<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Gandhinagar News: 208 ફાર્મસી પર ત્રાટક્યું FDCA તંત્ર,72 દુકાનો સીલ કરી અને 131ને નોટિસ ફટકારી ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/fdca-cracks-down-on-pharmacies-72-medical-stores-sealed--131-issued-notices</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/fdca-cracks-down-on-pharmacies-72-medical-stores-sealed--131-issued-notices</guid><pubDate>Fri, 12 Jun 2026 21:30:39 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા અને કાયદાનું ઉલ્લંઘન કરનારા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જેના ભાગરૂપે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યભરમાં એક વિશેષ ડ્રાઇવ યોજવામાં આવી હતી.જેમાં નશા માટે દુરુપયોગ થઈ શકે તેવી દવાઓ જેવી કે કોડીન, અલ્પ્રાઝોલમ, નાઇટ્રાઝેપામ, ટ્રામાડોલ અને ઝોલપીડેમ વગેરેના ગેરકાયદે ખરીદ-વેચાણને રોકવાના હેતુથી આ ડ્રાઈવ યોજાઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>208 પેઢીઓમાં સઘન ચેકિંગ હાથ ધરાયું</b></h2><p style="text-align: justify; ">આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ વિગતો આપતા ઉમેર્યું કે,આ વિશેષ ઝુંબેશ હેઠળ કુલ 208 પેઢીઓમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું.તેમાંથી હિસાબોમાં વિસંગતતા જણાતા 131 પેઢીઓને કારણદર્શક નોટિસ ફટકારવાની કાર્યવાહી શરૂ કરાઈ છે.જ્યારે ગંભીર નિયમભંગ બદલ ૭૨ પેઢીઓના વેપાર પર તાત્કાલિક પ્રતિબંધ મૂકી ખરીદ-વેચાણ બંધ કરાવાયું છે.દવાઓની ગુણવત્તાના સચોટ મૂલ્યાંકન માટે તંત્ર દ્વારા 55 સેમ્પલ પણ લેબોરેટરી ચકાસણી અર્થે લેવામાં આવ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>લાયસન્સ સસ્પેન્ડ કે રદ કરવા સુધીની કડક કાર્યવાહી</b></h3><p style="text-align: justify; ">પ્રિસ્ક્રિપ્શન વિના કે શંકાસ્પદ રીતે આવી દવાઓનું વેચાણ કરનારાઓ સામે તંત્ર લાલ આંખ કરશે.નિયમોનું ઉલ્લંઘન કરનારી 131 પેઢીઓને કારણદર્શક નોટિસ આપ્યા બાદ લાયસન્સ સસ્પેન્ડ કે રદ કરવા સુધીની કડક વહીવટી કાર્યવાહી કરાશે.ગંભીર ગુનાના કિસ્સામાં આવી પેઢીઓ વિરૂદ્ધ કાયદેસરની ફોજદારી કે કાનૂની પગલાં પણ ભરવામાં આવશે તેમ આરોગ્ય રાજ્ય મંત્રીએ કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/anand/mega-demolition-in-anands-umreth-municipality-deploys-jcb-on-roadblocks-with-police-presence" target="_blank">આ પણ વાંચોઃ Anandના ઉમરેઠમાં મેગા ડિમોલિશન: નગરપાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે રસ્તા પરના દબાણો પર જેસીબી ફેરવ્યું</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/1UhI9u6hOiFmdXPzyZ0MpeNuoH5r9Uop3fKzR8Ra.webp'/></item><item><title><![CDATA[Vadodara News: ગોધરાની કુખ્યાત 'સિગ્નલ ફળિયા ગેંગ' સામે ગુજસીટોક હેઠળ સકંજો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/godhra-signal-faliya-gang-gujcitoc-case-pakistan-connection</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/godhra-signal-faliya-gang-gujcitoc-case-pakistan-connection</guid><pubDate>Fri, 12 Jun 2026 21:21:51 +05:30</pubDate><description><![CDATA[<p>ગોધરાની કુખ્યાત અને સંગઠિત ગુનાખોરી આચરતી 'સિગ્નલ ફળિયા ગેંગ' સામે કાયદાનો આકરો કોરડો વીંઝવામાં આવ્યો છે. આ ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધીને વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં અત્યાર સુધીમાં આ ગેંગના ચોંકાવનારા કુલ 54 જેટલા ગંભીર ગુનાઓ સપાટી પર આવ્યા છે.</p><h2><b>6 નવા આરોપીઓની ધરપકડ કરાઈ</b></h2><p>પુલિસની સઘન તપાસ દરમિયાન આ સંગઠિત ગુનાખોરીના નેટવર્કમાં વધુ 8 આરોપીઓના નામોનો પર્દાફાશ થયો છે. જેમાંથી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને 6 નવા આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય 2 આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર હોઈ તેઓને ફરાર જાહેર કરી શોધખોળ શરૂ કરાઈ છે. આ ગેંગના મુખ્ય સાગરીતો પૈકીના એક એવા ખાલિદ ઉર્ફે ચકલાને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ પર મેળવવામાં આવ્યો છે. ખાલિદ વિરૂદ્ધ અલગ-અલગ પોલીસ મથકોમાં અગાઉથી જ 8 જેટલા ગુનાઓ નોંધાયેલા છે.