<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Dwarka: દર્શન કરી પરત ફરતા જામનગરના મિત્રોની કારનો હંજડાપર નજીક કચ્ચરઘાણ, અચાનક ઊંટ આડે આવતા 1 યુવાનનું કરૂણ મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dwarka/jam-khambhalia-dwarka-highway-hanjdapar-car-accident-one-dead-five-injured</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dwarka/jam-khambhalia-dwarka-highway-hanjdapar-car-accident-one-dead-five-injured</guid><pubDate>Tue, 30 Jun 2026 10:52:25 +05:30</pubDate><description><![CDATA[<p>&nbsp;જામ ખંભાળિયા-દ્વારકા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગત મોડી રાત્રે એક હૃદયધબકાવતી દુર્ઘટના સામે આવી છે. જામનગરના રહેવાસી એવા છ મિત્રો કાર લઈને દ્વારકાધીશના દર્શન કરવા ગયા હતા. ભગવાન દ્વારકાધીશના દર્શન કરી, ધન્યતા અનુભવીને આ તમામ મિત્રો મોડી રાત્રે કારમાં જામનગર પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ખંભાળિયા નજીક આવેલા હંજડાપર ગામના પાટીયા પાસે કાળ બનીને એક ઊંટ હાઈવેની વચ્ચે આવી ગયું હતું.</p><h2><b>પૂરપાટ ઝડપે જતી કારનો કુરચો બોલી ગયો</b></h2><p>રાત્રિના સમયે હાઈવે પર અંધારું હોવાના કારણે કારના ચાલકને રોડ પર અચાનક આવી ગયેલું ઊંટ દેખાયું નહોતું. કાર પૂરપાટ ઝડપે હોવાથી બ્રેક મારે તે પહેલા જ કાર ઊંટ સાથે ભયાનક રીતે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ અને બોનેટ સંપૂર્ણપણે કચડાઈ ગયા હતા. આ અકસ્માતમાં કારમાં સવાર એક આશાસ્પદ યુવાનને માથા તેમજ છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય પાંચ મિત્રો લોહીલુહાણ હાલતમાં કારની અંદર જ ચીસાચીસ કરી રહ્યા હતા.</p><h3><b>લોકલ પોલીસ અને હોસ્પિટલ સ્ટાફ એલર્ટ</b></h3><p>રોડ પરથી પસાર થતા અન્ય વાહનચાલકોએ તુરંત જ ગાડીઓ ઊભી રાખી 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસને જાણ કરી હતી. ઇમરજન્સી ટીમે ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ ઈજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢી ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા. અકસ્માતના સમાચાર જામનગર સ્થિત યુવકોના પરિવારજનોને મળતા જ મોટી સંખ્યામાં સ્વજનો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા, જેને પગલે હોસ્પિટલ પરિસરમાં કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/weather/surat/surat-rain-updates-pre-monsoon-exposed-kim-mahadev-temple-parvat-gam-waterlogged" target="_blank">આ પણ વાંચો: Surat: ધોધમાર વરસાદ વચ્ચે કીમમાં શિવલિંગ પાણીમાં ગરકાવ, પર્વત ગામ અને કડોદરામાં ઘૂંટણસમા પાણી ભરાયા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/30/qkbIxp8aywik2NVivGKwKq3TmIWU0Haw9hpVQcO3.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026 : પેનલ્ટી શૂટઆઉટમાં મોરોક્કોની ઐતિહાસિક જીત, પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-moroccos-historic-win-in-penalty-shootout-entry-into-pre-quarterfinals</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-moroccos-historic-win-in-penalty-shootout-entry-into-pre-quarterfinals</guid><pubDate>Tue, 30 Jun 2026 10:49:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફિફા વર્લ્ડ કપના 32મા રાઉન્ડમાં વધુ એક મોટો અપસેટ જોવા મળ્યો.મજબૂત નેધરલેન્ડ્સને પેનલ્ટી શૂટઆઉટમાં મોરોક્કોએ  3-2થી હરાવ્યું.મોરોક્કોની જીતનો હીરો ઇસા ડિઓપ રહ્યો હતો, જેણે 91મી મિનિટે ગોલ કરીને પોતાની ટીમને બરાબરી અપાવી અને ત્યારબાદ મોરોક્કોએ પેનલ્ટી શૂટઆઉટમાં ઐતિહાસિક વિજય મેળવ્યો.આ જીત સાથે મોરોક્કો પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો અને હવે 4 જુલાઈએ હ્યુસ્ટનમાં કેનેડાનો સામનો કરશે.</p><h3 style="text-align: justify;"><b>નેધરલેન્ડ્સ માટે કોણે ગોલ કર્યો?</b></h3><p style="text-align: justify;">મેચમાં ગોલ કરવાના અનેક પ્રયાસો થયા,પરંતુ પહેલા હાફમાં સ્કોર 0-0 રહ્યો.જોકે નેધરલેન્ડ્સે આખરે 72મી મિનિટે ગોલ કર્યો.