<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Vadodara: કુખ્યાત બિચ્છૂ ગેંગના સૂત્રધાર અસલમ બોડિયાની જેલ ટ્રાન્સફર અરજી ફગાવી ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/vadodara/court-rejects-notorious-bichhoo-gang-chief-aslam-bodiya-jail-transfer-plea</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/vadodara/court-rejects-notorious-bichhoo-gang-chief-aslam-bodiya-jail-transfer-plea</guid><pubDate>Sat, 20 Jun 2026 07:49:39 +05:30</pubDate><description><![CDATA[<p>વડોદરા શહેરમાં ખંડણી, જમીન હડપ કરવી, હત્યાનો પ્રયાસ અને ધાક-ધમકી જેવા અસંખ્ય સંગઠિત ગુનાઓ આચરીને આખી સિન્ડિકેટ ચલાવનારી કુખ્યાત બિચ્છૂ ગેંગના વડા અસલમ બોડિયાને કાયદાનો વધુ એક જોરદાર ફટકો પડ્યો છે. વડોદરા પોલીસ દ્વારા અસલમ બોડિયા અને તેની ગેંગના સાગરીતો સામે ગુજસીટોક (ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ) હેઠળ કડક કાર્યવાહી કરીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો. સુરક્ષાના કારણોસર અને વડોદરામાં બેઠા-બેઠા તેની ગેંગ ઓપરેટ ન થાય તે માટે તેને રાજકોટની મધ્યસ્થ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.</p><h2><b>જેલ બદલવા માટે તબિયતનું નાટક ખુલ્લું પડ્યું</b></h2><p>લાંબા સમયથી રાજકોટ જેલમાં બંધ અસલમ બોડિયાએ વડોદરાની સ્પેશિયલ કોર્ટમાં એક વચગાળાની અરજી દાખલ કરીને માંગણી કરી હતી કે, તેની તબિયત સતત લથડી રહી છે અને તેને વિવિધ ગંભીર બીમારીઓ હોવાથી તેને વડોદરા મધ્યસ્થ જેલમાં શિફ્ટ કરવામાં આવે, જેથી અહીં તેનું સ્થાનિક સ્તરે અને પરિવારની દેખરેખ હેઠળ યોગ્ય તબીબી સારવાર થઈ શકે. જો કે, કાનૂની નિષ્ણાતો અને પોલીસ તંત્રના મતે, આ અરજી પાછળ અસલમ બોડિયાનો મુખ્ય હેતુ વડોદરા જેલમાં આવીને ફરીથી પોતાના સ્થાનિક સાગરીતો સાથે સંપર્ક સાધવાનો અને પોતાનું ગુનાહિત સામ્રાજ્ય સક્રિય કરવાનો હતો.</p><h3><b>સરકારી પક્ષની ધારદાર દલીલો કોર્ટે સ્વીકારી</b></h3><p>કોર્ટની સુનાવણી દરમિયાન સરકારી વકીલે અસલમ બોડિયાની આ અરજીનો ઉગ્ર વિરોધ કર્યો હતો. કોર્ટ સમક્ષ દલીલ કરવામાં આવી હતી કે રાજકોટ મધ્યસ્થ જેલમાં તમામ અદ્યતન તબીબી સુવિધાઓ ઉપલબ્ધ છે અને જેલ પ્રશાસન દ્વારા તેની તબિયતનું પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. વડોદરા જેલમાં તેની હાજરીથી સ્થાનિક સ્તરે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી શકે છે અને સાક્ષીઓને ધમકાવવાની આશંકા પણ નકારી શકાય નહીં. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અને ભયાનક ગુનાહિત ઇતિહાસને જોતાં, વડોદરા કોર્ટે અસલમ બોડિયાની બીમારીના આધારે જેલ ટ્રાન્સફર કરવાની આ અરજીને તદ્દન પાયાવિહોણી ગણીને ફગાવી દીધી છે, જેથી હવે આ ગેંગસ્ટરે રાજકોટ જેલના સળિયા પાછળ જ દિવસો કાપવા પડશે.</p><p><b><a href="https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/weather-update-gujarat-monsoon-rain-forecast-ahmedabad-gandhinagar-weather-updates" target="_blank">આ પણ વાંચો: Weather Update : ગુજરાતમાં 24 કલાકમાં 52 તાલુકા ધમરોળાયા; આજે રાજ્યમાં અનેક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/yAq9PZdzUS3FgKw921xYchvpXgYKPvkZ9fkBSzF5.webp'/></item><item><title><![CDATA[Weather Update : ગુજરાતમાં 24 કલાકમાં 52 તાલુકા ધમરોળાયા; આજે રાજ્યમાં અનેક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી ]]></title><link>https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/weather-update-gujarat-monsoon-rain-forecast-ahmedabad-gandhinagar-weather-updates</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/weather-update-gujarat-monsoon-rain-forecast-ahmedabad-gandhinagar-weather-updates</guid><pubDate>Sat, 20 Jun 2026 07:34:51 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">&nbsp;પ્રિ મોન્સુન એક્ટિવીટીના ભાગરુપે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં  હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રાજ્યના  ગાંધીનગર સહિત અમદાવાદ અને મહેસાણા ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના છે.</p><h2 style="text-align: justify; "><b>દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી
