<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Rajkot : કુવાડવા રોડ પર સગીર કાર ચાલકે બે માસૂમ બાળકીઓને કચડી, 4 વર્ષની બાળકીનું કરુણ મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/rajkot/rajkot-kuvadva-road-minor-car-accident-jiyanshi-death</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/rajkot/rajkot-kuvadva-road-minor-car-accident-jiyanshi-death</guid><pubDate>Sat, 27 Jun 2026 08:39:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ શહેરમાં સગીર વયના વાહન ચાલકોની બેદરકારીના કારણે વધુ એક માસૂમનો ભોગ લેવાયો છે. શહેરના કુવાડવા રોડ પર એક સગીર કાર ચાલકે બે નાની બાળકીઓ પર બેફામ ગતિએ કાર ચડાવી દઈ ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આ હૃદયદ્રાવક દુર્ઘટનામાં માત્ર 4 વર્ષની માસૂમ બાળકી જિયાંશીનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ છે.</p><h2 style="text-align: justify; "><b>આરોપી સગીર ગાંધી વસાહત વિસ્તારનો રહેવાસી</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, અકસ્માત સર્જનારો આરોપી સગીર ગાંધી વસાહત વિસ્તારનો રહેવાસી છે. ઘટનાને ૨૪ કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, હજુ સુધી પોલીસ આરોપી સગીરને પકડવામાં નિષ્ફળ રહી છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>પોલીસ સામે લોકોમાં ભારે રોષ&nbsp;</b></h3><p style="text-align: justify; ">સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે મોહરમના બંદોબસ્તનું બહાનું ધરીને પોલીસ દ્વારા આ ગંભીર મામલે તપાસ ઠપ્પ કરી દેવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.</p><h4 style="text-align: justify; "><b>બંને બાળકીઓ લોહીલુહાણ હાલતમાં ફેંકાઈ ગઈ</b></h4><p style="text-align: justify; ">અકસ્માત એટલો ભયાનક હતો કે કારની ટક્કર વાગતા જ બંને બાળકીઓ લોહીલુહાણ હાલતમાં ફેંકાઈ ગઈ હતી. જિયાંશીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ ગંભીર ઈજાઓના કારણે તેણે દમ તોડી દીધો હતો. એક તરફ માસૂમ દીકરી ગુમાવનાર પરિવાર ન્યાય માટે આક્રંદ કરી રહ્યો છે, તો બીજી તરફ પોલીસ તંત્રની ઢીલી નીતિ ચર્ચાનો વિષય બની છે.</p><h4 style="text-align: justify; "><b>સગીરોને કાયદાનો કોઈ ડર નથી</b></h4><p style="text-align: justify; ">શહેરમાં સગીરોને કાયદાનો કોઈ ડર ન હોય તેમ બેફામ વાહનો હંકારવાની ઘટનાઓ વધી રહી છે. સ્થાનિક રહેવાસીઓએ માગ કરી છે કે સગીરની સાથે-સાથે કારના માલિક અને તેના વાલી સામે પણ કડક કાયદાકીય પગલાં લેવામાં આવે. હાલમાં આ મામલે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે, પરંતુ આરોપી ક્યારે પકડાશે તે સૌથી મોટો સવાલ છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/india/news/explainer/ayodhya-ram-mandir-donation-theft-case-8-arrested-sandesh-digital-explainer" target="_blank"><b>Sandesh Digital Explainer : રામ મંદિરમાં દાનની ચોરી, જેના પર આખા દેશે ભરોસો કર્યો, એ જ 'ખાસ' માણસે પાછળથી ભોંક્યું ખંજર</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/PhsoD0jVTzrnpN3bn4ZMfsp8cRbMmmQ46GVEJskC.webp'/></item><item><title><![CDATA[Asian Relay Championships 2026 : ભારતની દીકરીઓએ કર્યો કમાલ, 4x100 મીટર દોડમાં જીત્યો ગોલ્ડ મેડલ ]]></title><link>https://sandesh.com/sports/news/athletics-championships-2026-indian-girls-did-amazing-won-gold-medal-in-4x100-meters-race</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/athletics-championships-2026-indian-girls-did-amazing-won-gold-medal-in-4x100-meters-race</guid><pubDate>Sat, 27 Jun 2026 08:31:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ચીનના શાંગ યુમાં 2026 માં યોજાયેલી એશિયન રિલે ચેમ્પિયનશિપમાં, ભારતીય મહિલા દોડવીરોએ 4x100 મીટર રિલે ટીમ ઇવેન્ટમાં ઐતિહાસિક પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો. ભારતની એસએસ સ્નેહા, સુદેશા શિવંકર, તમન્ના અને અનુભવી શ્રાવણી નંદાની ટીમે, જેમણે મળીને માત્ર 43.85 સેકન્ડમાં દોડ પૂર્ણ કરી, ગોલ્ડ મેડલ જીત્યો. ભારતીય મહિલા દોડવીરોએ યજમાન ચીની ટીમ તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડ્યો, પરંતુ તેમને હરાવવામાં સફળ રહી. ચીની ટીમ 44.09 સેકન્ડના સમય સાથે બીજા સ્થાને રહી અને રજત ચંદ્રક પર સંતોષ માનતી રહી. થાઈ મહિલા ટીમ 44.11 સેકન્ડમાં ત્રીજા સ્થાને રહી.</p><h3 style="text-align: justify; "><b>ભારતીય મહિલાઓએ દોડમાં કર્યો કમાલ&nbsp;</b></h3><p style="text-align: justify; ">4x100 મીટર રિલે ઇવેન્ટમાં ભારતીય મહિલા દોડવીરોમાં નોંધપાત્ર સંકલન જોવા મળ્યું, જેણે ટીમ ઇન્ડિયાને અન્ય ટીમોથી આગળ રાખી. એસએસ સ્નેહા, સુદેષ્ના શિવંકર, તમન્ના અને શ્રાવણી નંદા વચ્ચે દંડાની આપ-લેમાં ઉત્તમ સંકલન જોવા મળ્યું, જેમાં અંતિમ 100 મીટરમાં મજબૂત ગતિ જોવા મળી, જેના કારણે ભારતીય મહિલા દોડવીરો અન્ય ટીમોથી અલગ દેખાઈ. એશિયન રિલે ચેમ્પિયનશિપનું 2026નું સંસ્કરણ ભારતીય ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ હતું, કારણ કે તેઓ કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સ જેવી મોટી ઇવેન્ટ્સ સાથે વ્યસ્ત શેડ્યૂલ માટે તૈયાર છે, જ્યાં બધાની નજર તેમના પ્રદર્શન પર રહેશે.