<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Pakistan Cricket શોએબ અખ્તર અને મોહમ્મદ આસિફ ભારત આવતી વખતે ડ્રગ્સ લાવતા હોવાનો આરોપ ]]></title><link>https://sandesh.com/sports/news/pakistan-cricket-shoaib-akhtar-and-mohammad-asif-accused-of-bringing-drugs-while-coming-to-india</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pakistan-cricket-shoaib-akhtar-and-mohammad-asif-accused-of-bringing-drugs-while-coming-to-india</guid><pubDate>Tue, 14 Jul 2026 15:13:05 +05:30</pubDate><description><![CDATA[<p>કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) ના ભૂતપૂર્વ અંડર સેક્રેટરી આર.વી.એસ. મણિએ પાકિસ્તાની ક્રિકેટરો અને ભારત આવતા પાકિસ્તાની ડેલિગેશનને લઈને એક અત્યંત ચોંકાવનારો અને સનસનીખેજ દાવો કર્યો છે. એએનઆઈ (ANI) ના એક પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે, 2006-07 ના ગાળામાં જ્યારે પણ પાકિસ્તાની ટીમ કે અન્ય પ્રતિનિધિમંડળ ભારત આવતા હતા, ત્યારે તેઓ પોતાની સાથે ડ્રગ્સની હેરાફેરી (ડ્રગ્સ ટ્રાફિકિંગ) કરતા હતા. આ ગંભીર ષડયંત્ર પાછળ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI નો હાથ હોવાનો પણ તેમણે દાવો કર્યો છે.</p><h2><b>શોએબ અખ્તર અને મોહમ્મદ આસિફ પર આરોપ</b></h2><p>વર્ષ 2006 થી 2010 દરમિયાન ગૃહ મંત્રાલયના આંતરિક સુરક્ષા વિભાગમાં કાર્યરત રહેલા નિવૃત્ત અધિકારી આર.વી.એસ. મણિએ પાકિસ્તાનના ભૂતપૂર્વ સ્ટાર ફાસ્ટ બોલર શોએબ અખ્તર અને મોહમ્મદ આસિફનું નામ લઈને સીધો હુમલો કર્યો છે. તેમણે જણાવ્યું કે, "આ કેસ ઓફિશિયલી રિપોર્ટ થયેલો છે. શોએબ અખ્તર અને મોહમ્મદ આસિફે પાકિસ્તાની હાઈ કમિશનર સામે પોતે ડ્રગ્સ લાવ્યા હોવાની કબૂલાત કરી હતી, જે બાદ તેમને પરત મોકલી દેવાયા હતા." તેમણે ઉમેર્યું કે આ ડ્રગ્સ વ્યક્તિગત વપરાશ માટે નહીં, પરંતુ મોટા પાયે ટ્રાફિકિંગના હેતુથી લાવવામાં આવતું હતું.</p><h3><b>ટેરર ફંડિંગ અને બોબ વૂલ્મરના મોત સાથે કનેક્શન</b></h3><p>પૂર્વ અધિકારીએ દાવો કર્યો કે ભારતમાં થતા આતંકવાદી હુમલાના ફંડિંગનો 30 ટકા હિસ્સો ડ્રગ્સ ટ્રાફિકિંગમાંથી આવે છે. તેમણે આ બાબતને 2007 ના વર્લ્ડ કપ દરમિયાન પાકિસ્તાની ટીમના તત્કાલીન કોચ બોબ વૂલ્મરના શંકાસ્પદ મોતના કેસ સાથે પણ જોડી છે. મણિના મતે, બોબ વૂલ્મર પાકિસ્તાની ખેલાડીઓ દ્વારા થતી આ ડ્રગ્સ હેરાફેરીનો વિરોધ કરી રહ્યા હતા, જેના કારણે જ જમૈકાની હોટલમાં રહસ્યમય સંજોગોમાં તેમનું મોત નીપજ્યું હતું.</p><p>તેમણે ઉમેર્યું કે પાકિસ્તાન સાથે 'પીપુલ ટુ પીપુલ કોન્ટેક્ટ' (સરહદ પારના સામાન્ય સંબંધો) એ માત્ર એક મોટો ધોકો છે, જેની આડમાં આવા ગેરકાયદેસર અને દેશવિરોધી કૃત્યો આચરવામાં આવતા હતા. ગૃહ મંત્રાલય પાસે આ તમામ બાબતોના અનેક અહેવાલો અને આઈબી (IB) ના એલર્ટ્સ મોજૂદ હોવાનું પણ તેમણે સ્વીકાર્યું છે.</p><p><br></p><p><a href="https://sandesh.com/world/news/more-than-10000-christians-arrested-in-china-for-not-worshipping-xi-jinping-causing-uproar-around-the-world" target="_blank">આ પણ વાંચો: Chinaમાં શિ જિનપિંગની પૂજા ન કરનાર 10 હજારથી વધુ ખ્રિસ્તીની ધરપકડ, દુનિયાભરમાં ખળભળાટ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/hkQDh0iSb60hQHapAZQokS5wEvQyjK6J0vKVAdW9.webp'/></item><item><title><![CDATA[UP Politics : અયોધ્યા બાદ હવે મથુરા-વૃંદાવનમાં સપા વિરુદ્ધ પોસ્ટર વોર, જાણો શું છે આખો વિવાદ? ]]></title><link>https://sandesh.com/india/news/up-politics-after-ayodhya-now-there-is-a-poster-war-against-sp-in-mathura-vrindavan-know-what-is-the-whole-controversy</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/up-politics-after-ayodhya-now-there-is-a-poster-war-against-sp-in-mathura-vrindavan-know-what-is-the-whole-controversy</guid><pubDate>Tue, 14 Jul 2026 14:31:43 +05:30</pubDate><description><![CDATA[<p>ઉત્તર પ્રદેશના મથુરા-વૃંદાવનમાં વિવાદાસ્પદ હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા બાદ રાજકીય ગરમાવો આવી ગયો છે.ગોવર્ધન ચોકડી પાસે હાઈવે અને FCI ગોડાઉન નજીક લગાવવામાં આવેલા આ હોર્ડિંગ્સમાં સમાજવાદી પાર્ટી (SP)ના સ્થાપક દિવંગત મુલાયમ સિંહ યાદવ અને રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવને એક ધર્મ વિશેષની ટોપી પહેરેલા દર્શાવવામાં આવ્યા છે.આ સાથે જ હોર્ડિંગ પર "દિલમાં બાબર, મુખમાં રામ..."જેવા આપત્તિજનક નારા પણ લખવામાં આવ્યા હતા.