</p><h2><b>તપાસ એજન્સીઓ દ્વારા સંયુક્ત પૂછપરછ</b></h2><p>આ કેસમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે તપાસમાં ખુલ્યું કે, આરોપી ખાલિદ ઉર્ફે ચકલા તાજેતરમાં જ પાકિસ્તાનના કરાચી શહેરમાં લાંબો સમય રહીને ભારત પરત ફર્યો હતો. તેના પાકિસ્તાન પ્રવાસ અને કનેક્શનની વિગતો સામે આવતા જ દેશની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. ખાલિદના પાકિસ્તાન જવા પાછળનો અસલી હેતુ શું હતો, તે અંગે વિવિધ તપાસ એજન્સીઓ દ્વારા તેની સંયુક્ત પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ ગેંગના બાકીના ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી દરોડા પાડવામાં આવી રહ્યા છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/crime/vadodara/cid-crime-seized-89-lakhs-worth-hybrid-ganja-from-locked-flat-at-akota-vadodara-shahid-khan-under-scanner" target="_blank">Vadodara: અકોટા વિસ્તારમાં વૈભવી ફ્લેટમાં નશાનો કારોબાર, CID ક્રાઈમે 89.69 લાખની કિંમતનો હાઈબ્રિડ ગાંજો અને રોકડ જપ્ત કર્યા</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/01wh1pnVOuj66ep9LaUvOQ9r4qZTm3nccmFW6mVQ.webp'/></item><item><title><![CDATA[India Gold: જો વિદેશી બેંકો સ્વદેશી સોનું પરત નહીં કરે તો ભારત ક્યાં કરી શકે છે ફરિયાદ?, જાણો ]]></title><link>https://sandesh.com/knowledge/news/india/india-gold-if-foreign-banks-do-not-return-indigenous-gold-where-can-india-complain-know</link><guid isPermaLink="true">https://sandesh.com/knowledge/news/india/india-gold-if-foreign-banks-do-not-return-indigenous-gold-where-can-india-complain-know</guid><pubDate>Fri, 12 Jun 2026 21:07:41 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ઘણા દેશો સુરક્ષા, પ્રવાહિતા અને આંતરરાષ્ટ્રીય નાણાકીય કામગીરી માટે તેમના સોનાના ભંડારનો એક ભાગ વિદેશી કેન્દ્રીય બેંકો પાસે રાખે છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">ભારતનું સોનું વિદેશમાં કેમ છે?</h2><p style="text-align: justify; ">કેન્દ્રીય બેંકો ઘણીવાર વૈશ્વિક નાણાકીય વ્યવહારોને સરળ બનાવવા અને સુરક્ષિત સંગ્રહ સુનિશ્ચિત કરવા માટે વિશ્વસનીય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસે સોનું રાખે છે. ભારતે સાર્વભૌમ કરારો હેઠળ તેના અનામતનો એક ભાગ વિદેશી સંસ્થાઓ પાસે રાખ્યો છે, જે માલિકી અને કસ્ટડીના અધિકારોને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરે છે.</p><h3 style="text-align: justify; ">ભારત ક્યાં ફરિયાદ કરી શકે છે?</h3><p style="text-align: justify; ">જો કોઈ વિદેશી કેન્દ્રીય બેંક અથવા નાણાકીય સંસ્થા ભારતનું સોનું પરત કરવાનો ઇનકાર કરે છે, તો દેશ પાસે ઘણા કાનૂની અને રાજદ્વારી વિકલ્પો છે.</p><p style="text-align: justify; "><b>1. આંતરરાષ્ટ્રીય સમાધાન માટે બેંકઃ- </b>સ્વિટ્ઝર્લૅન્ડમાં મુખ્ય મથક ધરાવતી બેંક, કેન્દ્રીય બેંકો વચ્ચે સહકાર માટે એક મહત્વપૂર્ણ મંચ તરીકે સેવા આપે છે. ભારત તેના સંલગ્ન માળખા દ્વારા વિવાદ નિરાકરણનો લાભ લઈ શકે છે.</p><p style="text-align: justify; "><b>2. સંબંધિત દેશની કોર્ટઃ- </b>આરબીઆઈ સીધા તે દેશની કોર્ટનો સંપર્ક કરી શકે છે જ્યાં સોનું રાખવામાં આવ્યું છે. સાર્વભૌમ મિલકત અને કસ્ટડી કરારો સંબંધિત વિવાદો સંબંધિત અધિકારક્ષેત્રની વાણિજ્યિક અદાલતમાં સાંભળી શકાય છે.</p><p style="text-align: justify; "><b>3. આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતઃ- </b>જો વિવાદ દેશો વચ્ચે મોટા સંઘર્ષમાં ફેરવાઈ જાય, તો ભારત આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત સમક્ષ આ મામલો ઉઠાવી શકે છે.