<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Prince Narula: લગ્ન તૂટવાના આરે હતા... વર્ષો પછી અભિનેતાએ પત્નીને લઈને કહી આ વાત ]]></title><link>https://sandesh.com/entertainment/news/prince-narula-opens-up-on-anxiety--almost-take-divorce-from-yuvika</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/prince-narula-opens-up-on-anxiety--almost-take-divorce-from-yuvika</guid><pubDate>Fri, 10 Jul 2026 13:05:03 +05:30</pubDate><description><![CDATA[<p>પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરીની જોડી ચાહકોને ખૂબ ગમે છે. આ કપલ તાજેતરમાં જ એક રિયાલિટી શોમાં સાથે દેખાયું હતું. થોડા સમય પહેલા તેમના છૂટાછેડાની અફવાઓ પણ ફેલાઈ હતી, પરંતુ આ દંપતીએ નેહા ધૂપિયાના શોમાં આવીને આ અટકળો પર વિરામ લગાવ્યો હતો. જોકે, શો દરમિયાન પ્રિન્સે પોતાના જીવનના સૌથી મુશ્કેલ તબક્કા વિશે ખુલાસો કર્યો. અભિનેતાએ ખુલાસો કર્યો કે એક સમય એવો હતો જ્યારે તેણે યુવિકા સાથેના સંબંધોનો અંત લાવવાનું વિચાર્યું હતું.</p><p><br></p><p>પ્રિન્સના મતે, તે સમયે તે ચિંતા સામે ઝઝૂમી રહ્યો હતો. તેના માનસિક સ્વાસ્થ્યએ તેના અંગત જીવન પર નોંધપાત્ર અસર કરી હતી. તે સંપૂર્ણપણે ભાંગી પડ્યો હતો અને તેણે યુવિકાથી અલગ થવાનું પણ મન બનાવી લીધું હતું. ચાલો આપણે પ્રિન્સના જીવનના તે પડકારજનક સમયગાળા પર નજીકથી નજર કરીએ.</p><p><br></p><h2><b>પ્રિન્સ માનસિક સ્વાસ્થ્ય વિશે કર્યો ખુલાસો</b></h2><p>પ્રિન્સ નરુલાએ નેહા ધૂપિયાના શોમાં તેના સંઘર્ષો અને તેણે સહન કરેલા સૌથી મુશ્કેલ તબક્કા વિશે ઘણા ખુલાસા કર્યા. અભિનેતાએ તે સમય વિશે વાત કરી જ્યારે તે ચિંતાથી ગંભીર રીતે ઝઝૂમી રહ્યો હતો. પ્રિન્સે શેર કર્યું, "એક સમય હતો જ્યારે હું 18 ગોળીઓ લેતો હતો. મને હૃદયના ધબકારા, રાત્રે ભય, વજન વધવું અને અન્ય વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. તે મારા જીવનનો સૌથી મુશ્કેલ તબક્કો હતો. તે સમય દરમિયાન સંગીતે મને ખૂબ મદદ કરી; જ્યારે હું સંઘર્ષ કરી રહ્યો હતો, ત્યારે સંગીતે મને આશ્વાસન અને માનસિક શાંતિનો અનુભવ થયો.&nbsp;</p><p><br></p><h3><b>યુવિકાએ ન છોડ્યો પ્રિન્સનો સાથ</b></h3><p>પ્રિન્સે તેની પત્ની યુવિકાની પણ પ્રશંસા કરી અને શેર કર્યું કે તેના સમર્થનથી તેને તે મુશ્કેલ તબક્કામાંથી બહાર નીકળવામાં કેવી રીતે મદદ મળી. તેમણે કહ્યું, "તે મુશ્કેલ સમયમાં પણ તે મારી સાથે ઉભી રહી." પ્રિન્સે તે સમયને પણ યાદ કર્યો જ્યારે તેમના સંબંધોમાં તિરાડ પડવા લાગી હતી. તેમણે ઉલ્લેખ કર્યો, "યુવિકા અને હું ભાવનાત્મક રીતે થાકી ગયા હતા. અમે લગ્નનો અંત લાવવાનો નિર્ણય પણ લઈ લીધો હતો. ન તો હું ખોટો હતો, ન તો યુવિકા; અમે ફક્ત યોગ્ય સ્થિતિમાં નહોતા."</p><p><br></p><h4><b>માતા-પિતા બન્યા પછી સંબંધ મજબૂત બન્યો</b></h4><p>પ્રિન્સ નરુલાએ શેર કર્યું કે માતાપિતા બન્યા પછી તેમના અને યુવિકા ચૌધરી માટે જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. તેમના મતે, તેમની પુત્રીના જન્મથી તેમના બંધનને પહેલા કરતા વધુ મજબૂત બનાવ્યું છે. તેમણે કહ્યું, "અમારી દીકરીના આવ્યા પછી અમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. અમે હવે પહેલાની જેમ લડતા નથી અને જો કોઈ ઝઘડો થાય તો પણ અમારી દીકરીને જોતાની સાથે જ બધું સારું થઈ જાય છે."</p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/entertainment/news/aakanksha-chamola-opens-up-on-trolling-for-not-having-kids#google_vignette" target="_blank">Lock Upp 2: 'જાણે મેં કોઈ ગુનો કર્યો હોય...', ગૌરવ સાથે છૂટાછેડાના નિવેદન બાદ આકાંક્ષાનો મસમોટા ખુલાસા</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/7nvt9YkesroXDwBb4CDajgMPGzkdXbODYpxPitML.webp'/></item><item><title><![CDATA[Mehsana: કડીનો પોલીસ કોન્સ્ટેબલ અમીન શેખ 80,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/mehsana/mehsana-acb-trap-kadi-police-constable-amin-sheikh-arrested-bribery-case</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/mehsana/mehsana-acb-trap-kadi-police-constable-amin-sheikh-arrested-bribery-case</guid><pubDate>Fri, 10 Jul 2026 12:43:01 +05:30</pubDate><description><![CDATA[<p>મહેસાણા જિલ્લાના કડી પંથકમાં સરકારી બાબુઓ અને પોલીસ કર્મચારીઓ દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટાચાર સામે એસીબીએ પ્રહાર કર્યો છે. સમગ્ર કેસની વિગત એવી છે કે, એક જાગૃત નાગરિક અને તેમના ભાઈઓ વિરુદ્ધ મહેસાણા જિલ્લાના લાંઘણજ પોલીસ સ્ટેશનમાં એક ગુનાહિત ફરિયાદ નોંધાયેલી હતી. આ ફરિયાદનો કાયદેસરનો નિકાલ કરવા અને તપાસમાં રાહત અપાવવા બહાને કડી પોલીસ સ્ટેશનમાં અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ (વર્ગ-3) તરીકે ફરજ બજાવતા અમીન હુસેન મંજુર હુસેન શેખે ફરિયાદીનો સંપર્ક કર્યો હતો.