<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabad Rath Yatra 2026: 149મી અષાઢી બીજની રથયાત્રા પૂર્વે જળયાત્રા માટે અમદાવાદ પોલીસ સજ્જ, યોજાયું ફુલ-સ્કેલ રિહર્સલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/jagannath-rath-yatra-2026-jalyatra-police-rehearsal</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/jagannath-rath-yatra-2026-jalyatra-police-rehearsal</guid><pubDate>Sun, 28 Jun 2026 19:06:53 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદમાં આગામી સમયમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની 149 મી ભવ્ય રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે તે પૂર્વે યોજાનારી પરંપરાગત જળયાત્રાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા રવિવારે જળયાત્રાના સમગ્ર રૂટ પર એક ફુલ-સ્કેલ રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જળયાત્રા જમાલપુર જગન્નાથ મંદિરથી નીકળીને સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરા સુધી પરંપરાગત રીતે યોજાશે, જેને લઈને વહીવટી અને ધાર્મિક તૈયારીઓ આખરી તબક્કામાં છે.</p><h2><b>500થી વધુ પોલીસકર્મીઓ તૈનાત</b></h2><p>ભગવાનની જળયાત્રા શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થાય તે માટે અમદાવાદ પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા દરમિયાન 500થી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને જવાનો તૈનાત રહેશે. રવિવારે યોજાયેલા રિહર્સલ દરમિયાન કાફલાની મૂવમેન્ટ, ઈમરજન્સી સેફ્ટી, ટ્રાફિક મેનેજમેન્ટ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી, જેથી મુખ્ય દિવસ પર કોઈ અડચણ ન ઊભી થાય.</p><h2><b>ટેકનોલોજીથી સજ્જ સુરક્ષા</b></h2><p>આ વર્ષે સુરક્ષા વ્યવસ્થામાં આધુનિક ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રથયાત્રા અને જળયાત્રાના રૂટ પર આવતીકાલે રાત્રિથી જ હાઈટેક ઇ-વ્હીકલ દ્વારા ખાસ પોલીસ પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવશે. આ સાથે જ સમગ્ર રૂટ પર લગાડવામાં આવેલા CCTV કેમેરા નેટવર્કનું ટેસ્ટિંગ પણ શરૂ કરી દેવાયું છે. યાત્રા દરમિયાન અસામાજિક તત્વો પર નજર રાખવા માટે ડ્રોન કેમેરા દ્વારા એરિયલ સર્વેલન્સ કરવામાં આવશે, જેનાથી સુરક્ષા વ્યવસ્થા એકદમ ચુસ્ત અને અભેદ બનશે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/lord-jagannath-jalyatra-preparations-completed-one-hundred-eight-kalash-gangapujan-at-bhudhar-river" target="_blank">Ahmedabad: ભગવાન જગન્નાથજીની પાવન જળયાત્રાની તૈયારીઓ પૂર્ણ, 108 કળશ સાથે થશે વિધિવત ગંગાપૂજન</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/28/4hbjmGGa04kQ72OQ0rm5w5n9Rp0jHvBqUPqzmfz4.webp'/></item><item><title><![CDATA[Gir Somnath પોલીસે મહારાષ્ટ્રના પોક્સો અને બળાત્કારના ગુનામાં ફરાર નરાધમની વેરાવળથી કરી ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gir-somnath/gir-somnath-police-arrests-fugitive-naradham-from-veraval-in-maharashtra-pocso-and-rape-cases</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gir-somnath/gir-somnath-police-arrests-fugitive-naradham-from-veraval-in-maharashtra-pocso-and-rape-cases</guid><pubDate>Sun, 28 Jun 2026 19:03:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ સઘન પેટ્રોલિંગ અને વોન્ટેડ આરોપીઓને પકડવા માટે સતત કાર્યરત છે. આ અંતર્ગત વેરાવળ સિટી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોડને એક મોટી અને મહત્વપૂર્ણ સફળતા હાથ લાગી છે. મહારાષ્ટ્ર રાજ્યના એક ગંભીર ગુનામાં છેલ્લા 6 મહિનાથી પોલીસને હાથતાળી આપીને નાસતો-ફરતો એક શાતિર આરોપી વેરાવળ શહેરમાં છુપાયો હોવાની સચોટ બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ચોક્કસ પ્લાન બનાવી દરોડો પાડી આ વોન્ટેડ આરોપીને દબોચી લીધો હતો.