<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Vadodara: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરાવશે અત્યાધુનિક ઇ-બસોનું લોકાર્પણ, પ્રથમ તબક્કામાં 30 બસો શહેરીજનોની સેવામાં તૈનાત ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/smart-city-electric-bus-service-launch-by-cm-bhupendra-patel-thirty-ebuses-ready</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/smart-city-electric-bus-service-launch-by-cm-bhupendra-patel-thirty-ebuses-ready</guid><pubDate>Sun, 28 Jun 2026 10:33:56 +05:30</pubDate><description><![CDATA[<p>વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા શહેરના જાહેર પરિવહન માળખાને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે લેવાયેલા મોટા નિર્ણય અંતર્ગત આવતીકાલથી શહેરમાં ઇ-બસ સેવાનો વિધિવત પ્રારંભ થઈ રહ્યો છે. વડોદરાના ગોત્રી સહિતના જુદા-જુદા વિસ્તારોને જોડતા મુખ્ય રૂટો પર લાંબા સમયથી લોકલ કનેક્ટિવિટી વધારવાની માંગ ઉઠી રહી હતી, જેને ધ્યાનમાં રાખીને સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ ૩૦ નવી ઇ-બસોનું લોકાર્પણ કરાશે.</p><h2><b>આધુનિક સુવિધાઓથી સજ્જ ગ્રીન બસો</b></h2><p>આ નવી ઇલેક્ટ્રિક બસો સંપૂર્ણપણે વાતાનુકૂલિત (AC) છે, જે ઉનાળાની ગરમી અને ભેજવાળા વાતાવરણમાં પણ વડોદરાના મુસાફરોને એક આરામદાયક સફરનો અનુભવ કરાવશે. આ બસોમાં સુરક્ષાના હેતુથી સીસીટીવી કેમેરા, ઈમરજન્સી બટન અને જીપીએસ (GPS) ટ્રેકિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે, જેનાથી મુસાફરો બસનું લાઈવ લોકેશન પણ જાણી શકશે. ખાસ કરીને નોકરીયાત મહિલાઓ, શાળા-કોલેજ જતી વિદ્યાર્થિનીઓ, દિવ્યાંગો અને વડીલો માટે બસમાં બેઠકો અનામત રાખવામાં આવી હોવાથી વ્હીલચેર કે અન્ય સપોર્ટ સાથે મુસાફરી કરતા લોકોને ભારે સરળતા રહેશે.</p><h3><b>રૂટોનું આયોજન અને ભવિષ્યનો પ્લાન</b></h3><p>પ્રથમ તબક્કાની આ 30 બસો શહેરના રેલવે સ્ટેશન, એસટી બસ ડેપો, અકોટા, અલકાપુરી, વાઘોડિયા રોડ અને ગોત્રી જેવા હાઈ-વોલ્યુમ ટ્રાફિક ધરાવતા રૂટો પર કલાકના ચોક્કસ અંતરાલે દોડાવવામાં આવશે. કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ, આગામી સમયમાં આ સેવાનો વ્યાપ વધારીને વધુ ઇ-બસો બેડામાં સામેલ કરાશે. પ્રદૂષણમુક્ત અને અવાજ વગર ચાલતી આ બસોના કારણે વડોદરાના નાગરિકો હવે પોતાના ખાનગી વાહનો છોડીને પબ્લિક ટ્રાન્સપોર્ટ તરફ વળે તેવો તંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/nasirnagar-demolition-case-one-hundred-homeless-families-shifted-to-bharimata-shelter-home-by-smc" target="_blank">આ પણ વાંચો: Surat: નાસીરનગર ડિમોલિશન મામલે હાઈકોર્ટની ફટકાર બાદ બેઘર બનેલા 100 પરિવારોને મનપાએ શેલ્ટર હોમમાં આપ્યો આશરો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/28/B8fdwEkoYHTpJWGSR3VS6TlZt0j19ipwGzbloHjP.webp'/></item><item><title><![CDATA[Taarak Mehta Ka Ooltah Chashmahમાં છવાયા દુઃખના વાદળો, બાઘા-બાવરીની લવ લાઈફમાં વિલન બનશે ટપુ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/taarak-mehta-ka-ooltah-chashmah-tapu-creates-trouble-in-bagha-bawri-love-life</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/taarak-mehta-ka-ooltah-chashmah-tapu-creates-trouble-in-bagha-bawri-love-life</guid><pubDate>Sun, 28 Jun 2026 10:31:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં હંમેશાં કોમેડીનો ડોઝ મળે છે. જો કે, આ વખતે શોમાં ઇમોશનલ એંગલ બતાવવામાં આવી રહ્યો છે. બાઘા અને બાવરીની જિંદગીમાં બાલમે એન્ટ્રી લીધી છે અને તેની આખી જિંદગી વેરવિખેર કરી દીધી છે. બાલમ બાવરીનો બાળપણનો મિત્ર છે અને તે ખૂબ અમીર છે. તે બાવરી સાથે લગ્ન કરવા માગે છે. આના માટે તે બાઘાને 7 કરોડની ઓફર આપે છે.</p><h2 style="text-align: justify; "><b>બાઘા-બાવરી થશે અલગ?