<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ram Mandirમાં લાગુ થયા 8 મોટા નિયમ, હવે દાનની રકમમાં નહીં થાય કોઈ ગોલમાલ! ]]></title><link>https://sandesh.com/india/news/ram-mandir-new-rules-donation-transparency-audit-system-uttar-pradesh</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ram-mandir-new-rules-donation-transparency-audit-system-uttar-pradesh</guid><pubDate>Thu, 25 Jun 2026 20:06:23 +05:30</pubDate><description><![CDATA[<p>અયોધ્યાના રામ મંદિરમાં દાનની રકમમાં અનિયમિતતાના આરોપો બાદ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે દાન ગણતરી અને બેન્કમાં જમા કરવાની સમગ્ર પ્રક્રિયામાં મોટા ફેરફારો કર્યા છે. ટ્રસ્ટે સુરક્ષા, દેખરેખ અને જવાબદારી વધારવા માટે કુલ 8 નવા નિયમો લાગુ કર્યા છે, જેથી કોઈપણ પ્રકારની ગેરરીતિની શક્યતા ન રહે.</p><h2><b>કડક સુરક્ષા વ્યવસ્થા અમલમાં મુકાઈ&nbsp;</b></h2><p>નવા નિયમો મુજબ હવે દાનપેટીથી લઈને ગણતરી રૂમ સુધી પ્રવેશ કરનાર કર્મચારીઓ માટે કડક સુરક્ષા વ્યવસ્થા અમલમાં મુકાઈ છે. એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર ફરજિયાત ફ્રિસ્કિંગ (તપાસ) કરવામાં આવશે. કર્મચારીઓને ખિસ્સા વગરના કપડાં પહેરીને જ દાન ગણતરી પ્રક્રિયામાં જોડાવાની મંજૂરી આપવામાં આવશે. મોબાઈલ ફોન, ઈલેક્ટ્રોનિક ગેજેટ, પર્સ અથવા બેગ સાથે પ્રવેશ સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે.</p><h3><b>CCTV ફૂટેજ 180 દિવસ સુધી સુરક્ષિત રાખવામાં આવશે</b></h3><p>ટ્રસ્ટે CCTV દેખરેખને વધુ મજબૂત બનાવી છે. હવે CCTV ફૂટેજ 45 દિવસની બદલે 180 દિવસ સુધી સુરક્ષિત રાખવામાં આવશે. કેશ બોક્સ ડબલ લોક સિસ્ટમ હેઠળ બેન્કમાં મોકલવામાં આવશે અને તેની ચાવીઓ બે અલગ અલગ વ્યક્તિઓ પાસે રહેશે. દાનપેટી ખોલવાથી લઈને રોકડ ગણતરી સુધીની સમગ્ર પ્રક્રિયા હવે સતત કેમેરાની નજર હેઠળ રહેશે.</p><h4><b>5થી 20 લાખ રૂપિયા દૈનિક બેન્કમાં જમા થાય છે</b></h4><p>આ પ્રક્રિયામાં ભારતીય સ્ટેટ બેન્કના કર્મચારીઓ પણ સામેલ હોય છે. મંદિરમાં દરરોજ સવારે 8થી રાત્રે 8 સુધી રોકડની ગણતરી થાય છે અને સરેરાશ 15થી 20 લાખ રૂપિયા દૈનિક બેન્કમાં જમા થાય છે. ટ્રસ્ટનું કહેવું છે કે આ તમામ ફેરફારોનો મુખ્ય હેતુ દાન વ્યવસ્થામાં સંપૂર્ણ પારદર્શિતા લાવવો અને શ્રદ્ધાળુઓનો વિશ્વાસ વધુ મજબૂત બનાવવો છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/crime/madhya-pradesh-ujjain-badnagar-crane-car-blast-muharram-procession-fir" target="_blank">આ પણ વાંચો : Madhya Pradesh : ઉજ્જૈનના વડનગરમાં ક્રેન પર કાર લટકાવી કર્યો બ્લાસ્ટ, 4 લોકો સામે થઈ FIR</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/PU5xW3AlHz0itOt6Wn0eHPjVlOxGMbYuY1QjHZS5.webp'/></item><item><title><![CDATA[Navsariમાં નબળી કામગીરીનો ઉત્તમ નમૂનો: ભૂવાનું સમારકામ કરવા ગયેલી ટ્રક જ ભૂવામાં ફસાઈ! ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/navsari/a-classic-example-of-poor-performance-in-navsari-the-truck-that-went-to-repair-the-dam-got-stuck-in-the-dam</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/navsari/a-classic-example-of-poor-performance-in-navsari-the-truck-that-went-to-repair-the-dam-got-stuck-in-the-dam</guid><pubDate>Thu, 25 Jun 2026 19:59:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નવસારી શહેરમાંથી સરકારી તંત્ર અને કોન્ટ્રાક્ટરોની પ્રી-મોન્સૂન કામગીરી તથા ભ્રષ્ટાચારની પોલ ખોલતી એક અત્યંત હાસ્યાસ્પદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના વિરાવળ વિસ્તારમાં હજુ થોડા દિવસો પહેલા જ લાખો રૂપિયાના ખર્ચે એક નવો નકોર રોડ બનાવવામાં આવ્યો હતો. જો કે, સામાન્ય દિવસોમાં જ આ નવા બનેલા રોડ પર અચાનક એક મસમોટો ભૂવો (રોડ બેસી જવો) પડી ગયો હતો. આ રોડ પરથી પસાર થતા વાહનચાલકો માટે આ ભૂવો મોટું જોખમ સાબિત થઈ રહ્યો હોવાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો.</p><h2 style="text-align: justify; ">સમારકામ કરવા આવેલી ટ્રક જ ભૂવામાં ગરકાવ થઈ</h2><p style="text-align: justify; ">આ ઘટનામાં ત્યારે એક નવો વળાંક અને ભારે આશ્ચર્ય સર્જાયું જ્યારે તંત્ર દ્વારા આ ભૂવાનું સમારકામ કરવા માટે સામગ્રી ભરેલી એક મોટી હાઇવા ટ્રકને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. આ હાઇવા ટ્રકે રસ્તા પર પડેલા ભૂવાનું સમારકામ પૂરું કર્યું અને જેવી તે આગળ વધવા ગઈ, ત્યાં જ નવા બનેલા રોડ પર બિલકુલ બાજુમાં બીજો મોટો ભૂવો પડી ગયો હતો! રસ્તાની નબળી ગુણવત્તાના કારણે ભારેભરખમ હાઇવા ટ્રકનું પાછળનું ટાયર આ નવા પડેલા ભૂવામાં ઊંડે સુધી ફસાઈ ગયું હતું.&nbsp;</p><h3 style="text-align: justify; ">ડ્રેનેજ લાઇન અને રોડ કામગીરીમાં ગોબાચારીના આક્ષેપ</h3><p style="text-align: justify; ">આ અજીબોગરીબ ઘટનાને પગલે વિરાવળ વિસ્તારના રહીશોમાં વહીવટી તંત્ર અને ડ્રેનેજ વિભાગ સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. સ્થાનિક લોકોનો સીધો આક્ષેપ છે કે રોડ બનાવતી વખતે અને ડ્રેનેજ લાઇનની કામગીરી દરમિયાન મોટા પાયે ગોબાચારી અને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલા બનેલો રોડ એક ટ્રકનો ભાર પણ સહન ન કરી શકે તે બાબત જ કામગીરીની હલકી ગુણવત્તાનો બોલતો પુરાવો છે. ડ્રેનેજ લાઇનનું પ્રોપર ફિલિંગ ન કરાયું હોવાથી વારંવાર ભૂવા પડી રહ્યા છે.&nbsp;</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/OfEC43IGQGnS8RzE8MBJWwoQFkdJ4Dc2sqH1OzLL.webp'/></item><item><title><![CDATA[Sandesh Explainer: શું પાસપોર્ટ, આધાર અને ચૂંટણી કાર્ડ નાગરિક હોવાનો પૂરાવો નથી? ]]></title><link>https://sandesh.com/india/news/are-passport--aadhaar-and-voter-id-not-proof-of-indian-citizenship</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/are-passport--aadhaar-and-voter-id-not-proof-of-indian-citizenship</guid><pubDate>Thu, 25 Jun 2026 19:58:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">14મા પાસપોર્ટ સેવા દિવસ પર ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન આપ્યું હતું.જેમાં વિદેશ મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ભારતીય પાસપોર્ટ એ નાગરિકતાનો પુરાવો નથી તે માત્ર એક મુસાફરી માટેનો દસ્તાવેજ છે.પાસપોર્ટ ઈશ્યૂ કરવામાં પોલીસ વેરિફિકેશન અને ઘણા સરકારી દસ્તાવેજોની તપાસ કરવામાં આવે છે.પરંતુ નાગરિકતાનો નિર્ણય બંધારણ અને નાગરિકતા અધિનિયમ 1955 મુજબ લેવામાં આવે છે.વિદેશ મંત્રાયલના નિવેદન બાદ દેશમાં પાસપોર્ટનો વિવાદ વધુ વકરી રહ્યો છે. ત્યારે ભારતીય નાગરિકતા સાબિત કરવા માટે કયો દસ્તાવેજ જરૂરી છે? જાણો સંદેશ ડિજિટલ એક્સપ્લેનર.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>નાગરિકતા સાબિત કરવાની જવાબદારી કોની?</b></h2><p style="text-align: justify; ">ફોરેનર્સ એક્ટ 1946ની કલમ 8 અને 9 મુજબ ભારતીય નાગરિકતા સાબિત કરવાની જવાબદારી તે વ્યક્તિની છે જે દાવો કરી રહ્યો છે રાજ્યની નહીં. ઇલલીગલ માઇગ્રન્ટ્સ એક્ટ 1983 જે આસામ રાજ્યમાં લાગુ હતો તેણે આ નિયમને ઉલટાવી દીધો હતો અને કહ્યું હતું કે કોઈ વ્યક્તિ ભારતીય નાગરિક નથી તે સાબિત કરવાની જવાબદારી રાજ્યની છે.સુપ્રીમ કોર્ટે પુરાવા રજૂ કરવાની જવાબદારી રાજ્ય પર નાખવાને મનસ્વી અને અનુચિત ગણી હતી અને સર્બાનંદ સોનોવાલ કેસમાં IMDT એક્ટને રદ કર્યો હતો.કોર્ટે કહ્યું કે પોતાની અને પોતાના માતા-પિતાના જન્મ સાથે જોડાયેલી માહિતી વ્યક્તિ પાસે જ હોય છે.તેથી નાગરિકતા માટે આ તથ્યોને સાબિત કરવાની જવાબદારી તે વ્યક્તિની જ હોવી જોઈએ.કોર્ટના મતે સંબંધિત વ્યક્તિ પર પુરાવા રજૂ કરવાની જવાબદારી નાખવા પાછળનું આ એક સારું અને નક્કર કારણ છે.</p><p style="text-align: justify; "><img title="પાસપોર્ટ બબાલ" src="https://epapercdn.sandesh.com/images/2026/06/25/KDL2kiAY9MChHVsqqwHCXJs2Ds0ISRsYZUcn8ANS.webp" style="width: 100%;"><br></p><h3 style="text-align: justify; "><b>નાગરિકતાને લઈ ભારતીય કાયદો શું કહે છે?</b></h3><p style="text-align: justify; ">ઘણા દેશોથી વિપરીત ભારતના નાગરિક પાસે એવું કોઈ એક પણ નાગરિકતા પ્રમાણપત્ર નથી જે દરેક નાગરિકને જન્મ સમયે આપોઆપ મળી જતું હોય.ફેબ્રુઆરી 2020માં જ્યારે સંસદમાં એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું આધાર, પાસપોર્ટ, રાશનકાર્ડ, વોટર આઈડી, પાન કાર્ડ અથવા જન્મ પ્રમાણપત્રને નાગરિકતા સાબિત કરવા માટે માન્ય દસ્તાવેજ માની શકાય ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આમાંથી કોઈને પણ નાગરિકતાનો પાક્કો પુરાવો ગણાવ્યો ન હતો.