<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Surat : લાજપોર જેલમાં કેદીઓને હાઈ સિક્યુરિટી બેરેકમાં પૂરી ગેરકાયદેસર રૂપિયા વસૂલવાનો આક્ષેપ, કોર્ટે જેલ સત્તાધીશોને ફટકારી નોટિસ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-lajpore-jail-illegal-money-extortion-high-security-barrack-court-notice</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-lajpore-jail-illegal-money-extortion-high-security-barrack-court-notice</guid><pubDate>Thu, 04 Jun 2026 12:43:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતની લાજપોર જેલ ફરી એકવાર મોટા વિવાદમાં સપડાઈ છે. જેલ પ્રશાસન અને ત્યાંના સ્ટાફ સામે કેદીઓ પાસેથી ગેરકાયદેસર રીતે મસમોટી રકમ વસૂલવામાં આવતી હોવાના ગંભીર અને ચોંકાવનારા આક્ષેપો ઊઠ્યા છે.આ ચકચારી મામલે સુરતના સરથાણા વિસ્તારના એક આરોપી લલિત ડોંડા દ્વારા કોર્ટમાં કાયદાકીય અરજી દાખલ કરવામાં આવી છે. આ આક્ષેપોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત કોર્ટે લાજપોર જેલ સુપ્રિટેન્ડન્ટ અને સત્તાધીશોને આકરા વલણ સાથે કારણદર્શક નોટિસ ફટકારી દીધી છે અને તમામ બાબતો પર સત્તાવાર જવાબ રજૂ કરવા કડક આદેશ આપ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>કેદીઓને  હાઈ સિક્યુરિટી બેરેક માં ધકેલી દેવામાં આવે છે
</b></h2><p style="text-align: justify; ">અદાલતમાં દાખલ કરાયેલી અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, જેલમાં આવતા નવા કેદીઓને માનસિક રીતે તોડવા અને ડરાવવા માટે તેમને સીધા જ કોઈ ચોક્કસ કારણ વિના હાઈ સિક્યુરિટી બેરેક માં ધકેલી દેવામાં આવે છે. ત્યારબાદ આ આકરી બેરેકમાંથી સામાન્ય વોર્ડમાં ટ્રાન્સફર કરવા અથવા જેલમાં અન્ય પાયાની સવલતો પૂરી પાડવાના અવેજ પેટે કેદીઓ અને તેમના પરિવારો પાસેથી ગેરકાયદેસર રીતે લાખો રૂપિયાની ઉઘરાણી કરવામાં આવે છે.
</p><h3 style="text-align: justify; "><b>&nbsp;રેકેટના પર્દાફાશ માટે ન્યાયની ગુહાર
</b></h3><p style="text-align: justify; ">અરજીકર્તા લલિત ડોંડા, જે પોતે સરથાણા પોલીસ સ્ટેશનના એક ગુનામાં લાજપોર જેલમાં બંધ છે, તેણે જેલની અંદર ચાલતા આ વ્યવસ્થિત વસૂલાત રેકેટના પર્દાફાશ માટે ન્યાયની ગુહાર લગાવી છે. કોર્ટે આ મામલાને કેદીઓના માનવાધિકાર અને જેલના નિયમોના ઉલ્લંઘન તરીકે જોયો છે. કાયદાકીય નિષ્ણાતોના મતે, જો જેલ પ્રશાસન આ નોટિસનો સંતોષકારક જવાબ નહીં આપી શકે, તો કોર્ટ દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ અથવા તટસ્થ એજન્સી દ્વારા જેલના આંતરિક વહીવટની તપાસના આદેશો છૂટી શકે છે. આ ઘટનાને પગલે સમગ્ર જેલ વિભાગ અને પોલીસ તંત્રમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">
</p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-live-news-and-samachar-04-june-2026-politics-weather-updates-daily-breaking-news-national-news-international-news-sports-news-ipl-2026-in" target="_blank"><b> Gujarat Latest News live : ભારતમાં ચોમાસાનું આગમન, કેરલમમાં ભારે વરસાદની ચેતવણી</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/04/ymKzAiz5KOJDDxsvM6fjSLaId3IW4zFYsKh31IwB.webp'/></item><item><title><![CDATA[વાંચો સવારે 08થી બપોરે 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/read-important-news-from-08-am-to-12-pm-04-june-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/read-important-news-from-08-am-to-12-pm-04-june-2026</guid><pubDate>Thu, 04 Jun 2026 12:41:10 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><a href="https://sandesh.com/india/news/megharajas-explosive-entry-in-keralam-7-day-high-alert-in-25-states-of-the-country" target="_blank" style=""><b>1. Keralam માં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, દેશના 25 રાજ્યોમાં 7 દિવસનું હાઈ-એલર્ટ</b></a>&nbsp;&nbsp;</p><p><br></p><p><a href="https://sandesh.com/india/news/delhi-father-kept-waiting-in-the-hospital-and-ca-vivek-agarwals-entire-family-was-burnt-in-the-hotel" target="_blank"><b>2. Delhi : હોસ્પિટલમાં પિતા રાહ જોતા રહ્યા અને હોટલમાં CA વિવેક અગ્રવાલનો આખે આખો પરિવાર સળગી ગયો...