<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[લોકસભા-રાજ્યસભામાં મોદી સરકાર બે તૃતીયાંશ બહુમતી નજીક પહોંચી, સમજો સમીકરણ અને મહત્વ ]]></title><link>https://sandesh.com/-political-news/news/india/modi-govt-near-two-third-majority-parliament</link><guid isPermaLink="true">https://sandesh.com/-political-news/news/india/modi-govt-near-two-third-majority-parliament</guid><pubDate>Thu, 25 Jun 2026 15:01:36 +05:30</pubDate><description><![CDATA[<p>વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 240 બેઠકો મળતા બહુમતી માટે એનડીએના સહયોગી પક્ષો પર નિર્ભર રહેવું પડ્યું હતું. ચૂંટણી સમયે એનડીએ પાસે 293 બેઠકોનું સંખ્યાબળ હતું, જેમાં આંધ્રપ્રદેશની ટીડીપી (16 સીટો) અને જેડીયુ (12 સીટો) મુખ્ય પક્ષો હતા. જોકે, તાજેતરના રાજકીય ઘટનાક્રમોને કારણે સંસદના સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે, અને લોકસભામાં એનડીએનું સંખ્યાબળ વધીને હવે 319 પર પહોંચી ગયું છે.</p><h2><b>તૃણમૂલ કોંગ્રેસ અને શિવસેનામાં મોટા ભંગાણથી સમીકરણો બદલાયા</b></h2><p>પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસના 20 બળવાખોર સાંસદોએ એક અજાણ્યા પક્ષ 'નેશનલ સિટિઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા'માં જોડાઈને એનડીએને સમર્થન જાહેર કરી દીધું છે, જે હવે લોકસભામાં એનડીએનો સૌથી મોટો સહયોગી જૂથ બની ગયો છે. આ ઉપરાંત, મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના 6 સાંસદો પક્ષ બદલીને એકનાથ શિંદે જૂથમાં સામેલ થઈ ગયા છે, જેથી શિંદેની શિવસેના પાસે હવે 13 સાંસદો થયા છે. આમ, વિપક્ષમાં પડેલા ગાબડાંથી સરકાર મજબૂત સ્થિતિમાં આવી ગઈ છે.</p><h2><b>લોકસભામાં બે તૃતીયાંશ બહુમતીનું ગણિત</b></h2><p>લોકસભાની કુલ 543 બેઠકોમાંથી હાલ 3 બેઠકો ખાલી હોવાથી વર્તમાન સાંસદોની સંખ્યા 540 છે, જ્યાં બે તૃતીયાંશ બહુમતી માટે 360 કે 362 મતોની જરૂર પડે છે. એનડીએ હાલ 319 પર છે, અને આગામી 3 પેટાચૂંટણીઓ જીત્યા બાદ આ આંકડો 323 સુધી પહોંચી શકે છે. જોકે, તે હજુ પણ જાદુઈ આંકડાથી 20 સીટ દૂર રહેશે. પરંતુ, ઈન્ડિયા ગઠબંધનથી અલગ થયેલી ડીએમકે (DMK)ના 22 સાંસદો જો મતદાનથી દૂર રહે, તો સરકાર માટે બંધારણીય સુધારા પસાર કરાવવા ખૂબ સરળ બની જશે.</p><h2><b>રાજ્યસભામાં પણ એનડીએ ઐતિહાસિક સ્તરની નજીક</b></h2><p>માત્ર લોકસભા જ નહીં, પરંતુ રાજ્યસભામાં પણ એનડીએ બે તૃતીયાંશ બહુમતીના આંકડા 164ની એકદમ નજીક પહોંચી ગયું છે. 245 સભ્યોના ઉચ્ચ સદનમાં બીજુ જનતા દળ છોડીને ભાજપમાં આવેલા સાંસદના કારણે ભાજપની સંખ્યા 115 થઈ છે, જ્યારે કુલ એનડીએનું સંખ્યાબળ 149 પર પહોંચ્યું છે. આગામી 28 જૂને પૂર્ણ થનારી 27 બેઠકોની રાજ્યસભા ચૂંટણી અને ટીએમસી સાંસદોના રાજીનામાથી ખાલી પડેલી બેઠકો બાદ એનડીએ આ ગૃહમાં પણ પ્રચંડ બહુમતી મેળવી લેશે.</p><h2><b>પરિસીમન બિલ પર કેમ મંડરાઈ રહ્યું છે રાજકીય ઘમસાણ?</b></h2><p>મોદી સરકાર માટે આ બહુમતી એટલા માટે મહત્વની છે. કારણ કે, સરકાર દેશમાં 'પરિસીમન બિલ' લાવવા માંગે છે. બે મહિના પહેલા મહિલા અનામત સાથે જોડાયેલો આ પ્રસ્તાવ બે તૃતીયાંશ બહુમતીના અભાવે પસાર થઈ શક્યો ન હતો. પરિસીમન લાગુ થવાથી વધુ વસ્તી ધરાવતા ઉત્તર ભારતના રાજ્યોની લોકસભા સીટો ખૂબ વધી જશે, જ્યાં ભાજપ મજબૂત છે. </p><p>જ્યારે વસ્તી નિયંત્રણ કરનારા દક્ષિણ અને પશ્ચિમ ભારતના રાજ્યોનું રાજકીય પ્રતિનિધિત્વ ઘટી શકે છે, જેને કારણે વિપક્ષ તેનો સખત વિરોધ કરી રહ્યો છે. કોંગ્રેસનો આરોપ છે કે, ભાજપનો અંતિમ હેતુ બંધારણમાં સુધારો કરીને અનામત વ્યવસ્થા નાબૂદ કરવાનો છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/india/news/emergency-1975-emergency-to-be-taught-in-class-9-ncert-includes-it-in-the-curriculum" target="_blank">Emergency: ધોરણ 9માં ભણાવાશે 1975ની ઇમરજન્સી વિશે, NCERTએ અભ્યાસક્રમમાં કર્યો સમાવેશ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/2vOxSc5oDvGb2A5kKNrJigXWD2ImRG3UzForI07P.webp'/></item><item><title><![CDATA[Surat: સેલિબ્રિટીઝના લાઈવ શોના બહાને 1.43 કરોડ પડાવનાર મુંબઈનો અનિંદા સીલ અંધેરીથી ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/mota-varachha-celebrity-live-show-fraud-mumbai-director-aninda-seal-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/mota-varachha-celebrity-live-show-fraud-mumbai-director-aninda-seal-arrested</guid><pubDate>Thu, 25 Jun 2026 14:42:23 +05:30</pubDate><description><![CDATA[<p>સુરતમાં હાઈ-પ્રોફાઇલ સેલિબ્રિટી નાઈટ્સ અને લાઈવ કોન્સર્ટના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી મુંબઈની એક ટોળકી સક્રિય થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં 'શુભારંભ એન્ટરટેઈનમેન્ટ' નામની પેઢી ચલાવતા અભિષેક બોરડા નામના યુવક સાથે મુંબઈના અંધેરીમાં રહેતા અનિંદા નેતાઇ સીલ નામના શખ્સે સંપર્ક કર્યો હતો. અનિંદાએ પોતાની ઓળખ મુંબઈની જાણીતી 'એન્ટરટેઈનમેન્ટ કન્સલ્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ' કંપનીના ડાયરેક્ટર તરીકે આપી હતી અને દાવો કર્યો હતો કે બોલિવૂડના તમામ મોટા કલાકારો સાથે તેના ડાયરેક્ટ બિઝનેસ સંબંધો છે.