</p><h2><b>મોટી રકમની માંગણી અને એસીબીનું આયોજન</b></h2><p>કોન્સ્ટેબલ અમીન શેખે આ કેસની પતાવટના બદલામાં શરૂઆતમાં ફરિયાદી પાસે રૂપિયા 2,00,000/- ની મસમોટી લાંચની માંગણી કરી હતી. જોકે, ફરિયાદી એટલી મોટી રકમ આપવા સક્ષમ ન હોવાથી અને લાંચ આપવા માંગતા ન હોવાથી બંને વચ્ચે ભારે રકઝક થઈ હતી. અંતે, રૂપિયા 80,000/- ની રોકડ રકમ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ફરિયાદીએ આ ભ્રષ્ટાચાર સામે લડત આપવાનું નક્કી કરી તુરંત ગાંધીનગર એસીબી (ACB) પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો અને સમગ્ર હકીકત જણાવી કોન્સ્ટેબલ વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.</p><h3><b>જાહેર રોડ પર રંગેહાથ ઝડપાયો, રહસ્યો ઘેરાયા</b></h3><p>ફરિયાદના આધારે ગાંધીનગર એસીબીની ટીમે પંચોની હાજરીમાં કડીના ઇરાણા ત્રણ રસ્તાથી કડી તરફ જવાના જાહેર રોડ ઉપર એક ગુપ્ત લાંચનું છટકું ગોઠવ્યું હતું. આયોજન મુજબ જ્યારે ફરિયાદી લાંચની રકમ રૂપિયા 80,000/- આપવા પહોંચ્યા અને આરોપી કોન્સ્ટેબલ અમીન શેખે તે નાણાં પોતાના હાથમાં સ્વીકાર્યા, તે જ ક્ષણે આસપાસ સાદા વેશમાં તૈનાત એસીબીની ટીમે ત્રાટકીને તેને રંગેહાથ દબોચી લીધો હતો. એસીબીએ લાંચની સંપૂર્ણ રકમ સ્થળ પરથી રિકવર કરી લીધી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/rajkot/crime-branch-arrests-ranjit-vala-sons-nanamava-road-shootout-murder" target="_blank">આ પણ વાંચો: Rajkot: માત્ર બુલેટ સ્પીડમાં ચલાવવાના વિવાદમાં પિતા-પુત્રોએ કરી યુવાનની હત્યા, એકના એક દીકરાના મોતથી પરિવારમાં આક્રંદ</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/GLPBzCDbF08GT0df9iVyJiK00YHeduK6Jjbcx3UZ.webp'/></item><item><title><![CDATA[Gold Silver Price Today: 10 જુલાઇએ સસ્તુ થયુ સોનુ, ચાંદીમાં ઘટ્યા કે નહી?  જાણો લેટેસ્ટ રેટ ]]></title><link>https://sandesh.com/business/news/gold-silver-price-today-gold-became-cheaper-on-july-10-did-it-decrease-in-silver-or-not-know-the-latest-rate</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/gold-silver-price-today-gold-became-cheaper-on-july-10-did-it-decrease-in-silver-or-not-know-the-latest-rate</guid><pubDate>Fri, 10 Jul 2026 12:39:25 +05:30</pubDate><description><![CDATA[<p>શુક્રવારે પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. યુએસ-ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને યુએસ ફેડરલ રિઝર્વના નિર્ણયોથી ઉદ્ભવતા દબાણને કારણે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ભાવમાં તીવ્ર ઘટાડો થયો.</p><h2><b>10 જુલાઇએ સોના ચાંદીનો ભાવ શું ?&nbsp;</b></h2><p>શુક્રવારે, MCX પર 5 ઓગસ્ટના વાયદા માટે સોનાનો ભાવ ₹800 ઘટીને ₹1,44,511 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો. તેવી જ રીતે, 4 સપ્ટેમ્બરના વાયદા માટે ચાંદીનો ભાવ ₹3,577 ઘટીને ₹2,22,800 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો. શરૂઆતના વેપાર દરમિયાન ઘટાડો નોંધપાત્ર ન હતો, પરંતુ સવારે 11:00 વાગ્યાની આસપાસ આ કિંમતી ધાતુઓમાં ઘટાડો વધુ તીવ્ર બન્યો.</p><p>આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. સોનામાં આશરે 0.50% ઘટાડો થયો અને તે 4,122 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે ચાંદીમાં પણ 0.50% ઘટાડો થયો અને તે 60.445 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો હતો.</p><h3><b>રેકોર્ડ સ્તર કરતા સોના ચાંદી સસ્તા</b></h3><p>MCX ના ડેટા અનુસાર, જાન્યુઆરીમાં સોના અને ચાંદીના ભાવ રેકોર્ડ ઊંચા સ્તરે પહોંચ્યા હતા પરંતુ ત્યારથી તેમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. સોનું પ્રતિ 10 ગ્રામ ₹1.93 લાખ સુધી પહોંચી ગયું હતું.&nbsp; હવે તે લગભગ ₹50,000 સસ્તું થયું છે. ચાંદી પ્રતિ કિલોગ્રામ ₹4.20 લાખ સુધી પહોંચી ગઈ હતી પરંતુ હવે તે ઘટીને ₹2.22 લાખ થઈ ગઈ છે, એટલે કે તે તેના રેકોર્ડ ઊંચા સ્તર કરતાં ₹1.98 લાખ સસ્તી છે.</p><h4><b>દેશના મોટા શહેરોમાં શું છે સોના ચાંદીનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)&nbsp;</b></h4><table class="table table-bordered"><tbody><tr><td><b>શહેર</b></td><td><b>&nbsp;24 કેરેટ સોનાની કિંમત ( રૂપિયા/10 ગ્રામ) )</b></td><td><b>&nbsp;22 કેરેટ સોનાની કિંમત( રૂપિયા/10 ગ્રામ)</b></td></tr><tr><td>દિલ્હી&nbsp;</td><td>1,44,950&nbsp;</td><td>1,32,900&nbsp; &nbsp;&nbsp;</td></tr><tr><td>કોલકાતા&nbsp;</td><td>1,44,820&nbsp;</td><td>1,32,750&nbsp; &nbsp;</td></tr><tr><td>ચેન્નઈ&nbsp;</td><td>1,45,640&nbsp;</td><td>1,33,500&nbsp;&nbsp;</td></tr><tr><td>બેંગ્લોર</td><td>&nbsp;1,44,820&nbsp;</td><td>1,32,750&nbsp; &nbsp; &nbsp;</td></tr><tr><td>અમદાવાદ&nbsp;</td><td>1,44,870</td><td>&nbsp;1,32,800&nbsp;</td></tr><tr><td>વડોદરા&nbsp;</td><td>1,44,870&nbsp;</td><td>1,32,800&nbsp;</td></tr></tbody></table><p><br></p><p><a href="https://sandesh.com/astrology/news/bhakti/shani-dev-2026-saturn-will-move-in-reverse-these-2-zodiac-signs-should-be-especially-careful" target="_blank">આ પણ વાંચો: Shani Dev 2026: શનિની ચાલશે ઉલટી ચાલ, આ 2 રાશિએ ખાસ સાચવવુ !