<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Surendranagar News: શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાની 'બેક ટુ સ્કૂલ' પહેલ, 'ડ્રોપ આઉટ' દીકરીના ઘરે રૂબરૂ જઈ પાઠ્યપુસ્તકો આપ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/surendranagar/education-minister-rivaba-jadeja-meet-dropout-girl</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/surendranagar/education-minister-rivaba-jadeja-meet-dropout-girl</guid><pubDate>Sun, 05 Jul 2026 15:49:43 +05:30</pubDate><description><![CDATA[<p>રાજ્ય સરકાર દ્વારા દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગરમાં શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાની એક અત્યંત સંવેદનશીલ અને ઉમદા પહેલ સામે આવી છે. શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ સુરેન્દ્રનગરની એક ડ્રોપ આઉટ એટલે અભ્યાસ છોડી ચૂકેલી દીકરી દેવયાનિબા જાડેજાના નિવાસસ્થાને રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન શિક્ષણ મંત્રીએ તેને ફરીથી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે પ્રેરણાદાયી પગલું ભર્યું હતું.</p><h2><b>દીકરીના ઘરે જઈ શિક્ષણનું મહત્વ સમજાવ્યું</b></h2><p>'બેક ટુ સ્કૂલ' અભિયાન અંતર્ગત શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ વિદ્યાર્થીની દેવયાનિબા અને તેના પરિવારની રૂબરૂ મુલાકાત લીધી હતી. શિક્ષણ મંત્રીએ પરિવાર સાથે સ્નેહપૂર્ણ સંવાદ સાધીને દીકરીઓ માટે શિક્ષણ કેટલું અનિવાર્ય છે, તેની સમજણ આપી હતી. દીકરી ફરીથી શાળાએ જાય અને તેનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે શિક્ષણ મંત્રીએ તેને પોતે ધોરણ-9 ના પાઠ્યપુસ્તકો એનાયત કર્યા હતા.</p><p><img alt="Surendranagar News: Education Minister Rivaba Jadeja's Noble Initiative" src="https://epapercdn.sandesh.com/images/2026/07/05/QZKD5PUCaCrDPK0eCQ05ntoGoV7xoQp3psNZ5Z5A.webp"><br></p><h2><b>કોલેજ સુધીના અભ્યાસની જવાબદારી સરકાર લેશે</b></h2><p>આ પ્રસંગે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, દીકરીઓનું શિક્ષણ એ એક સક્ષમ અને સશક્ત સમાજના નિર્માણ માટે અનિવાર્ય છે. તેમણે દેવયાનિબાના હાઈસ્કૂલથી લઈને કોલેજ સુધીના આગળના તમામ અભ્યાસની જવાબદારી સરકાર સુનિશ્ચિત કરશે તેવી મક્કમ ખાતરી આપી હતી.</p><p><img alt="Surendranagar News: Education Minister Rivaba Jadeja's Noble Initiative" src="https://epapercdn.sandesh.com/images/2026/07/05/lKS6CBOix9mZoDhhdjz6KD64XVqA4qjjjbqJwJfU.webp"><br></p><h2><b>શિક્ષણ મંત્રીની અપીલ</b></h2><p>શિક્ષણ મંત્રીની આ સંવેદનશીલ પહેલ રાજ્ય સરકારની દરેક બાળકને, ખાસ કરીને દીકરીઓને શિક્ષણ આપવાની પ્રતિબદ્ધતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. આ પ્રસંગે શિક્ષણ મંત્રીએ અપીલ કરતા જણાવ્યું હતું કે, ચાલો, આપણે સૌ સાથે મળીને દરેક દીકરીના શિક્ષણને આપણી સામાજિક જવાબદારી બનાવીએ.</p><p><br></p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/Info_SNagar_GoG/status/2073703725424890252"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p><br></p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surendranagar/surendranagar-4-" target="_blank">Surendranagar: ખોવાયેલ ગાય શોધવા નીકળેલા પશુપાલકને 4 શખ્સોએ માર માર્યો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/05/58YBZhV0ktQZhAh1ZsFTu6R2Qx7dzbZQCh6YyYpN.webp'/></item><item><title><![CDATA[Gir Somnath: કોડીનાર-અમરેલી સ્ટેટ હાઈવે પર મહાકાય વડલો ધરાશાયી, 35 ગામોનો વાહનવ્યવહાર ખોરવાયો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gir-somnath/kodinar-amreli-state-highway-blocked-massive-banyan-tree-falls-after-heavy-rain</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gir-somnath/kodinar-amreli-state-highway-blocked-massive-banyan-tree-falls-after-heavy-rain</guid><pubDate>Sun, 05 Jul 2026 15:38:19 +05:30</pubDate><description><![CDATA[<p>ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર અને આસપાસના કોસ્ટલ બેલ્ટમાં મેઘરાજા સતત પાંચ દિવસથી અવિરત બેટિંગ કરી રહ્યા છે. સતત વરસી રહેલા વરસાદના કારણે ધરતી એટલી હદે પાણીથી સંતૃપ્ત થઈ ગઈ છે કે વર્ષો જૂના મહાકાય વૃક્ષો પણ હવે ધરાશાયી થઈ રહ્યા છે. આજે વહેલી સવારે કોડીનાર-અમરેલી સ્ટેટ હાઈવે પર આવી જ એક મોટી ઘટના બની હતી, જેમાં હાઈવે કિનારે આવેલો એક ઘટાદાર મહાકાય વડલો અચાનક રોડની વચોવચ મધ્યમાં પડી ગયો હતો. સદનસીબે વહેલી સવારે ઝાડ પડતી વખતે કોઈ વાહન તેની નીચે ન આવતા મોટી જાનહાનિ ટળી હતી.