<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Sonu Nigamની નસ દબાઈ, અલકા યાજ્ઞિકને સાંભળવામાં તકલીફ! ગંભીર બીમારીઓનો સામનો કરી રહ્યા છે આ સિંગર્સ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/sonu-nigam-alka-yagnik-bollywood-singers-severe-illness</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/sonu-nigam-alka-yagnik-bollywood-singers-severe-illness</guid><pubDate>Wed, 17 Jun 2026 15:53:12 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડના તમામ મોટા સિંગર્સને જાણે કોઈની નજર લાગી ગઈ છે. એક પછી એક ઘણા સિંગર્સ ગંભીર બીમારીઓથી પીડાતા હોવાના સમાચાર આવી રહ્યા છે. હાલમાં સોનુ નિગમે ખુલાસો કર્યો છે કે તેના ગળાની નસો દબાઈ ગઈ છે જેના કારણે તે સારવાર કરાવી રહ્યો છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>નસોની દર્દનાક સમસ્યાથી પીડાઈ રહ્યા છે સોનુ નિગમ</b></h2><p style="text-align: justify; ">સોનુ નિગમ નસોની એક દર્દનાક સમસ્યાનો સામનો કરી રહ્યો છે. સોમવારે ઇન્સ્ટાગ્રામ પર પોતાની તબિયત વિશે માહિતી આપતા સિંગરે જણાવ્યું કે છેલ્લા એક અઠવાડિયાથી તેના સ્કેન, ફિઝિયોથેરાપી અને દવાઓ ચાલી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા એક વીડિયોમાં સોનુએ પોતાના ખભા પર બાંધેલી પટ્ટી બતાવી અને કહ્યું, મારી નસો દબાઈ ગઈ છે. એક અઠવાડિયાથી મારા એમઆરઆઈ (MRI) અને સીટી (CT) સ્કેન થઈ રહ્યા છે. હું ઘણી બધી દવાઓ લઈ રહ્યો છું, ફિઝિયોથેરાપી ખૂબ જ દર્દનાક હતી. હવે હું પેનકિલર લઈ રહ્યો છું. તેમણે આગળ જણાવ્યું કે તેમને મસલ રિલેક્સન્ટ પણ આપવામાં આવ્યા છે, જેનાથી તેનું ગળું પણ ભારે થઈ રહ્યું છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DZnCjhgMz-m/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DZnCjhgMz-m/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DZnCjhgMz-m/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DZnCjhgMz-m/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h3 style="text-align: justify; "><b>રેર સેન્સરી નર્વ હિયરિંગ લોસનો સામનો કરી રહ્યા છે અલ્કા યાગ્નિક</b></h3><p style="text-align: justify; ">પ્લેબેક સિંગર અલ્કા યાગ્નિકનો છેલ્લો પ્રોજેક્ટ 2024 માં 'અમર સિંહ ચમકીલા' હતો, ત્યારપછી તેમણે વધુ સિંગિંગ પ્રોજેક્ટ્સ કર્યા નથી. જૂન 2024 માં, અલ્કાએ ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ લખીને જણાવ્યું કે તેમને સાંભળવા સંબંધિત એક રેર બીમારી થઈ ગઈ છે.</p><p style="text-align: justify; "><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/C8U2sbzsa2Q/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/C8U2sbzsa2Q/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/C8U2sbzsa2Q/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/C8U2sbzsa2Q/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a> <br></p><p style="text-align: justify; ">તેમણે જણાવ્યું હતું કે ડોક્ટરોએ આને રેર 'સેન્સરી ન્યુરલ નર્વ હિયરિંગ લોસ' ગણાવ્યું છે, જે એક વાયરલ ઇન્ફેક્શનના કારણે થયું છે. સિંગરે સાથી કલાકારોને લાંબા સમય સુધી હેડફોનના ઉપયોગ અને તેજ મ્યુઝિકના સંપર્કમાં આવવાના જોખમો વિશે પણ ચેતવણી આપી હતી.<br><img title="Yo Yo Honey Singh, Sunidhi Chauhan, Sonu Nigam (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/06/17/YwhCFucJtzPgCTZIbS5aGPkm7h7gdz1EJGOD9msX.webp"><br></p><h3 style="text-align: justify; "><b>હની સિંહ બાયપોલર ડિસઓર્ડર અને સાયકોસિસ સામે લડ્યા<br></b></h3><p style="text-align: justify; ">યો યો હની સિંહનું બાયપોલર ડિસઓર્ડર અને સાયકોસિસ સામે લડવું એક ખૂબ જ મુશ્કેલ તબક્કો હતો, જેમાં ખૂબ જ વધારે મેનિયા અને પેરાનોઇયાના કારણે તેમણે પોતાને બધાથી અલગ કરી દીધા હતા. તેમણે પોતે જણાવ્યું હતું કે આના કારણે તેઓ મોતની દુઆ સુધી કરતા હતા. બીમારી અને નશાની લતના કારણે તેમણે ગંભીર માનસિક અને શારીરિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, જો કે આ પછી તેમણે પોતાના કરિયરમાં જબરદસ્ત વાપસી કરી.<br><img title="Yo Yo Honey Singh, Sunidhi Chauhan, Sonu Nigam (2)" src="https://epapercdn.sandesh.com/images/2026/06/17/mm9zCZuhPFGbpRf6gJ0AaFnq7d5sJJm2yWwga9V5.webp"><br></p><h4 style="text-align: justify; "><b>સુનિધિ ચૌહાનને વોકલ કોર્ડમાં થઈ હતી ઈન્જરી</b></h4><p style="text-align: justify; ">ફેમસ પ્લેબેક સિંગર સુનિધિ ચૌહાનને પોતાના વર્લ્ડવાઈડ ટૂર દરમિયાન ફ્લૂ વાયરસના કારણે વોકલ કોર્ડમાં ગંભીર ઈજા થઈ ગઈ હતી. ઈજા હોવા છતાં ગાવાનો પ્રયત્ન કરવાથી તેમની સ્થિતિ વધુ બગડી ગઈ હતી. વાસ્તવમાં ગળા પર જોર પડવાથી સોજો આવી ગયો હતો. આ કારણે તેમણે તરત જ પોતાની ટૂર કેન્સલ કરી દીધી હતી અને ગળાને પૂરો આરામ આપ્યો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/tmkoc-17-years-trp-number-1-comedy-show-actor-role" target="_blank">આ પણ વાંચો-TMKOC : 17 વર્ષથી TRPમાં ટોપ પર છે આ કોમેડી શો, 53 વર્ષનો એક્ટર નિભાવી રહ્યો છે 70 વર્ષના વૃદ્ધનું પાત્ર!