</b></h2><p style="text-align: justify; ">બાઘા બાવરીને ખુશ જોવા માગે છે અને બાઘા જાણે છે કે તે જિંદગીમાં ક્યારેય પણ બાવરીને એ લક્ઝરી લાઇફ નહીં આપી શકે અને ના તો બાવરીના સપના પૂરા કરી શકશે જે બાલમ કરી શકશે. એટલા માટે તે બાવરી સાથે બ્રેકઅપનો પ્લાન કરે છે. શોમાં એક તરફ બાઘાની રડી-રડીને હાલત ખરાબ છે, બાવરીનું પણ દિલ તૂટેલું છે.<br></p><h3><b>તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં મોટો ટ્વિસ્ટ</b></h3><p></p><p style="text-align: justify; ">બાઘા બ્રેકઅપ માટે નવા-નવા ઉપાયો વિચારી રહ્યો છે. પહેલા તે દારૂ પીવાનું નાટક કરે છે અને બાવરીના ઘરની નીચે હંગામો કરે છે. આ પછી જ્યારે બાવરી ગોકુલધામ સોસાયટીની મહિલાઓને બાઘાના બિહેવિયર વિશે જણાવે છે, તો બધી મહિલાઓ બાઘાને સવાલ કરવા પહોંચે છે પરંતુ બાઘા તેની સાથે પણ અસભ્ય વર્તન કરે છે. પછી નટુ કાકા મહિલા મંડળને જણાવે છે કે બાઘાનું કોઈ બીજી છોકરી સાથે અફેર ચાલી રહ્યું છે. જો કે, બાવરીને જ્યારે આ વાતની ખબર પડે છે તો તે વિશ્વાસ નથી કરતી.<br><img title="Taarak Mehta Ka Ooltah Chashmah (20)" src="https://epapercdn.sandesh.com/images/2026/06/28/JxEz9K9Ay3JtzqXrFw2JAJJcrWpjPSJIS7O7sxw7.webp"><br></p><h4 style="text-align: justify; "><b>ટપુના કારણે થશે બાઘા-બાવરીનું બ્રેકઅપ!</b></h4><p style="text-align: justify; ">આ પછી બાઘા અને નટુ કાકા ટપુને છોકરી બનાવવાનો પ્લાન કરે છે. ટપુ હવે શોમાં છોકરી બનીને આવી ગયો છે. હવે ટપુ અને બાઘા પાર્કમાં જઈને રોમાન્સ કરવાનું નાટક કરશે જેથી બાવરી આ બધું જુએ અને પોતે જ બ્રેકઅપ કરી લે. હવે આવનારા એપિસોડ્સમાં જોવાનું રહેશે કે જ્યારે બાવરી બાઘા અને છોકરી બનેલા ટપુને સાથે જોશે તો શું ટ્વિસ્ટ આવશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gallery/news/entertainment/sargun-mehta-net-worth-luxury-cars-and-lavish-lifestyle-of-punjabi-actress" target="_blank">આ પણ વાંચો-લક્ઝરી કાર્સ અને કરોડોની નેટવર્થ... ટીવીથી લઈને પંજાબી સિનેમા પર રાજ કરનારી સરગુન મહેતાની લાઈફસ્ટાઈલ જોઈને આંખો અંજાઈ જશે!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/28/UfT04pVneECj9OlvpkVVAOc6ETJGFgTobL2tujxj.webp'/></item><item><title><![CDATA[Surat: નાસીરનગર ડિમોલિશન મામલે હાઈકોર્ટની ફટકાર બાદ બેઘર બનેલા 100 પરિવારોને મનપાએ શેલ્ટર હોમમાં આપ્યો આશરો ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/nasirnagar-demolition-case-one-hundred-homeless-families-shifted-to-bharimata-shelter-home-by-smc</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/nasirnagar-demolition-case-one-hundred-homeless-families-shifted-to-bharimata-shelter-home-by-smc</guid><pubDate>Sun, 28 Jun 2026 10:16:30 +05:30</pubDate><description><![CDATA[<p>સુરતના નાસીરનગર વિસ્તારમાં તાજેતરમાં વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી મોટી ડિમોલિશનની ડ્રાઈવ બાદ સેંકડો લોકો બેઘર થઈ ગયા હતા. ચોમાસાની ઋતુ અને આકરી ગરમી-ઉમસ વચ્ચે નાસીરનગરના સ્થાનિક રહીશો કફોડી સ્થિતિમાં આવી જતાં આ મામલો અંતે ગુજરાત હાઈકોર્ટના દ્વારે પહોંચ્યો હતો. માનવતાના ધોરણે હાઈકોર્ટે લીધેલા કડક વલણ બાદ, સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓએ શનિવારે સવારથી જ અસરગ્રસ્તો માટે વ્યાપક રાહત અને પુનર્વસન ઓપરેશન શરૂ કરી દીધું છે.</p><h2><b>100 પરિવારોને સલામત સ્થળે શિફ્ટ કરાયા</b></h2><p>મનપાના સેન્ટ્રલ ઝોન અને કતારગામ ઝોનના ડેપ્યુટી કમિશનરો અને ઓપરેશનલ સ્ટાફની સીધી દેખરેખ હેઠળ નાસીરનગરના ખુલ્લા પ્લોટમાં આશરો લઈ રહેલા અંદાજે ૧૦૦ જેટલા પરિવારોને મનપાની સત્તાવાર બસો અને વાહનો મારફતે ભરીમાતા ખાતે આવેલા મોટા કોમ્યુનિટી હોલ (શેલ્ટર હોમ) માં ખસેડવામાં આવ્યા છે. નાના બાળકો અને વૃદ્ધોને કોઈ તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા અગાઉથી જ હોલની અંદર સેંકડો બેડ (ગાદલા), ઓઢવા માટેની ચાદરો અને પંખાઓની યોગ્ય વીજળીક વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. તેમજ અહીં પુરુષો અને મહિલાઓ માટે અલગ-અલગ શૌચાલય અને સ્નાનગૃહ સાફ-સુથરા કરીને ખુલ્લા મૂકાયા છે.