<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Mauni Royના લગ્નના 4 વર્ષ બાદ છૂટાછેડા, વિશ્વાસઘાતને ભૂલવો અને માફ કરવો ખૂબ જ અઘરું છે.... અભિનેત્રીનું છલકાયું દર્દ ]]></title><link>https://sandesh.com/entertainment/news/mauni-roy-it-is-very-difficult-to-forget-and-forgive-betrayal-mouni-roys-pain-spilled-out</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/mauni-roy-it-is-very-difficult-to-forget-and-forgive-betrayal-mouni-roys-pain-spilled-out</guid><pubDate>Wed, 24 Jun 2026 10:45:03 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી મૌની રોય અને તેના પતિ સૂરજ નામ્બિયારના લગ્નજીવનનો આખરે અંત આવ્યો છે. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ વર્ષ ૨૦૨૨માં અત્યંત ભવ્ય અને ખાનગી સમારોહમાં લગ્નગ્રંથિથી જોડાયેલા આ કપલે લગ્નના ચાર વર્ષ બાદ, એટલે કે વર્ષ ૨૦૨૬માં પરસ્પર સહમતિથી છૂટાછેડા લઈ લીધા છે. બંનેમાંથી કોઈએ હજી સુધી અલગ થવાનું સત્તાવાર કારણ જાહેર કર્યું નથી, પરંતુ છૂટાછેડાના થોડા જ દિવસો બાદ મૌની રોયે સંબંધોમાં મળેલા વિશ્વાસઘાત, હૃદયભંગ અને તેમાંથી બહાર આવવાની પોતાની સફર વિશે ખુલીને વાત કરી છે.</p><h2 style="text-align: justify; "><b>"હું માફ કરી દઉં છું, પણ ભૂલતી નથી" : મૌની રોય</b></h2><p style="text-align: justify; ">તાજેતરમાં 'ફ્રી પ્રેસ જર્નલ' સાથેની ખાસ વાતચીતમાં કોઈનું પણ નામ લીધા વિના મૌની રોયે પોતાના દિલનું દર્દ ઠાલવ્યું હતું. મૌનીએ જણાવ્યું, "હું બાળપણમાં પણ લોકોને સરળતાથી માફ કરી દેતી હતી અને આજે પણ કરું છું, પરંતુ હું તે બાબતો ક્યારેય ભૂલી શકતી નથી. જોકે, મારી વ્યક્તિગત અને આધ્યાત્મિક યાત્રા પછી મને સમજાયું છે કે માફ કરી દેવું જ સર્વશ્રેષ્ઠ છે." જ્યારે મૌનીને પૂછવામાં આવ્યું કે શું તે હવે મનમાં કડવાશ કે ફરિયાદો રાખવાનું પસંદ નથી કરતી? ત્યારે તેણે ખૂબ જ માર્મિક જવાબ આપતા કહ્યું, "જો તમે ભૂતકાળને છોડી નહિ દો, તો સૌથી વધુ પીડા તમારે જ ભોગવવી પડશે. ઘણીવાર જે વ્યક્તિએ તમને માનસિક રીતે તોડી નાખ્યા હોય કે દુઃખ પહોંચાડ્યું હોય, તેને તો એ વાતનો અહેસાસ પણ નથી હોતો કે તેણે તમને કેટલું મોટું નુકસાન કર્યું છે."</p><h3 style="text-align: justify; "><b>મેં મુશ્કેલ સમયમાં આધ્યાત્મનો લીધો સહારો</b></h3><p style="text-align: justify; ">પોતાના જીવનના આ સૌથી કઠિન તબક્કામાંથી બહાર આવવા માટે મૌની રોયે ભગવાન અને આધ્યાત્મનો આશરો લીધો છે. તેણે જણાવ્યું કે ધ્યાન (Meditation), મંત્રોના જપ અને આધ્યાત્મિક સાધના કરવાથી તેને માનસિક શાંતિ મળી છે અને આ આઘાતમાંથી સંભાળવામાં ઘણો ફાયદો થયો છે.</p><h4 style="text-align: justify; "><b>"કેટલાક લોકોના ગુણો દુષ્ટ હોય છે"</b></h4><p style="text-align: justify; ">દરેક વ્યક્તિને માફ કરવાના પોતાના વલણ પર સ્પષ્ટતા કરતા અભિનેત્રીએ ઉમેર્યું કે, માફી આપવાનો અર્થ એ બિલકુલ નથી કે કોઈ તમારી દયાનો વારંવાર ગેરલાભ ઉઠાવે. તેણે કહ્યું, "દુનિયામાં કેટલાક એવા લોકો હોય છે જે તમને નુકસાન પહોંચાડવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. હું કોઈ વ્યક્તિ વિશેષને દુષ્ટ નથી કહી રહી, પરંતુ ચોક્કસપણે તેમના ગુણો દુષ્ટ હોય છે." જો કે મૌની રોયે આ ઇન્ટરવ્યુમાં તેના પૂર્વ પતિ સૂરજ નામ્બિયારનું નામ ક્યાંય લીધું નથી, પરંતુ તેના ચાહકો અને સોશિયલ મીડિયા યુઝર્સનું માનવું છે કે મૌનીનો આ ઈશારો સૂરજ તરફ જ છે અને છૂટાછેડાના દર્દમાંથી તે પસાર થઈ રહી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો :&nbsp;</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/u4OdSuHjoIx7zeiCci4KamTVXA1tcOQjhLKKdBwe.webp'/></item><item><title><![CDATA[Bhavnagar : SGSTનો સપાટો, કોસમોસ કોમ્પ્યુટર ગ્રુપની કરોડોની કરચોરી પકડાઈ, 1.50 કરોડ ભરવા આદેશ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/bhavnagar-sgst-raid-cosmos-computer-group-1-crore-tax-evasion-updates</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/bhavnagar-sgst-raid-cosmos-computer-group-1-crore-tax-evasion-updates</guid><pubDate>Wed, 