આ ગોલ કોડી ગાકપોએ કર્યો. બોક્સમાં પડી રહેલા ક્રિસેન્સિયો સમરવિલે મહત્વપૂર્ણ સહાય પૂરી પાડી, અને ગાકપોએ પછી શક્તિશાળી શોટથી ગોલ કર્યો.</p><p style="text-align: justify;"><a href="https://x.com/FIFAWorldCup/status/2071807956841123888?s=20" target="_blank">https://x.com/FIFAWorldCup/status/2071807956841123888?s=20</a></p><p style="text-align: justify;"><br></p><h5 style="text-align: justify; "><b>મોરોક્કો માટે કોણે ગોલ કર્યો?</b></h5><p style="text-align: justify; ">એવું લાગતું હતું કે મોરોક્કો મેચ હારી જશે, પરંતુ 91મી મિનિટે એક ચમત્કાર થયો. ઇસા ડિઓપે અદભુત હેડરથી ગોલ કર્યો. તેના શક્તિશાળી હેડરને નેધરલેન્ડ્સના ગોલકીપર બાર્ટ વર્બ્રુગેન માટે રોકવું અશક્ય હતું. ડિઓપના ગોલને કારણે મેચ વધારાના સમયમાં ગઈ, જે 1-1ની બરાબરીમાં સમાપ્ત થઈ. આના કારણે પેનલ્ટી શૂટઆઉટ થયો, જ્યાં ડચ ખેલાડીઓ દબાણ હેઠળ ભાંગી પડ્યા.</p><h4 style="text-align: justify;"><b>નેધરલેન્ડ્સ-મોરોક્કો મેચમાં પેનલ્ટી શૂટઆઉટમાં શું થયું?</b></h4><p style="text-align: justify;">કોપમીનર્સે નેધરલેન્ડ્સ માટે પ્રથમ પેનલ્ટી ગોલ કર્યો.મોરોક્કો માટે એલ અયનાઉઇએ કિક લીધી અને ગોલ કરવામાં નિષ્ફળ રહ્યા.</p><p style="text-align: justify;">નેધરલેન્ડ્સ તેમની બીજી પેનલ્ટી કિક ચૂકી ગયું.આ ભૂલ ક્લુઇવર્ટ દ્વારા કરવામાં આવી હતી.જોકે મોરોક્કોના રહીમીએ શાનદાર ગોલ કર્યો.</p><p style="text-align: justify;">વેઘોર્સ્ટે નેધરલેન્ડ્સ માટે ગોલ કર્યો,અને મોરોક્કોના તાલ્બીએ કોઈ ભૂલ કરી નહીં.</p><p style="text-align: justify;">નેધરલેન્ડ્સ માટે ટિમ્બર ગોલ ચૂકી ગયો અને મોરોક્કોના હકીમીએ પણ ભૂલ કરી.</p><p style="text-align: justify;">સમરવિલે નેધરલેન્ડ્સ માટે પાંચમી પેનલ્ટી કિક લીધી, અને તેણે પણ ભૂલ કરી, અને સાઇબારીએ ગોલ કર્યો, જેનાથી મોરોક્કોને વિજય મળ્યો.</p><h4 style="text-align: justify;"><b>ઇસા ડિઓપ ફ્રાન્સ છોડીને મોરોક્કોમાં જોડાયો</b></h4><p style="text-align: justify;">મોરોક્કોને વિજય અપાવનાર ઇસા ડિઓપ વિશે, તેનો જન્મ ફ્રાન્સમાં થયો હતો. જોકે, તે આ વર્ષે મોરોક્કોમાં જોડાયો કારણ કે ફ્રાન્સે તેને ટીમમાં સામેલ કર્યો ન હતો. ઇસા ડિઓપની માતા મોરોક્કન છે, જેણે તેને ફૂટબોલ ટીમમાં સ્થાન મેળવવામાં મદદ કરી. આ ખેલાડી ફ્રેન્ચ અંડર-16અને અંડર-21 ટીમોનો ભાગ રહી ચૂક્યો છે. હાલમાં તે પ્રીમિયર લીગમાં ફુલહામ માટે રમે છે.</p><p style="text-align: justify;">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-brazil-defeats-japan-2-1-to-enter-pre-quarterfinals" target="_blank">FIFA World Cup 2026 : બ્રાઝિલે જાપાનને 2-1 થી હરાવીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/30/7EJFjuBkBtpalffVu8gyXUiKuo6xRy1hbgov57S3.webp'/></item><item><title><![CDATA[Ram Temple Donation Case: ચંપત રાયે ટિન્નુ યાદવ પર ફોડ્યુ ઠીકરૂ, કહ્યુ મારો કોઇ હાથ નથી ]]></title><link>https://sandesh.com/india/news/ram-temple-donation-case-champat-rai-lashes-out-at-tinnu-yadav-says-he-has-no-hand-in-it</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ram-temple-donation-case-champat-rai-lashes-out-at-tinnu-yadav-says-he-has-no-hand-in-it</guid><pubDate>Tue, 30 Jun 2026 10:45:29 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આ મામલે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે પોલીસ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરતાં જણાવ્યું કે ચઢાવાની રકમમાં થયેલી કથિત ગેરરીતિમાં તેમની કોઈ સીધી ભૂમિકા નથી. તેમણે કહ્યું કે ઘટનાની જાણ થતાં જ તેમણે તાત્કાલિક પગલાં લીધા, સંદિગ્ધ વ્યક્તિઓની ઓળખ કરવામાં સહકાર આપ્યો અને તેમની સામે ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા પણ સુનિશ્ચિત કરી.</p><p style="text-align: justify; ">તેમણે પોલીસને જણાવ્યું કે ટ્રસ્ટની વિશ્વસનીયતા જળવાઈ રહે તે માટે શરૂઆતથી જ સંપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો. નોંધનીય છે કે આ સમગ્ર મામલે પ્રથમ એફઆઈઆર 25 જૂને નોંધાઈ હતી, જેના આધારે વિશેષ તપાસ શરૂ કરવામાં આવી હતી.