<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Surendranagar: વઢવાણમાં રાજાશાહી સમયના કૂવાને નુકસાન, વિરાસતને મૂળ સ્વરૂપે પુનઃ સ્થાપિત કરવા સ્થાનિકોનું અલ્ટીમેટમ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surendranagar/wadhwan-historical-rajashahi-well-damaged-during-smc-encroachment-drive-locals-protest</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surendranagar/wadhwan-historical-rajashahi-well-damaged-during-smc-encroachment-drive-locals-protest</guid><pubDate>Sat, 13 Jun 2026 12:20:44 +05:30</pubDate><description><![CDATA[<p>સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત મહાનગરપાલિકાના અધિકારીઓ અને એન્જિનિયરોમાં સ્થાનિક ઇતિહાસ પ્રત્યે કેટલી સંવેદનશીલતા છે, તેની પોલ વઢવાણના સતવારાપરા વિસ્તારમાં ખુલી ગઈ છે. ફૂલવાડી મેઈન રોડ પર રસ્તા નડતર દબાણો દૂર કરવા નીકળેલી મનપાની દબાણ હટાવ સેલની ટીમે કોઈ પણ પ્રકારના પૂર્વ પ્લાનિંગ કે હેરીટેજ બોર્ડની મંજૂરી વિના જ રાજાશાહી સમયના કૂવા પર જેસીબી (JCB) મશીન ચલાવી દીધું હતું.</p><h2><b>દીવાલો અને પ્રાચીન બોર્ડ તોડી પડાયા</b></h2><p>સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, આ કૂવો રાજાશાહી સમયમાં સમગ્ર વિસ્તાર માટે પીવાના પાણીનો મુખ્ય આધાર સ્ત્રોત હતો અને લોકોની આસ્થા તેમજ સંસ્કૃતિ તેની સાથે જોડાયેલી છે. મનપાના કર્મચારીઓએ કૂવાની મજબૂતાઈ આપતી આસપાસની જૂની દીવાલો અને કૂવાના ઇતિહાસની સાક્ષી પૂરતા બોર્ડ સહિતના હિસ્સાને નિર્દયતાપૂર્વક તોડી પાડ્યો હતો. આસપાસના લોકોને જેવી ખબર પડી કે મનપા આપણી પ્રાચીન ધરોહરને નુકસાન પહોંચાડી રહી છે, કે તુરંત જ સેંકડો લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મનપાની કામગીરી અટકાવી દીધી હતી.</p><h3><b>મૂળ સ્વરૂપે કૂવાને બેસાડવાની લોક માગ</b></h3><p>આ ઘટનાને પગલે વાગડ અને ઝાલાવાડના હેરીટેજ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વઢવાણના સતવારાપરાના અગ્રણીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "વિકાસ અને દબાણ હટાવવાના નામે તમે વઢવાણના સેંકડો વર્ષ જૂના ઇતિહાસને બુલડોઝરથી તોડી ન શકો. આવા સંવેદનશીલ સ્થળો પર ઓપરેશન કરતા પહેલા મનપાના ઉચ્ચ અધિકારીઓએ પંચનામું કરવું જોઈએ અથવા ઇતિહાસકારોની સલાહ લેવી જોઈએ."</p><h4><b>આપણી પ્રાચીન ધરોહરને નુકસાન પહોંચાડી</b></h4><p>હાલ સ્થાનિકોએ એકઠા થઈને મનપાના ચીફ ઓફિસર/કમિશનર સમક્ષ લેખિત આક્રોશ પત્ર પાઠવ્યો છે. જેમાં માંગ કરવામાં આવી છે કે આ તોડફોડ માટે જે પણ વહીવટી અધિકારી કે જેસીબી ચાલક જવાબદાર હોય તેની સામે તાત્કાલિક કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને મહાનગરપાલિકા પોતાના ખર્ચે આ ઐતિહાસિક કૂવાને ફરીથી તેના મૂળ પુરાતત્વીય સ્વરૂપમાં રિપેર કરી તેનું કાયમી સંરક્ષણ કરે. જો આ માંગ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/adajan-main-water-pipeline-burst-damaged-asphalt-road-creates-flood-like-situation" target="_blank">આ પણ વાંચો: Surat: અડાજણમાં હાઈ-પ્રેશર પાઈપલાઈનમાં મોટું ભંગાણ, પાકો રસ્તો ચીરીને પાણીના ફુવારા ઉડ્યા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/Hr8pJlKXHeAeqStlUeBq3kfpVcQgovzNs44iXJi9.webp'/></item><item><title><![CDATA[Rajkot : રાજકારણમાં ગરમાવો, 2027 ચૂંટણી પહેલાં ડે. CM હર્ષ સંઘવી નરેશ પટેલના ઘરે પહોંચ્યા, સૂચક મુલાકાતથી તર્ક-વિતર્ક તેજ ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/dycm-harsh-sanghavi-meets-khodaldham-chairman-naresh-patel-rajkot-political-speculations-2027</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/dycm-harsh-sanghavi-meets-khodaldham-chairman-naresh-patel-rajkot-political-speculations-2027</guid><pubDate>Sat, 13 Jun 2026 12:17:46 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાત વિધાનસભાની 2027 ની ચૂંટણીને હજુ વાર છે, પરંતુ તે પહેલાં રાજ્યના રાજકીય વર્તુળોમાં ભારે હલચલ મચી ગઈ છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટની મુલાકાત દરમિયાન લેઉવા પટેલ સમાજના સર્વોચ્ચ અગ્રણી અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના નિવાસસ્થાને જઈને એક ખાસ શુભેચ્છા મુલાકાત લીધી છે. ભલે આ મુલાકાતને ઔપચારિક ગણાવવામાં આવી રહી હોય, પરંતુ પાટીદાર પ્રભુત્વ ધરાવતા સૌરાષ્ટ્રના રાજકારણમાં આ બેઠકને પગલે અનેક પ્રકારના તર્ક-વિતર્કો અને રાજકીય સમીકરણોની ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>હર્ષ સંઘવીનું તેમના ઘરે જવું એ ખૂબ જ સૂચક 
</b></h2><p style="text-align: justify; ">ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ નરેશ પટેલે ખોડલધામના ચેરમેન પદેથી નિવૃત્તિ લેવા અને આરામ કરવાની વાત કરી હતી. તેમની આ જાહેરાત બાદ તરત જ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનું તેમના ઘરે જવું એ ખૂબ જ સૂચક માનવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત (ખાસ કરીને સુરત) માં પાટીદાર સમાજ ચૂંટણીના પરિણામો બદલવામાં અત્યંત નિર્ણાયક ભૂમિકા ભજવે છે, તેથી આ મુલાકાત નવી રાજકીય દિશા નક્કી કરી શકે છે.
