<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Palanpur-Banaskantha : નોળિયો કરડ્યા બાદ રસીનો માત્ર એક જ ડોઝ લેવો ભારે પડ્યો,હડકવાના લક્ષણો દેખાતાં મહિલાનું કરુણ મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/palanpur/palanpur-banaskantha-civil-hospital-mongoose-bite-rabies-death-rajasthan-woman</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/palanpur/palanpur-banaskantha-civil-hospital-mongoose-bite-rabies-death-rajasthan-woman</guid><pubDate>Fri, 19 Jun 2026 13:34:41 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરથી એક અત્યંત ચોંકાવનારી અને લોકો માટે લાલબત્તી સમાન ઘટના સામે આવી છે. સામાન્ય રીતે કૂતરા કે બિલાડી કરડવાથી હડકવા થતો હોવાનું આપણે સાંભળ્યું છે, પરંતુ અહીં એક નોળિયો કરડવાના દોઢ મહિના બાદ મહિલામાં હડકવાના ઘાતક લક્ષણો દેખાતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે તબીબી જગતમાં ચકચાર મચી ગઈ છે અને મૃતક મહિલાના પરિવારમાં ભારે શોકનો માહોલ વ્યાપી ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>રાજસ્થાનની મહિલાને દોઢ મહિના પહેલા એક નોળિયો કરડ્યો
</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, મૂળ પાડોશી રાજ્ય રાજસ્થાનની વતની આ મહિલાને આશરે દોઢ મહિના પહેલા એક નોળિયો કરડ્યો હતો. તે સમયે મહિલાએ બેદરકારી દાખવીને હડકવા વિરોધી રસીનો માત્ર એક જ ડોઝ લીધો હતો અને ત્યાર બાદ કોર્સ અધૂરો છોડી દીધો હતો. દોઢ માસનો સમય વીત્યા બાદ અચાનક મહિલાના શરીરમાં હડકવાના ગંભીર અને ભયજનક લક્ષણો દેખાવા લાગ્યા હતા. તબિયત લથડતાં તેમને તાત્કાલિક બનાસકાંઠાની પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.
</p><h3 style="text-align: justify; ">&nbsp;<b>સારવાર દરમિયાન જ મહિલાએ દમ તોડી દીધો 
</b></h3><p style="text-align: justify; ">મહિલામાં હડકવાના ચિહ્નો જણાતાં હોસ્પિટલના તબીબોની ટીમ દ્વારા તાત્કાલિક યુદ્ધના ધોરણે સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી. આ સાથે જ હડકવાના સત્તાવાર પરીક્ષણ માટે મહિલાના જરૂરી સેમ્પલ લઈને લેબોરેટરીમાં રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જોકે, હડકવાના લક્ષણો એકવાર શરીરમાં દેખાયા બાદ દર્દીને બચાવવો અત્યંત મુશ્કેલ બની જાય છે. આ કિસ્સામાં પણ તમામ પ્રયાસો છતાં સારવાર દરમિયાન જ મહિલાએ દમ તોડી દીધો હતો. તબીબો આ ઘટના બાદ લોકોને અપીલ કરી રહ્યા છે કે વન્યજીવ કે કોઈપણ શંકાસ્પદ પ્રાણી કરડે ત્યારે હડકવાની રસીનો સંપૂર્ણ કોર્સ કરવો અનિવાર્ય છે, સહેજ પણ બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-gujarat-latest-news-live-and-samachar-19-june-2026-politics-weather-updates-daily-breaking-news-nation" target="_blank"><b>Gujarat Latest News Live :ભારત માટે રાહત, હોર્મુઝ પાર કરીને LNG જહાજ ગુજરાત પહોંચ્યું</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/19/uaN4Q5ZyLkYINIMPhNlloYR0zOXFwV93ECr3xt6C.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : ધંધુકાના ગુંજાર ગામે ઘરકંકાસથી કંટાળી 30 વર્ષીય પરણિતાએ કર્યું અગ્નિસ્નાન; ગંભીર હાલતમાં ભાવનગર હોસ્પિટલ ખસેડાયા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ahmedabad/ahmedabad-dhandhuka-gunjar-woman-suicide-attempt-fire-bhavnagar-hospital</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ahmedabad/ahmedabad-dhandhuka-gunjar-woman-suicide-attempt-fire-bhavnagar-hospital</guid><pubDate>Fri, 19 Jun 2026 13:25:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ગુંજાર ગામેથી એક અત્યંત આઘાતજનક અને ચિંતાજનક ઘટના સામે આવી છે. ગુંજાર ગામે રહેતી એક 30 વર્ષીય પરણિતાએ પારિવારિક વિખવાદ અને રોજ-રોજના ઘરકંકાસથી કંટાળીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને પરિવારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.</p><h2 style="text-align: justify; "><b>શરીરે જ્વલનશીલ પ્રવાહી છાંટીને દીવાસળી ચાંપી
</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, ગુંજાર ગામે રહેતા શિલ્પાબેન ગણપતભાઇ કણઝરિયા (ઉંમર વર્ષ 30) લાંબા સમયથી ઘરના આંતરિક કંકાસથી માનસિક રીતે પરેશાન હતા. આ રોજિંદા વિવાદથી કંટાળીને આજે વહેલી સવારે આશરે 5  વાગ્યાના સુમારે તેમણે અંતિમ પગલું ભરવાનું નક્કી કર્યું હતું. શિલ્પાબેને પોતાના ઘરમાં જ શરીરે જ્વલનશીલ પ્રવાહી છાંટીને દીવાસળી ચાંપી દીધી હતી અને અગ્નિસ્નાન કરી લીધું હતું.
