<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Indian Navyમાં 22 જુલાઈએ સામેલ થશે 'માલવણ' યુદ્ધજહાજ, આત્મનિર્ભર ભારતને મળશે વધુ મજબૂતી ]]></title><link>https://sandesh.com/india/news/indian-navy-ins-malvan-commissioning-mahe-class-asw-swc-july-22</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/indian-navy-ins-malvan-commissioning-mahe-class-asw-swc-july-22</guid><pubDate>Thu, 16 Jul 2026 21:37:44 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય નૌકાદળ 22 જુલાઈ 2026ના રોજ પોતાની ક્ષમતામાં વધુ એક આધુનિક યુદ્ધજહાજનો સમાવેશ કરવા જઈ રહી છે. માહે-ક્લાસ એન્ટી-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ (ASW-SWC) શ્રેણીનું બીજું જહાજ 'માલવણ' સત્તાવાર રીતે ભારતીય નૌસેનામાં કમિશન કરવામાં આવશે. આ સમારોહમાં ભારતીય વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ એ.પી. સિંહ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.&nbsp;</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2077777152175747154"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>કયા થયું 'માલવણ'નું નિર્માણ?</b></h2><p>પશ્ચિમ નૌસેના કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ વાઈસ એડમિરલ સંજય વત્સાયન પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. 'માલવણ'નું નિર્માણ કેરળના કોચીમાં આવેલી કોચિન શિપયાર્ડ લિમિટેડ (CSL) દ્વારા કરવામાં આવ્યું છે. આ યુદ્ધજહાજ ભારતના 'આત્મનિર્ભર ભારત' અભિયાનનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે. જહાજમાં 80 ટકાથી વધુ સ્વદેશી સામગ્રી અને ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે દેશની સ્વદેશી નૌકાનિર્માણ ક્ષમતાને દર્શાવે છે.</p><h3><b>આધનિક ટેક્નોલોજીથી સજજ છે જહાજ</b></h3><p>આધુનિક ટેક્નોલોજીથી સજ્જ 'માલવણ' ખાસ કરીને દરિયાઈ વિસ્તારોમાં દુશ્મન સબમરીનની શોધ, નજર રાખવા અને જરૂરી કાર્યવાહી કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ જહાજ ભારતીય સમુદ્રી સીમાઓની સુરક્ષા વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ભારત છેલ્લા કેટલાક વર્ષોથી રક્ષણ ક્ષેત્રમાં સ્વદેશી ઉત્પાદન પર ભાર મૂકી રહ્યું છે.&nbsp;</p><p>'માલવણ'નું કમિશનિંગ માત્ર નૌસેનાની શક્તિમાં વધારો નહીં કરે પરંતુ ભારતીય શિપબિલ્ડિંગ અને રક્ષણ ઉત્પાદન ક્ષેત્રની વધતી ક્ષમતાનું પણ પ્રતિક બનશે. આ જહાજના સમાવેશથી ભારતીય નૌસેના પોતાની દરિયાઈ સુરક્ષા અને એન્ટી-સબમરીન કામગીરીને વધુ અસરકારક બનાવી શકશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/vikram-1-launch-skyroot-aerospace-indias-first-private-orbital-rocket" target="_blank">આ પણ વાંચો : Vikram-1 Launching : 18 જુલાઈએ દેશનું પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-1 કરાશે લોન્ચ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/2g1SF8rerUYM6W1VJSKqL5aZDO83bXMCQLVkiT9T.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: રથયાત્રા દરમિયાન 18 લોકોની બેભાન થવાની ફરિયાદ, 53 ઈમરજન્સી કેસ નોંધાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/rath-yatra-2026-53-emergency-cases-reported-18-people-fainted</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/rath-yatra-2026-53-emergency-cases-reported-18-people-fainted</guid><pubDate>Thu, 16 Jul 2026 21:01:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા દરમિયાન લાખોની સંખ્યામાં માનવમહેરામણ ઉમટી પડ્યો હતો.ભારે ભીડ અને ઉકળાટ અને ગરમીના માહોલ વચ્ચે રથયાત્રાના રૂટ પર આરોગ્ય સંબંધી નાની-મોટી તકલીફોના કારણે કુલ 53 જેટલા ઈમરજન્સી કેસો નોંધાયા હતા.આ તમામ કટોકટીના સમયે 108 એમ્બ્યુલન્સ અને આરોગ્ય વિભાગની ટીમોએ સજ્જ રહીને દર્દીઓને તાત્કાલિક સેવા પૂરી પાડી હતી.</p><h2 style="text-align: justify; "><b>પડી જવાના 5 બનાવો સામે આવ્યા</b></h2><p style="text-align: justify; ">આ તમામ કેસોમાં સૌથી વધુ 18 કેસ ભારે ભીડ અને બફારાને કારણે ચક્કર આવવા અને બેફાન થવાના નોંધાયા હતા.આ ઉપરાંત ગીચતાવાળા વિસ્તારોમાં શ્વાસ લેવામાં તકલીફ થવાના 5 કેસ અને ચાલુ રથયાત્રા દરમિયાન સંતુલન ગુમાવીને પડી જવાના 5 બનાવો સામે આવ્યા હતા. રથયાત્રાના રૂટની આસપાસ માર્ગ અકસ્માતના 4 કેસ અને પેટના દુખાવાના 2 કેસ પણ નોંધાયા હતા. આ ઉપરાંત પ્રાથમિક સારવારના 7, શ્વાસ લેવામાં તકલીફ 5, બ્લડ પ્રેશર 1, ડિહાઇડ્રેશન 1, ઊલટી થવી 2, ખેંચ આવવી 3, છાતીમાં દુખાવો 1, માથાનો દુખાવો 2 કેસ નોંધાયા છે.