<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Himatnagar: હિંમતનગરમાં સ્ટોર્મ વોટર પાઇપલાઇન કેનાલમાં જોડાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/himatnagar/himatnagar-storm-water-pipeline-connected-to-canal-in-himatnagar</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/himatnagar/himatnagar-storm-water-pipeline-connected-to-canal-in-himatnagar</guid><pubDate>Sat, 04 Jul 2026 01:20:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હિંમતનગરના મહાવીરનગર ચાર રસ્તા નજીક સ્ટોર્મ વોટર પાઇપલાઇન કેનાલમાં જોડી દેવાઈ છે. તો બીજી તરફ મોતીપુરા નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર ખોદકામ કરેલા ખાડામાં લીકેજને કારણે પાણી ભરાઈ જતાં આ સર્વિસ રોડ પર દુર્ઘટના થવાની દહેશત વાહન ચાલકો અને સ્થાનિક વેપારીઓ દ્વારા વ્યક્ત કરાઈ છે.</p><p style="text-align: justify; ">હિંમતનગર નગરપાલિકા દ્વારા બેરણા રોડ પર બ્રહ્માકુમારીઝ કેન્દ્રથી વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર પાઇપલાઇન નાખવાની કામગીરી ત્રણ મહિના પહેલા શરૂ કરાઈ હતી જે હવે પૂર્ણતાના આરે છે, મહાવીરનગર ચાર રસ્તે રોડની બંને બાજુ પાઇપલાઇન નાખવા અને ચેમ્બર બનાવવા માટે ખોદકામ કરાયું હતું. ગુરૂવારે રાત્રે કેનાલમાં પાણી નાખવા માટે ડ્રિલિંગ કરીને દીવાલ કાપી શુક્રવારે પાઇપ લગાવી દેવાઈ છે. પાઇપલાઇન લગાવ્યા બાદ બંને તરફ ખોદકામ કરેલી જગ્યાએ માટીનું પુરાણ કરી દેવાયું છે. જેથી ચોમાસા દરમિયાન ખેડ તસિયા રોડ અને મહાવીરનગર ચાર રસ્તા પર પાણી ભરાય ત્યારે વાહનચાલકોએ સાવચેતી રાખવી જરૂરી બનશે. બીજી તરફ હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં સહકારી જીનથી સાબરડેરી તરફ જતા સર્વિસ રોડ પર વરસાદી પાણીના નિકાલ માટે ખોદકામ કરવામાં આવ્યું છે. દાલબાટી સામે ચાલી રહેલા આ કામને કારણે ખોદકામ કરેલા ખાડામાં લીકેજથી પાણી ભરાઈ રહ્યું છે. જો વરસાદ પડે તો આ ખાડામાં મોટી દુર્ઘટના થવાની શકયતા નકારી શકાતી નથી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/03/klM7jAyzxl6wEQz83NyQSmD4QhlRe6LIVoCQX0eb.webp'/></item><item><title><![CDATA[Meghraj: લીંબોદ્રાઢુંઢા ગામે ખેતરમાં કામ કરતી મહિલાની છેડતી કરાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/meghraj/meghraj-a-woman-working-in-a-field-was-molested-in-limbodradhunda-village</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/meghraj/meghraj-a-woman-working-in-a-field-was-molested-in-limbodradhunda-village</guid><pubDate>Sat, 04 Jul 2026 01:19:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મેઘરજ તાલુકાના લીંબોદ્રાઢુંઢા ગામે એક ખેતરમાં ખેતી કામ કરી રહેલી 21 વર્ષીય મહિલાની ખેતરમાં અચાનક આવી ચઢેલા લીંબોદ્રાઢુંઢા ગામના જગદીશ મોહનભાઈ ડામોરે હાથ પકડી લઈ બીભત્સ માગણી કરતાં મહિલાએ બૂમાબૂમ કરતાં મહિલાના પતિ ખેતરમાં આવી જતાં છેડતી કરનાર જગદીશ ડામોરને ઠપકો આપતાં છેડતી કરનાર જગદીશે મહિલાના પતિને પોતાના હાથમાં રહેલુ ધારીયુ પગની એડી ઉપર મારી દેતાં પતિ લોહીલૂહાણ થઈ ગયો હતો. આ ઘટનાની મેઘરજ પોલીસમાં નોંધાયેલ ફરિયાદની હકીકત એવી છે કે, મેઘરજ તાલુકાના સેંદર્યો ગામની એક પરણીત 21 વર્ષીય મહિલા ગત તા.29મી જૂનના રોજ પોતાના ખેતરમાં ખેતી કામ માટે ગઈ હતી. મહિલા પોતાના ખેતરમાં ખેતી કામ કરી રહી હતી તે સમયે લીંબોદ્રા ઢુંઢા ગામનો જગદીશ મોહનભાઈ ડામોર ખેતરમાં આવ્યો હતો અને મહિલાનો હાથ પકડી બીભત્સ માંગણી કરી હતી. આથી મહિલાએ પોતાનો હાથ છોડાવવા બૂમાબૂમ કરતાં મહિલાનો પતિ આવી ગયો હતો અને છેડતી કરનાર જગદીશ ડામોરને ઠપકો આપતાં તેણે ઉશ્કેરાઈ જઈ તેના હાથમાં રહેલુ ધારીયુ મહિલાના પતિના પગની એડી ઉપર મારી દેતાં મહિલાનો પતિ લોહીલૂહાણ થઈ ગયો હતો. આ ઘટના બનતાં મહિલાએ બૂમાબૂમ કરતાં આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને મહિલાના સાસુ અને સસરા પણ દોડી આવ્યા હતા. લોકો આવી જતાં છેડતી કરનાર જગદીશ ડામોર ભાગી છૂટયો હતો. આ પછી ઈજાગ્રસ્ત મહિલાના પતિને દવાખાને લાવી પાટો બંધાવી મહિલાએ મેઘરજ પોલીસ સ્ટેશનમાં છેડતી કરનાર યુવાન જગદીશ મોહનભાઈ ડામોર (રહે, લીંબોદ્રાઢુંઢા,તા.