</p><h3 style="text-align: justify; "><b>શરીરે ગંભીર રીતે દાઝી ગયા
</b></h3><p style="text-align: justify; ">પરણિતાની ચીસાચીસ સાંભળીને આસપાસના લોકો અને પરિવારજનો દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં શિલ્પાબેન શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને તાત્કાલિક  ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે ધંધુકાની રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની પ્રાથમિક સારવાર કર્યા બાદ, સ્થિતિ વધુ નાજુક જણાતા તબીબોની સલાહ અનુસાર તેમને વધુ સઘન સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ ધંધુકા પોલીસનો કાફલો સક્રિય થયો છે અને કયા કારણોસર ઘરકંકાસ થતો હતો તેમજ આત્મઘાત પાછળ કોણ જવાબદાર છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-gujarat-latest-news-live-and-samachar-19-june-2026-politics-weather-updates-daily-breaking-news-nation" target="_blank"><b>Gujarat Latest News Live :ભારત માટે રાહત, હોર્મુઝ પાર કરીને LNG જહાજ ગુજરાત પહોંચ્યું</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/19/QuEBpobbykroHVXCLic8EotxaXdITVQ6LQsdlCDI.webp'/></item><item><title><![CDATA[Manika Batraએ PM મોદી પાસે લગાવી ગુહાર,ટીમ સિલેક્શન સામે ઉઠાવ્યા સવાલ ]]></title><link>https://sandesh.com/sports/news/manika-batra-appeals-to-pm-modi-raises-questions-about-team-selection</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/manika-batra-appeals-to-pm-modi-raises-questions-about-team-selection</guid><pubDate>Fri, 19 Jun 2026 13:06:18 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય ટેબલ ટેનિસ સ્ટાર મનિકા બત્રાએ 2026 એશિયન ગેમ્સ માટે જાહેર કરાયેલી મહિલા ટીમમાં પસંદગી ન થવા પર નિરાશા વ્યક્ત કરી છે. તેણીએ પસંદગી પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા હતા અને સ્પષ્ટ જવાબ માંગ્યો હતો.મનિકાને ટીમમાં સામેલ કરવામાં આવી ન હતી અને તેને સ્વસ્તિકા ઘોષ સાથે રિઝર્વ ખેલાડી તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. તેણીનો દાવો છે કે સ્થાનિક ટુર્નામેન્ટમાં તેની ગેરહાજરીને કારણે તે ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા (TTFI) ના રાષ્ટ્રીય રેન્કિંગમાં સ્થાન મેળવી શકી ન હતી, જેના કારણે તેની પસંદગી પર અસર પડી હતી.</p><h4><b>મણિકા બત્રાએ પસંદગી ન થવા અંગે પ્રશ્ન ઉઠાવ્યો&nbsp;</b></h4><p>માનિકા વિશ્વ રેન્કિંગમાં ભારતની નંબર બે મહિલા ખેલાડી છે અને આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ફેડરેશન (ITTF) રેન્કિંગમાં 51મા ક્રમે છે. તેનાથી ઉપર, વિશ્વ ક્રમાંક 45 પર, દેશની નંબર એક ખેલાડી શ્રીજા અકુલા છે. મણિકાએ જણાવ્યું હતું કે તે વિશ્વ રેન્કિંગમાં ટોચના 50 ની બહાર છે, અને આ અંતર ખૂબ જ નાનું છે. આ પરિસ્થિતિ રેન્કિંગ ચક્રમાં બદલાઈ શકે છે. પોતાના નિવેદનમાં, મનિકાએ જણાવ્યું હતું કે પસંદગીના માપદંડો કેવી રીતે લાગુ કરવામાં આવ્યા તે અંગે તેમને સ્પષ્ટ માહિતી આપવામાં આવી ન હતી. અગાઉના એશિયન ગેમ્સની પસંદગીનો ઉલ્લેખ કરીને, તેમણે પ્રશ્ન કર્યો હતો કે કેટલાક ખેલાડીઓને તેમના નબળા વિશ્વ અને રાષ્ટ્રીય રેન્કિંગ હોવા છતાં ખાસ છૂટ કેમ આપવામાં આવી હતી.</p><h5><b>માનિકાએ PM મોદીને સમગ્ર પ્રક્રિયાની તપાસ કરવા અપીલ કરી&nbsp;</b></h5><p>માનિકાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રમતગમત મંત્રી મનસુખ માંડવિયા અને ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) ને આ મામલે હસ્તક્ષેપ કરવા અને સમગ્ર પ્રક્રિયાની તપાસ કરવા અપીલ કરી છે. તેમણે પસંદગીના માપદંડ, વજન અને દસ્તાવેજી પુરાવા સહિત લેખિત સમજૂતીની માંગ કરી છે. મણિકા બત્રા ભારતીય ટેબલ ટેનિસમાં સ્ટાર ખેલાડી છે. તેણીએ ભારત માટે અનેક મેડલ જીત્યા છે.</p><p><a href="https://x.com/manikabatra_TT/status/2067821768501522749?s=20" target="_blank">https://x.com/manikabatra_TT/status/2067821768501522749?s=20</a></p><p><br></p><h5><b>TTFIએ પસંદગી ન થવાનું કારણ સમજાવ્યું</b></h5><p>બીજી બાજુ, TTFI એ જણાવ્યું કે 2023 ની નીતિ અનુસાર, 50 ટકા ભાર રાષ્ટ્રીય રેન્કિંગને, 40 ટકા વિશ્વ રેન્કિંગને અને 10 ટકા પસંદગી સમિતિના વિવેકબુદ્ધિને આપવામાં આવે છે. ફેડરેશનનો દાવો છે કે શ્રેષ્ઠ અને સૌથી સુસંગત ખેલાડીઓને પ્રાથમિકતા આપવામાં આવી હતી. પરિણામે, મનિકા બત્રાને ટીમમાં પસંદ કરવામાં આવી ન હતી.