<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[HCLTech: પહેલા 3300 કર્મચારીઓની કરાઇ છટણી અને હવે 3500 કરોડના રોકાણ સાથે AI ડેટા સેન્ટર ક્ષેત્રમાં એન્ટ્રી ]]></title><link>https://sandesh.com/business/news/hcltech-first-laid-off-3300-employees-and-now-entering-the-ai-data-center-space-with-an-investment-of-3500-crores</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/hcltech-first-laid-off-3300-employees-and-now-entering-the-ai-data-center-space-with-an-investment-of-3500-crores</guid><pubDate>Tue, 14 Jul 2026 10:50:41 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આજના ઝડપથી બદલાતા ટેક્નોલોજીના યુગમાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માત્ર કંપનીઓની કામ કરવાની પદ્ધતિ જ નહીં, પરંતુ તેમની રોકાણની પ્રાથમિકતાઓ પણ બદલી રહ્યું છે. આ દિશામાં એક મોટું પગલું ભરતા, દિગ્ગજ IT કંપની HCLTech એ આગામી સમયમાં AI ડેટા સેન્ટર્સમાં આશરે ૩,૫૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી છે.</p><h2 style="text-align: justify; "><b>કંપનીએ પહેલા કરી હતી છટણી</b></h2><p style="text-align: justify; ">એક તરફ કંપની આ આધુનિક ક્ષેત્રમાં મોટું રોકાણ કરી રહી છે, તો બીજી તરફ માનવબળના આંકડામાં ઘટાડો પણ નોંધાયો છે. તાજેતરના અહેવાલો મુજબ, જૂન મહિનાના અંત સુધીમાં HCLTech ના કુલ કર્મચારીઓની સંખ્યા 2,23,889 થઈ છે, જે માર્ચ મહિનાના અંતમાં 2,27,181 હતી. એટલે કે, છેલ્લા ત્રણ મહિનામાં કંપનીએ આશરે 3,300 કર્મચારીઓની છટણી કરી છે. કંપનીનું માનવું છે કે AI ના આગમન સાથે કમ્પ્યુટિંગના અર્થશાસ્ત્રમાં સંપૂર્ણ પરિવર્તન આવ્યું છે, જેણે આ નિર્ણય લેવા માટે મજબૂર કર્યા છે.</p><h3 style="text-align: justify; "><b>નવા સ્ટાર્ટ અપમાં કર્યુ રોકાણ</b></h3><p style="text-align: justify; ">HCLTech ના CEO જણાવ્યા અનુસાર, સરકારો અને વિવિધ સાહસોમાં ડેટાની માંગ સતત વધી રહી છે, જેના કારણે સાર્વભૌમ ડેટા સેન્ટર્સ અનિવાર્ય બન્યા છે. કંપની માત્ર ડેટા સેન્ટર્સ સુધી મર્યાદિત નથી, પરંતુ તે ફુલ-સ્ટેક AI સેવાઓ પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જેમાં GPUs, AI મોડેલ્સ અને એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન્સનો સમાવેશ થાય છે. આ વ્યૂહરચનાના ભાગરૂપે HCLTech એ ભારતીય AI સ્ટાર્ટઅપ 'Sarvam AI' માં 150 મિલિયન ડોલર (આશરે 1,438 કરોડ રૂપિયા) નું રોકાણ કર્યું છે અને OpenAI સાથે પણ ભાગીદારી કરી છે.</p><h4 style="text-align: justify; "><b>એઆઇમાં રોકાણ કરી ભવિષ્ય બનાવશે ઉજળું</b></h4><p style="text-align: justify; ">આમ જોવા જઈએ તો, AI ટૂલ્સના વધતા પ્રભાવને કારણે ભારતીય IT ક્ષેત્રમાં એક પ્રકારની અનિશ્ચિતતાનો માહોલ છે. ટીકાકારો દલીલ કરે છે કે AI ટેક્નોલોજી પરંપરાગત IT સેવાઓ માટે ખતરો બની શકે છે. જોકે, HCLTech જેવી કંપનીઓ આને 'અંત' તરીકે નહીં, પરંતુ 'વિકાસના નવા માર્ગ' તરીકે જોઈ રહી છે. કંપનીઓ માને છે કે AI માં રોકાણ કરીને તેઓ ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા માટે વધુ સક્ષમ બનશે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/world/news/external-affairs-minister-s-jaishankar-sounded-the-alarm-in-new-york-launched-a-campaign-for-temporary-membership-of-the-unsc" target="_blank">આ પણ વાંચોઃ New York માં વિદેશ મંત્રી એસ.જયશંકરે ફૂંક્યું રણશિંગું, UNSC કામચલાઉ સભ્યપદ માટે ઝુંબેશ શરૂ કરી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/cR3aGN4cWu9LyRPBZEtCrVyibxS5joORvOMwEbqQ.webp'/></item><item><title><![CDATA[Amitabh Bachchan: બિગ બીની એક પોસ્ટે મચાવ્યો ખળભળાટ, જાણો ફિફા વર્લ્ડ કપ 2026 સાથે શું છે કનેક્શન ]]></title><link>https://sandesh.com/entertainment/news/amitabh-bachchan-big-bs-post-created-a-stir-know-what-is-the-connection-with-fifa-world-cup-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/amitabh-bachchan-big-bs-post-created-a-stir-know-what-is-the-connection-with-fifa-world-cup-2026</guid><pubDate>Tue, 14 Jul 2026 10:39:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ૮૩ વર્ષની ઉંમરે પણ પોતાના કામ પ્રત્યે અપ્રતિમ જુસ્સો અને ઉર્જા ધરાવે છે. તેઓ ફિલ્મો, ટીવી શો અને સોશિયલ મીડિયા દ્વારા સતત ફેન્સ સાથે કનેક્ટેડ રહે છે. બિગ બી અવારનવાર પોતાના બ્લોગ પર દિલની વાતો શેર કરતા હોય છે. પરંતુ તાજેતરમાં તેમણે એક એવી બ્લોગ પોસ્ટ લખી છે, જેણે તેમના કરોડો ચાહકોને ચિંતામાં મૂકી દીધા છે. અમિતાભ બચ્ચને ભાવનાત્મક કબૂલાત કરતા સ્વીકાર્યું છે કે તેઓ આ દિવસોમાં "ઘણી અસ્વસ્થતા અને તણાવ" નો સામનો કરી રહ્યા છે, જેના કારણે તેમની દિનચર્યા પણ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. આખરે એવું તે શું બન્યું કે બોલીવુડના શહેનશાહ અચાનક આટલા વ્યથિત થઈ ગયા?