<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Vadodaraના શિનોરમાં વિદેશી પાર્સલના નામે રૂ.1.45 લાખની છેતરપિંડી કરનાર સાયબર ઠગ મુંબઈથી ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/cyber-thug-who-defrauded-rs-1-45-lakh-in-the-name-of-foreign-parcel-in-shinor-vadodara-arrested-from-mumbai</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/cyber-thug-who-defrauded-rs-1-45-lakh-in-the-name-of-foreign-parcel-in-shinor-vadodara-arrested-from-mumbai</guid><pubDate>Mon, 15 Jun 2026 23:01:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા ગ્રામ્ય પોલીસની સાયબર ક્રાઇમ અને ટેકનિકલ ટીમને ઓનલાઇન ફ્રોડના ગુનાઓ ડામવા માટે શરૂ કરાયેલા "ઓપરેશન પરાક્રમ" હેઠળ એક મોટી સફળતા મળી છે. વિદેશથી આવેલા પાર્સલને છોડાવવાના બહાને એક નાગરિક સાથે રૂ.1.45 લાખની ઓનલાઇન ઠગાઈ કરનાર સાયબર ફ્રોડસ્ટરને શિનોર પોલીસની ટીમે છેક મુંબઈ જઈને દબોચી લીધો છે.</p><h2 style="text-align: justify; ">ગુગલ પે દ્વારા પડાવ્યા હતા નાણાં</h2><p style="text-align: justify; ">સાયબર ગુનેગારોએ ભોગ બનનાર વ્યક્તિને તમારું એક પાર્સલ વિદેશથી આવ્યું છે અને તેમાં ગેરકાયદે સામગ્રી હોવાથી સીઆઈડી (CID) તથા કુરિયર વિભાગે તે અટકાવ્યું છે તેમ કહી ડરાવ્યા હતા. આ નકલી કેસમાંથી બહાર નીકળવા અને પાર્સલ છોડાવવાના બહાને ભેજાબાજોએ ભોગ બનનાર પાસેથી ગુગલ પે (Google Pay) તેમજ અલગ-અલગ બેંક ખાતાઓમાં ઓનલાઇન ટ્રાન્સફર કરાવીને કુલ રૂ.1,45,000 પડાવી લીધા હતા. આ અંગે શિનોર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી.</p><h3 style="text-align: justify; ">મુંબઈમાં સર્ચ ઓપરેશન ચલાવી આરોપીને ઝડપ્યો</h3><p style="text-align: justify; ">ઓનલાઇન ટ્રાન્ઝેક્શન અને ટેકનિકલ સર્વેલન્સના આધારે શિનોર પોલીસની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં છેતરપિંડીના તાર મુંબઈ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું. શિનોર પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PI) આર.આર. વસાવા અને તેમની ટીમ તુરંત મુંબઈ રવાના થઈ હતી અને સ્થાનિક કડીઓ જોડીને આરોપી મોહમદનૌસાદ મોહમદજમરૂલ શેખ (રહે. મુંબઈ) ને ઝડપી પાડ્યો હતો. વડોદરા ગ્રામ્ય પોલીસની આ પ્રોએક્ટિવ કામગીરીને પગલે સાયબર ગુનેગારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે, તેમજ પોલીસ આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સાગરીતોની પણ પૂછપરછ કરી રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/arlYNGvwMe5ARd3z2hnYKvE2AU6S1ZysjVOVDl1G.webp'/></item><item><title><![CDATA[Anand News: 18 જૂને આણંદ ખાતે વાઈબ્રન્ટ ગુજરાત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/anand/vibrant-gujarat-district-level-conference-to-be-held-in-anand-on-june-18</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/anand/vibrant-gujarat-district-level-conference-to-be-held-in-anand-on-june-18</guid><pubDate>Mon, 15 Jun 2026 23:00:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વાયબ્રન્ટ ગુજરાત રિઝનલ કોન્ફરન્સ - મધ્ય ગુજરાત અંતર્ગત આણંદ ખાતે 18  જૂનના રોજ આણંદના સાંગોળપુરા સ્થિત પ્રમુખસ્વામી કોમ્યુનિટી હોલ ખાતે વાયબ્રન્ટ ગુજરાત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાનાર છે. જેમાં ગુજરાતના મહેસૂલ રાજ્યમંત્રી અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી સંજયસિંહ મહીડા ઉપસ્થિત રહેશે. આણંદ ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમના સુચારૂ આયોજન અને તેની પૂર્વતૈયારી અંગે આણંદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ઇન્ડસ્ટ્રી જગતના પેનલિસ્ટ્સ જોડાશે</b></h2><p style="text-align: justify; ">જિલ્લા કલેક્ટરે આ બેઠકમાં સબંધિત વિભાગના અધિકારીઓને જિલ્લા કક્ષાના વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ અન્વયે જરૂરી આનુષંગિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.  આ જિલ્લા કક્ષાનો વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ સરકાર અને ખાનગી ક્ષેત્ર માટે રાજ્યની માળખાકીય અને લોજિસ્ટિકલ ક્ષમતાઓ અંગે સહયોગ અને ચર્ચા કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરશે. આ વાયબ્રન્ટ સમિટમાં ઇન્ડસ્ટ્રી જગતના પેનલિસ્ટ્સ જોડાશે અને વિવિધ વિષયોને સબંધિત ડિસ્કશન્સ આવરી લેવામાં આવશે.