</p><h2 style="text-align: justify; ">ભરતી પ્રક્રિયા અંગે પણ પૂછપરછ</h2><p style="text-align: justify; ">તપાસ દરમિયાન પોલીસે ટ્રસ્ટ સાથે સંકળાયેલા લોકોના સગા-સંબંધીઓ અને પરિચિતોને કામ પર રાખવાની પ્રક્રિયા અંગે પણ સવાલો કર્યા હતા. તેના જવાબમાં ચંપત રાયે જણાવ્યું કે જરૂરિયાતમંદ લોકોને રોજગાર આપવાના હેતુથી તેમને તક આપવામાં આવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય કોઈ એક વ્યક્તિનો નહોતો, પરંતુ ટ્રસ્ટના અન્ય જવાબદાર હોદ્દેદારોની સહમતીથી લેવામાં આવ્યો હતો.</p><p style="text-align: justify; ">ચંપત રાયે પૂછપરછ દરમિયાન સ્વીકાર્યું કે ચઢાવાની વ્યવસ્થામાં કોઈ પ્રકારની ગડબડ ન થાય તેની નૈતિક જવાબદારી તેમની હતી. જોકે તેમણે ઉમેર્યું કે ટિન્નુ યાદવ લાંબા સમયથી ટ્રસ્ટ સાથે જોડાયેલો હોવાથી તેના પર વિશ્વાસ કરવામાં આવ્યો હતો અને તે આવી ગેરરીતિમાં સામેલ હશે તેવી કોઈને શંકા નહોતી.</p><h3 style="text-align: justify; ">અન્ય ટ્રસ્ટ સભ્યોના નિવેદનો પણ તપાસ હેઠળ</h3><p style="text-align: justify; ">ચંપત રાયે પોતાના નિવેદનમાં ટ્રસ્ટના સભ્યો ડૉ. અનિલ મિશ્ર અને ગોપાલ રાવનો પણ ઉલ્લેખ કર્યો હતો. તપાસ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ SIT અને પોલીસ હવે ચંપત રાયના નિવેદનની અન્ય પુરાવાઓ તેમજ સંબંધિત લોકોના નિવેદનો સાથે સરખામણી કરી રહી છે. તપાસ એજન્સીઓ સમગ્ર ઘટનાક્રમની કડીઓને જોડીને જવાબદારી નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે.</p><h4 style="text-align: justify; ">તમામ આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડી</h4><p style="text-align: justify; ">આ કેસમાં ધરપકડ કરાયેલા તમામ આઠ આરોપીઓને સોમવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તમામ આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. હવે તેઓને 13 જુલાઈએ ફરી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.</p><p style="text-align: justify; ">આ પહેલા પોલીસે આરોપીઓના રહેઠાણો પર દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન કેટલાક મહત્વના દસ્તાવેજો, રોકડ રકમ અને દાગીના સહિતની વસ્તુઓ મળી આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. આ તમામ વસ્તુઓને તપાસ માટે જપ્ત કરવામાં આવી છે.</p><p style="text-align: justify; ">તપાસ એજન્સીઓ હવે આરોપીઓની આર્થિક લેવડદેવડ, સંપત્તિમાં થયેલા વધારા અને ચઢાવાની રકમના વ્યવહાર વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં તેની પણ તપાસ કરી રહી છે. સાથે જ ટ્રસ્ટની આંતરિક વ્યવસ્થા, દેખરેખની પદ્ધતિ અને સુરક્ષા વ્યવસ્થાની પણ વિગતવાર સમીક્ષા કરવામાં આવી રહી છે. અધિકારીઓનું માનવું છે કે તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર મામલે વધુ મહત્વની માહિતી સામે આવી શકે છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/30/3zrnZgyksJab6bHxz9THsSJGf4LssUsJJmZBNbgX.webp'/></item><item><title><![CDATA[West Bengal: હલ્દિયા રિફાઇનરીની પાઇપલાઇનમાં આગ, 20 લોકો દાઝ્યા ]]></title><link>https://sandesh.com/india/news/west-bengal-fire-in-haldia-refinery-pipeline-20-people-burnt</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/west-bengal-fire-in-haldia-refinery-pipeline-20-people-burnt</guid><pubDate>Tue, 30 Jun 2026 10:33:17 +05:30</pubDate><description><![CDATA[<p>પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લાના હલ્દિયા ઔદ્યોગિક વિસ્તારમાં એક પાઇપલાઇનમાં જબરદસ્ત આગ લાગી છે.&nbsp; મંગળવારે વહેલી સવારે એક ઓઇલ રિફાઇનરીમાં નેપ્થા વહન કરતી પાઇપલાઇનમાં અચાનક ભીષણ આગ લાગી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટનામાં ઓછામાં ઓછા 20 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.&nbsp;<br></p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2071818359575097657"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>કયા કારણોસર લાગી આગ ?