<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ram Mandir Donation Row: ચંપતરાયની એકમાત્ર ભૂલ હતી કે.. દાનચોરી મામલે કોષાધ્યક્ષ ગોવિંદ દેવગિરીનું નિવેદન ]]></title><link>https://sandesh.com/india/news/ram-mandir-donation-row-champatraiyas-only-mistake-was-treasurer-govind-devgiris-statement-on-donation-theft</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ram-mandir-donation-row-champatraiyas-only-mistake-was-treasurer-govind-devgiris-statement-on-donation-theft</guid><pubDate>Tue, 07 Jul 2026 15:14:56 +05:30</pubDate><description><![CDATA[<p>અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ ગિરીએ સ્વીકાર્યું કે પ્રસાદની ચોરી થઈ હતી અને ભૂલો થઈ હતી. તેમણે કહ્યું કે આવું પરિણામ ક્યારેય અપેક્ષિત નહોતું. ચંપત રાયે ખોટા લોકો પર વિશ્વાસ મૂક્યો હતો. ક્યાં ભૂલો થઈ તે ઓળખવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.</p><h2><b>સોમવારે મળી હતી મંદિર ટ્રસ્ટની બેઠક&nbsp;</b></h2><p>સોમવારે અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટની એક બેઠક મળી હતી, જેમાં ઘણી નવી વિગતો બહાર આવી હતી. રામ મંદિરમાં મળેલા પ્રસાદ અને ખર્ચનો વ્યાપક હિસાબ જાહેર કરવામાં આવ્યો હતો. ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા સ્વીકારવામાં આવ્યા હતા, અને ચંપત રાયની ફરજોની જવાબદારી કૃષ્ણ મોહનને સોંપવામાં આવી હતી. લગભગ ત્રણ કલાક ચાલેલી બેઠક દરમિયાન, ટ્રસ્ટના સભ્યોએ ચંપત રાય અને અનિલ મિશ્રા બંનેની કામગીરી અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા.</p><h3><b>ભૂલો ચોક્કસ થઇ છે- ગોવિંદ ગિરી&nbsp;</b></h3><p>સમાચાર એજન્સી સાથે વાત કરતા જણાવ્યું કે રામ મંદિર ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ ગિરીએ ટિપ્પણી કરી કે આવી પરિસ્થિતિ ક્યારેય કલ્પનામાં નહોતી. તેમણે સ્વીકાર્યું કે ભૂલો ચોક્કસપણે થઈ હતી. તેમણે એમ પણ કહ્યું કે&nbsp; ખાસ કરીને દાન પેટીઓ માંથી&nbsp; ચોરી થઈ હતી. તેમણે સ્વીકાર્યું કે સીઈઓની નિમણૂક અગાઉ થવી જોઈતી હતી અને કહ્યું કે ભૂલોની તપાસ ચાલી રહી છે.&nbsp; આ હેતુ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે તેઓ કોઈપણ પ્રકારના દબાણ હેઠળ કામ કરી રહ્યા નથી.</p><h4><b>ચંપતે ખોટા લોકો પર વિશ્વાસ કર્યો - ગોવિંદ ગિરી</b></h4><p>ગોવિંદ ગિરીએ વધુમાં જણાવ્યું કે ચંપત રાયએ ખોટા વ્યક્તિઓ પર વિશ્વાસ મૂક્યો હતો. તેમણે નોંધ્યું કે રાયને જવાબદાર ઠેરવી શકાય છે, જોકે આ મુદ્દો વ્યક્તિગત સ્વભાવનો નહોતો. ખરેખર, જો કોઈ ખોટું કામ ન થયું હોત તો રાજીનામું સ્વીકારવામાં આવ્યું ન હોત. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ફરજોના અમલમાં નિઃશંકપણે ભૂલો થઈ હતી, જેના કારણે રાજીનામું સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યું. તેમણે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) પર મૂકવામાં આવેલી અપેક્ષાઓ પર પ્રશ્ન ઉઠાવ્યો અને પૂછ્યું કે બેંકની જવાબદારીઓ શું હતી. તેમણે નોંધ્યું કે વર્તમાન પરિસ્થિતિ વરિષ્ઠ અધિકારીઓ તેમની જવાબદારીઓ પૂર્ણ કરવામાં નિષ્ફળ જવાને કારણે ઊભી થઈ છે. તેમણે ઉમેર્યું કે ચંપતની એકમાત્ર ભૂલ તેમના નજીકના લોકો પર વિશ્વાસ કરવાની હતી.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2074382810375487585"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b style="font-size: 1.5rem;">દાનમાં મળેલી વસ્તુઓ સુરક્ષિત - ગોવિંદ ગિરી&nbsp;</b></p><p>સોમવારે રામ મંદિર ટ્રસ્ટની બેઠક બાદ ખજાનચી ગોવિંદ દેવ ગિરીએ પુષ્ટિ આપી કે દાનમાં મળેલી બધી 2,800 વસ્તુઓ સુરક્ષિત છે. તેમણે જણાવ્યું હતું કે મંદિરમાં દાનમાં આપવામાં આવેલી કેટલીક વસ્તુઓની ચોરી અંગે અફવાઓ ફેલાવવામાં આવી હતી, જ્યારે વસ્તુઓ સંપૂર્ણપણે સલામત છે. તેમણે પુષ્ટિ આપી હતી કે કાકભુશુંડી, રામચરિતમાનસ અને પાદુકા સહતિ તમામ ભેટ&nbsp; સુરક્ષિત છે.</p><h4><b>દાનમાં આપેલી વસ્તુઓ ચોરાઇ હોવાની અફવા&nbsp;</b></h4><p>ગોવિંદ ગિરીએ રજિસ્ટર પ્રદર્શિત કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે મંદિરમાં દાનમાં આપવામાં આવેલી વસ્તુઓ કે જે ચોરાઈ ગઈ હોવાની અફવા હતી.&nbsp; ખરેખર સંપૂર્ણપણે સલામત છે. તેમણે ઉમેર્યું હતું કે બધી દાન કરાયેલી વસ્તુઓનો સંપૂર્ણ રેકોર્ડ અને રજિસ્ટર જાળવવામાં આવે છે. ગિરીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈ પણ તેમના ભવિષ્યના કાર્યો પર શંકા કરી શકશે નહીં.<br><br><a href="https://sandesh.com/astrology/news/bhakti/budh-gochar-2026-bank-balance-of-3-zodiac-signs-will-increase-mercury-will-change-its-course" target="_blank">આ પણ વાંચો-Budh Gochar 2026: 3 રાશિનું બેંક બેલેન્સ વધશે ! બુધ બદલશે ચાલ&nbsp;</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/LdFpATADjtZO5WOTJIe89Rce1kTDMk1pCNZdVwxw.webp'/></item><item><title><![CDATA[Pune Murder Case: સિયા અને ચેતનના 'ગુપ્ત લગ્ન'નો ચોંકાવનારો ખુલાસો, વોટ્સએપ ચેટ બન્યા પુરાવા ]]></title><link>https://sandesh.com/india/news/pune-murder-case-shocking-revelation-of-sia-and-chetans-secret-marriage-whatsapp-chat-becomes-evidence</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/pune-murder-case-shocking-revelation-of-sia-and-chetans-secret-marriage-whatsapp-chat-becomes-evidence</guid><pubDate>Tue, 07 Jul 2026 15:12:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મહારાષ્ટ્રના ચકચારી કેતન અગ્રવાલ હત્યા કેસમાં પોલીસ તપાસ દરમિયાન એક ચોંકાવનારો ખુલાસો થયો છે. અત્યાર સુધી જે ઘટનાને માત્ર એક પ્રેમ ત્રિકોણના પરિણામ તરીકે જોવામાં આવતી હતી, તે હકીકતમાં એક સુનિયોજિત ગુનાહિત કાવતરું હોવાનું સામે આવ્યું છે. મુખ્ય આરોપી સિયા ગોયલના મોબાઈલ ફોન ડેટા અને ડિજિટલ તપાસમાંથી પ્રાપ્ત થયેલી માહિતીએ પોલીસને પણ આશ્ચર્યચકિત કરી દીધી છે.