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/QLAkiIaQNyVcU2BSEzyCtLFVMd2v2QSE6r86imtJ.webp'/></item><item><title><![CDATA[Mukesh Ambani દેશનો સૌથી મોટો IPO લાવવાની તૈયારીમાં, 19 જૂને થઈ શકે છે જાહેરાત ]]></title><link>https://sandesh.com/business/news/mukesh-ambani-reliance-jio-largest-ipo-announcement-june-19</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/mukesh-ambani-reliance-jio-largest-ipo-announcement-june-19</guid><pubDate>Wed, 17 Jun 2026 15:48:53 +05:30</pubDate><description><![CDATA[<p>મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો આગામી થોડા જ દિવસોમાં તેના IPO માટે ડ્રાફ્ટ પેપર્સ ફાઈલ કરી શકે છે. આ IPOનું કદ અંદાજે 4 અબજ ડૉલર (રૂપિયા 33,000 કરોડથી વધુ) હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે 19 જૂન, 2026ના રોજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 49મી વાર્ષિક સામાન્ય સભા (AGM) યોજાવાની છે.</p><h2><b>ભારતીય શેરબજારનો સૌથી મોટો IPO</b></h2><p>રિલાયન્સ જિયોનો IPO ભારતીય શેરબજારના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો IPO બની શકે છે. આ પહેલાં હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાએ 3.3 અબજ ડૉલરનો IPO લાવી સૌથી મોટા પબ્લિક ઑફરની સિદ્ધિ મેળવી હતી. હવે જિયો આ રેકોર્ડ તોડવાની નજીક પહોંચી ગઈ છે. જોકે 2026 દરમિયાન IPO બજારમાં ગત બે વર્ષ કરતાં થોડો મંદીનો માહોલ રહ્યો છે, તેમ છતાં જિયોની એન્ટ્રી સ્થાનિક તેમજ વિદેશી રોકાણકારોમાં નવી આશા જગાવી શકે છે.</p><h3><b>રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પોતાની હિસ્સેદારી વેચીને IPO લાવશે</b></h3><p>શરૂઆતમાં એવી ચર્ચા હતી કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પોતાની હિસ્સેદારી વેચીને IPO લાવશે, જેને “ઓફર ફોર સેલ” (OFS) કહેવામાં આવે છે. પરંતુ તાજેતરના મળતી માહિતી મુજબ, વૈશ્વિક રોકાણકારો સાથે મૂલ્યાંકન (Valuation) અંગે થયેલી ચર્ચા બાદ મુકેશ અંબાણીએ વ્યૂહરચના બદલી છે. હવે કંપની “ફ્રેશ ઇશ્યુ” દ્વારા નવા શેર બહાર પાડશે. એટલે કે IPOમાંથી મળનારી સમગ્ર રકમ જિયોના વ્યવસાયના વિસ્તરણ, નવી ટેક્નોલોજી, AI અને 5G નેટવર્કના વિકાસમાં ખર્ચવામાં આવશે. આ નાણાં પ્રમોટરો કે જૂના રોકાણકારોને નહીં મળે.</p><h4><b>રિલાયન્સના શેરોને મળી શકે ટેકો</b></h4><p>2026નું વર્ષ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ માટે અત્યાર સુધી પડકારજનક રહ્યું છે. ખાડી ક્ષેત્રમાં વધતા તણાવ અને અસ્થિરતાના કારણે કંપનીના મુખ્ય રિફાઈનિંગ (તેલ) વ્યવસાય પર અસર પડી છે. પરિણામે માર્ચ ત્રિમાસિક ગાળામાં કંપનીનો નફો વાર્ષિક ધોરણે 13 ટકા ઘટ્યો હતો. આ ઉપરાંત, રિલાયન્સના શેરોમાં વર્ષ દરમિયાન અંદાજે 15 ટકાનો ઘટાડો નોંધાયો છે. ગયા વર્ષની AGMમાં મુકેશ અંબાણીએ જિયોની લિસ્ટિંગ 2026ના પ્રથમ છ મહિનામાં કરવાની ખાતરી આપી હતી. આવા સંજોગોમાં જિયોનો IPO કંપની માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે અને રોકાણકારોનો વિશ્વાસ મજબૂત કરી શકે છે.</p><h4><b>AI અને 5G પર જિયોની મોટી તૈયારી</b></h4><p>2020માં રિલાયન્સ જિયોએ ગૂગલ, મેટા, સાઉદી અરેબિયાના પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ (PIF) અને KKR સહિતના 13 મોટા વૈશ્વિક રોકાણકારો પાસેથી રૂ. 1.5 લાખ કરોડથી વધુનું ભંડોળ એકત્ર કર્યું હતું. આ રોકાણ બાદ જિયો સંપૂર્ણપણે કર્જમુક્ત (Net Debt-Free) બની ગઈ હતી. આજે જિયો માત્ર ટેલિકોમ કંપની નથી રહી. કંપની ક્લાઉડ કમ્પ્યુટિંગ, બ્રોડબેન્ડ, એન્ટરપ્રાઇઝ સોલ્યુશન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવા ક્ષેત્રોમાં ઝડપથી આગળ વધી રહી છે. 19 જૂને બપોરે 2 વાગ્યે યોજાનારી વર્ચ્યુઅલ AGMમાં રોકાણકારો અને ગ્રાહકોની નજર ખાસ કરીને આ બાબત પર રહેશે કે જિયો તેના ડિજિટલ અને AI વ્યવસાયને વધુ મજબૂત બનાવવા માટે કઈ નવી જાહેરાતો કરે છે.<br><br><a href="https://sandesh.com/business/news/pizza-hut-pizza-hut-sold-started-with-12500-of-borrowing-deal-done-today-for-22500-crores" target="_blank"><b>આ પણ વાંચો : Pizza Hut: પિઝા હટ વેચાઈ ગઈ! ઉધારીના 12500થી શરૂઆત...આજે 22500 કરોડમાં ડીલ</b></a></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/ZnoV58Dk37zsa7YQsQjNDjnfYgaq8tSs0pfYlSfe.webp'/></item><item><title><![CDATA[Navsari News: અસહ્ય ગરમી વચ્ચે શહેરમાં વરસાદી ઝાપટું, વાતાવરણમાં પ્રસરી ઠંડક ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/navsari/weather-change-rain-showers-lunsikui-kaliawadi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/navsari/weather-change-rain-showers-lunsikui-kaliawadi</guid><pubDate>Wed, 17 Jun 2026 15:23:57 +05:30</pubDate><description><![CDATA[<p>દક્ષિણ ગુજરાતના નવસારી શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને અકળાવનારા બફારા બાદ બુધવારે અચાનક વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. બપોરના સમયે આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા બાદ શહેરના પૂર્વ ભાગના વિવિધ વિસ્તારોમાં તેજ પવન સાથે વરસાદી ઝાપટાં તૂટી પડ્યા હતા. આ વરસાદી એન્ટ્રીથી વાતાવરણમાં ક્ષણભરમાં જ ઠંડક પ્રસરી ગઈ છે.