<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Monsoon 2026 : વડોદરાના શિનોરમાં મેઘતાંડવ, 4 કલાકમાં સાડા 3 ઇંચ વરસાદથી બજારોમાં પૂર, ધસમસતા પ્રવાહમાં બાઇકો તણાઈ ]]></title><link>https://sandesh.com/weather/news/gujarat/vadodara/monsoon-2026-vadodara-shinor-heavy-rain-waterlogging-bikes-washed-away-video-viral</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/news/gujarat/vadodara/monsoon-2026-vadodara-shinor-heavy-rain-waterlogging-bikes-washed-away-video-viral</guid><pubDate>Tue, 07 Jul 2026 10:07:51 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યારે વડોદરા જિલ્લાના શિનોર પંથકમાં મોડી રાત્રે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. શિનોર તાલુકા અને શહેરમાં માત્ર 4 કલાકના ટૂંકા ગાળામાં સાડા 3 ઇંચ જેટલો અનરાધાર વરસાદ ખાબકતાં સમગ્ર શહેર જળબંબોળ થઈ ગયું છે. મુસળધાર વરસાદના કારણે શિનોરના મુખ્ય બજાર સહિતના તમામ રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા.</p><h2 style="text-align: justify; "><b>મુખ્ય બજારના રસ્તાઓ પર દરિયા જેવા દ્રશ્યો</b></h2><p style="text-align: justify; ">શહેરમાં પાણીનો નિકાલ ન થવાને કારણે મુખ્ય બજારના રસ્તાઓ પર દરિયા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. પૂરના ધસમસતા પાણીના પ્રવાહમાં રસ્તા પર પાર્ક કરેલી અનેક મોટરસાયકલો  રમકડાની જેમ તણાવા લાગી હતી. બાઇકો તણાવાના આ લાઈવ દ્રશ્યો સ્થાનિક લોકોએ કેમેરામાં કેદ કર્યા હતા, જેના વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા</b></h3><p style="text-align: justify; ">અચાનક તૂટી પડેલા આ આકાશી આફતને કારણે સ્થાનિક વેપારીઓની દુકાનોમાં પાણી ઘૂસી જતાં મોટું નુકસાન થયું છે, તેમજ રાહદારીઓ અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર સંપૂર્ણપણે પ્રભાવિત થયો છે અને શિનોરનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. મનપા અને સ્થાનિક તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ હોવાનો આક્રોશ સ્થાનિક રહીશો વ્યક્ત કરી રહ્યા છે.</p><p style="text-align: justify; ">&nbsp;આ પણ વાંચો----&nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/india/ahmedabad/sandesh-digital-explainer-amarnath-yatra-ice-shivling-melting-reasons-global-warming-route-guide" target="_blank"><b>Sandesh Digital Explainer : અમરનાથ ગુફામાં હિમ શિવલિંગ વહેલા ઓગળવા પાછળના 5 ઇનસાઇડ કારણો..!</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/wa8QqpwdqZWplPeWnzG0cpKFuUbMohTeh9ksCo5v.webp'/></item><item><title><![CDATA[Surat: મનપા કમિશનરનો ગાંધીનગર પ્રવાસ રદ, અધિકારીઓને 48 કલાક સ્ટેન્ડ-બાય રહેવા આદેશ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/smc-on-high-alert-48-hours-standby-navsari-schools-colleges-closed-heavy-rain</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/smc-on-high-alert-48-hours-standby-navsari-schools-colleges-closed-heavy-rain</guid><pubDate>Tue, 07 Jul 2026 10:06:57 +05:30</pubDate><description><![CDATA[<p>દક્ષિણ ગુજરાત પર મેઘરાજા મુશળધાર આફત બનીને વરસી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી સમય માટે જાહેર કરાયેલા ભારે વરસાદના એલર્ટને પગલે સુરત અને નવસારીનું વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે સજ્જ થયું છે. સુરત શહેરમાં પણ સવારથી જ અવિરત વરસાદ પડી રહ્યો છે, જેના લીધે લો-લાઈંગ એરિયા (નીચાણવાળા વિસ્તારો) અને ખાડી કાંઠાના વિસ્તારોમાં પૂરનું જોખમ તોળાઈ રહ્યું છે. પરિસ્થિતિની ગંભીરતા સમજીને સુરત મનપા કમિશનર એમ. નાગરાજને મોટો વહીવટી નિર્ણય લીધો છે. તેમણે પોતાની ગાંધીનગરની વીઆઈપી વિઝિટ તુરંત રદ કરી દીધી છે અને મનપાના તમામ સાત ઝોનના અધિકારીઓ તથા કર્મચારીઓને આગામી 48 કલાક સુધી પોતાની ફરજ પર તૈનાત રહેવા અને હેડક્વાર્ટર ન છોડવા કડક આદેશ જારી કર્યા છે.</p><h2><b>નવસારીમાં રેડ એલર્ટ વચ્ચે સ્કૂલો-કોલેજોમાં તાળાં</b></h2><p>બીજી તરફ, નવસારી જિલ્લામાં સ્થિતિ વધુ ચિંતાજનક હોવાથી હવામાન વિભાગે 'રેડ એલર્ટ' જારી કર્યું છે. પુર્ણા, અંબિકા અને કાવેરી નદીઓમાં ઉપરવાસના કારણે પાણીની સપાટી સતત વધી રહી છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોના માર્ગો પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહારને માઠી અસર થઈ છે. નાના બાળકો અને વિદ્યાર્થીઓને કોઈ જાનહાની કે મુશ્કેલી ન નડે તે માટે નવસારી જિલ્લા કલેક્ટરે તાકીદની બેઠક બોલાવીને જિલ્લાની તમામ આંગણવાડીઓ, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, ઉચ્ચ શિક્ષણની કોલેજો તેમજ ITI સંસ્થાઓને સંપૂર્ણપણે બંધ રાખવાનો આદેશ આપ્યો છે. જોકે, વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે શાળાઓને ઓનલાઇન ક્લાસિસ ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે.</p><h3><b>પૂર નિયંત્રણ માટે મનપા અને ડીઝાસ્ટર ટીમ સજ્જ</b></h3><p>સુરત મહાનગરપાલિકા દ્વારા કંટ્રોલ રૂમ એક્ટિવ કરી દેવામાં આવ્યો છે. કમિશનર એમ. નાગરાજને અધિકારીઓ સાથે ઇમરજન્સી રિવ્યુ મિટિંગ યોજીને ડીવોટરિંગ પંપ, જેસીબી મશીનરી અને હોડીઓ સહિતની બચાવ સામગ્રી તૈયાર રાખવા સૂચના આપી છે. નવસારી અને સુરત બંને જિલ્લામાં એનડીઆરએફ (NDRF) ની ટીમોને પણ સંભવિત પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે સ્ટેન્ડ-બાય એલર્ટ પર રાખવામાં આવી છે. તંત્ર દ્વારા નાગરિકોને સોશિયલ મીડિયાની અફવાઓથી દૂર રહેવા અને કોઈપણ ઈમરજન્સીમાં સત્તાવાર હેલ્પલાઈન નંબરનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dhanera/mahisagar-lunawada-heavy-rain-dhanera-rail-river-water-inflow-banaskantha" target="_blank">આ પણ વાંચો: Mahisagar: કડાણા-સંતરામપુરના જંગલ વિસ્તારો ખીલી ઉઠ્યા, ધાનેરા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/4G4j0DPDxelfnC2EVSZOck31gHmoauH0HdkMtdtG.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026 : સ્પેને છેલ્લી ઘડીએ ગોલ કરીને પોર્ટુગલને 1-0 થી હરાવ્યું ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-spain-scores-last-minute-goal-to-beat-portugal-1-0</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-spain-scores-last-minute-goal-to-beat-portugal-1-0</guid><pubDate>Tue, 07 Jul 2026 09:55:24 +05:30</pubDate><description><![CDATA[<p>ફિફા વર્લ્ડ કપ 2026ના રાઉન્ડ ઓફ 16 મેચમાં સ્પેને છેલ્લી ઘડીએ ગોલ કરીને પોર્ટુગલને 1-0 થી હરાવ્યું.મિકેલ મેરિનોએ ઇન્જરી ટાઇમમાં મેચનો એકમાત્ર ગોલ કર્યો.આ વિજય સાથે,સ્પેન ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું,જ્યારે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની પોર્ટુગલ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ.બંને ટીમોને પહેલા હાફમાં ગોલ કરવાની ઘણી સારી તકો મળી,પરંતુ કોઈ પણ ટીમ ગોલ કરી શકી નહીં.</p><h3><b>પોર્ટુગલે સ્પેનના ડિફેન્ડર્સ પર દબાણ બનાવ્યું</b></h3><p>સ્પેનના મિકેલ ઓયાર્ઝાબાલ પાસે પહેલા હાફમાં પોતાની ટીમને આગળ ધપાવવાની સારી તક હતી, પરંતુ તેનો શોટ પોસ્ટની બહાર ગયો. દરમિયાન, પોર્ટુગલના ગોલકીપર ડિઓગો કોસ્ટાએ એલેક્સ બેનાનો શાનદાર શોટ બચાવીને પોતાની ટીમને શરૂઆતના નુકસાનથી બચાવી. પોર્ટુગલે પણ સ્પેનના ડિફેન્ડર્સ પર સતત દબાણ જાળવી રાખ્યું. કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ગોલ કરવાના કેટલાક સારા પ્રયાસો કર્યા, જ્યારે નુનો મેન્ડેસનો શોટ ક્રોસબારમાં અથડાયો અને પાછો ફર્યો. આ બધા પ્રયાસો છતાં, પોર્ટુગલ સમગ્ર મેચ દરમિયાન એક પણ ગોલ કરવામાં નિષ્ફળ ગયો.</p><h3><b>મિકેલ મેરિનોએ ઇન્જરી ટાઇમમાં શાનદાર ગોલ કર્યો.</b></h3><p>બીજા હાફમાં, બંને ટીમો સાવધાનીપૂર્વક રમી, અને કોઈ પણ ટીમે ગોલ ન કર્યો. એવું લાગતું હતું કે મેચ ડ્રોમાં સમાપ્ત થશે અને વધારાનો સમય ફરજિયાત રહેશે. પરંતુ રમતના અંત પછી (90મી મિનિટે), બે નવા સ્પેનિશ અવેજી ખેલાડીઓએ મેચનું પરિણામ ફેરવી દીધું. ફેરન ટોરેસે શાનદાર પાસ આપ્યો, અને મિકેલ મેરિનોએ શાનદાર ગોલ કરીને સ્પેનને 1-0ની લીડ અપાવી. આ ગોલ આખરે સ્પેનની જીત તરફ દોરી ગયો.</p><p><a href="https://x.com/FIFAWorldCup/status/2074237320828481805?s=20" target="_blank">https://x.com/FIFAWorldCup/status/2074237320828481805?s=20</a></p><p><br></p><h4><b>રોનાલ્ડો ફિફા વર્લ્ડ કપમાં રમતા જોવા મળશે નહીં</b></h4><p>આ હાર સાથે, 41 વર્ષીય ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ફિફા વર્લ્ડ કપ 2026 સુધીની સફરનો અંત આવ્યો. મેચ શરૂ થાય તે પહેલાં જ, રોનાલ્ડોએ સ્પષ્ટ કરી દીધું કે આ તેનો છેલ્લો ફિફા વર્લ્ડ કપ હશે. તેની કારકિર્દી દરમિયાન, તેણે 27 મેચ રમી અને 11 ગોલ કર્યા. તે સતત છ વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ગોલ કરનાર પ્રથમ ફૂટબોલર પણ બન્યો.