</b></a>&nbsp;</p><p><br></p><p><b><a href="https://sandesh.com/gallery/news/cricket/after-making-a-splash-in-ipl-vaibhav-suryavanshi-reached-his-hometown-it-became-difficult-for-the-cricketer-to-leave-the-house-know-why" target="_blank">3. IPL માં ધમાકો કર્યા બાદ વૈભવ સૂર્યવંશી પહોંચ્યો વતન, શાનદાર પ્રદર્શન કરનાર ક્રિકેટરને ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/cricket/news/virat-kohli-ruled-out-of-afghanistan-odi-series" target="_blank">4. Virat Kohli અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝમાંથી થયો બહાર, આ મોટું કારણ આવ્યું સામે!</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/world/news/donald-trump-attack-kuwait-uae-anywhere-but-if-even-one-american-soldier-dies-war-is-certain-trump" target="_blank">5. Donald Trump:કુવૈત-UAE ગમે ત્યાં હુમલો કરો, પણ જો એક પણ અમેરિકન સૈનિક મર્યો તો યુદ્ધ પાકું:ટ્રમ્પ</a>&nbsp; &nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-sarthana-drink-and-drive-accident-architect-vijay-bhikhadia-arrested-ev-car" target="_blank">6. Surat : ચાલુ કારમાં બિયર પીતા પીતા આર્કિટેકે બાઈક-સ્કૂટરને ફંગોળ્યા, બે સગા ભાઈ અને બે મહિલાના હાથ-પગ કચડ્યા</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-motera-asaram-ashram-demolition-illegal-construction-razed-amc-updates" target="_blank">7. Ahmedabad: પાખંડી આસારામના આશ્રમ પર વહીવટી તંત્રનું બુલડોઝર ફર્યું, ગેટ પાસે ગેરકાયદે બાંધકામ તોડી પડાયું</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dholka/ahmedabad-dholka-school-teacher-wife-murder-case-suspicious-husband-arrested-1" target="_blank">8. Dholka : ચલોડા પ્રાથમિક શાળાની શિક્ષિકાનો સળગેલો મૃતદેહ મળવાના કેસમાં મોટો ધડાકો, શંકાખોર પતિ જ નીકળ્યો હત્યારો</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/karnataka-politics-the-one-who-called-rss-the-indian-taliban-bk-hariprasad-becomes-the-new-president-of-karnataka-congress" target="_blank">9. Karnataka Politics: જેણે RSSને કહ્યું ભારતીય તાલિબાન.. તે બીકે હરિપ્રસાદ બન્યા કર્ણાટક કોંગ્રેસના નવા અધ્યક્ષ</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/business/news/petrol-diesel-price-today-new-prices-announced-amid-fears-of-petrol-and-diesel-becoming-expensive-by-rs-25-know-the-rate-of-june-4" target="_blank">10. Petrol Diesel Price Today: પેટ્રોલ ડીઝલ 2.5 રૂપિયા મોંઘુ થવાની આશંકા વચ્ચે જાહેર થયા નવા ભાવ, જાણી લો 4 જૂનનો રેટ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/04/IHiI6IPA7xQ5tNwihce7hAHTzsfIxi5RgrAKdsm0.webp'/></item><item><title><![CDATA[Sabarkantha News: મામાના ઘરે વેકેશન માણવા આવેલા યુવકને કાળ આંબી ગયો, વીજળી પડતા મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/himatnagar/youth-died-due-to-lightning-strike-in-dantiya-sabarkantha</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/himatnagar/youth-died-due-to-lightning-strike-in-dantiya-sabarkantha</guid><pubDate>Thu, 04 Jun 2026 12:40:31 +05:30</pubDate><description><![CDATA[<p>રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી વચ્ચે આકાશી આફત ઉતરી રહી છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાંથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સાબરકાંઠાના પોશીના તાલુકાના દાંતિયા ગામે ગાજવીજ અને ભારે વરસાદ દરમિયાન વીજળી પડતાં એક 18 વર્ષના આશાસ્પદ યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. વેકેશન ગાળવા મામાના ઘરે આવેલા ભાણિયા પર કાળ ત્રાટકતાં પરિવાર અને સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.</p><h2><b>સનાલી ગામનો રહેવાસી છે યુવક
</b></h2><p>ઘટનાની મળતી માહિતી મુજબ, બનાસકાંઠા જિલ્લાના હડાદ તાલુકાના સનાલી ગામનો રહેવાસી 18 વર્ષીય યુવક વિક્રમભાઈ માલજીભાઇ તરાલ વેકેશન દરમિયાન પોશીનાના દાંતિયા ગામે પોતાના મામાના ઘરે રહેવા આવ્યો હતો. દરમિયાન, પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આ સમયે યુવક ઘરની નજીક આગળના ભાગે ઊભો હતો.
</p><h2><b>વેકેશનની ખુશીઓ માતમમાં ફેરવાઈ
</b></h2><p>ત્યારે જ અચાનક આકાશમાંથી ભયાનક ગડગડાટ સાથે વીજળી ઘર નજીક ઊભેલા વિક્રમ પર પડી હતી. વીજળીનો આંચકો એટલો જોરદાર હતો કે, યુવક શરીરના ભાગે ગંભીર રીતે દાઝી ગયો હતો અને જોતજોતામાં તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. વેકેશનની ખુશીઓ વચ્ચે અચાનક બનેલી આ કાળઝાળ ઘટનાથી મામાના પરિવાર સહિત સનાલી ગામે રહેતા યુવકના માતા-પિતા પર જાણે આભ તૂટી પડ્યું છે. ઘટનાને પગલે દાંતિયા ગામમાં અરેરાટી સાથે ભારે ગમગીની વ્યાપી ગઈ છે.
