<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Vadodara News: યુસુફ પઠાણ અને VMC વચ્ચે હાઈપ્રોફાઈલ જંગ; સરકારી પ્લોટ પર દબાણ મામલે પાલિકા અધિકારીનો ખુલાસો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-news-high-profile-fight-between-yusuf-pathan-and-vmc-municipal-officers-explanation-about-pressure-on-government-plot</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-news-high-profile-fight-between-yusuf-pathan-and-vmc-municipal-officers-explanation-about-pressure-on-government-plot</guid><pubDate>Tue, 09 Jun 2026 20:34:29 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા મહાનગરપાલિકા અને પૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ વચ્ચે સરકારી જમીન પર કથિત દબાણને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે. વડોદરાના એક કિંમતી પ્લોટ પર ગેરકાયદેસર કબ્જો જમાવવાના આ હાઈપ્રોફાઈલ મામલે પાલિકાના ડેપ્યુટી કમિશનર સુરેશ તુવેરનું એક અત્યંત મહત્વનું નિવેદન સામે આવ્યું છે. ડેપ્યુટી કમિશનરે મીડિયા સમક્ષ સ્પષ્ટ કર્યું છે કે, જે જમીન પર વિવાદ ચાલી રહ્યો છે તે પ્લોટ સંપૂર્ણપણે વડોદરા કોર્પોરેશનની માલિકીનો છે અને તેના પર થયેલું બાંધકામ નિયમ વિરુદ્ધ છે.</p><h2 style="text-align: justify; ">પાલિકાએ ફટકારી હતી નોટિસ</h2><p style="text-align: justify; ">ડેપ્યુટી કમિશનર સુરેશ તુવેરના જણાવ્યા મુજબ પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે કોર્પોરેશનની માલિકીનો આ સરકારી પ્લોટ પર કમ્પાઉન્ડ વોલ ચણીને ગેરકાયદેસર રીતે દબાણ ઊભું કર્યું હતું. આ બાબત પાલિકાના ધ્યાન પર આવતાં જ વહીવટી તંત્ર દ્વારા કાયદેસરની પ્રક્રિયા હાથ ધરીને યુસુફ પઠાણને આ વિવાદાસ્પદ દબાણ જાતે જ દૂર કરવા માટે અગાઉ સત્તાવાર નોટિસ પણ ફટકારવામાં આવી હતી. જોકે, પાલિકાની આ નોટિસ સામે પૂર્વ ક્રિકેટરે કાનૂની આશરો લીધો હતો.</p><h3 style="text-align: justify; ">હાઈકોર્ટના ચુકાદા બાદ પાલિકા લેશે નિર્ણય</h3><p style="text-align: justify; ">પાલિકાની નોટિસના વિરોધમાં યુસુફ પઠાણ ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને સ્ટે મેળવવા અરજી કરી હતી. ડેપ્યુટી કમિશનરે ઉમેર્યું કે, હાઇકોર્ટમાં આ કેસ અંગે બંને પક્ષો વચ્ચે લાંબી દલીલો પૂર્ણ થઈ ચૂકી હોવા છતાં પણ હજુ સુધી અદાલત દ્વારા કોઈ અંતિમ ચુકાદો આપવામાં આવ્યો નથી. હાલમાં આ મામલો સબજ્યુડિસ હોવાથી પાલિકા કોર્ટના આદેશની રાહ જોઈ રહી છે. આગામી 15 જૂનના રોજ હાઇકોર્ટ દ્વારા આ કેસનો ચુકાદો જાહેર થવાની સંભાવના છે, અને કોર્ટના ઓર્ડર બાદ પાલિકા તંત્ર આ સરકારી પ્લોટ પરથી દબાણ હટાવવા અંગે આખરી અને મક્કમ નિર્ણય કરશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/4OMays4vautQKk2CctP7UdZ0y2PD3q7axwl9wN8b.webp'/></item><item><title><![CDATA[Khedaના ગળતેશ્વરમાં મુસાફરો અને સ્થાનિક વેપારીઓ વચ્ચે ઉગ્ર મારામારી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/kheda/fierce-fight-between-passengers-and-local-traders-in-galteshwar-kheda</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/kheda/fierce-fight-between-passengers-and-local-traders-in-galteshwar-kheda</guid><pubDate>Tue, 09 Jun 2026 19:41:12 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ અને પવિત્ર યાત્રાધામ ગળતેશ્વર ખાતેથી એક અત્યંત ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. મહીસાગર અને ગળતી નદીના ત્રિવેણી સંગમ તટે આવેલા આ પવિત્ર સ્થળે દર્શનાર્થે અને નાહવા માટે આવેલા મુસાફરો અને નદી કિનારે ધંધો કરતા સ્થાનિક વેપારીઓ વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી બાદ સામસામે ધીંગાણું સર્જાયું હતું. બંને પક્ષો વચ્ચે થયેલી આ લોહિયાળ ઝપાઝપી અને મારામારીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જોકે, આ વાયરલ વીડિયોની 'સંદેશ' સત્તાવાર પુષ્ટિ કરતું નથી.