</p><h2><b>અરિજિત સિંહના નામે એડવાન્સ લીધું, પછી શો કેન્સલ કર્યો</b></h2><p>આરોપી અનિંદા સીલે સુરતના ઇવેન્ટ ઓર્ગેનાઇઝરને સુરતમાં ઇન્ડસ્ટ્રીના સૌથી મોંઘા સિંગર અરિજિત સિંહનો લાઈવ શો ઓર્ગેનાઇઝ કરી આપવાની લાલચ આપી હતી. આ લાઈવ શો ફાઇનલ કરવા માટે તેણે ટોકન પેટે 11 લાખ પડાવી લીધા હતા. થોડા દિવસો પછી કોઈ અકળ કારણોસર અરિજિત સિંહનો શો કેન્સલ થયો હોવાનું કહી, પૈસા પરત આપવાના બદલે ફરિયાદીને ડાન્સિંગ સેન્સેશન નોરા ફતેહી અને કોમેડિયન કિંગ કપિલ શર્માનો જોઈન્ટ શો કરાવી આપવાની નવી લાલચ આપી હતી.</p><h3><b>ચેક બાઉન્સ થતાં કરોડોનું કૌભાંડ ખુલ્લું પડ્યું</b></h3><p>નવા શોના બહાને આરોપીએ કલાકારોની ફી, ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ, બિઝનેસ ક્લાસ ટિકિટ અને ફાઇવ સ્ટાર હોટલ બુકિંગના નામે અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ 1.43 કરોડ ટ્રાન્સફર કરાવી લીધા હતા. મહિનાઓ વીતી જવા છતાં જ્યારે સુરતમાં કોઈ પણ કલાકારનો લાઈવ શો યોજાયો નહીં, ત્યારે ફરિયાદી અભિષેક બોરડાને છેતરપિંડીનો અહેસાસ થયો હતો અને તેમણે પોતાના પૈસા પાછા માંગ્યા હતા. આરોપીએ કાયદાકીય પકડમાંથી બચવા અને વિશ્વાસ કેળવવા સિક્યોરિટી પેટે ચેક આપ્યા હતા. જોકે, બેંક ખાતામાં નાણાં ન હોવાથી માત્ર 1.15 લાખ જ પરત મળ્યા હતા અને બાકીના 1.41 કરોડના તમામ ચેક બાઉન્સ થઈ ગયા હતા.</p><h4><b>કોન્સર્ટના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી</b></h4><p>ઉત્રાણ પોલીસે આ મામલે કડક કલમો હેઠળ ગુનો નોંધી, મુંબઈમાં સર્ચ ઓપરેશન ચલાવી આરોપી અનિંદા સીલને દબોચી લીધો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીની મુંબઈની કંપની પહેલાથી જ વિવાદિત છે અને ત્યાં કોઈ જ બિઝનેસ એક્ટિવિટી થતી નથી. પોલીસ હવે આ કેસમાં અન્ય કોઈ લોકલ એજન્ટો સામેલ છે કે કેમ તે દિશામાં રિમાન્ડ મેળવી પૂછપરછ કરી રહી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/city-speeding-truck-accident-dr-rajyaguru-parked-car-destroyed-injured" target="_blank">આ પણ વાંચો: Mehsana: બેફામ ટ્રક ચાલકે 2 કારને 30 ફૂટ ઢસડી, અકસ્માતમાં બાઇક સવાર અને ટ્રક ચાલક ઘાયલ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/hnaArUjAT1NgAewuavW01NSrIdzflZUEzGmLaLoJ.webp'/></item><item><title><![CDATA[Vadodara News: ગોત્રીમાં ખાનગી શાળા છોડી 1354 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં લીધો પ્રવેશ, DyCM હર્ષ સંઘવીએ કરી મહત્વની જાહેરાતો ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/gotri-shala-praveshotsav-harsh-sanghavi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/gotri-shala-praveshotsav-harsh-sanghavi</guid><pubDate>Thu, 25 Jun 2026 14:30:48 +05:30</pubDate><description><![CDATA[<p>વડોદરાના ગોત્રી વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત મહારાણી શાંતાદેવી પ્રાથમિક શાળા ખાતે 2026નો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ભારે ઉત્સાહ સાથે યોજાયો. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નાના ભૂલકાંઓને કુમકુમ તિલક કરી, શૈક્ષણિક કીટ આપીને શાળામાં હોંશેહોંશે પ્રવેશ કરાવ્યો હતો.</p><h2><b>ખાનગી શાળાઓ છોડી 1354 વિદ્યાર્થીઓનો સરકારી શાળામાં પ્રવેશ</b></h2><p>સરકારી શાળાઓના શિક્ષણ સ્તરમાં આવેલા બદલાવનું ઉત્તમ ઉદાહરણ વડોદરામાં જોવા મળ્યું છે. આ વર્ષે ગોત્રીની આ શાળામાં આશ્ચર્યજનક રીતે 1354 જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓનો મોહ છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. નાયબ મુખ્યમંત્રીના હસ્તે આ તમામ વિદ્યાર્થીઓને ઉત્સાહભેર આવકારવામાં આવ્યા હતા, જે સરકારી શિક્ષણ પ્રત્યે વાલીઓના વધતા વિશ્વાસનું પ્રતીક છે.