<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Gujarat News: ચૂંટણી પૂરી થઈ ગઈ પણ ભાજપ અને કોંગ્રેસના સંગઠનમાં નિમણૂકો હજી બાકી છે ]]></title><link>https://sandesh.com/gujarat/news/-political-news/ahmedabad/bjp-and-congress-yet-to-complete-key-organizational-appointments-after-local-elections</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/-political-news/ahmedabad/bjp-and-congress-yet-to-complete-key-organizational-appointments-after-local-elections</guid><pubDate>Tue, 09 Jun 2026 18:21:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે. લગભગ મોટાભાગની સંસ્થાઓમાં ભાજપનું શાસન છે. ત્યારે રાજ્યના મુખ્ય બે રાજકીય પક્ષોમાં સંગઠનની કામગીરી હજી અધૂરી છે. ભાજપમાં મહિલા મોરચા સહિત અનેક સેલમાં નિમણૂકો બાકી છે. જ્યારે કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ સિવાય લગભગ તમામ પ્રકારની નિમણૂંકો હજુ અટવાયેલી છે. બંને પક્ષો ટૂંક સમયમાં સંગઠનની કામગીરી પૂર્ણ કરવાની વાતો કરે છે.એક પક્ષ કહે છે કે ચર્ચા ચાલી રહી છે, બીજો પક્ષ કહે છે કે પ્રક્રિયા ચાલી રહી છે. પરંતુ કાર્યકરોને તો બસ એક જ રાહ છે નિમણૂક ક્યારે આવશે?</p><h2 style="text-align: justify; "><b>ચહેરાઓ નક્કી કરવામાં હજુ મંથન ચાલી રહ્યું છે</b></h2><p style="text-align: justify; ">ગુજરાતના રાજકારણમાં ભાજપ અને કોંગ્રેસ બંને એકબીજાને સંગઠનને લઈને સલાહો આપે છે. પરંતુ હાલમાં સ્થિતિ એવી છે કે બંને પક્ષો પોતાનું જ સંગઠન પૂર્ણ કરવામાં વ્યસ્ત થયા છે. ભાજપમાં પ્રદેશ પ્રમુખ અને તેમની ટીમ જાહેર થઈ ચૂકી છે. મોરચાના પ્રમુખોની નિમણૂક પણ થઈ ગઈ છે, પરંતુ મહિલા મોરચા સહિત અનેક સેલ, પ્રકોષ્ઠ અને ડિપાર્ટમેન્ટમાં હજુ હોદ્દેદારોની નિમણૂક બાકી છે. ભાજપનું કહેવું છે કે પાર્ટીમાં દરેક નિર્ણય ચર્ચા-વિચારણા અને સર્વાનુમતે લેવાય છે. રાજકીય ભાષામાં કહીએ તો ખુરશીઓ ઘણી છે પરંતુ તેના માટેના ચહેરાઓ નક્કી કરવામાં હજુ મંથન ચાલી રહ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કારણે નિમણૂકો અટકી હતી</b></h3><p style="text-align: justify; ">ભાજપના મુખ્ય પ્રવક્તા અનિલ પટેલે કહ્યું હતું કે, હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કારણે નિમણૂકો અટકી હતી અને હવે ભાજપના નેતૃત્વની ચર્ચાઓ બાદ તેની તબક્કાવાર કામગીરી કરવામાં આવશે. સંગઠન હવે વધુ વિસ્તર્યું છે અને અનેક પ્રકોષ્ઠો વ્યવસાયિક તથા પ્રોફેશનલ ક્ષેત્ર સાથે જોડાયેલા હોવાથી યોગ્ય વ્યક્તિની પસંદગી માટે સમય લાગી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસની સ્થિતિ પણ કંઈ બહુ અલગ નથી. કોંગ્રેસે સંગઠન સૃજન અભિયાન હેઠળ જિલ્લા, તાલુકા અને શહેરની બોડીઓ જાહેર કરી દીધી છે. પરંતુ પ્રદેશ સ્તરે હજુ અનેક નિમણૂકો બાકી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>જિલ્લા અને તાલુકામાં તબક્કા વાર સંગઠનની નિમણૂકો</b></h2><p style="text-align: justify; ">કોંગ્રેસનું કહેવું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કારણે પ્રક્રિયામાં વિલંબ થયો હતો અને હવે પ્રભારી સાથે ચર્ચા શરૂ થઈ ગઈ છે. ટૂંક સમયમાં બાકી રહેલી નિમણૂકો પૂર્ણ કરવામાં આવશે. કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ કહ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસનો સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ થયો છે. જિલ્લા અને તાલુકામાં તબક્કા વાર સંગઠનની નિમણૂકો થઈ રહી છે. જ્યાં નિમણૂકો બાકી છે ત્યાં પણ તબક્કાવાર કરવામાં આવી રહી છે.&nbsp;<br><br><a href="https://sandesh.com/india/news/plastic-currency-india-will-plastic-notes-come-now-which-will-not-burst-or-deteriorate-in-water" target="_blank">આ પણ વાંચોઃ Plastic Currency India:હવે આવશે પ્લાસ્ટિકની નોટો? જે ના ફાટશે, ના પાણીમાં બગડશે</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/hKG5OHzE3ulNbgT2BvrvYQyXIThsdKv0PevIBneW.webp'/></item><item><title><![CDATA[HDFC બેંકે વધાર્યા લોનના દર,હોમ-કાર લોનની EMI વધશે,જાણો નવા રેટ્સ ]]></title><link>https://sandesh.com/business/news/hdfc-bank-increases-loan-rates-emi-of-home-car-loans-will-increase-know-the-new-rates</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/hdfc-bank-increases-loan-rates-emi-of-home-car-loans-will-increase-know-the-new-rates</guid><pubDate>Tue, 09 Jun 2026 17:58:12 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ખાનગી ક્ષેત્રની સૌથી મોટી HDFC બેંકે પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બેંકે તેના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેસ્ડ લેન્ડિંગ રેટ (MCLR) માં 10 બેસિસ પોઈન્ટ સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે. બેંકના આ નિર્ણય બાદ હવે MCLR સાથે જોડાયેલા હોમ લોન, વ્હીકલ લોન અને પર્સનલ લોન લેનારા ગ્રાહકોના ખિસ્સા પર સીધી અસર પડશે. આવા ગ્રાહકોની માસિક EMI વધી શકે છે અથવા તો લોન ચૂકવવાનો સમયગાળો (ટેન્યોર) લાંબો થઈ શકે છે.</p><h2 style="text-align: justify; "><b>HDFC બેંકના નવા વ્યાજ દરો</b></h2><p style="text-align: justify; ">બેંક દ્વારા અલગ-અલગ લોન ગાળા માટેના MCLR દરોમાં 5 થી 10 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે, જેના પછી હવે બેંકના MCLR રેટ્સ 8.05 ટકાથી વધીને 8.65 ટકાની વચ્ચે પહોંચી ગયા છે. નવા રેટ્સ મુજબ, ઓવરનાઈટ MCLR 8.10 ટકા, એક મહિનાનો MCLR 8.05 ટકા અને એક વર્ષનો MCLR 8.40 ટકા થયો છે. જ્યારે બે વર્ષના ગાળા માટેનો MCLR 10 બેસિસ પોઈન્ટ વધીને 8.55 ટકા પર પહોંચ્યો છે, જે સૌથી મોટો વધારો છે. આ તમામ નવા દરો 8 જૂન 2026 થી અમલમાં આવી ચૂક્યા છે.</p><h3 style="text-align: justify; "><b>રેપો રેટ ન બદલાવા છતાં કેમ વધ્યા દરો?</b></h3><p style="text-align: justify; ">MCLR એ દર છે જેના આધારે બેંકો લોન વ્યાજના દર નક્કી કરે છે. આ દરો નક્કી કરતી વખતે બેંકો માત્ર આરબીઆઈના રેપો રેટને જ ધ્યાનમાં નથી લેતી, પરંતુ ફંડ એકત્રિત કરવાનો ખર્ચ, ડિપોઝિટ પર આપવાનું વ્યાજ અને બજારની સ્થિતિ પણ જોતી હોય છે. હાલમાં ફંડ મેળવવાનો ખર્ચ વધવાને કારણે રેપો રેટ સ્થિર હોવા છતાં બેંકે વ્યાજ દરો વધાર્યા છે.</p><h4 style="text-align: justify; "><b>પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ ભડકો</b></h4><p style="text-align: justify;">સામાન્ય જનતા પર માત્ર બેંકિંગ જ નહીં, પણ બળતણનો પણ નવો બોજ ઝીંકાયો છે. પશ્ચિમ એશિયા અને ઈરાન સંઘર્ષના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો વધતા સરકારી તેલ કંપનીઓએ મે 2026 માં ત્રીજી વખત ઇંધણના ભાવ વધાર્યા છે. દિલ્હીમાં પેટ્રોલ 87 પૈસા મોંઘું થઈને 99.51 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 91 પૈસા વધીને 92.49 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. આ વૈશ્વિક તણાવને કારણે સામાન્ય ગ્રાહકો પર મોંઘવારીનો બેવડો માર પડ્યો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/kangana-ranaut-kangana-accuses-bollywood-mafia-they-wanted-to-put-me-in-jail" target="_blank">આ પણ વાંચો:Kangana Ranaut:બોલિવૂડ માફિયાઓ પર કંગનાનો આરોપ, મને જેલમાં ધકેલવા માંગતા હતા</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/uJxzqmKaLmIaocBbSJitnrRpgL1H0Abr4NwongoU.webp'/></item><item><title><![CDATA[Kangana Ranaut:બોલિવૂડ માફિયાઓ પર કંગનાનો આરોપ, મને જેલમાં ધકેલવા માંગતા હતા ]]></title><link>https://sandesh.com/entertainment/news/kangana-ranaut-kangana-accuses-bollywood-mafia-they-wanted-to-put-me-in-jail</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/kangana-ranaut-kangana-accuses-bollywood-mafia-they-wanted-to-put-me-in-jail</guid><pubDate>Tue, 09 Jun 2026 17:48:02 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલિવૂડની સૌથી બિન્દાસ અને ‘ધાકડ ક્વીન’ તરીકે ઓળખાતી અભિનેત્રી કંગના રનૌત હંમેશા પોતાના બેબાક અંદાજ માટે ચર્ચામાં રહે છે. કંગના હંમેશા કોઈ પણ ફિલ્ટર વગર પોતાની વાત દુનિયા સામે રાખે છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક મોટા રહસ્યો જાહેર કરતી રહે છે. હવે તેણે ફરી એકવાર પોતાના કરિયરના શરૂઆતના દિવસોને લઈને એક ચોંકાવનારો દાવો કર્યો છે. કંગનાનું કહેવું છે કે કરિયરની શરૂઆતમાં તેણે ભારે આલોચનાઓનો સામનો કરવો પડ્યો હતો, એટલું જ નહીં પણ કેટલાક લોકો તેને જેલ ભેગી કરવા માંગતા હતા.