</p><h4 style="text-align: justify; ">સોનું પરત કરવાનો ઇનકાર કરવાના પરિણામો&nbsp;</h4><p style="text-align: justify; ">સોનાના ભંડાર પરત ન કરવાથી દ્વિપક્ષીય વિવાદ કરતાં વધુ ગંભીર પરિણામો આવી શકે છે. આવા પગલાથી વૈશ્વિક નાણાકીય વ્યવસ્થામાં વિશ્વાસ ઓછો થશે અને વિદેશમાં સંપત્તિ ધરાવતા દેશોમાં ચિંતાઓ વધશે. સંબંધિત બેંક અને દેશની વિશ્વસનીયતાને ભારે નુકસાન થઈ શકે છે. વિશ્વાસ એ આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થાનો પાયો છે. વધુમાં, સાર્વભૌમ સંપત્તિ રોકી રાખવાથી તે સંસ્થામાં વૈશ્વિક વિશ્વાસ નોંધપાત્ર રીતે ઓછો થઈ શકે છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ&nbsp; <a href="https://sandesh.com/world/news/trump-on-oman-ship-attack-as-india-summons-us-ambassador-donald-trump-makes-statement-accuses-iran" target="_blank">ભારતે અમેરિકી રાજદૂતને તલબ કરતા જ ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપતા ઇરાન પર લગાવ્યા આરોપ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/ojWKBDpuIUiYH6ccCHg1grveALi86knBl3iJLGMp.webp'/></item><item><title><![CDATA[Bharuch News: જામા મસ્જિદના સ્ટ્રક્ચરમાં કોઈપણ ફેરફાર પર સંપૂર્ણ પ્રતિબંધ ]]></title><link>https://sandesh.com/gujarat/news/bharuch/strict-ban-on-structural-changes-at-protected-juma-mosque</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/bharuch/strict-ban-on-structural-changes-at-protected-juma-mosque</guid><pubDate>Fri, 12 Jun 2026 21:06:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદને લઈને વહીવટી તંત્ર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.આ મસ્જિદ રાષ્ટ્રીય સંરક્ષિત સ્મારક હોવાથી ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા એક કડક જાહેરનામું બહાર પાડીને નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.જે અંતર્ગત પોલીસ અને ભારતીય પુરાતત્વ વિભાગની સૂચનાઓનું પાલન કરવું હવેથી દરેક માટે ફરજિયાત રહેશે.</p><h2 style="text-align: justify; "><b>મસ્જિદમાં સ્ટ્રક્ચરમાં કોઈપણ ફેરફાર પર સંપૂર્ણ પ્રતિબંધ</b></h2><p style="text-align: justify; ">ભરૂચ જિલ્લા કલેક્ટરના જાહેરનામા પ્રમાણે મસ્જિદની આસપાસ કે અંદર સ્મારકને નુકસાન પહોંચાડે તેવી કોઈપણ પ્રવૃત્તિ કરવા પર રોક લગાવવામાં આવી છે.જો કોઈ પણ વ્યક્તિ આ જાહેરનામાના નિયમોનો ભંગ કરશે, તો તેની સામે પોલીસ અધિનિયમ અને પુરાતત્વના કાયદા હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.આ સંરક્ષિત સ્મારકના મૂળ માળખામાં કોઈપણ પ્રકારની છેડછાડ કે ફેરફાર કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>સંરક્ષિત સ્મારક માટે નવી માર્ગદર્શિકા</b></h2><p style="text-align: justify; ">આ જુમ્મા મસ્જિદ અગાઉ જૈન મંદિર હોવાના દાવાને કારણે લાંબા સમયથી વિવાદમાં રહી છે.આ વિવાદ વચ્ચે અગાઉ મસ્જિદ પરિસરમાં કરવામાં આવેલું ગેરકાયદેસર બાંધકામ પુરાતત્વ વિભાગ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું.કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને આ ઐતિહાસિક સ્મારક સુરક્ષિત રહે તે હેતુથી કલેક્ટર દ્વારા આ નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.<br><br><a href="https://sandesh.com/india/news/air-india-plane-crash-why-was-the-air-india-plane-crash-investigation-report-delayed-aaib-explains-the-reason" target="_blank">આ પણ વાંચોઃ Air India Plane Crash: એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના તપાસ રિપોર્ટમાં વિલંબ કેમ? AAIBએ જણાવ્યુ કારણ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/qwQxB3DrChkFqIxhIcNlIcT53qgywoTw1IJ2d0bC.webp'/></item><item><title><![CDATA[Rajkot-અમદાવાદ હાઈવે પર કાળમુખો અકસ્માત: ટેન્કર અને કાર વચ્ચે ગમખ્વાર ટક્કર ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/rajkot/fatal-accident-on-rajkot-ahmedabad-highway-fatal-collision-between-tanker-and-car</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/rajkot/fatal-accident-on-rajkot-ahmedabad-highway-fatal-collision-between-tanker-and-car</guid><pubDate>Fri, 