<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Mahisagarના લુણાવાડાની મલેકપુર ચોકડી પાસે ગેરેજમાં લાગી ભીષણ આગ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mahisagar/a-massive-fire-broke-out-in-a-garage-near-malekpur-intersection-in-lunawada-mahisagar</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mahisagar/a-massive-fire-broke-out-in-a-garage-near-malekpur-intersection-in-lunawada-mahisagar</guid><pubDate>Sat, 18 Jul 2026 22:06:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મહિસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાંથી આગની એક ગંભીર ઘટના સામે આવી છે. લુણાવાડાની વ્યસ્ત ગણાતી મલેકપુર ચોકડી પાસે આવેલા એક ઓટો ગેરેજમાં અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ગેરેજમાંથી ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા. ધોળા દિવસે અચાનક લાગેલી આ આગને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>નજીક પેટ્રોલ પંપ હોવાથી મોટી હોનારતનો ભય સેવાયો</b></h2><p style="text-align: justify; ">આ આગની ઘટનાને પગલે સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે ભયનો માહોલ વ્યાપી ગયો હતો, કારણ કે જે ગેરેજમાં આગ લાગી હતી તેની બિલકુલ બાજુમાં જ એક પેટ્રોલ પંપ આવેલો છે. જો આગની જ્વાળાઓ પેટ્રોલ પંપ સુધી પહોંચી ગઈ હોત તો ખૂબ જ મોટી અને ભયાવહ જાનમાલની હોનારત સર્જાઈ શકી હોત. આ ગંભીર જોખમને ધ્યાને રાખીને આસપાસના દુકાનદારો અને લોકોએ તુરંત જ સલામત અંતર જાળવી લીધું હતું અને ફાયર બ્રિગેડને કટોકટીનો કોલ કર્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>લુણાવાડા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી</b></h3><p style="text-align: justify; ">આગની માહિતી મળતાની સાથે જ લુણાવાડા ફાયર વિભાગની ટીમ અદ્યતન ફાઈટર વાહનો અને લાશ્કરો સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોના જવાનોએ પેટ્રોલ પંપ તરફ આગ આગળ ન વધે તે માટે વ્યૂહાત્મક રીતે પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું. ફાયર બ્રિગેડની ત્વરિત અને સમયસરની કામગીરીને કારણે આગ પર કાબૂ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે, જેથી એક મોટી દુર્ઘટના ટળી છે.&nbsp;</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank" style="background-color: rgb(255, 255, 255);">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/18/CPrmtgBiizTCeMwUgtBg007CJdLahCpJs5RWMCJv.webp'/></item><item><title><![CDATA[Video: Ahmedabadના ગત્રાડ રોડ પર ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 9 લોકોના મોત ]]></title><link>https://sandesh.com/gujarat/breakingnews/ahmedabad/gatrad-road-fire-talent-firecrackers-factory-mahmudpura-four-deaths-feared</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/breakingnews/ahmedabad/gatrad-road-fire-talent-firecrackers-factory-mahmudpura-four-deaths-feared</guid><pubDate>Sat, 18 Jul 2026 21:50:58 +05:30</pubDate><description><![CDATA[<div>અમદાવાદના ગત્રાડ રોડ પરથી એક અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જ્યાં આવેલા મહેમુદપુરા વિસ્તારની એક ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં બપોરે 3:30 વાગ્યાની આસપાસ અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ફટાકડાનો જથ્થો હોવાના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ફેક્ટરીમાંથી ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા આકાશમાં ઉડતા દેખાયા હતા. આ અકસ્માતને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.</div><h2><b>ટેલેન્ટ ફટાકડા ફેક્ટરીમાં 9 લોકોના મોત</b></h2><div>આ ભયાનક આગ મહેમુદપુરામાં આવેલી 'ટેલેન્ટ ફટાકડા ફેક્ટરી'માં લાગી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ, ફેક્ટરીની અંદર વિસ્ફોટક સામગ્રી હોવાના કારણે આગ ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી, જેના લીધે અંદર કામ કરી રહેલા મજૂરોને બહાર નીકળવાનો મોકો મળ્યો ન હતો. તંત્ર અને સ્થાનિક સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, આ ગંભીર દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા છે. જ્યારે 10 થી વધુ લોકો ઘાયલ થયા છે.