<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Rajkot: ત્રંબા ગામ પાસે પૂરપાટ કારે દુકાન પાસે ઉભેલા વ્યક્તિને કચડ્યો, ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/rajkot/horrific-car-accident-near-tramba-village-on-rajkot-bhavnagar-highway-one-dead-cctv</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/rajkot/horrific-car-accident-near-tramba-village-on-rajkot-bhavnagar-highway-one-dead-cctv</guid><pubDate>Mon, 08 Jun 2026 10:05:20 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ-ભાવનગર હાઇવે પર વાહનોની અનિયંત્રિત ગતિ સતત માસૂમ લોકોનો ભોગ લઈ રહી છે. હાઇવે પર આવેલા ત્રંબા ગામ નજીક આજે એક અત્યંત ગમખ્વાર અને અરેરાટીભરી અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં રોડની સાઇડમાં આવેલી એક દુકાન પાસે ઉભેલા વ્યક્તિ પર કાળ બનીને આવેલી એક કાર ત્રાટકી હતી. કારની સ્પીડ એટલી વધારે હતી કે દુકાન પાસે ઉભેલા વ્યક્તિને બચવાની એક ક્ષણ પણ મળી ન હતી અને કારની જોરદાર ટક્કર વાગતાં જ તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.</p><h2><b>દુકાનમાં ઉભેલા વ્યક્તિ પર ફરી વળી કાર</b></h2><p>પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, મૃતક વ્યક્તિ હાઇવે કિનારે આવેલી દુકાન પાસે સામાન્ય રીતે ઉભો હતો. આ દરમિયાન રાજકોટ તરફથી/ભાવનગર તરફથી આવી રહેલી એક પૂરપાટ ઝડપે દોડતી કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. કાબૂ બહાર ગયેલી આ કાર રોડ પરથી નીચે ઉતરીને સીધી જ સાઇડમાં આવેલી દુકાન તરફ ધસી ગઈ હતી અને ત્યાં ઉભેલા વ્યક્તિને અડફેટે લઈ કચડી નાખ્યો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે આસપાસના લોકો દોડીને આવે તે પહેલા જ લોહીલુહાણ હાલતમાં વ્યક્તિએ દમ તોડી દીધો હતો.</p><h3><b>અકસ્માતના લાઈવ CCTV ફૂટેજ આવ્યા સામે</b></h3><p>આ સમગ્ર ઘટનાના રૂવાડા ઉભા કરી દે તેવા લાઈવ સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કાર ચાલક કેટલી બેફામ ગતિથી ગાડી ચલાવી રહ્યો હતો અને કેવી રીતે કાર સીધી જ રોડની બહાર ઉભેલા વ્યક્તિને ઉડાવીને દુકાન સાથે ભટકાઈ ગઈ હતી. આ ફૂટેજ સામે આવ્યા બાદ સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડીને અકસ્માત સર્જનાર કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/hit-and-run-accident-near-iscon-mall-piplod-surat-liquor-bottles-found-in-car" target="_blank">આ પણ વાંચો: Surat: પીપલોદ હાઇવે પર બેફામ દોડતી કારે એક્ટિવા સવારને લીધો અડફેટે, ગાડીમાંથી મળી આવી દારૂની બોટલો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/08/X8XjAqwNZ9f4s02QLfSvyjshsEDqbYiFuDdWX7K6.webp'/></item><item><title><![CDATA[Surat: વરાછા ખાંડ બજારમાં 4 શ્રમિકોના મોત છતાં પોલીસે માત્ર 'અકસ્માત મોત'નો ગુનો નોંધી સંતોષ માન્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/no-strict-action-by-police-in-surat-ratihi-jewellers-gas-leak-case-four-dead</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/no-strict-action-by-police-in-surat-ratihi-jewellers-gas-leak-case-four-dead</guid><pubDate>Mon, 08 Jun 2026 10:04:21 +05:30</pubDate><description><![CDATA[<p>સુરતના વરાછા સ્થિત ખાંડ બજાર વિસ્તારમાં આવેલી રતીહ જ્વેલર્સમાં બનેલી ગેસ ગૂંગળામણની ઘટનાએ સુરત શહેરને હચમચાવી દીધું છે. ETP ટેન્કની સફાઈ કરવા ઉતરેલા ૪ શ્રમિકોના ઝેરી ગેસના કારણે કરૂણ મોત નીપજ્યા બાદ અપેક્ષા હતી કે પોલીસ અને વહીવટી તંત્ર કડક હાથે કામ લેશે. પરંતુ, આ ઘટનાના ૨૪ કલાક બાદ પણ સુરત પોલીસની જે કામગીરી સામે આવી છે, તેનાથી મૃતકોના પરિવારો અને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પોલીસે આટલી મોટી બેદરકારી સામે માત્ર અકસ્માત મોતનો ગુનો નોંધીને સંતોષ માની લીધો છે.