<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[ચારેકોર સ્ત્ર્રોત છતાં ખારીવાડમાં પાણી માટે વલખાં ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vapi/despite-springs-all-around-there-are-still-gaps-for-water-in-khariwad</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vapi/despite-springs-all-around-there-are-still-gaps-for-water-in-khariwad</guid><pubDate>Thu, 04 Jun 2026 02:43:35 +05:30</pubDate><description><![CDATA[<p>સંઘપ્રદેશ દમણ દરિયાકાંઠે આવેલું શહેર છે. એક તરફ્ અરબી સમુદ્ર અને બીજી તરફ્ દમણગંગા નદીનું વહેણ હોવા છતાં શહેરના કેટલાક વિસ્તારોમાં આજે પણ પીવાના પાણીની સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. ખાસ કરીને ઉનાળામાં પણ દમણના ખારીવાડ વિસ્તારમાં રહેવાસીઓને પીવાના પાણી માટે ભારે મુશ્કેલીઓનો સામને કરવો પડી રહ્યો છે.</p><p>સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર ખારીવાડ વિસ્તારના અનેક એપાર્ટમેન્ટ અને રહેણાંક સોસાયટીઓમાં નિયમિત અને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળતું નથી. પરિણામે લોકોને રોજિંદી જરૂરિયાત માટે પણ પાણીની તંગીનો સામને કરવો પડી રહ્યો છે. ઉનાળાની ગરમીમાં પાણીની માંગ વધતાં સમસ્યા વધુ ગંભીર બની છે. ખાસ કરીને સાંજ અને રાત્રિના સમયે પાણીના અભાવે રહેવાસીઓ પરેશાન બની રહ્યા છે. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, દમણગંગા નદીનું પાણી ઔદ્યોગિક પ્રદૂષણના કારણે પીવાલાયક રહ્યું નથી. વાપી અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાંથી વિવિધ પ્રકારના રસાયણયુક્ત પાણી નદીમાં ભળતા હોવાના આક્ષેપો છે. બીજી તરફ્ દરિયાકાંઠાનો વિસ્તાર હોવાથી જમીનમાં ખારાશનું પ્રમાણ પણ વધુ છે. પરિણામે ભૂગર્ભ જળમાં પણ ખારું પાણી મળતું હોવાથી પીવાના પાણીના સ્ત્ર્રોત મર્યાદિત બની ગયા છે. ખારીવાડ વિસ્તારના રહેવાસીઓનું કહેવું છે કે, દર વર્ષે ઉનાળાની ઋતુમાં પાણીની સમસ્યા ઊભી થાય છે, પરંતુ આ વખતે સ્થિતિ વધુ ગંભીર બની છે. અનેક બિલ્ડિંગોમાં પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી રહેવાસીઓને દૈનિક જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘરના કામકાજ, પીવાનું પાણી, બાળકો અને વૃદ્ધોની જરૂરિયાતો માટે લોકો સતત ચિંતિત રહે છે.
</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/04/cTyh96WZ2f13K6N1a9rRI2GBhdmssiHYFM67phn8.webp'/></item><item><title><![CDATA[કુકરમુંડામાં ખેતી માટે નિયમિત વીજ આપવા ખેડૂતોની માંગણી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/tapi/farmers-demand-regular-electricity-for-farming-in-kukarmunda</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/tapi/farmers-demand-regular-electricity-for-farming-in-kukarmunda</guid><pubDate>Thu, 04 Jun 2026 02:37:43 +05:30</pubDate><description><![CDATA[<p>કુકરમુંડા તાલુકામાં ખેતીવાડી વીજ જોડાણ ધરાવતા ખેડૂતોને પુરતા પ્રમાણમાં વીજપુરવઠો નહી મળતા સમયસર પાકોને પિયત આપી ન શકાતા જેની સીધી અસર ઉત્પાદન ઉપર થતા આર્થિક નુકશાન ભોગવવાની નોબત આવી રહી છે, નિયમિત અને પુરતો વીજપુરવઠો પુરો પાડવા મુદ્દે આજરોજ નાયબ ઇજનેર કુકરમુંડા જીઇબી શાખાને આવેદનપત્ર દ્ધારા રજુઆત ખેડૂતોએ કરી હતી.