<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Himachal News: નીરજ ભારતીનું રાજીનામું મંજૂર, CM સુખવિંદર સિંહ સુખ્ખુ પર લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ ]]></title><link>https://sandesh.com/india/news/himachal-news-neeraj-bhartis-resignation-accepted-cm-sukhwinder-singh-sukhkhu-accused-of-corruption</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/himachal-news-neeraj-bhartis-resignation-accepted-cm-sukhwinder-singh-sukhkhu-accused-of-corruption</guid><pubDate>Sat, 06 Jun 2026 12:35:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">તેમણે ગુરુવારે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ વિનય કુમાર અને જિલ્લા અધ્યક્ષ અનુરાગ ઠાકુરને બે પાનાનું રાજીનામું પત્ર મોકલ્યું હતું. પાર્ટીના મહાસચિવ વિનોદ જિન્ટાએ જણાવ્યું કે હવે ઉપાધ્યક્ષ તરીકેનો તેમનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે.</p><h2 style="text-align: justify; ">નીરજ ભારતીએ મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખ્ખુ પર ગંભીર આરોપો લગાવ્યા</h2><p style="text-align: justify; ">
</p><p style="text-align: justify; ">રાજીનામા બાદ નીરજ ભારતીએ રાજ્ય સરકાર અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખ્ખુ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં સરકારે એવા મહેનતુ અને સમર્પિત કોંગ્રેસ કાર્યકરોને નિરાશ કર્યા છે, જેમણે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ પાર્ટીની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
</p><p style="text-align: justify; ">તેમણે સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટ કરીને ઠેકેદારોને ચુકવણીની પ્રક્રિયામાં ગેરરીતિઓ અને વહીવટી કાર્યપદ્ધતિ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર, ઘણીવાર એ સમજવું મુશ્કેલ બને છે કે બદલીની પ્રક્રિયા ક્યારે શરૂ થાય છે અને ક્યારે પૂર્ણ થાય છે. ઉપરાંત, ડી.ઓ. (ડેમી ઓફિશિયલ) પત્રોનો પણ કોઈ યોગ્ય રેકોર્ડ જોવા મળતો નથી.</p><h3 style="text-align: justify; ">ભારતી જ્વાલી વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કૃષિ મંત્રી ચંદ્ર કુમારના પુત્ર</h3><p style="text-align: justify; ">
</p><p style="text-align: justify; ">નીરજ ભારતી જ્વાલી વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કૃષિ મંત્રી ચંદ્ર કુમારના પુત્ર છે. તેઓ અગાઉ પણ વહીવટી કાર્યશૈલી અંગે અસંતોષ વ્યક્ત કરી ચૂક્યા છે. તેમણે કહ્યું કે જ્યારે પાર્ટી સત્તામાં આવે ત્યારે તળિયાના સ્તરે કામ કરતા કાર્યકરોને અવગણવામાં આવે તે દુઃખદ બાબત છે.</p><h4 style="text-align: justify; ">ભારતીએ સુખ્ખુના કાર્યકાળની સરખામણી પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહ સાથે કરી</h4><p style="text-align: justify; ">
</p><p style="text-align: justify; ">જોકે તેમણે સ્પષ્ટ કર્યું કે તેમનો મુખ્યમંત્રી સુખ્ખુ સાથે કોઈ વ્યક્તિગત વિવાદ નથી. તેમણે જણાવ્યું કે તેઓ સુખ્ખુને હંમેશા સંઘર્ષશીલ અને સિદ્ધાંતો પર ચાલતા નેતા તરીકે માનતા આવ્યા છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં પાર્ટીની કાર્યપદ્ધતિ પ્રત્યે તેમનો અસંતોષ વધ્યો છે.
</p><p style="text-align: justify; ">ભારતીએ મુખ્યમંત્રી સુખ્ખુના કાર્યકાળની સરખામણી પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના 2012થી 2017ના કાર્યકાળ સાથે કરી હતી. તેમણે કહ્યું કે તે સમયે કોઈને આશ્વાસન આપવામાં આવતું તો કામ બે દિવસમાં થઈ જતું હતું, જ્યારે હવે સ્થિતિ એવી છે કે કોઈને ખાતરી આપતા પહેલાં દસ વખત વિચારવું પડે છે કારણ કે આગળ શું થશે તેની કોઈ ખાતરી રહેતી નથી.
</p><p style="text-align: justify; ">તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે સરકાર દરેક બાબતને “નાણાંની અછત”નું કારણ બતાવીને ટાળી દે છે, જ્યારે વાસ્તવિક સમસ્યા નિર્ણય લેવાની ઇચ્છાશક્તિ અને યોગ્ય નિયતના અભાવની છે.
</p><p style="text-align: justify; ">ભારતીએ જણાવ્યું કે સરકારની કાર્યશૈલીની અસર હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં પણ જોવા મળી રહી છે.
</p><p style="text-align: justify; ">બીજી તરફ, મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખ્ખુએ આ સમગ્ર મુદ્દે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે નીરજ ભારતી “કોઈ મોટો મુદ્દો નથી.”
</p><p style="text-align: justify; ">કોંગ્રેસની વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પ્રતિભા સિંહએ જણાવ્યું કે પાર્ટી કાર્યકરોની વાત સાંભળવી જોઈએ અને લાંબા સમયથી પાર્ટી માટે કામ કરતા લોકોને સન્માન તથા પ્રોત્સાહન મળવું જોઈએ. તેમણે એ પણ કહ્યું કે નીરજ ભારતીની ફરિયાદોનો ઉકેલ ચર્ચા અને સંવાદ દ્વારા શોધવો જોઈએ.