</p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/canadas-player-ismail-kon-suffered-a-serious-injury-was-taken-off-the-field-on-a-stretcher-watch-video" target="_blank"> Canadaના પ્લેયર ઇસ્માઇલ કોનને થઈ ગંભીર ઇજા, સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવાયો,જુઓ Video</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/19/XMFgPWZSQ2rLg2FX4Zrkuksv4uqGDSdyT7Bwon6d.webp'/></item><item><title><![CDATA[Mumbai News: કોર્ટે NEET પુનઃપરીક્ષા માટે દુષ્કર્મના આરોપીને આપ્યા જામીન, પીડિતાએ જ આપી શરતી મંજૂરી ]]></title><link>https://sandesh.com/india/news/mumbai-news-court-grants-bail-to-rape-accused-for-neet-re-examination-victim-gives-conditional-permission</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/mumbai-news-court-grants-bail-to-rape-accused-for-neet-re-examination-victim-gives-conditional-permission</guid><pubDate>Fri, 19 Jun 2026 13:05:46 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">રેપ આરોપીને પરીક્ષામાં હાજર રહેવા માટે કામચલાઉ જામીનની વિનંતી કર્યા બાદ આ આદેશ કરવામાં આવ્યો હતો.&nbsp;</p><h2 style="text-align: justify; ">કડક શરતો હેઠળ રાહત</h2><p style="text-align: justify; ">મુંબઈની એક ખાસ POCSO કોર્ટે રેપ અને POCSO કાયદા હેઠળ જેલમાં બંધ 18 વર્ષીય આરોપીને NEET પુનઃપરીક્ષામાં હાજર થવા માટે ચાર દિવસના જામીન આપ્યા છે. કોર્ટે કડક શરતો હેઠળ રાહત આપી છે અને પરીક્ષા પછી નિયત સમયે આત્મસમર્પણ કરવાનો નિર્દેશ કર્યો છે. આરોપી હાલમાં નવી મુંબઈની તલોજા સેન્ટ્રલ જેલમાં બંધ છે. કોર્ટે તેને 50 હજારના વ્યક્તિગત બોન્ડ અને એટલી જ રકમની જામીન પર 18થી21 જૂન સુધી કામચલાઉ જામીન આપ્યા છે. પરીક્ષા પછી 22 જૂને બપોરે 2 વાગ્યા પહેલાં સંબંધિત અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કરવાનો પણ આદેશ કર્યો છે.</p><h3 style="text-align: justify; ">આરોપીના વકીલની દલીલ&nbsp;</h3><p style="text-align: justify; ">જોકે, પીડિતાએ શરત રાખી હતી કે, આરોપી જામીન પર હોય ત્યારે તેના પરિવારને કોઈપણ રીતે ધમકી આપશે નહીં અથવા તેમની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરશે નહીં. સુનાવણી દરમિયાન, આરોપીનું પ્રતિનિધિત્વ કરતા વકીલ કપિલ વિશ્વાસ જોધગેએ કોર્ટને જણાવ્યું હતું કે ફોજદારી ન્યાય પ્રણાલીનો હેતુ ફક્ત સજા કરવાનો નથી, પરંતુ સુધારા અને પુનર્વસન માટે તક પૂરી પાડવાનો પણ છે. તેમણે દલીલ કરી હતી કે આરોપીને મેડિકલ પ્રવેશ પરીક્ષામાં હાજર રહેવાની તક આપવી જોઈએ જેથી તે તેના ભવિષ્યને સુધારવા માટે પગલાં લઈ શકે.</p><h4 style="text-align: justify; ">જામીન અરજીનો વિરોધ</h4><p style="text-align: justify; ">બચાવ પક્ષે એવી પણ દલીલ કરી હતી કે, પોલીસ સુરક્ષા હેઠળ પરીક્ષામાં હાજર રહેવાથી તેના માનસિક સંતુલન અને તૈયારી પર અસર પડી શકે છે. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર ચૈત્રાલી પાંશીકરે આરોપોની ગંભીરતાને ટાંકીને જામીન અરજીનો વિરોધ કર્યો હતો. ફરિયાદ પક્ષે સૂચવ્યું હતું કે આરોપીને માત્ર એક દિવસ માટે પોલીસ સુરક્ષા હેઠળ પરીક્ષા આપવાની મંજૂરી આપવામાં આવે.</p><h5 style="text-align: justify; ">નિયમોનુ પાલન કરવા આદેશ&nbsp;</h5><p style="text-align: justify; ">બચાવ પક્ષ દ્વારા રજૂ કરાયેલા ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાના પ્રમાણપત્ર અને કામચલાઉ NEET પ્રવેશપત્રની સમીક્ષા કર્યા પછી, કોર્ટે તારણ કાઢ્યું કે આરોપીને મર્યાદિત જામીન આપવા માટે પૂરતા કારણો અસ્તિત્વમાં છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ફરિયાદ પક્ષની ચિંતાઓને કડક શરતો દ્વારા દૂર કરી શકાય છે. કોર્ટે આરોપીને પીડિતા અથવા તેની સાથે સંકળાયેલા કોઈપણ વ્યક્તિનો સંપર્ક ન કરવાનો, કોઈપણ પુરાવા સાથે છેડછાડ ન કરવાનો અથવા કોઈપણ સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ ન કરવાનો નિર્દેશ આપ્યો. તેને પરીક્ષામાં હાજર રહેવા અને પુરાવા રજૂ કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/knowledge/news/world/hanging-and-crucifixion-what-is-the-difference-between-hanging-and-crucifixion-why-is-it-different-know" target="_blank">ફાંસી અને ક્રુસિફિકેશન વચ્ચે શું છે તફાવત, શા માટે તે છે અલગ?, જાણો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/19/3rcrBzr8qoNJW12uaFdqaOExDa09G6rrWpkmLQYP.