</p><h2 style="text-align: justify; ">ઉમટેલી મેદની વચ્ચે ગેરકાયદે વેપારીઓની દાદાગીરી</h2><p style="text-align: justify; ">હાલમાં ચાલી રહેલા પવિત્ર અક્ષર પુરુષોત્તમ માસના કારણે ગળતેશ્વર મહાદેવના દર્શન કરવા અને સંગમ નદીમાં પવિત્ર સ્નાન કરવા માટે ઐતિહાસિક કહી શકાય તેટલું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. આ ભીડનો લાભ ઉઠાવીને નદીના પટમાં ગેરકાયદેસર રીતે ઝુંપડા અને કેબિનો તાણી બાંધીને વ્યવસાય કરતા કેટલાક અસામાજિક તત્વો જેવા વેપારીઓએ સામાન્ય બાબતમાં યાત્રીઓ સાથે બબાલ શરૂ કરી દીધી હતી. જોતજોતામાં વિવાદ એટલો વધી ગયો કે લાકડીઓ અને હાથઉછીના હથિયારો વડે મુસાફરો પર હુમલો કરવામાં આવ્યો હતો, જેનાથી પવિત્ર યાત્રાધામની ગરિમા ખરડાઈ છે.</p><h3 style="text-align: justify; ">તીર્થધામોમાં સુરક્ષા વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલો</h3><p style="text-align: justify; ">ભક્તિમય માહોલ વચ્ચે સર્જાયેલી આ હિંસક ઘટનાને પગલે ત્યાં હાજર અન્ય શ્રદ્ધાળુઓમાં ભારે નાસભાગ અને ભયનો માહોલ વ્યાપી ગયો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, નદી કિનારે ગેરકાયદે દબાણો કરીને બેઠેલા આ વેપારીઓ અવારનવાર યાત્રીઓ સાથે લૂંટફાટ અને ઉદ્ધત વર્તન કરતા હોય છે. આ ચકચારી ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ, પ્રશાસન દ્વારા આવા ગેરકાયદેસર તત્વો સામે તાત્કાલિક કડક બુલડોઝર કાર્યવાહી કરવામાં આવે અને પવિત્ર સ્થળોએ આવતા પ્રવાસીઓની સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/EiXQvC7cEsLaVk6Sslzxr6CrXoEAYNpx4jdtEfbh.webp'/></item><item><title><![CDATA[Kachchh News : આરોપી સ્ત્રીનો વેશ ધારણ કરી લોકોનો સંપર્ક કરતો, ઘરમાં જઈ દુઃખ દૂર કરવાના નામે રૂપિયા પડાવતો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/bhuj/three-arrested-posed-as-woman-for-fraud-in-the-name-of-tantric-rituals</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/bhuj/three-arrested-posed-as-woman-for-fraud-in-the-name-of-tantric-rituals</guid><pubDate>Tue, 09 Jun 2026 19:24:35 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં અંધશ્રદ્ધાના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. આજના આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધાના નામે ગામડાના ભોળા માણસોને ઠગતી ગેંગ સક્રિય થઈ ગઈ છે. આવી જ એક ગેંગને પોલીસે ઝડપી પાડી છે. કચ્છમાં ધંધામાં બરકત લાવવી, ઘરની નડતર દૂર કરવી અને દુઃખ તકલીફમાંથી મુક્તિ અપાવવાના બહાને લોકો પાસેથી રૂપિયા પડવાતા ત્રણ આરોપીને પધ્ધર પોલીસે ઝડપી પાડયા છે.</p><h2 style="text-align: justify; "><b>ઠગાઈ આચરતી ત્રિપુટી ઝડપી પાડવામાં આવી</b></h2><p style="text-align: justify; ">કચ્છ પોલીસે તાંત્રિક વિધિના નામે લોકો સાથે ઠગાઈ આચરતી ત્રિપુટી ઝડપી પાડવામાં આવી છે. આરોપીઓમાનો એક ઈસમ સ્ત્રીનો વેશ ધારણ કરી લોકોનો સંપર્ક કરીને તેમના ઘરમાં પ્રવેશી નડતર દૂર કરવાના નામે ઠગાઈ આચરતો હતો. પધ્ધર પોલીસ  પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, એક મારુતિ અલ્ટો કારમાં ત્રણ શંકાસ્પદ ઈસમો ફરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે વાહન રોકી તપાસ કરતા ચોંકાવનારી હકીકતો સામે આવી હતી.પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, આરોપીઓ અલગ અલગ ગામોમાં જઈ લોકોનો સંપર્ક કરતા હતા.