તેના બદલે મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે નાગરિકતા મેળવવા અને નક્કી કરવાના નિયમો 'નાગરિકતા અધિનિયમ, 1955' અને તેના હેઠળ બનેલા નિયમો દ્વારા નક્કી થાય છે. નાગરિકતા જન્મ, વંશ, રજીસ્ટ્રેશન, કુદરતી રીતે નાગરિકતા મળવી અથવા કોઈ વિસ્તારના ભારતમાં જોડાવાથી મેળવી શકાય છે.</p><h2 style="text-align: justify; "><b>આ કાગળોથી મતદાર નક્કી પણ ભારતીય નાગરિક નહીં</b></h2><p style="text-align: justify; ">CAA-NRC અંગેની શંકાઓને દૂર કરવાના હેતુથી બહાર પાડવામાં આવેલી આ પ્રેસ રિલીઝમાં થોડી અનિશ્ચિતતા દર્શાવતા કહેવામાં આવ્યું હતું કે, આવા દસ્તાવેજોમાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાયસન્સ, વીમાના કાગળો, જન્મ પ્રમાણપત્ર, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જમીન કે ઘર સાથે જોડાયેલા દસ્તાવેજો અથવા સરકારી અધિકારીઓ દ્વારા જારી કરવામાં આવેલા આવા જ અન્ય દસ્તાવેજોનો સમાવેશ થઈ શકે છે.જન્મની તારીખ અને જન્મના સ્થળ સાથે જોડાયેલા કોઈપણ દસ્તાવેજો જમા કરાવીને નાગરિકતા સાબિત કરી શકાય છે.</p><p style="text-align: justify; "><img title="પાસપોર્ટની બબાલનો ખેલ" src="https://epapercdn.sandesh.com/images/2026/06/25/bkCKHZoyuVHNkj3JuadIORXZE3Lst7zPIrDmtgR7.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>આધારનો ઉપયોગ ફક્ત ઓળખનો પુરાવો: સુપ્રીમ કોર્ટ</b></h2><p style="text-align: justify; ">બિહાર SIR કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટની જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની બેન્ચે 12 ઓગસ્ટ 2025ના રોજ કહ્યું હતું કે, દાવાઓ અને વાંધાઓ દાખલ કરતી વખતે આધારનો ઉપયોગ ફક્ત ઓળખના પુરાવા તરીકે કરવામાં આવશે ન કે ભારતીય નાગરિકતાના પુરાવા તરીકે.સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ 20 ડિસેમ્બર 2019ના રોજ નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (NRC)સાથે જોડાયેલા એક પ્રશ્ન-જવાબમાં કહ્યું હતું કે, જન્મની તારીખ અને જન્મસ્થળ સાથે જોડાયેલા કોઈપણ દસ્તાવેજો જમા કરીને નાગરિકતા સાબિત કરી શકાય છે. આવા સ્વીકાર્ય દસ્તાવેજો પર હજુ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.</p><h2 style="text-align: justify; "><b>કપિલ સિબ્બલથી લઈને જાવેદ અખ્તર સુધીના દિગ્ગજો સરકાર પર કેમ ભડક્યા?</b></h2><p style="text-align: justify; ">વરિષ્ઠ વકીલ અને રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે સરકારને સવાલ કર્યો છે કે,જો પાસપોર્ટ નાગરિકતાનો અંતિમ પુરાવો નથી તો પછી દેશનો સામાન્ય નાગરિક કયા દસ્તાવેજ પર ભરોસો રાખે? તેમણે આશંકા વ્યક્ત કરી છે કે શું હવે સામાન્ય નાગરિકે દરેક વખતે પોતાની નાગરિકતા સાબિત કરવા માટે ડરના ઓછાયામાં જીવવું પડશે? ગીતકાર અને લેખક જાવેદ અખ્તરે પણ સરકારના આ વલણની આકરી ટીકા કરી છે.તેમણે તર્ક આપ્યો છે કે પાસપોર્ટ જારી કરતા પહેલા પોલીસ વેરિફિકેશન અને વ્યક્તિના નેશનલ સ્ટેટસની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે તો પછી તેને માત્ર એક ટ્રાવેલ ડોક્યુમેન્ટ ગણાવીને તેના મહત્વને શા માટે ઓછું કરવામાં આવી રહ્યું છે? પૂર્વ રાજદ્વારી નિરુપમા મેનન રાવે જણાવ્યું છે કે આ સમગ્ર ચર્ચાએ ઉકેલ લાવવાને બદલે માત્ર મૂંઝવણ અને વિવાદ જ પેદા કર્યો છે. સામાન્ય લોકો આ કાયદાકીય બારીકીઓને સમજી શકતા નથી જેના કારણે લોકોમાં ગભરાટ અને અસમંજસનો માહોલ ફેલાઈ રહ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>પાસપોર્ટને લઈને કોઈ વૈશ્વિક નિયમ કેમ નથી?</b></h2><p style="text-align: justify; ">એવા દેશોની કોઈ યાદી નથી જ્યાં પાસપોર્ટને કાયદેસર રીતે નાગરિકતાના પુરાવા તરીકે સ્વીકારવામાં આવતો હોય, કારણ કે દરેક દેશના કાયદા અલગ-અલગ હોય છે.અધિકારીઓ ક્યારેક પાસપોર્ટ સિવાયના અન્ય દસ્તાવેજોની પણ તપાસ કરી શકે છે, કારણ કે કેટલીક પરિસ્થિતિઓમાં પાસપોર્ટ હોવા છતાં તે માન્ય રહી શકે છે. નાગરિકતા છીનવાઈ જવી, વહીવટી ભૂલો થવી, ઇશ્યૂ કરતી વખતે છેતરપિંડી થઈ હોય, અથવા પાછળથી નાગરિકતા સાથે જોડાયેલા વિવાદો સામે આવવા જેવી બાબતોને કારણે, ઘણી સરકારો પ્રશ્ન ઉઠે ત્યારે નાગરિકતાના મૂળ પુરાવાની તપાસ કરવાનો અધિકાર પોતાની પાસે રાખે છે.