&nbsp;&nbsp;</p><h3 style="text-align: justify; "><b>પ્રાથમિક સારવાર આપીને મોટી રાહત આપવામાં આવી</b></h3><p style="text-align: justify; ">અન્ય સામાન્ય તકલીફવાળા દર્દીઓને પણ મેડિકલ સ્ટાફ દ્વારા ઘટનાસ્થળે જ જરૂરી પ્રાથમિક સારવાર આપીને મોટી રાહત આપવામાં આવી હતી. રથયાત્રાને લઈને તંત્ર દ્વારા કરવામાં આવેલી આગોતરી આરોગ્ય સુવિધાઓ અને મોબાઈલ એમ્બ્યુલન્સની વ્યવસ્થાને કારણે તમામ દર્દીઓને સમયસર સારવાર મળી શકી હતી, જેના લીધે કોઈ મોટી જાનહાનિ થવા પામી ન હતી.<br><br><a href="https://sandesh.com/gujarat/news/surat/5-large-crocodiles-spotted-in-tapi-river" target="_blank">આ પણ વાંચોઃ Surat News: તાપી નદીમાં 4થી 5 વિશાળકાય મગરો દેખાયા, નદી કિનારે હાઈએલર્ટ જાહેર</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/UNnvl804w5GbXAIGBddKsg7Neciob4xgwJuimRZT.webp'/></item><item><title><![CDATA[Surat News:  તાપી નદીમાં 4થી 5 વિશાળકાય મગરો દેખાયા, નદી કિનારે હાઈએલર્ટ જાહેર ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/5-large-crocodiles-spotted-in-tapi-river</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/5-large-crocodiles-spotted-in-tapi-river</guid><pubDate>Thu, 16 Jul 2026 20:49:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં એકસાથે 4 થી 5 વિશાળકાય મગરો દેખાતા સમગ્ર વિસ્તારમાં ભારે ભય અને ફફડાટનો માહોલ વ્યાપી ગયો છે.તાપી નદીના ફુલપાડા અને અમરોલી વચ્ચેના નદીના પટમાં આ મગરો આરામ ફરમાવતા નજરે પડ્યા હતા.આ ઘટના સામે આવતા જ નદી કિનારે અવરજવર કરતા સ્થાનિક માછીમારો અને કિનારાના રહીશો પોતાની સુરક્ષાને લઈને ભારે ચિંતામાં મુકાયા છે.</p><h2 style="text-align: justify; "><b>ફુલપાડા અમરોલી પટમાં મગરો જોવા મળ્યા</b></h2><p style="text-align: justify; ">નદીમાં દેખાયેલા આ મગરો પૈકી એક મગર અંદાજે 10 થી 12 ફૂટ જેટલો લાંબો અને અત્યંત કદાવર હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.જ્યારે અન્ય મગરો આશરે 7 થી 8 ફૂટની લંબાઈના હોવાનું ચર્ચાઈ રહ્યું છે.વન વિભાગના જણાવ્યા અનુસાર, ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે તાપી નદીમાં મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યું હતું. આ ધસમસતા પાણીના પ્રવાહને કારણે આ કદાવર મગરો તણાઈને અહીં સુધી આવી પહોંચ્યા હોવાની પૂરી શક્યતા સેવાઈ રહી છે.</p><h2 style="text-align: justify; "><b>નદી કાંઠે ન જવા લોકોને સૂચના અપાઈ</b></h2><p style="text-align: justify; ">આ ચોંકાવનારા બનાવની જાણ થતાં જ સુરત વન વિભાગની સ્પેશિયલ ટીમ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી ગઈ હતી. વન વિભાગ દ્વારા નદી કિનારાના વિસ્તારોમાં હાઈએલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને મગરોને પાંજરે પૂરવા માટે યુદ્ધના ધોરણે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું છે. આ સાથે જ તંત્ર દ્વારા નદી કાંઠે રહેતા લોકોને અત્યંત સાવધ રહેવા અને કોઈ પણ સંજોગોમાં નદીના પટમાં ન ઉતરવા માટે કડક તાકીદ કરવામાં આવી છે.<br><br><a href="https://sandesh.com/crime/news/surat/sog-police-seized-21-kg-ganja-three-arrested-odisha" target="_blank">આ પણ વાંચોઃ Surat News: SOGનો સપાટો, 21 કિલો ગાંજા સાથે મહિલા સહિત 3 ઝડપાયા</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/cwVv7SkCn4tw5oi9rXN04T0Q2HmOJ6cPacSOJ1xw.webp'/></item><item><title><![CDATA[Surendranagar News: લખતરમાં પૂર્વ ICDS ચેરમેનના પુત્ર પર પાઈપથી હુમલો, સોનાની ચેન અને રોકડની લૂંટ ]]></title><link>https://sandesh.com/crime/news/surendranagar/lakhtar-former-icds-chairman-son-attacked-looted</link><guid isPermaLink="true">https://sandesh.com/crime/news/surendranagar/lakhtar-former-icds-chairman-son-attacked-looted</guid><pubDate>Thu, 16 Jul 2026 20:48:19 +05:30</pubDate><description><![CDATA[<p>સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સદસ્યાની ગ્રાન્ટમાંથી વિસ્તારમાં ગટર લાઇન નાખવાની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી સ્થાનિક રહીશ નરેન્દ્ર ઉર્ફે નંદો નાનજીભાઈ સોલંકીના ઘર પાસેથી પસાર થઈ રહી હતી, તે દરમિયાન ગટર લાઇનના કામ બાબતે સામાન્ય બોલાચાલી અને તકરાર થઈ હતી.