</b></h2><p style="text-align: justify; ">દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારો જેવા કે મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટોછવાયો વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ તરફ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં પણ પવન સાથે વરસાદી માહોલ જોવા મળશે.
</p><h3 style="text-align: justify; "><b>છેલ્લા 24 કલાકમાં 52 તાલુકામાં વરસાદ
</b></h3><p style="text-align: justify; ">બીજી તરફ, છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના 52 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે, જેના કારણે અનેક વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે. રાજ્યના ત્રણ જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જેમાં ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં પોણા ત્રણ ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે. આ ઉપરાંત પંચમહાલના કલોલમાં ૨.૫૨ ઇંચ અને છોટાઉદેપુરના બોડેલીમાં ૨.૨ ઇંચ વરસાદ ઝીંકાયો છે. ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી અને સાર્વત્રિક મેઘમહેરના કારણે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે, તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં વહીવટી તંત્રને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/gujarat-latest-news-gujarat-latest-news-live-and-samachar-20-june-2026-politics-weather-updates-daily-breaking-news-nation#google_vignette" target="_blank"><b> Gujarat Latest News Live : રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની આગાહી</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/ngW4Gm44tCgubwG2L6TRQC9ubEKFYXnt3tF0EKMA.webp'/></item><item><title><![CDATA[Chhotaudepur: નસવાડીમાં મળસ્કે 4 વાગ્યાથી સતત ચાર કલાક વરસાદ પડયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-it-rained-continuously-for-four-hours-from-4-pm-in-naswadi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-it-rained-continuously-for-four-hours-from-4-pm-in-naswadi</guid><pubDate>Sat, 20 Jun 2026 05:58:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નસવાડી તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકો પરેશાન થઈ રહ્યા હતા. જોકે શુક્રવારના રોજ મેઘરાજાએ મહેર વરસાવતા અંદાજે મળસ્કે 4થી 8 વાગ્યા સુધી સતત વરસાદ વરસ્યો હતો. ચાર કલાક સુધી પડેલા આ વરસાદથી સમગ્ર નસવાડી ગામ અને આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં નોંધપાત્ર ઠંડક પ્રસરી ગઈ હતી. અને લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી હતી.</p><p style="text-align: justify; ">ધીમીથી મધ્યમ ગતિએ વરસાદ શરૂ થયો હતો. વરસાદ દરમિયાન વારંવાર વીજળી ગુલ થવાની સમસ્યા પણ સર્જાઈ હતી. છતાં વરસાદના આગમનથી લોકો સહિત ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ હતી. કારણ કે ખેતી માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, વરસાદથી જમીનમાં ભેજનું પ્રમાણ વધશે. જેના કારણે વાવણી માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી થશે. ખેતરોમાં જરૂરી ભેજ મળતાં પાકના વિકાસને પ્રોત્સાહન મળશે. પાણીના સ્ત્રોતોમાં પણ વધારો થવાની આશા વ્યક્ત કરાઇ રહી છે. વરસાદને કારણે ધૂળ અને પ્રદૂષણમાં ઘટાડો થયો હતો. જ્યારે વૃક્ષો અને વનસ્પતિમાં નવી તાજગી જોવા મળી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/0o6CTNIAfNVxUny5KwCSQZuGyDEcf4u8Ded0frLF.webp'/></item><item><title><![CDATA[Godhra: પીપળિયા ગામમાં ભારે વરસાદમાં વૃદ્ધાનું ઘર ધરાશાયી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/godhara/godhra-old-mans-house-collapses-in-heavy-rains-in-pipaliya-village</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/godhara/godhra-old-mans-house-collapses-in-heavy-rains-in-pipaliya-village</guid><pubDate>Sat, 20 Jun 2026 05:57:50 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગોધરા તાલુકાના કાંકણપુર નજીક આવેલા પીપળીયા ગામની ઇન્દિરા નગરીમાં રહેતા દરિયાબેન ઉદાભાઈ પરમાર (ઉં.