કરતી વખતે જસ્ટિસ અનુપ જયરામ ભંભાણીની બેન્ચે સ્પષ્ટ કર્યું કે આ મામલે ત્રણ પ્રકારની કન્ટેન્ટ પર રાહત આપી શકાય છે.&nbsp;</p><p style="text-align: justify; ">૧. અશ્લીલ કે વાંધાજનક સામગ્રી.</p><p style="text-align: justify; ">૨. જાહ્નવીના વ્યક્તિત્વ અધિકારોનું ગેરકાયદેસર શોષણ કરતી સામગ્રી.</p><p style="text-align: justify; ">૩. તેની ઓળખનો ઉપયોગ કરીને કોઈ પ્રોડક્ટ કે સર્વિસનો પ્રચાર કરતી સામગ્રી.</p><p style="text-align: justify; ">જોકે, કોર્ટે સોશિયલ મીડિયા પરના તમામ ફેન પેજીસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કરી દીધો હતો. કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું, "શું જાહ્નવી કપૂરને ફેન્સની જરૂર નથી? આ ડિજિટલ યુગ છે." કોર્ટે વધુમાં ઉમેર્યું કે દરેક ફેન પેજ કાયદાનું ઉલ્લંઘન કરતું નથી, કારણ કે ફેન પેજ અભિવ્યક્તિ, રચનાત્મકતા કે વ્યંગનું માધ્યમ પણ હોઈ શકે છે.</p><p style="text-align: justify; "><b>અભિવ્યક્તિની સ્વતંત્રતા અને અધિકારો વચ્ચે સંતુલન</b></p><p style="text-align: justify; ">હાઇકોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે સેલિબ્રિટીઝના અધિકારોનું રક્ષણ કરવું જેટલું જરૂરી છે, એટલું જ સામાન્ય લોકોની કાયદેસરની અભિવ્યક્તિની સ્વતંત્રતા જાળવવી પણ મહત્વપૂર્ણ છે. તેથી વ્યક્તિત્વ અધિકારો અને મુક્ત અભિવ્યક્તિ વચ્ચે સ્પષ્ટ રેખા દોરવી જરૂરી છે.</p><p style="text-align: justify; "><b>મેટાએ ૪,૦૦૦ થી વધુ લિંક્સ અંગે આપી માહિતી</b></p><p style="text-align: justify; ">સુનાવણી દરમિયાન મેટા તરફથી કોર્ટને જણાવવામાં આવ્યું કે જાહ્નવીની લીગલ ટીમે ૪,૦૦૦ થી વધુ URL ની યાદી આપી છે જેને હટાવવાની માંગ કરાઈ છે. મેટાએ સ્પષ્ટ કર્યું કે આ બધી લિંક્સ એકસરખી નથી અને તે બધી જ અશ્લીલ કે ગેરકાયદેસર નથી. ત્યારબાદ દિલ્હી હાઈકોર્ટે જાહ્નવી કપૂરની લીગલ ટીમને વિવાદિત સામગ્રીને અલગ-અલગ કેટેગરીમાં વર્ગીકૃત કરીને કોર્ટ સમક્ષ રજૂ કરવા આદેશ આપ્યો છે, જેથી તેના આધારે અંતિમ આદેશ જારી કરી શકાય.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/arjun-bijlani-breaks-silence-on-dating-rumors-with-mouni-roy-attempts-to-defame-him-by-targeting-him" target="_blank">આ પણ વાંચો : Arjun Bijlani મૌની રોય સાથે ડેટિંગની અફવા પર તોડયું મૌન, ટાર્ગેટ કરીને બદનામ કરવાનો પ્રયાસ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/T5yp5iLdJTDR0OBkMKX6hqpGWEkE7oyl5VoOtIpP.webp'/></item><item><title><![CDATA[Ronaldo-Georgina marries : 41 વર્ષના ફુટબોલરે 5 બાળકોની હાજરીમાં કર્યા લગ્ન ]]></title><link>https://sandesh.com/sports/news/cristiano-ronaldo-marries-41-year-old-footballer-gets-married-in-the-presence-of-5-children</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/cristiano-ronaldo-marries-41-year-old-footballer-gets-married-in-the-presence-of-5-children</guid><pubDate>Wed, 12 Aug 2026 08:18:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વિશ્વના સૌથી પ્રખ્યાત ફૂટબોલરોમાંના એક ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના જીવનમાં વધુ એક ખાસ પ્રકરણ ઉમેરાયું છે. રોનાલ્ડો અને તેમના લાંબા સમયના જીવનસાથી, જ્યોર્જીના રોડ્રિગ્ઝે આખરે લગ્ન કરી લીધા છે. આ દંપતીએ સોશિયલ મીડિયા પર તેમના લગ્નના સમાચાર શેર કરીને ચાહકોને આશ્ચર્યચકિત કર્યા હતા. 