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>આરોપી વિશેષ શક્તિઓ હોવાનો ભાસ ઉભો કરતો</b></h3><p style="text-align: justify; ">જેમાંથી એક ઈસમ સ્ત્રીનો વેશ ધારણ કરી પોતાની પાસે વિશેષ શક્તિઓ હોવાનો ભાસ ઉભો કરતો હતો. ત્યારબાદ લોકોના ધંધામાં બરકત નથી આવતી, ઘરમાં નડતર છે અથવા દુઃખ તકલીફો છે તેવી વાતો કરી વિશ્વાસમાં લેતા હતાં. આરોપીઓ બાદમાં ખાસ પૂજા-પાઠ અને તાંત્રિક વિધિ કરવાની જરૂર હોવાનું કહી લોકો પાસેથી રોકડ રકમ તેમજ કિંમતી વસ્તુઓ મેળવતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસે ત્રિપુટીને રોકડ, કાર, મોબાઈલ, શ્રીફળ, ઘી સહિતના મુદામાલ સાથે ઝડપી પાડી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>અરવિંદનાથ પરમાર સમગ્ર ઠગાઈ કેસમાં માસ્ટર માઈન્ડ</b></h2><p style="text-align: justify; ">ઝડપાયેલા આરોપીમાં અરવિંદનાથ પરમાર સમગ્ર ઠગાઈ કેસમાં માસ્ટર માઈન્ડ હોવાનું સામે આવ્યું છે. આરોપી ગુન્હાહિત ઇતિહાસ ધરાવે અને તેના સામે રાજકોટ, ગોંડલ, મોરબી, પડધરી, ગાંધીનગર સહિતના પોલીસ સ્ટેશનમાં ગુન્હા નોંધાયેલા છે. હાલ પોલીસે અરવિંદનાથ પરમાર, બળવંત હીરાલાલ વાદી , પરબત નથુભાઈ રાઠોડના રિમાન્ડ મેળવી આરોપીએ અત્યાર સુધીમાં કેટલા લોકો સાથે છેતરપીંડી કરી છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.<br><br><a href="https://sandesh.com/india/news/congress-candidate-meenakshi-natarajans-nomination-rejected" target="_blank">આ પણ વાંચોઃ Madhya Pradesh rajya sabha election: કોંગ્રેસના કદાવર ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું ફોર્મ રદ કરાયુ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/TBMvy4qjK4ZGnv7b85tnT6kb6U5b8uFNP1OQl8ad.webp'/></item><item><title><![CDATA[TCS Share Price: ઘટી રહેલા શેરના ભાવ અંગે શેરધારકે કર્યો સવાલ તો ચેરમેને સમજાવ્યુ ગણિત, જાણો શું કહ્યુ? ]]></title><link>https://sandesh.com/business/news/india/tcs-share-price-when-a-shareholder-asked-about-the-falling-share-price-the-chairman-explained-the-math-know-what-he-said</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/tcs-share-price-when-a-shareholder-asked-about-the-falling-share-price-the-chairman-explained-the-math-know-what-he-said</guid><pubDate>Tue, 09 Jun 2026 19:23:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">એક સમયે, IT જાયન્ટનો શેર 4 હજારને સ્પર્શી રહ્યો હતો. પરંતુ છેલ્લા એક વર્ષમાં, તે ઝડપથી ઘટીને 2200થી 2500ની રેન્જમાં છે. 
</p><h2 style="text-align: justify; ">બે મુખ્ય કારણ જવાબદાર 
</h2><p style="text-align: justify; ">કંપનીની 31મી વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકે પૂછ્યું કે, મજબૂત પરિણામો છતાં શેરનો ભાવ આટલો ઝડપથી કેમ ઘટ્યો. ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને પરિસ્થિતિ સમજાવી. ચંદ્રશેખરને જવાબ આપ્યો અને આ પાછળના બે મુખ્ય કારણો છે. ઓગસ્ટ-સપ્ટેમ્બર 2024માં નેશનલ સ્ટોક એક્સચેન્જ પર TCSના શેર 4289.85ની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. ત્યારથી, આ ઘટાડો ચાલુ રહ્યો છે. અને મંગળવારના રોજ તેનો શેર 0.02% ઘટીને રૂપિયા 2151 પર બંધ થયો. આ ઘટાડો 50 ટકાથી થોડો વધારે દર્શાવે છે. હાલમાં, તે સપ્ટેમ્બર 2020ના ભાવે પહોંચ્યો છે. સ્પષ્ટપણે, રોકાણકારો આનાથી નાખુશ છે.
</p><h3 style="text-align: justify; ">યુદ્ધો અને ભૂ-રાજકીય તણાવ
</h3><p style="text-align: justify; ">ચેરમેન એન. ચંદ્રશેખરને શેરધારકોને ખાતરી આપી હતી કે શેરના ભાવમાં આ ઘટાડો TCS પૂરતો મર્યાદિત નથી. પરંતુ વૈશ્વિક IT ક્ષેત્ર હાલમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. તેમણે પ્રથમ મુખ્ય કારણ વિશ્વના ઘણા ભાગોમાં ચાલી રહેલા યુદ્ધો અને ભૂ-રાજકીય તણાવને કારણે બગડતા વ્યવસાયિક વાતાવરણ તરીકે ટાંક્યું હતું. જેણે સપ્લાય ચેઇન પર ગંભીર અસર કરી છે. કંપનીઓ હાલમાં નવા સાહસો શરૂ કરવાને બદલે તેમના હાલના વ્યવસાયોને સુરક્ષિત કરવા અને તેમની સપ્લાય ચેઇનને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
</p><h4 style="text-align: justify; ">AI સૌથી મોટું સંકટ 