&nbsp;</b></h2><p>કંપની અને સ્થાનિક વહીવટીતંત્રે સ્પષ્ટતા કરી છે કે અકસ્માતના વાસ્તવિક કારણો અંગે ટિપ્પણી કરવી હજુ વહેલું ગણાશે. પોલીસે તપાસ શરૂ કરી છે. અહેવાલો દર્શાવે છે કે ઘણા લોકો ઘાયલ થયા છે.</p><h3><b>ઇજાગ્રસ્તોને ખસેડાયા હોસ્પિટલ&nbsp;</b></h3><p>પૂર્વ મેદિનીપુર જિલ્લાના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે વહેલી સવારે લાગેલી આગમાં ફસાયેલા છ લોકોની હાલત અત્યંત નાજુક છે. આ બધા ગંભીર રીતે બીમાર દર્દીઓને કોલકાતાની હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.</p><p><br></p><p><b>વધુ અપડેટની રાહ જોવાઇ રહી છે.&nbsp;</b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/30/XWbiDHI2FMA8XJnTeHZDW2HahLbC61Repn4ocyer.webp'/></item><item><title><![CDATA[Gold Silver Price Today: સોના ચાંદીના ભાવ આજે પણ ઘટ્યા, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ ]]></title><link>https://sandesh.com/business/news/gold-silver-price-today-gold-and-silver-prices-fell-today-too-know-the-latest-rate-of-10-grams-1</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/gold-silver-price-today-gold-and-silver-prices-fell-today-too-know-the-latest-rate-of-10-grams-1</guid><pubDate>Tue, 30 Jun 2026 10:15:33 +05:30</pubDate><description><![CDATA[<p>ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારાની આશંકાને કારણે વૈશ્વિક બજારમાં સોનાનો વાયદો ફરી $4,000 ની નીચે આવી ગયો. ચાંદીએ પણ તેની ચમક ગુમાવી દીધી. મંગળવારે (30 જૂન) સ્થાનિક મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર બંને ધાતુઓના ભાવ નીચા સ્તરે ખુલ્યા. આ લખાઈ રહ્યું છે ત્યારેસ્થાનિક બજારમાં સોનાનો વાયદો ₹1,40,600 ની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો જ્યારે ચાંદીના ભાવ ₹2,20,750 ની આસપાસ જોવા મળ્યા.&nbsp;</p><p><b style="font-size: 2rem;">સોનાના ભાવમાં ઘટાડો</b></p><p>સોનાનો વાયદો નીચા સ્તરે ખુલ્યો. MCX પર ઓગસ્ટનો બેન્ચમાર્ક ગોલ્ડ કોન્ટ્રેક્ટ ₹1,516 ઘટીને ₹1,40,886 પર ખુલ્યો. પાછલો બંધ ભાવ  ₹1,42,402 હતો. આ લખાઈ રહ્યું છે ત્યારે, કોન્ટ્રેક્ટ ₹1,40,600 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે ₹1,802 નો ઘટાડો હતો. સત્ર દરમિયાન તે ₹1,40,886 ની ઊંચી સપાટી અને ₹1,40,450 ની નીચી સપાટીને સ્પર્શ્યો.  ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂઆતમાં સોનાના વાયદા ₹1,80,779 ની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.</p><h2><b>ચાંદી પણ ચમકી&nbsp;</b></h2><p>ચાંદીના વાયદામાં ધીમી શરૂઆત જોવા મળી. MCX પર સપ્ટેમ્બરનો ચાંદીનો બેન્ચમાર્ક કોન્ટ્રેક્ટ₹2,387 ઘટીને  ₹2,20,247 પર ખુલ્યો. અગાઉનો બંધ ભાવ ₹2,22,634 હતો. આ લખાય છે ત્યારે, કોન્ટ્રેક્ટ ₹1,889 ઘટીને ₹2,20,745 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સત્ર દરમિયાન તે ₹2,21,110 ની ઊંચી સપાટી અને ₹2,20,247 ની નીચી સપાટીને સ્પર્શ્યો. આ વર્ષે ચાંદીના વાયદા ₹4,20,048 પ્રતિ કિલોગ્રામના રેકોર્ડ ઊંચા સ્તરે પહોંચ્યા.</p><p><b style="font-size: 1.75rem;">આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો&nbsp;</b></p><p>આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના વાયદામાં ધીમી ગતિ જોવા મળી રહી છે. કોમેક્સ પર સોનું $4,032.50 પ્રતિ ઔંસ પર ખુલ્યું; અગાઉનો બંધ ભાવ $4,038.90 પ્રતિ ઔંસ હતો. આ લેખન સમયે, તે $66.10 ઘટીને $3,972.80 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ વર્ષે સોનાના ભાવ $5,586.20 ની ટોચે પહોંચ્યા. કોમેક્સ પર ચાંદીનો વાયદો $58.34 પ્રતિ ઔંસ પર ખુલ્યો, જે અગાઉના $58.17 ના બંધ ભાવની સરખામણીમાં હતો. આ લેખન સમયે, તે $57.35 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે $0.82 નો ઘટાડો હતો. આ વર્ષે તેની કિંમત $121.79 ની ઊંચી સપાટીએ પહોંચી ગઈ.