<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[TechD Cyber Securityએ ભારત અને યુએઈની અગ્રણી બ્રાન્ડ્સ પાસેથી MSSP મેન્ડેટ્સ મેળવ્યા, દેશવ્યાપી TECHD ONE રોડ શોની શરૂઆત કરી ]]></title><link>https://sandesh.com/business/news/techd-cyber-security-mssp-mandates-india-uae-techd-one-roadshow-launch</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/techd-cyber-security-mssp-mandates-india-uae-techd-one-roadshow-launch</guid><pubDate>Thu, 16 Jul 2026 18:22:07 +05:30</pubDate><description><![CDATA[<p>ટેકડી સાયબર સિક્યુરિટી લિમિટેડ (NSE Emerge: TECHD), જે CERT-In દ્વારા એમ્પેનલ્ડ અને ISO/IEC 27001:2022 પ્રમાણિત સાયબર સિક્યુરિટી કંપની છે, તેણે ભારત તથા આંતરરાષ્ટ્રીય સ્તરની અગ્રણી સંસ્થાઓ સાથે અનેક નવા એન્ટરપ્રાઇઝ સાયબર સિક્યુરિટી કરારોની જાહેરાત કરી છે. આ નવા કરારો કંપનીની મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં હાજરીને વધુ મજબૂત બનાવે છે તથા વિશ્વસનીય એન્ટરપ્રાઇઝ સાયબર સિક્યુરિટી ભાગીદાર તરીકે તેની સ્થિતિને વધુ સશક્ત બનાવે છે.</p><p>ગત એક સપ્તાહ દરમિયાન કંપનીએ અંદાજે ₹3.93 કરોડના સંયુક્ત કરાર મૂલ્ય સાથે વિવિધ એન્ટરપ્રાઇઝ સાયબર સિક્યુરિટી પ્રોજેક્ટ્સ પ્રાપ્ત કર્યા છે. આ પ્રોજેક્ટ્સ રિન્યુએબલ એનર્જી, એવિએશન, શિપિંગ, ટેલિકોમ્યુનિકેશન, ફાઇનાન્શિયલ સર્વિસિસ, FMCG, સરકારી ક્ષેત્ર, મીડિયા તથા આંતરરાષ્ટ્રીય એજ્યુકેશન ટેકનોલોજી જેવા ક્ષેત્રોને આવરી લે છે.</p><h2><b>મુખ્ય હાઇલાઇટ્સ</b></h2><p>•	નવા એન્ટરપ્રાઇઝ ગ્રાહકોમાં મુંદ્રા સોલાર પીવી લિમિટેડ (અદાણી ગ્રુપ), જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (અદાણી ગ્રુપ), ધ ગ્રેટ ઈસ્ટર્ન શિપિંગ કંપની લિમિટેડ, AWL એગ્રી બિઝનેસ લિમિટેડ અને Alef Education Consultancy LLC (UAE) નો સમાવેશ થાય છે.</p><p>•	ટેક્નોલોજી, ટેલિકોમ, ફાઇનાન્શિયલ સર્વિસિસ, મીડિયા અને સરકારી ક્ષેત્રના ગ્રાહકો માટે અગ્રણી લિસ્ટેડ સાયબર સિક્યુરિટી સિસ્ટમ ઇન્ટિગ્રેટર્સ મારફતે પણ વધારાના કરારો પ્રાપ્ત થયા છે.</p><p>•	આ કરારોમાં 24x7 SOC સેવાઓ, Cybersecurity-as-a-Service (CSaaS), Managed Security Services, VAPT, SIEM, DLP, DSPM તેમજ એન્ટરપ્રાઇઝ સાયબર સિક્યુરિટી કન્સલ્ટિંગ જેવી સેવાઓનો સમાવેશ થાય છે.</p><p>•	ટેકડીએ Enterprise IT World CIO500 Conference &amp; Awards 2026 સાથે મળીને પોતાના 10 શહેરોના TECHD ONE રોડશોની પણ શરૂઆત કરી છે, જેમાં ભારતભરના 1,500થી વધુ CIOs અને CISOs સમક્ષ કંપનીનું AI આધારિત યુનિફાઇડ સાયબર સિક્યુરિટી પ્લેટફોર્મ રજૂ કરવામાં આવશે.</p><p>આ વિકાસ અંગે કંપનીના સ્થાપક, મેનેજિંગ ડિરેક્ટર અને CEO શ્રી સની વાગેલાએ જણાવ્યું: "એન્ટરપ્રાઇઝીસ હવે એવી ઇન્ટિગ્રેટેડ સાયબર સિક્યુરિટી સોલ્યુશન્સ તરફ આગળ વધી રહી છે, જે તેમની સમગ્ર ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સતત સુરક્ષા પ્રદાન કરે. વિવિધ ક્ષેત્રોની અગ્રણી સંસ્થાઓ દ્વારા અમારા પર મૂકાયેલો વિશ્વાસ અમારી કાર્યક્ષમતા અને ટેક્નોલોજી આધારિત અભિગમને દર્શાવે છે. આ નવા ગ્રાહક કરારો સાથે TECHD ONE રોડશો અમને દેશભરના ટેક્નોલોજી નેતાઓ સાથે સીધી મુલાકાત કરી અમારા AI આધારિત સાયબર સિક્યુરિટી પ્લેટફોર્મને રજૂ કરવાની ઉત્તમ તક પૂરી પાડે છે."</p><p>તાજેતરમાં પ્રાપ્ત થયેલા નવા ગ્રાહક કરારો અને દેશવ્યાપી TECHD ONE રોડશો કંપનીના એન્ટરપ્રાઇઝ ક્ષેત્રમાં વધતા પગલા, લાંબા ગાળાના ગ્રાહક સંબંધોને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા તથા ભારત અને વૈશ્વિક બજારોમાં AI આધારિત સાયબર સિક્યુરિટી સોલ્યુશન્સના વ્યાપને વિસ્તૃત કરવાની દિશામાં તેના સતત પ્રયત્નોને પ્રતિબિંબિત કરે છે.