જેને લઈને સ્થાનિક લોકોની નજર આ હોર્ડિંગ્સ પર પડતા જ તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયા હતા.</p><h4><b>સપા કાર્યકર્તાઓમાં ભારે રોષ, પોલીસે હોર્ડિંગ્સ હટાવ્યા</b></h4><p>આ ઘટનાની જાણ થતાં જ સમાજવાદી પાર્ટીના કાર્યકરોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. કાર્યકરોએ તેને પાર્ટીની છબી ખરડાવવાનું અને જાણીજોઈને રાજકીય માહોલ બગાડવાનું ષડયંત્ર ગણાવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. મામલો બિચકે તે પહેલા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ગોવર્ધન ચોકડી તથા FCI પાસે લાગેલા બંને વિવાદાસ્પદ હોર્ડિંગ્સને તાત્કાલિક અસરથી હટાવી દીધા હતા.</p><h4><b>અગાઉ અયોધ્યા-બારાબંકીમાં પણ લાગ્યા હતા આવા પોસ્ટર</b></h4><p>પ્રાથમિક માહિતી મુજબ, સોમવારે મોડી રાત્રે અંધારાનો લાભ લઈને કોઈ અજાણ્યા તત્વો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોવાની આશંકા છે. આ મામલે સપાના જિલ્લા પ્રમુખ વીરેન્દ્ર યાદવે ઘટનાની આકરી નિંદા કરતા જણાવ્યું હતું કે,એક સુઆયોજિત ષડયંત્ર હેઠળ સમાજવાદી પાર્ટી અને તેના ટોચના નેતૃત્વને બદનામ કરવાનો આ પ્રયાસ છે. લોકશાહીમાં રાજકીય મતભેદો હોવા સ્વાભાવિક છે, પરંતુ આ પ્રકારની આપત્તિજનક હરકતો સામાજિક સૌહાર્દ અને લોકતાંત્રિક મર્યાદાઓની વિરુદ્ધ છે.નોંધનીય છે કે, મથુરા પહેલા ઉત્તર પ્રદેશના અયોધ્યા અને બારાબંકી જિલ્લામાં પણ બરાબર આવા જ વિવાદાસ્પદ પોસ્ટરો જોવા મળ્યા હતા. હાલ મથુરા પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસીને અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/india/news/waqf-properties-if-waqf-properties-are-investigated-the-ram-temple-donation-case-will-be-forgotten-alleges-maulana-shahabuddin" target="_blank">Waqf Properties : વકફ સંપત્તિની તપાસ થાય તો રામ મંદિર દાન મામલો ભૂલી જશો, મૌલાના શહાબુદ્દીનના આક્ષેપ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/86v18jlXMawYzeeHPM1Me307eabt51oFgXqpZNuk.webp'/></item><item><title><![CDATA[Surat: સરથાણા ફાયર સ્ટેશનમાં ખાડીપૂરના પાણી ઘૂસ્યા, કંટ્રોલરૂમ સહિત મહત્વના દસ્તાવેજો પલળી ગયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/sarthana-fire-station-flooded-government-documents-ruined-khadi-flood</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/sarthana-fire-station-flooded-government-documents-ruined-khadi-flood</guid><pubDate>Tue, 14 Jul 2026 14:28:33 +05:30</pubDate><description><![CDATA[<p>કુદરતી આફત ક્યારેય કોઈનો ભેદભાવ રાખતી નથી, તેનો જીવતો-જાગતો દાખલો સુરતમાં જોવા મળ્યો છે. સુરત શહેરમાં ખાડીપૂરના પાણીએ હજારો સોસાયટીઓ અને લાખો લોકોને મુશ્કેલીમાં મૂક્યા હતા. આ કપરા સમયે લોકોને પૂરના પાણીમાંથી હેમખેમ બહાર કાઢવા અને ફૂડ પેકેટો પહોંચાડવા માટે સુરત મનપાનું ફાયર વિભાગ સતત કાર્યરત હતું. પરંતુ, આ બચાવ કામગીરીની વ્યસ્તતા વચ્ચે તંત્રને એ વાતની ભનક પણ ન રહી કે તેમનું પોતાનું જ સરથાણા ફાયર સ્ટેશન પૂરના પાણીમાં આખેઆખું ગરકાવ થઈ ચૂક્યું છે.</p><h2><b>રથાણા ફાયર સ્ટેશન કંટ્રોલરૂમમાં પાણી ઘૂસી ગયા</b></h2><p>સરથાણા ફાયર સ્ટેશન નીચાણવાળા વિસ્તારમાં હોવાથી અને ખાડીપૂરના પાણીનો ત્વરિત ભરાવો થતાં, જોતજોતામાં સ્ટેશનમાં 6 થી 7 ફૂટ સુધી પૂરના પાણી ફરી વળ્યા હતા. આ ભયાનક પૂરના કારણે કમ્પાઉન્ડમાં પડેલા ફાયર બ્રિગેડના જ 10 થી 15 ભારે કોમર્શિયલ વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સૌથી મોટી આફત તો ત્યારે આવી જ્યારે સ્ટેશનની જીવાદોરી સમાન કંટ્રોલરૂમમાં પાણી ઘૂસી ગયા. પાણી ભરાવાને કારણે અતિ મહત્વના સરકારી દસ્તાવેજો, એન્ટ્રી રજિસ્ટરો અને ઓફિસ ફાઇલો સંપૂર્ણપણે પાણીમાં પલળી ગઈ હતી.</p><h3><b>કિંમતી કાગળો પલળી ગયેલા</b></h3><p>જ્યારે પૂરના પાણી ઓસર્યા અને જવાનો સ્ટેશને પરત ફર્યા ત્યારે કંટ્રોલરૂમનો નજારો જોઈને ચોંકી ઉઠ્યા હતા. કાગળોનો કાદવ થઈ ગયો હતો. કિંમતી કાગળો અને વર્ષો જૂના સરકારી રેકોર્ડને બચાવવા માટે હવે ફાયર ફાઇટર્સના જવાનોએ એક અનોખી મથામણ શરૂ કરી છે. સ્ટેશનના ધાબા પર, ગાડીઓના બોનેટ પર અને ખુલ્લા મેદાનમાં પલળી ગયેલા તમામ દસ્તાવેજો અને ચોપડાઓને એક-એક પાનું ખોલીને તડકામાં સૂકવીને બચાવવાના લોઢાના ચણા ચાવવા જેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોતાની સરકારી મિલકત ડૂબી ગઈ હોવા છતાં, કોઈ જ અફસોસ વગર ફરજને પ્રથમ પ્રાધાન્ય આપનારા ફાયર