24 Jun 2026 10:28:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં કરચોરો અને જીએસટીના નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગે લાલ આંખ કરી છે. ભાવનગર શહેરમાં જાણીતા કોસમોસ કોમ્પ્યુટર ગ્રુપ પર જીએસટી વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડાની સઘન કાર્યવાહી આખરે ચોથા દિવસે પૂર્ણ થઈ છે. ટેક્સ ચોરીના હેતુથી સરકારને અંધારામાં રાખી કરોડો રૂપિયાનું ટર્નઓવર છુપાવ્યું હોવાના મજબૂત પુરાવા મળતા, વિભાગ દ્વારા કોસમોસ ગ્રુપને તાત્કાલિક ધોરણે રૂપિયા ૧.૫૦ કરોડનો ટેક્સ અને દંડ ભરવાનો કડક આદેશ જારી કરવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>કંપની સ્કીમની મર્યાદા બહાર જઈને વ્યવહારો કરતી</b></h2><p style="text-align: justify; ">મળતી વિગતો અનુસાર, ભાવનગરની આ પ્રતિષ્ઠિત આઈટી અને કોમ્પ્યુટર પેઢી સરકારી સ્કીમની મર્યાદા બહાર જઈને વ્યવહારો કરતી હોવાની અને મોટું ટર્નઓવર ચોપડે દર્શાવ્યા વગર છુપાવતી હોવાની ચોક્કસ બાતમી એસજીએસટીની વિજિલન્સ ટીમને મળી હતી. આ શંકાસ્પદ આર્થિક હેરાફેરીના આધારે જીએસટી વિભાગની સર્વેલન્સ ટીમે શનિવારથી જ કોસમોસ કોમ્પ્યુટર ગ્રુપના વિવિધ સ્થળો પર એકસાથે દરોડા પાડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>સર્ચ ઓપરેશનની કાર્યવાહી સતત 4 દિવસ સુધી અવિરત ચાલી&nbsp;</b></h3><p style="text-align: justify; ">શનિવારથી શરૂ થયેલી આ મેગા સર્ચ ઓપરેશનની કાર્યવાહી સતત 4 દિવસ સુધી અવિરત ચાલી હતી. આ લાંબી તપાસ દરમિયાન અધિકારીઓએ પેઢીના કોમ્પ્યુટર રાઈઝ્ડ ડેટા, પાકા-કાચા બિલ બુક, બેંક ખાતાઓ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનની બારીકાઈથી ચકાસણી કરી હતી. એસજીએસટીની ટીમે તપાસ કરતા જ બિલ વગરના કરોડોના વ્યવહારો અને મોટી કરચોરી સપાટી પર આવી ગઈ હતી.</p><h4 style="text-align: justify; "><b>પેઢીને 1. 50 કરોડ ભરવાનો આદેશ&nbsp;</b></h4><p style="text-align: justify; ">છેવટે ચાર દિવસના અંતે આ કાર્યવાહી પૂર્ણ જાહેર કરાઈ છે અને તમામ પુરાવાઓને આધારે કસૂરવાર પેઢીને 1. 50 કરોડ સરકારી તિજોરીમાં જમા કરાવવાનો આદેશ અપાયો છે. ભાવનગરના વેપારી આલમમાં આ લાંબી રેડ અને કરોડોના દંડને પગલે ફફડાટ વ્યાપી ગયો છે. જીએસટી વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, હજુ પણ આગામી દિવસોમાં આવી અન્ય શંકાસ્પદ પેઢીઓ સામે પણ કડક પગલાં લેવામાં આવી શકે છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/sandesh-digital-explainer-gujarat-monsoon-10-years-history" target="_blank"><b> Sandesh Digital Explainer : મેઘરાજાની એન્ટ્રીનું કાઉન્ટડાઉન..! જાણો છેલ્લા 10 વર્ષમાં ક્યારે વહેલા પધાર્યા અને ક્યારે કરાવ્યો ભારે ઈન્તેઝાર?</b></a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/BbfmJ4TKgeAGAyI8kzulql4CccNtc1t6V0OUXfUx.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : સુભાષબ્રિજના પિલ્લર નબળા પડ્યા, રિપોર્ટમાં મોટો ખુલાસો, હવે આખો બ્રિજ તોડી નવો બનાવાશે! ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-subhash-bridge-to-be-demolished-new-bridge-amc-updates</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-subhash-bridge-to-be-demolished-new-bridge-amc-updates</guid><pubDate>Wed, 24 Jun 2026 09:41:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના સાબરમતી નદી પરના સૌથી વ્યસ્ત એવા સુભાષબ્રિજને લઈને એક અત્યંત મહત્વના અને મોટા સમાચાર સામે આવ્યા છે. કન્સલ્ટન્ટ એજન્સી અને ટેક્નિકલ ટીમ દ્વારા સુભાષબ્રિજ અંગે સાદર કરવામાં આવેલા લેટેસ્ટ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ બ્રિજના પિલ્લર સમય જતાં ટેક્નિકલ રીતે નબળા પડી ગયા છે. સુરક્ષાના આ ગંભીર મુદ્દાને ધ્યાને રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે આ જૂના બ્રિજને સંપૂર્ણપણે તોડી પાડવાનો મોટો નિર્ણય લેવાઈ શકે તેમ છે.