11 ઓગસ્ટના રોજ, 41 વર્ષીય રોનાલ્ડો અને 32 વર્ષીય જ્યોર્જીનાએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં તેમના લગ્નની વીંટીઓ દેખાઈ હતી. તેમણે ફોટોને ટૂંકમાં પરંતુ અનોખી રીતે કેપ્શન આપ્યું હતું, "CG." જોકે, આ દંપતીએ લગ્ન સમારોહના અન્ય કોઈ ફોટા જાહેર કર્યા નથી.</p><h5 style="text-align: justify;"><b>રોનાલ્ડોએ બાળકોની હાજરીમાં કર્યા લગ્ન&nbsp;</b></h5><p style="text-align: justify;">લગ્ન પોર્ટુગલના લિસ્બન નજીક એક સુંદર દરિયાકાંઠાના રિસોર્ટ, કાસ્કેસમાં થયા હતા. રોનાલ્ડોના પબ્લિક રિલેશન્સ મેનેજર, બ્રુન્સવિક ગ્રુપે જણાવ્યું હતું કે સમારોહ ખાનગી રાખવામાં આવ્યો હતો. રોનાલ્ડો અને જ્યોર્જીનાના પાંચ બાળકો પણ હાજર હતા. આ લગ્ને છેલ્લા કેટલાક અઠવાડિયાથી તેમના સંબંધો વિશે ચાલી રહેલી અટકળોનો પણ અંત લાવ્યો. નોંધપાત્ર રીતે, જ્યોર્જિનાએ ઓગસ્ટ 2025 માં તેમની સગાઈની જાહેરાત કરી હતી, અને હવે, બરાબર એક વર્ષ પછી, તેઓ લગ્ન કરી રહ્યા છે. રોનાલ્ડો તાજેતરમાં 2026 ફિફા વર્લ્ડ કપમાં પોર્ટુગલ માટે રમતા જોવા મળ્યો હતો.</p><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/Db6URBZAWgg/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/Db6URBZAWgg/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a></p><p style="text-align: justify;"><br></p><h5 style="text-align: justify;"><b>આ રીતે તેમની પ્રેમકથા શરૂ થઈ</b></h5><p style="text-align: justify;">રોનાલ્ડો અને જ્યોર્જીના પહેલી વાર 2016 માં મેડ્રિડમાં મળ્યા હતા. તે સમયે, જ્યોર્જીના ગુચી સ્ટોરમાં કામ કરતી હતી. તેના થોડા સમય પછી, તેમના સંબંધો હેડલાઇન્સમાં આવવા લાગ્યા. જાન્યુઆરી 2017 માં ઝુરિચમાં આયોજિત બેસ્ટ ફિફા ફૂટબોલ એવોર્ડ સમારોહ દરમિયાન તેઓ પહેલી વાર જાહેરમાં સાથે જોવા મળ્યા હતા.</p><h5 style="text-align: justify; "><b>&nbsp;તેમના સંબંધ ચર્ચામાં રહ્યો&nbsp;</b></h5><p style="text-align: justify; ">આ પછી, તેમનો સંબંધ ધીમે ધીમે વિશ્વના સૌથી ચર્ચિત સેલિબ્રિટી સંબંધોમાંના એકમાં ફેરવાઈ ગયો. જ્યોર્જીનાની નેટફ્લિક્સ શ્રેણી, આઈ એમ જ્યોર્જીના માં પણ તેમની પ્રેમકથા અને પારિવારિક જીવનની ઝલક દર્શાવવામાં આવી હતી. આ જ શ્રેણીમાં રોનાલ્ડોએ જ્યોર્જીના સાથેના પોતાના સંબંધો વિશે વાત કરતા કહ્યું કે શરૂઆતમાં તેમને ખ્યાલ નહોતો કે તે આટલું ગાઢ બનશે. સમય જતાં, તેમને સમજાયું કે જ્યોર્જીના તેમના જીવનમાં એક ખાસ વ્યક્તિ છે. રોનાલ્ડો અને જ્યોર્જીનાને બે પુત્રીઓ, અલાના અને બેલા છે. જ્યોર્જીના રોનાલ્ડોના મોટા પુત્ર, ક્રિસ્ટિયાનો જુનિયર અને જોડિયા, ઈવા મારિયા અને માટેઓનો પણ ઉછેર કરે છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/babita-phogat-welcomes-baby-girl" target="_blank">Babita Phogatએ પુત્રીને આપ્યો જન્મ, શેર કરી પહેલી તસવીર</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/12/5qKu5ZeFGpbMhgcWzMWcsdDUQmmGRVJ6AYE7zv06.webp'/></item></channel></rss>