&nbsp;</p><h2 style="text-align: justify; "><b>બિગ બીના તણાવનું કારણ ફિફા વર્લ્ડ કપ</b></h2><p style="text-align: justify; ">વાસ્તવમાં, બિગ બીના આ તણાવનું કારણ કોઈ બીમારી નહીં પરંતુ ફૂટબોલ પ્રત્યેનો તેમનો અતિશય પ્રેમ છે! હાલમાં ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યો છે અને ફૂટબોલનો આ રોમાંચ અમિતાભ બચ્ચન પર પણ સર ચડીને બોલી રહ્યો છે. તેમણે પોતાના ટમ્બલર બ્લોગ પર સ્પષ્ટતા કરતા લખ્યું કે, મેચોના વિચિત્ર સમયને કારણે તેમની દિનચર્યા ખોરવાઈ ગઈ છે. બિગ બીએ લખ્યું, "સમયની ગણતરી ખોટી પડી ગઈ છે. વર્લ્ડ કપ મેચો ખૂબ જ વિચિત્ર સમયે યોજાય છે, જેના કારણે રોજિંદી લાઈફ ડિસ્ટર્બ થઈ ગઈ છે. છતાં, આપણે મેચો જોઈએ છીએ, રોમાંચિત થઈએ છીએ અને ક્યારેક અફસોસ પણ કરીએ છીએ. ખાસ કરીને જ્યારે મેદાન પર એક ટીમ તરફી પક્ષપાતી અને અન્યાયી નિર્ણયો લેવાતા જોવા મળે ત્યારે ખૂબ દુઃખ થાય છે." તેમણે આ ટુર્નામેન્ટના ચોંકાવનારા પરિણામો પર પણ વાત કરી કે કેવી રીતે મોટી અને ફેવરિટ ટીમો બહાર થઈ ગઈ અને બિનઅનુભવી ટીમોએ અસાધારણ પ્રદર્શન કર્યું.</p><h3 style="text-align: justify; "><b>IPL નું ઉદાહરણ આપીને સમજાવ્યો ખેલાડીઓનો રાષ્ટ્રપ્રેમ</b></h3><p style="text-align: justify; ">અમિતાભ બચ્ચને ક્લબ ફૂટબોલ અને નેશનલ ટીમ વચ્ચેનો તફાવત સમજાવવા માટે ભારતની IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ) નું શાનદાર ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે, લીગ મેચોમાં જે ખેલાડીઓ એકબીજાની સામે હરીફ તરીકે રમે છે અને મેદાનની બહાર મિત્રો હોય છે, તેઓ જ્યારે દેશની જર્સી પહેરે છે ત્યારે એક થઈ જાય છે. દેશ માટે રમતી વખતે આવા મહાન ચારિત્ર્યની જરૂર પડે છે. પોતાની હેલ્થ અપડેટ આપતા સોમવારે રાત્રે તેમણે વધુમાં લખ્યું, "મેં એક દિવસ આરામ કર્યો અને મારા આખા શરીરે જાણે બળવો પોકાર્યો! શરીરને સતત કોઈને કોઈ મૂવમેન્ટ (હિલચાલ) ની જરૂર હોય છે... મેં આજે ફરીથી પ્રયાસ કર્યો છે."</p><h4 style="text-align: justify; "><b>જાતિવાદી ટિપ્પણીના વિવાદ પર માંગી માફી</b></h4><p style="text-align: justify; ">નોંધનીય છે કે આ જ મહિને અમિતાભ બચ્ચન એક સોશિયલ મીડિયા પોસ્ટના કારણે વિવાદોમાં પણ સપડાયા હતા. ફિફા વર્લ્ડ કપમાં ફ્રાન્સે પેરાગ્વેને હરાવ્યા બાદ બિગ બીએ ટ્વિટર (X) પર લખ્યું હતું કે, "ફ્રેન્ચ ટીમ... ૧૧ ખેલાડીઓ, ૧૦ બ્લેક અને ૧ વ્હાઇટ... બ્લેક પાવર." તેમની આ પોસ્ટને કારણે સોશિયલ મીડિયા પર લોકોએ તેમના પર જાતિવાદી ટિપ્પણી કરવાનો આરોપ લગાવી ભારે ટ્રોલ કર્યા હતા. જો કે, એક સાચા લીજેન્ડની જેમ બિગ બીએ આગામી બ્લોગમાં પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. તેમણે સુંદર શબ્દોમાં લખ્યું, "દરરોજ એક નવો પાઠ મળે છે. પોતાની ભૂલ સ્વીકારવી ખોટી નથી, તે તમારા ચારિત્ર્યને દર્શાવે છે. એકવાર તમે ભૂલ સ્વીકારી લો એટલે બધા વિવાદોનો ત્યાં જ અંત આવી જાય છે."</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/hero-no-1-govinda-will-make-a-big-comeback-with-the-film-roopa-after-7-years-know-why-he-stayed-away-from-the-big-screen-for-so-long" target="_blank">આ પણ વાંચો : 7 વર્ષ પછી ફિલ્મ 'રૂપા' થી ધમાકેદાર વાપસી કરશે 'હીરો નંબર 1' ગોવિંદા, ચાહકોના કારણે ફરી પાછો આયો..</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/2KUi3e8wR9ltAIqdqYfznK4nUtBlqTEEtHaBOhOi.webp'/></item><item><title><![CDATA[Rajkot : જસદણમાં વિદ્યાર્થિનીના મોત બાદ મોટો વિસ્ફોટ, આલ્ફા સંકુલમાં ચાલતા દેશવ્યાપી ‘ડમી સ્કૂલિંગ’ નેટવર્કનો પર્દાફાશ, Video ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/jasdan-alpha-sankul-student-death-dummy-schooling-scam-rajkot-deo-report</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/jasdan-alpha-sankul-student-death-dummy-schooling-scam-rajkot-deo-report</guid><pubDate>Tue, 14 Jul 2026 10:37:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જસદણની ચકચારી આલ્ફા સંકુલ હોસ્ટેલમાં ચિકનપોક્સના કારણે માસૂમ વિદ્યાર્થિની આયુષી બલદાણીયાના શંકાસ્પદ મોતના મામલે તપાસ કરી રહેલી પોલીસ અને શિક્ષણ વિભાગના હાથે એક અત્યંત ચોંકાવનારો અને દેશવ્યાપી કહી શકાય તેવો સ્કેમ લાગ્યો છે. વિદ્યાર્થિનીના મોતની