<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Monsoon 2026 : મેઘરાજાની સેકન્ડ ઇનિંગ, લાંબા વિરામ બાદ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ, ક્યાંક ધોધમાર તો ક્યાંક હળવો વરસાદ ]]></title><link>https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/gujarat-rain-update-gujarat-monsoon-rain-forecast-saurashtra-arvalli-junagadh-farmers</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/gujarat-rain-update-gujarat-monsoon-rain-forecast-saurashtra-arvalli-junagadh-farmers</guid><pubDate>Wed, 15 Jul 2026 08:43:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર  મેઘરાજાએ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં ધમાકેદાર વાપસી કરી છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગો તેમજ ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં આજે સવારથી જ આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા છે અને વરસાદી માહોલ જામ્યો છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.</p><p style="text-align: justify; "><img alt="Gujarat Rain Update: Monsoon Returns in Saurashtra and North Gujarat" src="https://epapercdn.sandesh.com/images/2026/07/15/huWsicCYLLVVuu2FGMRcJ4y8SverMF41rIJLJtsd.webp"><br></p><h2 style="text-align: justify; "><b>જૂનાગઢ અને જામજોધપુરમાં મેઘમહેર</b></h2><p style="text-align: justify; ">લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે મેઘરાજાની જૂનાગઢ જિલ્લા પર કૃપા વરસી છે. જિલ્લામાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદના આ આગમનથી કાળઝાળ ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને મોટી રાહત મળી છે અને સમગ્ર વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી ગઈ છે. આ તરફ જામજોધપુર પંથકના વાતાવરણમાં પણ વહેલી સવારથી પલટો આવ્યો હતો અને જોરદાર વરસાદી ઝાપટાં પડ્યા હતા, જેને પગલે સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે. જૂનાગઢના ધરતીપુત્રો વરસાદ પડતાં જ હરખાયા છે અને પાકને નવું જીવન મળતાં આનંદની લાગણી પ્રસરી છે.</p><p style="text-align: justify; "><img alt="Gujarat Rain Update: Monsoon Returns in Saurashtra and North Gujarat" src="https://epapercdn.sandesh.com/images/2026/07/15/bPgerDBvUtOwoA48yCEROqHzAiMpaSVXyEPQkgDa.webp"><br></p><h4 style="text-align: justify; "><b>&nbsp;અરવલ્લી જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજાની મહેર</b></h4><p style="text-align: justify; ">બીજી તરફ, ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજાની મહેર જોવા મળી છે. યાત્રાધામ શામળાજી અને મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી ધીમો વરસાદ શરૂ થયો છે. જો કે, અહીં હજુ સુધી પૂરતો વરસાદ ન પડવાને કારણે ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. ખેતરોમાં અગાઉ કરેલી વાવણીના પાક પર સુકાઈ જવાનું સંકટ મંડરાઈ રહ્યું છે, જેથી ધરતીપુત્રો હવે આકાશ તરફ મીટ માંડીને બેઠા છે અને મેઘરાજાના મુશળધાર વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-indepth-gujarat-monsoon-2026-rain-deficit-paresh-goswami-weather-forecast-july-round" target="_blank"><b> Sandesh Indepth : ચોમાસું ખોટકાયું, ગુજરાતમાં ગત વર્ષ કરતાં અડધો જ વરસાદ; 24.64% સાથે ખેડૂતો ચિંતિત, જળસંકટની ભીતિ!</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/15/JDRNqeP7Ut69335u3Fd4FsNVwiVCD4LG06FabwbD.webp'/></item><item><title><![CDATA[Bharuch: છોટાઉદેપુરમાં ફરજ પર હતા ત્યારે પણ લોનને લઇને ટેન્શનમાં રહેતા હતા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bharuch/bharuch-even-when-i-was-on-duty-in-chhota-udepur-i-was-in-tension-due-to-loans</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bharuch/bharuch-even-when-i-was-on-duty-in-chhota-udepur-i-was-in-tension-due-to-loans</guid><pubDate>Wed, 15 Jul 2026 05:55:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભરૂચ જિલ્લામાં હજી મહિના પહેલાં જ આયોજન અધિકારી તરીકે પ્રમોશન મેળવીને આવેલાં પિયુશકુમાર ઉકાણીએ તેમના ભાડાના મકાનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરવાના કિસ્સામાં પોલીસ તમામ પાસાઓ તપાસી રહી છે. તેમની આંત્યેતિ3 ચિઠ્ઠી મુજબ તેમના પર ક્રેડિટ કાર્ડની લોનના હપ્તાના ટેન્શનમાં તેમણે આંત્યેતિ3 પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. વિશ્વસનિય સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, મૃત3 પિયુશકુમાર ઉકાણી છોટાઉદેપુર ખાતે ફરજમાં હતાં. ત્યારે પણ તેઓ લોનના હપ્તાને લઈને ચિંતિત હોવાનું જાણવા મળ્યું છે.