</p><p style="text-align: justify; "><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/2A737SzHNzkieGAgsLliAScabSTHsIh5bR7YsCWl.webp'/></item><item><title><![CDATA[Valsad: વાપીના ડુંગરા વિસ્તારમાં છેડતીના આરોપસર બે શખ્સોએ યુવકને ડંડા વડે ઢોર માર માર્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/valsad/talibani-punishment-in-vapi--youth-brutally-beaten-in-public-over-molestation-allegations--video-viral</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/valsad/talibani-punishment-in-vapi--youth-brutally-beaten-in-public-over-molestation-allegations--video-viral</guid><pubDate>Sat, 06 Jun 2026 12:10:42 +05:30</pubDate><description><![CDATA[<p>વલસાડ જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા વાપીના ડુંગરા વિસ્તારમાંથી કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં સરેઆમ રસ્તા પર એક યુવકને બે શખ્સો દ્વારા નિર્દયતાપૂર્વક લોખંડ કે લાકડીના ડંડા વડે ફટકારીને ‘તાલિબાની સજા’ આપવામાં આવી છે. ધોળા દિવસે જાહેરમાં બનેલી આ હિંસક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ચકચાર મચી ગઈ છે અને પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે.</p><h2><b>વાપીના ડુંગરા વિસ્તારમાં યુવકને માર માર્યો</b></h2><p>સ્થાનિક સ્તરે ચાલતી ચર્ચાઓ અને સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, ભોગ બનનાર યુવકે કોઈ યુવતી કે મહિલાની છેડતી કરી હોવાનો આક્ષેપ હતો. આ છેડતીના આરોપનો બદલો લેવા અથવા પાઠ ભણાવવાના આશયથી બે શખ્સોએ કાયદો પોતાના હાથમાં લીધો હતો. તેમણે યુવકને રસ્તાની વચ્ચે આંતરીને તેના પર હિચકારો હુમલો કરી દીધો હતો. લુખ્ખા તત્વોએ કોઈ પણ પ્રકારના ડર વગર યુવકને જાહેરમાં ડંડા વડે બેરહેમીથી ઢોર માર માર્યો હતો અને લોકો જોતા રહ્યા હતા.</p><h3><b>પોલીસે શખ્સોની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી</b></h3><p>આ સમગ્ર ક્રૂરતાનો વીડિયો ત્યાં હાજર કોઈ વ્યક્તિએ કેમેરામાં કેદ કરી લીધો હતો, જે હવે સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થતાં જ સફાળી જાગેલી ડુંગરા પોલીસે આ મામલે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે વીડિયોના આધારે માર મારનારા બંને શખ્સોની ઓળખ મેળવવા અને ભોગ બનનાર યુવકની ભાળ મેળવવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે જણાવ્યું છે કે, ગુનો ગમે તે હોય પણ કોઈને કાયદો હાથમાં લેવાની સત્તા નથી અને આ કેસમાં કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/morbi/halvad-accident-5-youths-including-taluka-panchayat-member-dead-in-car-dumper-crash" target="_blank">આ પણ વાંચો: Halvad: રણછોડગઢમાં આક્રંદ વચ્ચે એકસાથે 5 અર્થીઓ ઉઠી, તાલુકા પંચાયત સદસ્ય સહિત 5 યુવાનોના મોત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/3XpLQ1Cn7RIqwnEwHWUSxQgv5HPKZPwAoH7mTmCC.webp'/></item><item><title><![CDATA[Uttarakhand : 'આ બાળક ને ટોપ મેજિશિયન્સમાં હોવું જોઈએ...' નૈનીતાલના નન્હે જાદૂગરના ફેન બન્યા આનંદ મહિન્દ્રા ]]></title><link>https://sandesh.com/india/news/anand-mahindra-wants-to-help-talented-nainital-street-magician-boy-sahil-viral-video</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/anand-mahindra-wants-to-help-talented-nainital-street-magician-boy-sahil-viral-video</guid><pubDate>Sat, 06 Jun 2026 11:59:39 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નૈનીતાલમાં તળાવના કિનારે, ઠંડી હવા અને પ્રવાસીઓની ભીડ વચ્ચે એક નાનું બાળક પોતાના હાથથી એવો જાદુ બતાવી રહ્યું છે કે જોનારા દંગ રહી જાય. ઉંમર નાની છે, પરંતુ હુનર એટલો મોટો છે કે દરેક ટ્રીક સાથે તાળીઓ આપોઆપ વાગવા લાગે છે. આ માસૂમ બાળકનો હુનર હવે આખા દેશના દિલ જીતી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોએ માત્ર ઇન્ટરનેટ યુઝર્સને જ ભાવુક નથી કર્યા, પરંતુ દેશના જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા પણ આ નાનકડા જાદુગરના ટેલેન્ટના મુરીદ થઈ ગયા છે.
</p><h2 style="text-align: justify; "><b>આનંદ મહિન્દ્રાએ મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી
</b></h2><p style="text-align: justify; ">મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ બાળકનો વીડિયો પોતાના એક્સ (X) એકાઉન્ટ પર શેર કરીને તેની મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આશરે 1 મિનિટ 39 સેકન્ડના આ વીડિયોમાં બાળક ખૂબ જ આત્મવિશ્વાસ અને માસૂમ અંદાજમાં જાદુ બતાવતું જોવા મળી રહ્યું છે. બાળકની કળા, તેની પ્રસ્તુતિ અને ચહેરાના હાવભાવે દરેક વ્યક્તિને પ્રભાવિત કર્યા.
