<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Jamnagar:'લેમન ટી' માંથી ઓનલાઇન વેજ પાસ્તા મંગાવતા નીકળ્યા નોનવેજના ટુકડા, હોટલને રૂ. 10 હજારનો દંડ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/jamnagar/jamnagar-hotel-lemon-tree-zomato-online-veg-pasta-nonveg-found-fine-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/jamnagar/jamnagar-hotel-lemon-tree-zomato-online-veg-pasta-nonveg-found-fine-2026</guid><pubDate>Sat, 27 Jun 2026 14:42:46 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જો તમે જામનગરમાં રહો છો અને ઓનલાઇન ફૂડ મંગાવવાના શોખીન છો, તો આ સમાચાર તમારા માટે આંખ ઉઘાડનારા સાબિત થઈ શકે છે. જામનગરમાં ઓનલાઇન વેજ ભોજનના ઓર્ડરમાં નોનવેજ મિક્સ થઈને આવી જવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેને પગલે શાકાહારી નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>લેમન ટી' નામની હોટલમાંથી એક ગ્રાહકે પાસ્તા મંગાવ્યા</b></h2><p style="text-align: justify; ">દિગ્જામ સર્કલ પાસે આવેલી પ્રખ્યાત 'લેમન ટી' નામની હોટલમાંથી એક ગ્રાહકે ઓનલાઇન ફૂડ ડિલિવરી એપ્લિકેશન ઝોમેટો  મારફતે શુદ્ધ શાકાહારી વેજ પાસ્તાનો ઓર્ડર આપ્યો હતો.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>નોનવેજના ટુકડા મળી આવ્યા</b></h2><p style="text-align: justify; ">જો કે, ભોજન પાર્સલ ઘરે આવ્યા બાદ જ્યારે ગ્રાહકે ખાવાનું શરૂ કર્યું ત્યારે પાસ્તાની અંદરથી નોનવેજના ટુકડા મળી આવતા ગ્રાહક સ્તબ્ધ થઈ ગયો હતો.</p><h3 style="text-align: justify; "><b>હોટલ સંચાલકો વિરુદ્ધ લેખિતમાં કડક ફરિયાદ નોંધાવી&nbsp;</b></h3><p style="text-align: justify; ">વેજ ભોજનમાંથી અચાનક માસના ટુકડા નીકળતા ગ્રાહકની ધાર્મિક લાગણી ખૂબ જ ગંભીર રીતે દુભાઈ હતી. આ ગંભીર બેદરકારી સામે ગ્રાહકે તાત્કાલિક જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાનો સંપર્ક કર્યો હતો અને હોટલ સંચાલકો વિરુદ્ધ લેખિતમાં કડક ફરિયાદ નોંધાવી હતી. ગ્રાહકે આક્રોશ સાથે માંગ કરી હતી કે આવી બેદરકારી દાખવતી હોટલો સામે તંત્ર દ્વારા કડક અને દાખલારૂપ પગલાં લેવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ અન્ય નાગરિકના ધર્મ અને લાગણી સાથે ચેડાં ન થાય.</p><h4 style="text-align: justify; "><b>&nbsp;હોટલ લેમન ટી પર તપાસ&nbsp;</b></h4><p style="text-align: justify; ">ગ્રાહકની ફરિયાદને આધારે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા એક્શન મોડમાં આવી હતી અને તુરંત જ હોટલ લેમન ટી પર તપાસ હાથ ધરી હતી. ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા હોટલના કિચન અને સ્વચ્છતાના ધોરણોની ચકાસણી કરવામાં આવી હતી.&nbsp;</p><h5 style="text-align: justify; "><b>10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો&nbsp;</b></h5><p style="text-align: justify; ">આ મામલે પ્રાથમિક ક્ષતિ બદલ તંત્ર દ્વારા બેદરકાર હોટલ સંચાલકોને રૂપિયા 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે જ ફૂડ વિભાગે હોટલને કડક તાકીદ કરી છે કે ભવિષ્યમાં જો શાકાહારી ભોજનમાં નોનવેજ મિક્સ થવાની આવી કોઈ પણ પ્રકારની બેદરકારી ફરી સામે આવશે, તો હોટલનું લાયસન્સ રદ કરીને તેને સીલ કરી દેવામાં આવશે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; <a href="https://sandesh.com/explainer/news/world/sandesh-digital-explainer-europe-heatwave-heat-dome-climate-change-france-paris" target="_blank"><b>Sandesh Digital Explainer : યુરોપના તમામ દેશોમાં ‘હીટ ડોમ’નો કાળો કેર, AC ખરીદવા પડાપડી, જાણો આટલી બધી ભીષણ ગરમીનું અસલી કારણ</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/ITWdvgIBzv2ZBOzGAidsYqeie2IPwGa0YBY0QVPA.webp'/></item><item><title><![CDATA[YouTubeથી બોલીવુડ સુધી છવાઈ આ હસીના, Netflixની એક સિરીઝે બનાવી સુપરસ્ટાર! ]]></title><link>https://sandesh.com/entertainment/news/youtube-sensation-to-bollywood-star-how-netflix-series-changed-this-actress-life</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/youtube-sensation-to-bollywood-star-how-netflix-series-changed-this-actress-life</guid><pubDate>Sat, 27 Jun 2026 14:33:13 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડના ઘણા સિતારાઓ એવા છે જેમણે પોતાના ટેલેન્ટથી ઓડિયન્સના દિલમાં જગ્યા બનાવી છે. આજે અમે જે એક્ટ્રેસની વાત કરવા જઈ રહ્યા છીએ તે સોશિયલ મીડિયા પર ખૂબ ફેમસ છે. આ એક્ટ્રેસે યૂટ્યૂબથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને આજે આ હસીના ઇન્ડસ્ટ્રીમાં પણ છવાયેલી છે.