</p><p style="text-align: justify; ">છોટાઉદેપુરમાં આંકડા અધિકારી તરીકે ફરજ બજાવતાં પિયુશકુમાર ઉકાણીની એ3 મહિના પહેલાં જ ક્લાસ વન અધિકારીના પ્રમોશન સાથે ભરુચમાં આયોજન વિભાગમાં બદલી થઈ હતી. તેમણે મહિના પહેલાં જ તુલસીધામ શાકમાર્કેટ પાસેની રામેશ્વર સોસાયટીમાં એ3 મકાન ભાડે રાખ્યું હતું. અને તેમનો પરિવાર ત્યાં રહેતો હતો. તેમની પત્ની તેમજ સંતાન સુરત તેમના સંબંધીને ત્યાં ગયાં હતાં. દરમિયાનમાં બે દિવસ એકલતામાં વિચારોમાં ગરકાવ થઈ જઈ પડી ભાંગેલાં પિયુશકુમારે ગઈકાલે સવારના સમયે તેમના ઘરની બાલ્કનીમાં હુકમાં દોરડા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. અરસામાં તેમના ઘરની સામે રહેતી એ3 મહિલા કપડાં સુકાવવા ગઈ હતી. તે વેળાં તેણે તેમને જોતાં આસપાસના લોકો એકત્ર થઈ ગયાં હતાં. પોલીસે આવી કાયદેસરની કાર્યવાહી કરી હતી. મૃતકના ભાઈએ ફરિયાદ આપતાં પોલીસે તેના આધારે તપાસ શરૂ કરી છે. હાલમા પોલીસ તેમણે કઈ કઈ બેન્ક કે ક્રેડિટ કાર્ડની લોન લીધી હતી. તેની વિગતો તેમજ તેમના પર કુલ કેટલું દેવું થયું હતું. તેની વિગતો એકત્ર કરવાની કવાયત હાથ ધરી છે. પ્રાથમિ3 તબક્કે આર્થિ3 સંકળામણ સિવાય આપઘાતનું અન્ય કોઈ કારણ હોય તેમ લાગતું ન હોવા છતાં પોલીસ તમામ પાસાઓ તપાસી રહી છે.</p><p style="text-align: justify; ">વિશ્વસનિય સુત્રોમાંથી જાણવા મળ્યાનુસાર, પિયુશકુમાર ઉકાણી છોટાઉદેપુરમાં ફરજ પર હતાં. તે વેળાં પણ તેઓ લોનના હપ્તાઓને કારણે ચિંતામાં ગર3 હતાં. તેઓએ તેમના સાથી કર્મચારીઓ સાથે પણ જો લોનની ભરપાઈ ન થાય તો શું થાય તે સહિતની પુછપરછ કરી હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. ત્યારે તેમની પ્રમોશન સાથે ભરૂચમાં બદલી થતાં તેઓ આર્થિ3 ભારણ સાથે સામાજિ3 દબાણમાં આવી ગયાં હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/15/yMP9ziVoPsQVCgw9MZBXlaCEeXznTadZhCfINpFA.webp'/></item><item><title><![CDATA[Bharuch: ભરૂચમાં કાલે જગન્નાથ રથયાત્રાને લઈ પોલીસ વિભાગ એલર્ટ મોડમાં ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bharuch/bharuch-police-department-on-alert-mode-regarding-jagannath-rath-yatra-tomorrow-in-bharuch</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bharuch/bharuch-police-department-on-alert-mode-regarding-jagannath-rath-yatra-tomorrow-in-bharuch</guid><pubDate>Wed, 15 Jul 2026 05:53:43 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">તા. 16 જુલાઈના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજીની ઐતિહાસિ3 અને રથયાત્રાને શાંતિપુર્ણ અને સૌહાર્દપુર્ણ વાતાવરણમાં સંપન્ન કરવા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ સંદર્ભે ભરૂચ જિલ્લા પોલીસ કચેરી ખાતે જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં ભરૂચ શહેર અને અંકલેશ્વરની સંયુકત શાંતિ સમિતિની બેઠ3 યોજાઈ હતી. બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો, રથયાત્રા સમિતિના હોદ્દેદારો તથા વિવિધ સામાજી3 સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.</p><p style="text-align: justify; ">બેઠકમાં રથયાત્રાના રૂટ, ટ્રાફિ3 વ્યવસ્થા, સુરક્ષા આયોજન, સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત તેમજ કોમી એકતા અને ભાઈચારાના માહોલમાં રથયાત્રા યોજાય તે માટે જરૂરી મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યુ હતુ કે, ભરૂચની જગન્નાથ રથયાત્રા ગુજરાતની સૌથી જુની અને ઐતિહાસી3 રથયાત્રાઓમાં સ્થાન ધરાવે છે. વરસોથી આ રથયાત્રા હિન્દુ-મુસ્લિમ એકતા, પરસ્પર વિશ્વાસ અને સામાજી3 સૌહાર્દનું જીવંત પ્રતિ3 બની રહી છે. તેમણે જણાવ્યુ હતુ કે, દર વર્ષની જેમ આ વરસે પણ રથયાત્રાના સમગ્ર માર્ગ પર મુસ્લિમ સમાજ દ્વારા ભગવાન જગન્નાથજીના રથનું સ્વાગત કરવામાં આવશે. ઠંડા પીણા, પાણી, શરબત અને અન્ય સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. બેઠકમાં બંને સમાજના આગેવાનોએ શાંતિપુર્ણ માહોલ જાળવી રાખવા પોલીસ તંત્રને સંપુર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી.</p><p style="text-align: justify; ">રથયાત્રા દરમ્યાન કોઈ અનિચ્છિનીય ઘટના ન બને તે માટે જિલ્લા પોલીસ દ્વારા વ્યાપર સુરક્ષા આયોજન કરવામાં આવ્યુ છે. બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેકશન સ્કવોડ, ક્વિ3 રિસ્પોન્સ ટીમ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા સ્પેશિયલ ઓપરેશન ગૃપ સહિતની વિશેષ ટીમોને એલર્ટ રાખવામાં આવી છે. ઉપરાંત ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને જવાનો સમગ્ર રથયાત્રા રૂટ પર તૈનાત રહેશે. સુરક્ષાના ભાગરૂપે શહેરમાં ફ્લેગ માર્ચનું આયોજન પણ કરવામાં આવી રહ્યુ છે.ગતરોજ શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગમાર્ચ યોજાયા બાદ આજે પણ ફ્લેગમાર્ચ યોજી સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવશે. બેઠકમાં ભરૂચ શહેરના ડીવાયએસપી સી.કે.પટેલ, અંકલેશ્વર ડિવિઝનના ડીવાયએસપી ડો.કુશલ ઓઝા, બંને વિભાગોના પીઆઈ, પીએસઆઈ, પોલીસમિત્રો, રથયાત્રા આયોજકો હાજર રહ્યા હતા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/15/P2h5luqMmuD5XN2T1ViOUmOVTIrBJBF79JODNtQi.webp'/></item><item><title><![CDATA[Vadodara: રથયાત્રાને લઇ ડભોઇ તાલુકા સેવા સદને શાંતિ સમિતિની બેઠક ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-dabhoi-taluka-seva-sadan-peace-committee-meeting-regarding-rath-yatra</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-dabhoi-taluka-seva-sadan-peace-committee-meeting-regarding-rath-yatra</guid><pubDate>Wed, 15 Jul 2026 05:52:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ડભોઇ : ડભોઇ શહેરમાં 16 તારીખે કે બદ્રીનારાયણ મંદિરેથી ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા નીકળશે. જે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય તેવા શુભ હેતુથી ડભોઇ તાલુકા સેવા સદન ખાતે શાંતિ સમિતિની બેઠ3 ધારાસભ્ય અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જેમાં ડભોઇ DySp આકાશ પટેલ ડભોઇPIએ.ટી. પટેલ ડભોઇ નગરપાલિકાના ચીફ્ ઓફ્સિર જય કિશન તડવી અને મહેશ પરમાર ડભોઇ નગરપાલિકાના પ્રમુખ પુષ્પાબેન રાવળ અને બિરેન શાહ ગોપાલ જીનવાલા, અફ્ઝલ કાબાવાલા, સલીમઘાંચી, ઇબ્રાહીમ ખત્રી, સોનલબેન સોલંકી અને શહેર કોંગ્રેસ ભાજપના પ્રમુખ હિંદુ મુસ્લિમ આગેવાનો તેમજ બદ્રીનારાયણ મંદિરના ટ્રસ્ટી મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/15/xkqeBfMZQxfIMxGPFBgaThX9Oozcr33vbcTCiEtT.webp'/></item><item><title><![CDATA[Vadodara: રથયાત્રા અને સુરક્ષાને લઇ કરજણ પોલીસ દ્વારા સઘન ફૂટ પેટ્રોલિંગ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-intensive-foot-patrolling-by-karjan-police-regarding-rath-yatra-and-security</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-intensive-foot-patrolling-by-karjan-police-regarding-rath-yatra-and-security</guid><pubDate>Wed, 15 Jul 2026 05:50:25 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કરજણ : કરજણ નગરમાં આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી કરજણ પોલીસ તંત્ર દ્વારા નગરના મુખ્ય રાજમાર્ગો પર સઘન ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું.</p><p style="text-align: justify; ">કરજણ PI બી. એમ. પટેલના માર્ગદર્શનમાં કરજણ પોલીસ ટીમ કરજણના મુખ્યબજાર રોડ, એસ.ટી. ડેપો, જલારામ ચોકડી સહિત વિવિધ રાજમાર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. પોલીસે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી અને લોકોમાં વિશ્વાસનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ પોલીસે વેપારીઓ, સ્થાનિ3 નાગરિકો અને યુવાનો સાથે સંવાદ સાધી કાયદો અને વ્યવસ્થા જાળવવા, કોઈપણ પ્રકારની અફ્વા પર વિશ્વાસ ન કરવા તેમજ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિ3 પોલીસને જાણ કરવા અપીલ કરી હતી.