</a></p><p><br></p><p><b><br></b></p><p><b>Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે</b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/05/22/ufi8sFvshBVfaevszYIKc8xe9wwUe7h0oWClYl0J.webp'/></item><item><title><![CDATA[Rajkot: માત્ર બુલેટ સ્પીડમાં ચલાવવાના વિવાદમાં પિતા-પુત્રોએ કરી યુવાનની હત્યા, એકના એક દીકરાના મોતથી પરિવારમાં આક્રંદ ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/crime-branch-arrests-ranjit-vala-sons-nanamava-road-shootout-murder</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/crime-branch-arrests-ranjit-vala-sons-nanamava-road-shootout-murder</guid><pubDate>Fri, 10 Jul 2026 12:23:09 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ ફરી એકવાર તમંચાની ગૂંજ અને ઘાતકી મર્ડરથી ધ્રૂજી ઉઠ્યું છે. શહેરના પશ્ચિમ વિસ્તાર ગણાતા નાનામવા રોડ, મોકાજી સર્કલ નજીક આવેલા નાનામૌવા ગામતળ શેરી નંબર-4 માં 8 જુલાઈની મોડી રાત્રે એક કાળજું કંપાવી દેનારી ઘટના ઘટી હતી. સુરેન્દ્રનગરના ધાંગધ્રા ખાતે હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા અને પોતાના માતા-પિતાના એકના એક 32 વર્ષીય આશાસ્પદ દીકરા કૃષ્ણસિંહ જાડેજા પોતાના ઘર પાસે હાજર હતા. આ દરમિયાન ત્યાંથી પૂરપાટ ઝડપે અને કર્કશ અવાજ સાથે બુલેટ મોટરસાયકલ હંકાવીને નીકળેલા એક સગીર સાથે કૃષ્ણસિંહને સામાન્ય બોલાચાલી અને ટોકટોક થઈ હતી. આ નાની અમથી વાત સગીર વયના છોકરાને એટલી અહમ પર લાગી ગઈ કે તેણે ફોન કરીને પોતાના મોટાભાઈ રાજવીર વાળા અને પિતા રણજીત વાળાને હથિયારો સાથે ઘટનાસ્થળે બોલાવી લીધા હતા.</p><h2><b>ઘર આંગણે જ આડેધડ ફાયરિંગ અને કુંદાના ઘા</b></h2><p>આરોપી રણજીત વાળા પોતાના બંને પુત્રો સાથે સ્વિફ્ટ કારમાં કૃષ્ણસિંહના ઘર બહાર પહોંચ્યો હતો. ત્યાં જાહેરમાં ઉગ્ર ગાળાગાળી અને ઝઘડો શરૂ થયાના થોડી જ સેકન્ડોમાં રણજીત વાળાએ પોતાની કમરમાંથી ગેરકાયદેસર પિસ્તોલ કાઢી કૃષ્ણસિંહ પર પોઇન્ટ બ્લેન્ક રેન્જથી 4 થી 5 રાઉન્ડ આડેધડ ફાયરિંગ ઝીંકી દીધું હતું. ગોળીઓ વાગવાના કારણે કૃષ્ણસિંહ લોહીલુહાણ થઈને ઢળી પડ્યા હતા. આ સમયે ઘરમાંથી બચાવવા માટે દોડી આવેલા તેમના 72 વર્ષીય પિતરાઇ દાદા રહેન્દ્રસિંહ જાડેજા વચ્ચે પડતા, ઉશ્કેરાયેલા રણજીત વાળાએ બંદૂકના પાછળના ભાગ (કુંદા) થી તેમના માથામાં હિચકારો હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. ગંભીર હાલતમાં કૃષ્ણસિંહને ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કરતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. મૃતક યુવાન પોતાના પાછળ નાની ઉંમરના દીકરા-દીકરી અને પત્નીને વિલાપ કરતા છોડી ગયો છે.</p><h3><b>સીસીટીવીમાં કેદ થઈ ઘટના, હાઇવે પરથી આરોપીઓ ઝડપાયા</b></h3><p>હત્યાની આ સમગ્ર રૂવાડા ઉભા કરી દેનારી ઘટના સોસાયટીના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પૂર પ્રભાવિત અને પોલીસ પરિવાર સાથે જોડાયેલો મામલો હોવાથી રાજકોટ શહેર પોલીસ કમિશનર અને ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત બસીયા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે તુરંત જ શહેરના તમામ એક્ઝિટ પોઇન્ટ પર નાકાબંધી ગોઠવી દીધી હતી. ટેક્નિકલ સેલની મદદથી ખબર પડી હતી કે આરોપીઓ ગુનો આચરીને પોતાની કારમાં વતન અમરેલી તરફ ભાગી રહ્યા છે. જેથી ક્રાઇમ બ્રાન્ચે પીછો કરીને રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલા સરધાર ગામ નજીકથી મુખ્ય આરોપી રણજીત વાળા અને તેના પુત્ર રાજવીરસિંહ વાળાને દબોચી લીધા હતા, જ્યારે સગીરને જુવેનાઇલ એક્ટ હેઠળ કસ્ટડીમાં લેવાયો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી રણજીત વાળા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેની સામે અગાઉ પણ ગંભીર કેસો નોંધાયેલા છે. હાલ પોલીસે ગુનામાં વપરાયેલી કાર જપ્ત કરી છે અને ગેરકાયદેસર હથિયાર ક્યાંથી લાવવામાં આવ્યું હતું તે અંગે રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/khadi-flood-relief-harsh-sanghavi-distributes-aid-in-bhatar-area" target="_blank">આ પણ વાંચો: Surat: DyCM સતત બીજા દિવસે ગ્રાઉન્ડ ઝીરો પર, ભટાર વિસ્તારમાં 2,000 લોકોને પરિવાર દીઠ રૂ. 6,800 ની આર્થિક સહાય</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/EUE66qz2iWcgz6I3rvwrLqa4XKsIqBhbtBFLvojC.webp'/></item><item><title><![CDATA[Ram Mandir Donation Row: દાનચોરીનો મામલો પહોંચ્યો SC, CBI તપાસની માગ પર થશે સુનાવણી ]]></title><link>https://sandesh.com/india/news/ram-mandir-donation-row-donation-theft-case-reaches-sc-hearing-will-be-held-on-demand-for-cbi-investigation</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ram-mandir-donation-row-donation-theft-case-reaches-sc-hearing-will-be-held-on-demand-for-cbi-investigation</guid><pubDate>Fri, 10 Jul 2026 12:07:55 +05:30</pubDate><description><![CDATA[<p>અયોધ્યા રામ મંદિરમાં ભક્તોના દાનની કથિત ચોરી અંગેના મામલાની સુનાવણી&nbsp; કરવા સુપ્રીમ કોર્ટ તૈયાર છે. 