<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Himatnagar: નવી ખાતર વિતરણ વ્યવસ્થા સામે ઈડર ધારાસભ્યએ મુખ્યમંત્રીને રજૂઆત કરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/himatnagar/himatnagar-idar-mla-makes-a-representation-to-the-chief-minister-against-the-new-fertilizer-distribution-system</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/himatnagar/himatnagar-idar-mla-makes-a-representation-to-the-chief-minister-against-the-new-fertilizer-distribution-system</guid><pubDate>Sat, 18 Jul 2026 05:58:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કેન્દ્ર સરકારની નેશનલ ફર્ટીલાઇઝર સેલ ફ્રેમવર્ક હેઠળ રાસાયણિક ખાતરના 100 ટકા વિતરણ માટે તાજેતરમાં અમલી બનાવાયેલ નવી પ્રણાલીને લઈને ઈડર તાલુકાના ખેડૂતોએ તેની નોંધણી અને ખરીદી માટે પડી રહેલી મુશ્કેલીઓ દુર કરવા માટે ખેડૂત સંગઠને તાજેતરમાં ઈડરના ધારાસભ્યને કરેલી રજૂઆત બાદ આ ધારાસભ્યે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી યોગ્ય કરવાની માંગ કરી છે. આ અંગે ઇડર ધારાસભ્ય રમણ વોરાએ કરેલી રજૂઆતમાં જણાવાયું છે કે, કૃષિ વિભાગના તા.4મી જૂન 2026ના પરિપત્ર મુજબ સાબરકાંઠા અને નવસારી જિલ્લામાં પ્રાયોગીક ધોરણે નવી ખાતર વિતરણ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. સાબરકાંઠા ખેતીપ્રધાન જિલ્લો હોવાથી અને અગાઉ ડાર્કઝોનની સમસ્યાઓનો સામનો કરી ચૂક્યો હોવાથી ખેડૂતોને આ નવી વ્યવસ્થાથી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વધુમાં કિસાન સંઘની રજૂઆતનો પણ ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે, ચાલુ વર્ષે ઓછા વરસાદને કારણે ખેડૂતોને પહેલેથી જ નુકસાન સહન કરવું પડી રહ્યું છે. આવી સ્થિતિમાં નવી ડિજિટલ આધારિત પ્રણાલી ખેડૂતો માટે વધુ મુશ્કેલી ઉભી થઈ છે. ખેડૂતો દ્વારા 21 પ્રશ્નો અને વાંધાઓ પણ રજૂ કરવામાં આવ્યા છે. અને સ્થાનિક ધારાસભ્યને ખેડૂતોનો અવાજ તથા મુશ્કેલીઓ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરવા કરેલી અપીલ બાદ ધારાસભ્યએ મુખ્યમંત્રીને ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને સાબરકાંઠાને પાયલોટ યોજનામાંથી મુક્તિ આપી અગાઉની જૂની પદ્ધતિથી રાસાયણિક ખાતરનું વિતરણ ચાલુ રાખવા રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સમક્ષ જરૂરી રજૂઆત કરવા વિનંતી કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/18/n2dhzBEGQdMjgG9OYkQTCro3kMPNRz62jZjaHjUl.webp'/></item><item><title><![CDATA[Himatnagar: વકીલો-નોટરી માટે બેસવાની સગવડ આપવા માટે માંગણી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/himatnagar/himatnagar-demand-for-seating-facilities-for-lawyers-and-notaries</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/himatnagar/himatnagar-demand-for-seating-facilities-for-lawyers-and-notaries</guid><pubDate>Sat, 18 Jul 2026 05:57:48 +05:30</pubDate><description><![CDATA[<p>હિંમતનગર- ઈડર રોડ પર પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં અદ્યતન બહુમાળી ન્યાય સંકુલમાં રોજબરોજ અરજદારો, વકીલો તથા જરૂરી સ્ટેમ્પ ટીકીટ તથા સ્ટેમ્પ ખરીદવા માટે