</p><h2 style="text-align: justify; "><b>સિયા અને ચેતને ગુપચુપ કર્યા હતા લગ્ન</b></h2><p style="text-align: justify; ">તપાસમાં બહાર આવ્યું છે કે સિયા ગોયલ અને તેનો પ્રેમી ચેતન ચૌધરી કથિત રીતે હત્યાના ચાર મહિના પહેલા જ ગુપ્ત રીતે લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા. આ લગ્ન વિશે તેઓએ પોતાના પરિવાર કે કેતન અગ્રવાલને જાણ થવા દીધી ન હતી. પોલીસનું માનવું છે કે, જ્યારે કેતનને આ ગુપ્ત સંબંધો અને લગ્ન વિશે જાણ થઈ, ત્યારે જ તેની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.</p><h3 style="text-align: justify; "><b>ડિજિટલ ફોરેન્સિક તપાસમાં સામે આવી ચેટ્સ</b></h3><p style="text-align: justify; ">ડિજિટલ ફોરેન્સિક તપાસમાં મળેલા વોટ્સએપ ચેટ્સ આ કેસમાં સૌથી મજબૂત પુરાવા સાબિત થઈ રહ્યા છે. ચેટ્સ દર્શાવે છે કે સિયાએ 14 જૂને જ કેતનની હત્યાનો પ્રથમ પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સમયે તે હિંમત હારી ગઈ હતી. સિયાએ ચેતનને મેસેજમાં લખ્યું હતું, "મારામાં આવું કરવાની હિંમત નથી, ચાલો, આપણે તેને એકસાથે પર્વત પરથી ધકેલી દઈએ." ત્યારબાદ, પૂર્વયોજિત યોજના મુજબ 18 જૂને સિયાએ કેતનને જન્મદિવસની પાર્ટીના બહાને લોહાગઢ કિલ્લા પર લઈ ગઈ અને ત્યાં તેને ઊંચાઈ પરથી કોતરમાં ધકેલીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી.</p><h4 style="text-align: justify; "><b>દાદા આઘાત ન સહન કરતા મૃત્યુ પામ્યા</b></h4><p style="text-align: justify; ">ઉલ્લેખનીય છે કે, સિયા અને કેતનની સગાઈ થઈ ચૂકી હતી, છતાં સિયાએ ચેતન સાથે મળીને આ ભયાનક પગલું ભર્યું. આ આઘાતજનક ઘટના બાદ કેતનના દાદા દેવીચંદ્ર અગ્રવાલ પણ આઘાત સહન ન કરી શકતા અવસાન પામ્યા હતા, જેનાથી પરિવાર પર બેવડો દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.</p><h5 style="text-align: justify; "><b>પીડિત પરિવારની ન્યાયની માંગ</b></h5><p style="text-align: justify; ">આ કેસની ગંભીરતાને જોતા હવે તે રાજ્ય સરકાર સુધી પહોંચ્યો છે. પીડિત પરિવારની વિનંતીને માન આપીને મુખ્યમંત્રી ફડણવીસે આ કેસ લડવા માટે વરિષ્ઠ વકીલ ઉજ્જવલ નિકમની નિમણૂક કરી છે. પોલીસ હાલમાં સિયા અને ચેતનની કસ્ટડીમાં વધુ પૂછપરછ કરી રહી છે, જેથી આ કાવતરામાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તે અંગે સ્પષ્ટતા થઈ શકે. આ હત્યાકાંડે સમાજમાં ભય અને આશ્ચર્યની લાગણી ફેલાવી દીધી છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/cockroach-janata-party-abhijeet-deepke-attacks-the-government-saying-how-long-will-the-elderly-take-decisions" target="_blank">આ પણ વાંચોઃ cockroach janata party: અભિજીત દિપકેનો સરકાર પર પ્રહાર, કહ્યું 'વૃદ્ધ લોકો ક્યાં સુધી નિર્ણય લેશે?'</a></b></p> ]]></description></item><item><title><![CDATA[Monsoon 2026 : ગુજરાતમાંથી ચોમાસાની સિસ્ટમ પસાર.. 23 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી ]]></title><link>https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-ujarat-rain-forecast-red-alert-surat-navsari-valsad-port-signal-3</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-ujarat-rain-forecast-red-alert-surat-navsari-valsad-port-signal-3</guid><pubDate>Tue, 07 Jul 2026 15:06:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તેવી પૂરેપૂરી શક્યતા છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, રાજ્યમાં એકસાથે ત્રણ શક્તિશાળી સિસ્ટમ સક્રિય થઈ છે, જેમાં ‘વેલ માર્ક્ડ લો પ્રેશર’, ‘વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ’ અને ‘ટ્રફ’નો સમાવેશ થાય છે. આ ત્રિપુટી સિસ્ટમને કારણે સમગ્ર ગુજરાતમાંથી ચોમાસાની મુખ્ય લાઈન પસાર થઈ રહી છે, જેને પગલે આગામી ૨૪ કલાક રાજ્ય માટે અત્યંત ભારે સાબિત થઈ શકે છે.</p><h2 style="text-align: justify; "><b>દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો માટે ‘રેડ એલર્ટ’</b></h2><p style="text-align: justify; ">હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો માટે ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે. આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, ડાંગ અને ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની આશંકા છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ</b></h3><p style="text-align: justify; ">આ સિવાય સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, ખેડા અને અરવલ્લી જિલ્લાઓમાં ‘ઓરેન્જ એલર્ટ’ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે જુનાગઢ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થઈ શકે છે.