</p><p>કુકરમુંડા તાલુકાના ખેડૂતોએ આજરોજ ખેતીવાડી વીજલાઇનની સુવિધા હોવા છતાં વીજપુરવઠો પુરતો ન મળતા તેમજ વારંવાર પાવર કટ તથા લો વોલ્ટેજના લીધે હેરાન-પરેશાન થઇ રહ્યા હોવાના આક્ષેપ સાથે જીઇબી કચેરી કુકરમુંડા શાખા ખાતે લેખિત રજુઆત કરતા જણાવ્યું હતું કે, કુકરમુંડા તાલુકાના ખેડુતો ખેતીવાડી વીજકનેકશન ધરાવતા હોવા છતાં છેલ્લા કેટલાંક દિવસોથી ખેતીવાડીની વીજળીમાં વારંવાર અચાનક પાવર કટ અને વોલ્ટેજ ડાઉન થવાનો ગંભીર પ્રશ્ન ઉપસ્થિત થયો છે. હાલમાં શેરડી, કેળા તેમજ અન્ય પાકની વાવણી તેમજ ખેડ તૈયાર થવાના આરે છે તેમજ ઉગમણી અવસ્થામાં છે, જેને પિયત આપવું ખૂબ જ જરૂરી છે. વીજળીના વારંવારના ધાંધિયાના લીધે ખેતરોમાં ઉભો પાક સુકાઇ રહ્યો છે અને મોટર, પંપ પણ બળી જવાની ભીંતી રહે છે. વારંવાર લાઇટ કાપના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાની નોબત આવી છે. સમયસર પાકને પિયત ન આપી શકાતા જેને લીધે ઉપજ ઓછી થવા સાથે મોંઘા બિયારણ, ખાતર, દવા, મજુરીખર્ચ, ખેડાણ ખર્ચ સહિત અનેક ખર્ચાઓ માથે પડવા સાથે ખેડુતોનું આર્થિક સ્થિતિ કથળવાની શકયતા છે. ત્યારે નિયમિત વીજપુરવઠો ખેતીવાડીનો પ્રાપ્ત થાય તે માટે ફીડર તથા વીજલાઇનનું સત્વરે નિરીક્ષણ કરાવી ક્ષતિઓ દુર કરવા સાથે નિયમિત અને પુરતા વોલ્ટેજ સાથે વીજપુરવઠો કાર્યરત કરવામાં આવે તેવી માંગણી છે. જો ખેડૂતોને ન્યાય ન મળે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
</p><p><a href="https://sandesh.com/maru-saher-gam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/04/1Km5Hc3Elz7GEvwL52WLm5gMqCANSmWFvkuh7bp4.webp'/></item><item><title><![CDATA[કેનેરા બૅન્ક દ્વારા બ્રજેશ કુમાર સિંઘની નવા મેનેજિંગ ડિરેક્ટર અને CEO તરીકે નિયુક્તિ કરવામાં આવી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/canara-bank-appoints-brajesh-kumar-singh-as-new-managing-director-and-ceo</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/canara-bank-appoints-brajesh-kumar-singh-as-new-managing-director-and-ceo</guid><pubDate>Thu, 04 Jun 2026 02:31:20 +05:30</pubDate><description><![CDATA[<p>કેનેરા બૅન્કની 1 જૂન, 2026ના રોજની જાહેરાત દ્વારા બ્રજેશ કુમાર સિંઘે આ મેનેજિંગ ડિરેક્ટર (MD) અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. ભારત સરકારના તા. 30 મે, 2026ના નોટિફિકેશન મુજબ તેઓ 30 એપ્રિલ, 2029 (સુપરએન્યુએશન) અથવા આગામી હુકમ જે પહેલા હોય ત્યાં સુધી તેઓ પદ પર રહેશે. તેમને ત્રણ દાયકા કરતા વધુનો બૅન્કિંગ અનુભવ છે અને કોર્પોરેટ ક્રેડિટ, રિટેલ બૅન્કિંગ, માનવ સંશાધન, બિઝનેસ ડેવલપમેન્ટ અને સ્ટ્રેટેજિક ઓપરેશનનો બહોળો અનુભવ ધરાવે છે. આ પૂર્વે તેઓ ઈન્ડિયન બૅન્કના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા હતા, જ્યાં તેમણે બિઝનેસ ગ્રોથ, વહીવટી માળખાનું મજબૂતીકરણ, બૅન્કના ડિજિટલ અને સંચાલકીય પરીવર્તનો દ્વારા મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. ફાઇનાન્શિયલ સર્વિસિસ ઇન્સ્ટિટયુશન્સ બ્યુરો (FSIB)ની ભલામણ અને નિયુક્તિ સમિતિની મંજૂરી દ્વારા તેમની નિયુક્તિ કરવામાં આવેલ છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/04/ZUFFvISvtBS8Mj73adBaElsQ8fvMRAiG14BrAKN9.webp'/></item><item><title><![CDATA[વાઘ બકરી ટી ગ્રૂપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પારસ દેસાઈ પ્રતિષ્ઠિત 'ચેમ્પિયન ઓફ્ ચેન્જ' સન્માનથી વિભૂષિત ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/paras-desai-executive-director-of-tiger-goat-tea-group-honoured-with-prestigious-champion-of-change-award</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/paras-desai-executive-director-of-tiger-goat-tea-group-honoured-with-prestigious-champion-of-change-award</guid><pubDate>Thu, 04 Jun 2026 02:30:23 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદઃ વાઘ બકરી ટી ગ્રૂપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પારસ દેસાઈને લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ ફઉન્ડેશનના એક વિશેષ ઉપક્રમ 'લાયન્સ કાઉન્સિલ ઓફ્ ઇન્ડિયા' દ્વારા પ્રતિષ્ઠિત 'ચેમ્પિયન ઓફ્ ચેન્જ' સન્માનથી નવાજવામાં આવ્યા છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ એવા અગ્રણીઓને એનાયત કરવામાં આવે છે જેમણે પોતાના વ્યાવસાયિક કૌશલ્ય, ઉત્કૃષ્ટ સિદ્ધિઓ અને સમાજ પ્રત્યેના નિરંતર યોગદાન દ્વારા જનજીવન પર સકારાત્મક અને અર્થપૂર્ણ પ્રભાવ પાડયો હોય. વ્યવસાયની સાથે સાથે, પારસ દેસાઈ સર્વસમાવેશી અને ટકાઉ વિકાસના મજબૂત હિમાયતી રહ્યા છે. 'વાઘ બકરી ફઉન્ડેશન'ના માધ્યમથી તેમણે શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ, પર્યાવરણીય સ્થિરતા, ગ્રામીણ વિકાસ અને જીવદયા પ્રાણી કલ્યાણને લગતી પહેલોને સમર્થન આપ્યું છે. આ પ્રતિષ્ઠિત સન્માન બદલ આભાર વ્યક્ત કરતાં પારસ દેસાઈએ જણાવ્યું હતું કે, હું એક એવા પારિવારિક વ્યવસાયિક વાતાવરણમાં ઉછર્યો છું જે હંમેશાં સમાજને કંઈક પરત આપવાની પરંપરામાં માને છે. આ સન્માન મારા માટે નમ્રતાની લાગણી સાથે પ્રોત્સાહન પૂરું પાડનારું છે. આ એવોર્ડ લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ ફઉન્ડેશનના ઇન્ટરનેશનલ ડિરેક્ટર રમેશ પ્રજાપતિના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/04/TvLGWBAdaOfLbFz0EMU45E0kU5hQRGiE1QdhE2Gq.webp'/></item><item><title><![CDATA[અમદાવાદ એરપોર્ટ પર અત્યાધુનિક એવિએશન ફ્યુઅલ સ્ટેશન કાર્યરત ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/state-of-the-art-aviation-fuel-station-operational-at-ahmedabad-airport</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/state-of-the-art-aviation-fuel-station-operational-at-ahmedabad-airport</guid><pubDate>Thu, 04 Jun 2026 02:29:30 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ એરપોર્ટ ખાતે અત્યાધુનિક એવિએશન ફ્યુઅલ સ્ટેશન (AFS) કાર્યરત કરવામાં આવ્યું છે. નવી સુવિધાના પ્રારંભ સાથે એરપોર્ટની ઈંધણ સંગ્રહ અને પુરવઠા ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયોછે, જેનાથી ફ્લાઇટ ઓપરેશન્સ વધુ ઝડપી અને કાર્યક્ષમ બની રહેશે.</p><p>અમદાવાદ ઓપન એક્સેસ મોડલ હેઠળ દેશનું સૌથી મોટું સ્ટેન્ડઅલોન રિફ્યુઅલર આધારિત 'ઇન્ટુ-પ્લેન' ઓપરેશન ધરાવે છે. નવા ફ્યુઅલ ફાર્મમાં 8,000 કિલોલીટર ઈંધણ સંગ્રહ ક્ષમતા ઉપલબ્ધ છે, જેમાં ચાર વિશાળ સ્ટોરેજ ટેન્ક છે. આશરે 27,000 ચોરસ મીટર વિસ્તારમાં વિકસિત આ સુવિધામાં હાલ 17 રિફ્યુઅલર્સ કાર્યરત છે, ભવિષ્યમાં વધુ બે ઉચ્ચ ક્ષમતાવાળા રિફ્યુઅલર્સ ઉમેરવાની યોજના છે. અદ્યતન ફ્લ્ટિરેશન અને ક્વોલિટી કંટ્રોલ સિસ્ટમ્સના કારણે એરક્રાફ્ટને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ સ્વચ્છ અને સુરક્ષિત જેટ ફ્યુઅલ ઉપલબ્ધ થશે. સાથે જ RFID આધારિત ઓટોમેટેડ સિસ્ટમ્સ દ્વારા ઈંધણ પુરવઠાનું રિયલ-ટાઇમ મોનિટરિંગ શક્ય બનશે. ફ્યુઅલ ફાર્મમાં વૈશ્વિક ધોરણોને અનુરૂપ ફયર સેફ્ટી અને ઇમરજન્સી રિસ્પોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઊભું કરાયું છે.