</p><h2><b>ગંભીર કલમો લગાવવામાં પોલીસ પાછીપાની કેમ કરે છે?</b></h2><p>સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે ફેક્ટરી કે પેઢીમાં સેફ્ટીના સાધનો વગર મજૂરોને મોતના મોંમાં ધકેલી દેવાયા, છતાં પોલીસ દ્વારા આ ગુનામાં કોઈ ગંભીર કલમો (જેવી કે આઇપીસી/બીએનએસ હેઠળ સાપરાધ મનુષ્યવધ કે બેદરકારીથી મોત) કેમ લગાવાઈ નથી? અત્યાર સુધી કંપનીના માલિક વિરૂદ્ધ પણ કોઈ કાયદેસરની કડક ફરિયાદ નોંધવામાં આવી નથી. સામાન્ય રીતે આવી ઔદ્યોગિક દુર્ઘટનાઓમાં માલિકો સામે તાત્કાલિક પગલાં લેવાતા હોય છે, ત્યારે આ કેસમાં પોલીસની ઢીલી નીતિ શંકાના દાયરામાં છે.</p><h3><b>કોન્ટ્રાક્ટર પણ પોલીસ રડારથી બહાર</b></h3><p>ઘટનાને પગલે એવો પણ સવાલ ઉઠી રહ્યો છે કે રતીહ જ્વેલર્સની અંદર આ ૪ મજૂરોને કામ પર રાખનાર મુખ્ય કોન્ટ્રાક્ટર કોણ હતો? શું કંપની પાસે પોતાના જ પ્લાન્ટમાં કામ કરતા શ્રમિકોના કોન્ટ્રાક્ટરનો કોઈ સંપર્ક કે રેકોર્ડ નહીં હોય? પોલીસે હજુ સુધી એ દિશામાં પણ તપાસ લંબાવી નથી કે કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ કોઈ કાર્યવાહી થશે કે કેમ.</p><h4><b>પોલીસની ઢીલી નીતિ શંકાના દાયરામાં</b></h4><p>ગઈકાલે એફ.એસ.એલ. (FSL) ની ટીમ ઘટનાસ્થળે આવી, સેમ્પલિંગની વિધિ પતાવીને જતી રહી. તે જ રીતે સુરતના મેયર માયાબેન માવાણી પણ ઘટનાસ્થળે આવ્યા, અધિકારીઓ સાથે વાતચીત કરી, નિરીક્ષણ કર્યું અને મીડિયાને બાઈટ આપીને રવાના થઈ ગયા. પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર હજુ પણ ન્યાયની પ્રક્રિયા શૂન્ય દેખાઈ રહી છે. પ્રજા પૂછી રહી છે કે શું આ ગરીબ શ્રમિકોના મોતના ગુનેગારો સામે ક્યારેય પાકા પગલાં લેવાશે, કે પછી આ મામલાને પણ અકસ્માત ખપાવીને દબાવી દેવામાં આવશે?</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/jasdan/atkot-police-constable-bhagvan-berani-died-in-road-accident-near-jasdan-barvala-village" target="_blank">આ પણ વાંચો: Jasdan: : બાઈક-ઈકો વચ્ચેની જોરદાર ટક્કરમાં પોલીસકર્મીનું મોત, મૃતદેહ પીએમ અર્થે જસદણ સિવિલ હોસ્પિટલ ખસેડાયો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/08/Ts13sirguwuEimQqlt5WPxxfiR43kiowsWW4BwJr.webp'/></item><item><title><![CDATA[Jaipur Demolition: નૂરાની મસ્જિદ સીલ, ચાંપતી સુરક્ષા વચ્ચે દબાણ હટાવો કામગીરી, ઇન્ટરનેટ બંધ ]]></title><link>https://sandesh.com/india/news/jaipur-demolition-noorani-mosque-sealed-pressure-relief-operation-underway-amid-tight-security-internet-shut-down</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/jaipur-demolition-noorani-mosque-sealed-pressure-relief-operation-underway-amid-tight-security-internet-shut-down</guid><pubDate>Mon, 08 Jun 2026 09:53:03 +05:30</pubDate><description><![CDATA[<p>જયપુર ડેવલપમેન્ટ ઓથોરિટી (JDA) એ શહેરના નંદપુરી વિસ્તારમાં રસ્તા પહોળા કરવાના પ્રોજેક્ટમાં અવરોધરૂપ બની રહેલા ધાર્મિક માળખાને દૂર કરવા માટે કાર્યવાહી શરૂ કરી છે. અહેવાલો સૂચવે છે કે વહીવટી ટીમે નૂરાની મસ્જિદને સીલ કરી દીધી છે અને તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરી છે.