જવાનોની કામગીરીને સ્થાનિકો બિરદાવી રહ્યા છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ankleshwar/dadhal-village-married-woman-suicide-case-five-inlaws-arrested-dowry-torture" target="_blank">આ પણ વાંચો: Ankleshwar: દહેજના લોભીઓએ પરણીતાને મરવા મજબૂર કરી, આપઘાત મામલે 5 સાસરિયાઓની ધરપકડ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/Hc3DykiZ1KZ8rxUnMf6Q285cplxeMh2iAmY2Jr3N.webp'/></item><item><title><![CDATA[Kolkata High Court: 'ટ્રેનની સીટો શાકભાજીની જેમ વેચાય છે...' TTE ની લાંચખોરી પર કોલકાતા હાઈકોર્ટ લાલઘૂમ ]]></title><link>https://sandesh.com/india/news/kolkata-high-court-train-seats-are-sold-like-vegetables-calcutta-high-court-in-red-over-tte-bribery</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/kolkata-high-court-train-seats-are-sold-like-vegetables-calcutta-high-court-in-red-over-tte-bribery</guid><pubDate>Tue, 14 Jul 2026 14:18:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતમાં ટ્રેનની મુસાફરી દરમિયાન ટ્રેનોમાં ખાલી સીટો મેળવવા માટે ભષ્ટ્રાચાર થતો હોવાનું સામે આવ્યું છે. ટ્રેનની ટિકિટ પર થતી લાંચખોરી અને ગેરરીતિઓ મામલે કોલકાતા હાઈકોર્ટે અત્યંત આકરી ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે, કેટલાક ટિકિટ એક્ઝામિનર્સ (TTEs) ટ્રેનોમાં ખાલી સીટોને "બજારમાં શાકભાજીની જેમ" વેચે છે. એક ગંભીર ગુનાહિત કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે દેશના તમામ રેલ્વે ઝોનના જનરલ મેનેજરોને (GMs) પત્ર લખીને આવા ભ્રષ્ટ અને બેદરકાર TTEs સામે કડકમાં કડક દંડાત્મક કાર્યવાહી સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>લાંચખોરી બની એક મુસાફરના મોતનું કારણ</b></h2><p style="text-align: justify; ">જસ્ટિસ રાજશેખર મંથા અને જસ્ટિસ વિશ્વરૂપ ચૌધરીની ડિવિઝન બેન્ચે વર્ષ ૨૦૦૯ની એક અત્યંત આઘાતજનક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. ફેબ્રુઆરી ૨૦૦૯માં અરુણ ચક્રવર્તી અને સુનીલ કુમાર દાસ નામના બે વ્યક્તિઓ ન્યૂ જલપાઈગુડીથી સિયાલદાહ જતી 'તિસ્તા-ટોરસા એક્સપ્રેસ' માં જનરલ (બિનઅનામત) ટિકિટ લઈને ચઢ્યા હતા. તેમણે કાયદેસર પ્રક્રિયાના બદલે ઓન-ડ્યુટી TTE ને લાંચ આપીને ગેરકાયદેસર રીતે બર્થ મેળવી લીધી હતી. મુસાફરી દરમિયાન, આ સીટો પર બેઠેલા બે લૂંટારુઓએ તેમને કિંમતી સામાન લૂંટવાના ઈરાદાથી કોઈ નશીલી દવા પીવડાવી દીધી હતી. સારવાર દરમિયાન અરુણ ચક્રવર્તી તો બચી ગયા, પરંતુ ગંભીર બીમારીઓથી પીડાતા સુનીલ કુમાર દાસનું ડ્રગ્સના ઓવરડોઝના કારણે કરુણ મોત નીપજ્યું હતું.</p><h3 style="text-align: justify; "><b>"TTE ની બેદરકારી જ ગુનાનું મૂળ કારણ"</b></h3><p style="text-align: justify; ">હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આ ગુનાનું મુખ્ય મૂળ TTE ની બેદરકારી અને લાંચખોરી છે. જો TTE એ પૈસા લઈને નિયમો વિરુદ્ધ બર્થ ન ફાળવી હોત, તો મુસાફરો આ ગુનાનો ભોગ ન બન્યા હોત. અદાલતે નોંધ્યું કે ટ્રેનમાં બિનઅનામત મુસાફરોને આવી રીતે સીટો આપવાથી તેમને ટ્રેક કરવા મુશ્કેલ બને છે, કારણ કે રેલ્વેના સત્તાવાર ચાર્ટમાં તેમનું નામ, સરનામું કે મોબાઈલ નંબર નોંધાયેલા હોતા નથી. કોર્ટે ઉમેર્યું, "આવા કિસ્સાઓમાં નાની ચોરીના ભોગ બનેલા મુસાફરોને પણ ઘણીવાર ગંભીર પરિણામો ભોગવવા પડે છે."</p><h4 style="text-align: justify; "><b>તપાસમાં ગંભીર ખામીઓ બદલ પોલીસની પણ ઝાટકણી</b></h4><p style="text-align: justify; ">હાઈકોર્ટે આ કેસની નબળી તપાસ બદલ પોલીસ અને તપાસ અધિકારીની પણ આકરી ટીકા કરી હતી. તપાસ અધિકારીએ મૃતકના વિસેરાનો (Visera) ફોરેન્સિક રિપોર્ટ મેળવવાની પણ તસ્દી લીધી ન હતી, અને તેને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો કે નહીં તેના કોઈ પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરાયા ન હતા. કોર્ટે કહ્યું, "તપાસ અધિકારી તરફથી થયેલી આ ગંભીર ભૂલ કોઈપણ સંજોગોમાં માફ કરી શકાય તેવી નથી.