</h4><p style="text-align: justify; ">ઘટાડાનું બીજું અને સૌથી મહત્વનું કારણ સમજાવતા, એન. ચંદ્રશેખરન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉલ્લેખ કરે છે. તેમણે કહ્યું કે આજે શેરબજારમાં IT કંપનીઓને ઘેરાયેલો સૌથી મોટો ભય AI છે. રોકાણકારો આશ્ચર્ય પામી રહ્યા છે: જો AI કમ્પ્યુટર કોડ લખી શકે છે, સોફ્ટવેરનું પરીક્ષણ કરી શકે છે અને ઘણા તકનીકી કાર્યો સ્વતંત્ર રીતે સંભાળી શકે છે, તો TCS જેવી IT સેવા કંપનીઓનું ભવિષ્ય શું હશે? આ ડરને કારણે, માત્ર TCS જ નહીં, પરંતુ વિશ્વભરમાં IT સેવાઓ, સોફ્ટવેર અને SaaSમાં સંકળાયેલી લગભગ બધી કંપનીઓ ઇન્ટરનેટ દ્વારા સીધી રીતે પહોંચાડવામાં આવતી સોફ્ટવેર સેવાઓમાં, તેમના શેરમાં 35% થી 45% નો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/israel-was-left-alone-in-the-iran-war-from-uae-to-america-everyone-left-the-alliance-know-why" target="_blank">Iran યુદ્ધમાં Israel થયુ એકલું, UAEથી લઈને America સુધી બધાએ છોડ્યો સાથ, જાણો કેમ?</a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/cVESxsnsxqYCanjViXQmQURWEHi3M5tzcIYNxpiy.webp'/></item><item><title><![CDATA[TCS Share Price: ઘટી રહેલા શેરના ભાવ અંગે શેરધારકે કર્યો સવાલ તો ચેરમેને સમજાવ્યુ ગણિત, જાણો શું કહ્યુ? ]]></title><link>https://sandesh.com/business/news/india/tcs-share-price-when-a-shareholder-asked-about-the-falling-share-price-the-chairman-explained-the-math-know-what-he-said</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/tcs-share-price-when-a-shareholder-asked-about-the-falling-share-price-the-chairman-explained-the-math-know-what-he-said</guid><pubDate>Tue, 09 Jun 2026 19:23:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">એક સમયે, IT જાયન્ટનો શેર 4 હજારને સ્પર્શી રહ્યો હતો. પરંતુ છેલ્લા એક વર્ષમાં, તે ઝડપથી ઘટીને 2200થી 2500ની રેન્જમાં છે. 
</p><h2 style="text-align: justify; ">બે મુખ્ય કારણ જવાબદાર 
</h2><p style="text-align: justify; ">કંપનીની 31મી વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકે પૂછ્યું કે, મજબૂત પરિણામો છતાં શેરનો ભાવ આટલો ઝડપથી કેમ ઘટ્યો. ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને પરિસ્થિતિ સમજાવી. ચંદ્રશેખરને જવાબ આપ્યો અને આ પાછળના બે મુખ્ય કારણો છે. ઓગસ્ટ-સપ્ટેમ્બર 2024માં નેશનલ સ્ટોક એક્સચેન્જ પર TCSના શેર 4289.85ની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. ત્યારથી, આ ઘટાડો ચાલુ રહ્યો છે. અને મંગળવારના રોજ તેનો શેર 0.02% ઘટીને રૂપિયા 2151 પર બંધ થયો. આ ઘટાડો 50 ટકાથી થોડો વધારે દર્શાવે છે. હાલમાં, તે સપ્ટેમ્બર 2020ના ભાવે પહોંચ્યો છે. સ્પષ્ટપણે, રોકાણકારો આનાથી નાખુશ છે.
</p><h3 style="text-align: justify; ">યુદ્ધો અને ભૂ-રાજકીય તણાવ
</h3><p style="text-align: justify; ">ચેરમેન એન. ચંદ્રશેખરને શેરધારકોને ખાતરી આપી હતી કે શેરના ભાવમાં આ ઘટાડો TCS પૂરતો મર્યાદિત નથી. પરંતુ વૈશ્વિક IT ક્ષેત્ર હાલમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. તેમણે પ્રથમ મુખ્ય કારણ વિશ્વના ઘણા ભાગોમાં ચાલી રહેલા યુદ્ધો અને ભૂ-રાજકીય તણાવને કારણે બગડતા વ્યવસાયિક વાતાવરણ તરીકે ટાંક્યું હતું. જેણે સપ્લાય ચેઇન પર ગંભીર અસર કરી છે. કંપનીઓ હાલમાં નવા સાહસો શરૂ કરવાને બદલે તેમના હાલના વ્યવસાયોને સુરક્ષિત કરવા અને તેમની સપ્લાય ચેઇનને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
</p><h4 style="text-align: justify; ">AI સૌથી મોટું સંકટ 
</h4><p style="text-align: justify; ">ઘટાડાનું બીજું અને સૌથી મહત્વનું કારણ સમજાવતા, એન. ચંદ્રશેખરન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉલ્લેખ કરે છે. તેમણે કહ્યું કે આજે શેરબજારમાં IT કંપનીઓને ઘેરાયેલો સૌથી મોટો ભય AI છે. રોકાણકારો આશ્ચર્ય પામી રહ્યા છે: જો AI કમ્પ્યુટર કોડ લખી શકે છે, સોફ્ટવેરનું પરીક્ષણ કરી શકે છે અને ઘણા તકનીકી કાર્યો સ્વતંત્ર રીતે સંભાળી શકે છે, તો TCS જેવી IT સેવા કંપનીઓનું ભવિષ્ય શું હશે? આ ડરને કારણે, માત્ર TCS જ નહીં, પરંતુ વિશ્વભરમાં IT સેવાઓ, સોફ્ટવેર અને SaaSમાં સંકળાયેલી લગભગ બધી કંપનીઓ ઇન્ટરનેટ દ્વારા સીધી રીતે પહોંચાડવામાં આવતી સોફ્ટવેર સેવાઓમાં, તેમના શેરમાં 35% થી 45% નો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/israel-was-left-alone-in-the-iran-war-from-uae-to-america-everyone-left-the-alliance-know-why" target="_blank">Iran યુદ્ધમાં Israel થયુ એકલું, UAEથી લઈને America સુધી બધાએ છોડ્યો સાથ, જાણો કેમ?