<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ramayana Trailer : એક નહીં, બે ટ્રેલરથી ધમાકો કરશે રણબીર કપૂરની રામાયણ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/ranbir-kapoor-ramayana-two-trailers-approved-cbfc-runtime-release-date</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/ranbir-kapoor-ramayana-two-trailers-approved-cbfc-runtime-release-date</guid><pubDate>Thu, 16 Jul 2026 08:31:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રણબીર કપૂરની 'રામાયણ' વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ છે. હાલમાં પ્રશંસકો આના ટ્રેલરની રાહ જોઈ રહ્યા છે. નિતેશ તિવારી નિર્દેશિત ફિલ્મનું પહેલું ઓફિશિયલ ટ્રેલર ટૂંક સમયમાં જ રિલીઝ થવાનું છે. આ બધાની વચ્ચે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન તરફથી રામાયણના ટ્રેલરને મંજૂરી પણ મળી ચૂકી છે. CBFC સર્ટિફિકેટ અનુસાર રામાયણના બે ટ્રેલર રિલીઝ કરવામાં આવશે. આ સાથે જ આનો રનટાઈમ પણ જાહેર થઈ ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>રામાયણના બે ટ્રેલર થશે રિલીઝ</b></h2><p style="text-align: justify; ">CBFC તરફથી મળેલા સર્ટિફિકેટ અનુસાર, ફિલ્મના ટ્રેલરને 15 જુલાઈએ U સર્ટિફિકેટ મળ્યું છે, જેનો અર્થ છે કે આને બાળકોથી લઈને વડીલો સુધી, તમામ ઉંમરના દર્શકો જોઈ શકે છે. રસપ્રદ વાત એ છે કે આ ટ્રેલર મોટાભાગના અન્ય થિયેટ્રિકલ પ્રિવ્યૂની સરખામણીમાં ઘણું લાંબું છે.</p><h3 style="text-align: justify; "><b>ટ્રેલરનો રનટાઈમ થયો જાહેર</b></h3><p style="text-align: justify; ">CBFC ની વેબસાઈટ પર અત્યારે ટ્રેલરના બે વર્ઝન લિસ્ટેડ છે. જ્યાં એક ટ્રેલરનું ટાઈટલ 'ટ્રેલર – રામાયણ 3D' છે. આનો રનટાઈમ 4 મિનિટ 15 સેકન્ડ છે. બીજાનું ટાઈટલ થિયેટ્રિકલ ટ્રેલર રામાયણ 3D છે. આનો રનટાઈમ 4 મિનિટનો છે. હવે એ જોવાનું બાકી છે કે જે ટ્રેલર ઓનલાઈન રિલીઝ થશે, તેમાં પ્રશંસકોને 15 સેકન્ડનું વધારે ફૂટેજ મળશે કે પછી તે ભાગ માત્ર મોટા પડદા પર જોનારાઓ માટે જ રાખવામાં આવશે.</p><h4 style="text-align: justify; "><b>રામાયણનું ટ્રેલર ક્યારે થશે રિલીઝ</b></h4><p style="text-align: justify; ">ટ્રેલરને CBFC સર્ટિફિકેશન ત્યારે મળ્યું છે, જ્યારે મેકર્સે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પરથી જાહેરાત કરી હતી કે ભારતથી દુનિયા સુધી, રામાયણનું ટ્રેલર 24 જુલાઈ, 2026 ના રોજ દુનિયાભરમાં રિલીઝ થશે. ટીમે એક નિવેદન જાહેર કરીને કહ્યું, હજારો વર્ષોથી, રામાયણ એ ધર્મ, મર્યાદા, સાહસ અને કરુણાના પોતાના સદાબહાર આદર્શોથી પેઢીઓને પ્રેરિત કરી છે. હવે, આ એક નવી યાત્રા શરૂ કરી રહી છે. ભારતની સૌથી મહાન સાંસ્કૃતિક મહાગાથાઓમાંની એક, જેને દુનિયાની સામે એવા સ્કેલ પર રજૂ કરવામાં આવી રહી છે, જેવો ભારતીય સિનેમામાં પહેલા ક્યારેય કરવામાં આવ્યો નથી.</p><h4 style="text-align: justify; "><b>રામાયણ સ્ટારકાસ્ટ</b></h4><p style="text-align: justify; ">નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત રામાયણમાં કેટલાય મોટા કલાકારો છે, જેમાં રણબીર કપૂર ભગવાન રામના રૂપમાં, સાઈ પલ્લવી સીતાના રૂપમાં, યશ રાવણના રૂપમાં, સની દેઓલ ભગવાન હનુમાનના રૂપમાં અને રવિ દુબે લક્ષ્મણના રૂપમાં નજરે પડશે. નમિત મલ્હોત્રા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ મહાગાથાનું મ્યુઝિક એઆર રહમાન અને હંસ ઝિમરે તૈયાર કર્યું છે. અહેવાલો અનુસાર ટ્રેલરને આવતા અઠવાડિયે કોમિક-કોનમાં પણ બતાવવામાં આવશે, જ્યાં સ્ટાર કાસ્ટ, ડાયરેક્ટર અને પ્રોડ્યુસર પેનલ ડિસ્કશનમાં સામેલ થાય તેવી આશા છે.</p><h4 style="text-align: justify; "><b>રામાયણ ક્યારે થશે રિલીઝ?