<br><br><a href="https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/weather-update-gujarat-weather-cyclonic-circulation-trough-rain-forecast-yellow-alert" target="_blank">આ પણ વાંચોઃ Weather Update: ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/niJyc5RY2LvDXz4YuglvVn8KLaa7WDxrYook2to7.webp'/></item><item><title><![CDATA[Kutch News: ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો લાખોના મુદ્દામાલ સાથે ગેરકાયદે હથિયારો પણ જપ્ત ]]></title><link>https://sandesh.com/crime/news/kutch/adipur-police-solves-housebreaking-theft-case-two-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/crime/news/kutch/adipur-police-solves-housebreaking-theft-case-two-arrested</guid><pubDate>Thu, 25 Jun 2026 19:54:09 +05:30</pubDate><description><![CDATA[<p>સરહદી જિલ્લા કચ્છમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરતા આદિપુર પોલીસ સ્ટેશનની ટીમે એક મોટી સફળતા હાંસલ કરી છે. છેલ્લા કેટલાક સમયથી વિસ્તારમાં સક્રિય બનેલી ઘરફોડ ચોરી કરનારી ગેંગનો પર્દાફાશ કરીને પોલીસે આ ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં જ ઉકેલી દીધો છે. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને આ ચોરીમાં સામેલ બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.</p><h2><b>લાખોની કિંમતના લેપટોપ, મોબાઈલ અને મોંઘી ઘડિયાળો જપ્ત</b></h2><p>પોલીસે સકંજામાં લીધેલા આ તસ્કરો પાસેથી ચોરીનો મોટો મુદ્દામાલ રિકવર કર્યો છે. પકડાયેલા આરોપીઓ પાસેથી લાખો રૂપિયાની કિંમતના અલગ-અલગ બ્રાન્ડના મોબાઈલ ફોન, લેપટોપ, કિંમતી મોંઘી ઘડિયાળો અને ચોરીના ગુનામાં વપરાયેલી બાઈક સહિતનો તમામ મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. આ ગેંગ અન્ય કેટલા વિસ્તારોમાં ચોરીના ગુના આચરી ચુકી છે તે દિશામાં પણ તપાસ લંબાવવામાં આવી છે.</p><p><img title="Kutch News: Adipur Police Solves House Breaking Theft Case, Two Arrested With Weapons" src="https://epapercdn.sandesh.com/images/2026/06/25/EmkEy1a42goi8nxRCNI5D2wNIk9uw56BqDBmaWLo.webp"><br></p><h2><b>ચોરીના માલ સાથે ગેરકાયદે હથિયારો પણ મળ્યા</b></h2><p>આ ઓપરેશન દરમિયાન ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, પકડાયેલા શખ્સો માત્ર ચોરી જ નહીં, પણ ઘાતક હથિયારો પણ સાથે રાખતા હતા. પોલીસે ઝડપેલા આરોપી જગદીશ રાઠોડ અને વસંત વાઢિયાની ઝડતી લેતા તેમની પાસેથી ગેરકાયદે હથિયાર અને જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે. હથિયારો મળતા જ પોલીસ પણ ચોંકી ઉઠી છે.</p><p><img title="Kutch News: Adipur Police Solves House Breaking Theft Case, Two Arrested With Weapons" src="https://epapercdn.sandesh.com/images/2026/06/25/5Nu5leGBCAIwIRtWTWOc8B8DJsV283VSmY0IBqwr.webp"><br></p><h2><b>BNS અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો</b></h2><p>પકડાયેલા બન્ને રીઢા ગુનેગારો જગદીશ રાઠોડ અને વસંત વાઢિયા વિરૂદ્ધ આદિપુર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા અને આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને બન્ને આરોપીઓની અટકાયત કરી છે. આગામી સમયમાં રિમાન્ડ મેળવીને તેમની વધુ પૂછપરછ કરવામાં આવશે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kutch/illegal-residential-encroachment-on-government-land-in-anjar-kutch-dismantled-land-worth-rs-8-lakhs-exposed" target="_blank">Kutchના અંજારમાં સરકારી જમીન પરનું ગેરકાયદે રહેણાંક દબાણ તોડી પડાયું, રૂ.8 લાખની જમીન ખુલ્લી કરાવી</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/8DpdT9RitNHc8qlnADtdTZ9CGq1ZhwyPxUnkJRGb.webp'/></item><item><title><![CDATA[Vadodara News: મકરપુરાની સોસાયટીમાં એકસાથે 5 મકાનોના તાળા તૂટ્યા, હથિયારો સાથે તસ્કરો CCTVમાં કેદ ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-news-locks-of-5-houses-broken-at-once-in-makarpura-society-smugglers-captured-on-cctv-with-weapons</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-news-locks-of-5-houses-broken-at-once-in-makarpura-society-smugglers-captured-on-cctv-with-weapons</guid><pubDate>Thu, 25 Jun 2026 18:38:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી ગ્રીન પાર્ક સોસાયટીમાં મોડી રાત્રે કુખ્યાત 'ચડ્ડી-બનિયાન ગેંગ'ના તસ્કરોએ ભારે આતંક મચાવ્યો હતો. આ શાતિર ગેંગની ટોળકીએ સોસાયટીમાં ઘૂસીને એક જ રાતમાં એકસાથે ૫ જેટલા મકાનોના તાળા તોડી ધાડ પાડી હતી. આ સામૂહિક ચોરીની ઘટનાને પગલે સમગ્ર સોસાયટી સહિત આસપાસના વિસ્તારોમાં ભારે અરેરાટી અને ભયનો માહોલ વ્યાપી ગયો છે.