<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Junagadh : ગિરનાર પર સિંહે બાળક પર કર્યો જીવલેણ હુમલો, મોઢામાં દબોચી જંગલમાં ભાગ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/junagadh/junagadh-girnar-lion-attack-child-death-forest-news</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/junagadh/junagadh-girnar-lion-attack-child-death-forest-news</guid><pubDate>Sat, 11 Jul 2026 07:53:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પવિત્ર યાત્રાધામ જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પરથી એક અત્યંત આઘાતજનક અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ગિરનારની સીડીઓ પર સિંહે એક માસૂમ બાળક પર જીવલેણ હુમલો કર્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકના યાત્રિકો અને સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ અને અરેરાટી વ્યાપી ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>સિંહે માસૂમ બાળક પર તરાપ મારી</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી અનુસાર, એક પરિવાર પોતાના માસૂમ બાળક સાથે ગિરનાર પર્વત ચડવા જઈ રહ્યો હતો. આ દરમિયાન ગિરનારની સીડીઓ પાસે અચાનક એક ખૂંખાર સિંહ આવી ચડ્યો હતો. પરિવાર કઈ સમજે તે પહેલા જ સિંહે માસૂમ બાળક પર તરાપ મારી દીધી હતી.</p><h3 style="text-align: justify; "><b>મોઢામાં દબોચીને સીધો ગિરનારના ગાઢ જંગલ તરફ ભાગી છૂટ્યો</b></h3><p style="text-align: justify; ">સિંહના અચાનક થયેલા આ હુમલાથી આખો પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો અને ચીસાચીસ કરી મૂકી હતી. જોકે, સિંહ બાળકને પોતાના મોઢામાં દબોચીને સીધો ગિરનારના ગાઢ જંગલ તરફ ભાગી છૂટ્યો હતો.</p><h4 style="text-align: justify; "><b>બાળકના માત્ર માનવ અવશેષો જ હાથ લાગ્યા</b></h4><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં જ વન વિભાગનો મોટો કાફલો અને સ્થાનિક સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. વન વિભાગ દ્વારા જંગલના ઊંડાણપૂર્વકના વિસ્તારોમાં બાળકને શોધવા માટે યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ કમનસીબે, જંગલમાંથી માસૂમ બાળકના માત્ર માનવ અવશેષો જ મળી આવ્યા હતા, જે જોઈને વનકર્મીઓ અને પરિવારના સભ્યોના કાળજા ફાટી ગયા હતા.</p><h4 style="text-align: justify; "><b>વન વિભાગની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો&nbsp;</b></h4><p style="text-align: justify; ">ગિરનારના પગથિયાં પર બનેલી આ ઘટનાએ વન વિભાગની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા કર્યા છે. સામાન્ય રીતે ગિરનાર પર શ્રદ્ધાળુઓની સતત અવરજવર હોય છે, ત્યારે આ પ્રકારે સિંહના હુમલાની ઘટનાથી યાત્રિકોની સુરક્ષાને લઈને ભયનો માહોલ સર્જાયો છે. હાલમાં વન વિભાગે આ નરભક્ષી બનેલા સિંહને પાંજરે પૂરવા માટેની તજવીજ અને ચક્રો ગતિમાન કર્યા છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો :&nbsp;&nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-south-gujarat-heavy-rain-floods-reasons-geography-urban-planning-issues-updates" target="_blank"><b>Sandesh Digital Explainer : દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર! આખરે દર વર્ષે આ જ વિસ્તાર સૌથી વધુ કેમ ડૂબે છે? વાંચો એક જ ક્લિકમાં</b></a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/XPn7amYEuO78hoVwzSbF3j4dAeu7jZz8wDhgRHHz.webp'/></item><item><title><![CDATA[Vadodara: શહેરને મળી વધુ 20 નવી ઈ-બસ, આગામી સોમવારથી રોડ પર દોડતી થશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/receives-20-new-electric-buses-total-fleet-reaches-50-rto-approved</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/receives-20-new-electric-buses-total-fleet-reaches-50-rto-approved</guid><pubDate>Sat, 11 Jul 2026 07:51:03 +05:30</pubDate><description><![CDATA[<p>વડોદરા શહેરમાં દિન-પ્રતિદિન વધી રહેલી ટ્રાફિકની સમસ્યા અને વાયુ પ્રદૂષણને અટકાવવા માટે વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમને ગ્રીન એનર્જી તરફ વાળવામાં આવી રહી છે. આ કવાયતના ભાગરૂપે, મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને કેન્દ્રીય સ્માર્ટ સિટી ગ્રાન્ટ હેઠળ વડોદરા શહેરને વધુ ૨૦ નવી ઇલેક્ટ્રિક બસો ફાળવવામાં આવી છે. આ નવી બસોનો જથ્થો વડોદરા આવી પહોંચતા જ પરિવહન વિભાગના અધિકારીઓ દ્વારા તેને સેવામાં લેવા માટેની કાનૂની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી.