<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabad News: રક્ષાબંધન પર AMCની મોટી ભેટ, મહિલાઓ અને બાળકો માટે ફ્રી મુસાફરીની જાહેરાત ]]></title><link>https://sandesh.com/gujarat/news/rakshabandhan/ahmedabad/amc-announces-free-amts-bus-travel-on-raksha-bandhan-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rakshabandhan/ahmedabad/amc-announces-free-amts-bus-travel-on-raksha-bandhan-2026</guid><pubDate>Mon, 24 Aug 2026 14:42:16 +05:30</pubDate><description><![CDATA[<p>રક્ષાબંધનના પવિત્ર પર્વને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદ શહેરની બહેનો માટે અગત્યની અને ખુશીના સમાચાર આપતી જાહેરાત કરી છે. રક્ષાબંધન પર્વના દિવસે અમદાવાદ શહેરની મહિલાઓ તેમજ તેમની સાથેના બાળકો AMTSની બસોમાં શહેરના કોઈપણ સ્થળે જવા માટે સંપૂર્ણપણે નિશુલ્ક મુસાફરી કરી શકશે. આ જાહેરાત બાદ મહિલાઓમાં ખુશીનો માહોલ છવાયો છે.&nbsp;</p><h2><b>બહેનોને ભેટ આપવાની AMCની વર્ષો જૂની પરંપરા</b></h2><p>અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી રક્ષાબંધન પર્વ પર અમદાવાદ શહેરની મહિલાઓને આ વિશેષ ભેટ આપવામાં આવે છે. પોતાના ભાઈઓને રાખડી બાંધવા જવા માટે મહિલાઓને વાહનવ્યવહારની સુગમતા રહે અને આર્થિક બોજ ન પડે તે હેતુથી મનપા દ્વારા આ નિર્ણાયક પગલું દર વર્ષે લેવામાં આવે છે.</p><p><img alt="Ahmedabad News: AMC Announces Free AMTS Bus Travel for Women and Children on Rakshabandhan" src="https://epapercdn.sandesh.com/images/2026/08/24/gIdNsjB8Eur5WAxJ0R6AxR46SGMkT44V68p0Q5mZ.webp" style="width: 100%;"><br></p><h2><b>ગત વર્ષે 71000થી વધુ લાભાર્થીઓએ લીધો હતો લાભ</b></h2><p>તમને જણાવી દઈએ કે, અમદાવાદ મનપાના આ સરાહનીય નિર્ણયને દર વર્ષે બહોળો પ્રતિસાદ સાંપડે છે. મળતી માહિતી મુજબ, ગત વર્ષે રક્ષાબંધનના દિવસે શહેરની 71000થી વધુ મહિલાઓ અને બાળકોએ AMTS ની નિશુલ્ક બસ સેવાનો લાભ ઉઠાવીને પોતાના ગંતવ્ય સ્થાન સુધી સરળતાથી મુસાફરી કરી હતી. આ વર્ષે પણ મોટી સંખ્યામાં મહિલાઓ આ સુવિધાનો લાભ લે તેવી શક્યતા છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/viramgam-highway-1-11-crore-liquor-container-seized-sanand-gidc-police" target="_blank">Ahmedabad : વિરમગામ હાઈવે પર પંજાબથી સુરેન્દ્રનગર જતો કરોડોનો દારુ ઝડપાયો, 1.11 કરોડનો જથ્થો કબ્જે</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/GZEQF1cZJxw5HLfFH3eG8y872jH7K9BJMIZ55eAW.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : જાહેરમાં ચેઈન તોડી બાઈક પર ફરાર થયેલો આરોપી ઝડપાયો, 2.08 લાખનો મુદ્દામાલ રિકવર ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-krishnanagar-chain-snatching-jignesh-dhashi-arrested-gold-chain-recovered</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-krishnanagar-chain-snatching-jignesh-dhashi-arrested-gold-chain-recovered</guid><pubDate>Mon, 24 Aug 2026 14:41:19 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં ચેઈન સ્નેચિંગની ઘટનાએ ચકચાર મચાવી હતી. પ્રભાકર ચાર રસ્તા પાસે ચાલતા જતા એક વ્યક્તિના ગળામાંથી સોનાની ચેઈન તોડીને મોટરસાયકલ પર આવેલો શખ્સ ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ કૃષ્ણનગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>જુગનુ ઉર્ફે જિગ્નેશ ધાશીની ધરપકડ&nbsp;</b></h2><p style="text-align: justify; ">પોલીસ તપાસ દરમિયાન જુગનુ ઉર્ફે જિગ્નેશ ધાશીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી ચેઈન સ્નેચિંગમાં લૂંટાયેલી સોનાની ચેઈન સહિતનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. પોલીસે કબજે કરેલી સોનાની ચેઈનનું વજન 9.360 ગ્રામ હોવાનું સામે આવ્યું છે, જેની કિંમત અંદાજે રૂપિયા 1.38 લાખ છે.