</p><p style="text-align: justify; ">તેમજ સમગ્ર યાત્રામાર્ગ પર સતત પોલીસ બંદોબસ્ત રહેશે. પોલીસ તંત્રે તમામ નાગરિકોને રથયાત્રાના પવિત્ર અવસરને શાંતિ, સૌહાર્દ અને ભાઈચારાની ભાવના સાથે ઉજવવા તેમજ પોલીસ તંત્રનો સંપૂર્ણ સહકાર આપવા અનુરોધ કર્યો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/15/Qzb0GX7xUblCGu1aGuiXl2MObVwBoV79EGPfUubM.webp'/></item><item><title><![CDATA[Manipur : સુરક્ષા દળોને મળી સફળતા, મોટી માત્રામાં હથિયાર અને વિસ્ફોટક કર્યા જપ્ત ]]></title><link>https://sandesh.com/india/news/manipur-security-forces-seize-arms-explosives-churachandpur-operation</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/manipur-security-forces-seize-arms-explosives-churachandpur-operation</guid><pubDate>Tue, 14 Jul 2026 23:41:09 +05:30</pubDate><description><![CDATA[<p>મણિપુરમાં સુરક્ષા દળોએ ઉગ્રવાદીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ચુરાચાંદપુર જિલ્લાના કે. થેનજાંગ ગામના જંગલ વિસ્તારમાં ચલાવવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન મોટી સંખ્યામાં હથિયારો, વિસ્ફોટકો અને સૈન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/manipur_police/status/2077047545591926793"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>સમગ્ર વિસ્તારને ઘેરીને સઘન તપાસ શરૂ કરી</b></h2><p>આ સંયુક્ત ઓપરેશન મણિપુર પોલીસ અને 19 ગઢવાલ રાઈફલ્સ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરીને સઘન તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન એક AK-47 રાઈફલ (મેગેઝિન સહિત), એક પિસ્તોલ, બે સિંગલ બેરલ ગન, બે દેશી પિસ્તોલ અને એક એર ગન મળી આવ્યા હતા. આ ઉપરાંત સુરક્ષા દળોને એક RPG ગોળો, એક હેન્ડ ગ્રેનેડ, પાંચ IED, એક PEK વિસ્ફોટક, ત્રણ પમ્પી, ચાર મોટોરોલા હેન્ડહેલ્ડ સેટ, બે ચાર્જર, ચાર બુલેટપ્રૂફ જેકેટ અને 44 ખાલી કારતૂસ પણ મળ્યા છે. તમામ હથિયારો અને વિસ્ફોટકોને કબજામાં લઈ તપાસ શરૂ કરવામાં આવી છે.</p><h3><b>આઠ હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા</b></h3><p>અધિકારીઓના જણાવ્યા મુજબ રાજ્યમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે ઉગ્રવાદી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી સતત ચાલુ રહેશે. સુરક્ષા એજન્સીઓ હવે જપ્ત કરાયેલા હથિયારોનો સ્ત્રોત અને તેની પાછળ સંડોવાયેલા લોકો અંગે તપાસ કરી રહી છે. આ પહેલાં પણ 12 જુલાઈના રોજ સુરક્ષા દળોએ કાર્યવાહી કરીને પ્રીપાક સંગઠનના એક સક્રિય સભ્ય નિંગોમબમ અમુથોઈ મૈતેઈની ધરપકડ કરી હતી. તેની પાસેથી આઠ હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા.</p><h4><b>શંકાસ્પદ અફીણના 49 પેકેટ પણ જપ્ત કર્યા</b></h4><p>તે જ દિવસે મણિપુર પોલીસે સેનાપતિ જિલ્લામાં નેશનલ હાઈવે-2 નજીક એક બિનવારસી કારમાંથી આશરે 49.5 કિલોગ્રામ શંકાસ્પદ અફીણના 49 પેકેટ પણ જપ્ત કર્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ ચેકપોસ્ટ પર ઝડપથી ભાગ્યા બાદ આરોપીઓ કાર છોડી ફરાર થઈ ગયા હતા. સુરક્ષા દળો રાજ્યમાં ગેરકાયદેસર હથિયારો અને નશીલા પદાર્થો સામે અભિયાન વધુ તેજ કરી રહ્યા છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/irctc-new-website-launch-july-15-ai-features-smart-booking" target="_blank">&nbsp;આ પણ વાંચો : IRCTCની નવી વેબસાઈટ 15 જુલાઈએ થશે લોન્ચ, મળશે AI ફિચર અને અન્ય ઘણી સુવિધાઓ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/wBQjClBWacm0qtmnuaW8sTRpE21BoZnx2yZdMrz4.webp'/></item><item><title><![CDATA[Auto News: નાની કારનો મોટો ધમાકો: ભારતમાં સબ-4 મીટર SUVનું વેચાણ 35% વધ્યું ]]></title><link>https://sandesh.com/business/news/automobile/auto-news-big-bang-for-small-cars-sub-4-meter-suv-sales-in-india-rise-35</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/auto-news-big-bang-for-small-cars-sub-4-meter-suv-sales-in-india-rise-35</guid><pubDate>Tue, 14 Jul 2026 22:20:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતમાં સબ-4 મીટર (4 મીટરથી નાની) SUVની માંગ સતત વધી રહી છે. જૂન 2026માં આ સેગમેન્ટમાં કુલ 1,11,161 SUVsનું વેચાણ થયું છે, જે ગયા વર્ષના જૂન મહિનાની સરખામણીએ આશરે 35% વધુ છે. જૂન 2026માં આ સેગમેન્ટ પર Tata Motorsનો દબદબો જોવા મળ્યો હતો. કંપનીની Tata Punch અને Tata Nexon સૌથી વધુ વેચાતી બે SUV રહી. આ સિવાય Hyundai Venue, Maruti Fronx, Mahindra XUV 3XO અને Kia Sonet જેવી લોકપ્રિય કાર્સ પણ ટોપ-10માં સામેલ રહી છે.</p><h2 style="text-align: justify; "><b>Punch બની નંબર-1 SUV</b></h2><p style="text-align: justify; ">જૂન 2026માં Tata Punchની રેકોર્ડબ્રેક 21,006 યુનિટ્સનું વેચાણ થયું છે. ગયા વર્ષના જૂનની સરખામણીએ તેના વેચાણમાં 101% એટલે કે બમણાથી પણ વધુનો વધારો નોંધાયો છે. આ જ કારણ છે કે Punch આ સેગમેન્ટની એકમાત્ર એવી SUV બની છે જેનું વેચાણ 20,000 યુનિટને પાર ગયું છે. મે મહિનાની સરખામણીમાં પણ તેના વેચાણમાં નજીવો વધારો થયો છે અને તેણે માર્કેટમાં આશરે 19% હિસ્સો કબજે કર્યો છે.