</p><h2><b>RTO કામગીરી પૂર્ણ અને સોમવારથી લોન્ચિંગ</b></h2><p>કોઈપણ નવી કોમર્શિયલ બસને રસ્તા પર ઉતારતા પહેલા તેનું આરટીઓ (RTO) રજિસ્ટ્રેશન, પૂરતો વીમો, સેફ્ટી ઓડિટ અને ફિટનેસ સર્ટિફિકેટ મેળવવું ફરજિયાત હોય છે. વડોદરા પ્રાદેશિક પરિવહન કચેરી દ્વારા પ્રાથમિકતાના ધોરણે આ તમામ 20 ઈ-બસોની સત્તાવાર ચકાસણી અને નંબર પ્લેટની પ્રક્રિયાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તમામ ટેક્નિકલ પરિમાણો યોગ્ય જણાતા આ બસો સત્તાવાર રીતે સિટી બસ ઓપરેટર્સને સોંપી દેવામાં આવી છે. વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, આગામી સોમવાર એટલે કે 13 જુલાઈ બાદ આ તમામ બસોને અલગ-અલગ રૂટ પર જનતાની સેવા માટે દોડતી કરી દેવામાં આવશે.</p><h3><b>યાત્રિકોને મળશે સુવિધા, પ્રદૂષણ ઘટશે</b></h3><p>વડોદરામાં અગાઉ પ્રથમ તબક્કામાં 30 ઇલેક્ટ્રિક બસો ફાળવવામાં આવી હતી, જે હાલમાં શહેરના મુખ્ય રૂટો પર સફળતાપૂર્વક દોડી રહી છે અને નાગરિકો તરફથી પણ તેને સારો પ્રતિસાદ મળ્યો છે. હવે નવી 20 બસો ઉમેરાતા કુલ સંખ્યા 50 થઈ ગઈ છે, જેના કારણે બસની ફ્રિકવન્સી (આવવાનો સમય) સુધરશે અને પ્રવાસીઓને લાંબો સમય સુધી બસ સ્ટોપ પર રાહ જોવી પડશે નહીં. આ એર-કંડિશન્ડ બસોમાં સીસીટીવી કેમેરા, જીપીએસ (GPS) ટ્રેકિંગ સિસ્ટમ અને ઈમરજન્સી પેનિક બટન જેવી સુરક્ષા સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. પાલિકા દ્વારા હવે પૂર્વ, પશ્ચિમ અને સબ-અર્બન (ગ્રામ્ય બોર્ડર) વિસ્તારોને જોડતા નવા રૂટોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેથી વધુમાં વધુ નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓ આ પર્યાવરણલક્ષી બસ સેવાનો લાભ લઈ શકે.</p><p><b><a href="https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-gujarat-weather-forecast-imd-monsoon-update-news" target="_blank">આ પણ વાંચો: Monsoon 2026 : ગુજરાતમાં આગામી દિવસોમાં રહેશે સામાન્ય વરસાદ, દ.ગુજરાત, સૌરાષ્ટ્રમાં પડશે ઝાપટાં</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/mSNjTm7IojEEocBVTctNdUtmmsEQmxU76w8ctNlk.webp'/></item><item><title><![CDATA[Vadodara: પોરની શાળામાં ડ્રગ્સમુક્ત ભારત અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને માર્ગદર્શન ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-guidance-for-students-under-drug-free-india-campaign-at-pors-school</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-guidance-for-students-under-drug-free-india-campaign-at-pors-school</guid><pubDate>Sat, 11 Jul 2026 04:43:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા : વડોદરા શહેર નજીક પોર સ્થિત શ્રી સી સી પટેલ ગ્લોબલ સ્કૂલ ખાતે તાજેતરમાં ડ્રગ્સમુક્ત ભારત અભિયાન અંતર્ગત NACIN, ભારત સરકારના એડિશનલ આસિસ્ટન્ટ ડિરેક્ટરવિનિય મહંતો, પ્રેમસિંગ, હિમાંશુ રાજ, પુરુષોત્તમ, અક્ષય, હર્ષ અને ભાવનાસીંગની ઉપસ્થિતિમાં ધો.8થી 12ના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના 150થી વધુ વિદ્યાર્થીઓને ડ્રગ્સ મુક્તિ અને નાર્કોટ્રેક અંગે માર્ગદર્શન અપાયું હતું. જે પ્રસંગે ટ્રસ્ટી ચિરાગ પટેલ અને આચાર્ય હેતલ પટેલની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને ડ્રગ્સના દૂષણને ડામવા તથા તેનાથી દૂર રહેવાના શપથ લેવડાવ્યા હતા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/GbEt5VjDjxZIXA8iiV8foAWBMXnEVqv8IYZxZL96.webp'/></item><item><title><![CDATA[Chhotaudepur: છોટાઉદેપુરમાં ફૂડ વિભાગ દ્વારા ખાદ્યપદાર્થોનું દુકાનોમાં ચેકિંગ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-food-department-checks-food-items-in-shops-in-chhotaudepur</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-food-department-checks-food-items-in-shops-in-chhotaudepur</guid><pubDate>Sat, 11 Jul 2026 04:43:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નાગરિકોના આરોગ્યને ધ્યાને રાખી જિલ્લા કલેકટર ગાર્ગી જૈનના માર્ગ દર્શન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર-છોટાઉદેપુરના ડેઝિગ્નેટેડ ઓફ્સિર પી.એમ.શાહની ઉપસ્થિતીમાં છોટાઉદેપુરમાં આવેલી ખાણી-પીણીની હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની જોગવાઈઓ અન્વયે આકસ્મિક તપાસ હાથ ધરાઇ હતી. ઝુંબેશ દરમિયાન ટીમ દ્વારા આધુનિક ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ (FSW) ટેસ્ટિંગ વાનનો ઉપયોગ કરાયો હતો. તંત્રની ટીમ દ્વારા જિલ્લા સેવા સદન રોડ તેમજ તેની આસપાસના વિસ્તારો જેવા કે શાકમાર્કેટ અને મુખ્ય બજારમાં સઘન ચેકિંગ કરીને કુલ 20 જેટલી પેઢીઓની તપાસ કરાઇ હતી. સ્થળ પર જ કુલ 35 જેટલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓનું પરીક્ષણ કરાયું હતું. આ તપાસ દરમિયાન અંદાજીત 10 કિલોગ્રામ જેટલો વાસી તેમજ બિનઆરોગ્યપ્રદ (અનહાઇજેનિક) સ્થિતિમાં સંગ્રહ કરી રાખેલો ખાદ્ય પદાર્થ અને 2 કિલોગ્રામ જેટલો હાનિકારક ફૂડ કલર મળી આવતા તંત્ર દ્વારા આ આખા જથ્થાનો સ્થળ પર જ નાશ કરાયો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/WIxfqJBZ1CUBXK8i6LO1OMKpaEymEmjSuziquFjr.