</p><h3 style="text-align: justify; "><b>2.08 લાખનો મુદ્દામાલ રિકવર કરાયો</b></h3><p style="text-align: justify; ">ચેઈન સ્નેચિંગની ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી યમાહા FZ મોટરસાયકલ પણ પોલીસે કબજે કરી છે. સોનાની ચેઈન અને મોટરસાયકલ સહિત કુલ રૂપિયા 2.08 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જાહેરમાં ચેઈન તોડીને ફરાર થયેલા આરોપીને ઝડપવામાં કૃષ્ણનગર પોલીસને સફળતા મળી છે.</p><h4 style="text-align: justify; "><b>અગાઉ પણ વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયેલા</b></h4><p style="text-align: justify; ">પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા જુગનુ ઉર્ફે જિગ્નેશ ધાશી સામે અગાઉ પણ વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે અને અગાઉની અન્ય ચેઈન સ્નેચિંગ અથવા ગુનાહિત ઘટનાઓમાં તેની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો :&nbsp;&nbsp;<a href="https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-gujarat-monsoon-el-nino-impact-rainfall-deficit-september-forecast" target="_blank"><b>&nbsp;Monsoon 2026 : અલ નીનોનો પ્રભાવ વધ્યો, ગુજરાતમાં ચોમાસું નબળું પડવાની આશંકા</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/tCcNWFNyG0f2Jy5FLtiKB54uUp1vkVbMwmJVbUR9.webp'/></item><item><title><![CDATA[Akshaye Khanna : મહાકાલીના પહેલા પ્રોમોમાં અક્ષય ખન્નાનો જલવો, શુક્રાચાર્ય બની મચાવ્યો તરખાટ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/mahakali-first-promo-akshaye-khanna-shukracharya</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/mahakali-first-promo-akshaye-khanna-shukracharya</guid><pubDate>Mon, 24 Aug 2026 14:36:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ધુરંધરમાં ખતરનાક વિલન બનીને અક્ષય ખન્નાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ત્યારબાદ જ્યારે પણ તેઓ જોવા મળ્યા, ત્યારે દરેક વખતે લોકોએ તેમની ખૂબ પ્રશંસા કરી. ખાસ કરીને પ્રશાંત વર્માની હનુમાન બાદથી જ આ ફિલ્મની રાહ જોવાઈ રહી છે. ફિલ્મમાં અક્ષય ખન્ના શુક્રાચાર્યનું પાત્ર ભજવી રહ્યા છે. મહાકાલીના પહેલા ઓફિશિયલ પ્રોમોમાં અક્ષય ખન્ના શુક્રાચાર્યની દુનિયામાં પ્રવેશ કરતા જોવા મળે છે. આ ફિલ્મ ધર્મ અને અધર્મ વચ્ચેના યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. તેનો 2 મિનિટ 53 સેકન્ડનો પ્રોમો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. આ ફિલ્મ 8 જાન્યુઆરી, 2027ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ જાહેરાત પણ આ વીડિયો સાથે કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>મહાકાલીના ટીઝરમાં શુક્રાચાર્યના લુકમાં અક્ષય ખન્નાનો અલગ અવતાર</b></h2><p style="text-align: justify; ">તાજેતરમાં પેન-ઇન્ડિયા ફિલ્મ મહાકાલીના નિર્માતાઓએ તેનું પહેલું લાંબું ટીઝર રજૂ કર્યું છે. તેમાં પ્રશાંત વર્મા સિનેમેટિક યુનિવર્સના બેનર હેઠળ તૈયાર થઈ રહેલી પૌરાણિક દુનિયાની ઝલક જોવા મળે છે. શુક્રાચાર્યઝ વોર ક્રાય નામના લગભગ 3 મિનિટના આ ટીઝરમાં અક્ષય ખન્ના શુક્રાચાર્યના પાત્રમાં જોવા મળે છે. વીડિયોમાં તેઓ ધર્મ અને અધર્મ વચ્ચેની લડાઈ વિશે વાત કરતા જોવા મળે છે.</p><p style="text-align: justify; "><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dcag5-jgwo4/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dcag5-jgwo4/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dcag5-jgwo4/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dcag5-jgwo4/?utm_source=ig_web_copy_link&amp;igsi=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h2 style="text-align: justify; "><b>કેવું છે મહાકાલીનું ટીઝર?</b></h2><p style="text-align: justify; ">શરૂઆત મહાકાલીના રૂપથી થાય છે, જ્યાં એક બાળકનો જન્મ બતાવવામાં આવ્યો છે. ત્યારબાદ અવાજ સંભળાય છે, સમુદ્ર મંથન સમયે દેવો અને અસુરોએ સમાન મહેનત કર્યા બાદ વિષ્ણુએ માત્ર દેવોને અમૃત આપ્યું. આ ધર્મ છે કે અધર્મ? ઇન્દ્રનું સિંહાસન મેળવવાનો અધિકાર અમારી પાસેથી છીનવી લેવામાં આવ્યો, આ ધર્મ છે કે અધર્મ? સમગ્ર અસુર જાતિને પાતાળમાં ધકેલીને 14 લોકના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા. આ ધર્મ છે કે અધર્મ? માત્ર 14 દિવસમાં અસુરોની વિજયની ઘોષણા આપણા કાનમાં હંમેશા માટે ગુંજતી રહેશે અને અસુરો હંમેશા માટે મુક્ત થઈ જશે. ત્યારબાદ અક્ષય ખન્નાની એન્ટ્રી થાય છે. શુક્રાચાર્યના પાત્રમાં તેમનો લુક ખૂબ જ શાનદાર લાગી રહ્યો છે.