મેઘરજ) સામે ફરિયાદ નોંધાવતાં મેઘરજ પોલીસે ફરિયાદ દાખલ કરી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/03/tHHlBZjKFeRxJuyYTB4TleikkyCFFOs42AOn7V4I.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: વિરમગામમાં માત્ર પાંચ મિમી વરસાદમાં વીજ પુરવઠો ડુલ થતા શહેરીજનોમાં રોષ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</guid><pubDate>Sat, 04 Jul 2026 01:05:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વિરમગામ : વિરમગામમાં ગુરુવારે મોડી રાત્રે વાતાવરણ પલટાયું હતુ અને મેઘરાજાની સવારી આવી પહોંચતા વરસાદ થયો હતો.પરંતુ મેઘરાજા મન મુકીને વરસ્યા ન હતા.માત્ર પાંચ મીમી વરસાદ થયો હતો.જેથી વાતાવરણમાં ભારે બફરો ઉકળાટ પ્રસરી ગયો હતો.બીજી તરફ્ તાલુકા સેવા સદન કચેરી પાસે વીજ ટી સી સ્થળ પર કોઈ ફેલ્ટ સર્જાતા લાઈટ વેરણ થઈ હતી. શહેરના ઘણા વિસ્તારો પ્રભાવિત થયા હતા અને લાંબા સમય સુધી વીજ પુરવઠો ખોરંભાતા લોકોની ઊંઘ માં ખલેલ પડતા પરેશાન થયા હતા.વીજ પુરવઠો લાંબા સમય સુધી ખોરવાતા લોકોએ વીજ તંત્રની ફ્રિયાદ કચેરી સહિત જવાબદાર અધિકારીઓના મોબાઈલ નંબર પર ફેન જોડયા હતા પરંતુ ફેન રિસીવ કરવામાં નહિ આવતા હોવાના આક્ષેપ થવા પામ્યા છે અને લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.લોકોએ સ્થાનિક યુજીવીસીએલ તંત્રના ધાંધિયા અંગે સોશિયલ મીડિયા પર ભારે નારાજગી દર્શાવી હતી.શનિવારે આકાશ વરસાદી વાતાવરણથી ગોરંભાયેલું રહ્યું હતુ.ત્યારે મધ્યાહન સમય બાદમાં શહેરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં સામાન્ય વરસાદી છાંટા વરસ્યા હતા તો અડધો કિમી દુર તાલુકા સેવા સદન કચેરી વિસ્તાર તરફ્ વરસાદ ન હતો.જોકે આકાશમાં વરસાદી વાતાવરણ ગોરંભાયેલું રહ્યું હતુ જેથી વરસાદ થવાની આશા લોકોએ સેવી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/03/G3y2a7B8IonYp2rBp9JXq8J3pgIrTF0FziD7tJj8.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: દસ્ક્રોઈ તાલુકામાં વરસાદથી ખેડૂતોમાં રાહતની લાગણી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</guid><pubDate>Sat, 04 Jul 2026 01:04:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દસ્ક્રોઈ : બે સપ્તાહ સુધી રાહ જોયા બાદ આખરે દસ્ક્રોઈ તાલુકામાં મેઘરાજાએ મન મૂકીને મહેર વરસાવતાં ખેડૂતો સહિત તાલુકાભરમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. છેલ્લા ઘણા દિવસોથી વરસાદની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. ગઈકાલ સાંજથી વાદળછાયું વાતાવરણ સર્જાતા વરસાદની આશા બંધાઈ હતી, જે શુક્રવારે સવારે વરસાદ શરૂ થતાં પૂર્ણ થઈ હતી. દસ્ક્રોઈ તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર છાંટા પડયા હતા, જ્યારે અનેક ગામોમાં ધીમીધારે વરસાદ નોંધાયો હતો. કેટલાક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા અને નીચાણવાળા વિસ્તારોમાં ખાડાઓ પાણીથી ભરાઈ ગયા હતા. વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં ગરમી અને ઉકળાટથી ત્રસ્ત લોકોને રાહત મળી હતી. બીજી તરફ્, બાળકો વરસાદમાં છબછબીયા કરીને સીઝનના પ્રથમ વરસાદની મોજ માણતા નજરે પડયા હતા. ખેડૂતોમાં પણ હવે વાવણીની કામગીરીને વેગ મળશે અને સારા પાકની આશા જાગી હોવાથી સમગ્ર તાલુકામાં હરખની હેલી પ્રસરી ગઈ હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/03/7tlathTsTXsXo12PoO8GrPS8DN7DWFaMojyOsLfH.