<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[EPFOએ આપી મોટી જાણકારી, 7 કરોડ PF એકાઉન્ટમાં 3 જુલાઈથી જમા થશે વ્યાજ ]]></title><link>https://sandesh.com/india/news/business/epfo-pf-interest-credit-7-crore-accounts-from-3-july</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/epfo-pf-interest-credit-7-crore-accounts-from-3-july</guid><pubDate>Thu, 02 Jul 2026 20:07:57 +05:30</pubDate><description><![CDATA[<p>કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના કરોડો ખાતાધારકો માટે સારા સમાચાર આવ્યા છે. EPFO આગામી દિવસથી કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ (PF) ખાતામાં વ્યાજ જમા કરવાની પ્રક્રિયા શરૂ કરવા જઈ રહ્યું છે.&nbsp;</p><p>મળતી માહિતી મુજબ આગામી 15 દિવસમાં દેશભરના લગભગ 7 કરોડ સક્રિય ખાતાઓમાં વ્યાજની રકમ જમા કરવામાં આવશે. આ નિર્ણયથી લાંબા સમયથી પોતાના PF ખાતામાં વ્યાજ જમા થવાની રાહ જોઈ રહેલા કર્મચારીઓને મોટી રાહત મળશે. વ્યાજ જમા થયા બાદ ખાતાધારકો તેમના EPF પાસબુકમાં અપડેટ થયેલ બેલેન્સ જોઈ શકશે.</p><h2><b>કેટલું મળશે વ્યાજ?</b></h2><p>નાણાકીય વર્ષ 2025-26 માટે EPFOએ PF જમા પર 8.25 ટકા વ્યાજ દર નક્કી કર્યો છે. આ જ દર મુજબ તમામ પાત્ર ખાતાઓમાં વ્યાજની ગણતરી કરીને રકમ જમા કરવામાં આવશે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓટોમેટિક રહેશે અને કર્મચારીઓને કોઈ અરજી કરવાની જરૂર નહીં રહે. ખાતાધારકો તેમના PF બેલેન્સને EPFOની ઓફિશિયલ વેબસાઈટ, UMANG એપ, મિસ્ડ કોલ અથવા SMS સેવા દ્વારા પણ ચેક કરી શકે છે. જોકે, વ્યાજની રકમ એકસાથે તમામ ખાતામાં નહીં પહોંચે, તેથી અપડેટ થવામાં થોડો સમય લાગી શકે છે.</p><h3><b>નિવૃત્તિ સમયે નાણાકીય સુરક્ષા વધુ મજબૂત બને છે</b></h3><p>EPF કર્મચારીઓ માટે સૌથી મહત્વપૂર્ણ લાંબા ગાળાની બચત યોજના માનવામાં આવે છે. દર મહિને કર્મચારી અને નોકરીદાતા બંને દ્વારા યોગદાન આપવામાં આવે છે, જેના પર દર વર્ષે વ્યાજ મળે છે. આ વ્યાજથી નિવૃત્તિ સમયે નાણાકીય સુરક્ષા વધુ મજબૂત બને છે. જો 15 દિવસ પછી પણ ખાતામાં વ્યાજ દેખાતું ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે EPFO તબક્કાવાર રીતે તમામ ખાતાઓમાં રકમ જમા કરશે.</p><p><a href="https://sandesh.com/business/news/foreign-investors-sell-2-7-lakh-crore-indian-share-market-6-months" target="_blank"><b>આ પણ વાંચો : Share Market : 6 મહિનામાં 2.7 લાખ કરોડ રૂપિયાની વિદેશી રોકાણકારોએ કરી વેચવાલી</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/hZs4Q9mB3TjeWOhggB8p0ViBYB3Hu6LlVe7LlPfD.webp'/></item><item><title><![CDATA[EPFOએ આપી મોટી જાણકારી, 7 કરોડ PF એકાઉન્ટમાં 3 જુલાઈથી જમા થશે વ્યાજ ]]></title><link>https://sandesh.com/india/news/business/epfo-pf-interest-credit-7-crore-accounts-from-3-july</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/epfo-pf-interest-credit-7-crore-accounts-from-3-july</guid><pubDate>Thu, 02 Jul 2026 20:07:57 +05:30</pubDate><description><![CDATA[<p>કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના કરોડો ખાતાધારકો માટે સારા સમાચાર આવ્યા છે. EPFO આગામી દિવસથી કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ (PF) ખાતામાં વ્યાજ જમા કરવાની પ્રક્રિયા શરૂ કરવા જઈ રહ્યું છે.&nbsp;</p><p>મળતી માહિતી મુજબ આગામી 15 દિવસમાં દેશભરના લગભગ 7 કરોડ સક્રિય ખાતાઓમાં વ્યાજની રકમ જમા કરવામાં આવશે. આ નિર્ણયથી લાંબા સમયથી પોતાના PF ખાતામાં વ્યાજ જમા થવાની રાહ જોઈ રહેલા કર્મચારીઓને મોટી રાહત મળશે. વ્યાજ જમા થયા બાદ ખાતાધારકો તેમના EPF પાસબુકમાં અપડેટ થયેલ બેલેન્સ જોઈ શકશે.</p><h2><b>કેટલું મળશે વ્યાજ?