<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/anandmahindra/status/2062820996156117045"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3 style="text-align: justify; "><b>સોશિયલ મીડિયા યુઝર્સને અપીલ
</b></h3><p style="text-align: justify; ">વીડિયો શેર કરતાં આનંદ મહિન્દ્રાએ લખ્યું, આ બાળક ખૂબ જ ટેલેન્ટેડ છે. શું તે અવારનવાર નૈનીતાલના રસ્તાઓ પર પ્રદર્શન કરે છે? હું માત્ર તેના ભણતરમાં મદદ કરવા નથી માગતો, પરંતુ જાદુ પ્રત્યેની તેની રુચિને પણ આગળ વધારવા માગુ છું. કેમ ન તે દુનિયાના શ્રેષ્ઠ જાદુગરોમાંથી એક બને? આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયા યુઝર્સને અપીલ કરતા કહ્યું કે જો કોઈની પાસે બાળક અથવા તેના પરિવારની માહિતી હોય, તો તેમનો સંપર્ક કરાવવામાં મદદ કરે.<br><img title="Anand Mahindra Nainital magician boy Sahil (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/06/06/Wn89FGjVv7prGuOfyzggGodYmLm4YOI5tkY2QDm0.webp"><br></p><h4 style="text-align: justify; "><b>આનંદ મહિન્દ્રાની પહેલના વખાણ
</b></h4><p style="text-align: justify; ">આનંદ મહિન્દ્રાની આ સંવેદનશીલ પહેલના સોશિયલ મીડિયા પર જોરદાર વખાણ થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં હજારો લોકો આ વીડિયોને લાઈક કરી ચૂક્યા છે, જ્યારે મોટી સંખ્યામાં યુઝર્સે કોમેન્ટ અને શેર કરીને બાળકના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી છે.
</p><h5 style="text-align: justify; "><b>હુનરને મળી નવી ઓળખ
</b></h5><p style="text-align: justify; ">નૈનીતાલના રસ્તાઓ પર પોતાના નાના-નાના હાથોથી જાદુ બતાવનારું આ બાળક આજે આશા, પ્રતિભા અને સપનાઓનું નવું ઉદાહરણ બની ગયું છે. કદાચ આ જ સોશિયલ મીડિયાની સુંદરતા છે, જ્યાં કોઈ ગુમનામ હુનરને ઓળખ મળે છે અને કોઈનું ભવિષ્ય બદલવા માટે મદદના હાથ આગળ વધે છે.
</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gallery/news/entertainment/how-much-land-does-amitabh-bachchan-own-ayodhya-alibaug-gujarat-property" target="_blank">આ પણ વાંચો-અમિતાભ બચ્ચન પાસે છે આટલા કરોડોની જમીન! અયોધ્યાથી અલીબાગ અને ગુજરાત સુધી ફેલાયેલી છે પ્રોપર્ટી!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/QeDz5OjVijgNctnivkLK8CFM2z08xeU9R80hHjj1.webp'/></item><item><title><![CDATA[Halvad: રણછોડગઢમાં આક્રંદ વચ્ચે એકસાથે 5 અર્થીઓ ઉઠી, તાલુકા પંચાયત સદસ્ય સહિત 5 યુવાનોના મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/morbi/halvad-accident-5-youths-including-taluka-panchayat-member-dead-in-car-dumper-crash</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/morbi/halvad-accident-5-youths-including-taluka-panchayat-member-dead-in-car-dumper-crash</guid><pubDate>Sat, 06 Jun 2026 11:57:18 +05:30</pubDate><description><![CDATA[<p>હળવદ તાલુકાના ચરાડવા નજીક ગત રાત્રે સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં કાળ આંબી ગયો છે. અત્રે કાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં હળવદ તાલુકા પંચાયત સદસ્ય સહિત રણછોડગઢ ગામના પાંચ આશાસ્પદ યુવાનોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આજે સવારે જ્યારે ગામમાંથી એકસાથે પાંચ યુવાનોની સ્મશાનયાત્રા (અર્થી) નીકળી ત્યારે આખું ગામ હિબકે ચઢ્યું હતું અને પથ્થર હૃદયના માણસની આંખોમાંથી પણ આસુ સરી પડ્યા હતા. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સમગ્ર હળવદ પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.</p><h2><b>ચરાડવા પાસે ડમ્પર અને કારનો અકસ્માત</b></h2><p>મળતી માહિતી મુજબ, ગત રાત્રે ચરાડવા નજીક કાર અને ડમ્પર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન વધુ બે યુવાનોએ દમ તોડી દેતા કુલ મૃત્યુઆંક પાંચ પર પહોંચ્યો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં રણછોડગઢ બેઠકના હળવદ તાલુકા પંચાયતના સદસ્ય પ્રેમજીભાઈ દઢૈયા, સુરેશ સિહોરા, ભરત દઢૈયા, વિરમ દઢૈયા અને પરેશ દઢૈયાનો સમાવેશ થાય છે. એક જ ગામના પાંચ-પાંચ રત્નો જેવા યુવાનો કાળનો કોળિયો બની જતાં પરિવારો પર આભ તૂટી પડ્યું છે.