<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Gandhinagar News: કલોલ સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ચાર્જશીટ બાદ માત્ર 72 કલાકમાં ટ્રાયલ ચલાવી પોક્સોના આરોપીને આજીવન કેદની સજા ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/gandhinagar/kalol-sessions-court-fast-track-trial-pocso-case</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/gandhinagar/kalol-sessions-court-fast-track-trial-pocso-case</guid><pubDate>Thu, 27 Aug 2026 20:04:43 +05:30</pubDate><description><![CDATA[<p>ગાંધીનગર જિલ્લાના કલોલની સેશન્સ કોર્ટે ન્યાયિક પ્રક્રિયામાં એક નવો માઇલસ્ટોન સ્થાપિત કર્યો છે. પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા એક અત્યંત ગંભીર ગુનામાં કોર્ટે પોલીસ દ્વારા ચાર્જશીટ રજૂ કરાયાના ગણતરીના દિવસોમાં જ, માત્ર 72 કલાકની અંદર કેસની સઘન ટ્રાયલ ચલાવીને આરોપીને દોષિત ઠેરવ્યો છે. સરકારી વકીલની ધારદાર દલીલો, સાક્ષીઓની જુબાની અને મજબૂત પુરાવા ધ્યાને રાખી કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે.</p><h2><b>શું હતી સમગ્ર ઘટના?</b></h2><p>ગાંધીનગર તાલુકાના મોટી આદરજ ગામમાં રહેતો 42 વર્ષીય ભરતજી બચુજી ઠાકોર નામનો ઈસમ એક સગીરાને લલચાવી-ફોસલાવીને ગેરકાયદે દુષ્કર્મ આચરવાના ઈરાદે તારીખ 2 જૂન 2026 ના રોજ ભગાડી ગયો હતો. સગીરાના વાલી દ્વારા તેની ભારે શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન મળતાં આખરે તારીખ 12 જુલાઈ 2026 ના રોજ કલોલ તાલુકા પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.</p><h2><b>હળવદથી પકડાયો આરોપી, પોલીસે ત્વરિત ચાર્જશીટ રજૂ કર્યું</b></h2><p>ફરિયાદના આધારે તપાસમાં જોડાયેલી કલોલ પોલીસે ટેકનિકલ સપોર્ટથી આરોપી ભરતજી ઠાકોરને સગીરા સાથે તારીખ 3 ઓગસ્ટ 2026 ના રોજ મોરબીના હળવદ તાલુકાના એક ગામમાંથી ઝડપી પાડ્યો હતો. સગીરા ગર્ભવતી હોવાનું સામે આવતાં પોલીસે કેસમાં પોક્સો એક્ટની ગંભીર કલમોનો ઉમેરો કર્યો હતો અને આરોપીને જેલહવાલે કર્યો હતો. પોલીસે કોઈ પણ વિલંબ વગર ગણતરીના દિવસોમાં જ કોર્ટમાં પાકા પુરાવા સાથે ચાર્જશીટ રજૂ કરી દીધું હતું.</p><h2><b>સંસ્કૃત શ્લોકના ઉલ્લેખ સાથે સંભળાવી આજીવન કેદની સજા</b></h2><p>કલોલ સેશન્સ કોર્ટમાં કેસ ચાલવા ઉપર આવતાં ન્યાયાધીશે સંસ્કૃતના શ્લોકનો ઉલ્લેખ કરીને સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો આપ્યો હતો. કોર્ટે આરોપી ભરતજી ઠાકોરને તેના છેલ્લા શ્વાસ સુધીની આજીવન કેદની સજા સંભળાવી છે. આ ઉપરાંત આરોપીને રૂ. 2,00,000નો રોકડ દંડ પણ ફટકારવામાં આવ્યો છે.</p><h2><b>ભોગ બનનાર સગીરાને રૂ. 3 લાખનું વળતર આપવા હુકમ</b></h2><p>ન્યાયમૂર્તિએ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પીડિતાના પુનર્વસન માટે પણ મહત્વનો આદેશ કર્યો છે. કોર્ટે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ગાંધીનગરને ભોગ બનનાર સગીરાને રૂ. 3,00,000નું વળતર ચુકવવા આદેશ આપ્યો છે. માત્ર 72 કલાકમાં ચાલયેલી ટ્રાયલ અને કડક સજાના આ ચુકાદાથી અસામાજિક અને વિષયાસક્ત તત્વોમાં ભારે ફાળ પડી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/morbi/3-gates-of-morbis-brahmini-dam-2-opened-6000-cusecs-of-water-released-into-the-river-11-downstream-villages-alerted" target="_blank">Morbiના બ્રાહ્મણી ડેમ-2ના 3 દરવાજા ખોલાયા: નદીમાં 6000 ક્યુસેક પાણી છોડાતાં હેઠવાસના 11 ગામોને કરાયા એલર્ટ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/cxtUAFvWf1vnE7Qmrjs02oDWxoH5bUQebqdvy2pE.webp'/></item><item><title><![CDATA[Canada: ટોરોન્ટોમાં ભારત-કેનેડા વચ્ચે પ્રથમ આર્થિક નાણાકીય સંવાદ શરૂ, આ ક્ષેત્રોમાં બંને દેશ વચ્ચે સહયોગની સંભાવનાઓ ]]></title><link>https://sandesh.com/india/news/world/canada-india-first-economic-financial-dialogue-toronto-cooperation</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/world/canada-india-first-economic-financial-dialogue-toronto-cooperation</guid><pubDate>Thu, 27 Aug 2026 20:03:36 +05:30</pubDate><description><![CDATA[<p>કેનેડાના ટોરોન્ટોમાં ભારત અને કેનેડા વચ્ચે પ્રથમ આર્થિક અને નાણાકીય સંવાદની શરૂઆત થઈ છે. ભારત તરફથી કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને કેનેડા તરફથી નાણામંત્રી તથા નેશનલ રેવન્યુ મંત્રી ફ્રાંસ્વા-ફિલિપ શેમ્પેન સંવાદનું નેતૃત્વ કરી રહ્યા છે. બંને દેશો વચ્ચે સંબંધોમાં સુધારાના પ્રયાસો વચ્ચે આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2092970650898256321"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>ભારત-કેનેડા સંબંધોને લઈને આશાવાદ વ્યક્ત કર્યો</b></h2><p>બેઠક દરમિયાન નિર્મલા સીતારમણે ભારત-કેનેડા સંબંધોને લઈને આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીના નેતૃત્વમાં બંને દેશોના સંબંધોમાં ‘રીસેટ’ બાદ ઉચ્ચ સ્તરીય બેઠકો અને સંપર્કમાં વધારો થયો છે. હવે પ્રથમ આર્થિક નાણાકીય સંવાદ શરૂ થઈ રહ્યો છે, જે બંને દેશો વચ્ચે સહયોગને નવી દિશા આપી શકે છે.</p><h3><b>વૈશ્વિક અનિશ્ચિતતા સતત યથાવત</b></h3><p>સીતારમણે જણાવ્યું કે વર્તમાન સમયમાં વૈશ્વિક અનિશ્ચિતતા સતત યથાવત છે. આવી સ્થિતિમાં ભારત અને કેનેડા જેવી અર્થવ્યવસ્થાઓ વૈશ્વિક વિકાસમાં વધુ સ્થિરતા અને વિશ્વસનીયતા લાવી શકે છે. બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ વધારવાથી વૈશ્વિક સપ્લાય ચેઇનમાં આવતા અવરોધોનો સામનો કરવામાં પણ મદદ મળી શકે છે.</p><h4><b>સહયોગથી લોકોની ખરીદ શક્તિ મજબૂત થઈ શકે</b></h4><p>તેમણે ખાસ કરીને ખાદ્ય સુરક્ષા, ઊર્જા સુરક્ષા અને મહત્વપૂર્ણ ખનિજોના ક્ષેત્રમાં ભારત અને કેનેડા વચ્ચે સહયોગની સંભાવનાઓ પર ભાર મૂક્યો. બંને દેશો મહત્વપૂર્ણ કોમોડિટીઝના વૈશ્વિક સોર્સિંગમાં એક જ સ્થળ પર નિર્ભરતા ઘટાડવા માટે સાથે મળીને કામ કરી શકે છે.</p><p>સીતારમણે કહ્યું કે ભારત-કેનેડા સહયોગથી લોકોની ખરીદ શક્તિ મજબૂત થઈ શકે છે અને સપ્લાય ચેઇનમાં આવતા આંચકાઓનો સામનો કરવાની ક્ષમતા વધશે. આ સંવાદ બંને દેશો વચ્ચે આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવા અને ભવિષ્યના સહયોગ માટે નવી તકો ઊભી કરવામાં મહત્વપૂર્ણ બની શકે છે.<br><br><b><a href="https://sandesh.com/gujarat/news/world/nepal-flood-3-people-from-ahmedabad-vadodara-and-surat-also-went-missing-in-nepal-flood-the-phone-of-the-informant-is-also-switched-off" target="_blank">આ પણ વાંચો : Nepal Flood : અમદાવાદ-વડોદરા સહિત સુરતના પણ 3 લોકો નેપાળ પૂરમાં થયા ગુમ, માહિતી આપનારનો ફોન પણ બંધ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/kQPHUuNTmJTVXa0VsLv9wTusTrUYQCgSxsW7oKUL.webp'/></item><item><title><![CDATA[India News : પંજાબના ફરાર ડ્રગ્સ સપ્લાયર સામે NCBની આકરી કાર્યવાહી, 2.80 કરોડની મિલકત કરી ફ્રીઝ ]]></title><link>https://sandesh.com/india/news/crime/india-news-ncb-takes-strict-action-against-punjabs-absconding-drug-supplier-freezes-property-worth-rs-280-crore</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/crime/india-news-ncb-takes-strict-action-against-punjabs-absconding-drug-supplier-freezes-property-worth-rs-280-crore</guid><pubDate>Thu, 27 Aug 2026 19:28:41 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પંજાબમાં સક્રિય ડ્રગ્સ સપ્લાય નેટવર્ક સામે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 17.194 કિલોગ્રામ નશીલા પદાર્થની જપ્તીના ગંભીર કેસમાં લાંબા સમયથી ફરાર ચાલી રહેલા આરોપી હરમનજીત સિંહ સંધુ સામે કાનૂની શિકંજો કસવામાં આવ્યો છે. NCB દ્વારા હાથ ધરવામાં આવેલી ખાસ ઝુંબેશ અંતર્ગત ગેરકાયદેસર કમાણીમાંથી ઊભી કરવામાં આવેલી આરોપીની આશરે 2.80 કરોડ રૂપિયાની સંપત્તિ તાત્કાલિક અસરથી ફ્રીઝ કરી દેવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>તરનતારનમાં મકાન, ખેતીની જમીન અને વાહનો ટાંચમાં લેવાયા</b></h2><p style="text-align: justify; ">NCBની ટીમે આરોપી હરમનજીત સિંહ સંધુની પંજાબના તરનતારન ખાતે આવેલી કરોડો રૂપિયાની સ્થાવર અને જંગમ મિલકતોની ઓળખ કરીને તેને ટાંચમાં લીધી છે. ફ્રીઝ કરાયેલી મિલકતોમાં એક મકાન, કિંમતી ખેતીની જમીન અને બે વાહનોનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી સીધો પાકિસ્તાનથી ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ ભારતમાં મંગાવતો હતો અને અન્ય લોકો મારફતે તેની અલગ-અલગ વિસ્તારોમાં ડિલિવરી કરાવતો હતો.