</b></h2><p>નાણાકીય વર્ષ 2025-26 માટે EPFOએ PF જમા પર 8.25 ટકા વ્યાજ દર નક્કી કર્યો છે. આ જ દર મુજબ તમામ પાત્ર ખાતાઓમાં વ્યાજની ગણતરી કરીને રકમ જમા કરવામાં આવશે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓટોમેટિક રહેશે અને કર્મચારીઓને કોઈ અરજી કરવાની જરૂર નહીં રહે. ખાતાધારકો તેમના PF બેલેન્સને EPFOની ઓફિશિયલ વેબસાઈટ, UMANG એપ, મિસ્ડ કોલ અથવા SMS સેવા દ્વારા પણ ચેક કરી શકે છે. જોકે, વ્યાજની રકમ એકસાથે તમામ ખાતામાં નહીં પહોંચે, તેથી અપડેટ થવામાં થોડો સમય લાગી શકે છે.</p><h3><b>નિવૃત્તિ સમયે નાણાકીય સુરક્ષા વધુ મજબૂત બને છે</b></h3><p>EPF કર્મચારીઓ માટે સૌથી મહત્વપૂર્ણ લાંબા ગાળાની બચત યોજના માનવામાં આવે છે. દર મહિને કર્મચારી અને નોકરીદાતા બંને દ્વારા યોગદાન આપવામાં આવે છે, જેના પર દર વર્ષે વ્યાજ મળે છે. આ વ્યાજથી નિવૃત્તિ સમયે નાણાકીય સુરક્ષા વધુ મજબૂત બને છે. જો 15 દિવસ પછી પણ ખાતામાં વ્યાજ દેખાતું ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે EPFO તબક્કાવાર રીતે તમામ ખાતાઓમાં રકમ જમા કરશે.</p><p><a href="https://sandesh.com/business/news/foreign-investors-sell-2-7-lakh-crore-indian-share-market-6-months" target="_blank"><b>આ પણ વાંચો : Share Market : 6 મહિનામાં 2.7 લાખ કરોડ રૂપિયાની વિદેશી રોકાણકારોએ કરી વેચવાલી</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/hZs4Q9mB3TjeWOhggB8p0ViBYB3Hu6LlVe7LlPfD.webp'/></item><item><title><![CDATA[Junagadh News: મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, માંગરોળ પંથકમાં પૂરના કારણે ગામો સંપર્કવિહોણા ]]></title><link>https://sandesh.com/weather/monsoon-2026/news/junagadh/heavy-rain-mangrol-malia-hatina-keshod-flood</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/monsoon-2026/news/junagadh/heavy-rain-mangrol-malia-hatina-keshod-flood</guid><pubDate>Thu, 02 Jul 2026 19:36:50 +05:30</pubDate><description><![CDATA[<p>જૂનાગઢ શહેર સહિત સમગ્ર જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. ખાસ કરીને માંગરોળ પંથકમાં આકાશી આફત જેવી સ્થિતિ સર્જાઈ છે. મુસળધાર વરસાદના કારણે પંથકની અનેક સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. નદીઓનું પાણી રહેણાંક વિસ્તારો અને રસ્તાઓ પર ફરી વળતાં પૂરની ગંભીર પરિસ્થિતિ નિર્માણ પામી છે. આ ઘોડાપૂરના કારણે નીચાણવાળા વિસ્તારના કેટલાક ગામોનો અન્ય મુખ્ય વિસ્તારોથી સંપર્ક તૂટી ગયો છે અને પ્રશાસન એલર્ટ મોડ પર આવી ગયું છે.</p><h2><b>ધારાસભ્ય ભગવાનજી કરગટીયા પહોંચ્યા ગ્રાઉન્ડ ઝીરો પર</b></h2><p>માંગરોળ પંથકમાં સર્જાયેલી પૂરની કટોકટી વચ્ચે સ્થાનિક ધારાસભ્ય ભગવાનજી કરગટીયા તાત્કાલિક એક્શનમાં આવ્યા છે. તેઓ કોઈપણ પ્રકારના વિલંબ વિના પ્રભાવિત વિસ્તારોની મુલાકાતે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા હતા. પૂરની લપેટમાં આવેલા પુલ અને માર્ગોની રૂબરૂ સમીક્ષા કર્યા બાદ તેમણે અસરગ્રસ્ત ગામોના સરપંચો સાથે ટેલિફોનિક વાતચીત કરીને મુશ્કેલીઓ જાણી હતી. ધારાસભ્યએ પૂરગ્રસ્ત લોકોની મુલાકાત લઈ સાંત્વના આપી હતી અને તંત્રના અધિકારીઓને બચાવ તેમજ રાહત કામગીરી માટે કડક સૂચનાઓ આપી દીધી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2072669196174135356"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>કેશોદમાં અનરાધાર વરસાદ, સોંદરડા ડેમ ઓવરફ્લો</b></h2><p>જૂનાગઢના કેશોદ શહેર અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ અનરાધાર હેલી વહેતી કરી છે. ભારે વરસાદના કારણે ગ્રામીણ પંથકના નદી-નાળા બે કાંઠે વહેવા લાગ્યા છે. કેશોદની મુખ્ય નોળી નદીમાં નવા નીરની ભારે આવક થતાં તે રૌદ્ર સ્વરૂપે વહી રહી છે. બીજી તરફ, કેશોદના સોંદરડા ખાતે આવેલો મહત્વનો ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. ડેમ છલકાઈ જતાં આસપાસના વિસ્તારોને એલર્ટ કરાયા છે, તો બીજી તરફ વાવણી લાયક અને સારો વરસાદ થતાં ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2072669343322865863"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>માળિયા હાટીનામાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ, વાવણીની