<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Surat: અમરોલીની વર્ધમાન સોસાયટી પાસે પાણીની લાઈનમાં ભંગાણ, લાખો લીટર પાણીનો વેડફાટ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/amroli-vardhman-society-water-pipeline-burst-huge-leakage-smc-negligence</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/amroli-vardhman-society-water-pipeline-burst-huge-leakage-smc-negligence</guid><pubDate>Mon, 29 Jun 2026 12:09:11 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત મહાનગરપાલિકા કરોડો રૂપિયાના ખર્ચે હાઇટેક વોટર ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક ઊભું કરવાનો દાવો કરે છે, પરંતુ અમરોલીની વર્ધમાન સોસાયટી પાસે બનેલી ઘટનાએ પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી અને મેઇન્ટેનન્સની પોલ ખોલી નાખી છે. આજે વહેલી સવારે જ્યારે વોટર વર્ક્સમાંથી સોસાયટીઓમાં પાણી સપ્લાય લાઇન શરૂ કરવામાં આવી, ત્યારે અચાનક મુખ્ય અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન મોટા ધડાકા સાથે ફાટી ગઈ હતી.</p><h2><b>રસ્તા પર ઉડ્યા ફુવારા, તંત્રના પેટનું પાણી ન હલ્યું</b></h2><p>લાઇનમાં પ્રેશર એટલું વધારે હતું કે રોડનું ખોદકામ તોડીને પાણીના ઊંચા-ઊંચા તોતિંગ ફુવારા હવામાં ઉડવા લાગ્યા હતા. રસ્તા પરથી પસાર થતા ટુ-વ્હીલર ચાલકો આ ફુવારાના કારણે સ્લિપ થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતા જોઈને સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક એસએમસી (SMC) ના ઝોનલ ઓફિસના કંટ્રોલ રૂમમાં ફોન કરીને વાલ્વ બંધ કરવા વિનંતી કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે, કલાકો વીતી જવા છતાં અને લાખો લીટર પાણી ગટરમાં વહી જવા છતાં પાલિકાનો એક પણ હાઇડ્રોલિક વાલ્વમેન કે લાઇનમેન રીપેરિંગ તો દૂર, પાણી બંધ કરવા પણ ડોકાયો નહોતો.</p><h3><b>લોકોના ઘરોમાં પાણીની તંગી સર્જાશે</b></h3><p>આ પાઇપલાઇન ભંગાણના કારણે જે પાણી સોસાયટીના હજારો પરિવારોના ઘરોમાં કનેક્શન સુધી પહોંચવાનું હતું, તે રસ્તા પર વહી ગયું છે. જેના કારણે આગામી સમયમાં અમરોલીના આ પંથકમાં લો-પ્રેશર અથવા પાણી કાપની મોટી સમસ્યા સર્જાશે. સ્થાનિક રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી ગણતરીના કલાકોમાં આ લાઇનનું યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં નહીં આવે અને જવાબદાર બેદરકાર અધિકારીઓ સામે પગલાં નહીં લેવાય, તો તેઓ ઝોનલ ઓફિસ ખાતે જઈને માટલા ફોડી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/rajkot/jetpur-ranunja-temple-mahant-karshandas-bapu-suicide-due-to-illness-body-found-in-well" target="_blank">આ પણ વાંચો: Rajkot: બોરડી રણુંજા મંદિરના મહંત કરશનદાસ બાપુનો આપઘાત, મંદિર સામેની વાડીના કૂવામાંથી મળ્યો મૃતદેહ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/29/AJrDzpOquLzWq9lnDlqJxyEEinW2WXGDpvCZKMCr.webp'/></item><item><title><![CDATA[Kutch News: ભુજમાં મોટી દુર્ઘટના ટળી, વાઈબલ હોસ્પિટલમાં AC બ્લાસ્ટ થતાં ભીષણ આગ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kutch/bhuj-hospital-road-vaibal-hospital-fire-incident-ac-blast</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kutch/bhuj-hospital-road-vaibal-hospital-fire-incident-ac-blast</guid><pubDate>Mon, 29 Jun 2026 12:04:25 +05:30</pubDate><description><![CDATA[<p>કચ્છના મુખ્ય મથક ભુજ શહેરમાંથી આગની લાગવાની ઘટના સામે આવી છે. ભુજના અત્યંત વ્યસ્ત ગણાતા હોસ્પિટલ રોડ પર આવેલી જાણીતી 'વાઈબલ હોસ્પિટલ'માં અચાનક આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફમાં ઘડીભર માટે ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો.</p><h2><b>એર કંડિશનરમાં જોરદાર બ્લાસ્ટ થતાં લાગી આગ</b></h2><p>પ્રાપ્ત વિગતો અનુસાર, વાઈબલ હોસ્પિટલમાં અચાનક એર કંડિશનરમાં ટેકનિકલ ખામી સર્જાવાને કારણે જોરદાર બ્લાસ્ટ થયો હતો. શોર્ટ સર્કિટ કે ગેસ લીકેજના લીધે થયેલા આ બ્લાસ્ટ બાદ હોસ્પિટલના પરિસરમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગ લાગતાની સાથે જ તાત્કાલિક સ્થાનિક તંત્ર અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.</p><h2><b>ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબૂ</b></h2><p>ઘટનાની ગંભીરતાને જોતાં ભુજ ફાયર વિભાગની ટીમ વોટર ફાઈટર અને જરૂરી સાધનો સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને અંદાજે એક કલાકની ભારે જહેમત અને કથિત પરિશ્રમ બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. ફાયર સ્ટાફની ત્વરિત કામગીરીને કારણે આગને વધુ પ્રસરતી અટકાવી શકાઈ હતી.