</p><p>એરપોર્ટ સત્તાવાળાઓના જણાવ્યા મુજબ નવી સુવિધાથી એરલાઇન્સને ઝડપી અને નિરંતર ઈંધણ પુરવઠો મળશે. જેના પરિણામે ફ્લાઇટ ઓપરેશન્સમાં વિલંબ ઘટશે અને અમદાવાદથી સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય હવાઈ કનેક્ટિવિટીના વિસ્તરણને વેગ મળશે. અમદાવાદ એરપોર્ટ વર્ષ 2025-26 દરમિયાન 1.38 કરોડ મુસાફ્રોને સેવા આપી ચૂક્યું છે. દરરોજ સરેરાશ 290 જેટલી વિમાન અવરજવર રહે છે. કાર્ગો ક્ષેત્રે પણ એરપોર્ટ દર વર્ષે એક લાખ મેટ્રિક ટનથી વધુ માલસામાનનું સંચાલન કરે છે.
</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/04/NAXk3TZUgHYh666kU9BqC5ngHo8O2Hx2LqCj3ztl.webp'/></item><item><title><![CDATA[Delhi Fire : હોટલ માલિક લવકેશ બજાજની પોલીસે કરી ધરપકડ, લુકઆઉટ નોટિસ થઈ હતી જાહેર ]]></title><link>https://sandesh.com/india/news/delhi-hotel-fire-lovkesh-bajaj-arrest-fire-safety-violation-investigation</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/delhi-hotel-fire-lovkesh-bajaj-arrest-fire-safety-violation-investigation</guid><pubDate>Wed, 03 Jun 2026 22:22:52 +05:30</pubDate><description><![CDATA[<p>દિલ્હીના માલવીયા નગર વિસ્તારમાં આવેલા Flourish Stay Hotel હોટલ અગ્નિકાંડ મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. હોટલ માલિક લવકેશ બજાજની પોલીસે ધરપકડ કરી છે અને પૂછપરછ શરૂ કરી છે. આ કાર્યવાહી તે ભયાનક દુર્ઘટના બાદ કરવામાં આવી છે જેમાં 21 લોકોનાં મોત થયા હતા. આ ઘટનાને લઈને અગાઉ લવકેશ બજાજ અને તેમની પત્ની વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર પણ જાહેર કરવામાં આવ્યું હતું, જેથી તેઓ દેશ છોડીને ભાગી ન શકે. પોલીસની ટીમો સતત તેમની શોધખોળમાં લાગી હતી.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2062211142685196761"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><br></p><h2><b>આગ કેવી રીતે લાગી હતી?
</b></h2><p>આ દુર્ઘટના માલવીયા નગરના હૌઝ રાની વિસ્તારમાં આવેલી ફ્લોરિશ સ્ટે બેડ એન્ડ બ્રેકફાસ્ટ હોટલમાં બની હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે અનેક લોકો બહાર નીકળી શક્યા નહીં અને 21 લોકોના મોત થયા. તપાસમાં સામે આવ્યું છે કે હોટલ પાસે ફાયર એનઓસી નહોતું. તપાસ મુજબ હોટલને માત્ર 6 રૂમ ચલાવવાની મંજૂરી હતી, પરંતુ અંદાજે 25 રૂમ ચલાવવામાં આવી રહ્યા હતા. આ ઉપરાંત બેઝમેન્ટમાં પણ રૂમ બનાવવામાં આવ્યા હતા, જે નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે. અધિકારીઓના જણાવ્યા મુજબ ઈમારતમાં ફક્ત એક જ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ હતું, જેના કારણે લોકો સમયસર બહાર નીકળી શક્યા નહોતા અને બચાવ કામગીરીમાં પણ મુશ્કેલી પડી હતી.
</p><h3><b>ગંભીર આરોપો સાથે FIR દાખલ
</b></h3><p>આ મામલે પોલીસે પહેલેથી જ બિનઈરાપૂર્વક હત્યા સહિતની ગંભીર કલમો હેઠળ FIR દાખલ કરી છે. હવે હોટલ માલિકની કસ્ટડી મળ્યા બાદ તપાસ વધુ તેજ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે પૂછપરછ દરમિયાન એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે નિયમોના ઉલ્લંઘન અને બેદરકારી પાછળ કોની-કોની જવાબદારી હતી અને આખી ગેરરીતિ કેવી રીતે ચાલી રહી હતી.