</p><h2><b>શહેરના પૂર્વ પટ્ટીના આ વિસ્તારોમાં મેઘમહેર</b></h2><p>વાતાવરણમાં આવેલા પલટાના કારણે નવસારી શહેરના ખાસ કરીને પૂર્વ વિભાગમાં વરસાદી માહોલ જામ્યો હતો. શહેરમાં આવેલા લૂંસિકુઈ અને સર્કિટ હાઉસ વિસ્તાર, કાલિયાવાડી અને દશેરા ટેકરી અને બસ ડેપો સહિતના આજુબાજુના વિસ્તારોમાં જોરદાર પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. આ વરસાદને કારણે માર્ગો પરથી પાણી વહેતા થઈ ગયા હતા અને વાહનચાલકોને પણ થોડીવાર માટે થંભી જવું પડ્યું હતું.</p><p><img title="Kutch News: Kutch Rail Project: Rs 493 Crore Approved for Adipur-Bhuj Track Doubling" src="https://epapercdn.sandesh.com/images/2026/06/17/SW2ZPLbad7KinCegtQhx0m27d7vVaT0VhbjU5yrB.webp"><br></p><h2><b>બફારાથી રાહત, પરંતુ હજુ મોટા વરસાદની રાહ</b></h2><p>છેલ્લા ઘણા સમયથી નવસારીવાસીઓ અસહ્ય ગરમી અને ભેજવાળા વાતાવરણથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, ત્યારે આ પવન સાથે આવેલા વરસાદી ઝાપટાંએ લોકોને ગરમીમાંથી મોટી રાહત આપી છે. જોકે, આ માત્ર હળવા ઝાપટાં હોવાથી ધરતીપુત્રો અને શહેરીજનો હજુ પણ સાર્વત્રિક અને ધોધમાર વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે, જેથી વાવણીના કાર્યોને વેગ મળી શકે.</p><p><br></p><p><img title="Kutch News: Kutch Rail Project: Rs 493 Crore Approved for Adipur-Bhuj Track Doubling" src="https://epapercdn.sandesh.com/images/2026/06/17/qbcE8v58KuLH8sGpsFk4Qtfdv6BI7z2uz3BPdoYE.webp"><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/nri/navsari/navsari-youth-trapped-in-armenia-surat-agent-lures-him-with-rs-1-lakh-salary" target="_blank">Navsariનો યુવક આર્મેનિયામાં ફસાયો: રૂ.1 લાખના પગારની લાલચ આપી સુરતના એજન્ટે કર્યા હાથ અધ્ધર</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/9BsooLp2jn1tj23Vb6oY6joJOVcN9ydTIfRaZjCu.webp'/></item><item><title><![CDATA[Maharashtra Politics: ઉદ્ધવની સેના તૂટી, બળવાખોર 6 સાંસદોએ લોકસભા સ્પીકરને પત્ર સોંપ્યો ]]></title><link>https://sandesh.com/india/news/maharashtra-politics-uddhavs-army-collapsed-6-rebel-mps-now-surrender-to-shinde-hand-over-letter-to-lok-sabha-speaker</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/maharashtra-politics-uddhavs-army-collapsed-6-rebel-mps-now-surrender-to-shinde-hand-over-letter-to-lok-sabha-speaker</guid><pubDate>Wed, 17 Jun 2026 15:15:01 +05:30</pubDate><description><![CDATA[<p>મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી ગરમાવો આવ્યો છે. એકનાથ શિંદે અને ઉદ્ધવ જૂથ ફરી એકવાર સામ સામે આવી ગયા છે. કારણ કે ઉદ્ધવ જૂથના 9માંથી 6 સાંસદોએ અલગ પોતાનું જૂથ બનાવવાનો નિર્ણય લીધો છે.&nbsp; આ છ સાંસદોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને વિનંતી કરી છે કે તેમને એક અલગ જૂથ તરીકે માન્યતા આપવામાં આવે.</p><h2><b>કયા સાંસદોએ અલગ જૂથ બનાવવાનો નિર્ણય લીધો&nbsp;</b></h2><p>શિવસેના (UBT) ના સાંસદો જેમણે સ્પીકરને પત્ર લખ્યો છે તેમાં સંજય જાધવ, સંજય દેશમુખ, નાગેશ પાટિલ અશ્તિકર, ઓમરાજે નિમ્બાલકર, ભાઉસાહેબ વાકચૌરે અને સંજય દિના પાટિલનો સમાવેશ થાય છે. શિવસેના (UBT) ની ટિકિટ પર ચૂંટાયેલા નવ સાંસદોમાંથી છ સાંસદો દૂર થઈ ગયા છે, પરંતુ ત્રણ સાંસદો હજુ પણ ઉદ્ધવ ઠાકરે સાથે ઉભા છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2067119305968517387"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3><b>ઉદ્ધવના સાંસદો એકનાથ શિંદેમાં જોડાયા</b></h3><p>મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે માટે મોટો રાજકીય ઉથલપાથલ સર્જાઈ છે. શિવસેના (UBT) ના નવ સાંસદોમાંથી 6એ બુધવારે સવારે 9:30 વાગ્યે સ્પીકરને પત્ર સુપરત કર્યો હતો.&nbsp; જેમાં એકનાથ શિંદેની પાર્ટીમાં વિલયની માંગ કરવામાં આવી હતી. આ છ સાંસદોએ એક અલગ જૂથ બનાવ્યું અને તેને શિવસેનામાં ભેળવી દીધું.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2067102314176061732"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p>ઉદ્ધવની પાર્ટીના છ બળવાખોર સાંસદો બુધવારે સવારે નાંદેડ, પુણે અને મુંબઈથી ખાનગી જેટ દ્વારા દિલ્હી પહોંચ્યા હતા. તેમની સાથે એકનાથ શિંદેની શિવસેનાના એક વરિષ્ઠ નેતા પણ હતાય&nbsp; તેઓ એકસાથે સ્પીકરને મળ્યા અને તેમના સમર્થનનો પત્ર સુપરત કર્યો.</p><h4><b>ઉદ્ધવની પાર્ટીમાં વિભાજન !