</p><h2><b>35 ગામડાઓનો વાહનવ્યવહાર ખોરવાયો, જનતા પરેશાન</b></h2><p>આ વડલો એટલો વિશાળ છે કે તેણે આખા સ્ટેટ હાઈવેને બંને તરફથી સંપૂર્ણપણે કવર કરી લીધો છે, જેના લીધે હાઈવે પરનો ટ્રાફિક સદંતર બંધ થઈ ગયો છે. આ માર્ગ કોડીનારને અમરેલી જિલ્લા સાથે જોડતો હોવાથી અને આસપાસના અંદાજે 30થી 35 ગામોના પરિવહનનો મુખ્ય સ્ત્રોત હોવાથી ભારે અફડાતફડી મચી ગઈ છે. સવારના સમયે શાળા-કોલેજે જવા નીકળેલા વિદ્યાર્થીઓ, સરકારી અને ખાનગી ઓફિસોના નોકરિયાતો તેમજ દર્દીઓને લઈને જતી એમ્બ્યુલન્સ અને એસ.ટી. બસો રસ્તામાં જ અટવાઈ પડી છે. હાઈવે પર બંને બાજુ વાહનોની લાંબી-લાંબી કતારો જોવા મળી રહી છે.</p><h3><b>તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી</b></h3><p>ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્ર, માર્ગ અને મકાન વિભાગની ટીમ તેમજ 'ભાજપ પરિવાર હેલ્પ સેન્ટર'ના કાર્યકરો અને હોદ્દેદારો તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાઈવે પરથી આ મહાકાય વૃક્ષને હટાવવા માટે એક નહિ પણ સળંગ 3 જેસીબી (JCB) મશીનો કામે લગાડવામાં આવ્યા છે. વડના જાડા ડાળખાઓ અને મૂળિયાંને ક્રેન તથા કટરની મદદથી કાપીને રસ્તાની બાજુ પર ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આગામી થોડા કલાકોમાં એક તરફનો માર્ગ હળવા વાહનો માટે શરૂ કરી દેવાશે અને ટૂંક સમયમાં જ સમગ્ર હાઈવે પૂર્વવત કરી દેવામાં આવશે. ત્યાં સુધી વાહનોને વૈકલ્પિક ગ્રામ્ય માર્ગો પર ડાયવર્ટ કરવા વિનંતી કરાઈ છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kheda/mayor-faces-backlash-over-sharing-ai-generated-clean-road-photos-after-heavy-rain" target="_blank">આ પણ વાંચો: Kheda: વરસાદના પાણી ઉતારવા મેયરે લીધો AIનો સહારો, ભાજપના 25 કોર્પોરેટરોએ જોયા વગર જ કર્યા શેર</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/05/BwEfVPApkWyg27jqH99i1rjNbamT5TeMugvmpY0s.webp'/></item><item><title><![CDATA[Ahmedabadની નર્મદા કેનાલમાંથી બે અજાણ્યા યુવકોના મૃતદેહ મળતા મચી ચકચાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/the-bodies-of-two-unidentified-youths-were-found-in-the-narmada-canal-in-ahmedabad-creating-a-stir</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/the-bodies-of-two-unidentified-youths-were-found-in-the-narmada-canal-in-ahmedabad-creating-a-stir</guid><pubDate>Sun, 05 Jul 2026 15:33:24 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદની બહારથી પસાર થતી નર્મદા કેનાલમાંથી બે અજાણ્યા યુવકોના મૃતદેહ મળવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને સ્થાનિક લોકોમાં અનેક તર્ક-વિતર્કો શરૂ થઈ ગયા છે. નર્મદા કેનાલના બે અલગ-અલગ વિસ્તારોમાંથી આ બંને મૃતદેહો મળી આવ્યા છે. જેમાં પ્રથમ લાશ કેનાલના જમીયતપુરા ગામની હદ પાસેથી મળી આવી હતી, જ્યારે બીજી લાશ ખોરજ ગામની સીમ નજીક વહેતી કેનાલના પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. એક જ દિવસમાં બે લાશ મળતાં તંત્ર પણ દોડતું થયું છે.</p><h2 style="text-align: justify;">સ્થાનિક લોકોએ પોલીસને કરી જાણ</h2><p style="text-align: justify;">આ કરુણ ઘટનાની વિગત એવી છે કે, કેનાલ પાસેથી પસાર થતા સ્થાનિક રાહદારીઓને પાણીમાં કંઈક શંકાસ્પદ તરતું હોવાનું માલૂમ પડ્યું હતું. લોકોએ નજીક જઈને જોતાં જ યુવકોના શબ હોવાની પુષ્ટિ થઈ હતી, જેને પગલે તાત્કાલિક ધોરણે સ્થાનિક પોલીસ મથકને આ અંગે માહિતગાર કરવામાં આવ્યું હતું. માહિતી મળતાની સાથે જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સ્થાનિક તરવૈયાઓની મદદથી બંને યુવકોના મૃતદેહોને કેનાલના ઊંડા પાણીમાંથી બહાર કાઢીને કિનારે લાવવામાં આવ્યા હતા. બંને મૃતકો યુવાન વયના હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે.</p><h3 style="text-align: justify;">હત્યા કે આત્મહત્યા? પોલીસે તપાસ તેજ કરી</h3><p style="text-align: justify;">પોલીસે બંને યુવકોના શબની ઓળખ વિધિ કરવા માટેની તજવીજ હાથ ધરી છે. આસપાસના પોલીસ સ્ટેશનોમાં તાજેતરમાં નોંધાયેલી ગુમ વ્યક્તિઓની યાદી સાથે આ બંને યુવકોના વર્ણનને મેળવવામાં આવી રહ્યું છે. આ મામલો આત્મહત્યાનો છે, અકસ્માતે ડૂબી જવાનો છે કે પછી કોઈએ હત્યા કરીને પુરાવા નાશ કરવાના ઈરાદે લાશને કેનાલમાં ફેંકી દીધી છે, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સત્ય હકીકત જાણવા માટે બંને મૃતદેહોને PM અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/05/RdKmULh4luPLQiRtWj07I5n6R7TJztEv1eG3VOil.webp'/></item><item><title><![CDATA[Telangana: નાલગોંડામાં ભયાનક માર્ગ અકસ્માત, કાર અને બસની ટક્કરમાં 4 લોકોના મોત ]]></title><link>https://sandesh.com/india/news/telangana-horrific-road-accident-in-nalgonda-4-people-killed-in-car-and-bus-collision</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/telangana-horrific-road-accident-in-nalgonda-4-people-killed-in-car-and-bus-collision</guid><pubDate>Sun, 05 Jul 2026 15:08:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">તેલંગાણાના નાલગોંડા જિલ્લામાં રવિવારે સવારે એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. હૈદરાબાદ-વિજયવાડા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચિત્યલ નજીક એક ખાનગી બસ અને કાર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં કારમાં સવાર ચાર વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ ઘટનામાં માત્ર કારના ચાલક જ બચી શક્યા છે, જેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>ખાનગી બસે કારને પાછળથી મારી જોરદાર ટક્કર&nbsp;</b></h2><p style="text-align: justify; ">પ્રાપ્ત માહિતી અનુસાર, પીડિત પરિવાર ચેન્નાઈથી હૈદરાબાદ તરફ પોતાની કારમાં જઈ રહ્યો હતો. રવિવારે વહેલી સવારે લગભગ 5 વાગ્યાના સુમારે જ્યારે તેમની કાર નાલગોંડાના ચિત્યલ નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે વિશાખાપટ્ટનમથી હૈદરાબાદ જઈ રહેલી એક ખાનગી બસે કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે કારના કુરચા ઉડી ગયા હતા.</p><h3 style="text-align: justify; "><b>અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોના મોત</b></h3><p style="text-align: justify; ">આ કરૂણ અકસ્માતમાં કારમાં સવાર ડ્રાઇવરની પત્ની, તેમના બે માસૂમ બાળકો અને એક મિત્રનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. સદનસીબે, કારના ડ્રાઈવરનો જીવ બચી ગયો હતો, જેમને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબીબોના જણાવ્યા અનુસાર, હાલ તેમની સ્થિતિ ખતરાથી બહાર છે. બીજી તરફ, અકસ્માત સર્જનાર બસમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.</p><h4 style="text-align: justify; "><b>છેલ્લાં અઠવાડિયામાં અનેક અકસ્માત થયા</b></h4><p style="text-align: justify; ">ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ દેશના વિવિધ ભાગોમાં ગંભીર માર્ગ અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે. હજુ થોડા દિવસો પહેલા જ, 1 જુલાઈના રોજ રાજસ્થાનના દૌસા જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર એક ભયાનક અકસ્માત થયો હતો. હરિદ્વારથી ઇન્દોર જઈ રહેલી એક પેસેન્જર બસ ટ્રક સાથે અથડાતા તેમાં આગ લાગી ગઈ હતી, જેમાં 8 લોકોના મોત નિપજ્યા હતા અને 24થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/lifestyle/news/are-you-bothered-by-wet-clothes-in-the-monsoon-these-tips-will-dry-them-quickly-without-the-sun" target="_blank">આ પણ વાંચોઃ ચોમાસામાં ભીના કપડાંથી પરેશાન છો? તડકાં વગર આ ટિપ્સથી ઝડપથી સૂકાઇ જશે...</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/05/RRrWg3ttJ9XjZEshjm36NZ6HymVium1GbokKMbrg.webp'/></item><item><title><![CDATA[FIFA 2026: રાઉન્ડ ઓફ 16માં આજે બે મહામુકાબલો, બ્રાઝિલ અને ઇંગ્લેન્ડની અગ્નિપરીક્ષા! ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-2026-two-epic-matches-today-in-the-round-of-16-a-test-for-brazil-and-england</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-2026-two-epic-matches-today-in-the-round-of-16-a-test-for-brazil-and-england</guid><pubDate>Sun, 05 Jul 2026 14:51:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફિફા વર્લ્ડ કપ 2026 હવે તેના સૌથી રોમાંચક તબક્કામાં પહોંચી ગયો છે.રાઉન્ડ ઓફ 16 ના મુકાબલા શરૂ થઈ ચૂક્યા છે,જેમાં શાનદાર પ્રદર્શન કરીને ફ્રાન્સ અને મોરોક્કોની ટીમે ઓલરેડી ક્વાર્ટર ફાઇનલમાં પોતાની જગ્યા પાકી કરી લીધી છે.