</p><h2 style="text-align: justify; ">નઈમ પંજા પોક્સો અને અપહરણના ગુનામાં હતો વોન્ટેડ</h2><p style="text-align: justify; ">પોલીસના સકંજામાં આવેલા આ આરોપીની પૂછપરછ કરતા તેની ઓળખ 24 વર્ષીય નઈમ મુસ્તાકભાઈ પંજા તરીકે થઈ છે. આ આરોપી મહારાષ્ટ્રમાં નોંધાયેલા એક અત્યંત ગંભીર ગુનામાં સંડોવાયેલો હતો, જેમાં તેના વિરૂદ્ધ સગીરાનું અપહરણ, બળાત્કાર, પોક્સો (POCSO) એક્ટ તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) એક્ટની વિવિધ કડક કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર પોલીસ છેલ્લા અડધા વર્ષથી તેની શોધખોળ કરી રહી હતી, પરંતુ તે પોતાની ધરપકડ ટાળવા માટે સતત લોકેશન બદલીને અંતે ગુજરાતના દરિયાકાંઠાના વેરાવળ શહેરમાં આવીને આશરો લઈ રહ્યો હતો.</p><h3 style="text-align: justify; ">કાનૂની કાર્યવાહી બાદ આરોપીને મુંબરા પોલીસને સોંપાયો</h3><p style="text-align: justify; ">વેરાવળ સિટી પોલીસે આરોપી નઈમ પંજાની અટકાયત કરીને કાયદેસરની પ્રાથમિક ઓપચારિકતાઓ પૂર્ણ કરી હતી. ત્યારબાદ આ મામલે મહારાષ્ટ્રની સંબંધિત મુંબરા પોલીસ સ્ટેશનને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. વેરાવળ પોલીસે તમામ કાનૂની દસ્તાવેજી પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ આરોપીનો કબજો મુંબરા પોલીસની ટીમને સોંપી દીધો છે. રાજ્ય બહારના આવા ગંભીર અને નાસતા-ફરતા ગુનેગારોને ઝડપી પાડવામાં ગીર સોમનાથ પોલીસે વધુ એક વખત પોતાની ઉચ્ચ વ્યાવસાયિક કુશળતા અને સજાગતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/28/D2UFIRIFgVUZBqj0PaHnbVRe1NAmTZIMFTM4diWL.webp'/></item><item><title><![CDATA[NEET UG Re-Exam 2026: 2.79 લાખ વિદ્યાર્થી રહ્યા ગેરહાજર, જાણો મેડિકલ બેઠકો પર શું થશે અસર? ]]></title><link>https://sandesh.com/india/news/neet-ug-re-exam-2026-279-lakh-students-remained-absent-know-what-will-be-the-impact-on-medical-seats</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/neet-ug-re-exam-2026-279-lakh-students-remained-absent-know-what-will-be-the-impact-on-medical-seats</guid><pubDate>Sun, 28 Jun 2026 18:59:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ફક્ત 2 મિલિયન વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા, એટલે કે 2.79 મિલિયન વિદ્યાર્થીઓ હાજર રહ્યા ન હતા.</p><h2 style="text-align: justify; ">ગેરહાજરી બાબતે ઉઠ્યા પ્રશ્નો&nbsp;</h2><p style="text-align: justify; ">NEET UGની ફરીથી પરીક્ષામાં અપેક્ષા કરતા ઓછી વિદ્યાર્થીઓની હાજરી જોવા મળી હતી. નેશનલ ટેસ્ટિંગ એજન્સી અનુસાર, 21 જૂને યોજાયેલી પરીક્ષામાં ફક્ત 2 મિલિયન વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. એટલે કે 2.79 મિલિયન વિદ્યાર્થીઓ હાજર રહ્યા ન હતા. આ પ્રશ્ન એટલા માટે ઉઠાવવામાં આવી રહ્યો છે કારણ કે કુલ 2.279 મિલિયન વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે નોંધણી કરાવી હતી. પરંતુ તેમાંથી 2.79 લાખ વિદ્યાર્થીઓ હાજર રહ્યા ન હતા. જોકે, વિદ્યાર્થીઓની ઘટેલી સંખ્યાએ ચોક્કસપણે MBBS બેઠકો માટે સ્પર્ધા ઘટાડી છે.</p><h3 style="text-align: justify; ">આંકડાઓ શું કહે છે ?&nbsp;</h3><p style="text-align: justify; ">અહેવાલો દર્શાવે છે કે 87.75 ટકા વિદ્યાર્થીઓએ ફરીથી NEET પરીક્ષા આપી હતી, જ્યારે 3 મેની પરીક્ષામાં 96.72 ટકા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ઘણા મીડિયા અહેવાલો સૂચવે છે કે 2021 થી 2026 સુધી આ સૌથી વધુ ગેરહાજરી દર છે.</p><h4 style="text-align: justify; ">ફરીથી NEET 2026 ગણતરી</h4><p style="text-align: justify; ">કુલ નોંધણી: 2,279,743</p><p style="text-align: justify; ">છોકરીઓ: 58% (1,332,928)</p><p style="text-align: justify; ">છોકરાઓ: 42% (946,815)</p><p style="text-align: justify; ">પહેલી પરીક્ષામાં હાજરી: 96.72% (2,205,035)</p><p style="text-align: justify; ">બીજી પરીક્ષામાં હાજરી: 87.75% (2 મિલિયન)</p><h5 style="text-align: justify; ">સ્પર્ધાઓ ઘટી ?