આશરે 75) ઇંટોથી બનાવેલા એક ઝૂંપડામાં એકલા રહેતા હતા. શુક્રવારે મધ્યરાત્રીના વીજળીના કડાકા-ભડાકા સાથે અચાનક તૂટી પડેલા ધોધમાર વરસાદના કારણે તેઓ રાત્રે એકલા ઘરમાં ફ્સાયા હતા. વરસાદનું જોર એટલું હતું કે તેમનું કાચું ઘર અચાનક ધરાશાયી થઈ ગયું હતું. જેમાં તેઓનો આબાદ બચાવ થયો હતો. પરંતુ આખી રાત ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/gRNwRaD6XBNHyir2NqnFj0fbg1WVCjXHKctdPzP3.webp'/></item><item><title><![CDATA[કીમ પોલીસ મથકના એએસઆઇ મહેન્દ્ર સુથારને સસ્પેન્ડ કરાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/asi-mahendra-suthar-of-keem-police-station-suspended</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/asi-mahendra-suthar-of-keem-police-station-suspended</guid><pubDate>Sat, 20 Jun 2026 01:41:17 +05:30</pubDate><description><![CDATA[<p>બારડોલી ખાતે ફરજ દરમ્યાન ગંભીર ગુનાની તપાસ મામલે બેદરકારી દાખવનાર અને હાલ બદલી પામી કીમ પોલીસ મથકે ફરજ બજાવતા એએસઆઇ મહેન્દ્ર સુથારને આજે સુરત જિલ્લા પોલીસ વડાએ ફરજમાં લાપરવાહી બદલ સસ્પેન્ડ કરી દીધા હતા. કીમ પોલીસ મથકમાં ફરજ બજાવતા આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર મહેન્દ્ર સુથાર કીમ પોલીસ મથક અગાઉ બારડોલી પોલીસ મથકે ફરજ બજાવતા હતા. જે દરમ્યાન બારડોલી પોલીસ મથકે નોંધાયેલા એક ગંભીર ગુનાની તપાસ એએસઆઇ મહેન્દ્ર સુથારને સોંપવામાં આવી હતી. તેમણે તપાસ દરમ્યાન ગંભીર બેદરકારી દાખવી, તપાસ પ્રક્રીયામાં ખામી રાખી હોવાનું સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાનાં ધ્યાને આવ્યું હતું. જેથી મામલે તપાસનાં કાગળો અને પુરાવાઓની સમિક્ષા કરી તેમને સસ્પેન્ડ કરી દીધા હતા.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/lyAJxhWM7WlG9xk1IzhoEz4KwgGrrp8WM0W6pjaN.webp'/></item><item><title><![CDATA[વાંચો 20 જૂનના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે ]]></title><link>https://sandesh.com/india/news/gujarat/20-june-2026-top-news-pm-kisan-yojana-pm-modi-odisha-visit</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/gujarat/20-june-2026-top-news-pm-kisan-yojana-pm-modi-odisha-visit</guid><pubDate>Fri, 19 Jun 2026 22:11:15 +05:30</pubDate><description><![CDATA[<p>20 જૂન 2026નો દિવસ દેશ અને દુનિયા માટે રાજકીય, સામાજિક અને ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો સાબિત થવા જઈ રહ્યો છે. વડાપ્રધાનના પ્રવાસથી લઈને ખેડૂતો માટે મોટી આર્થિક જાહેરાતો અને વૈશ્વિક સૈન્ય અભ્યાસ સુધીની અનેક મોટી ઘટનાઓ પર 20 જૂનના રોજ સૌની નજર રહેશે.</p><h2><b>વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ મુર્મૂનો ઓડિશા પ્રવાસ</b></h2><p>રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશાના પહાડપુરની મુલાકાતે રહેશે. ત્યાં તેઓ સ્કૂલ અને કૌશલ્ય કેન્દ્રની મુલાકાત લઈ બાળકો અને લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. ત્યારબાદ રાયરંગપુરમાં એક મોટી જનસભાને સંબોધિત કરશે અને વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા શિલાન્યાસ કરશે.</p><h2><b>પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર થશે</b></h2><p>વડાપ્રધાન મોદી 20 જૂનના રોજ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના તારકેશ્વરથી 'પીએમ કિસાન સન્માન નિધિ યોજના'નો 23મો હપ્તો રિલીઝ કરશે. આ અંતર્ગત દેશના 9.44 કરોડ ખેડૂતોના ખાતામાં રૂ. 18,880 કરોડથી વધુની રકમ સીધી ટ્રાન્સફર કરાશે. ગુજરાતના પણ 51.25 લાખ ખેડૂતોને રૂ. 1,025 કરોડથી વધુનો લાભ મળશે. આ નિમિત્તે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 'પીએમ કિસાન ઉત્સવ દિવસ' ઉજવાશે.