<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Cocktail 2 એ પાંચમા દિવસે બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, શાહિદ-રશ્મિકાની કેમેસ્ટ્રી પર ફિદા થયા દર્શકો ]]></title><link>https://sandesh.com/entertainment/news/cocktail-2-created-a-stir-at-the-box-office-on-the-fifth-day-audiences-were-captivated-by-shahid-rashmikas-chemistry</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/cocktail-2-created-a-stir-at-the-box-office-on-the-fifth-day-audiences-were-captivated-by-shahid-rashmikas-chemistry</guid><pubDate>Wed, 24 Jun 2026 11:52:03 +05:30</pubDate><description><![CDATA[<p>શાહિદ કપૂર, કૃતિ સેનન અને રશ્મિકા મંદાના સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ 'કોકટેલ 2' ને દર્શકો અને સમીક્ષકો તરફથી ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. પોઝિટિવ માઉથ પબ્લિસિટીના કારણે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. હાલમાં થિયેટરોમાં "મા ઇન્તી બંગારામ", "આઈ એમ બેક" અને "પેડ્ડી" જેવી ઘણી બોલીવુડ અને સાઉથની ફિલ્મો ચાલી રહી છે, પરંતુ તે બધા વચ્ચે 'કોકટેલ 2' દર્શકોની પહેલી પસંદ બની રહી છે.</p><h2><b>જાણો 'કોકટેલ 2' નું 5 દિવસનું કલેક્શન</b></h2><p>ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી શરૂઆત કરી હતી. રવિવારે ફિલ્મે ₹17.75 કરોડની શાનદાર કમાણી કરી હતી, જ્યારે સોમવારે ફિલ્મનું કલેક્શન ₹6.35 કરોડ રહ્યું હતું. સેકનિલ્કના શરૂઆતના ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર, રિલીઝના પાંચમા દિવસે એટલે કે મંગળવારે ફિલ્મે ₹6.65 કરોડની કમાણી કરી છે. આ સાથે ભારતભરમાં ફિલ્મની કુલ કમાણી ₹60.90 કરોડ પર પહોંચી ગઈ છે.&nbsp; સપ્તાહના અંતે (વીકેન્ડ) બધી ફિલ્મોની કમાણીમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો, તેમ છતાં 'કોકટેલ 2' એ મંગળવારે વર્કિંગ ડે હોવા છતાં બોક્સ ઓફિસ પર પોતાની પકડ મજબૂત રાખી છે.&nbsp;</p><h3><b>પાંચમા દિવસના કલેક્શનની મહત્વની વિગતો</b></h3><p>શાહિદની ફિલ્મને દેશભરમાં આશરે 5,000 શો મળ્યા છે અને મંગળવારે થિયેટરોમાં ૧૭ ટકા ઓક્યુપન્સી જોવા મળી હતી. મંગળવારે સાંજે 5 વાગ્યા સુધીમાં ફિલ્મે ₹2.80 કરોડ, રાત્રે 8 વાગ્યા સુધીમાં ₹71.04 કરોડ અને રાત્રે 10:30 વાગ્યા સુધીમાં ₹72.75 કરોડ સુધીના આંકડાને સ્પર્શ કર્યો હતો. અત્યાર સુધીમાં આ ફિલ્મે આશરે ₹54.25 કરોડની ચોખ્ખી (Net) કમાણી કરી લીધી છે.</p><h4><b>વર્લ્ડવાઇડ બોક્સ ઓફિસ પર પણ હિટ</b></h4><p>આ ફિલ્મ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ધમાકેદાર કમાણી કરી રહી છે. વિદેશી બજારોમાં ફિલ્મે ₹20.75 કરોડ (આશરે $2.75 મિલિયન) નું કલેક્શન કર્યું છે. આ સાથે 'કોકટેલ 2' નું વર્લ્ડવાઇડ ગ્રોસ કલેક્શન ₹85.78 કરોડ (આશરે $8.57 મિલિયન) થઈ ગયું છે. ફિલ્મમાં શાહિદ, કૃતિ અને રશ્મિકાની ત્રિપુટીની કેમેસ્ટ્રી અને પર્ફોર્મન્સના સોશિયલ મીડિયા પર જોરદાર વખાણ થઈ રહ્યા છે. હોમી અડાજાનિયાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મની વાર્તા તરુણ જૈન અને લવ રંજને લખી છે, જ્યારે તેનું નિર્માણ દિનેશ વિજાન, લવ રંજન અને અંકુર ગર્ગ દ્વારા કરવામાં આવ્યું છે.</p><h3><b>વર્ષ 2012 ની સુપરહિટ 'કોકટેલ' ની સિક્વલ</b></h3><p>તમને જણાવી દઈએ કે આ ફિલ્મ વર્ષ 2012 માં આવેલી સુપરહિટ રોમેન્ટિક-કોમેડી ફિલ્મ 'કોકટેલ' નો બીજો ભાગ છે. ફિલ્મના પહેલા ભાગમાં સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ અને ડાયના પેન્ટી મુખ્ય ભૂમિકામાં હતા અને તેમાં ડિમ્પલ કાપડિયા, બોમન ઈરાની તેમજ રણદીપ હુડા પણ જોવા મળ્યા હતા. સૈફ, દીપિકા અને ડાયનાની ત્રિપુટી અને ફિલ્મના ગીતો આજે પણ દર્શકોના દિલમાં વસેલા છે, અને હવે આ સિક્વલ પણ દર્શકોનું ભરપૂર મનોરંજન કરી રહી છે.