&nbsp;</b></h4><p>યુબીટી જૂથમાં બળવાની અટકળો વચ્ચે દિલ્હીમાં સંજય રાઉતના નિવાસસ્થાને એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં અરવિંદ સાવંત, મુખ્ય દંડક અનિલ દેસાઈ અને નાસિકના સાંસદ રાજાભાઉ હાજર રહ્યા હતા. શિવસેના (યુબીટી)ના નવ લોકસભા સાંસદોમાંથી માત્ર ત્રણ જ હાજર હતા બાકીના છ ગેરહાજર હતા. આ સ્પષ્ટપણે ઉદ્ધવની પાર્ટીમાં વિભાજનનો ભય દર્શાવે છે. અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે તમામ નવ સાંસદો પાર્ટીની ટિકિટ પર ચૂંટાયા હતા. ઉદ્ધવ ઠાકરેએ તેમની જીત સુનિશ્ચિત કરવા માટે અથાક મહેનત કરી હતી. અમે તેમને શક્ય તેટલા સંસાધનો પૂરા પાડ્યા હતા.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2067133072655675868"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p>તેમણે કહ્યું કે અમારા સાંસદ શિવસેનાના ચિન્હ મશાલ પર ચૂંટાયા છે.  જેના નેતા ઉદ્ધવ ઠાકરે છે.  તેઓ પીએમ મોદીના નામ પર નથી જીત્યા.  એવામાં કોઇ પક્ષ બદલે છે તો અમે તેને છોડીશું નહીં. જેને જવુ હોય તો તે રાજીનામુ આપીને જઇ શકે છે. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ઉદ્ધવની પાર્ટીમાં વિભાજનનો હજી ખતરો તોળાઇ રહ્યો છે.&nbsp;</p><p><br></p><p><br></p><p><a href="https://sandesh.com/gallery/news/india/why-are-potatoes-and-chickpeas-the-filling-in-panipuri?2" target="_blank">આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/GQ4kbxAAY06xVPY5nAmh9NoTRgbhnFedwgf4XjvY.webp'/></item><item><title><![CDATA[વાંચો બપોરે 12થી 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/read-important-news-from-12-pm-to-03-pm-17-june-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/read-important-news-from-12-pm-to-03-pm-17-june-2026</guid><pubDate>Wed, 17 Jun 2026 14:58:59 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/uddhav-thackeray-shiv-sena-crisis-rebel-mps-shinde" target="_blank">1. Uddhav Thackeray Shiv Sena : ફરી તૂટી ઉદ્ધવ ઠાકરેની શિવસેના! 9માંથી 6 સાંસદો શિંદેના શરણે</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/vadodara/bhavnagar-vmc-bomb-threat-email-khalistan-amit-shah" target="_blank">2. Bomb Threat: સુરત બાદ ભાવનગર અને વડોદરા મનપા કચેરીને પણ મળ્યો ધમકીભર્યો ઈ-મેઈલ, અમિત શાહ પણ નિશાને!</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/entertainment/news/kala-hiran-film-controversy-read-the-script-took-the-moneynow-lying-out-of-fear-of-salman-director-amit-jani-furious-at-govind-namdev" target="_blank">3. Kala Hiran Filmના ડાયરેક્ટર અમિત જાની અભિનેતા ગોવિંદ નામદેવ પર ભડક્યા, સ્ક્રિપ્ટ વાંચી, પૈસા લીધા..હવે સલમાનના ડરથી જૂઠું બોલે છે...</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/world/news/g7-summit-why-was-meloni-embarrassed-by-ukrainian-president-zelenskys-kiss-huge-debate-over-viral-video" target="_blank">4. G7 Summit: યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની કિસથી મેલોની કેમ સંકોચમાં મૂકાયા? વાયરલ વીડિયો પર ભારે ચર્ચા!</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/palanpur/banaskantha-viksit-bharat-samman-power-cut-palanpur" target="_blank">5. Banaskantha: બે-બે મંત્રીઓની હાજરીમાં વીજળી ગુલ, લોકોએ મોબાઈલ ફ્લેશ લાઈટ ચાલુ કરવી પડી</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/world/news/hormuz-strait-crisis-money-first-security-later-now-vip-pass-entry-to-allow-oil-tankers-to-pass" target="_blank">6. Hormuz Strait Crisis: પહેલા પૈસા પછી સુરક્ષા, ઓઇલ ટેન્કરો પસાર કરાવવા માટે હવે 'VIP પાસની એન્ટ્રી ?</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/kutch/bhachau-earthquake-tremor-magnitude-3-2" target="_blank">7. Kutch News: 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, ભચાઉ નજીક કેન્દ્રબિંદુ</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/cricket/news/ind-vs-afg-2nd-odi-afghanistan-won-the-toss-decided-to-bowl" target="_blank">8. IND vs AFG 2nd ODI : અફઘાનિસ્તાને જીત્યો ટોસ, બોલિંગ કરવાનો નિર્ણય લીધો</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/rajkot/gondal-bjp-farmers-samelan-jitu-vaghani-farmer-protest" target="_blank">9. Rajkot News: નારાજગી દૂર કરવા ભાજપનો મોટો દાવ! ગોંડલમાં યોજાયું ખેડૂત સંમેલન, ઉપવાસ મુદ્દે મંત્રીનું મૌન</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/ram-mandir-donation-row-third-day-of-sit-investigation-questioning-of-several-employees-including-champat-rai" target="_blank">10. Ram Mandir Donation Row: SIT તપાસનો ત્રીજો દિવસ, ચંપત રાય સહિત અનેક કર્મચારીઓની પૂછપરછ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/AXZJQqnad4l9wb21g7xIBRd4PpEcPrmaCQ1FOFDV.webp'/></item><item><title><![CDATA[Political News: સપામાં પડશે મોટું ભંગાણ!  