</p><h2 style="text-align: justify; "><b>રણવીર સિંહના વિવાદ પર આપ્યું સમર્થન</b></h2><p style="text-align: justify; ">વાસ્તવમાં, છેલ્લા કેટલાક સમયથી અભિનેતા રણવીર સિંહ ફિલ્મ 'ડોન 3' ને લઈને વિવાદોમાં ઘેરાયેલો છે. 'ડોન 3' માંથી બહાર થવા પર ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ (FWICE) દ્વારા રણવીર સિંહ પર પ્રતિબંધ (બાન) મૂકવાની જાહેરાત કરવામાં આવી હતી. FWICE એ રણવીર વિરુદ્ધ અસહકારનો આદેશ જાહેર કર્યો હતો, જેને પાછળથી પાછો ખેંચી લેવાયો છે.</p><p style="text-align: justify; ">રણવીર સિંહ સામે થયેલી આ કાર્યવાહી પર કંગના રનૌતે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે જણાવ્યું કે, વિવાદો ઘણીવાર સફળતાનો એક એવો ભાગ હોય છે જેનાથી બચી શકાતું નથી. રણવીરને લઈને અત્યારે જે આલોચનાઓ કે તપાસ થઈ રહી છે, તે કોઈ નવી કે અનોખી વાત નથી.</p><h3 style="text-align: justify; "><b>‘તારીખો જ તારીખો પડતી હતી’</b></h3><p style="text-align: justify; ">રણવીર સિંહ સાથે થયેલો આ વિવાદ જોઈને કંગનાને પોતાના કરિયરનો એ મુશ્કેલ સમય યાદ આવી ગયો હતો. તેણે કહ્યું કે, તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફથી મળતા વિરોધ અને આલોચનાઓ સાથે જીવવાનું બહુ પહેલાં જ શીખી લીધું હતું. એક રેડિયો ચેનલ સાથેની વાતચીતમાં કંગનાએ મોટો ખુલાસો કરતા કહ્યું— "હા, બિલકુલ... સૌથી પહેલા મને જ બેન કરવામાં આવી હતી. લોકોએ મારા પર મુકદ્દમાઓ ચલાવ્યા, મને કાનૂની રીતે ફસાવવાનો પ્રયત્ન કર્યો અને મને જેલમાં નાખવાની પણ કોશિશ કરી હતી."</p><p style="text-align: justify; ">કંગનાએ વધુમાં ઉમેર્યું કે, "એક સમય એવો હતો જ્યારે મારા પર એટલા બધા કેસ નોંધાયેલા હતા કે મારો વકીલ બસ કોર્ટની તારીખો પર જ ચક્કર કાપી રહ્યો હતો. એવું લાગતું હતું જાણે બસ 'પેશીઓ જ પેશીઓ' થઈ રહી છે. તે સમયે મીડિયાએ પણ મારા પર મોટો પ્રતિબંધ લગાવી દીધો હતો." કંગનાએ હસતા હસતા કહ્યું કે, "હું તો આ બધી બાબતોમાં હવે ગુરુ બની ગઈ છું. મને વર્ષો સુધી આ રીતે બેન કરવામાં આવી છે કે હવે આ બધું મને બાળકોની રમત જેવું લાગે છે અને હું આનાથી ડરતી નથી."</p><h4 style="text-align: justify; "><b>આ દિવસે રિલીઝ થશે કંગનાની આગામી ફિલ્મ</b></h4><p style="text-align: justify; ">વર્કફ્રન્ટની વાત કરીએ તો, કંગના રનૌત આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ 'भारत भाग्य विधाता' (ભારત ભાગ્ય વિધાતા) ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મ 12 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં તે એક એવી જાંબાઝ નર્સની ભૂમિકા ભજવી રહી છે, જેણે 26/11 ના મુંબઈ આતંકી હુમલા દરમિયાન હોસ્પિટલ પર હુમલો થવા છતાં પોતાની જાન જોખમમાં મૂકીને અનેક દર્દીઓના જીવ બચાવ્યા હતા અને બાળકોની ડિલિવરી કરાવી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/india/news/plastic-currency-india-will-plastic-notes-come-now-which-will-not-burst-or-deteriorate-in-water" target="_blank">આ પણ વાંચો:Plastic Currency India: હવે આવશે પ્લાસ્ટિકની નોટો? જે ના ફાટશે, ના પાણીમાં બગડશે</a></p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/OEWEojv2FuYNuGbTSx0QSonb1mZbwZRIpYu26XuN.webp'/></item><item><title><![CDATA[Salman Khan: મિત્રની અંતિમ વિદાયમાં ભાવુક થયા સલમાન ખાન, દુઃખની ઘડીમાં સમગ્ર પરિવાર જોવા મળ્યો એકસાથે ]]></title><link>https://sandesh.com/entertainment/news/india/salman-khan-salman-khan-got-emotional-at-the-final-farewell-of-his-friend-the-entire-family-was-seen-together-in-the-hour-of-grief</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/india/salman-khan-salman-khan-got-emotional-at-the-final-farewell-of-his-friend-the-entire-family-was-seen-together-in-the-hour-of-grief</guid><pubDate>Tue, 09 Jun 2026 17:47:26 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">સલમાનના પારિવારિક મિત્ર કુમુદ રાણે અને તેમના પતિ એકબીજાની ખૂબ જ નજીક હતા. નિકટના મિત્રનું નિધન થતા તેઓ ભાવુક થયા હતા. 