</p><h3><b>રોગચાળો ન ફેલાય તે માટે ખાસ મેડિકલ વોચ</b></h3><p>ડિમોલિશન બાદ ધૂળની ડમરીઓ અને બદલાતા હવામાનને કારણે વિસ્થાપિતોમાં કોઈ ચેપી રોગચાળો કે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ન ઉભી થાય તે માટે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને એલર્ટ કરાયું છે. તંત્ર દ્વારા 27 જૂનથી લઈને 29 જૂન સુધી સતત ત્રણ દિવસ માટે ભરીમાતા કોમ્યુનિટી હોલ ખાતે રાઉન્ડ ધ ક્લોક (24 કલાક) મેડિકલ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. આ ટીમોમાં ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને જરૂરી દવાઓનો જથ્થો ઉપલબ્ધ કરાવાયો છે, જેથી સ્થળ પર જ ઓપીડી (OPD) અને ઈમરજન્સી સારવાર આપી શકાય. હાઈકોર્ટના કાનૂની આદેશના સુચારુ પાલન માટે મનપાની ટીમો આગામી દિવસોમાં આ પરિવારોના કાયમી આવાસ ફાળવણી અંગે પણ સર્વે પ્રક્રિયા હાથ ધરે તેવી શક્યતા છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/bapunagar-shyam-shikhar-crossroad-car-accident-climbs-on-divider-hits-light-pole" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: શ્યામશિખર ચાર રસ્તા પાસે કાર ડિવાઈડર અને લાઈટના થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/28/fbBSG5fRxmufSsEEWeHmuvweod37eN8a7O8hxu0k.webp'/></item><item><title><![CDATA[Gujarat News: નર્મદાના ગરુડેશ્વરમાં ઉચ્ચ અધિકારીઓના મકાનો પર બુલડોઝર ફરી વળ્યુ ]]></title><link>https://sandesh.com/gujarat/news/narmada/illegal-houses-of-senior-officials-demolished-near-statue-of-unity-in-garudeshwar</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/narmada/illegal-houses-of-senior-officials-demolished-near-statue-of-unity-in-garudeshwar</guid><pubDate>Sun, 28 Jun 2026 10:10:19 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ગરુડેશ્વરમાં વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.વર્ષ 2019માં ફાળવવામાં આવેલી સરકારી જમીન પર નિયમોનો ભંગ કરીને બાંધવામાં આવેલા ઉચ્ચ અધિકારીઓના મકાનો પર આખરે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે.વર્ષ 2019માં સરકારે ગરુડેશ્વર ખાતે 13 જેટલા ઉચ્ચ અધિકારીઓને રહેણાંક હેતુ માટે સરકારી જમીનના પ્લોટ ફાળવ્યા હતા.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>5 મકાનોને જમીનદોસ્ત કરી દીધા હતા</b></h2><p style="text-align: justify; ">આ ફાળવણીમાં નક્કી કરવામાં આવેલી ચોક્કસ શરતોનું પાલન ન થતાં વિવાદ સર્જાયો હતો. આ પૈકી 7 અધિકારીઓએ જમીન પર મકાનોનું બાંધકામ કરી લીધું હતું.  જ્યારે બાકીના 6 અધિકારીઓની જમીન સરકારે અગાઉ જ શ્રી સરકાર કરીને પરત લઈ લીધી હતી.નિયમોના ઉલ્લંઘન બદલ વહીવટી તંત્ર દ્વારા સંબંધિત અધિકારીઓને અગાઉ નોટિસ પણ પાઠવવામાં આવી હતી.અધિકારીઓ દ્વારા સરકારી શરતોનો ભંગ કરવામાં આવતા તંત્રએ આ પગલું ભર્યું છે.શનિવારે વહીવટી તંત્રના અધિકારીઓનો કાફલો બુલડોઝર સાથે ગરુડેશ્વર પહોંચ્યો હતો અને શરતભંગ થયેલા 5 મકાનોને જમીનદોસ્ત કરી દીધા હતા.</p><h3 style="text-align: justify; "><b>અનેક અધિકારીઓ અત્યારે નિવૃત્ત થઈ ચૂક્યા છે</b></h3><p style="text-align: justify; ">જે તે સમયે જમીન મેળવનાર અનેક અધિકારીઓ અત્યારે નિવૃત્ત થઈ ચૂક્યા છે, જ્યારે ઘણા અધિકારીઓ હાલમાં રાજ્ય સરકારમાં ઉચ્ચ હોદ્દાઓ પર ફરજ બજાવી રહ્યા છે.આ કાર્યવાહી દરમિયાન સૌથી મહત્વની બાબત એ રહી કે, સરકારી નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હોવાથી સંબંધિત અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો ન હતો.અધિકારીઓએ સ્વયં સરકારની આ કાર્યવાહીમાં સહકાર આપ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં ડિમોલેશનની કામગીરી સંપન્ન થઈ હતી.