</b></h4><p style="text-align: justify; ">બે ભાગમાં બનેલી આ ફિલ્મી ગાથામાં, રામાયણ: પાર્ટ 1 દિવાળી 2026 ના સમયે રિલીઝ થવાની છે. ફ્રેન્ચાઈઝીનો બીજો ભાગ 'રામાયણ: પાર્ટ 2', દિવાળી 2027 માં રિલીઝ થશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/samantha-ruth-prabhu-pregnant-motherhood-emotional-statement" target="_blank">આ પણ વાંચો-South Actress : 'હું હંમેશાથી માતા બનવા ઇચ્છતી હતી', પ્રેગ્નેન્ટ સામંથા રૂથ પ્રભુએ વ્યક્ત કરી દિલની વાત</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/UJcI4OuloGkiTGpuimTogVGnLAC28lVzpob9HrEB.webp'/></item><item><title><![CDATA[Puri Rath Yatra 2026: પુરીમાં ભક્તિભાવ સાથે શરૂ થઈ ઐતિહાસિક રથયાત્રા,લાખો ભક્તોનું ઘોડાપૂર ]]></title><link>https://sandesh.com/india/news/puri-rath-yatra-2026-historic-rath-yatra-begins-with-devotion-in-puri</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/puri-rath-yatra-2026-historic-rath-yatra-begins-with-devotion-in-puri</guid><pubDate>Thu, 16 Jul 2026 07:52:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઓડિશાનું દરિયાકાંઠાનું શહેર પુરી આજે ભક્તિના રંગે રંગાયું છે. વર્ષભર જેની પ્રતીક્ષા કરવામાં આવે છે તે પવિત્ર રથયાત્રાનો આજે ગુરુવારથી વિધિવત પ્રારંભ થઈ રહ્યો છે. ભગવાન જગન્નાથ, તેમના અગ્રજ ભગવાન બલભદ્ર અને બહેન દેવી સુભદ્રા પોતાના નિજ મંદિરથી નીકળી ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળ્યા છે. 12મી સદીના આ પ્રાચીન મંદિરના દ્વાર ખુલતા જ ગ્રાન્ડ રોડ પર 'જય જગન્નાથ'ના ગુંજારવથી વાતાવરણ ભક્તિમય બની ગયું છે.</p><h2 style="text-align: justify; "><b>મંગલમય રથયાત્રાનો પ્રારંભ</b></h2><p style="text-align: justify; ">શ્રી જગન્નાથ મંદિર વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, રથયાત્રાની તૈયારીઓ મહિનાઓ અગાઉથી શરૂ કરી દેવામાં આવી હતી. ભગવાન બલભદ્રનો રથ 'તાલધ્વજ', દેવી સુભદ્રાનો રથ 'દર્પદલન' અને ભગવાન જગન્નાથનો ભવ્ય રથ 'નંદીઘોષ' સંપૂર્ણ રીતે સજ્જ છે. આ ત્રણેય રથોનું નિર્માણ શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરવામાં આવ્યું છે અને તે હવે ગ્રાન્ડ રોડ પર બિરાજમાન છે. દેવતાઓની આજ્ઞા મેળવ્યા બાદ રથોને મુખ્ય પ્રવેશદ્વાર (સિંહદ્વાર) પાસે લાવવામાં આવ્યા હતા, જે એક અત્યંત ભાવુક અને દિવ્ય ક્ષણ હતી.</p><h3 style="text-align: justify; "><b>અભૂતપૂર્વ પ્રબંધ કરવામાં આવ્યો</b></h3><p style="text-align: justify; ">આ વિશાળ ધાર્મિક ઉત્સવને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા સુરક્ષાના અભૂતપૂર્વ પ્રબંધ કરવામાં આવ્યા છે. લાખોની સંખ્યામાં ઉમટી પડતા ભક્તોની ભીડને સંભાળવા અને કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ઓડિશા પોલીસના 14,000 થી વધુ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, કેન્દ્રીય સશસ્ત્ર દળોની 15 કંપનીઓને પણ સુરક્ષા માટે તહેનાત કરવામાં આવી છે. આખું શહેર અત્યારે સીસીટીવી કેમેરા અને ડ્રોન સર્વેલન્સ હેઠળ છે જેથી સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત રહે.</p><h4 style="text-align: justify; "><b>લાખો શ્રદ્ધાળુઓ પાવન પર્વના સાક્ષી બન્યા</b></h4><p style="text-align: justify; ">દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ આ પાવન ક્ષણના સાક્ષી બનવા માટે પુરી પહોંચ્યા છે. ભક્તોની માન્યતા છે કે રથના દોરડાને સ્પર્શ કરવા માત્રથી અને રથયાત્રામાં સામેલ થવાથી જન્મ-મરણના બંધનમાંથી મુક્તિ મળે છે. ગ્રાન્ડ રોડ અત્યારે ભક્તોના અફાટ સાગર જેવો દેખાય છે, જ્યાં દરેક વ્યક્તિ પ્રભુના એક ઝલક મેળવવા માટે ઉત્સુક છે.</p><h5 style="text-align: justify; "><b>ભારતીય સંસ્કૃતિનું પ્રતીક&nbsp;</b></h5><p style="text-align: justify; ">આ રથયાત્રા માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિ અને એકતાનું પ્રતીક છે. ભક્તોનું માનવું છે કે જ્યારે ભગવાન રથ પર સવાર થઈને નીકળે છે ત્યારે તેઓ સ્વયં ચાલીને ભક્તોના દ્વાર સુધી આવે છે. આજના આ શુભ દિવસે પુરીનું વાતાવરણ અત્યંત શાંત, દિવ્ય અને આસ્થાથી ભરેલું છે, જે ભક્તોને આધ્યાત્મિક શાંતિ પ્રદાન કરે છે.