</a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/cVESxsnsxqYCanjViXQmQURWEHi3M5tzcIYNxpiy.webp'/></item><item><title><![CDATA[Madhya Pradesh rajya sabha election: કોંગ્રેસના કદાવર ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું ફોર્મ રદ કરાયુ ]]></title><link>https://sandesh.com/india/news/congress-candidate-meenakshi-natarajans-nomination-rejected</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/congress-candidate-meenakshi-natarajans-nomination-rejected</guid><pubDate>Tue, 09 Jun 2026 19:06:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. મધ્યપ્રદેશથી કોંગ્રેસના રાજ્યસભા ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ કરવામાં આવ્યું છે. રિટર્નિંગ ઓફિસરે આ નામાંકન રદ કરી નાંખ્યું છે. તેમની પર આરોપ છે કે, તેમણે ઉમેદવારી ફોર્મમાં હૈદરાબાદની એક કોર્ટમાં ચાલી રહેલા મામલાની જાણકારી છુપાવી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ભાજપે મીનાક્ષી નટરાજનના ફોર્મ સામે વાંધો ઉઠાવ્યો</b></h2><p style="text-align: justify; ">રાજ્યસભાની ઉમેદવારી અંગે ભાજપે મીનાક્ષી નટરાજનના ફોર્મ સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમના ફોર્મમાં માહિતી છુપાવવાનો આરોપ લગાવાયો હતો. ભાજપે એવો આરોપ લગાવ્યો હતો કે, હૈદરાબાદની એક કોર્ટમાં ચાલી રહેલા એક ફોજદારી કેસ ઉમેદવારી ફોર્મમાં જાહેર કર્યો નથી. કર્ણાટકના મીનાક્ષી નટરાજનને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી બંનેની નજીક માનવામાં આવે છે.</p><h3 style="text-align: justify; "><b>કોંગ્રેસ પાર્ટીના સાંસદે શું કહ્યું</b></h3><p style="text-align: justify; ">આ દરમિયાન કોંગ્રેસ તરફથી સાંસદ વિવેક તંખાએ કહ્યું હતું કે, મીનાક્ષી નટરાજનની ઉમેદવારીને ળઈને ભ્રમ ફેલાવાઈ રહ્યો છે. કોઈ ફોજદારી કેસ નોંધવામાં આવ્યો નથી. માત્ર એક નોટીસ જાહેર કરાઈ છે. જેમાં સવાલ કરાયો છે કે, તેમના અને અન્ય લોકો સામે 10 કરોડ રૂપિયાના વળતરની કાર્યવાહી કેમ શરૂ ના થવી જોઈએ. મીનાક્ષી નટરાજનના વકીલે આ નોટીસનો જવાબ આપ્યો છે પરંતુ કોઈ ફરિયાદ દાખલ કરાઈ નથી.&nbsp;<br><br><a href="https://sandesh.com/india/news/cm-yogi-warns-those-who-betray-ram-have-no-place-on-earth-india-is-no-dharamshala" target="_blank">આ પણ વાંચોઃ CM યોગીની ચેતવણી,‘રામનો દ્રોહ કરનારાઓને ધરતી પર જગ્યા નથી,ભારત કોઈ ધર્મશાળા નથી’</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/eHwTmbAI5BCjSu8E1M4rKMuOO1IbIYRHQms8LeZy.webp'/></item><item><title><![CDATA[Ahmedabad ગ્રામ્ય LCBનો સપાટો: નળસરોવરના વાસણ ગામે સ્મશાન નજીકથી ઝડપાઈ દેશી દારૂની ભઠ્ઠી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-rural-lcb-raid-country-liquor-factory-seized-near-crematorium-in-vasan-village-of-nalsarovar</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-rural-lcb-raid-country-liquor-factory-seized-near-crematorium-in-vasan-village-of-nalsarovar</guid><pubDate>Tue, 09 Jun 2026 18:56:50 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચએ પ્રોહિબિશનના કાયદાના કડક અમલીકરણ અંતર્ગત એક બહુ મોટી કાર્યવાહી કરીને સફળ દરોડો પાડ્યો છે. અમદાવાદના સુપ્રસિદ્ધ નળસરોવર વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. આ વ્યાપક નશાના કારોબારને નાબૂદ કરવા માટે એલસીબીની ટીમે વાસણ ગામના તળાવ કાંઠે આવેલા સ્મશાન ગૃહની નજીક ઓચિંતો દરોડો પાડીને દેશી દારૂ બનાવવાની ધમધમતી ભઠ્ઠી ઝડપી પાડી છે.