</p><h2><b>સદનસીબે કોઈ જાનહાનિ નહીં, તંત્રએ લીધો રાહતનો શ્વાસ</b></h2><p>આ સમગ્ર દુર્ઘટનામાં સૌથી રાહતના સમાચાર એ છે કે, સમયસર લેવામાં આવેલા પગલાંને કારણે કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગતાની સાથે જ હોસ્પિટલમાંથી લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. મોટી હોનારત ટળતાં હોસ્પિટલ સત્તાધીશો, દર્દીઓના પરિવારજનો અને ફાયર વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. હાલમાં આગના કારણે થયેલા નુકસાનનું આકલન કરવામાં આવી રહ્યું છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kutch/gandhidham-government-land-demolition-drive-mamlatdar-removes-fifty-encroachments-worth-two-crores" target="_blank">Kutch: ગાંધીધામમાં મોડી રાત્રે 50 જેટલા ગેરકાયદે બાંધકામો તોડી સરકારી જમીન દબાણમુક્ત કરાઈ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/29/Db8xt1f3OBERGWWoQQq03YQrIxuX0uWEiK3CgSW6.webp'/></item><item><title><![CDATA['Lockup 2' માં અભિનેતા હર્ષદ ચોપરાએ અંગત જીવનનું ખોલ્યું રહસ્ય, ગર્લફ્રેન્ડ અને બેસ્ટ ફ્રેન્ડે આપ્યો દગો..તૂટયો વિશ્વાસ ]]></title><link>https://sandesh.com/entertainment/news/harshad-chopra-gets-emotional-on-the-question-of-not-getting-married-in-lockup-2-best-friend-and-girlfriend-betrayed-him-trust-broken</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/harshad-chopra-gets-emotional-on-the-question-of-not-getting-married-in-lockup-2-best-friend-and-girlfriend-betrayed-him-trust-broken</guid><pubDate>Mon, 29 Jun 2026 12:01:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">લોકપ્રિય ટીવી અભિનેતા હર્ષદ ચોપરા હાલમાં રિયાલિટી શો "લોકઅપ સીઝન ૨" માં પોતાના દમદાર અંદાજને કારણે સતત ચર્ચામાં છે. લોકઅપ-2માં સામેલ સેલેબ્સ ચોંકાવનારા ખુલાસોઓ કરતાં શો શરૂઆતથી જ સમાચારમાં છે. આકાંક્ષા બાદ શોના સ્પર્ધક હર્ષદ ચોપરાએ પણ અંગત જીવનનું રહસ્ય ખોલ્યું. લોકઅપ-2માં હર્ષદે પોતાના અંગત જીવનને લઈને એક એવો ચોંકાવનારો ખુલાસો કર્યો છે, જેને સાંભળીને તેના ચાહકો પણ સ્તબ્ધ થઈ ગયા છે. હર્ષદે જાહેર કર્યું છે કે તેની પૂર્વ ગર્લફ્રેન્ડે તેના જ એક ખાસ મિત્ર સાથે મળીને તેને દગો આપ્યો હતો. </p><h2 style="text-align: justify; "><b>લોકઅપ-2માં લગ્નનો સવાલ સાંભળી ભાવુક થયો હર્ષદ ચોપરા</b></h2><p style="text-align: justify; ">વર્ષો વીતી ગયા હોવા છતાં અભિનેતા હજુ પણ આ ભયાનક પીડામાંથી બહાર આવી શક્યો નથી. શોમાં સહ-સ્પર્ધકો સાથે વાતચીત દરમિયાન હર્ષદે પોતે હજુ સુધી લગ્ન કેમ નથી કર્યા તેનું સાચું અને દર્દનાક કારણ જણાવ્યું હતું. " શો દરમિયાન સહ-સ્પર્ધક શ્રેયાએ હર્ષદને પૂછ્યું, "તમે હજુ સુધી લગ્ન નથી કર્યા. શું તમને ક્યારેય એવી કોઈ વ્યક્તિ ન મળી જેની સાથે તમે તમારું આખું જીવન વિતાવી શકો?" આ સવાલ સાંભળીને હર્ષદ ભાવુક થઈ ગયો અને તેણે જવાબ આપ્યો, "મને આવી એક વ્યક્તિ મળી હતી, પણ પછી કંઈક એવું થયું કે બધું બદલાઈ ગયું..." અહીં હર્ષદ તેના ભૂતકાળના તે સંબંધ તરફ ઈશારો કરી રહ્યો હતો જેમાં તેને દગો મળ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>"લોકો સ્વાર્થી છે, ઇમોશનલ છેતરપિંડીનો અનુભવ કર્યો છે"</b></h3><p style="text-align: justify; ">પોતાનું દર્દ વ્યક્ત કરતાં હર્ષદે આગળ કહ્યું, "મેં ભૂતકાળમાં ડેટિંગ કર્યું હતું, પણ બધું ખોટું સાબિત થયું. વાતો કરવી અલગ છે અને તેને નિભાવવી એ બીજી વાત છે. લોકો અતિશય સ્વાર્થી હોય છે. મેં મારી જિંદગીમાં એક એવી પરિસ્થિતિનો સામનો કર્યો છે જેને હું 'ભાવનાત્મક બહેરાશ' (Emotional Deafness) કહું છું. હું સતત બોલતો રહેતો હતો, પણ સામેની વ્યક્તિ મને સમજવા જ તૈયાર નહોતી. તેઓ મારું સાંભળતા જ નહોતા. ક્યારેક વિચાર આવતો કે હું આટલી વાતો કરું છું તો પણ તેઓ મને કેમ સાંભળી શકતા નથી? સમસ્યા એ નહોતી કે હું ત્યાં હાજર નહોતો, પણ સમસ્યા એ હતી કે હું ત્યાં ખૂબ વધારે હાજર હતો. કદાચ એ મારી જ ભૂલ હતી."</p><h4 style="text-align: justify; "><b>૨૦૧૦ ની એ રાત, જીવન બદલાયું, લોકો પરથી વિશ્વાસ ઉઠયો.. હર્ષદ</b></h4><p style="text-align: justify; ">શોના પ્રીમિયર એપિસોડમાં હર્ષદે તેના જીવનના સૌથી પીડાદાયક પ્રકરણ પરથી પડદો ઉઠાવ્યો હતો. હર્ષદ પર અવારનવાર એવા આક્ષેપો થતા રહ્યા છે કે તે ખૂબ જ સિક્રેટિવ છે અને પોતાના ચાહકો સાથે કંઈ શેર નથી કરતો. આ બાબતે પોતાનો બચાવ કરતા હર્ષદે ખુલાસો કર્યો કે, વર્ષ ૨૦૧૦ માં તેણે એકસાથે પોતાના બે સૌથી નજીકના લોકોને ગુમાવ્યા હતા. તેની ગર્લફ્રેન્ડ અને તેના બેસ્ટ ફ્રેન્ડ બંને તેની પીઠ પાછળ તેની સાથે છેતરપિંડી કરી રહ્યા હતા. આ એક આઘાતે હર્ષદને અંદરથી સંપૂર્ણપણે તોડી નાખ્યો હતો. તેણે જણાવ્યું કે આ દગાબાજી પછી જ તે પોતાની અંગત જિંદગીને લઈને ખૂબ જ સંયમિત અને શાંત બની ગયો છે અને લોકો પર વિશ્વાસ કરતા ડરે છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/govinda-wife-sunita-ahuja-makes-shocking-revelations-about-his-past-affairs-and-marriage" target="_blank">આ પણ વાંચો : Bollywood : 'ગોવિંદાના ઘણા અફેર્સ રહ્યા હતા...', લગ્નજીવન પર સુનીતા આહુજાનો મોટો ખુલાસો!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/29/QY5mCVoCeeTckSDLhyKI5GaPGoOzVhmOxOUmUyQW.webp'/></item><item><title><![CDATA[LPG ગેસ સબસિડી બંધ ના થઇ જાય? આજે જ કરી લો આ બાકી કામ! ]]></title><link>https://sandesh.com/business/news/knowledge/lpg-gas-subsidy-wont-stop-do-this-remaining-work-today</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/knowledge/lpg-gas-subsidy-wont-stop-do-this-remaining-work-today</guid><pubDate>Mon, 29 Jun 2026 11:58:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દેશના 10 કરોડથી વધુ એલપીજી (LPG) ગ્રાહકો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને સમયમર્યાદા ધરાવતા સમાચાર સામે આવ્યા છે. જો તમે ઘરેલું ગેસ સિલિન્ડર પર મળતી સબસિડીનો લાભ ચાલુ રાખવા માંગો છો, તો તમારી પાસે આધાર ચકાસણી (e-KYC) પૂર્ણ કરવા માટે હવે માત્ર બે દિવસનો સમય બચ્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના કડક નિર્દેશો અનુસાર, ઇન્ડેન (Indane), ભારતગેસ (Bharat Gas) અને એચપી ગેસ (HP Gas) ના તમામ ગ્રાહકો માટે આધાર-આધારિત બાયોમેટ્રિક e-KYC પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 30 જૂન, 2026 નક્કી કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>e-KYC નહીં કરો તો ખાતામાં સબસિડી બંધ થઇ જશે</b></h2><p style="text-align: justify; ">જો ગ્રાહકો આ નિર્ધારિત સમયમર્યાદામાં પોતાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં નિષ્ફળ જશે, તો સરકાર દ્વારા આપવામાં આવતી ગેસ સબસિડી તેમના બેંક ખાતામાં જમા થવાનું કાયમ માટે બંધ થઈ શકે છે. નવા નિયમો મુજબ, e-KYC ન કરાવનાર ગ્રાહકો સિલિન્ડરનું બુકિંગ અને ડિલિવરી મેળવી શકશે, પરંતુ તેમણે સબસિડી વગરની પૂરેપૂરી કિંમત ચૂકવવી પડશે.</p><h3 style="text-align: justify; "><b>e-KYC શા માટે જરૂરી છે?</b></h3><p style="text-align: justify; ">સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ગેસ વિતરણ વ્યવસ્થાને પારદર્શક બનાવવાનો છે. હાલમાં દેશમાં ઘણા નકલી અને ડુપ્લિકેટ કનેક્શન કાર્યરત છે. આ સિવાય, ઘરેલું અને વ્યાપારી (Commercial) સિલિન્ડરના ભાવમાં મોટો તફાવત હોવાને કારણે, ઘણા રેસ્ટોરાં, ઢાબા અને નાના કારખાનાઓમાં ઘરેલું સિલિન્ડરનો ગેરકાયદેસર ઉપયોગ થાય છે. આધાર પ્રમાણીકરણ દ્વારા આવી ગેરરીતિઓ અટકાવી શકાશે અને સબસિડીના નાણાં માત્ર સાચા અને જરૂરિયાતમંદ પરિવારો સુધી જ પહોંચશે, જેથી કરદાતાઓના નાણાંનો સદુપયોગ થઈ શકે.</p><h4 style="text-align: justify; "><b>શું ગેસ જોડાણ કાપી નાખવામાં આવશે?</b></h4><p style="text-align: justify; ">ગ્રાહકોમાં એવો ભય છે કે 30 જૂન પછી તેમનું કનેક્શન બંધ થઈ જશે. જો કે, સત્તાવાર માહિતી મુજબ, પ્રક્રિયા પૂર્ણ ન કરવાથી તમારું કનેક્શન તાત્કાલિક રદ કરવામાં આવશે નહીં. માત્ર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) અંતર્ગત મળતી સબસિડી અટકી જશે. ગેસ પુરવઠો યથાવત રહેશે.</p><h5 style="text-align: justify; "><b>ઘરે બેઠા ઓનલાઈન e-KYC કરવાની રીત:</b></h5><p style="text-align: justify; ">તમે સ્માર્ટફોનની મદદથી મિનિટોમાં આ પ્રક્રિયા ઘરે બેઠા પૂર્ણ કરી શકો છો:</p><p style="text-align: justify; ">1. સૌથી પહેલા Google Play Store અથવા Apple App Store પરથી તમારી ગેસ કંપનીની સત્તાવાર એપ્લિકેશન (Indane માટે IndianOil One, HP માટે HPPay, અને Bharat Gas માટે Hello BPCL) ડાઉનલોડ કરો.</p><p style="text-align: justify; ">2. આ સાથે જ, પ્લે સ્ટોર પરથી UIDAI ની સત્તાવાર 'Aadhaar FaceRD' એપ પણ ઇન્સ્ટોલ કરો.</p><p style="text-align: justify; ">3. ગેસ કનેક્શન સાથે લિંક થયેલા મોબાઈલ નંબર દ્વારા ગેસ એપ્લિકેશનમાં લોગ-ઈન કરો.