<br><br><b><a href="https://sandesh.com/bhakti/rathyatra-2026/news/gujarat/ahmedabad/ahmedabad-jagannath-rath-yatra-2026-cm-bhupendra-patel-pahind-vidhi-anti-drone-security" target="_blank">આ પણ વાંચોઃ&nbsp; Ahmedabad Rath Yatra 2026 : નાથ નગરચર્યાએ નીકળ્યા, CM ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી કરી પવિત્ર પહિંદવિધિ, Video</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/NzKz0YVgNiDgUZel7zfFuvqj579oQG8JaKt9fWtS.webp'/></item><item><title><![CDATA[Ahmedabad Rath Yatra 2026: ક્રાઈમ બ્રાન્ચનું એન્ટી ડ્રોન એક્ટિવ, મંજૂરી વગર ડ્રોન ઉડાડનારાઓ પર થશે સીધી એક્શન ]]></title><link>https://sandesh.com/gujarat/news/rathyatra-2026/ahmedabad/rath-yatra-2026-crime-branchs-anti-drone-active-direct-action-will-be-taken-against-those-flying-drones-without-permission</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rathyatra-2026/ahmedabad/rath-yatra-2026-crime-branchs-anti-drone-active-direct-action-will-be-taken-against-those-flying-drones-without-permission</guid><pubDate>Thu, 16 Jul 2026 07:34:06 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાને લઈને ઉત્સાહ અને ભક્તિનો માહોલ ચરમસીમાએ છે. રથયાત્રાના આ વિશાળ પર્વ દરમિયાન લાખોની જનમેદની ઉમટતી હોવાથી સુરક્ષા વ્યવસ્થાને પણ હાઈટેક અને અતિ આધુનિક સ્તરે લઈ જવામાં આવી છે. કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના કે સુરક્ષામાં ચૂક ન થાય તે માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ વહેલી સવારથી જ ફૂલ એલર્ટ મોડ પર આવી ગઈ છે.</p><h2><b>જગન્નાથની 149મી રથયાત્રાને લઈને ઉત્સાહ</b></h2><p>આ વર્ષની રથયાત્રામાં જમીની સુરક્ષાની સાથે સાથે આકાશી સુરક્ષા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ માટે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અદ્યતન 'એન્ટી ડ્રોન ટેકનોલોજી' વહેલી સવારથી જ સમગ્ર રૂટ પર એક્ટિવ કરી દેવામાં આવી છે. આ સિસ્ટમ કાર્યરત થવાથી રથયાત્રાના રૂટની આસપાસના સંવેદનશીલ વિસ્તારો પર આકાશમાંથી બાજ નજર રાખવામાં આવી રહી છે. તેનું મુખ્ય મોનિટરિંગ સ્ટેશન ક્રાઈમ બ્રાન્ચ ખાતે જ ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં ઉચ્ચ અધિકારીઓ પળેપળની હિલચાલ પર સીધી નજર રાખી રહ્યા છે.</p><h3><b>રથયાત્રાની આકાશી સુરક્ષા લોખંડી</b></h3><p>પોલીસ કમિશનર અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે કે રથયાત્રાના સમગ્ર રૂટ પર સત્તાવાર મંજૂરી વિના કોઈપણ ખાનગી ડ્રોન ઉડાડી શકાશે નહીં. જો મોનિટરિંગ દરમિયાન આકાશમાં કોઈ પણ બિનઅધિકૃત કે શંકાસ્પદ ડ્રોન ઉડતું દેખાશે, તો એન્ટી ડ્રોન ગન અને સિસ્ટમની મદદથી તેને હવામાં જ ન્યુટ્રલાઈઝ (ડી-એક્ટિવેટ) કરી દેવાશે એટલું જ નહીં, પરંતુ તે ડ્રોન ઓપરેટ કરનાર શખ્સને તાત્કાલિક ઝડપી પાડી તેની સામે કડક કાનૂની રાહે કાર્યવાહી કરવામાં આવશે. શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન થાય તે માટે તંત્ર સંપૂર્ણ સજ્જ છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kheralu/kheralu-indiranagar-group-clash-stone-pelting-four-injured" target="_blank">આ પણ વાંચો: Kheralu: ઇન્દિરાનગરમાં બાળકોના સામાન્ય ઝઘડામાં બે પક્ષો વચ્ચે ભારે પથ્થરમારો, હિંસક ઘટનામાં 4 લોકો લોહીલુહાણ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/3dd91246mLdHMYWn7wLI15Oeen69NcY8XZsKz933.webp'/></item><item><title><![CDATA[Kheralu: ઇન્દિરાનગરમાં બાળકોના સામાન્ય ઝઘડામાં બે પક્ષો વચ્ચે ભારે પથ્થરમારો, હિંસક ઘટનામાં 4 લોકો લોહીલુહાણ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kheralu/kheralu-indiranagar-group-clash-stone-pelting-four-injured</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kheralu/kheralu-indiranagar-group-clash-stone-pelting-four-injured</guid><pubDate>Thu, 