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: ભાણસાહેબ ગુરુગાદી કમીજલા મુકામે સાહિત્ય વિમર્શ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-a-literary-discussion-seminar-program-was-held-at-bhansaheb-gurugadi-kamijla-mukam</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-a-literary-discussion-seminar-program-was-held-at-bhansaheb-gurugadi-kamijla-mukam</guid><pubDate>Sat, 11 Jul 2026 01:19:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સાણંદ : વિરમગામ તાલુકાના કમીજલા મુકામે આવેલ રવિભાણ સંપ્રદાયના સ્થાપક સંતશ્રી ભાણસાહેબની ચેતનસમાધિ મુકામે સમાધિસ્થાનના મહંતશ્રી મહામંડલેશ્વર પૂજ્ય જાનકીદાસબાપુના સાનિધ્યમાં ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદના સંયુકત ઉપક્રમે યોજાયેલા આ સેમિનારમાં રવિભાણપરંપરાના સાહિત્ય વિશે ગુજરાતભરમાંથી પધારેલા વિદ્વાનોએ અભ્યાસપૂર્ણ વકતવ્યો આપ્યા હતા. આ સેમિનારમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ કવિ હર્ષદ ત્રિવેદી, બ્રહ્મચારી આશ્રામ-ગોતરકાના નિજાનંદસ્વામી, દલપત પઢિયાર, આનંદઆશ્રામ- ઘોઘાવદરના મહામંડલેશ્વર નિરંજન રાજ્યગુરુ, ડ ત્રિકાલદાસજી, પૂર્વ ક્લેકટર અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી સંતસાહિત્ય વિશે સંશોધન કરી રહેલ સંશોધકો, વિદ્વાનો, અધ્યાપકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/Q4wrqIRTOCpQiSRN9ogJ7gWia6wduzwkKoEBZd1L.webp'/></item><item><title><![CDATA[Auto News: આ નવી ઇલેક્ટ્રિક SUV ટૂંક સમયમાં થશે લોન્ચ, ગ્રાહકો માટે એક ગેમ-ચેન્જર ઓફર! ]]></title><link>https://sandesh.com/business/news/automobile/auto-news-this-new-electric-suv-will-be-launched-soon-a-game-changer-offer-for-customers</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/auto-news-this-new-electric-suv-will-be-launched-soon-a-game-changer-offer-for-customers</guid><pubDate>Fri, 10 Jul 2026 23:37:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કિયા ઈન્ડિયા ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં ધમાકો કરવા માટે તૈયાર છે. કંપની જુલાઈ 2026ના અંતિમ સપ્તાહમાં પોતાની નવી Kia Syros EV રજૂ કરવા જઈ રહી છે, ત્યારબાદ ઓગસ્ટ 2026માં તેને સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવી શકે છે. ભારતમાં લોન્ચ થયા પછી આ શાનદાર ઇલેક્ટ્રિક કારનો સીધો મુકાબલો Tata Nexon EV અને Mahindra XUV 3XO EV જેવી લોકપ્રિય ઇલેક્ટ્રિક SUV સાથે થશે. ખાસ વાત એ છે કે આ કાર ભારતમાં કંપનીની સૌથી નાની અને સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર હશે.</p><h2 style="text-align: justify; "><b>પેટ્રોલ મોડલ પર આધારિત ડિઝાઇન અને આધુનિક ફીચર્સ</b></h2><p style="text-align: justify; ">કિયા સાયરોસ EVને તેના પેટ્રોલ મોડલને ઇલેક્ટ્રિક વર્ઝનમાં બદલીને તૈયાર કરવામાં આવી રહી છે. આ જ કારણે તેના એક્સટેરિયર (બહાર) અને ઇન્ટિરિયર (અંદર)માં કેટલાક ખાસ ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) સંબંધિત ફેરફારો જોવા મળશે. આ કારમાં આધુનિક લુક આપવા માટે બંધ ગ્રીલ, નવા ડિઝાઇનના એરો-ફ્રેન્ડલી એલોય વ્હીલ્સ અને ડાબી બાજુના ફ્રન્ટ ફેન્ડર પર ચાર્જિંગ ફ્લેપ આપવામાં આવશે. કારની અંદર ગ્રાહકોને ખાસ EV સોફ્ટવેર અપડેટ્સની સાથે વ્હીકલ-ટુ-લોડ (V2L) અને વ્હીકલ-ટુ-વ્હીકલ (V2V) જેવી અદભૂત ટેક્નોલોજી પણ મળી શકે છે.</p><h3 style="text-align: justify; "><b>કેરેન્સ ક્લેવિસ EV સાથે પાવરટ્રેન શેરિંગ</b></h3><p style="text-align: justify; ">આ નવી ઇલેક્ટ્રિક એસયુવી પાવરફુલ K1 પ્લેટફોર્મ પર આધારિત હશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાયરોસ EVમાં આપવામાં આવનારા 42kWh અને 51.4kWhના બેટરી પેક આગામી Kia Carens Clavis EV સાથે શેર કરવામાં આવે તેવી અપેક્ષા છે. કંપની આગામી અઠવાડિયામાં આ કારના ફીચર્સ અને કિંમત અંગેની સત્તાવાર માહિતી જાહેર કરશે, પરંતુ શરૂઆતી અહેવાલો મુજબ આ પાવરટ્રેન કારને ખૂબ જ દમદાર બનાવશે.</p><h4 style="text-align: justify; "><b>નાની સાઇઝના કારણે મળશે શાનદાર રેન્જ</b></h4><p style="text-align: justify; ">સાયરોસ EV તેના નાના કદ અને હળવા વજનના કારણે, સમાન બેટરી પેક હોવા છતાં કેરેન્સ ક્લેવિસ EV કરતા વધુ લાંબી રેન્જ આપશે. માહિતગાર કરી દઈએ કે કેરેન્સ ક્લેવિસ EV 42kWhની બેટરી સાથે 404 કિમી અને 51.4kWhની બેટરી સાથે 490 કિમીની ARAI-પ્રમાણિત રેન્જનો દાવો કરે છે. જ્યારે તેનાથી વિપરીત, સાયરોસ EV નાના બેટરી પેક સાથે 443 કિમી સુધીની અને મોટા 51.4kWh બેટરી પેક સાથે 520 કિમી સુધીની શાનદાર રેન્જ પ્રદાન કરશે. જો આ આંકડા સાચા સાબિત થશે, તો તે પોતાની કેટેગરીમાં સૌથી વધુ રેન્જ આપતી ઇલેક્ટ્રિક કાર બની જશે.