અનેક લોકો અવર જવર કરે છે ત્યારે કેટલાક જરૂરીયાતમંદોને નોટરીની કામગીરી કરનારને શોધવા પડે છે, જેથી હિંમતનગરના એડવોકેટ અને નોટરીઓ માટે ન્યાય સંકુલમાં ભોયતળીયે બેસવાની સગવડ આપવાની માંગ કરાઈ રહી છે. આ અંગે નોટરી નરેન્દ્રસિંહ રાઠોડના જણાવાયા મુજબ, રોજબરોજ નોટરી કરનારાઓને પ્રજા સાથે સીધો સંપર્ક રહે તે માટે ભોયતળીયે બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવે તો 150થી વધુ નોટરીનું કામ કરતાં વકીલો અને આમ પ્રજાને સંપર્ક કરવામાં કોઈ મુશ્કેલી થશે નહીં. ઉલ્લેખનીય છે કે, મોડાસા, ગાંધીનગર, મહેસાણા અને અમદાવાદમાં એડવોકેટ તથા નોટરી કરનારાઓ માટે ભોયતળીયે બેસવાની તથા ટેબલની વ્યવસ્થા કરાઈ છે. જેથી હિંમતનગર ન્યાય સંકુલમાં પણ આવી વ્યવસ્થા ઉભી થાય તે જરૂરી છે. એટલુ જ નહીં પણ અગાઉ જયાં જુની કોર્ટ ચાલતી હતી તે બિલ્ડીંગનું પઝેશન આપી દીધા પછી એડવોકેટ, નોટરીઓની બેઠક વ્યવસ્થા હવે રહી નથી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/18/6EAKLyx34kR1DqEYP4zQOPJaaM4P6X292RpYRWTT.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: અમદાવાદ શહેરમાંથી ચોરેલા બાઈક સાથે ધ્રાંગધ્રાના યુવાનને પોલીસે ઝડપી પાડયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-police-nab-a-young-man-from-dhrangadhra-with-a-stolen-bike-from-ahmedabad-city</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-police-nab-a-young-man-from-dhrangadhra-with-a-stolen-bike-from-ahmedabad-city</guid><pubDate>Sat, 18 Jul 2026 05:50:29 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર એલસીબી ટીમના કીશોરભાઈ પારધી, દશરથભાઈ સહિતનાઓને ધ્રાંગધ્રા બીએસએનએલ કચેરી પાસેથી એક શખ્સ શંકાસ્પદ બાઈક સાથે પસાર થવાનો હોવાની બાતમી મળતા વોચ રખાઈ હતી. જેમાં ધ્રાંગધ્રાના મેળાના મેદાન પાછળ રહેતો મુન્ના બેચરભાઈ દલસાણીયા અમદાવાદના બોડકદેવ પોલીસ મથક વિસ્તારમાંથી ચોરેલ બાઈક સાથે ઝડપાયો હતો. આ બાઈક ચોરીની ઈ-એફઆઈઆર નોંધાયેલી છે. એલસીબી ટીમે રૂપીયા 50 હજારના બાઈક સાથે મુન્નાને ઝડપી લઈ સ્થાનીક પોલીસના હવાલે કર્યો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/18/nI6Y1TywHx3dCRkeGooCANJpXW5CH75V1D1cpJ4l.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: વિરમગામમાં ટામેટાના કેરેટમાંથી દારૂ સાથે પોલીસે 1 શખ્સને ઝડપ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-police-catch-1-person-with-liquor-from-tomato-carton-in-viramgam</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-police-catch-1-person-with-liquor-from-tomato-carton-in-viramgam</guid><pubDate>Sat, 18 Jul 2026 05:48:48 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વિરમગામ શહેર પોલીસે શાકભાજીની આડમાં વિદેશી દારુના વેપલો કરનારા એક શખ્સને ઝડપી પાડીને વધુ તપાસ આદરી છે.</p><p style="text-align: justify; ">વિરમગામ પોલીસને ખાનગી બાતમી મળતા શહેરના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાસેના હોલસેલ શાકભાજી માર્કેટમાં બુધવારે દરોડો પાડયો હતો.જ્યાં એક દુકાનની બહાર ઓટલા પર ટામેટાંના કેરેટમાંથી વિદેશી દારૂનો જથ્થો પોલીસ તપાસમાં મળી આવ્યો હતો.