&nbsp;<br><br><a href="https://sandesh.com/world/news/iran-launches-missile-and-drone-strikes-on-8-us-military-bases-amid-rising-tensions" target="_blank">આ પણ વાંચોઃ World News: અમેરિકાને ઈરાને વળતો જવાબ આપ્યો, આઠ સૈન્ય ઠેકાણા પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/28/Z0JW2k6AUhkTWugLre8lX0zqvTodAas7aYZDvP2X.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: શ્યામશિખર ચાર રસ્તા પાસે કાર ડિવાઈડર અને લાઈટના થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/bapunagar-shyam-shikhar-crossroad-car-accident-climbs-on-divider-hits-light-pole</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/bapunagar-shyam-shikhar-crossroad-car-accident-climbs-on-divider-hits-light-pole</guid><pubDate>Sun, 28 Jun 2026 10:01:04 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા બાપુનગર પંથકમાં અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. બાપુનગરના સૌથી વ્યસ્ત ગણાતા જંક્શનો પૈકીના એક એવા શ્યામશિખર ચાર રસ્તા પાસે આજે એક ચોંકાવનારો અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી એક લક્ઝરી કાર અચાનક રોડ વચ્ચેના ડિવાઈડર પર ચડીને લાઈટના થાંભલા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. ધડાકાનો અવાજ એટલો તીવ્ર હતો કે આસપાસના દુકાનદારો અને રાહદારીઓ તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.</p><h2><b>કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત</b></h2><p>સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, કાર ચાલક શ્યામશિખર ચાર રસ્તા તરફથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક તેની કારની ગતિ અનિયંત્રિત બની ગઈ હતી. ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર રોડની સાઈડમાં જવાના બદલે સીધી જ ડિવાઈડર સાથે ભટકાઈને તેની ઉપર ચડી ગઈ હતી અને ત્યાં રોપેલા લોખંડના મજબૂત લાઈટના થાંભલા સાથે ધડાકાભેર અથડાઈને અટકી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે લાઈટનો થાંભલો પણ નમી ગયો હતો અને કારના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું.</p><h3><b>ટ્રાફિક પોલીસે કાર હટાવવાની કામગીરી કરી</b></h3><p>સારી વાત એ રહી કે રવિવાર હોવાના કારણે અથવા અકસ્માતની સેકન્ડો દરમિયાન ડિવાઈડરની બાજુમાં અન્ય કોઈ મોપેડ કે બાઇક ચાલક હાજર નહોતો, જેથી કોઈ નિર્દોષ વ્યક્તિ આ અકસ્માતનો ભોગ બની નથી. કાર ચાલકને પણ એરબેગ પ્રોટેક્શન અથવા નસીબના જોરે માત્ર સામાન્ય છોલાવા જેવી ઈજાઓ થઈ છે. ઘટનાની જાણ થતાં જ બાપુનગર પોલીસ અને ટ્રાફિક બ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ક્રેન મંગાવીને ડિવાઈડર પર ફસાયેલી કારને હટાવી રોડ સાઈડ લાવી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો અને ચાલકની પૂછપરછ હાથ ધરી અકસ્માતનું સાચું કારણ જાણવા કાનૂની તપાસ શરૂ કરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mahisagar/virpur-marriage-fraud-case-robber-bride-flees-with-one-point-five-lakh-from-farmer-son" target="_blank">આ પણ વાંચો: Mahisagar: વીરપુરના લીંબરવાડામાં ખેડૂતના દીકરા સાથે લગ્ન રચી રાજસ્થાનની ગેંગ 1.50 લાખ પડાવી ફરાર</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/28/IVKK77h9gZ9s5xIWyoiqE6Dz0hf8Ecn6j3IfznSS.webp'/></item><item><title><![CDATA[Mahisagar: વીરપુરના લીંબરવાડામાં ખેડૂતના દીકરા સાથે લગ્ન રચી રાજસ્થાનની ગેંગ 1.50 લાખ પડાવી ફરાર ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mahisagar/virpur-marriage-fraud-case-robber-bride-flees-with-one-point-five-lakh-from-farmer-son</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mahisagar/virpur-marriage-fraud-case-robber-bride-flees-with-one-point-five-lakh-from-farmer-son</guid><pubDate>Sun, 28 Jun 2026 09:49:08 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ઉંમર લાયક યુવકો માટે લગ્નની કન્યાઓ શોધવાની મજબૂરીનો ફાયદો ઉઠાવીને આંતરરાજ્ય લૂંટારી ટોળકીઓ બેફામ બની છે. મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકા હેઠળ આવતા લીંબરવાડા ગામમાં આવી જ એક શરમનાક અને આર્થિક નુકસાન પહોંચાડતી ઘટના સામે આવી છે, જ્યાં એક ભોળા ખેડૂતના દીકરાને લગ્નના પવિત્ર બંધનના નામે ચૂનો લગાડવામાં આવ્યો છે.