&nbsp; યૂટ્યૂબથી બોલીવુડ સુધી છવાઈ જનારી આ હસીના બીજી કોઈ નહીં પરંતુ પ્રાજક્તા કોલી છે. એક્ટ્રેસે પોતાના કરિયરની શરૂઆત યૂટ્યૂબથી કરી હતી. જોતજોતામાં પ્રાજક્તા યૂટ્યૂબની મોટી સ્ટાર બની ગઈ અને દરેકના દિલ પર છવાઈ ગઈ.</p><h3 style="text-align: justify; "><b>એક સિરીઝ બનાવી સ્ટાર</b></h3><p style="text-align: justify; ">નેટફ્લિક્સની ફેમસ સીરીઝ મિસમેચ્ડ એ એક્ટ્રેસનું આખું નસીબ બદલી નાખ્યું. વર્ષ 2020 માં રિલીઝ થયેલી આ સીરીઝમાં પ્રાજક્તા લીડ એક્ટ્રેસ તરીકે જોવા મળી હતી. આ સીરીઝ એટલી ફેમસ થઈ કે પ્રાજક્તાએ બોલીવુડમાં પણ પોતાની જગ્યા બનાવી લીધી.</p><h4 style="text-align: justify; "><b>બોલીવુડમાં બનાવી ઓળખ</b></h4><p style="text-align: justify; ">'મિસમેચ્ડ' સીરીઝમાં પ્રાજક્તા કોલીની સાથે રોહિત સર્રાફ પણ લીડ રોલમાં જોવા મળ્યો હતો. આ સિરીઝે પ્રાજક્તાની લાઇફ પૂરી રીતે બદલી નાખી અને તેને બોલીવુડ ફિલ્મોની ઓફર મળવા લાગી. એક સિરીઝે પ્રાજક્તાની ફેન ફોલોઇંગમાં ચાર ચાંદ લગાવી દીધા.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DaDbgPhjROC/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DaDbgPhjROC/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DaDbgPhjROC/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DaDbgPhjROC/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>આ ફિલ્મોમાં કર્યું કામ</b></h4><p style="text-align: justify; ">નેટફ્લિક્સની સીરીઝ પછી પ્રાજક્તા કોલી જુગજુગ જીયો અને સની સંસ્કારી કી તુલસી કુમારી જેવી ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે. ગયા વર્ષે નેટફ્લિક્સની સીરીઝ સિંગલ પાપામાં પણ પ્રાજક્તા કોલીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.</p><h5 style="text-align: justify; "><b>અપકમિંગ સીરીઝ</b></h5><p style="text-align: justify; ">પ્રાજક્તા સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. હવે પ્રશંસકો તેની અપકમિંગ સીરીઝ મિસમેચ્ડ 4ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અહેવાલ છે કે આ સીરીઝ 2026 માં જ રિલીઝ થવા જઈ રહી છે. આમાં પણ પ્રાજક્તાની સાથે રોહિત સર્રાફ લીડ રોલમાં છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/legendary-nusrat-fateh-ali-khan-recorded-this-emotional-song-150-times-for-perfection" target="_blank">આ પણ વાંચો-10 કે 20 નહીં... 150 વખત ગાયું હતું નુસરત ફતેહ અલી ખાને આ દર્દભર્યું ગીત, આજે પણ સાંભળીને ભીની થઈ જાય છે આંખો!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/UC2pwoSfpf1I9g0lmkLdfGbjiT3lCY1L0CkjjCI3.webp'/></item><item><title><![CDATA[AMCની લાલ આંખ, ફાયર સેફ્ટીના નિયમો તોડતી 13 હોટલો સીલ, 216 એકમોને ફટકારાઈ કડક નોટિસ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-fire-safety-drive-hotels-coaching-classes-sealed-notices-issued-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-fire-safety-drive-hotels-coaching-classes-sealed-notices-issued-2026</guid><pubDate>Sat, 27 Jun 2026 14:24:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં નિર્દોષ નાગરિકોની સુરક્ષા સાથે ચેડાં કરતા એકમો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફાયર વિભાગે કડક વલણ અખત્યાર કર્યું છે. અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ વિભાગ દ્વારા હોટલો, શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ ક્લાસિસમાં ફાયર સેફ્ટીના નિયમોની ચકાસણી કરવા માટે એક વ્યાપક અને આક્રમક મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ ઝુંબેશ દરમિયાન નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરનારા એકમો સામે તંત્ર દ્વારા કાયદાનું શસ્ત્ર ઉગામાયું છે, જેમાં 154  હોટલો અને 62  શૈક્ષણિક સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે ગંભીર લાપરવાહી દાખવનારી 13 હોટલો અને 1 શૈક્ષણિક સંસ્થાને મોકૂફી વગર સીલ કરી દેવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>સૌથી વધુ કડક કાર્યવાહી પશ્ચિમ (વેસ્ટ) ઝોનમાં કરવામાં આવી</b></h2><p style="text-align: justify; ">તંત્ર દ્વારા સૌથી વધુ કડક કાર્યવાહી પશ્ચિમ (વેસ્ટ) ઝોનમાં કરવામાં આવી છે. વેસ્ટ ઝોનમાં જ માત્ર 47 હોટલો અને 12 શૈક્ષણિક સંસ્થાઓને નોટિસ અપાઈ છે, જ્યારે 7 હોટલો અને એક સંસ્થાને કાયમી તાળાં મારી દેવાયા છે. આ સિવાય નોર્થ વેસ્ટ ઝોનમાં પણ ફાયર એનઓસી  વગર ધમધમતી 6 હોટલોને સીલ કરવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>&nbsp;શહેરના અલગ-અલગ ઝોનમાં કામગીરી કરવામાં આવી</b></h3><p style="text-align: justify; ">અમદાવાદ ફાયર વિભાગ દ્વારા શહેરના અલગ-અલગ ઝોનમાં વહેંચાઈને આ કામગીરી કરવામાં આવી હતી. જેમાં સૌથી વધુ કડક કાર્યવાહી પશ્ચિમ (વેસ્ટ) ઝોનમાં જોવા મળી હતી, જ્યાં 47 હોટલ અને 12 શૈક્ષણિક સંસ્થા મળી કુલ 59 એકમોને નોટિસ ફટકારાઈ હતી અને 7 હોટલ તથા 1 સંસ્થાને સીલ કરવામાં આવી હતી. આ જ રીતે નોર્થ વેસ્ટ ઝોનમાં પણ ફાયર સેફ્ટીના અભાવે 24 હોટલ અને 5 શૈક્ષણિક સંસ્થા મળી કુલ 29 નોટિસ આપીને 6 હોટલોને સીલ કરી દેવાઈ હતી.