<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Nadiad: કપડવંજ ફતિયાબાદ કેનાલ ઉપરથી વધુ એક વ્યક્તિએ ઝંપલાવતાં ચકચાર મચી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/nadiad/nadiad--1-1-1-1-1-1-1-1-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/nadiad/nadiad--1-1-1-1-1-1-1-1-1</guid><pubDate>Sun, 19 Jul 2026 05:48:48 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નડિયાદ : કપડવંજની સ્યુસાઈડ પોઈન્ટ બનેલ ફતિયાબાદ કેનાલમાં વધુ એક વ્યક્તિએ ઝંપલાવ્યાનું સામે આવ્યું છે. જેને પગલે કેનાલ પર લોકોના ટોળા ઉમટી પડયા હતા. આ લખાય છે ત્યાં સુધી આ મામલે કોઈ શોધખોળ હાથ ધરવામાં આવી નથી. કપડવંજમાં આવેલ ફતિયાબાદ કેનાલ પર આજે એક 40 વર્ષના આશરાના પુરુષ વ્યક્તિ દ્વારા ઝંપલાવ્યાનું સામે આવ્યું હતું. એક વ્યક્તિએ પુરુષ વ્યક્તિએ ઝંપલાવ્યાનું જાણતા જ સ્થળ પર પહોંચી તપાસ કરી હતી. દરમિયાન સ્થળ પરથી ચંપલ અને એક થેલી મળી આવી હતી. જેમાં એક આધારકાર્ડ હતું, આધારકાર્ડ પ્રમાણે કઠલાલ તાલુકાના પહાડમાં રહેતા પ્રવિણભાઈ ફતેસિંહ પરમાર હોવાનું અનુમાન કરાઈ રહ્યું હતું. પ્રવિણભાઈના ઘરે બનાવની જાણ કરતાં પરિવારજનો પણ દોડી આવ્યા હતા. પરિવારજનોએ જણાવ્યું હતું કે પ્રવિણભાઈના ત્રણ સંતાનો છે, ઘરે કોઈ કકળાટ કે અણબનાવ બન્યો નથી જેથી તે કેનાલમાં ઝંપલાવે. સ્થાનિક સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલ કેનાલમાં કોઈ શોધખોળ કરવામાં આવી રહી નથી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/19/ZaFlBeaJX82UfeqpXdmAW7Z9AiXDJBYpNnExAxBc.webp'/></item><item><title><![CDATA[Anand: સિંચાઈ વિભાગે ઘર સામે ગંદકી ઠાલવી દીધી ! ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/anand/anand-the-irrigation-department-dumped-dirt-in-front-of-the-house</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/anand/anand-the-irrigation-department-dumped-dirt-in-front-of-the-house</guid><pubDate>Sun, 19 Jul 2026 05:47:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આંકલાવ તાલુકાના આસોદર ગામના કરણેટપુરા વિસ્તારમાં આવેલા GR-14 મહી કેનાલ પાસે રહેતા ગ્રામજનોએ સિંચાઈ વિભાગ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. વર્ષોથી માત્ર 170 મીટરના રસ્તાની માંગણી છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી. હવે કેનાલની સફાઈ દરમિયાન નીકળેલી ગંદકી રહેણાંક વિસ્તાર અને ઘર સામે ઠાલવી દેવામાં આવતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા ચાર વર્ષથી રસ્તા માટે મહી કેનાલ વિભાગમાં વારંવાર લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારબાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં ફરિયાદ 'સ્વાગત' કાર્યક્રમમાં પણ કરવામાં આવી હતી. જોકે સમસ્યાનું નિરાકરણ લાવવાને બદલે કેનાલમાંથી કાઢવામાં આવેલી ગંદકી સીધી ઘર સામે નાખી દેવામાં આવી હોવાનું સ્થાનિકોનો આક્ષેપ કરી રહ્યા છે. સ્થાનિક લાલસિંહ ચંદુભાઈ પઢીયારે જણાવ્યું કે, અમે રસ્તા માટે અનેક વખત અરજી કરી, પરંતુ કોઈ સાંભળતું નથી. બે દિવસ પહેલાં કેનાલની સફાઈ દરમિયાન આખી ગંદકી મારા ઘર સામે નાખી દેવામાં આવી. આ અંગે પૂછતાં પણ કોઈ જવાબ આપતો નથી. 20થી વધુ બોરસદ સિંચાઈ વિભાગે અહીં મુલાકાત લીધી હતી જે માત્ર ફેટો સૂટ કરી જતા રહેતા હતા સ્વાગતમાં રજૂઆત કર્યા બાદ જાણે અમને હેરાન કરવા માટે જ આવું કરવામાં આવ્યું હોય તેવી લાગણી થાય છે. ગ્રામજનોનું કહેવું છે કે રહેણાંક વિસ્તાર પાસે ગંદકીના ઢગલાથી દુર્ગંધ ફેલાઈ રહી છે અને આરોગ્યને પણ જોખમ ઊભું થયું છે. એક તરફ્ રસ્તાની સુવિધાથી લોકો વંચિત છે તો બીજી તરફ્ તંત્રની આવી કામગીરીથી લોકોમાં અસંતોષ વધી રહ્યો છે. સ્થાનિકોએ જિલ્લા વહીવટીતંત્ર અને સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરીને જવાબદાર સામે કાર્યવાહી કરવાની તેમજ વર્ષોથી અટવાયેલો રસ્તાનો પ્રશ્ન તાત્કાલિક ઉકેલવાની માંગ કરી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/19/i4ZLz4i6BKE4W9ADcVkSc0Q6G26qEqrHyYgZyWCs.