<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabad: રાજ્યના મોટાભાગના શહેરોમાં પારો 41 ડિગ્રીને પાર, ભેજ વધવાના કારણે નાગરિકો બફારાથી બેહાલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/weather/ahmedabad/gujarat-weather-update-heatwave-continues-with-42-degree-celsius-imd-forecasts-rain-in-surat-kutch-amreli</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/weather/ahmedabad/gujarat-weather-update-heatwave-continues-with-42-degree-celsius-imd-forecasts-rain-in-surat-kutch-amreli</guid><pubDate>Sun, 14 Jun 2026 07:18:08 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતમાં હાલમાં કુદરતના બે જુદા જુદા સ્વરૂપો એકસાથે જોવા મળી રહ્યા છે. રાજ્યમાં અરબી સમુદ્ર તરફથી આવતા ભેજવાળા પવનોના કારણે આકાશ વાદળછાયું બન્યું છે, જેના લીધે તાપમાનનો પારો બહુ ઊંચો નથી જઈ રહ્યો પરંતુ હવામાં ભેજનું પ્રમાણ 70 ટકાને પાર થઈ જતાં જનજીવન અસહ્ય બફારાથી તોબા પોકારી ઉઠ્યું છે. અમદાવાદમાં 41.3 ડિગ્રી અને અમરેલીમાં 41.2 ડિગ્રી સાથે સરેરાશ તાપમાન 40 થી 42 ડિગ્રીની વચ્ચે નોંધાતાં બપોરના સમયે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે.</p><h2><b>અલ નીનોની એન્ટ્રી અને મધ્યમ ચોમાસાના સંકેત</b></h2><p>હવામાન વિભાગના ડેટા એનાલિસિસ મુજબ, વૈશ્વિક સ્તરે પેસિફિક મહાસાગરમાં સર્જાતી 'અલ નીનો' ની સ્થિતિ સક્રિય થઈ ગઈ છે, જેની અસર ભારતીય ચોમાસાની પ્રગતિ પર પડી રહી છે. આ અસરના કારણે ચાલુ વર્ષે ગુજરાતમાં ચોમાસું ખૂબ ધમાકેદાર રહેવાને બદલે સામાન્યથી મધ્યમ પ્રકૃતિનું રહેશે. આ અંદાજને પગલે કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને તે મુજબના પાક આયોજનની સલાહ આપવામાં આવી રહી છે.</p><h3><b>11 થી વધુ જિલ્લાઓમાં કડાકા-ભડાકા સાથે વરસાદી ઝાપટાં</b></h3><p>ભલે ચોમાસું મધ્યમ રહેવાનું હોય, પરંતુ પ્રિ-મોન્સૂન સિસ્ટમ મજબૂત હોવાના કારણે આજે આખા રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આજે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને આદિવાસી જિલ્લા દાહોદ તથા મહિસાગરમાં પવન સાથે વરસાદ પડી શકે છે. તો બીજી તરફ, દક્ષિણ ગુજરાતના તમામ મુખ્ય જિલ્લાઓ જેવા કે સુરત, નવસારી, વલસાડ, નર્મદા, છોટાઉદેપુર, ડાંગ અને તાપી સહિત કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં મેઘગર્જના સાથે હળવોથી મધ્યમ વરસાદ ખાબકશે. સૌરાષ્ટ્રના અમરેલી અને સરહદી જિલ્લા કચ્છના વાતાવરણમાં પણ પલટો આવશે અને સાંજના સમયે વાવાઝોડા સાથે વરસાદી એન્ટ્રી થવાની સંભાવના છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/himachal-pradesh-tourist-rush-manali-chamoli-hill-stations-housefull" target="_blank">આ પણ વાંચો: Himachal Pradesh : પ્રવાસીઓનો ધસારો હિલ સ્ટેશન પર, મનાલીથી લઈને ચમોલી સુધીની તમામ જગ્યાઓ હાઉસ ફૂલ</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/14/wUQPAsAck4aOw40vmlAnJ977HWnFbzEOAqV7McBR.webp'/></item><item><title><![CDATA[Patan: પાટણમાં બગવાડા દરવાજા પાસે બી ડિવિઝન પોલીસની લાલ આંખ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/patan/patan--1-1-1-1-1-1-1-1-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/patan/patan--1-1-1-1-1-1-1-1-1</guid><pubDate>Sun, 14 Jun 2026 05:54:35 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પાટણ શહેરમાં જિલ્લા મથક હોવાથી દિવસભર બજાર ભરચક રહેતી હોય છે. તેમજ વાહનચાલકો દ્વારા પણ આડેધડ પાર્કિંગ કરી દેતાં અવારનવાર ટ્રાફ્કિની સમસ્યા ઉદભવતી હોય છે. જેને લઈ શનિવારે બપોરે પાટણ બી ડિવિઝન પોલીસે બગવાડા દરવાજા વિસ્તારમાં ટ્રાફ્કિ ડ્રાઈવ યોજીને ટ્રાફ્કિના નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો સામે કાર્યવાહી કરી હતી. પાટણ બી ડિવિઝન