&nbsp;</h5><p style="text-align: justify; ">પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની ઘટેલી સંખ્યામાં ચોક્કસપણે MBBS બેઠકો માટેની સ્પર્ધામાં ઘટાડો થયો છે. 2026નો ડેટા દર્શાવે છે કે 780 મેડિકલ બેઠકોમાંથી લગભગ 1,18,190 MBBS બેઠકો ઉપલબ્ધ છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/india/news/jammu-kashmir-news-cisf-personnel-bus-falls-into-valley-near-katra-9-injured-3-in-critical-condition" target="_blank">કટરા નજીક CISF જવાનોની બસ ખીણમાં ખાબકી, 9 ઘાયલ, 3ની હાલત ગંભીર</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/28/KXj0nE5cHnsBJ07cWxkfN9zWLh8OA3fhsG5kXH5O.webp'/></item><item><title><![CDATA[Amreli News: જાફરાબાદના ધોળાદ્રીમાં દીપડાનો આતંક; શ્વાનનો શિકાર કરતી લાઈવ ઘટના CCTVમાં થઈ કેદ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/amreli-news-leopard-terror-in-dholadri-jafrabad-live-incident-of-dog-hunting-captured-on-cctv</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/amreli-news-leopard-terror-in-dholadri-jafrabad-live-incident-of-dog-hunting-captured-on-cctv</guid><pubDate>Sun, 28 Jun 2026 18:23:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના જાફરાબાદ પંથકમાં વન્યજીવો દ્વારા માનવ વસ્તી તરફ પલાયન થવાની અને પાલતુ પશુઓ પર હુમલા કરવાની ઘટનાઓ સતત વધી રહી છે. જાફરાબાદ તાલુકાના ધોળાદ્રી ગામમાં મોડી રાત્રે એક ખૂંખાર દીપડો શિકારની શોધમાં ગામની શેરીઓમાં ઘૂસી આવ્યો હતો. ગામના એક રહેણાંક વિસ્તારની ગલીમાં શાંતિથી બેઠેલા શ્વાન (કૂતરા) પર દીપડાએ અચાનક હિંસક હુમલો કર્યો હતો. આ હુમલો એટલો જોરદાર હતો કે ગણતરીની સેકન્ડોમાં જ દીપડો કદાવર શ્વાનને પોતાના મજબૂત જડબામાં દબોચીને અંધારામાં ફરાર થઈ ગયો હતો.</p><h2 style="text-align: justify; ">શિકારની હૃદયકંપાવનારી ઘટના CCTV કેમેરામાં કેદ</h2><p style="text-align: justify; ">ગામની ગલીમાં બનેલી આ હૃદયકંપાવનારી લાઈવ ઘટના ત્યાં નજીકના મકાન પર લગાવેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે દીપડો કઈ રીતે દબાતા પગલે આવે છે અને પલકારામાં શ્વાન પર ત્રાટકે છે. દીપડાના હુમલા સમયે આસપાસના અન્ય શ્વાનો જીવ બચાવવા ભાગ્યા હતા અને જોરજોરથી રાડા રાડ (ભસવાનું) શરૂ કરી મૂક્યું હતું. આ રોમાંચક અને ડરામણો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ વન્યજીવ પ્રેમીઓ અને સ્થાનિક લોકોમાં ભારે ચર્ચા જાગી છે.</p><h3 style="text-align: justify; ">ગામમાં ભયનો માહોલ, વન વિભાગ સમક્ષ પાંજરું મૂકવા માંગ</h3><p style="text-align: justify; ">આ ઘટનાને પગલે ધોળાદ્રી ગામ સહિત આસપાસના વિસ્તારોના ગ્રામજનોમાં ભારે ભય અને ફફડાટનો માહોલ વ્યાપી ગયો છે. સ્થાનિકોને હવે રાત્રિના સમયે ઘરની બહાર નીકળવામાં કે પશુઓને બાંધવામાં મોટો ડર લાગી રહ્યો છે. ગ્રામજનોએ આ બાબતની જાણ વન વિભાગને કરી છે અને માગણી કરી છે કે આ માનવભક્ષી કે હિંસક દીપડાને પકડવા માટે ગામની સીમમાં તાત્કાલિક પાંજરું ગોઠવવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષ નાગરિક કે બાળક તેનો શિકાર ન બને.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/28/hjfqFvv4BD0aogSCwfk5RnNJ0RVUNb6eKs1tcy1Q.webp'/></item><item><title><![CDATA[Ayodhya : રામ મંદિર દાન ચોરી મામલે SITની તાબડતોબ કાર્યવાહી, 8 આરોપીઓના ઘરે પોલીસના દરોડા ]]></title><link>https://sandesh.com/india/news/ayodhya-ram-mandir-donation-scam-sit-raid-8-accused-homes</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ayodhya-ram-mandir-donation-scam-sit-raid-8-accused-homes</guid><pubDate>Sun, 28 Jun 2026 17:39:13 +05:30</pubDate><description><![CDATA[<p>અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિરના દાનમાં થયેલી કથિત ચોરી અને ગેરરીતિના મામલે ઉત્તર પ્રદેશ સરકારની વિશેષ તપાસ ટીમ (SIT) અને સ્થાનિક પોલીસે તપાસ વધુ તેજ બનાવી છે. કેસમાં ધરપકડ કરાયેલા તમામ 8 આરોપીઓના ઘર અને અન્ય સંભવિત ઠેકાણાઓ પર પોલીસ અને રાજસ્વ વિભાગની ટીમે દરોડા પાડી વધુ પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANINewsUP/status/2070468849535955041"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>અંદાજે 80 લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત</b></h2><p>પોલીસ અત્યાર સુધીમાં આ કેસમાં અંદાજે 80 લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી ચૂકી છે. તપાસ એજન્સીઓને શંકા છે કે મુખ્ય આરોપી રામશંકર યાદવ ઉર્ફે ટિન્નૂ, અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા સહિત અન્ય આરોપીઓ પાસેથી હજુ પણ વધુ રકમ અથવા મહત્વના પુરાવા મળી શકે છે. દરોડા દરમિયાન ટિન્નૂ યાદવના નિવાસસ્થાને ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. તેના ભત્રીજા મનીષ યાદવના ઘરે સૌથી વધુ રોકડ મળી હોવાનું કહેવાય છે, પરંતુ દરોડા સમયે ઘર પર તાળું લાગેલું મળ્યું હતું.&nbsp;</p><h3><b>આ કેસ 7 જૂને પ્રથમવાર ચર્ચામાં આવ્યો</b></h3><p>અનુકલ્પ મિશ્રાના નવા મકાન અને મિલકતોની પણ તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે લવકુશ મિશ્રાના પરિવારજનો ભાડાના મકાનને તાળું મારીને ફરાર હોવાનું સામે આવ્યું છે. અન્ય આરોપીઓના રહેઠાણે પણ સઘન તપાસ ચાલી રહી છે. આ કેસ 7 જૂને પ્રથમવાર ચર્ચામાં આવ્યો હતો. ત્યારબાદ રાજ્ય સરકારે 13 જૂને ત્રણ સભ્યોની SITની રચના કરી હતી.</p><h4><b>25 જૂને આઠ આરોપીઓ સામે FIR નોંધાઈ</b></h4><p>તપાસ દરમિયાન ટ્રસ્ટના અધિકારીઓ, બેન્ક અધિકારીઓ અને નોટ ગણતરી કરતી ખાનગી એજન્સીના પ્રતિનિધિઓની પૂછપરછ કરવામાં આવી હતી. 25 જૂને આઠ આરોપીઓ સામે FIR નોંધાઈ અને 26 જૂને તમામની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ 80 લાખ રૂપિયાની વસૂલાત થઈ હતી. હવે તપાસ એજન્સીઓ વધુ પુરાવા અને નાણાકીય વ્યવહારોની કડી શોધવા માટે કાર્યવાહી આગળ વધારી રહી છે.<br><br><a href="https://sandesh.com/india/news/amarnath-yatra-2026-jammu-and-kashmir-police-on-alert-ahead-of-amarnath-yatra-mountain-rescue-team-conducts-mock-drills-at-18-locations" target="_blank"><b>આ પણ વાંચો : Amarnath Yatra 2026: અમરનાથ યાત્રા પહેલા જમ્મુ અને કાશ્મીર પોલીસ એલર્ટ પર, માઉન્ટેન રેસ્ક્યુ ટીમે 18 સ્થળે કરી મોક ડ્રીલ</b></a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/28/EYzErpqEHieU2RKC03Ugesj5Rj7MHxs74AW474iO.webp'/></item><item><title><![CDATA[ભારતીય સેનાના બે સૈનિકોએ રચ્યો ઈતિહાસ, વર્લ્ડ રોઈંગ કપમાં જીત્યો પહેલો ગોલ્ડ મેડલ ]]></title><link>https://sandesh.com/sports/news/-india-first-gold-world-rowing-cup-2026-lakshya-ujjwal-singh</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/-india-first-gold-world-rowing-cup-2026-lakshya-ujjwal-singh</guid><pubDate>Sun, 28 Jun 2026 17:18:26 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય સેનાના બે સૈનિકો લક્ષ્ય અને ઉજ્જવલ કુમાર સિંહે સ્વિટ્ઝર્લેન્ડના લ્યુસર્નમાં 2026 વર્લ્ડ રોઈંગ કપ III માં આ ઈવેન્ટમાં દેશનો પ્રથમ ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો.&nbsp;</p><p style="text-align: justify; ">લાઈટવેઈટ મેન્સ ડબલ સ્કલ્સ ફાઈનલમાં લક્ષ્ય અને ઉજ્જવલ કુમાર સિંહની ભારતીય જોડીએ શાનદાર પ્રદર્શન કર્યું અને 6 મિનિટ 26.09 સેકન્ડના સમય સાથે પ્રથમ સ્થાને રહી. તેમને હોંગકોંગ અને નેધરલેન્ડ્સની જોડી તરફથી કઠિન સ્પર્ધાનો સામનો કરવો પડ્યો પરંતુ તેઓ તેમને પાછળ રાખવામાં સફળ રહ્યા.