<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Jamnagar: સાયચા ગેંગના ગેરકાયદે આશરા તોડી પડાયા, બેડેશ્વરમાં 16 કરોડની સરકારી જમીન કરાવાઈ દબાણ મુક્ત ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/jamnagar/administration-runs-bulldozer-on-saycha-gangs-illegal-properties-at-bedeshwar-16-crore-land-freed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/jamnagar/administration-runs-bulldozer-on-saycha-gangs-illegal-properties-at-bedeshwar-16-crore-land-freed</guid><pubDate>Fri, 12 Jun 2026 10:13:26 +05:30</pubDate><description><![CDATA[<p>જામનગરના બેડી અને બેડેશ્વર વિસ્તારમાં લાંબા સમયથી આતંકનો પર્યાય બનેલી સાયચા ગેંગની ગેરકાયદેસર રીતે વસાવેલી મિલકતોને જમીનદોસ્ત કરવાનું કામ વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં સવારે જ ભારે પોલીસ કાફલા સાથે ૪ જેસીબી મશીનો ધણધણી ઉઠ્યા હતા, જેને જોઈને ગેરકાયદેસર બાંધકામ કરનારા તત્વોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.</p><h2><b>ગુજસીટોક ગુનાનો હિસાબ ચૂકતે કરાયો</b></h2><p>નોંધનીય છે કે, ગત 21 મે ના રોજ જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા સાયચા ગેંગના મુખ્ય સૂત્રધારો સહિત 11 સાગ્રીતો વિરૂદ્ધ ગુજસીટોક જેવો કડક ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગેંગના સભ્યો લોકભોગ્ય અને સરકારી જમીનો પર બળજબરીથી કબ્જો કરી, ત્યાં પાકા બાંધકામો અને વ્યાપારી એકમો ઉભા કરીને કાળી કમાણી કરતા હતા. અગાઉ પણ આ ગેંગના કેટલાક સભ્યોના ગેરકાયદે આશરા તોડી પડાયા હતા, અને આજે તેનો બીજો તબક્કો શરૂ કરાયો છે.</p><h3><b>16 કરોડની સરકારી જમીન માફિયા મુક્ત</b></h3><p>આજના મેગા ડિમોલિશન અંગે માહિતી આપતા વહીવટી અધિકારીઓએ જણાવ્યું કે, બેડીના પાણખાણ વિસ્તાર નજીક આવેલા અંદાજે 8 જેટલા મોટા ગેરકાયદેસર કોમર્શિયલ અને રેસિડેન્શિયલ દબાણોને સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યા છે. આ સમગ્ર ઓપરેશન દરમિયાન અંદાજે 1 કરોડ 17 લાખની જંત્રી કિંમત ધરાવતી, પરંતુ બજાર ભાવ પ્રમાણે આશરે 16 કરોડની કિંમતની કુલ 12,950 ચોરસ મીટર સરકારી જમીન પિશાચી પંજામાંથી મુક્ત કરાવી પ્રશાસને હસ્તગત કરી લીધી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/amreli/7-year-old-child-of-laborer-killed-by-lion-family-at-bagasra-amreli-visavadar-border" target="_blank">આ પણ વાંચો: Amreli: ઘંટિયાણ ગામે વાડીમાંથી 7 વર્ષના બાળકને ઉપાડી જઈ સિંહ પરિવારે ફાડી ખાધો, મૃતદેહ દોઢ કિલોમીટર દૂરથી મળ્યો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/vv4B5cQblNDjor0MARK8awcedhLP4c6AtX8eciQi.webp'/></item><item><title><![CDATA[Asian Gamesના ગોલ્ડ મેડલિસ્ટ અને દિગ્ગજ શૂટિંગ કોચ જસપાલ રાણાનું નિધન ]]></title><link>https://sandesh.com/sports/breakingnews/legendary-indian-shooting-coach-jaspal-rana-passes-away</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/breakingnews/legendary-indian-shooting-coach-jaspal-rana-passes-away</guid><pubDate>Fri, 12 Jun 2026 10:05:45 +05:30</pubDate><description><![CDATA[<div style="text-align: justify;">પ્રખ્યાત ભારતીય શૂટિંગ કોચ જસપાલ રાણાનું શુક્રવારે અવસાન થયું