</p><p>આ પણ વાંચો - F<a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-belgium-defeats-usa-to-reach-quarter-finals" target="_blank">IFA World Cup 2026: બેલ્જિયમે અમેરિકાને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/wFSJC7veIgzHU0hoqWx6OtiFBwlhtNF6w4PaoZ3C.webp'/></item><item><title><![CDATA[Kala Hiran Controversy: શું બ્રેસલેટ પહેરવું એ સલમાનની ઓળખ? દિલ્હી હાઈકોર્ટે ફિલ્મ વિવાદમાં ઉઠાવ્યા આકરા સવાલો ]]></title><link>https://sandesh.com/entertainment/news/kala-hiran-controversy-is-wearing-a-bracelet-an-identity-for-salman-delhi-high-court-raises-tough-questions-in-the-film-controversy</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/kala-hiran-controversy-is-wearing-a-bracelet-an-identity-for-salman-delhi-high-court-raises-tough-questions-in-the-film-controversy</guid><pubDate>Tue, 07 Jul 2026 09:54:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દિલ્હી હાઈકોર્ટમાં અભિનેતા સલમાન ખાનની આગામી ફિલ્મ "કાલા બક - ધ બેટલ ફોર લેગસી" ની રિલીઝ અને ટીઝર પર રોક લગાવવાની માંગ કરતી અરજી પર મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન અદાલતે સેલિબ્રિટીઝના 'પર્સનાલિટી રાઈટ્સ' (વ્યક્તિત્વના અધિકારો) ના વ્યાપને લઈને કેટલાક આકરા અને મહત્વના સવાલો ઉઠાવ્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>સલમાન ખાનનો દાવો: ઓળખનો દુરુપયોગ</b></h2><p style="text-align: justify; ">અભિનેતા સલમાન ખાને કોર્ટમાં દલીલ કરી હતી કે આ ફિલ્મના નિર્માતાઓ તેમની પરવાનગી વિના તેમની છબી અને વૈવિધ્યસભર ઓળખનો ઉપયોગ કરીને આર્થિક અને વ્યાપારી લાભ ખાટવા માંગે છે. તેમના વકીલના જણાવ્યા અનુસાર, આ ફિલ્મ દેખીતી રીતે જ ૧૯૯૮ના ચર્ચિત કાળિયાર શિકાર કેસ અને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથે જોડાયેલા વિવાદોથી પ્રેરિત છે. આ આધારે તેમણે ફિલ્મની રજૂઆત પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી.</p><h3 style="text-align: justify; "><b>હાઈકોર્ટનો સવાલ વ્યક્તિત્વના અધિકારો ક્યાં સુધી વિસ્તરે છે?</b></h3><p style="text-align: justify; ">સુનાવણી દરમિયાન સલમાન ખાનના વકીલે કોર્ટનું ધ્યાન દોર્યું કે ફિલ્મમાં મુખ્ય પાત્ર જે બ્રેસલેટ, કાનની બુટ્ટી અને ઘડિયાળ પહેરે છે, તે સલમાન ખાનની વાસ્તવિક જીવનની ઓળખ અને સ્ટાઈલ સાથે સીધા મેળ ખાય છે. આ દલીલ સામે કડક વલણ અપનાવતા દિલ્હી હાઈકોર્ટે પ્રશ્ન કર્યો કે, શું માત્ર કોઈ ચોક્કસ બ્રેસલેટ, પાઘડી કે ઘડિયાળ પહેરવા માત્રથી તેને કોઈ વ્યક્તિ વિશેષનો વિશેષ અધિકાર ગણી શકાય? કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કરતા પૂછ્યું કે શું હવે વ્યક્તિત્વના અધિકારો બંગડીઓ અને ઘડિયાળો જેવી સામાન્ય વસ્તુઓ પર પણ લાગુ કરવા પડશે? અદાલતે આવા આદેશને અકલ્પનીય ગણાવ્યો હતો અને સલમાનના પક્ષને પૂછ્યું હતું કે શું આ પ્રકારના નિર્ણય માટે ભૂતકાળનો કોઈ કાનૂની આધાર કે પૂર્વધારણા અસ્તિત્વમાં છે ખરા?</p><h4 style="text-align: justify; "><b>માત્ર અનુમાનના આધારે પ્રતિબંધ ન હોઈ શકે: અદાલત</b></h4><p style="text-align: justify; ">હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે માત્ર હાવભાવ કે એસેસરીઝ જેવા સંકેતો એ સાબિત કરવા માટે પૂરતા નથી કે આખી ફિલ્મ સલમાન ખાનના જીવન પર જ આધારિત છે. ફિલ્મ પર રોક લગાવવા માટે વાસ્તવિક, સ્પષ્ટ અને મજબૂત જોડાણના પુરાવા હોવા જરૂરી છે; માત્ર આશંકાઓ કે અનુમાનના આધારે કોઈ સર્જનાત્મક કૃતિના પ્રસારણ પર પ્રતિબંધ લાદી શકાય નહીં.</p><h4 style="text-align: justify; "><b>નવી દલીલો અને સામગ્રી પર કોર્ટની રોક</b></h4><p style="text-align: justify; ">સુનાવણી દરમિયાન સલમાન ખાનના પક્ષે કેટલાક એવા ઇન્ટરવ્યુ અને સોશિયલ મીડિયા પોસ્ટ્સનો ઉલ્લેખ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેનો મૂળ અરજીમાં સમાવેશ કરાયો ન હતો. જોકે, અદાલતે આ નવી સામગ્રીને રેકોર્ડ પર લેવાનો સાફ ઈનકાર કરી દીધો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જે બાબતો અરજીમાં લિખિત સ્વરૂપે હાજર છે, માત્ર તેના પર જ વિચાર કરવામાં આવશે અને પાછળથી નવી સામગ્રી ઉમેરીને દલીલોનો વ્યાપ વધારવાની મંજૂરી આપી શકાય નહીં.</p><h4 style="text-align: justify; "><b>દિલ્હી હાઈકોર્ટનો આદેશ</b></h4><p style="text-align: justify; ">દિલ્હી હાઈકોર્ટે ફિલ્મ નિર્માતાઓને આદેશ આપ્યો છે કે અરજીમાં જે વિવાદિત વીડિયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેની નકલો સલમાન ખાનના વકીલને ઉપલબ્ધ કરાવવામાં આવે જેથી તેની સત્યતાની યોગ્ય ચકાસણી થઈ શકે. આ કેસની આગામી સુનાવણી ૭ જુલાઈના રોજ બપોરે ૨:૩૦ વાગ્યે નિયત કરવામાં આવી છે, જેમાં ફિલ્મની રિલીઝ અને તેના પ્રોમો પર વચગાળાનો સ્ટે આપવો કે નહીં તે અંગે વધુ દલીલો સાંભળવામાં આવશે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/satluj-film-diljits-film-satluj-banned-immediately-after-release-fans-shocked" target="_blank">આ પણ વાંચો : Satluj Film: રિલીઝ થતા જ દિલજીતની ફિલ્મ 'સતલુજ' પર લાગ્યો પ્રતિબંધ? ચાહકો ચોંક્યા</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/STeVNeum4ilYecLrqNHNuxPjq3Q9m40zSUi5JDkI.webp'/></item><item><title><![CDATA[Monsoon 2026 : મહેસાણામાં ભારે વરસાદમાં દીવાલ ધરાશાયી