</p><h3><b>યુવાનોની સ્મશાનયાત્રામાં આખું ગામ હિબકે ચઢ્યું&nbsp;</b></h3><p>આ ભયાનક અકસ્માતમાં અન્ય બે યુવાનો પ્રકાશ દઢૈયા અને દિલીપ ભગવાનજીભાઈ દઢૈયાને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે, જેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ ઇમરજન્સી સારવાર માટે તાત્કાલિક રાજકોટ રિફર કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ હળવદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાવી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ ગમખ્વાર અકસ્માતે રણછોડગઢ ગામની દિવાળી જેવી શાંતિને માતમમાં ફેરવી દીધી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/car-overturns-near-sachin-gidc-passengers-miraculously-rescued" target="_blank">આ પણ વાંચો: Surat: સચિન GIDC પાસે કારનો કચ્ચરઘાણ, મુસાફરોનો ચમત્કારિક બચાવ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/2uVr9hge258zGqUVuq4ZMbqDRCVFbypo0hOJgwDa.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: મોટેરામાં સરકારી જમીન પર બનેલા આસારામ આશ્રમના સાધકોના 36 મકાનોનું ડિમોલિશન ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/demolition-of-36-houses-of-asaram-ashram-followers-built-on-government-land-in-motera</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/demolition-of-36-houses-of-asaram-ashram-followers-built-on-government-land-in-motera</guid><pubDate>Sat, 06 Jun 2026 11:56:02 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા જુના ગામતળમાં આજે વહેલી સવારથી જ હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના એસ્ટેટ વિભાગ દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ડિમોલિશનને પગલે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને તંત્રની ટીમનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. મામલો એટલો બિચક્યો હતો કે વિરોધ પ્રદર્શન કરી રહેલા અને તંત્રની કામગીરીમાં અવરોધ ઊભો કરી રહેલા કેટલાક સ્થાનિકોની પોલીસે અટકાયત પણ કરી છે.</p><h2><b>મોટેરામાં ભારે વિરોધ વચ્ચે AMCનું બુલડોઝર એક્શન</b></h2><p>આ ડિમોલિશન અંગે સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે અનેક અફવાઓ ઉડી હતી, જેના પર એસ્ટેટ વિભાગના અધિકારીએ સ્પષ્ટતા કરી છે. અધિકારીના જણાવ્યા અનુસાર, અહીં કોઈ આસારામ આશ્રમ તોડવામાં આવી રહ્યો નથી, પરંતુ આશ્રમના સાધકો દ્વારા સરકારી ગામતળની જમીન પર જે ગેરકાયદે મકાનો બનાવવામાં આવ્યા હતા, તેના પર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. એસ્ટેટ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે કુલ ૩૬ મકાનો તોડવાની કામગીરી હાથ ધરાઈ છે, જે માટે સ્થાનિકોને કોઈ અચાનક નોટિસ નથી અપાઈ પરંતુ 1 વર્ષ પહેલાં જ મકાન ખાલી કરી દેવા માટે કડક સૂચના આપવામાં આવી હતી.</p><h3><b>AMCના ડિમોલિશન સામે સ્થાનિકો આક્રોશિત</b></h3><p>બીજી તરફ, વર્ષોથી અહીં રહેતા સાધકો અને સ્થાનિક પરિવારોમાં ડિમોલિશનને પગલે ભારે આક્રંદ અને નારાજગી જોવા મળી રહી છે. ઉગ્ર આક્રોશ વચ્ચે કેટલાક સ્થાનિકોએ વહીવટી તંત્રને ડરાવવા આત્મવિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. જોકે, એએમસીની ટીમે કોઈ પણ દબાણમાં આવ્યા વગર ભારે પોલીસ પ્રોટેક્શન વચ્ચે ગેરકાયદે મકાનો જમીનદોસ્ત કરવાનું ચાલુ રાખ્યું છે. હાલ મોટેરા જુના ગામતળ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને શાંતિપૂર્ણ રીતે ડિમોલિશન પ્રક્રિયા આગળ વધે તેવા પ્રયાસો થઈ રહ્યા છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/mahisagar/scorpio-car-hits-3-children-near-lunawada-4-year-old-child-dies-after-being-seriously-injured-in-accident" target="_blank">આ પણ વાંચો: Mahisagar: લુણાવાડા પાસે સ્કોર્પિયો કારે 3 બાળકોને અડફેટે લીધા, અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા 4 વર્ષીય બાળકનું મોત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/FcPgflGJv5TuEm1YOdfW3j2EUnxSCdXAXdOpnmb5.webp'/></item><item><title><![CDATA[Surat: સચિન GIDC પાસે કારનો કચ્ચરઘાણ, મુસાફરોનો ચમત્કારિક બચાવ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/car-overturns-near-sachin-gidc-passengers-miraculously-rescued</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/car-overturns-near-sachin-gidc-passengers-miraculously-rescued</guid><pubDate>Sat, 06 Jun 2026 11:38:20 +05:30</pubDate><description><![CDATA[<p>સચિન GIDC નજીકથી પસાર થતા હજીરા-પલસાણા રોડ પર મોડી રાત્રે એક કાળજું કંપાવનારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે જઈ રહેલી એક કારના ચાલકે અચાનક જ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો, જેને કારણે બેકાબૂ બનેલી કાર હાઇવેની સાઇડમાં આવેલી લોખંડની રેલિંગ સાથે ધડાકાભેર ભટકાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે રેલિંગ કારની આરપાર નીકળી ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને કારનો અંદરના ભાગ સુધી કચ્ચરઘાણ નીકળી ગયો હતો.