</p><h4 style="text-align: justify; "><b>અમદાવાદમાં થન્ડર સ્ટોર્મ સાથે વરસાદની આગાહી&nbsp;</b></h4><p style="text-align: justify; ">રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદમાં પણ પવન અને વીજળીના કડાકા-ભડાકા એટલે કે ‘થન્ડર સ્ટોર્મ’ એક્ટિવિટી સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે. આ આકાશી આફત અને તીવ્ર પવનને પગલે ગુજરાતના તમામ બંદરો  પર ભયસૂચક ૩ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. દરિયામાં ઉંચા મોજા ઉછળવાની અને તેજ પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવા માટે તંત્ર દ્વારા કડક તાકીદ કરવામાં આવી છે. વહીવટી તંત્ર પણ નીચાણવાળા વિસ્તારો પર સતત નજર રાખી રહ્યું છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-2008-serial-blast-case-high-court-verdict-sanjay-paswan" target="_blank"><b>Ahmedabad બ્લાસ્ટ કેસ : " મારા શરીરમાં આજેય બોમ્બના છરા છે " કહેતા પીડિત સંજય પાસવાને ચૂકાદાને સહર્ષ સ્વીકાર્યો, વાંચો તે દિવસે શું થયેલું..</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/GdFkxjY6GWgXAzcz2QHQZZyToWbrpGP26EYkTlvQ.webp'/></item><item><title><![CDATA[Lock Upp Season 2: ગોવિંદા ગમે ત્યાં જાય....50 અફેર કરે...કહેતાં ધ્રુસકે-ધ્રુસકે રોઈ પડી સુનિતા આહુજા, જાણો મામલો ]]></title><link>https://sandesh.com/entertainment/news/lock-upp-season-2-sunita-ahuja-bursts-into-tears-saying-govinda-goes-anywherehas-an-affair-know-the-matter</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/lock-upp-season-2-sunita-ahuja-bursts-into-tears-saying-govinda-goes-anywherehas-an-affair-know-the-matter</guid><pubDate>Tue, 07 Jul 2026 14:49:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલિવૂડ સુપરસ્ટાર ગોવિંદાની પત્ની સુનિતા આહુજા હાલમાં રિયાલિટી શો 'લોક અપ'માં પોતાના વન-લાઇનર્સ અને બિન્દાસ અંદાજને કારણે ભારે ચર્ચામાં છે. શોમાં પોતાના દિલ ખોલીને વાત કરનારી સુનિતાએ તાજેતરમાં જ પતિ ગોવિંદા સાથેના સંબંધો અને તેમના કથિત અફેરને લઈને એવા ખુલાસા કર્યા છે, જેણે સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી છે. વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી શિલ્પા શિંદે સાથેની તકરાર અને સુનિતાના ચોંકાવનારા નિવેદનો સમાચોરની હેડલાઈન બન્યા છે. જાણો સુનિતા આહુજા આખરે કેમ લોકઅપ સિઝન 2માં રોવા લાગી.</p><h2 style="text-align: justify; "><b>સુનિતા- શિલ્પા શિંદેની થઈ ઉગ્ર બોલાચાલી</b></h2><p style="text-align: justify; ">શોમાં વાઇલ્ડ કાર્ડ તરીકે એન્ટ્રી કરનારી અભિનેત્રી શિલ્પા શિંદે સાથે વાતચીત દરમિયાન મામલો ગરમાયો હતો. શિલ્પાએ જ્યારે સુનિતાને કહ્યું કે લોકો તેને ખોટી સમજે છે અને તે એટલી સ્પષ્ટવક્તા નથી, ત્યારે સુનિતાએ જડબાતોડ જવાબ આપતા કહ્યું, "હું લોકોને કહેવા માંગુ છું કે પહેલા તેઓ મારી જગ્યાએ પોતાને મૂકે અને પછી મારો ન્યાય કરે. મારું જીવન, મારા નિયમો છે. ગોવિંદા મારા પતિ છે, ભલે તે ૧૦ અલગ-અલગ જગ્યાએ જાય, હું તેમને છોડવાની નથી. હું મારા મૃત્યુ સુધી ગોવિંદાને પ્રેમ કરતી રહીશ."</p><h4 style="text-align: justify; "><b>"૫૦ વર્ષની મહિલા સાથે અફેર..." સુનિતાનો શિલ્પા પર પલટવાર</b></h4><p style="text-align: justify; ">બાદમાં રામ કપૂર સાથે વાત કરતી વખતે સુનિતાએ શિલ્પા પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેણે શિલ્પા પર કટાક્ષ કરતા કહ્યું કે, તેને અહીં માત્ર લોકોને ઉશ્કેરવા માટે મોકલવામાં આવી છે. જો તે હદ પાર કરશે તો તેણે મારી ખરીખોટી સાંભળવી પડશે. સુનિતાએ ગુસ્સામાં શિલ્પા પર પ્રહાર કરતા વધુમાં કહ્યું, "મારા પરિવાર વિશે વાત ના કર. મારા પતિનું ૫૦ વર્ષની મહિલા સાથે અફેર છે, તારા પિતા શું કરશે? તે મારા પતિ છે, તેમને જે કરવું હોય તે કરવા દો. કોઈને પણ તેમના પર ટિપ્પણી કરવાનો અધિકાર નથી."</p><h4 style="text-align: justify; "><b>શોમાં ભાવુક થઈને રડી પડી સુનિતા</b></h4><p style="text-align: justify; ">આ આક્રમક અંદાજ સિવાય શોમાં સુનિતાનો એક એકદમ નરમ અને ભાવુક ચહેરો પણ જોવા મળ્યો હતો. શોના નિયમો મુજબ જ્યારે તેને ખાવાનું ન મળ્યું ત્યારે તે ખૂબ જ રડી પડી હતી અને તેણે પોતાના બાળકો પાસે ઘરે પાછા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તે સમયે સહ-સ્પર્ધક રિતેશે તેને સાંત્વના આપીને શાંત પાડી હતી. જોકે, ચાહકો માટે સારા સમાચાર એ છે કે સુનિતા આ અઠવાડિયે એલિમેનેશનથી સંપૂર્ણ સુરક્ષિત છે. તેના દમદાર પર્ફોર્મન્સને કારણે શોને જોરદાર ટીઆરપી (TRP) મળી રહી છે, જેને જોતા મેકર્સ તેને કોઈ પણ સંજોગોમાં ઘરે મોકલવાનું જોખમ લઈ શકે તેમ નથી.