હવે ફૂટબોલ ફેન્સની નજર ત્રીજા અને ચોથા પ્રી-ક્વાર્ટર ફાઇનલ મુકાબલા પર ટકેલી છે. આ મેચોમાં સહ-યજમાન મેક્સિકોનો સામનો ઇંગ્લેન્ડ સામે અને ફૂટબોલની દિગ્ગજ ટીમ બ્રાઝિલનો સામનો નોર્વે સામે થશે.ગ્રુપ સ્ટેજથી લઈને રાઉન્ડ ઓફ 32 સુધી આ ચારેય ટીમોનું પ્રદર્શન શાનદાર રહ્યું છે, તેથી આ ટક્કર ખૂબ જ રોમાંચક બનવાની આશા છે.</p><h4 style="text-align: justify; "><b>મેક્સિકો સામે ઇંગ્લેન્ડનું પલડું ભારે</b></h4><p style="text-align: justify; ">રાઉન્ડ ઓફ 16 નો ત્રીજો મુકાબલો મેક્સિકો સિટી સ્ટેડિયમમાં રમાશે. હેડ-ટુ-હેડ રેકોર્ડની વાત કરીએ તો ઇંગ્લેન્ડનો દબદબો સાફ જોવા મળે છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 9 મેચ રમાઈ છે, જેમાંથી ઇંગ્લેન્ડે 6 મેચ જીતી છે, જ્યારે મેક્સિકો માત્ર 2 મેચ જીતી શક્યું છે અને 1 મેચ ડ્રો રહી છે.</p><h5 style="text-align: justify; "><b>બ્રાઝિલ માટે નોર્વેનો પડકાર સરળ નહીં હોય</b></h5><p style="text-align: justify; ">પાંચ વખતની ફિફા વર્લ્ડ કપ વિજેતા બ્રાઝિલની ટીમનો ભૂતકાળ ભલે ભવ્ય રહ્યો હોય, પરંતુ નોર્વે સામે તેમનો રેકોર્ડ ઘણો ખરાબ છે. બ્રાઝિલની ટીમ અત્યાર સુધી નોર્વે સામે એકપણ મેચ જીતી શકી નથી. બંને વચ્ચે રમાયેલી 2 મેચોમાંથી 1 નોર્વે જીત્યું છે અને 1 ડ્રો રહી છે. આ મેચ ન્યૂયોર્કના ન્યૂ જર્સી સ્ટેડિયમમાં રમાશે.</p><h4 style="text-align: justify; "><b>ફિફા વર્લ્ડ કપ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જામ્યો જંગ&nbsp;</b></h4><p style="text-align: justify; ">ફિફા વર્લ્ડ કપ 2026 ની પ્રી-ક્વાર્ટર ફાઇનલ મેચો 4 જુલાઈના રોજ શરૂ થઈ હતી, જેમાં હ્યુસ્ટન સ્ટેડિયમ ખાતે સહ-યજમાન કેનેડા અને મોરોક્કો વચ્ચે રમાયેલી પહેલી મેચમાં મોરોક્કોએ સંપૂર્ણ પ્રભુત્વ મેળવ્યું હતું. મોરોક્કોએ આ મેચ 3-0 ના મોટા માર્જિનથી જીતીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો, જેમાં તેઓ સતત બીજી વખત વર્લ્ડ કપમાં છેલ્લા 8 માં પહોંચવામાં સફળ રહ્યા હતા. દરમિયાન, ફ્રેન્ચ ટીમનો સામનો રાઉન્ડ ઓફ 16 માં પેરાગ્વે સામે થયો હતો, જે તેઓ 1-0 ના માર્જિનથી જીતવામાં સફળ રહ્યા હતા, જેમાં આ મેચમાં તેમનો એકમાત્ર ગોલ કાયલિયન એમબાપ્પે દ્વારા પેનલ્ટી શૂટઆઉટથી કરવામાં આવ્યો હતો. હવે, ફ્રાન્સ અને મોરોક્કો 10 જુલાઈના રોજ બોસ્ટનના સ્ટેડિયમ ખાતે ક્વાર્ટર ફાઇનલમાં એકબીજાનો સામનો કરશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/fifa-world-cup/news/sports/fifa-world-cup-2026-france-beats-paraguay-with-kylian-mbappes-decisive-goal-to-reach-quarter-finals" target="_blank">FIFA World Cup 2026:કિલિયન એમ્બાપ્પેના નિર્ણાયક ગોલથી પરાગ્વેને હરાવી ફ્રાન્સ ક્વાર્ટર ફાઇનલમાં</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/05/jQlTtafm0XhXUTHozf5gUK15Sj5qESC9e7clfSnd.webp'/></item><item><title><![CDATA[Aamir Khan ગૌરી સ્પ્રેટ સાથે લગ્નના બંધનમાં બંધાયા, ફોટો વાયરલ ]]></title><link>https://sandesh.com/entertainment/news/aamir-khan-tied-the-knot-with-gauri-spratt-photo-goes-viral</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/aamir-khan-tied-the-knot-with-gauri-spratt-photo-goes-viral</guid><pubDate>Sun, 05 Jul 2026 14:06:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલિવૂડના 'મિસ્ટર પરફેક્શનિસ્ટ' તરીકે જાણીતા અભિનેતા આમિર ખાને પોતાના જીવનના એક નવા અધ્યાયની શરૂઆત કરી છે. 5 જુલાઈ, 2026ના રોજ આમિર ખાને પોતાની લાંબા સમયની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે લગ્ન કરી લીધા છે. આ લગ્ન સમારોહ ખૂબ જ સાદગીપૂર્ણ રીતે આમિરના ઘરે યોજાયો હતો, જેમાં માત્ર પરિવારના સભ્યો અને ખાસ મિત્રો જ ઉપસ્થિત રહ્યા હતા. આ દંપતીએ કાયદેસર રીતે રજિસ્ટર્ડ મેરેજ કર્યા છે.</p><h2 style="text-align: justify; "><b>લગ્નનો ફોટો થયો વાયરલ</b></h2><p style="text-align: justify; ">લગ્નના પ્રથમ એક્સક્લુઝિવ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં આમિર અને ગૌરી અત્યંત સુંદર અને ખુશ દેખાઈ રહ્યા છે. આમિર ખાને લગ્ન માટે સફેદ રંગની ક્લાસિક શેરવાની પસંદ કરી હતી, જેની સાથે તેમણે ચશ્મા અને બ્રેસલેટ પહેરીને પોતાના લુકને પૂર્ણ કર્યો હતો. બીજી તરફ, દુલ્હન બનેલી ગૌરી પણ સફેદ ડ્રેસમાં ખૂબ જ આકર્ષક લાગતી હતી. તેણે ભારે ગળાનો હાર, સુંદર કાનની બુટ્ટીઓ અને સાઈડ-પાર્ટેડ વેણી સાથે પોતાનો બ્રાઈડલ લુક પૂર્ણ કર્યો હતો. હળવા મેકઅપમાં ગૌરીનું સૌંદર્ય ખીલી ઉઠ્યું હતું.