</p><h2><b>ઇન્ટરનેટ સેવા બંધ</b></h2><p>આ અતિક્રમણ વિરોધી ઝુંબેશ પહેલા, વહીવટીતંત્રે જિલ્લાના મોટાભાગના ભાગોમાં ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દીધી છે અને ભારે પોલીસ દળ તૈનાત કરી દીધું છે. વધુમાં, પોલીસે સુરક્ષાના પગલા તરીકે મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજી હતી, અને સમગ્ર વિસ્તારમાં મોટી સંખ્યામાં સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.</p><h3><b>મુખ્યમાર્ગોને પહોળા કરવાનું કામ&nbsp;</b></h3><p>જયપુરમાં માલવિયા નગરથી જગતપુરાને જોડતા મુખ્ય માર્ગને પહોળો કરવાનું કામ ઘણા સમયથી ચાલી રહ્યું હતું. છેલ્લા કેટલાક દિવસોથી રસ્તા પહોળા કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી, પરંતુ શરૂઆતમાં આ મસ્જિદને કોઈ અસર થઈ ન હતી. આ મુદ્દા પર લોકો દ્વારા શાસક ભાજપની ટીકા કરતી સતત સોશિયલ મીડિયા પોસ્ટને પગલે, JDA એ તેને દૂર કરવાની તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપ્યું.</p><h3><b>રસ્તો પહોળો કરવામાં ધાર્મિક સ્થાનો બની રહ્યા હતા અવરોધ&nbsp;</b></h3><p>વહીવટી અધિકારીઓએ જણાવ્યું હતું કે માલવિયા નગરથી જગતપુરા સુધીના મુખ્ય રસ્તાને પહોળો કરવા માટે JDA અને જિલ્લા વહીવટીતંત્ર લાંબા સમયથી સંયુક્ત રીતે કામ કરી રહ્યા છે. આ પહેલના ભાગ રૂપે, નંદપુરી અંડરપાસ નજીક રેલ્વે લાઇનને સમાંતર ચાલતા રસ્તાને તેની હાલની 25-30 ફૂટ પહોળાઈથી નિર્ધારિત 80 ફૂટ સુધી પહોળો કરવા માટે એક ઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેશના ભાગ રૂપે રસ્તાના જમણા માર્ગમાં આવતા પાંચ ધાર્મિક બાંધકામો - જેમાં એક મસ્જિદ, બે મંદિરો, એક સત્સંગ હોલ અને એક મઝાર (તીર્થસ્થાન)નો સમાવેશ થાય છે. જેને દૂર કરવામાં આવી રહ્યા છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI_MP_CG_RJ/status/2063837163939348679"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p>વહીવટીતંત્રે લોકોને અફવાઓને અવગણવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે. લોકોને ભડકાઉ પોસ્ટ્સ અથવા વીડિયો શેર કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે, ચેતવણી આપી છે કે અન્યથા કડક પગલાં લેવામાં આવશે.</p><p><b>માર્ગના જમણા માર્ગમાં આવેલા ધાર્મિક સ્થળો અંગે કાર્યવાહી</b></p><p>જયપુર પોલીસ કમિશનર સચિન મિત્તલે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે રસ્તાના જમણા માર્ગમાં આવેલા ધાર્મિક બાંધકામોને દૂર કરતી વખતે સામાજિક સંવાદિતાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરનારા કોઈપણ અસામાજિક તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ભડકાઉ વીડિયો બનાવનારા કે પાયાવિહોણા કન્ટેન્ટ ફેલાવનારાઓને છોડવામાં આવશે નહીં.</p><p><b>'3,000 થી વધુ કર્મચારીઓ તૈનાત</b></p><p>એક અધિકારીએ જણાવ્યું હતું કે જયપુર પોલીસ અને વિકાસ સત્તામંડળે આ સંવેદનશીલ અતિક્રમણ વિરોધી ઝુંબેશ શાંતિપૂર્ણ રીતે હાથ ધરવા માટે એક વ્યાપક રણનીતિ ઘડી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 3,000 થી વધુ કર્મચારીઓ અને 50 થી વધુ વહીવટી અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
</p><p><b>કોંગ્રેસે પ્રશ્નો ઉઠાવ્યા</b>&nbsp;</p><p>દરમિયાન, આ વહીવટી કાર્યવાહી પર રાજકીય વિવાદ ફાટી નીકળ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય રફીક ખાને તોડી પાડવાની ઝુંબેશ પર સવાલ ઉઠાવતા દાવો કર્યો છે કે નૂરાની મસ્જિદ - જેને વહીવટીતંત્ર દૂર કરવાનો ઇરાદો ધરાવે છે - તે સંપૂર્ણપણે બાંધકામના નિયમો અને સ્થાપિત નિયમોનું પાલન કરીને બનાવવામાં આવી હતી.</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/08/idqL9F6IAd4eFiuOk5SiBmqkdaxxL5Yil1JYMZKu.webp'/></item><item><title><![CDATA[Mahisagar : 123 કરોડના નલ સે જલ કૌંભાડમાં CIDનું મોટું એક્શન, ત્રણ કોન્ટ્રાક્ટરોની ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/mahisagar/mahisagar-nal-se-jal-scam-cid-arrests-three-contractors</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/mahisagar/mahisagar-nal-se-jal-scam-cid-arrests-three-contractors</guid><pubDate>Mon, 08 Jun 2026 09:51:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મહીસાગર જિલ્લામાં ચર્ચાસ્પદ બનેલા 123 કરોડ રૂપિયાના નલ સે જલ કૌંભાડમાં CID ક્રાઇમે મોટું એક્શન હાથ ધરી ત્રણ કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરી છે. લાંબા સમયથી ચાલી રહેલી તપાસ દરમિયાન આરોપીઓની ભૂમિકા સામે આવતા CIDએ કાર્યવાહી વધુ તેજ બનાવી છે.</p><h2 style="text-align: justify; "><b>મનહરભાઈ પટેલ, નવીનભાઈ ભરવાડ અને પ્રદીપ શેઠની ધરપકડ
</b></h2><p style="text-align: justify; ">CID ક્રાઇમ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીઓમાં મનહરભાઈ પટેલ, નવીનભાઈ ભરવાડ અને પ્રદીપ શેઠનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન ત્રણેય કોન્ટ્રાક્ટરોની સંડોવણી સામે આવતા અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી તેમની ધરપકડ કરવામાં આવી હતી. CIDની ટીમે મનહર પટેલને રામ પટેલના મુવાડામાંથી, પ્રદીપ શેઠને વીરપુરમાંથી અને નવીન ભરવાડને સરવરિયા ગામેથી ઝડપી પાડ્યા હતા.
