<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Suratમાં ભારે વરસાદ બાદ તંત્ર એક્શન મોડમાં: રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગ એલર્ટ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/authorities-in-action-mode-after-heavy-rains-in-surat-health-department-on-alert-to-prevent-epidemic</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/authorities-in-action-mode-after-heavy-rains-in-surat-health-department-on-alert-to-prevent-epidemic</guid><pubDate>Mon, 13 Jul 2026 17:02:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ હળવી થતાં જ હવે રોગચાળો ફાટી ન નીકળે તે માટે સુરત મહાનગરપાલિકા (SMC) ના આરોગ્ય વિભાગે કમર કસી છે. મનપા દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સફાઈ અને આરોગ્ય લક્ષી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. શહેરીજનોના સ્વાસ્થ્યની સુખાકારી માટે તંત્ર દ્વારા ઠેર-ઠેર ખાસ મેડિકલ કેમ્પ અને મોટા પાયે સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>લાખો ઘરોમાં સર્વેલન્સ અને ક્લોરિન-ORS નું વિતરણ</b></h2><p style="text-align: justify; ">વરસાદી માહોલ બાદ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો અટકાવવા માટે અત્યાર સુધીમાં શહેરના આશરે 1.67 લાખ ઘરોમાં સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. રોગચાળા સામે રક્ષણ મેળવવા માટે મનપાની ટીમો દ્વારા 2.22 લાખ લોકોને ક્લોરિન ટેબ્લેટ અને 53 હજારથી વધુ લોકોને ઓઆરએસ (ORS) ના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. પીવાના પાણીના શુદ્ધિકરણ અને કટોકટીના સમયે ઓઆરએસ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>મેડિકલ કેમ્પમાં નાગરિકોની તપાસ અને સફાઈ અભિયાન તેજ</b></h3><p style="text-align: justify; ">શહેરમાં અલગ-અલગ જગ્યાએ યોજાયેલા 15 જેટલા ખાસ મેડિકલ કેમ્પ દ્વારા 1,293થી વધુ નાગરિકોની આરોગ્ય તપાસ કરવામાં આવી છે, જેમાંથી 1,226 જેટલા સામાન્ય દર્દીઓને સ્થળ પર જ જરૂરી દવાઓ આપી સારવાર કરવામાં આવી છે. બીજી તરફ, ગંદકી દૂર કરવા માટે છેલ્લા 5 દિવસમાં રેકોર્ડબ્રેક 9,718 મેટ્રિક ટન ઘન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. આ મહાઅભિયાનમાં 10,000થી વધુ સફાઈ કર્મચારીઓ, 120થી વધુ જેસીબી (JCB) અને 250થી વધુ વાહનો રાત-દિવસ કાર્યરત છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/13/mIPQD9uhLKXoVBTOkt2DksSBRjxYeb9GHvcSe2nB.webp'/></item><item><title><![CDATA[Retail Inflation : જૂન 2026માં છુટક મોંઘવારી દર 4.38 ટકા નોંધાયો, ખાદ્ય મોંઘવારી દર 5.32% પર પહોંચ્યો ]]></title><link>https://sandesh.com/india/news/business/retail-inflation-june-2026-rises-4-38-percent-food-inflation-5-32</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/retail-inflation-june-2026-rises-4-38-percent-food-inflation-5-32</guid><pubDate>Mon, 13 Jul 2026 16:59:50 +05:30</pubDate><description><![CDATA[<p>જૂન 2026 દરમિયાન દેશમાં ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) આધારિત રિટેલ મોંઘવારી દર 4.38 ટકા નોંધાયો છે. આ આંકડો જૂન 2025ની સરખામણીએ વર્ષદરવર્ષના આધારે જાહેર કરવામાં આવ્યો છે અને હાલ તે પ્રોવિઝનલ છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં મોંઘવારીનો દર 4.74 ટકા રહ્યો છે, જ્યારે શહેરી વિસ્તારોમાં તે 3.92 ટકા નોંધાયો છે.&nbsp;</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2076623808233177492"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>સામાન્ય પરિવારોના ઘરખર્ચ સીધી અસર</b></h2><p>આથી સ્પષ્ટ થાય છે કે ગામડાંમાં જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં શહેરોની સરખામણીએ વધુ વધારો થયો છે. ખાદ્ય ચીજવસ્તુઓની વાત કરીએ તો ગ્રાહક ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ (CFPI) આધારિત ખાદ્ય મોંઘવારી જૂન 2026માં 5.32 ટકા રહી છે. ખાદ્ય મોંઘવારી રિટેલ મોંઘવારી કરતાં વધુ હોવાથી સામાન્ય પરિવારોના ઘરખર્ચ પર તેની સીધી અસર પડી શકે છે.