<br><br><a href="https://sandesh.com/india/news/delhi-fire-these-5-negligences-were-serious21-lost-their-lives-there-was-not-even-a-fire-noc" target="_blank">આ પણ વાંચો : Delhi Fire: આ 5 લાપરવાહી પડી ભારે..21એ ગુમાવ્યો જીવ, Fire NOC પણ ન હતી</a><b></b></p><p><br></p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/03/Lp4p4ko1F9D5RRjWgafxpGOX6GuZroJznxrnw6wE.webp'/></item><item><title><![CDATA[3 જૂનના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર ]]></title><link>https://sandesh.com/gujarat/news/india/top-10-important-news-headlines-june-3-daily-news-roundup</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/india/top-10-important-news-headlines-june-3-daily-news-roundup</guid><pubDate>Wed, 03 Jun 2026 21:00:00 +05:30</pubDate><description><![CDATA[<p><b>સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર વાંચો</b></p><p><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/aravalli/modasa-police-operation-delta-hunt-13-suspected-bangladeshi" target="_blank"><b>1. Aravalli News: LCB અને SOGની 6 ટીમોની રેડ, 13 શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/gandhinagar/fire-breaks-out-on-13th-floor-of-shripad-ayansh-apartment-in-sargasan" target="_blank"><b>2. Gandhinagar News: સરગાસણમાં શ્રીપદ આયંશ ફ્લેટના 13મા માળે આગ લાગી, બુઝાઈ ગયા બાદ આગ ફરી પ્રસરી</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/tathya-patel-released-on-bail-in-ahmedabad-iskcon-bridge-accident-case" target="_blank"><b>3. Ahmedabad News: ઈસ્કોન બ્રિજ પર 9 લોકોનો ભોગ લેનાર તથ્ય પટેલ જેલ બહાર આવ્યો</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/gandhinagar/pm-modi-to-launch--1-063-crore-gidc-projects-in-bharuch-and-valsad-on-june-5" target="_blank"><b>4. Gandhinagar news: PM મોદી 5 જૂને દક્ષિણ ગુજરાતને આપશે 1063 કરોડથી વધુના GIDC પ્રોજેક્ટ્સની ભેટ</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/gandhinagar/gujarat-wire-free-city-mission-to-make-all-urban-areas-wire-free-by-2030" target="_blank"><b>5. Gandhinagar news : શોર્ટ સર્કિટ થવાની દુર્ઘટનાઓ અટકી જશે, 17 મનપા અને 151 નગરપાલિકા વાયર ફ્રી બનશે</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/cyber-crime-mule-account-arrested-for-renting-bank-accounts" target="_blank"><b>6. Surat News: સાયબર ક્રાઇમનું 'ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0', 70 આરોપીઓ ઝડપાયા</b></a></p><p><a href="https://sandesh.com/india/news/-political-news/west-bengal-tmc-split-ritabrata-banerjee-rebel-mlas-ncp-shiv-sena-comparison" target="_blank"><b>7. Politics : પશ્ચિમ બંગાળમાં પણ મહારાષ્ટ્ર વાળી થઈ, TMCના પડ્યા ભાગલા!</b></a></p><p><a href="https://sandesh.com/india/news/delhi-hotel-fire-21-dead-foreign-nationals-fire-safety-illegal-construction-probe" target="_blank"><b>8. Delhi Fire : 4 દેશના 6 વિદેશી નાગરિકના પણ થયા મોત, ફાયર સેફ્ટી અને ગેરકાયદેસર નિર્માણ સામે ગંભીર સવાલો</b></a></p><p><a href="https://sandesh.com/india/news/cabinet-decisions-big-decision-of-the-cabinet-approval-of-atf-fund-of-10000-crore" target="_blank"><b>9. Cabinet Decisions: કેબિનેટનો મોટો નિર્ણય, ₹10,000 કરોડના ATF ફંડને મંજૂરી</b></a></p><p><a href="https://sandesh.com/india/news/bihar-3-people-arrested-in-connection-with-attack-on-khan-sarna-coaching-centre-in-patna" target="_blank"><b>10. Bihar:પટનામાં ખાન સરના કોચિંગ સેન્ટર પર હુમલાના કેસમાં 3 લોકોની ધરપકડ</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/03/aoKpxUcyevesFxZqVhvRS44g5cLVNvBHP5jkArBJ.webp'/></item><item><title><![CDATA[Apple પર CCIની મોટી કાર્યવાહી, ફાઈનાન્શિયલ ડેટા આપવામાં આવશે ]]></title><link>https://sandesh.com/business/news/apple-cci-antitrust-probe-financial-data-india-app-store-investigation</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/apple-cci-antitrust-probe-financial-data-india-app-store-investigation</guid><pubDate>Wed, 03 Jun 2026 18:54:05 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતમાં એપલ ઈન્ક સામે ચાલી રહેલી એન્ટી ટ્રસ્ટ તપાસ હવે મહત્વના તબક્કામાં પહોંચી છે. કંપનીએ CCIને ભારત સંબંધિત પોતાની નાણાકીય માહિતી આપવા માટે સંમતિ દર્શાવી છે. આ તપાસ એપલની એપ સ્ટોર નીતિઓ અને ઈન-એપ પેમેન્ટ સિસ્ટમને લઈને ચાલી રહી છે. માનવામાં આવે છે કે આ માહિતીના આધારે ભવિષ્યમાં કંપની પર દંડ પણ ફટકારવામાં આવી શકે છે.</p><h2><b>CCIને મળશે એપલનો ફાઈનાન્શિયલ ડેટા
</b></h2><p>એપલે CCIને પોતાની નાણાકીય વિગતો આપવા માટે મંજૂરી આપી છે. આ માહિતી એપ સ્ટોર સંબંધિત તપાસ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. CCIનું માનવું છે કે એપલે બજારમાં પોતાની મજબૂત સ્થિતિનો દુરુપયોગ કર્યો હોઈ શકે છે. 21 મેના રોજ યોજાયેલી સુનાવણી દરમિયાન કંપનીએ વધુ સમયની માંગણી કરી હતી, જેના પગલે તેને 25 જૂન સુધી ડેટા રજૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ માહિતી તપાસને આગળ વધારવા તેમજ સંભવિત દંડની રકમ નક્કી કરવામાં મદદરૂપ બનશે. નિષ્ણાતોના મતે, ભારતમાં એપલ માટે આ અત્યાર સુધીના સૌથી મોટા નિયમનકારી પડકારોમાંનું એક છે.