&nbsp;&nbsp;</p><h3 style="text-align: justify; "><b>અધિકારીઓ વીડિયો કોન્ફરન્સથી બેઠકમાં જોડાયા</b></h3><p style="text-align: justify; ">આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી, મ્યુનિસિપલ કમિશનર આર.એન.ડોડીયા, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેકટર લલીતકુમાર પટેલ, અધિક કલેક્ટર ગમારા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.વી.દેસાઈ, પ્રાંત અધિકારી સહિત જિલ્લા કક્ષાના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ તમામ તાલુકા કક્ષાએથી અધિકારીઓ વીડિયો કોન્ફરન્સ માધ્યમે બેઠકમાં જોડાયા હતા.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/why-farmers-reached-gandhinagar-with-tractor-rally-key-demands-and-issues" target="_blank">આ પણ વાંચોઃ Gujarat Farmer Protest Explainer : કેમ ખેડૂતો ટ્રેક્ટરો લઈને ગાંધીનગર સુધી પહોંચ્યા, જાણો શું છે આખા આંદોલનનો મુખ્ય મુદ્દો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/eHoYDtFeriXvpoMx93nDpRN1aksTFK5eRwSl9AHg.webp'/></item><item><title><![CDATA[Dwarka News: જામ ખંભાળિયા-જામનગર હાઇવે પર દાંતા ગામ પાસે દોડતી કારમાં લાગી ભીષણ આગ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dwarka/dwarka-news-a-massive-fire-broke-out-in-a-car-running-near-danta-village-on-the-jam-khambhaliya-jamnagar-highway</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dwarka/dwarka-news-a-massive-fire-broke-out-in-a-car-running-near-danta-village-on-the-jam-khambhaliya-jamnagar-highway</guid><pubDate>Mon, 15 Jun 2026 22:50:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા-જામનગર હાઇવે પરથી એક ચોંકાવનારા અને ભયાનક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. હાઇવે પર આવેલા દાંતા ગામ નજીકથી પસાર થઈ રહેલી એક લક્ઝુરિયસ કારમાં અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગની જ્વાળાઓ એટલી વિકરાળ બની ગઈ હતી કે આખી કાર હાઇવેની અધવચ્ચે જ ભડભડ સળગી ઉઠી હતી અને સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.</p><h2 style="text-align: justify; ">ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો</h2><p style="text-align: justify; ">કારમાંથી અચાનક ધુમાડા નીકળતા જ ચાલકે સમયસૂચકતા વાપરી ગાડી રોડ સાઇડ ઊભી રાખી દીધી હતી. આ ઘટનાને પગલે હાઇવે પરથી પસાર થતા વાહનચાલકો રોકાઈ ગયા હતા. જોતજોતામાં લોકોના મોટા ટોળા એકઠા થઈ ગયા હતા. સ્થાનિકો દ્વારા તાત્કાલિક જામ ખંભાળિયા ફાયર બ્રિગેડને આ અંગે જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઇટરોની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.</p><h3 style="text-align: justify; ">શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન</h3><p style="text-align: justify; ">પ્રાથમિક દ્રષ્ટિએ આ ભીષણ આગ કારના એન્જિનમાં થયેલા શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અકસ્માત સમયે કારમાં સવાર મુસાફરો તાત્કાલિક બહાર નીકળી ગયા હોવાથી એક મોટી જાનહાનિ ટળી હતી. જો કે, ઘટનાસ્થળે એકત્રિત થયેલા સ્થાનિક લોકોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, આ આગની ચપેટમાં આવવાથી કારમાં સવાર બે લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે અને તેઓ સહેજ દાઝ્યા છે. ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસે ઘટનાની નોંધ લઈ આગળની તપાસ હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/latRNGb7Bw0I0pcplioE2sMqYdO3EC5p6legqIK2.webp'/></item><item><title><![CDATA[Education : વિદ્યાર્થીઓને નહીં પડે કોઈ મુશ્કેલી, જલ્દી જ મળશે પુસ્તકો : NCERT ]]></title><link>https://sandesh.com/india/news/education-ncert-assures-timely-availability-of-updated-textbooks-nep-2020</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/education-ncert-assures-timely-availability-of-updated-textbooks-nep-2020</guid><pubDate>Mon, 15 Jun 2026 22:50:48 +05:30</pubDate><description><![CDATA[<p>દેશભરના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. NCERTએ સ્પષ્ટતા કરી છે કે નવીનતમ અભ્યાસક્રમ અનુસાર તૈયાર કરાયેલી તમામ પાઠ્યપુસ્તકો ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. પુસ્તકોની અછત અંગે ઊભી થયેલી ચિંતાઓ વચ્ચે NCERTએ જણાવ્યું છે કે સપ્લાય વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં તમામ વિદ્યાર્થીઓ સુધી પુસ્તકો પહોંચાડવામાં આવશે.