<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Chhotaudepur: નસવાડીમાં પ્રથમવાર ભગવાન જગન્નાથજીની નગરયાત્રાનું આયોજન ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-for-the-first-time-lord-jagannathjis-nagar-yatra-is-being-organized-in-naswadi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-for-the-first-time-lord-jagannathjis-nagar-yatra-is-being-organized-in-naswadi</guid><pubDate>Thu, 16 Jul 2026 04:29:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અષાઢ સુદ બીજના પાવન અવસરે સમગ્ર દેશમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની રથયાત્રા શ્રાદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવાય છે. ભગવાન જગન્નાથનું મુખ્ય મંદિર ઓડિશાના પુરીખાતે આવેલું છે. રથયાત્રાના દિવસે ભગવાન સ્વયં રથમાં બિરાજીને ભક્તોને દર્શન આપવા નગરવિહાર કરે છે. જેના કારણે આ તહેવારનું વિશેષ ધાર્મિક મહત્વ છે. ત્યારે નસવાડી નગરમાં સૌપ્રથમવાર યોજનાર જગન્નાથજીની રથયાત્રાને લઇ ભારે ઉત્સાહ છે.</p><p style="text-align: justify; ">પૌરાણિક માન્યતા મુજબ, રાધા-કૃષ્ણના દિવ્ય પ્રેમની કથા સાંભળતી વખતે ભગવાન શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રા ભક્તિભાવમાં લીન થતાં તેમના હાથ-પગ સંકોચાઈ ગયા અને આંખો વિશાળ બની ગઈ હતી. દેવર્ષિ નારદની પ્રાર્થનાથી ભગવાને કલિયુગમાં આ જ સ્વરૂપે જગન્નાથ તરીકે પ્રગટ થવાનું વચન આપ્યું હોવાનું મનાય છે. ગુજરાતમાં અમદાવાદની જગન્નાથ રથયાત્રા વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે. જમાલપુર સ્થિત ઐતિહાસિક જગન્નાથ મંદિરમાંથી નીકળતી આ રથયાત્રાને 140 વર્ષથી વધુનો ઇતિહાસ છે. ભવ્ય કાષ્ઠના રથો, હાથી-ઘોડા, અખાડા, શણગારેલી ઝાંખી અને હજારો શ્રાદ્ધાળુની ઉપસ્થિતિ યાત્રાને ભવ્યતા આપે છે. ભારત ઉપરાંત અમેરિકા, ઈંગ્લેન્ડ, પેરિસ, ટોરોન્ટો સહિત વિશ્વના અનેક શહેરોમાં પણ રથયાત્રા યોજાય છે. આ પાવન પર્વ સમાજમાં સેવા, સમરસતા, ભક્તિ અને માનવકલ્યાણનો સંદેશ પ્રસરાવે છે. આ અંગે હરીપુરાની શ્રી એકલવ્ય આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. એમ. જી. ચૌહાણે જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથનો સેવા અને સહકારનો સંદેશ જીવનમાં ઉતારી કુટુંબ, સમાજ અને રાષ્ટ્રકલ્યાણ માટે કાર્ય કરવું એ જ રથયાત્રાની સાચી ભાવના છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/15/P7CC6IXWMXGT9NQFZNWpUpIlq7iH80YIUrp1dtBm.webp'/></item><item><title><![CDATA[Chhotaudepur: મહિલા મુસાફરોએ પ્લેટફોર્મ પર મહિલાની પ્રસૂતિ કરાવી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur--1-1-1-1-1-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur--1-1-1-1-1-1</guid><pubDate>Thu, 16 Jul 2026 04:29:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરાથી છોટાઉદેપુર જતી ગર્ભવતી શ્રામિક મહિલાને ચાલુ ટ્રેનમાં પ્રસવની પીડા ઉપડતા બોડેલીના પ્લેટફેર્મ પર જ બાળકને જન્મ આપ્યો હતો. આ સમયે સાથે મુસાફર કરતી મહિલાઓ મદદ માટે દોડી આવી હતી.