</p><h3><b>TechD Cybersecurity Limited વિશે</b></h3><p>TechD Cybersecurity Limited (NSE Emerge: TECHD) એક CERT-In દ્વારા એમ્પેનલ્ડ, ISO/IEC 27001:2022 પ્રમાણિત અને SOC 2 Type II Attested સાયબર સિક્યુરિટી કંપની છે, જે Managed Security Services, Security Operations Centre (SOC), VAPT, Governance, Risk &amp; Compliance (GRC), Cloud Security તથા AI આધારિત સાયબર સિક્યુરિટી સોલ્યુશન્સ ભારત તેમજ વૈશ્વિક બજારોમાં વિવિધ એન્ટરપ્રાઇઝ ગ્રાહકોને પ્રદાન કરે છે.</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/IWSUVs4UJgiRkLVpar338UYcUhwTiwaXLcSYugQr.webp'/></item><item><title><![CDATA[હોર્મુઝમાં મિસાઇલ એટેકમાં ભારતીયોના મોત પર ભારત લાલઘૂમ, હવે સરકારે લીધું આ મોટું પગલું ]]></title><link>https://sandesh.com/india/news/india-launches-seafarer-first-after-missile-attack-kills-indian-in-hormuz</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/india-launches-seafarer-first-after-missile-attack-kills-indian-in-hormuz</guid><pubDate>Thu, 16 Jul 2026 18:18:04 +05:30</pubDate><description><![CDATA[<p>અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પરના હુમલાઓ બાદ ભારતે એક મોટું પગલું ભર્યું છે. ભારત સરકારે નાવિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે સીફેરર-ફર્સ્ટ (Seafarer-First) અભિયાન શરૂ કર્યું છે. આ પહેલ હેઠળ સરકારને પર્સિયન ગલ્ફ, હોર્મુઝ સ્ટ્રેટ અને ઓમાનના અખાતમાંથી પસાર થતા દરેક જહાજ પરના દરેક ભારતીય નાવિકની માહિતી મળશે. તેમની સલામતી સુનિશ્ચિત કરવામાં આવશે, પછી ભલે તે જહાજ કોઈપણ દેશનું હોય.</p><p>હોર્મુઝ સ્ટ્રેટમાં યુએઈના બે તેલ ટેન્કરો પર મિસાઈલ હુમલામાં એક ભારતીય નાવિકના મૃત્યુ બાદ ભારત સરકારે આ નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલે કહ્યું, "ભારત જહાજો પરના હુમલાઓ પ્રત્યે સખત નારાજગી અને વાંધો વ્યક્ત કરે છે. આ હુમલાઓમાં ભારતીય નાવિકોના મૃત્યુ અને ગંભીર ઇજાઓ થઈ છે, જેઓ વૈશ્વિક સપ્લાય ચેઇનના સુગમ સંચાલનને સુનિશ્ચિત કરવાના મુખ્ય કાર્યકર્તા છે. હું દરેક ભારતીય નાવિક અને તેમના પરિવારોને ખાતરી આપવા માંગુ છું કે સરકાર તમને દરેક શક્ય રીતે અને દરેક કિંમતે મદદ કરવા તૈયાર છે."
</p><h2><b>વિદેશ મંત્રાલયે ઊંડી ચિંતા વ્યક્ત કરી
</b></h2><p>અગાઉ, વિદેશ મંત્રાલયે ઓમાનના પાણીમાં હોર્મુઝ સ્ટ્રેટ નજીક થયેલા હુમલામાં ભારતીય ક્રૂ મેમ્બરના મૃત્યુ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે મંગળવારે એક મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે ભારતે આ ઘટના અંગે ઈરાન સમક્ષ સખત વિરોધ નોંધાવ્યો છે અને આવા હુમલાઓને તાત્કાલિક રોકવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે ભારતે આ હુમલામાં એક કિંમતી ભારતીય નાગરિક ગુમાવ્યો છે. ઘણા ભારતીય નાગરિકો ઘાયલ થયા છે, જેમાંથી બેની હાલત ગંભીર છે.
</p><h3><b>ઈરાનમાં વિરોધ નોંધાવ્યો
</b></h3><p>જૈસવાલે જણાવ્યું હતું કે અમે આ બાબતે ઈરાની પક્ષ સમક્ષ અમારો સખત વિરોધ નોંધાવ્યો છે અને સ્પષ્ટપણે કહ્યું છે કે અમે જે હુમલાઓની નિંદા કરીએ છીએ તે તાત્કાલિક બંધ કરવા જોઈએ. બે ઈરાની ક્રૂઝ મિસાઈલોએ ઓમાનના પાણીમાં હોર્મુઝ સ્ટ્રેટમાં સંયુક્ત આરબ અમીરાત (UAE) ના બે ટેન્કરોને નિશાન બનાવ્યા હતા. અમીરાત ન્યૂઝ એજન્સીએ મંગળવારે સંરક્ષણ મંત્રાલયને ટાંકીને જણાવ્યું હતું કે ઈરાની હુમલામાં એક ભારતીય ક્રૂ મેમ્બરનું મોત થયું છે અને આઠ અન્ય ઘાયલ થયા છે.