</p><h3 style="text-align: justify; "><b>Nexon અને Fronxનું પ્રદર્શન</b></h3><p style="text-align: justify; ">ટાટા મોટર્સની જ Tata Nexon બીજા સ્થાને રહી છે. જૂન મહિનામાં તેના 18,335 યુનિટ્સ વેચાયા છે, જે ગયા વર્ષ કરતાં 58% વધુ છે. જોકે, મે મહિનાની સરખામણીએ તેના વેચાણમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. ત્રીજા નંબરે Maruti Fronx રહી છે, જેના 13,135 યુનિટ્સ વેચાયા છે. વાર્ષિક ધોરણે તેના વેચાણમાં 34%નો વધારો થયો છે, પરંતુ મે મહિનાની સરખામણીએ જૂનમાં મોટો ઘટાડો નોંધાયો છે.</p><h4 style="text-align: justify; "><b>Venue અને XUV 3XO વચ્ચે જોરદાર ટક્કર</b></h4><p style="text-align: justify; ">Hyundai Venue એ ચોથું સ્થાન મેળવ્યું છે. જૂન મહિનામાં તેના 10,776 યુનિટ્સ વેચાયા છે, જે ગયા વર્ષ કરતાં 57% વધુ છે. બીજી તરફ Mahindra XUV 3XO એ પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેનું વેચાણ મે મહિનામાં 6,717 યુનિટ હતું, જે જૂનમાં વધીને 10,063 યુનિટ પર પહોંચી ગયું છે. એટલે કે માત્ર એક જ મહિનામાં વેચાણમાં આશરે 50% નો ઉછાળો આવ્યો છે. વાર્ષિક ધોરણે પણ તેના વેચાણમાં 42% નો વધારો થયો છે.</p><h5 style="text-align: justify; "><b>Brezzaનું વેચાણ ઘટ્યું</b></h5><p style="text-align: justify; ">એક સમયે આ સેગમેન્ટની સૌથી લોકપ્રિય ગણાતી Maruti Brezzaના વેચાણમાં આ વખતે મોટો ઘટાડો જોવા મળ્યો છે. જૂન મહિનામાં તેના માત્ર 9,939 યુનિટ્સ જ વેચાયા છે, જે ગયા વર્ષના જૂન મહિનાની સરખામણીએ 31% ઓછા છે. ઓટો નિષ્ણાતોનું માનવું છે કે કંપની ટૂંક સમયમાં જ Brezza Facelift લોન્ચ કરવા જઈ રહી છે, જેના કારણે હાલના મોડલનું વેચાણ ઘટ્યું છે.</p><h6 style="text-align: justify; "><b>અન્ય SUVsની સ્થિતિ</b></h6><p style="text-align: justify; ">બાકીની કાર્સની વાત કરીએ તો, Kia Sonetના 9,231 યુનિટ્સ, Hyundai Exterના 8,154 યુનિટ્સ અને Skoda Kylaqના 4,039 યુનિટ્સ વેચાયા છે. જ્યારે Toyota Taisor, Nissan Magnite, Renault Kiger, Kia Syros અને Maruti Jimny જેવી ગાડીઓનું વેચાણ આ મહિને ઘણું ઓછું રહ્યું છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/automobile" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/fL7PDgSFigMmUXzS0DU8QAuKvjVzIpFMLzwXeJD6.webp'/></item><item><title><![CDATA[વાંચો 15 જુલાઈના રોજ બનનારી મહત્વની ઘટનાઓ ]]></title><link>https://sandesh.com/india/news/gujarat/read-important-events-happening-on-july-15</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/gujarat/read-important-events-happening-on-july-15</guid><pubDate>Tue, 14 Jul 2026 22:00:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><b>15 જુલાઈનો દિવસ વૈશ્વિક અને સ્થાનિક સ્તરે અનેક મોટી ઘટનાઓનો સાક્ષી રહ્યો છે. અમદાવાદમાં ભાગવાન જગન્નાથનો સોનાવેશ, રાહુલ ગાંધી સામેના માનહાની કેસનો ચુકાદો, ગુજરાત અને કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠક, ડાકોરના ઠાકોર 254મી નગરચર્યાએ  નીકળશે, ભારત-યુકે મુક્ત વ્યાપાર કરાર 15 જુલાઈથી લાગુ થશે</b></p><h2 style="text-align: justify; "><b>અમદાવાદમાં ભગવાન જગન્નાથ સોનાવેશ ધારણ કરશે</b></h2><p style="text-align: justify; ">આવતી કાલે ભગવાન જગન્નાથ સોનાવેશ ધારણ કરશે. આ ઉપરાંત ગજરાજોની પૂજા વિધિ થશે. 7 30 સંધ્યા આરતીમાં સીએમ હાજર રહેશે. કોંગ્રેસના નેતાઓ પણ પૂજા આરતી કરશે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક</b></h2><p style="text-align: justify; ">મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આવતી કાલે સવારે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.આ બેઠકમાં રાજ્યની સાંપ્રત પરિસ્થિતિ પર ચર્ચા - વિચારણાં થશે. અનેક મુદ્દા ટઓ પૈકી  ચોમાસાની પ્રવર્તમાન સ્થિતિ અંતર્ગત સમીક્ષા, સુરતમાં પૂર બાદ વહીવટી કામગીરી અંતર્ગત ચર્ચા ,સ્થળાંતરિત લોકોને કેશ ડોલ્સ વિતરણ પ્રગતિનો ચિત્તાર, વરસાદ અને જળાશયોમાં પાણીની સ્થિતિ પર ચર્ચા, તાજેતરમાં જાહેર થયેલી નિતીના અમલીકરણ અંગે મંથન ,નવી EV ચાર્જિંગ પોલિસી અંતર્ગત વિચારણાં, ચાર્જિંગ સ્ટેશન નેટવર્ક વિસ્તારવા પર ભાર તેમજ રથયાત્રા દરમિયાન કાયદો -વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>ગુજરાત અને ઘાના દેશ વચ્ચે  સ્કીલ ઓપોર્ચ્યુનીટી મુદ્દે ચર્ચા</b></h3><p style="text-align: justify; ">અમદાવાદમાં આવતીકાલે ગુજરાત અને ઘાના દેશ વચ્ચે  સ્કીલ ઓપોર્ચ્યુનીટી મુદ્દે ચર્ચા થશે તેમાં મંત્રી કુંવરજી બાવળિયા ઉપસ્થિત રહેશે</p><h3 style="text-align: justify; "><b>ડાકોરના ઠાકોર 254મી નગરચર્યાએ  નીકળશે</b></h3><p style="text-align: justify; ">ડાકોરના ઠાકોર રણછોડજી આવતીકાલે 254મી નગરચર્યાએ  નીકળશે..