</p><h3 style="text-align: justify; "><b>મનહર પટેલ અગાઉ લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ હતા
</b></h3><p style="text-align: justify; ">મનહરભાઈ પટેલ અગાઉ લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. નલ સે જલ યોજનામાં થયેલી ગેરરીતિઓ અને નાણાકીય અનિયમિતતાઓને લઈને CID ક્રાઇમ દ્વારા છેલ્લા કેટલાક સમયથી સઘન તપાસ કરવામાં આવી રહી હતી.
</p><h4 style="text-align: justify; "><b>કોન્ટ્રાક્ટરો, સરપંચો અને તલાટીઓની પૂછપરછ
</b></h4><p style="text-align: justify; ">તપાસ દરમિયાન અનેક કોન્ટ્રાક્ટરો, સરપંચો અને તલાટીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસનો વ્યાપ વધતા અને CIDની કાર્યવાહી તેજ બનતા કેટલાક સંદિગ્ધ લોકો ભુગર્ભમાં ઉતરી ગયા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.
</p><h4 style="text-align: justify; "><b>સંબંધિત દસ્તાવેજોની પણ તપાસ
</b></h4><p style="text-align: justify; ">123 કરોડના આ બહુચર્ચિત કૌભાંડમાં વધુ લોકોની સંડોવણી સામે આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. CID ક્રાઇમ દ્વારા નાણાકીય વ્યવહારો, ટેન્ડર પ્રક્રિયા અને કામકાજ સંબંધિત દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં વધુ ધરપકડો અને મહત્વના ખુલાસા થવાની સંભાવના વચ્ચે સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">
</p><p style="text-align: justify; ">આ પણ વાંચો---&nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-live-and-samachar-08-june-2026-politics-weather-updates-daily-breaking-news-natio" target="_blank"><b> Gujarat Latest News live : ફિલીપાઇન્સમાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ , અસમ અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં પણ ભૂકંપ</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/08/eMZvo4QDcvMCWlpm6vvXSzFWgtWmhmWtZgTz4get.webp'/></item><item><title><![CDATA[Surat: પીપલોદ હાઇવે પર બેફામ દોડતી કારે એક્ટિવા સવારને લીધો અડફેટે, ગાડીમાંથી મળી આવી દારૂની બોટલો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/hit-and-run-accident-near-iscon-mall-piplod-surat-liquor-bottles-found-in-car</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/hit-and-run-accident-near-iscon-mall-piplod-surat-liquor-bottles-found-in-car</guid><pubDate>Mon, 08 Jun 2026 09:44:24 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત શહેરમાં રાત્રિના સમયે નબીરાઓ દ્વારા બેફામ ગાડીઓ હંકારવાનો અને અકસ્માતો સર્જવાનો સિલસિલો થંભવાનું નામ નથી લઈ રહ્યો. પીપલોદ વિસ્તારમાં આવેલા પ્રખ્યાત ઇસ્કોન મોલની બિલકુલ નજીક એક કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો છે. મોડી રાત્રે એક પૂરપાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે રસ્તા પરથી પસાર થઈ રહેલા એક નિર્દોષ એક્ટિવા ચાલકને જોરદાર ટક્કર મારી હવામાં ઉછાળ્યો હતો. આ ભયાનક ટક્કરના કારણે એક્ટિવા સવાર રોડ પર પછાડાતા તેને માથાના અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્તને સ્થાનિક લોકોએ તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો છે.</p><h2><b>કારમાંથી દારૂની બોટલો મળી આવતા હોબાળો</b></h2><p>અકસ્માત થતાં જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. જો કે, લોકો એકઠા થાય તે પહેલા જ અકસ્માત સર્જનાર કાર ચાલક પોતાની ગાડી અધવચ્ચે જ મૂકીને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો. ઉશ્કેરાયેલા લોકોએ જ્યારે કારની અંદર તપાસ કરી ત્યારે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. કારની અંદરથી વિદેશી દારૂ અને બિયરની બોટલો મળી આવી હતી. સ્થાનિકોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ કાર ચાલક સંપૂર્ણપણે દારૂના નશામાં (Drink and Drive) ધૂત હતો અને નશાના કારણે જ તેણે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત નડ્યો હતો.