</p><h3><b>એપ સ્ટોર અને પેમેન્ટ સિસ્ટમને લઈને તપાસ
</b></h3><p>આ તપાસ મુખ્યત્વે એપલની એપ સ્ટોર નીતિઓ પર કેન્દ્રિત છે. આરોપ છે કે કંપનીએ આઈફોન એપ ઈકોસિસ્ટમમાં પોતાની પ્રભુત્વભરી સ્થિતિનો લાભ ઉઠાવ્યો છે. CCIના જણાવ્યા મુજબ એપલ એપ ડેવલપર્સને મર્યાદિત વિકલ્પો આપે છે, કારણ કે આઈફોન યુઝર્સ સુધી પહોંચવાનો મુખ્ય માર્ગ એપ સ્ટોર જ છે.
</p><p>આ ઉપરાંત, કંપનીના ઈન-એપ પેમેન્ટ નિયમો પણ તપાસના કેન્દ્રમાં છે. આરોપ છે કે એપલ ડેવલપર્સને પોતાના પેમેન્ટ સિસ્ટમનો જ ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત અથવા મજબૂર કરે છે. આ તપાસની શરૂઆત 2021માં થઈ હતી, જ્યારે ટીંડર અને Alliance of Digital India Foundation સહિતની સંસ્થાઓએ ફરિયાદ નોંધાવી હતી. જોકે એપલ સતત આ તમામ આરોપોને નકારી રહ્યું છે.
</p><h4><b>ભારતના ડિજિટલ ઈકોસિસ્ટમ પર પડી શકે છે મોટી અસર
</b></h4><p>આ કેસનો પ્રભાવ ભારતના એપ ડેવલપમેન્ટ અને ડિજિટલ અર્થતંત્ર પર વ્યાપક રીતે પડી શકે છે. એપલ ભારતમાં ઝડપથી વિકાસ કરી રહ્યું છે અને સ્માર્ટફોન બજારમાં તેનો હિસ્સો અંદાજે 2 ટકાથી વધીને 9 ટકા સુધી પહોંચી ગયો છે. જો CCIનો નિર્ણય એપલ વિરુદ્ધ આવે છે તો એપ ડેવલપર્સ અને સ્ટાર્ટઅપ્સને વધુ સ્વતંત્રતા મળી શકે છે, ખાસ કરીને પેમેન્ટ સિસ્ટમ અને એપ વિતરણ સંબંધિત બાબતોમાં. સાથે જ આ નિર્ણય ભારતના ડિજિટલ નિયમન અને મોટી ટેક કંપનીઓની નીતિઓ પર પણ લાંબા ગાળાની અસર પેદા કરી શકે છે.
</p><p><a href="https://sandesh.com/world/news/business/usa/us-india-tariff-america-reimposed-125-tariff-what-should-india-do-to-avoid-it-think-tank-showed-the-way" target="_blank">આ પણ વાંચો : US India Tariff: અમેરિકાએ ફરી લાદ્યો 12.5%નો ટેરિફ, બચવા માટે ભારતે શું કરવું? થિંક ટેંકે બતાવ્યો રસ્તો</a><b></b></p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/03/JhADCTSW5L3uDZItwgOVVXug2aJOQI8SUW1OwYeN.webp'/></item><item><title><![CDATA[Killer Filmના સેટ પર બોમ્બ બ્લાસ્ટ સીક્વન્સ દરમિયાન સિલિન્ડર ફાટ્યો, એક ક્રૂ મેમ્બરનું કમકમાટીભર્યું મોત, ત્રણ ICUમાં દાખલ ]]></title><link>https://sandesh.com/entertainment/news/movie-set-accident-cylinder-explodes-during-bomb-blast-sequence-one-dead-three-in-icu</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/movie-set-accident-cylinder-explodes-during-bomb-blast-sequence-one-dead-three-in-icu</guid><pubDate>Wed, 03 Jun 2026 16:32:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">તમિલ અભિનેતા અને નિર્દેશક એસ. જે. સૂર્યાની અપકમિંગ ફિલ્મ કિલરના સેટ પર શૂટિંગ દરમિયાન મોટો અકસ્માત થઈ ગયો. આ અકસ્માતમાં એક 26 વર્ષના યુવકે જીવ ગુમાવ્યો છે અને અન્ય ત્રણ ક્રૂ મેમ્બર ગંભીર રીતે ઘાયલ થયા છે. ચેન્નઈના પેરમ્બુર વિસ્તારમાં આવેલી બિની મિલ્સમાં મંગળવારે ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું, જેમાં બોમ્બ બ્લાસ્ટના સીક્વન્સને ફિલ્માવવામાં આવી રહ્યો હતો, ત્યારે જ આ મોટો અકસ્માત થયો છે. આ ઘટના બાદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે. સેટ પર થયેલી આ ઘટના અંગે કિલરના મેકર્સે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.