છે. રાણા એશિયન ગેમ્સના ભૂતપૂર્વ સુવર્ણ ચંદ્રક વિજેતા છે અને ઓલિમ્પિકમાં બે વાર મેડલ જીતી ચૂકેલી સ્ટાર નિશાનેબાજ મનુ ભાકરના કોચ રહી ચૂક્યા છે. રાણાનું 49 વર્ષની વયે અવસાન થયું છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે જર્મનીથી પરત ફર્યા બાદ અચાનક જ તેમની તબિયત બગડી ગઈ હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, તેમનું નિધન કયા કારણે થયું તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી.</div><h2 style="text-align: justify; "><b>મ્યુનિખ વર્લ્ડ કપથી પરત ફર્યા બાદ તબિયત લથડી
</b></h2><div><div style="text-align: justify;">રાણા મ્યુનિખમાં આઈએસએસએફ (ISSF) વર્લ્ડ કપ પછી જર્મનીથી પરત ફર્યા હતા. તેઓ હાલમાં ભારતીય પિસ્તોલ શૂટર્સના હાઈ પરફોર્મન્સ કોચ તરીકે કાર્યરત હતા. ભારતીય ટીમે આ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને બે સુવર્ણ તેમજ બે રજત ચંદ્રક જીત્યા હતા.</div><div style="text-align: justify;"><img title="Jaspal Rana, Jaspal Rana passes away" src="https://epapercdn.sandesh.com/images/2026/06/12/BhIKYwWl0MOXAmMzW068MEbiwH7aJBMZiilDZkoJ.webp"></div></div><h3 style="text-align: justify; "><b>એરપોર્ટ પરથી સીધા હોસ્પિટલ ખસેડાયા
</b></h3><div style="text-align: justify; ">નેશનલ રાઈફલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (NRAI) ના એક સૂત્રએ જણાવ્યું કે, હા, જસપાલને ફ્લાઈટમાં કેટલીક તકલીફો થઈ રહી હતી અને દિલ્હીમાં ઉતર્યા બાદ તેઓ સીધા હોસ્પિટલ ગયા હતા. ત્યાં, તેમની તપાસ કરવામાં આવી અને સ્ટેન્ટ મૂકવામાં આવ્યું હતું.<br><a href="https://sandesh.com/entertainment/news/jennifer-lopez-office-romance-movie-63-countries-on-ott" target="_blank">આ પણ વાંચો-Trending Movie : 3 દિવસમાં 63 દેશોમાં નંબર વન બની આ ફિલ્મ, દુનિયાભરમાં છવાયો ક્રેઝ!</a></div><div style="text-align: justify; "><br></div><div>
</div> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/H8bMFswyQnVxRzyzSnwvfO1HcYZUOawhYs6hZ0LZ.webp'/></item><item><title><![CDATA[Manoj Bajpayeeનો વન-મેન શો, 1990ના આર્થિક સંકટ પર બનેલી  'ગવર્નર ધ સાયલન્ટ સેવિયર' ફિલ્મનો ફર્સ્ટ રિવ્યુ ]]></title><link>https://sandesh.com/entertainment/news/first-review-of-manoj-bajpayees-one-man-show-governor-the-silent-savior-a-film-based-on-the-economic-crisis-of-the-1990s</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/first-review-of-manoj-bajpayees-one-man-show-governor-the-silent-savior-a-film-based-on-the-economic-crisis-of-the-1990s</guid><pubDate>Fri, 12 Jun 2026 09:43:31 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મનોજ બાજપેયીની "ગવર્નર" આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ. જો તમે તેને જોવાનું વિચારી રહ્યા છો, તો પહેલા તેનો રિવ્યૂ જાણી લો. અભિનયના શહેનશાહ ગણાતા મનોજ બાજપેયીની 'ગવર્નર ધ સાયલન્ટ સેવિયર'  ફિલ્મ એક ઐતિહાસિક ડ્રામા ફિલ્મ છે. સનશાઇન પિક્ચર્સના બેનર હેઠળ વિપુલ અમૃતલાલ શાહ દ્વારા તેનું દિગ્દર્શન કરવામાં આવ્યું છે. મીડિયા અહેવાલ મુજબ મનોજ બાજપેીયની આ ફિલ્મ 1990 ના દાયકામાં ભારતના આર્થિક સંકટ સાથે જોડાયેલી વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત છે. 