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: જુવાલથી 121 કફ્સીરપ સાથે બે ઝડપાયા, 1 વોન્ટેડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-two-arrested-with-121-drugs-1-wanted</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-two-arrested-with-121-drugs-1-wanted</guid><pubDate>Sun, 19 Jul 2026 05:40:12 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બાવળા : સાણંદ તાલુકાના જુવાલ ગામે બે ઇસમો નશાકારક કફ્સીરપનો જથ્થો રાખી તેને ચોરી છૂપીથી વેચાણ કરતા હોવાની બાવળા પોલીસ મથકના અનિલભાઈ ડાભીને બાતમી મળતા પોલીસે ગામના ઝાંપડિયા વાસમાં રેડ કરી હતી. જેમાં પોલીસ દ્વારા આરોપી અજય ઉર્ફે અજગર ભરતભાઈ ગોહેલ અને અશ્વિન ઉર્ફે હરેશ શ્રાવણભાઈ ગોહેલ પાસેથી રોકડા રૂપિયા 30000 અને મોબાઈલ મળી કુલ રૂ. 49,118નો મુદામાલ કબજે કર્યો હતો. પ્રાથમિક તપાસમાં બંને આરોપી દ્વારા કફ્ સીરપની બોટલો જુવાલ ગામના ઝાંપડિયાવાસમાં રહેતા અશ્વિન ઉર્ફે બોડલ પાસેથી લાવ્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે બંનેની ધરપકડ કરી 1 ઇસમને વોન્ટેડ જાહેર કરી એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/19/60gqXPW0qcIjr9Y4Ls1FhrwxLa3KVnOvnIyxV6o1.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: બાવળામાં પાલિકા દ્વારા જપ્ત કરાયેલા લારી ગલ્લાઓ પરત આપવા અંગે રજૂઆત કરાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-a-representation-was-made-in-bavla-regarding-the-return-of-lorry-bags-seized-by-the-municipality</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-a-representation-was-made-in-bavla-regarding-the-return-of-lorry-bags-seized-by-the-municipality</guid><pubDate>Sun, 19 Jul 2026 05:35:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બાવળા : અમદાવાદ જિલ્લાના બાવળા શહેરમાં ટ્રાફ્કિની સમસ્યા અને દબાણને લઈ ને પાલિકા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમ્યાન રોજિંદી આજીવિકા પર નિર્ભર લારી ગલ્લાઓ જપ્ત કરવામાં આવ્યા હતા. જેને લઈ બાવળાના સ્થાનિક નગરસેવકો દ્વારા પાલિકાના ચીફ્ ઓફ્સિર અને પ્રમુખને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતુ કે રોજ કમાઈને ખાવા વાળા અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરતા નાના માણસોને પોતાના લારી ગલ્લા છોડાવવા 5000 રૂપિયાના દંડની જોગવાઈ તેમના માટે અશક્ય જેવું હોવાથી દંડની રકમ નાની કરી તેઓને તેમની આજીવિકા માટે લારી ગલ્લા પરત આપવા રજૂઆત કરવામાં આવી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/19/KNNny7FcjF0tCJQ9H38sahQnNoxkKbvOTFx5DGmO.webp'/></item><item><title><![CDATA[Ahmedabad Factory Blast: ઓનર મેહુલ અને રમીલાબેન ડોડીયા સહિતના સંચાલકો સામે FIR, BNS હેઠળ ગુનો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/vastral-firecracker-blast-ramol-police-fir-mehul-dodiya</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/vastral-firecracker-blast-ramol-police-fir-mehul-dodiya</guid><pubDate>Sat, 18 Jul 2026 23:51:50 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદના વસ્ત્રાલ ગામની સીમમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટના મામલામાં રામોલ પોલીસે આખરે કડક કાનૂની પગલાં લીધા છે. નિર્દોષ લોકોના જીવ લેનારી આ બેદરકારી બદલ પોલીસે ફેક્ટરીના સંચાલકો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી તેજ કરી છે. 'ન્યૂ ગુજરાત ફાયર વર્ક્સ' નામથી ચાલતા આ મોતના કારખાનાના જવાબદારો હવે કાયદાના સકંજામાં આવી ગયા છે.</p><h2><b>મેહુલ ડોડીયા, રમીલાબેન અને સાદીક સૈયદ બન્યા આરોપી</b></h2><p>પોલીસે દાખલ કરેલી એફઆઈઆર મુજબ, મુખ્ય આરોપી તરીકે કારખાનાના સંચાલક મેહુલ ડોડીયા, તેની માતા રમીલાબેન ડોડીયા તેમજ ફેક્ટરીના ભાગીદાર સાદીક સૈયદના નામો નોંધવામાં આવ્યા છે. આ આરોપીઓએ વસ્ત્રાલના સર્વે નંબર 629/1/2/3 વાળી જગ્યા ભાડે રાખીને આ આખો કાળો કારોબાર શરૂ કર્યો હતો. આ સાથે જ પોલીસ તપાસમાં જે પણ અન્ય લોકોની સંડોવણી સામે આવશે, તે તમામને પણ આરોપી બનાવવાનો ફરિયાદમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે.</p><h2><b>કોઈ પણ પાસ-પરમિટ વગર ચાલતું હતું કારખાનું</b></h2><p>એફઆઈઆરમાં કરવામાં આવેલા ખુલાસા મુજબ, આરોપીઓ પાસે ફટાકડા બનાવવાની કોઈ પણ પ્રકારની કાયદેસરની પાસ કે પરમિટ ન હતી. માત્ર આર્થિક લાભ ખાટવા માટે આરોપીઓએ ભેગા મળીને એક ગુનાહિત કાવતરું રચ્યું હતું અને જરાય સુરક્ષા રાખ્યા વગર અત્યંત બેદરકારીપૂર્વક આ જોખમી કારખાનું ચલાવતા હતા. આ ગંભીર બ્લાસ્ટમાં કુલ 9 લોકોના મોત નીપજ્યા છે અને 6 લોકો હજુ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાનું સત્તાવાર રીતે ફરિયાદમાં જણાવાયું છે.