ઓપી રાજભરના કરેલા મોટા દાવાથી રાજકારણમાં ખળભળાટ ]]></title><link>https://sandesh.com/india/news/-political-news/there-will-be-a-big-rift-in-sp-political-turmoil-due-to-big-claims-made-by-op-rajbhar</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/-political-news/there-will-be-a-big-rift-in-sp-political-turmoil-due-to-big-claims-made-by-op-rajbhar</guid><pubDate>Wed, 17 Jun 2026 14:52:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઉત્તર પ્રદેશની રાજનીતિમાં ફરી એકવાર ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. યોગી સરકારમાં કેબિનેટ મંત્રી અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના વડા ઓમ પ્રકાશ રાજભરે સમાજવાદી પાર્ટીને લઈને એક મોટો દાવો કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર, સમાજવાદી પાર્ટીમાં ટૂંક સમયમાં મોટો ભાગલા પડી શકે છે અને ઘણા નેતાઓ ભાજપમાં જોડાવાની તૈયારીમાં છે.</p><h2 style="text-align: justify; "><b>રામગોપાલ યાદવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને લખ્યો પત્ર</b></h2><p style="text-align: justify; ">ઓપી રાજભરે દાવો કર્યો છે કે સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા રામગોપાલ યાદવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને એક પત્ર લખ્યો છે. રાજભરના કહેવા મુજબ, આ પત્રમાં કેટલાક એવા નેતાઓના નામ છે, જેઓ ભાજપમાં જોડાવા માંગે છે. જોકે, અત્યાર સુધી આ દાવા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ રાજભરના નિવેદનથી ઉત્તર પ્રદેશની રાજનીતિમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઓમ પ્રકાશ રાજભરે સમાજવાદી પાર્ટી પર હુમલો કરતા કહ્યું કે જેમ જેમ તપાસ એજન્સીઓ ખાણકામ કૌભાંડ અને ગોમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ જેવા કેસોમાં કાર્યવાહી તેજ કરી રહી છે, તેમ તેમ સપાના નેતાઓમાં ગભરાટ વધી રહ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે આ કેસોમાં ઘણા મોટા નામો સામેલ છે.</p><h3 style="text-align: justify; "><b>ઉત્તર પ્રદેશમાં જોવા મળશે મોટું રાજકીય પરિવર્તન</b></h3><p style="text-align: justify; ">રાજભરે વધુમાં કહ્યું કે “લોકો ત્યારે જ ખરીદાય છે જ્યારે તેઓ વેચાવા માટે તૈયાર હોય.” તેમણે મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળના રાજકીય ઘટનાક્રમનો ઉલ્લેખ કરતા કહ્યું કે હવે ઉત્તર પ્રદેશમાં પણ મોટું રાજકીય પરિવર્તન જોવા મળી શકે છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઉત્તર પ્રદેશમાં 2027ની વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ સક્રિય બની ગઈ છે. ભાજપ અને સમાજવાદી પાર્ટી બંને પોતાની રાજકીય સ્થિતિ મજબૂત કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે. આવી સ્થિતિમાં ઓપી રાજભરના દાવાએ રાજકીય તાપમાન વધુ વધારી દીધું છે.</p><h4 style="text-align: justify; "><b>સપામાં પડશે ભંગાણ!</b></h4><p style="text-align: justify; ">હવે સૌથી મોટો સવાલ એ છે કે શું ખરેખર સમાજવાદી પાર્ટીમાં મોટો ભાગલા પડશે? શું રામગોપાલ યાદવે ખરેખર અમિત શાહને કોઈ પત્ર લખ્યો છે? કે પછી આ માત્ર રાજકીય દબાણ બનાવવાનો પ્રયાસ છે? આ સવાલોના જવાબ આવનારા દિવસોમાં જ સ્પષ્ટ થશે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/world/news/hormuz-strait-crisis-money-first-security-later-now-vip-pass-entry-to-allow-oil-tankers-to-pass" target="_blank">આ પણ વાંચોઃ Hormuz Strait Crisis: પહેલા પૈસા પછી સુરક્ષા, ઓઇલ ટેન્કરો પસાર કરાવવા માટે હવે  'VIP પાસની એન્ટ્રી ?</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/2N053OKI5gzpIEfIy2TFny9vBUyZIZPmkF6yRsI5.webp'/></item><item><title><![CDATA[Bomb Threat: સુરત બાદ ભાવનગર અને વડોદરા મનપા કચેરીને પણ મળ્યો ધમકીભર્યો ઈ-મેઈલ, અમિત શાહ પણ નિશાને! ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/bhavnagar-vmc-bomb-threat-email-khalistan-amit-shah</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/bhavnagar-vmc-bomb-threat-email-khalistan-amit-shah</guid><pubDate>Wed, 17 Jun 2026 14:47:51 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતના મુખ્ય શહેરોની મહાનગરપાલિકાઓને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈ-મેઈલ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. સુરત બાદ હવે વડોદરા અને ભાવનગર મહાનગરપાલિકા કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની સનસનાટીભરી ધમકી મળી છે. ખાસ કરીને વડોદરામાં આવેલા મેઈલમાં ખાલિસ્તાની સંગઠન અને દેશના ગૃહમંત્રી અમિત શાહનો ઉલ્લેખ કરવામાં આવતા જ રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે.</p><h2><b>'ખાલિસ્તાન નેશનલ આર્મી'ના નામે ધમકી, IED બ્લાસ્ટનો ઉલ્લેખ</b></h2><p>વડોદરા મહાનગરપાલિકાના મેયરની ઓફિસમાં આજે સવારે 9:00 વાગ્યે એક અત્યંત ચોંકાવનારો ઈ-મેઈલ આવ્યો હતો. આ મેઈલમાં મ્યુનિસિપલ કમિશનરનો પણ વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મેઈલમાં પત્ર લખનારે પોતાને 'ખાલિસ્તાન નેશનલ આર્મી'નો એન્જિનિયર ગુરુનાખ સિંહ રુકાન શાહવાલા ગણાવ્યો છે. જેમાં લખ્યું છે કે, "ગુજરાત બોલેગા ખાલિસ્તાન". આ મેઈલમાં બપોરે 3:11 વાગ્યે બ્લાસ્ટનો દાવો કરાયો છે. મેઈલમાં ધમકી આપવામાં આવી હતી કે, બપોરે 3:11 વાગ્યે મનપા કચેરીમાં IED કાર વડે મોટો બોમ્બ ધમાકો કરવામાં આવશે.