</p><h2 style="text-align: justify; "><b>પોતાનો કડક અભિપ્રાય આપતા જણાવ્યું&nbsp;</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, કન્સલ્ટન્ટ એજન્સીએ AMCને પોતાનો કડક અભિપ્રાય આપતા જણાવ્યું છે કે, લાંબા ગાળાના આયોજન અને જનતાની સલામતીના ભાગરૂપે આ નબળા પડી ગયેલા જૂના પિલ્લર તોડીને તેની જગ્યાએ નવો અને વધુ પહોળો બ્રિજ બનાવવો જ એકમાત્ર શ્રેષ્ઠ વિકલ્પ છે. સુરક્ષા એજન્સીના આ રિપોર્ટ બાદ મનપા તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે.</p><h3 style="text-align: justify; "><b>&nbsp;સુપર સ્ટ્રક્ચરને તોડી પાડવામાં આવ્યું</b></h3><p style="text-align: justify; ">ઉલ્લેખનીય છે કે, હાલ પૂરતી બ્રિજની ઉપરની છત એટલે કે સુપર સ્ટ્રક્ચરને તોડી પાડવામાં આવ્યું છે. બ્રિજની ક્ષતિઓ અને તેની આંતરિક નબળાઈઓ તપાસવા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં પિલ્લરનું આયુષ્ય પૂરું થઈ ગયું હોવાનું અને તે નબળા પડ્યા હોવાનું સાબિત થયું છે.</p><h4 style="text-align: justify; "><b>બ્રિજ આખો તોડીને નવો બનાવવાનો નિર્ણય&nbsp;</b></h4><p style="text-align: justify; ">સુભાષબ્રિજ એ આશ્રમ રોડ, વાડજ અને શાહીબાગ તથા આરટીઓ સર્કલને જોડતો મુખ્ય માર્ગ છે. જો આ બ્રિજ આખો તોડીને નવો બનાવવાનો નિર્ણય સત્તાવાર રીતે લાગુ થશે, તો આગામી સમયમાં આ રૂટ પર મોટા પાયે ટ્રાફિક ડાયવર્ઝન આપવું પડશે. જો કે, લાખો વાહનચાલકોની રોજિંદી સલામતી માટે પેચવર્ક કરવાને બદલે નવો આધુનિક બ્રિજ બનાવવાનો એજન્સીનો આ અભિપ્રાય આવકારદાયક માનવામાં આવી રહ્યો છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; <a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/sandesh-digital-explainer-gujarat-monsoon-10-years-history" target="_blank"><b>&nbsp;Sandesh Digital Explainer : મેઘરાજાની એન્ટ્રીનું કાઉન્ટડાઉન..! જાણો છેલ્લા 10 વર્ષમાં ક્યારે વહેલા પધાર્યા અને ક્યારે કરાવ્યો ભારે ઈન્તેઝાર?</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/XDj1RKi5QFIE4cH7w58HNsYEXIMbPvMrj36s18wR.webp'/></item><item><title><![CDATA[Stock Market Opening: લીલા નિશાનમાં ખૂલ્યુ શેરબજાર, સેન્સેક્સ 255 પોઇન્ટ વધ્યો ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-opening-stock-market-opens-in-green-sensex-rises-255-points</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-opening-stock-market-opens-in-green-sensex-rises-255-points</guid><pubDate>Wed, 24 Jun 2026 09:33:33 +05:30</pubDate><description><![CDATA[<p>ધીમી શરૂઆત પછી આજે બુધવારે સ્થાનિક શેરબજારમાં તેજી જોવા મળી, જેનું મુખ્ય કારણ આઇટી અને ફાર્માસ્યુટિકલ શેરોમાં ખરીદી છે. બીએસઈનો 30 શેરનો સેન્સેક્સ 126 પોઈન્ટ - અથવા 0.17 ટકા - વધીને 76,327 ના સ્તરે ટ્રેડ થયો. દરમિયાન, એનએસઈ નિફ્ટી 50 પણ લીલા રંગમાં ખુલ્યો. શરૂઆતના વેપારમાં, તે 38 પોઈન્ટ (0.16 ટકા) વધીને 23,862 ના સ્તર પર પહોંચ્યો.</p><h2><b>શેરબજારમાં તેજી&nbsp;</b></h2><p>સવારે 9.30 કલાકની વાત કરીએ તો સેન્સેક્સ +255.27 પોઇન્ટના વધારા સાથે 76,455.95 અંકે ખૂલ્યો જ્યારે નિફ્ટી +57.30 પોઇન્ટના વધારા સાથે 23,881.40 અંકે ખૂલ્યો.&nbsp;</p><p><b style="font-size: 1.75rem;">એશિયન બજારોમાં મિશ્ર વેપાર</b></p><p>એશિયા-પેસિફિક ક્ષેત્રના બજારોમાં શરૂઆતના વેપાર દરમિયાન મિશ્ર વલણ જોવા મળ્યું. જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 0.54 ટકા ઘટીને ટ્રેડ થયો, જ્યારે હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 0.55 ટકા મજબૂત થયો.</p><p>દરમિયાન, વૈશ્વિક ટેકનોલોજી શેરોમાં તાજેતરમાં વેચવાલી બાદ દક્ષિણ કોરિયાના કોસ્પી ઇન્ડેક્સમાં મજબૂત રિકવરી જોવા મળી. સેમિકન્ડક્ટર કંપનીઓમાં ખરીદીને કારણે, કોસ્પીમાં 2.77 ટકાનો ઉછાળો આવ્યો.