12 Jun 2026 20:35:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર આજે એક અત્યંત હૃદયદ્રાવક અને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હાઈવે પર આવેલા બેટી ગામ નજીક એક બેફામ ગતિએ આવી રહેલા ટેન્કર અને ઈકો કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ભયાનક અકસ્માતમાં ઈકો કારનો કુરચો બોલી ગયો હતો અને કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. અકસ્માત એટલો સ્પીડમાં થયો હતો કે તેનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા.</p><h2 style="text-align: justify; ">અકસ્માતમાં 4 લોકો થયા ગંભીર રીતે ઈજાગ્રસ્ત</h2><p style="text-align: justify; ">આ ગમખ્વાર અકસ્માતમાં અન્ય ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ 108ની ટીમ એમ્બ્યુલન્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સ્થાનિક લોકોની મદદથી તમામ ઘાયલોને કારમાંથી બહાર કાઢીને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ઈજાગ્રસ્તો પૈકી અમુકની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે, જેથી મૃત્યુઆંક વધવાની આશંકા પણ સેવાઈ રહી છે. આ ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં ભારે ચીસિયારીઓ અને કલ્પાંત મચી ગયો છે.</p><h3 style="text-align: justify; ">હાઈવે પર ચક્કાજામ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે</h3><p style="text-align: justify; ">અકસ્માતની આ ઘટનાને પગલે રાજકોટ-અમદાવાદ હાઈવે પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતાં કુવાડવા પોલીસ અને એરપોર્ટ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને રોડની બાજુ પર હટાવીને ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. આ સાથે જ પોલીસે મૃતકોના શબને પીએમ અર્થે ખસેડીને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/ZkMNC4l5watMZ8CF7W9wlDHO8yb0Dp5nEpDAou59.webp'/></item><item><title><![CDATA[Surat News: નેશનલ હાઈવે 48 પર આગ લાગી, ધુમાડાથી વાહન વ્યવહાર પર અસર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/national-highway-48-mahuvej-village-service-road-garbage-fire</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/national-highway-48-mahuvej-village-service-road-garbage-fire</guid><pubDate>Fri, 12 Jun 2026 20:32:38 +05:30</pubDate><description><![CDATA[<p>સુરતમાંથી પસાર થતા નેશનલ હાઈવે 48 પરથી આગ લાગવાની એક મોટી ઘટના સામે આવી રહી છે. માંગરોળ તાલુકાના મહુવેજ ગામની સીમમાં હાઈવેના સર્વિસ રોડની બિલકુલ બાજુમાં એકઠા કરવામાં આવેલા કચરાના વિશાળ ઢગલામાં અચાનક કોઈ કારણોસર ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે, જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.</p><h2><b>વાહન વ્યવહાર પર થઈ અસર</b></h2><p>આગની તીવ્રતા એટલી વધારે હતી કે, આકાશમાં દૂર-દૂર સુધી કાળા ધુમાડાના ગોટેગોટા ઉડતા નજરે પડ્યા હતા. હાઈવેની બિલકુલ નજીક ધુમાડાના વાદળો છવાઈ જવાને કારણે ત્યાંથી પસાર થતા વાહનચાલકોની વિઝિબિલિટી પર પણ અસર પડી હતી, જેને લીધે થોડીવાર માટે વાહનચાલકોના જીવ તાળવે ચોંટ્યા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.&nbsp;</p><h2><b>કોઈ જાનહાનિ નહીં</b></h2><p>ઘટનાની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓ દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ લાશ્કરો અને ફાયર ફાઈટર સાથે તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરો દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી અત્યારે યુદ્ધના ધોરણે ચાલુ કરી દેવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/surat/delhi-cyber-cell-arrests-four-from-surat-and-tapi-in-4-82-crores-fake-trading-app-fraud" target="_blank">Surat: દિલ્હી પાલમ કોલોનીના 4.82 કરોડના ફેક સ્ટોક