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ વે પર બ્રિજ પર પાણી ભરાતા અકસ્માત સર્જાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-accident-occurred-due-to-water-filling-the-bridge-on-ahmedabad-bhavnagar-expressway</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-accident-occurred-due-to-water-filling-the-bridge-on-ahmedabad-bhavnagar-expressway</guid><pubDate>Sat, 04 Jul 2026 01:01:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ વે પર ભોળાદ પાટીયા નજીક વરસાદી પાણીના કારણે વધુ એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ભોળાદ નજીક આવેલા બ્રિજ પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બ્રિજ પર પાણી ભરાયેલા હોવાથી આગળ જઈ રહેલી થાર કારના ચાલકે અચાનક બ્રેક મારતાં કારના ટાયર સ્લીપ થયા હતા. તે દરમિયાન પાછળથી આવી રહેલી હ્યુન્ડાઈ કાર સમયસર કાબૂમાં રહી શકી નહોતી અને ધડાકાભેર થાર કાર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં એક વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જ્યારે બંને કારને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું. ઘટનાના કારણે થોડા સમય માટે ટ્રાફ્કિ પણ પ્રભાવિત થયો હતો. સ્થાનિકોમાં બ્રિજ પર વારંવાર પાણી ભરાવાની સમસ્યાને લઈને રોષ જોવા મળી રહ્યો છે. વાહનચાલકોનું કહેવું છે કે વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી અકસ્માતોનું જોખમ વધી રહ્યું છે. તંત્ર દ્વારા આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/03/200cVZGh5f40KcDaF5GKnjn3fMToY8zQSPp0pbKG.webp'/></item><item><title><![CDATA[3 જુલાઈના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર ]]></title><link>https://sandesh.com/gujarat/news/india/top-10-news-updates-3-july-daily-news-summary-india</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/india/top-10-news-updates-3-july-daily-news-summary-india</guid><pubDate>Fri, 03 Jul 2026 20:59:00 +05:30</pubDate><description><![CDATA[<p>સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર વાંચો</p><ol><li><a href="https://sandesh.com/india/news/23-opposition-leaders-write-to-cji-claim-democracy-and-institutions-under-threat" target="_blank">India News: તમામ સરકારી સંસ્થાઓ અને લોકતંત્ર ખતરામાં, રાહુલ ગાંધી સહિત 23 નેતાઓએ ચીફ જસ્ટીસને પત્ર લખ્યો</a></li><li><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/incident-tarnishes-father-daughter-relationship-in-desar-father-who-raped-minor-remanded-for-two-days" target="_blank">Desarમાં પિતા-પુત્રીના સંબંધોને કલંકિત કરતી ઘટના: સગીરા પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ પિતા બે દિવસના રિમાન્ડ પર</a></li><li><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/red-alert-for-extremely-heavy-rain-in-4-districts-till-10-pm" target="_blank">Gujarat Weather: આજે રાત્રે 10 વાગ્યા સુધીમાં ચાર જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ</a></li><li><a href="https://sandesh.com/world/news/iraq-corruption-arrests-major-action-against-corruption-in-iraq-47-officials-including-mps-and-ministers-arrested" target="_blank">Iraq Corruption Arrests: ઇરાકમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટી કાર્યવાહી, સાંસદો અને મંત્રીઓ સહિત 47 અધિકારીની ધરપકડ</a></li><li><a href="https://sandesh.com/crime/news/gujarat/rajkot/crime-branch-gujctoc-registered-against-firoz-firiya-gang" target="_blank">Rajkot ક્રાઇમ બ્રાન્ચનો સપાટો, ફિરોઝ ફિરીયા ગેંગના 20 સાગરીત સામે ગુજસીટોક દાખલ, 10ની ધરપકડ</a></li><li><a href="https://sandesh.com/gujarat/news/agriculture/ahmedabad/ahmedabad-news-understand-in-these-7-points-how-farmers-will-get-compensation-for-electricity-poles" target="_blank">Ahmedabad News: આ 7 મુદ્દામાં સમજો કેવી રીતે ખેડૂતોને વીજ પોલ માટેનું વળતર મળશે?</a></li><li><a href="https://sandesh.com/crime/news/gandhinagar/cyber-crime-operation-mule-hunt-bhavnagar-cooperative-bank-hacking-scam" target="_blank">Gandhinagar News: ભાવનગર કો-ઓપરેટિવ બેંકમાં 802 કરોડનું કૌભાંડ, 55 લોકોની ધરપકડ</a></li><li><a href="https://sandesh.com/world/news/-political-news/pakistan-economic-crisis-former-singaporean-ambassador-makes-strong-comments-on-pakistans-economic-situation-and-nuclear-weapons" target="_blank">Pakistan Economic Crisis: સિંગાપોરના પૂર્વ રાજદૂતે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ અને પરમાણુ હથિયારો પર કરી આકરી ટિપ્પણી</a></li><li><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/ats-uncovers-pakistan-kashmir-link-in-jaish-e-mohammed-module" target="_blank">Gandhinagar News: આતંકીઓનું પાકિસ્તાન અને કાશ્મીર કનેક્શન ખૂલ્યું, ત્રણ લાખના ફંડિગનો ખુલાસો</a></li><li><a href="https://sandesh.com/explainer/news/india/sandesh-digital-explainer-what-do-the-reports-say-about-the-alarming-decline-in-groundwater-in-the-country-find-out" target="_blank">Sandesh Digital Explainer: દેશમાં ભૂગર્ભજળના ચિંતાજનક ઘટાડા અંગે શુ કહે છે અહેવાલો?, જાણો</a></li></ol> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/03/9XdgOkJ2EyZyPD5skZNQxj6o3tnvj0yu4jAPXQJC.webp'/></item><item><title><![CDATA[India News: તમામ સરકારી સંસ્થાઓ અને લોકતંત્ર ખતરામાં, રાહુલ ગાંધી સહિત 23 નેતાઓએ ચીફ જસ્ટીસને પત્ર લખ્યો ]]></title><link>https://sandesh.com/india/news/23-opposition-leaders-write-to-cji-claim-democracy-and-institutions-under-threat</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/23-opposition-leaders-write-to-cji-claim-democracy-and-institutions-under-threat</guid><pubDate>Fri, 03 Jul 2026 20:34:35 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઈન્ડિયા ગઠબંધનના નેતાઓએ ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતને પત્ર લખીને દાવો કર્યો છે કે દેશમાં લોકશાહી ખતરામાં છે.તેમણે ચૂંટણી પ્રક્રિયા અને એસઆઈઆર અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે જ્યારે તમામ સરકારી સંસ્થાઓ નિષ્ફળ જાય છે ત્યારે નાગરિકો માટે અંતિમ આશા માત્ર ન્યાયતંત્ર જ હોય છે.ગત 28 જૂનના રોજ વિપક્ષના 23 પક્ષોના નેતાઓએ આ પત્ર લખ્યો હતો.કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે,લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી,મમતા બેનર્જી, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ અને અન્ય ઘણા નેતાઓએ આ પત્ર પર હસ્તાક્ષર કર્યા છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>નિષ્પક્ષ ચૂંટણીઓને લોકશાહી વ્યવસ્થાનો પાયો</b></h2><p style="text-align: justify; ">આ પત્રમાં  નેતાઓએ કહ્યું કે તેઓ સામાન્ય સંજોગોમાં ન્યાયતંત્રને આ પ્રકારનો પત્ર નથી લખતા પરંતુ તેમને લાગે છે કે દેશની લોકશાહી ખતરામાં છે અને તેથી જ તેમણે આ અસાધારણ પગલું ભર્યું છે. તેમણે કહ્યું કે સંસદ, ન્યાયતંત્ર, મીડિયા અને કાર્યપાલિકા લોકશાહીના મુખ્ય સ્તંભો છે અને આ સંસ્થાઓ વચ્ચે સહયોગી વ્યવસ્થાથી જ લોકશાહી મજબૂત રહી શકે છે.