</p><h2><b>સોશિયલ સાયન્સનું પુસ્તક પણ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે</b></h2><p>NCERTના જણાવ્યા અનુસાર નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 (NEP 2020) હેઠળ નવા અભ્યાસક્રમને અનુરૂપ પુસ્તકો તબક્કાવાર પ્રકાશિત કરવામાં આવી રહી છે. આ વર્ષે ધોરણ 9ના નવ વિષયોની 90 લાખથી વધુ પાઠ્યપુસ્તકો પ્રકાશિત કરીને દેશભરમાં પહોંચાડવામાં આવી છે. સોશિયલ સાયન્સના પુસ્તક સિવાય મોટાભાગની પુસ્તકો વિદ્યાર્થીઓ સુધી પહોંચી ચૂકી છે, જ્યારે સોશિયલ સાયન્સનું પુસ્તક પણ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે.</p><h3><b>સ્થાનિક સ્તરે પુસ્તકોની અછત સર્જાઈ</b></h3><p>નવી પુસ્તકોની સપ્લાય માટે NCERT પોતાના વેચાણ કેન્દ્રો, અધિકૃત વિક્રેતાઓ, ઓનલાઈન પોર્ટલ, વિવિધ ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન (CWC)ના સહયોગથી સ્થાપિત સ્ટ્રેટેજિક ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર્સ (SDCs)નો ઉપયોગ કરી રહી છે. કાઉન્સિલે સ્વીકાર્યું છે કે નવા અભ્યાસક્રમના અમલીકરણને કારણે કેટલાક વિસ્તારોમાં તાત્કાલિક અને સ્થાનિક સ્તરે પુસ્તકોની અછત સર્જાઈ શકે છે. જોકે, પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને માગ મુજબ સપ્લાય વધારવાના પ્રયાસો ચાલી રહ્યા છે.</p><h4><b>ટૂંક સમયમાં તમામ સમસ્યાઓનું નિરાકરણ આવશે</b></h4><p>NCERTએ જણાવ્યું કે વિલંબનું મુખ્ય કારણ NEP 2020 આધારિત નવા કરિક્યુલમનો અમલ છે. વિવિધ ધોરણોની પુસ્તકો તબક્કાવાર પ્રકાશિત થઈ રહી હોવાથી શરૂઆતમાં કેટલીક મુશ્કેલીઓ ઊભી થઈ હતી. તેમ છતાં, દરેક વિદ્યાર્થીને સમયસર ગુણવત્તાયુક્ત શિક્ષણ સામગ્રી ઉપલબ્ધ કરાવવાની પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરતાં NCERTએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ટૂંક સમયમાં તમામ સમસ્યાઓનું નિરાકરણ આવી જશે.<br><br><b><a href="https://sandesh.com/india/news/agriculture/pm-kisan-yojana-23rd-installment-release-date-june-20-2026-ekyc-required" target="_blank">આ પણ વાંચો : PM Kisan Yojana : આ અઠવાડિયે ખેડૂતોને મળશે 23મો હપ્તો, સરકારે તારીખની કરી જાહેરાત</a></b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/OYblXvOdD5Par36jH331tWl1Yk4ChxzgrJ89GfL6.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: લાલ દરવાજા નજીક AMTS પાર્કિંગમાં દારૂની બોટલો મળી ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/liquor-bottles-found-at-amts-parking-near-lal-darwaja</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/liquor-bottles-found-at-amts-parking-near-lal-darwaja</guid><pubDate>Mon, 15 Jun 2026 22:46:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે AMTS તંત્રની વધુ એક બેદરકારી સામે આવી છે. લાલ દરવાજા ખાતે આવેલો રૂપાલી કન્સેસન પાસ ડેપો જ્યાં એક સમય બસોની અવરજવર રહેતી હતી, ત્યાં હવે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. ઇલેક્ટ્રિક બસોના આગમન બાદ આ જગ્યા પાર્કિંગ તરીકે ઉપયોગમાં લેવાય છે. ઈ બસો પાર્કિંગ મા પડી હોવાના કારણે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>દારૂની ખાલી બોટલો અને અન્ય કચરો જોવા મળ્યો</b></h2><p style="text-align: justify; ">અમદાવાદમાં AMTS પાર્કિંગ વિસ્તારમાં દારૂની બોટલો, નશા માટે વપરાતી સિરપ અને દવાઓની બાટલીઓ મળી આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. જનતાના ટેક્સના કરોડો રૂપિયાના ખર્ચે ખરીદાયેલી નવી ઇલેક્ટ્રિક બસો હાલ ડેપોના મેદાનમાં ઉભી રહી ધૂળ ખાઈ રહી છે. બીજી તરફ સુરક્ષાના અભાવે સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાના પણ બનાવો સામે આવ્યા છે..ડેપોના મેદાનમાં ચારે તરફ દારૂની ખાલી બોટલો અને અન્ય કચરો જોવા મળ્યો હતો.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>બસના કાચ પણ તોડી નાખવામાં આવ્યા</b></h3><p style="text-align: justify; ">એટલું જ નહીં, અહીં પાર્ક કરાયેલી  નવી ઇલેક્ટ્રિક બસના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.આ સમગ્ર મામલો સામે આવતા AMC તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જેના પગલે આજે બપોરે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે સ્થળ પર પહોંચીને રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું. તેમણે બસોની સ્થિતિ અને ગ્રાઉન્ડમાં પડેલી ગંદકી જોઈ અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી અને તાત્કાલિક સફાઈ તેમજ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા સૂચના આપી હતી.