13 જુલાઈના રોજ સુનાવણી કરશે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળ ત્રણ ન્યાયાધીશોની બેન્ચ આ કેસની સુનાવણી કરશે. આ મુદ્દાને લગતી કુલ ત્રણ અરજીઓ કોર્ટ દ્વારા સાંભળવામાં આવનાર છે.<br><br></p><h2><b>અરજીમાં શું કરવામાં આવી છે માગ ?&nbsp;</b></h2><p>આ અરજીઓમાં તપાસ CBIને સોંપવાની અને એક ખાસ SIT ની રચના કરવાની માંગ કરવામાં આવી છે. વધુમાં મંદિરના દાનના સંચાલન સંબંધિત વિવિધ પાસાઓની સમીક્ષા કરવા માટે એક નિષ્ણાત સમિતિની રચના કરવાની માંગ કરવામાં આવી છે. અરજદારોએ એક સ્વતંત્ર એજન્સી દ્વારા ટ્રસ્ટનું ફોરેન્સિક ઓડિટ કરાવવાની પણ વિનંતી કરી છે અને સત્તાવાર વેબસાઇટ પર દાનની વિગતોનો વાસ્તવિક સમય, જાહેર ખુલાસો કરવાની માંગ કરી છે.</p><h3><b>સુપ્રીમ કોર્ટમાં કયા ન્યાયાધીશો કેસની સુનાવણી કરશે?</b></h3><p>આ મામલાની સુનાવણી કરતી ત્રણ ન્યાયાધીશોની બેન્ચમાં મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને ન્યાયાધીશ વી. મોહનાનો સમાવેશ થાય છે. સુનાવણી માટે નિર્ધારિત ત્રણ અરજીઓ એડવોકેટ નરેન્દ્ર કુમાર ગોસ્વામી, વકીલ અજય કુમાર રાય અને આરજેડી સાંસદ સુધાકર સિંહ દ્વારા દાખલ કરવામાં આવી છે.</p><p>આ બાબતને લાખો ભક્તોની શ્રદ્ધા સાથે જોડાયેલી ગણાવીને, અરજદારોએ સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપની માંગ કરી છે. એક અરજીમાં માંગ કરવામાં આવી છે કે ભક્તો દ્વારા આપવામાં આવતી તમામ ભેટોને પવિત્ર ટ્રસ્ટની મિલકત જાહેર કરવામાં આવે.</p><p> અરજીમાં કોર્ટને ટ્રસ્ટના પારદર્શક અને વિશ્વસનીય સંચાલનને સુનિશ્ચિત કરવા માટે યોગ્ય આદેશો જાહેર કરવાની વિનંતી કરવામાં આવી છે. હવે બધાની નજર 13 જુલાઈના રોજ યોજાનારી સુપ્રીમ કોર્ટની સુનાવણી પર છે, જ્યાં કોર્ટ આ માંગણીઓ અને આરોપો પર પોતાનું વલણ સ્પષ્ટ કરી શકે છે.&nbsp;<br><br><h4><b>23 કર્મચારીઓનું રાજીનામુ&nbsp;</b></h4></p><p>મંદિરના દાનની ગણતરી કરનારા 23 કર્મચારીઓએ અચાનક એકસાથે રાજીનામું આપી દીધું છે. આ ઘટનાને કારણે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ, બેંક અને કર્મચારીઓ ઉપલબ્ધ કરાવતી એજન્સી સામે નવી મુશ્કેલી ઊભી થઈ છે.</p><p>કર્મચારીઓના રાજીનામા બાદ હવે ચઢાવાની ગણતરીનું કામ અસરગ્રસ્ત થયું છે. નવી ભરતી કરવી જરૂરી બની છે, પરંતુ અચાનક મોટી સંખ્યામાં કર્મચારીઓની જગ્યા ભરવી સરળ નથી. 23 કર્મચારીઓના રાજીનામા પછી ગત દિવસે માત્ર 13 કર્મચારીઓ જ ગણતરી માટે પહોંચ્યા હતા, જેના કારણે દાન ગણતરીની પ્રક્રિયા ધીમી પડી ગઈ હતી.</p><p><b style="font-size: 1.75rem;">શિફ્ટ, ડ્યૂટી સમય અને પગારમાં ફેરફારથી નારાજગી</b></p><p>રાજીનામું આપનારા કર્મચારીઓનું કહેવું છે કે અગાઉ મંદિરના દાનની ગણતરીનું કામ બે શિફ્ટમાં કરવામાં આવતું હતું. પરંતુ ચઢાવાની રકમમાં ગેરરીતિ અને ચોરીના આરોપો સામે આવ્યા બાદ વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો હતો.</p><p>કર્મચારીઓના જણાવ્યા અનુસાર બે શિફ્ટને બદલે હવે એક જ શિફ્ટમાં કામ કરાવવામાં આવી રહ્યું છે. અગાઉ જ્યાં ડ્યૂટીનો સમય ઓછો હતો, ત્યાં હવે કામનો સમય વધારીને 9 કલાક કરી દેવામાં આવ્યો છે. હાલમાં સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ફરજ બજાવવી પડે છે.</p><p>કર્મચારીઓએ એવો પણ આરોપ લગાવ્યો છે કે પગારમાં ઘટાડો કરવામાં આવ્યો છે. અગાઉ તેમને લગભગ 14,755 રૂપિયા પ્રતિ મહિના સુધીનું વેતન મળતું હતું, પરંતુ હવે વેતનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કેટલાક કર્મચારીઓનું કહેવું છે કે અલગ-અલગ લોકોને અલગ પ્રમાણમાં મહેનતાણું આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રજાઓની સંખ્યામાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.</p><p><br></p><p><a href="https://sandesh.com/astrology/news/bhakti/shani-dev-2026-saturn-will-move-in-reverse-these-2-zodiac-signs-should-be-especially-careful" target="_blank">આ પણ વાંચો: Shani Dev 2026: શનિની ચાલશે ઉલટી ચાલ, આ 2 રાશિએ ખાસ સાચવવુ !</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/qWbRa7qrHg4XMp7Pqz8IVJm6aoo9KbpEXobHGyIY.webp'/></item><item><title><![CDATA[Gandhinagar : ભાજપની ‘નો-મોબાઈલ’ ફોર્મ્યુલા, કમલમમાં બેઠકો પહેલાં જ નેતાઓના ફોન જમા લેવાશે, હાઈકમાન્ડનો મોટો નિર્ણય ]]></title><link>https://sandesh.com/gujarat/news/-political-news/gandhinagar/gujarat-bjp-new-rule-mobile-phones-banned-kamalam-meetings-leaders-discipline</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/-political-news/gandhinagar/gujarat-bjp-new-rule-mobile-phones-banned-kamalam-meetings-leaders-discipline</guid><pubDate>Fri, 10 Jul 2026 12:01:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા પક્ષના નેતાઓ અને હોદ્દેદારો માટે એક અત્યંત કડક અને અભૂતપૂર્વ નિયમ અમલી બનાવવામાં આવ્યો છે. હવે પછી પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે યોજાનારી કોઈપણ મહત્વપૂર્ણ બેઠકમાં નેતાઓ પોતાના મોબાઈલ ફોન અંદર લઈ જઈ શકશે નહીં.