<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Gandhinagar: મોદી સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ, રાજ્યભરમાં ભાજપની ભવ્ય ઉજવણી, મંદિરોમાં મહાઆરતી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/gandhinagar/gandhinagar-modi-govt-12-years-completion-bjp-celebration-gujarat-cm-bhupendra-patel</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/gandhinagar/gandhinagar-modi-govt-12-years-completion-bjp-celebration-gujarat-cm-bhupendra-patel</guid><pubDate>Wed, 10 Jun 2026 08:34:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify;">કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારના યશસ્વી 12 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે આજે સમગ્ર ગુજરાત ભાજપમય બન્યું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આ ખાસ ઉપલબ્ધિને યાદગાર બનાવવા માટે રાજ્યવ્યાપી ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.</p><h2 style="text-align: justify;"><b>એકસાથે મહાઆરતીનું આયોજન
</b></h2><p style="text-align: justify;">&nbsp;આ અંતર્ગત ગુજરાતભરના સુપ્રસિદ્ધ અને સ્થાનિક મંદિરોમાં એકસાથે મહાઆરતીનું આયોજન કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ, ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય અને સમૃદ્ધ જીવન માટે વિશેષ પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. આ ધાર્મિક અને રાષ્ટ્રહિતના મહોત્સવમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને કાર્યકરો જોડાયા હતા.
</p><h3 style="text-align: justify;"><b>અડાલજ ત્રિમંદિર ખાતે ખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરતી કરી
</b></h3><p style="text-align: justify;">આ રાજ્યવ્યાપી ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર નજીક આવેલા અડાલજ ત્રિમંદિર ખાતે એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ મુખ્ય કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ ત્રિમંદિરમાં પૂજા-અર્ચના અને મહાઆરતી કરીને પીએમ મોદીના સ્વસ્થ જીવનની કામના કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે સરકારની 12 વર્ષની જનકલ્યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવા માટે 'અવિરત વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ' નામના વિશેષ મહા-અભિયાનનો વિધિવત પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
</p><h4 style="text-align: justify;"><b>સિદ્ધિઓને રજૂ કરતા વિવિધ કાર્યક્રમો યોજાશે
</b></h4><p style="text-align: justify;">ગુજરાત ભાજપના પ્રદેશ કક્ષાના ટોચના આગેવાનો, સાંસદો, ધારાસભ્યો, સ્થાનિક પદાધિકારીઓ અને પાયાના કાર્યકરો સહિત સામાન્ય નાગરિકો પણ આ ઉત્સવમાં ભારે ઉત્સાહભેર જોડાયા હતા. દરેક જિલ્લા અને તાલુકા મથકોએ પીએમ મોદીના 12 વર્ષના શાસનકાળ દરમિયાન દેશમાં થયેલા ઐતિહાસિક નિર્ણયો, આર્થિક પ્રગતિ અને ગરીબ કલ્યાણની યોજનાઓની સિદ્ધિઓને રજૂ કરતા વિવિધ કાર્યક્રમો યોજાશે. ભાજપ સંગઠન દ્વારા આ આખા સપ્તાહ દરમિયાન જનસંપર્ક અને લોકજાગૃતિના અનેકવિધ સામાજિક કાર્યોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય વિકાસના આ અવિરત રથને આગળ ધપાવવાનો છે.</p><p style="text-align: justify;"><br></p><p style="text-align: justify;">આ પણ વાંચો----&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-gujarat-latest-news-live-and-samachar-10-june-2026-politics-weather-updates-daily-breaking-news-natio-1" target="_blank"><b>&nbsp;Gujarat Latest News Live : રાજ્યમાં ગરમી સાથે વરસાદની આગાહી</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/10/2GRRVO2IOIrR2XbBe8NaLfYgY5eAayeU0Vl9f8qg.webp'/></item><item><title><![CDATA[Rajkot : કાળ બનીને આવેલી ટ્રક નીચે બાઇક ચગદાયું, ચાલકે હવામાં લગાવી એવી છલાંગ કે મોતના મુખમાંથી પાછો આવ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/rajkot/rajkot-gondal-highway-accident-bike-rider-miraculous-escape-truck-crash</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/rajkot/rajkot-gondal-highway-accident-bike-rider-miraculous-escape-truck-crash</guid><pubDate>Wed, 10 Jun 2026 08:19:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કહેવાય છે કે આયુષ્ય લાંબુ હોય તો કાળ પણ તમારો વાળ વાંકો કરી શકતો નથી. આવી જ એક હૃદયધબકાવતી અને ચમત્કારિક ઘટના રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પરથી સામે આવી છે. હાઇવે પર ખોડિયાર હોટેલ નજીક એક પ્રચંડ ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક આખેઆખું ટ્રકના તોતિંગ વ્હીલ નીચે આવી ગયું હતું. પરંતુ, બાઇક સવાર યુવકની સમયસૂચકતા અને અદભુત ચાલાકીના કારણે તેનો આબાદ બચાવ થયો છે. આ સમગ્ર ઘટના હાઇવે પરથી પસાર થતા લોકોની નજરે ચડતા થોડીવાર માટે સૌના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.</p><h2 style="text-align: justify; "><b>ટ્રકે મોટરસાયકલને અડફેટે લીધી
</b></h2><p style="text-align: justify; ">મળતી વિગતો મુજબ, રાજકોટ-ગોંડલ હાઇવે પર ભારે ટ્રાફિક વચ્ચે એક પુરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે મોટરસાયકલને અડફેટે લીધી હતી. અકસ્માતની બરાબર એ જ સેકન્ડે બાઇક ચાલક સમજી ગયો હતો કે જો તે બાઇક પર રહેશે તો કચડાઈ જશે. 
