<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Junagadhના ખામધ્રોળ રોડ પર ભંગાર તોડતી વખતે કૂવામાં પગ લપસતાં 65 વર્ષીય વૃદ્ધનું મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/a-65-year-old-man-tragically-died-after-slipping-into-a-well-while-breaking-up-debris-on-khamdhrol-road-in-junagadh</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/a-65-year-old-man-tragically-died-after-slipping-into-a-well-while-breaking-up-debris-on-khamdhrol-road-in-junagadh</guid><pubDate>Thu, 09 Jul 2026 17:00:28 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જૂનાગઢ શહેરના ખામધ્રોળ રોડ વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કમનસીબ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીં આવેલા એક ગામમાં જૂનું મકાન તોડ્યા બાદ ત્યાં ભંગાર એકઠો કરવાનું અને તોડવાનું કામ ચાલી રહ્યું હતું. આ ભંગારનું કામ રાખનારા એક વયોવૃદ્ધ શ્રમિક ત્યાં પોતાની રોજીરોટી માટે કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક તેમનો પગ લપસી ગયો હતો અને એક ઊંડા કૂવામાં સીધા ખાબક્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>ભંગાર તોડતા સમયે વૃદ્ધ કૂવામાં પડતા મોત&nbsp;</b></h2><p style="text-align: justify; ">કૂવામાં અચાનક ખાબકેલા આ વૃદ્ધની ઓળખ 65 વર્ષીય કાસમભાઇ અલીભાઈ ઠેબા તરીકે થઈ છે. કૂવામાં પાણી હોવાના કારણે અને મોટી ઉંમર હોવાને લીધે કાસમભાઇ બહાર નીકળી શક્યા ન હતા અને જોતજોતામાં પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાને પગલે આસપાસના અન્ય શ્રમિકો અને સ્થાનિક રહીશો તાત્કાલિક કૂવા પાસે દોડી આવ્યા હતા. વૃદ્ધ કાસમભાઇના અકાળ અવસાનના સમાચાર મળતા જ તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું છે.</p><h3 style="text-align: justify; "><b>મકાન તોડ્યા બાદ ભંગારનું કામ રાખ્યું હતું વૃદ્ધે</b></h3><p style="text-align: justify; ">આ ગંભીર દુર્ઘટના અંગે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક જૂનાગઢ ફાયર બ્રિગેડ અને પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમે ભારે જહેમત બાદ ઊંડા કૂવામાંથી વૃદ્ધ કાસમભાઇના મૃતદેહને સફળતાપૂર્વક બહાર કાઢ્યો હતો. ત્યારબાદ પોલીસે મૃતદેહને કાયદેસરના PM અર્થે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. હાલ આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને ઘટના પાછળના ચોક્કસ કારણોની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/09/i5WhCbhTPriQ6cnqvVHH9AykkJgDfbENQv77vRlN.webp'/></item><item><title><![CDATA[Wimbledon ક્વાર્ટર ફાઈનલમાં 36 વર્ષ પછી પહોંચ્યો ભારતીય ખેલાડી, કોણ છે અર્ણવ પાપરકર? ]]></title><link>https://sandesh.com/sports/news/arnav-paparkar-wimbledon-junior-quarterfinal-india</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/arnav-paparkar-wimbledon-junior-quarterfinal-india</guid><pubDate>Thu, 09 Jul 2026 17:00:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">18 વર્ષની ભારતીય ટેનિસ ખેલાડી અર્ણવ પાપરકરનું નામ હાલમાં ટેનિસ જગતમાં ચર્ચાનો વિષય છે, જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે કોઈ ભારતીય 36 વર્ષ પછી જુનિયર વિમ્બલ્ડનના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યો છે.