</p><h2><b>પૂર્વ ચેરમેનના પુત્ર પર પાઇપ વડે હુમલો અને લૂંટ</b></h2><p>સામાન્ય બોલાચાલીમાં મનદુઃખ રાખીને ગત રાત્રિના સમયે બે શખ્સોએ હિંસક હુમલો કર્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય અને આઇસીડીએસના પૂર્વ ચેરમેન નંદુબેન વાઘેલાના પુત્ર હેમાંશુ વાઘેલા પર લોખંડની પાઇપ વડે તૂટી પડ્યા હતા. હુમલાખોરો નરેન્દ્ર ઉર્ફે નંદો નાનજીભાઈ સોલંકી અને ચેતન ધના સોલંકીએ હેમાંશુ વાઘેલાને બેરહેમીથી માર માર્યો હતો અને તેમના ગળામાં પહેરેલી સોનાની ચેન તેમજ ખિસ્સામાં રહેલી રૂ. 10,000ની રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.</p><h2><b>ઇજાગ્રસ્ત હેમાંશુ વાઘેલાની હાલત નાજુક</b></h2><p>આ હુમલામાં હેમાંશુ વાઘેલાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં લખતરની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જોકે, તેમની ઈજાઓ ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગરની ટીબી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. હાલમાં હોસ્પિટલના બિછાને તેમની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.</p><h2><b>લખતર પોલીસે લૂંટ અને મારામારીનો ગુનો નોંધી તપાસ આદરી</b></h2><p>આ ચકચારી ઘટનાની જાણ થતાં જ લખતર પોલીસનો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે ભોગ બનનાર પક્ષની ફરિયાદના આધારે હુમલાખોર નરેન્દ્ર ઉર્ફે નંદો અને ચેતન સોલંકી સામે લૂંટ તેમજ હિંસક મારામારીનો ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસે બંને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી-જુદી ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surendranagar/surendranagar-lcb-" target="_blank">Surendranagar: મૂળીના ઉમરડા ગામે ગેરકાયદે ચાલતા વોશિંગ પ્લાન્ટમાં LCBની રેડ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/ECLLkM3eDxfH4FMRVpkDSZhgsh3bpR2IH1LpwafV.webp'/></item><item><title><![CDATA[Iran US Conflict 2026: લાલ સમુદ્રનો તેલ માર્ગ બંધ કરવા હુથીને આદેશ, દુનિયામાં તોળાશે તેલ કટોકટી ]]></title><link>https://sandesh.com/world/news/business/usa/iran-us-conflict-2026-houthis-ordered-to-close-the-red-sea-oil-route-oil-crisis-will-hit-the-world</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/business/usa/iran-us-conflict-2026-houthis-ordered-to-close-the-red-sea-oil-route-oil-crisis-will-hit-the-world</guid><pubDate>Thu, 16 Jul 2026 20:26:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવની અસર હવે વિશ્વના તેલ પુરવઠા પર પડી શકે છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">વૈશ્વિક ઉર્જા બજારમાં સંકટ&nbsp;</h2><p style="text-align: justify; ">ઈરાને યમનના હુથી બળવાખોરોને કહ્યું છે કે જો અમેરિકા તેના પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરે તો મહત્વપૂર્ણ લાલ સમુદ્રી સમુદ્રી માર્ગ બંધ કરવા માટે તૈયાર રહે. જો આવું થાય, તો વિશ્વના બે મુખ્ય તેલ માર્ગો એકસાથે પ્રભાવિત થઈ શકે છે, જેનાથી વૈશ્વિક ઉર્જા બજારમાં સંકટ સર્જાઈ શકે છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતો તણાવ હવે સમગ્ર વિશ્વ માટે ચિંતાનું કારણ બની શકે છે.</p><h3 style="text-align: justify; ">લાલ સમુદ્રી માર્ગ બંધ કરવા તૈયારી&nbsp;</h3><p style="text-align: justify; ">ઈરાને યમનના હુથી બળવાખોરોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જો અમેરિકા તેના પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરે તો લાલ સમુદ્રી સમુદ્રી માર્ગ બંધ કરવા માટે તૈયાર રહે. ઈરાન અને પ્રદેશની નજીકના ત્રણ સ્ત્રોતોને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે આ યોજના પર તેહરાનમાં ચર્ચા કરવામાં આવી છે અને હુથી નેતૃત્વને જાણ કરવામાં આવી છે. જોકે, ઈરાનના વિદેશ મંત્રાલય કે હુથી પ્રવક્તાએ કોઈ સત્તાવાર પ્રતિભાવ આપ્યો નથી. હુથી બળવાખોરોએ બાબ અલ-મંડેબ સ્ટ્રેટ નજીક મિસાઇલો અને ડ્રોન તૈનાત કર્યા છે, જે દરિયાઈ માર્ગ દ્વારા જહાજો લાલ સમુદ્રમાં પરિવહન કરે છે. તેઓ હાલમાં અંતિમ આદેશોની રાહ જોઈ રહ્યા છે. આ વિકાસ મહત્વપૂર્ણ છે કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ પહેલાથી જ તણાવનું કેન્દ્ર છે.