<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[India: પશ્ચિમ રેલવેમાં દાદર પાસે ઓવરહેડ વાયર તૂટ્યા બાદ પાવર સપ્લાય ઠપ, હજારો મુસાફરો કલાકો સુધી અટવાયા ]]></title><link>https://sandesh.com/india/news/mumbai-local-western-railway-disrupted-dadar-ohe-wire-snap-power-failure</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/mumbai-local-western-railway-disrupted-dadar-ohe-wire-snap-power-failure</guid><pubDate>Fri, 26 Jun 2026 09:54:12 +05:30</pubDate><description><![CDATA[<p>મુંબઈમાં દરરોજ કરોડો મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડતી મુંબઈ લોકલ ટ્રેનની સેવા આજે સવારના સમયે જ કાળચક્રની જેમ થંભી ગઈ હતી. પશ્ચિમ રેલવે લાઇન પર રોજની જેમ સવારના સમયે હજારો નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને દૈનિક શ્રમિકો ભારે ઉત્સાહ સાથે ટ્રેનમાં સવાર થઈ રહ્યા હતા. આ દરમિયાન દાદર સ્ટેશન પાસે અચાનક હાઈ-ટેન્શન ઓવરહેડ પાવર વાયર તૂટી પડ્યો હતો. વાયર તૂટવાની સાથે જ ટ્રેનોના લાઈવ સિગ્નલ ડાઉન થઈ ગયા હતા અને લોકલ ટ્રેનો એકપછી એક જ્યાં હતી ત્યાં જ ટ્રેક પર ઉભી રહી ગઈ હતી.</p><h2><b>40 મિનિટના સુધારા બાદ બીજી મોટી આફત</b></h2><p>ઘટનાની ગંભીરતાને જોતાં રેલવેની ટેકનિકલ અને એન્જિનિયરિંગ ટીમ તાત્કાલિક દાદર લોકેશન પર દોડી ગઈ હતી. ભારે જહેમત બાદ આશરે ૪૦ મિનિટે ઓવરહેડ વાયરનું સ્મારકામ પૂરું કરવામાં આવ્યું હતું અને ટ્રેનો ગોકળગાય ગતિએ શરૂ થઈ શકી હતી. જોકે, મુસાફરો હજુ રાહતનો શ્વાસ લે તે પહેલાં જ ચર્ચગેટ અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન વચ્ચે અચાનક પાવર ગ્રીડમાં ફેઈલ્યોર (પાવર ફેઈલ) થયો હતો. આ ટેકનિકલ ખામીના કારણે આવતી અને જતી (અપ અને ડાઉન) બંને તરફની લોકલ ટ્રેનો ફરી એકવાર સંપૂર્ણપણે લોક થઈ ગઈ હતી.</p><h3><b>મુસાફરોની ભારે ભીડ અને ટ્રેનો રદ્દ</b></h3><p>સવારના સમયે જ લાઈફલાઈન ગણાતી ટ્રેનો બંધ થઈ જતાં મુંબઈના સ્ટેશનો, બ્રિજ અને સ્ટેશનની બહારના રોડ પર મુસાફરોની કલ્પના બહારની ગીર્દી અને અફરાતફરી જોવા મળી હતી. ટ્રેનો મોડી પડવાના કારણે ઓફિસે પહોંચવામાં મોડું થતાં મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે રેલવે તંત્રએ તાત્કાલિક ધોરણે અનેક ટ્રેનો રદ્દ કરવી પડી હતી. અંદાજે કુલ બે કલાકના લાંબા સમય અને ટેકનિકલ ઓપરેશન બાદ પશ્ચિમ રેલવેની સેવાઓ પૂર્વવત કરી શકાઈ હતી. જોકે, આ આખા ઘટનાક્રમના લીધે આખો દિવસ ટ્રેનો પોતાના નિર્ધારિત સમય કરતાં મોડી દોડી રહી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/crime/surat/sachin-police-registered-gujctoc-case-against-kuphyat-rakesh-wagh-gang" target="_blank">આ પણ વાંચો: Surat: સચિનની કુખ્યાત રાકેશ વાઘ ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ, ગેંગના તમામ સાગરીતો લોકઅપ ભેગા થશે</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/solLcYwIJ4JDdOTjthxyjbNg9oOXZuNvCf4vxlo9.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026 : નેમાર જુનિયરની જોરદાર વાપસી, ચોથા વર્લ્ડ કપ સાથે રચ્યો ઇતિહાસ, સ્કોટલેન્ડ સામે બ્રાઝિલની જીત ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-brazilian-star-neymar-returns-to-the-field-after-injury-tears-well-up-in-his-eyes</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-brazilian-star-neymar-returns-to-the-field-after-injury-tears-well-up-in-his-eyes</guid><pubDate>Fri, 26 Jun 2026 09:45:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">25 જૂનના રોજ (બુધવાર) મિયામીમાં ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ ના ગ્રુપ સી મેચમાં બ્રાઝિલે સ્કોટલેન્ડને ૩-૦ થી હરાવ્યું. ઇજાઓ અને લાંબા વિરામ બાદ બ્રાઝિલના સ્ટાર ફૂટબોલર નેમાર