</p><h2><b>BNS અને વિસ્ફોટક એક્ટની ગંભીર કલમો લાગુ</b></h2><p>આરોપીઓ સામે કાયદાનો ગાળિયો મજબૂત કરવા માટે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 105, 287, 288 અને 61(2) હેઠળ ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત, વિસ્ફોટક પદાર્થ અધિનિયમ-1908ની કલમ 5(એ) અને 6 તેમજ વિસ્ફોટક અધિનિયમ-1884ની કલમ 9(બી) હેઠળ પણ કડક કલમો લગાવાઈ છે. હાલમાં રામોલ પોલીસ ઘટનાસ્થળેથી વધુ પુરાવા એકત્ર કરી રહી છે અને બ્લાસ્ટ માટે જવાબદાર તમામ કડીઓ જોડીને કાયદેસરના પગલાં ભરી રહી છે.</p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/gujarat/breakingnews/ahmedabad/gatrad-road-fire-talent-firecrackers-factory-mahmudpura-four-deaths-feared" target="_blank"> Video: Ahmedabadના ગત્રાડ રોડ પર ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 9 લોકોના </a>મોત</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/18/K9hf6NlQ1dGeV9Vtc5nPlsvcV86iGMey9ciPebuo.webp'/></item><item><title><![CDATA[Jammu-Kashmir : ભારે વરસાદની ચેતવણી વચ્ચે અમરનાથ અને વૈષ્ણોદેવી યાત્રા સ્થગિત, ઊધમપુરમાં શ્રદ્ધાળુઓની ગાડીને નડ્યો અકસ્માત ]]></title><link>https://sandesh.com/india/news/amarnath-vaishno-devi-yatra-suspended-jammu-kashmir-heavy-rain-alert-udhampur-accident</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/amarnath-vaishno-devi-yatra-suspended-jammu-kashmir-heavy-rain-alert-udhampur-accident</guid><pubDate>Sat, 18 Jul 2026 23:19:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જમ્મુ-કાશ્મીરમાં આગામી દિવસોમાં હવામાન અત્યંત ખરાબ થવાની આશંકાને પગલે પ્રશાસને શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લીધો છે. પવિત્ર અમરનાથ યાત્રા અને વૈષ્ણોદેવી યાત્રાને કામચલાઉ ધોરણે રોકી દેવામાં આવી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>શ્રદ્ધાળુઓનો કોઈ નવો જથ્થો આગળ વધશે નહીં</b></h2><p style="text-align: justify; ">મીડિયાના અહેવાલમાં જણાવાયું છે કે જમ્મુના કમિશનર રમેશ કુમારે સ્પષ્ટ કર્યું છે કે, 19 જુલાઈના રોજ જમ્મુથી કાશ્મીર તરફ શ્રદ્ધાળુઓનો કોઈ નવો જથ્થો આગળ વધશે નહીં. યાત્રા પર આવેલા તમામ ભક્તોને હાલ પૂરતા જમ્મુ, ઊધમપુર અને રામબનના સ્ટે સેન્ટરો પર જ રોકાઈ રહેવાની કડક સલાહ આપવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>આગામી દિવસોમાં હવામાન વધુ બગડી શકે</b></h3><p style="text-align: justify; ">મીડિયા અહેવાલો મુજબ કાશ્મીરના કમિશનર અંશુલ ગર્ગના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં હવામાન વધુ બગડી શકે તેમ હોવાથી આ નિર્ણય લેવાયો છે. રસ્તાઓની સુરક્ષાની ચકાસણી કર્યા બાદ જ યાત્રા ફરી શરૂ કરાશે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે અત્યાર સુધીમાં 3. 7 લાખથી વધુ ભક્તો બાબા બર્ફાનીના દર્શન કરી ચૂક્યા છે.</p><h4 style="text-align: justify; "><b>ઊધમપુરમાં સર્જાયો ભયાનક અકસ્માત</b></h4><p style="text-align: justify; ">યાત્રા રોકવાના આ આદેશો વચ્ચે ઊધમપુરના જખાની પાસે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં અમરનાથ જઈ રહેલા ઉત્તર પ્રદેશના (લખીમપુર અને સીતાપુરના) 5  તીર્થયાત્રીઓ અને એક સ્થાનિક ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જીએમસી ઊધમપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ઊધમપુરના કલેક્ટર અને ડોક્ટરો સાથે ફોન પર વાતચીત કરીને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવાના નિર્દેશ જાહેર કર્યા છે.</p><h4 style="text-align: justify; "><b>5 દિવસ સુધી ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં વેકેશન લંબાયું</b></h4><p style="text-align: justify; ">હવામાન વિભાગે 19 જુલાઈથી 23 જુલાઈ 2026 સુધી સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં મુસળધાર વરસાદ અને વીજળી પડવાનું ગંભીર એલર્ટ જાહેર કર્યું છે. 