</p><p style="text-align: justify; ">4. પ્રોફાઇલ સેક્શનમાં જઈને 'Re-eKYC' અથવા 'Link Aadhaar' ના વિકલ્પ પર ક્લિક કરો.</p><p style="text-align: justify; ">5. એપ દ્વારા મોબાઈલનો ફ્રન્ટ કેમેરો ઓપન થશે, જેનાથી તમારો ચહેરો (Face ID) સ્કેન કરો.</p><p style="text-align: justify; ">6. અંતમાં, તમારા આધાર સાથે લિંક મોબાઈલ નંબર પર આવેલો OTP દાખલ કરો. તમારી પ્રક્રિયા સફળતાપૂર્વક સબમિટ થઈ જશે.</p><p style="text-align: justify; ">જો તમને ઓનલાઈન પ્રક્રિયામાં કોઈ તકલીફ પડે, તો તમે તમારી નજીકની ગેસ એજન્સી પર જઈને પણ બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવી શકો છો. આ માટે તમારી ગેસ પાસબુક, આધાર કાર્ડ અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર સાથે રાખવો જરૂરી છે. સમયસર આ કામ પૂરું કરી સબસિડીનો લાભ મેળવતા રહો.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/lifestyle/news/travel/passport-fee-hike-traveling-abroad-has-become-more-expensive-passport-fees-have-increased-drastically" target="_blank">આ પણ વાંચોઃ Passport Fee Hike: મોંઘો થયો વિદેશ પ્રવાસ,પાસપોર્ટ બનાવવાની ફીમાં ધરખમ વધારો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/29/BTWN9FwdkP3lZqVnUMCgIDC2RfC170MdNIYoOwEl.webp'/></item><item><title><![CDATA[Porbandar News: 'આપ' નેતા હિતેશ મોઢવાડિયા સામે કોન્ટ્રાક્ટર પાસે ખંડણી માંગ્યાની ફરિયાદ ]]></title><link>https://sandesh.com/crime/news/porbandar/aap-leader-hitesh-modhwadia-booked-extortion-case</link><guid isPermaLink="true">https://sandesh.com/crime/news/porbandar/aap-leader-hitesh-modhwadia-booked-extortion-case</guid><pubDate>Mon, 29 Jun 2026 11:22:38 +05:30</pubDate><description><![CDATA[<p>પોરબંદર જિલ્લાના રાજકારણ અને સ્થાનિક સ્તરેથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટીના સ્થાનિક ખેડૂત નેતા હિતેશ મોઢવાડિયા સામે બગવદર પોલીસ મથકે ધમકી આપી ખંડણી માંગવાનો ગંભીર ગુનો નોંધાયો છે. આ ઘટનાને પગલે જિલ્લાના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.</p><h2><b>"અહીં કામ કરવું હોય તો પૈસા આપવા જ પડશે"</b></h2><p>મળતી વિગતો મુજબ, મોઢવાડા ગામના વતની એવા આપ નેતા હિતેશ મોઢવાડિયાએ વિસ્તારમાં રોડ-રસ્તાનું કામ કરી રહેલા એક સરકારી કોન્ટ્રાક્ટરને નિશાન બનાવ્યા હતા. ચાલુ કામ દરમિયાન નેતાએ કોન્ટ્રાક્ટર પાસે ગેરકાયદે પૈસાની માંગણી કરી હતી. એટલું જ નહીં, કોન્ટ્રાક્ટરને ડરાવતા લહેજામાં ધમકી આપી હતી કે, જો તારે આ વિસ્તારમાં કામ કરવું હોય, તો અહીં પૈસા તો આપવા જ પડશે. નહીંતર માઠા પરિણામ ભોગવવા તૈયાર રહેજે.</p><h2><b>ધમકીથી કંટાળીને કોન્ટ્રાક્ટરે લીધો પોલીસનો આશરો</b></h2><p>રાજકીય વગનો ઉપયોગ કરીને ચાલુ કામમાં અડચણ ઊભી કરવા અને પૈસા પડાવવાની ધમકી મળતા જ કોન્ટ્રાક્ટરે કાયદાનો સહારો લીધો હતો. કોન્ટ્રાક્ટરે આ સમગ્ર મામલે બગવદર પોલીસ સ્ટેશન પહોંચી હિતેશ મોઢવાડિયા વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી છે. પોતાની ફરિયાદમાં તેમણે સમગ્ર ઘટનાક્રમ અને ધમકી આપ્યા અંગેની વિગતો પોલીસ સમક્ષ રજૂ કરી છે.</p><h2><b>બગવદર પોલીસે ગુનો નોંધી તપાસનો દોર શરૂ કર્યો</b></h2><p>કોન્ટ્રાક્ટરની ફરિયાદના આધારે બગવદર પોલીસે આમ આદમી પાર્ટીના નેતા સામે ખંડણી અને ધમકી આપવા બદલ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ મામલે પુરાવા એકત્ર કરવા અને આરોપી નેતાની અટકાયત કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સરકારી કામોમાં રાજકીય નેતાઓની આવી દાદાગીરી સામે આવતા સ્થાનિક વેપારીઓ અને કોન્ટ્રાક્ટરોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.</p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/porbandar/case-of-clash-between-two-groups-on-tajiya-day-in-porbandar-7-accused-arrested-with-sword" target="_blank"> Porbandarમાં તાજીયાના દિવસે બે જૂથ વચ્ચે અથડામણનો મામલો: તલવાર સાથે 7 આરોપીઓની ધરપકડ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/29/7V8F7dDfrbboUMs6XP06mqBEMXjv2uFhE37UkuRc.webp'/></item><item><title><![CDATA[Ram Mandir Donation Row: ચંપત રાયનું નિવેદન નોંધ્યુ, પોલીસે કરી પૂછપરછ ]]></title><link>https://sandesh.com/india/news/ram-mandir-donation-row-champat-rais-statement-recorded-police-interrogated</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ram-mandir-donation-row-champat-rais-statement-recorded-police-interrogated</guid><pubDate>Mon, 29 Jun 2026 10:53:49 +05:30</pubDate><description><![CDATA[<p>રામ મંદિરમાં પ્રસાદ ચોરીના કેસમાં એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. તપાસના ભાગ રૂપે પોલીસે ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયનું નિવેદન નોંધ્યું છે. તપાસની પ્રગતિના આધારે પોલીસ અનિલ મિશ્રા અને ટ્રસ્ટના અન્ય અધિકારીઓના નિવેદનો પણ નોંધી શકે છે. ઉલ્લેખનીય છે કે, ચંપત રાયે તાજેતરમાં રામ મંદિર ટ્રસ્ટના મહામંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું.</p><h2><b>પોલીસે નોંધ્યુ ચંપતરાયનું નિવેદન&nbsp;</b></h2><p>રાજકીય અને ધાર્મિક ચર્ચાના દિવસો વચ્ચે ટ્રસ્ટે બે દિવસ પહેલા એક પ્રેસ રિલીઝ દ્વારા ચંપત રાયના રાજીનામાની સત્તાવાર પુષ્ટિ કરી હતી. સૂત્રો સૂચવે છે કે મંદિર ટ્રસ્ટ દાન અને પ્રસાદ સંબંધિત કથિત ગેરરીતિઓથી પહેલાથી જ વાકેફ હતું, અને પોલીસે ઔપચારિક ફરિયાદ દાખલ થાય તે પહેલાં જ પ્રાથમિક કાર્યવાહી શરૂ કરી દીધી હતી.</p><h3><b>અવિનાશ શુક્લા પાસેથી રોકડ કબ્જે કરી&nbsp;</b></h3><p>સૂત્રોના જણાવ્યા અનુસાર 5 જૂનના રોજ, ટ્રસ્ટના પ્રતિનિધિઓ, પોલીસ ટીમ સાથે, ચંપત રાયના નિર્દેશ પર કાર્ય કરતા આરોપી અવિનાશ શુક્લાના સ્થાનની મુલાકાત લીધી હતી. તે જ દિવસે, પોલીસે દરોડો પાડ્યો, અવિનાશ શુક્લાને કસ્ટડીમાં લીધો અને તેના કબજામાંથી રોકડ રકમ જપ્ત કરી.</p><p>જોકે તે સમયે ટ્રસ્ટ દ્વારા કોઈ સત્તાવાર FIR નોંધવામાં આવી ન હતી. અહેવાલો સૂચવે છે કે શરૂઆતની કાર્યવાહી અનૌપચારિક રીતે થઈ હતી. જ્યારે આ મામલો ફક્ત 7 જૂનના રોજ&nbsp; લોકોના ધ્યાન પર આવ્યો હતો. આરોપી અવિનાશ શુક્લાનું વિશિષ્ટ CCTV ફૂટેજ પણ સામે આવ્યું છે. આ 24-સેકન્ડની ક્લિપ 5 જૂન, 2026 ના રોજ રાત્રે 8:13 વાગ્યાની છે.&nbsp;</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2071455223990886560"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h4><b>સીસીટીવી ફૂટેજ આવ્યા સામે&nbsp;</b></h4><p>ફૂટેજમાં પોલીસ કર્મચારીઓ અને બેંક કર્મચારીઓ અવિનાશ શુક્લાને કસ્ટડીમાં લેતા અને તેને સફેદ કાર તરફ લઈ જતા બતાવે છે. વીડિયોમાં અવિનાશના હાથમાં કાળી બેગ દેખાય છે. સૂત્રોનો દાવો છે કે જપ્ત કરાયેલી રોકડ આ જ બેગમાં રાખવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મંદિરના પ્રસાદની કથિત ચોરીની માહિતી મળ્યા બાદ પોલીસે અવિનાશ શુક્લા પાસેથી આશરે ₹5 લાખ રિકવર કર્યા હતા. CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે પોલીસ આરોપીને પકડીને સફેદ વાહનમાં બેસાડી રહી છે જ્યારે તે કાળી બેગ પકડી રાખે છે. </p><h4><b>&nbsp;આઠ આરોપીઓની ધરપકડ</b></h4><p>આ કેસમાં અત્યાર સુધીમાં ધરપકડ કરાયેલા આરોપીઓમાં અવિનાશ શુક્લા, અનુકલ્પ મિશ્રા, લવ કુશ મિશ્રા, મનીષ કુમાર યાદવ, કરુણેશ પાંડે, રામ શંકર મિશ્રા, સુભાષ શ્રીવાસ્તવ અને રામાશંકર (ઉર્ફે ટીનુ યાદવ)નો સમાવેશ થાય છે. આ બધા રામ મંદિરમાં પ્રસાદ તરીકે મળેલી રોકડ અને કિંમતી વસ્તુઓની ગણતરીના કાર્યમાં સામેલ હતા.&nbsp;<br><br><a href="https://sandesh.com/gallery/news/india/why-are-potatoes-and-chickpeas-the-filling-in-panipuri?" target="_blank">આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/29/IG6ISMLSnIfaeWshumvmeROES48YHr2ZhshvWfls.webp'/></item><item><title><![CDATA[Bank Holidays in July 2026: બેંકના કામ બાકી હોય તો પતાવી લેજો, જુલાઈમાં 12 દિવસ બેંકો રહેશે બંધ ]]></title><link>https://sandesh.com/india/news/bank-holidays-in-july-2026-if-you-have-any-bank-work-get-it-done-banks-will-be-closed-for-12-days-in-july</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/bank-holidays-in-july-2026-if-you-have-any-bank-work-get-it-done-banks-will-be-closed-for-12-days-in-july</guid><pubDate>Mon, 29 Jun 2026 10:44:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જૂન મહિનો પૂર્ણતાના આરે છે અને જુલાઈ મહિનાની શરૂઆત થવા જઈ રહી છે. જો તમારે આવતા મહિને બેંક સાથે જોડાયેલા કોઈ મહત્વપૂર્ણ કામ કરવાના હોય, જેમ કે ચેક ક્લિયરન્સ, લોન પ્રોસેસિંગ અથવા ડ્રાફ્ટ બનાવવાનું કામ, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના સત્તાવાર કેલેન્ડર મુજબ, જુલાઈ ૨૦૨૬માં દેશભરની બેંકો વિવિધ કારણોસર કુલ 12 દિવસ બંધ રહેશે.