</p><h4 style="text-align: justify; "><b>ભારતે એશિયન ચેમ્પિયનશિપમાં ત્રણ મેડલ જીત્યા</b></h4><p style="text-align: justify; ">ભારતે 2026 એશિયન રિલે ચેમ્પિયનશિપમાં કુલ ત્રણ મેડલ જીત્યા, જેમાં મહિલાઓની 4x100 મીટર ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ અને મિશ્ર 4x100 મીટર રિલેમાં સિલ્વર મેડલનો સમાવેશ થાય છે, જેમાં તીર્થેશ પી શેટ્ટી, એમઆર પૂવમ્મા, ભરત શ્રીધર અને નીરુ પાઠકનો સમાવેશ થાય છે. ભારતે 4x100 મીટર મિશ્ર ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો, જેમાં અનિમેષ કુજુર, પ્રણવ ગુરવ, તમન્ના અને સ્નેહા શાનુવલ્લીનો સમાવેશ થાય છે. 2027 એશિયન રિલે ચેમ્પિયનશિપ હવે આવતા વર્ષે ભારતમાં ચંદીગઢમાં યોજાશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - A<a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/argentina-footballer-lucas-trejo-argentine-footballers-wife-and-children-missing-in-venezuela-earthquake-house-reduced-to-rubble" target="_blank">rgentina footballer Lucas Trejo : વેનેઝુએલા ભૂકંપમાં ગૂમ થયા આર્જેટિનાના ફૂટબોલરની પત્ની અને બાળકો, કાટમાળમાં ફેરવાયું ઘર</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/a1ZHaW63V37nKBt6d5EHaXjrixc5K2aND3AUepDw.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: લાંચના રૂપિયા ગજવામાં મૂક્યા બાદ કોન્સ્ટેબલે મહિલા PSIને માલ મળી ગયાની કન્ફર્મેશન આપી ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/rural-bopal-police-psi-prital-chaudhari-constable-caught-in-five-lakh-acb-trap</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/rural-bopal-police-psi-prital-chaudhari-constable-caught-in-five-lakh-acb-trap</guid><pubDate>Sat, 27 Jun 2026 08:04:32 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદના સૌથી પોશ ગણાતા બોપલ અને શીલજ વિસ્તારમાં પોલીસ તંત્રના ભ્રષ્ટાચારનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સત્તાવાર રીતે લાઈવ સામે આવ્યો છે. સામાન્ય નાગરિકોને કાયદાનો ડર બતાવી તેમની પાસેથી લાખો રૂપિયાનો તોડ કરતા બોપલ પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ પ્રિતલબેન ચૌધરી અને તેમના ખાસ વહીવટદાર ગણાતા એએચસી દિલીપકુમાર ભોઈ હવે સીધા ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) ના સિકંજામાં આવી ગયા છે.</p><h2><b>સમગ્ર ઘટનાની મોડસ ઓપરેન્ડી</b></h2><p>સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ફરિયાદી સામે કોઈ કેસ ચાલતો હતો અથવા ગુનો દાખલ થવાની ભીતિ હતી. આ બાબતનો ફાયદો ઉઠાવી પીએસઆઈ પ્રિતલબેન ચૌધરી અને કોન્સ્ટેબલ દિલીપકુમાર ભોઈએ ફરિયાદીને ડરાવીને કેસ રફેદફે કરવા માટે 10 લાખની તોતિંગ લાંચ માંગી હતી. ફરિયાદી આટલી મોટી રકમ આપવા સક્ષમ ન હોવાથી બંને પક્ષો વચ્ચે ભારે રકઝક થઈ હતી અને અંતે ₹૫ લાખમાં સેટિંગ થયું હતું. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તાત્કાલિક સમગ્ર મામલે ખેડા એસીબીનો સંપર્ક સાધી લાઈવ ફરિયાદ નોંધાવી હતી.</p><h3><b>પીએસઆઈએ મંજૂરી આપી અને એસીબી ત્રાટકી</b></h3><p>બાતમી અને પ્લાનિંગ મુજબ, ખેડા એસીબીની ટીમે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના શીલજ બીટ ખાતે આવેલી સાયબર ક્રાઇમની ઓફિસમાં લાઈવ ટ્રેપનું આયોજન કર્યું હતું. ફરિયાદી જ્યારે ₹૫ લાખ રોકડા લઈને પહોંચ્યો ત્યારે કોન્સ્ટેબલ દિલીપકુમાર ભોઈએ લાંચની રકમ સ્વીકારી લીધી હતી. લાંચ લીધા બાદ તરત જ ભોઈએ પોતાના મોબાઈલના સ્પીકર પર મહિલા પીએસઆઈ પ્રિતલબેન ચૌધરી સાથે લાઈવ વાત કરીને જણાવ્યું હતું કે 'સાહેબ, ૫ લાખ મળી ગયા છે'. પીએસઆઈએ ફોન પર આ વાત સ્વીકારતા જ ઓથોરિટી અને એસીબીના અધિકારીઓએ ધડાધડ દરોડો પાડી કોન્સ્ટેબલને રંગેહાથ દબોચી લીધો હતો અને 5 લાખ રિકવર કર્યા હતા.જો કે, ટ્રેપ સમયે મુખ્ય સૂત્રધાર મહિલા પીએસઆઈ પ્રિતલબેન ચૌધરી સ્થળ પર હાજર મળ્યા નહતા. એસીબીએ ઓન-રેકોર્ડ બંને વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ&nbsp; ગુનો દાખલ કરીને કાયદેસરની તપાસ અને પીએસઆઈને પકડવા માટે લાઈવ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.</p><p><b><a href="https://sandesh.com/world/breakingnews/venezuela-earthquake-aftershock-death-toll-update" target="_blank">આ પણ વાંચો: Venezuelaમાં ફરી ધ્રુજી ધરતી, 4.9નો મોટો આફ્ટરશોક આવતા અફરા તફરી</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/jV8O6awlJ337cc6OPJQ3uhDt68X7g0NmL3y6FmgM.webp'/></item><item><title><![CDATA[Dabhoi: ડભોઇમાં ટાવરથી ઝારોલાવગા સુધી ખૂલ્લા ખાડા છોડી દેવાતા લોકોમાં રોષ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dabhoi/dabhoi-people-are-angry-over-open-pits-being-left-open-from-tower-to-zarolavga-in-dabhoi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dabhoi/dabhoi-people-are-angry-over-open-pits-being-left-open-from-tower-to-zarolavga-in-dabhoi</guid><pubDate>Sat, 27 Jun 2026 05:56:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં ટાવર વિસ્તારથી લઈને ઝારોલાવગા દ્વારકાધીશ મંદિર સુધી હાલમાં પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે નવી પાઈપલાઈન નાખવાની કામગીરી ચાલે છે. પરંતુ, આ કામગીરી દરમિયાન ખોદેલા મસમોટા ખાડાને કોઈપણ જાતની સુરક્ષા વિના ખુલ્લા જ છોડી દેવાતા લોકોમાં રોષ જોવા મળે છે.