તેમણે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીઓને લોકશાહી વ્યવસ્થાનો પાયો ગણાવતા કહ્યું કે ચૂંટણી પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ જનતાની સાચી ઈચ્છાને પ્રભાવિત કરી શકે છે.</p><h3 style="text-align: justify; "><b>મતદારો તેમના મતાધિકારથી વંચિત રહેવાની આશંકા</b></h3><p style="text-align: justify; ">પત્રમાં ચૂંટણી પંચ અને ખાસ કરીને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર દ્વારા હાથ ધરવામાં આવી રહેલી મતદાર યાદીઓની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.વિપક્ષી નેતાઓએ આરોપ લગાવ્યો કે બિહારમાં શરૂ કરાયેલી આ પ્રક્રિયાનો હેતુ મતદાર યાદીની શુદ્ધતા સુનિશ્ચિત કરવાનો હોવાનું જણાવાયું હતું.પરંતુ તેના અમલીકરણને કારણે મોટી સંખ્યામાં મતદારો તેમના મતાધિકારથી વંચિત રહેવાની આશંકા ઊભી થઈ છે.પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે દસ્તાવેજ આધારિત વેરિફિકેશન પ્રક્રિયા ગરીબો,અભણ, દલિતો, આદિવાસીઓ, લઘુમતીઓ અને સ્થળાંતરિત મજૂરો માટે બહિષ્કાર કરનારી સાબિત થઈ છે.</p><h2 style="text-align: justify; "><b>તેમનો હેતુ કોઈ પેન્ડિંગ કેસને પ્રભાવિત કરવાનો નથી</b></h2><p style="text-align: justify; ">તેમાં એવો પણ આરોપ છે કે SIR પ્રક્રિયા દરમિયાન વહીવટી મૂંઝવણ, પારદર્શિતાનો અભાવ અને નિયમોમાં વારંવાર ફેરફાર જેવી સમસ્યાઓ સામે આવી છે. ઈન્ડિયા ગઠબંધનના નેતાઓએ પત્રમાં કહ્યું છે કે જ્યારે અન્ય તમામ સંસ્થાકીય વ્યવસ્થાઓ નિષ્ફળ જાય છે ત્યારે લોકો ન્યાયતંત્રમાં અંતિમ વિશ્વાસ રાખે છે.તેમણે ન્યાયતંત્ર પર વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે તેમનો હેતુ કોઈ પેન્ડિંગ કેસને પ્રભાવિત કરવાનો નથી પરંતુ લોકશાહી સંસ્થાઓમાં જનતાનો વિશ્વાસ મજબૂત કરવાનો છે. પત્રના અંતમાં નેતાઓએ કહ્યું કે જો ન્યાયતંત્ર પણ લોકોની ચિંતાઓના ઉકેલ લાવવામાં નિષ્ફળ રહે તો એ પ્રશ્ન ઊભો થાય છે કે નાગરિકો આખરે કઈ સંસ્થા તરફ ધ્યાન આપશે?<br><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/red-alert-for-extremely-heavy-rain-in-4-districts-till-10-pm" target="_blank">આ પણ વાંચોઃ Gujarat Weather: આજે રાત્રે 10 વાગ્યા સુધીમાં ચાર જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/03/K4yYCoNArCyAm3gHqbZkSE8L1GGduwjv6rPCJG4h.webp'/></item><item><title><![CDATA[National Film Awards 2026: કોણ જીતશે પ્રતિષ્ઠિત એવોર્ડ? મામૂટી અને સાઇ પલ્લવી રેસમાં આગળ.. ]]></title><link>https://sandesh.com/entertainment/news/national-film-awards-2026-who-will-win-the-prestigious-award-mammootty-and-sai-pallavi-ahead-in-the-race</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/national-film-awards-2026-who-will-win-the-prestigious-award-mammootty-and-sai-pallavi-ahead-in-the-race</guid><pubDate>Fri, 03 Jul 2026 18:34:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય સિનેમા પ્રેમીઓ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. આજે, 3 જુલાઈ, 2026ના રોજ, 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોના વિજેતાઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આ પુરસ્કારો વર્ષ ૨૦૨૪ દરમિયાન સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા પ્રમાણિત ફિલ્મોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કલાકારો અને ટેકનિશિયનોને સન્માનિત કરશે.