તૈયારીઓ તેજ</b></h2><p>આફતની વચ્ચે માળિયા હાટીના તાલુકામાંથી ખુશીના સમાચાર પણ સામે આવ્યા છે. માળિયા હાટીના શહેર અને આસપાસના ગ્રામ્ય પંથક જેવા કે ગડુ, ચોરવાડ અને ખોરાસામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. માત્ર બે કલાકના ટૂંકા ગાળામાં જ 3 ઇંચ જેટલો મુસળધાર વરસાદ ખાબકી જતાં ચારેય તરફ પાણી-પાણી થઈ ગયું છે. આ ધમાકેદાર વરસાદથી ખેતી પાકને મોટું જીવનદાન મળ્યું છે અને ધરતીપુત્રોએ ઉત્સાહભેર વાવણીની અંતિમ તૈયારીઓ શરૂ કરી દીધી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/junagadh/rain-in-keshod-mangrol-ndrf-team-on-standby" target="_blank">Junagadh News: કેશોદ અને માંગરોળ તાલુકામાં 12 કલાકમાં સાડા 9 ઈંચ વરસાદ, NDRFની ટીમ સ્ટેન્ડબાય</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/0AgJQShrPesN26g7EddCFfJHHUMtJIqEY2HHVpeZ.webp'/></item><item><title><![CDATA[Maharashtra : કસ્ટોડિયલ મર્ડર કેસમાં કોર્ટનો મોટો ચુકાદો, 9 પોલીસકર્મીઓને આજીવન કેદ ]]></title><link>https://sandesh.com/india/news/crime/maharashtra-custodial-murder-9-police-life-imprisonment-verdict</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/crime/maharashtra-custodial-murder-9-police-life-imprisonment-verdict</guid><pubDate>Thu, 02 Jul 2026 19:29:25 +05:30</pubDate><description><![CDATA[<p>મહારાષ્ટ્રના વાશિમ જિલ્લા કોર્ટે કસ્ટોડીયલ હત્યાના એક ગંભીર કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ કેસમાં કૂલ 9 પોલીસકર્મીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. લગભગ 15 વર્ષ જૂનો આ મામલો 10 મેના રોજ રિસોડ પોલીસ સ્ટેશન સાથે સંબંધિત છે.</p><h2><b>અમાનવીય રીતે મારપીટ કરવામાં આવી હતી</b></h2><p>મળતી માહિતી મુજબ પોલીસે રાત્રે 3 વાગ્યે પરધી સમાજના બેંગ્યા પવાર નામના વ્યક્તિને તેના ઘરેથી ઉઠાવ્યો હતો. પોલીસનું કહેવું હતું કે તેને માત્ર પૂછપરછ માટે લઈ જવામાં આવી રહ્યો છે, પરંતુ પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ તેની પર અમાનવીય રીતે મારપીટ કરવામાં આવી હતી, જેના કારણે કસ્ટડી દરમિયાન જ તેનું મોત થયું હતું.</p><h2><b>મૃતક પર કોઈપણ પ્રકારનો ગુનાહિત રેકોર્ડ નહોતો</b></h2><p>મૃતક પર કોઈપણ પ્રકારનો ગુનાહિત રેકોર્ડ નહોતો. ઘટનાના માત્ર એક વર્ષ પહેલાં જ તેના લગ્ન થયા હતા. પુત્રના મોત બાદ પરિવાર ન્યાય માટે લાંબા સમય સુધી લડતો રહ્યો, પરંતુ શરૂઆતમાં ફરિયાદ નોંધવામાં પણ અવગણના કરવામાં આવી હતી. મૃતદેહના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શરીરની અનેક હાડકાં તૂટેલી હોવાનું સામે આવ્યું હતું, જેના પરથી મારપીટની પુષ્ટિ થઈ હતી. કેસની ગંભીરતા જોતા CID અધિકારીએ વિગતવાર તપાસ કરી અને કોર્ટમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરી હતી.</p><h4><b>મૃતકની માતાએ ન્યાય મળતા સંતોષ વ્યક્ત કર્યો</b></h4><p>લગભગ 15 વર્ષ ચાલેલા કેસ બાદ વાશિમ સેશન કોર્ટના જજ ઝપાટે દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો. ચુકાદા બાદ તમામ દોષિત પોલીસકર્મીઓને વાશિમ જેલમાં મોકલવામાં આવ્યા છે અને ત્યારબાદ તેમને અમરાવતી સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવશે. મૃતકની માતાએ ન્યાય મળતા સંતોષ વ્યક્ત કર્યો છે અને CID તેમજ કોર્ટનો આભાર માન્યો છે. આ ચુકાદો પોલીસ જવાબદારી અને માનવ અધિકારોના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/india-anti-doping-bill-2026-monsoon-session-criminal-offence" target="_blank">આ પણ વાંચો : Doping સામે કડક કાયદો લાવવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, ચોમાસુ સત્રમાં લાવી શકે છે બિલ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/dYrpw6uFG80Bq6T1HazPEWeMSdjQyW3HyH8cAUvt.