</p><p style="text-align: justify; ">સ્થળ ઉપર બેરિકેડ કે નથી ચેતવણી બોર્ડ નિયમ મુજબ કોઈપણ જાહેર માર્ગ પર ખોદકામ ચાલતું હોય ત્યારે સુરક્ષાના સાધનો રાખવા અનિવાર્ય છે. પરંતુ આ સ્થળ પર કોઈપણ પ્રકારના સુરક્ષા બેરિકેડ લગાડાયા નથી. રાત્રિના સમયે વાહનચાલકો દૂરથી ખાડો જોઈ શકે તેવી કોઈ રેડ-લાઈન કે રેડ-ટેપ મારી નથી. દ્વારકાધીશ મંદિર તરફ્ જતો આ રોડ મુખ્ય માર્ગ હોવાથી અહીં દિવસ-રાત વાહનો અને લોકોની સતત અવરજવર રહે છે. ખાસ કરીને રાત્રે વિસ્તારમાં અપૂરતી સ્ટ્રીટ લાઈટોને કારણે અંધારું હોય છે. અંધારામાં વાહનચાલકો સીધા જ ખાડામાં ખાબકે તેવી સંભાવના છે. સ્થાનિક રહીશોએ નગરપાલિકા અને કામ કરનાર કોન્ટ્રાક્ટર પર ગંભીર આક્ષેપો કર્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/8fkFUAiOZnQusxCx8IZBlEKLsIsU1fPSCXUvkH0F.webp'/></item><item><title><![CDATA[Vadodara: વાઘોડિયામાં કલ્પચંદ્ર આઇકોન કોમ્પ્લે.ના ગટર જોડાણ પુનઃ જોડાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</guid><pubDate>Sat, 27 Jun 2026 05:54:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વાઘોડિયા નગરપાલિકા વિસ્તારમાં આવેલ કલ્પચંદ્ર આઇકોન કોમ્પ્લેક્સના માલિકને નગરપાલિકા દ્વારા નોટિસ પાઠવી હતી. આ બાબતે કોર્ટ મેટર ચાલતી હતી. આ નોટિસ આપ્યાના ટૂંક સમયમાં જ તંત્ર દ્વારા આ કોમ્પ્લેક્સનું ગટર કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. ત્યાર બાદ કોમ્પ્લેક્સના માલિકે તાત્કાલિક મે. સાવલીના સિવિલ જજની કોર્ટમાં અરજી કરતાં અરજન્ટ સુનાવણી રાખવામાં આવી હતી. અને વાઘોડિયા નગર પાલિકા દ્વારા તાત્કાલિક કલ્પચન્દ્ર આઈકોન કોમ્પ્લેક્સનું ગટર કનેક્શનનું પુનઃ જોડાણ કરી આપ્યું હતું. નગર પાલિકાએ ?કોમ્પ્લેક્સનું ગટર કનેક્શન કાપી નાખવાને કારણે તે જ વિસ્તારના મુખ્ય માર્ગો તેમજ રહેણાંક વિસ્તારોમાં ગટરના ગંદા પાણી વહેવા લાગ્યા હતા. જાહેર રોડ પર ગંદકી અને દુર્ગંધયુક્ત પાણી ફરી વળતા સ્થાનિક પ્રજાજનો અને રાહદારીઓ માટે ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું હતું. આ વિસ્તારની મહિલાઓ મોટી સંખ્યામાં નગરપાલિકા કચેરી ખાતે પહોંચી હતી. અને તંત્ર સામે યોગ્ય નિકાલની રજૂઆત કરી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/AEXeRPeJ8MvkjrKohfz7OcmO1bTyFZFXCjm3LOqm.webp'/></item><item><title><![CDATA[Chhotaudepur: નસવાડીની શાળામાં બેક ટુ સ્કૂલ અંતર્ગત વિદ્યાર્થીઓને પુનઃ પ્રવેશ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-students-re-admitted-to-naswadi-school-under-back-to-school</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-students-re-admitted-to-naswadi-school-under-back-to-school</guid><pubDate>Sat, 27 Jun 2026 05:53:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નસવાડી : BackToSchool અભિયાન અંતર્ગત નસવાડી સ્થિત એસ.બી. સોલંકી વિદ્યામંદિર ખાતે ધો.6થી 12ના વિદ્યાર્થીઓ માટે ભવ્ય પ્રવેશોત્સવ અને સન્માન સમારોહ યોજાયો હતો.</p><p style="text-align: justify; ">જેનો હેતુ નવા પ્રવેશ મેળવનાર તેમજ અભ્યાસ છોડીને બહાર રહેલા વિદ્યાર્થીઓને ફરી થી શિક્ષણની મુખ્ય ધારામાં જોડવાનો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ બી. એમ. પટેલ, રીજનલ કમિશનર ઓફ્ મ્યુનિસિપાલિટી, ગાંધીનગરનું શાળાના આચાર્ય અશોકભાઈ પટેલ દ્વારા અને ભાવિક બરજોડ, ચીફ્ ઓફ્સિર, છોટાઉદેપુરનું શાળાના સુપરવાઇઝર પી. એ. જોશી દ્વારા સન્માન કરાયું હતું. ઉપરાંત અર્જુન ડીંડોર, CRC પાલા ગ્રુપનું શાળાના શિક્ષક એસ. ડી. રાઠોડ દ્વારા પુસ્તક અને પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું હતું. બેક ટુ સ્કૂલ અભિયાન અંતર્ગત ડ્રોપઆઉટ થયેલા વિદ્યાર્થીઓને પુનઃ શાળામાં પ્રવેશ અપાવી શાળાકિટ, પાઠયપુસ્તકો તથા અન્ય શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરાયું હતું. નવા વિદ્યાર્થીને શૈક્ષણિક કિટ અને સન્માનપત્રો એનાયત કરાયા હતા. રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરાયા હતા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/81Z3oY1KDHkiC0vHOBNWzrZlki8CRQwPce8tiMk8.webp'/></item><item><title><![CDATA[સંદેશ ન્યૂઝ ‘Powering Tomorrow’: ગ્રીન એનર્જી અને નેટ ઝીરો રોડમેપ પર ઊર્જા મંત્રીનું મોટું નિવેદન ]]></title><link>https://sandesh.com/gujarat/news/business/sandesh-news-powering-tomorrow-conclave-gujarat-green-energy-rushikesh-patel</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/business/sandesh-news-powering-tomorrow-conclave-gujarat-green-energy-rushikesh-patel</guid><pubDate>Fri, 26 Jun 2026 23:36:09 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદમાં સંદેશ ન્યૂઝ દ્વારા આયોજિત 'Powering Tomorrow' કોન્ક્લેવમાં ગ્રીન એનર્જી, રિન્યુએબલ એનર્જી અને નેટ ઝીરો રોડમેપ પર દેશના અગ્રણી નિષ્ણાતો દ્વારા ઊંડાણપૂર્વક મનોમંથન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા રાજ્યના ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે વર્ષ 2026ની નવી ઊર્જા નીતિ અને ઇન્વેસ્ટમેન્ટ પોલિસી અંગે મહત્વના નિવેદનો આપ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, ગ્રીન એનર્જી તરફ ગુજરાત ઝડપથી આગળ વધી રહ્યું છે, અને આગામી સમયમાં ગ્રીન પ્રોડક્ટ્સ બનાવતા ઉદ્યોગોને સરકાર વિશેષ રિબેટ પણ આપશે.