</p><h2 style="text-align: justify; "><b>આજે થશે નામાંકન જાહેર</b></h2><p style="text-align: justify; ">રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં અગાઉથી કોઈ નામાંકન (Nominations) જાહેર કરવામાં આવતા નથી. વિજેતાઓની જાહેરાત સીધી સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ દ્વારા કરવામાં આવે છે, જેના કારણે ફિલ્મ ઉદ્યોગ અને પ્રેક્ષકોમાં પરિણામોને લઈને ભારે ઉત્કંઠા અને અટકળોનું વાતાવરણ જળવાઈ રહે છે. આ પુરસ્કારો ફીચર ફિલ્મ, નોન-ફીચર, અભિનય, દિગ્દર્શન અને ટેકનિકલ શ્રેણીઓમાં આપવામાં આવે છે.</p><h3 style="text-align: justify; "><b>જયરાજની અધ્યક્ષતામાં 11 સભ્યોની જ્યુરીએ કરી પસંદગી</b></h3><p style="text-align: justify; ">આ વર્ષે પસંદગી પ્રક્રિયાનું નેતૃત્વ પ્રખ્યાત ફિલ્મ નિર્માતા જયરાજની અધ્યક્ષતામાં 11 સભ્યોની જ્યુરીએ કર્યું છે. જ્યુરીએ દેશભરમાંથી આવેલી અનેક વિવિધ ભાષાઓની ફિલ્મોનું ઝીણવટપૂર્વક મૂલ્યાંકન કર્યું છે. જોકે આ જાહેરાત આજે થશે, પરંતુ મુખ્ય પુરસ્કાર સમારોહ પાછળથી નવી દિલ્હીમાં ભવ્ય રીતે યોજાશે.</p><h4 style="text-align: justify; "><b>વર્ષ 2024ની ફિલ્મો પર રહેશે નજર</b></h4><p style="text-align: justify; ">સ્પર્ધાના દાવેદારો પર નજર કરીએ તો, વર્ષ 2024  મલયાલમ સિનેમા માટે ખૂબ જ યાદગાર રહ્યું છે. ‘બ્રમયુગમ’, ‘મંજુમ્મેલ બોયઝ’ અને ‘કિષ્કિંધા કાંડમ’ જેવી ફિલ્મો ચર્ચાના કેન્દ્રમાં છે, જેમાં મામૂટીના અભિનયની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે. તે જ રીતે, હિન્દીમાંથી ‘શ્રીકાંત’ અને ‘ચંદુ ચેમ્પિયન’, તમિલમાંથી ‘મહારાજા’ અને તેલુગુમાંથી ‘કલ્કી ૨૮૯૮ એડી’ જેવી ફિલ્મો વિવિધ કેટેગરીમાં મજબૂત સ્પર્ધક માનવામાં આવે છે.</p><h5 style="text-align: justify; "><b>અનેક અભિનેતાના નામ મોખરે</b></h5><p style="text-align: justify; ">અભિનયની શ્રેણીમાં શિવકાર્તિકેયન, વિજય સેતુપતિ, કાર્તિ અને સાઈ પલ્લવી જેવા કલાકારોના નામો ચાહકોની અટકળોમાં મોખરે છે. સત્તાવાર રીતે વિજેતાઓના નામની જાહેરાત PIB ઇન્ડિયા અને DD ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ પર કરવામાં આવશે. આ પુરસ્કારો માત્ર કલાકારોનું સન્માન જ નથી કરતા, પરંતુ ભારતીય સિનેમાની વૈવિધ્યસભર અને સર્જનાત્મક સફરને પણ નવી ઊંચાઈઓ પર લઈ જાય છે. આજે સાંજે જ્યારે જ્યુરી તેમના અંતિમ નિર્ણય જાહેર કરશે, ત્યારે એ સ્પષ્ટ થશે કે કઈ ફિલ્મોએ ૨૦૨૪ના વર્ષને ભારતીય સિનેમાના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત કર્યું છે.<br><br><b><a href="https://sandesh.com/entertainment/news/alpha-advance-booking-alia-bhatts-first-female-lead-spy-film-set-to-explode-at-the-box-office#google_vignette" target="_blank">આ પણ વાંચોઃ Alpha Advance Booking : આલિયા ભટ્ટની પ્રથમ ફીમેલ-લીડ સ્પાય ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાકો કરવા તૈયાર</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/03/ESF6AxSppv7WLNuQhIsIAt2Fpt0NAs2Ue65FsSzQ.webp'/></item><item><title><![CDATA[Business: જૂના કપડાંના બદલામાં ચમકતા વાસણો, ભારતનો આ બિઝનેસ બન્યો કરોડોની ગ્લોબલ ઇન્ડસ્ટ્રી ]]></title><link>https://sandesh.com/business/news/business-shiny-utensils-in-exchange-for-old-clothes-this-indigenous-business-from-india-has-now-become-a-global-industry-worth-crores</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/business-shiny-utensils-in-exchange-for-old-clothes-this-indigenous-business-from-india-has-now-become-a-global-industry-worth-crores</guid><pubDate>Fri, 