જુનિયરે આંતરરાષ્ટ્રીય સ્તરે શાનદાર વાપસી કરી છે. પૂરા 981 દિવસ પછી ફરી એકવાર પ્રખ્યાત પીળી જર્સી પહેરીને મેદાન પર ઉતરેલા 34 વર્ષીય નેમાર માટે આ ક્ષણ અત્યંત ભાવનાત્મક રહી હતી. સ્કોટલેન્ડ સામેની વર્લ્ડ કપ મેચમાં મુખ્ય કોચ કાર્લો એન્સેલોટીએ તેને તક આપી હતી. નેમારે બેન્ચ પરથી મેચની શરૂઆત કરી હતી અને 76મી મિનિટે મેથ્યુસ કુન્હાના સ્થાને તે મેદાનમાં પ્રવેશ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>બ્રાઝિલિયન સ્ટાર નેમારની આંખમાં આવ્યા આંસુ</b></h2><p style="text-align: justify; ">તેના મેદાનમાં આવતા જ આખું સ્ટેડિયમ ચાહકોના જોરદાર તાળીઓના ગડગડાટ અને ઉલ્લાસથી ગુંજી ઉઠ્યું હતું. મર્યાદિત સમય હોવા છતાં નેમારની હાજરીએ આખી મેચને ખાસ બનાવી દીધી હતી. મેચ પૂરી થતાં જ નેમાર પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શક્યો નહીં અને જૂની ઇજાઓ તથા મુશ્કેલ દિવસોને યાદ કરીને તેની આંખો ભરાઈ આવી હતી. જોકે, મેચ બાદ જ્યારે તે પોતાની પત્ની અને પુત્રીને મળ્યો ત્યારે તેના આંસુ ખુશીના સ્મિતમાં બદલાઈ ગયા હતા.</p><h4 style="text-align: justify; "><b>સતત ચોથા વર્લ્ડ કપમાં રમીને રચ્યો ઇતિહાસ</b></h4><p style="text-align: justify; ">તાજેતરમાં જ ઇજામાંથી સાજા થઈને સંપૂર્ણ તાલીમ શરૂ કરનાર નેમારે આ વાપસી સાથે એક નવો સીમાચિહ્ન પણ હાંસલ કર્યો છે. તે સતત ચાર ફિફા વર્લ્ડ કપ ટુર્નામેન્ટ રમનારા દુનિયાના ચુનંદા ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો છે. બ્રાઝિલ માટે 129 મેચોમાં રેકોર્ડબ્રેક 79 ગોલ કરી ચૂકેલો આ સર્વકાલીન અગ્રણી સ્કોરર વર્લ્ડ કપમાં અત્યાર સુધી આઠ ગોલ કરી ચૂક્યો છે, જે બ્રાઝિલિયન ફૂટબોલમાં તેના પ્રભાવશાળી કદને સાબિત કરે છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/7lAdf8RdGb6fbgZovSVvjzyFohhtlgVuvJs45cN3.webp'/></item><item><title><![CDATA[Stock Market Today: શેરબજારમાં આજે નહી થાય ટ્રેડિંગ, જાણો કેમ ? ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-today--muharram-there-will-be-no-trading-in-the-stock-market-today-know-why</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-today--muharram-there-will-be-no-trading-in-the-stock-market-today-know-why</guid><pubDate>Fri, 26 Jun 2026 09:41:49 +05:30</pubDate><description><![CDATA[<p>શુક્રવાર, 26 જૂન, મોહરમ નિમિત્તે ભારતીય શેરબજાર બંધ રહેશે. આ દિવસે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) બંને પરની બધી ટ્રેડિંગ પ્રવૃત્તિઓ સ્થગિત રહેશે. NSE અને BSE ના રજાના કેલેન્ડર મુજબ, ઇક્વિટી, ડેરિવેટિવ્ઝ, કરન્સી ડેરિવેટિવ્ઝ, NDS-RST અને ટ્રાઇ-પાર્ટી રેપો સેગમેન્ટમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં.</p><h2><b>ભૂતકાળ અને આગામી રજાઓ</b></h2><p>આ મોહરમ રજા બકરી ઇદ (28 મે) પછી છે, જે લગભગ એક મહિના પહેલા આવી હતી. મોહરમ પછીની મુખ્ય રજા સોમવાર, 14 સપ્ટેમ્બર, ગણેશ ચતુર્થી માટે રહેશે. વર્ષ 2026 માટે કુલ 16 શેરબજાર રજાઓ નક્કી કરવામાં આવી છે, જેમાંથી નવ રજાઓ પસાર થઈ ગઈ છે. વર્ષના બાકીના સમયગાળા દરમિયાન બજાર વધુ સાત વખત બંધ રહેશે.</p><h3><b>2026માટે બાકી રજાઓ</b></h3><p>આગામી મહિનાઓમાં, બજાર 2 ઓક્ટોબર (ગાંધી જયંતિ), 20 ઓક્ટોબર (દશેરા), 10 નવેમ્બર (દિવાળી બલિપ્રતિપદા), 24 નવેમ્બર (ગુરુ નાનક જયંતિ) અને 25 ડિસેમ્બર (નાતાલ) ના રોજ પણ બંધ રહેશે. 25 ડિસેમ્બર 2026 ની અંતિમ વિનિમય રજા હશે.</p><p>વધુમાં 2026 માં ચાર રજાઓ છે જે શનિવાર અથવા રવિવારે આવે છે. તેથી, તેમના માટે કોઈ વધારાની વેપાર રજા આપવામાં આવશે નહીં. આમાં મહા શિવરાત્રી (15 ફેબ્રુઆરી), ઈદ-ઉલ-ફિત્ર (21 માર્ચ), સ્વતંત્રતા દિવસ (15 ઓગસ્ટ) અને દિવાળી લક્ષ્મી પૂજન (8 નવેમ્બર)નો સમાવેશ થાય છે.