21 થી 23 જુલાઈ દરમિયાન કાશ્મીરમાં અને 20  થી 23  જુલાઈ દરમિયાન જમ્મુના રિયાસી તેમજ ઊધમપુરમાં રેકોર્ડબ્રેક વરસાદની આગાહી છે. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રશાસને વિન્ટર ઝોનની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં ઉનાળુ વેકેશન 22  જુલાઈ સુધી લંબાવી દીધું છે. પીર પંજાલ, ગુલમર્ગ, પહેલગામ અને જોઝિલા જેવા પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન (લેન્ડસ્લાઈડ) અને પૂરનો મોટો ખતરો હોવાથી પ્રવાસીઓને હાલ જમ્મુ-કાશ્મીરની મુસાફરી ટાળવા અને સ્થાનિક લોકોને નદી-નાળાથી દૂર રહેવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/india/ahmedabad/sandesh-digital-explainer-india-first-private-rocket-vikram-1-skyroot-aerospace-launched" target="_blank"><b> Sandesh Digital Explainer : અવકાશમાં નવા ભારતની ગર્જના, 'વિક્રમ-1'એ લખ્યો નવો ઇતિહાસ, બધું જ વાંચી લો એક જ ક્લિકમાં..</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/18/kwmosJRoy3XHSsSmvk7OSFK1fappMe1Wo2FUjY6A.webp'/></item><item><title><![CDATA[વાંચો 19 જુલાઈના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે ]]></title><link>https://sandesh.com/india/news/gujarat/19-july-top-news-history-sports-and-current-events-updates</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/gujarat/19-july-top-news-history-sports-and-current-events-updates</guid><pubDate>Sat, 18 Jul 2026 22:31:00 +05:30</pubDate><description><![CDATA[<p>19 જુલાઈનો દિવસ ભારત અને વિશ્વના ઈતિહાસમાં અત્યંત મહત્વનો રહ્યો છે. 19 જુલાઈના રોજના દિવસે વર્ષ 1969 માં ભારતમાં 14 મોટી બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું, જે આર્થિક જગતની મોટી ક્રાંતિ હતી. આ ઉપરાંત, આઝાદીના પ્રથમ મશાલચી મંગલ પાંડેની જન્મજયંતિ પણ 19 જુલાઈના રોજ છે. વર્તમાન પ્રવાહોની વાત કરીએ તો રમતગમત ક્ષેત્રે FIFA વર્લ્ડ કપ 2026 ની ફાઇનલ મેચ અને ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે વનડે મેચ રમાઈ રહી છે, જ્યારે દેશભરમાં ચોમાસાની સક્રિયતા વચ્ચે હવામાન વિભાગે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.</p><h2><b>સંસદના ચોમાસુ સત્ર પૂર્વે સર્વદલીય બેઠક</b></h2><p>ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થઈ રહ્યું હોવાથી, સરકારે 19 જુલાઈના રોજ એક મહત્વની સર્વદલીય બેઠક બોલાવી છે. આ બેઠકનો મુખ્ય હેતુ સંસદની કાર્યવાહી સુગમ રીતે ચલાવવા માટે તમામ પક્ષો વચ્ચે સામંજસ્ય અને સંતોલન સ્થાપિત કરવાનો છે.</p><h2><b>કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો બંગાળ પ્રવાસ</b></h2><p>19 જુલાઈના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસે રહેશે. તેઓ સવારે 10:30 વાગ્યે અલીપુર ખાતે કાયદો-વ્યવસ્થાની સમીક્ષા બેઠક કરશે, બપોરે 1:30 વાગ્યે નેશનલ લાયબ્રેરી ખાતે 'મ્યુઝિયમ ઓફ વર્ડ' નું ઉદ્ઘાટન કરશે અને બપોરે 3:30 વાગ્યે બિશ્વા બાંગલા કન્વેન્શન સેન્ટર ખાતે અમૂલ બંગાળ ડેરીના દહીં પ્લાન્ટનો શિલાન્યાસ કરશે.</p><h2><b>રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનો ત્રણ દેશોનો રાજકીય પ્રવાસ</b></h2><p>ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 19 થી 25 જુલાઈ દરમિયાન વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે. આ સમયગાળા દરમિયાન તેઓ મોલ્દોવા, ઉત્તરી મેસેડોનિયા અને રોમાનિયાની સત્તાવાર આંતરરાષ્ટ્રીય યાત્રા કરશે, જેનો હેતુ આ દેશો સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવાનો છે.</p><h2><b>નીતિન ગડકરીનો નાગપુરમાં જનસંપર્ક કાર્યક્રમ</b></h2><p>કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી 19 જુલાઈના રોજ નાગપુરના મહાલ સ્થિત ગડકરી વાડામાં હાજર રહેશે. તેઓ સવારે 11:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી સ્થાનિક નાગરિકોને રૂબરૂ મળશે અને લોકોની સમસ્યાઓ, ફરિયાદો તેમજ વિવિધ માંગણીઓ સાંભળી તેનો નિકાલ લાવશે.</p><h2><b>પનામાના વિદેશ મંત્રીની ભારત મુલાકાત</b></h2><p>પનામાના વિદેશ મંત્રી જેવિયર એડુઆર્ડો માર્ટિનેઝ-આચા વાસ્કેઝ 19 થી 23 જુલાઈ સુધી ભારતના સત્તાવાર પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન 20 જુલાઈના રોજ તેઓ નવી સંસદમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને હૈદરાબાદ હાઉસમાં વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે દ્વિપક્ષીય સહયોગ વધારવા અંગે ચર્ચા કરશે.