&nbsp;</p><h4 style="text-align: justify; ">નિર્ણય IRGCના આદેશ પર લેવાશે</h4><p style="text-align: justify; ">એક સ્ત્રોતે દાવો કર્યો હતો કે બાબ અલ-મંડેબ ક્યારે બંધ કરવો તે અંગેનો નિર્ણય યમનમાં તૈનાત ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના પ્રતિનિધિઓ દ્વારા લેવામાં આવશે. દરમિયાન, હુથીઓના નજીકના લોકો કહે છે કે તેઓ કોઈપણ કાર્યવાહી માટે સંપૂર્ણપણે તૈયાર છે. દરમિયાન, હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયા પર મિસાઇલ હુમલા પણ કર્યા છે. તેમનો આરોપ છે કે સાઉદી અરેબિયાએ તેમના નિયંત્રણ હેઠળના એક એરપોર્ટ પર બોમ્બમારો કર્યો હતો. આનાથી બંને પક્ષો વચ્ચે ચાર વર્ષનો યુદ્ધવિરામ તૂટી ગયો છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/world/news/-political-news/awami-league-workers-beat-up-police-after-announcing-on-microphone-amid-rumours-of-sheikh-hasinas-return" target="_blank"> Sheikh Hasinaના પાછા ફરવાની અફવા વચ્ચે આવામી લીગના કાર્યકરોએ માઇક્રોફોન પર જાહેરાત કર્યા પછી પોલીસને માર માર્યો!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/ab1h7Ewcv4AgXkls9SizeHZu2zi06kkTuPoyv075.webp'/></item><item><title><![CDATA[Amreli News: લીલીયામાં પાણીના ધસમસતા પ્રવાહમાં બાઈક તણાતા શિક્ષકનું મોત, આચાર્યનો આબાદ બચાવ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/liliya-teacher-jagdish-rangpara-drowned-bike-washed-away</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/liliya-teacher-jagdish-rangpara-drowned-bike-washed-away</guid><pubDate>Thu, 16 Jul 2026 19:34:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. લીલીયા તાલુકાના ભોરીંગડા-ક્રાંકચ માર્ગ પરથી પસાર થઈ રહેલું એક મોટરસાયકલ પાણીના ભારે અને ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયું હતું. ક્રાંકચથી ભોરીંગડા પરત ફરી રહેલા શાળાના સ્ટાફની બાઈક પાણીના જોરદાર વહેણની ઝપેટમાં આવી ગઈ હતી, જેને પગલે પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>આચાર્યે પથ્થર પકડી લેતા આબાદ બચાવ</b></h2><p style="text-align: justify;">આ બાઈક પર 40 વર્ષીય શિક્ષક જગદીશભાઈ રંગપરા અને તેમની શાળાના આચાર્ય બંને સાથે સવાર હતા. પાણીના અતિ ભારે પ્રવાહ વચ્ચે અચાનક ગાડી સ્લિપ થઈ ગઈ હતી અને બંને પાણીમાં ખાબક્યા હતા. આ કટોકટીની પળોમાં સાથે રહેલા આચાર્યનો હાથ રોડ સાઈડમાં આવેલા એક પથ્થર પર પડી જતાં તેમણે પથ્થર મજબૂતાઈથી પકડી રાખ્યો હતો, જેના કારણે તેમનો આબાદ બચાવ થયો હતો. જોકે, કમનસીબે શિક્ષક જગદીશભાઈ પાણીના ધસમસતા વહેણમાં તણાઈ ગયા હતા.</p><h2 style="text-align: justify; "><b>ઘટના સ્થળેથી 3 કિલોમીટર દૂર મળ્યો શિક્ષકનો મૃતદેહ</b></h2><p style="text-align: justify; ">આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને વહીવટી તંત્ર તાત્કાલિક બચાવ કામગીરી માટે ઘટના સ્થળે દોડી ગયા હતા. સ્થાનિક તંત્ર દ્વારા પાણીના પ્રવાહમાં શોધખોળ આદરવામાં આવી હતી. ભારે જહેમત બાદ ઘટના સ્થળથી આશરે ત્રણ કિલોમીટર દૂર શિક્ષક જગદીશભાઈ રંગપરાનો મૃતદેહ મળી આવ્યો હતો. તંત્ર દ્વારા તેમની બોડીને બહાર કાઢીને પોસ્ટ મોર્ટમ અર્થે લીલીયા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>શિક્ષણ જગતમાં વ્યાપી ગયો ભારે શોક</b></h2><p style="text-align: justify;">માત્ર 40 વર્ષની નાની ઉંમરે ફરજ પરથી પરત ફરતા શિક્ષક જગદીશભાઈ રંગપરાનું આ રીતે આકસ્મિક મોત થતાં સમગ્ર પંથકમાં અને શિક્ષણ જગતમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે. એક હોનહાર શિક્ષક ગુમાવતા તેમના પરિવાર સહિત સાથી શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ગમગીની છવાઈ ગઈ છે. પોલીસ અને સ્થાનિક તંત્રએ આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/amreli-lion-attack-case-two-accused-sent-to-jail-for-illegal-lion-sighting-and-video-call" target="_blank">Amreli સિંહ હુમલો કેસ: ગેરકાયદે સિંહ દર્શન અને વીડિયો કોલ મામલે બે આરોપીઓ જેલ હવાલે</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/T2qerfFH3RGC1tG1j5HlD7j4gOSmAw2mlPV17sZw.webp'/></item><item><title><![CDATA[Tirupati Temple Record Donation: તિરુપતિ મંદિરમાં માત્ર 24 કલાકમાં આવ્યું 97 કરોડનું રેકોર્ડબ્રેક દાન ]]></title><link>https://sandesh.com/india/news/tirupati-temple-record-donation-record-breaking-donation-of-rs-97-crores-received-in-just-24-hours-at-tirupati-temple-1</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/tirupati-temple-record-donation-record-breaking-donation-of-rs-97-crores-received-in-just-24-hours-at-tirupati-temple-1</guid><pubDate>Thu, 16 Jul 2026 19:33:32 +05:30</pubDate><description><![CDATA[<h4><br></h4><p>વિશ્વના સૌથી ધનિક મંદિરોમાંના એક, તિરુપતિ બાલાજી મંદિર પાસે કુલ સંપત્તિ આશરે 3.38 લાખ કરોડ રૂપિયા છે.