</p><p style="text-align: justify; ">વડોદરાના પ્રતાપનગરથી અલીરાજપુર જતી પેસેન્જર ટ્રેનમાં ગત સાંજે એક શ્રામજીવી દંપતિ પેસેન્જર ટ્રેનમાં બેસી છોટાઉદેપુર તરફ્ જતું હતું. ડભોઇ પછી ગર્ભવતી મહિલાને પ્રસવ પીડા ઉપડતા તેઓ ચિંતાતુર થઈ ગયા હતા.ટ્રેન માં મુસાફ્રોની ભારે ભીડ વચ્ચે એક શ્રામજીવી દંપતી ભારે મુંજવણમાં આવી ગયું હતું. પ્રતાપનગર - અલીરાજપુર પેસેન્જર ટ્રેન રાત્રે 8 વાગ્યે બોડેલી આવતા દંપતી ટ્રેન માં થી નીચે ઉતરી ગયું હતું. ત્યારબાદ મહિલા ને પ્રસવ ની પીડા વધુ ઉપડતા ટ્રેન માં અન્ય મુસાફરી કરતી મહિલાઓ ની મદદ થી બોડેલી ના રેલવે પ્લેટફેર્મ પર મહિલા ને નોર્મલ ડિલિવરી કરાવી હતી. બોડેલી રેલવે સ્ટેશન મસ્તરે 108 ને ઇમર્જન્સી એમ્બ્યુલન્સ ને જાણ કરતા 108 રેલવે પ્લેટફેર્મ પર આવી સારવાર અર્થે મહિલા ને હોસ્પિટલ ખસેડી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/15/FfE5UxlKuZCpgGuH4SlTYOtuzalzQRAm3D6xI4nK.webp'/></item><item><title><![CDATA[Vadodara: વાઘોડિયા નગરમાં એક સપ્તાહના વિરામ બાદ બુધવારે વરસાદી ઝાપટું પડયું ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-after-a-week-long-break-waghodia-town-received-a-rain-shower-on-wednesday</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-after-a-week-long-break-waghodia-town-received-a-rain-shower-on-wednesday</guid><pubDate>Thu, 16 Jul 2026 04:28:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વાઘોડિયા નગરમાં છેલ્લાં ઘણા સમયથી ભારે ઊકળાટ અને બફરા વચ્ચે નગરજનો ત્રાહિમામ પોકારી ગયા હતા, આજે બુધવારે સવારના 11:00 વાગે એકાએક વાદળોની ફેજ ઘસી આવી હતી અને જોત જોતામાં વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જો કે, માત્ર 10 મિનિટ વરસાદી ઝાપટું પડી મેઘરાજા ગાયબ થઈ જતાં પુનઃ ગરમી અને ઉકળાટ વ્યાપી ગયો હતો. માત્ર દસ મિનિટના વરસાદમાં પણ નગરના મુખ્ય બજારમાં પાણીના ખાબોચિયા ભરાઈ ગયા હતાં.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/15/uZ8u6bKBrpQi89p2rvtRfi67krCBSM5ATJ4D3qOm.webp'/></item><item><title><![CDATA[Vadodara: SOU ના મુખ્ય માર્ગ પરના સાઈન બોર્ડ કચરાના ઢગલામાં જોવા મળ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-sign-boards-on-the-main-road-of-sou-were-found-in-a-pile-of-garbage</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-sign-boards-on-the-main-road-of-sou-were-found-in-a-pile-of-garbage</guid><pubDate>Thu, 16 Jul 2026 04:27:00 +05:30</pubDate><description><![CDATA[<p>ડભોઇ વિશ્વપ્રસિદ્ધ પ્રવાસી મથક સ્ટેચ્યુ ઓફ્ યુનિટીને જોડતા ડભોઇના મુખ્ય માર્ગો પર તંત્રની મોટી બેદરકારી સામે આવી છે. ડભોઇથી જુદા જુદા શહેરો તરફ્ જવા માટે દિશા બતાવતા સાઈન બોર્ડ છેલ્લા ચાર મહિનાથી તૂટેલી હાલતમાં ધૂળ ખાઈ રહ્યા છે. સ્ટેટ હાઇવેના અધિકારીઓની ઘોર નિષ્કાળજીના કારણે આ મોંઘા બોર્ડ હાલ કચરાના ઢગલામાં ફેરવાઈ ગયા છે.