&nbsp;</div><div><br></div><div><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2078443206937821659"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></div><div><br><br></div><h2><b>ફાયર વિભાગની ટીમ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે રવાના</b></h2><div>આગની ઘટના અંગે સ્થાનિકો દ્વારા તાત્કાલિક કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા ફાયર વિભાગની 2 ગાડીઓ તાબડતોબ ગત્રાડ રોડ પર આવેલી ફેક્ટરી ખાતે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. આ સાથે જ ફેક્ટરીની અંદર ફસાયેલા લોકોને તાત્કાલિક તબીબી સારવાર મળી રહે તે માટે એમ્બ્યુલન્સની ગાડીઓ પણ ઘટનાસ્થળે પહોંચવા રવાના કરી દેવામાં આવી છે. હાલ તંત્ર દ્વારા બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે.</div><div><br></div><div><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2078449472057610467"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></div><div><br></div><h2><b>અમદાવાદના એલજી હોસ્પિટલમાં બર્ન્સ વોર્ડના 8 દર્દીઓના મોત, સિવિલમાં પણ 5 દર્દીઓ સારવાર હેઠળ</b></h2><div><br></div><div>અમદાવાદની એલજી હોસ્પિટલમાંથી એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે, જ્યાં સારવાર હેઠળ રહેલા દાઝેલા દર્દીઓ પૈકી 8 લોકોના મોત નીપજ્યા છે. મૃતકોમાં 12 વર્ષની રવીના ચારણ, 24 વર્ષના અઝહર અલી સહિત 7 વર્ષ અને 10 વર્ષના બે અજાણ્યા બાળકો તેમજ એક 45 વર્ષના અજાણ્યા પુરુષનો સમાવેશ થાય છે. અન્ય 3 મૃતકોની વિગતો હજુ મળી શકી નથી. એલજી હોસ્પિટલના સત્તાવાર આંકડા મુજબ, અત્યાર સુધીમાં 2 પુરુષ, 3 મહિલા અને 3 બાળકો સહિત કુલ 8 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે, જ્યારે રમીલાબેન ડોડિયા નામના મહિલા દર્દી હાલ સારવાર હેઠળ છે. આ ઉપરાંત, આ જ ઘટનાના અન્ય 5 દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જ્યાં પણ 1 દર્દીનું મોત નીપજ્યું હોવાના અહેવાલ છે.</div><div><br></div><div><br></div><div><br></div><div>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-rain-forecast-three-monsoon-systems-active-yellow-alert-in-south-gujarat" target="_blank">Ahmedabad: રાજ્યમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય, માછીમારોને દરિયો ન ખેડવા તંત્રની સૂચના</a></div><div><br></div><div><br></div><div><br></div> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/18/rXZ0VnKIoplqrLPHeQjRPM0QDp1DXjl1Ug2MnSTX.webp'/></item><item><title><![CDATA[Bhavnagarના મહુવા છેડતી કેસમાં પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, આરોપીને 6 મહિનાની કેદ અને રૂ. 50 હજારનો દંડ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/historic-verdict-of-pocso-court-in-bhavnagars-mahuva-molestation-case-accused-sentenced-to-6-months-imprisonment-and-rs-50-thousand-fine</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/historic-verdict-of-pocso-court-in-bhavnagars-mahuva-molestation-case-accused-sentenced-to-6-months-imprisonment-and-rs-50-thousand-fine</guid><pubDate>Sat, 18 Jul 2026 21:38:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાંથી કાયદાનો ડર બેસાડતો એક મહત્વનો અને મોટો ચુકાદો સામે આવ્યો છે. મહુવા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીર વયની બાળકી/છોકરીની છેડતી કરવા અંગેનો એક ગંભીર બનાવ બન્યો હતો. આ મામલે સ્પેશિયલ પોક્સો (POCSO) કોર્ટે કાયદાનું કડક પાલન કરાવીને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેતો મહત્વનો ચુકાદો આપ્યો છે, જેને પગલે પંથકના રોમિયો તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>સરકારી વકીલની ધારદાર દલીલો</b></h2><p style="text-align: justify; ">આ ચકચારી ઘટના ગત 10 ઓક્ટોબર 2025ના રોજ પ્રકાશમાં આવી હતી. મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને મહુવા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.એસ.આઈ. (PSI) એસ. એ. ઝાલાએ તુરંત જ ભોગ બનનારની ફરિયાદ નોંધી હતી. પોક્સો એક્ટની જોગવાઈ મુજબ CWPO (ચાઈલ્ડ વેલફેર પોલીસ ઓફિસર) અને મહિલા એ.એસ.આઈ. (ASI) ની રૂબરૂમાં આ સત્તાવાર ફરિયાદ લેવાઈ હતી અને પી.એસ.આઈ. ઝાલાએ કેસની સઘન તપાસ ચલાવી કોર્ટમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરી હતી. અદાલતમાં કેસ ચાલવા પર આવતા સરકારી વકીલ કમલેશ કેસરીએ ભોગ બનનારના પક્ષમાં કોર્ટ સમક્ષ ધારદાર અને સચોટ દલીલો રજૂ કરી હતી.