</p><h4 style="text-align: justify; "><b>આરોપીઓને સજા અને હાઈકોર્ટનો રેલ્વેને આદેશ</b></h4><p style="text-align: justify; ">આ કેસમાં ટ્રાયલ કોર્ટે અગાઉ બે આરોપીઓ આલોક ઘોષ અને ગોપાલ મિસ્ત્રીને હત્યા (IPC કલમ ૩૦૨), ઝેર આપવા (IPC કલમ ૩૨૮) અને ચોરીના ગુના હેઠળ દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. આ બંને આરોપીઓ ૧૦ થી ૧૬ વર્ષ જેલમાં વિતાવ્યા બાદ હાલ જામીન પર બહાર છે. અંતમાં, ડિવિઝન બેન્ચે પૂર્વીય રેલ્વે સહિત દેશના તમામ રેલ્વે ઝોનના વડાઓને આ ચુકાદાની નકલ મોકલીને આદેશ આપ્યો છે કે ટ્રેનની ખાલી બર્થનો વેપાર કરનારા રેલ્વે કર્મચારીઓ સામે કડક પગલાં લેવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ મુસાફરને જીવ ગુમાવવો ન પડે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/JwqmAxTaKMtnemAQ6wtxrPtIBtD1mIPpeIdaYTS4.webp'/></item><item><title><![CDATA[Surendranagar: ભારત સીટ્સ કંપનીની કેન્ટીનમાં અયોગ્ય ખોરાકના કારણે 10 થી વધુ કર્મચારીઓને ફૂડ પોઈઝનિંગની અસર ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/surendranagar/surendranagar-bharat-seats-company-canteen-food-poisoning-lizard-found</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/surendranagar/surendranagar-bharat-seats-company-canteen-food-poisoning-lizard-found</guid><pubDate>Tue, 14 Jul 2026 14:16:26 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરેન્દ્રનગર શહેરમાં આવેલી ખાનગી કંપનીમાં કર્મચારીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થવાની અને કેન્ટીન સંચાલકોની ઘોર બેદરકારીની સનસનાટીભરી ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરના બહુચરાજી રોડ પર કાર્યરત ‘ભારત સીટ્સ’ કંપનીની કેન્ટીનમાં પીરસવામાં આવેલા ભોજનમાંથી ગરોળી મળી આવતા ઉગ્ર હોબાળો મચી ગયો છે. આ અખાદ્ય અને દૂષિત ખોરાક આરોગવાને કારણે કંપનીના 10 થી વધુ કર્મચારીઓની તબિયત એકાએક લથડી હતી અને તેમને ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર થઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>ભોજનમાંથી મરેલી ગરોળી  મળી</b></h2><p style="text-align: justify; ">મળતી વિગતો અનુસાર, રોજિંદા ક્રમ મુજબ કંપનીના કર્મચારીઓકેન્ટીનમાં જમી રહ્યા હતા. આ દરમિયાન એક કર્મચારીની થાળીમાં ભોજનમાંથી મરેલી ગરોળી દેખાતા જ લોકોના હોશ ઊડી ગયા હતા.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>10 થી વધુ કર્મીઓને ફૂડ પોઇઝનીંગની અસર</b></h3><p style="text-align: justify; ">જો કે, ત્યાં સુધીમાંદૂષિત ભોજન પેટમાં જતાં જ 10 થી વધુ કર્મીઓને ફૂડ પોઇઝનીંગની અસર થઇ હતી. તાત્કાલિક ધોરણે તમામ અસરગ્રસ્ત કર્મચારીઓને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>કેન્ટીન સંચાલકો વિરુદ્ધ ભારે આક્રોશ</b></h3><p style="text-align: justify; ">આ ઘટના બહાર આવતા જ કંપનીના તમામ કર્મચારીઓમાં કેન્ટીન સંચાલકો વિરુદ્ધ ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. કર્મચારીઓએ કેન્ટીનમાં હલકી ગુણવત્તાનું અને અખાદ્ય ભોજન પીરસાતું હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે.</p><h4 style="text-align: justify; "><b>અગાઉ  ભોજનમાંથી ગરોળી નીકળી હોવાનો આરોપ</b></h4><p style="text-align: justify; ">કર્મચારીઓના જણાવ્યા મુજબ અગાઉ પણ આ જ કંપનીની કેન્ટીનના ભોજનમાંથી ગરોળી નીકળવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. એ સમયે જે જાગૃત કર્મચારીએ આ ગંભીર બેદરકારી સામે અવાજ ઉઠાવ્યો હતો, તેને વહીવટી તંત્ર દ્વારા ખોટી રીતે નોકરીમાંથી છુટ્ટો કરી દેવામાં આવ્યો હોવાનો સ્ફોટક આક્ષેપ થઈ રહ્યો છે&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; &nbsp;:&nbsp; <a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-indepth-gujarat-monsoon-2026-rain-deficit-paresh-goswami-weather-forecast-july-round" target="_blank"><b>Sandesh Indepth : ચોમાસું ખોટકાયું, ગુજરાતમાં ગત વર્ષ કરતાં અડધો જ વરસાદ; 24.64% સાથે ખેડૂતો ચિંતિત, જળસંકટની ભીતિ!</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/y8EPcrYctOwnicEFd7XVtbJvx1isI1lFecU73jaq.webp'/></item><item><title><![CDATA[Ankleshwar: દહેજના લોભીઓએ પરણીતાને મરવા મજબૂર કરી, આપઘાત મામલે 5 સાસરિયાઓની ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ankleshwar/dadhal-village-married-woman-suicide-case-five-inlaws-arrested-dowry-torture</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ankleshwar/dadhal-village-married-woman-suicide-case-five-inlaws-arrested-dowry-torture</guid><pubDate>Tue, 14 Jul 2026 14:13:33 +05:30</pubDate><description><![CDATA[<p>અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામેથી એક અત્યંત ચિંતાજનક અને કાયદા-વ્યવસ્થા સામે લાલબત્તી ધરતો કિસ્સો સામે આવ્યો છે. દઢાલ ગામે રહેતી એક પરણીતાએ સાસરિયા પક્ષના અસહ્ય ત્રાસથી કંટાળીને ગત 11 જુલાઈના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતાં જ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.