16 Jul 2026 06:59:42 +05:30</pubDate><description><![CDATA[<p>ખેરાલુ શહેરમાં આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં સામાન્ય બાબતમાં બે કોમના લોકો વચ્ચે મોટો ઝઘડો થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ વિસ્તારમાં રમી રહેલા નાના બાળકો વચ્ચે કોઈ બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. જો કે, આ તકરારની અદાવતમાં બંને પક્ષના મોટા વડીલો અને શખ્સો પણ મેદાનમાં આવી ગયા હતા અને જોતજોતામાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.</p><h2><b>સામાન્ય બાબતમાં ઝઘડો થયો</b></h2><p>વાતાવરણ વણસતાં જ બંને પક્ષો તરફથી એકબીજા પર આડેધડ પથ્થરમારો શરૂ કરી દેવામાં આવ્યો હતો. પથ્થરમારાની આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારની બજારો બંધ થઈ ગઈ હતી અને સ્થાનિકોમાં અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. પથ્થરો વાગવાના કારણે બંને પક્ષના મળીને કુલ 4 જેટલા વ્યક્તિઓ લોહીલુહાણ થઈ ગયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી તેમની ગંભીર હાલતને જોતા વધુ સારવાર અર્થે વડનગરની સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.</p><h3><b>ખેરાલુ પોલીસ ઘટનાસ્થળે દોડી</b></h3><p>ઘટનાની ગંભીરતાને પગલે ખેરાલુ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક અસરથી ઇન્દિરાનગર ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે હવામાં લાઠીઓ વીંઝીને પથ્થરમારો કરતી ભીડને વિખેરી નાખી હતી અને સમગ્ર પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પથ્થરમારા બાદ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઇન્દિરાનગરના ચારેય નાકા પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસના આગમન બાદ હાલ વિસ્તારમાં સંપૂર્ણ શાંતિનો માહોલ છે. પોલીસે પથ્થરમારો કરનારા તોફાની તત્વોને ઓળખી કાઢવા અને તેમની સામે કાયદેસરનો ગુનો નોંધી ધરપકડ કરવા માટે આગળની તપાસ હાથ ધરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/botad/mining-officers-whatsapp-recce-case-paliyad-police-filed-complaint-seven-persons" target="_blank">આ પણ વાંચો: Botad: ખાણ-ખનિજ વિભાગના અધિકારીઓની WhatsApp પર રેકી કરતું નેટવર્ક પકડાયું, આ રેકેટમાં 2 શખ્સોની અટકાયત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/3YNf6MBWTxfPBZA58zzO2IOsZP0omBGReut3rkdx.webp'/></item><item><title><![CDATA[Botad: ખાણ-ખનિજ વિભાગના અધિકારીઓની WhatsApp પર રેકી કરતું નેટવર્ક પકડાયું, આ રેકેટમાં 2 શખ્સોની અટકાયત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/botad/mining-officers-whatsapp-recce-case-paliyad-police-filed-complaint-seven-persons</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/botad/mining-officers-whatsapp-recce-case-paliyad-police-filed-complaint-seven-persons</guid><pubDate>Thu, 16 Jul 2026 06:38:22 +05:30</pubDate><description><![CDATA[<p>બોટાદ જિલ્લામાં ગેરકાયદેસર ખનિજ ખનન અને વહન કરતા માફિયાઓ તંત્ર કરતા પણ એક કદમ આગળ ચાલી રહ્યા હોવાનો એક સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સામાન્ય રીતે પોલીસ કે ખાણ-ખનિજ વિભાગ ગુનેગારો પર નજર રાખતો હોય છે, પરંતુ અહીં ખનિજ ચોરોએ જ સરકારી અધિકારીઓ પર વોચ ગોઠવી દીધી હતી! ખાણ-ખનિજ વિભાગના અધિકારીઓ જ્યારે પણ ચેકિંગ કે દરોડા પાડવા નીકળે ત્યારે તેમની જાસૂસી કરીને ખનિજ ચોરોને એલર્ટ કરી દેવાનું એક વ્યવસ્થિત નેટવર્ક બોટાદમાં ચાલતું હતું, જેનો હવે પર્દાફાશ થયો છે.