</p><h4><b>હોર્મુઝમાં એક જહાજ પર થયેલા હુમલામાં એક ભારતીયનું મોત
</b></h4><p>મળતી માહિતી અનુસાર મોમ્બાસા અને અલ બાહિયાહ ટેન્કર હોર્મુઝ સ્ટ્રેટના દક્ષિણ રૂટ પરથી પસાર થઈ રહ્યા હતા. હુમલા દરમિયાન બંને ટેન્કોને ટક્કર લાગી હતી. મોમ્બાસામાં સવાર એક ભારતીય ક્રૂ મેમ્બરનું મોત થયું હતું, જ્યારે આઠ અન્ય ઘાયલ થયા હતા, જેમાંથી ચારની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. સમાચાર એજન્સી અનુસાર, ઘાયલોમાં છ ભારતીય અને બે યુક્રેનિયન નાગરિકોનો સમાવેશ થાય છે.
</p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/entertainment/news/imran-khan-and-sonakshi-sinha-came-in-support-of-sonam-wangchuk-said-i-cannot-remain-silent" target="_blank"><b>સોનમ વાંગચુકના સમર્થનમાં આવ્યા ઇમરાન ખાન અને સોનાક્ષી સિંહા, કહ્યું- 'હું ચુપ રહી શકતી નથી'</b></a>
</p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/hc2Qffy8YYmuP3oJND6rGlROySpAqMEnNnaidGu8.webp'/></item><item><title><![CDATA[Delhi Crime News: પ્રેમીએ પ્રમિકાને મારી ગોળી, બાદમાં કરી આત્મહત્યા, જાણો શુ હતો મામલો? ]]></title><link>https://sandesh.com/india/news/crime/delhi-crime-news-boyfriend-shot-girlfriend-later-committed-suicide-know-what-was-the-matter</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/crime/delhi-crime-news-boyfriend-shot-girlfriend-later-committed-suicide-know-what-was-the-matter</guid><pubDate>Thu, 16 Jul 2026 18:11:27 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">મૃતક શુભાંગીની નાની બહેન બપોરે 3:30 વાગ્યે કામ પરથી પાછી ફરતી વખતે આ ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસ કેસની તપાસ કરી રહી છે.</p><h2 style="text-align: justify; ">હત્યા અને આત્મહત્યાનો કેસ&nbsp;</h2><p style="text-align: justify; ">ઉત્તર દિલ્હીના બુરાડી વિસ્તારમાં હત્યા અને આત્મહત્યાનો એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. કમાલપુર વિસ્તારમાં ઘરમાંથી એક દંપતીના લોહીથી લથપથ મૃતદેહ મળી આવ્યા હતા. યુવકનું નામ નિખિલ છે અને યુવતીનું નામ શુભાંગી છે. નિખિલે પહેલા તેની પ્રેમિકાને ગોળી મારી અને પછી આત્મહત્યા કરી હતી. બંને છેલ્લા એક મહિનાથી કમાલપુરમાં ભાડાના મકાનમાં રહેતા હતા. શુભાંગી ઉત્તર પ્રદેશની રહેવાસી હતી અને નિખિલ હરિયાણાનો રહેવાસી હતો. બેરોજગાર નિખિલે આ ગુનો કેમ કર્યો તે એક મુખ્ય પ્રશ્ન છે.</p><h3 style="text-align: justify; ">પોલીસ તપાસ શરુ&nbsp;</h3><p style="text-align: justify; ">જ્યારે શુભાંગીની નાની બહેન બપોરે ૩ વાગ્યાની આસપાસ કામ પરથી ઘરે પાછી આવી, ત્યારે તે બંનેના મૃતદેહ ફ્લોર પર પડેલા જોઈને ચોંકી ગઈ હતી. અને ચારે બાજુ લોહીના છાંટા પડ્યા હતા. પોલીસ ગુનાના સ્થળે સંપૂર્ણ તપાસ કરી રહી છે. રૂમમાંથી કોઈ સુસાઇડ નોટ મળી નથી.</p><h4 style="text-align: justify; ">મૃતકોના પરિવારની જોવાઇ રહી છે રાહ&nbsp;</h4><p style="text-align: justify; ">નિખિલે તેના મૃત્યુ પહેલા તેના પરિવારને કેટલાક સંદેશા મોકલ્યા હતા. પોલીસ હવે બંનેના પરિવારજનો દિલ્હી આવે તેની રાહ જોઈ રહી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અને આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/india/news/-political-news/bimstec-nsa-meeting-delhi-strong-message-for-those-who-bully-in-the-indian-ocean-know-what-ajit-doval-said" target="_blank">હિંદ મહાસાગરમાં ગુંડાગીરી કરનારાઓ માટે કડક સંદેશ, જાણો અજિત ડોભાલે શુ કહ્યુ?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/T9zX3kLIuegGCf0ozLp2Oxz3meVPYGyam4TRXhFs.webp'/></item><item><title><![CDATA[Vav Tharad News: મેડિકલ સ્ટોરમાંથી 6.89 કરોડની પ્રતિબંધિત નશીલી દવાઓ ઝડપાઈ, 2ની ધરપકડ ]]></title><link>https://sandesh.com/crime/news/tharad/sog-police-raid-banned-drugs-seized-medical-store</link><guid isPermaLink="true">https://sandesh.com/crime/news/tharad/sog-police-raid-banned-drugs-seized-medical-store</guid><pubDate>Thu, 16 Jul 2026 17:58:07 +05:30</pubDate><description><![CDATA[<p>બનાસકાંઠા જિલ્લાની વાવ-થરાદ પોલીસ અને એસઓજીની ટીમે નશાના કાળા કારોબાર સામે અત્યાર સુધીની સૌથી મોટી અને ઐતિહાસિક કાર્યવાહી કરી છે. થરાદમાં મેડિકલ સ્ટોરની આડમાં ચાલી રહેલા પ્રતિબંધિત માદક દવાઓના મસમોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે દરોડો પાડીને રૂ. 6.89 કરોડથી વધુની કિંમતનો નશીલી દવાઓનો જથ્થો જપ્ત કર્યો છે અને આ ગુનામાં બે લોકોની ધરપકડ કરી છે.