</p><h2><b>1.50 લાખની સોપારી અને નકલી લગ્ન</b></h2><p>પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, લીંબરવાડા ગામના પીડિત ખેડૂત પુત્રના લગ્ન માટે લાંબા સમયથી કન્યાની શોધખોળ ચાલી રહી હતી. આ દરમિયાન આસપાસના વચેટીયાઓ મારફતે રાજસ્થાનની એક કથિત ગેંગનો સંપર્ક થયો હતો. ગેંગના સભ્યોએ યુવતી ગરીબ હોવાનું અને લગ્નનો ખર્ચ ઉઠાવવાના બહાને ખેડૂત પરિવાર પાસેથી 1.50&nbsp; લાખ રૂપિયા રોકડા મંગાવ્યા હતા. દીકરાનું ઘર વસતું હોવાની આશાએ પિતાએ વ્યાજે કે પોતાની બચતમાંથી આ રકમ ચૂકવી આપી હતી અને બંને પક્ષોની સંમતિથી લગ્નની ધાર્મિક વિધિ પણ પૂર્ણ કરવામાં આવી હતી.</p><h3><b>મંદિરના ચોગાનમાંથી બાઇક પર પલાયન</b></h3><p>કહેવાય છે કે આ ગેંગનો પ્લાન પહેલેથી જ નક્કી હતો. લગ્ન પત્યાના ગણતરીના કલાકોમાં જ શાતિર દુલ્હને પરિવાર સમક્ષ એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેના કુળદેવી કે સ્થાનિક મંદિરે લગ્નની માનતા પૂરી કરવાની બાકી છે. ભોળો પરિવાર નવી વહુની વાત માનીને તેને દર્શન કરાવવા મંદિરે લઈ ગયો હતો. ત્યાં દર્શન કરીને બહાર નીકળતી વખતે ભીડનો લાભ ઉઠાવી દુલ્હન અચાનક ગાયબ થઈ ગઈ હતી. પરિવારે આસપાસ તપાસ કરતા જાણવા મળ્યું કે, મંદિરની બહાર પહેલેથી જ મોટરસાયકલ સ્ટાર્ટ કરીને ઉભેલા તેના રાજસ્થાની સાગરીત સાથે તે બાઇક પર બેસી પૂરપાટ ઝડપે હાઇવે તરફ ભાગી છૂટી હતી. છેવટે છેતરાયા હોવાની પાકી ખાતરી થતાં યુવાને વીરપુર પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા હતા. વીરપુર પોલીસે આ મામલે કન્યા, લગ્ન કરાવનારા વચેટીયાઓ અને ગેંગના મુખ્ય સૂત્રધારો સહિત કુલ ૪ શખ્સો સામે આયોજનબદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી ગુનેગારોને પકડવા સરહદી વિસ્તારોમાં ચક્રો ગતિમાન કર્યા છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/rajkot/jangleshwar-demolition-drive-expenditure-controversy-three-crore-spent-for-fifteen-hundred-encroachments" target="_blank">આ પણ વાંચો: Rajkot: જંગલેશ્વરમાં જેસીબી કરતા પાણી અને મંડપના બિલો વધારે ગાજ્યા! પાણી-નાસ્તાના બિલમાં મોટો ખેલ થયાની આશંકા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/28/UcG5u32wI5Mfyk8WcMdOpUwXIgrPuRDb0R02oYi1.webp'/></item><item><title><![CDATA[India News: ઓપરેશન સિંદુરમાં શહીદ થયેલા જવાનોની શહાદત છૂપાવવાનો આરોપ, રક્ષા મંત્રાલયે જવાબ આપ્યો ]]></title><link>https://sandesh.com/india/news/operation-sindoor-defence-ministry-rejects-claims-of-hiding-martyrs-sacrifice</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/operation-sindoor-defence-ministry-rejects-claims-of-hiding-martyrs-sacrifice</guid><pubDate>Sun, 28 Jun 2026 08:48:41 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઓપરેશન સિંદૂરના છ શહીદોને સન્માન ન આપવાના કોંગ્રેસના આરોપ પર રક્ષા મંત્રાલયે સ્પષ્ટતા કરી છે.મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે દેશે આ શહીદોને સૌથી પહેલાં ઘટનાસ્થળે જ સન્માન આપ્યું હતું અને તેમની યાદને હંમેશા સન્માન અને શ્રદ્ધા સાથે યાદ રાખવામાં આવશે.આ વિવાદ કોંગ્રેસ નેતા પવન ખેડાના એક આરોપથી શરૂ થયો હતો.ખેડાએ શુક્રવાર અને શનિવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું હતું કે સરકારે ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા છ જવાનોની કુરબાનીને એક વર્ષ સુધી છુપાવી રાખી હતી અને તેમને શહીદનો દરજ્જો આપ્યો ન હતો.</p><h2 style="text-align: justify; "><b>મિલિટરી ઓપરેશન્સે આ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી</b></h2><p style="text-align: justify; ">આ આરોપના જવાબમાં રક્ષા મંત્રાલયે કોઈનું નામ લીધા વગર કહ્યું કે કેટલીક મીડિયા રિપોર્ટ્સ અને સોશિયલ મીડિયા પોસ્ટમાં ખોટી રીતે એવું દર્શાવવામાં આવ્યું છે કે આ છ જવાનોની કુરબાનીને તાજેતરમાં જ પહેલીવાર સામે લાવવામાં આવી છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે દેશે આ શહીદોને ઘણો સમય પહેલા જ સન્માન આપી દીધું હતું. 