</p><h2 style="text-align: justify; "><b>દેશે વર્લ્ડ રોઈંગ કપ કેટેગરીમાં પ્રથમ વખત ગોલ્ડ જીત્યો</b></h2><p style="text-align: justify; ">લક્ષ્ય અને ઉજ્જવલ કુમાર સિંહ હવે તેમની પ્રથમ વર્લ્ડ રોઈંગ કપ કેટેગરીમાં દેશ માટે ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય જોડી બન્યા છે. તેઓએ 6:26.09 ના સમય સાથે પૂર્ણ કર્યું, હોંગકોંગના સાન તુંગ લેમ અને ટિક લુન ચાન, જેમણે 6:27.14 ના સમય સાથે પૂર્ણ કર્યું, તેઓ પાછળ રહ્યા.&nbsp;</p><p style="text-align: justify; ">આ ઈવેન્ટમાં ત્રીજા સ્થાને નેધરલેન્ડ્સના એરિક વાન એઈજક વાન હેસ્લિંગા અને ફ્રેડરિક પ્લોગ હતા, જેમણે 6:27.36 ના સમય સાથે પૂર્ણ કર્યું. લક્ષ્ય અને ઉજ્જવલ કુમાર સિંહ બંને ભારતીય સેનાના સૈનિકો છે અને લ્યુસર્નમાં ભારતીય ટુકડીનો ભાગ છે. રેગાટામાં ભાગ લેનાર 18 સભ્યોની ટીમમાંથી 17 એથ્લેટ ભારતીય સેનાના છે અને એક ભારતીય નૌકાદળનો છે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/IA_SportsAdvntr/status/2071075238507598183"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p style="text-align: justify; ">આ રેગાટા લ્યુસર્નના પ્રખ્યાત રોટસી તળાવ પર યોજાયો હતો, જે તેના શાંત પાણી અને ઓલિમ્પિક-માનક, 2000-મીટર-લાંબા, 6-લેન કોર્સને કારણે વિશ્વના બેસ્ટ રોઈંગ સ્થળોમાંનું એક માનવામાં આવે છે.</p><h3 style="text-align: justify; "><b>આ પહેલા તેમને ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા</b></h3><p style="text-align: justify; ">વર્લ્ડ રોઈંગ કપમાં ગોલ્ડ મેડલ જીત્યા પહેલા ભારતે 3 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. પહેલો મેડલ 2009માં મહિલા વર્ગમાં આવ્યો હતો, જ્યારે બીજો અને ત્રીજો મેડલ 2019 અને 2022 માં પેરા યુગલ કેટેગરીમાં જીત્યો હતો.&nbsp;</p><p style="text-align: justify; ">26-28 જૂન દરમિયાન લ્યુસર્નમાં યોજાયેલા વર્લ્ડ રોઈંગ કપ III માં 42 દેશોના 650 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો, અને આ વર્ષના અંતમાં વર્લ્ડ રોઈંગ ચેમ્પિયનશિપ તરફ એક મુખ્ય પગલું છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/entertainment/virat-kohli-photos-with-son-akaay-anushka-sharma" target="_blank">Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/28/oaqkNByXftD0Eul1pToLW4QcyFP9BQymxsCeZiIt.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: સાબરમતી વિધાનસભાની ચિંતન શિબિર: 'હોદ્દો જુદી વસ્તુ છે ને કાર્ય જુદી વસ્તુ', સંગઠન અને પર્યાવરણ મુદ્દે CM ભૂપેન્દ્ર પટેલનું મોટું નિવેદન! ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/sabarmati-chintan-shibir-cm-bhupendra-patel-chandlodia</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/sabarmati-chintan-shibir-cm-bhupendra-patel-chandlodia</guid><pubDate>Sun, 28 Jun 2026 17:13:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા વિશ્વકર્મા મંદિર ખાતે સાબરમતી વિધાનસભાની વિશેષ ચિંતન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ હાજરી આપીને કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. તેમણે ભાજપના 'બુથ શક્તિ મોડલ'ને સંગઠનનો અસલી પાયો ગણાવ્યો હતો અને પાયાના કાર્યકર્તાઓની મહેનતને બિરદાવી હતી.</p><h2 style="text-align: justify; "><b>'મારી કદર નથી થતી એવું લાગે' CM એ કાર્યકર્તાઓને આપી શીખ</b></h2><p style="text-align: justify; ">મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં કાર્યકર્તાઓને ટકોર કરતા અને સમજાવતા કહ્યું કે, ઘણીવાર આપણને એમ થાય કે મારી તો કોઈ કદર જ નથી થતી, પણ યાદ રાખજો કે, હોદ્દો જુદી વસ્તુ છે અને કાર્ય જુદી વસ્તુ છે. તેમણે હળવા અંદાજમાં એવું પણ ઉમેર્યું કે, ઘણા કાર્યકર્તાઓ એવા હોય છે, જે અમે આવીએ ત્યારે જ જોશથી 'ભારત માતા કી જય' બોલાવે છે, અને પછી ધારાસભ્યને પૂછીએ તો કહે કે એ તો તમે આવ્યા એટલે આવ્યા હતા!