</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/news/mehsana/legal-battle-intensifies-over-vadnagar-hatkeshwar-temple-administration" target="_blank">આ પણ વાંચોઃ Mehsana News: વહીવટદાર નિમાયા બાદ હાટકેશ્વર મંદિરનો કબજો મેળવા તજવીજ, પક્ષકારો વચ્ચે કાનૂની લડાઈ તેજ</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/LVrIuqTgaOsCiDWeoA2qbo8LzDOflAcLizN90Imy.webp'/></item><item><title><![CDATA[Vadodara-હાલોલ રોડ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત: અજાણ્યા વાહને ટક્કર મારતા બાઇક સવારનું કમકમાટીભર્યું મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/a-horrific-accident-occurred-on-the-vadodara-halol-road-a-biker-died-after-being-hit-by-an-unknown-vehicle</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/a-horrific-accident-occurred-on-the-vadodara-halol-road-a-biker-died-after-being-hit-by-an-unknown-vehicle</guid><pubDate>Mon, 15 Jun 2026 22:36:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા-હાલોલ હાઇવે પર આજે અકસ્માતની ઘટના સામે આવી છે. વાઘોડિયા તાલુકાના કોટંબી ગામના બસ સ્ટેન્ડ નજીક એક પુરપાટ ઝડપે આવી રહેલા અજાણ્યા વાહને બાઇક ચાલકને જોરદાર અડફેટે લીધો હતો. આ ભયાનક અકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાના કારણે બાઇક સવાર યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.</p><h2 style="text-align: justify; ">અકસ્માત સર્જી વાહનચાલક ફરાર</h2><p style="text-align: justify;">કોટંબી ગામના બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન લઈને કાયદાના ડરથી સ્થળ પરથી રફુચક્કર થઈ ગયો હતો. હાઇવે પર ધોળા દિવસે બનેલી આ ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વ્યસ્ત ગણાતા વડોદરા-હાલોલ રોડની મધ્યમાં અકસ્માત સર્જાયો હોવાના કારણે જોતજોતામાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને રોડ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.</p><h3 style="text-align: justify; ">જરોદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી</h3><p style="text-align: justify; ">આ દુર્ઘટના અંગે સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવતા જરોદ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સોંપણી કરીને માર્ગ પરથી અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવી ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. બાઇકના નંબરના આધારે મૃતક યુવકની ઓળખ વિધિ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, આ સાથે જ અકસ્માત સર્જીને ભાગી છૂટેલા અજાણ્યા વાહનચાલકને ઝડપી પાડવા માટે હાઇવેની આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.</p><p style="text-align: justify;"><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify;"><br></p><p style="text-align: justify;"><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/b3Ea4mKvjV9ALEaAunFj9mY6YLNu5DZO5HGmxOE2.webp'/></item><item><title><![CDATA[વાંચો 16 જૂનના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે ]]></title><link>https://sandesh.com/india/news/gujarat/read-about-important-events-happening-on-june-16th</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/gujarat/read-about-important-events-happening-on-june-16th</guid><pubDate>Mon, 15 Jun 2026 22:20:05 +05:30</pubDate><description><![CDATA[<p>16 જૂનનો દિવસ દેશ અને દુનિયા સહિત ગુજરાત માટે પણ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યો છે.PM મોદીનો ફ્રાન્સ પ્રવાસ ચર્ચામાં છે. પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત સંભવ છે. આવો જાણીએ 16 જૂનના રોજ આયોજિત થનારી મુખ્ય રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અને ગુજરાતની વિશેષ ઘટનાઓ વિશે.<br><br></p><h2><b>1.ફ્રાંસમાં મોદી અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત સંભવ</b></h2><p></p><p>આવતીકાલે ફ્રાંસના એવિયેન શહેરમાં G7 શિખર સંમેલન યોજાવાનું છે. જેમાં G7 દેશોના નેતાઓ અને આમંત્રિત દેશો વચ્ચે વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચાઓ થશે. આ દરમિયાન વડાપ્રધાન મોદી અને અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થાય તેવી સંભાવનાઓ છે.