</p><h3 style="text-align: justify; "><b>દંડ ન ભરે તો વધુ કેદની જોગવાઈ</b></h3><p style="text-align: justify; ">સરકારી વકીલની દલીલો અને પોલીસના મજબૂત પુરાવાઓને ગ્રાહ્ય રાખીને મહુવા એડિશનલ સેશન્સ જજ તથા એફ.ટી.એસ.સી. (FTSC) સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને કડક સજા ફટકારી છે. અદાલતે આરોપીને દોષિત જાહેર કરી 6 મહિનાની સખત કેદની સજા અને રૂપિયા 50,000નો દંડ ફટકાર્યો છે. કોર્ટે પોતાના ચુકાદામાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો આરોપી આ દંડની રકમ ભરવામાં નિષ્ફળ જશે, તો તેણે વધુ 3 મહિનાની કેદની સજા ભોગવવી પડશે. સગીરાઓની સુરક્ષા મામલે કોર્ટના આ ચુકાદાને સ્થાનિક લોકોએ આવકાર્યો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/18/3nx4kT6viiDu2pEPeQK1d9fmOn5bUJMLbd57ycGM.webp'/></item><item><title><![CDATA[Junagadh News: ગિરનાર પર નિર્વાણ લાડુ ઉત્સવ, 400થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/girnar-nirvan-ladu-utsav-police-security-deployed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/girnar-nirvan-ladu-utsav-police-security-deployed</guid><pubDate>Sat, 18 Jul 2026 21:38:34 +05:30</pubDate><description><![CDATA[<p>જૂનાગઢના સુપ્રસિદ્ધ અને પવિત્ર ગિરનાર પર્વત પર આગામી દિવસોમાં યોજાનારા ધાર્મિક ઉત્સવને લઈને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સંપૂર્ણપણે સજ્જ બન્યા છે. ગિરનાર ખાતે પરંપરાગત રીતે ઉજવાતા 'નિર્વાણ લાડુ ઉત્સવ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક મહોત્સવ દરમિયાન પર્વત પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની શક્યતાને પગલે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસે કમર કસી લીધી છે.</p><h2><b>2 દિવસીય મહોત્સવમાં કોઈ અનિચ્છનીય ઘટના ટાળવા તંત્ર સજ્જ</b></h2><p>આ ધાર્મિક કાર્યક્રમ સળંગ 2 દિવસ સુધી ચાલવાનો છે. ગિરનારની ભૌગોલિક સ્થિતિ અને શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના કે અફરાતફરી ન સર્જાય તે માટે પોલીસને હાઈ એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. પર્વત પરના યાત્રાધામો અને પગથિયાંઓ પર ભીડને નિયંત્રિત કરવા તેમજ સુરક્ષિત માહોલ પૂરો પાડવા માટે ખાસ પ્લાનિંગ તૈયાર કરવામાં આવ્યું છે.</p><h2><b>2 DySP અને 20 PI સહિત 400થી વધુ જવાનો તૈનાત</b></h2><p>ગિરનાર પર્વત પર ગોઠવવામાં આવેલો પોલીસ બંદોબસ્ત અત્યંત ચુસ્ત અને અભેદ્ય છે. આ સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ માટે 2 ડીવાયએસપી, 20 પોલીસ ઇન્સ્પેક્ટર અને 35 પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ મેદાને ઉતરશે. આ ઉપરાંત, 400 થી વધુ પોલીસ જવાનો અને હોમગાર્ડના જવાનોને પર્વતના અલગ-અલગ પોઈન્ટ્સ પર તૈનાત કરી દેવામાં આવ્યા છે.</p><p><img alt="Junagadh News: Girnar Nirvan Ladu Utsav: Over 400 Police Personnel Deployed for Security" src="https://epapercdn.sandesh.com/images/2026/07/18/VA0XLVU9eh7fVGFs4VhojdJ3bYU6gqlU9exMwVO7.webp" style="width: 100%;"><br></p><h2><b>ડ્રોન કેમેરા અને સીસીટીવીથી થશે થર્ડ આઈ મોનિટરિંગ</b></h2><p>પરંપરાગત સુરક્ષાની સાથે સાથે આ વર્ષે ટેકનોલોજીનો પણ વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગિરનારના સમગ્ર રૂટ પર અને મુખ્ય કાર્યક્રમ સ્થળ પર સીસીટીવી કેમેરા નેટવર્ક ગોઠવવામાં આવ્યું છે. આ સાથે જ પર્વતની ઉંચાઈ અને ખીણ વિસ્તારો પર બાજ નજર રાખવા માટે ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવશે. પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા આ તમામ ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવશે જેથી કોઈ પણ શંકાસ્પદ હિલચાલ પર તુરંત એક્શન લઈ શકાય.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/junagadh-news-successful-rescue-of-giant-crocodile-from-holy-damodar-kund-devotees-lives-at-stake" target="_blank">Junagadh News: પવિત્ર દામોદર કુંડમાંથી મહાકાય મગરનું સફળ રેસ્ક્યુ, ભાવિકોના જીવ તાળવે ચોંટ્યા</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/18/XRU0jqZ6oA2DANTumb5fleqi2lUT9jgVUAt5SrfQ.webp'/></item><item><title><![CDATA[Vadodara News: વડોદરાના યવતેશ્વર કમ્પાઉન્ડમાં મોટું ડિમોલિશન, કાર શોરૂમ તોડી પડાયો, રાજવી પરિવાર કેસ હાર્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/yavteshwar-compound-demolition-car-showroom</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/yavteshwar-compound-demolition-car-showroom</guid><pubDate>Sat, 