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: સરકારી શાળાના શિક્ષકો માટે જિલ્લા આંતરિક બદલી કેમ્પની તારીખો જાહેર ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/intra-district-transfer-dates-announced-by-education-department</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/intra-district-transfer-dates-announced-by-education-department</guid><pubDate>Thu, 02 Jul 2026 19:10:03 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાત રાજ્યની સરકારી શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો માટે શિક્ષણ વિભાગે જિલ્લા આંતરિક બદલી કેમ્પ યોજવા અંગેનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને લેખિત આદેશ આપીને ઓફલાઇન આંતરિક ફેરબદલી કેમ્પ યોજવા માટે સૂચના આપવામાં આવી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>શિક્ષકો 13 જુલાઈ સુધી પોતાની વાંધા અરજીઓ નોંધાવી શકશે.</b></h2><p style="text-align: justify; ">આ પ્રક્રિયા માટે વિભાગે સ્પષ્ટ સમયમર્યાદા જાહેર કરી છે, જે મુજબ તમામ જિલ્લાઓએ 4 જુલાઈ સુધીમાં ખાલી જગ્યાઓની વિગતો તૈયાર કરવાની રહેશે. ત્યાર બાદ, બદલી માટે ઇચ્છુક શિક્ષકોએ 7 જુલાઈ સુધીમાં પોતાની અરજીઓ સંબંધિત કચેરીમાં સબમિટ કરવાની રહેશે. 10 જુલાઈના રોજ કામચલાઉ મેરિટ યાદી જાહેર કરવામાં આવશે, જેના પર શિક્ષકો 13 જુલાઈ સુધી પોતાની વાંધા અરજીઓ નોંધાવી શકશે. તમામ વાંધાઓના યોગ્ય નિકાલ બાદ 14 જુલાઈએ ફાઈનલ મેરિટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>આંતરિક બદલીના સત્તાવાર હુકમો કરવામાં આવશે</b></h3><p style="text-align: justify; ">16 જુલાઈના રોજ આંતરિક બદલીના સત્તાવાર હુકમો કરવામાં આવશે. શિક્ષણ વિભાગના આ નિર્ણયથી લાંબા સમયથી પોતાના વતન કે પસંદગીના સ્થળે બદલીની રાહ જોઈ રહેલા શિક્ષકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શક રીતે અને નિયત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા ખાસ મોનિટરિંગ કરવામાં આવશે, જેથી શિક્ષકોને કોઈ મુશ્કેલી ન પડે.<br><br><a href="https://sandesh.com/gujarat/breakingnews/crime/ahmedabad/25-case-accused-shot-in-police-encounter" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News : 25 ગુનાના આરોપીનું પોલીસે એન્કાઉન્ટર કર્યું, ક્રાઈમ બ્રાંચના જેસીપી શરદ સિંઘલે ફાયરિંગ કર્યું</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/AEkdGLtCza78P5BzgmDMazEbXKRJhyyZjNzse50S.webp'/></item><item><title><![CDATA[Vadodara મહાનગરપાલિકામાં વહીવટી વડા સહિત 5 ટોચના અધિકારીઓએ આપ્યા સામુહિક રાજીનામા, કોર્પોરેશનમાં ખળભળાટ ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/vmc-5-officers-resign-collectively-administrative-crisis</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/vmc-5-officers-resign-collectively-administrative-crisis</guid><pubDate>Thu, 02 Jul 2026 18:55:15 +05:30</pubDate><description><![CDATA[<p>સંસ્કારી નગરી વડોદરાના રાજકારણ અને વહીવટી આલમમાંથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકાના તંત્રમાં એકાએક મોટો ભડકો થયો છે. પાલિકાના જુદા-જુદા મહત્વના વિભાગોમાં ફરજ બજાવતા 5 ઉચ્ચ અને સિનિયર અધિકારીઓએ એકસાથે સામુહિક રાજીનામા ધરી દીધા છે. એક સાથે પાંચ-પાંચ ઓફિસરોના રાજીનામા પડતાં જ પાલિકાના સત્તાધીશો, શાસક પક્ષ અને કમિશનર લોબીમાં ભારે દોડધામ મચી ગઈ છે.</p><h2><b>વહીવટીતંત્રમાં અચાનક ભૂકંપ</b></h2><p>વડોદરા મહાનગરપાલિકામાં શનિવારે જાણે ભૂકંપ આવ્યો હોય, એક પછી એક અધિકારીઓએ રાજીનામાની અરજીઓ ટેબલ પર ધરી દીધી હતી. સામાન્ય વહીવટી વિભાગના વડા દેવાંગ ભટ્ટથી લઈને વોર્ડ કચેરીના અધિક્ષકો સુધીના કુલ 5 મોટા અધિકારીઓએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું. મનપાના આ અચાનક પગલાને કારણે શહેરના વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો છે.</p><h2><b>કોણે આપ્યા રાજીનામા?