</p><h4 style="text-align: justify; "><b>&nbsp;સારા અને સ્વચ્છ છબી ધરાવતા લોકોની કાયમ જરૂરિયાત
</b></h4><p style="text-align: justify; ">આ હાઈ-પ્રોફાઈલ બેઠક અંગે ખોડલધામના અગ્રણી અને ભાજપના ધારાસભ્ય રમેશ ટીલાડાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, નરેશભાઈએ ખોડલધામમાંથી નિવૃત્તિ અને આરામ અંગે જે વાત કરી છે તે તેમનો વ્યક્તિગત નિર્ણય છે. તેઓ સક્રિય રાજકારણમાં જોડાવા અંગે પહેલાં પણ ઘણીવાર નનૈયો ભણી ચૂક્યા છે. જો કે, રમેશ ટીલાડાએ ઉમેર્યું કે, "રાજકારણમાં નરેશભાઈ જેવા સારા અને સ્વચ્છ છબી ધરાવતા લોકોની કાયમ જરૂરિયાત રહે છે. અમે તો વ્યક્તિગત રીતે એમ જ ઈચ્છીએ છીએ કે નરેશભાઈ સક્રિય રાજકારણમાં આવે."
</p><h4 style="text-align: justify; "><b>ચા પાણી પીને છુટા પડ્યા છીએ 
</b></h4><p style="text-align: justify; ">જો કે આ મામલે મીડિયા સાથે વાત કરતા  નરેશ પટેલે કહ્યું કે આ માત્ર શુભેચ્છા મુલાકાત હતી ચા પાણી પીને છુટા પડ્યા છીએ તે સિવાય કોઇ વાત નથી. નાયબ મુખ્યમંત્રી શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા અને સામાજીક ચર્ચાઓ થઇ છે તે સિવાય કોઇ વાત થઇ નથી
</p><h5 style="text-align: justify; "><b>રાજકારણમાં ગરમાવો લાવી દીધો 
</b></h5><p style="text-align: justify; ">હર્ષ સંઘવીની આ મુલાકાત માત્ર શુભેચ્છા બેઠક છે કે પાટીદાર સમાજને સાધવા માટેની કોઈ મોટી વ્યુહરચનાનો ભાગ છે, તે તો આગામી સમય જ બતાવશે, પરંતુ હાલમાં આ ઘટનાએ સમગ્ર ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-gujarat-latest-news-live-and-samachar-13-june-2026-politics-weather-updates-daily-breaking-news-nation" target="_blank"><b>&nbsp; Gujarat Latest News Live: આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર ભારતીય વાયુસેનાનું AN-32 ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશ</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/LNUq07sbmmXCbBPdgEOkoLsxry513FbZRnuSYlBp.webp'/></item><item><title><![CDATA[Kutch: રાપરમાં કાળઝાળ ગરમીએ લીધો નિર્દોષનો ભોગ,નોકરી શોધવા નીકળેલા UP ના યુવકનું લૂ લાગવાથી મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/kutch/rapar-first-heat-stroke-death-up-youth-trivenkumar-viral-video-before-dying</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/kutch/rapar-first-heat-stroke-death-up-youth-trivenkumar-viral-video-before-dying</guid><pubDate>Sat, 13 Jun 2026 12:12:37 +05:30</pubDate><description><![CDATA[<p>રોજગારીની શોધમાં અન્ય રાજ્યોમાંથી ગુજરાત આવતા શ્રમિકો માટે આ વર્ષનો ઉનાળો કાળ સાબિત થઈ રહ્યો છે. કચ્છના સરહદી વાગડ પંથકના રાપર તાલુકામાંથી માનવતાને હચમચાવી મૂકે તેવા સમાચાર સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશ (UP) નો વતની અને ગરીબ પરિવારનો આશાસ્પદ યુવક ત્રિવેણકુમાર થોડા દિવસો પહેલાં જ કચ્છના ઔદ્યોગિક વિસ્તારોમાં કોઈ કામ મળી રહે તેવા હેતુથી અહીં આવ્યો હતો. રાપરના ગ્રામીણ વિસ્તારોમાં નોકરી માટે ભટકતા ભટકતા તે ગઈકાલે બપોરે નંદાસર કેનાલ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો.</p><h2><b>પાણી વિના આકરા તાપમાં શરીર સાથ છોડી ગયું</b></h2><p>કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી પારો ૪૨ થી ૪૪ ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યો છે, સાથે જ રણની સૂકી અને ગરમ હવા (લૂ) ફૂંકાઈ રહી છે. બપોરના સમયે અસહ્ય તાપ અને ઉકળાટના કારણે ત્રિવેણકુમારની તબિયત નંદાસર કેનાલ પાસે અચાનક લથડી હતી. હીટ સ્ટ્રોકના કારણે તેનું શરીર ડિહાઇડ્રેટ થઈ ગયું હતું અને તે કેનાલના કાચા રસ્તા પર જ બેભાન થઈને ઢળી પડ્યો હતો. નિર્જન રસ્તો હોવાના કારણે તેને સમયસર મેડિકલ સારવાર અથવા પાણી ન મળી શકતાં તેનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું.</p><h3><b>વાયરલ વીડિયોએ હજારો નેટીઝન્સને રડાવ્યા</b></h3><p>ત્રિવેણકુમારનું મોત થયું તે પહેલાં, જ્યારે તેનું શરીર ગરમીથી શેકાઈ રહ્યું હતું અને તેને અહેસાસ થઈ ગયો હતો કે હવે તેનો જીવ બચશે નહીં, ત્યારે તેણે અત્યંત લાચારીની સ્થિતિમાં પોતાના મોબાઈલ કેમેરાથી એક વીડિયો શૂટ કર્યો હતો. આ વીડિયોમાં તે ધ્રુજતા અવાજે ભગવાન અને ત્યાંથી પસાર થનારા લોકોને વિનંતી કરી રહ્યો છે કે, "મને ખૂબ જ ગરમી લાગી રહી છે, મારું શરીર કામ નથી કરી રહ્યું... પ્લીઝ મને છેલ્લીવાર મારા પરિવાર સાથે મેળવી દો, મારે મારા માતા-પિતાને જોવા છે." આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/rajkot/sandhiya-bridge-inaugurated-by-deputy-cm-harsh-sanghavi-built-at-cost-of-74-crores" target="_blank">આ પણ વાંચો: Rajkot: નવનિર્મિત 'સાંઢિયા પુલ'નું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે થયું લોકાર્પણ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/7Xe9CcXwyLrFRJGGV3pQuuNOVw5LUfM9gKxzdejH.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026,Day 3 : આજે આ ચાર ટીમ વચ્ચે ટક્કર,જાણો કેટલા વાગ્યે શરૂ થશે મેચ ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-day-3-today-these-four-teams-will-clash-know-what-time-the-match-will-start</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-day-3-today-these-four-teams-will-clash-know-what-time-the-match-will-start</guid><pubDate>Sat, 13 Jun 2026 11:52:21 +05:30</pubDate><description><![CDATA[<p>ફિફા વર્લ્ડ કપ 2026નો ઉત્સાહ સતત વધી રહ્યો છે.ટુર્નામેન્ટના ત્રીજા દિવસે ફૂટબોલ ચાહકો એક પછી એક ત્રણ રોમાંચક ગ્રુપ સ્ટેજ મેચ જોશે.ગ્રુપ B અને ગ્રુપ Cની ટીમો આજે સુપર રાઉન્ડમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે.પ્રથમ મેચ ગ્રુપ B ની ટીમો વચ્ચે રમાશે,જેમાં કતાર સ્વિટ્ઝર્લૅન્ડ સામે ટકરાશે. બીજી અને ત્રીજી મેચ ગ્રુપ Cની ટીમો વચ્ચે રમાશે.</p><h3><b>સ્વિટ્ઝર્લૅન્ડ અને કતાર વચ્ચે ટક્કર&nbsp;</b></h3><p>દિવસનો પહેલો મેચ ગ્રુપ Bની ટીમ વચ્ચે રમાશે,જેમાં કતાર સ્વિટ્ઝર્લૅન્ડ સામે ટકરાશે.આ મેચ સ્થાનિક સમય મુજબ બપોરે 3:00 વાગ્યે સાન ફ્રાન્સિસ્કો બે એરિયા સ્ટેડિયમ ખાતે રમાશે.કતારના સ્ટ્રાઈકર્સને સ્વિટ્ઝર્લૅન્ડના મજબૂત ડિફેન્સ સામે ખરા અર્થમાં કસોટીનો સામનો કરવો પડશે.આ મેચ 14 જૂનના રોજ ભારતીય સમય મુજબ સવારે 3:30 વાગ્યે શરૂ થશે.આ એક ખૂબ જ ટેકનિકલ અને વ્યૂહાત્મક રીતે પડકારજનક સ્પર્ધા હોવાની અપેક્ષા છે.જો કતાર આ મેચમાં પોઈન્ટ મેળવવા માંગે છે તો તેમને સ્વિસ મિડફિલ્ડના વર્ચસ્વને તોડવા અને શરૂઆતના સ્કોરિંગ તકોનો લાભ ઉઠાવવાની જરૂર પડશે.</p><h4><b>ગ્રુપ સીમાં બ્રાઝિલ અને  મોરોક્કો</b></h4><p>આગળ ગ્રુપ સીના સૌથી મોટા મુકાબલામાં ફૂટબોલની સૌથી મજબૂત ટીમોમાંની એક બ્રાઝિલ મોરોક્કો સામે ટકરાશે.વિશ્વભરની નજર આ મેચ પર રહેશે,જે સ્થાનિક સમય અનુસાર સાંજે 6 વાગ્યે ન્યુ જર્સીના પ્રખ્યાત મેટલાઇફ સ્ટેડિયમ ખાતે રમાશે.ભારતના ચાહકો 14 જૂને સવારે 3:30 વાગ્યાથી મેચ જોઈ શકશે.મોરોક્કો ગયા વર્લ્ડ કપના તેના પ્રભાવશાળી પ્રદર્શનને પુનરાવર્તિત કરવાનો પ્રયાસ કરશે.જ્યારે બ્રાઝિલ તેની ફાઇવ-સ્ટાર પ્રતિષ્ઠાને મજબૂત બનાવવાનું લક્ષ્ય રાખશે.</p><h4><b>હૈતી અને સ્કોટલેન્ડ આમને-સામને થશે</b></h4><p>ત્રીજા દિવસની અંતિમ મેચ ગ્રુપ સીમાં પણ હશે જેમાં હૈતી સ્કોટલેન્ડ સામે રમશે.મેચ સ્થાનિક સમય મુજબ રાત્રે 9 વાગ્યે મેસેચ્યુસેટ્સના ફોક્સબરોના બોસ્ટન સ્ટેડિયમ ખાતે શરૂ થશે.ગ્રુપ સ્ટેજ માટે સ્પર્ધામાં રહેવા માટે બંને ટીમો માટે આ મેચ જીતવી મહત્વપૂર્ણ છે.આ બધી મેચોનું ભારતીય ફૂટબોલ ચાહકો માટે ગઈકાલે મોડી રાત્રે અને આવતીકાલે સવારે લાઇવ પ્રસારણ કરવામાં આવશે.ભારતમાં 14 જૂને સવારે 6:30 વાગ્યે મેચ શરૂ થશે.