</p><p><br></p><p><a href="https://sandesh.com/entertainment/news/alka-yagnik-why-did-alka-yagnik-who-arrived-to-receive-the-padma-bhushan-award-walk-with-a-support-the-singer-shared-an-emotional-post#google_vignette" target="_blank">આ પણ વાંચો : Alka Yagnik: પદ્મ ભૂષણ એવોર્ડ લેવા પહોંચેલા અલ્કા યાજ્ઞિક કેમ સહારો લઈને ચાલ્યા, ગાયિકાએ શેર કરી ઇમોશનલ નોટ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/Ql90tTQ6dbwfLQwzd96flhwjb6Hlwa7ysOspa2ud.webp'/></item><item><title><![CDATA[Jamnagar : 'શ્રીજી શિપિંગ' સાથે 20.56 કરોડનો આર્થિક વિશ્વાસઘાત, ગાંધીધામના ઉદ્યોગપતિ સામે ગુનો દાખલ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/jamnagar/jamnagar-shreeji-shipping-fraud-case-gandhidham-businessman-chandan-maheshwari-updates</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/jamnagar/jamnagar-shreeji-shipping-fraud-case-gandhidham-businessman-chandan-maheshwari-updates</guid><pubDate>Wed, 24 Jun 2026 11:41:12 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતના વ્યાપારી જગતમાં ખળભળાટ મચાવતા એક મોટા સમાચાર જામનગરમાંથી સામે આવ્યા છે. જામનગરની સુપ્રસિદ્ધ અને અગ્રણી મરીન કંપની 'શ્રીજી શિપિંગ' સાથે કરોડો રૂપિયાની આર્થિક છેતરપિંડી અને વિશ્વાસઘાત થયો હોવાની સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ</b></h2><p style="text-align: justify; ">ગાંધીધામની એક પ્રતિષ્ઠિત કંપનીના ડાયરેક્ટર દ્વારા આશરે 20.56 કરોડથી વધુની રકમ ઓળવી જઈને પૂર્વ આયોજિત કાવતરું રચવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે. આ હાઈપ્રોફાઈલ મામલે જામનગરના જાણીતા અગ્રણી ઉદ્યોગપતિ જીતેન્દ્ર હરિદાસ લાલે  જામનગર સીટી બી-ડિવિઝન પોલીસ મથકમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.</p><h3 style="text-align: justify; "><b>ચંદનકુમાર છગનલાલ મહેશ્વરી સામે નામજોગ ફરિયાદ</b></h3><p style="text-align: justify; ">પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો અનુસાર, જીતેન્દ્ર લાલે ગાંધીધામની 'મહેશ્વરી હેન્ડલીંગ એજન્સી પ્રાઇવેટ લિમિટેડ' ના ડાયરેક્ટર ચંદનકુમાર છગનલાલ મહેશ્વરી સામે નામજોગ ફરિયાદ દાખલ કરાવી છે. આરોપી ચંદનકુમારે શ્રીજી શિપિંગ કંપની પાસેથી બાર્જ , ટગ  ભાડા પર રાખવા સહિતની વિવિધ સ્ટીવડોરિંગ મરીન સેવાઓ લીધી હતી. આ સેવાઓના ચાર્જ પેટે ચૂકવવાની થતી રૂપિયા 2.56 કરોડથી વધુની રકમ આરોપીએ લાંબા સમયથી ચૂકવી ન હતી.</p><h4 style="text-align: justify; "><b>બે કંપની સાથે છેતરપીંડી કરી</b></h4><p style="text-align: justify; ">વાત માત્ર અહીં જ નથી અટકતી, આરોપીએ  'સિદ્ધિ મરીન સર્વિસીસ LLP' પાસેથી લેવામાં આવેલી વિવિધ મરીન સેવાઓના રૂપિયા 13.73 કરોડથી વધુના ચાર્જ પણ બાકી રાખ્યા હોવાનો આરોપ છે. આ ઉપરાંત, 'નરોતમકા કોમોડિટીઝ પ્રાઇવેટ લિમિટેડ' પાસેથી અલગ-અલગ સમયે વ્યાપારી હેતુ માટે લેવામાં આવેલી લોન અને તેના વ્યાજ પેટે ચૂકવવાના થતા રૂપિયા 4.26  કરોડથી વધુની રકમ પણ પરત ચૂકવી ન હતી.</p><h4 style="text-align: justify; "><b>ધંધાકીય સંબંધોનો દુરુપયોગ કરાયો&nbsp;</b></h4><p style="text-align: justify; ">આમ, મરીન સેવાઓ, ટ્રેડિંગ અને બિઝનેસ લોન મળીને કુલ રૂપિયા 20564637ની મસમોટી રકમ બાકી રાખી, ધંધાકીય સંબંધોનો દુરુપયોગ કરી  વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને, કરોડોના આ આર્થિક કૌભાંડના દસ્તાવેજો એકત્ર કરી આગળની ઊંડી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/sandesh-digital-explainer-gujarat-monsoon-10-years-history" target="_blank"><b>Sandesh Digital Explainer : મેઘરાજાની એન્ટ્રીનું કાઉન્ટડાઉન..! જાણો છેલ્લા 10 વર્ષમાં ક્યારે વહેલા પધાર્યા અને ક્યારે કરાવ્યો ભારે ઈન્તેઝાર?</b></a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/uxSyNN5s1hLOD958oMRiDX1rv9QCdkImN4Jd1dYg.webp'/></item><item><title><![CDATA[Mumbai Rains: ક્યાંક ઝાડ પડ્યા તો ક્યાંક ચક્કાજામ..જુઓ વરસાદમાં મુંબઇની હાલત ]]></title><link>https://sandesh.com/india/news/mumbai-rains-trees-fell-in-some-places-traffic-jams-in-otherssee-the-condition-of-mumbai-in-the-rain</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/mumbai-rains-trees-fell-in-some-places-traffic-jams-in-otherssee-the-condition-of-mumbai-in-the-rain</guid><pubDate>Wed, 24 Jun 2026 11:40:31 +05:30</pubDate><description><![CDATA[<p><p>મહારાષ્ટ્રમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આવી ગયું છે. મુંબઈમાં ચોમાસાની શરૂઆત સાથે જ ભારે વરસાદનો સિલસિલો પણ શરૂ થઈ ગયો છે. 23 જૂને શહેરમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. દરમિયાન લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનની તૈયારીઓ અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે.&nbsp;</p><h2><b>થાણે બેલાપુર રોડ પર ટ્રાફિક&nbsp;</b></h2><p>ગત રાત્રે ધોધમાર વરસાદ વરસતા આજે મુંબઇકરો પરેશાન થયા હતા. કારણ કે ક્યાંક લોકલ ટ્રેન સેવા પ્રભાવિત થઇ હતી તો ક્યાંક ભારે ટ્રાફિક સર્જાયો હતો. નવી મુંબઇમાં ગત રાતથી ભારે વરસાદને કારણે થાણે-બેલાપુર રોડ પર ટ્રાફિક જામ જોવા મળ્યો છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2069657714721218875"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3><b>દાદરમાં વૃક્ષ ધરાશાયી&nbsp;</b></h3><p>શહેરમાં ભારે વરસાદ ચાલુ હોવાથી દાદર વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થતાં એક કારને નુકસાન થયું હતું. બીએમસીએ&nbsp; મુંબઈ, થાણે, રાયગઢ, પાલઘર અને સિંધુદુર્ગ જિલ્લામાં મધ્યમથી તીવ્ર વરસાદ માટે ઓરેન્જ ચેતવણી આપી છે.&nbsp;</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2069644398858842599"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h3><b>કિંગ્સ સર્કલ ખાતે પાણી ભરાયા</b></h3><p>ગઈકાલ રાતથી સતત ભારે વરસાદને કારણે મુંબઈ શહેરના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ ગયા છે.&nbsp; કિંગ્સ સર્કલ પરથી સવારના દ્રશ્યો સામે આવ્યા હતા. જ્યાં બસના ટાયર પણ ડૂબે તેટલા પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા હતા.&nbsp;</p><p><a  target="_blank" style="background-color: rgb(255, 255, 255);"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2069600598182486036"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p>તો મુંબઇમાં&nbsp; ગઇકાલથી જ વરસાદી માહોલ જામતા ઠેર ઠેર પાણી તો ભરાયા હતા પરંતુ મુંબઇકરોને બફારામાંથી રાહત મળી હતી. મુંબઇનું વાતાવરણ આજે સવારે વાદળછાયુ જોવા મળ્યું. વાતાવરણ આલ્હાદક જોવા મળતા લોકોમાં ખુશી જોવા મળી. આ માહોલને માણવા લોકો મરીન ડ્રાઇવ પર આવી પહોંચ્યા હતા.&nbsp; મરીન ડ્રાઇવ પરથી સવારના દ્રશ્યો ખરેખર અદભૂત હતા. એક તરફ ધીમી ધારે વરસાદ પડી રહ્યો હતો.&nbsp;</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2069631754831565176"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p>પહેલા વરસાદમાં જ બીએમસીની પોલ ખૂલી ગઇ હતી. હજી તો વરસાદ આવ્યાને એક જ દિવસ થયો છે ત્યાં તો ઠેર ઠેર વરસાદી પાણી ભરાઇ ગયા હતા. શાળાએ જતા બાળકો હોય કે પછી ઓફિસ જનાર લોકો. તમામ લોકો વરસાદને કારણે પરેશાન થયા હતા.&nbsp;</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2069614560370381174"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p></p><p><h4><b>મુંબઇમાં ચોમાસુ મોડુ પહોંચ્યું&nbsp;</b></h4><p>દક્ષિણ પશ્ચિમ ચોમાસુ મંગળવાર, 23 જૂને મુંબઈમાં પહોંચ્યું. તે તેની સામાન્ય શરૂઆતની તારીખ કરતાં 13 દિવસ મોડું પહોંચ્યું. મુંબઈમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 10 જૂન છે. IMD એ જણાવ્યું હતું કે ચોમાસાએ હવે મધ્ય અરબી સમુદ્રના બાકીના ભાગો, મહારાષ્ટ્રના વધારાના વિસ્તારો - મુંબઈ સહિત - તેલંગાણા અને ઓડિશાના બાકીના ભાગો અને છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગોને આવરી લીધા છે. હવામાન વિભાગ અનુસાર, 2023 માં પણ ચોમાસુ 25 જૂને મુંબઈમાં પહોંચ્યું હતું. સૌથી લાંબો વિલંબ 1974 અને 1958 માં થયો હતો, જ્યારે ચોમાસુ 28 જૂને પહોંચ્યું હતું.</p><p><br></p></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/oSijerZmn0hbyQvVG1yBPTlR2xjdzJksTAjKdc2f.webp'/></item><item><title><![CDATA[Bangladesh: ભગવાન રામનું અપમાન, હિંદુ સમુદાયે વિરોધે..ભારતે બાંગ્લાદેશ સરકારને લગાવી ફટકાર ]]></title><link>https://sandesh.com/india/news/bangladesh-hindu-community-protests-against-insult-to-lord-ram-india-slams-bangladesh-government</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/bangladesh-hindu-community-protests-against-insult-to-lord-ram-india-slams-bangladesh-government</guid><pubDate>Wed, 24 Jun 2026 11:03:27 +05:30</pubDate><description><![CDATA[<p>બાંગ્લાદેશમાં હિંદુઓ પ્રત્યે થઇ રહેલા અત્યાચાર તથા હવે તો દેવી દેવતાઓનું પણ અપમાન થતા બાંગ્લાદેશમાં રહેતા હિંદુ સમુદાય આકરા પાણીએ જોવા મળ્યો છે. આ અંગે ભારત સરકારે પણ નોંધ લીધી છે.&nbsp;</p><h2><b>બાંગ્લાદેશમાં ભગવાન રામનુ અપમાન !</b></h2><p>મહત્વનું છે કે ગાયબંધામાં, ભગવાન રામ પ્રત્યે દર્શાવવામાં આવેલા અનાદર સામે હિન્દુ સમુદાયે મોટા પાયે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેના જવાબમાં, ભારતે બાંગ્લાદેશી સરકારને સખત ઠપકો આપ્યો અને ધાર્મિક લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરી. તેઓએ કહ્યું કે&nbsp; અમે બાંગ્લાદેશમાંથી એવા અહેવાલો જોયા છે કે હિન્દુ દેવતાઓના ચિત્રો સાથે અપવિત્ર કૃત્યો થયા છે..અમારી આશા છે કે બાંગ્લાદેશ સરકાર ઉગ્રવાદી જૂથોને રોકશે અને લઘુમતીઓના રક્ષણની ખાતરી આપશે.</p><p><b style="font-size: 1.75rem;">બાંગ્લાદેશમાં રામની પ્રતિમા નિર્માણને અટકાવ્યું&nbsp;</b></p><p>પડોશી બાંગ્લાદેશમાં તારિક રહેમાનના નેતૃત્વમાં નવી સરકારની રચના બાદ એવી અપેક્ષાઓ હતી કે ઇસ્લામિક કટ્ટરપંથીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે. જો કે&nbsp; તેમ થયુ નહીં.&nbsp; તેના બદલે, આ જૂથો દ્વારા લાદવામાં આવેલું દબાણ વધુ તીવ્ર બન્યું છે. ગાયબંધામાં ભગવાન રામની 81 ફૂટ ઊંચી પ્રતિમાના નિર્માણને અટકાવવાથી આ સ્પષ્ટ થાય છે. માનવાધિકાર સંગઠન JMBF એ આ પગલા પર ચિંતા વ્યક્ત કરતા આરોપ લગાવ્યો કે સરકારનો નિર્ણય ઇસ્લામિક કટ્ટરપંથી જૂથોના દબાણ હેઠળ લેવામાં આવ્યો છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ians_india/status/2069390681920204850"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3><b>હિંદુ સમુદાય રસ્તા પર ઉતરી આવ્યો&nbsp;</b></h3><p>વિરોધમાં, સ્થાનિક હિન્દુ સમુદાય રસ્તાઓ પર ઉતરી આવ્યો, મોટા પાયે પ્રદર્શનો કર્યા. જ્વલંત મશાલો લઈને, તેઓએ તેમની ધાર્મિક લાગણીઓ પર હુમલો માનીને તેની નિંદા કરી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે મંગળવારે બાંગ્લાદેશી સરકાર પાસેથી કડક પગલાં લેવાની માંગ કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારત બાંગ્લાદેશી સરકાર પાસેથી કટ્ટરપંથીઓ પર લગામ લગાવવાની અને હિન્દુ લઘુમતીઓની સંપૂર્ણ સલામતી સુનિશ્ચિત કરવાની સંપૂર્ણ અપેક્ષા રાખે છે.</p><p><b style="font-size: 1.75rem;">પ્રતિમાનું બાંધકામ 12 જૂને બંધ કરાયુ&nbsp;</b></p><p>માનવાધિકાર સંગઠન 'જસ્ટિસ મેકર્સ બાંગ્લાદેશ ઇન ફ્રાન્સ' અનુસાર, આ મહિનાની શરૂઆતમાં મંદિરમાં પ્રતિમાના નિર્માણના સમાચાર સામે આવતાની સાથે જ સ્થાનિક ઇસ્લામિક સંગઠનોએ આ પ્રોજેક્ટનો ઉગ્ર વિરોધ કર્યો હતો. રેલીઓ યોજાઈ હતી, પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને સરકારી અધિકારીઓને ઔપચારિક ફરિયાદો રજૂ કરવામાં આવી હતી. તણાવ વધવા અને સંભવિત હિંસાના ડરથી, મંદિર વહીવટીતંત્રે 12 જૂને બાંધકામ કાર્ય અટકાવી દીધું હતું.</p><p>ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં ધાર્મિક લઘુમતીઓને વારંવાર નિશાન બનાવવામાં આવી રહ્યા છે.&nbsp; બાંગ્લાદેશમાં અશાંતિ અને રાજકીય અસ્થિરતા વચ્ચે, ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતી સમુદાયોની સલામતી અંગે વારંવાર ચિંતા વ્યક્ત કરી છે. તેમ છતાં, પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી.&nbsp; આ ઘટના બાંગ્લાદેશના પોતાના બંધારણ અને વૈશ્વિક માનવાધિકાર ધોરણોની વિરુદ્ધ છે. સંગઠને સરકાર દ્વારા સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/UAhK4ofElGafjYzFy7Jm3Vg9FuB63FmdXsK3p3r7.webp'/></item><item><title><![CDATA[Monsoon 2026: વરસાદમાં 42%નો ભારે ઘટાડો, 315 જિલ્લાઓને બચાવવા કેન્દ્ર સરકાર લાગ્યું કામે ]]></title><link>https://sandesh.com/business/news/monsoon-2026-huge-42-reduction-in-rainfall-central-government-works-to-save-315-districts</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/monsoon-2026-huge-42-reduction-in-rainfall-central-government-works-to-save-315-districts</guid><pubDate>Wed, 24 Jun 2026 11:02:14 +05:30</pubDate><description><![CDATA[<p>દેશમાં ચોમાસાની શરૂઆતમાં જ ખેડૂતો અને સરકારની ચિંતા વધી ગઈ છે. ચાલુ સીઝનમાં સામાન્ય કરતાં 42% ઓછો વરસાદ નોંધાયો છે, જેના કારણે ખરીફ પાકો (ખાસ કરીને ડાંગર, કઠોળ અને તેલીબિયાં) ની વાવણી પર ગંભીર અસર પડી રહી છે. અલ નીનોની આ અસરને પહોંચી વળવા અને પાકોને બચાવવા માટે કેન્દ્ર સરકારે યુદ્ધના ધોરણે આકસ્મિક યોજના (Emergency Strategy) તૈયાર કરી છે. દેશના સૌથી વધુ પ્રભાવિત 315 જિલ્લાઓ માટે વિશેષ એક્શન પ્લાન જાહેર કરાયો છે.