તપાસ દરમિયાન આલ્ફા સંકુલમાં ચાલી રહેલા બહુમોટા ‘ડમી સ્કૂલિંગ રેકેટ’ નો ભાંડો ફૂટી ગયો છે. જિલ્લા શિક્ષણ અધિકારી  ના પ્રાથમિક રિપોર્ટ બાદ આ સમગ્ર મામલો હવે ગાંધીનગર શિક્ષણ વિભાગના ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>આખું ડમી નેટવર્ક ધમધમી રહ્યું હતું</b></h2><p style="text-align: justify; ">મળતી વિગતો અનુસાર, નવોદય અને સૈનિક સ્કૂલની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવવાના બહાને અહીં આખું ડમી નેટવર્ક ધમધમી રહ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી  અન્ય શાળાઓમાં પુરાતી હતી, જ્યારે તેઓ પ્રત્યક્ષ રીતે જસદણના આલ્ફા સંકુલમાં રહીને અભ્યાસ કરતા હતા.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>કુલ 697 ડમી વિદ્યાર્થીઓ અહીં ગેરકાયદેસર રીતે અભ્યાસ કરતા હતા</b></h3><p style="text-align: justify; ">તપાસમાં બહાર આવ્યું છે કે, રાજ્યના 31 શહેરોની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી મળીને અસંખ્ય શાળાઓના કુલ 697 ડમી વિદ્યાર્થીઓ અહીં ગેરકાયદેસર રીતે અભ્યાસ કરી રહ્યા હતા. જેમાં માત્ર રાજકોટ જિલ્લાની જ ૩૦ થી વધુ શાળાઓ સીધી રીતે આલ્ફા કોચિંગના સંપર્કમાં હોવાનું ખુલ્યું છે.</p><p style="text-align: justify; ">https://youtu.be/0Fg1uJdLx-I&nbsp;</p><h3 style="text-align: justify; "><b>અગાઉ આલ્ફા સંકુલના બે ટ્રસ્ટીઓની અટકાયત કરાઇ હતી</b></h3><p style="text-align: justify; ">આ કૌભાંડમાં શાળાઓની સાથે-સાથે વાલીઓ પણ ગોલમાલના ભાગીદાર હોવાનું સામે આવ્યું છે. આયુષીના મોતમાં સંચાલકોની ઘોર બેદરકારી સામે આવ્યા બાદ અગાઉ આલ્ફા સંકુલના બે ટ્રસ્ટીઓ સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વહીવટી તંત્રે કડક કાર્યવાહી કરીને આ સ્કૂલ અને હોસ્ટેલને એક મહિના માટે તાળા મારી દીધા છે.</p><h4 style="text-align: justify; "><b>30 થી વધુ શાળાઓ સામે કડક કાર્યવાહી થઇ શકે&nbsp;</b></h4><p style="text-align: justify; ">શિક્ષણ વિભાગે તમામ 697 ડમી વિદ્યાર્થીઓની યાદી ગાંધીનગર મુખ્ય મથકે મોકલી આપી છે. આ રેકેટમાં સંડોવાયેલી તમામ 30 થી વધુ શાળાઓના લાયસન્સ રદ કરવા સહિતની કડક કાનૂની કાર્યવાહી તોળાઈ રહી છે. આ ઘટનાએ ગુજરાતના શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; <a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-indepth-gujarat-monsoon-2026-rain-deficit-paresh-goswami-weather-forecast-july-round" target="_blank"><b>Sandesh Indepth : ચોમાસું ખોટકાયું, ગુજરાતમાં ગત વર્ષ કરતાં અડધો જ વરસાદ; 24.64% સાથે ખેડૂતો ચિંતિત, જળસંકટની ભીતિ!</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/z11UkmSQ8Uffwx4IYO3tgj9WxfmpPPJd7WhWDXLG.webp'/></item><item><title><![CDATA[Mumbai: એક દર્દી એક સંબંધી, મુંબઇની હોસ્પિટલ માટે BMC મેયરનો કડક નિર્દેશ ]]></title><link>https://sandesh.com/india/news/mumbai-one-patient-one-relative-bmc-mayors-strict-directive-for-mumbai-hospitals</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/mumbai-one-patient-one-relative-bmc-mayors-strict-directive-for-mumbai-hospitals</guid><pubDate>Tue, 14 Jul 2026 10:36:51 +05:30</pubDate><description><![CDATA[<p>મુંબઈની સિવિક હોસ્પિટલોમાં 'એક દર્દી, એક સંબંધી' નિયમ લાગુ થવાનો છે. હવેથી ફક્ત એક જ સંબંધીને દર્દીની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવશે. સંબંધી માટે પાસ મેળવવો ફરજિયાત રહેશે. બીએમસી મેયરે આ 'એક દર્દી, એક સંબંધી' નીતિ અને સિવિક હોસ્પિટલો માટે ડિજિટલ વિઝિટર પાસ સિસ્ટમનો પ્રસ્તાવ મૂક્યો છે.</p><h2><b>મુંબઇના મેયરે નવી નીતિ લાગુ કરવા નિર્દેશ આપ્યો</b></h2><p>મુંબઈના મેયર રીતુ તાવડેએ બીએમસી વહીવટીતંત્રને તમામ નાગરિક હોસ્પિટલોમાં 'એક દર્દી, એક સંબંધી' નીતિ, ડિજિટલ વિઝિટર પાસ મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરવાનો નિર્દેશ આપ્યો છે. બીએમસી કમિશનર અશ્વિની ભીડેને લખેલા સત્તાવાર પત્રમાં, મેયરે ભાર મૂક્યો છે કે ભીડ ઘટાડવા, સ્વચ્છતા જાળવવા અને દર્દીઓને સ્વચ્છ, ચેપમુક્ત વાતાવરણ પૂરું પાડવા માટે આ પગલાં મહત્વપૂર્ણ છે.</p><h3><b>મુખ્ય નાગરિક હોસ્પિટલોને મેયરની વિનંતી</b></h3><p>મેયરે વિનંતી કરી હતી કે કેઈએમ, સાયન અને નાયર જેવી મુખ્ય નાગરિક હોસ્પિટલોમાં પાયલોટ ધોરણે નવી સિસ્ટમ તાત્કાલિક શરૂ કરવામાં આવે. પ્રસ્તાવિત નીતિ હેઠળ, હોસ્પિટલના વોર્ડમાં દર્દી સાથે ફક્ત એક જ સંબંધીને રહેવાની મંજૂરી આપવામાં આવશે, જેનાથી ડોકટરો અને નર્સિંગ સ્ટાફ અવરોધ વિના તબીબી સંભાળ પૂરી પાડી શકશે.