પોલીસે અર્જુન ઉર્ફે વિપુલ સંગાની રહેવાસી પરકોટા ખોડીયાર માતાજી મંદિર પાસેના વ્યક્તિની ધરપકડ કરી લીધી હતી.ચાલીસ નંગ વ્હીસ્કીની બોટલનો કુલ 21,600 કિંમતનો જથ્થો કબજે કરી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/18/onmZTYFA0NnXqd2uZ78skQFfehrnqVVYaiQtPfMo.webp'/></item><item><title><![CDATA[Vadodara: અવાખલ ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ 9 સભ્યનો અવિશ્વાસ પ્રસ્તાવ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-no-confidence-motion-by-9-members-against-sarpanch-of-avakhal-gram-panchayat</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-no-confidence-motion-by-9-members-against-sarpanch-of-avakhal-gram-panchayat</guid><pubDate>Sat, 18 Jul 2026 05:47:19 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">શિનોર તાલુકાની અવાખલ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ એકતાબેન પટેલ વિરુદ્ધ ગ્રામ પંચાયતના કુલ 11માંથી 9 સભ્યે સંયુક્ત રીતે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા લેખિત દરખાસ્ત રજૂ કરતાં તાલુકાના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય છે. જે અંગેની અરજી ગ્રામ પંચાયતના તલાટી-કમ-મંત્રીને લેખિતમાં સોંપાઇ છે.</p><p style="text-align: justify; ">દરખાસ્તમાં સભ્યોએ આક્ષેપ કર્યો છે કે, સરપંચ દ્વારા ગ્રામ પંચાયતનો વહીવટ મનસ્વી રીતે કરાઇ રહ્યો છે. ગ્રામ પંચાયતના વિકાસલક્ષી કાર્યો, વહીવટી નિર્ણયો તેમજ અન્ય મહત્વના મુદ્દાઓમાં ચૂંટાયેલા સભ્યોને વિશ્વાસમાં લેવાતા નથી. અનેક નિર્ણયો સભ્યોની જાણ અને મંજૂરી વિના લેવાતા હોવાનો પણ દરખાસ્તમાં ઉલ્લેખ કરાયો છે. સભ્યોએ વધુમાં જણાવ્યું છે કે ગ્રામ પંચાયતની કામગીરીમાં પારદર્શિતાનો અભાવ જોવા મળે છે. જેના કારણે ચૂંટાયેલા સભ્યો પોતાની ફરજો યોગ્ય રીતે નિભાવી શકતા નથી. પંચાયતના વિકાસ અને જાહેર હિતના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની ફરજ પડી હોવાનું સભ્યોનું કહેવું છે. અવાખલ ગ્રામ પંચાયતના કુલ 9 સભ્યો દ્વારા સંયુક્ત રીતે રજૂ કરાયેલી આ દરખાસ્તને પગલે હવે પંચાયત અધિનિયમની જોગવાઈઓ મુજબ વધુ કાર્યવાહી હાથ ધરાશે. સંબંધિત સત્તાધિકારી દ્વારા નિયત પ્રક્રિયા મુજબ બેઠક બોલાવાશે. તેમાં અવિશ્વાસ પ્રસ્તાવ અંગે નિર્ણય લેવાશે. અવિશ્વાસ પ્રસ્તાવની દરખાસ્ત રજૂ થતાં અવાખલ ગ્રામ પંચાયતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/18/jJBVBpU5UWwNvCMxFz1WOnGxg0eIhFflk7uDEp3g.webp'/></item><item><title><![CDATA[West Bengal Politics News: 'હવે તમારી પાસે ઘણો સમય છે, હું સરકારી હેલિકોપ્ટર આપીશ', સુવેન્દુએ મમતા બેનર્જીને કેમ આપી આ ઓફર? ]]></title><link>https://sandesh.com/india/news/-political-news/west-bengal-politics-news-now-you-have-a-lot-of-time-i-will-give-you-a-government-helicopter-why-did-suvendu-give-this-offer-to-mamata-banerjee</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/-political-news/west-bengal-politics-news-now-you-have-a-lot-of-time-i-will-give-you-a-government-helicopter-why-did-suvendu-give-this-offer-to-mamata-banerjee</guid><pubDate>Fri, 17 Jul 2026 20:22:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">મમતાને પ્લાન્ટની મુલાકાત લેવા આમંત્રણ આપતાં, સુવેન્દુએ કહ્યું કે તેઓ તેમના પ્રવાસ માટે સરકારી હેલિકોપ્ટરની પણ વ્યવસ્થા કરશે.