</p><h2><b>હજીરા-પલસાણા રોડ પર ભયાનક અકસ્માત</b></h2><p>અકસ્માતની તીવ્રતા જોતા એમ જ લાગતું હતું કે કારમાં સવાર લોકો માટે આ જીવલેણ સાબિત થયો હશે. જોકે, આ ભયાનક દુર્ઘટનામાં એક મોટો ચમત્કાર જોવા મળ્યો હતો. કારનો લોચો વળી ગયો હોવા છતાં તેમાં સવાર તમામ લોકોનો આબાદ અને ચમત્કારિક બચાવ થયો છે. અકસ્માતમાં કોઈ પણ વ્યક્તિને ગંભીર ઈજા કે જાનહાનિ થઈ નથી, માત્ર કારમાં સવાર લોકોને સામાન્ય નાની-મોટી ઈજાઓ પહોંચી છે.</p><h3><b>સચિન GIDC પાસે કારનો કચ્ચરઘાણ</b></h3><p>ઘટનાને પગલે હાઇવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. કોઈ મોટી દુર્ઘટના કે મોતના સમાચાર ન આવતા લોકો અને વહીવટી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટના અંગે સચિન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનને રોડ પરથી બાજુ પર ખસેડી ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો અને આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/demolition-of-36-houses-of-asaram-ashram-followers-built-on-government-land-in-motera" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: મોટેરામાં સરકારી જમીન પર બનેલા આસારામ આશ્રમના સાધકોના 36 મકાનોનું ડિમોલિશન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/65e4dqPfuR1BQOzWjXLCi5WrgGRA0JfgfuZNdUz3.webp'/></item><item><title><![CDATA[Yaadein : એક જ વ્યક્તિ, એ જ ડિરેક્ટર-પ્રોડ્યુસર અને એક્ટર! 62 વર્ષ પહેલાં આવેલી આ ફિલ્મે બનાવ્યો હતો વર્લ્ડ રેકોર્ડ ]]></title><link>https://sandesh.com/entertainment/news/sunil-dutt-birthday-special-yaadein-1964-guinness-record-single-actor-movie</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/sunil-dutt-birthday-special-yaadein-1964-guinness-record-single-actor-movie</guid><pubDate>Sat, 06 Jun 2026 11:30:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આજના સમયમાં કોઈપણ ફિલ્મ બનાવવા માટે સેંકડો લોકોની ટીમ કામ કરે છે. ડિરેક્ટર અલગ હોય છે, પ્રોડ્યુસર અલગ અને કલાકારોની આખી ફોજ પડદા પર જોવા મળે છે. પરંતુ શું તમે કલ્પના કરી શકો છો કે એક એવી ફિલ્મ પણ બની હતી, જેમાં આખી સ્ટોરીનો ભાર માત્ર એક જ માણસના ખભા પર હતો? એટલું જ નહીં, એ પોતે જ ફિલ્મનો હીરો હતો, અને એ જ તેનો પ્રોડ્યુસર તથા ડિરેક્ટર પણ હતો.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>મલ્ટિસ્ટારર ફિલ્મોનો જમાનો હતો…
</b></h2><p style="text-align: justify; ">બોલીવુડના દિગ્ગજ એક્ટર સુનિલ દત્તની ફિલ્મ યાદેં વર્ષ 1964માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક ખૂબ જ ખાસ સ્થાન ધરાવે છે. તે સમયગાળામાં જ્યારે મલ્ટિસ્ટારર ફિલ્મોનો ટ્રેન્ડ વધી રહ્યો હતો, ત્યારે સુનિલ દત્તે એક એવો એક્સપેરિમેન્ટ કર્યો જેને લોકો આજે પણ યાદ કરે છે. સૌથી હેરાન કરનારી વાત એ છે કે આખી ફિલ્મમાં પડદા પર માત્ર તે એક જ કલાકારનો ચહેરો દેખાયો હતો. આ જ કારણ છે કે 62 વર્ષ પહેલા રિલીઝ થયેલી આ અનોખી ફિલ્મનું નામ આજે પણ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાયેલું છે. જો કે, આજે એક્ટર આપણી વચ્ચે નથી, પરંતુ તેમની ફિલ્મોની ચર્ચાઓ આજે પણ થાય છે.
</p><h3 style="text-align: justify; "><b>એકમાત્ર એક્ટર હતા સુનિલ દત્ત
</b></h3><p style="text-align: justify; ">યાદેંને સુનિલ દત્તે પોતે પ્રોડ્યુસ કરી હતી અને આનું ડિરેક્શન પણ તેમણે જ કર્યું હતું. એટલું જ નહીં, ફિલ્મમાં લીડ રોલ ભજવનાર પણ તેઓ પોતે જ હતા. આખી ફિલ્મ એક એવા વ્યક્તિની સ્ટોરી પર આધારિત હતી, જે પોતાના જીવન, સંબંધો અને વીતેલી ક્ષણોને યાદ કરે છે. ફિલ્મનો મોટાભાગનો હિસ્સો તેના એકલવાયાપણું, વિચારો અને ઇમોશનલ સ્ટ્રગલની આસપાસ ફરે છે. આ ફિલ્મની સૌથી મોટી ખાસિયત એ જ હતી કે સ્ક્રીન પર લગભગ આખી ફિલ્મ દરમિયાન માત્ર સુનિલ દત્ત જ જોવા મળે છે.
</p><h4 style="text-align: justify; "><b>નર્ગિસની ઝલક દેખાઈ હતી
</b></h4><p style="text-align: justify; ">બાકીના પાત્રોની હાજરી માત્ર અવાજો અથવા ઉલ્લેખ દ્વારા જ અનુભવાય છે. તે સમયે આ એક્સપેરિમેન્ટ ખૂબ જ સાહસિક માનવામાં આવ્યો હતો, કારણ કે દર્શકો સામાન્ય રીતે ઘણા કલાકારોવાળી ફિલ્મો જોવાના ટેવાયેલા હતા. પરંતુ, સુનિલ દત્તે સાબિત કરી દીધું કે દમદાર સ્ટોરી અને પ્રભાવશાળી એક્ટિંગના જોરે એક એકલો કલાકાર પણ આખી ફિલ્મ સંભાળી શકે છે. જો કે, ફિલ્મના અંતમાં તેમની પત્ની નર્ગિસની ઝલક બતાવવામાં આવી હતી, જે માત્ર તસવીરમાં જ હતી.