&nbsp;</p><h3><b>મોંઘવારીનું દબાણ યથાવત રહેવાની શક્યતા</b></h3><p>ખાસ કરીને અનાજ, શાકભાજી, ફળો અને અન્ય આવશ્યક ખાદ્ય વસ્તુઓના ભાવમાં થયેલા વધારાને કારણે મોંઘવારીનું દબાણ યથાવત રહેવાની શક્યતા છે. રિટેલ મોંઘવારીના આંકડા દેશની અર્થવ્યવસ્થા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તેના આધારે ભારતીય રિઝર્વ બેન્ક (RBI) વ્યાજદર અંગેના નિર્ણયો લેતી હોય છે.&nbsp;</p><p>જો મોંઘવારી લાંબા સમય સુધી ઊંચી રહે તો વ્યાજદરમાં ફેરફાર થવાની સંભાવના વધી શકે છે. હાલ જાહેર થયેલા આંકડાઓથી સ્પષ્ટ થાય છે કે મોંઘવારી હજુ પણ આરબીઆઈના લક્ષ્યાંકની મર્યાદામાં છે, પરંતુ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો ચિંતાનો વિષય બની રહ્યો છે.<br><br><b><a href="https://sandesh.com/business/news/know-here-emergency-loan-without-credit-card-best-options" target="_blank">આ પણ વાંચો : ક્રેડિટ કાર્ડ નથી તો ઈમરજન્સીમાં ક્યાંથી મળશે પૈસા...? જાણો શું છે અન્ય વિકલ્પ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/13/nke1g7kgRuIK1sHoa4uvcW5ymgytdPvGSbEi7Ezp.webp'/></item><item><title><![CDATA[Retail Inflation : જૂન 2026માં છુટક મોંઘવારી દર 4.38 ટકા નોંધાયો, ખાદ્ય મોંઘવારી દર 5.32% પર પહોંચ્યો ]]></title><link>https://sandesh.com/india/news/business/retail-inflation-june-2026-rises-4-38-percent-food-inflation-5-32</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/retail-inflation-june-2026-rises-4-38-percent-food-inflation-5-32</guid><pubDate>Mon, 13 Jul 2026 16:59:50 +05:30</pubDate><description><![CDATA[<p>જૂન 2026 દરમિયાન દેશમાં ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) આધારિત રિટેલ મોંઘવારી દર 4.38 ટકા નોંધાયો છે. આ આંકડો જૂન 2025ની સરખામણીએ વર્ષદરવર્ષના આધારે જાહેર કરવામાં આવ્યો છે અને હાલ તે પ્રોવિઝનલ છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં મોંઘવારીનો દર 4.74 ટકા રહ્યો છે, જ્યારે શહેરી વિસ્તારોમાં તે 3.92 ટકા નોંધાયો છે.&nbsp;</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2076623808233177492"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>સામાન્ય પરિવારોના ઘરખર્ચ સીધી અસર</b></h2><p>આથી સ્પષ્ટ થાય છે કે ગામડાંમાં જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં શહેરોની સરખામણીએ વધુ વધારો થયો છે. ખાદ્ય ચીજવસ્તુઓની વાત કરીએ તો ગ્રાહક ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ (CFPI) આધારિત ખાદ્ય મોંઘવારી જૂન 2026માં 5.32 ટકા રહી છે. ખાદ્ય મોંઘવારી રિટેલ મોંઘવારી કરતાં વધુ હોવાથી સામાન્ય પરિવારોના ઘરખર્ચ પર તેની સીધી અસર પડી શકે છે.&nbsp;</p><h3><b>મોંઘવારીનું દબાણ યથાવત રહેવાની શક્યતા</b></h3><p>ખાસ કરીને અનાજ, શાકભાજી, ફળો અને અન્ય આવશ્યક ખાદ્ય વસ્તુઓના ભાવમાં થયેલા વધારાને કારણે મોંઘવારીનું દબાણ યથાવત રહેવાની શક્યતા છે. રિટેલ મોંઘવારીના આંકડા દેશની અર્થવ્યવસ્થા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તેના આધારે ભારતીય રિઝર્વ બેન્ક (RBI) વ્યાજદર અંગેના નિર્ણયો લેતી હોય છે.&nbsp;</p><p>જો મોંઘવારી લાંબા સમય સુધી ઊંચી રહે તો વ્યાજદરમાં ફેરફાર થવાની સંભાવના વધી શકે છે. હાલ જાહેર થયેલા આંકડાઓથી સ્પષ્ટ થાય છે કે મોંઘવારી હજુ પણ આરબીઆઈના લક્ષ્યાંકની મર્યાદામાં છે, પરંતુ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો ચિંતાનો વિષય બની રહ્યો છે.