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/ranveer-singh-birthday-special-from-being-a-waiter-at-starbucks-to-becoming-a-superstar-here-is-ranveer-singhs-struggle-story" target="_blank">આ પણ વાંચો : Ranveer Singh Birthday Special: સ્ટારબક્સમાં વેઈટરથી લઈને સુપરસ્ટાર બનવા સુધી, આવી છે રણવીર સિંહની સંઘર્ષગાથા</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/UKMR8JYuIyZhcVFyLOKMPAk0IVffrjHDYX2PAOml.webp'/></item><item><title><![CDATA[Gandhinagar: દહેગામ પંથક અને ગિફ્ટ સિટીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, સર્વત્ર ઠંડક પ્રસરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/dahegam-heavy-rain-gift-city-monsoon-updates-waterlogging</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/dahegam-heavy-rain-gift-city-monsoon-updates-waterlogging</guid><pubDate>Tue, 07 Jul 2026 14:05:14 +05:30</pubDate><description><![CDATA[<p>ગાંધીનગર જિલ્લામાં પણ મેઘરાજાએ વિધિવત રીતે ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે. આજે બપોર બાદ ગાંધીનગર અને ખાસ કરીને દહેગામ પંથકના વાતાવરણમાં અચાનક મોટો પલટો આવ્યો હતો. આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા બાદ જોરદાર પવન અને વીજળીના ગડગડાટ સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો. દહેગામ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારો જેવા કે ખાનપુર, પાલૈયા, બબલપુરા, લીહોડા અને સાપા સહિતના ગામોમાં સીઝનનો પ્રથમ મોટો વરસાદ ખાબકતા ચારેય તરફ પાણી જ પાણી થઈ ગયું હતું.</p><h2><b>ગિફ્ટ સિટીમાં આહલાદક વાતાવરણ, બફારાથી મુક્તિ</b></h2><p>ગાંધીનગરના આધુનિક ગિફ્ટ સિટી વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી પાટનગરવાસીઓ અસહ્ય ગરમી અને અકળાવનારા બફારાનો સામનો કરી રહ્યા હતા, ત્યારે આ વરસાદી માહોલના કારણે સમગ્ર શહેરમાં ગુલાબી ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે. જોકે, દહેગામના કેટલાક નીચાણવાળા સોસાયટી વિસ્તારો અને મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકોના વાહનો બંધ પડી ગયા હતા, જેને લીધે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડી હતી.</p><h3><b>ખેડૂતોમાં આનંદની હેલી, વાવણીના શ્રીગણેશ</b></h3><p>આ વરસાદ દહેગામ પંથકના ગ્રામીણ વિસ્તારો માટે આશીર્વાદ સમાન સાબિત થયો છે. લાંબા સમયથી વરસાદની કાગડોળે રાહ જોઈ રહેલા ચરોતર અને ઉત્તર ગુજરાતના સરહદી એવા આ પંથકના ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. કૃષિ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ વરસાદ સંપૂર્ણપણે વાવણીલાયક હોવાથી ધરતીપુત્રો હવે કપાસ, મકાઈ અને શાકભાજી સહિતના ખરીફ પાકોના વાવેતરના શ્રીગણેશ કરશે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા દહેગામ નગરપાલિકાની ટીમોને પાણીના નિકાલ માટે તાકીદે એક્શનમાં આવવા સૂચના આપવામાં આવી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/navsari/shantadevi-road-compound-wall-collapse-heavy-rain-vehicles-damaged" target="_blank">આ પણ વાંચો: Navsari: શાંતાદેવી રોડ પર દીવાલ તૂટી પડતાં નીચે પાર્ક કરેલી કાર અને બાઇકનો નીકળ્યો કચ્ચરઘાણ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/MhZHDkKw8q8tDGfgNtzxBhs2GD0PsSwT8TavmoDf.webp'/></item><item><title><![CDATA[Navsari: શાંતાદેવી રોડ પર દીવાલ તૂટી પડતાં નીચે પાર્ક કરેલી કાર અને બાઇકનો નીકળ્યો કચ્ચરઘાણ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/navsari/shantadevi-road-compound-wall-collapse-heavy-rain-vehicles-damaged</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/navsari/shantadevi-road-compound-wall-collapse-heavy-rain-vehicles-damaged</guid><pubDate>Tue, 07 Jul 2026 13:56:37 +05:30</pubDate><description><![CDATA[<p>નવસારી શહેરમાં સતત વરસી રહેલા મુશળધાર વરસાદના લીધે જર્જરિત અને નબળા બાંધકામો ધરાશાયી થવાની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે. નવસારી શહેરના વ્યસ્ત ગણાતા શાંતાદેવી રોડ પર આજે એક મકાનની કમ્પાઉન્ડ વોલ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ હતી. છેલ્લા બે દિવસથી થઈ રહેલા સતત વરસાદના કારણે દીવાલના પાયામાં પાણી ઉતરી જતાં કમ્પાઉન્ડ વોલ અચાનક રોડ તરફ નમી પડી હતી અને જોતજોતામાં મોટા અવાજ સાથે તૂટી પડી હતી.</p><h2><b>રસ્તા પર પાર્ક કરેલા વાહનો દબાયા, સ્થાનિકોમાં દોડધામ</b></h2><p>દીવાલ જે દિશામાં તૂટી તે તરફ રસ્તાની બાજુમાં સ્થાનિક રહીશોની એક કાર અને મોટરસાઇકલ પાર્ક કરેલી હતી. ભારેખમ ઇંટો અને સિમેન્ટનો કાટમાળ સીધો આ વાહનો પર પડવાના કારણે કારની છત અને બોનેટનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો, જ્યારે બાઇક પણ સંપૂર્ણપણે કચડાઈ ગઈ હતી. અચાનક દીવાલ પડવાના પ્રચંડ અવાજથી આજુબાજુના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તુરંત નવસારી મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમને આ અંગે જાણ કરી હતી.</p><h3><b>તંત્રએ યુદ્ધના ધોરણે રસ્તો સાફ કર્યો</b></h3><p>બનાવની જાણ થતાં જ નવસારી મનપાની ઇમરજન્સી શાખા અને ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. શાંતાદેવી રોડ પર વાહનોની અવરજવર ખોરવાય નહીં તે માટે મનપાના કર્મચારીઓએ જેસીબી અને ક્રેન ટ્રેક્ટરની મદદથી દીવાલના મોટા પથ્થરો અને કાટમાળને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. સુખદ બાબત એ રહી કે જ્યારે આ દીવાલ પડી ત્યારે રસ્તા પરથી કોઈ રાહદારી કે વાહનચાલક પસાર થઈ રહ્યો ન હતો, જેના કારણે એક બહુ મોટી જાનહાનિ ટળી ગઈ છે. તંત્ર દ્વારા નાગરિકોને જૂની અને નબળી દીવાલો કે જર્જરિત મકાનો આસપાસ પોતાના વાહનો પાર્ક ન કરવા ખાસ તાકીદ કરવામાં આવી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/kutch/bhuj-vayor-psi-indravijaysinh-gohil-acb-trap-bribery-case-absconding" target="_blank">આ પણ વાંચો: Kutch: ભુજમાં વાયોર પોલીસ સ્ટેશનના PSI 40 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/VLKcAOyQOpVlmSf2zuEQT0qy0GXRsmyo3fsBl8rJ.webp'/></item><item><title><![CDATA[Ahmedabad બ્લાસ્ટ કેસ : " મારા શરીરમાં આજેય બોમ્બના છરા છે " કહેતા પીડિત સંજય પાસવાને ચૂકાદાને સહર્ષ સ્વીકાર્યો, વાંચો તે દિવસે શું થયેલું.. ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-2008-serial-blast-case-high-court-verdict-sanjay-paswan</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-2008-serial-blast-case-high-court-verdict-sanjay-paswan</guid><pubDate>Tue, 07 Jul 2026 13:07:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વર્ષ 2008માં સમગ્ર ગુજરાત અને દેશને હચમચાવી મુકનાર અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઇકોર્ટે એક અત્યંત મહત્વનો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે નીચલી અદાલતદ્વારા ફટકારવામાં આવેલી સજાને સંપૂર્ણપણે યથાવત રાખી છે, જેમાં 38 આતંકવાદીઓને ફાંસીની સજા અને 11 આતંકીઓને આજીવન કેદની સજાનો સમાવેશ થાય છે. કોર્ટે આ કેસમાં નીચલી અદાલતના ચુકાદા સામે કરાયેલી તમામ 3 અરજીઓને ફગાવી દીધી છે. આ ચુકાદાને બ્લાસ્ટના પીડિતોએ સહર્ષ સ્વીકારીને ન્યાયતંત્ર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે, પરંતુ સાથે જ આતંકીઓને વહેલી તકે ફાંસીના માચડે લટકાવવાની માંગ પણ બુલંદ બની છે.</p><h2 style="text-align: justify; "><b>પીડિત સંજય પાસવાનની કાળજું કંપાવતી વેદના</b></h2><p style="text-align: justify; ">આ ઐતિહાસિક ચુકાદા બાદ 2008ના બ્લાસ્ટમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા પીડિત સંજય પાસવાને પોતાની આપવીતી અને દર્દ મીડિયા સમક્ષ ઠાલવ્યું હતું. બ્લાસ્ટ થયો ત્યારે ઘટનાસ્થળે જ હાજર રહેલા સંજય પાસવાને જણાવ્યું કે, "હું હાઇકોર્ટના આ ચુકાદાનું સન્માન કરું છું અને તેને સહર્ષ સ્વીકારું છું. ન્યાય પ્રક્રિયાએ સાબિત કરી દીધું છે કે પાપનો ઘડો એક દિવસ ચોક્કસ ભરાય છે. પરંતુ અમારું જે શારીરિક અને માનસિક નુકસાન થયું છે તેની ભરપાઈ કોઈ કરી શકે તેમ નથી."</p><h3 style="text-align: justify; "><b>મારા શરીરમાં બોમ્બના ત્રણ છરા મોજૂદ છે</b></h3><p style="text-align: justify; ">તેમણે ધ્રુજતા અવાજે ઉમેર્યું, "બ્લાસ્ટના તે ભયાનક દિવસ બાદ મેં સતત ત્રણ મહિના સુધી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. આજે આટલા વર્ષો વીતી ગયા હોવા છતાં મારા શરીરમાં બોમ્બના ત્રણ છરા મોજૂદ છે. જો પગમાં આજીવન પાટો બાંધેલો હોય તો જ હું માંડ-માંડ ચાલી શકું છું. આ હુમલો પાકિસ્તાન પ્રેરિત આતંકી કાવતરું હતું જેણે હજારો પરિવારોને બરબાદ કરી દીધા." સંજય પાસવાને વેદના વ્યક્ત કરતા કહ્યું કે અત્યાર સુધી તેમને કોઈ યોગ્ય સરકારી વળતર મળ્યું નથી, પરંતુ હવે ગુનો સાબિત થયા બાદ આતંકીઓને તાત્કાલિક ફાંસી આપવી જોઈએ, તેમાં હવે જરાય રાહ ન જોવી જોઈએ. આ હુમલામાં 40 જેટલા પરિવારોએ પોતાના કમાતા અને વહાલા સ્વજનો ગુમાવ્યા હતા અને ૨૫૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા.</p><h4 style="text-align: justify; "><b>પીડિત પરિવારની કાળજું કંપાવતી વેદના&nbsp;</b></h4><p style="text-align: justify; ">2008 બ્લાસ્ટમાં પિતા ગુમાવનાર પીડિતે વેદના ઠાલવતા કહ્યું, ‘મેં પિતાજીને ના પાડી હતી, તોય તેઓ સાયકલ મૂકીને ગયા અને તેમાં જ બ્લાસ્ટ થયો.’ ન્યાય માટે હવે આતંકીઓ અરજીઓ કરીને સમય ન બગાડે, પીડિત પરિવારોની એક જ માંગ છે કે આવા નરાધમોને વહેલી તકે ફાંસીના માચડે લટકાવવામાં આવે.</p><h4 style="text-align: justify; "><b>પ્રત્યક્ષદર્શી તુલસી ભીલની કાળજું કંપાવતી આપવીતી&nbsp;</b></h4><p style="text-align: justify; ">બ્લાસ્ટના પ્રત્યક્ષદર્શી તુલસી ભીલે ચુકાદા પર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, આવા આતંકીઓને જાહેરમાં ફાંસી આપવી જોઈએ. બ્લાસ્ટ થતાં જ પોતાની ચાની કિટલી છોડી તેઓ ટ્રોમા સેન્ટર સેવા કરવા દોડ્યા હતા, જ્યાં બીજો બ્લાસ્ટ થયો. તેમને 14 છરા વાગ્યા હતા અને આજેય તેમના પગમાં એક છરો મોજૂદ છે.</p><h4 style="text-align: justify; "><b>હાઇકોર્ટ દ્વારા પીડિતોને વળતર ચૂકવવાનો મહત્વનો આદેશ</b></h4><p style="text-align: justify; ">ગુજરાત હાઇકોર્ટે માત્ર સજા જ યથાવત નથી રાખી, પરંતુ પીડિતોની આર્થિક અને સામાજિક સ્થિતિને ધ્યાનમાં રાખીને વળતર ચૂકવવાનો પણ મોટો આદેશ આપ્યો છે. કોર્ટે તમામ વળતરની રકમ  ચૂકવી દેવાનો આદેશ રાજ્ય સરકારને આપ્યો છે. વળતરનું માળખું નીચે મુજબ નક્કી કરવામાં આવ્યું છે:</p><p style="text-align: justify; ">બોમ્બ બ્લાસ્ટમાં મૃતક પામેલા નિર્દોષ લોકોના આશ્રિતોને રૂ. 10 લાખનું વળતર આપવા આદેશ અપાયો છે તો જેઓ ગંભીર રીતે ઘવાયા છે અને જેમના અંગોને નુકસાન થયું છે તેવા પીડિતોને રૂ. 5 લાખનું વળતર ચૂકવવા આદેશ અપાયો છે.  બ્લાસ્ટમાં ઇજાગ્રસ્ત થયેલા અન્ય લોકોને રૂ. 1 લાખનું વળતર આપવા આદેશ કરાયો છે.</p><h4 style="text-align: justify; "><b>સરકારી વકીલ અમિત પટેલે શું કહ્યું</b></h4><p style="text-align: justify; ">સરકારી વકીલ અમિત પટેલે મીડિયાને કહ્યું હતું કે 18 વર્ષની લાંબી સુનાવણી બાદ હાઇકોર્ટે સ્પે. કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો છે. અમિત પટેલે જણાવ્યું કે, 38 દોષિતોની ફાંસી અને 11ની આજીવન કેદની સજા યથાવત રખાઈ છે. આ સાથે જ હાઇકોર્ટે સરકારને પીડિતો માટે વળતર ચૂકવવાનો પણ અત્યંત મહત્વનો આદેશ કર્યો છે.