</p><h2><b>દઢાલ ગામે પરણીતાના આપઘાત બાદ ફરિયાદ</b></h2><p>પરણીતાના આપઘાત બાદ તેના પિતાએ સાસરિયાઓ સામે ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, લગ્ન બાદથી જ પરણીતાને પિયરમાંથી વધુ દહેજ અને કિંમતી ચીજવસ્તુઓ લાવવા બાબતે સાસરિયાઓ દ્વારા દબાણ કરવામાં આવતું હતું. દહેજની ભૂખ સંતોષવા માટે પતિ, સાસુ, સસરા, જેઠ અને જેઠાણી દ્વારા ભેગા મળીને પરણીતાને અવારનવાર મેણા-ટોણા મારવામાં આવતા હતા અને તેને અસહ્ય શારીરિક તેમજ માનસિક યાતનાઓ આપવામાં આવતી હતી. આ રોજ-રોજના ત્રાસ અને ઘરકંકાસથી કંટાળીને આખરે પરણીતાએ આપઘાતનું અંતિમ પગલું ભરી લીધું હતું.</p><h3><b>આપઘાતની દુષ્પ્રેરણા આપવાના ગુનામાં કાર્યવાહી</b></h3><p>દીકરી ગુમાવનાર પિતાની આક્રંદભરી ફરિયાદના આધારે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે તાત્કાલિક ધોરણે ગુનો નોંધી તપાસનો દોર હાથ ધર્યો હતો. પોલીસે દહેજ ઉત્પીડન અને આપઘાતની દુષ્પ્રેરણા આપવાના ગુના હેઠળ પરણીતાના પતિ, સાસુ, સસરા, જેઠ અને જેઠાણી સહિત તમામ 5 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસે આ મામલે પુરાવાઓ એકત્રિત કરવા અને કડક સજા અપાવવા માટે આગળની તપાસ તેજ કરી દીધી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dhoraji/moti-marad-couple-brutally-murdered-ramesh-bhoot-farm" target="_blank">આ પણ વાંચો: Dhoraji: મોટી મારડ ગામની સીમમાં ખૂની ખેલ, વાડી વિસ્તારમાંથી દંપતીના લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળ્યા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/rfM3qAo945Gm3GOAiixNgxIVcrJroYPVMNpD9gJv.webp'/></item><item><title><![CDATA[WPI inflation Rise: જથ્થાબંધ મોંઘવારી વધી, જૂનમાં 9.87 %, જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ વધ્યા ]]></title><link>https://sandesh.com/business/news/wpi-inflation-rise-wholesale-inflation-rose-to-987-in-june-prices-of-essential-commodities-increased</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/wpi-inflation-rise-wholesale-inflation-rose-to-987-in-june-prices-of-essential-commodities-increased</guid><pubDate>Tue, 14 Jul 2026 13:32:48 +05:30</pubDate><description><![CDATA[<p>દેશમાં જથ્થાબંધ ફુગાવો ફરી એકવાર વધી રહ્યો હોય તેવું લાગે છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા આજે મંગળવાર, 14 જુલાઈના રોજ જાહેર કરાયેલા કામચલાઉ અંદાજ મુજબ, જૂન 2026માં દેશનો WPI-આધારિત ફુગાવાનો દર વાર્ષિક ધોરણે 9.87% થયો હતો. અગાઉના મહિનામાં, મે 2026માં તે 9.68% હતો. ડેટા દર્શાવે છે કે 'ઓલ કોમોડિટીઝ' ઇન્ડેક્સ જૂન 2026માં વધીને 110.2 થયો હતો, જે મે 2026માં 109.9 હતો.</p><p><b style="font-size: 2rem;">વિવિધ શ્રેણીઓમાં ભાવ કેટલો વધ્યો?</b></p><p><b>પ્રાથમિક વસ્તુઓ:</b> આ શ્રેણીમાં ખાદ્ય અને બિન-ખાદ્ય વસ્તુઓ બંનેનો સમાવેશ થાય છે. જૂન 2026માં અહીં વાર્ષિક ફુગાવાનો દર 7.0% થયો હતો, જે મે 2026માં 4.99% હતો. જૂનમાં આ શ્રેણી માટેનો સૂચકાંક 116.1 નોંધાયો હતો.</p><p><b>ઈંધણ અને વીજળી:</b> ઈંધણ અને વીજળી ક્ષેત્રમાં ફુગાવાનો દર સૌથી વધુ 27.41% હતો, જોકે આ મે (30.33%)થી થોડો ઘટાડો દર્શાવે છે. જૂનમાં આ ક્ષેત્રનો સૂચકાંક 111.1 હતો.</p><p><b>ઉત્પાદિત ઉત્પાદનો:</b> આ ક્ષેત્રમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. જૂન 2026માં ફુગાવાનો દર 7.48% પર સ્થિર રહ્યો, જેમ કે મે મહિનામાં હતો. સૂચકાંક 107.8 પર રહ્યો.</p><h3><b>ખાદ્ય વસ્તુઓ કેટલી મોંઘી થઈ?</b></h3><p>ખાદ્ય ઉત્પાદનો (WPI ફૂડ ઇન્ડેક્સ) માટે ફુગાવાના દરમાં તીવ્ર વધારો થયો છે, જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડે છે. જૂન 2026માં ખાદ્ય સૂચકાંકનો ફુગાવાનો દર વધીને 6.14% થયો, જે મે 2026માં 4.49% હતો. મંત્રાલયના જણાવ્યા અનુસાર, 'ખનિજ તેલ' (પેટ્રોલિયમ ઉત્પાદનો), 'ખાદ્ય વસ્તુઓ', 'મૂળભૂત ધાતુઓ' અને 'રસાયણો અને રાસાયણિક ઉત્પાદનો' આ મહિને જથ્થાબંધ ફુગાવાના મુખ્ય પરિબળો રહ્યા છે.</p><p>મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ એક પ્રકાશનમાં એપ્રિલ 2026 માટેના અંતિમ અંદાજોમાં સુધારો પણ સૂચવવામાં આવ્યો છે. એપ્રિલ માટે જથ્થાબંધ ફુગાવાનો દર, જે શરૂઆતમાં કામચલાઉ અંદાજમાં 8.26% તરીકે દર્શાવવામાં આવ્યો હતો, તેને અંતિમ આંકડામાં સુધારીને 8.36% કરવામાં આવ્યો છે. વધુમાં, સૂચકાંક મૂલ્ય 108.8થી વધારીને 108.9 કરવામાં આવ્યું છે.