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/who-will-be-the-champion-in-fifa-world-cup-2026-experts-shocking-prediction" target="_blank">FIFA World Cup 2026માં કોણ બનશે ચેમ્પિયન? એક્સપર્ટની ચોંકાવનારી આગાહી</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/9IPt9asjSE3Jmu629f3xeLTuv3DFjOGNhurc4a4V.webp'/></item><item><title><![CDATA[Dhamaal 4નું ધમાકેદાર ટ્રેલર જોઈ ફેન્સ હસવાનું ના રોકી શકયા, અજય, અરશદ અને રિતેશનો તડકો મચાવશે ધમાલ ]]></title><link>https://sandesh.com/entertainment/news/fans-couldnt-stop-laughing-after-watching-the-explosive-trailer-of-dhamaal-4-ajay-arshad-and-ritesh-will-create-a-buzz</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/fans-couldnt-stop-laughing-after-watching-the-explosive-trailer-of-dhamaal-4-ajay-arshad-and-ritesh-will-create-a-buzz</guid><pubDate>Sat, 13 Jun 2026 11:42:26 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડની ફિલ્મોમાં સિકવલનો ટ્રેન્ડ છે. હવે આ શ્રેણીમાં વધુ એક ફિલ્મ દર્શકોનું મનોરંજન કરવા આવી રહી છે. ધુરંધર અને પેડ્ડી જેવી એકશન ફિલ્મો દર્શકોને ભલે પસંદ આવે પરંતુ પરિવાર સાથે જોવી અશકય બને છે. તમે લાંબા સમયથી કોઈ શુદ્ધ કોમેડી ફિલ્મની રાહ જોઈ રહ્યા છો, તો તમારી આતુરતાનો અંત આવ્યો છે. અજય દેવગણ, અરશદ વારસી, રિતેશ દેશમુખ અને જાવેદ જાફરીની સુપરહિટ ગેંગ ફરી એકવાર થિયેટરોમાં તોફાન મચાવવા તૈયાર છે. ફિલ્મ 'ધમાલ ૪' નું ટ્રેલર સત્તાવાર રીતે રિલીઝ થઈ ગયું છે. ધમાલનું ટ્રેલર જોઈ ફેન્સ હસીને લોટપોટ થઈ ગયા.</p><h2 style="text-align: justify; "><b>ધમાલ-4નું ટ્રેલર ફેન્સને પસંદ આવ્યું</b></h2><p style="text-align: justify; ">ધમાલ-4માં અગાઉની સીરીઝ કરતાં પણ બમણી કોમેડી અને કન્ફ્યુઝન જોવા મળી રહ્યું છે. ધમાલનું ટ્રેલર ફેન્સને ખૂબ પસંદ આવ્યું છે. એ જોતા લાગે છે કે ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ કરશે. 'ધમાલ ૪' ના ટ્રેલરની વાત કરીએ તો, આ વખતે પણ વાર્તા કોમેડીના એક અનોખા ખજાનાની શોધ પર આધારિત છે. જોકે, આ વખતે ડિરેક્ટર ઇન્દ્ર કુમારે ફિલ્મમાં કોમેડીની સાથે હોરર (ભૂતિયા) એલિમેન્ટ પણ ઉમેર્યું છે. આ ઉપરાંત, ફિલ્મમાં એક મજેદાર ભોજપુરી ટ્વિસ્ટ પણ રાખવામાં આવ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>ધમાલમાં નવા અને જૂના કલાકારો</b></h3><p style="text-align: justify; "> </p><p style="text-align: justify; ">પ્રખ્યાત ભોજપુરી સિંગર નીલકમલ સિંહનું ગીત "ફુલોરી બીના ચટણી કૈસે બાની" બેકગ્રાઉન્ડમાં સાંભળવા મળે છે, જે કોમેડીની મજા બમણી કરે છે. આ ચોથા ભાગમાં જૂની સ્ટાર કાસ્ટની સાથે કેટલાક નવા ચહેરાઓ પણ ધમાલ મચાવતા જોવા મળશે. એશા ગુપ્તા, સંજીદા શેખ, અંજલિ આનંદ, ઉપેન્દ્ર લિમયે અને વિજય પાટકર. 'સિંઘમ ૩' ની ભવ્ય સફળતા બાદ અજય દેવગણ અને રવિ કિશન ફરી એકવાર સ્ક્રીન શેર કરતા જોવા મળશે. રવિ કિશનનો આ ફિલ્મમાં તદ્દન અલગ અને કોમિક અવતાર જોવા મળી રહ્યો છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/Z4VDDBvbClCmlekkpRAKLc8e2bOCr3Dk2tRnfUJA.webp'/></item><item><title><![CDATA[Rajkot: નવનિર્મિત 'સાંઢિયા પુલ'નું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે થયું લોકાર્પણ ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/sandhiya-bridge-inaugurated-by-deputy-cm-harsh-sanghavi-built-at-cost-of-74-crores</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/sandhiya-bridge-inaugurated-by-deputy-cm-harsh-sanghavi-built-at-cost-of-74-crores</guid><pubDate>Sat, 13 Jun 2026 11:31:28 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટના જામનગર રોડ તરફ રહેતા અને દૈનિક અપડાઉન કરતા લાખો વાહનચાલકો માટે આજનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે. રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા અત્યંત આધુનિક ડિઝાઇન સાથે તૈયાર કરવામાં આવેલા નવનિર્મિત સાંઢિયા ઓવરબ્રિજનું આજે સત્તાવાર રીતે ઉદ્ઘાટન કરીને જનતા ચરણોમાં સમર્પિત કરવામાં આવ્યો છે.</p><h2><b>લાખો વાહનચાલકોની પ્રતીક્ષાનો આખરે અંત</b></h2><p>રેલવે લાઇન પર બનેલા જૂના અને સાંકડા સાંઢિયા પુલને કારણે અહીં દરરોજ કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી. એમ્બ્યુલન્સ અને સ્કૂલ બસો પણ આ જામમાં ફસાઈ જતી હતી. આ સમસ્યાના કાયમી નિવારણ માટે મનપા દ્વારા રૂ. ૭૪ કરોડનું માતબર બજેટ ફાળવીને નવો ભવ્ય ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ કાર્યરત થતાં જ હવે રાજકોટ અને જામનગર વચ્ચે ચોવીસે કલાક ટ્રાફિકની ગતિ અવિરત રહેશે અને લાખો વાહનચાલકોને સીધો મોટો ફાયદો થશે.