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>બેઠકોના પ્રારંભની સાથે જ આ આકરો નિયમ લાગુ&nbsp;</b></h2><p style="text-align: justify; ">ભાજપ હાઈકમાન્ડ દ્વારા નવી બેઠકોના પ્રારંભની સાથે જ આ આકરો નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે, જેને પગલે રાજ્યના રાજકારણમાં અને ખાસ કરીને ભાજપના આંતરિક વર્તુળોમાં ભારે ગણગણાટ અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.</p><p style="text-align: justify; "><img alt="gujarat-bjp-new-rule-mobile-phones-banned-kamalam-meetings-leaders-discipline" src="https://epapercdn.sandesh.com/images/2026/07/10/k2mMtlAVs0rCH0gtx0OBsXpOytpIsxn7goHwvKOc.webp"><br></p><h3 style="text-align: justify; "><b>રજિસ્ટ્રેશન કરાવી ફોન જમા કરાવવા પડશે</b></h3><p style="text-align: justify; ">નવા નિયમ અનુસાર, બેઠકમાં ભાગ લેવા આવતા તમામ ધારાસભ્યો, સાંસદો અને પદાધિકારીઓએ સૌપ્રથમ એન્ટ્રી ગેટ પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ પક્ષ દ્વારા બનાવવામાં આવેલા ખાસ કાઉન્ટર પર પોતાનો મોબાઈલ ફોન જમા કરાવવાનો રહેશે. ફોન સત્તાવાર રીતે જમા કરાવ્યા બાદ જ નેતાઓને બેઠક હોલમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.&nbsp;</p><p style="text-align: justify; "><img alt="gujarat-bjp-new-rule-mobile-phones-banned-kamalam-meetings-leaders-discipline" src="https://epapercdn.sandesh.com/images/2026/07/10/1KcfCK5TkMO09ZBCqdq0Enh1fCMXzPN9HXDgNo2V.webp"><br></p><h4 style="text-align: justify; "><b>વરિષ્ઠ નેતાઓમાં પણ આશ્ચર્ય&nbsp;</b></h4><p style="text-align: justify; ">બેઠક દરમિયાન નેતાઓના ફોન આ રીતે બહાર જ જમા કરાવી લેવાતા વરિષ્ઠ નેતાઓમાં પણ આશ્ચર્ય સાથે ખાનગીમાં રોષ જોવા મળ્યો હતો.</p><h4 style="text-align: justify; "><b>ગુપ્ત વિગતો કે ઓડિયો-વીડિયો લીક થવાનો ભય હોઇ શકે</b></h4><p style="text-align: justify; ">રાજકીય વિશ્લેષકોના મતે, ભાજપના આ ચોંકાવનારા નિર્ણય પાછળ બેઠકોની ગુપ્ત વિગતો કે ઓડિયો-વીડિયો લીક થવાનો ભય હોઈ શકે છે. પક્ષમાં શિસ્ત જાળવી રાખવા અને બેઠકની ચર્ચાઓ બહાર ન જાય તે માટે આ આકરો નિર્ણય લેવાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે, વિપક્ષ અને રાજકીય ગલિયારાઓમાં એવી પણ ચર્ચાઓ વહેતી થઈ છે કે શું ભાજપને હવે પોતાના જ નેતાઓ પર ભરોસો નથી રહ્યો? પક્ષની અંદર વધી રહેલી અશિસ્ત કે પછી અવિશ્વાસના વાતાવરણને કારણે આ કડક આદેશ છૂટ્યો છે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો :&nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-south-gujarat-heavy-rain-floods-reasons-geography-urban-planning-issues-updates" target="_blank"><b>Sandesh Digital Explainer : દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર! આખરે દર વર્ષે આ જ વિસ્તાર સૌથી વધુ કેમ ડૂબે છે? વાંચો એક જ ક્લિકમાં</b></a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/CTAUJezHj3uUKVMMmSbq7nI4EGOWAn83xLkKqQza.webp'/></item><item><title><![CDATA[વાંચો સવારે 08થી બપોરે 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/read-important-news-from-08-am-to-12-pm-10-july-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/read-important-news-from-08-am-to-12-pm-10-july-2026</guid><pubDate>Fri, 10 Jul 2026 12:00:00 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર</b>&nbsp;&nbsp;</p><p><br></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/nitin-gadkari-cm-bhupendra-patel-high-level-meeting-ahmedabad-dholera-expressway-bhavnagar" target="_blank">1. Gandhinagar : નીતિન ગડકરી અને CM ભૂપેન્દ્ર પટેલની હાઈ-લેવલ બેઠક, અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે ભાવનગર સુધી લંબાવાશે</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-road-settlement-issue-standing-committee-chairman-amc-officers-negligence" target="_blank">2. Ahmedabad : 150 જેટલા સ્થળો પર રોડ સેટલમેન્ટ થયા હોવાની આશંકા, ચેરમેન બોલ્યા, રોડ બેસી ગયાનું મારા ધ્યાને નથી</a>&nbsp;</b></p><p><br></p><p><a href="https://sandesh.com/entertainment/news/sunny-deols-big-debut-on-ott-legal-thriller-ikka-released-on-netflix-received-great-reviews" target="_blank"><b>3. Sunny