</p><p>ડભોઇ વેગા ચોકડીની આગળ અને અન્ય મુખ્ય સર્કલો પર પ્રવાસીઓની સુવિધા માટે મોટા સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા હતા. જે છેલ્લા ચાર મહિનાથી તૂટી પડયા હોવા છતાં તેને સરખા કરવાની તરસદી કોઈએ લીધી નથી. મહત્વના માર્ગો પ્રભાવિત ડભોઇથી વડોદરા, અમદાવાદ, રાજપીપલા અને બોડેલી જવા માટેના આ મુખ્ય દિશા સૂચક બોર્ડ હતા. બોર્ડ ન હોવાના કારણે બહારથી આવતા વાહનચાલકો અને પ્રવાસીઓ અટવાઈ રહ્યા છે. આ સાઈન બોર્ડ આજે કંડમ હાલતમાં પડયા છે. જેનાથી સરકારી મિલકતનું નુકસાન થઈ રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ્ યુનિટી જવાનો આ મુખ્ય માર્ગ હોવા છતાં સ્ટેટ હાઇવે વિભાગના અધિકારીઓ કેમ આંખ આડા કાન કરી રહ્યા છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/15/95vWckqnXqgWwb1Ufp7ACH0NZc54bkswKLuyMgI3.webp'/></item><item><title><![CDATA[Vadodara: અષાઢી ગુપ્ત નવરાત્રિના પ્રારંભે રણુ ખાતે ઘટસ્થાપન કરાયું ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-a-ceremony-was-held-at-ranu-at-the-beginning-of-ashadhi-gupta-navratri</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-a-ceremony-was-held-at-ranu-at-the-beginning-of-ashadhi-gupta-navratri</guid><pubDate>Thu, 16 Jul 2026 04:26:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પાદરા તાલુકાના રણુ ગામે આવેલ માં તુલજાભવાની માતાજીના મંદિરે અષાઢી ગુપ્ત નવરાત્રી મહોત્સવનો આજે ભક્તિભાવપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો. વહેલી સવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવત ઘટસ્થાપન કરવામાં આવ્યું હતું. મહંત કવિન્દ્રગીરીજીના સાનિધ્યમાં યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરીઆપી માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. મંદિર પરિસરમાં સમગ્ર દિવસ દરમિયાન ભક્તિમય વાતાવરણ છવાયેલું રહ્યું હતું. નવરાત્રી દરમિયાન વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો, પૂજન-અર્ચન તથા શક્તિ ઉપાસનાના કાર્યક્રમો યોજાનાર હોવાનું મંદિર તરફ્થી જણાવાયું હતું.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/15/mdoRtJfXrtNxldVWVXG49MesdZUliaEVPlmZrJC9.webp'/></item><item><title><![CDATA[India-Belgium વચ્ચે પ્રથમ વ્યૂહાત્મક સંવાદ, વેપારથી રક્ષા સુધી સહયોગ વધારવા સહમતિ ]]></title><link>https://sandesh.com/india/news/world/india-belgium-first-strategic-dialogue-trade-defence-green-energy-cooperation</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/world/india-belgium-first-strategic-dialogue-trade-defence-green-energy-cooperation</guid><pubDate>Wed, 15 Jul 2026 23:35:01 +05:30</pubDate><description><![CDATA[<p>ભારત અને બેલ્જિયમે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે પ્રથમ ભારત-બેલ્જિયમ વ્યૂહાત્મક સંવાદ યોજ્યો હતો. આ બેઠકની સહ-અધ્યક્ષતા ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને બેલ્જિયમના ઉપ-પ્રધાનમંત્રી તથા વિદેશ મંત્રી મેક્સિમ પ્રેવોટ કરી હતી. બંને દેશોએ પોતાના સંબંધોને વધુ સંસ્થાગત, વ્યાપક અને પરિણામલક્ષી બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2077427946932113824"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>વૈશ્વિક મુદ્દાઓ પર સહયોગ વધારવા ચર્ચા&nbsp;</b></h2><p>આ વ્યૂહાત્મક સંવાદ ભારત-યુરોપિયન યુનિયન (EU) ભાગીદારીના વ્યાપક માળખા હેઠળ નિયમિત રાજકીય ચર્ચા માટેના નવા મંચ તરીકે કાર્ય કરશે. બેઠક દરમિયાન વેપાર અને રોકાણ, ગ્રીન એનર્જી ટ્રાંઝિશન, નવીનતા અને ટેક્નોલોજી, કનેક્ટિવિટી, રક્ષા અને સુરક્ષા, પ્રાદેશિક તેમજ વૈશ્વિક મુદ્દાઓ પર સહયોગ વધારવા અંગે ચર્ચા થઈ હતી.