18 Jul 2026 21:24:04 +05:30</pubDate><description><![CDATA[<p>વડોદરા શહેરમાંથી જમીન સંપાદન અને ગેરકાયદે દબાણ હટાવવા અંગેના એક ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરાના પ્રખ્યાત યવતેશ્વર કમ્પાઉન્ડ વિસ્તારમાં વહીવટીતંત્ર દ્વારા વહેલી સવારથી જ મસમોટો કાફલો રાખીને કડક ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નામદાર હાઈકોર્ટના આદેશ બાદ એક્શનમાં આવેલા તંત્રે કિંમતી જમીન પરથી ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા બાંધકામોને હટાવીને જમીન પોતાના હસ્તક લેવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે.</p><h2><b>પ્રખ્યાત કાર કંપનીનો વૈભવી શોરૂમ તોડી પડાયો</b></h2><p>તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ કડક ઝુંબેશ અંતર્ગત યવતેશ્વર કમ્પાઉન્ડમાં આવેલી એક જાણીતી ખાનગી કાર કંપનીના ભવ્ય શોરૂમને નિશાન બનાવવામાં આવ્યો હતો. આ શોરૂમ ગેરકાયદેસર દબાણ ઊભું કરીને બનાવવામાં આવ્યો હોવાનું સાબિત થતાં, જેસીબી (JCB) મશીનોની મદદથી આ આખી ઇમારતને જમીનદોસ્ત કરી દેવામાં આવી છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ શોરૂમ પર તંત્રનું બુલડોઝર ફરી વળતા સ્થાનિક વ્યાપારી આલમમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.</p><h2><b>રાજવી પરિવાર જમીનના પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ</b></h2><p>આ સમગ્ર વિવાદ પાછળ જમીનની માલિકીનો મોટો કાનૂની જંગ ખેલાઈ રહ્યો હતો. આ કિંમતી જમીન પર વડોદરાના રાજવી પરિવારે પોતાનો દાવો કર્યો હતો અને મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. જોકે, લાંબી કાનૂની લડત બાદ રાજવી પરિવાર અદાલતમાં આ જમીન પોતાની માલિકીની હોવાના કોઈ નક્કર કે કાયદેસરના પુરાવા રજૂ કરી શક્યો નહોતો. પરિણામે, રાજવી પરિવાર આ હાઈપ્રોફાઈલ કેસ હારી ગયો હતો અને કોર્ટે તંત્રને જમીન ખાલી કરાવવાનો આદેશ આપ્યો હતો.</p><p><img alt="Vadodara News: Mega Demolition at Yavteshwar Compound Vadodara; Car Showroom Razed" src="https://epapercdn.sandesh.com/images/2026/07/18/wEWnfmse5xecyFrArhvyVBR40At6EzTAcS4jvA62.webp" style="width: 100%;"><br></p><h2><b>ભીમનાથ મંદિર રોડ પરની સરકારી જમીન પણ કરાઈ મુક્ત</b></h2><p>યવતેશ્વર કમ્પાઉન્ડની સાથે સાથે તંત્રે પોતાની કાનૂની કાર્યવાહીનો વ્યાપ વધાર્યો હતો. આ જ વિવાદિત હિસ્સામાં આવતી ભીમનાથ મંદિર રોડ પરની મોંઘી જમીન પર પણ વર્ષોથી ગેરકાયદેસર કબજો જમાવી રાખવામાં આવ્યો હતો. આ જમીનને પણ વહીવટીતંત્રે સત્તાવાર રીતે પોતાના કબ્જામાં લઈ લીધી છે. હાઈકોર્ટના આ કડક વલણ બાદ વડોદરા કોર્પોરેશન અને કલેક્ટર તંત્ર આગામી દિવસોમાં અન્ય સરકારી જમીનો પરથી પણ દબાણો હટાવે તેવી પૂરેપૂરી શક્યતા છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/vadodara/leopard-terror-continues-in-vadodaras-waghodia-people-are-complaining-about-killing-animals-in-himmatpura-village" target="_blank">Vadodaraના વાઘોડિયામાં દીપડાનો આતંક યથાવત, હિંમતપુરા ગામે પશુનું મારણ કરતા લોકોમાં ફફડાટ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/18/zgvKezjONoFODVWHLSrYxxSOPLkCrdaWcBfrAWue.webp'/></item><item><title><![CDATA[Ayodhya Ram Mandir મામલે નવો વળાંક, શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના પુનર્ગઠનની માંગ સાથે નિર્મોહી અખાડાની SCમાં અરજી ]]></title><link>https://sandesh.com/india/news/ayodhya-ram-mandir-trust-nirmohi-akhara-sc-petition</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ayodhya-ram-mandir-trust-nirmohi-akhara-sc-petition</guid><pubDate>Sat, 18 Jul 2026 21:19:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ મંદિરના વ્યવસ્થાપનને લઈને ફરી એકવાર મોટો કાનૂની વળાંક આવ્યો છે. નિર્મોહી અખાડા દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક મહત્વપૂર્ણ અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં વર્તમાન 'શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ'ના પુનર્ગઠનની જોરદાર માંગ કરવામાં આવી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>'જાહેર ટ્રસ્ટ' જાહેર કરવા માગ</b></h2><p style="text-align: justify; ">અખાડાએ સર્વોચ્ચ અદાલત સમક્ષ અપીલ કરી છે કે આ ટ્રસ્ટને સત્તાવાર રીતે 'જાહેર ટ્રસ્ટ' જાહેર કરવામાં આવે અને તેના સંચાલન પર નજર રાખવા માટે એક યોગ્ય અને મજબૂત દેખરેખ તંત્રની સ્થાપના કરવામાં આવે.