</p><h4 style="text-align: justify; "><b>ઈસ્ટ ઝોનમાં 16 હોટલ અને 24 શૈક્ષણિક સંસ્થાઓ સહિત સૌથી વધુ 40 નોટિસ</b></h4><p style="text-align: justify; ">બીજી તરફ, ઈસ્ટ ઝોનમાં 16 હોટલ અને 24 શૈક્ષણિક સંસ્થાઓ સહિત સૌથી વધુ 40  નોટિસ ફટકારવામાં આવી હતી. જ્યારે સેન્ટ્રલ ઝોનમાં 27 હોટલ અને 8 શૈક્ષણિક સંસ્થા મળી કુલ 35 નોટિસ ઇશ્યૂ કરાઈ હતી. દક્ષિણ અને ઉત્તર ભાગની વાત કરીએ તો, સાઉથ વેસ્ટ ઝોનમાં 20 હોટલને નોટિસ, સાઉથ ઝોનમાં 13 હોટલ અને 3 શૈક્ષણિક સંસ્થા મળી કુલ 16 નોટિસ તેમજ નોર્થ ઝોનમાં 7 હોટલ અને 10  શૈક્ષણિક સંસ્થા મળી કુલ 17 નોટિસ આપીને તંત્ર દ્વારા કડક ખુલાસો માંગવામાં આવ્યો છે.</p><h4 style="text-align: justify; "><b>કોમર્શિયલ બિલ્ડિંગો અને ટ્યુશન ક્લાસીસના સંચાલકોમાં ભારે ફફડાટ&nbsp;</b></h4><p style="text-align: justify; ">તંત્રની આ આકસ્મિક તપાસને પગલે કોમર્શિયલ બિલ્ડિંગો અને ટ્યુશન ક્લાસીસના સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં પણ આ ચેકિંગ સઘન બનાવવામાં આવશે અને જો નિયમોનું પાલન નહીં થાય તો સીલિંગની પ્રક્રિયા વધુ કડક કરાશે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/world/sandesh-digital-explainer-europe-heatwave-heat-dome-climate-change-france-paris" target="_blank"><b>Sandesh Digital Explainer : યુરોપના તમામ દેશોમાં ‘હીટ ડોમ’નો કાળો કેર, AC ખરીદવા પડાપડી, જાણો આટલી બધી ભીષણ ગરમીનું અસલી કારણ</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/PGcL4n6BiGMTHcCZzktsVtvOZ6mQpA3d7Th6VYON.webp'/></item><item><title><![CDATA[Gandhinagar: કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે ગુજરાતમાં 'ભારત ટેક્સી'નું લોન્ચિં, 1.5 લાખથી વધુ સારથીઓ સાથે ક્રાંતિનો પ્રારંભ ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/amit-shah-launches-cooperative-model-bharat-taxi-and-pm-family-care-tracker-in-gandhinagar</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/amit-shah-launches-cooperative-model-bharat-taxi-and-pm-family-care-tracker-in-gandhinagar</guid><pubDate>Sat, 27 Jun 2026 13:44:35 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતમાં ટેક્સી સેવાઓ અને ઓનલાઈન કેબ બુકિંગ એપ્લિકેશન્સ ક્ષેત્રે અત્યાર સુધી અમુક મોટી બહુરાષ્ટ્રીય અને ખાનગી કંપનીઓનો એકહથ્થુ ઈજારો હતો, જેમાં ડ્રાઇવરોનું આર્થિક શોષણ થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતી રહેતી હતી. આ મોનોપોલીને કાયમી ધોરણે તોડવા માટે દેશમાં પ્રથમ વખત સહકારિતા મોડલ પર આધારિત 'ભારત ટેક્સી' સેવાનો ગુજરાતથી પ્રારંભ કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે આ સેવાનું ડિજિટલ લોન્ચિંગ કર્યું હતું.</p><h2><b>અમૂલ અને ઇફકોનું ઉદાહરણ આપી મોડલ સમજાવ્યું</b></h2><p>કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં જણાવ્યું હતું કે, "અમે ગાડી કે રિક્ષા ચલાવતા ડ્રાઇવરોને સામાન્ય મજૂર નહીં પરંતુ દેશના 'સારથી' માનીએ છીએ. અત્યાર સુધી કાર્યરત કેટલીક ખાનગી કંપનીઓ ડ્રાઇવરોની વ્યાજબી રજૂઆતો સાંભળતી નહોતી, તેમના નફામાંથી મોટો હિસ્સો કમિશન તરીકે કાપી લેતી હતી અને મહેનતાણું પણ મોડું આપતી હતી. હવે સહકારિતા મોડલ પર ભારત ટેક્સી આવતા આ શોષણ કાયમ માટે બંધ થઈ જશે." તેમણે અમૂલ ડેરીનું ઉદાહરણ આપતા ઉમેર્યું કે, આજે અમૂલના કારણે પશુપાલકોને 100 રૂપિયાના ભાવે દૂધ ભરાવવાની તક મળે છે અને દેશની બહેનો ૧.૨૫ લાખ કરોડનું ટર્નઓવર કરી રહી છે. તેમજ ઇફકો અને કૃભકો જેવી સહકારી સંસ્થાઓ દેશની 35 ટકા જરૂરિયાતો પૂરી કરે છે. તેવી જ ક્રાંતિ હવે ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં પણ જોવા મળશે.