</p><h2 style="text-align: justify; "><b>મોદી-શાહના સંગઠન કાર્યના વખાણ</b></h2><p style="text-align: justify; ">મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના સંગઠન કૌશલ્યની પ્રશંસા કરતા કહ્યું કે, બુથ સશક્ત કરવાનો અર્થ એ છે કે બુથના દરેક ઘરમાં આપણી ઓળખ હોવી જોઈએ. ભાજપ માત્ર ઇલેક્શન માટે કામ કરતી પાર્ટી નથી. તેમણે અમિત શાહ સાથે થયેલી ચર્ચાનો હવાલો આપીને જણાવ્યું કે, જનતા તરફથી જે પણ ફરિયાદો આવે, તેને વાંચીને તુરંત નિકાલ કરવો એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. મોટી પાર્ટીમાં નાના-મોટા મતભેદ રહેવાના, પણ ભારત માતા કી જય સાંભળતા જ આપણે સાથે મળીને કામ પર લાગી જઈએ છીએ.</p><h2 style="text-align: justify; "><b>પર્યાવરણ પર આપ્યો ભાર: ગાંધીનગર લોકસભા ગ્રીન કવરમાં ટોપ પર</b></h2><p style="text-align: justify; ">રાજકીય ચર્ચાની સાથે મુખ્યમંત્રીએ ગ્રીન કવર વધારવા અને પર્યાવરણ સુરક્ષા પર વિશેષ ભાર મૂક્યો હતો. કોરોના કાળને યાદ કરતા તેમણે કહ્યું કે, પૈસા ગમે તેટલા હોય પણ હોસ્પિટલમાં ઓક્સિજન અને જગ્યા ન મળે તો શું કામના? અત્યારે તાપમાન 48 ડિગ્રી સુધી પહોંચે છે, જો તે 52 ડિગ્રી થશે તો મોટી તકલીફ પડશે. તેમણે ગર્વભેર જણાવ્યું કે, આખા દેશમાં સૌથી વધુ ગ્રીન કવર ક્યાંય વધ્યું હોય તો તે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વધ્યું છે. આપણે ઉદ્યોગ અને પર્યાવરણ બંનેને સાથે રાખીને આગળ વધવાનું છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/vastral-parjanya-yagna-rain-prayers-varundev" target="_blank">Ahmedabad News: વસ્ત્રાલમાં ચોમાસાની ખેંચ વચ્ચે યોજાયો 'પર્જન્ય યજ્ઞ', વરુણદેવને રીઝવવા આહુતિઓ અપાઈ!</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/28/8zVAEExkHVOQaMqaEjbjt6e1g9ZMKTXjRhnpg3z5.webp'/></item><item><title><![CDATA[Flop Producer : પહેલી હિટ બાદ સતત ફ્લોપ ફિલ્મો આપતો રહ્યો આ બોલીવુડ પ્રોડ્યુસર, પછી દીકરાએ સંભાળી કમાન ]]></title><link>https://sandesh.com/entertainment/news/bollywood-flop-producer-back-to-back-failures-son-takes-over-family-legacy</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/bollywood-flop-producer-back-to-back-failures-son-takes-over-family-legacy</guid><pubDate>Sun, 28 Jun 2026 16:42:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હિન્દી સિનેમાના કેટલાય એક્ટર જ નહીં પરંતુ પ્રોડ્યુસર પણ એવા છે, જેઓ સતત મહેનત પછી પણ કંઈ ખાસ કરી શક્યા નથી. આજે અમે તમને એક એવા જ પ્રોડ્યુસર વિશે જણાવી રહ્યા છીએ.&nbsp; અમે જેમની વાત કરી રહ્યા છીએ, તે કોઈ બીજા નહીં પરંતુ યશ જોહર છે. યશ જોહરને ખબર નહોતી કે આવનારા સમયમાં શું થશે અને તેઓ કેટલાક પૈસા લઈને મુંબઈ આવી ગયા હતા. મુંબઈ આવ્યા પછી તેમણે નોકરીની શોધ શરૂ કરી અને એક અંગ્રેજી ન્યૂઝપેપરમાં તેમને ફોટોગ્રાફરનું કામ મળી ગયું.</p><h2 style="text-align: justify; "><b>પ્રોડક્શન હાઉસમાં કર્યું કામ</b></h2><p style="text-align: justify; ">ધીમે-ધીમે યશ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાવા લાગ્યા અને ફિલ્મો તરફ તેમનો ઝુકાવ વધતો ગયો. તેમણે સુનિલ દત્તના પ્રોડક્શન હાઉસમાં કામ કર્યું અને પછીથી દેવાનંદની નવકેતન ફિલ્મ્સ સાથે જોડાઈ ગયા હતા. અહીં તેમણે કેટલાય વર્ષો સુધી કામ કર્યું. આ પછી તેમણે મોટું કદમ ઉઠાવ્યું અને પોતાની કંપની ધર્મા પ્રોડક્શન્સની સ્થાપના કરી. કેટલાય વર્ષોના અનુભવ પછી હવે તેઓ પોતે ફિલ્મો બનાવવા માગતા હતા અને એટલા માટે તેમણે પોતાની કંપની ખોલી દીધી.</p><h4 style="text-align: justify; "><b>ધર્મા પ્રોડક્શન્સની પહેલી ફિલ્મ</b></h4><p style="text-align: justify; ">ધર્મા પ્રોડક્શન્સની પહેલી ફિલ્મ દોસ્તાના હતી, જે વર્ષ 1980 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, શત્રુઘ્ન સિન્હા અને ઝીનત અમાન હતા અને આ એક સુપરહિત સાબિત થઈ હતી. એવું લાગ્યું કે યશ જોહરનું નસીબ ચમકી ગયું છે, પરંતુ એવું ન થયું અને સ્ટોરી પૂરી રીતે બદલાઈ ગઈ.