</p><h2><b>NEET UG 2026 રી-એક્ઝામ માટે દેશવ્યાપી મોક ડ્રિલ</b></h2><p>21 જૂનના રોજ યોજાનારી NEET-UG રિ-એક્સામ પૂર્વે નેશનલ ટેસ્ટિંગ એજન્સી 20 જૂનના રોજ દેશભરમાં એક મોક ડ્રિલનું આયોજન કરશે, જેથી પરીક્ષા કોઈપણ અવરોધ વગર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ શકે. આ સાથે જ મધ્યપ્રદેશના વિદ્યાર્થીઓ માટે રેલવે દ્વારા ઈન્દોર-ભોપાલ-રતલામ રૂટ પર 'એક્ઝામ સ્પેશિયલ ટ્રેન' ચલાવવામાં આવશે.</p><h2><b>ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણનનો લદ્દાખ પ્રવાસ</b></h2><p>20 જૂનના રોજ ઉપરાષ્ટ્રપતિ લદ્દાખના લુકુંગ ગામની મુલાકાત લેશે અને સરહદી વિસ્તારોમાં 'વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ' હેઠળ ચાલતા વિકાસ કાર્યોની સમીક્ષા કરશે.</p><h2><b>ભાજપ અધ્યક્ષ નિતિન નવીનનો પંજાબ પ્રવાસ&nbsp;</b></h2><p>ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન 20 જૂનના રોજ ત્રણ દિવસના પંજાબ પ્રવાસે જશે, અને અમૃતસરમાં સુવર્ણ મંદિર ખાતે માથું ટેકવશે.</p><h2><b>સીએમ યોગી આદિત્યનાથનો લલિતપુર પ્રવાસ&nbsp;</b></h2><p>ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 20 જૂનના રોજ લલિતપુરના પ્રવાસે જઈ શકે છે, જ્યાં તેઓ અનેક વિકાસ કાર્યો જનતાને સમર્પિત કરશે.</p><h2><b>છત્તીસગઢ કોંગ્રેસ શિબિર&nbsp;</b></h2><p>કોંગ્રેસના નવા જિલ્લા અને શહેર પ્રમુખો માટેનો રહેણાંક પ્રશિક્ષણ શિબિર 20 જૂનના રોજથી શરૂ થશે, જેમાં રાહુલ ગાંધી પણ હાજર રહેશે.</p><h2><b>ઈન્દોર-ઉજ્જૈન ગ્રીનફિલ્ડ કોરિડોરનું ભૂમિપૂજન</b></h2><p>મધ્યપ્રદેશમાં સિંહસ્થ કુંભમેળા પહેલાં મુસાફરી સરળ બનાવવા માટે 48.10 કિમી લાંબા ફોરલેન ગ્રીનફિલ્ડ કોરિડોરનું ભૂમિપૂજન મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ અને કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર 20 જૂનના રોજ કરશે. આ પ્રોજેક્ટથી બંને શહેરો વચ્ચેનું અંતર ઘટીને માત્ર 30-35 મિનિટનું થઈ જશે.</p><h2><b>અમરનાથ યાત્રા સુરક્ષાનું ગ્રાઉન્ડ રિવ્યુ</b></h2><p>કેન્દ્રીય ગૃહ મંત્રાલયની એક ઉચ્ચ સ્તરીય ટીમ ગૃહ સચિવ ગોવિંદ મોહનના નેતૃત્વમાં 20-21 જૂને જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે. આ ટીમ અમરનાથ યાત્રાની સુરક્ષા, સ્વાસ્થ્ય અને પરિવહન વ્યવસ્થાઓની આખરી સમીક્ષા કરશે.</p><h2><b>ભારત-અફઘાનિસ્તાન 3જી વનડે મેચ</b></h2><p>અફઘાનિસ્તાનના ભારત પ્રવાસની ત્રીજી અને નિર્ણાયક વનડે મેચ આજે લખનઉના અટલ બિહારી વાજપેયી ઇકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.</p><h2><b>IIT ગાંધીનગરનો 15મો દીક્ષાંત સમારોહ</b></h2><p>આઈઆઈટી ગાંધીનગર તેના ઇતિહાસમાં સૌથી વધુ 734 ડિગ્રી એનાયત કરશે. 20 જૂનના રોજ હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે આ ભવ્ય સમારોહ યોજાશે.</p><h2><b>શિક્ષકોનું આંદોલન અને ધરણા</b></h2><p>વર્ષ 2010 પહેલાં ભરતી થયેલા શિક્ષકોને TET પરીક્ષામાંથી મુક્તિ આપવાની માગ સાથે રાજ્યભરના શિક્ષક સંગઠનો 20 જૂનના રોજથી જિલ્લા કલેક્ટરોને આવેદનપત્ર આપશે અને ધરણા પ્રદર્શન કરશે.</p><h2><b>આણંદના ભરોડામાં જન કલ્યાણ શિબિર&nbsp;</b></h2><p>આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉમરેઠના ભરોડા ગામે 20 જૂનના રોજ સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધી જન કલ્યાણ શિબિર યોજાશે, જ્યાં સરકારી યોજનાઓના પ્રશ્નોનું સ્થળ પર જ નિવારણ લાવવામાં આવશે.</p><h2><b>સૈન્ય અભ્યાસ 'ખાન ક્વેસ્ટ'&nbsp;</b></h2><p>ભારતીય સેનાની ટુકડી 20 જૂનના રોજ મંગોલિયાના ઉલાનબાતાર ખાતે યોજાનારા બહુપક્ષીય સૈન્ય અભ્યાસ 'ખાન ક્વેસ્ટ' (23મી આવૃત્તિ) માં ભાગ લેવા માટે રવાના થઈ રહી છે. આ અભ્યાસ 3 જુલાઈ સુધી ચાલશે.</p><h2><b>કૈલાશ માનસરોવર યાત્રા શરૂ&nbsp;</b></h2><p>નાથુલા દર્રા (સિક્કિમ) ના રસ્તેથી 20 જૂનના રોજથી પ્રખ્યાત કૈલાશ માનસરોવર યાત્રા શરૂ થઈ રહી છે. આ વર્ષે 500 શ્રદ્ધાળુઓ 10 અલગ-અલગ બેચમાં યાત્રા કરશે.</p><h2><b>હવામાન અપડેટ: 19 રાજ્યોમાં એલર્ટ</b></h2><p>20 જૂનના રોજ દેશમાં હવામાનના બે અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગ (IMD) એ બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને કેરળ સહિત 19 રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડું અને વીજળી પડવાનું એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં 50 થી 70 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.