</p><p>કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે નબળા ચોમાસાનો સામનો કરવા માટે દેશની સજ્જતાની સમીક્ષા કરી હતી. તેમણે પાણીની બચત, વૈકલ્પિક પાકોની પસંદગી અને વૈજ્ઞાનિક પદ્ધતિથી વાવણી કરવા પર ભાર મૂક્યો છે. હવામાન વિભાગના અંદાજ મુજબ ૨ જુલાઈ સુધી ચોમાસું નબળું રહી શકે છે. આ સંકટ છતાં, 22 જૂન સુધીમાં 11.99 મિલિયન હેક્ટર જમીન પર વાવણી થઈ ચૂકી છે, જે ગયા વર્ષ કરતાં થોડી વધારે છે, પરંતુ સોયાબીનની વાવણી પાછળ રહી ગઈ છે.</p><h2><b>315 જિલ્લાઓને 3 કેટેગરીમાં વહેંચાયા:</b></h2><p>કૃષિ મંત્રાલય અને ICAR એ વરસાદની અછત વાળા સંવેદનશીલ જિલ્લાઓને ત્રણ ભાગમાં વહેંચ્યા છે:</p><p>ઉચ્ચ અગ્રતા : 111 જિલ્લાઓ, જ્યાં સિંચાઈની સુવિધા 25% થી ઓછી છે.</p><p>મધ્યમ અગ્રતા: 76 જિલ્લાઓ, જ્યાં સિંચાઈ 25-50% વચ્ચે છે.</p><p>ઓછા સંવેદનશીલ: 128 જિલ્લાઓ, જ્યાં જળાશયોના કારણે સિંચાઈની વ્યવસ્થા પ્રમાણમાં સારી છે. આ જિલ્લાઓ મુખ્યત્વે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં આવેલા છે.</p><h3><b>સરકારની મુખ્ય ભલામણો અને પગલાં:</b></h3><p>કેન્દ્ર સરકારે રાજ્યોને સૂચના આપી છે કે તેઓ ખેડૂતોને ઓછું પાણી માગી લે તેવા પાકો જેવા કે કઠોળ, તેલીબિયાં અને મોટા અનાજ (મિલેટ્સ) તરફ વાળે. ઉપરાંત, ઓછા સમયમાં તૈયાર થતી અને આબોહવાને અનુકૂળ બીજની જાતોનો ઉપયોગ વધારવા જણાવાયું છે. પાણીના યોગ્ય ઉપયોગ માટે તળાવો, નહેરો અને ચેકડેમની સફાઈ કરવાના આદેશ અપાયા છે.</p><p>ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે દેશના 731 કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (KVK) ને સક્રિય કરવામાં આવ્યા છે, જે એસએમએસ અને વોટ્સએપ દ્વારા ખેડૂતોને સલાહ આપશે. આ સાથે જ સરકારે સ્થિતિ પર નજર રાખવા 'અલ નીનો મોનિટરિંગ સેલ' અને 'ક્રોપ વેધર વોચ ગ્રુપ' ની પણ રચના કરી છે.</p><p><a href="https://sandesh.com/lifestyle/news/immunity-booster-this-rs-10-item-is-a-natural-immunity-booster-expert-explains-its-surprising-benefits" target="_blank">આ પણ વાંચો:Immunity Booster: 10 રુપિયાની આ વસ્તુ છે નેચરલ ઈમ્યુનિટી બૂસ્ટર, એક્સપર્ટે ગણાવ્યા આશ્ચર્યજનક ફાયદા</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/0d28yVudcQUY653QsFkgIw2Yw9AdOCxUlHYck1k9.webp'/></item><item><title><![CDATA[Bhavnagar : SGSTનો સપાટો, કોસમોસ કોમ્પ્યુટર ગ્રુપની કરોડોની કરચોરી પકડાઈ, 1.50 કરોડ ભરવા આદેશ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/bhavnagar-sgst-raid-cosmos-computer-group-1-crore-tax-evasion-updates</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/bhavnagar-sgst-raid-cosmos-computer-group-1-crore-tax-evasion-updates</guid><pubDate>Wed, 24 Jun 2026 10:28:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં કરચોરો અને જીએસટીના નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગે લાલ આંખ કરી છે. ભાવનગર શહેરમાં જાણીતા કોસમોસ કોમ્પ્યુટર ગ્રુપ પર જીએસટી વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડાની સઘન કાર્યવાહી આખરે ચોથા દિવસે પૂર્ણ થઈ છે. ટેક્સ ચોરીના હેતુથી સરકારને અંધારામાં રાખી કરોડો રૂપિયાનું ટર્નઓવર છુપાવ્યું હોવાના મજબૂત પુરાવા મળતા, વિભાગ દ્વારા કોસમોસ ગ્રુપને તાત્કાલિક ધોરણે રૂપિયા ૧.૫૦ કરોડનો ટેક્સ અને દંડ ભરવાનો કડક આદેશ જારી કરવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>કંપની સ્કીમની મર્યાદા બહાર જઈને વ્યવહારો કરતી</b></h2><p style="text-align: justify; ">મળતી વિગતો અનુસાર, ભાવનગરની આ પ્રતિષ્ઠિત આઈટી અને કોમ્પ્યુટર પેઢી સરકારી સ્કીમની મર્યાદા બહાર જઈને વ્યવહારો કરતી હોવાની અને મોટું ટર્નઓવર ચોપડે દર્શાવ્યા વગર છુપાવતી હોવાની ચોક્કસ બાતમી એસજીએસટીની વિજિલન્સ ટીમને મળી હતી. આ શંકાસ્પદ આર્થિક હેરાફેરીના આધારે જીએસટી વિભાગની સર્વેલન્સ ટીમે શનિવારથી જ કોસમોસ કોમ્પ્યુટર ગ્રુપના વિવિધ સ્થળો પર એકસાથે દરોડા પાડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>સર્ચ ઓપરેશનની કાર્યવાહી સતત 4 દિવસ સુધી અવિરત ચાલી&nbsp;</b></h3><p style="text-align: justify; ">શનિવારથી શરૂ થયેલી આ મેગા સર્ચ ઓપરેશનની કાર્યવાહી સતત 4 દિવસ સુધી અવિરત ચાલી હતી. આ લાંબી તપાસ દરમિયાન અધિકારીઓએ પેઢીના કોમ્પ્યુટર રાઈઝ્ડ ડેટા, પાકા-કાચા બિલ બુક, બેંક ખાતાઓ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનની બારીકાઈથી ચકાસણી કરી હતી. એસજીએસટીની ટીમે તપાસ કરતા જ બિલ વગરના કરોડોના વ્યવહારો અને મોટી કરચોરી સપાટી પર આવી ગઈ હતી.