</p><h2 style="text-align: justify; "><b>માહિતી આપનાર માટે 1 લાખનું ઈનામ જાહેર કરાયું</b></h2><p style="text-align: justify; ">પાકિસ્તાની સરહદેથી ચાલતા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ સાથે જોડાયેલા આ આરોપીને ઝડપી પાડવા માટે તપાસ એજન્સીઓએ ચક્ર ગતિમાન કર્યા છે. પોલીસ અને તંત્રથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયેલા હરમનજીત સિંહ સંધુની સચોટ માહિતી આપનાર કે તેને પકડવામાં મદદ કરનાર વ્યક્તિ માટે NCB દ્વારા 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. NCBના આ આકરા પગલાથી સરહદ પારથી ચાલતા ડ્રગ સ્મગલિંગ નેટવર્કને મોટો ફટકો પડ્યો છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/world/nepal-flood-3-people-from-ahmedabad-vadodara-and-surat-also-went-missing-in-nepal-flood-the-phone-of-the-informant-is-also-switched-off" target="_blank">Nepal Flood : અમદાવાદ-વડોદરા સહિત સુરતના પણ 3 લોકો નેપાળ પૂરમાં થયા ગુમ, માહિતી આપનારનો ફોન પણ બંધ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/9Bfj71kcJUYJbQxgsOwcXsK7Kz5SPetBapBYwWTb.webp'/></item><item><title><![CDATA[EPFOએ 800 કંપનીઓને આપી ચેતવણી, કહ્યું '31 ઓક્ટોબર સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવાની આપી સલાહ' ]]></title><link>https://sandesh.com/business/news/epfo-warning-800-noida-companies-pf-enrolment-october-31</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/epfo-warning-800-noida-companies-pf-enrolment-october-31</guid><pubDate>Thu, 27 Aug 2026 19:20:28 +05:30</pubDate><description><![CDATA[<p>કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાં આશરે 800 કંપનીઓની ઓળખ કરી છે, જ્યાં કામ કરતા કર્મચારીઓની PF હેઠળ હજુ સુધી રજિસ્ટ્રેશન કર્યું નથી. EPFOએ આ કંપનીઓને નોટિસ પાઠવીને કર્મચારીઓનું PF રજિસ્ટ્રેશન 31 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવા સૂચના આપી છે.</p><h2><b>સંગઠને કર્મચારીઓને કરી આ અપીલ&nbsp;</b></h2><p>EPFOના જણાવ્યા મુજબ, આ યાદીમાં રેસ્ટોરન્ટ, શ્રમ સપ્લાય એજન્સીઓ, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર્સ, ટ્રાન્સપોર્ટ કંપનીઓ સહિત અન્ય સંસ્થાઓનો સમાવેશ થાય છે. સંગઠને કર્મચારીઓને પણ પોતાના PF કવરેજ અને નોંધણીની સ્થિતિ તપાસવા અપીલ કરી છે. EPFOએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે નિર્ધારિત સમયમર્યાદામાં નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો સંબંધિત કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે. સંગઠનનું કહેવું છે કે કર્મચારીઓને PF વ્યવસ્થામાં સામેલ કરવાની જવાબદારી મુખ્યત્વે નોકરીદાતાની છે.</p><h3><b>EPFO ચલાવી રહ્યું છે જાગૃતિ અભિયાન</b></h3><p>પ્રાદેશિક ભવિષ્ય નિધિ કમિશનરે જણાવ્યું કે EPFO કંપનીઓ અને કર્મચારીઓને PFના નિયમો તથા તેમના અધિકારો અંગે માહિતી આપવા માટે વિશેષ અભિયાન ચલાવી રહ્યું છે. પ્રથમ તબક્કામાં કંપનીઓને નિયમોની જાણકારી આપી પાલન સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.</p><h4><b>ડેડલાઈન બાદ થશે તપાસ</b></h4><p>31 ઓક્ટોબર બાદ EPFO દ્વારા ઓળખાયેલી કંપનીઓએ નિયમોનું પાલન કર્યું છે કે નહીં તેની સમીક્ષા કરવામાં આવશે. જો કંપનીઓ દ્વારા PF નોંધણી પૂર્ણ નહીં કરવામાં આવે તો કાર્યવાહી શરૂ થઈ શકે છે. PF વ્યવસ્થા કર્મચારીઓને ભવિષ્યની નાણાકીય સુરક્ષા ઉપરાંત પેન્શન, વીમા અને અન્ય સામાજિક સુરક્ષા લાભ મેળવવામાં મદદ કરે છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/madhya-pradesh-jabalpur-defence-manufacturing-hub-new-project" target="_blank">આ પણ વાંચો : Madhya Pradesh : જબલપુરને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની મોટી તૈયારી, સંરક્ષણ ક્ષેત્રના નવા પ્રોજેક્ટનો કરાયો શુભારંભ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/LhLAKeLDp0HW4Bmhd6bb4CX7vjqJaSNApNWAuRP0.webp'/></item><item><title><![CDATA[Manoj Bajpayeeની 'Last Man In Tower'નું ટીઝર આઉટ, લોકોએ કહ્યું 'આને ભૂલથી ય થિયેટરમાં ન લાવતા!' ]]></title><link>https://sandesh.com/entertainment/news/manoj-bajpayee-last-man-in-tower-teaser-ott-release</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/manoj-bajpayee-last-man-in-tower-teaser-ott-release</guid><pubDate>Thu, 27 Aug 2026 18:58:23 +05:30</pubDate><description><![CDATA[<p>મનોજ બાજપેયીની આગામી ફિલ્મ 'લાસ્ટ મેન ઇન ટાવર'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ થોડા જ દિવસોમાં થિયેટરમાં રિલીઝ થવાની છે. બેન રેખીના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મને રાણા દગ્ગુબાતીની 'સ્પિરિટ મીડિયા'એ પ્રોડ્યુસ કરી છે. જો કે સોશિયલ મીડિયા પર આ ફિલ્મને અલગ અલગ પ્રતિભાવો મળી રહ્યા છે.