</p><h3><b>કડક કાર્યવાહીની માંગ સાથે પોલીસ તપાસ શરૂ</b></h3><p>સુરતના પોશ અને કડક પોલીસ પેટ્રોલિંગના દાવા વચ્ચે ડ્રિંક એન્ડ ડ્રાઇવની આ ઘટનાથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ છે. લોકોએ ફરાર નબીરા સામે કડકમાં કડક કલમો હેઠળ ગુનો નોંધી જેલભેગો કરવાની માંગ કરી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે કારમાંથી મળેલ દારૂનો જથ્થો અને કારને કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/no-strict-action-by-police-in-surat-ratihi-jewellers-gas-leak-case-four-dead" target="_blank">આ પણ વાંચો:Surat: વરાછા ખાંડ બજારમાં 4 શ્રમિકોના મોત છતાં પોલીસે માત્ર 'અકસ્માત મોત'નો ગુનો નોંધી સંતોષ માન્યો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/08/ZaQT8gEie1TIoQR2JIjMp9gWwQ1gDUKhS6FSHPnh.webp'/></item><item><title><![CDATA[Stock Market Opening: ઇરાન ઇઝરાયલ વચ્ચે તણાવથી શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 609 પોઇન્ટ તૂટ્યો ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-opening-tensions-between-iran-and-israel-cause-chaos-in-the-stock-market-sensex-falls-609-points</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-opening-tensions-between-iran-and-israel-cause-chaos-in-the-stock-market-sensex-falls-609-points</guid><pubDate>Mon, 08 Jun 2026 09:35:11 +05:30</pubDate><description><![CDATA[<p>સોમવારે ભારતીય શેરબજારની શરૂઆત નબળી રહી. પશ્ચિમ એશિયામાં વધતા ભૂ-રાજકીય તણાવ વચ્ચે, GIFT નિફ્ટીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જે સ્થાનિક બજાર માટે ગેપ-ડાઉન ઓપનિંગનો સંકેત આપે છે. GIFT નિફ્ટી 23,097 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો, જે પાછલા બંધ કરતા 344 પોઈન્ટ નીચે છે. આ સ્પષ્ટપણે વૈશ્વિક વિકાસ અંગે રોકાણકારોની ચિંતામાં વધારો દર્શાવે છે.</p><h2><b>શેરબજારમાં હાહાકાર&nbsp;</b></h2><p>સવારે 9.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ −689.62 પોઇન્ટના ઘટાડા સાથે 73,553.73 અંકે ખૂલ્યો જ્યારે નિફ્ટી −211.50 પોઇન્ટના ઘટાડા સાથે 23,155 અંકે ખૂલ્યો.&nbsp;</p><h3><b>ઈરાન-ઈઝરાયલ તણાવને કારણે રોકાણકારોની ચિંતા વધી&nbsp;</b></h3><p>અહેવાલો અનુસાર, ઈરાને ઈઝરાયલ પર મિસાઈલ હુમલા શરૂ કર્યા છે. આ ઘટનાક્રમે વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે સંભવિત શાંતિ કરારની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. વધુમાં, યુદ્ધવિરામ અંગે અનિશ્ચિતતા વધી છે, અને તેની અસર વૈશ્વિક નાણાકીય બજારોમાં સ્પષ્ટપણે દેખાય છે.</p><p><br></p><p><br></p><p><br></p><p><br></p><p><br></p><p><br></p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2024/12/16/nssx0nFMCWEFJi9091P88E6iSf9biI9lascMugJJ.jpg'/></item><item><title><![CDATA[Ram Charanની 'પેડ્ડી' નો બોક્સ ઓફિસ પર ધમાકો, 4 દિવસમાં ₹150 કરોડ પાર, જાહ્નવી કપૂરના પાત્ર પર વિવાદ ]]></title><link>https://sandesh.com/entertainment/news/ram-charans-peddy-explodes-at-the-box-office-crosses-150-crore-in-4-days-controversy-over-janhvi-kapoors-character</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/ram-charans-peddy-explodes-at-the-box-office-crosses-150-crore-in-4-days-controversy-over-janhvi-kapoors-character</guid><pubDate>Mon, 08 Jun 2026 09:27:45 +05:30</pubDate><description><![CDATA[<p>સુપરસ્ટાર રામ ચરણ અને જાહ્નવી કપૂર અભિનીત મોસ્ટ અવેટેડ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ "પેડ્ડી" સિનેમાઘરોમાં રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. બુચી બાબુ સના દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મને દર્શકો અને સમીક્ષકો તરફથી ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. એડવાન્સ બુકિંગમાં જ ₹20 કરોડ (આશરે $2.2 મિલિયન) થી વધુની કમાણી અને 8.2 મિલિયનથી વધુ ટિકિટો વેચીને આ ફિલ્મે પ્રારંભિક સંકેત આપી દીધા હતા કે તે બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ સર્જશે. દેશભરમાં અંદાજે 3,000 સ્ક્રીન્સ પર રિલીઝ થયેલી આ પાન-ઈન્ડિયા ફિલ્મે માત્ર ચાર દિવસમાં જ અદભુત પ્રદર્શન કર્યું છે.