&nbsp;&nbsp;</p><h2><b>2.વિકસિત ભારત યુવા સંસદ 2026નું ઉદ્ઘાટન</b></h2><p>લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા આવતીકાલે વિકસિત ભારત યુવા સંસદ 2026નું ઉદ્ઘાટન કરશે. જેમાં સમગ્ર દેશમાંથી પસંદ કરવામાં આવેલા લોકો ભાગ લેશે. સંસદ ભવનમાં કાર્યક્રમ યોજાશે. આ પહેલનો હેતુ લોકતાંત્રિક પ્રક્રિયાઓમાં યુવાનોની ભાગીદારી ભાર આપવાનો છે.તેમને શાસન અને સંસદિય પ્રણાલીની વ્યવહારિક સમજ પ્રદાન કરવાનો છે.&nbsp;&nbsp;</p><h3><b>3. યશ યાદવના એડમિટ કાર્ડ ચુકાદો આવશે</b></h3><p>NEET પેપર લીકના આરોપી યશ યાદવના એડમિટ કાર્ડ પર રાઉસ એવેન્યૂ કોર્ટ નિર્ણય આપશે. તે પરીક્ષા આપવાનો છે પણ હાલમાં જેલમાં છે.&nbsp;&nbsp;</p><h2><b>4. IRCTC કૌભાંડ મામલે ચુકાદો આવશે</b></h2><p>આવતી કાલે રાઉઝ એવેન્યૂ કોર્ટ લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવાર સામે લાગેલા IRCTC કૌભાંડ મામલે ચુકાદો આપશે. દિલ્લીની રાઉસ એવેન્યૂ કોર્ટે આ કૌભાંડ મામલે ચૂકાદો અનામત રાખી 16 જૂને સંભાળવા હુકમ કર્યો હતો.&nbsp;&nbsp;</p><h2><b>5.દેશના 19 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ</b></h2><p>આવતીકાલે દિલ્હી-NCR સહિત ઉત્તર અને મધ્ય ભારતના હવામાનમાં મોટો પલટો આવવાની સંભાવના છે.હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન દેશના 19 રાજ્યોમાં 90 કિલોમીટરની ઝડપે તોફાની પવન ફૂંકાશે અને ભારે વરસાદ પડશે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ જાહેર કરીને લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.</p><h2><b>6. ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડના ઉપયોગ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી</b></h2><p>ઓળખપત્ર તરીકે ઓળખાતા કાર્ડનો નાગરિકતા, વસવાટ અથવા સરનામાના પુરાવા તરીકે અયોગ્ય ઉપયોગ રોકવા અંગેની એક મહત્વની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. ચીફ જસ્ટિસ સૂર્યા કાંત અને જસ્ટિસ વી. મોહનાની બેંચ એડવોકેટ અશ્વિની કુમાર ઉપાધ્યાય દ્વારા દાખલ કરાયેલી જનહિત અરજી (PIL) પર સુનાવણી કરશે, જેમાં વિનંતી કરાઈ છે કે આ કાર્ડનો ઉપયોગ ફક્ત ઓળખની ચકાસણી પૂરતો જ મર્યાદિત રાખવામાં આવે. આ સિવાય, રાજકીય મોરચે નાગપુરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે 'કોકરોચ જનતા પાર્ટી' દ્વારા શાંતિપૂર્ણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.</p><h3><b>7. મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોની શાળાઓ ખુલશે</b></h3><p>ઉનાળાના લાંબા વેકેશન પછી આવતીકાલ એટલે કે 16 જૂનથી મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોની શાળાઓમાં ફરીથી રોનક પરત ફરશે.તમામ ખાનગી અને સરકારી શાળાઓ આવતીકાલથી ખૂલી જશે.નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે 'શાલા પ્રવેશોત્સવ' ઉજવવામાં આવશે.આ સાથે જ 'સ્કૂલ ચલેં હમ'અભિયાનના બીજા તબક્કાની શરૂઆત પણ થશે. સ્કૂલ શિક્ષણ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે,આ વખતે વિભાગનું ધ્યાન માત્ર નવા પ્રવેશ પર જ નહીં,પરંતુ શાળા છોડી ચૂકેલા બાળકોને ફરીથી શિક્ષણની મુખ્ય ધારા સાથે જોડવા અને શાળાઓમાં પાયાની સુવિધાઓને વધુ સારી બનાવવા પર રહેશે.</p><h2><b>8. રાંચીમાં ડોમેસ્ટિક વર્કર્સ દ્વારા રેલી</b></h2><p>આંતરરાષ્ટ્રીય  ડોમેસ્ટિક વર્કર્સ ડે નિમિત્તે 16 જૂનના રોજ રાંચીમાં ડોમેસ્ટિક વર્કર્સ દ્વારા રેલી અને જનસભાનું આયોજન કરવામાં આવશે.ડોમેસ્ટિક વર્કર્સ રાષ્ટ્રીય મંચના નેજા હેઠળ આયોજિત આ કાર્યક્રમ દ્વારા કામદારો પોતાની વિવિધ માંગણીઓ સરકાર અને સમાજ સમક્ષ રજૂ કરશે.આ કાર્યક્રમને લઈને સોમવારે પુરુલિયા રોડ પર આવેલા એસડીસી સભાગૃહમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંગઠનના હોદ્દેદારોએ આ અંગેની વિગતવાર માહિતી આપી હતી.</p><h2><b>9. હિમાચલમાં વસતી ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થશે</b></h2><p>હિમાચલ પ્રદેશમાં વસ્તીગણતરી 2027નો પ્રથમ તબક્કો શરૂ થશે. મકાનોની ગણતરીની ઔપચારિક શરૂઆત 16 જૂનથી કરવામાં આવી રહી છે.આ મહત્વપૂર્ણ તબક્કો 15 જુલાઈ સુધી ચલાવવામાં આવશે.રાજ્યના તમામ જિલ્લાઓમાં ગણતરીકારો અને સુપરવાઈઝરોની તાલીમ 13 જૂન સુધી સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે. ઓનલાઈન પોર્ટલના માધ્યમથી સ્વગણતરીની અવધિ 15 જૂનની રાત્રે 12 વાગ્યા સુધી નક્કી કરવામાં આવી હતી.