</p><h2><b>મેડિકલ સ્ટોરમાંથી માદક પદાર્થ મળ્યા</b></h2><p>મળતી વિગતો અનુસાર, એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, થરાદમાં આવેલ એક મેડિકલ સ્ટોરમાં ગેરકાયદે નશીલી અને પ્રતિબંધિત દવાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા મેડિકલ સ્ટોરમાંથી માદક પદાર્થ ધરાવતી 7,400થી વધુ પ્રતિબંધિત ગોળીઓ અને દવાનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂ. 6.89 કરોડથી વધુ અંકાય રહી છે. પોલીસે આ ગુનામાં થરાદના મેડિકલ સ્ટોર સંચાલક મફા રબારીની ધરપકડ કરી હતી.</p><h2><b>બીજા આરોપીની પણ ધરપકડ, તપાસ તેજ</b></h2><p>એસઓજીની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, આ નશીલી દવાઓ માત્ર સ્ટોર પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ અન્ય જગ્યાએ પણ તેનું ગેરકાયદે વેચાણ કરવામાં આવ્યું હતું. મફા રબારી પાસેથી નશીલી દવાઓ ખરીદનાર ધાનેરા તાલુકાના ચોથા નેસડા ગામના વિક્રમ રાજપૂત નામના અન્ય એક શખ્સની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે.</p><h2><b>NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો</b></h2><p>પોલીસે આ બંને આરોપીઓ વિરૂદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ નેટવર્કના તાર ક્યાં સુધી જોડાયેલા છે અને આ દવાઓ ક્યાંથી લાવવામાં આવી રહી હતી, તે દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે. આગામી દિવસોમાં આ નશીલી દવાઓના રેકેટમાં હજુ પણ કેટલાક મોટા ખુલાસા થવાની સંભાવના સેવાઈ રહી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="http://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/tharad/double-murder-case-solved-in-tharad-3-accused-including-husband-arrested-for-brutally-murdering-a-loving-couple" target="_blank">Tharadમાં ડબલ મર્ડરનો ભેદ ઉકેલાયો: પ્રેમી યુગલની કરૂર હત્યા કરનાર પતિ સહિત 3 આરોપીઓની ધરપકડ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/BH8M89n4hQANFrNAgEwvyv24SOomfgmSIINJpD9O.webp'/></item><item><title><![CDATA[સોનમ વાંગચુકના સમર્થનમાં આવ્યા ઇમરાન ખાન અને સોનાક્ષી સિંહા, કહ્યું- 'હું ચુપ રહી શકતી નથી' ]]></title><link>https://sandesh.com/entertainment/news/imran-khan-and-sonakshi-sinha-came-in-support-of-sonam-wangchuk-said-i-cannot-remain-silent</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/imran-khan-and-sonakshi-sinha-came-in-support-of-sonam-wangchuk-said-i-cannot-remain-silent</guid><pubDate>Thu, 16 Jul 2026 17:39:06 +05:30</pubDate><description><![CDATA[<p>દિલ્હીના જંતર-મંતર પર લગભગ 18 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકને હવે ફિલ્મ સ્ટાર્સ પોતાનો ટેકો આપી રહ્યા છે. સોનમ વાંગચુકનું સ્વાસ્થ્ય સતત બગડી રહ્યું છે અને તેમનું વજન પણ ઘણું ઘટી ગયું છે. આ દરમિયાન અભિનેત્રી સોનાક્ષી સિંહાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને સોનમ વાંગચુકને સપોર્ટ કર્યો છે. તેણે કહ્યું, "જે થવાનું છે તે થશે, પણ હું ચૂપ રહી શકતી નથી." તેણે એમ પણ ઉમેર્યું, "હું પણ આ દેશની યુવા છું. હું પણ આ દેશ માટે બેસ્ટ ઇચ્છું છું."</p><p>ઇન્સ્ટાગ્રામ પર રિલીઝ થયેલા એક વીડિયોમાં સોનાક્ષી સિંહા કહે છે, "મેં ક્યારેય આવું નિવેદન આપ્યું નથી, પણ આજે હું મારી જાતને રોકી શકતી નથી. સોનમ વાંગચુક આપણે બધા તેમને જાણીએ છીએ કે તેમણે આપણા દેશ માટે શું કર્યું છે. તેમની સિદ્ધિઓ શું છે. તેમણે કેટલા પુરસ્કારો જીત્યા છે. તેઓ 18 દિવસથી ભૂખ્યા છે અને કંઈ ખાધું નથી. તેઓ અહીં શા માટે બેઠેલા છે? તેઓ અહીં તે બાળકોના ભવિષ્ય માટે બેઠેલા છે, જેને તેઓ વિનાશ તરફ આગળ વધતા જુએ છે. તેઓ એવા બાળકો માટે લડી રહ્યા છે જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે. તેઓ એવી સિસ્ટમ સામે લડી રહ્યા છે જે યોગ્ય રીતે કામ કરી રહી નથી. તમે પણ જાણો છો, મને પણ ખબર છે અને બધા જાણે છે."</p><p><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Da2Qsu0ib3-/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Da2Qsu0ib3-/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a></p><p><b style="font-size: 2rem;">"હું ચૂપ રહી શકતી નથી."</b></p><p>સોનાક્ષી કહે છે, "આપણે બધા તેમને ઓળખીએ છીએ. તેઓ આપણને ઓળખતા નથી. છતાં દેશ ખાતર આ દેશના બાળકોના ભવિષ્ય ખાતર, તેમણે 18 દિવસથી ખાધું નથી અને ઘણા લોકો ચૂપ છે. તેથી હું તે સહન કરી શકી નહીં. જે કંઈ થવાનું છે તે થશે, કોઈ વાંધો નહીં. પણ હું ચૂપ રહી શકતી નથી."