</p><h2 style="text-align: justify; "><b>કિલરના સેટ પર થયો ભયાનક અકસ્માત
</b></h2><p style="text-align: justify; ">બિની મિલ્સમાં કિલરનું શૂટિંગ ઘણા દિવસોથી ચાલી રહ્યું હતું. બુધવારની સવારે આશરે 5 વાગ્યે એક સીક્વન્સના શૂટિંગ દરમિયાન ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થઈ ગયો, જેની ઝપેટમાં ચાર ટેકનિશિયન આવી ગયા. તાત્કાલિક ધોરણે સેટ પર હાજર લોકોએ તમામ ઘાયલોને રાજીવ ગાંધી ગવર્નમેન્ટ હોસ્પિટલ પહોંચાડ્યા, જ્યાં ડોક્ટરોએ મદુરાવોયલના રહેવાસી 26 વર્ષના મદનને મૃત જાહેર કર્યો. આ અકસ્માતમાં શક્તિવેલ (27), સૂર્યા (23) અને દીનાકરણ (24) ગંભીર રીતે ઘાયલ થયા છે. આ તમામ ક્રૂ મેમ્બર અત્યારે આઈસીયુ (ICU) માં દાખલ છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે.
</p><h3 style="text-align: justify; "><b>અકસ્માતની તપાસમાં જોતરાયેલી પોલીસ
</b></h3><p style="text-align: justify; ">ફિલ્મના સેટ પર સિલિન્ડરમાં બ્લાસ્ટ કેવી રીતે થયો? પોલીસ આ સવાલનો જવાબ શોધી રહી છે. દરેક પાસાને ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે. શું શૂટિંગ દરમિયાન મેકર્સ તમામ સુરક્ષા નિયમોનું પાલન કરી રહ્યા હતા? તેની તપાસ પણ કરવામાં આવી રહી છે. સાથે જ અધિકારીઓ ટેકનિકલ ખામીના એન્ગલથી પણ તપાસ કરી રહ્યા છે. પોલીસે અકસ્માતમાં જીવ ગુમાવનારા મદનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ અકસ્માત બાદ ફિલ્મના ક્રૂ મેમ્બર્સ આઘાતમાં છે. મદનના પરિવાર પ્રત્યે ઘણા લોકોએ સંવેદના વ્યક્ત કરી છે.
</p><h4 style="text-align: justify; "><b>એ. આર. રહેમાન આપી રહ્યા છે સંગીત
</b></h4><p style="text-align: justify; ">કિલર એક પેન ઇન્ડિયા ફિલ્મ છે, જેનું નિર્દેશન એસ. જે. સૂર્યા કરી રહ્યા છે. ફિલ્મમાં તેઓ લીડ રોલમાં પણ જોવા મળવાના છે. તેમની સાથે એક્ટ્રેસ પ્રીતિ અંજુ અસરાની ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે નજર આવશે. આ ફિલ્મમાં દિગ્ગજ સંગીતકાર એ. આર. રહેમાન સંગીત આપી રહ્યા છે.