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: મનપાની અણઘડ નીતિથી પીક અવર્સમાં ટ્રાફિક જામ, મસમોટા ફૂટપાથ બનાવી રોડ સાંકડા કરી દીધા ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-changes-footpath-policy-due-to-heavy-traffic-jam-and-poor-planning</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-changes-footpath-policy-due-to-heavy-traffic-jam-and-poor-planning</guid><pubDate>Fri, 19 Jun 2026 13:00:18 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદમાં રોડ એન્જિનિયરિંગના નામે ચાલી રહેલા અખતરાઓનો ભોગ દરરોજ લાખો વાહનચાલકો બની રહ્યા છે. પશ્ચિમ ઝોનથી લઈને પૂર્વ ઝોનના અનેક મોડેલ રોડ પર અમદાવાદ મહાનગરપાલિકાના રોડ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓએ એવું વિચિત્ર આયોજન કર્યું હતું કે, મુખ્ય રસ્તાઓ સાંકડા થઈ ગયા અને ચાલવા માટેની ફૂટપાથ હદ કરતાં વધુ મોટી બની ગઈ. હદ તો ત્યારે થઈ જ્યારે અનેક વિસ્તારોમાં એવા રસ્તા જોવા મળ્યા જ્યાં વાહનો ચલાવવા માટે માંડ બે મોટરસાયકલ પસાર થઈ શકે તેટલી જ જગ્યા બચી હતી, જ્યારે તેની બાજુમાં આવેલી ફૂટપાથ અને પાર્કિંગ એરિયામાં બે મોટી એસયુવી (SUV) કાર આરામથી રહી શકે એટલી જગ્યા છોડવામાં આવી હતી.</p><h2><b>પીક અવર્સમાં ટ્રાફિકે કમ્મર તોડી</b></h2><p>આ અણઘડ નકશા અને આયોજનના કારણે એસ.જી. હાઇવેને જોડતા આંતરિક રસ્તાઓ, આશ્રમ રોડ, સેટેલાઇટ, સી.જી. રોડ સહિતના અનેક પોશ વિસ્તારોમાં સવાર-સાંજ ઓફિસ ટાઇમે વાહનોની લાંબી કતારો લાગતી હતી. ટ્રાફિક પોલીસ અને મનપા વચ્ચે પણ આ બાબતે અનેકવાર સંકલનનો અભાવ જોવા મળ્યો હતો. અધિકારીઓએ મન પડે તેમ 3 થી લઈને 15 મીટર સુધીના મસમોટા ફૂટપાથ બનાવી દીધા, પરંતુ તેનો ઉપયોગ રાહદારીઓ કરવાના બદલે લારી-ગલ્લાવાળાઓ અને ગેરકાયદે પાર્કિંગ કરનારા તત્વો કરવા લાગ્યા. ટ્રાફિકની આ ભયાનક સમસ્યા અંગે સ્થાનિક કાઉન્સિલરો અને જનતા દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆતોનો મારો ચલાવવામાં આવ્યો હતો.</p><h3><b>હવે નવા રોડ પ્રોજેક્ટમાં નિયમો બદલાશે</b></h3><p>ચારેય તરફથી થૂ-થૂ થતાં આખરે એએમસી (AMC) ના ઉચ્ચ અધિકારીઓને પોતાની ભૂલ સમજાઈ છે અને વહીવટી જ્ઞાન લાધ્યું છે. મનપાની તાજેતરની વહીવટી બેઠકમાં એવો કડક નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી શહેરમાં કોઈ પણ નવો રોડ બનશે કે રિપેર થશે, ત્યારે તેની ફૂટપાથ રોડની વાસ્તવિક સાઇઝ અને વાહનોના ટ્રાફિક લોડને માપીને જ બનાવવામાં આવશે. ફૂટપાથના નામે રસ્તા રોકવાની આ પ્રથા બંધ થશે. જો કે, જનતામાં અત્યારે એ સવાલ પણ ઉઠી રહ્યો છે કે જે જગ્યા પર કરોડો રૂપિયાના પબ્લિક ટેક્સના ખર્ચે ઓલરેડી મોટા ફૂટપાથ બની ગયા છે, શું તેને તોડીને રોડ પહોળા કરવામાં આવશે? અને જો તોડવામાં આવશે તો આ જનતાના નાણાંના વેડફાટ માટે જવાબદાર એન્જિનિયરો સામે કોઈ દંડાત્મક પગલાં લેવાશે કે કેમ?</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/crime/gondal/daiya-wife-and-lover-attack-husband-juned-kabir-dies-case-turned-into-murder" target="_blank">આ પણ વાંચો:&nbsp; Gondal: પ્રેમમાં આંધળી બનેલી પત્નીએ જ ઉજ્જડ કર્યો પોતાનો સુહાગ, LCB પોલીસે હત્યારાને દબોચ્યા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/19/QitavjVhHgzSOEiD6UVjE4w7jK80EyjjAxyFHz1r.webp'/></item><item><title><![CDATA[Waghodia Vadodara : પહેલા જ વરસાદે ખોલી પોલ, અંટોલી રોડ પર નવા નાળામાં તિરાડો, ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરવા માગ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/vaghodia-ina/waghodia-vadodara-antoli-road-pothole-st-bus-stuck-mud-pwd-corruption</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/vaghodia-ina/waghodia-vadodara-antoli-road-pothole-st-bus-stuck-mud-pwd-corruption</guid><pubDate>Fri, 19 Jun 2026 12:49:39 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા જિલ્લાના વાઘોડિયા સહિત સમગ્ર તાલુકામાં રાત્રિ દરમિયાન પડેલા વરસાદે માર્ગ મકાન વિભાગ અને કોન્ટ્રાક્ટરની કામગીરીના ધજાગરા ઉડાવી દીધા છે. વાઘોડિયાના રામેશ્વરપુરાથી અંટોલી જવાના મુખ્ય રોડ પર  માર્ગ મકાન વિભાગ  દ્વારા તાજેતરમાં જ ત્રણથી વધુ નવીન નાળાઓ બનાવવામાં આવ્યા હતા. પરંતુ, કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીના કારણે આ નાળા અને મુખ્ય રોડનું લેવલિંગ યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી. રોડનું લેવલિંગ લગભગ બે ફૂટ જેટલું નીચું રાખવામાં આવતા પહેલા જ વરસાદમાં અહીં માર્ગ બેસી જવાની ભીતિ સેવાઈ રહી છે.</p><h2 style="text-align: justify; "><b>&nbsp;મોટી માત્રામાં ચીકણી માટી અને કાદવ પથરાઈ ગયો 
</b></h2><p style="text-align: justify; ">વરસાદ પડતાંની સાથે જ નવીન બનેલા નાળાના બંને છેડા પર મોટી માત્રામાં ચીકણી માટી અને કાદવ પથરાઈ ગયો છે. આ ચીકણી માટીના કારણે વહેલી સવારથી જ નોકરી-ધંધે જતા અનેક બાઇક ચાલકો સ્લિપ થઈ જતાં નાના-મોટા અકસ્માતોનો ભોગ બન્યા છે. હદ તો ત્યારે થઈ જ્યારે વહેલી સવારે વાઘોડિયાથી અંટોલી જતી બસ આ કાદવ અને ચીકણી માટીમાં ખરાબ રીતે ફસાઈ ગઈ હતી. બસ ફસાઈ જતાં મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા અને આખરે ગામલોકો તેમજ મુસાફરોએ એકઠા થઈને ભારે જહેમત બાદ બસને ધક્કા મારીને કાદવમાંથી બહાર કાઢવી પડી હતી.