</p><h4><b>"કોઈ કેમ સાંભળતું નથી?"
</b></h4><p>આ દરમિયાન તેણે કોકરોચ જનતા પાર્ટીનો પણ ઉલ્લેખ કર્યો અને દેશના યુવાનોને પોતાનો અવાજ ઉઠાવવા બદલ અભિનંદન આપ્યા. તેણે કહ્યું કે યુવાનો સત્ય અને કંઈક સારા માટે લડી રહ્યા છે. પણ કોઈ કેમ સાંભળતું નથી? તે કહે છે, "ખરેખર, કોઈને ચિંતા નથી. કોઈ સંવાદ નથી. કોઈ વાત કરી રહ્યું નથી. મારો મતલબ છે કે, કોઈ તેમની તરફ જોતું પણ નથી. પછી મેં નક્કી કર્યું કે, હું શા માટે ચૂપ રહીશ? હું પણ આ દેશની યુવાન છું. હું પણ આ દેશનું ભલું ઇચ્છું છું. હું રાષ્ટ્રવિરોધી નથી. તો હું કેમ ચૂપ છું?"
</p><h5><b>"જે થઈ રહ્યું છે તે યોગ્ય નથી."
</b></h5><p>સોનાક્ષીએ સોનમ વાંગચુકના એક નિવેદનને ટાંકીને કહ્યું, "હા, હું તમને ભૂખ હડતાળ સમાપ્ત કરવાનું નહીં કહું. હું ફક્ત એટલું જ પૂછવા માંગુ છું કે તમે ક્યારે જાગશો? તમે ત્યારે જ જાગશો જ્યારે આ માણસ મરી જશે. અને તેના માટે કોણ જવાબદાર હશે? જે થઈ રહ્યું છે તે યોગ્ય નથી. આપણે અવાજ ઉઠાવવો જોઈએ, આપણે આપણી આંખો ખોલવી જોઈએ, પછી ભલે કોઈ બીજું કરે કે ન કરે. જય હિંદ."
</p><h5><b>અભિનેતા ઇમરાન ખાને પણ ઉઠાવ્યા સવાલ
</b></h5><p>આ વિવાદ વચ્ચે, અભિનેતા ઇમરાન ખાને સોશિયલ મીડિયા પર પોતાના ભાવનાત્મક અને મહત્વપૂર્ણ વિચારો વ્યક્ત કર્યા છે, જેમાં વિદ્યાર્થીઓની પીડા વ્યક્ત કરી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં NEET કૌભાંડ અંગે જે કંઈ બન્યું છે અને જે વિવિધ બાબતો સામે આવી છે તે જોવી ખૂબ જ પરેશાન કરે છે. ઇમરાન ખાને સ્પષ્ટતા કરી કે આ કોઈ રાજકીય મુદ્દો નથી, પરંતુ દેશના બાળકોના ભવિષ્ય સાથે સંબંધિત મુદ્દો છે. તેમણે ફક્ત એટલું જ કહ્યું કે જો આપણે અપેક્ષા રાખીએ છીએ કે આપણા વિદ્યાર્થીઓ સંપૂર્ણ પ્રામાણિકતા અને સમર્પણ સાથે પરીક્ષા આપે, તો પરીક્ષાનું સંચાલન કરતી સરકારી એજન્સીઓ પાસેથી સમાન સ્તરની પ્રામાણિકતા અને જવાબદારીની અપેક્ષા કેમ ન રાખવી જોઈએ?
</p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/narottam-mishra-warns-officials--i-remember-friendship-and-enmity" target="_blank"><b>'હું ભૂલી જનારો માણસ નથી'. નરોત્તમ મિશ્રાની ખુલ્લેઆમ પોલીસને ચેતવણી</b></a>
</p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/R5YMICmTzR8NIZUz26R74r6lK9sL2BTr6JVWPeDn.webp'/></item><item><title><![CDATA[Surat News: જગન્નાથજીના દર્શને જતી બે કોલેજીયન યુવતીઓને ટ્રકે કચડી, એકનું મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/outer-ring-road-accident-truck-hits-moped-college-girl-died</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/outer-ring-road-accident-truck-hits-moped-college-girl-died</guid><pubDate>Thu, 16 Jul 2026 17:25:18 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત શહેરમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. ભગવાન જગન્નાથના દર્શન કરવા જઈ રહેલી બે કોલેજીયન યુવતીઓને સાયણ અને હજીરાને જોડતા આઉટર રિંગ રોડ પર કાળરૂપી ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં એક યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ છે.</p><h2><b>રિયા કુંભાણીનું ઘટના સ્થળે જ મોત</b></h2><p>મળતી વિગતો અનુસાર, મોપેડ સવાર બે કોલેજીયન યુવતીઓ રિયા કુંભાણી અને ઉર્વિષા બાંભણિયા ભગવાન જગન્નાથજીના દર્શને જઈ રહી હતી. આ દરમિયાન આઉટર રિંગ રોડ પર પૂરપાટ ઝડપે દોડતા એક ટ્રકના ચાલકે તેમની મોપેડને અડફેટે લીધી હતી. ટ્રકની ટક્કર એટલી જોરદાર હતી કે, રિયા કુંભાણીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે ઉર્વિષા બાંભણિયાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.</p><h2><b>જહાંગીરપુરા પોલીસે શરૂ કરી તપાસ</b></h2><p>અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત ઉર્વિષાને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાંથી વધુ સારવાર માટે તેને ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરાઈ છે. ઘટનાની જાણ થતાં જ જહાંગીરપુરા પોલીસની ટીમ તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતક રિયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે.</p><h2><b>પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું</b></h2><p>બીજી તરફ, આ કરુણ ઘટના અંગે યુવતીના પરિવારને જાણ કરાતા તેઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. આશાસ્પદ દીકરીના મોતના સમાચારથી કુંભાણી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે અને પરિવારજનોના આક્રંદથી હોસ્પિટલ પરિસર ગમગીન બની ગયું છે. જહાંગીરપુરા પોલીસે આ મામલે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને તેને ઝડપી પાડવા માટે આગળની કાયદેસરની તજવીજ હાથ ધરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/surat/bomb-threat-email-sent-to-bardoli-post-office-and-passport-office" target="_blank">Surat News: બારડોલીમાં ફરી એકવાર પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/cCzrJ891AZGl9L7Gg6t1v2ECeVP8vcDRAJny5Qel.webp'/></item><item><title><![CDATA[Gujarat News:  રાજ્ય ફાર્મસી કાઉન્સિલની મહત્વપૂર્ણ એડવાઈઝરી, કોલેજ પ્રવેશ પહેલાં PCIની માન્યતા ચકાસવી ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-pharmacy-council-issues-advisory--verify-pci-approval-before-taking-admission</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-pharmacy-council-issues-advisory--verify-pci-approval-before-taking-admission</guid><pubDate>Thu, 16 Jul 2026 17:19:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે  માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરવામાં આવી છે. ફાર્મસી અધિનિયમ 1948ની જોગવાઈઓ હેઠળ રચાયેલી આ કાઉન્સિલની કાર્યપ્રણાલી કાયદાકીય નિયમોનું ચુસ્ત અમલીકરણ કરે છે.તેથી ફાર્મસી ક્ષેત્રે પ્રવેશ ઈચ્છતા ઉમેદવારોએ પ્રવેશ લેતા પહેલાં તમામ નિયમોની ચકાસણી કરવી  આવશ્યક છે.</p><h2 style="text-align: justify; "><b>ધોરણ-12ની પરીક્ષા સરકાર માન્ય બોર્ડમાંથી જ પાસ કરેલી હોવી જોઈએ</b></h2><p style="text-align: justify; ">અધિનિયમની જોગવાઈઓ અનુસાર, ડીપ્લોમા-ઇન-ફાર્મસી અથવા ડીગ્રી ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીએ  માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ-12 સાયન્સની પરીક્ષા ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી અથવા મેથેમેટિક્સના વિષયો સાથે પાસ કરેલી હોવી ફરજિયાત છે.આ બાબતે ખાસ સ્પષ્ટતા કરવામાં આવે છે કે વિદ્યાર્થીએ ધોરણ-12ની પરીક્ષા સરકાર માન્ય બોર્ડમાંથી જ પાસ કરેલી હોવી જોઈએ.જો કોઈ વિદ્યાર્થી અમાન્ય બોર્ડમાંથી ધોરણ-12 પાસ કરીને ફાર્મસી કોલેજમાં પ્રવેશ મેળવશે, તો તેનો અભ્યાસ પૂર્ણ થયા બાદ પણ ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા રજીસ્ટ્રેશનને પાત્ર ગણાશે નહી.ધોરણ-12 ના પરિણામો જાહેર થયા બાદ ફાર્મસી વિદ્યાશાખામાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ વચ્ચે ખૂબ  સ્પર્ધા જોવા મળે છે.</p><h2 style="text-align: justify; "><b>યોગ્ય માન્યતા મળી  છે કે નહીં તેની અચૂક ચકાસણી કરી લેવી</b></h2><p style="text-align: justify; ">આ સંજોગોમાં,ગુજરાત કે ગુજરાત બહારની કોઈ પણ કોલેજમાં પ્રવેશ લેતાં પહેલાં,તે સંસ્થાને 'ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા PCI દ્વારા યોગ્ય માન્યતા મળી  છે કે નહીં તેની અચૂક ચકાસણી કરી લેવી. આ ઉપરાંત જે તે કોલેજમાં કાઉન્સિલ દ્વારા મંજૂર કરવામાં આવેલી બેઠકોની સંખ્યા કરતાં વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે તો પણ અમાન્ય ગણાશે.જો કોઈ વિદ્યાર્થી ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની મંજૂરી વગરની સંસ્થામાં પ્રવેશ મેળવશે.મંજૂર બેઠકો કરતાં વધુ બેઠકો પર પ્રવેશ લેશે અથવા જે સંસ્થાની પરીક્ષા લેતી ઓથોરિટીને PCI ની મંજૂરી ન હોય તેવી જગ્યાએ અભ્યાસ કરશે તો તેવા વિદ્યાર્થીઓને ફાર્મસીસ્ટ તરીકેનું  રજીસ્ટ્રેશન મળવાપાત્ર રહેશે નહીં.ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ ફાર્મસી કોલેજોની અધિકૃત યાદી કાઉન્સિલની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે.</p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/HxFG1E3ur7xWdro2Sw9tW2fFwF9xDVanQ6kIHcGv.webp'/></item><item><title><![CDATA[Ahmedabad Rathyatra 2026: શાહપુરમાં મુસ્લિમ આગેવાનોએ રથયાત્રાનું સ્વાગત કર્યું, સફેદ કબૂતર ઉડાડી શાંતિનો સંદેશ આપ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/muslim-leaders-welcome-jagannath-rath-yatra-in-shahpur-releasing-white-doves</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/muslim-leaders-welcome-jagannath-rath-yatra-in-shahpur-releasing-white-doves</guid><pubDate>Thu, 16 Jul 2026 16:56:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા મંદિરથી પ્રસ્થાન કરીને શાહપુર પહોંચી હતી.