&nbsp;</p><p>ટીઝરની શરૂઆતનું દ્રશ્ય મનોજ બાજપેયીથી શરૂ થાય છે જે એક નિવૃત્ત શિક્ષક છે. જે પોતાના સમુદાયના લોકોની વિરુદ્ધ જતા તેમને કોઇ પસંદ નથી કરી રહ્યું.&nbsp;</p><h2><b>મનોજ બાજપેયીનો ધ્રૂજતો અવાજ</b></h2><p>ટીઝરની શરૂઆતમાં ધ્રૂજારી સાથે મનોજ બાજપેયી કહેતા જોવા મળે છે કે કોઇ વ્યક્તિ તેના સમાજ કે તેની આસપાસના લોકો પૂરતો મર્યાદિત તો ન હોઇ શકે ને! ત્યારબાદ વધુ એક અવાજ સંભળાય છે, "સંબંધોને તો સન્માન મળી જ જાય છે, પરંતુ શું તે આ સન્માનને લાયક પણ છે?" ત્યારબાદ મનોજ બાજપેયીના પાત્ર વિશે કોઈ કહે છે, "મને તો નથી લાગતું કે તેણે જેને ભણાવેલો હોય તે ક્યારેય પાસ પણ થયો હોય." બીજી તરફ મહિલાઓ તેમની વચ્ચે વાત કરતી જોવા મળે છે. તેઓ કહે છે, "બહાર તો ગાંધીજી બનીને ફરે છે, પરંતુ ઘરમાં તો બિલકુલ સરમુખત્યાર છે." અંતમાં મનોજ બાજપેયી આ અવાજોથી ડરીને ભાગીને પોતાના ફ્લેટમાં પ્રવેશતા જોવા મળે છે. તેમના ફ્લેટ પર 'લાસ્ટ મેન ઇન ટાવર' લખેલું જોવા મળે છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/INOXMovies/status/2092888255461249124"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>'આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ ન કરો, OTT પર લાવો'</b></h2><p>ટીઝર જોયા બાદ લોકોએ કહ્યું કે આ ફિલ્મને સિનેમામાં રિલીઝ ન કરો, તેને OTT પર રિલીઝ કરો. અન્ય એક વ્યક્તિએ પણ OTT પર રિલીઝ કરવાની વાત કહી. એક અન્ય વ્યક્તિએ કહ્યું કે આશા છે કે આ ફિલ્મ 'ધ વાઇટ ટાઇગર' જેવી ગડબડ નહીં કરે.</p><h2><b>અરવિંદ અડિગાની આ જ નામની નવલકથા પરથી બની છે ફિલ્મ</b></h2><p>આ ફિલ્મ ભારતીય મૂળના લેખક અને બુકાર પ્રાઇઝ વિજેતા પત્રકાર અરવિંદ અડિગાની આ જ નામની નવલકથા પરથી બની છે. આ ફિલ્મ દ્વારા પહેલીવાર મનોજ બાજપેયી અને બોમન ઈરાની સાથે કામ કરતા જોવા મળશે.</p><h2><b>'લાસ્ટ મેન ઇન ટાવર' ક્યારે રિલીઝ થશે?</b></h2><p>ફિલ્મની સ્ક્રીનપ્લે સોની તારાપોરવાલાએ લખી છે અને જુહી ચતુર્વેદીએ હિન્દી ડાયલોગ લખ્યા છે. ફિલ્મમાં દિવ્યા દત્તા અને સુકાંત ગોયત પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 11 સપ્ટેમ્બર 2026ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/AhvFSK5h0VbmloV7cu9psM2LS2zX5qZBNJtxWts0.webp'/></item><item><title><![CDATA[Banaskantha News : પાલનપુર-ડીસા બાયપાસ રોડ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વડાવળમાં યોજાશે વિશેષ ગ્રામસભા ]]></title><link>https://sandesh.com/gujarat/news/banaskantha/banaskantha-news-farmers-protest-strongly-against-palanpur-deesa-bypass-road-special-gram-sabha-to-be-held-in-vadaval</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/banaskantha/banaskantha-news-farmers-protest-strongly-against-palanpur-deesa-bypass-road-special-gram-sabha-to-be-held-in-vadaval</guid><pubDate>Thu, 27 Aug 2026 18:27:28 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ખેમાણાથી લઈને ડીસા તાલુકાના ભીલડી વચ્ચે પ્રસ્તાવિત નવા બાયપાસ રોડ સામે સ્થાનિક ખેડૂતોમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે. તંત્ર દ્વારા આ બાયપાસ માટે જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવતાં જ પાલનપુર અને ડીસા તાલુકાના આશરે 26 જેટલા ગામોના ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. આ પ્રોજેક્ટ માટે 186 મીટર જેટલી પહોળાઈમાં જમીન સંપાદન કરવાની યોજના હોવાથી હજારો વીઘા ખેતીની જમીન રોડમાં કપાવાની ભીતિ સેવાઈ રહી છે.</p><h2 style="text-align: justify; "><b>મહામૂલી જમીન બચાવવા આક્રોશ</b></h2><p style="text-align: justify; ">પોતાની મહામૂલી અને ફળદ્રુપ ખેતીની જમીન બાયપાસમાં જતી હોવાનો આક્ષેપ કરીને ખેડૂતોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. આ સંપાદનના વિરોધમાં પાલનપુરના વડાવળ ગામે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા હતા અને સરકાર તથા તંત્ર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોતાના આજીવિકાના મુખ્ય સાધન એવી જમીન બચાવવા માટે ખેડૂતોએ એકસૂરે જમીન સંપાદનની પ્રક્રિયા તુરંત અટકાવવાની અને તેમને યોગ્ય ન્યાય આપવાની ઉગ્ર માંગ કરી છે.