</p><h3 style="text-align: justify; "><b>&nbsp;નાળા પર ઠેર-ઠેર મોટી તિરાડો દેખાવા લાગી
</b></h3><p style="text-align: justify; ">સ્થાનિક ગ્રામજનોનો આક્રોશ છે કે હજુ તો નાળાનું કામ પૂરું થયું છે ત્યાં જ નવીન બનેલા નાળા પર ઠેર-ઠેર મોટી તિરાડો દેખાવા લાગી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે નાળાના નિર્માણમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરીને મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. લેવલિંગના અભાવે અને કાદવના સામ્રાજ્ય વચ્ચેથી પસાર થવું વાહનચાલકો માટે જોખમી બન્યું છે. સ્થાનિકોએ આ મામલે ઉચ્ચ સ્તરે તપાસ કરી ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરવા અને તાત્કાલિક રોડનું સરખું લેવલિંગ કરવા ઉગ્ર માંગ કરી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-gujarat-latest-news-live-and-samachar-19-june-2026-politics-weather-updates-daily-breaking-news-nation#google_vignette" target="_blank"><b>&nbsp;Gujarat Latest News Live :ભારત માટે રાહત, હોર્મુઝ પાર કરીને LNG જહાજ ગુજરાત પહોંચ્યું</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/19/gZVpe00WsqnKIbxpEFGBnax4PPWlPJEov8I8lWz0.webp'/></item><item><title><![CDATA[Stock Market Today: IT સ્ટોક્સમાં ભારે ઘટાડો.. રોકાણકારોના 1.25 લાખ કરોડ સ્વાહા ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-today-huge-fall-in-it-stocks-125-lakh-crores-of-investors-wealth</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-today-huge-fall-in-it-stocks-125-lakh-crores-of-investors-wealth</guid><pubDate>Fri, 19 Jun 2026 12:48:24 +05:30</pubDate><description><![CDATA[<p>શુક્રવાર આઈટી ક્ષેત્રના રોકાણકારો માટે બ્લેક ફ્રાઇડે સાબિત થયો. ભારતની અગ્રણી આઈટી કંપનીઓના શેર પત્તાના મહેલની જેમ તૂટી પડ્યા.&nbsp; ઈન્ફોસિસ, ટીસીએસ અને એચસીએલ ટેક જેવા મુખ્ય, વિશ્વસનીય શેરોમાં ભારે વેચવાલી જોવા મળી. આ ઉથલપાથલનું કારણ ભારતમાં કોઈ સ્થાનિક ઘટના નહોતી, પરંતુ વિશ્વની સૌથી મોટી કન્સલ્ટિંગ ફર્મ એક્સેન્ચરની કડક ચેતવણી હતી.</p><h2><b>કેમ શેર માર્કેટ ડગમગ્યુ ?&nbsp;</b></h2><p> </p><p>એક્સેન્ચરના નબળા દેખાવથી રોકાણકારો હચમચી ગયા, જેના કારણે નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં 6.5%નો ઘટાડો થયો અને માત્ર થોડા કલાકોમાં જ ₹1,25,981 કરોડનું બજાર મૂલ્ય ધોવાઈ ગયું. વૈશ્વિક જાયન્ટ એક્સેન્ચરે તેનો સંપૂર્ણ વર્ષનો આવક વૃદ્ધિનો અંદાજ ઘટાડ્યો. કંપનીએ અગાઉ 3-5% વૃદ્ધિની અપેક્ષા રાખી હતી, જે આંકડો તેણે હવે સુધારીને 3-4% કર્યો છે. તેણે ચોથા ક્વાર્ટર માટે નબળા આંકડા પણ નોંધાવ્યા. શેરબજારો ભવિષ્યની અપેક્ષાઓ પર ખીલે છે; જ્યારે એક્સેન્ચર જેવી મોટી કંપની નવા ઓર્ડર મેળવવામાં મંદી દર્શાવે છે, ત્યારે રોકાણકારોને ડર છે કે ભારતીય IT કંપનીઓના વ્યવસાય પર સીધી નકારાત્મક અસર પડશે. આ આશંકાને કારણે, રોકાણકારો તેમના શેર વેચવા દોડી ગયા.</p><p><b style="font-size: 1.75rem;">ઇન્ફોસિસને સૌથી વધુ ફટકો પડ્યો&nbsp;</b></p><p>આ મોટા પાયે વેચવાલીનો પ્રભાવ વ્યાપક બજાર (નિફ્ટી 50) કરતાં IT ક્ષેત્રમાં વધુ સ્પષ્ટ હતો. જ્યારે વ્યાપક બજારમાં માત્ર 1%નો ઘટાડો થયો, ત્યારે IT શેરોએ એકંદર બજારના સેન્ટિમેન્ટને નીચે ખેંચી લીધું. આ મંદીમાં ઇન્ફોસિસને સૌથી મોટો ફટકો પડ્યો, તેના શેરના ભાવમાં 8.34%નો ઘટાડો થયો. ઘટાડો ત્યાં અટક્યો નહીં. એમફેસિસ, ટીસીએસ, ટેક મહિન્દ્રા અને પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ જેવી કંપનીઓના શેર લાલ નિશાનમાં બંધ થયા. આ સેન્ટિમેન્ટ ફક્ત ભારતીય બજાર પૂરતું મર્યાદિત નહોતું.&nbsp; યુએસ માર્કેટમાં, ઇન્ફોસિસ અને વિપ્રોના ADR લગભગ 10 ટકા ઘટ્યા. કોગ્નિઝન્ટ 10 ટકા ઘટ્યો, જ્યારે એક્સેન્ચરના પોતાના શેર 17 ટકાથી વધુ તૂટી ગયા.</p><p><b style="font-size: 1.5rem;">રોકાણકારોએ હવે શું કરવું જોઈએ?</b></p><p>બજારમાં આટલો મોટો ઘટાડો આવે ત્યારે રોકાણકાર ગભરાઈ જાય તે સ્વાભાવિક છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે શું તમારે તમારા IT શેર વેચવા જોઈએ? બજાર નિષ્ણાતોના મતે, એકંદર ચિત્ર હાલમાં દેખાય છે તેટલું ભયાનક નથી. જોકે એક્સેન્ચરે તેની આવકનો અંદાજ ઘટાડ્યો છે, કંપનીએ સ્પષ્ટતા કરી છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને મોટા પાયે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પ્રોજેક્ટ્સની માંગ બજારમાં મજબૂત રહે છે.