Deolનો OTT પર ધમાકેદાર ડેબ્યૂ, કાનૂની થ્રિલર "ઇક્કા" નેટફ્લિક્સ પર રિલીઝ, મળ્યા શાનદાર રિવ્યૂઝ</b></a>&nbsp; &nbsp;</p><p><br></p><p><a href="https://sandesh.com/gujarat/news/surat/surat-khadi-flood-water-recedes-destruction-scenes-limbayat-cleaning-drive" target="_blank"><b>4. Surat: પૂર ઓસરતા તબાહીના દ્રશ્યો, લીંબાયત ઝોનમાં ગંદકી અને કાદવનું સામ્રાજ્ય, તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ શરૂ</b></a>&nbsp;</p><p><br></p><p><a href="https://sandesh.com/india/news/nashik-tcs-conversion-case-nida-khan-granted-bail-in-nashik-conversion-case-why-did-the-court-mention-the-birth-of-lord-krishna" target="_blank"><b>5. Nashik Tcs Conversion Case: નાસિક ધર્માંતરણ કેસમાં નિદા ખાનને જામીન, કોર્ટે શ્રીકૃષ્ણના જન્મનો કેમ કર્યો ઉલ્લેખ?</b></a>&nbsp;</p><p><br></p><p><a href="https://sandesh.com/gujarat/news/mehsana/unjha-unava-chemical-color-fennel-seeds-scam-busted-pradul-pansheriya-action" target="_blank"><b>6. Mehsana : ઉનાવામાં 26 ટન કેમિકલ કલરવાળી ઝેરી વરિયાળી જપ્ત,વરિયાળીને આકર્ષક બનાવવા અખાદ્ય કલરનો ઉપયોગ</b></a>&nbsp;</p><p><br></p><p><b><a href="https://sandesh.com/business/news/stock-market-opening-great-rally-in-the-stock-market-sensex-rises-72689-points" target="_blank">7. Stock Market Opening: શેરબજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 726.89 પોઇન્ટ ઉછળ્યો</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/tapi-river-overflow-ukai-dam-water-level-rises-causeway-closed" target="_blank">8. Surat: દક્ષિણ ગુજરાતમાં મેઘમહેરથી સુરતની જીવાદોરીમાં આવ્યા નવા નીર, ઉકાઈ ડેમની જળ સપાટી 312.80 ફૂટે પહોંચી</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/world/news/us-crime-indian-engineer-in-america-murdered-his-wife-sent-a-photo-of-the-body-to-his-girlfriend-living-in-india" target="_blank">9. US Crime: અમેરિકામાં ભારતીય એન્જિનિયરે પત્નીની કરી હત્યા, મૃતદેહનો ફોટો ભારતમાં રહેતી ગર્લફ્રેન્ડને મોકલ્યો</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gir-somnath/una-gir-somnath-teacher-accused-ordering-liquor-through-student-investigation" target="_blank">10. Gir Somnath : ઉનામાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થી પાસે 500 રુપિયા આપી દારૂ મંગાવ્યાનો ગંભીર આક્ષેપ થતાં ખળભળાટ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/467sxWoRYJSuYIbZ358OJNhVyAd1ZPFsOQsujqur.webp'/></item><item><title><![CDATA[Jammu and kashmir : જમ્મુ કાશ્મીરમાં પુર અને ભૂસ્ખલનનો ખતરો, 18 જિલ્લાઓમાં એલર્ટ ]]></title><link>https://sandesh.com/india/news/jammu-and-kashmir-flood-and-landslide-threat-in-jammu-and-kashmir-alert-in-18-districts</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/jammu-and-kashmir-flood-and-landslide-threat-in-jammu-and-kashmir-alert-in-18-districts</guid><pubDate>Fri, 10 Jul 2026 11:36:43 +05:30</pubDate><description><![CDATA[<p>આગામી ત્રણ દિવસ દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં હવામાનની સ્થિતિ અત્યંત પડકારજનક રહેવાની ધારણા છે. હવામાન વિભાગે 11 જુલાઈથી 13 જુલાઈ દરમિયાન કેન્દ્રશાસિત પ્રદેશના મોટાભાગના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે.</p><h2><b>11-12 જુલાઇએ ભારેથી અતિ ભારેની આગાહી&nbsp;</b></h2><p>હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમી વિક્ષેપ અને સક્રિય ચોમાસાના નીચા દબાણ પ્રણાલીની સંયુક્ત અસરને કારણે વરસાદની તીવ્રતા સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે વધુ રહેવાની શક્યતા છે. આ અસર 11 અને 12 જુલાઈના રોજ સૌથી વધુ ગંભીર રહેવાની ધારણા છે.</p><p>હવામાન વિભાગે જમ્મુ વિભાગના ઘણા જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે કાશ્મીર ઘાટીમાં પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. સતત વરસાદને કારણે નદીઓ અને નાળાઓમાં પાણીના સ્તરમાં ઝડપથી વધારો થવાનું જોખમ વધે છે જેના કારણે પૂર જેવી પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2074502539689828386"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3><b>નદી નાળા નજીક રહેતા લોકો સાવધાન&nbsp;</b></h3><p>નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે પહાડી વિસ્તારોમાં નાના નાળા અચાનક ઉભરી શકે છે. પરિણામે નદીઓ અને નાળાઓની નજીક રહેતા રહેવાસીઓને વધારાની સાવધાની રાખવા અને સલામત સ્થળોએ રહેવાની સલાહ આપવામાં આવે છે.