</p><h2><b>વિશ્વ શરણાર્થી દિવસ&nbsp;</b></h2><p>યુનાઇટેડ નેશન્સ દ્વારા દુનિયાભરના શરણાર્થીઓના સંઘર્ષ અને હિંમતને સન્માન આપવા માટે દર વર્ષે 20 જૂને આ દિવસ ઉજવાય છે.</p><h2><b>ગ્રીષ્મ અયનકાળ&nbsp;</b></h2><p>ભૌગોલિક દ્રષ્ટિએ ઉત્તર ગોળાર્ધમાં 20 જૂનના રોજ વર્ષનો સૌથી લાંબો દિવસ અને સૌથી ટૂંકી રાત હોય છે.</p><h2><b>20 જૂનની ઐતિહાસિક ઘટનાઓ</b></h2><ul><li><b>1789: </b>ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન થર્ડ એસ્ટેટના ડેપ્યુટીઓએ પ્રસિદ્ધ 'ટેનિસ કોર્ટના શપથ' લીધા.</li><li><b>1840:</b> સેમ્યુઅલ મોર્સે ટેલિગ્રાફના પેટન્ટ અધિકારો મેળવ્યા.</li><li><b>1858:</b> બ્રિટિશ સેનાએ ગ્વાલિયર પર ફરીથી નિયંત્રણ મેળવ્યું, જે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો અંતિમ તબક્કો હતો.</li><li><b>1887:</b> મુંબઈનું ઐતિહાસિક રેલવે સ્ટેશન 'વિકટોરિયા ટર્મિનસ' (હાલનું છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ - CSMT) સામાન્ય જનતા માટે ખુલ્લું મુકાયું.</li><li><b>1948: </b>ભારતના છેલ્લા બ્રિટિશ વાઇસરોય લોર્ડ માઉન્ટબેટને સત્તાવાર રીતે ભારતમાંથી વિદાય લીધી.</li><li><b>1990: </b>ઉત્તર ઈરાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં 40,000 થી વધુ લોકોના મોત થયા.</li><li><b>2003:</b> ઓનલાઈન જ્ઞાનકોશ ચલાવતા વિકિમીડિયા ફાઉન્ડેશનની સ્થાપના થઈ.</li></ul><h2><b>પ્રખ્યાત હસ્તીઓનો જન્મદિવસ</b></h2><ul><li><b>દ્રૌપદી મુર્મૂ (1958):</b> ભારતના વર્તમાન અને 15મા રાષ્ટ્રપતિનો જન્મ 20 જૂનના રોજ થયો છે.</li><li><b>વિક્રમ સેઠ (1952): </b>'A Suitable Boy' જેવી મહાન નવલકથાના લેખક અને ભારતના પ્રખ્યાત કવિ.</li><li><b>મુફ્તી મોહમ્મદ સઈદ (1936):</b> જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતના પૂર્વ ગૃહમંત્રી.</li></ul><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/top-10-news-updates-19-june-politics-business-world" target="_blank">19 જૂનના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/19/nKkl0YgObDmPX25nQmgXSsKYWQePiHKbnxDN3cHP.webp'/></item><item><title><![CDATA[Jharkhand Cross Voting: કોઈપણ ચૂંટણીમાં કેવી રીતે થાય છે ક્રોસ-વોટિંગ, તે કેવી રીતે શોધી શકાય?, જાણો ]]></title><link>https://sandesh.com/knowledge/news/india/jharkhand-cross-voting-how-does-cross-voting-happen-in-any-election-how-can-it-be-detected-know</link><guid isPermaLink="true">https://sandesh.com/knowledge/news/india/jharkhand-cross-voting-how-does-cross-voting-happen-in-any-election-how-can-it-be-detected-know</guid><pubDate>Fri, 19 Jun 2026 21:21:56 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">કોંગ્રેસ પાર્ટીએ તેના સાથી પક્ષો, રાષ્ટ્રીય જનતા દળ અને સીપીઆઈ પર ગઠબંધનની બહારના ઉમેદવારોને ટેકો આપવાનો આરોપ લગાવ્યો છે.</p><h2 style="text-align: justify; ">ક્રોસ-વોટિંગ એટલે શું ?</h2><p style="text-align: justify; ">ક્રોસ-વોટિંગ ત્યારે થાય છે જ્યારે કોઈ ધારાસભ્ય અથવા સાંસદ તેમના રાજકીય પક્ષ દ્વારા સત્તાવાર રીતે સમર્થિત ઉમેદવાર સિવાયના ઉમેદવારને મત આપે છે. સરળ શબ્દોમાં કહીએ તો, જ્યારે કોઈ ધારાસભ્ય પક્ષની સૂચનાઓ છતાં, વિરોધી પક્ષના ઉમેદવાર અથવા સ્વતંત્ર ઉમેદવારને ટેકો આપવાનું નક્કી કરે છે, ત્યારે તેને ક્રોસ-વોટિંગ કહેવામાં આવે છે.</p><h3 style="text-align: justify; ">કેવી રીતે થાય છે ક્રોસ-વોટિંગ ?</h3><p style="text-align: justify; ">રાજકીય પક્ષો સામાન્ય રીતે તેમના ધારાસભ્યોને ચોક્કસ ઉમેદવારને મત આપવા સૂચના આપે છે. જો કે, કેટલાક ધારાસભ્યો આ સૂચનાઓને અવગણે છે અને બીજા ઉમેદવારને મત આપવાનું પસંદ કરે છે. આ મતદાન પાર્ટીના આંતરિક મતભેદો, નેતૃત્વ પ્રત્યે અસંતોષ, રાજકીય સોદાબાજી, વ્યક્તિગત સંબંધો અથવા વ્યૂહાત્મક ગણતરીઓને કારણે હોઈ શકે છે. કારણ કે દરેક મત ચૂંટણીમાં ગણાય છે, ક્રોસ-વોટિંગ પરિણામને નોંધપાત્ર રીતે બદલી શકે છે.</p><h4 style="text-align: justify; ">પાર્ટી વ્હીપ આને કેમ અટકાવતા નથી?