</p><h5 style="text-align: justify; "><b>લાઇફટાઇમ બેટરી વોરંટીની મોટી યોજના</b></h5><p style="text-align: justify; ">ગ્રાહકોનો ભરોસો જીતવા માટે કિયા ઈન્ડિયા આ કાર સાથે એક ક્રાંતિકારી ઓફર લાવવાની યોજના બનાવી રહી છે. કંપની સાયરોસ EV સાથે 15 વર્ષ અથવા આજીવન (લાઈફટાઈમ) બેટરી વોરંટી આપવાનું વિચારી રહી છે, જે આ સેગમેન્ટમાં અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ અને ગ્રાહકો માટે ફાયદાકારક ઓફર સાબિત થશે.</p><h6 style="text-align: justify; "><b>સ્ટાન્ડર્ડ વોરંટી અને એક્સટેન્શનના વિકલ્પો</b></h6><p style="text-align: justify; ">લાઇફટાઇમ બેટરી વોરંટી સિવાય ગ્રાહકોની સુરક્ષા માટે આ ઇલેક્ટ્રિક SUV પર 3 વર્ષની સ્ટાન્ડર્ડ (સ્ટાન્ડર્ડ) વોરંટી પણ આપવામાં આવશે. એટલું જ નહીં, ગ્રાહકો પાસે આ સ્ટાન્ડર્ડ વોરંટીને વધારીને 7 વર્ષ અથવા 1.6 લાખ કિલોમીટર સુધી લંબાવવાનો (એક્સટેન્ડ કરવાનો) વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે, જે કાર ખરીદનારાઓ માટે ચિંતામુક્ત સવારીની ખાતરી આપશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/automobile" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/ajoFws8ntEg0UHmFZ4NYcP0rRMy0QD7hdOFDU99I.webp'/></item><item><title><![CDATA[વાંચો 11 જુલાઈના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે ]]></title><link>https://sandesh.com/india/news/gujarat/11-july-top-news-important-16-events-history-world-population-day-gujarat-news</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/gujarat/11-july-top-news-important-16-events-history-world-population-day-gujarat-news</guid><pubDate>Fri, 10 Jul 2026 22:22:54 +05:30</pubDate><description><![CDATA[<p>11 જુલાઈનો દિવસ વૈશ્વિક અને સ્થાનિક સ્તરે અનેક મોટી ઘટનાઓનો સાક્ષી રહ્યો છે. એક તરફ આજે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી થઈ રહી છે, તો બીજી તરફ ગુજરાતમાં શિક્ષકોનું આંદોલન, ખોડલધામનો મેગા બ્લડ કેમ્પ અને મુખ્યમંત્રીના પ્રવાસથી રાજકારણ ગરમાયું છે. મનોરંજન જગતમાં 'જેઠાલાલ' તરીકે જાણીતા દિલીપ જોશીનો આજે જન્મદિવસ છે, જ્યારે ઈતિહાસમાં આજનો દિવસ મુંબઈ ટ્રેન બ્લાસ્ટના કાળા દિવસ તરીકે પણ નોંધાયેલો છે. દેશભરમાં ચોમાસાની આફત વચ્ચે 20 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.</p><h2><b>સાયબર ફ્રોડ કેસમાં 18 આરોપીઓની ધરપકડ</b></h2><p>સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે 11 જુલાઈના રોજ એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજાશે. જેમાં વડોદરા, ભાવનગર અને રાજકોટમાં અલગ-અલગ ગેંગ દ્વારા મ્યુલ એકાઉન્ટ મારફતે આચરવામાં આવેલા 3 સાયબર ફ્રોડ કેસોમાં 18 આરોપીઓની ધરપકડ અંગે વિગતો જાહેર કરાશે.</p><h2><b>શિક્ષકોનું ગાંધીનગરમાં મોટું આંદોલન</b></h2><p>શિક્ષકો માટે TET પરીક્ષા ફરજિયાત બનાવવાના મુદ્દે રાજ્યભરના શિક્ષકો 11 જુલાઈના રોજ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કરશે. આ આંદોલનમાં વિવિધ શિક્ષક સંગઠનોના પ્રતિનિધિઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સરકાર સમક્ષ રજૂઆતો કરશે.</p><h2><b>અશોક ગેહલોતની ગુજરાત મુલાકાત</b></h2><p>રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત 11 જુલાઈના રોજ ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. તેમના દ્વારા રામ મંદિર વિવાદ પર એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેના પર રાજકીય નજર રહેશે.</p><h2><b>સરસપુરમાં ભગવાન જગન્નાથજીના મામેરાના દર્શન</b></h2><p>સરસપુર ખાતે ભગવાન જગન્નાથજીના મામેરાના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે વર્ષો જૂની પરંપરા બદલાશે અને બે અલગ-અલગ જગ્યાએ મામેરા થશે. વાસણ શેરીમાં 11 જુલાઈના રોજ સવારે 9:00 વાગ્યે અને સરસપુર મંદિર ખાતે 10:00 વાગ્યે મામેરા દર્શન યોજાશે.</p><h2><b>ખોડલધામ ટ્રસ્ટ દ્વારા મેગા રક્તદાન કેમ્પ</b></h2><p>ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલનો 11 જુલાઈના રોજ જન્મદિવસ છે, જે નિમિત્તે મેગા રક્તદાન કેમ્પ યોજાશે. આ કાર્યક્રમ દરમિયાન વર્ષ 2027 ની ચૂંટણીને લઈને કોઈ મહત્વના પોલિટિકલ અપડેટ્સ મળી શકે છે.