</p><h2 style="text-align: justify; "><b>રજાઓનું વિભાજન</b></h2><p style="text-align: justify; ">આ 12 દિવસની રજાઓમાં ચાર રવિવાર, બે શનિવાર (બીજો અને ચોથો શનિવાર) અને છ પ્રાદેશિક તહેવારોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, બીજા અને ચોથા શનિવાર તથા રવિવારની રજાઓ સમગ્ર દેશની તમામ ખાનગી અને સરકારી બેંકોમાં એકસરખી રીતે લાગુ પડે છે, જ્યારે તહેવારો પર આધારિત રજાઓ તે ચોક્કસ રાજ્ય કે શહેર પૂરતી મર્યાદિત હોય છે.</p><h3 style="text-align: justify; "><b>પ્રાદેશિક અને તહેવાર આધારિત રજાઓ:</b></h3><p style="text-align: justify; ">6 જુલાઈ (સોમવાર): ઐઝોલ (મિઝોરમ) માં MHIP દિવસ.</p><p style="text-align: justify; ">9 જુલાઈ (ગુરુવાર): શિલોંગ (મેઘાલય) માં બેહ દેનખલામ.</p><p style="text-align: justify; ">16 જુલાઈ (ગુરુવાર): ભુવનેશ્વર (ઓડિશા) માં રથયાત્રા.</p><p style="text-align: justify; ">17 જુલાઈ (શુક્રવાર): ઇમ્ફાલ (મણિપુર) માં યુ તિરોટ સિંહની પુણ્યતિથિ.</p><p style="text-align: justify; ">18 જુલાઈ (શનિવાર): ગંગટોક (સિક્કિમ) માં દ્રુક્પા ત્શે-ઝી.</p><p style="text-align: justify; ">22 જુલાઈ (બુધવાર): અગરતલા (ત્રિપુરા) અને શિલોંગ (મેઘાલય) માં ખારચી પૂજા.</p><h4 style="text-align: justify; "><b>અન્ય રજાઓ:</b></h4><p style="text-align: justify; ">5, 12, 19, અને 26 જુલાઈ: રવિવાર.</p><p style="text-align: justify; ">11 જુલાઈ: બીજો શનિવાર.</p><p style="text-align: justify; ">25 જુલાઈ: ચોથો શનિવાર.</p><h5 style="text-align: justify; "><b>ડિજિટલ બેંકિંગ ચાલુ રહેશે</b></h5><p style="text-align: justify; ">બેંક શાખાઓ ભૌતિક રીતે બંધ હોવા છતાં, ગ્રાહકોએ નાણાકીય કાર્યો માટે ચિંતા કરવાની જરૂર નથી. ઇન્ટરનેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ અને UPI જેવી ડિજિટલ સેવાઓ ૨૪/૭ કાર્યરત રહેશે. આ ઉપરાંત, કેશ ઉપાડવા માટે ATM સેવાઓ પણ રાબેતા મુજબ ચાલુ રહેશે. જોકે, સ્થાનિક સ્તરે કોઈ ચોક્કસ ફેરફાર હોય તો મૂંઝવણ ટાળવા માટે તમારી નજીકની શાખા કે બેંકની વેબસાઈટ પર એકવાર અવશ્ય તપાસ કરી લેવી હિતાવહ છે. અગાઉથી આયોજન કરવાથી તમે તમારા નાણાકીય કામોને કોઈપણ વિક્ષેપ વગર પૂર્ણ કરી શકશો.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/gallery/news/first-book-who-printed-the-worlds-first-book-and-when-know-the-history" target="_blank">આ પણ વાંચોઃ First Book: વિશ્વનુ પહેલું પુસ્તક કોણે અને ક્યારે છાપ્યુ હતુ? જાણો ઇતિહાસ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/29/KyzSXTghYQSuvESYWxrlqFHD1EDxwNJnUrnVNB29.webp'/></item><item><title><![CDATA[Surat: મહીધરપુરામાં બંગાળી કારીગરે માત્ર 30 સેકન્ડમાં કર્યો ખેલ, 30.42 લાખનું સોનું-હીરા ચોરીને શખ્સ રફુચક્કર ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/mahidharpura-sandha-jewels-bengali-worker-theft-thirty-lakh-gold-diamonds-in-thirty-seconds-cctv</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/mahidharpura-sandha-jewels-bengali-worker-theft-thirty-lakh-gold-diamonds-in-thirty-seconds-cctv</guid><pubDate>Mon, 29 Jun 2026 10:44:42 +05:30</pubDate><description><![CDATA[<p>સુરતનું મહીધરપુરા અને વરાછા વિસ્તાર સોના-ચાંદીના કિંમતી દાગીના અને હીરાના કારખાનાઓ માટે વિશ્વભરમાં જાણીતું છે. આ હાઈ-સિક્યોરિટી અને સીસીટીવીથી સજ્જ બજારમાં ચોરી થવી એ બહુ મોટી વાત ગણાય છે. ભવાનીવડ મેઇન રોડ પર આવેલા 'સાંધા જ્વેલ્સ' નામના કારખાનામાં રોજની જેમ સોના-હીરાના દાગીના બનાવવાનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે ત્યાં કામ કરતા એક બંગાળી કારીગરે મોકો જોઈને આખી દુકાન સાફ કરી દીધી હતી.</p><h2><b>CCTVમાં કેદ થઈ કારીગરની ચોરી</b></h2><p>કારખાનાના માલિકે જ્યારે કિંમતી મટિરિયલનો હિસાબ ચેક કર્યો ત્યારે સોના અને હીરાના જથ્થામાં મોટી ઘટ જોવા મળી હતી. આથી, માલિકે તાત્કાલિક ઓફિસના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. ફૂટેજ જોતા જ માલિકના હોશ ઉડી ગયા હતા. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે તેમનો જ એક વિશ્વાસુ બંગાળી કારીગર ટેબલ પર પડેલું સોનું અને હીરા અત્યંત ચાલાકીપૂર્વક માત્ર 30 સેકન્ડની અંદર ગજવામાં મૂકીને ત્યાંથી સરકી જાય છે. તે એટલી પ્રોફેશનલ ઝડપથી ચોરી કરે છે કે બાજુમાં બેઠેલા અન્ય કર્મચારીઓને પણ ગંધ આવી નહોતી.