</p><h3><b>લોકાર્પણ કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર બનેલો રોડ શો</b></h3><p>આજે યોજાયેલા ભવ્ય લોકાર્પણ સમારોહમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તકતી અનાવરણ કરીને અને રીબન કાપીને બ્રિજનું વિધિવત ઓપનિંગ કર્યું હતું. બ્રિજ ખુલ્લો મુકાયા બાદ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, રાજકોટના મેયર, ધારાસભ્યો અને મનપાના પદાધિકારીઓ સાથે એક સુશોભિત ખુલ્લી જીપમાં સવાર થયા હતા. તેમણે આખા બ્રિજ પર સવારી કરી રસ્તાની બંને બાજુએ ઉત્સાહભેર ઉભેલા રાજકોટના નાગરિકો અને મીડિયાકર્મીઓનું હાથ હલાવીને અભિવાદન ઝીલ્યું હતું. આ પ્રસંગે મનપાના કમિશનર સહિત સીટી એન્જિનિયરિંગ વિંગના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahwa/dang-district-bjp-suspends-former-irrigation-chairman-haresh-bachhav-over-indiscipline" target="_blank">આ પણ વાંચો: Dang: પૂર્વ જિલ્લા પંચાયત હોદ્દેદાર હરેશ બચ્છાવ ભાજપમાંથી સસ્પેન્ડ, પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ બદલ થઈ મોટી કાર્યવાહી</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/4ZLsYFzixm3ACcmiim0vfxHsN3eNCnPEHxEjltGz.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : ચોમાસું માથે છતાં પ્રિ-મોન્સૂન કામગીરીના નામે મીંડું, કેચપીટો જામ થતાં પાણી ભરાવાની અને ટ્રાફિક જામની ભીતિ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-amc-pre-monsoon-work-fail-catchpit-choked-traffic-jam-helmet-crossroad</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-amc-pre-monsoon-work-fail-catchpit-choked-traffic-jam-helmet-crossroad</guid><pubDate>Sat, 13 Jun 2026 10:55:02 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં ચોમાસું ગમે ત્યારે બેસી શકે તેમ છે, ત્યારે સ્માર્ટ સિટી અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ની પ્રિ-મોન્સૂન કામગીરીના મોટા-મોટા દાવાઓ માત્ર કાગળ પર જ હોય તેવું ચિત્ર સામે આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસું માથે હોવા છતાં તંત્ર જાગ્યું નથી. આખું વર્ષ ઊંઘતું ઝડપાયેલું તંત્ર હવે છેલ્લી ઘડીએ પ્રિ-મોન્સૂન કામગીરી કરવા દોડી રહ્યું છે, જેના કારણે સફાઈની પોલ તો ખુલી જ છે, સાથે જ શહેરીજનોએ ભારે ટ્રાફિક જામનો પણ સામનો કરવો પડી રહ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>તમામ કેચપીટો કચરાથી સંપૂર્ણપણે જામ
</b></h2><p style="text-align: justify; ">શહેરના પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો, સંજીવની હોસ્પિટલથી લઈને NFD સર્કલ તરફ જવાના માર્ગ પર આવેલી લગભગ તમામ કેચપીટો કચરાથી સંપૂર્ણપણે જામ જોવા મળી રહી છે. તંત્ર દ્વારા ના તો આ કેચપીટ ખોલીને અંદરનો કચરો સાફ કરવામાં આવ્યો છે, ના તો તેના ઢાંકણા પર જામેલી માટી હટાવવામાં આવી છે. જો પ્રી-મોન્સૂન કામગીરી હેઠળ આ કેચપીટો સાફ ન થાય, તો પ્રથમ વરસાદમાં જ આ મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાવાની અને વાહનચાલકો ફસાવાની પૂરેપૂરી શક્યતા છે.
</p><h3 style="text-align: justify; "><b>વિજય ચાર રસ્તાથી હેલ્મેટ ચાર રસ્તા તરફના માર્ગ પર છેલ્લી ઘડીએ ખોદકામ
</b></h3><p style="text-align: justify; ">બીજી તરફ, તંત્રની આવી જ બેદરકારી વિજય ચાર રસ્તાથી હેલ્મેટ ચાર રસ્તા તરફના માર્ગ પર પણ જોવા મળી છે. આખું વર્ષ આ રોડના સમારકામ કે સફાઈની કોઈ તસ્દી લેવાઈ નહોતી, પણ હવે છેલ્લી ઘડીએ ખોદકામ શરૂ કરાતાં વન-વે જેવી સ્થિતિ સર્જાઈ છે. એક તરફનો આખો માર્ગ બંધ કરી દેવામાં આવતા આ વ્યસ્ત રોડ પર દૈનિક 10,000 થી વધુ વાહનચાલકો ટ્રાફિક જામની ભયાનક સમસ્યાનો ભોગ બની રહ્યા છે. પિક-અવર્સ (ઓફિસના સમયે) માં સ્થિતિ વધુ ખરાબ થાય છે.