</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/bajrangi-bhaijaan-munni-alias-harshaali-malhotra-stunning-transformation" target="_blank">આ પણ વાંચો-7 વર્ષની ઉંમરે સલમાન ખાન સાથે કર્યું ડેબ્યુ, ના અવાજ, ના કોઈ ડાયલોગ… છતાં સુપરહિટ ફિલ્મની જાન બની આ એક્ટ્રેસ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/03/EZY0Tgq71kPUyGYElqXNfbF3ghH98mi5QYxugvbY.webp'/></item><item><title><![CDATA[U-18 Asia Cup 2026 : મહિલા હોકી ટીમે સિંગાપોરને 25-0થી હરાવ્યું, સેમિફાઇનલમાં મારી એન્ટ્રી ]]></title><link>https://sandesh.com/sports/news/u-18-asia-cup-2026-womens-hockey-team-beats-singapore-25-0-enters-semi-finals</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/u-18-asia-cup-2026-womens-hockey-team-beats-singapore-25-0-enters-semi-finals</guid><pubDate>Wed, 03 Jun 2026 15:15:31 +05:30</pubDate><description><![CDATA[<p>ક્રિકેટ હોય, બેડમિન્ટન હોય કે હોકી, ભારતની મહિલાઓએ દરેક રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. જુનિયર મહિલા હોકી ટીમે અંડર-18 એશિયા કપ 2026માં પોતાનું પ્રભાવશાળી પ્રદર્શન ચાલુ રાખ્યું, સિંગાપોરને 25-0ના રેકોર્ડ માર્જિનથી હરાવ્યું. આ પૂલ A મેચ હતી. ભારતીય ટીમે શરૂઆતથી અંત સુધી મેચમાં પ્રભુત્વ મેળવ્યું. આ શાનદાર વિજય સાથે, ભારતે પૂલ Aમાં તેની બધી મેચ જીતીને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. આ અંડર-18 સ્તર પરનો સૌથી મોટો વિજય બન્યો.
</p><h4><b>નમ્મી ગીતાશ્રી 5 ગોલ કરીને પ્લેયર ઓફ ધ મેચ બની
</b></h4><p>નમ્મી ગીતાશ્રી મેચમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ખેલાડી હતી. તેના આક્રમક રમતે સિંગાપોરના ડિફેન્સને સંપૂર્ણપણે તોડી નાખ્યું. ગીતાશ્રીએ મેચમાં 5 શાનદાર ગોલ કર્યા, જેના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો. ભારતીય ટીમે વિરોધી ટીમને સ્વસ્થ થવાની એક પણ તક આપી નહીં, મેચના ચારેય ક્વાર્ટર દરમિયાન નિયમિત અંતરાલે ગોલ કર્યા, જેનાથી સિંગાપોર પાછળ રહી ગયું.
</p><h5><b>મેચમાં ભારતીય ખેલાડીઓની શક્તિ
</b></h5><p>આ અંડર-18 મેચ 25-0 થી જીત સાથે ઇતિહાસમાં નોંધાઈ ગઈ. ગીતા શ્રી ઉપરાંત, બે અન્ય ભારતીય ફોરવર્ડોએ સિંગાપોરના ડિફેન્સને તોડી પાડ્યું. સ્ટાર ખેલાડી નૂશીન નાઝે મેચમાં સૌથી વધુ ગોલ કર્યા. તેણીએ સાત ગોલ કર્યા વિરોધી ટીમને સ્વસ્થ થવાની કોઈ તક ન આપી. સ્વીટી કુજુરે પણ તેણીને પ્રશંસનીય રીતે ટેકો આપ્યો. સ્વીટીએ મેચની બીજી મિનિટમાં ભારતનો સ્કોર ખોલ્યો અને ચાર શાનદાર ગોલ કર્યા.આ જોડીએ શાનદાર બેટિંગ કરી.
</p><h5><b>દિયાનીની અદ્ભુત હેટ્રિક&nbsp;</b></h5><p>યુવાન ભારતીય ખેલાડી દિયાએ પણ શાનદાર બેટિંગ કરી, 27મી, 32મી અને 53મી મિનિટમાં ગોલ કરીને પોતાની હેટ્રિક પૂર્ણ કરી. આ શાનદાર વિજય બાદ, ભારતીય ટીમનો આત્મવિશ્વાસ આસમાને પહોંચી ગયો છે અને તેઓ સેમિ-ફાઇનલ નોકઆઉટ મેચ માટે સંપૂર્ણપણે તૈયાર છે. ગ્રુપ સ્ટેજમાં અજેય રહ્યા બાદ, ભારતીય ટીમ હવે આ ખંડીય ટુર્નામેન્ટના ફાઇનલમાં પહોંચવા અને ટાઇટલ જીતવા પર નજર રાખી રહી છે. કોચે ટીમના પ્રદર્શન પર આનંદ વ્યક્ત કરતા કહ્યું કે ખેલાડીઓ મેદાન પર તેમની યોજનાઓને સારી રીતે અમલમાં મૂકી રહ્યા છે, જે આગામી નોકઆઉટ મેચો માટે ખૂબ જ સકારાત્મક સંકેત છે.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/business/news/sports/vaibhav-suryavanshi-after-ipl-vaibhav-suryavanshis-brand-value-has-seen-a-huge-jump-fees-have-doubled" target="_blank">Vaibhav Suryavanshi: IPL બાદ વૈભવ સૂર્યવંશીની બ્રાન્ડ વેલ્યુમાં બમ્પર ઉછાળો, ફી બમણી !</a>
</p><p><br></p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/03/lkJoekT3wVkiv4vMqzQjyZVOCfvQlvh29ATTzUz2.webp'/></item></channel></rss>