</p><h4 style="text-align: justify; "><b>શું હતી ફિલ્મની સ્ટોરી?
</b></h4><p style="text-align: justify; ">ફિલ્મમાં એકમાત્ર એક્ટર સુનિલ દત્ત હતા. ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો, આ એક એવા માણસની સ્ટોરી છે જે ઘરે આવે છે અને ત્યાં પોતાની પત્ની અને બાળકોને જોતો નથી. તેને લાગે છે કે બધા તેને છોડીને ચાલ્યા ગયા છે. જે પછી તે માણસ પોતાના પરિવારના લોકો સાથે વિતાવેલી જિંદગીને યાદ કરતો રહે છે. આગળ તે તેમના વિનાની પોતાની જિંદગીથી ડરીને, પોતાની બધી ભૂતકાળની ભૂલો પર પસ્તાવો કરે છે.
</p><h5 style="text-align: justify; "><b>ગિનીઝ બુકમાં નોંધાયેલું છે નામ
</b></h5><p style="text-align: justify; ">યાદેંની આ જ અનોખી સિદ્ધિએ તેને ઇન્ટરનેશનલ લેવલ પર ઓળખ અપાવી. ફિલ્મનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધવામાં આવ્યું, કારણ કે આ લાંબા સમય સુધી એવી ફિલ્મ માનવામાં આવી જેમાં માત્ર એક જ એક્ટર પડદા પર દેખાય છે. ભારતીય સિનેમા માટે આ એક મોટી ઉપલબ્ધિ હતી, જેણે દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. ફિલ્મનો રનટાઇમ 113 મિનિટનો હતો. ફિલ્મનું લેખન અખ્તર-ઉલ-ઈમાને કર્યું હતું અને ફિલ્મના ગીતો વસંત દેસાઈએ લખ્યા હતા.
</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gallery/news/entertainment/how-much-land-does-amitabh-bachchan-own-ayodhya-alibaug-gujarat-property" target="_blank">આ પણ વાંચો-અમિતાભ બચ્ચન પાસે છે આટલા કરોડોની જમીન! અયોધ્યાથી અલીબાગ અને ગુજરાત સુધી ફેલાયેલી છે પ્રોપર્ટી!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/xUJ0oKe8VTQzOqR2g1hkqDEnV5Vv5xvEsuviFYvu.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : મોટેરામાં AMCના બુલડોઝર એક્શન સામે આક્રોશ, વિરોધ કરી રહેલા સ્થાનિકોની પોલીસે કરી અટકાયત ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-motera-gam-amc-demolition-locals-detained-protest</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-motera-gam-amc-demolition-locals-detained-protest</guid><pubDate>Sat, 06 Jun 2026 11:03:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા જૂના ગામતળની જમીન પર આજે વહેલી સવારથી જ ભારે વિરોધ અને હોબાળા વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરાતા જ સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. માહોલ વધુ વણસે નહીં તે માટે મનપાની ટીમ સાથે આવેલા ચુસ્ત પોલીસ કાફલા દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહેલા અનેક સ્થાનિકોની ઘટનાસ્થળેથી જ અટકાયત કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>36 જેટલા ગેરકાયદેસર મકાનો તોડવાની કામગિરી
</b></h2><p style="text-align: justify; ">મળતી વિગતો મુજબ, મોટેરા ગામતળના આશારામ આશ્રમ નજીક આવેલા અંદાજે 36 જેટલા ગેરકાયદેસર મકાનો અને બાંધકામોને દૂર કરવા માટે એએમસીની ટીમ સવારે જેસીબી અને મશીનરી સાથે ત્રાટકી હતી. પોતાના પાકા મકાનો તૂટતા જોઈને સ્થાનિક પરિવારો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તંત્રની કામગીરીનો ઉગ્ર વિરોધ કર્યો હતો.
</p><h3 style="text-align: justify; "><b>આ મકાનો વર્ષો જૂના ગામતળના છે
</b></h3><p style="text-align: justify; ">&nbsp;તંગદિલી એટલી હદે વધી ગઈ હતી કે કેટલાક રહીશોએ વહીવટી તંત્રને રોકવા માટે જાહેરમાં આત્મવિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારી દીધી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ મકાનો વર્ષો જૂના ગામતળના છે અને યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા વિના જ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
</p><h4 style="text-align: justify; "><b>સ્થાનિકોની અટકાયત
</b></h4><p style="text-align: justify; ">જો કે, સ્થાનિકોના વિરોધ અને આત્મવિલોપનની ચીમકી સામે નમતું જોખવાને બદલે મનપા અને પોલીસ તંત્રએ કડક વલણ અપનાવ્યું હતું. સ્થળ પર તૈનાત એસીપી અને પીઆઈ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા આગેવાનો અને સ્થાનિકોની અટકાયત કરીને પોલીસ વાનમાં પૂરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ ચુસ્ત પોલીસ બંદોબસ્તની હાજરીમાં મકાનો તોડી પાડવાનું ઓપરેશન આગળ ધપાવવામાં આવ્યું હતું. હાલ સમગ્ર મોટેરા ગામમાં પોલીસ છાવણી જેવો માહોલ સર્જાયો છે અને તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ રાખવામાં આવી છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-live--gujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-live-news-and-samachar-06-june-2026-politics-weather-updates-daily-breaking-news-nation" target="_blank"><b>Gujarat Latest News live : અમદાવાદના મોટેરામાં વિરોધ વચ્ચે ડિમોલિશન શરુ, સ્થાનિકોની અટકાયત</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/rm7hLB5kxYTRMDjjrZhtbcvnVNzh6smHOU4sYTjQ.webp'/></item><item><title><![CDATA[FIFA 2026 Controversies : ફૂટબોલ વર્લ્ડ કપથી બહાર થશે ઈરાન? USએ વિઝા અટકાવતા ટૂર્નામેન્ટ પર સંકટના વાદળો! ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-2026-controversies-will-iran-be-out-of-the-football-world-cup-us-visa-ban-casts-doubt-on-tournament</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-2026-controversies-will-iran-be-out-of-the-football-world-cup-us-visa-ban-casts-doubt-on-tournament</guid><pubDate>Sat, 06 Jun 2026 10:50:33 +05:30</pubDate><description><![CDATA[<p>વિશ્વના સૌથી મોટા રમત ઉત્સવ પૈકીના એક એવા FIFA ફૂટબોલ વર્લ્ડ કપ 2026ની શરૂઆત આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છેત્યારે રમત જગતમાં એક મોટો રાજદ્વારી અને રમતગમત વિવાદ સામે આવ્યો છે.ઈરાનની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ પર અમેરિકા પ્રવેશવા માટે વિઝા સંકટ ઊભું થયું છે.સંયુક્ત રાજ્ય અમેરિકા (US) તરફથી હજુ સુધી વિઝા ક્લિયરન્સ ન મળવાને કારણે ઈરાનની આખી ફૂટબોલ ટીમ અને સપોર્ટ સ્ટાફ ભારે ચિંતામાં મુકાયા છે.