હજારો ભક્તો જોડાસે આ રથયાત્રામાં.. ડાકોર બનશે રણછોડમય</p><h2 style="text-align: justify; "><b>આવતીકાલે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળશે</b></h2><p style="text-align: justify; ">વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આવતીકાલે સવારે કેન્દ્રીય કેબિનેટની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા દેશના હિતમાં અનેક મહત્વના પ્રસ્તાવો અને મોટા નીતિવિષયક નિર્ણયો પર ચર્ચા-વિચારણા કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે, જેમાં આગામી સમયના આર્થિક અને સામાજિક વિકાસલક્ષી પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી શકે છે.</p><h2 style="text-align: justify; "><b>ભારત-યુકે મુક્ત વ્યાપાર કરાર 15 જુલાઈથી લાગુ થશે</b></h2><p style="text-align: justify; ">ભારત અને યુનાઇટેડ કિંગડમ (UK) વચ્ચેનો ઐતિહાસિક મુક્ત વ્યાપાર કરાર (FTA) આગામી 15 જુલાઈથી સત્તાવાર રીતે અમલમાં આવી રહ્યો છે.આ કરાર હેઠળ બંને દેશો વચ્ચેના 99 ટકા ઉત્પાદનો ટેરિફ-ફ્રી બનશે,જેનાથી ભારતની કાપડ, આઈટી (IT) અને કૃષિ ક્ષેત્રની નિકાસને બૂસ્ટ મળશે તેમજ અંદાજે 75000 જેટલા ભારતીય શ્રમિકોને મોટો આર્થિક ફાયદો થવાની આશા છે.આ અંગે વધુ વિગતો આપવા માટે આવતીકાલે વાણિજ્ય ભવન ખાતે પત્રકાર પરિષદનું આયોજન પણ કરવામાં આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>રાહુલ ગાંધી માનહાનિ કેસમાં સુલ્તાનપુર કોર્ટ સંભળાવશે ચુકાદો</b></h2><p style="text-align: justify; ">કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે કેન્દ્રીય મંત્રી અમિત શાહ વિરુદ્ધ કર્ણાટકમાં વાંધાજનક ટિપ્પણી કરવા બદલ દાખલ થયેલા માનહાનિના કેસમાં સુલ્તાનપુર કોર્ટ આગામી 15 જુલાઈના રોજ પોતાનો ચુકાદો સંભળાવશે.આ મામલામાં બંને પક્ષો દ્વારા તમામ દલીલો પૂર્ણ થઈ ચૂકી છે અને ડિજિટલ પુરાવાઓની ફોરેન્સિક તપાસ કરવાની માંગ પર કોર્ટે અગાઉ પોતાનો આદેશ અનામત રાખ્યો હતો જેના પર હવે 15 જુલાઈએ આખરી ફેંસલો આવશે.</p><h2 style="text-align: justify; "><b>રેલ્વે 15 જુલાઈથી 300 સ્પેશિયલ ટ્રેનો દોડાવશે</b></h2><p style="text-align: justify; ">ઓડિશાના પુરી ખાતે યોજાનારી જગન્નાથ રથયાત્રામાં ઉમટી પડનારા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા અને ભારે ભીડના નિયંત્રણને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વે દ્વારા આગામી 15 જુલાઈથી 300 જેટલી વિશેષ (સ્પેશિયલ) ટ્રેનો ચલાવવાનો મોટો નિર્ણય લેવાયો છે.રેલ્વે વિભાગના જણાવ્યા અનુસાર,આ સ્પેશિયલ ટ્રેનો મુખ્યત્વે જગદલપુર-પુરી, રાયગડા-પુરી, સંબલપુર-પુરી અને શાલીમાર-પુરી સહિતના વિવિધ મહત્વના રૂટો પર દોડાવવામાં આવશે જેથી મુસાફરોને અવરજવરમાં સરળતા રહે.</p><h2 style="text-align: justify; "><b>રાષ્ટ્રપતિ આંતરરાષ્ટ્રીય સેમિનાર ‘सौश्रुतम् 2026’નું ઉદ્ઘાટન કરશે</b></h2><p style="text-align: justify; ">રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આગામી 15 જુલાઈના રોજ નવી દિલ્હી સ્થિત અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન (AIIA) ખાતે ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનાર ‘सौश्रुतम् 2026’ નું ભવ્ય ઉદ્ઘાટન કરશે. આયુષ મંત્રાલયના નેજા હેઠળ ૧૫ થી ૧૭ જુલાઈ સુધી ચાલનારા આ સેમિનારનું આયોજન સર્જરીના જનક ગણાતા આચાર્ય સુશ્રુતની જયંતિ નિમિત્તે કરવામાં આવ્યું છે, જે આધુનિક અને આયુર્વેદિક શસ્ત્રક્રિયાના સમન્વય પર આધારિત રહેશે. આ મુખ્ય કાર્યક્રમ પૂર્વે ૧૪ જુલાઈએ એક વિશેષ પ્રી-વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું</p><h2 style="text-align: justify; "><b>15 જુલાઈની ઐતિહાસિક ઘટનાઓ</b></h2><p style="text-align: justify; "><b>બોઇંગ (Boeing) કંપનીની સ્થાપના&nbsp;</b></p><p style="text-align: justify; ">વિશ્વની સૌથી મોટી એરોસ્પેસ અને વિમાન બનાવતી કંપનીઓમાંની એક એવી 'બોઇંગ કંપની' (Boeing) ની સ્થાપના 15 જુલાઈ 1916ના રોજ વિલિયમ બોઇંગ દ્વારા વોશિંગ્ટનના સિએટલ શહેરમાં કરવામાં આવી હતી. શરૂઆતમાં આ કંપનીનું નામ 'પેસિફિક એરો પ્રોડક્ટ્સ કંપની' હતું.