</p><h2><b>ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા સ્થગિત</b></h2><p>હવામાન વિભાગની પ્રતિકૂળ હવામાનની આગાહીને પગલે જમ્મુ-કાશ્મીર પ્રશાસને સાવચેતીના પગલાં લીધા છે. 19 જુલાઈથી અમરનાથ યાત્રાને પહલગામ અને બાલટાલ બંને રૂટ પરથી અસ્થાયી રૂપે રોકી દેવામાં આવી છે.</p><h2><b>દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ</b></h2><p>હવામાન વિભાગ (IMD) એ દેશમાં ઉમસ અને ગરમી વચ્ચે 19 જુલાઈએ ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 13 રાજ્યોમાં મુસળધાર વરસાદની ચેતવણી આપી છે. આ દરમિયાન 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની અને પહાડી રાજ્યોમાં મુશ્કેલી વધવાની આશંકા છે.</p><h2><b>ઉમરેઠમાં નવા પિકનિક સ્પોટ અને મેદાનનું લોકાર્પણ</b></h2><p>ચરોતરના ઊમરેઠ શહેરમાં રતનપુર ચોકડી ખાતે આવેલા શ્રી બદ્રીનારાયણ મહાદેવ, શનિદેવ અને સાઈબાબા મંદિર પરિસરમાં બાળકો અને પરિવારો માટે એક નવું પિકનિક સ્થળ અને રમતનું મેદાન તૈયાર કરાયું છે. જેનું લોકાર્પણ 19 જુલાઈ 2026 ના રોજ કરવામાં આવશે.</p><h2><b>બેંક રાષ્ટ્રીયકરણ દિવસ</b></h2><p>ભારતમાં 19 જુલાઈના દિવસને 'બેંક રાષ્ટ્રીયકરણ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. 1969 માં આ દિવસે તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશની 14 મોટી ખાનગી બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો, જેનાથી બેંકોની 85 ટકા થાપણો સરકાર હસ્તક આવી હતી.</p><h2><b>રમતગમત ક્ષેત્રની રોમાંચક ઈવેન્ટ્સ</b></h2><ul><li><b>Ind vs ENG (3rd ODI): </b>ભારતનો ઇંગ્લેન્ડ પ્રવાસ અંતિમ તબક્કામાં છે અને બંને ટીમો વચ્ચે સિરીઝની ત્રીજી અને નિર્ણાયક વનડે મેચ લંડનના ઐતિહાસિક Lord's Cricket Ground પર રમાઈ રહી છે.</li><li><b>ફિફા વર્લ્ડ કપ 2026:</b>&nbsp;ત્રીજા સ્થાન માટે ફ્રાન્સ અને ઈંગ્લેન્ડ વચ્ચે મુકાબલો.</li><li><b>F1 બેલ્જિયન ગ્રાન્ડ પ્રિક્સ:</b> રેસિંગના ચાહકો માટે બેલ્જિયમના પ્રખ્યાત સર્કિટ પર સ્પીડ અને રોમાંચથી ભરપૂર મુખ્ય રેસનું આયોજન થયું છે.</li><li><b>બાંગ્લાદેશ વિરૂદ્ધ ઝિમ્બાબ્વે (3rd T20I):</b> બુલાવાયોના કવીન્સ સ્પોર્ટ્સ ક્લબ ખાતે બંને દેશો વચ્ચેની T20 સિરીઝની ત્રીજી મેચ રમાઈ રહી છે.</li><li><b>વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ ન્યુઝીલેન્ડ (4th ODI):</b> બંને ટીમો વચ્ચે કેન્સિંગ્ટન ઓવલ ખાતે ચોથી વનડે મેચનું આયોજન કરવામાં આવ્યું છે.</li></ul><h2><b>19 જુલાઈની ઐતિહાસિક ઘટનાઓ</b></h2><ul><li>1333 - સ્કોટિશ સ્વતંત્રતા યુદ્ધ: હૈલિડનની જંગમાં અંગ્રેજોએ સ્કોટ્સ પર નિર્ણાયક વિજય મેળવ્યો.</li><li>1848 - ન્યુ યોર્કના સિનિકા ફોલ્સમાં વિશ્વનું પ્રથમ મહિલા અધિકાર સંમેલન યોજાયું.</li><li>1864 - તાઈપિંગ વિદ્રોહમાં નાનકિંગની ત્રીજી લડાઈ દરમિયાન ચીની સામ્રાજ્યએ તાઈપિંગને હરાવ્યું.</li><li>1870 - ફ્રાન્સે ઈરાન સામે સત્તાવાર યુદ્ધની શરૂઆત કરી.</li><li>1905 - બ્રિટિશ ભારત સરકારે બંગાળના વિભાજનને અમલમાં મૂકવાના નિર્ણયની જાહેરાત કરી.</li><li>1916 - પ્રથમ વિશ્વયુદ્ધ: બ્રિટિશ અને ઓસ્ટ્રેલિયન દળોએ ફ્રોમલ્સ યુદ્ધમાં જર્મન દળો પર હુમલો કર્યો.</li><li>1969 - ભારત સરકારે દેશની 14 મોટી ખાનગી બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું.</li><li>1969 - એપોલો 11 ના અવકાશયાત્રીઓ નીલ આર્મસ્ટ્રોંગ અને એડવિન એલ્ડ્રિન યાનમાંથી બહાર નીકળી ચંદ્રની ભ્રમણકક્ષામાં ચાલ્યા.</li><li>1974 - મહાન ક્રાંતિકારી શહીદ ઉધમ સિંહની અસ્થિઓને લંડનથી સન્માનપૂર્વક દિલ્હી લાવવામાં આવી.</li><li>1976 - નેપાળમાં પ્રખ્યાત સાગરમાથા નેશનલ પાર્કની સ્થાપના કરવામાં આવી.</li><li>1995 - રશિયા અને ચેચન્યા પ્રજાસત્તાક વચ્ચે ચેચન્યાને 'સાર્વભૌમ પ્રજાસત્તાક'નો દરજ્જો આપવા માટેનો કરાર થયો.</li><li>2001 - નેપાળના વડા પ્રધાન ગિરિજા પ્રસાદ કોઈરાલાએ રાજીનામું આપ્યું; અફઘાનિસ્તાનમાં પ્લેયિંગ કાર્ડ્સ, લિપસ્ટિક અને ચેસ સેટ સહિત 30 વસ્તુઓની આયાત પર પ્રતિબંધ મુકાયો.</li><li>2003 - રશિયન અવકાશયાત્રી યુરી મેલેનચેન્કો અવકાશમાં લગ્ન કરનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ બન્યા.