</p><h2><b>રામચરણની પેડ્ડી બોક્સ ઓફિસ પર સુપરહિટ</b></h2><p>સેકનિલ્કના તાજેતરના અહેવાલ મુજબ, ગુરુવારે રિલીઝ થયેલી આ ફિલ્મે રવિવારની રજાનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે. ચોથા દિવસે (રવિવારે) ફિલ્મે દેશભરમાં પ્રભાવશાળી ₹31.90 કરોડની કમાણી કરી, જે શનિવારની ₹28.85 કરોડની કમાણી કરતા 10.6 ટકા વધુ છે. જોકે, ફિલ્મ માટે સૌથી મોટો દિવસ તેની ઓપનિંગનો રહ્યો છે, જ્યારે તેણે પહેલા જ દિવસે ₹51 કરોડનું બમ્પર કલેક્શન કર્યું હતું. આ મજબૂત કમાણી સાથે ફિલ્મનું કુલ ભારતીય નેટ કલેક્શન ₹157.13 કરોડ પર પહોંચી ગયું છે, જ્યારે ભારતભરમાં તેની કુલ ગ્રોસ કમાણી ₹186.69 કરોડ ને વટાવી ગઈ છે. ફિલ્મની આ ધમાકેદાર ગતિ જોતા તે ટૂંક સમયમાં જ ₹200 કરોડની ક્લબમાં સામેલ થઈ જશે.</p><h3><b>પેડ્ડી ફિલ્મ શું છે વાર્તા?</b></h3><p>આ ફિલ્મ 'પેડ્ડી' (રામ ચરણ) નામના એક અત્યંત ઉત્સાહી યુવકની આસપાસ ફરે છે, જે રમતગમતની દુનિયામાં પોતાની ઓળખ બનાવવા માંગે છે. ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે પેડ્ડી પોતાના જીવનકાળમાં માત્ર એક જ નહીં પરંતુ ક્રિકેટ, કુસ્તી અને દોડ જેવી અનેક રમતોમાં પોતાનો હાથ અજમાવે છે. પોતાની અદભુત રમતગમતની કુશળતા સાબિત કરીને તે આખરે ભારત સરકારને પણ તેની અસાધારણ પ્રતિભાને સલામ કરવા મજબૂર કરે છે. એક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ વિષયને સ્ક્રીન પર સુંદર રીતે વણી લેવા બદલ ફિલ્મની ચોમેર પ્રશંસા થઈ રહી છે.</p><h4><b>જાહ્નવી કપૂરના પાત્ર પર વિવાદ</b></h4><p>એક તરફ જ્યાં ફિલ્મ બોક્સ ઓફિસ પર અણનમ કમાણી કરી રહી છે, બીજી તરફ ફિલ્મ સાથે એક નાનો વિવાદ પણ જોડાઈ ગયો છે. ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી જાહ્નવી કપૂરે 'અચિયમ્મા' નું પાત્ર ભજવ્યું છે. દર્શકોના એક વર્ગે આ પાત્રની આસપાસના કેટલાક દ્રશ્યો સામે વાંધો અને નારાજગી વ્યક્ત કરી છે. ઘણા લોકોનું માનવું છે કે જાહ્નવીની આ ભૂમિકાને વધુ સારી રીતે સ્ક્રીન પર રજૂ કરી શકાઈ હોત. જોકે, આ વિવાદ અને આલોચના છતાં રામ ચરણના દેશવ્યાપી ક્રેઝને કારણે ફિલ્મની લોકપ્રિયતા અને કમાણી પર કોઈ નકારાત્મક અસર જોવા મળી નથી.</p><p><br></p><p><a href="https://sandesh.com/entertainment/news/saif-ali-khan-net-worth-1200-crore-worried-about-children-career-in-bollywood" target="_blank">આ પણ વાંચો : Celebrity : 1200 કરોડની સંપત્તિના માલિક છે સૈફ અલી ખાન, તો પણ તેમને સતાવી રહી છે આ ચિંતા!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/08/FWROZiiMlaKSwserBDN655vZWRQFX5DioUqrWcGO.webp'/></item><item><title><![CDATA[Earthquake : અસમ અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ભૂકંપ, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.7 ]]></title><link>https://sandesh.com/india/news/earthquake-earthquake-in-assam-and-north-eastern-states-magnitude-57-on-richter-scale</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/earthquake-earthquake-in-assam-and-north-eastern-states-magnitude-57-on-richter-scale</guid><pubDate>Mon, 08 Jun 2026 08:43:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">એન્ડ્રોઇડ ભૂકંપ એલર્ટ સિસ્ટમ મુજબ, રવિવારે રાત્રે લગભગ 11:06 વાગ્યે ભૂટાન નજીક અંદાજે 5.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર અસમના કેટલાક વિસ્તારોમાંથી આશરે 252 કિમી દૂર હતું અને પૂર્વોત્તરના અનેક વિસ્તારોમાં તેના ઝટકા અનુભવાયા હતા.