</p><h4 style="text-align: justify; "><b>પેઢીને 1. 50 કરોડ ભરવાનો આદેશ&nbsp;</b></h4><p style="text-align: justify; ">છેવટે ચાર દિવસના અંતે આ કાર્યવાહી પૂર્ણ જાહેર કરાઈ છે અને તમામ પુરાવાઓને આધારે કસૂરવાર પેઢીને 1. 50 કરોડ સરકારી તિજોરીમાં જમા કરાવવાનો આદેશ અપાયો છે. ભાવનગરના વેપારી આલમમાં આ લાંબી રેડ અને કરોડોના દંડને પગલે ફફડાટ વ્યાપી ગયો છે. જીએસટી વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, હજુ પણ આગામી દિવસોમાં આવી અન્ય શંકાસ્પદ પેઢીઓ સામે પણ કડક પગલાં લેવામાં આવી શકે છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/sandesh-digital-explainer-gujarat-monsoon-10-years-history" target="_blank"><b> Sandesh Digital Explainer : મેઘરાજાની એન્ટ્રીનું કાઉન્ટડાઉન..! જાણો છેલ્લા 10 વર્ષમાં ક્યારે વહેલા પધાર્યા અને ક્યારે કરાવ્યો ભારે ઈન્તેઝાર?</b></a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/BbfmJ4TKgeAGAyI8kzulql4CccNtc1t6V0OUXfUx.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : સુભાષબ્રિજના પિલ્લર નબળા પડ્યા, રિપોર્ટમાં મોટો ખુલાસો, હવે આખો બ્રિજ તોડી નવો બનાવાશે! ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-subhash-bridge-to-be-demolished-new-bridge-amc-updates</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-subhash-bridge-to-be-demolished-new-bridge-amc-updates</guid><pubDate>Wed, 24 Jun 2026 09:41:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના સાબરમતી નદી પરના સૌથી વ્યસ્ત એવા સુભાષબ્રિજને લઈને એક અત્યંત મહત્વના અને મોટા સમાચાર સામે આવ્યા છે. કન્સલ્ટન્ટ એજન્સી અને ટેક્નિકલ ટીમ દ્વારા સુભાષબ્રિજ અંગે સાદર કરવામાં આવેલા લેટેસ્ટ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ બ્રિજના પિલ્લર સમય જતાં ટેક્નિકલ રીતે નબળા પડી ગયા છે. સુરક્ષાના આ ગંભીર મુદ્દાને ધ્યાને રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે આ જૂના બ્રિજને સંપૂર્ણપણે તોડી પાડવાનો મોટો નિર્ણય લેવાઈ શકે તેમ છે.</p><h2 style="text-align: justify; "><b>પોતાનો કડક અભિપ્રાય આપતા જણાવ્યું&nbsp;</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, કન્સલ્ટન્ટ એજન્સીએ AMCને પોતાનો કડક અભિપ્રાય આપતા જણાવ્યું છે કે, લાંબા ગાળાના આયોજન અને જનતાની સલામતીના ભાગરૂપે આ નબળા પડી ગયેલા જૂના પિલ્લર તોડીને તેની જગ્યાએ નવો અને વધુ પહોળો બ્રિજ બનાવવો જ એકમાત્ર શ્રેષ્ઠ વિકલ્પ છે. સુરક્ષા એજન્સીના આ રિપોર્ટ બાદ મનપા તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે.</p><h3 style="text-align: justify; "><b>&nbsp;સુપર સ્ટ્રક્ચરને તોડી પાડવામાં આવ્યું</b></h3><p style="text-align: justify; ">ઉલ્લેખનીય છે કે, હાલ પૂરતી બ્રિજની ઉપરની છત એટલે કે સુપર સ્ટ્રક્ચરને તોડી પાડવામાં આવ્યું છે. બ્રિજની ક્ષતિઓ અને તેની આંતરિક નબળાઈઓ તપાસવા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં પિલ્લરનું આયુષ્ય પૂરું થઈ ગયું હોવાનું અને તે નબળા પડ્યા હોવાનું સાબિત થયું છે.</p><h4 style="text-align: justify; "><b>બ્રિજ આખો તોડીને નવો બનાવવાનો નિર્ણય&nbsp;</b></h4><p style="text-align: justify; ">સુભાષબ્રિજ એ આશ્રમ રોડ, વાડજ અને શાહીબાગ તથા આરટીઓ સર્કલને જોડતો મુખ્ય માર્ગ છે. જો આ બ્રિજ આખો તોડીને નવો બનાવવાનો નિર્ણય સત્તાવાર રીતે લાગુ થશે, તો આગામી સમયમાં આ રૂટ પર મોટા પાયે ટ્રાફિક ડાયવર્ઝન આપવું પડશે. જો કે, લાખો વાહનચાલકોની રોજિંદી સલામતી માટે પેચવર્ક કરવાને બદલે નવો આધુનિક બ્રિજ બનાવવાનો એજન્સીનો આ અભિપ્રાય આવકારદાયક માનવામાં આવી રહ્યો છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; <a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/sandesh-digital-explainer-gujarat-monsoon-10-years-history" target="_blank"><b>&nbsp;Sandesh Digital Explainer : મેઘરાજાની એન્ટ્રીનું કાઉન્ટડાઉન..! જાણો છેલ્લા 10 વર્ષમાં ક્યારે વહેલા પધાર્યા અને ક્યારે કરાવ્યો ભારે ઈન્તેઝાર?