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/I7KnANqg8puSNEjuMyOSrlB1PKAOZzRxt2AU8bdn.webp'/></item><item><title><![CDATA[PM Modi Slovakia Visit: પ્રધાનમંત્રી મોદીએ ઐતિહાસિક યાત્રા દરમિયાન 11 કરાર અને 3 મોટી જાહેરાત કરી ]]></title><link>https://sandesh.com/world/news/business/pm-modi-slovakia-visit-prime-minister-modi-made-11-agreements-and-3-major-announcements-during-the-historic-visit</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/business/pm-modi-slovakia-visit-prime-minister-modi-made-11-agreements-and-3-major-announcements-during-the-historic-visit</guid><pubDate>Mon, 15 Jun 2026 20:40:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ ઐતિહાસિક મુલાકાતમાં 11 કરારો પર હસ્તાક્ષર થયા અને 3 મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી.</p><h2 style="text-align: justify; ">પીએમ મોદીનું ઉષ્માભર્યુ સ્વાગત&nbsp;</h2><p style="text-align: justify; ">પીએમ મોદીની 14-15 જૂન 2026ના રોજ સ્લોવાકિયાની મુલાકાત દરમિયાન, બંને દેશોએ તેમના દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈએ લઈ ગયા છે. 11 કરારો પર હસ્તાક્ષર કર્યા અને 3 મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. સૌથી મહત્વપૂર્ણ નિર્ણય એ હતો કે, સંબંધોને વ્યાપક ભાગીદારી સુધી પહોંચાડવામાં આવે. બેઠકો પછી બ્રાતિસ્લાવામાં એક સંયુક્ત પ્રેસ નિવેદનમાં, પીએમ મોદીએ ફિકોનો ઉષ્માભર્યો સ્વાગત બદલ આભાર માન્યો અને તેમને ભારતના નજીકના મિત્ર ગણાવ્યા હતા.</p><h3 style="text-align: justify; ">સંબંધોને મજબૂત બનાવવા કરાર</h3><p style="text-align: justify; ">આ મુલાકાતના મહત્વ પર ભાર મૂકતા પીએમ મોદીએ આપણા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાની જાહેરાત કરી. તેમણે કહ્યું, આ કોઈ ભારતીય વડા પ્રધાનની સ્લોવાકિયાની પ્રથમ મુલાકાત છે. મને આનંદ છે કે આ ઐતિહાસિક પ્રસંગે, આપણે આપણા સંબંધોને વ્યાપક ભાગીદારી સુધી પહોંચાડવાનો નિર્ણય લીધો છે. આ આપણી સહિયારી વિશ્વાસ, સામાન્ય પ્રાથમિકતાઓ અને સહિયારી ભવિષ્યનું પ્રતીક છે.</p><h4 style="text-align: justify; ">મુખ્ય કરારો અને નિર્ણયો</h4><p style="text-align: justify; ">1. શ્રમ સ્થળાંતરને પ્રોત્સાહન આપવા માટે ભારત અને સ્લોવાકિયા વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.</p><p style="text-align: justify; ">2. સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે એક પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.</p><p style="text-align: justify; ">3. ડિજિટલ ટેકનોલોજીના ક્ષેત્રમાં ભાગીદારીને મજબૂત બનાવવા માટે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.</p><p style="text-align: justify; ">4. ઉચ્ચ શિક્ષણ અને સંશોધનમાં સહયોગ વધારવા માટે એક સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.</p><p style="text-align: justify; ">5. ફિલ્મ, ટેલિવિઝન અને અન્ય સર્જનાત્મક ક્ષેત્રોમાં સહયોગ માટે ઑડિઓ-વિઝ્યુઅલ સર્જન પર એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.</p><p style="text-align: justify; ">6. સ્લોવાકિયાની કોસિસે ટેકનિકલ યુનિવર્સિટી ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર પ્રથમ ICCR ચેર સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો.</p><p style="text-align: justify; ">7. ક્વોન્ટમ કોમ્યુનિકેશન અને ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોટેક્શનના ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે એક કરાર થયો.</p><p style="text-align: justify; ">8. આયુષ મંત્રાલયની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેચરોપેથી, પુણે અને હેલ્થ સ્પા પીશાની, સ્લોવાકિયા વચ્ચે એક કરાર થયો.</p><p style="text-align: justify; ">9. IIT દિલ્હી અને સ્લોવાક ટેકનિકલ યુનિવર્સિટી વચ્ચે વિદ્યાર્થી વિનિમય, શિષ્યવૃત્તિ અને સંયુક્ત સંશોધન કાર્યક્રમો પર એક કરાર થયો.</p><p style="text-align: justify; ">10. બંને દેશોના ટૂર ઓપરેટર સંગઠનો વચ્ચે પ્રવાસન સહયોગને પ્રોત્સાહન આપવા માટે એક કરાર થયો.</p><p style="text-align: justify; ">11. ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમી (INSA) અને સ્લોવાક એકેડેમી ઓફ સાયન્સ (SAS) વચ્ચે વૈજ્ઞાનિક સહયોગ પર એક કરાર થયો.