</p><h2><b>શિક્ષકો અને વાલીઓને હર્ષ સંઘવીની ખાસ ટકોર</b></h2><p>આ પ્રસંગે DyCM હર્ષ સંઘવીએ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષકોને પોતાની વિશેષ જવાબદારી નિભાવવા અને શ્રેષ્ઠ શિક્ષણ આપવા ટકોર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, બાળકોના શિક્ષણની સાથે તેમના સંસ્કાર અને ઘડતર પર પણ પૂરતું ધ્યાન આપવું જરૂરી છે. આ ઉપરાંત, તેમણે વાલીઓને અપીલ કરી હતી કે, તેઓ પોતાના બાળકોની સ્વચ્છતા અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહે. બાળકો દરેક ક્ષેત્રમાં આગળ વધે તેવા સહિયારા પ્રયાસો કરવા તેમણે સૌને અનુરોધ કર્યો હતો.</p><h2><b>2030 સુધીમાં તમામ 126 શાળાઓ મોડેલ શાળા બનશે</b></h2><p>નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ભવિષ્યના આયોજનો વિશે વાત કરતા જણાવાયું હતું કે, વડોદરામાં હાલ સમિતિની 126 શાળાઓ કાર્યરત છે. વર્ષ 2030 સુધીમાં આ તમામ શાળાઓમાં મોડેલ સ્ટુડિયો બનાવવાની અને તેને મોડેલ શાળા તરીકે વિકસાવવાની યોજના છે. આ ઉપરાંત, શિક્ષણના સ્તરને વધુ ઊંચું લાવવા માટે આ જ વર્ષે શહેરમાં બે નવી 'કન્સેપ્ટ શાળાઓ' પણ શરૂ કરવામાં આવશે તેવી મહત્વની જાહેરાત કરવામાં આવી હતી.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-three-day-school-entrance-festival-begins-at-sadhi-village-in-padra" target="_blank">Vadodara: પાદરાના સાધી ગામે ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાયો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/GHvbMqSTtijsaPG5rkpPWhDOagUp3KsdGZnFBh6v.webp'/></item><item><title><![CDATA[Gandhinagar : સરકારી ભરતીના નિયમોમાં ધરખમ ફેરફારના એંધાણ, અનુભવની જોગવાઈ નાબૂદ થવાના સંકેત ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gandhinagar-gujarat-govt-job-bharti-rules-change-gad-gpsc-class-1-2-exam-updates</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gandhinagar-gujarat-govt-job-bharti-rules-change-gad-gpsc-class-1-2-exam-updates</guid><pubDate>Thu, 25 Jun 2026 14:25:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા લાખો ઉમેદવારો માટે એક સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકાર આગામી સમયમાં વર્ગ-1 અને વર્ગ-2  ની ભરતી પ્રક્રિયામાં આમૂલ અને ઐતિહાસિક બદલાવ લાવવાની તડામાર તૈયારી કરી રહી છે. સંદેશ ન્યૂઝના હાથ લાગેલા સરકારના એક અત્યંત ખાનગી પત્ર વ્યવહારમાંથી આ ચોંકાવનારી અને રોજગારલક્ષી માહિતી લીક થઈ છે.</p><h2 style="text-align: justify; "><b>હવે 'અનુભવની ફરજિયાત જોગવાઈ' નાબૂદ કરવાની દરખાસ્ત&nbsp;</b></h2><p style="text-align: justify; ">સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તમામ એડિશનલ ચીફ સેક્રેટરીને આ વહીવટી સુધારા અંગે એક મહત્વનો પત્ર મોકલવામાં આવ્યો છે. આ પ્રસ્તાવિત સુધારા અંતર્ગત સૌથી મોટો ફેરફાર એ છે કે, ઉચ્ચ વહીવટી ભરતીઓમાંથી હવે 'અનુભવની ફરજિયાત જોગવાઈ' નાબૂદ કરવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. એટલે કે, હવે કોઈપણ શાખાના સ્નાતક ઉમેદવાર આ પરીક્ષામાં સીધા જ ભાગ લઈ શકશે, જેથી ફ્રેશર્સ અને યુવાનો માટે સરકારી ક્ષેત્રે સીધી તકો ખુલશે.</p><h3 style="text-align: justify; "><b>ખાલી પડેલી જગ્યાઓ ખૂબ જ ઝડપથી ભરી શકાશે</b></h3><p style="text-align: justify; ">આ ઉપરાંત,ગુજરાત જાહેર સેવા આયોગની સંયુક્ત પરીક્ષામાં બંને સંવર્ગની ભરતીનો સમાવેશ કરવાની પણ વિચારણા ચાલી રહી છે. પત્રમાં દર્શાવેલા તર્ક અનુસાર, આ બદલાવથી ભરતી કરનારી સંસ્થાઓનું કામનું ભારણ ઘટશે, ભરતી પ્રક્રિયા વધુ પારદર્શક અને નિયમિત બનશે, તેમજ સરકારી વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ ખૂબ જ ઝડપથી ભરી શકાશે.</p><h4 style="text-align: justify; "><b>સ્પર્ધાત્મક પરીક્ષાના માળખામાં નવો વળાંક&nbsp;</b></h4><p style="text-align: justify; ">GAD દ્વારા આ સમગ્ર બાબતે GPSC ને પત્ર મોકલીને સત્તાવાર રીતે માહિતગાર કરી દેવામાં આવ્યું છે. ટૂંક સમયમાં જ આ નવા શાસન નિયમો પર અંતિમ મહોર વાગી શકે છે, જેનાથી ગુજરાતના સ્પર્ધાત્મક પરીક્ષાના માળખામાં નવો વળાંક આવશે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp;<a href="https://sandesh.com/world/news/venezuela-earthquake-destruction-viral-videos-caracas-emergency" target="_blank"><b> Venezuela Earthquake : ભયાનક ભૂકંપના 5 Video, આંખના પલકારામાં ગગનચુંબી ઇમારતો જમીનદોસ્ત, ચારેય તરફ માત્ર ચીસાચીસ</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/LGlxAJQpjeieNz3X3OsbZ6Oj9maHvUxfLVjnvZBW.webp'/></item><item><title><![CDATA[Mehsana: બેફામ ટ્રક ચાલકે 2 કારને 30 ફૂટ ઢસડી, અકસ્માતમાં બાઇક સવાર અને ટ્રક ચાલક