<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Bhavnagar : યુનિવર્સિટી કેમ્પસમાં પાર્કિંગ બાબતે ABVP કોલેજ પ્રમુખ સહિત બે પર છરી-ધોકાથી જીવલેણ હુમલો, પોલીસ એક્શનમાં ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/bhavnagar-university-campus-abvp-president-attack-parking-dispute-arrest-news</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/bhavnagar-university-campus-abvp-president-attack-parking-dispute-arrest-news</guid><pubDate>Sat, 11 Jul 2026 13:03:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભાવનગર યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને મોટા સવાલો ઉભા કરતી ઘટના સામે આવી છે. કેમ્પસમાં માત્ર પાર્કિંગની સામાન્ય બાબતે થયેલી બોલાચાલીની અદાવત રાખીને વિધર્મી વિદ્યાર્થીઓ અને તેમના સાગરીતો દ્વારા એબીવીપીના કોલેજ પ્રમુખ સહિત બે વિદ્યાર્થીઓ પર છરી અને ધોકા વડે ઘાતકી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાની ઘટનાને પગલે વિદ્યાર્થી સંગઠનો અને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને યુનિવર્સિટી પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>પાર્કિંગની બોલાચાલીની દાઝ રાખી&nbsp;</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી અનુસાર, ગત 9 જુલાઈના રોજ એબીવીપી સહજાનંદ કોલેજના પ્રમુખ પ્રિયરાજસિંહ પરમાર અને અમન આસિફ ખોખર વચ્ચે કેમ્પસના પાર્કિંગમાં બાઇક મૂકવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ સામાન્ય ઝઘડાની દાઝ રાખીને 4 થી વધુ શખ્સોએ હથિયારો સાથે ધસી આવીને પ્રિયરાજસિંહ પરમાર અને તેમના મિત્ર હર્ષ ચૌહાણ પર તૂટી પડ્યા હતા. હુમલાખોરોએ છરી અને ધોકાના આડેધડ ઘા મારતાં બંને વિદ્યાર્થીઓ લોહીલુહાણ થઈ ગયા હતા, જેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>પોલીસે 1 સગીર સહિત 4 ની અટકાયત કરી, કોલેજ તંત્રના કડક પગલાં</b></h3><p style="text-align: justify; ">આ ચકચારી હુમલા અંગે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં વિધર્મી શખ્સો સામે ગુનો નોંધાતા પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં જ કાર્યવાહી કરીને 1 સગીર સહિત 2 વિદ્યાર્થીઓ અને અન્ય મળી કુલ 4 આરોપીઓની અટકાયત કરી લીધી છે. બીજી તરફ, શૈક્ષણિક સંકુલમાં આવી ગુંડાગીરી ચલાવી ન લેવાય તે માટે કોલેજના ટ્રસ્ટીએ પણ હુમલો કરનારા અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સામે તાત્કાલિક ધોરણે કડક શિસ્તભંગના પગલાં લીધા છે.</p><h4 style="text-align: justify; "><b>વિવિધ સંગઠનોના કોલેજમાં ધામા, ઉગ્ર રજૂઆત</b></h4><p style="text-align: justify; ">કેમ્પસમાં વિદ્યાર્થીઓ પર થયેલા આ હિચકારા હુમલાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ બજરંગદળ, વીએચપી , એબીવીપી  અને એનએસયુઆઈ સહિતના તમામ વિદ્યાર્થી અને સામાજિક સંગઠનોના હોદ્દેદારો મોટી સંખ્યામાં કોલેજ ખાતે દોડી આવ્યા હતા. સંગઠનોએ કેમ્પસમાં વિદ્યાર્થીઓની સુરક્ષા વધારવા અને નરાધમ હુમલાખોરો સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ સાથે કોલેજ સત્તાધીશો સમક્ષ ઉગ્ર રજૂઆત કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/surat-khadipur-bhestan-bodies-found-smc-failure-deaths-news" target="_blank"><b>Sandesh Indepth : સુરતમાં સંકોચાતી ખાડી બની 'ડેથ ટ્રેપ', 1 હજાર કરોડની જાહેરાતો માત્ર કાગળ પર, 9.23 લાખ નાગરિકો આજે પણ જોખમમાં&nbsp;</b></a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/fW8Cdb0gBCuOPN6D1GyCZ2s6hzMdfxv9PlWe1s1H.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: વેજલપુરમાં SOG ના દરોડામાં લાખોના ગાંજા અને રોકડની ઝડપાઈ, સપ્લાયરની શોધખોળ શરૂ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/sog-raid-vejapur-drug-peddler-shahrukh-sheikh-arrested-ganja-cash-seized</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/sog-raid-vejapur-drug-peddler-shahrukh-sheikh-arrested-ganja-cash-seized</guid><pubDate>Sat, 11 Jul 2026 12:58:27 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરમાં આગામી સમયમાં યોજાનારી જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને લઈને પોલીસ તંત્ર એલર્ટ પર છે, ત્યારે અસામાજિક તત્વો અને નશાના સોદાગરો સામે એન્ટી-નાર્કોટિક્સ ડ્રાઇવ તેજ કરવામાં આવી છે. આ જ ઝુંબેશ અંતર્ગત અમદાવાદ એસઓજીની ટીમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, વેજલપુર વિસ્તારમાં રહેતો ઇકબાલ ઉર્ફે શાહરૂખ ગુફ્ફારભાઈ શેખ નામનો ઇસમ પોતાના મકાનમાં મોટા પાયે નશાકારક પદાર્થનો જથ્થો છુપાવીને રાખે છે અને ત્યાંથી નાના ગ્રાહકો તથા છૂટક વેપારીઓને વેચવા માટે ગાંજાની નાની-નાની પડીકીઓ (પોકેટ) તૈયાર કરી રહ્યો છે. બાતમીના આધારે SOG ની ટીમે આઇડેન્ટિફાઇડ મકાન પર ઓચિંતો દરોડો પાડ્યો હતો.