થતાં 5 વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત ]]></title><link>https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-mehsana-heavy-rain-wall-collapse-5-year-old-child-died-sindhi-society</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-mehsana-heavy-rain-wall-collapse-5-year-old-child-died-sindhi-society</guid><pubDate>Tue, 07 Jul 2026 09:51:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજ્યમાં વરસી રહેલા અવિરત વરસાદની વચ્ચે મહેસાણા શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે અચાનક એક દીવાલ ધસી પડતાં તેની નીચે દબાઈ જવાથી 5 વર્ષના એક માસૂમ બાળકનું ઘટનાસ્થળે જ કરુણ અવસાન થયું છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારમાં ભારે આક્રંદ છવાયું છે.</p><h2 style="text-align: justify; "><b>દીવાલ અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી&nbsp;</b></h2><p style="text-align: justify; ">મળતી વિગતો અનુસાર, મહેસાણા શહેરની સિંધી સોસાયટીની બાજુમાં ધોધમાર વરસાદ દરમિયાન એક દીવાલ અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>માસૂમ બાળક કાટમાળ નીચે દબાઈ ગયો</b></h3><p style="text-align: justify; ">આ ઓચિંતી આફતમાં ત્યાં હાજર રુદ્ર સુનીલભાઈ દેવીપૂજકનામનો માસૂમ બાળક કાટમાળ નીચે દબાઈ ગયો હતો. સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ બાળકને બહાર કાઢ્યો હતો, પરંતુ કમનસીબે તેનો જીવ બચાવી શકાયો ન હતો. માસૂમના મૃતદેહને તાત્કાલિક પીએમ અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.</p><h4 style="text-align: justify; "><b>મામલતદારને સત્તાવાર પત્ર લખીને રજૂઆત કરી</b></h4><p style="text-align: justify; ">આ ઘટના બાદ વોર્ડ નંબર 6 ના મ્યુનિસિપલ કાઉન્સિલર રાકેશકુમાર ભગવતપ્રસાદ બારોટે મામલતદારને સત્તાવાર પત્ર લખીને રજૂઆત કરી છે, જેમાં તેમણે આ દુર્ઘટનાને ભારે વરસાદના કારણે સર્જાયેલી કુદરતી આપત્તિજન્ય ઘટના ગણાવી છે. જો કે, આ કમનસીબ ઘટના બાદ મહેસાણા મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે રાજકારણ ગરમાયું છે અને બંનેના નિવેદનોમાં સ્પષ્ટ મતભેદ સામે આવ્યો છે.&nbsp;</p><h5 style="text-align: justify; "><b>ધરાશાયી થયેલી દીવાલ જર્જરિત ન હતી</b></h5><p style="text-align: justify; ">મનપાના વહીવટી અધિકારીઓ દાવો કરી રહ્યા છે કે ધરાશાયી થયેલી દીવાલ જર્જરિત ન હતી, જ્યારે બીજી તરફ શહેરના મેયરે નિવેદન આપ્યું છે કે આ દીવાલ વર્ષો જૂની અને જર્જરિત હાલતમાં હતી. તંત્રના આ વિરોધાભાસી નિવેદનોને પગલે હવે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; <a href="https://sandesh.com/explainer/news/india/ahmedabad/sandesh-digital-explainer-amarnath-yatra-ice-shivling-melting-reasons-global-warming-route-guide" target="_blank"><b>Sandesh Digital Explainer : અમરનાથ ગુફામાં હિમ શિવલિંગ વહેલા ઓગળવા પાછળના 5 ઇનસાઇડ કારણો..!</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/ALvwhn2pkA4omInsD1J4QChbOXeUvca8KuebeSTi.webp'/></item><item><title><![CDATA[PM Modi: એકસાથે 5 મુસ્લિમ દેશ સાથે દોસ્તી વધુ મજબૂત કરી રહ્યું છે ભારત,PM મોદી અને જયશંકરનો ડિપ્લોમેટિક પ્લાન ]]></title><link>https://sandesh.com/india/news/pm-modi-india-is-strengthening-its-friendship-with-5-muslim-countries-simultaneously-pm-and-jaishankars-diplomatic-plan</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/pm-modi-india-is-strengthening-its-friendship-with-5-muslim-countries-simultaneously-pm-and-jaishankars-diplomatic-plan</guid><pubDate>Tue, 07 Jul 2026 09:42:56 +05:30</pubDate><description><![CDATA[<p>વર્તમાન સમયમાં ભારત વૈશ્વિક કૂટનીતિના કેન્દ્રમાં આવી ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકરની જોડી અત્યારે વિશ્વના નકશા પર ભારતની વિદેશ નીતિનો સૌથી મજબૂત ચહેરો બનીને ઉભરી છે. એક તરફ પીએમ મોદી દુનિયાની સૌથી મોટી મુસ્લિમ વસ્તી ધરાવતા દેશ ઇન્ડોનેશિયાના પ્રવાસે છે, તો બીજી તરફ વિદેશ મંત્રી એસ. જયશંકર કતાર, બહેરીન, કુવૈત અને ઓમાન જેવા ચાર મહત્વના ખાડી દેશો સહિત 6 દેશોની ઐતિહાસિક યાત્રા પર છે. આ વ્યૂહાત્મક ભાગીદારીથી ભારતે એકસાથે 5 પ્રભાવશાળી મુસ્લિમ દેશો સાથે પોતાના સંબંધોને નવી મજબૂતી આપી છે.