</p><p style="text-align: justify; ">અર્ણવ પાપરકરે જાપાની ખેલાડી ર્યો તાબાટા સામે રાઉન્ડ ઓફ 16માં 52 મિનિટમાં સતત 2 સેટ જીતીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. અર્ણવ પાપરકર હવે 1990માં લિએન્ડર પેસ પછી માત્ર બીજો ખેલાડી છે જે ક્વાર્ટર ફાઈનલમાં પહોંચવામાં સફળ રહ્યો છે. પેસે તે વર્ષે પણ આ ખિતાબ જીત્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>અર્ણવ પાપરકરે બંને સેટમાં જાપાની ખેલાડીને વાપસી કરવાની તક ન આપી</b></h2><p style="text-align: justify; ">પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં અર્ણવ પાપરકરે કોર્ટ પર એકતરફી પ્રદર્શન કર્યું, જાપાનના રિયો તાબાટા સામે પહેલો સેટ 6-2 ના માર્જિનથી જીત્યો. બધાની નજર બીજા સેટ પર હતી, જ્યાં અર્ણવે પોતાનું પ્રભાવશાળી ફોર્મ ચાલુ રાખ્યું અને 6-1 ના માર્જિનથી જીતીને છેલ્લા આઠમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. અર્ણવ પાપરકરે હવે ક્વાર્ટર ફાઈનલમાં અમેરિકન ખેલાડી જોર્ડન લીનો સામનો કરવો પડશે.&nbsp;</p><p style="text-align: justify; ">અર્ણવ પાપરકરે વિમ્બલ્ડન બોયઝ સિંગલ્સ ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવનાર લિએન્ડર પેસ, રામનાથન કૃષ્ણન અને રમેશ કૃષ્ણન સાથે મળીને માત્ર ચોથો ખેલાડી બન્યો. યુકી ભામ્બરીએ 2009માં યુએસ જુનિયર ચેમ્પિયનશિપ જીતી ત્યારથી તે જુનિયર ગ્રાન્ડ સ્લેમના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચનાર પ્રથમ ખેલાડી પણ છે.</p><h3 style="text-align: justify; "><b>જુનિયર રેન્કિંગમાં અર્ણવ 19મા નંબરે</b></h3><p style="text-align: justify; ">18 વર્ષનો અર્ણવ પાપરકર ઈન્ટરનેશનલ ટેનિસ ફેડરેશનના જુનિયર રેન્કિંગમાં 19મા નંબરે છે. અર્ણવે 14 વર્ષની ઉંમરે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયન ઓપન અંડર-14 એશિયા પેસિફિક એલીટ ટ્રોફી જીતીને તેનું પહેલું મુખ્ય ટાઈટલ જીત્યું. તે વર્ષે પછી તેને વાઈલ્ડકાર્ડ એન્ટ્રી તરીકે નેશનલ અંડર-16 ટાઈટલ જીત્યું.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/ishan-kishan-run-out-abhishek-sharma-stump-mic-video" target="_blank">Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/09/luChwjbTi98XDgg5rIPNU1Ldb0FwzHIBuBZA0KXC.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: RTO સર્કલથી ચાંદખેડા જતો માર્ગ 10 જુલાઈથી બંધ, 31 જાન્યુઆરી 2027 સુધી ટ્રાફિક ડાયવર્ઝન ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/rto-to-chandkheda-road-closed-from-july-10-for-bullet-train</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/rto-to-chandkheda-road-closed-from-july-10-for-bullet-train</guid><pubDate>Thu, 09 Jul 2026 16:48:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત પિલર નિર્માણની કામગીરીને વેગ આપવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા એક મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટના કામકાજને કારણે વાહનચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 10 જુલાઈથી 31 જાન્યુઆરી 2027 સુધી લાંબા સમય માટે ટ્રાફિક ડાયવર્ઝન અમલી રહેશે. આ સમયગાળા દરમિયાન RTO સર્કલથી ચાંદખેડા તરફ જતો મુખ્ય માર્ગ તેમજ RTOથી UGVCL સુધીનો માર્ગ સામાન્ય વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.</p><h2 style="text-align: justify; "><b>સ્થાનિક રહેવાસીઓ માટે માત્ર ટુ-વ્હીલરની મંજૂરી</b></h2><p style="text-align: justify; ">નવા જાહેરનામા અનુસાર બંધ કરવામાં આવેલા આ માર્ગ પરથી માત્ર સ્થાનિક રહેવાસીઓને જ રાહત આપવામાં આવી છે.જેઓ માત્ર પોતાના ટુ-વ્હીલર લઈને પસાર થઈ શકશે.અન્ય તમામ વાહનચાલકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.સાબરમતી અને ચાંદખેડા તરફ જવા માંગતા નાગરિકો હવે ચિમનભાઈ બ્રિજ થઈને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકશે, જેથી બુલેટ ટ્રેનનું કામ પણ અવરોધ વિના પૂરજોશમાં ચાલી શકે.