</p><h2>તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડની નવી નીતિ&nbsp;</h2><p>એક જ દિવસમાં 2,460 દાતાઓએ પોતાનો ખજાનો ખોલ્યો. આમાંથી 1,212 દાતાઓએ ₹1 લાખથી ₹10 લાખ, 1,246 દાતાઓએ ₹10 લાખથી ₹25 લાખ અને બે ભક્તોએ ₹1 કરોડથી વધુનું દાન આપ્યું. જોકે, આ મોટા દાન પાછળનું સૌથી મોટું કારણ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડની નવી નીતિ હતી. જે 15 જુલાઈના રોજ મધ્યરાત્રિ 12 વાગ્યે અમલમાં આવવાની હતી.</p><h3>જૂની નીતિ હેઠળ જીવનભર વિશેષાધિકારો</h3><p>જૂના નિયમો હેઠળ, મંદિરમાં ચોક્કસ રકમથી વધુ દાન કરનારા ભક્તોને VIP દર્શન અને જીવનભર માટે વિશેષ વિશેષાધિકારો મળતા હતા. આમાં ખાસ પ્રવેશ, ગર્ભગૃહમાં સુપથમ પ્રવેશ, વિરામ દર્શન, પરોઢિય સેવા, કલ્યાણોત્સવમમાં ભાગ લેવાનો સમાવેશ થાય છે. ભગવાન વેંકટેશ્વરના વૈદિક લગ્ન, તેમજ રહેવાની વ્યવસ્થા, સોના અને ચાંદીના સિક્કા અને પ્રસાદનો સમાવેશ થાય છે. લોકો સારી રીતે જાણતા હતા કે જો તેઓ 15 જુલાઈના રોજ રાત્રે 12 વાગ્યા પહેલાં દાન કરશે, તો નવી નીતિ તેમના પર લાગુ પડશે નહીં, અને તેઓ જૂની નીતિ હેઠળ જીવનભર આ શાહી વિશેષાધિકારો મેળવતા રહેશે. કરોડપતિઓ આ આજીવન લાભનો દાવો કરવા દોડી ગયા હતા, અને સમયમર્યાદા પહેલાં જ રેકોર્ડ દાન એકત્રિત કરવામાં આવ્યું હતું.</p><h4>હવે, લાભો આજીવન નહીં, પરંતુ 15-20 વર્ષ માટે ઉપલબ્ધ&nbsp;</h4><p>ટીટીડીના ચેરમેન બી.આર. નાયડુએ જણાવ્યું હતું કે, છેલ્લા ચાર મહિનામાં જ ₹10 લાખનું દાન કરનારા લોકોની સંખ્યામાં આશરે 3,000નો વધારો થયો છે. તેથી, દર્શન દરમિયાન સામાન્ય ભક્તોને થતી અસુવિધાને દૂર કરવી અને સિસ્ટમમાં પારદર્શિતા લાવવી જરૂરી હતી. નવી નીતિ શ્રેણી-આધારિત સ્લેબને દૂર કરે છે અને દાનની રકમના આધારે ચાર નવી શ્રેણીઓ બનાવે છે. વ્યક્તિગત દાતાઓને હવે ફક્ત 20 વર્ષ માટે વીઆઈપી વિશેષાધિકારો મળશે. જ્યારે સંસ્થાઓ અથવા ટ્રસ્ટો તેમને ફક્ત 15 વર્ષ માટે પ્રાપ્ત કરશે. વધુમાં, વીઆઈપી વિશેષાધિકારો માટે ભલામણો અને મેન્યુઅલ હસ્તક્ષેપ સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યો છે. દર્શનથી લઈને રૂમ બુકિંગ સુધીની દરેક વસ્તુ હવે ઓનલાઈન ડોનર મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.</p><h5>મંદિરને દરરોજ ₹4.75 કરોડનું દાન&nbsp;</h5><p>તિરુપતિ મંદિર સાથે સંકળાયેલા નોંધાયેલા દાતાઓની સંખ્યા 197,888 છે. આમાંથી આશરે 1.5 લાખ લોકોએ ₹1 લાખ કે તેથી વધુનું દાન આપ્યું છે, જ્યારે 22,000 લોકોએ ₹10 લાખથી વધુનું દાન આપ્યું છે. એવો અંદાજ છે કે 2025-26 સુધીમાં, મંદિરના દાનપેટીમાં ₹1738 કરોડથી વધુનું દાન આવશે, જે સરેરાશ ₹4.75 કરોડ દૈનિક છે. મંદિર વ્યવસ્થાપન દાનની રકમના આધારે ભક્તો સાથે આદરપૂર્વક વર્તે છે. ₹1,000 થી વધુના તમામ દાનને આવકવેરા મુક્તિ પ્રમાણપત્ર મળે છે. સોના અને ચાંદીના સિક્કા ફક્ત જીવનમાં પ્રથમ દર્શન માટે ઉપલબ્ધ છે, જ્યારે દર્શન, પ્રસાદ અને રૂમની સુવિધાઓ વર્ષમાં એક વાર પૂરી પાડવામાં આવે છે.</p><h6>₹1 થી ₹99,000 સુધીનું દાન</h6><p>જો દાન ₹1 થી ₹99,999ની વચ્ચે હોય, તો ફક્ત રસીદ આપવામાં આવે છે. ₹1000 થી ₹99,999 સુધીના દાનમાં રસીદ અને કર મુક્તિ પ્રમાણપત્ર મળે છે.</p><h2>₹1 લાખ થી ₹5 લાખ સુધીના દાનમાં</h2><p>ભક્તો અને તેમના પરિવારો વર્ષમાં એકવાર સુપથમના દર્શન, ₹100ના ભાડા સાથે એક દિવસ માટે એક ઓરડો, ૬ નાના લાડુ અને આદરના પ્રતીક તરીકે દુપટ્ટો અને બ્લાઉઝ પીસ મેળવે છે.</p><h3>₹5 લાખથી ₹25 લાખ સુધીનું દાન</h3><p>દર વર્ષે ત્રણ દિવસ માટે સુપથમ દર્શન અને ત્રણ દિવસ માટે ₹100 માં ભાડે આપેલો રૂમ ઉપલબ્ધ છે. તેમને 10 નાના લાડુ, 5 મહાપ્રસાદમ અને એક દુપટ્ટા-બ્લાઉઝ પીસ પણ મળે છે.</p><h4>₹10 લાખથી ₹25 લાખ સુધીનું દાન</h4><p>અહીંથી, સુવિધાઓ VIP બની જાય છે. આમાં 3 દિવસ માટે 'પ્રારંભિક બ્રેક દર્શન', ₹1000 માં ભાડે આપેલો રૂમ, 20 નાના લાડુ, 10 મહાપ્રસાદમ, એક દુપટ્ટા-બ્લાઉઝ પીસ અને પ્રથમ દર્શન માટે 50 ગ્રામ ચાંદીનો સિક્કો શામેલ છે.</p><h5>₹25 લાખથી ₹1 કરોડ સુધીનું દાન</h5><p>દર વર્ષે ત્રણ દિવસ માટે સુપથમ દર્શન અને ત્રણ દિવસ માટે વિરામ દર્શન ઉપલબ્ધ છે. ₹1,500 માં ભાડે આપેલો રૂમ, 4 મોટા અને 5 નાના લાડુ, 10 મહાપ્રસાદ, એક સ્કાર્ફ, 5 ગ્રામ સોનાનો ડોલર અને 50 ગ્રામ ચાંદીનો સિક્કો.</p><h6>₹50,000 થી ₹75,000 નું દાન,</h6><p>એક વ્યક્તિને 1 દિવસની સવારની ખાસ 'સુપ્રભાત સેવા', 2 દિવસ સુપાથમ, 3 દિવસ વિરામ દર્શન, ₹2,000માં એક રૂમ અને 6 મોટા અને 10 નાના લાડુ મળે છે.</p><h2>₹75,000 થી ₹1 કરોડ નું દાન,</h2><p>આ વિશેષાધિકારને 2 દિવસ સુપ્રભાત સેવા, 3 દિવસ સુપાથમ, 3 દિવસ વિરામ દર્શન, ₹2,500 માં એક રૂમ અને 8 મોટા અને 15 નાના લાડુ (સોના અને ચાંદીના સિક્કા અને મહાપ્રસાદ એ જ રહે છે) સુધી વધારવામાં આવે છે.