</p><h3><b>ભારત-EU બિઝનેસ ફોરમનું પણ આયોજન</b></h3><p>વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું કે યુરોપ સાથે ભારતની ભાગીદારીમાં બેલ્જિયમનું વિશેષ સ્થાન છે અને આ સંવાદ બંને દેશોની ક્ષમતાઓને નક્કર પરિણામોમાં ફેરવવામાં મદદરૂપ બનશે. જ્યારે બેલ્જિયમના વિદેશ મંત્રી મેક્સિમ પ્રેવોટે જણાવ્યું કે બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ અને નવીનતા ભવિષ્યના સહયોગ માટે મજબૂત આધાર પૂરો પાડે છે. આ પ્રસંગે ભારત-EU બિઝનેસ ફોરમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારત, બેલ્જિયમ અને અન્ય યુરોપિયન દેશોના ઉદ્યોગ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ફોરમમાં ભારત-EU મુક્ત વેપાર કરાર (FTA) હેઠળ વેપાર અને રોકાણની નવી તકો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.</p><p>બંને દેશોએ 2026 દરમિયાન ઉચ્ચ સ્તરીય મુલાકાતો અને વિવિધ મહત્વપૂર્ણ પહેલોને આગળ વધારવા માટે પણ સહમતિ વ્યક્ત કરી હતી. બેઠકના અંતે ભારત અને બેલ્જિયમે બદલાતી વૈશ્વિક પરિસ્થિતિમાં દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈએ પહોંચાડવા માટે મજબૂત અને ભવિષ્યલક્ષી વ્યૂહાત્મક ભાગીદારી જાળવી રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.</p><p><b><a href="https://sandesh.com/india/news/kudankulam-nuclear-plant-files-leaked-on-dark-web" target="_blank">આ પણ વાંચો : ભારતના સૌથી મોટા પરમાણુ પાવર પ્લાન્ટ પર સાયબર હુમલો! હજારો ફાઇલો લીક</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/15/ZtLrzhXsTtv2FFCKaGR01MdLnt27Apny6xgS8p7o.webp'/></item><item><title><![CDATA[Delhiમાં એકનાથ શિંદેની અમિત શાહ સાથે મહત્વપૂર્ણ બેઠક, NDAમાં બદલાતા રાજકીય સમીકરણોની ચર્ચા તેજ ]]></title><link>https://sandesh.com/india/news/-political-news/eknath-shinde-meets-amit-shah-delhi-nda-strategy-maharashtra-politics</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/-political-news/eknath-shinde-meets-amit-shah-delhi-nda-strategy-maharashtra-politics</guid><pubDate>Wed, 15 Jul 2026 21:35:26 +05:30</pubDate><description><![CDATA[<p>મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એકવાર મોટા રાજકીય ફેરફારોની ચર્ચા શરૂ થઈ છે. રાજ્યના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે તેમના પુત્ર અને સાંસદ ડૉ. શ્રીકાંત શિંદે સહિત 13 સાંસદો સાથે દિલ્હી પહોંચ્યા હતા. અહીં તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે તેમના સત્તાવાર નિવાસસ્થાને એક કલાકથી વધુ સમય સુધી બેઠક કરી હતી. આ બેઠક બાદ NDAમાં બદલાતા રાજકીય સમીકરણોને લઈને ચર્ચા તેજ બની છે.