</p><h2 style="text-align: justify; ">હાથમાં ચપ્પલ અને હથિયારો સાથે રેકી કરતા દેખાયા</h2><p style="text-align: justify; ">આ આખી ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે ગેંગના સાગરીતો પરંપરાગત ચડ્ડી-બનિયાન પહેરીને, અવાજ ન થાય તે માટે હાથમાં ચપ્પલ પકડીને સોસાયટીની ગલીઓમાં રેકી કરી રહ્યા છે. એટલું જ નહીં, તસ્કરોના હાથમાં તીક્ષ્ણ અને જોખમી હથિયારો પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. હથિયારધારી તસ્કરોની આ હિલચાલ જોઈને સ્થાનિક રહીશોમાં પોતાની સુરક્ષાને લઈને ભારે ચિંતા અને ફફડાટ ફેલાયો છે કે જો કોઈ જાગી ગયું હોત તો મોટી જાનહાનિ પણ થઈ શકી હોત.</p><h3 style="text-align: justify; ">CCTV ફૂટેજના આધારે મકરપુરા પોલીસ એક્શનમાં</h3><p style="text-align: justify; ">મકરપુરા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ગ્રીન પાર્ક સોસાયટી ખાતે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને એફએસએલ તેમજ ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની મદદથી સ્થળ પરથી જરૂરી વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે સોસાયટીના સીસીટીવી ફૂટેજ પોતાના કબજામાં લઈ તેના આધારે તસ્કરોની ઓળખ મેળવવા અને તેમને ઝડપી પાડવા માટે જુદી-જુદી ટીમો બનાવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સ્થાનિક લોકોએ વહેલી તકે આ ગેંગને પકડી પાડી વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/J2jxeMMhoqFtRJdUw0c6DsyuRZahCNtnQ8zVSztX.webp'/></item><item><title><![CDATA[Samantha Confirm Pregnancy: સમન્થા અને રાજ બનશે માતા-પિતા, અભિનેત્રીએ પ્રસૂતિ વિરામની કરી જાહેરાત ]]></title><link>https://sandesh.com/entertainment/news/india/samantha-confirms-pregnancy-samantha-and-raj-will-become-parents-actress-announces-maternity-leave</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/india/samantha-confirms-pregnancy-samantha-and-raj-will-become-parents-actress-announces-maternity-leave</guid><pubDate>Thu, 25 Jun 2026 18:38:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">સમન્થા રૂથ પ્રભુ અને રાજ નિદિમોરુ તેમના પ્રથમ બાળકને આવકારવા માટે તૈયાર છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">ચાહકોને ખુશ થવા માટે આપ્યુ કારણ</h2><p style="text-align: justify; ">સમન્થાની 'મા ઇન્તી બંગારામ' બોક્સ ઓફિસ પર જોરદાર સારું પ્રદર્શન કરી રહી છે. ફિલ્મ રિલીઝ થયાના માત્ર છ દિવસમાં જ તેના બજેટમાં બમણી કમાણી કરી ચૂકી છે. 'મા ઇન્તી બંગારામ'ની સફળતાનો આનંદ માણી રહેલી સામન્થા રૂથ પ્રભુએ ચાહકોને ખુશ થવા માટે બીજું કારણ આપ્યું છે. અભિનેત્રીએ તેની ગર્ભાવસ્થાની પુષ્ટિ કરી છે. આ સારા સમાચાર શેર કરતા, સામન્થાએ એ પણ જાહેરાત કરી કે, તે ટૂંક સમયમાં પ્રસૂતિ વિરામ લેશે.</p><h3 style="text-align: justify; ">મેટરનિટી લીવ લેશે સામન્થા</h3><p style="text-align: justify; ">સમન્થા રૂથ પ્રભુએ બુધવારે હૈદરાબાદમાં તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ મા ઇન્તી બંગારામની સફળતાની મીટિંગમાં આ સારા સમાચાર શેર કર્યા. આ કાર્યક્રમમાં મીડિયા સાથે વાત કરતા, સામન્થાએ કહ્યું કે તે તેના વર્તમાન પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા પછી થોડા સમય માટે અભિનયમાંથી વિરામ લેવાની યોજના ધરાવે છે. સામન્થાએ કહ્યું, મા ઇન્તી બંગારામ પછી, મારી તબિયત ખરાબ હોવાથી મારે થોડો સમય વિરામ લેવો પડશે. મારે મેટરનિટી લીવ લેવી પડશે. તે પછી, હું મારા ચાહકો માટે બીજી ફિલ્મ લઈને પાછી આવીશ.</p><h4 style="text-align: justify; ">"મા ઇન્તી બંગારામ"ની સફળતાની ઉજવણી</h4><p style="text-align: justify; ">આ જાહેરાત પછી, હાજર લોકોએ સામન્થાને અભિનંદન પાઠવ્યા. અભિનેત્રીએ બધાનો આભાર પણ માન્યો અને તેમના પ્રેમ અને સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.