</p><h3>₹1કરોડ અને તેથી વધુનું દાન</h3><p>₹1 કરોડથી વધુનું દાન કરનારા ભક્તોને મંદિરના દરવાજામાં વિશિષ્ટ પ્રવેશ આપવામાં આવે છે. તેમને વર્ષમાં ત્રણ દિવસ માટે સૌથી મોંઘા VIP સ્યુટમાં મફત રહેવાની સુવિધા આપવામાં આવે છે. તેમને ત્રણ દિવસ "સુપ્રભાત દર્શન", ચાર દિવસ "સુપથમ" અને ત્રણ દિવસ "બ્રેક દર્શન" આપવામાં આવે છે. ભક્તોની આ ખાસ શ્રેણી માટે, વર્ષના કોઈ એક પસંદ કરેલા દિવસે મંદિરની અંદર રંગનાયકુલા મંડપમાં વેદ પંડિતો દ્વારા એક ખાસ "વેદ આશીર્વાદવચનમ" કરવામાં આવે છે. દર વર્ષે, પ્રસાદમાં 10 મોટા લાડુ, 20 નાના લાડુ અને 10 મહાપ્રસાદના પેકેટ, સાથે બહુમાનમ  હોય છે. પહેલી મુલાકાતમાં, શ્રીવરુ અને દેવી પદ્માવતીની છબી ધરાવતો એક ખાસ સોનાનો ચાંદીનો મેડલિયન, 5 ગ્રામ સોનાનો ડોલર સાથે ભેટમાં આપવામાં આવે છે.</p><h6>મહાયજ્ઞની સુવિધા&nbsp;</h6><p>સૌથી અગત્યનું, જો વેદ પરિક્ષણ ટ્રસ્ટને ₹1 કરોડ કે તેથી વધુનું દાન આપવામાં આવે છે, તો ભક્તની પસંદગીના દિવસે શ્રીનિવાસમંગલપુરમ ખાતે એક ખાસ "સર્વ કામ પ્રદા લક્ષ્મી શ્રીનિવાસ મહા યજ્ઞ" પણ કરવામાં આવે છે. આ યજ્ઞ ભક્ત અને તેમના સંબંધીઓની હાજરીમાં, અથવા જો ઇચ્છિત હોય, તો તેમની ગેરહાજરીમાં, સંપૂર્ણ વિધિઓ અને ધાર્મિક વિધિઓ સાથે કરી શકાય છે.&nbsp;</p><p>આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/lifestyle/news/fashion-beauty/humidity-causes-pimples-know-the-causes-of-acne-due-to-humidity-and-ways-to-avoid-it" target="_blank">ભેજના કારણે ખીલ થવાના કારણ અને બચવાના ઉપાય, જાણો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/tynywOosYEqtMOAyXZ7TKO78ONsT3NkWdLMU14ZF.webp'/></item><item><title><![CDATA[Surat Rath Yatra 2026: અમરોલીમાં જગન્નાથજીની ભવ્ય રથયાત્રા, 'જય જગન્નાથ'ના નાદ સાથે ઉમટ્યું માનવમહેરામણ ]]></title><link>https://sandesh.com/bhakti/rathyatra-2026/news/surat/amroli-katargam-jagannath-rath-yatra-2026-celebration</link><guid isPermaLink="true">https://sandesh.com/bhakti/rathyatra-2026/news/surat/amroli-katargam-jagannath-rath-yatra-2026-celebration</guid><pubDate>Thu, 16 Jul 2026 18:45:16 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત શહેરમાં અષાઢી બીજના પાવન પર્વે ભક્તિનો અનોખો રંગ જોવા મળ્યો છે. સુરતના અમરોલી વિસ્તારમાંથી ભગવાન જગન્નાથજીની ભવ્ય અને પરંપરાગત રથયાત્રા પ્રસ્થાન થઈ ચૂકી છે. બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળતાં જ સમગ્ર અમરોલી વિસ્તાર ભક્તિના રંગે રંગાઈ ગયો હતો. રથયાત્રાના રૂટ પર પ્રભુના સ્વાગત માટે ભક્તો આતુરતાપૂર્વક રાહ જોઈને ઊભા હતા.</p><h2><b>અમરોલીથી કતારગામ સુધી ભક્તોનું ઘોડાપૂર</b></h2><p>આ ભવ્ય રથયાત્રા અમરોલી અને કતારગામ સહિતના વિવિધ વિસ્તારોમાં ફરી રહી છે. રથયાત્રાના દર્શન કરવા માટે વહેલી સવારથી જ રસ્તાઓ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. અબાલ-વૃદ્ધ સૌ કોઈ ભગવાન જગન્નાથના રથની એક ઝલક મેળવવા માટે ઉત્સાહિત દેખાયા હતા. ભક્તો દ્વારા ઠેર-ઠેર રથયાત્રાનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે, અને ભગવાનને છપ્પન ભોગ તેમજ વિશેષ પ્રસાદ ચડાવવામાં આવી રહ્યો છે.</p><p><img alt="Surat News: Surat Amroli Jagannath Rath Yatra: Grand Celebration in Katargam Area" src="https://epapercdn.sandesh.com/images/2026/07/16/s2vJ8nEDGxYx5OQtlfruUbGIdpLqNRFER9t7aqr6.webp" style="width: 100%;"><br></p><h2><b>જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠ્યું ગગન</b></h2><p>રથયાત્રા દરમિયાન વાતાવરણ એકદમ ભક્તિમય બની ગયું છે. 'જય જગન્નાથ' અને 'મંદિર મેં કોન હૈ, ભગવાન જગન્નાથ હૈ' ના ગગનભેદી જયઘોષ સાથે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. ભજન-કીર્તન, ડીજેના તાલે ગવાતા ભક્તિગીતો અને કરતાલના નાદ સાથે સમગ્ર વાતાવરણમાં આધ્યાત્મિક ઉર્જા પ્રસરી ગઈ હતી. શ્રદ્ધાળુઓ રથની દોરી ખેંચીને ધન્યતા અનુભવી રહ્યા છે.</p><p><img alt="Surat News: Surat Amroli Jagannath Rath Yatra: Grand Celebration in Katargam Area" src="https://epapercdn.sandesh.com/images/2026/07/16/k0cmZvZzogVXiIbSUnWVxAiZb2sirTOcb5xtH4aK.webp" style="width: 100%;"><br></p><h2><b>અમદાવાદ બાદ સુરતમાં સૌથી મોટો ઉત્સવ</b></h2><p>ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદની રથયાત્રા બાદ સુરતમાં યોજાતી રથયાત્રા સૌથી મોટી અને ભવ્ય માનવામાં આવે છે. સુરતમાં મુખ્ય રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ભવ્ય રથયાત્રા નીકળ્યા બાદ, હવે અમરોલી વિસ્તારમાં પણ આ પ્રકારની વિશાળ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતવાસીઓ માટે આસ્થા અને ભક્તિનો આ અનોખો સંગમ છે, જેમાં લાખો લોકો શ્રદ્ધાપૂર્વક જોડાયા છે.