</p><h2 style="text-align: justify; ">હેરસ્ટાઇલિસ્ટનું નિધન 
</h2><p style="text-align: justify; ">સલમાન કુમુદના મૃત્યુથી ખૂબ જ દુઃખી દેખાયા હતા. કુમુદ રાણેના પતિ પણ સલમાન ખાનના નજીકના મિત્ર છે. તેમનું નામ જગ્ગી રાણે છે. કુમુદ હેરસ્ટાઇલિસ્ટ હતા અને મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સલૂન ધરાવતા હતા. કુમુદ કેન્સરથી પીડાતી હતી. હવે તે જીવનની લડાઈ હારી ગઈ છે. સલમાન જ નહીં, પરંતુ અરબાઝ ખાન, સોહેલ ખાન, તેમની માતા સલમા અને હેલન, સોહેલનો પુત્ર નિર્વાન અને અરબાઝ ખાનનો પુત્ર અરહાન પણ તેમના અંતિમ દર્શન કરવા આવ્યા હતા.
</p><h3 style="text-align: justify; ">નિર્વાન ખાન પણ દેખાયો ભાવુક 
</h3><p style="text-align: justify; ">નિર્વાન અને અરહાન ભાવુક જોવા મળ્યા હતા અને એકબીજાને સાંત્વના આપી રહ્યા હતા. કુમુદ રાણે સલમાન ખાનના આખા પરિવારની ખૂબ નજીક હતી. તેના નિધનથી સલમાનના આખા પરિવારને આઘાત લાગ્યો છે. 2025 માં, કુમુદ રાણે અને તેના પતિ જગ્ગી રાણેએ સલમાન ખાન સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી. કુમુદે ઇન્સ્ટાગ્રામ પર સલમાન સાથેનો એક ફોટો પણ શેર કર્યો હતો. 
</p><h4 style="text-align: justify; ">સલમાન કઇ ફિલ્મોમાં ચમકશે ? 
</h4><p style="text-align: justify; ">&nbsp;સલમાન ખાન હાલમાં વામશી પૈદિપલ્લી દ્વારા નિર્દેશિત એક્શન-ડ્રામા ફિલ્મ પર કામ કરી રહ્યા છે. નયનતારા આ ફિલ્મમાં સલમાનની વિરુદ્ધ જોવા મળશે. ફિલ્મનુંશૂટિંગ ચાલી રહ્યું છે, અને આ ફિલ્મ આવતા વર્ષે ઈદ પર સિનેમાઘરોમાં આવશે. નિર્માતાઓએ હજુ સુધી ફિલ્મનું નામ જાહેર કર્યું નથી. સલમાનની "માતૃભૂમિ" પણ આ વર્ષે રિલીઝ થવાની છે. મૂળ 17 એપ્રિલના રોજ રિલીઝ થવાની હતી. પરંતુ ફિલ્મ મુલતવી રાખવામાં આવી હતી. હજુ સુધી નવી રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી નથી. 
</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/-political-news/why-is-north-korea-important-to-china-xi-jinping-said-our-relationship-with-kim-jong-un-is-unbreakable" target="_blank">કેમ મહત્વનું છે China માટે North Korea?, Xi Jinpingએ કહ્યું, Kim Jong Un સાથેના અમારા સંબંધો અતૂટ&nbsp;</a></p><p style="text-align: justify; "><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/n7gVT30FPW69wFBQ5isFA85aJoOUXSlnYvPKbRva.webp'/></item><item><title><![CDATA[Prize Money : ક્રિકેટ વર્લ્ડ કપ કે ફીફા વર્લ્ડ કપ, કયા ટૂર્નામેન્ટમાં મળે છે સૌથી વધુ પ્રાઇઝ મની? ]]></title><link>https://sandesh.com/sports/news/prize-money-cricket-world-cup-or-fifa-world-cup-which-tournament-offers-the-most-prize-money</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/prize-money-cricket-world-cup-or-fifa-world-cup-which-tournament-offers-the-most-prize-money</guid><pubDate>Tue, 09 Jun 2026 17:27:21 +05:30</pubDate><description><![CDATA[<p>ફિફા વર્લ્ડકપની 23મી આવૃત્તિનું આયોજન યુએસએ,મેક્સિકો અને કેનેડા સંયુક્ત રીતે કરી રહ્યા છે.ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે ત્રણ દેશો એક આવૃત્તિનું આયોજન કરી રહ્યા છે.આ પહેલાં ફક્ત બે દેશોએ એકસાથે તેનું આયોજન કર્યું છે.આ વખતે,ટીમોની સંખ્યા વધારીને 48 કરવામાં આવી છે,જેને ચારના 12 જૂથોમાં વહેંચવામાં આવી છે.આ આવૃત્તિ ઇનામ રકમની દ્રષ્ટિએ પણ ઐતિહાસિક હશે,જેમાં અગાઉની આવૃત્તિની તુલનામાં કુલ ઇનામ રકમમાં 49 ટકાનો વધારો થશે.અહીં અમે ફૂટબોલ વર્લ્ડકપ અને ક્રિકેટ વર્લ્ડ કપની ઇનામ રકમ વચ્ચેનો તફાવત સમજાવીએ છીએ.</p><h4><b>ફિફા વર્લ્ડ કપ 11 જૂનથી પ્રારંભ થશે</b></h4><p>