1990 ના દાયકામાં દેશના આર્થિક સંકટ દરમિયાન RBI ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવેલા એ. રામાનનની ભૂમિકા બાજપેયી ભજવી રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>મનોજ બાજપેયીની ફિલ્મ, કલાસ જોનારા દર્શકોને પસંદ આવશે</b></h2><p style="text-align: justify; ">આજકાલ સિનેમાઘરોમાં એવી ફિલ્મોનો ભરમાર છે જ્યાં તમારે તમારું મગજ ઘરે મૂકીને જવું પડે છે. પરંતુ મનોજ બાજપેયીની આ ફિલ્મ તેનાથી સાવ વિપરીત છે. 'ગવર્નર ધ સાયલન્ટ સેવિયર' ફિલ્મ એક અત્યંત સમજદાર અને બુદ્ધિશાળી સિનેમા છે. કલાસ ફિલ્મ જોનારા લોકો માટે આ ફિલ્મ બેસ્ટ છે. આ ફિલ્મ માણવા માટે તમારે માત્ર મગજ સાથે રાખવું જ નહીં, પણ તેનો પૂરો ઉપયોગ પણ કરવો પડશે. આવી ઉમદા ફિલ્મો ક્યારેક જ બને છે, અને એક જાગૃત દર્શક તરીકે તે જોવાની જવાબદારી હવે આપણી છે.</p><h3 style="text-align: justify; "><b>ભારત નાદારીની અણી પર, RBIના ગર્વનરે ઉગાર્યું</b></h3><p style="text-align: justify; ">વાર્તા આપણને ૧૯૯૦ ના દાયકાના એવા દોરમાં લઈ જાય છે, જે રાજકીય અસ્થિરતા, આર્થિક સંકટ અને ઉથલપાથલથી ભરેલો હતો. દેશ આર્થિક રીતે તૂટી પડવાની અણી પર હતો, અને એવા કટોકટીના સમયે એક વ્યક્તિને અચાનક ભારતીય રિઝર્વ બેંક (RBI) ના ગવર્નર બનાવવામાં આવે છે — એસ. વેંકિટરામનન. આ ફિલ્મ એ વાતની રોમાંચક સફર છે કે કેવી રીતે આ એક માણસે પોતાની કુશળતાથી દેશને આ ભયાનક નાણાકીય સંકટમાંથી બહાર કાઢ્યો. જો આ માણસ ન હોત, તો કદાચ આજનું ભારત કંઈક અલગ જ હોત.</p><h3 style="text-align: justify; "><b>દેશના આર્થિક સંકટ&nbsp; RBI ગર્વનરને પડકાર</b></h3><p style="text-align: justify; ">એકબાજુ આખી સિસ્ટમ જયારે તેમના વિરુદ્ધ કામ કરી રહી હતી ત્યારે RBIના ગર્વનરને રાષ્ટ્રને નાણાકીય પતનની અણી પરથી પાછું ખેંચવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ પાત્ર ભજવવું મારે માટે પડકાર રૂપ હતું તેવું મનોજ બાજપેયીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું. આ ઉપરાંત જયારે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરાયું હતું ત્યારે પોસ્ટ શેર કરતાં મનોજ બાજપેયીએ લખ્યું,  “જો હું નિષ્ફળ જાઉં તો... ભારત નિષ્ફળ જાય છે.” અભિનેતાએ આ ફિલ્મને એક બહાદુર, ગુમનામ નાયકની અનકહી વાર્તા તરીકે વર્ણવી જેણે દેશને તેના સૌથી મુશ્કેલ આર્થિક સમયગાળામાંથી બચાવ્યો.</p><h4 style="text-align: justify; "><b>મનોજ બાજપેયીનો વન-મેન શો, ફિલ્મની વિશેષતા</b></h4><p style="text-align: justify; ">આ ફિલ્મ જોવાનું સૌથી મોટું અને મજબૂત કારણ મનોજ બાજપેયી છે. તે ફરી એકવાર સાબિત કરે છે કે કેમ તે આપણા સમયના સર્વશ્રેષ્ઠ અભિનેતા છે. એક દક્ષિણ ભારતીય મૂળના ગવર્નરના પાત્રમાં તે આબેહૂબ ઉતરી ગયા છે. આ ફિલ્મમાં કોઈ લાક્ષણિક બોલિવૂડ મસાલો, ધમાકેદાર એક્શન કે ખોટું નાટકીયકરણ નથી. ફિલ્મનો ટોન ખૂબ જ ગંભીર અને જવાબદારીપૂર્વકનો છે. મસાલા ફિલ્મોના શોખીનોને આ ધીમી કે કંટાળાજનક લાગી શકે, પરંતુ ગંભીર સિનેમાના ચાહકો માટે આ એક માસ્ટરપીસ છે. તમને દેશના ઇતિહાસ, અર્થતંત્ર અને વાસ્તવિક ઘટનાઓ પર આધારિત બુદ્ધિશાળી ફિલ્મો જોવી ગમતી હોય, તો આ ફિલ્મ બિલકુલ ચૂકવા જેવી નથી.