</p><p><img alt="Surat News: Surat Amroli Jagannath Rath Yatra: Grand Celebration in Katargam Area" src="https://epapercdn.sandesh.com/images/2026/07/16/FZMcoR7aw3k4fjNET4pD4ispFUZ4eR5Z4KhA9wVo.webp" style="width: 100%;"><br></p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/india/news/rathyatra-2026/rathyatra-2026-stampede-in-puri-rath-yatra-1-dead-200-injured-in-stampede-during-pahind-ceremony" target="_blank">Rathyatra 2026: પુરી રથયાત્રામાં પહિંદ વિધિ દરમિયાન અફરાતફરી, 1નું મોત, 200 ઇજાગ્રસ્ત</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/1ryA2vieLAQ7RMOVQfxLAUKnj8YbQYNHlt1uFCCM.webp'/></item><item><title><![CDATA[સોનમ વાંગચુકના સમર્થનમાં આવ્યા ઇમરાન ખાન અને સોનાક્ષી સિંહા, કહ્યું- 'હું ચુપ રહી શકતી નથી' ]]></title><link>https://sandesh.com/entertainment/news/imran-khan-and-sonakshi-sinha-came-in-support-of-sonam-wangchuk-said-i-cannot-remain-silent</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/imran-khan-and-sonakshi-sinha-came-in-support-of-sonam-wangchuk-said-i-cannot-remain-silent</guid><pubDate>Thu, 16 Jul 2026 17:39:06 +05:30</pubDate><description><![CDATA[<p>દિલ્હીના જંતર-મંતર પર લગભગ 18 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકને હવે ફિલ્મ સ્ટાર્સ પોતાનો ટેકો આપી રહ્યા છે. સોનમ વાંગચુકનું સ્વાસ્થ્ય સતત બગડી રહ્યું છે અને તેમનું વજન પણ ઘણું ઘટી ગયું છે. આ દરમિયાન અભિનેત્રી સોનાક્ષી સિંહાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને સોનમ વાંગચુકને સપોર્ટ કર્યો છે. તેણે કહ્યું, "જે થવાનું છે તે થશે, પણ હું ચૂપ રહી શકતી નથી." તેણે એમ પણ ઉમેર્યું, "હું પણ આ દેશની યુવા છું. હું પણ આ દેશ માટે બેસ્ટ ઇચ્છું છું."</p><p>ઇન્સ્ટાગ્રામ પર રિલીઝ થયેલા એક વીડિયોમાં સોનાક્ષી સિંહા કહે છે, "મેં ક્યારેય આવું નિવેદન આપ્યું નથી, પણ આજે હું મારી જાતને રોકી શકતી નથી. સોનમ વાંગચુક આપણે બધા તેમને જાણીએ છીએ કે તેમણે આપણા દેશ માટે શું કર્યું છે. તેમની સિદ્ધિઓ શું છે. તેમણે કેટલા પુરસ્કારો જીત્યા છે. તેઓ 18 દિવસથી ભૂખ્યા છે અને કંઈ ખાધું નથી. તેઓ અહીં શા માટે બેઠેલા છે? તેઓ અહીં તે બાળકોના ભવિષ્ય માટે બેઠેલા છે, જેને તેઓ વિનાશ તરફ આગળ વધતા જુએ છે. તેઓ એવા બાળકો માટે લડી રહ્યા છે જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે. તેઓ એવી સિસ્ટમ સામે લડી રહ્યા છે જે યોગ્ય રીતે કામ કરી રહી નથી. તમે પણ જાણો છો, મને પણ ખબર છે અને બધા જાણે છે."</p><p><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Da2Qsu0ib3-/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Da2Qsu0ib3-/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a></p><p><b style="font-size: 2rem;">"હું ચૂપ રહી શકતી નથી."</b></p><p>સોનાક્ષી કહે છે, "આપણે બધા તેમને ઓળખીએ છીએ. તેઓ આપણને ઓળખતા નથી. છતાં દેશ ખાતર આ દેશના બાળકોના ભવિષ્ય ખાતર, તેમણે 18 દિવસથી ખાધું નથી અને ઘણા લોકો ચૂપ છે. તેથી હું તે સહન કરી શકી નહીં. જે કંઈ થવાનું છે તે થશે, કોઈ વાંધો નહીં. પણ હું ચૂપ રહી શકતી નથી."
</p><h4><b>"કોઈ કેમ સાંભળતું નથી?"
</b></h4><p>આ દરમિયાન તેણે કોકરોચ જનતા પાર્ટીનો પણ ઉલ્લેખ કર્યો અને દેશના યુવાનોને પોતાનો અવાજ ઉઠાવવા બદલ અભિનંદન આપ્યા. તેણે કહ્યું કે યુવાનો સત્ય અને કંઈક સારા માટે લડી રહ્યા છે. પણ કોઈ કેમ સાંભળતું નથી? તે કહે છે, "ખરેખર, કોઈને ચિંતા નથી. કોઈ સંવાદ નથી. કોઈ વાત કરી રહ્યું નથી. મારો મતલબ છે કે, કોઈ તેમની તરફ જોતું પણ નથી. પછી મેં નક્કી કર્યું કે, હું શા માટે ચૂપ રહીશ? હું પણ આ દેશની યુવાન છું. હું પણ આ દેશનું ભલું ઇચ્છું છું. હું રાષ્ટ્રવિરોધી નથી. તો હું કેમ ચૂપ છું?"
</p><h5><b>"જે થઈ રહ્યું છે તે યોગ્ય નથી."
</b></h5><p>સોનાક્ષીએ સોનમ વાંગચુકના એક નિવેદનને ટાંકીને કહ્યું, "હા, હું તમને ભૂખ હડતાળ સમાપ્ત કરવાનું નહીં કહું. હું ફક્ત એટલું જ પૂછવા માંગુ છું કે તમે ક્યારે જાગશો? તમે ત્યારે જ જાગશો જ્યારે આ માણસ મરી જશે. અને તેના માટે કોણ જવાબદાર હશે? જે થઈ રહ્યું છે તે યોગ્ય નથી. આપણે અવાજ ઉઠાવવો જોઈએ, આપણે આપણી આંખો ખોલવી જોઈએ, પછી ભલે કોઈ બીજું કરે કે ન કરે. જય હિંદ."