</p><h2 style="text-align: justify; "><b>આવતીકાલે વડાવળમાં ગ્રામ સભા યોજાશે</b></h2><p style="text-align: justify; ">બાયપાસ રોડના નિર્માણ સામે પોતાનો વિરોધ વધુ મજબૂત બનાવવા માટે ખેડૂતોએ આગળની વ્યૂહરચના ઘડી કાઢી છે. જેના ભાગરૂપે આવતીકાલે વડાવળ ગામ ખાતે મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો એકત્ર થઈને વિશેષ ગ્રામ સભાનું આયોજન કરશે. આ ગ્રામ સભામાં આ બાયપાસ રદ કરવા અંગે સર્વાનુમતે નિર્ણય લઈને સરકારમાં કલેક્ટર અને સંબંધિત મંત્રાલય સમક્ષ સત્તાવાર કડક રજૂઆત કરવામાં આવશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/world/nepal-flood-18-gujaratis-missing-in-nepal-floods-288-indians-missing-families-concerns-increase" target="_blank">Nepal Flood : નેપાળના જળપ્રલયમાં 18 ગુજરાતીઓ ગુમ, જુઓ સમગ્ર લીસ્ટ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/fxVWTnSlNBa59FWq2K87v6fQacfRxr2SqShtJAmV.webp'/></item><item><title><![CDATA[Bhavnagar News: બોરતળાવમાં જાતિ વિરુદ્ધ ટિપ્પણી કરનાર 6 આરોપી ઝડપાયા, સમાધાનના બહાને યુવકનું અપહરણ કરી માર્યો હતો ઢોર માર ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/bortalav-youth-abduction-assault-case-six-accused-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/bhavnagar/bortalav-youth-abduction-assault-case-six-accused-arrested</guid><pubDate>Thu, 27 Aug 2026 18:24:41 +05:30</pubDate><description><![CDATA[<p>ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં એક યુવક સાથે જૂની અદાવતમાં ગંભીર ગુનાહિત ઘટના સામે આવી છે. આરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે યુવકને જૂના વિવાદમાં સમાધાનની વાતો કરવાના બહાને તેના ઘરની બહાર રોડ પર બોલાવ્યો હતો. યુવક સ્થળ પર પહોંચતા જ આરોપીઓએ તેની સાથે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો શરૂ કરી દીધો હતો. ત્યારબાદ તેને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડીને અપહરણ કરી કોઈ અજાણ્યા સ્થળે લઈ ગયા હતા.</p><h2><b>જાતિ વિરુદ્ધ ટિપ્પણી કરી ઢોર માર માર્યો અને મોબાઈલ ઝૂંટવ્યો</b></h2><p>અપહરણ કરી ગયા બાદ તમામ શખ્સોએ યુવક સાથે નિર્દયતાથી કૂટમાર કરી હતી અને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ દરમિયાન આરોપીઓ દ્વારા યુવક વિરુદ્ધ જાતિ વિષયક અપમાનજનક ટિપ્પણીઓ પણ કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ સપાટી પર આવ્યો છે. એટલું જ નહીં, યુવક કોઈને સંપર્ક કે મદદ માટે ફોન ન કરી શકે તે હેતુથી આરોપીઓએ તેનો મોબાઈલ ફોન પણ બળજબરીથી ઝૂંટવી લીધો હતો.</p><h2><b>યશ ભુરાણી અને હાર્દિક ઉર્ફે આપા સહિત 6 આરોપીઓની ઓળખ</b></h2><p>યુવક પર હુમલો કરનાર અને અપહરણમાં સામેલ તમામ 6 આરોપીઓની ઓળખ થઈ ચૂકી છે. જેમાં યશ ભુરાણી, હાર્દિક ઉર્ફે આપા, ભાર્ગવ ઉર્ફે ભગો, રોહિત મકવાણા, હિમેષ અને જયેશ નામના શખ્સોનો સમાવેશ થાય છે. આ તમામ શખ્સોએ ભેગા મળીને યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું.</p><p><img alt="Bhavnagar News: 6 Arrested in Bortalav Youth Kidnapping and Assault Case" src="https://epapercdn.sandesh.com/images/2026/08/27/tz91u4lzj087WCowIgwDkyleeMlyJmCYoe4VGnvI.webp" style="width: 100%;"><br></p><h2><b>બોરતળાવ પોલીસની ત્વરિત કાર્યવાહી, તમામ 6 આરોપીઓ જેલભેગા</b></h2><p>ઈજાગ્રસ્ત યુવકે સમગ્ર આપવીતી અંગે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવતા પોલીસે ગંભીર ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. બોરતળાવ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ત્વરિત દરોડા પાડીને ગુનામાં સંડોવાયેલા તમામ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ સામે કાનૂની કાર્યવાહી હાથ ધરીને આગળની ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/lioness-dies-electric-shock-bordi-village-mahuva" target="_blank">Bhavnagarમાં વન વિભાગની બેદરકારી સામે ઉઠ્યા સવાલો: બોરડી ગામમાં ગેરકાયદેસર ઇલેક્ટ્રિક શોકથી સિંહણનું મોત</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/2AQrwFW3KrfnuyaKUCPjqCve0GawiVz4U0YdaIu9.webp'/></item><item><title><![CDATA[Surat