<br><br><b><a href="https://sandesh.com/business/news/know-here-emergency-loan-without-credit-card-best-options" target="_blank">આ પણ વાંચો : ક્રેડિટ કાર્ડ નથી તો ઈમરજન્સીમાં ક્યાંથી મળશે પૈસા...? જાણો શું છે અન્ય વિકલ્પ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/13/nke1g7kgRuIK1sHoa4uvcW5ymgytdPvGSbEi7Ezp.webp'/></item><item><title><![CDATA[Suratમાં રીઢો ચેન સ્નેચર સ્પોર્ટ્સ બાઈક સાથે ઝડપાયો: જામીન પર છૂટેલા આરોપીએ વધુ 4 ગુના આચર્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/a-habitual-chain-snatcher-was-caught-with-a-sports-bike-in-surat-the-accused-who-was-released-on-bail-committed-4-more-crimes</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/a-habitual-chain-snatcher-was-caught-with-a-sports-bike-in-surat-the-accused-who-was-released-on-bail-committed-4-more-crimes</guid><pubDate>Mon, 13 Jul 2026 16:49:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતા અને રાહદારીઓમાં ફફડાટ ફેલાવતા ચેન સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે. લસકાણા પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને રીઢા ગુનેગાર વશાંત ઉર્ફે શ્યામની ધરપકડ કરી લીધી છે. આ હિંસક અને શાતિર આરોપી અગાઉ એક હત્યાના કેસમાં જેલમાં હતો અને તાજેતરમાં જ જામીન પર મુક્ત થઈને બહાર આવ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>બાઈક પર ત્રાટકતો અને મહિલાઓને બનાવતો નિશાન</b></h2><p style="text-align: justify; ">પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ પણ આરોપીએ ગુનાખોરીનો માર્ગ છોડ્યો ન હતો. આરોપી સ્પોર્ટ્સ બાઈકનો ઉપયોગ કરીને રસ્તા પરથી પસાર થતી એકલદોકલ મહિલાઓ કે રાહદારીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના અને ચેન આંચકીને પૂરપાટ ઝડપે ફરાર થઈ જતો હતો. તેની સ્પીડી બાઈકના કારણે તે પોલીસના હાથે ચડતો ન હતો, પરંતુ લસકાણા પોલીસે આ વખતે તેને કોર્ડન કરીને દબોચી લીધો છે.</p><h3 style="text-align: justify; "><b>15 ગંભીર ગુનાનો ઈતિહાસ અને મુદ્દામાલ જપ્ત</b></h3><p style="text-align: justify; ">આ શાતિર આરોપીની ધરપકડ બાદ પોલીસ પૂછપરછમાં અન્ય 4 જેટલા ચેન સ્નેચિંગના વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે. ઉલ્લેખનીય છે કે આરોપી વશાંત ઉર્ફે શ્યામ સામે અગાઉ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં હત્યા અને લૂંટ સહિતના 15 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. હાલ પોલીસે આરોપી પાસેથી સ્નેચિંગ કરીને મેળવેલો તમામ મુદ્દામાલ અને ગુનામાં વપરાયેલી બાઈક કબ્જે કરી છે અને તેને રિમાન્ડ પર લેવાની તજવીજ સાથે વધુ તપાસ શરૂ કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/13/KTB3ptWnhGrkho84rwMHLl7QGGrBrhSAvlJEyBnY.webp'/></item><item><title><![CDATA[Radhika Ambani મિત્રના લગ્નમાં થઈ ભાવુક! દુલ્હનને ગળે લગાવી આંખો થઈ ભીની, અનંતનો ડાન્સ પણ બન્યો ચર્ચાનો વિષય ]]></title><link>https://sandesh.com/entertainment/news/radhika-ambani-got-emotional-at-her-friends-wedding-her-eyes-got-wet-as-she-hugged-the-bride-anants-dance-also-became-a-topic-of-discussion</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/radhika-ambani-got-emotional-at-her-friends-wedding-her-eyes-got-wet-as-she-hugged-the-bride-anants-dance-also-became-a-topic-of-discussion</guid><pubDate>Mon, 13 Jul 2026 16:39:39 +05:30</pubDate><description><![CDATA[<p>મિત્રના લગ્નમાં રાધિકા અંબાણીનો ભાવુક અંદાજ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. દુલ્હનના આગમન સમયે તેમણે ફૂલોની ચાદર પકડી અને વિદાય દરમિયાન તેને ગળે લગાવી ભાવુક થઈ ગયા. જાહ્નવી કપૂર સાથેનો તેમનો ડાન્સ વીડિયો પણ ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. બીજી તરફ, અનંત અંબાણીએ શિખર પહારિયા સાથે બારાતમાં જોરદાર ડાન્સ કરીને મહેફિલ લૂંટી લીધી.