<br></p><ul><li>આવશ્યક ચીજવસ્તુઓ (પ્રાથમિક ચીજવસ્તુઓ) માટે ફુગાવો 4.99% થી વધીને 7.00% થયો છે.</li><li>ખાદ્ય ચીજવસ્તુઓ (ફૂડ ઇન્ડેક્સ) માટે ફુગાવો 4.49% થી વધીને 6.14% થયો છે.</li><li>ઇંધણ અને વીજળી માટે જથ્થાબંધ ફુગાવાનો દર 30.33% થી ઘટીને 27.41% થયો છે.</li><li>ઉત્પાદિત ઉત્પાદનો માટે જથ્થાબંધ ફુગાવામાં કોઈ ફેરફાર થયો નથી; તે 7.48% પર રહ્યો છે.<br><br>આ આંકડા જૂન મહિનાના છે, જ્યારે જુલાઈ 2026નો ડેટા 14 ઓગસ્ટ, 2026ના રોજ જાહેર કરવામાં આવશે. તેમાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (WPI), આઉટપુટ પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ (OPPI) અને ઇનપુટ પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ (IPPI)ના આંકડા શામેલ હશે.</li></ul> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/Rn09xBvFvnB3h4FLCJsUMl6zW9e9BSN9zDErZQjG.webp'/></item><item><title><![CDATA[Ahmedabad RathYatra 2026  : હર્ષ સંઘવીનું નિવેદન, 30 હજાર જવાનોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીકળશે પ્રભુની નગરચર્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/harsh-sanghavi-statement-rath-yatra-security-ai-technology-dark-web-surveillance</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/harsh-sanghavi-statement-rath-yatra-security-ai-technology-dark-web-surveillance</guid><pubDate>Tue, 14 Jul 2026 13:21:26 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અષાઢી બીજના પાવન પર્વે યોજાનારી ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા અને પૂર્વતૈયારીઓનું નિરીક્ષણ કર્યા બાદ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ યોજીને મહત્વની વિગતો આપી હતી. હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રથયાત્રા પૂર્વે આજે તેમને જગન્નાથ મંદિરે ધ્વજારોહણ કરવાનો પવિત્ર અવસર પ્રાપ્ત થયો છે. શાંતિ અને કોમી એકતા જળવાઈ રહે તે માટે હિન્દુ-મુસ્લિમ તમામ ધર્મના લોકો એકસાથે મળીને પ્રભુના સ્વાગતની તૈયારીઓમાં જોડાયા છે.</p><h2 style="text-align: justify; "><b>રથયાત્રાના રૂટ પર 30 હજાર જેટલા પોલીસ જવાનો</b></h2><p style="text-align: justify; ">આ વર્ષે રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાને અભૂતપૂર્વ અને અત્યંત હાઈટેક બનાવવામાં આવી છે. ગૃહમંત્રીએ જાહેરાત કરી હતી કે, અંદાજે 2.5  કિલોમીટર લાંબી આ રથયાત્રાના રૂટ પર 30 હજાર જેટલા પોલીસ જવાનો અને ઉચ્ચ અધિકારીઓ ખડેપગે તૈનાત રહેશે.</p><h3 style="text-align: justify; "><b>હાઈટેક ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ</b></h3><p style="text-align: justify; ">આ રથયાત્રામાં પહેલીવાર હાઈટેક ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે. મેળા અને ભીડભાડ વાળા વિસ્તારોમાં સક્રિય થતા આશરે 65 હજાર જેટલા હિસ્ટ્રીશીટર અને પિકપોકેટરની ત્વરિત ઓળખ કરવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ કાર્યરત કરાઈ છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવતા તત્વો અને ડાર્ક વેબ પર સાયબર ક્રાઈમની ટીમ સતત ચાંપતી નજર રાખી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>‘AI વોઈસ બોટ’ ડેવલપ કરવામાં આવ્યો</b></h3><p style="text-align: justify; ">રથયાત્રાના રૂટ પર આવતા ભાવિકોની ત્વરિત મદદ માટે ખાસ ‘AI વોઈસ બોટ’ ડેવલપ કરવામાં આવ્યો છે. મંત્રીએ યાત્રાળુઓને ખાસ અપીલ કરતા જણાવ્યું છે કે, રૂટ પર આવતી કોઈ પણ ભયજનક કે જર્જરિત ઇમારતોની આસપાસ ઊભા રહેવાનું ટાળવું તેમજ જર્જરિત ધાબા કે છત પર ચડવું નહીં. આ ઉપરાંત, યાત્રામાં જોડાનારા ગજરાજો (હાથીઓ) ને કોઈ તકલીફ ન પડે તે માટે વિશેષ વન્યજીવ ટીમો તૈનાત કરાઈ છે.