</p><h2><b>FSL ટેસ્ટ અને કબ્જે કરાયેલો માલસામાન</b></h2><p>પોલીસ સર્ચ ઓપરેશન દરમિયાન મકાનમાંથી શંકાસ્પદ વનસ્પતિજન્ય પદાર્થનો મોટો જથ્થો મળી આવ્યો હતો. કાયદાકીય પ્રક્રિયાને મજબૂત કરવા માટે પોલીસે તાત્કાલિક એફએસએલના વૈજ્ઞાનિકોને ઘટનાસ્થળે બોલાવ્યા હતા. એફએસએલની હાજરીમાં કરવામાં આવેલા પ્રાથમિક કેમિકલ પરીક્ષણમાં આ જથ્થો પ્રતિબંધિત નાર્કોટિક્સ 'ગાંજો' હોવાનું પ્રમાણિત થયું હતું, જેનું કુલ વજન 7.120 કિલોગ્રામ નોંધાયું હતું. આ ઉપરાંત, મકાનની તલાશી લેતા પોલીસને ડ્રગ મની હોવાની આશંકા ધરાવતી 25 લાખની અધધ રોકડ રકમ પણ મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી નાર્કોટિક્સ ડિજિટલ વજન કાંટો, કટર, પેકિંગ મટીરીયલ, મોબાઇલ ફોન તેમજ આરોપીની ઓળખ માટેના જરૂરી દસ્તાવેજો કબ્જે લીધા છે.</p><h3><b>રાજુની સંડોવણી અને આંતરરાજ્ય કનેક્શનની તપાસ</b></h3><p>પકડાયેલા આરોપી શાહરૂખ શેખની જ્યારે એસઓજી કસ્ટડીમાં કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે તે આ ગાંજાનો જથ્થો રાનીપુર વિસ્તારમાં રહેતા રાજુભાઈ નામના મુખ્ય ડ્રગ સપ્લાયર પાસેથી ખરીદીને લાવ્યો હતો. આ ખુલાસા બાદ પોલીસે ડ્રગ સપ્લાય ચેઇનના મુખ્ય સૂત્રધાર રાજુભાઈને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આરોપી વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ (NDPS) એક્ટની કલમ ૮(સી), ૨૦(બી)(૨)(બી) અને ગુનાહિત કાવતરાની કલમ 29 હેઠળ સત્તાવાર ગુનો દાખલ કર્યો છે.&nbsp;</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/crime/gandhinagar/cyber-crime-unearths-116-crore-rupees-scam-seven-arrested-operation-mule-hunt" target="_blank">આ પણ વાંચો: Gandhinagar: ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ સાયબર ક્રાઇમના 116 કરોડના મેગા કૌભાંડનો પર્દાફાશ, 7 આરોપીઓ જેલભેગા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/9IqVtq8gnWQ3DZYFSUlPT5zltFma7p1YrQn4wtIg.webp'/></item><item><title><![CDATA[Andhra Pradesh: નૌસેનાની તાકાતમાં વધારો, સ્વદેશી યુદ્ધ જહાજ મહેન્દ્રગિરિનો સેનામાં સમાવેશ ]]></title><link>https://sandesh.com/india/news/andhra-pradesh-increase-in-naval-strength-indigenous-warship-mahendragiri-included-in-the-army</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/andhra-pradesh-increase-in-naval-strength-indigenous-warship-mahendragiri-included-in-the-army</guid><pubDate>Sat, 11 Jul 2026 12:53:35 +05:30</pubDate><description><![CDATA[<p>આંધ્રપ્રદેશમાં નૌકાદળને નવું શક્તિશાળી યુદ્ધ જહાજ 'મહેન્દ્રગિરી' મળ્યું; સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે તેને રાષ્ટ્રીય સુરક્ષા માટે એક સીમાચિહ્નરૂપ ગણાવ્યું</p><p><b style="font-size: 2rem;">છઠ્ઠુ સ્વદેશી જહાંજ નૌકાદળમાં સામેલ&nbsp;</b></p><p>સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમમાં ભારતીય નૌકાદળના પૂર્વીય કાફલામાં INS મહેન્દ્રગિરીનો સમાવેશ કર્યો. તેમણે જણાવ્યું કે આંધ્રપ્રદેશ ભારતમાં સંરક્ષણ અને એરોસ્પેસ ઉત્પાદન માટે એક નવા કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમમાં ભારતીય નૌકાદળના નવા સ્ટીલ્થ ફ્રિગેટ, INS મહેન્દ્રગિરીનો ઔપચારિક રીતે સમાવેશ કર્યો. તે પ્રોજેક્ટ 17A હેઠળ બનેલ છઠ્ઠું સ્વદેશી યુદ્ધ જહાજ છે અને તેને નૌકાદળના પૂર્વીય કાફલાને સોંપવામાં આવ્યું છે.</p><h2><b>સંરક્ષણ અને એરોસ્પેસ ઉત્પાદન ક્ષેત્રમાં પાવરહાઉસ - રાજનાથ સિંહ&nbsp;</b></h2><p>આ પ્રસંગે સંબોધન કરતા રક્ષામંત્રીએ ટિપ્પણી કરી હતી કે આંધ્રપ્રદેશ દેશના સંરક્ષણ અને એરોસ્પેસ ઉત્પાદન ક્ષેત્રમાં એક નવા પાવરહાઉસ તરીકે ઉભરી આવ્યું છે. તેમણે એ પણ પ્રકાશિત કર્યું કે INS મહેન્દ્રગિરી હવા, સમુદ્ર સપાટી અને પાણીની અંદરથી આવતા ખતરાઓનો એકસાથે સામનો કરવા સક્ષમ છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/AHindinews/status/2075801845021430232"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p>વિશાખાપટ્ટનમના નેવલ ડોકયાર્ડ ખાતે આયોજિત સમારોહમાં ઘણા વરિષ્ઠ નૌકાદળ અધિકારીઓ અને મહાનુભાવો હાજર રહ્યા હતા. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી, જેમાં સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા અને સ્વદેશી યુદ્ધ જહાજોના નિર્માણના સંદર્ભમાં ભારત માટે આ પ્રવેશને એક મોટી સિદ્ધિ ગણાવી હતી.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/DDNewsGujarati/status/2075811838324080901"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p>પોતાના સંબોધનમાં, સંરક્ષણ મંત્રીએ તાજેતરની ઘટનાઓનો ઉલ્લેખ કરીને કોઈપણ રાષ્ટ્ર માટે સક્ષમ અને ઝડપથી પ્રતિભાવ આપતી નૌકાદળના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે નોંધ્યું હતું કે પશ્ચિમ એશિયામાં સંઘર્ષ ફાટી નીકળ્યા પછી ભારતીય નૌકાદળે 'ઓપરેશન એનર્જી સિક્યુરિટી' હેઠળ ₹9,000 કરોડથી વધુ મૂલ્યના આવશ્યક કાર્ગો વહન કરતા 18 વેપારી જહાજોને સલામત માર્ગ પૂરો પાડ્યો હતો.સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે આ દર્શાવે છે કે ભારતીય નૌકાદળ માત્ર એક લડાયક દળ નથી પરંતુ રાષ્ટ્રના આર્થિક હિતોના મજબૂત રક્ષક તરીકે પણ ઉભરી આવ્યું છે.