પીઆઈ નિરવભાઈ શાહ દ્વારા તેમની ટીમને સાથે રાખીને પાટણ શહેરના હાર્દસમા વિસ્તાર એવા બગવાડા દરવાજા પાસે ટ્રાફ્કિ ડ્રાઈવ યોજી હતી. જે દરમિયાન પોલીસે આડેધડ પાર્કિંગ કરાયેલા વાહનો સહિત નંબર પ્લેટો વગરના તથા બ્લેક ફ્લ્મિો લગાવેલ અને લાયસન્સ વગર પસાર થતાં વાહનચાલકોની સામે કાર્યવાહી કરતાં ટ્રાફ્કિ નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોમાં ફ્ફ્ડાટ વ્યાપી ગયો હતો. આ બાબતે પોલીસે જણાવ્યું હતું કે શહેરમાં વધી રહેલી ટ્રાફ્કિની સમસ્યાને અને અકસ્માતની ઘટનાઓ ન બનેતેવા હેતુથી ટ્રાફ્કિ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. ડ્રાઈવ દરમિયાન કાયદાનો ભંગ કરનાર વાહનચાલકોને સ્થળ પર જ દંડની રકમનો મેમો આપવામાં આવ્યો હતો. તો કેટલાક વાહનચાલકો પાસેથી સ્થળ પર જ દંડની રકમ વસુલાઈ હોવાનું જાણવા મળ્યું હતું.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/14/KpHpIUEi6ZX70VMXq2rdkhGo8oSlVUbT3tWtYCxV.webp'/></item><item><title><![CDATA[Patan: બાજરી પાકના વાવેતરમાં હેકટરે 4 KG બીજની જરૂર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/patan/patan-4-kg-of-seeds-per-hectare-are-required-for-planting-millet-crop</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/patan/patan-4-kg-of-seeds-per-hectare-are-required-for-planting-millet-crop</guid><pubDate>Sun, 14 Jun 2026 05:52:56 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે ઉ.ગુજરાતના ખેડૂતો ખરીફ્ પાકોના વાવેતરની તૈયારીઓમાં લાગી ગયા છે. ખેતીમાંથી વધુમાં વધુ નફો અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા માટે બિયારણનો યોગ્ય દર, વાવેતરનું અંતર અને ખાતરનું સંતુલિત આયોજન ખૂબ જ જરૂરી છે. કૃષિ વિભાગ દ્વારા ચોમાસુ બાજરી અને જુવારના પાક માટે વૈજ્ઞાનિક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. બાજરીનું વાવેતરમાં હેક્ટર દીઠ 4 કિલોગ્રામ બીજ દર રાખવો, બે લાઈન વચ્ચે 60 સે.મી. અને હારમાં બે છોડ વચ્ચે 10 સે.મી.નું અંતર રાખીને જ વાવેતર કરવું, જેથી છોડનો વિકાસ સારો થાય. વાવણી સમયે પાયાના ખાતર તરીકે હેક્ટર દીઠ 40 કિ.ગ્રા.નાઇટ્રોજન અને 40 કિ.ગ્રા. ફૉસ્ફરસ આપવો. જુવારના પાકમાં પણ પાયાના ખાતર તરીકે વાવણી સમયે જ હેક્ટર દીઠ 40 કિ.ગ્રા. નાઇટ્રોજન અને 40 કિ.ગ્રા. ફૉસ્ફરસ આપવાની સલાહ છે. વાવણી સમયે જ પાયાના ખાતરનો આ સંતુલિત જથ્થો આપવાથી છોડના મૂળનો વિકાસ ઝડપી થશે અને પાક ઉત્પાદન વધુ મળશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/14/4or6qaxtWQdkxShIddsEz96qLnji4uu1rRtLtkcI.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: બગોદરા પોલીસ મથક દ્વારા સંદેશ ફ્ટિનેસનો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-message-from-bagodra-police-station-on-fitness</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-message-from-bagodra-police-station-on-fitness</guid><pubDate>Sun, 14 Jun 2026 05:35:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બગોદરા : બગોદરા પોલીસ સ્ટેશન દ્વારા સનડે ઓન સાયકલ પ્રોજેક્ટ અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બગોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ એન. એસ. ચૌહાણના નેતૃત્વમાં યોજાયેલી રેલીમાં સમગ્ર સ્ટાફ્ ઉત્સાહભેર જોડાયો હતો. આયોજનને વધુ સફ્ળ બનાવવા માટે પોલીસ સ્ટાફ્ની સાથે હોમગાર્ડ અને જીઆરડીના જવાનો પણ જોડાયા હતા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/14/zaXc4hieBAYy3pIUhQaVEJQVxYRXkvD3Nq8A4Zxa.webp'/></item><item><title><![CDATA[પિૃમ રેલવેના જનરલ મેનેજરે રાજકોટ- ઓખા રેલવે સેક્શનનું સેફ્ટી નિરીક્ષણ કર્યું ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/rajkot/general-manager-of-northern-railway-conducted-safety-inspection-of-rajkot-okha-railway-section</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/rajkot/general-manager-of-northern-railway-conducted-safety-inspection-of-rajkot-okha-railway-section</guid><pubDate>Sun, 14 Jun 2026 03:37:07 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ । પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક (જનરલ મેનેજર) રામાશ્રાય પાંડેએ રાજકોટ-ઓખા રેલવે સેક્શનનું વિન્ડો ટ્રેલિંગ સેફ્ટી નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે કાનાલુસ રેલવે સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી અને ત્યાં ઉપલબ્ધ મુસાફરોની સુવિધાઓ તેમજ રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સમીક્ષા કરી હતી.</p><p>વિન્ડો ટ્રેલિંગ સેફ્ટી નિરીક્ષણ દરમિયાન મહાપ્રબંધકે રાજકોટ-ઓખા રેલવે સેક્શનમાં રેલ ટ્રેકની સ્થિતિ, ઓપરેશનલ કાર્યક્ષમતા અને વિવિધ સેફ્ટી માપદંડોનું વિગતવાર મૂલ્યાંકન કર્યું હતું. તેમણે રેલ સંચાલનની સેફ્ટી અને ગુણવત્તા સંબંધિત વિવિધ પાસાઓની સમીક્ષા કરી હતી. નોંધનીય છે કે નિયમિત સેફ્ટી નિરીક્ષણ સુરક્ષિત, વિશ્વસનીય અને અવિરત રેલ સંચાલન સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આવા નિરીક્ષણો દ્વારા રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગુણવત્તા જાળવી રાખવાની સાથે-સાથે મુસાફરોની સેફ્ટી પ્રત્યે પશ્ચિમ રેલવેની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બને છે.</p><p>કાનાલુસ રેલવે સ્ટેશનના નિરીક્ષણ દરમિયાન મહાપ્રબંધકે સ્ટેશનના ફૂટ ઓવર બ્રિજ, પ્લેટફેર્મ, મોડયુલર શૌચાલય, રનિંગ રૂમ સહિતની અન્ય મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સ્ટેશન પરિસરની સ્વચ્છતા, મુસાફરોની સુવિધાઓની ઉપલબ્ધતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી અને કર્મચારીઓના કલ્યાણ સંબંધિત વિવિધ પાસાઓની પણ સમીક્ષા કરી હતી. આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) ગિરિરાજ કુમાર મીના, સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર (Sr.DCM) સુનીલ કુમાર મીના સહિત ડિવિઝનના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/14/VWCdnnC7DHBq5PeNrNFWmSifSo6YuRt1XKd3DsnS.webp'/></item><item><title><![CDATA[કૈલાશ માનસરોવર યાત્રામાં ખાનગી ઓપરેટરોનું મોટું કૌભાંડ? GST વસૂલી બિલ ન આપતા હોવાના આક્ષેપ સાથે કેન્દ્ર સરકારમાં લેખિત ફરિયાદ! ]]></title><link>https://sandesh.com/india/news/kailash-mansarovar-yatra-controversy-private-operators-fraud</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/kailash-mansarovar-yatra-controversy-private-operators-fraud</guid><pubDate>Sat, 13 Jun 2026 23:13:42 +05:30</pubDate><description><![CDATA[<p>હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર ગણાતી કૈલાશ માનસરોવર યાત્રાને લઈને એક મોટો વિવાદ સામે આવ્યો છે. યાત્રાનું આયોજન કરતા ખાનગી ટૂર ઓપરેટરો સામે યાત્રાળુઓ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પ્રવાસીઓ પાસેથી મોટી રકમ વસૂલવા છતાં ત્યાં અપાતી સુવિધાઓ અને આર્થિક વ્યવહારોમાં મોટા પાયે ગેરરીતિ થઈ રહી હોવાની વિગતો બહાર આવતા યાત્રાળુઓએ આ અંગે કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો સમક્ષ લેખિતમાં રજૂઆત કરી કડક તપાસની માગ કરી છે.</p><h2><b>નેપાળ પહોંચ્યા બાદ USD 1710 રોકડ વસૂલાતનો આક્ષેપ</b></h2><p>કેન્દ્ર સરકારને કરવામાં આવેલી રજૂઆતમાં યાત્રાળુઓએ આક્ષેપ કર્યો છે કે, ભારતમાંથી બુકિંગ કરાવ્યા બાદ જ્યારે પ્રવાસીઓ નેપાળ પહોંચે છે, ત્યારે ખાનગી ઓપરેટરો દ્વારા તેમની પાસેથી બળજબરીપૂર્વક મોટી રકમ વસૂલવામાં આવે છે. ઓપરેટરો દ્વારા પ્રતિ યાત્રાળુ 17120 અમેરિકન ડોલર રોકડા સ્વીકારવાનો આગ્રહ રાખવામાં આવે છે, જે સંપૂર્ણપણે નિયમોની વિરૂદ્ધ છે.