</p><h2 style="text-align: justify; ">બંગાળના રાજકારણમાં ગરમાવો&nbsp;</h2><p style="text-align: justify; ">પશ્ચિમ બંગાળના રાજકારણમાં ચેકમેટનો ખેલ શમવાના કોઈ સંકેત દેખાતા નથી. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચેની રાજકીય દુશ્મનાવટ ફરી એકવાર જાહેર થઈ ગઈ છે. બાંકુરાના મેજિયામાં શ્યામ સ્ટીલ ફેક્ટરીના નવા યુનિટના શિલાન્યાસ સમારોહમાં, મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ મમતા બેનર્જી પર સીધો અને આકરો હુમલો કર્યો. સુવેન્દુએ મમતા બેનર્જીને નવા પ્લાન્ટ જોવા માટે બાંકુરા આવવાની સલાહ આપી જ નહીં, પરંતુ કટાક્ષમાં કહ્યું કે હવે તેમની પાસે પુષ્કળ ખાલી સમય હોવાથી, જો તેઓ ઈચ્છે તો તેઓ તેમને સરકારી હેલિકોપ્ટર પણ આપશે.</p><h3 style="text-align: justify; ">રાજકીય આક્રમક પ્રસ્તાવ</h3><p style="text-align: justify; ">આ અનોખા અને રાજકીય રીતે આક્રમક પ્રસ્તાવથી બંગાળના રાજકારણમાં બહારના લોકો વિરુદ્ધ અંદરના લોકોનો જૂનો મુદ્દો ફરી એકવાર ઉભો થયો છે. શિલાન્યાસ સમારોહને સંબોધતા, મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને આડે હાથ લેવામાં કોઈ સમય બગાડ્યો નહીં. તેમણે કહ્યું, "હું ભૂતપૂર્વ મુખ્યમંત્રીને કહીશ કે તમારી પાસે હવે પુષ્કળ સમય છે. તમારે આ ફેક્ટરી જોવા આવવું જોઈએ. શું તમે જાણો છો કે હું આ શા માટે કહી રહ્યો છું? તેઓ હિન્દીભાષી લોકો અને મારવાડી સમુદાયને નાની નાની બાબતોમાં 'બહારના' ગણાવે છે અને દાવો કરે છે કે તેઓ બંગાળને ગુજરાત કે ઉત્તર પ્રદેશ નહીં બનવા દે. તેમણે આવીને જોવું જોઈએ કે જેમને તેઓ બહારના લોકો કહે છે તેમણે બંગાળના વિકાસમાં શું યોગદાન આપ્યું છે."</p><h4 style="text-align: justify; ">સ્ટીલ પ્લાન્ટના પરિસર ચર્ચામાં&nbsp;</h4><p style="text-align: justify; ">મુખ્યમંત્રીએ જણાવ્યું કે તેઓ સ્ટીલ પ્લાન્ટના પરિસરમાં ગોઠવણ અને સંસ્કૃતિથી ખૂબ પ્રભાવિત થયા છે. ફેક્ટરી પરિસરમાં રાધા-કૃષ્ણ અને ભગવાન શિવના ભવ્ય મંદિરો સ્થાપિત કરવામાં આવ્યા છે. એક મોટી ગૌશાળા પણ બનાવવામાં આવી છે, અને સમગ્ર વિસ્તારમાં હરિયાળી પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. ફેક્ટરીમાં બંગાળના બે મહાન વ્યક્તિઓ, કવિ રવીન્દ્રનાથ ટાગોર અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝની વિશાળ પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/world/news/crime/pakistan-balochistan-attack-45-pakistani-soldiers-killed-in-balochistan-attack-emergency-like-situation-in-the-country-highways-also-closed" target="_blank"> બલુચિસ્તાનના હુમલામાં 45 પાકિસ્તાની સૈનિકના મોત, દેશમાં કટોકટી જેવી સ્થિતિ, હાઇવે પણ બંધ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/PgMNoSrhHMM7baHSzKIFTdv1HmJVYAcLTddumNCe.webp'/></item><item><title><![CDATA[India News: જે એક લગ્ન કરશે તેને મધ્યપ્રદેશમાં કાયદેસર રહેવાનો અધિકાર મળશે: CM મોહન યાદવ ]]></title><link>https://sandesh.com/india/news/mp-cm-mohan-yadav-says-only-monogamous-marriages-will-be-legally-recognized</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/mp-cm-mohan-yadav-says-only-monogamous-marriages-will-be-legally-recognized</guid><pubDate>Fri, 17 Jul 2026 20:00:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે શુક્રવારે એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જે વ્યક્તિ એક જ લગ્ન કરશે તેને જ રાજ્યમાં રહેવાનો કાયદાકીય અધિકાર રહેશે.રાજ્યના કટની જિલ્લામાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન બોલતા મુખ્યમંત્રી મોહન યાદવે સવાલ ઉઠાવ્યો હતો કે હિન્દુઓ અને મુસ્લિમો માટે અલગ અલગ કાયદા શા માટે હોવા જોઈએ?તેમણે સ્પષ્ટ કર્યું કે દેશના દરેક નાગરિક માટે એક જ સમાન કાયદો હોવો જોઈએ.જો રામ એક જ લગ્ન કરે છે તો રહીમને પણ એક જ લગ્ન કરવાનો અધિકાર હોવો જોઈએ.</p><p style="text-align: justify; "><a href="https://x.com/ANI_MP_CG_RJ/status/2078094835547087322?s=20" target="_blank">https://x.com/ANI_MP_CG_RJ/status/2078094835547087322?s=20</a><br><br><br></p><h2 style="text-align: justify; "><b>એક લગ્ન કરશે તેને જ મધ્યપ્રદેશમાં રહેવાનો અધિકાર</b></h2><p style="text-align: justify; ">યુનિફોર્મ સિવિલ કોડ (UCC)નો ઉલ્લેખ કરતા મોહન યાદવે જણાવ્યું હતું કે, એક દેશમાં એક વિધાન, એક પ્રધાન અને એક નિશાન હોવું જોઈએ.હિન્દુઓનો કાયદો અલગ અને મુસ્લિમોનો કાયદો અલગ આવું શા માટે? હવે જો રામ એક લગ્ન કરશે તો રહીમ બે ત્રણ કે ચાર લગ્ન શું કામ કરશે? મુસ્લિમ બહેનો પણ આપણી માતા બહેનો જ છે.હવે જે એક લગ્ન કરશે તેને જ મધ્યપ્રદેશમાં રહેવાનો અધિકાર મળશે. અમારી સરકાર રાજ્યમાં આ યૂસીસી (UCC)કાયદો લાગુ કરવા જઈ રહી છે. જેથી હવે બધી સિસ્ટમ એક સમાન હશે.</p><h3 style="text-align: justify; "><b>ત્રણ તલાક આપનારને જેલમાં ધકેલી દઈશું</b></h3><p style="text-align: justify; ">મુખ્યમંત્રી મોહન યાદવે કડક શબ્દોમાં ચેતવણી આપતા ઉમેર્યું કે, જો હવે કોઈ એમ કહેશે કે તલાક, તલાક, તલાક તો તેને ઉપાડીને જેલમાં બંધ કરી દેવામાં આવશે.તલાક તલાકનો જમાનો હવે ગયો હવે લોકોને માત્ર એક જ લગ્ન કરવાનો અધિકાર છે.અમે ટૂંક સમયમાં જ રાજ્યમાં આ કાયદો લાવવા જઈ રહ્યા છીએ. જ્યારે અમે સરકારના માધ્યમથી જનતાની વચ્ચે જઈ રહ્યા છીએ ત્યારે આ ભેદભાવ શા માટે હોવો જોઈએ?આ દેશની અંદર આપણે સૌ ભારત માતાના સંતાનો છીએ, તો ભેદભાવનો સવાલ જ ક્યાં ઊભો થાય છે?</p><h2 style="text-align: justify; "><b>ઇસ્લામપુરનું નામ બદલીને જગદીશપુર કરાશે</b></h2><p style="text-align: justify; ">કટની ખાતેના કાર્યક્રમમાં મુખ્યમંત્રી મોહન યાદવે ભોપાલના ઇસ્લામપુરનું નામ બદલીને જગદીશપુર કરવાની પણ સત્તાવાર જાહેરાત કરી હતી.તેમણે જણાવ્યું કે યુસીસી કાયદો લાગુ કરતાં પહેલાં તેમની સરકાર ભોપાલની જૂની રાજધાની જગદીશપુરને તેની અસલી ઓળખ પાછી આપવા જઈ રહી છે.તેમણે ઉમેર્યું કે, ભોપાલની જૂની રાજધાની જગદીશપુર હતી જેનું નામ આક્રમણખોરોએ બદલીને ઇસ્લામપુર કરી દીધું હતું.અમે તેનું નામ ફરીથી બદલીને જગદીશપુર કર્યું છે અને ત્યાંથી જ અમે આ નવો કાયદો પસાર કરીશું.