</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/khed-brahma/sabarkantha-poshina-delvada-road-flooded-heavy-rain-crop-damage-updates" target="_blank">Sabarkantha : પોશીના-દેલવાડા રોડ પર ઘૂંટણસમા પાણી ફરી વળ્યા, ઉપરવાસના ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા</a>
</p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/04/bpUnaX8KE0ArYXtHx44MCGFCCdvugNxj990ZBndX.webp'/></item><item><title><![CDATA[આ વ્યક્તિઓને Tax માંથી મળશે મોટી રાહત, રૂપિયાને મજબૂત કરવા સરકારનો માસ્ટરસ્ટ્રોક ]]></title><link>https://sandesh.com/india/news/business/these-people-will-get-big-relief-from-tax-governments-masterstroke-to-strengthen-rupee</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/these-people-will-get-big-relief-from-tax-governments-masterstroke-to-strengthen-rupee</guid><pubDate>Thu, 04 Jun 2026 12:37:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય અર્થતંત્રને વૈશ્વિક અનિશ્ચિતતાઓ સામે મજબૂતી આપવા માટે કેન્દ્ર સરકારે એક મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે. તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે ભારતીય સરકારી બોન્ડમાં રોકાણ કરતા વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) પર લાદવામાં આવતા 'મૂડી લાભ કર' (Capital Gains Tax) ને સંપૂર્ણપણે નાબૂદ કરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. આ ફેરફારોને અમલમાં મૂકવા માટે સરકાર આવકવેરા કાયદામાં સુધારો કરતા વટહુકમને પણ મંજૂરી આપી ચૂકી છે, જે રાષ્ટ્રપતિની સંમતિ મળતાની સાથે જ લાગુ થઈ જશે.
</p><h2 style="text-align: justify; "><b>વર્તમાન સ્થિતિ અને પરિવર્તન
</b></h2><p style="text-align: justify; ">હાલના નિયમો મુજબ, વિદેશી રોકાણકારોએ ભારતમાં બોન્ડના વેચાણ પર ભારે કર ચૂકવવો પડે છે. ૧૨ મહિનાથી વધુ સમય માટે બોન્ડ રાખવા પર ૧૨.૫% લાંબા ગાળાનો મૂડી લાભ કર, જ્યારે ૧૨ મહિનાથી ઓછા સમયમાં વેચાણ કરવા પર ૩૦-૪૦% સુધીનો ટૂંકા ગાળાનો કર ચૂકવવો પડે છે. વધુમાં, વ્યાજની આવક પર ૨૦% વિથહોલ્ડિંગ ટેક્સ પણ વસૂલવામાં આવે છે, જેને અડધો કરવા કે ઘટાડવા માટે સરકાર કામ કરી રહી છે. આ કરવેરાના ભારણને કારણે ઘણા મોટા વિદેશી ભંડોળ ભારતીય બજારથી દૂર રહેતા હતા.
</p><h3 style="text-align: justify; "><b>અર્થતંત્ર અને રૂપિયા પર અસર
</b></h3><p style="text-align: justify; ">વૈશ્વિક ભૌગોલિક રાજકીય તણાવ અને ક્રૂડ ઓઈલના ઊંચા ભાવને કારણે ભારતીય બજારમાં છેલ્લા કેટલાક સમયથી વેચવાલી જોવા મળી છે, જેનાથી રૂપિયાના મૂલ્ય પર દબાણ વધ્યું છે અને તે ૯૬.૯૬ ની નીચી સપાટી સુધી પહોંચ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે આ કર નાબૂદ થવાથી ભારતના ડેટ માર્કેટમાં વાર્ષિક ૧૦ થી ૩૦ અબજ ડોલરનું વિદેશી રોકાણ આવી શકે છે. જ્યારે વિદેશી રોકાણકારો ભારતીય બોન્ડ ખરીદવા ડોલર લાવશે, ત્યારે ડોલરનો પ્રવાહ વધશે, જે ભારતીય રૂપિયાને ફરીથી મજબૂત કરવામાં મદદરૂપ થશે.
</p><h4 style="text-align: justify; "><b>રાજકોષીય ખાધમાં ઘટાડો
</b></h4><p style="text-align: justify; ">આ નિર્ણયનો બીજો મહત્વનો ફાયદો બોન્ડ યીલ્ડમાં ઘટાડો થવાનો છે. જ્યારે મોટા પાયે વિદેશી ભંડોળ ભારતીય બોન્ડમાં રોકાણ કરશે, ત્યારે બોન્ડ પરની ઉપજ (Yield) ઘટશે. પરિણામે, સરકારને ભવિષ્યમાં ઉધાર લેવા માટે વ્યાજના દર ઓછા ચૂકવવા પડશે, જે રાજકોષીય ખાધ (Fiscal Deficit) ઘટાડવામાં મદદરૂપ થશે. એકંદરે, સરકારનું આ પગલું ભારતીય નાણાકીય બજારમાં સ્થિરતા લાવવા અને વિદેશી રોકાણકારોનો વિશ્વાસ ફરીથી જીતવા માટે ખૂબ જ દૂરંદેશીભર્યું સાબિત થશે.
</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/megharajas-explosive-entry-in-keralam-7-day-high-alert-in-25-states-of-the-country" target="_blank">આ પણ વાંચોઃ Keralam માં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, દેશના 25 રાજ્યોમાં 7 દિવસનું હાઈ-એલર્ટ</a></b></p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/04/8pYTuDbmghCC8VODLnHG4Eevnglmmcwcc5Qgq896.webp'/></item><item><title><![CDATA[આ વ્યક્તિઓને Tax માંથી મળશે મોટી રાહત, રૂપિયાને મજબૂત કરવા સરકારનો માસ્ટરસ્ટ્રોક ]]></title><link>https://sandesh.com/india/news/business/these-people-will-get-big-relief-from-tax-governments-masterstroke-to-strengthen-rupee</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/these-people-will-get-big-relief-from-tax-governments-masterstroke-to-strengthen-rupee</guid><pubDate>Thu, 04 Jun 2026 12:37:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય અર્થતંત્રને વૈશ્વિક અનિશ્ચિતતાઓ સામે મજબૂતી આપવા માટે કેન્દ્ર સરકારે એક મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે. તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે ભારતીય સરકારી બોન્ડમાં રોકાણ કરતા વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) પર લાદવામાં આવતા 'મૂડી લાભ કર' (Capital Gains Tax) ને સંપૂર્ણપણે નાબૂદ કરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. આ ફેરફારોને અમલમાં મૂકવા માટે સરકાર આવકવેરા કાયદામાં સુધારો કરતા વટહુકમને પણ મંજૂરી આપી ચૂકી છે, જે રાષ્ટ્રપતિની સંમતિ મળતાની સાથે જ લાગુ થઈ જશે.