</p><h3 style="text-align: justify; "><b>ચાલુ બાઇકે હવામાં જોરદાર કૂદકો લગાવી દીધો
</b></h3><p style="text-align: justify; ">તેણે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ચાલુ બાઇકે હવામાં જોરદાર કૂદકો લગાવી દીધો હતો અને રોડની સાઇડમાં જઈ પડ્યો હતો. બીજી જ સેકન્ડે બેકાબૂ ટ્રક આખા ટુ-વ્હીલર પર ફરી વળી હતી. બાઇકનો કુરચો બોલી ગયો હતો, પરંતુ યુવકને માત્ર સામાન્ય ઈજાઓ થઈ હતી.
</p><h4 style="text-align: justify; "><b>વાહનોની લાંબી કતારો લાગી ગઈ 
</b></h4><p style="text-align: justify; ">આ અકસ્માતમાં સદનશીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જે કોઈ મોટા ચમત્કારથી ઓછી નથી. જોકે, હાઇવે પર બનેલી આ ગંભીર ઘટનાને પગલે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને મોટો ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનીય પોલીસ અને હાઇવે ઓથોરિટીની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ટ્રક નીચે ફસાયેલા બાઇકને બહાર કઢાવીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવવાની કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માતનો વીડિયો અને વિગતો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકો બાઇક સવારની સ્માર્ટનેસના વખાણ કરી રહ્યા છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-gujarat-latest-news-live-and-samachar-10-june-2026-politics-weather-updates-daily-breaking-news-natio-1" target="_blank"><b>Gujarat Latest News Live : રાજ્યમાં ગરમી સાથે વરસાદની આગાહી</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/10/Agc5hWGdHmcgrGzzzolK67PWrJYX3DDGtsFSBFGD.webp'/></item><item><title><![CDATA[Vadodara: શિનોર કડિયાવાડથી ટીમ્બા ફળિયા સુધી આરસીસી રોડનું ખાતમુહૂર્ત ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-foundation-stone-laying-ceremony-of-rcc-road-from-shinor-kadiawad-to-timba-phalia</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-foundation-stone-laying-ceremony-of-rcc-road-from-shinor-kadiawad-to-timba-phalia</guid><pubDate>Wed, 10 Jun 2026 05:53:51 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">શિનોર : શિનોર ગામમાં છેલ્લા એક વર્ષથી વિકાસના કામો નાની ભાગોળ વિસ્તાર, કોલોનીમા સતત ચાલે છે. કોલોની, કડીયાવાડ, ડબ્બી ફ્ળિયું, લક્ષ્મીચોક, સિંધીવાડ અને ભટ્ટશેરી વિસ્તારના લોકોની વર્ષોની ગટર લાઈનની માગણીને ગ્રામ પંચાયતના મહિલા સરપંચ કિન્નલબેન પટેલ અને ઉપસરપંચ નિતિન ખત્રીની રજુઆતોના પગલે તત્કાલિન તાલુકા પંચાયત પ્રમુખ અને સરપંચ પતિ સચિન પટેલ દ્વારા જુદી-જુદી તાલુકા પંચાયતમા આવતી ગ્રાન્ટમાંથી 50 લાખ ઉપરાંતની ફળવી આપતા ગટર લાઈનનું કામ છેલ્લા એક વર્ષ થી ચાલે છે. તેમજ જોરભાઈના ફ્ળીયાથી લક્ષ્મીચોક સી.સી રોડ રૂા.2 લાખ અને લક્ષ્મીચોકથી નાની ભાગોળ ગેસ એજન્સી સુધી રૂા.5 લાખના આરસીસીનું કામ પણ કરાયું હતું. આજે નાણાંપંચની ગ્રાન્ટમાંથી રૂા.5 લાખના ખર્ચે કડીયાવાડથી ટીમ્બાફ્ળી જવાના માર્ગનું ખાતમુહૂર્ત એપીએમસી ચેરમેન સચિન પટેલ અને ઉપ સરપંચ નિતિન ખત્રી, ગ્રામ પંચાયત સભ્યોની ઉપસ્થિતમાં કરાયું હતું. ચોમાસા પહેલા કામ ચાલુ થતાં આનંદ ફેલાયો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/10/UT5WX2TQkIF5uOQ49vRg1lLmWMj3du0ahHspXCzQ.webp'/></item><item><title><![CDATA[Tharad: ધાનેરા પંથકમાં મોટી દીકરીનો પતિ સગીર સાળીને ભગાડી ફરાર થઇ ગયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/tharad/tharad-in-dhanera-panthak-the-husband-of-the-elder-daughter-chased-away-the-minor-sister-in-law-and-absconded</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/tharad/tharad-in-dhanera-panthak-the-husband-of-the-elder-daughter-chased-away-the-minor-sister-in-law-and-absconded</guid><pubDate>Wed, 10 Jun 2026 05:53:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ધાનેરા તાલુકાના એક ગામમાં સગાઈના સંબંધને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં મોટી દીકરીના પતિએ પોતાની સગીર સાળીને લલચાવી-ફેસલાવીને ભાગી છૂટતા પરિવારજનોએ ધાનેરા પોલીસ મથકે સગીર દીકરીનું અપહરણ થયાની ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ, ધાનેરા તાલુકાના એક ગામની મોટી દીકરીની સગાઈ ધાનેરા નજીકના જ એક ગામના યુવક સાથે નક્કી કરવામાં આવી હતી. આથી આ યુવક અવારનવાર પોતાના સાસરી પક્ષના ગામમાં મળવા માટે આવતો હતો. ગતરોજ જ્યારે પરિવારના સભ્યો ખેતરે ગયા હતા, ત્યારે આ યુવક ઘરે આવ્યો હતો. ઘરે હાજર તેની નાની સગીર સાળી અને એક નાના સગીર સાળાને તે બજારમાં ચોકલેટ તેમજ દૂધ અપાવવાના બહાને દુકાને લઈ ગયો હતો. આ મામલે સગીરાના પરિવારજનોએ તાત્કાલિક ધાનેરા પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર ઘટના અંગે વિગતવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભોગ બનનાર સગીરાના પરિવારની ફરિયાદના આધારે આરોપી જીજાજી વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા અને સગીરાને હેમખેમ પરત લાવવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/10/O3DuonGkNfOTcYdvcy7403pCtPUWhLTVH9Zot24U.webp'/></item><item><title><![CDATA[Vadodara: ઉદલપુર-જાનીપુરા ગ્રામજનોનો BD પટેલ ક્વૉરીના બ્લાસ્ટિંગ સામે વિરોધ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-udalpur-janipura-villagers-protest-against-blasting-of-bd-patel-quarry</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-udalpur-janipura-villagers-protest-against-blasting-of-bd-patel-quarry</guid><pubDate>Wed, 10 Jun 2026 05:50:24 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ડેસર તાલુકાના ઉદલપુર અને જાનીપુરાના સરપંચ પુર્વ સરપંચ અને ગ્રામજનો દ્વારા BD પટેલ ક્વૉરી માઈન્સમાં ચાલી રહેલા બ્લાસ્ટિંગ સામે ભારે વિરોધ નોંધાવી તંત્રને લેખિત રજૂઆત કરી હતી.</p><p style="text-align: justify; ">ગ્રામજનોએઆક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ખતરનાક બ્લાસ્ટિંગને કારણે આસપાસના વિસ્તારમાં ભારે ધડાકા, ધૂળના ગોટેગોટા અને જમીનમાં કંપન અનુભવાય છે, તેના કારણે જાનીપુરા અને ઉદલપુરના ગ્રામજનોમાં ભય ફેલાયો છે.</p><p style="text-align: justify; ">ઉદલપુર સરપંચ નિતેશ ચારણ, પૂર્વ સરપંચ મુકેશ પટેલ, ડેસરના પૂર્વ સરપંચ દલપતસિંહ પરમાર સહિત ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે, સતત બ્લાસ્ટિંગથી રહેણાંક મકાનોમાં તિરાડો પડવાની શક્યતા છે. પાણીની ટાંકી, શાળા અને અન્ય જાહેર મિલકતોની સુરક્ષા અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરાઇ હતી. જાનમાલને નુકસાન થવાની આશંકા વચ્ચે બ્લાસ્ટિંગનું કામ તાત્કાલિક બંધ કરાવવા તેઓ દ્વારા માંગણી કરાઇ હતી. રજૂઆતમાં સ્થળની સરકારી માપણી અને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી તમામ પ્રકારની બ્લાસ્ટિંગ પ્રવૃત્તિ રોકવાની માંગ કરાઇ હતી. સાથે જ ATR સહિત જરૂરી મંજૂરી, ખનન પ્રક્રિયા અને પર્યાવરણીય નિયમના પાલનની તપાસ કરવા તંત્રને અનુરોધ કરાયો હતો. બ્લાસ્ટિંગના કારણે પર્યાવરણ અને સ્થાનિકોના સ્વાસ્થ્ય પર પણ પ્રતિકૂળ અસર થઈ શકે છે. તેથી સંબંધિત વિભાગો દ્વારા તપાસ કરાવી પગલાં ભરવા માંગ કરાઇ હતી. આ વિકટ સમસ્યા અંગે ડેસર મામલતદાર, ડેસર પોલીસને ગ્રામજનો દ્વારા આવેદનપત્ર અપાયું હતું.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/10/pAN8aR8cOdxZJLlX0QMk9tA22KVnLhREO5nagBCR.webp'/></item><item><title><![CDATA[Sapna Chaudhary સાથે તેના પતિએ કરી મારઝૂડ, પુરાવા જોઈ અદાલતે સંભળાવ્યો મોટો ચુકાદો! ]]></title><link>https://sandesh.com/entertainment/news/sapna-chaudhary-was-beaten-up-by-her-husband-the-court-delivered-a-big-verdict-after-looking-at-the-evidence</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/sapna-chaudhary-was-beaten-up-by-her-husband-the-court-delivered-a-big-verdict-after-looking-at-the-evidence</guid><pubDate>Tue, 09 Jun 2026 23:51:17 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હરિયાણવી સ્ટાર સપના ચૌધરીના છૂટાછેડાની ચર્ચાએ ફરી જોર પકડ્યું છે. સપનાએ તેના પતિ વીર સાહુ (યશવીર સાહુ) પર ઘરેલું હિંસાનો ગંભીર આરોપ લગાવ્યો છે. સપના દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓને ધ્યાનમાં રાખીને કોર્ટે તેના પતિને સપનાથી દૂર રહેવાનો આદેશ આપ્યો છે.