</p><p>હોસ્પિટલના પ્રવેશદ્વાર પર સુરક્ષા કર્મચારીઓ આધુનિક ડિજિટલ વિઝિટર પાસ ચકાસશે જેથી અનધિકૃત વ્યક્તિઓને પરિસરમાં ફરતા અટકાવી શકાય. ક્રિટિકલ કેર અથવા ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU) માં રહેલા દર્દીઓ માટે, હોસ્પિટલ વહીવટીતંત્ર માનવતાવાદી ધોરણે બહુવિધ પાસ જારી કરવાનો અધિકાર જાળવી રાખશે.</p><h4><b>આ પહેલના ફાયદા શું છે?</b></h4><p>આ પહેલના અપેક્ષિત ફાયદાઓમાં કોરિડોર અને વોર્ડમાં ભીડમાં નોંધપાત્ર ઘટાડો, સ્વચ્છતામાં સુધારો, દર્દીઓ માટે શાંત સારવાર વાતાવરણ અને વધુ સારી નાગરિક શિસ્તનો સમાવેશ થાય છે. મેયર રિતુ તાવડેએ જણાવ્યું હતું કે અસરકારક ભીડ વ્યવસ્થાપન આરોગ્યસંભાળની ગુણવત્તામાં વધારો કરશે. વધુમાં, તે કચરો ઘટાડશે, જંતુરહિત ઝોન જાળવવામાં મદદ કરશે અને તબીબી કર્મચારીઓને દર્દીની સંભાળ પર સંપૂર્ણપણે ધ્યાન કેન્દ્રિત કરવાની મંજૂરી આપશે.&nbsp;<br><br><br><a href="https://sandesh.com/astrology/news/bhakti/shani-dev-2026-saturn-will-move-in-reverse-these-2-zodiac-signs-should-be-especially-careful" target="_blank">આ પણ વાંચો: Shani Dev 2026: શનિની ચાલશે ઉલટી ચાલ, આ 2 રાશિએ ખાસ સાચવવુ !</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/GIEmTp0I7ghHziY8gCDrqgmdkSxcWEEwgr7xikVq.webp'/></item><item><title><![CDATA[Surat: સચિન GIDCમાં 13 વર્ષની માસૂમ સગીરા પર 43 વર્ષના વકીલે આચર્યું દુષ્કર્મ, વીડિયો ઉતારી;ધમકી આપી હોવાની આશંકા ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/sachin-gidc-minor-girl-raped-by-lawyer-pranayraj-ranveer-video-shot</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/sachin-gidc-minor-girl-raped-by-lawyer-pranayraj-ranveer-video-shot</guid><pubDate>Tue, 14 Jul 2026 10:25:29 +05:30</pubDate><description><![CDATA[<p>શહેરના ઔદ્યોગિક હબ ગણાતા સચિન GIDC વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને શિરોવેદના કરાવતી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં કાયદાનું જ્ઞાન ધરાવતા અને સમાજને ન્યાય અપાવતા વ્યવસાય સાથે જોડાયેલા એક વકીલે જ કાયદાના લીરેલીરા ઉડાડી દીધા છે. મળતી વિગતો અનુસાર, સચિન GIDC વિસ્તારમાં રહેતી એક શ્રમિક પરિવારની 13 વર્ષની માસૂમ દીકરીને પ્રણયરાજ રણવીર નામના 43 વર્ષીય વકીલે પોતાની જાળમાં ફસાવી હતી. વકીલે સગીરાના પરિવારની નબળી સ્થિતિનો લાભ ઉઠાવી તેને સારી નોકરી અપાવવાની અને આર્થિક મદદ કરવાની લાલચ આપી હતી.</p><h2><b>સુરતમાં કાયદાનો રક્ષક જ બન્યો ભક્ષક</b></h2><p>મદદ અને નોકરીના બહાને આ હેવાન વકીલે સગીરાને એકાંતમાં બોલાવી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. નરાધમ વકીલની હેવાનીયત આટલેથી જ ન અટકી, તેણે આ કૃત્ય આચરતી વખતે સગીરાનો પોતાના મોબાઈલ ફોનમાં વાંધાજનક વીડિયો પણ ઉતારી લીધો હતો, જેથી ભવિષ્યમાં તેને બ્લેકમેઈલ કરી શકાય. આ ગંભીર અકસ્માત અને આઘાતમાંથી બહાર આવ્યા બાદ, ગભરાયેલી સગીરાએ અંતે હિંમત એકઠી કરીને પોતાના માતા-પિતાને નરાધમ વકીલ પ્રણયરાજ રણવીરની તમામ કરતૂતો વિશે વિગતવાર વાત કરી હતી.</p><h3><b>&nbsp;13 વર્ષની માસૂમ દીકરીને વકીલે જાળમાં ફસાવી</b></h3><p>પોતાની દીકરી પર થયેલા આ ભયાનક અત્યાચારની વાત સાંભળતા જ માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેઓ તાત્કાલિક સગીરાને લઈને સચિન GIDC પોલીસ મથકે પહોંચ્યા હતા અને નરાધમ વકીલ વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સગીરાની ઉંમર ધ્યાને રાખીને તુરંત જ પોક્સો એક્ટ અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે પીડિતાને મેડિકલ ચેકઅપ માટે મોકલી આપી છે અને કાયદાનો દુરુપયોગ કરનાર નરાધમ વકીલ પ્રણયરાજ રણવીરને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી દરોડા શરૂ કર્યા છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-149th-jagannath-rath-yatra-netrotsav-vidhi-completed-harsh-sanghavi-attended" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: નેત્રોત્સવ પૂજન બાદ પરંપરાગત શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે જગન્નાથજીના નિજ મંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ કરાયું</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/z7jNVB8qxWQoDribM7QT7miMUZMe4TI6R1Vc1hmv.webp'/></item><item><title><![CDATA[Vadodara : વાઘોડિયા રોડ પર માસૂમ બાળકોને રૂમમાં પૂરી દઈ નરાધમ પતિનો પત્ની પર કટરથી જીવલેણ હુમલો, બાદમાં પોતે કર્યો આપઘાત ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/vadodara/vadodara-waghodia-road-pradeep-gangude-attacks-wife-jyotiben-commits-suicide-uma-park</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/vadodara/vadodara-waghodia-road-pradeep-gangude-attacks-wife-jyotiben-commits-suicide-uma-park</guid><pubDate>Tue, 14 Jul 2026 09:59:40 +05:30</pubDate><description><![CDATA[<p>વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી ઉમા પાર્ક સોસાયટીમાં રવિવારે મોડી રાત્રે ઘરેલુ કંકાસની એક હૃદયકંપાવનારી અને લોહિયાળ ઘટના સામે આવી છે. જેમાં પતિએ પત્ની પર કટર વડે જીવલેણ હુમલો કર્યા બાદ ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.</p><h2><b>રાત્રે અઢી વાગ્યાના અરસામાં દંપતી વચ્ચે ઉગ્ર ઝઘડો થયો&nbsp;</b></h2><p>મળતી વિગતો અનુસાર, અમદાવાદના ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા વિજયરાવ પેટકરની પુત્રી જ્યોતિબેનના લગ્ન 15 વર્ષ પહેલાં વડોદરાના પ્રદીપ કિશનરાવ ગાંગુડે સાથે થયા હતા. બંને ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. રવિવારે મોડી રાત્રે અઢી વાગ્યાના અરસામાં દંપતી વચ્ચે કોઈ વાતને લઈને ઉગ્ર ઝઘડો થયો હતો.</p><h3><b>પતિ પ્રદીપે ક્રૂરતાની હદ વટાવી</b></h3><p>આવેશમાં આવેલા પતિ પ્રદીપે ક્રૂરતાની હદ વટાવી પત્ની જ્યોતિબેનને ગળા, આંખ અને હાથના ભાગે કટરના ઘા ઝીંકી લોહીલુહાણ કરી દીધા હતા.</p><h3><b>હુમલા પૂર્વે પ્રદીપે પોતાના બંને માસૂમ બાળકોને એક રૂમમાં બંધ કરી દીધા</b></h3><p>આ ઘટના વધુ ભયાનક ત્યારે બની જ્યારે હુમલા પૂર્વે પ્રદીપે પોતાના બંને માસૂમ બાળકોને એક રૂમમાં બંધ કરી દીધા હતા. રૂમમાં કેદ પુત્રએ રાત્રિના સમયે જ સમયસૂચકતા વાપરી ફોન દ્વારા તેના દાદાને આ હુમલાની જાણ કરી હતી. બાળકોએ ઘરમાં બૂમાબૂમ કરી મૂકતા જાગી ગયેલા પાડોશીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને બંને બાળકોને રૂમમાંથી સલામત બહાર કાઢ્યા હતા.&nbsp;</p><h4><b>પ્રદિપે આત્મહત્યા કરી લીધી</b></h4><p>ત્યારબાદ પાડોશીઓએ ઘરની બારીનો કાચ તોડીને અંદર જોયું તો હોલમાં પ્રદીપ છતના હૂક સાથે સાડી વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો મળી આવ્યો હતો.</p><h4><b>કપૂરાઈ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો&nbsp;</b></h4><p>ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને બેભાન જ્યોતિબેનને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેમની સ્થિતિ નાજુક હોવાનું કહેવાય છે. ઘટનાની જાણ થતાં જ કપૂરાઈ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે જ્યોતિબેનના પિતાની ફરિયાદના આધારે મૃતક પતિ પ્રદીપ ગાંગુડે વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.&nbsp;</p><p><br></p><p>આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; <a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-indepth-gujarat-monsoon-2026-rain-deficit-paresh-goswami-weather-forecast-july-round" target="_blank"><b>Sandesh Indepth : ચોમાસું ખોટકાયું, ગુજરાતમાં ગત વર્ષ કરતાં અડધો જ વરસાદ; 24.64% સાથે ખેડૂતો ચિંતિત, જળસંકટની ભીતિ!</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/bET4iPKChtNB3sB9GKo2DLbLgIGrwM2QSbeWX7It.webp'/></item><item><title><![CDATA[Dwarka: જામ ખંભાળિયા-દ્વારકા હાઈવે પર જીવલેણ સ્ટંટ અને સ્પીડ રેસિંગ કરતા 4 બાઈકર્સ પોલીસના સકંજામાં ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/khambhaliya/dwarka-highway-bike-stunt-viral-video-police-action-four-bikes-detained</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/khambhaliya/dwarka-highway-bike-stunt-viral-video-police-action-four-bikes-detained</guid><pubDate>Tue, 14 Jul 2026 09:51:29 +05:30</pubDate><description><![CDATA[<p>જામ ખંભાળિયા-દ્વારકા હાઈવે પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓથી સતત ધમધમતો રહે છે. આ વ્યસ્ત હાઈવે પર છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયાના રીલ્સ અને શોર્ટ વીડિયો બનાવવા માટે કેટલાક સ્થાનિક અને બહારના બાઈકર્સ જોખમી સ્ટંટ અને ઓવરસ્પીડિંગ કરતા હોવાની ફરિયાદો ઉઠી રહી હતી. તાજેતરમાં જ આવો એક જોખમી બાઈક રેસિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો, જેમાં કેટલાક યુવકો સામાન્ય વાહનચાલકોની વચ્ચે જિંદગીના જોખમે પૂરપાટ ઝડપે બાઈક દોડાવતા અને સ્ટંટ કરતા નજરે પડ્યા હતા.