</p><h4 style="text-align: justify; "><b>VFXએ ફેન્સને કર્યા ખુશીથી ઝૂમી ઉઠવા મજબૂર</b></h4><p style="text-align: justify; ">આ લુકમાં તેઓ લાંબી ચાંદી જેવી સફેદ દાઢી, ઉપરની તરફ બાંધેલા અસ્તવ્યસ્ત વાળ, તીક્ષ્ણ નજર અને કપાળ પર તિલક સાથે જોવા મળે છે. આ તેમનો અત્યાર સુધીનો સૌથી અલગ લુક હશે. આ લુક અને પ્રોમો પરથી એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે તેઓ શાનદાર તેલુગુ ડેબ્યૂ કરવાની તૈયારીમાં છે. જોકે, પ્રોમોમાં પ્રભાવશાળી વિઝ્યુઅલ્સ, શાનદાર સેટ્સ અને મોટા સ્તરે VFX જોવા મળ્યું છે, જેને જોઈને ફેન્સ ખૂબ ખુશ થયા છે. હવે જોવાનું રહેશે કે આ વખતે પ્રશાંત વર્મા ફેન્સને કેટલા ઈમ્પ્રેસ કરી શકે છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/ranu-mondal-life-today-where-is-she-now" target="_blank">આ પણ વાંચો-Ranu Mondal : રાતોરાત મળ્યું સ્ટારડમ, હવે લાઈમલાઈટથી દૂર ક્યાં અને કેવા હાલમાં જીવી રહી છે રાનૂ મંડલ?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/1MmeFmotIuefAdsRalklrj2BaelJOh7aIPkdPcit.webp'/></item><item><title><![CDATA[Haryana : પત્નીએ પતિને મારવા ક્રૂરતાની હદ કરી પાર, આંતરડા બહાર કાઢી પરબિડીયામાં ભર્યા ]]></title><link>https://sandesh.com/india/news/haryana-kurukshetra-man-murdered-wife-cuts-stomach-intestines-out</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/haryana-kurukshetra-man-murdered-wife-cuts-stomach-intestines-out</guid><pubDate>Mon, 24 Aug 2026 14:04:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હરિયાણાના કુરુક્ષેત્ર યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અત્યંત ડરામણી અને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. મૂળ ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લાના વતની અને અહીં ભાડાના મકાનમાં રહેતા 40 વર્ષીય રાજેશની તેની જ પત્ની વિમલા દેવીએ ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ક્રૂરતાની દરેક હદ કરી પાર</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી પ્રમાણે શનિવારે સાંજના સમયે આ ઘટના બનવા પામી હતી.  આ ઘટનામાં હત્યારી પત્નીએ પતિના પેટ પર આશરે 35 સેન્ટિમીટર લાંબો ઊંડો ઘા કરીને તેનું પેટ ચીરી નાખ્યું હતું અને તેના આંતરડા બહાર કાઢીને પરબિડીયામાં ભરી દીધા હતા. પોલીસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ આ હુમલો એટલો ભયાનક હતો કે મૃતકના શરીરમાંથી લીવર અને જમણી કિડની પણ ગાયબ જોવા મળ્યા હતા.</p><h3 style="text-align: justify; "><b>પત્નીને કસ્ટડીમાં લેવાઇ</b></h3><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને મકાનમાલિક સ્તબ્ધ થઈ ગયા હતા. મકાનમાલિક રિંકુના જણાવ્યા અનુસાર, સાંજે રૂમમાંથી અચાનક ચીસોનો અવાજ આવતા તેઓ ટેરેસ પર દોડી ગયા હતા, જ્યાં રાજેશ લોહીથી લથપથ મૃત હાલતમાં પડેલો હતો. હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી પત્ની વિમલા દેવીએ ગભરાઈને કે અન્ય કોઈ કારણસર ઘરની છત પરથી નીચે છલાંગ લગાવી દીધી હતી, જેના કારણે તે પણ ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. પોલીસે તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચીને લોહીથી ખરડાયેલી ત્રણ અલગ-અલગ છરીઓ જપ્ત કરી હતી અને ઈજાગ્રસ્ત પત્નીને કસ્ટડીમાં લઈને હોસ્પિટલમાં દાખલ કરી હતી.</p><h4 style="text-align: justify; "><b>આટલી ક્રૂર હત્યા પાછળનું કારણ અકબંધ</b></h4><p style="text-align: justify; ">પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા, પરંતુ આટલી ક્રૂરતાથી હત્યા કરવા પાછળનું ચોક્કસ કારણ હજુ અસપષ્ટ છે. હાલમાં પોલીસ આરોપી પત્ની હોસ્પિટલમાં સ્વસ્થ થાય તેની રાહ જોઈ રહી છે, જેથી તેની કડક પૂછપરછ કરીને આ પાશવી હત્યા પાછળનું અસલ રહસ્ય બહાર લાવી શકાય. ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કરીને કાયદેસરની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/uttar-pradesh-heavy-rain-ganga-yamuna-water-level-rise-prayagraj-varanasi" target="_blank">આ પણ વાંચોઃ Uttar Pradesh : ભારે વરસાદનો કહેર, પ્રયાગરાજના બડે હનુમાન મંદિર સુધી પહોંચ્યા પાણી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/pGGxoX983sS8CF99kqP4yObSl90czK6Oy53ljunq.webp'/></item><item><title><![CDATA[Mumbaiના મઝગાંવમાં ગણેશ આગમન સરઘસ દરમિયાન અથડામણ, ઇંડા ફેંકવાના આરોપ બાદ તણાવ ]]></title><link>https://sandesh.com/india/news/tensions-rise-after-clash-egg-throwing-allegations-during-ganesh-agam-procession-in-mumbais-mazgaon</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/tensions-rise-after-clash-egg-throwing-allegations-during-ganesh-agam-procession-in-mumbais-mazgaon</guid><pubDate>Mon, 24 Aug 2026 13:58:48 +05:30</pubDate><description><![CDATA[<p>Mumbaiના મઝગાંવ વિસ્તારમાં મુંબઈમાં ગણેશ મૂર્તિના આગમન સરઘસ દરમિયાન બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટનાને પગલે રવિવારે મોડી રાતથી સોમવાર સવાર સુધી વિસ્તારમાં તણાવની સ્થિતિ રહી હતી. તહેવારના આયોજકોનો આરોપ છે કે નજીકની એક ઇમારતમાંથી સરઘસ પર ઇંડા ફેંકવામાં આવ્યા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. ભીડને હટાવતા પહેલાં રસ્તાઓ પર અંદાજે 10,000થી 15,000 લોકો એકત્ર થઈ ગયા હતા. અખિલ પબ્લિક ફેસ્ટિવલ કમિટીના અધ્યક્ષ હિતેશ જાધવે આરોપ લગાવ્યો કે ભગવાન ગણપતિના આગમન બાદ નજીકની એક ઇમારતમાંથી સરઘસ પર ઇંડું ફેંકવામાં આવ્યું હતું.</p><h2><b>આયોજકોએ 24 કલાકની અંદર કાર્યવાહી કરવાની માંગ કરી</b></h2><p>આયોજકે કહ્યું કે અમે પોલીસને વિનંતી કરી છે કે તેઓ આગામી 24 કલાકની અંદર કાર્યવાહી કરે. તેમણે એમ પણ કહ્યું કે મહારાષ્ટ્રના સાંસ્કૃતિક બાબતોના મંત્રી આશિષ શેલારે આયોજકોને સમર્થન આપ્યું છે અને કાર્યવાહી કરવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું છે. જાધવે કહ્યું કે આશિષ શેલારે અમારી ઘણી મદદ કરી છે. અમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે આ મામલે 24 કલાકની અંદર સંપૂર્ણ કાર્યવાહી કરવામાં આવશે.</p><h3><b>ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત</b></h3><p>મઝગાંવ ચા મૌર્ય ગણપતિ મંડળના ઉપસચિવ વિવેક રાણેએ આરોપ લગાવ્યો કે પંડાલથી આશરે 30-40 મીટર દૂર આવેલી એક ઇમારતમાંથી સરઘસ પર ઇંડા ફેંકવામાં આવ્યા હતા. રાણેએ કહ્યું કે જ્યારે અમે ગણપતિ આગમન સરઘસનું આયોજન કરી રહ્યા હતા, ત્યારે પંડાલથી માત્ર 30થી 40 મીટરના અંતરે એક ઇમારત આવેલી છે. પંડાલની સામે આવેલી નજીકની ઇમારતમાંથી કેટલાક અસામાજિક તત્વોએ સરઘસ પર ઇંડા ફેંકવાનું શરૂ કર્યું હતું. આ ઘટના વાંધાજનક છે. અમે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છીએ. ઘટના બાદ પરિસ્થિતિ વધુ વણસે નહીં અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મઝગાંવમાં પોલીસ તૈનાત રહી હતી.</p><p><b><a href="https://sandesh.com/" target="_blank">વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/nq1VOpqylARS9yhUxAZBta4nuB4zjIsW2BLrdfQO.webp'/></item><item><title><![CDATA[Valsad News: તિથલ બીચ પર સગીરા સાથે ગેંગરેપ, ત્રણ સગીર આરોપીઓની અટકાયત ]]></title><link>https://sandesh.com/crime/news/maru-saher-maru-gaam/valsad/minor-girl-gangraped-at-tithal-beach-three-minors-detained</link><guid isPermaLink="true">https://sandesh.com/crime/news/maru-saher-maru-gaam/valsad/minor-girl-gangraped-at-tithal-beach-three-minors-detained</guid><pubDate>Mon, 24 Aug 2026 13:33:18 +05:30</pubDate><description><![CDATA[<p>દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત પ્રવાસન સ્થળ એવા વલસાડ તાલુકાના તિથલ દરિયાકિનારા નજીક એક અત્યંત ચોંકાવનારી અને શરમનાક ઘટના પ્રકાશમાં આવી છે. તિથલ બીચ પાસે એક સગીર વયની કિશોરી સાથે ગેંગરેપ આચરવામાં આવ્યો હોવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ બનાવની જાણ થતાં જ સ્થળ પર પહોંચેલી પોલીસે તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.