<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[FIFA World Cupમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની શરમજનક શરૂઆત, કોંગો સામે પોર્ટુગલની મેચ ડ્રો ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/cristiano-ronaldos-embarrassing-start-in-fifa-world-cup-portugals-match-against-congo-draws</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/cristiano-ronaldos-embarrassing-start-in-fifa-world-cup-portugals-match-against-congo-draws</guid><pubDate>Thu, 18 Jun 2026 09:55:41 +05:30</pubDate><description><![CDATA[<p>ફિફા વર્લ્ડ કપ 2026 માં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ટીમ પોર્ટુગલની શરૂઆત અત્યંત નિરાશાજનક રહી છે. ફૂટબોલ જગતની સુપરપાવર ગણાતી પોર્ટુગલની ટીમને ગ્રૂપ સ્ટેજની સૌથી સરળ ગણાતી મેચમાં મોટો ઝટકો લાગ્યો છે. 52 વર્ષના લાંબા ગાળા પછી વર્લ્ડ કપમાં વાપસી કરી રહેલી ડીઆર કોંગો (DR Congo) ની ટીમે શાનદાર ડિફેન્સિવ રમત બતાવીને પોર્ટુગલને બરાબરી પર રોકી દીધું છે.</p><p>પોર્ટુગલનો દબદબો છતાં ગોલ માટે ફાંફા</p><p>આખી મેચ દરમિયાન પોર્ટુગલની ટીમ બીજા ગોલ માટે સંઘર્ષ કરતી જોવા મળી હતી. આંકડાની દ્રષ્ટિએ પોર્ટુગલનું પ્રદર્શન નીચે મુજબ રહ્યું. બોલ પઝેશન: મેચના 75 ટકા સમય સુધી બોલ પોર્ટુગલના ખેલાડીઓના કબજામાં હતો. શોટ્સ ઓન ટાર્ગેટમાં દબદબો હોવા છતાં, ગોલ તરફ શોટ મારવાની બાબતમાં પોર્ટુગલની ટીમ કોંગો કરતાં પણ પાછળ રહી ગઈ હતી.</p><p>કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડો નિરાશ</p><p>કોંગોની ટીમે માત્ર રક્ષણાત્મક રમત જ ન રમી, પરંતુ પોર્ટુગલ કરતાં વધુ એટેક કરીને ગોલ કરવાની સુવર્ણ તકો પણ બનાવી હતી. ટીમના સ્ટાર સ્ટ્રાઈકર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આ મેચમાં ભારે નિરાશ દેખાયા હતા. પોર્ટુગલના મિડફિલ્ડર્સે રોનાલ્ડો માટે ઘણી સારી તકો ઊભી કરી હતી, પરંતુ મુખ્ય સ્ટ્રાઈકર તરીકે રમી રહેલા રોનાલ્ડો એકપણ તકને ગોલમાં બદલી શક્યા નહીં.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/18/G4HyhbR8ELirMwkZGocOen4Dszv0ymMoCfsq0HEN.webp'/></item><item><title><![CDATA[Suratમાં ફિલ્મી ડ્રામા, શેરબજારમાં કંગાળ થયેલા યુવકે પોતાના જ અપહરણનું તરકટ રચ્યું, પરિવાર પાસે 50 લાખ માગ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-crime-news-man-staged-own-kidnapping-50-lakh-share-market-loss</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-crime-news-man-staged-own-kidnapping-50-lakh-share-market-loss</guid><pubDate>Thu, 18 Jun 2026 09:42:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારો અને સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક યુવકે પોતાના જ પરિવાર પાસેથી મોટી રકમ પડાવવા માટે ફિલ્મી સ્ટાઈલમાં પોતાના જ અપહરણનું ઘાતકી નાટક રચ્યું હતું. શેરબજારમાં થયેલી લાખો રૂપિયાની ખોટની ભરપાઈ કરવા માટે આ યુવકે આખું તરકટ રચ્યું હોવાનો પર્દાફાશ સુરતની ઉત્રાણ પોલીસે કર્યો છે. પોલીસે આ યુવકને ગોધરાની એક હોટેલમાંથી સહીસલામત ઝડપી પાડ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>હિન્દીમાં ધમકીભર્યો મેસેજ અને વીડિયો મોકલ્યો
</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, સુરતના ઉત્રાણ વિસ્તારમાં રહેતા જીગ્નેશ નામના યુવકે પોતાના જ પરિવારને ચોંકાવી દેતો એક હિન્દીમાં ધમકીભર્યો મેસેજ અને વીડિયો મોકલ્યો હતો. આ મેસેજમાં લખવામાં આવ્યું હતું કે, "જો 50 લાખ નહીં આપો તો યુવકની લાશ મળશે." આ ધમકીભર્યો વીડિયો જોઈને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પરિવારે તાત્કાલિક આ અંગે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી.
</p><h3 style="text-align: justify; "><b>ગોધરાની હોટેલમાંથી પોલ ખૂલી
</b></h3><p style="text-align: justify; ">ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ઉત્રાણ પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ટેકનિકલ સર્વેલન્સ અને લોકેશનના આધારે તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારી કડીઓ મળી હતી અને જીગ્નેશનું લોકેશન પંચમહાલ જિલ્લાના ગોધરાની એક હોટેલમાં ટ્રેસ થયું હતું. પોલીસે ગોધરાની હોટેલમાં દરોડો પાડીને જીગ્નેશને સહીસલામત શોધી કાઢ્યો હતો.