</li><li>2004 - ફ્રેન્ચ ગુઆનાના કોરુ પ્રક્ષેપણ કેન્દ્રથી Ariane-5 રોકેટ દ્વારા વિશ્વના સૌથી મોટા ટેલિકોમ્યુનિકેશન ઉપગ્રહને લોન્ચ કરાયો.</li><li>2005 - ભારતના તત્કાલિન વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહે યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધન કર્યું.</li><li>2006 - લેબનોન પરના ઈઝરાયેલી હુમલામાં 3 ભારતીયો સહિત 55 લોકોના મોત થયા.</li><li>2007 - ઈરાકમાં 11 અપંગ બાળકોની હત્યાના કેસમાં અમેરિકન સૈનિક મરીન કોર્પોરલ ટ્રેન્ટ થોમસને દોષિત ઠેરવવામાં આવ્યો.</li><li>2008 - અમેરિકાએ પ્રશાંત મહાસાગરમાં લાંબા અંતરની મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું.</li></ul><h2><b>19 જુલાઈના રોજ પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ</b></h2><ul><li>1827 - મંગલ પાંડે: ભારતની આઝાદીના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ (1857) ના મહાન નાયક અને સેનાની.</li><li>1894 - ખ્વાજા નઝીમુદ્દીન: બંગાળના જાણીતા મુસ્લિમ નેતા.</li><li>1900 - ખુબચંદ બઘેલ: સ્વતંત્રતા સેનાની, લેખક અને છત્તીસગઢ રાજ્ય નિર્માણ ચળવળના અગ્રણી નેતા.</li><li>1909 - નાલપત બાલામણિ અમ્મા: મલયાલમ ભાષાની પ્રખ્યાત અને આદરણીય કવયિત્રી.</li><li>1925 - દિનેશ સિંહ: ભારતીય રાજકારણી અને બીજી થી પાંચમી તેમજ આઠમી-નવમી લોકસભાના સભ્ય.</li><li>1938 - જયંત વિષ્ણુ નાર્લીકર: ભારતના વિખ્યાત ભૌતિકશાસ્ત્ર વૈજ્ઞાનિક અને ખગોળશાસ્ત્રી.</li><li>1948 - અલ્તમસ કબીર: ભારતના ભૂતપૂર્વ અને 39 માં મુખ્ય ન્યાયાધીશ (CJI).</li><li>1948 - રાધાબિનોદ કોઈજમ: મણિપુરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને રાજનેતા.</li><li>1956 - ઝિયા મોદી: ભારતના જાણીતા અને અગ્રણી કાનૂની સલાહકાર (લીગલ કન્સલ્ટન્ટ).</li></ul><h2><b>19 જુલાઈના રોજ પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ</b></h2><ul><li>1963 - એની મસ્કરિની: ભારતીય સ્વતંત્રતા સેનાની અને ભારતની બંધારણ સભાના સભ્ય.</li><li>1988 - રાજીવ સંધુ: દેશની રક્ષા કાજે સર્વોચ્ચ બલિદાન આપનાર અને 'મહાવીર ચક્ર' થી સન્માનિત લશ્કરી અધિકારી.</li><li>2018 - ગોપાલદાસ નીરજ: હિન્દી સાહિત્યના પ્રખ્યાત કવિ, શિક્ષક અને ફિલ્મોના લોકપ્રિય ગીતકાર.</li></ul><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/fire-incident-gujarat-fire-tragedies-decade-timeline-government-negligence" target="_blank">Fire incident : છેલ્લા 10 વર્ષમાં બનેલી મોટી આગની દુર્ઘટનાઓમાં તંત્રના પાપે 105 નિર્દોષોના મોત, વાંચો આગની આફતના દાયકાની કાળી કહાણી, Video</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/18/spggJwbgZjcTyYGHvg3ePDdYs2TbUrTHQPUE8sXT.webp'/></item><item><title><![CDATA[Lionel Messiના ફેન્સને મોટો ઝટકો! ફાઇનલ પહેલા જ ગોલ્ડન બૂટ જીતવાનું સપનું તૂટી જશે? ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/the-golden-boot-will-slip-out-of-lionel-messis-hands-understand-the-equation</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/the-golden-boot-will-slip-out-of-lionel-messis-hands-understand-the-equation</guid><pubDate>Sat, 18 Jul 2026 19:56:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">લિયોનેલ મેસ્સી અને કાયલિયન એમબાપ્પે 2026 ફિફા વર્લ્ડ કપમાં સંયુક્ત રીતે ટોચના સ્કોરર છે.બંનેએ આઠ ગોલ કર્યા છે.ફ્રાન્સ ટાઇટલ રેસમાંથી બહાર થઈ ગયું છે,જ્યારે આર્જેન્ટિના સતત બીજા આવૃત્તિ માટે ટાઇટલ માટે મજબૂત દાવેદાર છે.હાલમાં લિયોનેલ મેસ્સી ગોલ સ્કોરિંગ ટેબલમાં ટોચ પર છે.પરંતુ તેમનો ગોલ્ડન બૂટ એવોર્ડ હજુ પણ અપ્રમાણિત છે. આ એવોર્ડ ફરી એકવાર  ગુમાવી શકે છે.</p><h4 style="text-align: justify; "><b>ફિફા વર્લ્ડ કપ ઇતિહાસમાં સૌથી વધુ ગોલ સ્કોરર</b></h4><p style="text-align: justify; ">લિયોનેલ મેસ્સી ફિફા વર્લ્ડ કપ ઇતિહાસમાં સૌથી વધુ ગોલ સ્કોરર છે,અને તેમની ટીમે છેલ્લી આવૃત્તિમાં ટાઇટલ જીત્યું હતું. જો કે, તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમણે ક્યારેય ગોલ્ડન બૂટ જીત્યો નથી,જે કોઈ ચોક્કસ આવૃત્તિમાં અગ્રણી ગોલ સ્કોરરને આપવામાં આવે છે. આ વખતે, તેઓ એવોર્ડ જીતવાની ખૂબ નજીક છે,પરંતુ મેસ્સીનું સ્વપ્ન ચકનાચૂર થઈ શકે છે. તેમને કોણ પાછળ છોડી શકે છે?