</p><h3><b>રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર પોલીસ વોચ</b></h3><p>ચોરીની આ વિગત મળતા જ મહીધરપુરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે 30.42 લાખની ચોરીનો ગુનો નોંધી આરોપી કારીગરના વતન પશ્ચિમ બંગાળના સરનામા અને તેના લોકલ નેટવર્કની તપાસ શરૂ કરી છે. સુરતના જ્વેલરી માર્કેટમાંથી ચોરી કરીને બંગાળી કારીગરો ટ્રેન મારફતે ભાગી જતા હોવાના ભૂતકાળના કિસ્સાઓને ધ્યાને રાખીને પોલીસે સુરત રેલવે સ્ટેશન, બસ ડેપો અને હાઈવે પર વોચ ગોઠવી દીધી છે. સુરતના સ્થાનિક જ્વેલર્સ એસોસિએશને પણ વાયરલ વીડિયોના આધારે અન્ય વેપારીઓને આવા પરપ્રાંતીય કારીગરો રાખતા પહેલા પ્રોપર પોલીસ વેરિફિકેશન કરાવવા અપીલ કરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/weather/valsad/district-monsoon-update-heavy-rain-starts-after-break-imd-forecast" target="_blank">આ પણ વાંચો: Valsad: વિરામ બાદ મેઘરાજાની ઇનિંગ શરૂ થતાં જ ખેડૂતોમાં ખુશીની લહેર, નીચાણવાળા વિસ્તારોમાં વહી નીકળ્યા પાણી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/29/jiFjnjxNAJQzTvTu3QvgJbNdjB6cGkjbbrRcDw3p.webp'/></item><item><title><![CDATA[IND vs ENG : FIH પ્રો લીગ 2026માં ભારતે ઈંગ્લેન્ડને હરાવ્યું, 3-2થી જીતી મેચ ]]></title><link>https://sandesh.com/sports/news/ind-vs-eng-india-defeated-england-in-fih-pro-league-2026-winning-the-match-3-2</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/ind-vs-eng-india-defeated-england-in-fih-pro-league-2026-winning-the-match-3-2</guid><pubDate>Mon, 29 Jun 2026 10:34:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય પુરુષ હોકી ટીમે FIH પ્રો લીગ 2025-26 ના તેમના અભિયાનનો અંત શાનદાર રીતે કર્યો. લંડનમાં રમાયેલી ફાઇનલ મેચમાં, ભારતે યજમાન ઇંગ્લેન્ડને રોમાંચક શૂટઆઉટમાં 3-2 થી હરાવ્યું. નિયમન સમય ગોલ રહિત રહ્યા બાદ મેચ 0-0 થી ડ્રો રહી, પરંતુ ભારતીય ખેલાડીઓએ શૂટઆઉટમાં શાનદાર સંયમ દર્શાવીને વિજય મેળવ્યો. લી વેલી હોકી અને ટેનિસ સેન્ટર ખાતે શૂટઆઉટમાં ભારત માટે અભિષેક, શિલાનંદ લાકરા અને હાર્દિક સિંહે ગોલ કર્યા. ભારતીય ડિફેન્સે સમગ્ર મેચ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>ભારતે શૂટઆઉટમાં જીત મેળવી&nbsp;</b></h3><p style="text-align: justify; ">મેચની શરૂઆતમાં ઇંગ્લેન્ડે આક્રમક રમત રમી, શરૂઆતની મિનિટોમાં પેનલ્ટી કોર્નર મેળવ્યો. જોકે, ભારતીય ગોલકીપર મોહિત શશીકુમારે શાનદાર બેવડા બચાવ સાથે ટીમને શરૂઆતની નિષ્ફળતામાંથી બચાવી. ત્યારબાદ તેણે સેમ વોર્ડના બીજા ખતરનાક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો અને ઇંગ્લેન્ડને લીડ લેતા અટકાવ્યું.</p><h4 style="text-align: justify; "><b>ભારતે ગોલ કરવાની ઘણી તકો ગુમાવી</b></h4><p style="text-align: justify; ">ભારત પાસે પ્રથમ ક્વાર્ટરમાં અભિષેક દ્વારા ગોલ કરવાની તક હતી, પરંતુ તેનો લાભ લેવામાં નિષ્ફળ ગયો. બીજા ક્વાર્ટરમાં ઇંગ્લેન્ડે સતત દબાણ જાળવી રાખ્યું. નિકોલસ બંદુરક ગોલ કરવાની નજીક પહોંચ્યો, જ્યારે ભારતના જર્મનપ્રીત સિંહે પણ ગોલકીપરનો અનુભવ કર્યો.</p><p style="text-align: justify; "><a href="https://x.com/TheHockeyIndia/status/2071283697282847117?s=20" target="_blank">https://x.com/TheHockeyIndia/status/2071283697282847117?s=20</a></p><p style="text-align: justify; "><br></p><h3 style="text-align: justify; "><b>હાફ ટાઈમ પછી ભારતીય ટીમનો દબદબો&nbsp;</b></h3><p style="text-align: justify; ">હાફ ટાઈમ પછી, ભારતીય ટીમ વધુ આક્રમક સ્થિતિમાં પાછી આવી. હાર્દિક સિંહે શાનદાર વળતો હુમલો કર્યો અને 37મી મિનિટે પેનલ્ટી કોર્નર મેળવ્યો, પરંતુ અમનદીપ લાકરા તેને કન્વર્ટ કરવામાં નિષ્ફળ ગયા. મેચનો સૌથી મોટો વળાંક ત્રીજા ક્વાર્ટરના અંતે આવ્યો જ્યારે યશદીપ સિંહને હેનરી ક્રોફ્ટને ફાઉલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને ઈંગ્લેન્ડને પેનલ્ટી સ્ટ્રોક આપવામાં આવ્યો. ભારતે તરત જ રેફરલ લીધો, અને વિડીયો રિપ્લેમાં ટેકલ સંપૂર્ણપણે કાયદેસર હોવાનું પુષ્ટિ મળી. ત્યારબાદ અમ્પાયરે પોતાનો નિર્ણય ઉલટાવી દીધો.</p><h4 style="text-align: justify; "><b>ટીમ ઈન્ડિયા શૂટઆઉટમાં જીતી ગઈ</b></h4><p style="text-align: justify; ">ઇંગ્લેન્ડે અંતિમ ક્વાર્ટરમાં હુમલો કરવાનું ચાલુ રાખ્યું અને અંતિમ ક્ષણોમાં પેનલ્ટી કોર્નર મેળવ્યો. મેચમાં ફક્ત બે સેકન્ડ બાકી રહેતાં, યજમાન ટીમને બીજો પેનલ્ટી કોર્નર આપવામાં આવ્યો, પરંતુ ભારતે બીજા સફળ રેફરલ સાથે તે નિર્ણયને સફળતાપૂર્વક ઉલટાવી દીધો. નિયમન સમયના અંતે સ્કોર 0-0 રહ્યા પછી, મેચનો નિર્ણય શૂટઆઉટ દ્વારા લેવામાં આવ્યો. ભારતે 3-2થી જીત મેળવી, FIH પ્રો લીગ 2025-26 અભિયાનનો વિજય સાથે અંત કર્યો.