</b></h2><p>આ રાજીનામાંની સૂચિમાં સૌથી આગળ નામ છે – દેવાંગ ભટ્ટ, જેઓ સામાન્ય વહીવટી વિભાગના વડા છે. તેમના પગલે રેવન્યુ ઓફિસર મનોજ ક્રિશ્ચિયને પણ હોદ્દો છોડ્યો છે. આ સાથે જ વોર્ડ 17ના ઓફિસર મહેશ પટેલ, વોર્ડ 18ના રેવન્યુ ઓફિસર પ્રકાશ પરમાર અને વોર્ડ 18ના ઓફિસર પરાગ મોદીએ પણ અચાનક રાજીનામા આપી દીધા છે. આ પાંચેય અધિકારીઓ મનપાના અલગ-અલગ મહત્વના વિભાગોમાં ફરજ બજાવતા હતા.</p><p><img alt="Vadodara News: 5 Officers of VMC, Including GAD Head Devang Bhatt Resign" src="https://epapercdn.sandesh.com/images/2026/07/02/YjrE8w2DhvPZa7UqQROcdzj9dByp42dNdDY2ybtt.webp" style="width: 100%;"><br></p><h2><b>કારણ શું? – કામનો બોજ કે આંતરિક રાજકારણ?</b></h2><p>હવે સવાલ એ ઉઠે છે કે, આખરે આ અધિકારીઓએ એકસાથે રાજીનામાં કેમ આપ્યા? શું તેમના પર કામનો અતિશય બોજ હતો? કે પછી ઉપરી અધિકારીઓ સાથે અણબનાવ હતો? અત્યાર સુધીમાં કોઈ સત્તાવાર કારણ સામે આવ્યું નથી. મનપા સૂત્રોના જણાવ્યા અનુસાર, અધિકારીઓએ કોઈ લેખિત કારણ આપ્યું નથી, માત્ર રાજીનામાની અરજી સુપરત કરી છે. ચર્ચા એવી પણ છે કે, આંતરિક વહીવટી ખટપટ કે કોઈ મોટા સુધારાના આગામી પગલા વિરૂદ્ધ આ વિરોધનો એક ભાગ હોઈ શકે છે.</p><h2><b>વહીવટ પર શું અસર? – શહેરની કામગીરી ઠપ્પ?</b></h2><p>પાંચ સિનિયર અધિકારીઓના અચાનક જતા રહેવાથી વડોદરા મનપાની દિનચર્યા પર ગહન અસર થવાની શક્યતા છે. સામાન્ય વહીવટી વિભાગના વડાની ગેરહાજરીમાં નીતિગત નિર્ણયો અટકી શકે છે, જ્યારે રેવન્યુ વિભાગ અને વોર્ડ કચેરીઓમાં કામગીરી ધીમી પડવાની આશંકા છે. જોકે મનપા વહીવટીતંત્રે હજુ આ અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી, પરંતુ અંદરખાને તાત્કાલિક બદલી અને નવી નિમણૂકોની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.</p><h2><b>રાજકીય અને સામાજિક ચર્ચા ગરમાઈ</b></h2><p>આ ઘટનાએ શહેરના રાજકીય વર્તુળોમાં પણ હલચલ મચાવી છે. વિરોધી પક્ષોએ આને વહીવટીતંત્રની નિષ્ફળતા ગણાવી છે, તો સમાજિક માધ્યમો પર આ ઘટનાને લઈને જાતજાતના કિસ્સાઓ વાયરલ થઈ રહ્યા છે. શું આ રાજીનામાં કોઈ મોટા ભ્રષ્ટાચાર કે ગેરરીતિના કારણે આવ્યાં છે, કે પછી તે માત્ર સામાન્ય વહીવટી રાજીનામાં છે? જવાબ આગામી દિવસોમાં જ મળશે.</p><h2><b>સત્તાવાર નિવેદનની રાહ – શું થશે આગળ?</b></h2><p>હાલમાં વડોદરા મનપા કમિશનર કે મેયર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. કર્મચારી સંઘ પણ આ મામલે ચૂપ છે. શક્યતા છે કે, ઉચ્ચ અધિકારીઓ આ પાંચ અધિકારીઓને મનાવવાનો પ્રયાસ કરશે, નહીં તો નવી નિમણૂકોની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. અત્યારે બધાની નજર મનપા કચેરી તરફ ટકેલી છે કે, આ રાજીનામાં પાછું ખેંચાશે કે આ વહીવટી ભૂચાળો વધુ વ્યાપક સ્વરૂપ લેશે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/6-gujarat-police-officers-promoted-to-ips-cadre" target="_blank">Gujarat Policeના 6 વરિષ્ઠ અધિકારીઓને મળ્યો IPSનો દરજ્જો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/k1SnamqWyFMM1h7jkx80PD3EI7G100rCvpfp7NtE.webp'/></item><item><title><![CDATA[Flop To Hit : ફ્લોપ થવાના આરે પહોંચેલી આ ફિલ્મે કરી શાનદાર વાપસી, બોક્સ ઓફિસ પર પલટી ગઈ બાજી! ]]></title><link>https://sandesh.com/entertainment/news/main-vaapas-aaunga-movie-box-office-miracle-turn-around-from-flop-to-hit</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/main-vaapas-aaunga-movie-box-office-miracle-turn-around-from-flop-to-hit</guid><pubDate>Thu, 02 Jul 2026 18:05:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કેટલીક ફિલ્મો એવી હોય છે, જે બોક્સ ઓફિસ પર આવતાની સાથે જ કમાલ કરી દે છે, પરંતુ કેટલીક મૂવીઝ ટિકિટ બારી પર કમાણી કરવામાં સમય લે છે. એવો જ કંઈક હાલ ફિલ્મ મેં વાપસ આઉંગાનો છે. ફિલ્મ મેં વાપસ આઉંગાની વાત કરીએ તો રિલીઝના પહેલા અઠવાડિયે એવું લાગી રહ્યું હતું કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ થઈ જશે, પરંતુ એવું થયું નહીં અને ફિલ્મે ધમાકો કરી દીધો.