</p><h2 style="text-align: justify; ">ઘરેલું હિંસાના કેસમાં મોટી રાહત</h2><p style="text-align: justify; ">હરિયાણવી સિંગર, ડાન્સર અને એક્ટ્રેસ સપના ચૌધરીને ઘરેલું હિંસાના કેસમાં મોટી કાનૂની રાહત મળી છે. દિલ્હીની દ્વારકા મહિલા કોર્ટે સપના ચૌધરીને વચગાળાની સુરક્ષા પૂરી પાડી છે અને તેના પતિ યશવીર સાહુને તેની સાથે કોઈપણ પ્રકારનો સંપર્ક કરવા કે તેની નજીક આવવા પર પ્રતિબંધ મૂક્યો છે.</p><h2 style="text-align: justify; ">ફિલ્મ પ્રીમિયર પહેલાં કોર્ટનો મોટો આદેશ</h2><p style="text-align: justify; ">આ આદેશ સપનાની આગામી ફિલ્મ 'મોમાકૂ' ના પ્રીમિયરના બરાબર પહેલા આવ્યો છે. કોર્ટે યશવીર સાહુને સપનાના ઘર, ઓફિસ અને ફિલ્મ પ્રીમિયરના સ્થળે પણ જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ આદેશ આગામી સુનાવણી સુધી લાગુ રહેશે. છેલ્લા ઘણા દિવસોથી સપનાના લગ્નજીવનમાં ખટપટ ચાલી રહી હોવાના અહેવાલો હતા અને અગાઉ ઘણા ઇન્ટરવ્યુમાં પણ તેણે લગ્ન તૂટવાના સંકેત આપ્યા હતા, જેના પર હવે મહોર વાગતી દેખાઈ રહી છે.</p><h3 style="text-align: justify; ">સપનાએ લગાવ્યા ઘરેલું હિંસાના ગંભીર આરોપ</h3><p style="text-align: justify; ">સપના ચૌધરીએ મહિલા કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં આરોપ લગાવ્યો છે કે તેના પતિએ ઘણી વખત તેની સાથે મારપીટ કરી છે અને જાહેર સ્થળોએ પણ હોબાળો મચાવ્યો છે. સપનાનું કહેવું છે કે સતત થતી હિંસાના કારણે તેણે પોતાના બે સગીર બાળકો સાથે સાસરી છોડવી પડી હતી. તેણે આ મામલે ઘરેલું હિંસાની ફરિયાદ પણ નોંધાવી છે.</p><h3 style="text-align: justify; ">કોર્ટે પુરાવા જોઈને આપ્યો આદેશ</h3><p style="text-align: justify; ">સપના તરફથી હાજર રહેલા વકીલ પ્રીતિ સિંહે કોર્ટમાં દલીલ કરી હતી કે ભવિષ્યમાં પણ આવી ઘટનાઓ પુનરાવર્તિત થવાની આશંકા છે. ખાસ કરીને 10 જૂને યોજાનારા ફિલ્મ પ્રીમિયરને ધ્યાનમાં રાખીને એવો ડર હતો કે યશવીર ત્યાં પહોંચીને હંગામો મચાવી શકે છે અને સપનાની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે. કોર્ટે મેડિકલ રિપોર્ટ, ઇજાઓના ફોટોગ્રાફ્સ અને કથિત ધમકીઓના રેકોર્ડિંગ સહિતના તમામ દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ આ વચગાળાનો આદેશ જારી કર્યો છે.</p><h4 style="text-align: justify; ">પતિના સંપર્ક કરવા પર પ્રતિબંધ</h4><p style="text-align: justify; ">મહિલા કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે આગામી સુનાવણી સુધી યશવીર સાહુ સપના ચૌધરીનો કોઈપણ રીતે સંપર્ક કરી શકશે નહીં. તેમને સપનાના ઘર, કાર્યસ્થળ કે ફિલ્મ પ્રીમિયરના સ્થળે જવાની પણ પરવાનગી નથી. કોર્ટની કડક સૂચના: ન્યાયિક મેજિસ્ટ્રેટ નિધિ સિંહે સંબંધિત પ્રોટેક્શન ઓફિસર અને વિસ્તારના SHOને આદેશની નકલ યશવીર સાહુ સુધી પહોંચાડવા અને સપના ચૌધરીને તમામ જરૂરી સુરક્ષા અને સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે.</p><h4 style="text-align: justify; ">25 જુલાઈએ થશે આગામી સુનાવણી</h4><p style="text-align: justify; ">કોર્ટે ઘરેલું હિંસાના આ મામલામાં યશવીર સાહુને સમન્સ પણ જારી કરીને સુનાવણીમાં હાજર થવા આદેશ કર્યો છે. આ કેસની આગામી સુનાવણી 25 જુલાઈએ હાથ ધરવામાં આવશે. હાલમાં સપના ચૌધરી દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર અંતિમ ચુકાદો આવવાનો બાકી છે અને કાનૂની પ્રક્રિયા ચાલુ છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/gA30tUZbh1yOAvlLegu0P7YVovtaxsamaLlB44X0.webp'/></item><item><title><![CDATA[વાંચો 10 જૂનના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે ]]></title><link>https://sandesh.com/india/news/gujarat/read-about-important-events-happening-on-june-10th</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/gujarat/read-about-important-events-happening-on-june-10th</guid><pubDate>Tue, 09 Jun 2026 21:55:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><b>મોદી કેબિનેટની બેઠક, મોદી સરકારના 12 વર્ષની ઉજવણી, ભારત અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય બેઠક, 17 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાની ચેતવણી અને ગુજરાતમાં મહત્વની ઘટનાઓ.