</p><h4><b>દેશના મોટા શહેરોમાં શું છે સોના ચાંદીનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)&nbsp;</b></h4><table class="table table-bordered"><tbody><tr><td>શહેર&nbsp;</td><td>24 કેરેટ સોનાની કિંમત ( રૂપિયા/10 ગ્રામ) )&nbsp;</td><td>22 કેરેટ સોનાની કિંમત( રૂપિયા/10 ગ્રામ)</td></tr><tr><td>દિલ્હી&nbsp;</td><td>1,40,130</td><td>&nbsp;1,28,600&nbsp; &nbsp;&nbsp;</td></tr><tr><td>કોલકાતા</td><td>&nbsp;1,40,130</td><td>&nbsp;1,28,450</td></tr><tr><td>ચેન્નઈ&nbsp;</td><td>1,45,080&nbsp;</td><td>1,32,990&nbsp;</td></tr><tr><td>બેંગ્લોર</td><td>&nbsp;1,40,130&nbsp;</td><td>1,28,450</td></tr><tr><td>અમદાવાદ</td><td>&nbsp;1,40,180</td><td>&nbsp;1,28,500&nbsp;</td></tr><tr><td>વડોદરા&nbsp;<br></td><td>1,40,180&nbsp;</td><td>1,28,500&nbsp;</td></tr></tbody></table><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2025/12/17/yNz2xOJHjSqIukb6ZDzgGyMHmgSfeGw0tEa3KGOC.webp'/></item><item><title><![CDATA[Kutch : ભચાઉ-સામખિયાળી હાઇવે પર આઈશર ટ્રકમાં લાગી ભીષણ આગ, કલાકો સુધી ટ્રાફિકજામ ]]></title><link>https://sandesh.com/gujarat/news/kutch/kutch-news-bhachau-samakhiyali-highway-eicher-truck-fire-traffic-jam</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/kutch/kutch-news-bhachau-samakhiyali-highway-eicher-truck-fire-traffic-jam</guid><pubDate>Tue, 30 Jun 2026 10:06:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કચ્છ જિલ્લાના વ્યસ્ત ગણાતા ભચાઉ-સામખિયાળી હાઇવે પર ગત મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. હાઇવે પરથી પસાર થઈ રહેલી એક આઈશર ટ્રકમાં અચાનક કોઈ અગમ્ય કારણોસર ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે આખી ટ્રક આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી. રાત્રિના અંધકારમાં આગની જ્વાળાઓ દૂર-દૂર સુધી દેખાતાં હાઇવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકોમાં ભારે નાસભાગ અને ફફડાટ મચી ગયો હતો.</p><h2 style="text-align: justify; "><b>ફાયર બ્રિગેડની 3 કલાકની ભારે જહેમત</b></h2><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં જ ભચાઉ નગરપાલિકાની ફાયર ફાઇટર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયરના જવાનોએ ભારે જહેમત સાથે પાણીનો મારો ચલાવી આગ બઝાવવાની કામગીરી શરૂ કરી હતી. ટ્રકમાં લાગેલી આગ એટલી ભયાનક હતી કે તેના પર સંપૂર્ણ કાબૂ મેળવતા ફાયર ટીમને 3 કલાકથી વધુ સમય લાગ્યો હતો. જો કે, રાહતના સમાચાર એ છે કે આ દુર્ઘટનામાં સમયસૂચકતા વાપરીને ડ્રાઈવર અને ક્લીનર બહાર નીકળી જતાં મોટી જાનહાનિ ટળી છે, પરંતુ આગને કારણે આઈશર ટ્રક બળીને ખાખ થઈ ગઈ છે અને માલિકને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>હાઇવે પર વાહનોની લાંબી કતારો</b></h3><p style="text-align: justify; ">વચ્ચે હાઇવે પર ટ્રકમાં લાગેલી આ આગના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. અકસ્માતને પગલે ભચાઉ-સામખિયાળી હાઇવે પર બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને કલાકો સુધી ભારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાને પગલે સ્થાનિક પોલીસે પણ દોડી આવીને વાહનોને ડાયવર્ટ કરી ટ્રાફિક હળવો કરાવવાની કામગીરી હાથ ધરી હતી. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; <a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-gujarat-monsoon-stuck-surat-paresh-goswami-prediction-weather-alerts-meaning" target="_blank"><b>&nbsp;Sandesh Digital Explainer : ચોમાસું આખરે ક્યાં જઈને અટકી ગયું? ગુજરાત માટે આગામી 24 કલાક કેમ અત્યંત રોમાંચક છે, જાણો અસલી રહસ્ય</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/30/QFBN9kBPgRIUMQBckHyFiRR4QND5mBRX7Z0Fnpbo.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: SG હાઈવે પર ટ્રકનો અકસ્માત, ફાયર બ્રિગેડે પતરાં કાપી ડ્રાઈવરને હેમખેમ બહાર કાઢ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/sg-highway-zydus-to-gota-bridge-truck-accident-driver-rescued-by-fire-brigade</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/sg-highway-zydus-to-gota-bridge-truck-accident-driver-rescued-by-fire-brigade</guid><pubDate>Tue, 30 Jun 2026 10:02:21 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરના એસ.