News: કડોદરામાં ભાજપ મહિલા આગેવાનની પુત્રવધૂના આત્મહત્યા કેસમાં કાર્યવાહી, 'પતિ-પત્ની ઓર વો'ના ચક્કરમાં પોલીસે પતિ અને પ્રેમિકાની કરી ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/kadodara-bjp-leader-daughter-in-law-suicide-husband-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/kadodara-bjp-leader-daughter-in-law-suicide-husband-arrested</guid><pubDate>Thu, 27 Aug 2026 17:36:05 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત જિલ્લાના કડોદરા-બારડોલી રોડ વિસ્તારમાં આવેલી શ્રીનિવાસ ગ્રીનસિટી સોસાયટીમાં એક અત્યંત ચકચારી ઘટના સામે આવી છે. જ્યાં રહેતા સ્થાનિક ભાજપના મહિલા આગેવાનના પુત્રની 24 વર્ષીય પત્ની નિધિકુમારીએ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. લગ્નજીવનના માત્ર 2 જ વર્ષના ટૂંકાગાળામાં પરિણિતાએ અંતિમ પગલું ભરી લેતા કડોદરા પોલીસે તપાસ હાથ ધરી હતી.</p><h2><b>પોસ્ટ મોર્ટમ દરમિયાન આંતરવસ્ત્રમાંથી મળી 2 પાનાની સ્યુસાઈડ નોટ</b></h2><p>આત્મહત્યાની આ ઘટનામાં સૌથી ચોંકાવનારો મોડ ત્યારે આવ્યો જ્યારે મૃતદેહના પેનલ પોસ્ટ મોર્ટમ દરમિયાન તબીબોને પરિણિતાના આંતરવસ્ત્રમાંથી છુપાવેલી 2 પાનાની વિસ્તૃત સ્યુસાઈડ નોટ મળી આવી હતી. તબીબોએ ત્વરિત આ ચિઠ્ઠી કડોદરા પોલીસને સોંપી હતી. સ્યુસાઈડ નોટમાં નિધિકુમારીએ પોતાના પતિના અન્ય મહિલા સાથેના અનૈતિક સંબંધો અને તેના કારણે સતત અપાતા માનસિક ત્રાસનો ગંભીર ઉલ્લેખ કર્યો હતો.</p><h2><b>'પતિ-પત્ની ઓર વો' ના ચક્કરમાં સંસાર હોમાયો</b></h2><p>પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલા તારણ મુજબ, નિધિકુમારીના લગ્ન 2 વર્ષ પૂર્વે સૌરભકુમાર સાથે થયા હતા. જોકે, સૌરભસિંગના ઈશિકા બેનરજી નામની મહિલા સાથે પ્રેમસંબંધો ચાલી રહ્યા હતા. પતિના આ અફેર અંગે જાણ થતાં જ બંને પતિ-પત્ની વચ્ચે અવારનવાર ભારે કંકાશ અને ઝઘડા થતા હતા. પતિના અન્ય મહિલા સાથેના સંબંધો અને માનસિક ત્રાસથી કંટાળીને આખરે નિધિકુમારીએ જિંદગી ટૂંકાવી લીધી હતી.</p><p><img alt="Surat News: BJP Leader's Daughter-in-Law Commits Suicide in Kadodara, Husband and Mistress Arrested" src="https://epapercdn.sandesh.com/images/2026/08/27/Saz3o54Gnvo6klxloT0A7ehop4ZRMly87VWhw0rW.webp" style="width: 100%;"><br></p><h2><b>કડોદરા પોલીસે ગણતરીના કલાકોમાં પતિ અને પ્રેમિકાને જેલભેગા કર્યા</b></h2><p>સ્યુસાઈડ નોટમાં થયેલા ખુલાસા અને મળેલા પુરાવાઓના આધારે કડોદરા પોલીસે ત્વરિત અને કડક કાર્યવાહી કરી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ પરિણિતાને આત્મહત્યા માટે મજબૂર કરનાર પતિ સૌરભસિંગ તેમજ તેની પ્રેમિકા ઈશિકા બેનરજીની વિધિવત ધરપકડ કરી લીધી છે. પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/crime/surat/kadodara-bjp-leader-daughter-in-law-suicide-case" target="_blank">Surat News: ભાજપ આગેવાનની પુત્રવધૂએ કરી આત્મહત્યા, પોસ્ટ મોર્ટમ દરમિયાન આંતરવસ્ત્રમાંથી સ્યુસાઈડ નોટ મળી</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/RPuF3PdfopELiTg8sTdiJqHVN71OIhhLcBJ5S9ns.webp'/></item><item><title><![CDATA[Vadodara News: સાવલીના રાણીપુરામાં રૂ. 4 કરોડનું મનરેગા કૌભાંડ! મીડિયા રિપોર્ટ બાદ TDOએ તપાસના આદેશ આપ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/vadodara/savli-ranipura-mnrega-scam-tdo-inquiry-bogus-job-card</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/vadodara/savli-ranipura-mnrega-scam-tdo-inquiry-bogus-job-card</guid><pubDate>Thu, 27 Aug 2026 17:20:24 +05:30</pubDate><description><![CDATA[<p>વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલા રાણીપુરા ગામે મનરેગા (MNREGA) યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો ગ્રામજનોએ કર્યો છે. મીડિયા અહેવાલોમાં આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યા બાદ સાવલી તાલુકા વિકાસ અધિકારીએ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. TDOએ આ સમગ્ર ગેરરીતિની તટસ્થ તપાસ કરાવવાની અને દોષિતો સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.