</p><h4 style="text-align: justify; "><b>દર વર્ષે કરોડો રૂપિયાનું આંધણ
</b></h4><p style="text-align: justify; ">અમદાવાદીઓનો આક્ષેપ છે કે પ્રિ-મોન્સૂન એક્શન પ્લાનના નામે દર વર્ષે કરોડો રૂપિયાનું આંધણ થાય છે, છતાં સામાન્ય વરસાદમાં પણ શહેર 'વેનિસ' બની જાય છે. હવે જોવાનું એ રહેશે કે કમિશનર આ મામલે કોઈ કડક પગલાં ભરે છે કે પછી જનતાએ ફરી એકવાર પાણીમાં ડૂબવા તૈયાર રહેવું પડશે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-gujarat-latest-news-live-and-samachar-13-june-2026-politics-weather-updates-daily-breaking-news-nation#google_vignette" target="_blank"><b> &nbsp;Gujarat Latest News Live: સુરતના ભૂતિયા ડિમોલેશન મામલામાં દોષિતો સામે 14 દિવસ પછી પણ કોઇ કાર્યવાહી નહી</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/9j2G2zicGxclRcDIU9Jhl51Vu5nPFP5ZtDZJRhcQ.webp'/></item><item><title><![CDATA[Gold Price Today : સોનું ફરી મોંઘું થયું અને ચાંદીના ભાવ પણ વધ્યા! જાણો તમારા શહેરમાં આજનો લેટેસ્ટ રેટ ]]></title><link>https://sandesh.com/business/news/india/gold-silver-rate-today-prices-hike-check-city-wise-latest-rates</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/gold-silver-rate-today-prices-hike-check-city-wise-latest-rates</guid><pubDate>Sat, 13 Jun 2026 10:40:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આજે 13 જૂન, શનિવારના રોજ ભારતના ઝવેરી બજારમાં છેલ્લા દિવસોના ઘટાડા પછી સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. વૈશ્વિક ઉતાર-ચઢાવ અને રોકાણકારો તરફથી વધેલી માંગના કારણે કિંમતી ધાતુઓના ભાવમાં ફરી ઉછાળો આવ્યો છે.<br></p><h2><b>આજે કેટલો છે સોનાનો ભાવ?</b></h2><p></p><p style="text-align: justify; ">આજે 24 કેરેટવાળા શુદ્ધ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,48,580 રૂપિયા છે. દાગીના માટે વપરાતા 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,36,200 થી 1,37,230 રૂપિયા છે. આ જ ક્રમમાં 18 કેરેટ સોનાનો ભાવ આજે 1,11,450 થી 1,12,420 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.</p><h3 style="text-align: justify; "><b>આજે ચાંદીનો ભાવ</b></h3><p style="text-align: justify; ">ચાંદીના ભાવમાં પણ આજે મજબૂત વધારો થયો છે. આજે ચાંદી પ્રતિ ગ્રામ 260.10 રૂપિયા છે. આ હિસાબે આજે એક કિલો ચાંદીનો ભાવ 2,60,000 રૂપિયાની આસપાસ વેપાર કરી રહ્યો છે.<br></p><h3><b>મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)</b></h3><p></p><table class="table table-bordered"><tbody><tr><td><b>શહેર</b></td><td><b>24 કેરેટ સોનાની કિંમત</b></td><td><b>22 કેરેટ સોનાની કિંમત</b></td></tr><tr><td>દિલ્હી</td><td>1,49,230</td><td>1,36,800</td></tr><tr><td>મુંબઈ</td><td>1,49,080<br></td><td>1,36,650<br></td></tr><tr><td>કોલકાતા</td><td>1,49,230</td><td>1,36,800</td></tr><tr><td>ચેન્નઈ</td><td>1,51,200<br></td><td>1,38,600<br></td></tr><tr><td>અમદાવાદ</td><td>1,49,130<br></td><td>1,36,700<br></td></tr><tr><td>રાજકોટ</td><td>1,49,130</td><td>1,36,700</td></tr></tbody></table><h4 style="text-align: justify; "><b>કેમ વધ્યા ભાવ?</b></h4><h6 style="text-align: justify; "><b>અમેરિકા-ઈરાનમાં યુદ્ધ ટળવાની આશા: </b></h6><p style="text-align: justify; ">અમેરિકી પ્રમુખ દ્વારા ઈરાન પર આયોજિત સૈન્ય હુમલાને રોકવા અને વાતચીતના સંકેત આપ્યા બાદ વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા થોડી ઓછી થઈ છે. આનાથી રોકાણકારોનો ભરોસો પાછો ફર્યો છે, જેના લીધે આંતરરાષ્ટ્રીય બજારની સાથે-સાથે ભારતીય કોમોડિટી એક્સચેન્જ પર સોના-ચાંદીના ફ્યુચર્સમાં મોટી ખરીદી શરૂ થઈ ગઈ છે.</p><h6 style="text-align: justify; "><b>બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસમાં મોટો ઘટાડો: </b></h6><p style="text-align: justify; ">સરકારે સોનાની બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસ 80 ડોલરથી ઘટાડીને 1,343 ડોલર પ્રતિ 10 ગ્રામ કરી દીધી છે અને ચાંદીની બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસ 276 ડોલર પ્રતિ કિલો ઘટાડી છે. આનાથી આયાતકારો અને મોટા જ્વેલર્સ માટે આયાતનું મૂલ્યાંકન અનુકૂળ બન્યું છે, જેના કારણે સ્થાનિક બજારનું સેન્ટિમેન્ટ મજબૂત થયું છે અને માંગ વધી ગઈ છે.</p><h6 style="text-align: justify; "><b>ભારે ઘટાડા બાદ નીચલા સ્તરે ખરીદી: </b></h6><p style="text-align: justify; ">છેલ્લા કેટલાક દિવસોમાં ભારતીય ઝવેરી બજારમાં સોના અને ચાંદીમાં રેકોર્ડ ઘટાડો આવ્યો હતો. સોનાના ભાવ જ્યારે પણ આ રીતે નીચે આવે છે, ત્યારે રોકાણકારો અને જ્વેલર્સ આને ખરીદીની સાચી તક માનીને મોટી માત્રામાં નીચા ભાવે ખરીદી શરૂ કરી દે છે. આનાથી ભાવ ફરીથી વધવા લાગે છે.