જી. હાઈવે ફરી એકવાર રક્તરંજિત થતાં રહી ગયો છે. વહેલી સવારે જ્યારે હાઈવે પર વાહનોની અવરજવર ઓછી હતી, ત્યારે ઝાયડસ સર્કલથી ગોતા બ્રિજ તરફ જઈ રહેલી એક ભારે માલવાહક ટ્રક કોઈ અગમ્ય કારણોસર અકસ્માતનો ભોગ બની હતી. પ્રાથમિક દ્રષ્ટિએ ડ્રાઈવરને ઝોકું આવી જતાં કે અન્ય કોઈ વાહનને બચાવવા જતાં ટ્રક સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવી બેઠી હોવાનું જણાય છે.</p><h2><b>લોખંડના પતરા વચ્ચે જિંદગીનો જંગ</b></h2><p>અકસ્માત એટલો પ્રચંડ હતો કે ટ્રકનો આગળનો ભાગ ધડાકાભેર અથડાવાને કારણે આખી કેબિન વળી ગઈ હતી. આ અકસ્માતમાં ચાલક સીટ પર જ લોખંડના પતરા અને તૂટેલા સ્ટેશનરી ભાગોની વચ્ચે ખરાબ રીતે લોહીલુહાણ હાલતમાં ફસાઈ ગયો હતો. હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકોએ તુરંત જ ગાડીઓ ઊભી રાખી ડ્રાઈવરને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ દરવાજો સદંતર લોક થઈ ગયો હોવાથી સફળતા મળી ન હતી. અંતે કંટ્રોલ રૂમને જાણ કરાતા એએમસી ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.</p><h3><b>ફાયર બ્રિગેડની સ્પીડી કામગીરી</b></h3><p>ફાયર જવાનોએ સમય સૂચકતા વાપરીને હાઈડ્રોલિક સ્પ્રેડર અને કટર મશીનનો ઉપયોગ કરીને ટ્રકનો કચડાયેલો દરવાજો કાપી નાખ્યો હતો. અંદાજે અડધા કલાકની ભારે જહેમત બાદ ડ્રાઈવરને સુરક્ષિત રીતે કેબિનમાંથી બહાર ખેંચી કઢાયો હતો. 108 એમ્બ્યુલન્સ મારફતે તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં ડોક્ટરોના જણાવ્યા મુજબ તેની સ્થિતિ સ્થિર છે અને મોટી જાનહાનિ ટળી છે. ટ્રાફિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhachau/samakhiali-national-highway-eicher-truck-catches-massive-fire-traffic-jam" target="_blank">આ પણ વાંચો: Bhachau: સામખિયાળી હાઇવે પર આઇશર ટ્રકમાં ભીષણ આગ, ભારે જહેમત બાદ આગ પર મેળવાયો કાબૂ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/30/XqptP46X1m3vCkjjgFgycP73QKBEKt7NolqmO3Ty.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : નિકોલની ચાણક્યપુરી સ્કૂલમાં તોફાન કરતા વિદ્યાર્થીને માર્યો લાફો, DEOની નોટિસ બાદ શિક્ષક સસ્પેન્ડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-nikol-chanakyapuri-school-teacher-suspended-student-beaten-deo-notice</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-nikol-chanakyapuri-school-teacher-suspended-student-beaten-deo-notice</guid><pubDate>Tue, 30 Jun 2026 09:49:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં શાળાઓમાં વિદ્યાર્થીઓ સાથે થતી હિંસાના કિસ્સા અટકવાનું નામ નથી લઈ રહ્યા. અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત ચાણક્યપુરી સ્કૂલ ભારે વિવાદમાં સપડાઈ છે. અહીં એક શિક્ષકે વિદ્યાર્થીને માર્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. આ મામલે વાલીઓના ભારે હોબાળા બાદ શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યું છે અને શાળાને કારણદર્શક નોટિસ ફટકારી છે. બીજી તરફ, મામલો બિચકતાં પોલીસ સ્ટેશનમાં કસૂરવાર શિક્ષક સામે સત્તાવાર ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>શિસ્તના નામે કાયદો હાથમાં લીધો</b></h2><p style="text-align: justify; ">સમગ્ર વિવાદ અંગે ચાણક્યપુરી સ્કૂલના પ્રિન્સિપાલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થી ક્લાસમાં સતત તોફાન કરી રહ્યો હતો, જેના કારણે શિક્ષક લક્ષ્મણ પરાએ શિસ્તના ભાગરૂપે તેને લાફો મારી દીધો હતો. ઘટનાની જાણ થતાં જ સ્કૂલ મેનેજમેન્ટે તાત્કાલિક વાલીઓને ફોન કરીને શાળાએ બોલાવ્યા હતા.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>શિક્ષકને સસ્પેન્ડ કરાયો</b></h3><p style="text-align: justify; ">શાળા પરિસરમાં વાલીઓએ આવીને ભારે આક્રોશ સાથે રજૂઆત કરી હતી. વાલીઓની ઉગ્ર માંગણી અને બાળકની સુરક્ષાને ધ્યાને રાખીને સ્કૂલ પ્રશાસને માર મારનાર શિક્ષક લક્ષ્મણ પરાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.