</p><p>વિશ્વની સૌથી મોટી રમતગમત ઇવેન્ટ,ફિફા વર્લ્ડ કપ 11 જૂનથી શરૂ થાય છે.મહિલા T20 વર્લ્ડ કપ 12 જૂનથી શરૂ થાય છે.મહિલા વર્લ્ડ કપમાં કુલ 12 ટીમો ભાગ લઈ રહી છે.જેમાં ભારત અને પાકિસ્તાન ગ્રુપ 1માં છે.તેમનો મુકાબલો રવિવાર 14 જૂને છે.તેની ઇનામ રકમ સાથે ચાલો તમને જણાવીએ કે ભારતીય મહિલા ટીમને આ વર્ષે ODI વર્લ્ડ કપ જીતવા બદલ ઇનામ રકમ તરીકે કેટલી રકમ મળી.ભારતીય પુરુષ ટીમે આ વર્ષે T20 વર્લ્ડ કપ પણ જીત્યો હતો.જાણો તેમની ઇનામી રકમ કેટલી હતી.</p><h4><b>વુમેન્સ T20 વર્લ્ડ કપ પ્રાઇઝમની કેટલી&nbsp;</b></h4><p>
</p><p>વુમેન્સ T20 વર્લ્ડ કપ 2026 ચેમ્પિયન ટીમ માટે US$2,340,000 ની ઇનામી રકમ જાહેર કરવામાં આવી છે. ભારતીય ચલણમાં, આ આશરે ₹22 કરોડ થાય છે. ભારતીય મહિલા ટીમને ODI વર્લ્ડ કપ 2026 જીતવા બદલ ₹4.48 મિલિયન મળ્યા હતા, જે ભારતીય ચલણમાં આશરે ₹39 કરોડ થાય છે.</p><p>
</p><h5><b>ટીમને T20 વર્લ્ડ કપ જીતવા કેટલા પૈસા મળે છે</b></h5><p>સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમે પુરુષોનો T20 વર્લ્ડ કપ 2026 જીત્યો હતો, અને ટીમ ઇન્ડિયાને ₹3 મિલિયન, અથવા આશરે ₹27 કરોડ, ઇનામી રકમ તરીકે મળ્યા હતા. જોકે, ફૂટબોલ વર્લ્ડ કપ વિજેતાની ઇનામી રકમ આના કરતા ઘણી વધારે છે.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/cricket/news/two-deadly-players-of-team-india-pass-fitness-test-will-take-the-field-against-afghanistan" target="_blank">Team Indiaના બે ઘાતક ખેલાડીઓ ફિટનેસ ટેસ્ટમાં પાસ! અફઘાનિસ્તાન સામે મેદાનમાં ઉતરશે</a>
</p><p><br></p><p>
</p><p><br></p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/5WMZtyGRe8qT2AKIV2RP3SWDP09q0hzY5PpdrjYZ.webp'/></item><item><title><![CDATA[Morbiના જેતપર ગામે હાઈટેન્શન વીજપોલની કામગીરી સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/morbi/farmers-protest-strongly-against-the-construction-of-high-tension-electricity-poles-in-jetpar-village-of-morbi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/morbi/farmers-protest-strongly-against-the-construction-of-high-tension-electricity-poles-in-jetpar-village-of-morbi</guid><pubDate>Tue, 09 Jun 2026 17:09:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મોરબી તાલુકાના જેતપર ગામમાંથી ખેડૂતોના આક્રોશ અને પોલીસ પ્રશાસન વચ્ચેના ગંભીર ઘર્ષણના સમાચાર સામે આવ્યા છે. ગામમાં ખાનગી કંપની દ્વારા નાખવામાં આવી રહેલા હાઈટેન્શન વીજપોલ (ટાસ્ક લાઈન) ની કામગીરી સામે સ્થાનિક ખેડૂતોમાં છેલ્લા કેટલાય દિવસોથી ઉગ્ર અસંતોષ જોવા મળી રહ્યો હતો. આ વિરોધ પ્રદર્શને આજે ત્યારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું જ્યારે મોટી સંખ્યામાં ખેડૂતો કંપનીનું કામ અટકાવવા માટે પ્રત્યક્ષ મેદાનમાં ઉતરી આવ્યા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તૈનાત પોલીસ કાફલા અને ખેડૂતો વચ્ચે ઘટનાસ્થળે ભારે ખેંચતાણ અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.</p><h2 style="text-align: justify; ">ખોટી રીતે કામગીરી થતી હોવાનો આક્ષેપ</h2><p style="text-align: justify; ">સ્થાનિક ખેડૂતોનો ગંભીર આક્ષેપ છે કે વીજપોલ ઊભા કરવાની આ સમગ્ર કામગીરી નિયમો વિરુદ્ધ અને ખોટી રીતે કરવામાં આવી રહી છે, જેનાથી ભવિષ્યમાં તેમની કિંમતી ખેતીની જમીનને મોટું નુકસાન પહોંચશે. અગાઉ પણ અનેક રજૂઆતો કરવા છતાં કંપની દ્વારા બળજબરીથી કામ ચાલુ રખાતા આજે ખેડૂતો આક્રમક બન્યા હતા. જોકે, કાયદો અને વ્યવસ્થા જાળવવાના નામે પોલીસે વિરોધ કરી રહેલા અને કામ અટકાવવાનો પ્રયાસ કરી રહેલા જગતના તાત સામે આકરો અભિગમ અપનાવ્યો હતો. પોલીસે અગમચેતીના ભાગરૂપે પ્રદર્શન કરી રહેલા અગ્રણી ખેડૂતોની અટકાયત (ડિટેઈન) કરવાનું શરૂ કર્યું હતું.