</h4><p style="text-align: justify; ">ક્રોસ-વોટિંગનું મુખ્ય કારણ એ છે કે રાજ્યસભાની ચૂંટણીઓમાં પક્ષપલટા વિરોધી કાયદો આપમેળે લાગુ પડતો નથી. સુપ્રીમ કોર્ટે, 2006ના કુલદીપ નાયરના ચુકાદામાં, ચુકાદો આપ્યો હતો કે રાજ્યસભાની ચૂંટણીઓ એક ચૂંટણી પ્રક્રિયા છે. ગૃહની કાયદાકીય કાર્યવાહી નહીં. પરિણામે, વિધાનસભા અથવા સંસદમાં મતદાન દરમિયાન લાગુ પડતો કાનૂની પક્ષ વ્હીપ આ ચૂંટણીઓમાં સમાન અસર કરતો નથી.</p><h5 style="text-align: justify; ">ક્રોસ-વોટિંગ કેવી રીતે શોધી શકાય ?</h5><p style="text-align: justify; ">રાજ્યસભા અને વિધાનસભા પરિષદની ચૂંટણીઓમાં ક્રોસ-વોટિંગ શોધવાનું સામાન્ય રીતે સરળ છે. આનું કારણ એ છે કે 2003 માં ઓપન બેલેટ સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. આ સિસ્ટમ હેઠળ, રાજકીય પક્ષો સાથે જોડાયેલા ધારાસભ્યોએ મતપત્રકને મતપેટીમાં નાખતા પહેલા અધિકૃત પક્ષ એજન્ટને પોતાનો મતપત્ર બતાવવાની જરૂર છે. આનાથી પક્ષ ખાતરી કરી શકે છે કે ધારાસભ્યએ સત્તાવાર સૂચનાઓ અનુસાર મતદાન કર્યું છે કે નહીં. મતપત્રક દેખાડતાની સાથે જ, પક્ષના પ્રતિનિધિઓ જોઈ શકે છે કે ધારાસભ્યએ પક્ષના ઉમેદવારને ટેકો આપ્યો છે કે અન્ય કોઈને. જો કોઈ પક્ષ સાથે જોડાયેલા ધારાસભ્ય અધિકૃત પક્ષ એજન્ટને મતપત્રક બતાવવાનો ઇનકાર કરે છે, તો ચૂંટણી અધિકારી મતને અમાન્ય જાહેર કરે છે.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/business/iran-us-relations-irans-clarification-amid-rumors-of-hormuz-closure-claims-that-the-sea-route-is-fully-operational" target="_blank">હોર્મુઝ બંધ થવાની અફવાઓ વચ્ચે ઈરાનનો ખુલાસો, દરિયાઈ માર્ગ સંપૂર્ણપણે ચાલુ હોવાનો દાવો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/19/3ue18MwknbO71MvnwrXCQYYG3XNAOvWHWQER88Sb.webp'/></item><item><title><![CDATA[Iran US Relations: હોર્મુઝ બંધ થવાની અફવાઓ વચ્ચે ઈરાનનો ખુલાસો, દરિયાઈ માર્ગ સંપૂર્ણપણે ચાલુ હોવાનો દાવો ]]></title><link>https://sandesh.com/world/news/business/iran-us-relations-irans-clarification-amid-rumors-of-hormuz-closure-claims-that-the-sea-route-is-fully-operational</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/business/iran-us-relations-irans-clarification-amid-rumors-of-hormuz-closure-claims-that-the-sea-route-is-fully-operational</guid><pubDate>Fri, 19 Jun 2026 21:08:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ઇરાનની સ્પષ્ટતા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વૈશ્વિક બજારોમાં રાહતનો શ્વાસ લેવામાં આવી રહ્યો છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">આંતરરાષ્ટ્રીય બજારોમાં રાહત&nbsp;</h2><p style="text-align: justify; ">ઈરાનના વિદેશ મંત્રાલયે પશ્ચિમી મીડિયાના દાવાઓને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે અને સ્પષ્ટતા કરી છે કે આ મુખ્ય દરિયાઈ માર્ગ પર વાણિજ્યિક શિપિંગ સંપૂર્ણપણે સામાન્ય છે અને ઈરાન પોતે જહાજોની સલામતી સુનિશ્ચિત કરવામાં રોકાયેલા છે. સૌથી સંવેદનશીલ તેલ માર્ગ, હોર્મુઝ સ્ટ્રેટ પર છેલ્લા કેટલાક કલાકોથી પ્રવર્તતા તીવ્ર સસ્પેન્સ અને ભયના વાતાવરણમાં પશ્ચિમી મીડિયા દ્વારા દાવો કરવામાં આવી રહ્યો હતો કે ઈરાને ફરીથી આ માર્ગ બંધ કરી દીધો છે. હવે, ઈરાને સ્પષ્ટતા કરી હોવાથી ટ્રમ્પ રાહતનો શ્વાસ લઈ શકે છે.&nbsp;</p><h3 style="text-align: justify; ">વૈશ્વિક બજારોને ખાતરી</h3><p style="text-align: justify; ">તેહરાને સ્પષ્ટપણે કહીને વૈશ્વિક બજારોને ખાતરી આપી છે કે હોર્મુઝ સ્ટ્રેટ પર બધું સંપૂર્ણપણે સામાન્ય છે, શિપિંગ રાબેતા મુજબ ચાલુ છે. વધુમાં, ઈરાને પણ ખાતરી આપી છે કે તે પોતાના જહાજોની સલામતી સુનિશ્ચિત કરવામાં સક્રિયપણે રોકાયેલ છે. ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ કરાર સંબંધિત મંત્રણાઓ રદ થયા બાદ ઈરાનની સેના અહીં નાકેબંધી કરી શકે છે, પરંતુ તેહરાને આ અહેવાલોને તદ્દન ખોટા ગણાવ્યા છે.