ટ્રેડિંગ ફ્રોડમાં સુરત-તાપી કનેક્શન ખુલ્યું, 4 આરોપીઓ એરેસ્ટ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/ZDwI221iEfSxzCZiYSk1UgTeo0LX97vo1UhKsYgL.webp'/></item><item><title><![CDATA[Odisha સરકારનો સૌથી મોટો નિર્ણય, સરકારી સ્કૂલ-કોલેજોમાં KGથી લઈને PG સુધીનું ભણતર હવે તદ્દન મફત! ]]></title><link>https://sandesh.com/india/news/the-biggest-decision-of-the-odisha-government-education-from-kg-to-pg-in-government-schools-and-colleges-is-now-completely-free</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/the-biggest-decision-of-the-odisha-government-education-from-kg-to-pg-in-government-schools-and-colleges-is-now-completely-free</guid><pubDate>Fri, 12 Jun 2026 20:15:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ નિર્ણયથી રાજ્યના તમામ વિદ્યાર્થીઓને ફાયદો થશે અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ પણ વધશે.&nbsp;</p><h2 style="text-align: justify; ">પછાત બાળકોને ફાયદો થશેઃ ઓડિશા સીએમ&nbsp;</h2><p style="text-align: justify; ">ઓડિશાના મુખ્યમંત્રીએ રાજ્યમાં ભાજપ સરકારના બે વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે એક પત્રકાર પરિષદ યોજી, મફત શિક્ષણ અંગે આ મોટી જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે આ નિર્ણયથી રાજ્યના તમામ વિદ્યાર્થીઓ, ખાસ કરીને છોકરીઓ અને આર્થિક રીતે પછાત પરિવારોના બાળકોને ફાયદો થશે જે શાળામાં જઈ શકતા નથી.</p><h3 style="text-align: justify; ">યુવાનોના ભવિષ્યને મજબૂત મળશેઃ ઓડિશા સીએમ&nbsp;</h3><p style="text-align: justify; ">મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સરકાર દ્વારા આ નિર્ણય શિક્ષણને સંપૂર્ણપણે મફત અને બધા માટે સુલભ બનાવવા માટે લેવામાં આવ્યો છે. દેશભરમાં શિક્ષણ ક્ષેત્રે આવો નિર્ણય ભાગ્યે જ લેવામાં આવ્યો છે. તેમણે વધુમાં સમજાવ્યું કે તેની ભવિષ્ય પર નોંધપાત્ર અસર પડશે. મફત શિક્ષણ રાજ્યના યુવાનોના ભવિષ્યને મજબૂત બનાવશે અને વિકાસમાં ફાળો આપશે.</p><h4 style="text-align: justify; ">શાળા અને કોલેજ શિક્ષણ મફત&nbsp;</h4><p style="text-align: justify; ">ઓડિશા ઉપરાંત, કેરળમાં પણ શાળા અને કોલેજ શિક્ષણ મફત કરવામાં આવ્યું છે. રાજ્યના શિક્ષણ મંત્રીએ તાજેતરમાં બજેટ સત્ર દરમિયાન આ પ્રસ્તાવ મૂક્યો હતો, જેમાં શાળાથી કોલેજ સુધી મફત શિક્ષણની માંગણી કરવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે સરકારી સંસ્થાઓમાં ગ્રેજ્યુએશન સુધીનું શિક્ષણ મફત આપવામાં આવશે, જેનાથી ગરીબ બાળકો પણ સારું શિક્ષણ મેળવી શકશે.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/iran-elon-musk-warning-elon-musk-warns-iran-says-starlink-and-spacex-may-be-attacked" target="_blank">એલોન મસ્કને ઇરાનની ચેતવણી, કહ્યુ સ્ટારલિંક અને સ્પેસએક્સ પર થઈ શકે છે હુમલો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/Mjra54KyotAcL4Y0zUzf9R6q8mCTVwHIuy59fusa.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026 : 96 વર્ષ બાદ વર્લ્ડ કપમાં આ ટીમ સાથે ટકરાશે USA, જાણો કેમ ખાસ? ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-usa-will-face-this-team-in-the-world-cup-after-96-years-know-why-it-is-special</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-usa-will-face-this-team-in-the-world-cup-after-96-years-know-why-it-is-special</guid><pubDate>Fri, 12 Jun 2026 18:36:23 +05:30</pubDate><description><![CDATA[<p>ફિફા વર્લ્ડ કપ 2026 ની શરૂઆત શાનદાર રીતે થઈ છે. શાનદાર ઉદ્ઘાટન સમારોહ અને રોમાંચક પ્રથમ દિવસની મેચો પછી, વિશ્વભરના ફૂટબોલ ચાહકો હવે ટુર્નામેન્ટના બીજા દિવસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. બે સહ-યજમાન દેશો, કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સ, જ્યારે કેનેડા બોસ્નિયા અને હર્ઝેગોવિનાનો સામનો કરશે, ત્યારે યુએસએ દિવસની બીજી મોટી મેચમાં દક્ષિણ અમેરિકન ખંડની મજબૂત ટીમ પેરાગ્વેનો સામનો કરશે.