</p><h4 style="text-align: justify; "><b>તેને શેરબજારમાં ભારે ખોટ ગઈ હતી
</b></h4><p style="text-align: justify; ">પોલીસની કડક પૂછપરછમાં જીગ્નેશે પોતે જ આ ગુનો આચર્યો હોવાની કબૂલાત કરી હતી. તેને શેરબજારમાં ભારે ખોટ ગઈ હતી અને દેવું વધી જતાં પૈસા ચૂકવવા માટે તેણે પોતાના જ અપહરણનું નાટક રચ્યું હતું. નવાઈની વાત એ છે કે, જીગ્નેશે તેને કેવી રીતે બંધક બનાવવામાં આવ્યો હતો તેનો લાઈવ ડેમો પણ પોલીસ સમક્ષ કરીને બતાવ્યો હતો. હાલ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/india/news/sandesh-digital-explainer-ayodhya-ram-mandir-donation-scam-sit-probe" target="_blank"><b>Sandesh Digital Explainer : રામ નામે પથ્થર તર્યા..! અયોધ્યા રામ મંદિરમાં સવા વર્ષ સુધી કેવી રીતે ચાલ્યું કરોડોનું ' દાન કૌભાંડ'? વાંચો ઇન-ડેપ્થ માહિતી</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/18/ZWd3Sh8WaCiU32MBwfOVSILJ78OKTUmkK69eX0Eu.webp'/></item><item><title><![CDATA[Petrol Diesel Price Today: ગુરુવારે પેટ્રોલ ડીઝલના ભાવમાં ફેરફાર, જાણી લો આજનો રેટ ]]></title><link>https://sandesh.com/business/news/petrol-diesel-price-today-petrol-diesel-price-change-on-thursday-know-todays-rate</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/petrol-diesel-price-today-petrol-diesel-price-change-on-thursday-know-todays-rate</guid><pubDate>Thu, 18 Jun 2026 09:30:24 +05:30</pubDate><description><![CDATA[<p>ઈરાન અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ સમાપ્ત થઈ ગયો છે. આ સમાચાર બાદ, ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો છે. બ્રેન્ટ ક્રૂડના ભાવ 1.53 ટકા ઘટીને $78.33 પ્રતિ બેરલ થયા છે. આ દરમિયાન ભારતની સરકારી માલિકીની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલ માટે નવા દર જાહેર કર્યા છે.રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં, પેટ્રોલ લગભગ ₹102.12 પ્રતિ લિટર અને ડીઝલ ₹95.20 પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. આજે ઇંધણના દરમાં કોઈ ફેરફાર થયો નથી.</p><h2><b>પડોશી દેશોમાં પેટ્રોલના શું છે ભાવ ?&nbsp;&nbsp;</b></h2><p>વૈશ્વિક પેટ્રોલ ભાવ આંકડા અનુસાર, પાકિસ્તાનમાં પેટ્રોલનો સરેરાશ ભાવ ₹130.82 પ્રતિ લિટરથી ઘટીને ₹126.84 થયો છે. ચીનમાં પણ પેટ્રોલ સસ્તું થયું છે; ત્યાં ભાવ ₹132.81 થી ઘટીને ₹125.36 પ્રતિ લિટર થયો છે. નેપાળમાં, પેટ્રોલનો ભાવ ₹136.41 થી ઘટીને ₹135.47 પ્રતિ લિટર થયો છે.</p><p>બાંગ્લાદેશમાં, પેટ્રોલનો ભાવ ₹112.68 થી ઘટીને ₹111.51 પ્રતિ લિટર થયો છે, જ્યારે ભૂટાનમાં, ભાવ આજે ₹109.73 પર સ્થિર છે. શ્રીલંકામાં, પેટ્રોલના ભાવ ₹142.00 થી ઘટીને ₹139.58 પ્રતિ લિટર થયા છે. મ્યાનમારમાં, ભાવ ₹140.20 થી ઘટીને ₹118.37 પ્રતિ લિટર થયા છે.</p><h4><b>દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલનો ભાવ ?&nbsp;</b></h4><table class="table table-bordered"><tbody><tr><td>શહેર&nbsp;</td><td>પેટ્રોલ (₹/લિટર)&nbsp;</td><td>ડીઝલ (₹/લિટર)</td></tr><tr><td>દિલ્હી&nbsp;</td><td>102.12&nbsp;</td><td>95.20</td></tr><tr><td>કોલકાતા&nbsp;</td><td>113.51&nbsp;</td><td>99.82</td></tr><tr><td>મુંબઈ&nbsp;</td><td>111.21</td><td>&nbsp;97.83</td></tr><tr><td>ચેન્નાઈ&nbsp;</td><td>107.77&nbsp;</td><td>99.55</td></tr><tr><td>લખનૌ</td><td>&nbsp;101.89&nbsp;</td><td>95.36</td></tr></tbody></table><p><br></p><h4><b>ગુજરાતના મુખ્ય શહેરોમાં 18 જૂન, 2026ના ભાવ</b></h4><p><br></p><table class="table table-bordered"><tbody><tr><td>શહેર&nbsp;</td><td>પેટ્રોલ (₹/લિટર)&nbsp;</td><td>ડીઝલ (₹/લિટર)</td></tr><tr><td>અમદાવાદ&nbsp;</td><td>₹101.83</td><td>₹97.92</td></tr><tr><td>ગાંધીનગર&nbsp;</td><td>₹103.34</td><td>&nbsp;₹98.08</td></tr><tr><td>રાજકોટ</td><td>&nbsp;₹101.56&nbsp;</td><td>₹97.69</td></tr><tr><td>સુરત&nbsp;</td><td>₹102.06&nbsp;</td><td>₹98.19</td></tr><tr><td>વડોદરા&nbsp;</td><td>₹101.84&nbsp;</td><td>₹97.96</td></tr></tbody></table><h3><b>તમારા વિસ્તારમાં નવીનતમ ભાવ SMS દ્વારા તપાસો</b></h3><p><br></p><p>દેશમાં પેટ્રોલિયમ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારના આધારે દરરોજ સવારે 6 વાગ્યે નવા ભાવ અપડેટ કરે છે. ગ્રાહકો તેમના ઘરના આરામથી તેમના શહેરના નવા ભાવ સરળતાથી શોધી શકે છે.