</p><h5 style="text-align: justify; ">ત્રણ મુખ્ય જાહેરાતો:</h5><p style="text-align: justify; ">1. ભારત અને સ્લોવાકિયાએ તેમના સંબંધોને વ્યાપક ભાગીદારી સુધી વધારવાની જાહેરાત કરી.</p><p style="text-align: justify; ">2. આતંકવાદ સામે લડવામાં સહયોગ વધારવા માટે આતંકવાદ વિરોધી સંયુક્ત કાર્યકારી જૂથની સ્થાપના કરવામાં આવશે.</p><p style="text-align: justify; ">3. નાગરિક સેવાઓ અને વિઝા સંબંધિત બાબતોમાં સહયોગ માટે કોન્સ્યુલર સંવાદ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ&nbsp; <a href="https://sandesh.com/world/news/us-iran-peace-deal-israel-furious-over-iran-america-deal-rebels-against-trump" target="_blank">ઇરાન-અમેરિકા ડીલ પર ભડક્યું ઇઝરાયેલ, ટ્રમ્પ સામે બગાવત!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/3BbuTwQ99ghxgdtRFLa5NW4IaXoDt6vfF0VUOsQT.webp'/></item><item><title><![CDATA[Neeraj Chopra દોહા ડાયમંડ લીગમાં ભાગ લેશે,જાણો ક્યારે થશે મેચ ]]></title><link>https://sandesh.com/sports/news/neeraj-chopra-doha-diamond-league-return-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/neeraj-chopra-doha-diamond-league-return-2026</guid><pubDate>Mon, 15 Jun 2026 17:45:39 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતના સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરાએ 2 ઓલિમ્પિક મેડલ જીત્યા છે, તે ફરીથી એક્શનમાં આવવા માટે તૈયાર છે. તે 19 જૂને દોહા ડાયમંડ લીગમાં એક્શનમાં પાછો ફરશે. તે 275 દિવસની ગેરહાજરી પછી એક્શનમાં પાછો ફરશે.&nbsp;</p><p style="text-align: justify;">2025 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આઠમા સ્થાને રહ્યા પછી તેને કોઈપણ રમતમાં ભાગ લીધો ન હતો. નીરજ ચોપરાએ 2020 ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ અને 2024 પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો.</p><h2 style="text-align: justify;"><b>નીરજે ગયા વર્ષે દોહા ડાયમંડ લીગમાં 90 મીટર ભાલા ફેંક્યો હતો</b></h2><p style="text-align: justify;">નીરજ ચોપરાની પસંદગી દોહા ડાયમંડ લીગ માટે થઈ છે, જ્યાં તેને ગયા વર્ષે 90 મીટરથી વધુ ભાલા ફેંક્યો હતો. હરિયાણાનો રહેવાસી નીરજ હાલમાં સ્વિટ્ઝર્લેન્ડમાં તેના ફિઝિયો અને કોચ સાથે 47 દિવસની સખત ટ્રેનિંગ લઈ રહ્યો છે. આગામી કોમનવેલ્થ ગેમ્સ માટે તેને ભારતીય ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો છે. પરંતુ આ સ્પર્ધામાં પોતાનું સ્થાન સુરક્ષિત કરવા માટે તેને એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના નિયમો અનુસાર ઓછામાં ઓછા 82.61 મીટર ભાલા ફેંકીને ક્વોલિફાય થવું પડશે.</p><h3 style="text-align: justify;"><b>નીરજ ચોપરા કોમનવેલ્થ ગેમ્સમાં પણ ભાગ લઈ શકે છે</b></h3><p style="text-align: justify;">કોમનવેલ્થ ગેમ્સ આવતા મહિને ગ્લાસગોમાં યોજાવાની છે. જો ભારતના સ્ટાર એથ્લીટ નીરજ ચોપરા ભાગ લે છે, તો ભારત પાસે ભાલા ફેંક સ્પર્ધામાં કુલ 3 એથ્લીટ હશે. બાકી રોહિત યાદવ અને યશવીર સિંહ, પહેલાથી જ ક્વોલિફાય થઈ ગયા છે. વધુમાં, આગામી દોહા ડાયમંડ લીગમાં પણ વિશ્વના બેસ્ટ એથ્લીટો વચ્ચે તીવ્ર સ્પર્ધા જોવા મળશે.&nbsp;</p><p style="text-align: justify;">ભૂતપૂર્વ ઓલિમ્પિક ચેમ્પિયન કેશોર્ન વોલકોટ (ત્રિનિદાદ અને ટોબેગો) અને શ્રીલંકાના રુમેશ તારંગા પથિરાજ જેવા અગ્રણી ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. પરંતુ પેરિસ ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા અને પાકિસ્તાનના સ્ટાર એથ્લીટ અરશદ નદીમ આ વખતે દોહા ડાયમંડ લીગમાં રમતા જોવા મળશે નહીં.</p><h4 style="text-align: justify;"><b>દોહા ડાયમંડ લીગમાં કેટલાક બેસ્ટ ભાલાધારી ખેલાડીઓ ભાગ લેશે</b></h4><p style="text-align: justify;">ટુર્નામેન્ટમાં ભાગ લેનારા ખેલાડીઓના લિસ્ટમાં ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ (આ સિઝનનો શ્રેષ્ઠ થ્રો 86.08 મીટર), યુનાઈટેડ સ્ટેટ્સના કર્ટિસ થોમ્પસન (85.33 મીટર) અને ચેક રિપબ્લિકના જેકબ વેલ્સ (85.24 મીટર)નો સમાવેશ થાય છે. દોહા સ્પર્ધામાં, ભારતના નીરજ ચોપરાએ શાનદાર 90.23 મીટર ફેંક્યો હતો, પરંતુ જર્મનીના જુલિયન વેબરે તેના છેલ્લા (છઠ્ઠા) પ્રયાસમાં 91.06 મીટર ભાલા ફેંકીને ખિતાબ પોતાના નામે કર્યો હતો.</p><p style="text-align: justify;"><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/entertainment/abhishek-mahira-sharma-dating-rumors-matching-bracelet" target="_blank">Abhishek Sharma માહિરા શર્માને કરી રહ્યો છે ડેટ? ઈન્સ્ટાગ્રામની 'સીક્રેટ' પોસ્ટમાં થયો ખુલાસો!