</p><h3><b>GST લીધો પણ બિલ ગાયબ!</b></h3><p>નાણાકીય હેરાફેરીના આક્ષેપો લગાવતા પ્રવાસીઓએ જણાવ્યું છે કે, ટૂર ઓપરેટરો બુકિંગ સમયે યાત્રાળુઓ પાસેથી જીએસટી (GST) ની રકમ વસૂલ કરે છે, પરંતુ જ્યારે સત્તાવાર બિલ માંગવામાં આવે, ત્યારે પૂરતો જીએસટી વસૂલ્યા હોવા છતાં તેનું પાકું જીએસટી બિલ આપવામાં આવતું નથી. આ ઉપરાંત યાત્રા દરમિયાન રહેઠાણ અને ભોજનની વ્યવસ્થામાં પણ ભારે ગેરવહીવટ અને બેદરકારી જોવા મળતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.</p><p>લાખો હિંદુઓની આસ્થાના કેન્દ્ર સમાન પવિત્ર કૈલાશ માનસરોવર યાત્રાનું આયોજન કરતા કેટલાક ખાનગી ટૂર ઓપરેટરો સામે ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. યાત્રાળુઓ દ્વારા કેન્દ્ર સરકારના પ્રવાસન મંત્રાલયને એક વિસ્તૃત રજૂઆત મોકલીને ખાનગી ઓપરેટરોની નાણાકીય હેરાફેરી અને કથિત ગેરવહીવટ સામે સેન્ટ્રલ બ્યુરો અને વિવિધ તપાસ એજન્સીઓ દ્વારા કડક તપાસ કરવાની માગ કરવામાં આવી છે.</p><p>કેન્દ્ર સરકારને કરવામાં આવેલી લેખિત રજૂઆતમાં ખાસ કરીને 'ઇનાયા જર્નીઝ' અને તેના પ્રમોટર રવિ મોદીની ઓપરેટિંગ સિસ્ટમ સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ફરિયાદ અનુસાર, ભારતમાં પ્રતિ યાત્રાળુ આશરે રૂ. 3,00,000 થી રૂ. 3,50,000 જેટલી મોટી રકમ વસૂલવામાં આવે છે. આટલું જ નહીં, યાત્રાળુઓ જ્યારે નેપાળ પહોંચે છે, ત્યારે તેમની પાસેથી પ્રતિ વ્યક્તિ 1710 યુએસ ડોલર રોકડા વસૂલવામાં આવતા હોવાનો સનસનાટીભર્યો આક્ષેપ કરાયો છે. આટલી મોટી રકમ બેંકિંગ ચેનલના બદલે રોકડમાં લેવાતી હોવાથી FEMA અને RBI ના નિયમોના ભંગ તેમજ મની લોન્ડરિંગની આશંકા વ્યક્ત કરાઈ છે.</p><h2><b>વૃદ્ધ યાત્રાળુઓ હેરાન કરાયા, ભોજન અને રહેઠાણમાં ભારે ગેરવહીવટ</b></h2><ul><li>આર્થિક સ્કેમ ઉપરાંત, પવિત્ર યાત્રાએ જતા સિનિયર સિટિઝન્સ અને અન્ય ભક્તો સાથે થતા દુર્વ્યવહારની પણ વિગતો સામે આવી છે.</li><li>પ્રવાસીઓને રાત્રે મોડે સુધી હોટેલ એલોકેશન ન મળવું અને સામાન સાથે કલાકો સુધી ઉભા રાખવાની ફરિયાદો ઉઠી છે.</li><li>લાંબી અને થકવી નાખનારી મુસાફરી બાદ જ્યારે પ્રવાસીઓ હોટેલ પહોંચે ત્યારે કિચન બંધ હોવાના બહાના હેઠળ ભોજન પણ આપવામાં આવતું ન હોવાના કિસ્સા બન્યા છે.</li><li>કોઈ ગેરવ્યવસ્થા બાબતે જ્યારે ઓપરેટરોને પૂછવામાં આવે ત્યારે તેઓ ચીની એજન્સીઓ, સ્થાનિક નેપાળી ઓપરેટરો કે હવામાન પર દોષનો ટોપલો ઢોળીને પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ જાય છે.</li></ul><p><br></p><p><b><a href="https://epapercdn.sandesh.com/images/2026/06/13/NDgi8bBSMmyqBnRbGP2DZY98kBcZ4lkyXtjz5C34.pdf" target="_blank">ફરિયાદની PDF ફાઈલ ડાઉનલોડ કરવા ક્લિક કરો</a></b></p><p><br></p><h2><b>દેશની સર્વોચ્ચ એજન્સીઓ પાસે તપાસની માગ</b></h2><p>આ સમગ્ર કૌભાંડ અને ગેરરીતિઓ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની છબી ખરડી રહી હોવાથી યાત્રાળુઓએ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોને પત્ર લખ્યો છે. જેમાં આ મામલે પ્રવાસન મંત્રાલય, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI), સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC), સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ GST ઇન્ટેલિજન્સ (DGGI) જેવી સર્વોચ્ચ એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવી માગ ઉઠાવી છે. આ સાથે જ ભવિષ્યમાં ભોળા શ્રદ્ધાળુઓ છેતરાય નહીં તે માટે પ્રવાસ ઓપરેટરો માટે એક કડક નિયમનકારી માળખું તૈયાર કરવા પણ અપીલ કરવામાં આવી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/india/news/gujarat/ahmedabad/14-june-top-news-historical-events-lrd-exam-world-blood-donor-day-2026" target="_blank">વાંચો 14 