જ્યાં કોમી એકતાનો સંદેશ અપાયો હતો.શાહપુરમાં ભગવાનના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જામી હતી.આ વર્ષે પણ ભક્તોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી.શાહપુરમાં મુસ્લિમ અગ્રણીઓ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જગન્નાથ મંદિરના મહંત દિલિપદાસજીનું પણ મુસ્લિમ આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.&nbsp;<br><br><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Da2i1InD0nd/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA%3D%3D" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Da2i1InD0nd/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA%3D%3D" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><h2 style="text-align: justify; "><b>રથયાત્રામાં શાંતિના પ્રતિક સફેદ કબૂતર ઉડાવ્યા</b></h2><p style="text-align: justify; ">શાહપુરમાં ભગવાનની રથયાત્રા આવી પહોંચતા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખ સહિતના લઘુમતિ તથા હિન્દુ આગેવાનો દ્વારા ભગવાનના રથ અને મહંત દીલિપદાસજીનું ફૂલહારથી સ્વાગત કરાયું હતું.આ દરમિયાન કોમી એકતા ઝિંદાબાદના નારા લગાવીને શાંતિદૂત ગણાતા સફેદ કબૂતરને આકાશમાં ઉડાવીને શાંતિનો સંદેશો અપાયો હતો.મુસ્લિમ આગેવાનોએ મહંત દિલીપદાસજીનું પુષ્પહાર પહેરાવીને સ્વાગત કર્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>કબૂતર ઉડાડી કોમી એકતાનો સંદેશ અપાયો</b></h2><p style="text-align: justify; ">આ ઉપરાંત દરિયાપુર અને શાહપુરમાં મુસ્લિમ આગેવાનો દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.શાહપુર પહોંચેલી રથયાત્રામાં કોમી એકતાના પ્રતિક સમાન સફેદ કબૂતર ઉડાડીને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. રંગીલા પોલીસ ચોકી પાસે પહોંચેલી રથયાત્રામાં ભગવાનના દર્શન કરવા માટે લોકોની ભીડ જામી હતી. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખે કહ્યું હતું કે, ભાવિક ભક્તોને જય જગન્નાથ. આજે રથયાત્રા નીકળી છે.અમે 38 વર્ષથી સ્વાગત કરીએ છીએ. અહીં હિન્દુ અને મુસ્લિમ આગેવાનો જોડાય છે. અમારા માટે પણ આજનો દિવસ અનેરો છે. રાજ્યમા વરસાદની અછત દૂર થાય અને આજથી વરસાદ શરૂ થાય તેવી ભગવાન જગન્નાથને પ્રાર્થના કરીએ છીએ. એક સમયે જનતા કર્ફ્યૂ રહેતો હતો આજે બધા એકતા રાખી શાન વધારી રહ્યાં છે. આવું જ આખા દેશ અને રાજ્યમાં થાય અમન અને શાંતિ રહે.<br><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dahod/elephant-lakshmi-dies-before-limdi-jagannath-rath-yatra" target="_blank">આ પણ વાંચોઃ Dahod News: લીમડીમાં રથયાત્રામાં જોડાયા તે પહેલા લક્ષ્મી નામના ગજરાજનું આકસ્મિક અવસાન</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/Yeih8Hf41zsFVLFpVclvqiJtQFXPZCx8GcgqHjFx.webp'/></item><item><title><![CDATA[Lionel Messi ગોલ્ડન બૂટની રેસમાં સૌથી આગળ, એમબાપ્પે પાસે હજુ પણ ટોપના સ્થાન પર પહોંચવાની તક ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-golden-boot-race-messi-mbappe</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-golden-boot-race-messi-mbappe</guid><pubDate>Thu, 16 Jul 2026 16:20:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફિફા વર્લ્ડકપ 2026ની બીજી સેમીફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ ઈંગ્લેન્ડને 2-1 થી હરાવીને ટાઈટલ મેચમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. આર્જેન્ટિના હવે ફાઈનલમાં સ્પેન સામે ટકરાશે. બધાની નજર ગોલ્ડન બૂટ વિજેતા પર પણ છે, જેમાં લિયોનેલ મેસ્સી બીજી સેમીફાઈનલ પછી ટોપનું સ્થાન મેળવી લીધું છે.&nbsp;</p><p style="text-align: justify;">મેસ્સીએ ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલમાં એક પણ ગોલ કર્યો ન હતો, પરંતુ તેને આર્જેન્ટિના માટે 2 ગોલમાં મદદ કરી, જેનાથી તે ગોલ્ડન બૂટ જીતવાની રેસમાં ટોપના સ્થાને પાછો આવી ગયો.</p><h2 style="text-align: justify;"><b>મેસ્સીએ અત્યાર સુધીમાં 8 ગોલ કર્યા&nbsp;</b></h2><p style="text-align: justify;">લિયોનેલ મેસ્સીએ પોતાના કરિયરમાં એક પણ વાર ગોલ્ડન બૂટ જીત્યો નથી, અને આ વખતે તેની પાસે એક શાનદાર તક રહેવાની છે. મેસ્સીએ અત્યાર સુધી ફિફા વર્લ્ડકપમાં કુલ 8 ગોલ કર્યા છે, જેમાંથી 4 ગોલમાં તેને આસિસ્ટની ભૂમિકા પણ ભજવી છે. આ લિસ્ટમાં બીજા નંબરે ફ્રાન્સના કાયલિયન એમબાપ્પે છે, જેણે કુલ 8 ગોલ પણ કર્યા છે, પરંતુ તેના નામે ફક્ત 3 આસિસ્ટ છે. ત્રીજા નંબરે નોર્વેના ખેલાડી એર્લિંગ હાલેન્ડનું નામ છે, જેની ટીમની સફર ક્વાર્ટર-ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડ સામેની હાર સાથે સમાપ્ત થઈ.