</p><h3 style="text-align: justify; "><b>લગ્નના કાગળો પર કર્યા હસ્તાક્ષર</b></h3><p style="text-align: justify; ">વાયરલ થયેલા ફોટામાં દંપતી ફ્લોર પર બેસીને લગ્નના કાગળો પર હસ્તાક્ષર કરતું જોવા મળે છે. આ ભાવુક ક્ષણે તેમની સાથે આમિરનો પુત્ર આઝાદ અને ગૌરીના પુત્રો પણ હાજર હતા. આમિરના પરિવારના સભ્યોની હાજરીમાં આ લગ્ન એક પારિવારિક ઉત્સવ જેવા લાગતા હતા. આ ખાસ પ્રસંગે ફિલ્મ નિર્માતા આશુતોષ ગોવારિકર તેમની પત્ની સાથે પહોંચ્યા હતા, જ્યારે અંબાણી પરિવાર પણ આ સમારોહમાં હાજરી આપી હતી.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PTI_News/status/2073683437815472167"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h4 style="text-align: justify; "><b>આમિરની ભૂતકાળની સફર</b></h4><p style="text-align: justify; ">આમિર ખાનના આ ત્રીજા લગ્ન છે. અગાઉ 1986માં તેમણે રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા, જે 16 વર્ષ બાદ 2002માં છૂટાછેડામાં પરિણમ્યા હતા. ત્યારબાદ 2005માં તેમણે કિરણ રાવ સાથે લગ્ન કર્યા, જે પણ 16 વર્ષ ચાલ્યા. આમિર અને કિરણને આઝાદ નામનો પુત્ર છે. ખાસ વાત એ છે કે આમિર તેમના બંને પૂર્વ જીવનસાથીઓ સાથે ખૂબ જ સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખે છે.<br><h5><b>બંનેની મિત્રતા 25 વર્ષ જૂની</b></h5></p><p style="text-align: justify; ">ગૌરી અને આમિરની મિત્રતા લગભગ 25 વર્ષ જૂની છે. લાંબા સમયની ગાઢ મૈત્રીને પ્રેમમાં બદલીને, આખરે તેઓએ જીવનભર સાથ રહેવાનો નિર્ણય લીધો છે. આમિરે 2025માં પોતાના જન્મદિવસ પર આ સંબંધને સત્તાવાર જાહેર કર્યો હતો, ત્યારથી તેઓ સતત ચર્ચામાં હતા. હવે આ લગ્ન સાથે બંનેએ પોતાની નવી જિંદગીની ખુશીભરી શરૂઆત કરી છે. ચાહકો અને બોલિવૂડ જગત તરફથી આ નવા દંપતીને શુભેચ્છાઓ મળી રહી છે.<br><b><a href="https://sandesh.com/entertainment/news/aamir-khan-net-worth-know-mr-perfectionists-earnings-luxurious-house-worth-crores-and-luxury-car-collection" target="_blank">આ પણ વાંચોઃ Aamir Khan Net Worth: જાણો મિસ્ટર પરફેક્શનિસ્ટની કમાણી, કરોડોનું આલીશાન ઘર અને લક્ઝરી કાર કલેક્શન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/05/xEXou61giBgXzvfUhy6CiYhnLiRi04PXweEEtsF6.webp'/></item><item><title><![CDATA[Vadodara: વોર્ડ નં. 11માં ખુદ પાલિકાની જ કચરાની ગાડી મસમોટા ભુવામાં ધસી ગઈ! વિકાસના દાવાઓ હવામાં ઉડ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/vadodara/vmc-garbage-truck-stuck-in-sinkhole-ward-11-harinagar-first-rain-exposes-pre-monsoon-claims</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/vadodara/vmc-garbage-truck-stuck-in-sinkhole-ward-11-harinagar-first-rain-exposes-pre-monsoon-claims</guid><pubDate>Sun, 05 Jul 2026 13:54:07 +05:30</pubDate><description><![CDATA[<p>વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ચોમાસા પહેલા કરોડો રૂપિયાના ખર્ચે પ્રિ-મોન્સૂન કામગીરી અને રોડ રિકાર્પેટિંગના મોટા-મોટા દાવા કરવામાં આવે છે. પરંતુ આ દાવાઓ માત્ર કાગળ પર જ સબળ હોય છે અને વાસ્તવિકતામાં નબળા, તે ચાલુ સીઝનના પ્રથમ વરસાદે જ સાબિત કરી દીધું છે. વડોદરાના હરીનગર તરફથી આવતા વોર્ડ નંબર 11 ના વિસ્તારમાં આજે એક એવી ઘટના બની જેનાથી વડોદરા મનપા આખી સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે. અહીં પાલિકાનું જ ડોર-ટુ-ડોર કચરો ઉઘરાવવાનું વાહન પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક રોડ બેસી ગયો હતો અને વાહનનો પાછળનો આખો ભાગ ભુવામાં ધસી ગયો હતો.</p><h2><b>ભ્રષ્ટાચારની ગટર ખુલ્લી પડી, સ્થાનિકોનો આક્રોશ</b></h2><p>આ ઘટના જેવી બની કે આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. સદનસીબે કચરાના વાહનના ડ્રાઈવર કે ક્લીનરને કોઈ ઈજા પહોંચી નથી, પરંતુ વાહન નમી પડતાં રસ્તા પર અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક નાગરિકોએ તંત્ર પર કટાક્ષ કરતા અને ભારે રોષ સાથે જણાવ્યું હતું કે, “જે પાલિકા આખા શહેરના રોડ રસ્તા સારા હોવાના પોકળ દાવા કરે છે, આજે તેની પોતાની જ ગાડી ભ્રષ્ટાચારના ભુવામાં ફસાઈ ગઈ છે. જો મનપાના વાહનોની આ સ્થિતિ થતી હોય, તો સામાન્ય જનતા, ટુ-વ્હીલર ચાલકો અને નાના બાળકોના જીવ કેટલા જોખમમાં છે તેનો અંદાજ લગાવી શકાય છે.” રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર અને ડ્રેનેજ લાઇન નાખતી એજન્સીઓએ કરેલી હલકી ગુણવત્તાવાળી કામગીરીને કારણે જ આ ભુવો પડ્યો હોવાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે.</p><h3><b>વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ, તંત્ર મૌન</b></h3><p>કચરાની ગાડી ભુવામાં ફસાયેલી હોવાના દ્રશ્યો સ્થાનિક લોકોએ પોતાના મોબાઇલમાં કેદ કરી લીધા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ વડોદરા પાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાનિંગના લીરેલીરા ઊડી ગયા છે. વિપક્ષે પણ આ મુદ્દે શાસક પક્ષને આડે હાથ લીધો છે. બીજી તરફ, ઘટનાના કલાકો વીતી જવા છતાં મનપાના એન્જિનિયરો કે અધિકારીઓએ હજુ સુધી કોઈ સંતોષકારક જવાબ આપ્યો નથી, માત્ર ભુવા પર બેરિકેડિંગ કરીને સંતોષ માની લીધો છે. આગામી દિવસોમાં જો ભારે વરસાદ થશે તો વડોદરાના માર્ગો પર આનાથી પણ વધુ વિકટ સ્થિતિ સર્જાશે તેવી ભીતિ શહેરીજનો સેવી રહ્યા છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/rajula/dhatarwadi-dam-2-all-20-gates-opened-flood-alert-in-bila-kovaya-villages" target="_blank">આ પણ વાંચો: Rajula Rain: ધાતરવડી ડેમ-2ના તમામ 20 દરવાજા એકસાથે ખોલાયા, ધાતરવડી નદીમાં આવ્યું  ઘોડાપૂર</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/05/zsabdKIatGy98jidkcCfes915JAvqlI4J42jBAMB.webp'/></item><item><title><![CDATA[Woman Body Found In Noida: નોઇડા સેક્ટર-18 મલ્ટીલેવલ પાર્કિંગમાંથી મહિલાનો મૃતદેહ મળતા સનસનાટી ]]></title><link>https://sandesh.com/india/news/crime/woman-body-found-in-noida-sensation-as-womans-body-found-in-noida-sector-18-multi-level-parking</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/crime/woman-body-found-in-noida-sensation-as-womans-body-found-in-noida-sector-18-multi-level-parking</guid><pubDate>Sun, 05 Jul 2026 13:47:25 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">મૃતક મહિલાની ઓળખ હજુ સુધી સ્પષ્ટ નથી. નજીકના પોલીસ સ્ટેશનોમાં ગુમ થયેલા વ્યક્તિઓના અહેવાલોની તપાસ થઇ રહી છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">મૃતદેહે ઉભા કર્યા પ્રશ્નો&nbsp;</h2><p style="text-align: justify; ">દિલ્હી-એનસીઆરના સૌથી પ્રખ્યાત વાણિજ્યિક કેન્દ્ર સેક્ટર 18ના મલ્ટી-લેવલ પાર્કિંગમાં રવિવારે સવારે અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા હોબાળો મચ્યો હતો. સ્થાનિક રહેવાસીઓ અને સુરક્ષા કર્મચારીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં, સેક્ટર 20 પોલીસ સ્ટેશનની એક પોલીસ ટીમ તાત્કાલિક તેમના દળો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યા પછી, પોલીસે મૃતદેહને કબજે લીધો અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો. મૃતકની ઓળખ ન થઈ શકવાને કારણે આખો મામલો રહસ્યમય બન્યો છે.</p><h3 style="text-align: justify; ">પોલીસ તપાસ શરુ&nbsp;</h3><p style="text-align: justify; ">પોલીસના જણાવ્યા મુજબ, શરૂઆતની તપાસ અને ઘટનાસ્થળે હાજર લોકોની પૂછપરછ પછી પણ, મૃતકની ઓળખ થઈ શકી નથી. મહિલા પાસેથી કોઈ દસ્તાવેજો કે સામાન મળ્યો નથી. નોઈડા અને ગ્રેટર નોઈડાના તમામ પોલીસ સ્ટેશનો તેમજ દિલ્હી-એનસીઆરનો સંપર્ક કરવામાં આવ્યો છે. આસપાસના વિસ્તારોમાં નોંધાયેલા તાજેતરના ગુમ થયેલ રિપોર્ટ્સ અને મહિલાઓના ફોટોગ્રાફ્સને મૃતકના શરીર સાથે મેચ કરવામાં આવી રહ્યા છે.&nbsp;</p><h4 style="text-align: justify; ">સીસીટીવી ફૂટેજની તપાસ&nbsp;</h4><p style="text-align: justify; ">મલ્ટી-લેવલ પાર્કિંગ જેવા સુરક્ષિત અને વ્યસ્ત વિસ્તારમાં મૃતદેહ મળવો અનેક ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. મામલાના તળિયે જવા માટે, પોલીસ ટેકનિકલ પુરાવા પર આધાર રાખી રહી છે. તેઓ પાર્કિંગની અંદર, પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા પર અને સેક્ટર 18 માર્કેટની આસપાસ લગાવેલા તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજની બારીકાઈથી તપાસ કરી રહ્યા છે. તેઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, મહિલા ક્યારે, કોની સાથે અને કયા રસ્તેથી પાર્કિંગમાં પ્રવેશી હતી.</p><h5 style="text-align: justify; ">હત્યા કે આત્મહત્યા ?