</p><h2><b>ઇન્ડોનેશિયામાં પીએમ મોદીનું ગ્રાન્ડ વેલકમ</b></h2><p>વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તા પહોંચ્યા ત્યારે તેમનું અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું હતું. આકાશમાં ફાઇટર જેટ્સની સલામી વચ્ચે ખુદ ઇન્ડોનેશિયાના પ્રમુખ પ્રબોવો સુબિયાંતોએ એરપોર્ટ પર પીએમ મોદીની આગવાની કરી હતી. વર્ષ 2018માં બંને દેશો વચ્ચે 'કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ' થયા પછી પીએમ મોદીની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. આ પ્રવાસથી ભારતની 'એક્ટ ઇસ્ટ પોલિસી'ને નવી ગતિ મળશે. બંને દેશો હિંદ-પ્રશાંત (Indo-Pacific) ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવને રોકવા માટે દરિયાઈ સુરક્ષા, સંયુક્ત સૈન્ય અભ્યાસ અને સંરક્ષણ ઉદ્યોગ પર સાથે મળીને કામ કરી રહ્યા છે.</p><h3><b>ખાડી દેશોમાં જયશંકરની વ્યૂહાત્મક કૂટનીતિ</b></h3><p>બીજી તરફ, વિદેશ મંત્રી એસ. જયશંકર પશ્ચિમ એશિયાના બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે ખાડી દેશોની મુલાકાતે છે. તેમણે કતારના વડાપ્રધાન મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન અલ-થાની સાથે મુલાકાત કરી ઉર્જા, વેપાર, રોકાણ અને સુરક્ષા જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. પશ્ચિમ એશિયામાં તણાવ હોવા છતાં, ભારતે ઇઝરાયેલ તેમજ કતાર, ઓમાન અને યુએઈ જેવા આરબ દેશો સાથે સમાન સંતુલન જાળવી રાખ્યું છે. આ દેશો સાથે ભારતના સંબંધો કોઈપણ ધાર્મિક એજન્ડાથી પર છે.</p><h4><b>મધ્યસ્થી તરીકે ઉભરતું ભારત</b></h4><p>અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી પરોક્ષ વાતચીત અને સીઝફાયરના પ્રયાસો વચ્ચે ભારતની આ ડિપ્લોમેસી ખૂબ મહત્વની માનવામાં આવે છે. ખાડી દેશોનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ જયશંકર 13 જુલાઈએ ન્યૂયોર્ક જશે, જ્યાં તેઓ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં 2028-29ના કાર્યકાળ માટે ભારતના સત્તાવાર અભિયાનની શરૂઆત કરશે. આ તમામ ગતિવિધિઓ દર્શાવે છે કે ભારત હવે કોઈ મહાસત્તાના દબાણમાં આવ્યા વગર પોતાના રાષ્ટ્રીય હિતોને સર્વોપરી રાખીને ગ્લોબલ પાવર તરીકે આગળ વધી રહ્યું છે.</p><p><a href="https://sandesh.com/world/news/pakistan-pakistan-panicked-over-indus-water-munir-and-bilawal-threatened-war-with-india" target="_blank">આ પણ વાંચો:Pakistan: સિંધુના પાણીને લઈને પાકિસ્તાન બોખલાયું, મુનીર અને બિલાવલે ભારતને યુદ્ધની ધમકી આપી</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/q7N2tMVPjHoYffJdsQeXgFBS7eLzRc94uybZWIMD.webp'/></item><item><title><![CDATA[Mahisagar: કડાણા-સંતરામપુરના જંગલ વિસ્તારો ખીલી ઉઠ્યા, ધાનેરા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dhanera/mahisagar-lunawada-heavy-rain-dhanera-rail-river-water-inflow-banaskantha</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dhanera/mahisagar-lunawada-heavy-rain-dhanera-rail-river-water-inflow-banaskantha</guid><pubDate>Tue, 07 Jul 2026 09:42:52 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે અને બે અલગ-અલગ ભૌગોલિક છેડા પર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. મધ્ય ગુજરાતના આદિવાસી અને ડુંગરાળ વસતિ ધરાવતા મહીસાગર જિલ્લામાં મોડી રાતથી જ કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા. જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા સહિત ખાનપુર અને કડાણા તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સંતરામપુર તાલુકા પંથકમાં પણ સારો વરસાદ થવાના અહેવાલો છે. મહીસાગરમાં આ વરસાદી રાઉન્ડ ખેતી માટે અત્યંત આશીર્વાદરૂપ માનવામાં આવે છે, કારણ કે આ વિસ્તારોમાં મોટાભાગની ખેતી વરસાદ આધારિત છે.</p><h2><b>ધાનેરાની રેલ નદીમાં નવા નીરના પૂર</b></h2><p>બીજી તરફ, ઉત્તર ગુજરાતના સરહદી અને મોટેભાગે ઓછો વરસાદ મેળવતા બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પંથકમાં મેઘરાજાએ રૌદ્ર અને નયનરમ્ય એન્ટ્રી કરી છે. ધાનેરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો જેવા કે બાપલા અને વાછોલમાં પ્રથમ રાઉન્ડમાં જ મુશળધાર વરસાદ ખાબક્યો છે. આ પ્રથમ વરસાદની સાથે જ પંથકના સૂકાભઠ નદી-નાળા અને ગ્રામીણ વહોળાંઓ ફરીથી જીવંત બની ગયા છે. સૌથી મહત્વના સમાચાર એ છે કે, ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ધાનેરાની ઓળખ સમાન રાજોડા તરફ વહેતી રેલ નદીમાં પાણીની જોરદાર આવક થઈ છે. નદીમાં નવા નીર વહેતા થતાં સ્થાનિક લોકો નદીના દર્શન કરવા ઉમટી પડ્યા હતા.