</p><p style="text-align: justify; "><b style="font-size: 1.5rem;">26 જુલાઈ 2008ની 90 મિનિટ જેણે અમદાવાદને લોહીલુહાણ કર્યું</b></p><p style="text-align: justify; ">26 જુલાઈ 2008 શનિવારનો એ કાળો દિવસ અમદાવાદના ઇતિહાસમાં ક્યારેય ન ભૂલી શકાય તેવો છે. સાંજે 6.15 થી 7.45 વાગ્યા સુધીના માત્ર 90 મિનિટના ગાળામાં અમદાવાદ શહેરના અલગ-અલગ 20 વિસ્તારોમાં 21 જેટલા ઉપરાઉપરી સિરિયલ બ્લાસ્ટ થયા હતા. આતંકીઓએ અત્યંત ક્રૂરતાપૂર્વક સાઇકલ, કાર અને સરકારી બસોમાં એલપીજી સિલિન્ડર સાથે બોમ્બ પ્લાન્ટ કર્યા હતા. આ બ્લાસ્ટમાં 56 નિર્દોષ નાગરિકોના કરુણ મોત નિપજ્યા હતા, જ્યારે 246 થી વધુ લોકો ગંભીર રીતે ઘવાયા હતા.</p><p style="text-align: justify; "><img alt="2008 Ahmedabad Blast Case: Gujarat High Court Upholds Death Penalty for 38 Convicts, Victim Demands Immediate Hanging." src="https://epapercdn.sandesh.com/images/2026/07/07/qSCx6wb2QTzBQNpqpshw0mq8vbuOr3wM8MfYwR64.webp"><br></p><h4 style="text-align: justify; "><b>હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બહાર પાર્ક કરેલી કારમાં પણ બ્લાસ્ટ</b></h4><p style="text-align: justify; ">આતંકવાદીઓની ક્રૂરતાની હદ તો ત્યારે વટાવી ગઈ જ્યારે તેમણે સિવિલ હોસ્પિટલ અને એલ.જી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બહાર પાર્ક કરેલી વેગન આર અને મારુતિ કારમાં પણ બોમ્બ બ્લાસ્ટ કર્યા. હોસ્પિટલમાં જ્યારે ઇજાગ્રસ્તોને લાવવામાં આવી રહ્યા હતા ત્યારે જ ત્યાં બીજો બ્લાસ્ટ કરીને વધુમાં વધુ તબીબો અને દર્દીઓને મારવાનું આયોજન હતું.</p><h4 style="text-align: justify; "><b>દેશના ઇતિહાસની સૌથી મોટી તપાસ અને ચુકાદો</b></h4><p style="text-align: justify; ">અમદાવાદ પોલીસે આ ઘટનાના માત્ર 19 જ દિવસમાં આખા આતંકી નેટવર્કનો પર્દાફાશ કરી દીધો હતો. વર્ષ 2009માં દાખલ થયેલા આ કેસનો ચુકાદો 13 વર્ષ બાદ 18 ફેબ્રુઆરી, 2022ના રોજ આવ્યો હતો. આ કેસમાં કુલ 35 એફઆઈઆર (અમદાવાદમાં 20 અને સુરતમાં 15) નોંધવામાં આવી હતી અને 548 ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. કાનૂની ઇતિહાસમાં પ્રથમ વખત 6 હજાર પુરાવા, 1163 સાક્ષીઓ તપાસીને 7 હજાર પેજનો ચુકાદો આપવામાં આવ્યો હતો. જેની પેપર બુક કુલ 7.88 લાખ પેજની છે. જેમાં અમદાવાદ સીટી સેશન્સ કોર્ટે દેશના ઈતિહાસમાં પહેલીવાર એકસાથે 38 આરોપીઓને ફાંસી અને 11 આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની કેદ ફટકારી હતી અને 29 આરોપીઓને નિર્દોષ છોડ્યા હતા.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><img alt="2008 Ahmedabad Blast Case: Gujarat High Court Upholds Death Penalty for 38 Convicts, Victim Demands Immediate Hanging." src="https://epapercdn.sandesh.com/images/2026/07/07/OGVpIgBNpd5TyLj5WT9lx3OzFr86jORRbMcRCjPE.webp"><br></p><h4 style="text-align: justify; "><b>હાલોલ આતંકી કેમ્પ: જ્યાં જેહાદના નામે અપાઈ હતી ટ્રેનિંગ</b></h4><p style="text-align: justify; ">તપાસમાં બહાર આવ્યું હતું કે આ બ્લાસ્ટનું આયોજન કરવા માટે જાન્યુઆરી 2008માં પંચમહાલના હાલોલ ખાતે આતંકી કેમ્પ યોજવામાં આવ્યો હતો. પ્રતિબંધિત સંગઠન SIMI (સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મુવમેન્ટ ઓફ ઇન્ડિયા) ના સફદર નાગોરીએ ગુજરાત આવીને હાલોલની જંગલવાળી જગ્યા પસંદ કરી હતી. અહીં 20 થી વધુ આતંકીઓએ ભાગ લીધો હતો, જેઓ ટ્રેકિંગના બહાને દરગાહના મુસાફરખાનામાં રોકાયા હતા. કયામુદ્દીન નામના આતંકીએ આ કેમ્પમાં પેટ્રોલ અને પાઇપ બોમ્બ બનાવવાની રીત શીખવી હતી. કેમ્પમાં જેહાદી ભાષણો આપીને ભીડવાળી જગ્યાઓ પર બ્લાસ્ટ કરવાનું આયોજન ઘડાયું હતું. આ આતંકીઓ ગુજરાત, મધ્યપ્રદેશ, કેરાલા, કર્ણાટક, ઉત્તર પ્રદેશ સહિત દેશના અલગ-અલગ 12 રાજ્યોના રહેવાસી હતા.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><img alt="2008 Ahmedabad Blast Case: Gujarat High Court Upholds Death Penalty for 38 Convicts, Victim Demands Immediate Hanging." src="https://epapercdn.sandesh.com/images/2026/07/07/szYWbcmwMlIeKZhJoyfmSYNT1vkSTYi7tmpDxtyX.webp"><br></p><h4 style="text-align: justify; "><b>ચુકાદાને પગલે હાઇકોર્ટ છાવણીમાં ફેરવાઈ</b></h4><p style="text-align: justify; ">હાઇકોર્ટના આ સંવેદનશીલ ચુકાદાને પગલે કોર્ટ પરિસરમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. DCP હર્ષદ પટેલની આગેવાનીમાં 120  થી વધુ પોલીસ જવાનો, સોલા અને ગુજરાત યુનિવર્સિટીના PI, તેમજ SRP ની ટુકડીઓ તહેનાત કરાઈ હતી. બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્ક્વોડ  દ્વારા સમગ્ર કોર્ટની તપાસ કરાઈ હતી અને દરેક મુલાકાતીને સઘન ચેકિંગ બાદ જ પ્રવેશ અપાયો હતો. એક અદ્ભુત સંયોગ એવો છે કે વર્ષ 2022માં નીચલી કોર્ટે જ્યારે સજા સંભળાવી ત્યારે પણ મંગળવાર હતો, અને આજે હાઇકોર્ટે પણ મંગળવારે જ આ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/india/ahmedabad/sandesh-digital-explainer-amarnath-yatra-ice-shivling-melting-reasons-global-warming-route-guide" target="_blank"><b> Sandesh Digital Explainer : અમરનાથ ગુફામાં હિમ શિવલિંગ વહેલા ઓગળવા પાછળના 5 ઇનસાઇડ કારણો..!</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/AiMzyMHWf1I6uOg3sOHWygii9zY3H6sg1OtGhFB6.webp'/></item><item><title><![CDATA[Rajkot: વરસાદી માહોલમાં ભજીયા ખાવા મોંઘા પડશે, સિંગતેલમાં રૂ. 