&nbsp;</p><h3><b>INS મહેન્દ્રગિરી વિશે ખાસ માહિતી&nbsp;</b></h3><ul><li>INS મહેન્દ્રગિરી નેવીના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી અને તેનું નિર્માણ મુંબઈ સ્થિત માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું .</li><li>તે ભારતની અત્યાધુનિક સ્ટીલ્થ ફ્રિગેટ શ્રેણીનું નવીનતમ જહાજ છે.</li><li>તેમાં દુશ્મનના રડારથી બચવા માટે અદ્યતન ટેકનોલોજી, ઉન્નત સુરક્ષા ક્ષમતાઓ અને ઉચ્ચ સ્તરનું ઓટોમેશન છે. </li><li>આ સુવિધાઓ જહાજને સમુદ્રમાં વિવિધ પ્રકારના લડાઇ કામગીરી કરવા સક્ષમ બનાવે છે.</li><li>જહાજના 75 ટકાથી વધુ ઘટકો સ્વદેશી છે, એટલે કે તેના નિર્માણમાં વપરાતી મોટાભાગની સામગ્રી અને ટેકનોલોજી ભારતમાં બનાવવામાં આવી હતી. </li><li>આ સરકારની 'આત્મનિર્ભર ભારત' (આત્મનિર્ભર ભારત) પહેલની સફળતાને પ્રતિબિંબિત કરે છે. અસંખ્ય સ્થાનિક સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) એ તેના નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે, જેનાથી દેશમાં રોજગારની તકોમાં વધારો થયો છે.</li><li>INS મહેન્દ્રગિરી સ્વદેશી શસ્ત્રો, સેન્સર અને ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીઓથી સજ્જ છે. </li><li>આ જહાજને હવામાં, સમુદ્રની સપાટી પર અને પાણીની અંદર દુશ્મનના ખતરાઓનો સામનો કરવા સક્ષમ બનાવે છે.</li><li>&nbsp;દરિયાઈ સુરક્ષા કામગીરી, શોધ અને બચાવ મિશન, આપત્તિ રાહત અને માનવતાવાદી સહાય હાથ ધરી શકે છે.</li><li> આ જહાજ હિંદ મહાસાગર ક્ષેત્ર અને તેનાથી આગળ સતત તૈનાત કરવા સક્ષમ છે.</li><li>આ જહાજનું નામ પૂર્વી ઘાટમાં મહેન્દ્રગિરી પર્વતમાળા પરથી રાખવામાં આવ્યું છે.</li><li>આ નામ ધરાવતું તે પ્રથમ ભારતીય નૌકાદળનું જહાજ છે. </li><li>આ નામ શક્તિ, સ્થિતિસ્થાપકતા અને નિશ્ચયનું પ્રતીક છે. </li><li>આ જહાજ હવે સંપૂર્ણપણે કાર્યરત છે અને પૂર્વીય કાફલામાં એક શક્તિશાળી લડાયક જહાજ તરીકે જોડાયું છે.</li></ul><h4><b>નૌકાદળની તાકાતમાં વધારો&nbsp;</b></h4><p>અધિકારીઓ જણાવે છે કે INS મહેન્દ્રગિરીના સમાવેશથી ભારતીય નૌકાદળની ક્ષમતાઓમાં વધુ વધારો થયો છે. તે ભારતને સ્વદેશી યુદ્ધ જહાજો બનાવવામાં સક્ષમ અગ્રણી દેશોમાં પણ સ્થાન આપે છે. ભારત હિંદ મહાસાગર ક્ષેત્રમાં વિશ્વસનીય સુરક્ષા ભાગીદાર તરીકે તેની ભૂમિકાને મજબૂત બનાવવાનું ચાલુ રાખે છે, અને આ જહાજ દેશના દરિયાઈ હિતોનું રક્ષણ કરવા માટે તૈયાર છે. </p><p>આ જહાજનું સૂત્ર "માઇટી-મેજેસ્ટિક-મેચલેસ" છે, જે તેની શક્તિ અને ભવ્યતાને પ્રતિબિંબિત કરે છે.<br><br></p><p><a href="https://sandesh.com/astrology/news/bhakti/shani-dev-2026-saturn-will-move-in-reverse-these-2-zodiac-signs-should-be-especially-careful" target="_blank">આ પણ વાંચો: Shani Dev 2026: શનિની ચાલશે ઉલટી ચાલ, આ 2 રાશિએ ખાસ સાચવવુ !</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/gjz825Ij1ELpVcuyfNHZPjyzGrxXGusII9FAHYTj.webp'/></item><item><title><![CDATA[NEET પેપર લીક કેસમાં 13 આરોપીની ન્યાયિક કસ્ટડી 24 જુલાઈ સુધી લંબાવાઈ, હજુ મોટા માથાઓની ધરપકડ થઈ શકે છે ]]></title><link>https://sandesh.com/india/news/judicial-custody-of-13-accused-in-neet-paper-leak-case-extended-till-july-24-bigwigs-may-still-be-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/judicial-custody-of-13-accused-in-neet-paper-leak-case-extended-till-july-24-bigwigs-may-still-be-arrested</guid><pubDate>Sat, 11 Jul 2026 12:48:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દેશભરમાં ભારે ચર્ચા જગાવનારા NEET UG પરીક્ષા પેપર લીક કેસમાં તપાસ એજન્સીઓનો સકંજો વધુ મજબૂત બની રહ્યો છે. દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે આ મામલે ધરપકડ કરાયેલા તમામ 13 આરોપીઓની ન્યાયિક કસ્ટડી આગામી 24 જુલાઈ સુધી લંબાવી દીધી છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) એ સ્પષ્ટ કર્યું છે કે આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે તપાસ હજુ પણ સઘન રીતે ચાલુ છે.</p><h2 style="text-align: justify; "><b>વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આરોપીઓને રજૂ કરાશે</b></h2><p style="text-align: justify; ">કોર્ટની સુનાવણી દરમિયાન સુરક્ષા અને પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને તમામ 13 આરોપીઓને જેલમાંથી જ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા હતા. આ આરોપીઓમાં શિવરાજ રઘુનાથ મોતેઘનકર, તેજસ હર્ષદ કુમાર શાહ, દિનેશ બિવાલ, વિકાસ બિવાલ, માંગી લાલ બિવાલ, યશ યાદવ, પ્રહલાદ કુલકર્ણી, ડો. મનોજ શિરુરે, ધનંજય લોખંડે, શુભમ ખેરનાર, મનીષા વાઘમારે, મનીષા માંઢરે અને મનીષા સંજય હવલદારનો સમાવેશ થાય છે.</p><h3 style="text-align: justify; "><b>CBI નો મોટો દાવો: હજુ વધુ ધરપકડો થશે</b></h3><p style="text-align: justify; ">સુનાવણી દરમિયાન સીબીઆઈએ કોર્ટને જણાવ્યું કે આ પેપર લીક પાછળ એક મોટું આંતરરાજ્ય નેટવર્ક કામ કરી રહ્યું છે. એજન્સીની વિશેષ ટીમ આ કેસની ખૂબ જ બારીકાઈથી અને ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. સીબીઆઈએ કોર્ટને સંકેત આપ્યા છે કે આગામી દિવસોમાં આ કૌભાંડમાં સામેલ કેટલાક અન્ય મોટા માથાઓ અને શંકાસ્પદોની પણ ધરપકડ કરવામાં આવી શકે છે. પેપર લીકના તાર ક્યાં-ક્યાં જોડાયેલા છે તે શોધવા માટે એજન્સી સતત દરોડા પાડી રહી છે. આ કડક વલણને જોતા આગામી દિવસોમાં NEET પરીક્ષાર્થીઓ માટે આ કેસમાં મોટા ખુલાસા થઈ શકે છે.