</p><h2><b>સીએમ ભૂપેન્દ્ર પટેલના બનાસકાંઠામાં કાર્યક્રમો</b></h2><p>11 જુલાઈના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી બનાસકાંઠાના વડગામ તાલુકાના ધારેવાડા ગામ નજીક ખાનગી હોસ્પિટલના ભૂમિપૂજનમાં હાજરી આપશે. ત્યારબાદ સીએમ પાલનપુરના ચડોતર નજીક બનાસ કમલમ ખાતે પહોંચશે.</p><h2><b>રાધનપુરમાં કરોડોના વિકાસકામોનું લોકાર્પણ</b></h2><p>11 જુલાઈના રોજ રાધનપુર ખાતે કરોડોના ખર્ચે તૈયાર થયેલ બનાસ બેંકની માર્કેટયાર્ડ શાખાના નવનિર્મિત મકાન, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના નવા કાર્યાલય અને ખેડૂત આરામ ભવનનો લોકાર્પણ સમારોહ યોજાશે. જેમાં શંકર ચૌધરી, જીતુભાઈ વાઘાણી અને ધારાસભ્ય લવિંગજી હાજર રહેશે.</p><h2><b>સ્વદેશી યુદ્ધપોત 'INS મહેન્દ્રગિરિ' નૌસેનામાં સામેલ</b></h2><p>11 જુલાઈના રોજ બ્રહ્મોસ મિસાઈલથી સજ્જ સ્વદેશી યુદ્ધપોત 'INS મહેન્દ્રગિરિ' ભારતીય નૌસેનામાં સામેલ થશે. 75% સ્વદેશી ટેકનિકથી બનેલું આ પ્રોજેક્ટ 17A યુદ્ધપોત દુશ્મનના રડારથી બચીને પ્રહાર કરવામાં સક્ષમ છે.</p><h2><b>પીએમ મોદીના વિદેશ પ્રવાસનો અંતિમ દિવસ</b></h2><p>વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 3 દેશોના પ્રવાસનો 11 જુલાઈના રોજ છેલ્લો દિવસ છે. ઇન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયાની મુલાકાત લીધા બાદ પીએમ મોદી હાલ ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે.</p><h2><b>સીએમ યોગી આદિત્યનાથનો ગોરખપુર પ્રવાસ</b></h2><p>11 જુલાઈના રોજ ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ ગોરખપુરના પ્રવાસે રહેશે. તેઓ અંદાજે 697 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી 4 રોડ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે અને 54 કરોડથી વધુની 7 નવી વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે.</p><h2><b>પંજાબ કોંગ્રેસમાં આંતરિક બેઠક</b></h2><p>પંજાબમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ તેજ થયો છે. પંજાબ કોંગ્રેસ પ્રભારી ભૂપેશ બઘેલ અને ચરણજીત સિંહ ગુટની 11 જુલાઈના રોજ સવારે 10:00 વાગ્યે ચંદીગઢમાં રાણા ગુરજીતના નિવાસે બેઠક મળશે.</p><h2><b>કર્ણાટકના બેલગાવીમાં RSSની બેઠક</b></h2><p>RSSની પ્રાંત પ્રચારક બેઠક કર્ણાટકના બેલગાવીમાં ચાલી રહી છે, જેનો 11 જુલાઈના રોજ બીજો દિવસ છે. આ બેઠકમાં દેશભરના 46 પ્રાંતો અને 11 ક્ષેત્રોના પ્રચારકો ભાગ લઈ રહ્યા છે.</p><h2><b>કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુનો ઉત્તરાખંડ પ્રવાસ</b></h2><p>કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ 11 જુલાઈના રોજ ઉત્તરાખંડના પ્રવાસે રહેશે. તેઓ દેહરાદૂનના પરેડ ગ્રાઉન્ડ ખાતે છઠ્ઠા 'લોક સંવર્ધન પર્વ'નું ઉદ્ઘાટન કરશે, જેમાં દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત પ્રદર્શિત કરાશે.</p><h2><b>ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન ગયાની મુલાકાતે</b></h2><p>ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન 11 જુલાઈના રોજ બિહારના ગયાની મુલાકાતે પહોંચશે અને ત્યાં નિર્ધારિત વિવિધ સરકારી અને સામાજિક કાર્યક્રમોમાં હિસ્સો લેશે.</p><h2><b>વિશ્વ વસ્તી દિવસ 2026&nbsp;</b></h2><p>દર વર્ષે 11 જુલાઈએ વિશ્વ વસ્તી દિવસ ઉજવાય છે. વસ્તી વિસ્ફોટની વૈશ્વિક સમસ્યા પ્રત્યે જનજાગૃતિ લાવવા સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા 1989માં આની શરૂઆત થઈ હતી. 11 જુલાઈ 1987ના રોજ વિશ્વની વસ્તી 5 અબજ વટાવી ગઈ હોવાથી તેને 'પાંચ અબજ દિન' પણ કહે છે. હાલ દુનિયાની વસ્તી 8 અબજ છે, જેમાં ભારત 1.4 અબજ સાથે મોખરે છે.</p><h2><b>મહીસાગરમાં નેશનલ લોક અદાલતનું આયોજન</b></h2><p>11 જુલાઈના રોજ મહીસાગર જિલ્લામાં મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એમ.એન. ગડકરીના માર્ગદર્શન હેઠળ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટર અકસ્માત, ચેક રિટર્ન, લગ્ન સંબંધિત વિવાદો અને વીજળી-પાણીના બિલના કેસોનો સમાધાન દ્વારા નિકાલ કરાશે.</p><ul><li><b>11 જુલાઈની ઐતિહાસિક ઘટનાઓ</b></li><li>1899 - ફિયાટ કંપની - જીઓવાન્ની એગ્નેલી દ્વારા ઇટાલીના તુરીનમાં પ્રખ્યાત કાર નિર્માતા કંપની FIAT ની સ્થાપના થઈ.</li><li>1922 - હોલીવુડ બાઉલ - પ્રખ્યાત હોલીવુડ બાઉલ એમ્ફીથિયેટર સત્તાવાર રીતે ખુલ્યું.</li><li>1960 - પ્રથમ યુરો કપ - સોવિયેત યુનિયને (USSR) ફાઇનલમાં યુગોસ્લાવિયાને હરાવીને ઇતિહાસનો પ્રથમ યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ ખિતાબ જીત્યો.</li><li>1979 - સ્કાયલેબ દુર્ઘટના - અમેરિકન અવકાશ પ્રયોગશાળા સ્કાયલેબ ક્ષતિગ્રસ્ત થઈને ઓસ્ટ્રેલિયાના પશ્ચિમ કિનારે સમુદ્રમાં તૂટી પડી.</li><li>1982 - ફિફા વર્લ્ડ કપ - ઇટાલીએ પશ્ચિમ જર્મનીને 3-1થી હરાવીને ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો.</li><li>2002 - મહિલા વડાપ્રધાન - ચાંગ શાંગ દક્ષિણ કોરિયાના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા.</li><li>2003 - દોસ્તી બસ - લાહોરમાં 'દોસ્તી બસ' અને દિલ્હીથી 'સદા-એ-સરહદ' બસ સેવા શરૂ થઈ.</li><li>2004 - એશિયન કોન્ફરન્સ - બેંગકોકમાં HIV-AIDS પર એશિયન મિનિસ્ટર્સ કોન્ફરન્સ યોજાઈ.</li><li>2006 - મુંબઈ ટ્રેન બ્લાસ્ટ - મુંબઈની લોકલ ટ્રેનોમાં શ્રેણીબદ્ધ 7 બોમ્બ ધડાકા થયા, જેમાં 200થી વધુ લોકોના મોત થયા અને સેંકડો ઘાયલ થયા.</li><li>2007 - એમ.એફ. હુસૈન - પ્રખ્યાત ચિત્રકાર એમ.એફ. હુસૈને ન્યૂયોર્કના આર્ટ એક્ઝિબિશનમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો.</li><li>2008 - અમેરિકન એરસ્ટ્રાઈક - પાકિસ્તાનના વઝીરિસ્તાન પ્રાંતમાં અમેરિકન હવાઈ હુમલામાં 11 લોકો ઘાયલ થયા.</li><li>2010 - સ્પેન ચેમ્પિયન - જોહાનિસબર્ગમાં નેધરલેન્ડ્સને હરાવીને સ્પેને તેનું પ્રથમ ફિફા વર્લ્ડ કપ ટાઇટલ જીત્યું.</li><li>2021 - ખાનગી અવકાશ યાત્રા - વર્જિન ગેલેક્ટિક કંપનીના સ્થાપક રિચાર્ડ બ્રેન્સને પોતાના સ્પેસક્રાફ્ટ દ્વારા સફળતાપૂર્વક અંતરિક્ષ યાત્રા પૂર્ણ કરી.</li></ul><h2><b>11 જુલાઈના રોજ પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ</b></h2><ul><li>1857 - સી. શંકરન નાયર - ભારતીય ન્યાયાધીશ અને જાણીતા રાજકારણી.</li><li>1899 - સી.એસ. વેંકટાચાર - રાજસ્થાનના ભૂતપૂર્વ બીજા મુખ્યમંત્રી.</li><li>1902 - સરદાર બલદેવ સિંહ - ભારતના પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની, રાજકારણી અને દેશના પ્રથમ રક્ષામંત્રી.</li><li>1920 - વી.આર. નેદુનચેઝિયાન - તમિલનાડુ રાજ્યના ત્રણ વખતના કાર્યકારી મુખ્યમંત્રી.</li><li>1956 - અમિતાભ ઘોષ - પ્રખ્યાત અંગ્રેજી ભાષાના ભારતીય લેખક.</li><li>1967 - દિલીપ જોશી - ભારતીય ટેલિવિઝન જગતના લોકપ્રિય અભિનેતા (તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના 'જેઠાલાલ').</li></ul><h2><b>11 જુલાઈના રોજ પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ</b></h2><ul><li>1912 - ફર્ડિનાન્ડ મોનોયર - આંખની તપાસ માટે ચાર્ટ બનાવનાર પ્રખ્યાત ફ્રેન્ચ નેત્ર ચિકિત્સક.</li><li>1957 - આગા ખાન તૃત્તીય - શિયાઓના નિઝારી ઈસ્માઈલી સંપ્રદાયના જાણીતા આધ્યાત્મિક નેતા.</li><li>2003 - ભીષ્મ સાહની - ભારતના પ્રખ્યાત હિન્દી લેખક અને નાટ્યકાર.</li><li>2011 - રામા રાઘોબા રાણે - પરમવીર ચક્રથી સન્માનિત વીર ભારતીય સૈનિક (સેકન્ડ લેફ્ટનન્ટ).</li></ul><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/makar-sankranti-2026/10-important-news-headlines-of-july-10-top-news-updates" target="_blank">10 જુલાઈના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/LOpHlnB4IWnvtHG6tUDt6iyWe1D2YzSxjRbQljYH.webp'/></item><item><title><![CDATA[Delhi: રાઘવ ચઢ્ઢા બાદ IVPના 16 કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ ગયા ]]></title><link>https://sandesh.com/india/news/16-ivp-councillors-join-bjp-after-raghav-chadha-exit</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/16-ivp-councillors-join-bjp-after-raghav-chadha-exit</guid><pubDate>Fri, 10 Jul 2026 21:19:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાની આગેવાનીમાં સાત સાંસદો ભાજપમાં જોડાયા બાદ દિલ્હીમાં આમ આદમી પાર્ટીથી અલગ થયેલા વધુ એક મોટા જૂથે ભગવો ધારણ કરી લીધો છે.આશરે દોઢ વર્ષ પહેલાં આપમાંથી બગાવત કરીને અલગ થયેલી ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટીના તમામ 16 કોર્પોરેટરો શુક્રવારે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે.દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ હર્ષ મલ્હોત્રાની હાજરીમાં આ વિલીનીકરણ પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.આ સાથે જ દિલ્હી નગર નિગમમાં ભાજપની પકડ વધુ મજબૂત બની ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>MCDમાં ભાજપ બહુમતીથી ઘણું આગળ</b></h2><p style="text-align: justify; ">250 સભ્યોની દિલ્હી નગર નિગમમાં આ 16 કોર્પોરેટરોના આગમન સાથે જ ભાજપના સભ્યોની સંખ્યા વધીને 139 થઈ ગઈ છે.જ્યારે સત્તા ગુમાવ્યા બાદ આમ આદમી પાર્ટી પાસે હવે માત્ર 123 કોર્પોરેટરો જ બચ્યા છે.વર્ષ 2022માં યોજાયેલી એમસીડી ચૂંટણીમાં ભાજપે માત્ર 104 બેઠકો જીતી હતી.પરંતુ સમય જતાં આપમાં ગાબડાં પડતાં ભાજપનું કદ સતત વધતું રહ્યું.આઈવીપીના કોર્પોરેટરોને પક્ષમાં આવકારતા મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે,આ તમામ નેતાઓએ દિલ્હીના વિકાસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.આ એક બહુ સારો સંકેત છે અને હવે તેમના વોર્ડમાં વિકાસ કાર્યો ઝડપી બનશે. શહેરનો વિકાસ એ ભાજપ સરકારની સૌથી મોટી પ્રાથમિકતા છે.