</p><h4 style="text-align: justify; "><b>DEOની નોટિસનો સ્કૂલે આપ્યો જવાબ</b></h4><p style="text-align: justify; ">આ ઘટના સોશિયલ મીડિયા અને મીડિયામાં વાયરલ થતાં જ જિલ્લા શિક્ષણ અધિકારી  દ્વારા સ્કૂલ સામે કડક વલણ અપનાવી નોટિસ પાઠવવામાં આવી હતી. પ્રિન્સિપાલે જણાવ્યું કે, તેમણે DEOની નોટિસનો સત્તાવાર જવાબ રજૂ કરી દીધો છે અને શાળા કક્ષાએથી શિક્ષક સામે સસ્પેન્શનના પગલાં લઈ લેવાયા છે. જો કે, બાળકના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સાથે થયેલા આ ચેડાં બદલ વાલીઓએ શિક્ષકને કાયદાનું ભાન કરાવવા પોલીસ સ્ટેશનના પગથિયાં ચડ્યા છે અને  પોલીસ તપાસ પણ શરૂ થઈ ગઈ છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-gujarat-monsoon-stuck-surat-paresh-goswami-prediction-weather-alerts-meaning" target="_blank"><b> Sandesh Digital Explainer : ચોમાસું આખરે ક્યાં જઈને અટકી ગયું? ગુજરાત માટે આગામી 24 કલાક કેમ અત્યંત રોમાંચક છે, જાણો અસલી રહસ્ય</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/30/rVczf94XScatqC7VCdR7BrGIDa0xotVT06VhvWqR.webp'/></item><item><title><![CDATA[Lock Upp Season 2માં સુનીતા આહુજાનો બેબાક અને બિન્દાસ અંદાજ, શું હું કોઈના બાપના પૈસાથી..... ]]></title><link>https://sandesh.com/entertainment/news/sunita-ahujas-bold-and-bold-style-in-lock-up-season-2-am-i-going-to-live-with-someones-fathers-money</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/sunita-ahujas-bold-and-bold-style-in-lock-up-season-2-am-i-going-to-live-with-someones-fathers-money</guid><pubDate>Tue, 30 Jun 2026 09:42:39 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડના દિગ્ગજ અભિનેતા ગોવિંદાની પત્ની સુનિતા આહુજા આજકાલ પોતાના બેબાક અંદાજને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. હાલમાં તે એકતા કપૂરના લોકપ્રિય રિયાલિટી શો 'લોક અપ'માં જોવા મળી રહી છે, જ્યાં તેની સ્પષ્ટવક્તા અને સરળ સ્વભાવના દર્શકો ખૂબ વખાણ કરી રહ્યા છે. તાજેતરના જ એક એપિસોડમાં, સુનિતાએ તેને ટ્રોલ કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો હતો અને સાથે જ ભત્રીજા કૃષ્ણા અભિષેક તથા પુત્રવધૂ કાશ્મીરા શાહ સાથેના કૌટુંબિક વિવાદના અંત વિશે ખુલીને વાત કરી હતી.</p><h2 style="text-align: justify; "><b>કૃષ્ણા અભિષેક સાથેના સમાધાન પર ખુલાસો</b></h2><p style="text-align: justify; ">શો દરમિયાન સુનિતા આહુજાએ કૃષ્ણા અને કાશ્મીરા સાથેના પેચ-અપ વિશે ભાવુક થઈને વાત કરી હતી. તેણે જણાવ્યું, "જ્યારે હું 'લાફ્ટર શેફ' શોમાં ગઈ, ત્યારે કૃષ્ણા અને મારી વચ્ચે સમાધાન થઈ ગયું હતું. મેં જ કૃષ્ણાને મોટો કર્યો છે, પરંતુ એક કડવાશને કારણે મેં છેલ્લા નવ વર્ષથી તેના બાળકોને જોયા નહોતા." પુત્રવધૂ કાશ્મીરા વિશે વાત કરતા સુનિતાએ ઉમેર્યું, "કાશ્મીરા ખરેખર ખૂબ જ પ્રેમાળ છોકરી છે. જ્યારે અમે 14 વર્ષ પછી એકબીજાને મળ્યા, ત્યારે તે ભાવુક થઈને મારા પગે પડી ગઈ અને રડતા-રડતા માફી માગી. તેણે કહ્યું, 'મારાથી ભૂલ થઈ ગઈ, પ્લીઝ મને માફ કરી દો.' આ જોઈને હું પણ મારી જાતને રોકી ન શકી અને રડવા લાગી.</p><h3 style="text-align: justify; "><b>"હું કોઈના માટે પોતાની જાતને નહીં બદલું" -સુનીતા આહુજા</b></h3><p style="text-align: justify; ">શોમાં જ્યારે આકાંક્ષા ચૌધરીએ સુનિતાને ભૂતકાળના એક વિવાદિત નિવેદન વિશે પૂછ્યું, ત્યારે સુનિતાએ સ્પષ્ટતા કરી કે 'લાફ્ટર શેફ' શોના રાઈટર્સે તેને એક ડાયલોગ બોલવા આપ્યો હતો. એ ડાયલોગ એવો હતો કે, 'જ્યાં સુધી તે (કૃષ્ણા) પોતાની પત્નીનું સાંભળશે, ત્યાં સુધી તે આંખોથી ગોળીબાર કરશે, પણ જો કોઈ ત્રીજી વ્યક્તિ વચ્ચે આવશે તો તેને ઘૂંટણમાં ગોળી વાગશે.' આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર સુનિતાને ભારે ટ્રોલ કરવામાં આવી હતી. પોતાના નફરત કરનારાઓ (Trolls)ને કડક શબ્દોમાં જવાબ આપતા સુનિતાએ કહ્યું કે તે દુનિયા માટે ક્યારેય પોતાની જાતને બદલશે નહીં.