<br><br><a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/terror-suspects-father-seeks-strict-punishment-if-son-found-guilty" target="_blank">આ પણ વાંચોઃ Gujarat ATS Probe : મારો દીકરો દેશદ્રોહી નીકળે તો કડક સજા કરો, ફટાકડા અને ઝાડમાં નાખવાના પાવડરથી પ્રયોગો કરતો : આરોપીના પિતા</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/hoAfpv6swQ1UZfJeej0nKlrKhUbL51m33GCp2qf0.webp'/></item><item><title><![CDATA[Arjun Bijlani: મૌની રોય સાથે નામ જોડાવવા પર ભડક્યો અભિનેતા, અર્જુને આપ્યું મોટું નિવેદન ]]></title><link>https://sandesh.com/entertainment/news/arjun-bijlani-mouni-roy-dating-rumours--actors-team-issues-statement</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/arjun-bijlani-mouni-roy-dating-rumours--actors-team-issues-statement</guid><pubDate>Fri, 17 Jul 2026 19:07:26 +05:30</pubDate><description><![CDATA[<p>ટીવી અને બોલિવૂડ કોરિડોરમાં વારંવાર લિંક-અપ્સ અને અફેર્સના સમાચારો સામે આવતા રહે છે. પરંતુ ક્યારેક આ અફવાઓ એટલી હદે વધી જાય છે કે સ્ટાર્સે પોતે આગળ આવીને સ્પષ્ટતા કરવી પડે છે. ટીવી ઈન્ડસ્ટ્રીના સૌથી પ્રિય કલાકારોમાંના એક અર્જુન બિજલાની સાથે પણ આવું જ થયું છે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા અને વિવિધ મીડિયા રિપોર્ટ્સ દ્વારા અર્જુન બિજલાનીનું નામ તેના નજીકની મિત્ર અને બોલિવૂડ અભિનેત્રી મૌની રોય સાથે જોડવામાં આવી રહ્યું છે.</p><p>અર્જુન બિજલાનીની ટીમે હવે આ અફવાઓને લઈને એક નિવેદન બહાર પાડ્યું છે, જેમા અફવા ફેલાવનારાઓને ફટકાર લગાવી છે. અર્જુનનું આ સત્તાવાર નિવેદનમાં કેહવામાં આવ્યું છે કે, અર્જુન અને મૌની રોય વચ્ચેનો સંબંધ માત્રને માત્ર એક સારી મિત્રતાનો છે.
</p><h3><b>અર્જુને નિવેદનમાં શું કહ્યું?
</b></h3><p>અર્જુન બિજલાની અને મૌની રોયને લઈને ચાલી રહેલી પાયાવિહોણી અફવાઓને અમે સંપૂર્ણપણે નકારી કાઢીએ છીએ. દરેક મિત્રતાને કોઈ પણ રોમેન્ટિક અર્થ આપવો અથવા તેને અફેર તરીકે લેવું સંપૂર્ણપણે ખોટું છે. બંને ખૂબ સારા મિત્રો છે અને વર્ષોથી મજબૂત બોન્ડ શેર કરે છે. આવા બનાવટી સમાચાર ફક્ત સ્ટાર્સને જ ખલેલ પહોંચાડતા નથી પરંતુ તેમના અંગત જીવનને પણ અસર કરે છે.
</p><h5><b>"નાગિન" થી શરૂ થયેલી મિત્રતા
</b></h5><p>તમને જણાવી દઇએ કે અર્જુન બિજલાની અને મૌની રોયની મિત્રતા નવી નથી. તેઓએ એકતા કપૂરના સુપરહિટ સુપરનેચરલ શો "નાગિન" માં મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી. ઋત્વિક અને શિવન્યા તરીકેની તેમની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. ઑફસ્ક્રીન તેઓ ઘણીવાર સાથે પાર્ટી કરતા અને મુશ્કેલીઓમાં એકબીજાની પડખે ઉભા રહેતા જોવા મળે છે. અર્જુન પહેલાથી જ પત્ની નેહા સ્વામી સાથે ખુશહાલ જીંદગી જીવી રહ્યો છે અને તેમનો એક પુત્ર છે. નોંધનીય છે કે, મૌની રોય તાજેતરમાં સૂરજ નામ્બિયારથી અલગ થઈ ગઈ છે. અર્જુને તેમની પવિત્ર મિત્રતા વિશે ઉઠાવવામાં આવેલા પ્રશ્નોનો યોગ્ય જવાબ આપ્યો છે.
</p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/entertainment/news/raj-kundra-on-2021-case---quot-ready-to-face-punishment-if-guilty-quot-" target="_blank">'મેં કંઈ ખોટું નથી કર્યું...' રાજ કુન્દ્રાએ કર્યો મોટો ખુલાસો</a>