</p><p><div style="text-align: justify;"><br></div><div style="text-align: justify;"><a href="https://sandesh.com/world/news/pakistani-hindus-if-the-border-opens-the-villagers-will-come-here-why-do-hindus-want-to-come-to-india-from-pakistan-after-caa" target="_blank"><a href="https://sandesh.com/world/news/pakistani-hindus-if-the-border-opens-the-villagers-will-come-here-why-do-hindus-want-to-come-to-india-from-pakistan-after-caa" target="_blank" style="background-color: rgb(255, 255, 255);">આ પણ વાંચો: Pakistan:" બોર્ડર ખૂલી જાય તો ગામના ગામ અહીં આવી જશે..." CAA પછી શા માટે પાકિસ્તાનથી ભારત આવવા માંગે છે હિન્દુઓ?</a></a></div></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/N4kdy36au23IjMI4P9TEOIg1CR07mwnZkfsBUC2V.webp'/></item><item><title><![CDATA[Surat: રસ્તા પરથી પાણી ઓસર્યા પણ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટ હજુ પણ પાણીમાં ડૂબેલા, વેપારીઓને ભારે આર્થિક નુકસાન ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/textile-market-basement-flooded-cloth-parcels-damaged-crores-loss</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/textile-market-basement-flooded-cloth-parcels-damaged-crores-loss</guid><pubDate>Sat, 11 Jul 2026 12:45:05 +05:30</pubDate><description><![CDATA[<p>&nbsp;સુરતમાં ભારે વરસાદ અને સ્થાનિક ખાડી ઓવરફ્લો થવાને કારણે સર્જાયેલી ખાડીપૂરની સ્થિતિ હવે ધીમે-ધીમે નિયંત્રણમાં આવી રહી છે. સુરતના મોટાભાગના રહેણાંક વિસ્તારો અને મુખ્ય માર્ગો પરથી પૂરના પાણી સંપૂર્ણપણે ઓસરી ગયા છે અને વાહનવ્યવહાર પૂર્વવત થયો છે. પરંતુ, સુરતની આર્થિક કરોડરજ્જુ ગણાતા રીંગ રોડ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં પૂરના કારણે સર્જાયેલી તારાજીના અસલી દ્રશ્યો હવે સામે આવી રહ્યા છે. સુરતના અગ્રણી કાપડ માર્કેટોના કમ્પાઉન્ડ અને રસ્તા સાફ થઈ ગયા છે, પરંતુ માર્કેટોના અંડરગ્રાઉન્ડ બેઝમેન્ટ અને લોઅર પાર્કિંગ એરિયા હજુ પણ પૂરના પાણીથી ભરેલા છે.</p><h2><b>પાર્સલો અને દુકાનો જળમગ્ન</b></h2><p>સુરત કાપડ માર્કેટમાંથી દરરોજ દેશભરમાં હજારો ટ્રક ભરીને કાપડના પાર્સલ મોકલવામાં આવે છે. ટ્રાન્સપોર્ટમાં મોકલવાના બાકી હોય અથવા તો ડિલિવરી માટે આવેલા હોય તેવા હજારો કાપડના પાર્સલો વેપારીઓએ સુરક્ષિત સમજીને માર્કેટના બેઝમેન્ટ પાર્કિંગ એરિયામાં રાખ્યા હતા. ખાડીના પૂરના પાણી અચાનક માર્કેટના ભોંયરાઓમાં ઘૂસી જતાં, આ તમામ કિંમતી કાપડના પાર્સલો દિવસોથી પાણીમાં ડૂબેલા રહ્યા છે. કાપડના તાકા અને તૈયાર વસ્ત્રો ગંદા પાણીમાં પલળી જવાથી તે સંપૂર્ણપણે નકામા થઈ ગયા છે. આ ઉપરાંત બેઝમેન્ટમાં આવેલી હજારો નાની-મોટી દુકાનોમાં પણ 5 થી 7 ફૂટ સુધી પાણી ભરાઈ જતાં અંદર રાખેલો ફર્નિચર, કમ્પ્યુટર સિસ્ટમ અને સ્ટોક નાશ પામ્યો છે, જેનાથી વેપારીઓને કરોડો રૂપિયાનું આંધણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.</p><h3><b>વાહનોનું નુકસાન અને ડ્રેનેજ પમ્પિંગ ઓપરેશન</b></h3><p>પૂર એટલી ઝડપે આવ્યું હતું કે વેપારીઓ અને ગ્રાહકોને પોતાના વાહનો હટાવવાનો મોકો મળ્યો ન હતો. પરિણામે, બેઝમેન્ટ પાર્કિંગમાં પાર્ક કરેલી અસંખ્ય મોંઘીદાટ કારો અને માલસામાનની હેરફેર કરતા હજારો કોમર્શિયલ ટેમ્પો પણ છાપરા સુધી પાણીમાં ગરકાવ થઈ ગયા છે. એન્જિનમાં પાણી ઘૂસી જવાથી વાહનો સ્ક્રેપ જેવા થઈ ગયા છે. હાલમાં માર્કેટ એસોસિએશનો અને સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે મોટા પંપ મૂકીને બેઝમેન્ટમાંથી પાણી બહાર ફેંકવાની કામગીરી ચોવીસે કલાક ચલાવવામાં આવી રહી છે. જોકે, પાણીનો જથ્થો એટલો વધારે છે કે સંપૂર્ણ ભોંયરાઓ ખાલી કરતાં હજુ બે થી ત્રણ દિવસનો સમય લાગી શકે તેમ છે. આ આફતને કારણે સુરતના કાપડ ઉદ્યોગને આગામી તહેવારોની સીઝન પૂર્વે જ મોટો ફટકો પડ્યો છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/union-home-minister-amit-shah-gujarat-visit-one-crore-tree-plantation-science-city-dahegam" target="_blank">&nbsp;આ પણ વાંચો: Ahmedabad: ગુજરાત પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, આવતીકાલે એકસાથે 1 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો ઐતિહાસિક રેકોર્ડ સર્જાશે</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/riRc7iGXewdy5ePFvNZakdERf7bLFdEBofSf8kuS.webp'/></item><item><title><![CDATA[Gandhinagar: ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ સાયબર ક્રાઇમના 116 કરોડના મેગા કૌભાંડનો પર્દાફાશ, 7 આરોપીઓ જેલભેગા ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/gandhinagar/cyber-crime-unearths-116-crore-rupees-scam-seven-arrested-operation-mule-hunt</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/gandhinagar/cyber-crime-unearths-116-crore-rupees-scam-seven-arrested-operation-mule-hunt</guid><pubDate>Sat, 11 Jul 2026 12:42:28 +05:30</pubDate><description><![CDATA[<p>ટેકનોલોજીના દુરુપયોગ દ્વારા દેશના આર્થિક તંત્રને ખોખલું કરતી આંતરરાષ્ટ્રીય કક્ષાની સાયબર ગેંગને પકડી પાડવામાં સુરત શહેર સાયબર ક્રાઇમ સેલને બહુ મોટી અને ઐતિહાસિક સફળતા મળી છે. કેન્દ્રીય સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર નોંધાયેલી સેંકડો ફરિયાદોના ડેટા એનાલિસિસના આધારે, સુરત પોલીસે સ્ટેટ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ સાથે મળીને 'ઓપરેશન મ્યુલ હન્ટ 2.0' લોન્ચ કર્યું હતું. આ ઓપરેશન હેઠળ પોલીસે સુરતના હબ ગણાતા મોટા વરાછા અને જહાંગીરપુરા વિસ્તારમાં કાર્યરત શંકાસ્પદ કોલ સેન્ટરો અને ઓફિસો પર એકસાથે ત્રાટકીને 7 રીઢા સાયબર ઠગોને રંગેહાથ ઝડપી લીધા છે. પોલીસની આ રેઇડમાં કૌભાંડમાં વપરાતા 13 અત્યાધુનિક મોબાઇલ ફોન, અસંખ્ય સિમકાર્ડ, બેંક પાસબુક અને ડેબિટ કાર્ડનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.</p><h2><b>મોડસ ઓપરેન્ડી અને બેંક એકાઉન્ટ્સનું નેટવર્ક</b></h2><p>ધરપકડ કરાયેલા આરોપીઓની આકરી પૂછપરછમાં જે વિગતો બહાર આવી છે તેનાથી ખુદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. આ ગેંગ સામાન્ય લોકોને સોશિયલ મીડિયા લિંક્સ, ટેલિગ્રામ ચેનલો અને નકલી એપ્લિકેશનો દ્વારા ઘેરબેઠા ઓનલાઇન ટ્રેડિંગ, ક્રિપ્ટોકરન્સી ઇન્વેસ્ટમેન્ટ અને ઊંચા વળતર વાળી યુપીઆઈ (UPI) ટાસ્ક ગેમ્સની લાલચ આપતી હતી. લોકો એકવાર વિશ્વાસ કરીને નાણાં ટ્રાન્સફર કરે એટલે તે રકમ ગેંગ દ્વારા અલગ-અલગ બેંકોમાં ખોલવામાં આવેલા 18 શેલ (બોગસ/મ્યુલ) એકાઉન્ટ્સમાં ડાયવર્ટ કરી દેવામાં આવતી હતી. આ 18 ખાતાઓનો ઉપયોગ કરીને ગેંગે ટૂંકા ગાળામાં 116 કરોડથી વધુના શંકાસ્પદ નાણાકીય ટ્રાન્ઝેક્શનો કર્યા હતા. દેશના ૨૧ અલગ-અલગ રાજ્યોની પોલીસે આ ગેંગ વિરુદ્ધ અગાઉથી જ 145 જેટલા સાયબર ગુનાઓ નોંધી રાખ્યા હતા, જે તમામનો ભેદ હવે સુરત પોલીસે ઉકેલી નાખ્યો છે.</p><h3><b>દુબઈ હવાલા કનેક્શન અને આગળની તપાસ</b></h3><p>સુરત સાયબર સેલની તપાસમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે ભારતના નાગરિકો પાસેથી લૂંટેલા આ કરોડો રૂપિયા ભારતમાં રાખવાને બદલે ખૂબ જ શાતિરતાથી વિદેશ મોકલી દેવાતા હતા. આરોપીઓ શેલ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડીને સ્થાનિક આંગડિયા નેટવર્કનો ઉપયોગ કરતા હતા અને આંગડિયા મારફતે આ નાણાં દુબઈ ખાતે બેઠેલા આ રૅકેટના મુખ્ય સૂત્રધારોને કમિશન કાપીને હવાલા રૂટથી ટ્રાન્સફર કરી દેતા હતા. આ કૌભાંડમાં દુબઈ સ્થિત કયા મોટા ગજાના માફિયાઓ સામેલ છે અને કઈ-કઈ આંગડિયા પેઢીઓએ આ દેશદ્રોહ સમાન કૃત્યમાં મદદ કરી છે, તે દિશામાં સુરત પોલીસે ઈડી (ED) અને અન્ય કેન્દ્રીય તપાસ એજન્સીઓ સાથે સંકલન સાધીને ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/textile-market-basement-flooded-cloth-parcels-damaged-crores-loss" target="_blank">આ પણ વાંચો: Surat: રસ્તા પરથી પાણી ઓસર્યા પણ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટ હજુ પણ પાણીમાં ડૂબેલા, વેપારીઓને ભારે આર્થિક નુકસાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/81oh50m4xFk977gni3x1jNQFZuh4wa898hPzAKXR.webp'/></item><item><title><![CDATA[Amreli : સિંહ પજવણી મામલામાં ઘટસ્ફોટ, સિંહ મેટિંગ દરમિયાન વિડીયો કોલથી 'લાયન શો' કરનારા 2 શખ્સોની ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/amreli/amreli-liliya-lion-harassment-case-illegal-lion-show-arrest-news</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/amreli/amreli-liliya-lion-harassment-case-illegal-lion-show-arrest-news</guid><pubDate>Sat, 11 Jul 2026 12:37:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">એશિયાટિક સિંહોના ઘર ગણાતા સૌરાષ્ટ્રમાં સિંહ દર્શન અને સિંહ પજવણીની ઘટનાઓને રોકવા માટે રાજ્ય સરકારના કડક આદેશ બાદ વન વિભાગ દ્વારા એક ઐતિહાસિક અને દાખલો બેસાડતી કાર્યવાહી કરવામાં આવી છે. અમરેલી જિલ્લાના લીલીયા રેન્જમાં સિંહ મેટિંગ દરમિયાન ગેરકાયદેસર રીતે 'લાયન શો' યોજી સિંહોની પજવણી કરવાનો એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. આ ગંભીર ઘટનામાં વન વિભાગે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ એક મૃતક સહિત કુલ ત્રણ લોકો સામે ગુનો નોંધીને બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.</p><h2 style="text-align: justify; "><b>મોબાઈલ ફોન દ્વારા વિડીયો કોલ કરીને લાયન શો કરાવતા હતા</b></h2><p style="text-align: justify; ">મળતી વિગતો અનુસાર, આરોપીઓ સિંહ મેટિંગ દરમિયાન ગેરકાયદેસર રીતે સિંહોની નજીક પહોંચી ગયા હતા અને ત્યાંથી પોતાના પરિચિતોને મોબાઈલ ફોન દ્વારા વિડીયો કોલ કરીને લાયન શો કરાવતા હોવાનો આક્ષેપ છે. એટલું જ નહીં</p><h3 style="text-align: justify; "><b>તમામ વિડીયો ડેટા ડિલીટ કરી નાખ્યો</b></h3><p style="text-align: justify; ">આ શખ્સોએ સિંહ પજવણીની લાઈવ વીડિયોગ્રાફી પણ કરી હતી. જોકે, વન વિભાગની કાર્યવાહીની ગંધ આવી જતાં પકડાઈ જવાના ડરથી આરોપીઓએ ગુનાના પુરાવાનો નાશ કરવા માટે પોતાના મોબાઈલમાંથી તમામ વિડીયો ડેટા ડિલીટ કરી નાખ્યો હતો.