11 મે, 2025ના રોજ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આર્મીના ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સે આ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમની કુરબાનીને સાર્વજનિક રૂપે સ્વીકારી હતી.ત્યારબાદ 14 ઓગસ્ટ, 2025ના રોજ જાહેર કરાયેલી પ્રેસ રિલીઝમાં આ જવાનોને વીરતા પુરસ્કાર આપવાની વાત પણ છપાઈ હતી. સેનાના સોશિયલ મીડિયા પેજ પર પણ તેમના વખાણ કરવામાં આવ્યા હતા.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>ત્રણ જવાનોના પરિવારોને સેના મેડલ આપ્યા હતા</b></h3><p style="text-align: justify; ">આ વર્ષે 15 જાન્યુઆરીએ જયપુરમાં યોજાયેલી આર્મી ડે પરેડમાં સેના પ્રમુખે ત્રણ જવાનોના પરિવારોને સેના મેડલ આપ્યા હતા.જ્યારે વાયુસેના પ્રમુખે 8 ઓક્ટોબર, 2025ના રોજ એક સમારોહમાં આ સન્માન આપ્યું હતું.મંત્રાલયે એ પણ જણાવ્યું કે આ છ જવાનોના નામ નેશનલ વોર મેમોરિયલની દિવાલ પર લખાઈ ચૂક્યા છે. જેમાં સેનાના પાંચ જવાનો - સુબેદાર મેજર પવન કુમાર, રાઈફલમેન સુનિલ કુમાર, લાન્સ નાયક દિનેશ કુમાર, અગ્નિવીર મૂડ મુરલીનાઈક, હવાલદાર સુનિલ કુમાર સિંહ અને વાયુસેનાના સાર્જન્ટ સુરેન્દ્ર કુમાર સામેલ છે. 'ઓપરેશન સિંદૂર' ગયા વર્ષે 22 એપ્રિલે થયેલા પહેલગામ આતંકી હુમલાનો બદલો લેવા માટે ચલાવવામાં આવ્યું હતું. મંત્રાલયે કહ્યું કે શહીદોના નામ મેમોરિયલ પર લખવાની એક નિર્ધારિત પ્રક્રિયા હોય છે, જેનું પૂરી સાવધાની સાથે પાલન કરવામાં આવે છે. મંત્રાલયે આ વિવાદને ખોટો અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો અને કહ્યું કે આનાથી શહીદ પરિવારોને તકલીફ પહોંચે છે.<br><br><a href="https://sandesh.com/world/breakingnews/pakistan-karachi-rangers-headquarters-blast-gunfire-investigation" target="_blank">આ પણ વાંચોઃ Pakistan : કરાચીમાં રેન્જર્સ હેડક્વાર્ટરની પાસે થયો બ્લાસ્ટ, ગોળીબારી પણ કરાઈ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/28/iXCrjsayAmT0fP67sKiDhi0vDP9z8WcnaP4OB1jd.webp'/></item><item><title><![CDATA[Petrol Diesel Price Today : રવિવારે પેટ્રોલ સસ્તું થયું કે મોંઘું? જાણો આજના લેટેસ્ટ ભાવ ]]></title><link>https://sandesh.com/business/news/petrol-diesel-price-today-check-latest-fuel-rates-in-your-city</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/petrol-diesel-price-today-check-latest-fuel-rates-in-your-city</guid><pubDate>Sun, 28 Jun 2026 08:33:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કાચા તેલના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. ક્રૂડ ઓઇલ 72 ડોલર પ્રતિ બેરલના સ્તર પર આવી ગયું છે. આ યુદ્ધ પહેલાની સ્થિતિની લગભગ બરાબર જ છે. પરંતુ આ પછી પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો જાહેર કરે છે.</p><h2 style="text-align: justify; "><b>સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલવાથી રાહત</b></h2><p style="text-align: justify; ">અમેરિકા અને ઇરાન વચ્ચે થયેલા કરાર પછી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખૂલી ગઈ છે. આ એક સારા સમાચાર છે. આનાથી એકવાર ફરી આરબ દેશોમાંથી દુનિયાભરમાં કાચા તેલની સપ્લાય શરૂ થઈ ગઈ છે. ભારત જેવા દેશો માટે આ ખૂબ જ જરૂરી હતું. યુદ્ધના કારણે એક સમયે કાચા તેલનો ભાવ 112 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો હતો.