</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/XDj1RKi5QFIE4cH7w58HNsYEXIMbPvMrj36s18wR.webp'/></item><item><title><![CDATA[Cristiano Ronaldoએ ફિફા વર્લ્ડ કપમાં રચ્યો ઇતિહાસ, આવું કરનાર પ્રથમ ખેલાડી બન્યો ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/cristiano-ronaldo-created-history-in-the-fifa-world-cup-becoming-the-first-player-to-do-so</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/cristiano-ronaldo-created-history-in-the-fifa-world-cup-becoming-the-first-player-to-do-so</guid><pubDate>Wed, 24 Jun 2026 09:02:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પોર્ટુગલ ફિફા વર્લ્ડ કપમાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આજે પોર્ટુગલ ઉઝબેકિસ્તાનનો સામનો કરી રહ્યું છે. આ મેચની શરૂઆતની મિનિટોમાં રોનાલ્ડોએ પોર્ટુગલને લીડ અપાવી હતી. રોનાલ્ડોએ છઠ્ઠી મિનિટમાં ગોલ કરીને ટીમને 1-0ની લીડ અપાવી હતી. રોનાલ્ડોએ જોઆઓ કેન્સેલોની તકનો લાભ ઉઠાવ્યો અને ગોલ કર્યો. ફિફા વર્લ્ડ કપમાં આ રોનાલ્ડોનો 10મો ગોલ હતો. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો માટે આ એક ઐતિહાસિક ગોલ છે, અને તેણે એક વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો. તે છ વર્લ્ડ કપમાં ગોલ કરનાર પ્રથમ ખેલાડી બન્યો.</p><h4 style="text-align: justify; "><b>રોનાલ્ડો પોર્ટુગલનો સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો</b></h4><p style="text-align: justify; ">આ ગોલ સાથે, રોનાલ્ડો ફિફા વર્લ્ડ કપ ઇતિહાસમાં પોર્ટુગલનો સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બની ગયો છે, તેણે યુસેબિયોની બરાબરી કરી છે. યુસેબિયોએ 1966 વર્લ્ડ કપમાં કુલ નવ ગોલ કર્યા હતા. રોનાલ્ડોએ હવે પોર્ટુગલ માટે 10 ગોલ કર્યા છે. આ સંદર્ભમાં, તેણે યુસેબિયોને પાછળ છોડી દીધો છે. રોનાલ્ડોએ 2006 અને 2026 વર્લ્ડ કપ વચ્ચે આ ગોલ કર્યા હતા.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://x.com/FIFAWorldCup/status/2069496208876278116?s=20" target="_blank">https://x.com/FIFAWorldCup/status/2069496208876278116?s=20</a></p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>પહેલા હાફમાં રોનાલ્ડોએ બે ગોલ કર્યા</b></h4><p style="text-align: justify; ">પોર્ટુગલ અને ઉઝબેકિસ્તાન વચ્ચેની મેચમાં, રોનાલ્ડોએ છઠ્ઠી મિનિટમાં પહેલો ગોલ કર્યો અને પછી 39મી મિનિટે પોતાનો બીજો ગોલ કર્યો. રોનાલ્ડોના શાનદાર રમત અને નુનો મેન્ડેસના ગોલને કારણે, પોર્ટુગલે હાફ ટાઇમ સુધીમાં ઉઝબેકિસ્તાન પર 3-0ની લીડ મેળવી લીધી. પોર્ટુગલ હવે બીજા હાફમાં આ વર્ચસ્વ જાળવી રાખવાનો પ્રયાસ કરશે.</p><h5><div style="text-align: justify;"><b><br></b></div><b><div style="text-align: justify;"><b style="font-size: 1.25rem;">રોનાલ્ડો ટુર્નામેન્ટના પહેલા મેચમાં એક પણ ગોલ કરી શક્યો નહીં</b></div></b></h5><p style="text-align: justify; ">પોર્ટુગલના શરૂઆતના મેચમાં કોંગો સામે 1-1થી ડ્રો થવાથી ટીમ પર ભારે દબાણ આવ્યું. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તે મેચમાં પોતાના નબળા પ્રદર્શન માટે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો. કેટલાક લોકોએ એવો પણ દાવો કર્યો કે ટીમ પ્રથમ મેચ જીતવામાં નિષ્ફળ રહેવાનું કારણ રોનાલ્ડો હતા. જોકે, રોનાલ્ડોએ ફરી એકવાર વર્લ્ડ કપના એક મોટા મેચમાં શાનદાર ગોલ કરીને પોતાના ટીકાકારોને જવાબ આપ્યો.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/lionel-messi-creates-new-history-becomes-the-highest-scorer-in-the-world-cup" target="_blank"> Lionel Messiએ રચ્યો નવો ઈતિહાસ,વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/bZFkFUWUsiLV7XoMzcB8ZDZ3QVZDjrLIxxPClYdh.webp'/></item><item><title><![CDATA[Surat : જમીન સોદાના નામે ખેડૂતનો વિશ્વાસ જીતી 2.14 કરોડ સેરવી લીધા,પટેલ બંધુઓની મોટી 'ગેમ' ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-land-scam-farmer-cheated-2-crore-patel-brothers-pal-police-complaint</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-land-scam-farmer-cheated-2-crore-patel-brothers-pal-police-complaint</guid><pubDate>Wed, 24 Jun 2026 08:31:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતમાં જમીન કૌભાંડ અને છેતરપિંડીના કિસ્સાઓ રોજેરોજ વધી રહ્યા