</p><h2><b>ગૃહમંત્રી અમિત શાહ નિશાને</b></h2><p>આ મેઈલમાં માત્ર વડોદરા જ નહીં, પરંતુ દેશના ગૃહમંત્રી અમિત શાહની કચેરીને પણ ઉડાવી દેવાની ધમકી અપાઈ છે. પત્રમાં એવો સનસનાટીભર્યો ઉલ્લેખ કરાયો છે કે, કેનેડામાં હરદીપસિંહ નિજ્જરને અમિત શાહના કહેવાથી ઉડાવી દેવાયો હતો, જેથી તેઓ તેમના નિશાના પર છે.</p><p><img title="Bomb Threat: Gujarat Bomb Threat: Vadodara &amp; Bhavnagar Municipal Corporations Receive Khalistani Threat Emails" alt="Security officials and sniffer dog inspect civic office after bomb threat email in Gujarat" src="https://epapercdn.sandesh.com/images/2026/06/17/5rEm4JFRrcRlYBUMaW51wNF6GdSxpsGy015raW3c.webp"><br></p><h2><b>તપાસમાં કશું ન મળતા કામકાજ રાબેતા મુજબ શરૂ કરાયું</b></h2><p>ધમકીભર્યો મેઈલ મળતા જ વડોદરા મનપાની તમામ કચેરીઓ તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવી હતી. પોલીસ અને બોમ્બ સ્ક્વોડે કલાકો સુધી સઘન સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. જોકે, તપાસના અંતે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. આખરે મામલો 'હોક્સ મેઈલ' જણાતા કર્મચારીઓને પરત ઓફિસમાં જવા દેવાયા હતા અને કામકાજ રાબેતા મુજબ શરૂ કરાયું હતું.</p><h2><b>ભાવનગર મેયરના ઓફિશિયલ મેઈલ પર બિલ્ડિંગ ઉડાવવાની ધમકી</b></h2><p>બીજી તરફ, ભાવનગર મહાનગરપાલિકા પણ આ પ્રકારની જ ધમકીનો ભોગ બની છે. ભાવનગર મનપાના સત્તાવાર મેઈલ એકાઉન્ટ અને મેયરના ઓફિશિયલ મેઈલ આઈડી પર બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઈલ મળ્યો હતો. જેમાં બપોરે બિલ્ડિંગ ઉડાવવાનો દાવો કરાયો હતો. આ મેઈલમાં પણ બપોરે 3:11 મિનિટે મનપાનું બિલ્ડિંગ બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.</p><p><img title="Bomb Threat, વડોદરા મનપા બોમ્બ ધમકી, ભાવનગર મનપા બોમ્બ મેઈલ, ખાલિસ્તાન નેશનલ આર્મી, Vadodara VMC Bomb Threat, Bhavnagar BMC Bomb Mail, Khalistan National Army, Amit Shah Threat Email," alt="Vadodara Municipal Corporation officials in Gujarat" src="https://epapercdn.sandesh.com/images/2026/06/17/Q5vIx9OBZpJHnCURaoc6x3elZOrH5XD6ZSJ3wHfm.webp" style="width: 100%;"><br></p><h2><b>કચેરી ખાલી કરાવાઈ</b></h2><p>ધમકીની ગંભીરતાને જોતા ભાવનગર મનપા પ્રશાસને તાત્કાલિક કચેરીમાંથી તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને મુલાકાતીઓને બહાર કાઢી આખું બિલ્ડિંગ ખાલી કરાવી દીધું હતું. ઘટનાની જાણ થતાં જ ભાવનગર પોલીસનો મોટો કાફલો અને બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને હાલ સમગ્ર બિલ્ડિંગમાં ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.</p><h2><b>સાયબર ક્રાઇમ સક્રિય થયું</b></h2><p>ગુજરાતના અલગ-અલગ શહેરોમાં મનપા કચેરીઓને જે રીતે બપોરે 3:11 વાગ્યે બ્લાસ્ટ કરવાના મેઈલ મળ્યા છે, તે જોતાં આ કોઈ મોટા ષડયંત્રનો ભાગ હોવાનું દેખાઈ રહ્યું છે. હાલમાં સ્ટેટ સાયબર ક્રાઇમ અને ગુપ્તચર એજન્સીઓ આ તમામ મેઈલના IP એડ્રેસ અને તેના સોર્સને ટ્રેસ કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસ લંબાવી રહી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/surat/smc-office-bomb-threat-email-mayor-office" target="_blank">Surat News: SMC કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સાયબર ક્રાઇમ ટીમને તપાસ સોંપાઈ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/CrMV8uGtllAutf2sgwPWc23YpY9zwlxI91kKSBKS.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : વાડજમાં સગીર પર જીવલેણ હુમલો કરનાર વધુ 3 મુખ્ય આરોપીઓ જેલભેગા, જૂની અદાવતમાં પાઇપ-ધોકાથી કર્યો હતો હુમલો ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-wadaj-minor-attack-case-three-more-accused-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-wadaj-minor-attack-case-three-more-accused-arrested</guid><pubDate>Wed, 17 Jun 2026 14:14:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વાડજમાં સગીર વયના યુવક પર થયેલા હિંસક હુમલાના મામલામાં વાડજ પોલીસે કાયદાનો સકંજો વધુ મજબૂત કર્યો છે. ગત 7 જૂનની મોડી રાત્રે બનેલી આ સનસનાટીભરી ઘટનામાં સંડોવાયેલા વધુ ત્રણ મુખ્ય આરોપીઓને પોલીસે ઝડપી પાડીને જેલભેગા કરી દીધા છે. આ કેસમાં અગાઉ બે આરોપી પકડાઈ ચૂક્યા છે, જ્યારે આ ત્રણની ધરપકડ સાથે પકડાયેલા કુલ આરોપીઓની સંખ્યા પાંચ થઈ ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>સામાન્ય માથાકૂટ અને અદાવતનો બદલો
</b></h2><p style="text-align: justify; ">હુમલાનું કારણ: પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ લોહિયાળ ખેલ માત્ર બે મહિના જૂની સામાન્ય માથાકૂટ અને અદાવતનો બદલો લેવા માટે ખેલાયો હતો.