03 Jul 2026 17:01:41 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય ઘરોમાં વર્ષોથી એક અનોખી પરંપરા ચાલી આવે છે, જેમાં મહિલાઓ ઘરના જૂના, ફાટેલા કે નકામા કપડાં એકઠા કરે છે અને શેરીમાં આવતા ફેરિયાઓને આપીને તેના બદલામાં સ્ટીલ કે પ્લાસ્ટિકના નવા ચમકતા વાસણો લે છે. સામાન્ય લાગતી આ દેશી પદ્ધતિ વાસ્તવમાં વેસ્ટ મેનેજમેન્ટ અને રિસાયકલિંગનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તાજેતરના અહેવાલો અનુસાર, ભારતનો આ પરંપરાગત સેકન્ડ હેન્ડ કપડાંનો વ્યવસાય હવે માત્ર શેરીઓ પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ તે કરોડો રૂપિયાના વૈશ્વિક બિઝનેસ મોડલમાં ફેરવાઈ ચૂક્યો છે.</p><h2 style="text-align: justify; "><b>કેવી રીતે કામ કરે છે આ નેટવર્ક?</b></h2><p style="text-align: justify; ">આ બિઝનેસનું નેટવર્ક અત્યંત વ્યવસ્થિત રીતે કામ કરે છે. ફેરિયાઓ ઘરોમાંથી કપડાં એકત્ર કરીને તેને મોટા વેપારીઓને વેચે છે. આ વેપારીઓ કપડાંની ગુણવત્તાના આધારે તેનું વર્ગીકરણ (Sorting) કરે છે. જે કપડાં પહેરવા લાયક અને સારી સ્થિતિમાં હોય છે, તેને સરખા કરીને, ધોઈને અને ઈસ્ત્રી કરીને ભારતના ગ્રામીણ વિસ્તારો અને ગરીબ પરિવારો સુધી ખૂબ જ સસ્તા ભાવે પહોંચાડવામાં આવે છે. આ પ્રક્રિયાથી મધ્યમ અને નીચલા વર્ગના લોકોને સસ્તા કપડાં મળી રહે છે અને કચરાનું પ્રમાણ પણ ઘટે છે.</p><h3 style="text-align: justify; "><b>પાણીપત બન્યું 'ગ્લોબલ રિસાયકલિંગ હબ'</b></h3><p style="text-align: justify; ">તમને જાણીને નવાઈ લાગશે કે જે કપડાં સાવ ફાટેલા અને પહેરવા લાયક નથી હોતા, તેને હરિયાણાના પાણીપત (Panipat) જેવા મોટા ટેક્સટાઈલ હબમાં મોકલવામાં આવે છે. પાણીપતને જૂના કપડાંના રિસાયકલિંગ માટેનું વૈશ્વિક કેન્દ્ર માનવામાં આવે છે. અહીં આ નકામા કપડાં અને ચિથરાંને મશીનો દ્વારા તોડીને ફરીથી તેમાંથી સસ્તું અને મજબૂત યાર્ન (દોરો) તૈયાર કરવામાં આવે છે. આ રિસાયકલ કરેલા દોરામાંથી સસ્તી ચાદરો, ધાબળા (Blankets), કાર્પેટ અને પગલૂછણિયાં બનાવવામાં આવે છે, જેની માંગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ આફ્રિકા અને યુરોપના દેશોમાં પણ ખૂબ વધારે છે.</p><h4 style="text-align: justify; "><b>પર્યાવરણ અને અર્થતંત્ર માટે ડબલ ફાયદો</b></h4><p style="text-align: justify; ">આ બિઝનેસ મોડલ પર્યાવરણના સંરક્ષણમાં બહુ મોટો ફાળો આપે છે. ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રી દુનિયામાં સૌથી વધુ પ્રદૂષણ ફેલાવતા સેક્ટર્સમાંની એક છે. જ્યારે જૂના કપડાં રિસાયકલ થાય છે, ત્યારે કપાસ અને પાણીનો વપરાશ ઘટે છે અને કાપડ લેન્ડફિલ (કચરાના ઢગલા)માં જતું અટકે છે. આ ઉદ્યોગ લાખો અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો, ફેરિયાઓ અને મહિલાઓને રોજગારી પૂરી પાડે છે. ભારતીયોની આ 'બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ' ની માનસિકતા આજે વૈશ્વિક સ્તરે સસ્ટેનેબલ ફેશન (Sustainable Fashion) નું આદર્શ ઉદાહરણ બની ગઈ છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/world/news/will-it-be-easier-to-shoot-down-a-drone-with-an-ak-rifle-russia-has-developed-a-new-bullet-that-splits-into-3-parts" target="_blank">આ પણ વાંચો:AK રાઇફલથી ડ્રોન તોડી પાડવું બનશે સરળ? રશિયાએ બનાવી 3 ભાગમાં વહેંચાઈ જતી નવી ગોળી</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/03/HNUnvcUAYurXw4DMqvUAyYR68L5ki7CnlEbWU3fz.