</b></p><h2 style="text-align: justify; "><b>1: PM મોદીની NDA રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક</b></h2><p style="text-align: justify; ">આવતીકાલે પીએમ મોદીની અધ્યક્ષતામાં NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજાશે. બપોરે 3 વાગ્યે ભારત મંડપમમાં આ બેઠક થશે. બેઠકમાં મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાની ઉપલબ્ધિઓની સમીક્ષા કરવાની સાથે આગામી રાજકીય અને વિકાસલક્ષી વ્યૂહરચનાઓ પર મંથન કરવામાં આવશે.</p><h3 style="text-align: justify; "><b>2: મોદીના દીર્ધાયુષ્યની કામના માટે મંદિરોમાં પ્રાર્થનાનો કાર્યક્રમ</b></h3><p style="text-align: justify; ">પીએમ મોદીના દીર્ધાયુષ્યની કામના માટે મંદિરોમાં પ્રાર્થના કરવામાં આવશે. રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન ઝંડેવાલાન મંદિરમાં પૂજા અર્ચના કરશે. દિલ્હીના 20 મંદિરોમાં પૂજા કરવામાં આવશે. 10 જૂનના રોજ નરેન્દ્ર મોદીના શાસનકાળને 12 વર્ષ પૂર્ણ થશે. 10 જૂન 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક ઐતિહાસિક કીર્તિમાન સ્થાપિત કરશે, જેમાં સતત 4,399 દિવસ સુધી વડાપ્રધાન પદ પર રહીને તેઓ 64 વર્ષ જૂનો રેકોર્ડ તોડશે. આ સાથે જ મોદી, જવાહરલાલ નેહરુને પાછળ છોડીને ભારતમાં સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા લોકતાંત્રિક વડાપ્રધાન બની જશે.</p><h2 style="text-align: justify; "><b>3: આવતીકાલે મોદી સરકારની કેબિનેટની બેઠક મળશે</b></h2><p style="text-align: justify; ">મોદી કેબિનેટની બેઠક આવતીકાલે મળશે, જેમાં કેટલાક મહત્વના પ્રસ્તાવો અને નીતિગત નિર્ણયો પર મંજૂરીની મહોર લાગી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક આવતીકાલે સવારે 11 વાગ્યે યોજાશે.</p><h3 style="text-align: justify; "><b>4: ભારત અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય બેઠક</b></h3><p style="text-align: justify; ">ઇન્દોરમાં આયોજિત બ્રિક્સ (BRICS) કૃષિ સંમેલનના બીજા દિવસે ભારત અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. બંને દેશોએ કૃષિ સહયોગ, કૃષિ વિસ્તરણ સેવાઓ, ખાદ્ય સુરક્ષા અને કૃષિ વ્યાપાર વધારવા પર ચર્ચા કરી. બેઠકમાં ટેકનોલોજી, સંશોધન, રોકાણ અને ખેડૂતોની આવક વધારવા માટે ભાગીદારી મજબૂત કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>5: ભારતના વિદેશ મંત્રી બલ્ગેરિયા અને ફિનલેન્ડની સત્તાવાર મુલાકાતે</b></h2><p style="text-align: justify; ">વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર 10-11 જૂનના રોજ બલ્ગેરિયા અને ફિનલેન્ડની સત્તાવાર મુલાકાતે રહેશે.10 જૂને સોફિયામાં તેઓ બલ્ગેરિયાના નેતૃત્વ અને તેમના સમકક્ષ સાથે દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરશે.11 જૂને ફિનલેન્ડમાં 14મી કુલ્તારંતા વાર્તાલાપમાં ભાગ લઈને વૈશ્વિક, પ્રાદેશિક અને સ્થાનિક મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કરશે.</p><h2 style="text-align: justify; "><b>6: 17 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાની ચેતવણી</b></h2><p style="text-align: justify; ">10 જૂન હવામાન એલર્ટ: 17 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાની ચેતવણી, 80 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે.10 જૂને દેશના ઘણા ભાગોમાં હવામાનનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે... હવામાન વિભાગે યુપી, બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડું અને વીજળી પડવાનું એલર્ટ જાહેર કર્યું છે.70-80 કિમી/કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની શક્યતા છે.ખેડૂતોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે, જ્યારે પૂર્વીય અને ઉત્તરીય રાજ્યોમાં વીજળી પડવા અને વૃક્ષો ધરાશાયી થવાનું જોખમ તોળાઈ રહ્યું છે.17 રાજ્યો - યુપી, બિહાર, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, અરૂણાચલ પ્રદેશ, આસામ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જાહેર કરવામાં આવી છે, આ દરમિયાન 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું આવવાની શક્યતા છે.</p><h3 style="text-align: justify; "><b>7: આરએસએસ (RSS) પ્રમુખ મોહન ભાગવતનો પ્રવાસ</b></h3><p style="text-align: justify; ">બિહારમાં આરએસએસ (RSS) પ્રમુખ મોહન ભાગવતનો પ્રવાસ, 10 જૂને બરૌની જંક્શન પર આગમન.RSS પ્રમુખ મોહન ભાગવતના 10 જૂને બરૌની જંક્શન આગમનને લઈને વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર છે.સ્ટેશન પરિસર અને આસપાસના વિસ્તારોમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ વિશેષ દેખરેખ વધારી દીધી છે અને સમગ્ર વિસ્તારને સુરક્ષા ઘેરામાં લેવાની તૈયારી કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>8: કેન્દ્રમાં ભાજપની સરકારના 12 વર્ષ પૂર્ણ</b></h2><p style="text-align: justify; ">કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાજપ દ્વારા રાજ્યભરમાં ભવ્ય મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આવતીકાલે ગુજરાતના વિવિધ જાણીતા મંદિરોમાં વિશેષ આરતી કરવામાં આવશે. આ ધાર્મિક મહોત્સવમાં રાજ્ય સરકારના તમામ મોટા નેતાઓ અને મંત્રીઓ જુદા જુદા મંદિરોમાં ખાસ હાજરી આપશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે ૭ વાગ્યે ગાંધીનગરના ત્રિમંદિર ખાતે ઉપસ્થિત રહીને આરતીનો લાભ લેશે, જ્યારે ભાજપ પ્રદેશ અગ્રણી જગદીશ વિશ્વકર્મા સાંજે ૭ વાગ્યે વડનગર ખાતે યોજાનારી મહા આરતીમાં સહભાગી થશે.</p><h2 style="text-align: justify; "><b>9: કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચને મળશે</b></h2><p style="text-align: justify; ">મધ્યપ્રદેશમાં કોંગ્રેસના કદાવર નેતા મીનાક્ષી નટરાજનનું રાજ્યસભાનું ઉમેદવારી ફોર્મ રદ થતાં મામલો ગંભીર બન્યો છે. જેને લઈને આવતીકાલે દિલ્હીમાં કે. સી. વેણુગોપાલની આગેવાની હેઠળ કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ બપોરે 12 વાગ્યે ચૂંટણી પંચને મળશે.</p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/YwqfOQVnuzB8lxMXUe5yeCLH8wHw7lJJjxKPVQFK.webp'/></item><item><title><![CDATA[TCS Share Price: ઘટી રહેલા શેરના ભાવ અંગે શેરધારકે કર્યો સવાલ તો ચેરમેને સમજાવ્યુ ગણિત, જાણો શું કહ્યુ? ]]></title><link>https://sandesh.com/business/news/india/tcs-share-price-when-a-shareholder-asked-about-the-falling-share-price-the-chairman-explained-the-math-know-what-he-said</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/tcs-share-price-when-a-shareholder-asked-about-the-falling-share-price-the-chairman-explained-the-math-know-what-he-said</guid><pubDate>Tue, 09 Jun 2026 19:23:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">એક સમયે, IT જાયન્ટનો શેર 4 હજારને સ્પર્શી રહ્યો હતો. પરંતુ છેલ્લા એક વર્ષમાં, તે ઝડપથી ઘટીને 2200થી 2500ની રેન્જમાં છે. 
</p><h2 style="text-align: justify; ">બે મુખ્ય કારણ જવાબદાર 
</h2><p style="text-align: justify; ">કંપનીની 31મી વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકે પૂછ્યું કે, મજબૂત પરિણામો છતાં શેરનો ભાવ આટલો ઝડપથી કેમ ઘટ્યો. ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને પરિસ્થિતિ સમજાવી. ચંદ્રશેખરને જવાબ આપ્યો અને આ પાછળના બે મુખ્ય કારણો છે. ઓગસ્ટ-સપ્ટેમ્બર 2024માં નેશનલ સ્ટોક એક્સચેન્જ પર TCSના શેર 4289.85ની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. ત્યારથી, આ ઘટાડો ચાલુ રહ્યો છે. અને મંગળવારના રોજ તેનો શેર 0.02% ઘટીને રૂપિયા 2151 પર બંધ થયો. આ ઘટાડો 50 ટકાથી થોડો વધારે દર્શાવે છે. હાલમાં, તે સપ્ટેમ્બર 2020ના ભાવે પહોંચ્યો છે. સ્પષ્ટપણે, રોકાણકારો આનાથી નાખુશ છે.