ઘાયલ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/city-speeding-truck-accident-dr-rajyaguru-parked-car-destroyed-injured</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/city-speeding-truck-accident-dr-rajyaguru-parked-car-destroyed-injured</guid><pubDate>Thu, 25 Jun 2026 14:21:20 +05:30</pubDate><description><![CDATA[<p>મહેસાણાના રેસિડેન્શિયલ અને કોમર્શિયલ કનેક્ટિંગ હાઇવે પર મોડી રાત્રિના સમયે ડ્રાઇવરો દ્વારા ઓવરસ્પીડિંગ અને નશાની હાલતમાં વાહન ચલાવવાના કારણે વધુ એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મહેસાણાના સુપ્રસિદ્ધ અને મોભી ડોક્ટર રાજ્યગુરુએ પોતાની કાર રોડની સાઇડમાં સુરક્ષિત રીતે પાર્ક કરી હતી. આ દરમિયાન એક પૂરપાટ ઝડપે અને બેફામ ગતિએ આવી રહેલા ભારે માલવાહક ટ્રકના ચાલકે વાહન પરનો કાબૂ સંપૂર્ણપણે ગુમાવી દીધો હતો અને રોડ સાઇડમાં ઉભેલી ડોક્ટરની કાર સહિત અન્ય એક કારને પાછળથી જોરદાર લાઈવ ટક્કર મારી દીધી હતી.</p><h2><b>30 ફૂટ સુધી કારો કચડાઈ અને દીવાલ તોડી</b></h2><p>ટ્રકની સ્પીડ એટલી ભયાનક હતી કે બ્રેક મારવાના બદલે ટ્રક બંને પાર્ક કરેલી કારોને લોખંડના રમકડાની જેમ રસ્તા પર અંદાજે 30 ફૂટ સુધી ઘસડીને આગળ લઈ ગઈ હતી. આ ટક્કરના લીધે બંને મોંઘીદાટ કારોનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને તેનો લાઈવ ખુરડો બોલી ગયો હતો. આટલેથી જ આ કાળચક્ર અટક્યું નહોતું, ટ્રકે રસ્તા પરથી જઈ રહેલા એક બાઇક સવારને પણ કમકમાટીભરી રીતે અડફેટે લીધો હતો અને ત્યારબાદ રોડ કિનારે આવેલી એક પાકી દુકાનની દીવાલ સાથે ધડાકાભેર અથડાઈને થોભી ગઈ હતી, જેના લીધે દુકાનની દીવાલ પળવારમાં ધરાશાયી થઈ ગઈ હતી.</p><h3><b>ટ્રક ચાલક પણ લોહીલુહાણ</b></h3><p>આ ભયાનક અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો અને દુકાનદારો લાઈવ લોકેશન પર દોડી આવ્યા હતા. આ ઘટનામાં બાઇક સવારને ગંભીર ઇજાઓ થતાં ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડાયો છે, તો બીજી તરફ અકસ્માત સર્જનાર ટ્રક ચાલક પોતે પણ સ્ટેયરિંગ અને કેબિન વચ્ચે ફસાઈ જતાં તેને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી છે. ઘટનાની ગંભીરતાને જોતાં મહેસાણા સ્થાનિક પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને હાઇવે પરથી ક્રેનની મદદથી ખુરડો બોલી ગયેલી કારો અને ટ્રકને હટાવી ટ્રાફિક લાઈવ ક્લિયર કરાવ્યો હતો. પોલીસે ડ્રાઇવર વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનો ગુનો નોંધીને મેડિકલ સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/viramgam-surendranagar-highway-triple-accident-thori-mubarak-youth-dead-injured" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: વિરમગામ-સુરેન્દ્રનગર હાઈવે પર ત્રિપલ અકસ્માતમાં એકનું મોત, બાળક સહિત 3 ઘાયલ થયા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/29e6Ey2DcEzV7wACiQdAvmmIqMaZugQmUNFigbaA.webp'/></item><item><title><![CDATA[Emergency: ધોરણ 9માં ભણાવાશે 1975ની ઇમરજન્સી વિશે, NCERTએ અભ્યાસક્રમમાં કર્યો સમાવેશ ]]></title><link>https://sandesh.com/india/news/emergency-1975-emergency-to-be-taught-in-class-9-ncert-includes-it-in-the-curriculum</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/emergency-1975-emergency-to-be-taught-in-class-9-ncert-includes-it-in-the-curriculum</guid><pubDate>Thu, 25 Jun 2026 14:11:15 +05:30</pubDate><description><![CDATA[<p>25 જૂન 1975માં તે સમયના પીએમ ઇંદિરા ગાંધીએ દેશમાં ઇમરજન્સીની જાહેરાત કરી હતી. આ નિર્ણય તેમનો આઝાદીની આત્મા પર નુકસાન પહોંચાડવા બરાબર હતો. લોકતંત્રની બુનિયાદ તોડનારો હતો. તે સમયને આજે 51 વર્ષ થઇ રહ્યા છે. ત્યારે ઇતિહાસના આ પ્રકરણને વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યું છે.&nbsp;</p><p><h2><b>1975ની કટોકટી વિશે બાળકોને ભણાવાશે&nbsp;</b></h2>NCERT એ પહેલી વાર ધોરણ 9ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં 1975-77 ની ઇમરજન્સીનો&nbsp; સમાવેશ કર્યો છે. સ્વતંત્રતા પછી ભારતીય લોકશાહીના સૌથી મહત્વપૂર્ણ અને વિવાદાસ્પદ તબક્કાઓમાંના એક તરીકે ગણાતા સમયગાળાને આવરી લેતો આ પ્રકરણ હવે વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે. ઇન્ડિયા એન્ડ બિયોન્ડ" નામના નવા NCERT પુસ્તકમાં કટોકટીને ભારતીય લોકશાહી સામેના એક મોટા પડકાર તરીકે રજૂ કરવામાં આવી છે. આ પરિવર્તન એવા સમયે આવ્યું છે જ્યારે દેશ કટોકટી લાદ્યાના 50 વર્ષ પૂર્ણ કરી રહ્યો છે.</p><p><b style="font-size: 1.75rem;">કટોકટી વિશે શું સમજાવવામાં આવ્યું છે?