</p><h4><b>ખાનગી કંપનીઓની ટેકટિક્સ ભારતમાં નહીં ચાલે</b></h4><p>અમિત શાહે ભૂતકાળના સંસ્મરણો વાગોળતા જણાવ્યું કે અલાહાબાદ કુંભમેળા વખતે મોટરસાઇકલ પર ટેક્સી લખીને લોકોને સેવા આપવી પડતી હતી, કારણ કે અંદર ગાડીઓ જવા દેવાતી નહોતી. આજે ટેક્સીની જરૂરિયાત ખૂબ વધી ગઈ છે અને હવે સામાન્ય ઓટોરિક્ષાની ગણતરી પણ ટેક્સીની શ્રેણીમાં થાય છે. બજારમાં ફેલાયેલી અફવાઓ પર પ્રહાર કરતા ગૃહમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, "મેં સાંભળ્યું છે કે વિરોધીઓ એવી અફવા ફેલાવે છે કે ભારત ટેક્સીના ભાવ વધારે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે તેના ભાવો ખૂબ ઓછા છે. ભારત ટેક્સી મેદાનમાં ન આવે તે માટે હરીફ ખાનગી કંપનીઓએ અચાનક પોતાના ભાવો ઘટાડી દીધા છે. પરંતુ યાદ રાખજો, આવી બધી ટેકટિક્સ હવે ભારતમાં ચાલવાની નથી. સરકાર અને જનતા ભારત ટેક્સીની સાથે મજબૂતાઈથી ઉભા છે."</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/rajkot/bhaktinagar-kothariya-thirty-societies-disturbed-areas-act-extended-for-five-years" target="_blank">આ પણ વાંચો: Rajkot: ભક્તિનગર અને કોઠારિયા રોડની 30 સોસાયટીઓમાં અશાંતધારો વધુ 5 વર્ષ માટે લંબાવાયો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/7I0G0KzNDU67oxEMcAQWxnNUTRMdbKDQtksLDfaq.webp'/></item><item><title><![CDATA[PM Modi Seychelles Visit: PM મોદીની સેશેલ્સની મુલાકાત કેમ મહત્વની? આજથી 3 દિવસના પ્રવાસે ]]></title><link>https://sandesh.com/india/news/pm-modi-seychelles-vsit-why-is-pm-modis-visit-to-seychelles-important-on-a-3-day-visit-from-today</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/pm-modi-seychelles-vsit-why-is-pm-modis-visit-to-seychelles-important-on-a-3-day-visit-from-today</guid><pubDate>Sat, 27 Jun 2026 13:16:30 +05:30</pubDate><description><![CDATA[<p>પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેશેલ્સની ત્રણ દિવસની મુલાકાત માટે રવાના થયા છે. આ યાત્રા દરમિયાન તેઓ અનેક મુખ્ય કાર્યક્રમોમાં ભાગ લેશે અને બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાના હેતુથી ચર્ચા કરશે.</p><h2><b>સેશેલ્સમાં આ કાર્યક્રમમાં પીએમ મોદી આપશે હાજરી&nbsp;</b></h2><p>આ યાત્રા દરમિયાન તેઓ મુખ્ય અતિથિ તરીકે સેશેલ્સના રાષ્ટ્રીય દિવસના સુવર્ણ જયંતિ સમારોહમાં હાજરી આપશે. વધુમાં, તેઓ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે ઘણી મહત્વપૂર્ણ બેઠકો યોજશે. આ યાત્રાની એક ખાસ વાત એ છે કે પીએમ મોદી સેશેલ્સની રાષ્ટ્રીય સભાને સંબોધિત કરનારા પ્રથમ ભારતીય વડા પ્રધાન બનશે.</p><h3><b>સુવર્ણ જયંતિ મહોત્સવમાં આપશે હાજરી&nbsp;</b></h3><p>પીએમ મોદીની મુલાકાત 27 જૂનથી 29 જૂન સુધી ચાલશે. સેશેલ્સના રાષ્ટ્રપતિ ડૉ. પેટ્રિક હર્મિનીના આમંત્રણ પર હાથ ધરવામાં આવેલી આ મુલાકાતમાં તેઓ રાષ્ટ્રીય દિવસ સુવર્ણ જયંતિ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેશે. આ મુલાકાત બંને દેશો વચ્ચેની મિત્રતાના 50 વર્ષ પૂર્ણ થવાને ચિહ્નિત કરે છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/narendramodi/status/2070714406976295115"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p> </p><p>રાષ્ટ્રપતિ હર્મિનીએ અગાઉ ફેબ્રુઆરી 2026 માં ભારતની મુલાકાત લીધી હતી, અને આ મુલાકાત તે પરસ્પર સંવાદોને આગળ ધપાવશે. એવી અપેક્ષા છે કે આ બેઠક હિંદ મહાસાગર ક્ષેત્રમાં સુરક્ષા અને વિકાસ બંનેને પ્રોત્સાહન આપશે. બંને પક્ષો વચ્ચે દરિયાઈ સહયોગ, દ્વિપક્ષીય સંબંધો અને અન્ય વિવિધ મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થશે.</p><h4><b>કેટલા વાગે પહોંચશે સેશેલ્સ ?&nbsp;</b></h4><p>શનિવારે સવારે દિલ્હીથી રવાના થયા પછી, તેમની ફ્લાઇટ બપોરે 1:15 વાગ્યે સેશેલ્સ આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર ઉતરાણ કરવાનું છે. ત્યારબાદ તરત જ, 1:35 વાગ્યે, તેઓ સીધા રાષ્ટ્રીય વનસ્પતિ ઉદ્યાન જશે, જ્યાં બપોરે 1:55 વાગ્યે એક ખાસ વૃક્ષારોપણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.</p><h4><b>સેશેલ્સમાં પીએમના કાર્યક્રમો શું છે ?&nbsp;</b></h4><p>બોટનિકલ ગાર્ડનની મુલાકાત પછી, તેઓ પ્રવાસના સુરક્ષા પાસા પર ધ્યાન કેન્દ્રિત કરશે. સેશેલ્સ કોસ્ટ ગાર્ડ બેઝ પર સાંજે 4:40 થી 5:25 વાગ્યા સુધી એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે બંને દેશોની દરિયાઈ સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે. ત્યારબાદ, સાંજે 7:00 થી 8:30 વાગ્યા સુધી, રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિની દ્વારા તેમના સન્માનમાં એક ખાસ ભોજન સમારંભનું આયોજન કરવામાં આવશે, જે દરમિયાન બંને દેશોને લગતી ભાવિ યોજનાઓની ચર્ચા કરવામાં આવશે.