</p><h2><b>બેઠકમાં શું થઈ ચર્ચા?</b></h2><p>મળતી માહિતી મુજબ અમિત શાહે શિંદે જૂથના સાંસદોને વિકાસકાર્યો માટે કેન્દ્ર સરકાર તરફથી સંપૂર્ણ સહયોગ અને નાણાકીય મદદનું આશ્વાસન આપ્યું છે. સાથે જ રાજ્યના મહત્વના મુદ્દાઓને આગામી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવા અંગે પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હોવાનું કહેવાય છે. બેઠક દરમિયાન ડૉ. શ્રીકાંત શિંદેને કેન્દ્ર સરકાર અને શિંદે જૂથના સાંસદો વચ્ચે સંકલન કરવાની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હોવાની પણ માહિતી મળી છે. જણાવવામાં આવે છે કે તમામ સાંસદો હવે પોતાની સમસ્યાઓ અને માગણીઓ શ્રીકાંત શિંદે મારફતે કેન્દ્ર સરકાર સુધી પહોંચાડશે.</p><h3><b>15 મિનિટ સુધી બંધ બારણે અલગ બેઠક પણ યોજાઈ</b></h3><p>એકનાથ શિંદે અને અમિત શાહ વચ્ચે લગભગ 15 મિનિટ સુધી બંધ બારણે અલગ બેઠક પણ યોજાઈ હતી. જોકે આ ચર્ચાની સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી, પરંતુ તેને ભવિષ્યની રાજકીય વ્યૂહરચના સાથે જોડીને જોવામાં આવી રહી છે. ઉદ્ધવ ઠાકરે જૂથના કેટલાક સાંસદો શિંદે જૂથમાં જોડાતા લોકસભામાં તેમની સંખ્યા વધીને 13 થઈ હોવાનું માનવામાં આવે છે.&nbsp;</p><p>આ કારણે શિંદે જૂથની NDAમાં રાજકીય સ્થિતિ વધુ મજબૂત બની છે. તે જ સમયે કેન્દ્રીય મંત્રીમંડળના સંભવિત વિસ્તરણમાં શિંદે જૂથને બે મંત્રીપદ મળી શકે તેવી ચર્ચા પણ ચાલી રહી છે. જોકે કેન્દ્ર સરકાર અથવા ભાજપ તરફથી આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.</p><p><b><a href="https://sandesh.com/india/news/dhirendra-shastri-brother-shaligram-garg-arrested-in-chhatarpur-firing-case" target="_blank">આ પણ વાંચો : પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ભાઈ શાલીગ્રામની ધરપકડ, ફાયરિંગ કેસમાં કરી કાર્યવાહી</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/15/v9bR2DvB8EdawNrFDPPQ5epQwSwZl4xgOkY4FGuO.webp'/></item><item><title><![CDATA[HDFC બેન્કના નવા ચેરમેન બન્યા પૂર્વ IAS અધિકારી રાજીવ કુમાર, 3 વર્ષનો રહેશે કાર્યકાળ ]]></title><link>https://sandesh.com/business/news/hdfc-bank-new-chairman-former-ias-officer-rajiv-kumar-appointed-for-three-years</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/hdfc-bank-new-chairman-former-ias-officer-rajiv-kumar-appointed-for-three-years</guid><pubDate>Wed, 15 Jul 2026 19:07:35 +05:30</pubDate><description><![CDATA[<p>દેશની સૌથી મોટી ખાનગી બેન્ક HDFC બેન્કની કમાન હવે અનુભવી પ્રશાસકના હાથમાં જવા જઈ રહી છે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ પૂર્વ નાણાં સચિવ રાજીવ કુમારને HDFC બેન્કના નવા પાર્ટ-ટાઈમ ચેરમેન તરીકે નિયુક્ત કરવાની મંજૂરી આપી છે. તેમની નિમણૂક 15 જુલાઈ 2026થી આગામી ત્રણ વર્ષ માટે અમલમાં આવી છે.