</p><h2><b>સ્ટંટબાજ બાઈકર્સને દબોચી લીધા</b></h2><p>આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થતાં જ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ટ્રાફિક શાખા તાત્કાલિક એક્શનમાં આવી હતી. પોલીસે વીડિયો ફૂટેજનું ઝીણવટભર્યું વિશ્લેષણ કરીને જોખમી ડ્રાઇવિંગ કરી રહેલા બાઈકર્સ અને તેમના વાહનોના રજીસ્ટ્રેશન નંબર ઓળખી કાઢ્યા હતા. ટ્રાફિક પોલીસે તાત્કાલિક દરોડો પાડીને ભયજનક રીતે વાહન હંકારતા 4 સ્ટંટબાજ બાઈકર્સને દબોચી લીધા હતા.</p><h3><b>સ્ટંટ કરનારાઓ સામે કડક પગલાં&nbsp;</b></h3><p>પોલીસે આ ચારેય બાઈક ચાલકોના વાહનોને મોટર વાહન અધિનિયમ હેઠળ ડિટેઈન કર્યા છે અને તેમની સામે કાયદેસરની આકરી દંડનીય કાર્યવાહી હાથ ધરી છે. ટ્રાફિક પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે હાઈવે પર અન્ય લોકોની જિંદગી જોખમમાં મૂકીને સ્ટંટ કરનારાઓ સામે ભવિષ્યમાં આનાથી પણ વધુ કડક પગલાં ભરવામાં આવશે અને જરૂર પડ્યે લાયસન્સ પણ રદ કરવાની પ્રક્રિયા કરાશે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-as-typhoid-and-jaundice-cases-increase-the-system-is-running-out-of-steam-the-municipal-health-department-has-intensified-the-cleaning-campaign" target="_blank">આ પણ વાંચો: Rajkot: ટાઈફોઈડ અને કમળાના કેસો વધતા તંત્ર દોડતું થયું, મનપાના આરોગ્ય વિભાગે સફાઈ અભિયાન તેજ કર્યું</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/fPTpIUWDxHD8JjYxMNUXRx87YbmGUNOUwg3IFlHa.webp'/></item><item><title><![CDATA[Butati Dham Mandir Donation Scam: રામ મંદિર બાદ હવે બૂટાટી ધામમાં કરોડોનું કૌભાંડ ]]></title><link>https://sandesh.com/india/news/butati-dham-mandir-donation-scam-after-ram-temple-now-a-scam-of-crores-in-butati-dham</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/butati-dham-mandir-donation-scam-after-ram-temple-now-a-scam-of-crores-in-butati-dham</guid><pubDate>Tue, 14 Jul 2026 09:45:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજસ્થાનના નાગૌર જિલ્લામાં આવેલું બૂટાટી ધામ દેશભરના શ્રદ્ધાળુઓ માટે એક મહત્વપૂર્ણ આસ્થા કેન્દ્ર માનવામાં આવે છે. અહીં મોટી સંખ્યામાં લોકો દર્શન માટે આવે છે, ખાસ કરીને લકવાના દર્દીઓ માટે આ સ્થળની વિશેષ માન્યતા છે. હવે આ જ ધામમાં કરોડો રૂપિયાની કથિત નાણાકીય ગેરરીતિનો મામલો સામે આવતા ચર્ચા શરૂ થઈ છે.</p><h2 style="text-align: justify; ">સમિતિએ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો&nbsp;</h2><p style="text-align: justify; ">રિપોર્ટ મુજબ, મંદિરની આવક, દાન અને અન્ય ભંડોળના હિસાબમાં લગભગ 22 કરોડ 74 લાખ રૂપિયાની કથિત અનિયમિતતાઓનો ઉલ્લેખ તપાસ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરના આદેશ બાદ રચાયેલી 13 સભ્યોની તપાસ સમિતિએ લાંબા સમય સુધી મંદિરના દસ્તાવેજો, ઓડિટ રિપોર્ટ અને નાણાકીય રેકોર્ડની તપાસ કરી હતી. લગભગ 146 દિવસની તપાસ બાદ સમિતિએ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો.</p><h3 style="text-align: justify; ">સોના-ચાંદીના આભૂષણો અને કિંમતી વસ્તુઓના રેકોર્ડમાં પણ ખામીઓ</h3><p style="text-align: justify; ">તપાસમાં મંદિરને મળેલા સોના-ચાંદીના આભૂષણો અને કિંમતી વસ્તુઓના રેકોર્ડમાં પણ ખામીઓ જોવા મળી હોવાનું જણાવાયું છે. અંદાજે 2.60 કરોડ રૂપિયાની કિંમતની કિંમતી ધાતુઓનો સંપૂર્ણ હિસાબ સ્ટોક રજિસ્ટર અને નાણાકીય દસ્તાવેજોમાં ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું છે.</p><h4 style="text-align: justify; ">ભોજનશાળા નિર્માણમાં પણ ગેરરીતિના આરોપ</h4><p style="text-align: justify; ">તપાસ રિપોર્ટમાં ભોજનશાળાના નિર્માણ સાથે જોડાયેલા ખર્ચ પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. આરોપ છે કે ભોજનશાળાના નિર્માણ માટે લગભગ 49.49 લાખ રૂપિયાના બિલ રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે નિર્માણના મોટા ભાગનું કામ એક દાતાએ પોતાના ખર્ચે કરાવ્યું હતું.</p><p style="text-align: justify; ">આ ઉપરાંત રસોડાના ખર્ચમાં પણ એક વર્ષ દરમિયાન અસામાન્ય વધારો દર્શાવવામાં આવ્યો હોવાનું તપાસમાં નોંધાયું છે. બે વર્ષ દરમિયાન સીસીટીવી સિસ્ટમ પાછળ 82.41 લાખ રૂપિયાનો ખર્ચ દર્શાવવામાં આવ્યો હતો, પરંતુ તેના માટે જરૂરી ટેન્ડર પ્રક્રિયા અથવા કોટેશનના પુરાવા મળ્યા ન હોવાનું જણાવાયું છે.</p><p style="text-align: justify; ">તપાસમાં ગૌશાળાની જાળવણી, સુરક્ષા વ્યવસ્થા, ગ્રામ વિકાસ, મરામત, ફર્નિચર અને કમ્પ્યુટર સંબંધિત ખર્ચમાં પણ અનેક જગ્યાએ પૂરતા દસ્તાવેજોના અભાવની વાત સામે આવી છે. દાન પેટીમાં મળેલી રકમ અને બેંક ખાતામાં નોંધાયેલી રકમ વચ્ચે પણ તફાવત મળ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.