</p><h3 style="text-align: justify; "><b>સગીર યુવકને ઘેરી જીવલેણ માર માર્યો
</b></h3><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, 7 જૂનની રાત્રે આરોપીઓએ સગીર યુવકને ઘેરી લીધો હતો અને તેના પર સ્ટીલની પાઇપ તેમજ લાકડાના ધોકા વડે બેરહેમીથી તૂટી પડ્યા હતા. આ મામલે વાડજ પોલીસ સ્ટેશનમાં હિમાંશુ ઉર્ફે બંટો, સાહિલ, મોહિત સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતાં વાડજ પોલીસે ટીમો બનાવીને તપાસ તેજ કરી હતી.
</p><h4 style="text-align: justify; "><b>વધુ 3 આરોપી ઝડપાયા
</b></h4><p style="text-align: justify; ">પોલીસે અગાઉ આ કેસમાં મોહિત પરમાર અને કરણ ચૌહાણ નામના બે આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. જ્યારે હવે કડક કાર્યવાહી કરીને હુમલાના મુખ્ય સૂત્રધાર એવા હિમાંશુ ઉર્ફે બંટો વાઘેલા, સાહિલ વાઘેલા અને રવિન્દ્ર ઉર્ફે રવિરાજ પુરોહિતની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.
</p><h4 style="text-align: justify; "><b>સ્થાનિક વિસ્તારમાં ચકચાર 
</b></h4><p style="text-align: justify; ">શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ગુનેગારોમાં પોલીસનો ખોફ રહે તે માટે વાડજ પોલીસે આ તમામ આરોપીઓ સામે કડક કાનૂની રાહે કાર્યવાહી હાથ ધરી છે. જૂની અદાવતમાં સગીર પર આ પ્રકારે ઘાતકી હુમલો થતાં સ્થાનિક વિસ્તારમાં પણ ચકચાર મચી ગઈ હતી.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; <a href="https://sandesh.com/india/news/sandesh-digital-explainer-ayodhya-ram-mandir-donation-scam-sit-probe" target="_blank"><b>Sandesh Digital Explainer : રામ નામે પથ્થર તર્યા..! અયોધ્યા રામ મંદિરમાં સવા વર્ષ સુધી કેવી રીતે ચાલ્યું કરોડોનું ' દાન કૌભાંડ'? વાંચો ઇન-ડેપ્થ માહિતી</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/3Diu3UPOK0rriisnqmliqYyzotWZGC2rV6ARlYMh.webp'/></item><item><title><![CDATA[Banaskantha: બે-બે મંત્રીઓની હાજરીમાં વીજળી ગુલ, લોકોએ મોબાઈલ ફ્લેશ લાઈટ ચાલુ કરવી પડી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/palanpur/banaskantha-viksit-bharat-samman-power-cut-palanpur</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/palanpur/banaskantha-viksit-bharat-samman-power-cut-palanpur</guid><pubDate>Wed, 17 Jun 2026 14:01:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજ્યમાં સરકારી કાર્યક્રમો અને વીજળી વિભાગના તાલમેલનો એક અજીબોગરીબ કિસ્સો બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાંથી સામે આવ્યો છે. પાલનપુર ખાતે બનાસકાંઠા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા એક ભવ્ય 'વિકસિત ભારત સંકલ્પ સંમેલન'નું આયોજન કરવામાં આવ્યું હતું. એક તરફ સરકાર દેશ અને રાજ્યને અવિરત વીજળી અને વિકાસના પંથે લઈ જવાની વાતો કરે છે, પરંતુ આ જ વિકાસના સંમેલનમાં સરકારી તંત્રની પોલ ખુલી ગઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>વીજ પુરવઠો સંપૂર્ણપણે ડૂલ
</b></h2><p style="text-align: justify; ">કાર્યક્રમની શરુઆતમાં જ લાઈટ જતી રહી હતી, જેના કારણે હોલમાં હાજર તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સૌથી મોટી વાત એ છે કે આ હાઈ-પ્રોફાઈલ કાર્યક્રમમાં રાજ્ય સરકારના બે-બે મંત્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીઓની ગરિમામય હાજરી હોવા છતાં, કાર્યક્રમ શરૂ થવાની સાથે જ વીજ પુરવઠો સંપૂર્ણપણે ડૂલ થઈ ગયો હતો જેથી સરકારી તંત્ર દોડતું થઈ ગયું હતું.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DZrnr7QAUzt/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA%3D%3D" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DZrnr7QAUzt/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA%3D%3D" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a>&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">
</p><h3 style="text-align: justify; "><b>મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરવી પડી
</b></h3><p style="text-align: justify; ">જોકે, વીજળી લાંબા સમય સુધી ન આવતા કાર્યક્રમને રોકવાને બદલે અનોખો રસ્તો અપનાવવામાં આવ્યો હતો. હોલમાં હાજર કાર્યકર્તાઓ, વેપારીઓ અને સામાન્ય જનતાએ પોતપોતાના સ્માર્ટફોન બહાર કાઢ્યા હતા અને મોબાઈલની ફ્લેશ લાઈટ (ટોર્ચ) ચાલુ કરી દીધી હતી. સેંકડો મોબાઈલની ફ્લેશ લાઈટના અજવાળા વચ્ચે મંત્રીઓની હાજરીમાં કાર્યક્રમને આગળ ધપાવવો પડ્યો હતો.