<br></p><h3><b>તમારા શહેરમાં આજનો પેટ્રોલ-ડીઝલનો ભાવ</b></h3><p></p><table class="table table-bordered"><tbody><tr><td><b>શહેર</b></td><td><b>પેટ્રોલ</b></td><td><b>ડીઝલ</b></td></tr><tr><td>દિલ્હી</td><td>102.12 રૂપિયા</td><td>95.20 રૂપિયા</td></tr><tr><td>મુંબઈ</td><td>111.51 રૂપિયા</td><td>97.83 રૂપિયા</td></tr><tr><td>કોલકાતા</td><td>113.21 રૂપિયા</td><td>99.82 રૂપિયા</td></tr><tr><td>ચેન્નાઈ</td><td>107.76 રૂપિયા</td><td>99.55 રૂપિયા</td></tr><tr><td>અમદાવાદ</td><td>101.83 રૂપિયા</td><td>97.02 રૂપિયા</td></tr><tr><td>હૈદરાબાદ</td><td>115.69 રૂપિયા</td><td>103.82 રૂપિયા</td></tr></tbody></table><h3 style="text-align: justify; "><b>યુદ્ધ શરૂ થયા પછી કેટલીય વાર વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ</b></h3><p style="text-align: justify; ">4 વર્ષ પછી સૌથી પહેલીવાર 15 મેના રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ વધારો કર્યો હતો. મે મહિનામાં આ પછી ત્રણ વધુ વખત તેલની કિંમતોમાં વધારો થયો, જેના કારણે પેટ્રોલ અને ડીઝલનો ભાવ 7.60 રૂપિયા પ્રતિ લીટર સુધી મોંઘો થઈ ગયો.</p><h3 style="text-align: justify; "><b>તેલ કંપનીઓને દરરોજ થઈ રહ્યું હતું 1000 કરોડ રૂપિયાનું નુકસાન</b></h3><p style="text-align: justify; ">ઇન્ટરનેશનલ માર્કેટમાં જ્યારે કાચા તેલની કિંમતોમાં તેજી જોવા મળી રહી હતી, ત્યારે તેલ કંપનીઓનું રોજેરોજનું નુકસાન 1000 કરોડ રૂપિયાના સ્તર સુધી પહોંચી ગયું હતું. 76 દિવસો સુધી સ્થાનિક સ્તરે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા નહોતા.</p><h3 style="text-align: justify; "><b>SMS થી આ રીતે ચેક કરો કિંમતો</b></h3><p style="text-align: justify; ">• IOC: CITY CODE + RSP લખીને 9224992249 પર મોકલો</p><p style="text-align: justify; ">• BPCL: RSP લખીને 9223112222 પર મોકલો</p><p style="text-align: justify; ">• HPCL: RSP લખીને 9222201122 પર મોકલો</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/28/xZhxvUJ2Uhl1EgtmnCL6TAkLQmHa1Uo2XXmZ5n6Z.webp'/></item><item><title><![CDATA[Ancy Sojanએ લાંબી કૂદમાં ઈતિહાસ રચ્યો, 22 વર્ષ જૂનો નેશનલ રેકોર્ડ તોડ્યો ]]></title><link>https://sandesh.com/sports/news/ancy-sojan-national-long-jump-record</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/ancy-sojan-national-long-jump-record</guid><pubDate>Sat, 27 Jun 2026 23:47:03 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમ ખાતે યોજાયેલી નેશનલ ઈન્ટર સ્ટેટ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2026માં લાંબી કૂદની સ્પર્ધામાં કેરળની 25 વર્ષના મહિલા ખેલાડી એન્સી સોજને ઐતિહાસિક પ્રદર્શન કર્યું.</p><p style="text-align: justify; ">નેશનલ ઈન્ટર સ્ટેટ સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં લાંબી કૂદની સ્પર્ધામાં 6.88 મીટર કૂદકો મારીને એશિયન ગેમ્સ 2026માં ભાગ લેવા માટેટિકિટ મેળવી લીધી હતી. હવે એન્સી સોજને મહાન ભારતીય મહિલા ખેલાડી અંજુ બોબી જ્યોર્જના 6.83 મીટર લાંબી કૂદના 22 વર્ષ જૂના નેશનલ રેકોર્ડને તોડીને લાંબી કૂદમાં પોતાનું નામ નોંધાવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>એન્સી સોજને તેના પાંચમા પ્રયાસમાં નવો નેશનલ રેકોર્ડ બનાવ્યો</b></h2><p style="text-align: justify; ">છેલ્લા કેટલાક વર્ષોથી એન્સી સોજન સતત સારું પ્રદર્શન કરી રહી છે. નેશનલ ઈન્ટર-સ્ટેટ સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સોજને તેના પાંચમા પ્રયાસમાં 6.83 મીટર કૂદકો મારીને એક નવો નેશનલ રેકોર્ડ બનાવ્યો. અંજુ બોબી જ્યોર્જે 2004 એથેન્સ ઓલિમ્પિકમાં 6.83 મીટર કૂદકો મારીને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો, જે હજુ પણ તેના નામે હતો.&nbsp;</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/TheKhelIndia/status/2070883677966655779"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p style="text-align: justify; ">એન્સી સોજન છેલ્લા 20 વર્ષમાં લાંબી કૂદકામાં 6.85 મીટરથી વધુ કૂદકો મારનાર બીજી એશિયન ખેલાડી છે. આ સિદ્ધિ સાથે એન્સી સોજન એશિયાની 8મી બેસ્ટ મહિલા લાંબી જમ્પર બની ગઈ છે.