</p><h3><b>કોમોડિટી બજારની સ્થિતિ</b></h3><p>મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX) 26 જૂને આંશિક રજા પાળશે. આનો અર્થ એ થયો કે કોમોડિટી બજારમાં સવારના સત્ર દરમિયાન (સવારે 9:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી) ટ્રેડિંગ સ્થગિત રહેશે પરંતુ સાંજના સત્ર દરમિયાન (સાંજે 5:00 થી રાત્રે 11:30/11:55 વાગ્યા સુધી) ફરી શરૂ થશે. MCX એ વર્ષ 2026 માટે કુલ 16 ટ્રેડિંગ રજાઓ સુનિશ્ચિત કરી છે, જેમાં આખો દિવસ અને આંશિક રજાઓનો સમાવેશ થાય છે.</p><p><br></p><h4><b>ગુરુવારે હતી શેરબજારમાં તેજી&nbsp;</b></h4><p>ગુરુવારે, ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો - સેન્સેક્સ અને નિફ્ટી 50 - માં આશરે 0.7% નો વધારો નોંધાયો હતો. આ તેજી ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાઈ અને વૈશ્વિક બજારના સેન્ટિમેન્ટમાં સુધારો થવાને કારણે છે. બ્રેન્ટ ક્રૂડના ભાવ 1.7% ઘટીને $72.5 પ્રતિ બેરલ થયા, જે $73 ના સ્તરથી નીચે આવી ગયા અને ઈરાન સંઘર્ષ પહેલાના સ્તર પર પાછા ફર્યા.</p><p>ભાવમાં આ ઘટાડો અમેરિકા અને ઈરાન વચ્ચેના પ્રારંભિક શાંતિ કરારને પગલે થયો હતો, જેના કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા તેલ ટેન્કરોની અવરજવર સરળ બની હતી. આ વિકાસથી વિશ્વના ત્રીજા સૌથી મોટા તેલ આયાતકાર અને ગ્રાહક ભારત માટે ફુગાવા અને આર્થિક વૃદ્ધિ અંગેની ચિંતાઓ ઓછી થઈ છે.&nbsp;</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/SoBUuQFiqpV2n20wxEUavwm8JBwOc3xxApvyXpIe.webp'/></item><item><title><![CDATA[Waghodia-Vadodara: શંકર પેકેજિંગ કંપની સામે કામદારની લડાઈ, પરિવાર સાથે શરૂ કર્યા ઉપવાસ, 10 મુદ્દાઓની માંગ સાથે મોરચો માંડ્યો! ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/waghodia/vadodara-waghodia-shankar-packaging-workers-protest-labor-laws</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/waghodia/vadodara-waghodia-shankar-packaging-workers-protest-labor-laws</guid><pubDate>Fri, 26 Jun 2026 09:39:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા જિલ્લાના વાઘોડિયા ઔદ્યોગિક વસાહતમાંથી શ્રમિકોના હક અને શોષણ સામેના વિરોધનો એક મોટો મામલો સામે આવ્યો છે. વાઘોડિયાની જાણીતી કંપની 'શંકર પેકેજિંગ'ના ગેટ પાસે એક કામદારે કંપની પ્રશાસનની જોહુકમી સામે પોતાના પરિવાર સાથે પ્રતીક ઉપવાસ અને ધરણા પ્રદર્શન શરૂ કરી દીધા છે. કામદાર દ્વારા કંપની પર શ્રમ કાયદાના સરેઆમ ઉલ્લંઘન અને આર્થિક-માનસિક શોષણના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>શંકર પેકેજિંગ કંપની સામે આ આંદોલન છેડવામાં આવ્યું&nbsp;</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, જીઆઈડીસી સ્થિત પ્લાન્ટના પ્લોટ નંબર 1015, શંકર પેકેજિંગ કંપની સામે આ આંદોલન છેડવામાં આવ્યું છે. પીડિત કામદારે કંપની સમક્ષ શ્રમિકોના હિત અને રોજગારને લગતી ૨૦ જેટલી મુદ્દાસરની માંગણીઓ રજૂ કરી છે. કામદારનો આરોપ છે કે કંપની લાંબા સમયથી શ્રમ કાયદાના નિયમોને નેવે મૂકીને શ્રમિકોનું શોષણ કરી રહી છે, જે હવે સહન થઈ શકે તેમ નથી.</p><h3 style="text-align: justify; "><b>અન્ય શ્રમિકોનું મળ્યું સમર્થન</b></h3><p style="text-align: justify; ">કંપનીના ગેટ પાસે પરિવાર સાથે બેઠેલા આ કામદારના સમર્થનમાં હવે ફેક્ટરીના અન્ય સાથી શ્રમિકો અને સહકર્મચારીઓ પણ જોડાઈ ગયા છે. કામદારોના આ આક્રોશને પગલે કંપની પરિસરમાં અને વાઘોડિયા જીઆઈડીસી વિસ્તારમાં ભારે ગરમાવો આવી ગયો છે. ધરણા પર બેઠેલા અગ્રણીએ મીડિયા સમક્ષ સ્પષ્ટ જણાવ્યું છે કે, જ્યાં સુધી કંપની મેનેજમેન્ટ તેમની તમામ 20 ન્યાયિક માંગણીઓ પૂરી નહીં કરે, ત્યાં સુધી આ પ્રતીક ઉપવાસ અને ઉગ્ર આંદોલન અવિરતપણે ચાલુ રહેશે. ફેક્ટરી ગેટ પર ચાલી રહેલા આ વિરોધ પ્રદર્શનને પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ પણ સતર્ક