</p><h3 style="text-align: justify; "><b>એમ્બ્યુલન્સ,ફાયર અને સરકારી ફરજના વાહનોને છૂટ&nbsp;</b></h3><p style="text-align: justify; ">આ ડાયવર્ઝનને કારણે વૈકલ્પિક માર્ગો પર ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ડાયવર્ઝન રૂટને 'નો પાર્કિંગ ઝોન' જાહેર કરવામાં આવ્યો છે. આ રૂટ પર કોઈપણ વાહન પાર્ક કરવા પર સખત મનાઈ રહેશે. જો કે, કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે માનવતાવાદી અભિગમ સાથે એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને સરકારી ફરજ પરના વાહનોને આ પ્રતિબંધિત માર્ગ પરથી પણ પસાર થવાની ખાસ છૂટછાટ આપવામાં આવી છે.</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/surat/mp-mukesh-dalal-calls-18-inch-rain-a-natural-disaster" target="_blank">આ પણ વાંચોઃ Surat News: સુરતમાં 18 ઈંચ વરસાદ ખાબક્યો તે કુદરતનો કહેર છે એમાં કોઈ શું કરી શકે: સાંસદ મુકેશ દલાલ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/09/9k0YngTjQGEhJgrqCt3TWqGwq5cGHVneESsRgMYL.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: AMCની મેગા ડિમોલિશન ડ્રાઈવ, મોટેરામાં રોડ પહોળો કરવા 70થી વધુ દુકાનો પર ચાલ્યું બુલડોઝર ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/motera-amc-demolition-drive-janpath-road-widening</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/motera-amc-demolition-drive-janpath-road-widening</guid><pubDate>Thu, 09 Jul 2026 16:42:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગુરુવારે શહેરના મોટેરા વિસ્તારમાં એક મોટી મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. રી-ટીપી અમલીકરણ અને 61 મીટરના રોડને પહોળો કરવાની અમદાવાદ મનપાની યોજના અંતર્ગત આ કડક કાર્યવાહી શરૂ કરાઈ છે. સાબરમતી જનપથ ત્રણ રસ્તાથી લઈને ડીમાર્ટ સુધીના મુખ્ય માર્ગ પર આવેલી કોમર્શિયલ મિલકતો અને ગેરકાયદે બાંધકામોને બે જેસીબી સહિતની ભારે મશીનરીની મદદથી તોડી પાડવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 70થી વધુ દુકાનો પર અમદાવાદ મનપાનું બુલડોઝર ફરી વળ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>કુલ 100 એકમો નિશાન પર, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત</b></h2><p style="text-align: justify; ">આ સમગ્ર રોડ વાઈડનિંગની કામગીરી અંતર્ગત તંત્ર દ્વારા અગાઉ જ ૫૨થી વધુ કોમર્શિયલ મિલકતોને કાયદેસરની નોટિસો ફટકારવામાં આવી હતી. આ વિસ્તારમાં નાના-મોટા કુલ 100 જેટલા વ્યાપારી એકમો સામે ડિમોલિશનની કાર્યવાહી થવાની છે. અમદાવાદ મનપાની આ આક્રમક કાર્યવાહીને પગલે સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ અને ઉત્તેજનાનો માહોલ જોવા મળી રહ્યો છે. વેપારીઓના સંભવિત વિરોધ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે ઘટના સ્થળે અગાઉથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.</p><p style="text-align: justify; "><img alt="Ahmedabad News: Motera Demolition Drive: AMC Destroys Over 70 Shops for Road Widening" src="https://epapercdn.sandesh.com/images/2026/07/09/EZoktggkHv8oTwvLST5WMcdQNpF89BloEacJ9PVB.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>દુકાનદારોની વળતરની માગ: AMCનો ઈનકાર</b></h2><p style="text-align: justify; ">બીજી તરફ, આ ડિમોલિશનના કારણે જે વેપારીઓની રોજગારી છીનવાઈ ગઈ છે, તેઓ તંત્ર પાસે યોગ્ય વળતર અથવા વૈકલ્પિક જગ્યાની માગ કરી રહ્યા છે. વેપારીઓનો આક્ષેપ છે કે, આ પ્રકારની ઓચંતી કાર્યવાહીથી તેમને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. જોકે, આ મામલે અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશોએ સ્પષ્ટતા કરી છે કે ટાઉન પ્લાનિંગ અને રોડ વાઈડનિંગના નિયમો અનુસાર, આ કેસમાં કોઈ પણ પ્રકારનું વળતર મળવાપાત્ર થતું નથી. નિયમોને આધીન રહીને જ આ સમગ્ર કામગીરી પૂર્ણ કરવામાં આવશે.