</p><h4 style="text-align: justify; ">કડક કાર્યવાહી કરવાની ભલામણ</h4><p style="text-align: justify; ">તપાસ સમિતિએ સંબંધિત જવાબદાર લોકો સામે એફઆઈઆર નોંધવા, ફોરેન્સિક ઓડિટ કરાવવા અને નિયમ મુજબ કાનૂની કાર્યવાહી કરવાની ભલામણ કરી છે. હવે આ મામલે આગળની કાર્યવાહી પર નજર રાખવામાં આવી રહી છે.</p><p style="text-align: justify; ">બૂટાટી ધામને લઈને લોકોમાં અતૂટ શ્રદ્ધા છે. માન્યતા છે કે અહીં પ્રાર્થના અને સારવાર જેવી પરંપરાઓથી લકવાના દર્દીઓને લાભ મળે છે, જેના કારણે દેશના વિવિધ રાજ્યો તેમજ વિદેશોમાંથી પણ લોકો અહીં આવે છે.</p><h4 style="text-align: justify; ">રાજકીય વિવાદ પણ શરૂ</h4><p style="text-align: justify; ">આ મામલો હવે રાજકીય ચર્ચાનો વિષય પણ બન્યો છે. રાજસ્થાન વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ટીકરામ જુલીએ આ મુદ્દે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે આટલા મોટા આસ્થા કેન્દ્રમાં જો લાંબા સમયથી નાણાકીય ગેરરીતિ ચાલી રહી હતી તો સંબંધિત વિભાગો અને વહીવટીતંત્રની જવાબદારી નક્કી થવી જોઈએ.</p><p style="text-align: justify; ">તેમણે સમગ્ર મામલાની નિષ્પક્ષ અને પારદર્શક તપાસની માંગ કરી છે. સાથે જ તેમણે કહ્યું કે દાનની રકમ, ચઢાવા અને અન્ય નાણાકીય વ્યવહારો અંગે સંપૂર્ણ સત્ય બહાર આવવું જોઈએ અને જો કોઈ દોષિત હોય તો તેના વિરુદ્ધ ભેદભાવ વિના કાર્યવાહી થવી જોઈએ. આ મામલે હવે મંદિર વ્યવસ્થા, વહીવટીતંત્ર અને તપાસ એજન્સીઓની આગામી કાર્યવાહી મહત્વપૂર્ણ રહેશે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/0rtW0SjmRBuoyLMQcXKhGjHaVi8u9ljPvhhHvbty.webp'/></item><item><title><![CDATA[Patan : માત્ર 5 હજારના વ્યાજની ઉઘરાણીમાં નરાધમે મહિલાને જીવતી સળગાવી, સારવાર દરમિયાન મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/patan/patan-loan-shark-burns-woman-alive-pinky-patni-five-thousand-rupees</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/patan/patan-loan-shark-burns-woman-alive-pinky-patni-five-thousand-rupees</guid><pubDate>Tue, 14 Jul 2026 08:21:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં વ્યાજખોરોનો ત્રાસ અને તેમની દાદાગીરી કઈ હદે વધી ગઈ છે, તેનો એક અત્યંત દર્દનાક અને હચમચાવી દેતો કિસ્સો પાટણ શહેરમાંથી સામે આવ્યો છે. અહીં માત્ર રૂ. 5 હજાપ જેવી નજીવી રકમની વ્યાજની ઉઘરાણી બાબતે થયેલા વિવાદમાં એક વ્યાજખોરે ક્રૂરતાની તમામ હદો વટાવીને એક નિર્દોષ મહિલાને જીવતી સળગાવી દીધી છે.  ગંભીર રીતે દાઝી ગયેલી 35 વર્ષીય મહિલાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરુણ મોત નીપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે રોષ ફાટી નીકળ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>ઘરખર્ચ માટે સ્થાનિક વ્યાજખોર બાબુ રાવળ પાસેથી પૈસા વ્યાજે લીધા</b></h2><p style="text-align: justify; ">પ્રાપ્ત વિગતો અનુસાર, પાટણની રહેવાસી પિંકીબેન પટણી (ઉંમર 35 વર્ષ) નામના મહિલાએ પોતાના ઘરખર્ચ માટે સ્થાનિક વ્યાજખોર બાબુ રાવળ પાસેથી પૈસા વ્યાજે લીધા હતા.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>બાબુએ મહિલાને જીવતી સળગાવી</b></h3><p style="text-align: justify; ">પિંકીબેને વ્યાજખોર બાબુ રાવળ પાસે નાણાં ચૂકવવા માટે થોડી મુદત માંગી હતી. પરંતુ વ્યાજના નશામાં અંધ બનેલા આરોપી બાબુ રાવળે ઉશ્કેરાઈ જઈને મહિલા પર હુમલો કરી દીધો હતો. વિવાદ એટલો વધ્યો કે નરાધમ બાબુએ મહિલા પર જ્વલનશીલ પ્રવાહી રેડીને ક્રૂરતાપૂર્વક આગ ચાંપી દીધી હતી.</p><h4 style="text-align: justify; "><b>મહિલાનું સારવાર દરમિયાન મોત&nbsp;</b></h4><p style="text-align: justify; ">આ જીવલેણ હુમલામાં ગંભીર રીતે દાઝી ગયેલા પિંકીબેનને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનો જીવ બચી શક્યો ન હતો.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>આરોપી પણ દાઝ્યો</b></h4><p style="text-align: justify; ">આ જઘન્ય કૃત્ય આચરતી વખતે આરોપી બાબુ રાવળ પોતે પણ આશરે 40 ટકા જેટલો દાઝી ગયો હોવાના અહેવાલ છે, જે હાલ પોલીસ જાપતા હેઠળ સારવાર હેઠળ છે.</p><h5 style="text-align: justify; "><b>પોલીસે તપાસ શરુ કરી&nbsp;</b></h5><p style="text-align: justify; ">ઘટનાની ગંભીરતાને જોતાં પાટણ પોલીસે તાત્કાલિક કડક પગલાં લીધા છે. મહિલાના મોત બાદ પોલીસે આ ગુનામાં કાયદેસરની હત્યાની કલમ નો ઉમેરો કર્યો છે. વ્યાજખોરીના આ દૂષણે વધુ એક હસતા-રમતા પરિવારનો માળો વિખેરી નાખ્યો છે, ત્યારે સ્થાનિક લોકો આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><b>&nbsp; &nbsp;આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-indepth-gujarat-monsoon-2026-rain-deficit-paresh-goswami-weather-forecast-july-round" target="_blank">Sandesh Indepth : ચોમાસું ખોટકાયું, ગુજરાતમાં ગત વર્ષ કરતાં અડધો જ વરસાદ; 24.64% સાથે ખેડૂતો ચિંતિત, જળસંકટની ભીતિ!