&nbsp;</b></p><p>પુસ્તકમાં ઇમરજન્સી વિશે એવુ સમજાવવામાં આવ્યું છે કે 1970 ના દાયકાની શરૂઆતમાં વધતી જતી બેરોજગારી, ફુગાવા અને સરકાર સામે વધતા અસંતોષને કારણે દેશભરમાં વિરોધ પ્રદર્શનો તીવ્ર બન્યા હતા. આ પૃષ્ઠભૂમિ સામે, જૂન 1975 માં, તત્કાલીન પીએમ ઇન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળની સરકારે આંતરિક અશાંતિનો ઉલ્લેખ કરીને રાષ્ટ્રીય કટોકટી લાદી હતી.</p><p>પુસ્તક અનુસાર, કટોકટી દરમિયાન મોટાભાગના મૂળભૂત અધિકારો સ્થગિત કરવામાં આવ્યા હતા. પ્રેસ પર સેન્સરશીપ લાદવામાં આવી હતી, અને અસંખ્ય રાજકીય નેતાઓ અને સામાજિક કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન, લોકશાહી સંસ્થાઓ દબાણ હેઠળ આવી હતી, અને નાગરિક સ્વતંત્રતાઓ પણ પ્રભાવિત થઈ હતી.</p><p><b style="font-size: 1.75rem;">જયપ્રકાશ નારાયણના આંદોલનનો પણ ઉલ્લેખ&nbsp;</b></p><p>નવા NCERT પુસ્તકમાં સમાજવાદી નેતા જયપ્રકાશ નારાયણ (જેપી) ની ભૂમિકાનું પણ વર્ણન કરવામાં આવ્યું છે, જેઓ 'લોકનાયક' (લોકોના નેતા) તરીકે જાણીતા હતા. પુસ્તકમાં નોંધવામાં આવ્યું છે કે જયપ્રકાશ નારાયણની આગેવાની હેઠળના જન આંદોલનોએ વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોને એકત્ર કર્યા હતા, ખાસ કરીને બિહાર અને ગુજરાતમાં. ત્યારબાદ, 1977 માં કટોકટી હટાવવામાં આવી હતી, અને સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી, જેનાથી જનતા મતદાન દ્વારા પોતાનો નિર્ણય વ્યક્ત કરી શકી હતી. NCERT અનુસાર, તત્કાલીન શાસક સરકારની હાર ભારતીય લોકશાહીની સ્થિતિસ્થાપકતા અને લોકશાહી પ્રક્રિયાની મજબૂતાઈ દર્શાવે છે.</p><p>અભ્યાસક્રમમાાં કટોકટીને ફક્ત એક ઐતિહાસિક ઘટના તરીકે નહીં પરંતુ લોકશાહીની કસોટી તરીકે રજૂ કરવામાં આવી છે. આ પ્રકરણમાં લોકશાહી સામેના અન્ય પડકારો, જેમ કે નકલી સમાચાર, ખોટી માહિતી, જાહેર સંપત્તિને નુકસાન, ગરીબી, પ્રાદેશિકતા, જાતિ આધારિત ભેદભાવ અને લિંગ અસમાનતા વિશે પણ ચર્ચા કરવામાં આવી છે.</p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/MC74fbgTXXzE5MQFaK8NpnnOnvWgd54wPSNYqqcs.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: વિરમગામ-સુરેન્દ્રનગર હાઈવે પર ત્રિપલ અકસ્માતમાં એકનું મોત, બાળક સહિત 3 ઘાયલ થયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/viramgam-surendranagar-highway-triple-accident-thori-mubarak-youth-dead-injured</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/viramgam-surendranagar-highway-triple-accident-thori-mubarak-youth-dead-injured</guid><pubDate>Thu, 25 Jun 2026 14:07:57 +05:30</pubDate><description><![CDATA[<p>વિરમગામથી સુરેન્દ્રનગરને જોડતા સ્ટેટ હાઈવે પર વાહનોની અનિયંત્રિત ગતિ અને ઓવરટેકિંગના કારણે અકસ્માતોની હારમાળા અટકવાનું નામ નથી લઈ રહી. ગઈકાલે વિરમગામ હાઈવે પર આવેલા થોરીમુબારક ગામની સીમમાં અને નર્મદા કેનાલના વળાંક નજીક કાળજું કંપાવી દેતો એક ત્રિપલ અકસ્માત લાઈવ નોંધાયો હતો. એક પુરપાટ ઝડપે આવી રહેલી કાર, પેસેન્જર રિક્ષા અને મોટરસાયકલ વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો, જેમાં વાહનોના ફુરચેફુરચા ઉડી ગયા હતા.</p><h2><b>પરિવારનો મોભી છીનવાયો</b></h2><p>આ ભયાનક ટક્કરમાં પોતાના મોટરસાયકલ પર સવાર થઈને પસાર થઈ રહેલા સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના સાકળ ગામના લાભુભાઈ ગીધાભાઈ મકવાણા (ઉ.વ. 35) રોડ પર પટકાતા તેમને શરીરે અને માથાના ભાગે જીવલેણ ઇજાઓ થઈ હતી. વધુ પડતું લોહી વહી જવાના કારણે લાભુભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું લાઈવ મોત નીપજ્યું હતું. 35 વર્ષના આશાસ્પદ યુવાનના મોતના સમાચાર સાકળ ગામે પહોંચતા જ મકવાણા પરિવારમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે.</p><h3><b>ઇજાગ્રસ્તોની હાલત નાજુક</b></h3><p>આ અકસ્માત એટલો સજ્જડ હતો કે રિક્ષામાં સવાર અન્ય મુસાફરો અને એક નિર્દોષ બાળક પણ તેની લાઈવ ઝપેટમાં આવી ગયા હતા. અકસ્માતને પગલે હાઈવે પર ચીસાચીસ મચી ગઈ હતી અને કેનાલ રોડ પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. રાહદારીઓએ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરીને ત્રણેય ગંભીર ઇજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં વિરમગામની ખાનગી હોસ્પિટલમાં ઇમરજન્સી મેડિકલ સપોર્ટ માટે શિફ્ટ કર્યા છે. ઘટનાની જાણ થતાં જ વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ મોકલી આપીને અકસ્માત સર્જનાર વાહનો કબ્જે કરી કાયદેસરની તપાસ લાઈવ શરૂ કરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/anandnagar-tcf-showroom-raid-duplicate-international-branded-clothes-seized" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: આનંદનગરના TCF શો-રૂમમાંથી 14.42 લાખનો ડુપ્લીકેટ મુદ્દામાલ ઝડપાયો, બ્રાન્ડના નામે ચાલતું હતું રેકેટ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/r9HoBjOLMFP6jT0kcTv4xMkaa91ENsa2cQZQSpJ0.