</p><p style="text-align: justify; "><img alt="Ahmedabad News: Motera Demolition Drive: AMC Destroys Over 70 Shops for Road Widening" src="https://epapercdn.sandesh.com/images/2026/07/09/tUIHcWyA5jcG3GVVSIutjTQJdYFDB62QWR7vaFuv.webp" style="width: 100%;"><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-suspends-18-amts-and-brts-drivers-for-traffic-violations" target="_blank">Ahmedabad News: AMCએ ટ્રાફિકનો ભંગ કરનારા 18 ડ્રાઈવરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/09/mpO7O5uWfuHS11H9DJsXjXG48kEfAHrQdsWsDjdW.webp'/></item><item><title><![CDATA[Mathura: મથુરામાં અચાનક પડ્યો જામા મસ્જિદના ગુંબજનો મોટો ભાગ, મોટી જાનહાનિ ટળી ]]></title><link>https://sandesh.com/india/news/mathura-a-large-part-of-the-dome-of-jama-masjid-suddenly-fell-in-mathura</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/mathura-a-large-part-of-the-dome-of-jama-masjid-suddenly-fell-in-mathura</guid><pubDate>Thu, 09 Jul 2026 16:35:54 +05:30</pubDate><description><![CDATA[<p>મથુરાના ચોક બજારમાં આવેલી ઐતિહાસિક જામા મસ્જિદમાં બુધવારે સાંજે 7 વાગ્યાની આસપાસ અચાનક મસ્જિદના ગુંબજનો મોટો ભાગ તૂટી પડતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. સ્થાનિક લોકો દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા ફોટા દ્વારા આ ઘટનાના સમાચાર સામે આવ્યા હતા.</p><p><br></p><p>નોંધનીય છે કે હવામાન વિભાગે મથુરા જિલ્લા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું હતું. મંગળવાર સાંજથી સતત વરસાદ પડી રહ્યો હતો, જેમાં થોડા સમય માટે હળવો ઝરમર વરસાદ પડ્યો હતો. બુધવારે સતત વરસાદને કારણે રોજિંદા જીવન ખોરવાઈ ગયું હતું અને અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા.</p><p><br></p><p>એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે સદીઓ જૂની આ જામા મસ્જિદનો એક ભાગ સતત વરસાદને કારણે તૂટી પડ્યો હતો. સદનસીબે, જ્યારે માળખું પડ્યું ત્યારે કોઈ ઘટનાસ્થળે હાજર નહોતું અને કોઈ જાનહાનિ થઈ ન હતી.</p><p><br></p><p>પ્રત્યક્ષદર્શીઓએ જોરદાર અવાજ સાંભળીને ઘટનાસ્થળે દોડી આવ્યા હોવાનું જણાવ્યું હતું. નજીકના એક દુકાનદારે જણાવ્યું હતું કે તે પોતાની દુકાનમાં બેઠો હતો ત્યારે તેણે અચાનક મોટો અવાજ સાંભળ્યો; બહાર પગ મૂકતાં તેણે મસ્જિદના ગુંબજનો એક ભાગ તૂટી પડતો જોયો. જોકે, ગુંબજ તૂટવાનું ચોક્કસ કારણ હજુ અસ્પષ્ટ છે. રાહતની વાત એ છે કે, કાટમાળ રસ્તા પર નહીં પણ મસ્જિદની ઉપરની છત પર પડ્યો, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી અને મોટી દુર્ઘટના ટળી ગઈ. જ્યારે આ ઘટના અંગે જામા મસ્જિદ સમિતિનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે નિવેદન આપવાનો ઇનકાર કર્યો. ગુંબજનું પ્લાસ્ટર તૂટી પડવાનું કારણ જાણવાના હાલમાં પ્રયાસો ચાલી રહ્યા છે.</p><p><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/entertainment/news/hina-khan-furious-over-shilpa-shindes-lies-said-if-she-had-said-this-in-bigg-boss#google_vignette" target="_blank">શિલ્પા શિંદેના જુઠ્ઠાણા પર ભડકી હિના ખાન, કહ્યું- જો તે Bigg Bossમાં આવું બોલતી તો...</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/09/2NLlwYMUy9nZw8KhNiDVto2tqECfNShJIm5CHzVV.webp'/></item><item><title><![CDATA[Supreme Courtનો કડક આદેશ, ગેરકાયદે અને જોખમી ઈમારતો સામે તાત્કાલિક કાર્યવાહી કરો ]]></title><link>https://sandesh.com/india/news/supreme-court-illegal-unsafe-buildings-strict-action-order</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/supreme-court-illegal-unsafe-buildings-strict-action-order</guid><pubDate>Thu, 09 Jul 2026 16:29:27 +05:30</pubDate><description><![CDATA[<p>દેશભરમાં ગેરકાયદે અને જોખમી ઈમારતોના વધતા જોખમને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. ન્યાયમૂર્તિ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને ન્યાયમૂર્તિ આર. મહાદેવનની બેન્ચે દિલ્હી, ગુરુગ્રામ, લખનૌ, પટણા અને તમિલનાડુના નગર નિગમોના વરિષ્ઠ અધિકારીઓને જોખમી અને ગેરકાયદે ઈમારતો સામે કરવામાં આવેલી કાર્યવાહી અંગે વિગતવાર અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.