</p><h3><b>96 વર્ષ પછી વર્લ્ડ કપમાં રમશે&nbsp;</b></h3><p>યુએસએ અને પેરાગ્વે વચ્ચેની આ મેચ માત્ર એક મેચ નથી, પરંતુ ફૂટબોલ ઇતિહાસમાં એક વળાંક છે, કારણ કે 96 વર્ષની લાંબી રાહ જોયા પછી બંને ટીમો વર્લ્ડ કપ સ્ટેજ પર એકબીજાનો સામનો કરશે. આ ઐતિહાસિક મેચ લોસ એન્જલસ સ્ટેડિયમમાં રમાશે. વર્લ્ડ કપના ઇતિહાસ પર નજર કરીએ તો, બંને ટીમો છેલ્લી વખત 1930 માં પ્રથમ વર્લ્ડ કપમાં મળી હતી. તે મેચ ફિફા ઇતિહાસમાં ખૂબ જ ખાસ માનવામાં આવે છે. 1930ની તે મેચમાં અમેરિકાએ પેરાગ્વેને 3-૦થી હરાવ્યું. તે જ મેચમાં, અમેરિકાના બર્ટ પેટેનાઉડે વર્લ્ડ કપ ફૂટબોલમાં હેટ્રિક ફટકારનાર પ્રથમ ખેલાડી બનીને ઇતિહાસ રચ્યો. લોસ એન્જલસમાં યોજાનારી આ બ્લોકબસ્ટર મેચ&nbsp; 6:૦૦ વાગ્યે શરૂ થશે. ભારતીય ચાહકો 13 જૂને સવારે 6:30 વાગ્યે શરૂ થતી મેચનો આનંદ માણી શકશે. આ ઐતિહાસિક મુકાબલો 9 વર્ષ પછી થઈ રહ્યો છે.</p><h5><b>હેડ-ટુ-હેડ રેકોર્ડમાં યુએસએ આગળ</b></h5><p>જો આપણે બંને દેશો વચ્ચે રમાયેલી કુલ આંતરરાષ્ટ્રીય મેચોની સંખ્યાને ધ્યાનમાં લઈએ, તો યુએસ ટીમ પેરાગ્વે પર ટોચ પર છે. બંને ટીમો વચ્ચે કુલ 9 મેચ રમાઈ છે, જેમાંથી યુએસએ 5જીતી છે. પેરાગ્વેએ 2 જીતી છે. વધુમાં 2 મેચ ડ્રો રહી છે. આંકડા યુનાઇટેડ સ્ટેટ્સની તરફેણમાં હોવા છતાં, પેરાગ્વેને હળવાશથી લઈ શકાય નહીં. પેરાગ્વે, જેણે તેમના વર્લ્ડ કપ ક્વોલિફિકેશન દરમિયાન ક્વોલિફાયરમાં આર્જેન્ટિના અને બ્રાઝિલ જેવી વિશ્વની કેટલીક સૌથી શક્તિશાળી ટીમોને હરાવી હતી, તેણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ યજમાન રાષ્ટ્રને કઠિન લડાઈ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-ticket-prices-skyrocket-thousands-of-seats-remain-empty-in-the-opening-match" target="_blank">Fifa World Cup 2026: ટિકિટના ભાવ આસમાને, ઓપનિંગ મેચમાં હજારો સીટ રહી ખાલી</a></p><p><br></p><p><br></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/oF95bvmYYBQpn25ms5FiVTNsXY68FuN2zS43v3l7.webp'/></item><item><title><![CDATA[ઇરાને Hormuz Straitમાંથી કેટલી કરી કમાણી, આ માર્ગ ફરી ખુલશે તો તે કેવી રીતે વસૂલશે ટોલ ટેક્સ?, જાણો ]]></title><link>https://sandesh.com/world/news/business/how-much-did-iran-earn-from-the-strait-of-hormuz-if-this-route-reopens-how-will-it-collect-toll-tax-know</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/business/how-much-did-iran-earn-from-the-strait-of-hormuz-if-this-route-reopens-how-will-it-collect-toll-tax-know</guid><pubDate>Fri, 12 Jun 2026 18:08:28 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ઈરાનની સંભવિત ટોલ અથવા સેવા ફી યોજના આવકનો નવો સ્ત્રોત બની શકે છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">હોર્મુઝ સ્ટ્રેટ ફરી એકવાર ચર્ચામાં&nbsp;</h2><p style="text-align: justify; ">ઈરાન-અમેરિકા યુદ્ધ, જે 100 દિવસથી વધુ સમયથી ચાલી રહ્યું છે, હવે શાંતિ તરફ આગળ વધી રહ્યું છે. યુએસ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ લગભગ થઈ ગયો છે, અને બંને દેશો યુદ્ધને તાત્કાલિક અને કાયમી ધોરણે સમાપ્ત કરવા સંમત થયા છે. આ બધા વચ્ચે, હોર્મુઝ સ્ટ્રેટ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં છે. પર્સિયન ગલ્ફને ખુલ્લા સમુદ્ર સાથે જોડતો આ સાંકડો દરિયાઈ માર્ગ વિશ્વના ઉર્જા પુરવઠાનો મુખ્ય ભાગ માનવામાં આવે છે.</p><h3 style="text-align: justify; ">યુદ્ધ છતાં ઈરાનની તેલ આવકમાં વધારો</h3><p style="text-align: justify; ">છેલ્લા કેટલાક વર્ષોમાં, આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો અને પ્રાદેશિક તણાવ છતાં ઈરાને તેની તેલ નિકાસ જાળવી રાખી છે. માર્ચ 2026માં ઈરાનની દૈનિક તેલ આવક આશરે $139 મિલિયન સુધી પહોંચી ગઈ, જે ફેબ્રુઆરીમાં $115 મિલિયન હતી. સંઘર્ષ છતાં, ઈરાનની ક્રૂડ ઓઈલ નિકાસ આશરે 1.6 મિલિયન બેરલ પ્રતિ દિવસ રહી છે. વધુમાં, આંતરરાષ્ટ્રીય બજારમાં ઈરાની તેલ પર ડિસ્કાઉન્ટ પણ ઘટ્યું છે, જેના કારણે તેને વધુ સારા ભાવ મળી રહ્યા છે.