</p><p style="text-align: justify; "><b>ઇન્ટરનેશનલ સ્પેસ રેસ: એપોલો-સોયુઝ ટેસ્ટ પ્રોજેક્ટ&nbsp;</b></p><p style="text-align: justify; ">અવકાશ વિજ્ઞાનના ઇતિહાસમાં આ એક ઐતિહાસિક દિવસ હતો. શીત યુદ્ધ (Cold War) ના સમયગાળા દરમિયાન, 15 જુલાઈ 1975ના રોજ અમેરિકાનું 'એપોલો' (Apollo) સ્પેસક્રાફ્ટ અને સોવિયેત યુનિયન (રશિયા) નું 'સોયુઝ' (Soyuz) સ્પેસક્રાફ્ટ એક સંયુક્ત મિશન માટે અવકાશમાં રવાના થયા હતા. અવકાશમાં બંને દેશોના યાન એકબીજા સાથે જોડાયા હતા, જે બે મહાસત્તાઓ વચ્ચે અવકાશ ક્ષેત્રે શાંતિ અને સહયોગનું મોટું પ્રતીક બન્યું હતું.</p><p style="text-align: justify; "><b>ટ્વિટર (Twitter X) ની સત્તાવાર શરૂઆત&nbsp;</b></p><p style="text-align: justify; ">સોશિયલ મીડિયાની દુનિયામાં ક્રાંતિ લાવનાર પ્લેટફોર્મ ટ્વિટર (જે હવે X તરીકે ઓળખાય છે) ને 15 જુલાઈ 2006ના રોજ જાહેર જનતા માટે સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યું હતું. તેની સ્થાપના જેક ડોર્સી, નોહ ગ્લાસ, બિઝ સ્ટોન અને ઇવાન વિલિયમ્સ દ્વારા કરવામાં આવી હતી.</p><p style="text-align: justify; "><b>ભારતીય રૂપિયાને મળ્યું નવું પ્રતીક '₹'&nbsp;</b></p><p style="text-align: justify; ">15 જુલાઈ 2010ના રોજ ભારત સરકારે ભારતીય ચલણ (રૂપિયા) માટે એક નવું અને વિશિષ્ટ પ્રતીક '₹' મંજૂર કર્યું હતું. આ પ્રતીક ડી. ઉદય કુમાર નામના ડિઝાઈનર દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું, જે દેવનાગરી લિપિના 'ર' અને રોમન લિપિના 'R' ના સમન્વયથી બનેલું છે. આ સાથે જ ભારત પોતાના ચલણનું સ્વતંત્ર પ્રતીક ધરાવતો વિશ્વનો પાંચમો દેશ બન્યો હતો.</p><p style="text-align: justify; "><b>નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ મિશનની શરૂઆત&nbsp;</b></p><p style="text-align: justify; ">વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 15 જુલાઈ 2015ના રોજ ભારતના યુવાનોમાં કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા માટે 'નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ મિશન' (National Skill Development Mission) અને 'પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના' (PMKVY) ની શરૂઆત કરવામાં આવી હતી. આ જ દિવસને વૈશ્વિક સ્તરે 'વર્લ્ડ યુથ સ્કિલ્સ ડે' (World Youth Skills Day) તરીકે પણ ઉજવવામાં આવે છે.</p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/0iw0uu1RVqKIXLklpRDr5VYIy7waOJw0xWx8lXmJ.webp'/></item><item><title><![CDATA[Aamir Khanના ત્રીજા લગ્ન પર મુફ્તીનો ફતવો, બિન-મુસ્લિમ મહિલા સાથે લગ્ન શરીયતની વિરૂદ્ધ ]]></title><link>https://sandesh.com/entertainment/news/aamir-khan-third-marriage-mufti-statement-non-muslim-woman</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/aamir-khan-third-marriage-mufti-statement-non-muslim-woman</guid><pubDate>Tue, 14 Jul 2026 18:52:57 +05:30</pubDate><description><![CDATA[<p>બોલીવૂડ અભિનેતા આમિર ખાનના ત્રીજા લગ્ન બાદ હવે આ મામલે ધાર્મિક અને સામાજિક ચર્ચા શરૂ થઈ છે. મુસ્લિમ પર્સનલ દારુલ ઈફ્તાના શાહી ચીફ મુફ્તિ મૌલાના ઈફરાહિમ હુસૈને આમિર ખાનના લગ્નને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઈસ્લામિક માન્યતાઓ અનુસાર મુસ્લિમ પુરુષે બિન-મુસ્લિમ મહિલા સાથે લગ્ન કરવા અંગે અલગ ધાર્મિક નિયમો છે અને આવા નિર્ણયને શરીયતના દૃષ્ટિકોણથી યોગ્ય માનવામાં આવતો નથી.</p><h2><b><font color="#000000" style="background-color: rgb(255, 255, 255);">મુસ્લિમ સમાજના લોકોને ધાર્મિક શિક્ષણ અને પરંપરાઓનું પાલન કરવાની અપીલ</font></b></h2><p>મૌલાના ઈફરાહિમ હુસૈને પોતાના નિવેદનમાં મુસ્લિમ સમાજના લોકોને ધાર્મિક શિક્ષણ અને પરંપરાઓનું પાલન કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિએ પોતાના ધર્મના સિદ્ધાંતોનું સન્માન કરવું જોઈએ અને એવા નિર્ણયોથી બચવું જોઈએ, જેનાથી સમાજમાં વિવાદ અથવા ગેરસમજ ઊભી થાય. આ નિવેદન આમિર ખાનની ત્રીજા લગ્ન બાદ સામે આવ્યું છે. આમિર ખાને 5 જુલાઈ 2026ના રોજ પોતાની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે મુંબઈના પાલી હિલ સ્થિત પોતાના નિવાસસ્થાને ખાનગી સમારોહમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં માત્ર પરિવારના સભ્યો અને નજીકના મિત્રો હાજર રહ્યા હતા.