</p><h3 style="text-align: justify; ">યુદ્ધો અને ભૂ-રાજકીય તણાવ
</h3><p style="text-align: justify; ">ચેરમેન એન. ચંદ્રશેખરને શેરધારકોને ખાતરી આપી હતી કે શેરના ભાવમાં આ ઘટાડો TCS પૂરતો મર્યાદિત નથી. પરંતુ વૈશ્વિક IT ક્ષેત્ર હાલમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. તેમણે પ્રથમ મુખ્ય કારણ વિશ્વના ઘણા ભાગોમાં ચાલી રહેલા યુદ્ધો અને ભૂ-રાજકીય તણાવને કારણે બગડતા વ્યવસાયિક વાતાવરણ તરીકે ટાંક્યું હતું. જેણે સપ્લાય ચેઇન પર ગંભીર અસર કરી છે. કંપનીઓ હાલમાં નવા સાહસો શરૂ કરવાને બદલે તેમના હાલના વ્યવસાયોને સુરક્ષિત કરવા અને તેમની સપ્લાય ચેઇનને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
</p><h4 style="text-align: justify; ">AI સૌથી મોટું સંકટ 
</h4><p style="text-align: justify; ">ઘટાડાનું બીજું અને સૌથી મહત્વનું કારણ સમજાવતા, એન. ચંદ્રશેખરન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉલ્લેખ કરે છે. તેમણે કહ્યું કે આજે શેરબજારમાં IT કંપનીઓને ઘેરાયેલો સૌથી મોટો ભય AI છે. રોકાણકારો આશ્ચર્ય પામી રહ્યા છે: જો AI કમ્પ્યુટર કોડ લખી શકે છે, સોફ્ટવેરનું પરીક્ષણ કરી શકે છે અને ઘણા તકનીકી કાર્યો સ્વતંત્ર રીતે સંભાળી શકે છે, તો TCS જેવી IT સેવા કંપનીઓનું ભવિષ્ય શું હશે? આ ડરને કારણે, માત્ર TCS જ નહીં, પરંતુ વિશ્વભરમાં IT સેવાઓ, સોફ્ટવેર અને SaaSમાં સંકળાયેલી લગભગ બધી કંપનીઓ ઇન્ટરનેટ દ્વારા સીધી રીતે પહોંચાડવામાં આવતી સોફ્ટવેર સેવાઓમાં, તેમના શેરમાં 35% થી 45% નો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/israel-was-left-alone-in-the-iran-war-from-uae-to-america-everyone-left-the-alliance-know-why" target="_blank">Iran યુદ્ધમાં Israel થયુ એકલું, UAEથી લઈને America સુધી બધાએ છોડ્યો સાથ, જાણો કેમ?</a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/cVESxsnsxqYCanjViXQmQURWEHi3M5tzcIYNxpiy.webp'/></item><item><title><![CDATA[TCS Share Price: ઘટી રહેલા શેરના ભાવ અંગે શેરધારકે કર્યો સવાલ તો ચેરમેને સમજાવ્યુ ગણિત, જાણો શું કહ્યુ? ]]></title><link>https://sandesh.com/business/news/india/tcs-share-price-when-a-shareholder-asked-about-the-falling-share-price-the-chairman-explained-the-math-know-what-he-said</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/tcs-share-price-when-a-shareholder-asked-about-the-falling-share-price-the-chairman-explained-the-math-know-what-he-said</guid><pubDate>Tue, 09 Jun 2026 19:23:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">એક સમયે, IT જાયન્ટનો શેર 4 હજારને સ્પર્શી રહ્યો હતો. પરંતુ છેલ્લા એક વર્ષમાં, તે ઝડપથી ઘટીને 2200થી 2500ની રેન્જમાં છે. 
</p><h2 style="text-align: justify; ">બે મુખ્ય કારણ જવાબદાર 
</h2><p style="text-align: justify; ">કંપનીની 31મી વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકે પૂછ્યું કે, મજબૂત પરિણામો છતાં શેરનો ભાવ આટલો ઝડપથી કેમ ઘટ્યો. ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને પરિસ્થિતિ સમજાવી. ચંદ્રશેખરને જવાબ આપ્યો અને આ પાછળના બે મુખ્ય કારણો છે. ઓગસ્ટ-સપ્ટેમ્બર 2024માં નેશનલ સ્ટોક એક્સચેન્જ પર TCSના શેર 4289.85ની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. ત્યારથી, આ ઘટાડો ચાલુ રહ્યો છે. અને મંગળવારના રોજ તેનો શેર 0.02% ઘટીને રૂપિયા 2151 પર બંધ થયો. આ ઘટાડો 50 ટકાથી થોડો વધારે દર્શાવે છે. હાલમાં, તે સપ્ટેમ્બર 2020ના ભાવે પહોંચ્યો છે. સ્પષ્ટપણે, રોકાણકારો આનાથી નાખુશ છે.
</p><h3 style="text-align: justify; ">યુદ્ધો અને ભૂ-રાજકીય તણાવ
</h3><p style="text-align: justify; ">ચેરમેન એન. ચંદ્રશેખરને શેરધારકોને ખાતરી આપી હતી કે શેરના ભાવમાં આ ઘટાડો TCS પૂરતો મર્યાદિત નથી. પરંતુ વૈશ્વિક IT ક્ષેત્ર હાલમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. તેમણે પ્રથમ મુખ્ય કારણ વિશ્વના ઘણા ભાગોમાં ચાલી રહેલા યુદ્ધો અને ભૂ-રાજકીય તણાવને કારણે બગડતા વ્યવસાયિક વાતાવરણ તરીકે ટાંક્યું હતું. જેણે સપ્લાય ચેઇન પર ગંભીર અસર કરી છે. કંપનીઓ હાલમાં નવા સાહસો શરૂ કરવાને બદલે તેમના હાલના વ્યવસાયોને સુરક્ષિત કરવા અને તેમની સપ્લાય ચેઇનને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