</p><h3 style="text-align: justify;"><b>2026 ફિફા વર્લ્ડકપ માટે ગોલ્ડન બૂટની રેસમાં ખેલાડીઓ</b></h3><p style="text-align: justify;">લિયોનેલ મેસ્સી (આર્જેન્ટિના) - 8 ગોલ, 4 આસિસ્ટ</p><p style="text-align: justify;">કાયલિયન એમબાપ્પે (ફ્રાન્સ) - 8 ગોલ, 3 આસિસ્ટ</p><p style="text-align: justify;">એરલિંગ હાલેન્ડ (નોર્વે) - 7 ગોલ</p><p style="text-align: justify;">જુડ બેલિંગહામ (ઈંગ્લેન્ડ) - 6 ગોલ, 1 આસિસ્ટ</p><p style="text-align: justify;">હેરી કેન (ઈંગ્લેન્ડ) - 6 ગોલ, 1 આસિસ્ટ</p><h4 style="text-align: justify;"><b>એમબાપ્પે પાસે હજુ પણ ટોપ સ્થાને પહોંચવાની તક</b></h4><p style="text-align: justify;">ભલે ફ્રાન્સ 2026 ના ફિફા વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ રહ્યું, પરંતુ હવે તેમની પાસે ત્રીજા સ્થાને રહીને ટુર્નામેન્ટ પૂર્ણ કરવાની શાનદાર તક છે. આનાથી કાયલિયન એમબાપ્પે પાસે મેસ્સીને પાછળ છોડીને ગોલ્ડન બૂટની રેસમાં પ્રથમ સ્થાન મેળવવાની તક બાકી છે. ફ્રાન્સ અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજા સ્થાન માટેની મેચ 19 જુલાઈના રોજ ભારતીય સમય મુજબ સવારે 2:30 વાગ્યે રમાશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/ishan-kishan-run-out-abhishek-sharma-stump-mic-video" target="_blank">Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/EWNarws57Dn8jooFWmrzBAw1gRglBgZWwBEB6jjO.webp'/></item><item><title><![CDATA[Kachchh News: કચ્છીઓના નવા વર્ષની ઉજવણીના દિવસે જ જિલ્લામાં સતત બે ભૂકંપના આંચકા આવ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/bhuj/two-earthquake-tremors-jolt-kutch-on-ashadhi-beej-and-kutchi-new-year</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/bhuj/two-earthquake-tremors-jolt-kutch-on-ashadhi-beej-and-kutchi-new-year</guid><pubDate>Thu, 16 Jul 2026 16:05:13 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આજે અષાઢી બીજના રોજ કચ્છીઓનું નવું વર્ષ ઉજવાય છે. ત્યારે આજે ભગવાનની રથયાત્રા અને નવા વર્ષની ઉજવણી વચ્ચે કચ્છમાં સતત બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. જિલ્લામાં ફરી એકવાર ભૂકંપના બે ઉપરાઉપરી આંચકા અનુભવાતા સ્થાનિક લોકોમાં ફફડાટ મચી ગયો છે.કચ્છના સરહદી વિસ્તાર એવા ખાવડા અને ઐતિહાસિક ધરોહર ધરાવતા ધોળાવીરા પંથકમાં ગણતરીની મિનિટોના અંતરે જ ધરતી ધ્રૂજી ઉઠી હતી. બપોરના સમયે આવેલા આ બે આંચકાઓને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>ખાવડા વિસ્તારમાં બપોરે 2.20 કલાકે આંચકો નોંધાયો</b></h2><p style="text-align: justify; ">પ્રથમ આંચકો કચ્છના ખાવડા વિસ્તારમાં બપોરે 2.20 કલાકે નોંધાયો હતો જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 માપવામાં આવી હતી.ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર,આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી અંદાજે 32 કિલોમીટર દૂર નોંધાયું હતું.આંચકો સામાન્ય કરતાં વધુ તીવ્ર હોવાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ તેની અસર વર્તાઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>ભૂકંપનો બીજો આંચકો ધોળાવીરા પાસે નોંધાયો</b></h2><p style="text-align: justify; ">આ ઘટનાના માત્ર બે જ મિનિટ બાદ એટલે કે બપોરે 2.22 કલાકે કચ્છમાં ભૂકંપનો બીજો આંચકો ધોળાવીરા પાસે નોંધાયો હતો.આ બીજા આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2ની રહેવા પામી હતી અને તેનું કેન્દ્રબિંદુ પણ ધોળાવીરાથી 32 કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે.સદનસીબે આ બંને આંચકાઓ પાછળ કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી પરંતુ બે મિનિટમાં બે આંચકા આવતા તંત્ર અને નાગરિકો બંને સાબદા બન્યા છે.<br><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/kutch/rapar-ashadhi-bij-kutchi-new-year-rathyatra-rain-trikam-saheb-virda-mela" target="_blank">આ પણ વાંચોઃ Kutch: રાપરમાં કચ્છી નવા વર્ષ અને ભવ્ય રથયાત્રા વચ્ચે મેઘરાજાની શુકનવંતી પધરામણી</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/69Au2NY6xEYYs6Hd5ybMBKoZacQlwJHBktMhInsp.webp'/></item></channel></rss>