</p><h4 style="text-align: justify; ">ડોનાલ્ડ ટ્રમ્પ અને ગ્લોબલ માર્કેટ મહત્વનું</h4><p style="text-align: justify; ">સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ વિશ્વનો એવો દરિયાઈ માર્ગ છે જ્યાંથી દુનિયાભરના તેલનો મોટો હિસ્સો પસાર થાય છે. જો આ રસ્તો થોડા કલાકો માટે પણ બંધ થઈ જાય, તો વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચી શકે છે. જેની સીધી અસર અમેરિકા સહિત વિશ્વભરના અર્થતંત્ર પર પડે છે. ખાસ કરીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે મોંઘવારી અને ઈંધણના ભાવ નિયંત્રણમાં રાખવા એ મોટી પ્રાથમિકતા છે. આવી સ્થિતિમાં, ઈરાન તરફથી આવેલી આ સફાઈ અત્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થા અને રાજનીતિ માટે બૂસ્ટર ડોઝ સમાન સાબિત થઈ છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/knowledge/news/world/natasha-dolls-why-is-there-a-fuss-over-the-dark-skinned-natasha-dolls-know-the-reason" target="_blank">કાળી ચામડીવાળી 'નતાશા ઢીંગલી'ઓ મામલે હોબાળો કેમ?, જાણો કારણ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/19/IcrePdjLYs6cGNhguIeQWSfIIFW9C0YlOOLuop7A.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026 Day 9 : આ ચાર ટીમ વચ્ચે ટક્કર,જાણો કેટલા વાગ્યે શરૂ થશે મેચ ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-day-8-clash-between-these-four-teams-know-what-time-the-match-will-start</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-day-8-clash-between-these-four-teams-know-what-time-the-match-will-start</guid><pubDate>Fri, 19 Jun 2026 17:17:27 +05:30</pubDate><description><![CDATA[<p>ફિફા વર્લ્ડ કપ 2026નો પહેલુ અઠવાડિયું ખૂબ જ રોમાંચક રહ્યો.શરૂઆતના સાત દિવસોમાં ફૂટબોલ ચાહકોએ મેદાન પર ઘણો ઉત્સાહ જોયો,જેમાં લિયોનેલ મેસીએ શાનદાર હેટ્રિક ફટકારી અને હોલેન્ડે પણ શાનદાર પ્રદર્શન કર્યું.20 જૂન પણ એક ખાસ દિવસ રહેશે,કારણ કે તે દિવસે કુલ પાંચ મેચ રમાશે.આ મેચોમાં બંને મુખ્ય ટીમ અને કેટલીક એવી ટીમ ભાગ લેશે જે મોટા અપસેટ સર્જવાની ક્ષમતા ધરાવે છે.દિવસની પહેલી  મેચ યુનાઇટેડ સ્ટેટ્સ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થશે.વધુમાં,બ્રાઝિલ,નેધરલેન્ડ્સ અને તુર્કી જેવી મજબૂત ટીમ પણ પોતાની મેચ રમશે.</p><h5><b>પ્રથમ મેચ યુનાઇટેડ સ્ટેટ્સ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે</b></h5><p>ગ્રુપ ડીમાં યુનાઇટેડ સ્ટેટ્સ અને ઓસ્ટ્રેલિયા પહેલા ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 12:30 વાગ્યે શરૂ થશે. બંને ટીમો ખૂબ જ ઝડપી અને આક્રમક રીતે રમશે, તેથી દર્શકો નજીકની સ્પર્ધાની અપેક્ષા રાખી શકે છે. યુનાઇટેડ સ્ટેટ્સને આ ટુર્નામેન્ટ જીતવા માટે મજબૂત દાવેદાર માનવામાં આવે છે. તેમણે પોતાની શરૂઆતની મેચમાં પેરાગ્વેને 4-1થી હરાવ્યું હતું. બીજી તરફ, ઓસ્ટ્રેલિયાએ પોતાની શરૂઆતની મેચમાં તુર્કીને 2-0થી હરાવ્યું હતું.</p><p><a href="https://x.com/FIFAWorldCup/status/2067910266965414200?s=20" target="_blank">https://x.com/FIFAWorldCup/status/2067910266965414200?s=20</a></p><p>&nbsp;</p><h4><b>ગ્રુપ સીમાં બે મેચ રમાશે</b></h4><p>આ પછી, ગ્રુપ સીમાં સ્કોટલેન્ડ મોરોક્કો સામે ટકરાશે. આ મેચ બીજા દિવસે ભારતીય સમય મુજબ સવારે 3:30 વાગ્યે શરૂ થશે. આ મેચ જીતવી અને પોઈન્ટ કમાવવા બંને ટીમો માટે આગળ વધવા માટે મહત્વપૂર્ણ છે. પાછલી મેચમાં સ્કોટલેન્ડે હૈતીને 1-0થી હરાવ્યું હતું. ગ્રુપ સીનો બીજો મુકાબલો સવારે 6:00 વાગ્યે બ્રાઝિલ અને હૈતી વચ્ચે રમાશે. પાંચ વખતના ચેમ્પિયન બ્રાઝિલને આ મેચમાં સૌથી મજબૂત માનવામાં આવે છે. પોતાના વિશાળ અનુભવ સાથે, બ્રાઝિલ આ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ઉપર જવાનો પ્રયાસ કરશે. બીજી તરફ, હૈતી પોતાની પહેલી મેચ હારી ચૂકી છે અને આ મેચમાં મજબૂત વાપસી કરવા માટે ઉત્સુક રહેશે.</p><h5><b>ગ્રુપ Dનો મુકાબલો તુર્કી અને પેરાગ્વે વચ્ચે રમાશે&nbsp;</b></h5><p>ગ્રુપ ડીમાં દિવસનો ચોથો મુકાબલો તુર્કી અને પેરાગ્વે વચ્ચે રમાશે. આ મેચ બીજા દિવસે ભારતીય સમય મુજબ સવારે 8:30 વાગ્યે શરૂ થશે. ઓસ્ટ્રેલિયા સામેની પાછલી હાર બાદ તુર્કીની ટીમ સ્વાભાવિક રીતે થોડી નિરાશ થશે, તેથી તેમને તે હારને પાછળ છોડીને આ મેચમાં મજબૂત વાપસી કરવાની જરૂર પડશે.