</p><h4 style="text-align: justify; ">હોર્મુઝ કટોકટી કેવી રીતે શરૂ થઈ?</h4><p style="text-align: justify; ">ફેબ્રુઆરીના અંતમાં અમેરિકા અને ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા લશ્કરી હુમલાના જવાબમાં ઇરાને હોર્મુઝ સ્ટ્રેટમાં શિપિંગ પર પ્રતિબંધ મૂક્યો ત્યારે તણાવ વધ્યો. આ પગલાથી વૈશ્વિક ઉર્જા બજારને મોટો ફટકો પડ્યો, કારણ કે વિશ્વના તેલ અને LNGનો લગભગ પાંચમો ભાગ આ માર્ગ દ્વારા પરિવહન થાય છે. હોર્મુઝ સ્ટ્રેટમાં અવરોધને કારણે તેલના ભાવમાં વધારો થયો અને વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા વધી. બંને બાજુ હજારો જહાજો ફસાયા, જેના કારણે આંતરરાષ્ટ્રીય વેપાર ખોરવાઈ ગયો.</p><h5 style="text-align: justify; ">શું કહે છે આંતરરાષ્ટ્રીય કાયદો ?</h5><p style="text-align: justify; ">આંતરરાષ્ટ્રીય દરિયાઈ કાયદા અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટ એક કુદરતી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ છે. બધા દેશોના જહાજોને આવા જળમાર્ગોમાંથી મુક્ત રીતે પસાર થવાનો અધિકાર છે. તેથી, કોઈપણ દેશને ફક્ત પસાર થવા માટે ટોલ વસૂલવાનો અધિકાર નથી. જો કે, સુરક્ષા, નેવિગેશન, ટ્રાફિક વ્યવસ્થાપન, પર્યાવરણીય સંરક્ષણ, બચાવ સેવાઓ અને દેખરેખ જેવી સેવાઓ માટે ફી વસૂલવામાં આવી શકે છે. આ માર્ગ ઈરાન માટે કાયદેસર રીતે વધુ શક્ય માનવામાં આવે છે.</p><h6 style="text-align: justify; ">શું ગલ્ફ દેશો સાથે કરાર શક્ય ?</h6><p style="text-align: justify; ">નિષ્ણાતો માને છે કે ભવિષ્યમાં, ઈરાન, ઓમાન, કતાર અને સંયુક્ત આરબ અમીરાત જેવા દેશો એક પ્રાદેશિક દરિયાઈ સત્તા બનાવી શકે છે. આ સંગઠન જહાજ સલામતી, દેખરેખ, કટોકટી સહાય અને પર્યાવરણીય સંરક્ષણ જેવી સેવાઓ પૂરી પાડી શકે છે. આવી સ્થિતિમાં, જહાજો પાસેથી સેવા ફી વસૂલવામાં આવી શકે છે, જે તમામ સંબંધિત દેશો વચ્ચે વહેંચવામાં આવશે. જો કે, આ માટે યુનાઇટેડ સ્ટેટ્સ, ચીન અને અન્ય મુખ્ય શક્તિઓની સંમતિની જરૂર પડશે.</p><h2 style="text-align: justify; ">વૈશ્વિક અર્થતંત્ર પર મોટી અસર&nbsp;</h2><p style="text-align: justify; ">હોર્મુઝ સ્ટ્રેટમાં કોઈપણ ફેરફાર ફક્ત મધ્ય પૂર્વ પૂરતો મર્યાદિત રહેશે નહીં. ભારત, ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા મુખ્ય ઊર્જા આયાતકાર દેશો તેમના તેલ પુરવઠા માટે આ માર્ગ પર ખૂબ આધાર રાખે છે. જો નિશ્ચિત ટેરિફ સિસ્ટમ લાગુ કરવામાં આવે, તો તેલ પરિવહનનો ખર્ચ વધી શકે છે. આ પેટ્રોલ, ડીઝલ, ગેસ અને અન્ય ઊર્જા ઉત્પાદનોના ભાવને પણ અસર કરી શકે છે. જો કે, જો કોઈ કરાર થાય અને હિલચાલ સરળ રહે, તો વૈશ્વિક ઊર્જા બજાર સ્થિરતા મેળવી શકે છે.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/india/news/-political-news/amethi-news-former-union-minister-smriti-iranis-name-missing-from-panchayat-voter-list-dm-orders-investigation" target="_blank">પૂર્વ કેન્દ્રીય મંત્રી Smriti Iraniનું નામ પંચાયત મતદાર યાદીમાંથી ગાયબ, DMએ આપ્યા તપાસના આદેશ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/D7fHUPdrWjAybCmYl2kFcPtbPYbbd5s6IVvrmXQa.webp'/></item><item><title><![CDATA[Bollywood Friendship : એક ફિલ્મ અને સલમાન ખાન... તૂટી ગઈ હતી રાની-ઐશ્વર્યાની વર્ષો જૂની દોસ્તી! ]]></title><link>https://sandesh.com/entertainment/news/shah-rukh-khan-movie-chalte-chalet-ruined-rany-mukerji-aishwarya-rai-friendship</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/shah-rukh-khan-movie-chalte-chalet-ruined-rany-mukerji-aishwarya-rai-friendship</guid><pubDate>Fri, 12 Jun 2026 17:42:48 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડના બેસ્ટ ફ્રેન્ડ્સની વાત આવે છે, ત્યારે રાની મુખર્જી અને ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ આવવું સ્વાભાવિક છે, પરંતુ વર્ષ 2003 પછીથી આ બંનેના સંબંધો બદલાઈ ગયા હતા અને તેનું કારણ એક ફિલ્મ હતી. 