</p><h2 style="text-align: justify; ">હજારો લીટર દારૂનો વોશ અને લાખોનો મુદ્દામાલ જપ્ત</h2><p style="text-align: justify; ">પોલીસના આ સફળ ઓપરેશન દરમિયાન ઘટનાસ્થળેથી અંદાજે 4,650 લીટર જેટલો દેશી દારૂ બનાવવાનો કાચો માલ એટલે કે 'વોશ' ઝડપાયો હતો, જેને પોલીસે સ્થળ પર જ નષ્ટ કર્યો હતો. આ ઉપરાંત, વેચાણ માટે સંપૂર્ણ રીતે તૈયાર રાખવામાં આવેલો 105 લીટર દેશી દારૂ પણ પોલીસે કબ્જે કર્યો છે. એલસીબીની ટીમે દારૂ ગાળવાના સાધનો, વાસણો અને અન્ય સામગ્રી સહિત કુલ રૂપિયા 1,37,000 (1.37 લાખ) નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.</p><h3 style="text-align: justify; ">દારૂના કારોબારમાં ત્રણ મહિલાઓ વોન્ટેડ</h3><p style="text-align: justify; ">આ સમગ્ર ગેરકાયદેસર દેશી દારૂની ભઠ્ઠી ચલાવવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ નેટવર્ક મહિલાઓ દ્વારા ઓપરેટ કરવામાં આવી રહ્યું હતું. પોલીસ દરોડા દરમિયાન આ કેસના મુખ્ય ત્રણ મહિલા આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, જેમને પોલીસે ચોપડે વોન્ટેડ જાહેર કર્યા છે. ફરાર થઈ ગયેલી મહિલાઓમાં સવિતાબેન ઠાકોર, શકરીબેન ઠાકોર અને નાનીબેન ઠાકોરનો સમાવેશ થાય છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે આ ત્રણેય મહિલા આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/ksI62cDILAMuKYSebYhqlEImwihDHKRgcGh2mS0G.webp'/></item><item><title><![CDATA[Kangana Ranaut:બોલિવૂડ માફિયાઓ પર કંગનાનો આરોપ, મને જેલમાં ધકેલવા માંગતા હતા ]]></title><link>https://sandesh.com/entertainment/news/kangana-ranaut-kangana-accuses-bollywood-mafia-they-wanted-to-put-me-in-jail</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/kangana-ranaut-kangana-accuses-bollywood-mafia-they-wanted-to-put-me-in-jail</guid><pubDate>Tue, 09 Jun 2026 17:48:02 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલિવૂડની સૌથી બિન્દાસ અને ‘ધાકડ ક્વીન’ તરીકે ઓળખાતી અભિનેત્રી કંગના રનૌત હંમેશા પોતાના બેબાક અંદાજ માટે ચર્ચામાં રહે છે. કંગના હંમેશા કોઈ પણ ફિલ્ટર વગર પોતાની વાત દુનિયા સામે રાખે છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક મોટા રહસ્યો જાહેર કરતી રહે છે. હવે તેણે ફરી એકવાર પોતાના કરિયરના શરૂઆતના દિવસોને લઈને એક ચોંકાવનારો દાવો કર્યો છે. કંગનાનું કહેવું છે કે કરિયરની શરૂઆતમાં તેણે ભારે આલોચનાઓનો સામનો કરવો પડ્યો હતો, એટલું જ નહીં પણ કેટલાક લોકો તેને જેલ ભેગી કરવા માંગતા હતા.</p><h2 style="text-align: justify; "><b>રણવીર સિંહના વિવાદ પર આપ્યું સમર્થન</b></h2><p style="text-align: justify; ">વાસ્તવમાં, છેલ્લા કેટલાક સમયથી અભિનેતા રણવીર સિંહ ફિલ્મ 'ડોન 3' ને લઈને વિવાદોમાં ઘેરાયેલો છે. 'ડોન 3' માંથી બહાર થવા પર ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ (FWICE) દ્વારા રણવીર સિંહ પર પ્રતિબંધ (બાન) મૂકવાની જાહેરાત કરવામાં આવી હતી. FWICE એ રણવીર વિરુદ્ધ અસહકારનો આદેશ જાહેર કર્યો હતો, જેને પાછળથી પાછો ખેંચી લેવાયો છે.</p><p style="text-align: justify; ">રણવીર સિંહ સામે થયેલી આ કાર્યવાહી પર કંગના રનૌતે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે જણાવ્યું કે, વિવાદો ઘણીવાર સફળતાનો એક એવો ભાગ હોય છે જેનાથી બચી શકાતું નથી. રણવીરને લઈને અત્યારે જે આલોચનાઓ કે તપાસ થઈ રહી છે, તે કોઈ નવી કે અનોખી વાત નથી.</p><h3 style="text-align: justify; "><b>‘તારીખો જ તારીખો પડતી હતી’</b></h3><p style="text-align: justify; ">રણવીર સિંહ સાથે થયેલો આ વિવાદ જોઈને કંગનાને પોતાના કરિયરનો એ મુશ્કેલ સમય યાદ આવી ગયો હતો. તેણે કહ્યું કે, તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફથી મળતા વિરોધ અને આલોચનાઓ સાથે જીવવાનું બહુ પહેલાં જ શીખી લીધું હતું. એક રેડિયો ચેનલ સાથેની વાતચીતમાં કંગનાએ મોટો ખુલાસો કરતા કહ્યું— "હા, બિલકુલ... સૌથી પહેલા મને જ બેન કરવામાં આવી હતી. લોકોએ મારા પર મુકદ્દમાઓ ચલાવ્યા, મને કાનૂની રીતે ફસાવવાનો પ્રયત્ન કર્યો અને મને જેલમાં નાખવાની પણ કોશિશ કરી હતી."