</p><h2><b>'Powering Tomorrow' માં નેટ ઝીરો અને ગ્રીન એનર્જી પર વિશેષ ફોકસ</b></h2><p>આ કોન્ક્લેવ દરમિયાન 'ગુજરાત રોડમેપ ટુ નેટ ઝીરો એન્ડ એનર્જી સિક્યુરિટી', 'ડી-કાર્બનાઇઝિંગ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ વિથ સોલાર એન્ડ રિન્યુએબલ એનર્જી' તેમજ 'એફોર્ડેબલ હોમ્સ એન્ડ ફાર્મર્સ થ્રુ અફોર્ડેબલ સોલાર એનર્જી' જેવા વિષયો પર સઘન ચર્ચા કરવામાં આવી હતી. સનાતન કાળથી સૂર્યને ઊર્જાનો મુખ્ય સ્ત્રોત ગણાવતા ઊર્જા મંત્રીએ જણાવ્યું કે, કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ગ્રીન ઉત્પાદન વધારવું અને ગ્રીન ઇલેક્ટ્રિસિટીની ક્ષમતા વધારવી એ અત્યારે મુખ્ય પડકાર છે, જેના માટે સ્માર્ટ નેટવર્ક ઊભું કરવા વિભાગ રાત-દિવસ કામ કરી રહ્યો છે.</p><h2><b>વડાપ્રધાનના વિઝનથી 'મેક ઇન ઇન્ડિયા' સોલાર સેલ અને હાઇડ્રોજન પોલિસી</b></h2><p>ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનની પ્રશંસા કરતા જણાવ્યું કે, અગાઉ આપણે સોલાર સેલની આયાત કરવી પડતી હતી, પરંતુ હવે 'મેક ઇન ઇન્ડિયા' અંતર્ગત દેશમાં જ તેનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે. ગુજરાતમાં ઐતિહાસિક 'હાઇડ્રોજન પોલિસી' પણ લાગુ કરવામાં આવી છે. પહેલાં રાજ્ય માત્ર થર્મલ પાવર પર નિર્ભર હતું, પરંતુ હવે સોલાર, વિન્ડ અને કોલસા આધારિત પાવરનું સ્માર્ટ એકીકરણ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીની મદદથી વીજ ઉત્પાદનનું સચોટ ફોરકાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.</p><h2><b>ગ્રીન પ્રોડક્ટ્સ પર રિબેટ અને વૈશ્વિક બજારનો નવો પડકાર</b></h2><p>વિશ્વ સ્તરે આવી રહેલા બદલાવો અંગે મંત્રીએ જણાવ્યું હતું કે, હાલમાં યુરોપ અને બાકીના દેશોમાં ગ્રીન પ્રોડક્ટ્સની ભારે માગ છે. આગામી સમયમાં દુનિયા બિન-પરંપરાગત ઊર્જાથી ન બનેલી વસ્તુઓ પર ટેક્સ લાદવા જઈ રહી છે, ત્યારે ગુજરાતે એડવાન્સમાં જ ગ્રીન પ્રોડક્ટ માટે સ્પષ્ટ નીતિ બનાવી લીધી છે, અને સરકાર આવી પ્રોડક્ટ્સના ઉત્પાદનમાં ઉદ્યોગોને રિબેટ આપશે. ઉદ્યોગોએ પણ હવે ઇલેક્ટ્રિફિકેશન તરફ બદલાવ લાવવાની શરૂઆત કરી દીધી છે.</p><h2><b>ગુજરાત મોડેલ: નાના ઉદ્યોગો અને ખેડૂતોને સોલારથી મોટો આર્થિક ફાયદો</b></h2><p>ગુજરાત આજે વીજળી ક્ષેત્રે સમગ્ર દેશમાં એક રોલ મોડેલ છે. રહેણાંક વિસ્તારોમાં 3 કિલોવોટ સુધીની સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવામાં ગુજરાત દેશમાં અગ્રેસર છે. મોટા ઉદ્યોગો પોતાના સોલાર પાર્ક ઊભા કરી રહ્યા છે, જ્યારે નાના ઉદ્યોગો માટે 'ક્લસ્ટર આધારિત મોડેલ' તૈયાર કરાયું છે. આ સોલાર ક્રાંતિથી નાના ઉદ્યોગોના વીજ બિલમાં મોટો ઘટાડો થશે અને તેમને સીધો ફાયદો મળશે. રાજ્ય સરકારે ઔદ્યોગિક ક્લસ્ટરોમાં મજબૂત ઊર્જા માળખું ઊભું કર્યું છે, જેના કારણે જ દેશ-વિદેશના ઉદ્યોગપતિઓનો ભરોસો ગુજરાત પર અકબંધ છે.</p><h2><b>ગૌરવવંતી ઉપસ્થિતિ અને સહયોગીઓ</b></h2><p>આ કાર્યક્રમને સફળ બનાવવામાં GPCLના ઉચ્ચ અધિકારીઓ, પાવર ટ્રેક ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર દિવ્યરાજસિંહ ઝાલા, GRE Renew Enertechના MD કમલેશ પટેલ, તેમજ પેટલાદ સોજીત્રા સૌરઉર્જા ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના ફાઉન્ડર અને ચેરમેન તેજસ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ભવ્ય સંવાદ કોન્ક્લેવને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સહિતની અગ્રણી સંસ્થાઓના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/india/news/gujarat/27-june-top-new-historical-events-news-updates-gujarati" target="_blank">વાંચો 27 જૂનના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/CwglCUBN0dKUi3FiQhOMyUmKI4PTuySncDQrD0ox.webp'/></item><item><title><![CDATA[વાંચો 27 જૂનના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે ]]></title><link>https://sandesh.com/india/news/gujarat/27-june-top-new-historical-events-news-updates-gujarati</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/gujarat/27-june-top-new-historical-events-news-updates-gujarati</guid><pubDate>Fri, 26 Jun 2026 22:12:03 +05:30</pubDate><description><![CDATA[<p>27 જૂનનો દિવસ વૈશ્વિક અને રાજકીય ગતિવિધિઓથી ભરચક રહેશે; જેમાં પીએમ નરેન્દ્ર મોદી સેશેલ્સના 50મા રાષ્ટ્રીય દિવસની ગોલ્ડન જુબલીમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેવા 3 દિવસના પ્રવાસે જશે, જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં 'ભારત ટેક્સી'નું લોન્ચિંગ, વૃક્ષારોપણ સમીક્ષા અને જનતા દરબાર જેવા મહત્વના કાર્યક્રમો ગજવશે. 27 જૂનના રોજ ઘણી ઘટનાઓ મહત્વની રહેશે.