</p><h3 style="text-align: justify; "><b>તમામ 16 સભ્યો ભાજપ પરિવારનો ભાગ બન્યા</b></h3><p style="text-align: justify; ">તે જ સમયે ભાજપ પ્રદેશ અધ્યક્ષ હર્ષ મલ્હોત્રાએ માહિતી આપી હતી કે, દોઢ વર્ષ પહેલાં જ્યારે મુકેશ ગોયલ અને હેમચંદ ગોયલની આગેવાનીમાં આપ સરકારના નબળા વહીવટથી કંટાળીને આ જૂથ અલગ પડ્યું હતું ત્યારે IVP ની સ્થાપના થઈ હતી.આજે આ તમામ 16 સભ્યો ભાજપ પરિવારનો ભાગ બન્યા છે.આઈવીપીના પ્રમુખ મુકેશ ગોયલે સ્પષ્ટ કર્યું હતું કે,અમે દોઢ વર્ષ સુધી ભાજપની કાર્યશૈલી જોઈ છે અને અમને સામૂહિક રીતે વિશ્વાસ છે કે સત્તાધારી પક્ષમાં જોડાવાથી અમારા વિસ્તારોનો વિકાસ ઝડપી બનશે.પક્ષમાં કોઈ પદ મેળવવા અંગે કોઈ ચર્ચા થઈ નથી.નિગમમાં જે પણ ભૂમિકા અપાશે તે અમે દિલથી નિભાવીશું.</p><h2 style="text-align: justify; "><b>સેન્ટ્રલ ઝોનની સ્ટેન્ડિંગ કમિટીમાં નામાંકિત થઈ શકે</b></h2><p style="text-align: justify; ">MCDમાં આપ નેતૃત્વ સાથેના મતભેદો બાદ મે 2025માં આ 16 કોર્પોરેટરોએ ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટી નામે અલગ જૂથ બનાવ્યું હતું.આ નેતાઓ એવા સમયે ભાજપમાં જોડાયા છે જ્યારે આગામી વર્ષે જ એમસીડીની ચૂંટણીઓ યોજાવાની છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપમાં જોડાનાર મુકેશ ગોયલને MCDની કોઈ સ્પેશિયલ કમિટીના ચેરમેન બનાવવામાં આવી શકે છે. જ્યારે હેમચંદ ગોયલને સેન્ટ્રલ ઝોનની સ્ટેન્ડિંગ કમિટીમાં નામાંકિત કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે.<br><br><a href="https://sandesh.com/explainer/news/pm-modi-rsquo-s-historic-new-zealand-visit-after-40-years" target="_blank">આ પણ વાંચોઃ Sandesh Digital Explainer: 40 વર્ષ બાદ ભારતના PMનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ, જાણો શું બંને દેશો સંબંધો કેવા છે?</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/xBEwZglSS3eSIPzYlQo9XgfdTowdpiCW9IqG70dv.webp'/></item><item><title><![CDATA[Jaaved Jaaferi: 41 વર્ષથી બોલીવુડમાં... કેમ A-લિસ્ટ ન બની શક્યા જાવેદ જાફરી? સલમાનનું નામ લઈ કહી મોટી વાત ]]></title><link>https://sandesh.com/entertainment/news/jaaved-jaaferi-on-why-he-never-became-an-a-list-star-in-bollywood</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/jaaved-jaaferi-on-why-he-never-became-an-a-list-star-in-bollywood</guid><pubDate>Fri, 10 Jul 2026 18:49:14 +05:30</pubDate><description><![CDATA[<p>બોલીવુડ અભિનેતા જાવેદ જાફરી ધમાલ 4 સાથે ફરી એકવાર મોટા પડદા પર પાછા ફર્યા છે. આ ફિલ્મ આજે 10 જુલાઈએ રિલીઝ થઈ હતી. જાવેદ એક એવો અભિનેતા છે જે છેલ્લા 41 વર્ષથી બોલીવુડનો ભાગ છે. તેમણે 1985 માં આવેલી ફિલ્મ મેરી જંગ થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, જેમાં તેમણે નેગેટિવ ભૂમિકા ભજવી હતી. વર્ષોથી તેમણે ખલનાયકોથી લઈને હાસ્ય કલાકારો સુધીના વિવિધ પાત્રો ભજવ્યા છે. જોકે, તેઓ ક્યારેય એ-લિસ્ટ સ્ટાર બન્યા નથી. તેમણે હવે આ વિશે ખુલીને વાત કરી છે, તેમણે કહ્યું કે આવું કેમ થયું અને તેમને શા માટે મોટું સ્ટારડમ મળ્યું નહીં.</p><p>સલમાન ખાનનું ઉદાહરણ આપતા, જાવેદ જાફરીએ જણાવ્યું કે સફળતા એ અંતિમ પરિબળ છે. તેમણે કહ્યું કે શરૂઆતમાં લોકોએ સલમાનની પહેલી ફિલ્મ બીવી હો તો ઐસી પછી તેને અવગણ્યો હતો, પરંતુ મૈને પ્યાર કિયા હિટ થયા પછી તેની પાછળ ભાગવા લાગ્યા હતા. જાવેદને લાગે છે કે તેમને ક્યારેય આ પ્રકારની મોટી હિટ મળી નથી. તેમણે કહ્યું કે સફળતા મોટી વસ્તુ છે અને આ સિવાય તેમણે PR ગેમનો પણ ઉલ્લેખ કર્યો.&nbsp;</p><h2><b>"હું કોઈ ગ્રુપનો ભાગ નહોતો" - જાવેદ જાફરી</b></h2><p>એક સવાલમાં જાવેદ જાફરીને પૂછવામાં આવ્યું કે તેઓ ક્યારેય એ-લિસ્ટ સ્ટાર કેમ બન્યા નહીં, ત્યારે જાવેદ જાફરીએ કહ્યું, "મને લાગે છે કે તે તમારી છબી કેવી રીતે બનાવવામાં આવે છે તેના પર પણ આધાર રાખે છે. પીઆર આમાં ભૂમિકા ભજવે છે કારણ કે ઈન્ડસ્ટ્રી પાસે પોતાનું નેટવર્ક છે. કેટલીકવાર, તમારા વિશે નકારાત્મક માહિતી ફેલાય છે, અને તમારે સત્ય જાહેર કરવાની અથવા પોઝિટીવ છબી બનાવવાની જરૂર પડે છે. કેટલાક કિસ્સાઓમાં હું તે કરી શક્યો નહીં. હું કોઈ ચોક્કસ ગ્રુપનો ભાગ પણ નહોતો."&nbsp;</p><h3><b>મને મોટી હિટ ફિલ્મ મળી નથી - જાવેદ જાફરી</b></h3><p>તેણે વધુમાં કહ્યું કે, “જો તમને મોટી હિટ મળે છે, તો કોઈ તમારી સાથે દલીલ કરતું નથી. સફળતાથી મોટું કંઈ નથી. સલમાન ખાન સાથે શું થયું તે જુઓ. તેણે બીવી હો તો ઐસી થી શરૂઆત કરી હતી. લોકોએ તેને અવગણ્યો. પછી મૈંને પ્યાર કિયા આવી, અને અચાનક બધા તેની પાછળ દોડવા લાગ્યા. સલમાન ખાન એ જ વ્યક્તિ હતો; એવું નહોતું કે તે બીવી હો તો ઐસી ની તુલનામાં કંઈક અલગ કરી રહ્યો હતો. પરંતુ તે બધું સફળતાને કારણે થયું. સ્વાભાવિક રીતે, તમે તે સફળતા સાથે આગળ વધો છો. તે દ્રષ્ટિકોણથી મને ખરેખર ક્યારેય આટલી મોટી હિટ ફિલ્મ મળી નથી.”