</p><h2><b>ખનિજ ચોરોની ગૂગલ મેપ જેવી જાસૂસી</b></h2><p>મળતી વિગતો અનુસાર, બોટાદના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી બી. એમ. જાલોધરા અને તેમની ટીમને શંકા ગઈ હતી કે તેઓ જ્યારે પણ દરોડા પાડવા માટે નીકળે છે ત્યારે ખનિજ ચોરી કરતા વાહનો રસ્તા પરથી ગાયબ થઈ જાય છે અથવા પોતાના રૂટ બદલી નાખે છે. આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે કેટલાક શખ્સો દ્વારા સ્પેશિયલ વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યા છે. આ ગ્રુપોમાં ખાણ-ખનિજ વિભાગ અને પોલીસ અધિકારીઓના સરકારી તેમજ ખાનગી વાહનોના ફોટા, તેઓ કઈ ઓફિસથી ક્યારે નીકળ્યા અને અત્યારે કયા ચોક્કસ લોકેશન પર ચેકિંગ કરી રહ્યા છે તેની લાઈવ અપડેટ્સ શેર કરવામાં આવતી હતી.</p><h3><b>મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની કડક કાર્યવાહી</b></h3><p>આ ડિજિટલ જાસૂસી પાછળનો મુખ્ય હેતુ એ હતો કે બોટાદ અને આસપાસના વિસ્તારોમાં જે પણ ગેરકાયદેસર ખનિજ ચોરી થતી હોય, તે વાહનોને અધિકારીઓની લોકેશન આપીને પકડાતા બચાવી શકાય. આ સમગ્ર મામલે લાલઘૂમ થયેલા મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી બી. એમ. જાલોધરાએ પાળીયાદ પોલીસ સ્ટેશનમાં આ નેટવર્ક સાથે જોડાયેલા સાત શખ્સો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પાળીયાદ પોલીસે તાત્કાલિક દરોડા પાડીને આ ગુનામાં સંડોવાયેલા બે શખ્સોની અટકાયત કરી લીધી છે અને તેમના મોબાઈલ ફોન જપ્ત કરીને કયા-કયા વોટ્સએપ ગ્રુપમાં આવી માહિતી મોકલવામાં આવતી હતી તેની કડીઓ મેળવવાનું શરૂ કર્યું છે. પોલીસે તમામ સાતેય શખ્સો સામે સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરવા અંગેનો ગુનો નોંધી કાયદેસરના સકંજામાં લીધા છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/india/gujarat-live-news-politics-weather-breaking-updates-16-july-2026-lord-jagannath-rath-yatra-2026-us-iran-conflict-escalates-weather-forecast-odi-t20-wc-super-series" target="_blank">આ પણ વાંચો: Gujarat Latest News Live : ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય, રાજ્યમાં ધીમી ધારે વરસાદ વરસવાની શક્યતા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/tBWB5Dsy77d9kAQbW1Kr4Nreg0cUo2GQb1LdprBk.webp'/></item><item><title><![CDATA[Gujarat Latest News Live : વેરાવળ અને સોમનાથ પંથકમાં મેઘમહેર, વાવણી બાદ વરસાદ આવતા ખેડૂતોમાં હરખની હેલી ]]></title><link>https://sandesh.com/gujarat/news/india/gujarat-live-news-politics-weather-breaking-updates-16-july-2026-lord-jagannath-rath-yatra-2026-us-iran-conflict-escalates-weather-forecast-odi-t20-wc-super-series</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/india/gujarat-live-news-politics-weather-breaking-updates-16-july-2026-lord-jagannath-rath-yatra-2026-us-iran-conflict-escalates-weather-forecast-odi-t20-wc-super-series</guid><pubDate>Thu, 16 Jul 2026 06:16:09 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 16 JULY ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/5qTtGQkZmQ7UUyIxYtYzDNc12lEnzQZmDZDtWleP.webp'/></item><item><title><![CDATA[Ahmedabad Rath Yatra 2026 : ભક્તોના જયઘોષ વચ્ચે ભગવાનની 149મી ઐતિહાસિક રથયાત્રા, ત્રણેય ભાઈ-બહેન રથમાં બિરાજમાન ]]></title><link>https://sandesh.com/bhakti/rathyatra-2026/news/gujarat/ahmedabad/ahmedabad-149th-jagannath-rath-yatra-2026-live-updates-cm-bhupendra-patel-pahind-vidhi</link><guid isPermaLink="true">https://sandesh.com/bhakti/rathyatra-2026/news/gujarat/ahmedabad/ahmedabad-149th-jagannath-rath-yatra-2026-live-updates-cm-bhupendra-patel-pahind-vidhi</guid><pubDate>Thu, 16 Jul 2026 06:08:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આજે અષાઢી બીજના પવિત્ર દિવસે અમદાવાદ નગરી ભક્તિના અનોખા રંગે રંગાઈ છે. અમદાવાદના સુપ્રસિદ્ધ નિજમંદિર ખાતેથી આજે ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રાનું ભવ્ય પ્રસ્થાન થવા જઈ રહ્યું છે. વહેલી સવારથી જ સમગ્ર મંદિર પરિસરમાં ભક્તોનું કીડીયારું ઉભરાયું છે અને શ્રદ્ધાળુઓનું ભારે ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. ચારેય તરફ ‘જય રણછોડ, માખણ ચોર’ અને ‘જય જગન્નાથ’ ના ગગનભેદી નાદ ગુંજી ઉઠ્યા છે, જેનાથી વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બની ગયું છે.