</p><h2><b>કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે</b></h2><p>કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 27 અને 28 જૂન દરમિયાન ગુજરાતના પ્રવાસે છે. તેઓ 27 જૂનના રોજ સવારે 11:15 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે 'ભારત ટેક્સી' (ગુજરાત) પહેલનું ભવ્ય લોન્ચિંગ કરશે. ત્યારબાદ બપોરે 12:45 વાગ્યે સેક્ટર-20 સર્કિટ હાઉસ ખાતે ગાંધીનગર જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા) ની બેઠકમાં હાજરી આપશે.</p><p>સાંજના સમયે તેઓ અમદાવાદમાં વ્યસ્ત રહેશે, જ્યાં સાંજે 5:15 વાગ્યે સરકારી અધિકારીઓ સાથે અને સાંજે 6:00 વાગ્યે સંસ્થાઓ સાથે શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે "હરિયાળી લોકસભા" અંતર્ગત સામૂહિક વૃક્ષારોપણ અભિયાનની સમીક્ષા બેઠકો કરશે. રાત્રે 7:00 વાગ્યે રાણીપની સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સાબરમતી વિધાનસભા મતવિસ્તાર (રાણીપ અને સાબરમતી વોર્ડ) ના જનતા દરબારમાં હાજરી આપી લોકપ્રશ્નો સાંભળશે. આગામી દિવસે તેઓ 'પીએમ ફેમિલી કેર ટ્રેકર પાયલોટ પ્રોજેક્ટ'નું ઉદ્ઘાટન પણ કરવાના છે.</p><h2><b>વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સેશેલ્સનો ઐતિહાસિક પ્રવાસ: ગોલ્ડન જુબલીમાં મુખ્ય અતિથિ</b></h2><p>વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 થી 29 જૂન સુધી સેશેલ્સના સત્તાવાર રાજદ્વારી પ્રવાસે જઈ રહ્યા છે. સેશેલ્સના રાષ્ટ્રપતિ ડૉ. પેટ્રિક હરમિનીના ખાસ આમંત્રણ પર વડાપ્રધાન મોદી ત્યાંના નેશનલ ડેના ગોલ્ડન જુબલી (50મા રાષ્ટ્રીય દિવસ) સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેશે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરશે, સેશેલ્સની નેશનલ એસેમ્બલીને સંબોધિત કરશે અને ત્યાં વસતા ભારતીય સમુદાયને પણ મળશે.</p><h2><b>નર્મદામાં યુવા શક્તિ સંમેલન અને દારૂ પર અગાઉની ટિપ્પણીની ચર્ચા</b></h2><p>નર્મદા આદર્શ ગ્રામ વિકાસ સમિતિની બેઠકમાં 27 જૂને 'યુવા શક્તિ સંમેલન'નું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિતિની રચના દ્વારા સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ હાજર રહીને કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની માહિતી આપશે, અને સરકારની યોજનાઓ લોકો સુધી કેવી રીતે પહોંચે તે માટે માર્ગદર્શન પૂરું પાડશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ આવા જ એક કાર્યક્રમમાં મનસુખ વસાવાએ દારૂ વિશે ટિપ્પણી કરી હતી અને મહુડાના દારૂની વાત કરી હતી, જેને લઈને આ બેઠક પર સૌની નજર રહેશે.</p><h2><b>ડુપ્લીકેટ પ્લાઝ્મા રેકેટ પર અમદાવાદ પોલીસનો મોટો ખુલાસો</b></h2><p>મેડિકલ ક્ષેત્રને હચમચાવી મૂકનારા ડુપ્લીકેટ પ્લાઝ્મા રેકેટમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસની ખાસ ટીમ મહારાષ્ટ્રમાં સઘન તપાસ કરીને 27 જૂનના રોજ પરત ફરશે. આ તપાસ બાદ રેકેટમાં અન્ય કેટલા લોકો સામેલ છે અને અત્યાર સુધીમાં આરોપીઓએ કેટલા ડુપ્લીકેટ પ્લાઝ્મા પાઉચ માર્કેટમાં સપ્લાય કરીને લોકોના જીવ જોખમમાં મૂક્યા છે, તેના પરથી પડદો ઊંચકાશે અને અનેક નવા ખુલાસા થશે.</p><h2><b>ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને દિલ્હીમાં વીવીઆઈપી ગતિવિધિઓ અને અબજોના વિકાસકાર્યો</b></h2><p>ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નોઇડામાં ₹2,478 કરોડની ભારેખમ રકમ ધરાવતી 70 વિકાસ પરિયોજનાઓનું લોન્ચિંગ અને શિલાન્યાસ કરશે, જેમાં નોઇડા ઓથોરિટીની નવી ભવ્ય એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગનું ઓપનિંગ અને જાહેર સંબોધન સામેલ છે. બીજી તરફ, ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન નવી દિલ્હીના ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરમાં આયોજિત 'એમએસએમઇ દિવસ 2026 - ઉદ્યમી ભારત' કાર્યક્રમની અધ્યક્ષતા કરશે. ત્યારબાદ તેઓ 27-28 જૂને કર્ણાટકના પ્રવાસે જશે, જ્યાં બેંગલુરુમાં નાદપ્રભુ શ્રી કેમ્પેગૌડાની 517મી જયંતી સમારોહમાં ભાગ લેશે.</p><h2><b>ગુજરાતના વેરાવળ અને ભાણવડમાં પ્રી-મોન્સૂન મેન્ટેનન્સ: ભારે વીજકાપની જાહેરાત</b></h2><p>ચોમાસા પૂર્વેની જાળવણી કામગીરીના ભાગરૂપે 27 જૂને ગુજરાતના બે મોટા વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે:</p><p><b>વેરાવળ શનિવાર વીજકાપ:</b> વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરી દ્વારા 11 કેવી જાલેશ્વર ફીડરના પ્રી-મોન્સૂન મેન્ટેનન્સને કારણે સવારે 10 થી બપોરે 1:30 વાગ્યા સુધી રબારી વાડા, મફતિયા પરા, જાલેશ્વર, સંજય નગર, પ્રજાપતી સોસાયટી અને BSNL ક્વાટર્સમાં પાવર સપ્લાય બંધ રહેશે. કટોકટી માટે ગ્રાહકો 96876 33787 અને 02876 22210 પર સંપર્ક કરી શકે છે.</p><p><b>ભાણવડ 13 કલાકનો વીજકાપ:</b> ભાણવડ પેટા વિભાગ હેઠળ આવતા રણજીતપરા, ભાણવડ અને રેલ્વે જ્યોતિ ફિડરમાં અગત્યની કામગીરીને કારણે સવારે 6 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી (સળંગ 13 કલાક) વીજળી ગુલ રહેશે. આનાથી રામેશ્વર પ્લોટ, વિકાસ રોડ, ઓમકાર ગ્રીન, વસંતનગર, જીઆઈડીસી અને માર્કેટિંગ યાર્ડ સહિતના વિસ્તારો પ્રભાવિત થશે. બંને સ્થળોએ કામ પૂર્ણ થતાં જ પૂર્વ સૂચના વિના પાવર સપ્લાય પુનઃ શરૂ કરાશે.