</p><h4><b>ભારતીય સમુદાય સાથે પણ કરશે મુલાકાત&nbsp;</b></h4><p>આ વ્યસ્ત પ્રવાસ કાર્યક્રમ વચ્ચે, પીએમ મોદી ત્યાં રહેતા ભારતીય સમુદાયના સભ્યો સાથે પણ મુલાકાત કરશે. સેશેલ્સમાં રહેતા ભારતીયો લાંબા સમયથી બંને દેશો વચ્ચે મજબૂત સેતુ તરીકે સેવા આપી રહ્યા છે. તેમના પ્રસ્થાન પહેલા જારી કરાયેલા એક નિવેદનમાં, તેમણે નોંધ્યું હતું કે આ મુલાકાત હિંદ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિના સહિયારા દ્રષ્ટિકોણને આગળ વધારવામાં મદદ કરશે. ગ્લોબલ સાઉથ અને 'મહાસાગર' નીતિના માળખામાં સેશેલ્સ ભારત માટે એક મહત્વપૂર્ણ દરિયાઈ પાડોશી છે.</p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/4AbvhLzCaqZ1xOx2CaIRyJpeMSxusAwVCEH4RhlR.webp'/></item><item><title><![CDATA[Indian Railway Update: ધનબાદ ડિવિઝનમાં ટેકનિકલ કામને લઈને 1 જુલાઈ સુધી અનેક એક્સપ્રેસ ટ્રેનો રદ, રેલવેએ જાહેર કરી યાદી ]]></title><link>https://sandesh.com/india/news/indian-railway-update-many-express-trains-cancelled-till-july-1-railways-releases-list</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/indian-railway-update-many-express-trains-cancelled-till-july-1-railways-releases-list</guid><pubDate>Sat, 27 Jun 2026 13:07:25 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જો તમે આગામી દિવસોમાં ટ્રેન દ્વારા મુસાફરી કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. ભારતીય રેલવે દ્વારા ૧ જુલાઈ સુધી ઘણી એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનોના રૂટમાં ફેરફાર (ડાયવર્ટ) કરવામાં આવ્યા છે. કોઈપણ મુશ્કેલીથી બચવા માટે ઘરની બહાર નીકળતા પહેલાં તમારી ટ્રેનનું સ્ટેટસ ચોક્કસ ચેક કરી લો.</p><h2 style="text-align: justify; "><b>ટ્રેનો રદ અને રૂટ બદલવાનું આ છે કારણ</b></h2><p style="text-align: justify; ">મુસાફરોની સુવિધા અને રેલવે સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે પૂર્વ મધ્ય રેલ્વે (East Central Railway) ના ધનબાદ ડિવિઝનમાં કામગીરી ચાલી રહી છે. રેલવે દ્વારા ધનબાદ ડિવિઝનના છિપાડોહર-બરવાડીહ-માંગરા સેક્શન પર નોન-ઇન્ટરલોકિંગ સહિતનું જરૂરી ટેકનિકલ સુધારણા કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ મેન્ટેનન્સ અને ટેકનિકલ કામકાજને કારણે રેલવે પ્રશાસને આ રૂટ પરથી પસાર થતી અનેક ટ્રેનોને શોર્ટ-ટર્મ માટે રદ અથવા તેમના રૂટ ડાયવર્ટ કરવાનો નિર્ણય લીધો છે.</p><h3 style="text-align: justify; "><b>1 જુલાઈ સુધી ફેરફારો રહેશે અમલમાં</b></h3><p style="text-align: justify; ">રેલવે દ્વારા લેવાયેલો આ નિર્ણય અને ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર ૧ જુલાઈ સુધી યથાવત રહેશે. ધનબાદ ડિવિઝન થઈને પસાર થતી ઘણી એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનો આનાથી પ્રભાવિત થઈ છે.&nbsp; રેલવેની મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ મુસાફરી શરૂ કરતા પહેલા તેમના ટ્રેનની અપડેટ સાઈટ પરથી જરૂર જાણી લે. સ્ટેશન પર પહોંચીને પરેશાન થવા કરતાં બહેતર છે કે મુસાફરી શરૂ કરતા પહેલાં રેલવેની સત્તાવાર વેબસાઈટ, NTES એપ અથવા હેલ્પલાઈન નંબર દ્વારા તમારી ટ્રેનનો વર્તમાન રૂટ અને સમયપત્રક અવશ્ય તપાસી લો.</p><h3 style="text-align: justify; "><b>રદ કરાયેલી ટ્રેનનું લિસ્ટ</b></h3><p style="text-align: justify; "><b>&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;ટ્રેન નંબર અને&nbsp; ટ્રેનનું નામ&nbsp;</b></p><ul><li style="text-align: justify;">53357 બરકાકાના - દેહરી ઓન સોને પેસેન્જર</li><li style="text-align: justify;">53611 બરવાડીહ - દેહરી ઓન સોને પેસેન્જર</li><li style="text-align: justify;">63557 બરકાકાના - વારાણસી મેમુ પેસેન્જર&nbsp;</li><li style="text-align: justify;">53358 દેહરી ઓન સોને - બરકાકાના પેસેન્જર&nbsp;</li><li style="text-align: justify;">53351 બરવાડીહ - ચુનાર પેસેન્જર</li><li style="text-align: justify;">53349 બરવાડી - દેહરી ઓન સોને પેસેન્જર&nbsp;</li><li style="text-align: justify;">53352 ચુનાર - બરવાડીહ પેસેન્જર&nbsp;</li><li style="text-align: justify;">53348 બરવાડીહ - ગોમોહ પેસેન્જર&nbsp;</li><li style="text-align: justify;">53612 દેહરી ઓન સોને - બરવાડીહ પેસેન્જર&nbsp;</li><li style="text-align: justify;">53350 દેહરી ઓન સોને - બરવાડીહ પેસેન્જર&nbsp;</li><li style="text-align: justify;">63358 વારાણસી-બરકાકાના મેમુ પેસેન્જર&nbsp;</li><li style="text-align: justify;">53347 ગોમોહ - બરવાડીહ પેસેન્જર</li><li style="text-align: justify;">૧૮૬૩૫ રાંચી-સાસારામ એક્સપ્રેસ</li><li style="text-align: justify;">૧૮૬૩૬ સાસારામ-રાંચી એક્સપ્રેસ</li></ul><p