</p><h2 style="text-align: justify; "><b>એક્શન કે મસાલાવાળી ફિલ્મ નથી</b></h2><p style="text-align: justify; ">આ ફિલ્મમાં કોઈ એક્શન કે મસાલા નથી, પરંતુ તેમ છતાં આની સ્ટોરી દર્શકોને ખુબ પસંદ આવી રહી છે. ફિલ્મમાં ભારત અને પાકિસ્તાનના ભાગલાના દર્દને પડદા પર બતાવવામાં આવ્યું છે. આ એક ઇમોશનલ ફિલ્મ છે.</p><h3 style="text-align: justify; "><b>ફિલ્મની સ્ટારકાસ્ટ</b></h3><p style="text-align: justify; ">ફિલ્મમાં નસીરુદ્દીન શાહ અને દિલજીત દોસાંજ સિવાય શરવરી વાઘ, વેદાંગ રૈના, બાનીતા સંધુ, રજત કપૂર, સંજય સુરી અને અંજના સુખાની જેવા શાનદાર કલાકારોએ કામ કર્યું છે.</p><h4 style="text-align: justify; "><b>ટ્રેડ એક્સપર્ટ્સે માની હતી ફ્લોપ</b></h4><p style="text-align: justify; ">શરૂઆતમાં ફિલ્મનું કલેક્શન જોઈને ટ્રેડ એક્સપર્ટ્સે આને ફ્લોપ માની લીધી હતી. પહેલા દિવસે આ ફિલ્મે માત્ર 1.15 કરોડ રૂપિયા કમાયા હતા. શરૂઆતના આખા અઠવાડિયામાં ફિલ્મ માત્ર 12.25 કરોડ રૂપિયાનો જ બિઝનેસ કરી શકી હતી, પરંતુ અસલી ટ્વિસ્ટ આના પછી આવ્યો.</p><h5 style="text-align: justify; "><b>અચાનક વધી ફિલ્મની કમાણી</b></h5><p style="text-align: justify; ">બીજા અઠવાડિયે ફિલ્મનું કલેક્શન અચાનક 80% કરતાં પણ વધુ વધી ગયું અને આણે સીધા 22.55 કરોડ રૂપિયા કમાઈ લીધા. સેકનિલ્કના આંકડા અનુસાર, ત્રીજા અઠવાડિયાના બુધવારે ફિલ્મે 1.40 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું, જે લગભગ સોમવારની કમાણી એટલે કે 1.50   કરોડ રૂપિયાની બરાબર છે.</p><h5 style="text-align: justify; "><b>ફિલ્મનું બજેટ</b></h5><p style="text-align: justify; ">ફિલ્મના ટોટલ બજેટની વાત કરીએ તો આને આશરે 70 કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવી છે. ફિલ્મનું કુલ નેટ કલેક્શન 50.95 કરોડ રૂપિયા સુધી પહોંચી ચૂક્યું છે. હવે જોવાનું એ રહેશે કે ફિલ્મની કમાણી ક્યાં જઈને અટકશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/urvashi-rautela-bought-2-bugatti-turbillion-hypercars-at-once-you-will-be-amazed-to-hear-the-price" target="_blank">આ પણ વાંચો-Urvashi Rautela એ એક સાથે ખરીદી 2 બુગાટી ટર્બિલિયન હાઇપરકાર, કિંમત સાંભળીને હોશ ઊડી જશે!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/faErwtniU8MYuRogObDTvgQsR0KVmsASKdcUjblQ.webp'/></item><item><title><![CDATA[વાંચો બપોરે 03થી સાંજે 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-03-pm-to-06-pm-02-july-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-03-pm-to-06-pm-02-july-2026</guid><pubDate>Thu, 02 Jul 2026 17:58:48 +05:30</pubDate><description><![CDATA[<p>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર</p><p><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/red-alert-for-8-districts-as-heavy-to-extremely-heavy-rain-forecast-till-7-pm" target="_blank">1.&nbsp; Gujarat Weather News: રાજ્યમાં સાંજે સાત વાગ્યા સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં અપાયું રેડ એલર્ટ</a></p><p><a href="https://sandesh.com/cricket/news/virat-kohli-training-sanjay-bangar-england-odi-return" target="_blank">2. Virat Kohli ઈંગ્લેન્ડ ODI સિરીઝ માટે તૈયાર! સંજય બાંગર સાથે શરૂ કરી પ્રેક્ટિસ</a></p><p><a href="https://sandesh.com/world/news/gujarat/three-members-of-a-family-from-gujarat-tragically-died-in-a-massive-fire-at-a-hotel-in-america" target="_blank">3. Americaની હોટલમાં ભીષણ આગ, ગુજરાતના એક જ પરિવારના 3 સભ્યોના મોત</a></p><p><a href="https://sandesh.com/india/news/world/ins-trikand-foils-pirate-attack-saves-india-bound-cargo-ship" target="_blank">4. INS Trikand દરિયાઈ લુંટારાઓ માટે બન્યું કાળ, ભારત માટે માલ લઈ જઈ રહેલા જહાજને બચાવ્યું</a></p><p><a href="https://sandesh.com/entertainment/news/shah-rukh-khan-salman-khan-alia-bhatt-upcoming-movie" target="_blank">5. Box Office પર રેકોર્ડ્સની આંધી લાવવા તૈયાર છે બોલીવુડ અને સાઉથ સિનેમા, લાઇનઅપમાં છે આ મોટી ફિલ્મો!