જૂનના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/AmjnI0MoXp9X17HGo5AwoM4DbQLeZn6I0uHYFMbm.webp'/></item><item><title><![CDATA[Haridwar : પાણીની ટાંકીમાંથી એક-બે નહીં, પરંતુ 27 સાપના બચ્ચાં મળતા મચ્યો ભારે હડકંપ ]]></title><link>https://sandesh.com/india/news/haridwar-27-baby-snakes-found-in-house-water-tank-rescue-operation</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/haridwar-27-baby-snakes-found-in-house-water-tank-rescue-operation</guid><pubDate>Sat, 13 Jun 2026 22:50:56 +05:30</pubDate><description><![CDATA[<p>ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાના સરાય ગામમાં એક અનોખી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક પરિવારના ઘરઆંગણે આવેલી પાણીની ટાંકીમાંથી એક કે બે નહીં, પરંતુ 27 સાપના બચ્ચાં મળતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. આ ઘટનાથી પરિવારજનો અને સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.</p><h2><b>વન વિભાગની રેસ્ક્યૂ ટીમ સ્થળ પર પહોંચી
</b></h2><p>મળતી માહિતી મુજબ, સોમવાર બપોરે પરિવારના સભ્યો પાણી ભરવા માટે ટાંકી પાસે પહોંચ્યા ત્યારે તેમને ટાંકીમાં કંઈક હલચલ દેખાઈ હતી. નજીકથી જોતા પાણીમાં મોટી સંખ્યામાં સાપના બચ્ચાં તરતા અને રેંગતા જોવા મળ્યા. આ દૃશ્ય જોઈ પરિવારજનો ગભરાઈ ગયા અને તાત્કાલિક વન વિભાગને જાણ કરી. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની રેસ્ક્યૂ ટીમ સ્થળ પર પહોંચી હતી. નિષ્ણાત સ્નેક રેસ્ક્યૂઅર્સ તાલિબ અને ભોલાએ ખૂબ જ સાવધાનીપૂર્વક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને ટાંકીમાંથી એક પછી એક એમ કુલ 27 સાપના બચ્ચાંને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો પણ સ્થળ પર એકત્ર થઈ ગયા હતા.
</p><h3><b>આ સાપ ઝેરી નથી
</b></h3><p>વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે ટાંકીમાંથી મળેલા તમામ બચ્ચાં Checkered Keelback પ્રજાતિના છે, જેને સામાન્ય ભાષામાં 'વોટર સ્નેક' અથવા પાણીનો સાપ કહેવામાં આવે છે. આ સાપ ઝેરી નથી અને સામાન્ય રીતે તળાવો, નહેરો અને જળાશયો આસપાસ જોવા મળે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર બચ્ચાંની ઉંમર અંદાજે એકથી દોઢ સપ્તાહની છે. શક્યતા છે કે કોઈ માદા સાપે સુરક્ષિત સ્થળ માનીને ટાંકીની આસપાસ ઇંડાં મૂક્યાં હોય અને તાજેતરમાં તેમાંથી બચ્ચાં બહાર આવ્યા હોય. વન વિભાગે તમામ 27 સાપના બચ્ચાંને સુરક્ષિત રીતે તેમના કુદરતી નિવાસસ્થાનમાં મુક્ત કરી દીધાં છે. ઘટનાના અંતે પરિવારજનો અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
<br><br><a href="https://sandesh.com/india/news/demographic-change-committee-study-border-districts-population-shift-india" target="_blank">આ પણ વાંચો : Demographic Change : દેશના સરહદી વિસ્તારોની ડેમોગ્રાફી કેટલી બદલાઈ? સમિતિ કરશે અભ્યાસ</a><b></b></p><p><br></p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/V97EEOVgoEv6F3RT5iJECQQE6R7j5PoXqyTw8hpd.webp'/></item><item><title><![CDATA[Auto News: ભારતમાં EV ખરીદવાની પડાપડી; મારુતિથી લઈ BMW સુધીની કંપનીઓનું વેટિંગ લિસ્ટ લાંબું થયું! ]]></title><link>https://sandesh.com/business/news/automobile/auto-news-rush-to-buy-evs-in-india-waiting-list-of-companies-from-maruti-to-bmw-gets-long</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/auto-news-rush-to-buy-evs-in-india-waiting-list-of-companies-from-maruti-to-bmw-gets-long</guid><pubDate>Sat, 13 Jun 2026 22:32:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં હાલમાં એક બહુ મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. દેશભરમાં ઇલેક્ટ્રિક વાહનો (EV)ની માંગમાં અચાનક એટલો તીવ્ર ઉછાળો આવ્યો છે કે જેને 'ઈવી ક્રાંતિ' તરીકે