</p><h2 style="text-align: justify; "><b>વર્તમાન સ્થિતિ અને પરિવર્તન
</b></h2><p style="text-align: justify; ">હાલના નિયમો મુજબ, વિદેશી રોકાણકારોએ ભારતમાં બોન્ડના વેચાણ પર ભારે કર ચૂકવવો પડે છે. ૧૨ મહિનાથી વધુ સમય માટે બોન્ડ રાખવા પર ૧૨.૫% લાંબા ગાળાનો મૂડી લાભ કર, જ્યારે ૧૨ મહિનાથી ઓછા સમયમાં વેચાણ કરવા પર ૩૦-૪૦% સુધીનો ટૂંકા ગાળાનો કર ચૂકવવો પડે છે. વધુમાં, વ્યાજની આવક પર ૨૦% વિથહોલ્ડિંગ ટેક્સ પણ વસૂલવામાં આવે છે, જેને અડધો કરવા કે ઘટાડવા માટે સરકાર કામ કરી રહી છે. આ કરવેરાના ભારણને કારણે ઘણા મોટા વિદેશી ભંડોળ ભારતીય બજારથી દૂર રહેતા હતા.
</p><h3 style="text-align: justify; "><b>અર્થતંત્ર અને રૂપિયા પર અસર
</b></h3><p style="text-align: justify; ">વૈશ્વિક ભૌગોલિક રાજકીય તણાવ અને ક્રૂડ ઓઈલના ઊંચા ભાવને કારણે ભારતીય બજારમાં છેલ્લા કેટલાક સમયથી વેચવાલી જોવા મળી છે, જેનાથી રૂપિયાના મૂલ્ય પર દબાણ વધ્યું છે અને તે ૯૬.૯૬ ની નીચી સપાટી સુધી પહોંચ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે આ કર નાબૂદ થવાથી ભારતના ડેટ માર્કેટમાં વાર્ષિક ૧૦ થી ૩૦ અબજ ડોલરનું વિદેશી રોકાણ આવી શકે છે. જ્યારે વિદેશી રોકાણકારો ભારતીય બોન્ડ ખરીદવા ડોલર લાવશે, ત્યારે ડોલરનો પ્રવાહ વધશે, જે ભારતીય રૂપિયાને ફરીથી મજબૂત કરવામાં મદદરૂપ થશે.
</p><h4 style="text-align: justify; "><b>રાજકોષીય ખાધમાં ઘટાડો
</b></h4><p style="text-align: justify; ">આ નિર્ણયનો બીજો મહત્વનો ફાયદો બોન્ડ યીલ્ડમાં ઘટાડો થવાનો છે. જ્યારે મોટા પાયે વિદેશી ભંડોળ ભારતીય બોન્ડમાં રોકાણ કરશે, ત્યારે બોન્ડ પરની ઉપજ (Yield) ઘટશે. પરિણામે, સરકારને ભવિષ્યમાં ઉધાર લેવા માટે વ્યાજના દર ઓછા ચૂકવવા પડશે, જે રાજકોષીય ખાધ (Fiscal Deficit) ઘટાડવામાં મદદરૂપ થશે. એકંદરે, સરકારનું આ પગલું ભારતીય નાણાકીય બજારમાં સ્થિરતા લાવવા અને વિદેશી રોકાણકારોનો વિશ્વાસ ફરીથી જીતવા માટે ખૂબ જ દૂરંદેશીભર્યું સાબિત થશે.
</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/megharajas-explosive-entry-in-keralam-7-day-high-alert-in-25-states-of-the-country" target="_blank">આ પણ વાંચોઃ Keralam માં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, દેશના 25 રાજ્યોમાં 7 દિવસનું હાઈ-એલર્ટ</a></b></p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/04/8pYTuDbmghCC8VODLnHG4Eevnglmmcwcc5Qgq896.webp'/></item><item><title><![CDATA[3,100 કરોડનું ઐતિહાસિક કલેકશન કરનાર 'ધુરંધર' ના ફેન થયા મુકેશ અંબાણી, રણવીર સિંહના કર્યા વખાણ ]]></title><link>https://sandesh.com/entertainment/news/mukesh-ambani-became-a-fan-of-dhurandhar-which-made-a-splash-at-the-box-office-by-earning-crores-praised-ranveer-singh</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/mukesh-ambani-became-a-fan-of-dhurandhar-which-made-a-splash-at-the-box-office-by-earning-crores-praised-ranveer-singh</guid><pubDate>Thu, 04 Jun 2026 12:22:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડ સુપરસ્ટાર રણવીર સિંહ અભિનીત "ધુરંધર" ફ્રેન્ચાઇઝીએ બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચી દીધો છે, અને આ અદભુત સફળતાની ગૂંજ હવે દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના કાર્યાલય સુધી પહોંચી ગઈ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરધારકોને લખેલા પોતાના તાજેતરના પત્રમાં, ચેરમેન મુકેશ અંબાણીએ જિયો સ્ટુડિયોની આ અભૂતપૂર્વ સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરી છે અને "ધુરંધર" ની અનોખી રિલીઝ વ્યૂહરચનાને ભારતીય સિનેમા માટે એક નવો માપદંડ ગણાવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>જિયો સ્ટુડિયોઝની હેટ્રિક: 'સ્ત્રી 2' થી લઈને 'ધુરંધર' સુધીનો દબદબો</b></h2><p style="text-align: justify; ">મીડિયા અહેવાલ મુજબ, મુકેશ અંબાણીએ પત્રમાં જિયો સ્ટુડિયોના મજબૂત થતા વર્ચસ્વનો ઉલ્લેખ કરતા