</p><h3 style="text-align: justify; "><b>એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો છે</b></h3><p style="text-align: justify; ">કેરળની 25 વર્ષની મહિલા ખેલાડી એન્સી સોજનની વાત કરીએ તો તેણે 2023 એશિયન ગેમ્સમાં 6.63 મીટરના કૂદકા સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. ત્યારબાદ તેણે 2025 એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. હવે બધાની નજર જાપાનમાં યોજાનારી આગામી એશિયન ગેમ્સમાં એન્સી સોજનના પ્રદર્શન પર છે, જ્યાં તે ગોલ્ડ મેડલ જીતવાની અપેક્ષા છે. આગામી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પણ તેણી પર ઘણી આશાઓ છે, જ્યાં તેણી મેડલની દાવેદાર બની છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/entertainment/virat-kohli-photos-with-son-akaay-anushka-sharma" target="_blank">Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/9cdKfU5zWRMLX2nSXVsltYQpx2At6JAZBLU1NpQ5.webp'/></item><item><title><![CDATA[Maharashtra : TET પેપર લીકમાં બિહાર કનેક્શન આવ્યું સામે, માસ્ટરમાઈન્ડ પર SITએ કર્યા મોટા ખુલાસા ]]></title><link>https://sandesh.com/india/news/maharashtra-tet-paper-leak-bihar-link-sit-mastermind-investigation</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/maharashtra-tet-paper-leak-bihar-link-sit-mastermind-investigation</guid><pubDate>Sat, 27 Jun 2026 22:34:03 +05:30</pubDate><description><![CDATA[<p>મહારાષ્ટ્ર શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) પેપર લીક કેસમાં તપાસ આગળ વધતા નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સમગ્ર રેકેટના તાર અનેક રાજ્યો સુધી ફેલાયેલા હોય શકે છે. પોલીસે અત્યાર સુધી રાજુ શાહુ, આકાશ કુમાર અને ધીરજ સિંહ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. તેમાંનો એક આરોપી બિહારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે, જ્યારે સમગ્ર નેટવર્કનું સંચાલન પણ બિહાર સાથે જોડાયેલા લોકો દ્વારા થતું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.</p><h2><b>દરેક સેટ માટે અંદાજે ₹37.50 લાખનો સોદો થયો</b></h2><p>તપાસ મુજબ આરોપીઓ દિલ્હીથી મહારાષ્ટ્ર આવ્યા હતા અને કોડવર્ડ દ્વારા સ્થાનિક લોકોનો સંપર્ક કરી પેપર વેચવાનો સોદો કર્યો હતો. યોજના મુજબ પરીક્ષા પહેલાં લગભગ 24 કલાક અગાઉ પ્રશ્નપત્રની PDF તૈયાર કરીને પસંદ કરાયેલા ઉમેદવારો સુધી પહોંચાડવાની હતી. પોલીસના જણાવ્યા અનુસાર લીક થયેલા પ્રશ્નપત્રના ચારેય સેટ આરોપીઓ પાસે હતા અને દરેક સેટ માટે અંદાજે ₹37.50 લાખનો સોદો થયો હતો. આ રીતે સમગ્ર સોદાની કિંમત લગભગ ₹1.5 કરોડ સુધી પહોંચી હોવાનું અનુમાન છે. હાલ તપાસ એ દિશામાં ચાલી રહી છે કે પ્રશ્નપત્ર કેટલા ઉમેદવારો સુધી પહોંચ્યું અને આ માટે કેટલા લોકોએ રૂપિયા ચૂકવ્યા.</p><h3><b>CMએ SITની રચના કરવાનો આદેશ આપ્યો</b></h3><p>આરોપીઓ દિલ્હીથી મુંબઈ અને ત્યારબાદ ભિવંડી પહોંચ્યા હતા, જ્યાંથી સમગ્ર રેકેટ સંચાલિત થવાનું હતું. ગુપ્ત માહિતીના આધારે પોલીસે દરોડો પાડી પ્રશ્નપત્રના નકલો કબજે કર્યા હતા, જેમાં અનેક પ્રશ્નો મૂળ TET પરીક્ષા સાથે મેળ ખાતા હોવાનું સામે આવ્યું હતું. મામલાની ગંભીરતા જોતા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવાનો આદેશ આપ્યો છે. સરકારે દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. જો તપાસમાં સંગઠિત ગુનાહિત નેટવર્કનો ખુલાસો થશે તો આરોપીઓ સામે MCOCA હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે. હાલ સમગ્ર નેટવર્ક અને તેમાં સામેલ અન્ય લોકોની ભૂમિકા અંગે સઘન તપાસ ચાલુ છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/jammu-kashmir-gulmarg-loc-mysterious-blast-one-dead-four-injured" target="_blank">&nbsp;આ પણ વાંચો : Jammu Kashmir : ગુલમર્ગમાં LOCની પાસે રહસ્યમય બ્લાસ્ટ, 1 વ્યક્તિનું મોત, 4 લોકો ઘાયલ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/b4PRCKQorWMbhpMkwpvJ7orEkHZXfqTpVHyCqf3R.webp'/></item></channel></rss>