</p><h3 style="text-align: justify; "><b>વહીવટમાં સંપૂર્ણ પારદર્શિતા અને પરંપરાગત પ્રતિનિધિત્વ રાખો</b></h3><p style="text-align: justify; ">અરજીમાં નિર્મોહી અખાડા તરફથી સ્પષ્ટ દલીલ કરવામાં આવી છે કે રામ મંદિરના વહીવટમાં સંપૂર્ણ પારદર્શિતા અને પરંપરાગત પ્રતિનિધિત્વ જળવાઈ રહેવું અત્યંત જરૂરી છે.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>રામ જન્મભૂમિ અથવા રામાનંદી સંપ્રદાયને મહત્વ આપો</b></h4><p style="text-align: justify; ">આ હેતુસર, ટ્રસ્ટમાં ઉચ્ચ નૈતિક મૂલ્યો ધરાવતી વ્યક્તિઓ તેમજ ખાસ કરીને શ્રી રામ જન્મભૂમિ અથવા રામાનંદી સંપ્રદાયની પરંપરા સાથે સીધા જોડાયેલા હોય તેવા સંતો-મહંતોને જ સભ્ય બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. નિર્મોહી અખાડાની આ નવી કાનૂની લડતને કારણે અયોધ્યા રામ મંદિરના વહીવટી માળખાને લઈને આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટ શું વલણ અપનાવે છે તેના પર સમગ્ર દેશની નજર રહેશે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp;<a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-gatrad-road-talent-firecrackers-factory-blast-mehul-dodia" target="_blank"><b> &nbsp;Ahmedabad Fire: મોતની ફટાકડા ફેક્ટરી, ભીષણ બ્લાસ્ટમાં 10 જીવતા ભૂંજાયા, લાયસન્સ રદ હોવા છતાં કોના આશીર્વાદથી ચાલતું હતું પાપનું સામ્રાજ્ય?, Video</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/18/n6KLFZAP1V3w2ONvQMf37vGQP87c2v0MkF5fYlI0.webp'/></item><item><title><![CDATA[Gujarati સિનેમા માટે ગર્વની ક્ષણ!: નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં અભિષેક જૈનની ફિલ્મ 'મારણ' શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ જાહેર ]]></title><link>https://sandesh.com/india/news/gujarat/proud-moment-for-gujarati-cinema-abhishek-jains-film-maaran-declared-the-best-gujarati-film-at-the-national-film-awards</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/gujarat/proud-moment-for-gujarati-cinema-abhishek-jains-film-maaran-declared-the-best-gujarati-film-at-the-national-film-awards</guid><pubDate>Sat, 18 Jul 2026 20:53:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત એવા 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સની જાહેરાત દિલ્હી ખાતે કરવામાં આવી છે. આ વર્ષે ગુજરાતી સિનેમા માટે ગર્વ લેવા જેવી ક્ષણ આવી છે, કારણ કે જાણીતા ફિલ્મ નિર્દેશક અભિષેક જૈનની ફિલ્મ 'મારણ' ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. આ જાહેરાત થતાં જ સમગ્ર ઢોલિવૂડ (ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી) અને સિનેપ્રેમીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આ પુરસ્કાર દર્શાવે છે કે ગુજરાતી સિનેમા કન્ટેન્ટ અને કળાની દ્રષ્ટિએ રાષ્ટ્રીય સ્તરે પોતાની મજબૂત ઓળખ બનાવી રહ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>ડિરેક્ટર અભિષેક જૈનની વધુ એક ઐતિહાસિક સિદ્ધિ</b></h2><p style="text-align: justify; ">ફિલ્મ 'મારણ' ના ડાયરેક્ટર અભિષેક જૈન ગુજરાતી સિનેમા જગતનું એક ખુબ જ લોકપ્રિય અને સન્માનિત નામ છે. તેમણે અગાઉ 'કેવી રાઈટ જાયશ' અને 'બે યાર' જેવી સુપરહિટ ફિલ્મો આપીને અર્બન ગુજરાતી સિનેમાની કાયાપલટ કરી હતી. દર્શકોને સિનેમાઘરો સુધી ખેંચી લાવનારા અભિષેક જૈને ફરી એકવાર સાબિત કર્યું છે કે તેઓ માત્ર મનોરંજક જ નહીં, પરંતુ ઉચ્ચ ગુણવત્તાસભર ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. તેમની આ નવી સિદ્ધિથી ગુજરાતી સિનેમાના અન્ય મેકર્સને પણ વૈશ્વિક સ્તરનું કામ કરવાની પ્રેરણા મળશે.</p><h3 style="text-align: justify; "><b>રાષ્ટ્રીય સ્તરના વિજેતાઓ અને સિનેમાની વિવિધતા</b></h3><p style="text-align: justify; ">આ વર્ષના એવોર્ડ સમારોહમાં બોલિવૂડ ફિલ્મ 'આર્ટિકલ 370' એ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા બેસ્ટ ફીચર ફિલ્મનો પ્રતિષ્ઠિત 'સ્વર્ણ કમલ' પુરસ્કાર મેળવ્યો છે. આ જ ફિલ્મ માટે અભિનેત્રી યામી ગૌતમને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. જ્યારે બેસ્ટ એક્ટરનો એવોર્ડ બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન (ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન') અને સાઉથના સુપરસ્ટાર મમ્મૂટી (ફિલ્મ 'બ્રહ્મયુગમ') વચ્ચે સંયુક્ત રીતે શેર કરવામાં આવ્યો છે. 