</p><p>સતત વરસાદને કારણે રોડ કનેક્ટિવિટી પણ ખોરવાઈ શકે છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને ખડકો પડવાનું જોખમ વધી ગયું છે. જેના કારણે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત વિવિધ માર્ગો પર અસર પડી શકે છે. વહીવટીતંત્રે હવામાન સામાન્ય ન થાય ત્યાં સુધી બિનજરૂરી મુસાફરી ટાળવા માટે લોકોને અપીલ કરી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2075056780359704788"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p><b style="font-size: 1.5rem;">આ વિસ્તારોમાં વરસાદની આગાહી&nbsp;</b></p><p>જમ્મુ વિભાગના ડોડા, કિશ્તવાડ, રામબન, રિયાસી, ઉધમપુર, કઠુઆ, રાજૌરી, પૂંચ અને જમ્મુ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન કાશ્મીર ખીણના ઘણા વિસ્તારોમાં - શ્રીનગર, અનંતનાગ, કુલગામ, પુલવામા, શોપિયાન, બારામુલ્લા, કુપવાડા, ગંદરબલ અને બાંદીપોરા સહિત - મધ્યમથી ભારે વરસાદના અનેક ગાળાઓ જોવા મળે તેવી શક્યતા છે.</p><p>વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પણ શક્યતા છે. જો શહેરી વિસ્તારોમાં ડ્રેનેજ સિસ્ટમ ભરાઈ જાય છે, તો રસ્તાઓ અને રહેણાંક વિસ્તારો પાણીમાં ડૂબી શકે છે. આ દરમિયાન સતત વરસાદને કારણે પર્વત ઢોળાવ પરની માટી અસ્થિર બનતા ભૂસ્ખલનનું જોખમ વધવાની શક્યતા છે.</p><p><b style="font-size: 1.5rem;">તંત્ર કેટલુ છે સજ્જ ?&nbsp;</b></p><p>પ્રતિકૂળ હવામાનની સંભાવનાને ધ્યાનમાં રાખીને, જિલ્લા વહીવટીતંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન એજન્સીઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે. જરૂર પડે તો તાત્કાલિક રાહત અને બચાવ ટીમો તૈનાત કરવાની તૈયારીઓ કરવામાં આવી છે. વધુમાં, વીજળી અને પીવાના પાણી પુરવઠા માટે જવાબદાર વિભાગોને સતર્ક રહેવા અને કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે.</p><p>વહીવટીતંત્રે લોકોને હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલી એડવાઇઝરીનું પાલન કરવા નદીઓ, નાળાઓ અને ભૂસ્ખલન-સંભવિત વિસ્તારોથી દૂર રહેવા અને કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક સ્થાનિક વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગનો સંપર્ક કરવા વિનંતી કરી છે.</p><p>હવામાન વિભાગ અનુસાર 11 અને 12 જુલાઈ સૌથી મહત્વપૂર્ણ દિવસો રહેશે. આ સમયગાળા દરમિયાન, જમ્મુ વિભાગમાં ખૂબ જ ભારે વરસાદ અને કાશ્મીર ખીણમાં મધ્યમથી ભારે વરસાદ પૂર, ભૂસ્ખલન અને પાણી ભરાવાનું કારણ બની શકે છે. આ પરિસ્થિતિઓમાં, આગામી દિવસોમાં તકેદારી અને સાવધાની રાખવી એ સૌથી અસરકારક સુરક્ષા માનવામાં આવે છે.&nbsp;</p><p><br></p><p><a href="https://sandesh.com/astrology/news/bhakti/shani-dev-2026-saturn-will-move-in-reverse-these-2-zodiac-signs-should-be-especially-careful" target="_blank">આ પણ વાંચો: Shani Dev 2026: શનિની ચાલશે ઉલટી ચાલ, આ 2 રાશિએ ખાસ સાચવવુ !</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/7PwPXJwwvRnm2VhKFUHsrwWenUSkdYVwyHWA7cHA.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: ચાંદખેડા મર્ડર કેસનો મોસ્ટ વોન્ટેડ આરોપી ઝડપાયો, મોબાઇલ ન વાપરી પોલીસને આપતો હતો ચકમો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/crime-chandkheda-murder-case-accused-mansingh-tank-arrested-mumbai-history-sheeter</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/crime-chandkheda-murder-case-accused-mansingh-tank-arrested-mumbai-history-sheeter</guid><pubDate>Fri, 10 Jul 2026 11:31:33 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં જશમતસિંગ ઉર્ફે પિલ્લુસિંગ નામના વ્યક્તિની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી. આ ચકચારી મર્ડર કેસને અંજામ આપ્યા બાદ મુખ્ય આરોપી માનસિંગ ઉર્ફે બાદલસિંગ કરણસિંગ ટાંક પોલીસને પકડવા પડકાર ફેંકીને ફરાર થઈ ગયો હતો. આરોપી અત્યંત શાતિર મગજનો હોવાથી તેણે પોલીસ ધરપકડથી બચવા માટે પોતાનું નેટવર્ક અને રહેઠાણ સતત બદલવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત, પોલીસ લોકેશન ટ્રેસ ન કરી શકે તે માટે તેણે કોઈપણ પ્રકારના ડિજિટલ કે મોબાઈલ સંચાર સાધનોનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું હતું, જેથી શરૂઆતમાં ચાંદખેડા પોલીસને તેને શોધવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી.</p><p><b>ચાંદખેડા મર્ડર કેસનો પર્દાફાશ</b></p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2075460397340193214"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>પોલીસે ગોઠવ્યું હ્યુમન અને ટેક્નિકલ જાળું</b></h2><p>ડીસીપી અને પીઆઈના સીધા માર્ગદર્શન હેઠળ ચાંદખેડા પોલીસે હાર માનવાને બદલે તેના જૂના સાગરીતો, સગા-સંબંધીઓ અને આસપાસના વિસ્તારોમાં હ્યુમન સોર્સ (બાતમીદારો) નું નેટવર્ક સક્રિય કર્યું હતું. બીજી તરફ, ટેક્નિકલ સર્વેલન્સ સેલની મદદથી તેની સંભવિત હિલચાલ વાળા વિસ્તારોના સીસીટીવી (CCTV) અને અન્ય કડીઓ તપાસવામાં આવી રહી હતી. પોલીસને ચોક્કસ કડી મળી હતી કે આરોપી ચાંદખેડાના વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજ નજીક કોઈને મળવા અથવા ભાગી જવાના ઈરાદે આવવાનો છે. પોલીસે સાદા વેશમાં વોચ ગોઠવીને આરોપી માનસિંગ ઉર્ફે બાદલસિંગ ઉર્ફે લલ્લાસિંગને ઘેરીને ઝડપી લીધો હતો.