</p><h2 style="text-align: justify; "><b>ફિલ્મ ચલતે ચલતે
</b></h2><p style="text-align: justify; ">ફિલ્મ ચલતે ચલતે એ બંને હસીનાઓના દોસ્તીના સંબંધોને બદલી નાખ્યા હતા. ફિલ્મ સાથે જોડાયેલા એક નિર્ણયો બંનેને અલગ કરી દીધા. આજે વર્ષો પછી પણ આ વિવાદ ખતમ થયો નથી.
</p><h2 style="text-align: justify; "><b>ઐશ્વર્યા રાય લીડ રોલમાં હતી
</b></h2><p style="text-align: justify; ">આ ફિલ્મમાં શાહરૂખ ખાન લીડ રોલમાં હતો. પહેલા ફિલ્મમાં ઐશ્વર્યા રાય લીડ રોલ ભજવવાની હતી અને શૂટિંગ પણ શરૂ થઈ ચૂક્યું હતું, પરંતુ પછી કંઈક એવું થયું કે ઐશ્વર્યાએ ફિલ્મમાંથી બહાર થવું પડ્યું અને તેમની જગ્યાએ રાનીને સાઇન કરવામાં આવી હતી.
</p><h3 style="text-align: justify; "><b>ઐશ્વર્યા અને સલમાન ખાન
</b></h3><p style="text-align: justify; ">ફિલ્મ ચલતે ચલતે શાહરૂખ ખાનની પ્રોડક્શન કંપની ડ્રીમ્ઝ અનલિમિટેડની મહત્વની ફિલ્મોમાંથી એક માનવામાં આવે છે અને આ એ સમય હતો, જ્યારે ઐશ્વર્યા અને સલમાન ખાનના સંબંધોને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો હતો.
</p><h4 style="text-align: justify; "><b>ઐશ્વર્યાને ફિલ્મમાંથી હટાવી
</b></h4><p style="text-align: justify; ">બોલીવુડના પ્રખ્યાત કિસ્સાઓ અનુસાર, સલમાન કેટલીય વાર ફિલ્મના સેટ પર પહોંચી જતો હતો, જેનાથી શૂટિંગ પ્રભાવિત થતું હતું. સતત વધતા વિવાદ અને પ્રોડક્શન પર પડી રહેલી અસરને જોતા મેકર્સે ઐશ્વર્યાને ફિલ્મમાંથી હટાવી દીધી અને તેમની જગ્યાએ બીજી એક્ટ્રેસને સાઇન કરી લીધી, જે રાની હતી.
</p><h4 style="text-align: justify; "><b>રાનીનો સંપર્ક કર્યો
</b></h4><p style="text-align: justify; ">ફિલ્મ માટે રાનીનો સંપર્ક કરવામાં આવ્યો, પરંતુ તેણે આના માટે ના પાડી દીધી હતી. આ પછી એવું કહેવાય છે કે આ રોલ કાજોલ અને અમીષા પાસે પણ ગયો હતો, પરંતુ કોઈએ આના માટે હા પાડી નહીં અને આખરે રાનીએ ફિલ્મ સાઇન કરી લીધી.
</p><h5 style="text-align: justify; "><b>ઐશ્વર્યાએ નારાજગી વ્યક્ત કરી
</b></h5><p style="text-align: justify; ">રાનીએ ભલે ફિલ્મ સાઇન કરી લીધી હતી, પરંતુ ઐશ્વર્યા આ વાતથી ખૂબ જ નારાજ હતી કે તેની ખાસ મિત્રે તે જ ફિલ્મ સ્વીકારી લીધી, જેમાંથી તેને હટાવવામાં આવી હતી. આ પછી બંને અભિનેત્રીઓના સંબંધોમાં ખટાશ આવવા લાગી અને બંને પહેલાની જેમ ક્યારેય નજીક ન આવી શક્યા.
</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/pardesi-pardesi-jana-nahi-30-year-old-bollywood-sad-song" target="_blank">આ પણ વાંચો-Breakup Song : સમય બદલાયો, યુગ બદલાયો...પણ આજેય તૂટેલા દિલની દવા છે આ 30 વર્ષ જૂનું ગીત!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/CVzj0rOkwJTxyYIdtR4Mngqmg5XaEwl2Lm9XGPSB.webp'/></item></channel></rss>