</p><h3><b>યુએસ ટેક શેરોમાં વેચવાલી</b></h3><p>મંગળવારે યુએસ શેરબજારો દબાણ હેઠળ રહ્યા. ટેકનોલોજી કંપનીઓમાં ભારે વેચવાલીથી મુખ્ય સૂચકાંકોમાં ઘટાડો નોંધાયો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.09 ટકા ઘટ્યો, જ્યારે S&amp;P 500 ઇન્ડેક્સ 1.44 ટકા ઘટ્યો. ટેક શેરો પરના દબાણની અસર સૌથી વધુ નાસ્ડેક કમ્પોઝિટ પર જોવા મળી, જે 2.21 ટકા ઘટીને બંધ થયો.</p><p><b style="font-size: 1.5rem;">ક્રૂડ ઓઇલ અને કિંમતી ધાતુઓમાં ઘટાડો</b></p><p>આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો ચાલુ રહ્યો. રોકાણકારો અપેક્ષા રાખે છે કે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા પુરવઠો અવિરત રહેશે. જૂન ડિલિવરી માટે બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.3 ટકા ઘટીને $76.85 પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યા હતા.</p><p>આ દરમિયાન સલામત સંપત્તિ ગણાતા સોના અને ચાંદીને પણ નીચે તરફ દબાણનો સામનો કરવો પડ્યો. સોનાના વાયદા અને ચાંદીના વાયદા અનુક્રમે 1.09 ટકા અને 0.6 ટકાના નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.</p><p><br></p><p><a href="https://sandesh.com/gallery/news/india/why-are-potatoes-and-chickpeas-the-filling-in-panipuri?2" target="_blank">આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2024/12/23/JsB2qcZ5cqr3IT9RcYmVH8pzPa3QLXmYcmRPlWNx.jpg'/></item><item><title><![CDATA[Ketan Agrawal Death:બહેનની સતર્ક નજરે ખોલી નાખ્યું સિયા-ચેતનનું લોહિયાળ કાવતરું! ]]></title><link>https://sandesh.com/india/news/crime/ketan-agrawal-death-sisters-watchful-eye-exposed-sia-chetans-bloody-conspiracy</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/crime/ketan-agrawal-death-sisters-watchful-eye-exposed-sia-chetans-bloody-conspiracy</guid><pubDate>Wed, 24 Jun 2026 09:29:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મહારાષ્ટ્રમાં બનેલી કેતન અગ્રવાલ હત્યા કેસે ગુનાખોરીની દુનિયામાં ડિજિટલ પુરાવાઓનું મહત્વ ફરી એકવાર સાબિત કર્યું છે. કેતનનું મૃત્યુ શરૂઆતમાં એક અકસ્માત લાગતું હતું, પરંતુ કેતનની બહેનની સતર્કતા અને ત્યારબાદની પોલીસ તપાસે આ કેસને સંપૂર્ણપણે બદલી નાખ્યો. પરિવારના નિવેદનો અને આરોપી સિયાના વિરોધાભાસી જવાબોએ પોલીસ માટે તપાસના નવા દ્વાર ખોલી દીધા હતા.</p><h2 style="text-align: justify; "><b>બહેને પૂછેલા સવાલમાં જ ગભરાઇ સિયા</b></h2><p style="text-align: justify; ">જ્યારે પોતાના ભાઇના મોત બાદ જયારે સિયાને તેણી નણંદ એટલે કે તેની બહેને સવાલ કર્યો કે તેનો ભાઇ કેવી રીતે મોતને ભેટ્યો ત્યારે સિયાના જવાબ આપતા સમયે તેના મોઢાં પર સહેજ પણ અફસોસ નહોતો અને બિનદાસ પણ તે જવાબ આપી રહી હતી. બાદમાં કેતનની બહેને તેના પિતાને આ વાત કરી કે સિયા કંઇક છુપાવી રહી છે. ભાઇ  પહેલા પણ આવી રીતે ટ્રેકિંગ પર ગયો હતો આવું ક્યારેય નથી બન્યું અને કેતનના પિતાએ કેસને ફરી ખોલાવવાનું કહ્યુ અને સિયા અને ચેતન ચૌધરીના આપેલા ગોળ ગોળ જવાબે રહસ્ય વધુ ગૂંચ્વ્યુ છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>જાણીજોઈને પોતાનો ફોન દુકાને છોડી દીધો</b></h3><p style="text-align: justify; ">આ કેસમાં સૌથી વધુ ચર્ચા ચેતન ચૌધરીની ચાલાકીની થઈ રહી છે. ઘટનાના દિવસે એટલે કે 18 જૂને, સવારે 7 વાગ્યાથી સાંજે 5.40 વાગ્યા સુધી ચેતનનો ઇન્ટરનેટ ડેટા સંપૂર્ણ બંધ હતો. તપાસમાં બહાર આવ્યું કે તેણે પોલીસને ગુમરાહ કરવા માટે જાણીજોઈને પોતાનો ફોન પોતાની દુકાનમાં છોડી દીધો હતો. તે પોતાની સાથે દુકાનના એક કર્મચારીનો ફોન લઈને લોહાગઢ પહોંચ્યો હતો, જેથી તેનું લોકેશન ટ્રેસ ન થઈ શકે. પોલીસને જ્યારે શંકા ગઈ ત્યારે તેમણે 18 જૂનના રોજ ચેતનના ફોન પર આવેલા દરેક કોલ કરનાર વ્યક્તિની પૂછપરછ કરી. દરેક વ્યક્તિએ જણાવ્યું કે તે દિવસે ચેતને પોતે કોઈ ફોનનો જવાબ આપ્યો ન હતો, પરંતુ દુકાનના કર્મચારીઓએ જ ફોન ઉઠાવ્યા હતા.</p><h4 style="text-align: justify; "><b>અલગ અલગ આપેલા જવાબે કાવતરૂં ઉઘાડું પાડ્યુ</b></h4><p style="text-align: justify; ">જ્યારે પોલીસે ચેતનની કડક પૂછપરછ કરી અને ઇન્ટરનેટ બંધ હોવાના કારણો વિશે સવાલો કર્યા, ત્યારે તે પોલીસને કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહીં. ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ અને પરિવાર દ્વારા આપવામાં આવેલી માહિતીએ ચેતન અને સિયાના કાવતરાને ઉઘાડું પાડી દીધું. પોલીસ માટે આ સાબિતીઓ પૂરતી હતી કે કેતનની હત્યા એક આયોજનબદ્ધ ગુનો હતો. હાલમાં, આ કેસમાં કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ કેતનના પરિવારે જે રીતે બહેનની સતર્કતા દ્વારા ન્યાય મેળવવાની દિશામાં પહેલું ડગલું ભર્યું છે, તે ખરેખર પ્રશંસનીય છે. આ કેસ એ લોકો માટે એક પાઠ છે જેઓ માને છે કે ડિજિટલ યુગમાં ગુનો કરીને બચી શકાશે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/ketan-agrawal-death-a-death-drama-was-created-in-the-name-of-snake-snake-failed-on-june-14-and-gave-the-final-shock-on-june-18" target="_blank">આ પણ વાંચોઃ Ketan Agrawal Death: "સાપ, સાપ" ના નામે રચ્યું મોતનું નાટક, 14 જૂને નિષ્ફળ તો 18 જૂને આપ્યો અંતિમ આઘાત!</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/Sw1ILgavsFRzRDzwMVv5muiRWyfG3AssKdfFS3mX.webp'/></item><item><title><![CDATA[Uttar Pradesh : લખનઉ અગ્નિકાંડ બાદ અનેક કોચિંગ સીલ, 100થી વધુ સેન્ટર પર તપાસ ]]></title><link>https://sandesh.com/india/news/uttar-pradesh-several-coaching-centres-sealed-after-lucknow-fire-more-than-100-centres-investigated</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/uttar-pradesh-several-coaching-centres-sealed-after-lucknow-fire-more-than-100-centres-investigated</guid><pubDate>Wed, 24 Jun 2026 09:18:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં કોચિંગ સંસ્થામાં લાગેલી આગની દુર્ઘટના બાદ સ્થાનિક તંત્રએ શહેરના વિવિધ કોચિંગ સેન્ટરો અને અભ્યાસ કેન્દ્રોમાં સુરક્ષા વ્યવસ્થાની વિશેષ તપાસ શરૂ કરી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને સુરક્ષિત વાતાવરણ ઉપલબ્ધ કરાવવાનો અને આગ જેવી આપત્તિ દરમિયાન જાનહાનિ ટાળવાનો છે.</p><h2 style="text-align: justify; ">નગર નિગમ અને પોલીસ વિભાગનું સંયુક્ત ઓપરેશન</h2><p style="text-align: justify; ">નગર નિગમ અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલા આ અભિયાન દરમિયાન અનેક કોચિંગ સંસ્થાઓમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી. અધિકારીઓએ બિલ્ડિંગમાં સ્થાપિત અગ્નિશામક સાધનો, ફાયર એલાર્મ સિસ્ટમ, ઇમરજન્સી એક્ઝિટ, પાણીની સુવિધા તેમજ આગ બુઝાવવા માટેની અન્ય વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું.</p><h3 style="text-align: justify; ">કેટલીક સંસ્થાઓમાં ગંભીર બેદરકારી સામે આવી</h3><p style="text-align: justify; ">તપાસ દરમિયાન કેટલીક સંસ્થાઓમાં ગંભીર બેદરકારી સામે આવી હતી. ક્યાંક અગ્નિશામક સાધનો યોગ્ય સ્થિતિમાં નહોતા તો ક્યાંક ઇમરજન્સી બહાર નીકળવાના રસ્તા અવરોધિત જોવા મળ્યા હતા. કેટલીક જગ્યાએ ફાયર સેફ્ટી સંબંધિત જરૂરી મંજૂરીઓ અને દસ્તાવેજો પણ ઉપલબ્ધ નહોતા. આ પ્રકારની ખામીઓને ગંભીરતાથી લેતા પ્રશાસને અનેક કોચિંગ સંસ્થાઓ અને લાઇબ્રેરીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી.</p><h4 style="text-align: justify; ">આ કોચિંગ સંસ્થાઓને સીલ કરવામાં આવી</h4><p style="text-align: justify; ">કાર્યવાઈ હેઠળ કાર્તિક કોમ્પિટિશન, અરાવલી ક્લાસીસ, મેડ ગુરુ, રાજસ્થાન જાટ ક્લાસીસ, વીજીપી ક્લાસીસ, એએસપી ક્લાસીસ, ક્લાસ-24, કરિયર વિલ ઑફલાઇન, ઇન્ટરનેશનલ ક્લાસીસ, ગુરુકુલ લાઇબ્રેરી, ડી.એન. ક્લાસીસ, મા સરસ્વતી લાઇબ્રેરી, ડી.એન. લાઇબ્રેરી અને કાર્તિક લાઇબ્રેરીનો સમાવેશ થાય છે. આ તમામ સંસ્થાઓ સામે ફાયર સેફ્ટી નિયમોમાં ખામીઓ જણાતા તેમને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.