</a></p><p><a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-round-of-32-day-22-schedule" target="_blank">6. FIFA World Cup 2026: સ્પેન સામે ઓસ્ટ્રિયાની ટક્કર, પોર્ટુગલનો રાઉન્ડ ઓફ 32માં ક્રોએશિયા સામે મેચ</a></p><p><a href="https://sandesh.com/world/news/russia-ukraine-war-will-ukraine-surrender-zelensky-cuts-short-trip-to-ireland-and-immediately-returns-to-ukraine" target="_blank">7. Russia Ukraine War:યુક્રેન શરણાગતિ સ્વીકારશે? ઝેલેન્સ્કી આયર્લેન્ડનો પ્રવાસ અધવચ્ચે છોડી તાબડતોબ યુક્રેન પરત ફર્યા</a></p><p><a href="https://sandesh.com/india/news/bengaluru-sro-headquarters-threatened-to-be-bombed-threatening-mail-received" target="_blank">8. Bengaluru ISRO હેડ ક્વાર્ટરને ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ધમકી ભર્યો મળ્યો મેઇલ</a></p><p><a href="https://sandesh.com/cricket/news/india-vs-sri-lanka-2026-test-series-schedule" target="_blank">9. India Vs Sri Lanka વચ્ચે રમાશે ટેસ્ટ સિરીઝ, જાણો શું છે શેડ્યૂલ</a></p><p><a href="https://sandesh.com/india/news/business/noida-international-airport-air-travel-will-increase-from-noida-international-airport-indigo-and-akasa-air-start-new-flights" target="_blank">10. Noida International Airport: નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટથી હવાઈ સફર વધશે, ઈન્ડિગો અને અકાસા એરે શરૂ કરી નવી ફ્લાઈટ્સ</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/05/30/ci0PwfUyHcao4H4ziwpdhMLnO6QMfKyI3jwCPvfh.webp'/></item><item><title><![CDATA[Gujarat Weather News:  રાજ્યમાં સાંજે સાત વાગ્યા સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં અપાયું રેડ એલર્ટ ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/red-alert-for-8-districts-as-heavy-to-extremely-heavy-rain-forecast-till-7-pm</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/red-alert-for-8-districts-as-heavy-to-extremely-heavy-rain-forecast-till-7-pm</guid><pubDate>Thu, 02 Jul 2026 17:39:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની જબરદસ્ત આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, આજે સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં મેઘમહેર યથાવત રહેવાની પ્રબળ સંભાવના છે.  હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને 8 જેટલા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી સાથે 'રેડ એલર્ટ' આપવામાં આવ્યું છે, જ્યારે 19 જિલ્લાઓમાં  ઓરેન્જ એલર્ટ ને બાકીના 5 જિલ્લાઓમાં યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.&nbsp;<br><br><h2><b>રાજ્યના આ વિસ્તારોમાં વિવિધ એલર્ટ જાહેર કરાયા</b></h2></p><p style="text-align: justify; ">દેવભૂમી દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, જામનગર, રાજકોટ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  જ્યારે કચ્છ, પાટણ અને બનાસકાંઠામાં યલ્લો એલર્ટ જાહેર કરાયું છે.</p><h2 style="text-align: justify; "><b>આજે બપોરે 4 વાગ્યા સુધીમાં 109 તાલુકાઓમાં વરસાદ</b></h2><p style="text-align: justify; ">આજે બપોરે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 109 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આ વરસાદી સિસ્ટમમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢના માંગરોળ તાલુકામાં 8.94 ઈંચ જેટલો અત્યંત ભારે નોંધાયો છે. આ ઉપરાંત માળિયા હાટીનામાં 5.98 ઈંચ, કેશોદમાં 5.87 ઈંચ અને ગીર સોમનાથના સુત્રાપાડામાં 5.16 ઈંચ વરસાદ પડતા આ વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.