લખ્યું, "જિયો સ્ટુડિયોએ સતત ત્રણ વર્ષ સુધી સૌથી વધુ કમાણી કરતી ફિલ્મો આપવાનો અનોખો રેકોર્ડ બનાવ્યો છે. ૨૦૨૪માં 'સ્ત્રી 2', ૨૦૨૫માં 'ધુરંધર' અને ૨૦૨૬માં 'ધુરંધર: ધ રીવેન્જ'. આ ફિલ્મોએ બોક્સ ઓફિસ કલેક્શન, રિલીઝ વ્યૂહરચના અને મુદ્રીકરણ મોડેલમાં વૈશ્વિક સ્તરે નવા બેન્ચમાર્ક સ્થાપિત કર્યા છે." અંબાણીએ આ ફિલ્મના પ્રોડક્શન મોડેલની ખાસ પ્રશંસા કરી હતી કે, આ ભારતીય સિનેમામાં પહેલીવાર બન્યું છે જ્યાં કોઈ ફ્રેન્ચાઇઝીના બંને ભાગોનું શૂટિંગ અને ફંડિંગ એકસાથે થયું હોય અને તેને આટલા ટૂંકા ગાળામાં થિયેટરોમાં રિલીઝ કરવામાં આવી હોય.</p><h3 style="text-align: justify; "><b>ધુરંધરનો બોક્સ ઓફિસ પર પૈસાનો વરસાદ</b></h3><p style="text-align: justify; ">આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત આ સ્પાય ફ્રેન્ચાઇઝીનું કુલ બજેટ આશરે ₹250 થી 300 કરોડ હતું, પરંતુ તેની કમાણીએ આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ચોંકાવી દીધી છે. બોક્સ ઓફિસ ટ્રેકર સેકનિલ્કના રિપોર્ટ અનુસાર ધુરંધર (ભાગ 1) વૈશ્વિક સ્તરે ₹1,307 કરોડથી વધુની કમાણી કરી. જયારે ધુરંધર: ધ રીવેન્જ (ભાગ 2)એ વિશ્વભરમાં ₹1,852 કરોડથી વધુનું કલેક્શન કર્યું, જે આમિર ખાનની 'દંગલ' પછી ભારતીય સિનેમાની બીજી સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. બંને ભાગોએ મળીને વિશ્વભરમાં ₹3,100 કરોડથી વધુનું ઐતિહાસિક કલેક્શન કર્યું છે.</p><h4 style="text-align: justify; "><b>એક તરફ રેકોર્ડબ્રેક કમાણી, બીજી તરફ 'ડોન 3' ને લઈને મોટો વિવાદ</b></h4><p style="text-align: justify; ">એક તરફ જ્યાં રણવીર સિંહ 'ધુરંધર' ની સફળતાનો આનંદ માણી રહ્યો છે, તો બીજી તરફ તે પોતાની આગામી ફિલ્મ "ડોન 3" ને લઈને કાનૂની વિવાદમાં ફસાયો છે. ગયા ડિસેમ્બરમાં રણવીર સિંહ અચાનક ફરહાન અખ્તરની ફિલ્મ "ડોન 3" માંથી બહાર નીકળી ગયો હતો. આના કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે ફરહાનની પ્રોડક્શન કંપનીએ રણવીર પાસે ₹45 કરોડની માંગણી કરી હતી. આ વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોયીઝ (FWICE) એ રણવીર સામે 'અસહકાર આંદોલન' શરૂ કર્યું. જવાબમાં રણવીરે તેમને કાનૂની નોટિસ મોકલી હતી. હવે ડોન-3 અને રણવીર સિંહ વચ્ચેનો વિવાદ આગામી સમયમાં કેવો રંગ લેશે તે જોવાનું રહેશે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/aamir-khan-third-marriage-to-gauri-spratt-rumors-fact-check" target="_blank">આ પણ વાંચો : Bollywood Actor : બે છૂટાછેડા અને 3 બાળકો બાદ આમિર ખાન 61 વર્ષની ઉંમરે ગૌરી સ્પ્રેટ સાથે કરશે લગ્ન?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/04/3VNcI97VczMlwrRyrQrZeIlUM4SafWQbl4JhICgp.webp'/></item><item><title><![CDATA[Global Warming વચ્ચે ઇન્ડિયન વોર્મિંગનો નવો ખતરો, ભારતને થશે મોટું નુકસાન! ]]></title><link>https://sandesh.com/knowledge/news/india/what-is-indian-warming-how-dangerous-is-it-effects-on-global-weather</link><guid isPermaLink="true">https://sandesh.com/knowledge/news/india/what-is-indian-warming-how-dangerous-is-it-effects-on-global-weather</guid><pubDate>Thu, 04 Jun 2026 12:11:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઇન્ડિયન વોર્મિંગ આ શબ્દ તમને નવો લાગી શકે છે પરંતુ આ નવો બિલકુલ નથી, તેને તમે ગ્લોબલ વોર્મિંગનું એક વધુ ખતરનાક વર્ઝન કહી શકો છો. સરળ શબ્દોમાં સમજીએ તો ભારતમાં ઝડપથી વધી રહેલું તાપમાન એક ગંભીર વૈશ્વિક સંકટ બની ચૂક્યું છે જે માનવ જીવન, કૃષિ અને પ્રકૃતિના અસ્તિત્વને પડકાર ફેંકી રહ્યું છે. આ સંબંધમાં તાજેતરમાં વૈશ્વિક સ્તરે હવામાન અને હવાની ગુણવત્તા પર નજર રાખતી હોવાના અહેવાલે પૂરી દુનિયાને હલાવી દીધી છે. આ લાઇવ વેધર રિપોર્ટ અનુસાર, દુનિયાના 100 સૌથી ગરમ શહેરોની યાદીમાં એકલા ભારતના જ 97 શહેરો સામેલ છે. આ આંકડો એ વાત દર્શાવે છે કે ઇન્ડિયન વોર્મિંગ હવે ભવિષ્યની કોઈ ચેતવણી નથી, પરંતુ વર્તમાનની એક ભયાનક હકીકત બની ચૂક્યું છે.