</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/2x5TxrwWUNLziYQn62gtVqG0XlqFU70VLKIfXPnH.webp'/></item><item><title><![CDATA[Fifa world cup 2030માં હવે 64 ટીમ રમશે! શું ભારતીય ફૂટબોલ ટીમ ક્વોલિફાય કરશે? ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2030-will-now-have-64-teams-will-the-indian-football-team-qualify</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2030-will-now-have-64-teams-will-the-indian-football-team-qualify</guid><pubDate>Mon, 13 Jul 2026 14:23:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">FIFA પ્રમુખ ગિયાની ઇન્ફન્ટિનોએ સંકેત આપ્યો છે કે 2030 FIFA મેન્સ વર્લ્ડ કપમાં ટીમોની સંખ્યા વધારીને 64 કરવાના પ્રસ્તાવ પર ગંભીરતાથી વિચાર કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે 2026 ના વર્તમાન વર્લ્ડ કપ પૂર્ણ થયા પછી સંબંધિત FIFA સમિતિઓ આ મુદ્દા પર ચર્ચા કરશે. ઇન્ફન્ટિનોનું માનવું છે કે વિશ્વના દરેક દેશને વર્લ્ડ કપમાં રમવાનું સ્વપ્ન જોવાની તક મળવી જોઈએ, કારણ કે આનાથી નાના રાષ્ટ્રોને પણ વધુ સારું પ્રદર્શન કરવા અને ફૂટબોલનું સ્તર વધારવા માટે પ્રેરણા મળશે.</p><h4 style="text-align: justify; "><b>દરેક દેશને વર્લ્ડ કપમાં રમવાની તક મળવી જોઈએ</b></h4><p style="text-align: justify; ">મીડિયા રિપોર્ટ અનુસાર આ વર્લ્ડ કપ પછી 64 ટીમોના વર્લ્ડ કપના મુદ્દા પર સંબંધિત સમિતિઓમાં ચોક્કસપણે ચર્ચા કરવામાં આવશે.તેમણે વધુમાં ઉમેર્યું,દરેક દેશને વર્લ્ડ કપમાં રમવાનું સ્વપ્ન જોવાનો અધિકાર હોવો જોઈએ. વિશ્વભરની ટીમોનું સ્તર સતત સુધરી રહ્યું છે. જો નાના રાષ્ટ્રોને વર્લ્ડ કપમાં રમવાની તક નહીં મળે, તો તેઓ પ્રગતિ કરવાની પ્રેરણા ગુમાવી દેશે.</p><h4 style="text-align: justify; "><b>2026 માં પહેલી વાર 48 ટીમોનો વર્લ્ડ કપ</b></h4><p style="text-align: justify; ">અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકા, કેનેડા અને મેક્સિકોના સંયુક્ત યજમાનપદે રમાઈ રહેલો ચાલુ 2026 ફિફા વર્લ્ડ કપ ઇતિહાસનો પ્રથમ એવો વર્લ્ડ કપ છે જેમાં 48 ટીમો ભાગ લઈ રહી છે. આ પહેલા 1998થી 2022 સુધીના વર્લ્ડ કપમાં માત્ર 32 ટીમો જ તી હતી.</p><h5 style="text-align: justify; "><b>48 ટીમોનું ફોર્મેટ સંપૂર્ણ સફળતા</b></h5><p style="text-align: justify; ">FIFA પ્રમુખે 32 થી 48 ટીમોના વિસ્તરણને સંપૂર્ણ સફળતા ગણાવી, કહ્યું કે આ નિર્ણય ફૂટબોલના વૈશ્વિક વિકાસ માટે અત્યંત સકારાત્મક સાબિત થયો છે. તેમણે ઉમેર્યું કે જો ભવિષ્યમાં 64 ટીમોનું ફોર્મેટ લાગુ કરવામાં આવે છે, તો તે વધુ દેશોને ભાગ લેવાની મંજૂરી આપશે, જોકે મેચોની સંખ્યા, સંગઠન અને લોજિસ્ટિક્સ જેવા પડકારો પણ વધશે.</p><h4 style="text-align: justify; "><b>ભારતીય ફૂટબોલ ટીમ માટે મોટી તક&nbsp;</b></h4><p style="text-align: justify; ">આ સમાચાર ભારતીય ફૂટબોલ ચાહકો માટે એક મોટો ઉત્સાહ છે. જ્યારે વર્લ્ડ કપમાં 32 ટીમો હતી ત્યારે એશિયા (AFC) પાસે ખૂબ જ મર્યાદિત સ્થાનો હતા, જેના કારણે ભારત માટે ક્વોલિફાય થવું લગભગ અશક્ય હતું. જ્યારે 2026 માં ટીમોની સંખ્યા વધીને 48 થઈ ગઈ, ત્યારે એશિયાનો ક્વોટા વધ્યો, જેનાથી આશાઓ જાગી. હવે, જો 2030 માં કુલ 64 ટીમો ભાગ લે છે, તો એશિયન દેશોનો ક્વોલિફાય ક્વોટા વધુ વધશે.</p><h5 style="text-align: justify; "><b>2030નો વર્લ્ડ કપ કેમ રહેશે ઐતિહાસિક?</b></h5><p style="text-align: justify; ">2030નો ફિફા વર્લ્ડ કપ ફૂટબોલના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે, કારણ કે આ ટુર્નામેન્ટ 3ખંડોના 6 દેશોમાં યોજાવાની છે. જેમાં મોરોક્કો, પોર્ટુગલ, સ્પેન, ઉરુગ્વે, આર્જેન્ટિના અને પેરાગ્વેનો સમાવેશ થાય છે. વર્ષ 1930માં પ્રથમ ફિફા વર્લ્ડ કપનું આયોજન કરનાર ઉરુગ્વે તેની શતાબ્દીનિમિત્તે એક ખાસ ઉદ્ઘાટન મેચની યજમાની કરશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-semi-final-schedule-announced-know-who-will-face-whom" target="_blank"> Fifa World Cup 2026: સેમીફાઈનલનું શેડ્યુલ જાહેર, જાણો કોણ કોની સાથે ટકરાશે?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/13/xeFRs909ugoKN6gGEstb9OR52kBRo56ouAW5w1Yb.webp'/></item></channel></rss>