</p><h4 style="text-align: justify; "><b>સતત ફ્લોપ થઈ ફિલ્મો</b></h4><p style="text-align: justify; ">આ પછી દુનિયા, મુકદ્દર કા ફેસલા, અગ્નિપથ, ગુમરાહ અને ડુપ્લિકેટ જેવી કેટલીય ફિલ્મો આવી, પરંતુ બોક્સ ઓફિસ પર આ ફિલ્મો અપેક્ષા મુજબ ચાલી શકી નહીં અને સતત ફ્લોપ થઈ રહેલી ફિલ્મોએ ધર્મા પ્રોડક્શન્સને આર્થિક સંકટમાં મૂકી દીધું.</p><h4 style="text-align: justify; "><b>મુશ્કેલ સમયમાંથી પસાર થયો પરિવાર</b></h4><p style="text-align: justify; ">ધીમે-ધીમે પરિસ્થિતિ બગડતી ગઈ અને યશ જોહરને પોતાની કેટલીક સંપત્તિઓ વેચવી પડી. એટલું જ નહીં પરંતુ પરિવાર પણ મુશ્કેલ સમયમાંથી પસાર થવા લાગ્યો, પરંતુ યશે હાર ન માની અને તેમણે ઇમ્પોર્ટ-એક્સપોર્ટ અને હેન્ડીક્રાફ્ટના બિઝનેસને સમય આપવાનું શરૂ કર્યું.<br><img title="Karan johar Yash johar (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/06/28/qOScnefoucqiGiITvhKcmKUJ1isOAb4Jptwp6VGV.webp"><br></p><h5 style="text-align: justify; "><b>કરણ જોહરે સંભાળી કમાન</b></h5><p style="text-align: justify; ">યશ જોહર સંઘર્ષ કરી રહ્યા હતા, પરંતુ તેમના પુત્ર કરણ જોહરે પોતાના પિતાના વારસાને આગળ વધાર્યો અને તેને એક નવું જીવન આપ્યું. કરણે નિર્દેશક તરીકે પોતાની પહેલી ફિલ્મ કુછ કુછ હોતા હૈ બનાવી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચી દીધો. ફિલ્મે માત્ર રેકોર્ડ જ ન તોડ્યા પરંતુ ધર્મા પ્રોડક્શન્સને પણ નવું જીવન આપી દીધું. આ પછી 2001 માં કભી ખુશી કભી ગમ આવી અને પછી 2003 માં કલ હો ના હો. ત્રણ મોટી સફળતાઓએ ધર્મા પ્રોડક્શન્સને બોલીવુડના સૌથી મોટા બેનરોમાં સામેલ કરી દીધું હતું.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/kriti-sanon-rumored-boyfriend-kabir-bahia-viral-photo-breakup-rumors-truth" target="_blank">આ પણ વાંચો-Kriti Sanonના સંબંધોમાં આવી તિરાડ? રૂમર્ડ બોયફ્રેન્ડ કબીર બહિયા બીજી યુવતી સાથે દેખાતા ઉઠ્યા સવાલો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/28/Xej1JC4FvZfjlvQx4jecJZxgkrZ4V3vm7P3Dlxiq.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: વસ્ત્રાલમાં ચોમાસાની ખેંચ વચ્ચે યોજાયો 'પર્જન્ય યજ્ઞ', વરુણદેવને રીઝવવા આહુતિઓ અપાઈ! ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/vastral-parjanya-yagna-rain-prayers-varundev</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/vastral-parjanya-yagna-rain-prayers-varundev</guid><pubDate>Sun, 28 Jun 2026 16:41:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ચોમાસાની સિઝન સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ હોવા છતાં, હજુ સુધી જોઈએ તેવો વરસાદ પડ્યો નથી. વરસાદના આ લાંબા વિરામના કારણે ચિંતાતુર બનેલા નાગરિકોએ હવે મેઘરાજાને રીઝવવા ધાર્મિક આશરો લીધો છે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં સ્થાનિક રહીશો દ્વારા વરુણદેવને પ્રસન્ન કરવા માટે ખાસ 'પર્જન્ય યજ્ઞ'નું આયોજન કરવામાં આવ્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>11 યજમાનોએ આપી આહુતિ</b></h2><p style="text-align: justify; ">વસ્ત્રાલ ખાતે યોજાયેલા આ પર્જન્ય યજ્ઞમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ ધાર્મિક કાર્યક્રમમાં કુલ 11 જેટલા યજમાનોએ એકસાથે બેસીને પવિત્ર અગ્નિમાં આહુતિઓ આપી હતી. હિન્દુ ધર્મની પૌરાણિક માન્યતા અનુસાર, જ્યારે પણ વરસાદની ભારે ખેંચ વર્તાય ત્યારે વરુણદેવ અને ઇન્દ્રદેવને પ્રીત કરવા માટે પર્જન્ય યજ્ઞ કરવાની પરંપરા છે, જે અંતર્ગત આ વિશેષ પૂજા સંપન્ન થઈ હતી.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2071197532647022846"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2 style="text-align: justify; "><b>ખેડૂતો અને અબોલ જીવો માટે પ્રાર્થના</b></h2><p style="text-align: justify; ">આ યજ્ઞનું મુખ્ય ઉદ્દેશ્ય ધરતીપુત્રો અને મૂંગા પશુ-પક્ષીઓને ગરમી તેમજ પાણીની અછતમાંથી રાહત અપાવવાનો છે. વરસાદ ન પડવાના કારણે ખેડૂતોના વાવેતર પર સંકટ તોળાઈ રહ્યું છે, ત્યારે વહેલી તકે સારો વરસાદ થાય અને અબોલ જીવોને પીવાનું પાણી મળી રહે તે માટે ભગવાનને હૃદયપૂર્વક પ્રાર્થના કરવામાં આવી હતી. આસપાસના શ્રદ્ધાળુઓ પણ મોટી સંખ્યામાં આ દર્શનનો લાભ લઈ મેઘ મહેર માટે આશાવાદી બન્યા હતા.