</p><h3><b>રાજકીય તણાવની રમત પર અસર?
</b></h3><p>અમેરિકા અને ઈરાન વચ્ચેના ભૌગોલિક-રાજકીય (Geopolitical) તણાવની અસર હવે રમતગમતના મેદાન પર પણ દેખાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.વર્ષ 2026નો ફિફા વર્લ્ડ કપ અમેરિકા,કેનેડા અને મેક્સિકો દ્વારા સંયુક્ત રીતે હોસ્ટ કરવામાં આવી રહ્યો છે,જેમાં ઈરાનની ટીમે પણ ક્વોલિફાય કર્યું છે.જોકે,યુએસ વિઝા પોલિસી અને બંને દેશો વચ્ચેના સંબંધોને કારણે ખેલાડીઓના દસ્તાવેજોની પ્રક્રિયા અટકી પડી છે.</p><h4><b>ફૂટબોલ ફેન્સની ચિંતા વધી
</b></h4><p>જો સમયસર અમેરિકા સરકાર ઈરાનની ટીમને વિઝા મંજૂર નહીં કરે, તો ઈરાન વર્લ્ડ કપની પોતાની શરૂઆતની મેચો ગુમાવી શકે છે અથવા ટૂર્નામેન્ટમાંથી બહાર થવું પડી શકે છે. આ મામલે ઈરાન ફૂટબોલ ફેડરેશને ફિફા સમક્ષ પણ સત્તાવાર રજૂઆત કરી છે, કારણ કે ફિફાના નિયમો મુજબ યજમાન દેશે ક્વોલિફાય થયેલી તમામ ટીમોના ખેલાડીઓને દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવી ફરજિયાત હોય છે. હવે આખી દુનિયાની નજર યુએસ વહીવટીતંત્રના આગામી નિર્ણય પર ટકેલી છે.</p><h5><b>ટીમનો બેઝ કેમ્પ મેક્સિકોમાં હશે
</b></h5><p>ઈરાની ટીમના ખેલાડીઓને મેક્સિકોના વિઝા મળી ગયા છે. વર્લ્ડ કપ દરમિયાન ટીમનો બેઝ કેમ્પ તિજુઆના, મેક્સિકોમાં હશે. રસપ્રદ વાત એ છે કે, 2026નો વર્લ્ડ કપ સંયુક્ત રીતે યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા અને મેક્સિકો દ્વારા યોજાઈ રહ્યો છે. જોકે ઈરાનની ટીમ મેક્સિકોમાં રહેશે, પરંતુ તેની ગ્રુપ G ની ત્રણેય મેચ યુનાઈટેડ સ્ટેટ્સમાં રમાશે. પરિણામે, ટીમને દરેક મેચ માટે મેક્સિકોથી USA જવું પડશે, જેમાં યુએસ વિઝાની જરૂર પડશે.</p><h5><b>USA માં ઈરાનનો મેચ શેડ્યૂલ
</b></h5><p>ઈરાની ટીમ ટુર્નામેન્ટનો પોતાનો પહેલો મુકાબલો 16 જૂને ન્યુઝીલેન્ડ સામે રમશે. ત્યારબાદ 21 જૂને તેનો મુકાબલો બેલ્જિયમ સામે થશે. 26 જૂને ઈરાન ઈજિપ્ત સામે રમશે. વિઝાની સમસ્યાઓ વચ્ચે, ઈરાની ફૂટબોલ ટીમ વર્લ્ડ કપ માટે સતત મહેનત કરી રહી છે.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/world-yoga-championship-india-dominates-on-the-first-day-itself-5-out-of-6-gold-medals-in-the-name-of-the-country" target="_blank">World Yoga Championship: પ્રથમ દિવસે જ ભારતનો દબદબો, 6માંથી 5 ગોલ્ડ મેડલ દેશના નામે</a>
</p><p><br></p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/lvOHhfaiEkEhzNNvfJSp2FLBVn06xs8yw5hvRGJY.webp'/></item><item><title><![CDATA[Gold Price Today : સસ્તું થયું સોનું! કિંમતમાં મોટો ઘટાડો, ચાંદીની ચમક પણ પડી ફીકી! ]]></title><link>https://sandesh.com/business/news/india/gold-silver-rate-today-big-drop-in-gold-and-silver-prices</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/gold-silver-rate-today-big-drop-in-gold-and-silver-prices</guid><pubDate>Sat, 06 Jun 2026 10:40:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આજે ભારતીય સર્રાફા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે. અમેરિકામાં મજબૂત રોજગારના આંકડા આવવાને કારણે અને ડોલર મજબૂત થવાને લીધે વૈશ્વિક સ્તરે નફાખોરી (પ્રોફિટ બુકિંગ) થઈ છે. આનાથી સ્થાનિક બજાર (MCX) પર બંનેની કિંમતો ઓછી થઈ છે.