જોવામાં આવી રહી છે. પેટ્રોલ અને ડીઝલના આસમાને પહોંચેલા ભાવથી પરેશાન ગ્રાહકો હવે મધ્યમવર્ગીય કારથી લઈને લક્ઝરી સેગમેન્ટ સુધી, તમામ સ્તરે ઇલેક્ટ્રિક કાર ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>ગ્રાહકોની માનસિકતા બદલાઈ</b></h2><p style="text-align: justify; ">સ્થિતિ એ છે કે મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, મહિન્દ્રા, મર્સિડીઝ-બેન્ઝ અને BMW જેવી દિગ્ગજ કંપનીઓ ગ્રાહકોની આ ભારે માંગને પહોંચી વળવામાં ટૂંકી પડી રહી છે અને તમામ લોકપ્રિય મોડલ્સ પર વેટિંગ પીરિયડ સતત વધી રહ્યો છે. ભૂતોકાળમાં ભારતીય ગ્રાહકો ઇલેક્ટ્રિક કાર ખરીદતા પહેલા ચાર્જિંગ સ્ટેશનોની અછત, બેટરીની લાઈફ અને વાહનની ઊંચી કિંમતોને લઈને ખૂબ ચિંતિત રહેતા હતા. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓમાં પરંપરાગત ઇંધણ પાછળ થતો માસિક ખર્ચ એટલો વધી ગયો છે કે ગ્રાહકો માટે હવે EV એક અત્યંત આર્થિક અને આકર્ષક વિકલ્પ બની ગયો છે.</p><h3 style="text-align: justify; "><b>મોંઘા બળતણના કારણે EV તરફ આકર્ષણ</b></h3><p style="text-align: justify; ">લક્ઝરી કાર ઉત્પાદક મર્સિડીઝ-બેન્ઝ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, તાજેતરના મહિનાઓમાં બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક વાહનોની માંગમાં 40 ટકા જેટલો મોટો ઉછાળો આવ્યો છે. કંપનીએ તાજેતરમાં લોન્ચ કરેલી 'CLA BEV' ઇલેક્ટ્રિક સેડાનને એટલો અભૂતોપૂર્વ પ્રતિસાદ મળ્યો છે કે કંપનીએ હાલ પૂરતું તેનું નવું બુકિંગ રોકવું પડ્યું છે, કારણ કે તેના પર પહેલેથી જ 2 થી 3 મહિનાનું વેટિંગ લિસ્ટ થઈ ગયું છે.</p><h4 style="text-align: justify; "><b>સપ્લાય માટે આયોજન બદલવું પડ્યું</b></h4><p style="text-align: justify; ">દેશની સૌથી મોટી અને સામાન્ય માણસની ફેવરિટ ગણાતી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી પણ હવે ઈવી સેગમેન્ટમાં ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે. કંપનીની નવી 'e-Vitara' SUV નું બુકિંગ માત્ર એક જ મહિનામાં બમણું થઈ ગયું છે અને ગ્રાહકોએ આ કાર મેળવવા માટે 6 થી 8 અઠવાડિયા સુધી રાહ જોવી પડી રહી છે.</p><h5 style="text-align: justify; "><b>ભારત માટે વધારાના ક્વોટાની માંગણી&nbsp;</b></h5><p style="text-align: justify; ">ઓટોમોબાઈલ નિષ્ણાતોના મતે, પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ)માં ચાલતા ભૌગોલિક-રાજકીય તણાવ અને યુદ્ધની સ્થિતિ પણ ગ્રાહકોને ઇલેક્ટ્રિક વાહનો તરફ વાળવામાં મોટો ભાગ ભજવી રહી છે. બીજી તરફ, પ્રીમિયમ બ્રાન્ડ BMW ઇન્ડિયા પાસે ભારતમાં એટલી બધી માંગ આવી છે કે તેઓએ પોતાના ભવિષ્યના ગાળા માટે અનામત રાખેલા સ્ટોકનો ઉપયોગ અત્યારથી જ કરવો પડી રહ્યો છે અને કંપની તેના ગ્લોબલ હેડક્વાર્ટર પાસેથી ભારત માટે વધારાના ક્વોટાની માંગણી કરી રહી છે.</p><h6 style="text-align: justify; "><b>ઓટો ઉદ્યોગ સામે સૌથી મોટો પડકાર</b></h6><p style="text-align: justify; ">હાલમાં ભારતીય ઈવી માર્કેટ સામે સૌથી મોટી સમસ્યા ગ્રાહકોની નથી, પરંતુ કંપનીઓની પ્રોડક્શન ક્ષમતા અને સપ્લાયર નેટવર્કની છે. ગ્રાહકો બુકિંગ કરાવવા તૈયાર છે, પણ ડિલિવરી મેળવવામાં સમય લાગી રહ્યો છે.</p><h6 style="text-align: justify; "><b>સપ્લાય અને પ્રોડક્શનની અછત</b></h6><p style="text-align: justify; ">વિવિધ લોકપ્રિય મોડલ્સ પરનો વર્તમાન વેટિંગ પીરિયડ આ મુજબ છે; મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા: કંપનીની લોકપ્રિય ઇલેક્ટ્રિક એસયુવી 'XEV 9e' અને 'BE 6' પર હાલમાં 4 થી 8 અઠવાડિયા સુધીની રાહ જોવી પડે છે. ટાટા મોટર્સ: ભારતમાં ઈવી માર્કેટમાં સિંહફાળો ધરાવતી ટાટાની 'Punch EV' અને 'Tiago EV' ની ડિલિવરીમાં પણ અંદાજે 6 અઠવાડિયા જેટલો સમય લાગી રહ્યો છે. JSW MG મોટર: આ કંપનીની 'Windsor' અને 'ZS EV' કારો જે અગાઉ શોરૂમ પર સરળતાથી મળતી હતી, તેના પર પણ હવે 1 મહિના જેટલો વેટિંગ પીરિયડ છે.