</p><h4 style="text-align: justify; ">AI સૌથી મોટું સંકટ 
</h4><p style="text-align: justify; ">ઘટાડાનું બીજું અને સૌથી મહત્વનું કારણ સમજાવતા, એન. ચંદ્રશેખરન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉલ્લેખ કરે છે. તેમણે કહ્યું કે આજે શેરબજારમાં IT કંપનીઓને ઘેરાયેલો સૌથી મોટો ભય AI છે. રોકાણકારો આશ્ચર્ય પામી રહ્યા છે: જો AI કમ્પ્યુટર કોડ લખી શકે છે, સોફ્ટવેરનું પરીક્ષણ કરી શકે છે અને ઘણા તકનીકી કાર્યો સ્વતંત્ર રીતે સંભાળી શકે છે, તો TCS જેવી IT સેવા કંપનીઓનું ભવિષ્ય શું હશે? આ ડરને કારણે, માત્ર TCS જ નહીં, પરંતુ વિશ્વભરમાં IT સેવાઓ, સોફ્ટવેર અને SaaSમાં સંકળાયેલી લગભગ બધી કંપનીઓ ઇન્ટરનેટ દ્વારા સીધી રીતે પહોંચાડવામાં આવતી સોફ્ટવેર સેવાઓમાં, તેમના શેરમાં 35% થી 45% નો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/israel-was-left-alone-in-the-iran-war-from-uae-to-america-everyone-left-the-alliance-know-why" target="_blank">Iran યુદ્ધમાં Israel થયુ એકલું, UAEથી લઈને America સુધી બધાએ છોડ્યો સાથ, જાણો કેમ?</a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/cVESxsnsxqYCanjViXQmQURWEHi3M5tzcIYNxpiy.webp'/></item><item><title><![CDATA[Prize Money : ક્રિકેટ વર્લ્ડ કપ કે ફીફા વર્લ્ડ કપ, કયા ટૂર્નામેન્ટમાં મળે છે સૌથી વધુ પ્રાઇઝ મની? ]]></title><link>https://sandesh.com/sports/news/prize-money-cricket-world-cup-or-fifa-world-cup-which-tournament-offers-the-most-prize-money</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/prize-money-cricket-world-cup-or-fifa-world-cup-which-tournament-offers-the-most-prize-money</guid><pubDate>Tue, 09 Jun 2026 17:27:21 +05:30</pubDate><description><![CDATA[<p>ફિફા વર્લ્ડકપની 23મી આવૃત્તિનું આયોજન યુએસએ,મેક્સિકો અને કેનેડા સંયુક્ત રીતે કરી રહ્યા છે.ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે ત્રણ દેશો એક આવૃત્તિનું આયોજન કરી રહ્યા છે.આ પહેલાં ફક્ત બે દેશોએ એકસાથે તેનું આયોજન કર્યું છે.આ વખતે,ટીમોની સંખ્યા વધારીને 48 કરવામાં આવી છે,જેને ચારના 12 જૂથોમાં વહેંચવામાં આવી છે.આ આવૃત્તિ ઇનામ રકમની દ્રષ્ટિએ પણ ઐતિહાસિક હશે,જેમાં અગાઉની આવૃત્તિની તુલનામાં કુલ ઇનામ રકમમાં 49 ટકાનો વધારો થશે.અહીં અમે ફૂટબોલ વર્લ્ડકપ અને ક્રિકેટ વર્લ્ડ કપની ઇનામ રકમ વચ્ચેનો તફાવત સમજાવીએ છીએ.</p><h4><b>ફિફા વર્લ્ડ કપ 11 જૂનથી પ્રારંભ થશે</b></h4><p>
</p><p>વિશ્વની સૌથી મોટી રમતગમત ઇવેન્ટ,ફિફા વર્લ્ડ કપ 11 જૂનથી શરૂ થાય છે.મહિલા T20 વર્લ્ડ કપ 12 જૂનથી શરૂ થાય છે.મહિલા વર્લ્ડ કપમાં કુલ 12 ટીમો ભાગ લઈ રહી છે.જેમાં ભારત અને પાકિસ્તાન ગ્રુપ 1માં છે.તેમનો મુકાબલો રવિવાર 14 જૂને છે.તેની ઇનામ રકમ સાથે ચાલો તમને જણાવીએ કે ભારતીય મહિલા ટીમને આ વર્ષે ODI વર્લ્ડ કપ જીતવા બદલ ઇનામ રકમ તરીકે કેટલી રકમ મળી.ભારતીય પુરુષ ટીમે આ વર્ષે T20 વર્લ્ડ કપ પણ જીત્યો હતો.જાણો તેમની ઇનામી રકમ કેટલી હતી.</p><h4><b>વુમેન્સ T20 વર્લ્ડ કપ પ્રાઇઝમની કેટલી&nbsp;</b></h4><p>
</p><p>વુમેન્સ T20 વર્લ્ડ કપ 2026 ચેમ્પિયન ટીમ માટે US$2,340,000 ની ઇનામી રકમ જાહેર કરવામાં આવી છે. ભારતીય ચલણમાં, આ આશરે ₹22 કરોડ થાય છે. ભારતીય મહિલા ટીમને ODI વર્લ્ડ કપ 2026 જીતવા બદલ ₹4.48 મિલિયન મળ્યા હતા, જે ભારતીય ચલણમાં આશરે ₹39 કરોડ થાય છે.</p><p>
</p><h5><b>ટીમને T20 વર્લ્ડ કપ જીતવા કેટલા પૈસા મળે છે</b></h5><p>સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમે પુરુષોનો T20 વર્લ્ડ કપ 2026 જીત્યો હતો, અને ટીમ ઇન્ડિયાને ₹3 મિલિયન, અથવા આશરે ₹27 કરોડ, ઇનામી રકમ તરીકે મળ્યા હતા. જોકે, ફૂટબોલ વર્લ્ડ કપ વિજેતાની ઇનામી રકમ આના કરતા ઘણી વધારે છે.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/cricket/news/two-deadly-players-of-team-india-pass-fitness-test-will-take-the-field-against-afghanistan" target="_blank">Team Indiaના બે ઘાતક ખેલાડીઓ ફિટનેસ ટેસ્ટમાં પાસ! અફઘાનિસ્તાન સામે મેદાનમાં ઉતરશે</a>
</p><p><br></p><p>
</p><p><br></p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/5WMZtyGRe8qT2AKIV2RP3SWDP09q0hzY5PpdrjYZ.webp'/></item></channel></rss>