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો હિન્દી, ગુજરાતી અને દક્ષિણ ભારતીય સિનેમાની ભવ્ય વિવિધતા અને સમૃદ્ધિને રેખાંકિત કરે છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/india" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/18/peDA0ZYUwITNFZWbbYGywtbdtYXfx8YPoRmU39eR.webp'/></item><item><title><![CDATA[Lionel Messiના ફેન્સને મોટો ઝટકો! ફાઇનલ પહેલા જ ગોલ્ડન બૂટ જીતવાનું સપનું તૂટી જશે? ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/the-golden-boot-will-slip-out-of-lionel-messis-hands-understand-the-equation</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/the-golden-boot-will-slip-out-of-lionel-messis-hands-understand-the-equation</guid><pubDate>Sat, 18 Jul 2026 19:56:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">લિયોનેલ મેસ્સી અને કાયલિયન એમબાપ્પે 2026 ફિફા વર્લ્ડ કપમાં સંયુક્ત રીતે ટોચના સ્કોરર છે.બંનેએ આઠ ગોલ કર્યા છે.ફ્રાન્સ ટાઇટલ રેસમાંથી બહાર થઈ ગયું છે,જ્યારે આર્જેન્ટિના સતત બીજા આવૃત્તિ માટે ટાઇટલ માટે મજબૂત દાવેદાર છે.હાલમાં લિયોનેલ મેસ્સી ગોલ સ્કોરિંગ ટેબલમાં ટોચ પર છે.પરંતુ તેમનો ગોલ્ડન બૂટ એવોર્ડ હજુ પણ અપ્રમાણિત છે. આ એવોર્ડ ફરી એકવાર  ગુમાવી શકે છે.</p><h4 style="text-align: justify; "><b>ફિફા વર્લ્ડ કપ ઇતિહાસમાં સૌથી વધુ ગોલ સ્કોરર</b></h4><p style="text-align: justify; ">લિયોનેલ મેસ્સી ફિફા વર્લ્ડ કપ ઇતિહાસમાં સૌથી વધુ ગોલ સ્કોરર છે,અને તેમની ટીમે છેલ્લી આવૃત્તિમાં ટાઇટલ જીત્યું હતું. જો કે, તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમણે ક્યારેય ગોલ્ડન બૂટ જીત્યો નથી,જે કોઈ ચોક્કસ આવૃત્તિમાં અગ્રણી ગોલ સ્કોરરને આપવામાં આવે છે. આ વખતે, તેઓ એવોર્ડ જીતવાની ખૂબ નજીક છે,પરંતુ મેસ્સીનું સ્વપ્ન ચકનાચૂર થઈ શકે છે. તેમને કોણ પાછળ છોડી શકે છે?</p><h4 style="text-align: justify; "><b>એમબાપ્પે આઠ ગોલ કર્યા</b></h4><p style="text-align: justify; ">લિયોનેલ મેસ્સી અને ફ્રાન્સના કાયલિયન એમબાપ્પે આઠ ગોલ કર્યા છે.સેમિફાઇનલ પહેલા મબાપ્પે પ્રથમ સ્થાને હતા.બંનેએ સમાન ગોલ કર્યા હતા,પરંતુ મબાપ્પે સહાયમાં આગળ હતા.મેસ્સીએ ઈંગ્લેન્ડ સામેની સેમિફાઇનલમાં બે આસિસ્ટ કર્યા હતા,જેનાથી એમબાપ્પે પહેલા સ્થાને પહોંચી ગયા હતા.એમબાપ્પેની ટીમ પહેલેથી જ ટાઇટલ રેસમાંથી બહાર થઈ ગઈ છે,પરંતુ તેમની પાસે હજુ એક મેચ બાકી છે.</p><h5 style="text-align: justify; "><b>ત્રીજા સ્થાન માટે ફ્રાન્સ અને ઈંગ્લેન્ડ ટક્કર</b></h5><p style="text-align: justify; ">બે હારેલા સેમિફાઇનલ ખેલાડીઓ,ફ્રાન્સ અને ઈંગ્લેન્ડ નંબર 3 સ્થાન માટે સ્પર્ધા કરશે.આ મેચ શનિવારે રાત્રે 12:30 વાગ્યે ભારતીય સમય મુજબ શરૂ થશે.એમબાપ્પે પાસે ગોલ કરીને મેસ્સીને પાછળ છોડી દેવાની તક હશે,અને તે આસિસ્ટમાં આર્જેન્ટિનાના સ્ટારને પણ પાછળ છોડી શકે છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/messi-roars-before-the-fifa-world-cup-final-says-we-will-put-everything-at-stake" target="_blank"> FIFA World Cup ની ફાઈનલ પહેલા મેસીની ગર્જના, કહ્યું - અમે બધુ દાવ પર લગાવી દઈશું</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/18/6lrQ0mTR2hBSISVdK9kw9kDdVjhzPQ02FzM657cO.webp'/></item><item><title><![CDATA[72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત, કાર્તિક આર્યન અને યામી ગૌતમનું નામ પણ સામેલ ]]></title><link>https://sandesh.com/entertainment/news/72nd-national-film-awards-2026--winners-list---kartik-aaryan--yami-gautam</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/72nd-national-film-awards-2026--winners-list---kartik-aaryan--yami-gautam</guid><pubDate>Sat, 18 Jul 2026 19:07:01 +05:30</pubDate><description><![CDATA[<p>72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ફરી એકવાર ભારતીય સિનેમાની શ્રેષ્ઠ ફિલ્મો, કલાકારો અને ટેકનિકલ પ્રતિભાઓને તેમના શાનદાર કામ માટે સન્માનિત કરવામાં આવ્યા છે. દર વર્ષની જેમ વિવિધ ભાષાઓ અને શૈલીઓની ફિલ્મોએ મજબૂત હાજરી નોંધાવી છે.. આ પુરસ્કારોએ માત્ર શાનદાર અભિનય અને દિગ્દર્શનને જ નહીં, પરંતુ તેમની કહાણી કહેવાની, સંગીત, સિનેમેટોગ્રાફી અને સામાજિક પ્રભાવ માટે પ્રખ્યાત ફિલ્મોને પણ માન્યતા આપી છે. વિજેતાઓની સંપૂર્ણ યાદીની જાહેરાતથી ફિલ્મ ઉદ્યોગ અને દર્શકોમાં આનંદ છવાઈ ગયો છે. ચાલો જાણીએ કે કઈ શ્રેણીમાં કોણ જીત્યું.