</p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/uqmxCDz2JzENRtGnK9YgCSpF9Y2jaoiAPEqMtfOi.webp'/></item><item><title><![CDATA[FIFA નો ઐતિહાસિક નિર્ણય, આ વખતે ચેમ્પિયન ટીમને ટ્રોફિ અને મેડલ સાથે આપશે ખાસ ભેટ ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifas-historic-decision-this-time-the-champion-team-will-be-given-a-special-gift-along-with-a-trophy-and-medal</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifas-historic-decision-this-time-the-champion-team-will-be-given-a-special-gift-along-with-a-trophy-and-medal</guid><pubDate>Fri, 17 Jul 2026 16:07:22 +05:30</pubDate><description><![CDATA[<p>FIFA વર્લ્ડ કપ 2026 ફાઇનલના વિજેતાઓને પ્રતિષ્ઠિત ટ્રોફી અને ગોલ્ડ મેડલ ઉપરાંત ખાસ ડિઝાઇન કરેલી ચેમ્પિયનશિપ રિંગ આપવામાં આવશે. પ્રાચીન અમેરિકન રમતગમત પરંપરાથી પ્રેરિત FIFA વેબસાઇટ અનુસાર માહિતી આપવામાં આવી છે. રવિવાર, 19 જુલાઈના રોજ ન્યૂ યોર્ક-ન્યૂ જર્સી સ્ટેડિયમ ખાતે સ્પેન અને આર્જેન્ટિના વચ્ચેની ફાઇનલ પછી આ કસ્ટમાઇઝ્ડ રિંગ્સ ટુર્નામેન્ટ ચેમ્પિયનને રજૂ કરવામાં આવશે. ટુર્નામેન્ટની યાદમાં કુલ 2,026 અનન્ય નંબરવાળી રિંગ્સ બનાવવામાં આવશે. આમાંથી ત્રીસ રિંગ્સ વિજેતા ટીમના સભ્યો માટે અનામત રાખવામાં આવશે, જ્યારે બાકીના 1,996 વિશ્વભરના ચાહકો માટે સત્તાવાર લાઇસન્સ પ્રાપ્ત ઉત્પાદનો તરીકે ઉપલબ્ધ રહેશે.</p><h4><b>રિંગમાં FIFA વર્લ્ડ કપ ટ્રોફી ડિઝાઇન જોવા મળશે</b></h4><p>દરેક રિંગમાં એક બાજુ FIFA વર્લ્ડ કપ ટ્રોફી ડિઝાઇન જોવા મળશે.જ્યારે બીજી બાજુ ચેમ્પિયન ટીમને ઓળખવા માટે કસ્ટમાઇઝ કરવામાં આવશે. દરેક રિંગ અનન્ય રીતે નંબરવાળી, કસ્ટમ-ફિટ કરેલી અને પ્રમાણિકતાનું પ્રમાણપત્ર સાથે હશે.ફાઇનલ પછી તરત જ, વિજેતા ટીમના કેપ્ટન અને મુખ્ય કોચને ઉજવણી દરમિયાન કામચલાઉ ચેમ્પિયનશિપ રિંગ્સ પ્રાપ્ત થશે. બાદમાં, 30 વિજેતાઓને સત્તાવાર રીતે કસ્ટમ-મેઇડ રિંગ્સ આપવામાં આવશે જેથી તેઓ સંપૂર્ણ રીતે ફિટ થાય અને તેમની વર્લ્ડ કપ જીતની યાદમાં રમી શકે.</p><h5><b>આર્જેન્ટિનાએ સેમિફાઇનલમાં વિજય મેળવ્યો</b></h5><p>ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ પર 2-1 થી રોમાંચક વિજય મેળવ્યો. તેઓ પહેલા હાફમાં પાછળ રહીને બરાબરી કરી, અને લૌટારો માર્ટિનેઝે સ્ટોપેજ સમયમાં વિજયી ગોલ કરીને ડિફેન્ડિંગ ચેમ્પિયનને સ્પેન સામે ટાઇટલ મુકાબલામાં આગળ ધપાવ્યું. ઇંગ્લેન્ડ પરની આ જીતથી આર્જેન્ટિના 2026 વર્લ્ડ કપ ફાઇનલમાં સ્થાન મેળવી શક્યું, જ્યારે ઇંગ્લેન્ડની 1966 પછી પહેલી વાર વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચવાની આશા દુ:ખદ રીતે ઠગારી નીવડી. બીજી તરફ, સ્પેને શાનદાર પ્રદર્શન કરીને ફ્રાન્સને 2-0 થી હરાવ્યું અને 2010 ની જીત પછી પ્રથમ ફિફા વર્લ્ડ કપ ફાઇનલ મેળવી. આ જીતમાં લેમિન યામાલે મુખ્ય ભૂમિકા ભજવી</p><h5><b>છઠ્ઠી ક્લીન શીટ મેળવી</b></h5><p>બ્રેક પછી, પેડ્રો પોરોએ દાની ઓલ્મો સાથે શાનદાર સંકલન કરીને સ્પેનની લીડ બમણી કરી, જ્યારે ફ્રાન્સ સ્પષ્ટ ગોલ કરવાની તકો બનાવવામાં સંઘર્ષ કરી રહ્યું હતું. યામાલનો એક ગોલ ઓફસાઇડ માટે નામંજૂર કરવામાં આવ્યો હતો, અને કાયલિયન એમબાપ્પે અને ઓરેલિયન ચૌમેનીના છેલ્લી ઘડીના પ્રયાસો છતાં, સ્પેનના ડિફેન્સે મજબૂતાઈ જાળવી રાખી, ટુર્નામેન્ટની સાત મેચમાં તેમની છઠ્ઠી ક્લીન શીટ મેળવી.