</p><p style="text-align: justify; ">કંગનાએ વધુમાં ઉમેર્યું કે, "એક સમય એવો હતો જ્યારે મારા પર એટલા બધા કેસ નોંધાયેલા હતા કે મારો વકીલ બસ કોર્ટની તારીખો પર જ ચક્કર કાપી રહ્યો હતો. એવું લાગતું હતું જાણે બસ 'પેશીઓ જ પેશીઓ' થઈ રહી છે. તે સમયે મીડિયાએ પણ મારા પર મોટો પ્રતિબંધ લગાવી દીધો હતો." કંગનાએ હસતા હસતા કહ્યું કે, "હું તો આ બધી બાબતોમાં હવે ગુરુ બની ગઈ છું. મને વર્ષો સુધી આ રીતે બેન કરવામાં આવી છે કે હવે આ બધું મને બાળકોની રમત જેવું લાગે છે અને હું આનાથી ડરતી નથી."</p><h4 style="text-align: justify; "><b>આ દિવસે રિલીઝ થશે કંગનાની આગામી ફિલ્મ</b></h4><p style="text-align: justify; ">વર્કફ્રન્ટની વાત કરીએ તો, કંગના રનૌત આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ 'भारत भाग्य विधाता' (ભારત ભાગ્ય વિધાતા) ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મ 12 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં તે એક એવી જાંબાઝ નર્સની ભૂમિકા ભજવી રહી છે, જેણે 26/11 ના મુંબઈ આતંકી હુમલા દરમિયાન હોસ્પિટલ પર હુમલો થવા છતાં પોતાની જાન જોખમમાં મૂકીને અનેક દર્દીઓના જીવ બચાવ્યા હતા અને બાળકોની ડિલિવરી કરાવી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/india/news/plastic-currency-india-will-plastic-notes-come-now-which-will-not-burst-or-deteriorate-in-water" target="_blank">આ પણ વાંચો:Plastic Currency India: હવે આવશે પ્લાસ્ટિકની નોટો? જે ના ફાટશે, ના પાણીમાં બગડશે</a></p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/OEWEojv2FuYNuGbTSx0QSonb1mZbwZRIpYu26XuN.webp'/></item><item><title><![CDATA[Prize Money : ક્રિકેટ વર્લ્ડ કપ કે ફીફા વર્લ્ડ કપ, કયા ટૂર્નામેન્ટમાં મળે છે સૌથી વધુ પ્રાઇઝ મની? ]]></title><link>https://sandesh.com/sports/news/prize-money-cricket-world-cup-or-fifa-world-cup-which-tournament-offers-the-most-prize-money</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/prize-money-cricket-world-cup-or-fifa-world-cup-which-tournament-offers-the-most-prize-money</guid><pubDate>Tue, 09 Jun 2026 17:27:21 +05:30</pubDate><description><![CDATA[<p>ફિફા વર્લ્ડકપની 23મી આવૃત્તિનું આયોજન યુએસએ,મેક્સિકો અને કેનેડા સંયુક્ત રીતે કરી રહ્યા છે.ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે ત્રણ દેશો એક આવૃત્તિનું આયોજન કરી રહ્યા છે.આ પહેલાં ફક્ત બે દેશોએ એકસાથે તેનું આયોજન કર્યું છે.આ વખતે,ટીમોની સંખ્યા વધારીને 48 કરવામાં આવી છે,જેને ચારના 12 જૂથોમાં વહેંચવામાં આવી છે.આ આવૃત્તિ ઇનામ રકમની દ્રષ્ટિએ પણ ઐતિહાસિક હશે,જેમાં અગાઉની આવૃત્તિની તુલનામાં કુલ ઇનામ રકમમાં 49 ટકાનો વધારો થશે.અહીં અમે ફૂટબોલ વર્લ્ડકપ અને ક્રિકેટ વર્લ્ડ કપની ઇનામ રકમ વચ્ચેનો તફાવત સમજાવીએ છીએ.</p><h4><b>ફિફા વર્લ્ડ કપ 11 જૂનથી પ્રારંભ થશે</b></h4><p>
</p><p>વિશ્વની સૌથી મોટી રમતગમત ઇવેન્ટ,ફિફા વર્લ્ડ કપ 11 જૂનથી શરૂ થાય છે.મહિલા T20 વર્લ્ડ કપ 12 જૂનથી શરૂ થાય છે.મહિલા વર્લ્ડ કપમાં કુલ 12 ટીમો ભાગ લઈ રહી છે.જેમાં ભારત અને પાકિસ્તાન ગ્રુપ 1માં છે.તેમનો મુકાબલો રવિવાર 14 જૂને છે.તેની ઇનામ રકમ સાથે ચાલો તમને જણાવીએ કે ભારતીય મહિલા ટીમને આ વર્ષે ODI વર્લ્ડ કપ જીતવા બદલ ઇનામ રકમ તરીકે કેટલી રકમ મળી.ભારતીય પુરુષ ટીમે આ વર્ષે T20 વર્લ્ડ કપ પણ જીત્યો હતો.જાણો તેમની ઇનામી રકમ કેટલી હતી.</p><h4><b>વુમેન્સ T20 વર્લ્ડ કપ પ્રાઇઝમની કેટલી&nbsp;</b></h4><p>
</p><p>વુમેન્સ T20 વર્લ્ડ કપ 2026 ચેમ્પિયન ટીમ માટે US$2,340,000 ની ઇનામી રકમ જાહેર કરવામાં આવી છે. ભારતીય ચલણમાં, આ આશરે ₹22 કરોડ થાય છે. ભારતીય મહિલા ટીમને ODI વર્લ્ડ કપ 2026 જીતવા બદલ ₹4.48 મિલિયન મળ્યા હતા, જે ભારતીય ચલણમાં આશરે ₹39 કરોડ થાય છે.</p><p>