style="text-align: justify;"><a href="https://sandesh.com/india/news/business/gold-mining-project-andhra-pradesh-2-tons-of-gold-will-be-extracted-from-this-mine-every-year-cm-chandrababu-naidu-gave-approval" target="_blank">આ પણ વાંચો : Gold Mining Project Andhra Pradesh: આ ખાણમાંથી દર વર્ષે નીકળશે 2 ટન સોનું, સીએમ ચંદ્રબાબુ નાયડુએ આપી મંજૂરી</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/ouyQlrTnhRPjhBGhlrNV8xIVBiLUFxlT72sRuPAQ.webp'/></item><item><title><![CDATA[Rajkot: ભક્તિનગર અને કોઠારિયા રોડની 30 સોસાયટીઓમાં અશાંતધારો વધુ 5 વર્ષ માટે લંબાવાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/bhaktinagar-kothariya-thirty-societies-disturbed-areas-act-extended-for-five-years</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/bhaktinagar-kothariya-thirty-societies-disturbed-areas-act-extended-for-five-years</guid><pubDate>Sat, 27 Jun 2026 12:50:54 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ શહેરના પૂર્વ અને મધ્ય ભાગને જોડતા વ્યસ્ત એવા ભક્તિનગર અને કોઠારિયા પંથકમાં રહેતા હજારો નાગરિકો માટે સરકાર તરફથી ખૂબ જ રાહતના સમાચાર આવ્યા છે. આ વિસ્તારમાં આવેલી 30જેટલી રહેણાંક સોસાયટીઓમાં અશાંતધારો ની મુદત પૂરી થઈ રહી હોવાથી સ્થાનિકોમાં ચિંતા હતી, પરંતુ હવે સરકારે આ મુદતને આગામી પાંચ વર્ષ માટે સત્તાવાર રીતે લંબાવી દીધી છે.</p><h2><b>સ્થાનિકોની માગ અને ધારાસભ્યની સક્રિયતા</b></h2><p>છેલ્લા કેટલાક સમયથી ભક્તિનગર વિસ્તારની આસપાસ વસ્તીનું સંતુલન બગડી રહ્યું હોવાની અને ચોક્કસ અસામાજિક તત્વો દ્વારા ડર બતાવીને કે ઊંચી કિંમતો આપીને હિન્દુઓ સેફ ગણાતી સોસાયટીઓમાં મકાનો ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી હતી. જો આ પ્રક્રિયા રોકવામાં ન આવે તો ભવિષ્યમાં વિસ્તારની ડેમોગ્રાફી (વસ્તીનું માળખું) બદલાઈ જવાનો ભય હતો. આ ગંભીર બાબતને ધ્યાને રાખીને સ્થાનિક અગ્રણીઓએ ધારાસભ્ય ઉદય કાનગડ સમક્ષ રજૂઆત કરી હતી. ધારાસભ્યએ જનતાની લાગણીને સમજીને ગાંધીનગર ગૃહ વિભાગ અને મુખ્યમંત્રી સમક્ષ આ બાબતે મજબૂત રજૂઆત કરી મંજૂરી મેળવી લીધી છે.</p><h3><b>સોસાયટીઓમાં કેમ મનાવાયો ઉત્સવ?</b></h3><p>જેવો જ સરકારી આદેશ રાજકોટ પહોંચ્યો કે તરત જ નીલકંઠ પાર્ક, કેદાર પાર્ક, મેઘાણી નગર, મેહુલ નગર, મારુતિ નગર, વિવેકાનંદ નગર અને દેવપરા સહિતની તમામ ૩૦ સોસાયટીના રહીશો, મહિલાઓ અને વેપારીઓ ભેગા થઈ ગયા હતા. લોકોએ વિજય ઉત્સવની જેમ જયશ્રી રામના ગગનભેદી નારા લગાવ્યા હતા અને પેંડા વહેંચીને ખુશી વ્યક્ત કરી હતી. રહેવાસીઓના જણાવ્યા મુજબ, હવે અશાંતધારો લંબાવાને કારણે કલેક્ટરની મંજૂરી વગર કોઈપણ મિલકત અન્ય ધર્મના વ્યક્તિને વેચી શકાશે નહીં. આ કાયદાકીય રક્ષણ મળવાથી ગેરકાયદેસર રીતે થતા ધાર્મિક સ્થળાંતર પર કાયમી બ્રેક લાગશે અને સામાન્ય મધ્યમવર્ગીય પરિવારો શાંતિથી પોતાના વિસ્તારમાં રહી શકશે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/weather/mundra/weather-update-heavy-rain-shower-in-mundra-and-nakhatrana-roads-flooded" target="_blank">આ પણ વાંચો: Kutch: મુન્દ્રા અને નખત્રાણા પંથકમાં વરસાદી ઝાપટું, અસહ્ય બફારા બાદ વાતાવરણમાં પ્રસરી ઠંડક</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/CRzSKK7yeOuQmx8my4AtOCpOeCPdzwaWHw3DRXwx.webp'/></item><item><title><![CDATA[Vadodara: સરકારની નવી નીતિના કારણે નવું સોલાર કનેક્શન કે પેનલ મેળવવા માટે ગ્રાહકોને 2 થી 3 મહિનાનું વેઇટિંગ ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/gujarat-solar-panel-shortage-price-hike-by-twenty-five-percent-made-in-india-rule</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/gujarat-solar-panel-shortage-price-hike-by-twenty-five-percent-made-in-india-rule</guid><pubDate>Sat, 27 Jun 2026 12:00:56 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર એક તરફ સોલાર ઉર્જા અને રૂફટોપ યોજનાને પ્રોત્સાહન આપીને વધુમાં વધુ ગ્રીન એનર્જી જનરેટ કરવાના દાવા કરે છે, પરંતુ બીજી તરફ વહીવટી નીતિઓના કારણે જ આ સેક્ટર અત્યારે લાઈવ કટોકટીનો સામનો કરી રહ્યું છે. 1 જૂનથી અમલમાં આવેલા એક નવા નીતિગત નિર્ણયના કારણે વડોદરા સહિત સમગ્ર ગુજરાતના સોલાર ઇન્સ્ટોલેશન માર્કેટમાં મોટો હોબાળો મચી ગયો છે.</p><h2><b>શું છે નવો નિયમ અને કેમ સર્જાઈ અછત?