</p><h2 style="text-align: justify; "><b>ભગવાનને રથમાં બેસાડાયા</b></h2><p style="text-align: justify; ">રથયાત્રાની પરંપરાગત વિધિ અનુસાર, ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર સાથે રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે. ત્રણેય ભાઈ-બહેનને રથમાં વિરાજિત જોતાં જ લાખો શ્રદ્ધાળુઓની આંખો ધન્યતા અનુભવી રહી છે.</p><p style="text-align: justify; "><img alt="Ahmedabad Rath Yatra 2026 Live: 149th Jagannath Yatra Starts Today" src="https://epapercdn.sandesh.com/images/2026/07/16/a0a8OYjH6BIDgozqD3NoETCllL7xUb3huwkUCnGK.webp"><br></p><h3 style="text-align: justify; "><b>મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોનાની સાવરણીથી રથનો માર્ગ સાફ કરશે</b></h3><p style="text-align: justify; ">હવે પરંપરાગત પહિંદવિધિ બાદ જ રથયાત્રા સત્તાવાર રીતે નગરચર્યા માટે શરૂ કરાશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોનાની સાવરણીથી રથનો માર્ગ સાફ કરી આ પવિત્ર પહિંદવિધિ સંપન્ન કરશે અને ત્યારબાદ રથ નિજમંદિરથી ભક્તોને દર્શન આપવા પ્રસ્થાન કરશે.</p><p style="text-align: justify; "><img alt="Ahmedabad Rath Yatra 2026 Live: 149th Jagannath Yatra Starts Today" src="https://epapercdn.sandesh.com/images/2026/07/16/9oKMkoNu8rnRG9frTKvELDYBVsqEtEcqdRAuRK2b.webp"><br></p><h4 style="text-align: justify; "><b>પરંપરા, આસ્થા અને સામાજિક એકતાનો અનોખો સંગમ</b></h4><p style="text-align: justify; ">આ 149મી રથયાત્રામાં દર વર્ષની જેમ પરંપરા, આસ્થા અને સામાજિક એકતાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. યાત્રામાં આગળ ચાલતા ગજરાજ, દેશભરમાંથી આવેલા અખાડાના સાધુ-સંતોના કરતબો અને વિવિધ ભજન મંડળીઓ ભક્તો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.&nbsp;</p><p style="text-align: justify; "><img alt="Ahmedabad Rath Yatra 2026 Live: 149th Jagannath Yatra Starts Today" src="https://epapercdn.sandesh.com/images/2026/07/16/RlUZKbvWjp28GDh4giyPVyvN4RP1RJsJYDhYkwFu.webp"><br></p><h4 style="text-align: justify; "><b>પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત&nbsp;</b></h4><p style="text-align: justify; ">રસ્તાઓ પર હરિધૂનનો ગુંજારવ સંભળાઈ રહ્યો છે. સમગ્ર રૂટ પર વિવિધ સમાજો અને સંગઠનો દ્વારા રથયાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરવા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે, તેમજ ઠેર-ઠેર શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદ અને વિશેષ સેવાકીય વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે. અમદાવાદ પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે, જેની સુરક્ષા વચ્ચે ભગવાન નગરચર્યા કરશે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp;<a href="https://sandesh.com/bhakti/rathyatra-2026/news/gujarat/ahmedabad/ahmedabad-jagannath-rathyatra-2026-live-updates" target="_blank"><b> Ahmedabad Rath Yatra 2026 Live : આજે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા, લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા ભગવાનના દર્શન માટે</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/7LU7unsng9uXBsgXcad7cRbZa8adKKGyZFkqVcQm.webp'/></item><item><title><![CDATA[Vadodara: મહીસાગર માતાના મંદિરમાં સોના-ચાંદીના દાગીનાની ચોરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</guid><pubDate>Thu, 16 Jul 2026 05:41:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સાવલી તાલુકાના રાણીયા નજીક મહીસાગર માતાજીના મંદિરમાંથી વિવિધ સોના ચાંદીના આભૂષણોની રૂા.70 હજારની મતાની ચોરી થતા ભક્તોમાં ભારે રોષ ફટી નીકળ્યો છે.