</p><p style="text-align: justify; ">માહિતી મુજબ, ભૂકંપના આંચકા માત્ર ભૂટાન અને ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં જ નહીં, પરંતુ બાંગ્લાદેશ, નેપાળ અને ચીનમાં પણ અનુભવાયા હતા. હાલ સુધી કોઈ મોટા નુકસાનના અહેવાલ મળ્યા નથી, જ્યારે પ્રશાસન પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
</p><h2 style="text-align: justify; ">સિક્કિમ અને ઉત્તર બંગાળ સુધી અનુભવાયા આંચકા
</h2><p style="text-align: justify; ">ભૂટાનમાં રવિવારે મોડી રાત્રે આવેલા ભૂકંપના ઝટકા સિક્કિમ અને ઉત્તર બંગાળના કેટલાક વિસ્તારોમાં પણ અનુભવાયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે આંચકા થોડા સેકન્ડ સુધી અનુભવાયા હતા અને આ રાજ્યોમાં જાનમાલના કોઈ નુકસાનના તાત્કાલિક અહેવાલ મળ્યા નથી. અમેરિકન જિયોલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપ ભૂટાનના પુનાખા નજીક રાત્રે 11:06 વાગ્યે આવ્યો હતો.
</p><h3 style="text-align: justify; ">લોકો ઘરોમાંથી બહાર નીકળી આવ્યા
</h3><p style="text-align: justify; ">ગાંગટોક અને સિક્કિમના અન્ય વિસ્તારોના રહેવાસીઓએ જણાવ્યું કે તેમણે થોડા સેકન્ડ સુધી આંચકા અનુભવ્યા, જેના કારણે સાવચેતીના ભાગરૂપે ઘણા લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા. સિક્કિમ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણના એક અધિકારીએ જણાવ્યું કે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
</p><h4 style="text-align: justify; ">સંપત્તિને નુકસાન થયાની કોઈ માહિતી નથી
</h4><p style="text-align: justify; ">સિલીગુડી શહેરના કેટલાક વિસ્તારો તેમજ પશ્ચિમ બંગાળના કૂચબિહાર, જલપાઈગુડી અને અલીપુરદ્વાર જિલ્લાઓના લોકોએ પણ ભૂકંપના આંચકા અનુભવ્યાનું જણાવ્યું અને તેઓ પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે ભૂટાનની સરહદને અડીને આવેલા ઉત્તર બંગાળના આ વિસ્તારોમાં કોઈ વ્યક્તિને ઇજા થવા અથવા સંપત્તિને નુકસાન પહોંચ્યાની કોઈ માહિતી મળી નથી.</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/08/mRuIHdgAVqmDzCdzShjrdRJtSo16jXSzvLt3dOty.webp'/></item><item><title><![CDATA[Gujarat Rajya Sabha Election 2026: ભાજપના ચાર ઉમેદવાર મેદાનમાં, કોંગ્રેસ - આપના ઉમેદવારો વિશે સસ્પેન્સ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/gandhinagar/gujarat-rajya-sabha-election-bjp-four-candidates-nomination-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/gandhinagar/gujarat-rajya-sabha-election-bjp-four-candidates-nomination-2026</guid><pubDate>Mon, 08 Jun 2026 08:02:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાર ઉમેદવારોના નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે અને તેમણે ઉમેદવારી નોંધાવી છે.</p><h2 style="text-align: justify; "><b>ભાજપના ઉમેદવારો ફોર્મ ભરશે</b></h2><p style="text-align: justify; ">ભાજપ તરફથી રાજુ શુકલા, મુકેશ રાઠવા, જીતેન્દ્ર કણજરિયા અને માનસિંહ પરમારે રાજ્યસભાની ચૂંટણી માટે પોતાનું નામાંકન દાખલ કરશે. ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે પોતાની તૈયારીઓ પૂર્ણ કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
</p><h3 style="text-align: justify; "><b>કોંગ્રેસ-આપ ઉમેદવારો ઉભા નહી રાખે
</b></h3><p style="text-align: justify; ">સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી (AAP) દ્વારા હાલ કોઈ ઉમેદવાર મેદાનમાં ઉતારવામાં આવે તેવી શક્યતા દેખાતી નથી. જો વિરોધ પક્ષ તરફથી કોઈ હરિફ ઉમેદવાર નામાંકન દાખલ નહીં કરે તો ચૂંટણી યોજવાની જરૂર રહેશે નહીં અને ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ શકે છે.
</p><h4 style="text-align: justify; "><b>ફોર્મ પાછા ખેંચવાની  11 જૂન અંતિમ તારીખ
</b></h4><p style="text-align: justify; ">ચૂંટણી પંચના કાર્યક્રમ મુજબ 9 જૂનના રોજ ઉમેદવારી ફોર્મની ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જ્યારે ઉમેદવારી પરત ખેંચવા માટે 11 જૂન અંતિમ તારીખ નક્કી કરવામાં આવી છે. ત્યારબાદ સ્પષ્ટ થશે કે રાજ્યસભાની બેઠકો માટે મતદાનની જરૂર પડશે કે નહીં.