</p><h4 style="text-align: justify; "><b>કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે</b></h4><p style="text-align: justify; ">મંગળવારની વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરંપરાગત રીતે ભગવાનની મંગળા આરતીમાં હાજર રહેશે, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરીને સવારે 7 કલાકે રથયાત્રાનું પ્રસ્થાન કરાવશે. તાજેતરમાં ગુજરાત ATS દ્વારા સિદ્ધપુરમાંથી ઝડપાયેલા 5 શકમંદો અંગે વાત કરતા ગૃહમંત્રીએ સફળ ઓપરેશન માટે ડીજીપી અને એટીએસની ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે આ અંગેની સત્તાવાર વિગતો એટીએસ દ્વારા ટૂંક સમયમાં જાહેર કરાશે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; <a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-indepth-gujarat-monsoon-2026-rain-deficit-paresh-goswami-weather-forecast-july-round" target="_blank"><b>&nbsp;Sandesh Indepth : ચોમાસું ખોટકાયું, ગુજરાતમાં ગત વર્ષ કરતાં અડધો જ વરસાદ; 24.64% સાથે ખેડૂતો ચિંતિત, જળસંકટની ભીતિ!&nbsp;</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/7uBemUKqIoTdMgyzf1D4gWvqasTrOA2RSVq8ZjpV.webp'/></item><item><title><![CDATA[સંગીતકાર પ્યારેલાલજી પર તૂટ્યો દુઃખનો પહાડ, પત્ની સુનીલા શર્માનું 78 વર્ષની વયે નિધન,અશ્રુભીની આંખે આપી અંતિમ વિદાય ]]></title><link>https://sandesh.com/entertainment/news/musician-pyarelaljis-mountain-of-grief-has-broken-his-wife-sunila-sharma-passes-away-at-the-age-of-78-he-bids-a-tearful-farewell</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/musician-pyarelaljis-mountain-of-grief-has-broken-his-wife-sunila-sharma-passes-away-at-the-age-of-78-he-bids-a-tearful-farewell</guid><pubDate>Tue, 14 Jul 2026 13:11:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડ સંગીત જગતની સુપ્રસિદ્ધ બેલડી લક્ષ્મીકાંત-પ્યારેલાલના પ્યારેલાલ રામપ્રસાદ શર્માના ઘરેથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ફેમસ સંગીતકાર પ્યારેલાલના પત્ની સુનીલાજીનું  ૧૩ જુલાઈના રોજ 78 વર્ષની ઉંમરે નિધન થયું. આ સમાચારથી બોલીવુડ જગતમાં શોકનો માહોલ છવાઈ ગયો. તે જ દિવસે મુંબઈના સાંતાક્રુઝ સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.શારીરિક અસ્વસ્થતાને કારણે પ્યારેલાલજીએ વ્હીલચેરમાં બેસીને ભારે હૈયે પત્નીની અંતિમ વિધિઓ પૂર્ણ કરી હતી. આ હૃદયદ્રાવક દ્રશ્ય જોઈને ત્યાં હાજર તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>પરિવારે 'અમ્મા' ને આપી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ</b></h2><p style="text-align: justify; ">સુનીલાજીના અવસાન બાદ પરિવાર દ્વારા એક સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. પરિવારમાં સૌ કોઈ તેમને પ્રેમથી "અમ્મા" કહીને બોલાવતા હતા. પરિવારે તેમના નિવેદનમાં લખ્યું: "અમ્મા પ્રેમ, સમર્પણ અને સાદગીથી ભરેલું જીવન જીવ્યા. તેઓ અમારા પરિવાર માટે બિનશરતી પ્રેમ અને પીઠબળનો મજબૂત સ્તંભ હતા. આજે અમારા હૃદય અત્યંત દુઃખી છે, પરંતુ અમને એ વાતનો સંતોષ છે કે તેમને હવે પરમ શાંતિ મળી છે. તમારી સુંદર જીવનયાત્રા પૂર્ણ થઈ, અમ્મા. ભગવાન તમારા આત્માને શાંતિ આપે."</p><h3 style="text-align: justify; "><b>સિનેમા જગતના કલાકારો અંતિમ સંસ્કારમાં જોડાયા</b></h3><p style="text-align: justify; ">સુનીલાજીના અંતિમ સંસ્કારમાં હિન્દી સિનેમા અને સંગીત જગતની ઘણી જાણીતી હસ્તીઓ પ્યારેલાલજીના દુઃખમાં સહભાગી થવા પહોંચી હતી. જેમાં પ્રખ્યાત ગાયક સુદેશ ભોંસલે, શબ્બીર કુમાર, રેડિયો હોસ્ટ આરજે અનમોલ અને જાણીતા ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈનો સમાવેશ થાય છે.</p><h4 style="text-align: justify; "><b>સુભાષ ઘાઈએ જૂની યાદો શેર કરીને વ્યક્ત કર્યું દુઃખ</b></h4><p style="text-align: justify; ">લક્ષ્મીકાંત-પ્યારેલાલની જોડી સાથે 'કર્ઝ' (૧૯૮૦), 'હીરો' (૧૯૮૩), 'રામ લખન' (૧૯૮૯) અને 'ખલનાયક' (૧૯૯૩) જેવી સુપરહિટ ફિલ્મો બનાવનાર ડાયરેક્ટર સુભાષ ઘાઈ આ સમાચાર સાંભળીને સ્તબ્ધ થઈ ગયા હતા. તેમણે સોશિયલ મીડિયા પર એક જૂનો ફેમિલી ફોટો શેર કરીને અત્યંત ભાવુક પોસ્ટ લખી છે. સુભાષ ઘાઈએ લખ્યું, "શ્રીમતી સુનીલા પ્યારેલાલ આપણને છોડીને ચાલ્યા ગયા છે, મને હજી પણ આ વાત પર વિશ્વાસ નથી આવી રહ્યો. ગયા મહિને જ હું મારી દીકરી સાથે પ્યારેલાલજી અને સુનીલાજીને મળવા તેમના ઘરે ગયો હતો. અમે ખૂબ સારો સમય સાથે વિતાવ્યો હતો</p><h4 style="text-align: justify; "><b>પ્યારેલાલજીની તાકત હતા તેમની પત્ની સુનિલા</b></h4><p style="text-align: justify; ">"૧૯૭૬થી આ પરિવારને ઓળખતા ઘાઈએ આગળ ઉમેર્યું, "તેઓ હંમેશા હસતા રહેતા અને સરળ-પ્રામાણિક પ્યારેલાલજીની સૌથી મોટી તાકાત હતા. પ્યારેલાલજી માટે આ ક્યારેય ન પુરાય તેવી ખોટ છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે ઈશ્વર તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે." મહત્વનું છે કે લક્ષ્મીકાંત શાંતારામ કુડાલકર અને પ્યારેલાલ રામપ્રસાદ શર્માની જોડીએ ત્રણ દાયકાથી વધુ સમય સુધી બોલિવૂડ પર રાજ કર્યું હતું. તેમણે ૭૫૦ થી વધુ ફિલ્મોમાં સદાબહાર સંગીત આપ્યું.