નોંધનીય છે કે જ્યારે સામન્થાએ તેની ગર્ભાવસ્થાની પુષ્ટિ કરી, ત્યારે તેના પતિ રાજ નિદિમોરુ તેની બાજુમાં બેઠેલા હતા અને હાજર રહેલા લોકો સાથે હસતા હસતા જોવા મળ્યા. સામન્થાની ગર્ભાવસ્થાની પુષ્ટિ "મા ઇન્તી બંગારામ" ના સફળતાના ઉજવણીના ક્લિપ્સ વાયરલ થયા પછી આવી છે, જેમાં ચાહકોએ અભિનેત્રીને તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોઈ હતી.&nbsp;</p><h5 style="text-align: justify; ">સમન્થા અને રાજનું અંગત જીવન&nbsp;</h5><p style="text-align: justify; ">સમન્થાએ અભિનેતા નાગા ચૈતન્ય સાથે થોડા વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ 2017માં લગ્ન કર્યા હતા. પરંતુ આ દંપતી 2021માં અલગ થયુ હતુ. રાજના પહેલા લગ્ન શ્યામલી ડે સાથે થયા હતા, અને તેઓ ક્યારે અલગ થયા તે જાણી શકાયું નથી. સમન્થાએ રાજ સાથે ધ ફેમિલી મેન સીઝન 2 અને સિટાડેલ: હની બનીમાં કામ કર્યું હતું. ગયા વર્ષે, તેણીએ 1 ડિસેમ્બર, 2025 ના રોજ તેમના લગ્ન પહેલા તેના સોશિયલ મીડિયા પર રાજના ફોટા પોસ્ટ કરવાનું શરૂ કર્યું. જોકે તેમના ડેટિંગની અફવાઓ હતી, પરંતુ તેમના લગ્નના સમાચાર આશ્ચર્યજનક હતા. તેઓએ કોઈમ્બતુરના ઈશા યોગ સેન્ટરમાં લગ્ન કર્યા હતા.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/india/news/business/flight-ticket-price-drop-relief-news-for-air-passengers-flight-tickets-may-soon-become-cheaper" target="_blank">હવાઈ ​​મુસાફરો માટે રાહતના સમાચાર, ફ્લાઇટ ટિકિટ ટૂંક સમયમાં થઈ શકે છે સસ્તી</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/Vy6Xl7l3oCADsU3N2dahUNxXe5KysrsUwkvIvD8p.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: વિરમગામ નગરપાલિકાની ડ્રેનેજ સમિતિના ચેરમેને આપ્યું રાજીનામું, જાણો શું છે કારણ? ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ahmedabad/viramgam-nagarpalika-drainage-committee-chairman-suresh-dalwadi-resigned</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ahmedabad/viramgam-nagarpalika-drainage-committee-chairman-suresh-dalwadi-resigned</guid><pubDate>Thu, 25 Jun 2026 18:07:43 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના વિરમગામમાંથી એક મોટા રાજકીય સમાચાર સામે આવી રહ્યા છે. વિરમગામ નગરપાલિકાના ડ્રેનેજ સમિતિના ચેરમેન સુરેશભાઈ જગદીશભાઈ દલવાડીએ અચાનક જ પોતાના ચેરમેન પદેથી રાજીનામું ધરી દેતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપના શાસનવાળી આ નગરપાલિકામાં ચેરમેનના રાજીનામાને લઈને ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે.</p><h2><b>સામાન્ય સભામાં થઈ હતી નિમણૂંક, ટૂંકા ગાળામાં જ પદ છોડ્યું</b></h2><p>મળતી માહિતી અનુસાર, વિરમગામ નગરપાલિકાના વોર્ડ નંબર-3 ના ચૂંટાયેલા સદસ્ય અને ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર સુરેશભાઈ દલવાડીને નગરપાલિકાની સામાન્ય સભા દરમિયાન ડ્રેનેજ સમિતિના ચેરમેન જેવી મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે, આ નિમણૂંકના ટૂંકા ગાળામાં જ તેમણે પદ પરથી સ્વેચ્છાએ નિકળી જવાનો નિર્ણય કર્યો છે.</p><p><img title="Ahmedabad News: Viramgam Nagarpalika Drainage Committee Chairman Suresh Dalwadi Resigns" src="https://epapercdn.sandesh.com/images/2026/06/25/bTZu9pgpIL2G9avhYXCxYXB7kjagk1rde9H8QrQB.webp" style="width: 100%;"><br></p><h2><b>રાજીનામા પાછળ બીમારીનું કારણ આગળ ધરાયું</b></h2><p>સુરેશભાઈ દલવાડીના આ અચાનક રાજીનામા પાછળ કોઈ રાજકીય નારાજગી છે કે, અન્ય કોઈ કારણ, તે અંગે અટકળો ચાલી રહી હતી. જોકે, તેમણે આપેલા રાજીનામા પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે, તેઓ થોડા સમયથી બીમારીનો સામનો કરી રહ્યા છે. બીમારીના કારણે તેઓ આ મહત્વની જવાબદારી અને ફરજ પૂરતી નિષ્ઠાથી નિભાવી શકે તેમ ન હોવાથી તેમણે સ્વેચ્છાએ ડ્રેનેજ સમિતિના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/viramgam-surendranagar-highway-triple-accident-thori-mubarak-youth-dead-injured" target="_blank">Ahmedabad: વિરમગામ-સુરેન્દ્રનગર હાઈવે પર ત્રિપલ અકસ્માતમાં એકનું મોત, બાળક સહિત 3 ઘાયલ થયા</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/4x1m6uTnOBg7qwkRaOto1lt04kEavXxCw2G0FxsR.webp'/></item><item><title><![CDATA[Share Market 26 જૂનથી સતત 3 દિવસ રહેશે બંધ, જાણો કારણ ]]></title><link>https://sandesh.com/business/news/share-market-closed-3-days-muharram-holiday-on-june-26</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/share-market-closed-3-days-muharram-holiday-on-june-26</guid><pubDate>Thu, 25 Jun 2026 18:01:01 +05:30</pubDate><description><![CDATA[<p>મુહર્રમના તહેવારને કારણે દેશના શેરબજારમાં આ સપ્તાહે ટ્રેડિંગનો એક દિવસ ઓછો રહ્યો છે. સામાન્ય રીતે પાંચ દિવસ ખુલ્લા રહેતા બજારોમાં આ વખતે માત્ર ચાર દિવસ જ વેપાર થયો. હવે 26 જૂનના રોજ દેશના મુખ્ય શેરબજાર BSE અને NSE સંપૂર્ણ રીતે બંધ રહેશે.