</p><h4 style="text-align: justify; "><b>વાઈલ્ડ લાઈફ એક્ટ હેઠળ ગુનો દાખલ</b></h4><p style="text-align: justify; ">લીલીયા વન વિભાગે આ મામલે કડક વલણ અપનાવતા વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ ૧૯૭૨ (વ્યનજીવ સુરક્ષા કાયદો) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી તેજ કરી છે. વન વિભાગ દ્વારા આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ રેહાનખાન પઠાણ (રહે. અમરેલી) અને યશરાજસિંહ વાજા (રહે. સાવરકુંડલા) ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ત્રીજા આરોપી અહેમદ ઉર્ફે સોહિલ મેમણ (રહે. અમરેલી) નું  મૃત્યુ થયેલ હોવાથી તે મૃતક તરીકે દર્શાવેલ છે. વન વિભાગના જણાવ્યા અનુસાર, આ કાયદા હેઠળ ગુનો સાબિત થાય તો આરોપીઓને 3 થી લઈને 7 વર્ષ સુધીની કડક જેલની સજાની જોગવાઈ છે. હાલમાં લીલીયા વન વિભાગ દ્વારા ધરપકડ કરાયેલા બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાની કાનૂની તજવીજ હાથ ધરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/surat-khadipur-bhestan-bodies-found-smc-failure-deaths-news" target="_blank"><b>Sandesh Indepth : સુરતમાં સંકોચાતી ખાડી બની 'ડેથ ટ્રેપ', 1 હજાર કરોડની જાહેરાતો માત્ર કાગળ પર, 9.23 લાખ નાગરિકો આજે પણ જોખમમાં</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/4VZLRCGIMt7xDI7s6sZffTz9HzreulAMdpdNNbIz.webp'/></item><item><title><![CDATA[Lock Upp 2માં ગોવિંદાની ધમાકેદાર એન્ટ્રી, અફેરના વિવાદો વચ્ચે પત્ની સુનિતા માટે એવું શું કહ્યું કે ફેન્સ ચોંકયા ]]></title><link>https://sandesh.com/entertainment/news/govindas-explosive-entry-in-lock-up-2-what-did-he-say-about-his-wife-sunita-amidst-the-controversy-over-the-affair</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/govindas-explosive-entry-in-lock-up-2-what-did-he-say-about-his-wife-sunita-amidst-the-controversy-over-the-affair</guid><pubDate>Sat, 11 Jul 2026 11:32:19 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રિયાલિટી શો "લોક અપ - ૨" હાલમાં ભારે ટ્રેન્ડ કરી રહ્યો છે. શોમાં બોલીવુડ સુપરસ્ટાર ગોવિંદાની પત્ની સુનિતા આહુજાની બોલ્ડ અને સ્પષ્ટવક્તા શૈલી દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. તાજેતરમાં જ શો દરમિયાન દબંગ ગણાતા સુનિતા ભાવનાત્મક રીતે તૂટી ગયા હતા. પત્નીને આ રીતે મુશ્કેલ સમયમાં જોઈને ગોવિંદા તમામ વિવાદોને બાજુ પર મૂકીને તેને સપોર્ટ કરવા શોના સ્ટેજ પર પહોંચી ગયા હતા. લોકઅપ-2માં પત્ની સુનિતાને લઈને ગોવિંદાએ જે વાત કહી તે સાંભળી ફેન્સ ચોંકી ગયા. બંનેના સંબંધોમાં તિરાડની અફવા વચ્ચે ગોવિંદા પત્ની સુનિતાની પ્રસંશા કરતા જોવા મળ્યા.</p><h2 style="text-align: justify; "><b>સુનિતાએ કોઈ લોભ વગર મારી સેવા કરી છે"&nbsp; ગોવિંદા</b></h2><p style="text-align: justify; ">મીડિયા અહેવાલ અનુસાર, ગોવિંદાએ પોતાના સંબંધોની તિરાડ અને પત્ની દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓને નજરઅંદાજ કરીને સુનિતાની મન ભરીને પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું: "વર્ષો વર્ષ સુનિતાએ અવિરતપણે અને કોઈ પણ લોભ વિના મારી સેવા કરી છે. તે હંમેશાં ખૂબ જ દયાળુ રહી છે અને તેણે દરેક સંબંધને ખૂબ જ તીવ્રતાથી પોષ્યો છે. સુનિતામાં ખરેખર માતૃત્વનો સ્નેહ છે, જે લોકોને તેની તરફ આકર્ષિત કરે છે." સાથે જ ગોવિંદાએ મુશ્કેલ સમયમાં હંમેશા તેમની અને તેમના પરિવારની સાથે ઉભા રહેવા બદલ પોતાના તમામ ચાહકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>'ગોળી' ની વાત પર ફરાહે લીધી ચુટકી</b></h3><p style="text-align: justify; ">શોના નિર્માતાઓએ ગોવિંદાની ભવ્ય એન્ટ્રીનો એક પ્રોમો રિલીઝ કર્યો છે, જેમાં શોની હોસ્ટ ફરાહ ખાન સાથે ગોવિંદા તેની શૂટિંગ દરમિયાન પગમાં ગોળી વાગવાની વાસ્તવિક ઘટના વિશે વાત કરતા જોવા મળે છે. ફરાહ ખાને અનોખી શૈલીમાં ગોવિંદાનું સ્વાગત કર્યું અને મજાકમાં પૂછ્યું, "તમને તેને મારવાનો કોન્ટ્રાક્ટ કેમ આપ્યો?" ત્યારે ગોવિંદાએ કહ્યું, "હું તે મારા ખિસ્સામાં જ લાવ્યો હતો. હું એક ગોળી લાવ્યો છું. મેં કહ્યું, જો તમે મને છાતી પર મારવા માંગતા હો, તો કરો." વધુમાં કહ્યું કે, "આ તો લોક-અપ છે જે દુનિયાને દેખાય છે, પરંતુ એવા ઘણા લોક-અપ છે જે દેખાતા નથી; હું બરાબર ત્યાંથી જ આવી રહ્યો છું."