</p><p>જો તમે ઇન્ડિયન ઓઇલના ગ્રાહક છો, તો 'RSP' લખો, પછી એક જગ્યા અને તમારા શહેરનો કોડ લખો અને તેને ૯૨૨૪૯૯૨૨૪૯ પર મોકલો. ભારત પેટ્રોલિયમના ગ્રાહકો 'RSP' લખો, પછી એક જગ્યા અને શહેરનો કોડ લખો અને ૯૨૨૩૧૧૨૨૨ પર સંદેશ મોકલી શકે છે.</p><p>તેવી જ રીતે, હિન્દુસ્તાન પેટ્રોલિયમના ગ્રાહકો 'HPPRICE' લખો અને પછી શહેરનો કોડ લખો અને ૯૨૨૨૨૦૧૧૨૨ પર SMS મોકલી શકે છે. આ પ્રક્રિયાને અનુસરીને તમારા ફોન પર તાત્કાલિક નવીનતમ ભાવ મળશે.</p><p><a href="https://sandesh.com/gallery/news/india/why-are-potatoes-and-chickpeas-the-filling-in-panipuri?2" target="_blank">આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/01/11/bTbduWneYjfJN4pFLtr786e6pREmWfdypF4bgjpu.webp'/></item><item><title><![CDATA[Gandhidhamમાં સ્પાની આડમાં અને કેશોદમાં ફ્લેટમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ, લલનાઓ મુક્ત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/gujarat-crime-news-sex-racket-busted-gandhidham-junagadh-keshod</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/gujarat-crime-news-sex-racket-busted-gandhidham-junagadh-keshod</guid><pubDate>Thu, 18 Jun 2026 09:22:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં દેહવિક્રયના કાળા કારોબાર સામે પોલીસે લાલ આંખ કરી છે. રાજ્યના બે જુદા-જુદા વિસ્તારોમાં પોલીસે ઓપરેશન હાથ ધરીને હાઈપ્રોફાઈલ કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે. કચ્છના ગાંધીધામમાં સ્પાની આડમાં અને જુનાગઢના કેશોદમાં રહેણાંક ફ્લેટમાં ચાલતા સેક્સ રેકેટ પર પોલીસે દરોડા પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.</p><h2 style="text-align: justify; "><b>ગાંધીધામની ગોકુલ હોટેલમાં પોલીસનો સપાટો
</b></h2><p style="text-align: justify; ">કચ્છના ગાંધીધામમાં એ ડિવિઝન પોલીસ મથકને બાતમી મળી હતી કે ગોકુલ હોટેલમાં આવેલા એક સ્પામાં ગેરકાયદેસર રીતે સેક્સ રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસે પ્લાન ઘડીને સ્પામાં એક ડમી ગ્રાહક મોકલ્યો હતો. ડમી ગ્રાહકનો ઈશારો મળતાં જ પોલીસે ત્રાટકીને સમગ્ર પર્દાફાશ કર્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે દેહવિક્રયના દલદલમાંથી છત્તીસગઢની બે અને મુંબઈની એક લલનાને મુક્ત કરાવી હતી. સ્પામાં હાજર બે મહિલા મેનેજર અને સ્પા સંચાલક સહિત કુલ ત્રણ પરપ્રાંતીય મહિલાઓ સામે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
</p><h3 style="text-align: justify; "><b>કેશોદમાં ફ્લેટમાંથી હાઈપ્રોફાઈલ રેકેટ ઝડપાયું
</b></h3><p style="text-align: justify; ">બીજી તરફ જુનાગઢના કેશોદમાં પણ પોલીસે એક ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું હતું. અહીંના એક હાઈપ્રોફાઈલ ફ્લેટમાં ચાલતા કુટણખાના પર પોલીસે દરોડો પાડ્યો હતો. આ રેઇડ દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને ત્યાંથી રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે, આ સેક્સ રેકેટ ચલાવતી મુખ્ય મહિલા સંચાલિકા પોલીસ રેઇડ દરમિયાન નાસી જવામાં સફળ રહી હતી. પોલીસે મુખ્ય આરોપી મહિલા સહિત ચાર લોકો સામે ગુનો નોંધીને ફરાર મહિલા સંચાલિકાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો---&nbsp; &nbsp;<a href="https://sandesh.com/india/news/sandesh-digital-explainer-ayodhya-ram-mandir-donation-scam-sit-probe" target="_blank"><b>Sandesh Digital Explainer : રામ નામે પથ્થર તર્યા..! અયોધ્યા રામ મંદિરમાં સવા વર્ષ સુધી કેવી રીતે ચાલ્યું કરોડોનું ' દાન કૌભાંડ'? વાંચો ઇન-ડેપ્થ માહિતી</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/18/XfEZp7CraQGvj6m1YCLzu44Uyj8z4oFgRCRtqrgI.webp'/></item><item><title><![CDATA[Bhavnagar : છેડતીનો વિરોધ કરવા જતાં પરણિતાના પતિ, જેઠ અને સસરા પર પ્રાણઘાતક