</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/EqnLHZGTw1ECnw7QCfJKZxKLnBf4nBJQVXBIomC6.webp'/></item><item><title><![CDATA[Arijit Singh બાદ હવે પ્રીતમ પણ લેવા જઈ રહ્યા છે સંન્યાસ? શેર કરી ભાવુક પોસ્ટ ]]></title><link>https://sandesh.com/entertainment/news/music-composer-pritam-hints-at-retirement-break</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/music-composer-pritam-hints-at-retirement-break</guid><pubDate>Mon, 15 Jun 2026 17:37:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અરિજીત સિંહે આ વર્ષની શરૂઆતમાં એક પોસ્ટ શેર કરી હતી, જેની સાથે તેમણે પ્લેબેક સિંગિંગમાંથી સંન્યાસની જાહેરાત કરીને પોતાના પ્રશંસકોને નિરાશ કરી દીધા હતા. હવે એવું લાગે છે કે અરિજીત સિંહ બાદ મ્યુઝિક કમ્પોઝર અને સિંગર પ્રીતમ પણ આ જ રસ્તા પર ચાલવા અંગે વિચાર કરી રહ્યા છે. પ્રીતમે પોતાના જન્મદિવસના અવસર પર એક પોસ્ટ શેર કરી, જેને જોયા પછી સોશિયલ મીડિયા યુઝર્સે અટકળો લગાવવાનું શરૂ કરી દીધું છે કે હવે પ્રીતમ દા પણ મેઈનસ્ટ્રીમ મ્યુઝિકમાંથી બ્રેક લેવાના મૂડમાં છે. પ્રીતમની આ પોસ્ટ પછી મોટાભાગના યુઝર્સ તેમને પૂછી રહ્યા છે કે ક્યાંક તેઓ પણ અરિજીત સિંહની જેમ પ્લેબેક સિંગિંગમાંથી સંન્યાસની જાહેરાત કરવાની તૈયારીમાં તો નથી ને?</p><h2 style="text-align: justify; "><b>પ્રીતમે બ્રેક લેવા તરફ કર્યો ઈશારો</b></h2><p style="text-align: justify; ">પ્રીતમે પોતાના જન્મદિવસ પર એક બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરી છે, જેમાં તેઓ વિચારોમાં ખોવાયેલા જોવા મળી રહ્યા છે. આ તસવીર શેર કરતા તેમણે એક ભાવુક નોંધ પણ લખી છે, જેમાં લખ્યું છે કે તેઓ હવે પોતાની જિંદગી કંઈક અલગ રીતે જીવવા માગે છે. એવી જિંદગી જે તેમને હંમેશાથી આકર્ષિત કરતી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ જિંદગી પાછળ છૂટી ગઈ. પરંતુ હવે તેઓ એ બધી બાબતો પર ધ્યાન આપવા માગે છે, જેના પર અત્યાર સુધી આપી શક્યા નથી.</p><h3 style="text-align: justify; "><b>પ્રીતમ દાની પોસ્ટ</b></h3><p style="text-align: justify; ">પોતાની પોસ્ટમાં પ્રીતમ દાએ લખ્યું- 'તમારા બધાની શુભેચ્છાઓ માટે ખૂબ ખૂબ આભાર. હું દરેક વ્યક્તિને અલગ-અલગ જવાબ આપી શકું તેમ નથી, તેથી કૃપા કરીને મારો હૃદયપૂર્વકનો આભાર સ્વીકારો. આજે, મેં મારી જાતને થોડા વર્ષો એવી રીતે જીવવાની ભેટ આપવાનું નક્કી કર્યું છે જેમાં જિંદગીને અલગ રીતે જીવી શકાય. એ બાબતોને પૂરી કરવા માટે જે હું અત્યાર સુધી કરી શક્યો નથી. હવે એ નવી સફર પર નીકળવાનો સમય આવી ગયો છે, જેને હું લાંબા સમયથી ટાળી રહ્યો હતો. સામાન્ય રસ્તા પર ચાલવું પણ એક શાનદાર અનુભવ હોય છે. પરંતુ, મને હંમેશા એ રસ્તાઓ વિશે જાણવાની વધુ ઉત્સુકતા રહી છે જેના પર હજી સુધી કોઈ ગયું નથી. તમારા બધાના પ્રેમ અને સાથ માટે ધન્યવાદ. હંમેશા....'<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DZkt-EniGuR/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DZkt-EniGuR/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DZkt-EniGuR/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DZkt-EniGuR/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>અરિજીત સિંહના રસ્તે પ્રીતમ?</b></h4><p style="text-align: justify; ">પ્રીતમની આ પોસ્ટ જોયા પછી તેમના પ્રશંસકોને ચિંતા થવા લાગી છે કે ક્યાંક તેઓ પણ પ્લેબેક સિંગિંગમાંથી બ્રેક લેવાના મૂડમાં તો નથી ને. એવામાં ઘણા લોકોએ તેમની પોસ્ટ પર કોમેન્ટ કરીને સવાલો પૂછવાનું શરૂ કરી દીધું. એક યુઝરે લખ્યું- ક્યાંક તમે પણ અરિજીત સિંહનો રસ્તો પકડવાની તૈયારી તો નથી કરી રહ્યા ને? વળી એકે લખ્યું- લાગે છે હવે પ્રીતમ દા પણ બોલીવુડ મ્યુઝિકમાંથી બ્રેક લેવાની તૈયારીમાં છે. વધુ એક લખે છે - શું પ્રીતમ પણ બોલીવુડ મ્યુઝિકમાંથી રિટાયરમેન્ટ લેવાની જાહેરાત કરવાના છે?' આવી જ કોમેન્ટ્સ કરીને યુઝર્સ પ્રીતમને સવાલ પૂછી રહ્યા છે અને રિટાયરમેન્ટ અંગે આશંકા વ્યક્ત કરી રહ્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/mithun-chakraborty-daughter-dishani-engagement" target="_blank">આ પણ વાંચો-Mithun Chakrabortyની દીકરી દિશાનીએ કરી લીધી સગાઈ, જાણો કોણ છે ડિસ્કો ડાન્સરના જમાઈરાજ?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/56ZNZEtTdr1W93Oq5FOUkEH8VwCqWa8pZcNtz2tk.webp'/></item></channel></rss>