</p><p>
</p><p><br></p><p>કાર્તિક આર્યન અને મામૂટીને તેમની ફિલ્મો ચંદુ ચેમ્પિયન અને બ્રહ્મયુગમ માટે અનુક્રમે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. યામી ગૌતમને હિન્દી ફીચર ફિલ્મમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો. સંજય મિશ્રાને તેમની ફિલ્મ ભક્ષક માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો.<br><br></p><p>- શ્રેષ્ઠ અભિનેતા: કાર્તિક આર્યન (ચંદુ ચેમ્પિયન) અને મામૂટી (બ્રહ્મયુગમ)
</p><p>- શ્રેષ્ઠ અભિનેત્રી: યામી ગૌતમ (આર્ટિકલ ૩૭૦)
</p><p>- શ્રેષ્ઠ દિગ્દર્શક: રાજકુમાર પેરિયાસામી (અમરન)
</p><p>- શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી: રોપશ્રી વરકાડી (મિથ્યા) અને સવના નમિદાસ (મહારાજા)
</p><p>- શ્રેષ્ઠ સહાયક અભિનેતા: સંજય મિશ્રા (ભક્ષક)
</p><p>- રાષ્ટ્રીય અને સામાજિક મૂલ્યોને પ્રોત્સાહન આપતી શ્રેષ્ઠ ફિલ્મ: કલ્કી 2898 એડી
</p><p>- રાષ્ટ્રીય અને સામાજિક મૂલ્યોને પ્રોત્સાહન આપતી શ્રેષ્ઠ ફિલ્મ: કેપ્ટન મિલર
</p><p>- શ્રેષ્ઠ બાળ કલાકાર: રુદ્રીમાન બેનર્જી, તપોમય દેવ, ગીતાશ્રી ચક્રવર્તી, અરંગદેવ પોથુલા અને અનીશ એસ. શેટ્ટી
</p><p>- શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી: શહેનાદ જલાલ (બ્રહ્મયુગમ)
</p><p>- શ્રેષ્ઠ પટકથા: સુકુમાર (પુષ્પા ૨)
</p><p>- શ્રેષ્ઠ સંવાદ લેખક: વેંકી અટલુરી (લકી ભાસ્કર)
</p><p>- શ્રેષ્ઠ પ્રોડક્શન ડિઝાઇન: કલ્કી ૨૮૯૮ એડી
</p><p>- શ્રેષ્ઠ એક્શન દિગ્દર્શન: અનલ આરાસુ (મહારાજા)
</p><p>- શ્રેષ્ઠ મેકઅપ આર્ટિસ્ટ: કોમેટી કુરોલુ
</p><p><br></p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/18/lDzVIPnNR0z1ZqvlKPDSNscfxuOGswsRSpO5xglx.webp'/></item><item><title><![CDATA[Gold Silver Price Today: 4900 સુધી ઘટ્યા ભાવ, જાણો અઠવાડિયામાં સોના ચાંદીના ભાવમાં કેટલો ફેરફાર ]]></title><link>https://sandesh.com/business/news/gold-silver-price-today-prices-dropped-to-4900-know-how-much-change-in-gold-and-silver-prices-in-a-week</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/gold-silver-price-today-prices-dropped-to-4900-know-how-much-change-in-gold-and-silver-prices-in-a-week</guid><pubDate>Sat, 18 Jul 2026 12:48:12 +05:30</pubDate><description><![CDATA[<p>આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. જેના પરિણામે સોનાના ભાવમાં ₹2,200 થી વધુ અને ચાંદીના ભાવમાં ₹4,900 નો ઘટાડો થયો. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર આ અઠવાડિયે 24 કેરેટ સોનાનો ભાવ ₹2,209 ઘટીને ₹1,41,159 પ્રતિ 10 ગ્રામ થયો જે અગાઉના સ્તર ₹1,43,368 પ્રતિ 10 ગ્રામ હતો. 22 કેરેટ સોનાનો ભાવ ₹1,31,325 પ્રતિ 10 ગ્રામથી ઘટીને ₹1,29,302 પ્રતિ 10 ગ્રામ થયો. જ્યારે 18 કેરેટ સોનાનો ભાવ ₹1,07,526 પ્રતિ 10 ગ્રામથી ઘટીને ₹1,05,869 પ્રતિ 10 ગ્રામ થયો.</p><p><b style="font-size: 2rem;">અઠવાડિયામાં સોના ચાંદીના ભાવમાં શું ફેરફાર ?