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026: બ્રાઝિલનું શાનદાર પ્રદર્શન, સ્કોટલેન્ડને 3-0 થી હરાવી ગ્રુપ Cમાં ટોચ પર પહોંચ્યું ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-brazils-brilliant-performance-defeating-scotland-3-0-to-top-group-c</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-brazils-brilliant-performance-defeating-scotland-3-0-to-top-group-c</guid><pubDate>Thu, 25 Jun 2026 13:34:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફિફા વર્લ્ડ કપ 2026 માં બ્રાઝિલની ફૂટબોલ ટીમે પોતાનું દબદબો જાળવી રાખતા સ્કોટલેન્ડને 3-0 થી કારમી હાર આપી છે. મિયામી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં જીત મેળવીને બ્રાઝિલ ગ્રુપ C માં ટોચનું સ્થાન મેળવી ગૌરવભેર નોકઆઉટ રાઉન્ડમાં આગળ વધી ગયું છે. આ મેચમાં તમામ ચાહકોની નજર લાંબા સમય બાદ વાપસી કરી રહેલા સ્ટાર પ્લેયર નેમાર પર હતી, પરંતુ મેદાન પર અસલી હીરો વિનિસિયસ જુનિયર સાબિત થયો, જેણે બે ગોલ કરીને સ્કોટિશ ટીમની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું.</p><h3 style="text-align: justify; "><b>એલિયન્સની આગાહી વચ્ચે મેદાન પર થયો બ્રાઝિલનો 'ચમત્કાર'</b></h3><p style="text-align: justify; ">મેચ શરૂ થતા પહેલા મિયામીમાં એક વિચિત્ર જ્યોતિષીય આગાહી ખૂબ ચર્ચામાં હતી, જેમાં દાવો કરાયો હતો કે મેચ દરમિયાન સ્ટેડિયમમાં એલિયન્સ આવી શકે છે! જોકે, 64,478 ફૂટબોલ પ્રેમીઓથી ખિચોખિચ ભરેલા સ્ટેડિયમમાં એલિયન્સ તો ન આવ્યા, પણ મુખ્ય કોચ કાર્લો એન્સેલોટીની બ્રાઝિલિયન ટીમે મેદાન પર પોતાની રમતનો એવો અસાધારણ ચમત્કાર સર્જ્યો કે આખું સ્ટેડિયમ ઝૂમી ઉઠ્યું.</p><h2 style="text-align: justify; "><b>સ્કોટલેન્ડ વિ. બ્રાઝિલ મેચ, વિનિસિયસ જુનિયરનો દબદબો</b></h2><p style="text-align: justify; ">સ્કોટલેન્ડના કોચ સ્ટીવ ક્લાર્કે મેચ પહેલા જ બ્રાઝિલના શરૂઆતના આક્રમણ (એટેકિંગ ગેમ) અંગે ચિંતા વ્યક્ત કરી હતી, જે માત્ર 10 મિનિટમાં જ સાચી સાબિત થઈ. ફર્સ્ટ હાફના અંતિમ સમયમાં બ્રુનો ગુઇમારેસના એક શાનદાર ક્રોસ પાસ પર વિનિસિયસ જુનિયરે અદભુત હેડર મારીને બ્રાઝિલની લીડ 2-0 કરી દીધી. જોકે આ પહેલા વિનિસિયસનો વધુ એક ગોલ VAR (વીડિયો આસિસ્ટન્ટ રેફરી) રિવ્યૂમાં રિજેક્ટ થયો હતો, છતાં સ્કોટલેન્ડ પહેલા હાફમાં ટાર્ગેટ પર એક પણ શોટ મારી શક્યું નહોતું. સેકન્ડ હાફમાં મેથ્યુસ કુન્હાનો ત્રીજો ગોલ અને નેમારનું ઈમોશનલ કમબેક કર્યું. બીજા હાફમાં પણ બ્રાઝિલે રમત પર પોતાનું સંપૂર્ણ નિયંત્રણ જાળવી રાખ્યું હતું. ફરી એકવાર ગુઇમારાઇસે શાનદાર ચાલ રચીને બોલ મેથ્યુસ કુન્હા તરફ પાસ કર્યો. વોલ્વરહેમ્પ્ટન વાન્ડરર્સના આ સ્ટ્રાઇકરે કોઈ ભૂલ કર્યા વિના તકનો લાભ ઉઠાવ્યો અને ટીમ માટે ત્રીજો ગોલ (ટુર્નામેન્ટનો તેનો ત્રીજો ગોલ) ફટકારી સ્કોર 3-0 કરી દીધો.</p><h3 style="text-align: justify; "><b>સ્ટેડિયમમાં નેમારના નામની ગુંજ</b></h3><p style="text-align: justify; ">મેચની સૌથી ભાવનાત્મક અને યાદગાર ક્ષણ ત્યારે આવી જ્યારે સબસ્ટિટ્યુશન બોર્ડ પર નેમારનો જર્સી નંબર ફ્લેશ થયો. ઓક્ટોબર 2023 માં લાગેલી ગંભીર ઈજા બાદ પહેલીવાર વર્લ્ડ કપના સ્ટેજ પર વાપસી કરી રહેલા બ્રાઝિલના આ લેજન્ડરી ગોલસ્કોરરને આખા સ્ટેડિયમે ઊભા થઈને (Standing Ovation) માન આપ્યું હતું. 34 વર્ષીય નેમારે મેદાન પર આવતાની સાથે જ પોતાની જૂની લય બતાવી અને ટૂંકા સમયમાં કેટલાક શાનદાર શૉટ્સ રમ્યા, જે કોચ કાર્લો એન્સેલોટી માટે નોકઆઉટ રાઉન્ડ પહેલા મોટી રાહત સમાન છે.</p><h4 style="text-align: justify; "><b>ફિફા વર્લ્ડકપમાં ગ્રુપ C નું ફાઇનલ સમીકરણ</b></h4><p style="text-align: justify; ">બ્રાઝિલની ટીમ આ જીત સાથે કુલ 7 પોઈન્ટ મેળવીને ગ્રુપ C માં પ્રથમ સ્થાને રહી છે. જ્યારે એટલાન્ટામાં રમાયેલી અન્ય એક મેચમાં મોરોક્કોએ હૈતીને 4-2 થી હરાવીને ગ્રુપમાં બીજું સ્થાન મેળવ્યું છે અને રાઉન્ડ ઓફ 32 માં ક્વોલિફાય કર્યું છે. આ હાર સાથે સ્કોટલેન્ડની સફર ગ્રુપ સ્ટેજમાં જ સમાપ્ત થઈ ગઈ છે. આ મેચે સાબિત કરી દીધું છે કે બ્રાઝિલ હવે માત્ર નેમાર પર નિર્ભર નથી, પરંતુ વિનિસિયસ જુનિયર (જર્સી નંબર 7) ના રૂપમાં ટીમને એક નવો નેતા અને નવો ધબકારો મળી ગયો છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/big-upset-in-fifa-world-cup-switzerland-tops-group-b-canada-in-knockouts-for-the-first-time" target="_blank">આ પણ વાંચો : FIFA World Cupમાં મોટો ઉલટફેર: સ્વિટ્ઝર્લેન્ડ ગ્રુપ B માં ટોપ પર રહ્યું, કેનેડા પહેલીવાર નોકઆઉટમાં!