</p><h4 style="text-align: justify; ">નિયમોના ઉલ્લંઘન સામે કડક વલણ</h4><p style="text-align: justify; ">સુરક્ષા ધોરણોનું પાલન ન કરતી કેટલીક સંસ્થાઓને તાત્કાલિક અસરથી બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી. તંત્રનું માનવું છે કે વિદ્યાર્થીઓના જીવન સાથે કોઈપણ પ્રકારનું જોખમ સ્વીકારી શકાય નહીં. તેથી નિયમોના ઉલ્લંઘન સામે કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે.</p><h5 style="text-align: justify; ">કોચિંગ સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી&nbsp;</h5><p style="text-align: justify; ">આ ઉપરાંત અનેક અન્ય કોચિંગ સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી છે. તેમને નિર્ધારિત સમયમર્યાદામાં તમામ ખામીઓ દૂર કરીને સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે સૂચના આપવામાં આવી છે. જો સંસ્થાઓ સમયસર જરૂરી સુધારાઓ નહીં કરે તો તેમના વિરુદ્ધ વધુ કડક કાર્યવાહી થઈ શકે છે.</p><h4 style="text-align: justify; ">સુરક્ષા વ્યવસ્થાનું મહત્વ વધુ વધી જાય છે</h4><p style="text-align: justify; ">અધિકારીઓએ ખાસ કરીને એ પણ તપાસ્યું કે ફાયર ફાઇટિંગ સિસ્ટમ કાર્યરત છે કે નહીં, અગ્નિશામક સિલિન્ડરની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ છે કે નહીં અને આપત્તિ સમયે વિદ્યાર્થીઓ ઝડપથી બહાર નીકળી શકે તેવા માર્ગો ઉપલબ્ધ છે કે નહીં. સાથે જ ફાયર એનઓસી સહિતના દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવી હતી.</p><p style="text-align: justify; ">શૈક્ષણિક સંસ્થાઓમાં વધતી વિદ્યાર્થી સંખ્યાને ધ્યાનમાં રાખતા સુરક્ષા વ્યવસ્થાનું મહત્વ વધુ વધી જાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે માત્ર નિયમો બનાવવાથી કામ ચાલતું નથી, પરંતુ તેનું નિયમિત પાલન અને સમયાંતરે તપાસ પણ એટલી જ જરૂરી છે. પ્રશાસનનું આ અભિયાન અન્ય સંસ્થાઓ માટે પણ ચેતવણી સમાન માનવામાં આવી રહ્યું છે, જેથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના સર્જાય નહીં અને વિદ્યાર્થીઓ સુરક્ષિત વાતાવરણમાં અભ્યાસ કરી શકે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/iSahloD4sZxsSP9eMTvuYMkl8Yp26po0pFTlg38v.webp'/></item><item><title><![CDATA[Cristiano Ronaldoએ ફિફા વર્લ્ડ કપમાં રચ્યો ઇતિહાસ, આવું કરનાર પ્રથમ ખેલાડી બન્યો ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/cristiano-ronaldo-created-history-in-the-fifa-world-cup-becoming-the-first-player-to-do-so</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/cristiano-ronaldo-created-history-in-the-fifa-world-cup-becoming-the-first-player-to-do-so</guid><pubDate>Wed, 24 Jun 2026 09:02:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પોર્ટુગલ ફિફા વર્લ્ડ કપમાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આજે પોર્ટુગલ ઉઝબેકિસ્તાનનો સામનો કરી રહ્યું છે. આ મેચની શરૂઆતની મિનિટોમાં રોનાલ્ડોએ પોર્ટુગલને લીડ અપાવી હતી. રોનાલ્ડોએ છઠ્ઠી મિનિટમાં ગોલ કરીને ટીમને 1-0ની લીડ અપાવી હતી. રોનાલ્ડોએ જોઆઓ કેન્સેલોની તકનો લાભ ઉઠાવ્યો અને ગોલ કર્યો. ફિફા વર્લ્ડ કપમાં આ રોનાલ્ડોનો 10મો ગોલ હતો. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો માટે આ એક ઐતિહાસિક ગોલ છે, અને તેણે એક વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો. તે છ વર્લ્ડ કપમાં ગોલ કરનાર પ્રથમ ખેલાડી બન્યો.</p><h4 style="text-align: justify; "><b>રોનાલ્ડો પોર્ટુગલનો સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો</b></h4><p style="text-align: justify; ">આ ગોલ સાથે, રોનાલ્ડો ફિફા વર્લ્ડ કપ ઇતિહાસમાં પોર્ટુગલનો સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બની ગયો છે, તેણે યુસેબિયોની બરાબરી કરી છે. યુસેબિયોએ 1966 વર્લ્ડ કપમાં કુલ નવ ગોલ કર્યા હતા. રોનાલ્ડોએ હવે પોર્ટુગલ માટે 10 ગોલ કર્યા છે. આ સંદર્ભમાં, તેણે યુસેબિયોને પાછળ છોડી દીધો છે. રોનાલ્ડોએ 2006 અને 2026 વર્લ્ડ કપ વચ્ચે આ ગોલ કર્યા હતા.