</p><h3><b>ધરતીપુત્રો અને પશુપાલકોમાં ખુશીની લહેર</b></h3><p>બંને પ્રદેશોમાં આ વરસાદી માહોલથી ખેડૂતોના ચહેરા પર વર્ષો જૂની ચમક પાછી આવી છે. વાવણી કર્યા બાદ વરસાદ ખેંચાવાની ભીતિ વચ્ચે આ વરસાદ પડતાં કપાસ, બાજરી, મકાઈ અને મગફળી જેવા ખરીફ પાકોને મોટું જીવનદાન મળ્યું છે. આ ઉપરાંત પશુપાલકો માટે લીલા ઘાસચારાની સમસ્યા પણ હલ થશે. ધાનેરા અને મહીસાગરના સ્થાનિક તંત્રો દ્વારા નીચાણવાળા વિસ્તારો અને નદીકાંઠાના લોકોને નદીના પટમાં ન જવા અને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/bhavnagar/rain-restarts-kaliyabid-nilambaug-jewellers-circle-weather-update" target="_blank">આ પણ વાંચો: Bhavnagar: બે કલાકના વિરામ બાદ કાળિયાબીડ અને નિલમબાગ સહિતના વિસ્તારોમાં ફરી વરસાદ શરૂ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/VIgmpD78jQ3n2Z3ppRgVsn246FxP8WEoUx25Tmt7.webp'/></item><item><title><![CDATA[Maharashtra Rain: હાઇએલર્ટ પર મહારાષ્ટ્ર સરકાર, 8 જુલાઇ સુધી ભારે વરસાદનું રેડ એલર્ટ ]]></title><link>https://sandesh.com/india/news/maharashtra-rain-maharashtra-government-on-high-alert-red-alert-declared-till-july-8</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/maharashtra-rain-maharashtra-government-on-high-alert-red-alert-declared-till-july-8</guid><pubDate>Tue, 07 Jul 2026 09:29:56 +05:30</pubDate><description><![CDATA[<p>મહારાષ્ટ્રમાં મેઘો ધોધમાર વરસી રહ્યો છે. તેમાં પણ મુંબઇ અને પુણેમાં તો ધોધમાર વરસાદ થતા સ્થિતિ ચિંતાજનક બની છે. શાળા કોલેજોમાં રજા આપી દેવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. તેવામાં સીએમ ફડણવીસે ભારે વરસાદને લઇને એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે.&nbsp;</p><p><b style="font-size: 2rem;">NDRF અને SDRF ટીમો તૈનાત</b></p><p>મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન નિયંત્રણ ખંડ ખાતે પૂરની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. જે બાદ તેમણે જણાવ્યું હતું કે  NDRF અને SDRF ટીમો તૈનાત કરવામાં આવી છે. બધા જિલ્લા કલેક્ટરો, જિલ્લા વહીવટીતંત્ર, ફાયર બ્રિગેડ અને કટોકટી સેવાઓને એલર્ટ પર રાખવામાં આવી છે. જે વિસ્તારોમાં અનિચ્છનીય ઘટનાઓનું જોખમ છે ત્યાં અગાઉથી તૈયારીઓ કરવામાં આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2074338179772268913"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p><b style="font-size: 1.75rem;">8 જુલાઇ સુધી ભારે વરસાદનું એલર્ટ&nbsp;</b></p><p>તેમણે ચેતવણી આપી હતી કે ભારે વરસાદને કારણે સર્જાયેલી કટોકટી 8 જુલાઈ સુધી રહી શકે છે. જેના કારણે સમગ્ર સરકારી તંત્રને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. 7 જુલાઇના રોજ નાસિકના કેટલાક ભાગોમાં વાદળ ફાટવા જેવી પરિસ્થિતિની શક્યતા અંગે પણ આશંકા વ્યક્ત કરી હતી. દેવેન્દ્ર ફડણવીસે ટિપ્પણી કરી હતી કે અતિશય વરસાદ 'કુદરતી આપત્તિ' જેવી પરિસ્થિતિ બનાવે છે. જે માનવ નિયંત્રણની બહારની બાબત  છે. પરંતુ સાથે એમ પણ જણાવ્યું કે  જનતાના સહયોગથી આવી કટોકટીઓને વધુ અસરકારક રીતે સંચાલિત કરી શકાય છે.</p><p><b style="font-size: 1.75rem;">NDRF ટીમો એલર્ટ પર</b></p><p>તેમણે જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશન નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ટીમો સહિત સમગ્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઉપકરણ હાઇ એલર્ટ પર છે. માળખાગત નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરતા, મુખ્યમંત્રીએ નોંધ્યું હતું કે મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર આટલો મોટો ભૂસ્ખલન પહેલાં ક્યારેય જોવા મળ્યો નથી. આશરે 100 ટન કાટમાળ રસ્તા પર પડ્યો હતો. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે આ કાટમાળમાંથી 70 ટન સાફ કરવામાં આવ્યો છે જેના કારણે પુણે તરફ જતી ત્રણ લેન ફરીથી ખુલી ગઈ છે, જ્યારે મુંબઈ તરફનો માર્ગ હાલમાં સાફ કરવામાં આવી રહ્યો છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2074185632159822009"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b style="font-size: 1.75rem;">ચાર દિવસમાં એક મહિના જેટલો વરસાદ</b></p><p>મુખ્યમંત્રી ફડણવીસે જણાવ્યું હતું કે મુંબઈમાં માત્ર ચાર દિવસમાં એક મહિના જેટલો વરસાદ પડ્યો છે. ભારે વરસાદ અને ભરતીના મિશ્રણથી પૂર જેવી સ્થિતિનું જોખમ વધે છે. જોકે પરિસ્થિતિ વધુ બગડતી અટકાવવા માટે BMC સતત જમીન પર કામ કરી રહી હતી. ભારે વરસાદ છતાં મુંબઈ લોકલ ટ્રેન અને BEST બસ સેવાઓ મોટાભાગે સામાન્ય રહી.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2074087325366460798"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b style="font-size: 1.5rem;">75 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો</b></p><p><br></p><p>મુખ્યમંત્રીએ નોંધ્યું હતું કે રવિવારે 75 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે પવન ફૂંકાયો હતો. પરિણામે એક જ દિવસમાં લગભગ 350 વૃક્ષો પડી ગયા અને 450 થી વધુ વૃક્ષોની ડાળીઓ તૂટી પડી. આ આંકડો સમગ્ર ચોમાસા દરમિયાન સામાન્ય રીતે પડતા કુલ વૃક્ષોની સંખ્યાના લગભગ 50 ટકા દર્શાવે છે. તેમણે ઉમેર્યું કે આગામી કલાકોમાં 70 થી 90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવાની આગાહી છે.