</p><h4 style="text-align: justify; "><b>એમબાપ્પે આઠ ગોલ કર્યા</b></h4><p style="text-align: justify; ">લિયોનેલ મેસ્સી અને ફ્રાન્સના કાયલિયન એમબાપ્પે આઠ ગોલ કર્યા છે.સેમિફાઇનલ પહેલા મબાપ્પે પ્રથમ સ્થાને હતા.બંનેએ સમાન ગોલ કર્યા હતા,પરંતુ મબાપ્પે સહાયમાં આગળ હતા.મેસ્સીએ ઈંગ્લેન્ડ સામેની સેમિફાઇનલમાં બે આસિસ્ટ કર્યા હતા,જેનાથી એમબાપ્પે પહેલા સ્થાને પહોંચી ગયા હતા.એમબાપ્પેની ટીમ પહેલેથી જ ટાઇટલ રેસમાંથી બહાર થઈ ગઈ છે,પરંતુ તેમની પાસે હજુ એક મેચ બાકી છે.</p><h5 style="text-align: justify; "><b>ત્રીજા સ્થાન માટે ફ્રાન્સ અને ઈંગ્લેન્ડ ટક્કર</b></h5><p style="text-align: justify; ">બે હારેલા સેમિફાઇનલ ખેલાડીઓ,ફ્રાન્સ અને ઈંગ્લેન્ડ નંબર 3 સ્થાન માટે સ્પર્ધા કરશે.આ મેચ શનિવારે રાત્રે 12:30 વાગ્યે ભારતીય સમય મુજબ શરૂ થશે.એમબાપ્પે પાસે ગોલ કરીને મેસ્સીને પાછળ છોડી દેવાની તક હશે,અને તે આસિસ્ટમાં આર્જેન્ટિનાના સ્ટારને પણ પાછળ છોડી શકે છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/messi-roars-before-the-fifa-world-cup-final-says-we-will-put-everything-at-stake" target="_blank"> FIFA World Cup ની ફાઈનલ પહેલા મેસીની ગર્જના, કહ્યું - અમે બધુ દાવ પર લગાવી દઈશું</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/18/6lrQ0mTR2hBSISVdK9kw9kDdVjhzPQ02FzM657cO.webp'/></item><item><title><![CDATA[72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત, કાર્તિક આર્યન અને યામી ગૌતમનું નામ પણ સામેલ ]]></title><link>https://sandesh.com/entertainment/news/72nd-national-film-awards-2026--winners-list---kartik-aaryan--yami-gautam</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/72nd-national-film-awards-2026--winners-list---kartik-aaryan--yami-gautam</guid><pubDate>Sat, 18 Jul 2026 19:07:01 +05:30</pubDate><description><![CDATA[<p>72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ફરી એકવાર ભારતીય સિનેમાની શ્રેષ્ઠ ફિલ્મો, કલાકારો અને ટેકનિકલ પ્રતિભાઓને તેમના શાનદાર કામ માટે સન્માનિત કરવામાં આવ્યા છે. દર વર્ષની જેમ વિવિધ ભાષાઓ અને શૈલીઓની ફિલ્મોએ મજબૂત હાજરી નોંધાવી છે.. આ પુરસ્કારોએ માત્ર શાનદાર અભિનય અને દિગ્દર્શનને જ નહીં, પરંતુ તેમની કહાણી કહેવાની, સંગીત, સિનેમેટોગ્રાફી અને સામાજિક પ્રભાવ માટે પ્રખ્યાત ફિલ્મોને પણ માન્યતા આપી છે. વિજેતાઓની સંપૂર્ણ યાદીની જાહેરાતથી ફિલ્મ ઉદ્યોગ અને દર્શકોમાં આનંદ છવાઈ ગયો છે. ચાલો જાણીએ કે કઈ શ્રેણીમાં કોણ જીત્યું.
</p><p>
</p><p><br></p><p>કાર્તિક આર્યન અને મામૂટીને તેમની ફિલ્મો ચંદુ ચેમ્પિયન અને બ્રહ્મયુગમ માટે અનુક્રમે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. યામી ગૌતમને હિન્દી ફીચર ફિલ્મમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો. સંજય મિશ્રાને તેમની ફિલ્મ ભક્ષક માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો.<br><br></p><p>- શ્રેષ્ઠ અભિનેતા: કાર્તિક આર્યન (ચંદુ ચેમ્પિયન) અને મામૂટી (બ્રહ્મયુગમ)
</p><p>- શ્રેષ્ઠ અભિનેત્રી: યામી ગૌતમ (આર્ટિકલ ૩૭૦)
</p><p>- શ્રેષ્ઠ દિગ્દર્શક: રાજકુમાર પેરિયાસામી (અમરન)
</p><p>- શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી: રોપશ્રી વરકાડી (મિથ્યા) અને સવના નમિદાસ (મહારાજા)
</p><p>- શ્રેષ્ઠ સહાયક અભિનેતા: સંજય મિશ્રા (ભક્ષક)
</p><p>- રાષ્ટ્રીય અને સામાજિક મૂલ્યોને પ્રોત્સાહન આપતી શ્રેષ્ઠ ફિલ્મ: કલ્કી 2898 એડી
</p><p>- રાષ્ટ્રીય અને સામાજિક મૂલ્યોને પ્રોત્સાહન આપતી શ્રેષ્ઠ ફિલ્મ: કેપ્ટન મિલર
</p><p>- શ્રેષ્ઠ બાળ કલાકાર: રુદ્રીમાન બેનર્જી, તપોમય દેવ, ગીતાશ્રી ચક્રવર્તી, અરંગદેવ પોથુલા અને અનીશ એસ. શેટ્ટી
</p><p>- શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી: શહેનાદ જલાલ (બ્રહ્મયુગમ)
</p><p>- શ્રેષ્ઠ પટકથા: સુકુમાર (પુષ્પા ૨)
</p><p>- શ્રેષ્ઠ સંવાદ લેખક: વેંકી અટલુરી (લકી ભાસ્કર)
</p><p>- શ્રેષ્ઠ પ્રોડક્શન ડિઝાઇન: કલ્કી ૨૮૯૮ એડી
</p><p>- શ્રેષ્ઠ એક્શન દિગ્દર્શન: અનલ આરાસુ (મહારાજા)
</p><p>- શ્રેષ્ઠ મેકઅપ આર્ટિસ્ટ: કોમેટી કુરોલુ