<br></p><h2 style="text-align: justify;"><b>સોના-ચાંદીમાં ઘટાડો!</b></h2><p></p><p style="text-align: justify; ">ગઈકાલે એટલે કે શુક્રવારે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અને MCXમાં સોનું અંદાજે 1600 થી 1850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી તૂટીને બંધ થયું. ચાંદીનું ક્લોઝિંગ પણ પ્રતિ કિલોગ્રામ 4000-5800 રૂપિયા સુધીના ઘટાડા સાથે થયું. કારણ કે શનિવાર અને રવિવારે IBJA અને MCX વાયદા બજાર બંને બંધ રહે છે, તેથી કિંમતો ગઈકાલના નીચલા સ્તર પર જ બનેલી છે.
<br></p><h3 style="text-align: justify;"><b>મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)</b></h3><p></p><table class="table table-bordered" style="text-align: justify;"><tbody><tr><td><b>શહેર</b></td><td><b>24 કેરેટ સોનાની કિંમત</b></td><td><b>22 કેરેટ સોનાની કિંમત</b></td></tr><tr><td>દિલ્હી</td><td>1,55,910</td><td>1,40,150</td></tr><tr><td>મુંબઈ</td><td>1,52,730</td><td>1,40,000</td></tr><tr><td>કોલકાતા</td><td>1,52,730</td><td>1,40,000</td></tr><tr><td>ચેન્નઈ</td><td>1,54,910</td><td>1,42,000</td></tr><tr><td>અમદાવાદ</td><td>1,55,810</td><td>1,40,050</td></tr><tr><td>રાજકોટ</td><td>1,55,810</td><td>1,40,050</td></tr></tbody></table><h3 style="text-align: justify; "><b>ચાંદીની કિંમત
</b></h3><p style="text-align: justify; ">આજે ભારતમાં ચાંદીની સરેરાશ રિટેલ કિંમત 2,74,900 થી 2,79,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામની વચ્ચે બનેલી છે. દિલ્હીમાં ચાંદીની કિંમત 10 ગ્રામ માટે 2749 રૂપિયા અને એક કિલોગ્રામની કિંમત 2,79,900 રૂપિયા છે. મુંબઈ અને કોલકાતામાં 10 ગ્રામ અને એક કિલો ચાંદીની કિંમત અનુક્રમે 2750 રૂપિયા અને 2,75,000 રૂપિયા છે. વળી, ચેન્નઈમાં કિંમતો થોડી વધારે એટલે કે પ્રતિ ગ્રામ 2800 રૂપિયા અને પ્રતિ કિલોગ્રામ 2,80,000 રૂપિયા છે.
</p><h4 style="text-align: justify; "><b>કેમ ઘટી સોના-ચાંદીની કિંમત?
</b></h4><ol><li style="text-align: justify;"><b>મજબૂત અમેરિકી લેબર ડેટા:</b> અમેરિકામાં મે દરમિયાન અંદાજ કરતાં ક્યાંય વધુ (1.72 લાખ) નવી નોકરીઓ વધી. આનાથી અમેરિકી અર્થતંત્ર મજબૂત દેખાઈ રહ્યું છે. એવામાં અમેરિકી ફેડરલ રિઝર્વ (US Fed) દ્વારા વ્યાજ દરોમાં ટૂંક સમયમાં કાપ મૂકવાની આશા નથી. ઊંચા વ્યાજ દરોની સંભાવનાઓ વચ્ચે રોકાણકારો સોનામાંથી પૈસા નીકાળી રહ્યા છે.
</li><li style="text-align: justify;"><b>આંતરરાષ્ટ્રીય સ્તરે વેચવાલી:</b> વૈશ્વિક બજાર (Spot Market) માં સોનું 4450 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 73 ડોલર પ્રતિ ઔંસની નીચે આવી ગઈ છે, જેના કારણે ભારતમાં કિંમતો ઘટી છે.
</li><li style="text-align: justify;"><b>મિડલ ઇસ્ટમાં શાંતિની આશાઓ: </b>ઇઝરાયેલ અને લેબેનાન વચ્ચે યુદ્ધવિરામ (સીઝફાયર) ના સમાચારોથી પણ બજારમાં રોકાણકારો વચ્ચે ગભરાટ ઓછો થયો છે અને તેમનું વલણ સુરક્ષિત રોકાણ (Safe Heaven) તરફથી થોડું ઓછું થયું છે.</li></ol><h6 style="text-align: justify;"><b>Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.
</b></h6><p style="text-align: justify;"><a href="https://sandesh.com/gallery/news/entertainment/how-much-land-does-amitabh-bachchan-own-ayodhya-alibaug-gujarat-property" target="_blank">આ પણ વાંચો-અમિતાભ બચ્ચન પાસે છે આટલા કરોડોની જમીન! અયોધ્યાથી અલીબાગ અને ગુજરાત સુધી ફેલાયેલી છે પ્રોપર્ટી!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/e5PLL8r70JqJMB9QZx6NQhcu1EzjovAiK2Zw3eBg.webp'/></item></channel></rss>