</p><p><br></p><p>એક્સેન્ચર પોતે આ વર્ષે AI, ડેટા અને ક્લાઉડ સેવાઓમાં તેની ક્ષમતાઓને મજબૂત કરવા માટે આશરે $9 બિલિયન ખર્ચ કરવાની યોજના ધરાવે છે. આનો અર્થ એ થાય કે IT ક્ષેત્ર ટૂંકા ગાળાના દબાણનો સામનો કરી શકે છે, પરંતુ AI અને ક્લાઉડ સેવાઓ માટે લાંબા ગાળાનું ભવિષ્ય ઉજ્જવળ રહે છે. રોકાણકારોએ ગભરાટમાં વેચાણ કરવાનું ટાળવું જોઈએ. હાલમાં, સૌથી સમજદારીભર્યું પગલું એ છે કે કંપનીઓની ઓર્ડર બુક તેમજ તેમના આગામી નાણાકીય પરિણામો પર નજીકથી નજર રાખવી.</p><p><br></p><p><a href="https://sandesh.com/gallery/news/india/why-are-potatoes-and-chickpeas-the-filling-in-panipuri?2" target="_blank">આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2024/12/17/TlyBMXrRqCpIBH4aNtsJVmTsvd2JATtrOngLwsk9.jpg'/></item><item><title><![CDATA[Shilpa Shinde Allegations : 'એક્ટિંગ છોડી શાકભાજી વેચીશ', ટીવી પ્રોડ્યુસર્સ પર શિલ્પા શિંદેનો ગંભીર આરોપ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/shilpa-shinde-slams-tv-producers-90-days-payment-quit-acting</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/shilpa-shinde-slams-tv-producers-90-days-payment-quit-acting</guid><pubDate>Fri, 19 Jun 2026 12:31:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">એક્ટ્રેસ શિલ્પા શિંદેએ એકવાર ફરી એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં કલાકારોને થતી પરેશાનીઓ વિશે વાત કરી છે. શહઝાદા ધામીને લગભગ 30 લાખનું બાકી લેણું અત્યાર સુધી ન મળવાના સમાચારો પર પ્રતિક્રિયા આપતા, શિલ્પાએ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના પ્રોડ્યુસર્સને માફિયા કહ્યા. એક્ટ્રેસે તે ટીકા પર પણ વાત કરી જે તેમને ત્યારે સહન કરવી પડી હતી, જ્યારે તેમણે સ્વીકાર્યું કે ભાભીજી ઘર પર હૈના પ્રોડ્યુસર સંજય કોહલી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી યૌન ઉત્પીડનની ફરિયાદ ખોટી હતી. ટ્રોલ કરનારાઓને જવાબ આપતા શિલ્પાએ કહ્યું કે બહારના લોકોને એ વાતનો અંદાજ નથી કે જિંદગીના તે દોરમાં અસલમાં તેમણે શું-શું સહન કર્યું. સાથે જ, તેમણે પોતાના કો-સ્ટાર્સ તરફથી સપોર્ટ ન મળવા પર નિરાશા પણ વ્યક્ત કરી.<br></p><h2><b>ટીવી ઇન્ડસ્ટ્રી પર શિલ્પા શિંદેનો ગુસ્સો</b></h2><p></p><p style="text-align: justify; ">ગુરુવારે શિલ્પા શિંદેએ ઇન્સ્ટાગ્રામ પર શહઝાદા ધામીની ફરિયાદ પર પોતાની વાત મૂકી. તેમણે એક કડક શબ્દોવાળો વીડિયો શેર કર્યો જેમાં તેમણે ટીવી ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલી ખોટી રીત-રસમોનો ઉલ્લેખ કર્યો. કલાકારો સાથે થતા વર્તનને લઈને પ્રોડ્યુસર્સની આલોચના કરતા શિલ્પાએ કહ્યું કે આવા લોકો સામે ઝૂકવાને બદલે તેઓ એક્ટિંગ છોડી દેશે અને શાકભાજી વેચશે.</p><h3 style="text-align: justify; "><b>શિલ્પા શિંદેએ એક્ટર્સની ફીસ પર ઉઠાવ્યો અવાજ</b></h3><p style="text-align: justify; ">કલાકારોનો સાથ ન આપવા માટે કલાકારોના સંગઠનોની આલોચના કરતા શિલ્પાએ કહ્યું, ટીવી ઇન્ડસ્ટ્રીમાં પ્રોડ્યુસર્સ માફિયાની જેમ કામ કરે છે. તેઓ વ્હાઇટ-કોલર માફિયા છે. જે પ્રોડ્યુસર્સ તેમનો સાથ આપવાની ના પાડે છે, તેમને ધમકાવવામાં આવે છે અને કહેવામાં આવે છે કે જો ભવિષ્યમાં તેમની સાથે કંઈક થયું, તો કોઈ તેમનો સાથ નહીં આપે. તેમના કામમાં પણ અડચણો ઊભી કરવામાં આવે છે. અમે કલાકાર એવું નથી કરી શકતા કારણ કે પ્રોડ્યુસર્સ અમારી પેમેન્ટ 90 દિવસ સુધી રોકી રાખે છે, અને અવારનવાર તે પેમેન્ટ મળતી જ નથી.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DZujmzOJUKf/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DZujmzOJUKf/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DZujmzOJUKf/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DZujmzOJUKf/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h3 style="text-align: justify; "><b>લોકોના મરવા પર દુઃખ વ્યક્ત કરે છે- શિલ્પા શિંદે</b></h3><p style="text-align: justify; ">તેમણે તે લોકો પર પણ કટાક્ષ કર્યો જે કલાકારોના મોત પર દુઃખ તો વ્યક્ત કરે છે, પરંતુ જીવતેજીવ તેમનો સાથ નથી આપતા. નારાજ શિલ્પાએ કહ્યું કે વિવાદના સમયે તેમને એકલા છોડી દેવામાં આવ્યા હતા અને ઇન્ડસ્ટ્રીમાંથી કોઈ પણ તેમના સમર્થનમાં આગળ ન આવ્યું. તેમણે આગળ કહ્યું, તેમણે મારો સાથ ન આપ્યો. આજે પણ, જ્યારે તેમની પાસે મારી સાથે ઊભા રહેવાની તક હતી, ત્યારે પણ તેઓ ન આવ્યા. મારે કંઈ કહેવાની જરૂર નહોતી. કોઈને ખબર પણ નથી કે તે સમયે હું કેવા હાલાતમાંથી પસાર થઈ હતી. લોકો મારા પર ખોટો આરોપ લગાવી રહ્યા છે કે મેં આ બધું માત્ર પૈસા માટે કર્યું. આજે, 10 વર્ષ પછી પણ, તે પ્રોડ્યુસર ટીવી શો અને ફિલ્મો બનાવી રહ્યો છે. કોઈનામાં પણ પોતાના માટે ન્યાયની લડાઈ લડવાની હિંમત નથી અને પછી લોકો આત્મહત્યા જેવું આત્યંતિક પગલું ભરી લે છે.