</p><h3 style="text-align: justify; ">ખેડૂતોને ડિટેઈન કરી પોલીસ સ્ટેશન ખસેડાતા તણાવ વધ્યો</h3><p style="text-align: justify; ">પોલીસ તંત્ર દ્વારા વિરોધ કરી રહેલા તમામ ખેડૂતોને બળપૂર્વક ડિટેઈન કરીને પોલીસ વાનમાં ભરી સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ પોલીસ કાર્યવાહીને પગલે સમગ્ર જેતપર ગામ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂત સંગઠનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. ખેડૂતોના અધિકારો અને જમીનની સુરક્ષા માટે શરૂ થયેલો આ શાંતિપૂર્ણ વિરોધ હવે પોલીસિયા દમનને કારણે વધુ ઉગ્ર બને તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. હાલમાં ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ગ્રામ્ય પંથકમાં ભારે તણાવભરી શાંતિ જોવા મળી રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/9AR2CHTeswG1Z2EFpb8ULq4RmBAiE46BwrYkpksJ.webp'/></item><item><title><![CDATA[સાવલી ધારાસભ્યની કૃષિ મંત્રીને રજૂઆત: MSP મર્યાદા વધારવા માંગ ]]></title><link>https://sandesh.com/gujarat/news/agriculture/vadodara/mla-writes-letter-to-agriculture-minister</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/agriculture/vadodara/mla-writes-letter-to-agriculture-minister</guid><pubDate>Tue, 09 Jun 2026 17:01:50 +05:30</pubDate><description><![CDATA[<p>વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીને પત્ર પાઠવીને ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. તેમણે માવઠાના કારણે ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાનને ધ્યાનમાં રાખીને MSP (લઘુત્તમ ટેકાના ભાવ) હેઠળ 100 મણની ખરીદી મર્યાદામાં તાત્કાલિક વધારો કરવાની માંગ કરી છે. ધારાસભ્ય ઇનામદારે સાવલી સહિત સમગ્ર રાજ્યના ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા અને ગત વર્ષના નિયમ મુજબ ખરીદી કરવા માટે ભલામણ કરી છે. આ રજૂઆતનો મુખ્ય હેતુ ખેડૂતોને આર્થિક સંકટમાંથી બહાર લાવવાનો અને તેમને યોગ્ય ટેકો પૂરો પાડવાનો છે, જેથી તેઓ નુકસાનની ભરપાઈ કરી શકે.</p><p><br></p><p>ધારાસભ્ય કેતન ઇનામદારે કૃષિ મંત્રી જીતુ વાઘાણીને કરેલી રજૂઆતમાં વિગતવાર જણાવ્યું હતું કે, અણધાર્યા માવઠાને કારણે ખેડૂતોને પાકમાં ભારે નુકસાન થયું છે, જેના પરિણામે તેમની આર્થિક સ્થિતિ કથળી છે. આ નુકસાનની ભરપાઈ કરવા અને ખેડૂતોને આર્થિક ટેકો પૂરો પાડવા માટે MSP હેઠળ પ્રતિ ખેડૂત 100 મણની ખરીદી મર્યાદા વધારવી અત્યંત આવશ્યક છે. તેમણે પોતાના પત્રમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે કે, સાવલી સહિત રાજ્યના તમામ ખેડૂતોને આ કપરા સમયમાં સરકારી મદદની તાતી જરૂરિયાત છે. ધારાસભ્ય ઇનામદારે કૃષિ મંત્રીને રૂબરૂ મળીને પણ ખેડૂતોને યોગ્ય સહાય કરવા ભલામણ કરી હતી. તેમણે ગત વર્ષના નિયમ મુજબ ખેડૂતોના ઉત્પાદનની ખરીદી કરવા પણ ભારપૂર્વક માંગ કરી છે, જેથી ખેડૂતોને તેમના પાકનો યોગ્ય ભાવ મળી શકે અને તેઓ માવઠાના કારણે થયેલા નુકસાનમાંથી બહાર આવી શકે. આ પગલું ખેડૂતોને માવઠાના કારણે સર્જાયેલા આર્થિક સંકટમાંથી રાહત આપવા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2024/09/02/lzcHC7vTPAuUDZnvEpgOnDodNylZZu3Lsy6lAEdE.jpg'/></item><item><title><![CDATA[Tharad નજીક નર્મદા કેનાલમાંથી મળ્યો આધેડ મહિલાનો મૃતદેહ, સમગ્ર પંથકમાં મચી ચકચાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/tharad/the-body-of-a-middle-aged-woman-was-found-in-the-narmada-canal-near-tharad-causing-a-stir-in-the-entire-district</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/tharad/the-body-of-a-middle-aged-woman-was-found-in-the-narmada-canal-near-tharad-causing-a-stir-in-the-entire-district</guid><pubDate>Tue, 09 Jun 2026 16:55:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ પંથકમાંથી એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. થરાદ નજીકથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાંથી એક આધેડ વયની મહિલાનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ મહિલાએ કોઈ અગમ્ય કારણોસર નર્મદા કેનાલના ઊંડા પાણીમાં ઝંપલાવીને પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી.</p><h2 style="text-align: justify; ">ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરી</h2><p style="text-align: justify; ">કેનાલમાં મહિલાએ આત્મહત્યા કરી હોવાની ઘટનાની જાણ આસપાસના લોકોએ તાત્કાલિક સ્થાનિક પ્રશાસનને કરી હતી. બનાવની ગંભીરતાને પગલે થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તમામ સાધન-સામગ્રી સાથે મિનિટોમાં જ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટર્સ અને સ્થાનિક તરવૈયાઓએ કેનાલના ધસમસતા પ્રવાહમાં ભારે જહેમત આદરી હતી. સતત ૩૦ મિનિટની સઘન શોધખોળ બાદ ફાયરની ટીમને મહિલાના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી.</p><h3 style="text-align: justify; ">પોલીસે કાર્યવાહી હાથ ધરી</h3><p style="text-align: justify; ">મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યા બાદ સ્થાનિક પોલીસને પણ વાકેફ કરવામાં આવી હતી. પોલીસે જરૂરી સરકારી અને કાનૂની કાગળોની કાર્યવાહી પૂર્ણ કરીને મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો, અને ત્યારબાદ તેના વાલી-વારસદારો (પરિવારજનો) ને સોંપી દીધો હતો. મહિલાએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે મૃતકના પરિવાર સહિત સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/GjyK8K57rYpGyi4sWr9NL3xTBx1jn6lmD0hq4Uxq.webp'/></item><item><title><![CDATA[International Yoga Day 2026: શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી આપશે આ 3 હેલ્ધી ડ્રિંક્સ, જાણો યોગના અદભુત ફાયદા ]]></title><link>https://sandesh.com/india/news/international-yoga-day-2026-these-3-healthy-drinks-will-give-instant-energy-to-the-body-know-the-amazing-benefits-of-yoga</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/international-yoga-day-2026-these-3-healthy-drinks-will-give-instant-energy-to-the-body-know-the-amazing-benefits-of-yoga</guid><pubDate>Tue, 09 Jun 2026 16:48:39 +05:30</pubDate><description><![CDATA[<p>આજની ભાગદોડભરી અને તણાવપૂર્ણ જીવનશૈલીમાં હેલ્ધી રહેવા માટે 'યોગ' એ રામબાણ ઈલાજ છે. દર વર્ષે 21 જૂને વિશ્વભરમાં 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' (International Yoga Day) ઉજવવામાં આવે છે. આ વૈશ્વિક ઉજવણીની શરૂઆત વર્ષ 2015 થી થઈ હતી, જેનો મુખ્ય હેતુ દુનિયાભરના લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. ભારતમાં યોગની પરંપરા હજારો વર્ષ જૂની છે, જે શરીર અને મન બંનેને સ્વસ્થ રાખે છે.<br><br><h2><b>રોજ યોગ કરવાથી થતા અદભુત ફાયદા</b></h2></p><p>જો તમે રોજ નિયમિત રીતે યોગાસન કરો છો, તો તેનાથી સ્વાસ્થ્યને અગણિત ફાયદા થાય છે:</p><ul><li>માનસિક શાંતિ અને એકાગ્રતા: યોગ કરવાથી મન શાંત થાય છે અને ચિંતા (Anxiety) તેમજ ડિપ્રેશન જેવી માનસિક સમસ્યાઓથી મુક્તિ મળે છે.</li><li>વજન નિયંત્રણ: જે લોકો વધતા વજનથી પરેશાન છે, તેમના માટે યોગાસન વજન ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.</li><li>દુખાવામાંથી રાહત: હાડકાં, સાંધાના દુખાવા, કમરનો દુખાવો કે સર્વાઈકલ (Cervical) ની તકલીફથી પીડાતા લોકો માટે યોગ આશીર્વાદ સમાન છે. તે સ્નાયુઓને મજબૂત અને ફ્લેક્સિબલ બનાવે છે.</li></ul><h3><b>યોગ કર્યા પછી ડાયેટ કેમ મહત્વનું છે?</b></h3><p>યોગાભ્યાસ દરમિયાન શરીરમાંથી કેલરી બર્ન થાય છે અને પરસેવો નીકળે છે. તેથી, યોગ કર્યા પછી તમે શું આહાર લો છો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે યોગ કર્યા પછી નબળાઈ કે થાક અનુભવવા ન માગતા હોવ અને શરીરને હાઇડ્રેટેડ રાખવા માગતા હોવ, તો નીચે આપેલા 3 હેલ્ધી એનર્જી ડ્રિંક્સનું સેવન કરી શકો છો:<br><br><b>1. લીંબુ પાણી (રોગપ્રતિકારક શક્તિ વધારે)</b></p><p>યોગ કર્યા પછી શરીરમાં સોડિયમ અને પોટેશિયમનું સ્તર સંતુલિત કરવું જરૂરી છે. આ માટે એક ગ્લાસ નવશેકા પાણીમાં લીંબુ અને એક ચપટી સિંધવ મીઠું (Rock Salt) મિક્સ કરીને પીવો. લીંબુમાં ભરપૂર માત્રામાં વિટામિન-સી હોય છે, જે ઈમ્યુનિટી વધારે છે અને શરીરને દિવસભર એનર્જેટિક રાખે છે.