</p><h5 style="text-align: justify; "><b>ભાજપના ઉમેદવારોના બિનહરીફ વિજયની સંભાવના
</b></h5><p style="text-align: justify; ">ગુજરાતની આ રાજ્યસભા ચૂંટણી રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. વિરોધ પક્ષ તરફથી ઉમેદવાર ન ઉતારવાના સંકેતો વચ્ચે ભાજપના ચારેય ઉમેદવારોના બિનહરીફ વિજયની સંભાવના મજબૂત બની રહી છે. આગામી દિવસોમાં ઉમેદવારી ચકાસણી અને ઉમેદવારી પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણીની સ્થિતિ વધુ સ્પષ્ટ થશે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-live-and-samachar-08-june-2026-politics-weather-updates-daily-breaking-news-natio#google_vignette" target="_blank"><b>&nbsp;Gujarat Latest News live : રાજ્યમાં વરસાદ સાથે ઉકળાટની આગાહી</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/08/fuM6OKzAWDukVgVrTM7L6zwqaeZM2Sn7SX2jIhUW.webp'/></item><item><title><![CDATA[World Yoga Championship : આર્જેન્ટિનાની નાબિલા સોલ બારાઝાએ અમદાવાદમાં જીત્યા 5 મેડલ ]]></title><link>https://sandesh.com/sports/news/world-yoga-championship-argentinas-nabila-sol-baraza-wins-5-medals-in-ahmedabad</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/world-yoga-championship-argentinas-nabila-sol-baraza-wins-5-medals-in-ahmedabad</guid><pubDate>Sun, 07 Jun 2026 16:07:46 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતની ધરતી પર રમાઈ રહેલી વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપમાં આર્જેન્ટિનાની નાબિલા સોલ બારાઝા (Nabila Sol Baraza) છવાઈ ગઈ છે. આ ચેમ્પિયનશિપમાં આર્જેન્ટિના તરફથી એકમાત્ર પ્રતિનિધિ તરીકે ભાગ લેવા આવેલી નાબિલાએ જોરદાર પ્રદર્શન કરતા 2ગોલ્ડ અને 2 સિલ્વર સહિત કુલ 5 મેડલ પોતાના નામે કરીને મેદાન મારી લીધું છે.</p><h4><b>લિયોનેલ મેસીના વતન સાથે કનેક્શન</b></h4><p>નાબિલાનો જન્મ ફૂટબોલના જાદુગર લિયોનેલ મેસીના પ્રખ્યાત શહેર રોઝારિયોની નજીક થયો છે. જોકે, ફૂટબોલના ક્રેઝ વાળા દેશમાંથી આવવા છતાં નાબિલાએ ભારતીય સંસ્કૃતિના પ્રતીક સમાન યોગને પોતાની કરિયર બનાવી છે.</p><h5><b>ભારતમાં 5 વર્ષ રહીને શીખી યોગ, બોલિવૂડમાં પણ કર્યું કામ!</b></h5><p>નાબિલાની લાઈફ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. તે ભારતમાં 5વર્ષ સુધી રોકાઈ હતી અને આ દરમિયાન તેણે ઋષિકેશ તેમજ નાશિક જેવા પવિત્ર સ્થળોએ જઈને યોગનું ઊંડાણપૂર્વક શિક્ષણ મેળવ્યું હતું. આ રોકાણ દરમિયાન તે બોલિવૂડ તરફ પણ આકર્ષાઈ હતી. નાબિલાએ બોલિવૂડમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે પણ કામ કર્યું છે અને તે એક્શન સ્ટાર ટાઈગર શ્રોફ સાથે પણ સ્ક્રીન શેર કરી ચૂકી છે. આ સિવાય તે ભારતીય ક્રિકેટના કિંગ વિરાટ કોહલીની પણ બહુ મોટી ફેન છે.</p><h5><b>અમદાવાદ પહોંચવા માટે 48 કલાકની કપરી મુસાફરી</b></h5><p>યોગ પ્રત્યેનો નાબિલાનો સમર્પણ ભાવ એ વાત પરથી જ ખબર પડે છે કે તે હાલમાં કોલંબિયામાં ઓનલાઈન અને ઓફલાઈન યોગ ક્લાસ ચલાવે છે. અમદાવાદની આ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે તેણે બોગોટાથી ફ્લાઈટ પકડી હતી. ત્યાંથી ટોરોન્ટો, લંડન અને મુંબઈ થઈને તે 48 કલાકની લાંબી અને થકવી દેનારી મુસાફરી કરીને અમદાવાદ પહોંચી હતી. પરંતુ તેની આ મહેનત આજે 5મેડલ સાથે રંગ લાવી છે.</p><p>આ પણ વાંચો-<a href="https://sandesh.com/sports/news/world-yoga-championship-india-dominates-on-the-first-day-itself-5-out-of-6-gold-medals-in-the-name-of-the-country" target="_blank">World Yoga Championship: પ્રથમ દિવસે જ ભારતનો દબદબો, 6માંથી 5 ગોલ્ડ મેડલ દેશના નામે</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/07/jdvo15TDYn4jss1Y3oghkqa5FERooOHpFUhSVOHL.webp'/></item></channel></rss>