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/zareen-khan-got-angry-over-paparazzi-rude-comment-actress-warns-paparazzi" target="_blank">આ પણ વાંચો : Zareen Khan on Paparazzi : અસભ્ય કમેન્ટ પર ભડકી ઝરીન ખાન, કેમેરા સામે જ પાપારાઝીનો ક્લાસ લગાવ્યો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/fZw57UrzFNmb6yYqhx5ADUsPKfVmNdnTSY6FI0hk.webp'/></item><item><title><![CDATA[Surat : મોટા વરાછામાં તાપી નદીનો પાળો તૂટતાં ગગનચુંબી ઇમારતો પર જોખમ, મીડિયાના સવાલોથી ભાગ્યા અધિકારીઓ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-mota-varachha-tapi-river-embankment-collapse-smc-irrigation-department</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-mota-varachha-tapi-river-embankment-collapse-smc-irrigation-department</guid><pubDate>Tue, 14 Jul 2026 13:05:35 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદે મહાનગરપાલિકાના પ્રી-મોન્સૂન પ્લાનની પોલ ખોલી નાખી છે. સુરતના હબ ગણાતા મોટા વરાછા વિસ્તારમાં તાપી નદીનો પ્રોટેક્શન પાળો ત્રણ અલગ-અલગ જગ્યાએથી ધસી પડતાં સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>તંત્રે માત્ર ‘જોખમી’ ના બેનરો લગાવીને સંતોષ માન્યો&nbsp;</b></h2><p style="text-align: justify; ">આ પરિસ્થિતિ એટલી હદે જોખમી બની છે કે સતત ઘસાતા નદીના પાળાથી માત્ર 45 થી 50 ફૂટના અંતરે જ મોટી ગગનચુંબી બિલ્ડિંગોનું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. નદી કિનારે આવેલી જાહેર ફૂટપાથ પણ આખી જમીનમાં ધસી ગઈ છે, છતાં પાલિકા તંત્રે માત્ર ‘જોખમી’ ના બેનરો લગાવીને સંતોષ માની લીધો છે.</p><h3 style="text-align: justify; "><b>પાલિકા તંત્રમાં દોડધામ મચી ગઈ</b></h3><p style="text-align: justify; ">આ ગંભીર બેદરકારી અંગે મીડિયામાં અહેવાલો પ્રસારિત થતાં જ પાલિકા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. સુરત મનપાના અધિકારીઓ સરકારી વાહનોના બદલે ખાનગી કારમાં જાણે નદી કિનારે લટાર મારવા આવ્યા હોય તેમ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.</p><h4 style="text-align: justify; "><b>વરસાદના કારણે પાળો તૂટ્યો હોવાનો લૂલો બચાવ કર્યો&nbsp;</b></h4><p style="text-align: justify; ">જો કે, જ્યારે મીડિયાકર્મીઓએ પાળો તૂટવા અંગે અને બિલ્ડરોના દબાણ અંગે આકરા સવાલો પૂછ્યા, ત્યારે અધિકારીઓ કોઈ પણ યોગ્ય જવાબ આપ્યા વિના ત્યાંથી સરકી ગયા હતા. અધિકારીઓએ માત્ર વરસાદના કારણે પાળો તૂટ્યો હોવાનો લૂલો બચાવ કર્યો હતો.</p><h4 style="text-align: justify; "><b>સમગ્ર ટોપલો સિંચાઈ વિભાગ પર ઢોળી દીધો</b></h4><p style="text-align: justify; ">રાજનીતિ અને વહીવટી આલમમાં આ મામલો ત્યારે વધુ ગરમાયો જ્યારે પાલિકાના અધિકારીઓએ પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરીને સમગ્ર ટોપલો સિંચાઈ વિભાગ પર ઢોળી દીધો હતો. પાલિકાના અધિકારીએ દાવો કર્યો છે કે, આ પાળાના રિપેરિંગ અને નવો પાળો બનાવવા માટે તેમણે સિંચાઈ વિભાગને અનેક વખત પત્રો લખીને રજૂઆતો કરી છે.</p><p style="text-align: justify; "><b style="font-size: 1.5rem;">ભ્રષ્ટ અધિકારીઓ અને બિલ્ડરોની સાંઠગાંઠ&nbsp;</b></p><p style="text-align: justify; ">બીજી તરફ, સ્થાનિક જનતામાં ભ્રષ્ટ અધિકારીઓ અને બિલ્ડરોની સાંઠગાંઠ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આક્ષેપ થઈ રહ્યો છે કે મોટા બિલ્ડરોના ગેરકાયદેસર દબાણો અને ભ્રષ્ટાચારના પાપે જ નદીનો કુદરતી પાળો નબળો પડ્યો છે અને તૂટ્યો છે. હાલ તો આસપાસની સોસાયટીના હજારો રહીશોના જાનમાલ પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે અને તંત્ર માત્ર કાગળ પર વાતો કરી રહ્યું છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp;&nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-indepth-gujarat-monsoon-2026-rain-deficit-paresh-goswami-weather-forecast-july-round" target="_blank"><b>Sandesh Indepth : ચોમાસું ખોટકાયું, ગુજરાતમાં ગત વર્ષ કરતાં અડધો જ વરસાદ; 24.64% સાથે ખેડૂતો ચિંતિત, જળસંકટની ભીતિ!</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/0NFlARK7RUAMP2cBAdYU3Tmh3BbUBvNYlTE2wjN4.webp'/></item></channel></rss>