</p><h2><b>એક વર્ષ જૂની ઓળખાણનો લાભ ઉઠાવી રાત્રે બોલાવી</b></h2><p>પોલીસ તપાસમાં સામે આવેલી પ્રાથમિક વિગતો અનુસાર, ભોગ બનનાર પીડિતા અને ત્રણેય આરોપીઓ સગીર વયના છે. પીડિતા અને ત્રણ પૈકીનો એક સગીર આરોપી છેલ્લા 1 વર્ષથી એકબીજાના પરિચયમાં હતા. અગાઉથી ઓળખાણ હોવાના કારણે આરોપીએ સગીરાને રાત્રિના સમયે તિથલ દરિયાકિનારે મળવા માટે બોલાવી હતી. સગીરા તેના પર વિશ્વાસ મૂકીને મળવા પહોંચી હતી.</p><p><img alt="Valsad News: Minor Girl Gangraped at Tithal Beach; 3 Minors Detained by Police" src="https://epapercdn.sandesh.com/images/2026/08/24/bvV63F6B6MjKXLQwq9XizLcimOJQKdvIAdOuyW9s.webp"><br></p><h2><b>ત્રણ સગીરોએ આચર્યું દુષ્કર્મ, પોલીસે કરી અટકાયત</b></h2><p>દરિયાકિનારે સગીરા પહોંચ્યા બાદ ત્રણેય સગીર આરોપીઓએ તેની સાથે અમાનવીય કૃત્ય આચરી ગેંગરેપ કર્યો હતો. ઘટનાની જાણ પરિવારજનો અને પોલીસને થતાં જ વલસાડ પોલીસે ગુનો નોંધી ત્વરિત કાર્યવાહી કરી હતી. પોલીસે ગુનામાં સંડોવાયેલા ત્રણેય સગીર આરોપીઓની અટકાયત કરી લીધી છે અને કાનૂની જોગવાઈઓ મુજબ આગળની તપાસ હાથ ધરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/gujarat/news/valsad/liquor-is-like-god-in-gujarat-everywhere-but-invisible-to-police-says-tushar-chaudhary" target="_blank"> Valsad News: ગુજરાતમાં દારુ ભગવાન જેવો થઈ ગયો છે, જે બધે હાજર છે પણ પોલીસને દેખાતો નથી : તુષાર ચૌધરી</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/HuUk84Jn1fVTEOBQDtL0eRFo06SpqWxPd17JNuLK.webp'/></item><item><title><![CDATA[Cheque Book New Rules ચેકથી મોટી રકમ ચૂકવતા હોવ તો સાવધાન! નવા નિયમની જાણકારી આજે જ મેળવી લો ]]></title><link>https://sandesh.com/business/news/cheque-book-new-rules-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/cheque-book-new-rules-2026</guid><pubDate>Mon, 24 Aug 2026 13:31:41 +05:30</pubDate><description><![CDATA[<p>&nbsp;31 ડિસેમ્બર 2026 પછી 50,000 રૂપિયા કે તેથી વધુ રકમના એવા ચેક સ્વીકારવામાં નહીં આવે, જેમાં જરૂરી અલ્ફા-ન્યુમેરિક કોડ નહીં હોય. અલ્ફા-ન્યુમેરિક કોડમાં અક્ષરો અને અંકોનું ખાસ સંયોજન હોય છે.&nbsp; જેની મદદથી ચેકની ઓળખ અને ચકાસણી વધુ સુરક્ષિત બનાવી શકાય છે. આ ફેરફારનો મુખ્ય હેતુ ચેક દ્વારા થતી છેતરપિંડી ઘટાડવાનો અને ચુકવણીની સુરક્ષા વધારવાનો છે. તેથી જે ગ્રાહકોને બેંક તરફથી નવી ચેકબુક લેવા માટે કહેવામાં આવ્યું છે, તેમણે તેને અવગણવી જોઇએ નહિ.</p><h2><b>ચેકની સુરક્ષા વધારવા પર ભાર</b></h2><p>બેંકિંગ વ્યવસ્થામાં ચેક દ્વારા થતી ચુકવણીને વધુ સુરક્ષિત બનાવવા માટે સતત ફેરફારો કરવામાં આવી રહ્યા છે. ભારતીય રિઝર્વ બેંક ચેક ક્લિયરિંગ પ્રક્રિયાને ઝડપી અને સુરક્ષિત બનાવવા પર ભાર આપી રહી છે. આ માટે Cheque Truncation System નો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં કાગળના ચેકને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવાને બદલે તેની ડિજિટલ તસવીરના આધારે ક્લિયરિંગ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે. તેનાથી ચેક ક્લિયર થવામાં લાગતો સમય ઘટી શકે છે અને સમગ્ર પ્રક્રિયા અગાઉની સરખામણીમાં વધુ સુરક્ષિત અને સરળ બની શકે છે.</p><h2><b>નવી ચેકબુક લેવા માટે કેટલો ચાર્જ લાગશે?</b></h2><p>નવી ચેકબુક આપવા માટેનો ચાર્જ દરેક બેંક અને ખાતાના પ્રકાર પ્રમાણે અલગ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, બેંક ઓફ ઈન્ડિયાના બચત ખાતામાં એક વર્ષમાં 25 પાનાની એક ચેકબુક મફતમાં આપવામાં આવે છે. ત્યારબાદ વધારાના ચેક પાના માટે ચાર્જ લેવામાં આવી શકે છે. બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, વધારાના ચેકના એક પાના માટે 5 રૂપિયા ચાર્જ હોઈ શકે છે. અન્ય સરકારી અને ખાનગી બેંકોમાં ચેકબુકના ચાર્જ અને મફત મળતા ચેકની સંખ્યા અલગ હોઈ શકે છે. તેથી ગ્રાહકોએ પોતાની બેંકની સત્તાવાર વેબસાઇટ, મોબાઇલ બેંકિંગ એપ અથવા શાખામાંથી સાચી ચાર્જની માહિતી મેળવી લેવી જોઈએ.