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://x.com/FIFAWorldCup/status/2069496208876278116?s=20" target="_blank">https://x.com/FIFAWorldCup/status/2069496208876278116?s=20</a></p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>પહેલા હાફમાં રોનાલ્ડોએ બે ગોલ કર્યા</b></h4><p style="text-align: justify; ">પોર્ટુગલ અને ઉઝબેકિસ્તાન વચ્ચેની મેચમાં, રોનાલ્ડોએ છઠ્ઠી મિનિટમાં પહેલો ગોલ કર્યો અને પછી 39મી મિનિટે પોતાનો બીજો ગોલ કર્યો. રોનાલ્ડોના શાનદાર રમત અને નુનો મેન્ડેસના ગોલને કારણે, પોર્ટુગલે હાફ ટાઇમ સુધીમાં ઉઝબેકિસ્તાન પર 3-0ની લીડ મેળવી લીધી. પોર્ટુગલ હવે બીજા હાફમાં આ વર્ચસ્વ જાળવી રાખવાનો પ્રયાસ કરશે.</p><h5><div style="text-align: justify;"><b><br></b></div><b><div style="text-align: justify;"><b style="font-size: 1.25rem;">રોનાલ્ડો ટુર્નામેન્ટના પહેલા મેચમાં એક પણ ગોલ કરી શક્યો નહીં</b></div></b></h5><p style="text-align: justify; ">પોર્ટુગલના શરૂઆતના મેચમાં કોંગો સામે 1-1થી ડ્રો થવાથી ટીમ પર ભારે દબાણ આવ્યું. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તે મેચમાં પોતાના નબળા પ્રદર્શન માટે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો. કેટલાક લોકોએ એવો પણ દાવો કર્યો કે ટીમ પ્રથમ મેચ જીતવામાં નિષ્ફળ રહેવાનું કારણ રોનાલ્ડો હતા. જોકે, રોનાલ્ડોએ ફરી એકવાર વર્લ્ડ કપના એક મોટા મેચમાં શાનદાર ગોલ કરીને પોતાના ટીકાકારોને જવાબ આપ્યો.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/lionel-messi-creates-new-history-becomes-the-highest-scorer-in-the-world-cup" target="_blank"> Lionel Messiએ રચ્યો નવો ઈતિહાસ,વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/bZFkFUWUsiLV7XoMzcB8ZDZ3QVZDjrLIxxPClYdh.webp'/></item><item><title><![CDATA[Surat : જમીન સોદાના નામે ખેડૂતનો વિશ્વાસ જીતી 2.14 કરોડ સેરવી લીધા,પટેલ બંધુઓની મોટી 'ગેમ' ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-land-scam-farmer-cheated-2-crore-patel-brothers-pal-police-complaint</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-land-scam-farmer-cheated-2-crore-patel-brothers-pal-police-complaint</guid><pubDate>Wed, 24 Jun 2026 08:31:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતમાં જમીન કૌભાંડ અને છેતરપિંડીના કિસ્સાઓ રોજેરોજ વધી રહ્યા છે, ત્યારે સુરતના પાલ વિસ્તારમાંથી કરોડો રૂપિયાની ઠગાઈનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં જમીન સોદાના નામે ખરવાસા ગામના એક નિર્દોષ ખેડૂતને પોતાની જાળમાં ફસાવીને પાલ ગામના બે પટેલ બંધુઓએ રૂપિયા 2.14 કરોડની અધધ રકમની છેતરપિંડી આચરી છે. આ મામલે ભોગ બનનાર ખેડૂતે છેવટે ન્યાય મેળવવા માટે પાલ પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>જમીનનો સોદો પાલ ગામના પટેલ બંધુઓ સાથે નક્કી થયો</b></h2><p style="text-align: justify; ">મળતી વિગતો અનુસાર, ખરવાસા ગામના ખેડૂતની કિંમતી જમીનનો સોદો પાલ ગામના પટેલ બંધુઓ સાથે નક્કી થયો હતો. શરૂઆતમાં બધું નિયમ મુજબ ચાલતું હોય તેમ ખેડૂતે કાયદેસરના સ્ટેમ્પ પેપર પર સહમતી કરાર (એગ્રીમેન્ટ) કરીને જમીન આ પટેલ બંધુઓના નામે વેચવા માટેની તૈયારી બતાવી હતી.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>સહી-સિક્કા થઈ ગયા પછી અસલી ખેલ શરૂ&nbsp;</b></h2><p style="text-align: justify; ">જો કે, સોદો પાકો થયા બાદ અને સ્ટેમ્પ પેપર પર સહી-સિક્કા થઈ ગયા પછી અસલી ખેલ શરૂ થયો હતો. કરાર મુજબ નક્કી કરેલી સમયમર્યાદામાં પટેલ બંધુઓએ ખેડૂતને આપવાની થતી બાકીની કરોડોની રકમ ચૂકવી ન હતી.</p><h3 style="text-align: justify; "><b>ખોટા વાયદા આપીને ટલ્લે ચડાવતા હતા</b></h3><p style="text-align: justify; ">ખેડૂત જ્યારે પોતાના રૂપિયાની ઉઘરાણી કરતો, ત્યારે આ ગઠિયાઓ તેને વાયદા બજારના ખોટા વાયદા આપીને ટલ્લે ચડાવતા હતા. આ દરમિયાન, પટેલ બંધુઓએ ખેડૂતને સંપૂર્ણ વિશ્વાસમાં લઈ, તેની જાણ બહાર અથવા ફોસલાવીને આ કિંમતી જમીન ત્રીજી જ વ્યક્તિ (અન્ય ખરીદદાર)ને બારોબાર વેચી મારી હતી. જમીન વેચીને કરોડો રૂપિયા ખિસ્સામાં સેરવી લીધા હોવા છતાં, આ શઠ તત્વોએ મૂળ માલિક એવા ગરીબ ખેડૂતને એક પણ રૂપિયો આપ્યો ન હતો અને 2.14 કરોડની મસમોટી ઠગાઈ આચરી હાથ ઊંચા કરી દીધા હતા.