</p><p style="text-align: justify; ">રાણીયા ભાદરવા વચ્ચે આવેલા મહીસાગર માતાજીના મંદિર આવેલું છે સમગ્ર રાજ્યમાં અને ખાસ કરીને ક્ષત્રિય સમાજમાં મહીસાગર માતાને સતિ માનવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે અને આસ્થાના ભાગરૂપે જ રાણીયા રોડ પર મહીસાગર માતાના મંદિરની સ્થાપના કરવામાં આવી છે જેમાં અજાણ્યા તસ્કરો એ મંદિરની દાનપેટી અને સોનાના પગલાં ચાંદી ના છત્ર ચોરી કરીને ફ્રાર થઈ જતા ભારેચાર મચી જવા પામી છે અંદાજિત રૂા.60 થી 70 હજારની ચોરી હોવાનું અનુમાન છે અને સમગ્ર ચોરીની ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.</p><p style="text-align: justify; ">ઘટનાના પગલે સીસીટીવી ફૂટેજના આધારે ભાદરવા પોલીસે ફરીયાદ નોધી કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. પોલીસે વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો કર્યો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/ypRQdJjBYf66e1w2MVnCrRpmXZIflZfy06YWx31x.webp'/></item><item><title><![CDATA[HDFC બેન્કના નવા ચેરમેન બન્યા પૂર્વ IAS અધિકારી રાજીવ કુમાર, 3 વર્ષનો રહેશે કાર્યકાળ ]]></title><link>https://sandesh.com/business/news/hdfc-bank-new-chairman-former-ias-officer-rajiv-kumar-appointed-for-three-years</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/hdfc-bank-new-chairman-former-ias-officer-rajiv-kumar-appointed-for-three-years</guid><pubDate>Wed, 15 Jul 2026 19:07:35 +05:30</pubDate><description><![CDATA[<p>દેશની સૌથી મોટી ખાનગી બેન્ક HDFC બેન્કની કમાન હવે અનુભવી પ્રશાસકના હાથમાં જવા જઈ રહી છે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ પૂર્વ નાણાં સચિવ રાજીવ કુમારને HDFC બેન્કના નવા પાર્ટ-ટાઈમ ચેરમેન તરીકે નિયુક્ત કરવાની મંજૂરી આપી છે. તેમની નિમણૂક 15 જુલાઈ 2026થી આગામી ત્રણ વર્ષ માટે અમલમાં આવી છે.</p><h2><b>HDFC બેન્કે શેરબજારમાં આપી જાણકારી</b></h2><p>HDFC બેન્કે શેરબજારને આપવામાં આવેલી જાણકારીમાં જણાવ્યું છે કે RBIની મંજૂરી બાદ રાજીવ કુમારની નિમણૂક પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. અત્યાર સુધી વચગાળાના ચેરમેન તરીકે જવાબદારી સંભાળતા કેકી મિસ્ત્રીનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. જોકે, તેઓ બેન્કના બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે યોગદાન આપતા રહેશે.</p><h3><b>1984ની બેચના પૂર્વ IAS અધિકારી છે રાજીવ કુમાર&nbsp;</b></h3><p>66 વર્ષીય રાજીવ કુમાર 1984 બેચના પૂર્વ IAS અધિકારી છે અને દેશના નાણાકીય ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી ચૂક્યા છે. વર્ષ 2017થી 2020 દરમિયાન નાણાં મંત્રાલયના નાણાકીય સેવા વિભાગના સચિવ તરીકે તેમણે સરકારી બેન્કોને NPA સંકટમાંથી બહાર લાવવા માટે મહત્વપૂર્ણ કામગીરી કરી હતી.</p><h4><b>મજબૂત બેન્કિંગ માળખું ઊભું કરવામાં મોટું યોગદાન</b></h4><p>તેમના નેતૃત્વમાં સરકારની '4R સ્ટ્રેટેજી' ઓળખ, ઉકેલ, પુનઃમૂડીકરણ અને સુધારાને અમલમાં મૂકવામાં આવી હતી. આ દરમિયાન ખરાબ લોનની ઓળખ, IBC દ્વારા ઉકેલ અને સરકારી બેન્કોમાં મોટા પાયે મૂડી રોકાણ જેવા નિર્ણયો લેવામાં આવ્યા હતા. ઉપરાંત નાના સરકારી બેન્કોના વિલયથી મજબૂત બેન્કિંગ માળખું ઊભું કરવામાં પણ તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું.</p><p>રાજીવ કુમારે બેન્ક ગ્રાહકોની સુરક્ષા માટે ડિપોઝિટ ઈન્શ્યોરન્સ મર્યાદા રૂ. 1 લાખથી વધારી રૂ. 5 લાખ કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જનધન યોજના, MSME લોન સુવિધા અને બેન્કિંગ ટેક્નોલોજી સુધારામાં પણ તેમનું યોગદાન રહ્યું છે. નાણાં સચિવ પદેથી નિવૃત્તિ બાદ તેઓ દેશના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. હવે તેમના લાંબા વહીવટી અનુભવનો લાભ HDFC બેન્કના ભવિષ્યના વિકાસ અને મજબૂતીકરણમાં મળશે.