</b></h2><p>રીન્યુએબલ પાવર એસોસિએશન ગુજરાતના પ્રમુખ ધનેશ પટેલે વડોદરા ખાતે પત્રકાર પરિષદને સંબોધતા લાઈવ જણાવ્યું હતું કે, 1 જૂનથી સરકારે સોલાર પેનલ માટે સંપૂર્ણપણે 'મેડ ઇન ઇન્ડિયા' પ્રોડક્ટ્સનો નિયમ સખત રીતે લાગુ કરી દીધો છે. આ નિયમ અંતર્ગત હવે માત્ર રેસિડેન્શિયલ (ઘરગથ્થુ) જ નહીં, પરંતુ મોટા કોમર્શિયલ અને મોલ-ફેક્ટરીઓ માટેના સોલાર પ્રોજેક્ટ્સમાં પણ ભારતમાં જ બનેલા સોલાર સેલનો ઉપયોગ કરવો કાનૂની રીતે ફરજિયાત છે. ભારતમાં હાલમાં સોલાર સેલનું ઉત્પાદન દેશની આંતરિક જરૂરિયાત કરતાં ઘણું ઓછું છે, જેના કારણે બજારમાં કાચા માલની અને સોલાર પેનલની ભારે કૃત્રિમ અને કુદરતી અછત ઊભી થઈ છે.</p><h3><b>ગ્રાહકો પર આર્થિક બોજ અને કંપનીઓની દાદાગીરી</b></h3><p>નિયમ લાગુ થતાંની સાથે જ ભારતીય સોલાર પેનલ બનાવતી મોટી કંપનીઓએ કાર્ટેલ (સિન્ડિકેટ) રચીને સોલાર પેનલના ભાવમાં રાતોરાત 25 ટકા સુધીનો લાઈવ વધારો કરી દીધો છે. જે સોલાર પ્રોજેક્ટ પહેલાં સામાન્ય બજેટમાં પૂરો થતો હતો, તેમાં હવે હજારો રૂપિયાનો મોટો ખર્ચ વધી ગયો છે. આ ઉપરાંત, માલ ઉપલબ્ધ ન હોવાના બહાને ગ્રાહકોને 2 થી 3 મહિના સુધી રાહ જોવી પડી રહી છે, જેના લીધે અનેક સબસીડી પ્રોજેક્ટ્સ સમયમર્યાદાના કારણે લાઈવ અટવાઈ પડ્યા છે. એસોસિએશને ઉગ્ર ચેતવણી આપી છે કે જો સરકાર આ ઉત્પાદક કંપનીઓની મનસ્વી લૂંટફાટ પર ત્વરિત કાનૂની અંકુશ નહીં લાવે, તો આગામી દિવસોમાં ગુજરાતમાં સોલાર બિઝનેસ સાથે જોડાયેલા હજારો નાના વેપારીઓ અને એમએસએમઈ (MSME) ઉદ્યોગો લાઈવ બંધ થવાની અણી પર આવી જશે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/shela-yoga-circle-accident-mercedes-and-kia-car-crash-luxury-cars" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: શેલા રોડ પર મર્સિડીઝ અને કિયા કાર વચ્ચે અકસ્માત, એરબેગ્સ ખુલતા મહિલા ચાલકનો બચાવ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/lgPNVkCtsMmL10i9FOZzfJQuGy71vEZFfCEPMuTk.webp'/></item><item><title><![CDATA[Gold Silver Price Today: શનિવારે કેટલા બદલાયા સોના ચાંદીના ભાવ, જાણો 10 ગ્રામનો રેટ ]]></title><link>https://sandesh.com/business/news/gold-silver-price-today-how-much-did-the-price-of-gold-and-silver-change-on-saturday-know-the-rate-of-10-grams</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/gold-silver-price-today-how-much-did-the-price-of-gold-and-silver-change-on-saturday-know-the-rate-of-10-grams</guid><pubDate>Sat, 27 Jun 2026 10:51:07 +05:30</pubDate><description><![CDATA[<p>અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા વચ્ચે સોનાના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે. ગુરુવારે સોના અને ચાંદી બંનેના ભાવમાં નોંધપાત્ર અસ્થિરતા જોવા મળી. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વધુ વ્યાજ દરમાં વધારાની શક્યતા અને પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો થવાની આશા જેવા પરિબળોને કારણે ભાવમાં વધઘટ થઈ&nbsp;</p><h2><b>MCX પર સોનું અને ચાંદી</b></h2><p>મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX) પર, ઓગસ્ટ ડિલિવરી માટે સોનું ₹1,40,672 પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું, જે અગાઉના ₹1,41,270 ના બંધ કરતા ₹598 (0.42%) ઘટી ગયું. જોકે ટ્રેડિંગ સત્ર દરમિયાન ખરીદીમાં વધારો થવાને કારણે સોનું સુધર્યું.&nbsp; સવારે 11:38 સુધીમાં, તે ₹719 (0.50%) વધીને ₹1,41,989 પ્રતિ 10 ગ્રામની ઇન્ટ્રા-ડે ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યું. દિવસના ટ્રેડિંગ દરમિયાન, તે ₹1,40,543 ની નીચી સપાટીએ પણ સરકી ગયું. ચાંદીની વાત કરીએ તો જુલાઈ ડિલિવરી માટેનો વાયદાનો ભાવ ₹2,10,308 પ્રતિ કિલોગ્રામ પર ખુલ્યો હતો, જે અગાઉના બંધ ₹2,13,075 કરતા ₹2,767 (1.30%) ઓછો હતો.</p><p><b style="font-size: 1.75rem;">સોનાના ભાવને કયા પરિબળો પ્રભાવિત કરે છે?</b></p><p>ભારતમાં સોનાના ભાવ ફક્ત આંતરરાષ્ટ્રીય બજાર દ્વારા નક્કી થતા નથી. વૈશ્વિક સોનાના ભાવ યુએસ ડોલરની મજબૂતાઈ, ક્રૂડ ઓઇલના ભાવ અને તહેવારો અને લગ્નની મોસમ દરમિયાન સ્થાનિક માંગ પણ ભાવને પ્રભાવિત કરે છે. પરિણામે, સોનાના ભાવમાં સમયાંતરે ફેરફાર જોવા મળે છે.</p><h4><b>આજે ચાંદીનો ભાવ શું છે?</b></h4><p>આજે, ભારતમાં ચાંદીનો ભાવ પ્રતિ ગ્રામ ₹240.10 અને પ્રતિ કિલોગ્રામ ₹2,40,100 છે. ચાંદી સોના કરતાં ચોક્કસપણે સસ્તી છે, પરંતુ રોકાણ અને ઘરેણાં બંને હેતુઓ માટે તેની માંગ સતત રહે છે. ચાંદીના ભાવ વૈશ્વિક બજાર અને ઔદ્યોગિક માંગ બંને દ્વારા નોંધપાત્ર રીતે પ્રભાવિત થાય છે.