</p><h6 style="text-align: justify; "><b>વ્યાજ દરોમાં ઘટાડાની આશા: </b></h6><p style="text-align: justify; ">ગ્લોબલ માર્કેટમાં ફરીથી એ ચર્ચા જોર પકડી રહી છે કે અમેરિકી ફેડરલ રિઝર્વ ટૂંક સમયમાં જ વ્યાજ દરોમાં ઘટાડો કરી શકે છે. વ્યાજ દર ઓછા થવાની આશાથી ડોલર થોડો નબળો પડી શકે છે અને જ્યારે ડોલર નબળો પડે છે, ત્યારે સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદીની વૈશ્વિક માંગ અને ભાવ બંને વધી જાય છે.</p><h6 style="text-align: justify; "><b>Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.</b></h6><p style="text-align: justify; "><a href="https://sandesh.com/tech/news/world/ai-data-centers-consuming-water-of-1-3-billion-people-global-protests" target="_blank">આ પણ વાંચો-AI Water Crisis : 130 કરોડ લોકોના હિસ્સાનું પાણી ગટગટાવી જશે AI, વિશ્વભરમાં ડેટા સેન્ટરો વિરુદ્ધ વિરોધ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/0JO538vjyfTREFeIq4nOStu734ypMnvLL2it1ovJ.webp'/></item><item><title><![CDATA[Gold Price Today : સોનું ફરી મોંઘું થયું અને ચાંદીના ભાવ પણ વધ્યા! જાણો તમારા શહેરમાં આજનો લેટેસ્ટ રેટ ]]></title><link>https://sandesh.com/business/news/india/gold-silver-rate-today-prices-hike-check-city-wise-latest-rates</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/gold-silver-rate-today-prices-hike-check-city-wise-latest-rates</guid><pubDate>Sat, 13 Jun 2026 10:40:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આજે 13 જૂન, શનિવારના રોજ ભારતના ઝવેરી બજારમાં છેલ્લા દિવસોના ઘટાડા પછી સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. વૈશ્વિક ઉતાર-ચઢાવ અને રોકાણકારો તરફથી વધેલી માંગના કારણે કિંમતી ધાતુઓના ભાવમાં ફરી ઉછાળો આવ્યો છે.<br></p><h2><b>આજે કેટલો છે સોનાનો ભાવ?</b></h2><p></p><p style="text-align: justify; ">આજે 24 કેરેટવાળા શુદ્ધ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,48,580 રૂપિયા છે. દાગીના માટે વપરાતા 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,36,200 થી 1,37,230 રૂપિયા છે. આ જ ક્રમમાં 18 કેરેટ સોનાનો ભાવ આજે 1,11,450 થી 1,12,420 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.</p><h3 style="text-align: justify; "><b>આજે ચાંદીનો ભાવ</b></h3><p style="text-align: justify; ">ચાંદીના ભાવમાં પણ આજે મજબૂત વધારો થયો છે. આજે ચાંદી પ્રતિ ગ્રામ 260.10 રૂપિયા છે. આ હિસાબે આજે એક કિલો ચાંદીનો ભાવ 2,60,000 રૂપિયાની આસપાસ વેપાર કરી રહ્યો છે.<br></p><h3><b>મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)</b></h3><p></p><table class="table table-bordered"><tbody><tr><td><b>શહેર</b></td><td><b>24 કેરેટ સોનાની કિંમત</b></td><td><b>22 કેરેટ સોનાની કિંમત</b></td></tr><tr><td>દિલ્હી</td><td>1,49,230</td><td>1,36,800</td></tr><tr><td>મુંબઈ</td><td>1,49,080<br></td><td>1,36,650<br></td></tr><tr><td>કોલકાતા</td><td>1,49,230</td><td>1,36,800</td></tr><tr><td>ચેન્નઈ</td><td>1,51,200<br></td><td>1,38,600<br></td></tr><tr><td>અમદાવાદ</td><td>1,49,130<br></td><td>1,36,700<br></td></tr><tr><td>રાજકોટ</td><td>1,49,130</td><td>1,36,700</td></tr></tbody></table><h4 style="text-align: justify; "><b>કેમ વધ્યા ભાવ?</b></h4><h6 style="text-align: justify; "><b>અમેરિકા-ઈરાનમાં યુદ્ધ ટળવાની આશા: </b></h6><p style="text-align: justify; ">અમેરિકી પ્રમુખ દ્વારા ઈરાન પર આયોજિત સૈન્ય હુમલાને રોકવા અને વાતચીતના સંકેત આપ્યા બાદ વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા થોડી ઓછી થઈ છે. આનાથી રોકાણકારોનો ભરોસો પાછો ફર્યો છે, જેના લીધે આંતરરાષ્ટ્રીય બજારની સાથે-સાથે ભારતીય કોમોડિટી એક્સચેન્જ પર સોના-ચાંદીના ફ્યુચર્સમાં મોટી ખરીદી શરૂ થઈ ગઈ છે.</p><h6 style="text-align: justify; "><b>બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસમાં મોટો ઘટાડો: </b></h6><p style="text-align: justify; ">સરકારે સોનાની બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસ 80 ડોલરથી ઘટાડીને 1,343 ડોલર પ્રતિ 10 ગ્રામ કરી દીધી છે અને ચાંદીની બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસ 276 ડોલર પ્રતિ કિલો ઘટાડી છે. આનાથી આયાતકારો અને મોટા જ્વેલર્સ માટે આયાતનું મૂલ્યાંકન અનુકૂળ બન્યું છે, જેના કારણે સ્થાનિક બજારનું સેન્ટિમેન્ટ મજબૂત થયું છે અને માંગ વધી ગઈ છે.