</p><h2><b>રોકાણકારોને શેરની ખરીદી અને વેચાણ માટે રાહ જોવી પડશે</b></h2><p>મુહર્રમની રજાને કારણે રોકાણકારોને સતત ત્રણ દિવસ સુધી બજારમાં ટ્રેડિંગનો અવકાશ નહીં મળે. આ દરમિયાન શુક્રવારથી લઈને રવિવાર સુધી બજાર બંધ રહેશે અને ફરી 29 જૂન, સોમવારથી નિયમિત કામગીરી શરૂ થશે. આથી રોકાણકારો માટે ખરીદી અને વેચાણ માટે રાહ જોવી પડશે. આ સાથે કમોડિટી માર્કેટ MCX ઈન્ડિયામાં પણ 26 જૂને ખાસ ફેરફાર રહેશે. અહીં સવારે સત્રનું ટ્રેડિંગ બંધ રહેશે, જ્યારે સાંજનું સત્ર યથાવત ચાલુ રહેશે.</p><p>શેરબજારના હોલિડે કેલેન્ડર મુજબ વર્ષ દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ તહેવારો પર રજાઓ રહે છે. આગામી સમયમાં 15 ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ), 14 સપ્ટેમ્બર (ગણેશ ચતુર્થી), 2 ઓક્ટોબર (મહાત્મા ગાંધી જયંતિ) અને 20 ઓક્ટોબર (દશેરા) પર પણ બજાર બંધ રહેશે. જોકે આ વર્ષે 15 ઓગસ્ટ શનિવાર હોવાથી તે સ્વાભાવિક રજામાં આવી જાય છે.</p><h3><b>બેન્કો અને સરકારી કચેરીઓ પણ 26 જૂને બંધ રહેશે</b></h3><p>બીજી તરફ, દેશના મોટા ભાગના વિસ્તારોમાં બેન્કો અને સરકારી કચેરીઓ પણ 26 જૂને બંધ રહેશે. જોકે અમદાવાદ, ભુવનેશ્વર, ચંડીગઢ, દેહરાદૂન, ગંગટોક, ગુવાહાટી, ઈમ્ફાલ, ઇટાનગર, જયપુર, કોહિમા, શિમલા, શિલોંગ અને તિરુવનંતપુરમ જેવા શહેરોમાં બેન્કો કાર્યરત રહેશે. વધુમાં, 27 જૂને મહિનાનો ચોથો શનિવાર હોવાથી બેન્કો બંધ રહેશે. સામાન્ય રીતે દર મહિનાના બીજા અને ચોથા શનિવારે બેન્કોમાં રજા હોય છે. આ તમામ રજાઓને કારણે રોકાણકારો અને સામાન્ય નાગરિકોએ આગામી દિવસોમાં પોતાના નાણાકીય વ્યવહારોનું આયોજન કરી લેવું જરૂરી બન્યું છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/business/india-government-psu-share-sale-ofs-rs-25491-crore-highest-in-11-years" target="_blank">આ પણ વાંચો : PSUs Share Sale : 11 વર્ષમાં સરકારે સૌથી વધુ શેર વેચ્યા, OFS દ્વારા 25,491 કરોડ એકત્ર કરાયા</a></b></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/5EU6pHqbrpBtHnwNkFwnnTmlxXH21F0WPT978IL2.webp'/></item><item><title><![CDATA[વાંચો બપોરે 03થી સાંજે 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-03-pm-to-06-pm-25-june-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-03-pm-to-06-pm-25-june-2026</guid><pubDate>Thu, 25 Jun 2026 17:56:13 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર</b></p><p><a href="https://sandesh.com/india/news/jammu-kashmir-gulmarg-gondola-service-resumes-after-technical-issue-one-month-later" target="_blank"><b>1. Jammu Kashmir : ટેકનિકલ ખામી દૂર થયા બાદ ગુલમર્ગ ગોંડોલા સેવા 1 મહિના બાદ ફરી શરૂ, પર્યટકોમાં ભારે ઉત્સાહ</b></a></p><p><a href="https://sandesh.com/cricket/news/ind-vs-ban-w-radha-yadav-selection-t20-wc-2026" target="_blank"><b>2. T20 વર્લ્ડકપ મેચમાં રાધા યાદવને મળશે તક? બાંગ્લાદેશી કેપ્ટન સામે શાનદાર રેકોર્ડ</b></a></p><p><a href="https://sandesh.com/cricket/news/sai-sudharsan-century-india-a-vs-sri-lanka-a" target="_blank"><b>3. Sai Sudarshanએ શ્રીલંકા સામે ફટકારી ધમાકેદાર સદી, ટેસ્ટમાં ODI જેવી ઈનિંગ રમી</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/yellow-alert-issued-for-heavy-rain-in-several-districts-till-8-pm" target="_blank"><b>4. Gujarat Weather: રાત્રે આઠ વાગ્યા સુધી આ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું</b></a></p><p><a href="https://sandesh.com/world/news/white-house-inside-donald-trumps-granddaughter-reveals-secret-space-of-the-white-house-sparks-controversy-on-social-media" target="_blank"><b>5. White House Inside: ડોનાલ્ડ ટ્રમ્પની પૌત્રીએ વ્હાઇટ હાઉસની 'ગુપ્ત જગ્યા' કરી જાહેર, સોશિયલ મીડિયા પર થયો વિવાદ</b></a></p><p><a href="https://sandesh.com/business/news/automobile/auto-news-this-famous-car-company-has-created-a-unique-car-that-changes-color-automatically-for-just-one-customer" target="_blank"><b>6. Auto News: આ જાણીતી કાર કંપનીએ માત્ર એક ગ્રાહક માટે તૈયાર કરી આપમેળે રંગ બદલતી અનોખી કાર!