</p><p><br></p><p>મુખ્યમંત્રી ફડણવીસે જણાવ્યું હતું કે આને ધ્યાનમાં રાખીને શાળાઓ બંધ જાહેર કરવામાં આવી છે. સરકારી અને ખાનગી કચેરીઓને પણ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે અને નાગરિકોને ખૂબ જ જરૂરી હોય તો જ તેમના ઘરની બહાર નીકળવાની સલાહ આપવામાં આવી છે.</p><p><br></p><h4><b>મહારાષ્ટ્ર માટે ચેતવણી</b></h4><p>મુખ્યમંત્રી ફડણવીસે નાશિકને સૌથી સંવેદનશીલ પ્રદેશ તરીકે ઓળખાવ્યો છે. મંગળવારે (આજે) નાશિક અને ત્ર્યંબકેશ્વર વચ્ચે ભારે વરસાદ અને વાદળ ફાટવા જેવી સ્થિતિની સંભાવના છે, જેમાં આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. રાયગઢ, પાલઘર, સતારા, મુંબઈ, થાણે, પુણે અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. એ નોંધવામાં આવ્યું છે કે ચોમાસાના પહેલા 25 દિવસોમાં વરસાદ પ્રમાણમાં ઓછો હતો, પરંતુ છેલ્લા ત્રણથી ચાર દિવસમાં અત્યંત ભારે વરસાદ નોંધાયો છે.</p><p><br></p><h4><b>મુંબઇ પુણે રૂટનો એક લેન ખોલી દેવાયો&nbsp;</b></h4><p><br></p><p>મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં આઠ સ્થળોએ ભૂસ્ખલન થયું છે. મુંબઈ-ગોવા હાઇવે અને મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર પણ ભૂસ્ખલનની ઘટનાઓ નોંધાઈ છે. મુંબઈ-પુણે રૂટનો એક લેન ખોલી દેવામાં આવ્યો છે, જ્યારે બાકીના ભાગને સામાન્ય કામગીરીમાં પુનઃસ્થાપિત કરવાનું કામ ચાલી રહ્યું છે. મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી કે સરકાર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. સમગ્ર વહીવટીતંત્ર એલર્ટ પર છે, અને બધી એજન્સીઓ વરસાદથી પ્રભાવિત લોકોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવા માટે સક્રિયપણે કામ કરી રહી છે.</p><p><br></p><p><a href="https://sandesh.com/astrology/news/bhakti/budh-gochar-2026-bank-balance-of-3-zodiac-signs-will-increase-mercury-will-change-its-course" target="_blank">આ પણ વાંચો-Budh Gochar 2026: 3 રાશિનું બેંક બેલેન્સ વધશે ! બુધ બદલશે ચાલ&nbsp;</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/jutrsTuu1X9KT3eqUi5eVZHWRpYbonEVurG18SqE.webp'/></item><item><title><![CDATA[Aravalli Rain: મેઘરજ અને માલપુર પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, ધરતીપુત્રોમાં હર્ષની હેલી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/aravalli/meghraj-malpur-heavy-rain-midnight-maize-soybean-crop-benefit</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/aravalli/meghraj-malpur-heavy-rain-midnight-maize-soybean-crop-benefit</guid><pubDate>Tue, 07 Jul 2026 08:38:14 +05:30</pubDate><description><![CDATA[<p>અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે મેઘરાજાએ અમીદ્રષ્ટિ કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી આકાશમાં વાદળો બંધાતા હોવા છતાં વરસાદ ન પડવાને કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે, મોડી રાત્રે અંધારપટ વચ્ચે અચાનક આકાશમાં વીજળીના કડાકા-ભડાકા શરૂ થયા હતા અને મેઘરજ તેમજ માલપુર તાલુકા સહિતના મોટાભાગના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.</p><h2><b>મકાઈ અને સોયાબીનના વાવેતરને અમૃત મળ્યું</b></h2><p>અરવલ્લી જિલ્લો એ દેશભરમાં મકાઈ અને સોયાબીનના ગુણવત્તાયુક્ત ઉત્પાદન માટે જાણીતો છે. ચાલુ ખરીફ સીઝનની શરૂઆતમાં વાવણી કર્યા બાદ વરસાદ ગાયબ થઈ જતાં પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી હતી. કૃષિ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, મોડી રાત્રે પડેલો આ ગાજવીજ સાથેનો વરસાદ ખાસ કરીને મકાઈ અને સોયાબીનના છોડ માટે 'ટોનિક' નું કામ કરશે. વરસાદી પાણી જમીનમાં ઉતરતા જ પાકને જરૂરી નાઇટ્રોજન અને ભેજ મળી રહેશે, જેથી ઉત્પાદન વધવાની આશા જીવંત થઈ છે.</p><h3><b>સ્થાનિક નદીઓ અને ચેકડેમોમાં નવા નીર</b></h3><p>મેઘરજ તાલુકાના ખાસ કરીને રેલ્લાવાડા, જીતપુર અને માલપુરના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. ડુંગરાળ વિસ્તારોમાંથી વહીને આવતા પાણીને કારણે સ્થાનિક કોઝવે અને નાના ચેકડેમોમાં નવા પાણીની આવક નોંધાઈ છે. આ વરસાદના કારણે માત્ર ખરીફ પાકને જ ફાયદો નથી થયો, પરંતુ પશુધનના ઘાસચારાની સમસ્યા પણ હલ થશે. રાત્રિના ધોધમાર વરસાદ બાદ સવારથી જ ખેડૂતો ખેતરોમાં ઉત્સાહભેર કૃષિ કાર્યો અને નિંદામણની કામગીરીમાં જોતરાઈ ગયા છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/valsad/udvada-bridge-nh48-highway-road-repair-during-rain-contractor-negligence" target="_blank">આ પણ વાંચો: Valsad: ઉદવાડા ઓવરબ્રિજ પર ચાલુ વરસાદે જ ડામર રોડનું કામ કરી નાખ્યું! પેચવર્ક 24 કલાક પણ નહીં ટકવાની સ્થાનિકોને આશંકા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/YIT0QBRlNvS94T8grfzocQ6HeZPpG3YIwXzf224n.webp'/></item><item><title><![CDATA[Auto News: નવા લુક અને માઇલ્ડ-હાઇબ્રિડ એન્જિન સાથે 28 જુલાઈએ લોન્ચ થશે આ નવી પિકઅપ! ]]></title><link>https://sandesh.com/business/news/automobile/auto-news-this-new-pickup-will-be-launched-on-july-28-with-a-new-look-and-mild-hybrid-engine</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/auto-news-this-new-pickup-will-be-launched-on-july-28-with-a-new-look-and-mild-hybrid-engine</guid><pubDate>Mon, 06 Jul 2026 20:39:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જો તમે એક પાવરફુલ પિકઅપ ટ્રક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. Toyota આગામી 28 જુલાઈ 2026ના રોજ પોતાની લોકપ્રિય પિકઅપ Hiluxનું નવું મોડલ લોન્ચ કરવા જઈ રહી છે. આ Hiluxની 9મી જનરેશન હશે, જેમાં પહેલા કરતા ઘણા મોટા ફેરફારો જોવા મળશે. નવી Hiluxને નવું એક્સટીરિયર ડિઝાઇન, મોર્ડન ઇન્ટીરિયર અને ઘણા એડવાન્સ ફીચર્સ સાથે રજૂ કરવામાં આવશે. જો કે, કંપની આમાં પહેલા જેવું જ ભરોસાપાત્ર ડીઝલ એન્જિન ચાલુ રાખી શકે છે.</p><h2 style="text-align: justify; "><b>પહેલા કરતા વધુ આકર્ષક અને દમદાર</b></h2><p style="text-align: justify; ">નવી Toyota Hiluxની ઓવરઓલ ડિઝાઇન પહેલા જેવી જ રહેશે, પરંતુ તેના ફ્રન્ટ લુકમાં ઘણા ફેરફારો કરવામાં આવી શકે છે. તેમાં નવું બોડી-કલર હનીકોમ્બ ગ્રીલ, પહેલા કરતા પાતળી LED હેડલેમ્પ, નવું બમ્પર અને મજબૂત સ્કીડ પ્લેટ મળવાની આશા છે. આનાથી પિકઅપ ટ્રક પહેલા કરતા વધુ આકર્ષક અને દમદાર દેખાશે.</p><h3 style="text-align: justify; "><b>ડિઝાઇનમાં થશે આ ફેરફારો</b></h3><p style="text-align: justify; ">સાઇડ પ્રોફાઇલમાં બહુ વધારે ફેરફાર જોવા નહીં મળે. દરવાજાની ડિઝાઇન અને પહોળા વ્હીલ આર્ચ પહેલા જેવા જ રહી શકે છે. જો કે કંપની આમાં નવી ડિઝાઇનવાળા એલોય વ્હીલ આપી શકે છે, જેનાથી તેનો લુક વધુ પ્રીમિયમ બની જશે. પાછળની તરફ પણ કેટલાક ફેરફારો જોવા મળી શકે છે. નવી Hiluxમાં અપડેટેડ LED ટેલલાઇટ્સ, નવું રિયર બમ્પર અને ટેલગેટ પર Toyotaનું મોટું નામ લખેલું મળી શકે છે. આનાથી ટ્રકનો પાછળનો ભાગ પણ પહેલા કરતા વધુ મોર્ડન દેખાશે.</p><h4 style="text-align: justify; "><b>અંદર મળશે અઢળક ફીચર્સ</b></h4><p style="text-align: justify; ">સૌથી મોટો ફેરફાર કેબિનની અંદર જોવા મળશે. નવી Hiluxમાં 12.3-ઇંચની બે મોટી સ્ક્રીન મળવાની સંભાવના છે. જેમાંથી એક ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને બીજી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ માટે હશે. આ સિવાય નવું સ્ટીયરીંગ વ્હીલ અને નવું સેન્ટર કન્સોલ પણ આપવામાં આવી શકે છે. Toyotaએ આ વખતે પણ ઘણા જરૂરી ફિઝિકલ બટનો જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. આનાથી ઓફ-રોડ ડ્રાઇવિંગ અને રોજિંદા ઉપયોગ દરમિયાન ફીચર્સનો ઉપયોગ કરવો સરળ રહેશે.</p><h5 style="text-align: justify; "><b>સેફ્ટી અને પાવર</b></h5><p style="text-align: justify; ">ફીચર્સની વાત કરીએ તો નવી Hiluxમાં 360 ડિગ્રી કેમેરા, ADAS, પાવર્ડ ફ્રન્ટ સીટ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ, વાયરલેસ કનેક્ટિવિટી અને અન્ય ઘણી પ્રીમિયમ સુવિધાઓ મળવાની આશા છે. આનાથી આ પિકઅપ પહેલા કરતા વધુ સુરક્ષિત અને આરામદાયક બની જશે. એન્જિનમાં મોટો ફેરફાર થવાની સંભાવના નથી. નવી Hiluxમાં એ જ 2.8-લીટર ડીઝલ એન્જિન મળશે, જે 204 હોર્સપાવર અને 500 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 6-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ બંને વિકલ્પોમાં ઉપલબ્ધ હોઈ શકે છે. સાથે જ આમાં 4×4 ડ્રાઇવ સિસ્ટમ પણ મળશે, જેનાથી તે મુશ્કેલ રસ્તાઓ પર પણ શાનદાર પ્રદર્શન કરશે.</p><h6 style="text-align: justify; "><b>હાઇબ્રિડ એન્જિન</b></h6><p style="text-align: justify; ">અહેવાલો અનુસાર, Toyota આ એન્જિન સાથે 48V માઇલ્ડ-હાઇબ્રિડ સિસ્ટમ પણ આપી શકે છે. આ જ ટેકનોલોજી કંપનીએ તાજેતરમાં Fortuner Neo Driveમાં પણ ઉપયોગ કરી છે. આનાથી વધુ સારી માઇલેજ અને સ્મૂધ ડ્રાઇવિંગનો ફાયદો મળી શકે છે. વૈશ્વિક સ્તરે Toyotaએ ઇલેક્ટ્રિક Hilux પણ રજૂ કરી છે, જેમાં 59.2 kWh બેટરી અને ડ્યુઅલ મોટર સેટઅપ આપવામાં આવ્યું છે. જો કે, હાલમાં એ સ્પષ્ટ નથી કે કંપની આ ઇલેક્ટ્રિક મોડલને ભારતમાં લોન્ચ કરશે કે નહીં.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/automobile" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/06/TbMk73QTYgQiwgYsQ49CmbNSwA1LDy3K7N4kth5c.webp'/></item></channel></rss>