</p><p><br></p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/18/lDzVIPnNR0z1ZqvlKPDSNscfxuOGswsRSpO5xglx.webp'/></item><item><title><![CDATA[Gold Silver Price Today: 4900 સુધી ઘટ્યા ભાવ, જાણો અઠવાડિયામાં સોના ચાંદીના ભાવમાં કેટલો ફેરફાર ]]></title><link>https://sandesh.com/business/news/gold-silver-price-today-prices-dropped-to-4900-know-how-much-change-in-gold-and-silver-prices-in-a-week</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/gold-silver-price-today-prices-dropped-to-4900-know-how-much-change-in-gold-and-silver-prices-in-a-week</guid><pubDate>Sat, 18 Jul 2026 12:48:12 +05:30</pubDate><description><![CDATA[<p>આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. જેના પરિણામે સોનાના ભાવમાં ₹2,200 થી વધુ અને ચાંદીના ભાવમાં ₹4,900 નો ઘટાડો થયો. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર આ અઠવાડિયે 24 કેરેટ સોનાનો ભાવ ₹2,209 ઘટીને ₹1,41,159 પ્રતિ 10 ગ્રામ થયો જે અગાઉના સ્તર ₹1,43,368 પ્રતિ 10 ગ્રામ હતો. 22 કેરેટ સોનાનો ભાવ ₹1,31,325 પ્રતિ 10 ગ્રામથી ઘટીને ₹1,29,302 પ્રતિ 10 ગ્રામ થયો. જ્યારે 18 કેરેટ સોનાનો ભાવ ₹1,07,526 પ્રતિ 10 ગ્રામથી ઘટીને ₹1,05,869 પ્રતિ 10 ગ્રામ થયો.</p><p><b style="font-size: 2rem;">અઠવાડિયામાં સોના ચાંદીના ભાવમાં શું ફેરફાર ?&nbsp;</b></p><p>આ અઠવાડિયામાં સોનાનો સૌથી ઓછો ભાવ 17 જુલાઈના રોજ સાંજના સત્ર દરમિયાન ₹1,41,159 પ્રતિ 10 ગ્રામ નોંધાયો હતો જ્યારે 13 જુલાઈના રોજ સવારના સત્ર દરમિયાન સૌથી વધુ ભાવ ₹1,42,289 પ્રતિ 10 ગ્રામ હતો.આ દરમિયાન MCX પર, 5 ઓગસ્ટ, 2026 ના રોજ સોનાનો કોન્ટ્રેક્ટ શુક્રવારે ₹1,40,348 પર બંધ થયો જે ₹658 નો વધારો દર્શાવે છે.</p><p><b style="font-size: 1.75rem;">ચાંદીના ભાવમાં ઘટાડો</b></p><p>સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો. ચાંદીનો ભાવ ₹4,917 ઘટીને ₹2,15,474 પ્રતિ કિલોગ્રામ થયો, જે અગાઉના ₹2,20,390 પ્રતિ કિલોગ્રામ હતો.</p><p>આ અઠવાડિયે ચાંદીનો સૌથી વધુ ભાવ 15 જુલાઈના રોજ સવારના સત્ર દરમિયાન ₹2,20,391 પ્રતિ કિલોગ્રામ નોંધાયો હતો, જ્યારે 17 જુલાઈના રોજ સાંજના સત્ર દરમિયાન સૌથી ઓછો ભાવ ₹2,15,474 પ્રતિ કિલોગ્રામ હતો. શુક્રવારે, 4 સપ્ટેમ્બર, 2026 માટે ચાંદીનો કોન્ટ્રેક્ટ MCX પર ₹216,403 પર બંધ થયો જે ₹46 નો વધારો દર્શાવે છે.</p><p><b style="font-size: 1.5rem;">વૈશ્વિક સ્તરે સોના અને ચાંદીના ભાવ</b></p><p>આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાનો ભાવ ઔંસ દીઠ $4,000 ની નજીક પહોંચી ગયો જ્યારે ચાંદીનો ભાવ ઔંસ દીઠ $57 ની નજીક પહોંચી ગયો છે. નિષ્ણાતોના મતે, સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે થયો છે. અમેરિકા ઈરાન પર સતત હુમલા કરી રહ્યું છે, જ્યારે ઈરાન મધ્ય પૂર્વમાં યુએસ બેઝને પણ નિશાન બનાવી રહ્યું છે.</p><p><br></p><h3><b>દેશના મોટા શહેરોમાં સોના ચાંદીના ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)&nbsp;</b></h3><table class="table table-bordered"><tbody><tr><td>શહેર&nbsp;</td><td>24 કેરેટ સોનાની કિંમત ( રૂપિયા/10 ગ્રામ) )</td><td>&nbsp;22 કેરેટ સોનાની કિંમત( રૂપિયા/10 ગ્રામ)</td></tr><tr><td>દિલ્હી</td><td>&nbsp;1,43,440&nbsp;</td><td>1,31,450&nbsp; &nbsp; &nbsp;&nbsp;</td></tr><tr><td>કોલકાતા&nbsp;</td><td>1,43,290&nbsp;</td><td>1,31,350&nbsp;&nbsp;</td></tr><tr><td>ચેન્નઈ&nbsp;</td><td>1,43,290</td><td>&nbsp;1,31,350&nbsp; &nbsp;</td></tr><tr><td>બેંગ્લોર&nbsp;</td><td>1,43,290&nbsp;</td><td>1,31,350&nbsp;&nbsp;</td></tr><tr><td>અમદાવાદ</td><td>&nbsp;1,43,340</td><td>&nbsp;1,31,400&nbsp; &nbsp;&nbsp;</td></tr><tr><td>વડોદરા&nbsp;</td><td>1,43,340&nbsp;</td><td>1,31,400&nbsp; &nbsp;&nbsp;</td></tr></tbody></table><p><br></p><div><a href="https://sandesh.com/astrology/news/bhakti/surya-guru-yuti-2026-mahalakshmi-rajyoga-has-been-formed-the-luck-of-4-zodiac-signs-will-shine-due-to-the-union-of-sun-and-guru" target="_blank">આ પણ વાંચો: Surya Guru Yuti 2026: બન્યો મહાલક્ષ્મી રાજયોગ ! સૂર્ય ગુરુની યુતિથી 4 રાશિની કિસ્મત ચમકશે</a></div><div><br></div> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/JHOHg1mlQKWSZJo3d1waBR7jFXs777mhgIbKTMdv.webp'/></item></channel></rss>