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/fifa-world-cup/news/fifa-world-cup-2026-final-the-epic-clash-between-spain-and-argentina-know-when-and-where-to-watch-it-live-in-india" target="_blank">FIFA World Cup 2026 Final: સ્પેન અને આર્જેન્ટિના વચ્ચે મહામુકાબલો, જાણો ભારતમાં ક્યારે Liveજોઈ શકાશે</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/LqXgHChGgrFPEeJhZ2mS6AMKZWcKsJ2XQPt7WGQS.webp'/></item><item><title><![CDATA[Stock Market Closing: શાનદાર તેજી સાથે માર્કેટ બંધ, સેન્સેક્સ 964 પોઇન્ટના ઉછાળા સાથે 78,151.45 અંકે ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-closing-market-closes-with-a-strong-rally-sensex-jumps-964-points-to-7815145</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-closing-market-closes-with-a-strong-rally-sensex-jumps-964-points-to-7815145</guid><pubDate>Fri, 17 Jul 2026 15:44:04 +05:30</pubDate><description><![CDATA[<p>17 જુલાઇએ&nbsp; ઘરેલુ શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી. આઈટી અને બેંકિંગ ક્ષેત્રો તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા હેવીવેઇટ શેરોમાં જોરદાર ખરીદીને કારણે, સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ટ્રેડિંગ સેશન દરમિયાન 1 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો. મોટી કંપનીઓના પ્રથમ ક્વાર્ટર (Q1) ના પરિણામો પહેલા રોકાણકારોનો રસ લાર્જ-કેપ શેરો તરફ વળ્યો, જેનાથી બજારને મજબૂતી મળી.</p><h2><b>શેરબજારમાં તેજી&nbsp;</b></h2><p>શુક્રવારે સેન્સેક્સ અને નિફ્ટી શાનદાર તેજી સાથે બંધ થયા. સેન્સેક્સ +964.59 પોઇન્ટના વધારા સાથે 78,151.45 અંકે બંધ થયો.. જ્યારે નિફ્ટી +261.55 પોઇન્ટના વધારા સાથે 24,334.30 અંકે&nbsp; બંધ થયો.</p><h3><b>આઇટી અને બેંકિંગ શેરોમાં ખરીદી</b></h3><p>ક્ષેત્રીય સૂચકાંકોની દ્રષ્ટિએ, નિફ્ટી આઇટી સૌથી વધુ વધ્યો હતો, જેમાં 1 ટકાથી વધુનો વધારો નોંધાયો હતો. નિફ્ટી બેંક પણ લગભગ 1 ટકા મજબૂત થયો હતો. જોકે, વ્યાપક બજારમાં સમાન સ્તરની મજબૂતાઈ જોવા મળી ન હતી; નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100 સૂચકાંકોમાં અનુક્રમે 0.61 ટકા અને 0.86 ટકાનો ઘટાડો નોંધાયો હતો.</p><p><b style="font-size: 1.5rem;">RIL સૌથી વધુ વધનાર તરીકે ઉભરી આવ્યો</b></p><p>સેન્સેક્સના શેરોમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) એ સૌથી વધુ વધારો નોંધાવ્યો, જે 2 ટકાથી વધુ વધ્યો. શુક્રવારે જાહેર થનારા કંપનીના પ્રથમ ત્રિમાસિક પરિણામો પહેલા રોકાણકારો શેર પર નજર રાખી રહ્યા છે.</p><p><br></p><p>વધુમાં, TCS, કોટક મહિન્દ્રા બેંક, ટેક મહિન્દ્રા, હિન્દુસ્તાન યુનિલિવર, એક્સિસ બેંક, ઇન્ફોસિસ, HDFC બેંક, મહિન્દ્રા અને મહિન્દ્રા, HCL ટેક અને ICICI બેંકના શેરમાં પણ 1 ટકાથી વધુનો વધારો નોંધાયો. આ હેવીવેઇટ શેરોમાં ખરીદીની પ્રવૃત્તિએ બજારના ઉપરના વેગને પ્રોત્સાહન આપ્યું.</p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/03/16/gLJ4WtokoymfX6Y0aSSr5fk0mQbgABzBzdoZamiA.webp'/></item></channel></rss>