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/jennifer-lopez-office-romance-movie-63-countries-on-ott#google_vignette" target="_blank">આ પણ વાંચો : Trending Movie : 3 દિવસમાં 63 દેશોમાં નંબર વન બની આ ફિલ્મ, દુનિયાભરમાં છવાયો ક્રેઝ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/fP9U80E19zp2qpG14xoXL8jWP6Syyco8UdnLwnd3.webp'/></item><item><title><![CDATA[Petrol Diesel Today: સરકારનો મોટો નિર્ણય, હવે આ ગ્રાહકોને નહીં મળે પેટ્રોલ ડીઝલ ]]></title><link>https://sandesh.com/business/news/petrol-diesel-today-big-decision-of-the-government-now-these-customers-will-not-get-petrol-diesel</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/petrol-diesel-today-big-decision-of-the-government-now-these-customers-will-not-get-petrol-diesel</guid><pubDate>Fri, 12 Jun 2026 09:42:10 +05:30</pubDate><description><![CDATA[<p>મધ્ય પૂર્વના તણાવ વચ્ચે, મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલ અંગે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે દેશભરના પેટ્રોલ પંપો પરથી મોટા પ્રમાણમાં ઔદ્યોગિક પેટ્રોલ અને ડીઝલની ખરીદી પર પોતાની પકડ કડક બનાવી દીધી છે. સરકારી આદેશ અનુસાર, ઔદ્યોગિક, વાણિજ્યિક અને સંસ્થાકીય વપરાશકર્તાઓને પેટ્રોલ પંપો પરથી પેટ્રોલ અને ડીઝલ ખરીદવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તેમને જથ્થાબંધ વેચાણ બિંદુઓ પરથી તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે કહેવામાં આવ્યું છે.</p><p></p><h2><b>વેચાણ પર નવા નિયંત્રણો&nbsp;</b></h2>સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા જાહેરનામા મુજબ, રિટેલ આઉટલેટ્સમાંથી મોટર સ્પિરિટ અને હાઇ-સ્પીડ ડીઝલ (HSD) ના વેચાણ પર નવા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આ નવા નિયમો હેઠળ, કોઈપણ વાહન કે ગ્રાહક એક જ દિવસમાં પેટ્રોલ પંપ પરથી 200 લિટરથી વધુ હાઇ-સ્પીડ ડીઝલ ખરીદી શકશે નહીં. વાણિજ્યિક અને સંસ્થાકીય ગ્રાહકોને રિટેલ પેટ્રોલ પંપ પરથી સીધા ઇંધણ ખરીદવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સમગ્ર વ્યવસ્થા શરૂઆતમાં આગામી 90 દિવસ સુધી અમલમાં રહેશે.<p></p><h3><b>આ પ્રતિબંધ 90 દિવસ સુધી અમલમાં&nbsp;</b></h3><p>પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ અને ડીઝલની જથ્થાબંધ ખરીદી પર સરકારના પ્રતિબંધો 90 દિવસ સુધી અમલમાં રહેશે, જોકે નવા સરકારી આદેશ દ્વારા તેને લંબાવી શકાય છે. પીટીઆઈના અહેવાલ મુજબ, કેટલાક વિસ્તારોમાં ડીઝલની માંગમાં અસામાન્ય વધારો જોવા મળ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું હતું, કારણ કે જથ્થાબંધ વપરાશકર્તાઓએ ભાવ તફાવતને કારણે પેટ્રોલ પંપ પરથી બળતણ ખરીદવાનું શરૂ કર્યું હતું.</p><p>ડીઝલના ભાવમાં આ તફાવત એટલા માટે ઉભો થયો કારણ કે રાજ્યની માલિકીની તેલ કંપનીઓએ ફેબ્રુઆરીના અંતમાં મધ્ય પૂર્વ કટોકટી પછી થયેલા ખર્ચ વધારાથી સામાન્ય ગ્રાહકોને બચાવવા માટે છૂટક ભાવોને નિયંત્રણમાં રાખ્યા હતા. જ્યારે જથ્થાબંધ વપરાશકર્તાઓ, જેમ કે ટેલિકોમ ટાવર અને વીજ ઉત્પાદન અને અન્ય જરૂરિયાતો માટે ડીઝલનો ઉપયોગ કરતા ઉદ્યોગો, પાસેથી બજાર ભાવ વસૂલવામાં આવે છે, છૂટક પંપ દર ખર્ચ કરતા નોંધપાત્ર રીતે ઓછા છે.&nbsp;</p><p><br></p><p><b style="font-size: 1.5rem;">સરકારે કેમ લીધો આ નિર્ણય ?