</p><h2><b>આગ લાગવાની ઘટનાઓને ગંભીરતાથી લીધી</b></h2><p>સુપ્રીમ કોર્ટે તાજેતરમાં દિલ્હીના સાકેત વિસ્તારમાં ઈમારત ધરાશાયી થવાની ઘટના તેમજ માલવીય નગર અને લખનૌના અલીગંજ વિસ્તારમાં આગ લાગવાની ઘટનાઓને ગંભીરતાથી લીધી છે. કોર્ટે 20 મેના રોજ આપેલા આદેશોના પાલન અંગે પણ સ્થિતિ અહેવાલ માગ્યો છે. સાથે જ તમામ સંબંધિત અધિકારીઓને આગામી 4 ઓગસ્ટે વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.</p><p>કોર્ટે આ મામલે સ્વતંત્ર અને પારદર્શક સર્વેક્ષણ માટે આઈઆઈટી દિલ્હીના બે વરિષ્ઠ પ્રોફેસરો અને બે ડ્રાફ્ટ્સમેનની વિશેષ ટીમ બનાવવાનો પણ આદેશ કર્યો છે. આ ટીમ એમસીડીના અધિકારીઓ સાથે મળીને સાકેત, માલવીય નગર અને લાજપત નગરમાં સમયબદ્ધ સર્વે કરશે. જ્યારે સરોજિની નગર વિસ્તારમાં એનડીએમસી સાથે મળીને સમાન પ્રકારનો સર્વે હાથ ધરવામાં આવશે.</p><h3><b>જોખમી ઈમારતો સામે કાર્યવાહી થવાની શક્યતા વધી</b></h3><p>સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે અહેવાલ તૈયાર કરવામાં કોઈપણ પ્રકારની બેદરકારી, ખોટી માહિતી અથવા ઢીલાશ સહન કરવામાં આવશે નહીં. જો કોઈ કમિશનર, સીઈઓ અથવા અન્ય જવાબદાર અધિકારી સમયસર અહેવાલ રજૂ કરવામાં અથવા કોર્ટના આદેશોના પાલનમાં નિષ્ફળ જશે તો તેમની સામે કોર્ટ સ્વયં સંજ્ઞાન લઈ અવમાનનાની કાર્યવાહી શરૂ કરી શકે છે. કોર્ટના આ કડક વલણને કારણે દેશભરમાં ગેરકાયદે અને જોખમી ઇમારતો સામે હવે વધુ અસરકારક કાર્યવાહી થવાની શક્યતા વધી છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/uttarakhand-himachal-landslide-landslides-in-chamba-and-kullu-building-collapse-in-tehri-disastrous-rains-in-himachal-and-uttarakhand" target="_blank">આ પણ વાંચો : Uttarakhand Himachal Landslide: ચંબા અને કુલ્લુમાં લેન્ડસ્લાઇડ, ટિહરીમાં મકાન ધસ્યુ, હિમાચલ અને ઉત્તરાખંડમાં આફતનો વરસાદ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/09/tJ6SLNBme5DgA511RTlC17hVxcKBp4z5ZI3Qc8HB.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: AMCએ ટ્રાફિકનો ભંગ કરનારા 18 ડ્રાઈવરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-suspends-18-amts-and-brts-drivers-for-traffic-violations</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-suspends-18-amts-and-brts-drivers-for-traffic-violations</guid><pubDate>Thu, 09 Jul 2026 16:26:29 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મુસાફરોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.શહેરમાં દોડતી AMTS અને BRTS બસોના કુલ 13 ડ્રાઈવરો સામે શિસ્તભંગ અને નિયમોના ઉલ્લંઘન બદલ કોર્પોરેશન દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.ટ્રાફિકના નિયમોનો સરેઆમ ભંગ કરવા બદલ તંત્ર દ્વારા આ તમામ 13 ડ્રાઈવરોને તાત્કાલિક અસરથી નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>ડ્રાઈવરોની ગંભીર બેદરકારીઓ જવાબદાર</b></h2><p style="text-align: justify; ">સસ્પેન્ડ કરાયેલા ડ્રાઈવરો સામે નિયત બસ સ્ટોપ પર બસ ન ઊભી રાખવી,બસ અધવચ્ચે દોડાવવી તેમજ મુસાફરો સાથે અયોગ્ય અને તોછડું વર્તન કરવા અંગેની ગંભીર ફરિયાદો ઉઠી હતી.આ ઉપરાંત,શહેરીજનોના જીવના જોખમે બેદરકારીપૂર્વક બસ ચલાવવા અને અકસ્માત સર્જવા બદલ પણ મ્યુનિસિપલ કોર્પોરેશને લાલ આંખ કરી છે અને  ડ્રાઈવરો સામે આકરા પગલાં ભર્યા છે.