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/bhukty5x2gdPTti1pt8dY0Z1uT73t8hghOh2qosB.webp'/></item><item><title><![CDATA[Mirzapur The Movie Teaser Review: 'મિર્ઝાપુર ધ મૂવી'નું ટીઝર રિલીઝ, પંકજ ત્રિપાઠી, અલી ફઝલ અને જિતેન્દ્ર કુમારનો ત્રિપલ ધમાકો ]]></title><link>https://sandesh.com/entertainment/news/india/mirzapur-the-movie-teaser-review-teaser-of-mirzapur-the-movie-released-triple-bang-of-pankaj-tripathi-ali-fazal-and-jeetendra-kumar</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/india/mirzapur-the-movie-teaser-review-teaser-of-mirzapur-the-movie-released-triple-bang-of-pankaj-tripathi-ali-fazal-and-jeetendra-kumar</guid><pubDate>Thu, 25 Jun 2026 13:31:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ટીઝરમાં અલી ફઝલ, પંકજ ત્રિપાઠી અને દિવ્યેન્દુની સાથે ફુલેરાના સેક્રેટરી જિતેન્દ્ર કુમાર પણ જોવા મળ્યા છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">મોટા પડદા માટે દર્શકો રહે તૈયાર&nbsp;</h2><p style="text-align: justify; ">'મિર્ઝાપુર: ધ મૂવી'માં જિતેન્દ્ર કુમાર બબલુ પંડિતની ભૂમિકામાં પ્રવેશ કરે છે. જે ચાહકોના પ્રિય પાત્રને ફરીથી પડદા પર લાવે છે. રવિ કિશન પણ આ ગાથામાં જોડાઈ રહ્યા છે. જેની શક્તિશાળી નવી હાજરી મિર્ઝાપુર બ્રહ્માંડમાં એક વધુ રસપ્રદ ખૂણો ઉમેરે છે. પૂર્વાંચલની શેરીઓથી લઈને રાજસ્થાનના રણ સુધી, આ ગાથા પહેલા કરતા વધુ મોટી થઈ રહી છે. તેની આકર્ષક દુનિયા અને જીવન કરતાં મોટી વાર્તા દરેક ક્ષેત્રના થિયેટરોમાં લાવી રહી છે.&nbsp;</p><h3 style="text-align: justify; ">નિર્માતાઓએ લખી પોસ્ટ&nbsp;</h3><p style="text-align: justify; ">નિર્માતાઓએ લખ્યું છે કે, આ સપ્ટેમ્બરમાં, એક શક્તિશાળી અને અનટોલ્ડ વાર્તાનો સાક્ષી બનો. મોટા પડદાના સાહસ માટે તૈયાર રહો, 4 સપ્ટેમ્બરે મિર્ઝાપુર ધ મૂવી જુઓ, ફક્ત થિયેટરોમાં, હિન્દી અને તેલુગુમાં. ટીઝર દર્શાવે છે કે વાર્તા 2018માં સેટ છે અને સીઝન 1 ની ઘટનાઓ પહેલા અને તેની સાથે બને છે. આનો અર્થ એ છે કે મુન્ના, જેનું સીઝન 2 ના અંતમાં મૃત્યુ થયું હતું, તે હજુ પણ જીવંત છે.&nbsp;</p><h4 style="text-align: justify; ">શુ છે કહાની ?&nbsp;</h4><p style="text-align: justify; ">કાલીન ભૈયા એટલે કે પંકજ ત્રિપાઠી ચિંતિત છે કે તેનો પુત્ર મુન્ના તેના સિંહાસનનો હકદાર વારસદાર નથી. આ દરમિયાન, પંડિત ભાઈ, અલી ફઝલ અને જીતેન્દ્ર મુન્ના સામ્રાજ્યનો નાશ કરવા અને પોતાને મિર્ઝાપુરના રાજા તરીકે સ્થાપિત કરવા માટે તૈયાર છે. ટીઝરમાં શોના ઘણા પરિચિત ચહેરાઓ દર્શાવવામાં આવ્યા છે અને રવિ કિશન દ્વારા ભજવવામાં આવેલા એક નવા પાત્રનો પણ પરિચય આપવામાં આવ્યો છે. જેની પાસે ઘણી શક્તિશાળી અને તાળીઓ પાડવા યોગ્ય ક્ષણો છે.</p><h5 style="text-align: justify; ">મિર્ઝાપુર ધ મૂવી ક્યારે રિલીઝ થશે?</h5><p style="text-align: justify; ">ક્રાઈમ એક્શન ડ્રામા મિર્ઝાપુર ધ મૂવી 4 સપ્ટેમ્બર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, જીતેન્દ્ર કુમાર, રવિ કિશન, અભિષેક બેનર્જી, રસિકા દુગ્ગલ, શ્વેતા ત્રિપાઠી, શ્રિયા પિલગાંવકર, હર્ષિતા ગૌર, સુશાંત સિંહ, મોહિત મલિક, શીબા ચઢ્ઢા, રાજેશ તૈલંગ, કુલભૂષણ ખરબંદા, સોનલ ચૌહાણ, પ્રમોદ પાઠક અને અનંગશા બિશ્વાસ જેવા કલાકારો છે. આ ફિલ્મનું નિર્માણ રિતેશ સિધવાણી અને ફરહાન અખ્તર દ્વારા એક્સેલ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ કરવામાં આવ્યું છે.</p><h5 style="text-align: justify; ">OTTથી થિયેટરોમાં પ્રવેશ</h5><p style="text-align: justify; ">પહેલી વાર, મિર્ઝાપુરની પ્રતિષ્ઠિત દુનિયા OTTથી થિયેટરોમાં પ્રવેશી રહી છે, તેની સિગ્નેચર તીવ્રતા, શક્તિશાળી વાર્તા કહેવાની શૈલી અને ભવ્ય સ્કેલ સાથે સિનેમાઘરોમાં પરત ફરી રહી છે. 2018માં સીઝન-1થી શરૂ થયેલી સમયરેખાને અનુસરીને, આ ફિલ્મ મોટા પડદા માટે તૈયાર કરાયેલી એક આકર્ષક, અનકહી વાર્તા સાથે ગાથા ચાલુ રાખે છે અને આ ચાહકોની મનપસંદ ફ્રેન્ચાઇઝીને સંપૂર્ણપણે નવા થિયેટર અવતારમાં રજૂ કરવાનું વચન આપે છે.