બન્યો છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; <b><a href="https://sandesh.com/world/news/earthquake-world-earthquake-update-venezuela-japan-doublet-quakes-rare-geological-event" target="_blank">Earthquake : ખૌફનાક સંયોગ, પૃથ્વીના બે વિરોધી છેડા પર આવેલા 2 દેશો 2 કલાકની અંદર ઘ્રુજી ઉઠ્યા, Video&nbsp;</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/W2ps9ImKa842SqAexnYAYVaad5SEfIHlMS7eEseB.webp'/></item><item><title><![CDATA[Jharkhand રામગઢમાં ભયંકર અકસ્માત, ટ્રક અને પિકઅપ અથડાતા 7 લોકોના ઘટનાસ્થળે મોત ]]></title><link>https://sandesh.com/india/news/terrible-accident-in-jharkhand-ramgarh-7-people-died-on-the-spot-after-a-truck-and-a-pickup-collided</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/terrible-accident-in-jharkhand-ramgarh-7-people-died-on-the-spot-after-a-truck-and-a-pickup-collided</guid><pubDate>Fri, 26 Jun 2026 09:28:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઝારખંડના રામગઢ જિલ્લાના રજરપ્પા પોલીસ સ્ટેશન વિસ્તારના લારી ગામ નજીક ટ્રક અને પેસેન્જર વાહન વચ્ચે થયેલી ટક્કરમાં સાત લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">&nbsp;રામગઢ-બોકારો રોડ પર મોડી રાત્રે લગભગ 12 વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો</h2><p style="text-align: justify; ">માહિતી અનુસાર, રામગઢ-બોકારો રોડ પર મોડી રાત્રે લગભગ 12 વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો. પેસેન્જર વાહનમાં સવાર 'તાશા પાર્ટી'ના સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતમાં સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે એક ગંભીર ઈજાગ્રસ્તને તાત્કાલિક રામગઢ સદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં તેની સારવાર શરૂ કરવામાં આવી હતી.</p><h3 style="text-align: justify; ">મોડી રાત્રે સર્જાયો અકસ્માત</h3><p style="text-align: justify; ">પોલીસના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના રામગઢ-બોકારો રોડ પર મધરાતના સમયે બની હતી. ટક્કર એટલી જોરદાર હતી કે પેસેન્જર વાહનમાં બેઠેલા 'તાશા પાર્ટી'ના સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચી. પોલીસે જણાવ્યું કે મૃતકોમાંના કેટલાક લોકો રજરપ્પા પોલીસ સ્ટેશન વિસ્તારના મારંગમાર્ચા ગામના રહેવાસી હતા.</p><h4 style="text-align: justify; ">ટક્કર બાદ વાહન અનેક ફૂટ સુધી ઘસડાયું</h4><p style="text-align: justify; ">પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ટ્રક અને વાહન વચ્ચેની ટક્કર એટલી ભયાનક હતી કે પેસેન્જર વાહન રસ્તા પર અનેક ફૂટ સુધી ઘસડાતું ગયું. રામગઢ સદર હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. અનિલ કુમારે જણાવ્યું કે અકસ્માતમાં ઘાયલ થયેલા કુલ આઠ લોકોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમાંથી સાત લોકો પહેલેથી જ મૃત્યુ પામ્યા હતા, જ્યારે એક વ્યક્તિની હાલત અત્યંત ગંભીર હતી. પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર માટે રાંચીની ઉચ્ચ તબીબી સંસ્થામાં રેફર કરવામાં આવ્યો છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે.</p><h4 style="text-align: justify; ">પ્રાથમિક તપાસમાં ટ્રક ખોટી દિશામાં હોવાનો ખુલાસો</h4><p style="text-align: justify; ">રામગઢના અનુમંડલ પોલીસ અધિકારી (SDPO) આલોક રંજનના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ટ્રક ખોટી દિશામાં આવી રહ્યો હતો અને તેણે પેસેન્જર વાહનને ટક્કર મારી હતી. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસ કરી રહી છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/ejmieQx6aWDNj4zyF5cbSQIiTevwHoJG4nurgqvY.webp'/></item><item><title><![CDATA[Surat : ડિંડોલીમાં ઘર બહાર રમતી 5 વર્ષની માસૂમ બાળકીને કારે કચડી, ફરાર કાર ચાલકની શોધખોળ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-dindoli-car-accident-child-death-nitin-mishra-hit-and-run</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-dindoli-car-accident-child-death-nitin-mishra-hit-and-run</guid><pubDate>Fri, 26 Jun 2026 08:21:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતના ડિંડોલી વિસ્તારમાંથી આઘાતજનક અને કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં એક બેફામ સ્પીડે આવી રહેલી કારના ચાલકે ઘર આંગણે રમી રહેલી માત્ર 5 વર્ષની માસૂમ બાળકીને અડફેટે લઈને કચડી નાખી છે. આ ભયાનક અકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાના કારણે માસૂમ બાળકીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારમાં માતમનો માહોલ છવાયો છે.</p><h2 style="text-align: justify; "><b>બાળકી ઘરની બહાર રમી રહી હતી</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, ડિંડોલીની એક સોસાયટીમાં 5 વર્ષની માસૂમ બાળકી પોતાના ઘરની બહાર શાંતિથી રમી રહી હતી. આ દરમિયાન સોસાયટીમાં જ રહેતા નીતિન મિશ્રા નામના કાર ચાલકે પોતાની કાર ફૂલ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવી બાળકી પર ચડાવી દીધી હતી.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ફરાર</b></h3><p style="text-align: justify; ">અકસ્માત એટલો ગંભીર હતો કે માસૂમ બાળકીનું મોત થયું હતું. અકસ્માત સર્જ્યા બાદ સોસાયટીનો જ આરોપી કાર ચાલક નીતિન મિશ્રા માનવતા ભૂલીને પોતાની કાર સાથે ઘટનાસ્થળેથી તાત્કાલિક ફરાર થઈ ગયો હતો.</p><h4 style="text-align: justify; "><b>પોલીસે શોધખોળ શરુ કરી</b></h4><p style="text-align: justify; ">આ ઘટના અંગે સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ડિંડોલી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બાળકીના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો છે અને પરિવારની ફરિયાદના આધારે ફરાર નીતિન મિશ્રા વિરૂદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સોસાયટીની અંદર જ આ પ્રકારે બેફામ સ્પીડે વાહન ચલાવી માસૂમનો જીવ લેનારા નરાધમ સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચકાસી રહી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો-----&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/world/news/earthquake-world-earthquake-update-venezuela-japan-doublet-quakes-rare-geological-event" target="_blank"><b>Earthquake : ખૌફનાક સંયોગ, પૃથ્વીના બે વિરોધી છેડા પર આવેલા 2 દેશો 2 કલાકની અંદર ઘ્રુજી ઉઠ્યા, Video</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/SS5nSHQZF0VwxkHpXKm6J7XHEfGR1vlm6smbiYPU.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: રામોલમાંથી જૂની નોટો વટાવવાનું રેકેટ ઝડપાયું, પોલીસે 39 લાખની નોટો સાથે 2 શખ્સોને દબોચ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ramol-police-seized-old-currency-notes-rabari-colony-two-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ramol-police-seized-old-currency-notes-rabari-colony-two-arrested</guid><pubDate>Fri, 26 Jun 2026 08:19:48 +05:30</pubDate><description><![CDATA[<p>કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬માં કરાયેલી નોટબંધીને લાંબો સમય વીતી ગયો હોવા છતાં, હજુ પણ કરોડો રૂપિયાની જૂની ચલણી નોટો કાળા નાણાં સ્વરૂપે બજારમાં ફેરવવાનો કે કમિશનથી વટાવવાનો કારસો ચાલી રહ્યો હોવાનો જીવંત પુરાવો અમદાવાદમાંથી મળ્યો છે. અમદાવાદ શહેરના આઈ-ડિવિઝન હેઠળ આવતા રામોલ પોલીસ સ્ટેશનના પીઆઈ અને સર્વેલન્સ સ્ટાફને ચોક્કસ લાઈવ બાતમી મળી હતી કે, રામોલ રબારી કોલોની ચાર રસ્તા પરથી બે શખ્સો કરોડોની જૂની રદ થયેલી કરન્સી સાથે પસાર થવાના છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ અને નાકાબંધી ગોઠવી દીધી હતી.