</p><h2 style="text-align: justify; "><b>શું છે ઇન્ડિયન વોર્મિંગ?
</b></h2><p style="text-align: justify; ">ગ્લોબલ વોર્મિંગના કારણે ભારતીય ઉપમહાદ્વીપમાં તાપમાન વધવા અને આબોહવા પૂરી રીતે બદલાવાની પ્રક્રિયાને ઇન્ડિયન વોર્મિંગ કહેવામાં આવી રહ્યું છે. ભારતના ઘણા રાજ્યોમાં આ સમયે સૂરજ આગ ઓકી રહ્યો છે. aqi.in ના અત્યંત ચોંકાવનારા અહેવાલ મુજબ, ઓડિશાનું બાલાંગીર અને બિહારનું સાસારામ 48 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે દુનિયાના સૌથી ગરમ સ્થળો તરીકે ઉભર્યા છે, જ્યારે ઉત્તર પ્રદેશનું વારાણસી 47 ડિગ્રી સેલ્સિયસ પર ભઠ્ઠીની જેમ તપી રહ્યું છે.
</p><h2 style="text-align: justify; "><b>ભયાનક પરિસ્થિતિ
</b></h2><p style="text-align: justify; "><b>•	સ્વાસ્થ્ય સંકટ-</b> ભારે ગરમીના કારણે દેશભરમાં હીટ સ્ટ્રોક, ડીહાઇડ્રેશન અને ઓર્ગન ફેલિયરનું જોખમ ચરમસીમાએ પહોંચી ગયું છે.
</p><p style="text-align: justify; "><b>•	જળ અને વીજળી સંકટ- </b>સતત વધી રહેલી ભયંકર ગરમીથી નદીઓ, તળાવો અને ગ્રાઉન્ડ વોટરનું સ્તર ઝડપથી નીચે જઈ રહ્યું છે. સાથે જ, એસી અને કૂલિંગ ડિવાઇસીસના અતિશય વપરાશથી વીજળી ગ્રીડ પર ભારે દબાણ આવી રહ્યું છે.
</p><p style="text-align: justify; "><b>•	આર્થિક નુકસાન- </b>આ સિવાય દિવસના સમયે તાપમાન ખૂબ વધારે હોવાથી બાંધકામ, કૃષિ અને મજૂરી સાથે સંકળાયેલા બહારના કામો પૂરી રીતે ઠપ થઈ રહ્યા છે, જેની સીધી અસર દેશની પ્રોડક્ટિવિટી પર પડી રહી છે.
</p><h3 style="text-align: justify; "><b>દુનિયા પર આની શું અસર થશે?
</b></h3><p style="text-align: justify; ">ભારતમાં વધી રહેલી આ ભીષણ ગરમી અને આબોહવા પરિવર્તનની અસર માત્ર ભારત પૂરતી સીમિત નહીં રહે, પરંતુ તે પૂરી દુનિયાને પોતાની ઝપેટમાં લઈ લેશે. જો ભૌગોલિક દ્રષ્ટિએ જોવામાં આવે તો, ભારતીય ઉપમહાદ્વીપની ગરમી ગ્લોબલ એર સર્ક્યુલેશનને સીધી રીતે પ્રભાવિત કરે છે. જ્યારે ભારતની જમીન આટલી વધારે ગરમ થશે, તો સ્વાભાવિક રીતે તેનાથી વૈશ્વિક ચોમાસાનું આખું ચક્ર બગડી જશે, જેના કારણે દુનિયાના અન્ય દેશોમાં ક્યાંક ભયાનક દુષ્કાળ પડશે તો ક્યાંક ભારે પૂર આવશે. આ ઉપરાંત, ભારત દુનિયાના સૌથી મોટા કૃષિ પ્રધાન દેશોમાંથી એક છે જે પૂરી દુનિયામાં મોટા પ્રમાણમાં અનાજ, ચોખા, ખાંડ અને મસાલાની નિકાસ કરે છે.
<br><h4><b>ભારતની ગરમી વૈશ્વિક ખાદ્ય સુરક્ષા માટે ખતરો</b></h4></p><p style="text-align: justify; ">ઇન્ડિયન વોર્મિંગના કારણે જો ભારતમાં પાક બરબાદ થાય છે અને ઉત્પાદન ઘટે છે, તો તેની સીધી અસર ગ્લોબલ ફૂડ સપ્લાય ચેન પર પડશે, જેનાથી આંતરરાષ્ટ્રીય બજારોમાં ભૂખમરો અને મોંઘવારીનું નવું સંકટ ઊભું થઈ જશે. એટલું જ નહીં, જો ભારતના કેટલાક અતિશય ગરમ વિસ્તારો ભવિષ્યમાં મનુષ્યોના રહેવા લાયક નહીં બચે, તો મોટા પાયે ક્લાઇમેટ રેફ્યુજીસનું સ્થળાંતર થશે, જેનાથી દુનિયાભરના દેશો પર સામાજિક અને આર્થિક દબાણ અસહ્ય રીતે વધી જશે.