</p><h2><b>ગુજરાત સહિત દેશના 16 રાજ્યોમાં આગામી કલાકોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી</b></h2><p>હવામાન વિભાગે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત, તમિલનાડુ, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર, અસમ, કર્ણાટક, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ સહિત 16 રાજ્યોમાં આગામી કલાકોમાં અતિભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ જાહેર કર્યું છે. આ સમયગાળા દરમિયાન 70 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે. આગામી 3 થી 4 દિવસમાં ચોમાસું ઉત્તર ભારત અને ગુજરાતમાં ઝડપથી આગળ વધશે, જેનાથી લોકોને ગરમીથી મોટી રાહત મળશે.</p><h2><b>ફિફા વર્લ્ડ કપ 2026: 27 જૂન મેચોનું શેડ્યૂલ (ભારતીય સમયાનુસાર - IST)</b></h2><p>ફિફા વર્લ્ડ કપ 2026 માં ગ્રૂપ સ્ટેજના રોમાંચક મુકાબલા ચાલી રહ્યા છે. 27 જૂનના રોજ રમાનારી મેચોનું લાઈવ પ્રસારણ ભારતીય સમય મુજબ નીચે મુજબ છે:</p><ul><li>00:30 AM: નોર્વે વિરુદ્ધ ફ્રાન્સ (ગ્રૂપ I) અને સેનેગલ વિરુદ્ધ ઇરાક (ગ્રૂપ I)</li><li>05:30 AM: કેપ વર્ડે વિરુદ્ધ સાઉદી અરેબિયા (ગ્રૂપ H) અને ઉરુગ્વે વિરુદ્ધ સ્પેન (ગ્રૂપ H)</li><li>08:30 AM: ન્યુઝીલેન્ડ વિરુદ્ધ બેલ્જિયમ (ગ્રૂપ G) અને ઇજિપ્ત વિરુદ્ધ ઇરાન (ગ્રૂપ G)</li></ul><h2><b>તમિલનાડુની રાજનીતિમાં ગરમાવો: MDMK ગઠબંધન છોડશે?</b></h2><p>DMK ની આગેવાની હેઠળના ગઠબંધનમાં યોગ્ય સન્માન ન મળવાના કારણે નારાજ વાઇકોની આગેવાનીવાળી MDMK પાર્ટી 27 જૂને યોજાનારી જનરલ કાઉન્સિલની બેઠકમાં ગઠબંધનમાંથી બહાર નીકળવાનો આખરી નિર્ણય જાહેર કરશે. અટકળો એવી પણ છે કે તેમના ધારાસભ્ય સેંથિલ સેલ્વન રાજીનામું આપીને સીએમ જોસેફ વિજયની પાર્ટી 'ટીવીકે' (TVK) માં જોડાઈ શકે છે.&nbsp;</p><h2><b>પીયૂષ ગોયલનો લંડન પ્રવાસ</b></h2><p>ભારતના કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ પણ 15 જુલાઈથી લાગુ થનારા ભારત-યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર (CETA) ની સમીક્ષા કરવા અને સમકક્ષ પીટર કાઈલ સાથે મુલાકાત કરવા લંડનના પ્રવાસે છે. 27 જૂને તેમના લંડન પ્રવાસનો અંતિમ દિવસ છે.</p><h2><b>અવકાશ વિજ્ઞાન: એફિલ ટાવર જેટલો મોટો એસ્ટરોઇડ પૃથ્વીની નજીકથી પસાર થશે</b></h2><p>ખગોળશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, શનિવાર, 27 જૂન 2026 ના રોજ એફિલ ટાવર કરતાં પણ કેટલાય ગણો મોટો એક વિશાળ લઘુગ્રહ પૃથ્વીની નજીકથી પસાર થવાનો છે. જોકે, સ્પેસ એજન્સીઓના મતે તે પૃથ્વીથી આશરે 16 લાખ માઈલ દૂર સુરક્ષિત અંતરેથી પસાર થશે, તેથી કોઈ જોખમ નથી. તે નરી આંખે જોઈ શકાશે નહીં, પરંતુ વૈજ્ઞાનિકો માટે આ એક મોટી ખગોળીય ઘટના છે.</p><h2><b>નેશનલ એચઆઇવી ટેસ્ટિંગ ડે&nbsp;</b></h2><p>વર્ષ 1995 થી શરૂ થયેલા આ દિવસનો હેતુ લોકોને એચઆઈવી ટેસ્ટ કરાવી પોતાની સ્થિતિ જાણવા અને સારવાર મેળવવા જાગૃત કરવાનો છે, કારણ કે હજુ પણ આ જીવલેણ બીમારીની કોઈ ચોક્કસ દવા શોધાઈ નથી.</p><h2><b>ઇન્ટરનેશનલ MSME ડે&nbsp;</b></h2><p>સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) હાંસલ કરવામાં નાના અને મધ્યમ ઉદ્યોગોના યોગદાનને બિરદાવવા માટે આ દિવસ ઉજવાય છે. ભારત સરકારે વર્ષ 2006 ના MSMED એક્ટ સાથે આ સાહસોની સત્તાવાર શરૂઆત કરી હતી જે ઉત્પાદન અને પ્રક્રિયા ક્ષેત્રે મહત્વના છે.</p><h2><b>27 જૂનની મહત્વની ઐતિહાસિક ઘટનાઓ</b></h2><ul><li>1743: બ્રિટનના કિંગ જ્યોર્જ દ્વિતીય ડેટિંગન યુદ્ધના મેદાનમાં ફ્રેન્ચ સામે સૈન્યનું નેતૃત્વ કરનારા છેલ્લા શાસક બન્યા.</li><li>1918 (ખેડા સત્યાગ્રહની પૂર્ણાહુતિ): મહાત્મા ગાંધીના નેતૃત્વમાં ખેડાના ખેડૂતોએ પ્લેગ અને પાક નિષ્ફળ જવા છતાં બ્રિટિશરોના અન્યાયી કર સામે લડત આપી હતી, જેનો જૂનના અંતમાં વિજય થયો અને બ્રિટિશ સરકારે કર વસૂલાત મુલતવી રાખી જપ્ત મિલકતો પરત કરી.</li><li>1946: કેનેડિયન સંસદે કેનેડિયન નાગરિકતા કાયદામાં નાગરિકત્વને વ્યાખ્યાયિત કર્યું.</li><li>1950: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો ઠરાવ 83 અપનાવવામાં આવ્યો.</li><li>1954: સોવિયેત યુનિયને ઓબ્નિન્સ્ક ખાતે વિશ્વનો પ્રથમ સિવિલિયન ન્યુક્લિયર પાવર પ્લાન્ટ શરૂ કર્યો.</li><li>1967: લંડનની બાર્કલેઝ બેંકમાં વિશ્વનું સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક એટીએમ (ATM) મશીન જોન શેફર્ડ-બેરોન દ્વારા ઇન્સ્ટોલ કરાયું.</li><li>1972: પ્રખ્યાત વિડીયો ગેમ કંપની 'અટારી' (Atari, Inc.) ની સ્થાપના થઈ, જેણે પોંગ ગેમ બનાવી.</li><li>1975 (ઇમરજન્સીનો કાળો દોર): ભારતમાં કટોકટીની જાહેરાત બાદ 27 જૂને સરકારે કલમ 358 અને 359 લાગુ કરીને નાગરિકોના મૂળભૂત અધિકારો (વાણી સ્વાતંત્ર્ય, અદાલતમાં જવાનો અધિકાર) સ્થગિત કરી વિપક્ષી નેતાઓની ધરપકડ કરી હતી.</li><li>1977: પૂર્વ આફ્રિકન દેશ જીબુતી ફ્રાન્સથી સંપૂર્ણ આઝાદ થયો.</li><li>2002: G8 દેશો પરમાણુ શસ્ત્રોનો નાશ કરવાની રશિયન યોજના પર સહમત થયા.</li><li>2003: અમેરિકામાં સમલૈંગિકતા પરનો પ્રતિબંધ નાબૂદ કરવામાં આવ્યો.</li><li>2004: યુએસ અને યુરોપિયન યુનિયને જીપીએસ ગેલિલિયોના વિકાસમાં સહકારના કરાર કર્યા.</li><li>2005: બ્રિટને વીટો પાવર વિના ભારતના યુએન કાયમી સભ્યપદને સમર્થન આપ્યું.</li><li>2006: ગુયેન મિન્હ ટ્રયેટ વિયેતનામના પ્રમુખ તરીકે ચૂંટાયા.</li><li>2007: જેમ્સ ગાર્ડન બ્રાઉને બ્રિટિશ વડા પ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો અને ટોની બ્લેરે રાજીનામું આપ્યું.</li><li>2008: ભારત-પાકિસ્તાને ઈરાન ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટની અડચણો દૂર કરી અને પાકિસ્તાનના આસિફ અલી ઝરદારી તુર્કી ગયા.