</p><h2><b>ચેકબુક શું હોય છે?</b></h2><p>ચેકબુક એ બેંક દ્વારા ખાતાધારકને આપવામાં આવતી કાગળની પુસ્તિકા છે. તેનો ઉપયોગ રોકડ પૈસા સાથે રાખ્યા વગર કોઈ વ્યક્તિ અથવા સંસ્થાને ચુકવણી કરવા માટે થાય છે. ચેકમાં સામાન્ય રીતે ચુકવણી મેળવનાર વ્યક્તિનું નામ, રકમ, તારીખ અને ખાતાધારકની સહી જેવી જરૂરી માહિતી હોય છે. એક ચેકની માન્યતા સામાન્ય રીતે તેના પર લખેલી તારીખથી 3 મહિના સુધી હોય છે. ચેક પર કરેલી સહી બેંકના રેકોર્ડમાં રહેલી સહી સાથે મળતી હોવી જરૂરી છે.</p><h2><b>ચેકના કેટલા પ્રકાર હોય છે?</b></h2><p>બેરર ચેક: આ પ્રકારનો ચેક લઈને બેંકમાં પહોંચનાર વ્યક્તિને નિયમો મુજબ ચુકવણી કરવામાં આવી શકે છે.</p><p>ઓર્ડર ચેક: તેમાં જે વ્યક્તિનું નામ લખેલું હોય, તેની ઓળખની ચકાસણી કર્યા બાદ ચુકવણી કરવામાં આવે છે.</p><p>ક્રોસ ચેક: આવા ચેક પર સામાન્ય રીતે 2 સમાંતર લીટીઓ કરવામાં આવે છે. તેની રકમ સીધી બેંક ખાતામાં જમા થાય છે, જેના કારણે રોકડ ચુકવણીનું જોખમ ઘટે છે.</p><h2><b>ચેકથી ચુકવણી કરવાના શું ફાયદા છે?</b></h2><p>ચેકથી ચુકવણી કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે મોટી રકમ રોકડમાં લઈને ફરવાની જરૂર પડતી નથી. તેનાથી રોકડ ચોરી થવાનું અથવા ખોવાઈ જવાનું જોખમ ઘટાડી શકાય છે. ચેક દ્વારા કરવામાં આવેલી ચુકવણી બેંકના રેકોર્ડ અને સ્ટેટમેન્ટમાં નોંધાયેલી રહે છે, તેથી તે વ્યવહારના પુરાવા તરીકે પણ કામ કરી શકે છે. આ ઉપરાંત, ચેક બાઉન્સ થાય તો Negotiable Instruments Act, 1881ની કલમ 138 હેઠળ કાયદાકીય કાર્યવાહી કરવાની જોગવાઈ છે. વેપારમાં પણ ચેક દ્વારા કરવામાં આવેલી ચુકવણીનો રેકોર્ડ ઓડિટ અને હિસાબ રાખવામાં મદદ કરે છે.</p><h2><b>ગ્રાહકોએ શું કરવું જોઈએ?</b></h2><p>જો તમારી બેંકે નવી અલ્ફા-ન્યુમેરિક કોડવાળી ચેકબુક લેવા માટે SMS અથવા ઈમેલ મોકલ્યો હોય, તો તેને અવગણશો નહીં. બેંકની શાખા, મોબાઇલ બેંકિંગ અથવા ઈન્ટરનેટ બેંકિંગ દ્વારા નવી ચેકબુક માટે અરજી કરી શકાય છે. સાથે જ, મોટી રકમની ચુકવણી માટે ચેકનો ઉપયોગ કરતા પહેલાં તમારી ચેકબુક હાલના બેંકિંગ નિયમો મુજબ માન્ય છે કે નહીં તેની ચોક્કસ તપાસ કરી લો.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/oemqZdcpGl9XOyoBKJ0SSY1wKfcLUruAHCYdxCzn.webp'/></item><item><title><![CDATA[Vadodara : સાવલીમાં શિક્ષણ વ્યવસ્થાની ચોંકાવનારી સ્થિતિ, નદી કિનારે શેડમાં ભણવા બાળકો મજબૂર ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/savli-bhaganamuwada-children-study-open-shed-incomplete-school-building</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/savli-bhaganamuwada-children-study-open-shed-incomplete-school-building</guid><pubDate>Mon, 24 Aug 2026 13:14:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભગાનામુવાડા ગામમાં શિક્ષણ વ્યવસ્થાની ચોંકાવનારી અને ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. અહીં ધોરણ 1થી 5ના 30 જેટલા બાળકો કરડ નદીના કિનારે આવેલા મંદિરના ખુલ્લા શેડ નીચે શિક્ષણ લેવા મજબૂર બન્યા છે. બીજી તરફ આંગણવાડીના 25 બાળકો દૂધની ડેરીમાં ભણતા હોવાના દ્રશ્યો સામે આવતા શિક્ષણની મોટી વાતો વચ્ચે તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે.</p><h2 style="text-align: justify; "><b>વર્ગખંડની સુવિધા વિના વૈકલ્પિક સ્થળોએ ભણવાની ફરજ&nbsp;</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ ગામની શાળાના નવા મકાનને 2 વર્ષ પહેલા મંજૂરી મળી હતી. જોકે, આટલો સમય વીતી ગયો હોવા છતાં નવી શાળાની બિલ્ડિંગ હજુ સુધી તૈયાર થઈ નથી. પરિણામે નાના બાળકોને યોગ્ય વર્ગખંડની સુવિધા વિના વૈકલ્પિક સ્થળોએ ભણવાની ફરજ પડી રહી છે.