</p><p style="text-align: justify; "><b>પતિના અફેરના વિવાદ પર સુનિતાનો કટાક્ષ</b></p><p style="text-align: justify; ">ગોવિંદા અને સુનિતાની પર્સનલ લાઈફ છેલ્લા કેટલાક સમયથી ઉતાર-ચઢાવમાંથી પસાર થઈ રહી છે. સુનિતાએ અગાઉ પણ અને આ શો દરમિયાન પણ વારંવાર ગોવિંદાના અફેર વિશે ચર્ચા કરી છે. જોકે, આ વિવાદો વચ્ચે પણ સુનિતાએ સ્પષ્ટ કર્યું છે કે તે ગોવિંદાને ક્યારેય છોડશે નહીં અને હંમેશા તેની સાથે જ રહેશે. આ ફેમસ જોડી વચ્ચે ચાલી રહેલો તણાવ ચાહકો માટે આઘાતજનક છે અને તેમના તમામ શુભેચ્છકો ઈચ્છી રહ્યા છે કે આ હિટ જોડી ફરી એકવાર જૂના અંદાજમાં સાથે જોવા મળે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/aBADXUbngT3UZlQHKJpVVAsVWXofCzshcbi2Zqna.webp'/></item><item><title><![CDATA[US Iran conflict: તો મોંઘુ થઇ શકે છે પેટ્રોલ ડીઝલ, IEAની મોટી ચેતવણી ]]></title><link>https://sandesh.com/business/news/us-iran-conflict-petrol-and-diesel-may-become-expensive-ieas-big-warning</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/us-iran-conflict-petrol-and-diesel-may-become-expensive-ieas-big-warning</guid><pubDate>Sat, 11 Jul 2026 10:52:10 +05:30</pubDate><description><![CDATA[<p>આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી (IEA) એ ચેતવણી આપી છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ વૈશ્વિક તેલ બજાર માટે નોંધપાત્ર ખતરો ઉભો કરી શકે છે. જો હોર્મુઝ સ્ટ્રેટ પર અસર પડે છે, તો આશરે 14 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલનો દૈનિક પુરવઠો ખોરવાઈ શકે છે. આનાથી વિશ્વભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે અને ફુગાવા પર અસર થઈ શકે છે. </p><h2><b>તો વધી શકે છે પેટ્રોલ ડીઝલના ભાવ&nbsp;</b></h2><p>વૈશ્વિક તેલ સંકટ ફરી ઘેરાવાની આશંકા ફરી ઉભી થઈ છે. IEA એ ચેતવણી આપી છે કે જો અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ મોટા સંઘર્ષમાં ફેરવાય છે, તો તેની સીધી અસર વૈશ્વિક તેલ પુરવઠા અને બળતણના ભાવ પર પડી શકે છે.જોકે તેલનો પુરવઠો હાલમાં સામાન્ય છે, IEA જણાવે છે કે તણાવમાં વધુ વધારો થવાથી બજારમાં નવી, ગંભીર અસ્થિરતા સર્જાઈ શકે છે&nbsp;</p><h3><b>હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાની ચિંતા</b></h3><p>IEA મુજબ, સૌથી મોટો ખતરો હોર્મુઝ સ્ટ્રેટને લગતો છે, જે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ તેલ માર્ગોમાંનો એક છે. અહીંથી દરરોજ મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ વિવિધ દેશોમાં પરિવહન થાય છે. રિપોર્ટ સૂચવે છે કે સ્ટ્રેટ બંધ થવાથી લગભગ 14 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલનો દૈનિક પુરવઠો બંધ થઈ શકે છે. આટલી મોટી સપ્લાયમાં વિક્ષેપ વૈશ્વિક ઇંધણની અછત પેદા કરી શકે છે અને તેલના ભાવમાં તીવ્ર વધારો કરી શકે છે.</p><h3><b>વૈશ્વિક અર્થતંત્ર પર સંભવિત અસર</b></h3><p>પશ્ચિમ એશિયા વિશ્વના સૌથી મોટા ક્રૂડ ઓઇલ નિકાસ કરતા પ્રદેશોમાંનો એક છે; તેથી, ત્યાં કોઈપણ લશ્કરી સંઘર્ષ ફક્ત પ્રાદેશિક નહીં, પણ વૈશ્વિક સ્તરે પણ થઈ શકે છે. જો તેલ ઉત્પાદક દેશો દ્વારા ઉત્પાદન ઘટે છે અથવા દરિયાઈ ટ્રાફિક ખોરવાય છે, તો ક્રૂડ ઓઇલની વૈશ્વિક ઉપલબ્ધતામાં ઘટાડો થશે. આ પેટ્રોલ, ડીઝલ, ઉડ્ડયન ઇંધણ અને ગેસના ભાવને પણ અસર કરી શકે છે. નિષ્ણાતો માને છે કે મોંઘા ઇંધણ સામાન્ય લોકોના ખિસ્સા, પરિવહન ખર્ચ અને ફુગાવાના સ્તરને સીધી અસર કરી શકે છે.</p><h3><b>હાલ પૂરતું તેલ છે, પણ જોખમો બાકી છે</b></h3><p>IEA એ જણાવ્યું છે કે વૈશ્વિક બજારમાં હાલમાં પૂરતું તેલ ઉપલબ્ધ છે, અને પુરવઠો હાલ માટે સામાન્ય રહે છે. જો કે, એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે બજાર ખૂબ જ સંવેદનશીલ રહે છે. જો અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધુ વધશે, તો વર્તમાન સંતુલન ઝડપથી બગડી શકે છે. રિપોર્ટમાં નોંધાયું છે કે હાલમાં તેલ બજાર માટે ભૂરાજકીય જોખમો પ્રાથમિક ચિંતા છે.</p><h4><b>OPEC+ અને અન્ય રાષ્ટ્રો તરફથી સંભવિત રાહત</b></h4><p>રિપોર્ટ અનુસાર, OPEC+ જૂથના સભ્ય દેશો ધીમે ધીમે અગાઉના ઉત્પાદન કાપને પાછો ખેંચી રહ્યા છે. જો જરૂર પડે તો તેઓ બજારમાં વધારાનું ક્રૂડ તેલ ઉપલબ્ધ કરાવી શકે છે. વધુમાં, OPEC ની બહારના ઘણા તેલ ઉત્પાદક દેશો પણ તેમનું ઉત્પાદન વધારી રહ્યા છે. આનાથી પુરવઠાની અછતને અમુક અંશે ઘટાડવામાં મદદ મળી શકે છે. જો કે, IEA ચેતવણી આપે છે કે જો ગલ્ફ ક્ષેત્રમાંથી તેલ નિકાસ ખોરવાઈ જાય છે અથવા મુખ્ય દરિયાઈ માર્ગો અવરોધિત થાય છે, તો વધારાનું ઉત્પાદન પણ પરિસ્થિતિને સંપૂર્ણપણે નિયંત્રિત કરવા માટે પૂરતું નહીં હોય.</p><h4><b>તેલના ભાવમાં અસ્થિરતા થવાની સંભાવના</b></h4><p>IEA એ નોંધ્યું છે કે જ્યારે તેલ બજાર હાલમાં સ્થિર દેખાય છે, રોકાણકારો અને સરકારો યુએસ અને ઈરાન વચ્ચેના વિકાસ પર નજીકથી નજર રાખી રહ્યા છે. જો બંને દેશો વચ્ચે લશ્કરી તણાવ વધશે, તો વૈશ્વિક તેલ બજારમાં ફરી એકવાર નોંધપાત્ર અસ્થિરતા જોવા મળી શકે છે. આનાથી ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો થઈ શકે છે અને ઘણા દેશોમાં ફુગાવાનું દબાણ વધી શકે છે. નિષ્ણાતો માને છે કે પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ આગામી દિવસોમાં વૈશ્વિક ઊર્જા બજારની દિશા નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.