</p><h5><b>અભિનેતા ઇમરાન ખાને પણ ઉઠાવ્યા સવાલ
</b></h5><p>આ વિવાદ વચ્ચે, અભિનેતા ઇમરાન ખાને સોશિયલ મીડિયા પર પોતાના ભાવનાત્મક અને મહત્વપૂર્ણ વિચારો વ્યક્ત કર્યા છે, જેમાં વિદ્યાર્થીઓની પીડા વ્યક્ત કરી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં NEET કૌભાંડ અંગે જે કંઈ બન્યું છે અને જે વિવિધ બાબતો સામે આવી છે તે જોવી ખૂબ જ પરેશાન કરે છે. ઇમરાન ખાને સ્પષ્ટતા કરી કે આ કોઈ રાજકીય મુદ્દો નથી, પરંતુ દેશના બાળકોના ભવિષ્ય સાથે સંબંધિત મુદ્દો છે. તેમણે ફક્ત એટલું જ કહ્યું કે જો આપણે અપેક્ષા રાખીએ છીએ કે આપણા વિદ્યાર્થીઓ સંપૂર્ણ પ્રામાણિકતા અને સમર્પણ સાથે પરીક્ષા આપે, તો પરીક્ષાનું સંચાલન કરતી સરકારી એજન્સીઓ પાસેથી સમાન સ્તરની પ્રામાણિકતા અને જવાબદારીની અપેક્ષા કેમ ન રાખવી જોઈએ?
</p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/narottam-mishra-warns-officials--i-remember-friendship-and-enmity" target="_blank"><b>'હું ભૂલી જનારો માણસ નથી'. નરોત્તમ મિશ્રાની ખુલ્લેઆમ પોલીસને ચેતવણી</b></a>
</p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/R5YMICmTzR8NIZUz26R74r6lK9sL2BTr6JVWPeDn.webp'/></item><item><title><![CDATA[Lionel Messi ગોલ્ડન બૂટની રેસમાં સૌથી આગળ, એમબાપ્પે પાસે હજુ પણ ટોપના સ્થાન પર પહોંચવાની તક ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-golden-boot-race-messi-mbappe</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-golden-boot-race-messi-mbappe</guid><pubDate>Thu, 16 Jul 2026 16:20:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફિફા વર્લ્ડકપ 2026ની બીજી સેમીફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ ઈંગ્લેન્ડને 2-1 થી હરાવીને ટાઈટલ મેચમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. આર્જેન્ટિના હવે ફાઈનલમાં સ્પેન સામે ટકરાશે. બધાની નજર ગોલ્ડન બૂટ વિજેતા પર પણ છે, જેમાં લિયોનેલ મેસ્સી બીજી સેમીફાઈનલ પછી ટોપનું સ્થાન મેળવી લીધું છે.&nbsp;</p><p style="text-align: justify;">મેસ્સીએ ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલમાં એક પણ ગોલ કર્યો ન હતો, પરંતુ તેને આર્જેન્ટિના માટે 2 ગોલમાં મદદ કરી, જેનાથી તે ગોલ્ડન બૂટ જીતવાની રેસમાં ટોપના સ્થાને પાછો આવી ગયો.</p><h2 style="text-align: justify;"><b>મેસ્સીએ અત્યાર સુધીમાં 8 ગોલ કર્યા&nbsp;</b></h2><p style="text-align: justify;">લિયોનેલ મેસ્સીએ પોતાના કરિયરમાં એક પણ વાર ગોલ્ડન બૂટ જીત્યો નથી, અને આ વખતે તેની પાસે એક શાનદાર તક રહેવાની છે. મેસ્સીએ અત્યાર સુધી ફિફા વર્લ્ડકપમાં કુલ 8 ગોલ કર્યા છે, જેમાંથી 4 ગોલમાં તેને આસિસ્ટની ભૂમિકા પણ ભજવી છે. આ લિસ્ટમાં બીજા નંબરે ફ્રાન્સના કાયલિયન એમબાપ્પે છે, જેણે કુલ 8 ગોલ પણ કર્યા છે, પરંતુ તેના નામે ફક્ત 3 આસિસ્ટ છે. ત્રીજા નંબરે નોર્વેના ખેલાડી એર્લિંગ હાલેન્ડનું નામ છે, જેની ટીમની સફર ક્વાર્ટર-ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડ સામેની હાર સાથે સમાપ્ત થઈ.</p><h3 style="text-align: justify;"><b>2026 ફિફા વર્લ્ડકપ માટે ગોલ્ડન બૂટની રેસમાં ખેલાડીઓ</b></h3><p style="text-align: justify;">લિયોનેલ મેસ્સી (આર્જેન્ટિના) - 8 ગોલ, 4 આસિસ્ટ</p><p style="text-align: justify;">કાયલિયન એમબાપ્પે (ફ્રાન્સ) - 8 ગોલ, 3 આસિસ્ટ</p><p style="text-align: justify;">એરલિંગ હાલેન્ડ (નોર્વે) - 7 ગોલ</p><p style="text-align: justify;">જુડ બેલિંગહામ (ઈંગ્લેન્ડ) - 6 ગોલ, 1 આસિસ્ટ</p><p style="text-align: justify;">હેરી કેન (ઈંગ્લેન્ડ) - 6 ગોલ, 1 આસિસ્ટ</p><h4 style="text-align: justify;"><b>એમબાપ્પે પાસે હજુ પણ ટોપ સ્થાને પહોંચવાની તક</b></h4><p style="text-align: justify;">ભલે ફ્રાન્સ 2026 ના ફિફા વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ રહ્યું, પરંતુ હવે તેમની પાસે ત્રીજા સ્થાને રહીને ટુર્નામેન્ટ પૂર્ણ કરવાની શાનદાર તક છે. આનાથી કાયલિયન એમબાપ્પે પાસે મેસ્સીને પાછળ છોડીને ગોલ્ડન બૂટની રેસમાં પ્રથમ સ્થાન મેળવવાની તક બાકી છે. ફ્રાન્સ અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજા સ્થાન માટેની મેચ 19 જુલાઈના રોજ ભારતીય સમય મુજબ સવારે 2:30 વાગ્યે રમાશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/ishan-kishan-run-out-abhishek-sharma-stump-mic-video" target="_blank">Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/EWNarws57Dn8jooFWmrzBAw1gRglBgZWwBEB6jjO.webp'/></item></channel></rss>