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026 બાદ સંન્યાસ લેશે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો? બહેન કટિયા એવિરોએ કર્યો ઘટસ્ફોટ ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/cristiano-ronaldo-to-retire-after-fifa-world-cup-2026-sister-katia-aveiro-reveals</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/cristiano-ronaldo-to-retire-after-fifa-world-cup-2026-sister-katia-aveiro-reveals</guid><pubDate>Fri, 03 Jul 2026 15:47:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify;">ફૂટબોલ ઇતિહાસના મહાન ખેલાડીઓમાંના એક ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના આંતરરાષ્ટ્રીય કારકિર્દી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે.રોનાલ્ડોની બહેન કાતિયા એવેરોએ સંકેત આપ્યો છે કે ચાલુ FIFA વર્લ્ડ કપ 2026 તેના ભાઈની પોર્ટુગીઝ રાષ્ટ્રીય ટીમ સાથેની છેલ્લી ટુર્નામેન્ટ હશે,અને તે પછી તે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેશે.મેગા-ઇવેન્ટમાં પોર્ટુગલના શાનદાર પ્રદર્શન વચ્ચે આવેલા આ સમાચારે રમતગમતની દુનિયામાં હલચલ મચાવી દીધી છે,અને તેને રોનાલ્ડોનો "છેલ્લો ડાન્સ" માનવામાં આવી રહ્યો છે.</p><h4 style="text-align: justify;"><b>રોનાલ્ડોની બહેને મોટો ખુલાસો કર્યો છે</b></h4><p style="text-align: justify;">ચાહકોને પહેલાથી જ અપેક્ષા હતી કે 41 વર્ષીય અલ-નાસર સ્ટાર આ વર્લ્ડ કપ પછી નિવૃત્તિ લેશે.જોકે તેની બહેન કાતિયાએ મીડિયા સાથે વાત કરતી વખતે આ સમાચારની પુષ્ટિ કરી હતી.જ્યાં સુધી આ સફર ચાલે છે ત્યાં સુધી તેનો આનંદ માણો.તે ખૂબ જ ટૂંક સમયમાં સમાપ્ત થઈ રહી છે,તેણીએ કહ્યું.ખૂબ જ વિશ્વસનીય સ્ત્રોત પાસેથી મને મળેલી માહિતી અનુસાર...આ રોનાલ્ડોનો 'છેલ્લો ડાન્સ' છે.</p><h4 style="text-align: justify;"><b>2030 વર્લ્ડ કપમાં જોવા મળશે</b></h4><p style="text-align: justify;">તાજેતરમાં, પોર્ટુગલના મુખ્ય કોચ રોબર્ટો માર્ટિનેઝે એક પ્રેસ કોન્ફરન્સમાં એક મોટું નિવેદન આપ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે રોનાલ્ડોની ફિટનેસને જોતાં, તે 2030 વર્લ્ડ કપમાં રમી શકે છે. જોકે, પોર્ટુગીઝ ફૂટબોલ ફેડરેશનના વડા પેડ્રો પ્રોએન્કા કોચના નિવેદન સાથે અસંમત હતા. પ્રોએન્કા માનતા હતા કે 2030 વર્લ્ડ કપમાં રોનાલ્ડોની ભાગીદારી એક મોટું આશ્ચર્ય અને અત્યંત અશક્ય હશે. હવે, રોનાલ્ડોની બહેનના આ તાજેતરના ખુલાસાએ તે આશાઓને સંપૂર્ણપણે ઠગારી ઠેરવી દીધી છે.</p><h4 style="text-align: justify;"><b>તેના કરિયારનો છઠ્ઠો વર્લ્ડ કપ</b></h4><p style="text-align: justify;">આ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો છઠ્ઠો ફિફા વર્લ્ડ કપ છે. 2006 માં પોતાનો પહેલો વર્લ્ડ કપ રમનાર રોનાલ્ડોએ દરેક આવૃત્તિમાં પોતાની છાપ છોડી છે. રોનાલ્ડો પુરુષોના આંતરરાષ્ટ્રીય ફૂટબોલના ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર અને સૌથી વધુ કેપ્ડ ખેલાડી છે. આ વખતે પણ, તેણે પોતાની ટીમને વર્લ્ડ કપ રાઉન્ડ ઓફ 16 માં લઈ ગઈ છે. તેણે તાજેતરમાં રાઉન્ડ ઓફ 32 માં ક્રોએશિયા સામે શાનદાર પેનલ્ટી સાથે વર્લ્ડ કપ નોકઆઉટ ઇતિહાસમાં પોતાનો પહેલો ગોલ કરીને લાંબી રાહનો અંત લાવ્યો.</p><p style="text-align: justify;">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/these-13-teams-will-be-in-the-finals-of-the-round-of-16-of-the-fifa-world-cup-2026-a-tough-battle-for-third-place-among-6-teams" target="_blank">FIFA World Cup 2026માં રાઉન્ડ 16માં આ 13 ટીમ ફાઈનલ, ત્રીજા સ્થાન માટે 6 ટીમ વચ્ચે ટક્કર</a></p><p style="text-align: justify;"><br></p><p style="text-align: justify;"><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/03/qJjtPYkdDNnjWAPJO2Vk0lcJgqFM98rFdC2vE7RM.webp'/></item></channel></rss>