</p><p style="text-align: justify; "><img alt="Vadodara: Children Forced to Study in Open Shed" src="https://epapercdn.sandesh.com/images/2026/08/24/IyG4yTmBIK1caZIabG5QIDKq4f6YB1FcvHB3yRcF.webp" style="width: 100%;"><br></p><h3 style="text-align: justify; "><b>વીજળી અને પંખા જેવી પ્રાથમિક સુવિધા પણ નથી</b></h3><p style="text-align: justify; ">કરડ નદીના કિનારે ખુલ્લા શેડમાં બાળકોને વીજળી અને પંખા જેવી પ્રાથમિક સુવિધા પણ ઉપલબ્ધ નથી. કાળઝાળ ગરમીમાં બાળકો પરસેવે રેબઝેબ થઈને શિક્ષણ મેળવવા મજબૂર બન્યા છે. નદીકિનારે ખુલ્લી જગ્યામાં બાળકો ભણતા હોવાથી તેમની સલામતીને લઈને પણ ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.</p><p style="text-align: justify; "><img alt="Vadodara: Children Forced to Study in Open Shed" src="https://epapercdn.sandesh.com/images/2026/08/24/jK91vhxLn9W7vq6qeNp7pGnVpB47SyJQ9sVbZKVv.webp" style="width: 100%;"><br></p><h4 style="text-align: justify; "><b>આંગણવાડીના 25 બાળકો દૂધની ડેરીમાં ભણવા મજબૂર&nbsp;</b></h4><p style="text-align: justify; ">બીજી તરફ આંગણવાડીના 25 બાળકો દૂધની ડેરીમાં ભણવા મજબૂર બન્યા છે. એક તરફ સરકાર દ્વારા શિક્ષણના માળખાને મજબૂત બનાવવાની વાતો કરવામાં આવે છે, ત્યારે ભગાનામુવાડા ગામની આ સ્થિતિ તંત્રની ઘોર લાપરવાહી અને વિકાસના દાવાઓ વચ્ચેની વાસ્તવિકતાને ઉજાગર કરે છે.</p><h4 style="text-align: justify; "><b>2 વર્ષ પહેલા મંજૂર થયેલું શાળાનું મકાન આખરે ક્યારે પૂર્ણ થશે?</b></h4><p style="text-align: justify; ">હવે સવાલ એ છે કે 2 વર્ષ પહેલા મંજૂર થયેલું શાળાનું મકાન આખરે ક્યારે પૂર્ણ થશે? જ્યાં બાળકોને સુરક્ષિત વર્ગખંડ, વીજળી અને પંખા જેવી મૂળભૂત સુવિધા પણ ઉપલબ્ધ નથી, ત્યાં તેમના શિક્ષણ અને ભવિષ્યની જવાબદારી કોણ લેશે તે મોટો સવાલ બની રહ્યો છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp;<a href="https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-gujarat-monsoon-el-nino-impact-rainfall-deficit-september-forecast" target="_blank"><b>&nbsp;Monsoon 2026 : અલ નીનોનો પ્રભાવ વધ્યો, ગુજરાતમાં ચોમાસું નબળું પડવાની આશંકા</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/h1K8xHlFTDB4Cv9vwBqsTLs2Z0sZQhNpsk1wiUvX.webp'/></item><item><title><![CDATA[Mehsana : ઊંઝાના જ્વેલર્સમાંથી ચાંદીની રાખડી ખરીદવાના બહાને ભેજાબાજો 3 લાખનું સોનું લઈને સરકી ગયા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/unjha/mehsana-unjha-kesar-bhavani-jewellers-3-lakh-gold-theft-cctv</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/unjha/mehsana-unjha-kesar-bhavani-jewellers-3-lakh-gold-theft-cctv</guid><pubDate>Mon, 24 Aug 2026 11:42:29 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મહેસાણા જિલ્લાના ઊંઝામાં જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બની આવેલા 2 ગઠિયાઓએ વેપારીનું ધ્યાન ભટકાવી અંદાજે રૂપિયા 3 લાખના સોનાના દાગીનાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. ઊંઝામાં આવેલી કેસર ભવાની જ્વેલર્સમાં બનેલી આ ઘટનાનો સમગ્ર ખેલ દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગયો હોવાનું સામે આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>ચાંદીની રાખડી ખરીદવાના બહાને વેપારી સાથે વાતચીત શરૂ કરી&nbsp;</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ 2 શખ્સો ગ્રાહક બનીને જ્વેલર્સની દુકાનમાં આવ્યા હતા. બંનેએ ચાંદીની રાખડી ખરીદવાના બહાને વેપારી સાથે વાતચીત શરૂ કરી હતી. આ દરમિયાન એક શખ્સે વેપારીનું ધ્યાન અન્ય તરફ દોર્યું હતું, જ્યારે બીજા શખ્સે તકનો લાભ લઈને સોનાની કાનની કડીઓ ચોરી લીધી હોવાનો આરોપ છે.</p><h3 style="text-align: justify; "><b>સોનાની કડીઓનું વજન આશરે 24 ગ્રામ</b></h3><p style="text-align: justify; ">પ્રાથમિક માહિતી મુજબ ચોરી કરવામાં આવેલી સોનાની કડીઓનું વજન આશરે 24 ગ્રામ હોવાનું સામે આવ્યું છે. આરોપીએ વેપારીની નજર ચૂકવી સોનાની કડીઓ પોતાના પેન્ટના પાછળના ખિસ્સામાં સંતાડી દીધી હતી. બંને શખ્સો દુકાનમાંથી નીકળી ગયા બાદ દાગીનાની ચોરી થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.