</p><p><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DaszQWRCF7N/?utm_source=ig_embed&amp;utm_campaign=loading" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DaszQWRCF7N/?utm_source=ig_embed&amp;utm_campaign=loading" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a></p><p><b>મિત્રના લગ્નમાં રાધિકા અંબાણીનો ખાસ અંદાજ&nbsp;</b></p><p>અંબાણી પરિવારની નાની પુત્રવધૂ રાધિકા અંબાણી ફરી એકવાર પોતાના નજીકના મિત્રના લગ્નમાં હાજરી આપીને ચર્ચામાં આવી છે. આ વખતે તેમની સાથે પતિ અનંત અંબાણી પણ જોવા મળ્યા હતા. બંને માત્ર મહેમાન તરીકે નહીં, પરંતુ લગ્નની લગભગ દરેક વિધિમાં સક્રિય રીતે જોડાયા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અને તસવીરોમાં રાધિકાનો સાદગીભર્યો અને લાગણીસભર અંદાજ લોકોનું દિલ જીતી રહ્યો છે. મિત્રના ખાસ દિવસને યાદગાર બનાવવા માટે તેમણે દરેક ક્ષણમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.</p><h2><b>દુલ્હન માટે પકડી ફૂલોની ચાદર, વિદાયમાં થઈ ભાવુક</b></h2><p>વાયરલ વીડિયોમાં રાધિકા અંબાણી લાલ અને સફેદ ફૂલોની ડિઝાઇનવાળો સુંદર લહેંગો પહેરેલી જોવા મળે છે. કન્યાના આગમન સમયે તેમણે અન્ય મિત્રો સાથે મળીને ફૂલોની ચાદર પકડી હતી. સામાન્ય રીતે આ વિધિ કન્યાના ભાઈઓ દ્વારા કરવામાં આવે છે, પરંતુ આ લગ્નમાં મિત્રોએ આ જવાબદારી નિભાવી હતી. સૌથી ભાવુક ક્ષણ ત્યારે જોવા મળી જ્યારે વિદાય દરમિયાન રાધિકાએ દુલ્હનને ગળે લગાવી હતી. આ સમયે તેમની આંખોમાં આંસુ સ્પષ્ટ દેખાતા હતા, જેના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.</p><h3><b>જાહ્નવી કપૂર અને રાધિકાના ડાન્સે જીત્યું દિલ</b></h3><p>લગ્ન સમારોહ દરમિયાન રાધિકા અંબાણીનો એક અલગ જ અંદાજ પણ જોવા મળ્યો. ભાવુક પળો વચ્ચે તેમણે મિત્રો સાથે જોરદાર ડાન્સ કરીને ઉજવણીમાં રંગ જમાવ્યો. એક વાયરલ વીડિયોમાં તેઓ અભિનેત્રી જાહ્નવી કપૂર સાથે ડાન્સ ફ્લોર પર થિરકતા જોવા મળે છે. બંનેની એનર્જી અને ખુશીભર્યો અંદાજ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. ચાહકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને રાધિકાની સાદગી તેમજ મિત્રતા પ્રત્યેના સમર્પણની પ્રશંસા કરી રહ્યા છે.</p><h4><b>અનંત અંબાણીએ બારાતમાં મચાવી ધમાલ</b></h4><p>બીજી તરફ અનંત અંબાણી પણ મિત્રની બારાતમાં પૂરા ઉત્સાહ સાથે જોડાયા હતા. વાયરલ થયેલા વીડિયોમાં તેઓ શિખર પહારિયા સાથે જોરદાર ડાન્સ કરતા જોવા મળે છે. બંનેએ બારાતમાં એવા ડાન્સ મૂવ્સ બતાવ્યા કે મહેમાનો પણ ઝૂમી ઉઠ્યા. લગ્ન દરમિયાન રાધિકા અને અનંતનો આ સરળ, લાગણીસભર અને આનંદથી ભરેલો અંદાજ સોશિયલ મીડિયા યુઝર્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. ચાહકોનું કહેવું છે કે અંબાણી પરિવારની નાની વહુ અને અનંત અંબાણીએ મિત્રતાને નિભાવવાનો સુંદર દાખલો રજૂ કર્યો છે.</p><p><br></p><p><a href="https://sandesh.com/entertainment/news/sonakshi-sinha-angry-on-paparazzi-car-privacy-incident" target="_blank">આ પણ વાંચો : Paparazzi Or Celebrity : 'હવે ગાડીની અંદર ન આવતા', પાપારાઝી પર ભડકી સોનાક્ષી સિંહા!