</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gallery/news/entertainment/tmkoc-actor-who-was-unemployed-for-7-years-now-owns-two-restaurants" target="_blank">આ પણ વાંચો-બે-બે રેસ્ટોરન્ટનો માલિક છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો આ ફેમસ એક્ટર, ક્યારેક 7 વર્ષ સુધી રહ્યો હતો બેરોજગાર!</a></p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/04/pCsdzsgwSDVQvK5S2LA8QJDxLhZv6DsJiiortwWU.webp'/></item><item><title><![CDATA[Sabarkantha : પોશીના-દેલવાડા રોડ પર ઘૂંટણસમા પાણી ફરી વળ્યા, ઉપરવાસના ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/khed-brahma/sabarkantha-poshina-delvada-road-flooded-heavy-rain-crop-damage-updates</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/khed-brahma/sabarkantha-poshina-delvada-road-flooded-heavy-rain-crop-damage-updates</guid><pubDate>Thu, 04 Jun 2026 12:02:46 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સાબરકાંઠા જિલ્લાના પોશીના પંથકમાં કુદરત પ્રકોપ બનીને વરસી છે. ગઈકાલે મોડી રાત્રે પડેલા અનરાધાર વરસાદ અને ઉપરવાસમાં થયેલા સતત ભારે વરસાદને કારણે આજે વહેલી સવારે પોશીના-દેલવાડા મુખ્ય માર્ગ પર પૂર જેવા દ્રશ્યો સર્જાયા હતા. આ મુખ્ય રસ્તા ઉપર ઘૂંટણસમા પાણી ફરી વળ્યા હતા, જેને પગલે વહેલી સવારથી જ દેલવાડા તરફ જતો સ્થાનિક વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. રસ્તા પર પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે નાના વાહનો પલટી ખાય તેવી સ્થિતિ ઊભી થતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા અને કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>ઉપરવાસના વિસ્તારોમાં અતિભારે વરસાદ
</b></h2><p style="text-align: justify; ">સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉપરવાસના વિસ્તારોમાં થયેલા અતિભારે વરસાદનું પાણી નીચાણવાળા વિસ્તારો તરફ ધસી આવ્યું હતું. પાણીની જોરદાર અને અવિરત આવક થવાના કારણે માર્ગ પર આવેલા તમામ નાળા અને કોઝવે ઓવરફ્લો થઈ ગયા હતા. રસ્તાઓ પરથી પાણી જાણે નદીની જેમ વહેતું હોય તેવા રોમાંચક અને સાથે જ ભયાનક દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.
</p><h3 style="text-align: justify; "><b>&nbsp;અનેક ખેતરો પાણીમાં ગરકાવ&nbsp;</b></h3><p style="text-align: justify; ">બીજી તરફ, આ આકસ્મિક આકાશી આફતને કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારોના નીચાણવાળા અનેક ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખેતરો બેટમાં ફેરવાઈ જતાં તૈયાર થયેલા કિંમતી પાકને વ્યાપક નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે, જેને પગલે જગતનો તાત ભારે ચિંતામાં ડૂબી ગયો છે. સ્થાનિક રહીશો અને મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને તંત્ર દ્વારા લોકોને અત્યારે બિનજરૂરી અવરજવર ટાળવા તેમજ નદી-નાળા કાંઠે ન જવા સૂચના આપવામાં આવી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો-----&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-live-news-and-samachar-04-june-2026-politics-weather-updates-daily-breaking-news-national-news-international-news-sports-news-ipl-2026-in#google_vignette" target="_blank"><b>Gujarat Latest News live : ભારતમાં ચોમાસાનું આગમન, કેરલમમાં ભારે વરસાદની ચેતવણી</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/04/m3AaHXrucARH4dK2zuOJBAkBJ8OCpdOov3tdhRAy.webp'/></item><item><title><![CDATA[Surat : SMCના આસિસ્ટન્ટ એન્જિનિયરનો બેફામ ભ્રષ્ટાચાર, 5 વર્ષ પહેલા પણ લાંચ લેતા ઝડપાયો હોવાનો ઘટસ્ફોટ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/urat-smc-assistant-engineer-jignesh-modi-arrested-acb-bribe-case-salary</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/urat-smc-assistant-engineer-jignesh-modi-arrested-acb-bribe-case-salary</guid><pubDate>Thu, 04 Jun 2026 11:36:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત મહાનગરપાલિકામાંથી ભ્રષ્ટાચારનો એક અત્યંત ચોંકાવનારો અને સરકારી તંત્રને લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ એન્જિનિયર જિગ્નેશ નટવરલાલ મોદીને ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ની ટીમે ગતરોજ સાંજે રૂપિયા 45 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ આખી ઘટનામાં સૌથી વધુ આશ્ચર્યજનક બાબત એ છે કે, આરોપી એન્જિનિયરનો માસિક સરકારી પગાર 1.70 લાખ જેટલો મોટો હોવા છતાં, તે પોતાની લાંચ લેવાની આદતથી મજબૂર હતો અને જનતા પાસેથી કટકી લેતો હતો.</p><h2 style="text-align: justify; "><b>ગઇ કાલે 45 હજારની લાંચ લેતા ઝડપાયો હતો