હુમલો, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/bhavnagar-crime-news-woman-harassment-leads-to-attack-on-family</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/bhavnagar-crime-news-woman-harassment-leads-to-attack-on-family</guid><pubDate>Thu, 18 Jun 2026 09:06:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ઉત્તર કૃષ્ણનગર વિસ્તારમાં  પરણિતાની છેડતીનો વિરોધ કરવા ગયેલા પરિવાર પર કેટલાક શખ્સોએ હિચકારો અને પ્રાણઘાતક હુમલો કર્યો છે. લુખ્ખાતત્વોએ તમામ હદો વટાવીને પરણિતાના પતિ, જેઠ અને સસરા પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. તમામ ઇજાગ્રસ્તોને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભાવનગરની પ્રખ્યાત સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>પરણિતાની સ્થાનિક વિસ્તારનો જ એક માથાભારે શખ્સ અવારનવાર છેડતી કરતો
</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ,  એક પરણિતાની સ્થાનિક વિસ્તારનો જ એક માથાભારે શખ્સ અવારનવાર છેડતી કરતો હતો. આ માથાભારે શખ્સે તમામ મર્યાદાઓ ઓળંગીને પરણિતાનો હાથ પકડી લીધો હતો અને અભદ્ર વર્તન કર્યું હતું. આ બાબતે ભોગ બનનાર પરણિતાના પતિએ અગાઉ પણ તે શખ્સને અવારનવાર સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આ માથાભારે શખ્સ પોતાની હરકતોથી બાજ આવ્યો ન હતો.
</p><h3 style="text-align: justify; "><b>ઠપકો આપવા જતાં 5 શખ્સો તૂટી પડ્યા
</b></h3><p style="text-align: justify; ">ગઈકાલે જ્યારે માથાભારે શખ્સની આ કરતૂત અંગે પરણિતાના પતિ, તેમના ભાઈ (જેઠ) અને પિતા (સસરા) ત્રણેય ભેગા મળીને આરોપીને ઠપકો આપવા ગયા હતા, ત્યારે મામલો બિચક્યો હતો. આરોપી અને તેની સાથેના 4 થી 5 લોકોના ટોળાએ ઉશ્કેરાઈને આ પીડિત પરિવાર પર લાકડીઓ અને ધારદાર હથિયારો વડે હુમલો કરી દીધો હતો. હુમલો એટલો ભયાનક હતો કે પિતા અને તેમના બંને પુત્રો લોહીલુહાણ થઈ ગયા હતા. હુમલો કર્યા બાદ તમામ શખ્સો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલ ચોકી દ્વારા આ મામલે પ્રાથમિક ડાયરી નોંધીને સ્થાનિક પોલીસે ફરાર થઈ ગયેલા હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
</p><p style="text-align: justify; ">આ પણ વાંચો---<a href="https://sandesh.com/india/news/sandesh-digital-explainer-ayodhya-ram-mandir-donation-scam-sit-probe" target="_blank"><b>&nbsp; Sandesh Digital Explainer : રામ નામે પથ્થર તર્યા..! અયોધ્યા રામ મંદિરમાં સવા વર્ષ સુધી કેવી રીતે ચાલ્યું કરોડોનું ' દાન કૌભાંડ'? વાંચો ઇન-ડેપ્થ માહિતી</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/18/iTkBgm7OUQtRBS18muqKtqdMO4rZwPRLcsCkLvMU.webp'/></item><item><title><![CDATA[El Nino Impact : ગુજરાત સહિત દેશના 12 રાજ્યો પર અલ-નીનોનું સંકટ, 326 જિલ્લા હાઈ-રિસ્ક પર ]]></title><link>https://sandesh.com/weather/news/india/el-nino-impact-on-indian-monsoon-kharif-crops-alert</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/news/india/el-nino-impact-on-indian-monsoon-kharif-crops-alert</guid><pubDate>Thu, 18 Jun 2026 08:33:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જૂન મહિનામાં ચોમાસાની ધીમી ગતિ વચ્ચે દેશના કૃષિ ક્ષેત્ર પર અલ-નીનોનું સંકટ ઘેરાવા લાગ્યું છે. ઉત્તર પ્રદેશથી લઈને મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત દેશના 12 રાજ્યો પર આની સૌથી ગંભીર અસર થવાની આશંકા સેવાઈ રહી છે. આ સંભવિત સંકટનો સામનો કરવા અને ખરીફ પાકોને બચાવવા માટે કેન્દ્રીય કૃષિ મંત્રાલય સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે.</p><h2 style="text-align: justify; "><b>&nbsp;જૂનના અંતમાં IMDના નવા અનુમાન પર નજર
</b></h2><p style="text-align: justify; ">કૃષિ સચિવ અતીષ ચંદ્રાએ મીડિયા સાથેના વિશેષ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, સરકાર જૂનના અંતમાં આવનારા ભારતીય હવામાન વિભાગના નવા પૂર્વાનુમાનની રાહ જોઈ રહી છે. આ રિપોર્ટ આવ્યા બાદ અલ-નીનોની સ્થિતિ અને તેની ચોક્કસ ટાઈમલાઈન સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ જશે, જેના આધારે સરકાર આગામી અંતિમ વ્યૂહરચના નક્કી કરશે.