</p><p><b><a href="https://sandesh.com/business/news/ibm-share-crash-ceo-letter-wipes-out-69-billion-market-value-investors-loss" target="_blank">આ પણ વાંચો : IBM Share Crash : CEOના પત્ર બાદ IBMનો શેર થયો ક્રેશ, એક જ દિવસમાં રોકાણકારોના રૂપિયા 6.6 લાખ કરોડ સ્વાહા</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/15/YXAzfTv1Zm4oHbDKwQIdKcFalkgYhU1v2SXAebPa.webp'/></item><item><title><![CDATA[FIFA World 2026 : સેમિફાઇનલમાં આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ વચ્ચે જામશે જંગ, જાણો હેડ ટૂ હેડ રેકોર્ડ ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-2026-argentina-and-england-will-clash-in-the-semi-finals-know-the-head-to-head-record</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-2026-argentina-and-england-will-clash-in-the-semi-finals-know-the-head-to-head-record</guid><pubDate>Wed, 15 Jul 2026 13:29:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">FIFA વર્લ્ડ કપ 2026ના ફાઇનલિસ્ટ સ્પેન અને ફ્રાન્સ વચ્ચેના પ્રથમ સેમિફાઇનલમાં નક્કી થયા હતા, જ્યાં સ્પેને ફ્રાન્સને 2-0 થી હરાવીને ઇતિહાસમાં બીજી વખત વર્લ્ડ કપમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું હતું. હવે તેમની અંતિમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી સેમિફાઇનલમાં નક્કી થશે. આ મેચ 16 જુલાઈના રોજ ભારતીય માનક સમય મુજબ રાત્રે 12:30 વાગ્યે જ્યોર્જિયાના એટલાન્ટા સ્ટેડિયમ ખાતે રમાશે. ઇંગ્લેન્ડનો આર્જેન્ટિના સામે શ્રેષ્ઠ વર્લ્ડ કપ રેકોર્ડ છે, જેના કારણે આ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન માટે મુશ્કેલ બની ગઈ છે.</p><h4 style="text-align: justify; "><b>બંને ટીમો વર્લ્ડ કપ ઇતિહાસમાં પાંચ વખત એકબીજા સામે આવી&nbsp;</b></h4><p style="text-align: justify; ">આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ વર્લ્ડ કપ ઇતિહાસમાં પાંચ વખત એકબીજા સામે આવી છે, જેમાં ઇંગ્લેન્ડે 1962 ની મેચ 3-1 થી જીતી હતી. આ પછી, ઇંગ્લેન્ડે 1966 ના વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ અને આર્જેન્ટિના વચ્ચેની મેચ 1-0 થી જીતી હતી. બંને ટીમો વચ્ચે ત્રીજી મુલાકાત 1986 ના વર્લ્ડ કપમાં થઈ હતી, અને આર્જેન્ટિનાએ આ મેચ 2-1 થી જીતી હતી. 1998ના વર્લ્ડ કપમાં બંને હાફ પછી મેચ 2-2થી બરાબરી પર રહી હતી, જેમાં આર્જેન્ટિનાએ પેનલ્ટી શૂટઆઉટમાં 4-3થી જીત મેળવી હતી. છેલ્લી વખત બંને ટીમો 2002ના વર્લ્ડ કપમાં ટકરાઈ હતી, જ્યાં ઇંગ્લેન્ડે 1-0થી જીત મેળવી હતી. બંને ટીમો વચ્ચેના એકંદર હેડ-ટુ-હેડ રેકોર્ડની વાત કરીએ તો, ઇંગ્લેન્ડ અને આર્જેન્ટિના વચ્ચે રમાયેલી ૧૪ મેચોમાંથી છ મેચ ઇંગ્લેન્ડે જીતી છે, જ્યારે આર્જેન્ટિનાએ ત્રણ જીતી છે અને પાંચ ડ્રો રહી છે.</p><h4 style="text-align: justify; "><b>આર્જેન્ટિના-ઇંગ્લેન્ડ સેમિફાઇનલ મેચ ક્યાં રમાશે&nbsp;</b></h4><p style="text-align: justify; ">ભારતીય ચાહકો FIFA વર્લ્ડ કપ 2026ની બીજી સેમિફાઇનલ મેચ ઇંગ્લેન્ડ અને આર્જેન્ટિના વચ્ચે DD સ્પોર્ટ્સ પર ફ્રી ડિશ દ્વારા ટીવી પર લાઇવ જોઈ શકે છે. આ આ વર્લ્ડ કપની સૌથી મોટી મેચોમાંની એક છે, તેથી દરેક વ્યક્તિ તેને નજીકથી જોશે. આ મેચ&nbsp; ઓનલાઈન સ્ટ્રીમ કરવામાં આવશે, જ્યાં ચાહકો લોગ ઇન કરી શકે છે અને મેચનો આનંદ માણી શકે છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/lionel-messi-can-become-number-one-know-who-is-in-the-top-10" target="_blank">Lionel Messi બની શકે છે નંબર વન, જાણો ટોપ 10માં કોણ કોણ છે?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/15/ARu3h7UaGZl7jcnojvHXfuPfSYU2AT5NMZFtCXSI.webp'/></item></channel></rss>