</p><h6 style="text-align: justify; "><b>માંગની સરખામણીમાં સપ્લાય ચેઈન હજુ પાછળ</b></h6><p style="text-align: justify; ">ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સના મેનેજિંગ ડિરેક્ટર શૈલેષ ચંદ્રાના એક નિવેદન અનુસાર, કંપનીના કુલ કાર બુકિંગમાં હવે ઇલેક્ટ્રિક વાહનોનો હિસ્સો વધીને 30 થી 33 ટકા સુધી પહોંચી ગયો છે. જો કે, તેની સામે વાસ્તવિક ડિલિવરી માત્ર 15 થી 16 ટકા જ થઈ શકી છે. આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ જે ઝડપે વધી રહી છે, તેની સરખામણીએ કંપનીઓની સપ્લાય ચેઈન અને સ્પેરપાર્ટ્સ ઉત્પાદન ક્ષમતા હજુ પાછળ ચાલી રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/automobile" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/xLy7lc0BI5cLL7e12r5ty5MrjQxQS6diVH0O6FYZ.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup: 'રેપિસ્ટ' ખેલાડીના વિઝા થયા રિજેક્ટ, પહેલી મેચ રમી શકશે નહીં, આ દેશની કડક કાર્યવાહી ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/thomas-partey-misses-ghana-fifa-wc-opener-visa-rejection</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/thomas-partey-misses-ghana-fifa-wc-opener-visa-rejection</guid><pubDate>Sat, 13 Jun 2026 19:30:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઘાનાને તેમના ફિફા  વર્લ્ડકપ 2026 અભિયાન પહેલા મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર મિડફિલ્ડર થોમસ પાર્ટે કેનેડાના ટોરોન્ટોમાં પનામા સામે ટીમની શરૂઆતની મેચમાં રમી શકશે નહીં, કારણ કે તેની વિઝા અરજી નકારવામાં આવી છે.</p><p style="text-align: justify; ">શુક્રવારે FIFAએ એક નિવેદનમાં પુષ્ટિ આપી હતી કે 32 વર્ષના પાર્ટીને કેનેડામાં પ્રવેશ આપવાની ના પાડવામાં આવી છે. પરિણામે, તે યુએસએના રોડ આઈલેન્ડના સ્મિથફિલ્ડ સ્થિત ઘાનાના બેઝ કેમ્પથી ટોરોન્ટો સુધી મુસાફરી કરી શકશે નહીં. FIFAએ સ્પષ્ટતા કરી હતી કે યજમાન દેશો માટે વિઝા પ્રક્રિયામાં તેની કોઈ ભૂમિકા નથી અને અંતિમ નિર્ણય સંબંધિત સરકારો પાસે રહે છે.</p><h2 style="text-align: justify; "><b>કેનેડાની સરકારે વિઝા અરજી નકારી</b></h2><p style="text-align: justify; ">FIFA ના જણાવ્યા મુજબ કેનેડાની સરકારે તેમની વિઝા અરજી નકારી કાઢી હતી . FIFA યજમાન દેશોની ઈમિગ્રેશન પ્રક્રિયા અથવા વિઝા મંજૂરીઓમાં ભાગ લેતું નથી. ખેલાડીને વિઝા આપવાનો કે દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવાનો નિર્ણય સંબંધિત સરકારની જવાબદારી છે.</p><p style="text-align: justify; ">કેનેડિયન ઈમિગ્રેશન, શરણાર્થીઓ અને નાગરિકતા વિભાગે આ બાબતે તાત્કાલિક કોઈ ટિપ્પણી કરી ન હતી, અને ઘાના ફૂટબોલ એસોસિએશન તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું ન હતું .</p><p style="text-align: justify; ">વિઝા અરજી નકારાયા બાદ થોમસ પાર્ટે રોડ આઈલેન્ડ સ્થિત ઘાનાના બેઝ કેમ્પમાં પાછો ફર્યો છે. પરંતુ તે ટુર્નામેન્ટમાંથી સંપૂર્ણપણે બહાર થવાની અપેક્ષા નથી. તે 23 જૂને ફોક્સબરો, મેસેચ્યુસેટ્સમાં ઈંગ્લેન્ડ સામેની મેચ માટે ઉપલબ્ધ રહેશે. ત્યારબાદ ઘાના 27 જૂને ફિલાડેલ્ફિયામાં ક્રોએશિયા સામે તેની અંતિમ ગ્રુપ મેચ રમશે.</p><h3 style="text-align: justify; "><b>થોમસ પાર્ટે હાલમાં કાનૂની વિવાદમાં ફસાયેલો</b></h3><p style="text-align: justify; ">થોમસ પાર્ટે પણ હાલમાં કાનૂની વિવાદમાં ફસાયેલો છે. 2020 થી 2025 દરમિયાન ઈંગ્લિશ ક્લબ આર્સેનલ સાથેના તેમના કાર્યકાળ દરમિયાન લાગેલા અનેક બળાત્કારના આરોપો માટે તેઓ ટ્રાયલનો સામનો કરી રહ્યા છે. ટ્રાયલ નવેમ્બરમાં અથવા પછી શરૂ થવાની ધારણા છે. થોમસ પાર્ટેએ બધા આરોપોને નકારી કાઢ્યા છે અને પોતાને નિર્દોષ જાહેર કર્યા છે.