</p><h3><b>આમિર ખાને કર્યા છે અગાઉ બે લગ્ન</b></h3><p>આમિર ખાનના આ અગાઉ બે લગ્ન થઈ ચૂક્યા છે. વર્ષ 1986માં તેમણે રીના દત્તા સાથે પ્રથમ લગ્ન કર્યા હતા, પરંતુ વર્ષ 2002માં બંને અલગ થઈ ગયા હતા. ત્યારબાદ વર્ષ 2005માં આમિરે ફિલ્મ નિર્દેશક કિરણ રાવ સાથે બીજા લગ્ન કર્યા હતા. આ સંબંધનો અંત વર્ષ 2021માં છૂટાછેડા સાથે આવ્યો હતો.</p><p>આમિર ખાનના ત્રીજા લગ્નને લઈને અગાઉ પણ રાજકીય પ્રતિક્રિયાઓ સામે આવી હતી. મહારાષ્ટ્ર સરકારના મંત્રી નિતેશ રાણે અને શિવસેના નેતા સંજય શિરસાટે પણ આ મુદ્દે ટિપ્પણીઓ કરી હતી. હવે મુફ્તિ મૌલાના ઈફરાહિમ હુસૈનના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર આ મુદ્દે ફરી ચર્ચા શરૂ થઈ છે. આમિર ખાન તરફથી આ નિવેદન અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.<br><br><b><a href="https://sandesh.com/entertainment/news/entertainment-after-prayers-deepika-taught-her-son-alif-be-the-cute-video-won-hearts-fans-said-mashallah" target="_blank">આ પણ વાંચો : Entertainment : નમાઝ પછી દીપિકાએ પુત્રને શીખવ્યા 'અલિફ-બે', ક્યૂટ વીડિયોએ જીત્યાં દિલ, ચાહકોએ કહ્યું- "માશાઅલ્લાહ!"</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/boltT9aE4FTLTlP9nV931nfUH6zHWPZzddcVzGZt.webp'/></item><item><title><![CDATA[Pakistan Cricket શોએબ અખ્તર અને મોહમ્મદ આસિફ ભારત આવતી વખતે ડ્રગ્સ લાવતા હોવાનો આરોપ ]]></title><link>https://sandesh.com/sports/news/pakistan-cricket-shoaib-akhtar-and-mohammad-asif-accused-of-bringing-drugs-while-coming-to-india</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pakistan-cricket-shoaib-akhtar-and-mohammad-asif-accused-of-bringing-drugs-while-coming-to-india</guid><pubDate>Tue, 14 Jul 2026 15:13:05 +05:30</pubDate><description><![CDATA[<p>કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) ના ભૂતપૂર્વ અંડર સેક્રેટરી આર.વી.એસ. મણિએ પાકિસ્તાની ક્રિકેટરો અને ભારત આવતા પાકિસ્તાની ડેલિગેશનને લઈને એક અત્યંત ચોંકાવનારો અને સનસનીખેજ દાવો કર્યો છે. એએનઆઈ (ANI) ના એક પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે, 2006-07 ના ગાળામાં જ્યારે પણ પાકિસ્તાની ટીમ કે અન્ય પ્રતિનિધિમંડળ ભારત આવતા હતા, ત્યારે તેઓ પોતાની સાથે ડ્રગ્સની હેરાફેરી (ડ્રગ્સ ટ્રાફિકિંગ) કરતા હતા. આ ગંભીર ષડયંત્ર પાછળ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI નો હાથ હોવાનો પણ તેમણે દાવો કર્યો છે.</p><h2><b>શોએબ અખ્તર અને મોહમ્મદ આસિફ પર આરોપ</b></h2><p>વર્ષ 2006 થી 2010 દરમિયાન ગૃહ મંત્રાલયના આંતરિક સુરક્ષા વિભાગમાં કાર્યરત રહેલા નિવૃત્ત અધિકારી આર.વી.એસ. મણિએ પાકિસ્તાનના ભૂતપૂર્વ સ્ટાર ફાસ્ટ બોલર શોએબ અખ્તર અને મોહમ્મદ આસિફનું નામ લઈને સીધો હુમલો કર્યો છે. તેમણે જણાવ્યું કે, "આ કેસ ઓફિશિયલી રિપોર્ટ થયેલો છે. શોએબ અખ્તર અને મોહમ્મદ આસિફે પાકિસ્તાની હાઈ કમિશનર સામે પોતે ડ્રગ્સ લાવ્યા હોવાની કબૂલાત કરી હતી, જે બાદ તેમને પરત મોકલી દેવાયા હતા." તેમણે ઉમેર્યું કે આ ડ્રગ્સ વ્યક્તિગત વપરાશ માટે નહીં, પરંતુ મોટા પાયે ટ્રાફિકિંગના હેતુથી લાવવામાં આવતું હતું.</p><h3><b>ટેરર ફંડિંગ અને બોબ વૂલ્મરના મોત સાથે કનેક્શન</b></h3><p>પૂર્વ અધિકારીએ દાવો કર્યો કે ભારતમાં થતા આતંકવાદી હુમલાના ફંડિંગનો 30 ટકા હિસ્સો ડ્રગ્સ ટ્રાફિકિંગમાંથી આવે છે. તેમણે આ બાબતને 2007 ના વર્લ્ડ કપ દરમિયાન પાકિસ્તાની ટીમના તત્કાલીન કોચ બોબ વૂલ્મરના શંકાસ્પદ મોતના કેસ સાથે પણ જોડી છે. મણિના મતે, બોબ વૂલ્મર પાકિસ્તાની ખેલાડીઓ દ્વારા થતી આ ડ્રગ્સ હેરાફેરીનો વિરોધ કરી રહ્યા હતા, જેના કારણે જ જમૈકાની હોટલમાં રહસ્યમય સંજોગોમાં તેમનું મોત નીપજ્યું હતું.</p><p>તેમણે ઉમેર્યું કે પાકિસ્તાન સાથે 'પીપુલ ટુ પીપુલ કોન્ટેક્ટ' (સરહદ પારના સામાન્ય સંબંધો) એ માત્ર એક મોટો ધોકો છે, જેની આડમાં આવા ગેરકાયદેસર અને દેશવિરોધી કૃત્યો આચરવામાં આવતા હતા. ગૃહ મંત્રાલય પાસે આ તમામ બાબતોના અનેક અહેવાલો અને આઈબી (IB) ના એલર્ટ્સ મોજૂદ હોવાનું પણ તેમણે સ્વીકાર્યું છે.</p><p><br></p><p><a href="https://sandesh.com/world/news/more-than-10000-christians-arrested-in-china-for-not-worshipping-xi-jinping-causing-uproar-around-the-world" target="_blank">આ પણ વાંચો: Chinaમાં શિ જિનપિંગની પૂજા ન કરનાર 10 હજારથી વધુ ખ્રિસ્તીની ધરપકડ, દુનિયાભરમાં ખળભળાટ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/hkQDh0iSb60hQHapAZQokS5wEvQyjK6J0vKVAdW9.webp'/></item></channel></rss>