</p><h4 style="text-align: justify; "><b>વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ 
</b></h4><p style="text-align: justify; ">આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો મંત્રીઓની હાજરીવાળા 'વિકસિત ભારત સંમેલન'માં જ વીજળી ગુલ થઈ જતી હોય, તો સામાન્ય જનતાની સ્થિતિ શું હશે? આ ઘટના પાલનપુર અને સમગ્ર બનાસકાંઠા પંથકમાં ભારે ચર્ચાનો વિષય બની છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/india/news/sandesh-digital-explainer-ayodhya-ram-mandir-donation-scam-sit-probe" target="_blank"><b>Sandesh Digital Explainer : રામ નામે પથ્થર તર્યા..! અયોધ્યા રામ મંદિરમાં સવા વર્ષ સુધી કેવી રીતે ચાલ્યું કરોડોનું ' દાન કૌભાંડ'? વાંચો ઇન-ડેપ્થ માહિતી</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/IkOhby7lKl1oLPu89mSukZkXOigYMbkXzW8t7gGt.webp'/></item><item><title><![CDATA[FIFA વર્લ્ડ કપમાં ઝેરી સાપનો આતંક, માંડ-માંડ બચી જર્મની ટીમ ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/terror-of-poisonous-snakes-in-fifa-world-cup-german-team-barely-survives</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/terror-of-poisonous-snakes-in-fifa-world-cup-german-team-barely-survives</guid><pubDate>Wed, 17 Jun 2026 12:14:21 +05:30</pubDate><description><![CDATA[<p>ફિફા વર્લ્ડ કપ 2026 દરમિયાન એક ચોંકાવનારી અને ડરામણી ઘટના સામે આવી છે. ટૂર્નામેન્ટની વચ્ચે જર્મનીની ફૂટબોલ ટીમની આસપાસ ઝેરી સાપોનો આતંક જોવા મળ્યો છે. હોટેલ અને પ્રેક્ટિસ સેન્ટર નજીક અત્યંત ઝેરી સાપ દેખાવાને કારણે જર્મન ટીમના ખેલાડીઓ અને સ્ટાફ સભ્યોના જીવ તાળવે ચોટયા હતા. જોકે, સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે અને જર્મનીની આખી ટીમ આ ખતરામાંથી આબાદ બચી ગઈ છે.</p><h4><b>જર્મનીની ટીમ સાપનો સામનો&nbsp;</b></h4><p>મીડિયા રિપોર્ટ અનુસાર જર્મન તાલીમ શિબિરમાં દેખાતા સાપ વિશે વાત કરી.તેમણે કહ્યું જર્મનીમાં અમે ફક્ત વિરોધી સામેની વ્યૂહરચના અને અમારી શક્તિ અને નબળાઈઓની ચર્ચા કરીએ છીએ.પરંતુ અહીં આપણે ઘાસ પાછળ છુપાયેલા ભયનું પણ ધ્યાન રાખવું પડશે.જર્મન કેપ્ટને ખુલાસો કર્યો કે તેમણે તાલીમ શિબિરમાં એક સાપ જોયો હતો.તેમને કહેવામાં આવ્યું હતું કે સાપ એટલો ઝેરી હતો કે ડંખ મારવાથી હોસ્પિટલમાં દાખલ થવું પડી શકે છે.જર્મન કેપ્ટનના મતે જો સાપનું ઝેર જીવલેણ ન હોય, તો પણ તે ખતરનાક છે.</p><h4><b>નોર્વે અને સ્વિટ્ઝર્લેન્ડે પણ ચિંતા વ્યક્ત કરી&nbsp;</b></h4><p>જર્મન કેપ્ટન અને તેના સાથી ખેલાડીઓ સાપ સાથેના મુકાબલામાં માંડ માંડ બચી ગયા હતા.જોકે ફિફા વર્લ્ડ કપ 2026 દરમિયાન સાપ વિશે ચિંતા વ્યક્ત કરનારી જર્મની એકમાત્ર ટીમ નથી.નોર્વે અને સ્વિટ્ઝર્લેન્ડ પણ ત્યાં સાપ વિશે ચિંતિત છે.સ્વિસ ટીમને તેમના તાલીમ શિબિરમાંથી બિલકુલ ન નીકળવાની કડક સૂચનાઓ પણ મળી છે,કારણ કે તેમના તાલીમ શિબિરની આસપાસનો વિસ્તાર ઝેરી સાપનું ઘર છે.</p><h5><b>સ્વિસ ટીમને આ ચેતવણી મળી હતી</b></h5><p>સાપના ભયને કારણે, સ્વિસ ટીમને પણ કહેવામાં આવ્યું હતું કે જો બોલ લાત માર્યા પછી તાલીમ શિબિરની બહાર જાય છે, તો ખેલાડીઓએ તેને પાછો ન લેવો જોઈએ. સાપથી સાવધાન રહેવા માટે, તેણે બીજા બોલનો ઉપયોગ કરવો જોઈએ.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-argentina-started-with-a-bang-by-defeating-algeria-3-0" target="_blank">FIFA World Cup 2026 : આર્જેન્ટિનાએ અલ્જેરિયાને 3-0 થી હરાવીને ધમાકેદાર શરૂઆત કરી</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/riB33z6woufYfzTRWgtbMe8Prf7R07scP3GnhGjT.webp'/></item></channel></rss>