</p><h2><b>ચેકિંગ દરમિયાન 39 લાખની નોટો મળી</b></h2><p>પોલીસે શંકાસ્પદ હલચલ ધરાવતા બે શખ્સો ભરતસિંહ પ્રાગજીભાઈ મહીડા અને મેરાજુદીન જમીલખાન ખાનને રોકીને તેમની લાઈવ તલાશી લીધી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન આરોપીઓ પાસેથી પ્લાસ્ટિકની બેગ કે થેલામાંથી રદ કરાયેલી જૂની 500ના દરની નોટોના થોકડા મળી આવ્યા હતા. પોલીસે ગણતરી કરતા આ નોટો કુલ 7,800 નંગ નીકળી હતી, જેની કિંમત ગેરકાયદેસર બજાર કે કાયદાકીય મૂલ્ય મુજબ 39 લાખ આંકવામાં આવી છે. પોલીસે આ નોટો સાથે આરોપીઓના બે મોબાઈલ ફોન પણ કબ્જે લીધા છે.</p><h3><b>આંતરરાજ્ય કનેક્શન અને આગળની કાર્યવાહી</b></h3><p>પકડાયેલા આરોપીઓની રામોલ પોલીસ સ્ટેશનમાં લાઈવ પૂછપરછ કરવામાં આવતા ચોંકાવનારા ખુલાસા થયા છે. આરોપીઓએ કબૂલ્યું હતું કે તેઓ આ રદ થયેલી નોટોનો જથ્થો મહારાષ્ટ્રના જલગાંવ ખાતે રહેતા અયાનુદીન ગ્યાસુદીન પટવે પાસેથી કમિશન પર લાવ્યા હતા. આ જથ્થો તેઓ ગાંધીનગરના વગદાર શખ્સ શૈલેષ પટેલને સોંપવાના હતા, જે આ નોટોને કોઈ ચોક્કસ માધ્યમથી વટાવવાનો કે સગેવગે કરવાનો હતો. રામોલ પોલીસે આ મામલે કેન્દ્ર સરકારના ખાસ કાયદા 'ધ સ્પેસિફાઇડ બેંક નોટ્સએક્ટ, 2017' ની કલમ-7 મુજબ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી લીધી છે. હાલમાં મહારાષ્ટ્રના સપ્લાયર અયાનુદીન અને ગાંધીનગરના શૈલેષ પટેલને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને લાઈવ સર્ચ ઓપરેશન તેજ કર્યું છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/vadodara/gotri-dashrath-bharat-estate-warehouse-fire-wooden-pallets-controlled" target="_blank">આ પણ વાંચો: Vadodara: ગોત્રી વિસ્તારના ગોડાઉનમાં લાગેલી ભયાનક આગ પર ફાયર ટીમે મેળવ્યો કાબૂ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/4eJjvWWuPUB7WAUZhIVAkVzgkBlaZJqLm0B7oYgF.webp'/></item><item><title><![CDATA[Vadodara: ગોત્રી વિસ્તારના ગોડાઉનમાં લાગેલી ભયાનક આગ પર ફાયર ટીમે મેળવ્યો કાબૂ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/gotri-dashrath-bharat-estate-warehouse-fire-wooden-pallets-controlled</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/gotri-dashrath-bharat-estate-warehouse-fire-wooden-pallets-controlled</guid><pubDate>Fri, 26 Jun 2026 08:05:25 +05:30</pubDate><description><![CDATA[<p>વડોદરાના વેસ્ટર્ન ઝોન ગણાતા ગોત્રી વિસ્તારમાં આવેલી ઇન્ડસ્ટ્રિયલ વસાહત દશરથ ભરત એસ્ટેટમાં વહેલી સવારે કે મોડી રાત્રે એક ભયાનક અગ્નિકાંડ સર્જાતા સ્થાનિક લોકો અને ફેક્ટરી માલિકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. અહીં આવેલા ઈમ્પોર્ટ-એક્સપોર્ટના માલસામાનના લોજિસ્ટિક ગોડાઉનમાં અચાનક જ કોઈ અકળ કારણોસર આગ લાગી હતી. ગોડાઉનમાં આંતરરાષ્ટ્રીય પરિવહન માટે વપરાતા લાકડાના સેંકડો પેલેટ્સ અને કન્ટેનર બોક્સનો મોટો સ્ટોક હોવાના કારણે આગે પળવારમાં રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.</p><h2><b>ધુમાડાના ગોટેગોટાથી આકાશ કાળું થયું</b></h2><p>લાકડું સુકું અને અત્યંત જ્વલનશીલ હોવાથી આગ એટલી ઝડપથી ફેલાઈ કે આખું ગોડાઉન લાઈવ આગની લપેટમાં આવી ગયું હતું. હવામાં ઉંચે સુધી ઉડતા ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા દૂર-દૂર સુધી જોઈ શકાતા હતા, જેના કારણે આજુબાજુની અન્ય ઓફિસો અને રહેણાંક સોસાયટીઓમાં ગભરાટ ફેલાયો હતો અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આ આપત્તિ અંગે વડોદરા ફાયર કંટ્રોલ રૂમને તુરંત જાણ કરવામાં આવતા જ અલગ-અલગ ફાયર સ્ટેશનોમાંથી ફાયર ફાઈટરની ૩ મોટી ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી.</p><h3><b>મોટી જાનહાનિ ટળી</b></h3><p>મેજર કોલ જાહેર કરીને ફાયર જવાનોએ લાઈવ લોકેશન પર પહોંચીને કાટમાળ હટાવી ચારેય તરફથી પાણીનો ભારે મારો ચલાવ્યો હતો. લાકડાની અંદર લાગેલી આગ અવારનવાર ભભૂકી ઉઠતી હોવાથી ફાયર ફાઈટર્સને કામગીરીમાં ભારે મુશ્કેલી પડી હતી, પરંતુ કલાકોની કડી મહેનત અને વ્યૂહાત્મક કામગીરી બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. સદનસીબે જ્યારે આ ઘટના બની ત્યારે ગોડાઉનમાં કોઈ શ્રમિક હાજર ન હોવાથી કે સમયસર બહાર નીકળી જવામાં સફળ રહ્યા હોવાથી કોઈ સત્તાવાર જાનહાનિ કે ઇજાના સમાચાર નથી, જે વડોદરાવાસીઓ માટે મોટી રાહતના સમાચાર છે. જોકે આ ભીષણ આગમાં કરોડો રૂપિયાનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હોવાનું અનુમાન છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/mehsana-acb-trap-dilr-licensed-surveyor-ashish-parmar-arrested-bribery-case" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: જમીનની ફાઇલો રોકીને તોડ કરવાનો ખેલ ભારે પડ્યો! 70 હજારની લાંચ લેતા સેશન્સ કોર્ટ પાસેથી રંગેહાથ એરેસ્ટ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/QrI0EZZKeh5Hs9E2pPlfnPv49JhMithTl62hZxiU.webp'/></item><item><title><![CDATA[Chhotaudepur: રાજ્યસભા સાંસદનું નસવાડી ખાતે તાલુકા પ્રા. શિક્ષક સંઘ દ્વારા સન્માન ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-rajya-sabha-mp-honored-by-taluka-pvt-teachers-union-at-naswadi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-rajya-sabha-mp-honored-by-taluka-pvt-teachers-union-at-naswadi</guid><pubDate>Fri, 26 Jun 2026 05:57:31 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આજરોજ નસવાડી તાલુકામાં યોજાયેલ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન પધારેલા નવનિયુક્ત રાજ્યસભાના સાંસદ મુકેશભાઈ રાઠવાનું નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શાલ ઓઢાડી અને બુકે અર્પણ કરી સન્માન કરાયું હતું.</p><p style="text-align: justify; ">આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ વતી નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો દ્વારા સાંસદને TET પરીક્ષા અંગેનું આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. 29 મે 2026ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા TET શિક્ષક યોગ્યતા કસોટી ફ્રજિયાત કરવા અંગે આપેલા ચુકાદાને પગલે સેવારત પ્રાથમિક શિક્ષકોમાં ભારે અસંતોષની લાગણી વ્યાપી છે. ઓલ ઇન્ડિયા પ્રાઇમરી ટીચર્સ ફેડરેશન અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ સાથે જોડાયેલા છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે જણાવ્યું કે, વર્ષોથી નિષ્ઠાપૂર્વક સેવા આપતા અનુભવી શિક્ષકોની નોકરી અને બઢતી માટે મુશ્કેલી થઈ છે.</p><p style="text-align: justify; ">શિક્ષક સંઘે જણાવ્યું કે જો કાયદાકીય કે નીતિગત ઉકેલ નહીં આવે તો શિક્ષકોના મનોબળ અને શાળાના શૈક્ષણિક કાર્ય પર પ્રતિકૂળ અસર પડશે. જે પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રી દિનેશ કે. રાઠવા, નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પરસોત્તમ આર. રાઠવા, મહામંત્રી મુકેશ વી. ભીલ, મહેશ રાઠવા, સુરેશ પંચોલી, રાજેશ વસાવા સહિતના શિક્ષક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ન્ નીતિગત ઉકેલ લાવવા તાકીદે હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/N9XOd2gbahnskA8J6Lk6fMNsDcVVpZRkJcxbpSKM.webp'/></item><item><title><![CDATA[Samantha Confirm Pregnancy: સમન્થા અને રાજ બનશે માતા-પિતા, અભિનેત્રીએ પ્રસૂતિ વિરામની કરી જાહેરાત ]]></title><link>https://sandesh.com/entertainment/news/india/samantha-confirms-pregnancy-samantha-and-raj-will-become-parents-actress-announces-maternity-leave</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/india/samantha-confirms-pregnancy-samantha-and-raj-will-become-parents-actress-announces-maternity-leave</guid><pubDate>Thu, 25 Jun 2026 18:38:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">સમન્થા રૂથ પ્રભુ અને રાજ નિદિમોરુ તેમના પ્રથમ બાળકને આવકારવા માટે તૈયાર છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">ચાહકોને ખુશ થવા માટે આપ્યુ કારણ</h2><p style="text-align: justify; ">સમન્થાની 'મા ઇન્તી બંગારામ' બોક્સ ઓફિસ પર જોરદાર સારું પ્રદર્શન કરી રહી છે. ફિલ્મ રિલીઝ થયાના માત્ર છ દિવસમાં જ તેના બજેટમાં બમણી કમાણી કરી ચૂકી છે. 'મા ઇન્તી બંગારામ'ની સફળતાનો આનંદ માણી રહેલી સામન્થા રૂથ પ્રભુએ ચાહકોને ખુશ થવા માટે બીજું કારણ આપ્યું છે. અભિનેત્રીએ તેની ગર્ભાવસ્થાની પુષ્ટિ કરી છે. આ સારા સમાચાર શેર કરતા, સામન્થાએ એ પણ જાહેરાત કરી કે, તે ટૂંક સમયમાં પ્રસૂતિ વિરામ લેશે.</p><h3 style="text-align: justify; ">મેટરનિટી લીવ લેશે સામન્થા</h3><p style="text-align: justify; ">સમન્થા રૂથ પ્રભુએ બુધવારે હૈદરાબાદમાં તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ મા ઇન્તી બંગારામની સફળતાની મીટિંગમાં આ સારા સમાચાર શેર કર્યા. આ કાર્યક્રમમાં મીડિયા સાથે વાત કરતા, સામન્થાએ કહ્યું કે તે તેના વર્તમાન પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા પછી થોડા સમય માટે અભિનયમાંથી વિરામ લેવાની યોજના ધરાવે છે. સામન્થાએ કહ્યું, મા ઇન્તી બંગારામ પછી, મારી તબિયત ખરાબ હોવાથી મારે થોડો સમય વિરામ લેવો પડશે. મારે મેટરનિટી લીવ લેવી પડશે. તે પછી, હું મારા ચાહકો માટે બીજી ફિલ્મ લઈને પાછી આવીશ.</p><h4 style="text-align: justify; ">"મા ઇન્તી બંગારામ"ની સફળતાની ઉજવણી</h4><p style="text-align: justify; ">આ જાહેરાત પછી, હાજર લોકોએ સામન્થાને અભિનંદન પાઠવ્યા. અભિનેત્રીએ બધાનો આભાર પણ માન્યો અને તેમના પ્રેમ અને સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.નોંધનીય છે કે જ્યારે સામન્થાએ તેની ગર્ભાવસ્થાની પુષ્ટિ કરી, ત્યારે તેના પતિ રાજ નિદિમોરુ તેની બાજુમાં બેઠેલા હતા અને હાજર રહેલા લોકો સાથે હસતા હસતા જોવા મળ્યા. સામન્થાની ગર્ભાવસ્થાની પુષ્ટિ "મા ઇન્તી બંગારામ" ના સફળતાના ઉજવણીના ક્લિપ્સ વાયરલ થયા પછી આવી છે, જેમાં ચાહકોએ અભિનેત્રીને તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોઈ હતી.&nbsp;</p><h5 style="text-align: justify; ">સમન્થા અને રાજનું અંગત જીવન&nbsp;</h5><p style="text-align: justify; ">સમન્થાએ અભિનેતા નાગા ચૈતન્ય સાથે થોડા વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ 2017માં લગ્ન કર્યા હતા. પરંતુ આ દંપતી 2021માં અલગ થયુ હતુ. રાજના પહેલા લગ્ન શ્યામલી ડે સાથે થયા હતા, અને તેઓ ક્યારે અલગ થયા તે જાણી શકાયું નથી. સમન્થાએ રાજ સાથે ધ ફેમિલી મેન સીઝન 2 અને સિટાડેલ: હની બનીમાં કામ કર્યું હતું. ગયા વર્ષે, તેણીએ 1 ડિસેમ્બર, 2025 ના રોજ તેમના લગ્ન પહેલા તેના સોશિયલ મીડિયા પર રાજના ફોટા પોસ્ટ કરવાનું શરૂ કર્યું. જોકે તેમના ડેટિંગની અફવાઓ હતી, પરંતુ તેમના લગ્નના સમાચાર આશ્ચર્યજનક હતા. તેઓએ કોઈમ્બતુરના ઈશા યોગ સેન્ટરમાં લગ્ન કર્યા હતા.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/india/news/business/flight-ticket-price-drop-relief-news-for-air-passengers-flight-tickets-may-soon-become-cheaper" target="_blank">હવાઈ ​​મુસાફરો માટે રાહતના સમાચાર, ફ્લાઇટ ટિકિટ ટૂંક સમયમાં થઈ શકે છે સસ્તી</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/Vy6Xl7l3oCADsU3N2dahUNxXe5KysrsUwkvIvD8p.webp'/></item></channel></rss>