આ કાર્યવાહી પાછળ ડ્રાઈવરોની ગંભીર બેદરકારીઓ જવાબદાર હોવાનું સામે આવ્યું છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>કોર્પોરેશને સ્પષ્ટ અને કડક સંદેશ આપ્યો</b></h2><p style="text-align: justify; ">આ કડક કાર્યવાહી દ્વારા કોર્પોરેશને સ્પષ્ટ અને કડક સંદેશ આપ્યો છે કે AMTS અને BRTS સેવામાં કોઈપણ પ્રકારની શિસ્તહીનતા કે બેદરકારી સહેજ પણ ચલાવી લેવામાં આવશે નહીં. મુસાફરોની સુરક્ષા એ તંત્રની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.આગામી સમયમાં પણ જો કોઈ ડ્રાઈવર કે કર્મચારી નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમની સામે આ જ પ્રકારે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે, જેથી પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ વધુ સુરક્ષિત અને સુદ્રઢ બની શકે.<br><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/the-administration-is-in-deep-slumber-in-ankleshwar-bharuch-even-after-the-death-of-a-young-man-the-terror-of-stray-cattle-continues" target="_blank">આ પણ વાંચોઃ Bharuchના અંકલેશ્વરમાં તંત્રની ઘોર નિંદ્રા: યુવાનના મોત બાદ પણ રખડતા ઢોરનો આતંક યથાવત</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/09/ESKpyxm1ZcDMOLB6f5D4YsgE7wjGGT85CpQ20Amj.webp'/></item><item><title><![CDATA[Bharuchના અંકલેશ્વરમાં તંત્રની ઘોર નિંદ્રા: યુવાનના મોત બાદ પણ રખડતા ઢોરનો આતંક યથાવત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/the-administration-is-in-deep-slumber-in-ankleshwar-bharuch-even-after-the-death-of-a-young-man-the-terror-of-stray-cattle-continues</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bharuch/the-administration-is-in-deep-slumber-in-ankleshwar-bharuch-even-after-the-death-of-a-young-man-the-terror-of-stray-cattle-continues</guid><pubDate>Thu, 09 Jul 2026 16:20:07 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">Bharuchના અંકલેશ્વરમાં તંત્રની ઘોર નિંદ્રા: યુવાનના મોત બાદ પણ રખડતા ઢોરનો આતંક યથાવત</p><p style="text-align: justify; ">ભરૂચ જિલ્લામાં રખડતા પશુઓનો ત્રાસ અને આતંક દિન-પ્રતિદિન એટલો વધી ગયો છે કે હવે નિર્દોષ નાગરિકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. તાજેતરમાં જ ભરૂચમાં રખડતા ઢોરના કારણે સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં એક આશાસ્પદ યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. આટલી મોટી અને હૃદયદ્રાવક ઘટના બન્યા બાદ પણ સ્થાનિક નગરપાલિકા અને વહીવટી તંત્ર હજુ સુધી ઘોર નિંદ્રામાંથી જાગ્યું નથી, જેને પગલે સમગ્ર જિલ્લાના રહીશોમાં તંત્રની નબળી કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.</p><h2 style="text-align: justify; ">ભરચક વિસ્તારમાં આખલા યુદ્ધથી લોકોના જીવ તાળવે ચોંટ્યા</h2><p style="text-align: justify; ">તંત્રની આ ઘોર લાપરવાહી વચ્ચે ભરૂચના અંકલેશ્વર શહેરમાંથી વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં શહેરના એક મુખ્ય માર્ગ પર બે મનમસ્ત આખલાઓ અચાનક સામસામે બાખડી પડ્યા હતા. આ ભરચક અને સતત વાહનોથી ધમધમતા વિસ્તારમાં બંને આખલાઓ બેફામ બનીને રસ્તાની વચ્ચે જ લડવા લાગ્યા હતા. ધોળા દિવસે જાહેર માર્ગ પર ખેલાયેલા આ ભયાનક આખલા યુદ્ધને કારણે ત્યાંથી પસાર થતા સેંકડો રાહદારીઓ અને વાહનચાલકોના જીવ અધ્ધર થઈ ગયા હતા અને લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.