</p><h2><b>HDFC બેન્કે શેરબજારમાં આપી જાણકારી</b></h2><p>HDFC બેન્કે શેરબજારને આપવામાં આવેલી જાણકારીમાં જણાવ્યું છે કે RBIની મંજૂરી બાદ રાજીવ કુમારની નિમણૂક પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. અત્યાર સુધી વચગાળાના ચેરમેન તરીકે જવાબદારી સંભાળતા કેકી મિસ્ત્રીનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. જોકે, તેઓ બેન્કના બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે યોગદાન આપતા રહેશે.</p><h3><b>1984ની બેચના પૂર્વ IAS અધિકારી છે રાજીવ કુમાર&nbsp;</b></h3><p>66 વર્ષીય રાજીવ કુમાર 1984 બેચના પૂર્વ IAS અધિકારી છે અને દેશના નાણાકીય ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી ચૂક્યા છે. વર્ષ 2017થી 2020 દરમિયાન નાણાં મંત્રાલયના નાણાકીય સેવા વિભાગના સચિવ તરીકે તેમણે સરકારી બેન્કોને NPA સંકટમાંથી બહાર લાવવા માટે મહત્વપૂર્ણ કામગીરી કરી હતી.</p><h4><b>મજબૂત બેન્કિંગ માળખું ઊભું કરવામાં મોટું યોગદાન</b></h4><p>તેમના નેતૃત્વમાં સરકારની '4R સ્ટ્રેટેજી' ઓળખ, ઉકેલ, પુનઃમૂડીકરણ અને સુધારાને અમલમાં મૂકવામાં આવી હતી. આ દરમિયાન ખરાબ લોનની ઓળખ, IBC દ્વારા ઉકેલ અને સરકારી બેન્કોમાં મોટા પાયે મૂડી રોકાણ જેવા નિર્ણયો લેવામાં આવ્યા હતા. ઉપરાંત નાના સરકારી બેન્કોના વિલયથી મજબૂત બેન્કિંગ માળખું ઊભું કરવામાં પણ તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું.</p><p>રાજીવ કુમારે બેન્ક ગ્રાહકોની સુરક્ષા માટે ડિપોઝિટ ઈન્શ્યોરન્સ મર્યાદા રૂ. 1 લાખથી વધારી રૂ. 5 લાખ કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જનધન યોજના, MSME લોન સુવિધા અને બેન્કિંગ ટેક્નોલોજી સુધારામાં પણ તેમનું યોગદાન રહ્યું છે. નાણાં સચિવ પદેથી નિવૃત્તિ બાદ તેઓ દેશના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. હવે તેમના લાંબા વહીવટી અનુભવનો લાભ HDFC બેન્કના ભવિષ્યના વિકાસ અને મજબૂતીકરણમાં મળશે.</p><p><b><a href="https://sandesh.com/business/news/ibm-share-crash-ceo-letter-wipes-out-69-billion-market-value-investors-loss" target="_blank">આ પણ વાંચો : IBM Share Crash : CEOના પત્ર બાદ IBMનો શેર થયો ક્રેશ, એક જ દિવસમાં રોકાણકારોના રૂપિયા 6.6 લાખ કરોડ સ્વાહા</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/15/YXAzfTv1Zm4oHbDKwQIdKcFalkgYhU1v2SXAebPa.webp'/></item><item><title><![CDATA[Box Office Clash : યશની Toxicથી ક્લેશ ટાળશે શ્રદ્ધા કપૂર? Eethaની રિલીઝ ડેટ બદલાશે! ]]></title><link>https://sandesh.com/entertainment/news/shraddha-kapoor-eetha-yash-toxic-box-office-clash-release-date</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/shraddha-kapoor-eetha-yash-toxic-box-office-clash-release-date</guid><pubDate>Wed, 15 Jul 2026 18:00:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સાઉથ સુપરસ્ટાર યશ ફિલ્મ ટોક્સિકને લઈને સમાચારોમાં છે. આ ફિલ્મ માર્ચમાં રિલીઝ થવાની હતી પરંતુ ફિલ્મ પોસ્ટપોન થઈ અને હવે ફિલ્મ 26 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. યશની ટોક્સિકને લઈને બઝ એટલો વધારે છે કે બાકીના ફિલ્મમેકર્સ પોતાની ફિલ્મો આ સમયે રિલીઝ કરવાથી બચી રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>ફિલ્મ Vvaanની રિલીઝ ડેટ પણ પોસ્ટપોન