</p><h3 style="text-align: justify; "><b>&nbsp;12 રાજ્યોની યાદી તૈયાર
</b></h3><p style="text-align: justify; ">મંત્રાલયે મુખ્યત્વે વરસાદ આધારિત ખેતી કરતા એવા 12 રાજ્યોની યાદી તૈયાર કરી છે જ્યાં સૌથી વધુ પ્રતિકૂળ અસર પડી શકે છે. આ રાજ્યોમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઓડિશા, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુનો સમાવેશ થાય છે.
</p><h4 style="text-align: justify; "><b>326 જિલ્લા હાઈ-રિસ્ક પર, સ્પેશિયલ એક્શન પ્લાન
</b></h4><p style="text-align: justify; ">કૃષિ સચિવના જણાવ્યા અનુસાર, આ 12 પ્રભાવિત રાજ્યોના કુલ 236 જિલ્લાઓને 'હાઈ-રિસ્ક' તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ તમામ જિલ્લાઓ માટે જિલ્લા સ્તરીય વિશેષ કાર્ય યોજનાઓ અપડેટ કરવામાં આવી રહી છે.
</p><h4 style="text-align: justify; "><b>આકસ્મિક યોજનાઓમાં જરૂરી ફેરફારો
</b></h4><p style="text-align: justify; ">હવામાનના આ ગંભીર પૂર્વાનુમાનને ધ્યાનમાં રાખીને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ,  કેન્દ્રીય શુષ્ક ભૂમિ કૃષિ અનુસંધાન સંસ્થાન અને રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓના સક્રિય સહયોગથી આકસ્મિક યોજનાઓમાં જરૂરી ફેરફારો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને વરસાદ આધારિત વિસ્તારોમાં ઉગાડવામાં આવતા તેલીબિયાં, ઓઈલ પામ, કઠોળ અને કપાસ જેવા મુખ્ય પાકોના મિશનની સઘન સમીક્ષા કરવામાં આવી રહી છે.
</p><h4 style="text-align: justify; "><b>ચોમાસાની સ્થિતિ
</b></h4><p style="text-align: justify; ">હવામાન વિભાગે જૂનથી સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન દક્ષિણ-પશ્ચિમ ચોમાસું લાંબા ગાળાની સરેરાશના આશરે 90 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો છે, જે સામાન્ય કરતાં ઓછો વરસાદ દર્શાવે છે. હાલમાં ચોમાસું તેના નિર્ધારિત સમય કરતાં 4 થી 5 દિવસ પાછળ ચાલી રહ્યું છે. ઉત્તર ભારતમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચોમાસાની પ્રગતિમાં અવરોધ બની રહ્યું છે. જો કે, તમિલનાડુ સિવાયના જે રાજ્યોમાં ચોમાસું પહોંચ્યું છે, ત્યાં અત્યાર સુધી સારો વરસાદ નોંધાયો છે.
</p><h4 style="text-align: justify; "><b>IOD ન્યુટ્રલ થતાં ચિંતા વધી
</b></h4><p style="text-align: justify; ">અલ-નીનોની અસર નક્કી કરવામાં 'હિંદ મહાસાગર દ્વિધ્રુવ'ની ભૂમિકા અત્યંત મહત્વની હોય છે. મે મહિનામાં પોઝિટિવ રહ્યા બાદ જૂન મહિનામાં IOD ન્યુટ્લ થઈ ગયો છે. સામાન્ય રીતે પોઝિટિવ IOD અલ-નીનોની ખરાબ અસરને નાબૂદ કરે છે, પરંતુ ન્યુટ્રલ કે નેગેટિવ IOD ચોમાસાને વધુ નુકસાન પહોંચાડી શકે છે. જો કે, આઈએમડી હજુ પણ આશાવાદી છે કે સમુદ્રમાં એવા ફેરફારો થશે જે અલ-નીનોની અસરને ઓછી કરશે.
</p><h4 style="text-align: justify; "><b>ખેડૂતોએ ગભરાવાની જરૂર નથી: સરકારની તૈયારીઓ
</b></h4><p style="text-align: justify; ">કૃષિ સચિવે દેશના ખેડૂતોને આશ્વાસન આપતા કહ્યું છે કે અલ-નીનોથી ગભરાવાની કોઈ જરૂર નથી. 2014-15ના વર્ષને બાદ કરતાં અલ-નીનો ભારતને ક્યારેય ભારે નુકસાન પહોંચાડી શક્યું નથી. વર્તમાન સમયમાં ભારત પાસે ક્લાઈમેટ-રેઝિલિયન્ટ (હવામાન અનુકૂળ) અદ્યતન બિયારણો ઉપલબ્ધ છે. ઉપરાંત, દેશના મુખ્ય જળાશયોમાં પાણીનું સ્તર ગત વર્ષ કરતાં વધુ સારું છે.