</p><p style="text-align: justify; ">થોમસ પાર્ટે હાલમાં સ્પેનિશ ક્લબ વિલારિયલ માટે રમે છે. મોરોક્કન ડિફેન્ડર અચરાફ હકીમી પણ ફ્રાન્સમાં સમાન આરોપોમાં ટ્રાયલની રાહ જોઈ રહ્યો છે. ઘાના છેલ્લા 6 ફિફા વર્લ્ડકપમાંથી 5 માટે ક્વોલિફાય થયું છે અને આ વખતે તે વધુ સારા પ્રદર્શન કરશે તેવી અપેક્ષા છે. પરંતુ ટુર્નામેન્ટની શરૂઆતની મેચ પહેલા થોમસ પાર્ટેની ગેરહાજરી ટીમ માટે એક મોટો પડકાર સાબિત થઈ શકે છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/ipl-2026/vaibhav-sooryavanshi-ipl-2026-awards-orange-cap-mvp" target="_blank">Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/ETCVHQqX5of5bS057jQY7eFd8x8RSNmbCetTyLP8.webp'/></item><item><title><![CDATA[Bollywood Singer : 52 વર્ષનો એ સિંગર, જેના 43ની ઉંમરે થયા છૂટાછેડા, પછી ક્યારેય ન થયો પ્રેમ...! ]]></title><link>https://sandesh.com/entertainment/news/singer-vishal-dadlani-real-life-story-divorce-loneliness</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/singer-vishal-dadlani-real-life-story-divorce-loneliness</guid><pubDate>Sat, 13 Jun 2026 17:44:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઇન્ડિયન મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના કેટલાક નામો એવા છે, જે પોતાની પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં રહે છે. આજે અમે તમને એક એવા જ ગાયક વિશે જણાવી રહ્યા છીએ. ચાલો જાણીએ કે આ કોણ છે?</p><h2 style="text-align: justify; "><b>વિશાલ દદલાની</b></h2><p style="text-align: justify; ">અમે જેમની વાત કરી રહ્યા છીએ, તે બીજા કોઈ નહીં પણ ગાયક, સંગીત નિર્દેશક અને રિયાલિટી શોના જજ તરીકે પોતાની ઓળખ બનાવનારા વિશાલ દદલાની છે. લાઈમલાઈટથી દૂર અંગત જીવન આમ તો વિશાલ પોતાની પર્સનલ લાઈફને લાઈમલાઈટથી દૂર જ રાખે છે, પરંતુ એક ઇન્ટરવ્યુમાં તેમણે પોતાની લવ લાઈફ અને લગ્ન વિશે વાત કરી હતી.</p><h3 style="text-align: justify; "><b>પ્રિયાલી કપૂર સાથે પ્રેમ</b></h3><p style="text-align: justify; ">મેશેબલ ઇન્ડિયા સાથેની વાતચીત દરમિયાન વિશાલે શેર કર્યું હતું કે 23 વર્ષની ઉંમરે તેમને પહેલીવાર પ્રિયાલી કપૂર સાથે પ્રેમ થયો હતો, જેના પછી તેમણે 25 વર્ષની ઉંમરે લગ્ન કરી લીધા હતા.<br><img title="Vishal Dadlani, Bollywood (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/06/13/G45h6d9slpBYzfbAuE53vj5xO00OhKk3HRPF3fh0.webp"><br></p><h3 style="text-align: justify; "><b>2017માં છૂટાછેડા</b></h3><p style="text-align: justify; ">વર્ષ 1999માં બંનેએ લગ્ન કર્યા હતા અને આ લગ્નજીવન 18 વર્ષ સુધી ચાલ્યું, પરંતુ પછી બંનેએ છૂટાછેડા લઈને પોતાના રસ્તા અલગ કરી લીધા. વર્ષ 2017માં બંનેના સત્તાવાર રીતે છૂટાછેડા થઈ ગયા હતા.</p><h4 style="text-align: justify; "><b>52 વર્ષની ઉંમરે સિંગલ</b></h4><p style="text-align: justify; ">છૂટાછેડા પછી વિશાલે ક્યારેય બીજા લગ્ન ન કર્યા અને ના તો તેમને ફરી ક્યારેય પ્રેમ થયો. 52 વર્ષની ઉંમરે પણ તેઓ સિંગલ લાઈફ જીવી રહ્યા છે અને પૂરી રીતે પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. વિશાલ અને પ્રિયાલીએ પોતાના સંબંધો પ્રત્યે હંમેશા આદર અને સન્માન જાળવી રાખ્યું હતું અને ક્યારેય એકબીજા વિશે કંઈ ખોટું નથી કહ્યું, જ્યારે આજકાલના સમયમાં આવું બહુ ઓછું જોવા મળે છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/reena-roy-refused-working-with-shatrughan-sinha" target="_blank">આ પણ વાંચો-Celebrity Relationship : રીના રોયના એક નિર્ણયથી ભડક્યા શત્રુઘ્ન સિન્હા, વર્ષો જૂનો કિસ્સો ફરી ચર્ચામાં!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/elRG7nMF5LGHuN8wEHnvz8F4dP8wORyZqa8VrpgR.webp'/></item></channel></rss>