</b></h2><p style="text-align: justify; ">એસીબીના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, આરોપી જિગ્નેશ મોદી કોઈ કાયદેસરના વહીવટી કામ અથવા ફાઈલ ક્લિયર કરવાના અવેજ પેટે અરજદાર પાસેથી લાંચની માંગણી કરતો હતો જે અંગે જાગૃત નાગરિકે એસીબીનો સંપર્ક સાધ્યો હતો. લાંચના આ છટકા દરમિયાન કાવતરું ઘડીને એસીબીની ટીમે આસિસ્ટન્ટ એન્જિનિયરને લાંચની રોકડ રકમ સ્વીકારતા ઓન-સ્પોટ પકડી પાડ્યો હતો
</p><h3 style="text-align: justify; "><b>પાંચ વર્ષ પહેલા 15 હજાર લેતા પકડાયો હતો
</b></h3><p style="text-align: justify; ">આરોપી એન્જિનિયરનો ગુનાહિત ઈતિહાસ તપાસતા અન્ય એક મોટો ધડાકો થયો છે. આ નફ્ફટ અધિકારી અગાઉ વર્ષ 2021 માં પણ રૂપિયા 15 ની લાંચ લેતા એસીબીના હાથે જ ઝડપાઈ ચુકેલો છે. અગાઉનો એ ભ્રષ્ટાચારનો કેસ હાલમાં પણ નામદાર કોર્ટમાં ન્યાયિક પ્રક્રિયા હેઠળ ચાલુ જ છે. કોર્ટ કેસ ચાલુ હોવા છતાં ફરી ફરજ પર આવ્યા બાદ પણ તેમનામાં કોઈ સુધારો આવ્યો નહોતો. હવે ફરીથી લાંચ લેતા પકડાતા એસીબી દ્વારા તેમની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત તદ્દન નવો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુરત એસીબીની ટીમે આરોપીની અટકાયત કરી તેની અપ્રમાણસર મિલકતો અંગે પણ આગળની કડક તપાસ શરૂ કરી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-live-news-and-samachar-04-june-2026-politics-weather-updates-daily-breaking-news-national-news-international-news-sports-news-ipl-2026-in" target="_blank"><b>Gujarat Latest News live : વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની વનડે શ્રેણીમાંથી બહાર</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/04/j1gZA0xfzDceejKwCDnctdKDfsZB7KWnx3aQm1oJ.webp'/></item><item><title><![CDATA[IND vs AFG: અફઘાનિસ્તાન ટેસ્ટ માટે ભારતની પ્લેઇંગ 11માં આ ખેલાડીઓ બેસ્ટ, ઇરફાન પઠાણ ]]></title><link>https://sandesh.com/sports/news/cricket/ind-vs-afg-these-players-are-the-best-in-indias-playing-11-for-the-afghanistan-test-irfan-pathan</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/cricket/ind-vs-afg-these-players-are-the-best-in-indias-playing-11-for-the-afghanistan-test-irfan-pathan</guid><pubDate>Thu, 04 Jun 2026 11:02:36 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આગામી ૬ જૂનથી નવા ચંદીગઢમાં એકમાત્ર ટેસ્ટ મેચ રમાવાની છે. આ મહત્ત્વની મેચ પહેલા ભારતીય ટીમના ભૂતપૂર્વ સ્ટાર ફાસ્ટ બોલર ઈરફાન પઠાણે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન (Playing 11) ને લઈને મોટો ખુલાસો કર્યો છે. ઈરફાને કહ્યું કે ટેસ્ટ માટે ભારતની પ્લેઇંગ 11માં આ ખેલાડીઓ બેસ્ટ છે. ઇરફાને કહ્યું કે અફઘાનિસ્તાન સામે આ ટીમમાં ૬ નંબરથી લઈને ૧૧ નંબર સુધીના આ ખેલાડીઓ મજબૂત દાવેદાર હોવાનું માનું છું. જો કે ટીમ ઇન્ડીયાની પ્લેઇંગ 11ની યાદી જોઈ લોકોને આશ્ચર્ય થયું કે આમાં ભારતના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવનું નામ કેમ નથી. ઇરફાન પઠાણે પ્લેઇંગ 11માં કયા ખેલાડીઓને મજબૂત દાવેદાર માન્યા અને કુલદીપને કેમ બહાર રાખ્યો આવો જાણીએ.</p><h2 style="text-align: justify; "><b>ઇરફાન પઠાણે આ ખેલાડીની કરી પ્રસંશા</b></h2><p style="text-align: justify; ">યુવા ખેલાડીઓનો પક્ષ લેતા ઈરફાને ઉમેર્યું કે, જ્યારે તમે શ્રીલંકા કે અન્ય મોટી ટીમો સામે રમો છો ત્યારે અનુભવી ખેલાડીઓ જ મેદાનમાં હોય છે. પરંતુ જો આવી મેચોમાં ધ્રુવ જુરેલ અને નીતિશ રેડ્ડી જેવા યુવા ખેલાડીઓ રમશે, તો ટીમમાં લવચીકતા આવશે અને તેમને મોટો અનુભવ મળશે. નીતિશ રેડ્ડીના વખાણ કરતા પઠાણે કહ્યું, "નીતિશે ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન સદી ફટકારી હતી, જે કોઈ નાની સિદ્ધિ નથી. બહુ ઓછા યુવા ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા જઈને સદી ફટકારી શકે છે. તેની પાસે અદભુત ક્ષમતા છે અને જો તે અફઘાનિસ્તાન સામે રન બનાવશે, તો ટીમ મેનેજમેન્ટનો તેના પર ભરોસો ઘણો વધી જશે."</p><p style="text-align: justify; "><b>ઇરફાન પઠાણ પ્લેઇંગ ઇલેવન</b> શુભમન ગિલ, કે.એલ. રાહુલ, સાઈ સુદર્શન, ઋષભ પંત, દેવદત્ત પડિકલ, ધ્રુવ જુરેલ, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, હર્ષ દુબે, ગુરનુર બ્રાર, મોહમ્મદ સિરાજ અથવા પ્રસીદ કૃષ્ણા</p><p style="text-align: justify; "><b>શા માટે કુલદીપ યાદવ પ્લેઇંગ 11 માંથી બહાર?</b></p><p style="text-align: justify; ">સ્ટાર સ્પોર્ટ્સના લોકપ્રિય શો 'ફોલો ધ બ્લૂઝ' માં વાતચીત દરમિયાન ઈરફાન પઠાણે જણાવ્યું કે, ભારતીય ટીમ હાલમાં ૮ નંબર સુધી મજબૂત બેટિંગ લાઈન-અપ રાખવાનું પસંદ કરે છે. આ જ રણનીતિને કારણે કુલદીપ યાદવના સ્થાને લોઅર-મિડલ ઓર્ડરમાં યુવા ખેલાડીઓને તક આપવી જોઈએ. ઇરફાનના જણાવ્યા અનુસાર, ટીમ મેનેજમેન્ટે નંબર ૬, ૭ અને ૮ પર બેટિંગની ઊંડાઈ વધારવા માટે ધ્રુવ જુરેલ, નીતિશ કુમાર રેડ્ડી અને વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કરવા જોઈએ.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/04/OPY1mtaxCEp1yp4r3RBoHrBqFwjL9u5OC9LPDTMM.webp'/></item></channel></rss>