50 અને કપાસિયા તેલમાં 30નો વધારો ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/edible-oil-price-hike-groundnut-oil-cottonseed-oil-rates-up</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/edible-oil-price-hike-groundnut-oil-cottonseed-oil-rates-up</guid><pubDate>Tue, 07 Jul 2026 12:48:43 +05:30</pubDate><description><![CDATA[<p>સૌરાષ્ટ્રના તેલ બજારના મુખ્ય કેન્દ્ર ગણાતા રાજકોટમાંથી સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે ચિંતાજનક અહેવાલ આવ્યા છે. ચોમાસાની સીઝન જામી છે અને આગામી સમયમાં તહેવારોની હારમાળા શરૂ થઈ રહી છે, બરાબર એ જ સમયે ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર તેજીનો કરંટ જોવા મળ્યો છે. હોલસેલ અને રીટેલ માર્કેટમાં સિંગતેલના 15 કિલોના નવા ડબ્બાના ભાવમાં સીધો રૂ. 50નો તોતિંગ વધારો જીંકી દેવામાં આવ્યો છે. આ વધારા સાથે સિંગતેલ સામાન્ય માણસની પહોંચથી વધુ દૂર થઈ ગયું છે.</p><h2><b>કપાસિયા તેલમાં પણ બળતામાં ઘી હોમાયું</b></h2><p>માત્ર સિંગતેલ જ નહીં, પરંતુ ગુજરાતના મોટાભાગના ઘરોમાં વપરાતા કપાસિયા તેલના ભાવમાં પણ રૂ. 30નો વધારો નોંધાયો છે. સામાન્ય રીતે સિંગતેલના ભાવ વધે ત્યારે મધ્યમ વર્ગ કપાસિયા તેલ તરફ વળતો હોય છે, પરંતુ કપાસિયામાં પણ ભાવ વધતા હવે રસોઈ બનાવવી મોંઘી સાબિત થશે. બજારના વેપારીઓના મતે, મિલોમાં કાચા માલની (કપાસિયા અને સિંગદાણા) ઓછી આવક અને આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિને કારણે ચાલુ વર્ષે સિંગતેલમાં શરૂઆતથી જ તેજીનો ટોન રહ્યો છે, જે અત્યારે પણ યથાવત છે.</p><h3><b>તહેવારોની મજા ફિક્કી, ગૃહિણીઓમાં રોષ</b></h3><p>ચોમાસાના ખુશહાલ વાતાવરણમાં ગુજરાતીઓ હોંશે-હોંશે ભજીયા, ગાંઠિયા અને અન્ય તળેલી વાનગીઓની મોજ માણતા હોય છે, પરંતુ તેલના આસમાને પહોંચેલા ભાવોને કારણે હવે ચોમાસામાં ભજીયા ખાવા પણ મોંઘા પડશે. ગૃહિણીઓનો આક્ષેપ છે કે દર વર્ષે તહેવારો નજીક આવે એટલે ઓઇલ મિલર્સ અને સટ્ટાખોરો દ્વારા તેલના ભાવ વધારી દેવામાં આવે છે, જેના પર સરકાર કે તંત્રનું કોઈ નિયંત્રણ હોતું નથી. આગામી દિવસોમાં જો સિંગતેલના ભાવ પર કાબૂ નહીં મેળવાય, તો તહેવારોની સીઝનમાં તેલ પકવાનના સ્વાદને બગાડી નાખશે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/kheda/kapadvanj-heavy-rain-nadiad-kathlal-mahemdavad-monsoon-updates" target="_blank">આ પણ વાંચો: Kheda Rain: જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ, વાવણીલાયક વરસાદથી ધરતીપુત્રો ખુશખુશાલ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/caYWZzmdnYmEUE8lSEjRGiisgZPbDMCN4NNMfMtF.webp'/></item><item><title><![CDATA[Kylian Mbappeને કોણે આપી લીગલ એક્શનની ધમકી, જાણો શું છે આખો વિવાદ ]]></title><link>https://sandesh.com/sports/news/who-threatened-kylian-mbappe-with-legal-action-know-what-the-whole-controversy-is-about</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/who-threatened-kylian-mbappe-with-legal-action-know-what-the-whole-controversy-is-about</guid><pubDate>Tue, 07 Jul 2026 12:41:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફૂટબોલ વર્લ્ડ કપની રોમાંચક મેચો બાદ હવે મેદાનની બહાર પણ એક મોટો વિવાદ છેડાયો છે.ફ્રાન્સના સ્ટાર ફૂટબોલર અને કેપ્ટન કાઈલિયન એમ્બાપ્પે (Kylian Mbappe) અને પરાગ્વેના મહિલા સીનેટર સેલેસ્ટે અમરિલા (Celeste Amarilla) સામસામે આવી ગયા છે. આ વિવાદ એટલો વધી ગયો છે કે પરાગ્વેના સીનેટરે એમ્બાપ્પે સામે કાનૂની પગલાં લેવાની અને જેન્ડર વાયોલન્સનો કેસ કરવાની ધમકી આપી દીધી છે.</p><h3 style="text-align: justify; "><b>વિવાદની શરૂઆત કેવી રીતે થઈ?</b></h3><p style="text-align: justify; ">આ સમગ્ર વિવાદની શરૂઆત વર્લ્ડ કપના રાઉન્ડ ઓફ 16ની મેચમાં ફ્રાન્સની પરાગ્વે સામેની જીત બાદ થઈ હતી. મેચ પછી પરાગ્વેના સીનેટર સેલેસ્ટે અમરિલાએ એમ્બાપ્પે પર આકરા પ્રહારો કરતા તેને કોલોનાઇઝ્ડ કેમરૂનિયન અને ફ્રેન્ચ હોવાનો ડોળ કરનારો,ઘમંડી,નવો અમીર અને કદરૂપો કહ્યો હતો.અમરિલાએ એવો પણ દાવો કર્યો હતો કે આખી મેચ દરમિયાન એમ્બાપ્પે અને તેની ટીમ ડરેલી હતી.</p><h4 style="text-align: justify; "><b>એમ્બાપ્પેનો પલટવાર</b></h4><p style="text-align: justify; ">સીનેટરની આ નસ્લવાદી (Racist) ટિપ્પણી પર એમ્બાપ્પેએ આકરા શબ્દોમાં વળતો પ્રહાર કર્યો હતો.એમ્બાપ્પેએ અમરિલાને ઘૃણાસ્પદ મહિલા ગણાવીને કહ્યું કે તમે આ પદ માટે લાયક નથી.તમે પરાગ્વેનું પ્રતિનિધિત્વ નથી કરતા,કારણ કે તે દેશે આખા ટૂર્નામેન્ટમાં જુસ્સા અને સન્માન સાથે રમત બતાવી છે. તમારા ખુલ્લેઆમ નસ્લવાદને કારણે દુનિયા પરાગ્વેના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન ભૂલી ગઈ છે અને તમારા જેવી અયોગ્ય મહિલાની છબી સામે આવી છે.હું દુનિયામાં નફરત ફેલાવવાની આઝાદી કોઈને નહીં આપું.</p><p style="text-align: justify; "><a href="https://x.com/CelesteSenadora/status/2074328338580025478?s=20" target="_blank">https://x.com/CelesteSenadora/status/2074328338580025478?s=20</a></p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>સીનેટર અમરિલાનો બચાવ અને એમ્બાપ્પે સામે નારાજગી</b></h4><p style="text-align: justify; ">એમ્બાપ્પેના જવાબ પછી, સીનેટર અમરિલાએ સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શેર કરીને પોતાનો બચાવ કર્યો હતો.