</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/himatnagar/sabar-dairy-bhavfer-bonus-payment-29-june-sabarkantha" target="_blank"><b>7. Sabarkantha અને અરવલ્લીના પશુપાલકો માટે સૌથી મોટા સમાચાર, સાબર ડેરી 29 જૂને ચૂકવશે રૂ. 560 કરોડનો ભાવફેર</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/police-seized-drugs-worth--13-600-crore-in-5-years" target="_blank"><b>8. Gandhinagar News: 5 વર્ષમાં ગુજરાત પોલીસે 13600 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું, 5346 આરોપીઓને જેલ ભેગા કર્યા</b></a></p><p><a href="https://sandesh.com/india/news/kanpur-fire-safety-crackdown-54-buildings-sealed-800-coaching-centres-only-40-have-noc" target="_blank"><b>9. Kanpurમાં 800 કોચિંગ સેન્ટર પણ ફાયર NOC માત્ર 40 પાસે, 3 દિવસમાં 54 બિલ્ડિંગ કરાઈ સીલ</b></a></p><p><a href="https://sandesh.com/sports/news/bosnia-herzegovina-vs-qatar-3-1-win-tournament-hopes" target="_blank"><b>10. FIFA World Cup 2026: બોસ્નિયાએ કતારને હરાવીને નોકઆઉટમાં પહોંચવાની આશા રાખી જીવંત</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/05/30/ci0PwfUyHcao4H4ziwpdhMLnO6QMfKyI3jwCPvfh.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026: બોસ્નિયાએ કતારને હરાવીને નોકઆઉટમાં પહોંચવાની આશા રાખી જીવંત ]]></title><link>https://sandesh.com/sports/news/bosnia-herzegovina-vs-qatar-3-1-win-tournament-hopes</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/bosnia-herzegovina-vs-qatar-3-1-win-tournament-hopes</guid><pubDate>Thu, 25 Jun 2026 16:27:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સિએટલ સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી મેચમાં બોસ્નિયા અને હર્ઝેગોવિનાએ કતારને 3-1થી હરાવીને પોતાની ટુર્નામેન્ટની આશા મજબૂત કરી. બોસ્નિયાએ પહેલા હાફમાં આક્રમક શરૂઆત કરી અને 29મી મિનિટે 18 વર્ષના કેરીમ અલાજબેગોવિચે બોક્સની બહારથી શાનદાર ગોલ કરીને ટીમને લીડ અપાવી.</p><h2 style="text-align: justify; "><b>બોસ્નિયા અને હર્ઝેગોવિનાએ લીડ બમણી કરી</b></h2><p style="text-align: justify; ">34મી મિનિટે બોસ્નિયાની લીડ બમણી થઈ ગઈ જ્યારે કતારના સુલતાન અલ્બ્રેકે (સ્કોરકાર્ડ મુજબ મહમૂદ અબુનાદા) એડિન ડઝેકોના ક્રોસને ક્લિયર કરવાનો પ્રયાસ કરતી વખતે બોલને પોતાના જ ગોલમાં ડિફ્લેક્ટ કર્યો.</p><p style="text-align: justify; ">પરંતુ કતારે વાપસી કરવાનો પ્રયાસ કર્યો અને 42મી મિનિટે અનુભવી હસન અલ્હાયડોસે ગોલ કરીને 2-1નો ફરક બનાવ્યો. પ્રથમ હાફ આ સ્કોર સાથે સમાપ્ત થયો.</p><h3 style="text-align: justify; "><b>એરમિન માહમિકના ડિફ્લેક્ટેડ શોટે કતારની આશાઓ પર પાણી ફેરવ્યું</b></h3><p style="text-align: justify; ">બીજા હાફમાં કતારે બરાબરી માટે દબાણ કર્યું અને કેટલીક સારી તકો બનાવી, પરંતુ બોસ્નિયાએ પોતાનો સંયમ જાળવી રાખ્યો. 80મી મિનિટે સબસ્ટિટ્યૂટ એરમિન માહમિકના ડિફ્લેક્ટેડ શોટે કતારની આશાઓ પર પાણી ફેરવી દીધું. આ જીત સાથે બોસ્નિયાએ 3-1થી નિર્ણાયક વિજય મેળવ્યો.</p><p style="text-align: justify; ">આ જીતથી બોસ્નિયા અને હર્ઝેગોવિનાને 4 પોઈન્ટ પણ મળ્યા, પરંતુ ગોલ તફાવત અને અન્ય માપદંડોને કારણે, ટીમ ત્રીજા સ્થાને રહી. હવે તેઓ અન્ય જૂથોના પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરશે, કારણ કે તેઓ બેસ્ટ ત્રીજા ક્રમાંકિત ટીમોમાં જોડાઈને રાઉન્ડ 32માં સ્થાન મેળવી શકે છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/entertainment/virat-kohli-photos-with-son-akaay-anushka-sharma" target="_blank">Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા&nbsp;</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/m8FwBuWVmBwMw2qSdCi9Bdthh1IC1o24akZVfjW8.webp'/></item></channel></rss>