&nbsp;</b></p><p>આ અઠવાડિયામાં સોનાનો સૌથી ઓછો ભાવ 17 જુલાઈના રોજ સાંજના સત્ર દરમિયાન ₹1,41,159 પ્રતિ 10 ગ્રામ નોંધાયો હતો જ્યારે 13 જુલાઈના રોજ સવારના સત્ર દરમિયાન સૌથી વધુ ભાવ ₹1,42,289 પ્રતિ 10 ગ્રામ હતો.આ દરમિયાન MCX પર, 5 ઓગસ્ટ, 2026 ના રોજ સોનાનો કોન્ટ્રેક્ટ શુક્રવારે ₹1,40,348 પર બંધ થયો જે ₹658 નો વધારો દર્શાવે છે.</p><p><b style="font-size: 1.75rem;">ચાંદીના ભાવમાં ઘટાડો</b></p><p>સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો. ચાંદીનો ભાવ ₹4,917 ઘટીને ₹2,15,474 પ્રતિ કિલોગ્રામ થયો, જે અગાઉના ₹2,20,390 પ્રતિ કિલોગ્રામ હતો.</p><p>આ અઠવાડિયે ચાંદીનો સૌથી વધુ ભાવ 15 જુલાઈના રોજ સવારના સત્ર દરમિયાન ₹2,20,391 પ્રતિ કિલોગ્રામ નોંધાયો હતો, જ્યારે 17 જુલાઈના રોજ સાંજના સત્ર દરમિયાન સૌથી ઓછો ભાવ ₹2,15,474 પ્રતિ કિલોગ્રામ હતો. શુક્રવારે, 4 સપ્ટેમ્બર, 2026 માટે ચાંદીનો કોન્ટ્રેક્ટ MCX પર ₹216,403 પર બંધ થયો જે ₹46 નો વધારો દર્શાવે છે.</p><p><b style="font-size: 1.5rem;">વૈશ્વિક સ્તરે સોના અને ચાંદીના ભાવ</b></p><p>આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાનો ભાવ ઔંસ દીઠ $4,000 ની નજીક પહોંચી ગયો જ્યારે ચાંદીનો ભાવ ઔંસ દીઠ $57 ની નજીક પહોંચી ગયો છે. નિષ્ણાતોના મતે, સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે થયો છે. અમેરિકા ઈરાન પર સતત હુમલા કરી રહ્યું છે, જ્યારે ઈરાન મધ્ય પૂર્વમાં યુએસ બેઝને પણ નિશાન બનાવી રહ્યું છે.</p><p><br></p><h3><b>દેશના મોટા શહેરોમાં સોના ચાંદીના ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)&nbsp;</b></h3><table class="table table-bordered"><tbody><tr><td>શહેર&nbsp;</td><td>24 કેરેટ સોનાની કિંમત ( રૂપિયા/10 ગ્રામ) )</td><td>&nbsp;22 કેરેટ સોનાની કિંમત( રૂપિયા/10 ગ્રામ)</td></tr><tr><td>દિલ્હી</td><td>&nbsp;1,43,440&nbsp;</td><td>1,31,450&nbsp; &nbsp; &nbsp;&nbsp;</td></tr><tr><td>કોલકાતા&nbsp;</td><td>1,43,290&nbsp;</td><td>1,31,350&nbsp;&nbsp;</td></tr><tr><td>ચેન્નઈ&nbsp;</td><td>1,43,290</td><td>&nbsp;1,31,350&nbsp; &nbsp;</td></tr><tr><td>બેંગ્લોર&nbsp;</td><td>1,43,290&nbsp;</td><td>1,31,350&nbsp;&nbsp;</td></tr><tr><td>અમદાવાદ</td><td>&nbsp;1,43,340</td><td>&nbsp;1,31,400&nbsp; &nbsp;&nbsp;</td></tr><tr><td>વડોદરા&nbsp;</td><td>1,43,340&nbsp;</td><td>1,31,400&nbsp; &nbsp;&nbsp;</td></tr></tbody></table><p><br></p><div><a href="https://sandesh.com/astrology/news/bhakti/surya-guru-yuti-2026-mahalakshmi-rajyoga-has-been-formed-the-luck-of-4-zodiac-signs-will-shine-due-to-the-union-of-sun-and-guru" target="_blank">આ પણ વાંચો: Surya Guru Yuti 2026: બન્યો મહાલક્ષ્મી રાજયોગ ! સૂર્ય ગુરુની યુતિથી 4 રાશિની કિસ્મત ચમકશે</a></div><div><br></div> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/JHOHg1mlQKWSZJo3d1waBR7jFXs777mhgIbKTMdv.webp'/></item></channel></rss>