&nbsp;<br></p><h5><b>દેશના મોટા શહેરોમાં સોના ચાંદીનો ભાવ (ગુડ રિટર્ન્સ)</b></h5><p><br></p><table class="table table-bordered"><tbody><tr><td>શહેર&nbsp;</td><td>24 કેરેટ સોનાની કિંમત ( રૂપિયા/10 ગ્રામ)</td><td>) 22 કેરેટ સોનાની કિંમત( રૂપિયા/10 ગ્રામ)</td></tr><tr><td>દિલ્હી</td><td>&nbsp;1,44,100</td><td>&nbsp;1,32,100&nbsp;&nbsp;</td></tr><tr><td>કોલકાતા&nbsp;</td><td>1,43,950</td><td>&nbsp;1,31,95&nbsp;</td></tr><tr><td>ચેન્નઈ&nbsp;</td><td>1,45,860&nbsp;</td><td>1,33,700&nbsp;</td></tr><tr><td>બેંગ્લોર&nbsp;</td><td>1,43,950&nbsp;</td><td>1,31,950</td></tr><tr><td>અમદાવાદ</td><td>&nbsp;1,44,00</td><td>&nbsp;1,32,000</td></tr><tr><td>વડોદરા&nbsp;</td><td>1,44,00&nbsp;</td><td>1,32,000</td></tr></tbody></table> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2025/11/17/lA1szah2CwvQ1mNaGZj5o4lnyBBRXf4dHVCvyY7W.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup : કેપ વર્ડે રચ્યો ઇતિહાસ, નોકઆઉટમાં પહોંચનાર વિશ્વનો સૌથી નાનો દેશ બન્યો ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-cape-verde-creates-history-becomes-the-smallest-country-in-the-world-to-reach-the-knockout-stages</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-cape-verde-creates-history-becomes-the-smallest-country-in-the-world-to-reach-the-knockout-stages</guid><pubDate>Sat, 27 Jun 2026 10:03:51 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">FIFA વર્લ્ડ કપ 2026 એ ફૂટબોલ ઇતિહાસમાં એક પરીકથા બનાવી છે, જેણે વિશ્વભરના ચાહકોના દિલ જીતી લીધા છે. આફ્રિકાના પશ્ચિમ કિનારે આવેલા 500,000 થી થોડી વધુ વસ્તી ધરાવતા નાના દેશ કેપ વર્ડેએ સાઉદી અરેબિયા સામે ઐતિહાસિક 0-0 ડ્રો બાદ વર્લ્ડ કપ નોકઆઉટ સ્ટેજમાં સ્થાન મેળવ્યું. આ ડ્રો સાથે, કેપ વર્ડે વર્લ્ડ કપના ઇતિહાસમાં નોકઆઉટ સ્ટેજ માટે ક્વોલિફાય થનાર સૌથી નાનો દેશ બન્યો.</p><h4 style="text-align: justify; "><b>હેવીવેઇટ્સના જૂથમાં અજેય રહ્યો.</b></h4><p style="text-align: justify; ">કેપ વર્ડે, જે તેનો પ્રથમ FIFA વર્લ્ડ કપ રમી રહ્યો હતો, તેને ટુર્નામેન્ટના સૌથી મુશ્કેલ જૂથોમાંના એકમાં મૂકવામાં આવ્યો હતો. જોકે, આ અંડરડોગ ટીમ એક પણ મેચ હાર્યા વિના અજેય રહી અને નોકઆઉટ સ્ટેજમાં ટિકિટ મેળવી. તેની પ્રથમ મેચમાં, કેપ વર્ડે 2010 વર્લ્ડ કપ ચેમ્પિયન સ્પેનને 0-0 ડ્રો પર રોકીને સનસનાટી મચાવી. ત્યારબાદ તેઓએ તેમની બીજી મેચમાં એક અદ્ભુત વાપસી કરી, બે વખતના ચેમ્પિયન ઉરુગ્વે સામે રોમાંચક 2-2 ડ્રો મેળવ્યો. તેમણે સાઉદી અરેબિયાને 0-0 થી ડ્રો કરીને ત્રણ પોઈન્ટ સાથે ગ્રુપમાં બીજું સ્થાન મેળવ્યું, જ્યારે સ્પેને ઉરુગ્વેને હરાવીને ગ્રુપમાં ટોચનું સ્થાન મેળવ્યું.</p><p style="text-align: justify; "><a href="https://x.com/FIFAWorldCup/status/2070688565567115656?s=20" target="_blank">https://x.com/FIFAWorldCup/status/2070688565567115656?s=20</a></p><h4 style="text-align: justify; "><b>રાઉન્ડ ઓફ 32 માં તેઓ કોનો સામનો કરશે?</b></h4><p style="text-align: justify; ">કેપ વર્ડે હવે રાઉન્ડ ઓફ 32 માં વધુ એક મોટો પડકારનો સામનો કરશે. તેઓ વર્તમાન વિશ્વ ચેમ્પિયન આર્જેન્ટિનાનો સામનો કરશે. આ મેચ 3 જુલાઈના રોજ મિયામીમાં રમાશે. કેપ વર્ડે માટે આ એક મોટી ક્ષણ હશે, અને અંડરડોગ્સ વધુ એક અપસેટ સર્જીને ટોપ 16 માં સ્થાન મેળવવાનો પ્રયાસ કરશે.</p><h5 style="text-align: justify; "><b>40 વર્ષીય ગોલકીપર વોજિન્હા તારણહાર બન્યા</b></h5><p style="text-align: justify; ">કેપ વર્ડેના ઐતિહાસિક પ્રદર્શનનો સૌથી મોટો હીરો તેમનો 40 વર્ષીય ગોલકીપર વોજિન્હા હતો. આ વર્લ્ડ કપમાં તેના જાદુઈ પ્રદર્શને સોશિયલ મીડિયા પર તેની લોકપ્રિયતાને આસમાને પહોંચાડી દીધી છે, તેના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ 16 મિલિયનને વટાવી ગયા છે. સાઉદી અરેબિયા સામેની મેચમાં, વોઝિન્હાએ ત્રણ આશ્ચર્યજનક બચાવ કર્યા જેણે સાઉદી અરેબિયાને આશ્ચર્યચકિત કરી દીધું. પહેલા હાફના સ્ટોપેજ સમયમાં, તેણે મોહમ્મદ કાનોના શાનદાર હેડરને અવરોધિત કરીને સાઉદી અરેબિયાને લીડ લેતા અટકાવ્યું. પછી, બીજા હાફમાં, તેણીએ મોહમ્મદ અબુ અલ-શમાતના ખતરનાક શોટને ડિફ્લેક્ટ કરવા માટે કૂદકો માર્યો. 92મી મિનિટે, વોઝિન્હાએ અબ્દુલ્લા અલ-હમદાનના ચોક્કસ શોટને બ્લોક કર્યો, જેનાથી તેની ટીમ નોકઆઉટમાં સ્થાન મેળવી શક્યો.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-senegal-beat-iraq-5-0-in-knockout-match" target="_blank">FIFA World Cup 2026 : નોકઆઉટ મેચમાં સેનેગલે ઇરાકને 5-0 થી હરાવ્યું</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/JWlhHzAZqdwbXfyXnIvPF4MX2fiZKeYvK6PnClEv.webp'/></item></channel></rss>