</p><h3 style="text-align: justify; "><b>રાજ્યના 4 તાલુકાઓમાં 5 ઈંચથી વધુ વરસાદ થયો</b></h3><p style="text-align: justify; ">રાજ્યના 4 તાલુકાઓમાં 5 ઈંચથી વધુ, 6 તાલુકાઓમાં 4 ઈંચથી વધુ, 8 તાલુકાઓમાં 3 ઈંચથી વધુ અને 16 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. માણાવદરમાં 4.65 ઈંચ, વેરાવળમાં 4.09 ઈંચ, સુરતના ઓલપાડમાં 3.7 ઈંચ, વંથલીમાં 3.31 ઈંચ, શિનોરમાં 2.95 ઈંચ અને કોડીનારમાં 2.48 ઈંચ વરસાદ નોંધાયો છે. એકંદરે સમગ્ર રાજ્યમાં વરસી રહેલા આ ધોધમાર વરસાદને પગલે નદી-નાળાઓ છલકાઈ ગયા છે, ત્યારે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/junagadh/heavy-rain-has-lashed-junagadh-district" target="_blank">આ પણ વાંચોઃ Gujarat Rain: જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની તોફાની ઈનિંગ, કેશોદ શહેરમાં અનરાધાર વરસાદ, જુઓ Video</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/ZXkPUdYJ1uOR0MYHRjQ7hDLRRBHTrjaanVfP2wT6.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026: સ્પેન સામે ઓસ્ટ્રિયાની ટક્કર, પોર્ટુગલનો રાઉન્ડ ઓફ 32માં ક્રોએશિયા સામે મેચ ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-round-of-32-day-22-schedule</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-round-of-32-day-22-schedule</guid><pubDate>Thu, 02 Jul 2026 17:01:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફિફા વર્લ્ડકપ 2026 માટે હાલમાં 32 રાઉન્ડની મેચો ચાલી રહી છે, જેમાં 10 ટીમો રાઉન્ડ ઓફ 16માં પોતાનું સ્થાન મેળવી ચૂકી છે. 6 ટીમો હજુ નક્કી થવાની બાકી છે.</p><p style="text-align: justify; ">વર્લ્ડકપના 22મા દિવસના શેડ્યૂલ પર નજર કરીએ તો કુલ 3 મેચો શેડ્યૂલ કરવામાં આવી છે, જેમાં સૌથી વધુ ફેન્સનું ધ્યાન સ્પેન અને ઓસ્ટ્રિયા વચ્ચેની મેચ તેમજ પોર્ટુગલ અને ક્રોએશિયા વચ્ચેની મેચ પર કેન્દ્રિત છે. ત્રીજી મેચ સ્વિટ્ઝર્લેન્ડ અને અલ્જીરિયા વચ્ચે રમાશે.</p><h2 style="text-align: justify; "><b>સ્પેન પોતાનું ફોર્મ જાળવી રાખવાનો કરશે પ્રયાસ</b></h2><p style="text-align: justify; ">ગ્રુપ Hનો ભાગ રહેલા સ્પેને પોતાના અભિયાનની શરૂઆત અપેક્ષા મુજબ કરી ન હતી, અને તેમની પહેલી મેચ ડ્રો રહી હતી. ત્યારબાદ સ્પેને પોતાની આગામી બંને મેચ જીતીને રાઉન્ડ ઓફ 32 માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું.&nbsp;</p><p style="text-align: justify; ">ગ્રુપ Jનો ભાગ રહેલા ઓસ્ટ્રિયાએ 1 જીત, 1 ડ્રો અને 1 હારી. તેથી આ મેચ તેમના માટે સરળ રહેશે નહીં. સ્પેન અને ઓસ્ટ્રિયા વચ્ચેનો આ રાઉન્ડ ઓફ 32 મેચ 3 જુલાઈએ ભારતીય સમય મુજબ રાત્રે 12:30 વાગ્યે રમાશે.</p><h3 style="text-align: justify; "><b>પોર્ટુગલ માટે ક્રોએશિયાનો પડકાર સરળ નહીં હોય</b></h3><p style="text-align: justify; ">જ્યારે પોર્ટુગલ રાઉન્ડ ઓફ 32 માં ક્રોએશિયા સામે ટકરાશે ત્યારે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સૌથી મોટી જવાબદારી નિભાવશે. ગ્રુપ સ્ટેજમાં પોર્ટુગલે ફક્ત 1 જ મેચ જીતી હતી, જ્યારે 2 મેચ ડ્રો રહી હતી. આ દરમિયાન ક્રોએશિયાએ ગ્રુપ સ્ટેજમાં 2 મેચ જીતી હતી અને 1 હારી હતી. પોર્ટુગલ અને ક્રોએશિયા વચ્ચે રાઉન્ડ ઓફ 32 ની મેચ 3 જુલાઈના રોજ ભારતીય સમય મુજબ સવારે 4:30 વાગ્યે રમાશે.</p><h4 style="text-align: justify; "><b>બધાની નજર સ્વિટ્ઝર્લેન્ડ અને અલ્જીરિયા વચ્ચેની મેચ પર પણ રહેશે</b></h4><p style="text-align: justify; ">સ્વિટ્ઝર્લેન્ડ રાઉન્ડ ઓફ 32માં અલ્જીરિયા સામે ટકરાશે. 2 જીત અને 1 ડ્રો સાથે ગ્રુપ Bમાં ટોપ પર રહેનાર સ્વિટ્ઝર્લેન્ડનો ગ્રુપ Jમાં ત્રીજા નંબરે રહીને અલ્જીરિયા સામે થોડો સરળ પડકાર રહેશે. બંને ટીમો વચ્ચેની મેચ 3 જુલાઈએ ભારતીય સમય મુજબ સવારે 8:30 વાગ્યે રમાશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/ishan-kishan-run-out-abhishek-sharma-stump-mic-video" target="_blank">Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/UlOMYKHll7TbOBQCUz0ohyMqWKRBH0PxqtOl9ZK0.webp'/></item></channel></rss>