</p><h5 style="text-align: justify; "><b>&nbsp;1 લાખથી વધુ ભૂગર્ભ જળ રિચાર્જ માળખાને પુનર્જીવિત કર્યા
</b></h5><p style="text-align: justify; ">ભૂગર્ભ જળ સ્તરને રિચાર્જ કરવા માટે સરકારે 'અમૃત સરોવર યોજના' હેઠળ 75 હજાર તળાવોનો જીર્ણોદ્ધાર કર્યો છે અને 1 લાખથી વધુ ભૂગર્ભ જળ રિચાર્જ માળખાને પુનર્જીવિત કર્યા છે. આ સાથે દેશમાં ખાતર  નો સ્ટોક પણ પૂરતો છે, જેથી ખેડૂતોને કોઈ મુશ્કેલી પડશે નહીં. સિંચાઈ વગરના વિસ્તારો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp;<a href="https://sandesh.com/india/news/sandesh-digital-explainer-ayodhya-ram-mandir-donation-scam-sit-probe" target="_blank"><b>Sandesh Digital Explainer : રામ નામે પથ્થર તર્યા..! અયોધ્યા રામ મંદિરમાં સવા વર્ષ સુધી કેવી રીતે ચાલ્યું કરોડોનું ' દાન કૌભાંડ'? વાંચો ઇન-ડેપ્થ માહિતી</b></a></p><p style="text-align: justify; "><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/18/dGd3uAQzAa2fQZW8UNpkW5isSdkQzqHU8DKIJZWl.webp'/></item><item><title><![CDATA[Weather Updates: દિલ્હીથી લઇને રાજસ્થાન સુધી આગામી 5 દિવસ વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી ]]></title><link>https://sandesh.com/india/news/weather-updates-warning-of-heavy-rain-with-thunderstorms-for-the-next-5-days-from-delhi-to-rajasthan</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/weather-updates-warning-of-heavy-rain-with-thunderstorms-for-the-next-5-days-from-delhi-to-rajasthan</guid><pubDate>Thu, 18 Jun 2026 08:28:29 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ચોમાસાની સત્તાવાર શરૂઆતમાં ભલે વિલંબ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યુ છે પરંતુ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી અને કમોસમી વરસાદને કારણે દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ફરી એકવાર વરસાદ અને વાવાઝોડાનો નવો રાઉન્ડ શરૂ થવાની પ્રબળ સંભાવના છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ચંદીગઢના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં પણ પૂર્વ-ચોમાસાના હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.યુપી અને દિલ્હીથી લઈને રાજસ્થાન સુધી આગામી પાંચ દિવસ સુધી વાતાવરણમાં મોટો પલટો જોવા મળશે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>દિલ્હી, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં હવામાનની સ્થિતિ</b></h2><p style="text-align: justify; ">દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં ચોમાસું નિર્ધારિત સમય કરતાં મોડું પહોંચી શકે છે, પરંતુ વારંવાર થઈ રહેલા કમોસમી વરસાદના કારણે હવામાનમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની નવીનતમ આગાહી મુજબ, ૧૮ થી ૨૨ જૂન દરમિયાન દિલ્હી, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં વરસાદ માટે સત્તાવાર ચેતવણી જારી કરવામાં આવી છે. દિલ્હીમાં ૧૮ થી ૨૦ જૂન સુધી સતત વરસાદ પડવાની શક્યતા છે, જ્યાં આકાશ સંપૂર્ણપણે વાદળછાયું રહેશે અને બપોર કે રાત્રિના સમયે તેજ પવન સાથે ગાજવીજ થવાની સંભાવના છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ૧૭-૧૯ જૂન અને ૨૩ જૂને, જ્યારે પૂર્વ ઉત્તર પ્રદેશમાં ૧૭-૧૯ અને ૨૨-૨૩ જૂને વરસાદની સંભાવના છે.</p><h3 style="text-align: justify; "><b>રાજસ્થાનમાં 80 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે</b></h3><p style="text-align: justify; ">રાજસ્થાન રાજ્ય માટે પણ હવામાન વિભાગે ચિંતાજનક આગાહી કરી છે. પૂર્વી અને પશ્ચિમી રાજસ્થાનમાં ૨૦ થી ૨૩ જૂન સુધી ભારે વાવાઝોડા, વીજળીના કડાકા અને પ્રચંડ પવન ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે. રાજસ્થાનમાં 80 કિમી પ્રતિ કલાકની અત્યંત ઝડપે પવન ફૂંકાઈ શકે છે, અને 19 જૂનના રોજ પશ્ચિમી રાજસ્થાનમાં અત્યંત ભારે વાવાઝોડું ત્રાટકવાની આશંકા છે.