</p><h2><b>300 થી વધુ બોગસ જોબ કાર્ડ બનાવી નાણાં ઉપાડી લેવાયા</b></h2><p>ગ્રામજનોના આક્ષેપ મુજબ, ગામના 300 થી વધુ લોકોની જાણ બહાર તેમના નામે નાણાં ઉપાડી લેવામાં આવ્યા છે. કૌભાંડીઓએ અનોખી મોડસ ઓપરેન્ડી અપનાવી હતી; જેમાં જોબ કાર્ડમાં ગામના સાચા શ્રમિકોના નામ રાખવામાં આવ્યા હતા, પરંતુ ફોટોગ્રાફ્સ અન્ય અજાણ્યા વ્યક્તિઓના લગાવી દેવાયા હતા. શ્રમિકોએ કોઈ કામ કર્યું ન હોવા છતાં તેમના ખાતામાંથી કાગળ પર મજૂરી દર્શાવીને રકમ ઉપાડી લેવામાં આવી હતી.</p><p><img alt="Vadodara News: Savli Ranipura MNREGA Scam: Rs 4 Crore Fraud Alleged, TDO Orders Inquiry Over Bogus Job Cards" src="https://epapercdn.sandesh.com/images/2026/08/27/lQld5eSUUvLQTHj1hS1rBNerz4FLI9DkIrEV9cqH.webp"><br></p><h2><b>વર્ષ 2018 થી 2026 દરમિયાન આચરાયું મોટું કૌભાંડ</b></h2><p>રાણીપુરા ગામમાં આ ગેરરીતિ કોઈ એકાદ વર્ષની નથી, પરંતુ વર્ષ 2018 થી 2026 ના લાંબા સમયગાળા દરમિયાન સતત આચરેલું કૌભાંડ હોવાનું સામે આવ્યું છે. આ 8 વર્ષના ગાળામાં આશરે રૂ. 3 થી 4 કરોડની જંગી રકમની ઉચાપત થઈ હોવાની પ્રબળ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.</p><h2><b>મજૂરોના બદલે મશીનથી તળાવનું ખોદકામ અને માટી વેચાણનો આક્ષેપ</b></h2><p>નિયમ મુજબ મનરેગા યોજના હેઠળ ગામના ગરીબ શ્રમિકોને રોજગારી આપવાની હોય છે, પરંતુ રાણીપુરામાં શ્રમિકોના બદલે મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગામના તળાવનું આશરે 60 ફૂટ જેટલું ઊંડું ખોદકામ જેસીબી અને હિટાચી જેવા ભારે મશીનોથી કરાવવામાં આવ્યું હતું અને કાગળ પર મજૂરોના નામે માતબર રકમ ઉપાડી લેવાઈ હતી. એટલું જ નહીં, તળાવ ખોદકામ દરમિયાન નીકળેલી કિંમતી માટી પણ ગેરકાયદેસર રીતે વેચી દેવામાં આવી હોવાના ગંભીર આરોપો લાગ્યા છે.</p><p><img alt="Vadodara News: Savli Ranipura MNREGA Scam: Rs 4 Crore Fraud Alleged, TDO Orders Inquiry Over Bogus Job Cards" src="https://epapercdn.sandesh.com/images/2026/08/27/isWMpV3OVDbarKBk5qxII7No6Dx92Lqdot62W43C.webp" style="width: 100%;"><br></p><h2><b>અધિકારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા, TDO નો રિપોર્ટ તૈયાર કરાશે</b></h2><p>કૌભાંડનો ભાંડો ફૂટતાં જ મનરેગા યોજનાના તાલુકા કક્ષાના એસઓ સહિતના જવાબદાર કર્મચારીઓ અને અધિકારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. સાવલી TDO એ જણાવ્યા મુજબ, હાલ આ મામલે મસ્ટર રોલ, જોબ કાર્ડ અને પેમેન્ટ રેકોર્ડ સહિત તમામ દસ્તાવેજોની બારીકાઈથી તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ આ અંગેનો વિગતવાર અહેવાલ જિલ્લા કક્ષાએ રજૂ કરવામાં આવશે અને તપાસમાં જે કોઈ કર્મચારી કે વચેટિયા દોષિત જણાશે તેમની સામે કાયદેસરની તજવીજ હાથ ધરાશે.</p><p><img alt="Vadodara News: Savli Ranipura MNREGA Scam: Rs 4 Crore Fraud Alleged, TDO Orders Inquiry Over Bogus Job Cards" src="https://epapercdn.sandesh.com/images/2026/08/27/Fxsp8xXkVxXuGoT98a3Gx4bdb1qGuFlapXzP2YpR.webp" style="width: 100%;"><br></p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/gujarat/news/world/vadodara/vaodara-news-nri-couple-from-vadodara-who-went-on-a-trip-to-nepal-goes-missing-family-seeks-government-help" target="_blank"> Vaodara News : નેપાળ પ્રવાસે ગયેલું વડોદરાનું NRI દંપતી ગુમ, પરિવારે સરકાર પાસે મદદની ગુહાર લગાવી</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/BgJLKaUSKjFSZ9TJPCAMcJfTVxpvNZQFLlrxSz03.webp'/></item><item><title><![CDATA[Gujarat Super League Season 3: 1 સપ્ટેમ્બરથી થશે ધમાકેદાર પ્રારંભ, અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે ટ્રોફી-જર્સી અનાવરણ સાથે નવી ડિજિટલ એપ લોન્ચ ]]></title><link>https://sandesh.com/sports/news/gujarat/ahmedabad/gujarat-super-league-season-3-schedule-transstadia-ahmedabad-gsfa-app-launch</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/gujarat/ahmedabad/gujarat-super-league-season-3-schedule-transstadia-ahmedabad-gsfa-app-launch</guid><pubDate>Thu, 27 Aug 2026 17:08:43 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતમાં ફૂટબોલની રમતે પકડાવેલા મજબૂત વાતાવરણ વચ્ચે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશને ગુજરાત સુપર લીગની ત્રીજી સીઝનની જાહેરાત કરી છે. GSL સીઝન-3 નો પ્રારંભ 1 સપ્ટેમ્બર, 2026 ના રોજ સાંજે 4:00 વાગ્યે અમદાવાદના વિશ્વકક્ષાના સ્ટેડિયમ ટ્રાન્સસ્ટેડિયા એરેના ખાતે થશે. આ લીગ રાજ્યમાં ઉચ્ચ સ્તરની ફૂટબોલ પ્રતિભાઓ તૈયાર કરવામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે.</p><h2><b>GSL-3 ની જર્સી અને ટ્રોફીનું ભવ્ય અનાવરણ</b></h2><p>અગ્રણી હોદ્દેદારો અને ટીમ માલિકોની વિશેષ ઉપસ્થિતિમાં GSFA ના ઉપપ્રમુખ પ્રદિપસિંહ વાઘેલા દ્વારા GSL સીઝન-3 ની સત્તાવાર ટ્રોફી અને ટીમ જર્સીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ જર્સી ગુજરાતના ફૂટબોલ ક્ષેત્રની આધુનિક ઊર્જાનું પ્રતિબિંબ પાડે છે, જ્યારે ટ્રોફી આ આખી સીઝન દરમિયાન સર્વોચ્ચ એવોર્ડ માટે ટીમો વચ્ચે ખેલાનાર રોમાંચક જંગનું પ્રતીક બનશે.</p><h2><b>U-20 ખેલાડીઓને મળશ જર્મનીમાં રમવાની મોટી તક</b></h2><p>આ વખતની સીઝનની સૌથી મોટી વિશેષતા યુવા ખેલાડીઓ માટેનું આંતરરાષ્ટ્રીય એક્સપોઝર છે. GSL-3 માંથી શાનદાર પ્રદર્શન કરનાર બે U-20 ફૂટબોલરોની પસંદગી જર્મનીમાં ટાયર-3 અને ટાયર-4 ડોમેસ્ટિક ટુર્નામેન્ટ્સના ટ્રાયલ માટે કરવામાં આવશે. જર્મન સાયકોલોજીસ્ટ પ્રોફેસર જેન માયર અને બોસ ટેકનોલોજી દ્વારા સ્પોર્ટ્સ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ખેલાડીઓની બારીકાઈથી પસંદગી કરવામાં આવશે.</p><p><img alt="Gujarat Super League Season 3 To Begin From Sept 1 at TransStadia Ahmedabad, GSFA Launches App" src="https://epapercdn.sandesh.com/images/2026/08/27/mYRThsdOn1CgdPjaTuzNRHqZvSGmvsSZoUzvPkAY.webp"><br></p><h2><b>ઇજાગ્રસ્ત યુવા ખેલાડી રાહુલ ભાટીયાને મદદની જાહેરાત</b></h2><p>GSFA દ્વારા માત્ર રમત જ નહીં, પરંતુ ખેલાડીઓની સુવિધા અને કલ્યાણ પર પણ પૂરો ભાર મૂકવામાં આવ્યો છે. કાર્યક્રમ દરમિયાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા રાજ્યના યુવા ફૂટબોલર રાહુલ ભાટીયાને રૂ. 2,00,000 ની એક્સ-ગ્રેશિયા રકમ ચૂકવવાની વિશેષ જાહેરાત પણ કરવામાં આવી હતી.</p><h2><b>જીએસએફએ પ્રમુખ પરિમલ નથવાણીનું નિવેદન</b></h2><p>લીગ અંગે વાત કરતાં GSFA ના પ્રમુખ પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, GSLની ત્રીજી સીઝન એ માત્ર એક રમત સ્પર્ધા નથી, પરંતુ ગુજરાતમાં ફૂટબોલના સર્વાંગી વિકાસ માટેની અમારી દ્રષ્ટિનો અગત્યનો ભાગ છે. અમારો મુખ્ય હેતુ રાજ્યના યુવાનોને એક ઉચ્ચ કક્ષાનું પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે, જેથી ગુજરાતમાં ફૂટબોલ લોકોની પહેલી પસંદગીની રમત બની શકે.</p><p><img alt="Gujarat Super League Season 3 To Begin From Sept 1 at TransStadia Ahmedabad, GSFA Launches App" src="https://epapercdn.sandesh.com/images/2026/08/27/SBrNO0oV6iNaXOUq1rCpkn9q7oOHLeld8K7pLy69.webp"><br></p><h2><b>ચાહકો માટે વન-સ્ટોપ 'જીએસએફએ ડિજિટલ એપ' લોન્ચ</b></h2><p>ફૂટબોલ ચાહકોને ટુર્નામેન્ટ સાથે સીધા જોડવા માટે એક વિશેષ સમર્પિત ડિજિટલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે. GSFA ના માનદ સચિવ મુલરાજસિંહ ચૂડાસમાએ પ્રેઝન્ટેશન દ્વારા એપની મુખ્ય વિશેષતાઓ સમજાવી હતી. આ વન-સ્ટોપ એપ મારફતે ચાહકો ઘરબેઠા મેચ ફિક્સ્ચર્સ, લાઇવ પરિણામો, શેડ્યૂલ, ટીમોની વિગત, પોઈન્ટ્સ ટેબલ અને ખેલાડીઓની પ્રોફાઈલ સરળતાથી જોઈ શકશે.</p><p><img alt="Gujarat Super League Season 3 To Begin From Sept 1 at TransStadia Ahmedabad, GSFA Launches App" src="https://epapercdn.sandesh.com/images/2026/08/27/FcXj2DbleZ7RFC3kgwv6f0oCEzmf0v5MfaQ7OuOz.webp"><br></p><h2><b>તમામ મેચોનું શેડ્યૂલ ઓનલાઈન ઉપલબ્ધ</b></h2><p>સમારોહ દરમિયાન GSL સીઝન-3 ના સંપૂર્ણ ફિક્સ્ચર્સ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. તમામ તારીખો, સમય અને ટીમોના મુકાબલાની માહિતી નવી લોન્ચ થયેલી એપ્લિકેશન અને GSFA ના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ઉપલબ્ધ રહેશે. આ ભવ્ય આયોજનમાં સહભાગી થઈ રાજ્યમાં ફૂટબોલનો ઉત્સાહ વધારવા તમામ રમતપ્રેમીઓને હાકલ કરવામાં આવી છે.</p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/gujarat/news/vadodara/fake-doctor-arrested-for-performing-hemorrhoid-surgeries-without-anesthesia" target="_blank"> Vadodara News: ધોરણ 10 ફેલ બોગસ ડોક્ટર ગરમ ચીપીયાથી દર્દીને બેભાન કર્યા વિના હરસ મસાના ઓપરેશન કરતો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/27/68mJxpU52aqMVN04T7Z4tD4Mb7lQhwAZysqg6G6O.webp'/></item></channel></rss>