</p><h4 style="text-align: justify; "><b>દારૂ પીવા અને પાર્ટી કરવાના આક્ષેપો પર સુનિતા આહુજા ભડકી</b></h4><p style="text-align: justify; ">સુનિતાએ પોતાની જીવનશૈલી પર સવાલ ઉઠાવનારાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેણે ગુસ્સામાં કહ્યું, "લોકો અવારનવાર મારી ટીકા કરે છે કે હું ખૂબ પાર્ટી કરું છું અને દારૂ પીઉં છું. હું એવા લોકોને પૂછવા માંગુ છું કે, શું હું તમારા પિતાના ઘરે જઈને પાર્ટી કરું છું? હું જે કંઈ પણ કરું છું, મારા પોતાના ઘરે કરું છું. હવે હું મારા ઘરે એક બોટલ પીઉં કે દસ, તેનાથી કોઈને શું ફરક પડે છે? શું હું કોઈના બાપના પૈસાથી પીઉં છું?" સુનિતાના આ બેબાક અને બિન્દાસ અંદાજે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તે ટ્રોલ્સની પરવા કર્યા વગર પોતાની શરતો પર જીવવાનું પસંદ કરે છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/mukesh-khanna-reacts-to-ram-mandir-donation-scam-urges-devotees-to-stop-offerings" target="_blank">આ પણ વાંચો : Shaktimaan Actor : રામ મંદિરમાં ચઢાવા કૌભાંડ પર મુકેશ ખન્નાનો ફૂટ્યો ગુસ્સો, કહ્યું- 'લૂંટ મચી છે'</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/30/XCJabPM55rXvL1WLJ0ujWXSwskkaxTIcg3gikFEw.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: રાજ્યમાં મોસમનો મિજાજ બદલાયો, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ભારે ઉત્સાહ ]]></title><link>https://sandesh.com/gujarat/news/weather/ahmedabad/gujarat-rain-updates-33-talukas-receive-heavy-rainfall-surat-tops-with-two-half-inch</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/weather/ahmedabad/gujarat-rain-updates-33-talukas-receive-heavy-rainfall-surat-tops-with-two-half-inch</guid><pubDate>Tue, 30 Jun 2026 09:25:35 +05:30</pubDate><description><![CDATA[<p>રાજ્યમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું છે. સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના સત્તાવાર આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના તમામ ઝોનમાં મેઘરાજાએ પોતાની હાજરી પુરાવી છે. લાંબા સમયના આકરા તાપ અને અસહ્ય ઉકળાટ બાદ મોસમનો પ્રથમ સાર્વત્રિક વરસાદ પડતાં લોકોએ હાશકારો અનુભવ્યો છે.</p><h2><b>દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવની શરૂઆત</b></h2><p>હંમેશ મુજબ આ વર્ષે પણ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. સુરત શહેરમાં ધોધમાર 2.5 ઈંચ વરસાદ ખાબકતા સ્માર્ટ સિટીના અનેક નીચાણવાળા વિસ્તારો અને અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે સવારના સમયે નોકરીયાત વર્ગને થોડી મુશ્કેલી પડી હતી. સુરત ગ્રામ્યના કામરેજ અને માંગરોળ હાઇવે પર ભારે વરસાદના કારણે વાહનોની ગતિ ધીમી પડી હતી. બીજી તરફ તાપીના વાલોડમાં 2 ઈંચ અને વલસાડના ઉમરગામમાં 1 ઈંચ વરસાદ થતાં નદી-નાળાઓમાં નવા પાણીની આવક થઈ છે.</p><h3><b>સૌરાષ્ટ્રના કિંગ ગીર પંથક અને અમરેલીમાં ખુશીનો માહોલ</b></h3><p>બીજી તરફ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. જાફરાબાદ તાલુકામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારો જેવા કે બાબરકોટ, મીતીયાળા, કડિયાળી અને દુધાળામાં સારો વરસાદ પડતાં સ્થાનિક નદીઓમાં પૂર જેવા દ્રશ્યો સર્જાયા હતા અને રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા હતા. ખાંભા અને ગીર પંથકમાં પણ વાવણી લાયક મોસમ સર્જાતા ખેડૂતો પોતાના બળદ અને ટ્રેક્ટર લઈને સીમ ભણી રવાના થઈ ગયા છે. ઉના શહેરમાં આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને પવનના સુસવાટા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 48 કલાકમાં રાજ્યમાં હજુ પણ ભારે વરસાદની સંભાવના છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/weather/navsari/navsari-district-all-talukas-experience-pleasant-rainy-weather-farmers-relieved" target="_blank">આ પણ વાંચો: Navsari: દક્ષિણ ગુજરાતમાં મોસમનો મિજાજ બદલાયો, સવારથી જ કાળા ડિબાંગ વાદળો વચ્ચે વાવણી લાયક વરસાદ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/30/ZLGIhMRufHSvZZ0jQy1kVspXfdqbrk7fSEibhJUQ.webp'/></item></channel></rss>