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/world/news/-political-news/macron-meloni-meeting-first-bilateral-meeting-between-macron-and-meloni-in-antibes-discussions-on-defense-and-nuclear-sectors" target="_blank"> મેક્રોન અને મેલોની વચ્ચે એન્ટિબેસમાં પ્રથમ દ્વિપક્ષીય બેઠક, સંરક્ષણ અને પરમાણુ ક્ષેત્રે ચર્ચા</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/8YKEDOIGi1sxYhYaxmDxiQ8MoNWRUfaOLz6bT3rY.webp'/></item><item><title><![CDATA[Gold Silver Rate Today: ઓલ ટાઇમ હાઇથી સોના ચાંદી સરક્યા, 25 જૂને જાણો સોના ચાંદીનો કેટલો છે ભાવ ]]></title><link>https://sandesh.com/business/news/gold-silver-rate-today-gold-and-silver-slipped-from-all-time-high-know-the-price-of-gold-and-silver-on-june-25</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/gold-silver-rate-today-gold-and-silver-slipped-from-all-time-high-know-the-price-of-gold-and-silver-on-june-25</guid><pubDate>Thu, 25 Jun 2026 12:22:03 +05:30</pubDate><description><![CDATA[<p>છેલ્લા થોડા દિવસોથી સોના ચાંદીના ભાવ સતત ઘટી રહ્યા છે. સોનું અને ચાંદી ઓલટાઇમ હાઇથી સરકી રહ્યા છે. એક સમયે&nbsp; , MCX પર સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,80,000 અને ચાંદીનો ભાવ ₹4,20,000 પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગયો હતો. પરંતુ અત્યારે&nbsp; સોનાના ભાવમાં તેમના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરથી આશરે ₹40,000નો ઘટાડો જોવા મળી રહ્યો છે.&nbsp;</p><h2><b>25 જૂને સોના ચાંદીનો ભાવ&nbsp;</b></h2><p>આજે ગુરુવાર, 25 જૂન, ભારતીય બુલિયન બજાર અને મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) માં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારે વેચાણને કારણે, બંને ધાતુઓ તેમના રેકોર્ડ ઊંચા સ્તરથી તૂટી ગઈ છે. સોનાના ભાવમાં આશરે ₹1,450–₹1,900નો ઘટાડો થયો છે. દરમિયાન, ચાંદી પ્રતિ કિલોગ્રામ ₹2,22,300–₹2,27,000 ની રેન્જમાં ટ્રેડ થઈ રહી છે.</p><p><b style="font-size: 2rem;">આજે 10 ગ્રામ સોનાનો શું છે ભાવ ?&nbsp;</b></p><ul><li>24-કેરેટ સોનાનો ભાવ ₹1,43,010 અને ₹1,44,330 ની વચ્ચે છે.</li><li>22-કેરેટ સોનાનો ભાવ ₹1,30,997 થી ₹1,32,440 ની રેન્જમાં છે.</li><li>18 કેરેટ સોનાનો ભાવ ₹1,07,260&nbsp; થી ₹ 1,08,390ની વચ્ચે રહે છે.</li></ul><h3><b>ચાંદીની કિંમત શું છે?</b></h3><p>આજે પણ ચાંદીના ભાવમાં ઘટાડો ચાલુ છે. 10 ગ્રામ ચાંદીનો ભાવ ₹2450 થી ₹2550 ની રેન્જમાં છે. દરમિયાન, 100 ગ્રામનો ભાવ ₹24500 થી ₹ 25500ની રેન્જમાં છે. તે મુજબ, આજે 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ ₹2,45,000&nbsp; થી ₹255000ની વચ્ચે છે.</p><p><span style="color: rgb(0, 0, 0); font-size: 1.5rem;">દેશના મોટા શહેરોમાં સોના ચાંદીની કિંમત (ગુડ રિટર્ન્સ અનુસાર)&nbsp;</span></p><p><br></p><table class="table table-bordered"><tbody><tr><td><br>શહેર&nbsp;</td><td>24 કેરેટ સોનાની કિંમત ( રૂપિયા/10 ગ્રામ)&nbsp;</td><td>22 કેરેટ સોનાની કિંમત( રૂપિયા/10 ગ્રામ)</td></tr><tr><td>દિલ્હી&nbsp;</td><td>1,40,280&nbsp;</td><td>1,28,600&nbsp;&nbsp;</td></tr><tr><td>કોલકાતા&nbsp;</td><td>1,44,320&nbsp;</td><td>1,32,290&nbsp;</td></tr><tr><td>ચેન્નઈ&nbsp;</td><td>1,43,350&nbsp;</td><td>1,31,400&nbsp;</td></tr><tr><td>બેંગ્લોર&nbsp;</td><td>1,40,130&nbsp;</td><td>1,28,450</td></tr><tr><td>અમદાવાદ&nbsp;</td><td>1,40,180&nbsp;</td><td>1,28,500</td></tr><tr><td>વડોદરા&nbsp;</td><td>1,40,180&nbsp;</td><td>1,28,500</td></tr></tbody></table><p><b style="font-size: 1.5rem;">સોના અને ચાંદીના ભાવ અચાનક કેમ ઘટ્યા?</b></p><p>18&nbsp; જૂને અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા કામચલાઉ કરારથી વૈશ્વિક તણાવને કાબુમાં લેવામાં નોંધપાત્ર મદદ મળી છે. હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ઉર્જા પુરવઠો ફરી શરૂ થતાં, સલામત રોકાણ તરીકે સોનાની માંગમાં ઘટાડો થયો છે. દરમિયાન, યુએસ ફેડરલ રિઝર્વે ફુગાવાને કાબૂમાં રાખવા માટે વર્ષના અંત સુધીમાં વ્યાજ દરોમાં 25-બેઝિસ-પોઇન્ટનો વધારો કરવાનો સંકેત પણ આપ્યો છે. જ્યારે વ્યાજ દર વધે છે, ત્યારે રોકાણકારો સોના અને ચાંદીમાંથી સરકારી બોન્ડમાં તેમની મૂડી સ્થાનાંતરિત કરવાનું વલણ ધરાવે છે.</p><p> ભાવમાં ઘટાડાનું બીજું કારણ યુએસ ડોલર ઇન્ડેક્સમાં ઝડપી વધારો છે, જે મે 2025 પછીના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ ડોલરમાં દર્શાવવામાં આવતા હોવાથી, મજબૂત ડોલર વિશ્વભરના ખરીદદારો માટે ધાતુને વધુ મોંઘી બનાવે છે, જેના કારણે માંગમાં ઘટાડો થાય છે.</p><p><br>Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.<br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/04/28/MgQqPhdBjlWEZtofpD91tBxpOXEZ22SGUUDMVk6D.webp'/></item></channel></rss>