થઈ</b></h2><p style="text-align: justify; "> </p><p style="text-align: justify; ">હાલમાં જ સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની ફિલ્મ Vvaanની રિલીઝ ડેટ પણ પોસ્ટપોન થઈ. પહેલા આ ફિલ્મ 28 ઓગસ્ટે રિલીઝ થઈ રહી હતી, પરંતુ હવે ટોક્સિક સાથેના ક્લેશથી બચવા માટે ફિલ્મ પોસ્ટપોન થઈ ગઈ છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DaPWBn9MZCh/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DaPWBn9MZCh/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DaPWBn9MZCh/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DaPWBn9MZCh/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h2 style="text-align: justify; "><b>બદલાશે ઈઠાની રિલીઝ ડેટ?</b></h2><p style="text-align: justify; ">એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરની ફિલ્મ ઈઠા પણ 28 ઓગસ્ટે રિલીઝ થવાની છે. પરંતુ હવે રિપોર્ટ્સ છે કે ફિલ્મ પોસ્ટપોન થઈ રહી છે. ફિલ્મને નવી રિલીઝ ડેટ મળવાની છે. 123telugu ના જણાવ્યા અનુસાર, મેડૉક ફિલ્મ્સ ઈઠાને પ્રી-પોન કે પોસ્ટપોન કરવાનો પ્લાન કરી રહ્યા છે જેથી ટોક્સિક સાથેના ક્લેશથી બચી શકાય. જો બંને મોટી ફિલ્મો રિલીઝ થઈ તો સ્ક્રીન શેરિંગ ઇશ્યૂ પણ થઈ શકે છે અને બંનેના બોક્સ ઓફિસ કલેક્શન પર પણ અસર પડી શકે છે. અહેવાલો છે કે ટૂંક સમયમાં જ ઈઠાની નવી રિલીઝ ડેટ સામે આવી જશે. ફિલ્મની રિલીઝ ડેટને લઈને હજુ સુધી ઓફિશિયલી કશું સામે આવ્યું નથી. ઓફિશિયલી અત્યાર સુધી ફિલ્મ 28 ઓગસ્ટે જ રિલીઝ થઈ રહી છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DZ9W0B9IZWB/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DZ9W0B9IZWB/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DZ9W0B9IZWB/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DZ9W0B9IZWB/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h3 style="text-align: justify; "><b>શ્રદ્ધાની એક્ટિંગના ફેન્સ છે દિવાના!</b></h3><p style="text-align: justify; ">ફિલ્મ ઈઠા ફીમેલ સેન્ટ્રિક મૂવી છે. આને લક્ષ્મણ ઉટેકરે બનાવી છે. ફિલ્મ લેજેન્ડ્રી મરાઠી તમાશા આર્ટિસ્ટ વીઠાબાઈ પર બેઝ્ડ છે. ફિલ્મમાં રણદીપ હુડ્ડા, જીશાન અયુબ ખાન પણ મહત્વના રોલમાં છે. ફિલ્મમાંથી શ્રદ્ધા કપૂરનો ફર્સ્ટ લુક ટીઝર પણ સામે આવી ચૂક્યો છે. આમાં શ્રદ્ધા કપૂરને પ્રેગ્નન્સીમાં ડાન્સ કરતી બતાવવામાં આવી. શ્રદ્ધાએ પોતાની શાનદાર એક્ટિંગથી પ્રશંસકોના દિલ જીતી લીધા. ટીઝર પછીથી ફિલ્મ ઈઠાને લઈને પણ મોટા પાયે બઝ ક્રિએટ થઈ ગયો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/the-kapil-sharma-show-scripted-reality-exposed-fans-shocked" target="_blank">આ પણ વાંચો-Kapil Sharma શોની ખુલી ગઈ પોલ, 70 ટકા સ્ક્રિપ્ટેડ હોવાનો મોટો દાવો!