</p><p><br></p><p><b>2. નારિયેળ પાણી (કુદરતી હાઇડ્રેશન)</b></p><p>નારિયેળ પાણીને શ્રેષ્ઠ નેચરલ ડ્રિંક માનવામાં આવે છે. યોગ પછી શરીરમાં થતી પાણીની અછત (Dehydration) ને દૂર કરવા માટે આ ઉત્તમ વિકલ્પ છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ, એમિનો એસિડ, એન્ઝાઇમ્સ અને વિટામિન-સી જેવા જરૂરી પોષક તત્વો હોય છે, જે શરીરને અંદરથી રિફ્રેશ કરે છે.</p><p><br></p><p><b>3. આમ પન્ના (ઉનાળાનું સુપરફૂડ)</b></p><p>કાચી કેરીમાંથી બનતું 'આમ પન્ના' ખાસ કરીને ઉનાળાની ઋતુમાં શરીર માટે ખૂબ ગુણકારી છે. તે ફાઈટો-ન્યુટ્રિઅન્ટ્સ અને એન્ટી-ઓક્સીડેન્ટ્સથી ભરપૂર હોય છે. યોગાભ્યાસ પછી તેને પીવાથી શરીરમાં ગુમાવેલી ઉર્જા તરત જ પાછી આવે છે અને પાચનતંત્ર પણ સારું રહે છે.</p><p><br></p><p><a href="https://sandesh.com/gallery/news/lifestyle/this-district-is-considered-the-litchi-capital-of-india-know-which-one" target="_blank">આ પણ વાંચો-  આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/qly04DBBFCDSmjya20XK9QrCFh7IuNk9YVqm7Yae.webp'/></item><item><title><![CDATA[Vadodara-સાવલી માર્ગ પર અજાણ્યા વાહનની અડફેટે દુર્લભ વન્યજીવ 'વનયાર' થયું લોહીલુહાણ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/rare-wildlife-vanyar-dies-after-being-hit-by-unknown-vehicle-on-vadodara-savali-road</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/rare-wildlife-vanyar-dies-after-being-hit-by-unknown-vehicle-on-vadodara-savali-road</guid><pubDate>Tue, 09 Jun 2026 16:20:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા જિલ્લાના સાવલી-ડેસર પંથકમાંથી વન્યજીવ પ્રેમીઓને ચિંતામાં મૂકી દે તેવા સમાચાર સામે આવ્યા છે. સાવલીના ઝવેરીપુરા ગામ નજીક પસાર થતા વડોદરા-સાવલી મુખ્ય માર્ગ પર એક અજાણ્યા વાહનની ટક્કરે દુર્લભ ગણાતા વન્યપ્રાણી 'વનયાર' (શાહ wilds/જંગલી બિલાડી પ્રજાતિ) ને જોરદાર અડફેટે લીધું હતું. પૂરપાટ ઝડપે દોડતા વાહનની ટક્કર વાગતાં આ મૂંગું જીવ રોડ કિનારે ગંભીર હાલતમાં પછડાયું હતું અને લોહીલુહાણ થઈ ગયું હતું.</p><h2 style="text-align: justify; ">ગ્રામજનોની ત્વરિત જાગૃતતા અને વન વિભાગની દોડધામ</h2><p style="text-align: justify; ">અકસ્માત બાદ માર્ગ પરથી પસાર થતા ઝવેરીપુરા ગામના સ્થાનિક રહીશોની નજર રોડ કિનારે તરફડિયા મારી રહેલા આ અજાણ્યા વન્યજીવ પર પડી હતી. વનયારને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જોતાં જ ગ્રામજનોએ માનવતા દાખવીને તાત્કાલિક વન વિભાગ (Forest Department) ને ફોન પર જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા સમજીને વન વિભાગની રેસ્ક્યુ ટીમ સત્વરે ઘટનાસ્થળે દોડી આવી હતી. વનકર્મીઓએ ભારે જહેમત બાદ ઘાયલ વનયારનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું અને તેને તાત્કાલિક વેટરનરી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યું હતું.</p><h3 style="text-align: justify; ">હાઈવે પર વન્યજીવોની સુરક્ષા સામે ઉઠ્યા સવાલો</h3><p style="text-align: justify; ">આ અકસ્માત સર્જીને નાસી છૂટેલા અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ વન વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેની શોધખોળ શરૂ કરી છે. હાલમાં વન્યજીવ નિષ્ણાતો અને ડોક્ટરોની ટીમ દ્વારા વનયારની તબિયત પર સતત દેખરેખ (મોનિટરિંગ) રાખવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે જંગલ વિસ્તારની આસપાસથી પસાર થતા હાઈવે પર વન્યપ્રાણીઓની માર્ગ સલામતી અને વાહનોની ગતિમર્યાદા પર અંકુશ રાખવા અંગે સ્થાનિકો અને પર્યાવરણવાદીઓ દ્વારા ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/OY56Zlab6f9wI3FotpttiVwh2GrJVFC2R8AHvpZo.webp'/></item></channel></rss>