</p><h4 style="text-align: justify; "><b>પહાડી અને મધ્ય ભારતના રાજ્યોનો હાલ</b></h4><p style="text-align: justify; ">પહાડી રાજ્યોની પરિસ્થિતિ પણ વરસાદી રહેશે. ઉત્તરાખંડમાં સતત વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે, જ્યારે હિમાચલ પ્રદેશમાં ૧૭ થી ૨૩ જૂન સુધી વરસાદી માહોલ રહેશે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ અને બાલ્ટિસ્તાનના વિસ્તારોમાં માત્ર ભારે વરસાદ જ નહીં, પરંતુ કેટલાક ભાગોમાં કરા પડવાની પણ ગંભીર ચેતવણી જારી કરાઈ છે. મધ્યપ્રદેશના પશ્ચિમી ભાગોમાં ૧૭-૧૯ જૂન અને પૂર્વી ભાગોમાં ૧૭-૧૯ તેમજ ૨૨-૨૩ જૂને વરસાદ પડી શકે છે. છત્તીસગઢ અને વિદર્ભમાં પણ ૧૭ થી ૨૩ જૂન સુધી ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદની આગાહી છે.</p><h5 style="text-align: justify; "><b>ચોમાસાની વર્તમાન સ્થિતિ</b></h5><p style="text-align: justify; ">ચોમાસાના અપડેટ પર નજર કરીએ તો, દક્ષિણપશ્ચિમ ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. તે તેલંગાણા, ઓડિશા, બિહાર, ઝારખંડ અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં પ્રવેશ કરી ચૂક્યું છે. પૂર્વોત્તર ભારત, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને બિહારમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી છે. હાલમાં ચોમાસું સોલાપુર, હૈદરાબાદ, ભદ્રચલમ, કોરાપુટ, રાંચી, જમુઇ અને મુઝફ્ફરપુર તરફ પોતાની સફર આગળ ધપાવી રહ્યું છે.&nbsp;</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/mumbai-pune-bullet-train-48-minute-travel-time" target="_blank">આ પણ વાંચોઃ Mumbai-Pune વચ્ચે દોડશે બુલેટ ટ્રેન, 48 મિનિટમાં મુસાફરી થશે પૂર્ણ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/18/Q07HXpDLX5tw6nGrOwCbhzl4kpNAImpZ3akjYW8V.webp'/></item><item><title><![CDATA[Panchmahal: જન કલ્યાણ શિબિરમાં લાભાર્થીઓને વિવિધ યોજનાના ચેકનું વિતરણ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/panchmahal/panchmahal-distribution-of-cheques-of-various-schemes-to-beneficiaries-in-jan-kalyan-shibir</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/panchmahal/panchmahal-distribution-of-cheques-of-various-schemes-to-beneficiaries-in-jan-kalyan-shibir</guid><pubDate>Thu, 18 Jun 2026 05:57:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જાંબુઘોડા સ્થિત મહાત્મા ગાંધી ભવન ખાતે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અને હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈની ઉપસ્થિતિમાં જન કલ્યાણ શિબિર યોજાઈ હતી.</p><p style="text-align: justify; ">રાજ્યની પ્રજા સુધી સરકારની જન કલ્યાણ યોજનાઓની માહિતી બહોળા પ્રમાણમાં પહોંચે અને તે યોજનાઓના મહત્તમ લાભ પ્રજાજનોને મળે તેમજ વિકસિત ભારત 2047ને સિદ્ધ કરવા તા.12 થી 20 જૂન દરમિયાન જન કલ્યાણ શિબિર યોજાઈ રહી છે. આ યોજનામાં આયુષ્યમાન ભારત, વય વંદના, પીએમ, સૂર્ય ઘર યોજના ,સ્વનિધિ યોજના ની માહિતી તથા નોંધણી કરાઈ હતી. શિબીર સ્થળે દરેક વિભાગના સ્ટોલો ઉભા કરાયા હતા. જેથી લાભાર્થીને વિવિધ યોજનાની માહિતી મેળવવામાં સરળતા રહે તેમજ જન કલ્યાણ શિબિરમાં શાળાના બાળકો યુનિવર્સિટી ના વિદ્યાર્થીઓ ને પણ તમામ યોજનાની માહિતી સાથે આરોગ્યને લગતી માહિતી અપાઈ હતી. નિરાધાર વૃદ્ધ, દિવ્યાંગોને તેમજ અન્ય લાભાર્થીઓને ચેકનું વિતરણ મહાનુભાવના હસ્તે કરાયું હતું. ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈ, પ્રાંત અધિકારી, મામલતદાર કલ્પિત કુમાર સેવક,TDO, તાલુકા પંચાયત પ્રમુખ રેશ્મા બેન, જાંબુઘોડા ભાજપ પ્રમુખ રણજીતભાઈ, ભાજપ મહામંત્રી વિક્રમભાઈ, સરપંચ જીતકુમાર દેસાઈ, સરપંચો, ભાજપના હોદ્દેદારો સરકારી કર્મચારીઓ, તથા લાભાર્થીઓ હાજર રહ્યા હતા. બાદમાં મહાદેવ મંદિર ખાતે વૃક્ષારોપણ કરાયું હતું.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/18/i9fCNXxv1SkmqdvikugRsyRtFyV4tOcSF2fksNip.webp'/></item><item><title><![CDATA[Dahod: સંજેલી તાલુકાના હીરોળા ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dahod/dahod--1-1-1-1-1-1-1-1-1-1-1-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dahod/dahod--1-1-1-1-1-1-1-1-1-1-1-1</guid><pubDate>Thu, 18 Jun 2026 05:56:48 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજ્ય સરકારની જન કલ્યાણલક્ષી યોજનાઓનો લાભ વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચે તેમજ આરોગ્ય સેવાઓ લોકોના દ્વાર સુધી પહોંચાડવાના હેતુથી સંજેલી તાલુકાના હિરોળા ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ હતી.