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/15/SlA9goEUIasc0YJaEB1Lqh50s3r2d1X8wSMsqrAJ.webp'/></item><item><title><![CDATA[FIFA World 2026 : સેમિફાઇનલમાં આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ વચ્ચે જામશે જંગ, જાણો હેડ ટૂ હેડ રેકોર્ડ ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-2026-argentina-and-england-will-clash-in-the-semi-finals-know-the-head-to-head-record</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-2026-argentina-and-england-will-clash-in-the-semi-finals-know-the-head-to-head-record</guid><pubDate>Wed, 15 Jul 2026 13:29:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">FIFA વર્લ્ડ કપ 2026ના ફાઇનલિસ્ટ સ્પેન અને ફ્રાન્સ વચ્ચેના પ્રથમ સેમિફાઇનલમાં નક્કી થયા હતા, જ્યાં સ્પેને ફ્રાન્સને 2-0 થી હરાવીને ઇતિહાસમાં બીજી વખત વર્લ્ડ કપમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું હતું. હવે તેમની અંતિમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી સેમિફાઇનલમાં નક્કી થશે. આ મેચ 16 જુલાઈના રોજ ભારતીય માનક સમય મુજબ રાત્રે 12:30 વાગ્યે જ્યોર્જિયાના એટલાન્ટા સ્ટેડિયમ ખાતે રમાશે. ઇંગ્લેન્ડનો આર્જેન્ટિના સામે શ્રેષ્ઠ વર્લ્ડ કપ રેકોર્ડ છે, જેના કારણે આ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન માટે મુશ્કેલ બની ગઈ છે.</p><h4 style="text-align: justify; "><b>બંને ટીમો વર્લ્ડ કપ ઇતિહાસમાં પાંચ વખત એકબીજા સામે આવી&nbsp;</b></h4><p style="text-align: justify; ">આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ વર્લ્ડ કપ ઇતિહાસમાં પાંચ વખત એકબીજા સામે આવી છે, જેમાં ઇંગ્લેન્ડે 1962 ની મેચ 3-1 થી જીતી હતી. આ પછી, ઇંગ્લેન્ડે 1966 ના વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ અને આર્જેન્ટિના વચ્ચેની મેચ 1-0 થી જીતી હતી. બંને ટીમો વચ્ચે ત્રીજી મુલાકાત 1986 ના વર્લ્ડ કપમાં થઈ હતી, અને આર્જેન્ટિનાએ આ મેચ 2-1 થી જીતી હતી. 1998ના વર્લ્ડ કપમાં બંને હાફ પછી મેચ 2-2થી બરાબરી પર રહી હતી, જેમાં આર્જેન્ટિનાએ પેનલ્ટી શૂટઆઉટમાં 4-3થી જીત મેળવી હતી. છેલ્લી વખત બંને ટીમો 2002ના વર્લ્ડ કપમાં ટકરાઈ હતી, જ્યાં ઇંગ્લેન્ડે 1-0થી જીત મેળવી હતી. બંને ટીમો વચ્ચેના એકંદર હેડ-ટુ-હેડ રેકોર્ડની વાત કરીએ તો, ઇંગ્લેન્ડ અને આર્જેન્ટિના વચ્ચે રમાયેલી ૧૪ મેચોમાંથી છ મેચ ઇંગ્લેન્ડે જીતી છે, જ્યારે આર્જેન્ટિનાએ ત્રણ જીતી છે અને પાંચ ડ્રો રહી છે.</p><h4 style="text-align: justify; "><b>આર્જેન્ટિના-ઇંગ્લેન્ડ સેમિફાઇનલ મેચ ક્યાં રમાશે&nbsp;</b></h4><p style="text-align: justify; ">ભારતીય ચાહકો FIFA વર્લ્ડ કપ 2026ની બીજી સેમિફાઇનલ મેચ ઇંગ્લેન્ડ અને આર્જેન્ટિના વચ્ચે DD સ્પોર્ટ્સ પર ફ્રી ડિશ દ્વારા ટીવી પર લાઇવ જોઈ શકે છે. આ આ વર્લ્ડ કપની સૌથી મોટી મેચોમાંની એક છે, તેથી દરેક વ્યક્તિ તેને નજીકથી જોશે. આ મેચ&nbsp; ઓનલાઈન સ્ટ્રીમ કરવામાં આવશે, જ્યાં ચાહકો લોગ ઇન કરી શકે છે અને મેચનો આનંદ માણી શકે છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/lionel-messi-can-become-number-one-know-who-is-in-the-top-10" target="_blank">Lionel Messi બની શકે છે નંબર વન, જાણો ટોપ 10માં કોણ કોણ છે?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/15/ARu3h7UaGZl7jcnojvHXfuPfSYU2AT5NMZFtCXSI.webp'/></item></channel></rss>