તેમણે સ્પષ્ટતા કરી કે તેમને ફ્રાન્સ દેશ સામે કોઈ વાંધો નથી,પરંતુ સમસ્યા માત્ર એમ્બાપ્પેના ઘમંડ સામે છે.અમરિલાએ લખ્યું,સમસ્યા તમારી અને મારી વચ્ચે છે.મેં ફ્રાન્સ સામે ક્યારેય કંઈ નથી કહ્યું.હું તો નાનપણથી ફ્રેન્ચ સ્કૂલમાં ભણી છું,ફ્રેન્ચ બોલું છું અને ફ્રાન્સમાં રજાઓ ગાળવી મને ગમે છે.તેમણે એમ્બાપ્પે પર આરોપ લગાવ્યો કે મેચ પહેલા એમ્બાપ્પેએ પરાગ્વેની ટીમની મજાક ઉડાવી હતી,જેના કારણે ગુસ્સામાં આવીને તેમણે એ પોસ્ટ લખી હતી,જોકે બાદમાં તેમણે એ પોસ્ટ ડીલીટ પણ કરી દીધી હતી.</p><h4 style="text-align: justify; "><b>લૈંગિક હિંસાનો આરોપ અને કાનૂની ધમકી</b></h4><p style="text-align: justify; ">અમરિલાએ હવે એમ્બાપ્પે પાસે સાર્વજનિક માફીની માંગ કરી છે.તેમણે કહ્યું કે,તમે મને ઓળખતા નથી,તો તમે મને ઘટિયા કે નાકાબિલ કેવી રીતે કહી શકો? હું પરાગ્વેના હજારો લોકોના વોટથી ચૂંટાયેલી સીનેટર છું. આ સીધેસીધી લૈંગિક હિંસા અને રાજકીય હિંસા છે. તમે એક મહિલા હોવાના કારણે મારી નફરત કરી રહ્યા છો.સીનેટર અમરિલાએ અંતમાં ચીમકી આપતા લખ્યું છે કે,એમ્બાપ્પે પોતાનું નિવેદન પાછું ખેંચે અને માફી માંગે,નહીંતર તેઓ આ લૈંગિક હિંસા બદલ ફ્રેન્ચ કેપ્ટન સામે કાનૂની કાર્યવાહી કરશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-spain-scores-last-minute-goal-to-beat-portugal-1-0" target="_blank">FIFA World Cup 2026 : સ્પેને છેલ્લી ઘડીએ ગોલ કરીને પોર્ટુગલને 1-0 થી હરાવ્યું</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/NCPUH7Mzda99BfUaXviZRkXFXe4pAvn7k39ep8KW.webp'/></item><item><title><![CDATA[Gold Silver Price Today: 7 જુલાઇએ સોનું સસ્તુ, ચાંદીમાં પણ તેજીને બ્રેક, જાણો લેટેસ્ટ રેટ ]]></title><link>https://sandesh.com/business/news/gold-silver-price-today-gold-became-cheaper-on-july-7-silver-also-broke-its-rally-know-the-latest-rate</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/gold-silver-price-today-gold-became-cheaper-on-july-7-silver-also-broke-its-rally-know-the-latest-rate</guid><pubDate>Tue, 07 Jul 2026 11:42:33 +05:30</pubDate><description><![CDATA[<p>જો તમે આજે સોનું કે ચાંદી ખરીદવાનું આયોજન કરી રહ્યા છો, તો બહાર નીકળતા પહેલા નવીનતમ ભાવ તપાસવાનું ભૂલશો નહીં. આંતરરાષ્ટ્રીય બજારના વલણો, ડોલરની ગતિવિધિ અને સ્થાનિક માંગના આધારે આ ધાતુઓના ભાવ દેશભરમાં દરરોજ વધઘટ થાય છે.  તેથી ખરીદી કરતા પહેલા નવીનતમ ભાવ ચકાસવા જરૂરી છે. તમારા શહેરમાં ભાવ શોધવામાં મદદ કરવા માટે શહેરવાર સોના અને ચાંદીના ભાવ અહીં આપવામાં આવ્યા છે.&nbsp;</p><h2><b>આજે સોના ચાંદીનો ભાવ&nbsp;</b></h2><p>આજે સોના અને ચાંદીના ભાવમાં ફેરફાર આવ્યો છે.&nbsp; આજે સવારે સોનાનો ભાવ 0.31% ઘટીને ₹146915 પ્રતિ 10 ગ્રામ થયો. ચાંદીના ભાવમાં પણ 0.48 %નો ઘટાડો થયો છે. એટલે કે ₹1135નો ઘટાડો થતા ભાવ પ્રતિ કિલોગ્રામ ₹236275 થયો છે.&nbsp;</p><p>આંતરરાષ્ટ્રીય બજારમાં (કોમેક્સ) ભાવમાં અસ્થિરતા ચાલુ છે. કોમેક્સ પર, સોનું 0.54% ઘટીને લગભગ $4,144 પ્રતિ ઔંસના સ્તરે પહોંચ્યું છે, જ્યારે ચાંદીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.&nbsp; ચાંદી 1.42% ઘટીને $61.445 પ્રતિ ઔંસની આસપાસ ટ્રેડ કરી રહી છે.</p><p>આજે ભારતના મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર દબાણ જોવા મળ્યું. તાજેતરની તેજી બાદ નફા-બુકિંગને કારણે, MCX પર સોનાના ભાવ ઘટીને ₹1.45–₹1.47 લાખ પ્રતિ 10 ગ્રામ થયા છે. ચાંદીના ભાવ પણ ધીમા પડી ગયા છે, જે ₹2.32–₹2.34 લાખ પ્રતિ કિલોગ્રામની નજીક ટ્રેડ કરી રહ્યા છે. એકંદરે, આજે સવારે સોનામાં 0.53% અને ચાંદીમાં 1.01% નો ઘટાડો નોંધાયો હતો.&nbsp;</p><h3><b>દેશના મોટા શહેરોમાં શું છે સોના ચાંદીનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)&nbsp;</b></h3><table class="table table-bordered"><tbody><tr><td><b>શહેર&nbsp;</b></td><td><b>24 કેરેટ સોનાની કિંમત ( રૂપિયા/10 ગ્રામ) )</b></td><td><b>&nbsp;22 કેરેટ સોનાની કિંમત( રૂપિયા/10 ગ્રામ)</b></td></tr><tr><td>દિલ્હી</td><td>&nbsp;1,45,410&nbsp;</td><td>1,33,300&nbsp; &nbsp;&nbsp;</td></tr><tr><td>કોલકાતા</td><td>&nbsp;1,45,260</td><td>&nbsp;1,33,150&nbsp;&nbsp;</td></tr><tr><td>ચેન્નઈ&nbsp;</td><td>1,46,180</td><td>&nbsp;1,34,000&nbsp; &nbsp;</td></tr><tr><td>બેંગ્લોર</td><td>&nbsp;1,45,260&nbsp;</td><td>1,33,150&nbsp; &nbsp;&nbsp;<br></td></tr><tr><td>અમદાવાદ</td><td>&nbsp;1,45,310</td><td>&nbsp;1,33,200&nbsp;</td></tr><tr><td>વડોદરા&nbsp;</td><td>1,45,310&nbsp;</td><td>1,33,200&nbsp; &nbsp; &nbsp;</td></tr></tbody></table><p><br></p><p>Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.</p><p><br></p><p><a href="https://sandesh.com/astrology/news/bhakti/budh-gochar-2026-bank-balance-of-3-zodiac-signs-will-increase-mercury-will-change-its-course" target="_blank">આ પણ વાંચો-Budh Gochar 2026: 3 રાશિનું બેંક બેલેન્સ વધશે ! બુધ બદલશે ચાલ&nbsp;</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/03/15/XRZVVuqnnGNl4izHvZiL4oLwNGzcVLHqKUnasgnK.webp'/></item></channel></rss>