</p><h4><b>જાવેદ જાફરીએ તેની પહેલી ફિલ્મ હિટ થવા વિશે શું કહ્યું?</b></h4><p>જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમની પહેલી ફિલ્મ, મેરી જંગ - જેમાં તેમણે ખલનાયકની ભૂમિકા ભજવી હતી - ખરેખર મોટી હિટ સાબિત થઈ હતી, ત્યારે તેમણે કહ્યું, "મને ખલનાયક તરીકે લોન્ચ કરવામાં આવ્યો હતો. તે સમયે, સુભાષ ઘાઈ સૌથી સફળ દિગ્દર્શક હતા અને એન.એન. સિપ્પી એક ટોચના નિર્માતા હતા. તેથી બધાએ ધાર્યું હતું કે કારણ કે તેઓએ મને ખલનાયક તરીકે કાસ્ટ કર્યો છે, મને સમાન ભૂમિકાઓ મળતી રહેશે. અને મેં મારા તરફથી, ખરેખર મારી જાતને તે રીતે સ્થાન આપ્યું ન હતું. પ્રમાણિકપણે હું તેના વિશે વધુ વિચારતો નથી."</p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/entertainment/news/shreya-kalra-claims-kushal-tandon-cheated-on-shivangi-joshi" target="_blank"><b>શિવાંગીને દગો આપી રહ્યો હતો તેનાથી 13 વર્ષ મોટો કુશલ ટંડન! શ્રેયા કાલરાએ કર્યો દાવો</b></a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/DTuwMbPTyD46d8tyFJAjQxCXvhWbM0t1IcPu6UhN.webp'/></item><item><title><![CDATA[FIFA World 2026 : ક્વાર્ટર ફાઇનલમાં સ્પેન અને બેલ્જિયમ વચ્ચે ટક્કર, જાણો હેડ ટૂ હેડ રેકોર્ડ ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-2026-spain-and-belgium-clash-in-the-quarter-finals-know-the-head-to-head-record</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-2026-spain-and-belgium-clash-in-the-quarter-finals-know-the-head-to-head-record</guid><pubDate>Fri, 10 Jul 2026 16:50:34 +05:30</pubDate><description><![CDATA[<p>FIFA વર્લ્ડ કપ 2026ની પહેલી ક્વાર્ટર ફાઇનલ ખૂબ જ રોમાંચક રહી,જેમાં ફ્રાન્સે મોરોક્કોને 2-0 થી હરાવીને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું.ટુર્નામેન્ટની બીજી ક્વાર્ટર ફાઇનલ,જે એટલી જ રોમાંચક રહેવાની અપેક્ષા છે.તે લોસ એન્જલસ સ્ટેડિયમ ખાતે સ્પેન અને બેલ્જિયમ વચ્ચે રમાશે.બંને ટીમોએ ક્વાર્ટર ફાઇનલ સુધીની એક અદ્ભુત સફર કરી છે, જેમાં અત્યાર સુધી કોઈ પણ ટીમે સ્પેન સામે એક પણ ગોલ કર્યો નથી,જ્યારે બેલ્જિયમે તેમની બધી મેચ જીતી છે.બંને ટીમો વચ્ચેની આ મેચ 12 જુલાઈના રોજ ભારતીય સમય મુજબ રાત્રે 12:30 વાગ્યે રમાશે.</p><h4><b>બેલ્જિયમ સામે અત્યાર સુધી સ્પેનનો હાથ ઉપર&nbsp;</b></h4><p>સ્પેન અને બેલ્જિયમ વચ્ચેના હેડ-ટુ-હેડ રેકોર્ડને ધ્યાનમાં લેતા, સ્પેન સ્પષ્ટપણે ઉપર છે, તેણે 12 મેચ જીતી છે. બીજી બાજુ, બેલ્જિયમે ફક્ત પાંચ મેચ જીતી છે, જ્યારે પાંચ ડ્રો રહી છે. બંને ટીમો વચ્ચે ફિફા વર્લ્ડ કપની ટક્કરની વાત કરીએ તો, આ ફક્ત ત્રીજી વખત છે જ્યારે તેઓ એકબીજા સામે મળ્યા છે. આ પહેલા, 1986ના વર્લ્ડ કપમાં, બેલ્જિયમે પેનલ્ટી શૂટઆઉટમાં સ્પેનને 5-4થી હરાવ્યું હતું, જ્યારે 1990માં સ્પેને 2-1થી જીત મેળવી હતી.</p><h4><b>બધાની નજર લેમિન યામાલ પર રહેશે</b></h4><p>આ મેચમાં, બધાની નજર 18વર્ષીય સ્પેનિશ ખેલાડી લેમિન યામાલ પર રહેશે, જે બેલ્જિયમ માટે નોંધપાત્ર ખતરો ઉભો કરી શકે છે. લેમિન યામાલે અત્યાર સુધી ફક્ત એક જ ગોલ કર્યો છે, પરંતુ તેના આક્રમક રમતથી, બેલ્જિયમ તેને ઓછો આંકી શકે તેમ નથી. આ મેચમાં સ્પેનને ટોચનો હાથ માનવામાં આવે છે, જે મોટાભાગે તેમના ગોલકીપર ઉનાઈ સિમોનનો આભાર છે, જેમણે કોઈપણ વિરોધી ટીમને એક પણ ગોલ કરવા દીધો નથી.</p><h5><b>સેમિફાઇનલમાં કોની સામે થશે ટક્કર?</b></h5><p>ફિફા વર્લ્ડ કપ 2026ની સેમિફાઇનલમાં પહોંચ્યા બાદ હવે ફ્રાન્સનો મુકાબલો સ્પેન અથવા બેલ્જિયમ સામે થશે. આ બંને ટીમો વચ્ચેની ક્વાર્ટર ફાઇનલ મેચ બાદ વિજેતા ટીમ ફ્રાન્સ સામે ટકરાશે. બુધવાર, 15 જુલાઈના રોજ ભારતીય સમયાનુસાર (IST) રાત્રે 12:30 વાગ્યે મેચ રમાશે. ફિફા વર્લ્ડકપમાં પોર્ટુગલ બહાર થતા રોનાલ્ડોને જોવા આતુર તેના ચાહકોમાં ઉત્સાહ ઘટયો છે. છતાં મેસ્સી અને એમ્બાપ્પેની શાનદાર રમત લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. ફ્રાન્સે મોરોક્કોને હરાવીને સેમીફાઈનલની ટીકીટ મેળવી લીધી છે. હવે તેની સામે કઈ ટીમ આવશે સ્પેન -બેલ્જિયમની મેચના આગામી પરિણામો કહેશે.</p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/cricket/fifa-world-cup-2026-france-beats-morocco-2-0-to-enter-semi-finals-mbappe-and-dembele-excel" target="_blank"> FIFA World Cup 2026: મોરોક્કોને 2-0થી હરાવી ફ્રાન્સની સેમિફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી, એમ્બાપ્પે અને ડેમ્બેલેનો કમાલ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/dH1FMdh8ARtndBhoT9zFOscZxaRyfc9c1esmlCqd.webp'/></item></channel></rss>