</p><h5><b>ગ્રુપ Fની મેચ નેધરલેન્ડ્સ અને સ્વીડન વચ્ચે રમાશે</b></h5><p>દિવસનો અંતિમ અને સૌથી મોટો મેચ ગ્રુપ F ની બે મજબૂત ટીમો, નેધરલેન્ડ્સ અને સ્વીડન વચ્ચે થશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10:30 વાગ્યે રમાશે. આ બે યુરોપિયન હેવીવેઇટ ટીમો વચ્ચે કટ્ટર સ્પર્ધાની અપેક્ષા છે. નેધરલેન્ડ્સ જાપાન સામે 2-2 થી ડ્રો રમી રહ્યું છે, જ્યારે સ્વીડને તેની પાછલી મેચમાં ટ્યુનિશિયાને 5-1 થી હરાવ્યું હતું.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-day-6-clash-between-these-four-teams-know-what-time-the-match-will-start" target="_blank">FIFA World Cup 2026,Day 6: આ ચાર ટીમ વચ્ચે ટક્કર,જાણો કેટલા વાગ્યે શરૂ થશે મેચ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/19/HzRZcOyN1Ct9jOeY6wBvRDp5Do1DNOqb8CPFiIma.webp'/></item><item><title><![CDATA[Sunil Grover : ઘાટ કિનારે ફૂટપાથ પર ચાદર પાથરીને સૂતા જોવા મળ્યા સુનીલ ગ્રોવર, વીડિયો જોઈ ફેન્સ બોલ્યા- 'Down To Earth' ]]></title><link>https://sandesh.com/entertainment/news/sunil-grover-viral-video-sleeping-on-footpath-fans-reaction</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/sunil-grover-viral-video-sleeping-on-footpath-fans-reaction</guid><pubDate>Fri, 19 Jun 2026 17:16:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">એક્ટર અને કોમેડિયન સુનીલ ગ્રોવર પોતાની કોમેડીથી હંમેશા દર્શકોને એન્ટરટેઇન કરતા અને દિલ જીતતા જોવા મળ્યા છે. દર્શકો તેમને ખૂબ પસંદ કરે છે. આ દરમિયાન તેમનો સાદગીભર્યો અંદાજ પણ પ્રશંસકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ઘાટ કિનારે ભીડની વચ્ચે ફૂટપાથ પર ચાદર પાથરીને સૂતા જોવા મળ્યા. પ્રશંસકો તેમના આ અંદાજના જોરદાર વખાણ કરી રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>ફૂટપાથ પર સૂતા દેખાયા સુનીલ ગ્રોવર</b></h2><p style="text-align: justify; ">આ વીડિયો સુનીલ ગ્રોવરે પોતે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે તેઓ રાત્રે ઘાટ કિનારે ચાદર પાથરીને ફૂટપાથ પર સૂતા જોવા મળી રહ્યા છે અને નજીકમાં જ ચપ્પલ પણ રાખેલા છે. તેમની આસપાસ ઘણા લોકો જમીન પર સૂઈ રહ્યા છે. સુનીલ ગ્રોવરે આ વીડિયો શેર કરતા લખ્યું, 'તારે ઝમીન પર'. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>પ્રશંસકો કરી રહ્યા છે વખાણ</b></h3><p style="text-align: justify; ">સોશિયલ મીડિયા યુઝર્સ તેમના ખૂબ વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ખૂબ સરસ સર, જમીન સાથે જોડાયેલા કલાકાર. બીજાએ લખ્યું, એક જ તો દિલ છે, કેટલી વાર જીતશો. ત્રીજાએ લખ્યું, ખૂબ જ ડાઉન ટુ અર્થ છે. વધુ એક પ્રશંસકે લખ્યું, કમાલના માણસ છો તમે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DZuaMVqsU9e/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DZuaMVqsU9e/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DZuaMVqsU9e/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DZuaMVqsU9e/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><p style="text-align: justify; ">સુનીલ ગ્રોવર એક શાનદાર કોમેડિયન છે. તેમના લાખો ચાહકો છે. કપિલ શર્માના શો દ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોમાં સુનીલ ગ્રોવરે ગુત્થી અને ડૉ. મશહૂર ગુલાટી જેવા પાત્રોથી ઘરે-ગરે પોતાની એક ખાસ ઓળખ બનાવી. તેમની કોમેડીને લોકો ખૂબ પસંદ કરે છે. એટલું જ નહીં, તેમણે આમિર ખાન, સલમાન ખાનથી લઈને ડોનાલ્ડ ટ્રમ્પ, કાદર ખાન, ગુલઝાર, જાવેદ અખ્તર સહિત ઘણા સેલેબ્સે એવી રીતે પોતાનામાં ઉતાર્યા કે દરેક વ્યક્તિ જોતી જ રહી ગઈ.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gallery/news/entertainment/bhavya-gandhi-birthday-tmkoc-tappu-transformation-where-is-he-now" target="_blank">આ પણ વાંચો-18 વર્ષમાં આટલો બદલાઈ ગયો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો નાનો ટપ્પુ, જાણો- ટીવીથી દૂર આજકાલ ક્યાં છે ભવ્ય ગાંધી?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/19/ri9xbENnm5af8LQ42ARpnXLr0XQCsB9qeGr7BFQ3.webp'/></item></channel></rss>