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/13/PL1ivwITxkqzCNrlBkvMpwcOjUU4ickbdhYTm70e.webp'/></item><item><title><![CDATA[Tapiની ઉકાઈ કેનાલમાંથી ગુમ થયેલા રાજસ્થાની યુવકનો મૃતદેહ મળ્યો, નહેરનું પાણી ખાલી કરી મૃતદેહ બહાર કઢાયો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/tapi/body-of-missing-rajasthani-youth-found-in-tapis-ukai-canal-body-pulled-out-after-draining-canal-water</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/tapi/body-of-missing-rajasthani-youth-found-in-tapis-ukai-canal-body-pulled-out-after-draining-canal-water</guid><pubDate>Mon, 13 Jul 2026 16:34:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">તાપી જિલ્લાના વ્યારામાંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠાની કેનાલમાંથી એક યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ મૃતક યુવક મૂળ રાજસ્થાનનો વતની હતો અને છેલ્લા કેટલાક દિવસોથી ગુમ હતો. સ્થાનિક વહીવટી તંત્ર, એસ.ડી.આર.એફ. (SDRF) અને ફાયર બ્રિગેડની ટીમોએ ભારે જહેમત ઉઠાવીને કેનાલમાંથી યુવકના મૃતદેહને બહાર કાઢ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>હોસ્પિટલમાં ફર્નિચરનું કામ કરતો યુવક ૩જી તારીખથી હતો ગુમ</b></h2><p style="text-align: justify; ">પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક યુવકની ઓળખ ભંવરસિંહ ભાગુસિંહ નોખા (રાજપૂત) તરીકે થઈ છે, જે મૂળ રાજસ્થાનના બિકાનેર જિલ્લાનો વતની હતો. ભંવરસિંહ હાલમાં વ્યારા ખાતે આવેલી બ્લેસિંગ મલ્ટિસ્પેશિયલિસ્ટ અને સુપર સ્પેશિયલિસ્ટ હોસ્પિટલમાં રહીને ત્યાં ફર્નિચરનું કામ કરતો હતો. ગત ત્રીજી તારીખથી તે અચાનક ભેદી સંજોગોમાં ગુમ થયો હતો, જે અંગે સ્થાનિક પોલીસ મથકે તેની ગુમશુદગીની ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી.</p><h3 style="text-align: justify; "><b>મોબાઈલ લોકેશનના આધારે શોધખોળ અને પોલીસ તપાસ</b></h3><p style="text-align: justify; ">યુવકની ભાળ મેળવવા માટે પોલીસે ટેકનિકલ સોર્સની મદદ લીધી હતી, જેમાં તેનો મોબાઈલ લોકેશન ઉકાઈ ડાબા કાંઠાની કેનાલ આસપાસ બતાવતો હતો. આ સચોટ લોકેશનના આધારે ફાયર બ્રિગેડ અને એસ.ડી.આર.એફ.ની ટીમે તપાસ આદરી હતી. કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી નહેરનું પાણી ખાલી કરાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ યુવકનો મૃતદેહ શોધી બહાર કઢાયો હતો. હાલ પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી, યુવકે આપઘાત કર્યો છે કે તેની હત્યા થઈ છે તે દિશામાં ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/13/3CC2GV73m7IsnLv4vDq5YPPsJ0tyWCNUyfeSUJ6F.webp'/></item><item><title><![CDATA[Corona Virus: કોરાના વાયરસનો ફરી પગપેસારો, વારાણસીમાં એક વ્યક્તિને કારોના પોઝિટીવ ]]></title><link>https://sandesh.com/india/news/know-here--27-year-old-man-corona-virus-tests-positive-in-varanasi</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/know-here--27-year-old-man-corona-virus-tests-positive-in-varanasi</guid><pubDate>Mon, 13 Jul 2026 16:26:54 +05:30</pubDate><description><![CDATA[<p>આંધ્રપ્રદેશ, મુંબઈ બાદ હવે વારાણસીમાં એક વ્યક્તિને કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મળતી માહિતી અનુસાર શ્વાસ લેવામાં તકલીફ અનુભવતા એક યુવાનનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. IMS BHU ના અધિકારીઓએ જણાવ્યું હતું કે કોરોનાવાયરસ ખતમ થયો નથી.&nbsp;</p><p>શરૂઆતમાં, જ્યારે ચેપગ્રસ્ત વ્યક્તિઓ મળી આવી હતી, ત્યારે વાયરસ એક નવો પ્રકાર હતો, અને સામાન્ય લોકોમાં તેની સામે લડવા માટે એન્ટિબોડીઝનો અભાવ હતો. તે સમયે દરેક વ્યક્તિ સંવેદનશીલ હતો. રસીકરણ ચાલુ હોવા છતાં, કોરોનાવાયરસની બીજી લહેર દરમિયાન પણ લોકો ચેપગ્રસ્ત થયા હતા. આના કારણે લોકોના શરીરમાં પૂરતા પ્રમાણમાં એન્ટિબોડીઝનું નિર્માણ થયું છે.</p><h2><b>27 વર્ષના વ્યક્તિને કોરાના પોઝિટીવ</b></h2><p>આ કારણથી એક્ટિવ હોવા છતાં કોરોનાવાયરસ પહેલાની જેમ લોકોને સંક્રમિત કરી રહ્યો નથી. ફક્ત નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો જ વધુ જોખમમાં છે, પરંતુ આ કેસ ભાગ્યે જ ગંભીર સ્તરે પહોંચે છે. BHU હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, કોરોનાવાયરસથી સંક્રમિત 27 વર્ષીય વ્યક્તિ જિલ્લાના આશાપુરનો રહેવાસી છે. તેને ઘણા દિવસોથી શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.</p><h3><b>હોસ્પિટલમાં દાખલ</b></h3><p>છાતી અને ક્ષય રોગ વિભાગમાં કોરોનાવાયરસ પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ યુવાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરિવારના સભ્યોને પણ સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. યુવાનના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી રહી છે. ભૂતકાળમાં COVID-19 ના કેસ નોંધાયા છે. નિષ્ણાતો કહે છે કે ચેપ ટાળવા માટે સતર્ક રહેવું અને રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવી જરૂરી છે. જો ચેપની શંકા હોય તો તબીબી સલાહ લેવી જોઈએ. હોસ્પિટલમાં દાખલ થવું જોઈએ. જોકે, આ પરિસ્થિતિ આપણને ફરી એકવાર યાદ અપાવે છે કે કોરોનાવાયરસ હજુ પણ હાજર છે અને આપણે આપણી સલામતી પ્રત્યે સતર્ક રહેવું જોઈએ.</p><p>આ પણ વાંચો:<a href="https://sandesh.com/business/news/know-here-emergency-loan-without-credit-card-best-options" target="_blank"><b> ક્રેડિટ કાર્ડ નથી તો ઈમરજન્સીમાં ક્યાંથી મળશે પૈસા...? જાણો શું છે અન્ય વિકલ્પ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/13/LLfxbegHm9xGAvYVlP1x17B16YC8V948gdOoqZiI.webp'/></item><item><title><![CDATA[Mehsana News: ખેરવામાં વૃદ્ધની આંખમાં મરચું નાખી છરીના ઘા માર્યા, 10 લાખની લૂંટ ચલાવી લૂંટારા ફરાર ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/mehsana/elderly-man-attacked-with-knife-robbers-loot-rs-10-lakh-in-kherva</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/mehsana/elderly-man-attacked-with-knife-robbers-loot-rs-10-lakh-in-kherva</guid><pubDate>Mon, 13 Jul 2026 16:13:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મહેસાણા જિલ્લામાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિન પ્રતિદિન કથળી રહી છે.આજે ખેરવા ગામમાં ધોળેદિવસે એક લૂંટની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.લૂંટારુઓ એક વૃદ્ધને નિશાન બનાવી તેમની આંખમાં મરચાની ભૂકી નાખીને છરી વડે જીવલેણ હુમલો કરી રૂ. 1.50 લાખ રોકડ અને 8 તોલા સોનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતાં.</p><h2 style="text-align: justify; "><b>થેલીના નકુચા કાપીને લાખોની મત્તા લૂંટી</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, ખેરવા ગામના રહેવાસી 60 વર્ષીય વૃદ્ધ રમેશભાઈ ગોવિંદભાઈ પટેલ ખેરવા ક્રેડિટ કોઓપરેટીવ સોસાયટીમાંથી બહાર નીકળી રહ્યા હતા. તેઓ જેવા સોસાયટીની બહાર આવ્યા કે તરત જ અગાઉથી ટાંપીને બેઠેલા લૂંટારુઓએ તેમના પર હુમલો કર્યો હતો.લૂંટારુઓએ સૌપ્રથમ રમેશભાઈની આંખમાં મરચાની ભૂકી નાખી દીધી હતી. વૃદ્ધ કંઈ સમજે તે પહેલાં જ લૂંટારુઓએ તીક્ષ્ણ છરી વડે તેમના પર હુમલો કર્યો હતો. છરી રમેશભાઈના હાથમાં આરપાર ઘૂસી ગઈ હતી.લોહીલુહાણ હાલતમાં વૃદ્ધે પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો પરંતુ લૂંટારુઓ તેમની પાસે રહેલી થેલીના નકુચા કાપીને લાખોની મત્તા લૂંટીને નાસી છૂટ્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>લૂંટારુઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન</b></h2><p style="text-align: justify; ">લૂંટારુઓ વૃદ્ધ પાસેથી આશરે 1.50 લાખ રૂપિયા રોકડા અને 8 તોલા સોનું મળીને અંદાજે 10 લાખ રૂપિયાની મતાની લૂંટ ચલાવી ગયા છે.ઘટના પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને લોહીલુહાણ હાલતમાં રમેશભાઈને તાત્કાલિક સારવાર અર્થે લાયન્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની સ્થિતિ અત્યંત ગંભીર જણાતા વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.