</li><li>2014: આંધ્રપ્રદેશના ઇસ્ટ ગોદાવરીમાં ગેલ (GAIL) ગેસ પાઇપલાઇન બ્લાસ્ટમાં 15 લોકોના મોત થયા હતા.</li><li>2015: સંયુક્ત રાષ્ટ્રે તેના હેડક્વાર્ટરમાં ભારતના મહાન ફિલ્મ નિર્દેશક સત્યજીત રેની તસવીર પ્રદર્શિત કરવાનો નિર્ણય કર્યો.</li><li>2015 (ગ્રીન એનર્જી ક્રાંતિ): ગુજરાત સરકારે પાટણના ચારણકા ખાતે એશિયાના પ્રથમ સોલાર પ્રોજેક્ટના મલ્ટી-ફેઝ વિસ્તરણને મંજૂરી આપી, જે આજે ભારતના મેગા ક્લીન એનર્જી પાર્કનું મોડેલ બન્યું છે.</li></ul><h2><b>27 જૂનના રોજ જન્મેલી પ્રખ્યાત હસ્તીઓ</b></h2><ul><li>પી.ટી. ઉષા (1964): ભારતીય ટ્રેક એન્ડ ફીલ્ડના લેજન્ડ, 'પાયોલી એક્સપ્રેસ' અને ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના વર્તમાન પ્રમુખ.</li><li>આર. ડી. બર્મન 'પંચમ દા' (1939): ભારતીય સિનેમાના ક્રાંતિકારી સંગીતકાર, જેમણે બોલિવૂડ મ્યુઝિકને વેસ્ટર્ન ટચ આપ્યો.</li><li>બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય (1838): મહાન રાષ્ટ્રવાદી કવિ જેમણે આપણું રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્' આપ્યું.</li><li>છગનલાલ કરમશી પારેખ 'છગન બાપા' (1894): રાજકોટમાં જન્મેલા મહાન પરોપકારી અને સામાજિક સુધારક, જેમણે સૌરાષ્ટ્રમાં સ્ત્રી કેળવણી અને ગરીબી નિર્મૂલન માટે જીવન સમર્પિત કર્યું.</li><li>ટીકુ તલસાણિયા (1954): ગુજરાતી મૂળના જાણીતા કોમેડી કલાકાર જેમણે 150 થી વધુ ફિલ્મો અને સીરીયલોમાં કામ કર્યું છે.</li><li>તનની છેડા (1996): ઓસ્કાર વિજેતા ફિલ્મ 'સ્લમડોગ મિલિયોનેર' માં કિશોર જમાલ મલિકની ભૂમિકા ભજવનાર ગુજરાતી મૂળનો બાળ કલાકાર.</li><li>હેલન કેલર (1880) - પ્રથમ પ્રજ્ઞાચક્ષુ અને બધિર ગ્રેજ્યુએટ લેખિકા</li><li>ટોબી મેગુઇરે (1975) - સ્પાઇડર મેન ફેમ હોલીવુડ એક્ટર</li><li>વેરા વાંગ (1949) - ફેશન ડિઝાઇનર</li><li>જે. જે. એબ્રામ્સ (1966) - સ્ટાર વોર્સ ડાયરેક્ટર</li><li>ક્લોય કાર્દાશિયન (1984) - અમેરિકન સેલિબ્રિટી&nbsp;</li><li>નીતિન મુકેશ (1950) - પ્લેબેક સિંગર</li><li>પૂર્ણિમા વર્મન (1955) - પત્રકાર&nbsp;</li><li>આર. ડી. પ્રધાન (1928) - પૂર્વ ગૃહ સચિવ&nbsp;</li><li>અકિલન (1922) - તમિલ લેખક</li><li>અમલા શંકર (1919) - કોરિયોગ્રાફર</li></ul><h2><b>મહાન વિભૂતિઓની પુણ્યતિથિ</b></h2><ul><li><b>ફિલ્ડ માર્શલ સેમ માણેકશા (2008): </b>1971 ના ભારત-પાક યુદ્ધમાં ભારતને ઐતિહાસિક વિજય અપાવનાર વીર યોદ્ધાનું અવસાન આ જ દિવસે થયું હતું.</li><li><b>મહારાજા રણજીત સિંહ (1839):</b> શિખ સામ્રાજ્યના સ્થાપક અને 'લાયન ઓફ પંજાબ' તરીકે જાણીતા મહારાજાનું લાહોરમાં 58 વર્ષની વયે અવસાન થયું હતું.</li><li><b>ધનાજી જાધવ (1708):</b> મરાઠા સામ્રાજ્યના બહાદુર સરસેનાપતિ જેમણે ગેરીલા યુદ્ધ પદ્ધતિથી મુઘલ સમ્રાટ ઔરંગઝેબના દખ્ખણ વિજયના સપનાને રોક્યું હતું, તેઓની પુણ્યતિથિ છે.</li></ul><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/india/26-june-top-10-news-india-world-breaking-updates-summary" target="_blank">26 જૂનના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/NVAQVXlHrtGXPmJha5Yx8Nr3zI8cFxE5oGb9n3Wc.webp'/></item><item><title><![CDATA[26 જૂનના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર ]]></title><link>https://sandesh.com/gujarat/news/india/26-june-top-10-news-india-world-breaking-updates-summary</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/india/26-june-top-10-news-india-world-breaking-updates-summary</guid><pubDate>Fri, 26 Jun 2026 20:59:00 +05:30</pubDate><description><![CDATA[<div>સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર વાંચો</div><ol><li><a href="https://sandesh.com/gujarat/news/rajkot/jangleshwar-demolition-water-bill-controversy-shailesh-desai-statement" target="_blank" style="background-color: rgb(255, 255, 255);">Rajkot News: જંગલેશ્વર ડિમોલેશન પાણી બિલ વિવાદમાં મોટો ધડાકો, ‘અમે રૂ. 3માં ખરીદીને કોર્પોરેશનને રૂ. 8માં બોટલ પધરાવી’</a></li><li><a href="https://sandesh.com/cricket/news/harshit-rana-did-a-miracle-after-141-days-took-3-wickets-in-just-five-balls" target="_blank">Harshit Ranaએ 141 દિવસ બાદ કર્યો કમાલ, માત્ર પાંચ બોલમાં 3 વિકેટ લીધી</a></li><li><a href="https://sandesh.com/world/news/philippines-earthquake-67-magnitude-earthquake-in-the-philippines-strong-tremors-felt-on-mindanao-island" target="_blank">Philippines Earthquake: ફિલિપિન્સમાં 6.7ની તીવ્રતાનો ભૂકંપ, મિંડાનાઓ દ્વીપ પર અનુભવાયા જોરદાર આંચકા</a></li><li><a href="https://sandesh.com/india/news/business/gold-mining-project-andhra-pradesh-2-tons-of-gold-will-be-extracted-from-this-mine-every-year-cm-chandrababu-naidu-gave-approval" target="_blank">Gold Mining Project Andhra Pradesh: આ ખાણમાંથી દર વર્ષે નીકળશે 2 ટન સોનું, સીએમ ચંદ્રબાબુ નાયડુએ આપી મંજૂરી</a></li><li><a href="https://sandesh.com/gujarat/news/surat/civic-body-begins-rehabilitation-after-high-courts-remarks-on-nasirnagar-demolition" target="_blank">Surat