</p><h5><b>ટીમને T20 વર્લ્ડ કપ જીતવા કેટલા પૈસા મળે છે</b></h5><p>સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમે પુરુષોનો T20 વર્લ્ડ કપ 2026 જીત્યો હતો, અને ટીમ ઇન્ડિયાને ₹3 મિલિયન, અથવા આશરે ₹27 કરોડ, ઇનામી રકમ તરીકે મળ્યા હતા. જોકે, ફૂટબોલ વર્લ્ડ કપ વિજેતાની ઇનામી રકમ આના કરતા ઘણી વધારે છે.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/cricket/news/two-deadly-players-of-team-india-pass-fitness-test-will-take-the-field-against-afghanistan" target="_blank">Team Indiaના બે ઘાતક ખેલાડીઓ ફિટનેસ ટેસ્ટમાં પાસ! અફઘાનિસ્તાન સામે મેદાનમાં ઉતરશે</a>
</p><p><br></p><p>
</p><p><br></p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/5WMZtyGRe8qT2AKIV2RP3SWDP09q0hzY5PpdrjYZ.webp'/></item><item><title><![CDATA[Morbiના જેતપર ગામે હાઈટેન્શન વીજપોલની કામગીરી સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/morbi/farmers-protest-strongly-against-the-construction-of-high-tension-electricity-poles-in-jetpar-village-of-morbi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/morbi/farmers-protest-strongly-against-the-construction-of-high-tension-electricity-poles-in-jetpar-village-of-morbi</guid><pubDate>Tue, 09 Jun 2026 17:09:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મોરબી તાલુકાના જેતપર ગામમાંથી ખેડૂતોના આક્રોશ અને પોલીસ પ્રશાસન વચ્ચેના ગંભીર ઘર્ષણના સમાચાર સામે આવ્યા છે. ગામમાં ખાનગી કંપની દ્વારા નાખવામાં આવી રહેલા હાઈટેન્શન વીજપોલ (ટાસ્ક લાઈન) ની કામગીરી સામે સ્થાનિક ખેડૂતોમાં છેલ્લા કેટલાય દિવસોથી ઉગ્ર અસંતોષ જોવા મળી રહ્યો હતો. આ વિરોધ પ્રદર્શને આજે ત્યારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું જ્યારે મોટી સંખ્યામાં ખેડૂતો કંપનીનું કામ અટકાવવા માટે પ્રત્યક્ષ મેદાનમાં ઉતરી આવ્યા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તૈનાત પોલીસ કાફલા અને ખેડૂતો વચ્ચે ઘટનાસ્થળે ભારે ખેંચતાણ અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.</p><h2 style="text-align: justify; ">ખોટી રીતે કામગીરી થતી હોવાનો આક્ષેપ</h2><p style="text-align: justify; ">સ્થાનિક ખેડૂતોનો ગંભીર આક્ષેપ છે કે વીજપોલ ઊભા કરવાની આ સમગ્ર કામગીરી નિયમો વિરુદ્ધ અને ખોટી રીતે કરવામાં આવી રહી છે, જેનાથી ભવિષ્યમાં તેમની કિંમતી ખેતીની જમીનને મોટું નુકસાન પહોંચશે. અગાઉ પણ અનેક રજૂઆતો કરવા છતાં કંપની દ્વારા બળજબરીથી કામ ચાલુ રખાતા આજે ખેડૂતો આક્રમક બન્યા હતા. જોકે, કાયદો અને વ્યવસ્થા જાળવવાના નામે પોલીસે વિરોધ કરી રહેલા અને કામ અટકાવવાનો પ્રયાસ કરી રહેલા જગતના તાત સામે આકરો અભિગમ અપનાવ્યો હતો. પોલીસે અગમચેતીના ભાગરૂપે પ્રદર્શન કરી રહેલા અગ્રણી ખેડૂતોની અટકાયત (ડિટેઈન) કરવાનું શરૂ કર્યું હતું.</p><h3 style="text-align: justify; ">ખેડૂતોને ડિટેઈન કરી પોલીસ સ્ટેશન ખસેડાતા તણાવ વધ્યો</h3><p style="text-align: justify; ">પોલીસ તંત્ર દ્વારા વિરોધ કરી રહેલા તમામ ખેડૂતોને બળપૂર્વક ડિટેઈન કરીને પોલીસ વાનમાં ભરી સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ પોલીસ કાર્યવાહીને પગલે સમગ્ર જેતપર ગામ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂત સંગઠનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. ખેડૂતોના અધિકારો અને જમીનની સુરક્ષા માટે શરૂ થયેલો આ શાંતિપૂર્ણ વિરોધ હવે પોલીસિયા દમનને કારણે વધુ ઉગ્ર બને તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. હાલમાં ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ગ્રામ્ય પંથકમાં ભારે તણાવભરી શાંતિ જોવા મળી રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/9AR2CHTeswG1Z2EFpb8ULq4RmBAiE46BwrYkpksJ.webp'/></item></channel></rss>