</p><p style="text-align: justify; ">શિબિર દરમિયાન તાલુકા પંચાયત પ્રમુખ મહેદીપ પલાસના હસ્તે લાભાર્થીઓને PMJAY(આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) કાર્ડનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જીલ્લા પંચાયત સભ્ય ભૂપેન્દ્રભાઈ, તાલુકા પંચાયત સભ્યો, પાર્ટી પ્રમુખ સુરેશભાઈ, સરપંચો, સીડીપીઓ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત નાગરિકોને યોજનાઓના લાભ, પાત્રતા અને અરજી પ્રક્રિયા અંગે વિસ્તૃત માહિતી અપાઈ હતી. સ્થળ પર જ લાભાર્થીઓના દસ્તાવેજોની ચકાસણી કરી વિવિધ યોજનાઓ હેઠળ નોંધણીની કામગીરી હાથ ધરાઈ હતી. શિબિરમાં ઉપસ્થિત નાગરિકોએ આરોગ્ય સેવાઓ અને વિવિધ સરકારી યોજનાઓનો લાભ લઈ સંતોષ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફ્સિર, ગામના આગેવાનો, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, આશા બહેનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/18/ZltbsKvvqnCSuBUAqmhWPhhLVLTndBUW7aADSmN0.webp'/></item><item><title><![CDATA[Mohammed Sirajથી લઈને વિજય દેવરકોંડા સુધી, આ સ્ટાર્સને ફટકારવામાં આવી લીગલ નોટિસ ]]></title><link>https://sandesh.com/cricket/news/entertainment/mohammed-siraj-vijay-deverakonda-tg20-league-legal-notice</link><guid isPermaLink="true">https://sandesh.com/cricket/news/entertainment/mohammed-siraj-vijay-deverakonda-tg20-league-legal-notice</guid><pubDate>Wed, 17 Jun 2026 20:45:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર મોહમ્મદ સિરાજથી લઈને દિગ્ગજ એક્ટર વિજય દેવરકોંડા અને વેંકટેશ સુધી, ઘણા સ્ટાર્સને તમિલનાડુ ક્રિકેટ એસોસિએશન દ્વારા કાનૂની નોટિસ ફટકારવામાં આવી છે. શું નોટિસના પરિણામે આ સ્ટાર્સને જેલની સજા થશે?&nbsp;</p><p style="text-align: justify;">સમાચાર એજન્સી ANI એ તમિલનાડુ ક્રિકેટ એસોસિએશનના એક સૂત્રને ટાંકીને એક્સ પર જણાવ્યું હતું કે રાજ્ય ક્રિકેટ એસોસિએશને BCCIની પરવાનગી વિના હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનની TG20 લીગનો પ્રચાર કરવા અને કોર્પોરેટ કંપનીઓ સાથે કામ કરવા બદલ કેટલાક ફિલ્મ અને ક્રિકેટ સ્ટાર્સને નોટિસ ફટકારી છે. વિજય દેવરકોંડા અને વેંકટેશ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નામોમાં સામેલ છે, જ્યારે મોહમ્મદ સિરાજ, અંબાતી રાયડુ અને તિલક વર્મા પણ ક્રિકેટ સ્ટાર્સમાં સામેલ છે.&nbsp;</p><h2 style="text-align: justify;"><b>તેલંગાણા ક્રિકેટ એસોસિએશને મોકલી કાનૂની નોટિસ</b></h2><p style="text-align: justify;">પોસ્ટમાં લખ્યું હતું કે, "તેલંગાણા ક્રિકેટ એસોસિએશને એક્ટર વિજય દેવરકોંડા અને વેંકટેશ તેમજ ક્રિકેટરો તિલક વર્મા, અંબાતી રાયડુ અને મોહમ્મદ સિરાજને કાનૂની નોટિસ મોકલી છે."</p><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2067223519088587124"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p style="text-align: justify;">તેમાં આગળ લખ્યું છે કે, "નોટિસમાં જણાવાયું છે કે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન BCCIની પરવાનગી વિના કોર્પોરેટ કંપનીઓ સાથે કામ કરી રહ્યું છે અને HCAની TG20 લીગનો પ્રચાર કરી રહ્યું છે - જેને BCCI દ્વારા મંજૂરી આપવામાં આવી નથી - તે ગુનો છે."</p><h3 style="text-align: justify;"><b>શું જેલ થશે?</b></h3><p style="text-align: justify;">હાલમાં નોટિસ અંગે કોઈપણ એક્ટર કે ક્રિકેટર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. કેસ આગળ વધ્યા પછી જ નક્કી કરવામાં આવશે કે શું કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધી જેલની સજાના કોઈ અહેવાલ નથી. આ કેસમાં આગળ શું થાય છે અને કોઈ નોટિસ પર પ્રતિક્રિયા આપશે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.&nbsp;</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/entertainment/virat-kohli-photos-with-son-akaay-anushka-sharma" target="_blank">Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/chQKrwDcFYTp12GY3rfcmVtqvBYhwukv3mb7u9nM.webp'/></item></channel></rss>