News : હાઇકોર્ટની ટકોર બાદ પાલિકા તંત્ર કામે લાગ્યું, અસરગ્રસ્તોને વૈકલ્પિક રહેઠાણ આપવાની સૂચના</a></li><li><a href="https://sandesh.com/india/news/operation-sindoor-names-of-6-martyred-soldiers-announced-will-be-placed-in-the-national-war-memorial" target="_blank">Operation Sindoor: શહીદ થયેલા 6 વીર જવાનોના નામ જાહેર, રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં મળશે સ્થાન</a></li><li><a href="https://sandesh.com/gujarat/news/vadodara/utiya-village-illegal-soil-mining-raid-bjp-leader-involved" target="_blank">Vadodara News: ઉટીયા ગામમાં ગાંધીનગર ખાણ ખનીજ વિભાગની રેડ, 1.50 કરોડનો મુદ્દામાલ જપ્ત</a></li><li><a href="https://sandesh.com/world/news/us-navy-us-troops-flee-bahrain-due-to-fear-of-iranian-missile-attack-navy-base-becomes-empty" target="_blank">US Navy:ઈરાનના મિસાઈલ હુમલાના ડરે બહેરીનથી ભાગ્યું અમેરિકી સૈન્ય, નેવી બેઝ થયો ખાલી!</a></li><li><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/narol-fake-police-gang-arrested-cctv-investigation" target="_blank">Ahmedabad News: નારોલમાં નકલી પોલીસ બની તોડ કરતી ટોળકીના 2 સાગરીતો ઝડપાયા</a></li><li><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/suspicious-death-of-a-lion-in-amreli-body-of-a-male-lion-found-behind-a-temple-in-dalkhaniya-range" target="_blank">Amreliમાં વનરાજનું શંકાસ્પદ મોત: દલખાણીયા રેન્જમાં મંદિર પાછળથી મળ્યો નર સિંહનો મૃતદેહ</a></li></ol><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/PmmMRL8QYF5GAXnLvR7mRnopbU4HsPvn13uPKBTp.webp'/></item><item><title><![CDATA[Rhea Chakraborty: સુશાંત સિંહ રાજપૂતના અવસાન અને ધરપકડના ટ્રોમા પર રિયા ચક્રવર્તીનો મોટો ખુલાસો ]]></title><link>https://sandesh.com/entertainment/news/rhea-chakrabortys-big-revelation-on-the-trauma-of-sushant-singh-rajputs-death-and-arrest</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/rhea-chakrabortys-big-revelation-on-the-trauma-of-sushant-singh-rajputs-death-and-arrest</guid><pubDate>Fri, 26 Jun 2026 15:56:46 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તીએ વર્ષ ૨૦૨૦ માં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના આકસ્મિક અને દુઃખદ અવસાન બાદ પોતાના જીવનમાં આવેલા ભયાનક તોફાન વિશે ફરી એકવાર ખુલીને વાત કરી છે. તાજેતરમાં આપેલા એક વિગતવાર ઈન્ટરવ્યુમાં રિયાએ તે સમયગાળા દરમિયાન અનુભવેલા માનસિક આઘાત (Trauma), મીડિયા ટ્રાયલ અને જેલના દિવસોના પોતાના કડવા અનુભવો શેર કર્યા છે. રિયાએ જણાવ્યું કે તે સમયે જે પરિસ્થિતિઓ સર્જાઈ હતી, તેમાંથી બહાર નીકળવું તેના માટે કેટલું માનસિક અને ભાવનાત્મક રીતે પીડાદાયક હતું.</p><h2 style="text-align: justify; "><b>રિયા ને ભારે ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો</b></h2><p style="text-align: justify; ">સુશાંત સિંહ રાજપૂતના અવસાન બાદ રિયા ચક્રવર્તીને ભારે ટ્રોલીંગ અને આક્ષેપોનો સામનો કરવો પડ્યો હતો, જે બાદ ડ્રગ્સ સંબંધિત એક એન્ગલમાં તેની ધરપકડ પણ કરવામાં આવી હતી અને તેણે જેલમાં સમય વિતાવવો પડ્યો હતો. આ ઘટનાઓ પર વાત કરતા રિયાએ કહ્યું કે, "જ્યારે તમે આવા કોઈ મોટા આઘાતમાંથી પસાર થાઓ છો, ત્યારે આખી દુનિયા તમારી સામે થઈ જાય છે. લોકો તમને દોષી ઠેરવવા લાગે છે. તે સમયે જેલની અંદર જવું અને ત્યાં રહેવું મારા જીવનનો સૌથી મુશ્કેલ તબક્કો હતો."</p><h3 style="text-align: justify; "><b>સામાન્ય જીવન જીવવું સરળ નહોતું</b></h3><p style="text-align: justify; ">રિયાએ આગળ ઉમેર્યું કે, જેલમાંથી બહાર આવ્યા પછી પણ સામાન્ય જીવન જીવવું સરળ નહોતું. સમાજ અને લોકોનો નજરિયો સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો. આ માનસિક આઘાતમાંથી બહાર આવવા માટે તેણે થેરાપી (Therapy) નો સહારો લેવો પડ્યો હતો. રિયાએ સ્વીકાર્યું કે માનસિક સ્વાસ્થ્યને સુધારવા અને પોતાની જાતને ફરીથી બેઠી કરવા માટે તેણે લાંબો સંઘર્ષ કરવો પડ્યો છે.</p><p style="text-align: justify; ">હવે રિયા ચક્રવર્તી પોતાના જીવનમાં આગળ વધી રહી છે અને તેણે પોડકાસ્ટિંગ તેમજ અન્ય ડિજિટલ પ્લેટફોર્મ્સ દ્વારા કામ પર વાપસી કરી છે. રિયાના મતે, આ દુઃખદ અનુભવોએ તેને અંદરથી વધુ મજબૂત બનાવી છે અને હવે તે માનસિક સ્વાસ્થ્ય અને ટ્રોમામાંથી બહાર આવવા માટે અન્ય લોકોને પણ પ્રેરણા આપી રહી છે. બોલિવૂડ અને સોશિયલ મીડિયા પર રિયાના આ નિવેદનની અત્યારે ખૂબ ચર્ચા થઈ રહી છે.</p><p style="text-align: justify;"><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/world/news/agriculture-which-crops-are-grown-in-pakistan-during-the-monsoon-why-are-farmers-expenses-higher-there-than-in-india" target="_blank">આ પણ વાંચો:Agriculture: પાકિસ્તાનમાં ચોમાસા દરમિયાન કયા પાકની થાય છે ખેતી? ભારત કરતાં ત્યાં કેમ વધી જાય છે ખેડૂતોનો ખર્ચ</a></p><p style="text-align: justify;"><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/Vf7HcpRys3icMlpWqgkOBMrYY3h7fF8jLhP8tuJL.webp'/></item></channel></rss>