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/cricket/news/big-change-in-wtc-points-table-team-india-benefited-from-west-indies-victory" target="_blank"> WTC પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, વેસ્ટ ઈન્ડિઝની જીતથી ટીમ ઈન્ડિયાને થયો ફાયદો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/29/SQE2CfY2sI36SK981fNykTdkwc4ejbBH9atoPDvS.webp'/></item><item><title><![CDATA[Rajkot જંગલેશ્વર ડિમોલિશનમાં વીડિયોગ્રાફી કૌભાંડ, મનપા પાસેથી 8 હજાર વસૂલી કેમેરામેનને આપ્યા માત્ર 2 હજાર, પુરાવા સામે આવ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/rajkot-jangleshwar-demolition-videography-bill-scam-hitesh-bhayani</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/rajkot-jangleshwar-demolition-videography-bill-scam-hitesh-bhayani</guid><pubDate>Mon, 29 Jun 2026 09:34:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ મહાનગરપાલિકાના જંગલેશ્વર ડિમોલિશન બિલ કાંડમાં દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. હવે આ સમગ્ર મામલે એક મોટું વીડિયોગ્રાફી કૌભાંડ સપાટી પર આવ્યું છે, જેના પાકા પુરાવા પણ હાથ લાગ્યા છે. ડિમોલિશન દરમિયાન વીડિયોગ્રાફી કરવાનો કોન્ટ્રાક્ટ લેનાર બાલાજી સ્ટુડિયોના સંચાલક હિતેષ ભાયાણીએ મનપાના અધિકારીઓ સાથે મેળાપીપણું કરીને ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ઓનલાઈન મની ટ્રાન્સફરના સ્ક્રીનશૉટ્સ સામે આવતા જ આ કૌભાંડનો ભાંડો ફૂટ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>કેમેરામેન દીઠ 6 હજારની કમાણી</b></h2><p style="text-align: justify; ">સામે આવેલા પુરાવા મુજબ, કોન્ટ્રાક્ટર હિતેષ ભાયાણીએ રાજકોટ કોર્પોરેશન પાસેથી એક કેમેરામેન દીઠ 8 હજાર વસૂલ્યા હતા, પરંતુ વાસ્તવમાં ગ્રાઉન્ડ પર કામ કરનારા કેમેરામેનને માત્ર 2 હજાર જ ચૂકવવામાં આવ્યા હતા. આમ, એક જ કેમેરામેન પાછળ સીધી 6 હજારની કમાણી કરીને કોન્ટ્રાક્ટરે આખા ડિમોલિશન દરમિયાન અંદાજે 15 લાખની તગડી કમાણી કરી લીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કોન્ટ્રાક્ટરના દાવા મુજબ આ કામગીરીમાં કુલ 292  કેમેરામેનનો ઉપયોગ કરાયો હતો.</p><h3 style="text-align: justify; "><b>વિવાદિત કોન્ટ્રાક્ટર હિતેષ ભાયાણીનો બચાવ</b></h3><p style="text-align: justify; ">બીજી તરફ, આ મામલે ઘેરાયેલા બાલાજી સ્ટુડિયોના માલિક હિતેષ ભાયાણીએ પોતાનું નિવેદન જાહેર કરીને તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. ભાયાણીએ જણાવ્યું કે, વર્ષ ૨૦૨૪થી અમારો મનપા સાથે સત્તાવાર કોન્ટ્રાક્ટ છે અને અમે કોર્ટની ગાઇડલાઇન મુજબ જ વીડિયોગ્રાફી કરી છે. અલગ-અલગ દિવસે ડેઇલી બેઝ પર વીડિયોગ્રાફર્સને બોલાવી કલાકોના હિસાબે કામગીરી સોંપાઈ હતી. આ પ્રોજેક્ટ માટે મેં પોતે 25 લાખની લોન લીધી છે અને અમારો કુલ ખર્ચ 24 લાખ થયો છે, જેનું જ બિલ મૂકવામાં આવ્યું છે." ભાયાણીએ વધુમાં ઉમેર્યું કે તેમણે કોઈ અધિકારીને બચાવવા માટે પૈસા લીધા નથી. જો કે, ઓનલાઈન પેમેન્ટના સ્ક્રીનશૉટ સામે આવ્યા બાદ હવે મનપા તંત્ર આ મામલે કેવા પગલાં ભરે છે તેના પર સૌની નજર છે.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>વશરામ સાગઠિયાએ ગંભીર સવાલો ઉઠાવ્યા&nbsp;</b></h4><p style="text-align: justify; ">રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડિમોલેશનના તોતિંગ ખર્ચ અંગે કોંગ્રેસના નેતા વશરામ સાગઠિયાએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ભાજપના નેતાઓ અને અધિકારીઓની મિલીભગતથી જનતાના પૈસાનો વેડફાટ થયો છે, જેમાં મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા પણ શંકાના દાયરામાં છે. સાગઠિયાના મતે, કોઈ મોંઘા લગ્નપ્રસંગની જેમ ડિમોલેશનની વીડિયોગ્રાફી તેમજ ખાણીપીણી અને પાણી પાછળ મોટો ધુમાડો કરવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરીનો કુલ ખર્ચ રૂ. ત્રણ કરોડને પાર પહોંચે તેવી શક્યતા હોવાથી તેમણે આ કરોડોના ખર્ચ પાછળ ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરી સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; <a href="https://sandesh.com/explainer/news/world/sandesh-digital-explainer-europe-heatwave-heat-dome-climate-change-france-paris" target="_blank"><b>&nbsp;Sandesh Digital Explainer : યુરોપના તમામ દેશોમાં ‘હીટ ડોમ’નો કાળો કેર, AC ખરીદવા પડાપડી, જાણો આટલી બધી ભીષણ ગરમીનું અસલી કારણ</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/29/Mea2OMBTepO4lhaEJRRYLk3V3cHUEEGP7PSb8lpV.webp'/></item></channel></rss>