</p><h4 style="text-align: justify; "><b>ખેડૂતે આખરે પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી&nbsp;</b></h4><p style="text-align: justify; ">પોતાની જમીન પણ ગઈ અને રૂપિયા પણ ન મળ્યા, ત્યારે છેતરાયા હોવાનો અહેસાસ થતાં પીડિત ખેડૂતે આખરે પાલ પોલીસ સ્ટેશનમાં બંને આરોપી પટેલ બંધુઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને કરોડો રૂપિયાના જમીન કૌભાંડની આસપાસના અન્ય તાર મેળવવા અને આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp;<a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/sandesh-digital-explainer-gujarat-monsoon-10-years-history" target="_blank"><b> &nbsp; Sandesh Digital Explainer : મેઘરાજાની એન્ટ્રીનું કાઉન્ટડાઉન..! જાણો છેલ્લા 10 વર્ષમાં ક્યારે વહેલા પધાર્યા અને ક્યારે કરાવ્યો ભારે ઈન્તેઝાર?</b></a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/PhrS39081URp0EO0DJpKqdLI7nXQDGHyzf0sHH5O.webp'/></item><item><title><![CDATA[Chhotaudepur: છોટાઉદેપુર ને.હા. 56 પર બ્રિજમાં ઉગેલા વૃક્ષ દૂર કરવા ઉઠેલી માગ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-56-</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-56-</guid><pubDate>Wed, 24 Jun 2026 05:51:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">છોટાઉદેપુર જિલ્લા સહિત ગુજરાત રાજ્ય અને મધ્યપ્રદેશને જોડતો નેશનલ હાઈવે નંબર 56 ઉપર તથા સ્ટેટ હાઈવે 62 ઉપર નાની મોટી નદીઓની ઉપર તથા ઓરસંગ નદી ઉપર આવેલા બ્રિજની સાઈડોની દિવાલોમાં વૃક્ષની ડાળી ઝાડી ઝાંખરા સહિત અનેક વેલા ઉગી નીકળ્યા છે. જે આ સરકારી સંપતિ અને લોક ઉપયોગી બ્રિજને નુકસાનકારક છે. જેના મૂળિયા બ્રિજની દીવાલો ફડી નાખે તો નવાઈ નહી.</p><p style="text-align: justify; ">જિલ્લામાં નદીઓ પર ના ઘણા બ્રિજો જર્જરિત છે. જેનું સમારકામ હાલ તંત્ર દ્વારા ચાલે છે. પરંતુ બ્રિજની કાળજી યોગ્ય પ્રમાણમાં લેવાતી નથી. બ્રિજની સાઈડોમાં ઊગી નીકળેલા ઝાડી ઝાંખરા દૂર કરાય તો તેની દીવાલોને નુકસાન થાય નહી. આ દીવાલોનું આયુષ વધી જાય. પરંતુ સજાગ તંત્રના ધ્યાને આ વાત આવતી નથી. જે અચરજ પમાડે તેમ છે. આવનારા દિવસોમાં ચોમાસુ આવવાનું હોય ભારે વરસાદ સમયમાં આ મૂળિયાંને પાણી વધુ મળશે. અને મોટા થશે તે પહેલા તેને દૂર કરવા માંગ ઉઠી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/1Qdyn0ji0o0w3gh9KvXrjSUMxLzqRDwjTAPz8tVq.webp'/></item><item><title><![CDATA[Patan: પાટણ પંથકમાં લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/patan/patan-minor-girl-kidnapped-on-the-pretext-of-marriage-in-patan-panthak</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/patan/patan-minor-girl-kidnapped-on-the-pretext-of-marriage-in-patan-panthak</guid><pubDate>Wed, 24 Jun 2026 05:51:17 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પાટણ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારની 17 વર્ષીય સગીરાનું એક શખ્સ દ્વારા લગ્નની લાલચ આપી અપહરણ કરી એક હોટલમાં લઈ જવાતાં સગીરાની માતાએ રણુંજ પોલીસ સ્ટેશનમાં શખ્સ વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા બાલીસણા પોલીસ સ્ટેશનના પીઆઈએ વધું તપાસ હાથ ધરી છે. પાટણ તાલુકાના અને રણુંજ પોલીસ મથકની હદમા આવેલા એક ગ્રામ્ય વિસ્તારની 17 વર્ષીય સગીરાનો પંથકના મીત પટેલ નામના શખ્સે મોબાઈલ ફેનથી પરિચય કેળવીને લગ્નની લાલચ આપી અપહરણ કરી લઈ જવાયાના આક્ષેપ સાથે સગીરાની માતાએ રણુંજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા વધુ તપાસ હાલમાં બાલીસણા પીઆઈ અરૂણા પટેલે હાથ ધરી છે. તેમણે જણાવ્યું હતું કે હાલમાં ફરીયાદના આધારે પંચનામું સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/3kdombG7tY5UTIgATnfFEmFRjC8gV1tvytZkouMq.webp'/></item></channel></rss>