</p><h3 style="text-align: justify; ">બેકાબૂ પશુઓએ કારને ગંભીર નુકસાન પહોંચાડ્યું</h3><p style="text-align: justify; ">આ હિંસક લડાઈ દરમિયાન બેકાબૂ બનેલા પશુઓએ રસ્તા પરથી પસાર થઈ રહેલી એક ઈકો કારને પણ જોરદાર અડફેટે લીધી હતી, જેના કારણે ગાડીને વ્યાપક પ્રમાણમાં આર્થિક નુકસાન પહોંચ્યું છે. સદનસીબે આ ઘટનામાં કાર સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો, નહીં તો વધુ એક મોટી જાનહાનિ સર્જાઈ શકી હોત. સ્થાનિક વેપારીઓ અને નાગરિકો હવે સોશિયલ મીડિયા પર આ ઘટનાના વીડિયો વાયરલ કરીને બેજવાબદાર તંત્ર સામે કડક ફોજદારી પગલાં ભરવાની અને રખડતા પશુઓના ડબ્બા ગુલ કરવાની ઉગ્ર માંગ કરી રહ્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/09/RNPJi1QiTXp1FLHRxopbD7HhEvLrPuIF4nKBGPAA.webp'/></item><item><title><![CDATA[શિલ્પા શિંદેના જુઠ્ઠાણા પર ભડકી હિના ખાન, કહ્યું- જો તે Bigg Bossમાં આવું બોલતી તો... ]]></title><link>https://sandesh.com/entertainment/news/hina-khan-furious-over-shilpa-shindes-lies-said-if-she-had-said-this-in-bigg-boss</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/hina-khan-furious-over-shilpa-shindes-lies-said-if-she-had-said-this-in-bigg-boss</guid><pubDate>Thu, 09 Jul 2026 15:58:53 +05:30</pubDate><description><![CDATA[<p>લોકપ્રિય ટીવી અભિનેત્રી શિલ્પા શિંદેએ તાજેતરમાં એક એવો ખુલાસો કર્યો છે જેની સોશિયલ મીડિયા પર લોકોએ આકરી ટીકા કરી છે. કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા દ્વારા આયોજિત પોડકાસ્ટ પર બોલતા શિલ્પાએ કહ્યું કે તેણે ભાભીજી ઘર પર હૈ શોના નિર્માતા સંજય કોહલી પર જાતીય સતામણીના ખોટા આરોપો લગાવ્યા છે. હિના ખાને અગાઉ ઘણી વખત આ સમગ્ર વિવાદ અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.</p><p><br></p><h2><b>હિના ખાને શિલ્પા શિંદે પર સાધ્યું નિશાન&nbsp;</b></h2><p>હવે, હિના ખાને ફરી એકવાર શિલ્પા શિંદે પર પ્રહાર કર્યા છે. તેણે અભિનેત્રી દ્વારા કહેવામાં આવેલા આ જુઠ્ઠાણાને લઈને આકરા પ્રહારો કર્યા છે. હિના તાજેતરમાં રૂબીના દિલૈકના પોડકાસ્ટ પર તેના પાર્ટનર રોકી જયસ્વાલ સાથે જોવા મળી હતી. જ્યાં તેણે શિલ્પા શિંદે પર નિશાન સાધ્યું હતું. રોકીએ કોમેન્ટ કરતા કહ્યું હતું કે, "જે કરન્સી બની છેને, તે છે કોન્ટ્રોવર્સી."</p><p><br></p><h3><b>મેકર્સે મારી જીંદગી ખરાબ કરી</b></h3><p>આ પછી હિનાએ તેની ભૂતપૂર્વ બિગ બોસ સહ-સ્પર્ધક શિલ્પા પર નિશાન સાધતા કહ્યું, "તેણે આ બધું બિગ બોસ પર કહ્યું - 'મારી સાથે આવું થયું,' 'મારી સાથે અન્યાય થયો,' 'મારું બધું બરબાદ થઈ ગયું,' 'નિર્માતાઓએ મારું જીવન બરબાદ કરી દીધું' - શું તેણે એક વાર પણ કહ્યું કે સતામણીના બદલામાં તેણે પ્રોડ્યુસર વિરુદ્ધ કેસ દાખલ કર્યો? કારણ કે તે જાણતી હતી કે જો તેઆવું કહ્યું, તો તે ક્યારેય જીતી શકશે નહીં."</p><p><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DaiCRATtMF7/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DaiCRATtMF7/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a></p><p><br></p><h4><b>ગૌરવ ખન્ના અને આકાંક્ષા ચમોલાના સંબંધો પર ઉઠાવ્યા સવાલ</b></h4><p>પોડકાસ્ટ દરમિયાન રૂબીના દિલૈકે ગૌરવ ખન્ના અને આકાંક્ષા ચમોલા વચ્ચેના સંબંધો અંગે પ્રશ્નો ઉઠાવ્યા. રૂબીનાએ કહ્યું, "લોકો 'સારા પતિ' અથવા 'સારી પત્ની' હોવાનો ઢોંગ કરે છે. 'સારા પતિ' વિશે - અમે એક વાર કેમેરાની બહાર કંઈક સાંભળ્યું હતું; જ્યારે પૂછવામાં આવ્યું કે, 'તમે તમારી પત્નીને સાથે કેમ નથી લઈ જતા?', ત્યારે તેમણે જવાબ આપ્યો, 'હું રૂબીના અને અભિનવની જેમ મારા લગ્નની મજાક ઉડાવવા માંગતો નથી.'</p><p><br></p><h5><b>તમે બસ દેખાડો કરી રહ્યા છો</b></h5><p>આ પછી હિના ખાને કહ્યું, "જો તેઓ એક વર્ષથી અલગ રહી રહ્યા છે, તો પછી ચાર-પાંચ મહિના પહેલા જ યુટ્યુબ પર તેમને એકબીજાને આશ્ચર્યચકિત કરતા વીડિયો કેમ બનાવવામાં આવી રહ્યા હતા? તમે ફક્ત જાહેરમાં સારા પતિ-પત્ની હોવાનો દેખાવ કરી રહ્યા છો." નોંધનીય છે કે આકાંક્ષા ચમોલા હાલમાં રિયાલિટી શો 'લોક-અપ 2' માં જોવા મળી રહી છે. તેના પ્રીમિયર દરમિયાન તેણીએ ખુલાસો કર્યો કે તે ગૌરવ ખન્ના સાથે છૂટાછેડા લેવા જઈ રહી છે. તે બન્ને છેલ્લા એક વર્ષથી અલગ રહી રહ્યું છે.