જ્યાં હાલ તબીબો દ્વારા રમેશભાઈની તાત્કાલિક સારવાર શરૂ કરાઈ હતી.ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી ગયો છે અને લૂંટારુઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.<br></p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ&nbsp;</p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/13/TMaQum3n4Qmb2F5cFyUpqy1ntGoI5OcYYZnB7J8F.webp'/></item><item><title><![CDATA[Gujarat Weather : રાજ્યમાં વરસાદ ખેંચાતા ગરમી અને ઉકળાટનું જોર વધશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/weather/ahmedabad/rain-weakens-heat-and-humidity-to-rise-across-state</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/weather/ahmedabad/rain-weakens-heat-and-humidity-to-rise-across-state</guid><pubDate>Mon, 13 Jul 2026 15:56:12 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં 	બે દિવસ વરસાદ થયા બાદ ચોમાસુ નબળુ પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ગરમી અને બફારાને કારણે લોકો હેરાન થઈ રહ્યાં છે. ત્યારે રાજ્યમાં આગામી સપ્તાહમાં ઓછા વરસાદની સંભાવના છે. ગરમી અને ઉકળાટનું જોર વધશે. હવામાન વિભાગે હાલમાં રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે. અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધશે. ભેજનું પ્રમાણ વધતાં ગરમીનું જોર વધવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ગુજરાતમાં 20 ટકાથી વધારે વરસાદની ઘટ</b></h2><p style="text-align: justify; ">ગુજરાતમાં 20 ટકાથી વધારે વરસાદની ઘટ હોવાનું સામે આવ્યું છે. અલનીનોની અસરને કારણે ગુજરાતમાં ઓછા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. જ્યારે ઉત્તર પૂર્વ ભારતમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આગામી ત્રણથી ચાર દિવસ ઉત્તર અને પૂર્વ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. બંગાળ અને બિહારમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. આજે મેઘાલયમાં ભારે વરસાદની સંભાવનાઓ છે. જ્યારે સિક્કિમમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ માટે વરસાદની ચેતવણી</b></h2><p style="text-align: justify; ">હવામાન વિભાગે પહાડી રાજ્યો જમ્મુ-કાશ્મીર,લદ્દાખ,હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ માટે વરસાદની ચેતવણી જાહેર કરી છે. આ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન, રસ્તા બંધ થવા અને પાણી ભરાવાની સમસ્યા વધી શકે છે.બીજી તરફ પંજાબ, ચંડીગઢ, હરિયાણા, દિલ્હી અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં પણ વરસાદ સાથે તોફાની પવન અને ગાજવીજની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.પૂર્વ અને મધ્ય ભારતના કેટલાક રાજ્યોમાં પણ ચોમાસું સક્રિય થવાની શક્યતા છે.છત્તીસગઢ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં આગામી ચાર દિવસ સુધી વરસાદના સંકેત છે.આ ઉપરાંત અરુણાચલ પ્રદેશ,નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને ઓડિશા માટે ખાસ વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.<br><br><a href="https://sandesh.com/weather/news/monsoon-2026/weather-update-heavy-rain-alert-in-18-states-possibility-of-thunderstorms-including-delhi-up" target="_blank">આ પણ વાંચોઃ Weather Update: 18 રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ, દિલ્હી-યુપીમા આંધી તોફાનની શક્યતા</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/13/y8xnx7yd36gZZbg2LDt9zjpCjOFyDnBHms8PDhcU.webp'/></item><item><title><![CDATA[Fifa world cup 2030માં હવે 64 ટીમ રમશે! શું ભારતીય ફૂટબોલ ટીમ ક્વોલિફાય કરશે? ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2030-will-now-have-64-teams-will-the-indian-football-team-qualify</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2030-will-now-have-64-teams-will-the-indian-football-team-qualify</guid><pubDate>Mon, 13 Jul 2026 14:23:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">FIFA પ્રમુખ ગિયાની ઇન્ફન્ટિનોએ સંકેત આપ્યો છે કે 2030 FIFA મેન્સ વર્લ્ડ કપમાં ટીમોની સંખ્યા વધારીને 64 કરવાના પ્રસ્તાવ પર ગંભીરતાથી વિચાર કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે 2026 ના વર્તમાન વર્લ્ડ કપ પૂર્ણ થયા પછી સંબંધિત FIFA સમિતિઓ આ મુદ્દા પર ચર્ચા કરશે. ઇન્ફન્ટિનોનું માનવું છે કે વિશ્વના દરેક દેશને વર્લ્ડ કપમાં રમવાનું સ્વપ્ન જોવાની તક મળવી જોઈએ, કારણ કે આનાથી નાના રાષ્ટ્રોને પણ વધુ સારું પ્રદર્શન કરવા અને ફૂટબોલનું સ્તર વધારવા માટે પ્રેરણા મળશે.</p><h4 style="text-align: justify; "><b>દરેક દેશને વર્લ્ડ કપમાં રમવાની તક મળવી જોઈએ</b></h4><p style="text-align: justify; ">મીડિયા રિપોર્ટ અનુસાર આ વર્લ્ડ કપ પછી 64 ટીમોના વર્લ્ડ કપના મુદ્દા પર સંબંધિત સમિતિઓમાં ચોક્કસપણે ચર્ચા કરવામાં આવશે.તેમણે વધુમાં ઉમેર્યું,દરેક દેશને વર્લ્ડ કપમાં રમવાનું સ્વપ્ન જોવાનો અધિકાર હોવો જોઈએ. વિશ્વભરની ટીમોનું સ્તર સતત સુધરી રહ્યું છે. જો નાના રાષ્ટ્રોને વર્લ્ડ કપમાં રમવાની તક નહીં મળે, તો તેઓ પ્રગતિ કરવાની પ્રેરણા ગુમાવી દેશે.</p><h4 style="text-align: justify; "><b>2026 માં પહેલી વાર 48 ટીમોનો વર્લ્ડ કપ</b></h4><p style="text-align: justify; ">અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકા, કેનેડા અને મેક્સિકોના સંયુક્ત યજમાનપદે રમાઈ રહેલો ચાલુ 2026 ફિફા વર્લ્ડ કપ ઇતિહાસનો પ્રથમ એવો વર્લ્ડ કપ છે જેમાં 48 ટીમો ભાગ લઈ રહી છે. આ પહેલા 1998થી 2022 સુધીના વર્લ્ડ કપમાં માત્ર 32 ટીમો જ તી હતી.</p><h5 style="text-align: justify; "><b>48 ટીમોનું ફોર્મેટ સંપૂર્ણ સફળતા</b></h5><p style="text-align: justify; ">FIFA પ્રમુખે 32 થી 48 ટીમોના વિસ્તરણને સંપૂર્ણ સફળતા ગણાવી, કહ્યું કે આ નિર્ણય ફૂટબોલના વૈશ્વિક વિકાસ માટે અત્યંત સકારાત્મક સાબિત થયો છે. તેમણે ઉમેર્યું કે જો ભવિષ્યમાં 64 ટીમોનું ફોર્મેટ લાગુ કરવામાં આવે છે, તો તે વધુ દેશોને ભાગ લેવાની મંજૂરી આપશે, જોકે મેચોની સંખ્યા, સંગઠન અને લોજિસ્ટિક્સ જેવા પડકારો પણ વધશે.</p><h4 style="text-align: justify; "><b>ભારતીય ફૂટબોલ ટીમ માટે મોટી તક&nbsp;</b></h4><p style="text-align: justify; ">આ સમાચાર ભારતીય ફૂટબોલ ચાહકો માટે એક મોટો ઉત્સાહ છે. જ્યારે વર્લ્ડ કપમાં 32 ટીમો હતી ત્યારે એશિયા (AFC) પાસે ખૂબ જ મર્યાદિત સ્થાનો હતા, જેના કારણે ભારત માટે ક્વોલિફાય થવું લગભગ અશક્ય હતું. જ્યારે 2026 માં ટીમોની સંખ્યા વધીને 48 થઈ ગઈ, ત્યારે એશિયાનો ક્વોટા વધ્યો, જેનાથી આશાઓ જાગી. હવે, જો 2030 માં કુલ 64 ટીમો ભાગ લે છે, તો એશિયન દેશોનો ક્વોલિફાય ક્વોટા વધુ વધશે.</p><h5 style="text-align: justify; "><b>2030નો વર્લ્ડ કપ કેમ રહેશે ઐતિહાસિક?</b></h5><p style="text-align: justify; ">2030નો ફિફા વર્લ્ડ કપ ફૂટબોલના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે, કારણ કે આ ટુર્નામેન્ટ 3ખંડોના 6 દેશોમાં યોજાવાની છે. જેમાં મોરોક્કો, પોર્ટુગલ, સ્પેન, ઉરુગ્વે, આર્જેન્ટિના અને પેરાગ્વેનો સમાવેશ થાય છે. વર્ષ 1930માં પ્રથમ ફિફા વર્લ્ડ કપનું આયોજન કરનાર ઉરુગ્વે તેની શતાબ્દીનિમિત્તે એક ખાસ ઉદ્ઘાટન મેચની યજમાની કરશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-semi-final-schedule-announced-know-who-will-face-whom" target="_blank"> Fifa World Cup 2026: સેમીફાઈનલનું શેડ્યુલ જાહેર, જાણો કોણ કોની સાથે ટકરાશે?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/13/xeFRs909ugoKN6gGEstb9OR52kBRo56ouAW5w1Yb.webp'/></item></channel></rss>