&nbsp;</h5><p style="text-align: justify; ">પોલીસ આ કેસને ફક્ત અકસ્માત તરીકે નથી ગણી રહી. મહિલાનું મૃત્યુ પાર્કિંગના ઉપરના માળેથી પડી જવાથી થયું હતું કે કોઈએ તેને ત્યાં ખેંચીને ફેંકી દીધી હતી કે પછી તે આત્મહત્યાનો કેસ હતો, પોલીસ આ બધા સંવેદનશીલ પાસાઓની ખૂબ જ ગંભીરતાથી તપાસ કરી રહી છે. સમગ્ર કેસની માહિતી આપતા, સેક્ટર 20 પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અરવિંદ કુમારે જણાવ્યું હતું કે નિયમ મુજબ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે. તેમણે કહ્યું, પ્રારંભિક તપાસ ચાલુ છે, પરંતુ મૃત્યુનું વાસ્તવિક કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ જાણી શકાશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/india/news/central-government-issues-notice-to-meta-over-blocking-objectionable-ads-on-instagram" target="_blank"> Instagram પર આપત્તિજનક જાહેરાતો બંધ કરવા મુદ્દે કેન્દ્ર સરકારે Metaને ફટકારી નોટિસ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/05/1TgjfhWNpTEizHuT30LGXWlpy5nSwVRQdNl0a1Xb.webp'/></item><item><title><![CDATA[Surat: ઉમરપાડાનો જગવિખ્યાત દેવઘાત ધોધ ચાલુ સીઝનમાં પહેલીવાર સોળે કળાએ ખીલ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/surat/umarpada-famous-devghat-waterfall-activated-first-time-this-monsoon-season</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/surat/umarpada-famous-devghat-waterfall-activated-first-time-this-monsoon-season</guid><pubDate>Sun, 05 Jul 2026 13:01:51 +05:30</pubDate><description><![CDATA[<p>દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી થતાં જ પ્રકૃતિએ જાણે લીલી ચાદર ઓઢી લીધી છે. સુરત જિલ્લાના વનરાજીથી ઘેરાયેલા ઉમરપાડા તાલુકામાં આવેલા અને પ્રવાસીઓમાં ભારે આકર્ષણ ધરાવતા દેવઘાત ધોધ ખાતેથી મનમોહક દ્રશ્યો સામે આવ્યા છે. ઉપરવાસના જંગલ વિસ્તારોમાં વરસેલા અનરાધાર વરસાદને કારણે દેવઘાત ધોધમાં ચાલુ સીઝનમાં પ્રથમવાર પાણીની વ્યાપક આવક થઈ છે. લાંબા સમયની રાહ જોયા બાદ આ ધોધ ફરીથી જીવંત થતાં સ્થાનિક આદિવાસી સમાજ અને પ્રકૃતિપ્રેમીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.</p><p><b>મેઘરાજાની એન્ટ્રી થતાં જ પ્રકૃતિએ જાણે લીલી ચાદર ઓઢી</b></p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2073675800554131563"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>ચોમાસાની સીઝનમાં પહેલીવાર ખીલ્યો ધોધ</b></h2><p>ઉમરપાડાનો આ વિસ્તાર સુરતના "મિની કાશ્મીર કે ડાંગ" તરીકે પણ સ્થાનિક સ્તરે ઓળખાય છે. દર વર્ષે ચોમાસા દરમિયાન અહીં હજારો પ્રવાસીઓ કુદરતી સુંદરતા માણવા આવતા હોય છે. આ વર્ષે સીઝનની પ્રથમ ધમાકેદાર આવક થતાં જ પહાડો વચ્ચેથી પડતા પાણીના વહેણે અદભુત નજારો સર્જ્યો છે. ઊંચાઈ પરથી ખાબકતા પાણીના લીધે આસપાસના કોતરો અને હરિયાળી વધુ ગહન બની છે, જેના લાઈવ વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.</p><h3><b>તંત્ર દ્વારા સુરક્ષા અંગે અપીલ</b></h3><p>ધોધ જીવંત થવાના સમાચાર વહેતા થતાં જ આગામી શનિ-રવિવાર (વીકેન્ડ) દરમિયાન સુરત, ભરૂચ, અંકલેશ્વર અને વડોદરાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં ઉમટી પડે તેવી શક્યતા છે. જોકે, ધોધમાં પાણીનો પ્રવાહ તેજ હોવાથી સ્થાનિક વન વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા પ્રવાસીઓને ઊંડા પાણીમાં ન જવા અને પથ્થરો પર લપસી ન જવાય તે માટે ખાસ સાવચેતી રાખવા તાકીદ કરવામાં આવી છે. પ્રકૃતિનો આનંદ લો પણ સુરક્ષાને પ્રાધાન્ય આપો તે જ અપીલ છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/gir-somnath/heavy-rain-una-gir-gadhada-12-roads-affected-alternative-routes-active" target="_blank">આ પણ વાંચો: Gir Somnath: ઉના અને ગીર ગઢડામાં ભારે વરસાદથી 12 માર્ગો પ્રભાવિત, 15થી વધુ ગામોનો સંપર્ક તૂટ્યો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/05/el1AoJNyrbFcXMysuaWx4VqyMHKXVoCbFRnlThkU.webp'/></item><item><title><![CDATA[Gold Silver Price Today: શું સોનું ફરી મોંઘું થયું? જાણો 20, 22 અને 24 કેરેટના લેટેસ્ટ ભાવ.. ]]></title><link>https://sandesh.com/business/news/gold-silver-price-today-has-gold-become-expensive-again-know-the-latest-prices-of-20-22-and-24-carats</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/gold-silver-price-today-has-gold-become-expensive-again-know-the-latest-prices-of-20-22-and-24-carats</guid><pubDate>Sun, 05 Jul 2026 10:11:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">છેલ્લા કેટલાક દિવસોમાં સોના અને ચાંદીના બજારમાં નોંધપાત્ર ઉથલપાથલ જોવા મળી છે. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ અથવા ઘરેણાં લેવાનું આયોજન હોય, તો આ ફેરફારો પર નજર રાખવી અત્યંત આવશ્યક છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) અને સ્થાનિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં જોવા મળેલી વધ-ઘટ આ મુજબ છે.</p><h2 style="text-align: justify; "><b>MCX પર સોના-ચાંદીની સ્થિતિ</b></h2><p style="text-align: justify; ">MCX પર સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો અને તે ₹1,47,365 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. પાંચ દિવસના ગાળામાં સોનાના વાયદાના ભાવમાં લગભગ ₹3,203 નો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ, ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. 4 સપ્ટેમ્બરની એક્સપાયરી સાથે ચાંદી ₹2,37,499 પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ, જે પાછલા સપ્તાહની સરખામણીમાં ₹14,027 નો વધારો દર્શાવે છે.</p><h3 style="text-align: justify; "><b>સ્થાનિક બજારમાં ભાવનું ચિત્ર</b></h3><p style="text-align: justify; ">ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી છે. 24 કેરેટ સોનાનો ભાવ ₹1,46,344 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયો છે, જે ગયા અઠવાડિયા કરતા ₹6,471 જેટલો વધુ છે. અન્ય કેરેટના ભાવ નીચે મુજબ છે:</p><p style="text-align: justify; ">22 કેરેટ સોનું: ₹1,42,830 પ્રતિ 10 ગ્રામ</p><p style="text-align: justify; ">20 કેરેટ સોનું: ₹1,30,250 પ્રતિ 10 ગ્રામ</p><p style="text-align: justify; ">18 કેરેટ સોનું: ₹1,18,540 પ્રતિ 10 ગ્રામ</p><p style="text-align: justify; ">14 કેરેટ સોનું: ₹94,390 પ્રતિ 10 ગ્રામ</p><p style="text-align: justify; ">ચાંદીના ભાવમાં પણ સ્થાનિક બજારમાં તોતિંગ ઉછાળો આવ્યો છે. ચાંદી પ્રતિ કિલોગ્રામ ₹2,33,858 પર પહોંચી છે, જેનો અર્થ છે કે એક જ સપ્તાહમાં ચાંદીના ભાવમાં ₹17,317 નો મોટો વધારો થયો છે.</p><h4 style="text-align: justify; "><b>ધ્યાનમાં રાખવા જેવી બાબત</b></h4><p style="text-align: justify; ">નોંધનીય છે કે, જાન્યુઆરીમાં સોનાએ ₹2 લાખ અને ચાંદીએ ₹4 લાખની ઐતિહાસિક સપાટી વટાવી હતી. જોકે, હાલના ભાવ તે ઉચ્ચ સ્તર કરતા હજુ પણ ઘણા ઓછા છે. ગ્રાહકોએ એ બાબત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે જ્યારે તમે જ્વેલરી ખરીદો છો, ત્યારે બજારના આ દર ઉપરાંત GST અને મેકિંગ ચાર્જ પણ અલગથી ચૂકવવાના રહે છે, જેના કારણે અંતિમ કિંમતમાં તફાવત આવી શકે છે.</p><h5 style="text-align: justify; "><b>દેશના મોટા શહેરોમાં શું છે સોના ચાંદીનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)&nbsp;</b></h5><p style="text-align: justify; "><br></p><table class="table table-bordered"><tbody><tr><td>શહેર&nbsp;</td><td>24 કેરેટ સોનાની કિંમત ( રૂપિયા/10 ગ્રામ) )&nbsp;</td><td>22 કેરેટ સોનાની કિંમત( રૂપિયા/10 ગ્રામ)</td></tr><tr><td>દિલ્હી&nbsp;&nbsp;</td><td>1,46,880</td><td>1,34,650&nbsp;&nbsp;</td></tr><tr><td>કોલકાતા&nbsp;</td><td>&nbsp;1,46,730</td><td>1,34,500&nbsp;</td></tr><tr><td>ચેન્નઈ&nbsp;&nbsp;</td><td>1,49,460</td><td>1,37,000&nbsp;</td></tr><tr><td>બેંગ્લોર&nbsp;</td><td>1,46,730&nbsp;</td><td>1,34,500&nbsp;&nbsp;</td></tr><tr><td>અમદાવાદ&nbsp;</td><td>&nbsp;1,46,780</td><td>1,34,550&nbsp;&nbsp;</td></tr><tr><td>વડોદરા&nbsp;&nbsp;</td><td>1,46,780</td><td>1,34,550&nbsp;</td></tr></tbody></table><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/business/news/petrol-diesel-price-today-know-whether-the-prices-of-petrol-and-diesel-have-increased-or-decreased-today" target="_blank">આ પણ વાંચોઃ Petrol Diesel Price Today: આજે વધ્યા કે ઘટ્યા પેટ્રોલ-ડીઝલનાં ભાવ જાણીલો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/05/tW057ZvpPe3Ou003yndrsFIGPbuLOySp1Sc4VTtn.webp'/></item></channel></rss>