</p><h6 style="text-align: justify; "><b>ભારે ઘટાડા બાદ નીચલા સ્તરે ખરીદી: </b></h6><p style="text-align: justify; ">છેલ્લા કેટલાક દિવસોમાં ભારતીય ઝવેરી બજારમાં સોના અને ચાંદીમાં રેકોર્ડ ઘટાડો આવ્યો હતો. સોનાના ભાવ જ્યારે પણ આ રીતે નીચે આવે છે, ત્યારે રોકાણકારો અને જ્વેલર્સ આને ખરીદીની સાચી તક માનીને મોટી માત્રામાં નીચા ભાવે ખરીદી શરૂ કરી દે છે. આનાથી ભાવ ફરીથી વધવા લાગે છે.</p><h6 style="text-align: justify; "><b>વ્યાજ દરોમાં ઘટાડાની આશા: </b></h6><p style="text-align: justify; ">ગ્લોબલ માર્કેટમાં ફરીથી એ ચર્ચા જોર પકડી રહી છે કે અમેરિકી ફેડરલ રિઝર્વ ટૂંક સમયમાં જ વ્યાજ દરોમાં ઘટાડો કરી શકે છે. વ્યાજ દર ઓછા થવાની આશાથી ડોલર થોડો નબળો પડી શકે છે અને જ્યારે ડોલર નબળો પડે છે, ત્યારે સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદીની વૈશ્વિક માંગ અને ભાવ બંને વધી જાય છે.</p><h6 style="text-align: justify; "><b>Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.</b></h6><p style="text-align: justify; "><a href="https://sandesh.com/tech/news/world/ai-data-centers-consuming-water-of-1-3-billion-people-global-protests" target="_blank">આ પણ વાંચો-AI Water Crisis : 130 કરોડ લોકોના હિસ્સાનું પાણી ગટગટાવી જશે AI, વિશ્વભરમાં ડેટા સેન્ટરો વિરુદ્ધ વિરોધ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/0JO538vjyfTREFeIq4nOStu734ypMnvLL2it1ovJ.webp'/></item><item><title><![CDATA[Anna Hazareને 90મા જન્મદિવસે રક્ષા મંત્રાલયે ભેટમાં આપી T-55 ભીમ ટેન્ક ]]></title><link>https://sandesh.com/india/news/anna-hazare-90th-birthday-gift-defence-ministry-t55-bheem-tank-ralegan-siddhi</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/anna-hazare-90th-birthday-gift-defence-ministry-t55-bheem-tank-ralegan-siddhi</guid><pubDate>Sat, 13 Jun 2026 10:25:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દેશના જાણીતા સામાજિક કાર્યકર્તા અને પૂર્વ સૈનિક અણ્ણા હઝારેને તેમના 90મા જન્મદિવસે સંરક્ષણ મંત્રાલય  તરફથી દેશની સૌથી અનોખી અને ઐતિહાસિક ભેટ મળી છે. ભારતીય સેનામાં ડ્રાઈવર તરીકે પોતાની સેવાઓ આપી ચૂકેલા અણ્ણા હઝારેને સન્માનિત કરવા માટે રક્ષા મંત્રાલયે તેમને 1965 અને 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધની જીતનો હીરો ગણાતી 'T-55 ભીમ ટેન્ક' ભેટમાં આપી છે. આ પરાક્રમી ટેન્ક હવે અણ્ણા હઝારેના પૈતૃક ગામ રાલેગણ સિદ્ધિ ખાતે લાવી દેવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>વિશાળ ટેન્ક 11 જૂનના રોજ ગામમાં પહોંચી 
</b></h2><p style="text-align: justify; ">જ્યારે આ વિશાળ ટેન્ક 11 જૂનના રોજ ગામમાં પહોંચી અને તેને 'હિંદ સેવા ટ્રસ્ટ'ના મુખ્ય ગેટ પર સ્થાપિત કરવામાં આવી, ત્યારે ગામલોકોએ ઉત્સાહભેર તેનું સ્વાગત કર્યું હતું. 
</p><h3 style="text-align: justify; "><b>અણ્ણા હઝારે આ અદભુત સન્માન જોઈને અત્યંત ભાવુક થઈ ગયા
</b></h3><p style="text-align: justify; ">વર્ષો પહેલા સેનામાં રહીને દેશની રક્ષા કરનારા અણ્ણા હઝારે આ અદભુત સન્માન જોઈને અત્યંત ભાવુક થઈ ગયા હતા. તેમણે પૂરા સૈન્ય સન્માન સાથે આ ટેન્ક પર ફૂલહાર ચડાવીને તેને સેલ્યુટ કર્યું હતું.
</p><h4 style="text-align: justify; "><b>અણ્ણા હઝારેએ ગર્વથી જૂની યાદો તાજી કરી 
</b></h4><p style="text-align: justify; ">સોવિયત સંઘ (રશિયા) દ્વારા 1950ના દાયકામાં બનેલી અને ભારતે 1960માં ખરીદેલી આ ટેન્ક વિશે અણ્ણા હઝારેએ ગર્વથી જૂની યાદો તાજી કરી હતી. તેમણે જણાવ્યું કે, આ એ જ ટેન્ક છે જેની ગર્જના સાંભળીને 1971ના યુદ્ધમાં દુશ્મનો મેદાન છોડીને ભાગી ગયા હતા. તે સમયે અણ્ણા હઝારે પોતે પણ સેનાનો ભાગ હતા.
</p><h4 style="text-align: justify; "><b>ગામમાં પ્રેરણાના પ્રતીક તરીકે સચવાઈને રહેશે
</b></h4><p style="text-align: justify; ">સેનામાં અણ્ણા હઝારેના યોગદાન અને ત્યારબાદ રાલેગણ સિદ્ધિને દેશનું મોડેલ વિલેજ બનાવીને કરેલી દીર્ઘકાલીન સમાજસેવાની કદર રૂપે આ મોટો નિર્ણય લેવાયો છે. આ ઐતિહાસિક ભીમ ટેન્ક હવે કાયમ માટે આ ગામમાં પ્રેરણાના પ્રતીક તરીકે સચવાઈને રહેશે. અણ્ણા હઝારેએ જણાવ્યું કે, આ ગૌરવ માત્ર તેમનું નથી પરંતુ પૂરા ગામ અને દેશસેવાના મૂલ્યોનું સન્માન છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-gujarat-latest-news-live-and-samachar-13-june-2026-politics-weather-updates-daily-breaking-news-nation" target="_blank"><b>Gujarat Latest News Live: કોમર્શિયલ જહાજો પર હુમલો અયોગ્ય, જયશંકરે અમેરિકાને ખખડાવ્યું</b></a></p><p style="text-align: justify; "><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/JNdaFDFWZ6yAAbcILJh64ayQKliqkI0dKnwCk5Pg.webp'/></item></channel></rss>