<br><br><a href="https://sandesh.com/astrology/news/bhakti/shani-dev-2026-saturn-will-move-in-reverse-these-2-zodiac-signs-should-be-especially-careful" target="_blank">આ પણ વાંચો: Shani Dev 2026: શનિની ચાલશે ઉલટી ચાલ, આ 2 રાશિએ ખાસ સાચવવુ !</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/ALngBbZIxZoCE3HMxbzsUdX46PZGK2vBZFAYVhTT.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026 : રોનાલ્ડો-મેસ્સી કે નેમાર નહીં... આ છે વિશ્વનો સૌથી ધનિક ફૂટબોલર ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-not-ronaldo-messi-or-neymar-this-is-the-richest-footballer-in-the-world</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-not-ronaldo-messi-or-neymar-this-is-the-richest-footballer-in-the-world</guid><pubDate>Sat, 11 Jul 2026 10:44:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">2026ના ફિફા વર્લ્ડ કપમાં ફૂટબોલનો ઉત્સાહ ચરમસીમાએ છે ત્યારે આ વિશ્વવિખ્યાત ખેલાડીઓની અઢળક સંપત્તિ પણ બધાને આશ્ચર્યચકિત કરી રહી છે.આ સ્ટાર ખેલાડીઓ ફક્ત તેમની રમત દ્વારા જ નહીં,પરંતુ મુખ્ય બ્રાન્ડ્સ સાથેના સમર્થન,તેમના વ્યક્તિગત વ્યવસાયો અને નોંધપાત્ર રોકાણો દ્વારા પણ અબજો કમાઈ રહ્યા છે. રમતના મેદાનથી લઈને નાણાકીય બજાર સુધી,આ ખેલાડીઓએ પોતાના સામ્રાજ્ય બનાવ્યા છે.ચાલો જાણીએ કે આ વર્ષના વર્લ્ડ કપમાં ભાગ લેનારા વિશ્વના સૌથી ધનિક ફૂટબોલરોની યાદીમાં કોણ શામેલ છે અને તેમની પાસે કેટલી સંપત્તિ છે.</p><h4 style="text-align: justify; "><b>રોનાલ્ડો અને મેસ્સીની સંપત્તિ તમારા મનને ચકરાવે ચડાવી દેશે.</b></h4><p style="text-align: justify; ">પોર્ટુગીઝ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો હાલમાં કમાણીની દ્રષ્ટિએ આગળ છે. સાઉદી અરેબિયન ક્લબ અલ નાસર માટે રમે છે, તેની કુલ સંપત્તિ $૧.૨ થી $૧.૪ બિલિયન (₹1ટ્રિલિયનથી વધુ) છે. તેના રમતના પગાર ઉપરાંત, તેનો નાઇકી સાથે આજીવન કરાર છે, જે હોટેલ ચેઇન, જીમ અને રિયલ એસ્ટેટમાં ફેલાયેલું વિશાળ વ્યવસાયિક સામ્રાજ્ય છે.બીજી બાજુ, આર્જેન્ટિનાને વિશ્વ ચેમ્પિયનનો દરજ્જો અપાવનાર લિયોનેલ મેસ્સી પણ પાછળ નથી. ઇન્ટર મિયામી માટે રમતા મેસ્સીની કુલ સંપત્તિ આશરે $850 મિલિયન છે. મેસ્સીની નોંધપાત્ર આવક તેના ક્લબ કરારો, એડિડાસ સાથેની ભાગીદારી અને હોટલ અને રિયલ એસ્ટેટમાં નોંધપાત્ર રોકાણોમાંથી પ્રાપ્ત થાય છે.</p><h5 style="text-align: justify; "><b>નેમાર અને એમબાપ્પે અબજોપતિઓમાં સામેલ છે.</b></h5><p style="text-align: justify; ">બ્રાઝિલિયન ફોરવર્ડ નેમાર પણ તેની પ્રભાવશાળી કમાણી માટે હેડલાઇન્સમાં રહ્યા છે. સાઉદી પ્રો લીગ ક્લબ અલ હિલાલમાં જોડાયા પછી તેની સંપત્તિમાં નોંધપાત્ર વધારો થયો છે. નેમારની કુલ સંપત્તિ હાલમાં $450 થી $500 મિલિયનની વચ્ચે હોવાનો અંદાજ છે. તેની રમતગમત કારકિર્દી ઉપરાંત, તે પુમા, રેડ બુલ અને ગેમિંગ કંપનીઓ પાસેથી નોંધપાત્ર રકમ મેળવે છે.</p><h5 style="text-align: justify; "><b>એમબાપ્પે વિશ્વના સૌથી મોંઘા ખેલાડી</b></h5><p style="text-align: justify; ">ફ્રાન્સના યુવા સ્ટાર કાયલિયન એમબાપ્પેએ રીઅલ મેડ્રિડમાં જોડાયા પછી વિશ્વના સૌથી મોંઘા ખેલાડીઓમાં પોતાને મજબૂત રીતે સ્થાપિત કરી દીધા છે. વિવિધ અંદાજો અનુસાર, એમબાપ્પેની કુલ સંપત્તિ $250 થી $700 મિલિયનની વચ્ચે હોવાનો અંદાજ છે. તેણે આ સંપત્તિ તેના મોટા ક્લબ પગાર, બોનસ પર હસ્તાક્ષર અને નાઇકી અને હુબ્લોટ જેવી પ્રખ્યાત કંપનીઓ સાથેના સમર્થન દ્વારા મેળવી છે.</p><h4 style="text-align: justify; "><b>આ સ્ટાર ફૂટબોલરો પાસે પણ અઢળક સંપત્તિ&nbsp;</b></h4><p style="text-align: justify; ">ઇજિપ્તના મોહમ્મદ સલાહ અને ઇંગ્લેન્ડના હેરી કેન પણ આ યાદીમાં અગ્રણી સ્થાન ધરાવે છે. લિવરપૂલના સ્ટાર મોહમ્મદ સલાહની કુલ સંપત્તિ આશરે $140 મિલિયન હોવાનો અંદાજ છે, જે તેમને આફ્રિકાના સૌથી ધનિક ફૂટબોલરોમાંના એક બનાવે છે. બેયર્ન મ્યુનિકના હેરી કેન પાસે પણ લગભગ $140 મિલિયનની કુલ સંપત્તિ છે. માન્ચેસ્ટર સિટીના કેવિન ડી બ્રુયને કુલ સંપત્તિ $130 મિલિયન છે, અને તે જ ક્લબના યુવા સેન્સેશન, એર્લિંગ હાલેન્ડની કુલ સંપત્તિ લગભગ $100 મિલિયન છે.</p><h4 style="text-align: justify; "><b>રીઅલ મેડ્રિડની $80 મિલિયન&nbsp;</b></h4><p style="text-align: justify; ">આ ઉપરાંત, લોસ એન્જલસ એફસીના સન હ્યુંગ-મીન પાસે કુલ સંપત્તિ $100 મિલિયન છે અને તે એશિયાના સૌથી મોટા રમતગમતના ચિહ્નોમાંનો એક છે. અલ ​​નાસરના સાદિયો માને પણ કુલ સંપત્તિ $100 મિલિયન છે. રીઅલ મેડ્રિડના ઉભરતા સ્ટાર વિનિસિયસ જુનિયર $80 મિલિયન છે, અને ક્લબના અનુભવી મિડફિલ્ડર લુકા મોડ્રિક, $75 મિલિયનની કુલ સંપત્તિ સાથે, વિશ્વના સૌથી ધનિક ખેલાડીઓની આ વિશિષ્ટ યાદી પૂર્ણ કરે છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-spain-beat-belgium-2-1-in-the-quarter-finals-now-they-will-face-this-team-in-the-semi-finals" target="_blank">FIFA World Cup 2026 : સ્પેને ક્વાર્ટર ફાઇનલમાં બેલ્જિયમને 2-1થી હરાવ્યું,હવે સેમિફાઇનલમાં આ ટીમ સાથે ટક્કર</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/oJp3pMl7Qy0DM7ymFUwaEtbzLYYfvbzAf5IpgpUF.webp'/></item></channel></rss>