</p><h4 style="text-align: justify; "><b>ચોરીનો સમગ્ર બનાવ કેમેરામાં કેદ થયો&nbsp;</b></h4><p style="text-align: justify; ">ઘટનાની તપાસ માટે દુકાનના CCTV ફૂટેજ ચકાસવામાં આવતા ચોરીનો સમગ્ર બનાવ કેમેરામાં કેદ થયો હોવાનું સામે આવ્યું છે. વેપારી ભરતભાઈ પ્રજાપતિએ આ મામલે ઊંઝા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે બંને આરોપીઓની ઓળખ અને શોધખોળ માટે તપાસ હાથ ધરી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/india/ahmedabad/sandesh-digital-explainer-sugar-price-hike-40-percent-festive-season-shortage-reasons" target="_blank"><b>Sandesh Digital Explainer : તહેવારો પહેલાં ખાંડ બની કડવી..! 40% સુધીના ભાવવધારા પાછળ શું છે મહત્વના કારણ?</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/pq4KZRySiTDjQjvLBHjy8VN83P6UA8KFOS1RzfF7.webp'/></item><item><title><![CDATA[Indiaની દિવ્યાંગ ક્રિકેટ ટીમને મળ્યા અમિત શાહ, લોર્ડ્સની ઐતિહાસિક જીતની કરી પ્રશંસા ]]></title><link>https://sandesh.com/sports/news/india/amit-shah-meets-indias-disabled-cricket-team-praises-historic-win-at-lords</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india/amit-shah-meets-indias-disabled-cricket-team-praises-historic-win-at-lords</guid><pubDate>Mon, 24 Aug 2026 11:08:58 +05:30</pubDate><description><![CDATA[<p>Indiaની દિવ્યાંગ ક્રિકેટ ટીમ તાજેતરમાં ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટી20 સિરીઝ રમીને પરત ફરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમામ ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત કરી અને તેમના જુસ્સા તથા દૃઢશક્તિની પ્રશંસા કરી. ભારતીય ખેલાડીઓનો એક વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં તેમણે સૌરવ ગાંગુલીની સ્ટાઇલમાં લોર્ડ્સની બાલ્કની પર શર્ટ ઉતારીને લહેરાવ્યું હતું.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/AmitShah/status/2091540039704699368"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b style="font-size: 2rem;">અમિત શાહે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે મુલાકાત કરી</b></p><p> આ યાદગાર જીત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. અમિત શાહે સોશિયલ મીડિયા દ્વારા કહ્યું- નવી દિલ્હીમાં ભારતની દિવ્યાંગ ક્રિકેટ ટીમને મળીને ખુશી થઈ. ભારતની આ ટીમ ઇંગ્લેન્ડ પ્રવાસથી પરત ફરી છે, જ્યાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મેન્સ મિક્સ્ડ ડિસેબિલિટી ટી20 સિરીઝ રમાઈ હતી. દેશનું સન્માન વધારવા માટે તેમનો પ્રયાસ અને તેમનો દૃઢ સંકલ્પ ભારતના યુવાનોને પ્રેરણા આપે છે. ભવિષ્યના પ્રયાસો માટે તેમને શુભકામનાઓ.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/LucknowIPL/status/2090409941769261489"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b style="font-size: 1.75rem;">ભારત માટે હિલાલ અહમદ વાણીએ 4 વિકેટ ઝડપી&nbsp;</b></p><p>ટીમ ઈન્ડિયા ભલે સિરીઝ હારી ગઈ, પરંતુ સિરીઝનો અંત તેણે યાદગાર અંદાજમાં કર્યો. અંતિમ ટી20 મુકાબલામાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારિત 20 ઓવરમાં સ્કોરબોર્ડ પર 206 રન નોંધાવ્યા હતા. સૌથી વધુ પ્રભાવિત માજિદ મેકગ્રેની 331.58ના સ્ટ્રાઇક રેટથી રમાયેલી ઇનિંગ્સે કર્યા હતા. તેમણે માત્ર 19 બોલમાં 68 રન ફટકાર્યા હતા, જેમાં 3 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ હતા. ઇંગ્લેન્ડની આખી ટીમ માત્ર 88 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતે 118 રનથી મેચ જીતી લીધી હતી. ભારત માટે હિલાલ અહમદ વાણીએ 4 વિકેટ ઝડપી હતી, જ્યારે જયેશ પરમારે માત્ર 2 ઓવર બોલિંગ કરીને 3 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. આ ધમાકેદાર જીત બાદ ભારતીય ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે પણ લોર્ડ્સની બાલ્કની પર શર્ટ લહેરાવ્યો હતો.</p><p><b><a href="https://sandesh.com/" target="_blank">વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/24/qYWhXb0m9OoaytEVlC2JMmyKpLlTHffb0heAKSvt.webp'/></item></channel></rss>