</p><h4 style="text-align: justify; "><b>કો-એક્ટર્સ નથી આપતા સાથ</b></h4><p style="text-align: justify; ">શિલ્પાએ પોતાની વાત પર કાયમ રહેતા કહ્યું કે તેમણે સાચું કહ્યું હતું અને જાહેર રીતે બોલવાના તેમના પોતાના કારણો હતા અને તેમને પૂરી રીતે ખબર હતી કે તેમણે તે સમયે બોલવાનો નિર્ણય કેમ કર્યો હતો. તેમણે કહ્યું, આજે તક હતી, મારા કો-એક્ટર્સ બોલી શકતા હતા, આ વાત મેઈન છે. મારો ઈમાન જાણે છે કે શું થયું હતું મારી સાથે અને શું નહીં. મારે કામ નથી કરવું આપ લોકો સાથે, જોઈએ પણ નહીં મને રોલ. ઘટિયા કામ કરો છો આપ લોકો. આજકાલ ક્રિએટિવિટી બચી જ નથી, બધા બકવાસ શો કરો છો આપ લોકો. શું આ પ્રકારના ઘટિયા કલાકાર આ ઇન્ડસ્ટ્રીમાં છે, આપ આના પર કામ કરવા માગો છો? મારે કરવું જ નથી. રસ્તામાં શાકભાજી વેચીશ પણ આવા લોકો સામે નહીં ઝૂકું હું.</p><h3 style="text-align: justify; "><b>શિલ્પાએ કર્યો હતો ખોટો યૌન ઉત્પીડનનો કેસ</b></h3><p style="text-align: justify; ">કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયા સાથે તાજેતરમાં જ થયેલા એક પોડકાસ્ટમાં શિલ્પાએ સ્વીકાર્યું કે તેમણે ભાભી જી ઘર પર હૈના પ્રોડ્યુસર સંજય કોહલી વિરુદ્ધ યૌન ઉત્પીડનનો ખોટો કેસ કર્યો હતો. આ કેસ તેમણે ત્યારે કર્યો હતો જ્યારે તેમણે શો છોડી દીધો હતો અને તેમને તેમના બાકી પૈસા મળ્યા નહોતા. શિલ્પા શિંદેએ કહ્યું કે તે સમયે તેમને લાગ્યું કે તેમને ખૂણામાં ધકેલી દેવામાં આવ્યા છે અને આ આરોપ લગાવવો જ તેમની પાસે છેલ્લો રસ્તો બચ્યો હતો. એક્ટ્રેસે એ પણ સ્વીકાર્યું કે આ મામલો પરસ્પર સમજૂતી સાથે ખતમ થયો અને તેમને તેમના બાકી પૈસા મળી ગયા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gallery/news/entertainment/dhurandhar-actor-14-flop-movies-house-rent-financial-struggle" target="_blank">આ પણ વાંચો-ધુરંધરના આ એક્ટરે બેક-ટુ-બેક આપી હતી 14 FLOP ફિલ્મો, ઘરનું ભાડું ચૂકવવાના પણ નહોતા પૈસા!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/19/eWFI1lLPlPSp7KMZATycGEBSFDcg1fLmXBqg98HH.webp'/></item><item><title><![CDATA[Surat: ડિંડોલીમાં 12 વર્ષની કિશોરી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ અરમાન ખાટિક ઝડપાયો, પોલીસ તપાસ તેજ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/dindoli-minor-girl-assault-case-accused-arman-khatik-arrested-by-police</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/dindoli-minor-girl-assault-case-accused-arman-khatik-arrested-by-police</guid><pubDate>Fri, 19 Jun 2026 12:03:42 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત શહેરમાંથી સગીર વયની બાળકીઓ અને યુવતીઓને ઓનલાઇન પ્રેમજાળ અથવા મિત્રતાના નામે ફસાવીને તેમનું શારીરિક શોષણ કરવાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આવો જ એક હૃદયદ્રાવક કિસ્સો ડિંડોલી પોલીસ સ્ટેશનની હદમાં નોંધાયો છે, જેમાં માત્ર 12 વર્ષની એક સગીરા નરાધમની વિકૃતિનો ભોગ બની છે. પોલીસે આ મામલે ત્વરિત કાયદાકીય એક્શન લઈને મૂળ આરોપી અરમાન ખાટિકની ધરપકડ કરી લીધી છે.</p><h2><b>મીઠી વાતોથી જાળ બિછાવી અવારનવાર કર્યું શોષણ</b></h2><p>પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આરોપી અરમાન ખાટિકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખોટી કે આકર્ષક પ્રોફાઇલ બનાવીને આ 12 વર્ષની માસૂમ કિશોરી સાથે મિત્રતા કેળવી હતી. સગીરાની નાની ઉંમરનો ફાયદો ઉઠાવીને આરોપી તેની સાથે દરરોજ ઓનલાઇન મીઠી-મીઠી વાતો કરતો હતો અને ધીમે-ધીમે તેને પોતાના વિશ્વાસમાં લઈ લીધી હતી. બાળકી સંપૂર્ણપણે તેની જાળમાં ફસાઈ ગઈ હોવાની ખાતરી થતાં જ આરોપી અરમાન એટલો હિંમતવાન અને બેખોફ બની ગયો હતો કે તેણે સગીરાને બ્લેકમેઇલ કરીને અથવા લાલચ આપીને સુરતના જુદા-જુડા અવાવરુ અને ખાનગી સ્થળોએ બોલાવી હતી. ત્યાં સગીરાની મરજી વિરુદ્ધ તેની સાથે અનેકવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું.</p><h3><b>બાળકીની માનસિક સ્થિતિ બગડતા ભાંડો ફૂટ્યો</b></h3><p>છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા આ ત્રાસ અને શારીરિક શોષણના કારણે બાળકીની માનસિક અને શારીરિક સ્થિતિ બગડી હતી, જેના પરથી તેના માતા-પિતાને શંકા ગઈ હતી. માતા-પિતાએ બાળકીને સાંત્વના આપીને પૂછપરછ કરતાં જ સગીરાએ પોતાની સાથે થયેલી આપવીતી રડી પડીને જણાવી દીધી હતી. આ સાંભળીને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પરિવારે મોડું કર્યા વગર ડિંડોલી પોલીસ મથકમાં નરાધમ અરમાન ખાટિક સામે પોક્સો સહિત બળાત્કારની કલમો હેઠળ નામજોગ ફરિયાદ નોંધાવી હતી. મામલાની ગંભીરતાને જોઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ડિંડોલી પોલીસે ટીમ બનાવીને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી અરમાનને તેના નિવાસસ્થાનેથી દબોચી લીધો છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/weather/gir-somnath/monsoon-talala-and-sutrapada-receive-rain-showers-relief-from-heat-farmers-happy" target="_blank">આ પણ વાંચો: Monsoon 2026: વેરાવળ બાદ હવે તાલાલા અને સુત્રાપાડા પંથકમાં વરસાદી ઝાપટાં શરૂ, ખેડૂતો ખુશખુશાલ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/19/vesG7SLF6b1VioQ6bcdZshu8IBOulauCAP1Nwsq9.webp'/></item><item><title><![CDATA[Ram Mandir Donation Scam: દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે, SIT તપાસ પર CM યોગીનું નિવેદન ]]></title><link>https://sandesh.com/india/news/ram-mandir-donation-scam-milk-will-become-milk-and-water-will-become-water-cm-yogis-statement-on-sit-investigation</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ram-mandir-donation-scam-milk-will-become-milk-and-water-will-become-water-cm-yogis-statement-on-sit-investigation</guid><pubDate>Fri, 19 Jun 2026 11:58:32 +05:30</pubDate><description><![CDATA[<p>રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવેલા દાનમાં તેમજ  સોનાના દાનમાં કરોડો રૂપિયાનું મોટું કૌભાંડ થયું હોવાના ગંભીર આક્ષેપો થયા છે. આ અંગે મંદિર ટ્રસ્ટ દ્વારા સીએમ યોગીને એસઆઇટી તપાસની માગ કરવામાં આવી હતી. જે અંતર્ગત એસઆઇટી દ્વારા તપાસનો આજે પાંચમો દિવસ છે.</p><h2><b>એસઆઇટી તપાસનો પાંચમો દિવસ&nbsp;</b></h2><p>આજે પાંચમા દિવસે રામ મંદિરમાં એસઆઇટીની તપાસ ચાલી રહી છે. વળી આજે સીએમ યોગી પણ અયોધ્યામાં છે. ત્યારે અયોધ્યાના રુદૌલીમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેમાં સભા સંબોધન દરમિયાન આ ડોનેશન સ્કેમને લઇને વિરોધીઓને આડેહાથ લીધા હતા.</p><h3><b>હજી 15 દિવસ રાહ જોઇલો- સીએમ યોગી&nbsp;</b></h3><p>તેમણે કહ્યું કે 500 વર્ષ તમે રાહ જોઇને રામ મંદિર માટે, બસ હવે 15 દિવસ બીજી વધારે રાહ જુઓ. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. વિપક્ષ ક્યારેય ઇચ્છતુ નથી કે અયોધ્યાનું નામ થાય. અયોધ્યાનો વિકાસ થાય તે ઇચ્છતા નથી.</p><h3><b>એસઆઇટીનો રિપોર્ટ આવી જવા દો- સીએમ યોગી&nbsp;</b></h3><p>તેઓ દુષ્પ્રચાર કરીને અયોધ્યાનું અપમાન કરી રહ્યા છે. તેઓની વાતોમાં ન આવશે. તેઓએ જયશ્રી રામ બોલનારા પર લાઠીઓ ચલાવી છે. દરેક પ્રકારની મુશ્કેલીઓ સર્જીને કોર્ટમાં વાંધા રજૂ કરતા હતા. એસઆઇટીની રચના થઇ છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. એસઆઇટીનો રિપોર્ટ આવ્યા પહેલા કોઇ નિવેદન બાજી ન કરો. તપાસ થવા દો.</p><h4><b>માફિયાઓની કબર પર ફાતિહા વાંચનારા રામભક્તિનો ઉપદેશ આપશે ? -&nbsp; સીએમ યોગી&nbsp;</b></h4><p>તપાસ બાદ જે પક્ષને સવાલ હશે તે માટે એસઆઇટી તૈયાર થશે. બિનજરૂરી રીતે અયોધ્યા ધામને બદનામ કરવાનો દૂષિત પ્રયાસ ન કરો. જો કોઇ અપરાધી હશે તો ભલે તે કોઇ પણ હશે તેને છોડવામાં નહીં આવે.&nbsp; આ એ લોકો આપણને શું કહેશે કે જેઓ રામભક્તોને અપમાનિત કરતા હતા. જે લોકો કુખ્યાત માફિયાઓની કબર પર જઇને ફાતિહા વાંચતા હતા તેઓ આજે રામ ભક્તિનો ઉપદેશ આપવા નીકળ્યા છે. તે લોકોની વાતોમાં ન આવો તેવી તમામને અપીલ છે.&nbsp;</p><p>ઉલ્લેખનીય છે કે&nbsp;&nbsp;અયોધ્યા જિલ્લાના રુદૌલી વિધાનસભા મતવિસ્તારમાં એક ભવ્ય કાર્યક્રમ દરમિયાન, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ₹378 કરોડથી વધુના 126 વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો, જેમાં સરકારી આયુર્વેદિક કોલેજ અને હોસ્પિટલનો સમાવેશ થાય છે. તેમણે બહાદુર યોદ્ધા વિરંગના ઝલકારી બાઈની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું,</p><h4><b>દાન ચોરીના પુરાવા હોય તો રજૂ કરો- સીએમ યોગી&nbsp;</b></h4><p><b> </b></p><p>સ્ટેજ પરથી&nbsp;&nbsp;જનતાને સંબોધતા મુખ્યમંત્રીએ અયોધ્યામાં દાનના દુરુપયોગના આરોપો અંગે કડક વલણ અપનાવ્યું. તેમણે કહ્યું કે રામ મંદિર માટેનો સંઘર્ષ 500 વર્ષ જૂનો છે. તેથી, કોઈએ પણ અયોધ્યાની પ્રતિષ્ઠાને કલંકિત ન કરવી જોઈએ. તેમણે ઉમેર્યું કે જો કોઈની પાસે દાન ચોરીના પુરાવા હોય, તો તેણે તે SIT સમક્ષ રજૂ કરવા જોઈએ, ખાતરી આપી કે સંપૂર્ણ તપાસ અને કડક કાર્યવાહી કરવામાં આવશે.</p><p><a href="https://sandesh.com/gallery/news/india/why-are-potatoes-and-chickpeas-the-filling-in-panipuri?2" target="_blank">આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/19/pWg8RMtg2zdtoRwfAktrQ0Zf06SQheTetV8pB5fO.webp'/></item></channel></rss>