છે, ત્યારે સુરતના પાલ વિસ્તારમાંથી કરોડો રૂપિયાની ઠગાઈનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં જમીન સોદાના નામે ખરવાસા ગામના એક નિર્દોષ ખેડૂતને પોતાની જાળમાં ફસાવીને પાલ ગામના બે પટેલ બંધુઓએ રૂપિયા 2.14 કરોડની અધધ રકમની છેતરપિંડી આચરી છે. આ મામલે ભોગ બનનાર ખેડૂતે છેવટે ન્યાય મેળવવા માટે પાલ પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>જમીનનો સોદો પાલ ગામના પટેલ બંધુઓ સાથે નક્કી થયો</b></h2><p style="text-align: justify; ">મળતી વિગતો અનુસાર, ખરવાસા ગામના ખેડૂતની કિંમતી જમીનનો સોદો પાલ ગામના પટેલ બંધુઓ સાથે નક્કી થયો હતો. શરૂઆતમાં બધું નિયમ મુજબ ચાલતું હોય તેમ ખેડૂતે કાયદેસરના સ્ટેમ્પ પેપર પર સહમતી કરાર (એગ્રીમેન્ટ) કરીને જમીન આ પટેલ બંધુઓના નામે વેચવા માટેની તૈયારી બતાવી હતી.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>સહી-સિક્કા થઈ ગયા પછી અસલી ખેલ શરૂ&nbsp;</b></h2><p style="text-align: justify; ">જો કે, સોદો પાકો થયા બાદ અને સ્ટેમ્પ પેપર પર સહી-સિક્કા થઈ ગયા પછી અસલી ખેલ શરૂ થયો હતો. કરાર મુજબ નક્કી કરેલી સમયમર્યાદામાં પટેલ બંધુઓએ ખેડૂતને આપવાની થતી બાકીની કરોડોની રકમ ચૂકવી ન હતી.</p><h3 style="text-align: justify; "><b>ખોટા વાયદા આપીને ટલ્લે ચડાવતા હતા</b></h3><p style="text-align: justify; ">ખેડૂત જ્યારે પોતાના રૂપિયાની ઉઘરાણી કરતો, ત્યારે આ ગઠિયાઓ તેને વાયદા બજારના ખોટા વાયદા આપીને ટલ્લે ચડાવતા હતા. આ દરમિયાન, પટેલ બંધુઓએ ખેડૂતને સંપૂર્ણ વિશ્વાસમાં લઈ, તેની જાણ બહાર અથવા ફોસલાવીને આ કિંમતી જમીન ત્રીજી જ વ્યક્તિ (અન્ય ખરીદદાર)ને બારોબાર વેચી મારી હતી. જમીન વેચીને કરોડો રૂપિયા ખિસ્સામાં સેરવી લીધા હોવા છતાં, આ શઠ તત્વોએ મૂળ માલિક એવા ગરીબ ખેડૂતને એક પણ રૂપિયો આપ્યો ન હતો અને 2.14 કરોડની મસમોટી ઠગાઈ આચરી હાથ ઊંચા કરી દીધા હતા.</p><h4 style="text-align: justify; "><b>ખેડૂતે આખરે પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી&nbsp;</b></h4><p style="text-align: justify; ">પોતાની જમીન પણ ગઈ અને રૂપિયા પણ ન મળ્યા, ત્યારે છેતરાયા હોવાનો અહેસાસ થતાં પીડિત ખેડૂતે આખરે પાલ પોલીસ સ્ટેશનમાં બંને આરોપી પટેલ બંધુઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને કરોડો રૂપિયાના જમીન કૌભાંડની આસપાસના અન્ય તાર મેળવવા અને આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp;<a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/sandesh-digital-explainer-gujarat-monsoon-10-years-history" target="_blank"><b> &nbsp; Sandesh Digital Explainer : મેઘરાજાની એન્ટ્રીનું કાઉન્ટડાઉન..! જાણો છેલ્લા 10 વર્ષમાં ક્યારે વહેલા પધાર્યા અને ક્યારે કરાવ્યો ભારે ઈન્તેઝાર?</b></a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/PhrS39081URp0EO0DJpKqdLI7nXQDGHyzf0sHH5O.webp'/></item><item><title><![CDATA[Chhotaudepur: છોટાઉદેપુર ને.હા. 56 પર બ્રિજમાં ઉગેલા વૃક્ષ દૂર કરવા ઉઠેલી માગ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-56-</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-56-</guid><pubDate>Wed, 24 Jun 2026 05:51:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">છોટાઉદેપુર જિલ્લા સહિત ગુજરાત રાજ્ય અને મધ્યપ્રદેશને જોડતો નેશનલ હાઈવે નંબર 56 ઉપર તથા સ્ટેટ હાઈવે 62 ઉપર નાની મોટી નદીઓની ઉપર તથા ઓરસંગ નદી ઉપર આવેલા બ્રિજની સાઈડોની દિવાલોમાં વૃક્ષની ડાળી ઝાડી ઝાંખરા સહિત અનેક વેલા ઉગી નીકળ્યા છે. જે આ સરકારી સંપતિ અને લોક ઉપયોગી બ્રિજને નુકસાનકારક છે. જેના મૂળિયા બ્રિજની દીવાલો ફડી નાખે તો નવાઈ નહી.</p><p style="text-align: justify; ">જિલ્લામાં નદીઓ પર ના ઘણા બ્રિજો જર્જરિત છે. જેનું સમારકામ હાલ તંત્ર દ્વારા ચાલે છે. પરંતુ બ્રિજની કાળજી યોગ્ય પ્રમાણમાં લેવાતી નથી. બ્રિજની સાઈડોમાં ઊગી નીકળેલા ઝાડી ઝાંખરા દૂર કરાય તો તેની દીવાલોને નુકસાન થાય નહી. આ દીવાલોનું આયુષ વધી જાય. પરંતુ સજાગ તંત્રના ધ્યાને આ વાત આવતી નથી. જે અચરજ પમાડે તેમ છે. આવનારા દિવસોમાં ચોમાસુ આવવાનું હોય ભારે વરસાદ સમયમાં આ મૂળિયાંને પાણી વધુ મળશે. અને મોટા થશે તે પહેલા તેને દૂર કરવા માંગ ઉઠી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/1Qdyn0ji0o0w3gh9KvXrjSUMxLzqRDwjTAPz8tVq.webp'/></item></channel></rss>