</p><p><br></p><p><b><span style="font-size: 18px;">આ પણ વાંચો: </span><a href="https://sandesh.com/sports/news/cricket/ind-vs-eng-4th-t20-bristol-weather-rain-forecast" target="_blank"><span style="font-size: 18px;">IND vs ENG: વરસાદ બનશે વિલન? આજે ભારત-ઇંગ્લેન્ડની મેચ દરમિયાન કેવું રહેશે બ્રિસ્ટલનું વાતાવરણ</span></a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/09/driNMIKJEmxj0UPEX4zSsjAXIAi5raqNoLgQVtI1.webp'/></item><item><title><![CDATA[Stock Market Closing: શેરબજારમાં તેજી, સેન્સેક્સ 76,741 અંકે બંધ ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-closing-stock-market-rebounds-sensex-closes-at-76741-points</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-closing-stock-market-rebounds-sensex-closes-at-76741-points</guid><pubDate>Thu, 09 Jul 2026 15:39:27 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય શેરબજારમાં ગુરુવારે મજબૂતી જોવા મળી છે. ઓટો અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેર્સમાં ખરીદીના દમ પર બજાર લીલા નિશાનમાં કારોબાર કરતુ જોવા મળ્યું. બપોરે 3.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં બંધ થાય.</p><h2><b>શેરબજાર તેજી સાથે બંધ&nbsp;</b></h2><p>સેન્સેક્સ 238 પોઇન્ટના વધારા સાથે 76,741 અંકે બંધ થયો છે. જ્યારે નિફ્ટી +80.75 પોઇન્ટના વધારા સાથે 23,962.80 અંકે બંધ થયો. ભારતી એરટેલ, સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ અને આઇશર મોટર્સ નિફ્ટી50 ઇન્ડેક્સમાં ટોચના તેજીમાં હતા. આ શેરોમાં મજબૂત ખરીદીએ બજારને ટેકો આપ્યો.</p><h3><b>મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પ્રભાવશાળી તેજી</b></h3><p>બેન્ચમાર્ક સૂચકાંકોની સાથે, વ્યાપક બજારમાં પણ ખરીદીનો ટ્રેન્ડ જોવા મળ્યો. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ અને નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સ અનુક્રમે 1.53% અને 1.93% ના વધારા સાથે ટ્રેડ કરી રહ્યા હતા.</p><p>મિડકેપ અને સ્મોલકેપ સેગમેન્ટમાં કેપ્રી ગ્લોબલ અને સ્વિગી મુખ્ય વધનારાઓમાં સામેલ હતા.</p><h3><b>સૌથી વધુ ખરીદી શેમાં જોવા મળી</b></h3><p>ક્ષેત્રીય સૂચકાંકોની દ્રષ્ટિએ, નિફ્ટી રિયલ્ટી, નિફ્ટી મીડિયા અને નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં સૌથી નોંધપાત્ર વધારો જોવા મળ્યો. બીજી તરફ, નિફ્ટી આઇટી ઇન્ડેક્સ દબાણ હેઠળ રહ્યો, જેમાં સેક્ટરમાં વેચાણનો ટ્રેન્ડ જોવા મળ્યો.&nbsp;તે જ સમયે, નિફ્ટી આઇટી ઇન્ડેક્સ સૌથી વધુ ઘટાડા સાથેનું ક્ષેત્ર હતું, જેના કારણે ટેક શેરો પર દબાણ હતું.</p><p><br></p><h4><b>બજારો પશ્ચિમ એશિયાના તણાવ પર નજીકથી નજર</b></h4><p></p><p>તાજેતરના દિવસોમાં પશ્ચિમ એશિયામાં વધતા ભૂ-રાજકીય તણાવને કારણે વૈશ્વિક નાણાકીય બજારોમાં ચિંતા વધી ગઈ છે. આ વચ્ચે, કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર નિલેશ શાહ, પ્રવર્તમાન ભૂ-રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રોકાણકારોને તેમની વળતરની અપેક્ષાઓ મધ્યમ રાખવાની સલાહ આપે છે. તેમનું માનવું છે કે વૈશ્વિક વિકાસ નજીકના ભવિષ્યમાં બજારની ગતિવિધિઓને પ્રભાવિત કરી શકે છે.</p><p><br></p><p><br><a href="https://sandesh.com/astrology/news/bhakti/budh-gochar-2026-bank-balance-of-3-zodiac-signs-will-increase-mercury-will-change-its-course" target="_blank">આ પણ વાંચો:  Budh Gochar 2026: 3 રાશિનું બેંક બેલેન્સ વધશે ! બુધ બદલશે ચાલ&nbsp;</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2024/12/23/kvbnCedElBnNc4v80b8xGl69tkyQbQ7MbeYqfvZy.jpg'/></item></channel></rss>