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/anant-ambani-offers-hair-at-tirumala-temple-seeks-blessings-of-lord-venkateswara" target="_blank">Ahmedabad News: અનંત અંબાણીએ તિરુમાલા મંદિરમાં દર્શન કર્યા, ભગવાન સમક્ષ કેશદાન કર્યું</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/28/hffV2OlU4nKKisDJ3K2RIjE4lKL4HS39Q9yR6D3s.webp'/></item><item><title><![CDATA[Business News : આ અઠવાડિયે શેરબજારમાં ટોપ-10માંથી 6 કંપનીઓના માર્કેટ કેપમાં રૂપિયા 88,678 કરોડનો વધારો ]]></title><link>https://sandesh.com/business/news/top-10-indian-companies-market-cap-gains-88678-crore-this-week</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/top-10-indian-companies-market-cap-gains-88678-crore-this-week</guid><pubDate>Sun, 28 Jun 2026 15:55:29 +05:30</pubDate><description><![CDATA[<p>ગત અઠવાડિયા દરમિયાન ભારતીય શેરબજારમાં મર્યાદિત તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 297.57 પોઈન્ટ (0.38 ટકા) અને નિફ્ટી 42.90 પોઈન્ટ (0.17 ટકા)ના વધારા સાથે બંધ રહ્યો હતો. આ દરમિયાન દેશની ટોપ-10 સૌથી વધુ માર્કેટકેપ ધરાવતી કંપનીઓમાંથી 6 કંપનીઓના કુલ માર્કેટ કેપમાં રૂ. 88,678.10 કરોડનો વધારો નોંધાયો હતો. સૌથી વધુ લાભ ICICI બેન્કને થયો હતો.</p><h2><b>હિન્દુસ્તાન યુનિલિવરના માર્કેટ કેપમાં ઘટાડો</b></h2><p>આ સપ્તાહ દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, HDFC બેન્ક, ICICI બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI), બજાજ ફાઈનાન્સ અને લાર્સન એન્ડ ટુબ્રોના માર્કેટ કેપમાં વધારો થયો હતો. બીજી તરફ ભારતી એરટેલ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), ભારતીય જીવન વીમા નિગમ (LIC) અને હિન્દુસ્તાન યુનિલિવરના માર્કેટ કેપમાં ઘટાડો નોંધાયો હતો.</p><h3><b>કઈ કંપનીને કેટલો ફાયદો, કેટલું નુકસાન?</b></h3><p>ICICI બેન્કના માર્કેટ કેપમાં રૂ. 29,588.75 કરોડનો વધારો થઈ તે રૂ. 9.95 લાખ કરોડથી વધુ પહોંચ્યો હતો. HDFC બેન્કમાં રૂ. 24,718.30 કરોડનો વધારો નોંધાયો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માર્કેટ કેપમાં રૂ. 12,043.96 કરોડ, બજાજ ફાઈનાન્સમાં રૂ. 11,580.28 કરોડ, SBIમાં રૂ. 9,322.93 કરોડ અને લાર્સન એન્ડ ટુબ્રોમાં રૂ. 1,423.88 કરોડનો વધારો થયો હતો. બીજી તરફ ભારતી એરટેલના માર્કેટ કેપમાં રૂ. 35,615.21 કરોડનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. LICમાં રૂ. 21,188.74 કરોડ, TCSમાં રૂ. 11,143.71 કરોડ અને હિન્દુસ્તાન યુનિલિવરમાં રૂ. 5,321.83 કરોડનો ઘટાડો થયો હતો.</p><h4><b>રોકાણકારોની ક્યા છે નજર?</b></h4><p>માર્કેટ કેપના આધારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દેશની સૌથી મૂલ્યવાન કંપની તરીકે પ્રથમ સ્થાને યથાવત રહી હતી. તેના પછી HDFC બેન્ક, ભારતી એરટેલ, ICICI બેન્ક, SBI, TCS, બજાજ ફાઈનાન્સ, લાર્સન એન્ડ ટુબ્રો, LIC અને હિન્દુસ્તાન યુનિલિવરનો ક્રમ રહ્યો હતો. આવતા સપ્તાહમાં અનેક નવી કંપનીઓના શેર NSE, BSE અને SME પ્લેટફોર્મ પર લિસ્ટ થવાના હોવાથી રોકાણકારોની નજર પ્રાથમિક બજાર પર પણ રહેશે.</p><p><b><a href="https://sandesh.com/business/news/petrol-diesel-price-today-check-latest-fuel-rates-in-your-city" target="_blank">આ પણ વાંચો : Petrol Diesel Price Today : રવિવારે પેટ્રોલ સસ્તું થયું કે મોંઘું? જાણો આજના લેટેસ્ટ ભાવ</a></b></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/28/UCjIGFtuDDoi3821XpsjN5wUgDLJWVeryS30A7Hl.webp'/></item></channel></rss>