</p><h3><b>અગાઉ મુંબઈમાં પણ હત્યા કરી ચૂક્યો છે</b></h3><p>પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે પકડાયેલ આરોપી રીઢો ગુનેગાર છે અને તેના નામની પાછળ અનેક ઉર્ફે (એલિયાસ) નામો જોડાયેલા છે. તે વર્ષ ૨૦૨૧ માં મુંબઈના તુલીંજ પોલીસ સ્ટેશનની હદમાં આચરેલા મર્ડર કેસમાં પણ મુખ્ય આરોપી રહી ચૂક્યો છે અને માધવપુરામાં ચોરીના ગુનામાં સંડોવાયેલો છે. ચાંદખેડા પોલીસે હાલમાં આરોપીની વિધિવત ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ હત્યા પાછળનું સાચું કારણ શું હતું, જૂની અદાવત હતી કે તાત્કાલિક ઝઘડો, અને આ ગુનામાં તેને અન્ય કોઈએ આશ્રય આપ્યો હતો કે કેમ તે અંગે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/lathi-gagadiya-river-drone-aerial-view-savji-dholakia-water-conservation" target="_blank">આ પણ વાંચો: Amreli: ગાગડિયા નદી ચોમાસામાં સોળે કળાએ ખીલી, ડ્રોન કેમેરામાં કેદ થયા નદીના મનમોહક આકાશી દ્રશ્યો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/eDmpBs4j6m2GxPIvEWCpKejfKB8cQxbwHKheXMTx.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026:  મોરોક્કોને 2-0થી હરાવી ફ્રાન્સની સેમિફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી, એમ્બાપ્પે અને ડેમ્બેલેનો કમાલ ]]></title><link>https://sandesh.com/sports/news/cricket/fifa-world-cup-2026-france-beats-morocco-2-0-to-enter-semi-finals-mbappe-and-dembele-excel</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/cricket/fifa-world-cup-2026-france-beats-morocco-2-0-to-enter-semi-finals-mbappe-and-dembele-excel</guid><pubDate>Fri, 10 Jul 2026 09:26:50 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યો છે. રોમાંચક ક્વાર્ટર ફાઇનલ મેચમાં ફ્રાન્સે મોરોક્કોને ૨-૦થી હરાવીને સેમિફાઇનલમાં ગૌરવપૂર્ણ સ્થાન મેળવી લીધું છે, જ્યારે આ હાર સાથે મોરોક્કોનું વર્લ્ડ કપ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. સમગ્ર મેચ દરમિયાન ફ્રાન્સનું પ્રભુત્વ જોવા મળ્યું હતું અને મોરોક્કોની ટીમ એક પણ ગોલ નોંધાવી શકી નહોતી.</p><h2 style="text-align: justify; "><b>ફ્રાન્સ-મોરોક્કો, એમ્બાપ્પેની પેનલ્ટી મિસ અને રોમાંચ</b></h2><p style="text-align: justify; ">મેચનો પ્રથમ હાફ અત્યંત રોમાંચક રહ્યો હતો. બંને ટીમોએ ગોલ કરવા માટે ઘણી તકો ઊભી કરી હતી, પરંતુ કોઈ સફળતા મળી નહોતી. મેચની ૨૪મી મિનિટે ફ્રાન્સ પાસે લીડ મેળવવાની સુવર્ણ તક હતી, જ્યારે મોરોક્કોના ડિફેન્ડરે પેનલ્ટી બોક્સ (D) ની અંદર કિલિયન એમ્બાપ્પેને ફાઉલ કર્યો હતો. ફ્રાન્સને પેનલ્ટી એનાયત કરવામાં આવી, પરંતુ મોરોક્કોના ગોલકીપરની ચપળતા અથવા નસીબના જોરે એમ્બાપ્પે આ પેનલ્ટી ચૂકી ગયો અને પ્રથમ હાફ ૦-૦ની બરાબરી પર સમાપ્ત થયો.</p><h3 style="text-align: justify; "><b>ફ્રાન્સનો વળતો પ્રહાર</b></h3><p style="text-align: justify; ">બીજા હાફમાં ફ્રાન્સે રમતની ગતિ બદલી નાખી અને માત્ર ૬ મિનિટના અંતરાલમાં બે ગોલ કરીને મેચ પોતાના નામે કરી લીધી. ૬૦મી મિનિટ: પ્રથમ હાફની ભૂલ સુધારતા, કિલિયન એમ્બાપ્પેએ શાનદાર ફિલ્ડ ગોલ કરીને ફ્રાન્સને ૧-૦ની લીડ અપાવી. ૬૬મી મિનિટ: ફ્રાન્સના આક્રમણને ચાલુ રાખતા ઓસ્માન ડેમ્બેલેએ બીજો ગોલ ફટકારીને સ્કોર ૨-૦ કરી દીધો. આ બેક-ટુ-બેક ગોલ બાદ મોરોક્કો દબાણમાં આવી ગયું અને અંતિમ સીટી વાગવા સુધી વાપસી કરી શક્યું નહીં. ફ્રાન્સે ૨-૦થી આ મેચ જીતીને સેમિફાઇનલની ટિકિટ મેળવી લીધી.</p><h4 style="text-align: justify; "><b>સેમિફાઇનલમાં કોની સામે થશે ટક્કર?</b></h4><p style="text-align: justify; ">ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ની સેમિફાઇનલમાં પહોંચ્યા બાદ હવે ફ્રાન્સનો મુકાબલો સ્પેન અથવા બેલ્જિયમ સામે થશે. આ બંને ટીમો વચ્ચેની ક્વાર્ટર ફાઇનલ મેચ બાદ વિજેતા ટીમ ફ્રાન્સ સામે ટકરાશે. બુધવાર, ૧૫ જુલાઈના રોજ ભારતીય સમયાનુસાર (IST) રાત્રે ૧૨:૩૦ વાગ્યે મેચ રમાશે. ફિફા વર્લ્ડકપમાં પોર્ટુગલ બહાર થતા રોનાલ્ડોને જોવા આતુર તેના ચાહકોમાં&nbsp;ઉત્સાહ ઘટયો છે. છતાં મેસ્સી અને એમ્બાપ્પેની શાનદાર રમત લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. ફ્રાન્સે મોરોક્કોને હરાવીને સેમીફાઈનલની ટીકીટ મેળવી લીધી છે. હવે તેની સામે કઈ ટીમ આવશે સ્પેન -બેલ્જિયમની મેચના આગામી પરિણામો કહેશે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-8-teams-decided-for-the-quarter-finals-know-the-complete-schedule" target="_blank">આ પણ વાંચો : FIFA World Cup 2026 : ક્વાર્ટર ફાઇનલ માટે 8 ટીમ નક્કી,જાણો સંપૂર્ણ શેડ્યુલ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/4bmqZZMBXwnowobWY1EV9PKCGbWqmExGlqY8i7Ny.webp'/></item></channel></rss>