&nbsp;</b></p><ul><li>11  જૂનના રોજ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે "મોટર સ્પિરિટ અને હાઇ સ્પીડ ડીઝલ (રિટેલ આઉટલેટ્સ દ્વારા સપ્લાયનું કામચલાઉ નિયમન) ઓર્ડર, 2026" જાહેર કર્યો. તેણે પેટ્રોલ અને ડીઝલ રિટેલર્સ અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) ને 90 દિવસના સમયગાળા માટે રિટેલ આઉટલેટ્સમાંથી જથ્થાબંધ ખરીદી પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો.</li><li>સરકારે જણાવ્યું હતું કે વિશ્વના કેટલાક ભાગોને અસર કરતી વર્તમાન ભૂરાજકીય પરિસ્થિતિને કારણે આ કાર્યવાહી જરૂરી હતી, જેણે વૈશ્વિક તેલ પુરવઠા શૃંખલા, શિપિંગ લોજિસ્ટિક્સ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની ઉપલબ્ધતા પર પ્રતિકૂળ અસર કરી છે.</li><li>સરકારે જણાવ્યું હતું કે  રિટેલ સ્ટેશનો દ્વારા મોટા પાયે ખરીદી સામાન્ય ગ્રાહકો માટે પુરવઠો બદલી શકે છે. સ્થાનિક અછત તરફ દોરી શકે છે, જેનાથી સામાન્ય માણસ માટે આવશ્યક સેવાઓમાં વિક્ષેપ પડી શકે છે.</li></ul><p><br></p><h4><b>200 લિટર પ્રતિ દિવસ મર્યાદા</b></h4><p><br></p><p>આ આદેશમાં જણાવાયું છે કે, મધ્ય પૂર્વ તણાવની આસપાસની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, દેશના કેટલાક ભાગોમાં રિટેલ આઉટલેટ્સ દ્વારા તેલના વેચાણમાં તીવ્ર વધારો થયો છે.</p><p>આ મુખ્યત્વે ઔદ્યોગિક, વાણિજ્યિક અને સંસ્થાકીય ગ્રાહકો દ્વારા છૂટક અને જથ્થાબંધ ભાવમાં તફાવતને કારણે રિટેલ આઉટલેટ્સમાંથી તેલ ખરીદીને કારણે છે. તેથી, તેમને છૂટક ઇંધણ સ્ટેશનોમાંથી તેલ ખરીદવાની મનાઈ રહેશે અને તેના બદલે તેઓ પોતાના ગ્રાહક પંપ દ્વારા પુરવઠો મેળવશે.</p><p><br></p><p><a href="https://sandesh.com/gallery/news/lifestyle/this-district-is-considered-the-litchi-capital-of-india-know-which-one" target="_blank">આ પણ વાંચો- આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?&nbsp;</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/dBghdPTZoymzrobGD6glfqdFvXneRjGmp62TbXH2.webp'/></item><item><title><![CDATA[Amreli: ઘંટિયાણ ગામે વાડીમાંથી 7 વર્ષના બાળકને ઉપાડી જઈ સિંહ પરિવારે ફાડી ખાધો, મૃતદેહ દોઢ કિલોમીટર દૂરથી મળ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/amreli/7-year-old-child-of-laborer-killed-by-lion-family-at-bagasra-amreli-visavadar-border</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/amreli/7-year-old-child-of-laborer-killed-by-lion-family-at-bagasra-amreli-visavadar-border</guid><pubDate>Fri, 12 Jun 2026 09:41:39 +05:30</pubDate><description><![CDATA[<p>અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં આવેલા ઘંટિયાણ ગામેથી એક કમકમાટીભરી ઘટના સામે આવી છે, જ્યાં સિંહોના ટોળાએ વનરાજના ગૌરવને લજવીને એક 7 વર્ષના નિર્દોષ બાળકનો શિકાર કર્યો છે. આ ઘટના ઘંટિયાણ ગામની સીમમાં આવેલી કલ્પેશભાઈ પોપટભાઈ સોજીત્રા નામના ખેડૂતની વાડીમાં બની હતી, જ્યાં મૂળ પરપ્રાંતીય કે અન્ય વિસ્તારનો શ્રમિક પરિવાર રહીને ખેત મજૂરી કરતો હતો.</p><h2><b>અંધારી રાત્રે ત્રાટક્યું ચાર સિંહોનું ટોળું</b></h2><p>પ્રાપ્ત વિગતો અનુસાર, રાત્રિના સમયે મજૂર પરિવાર વાડીમાં બનેલા પોતાના ઝૂંપડા પાસે સૂતો હતો. આ દરમિયાન જંગલમાંથી ભટકતું ૧ સિંહ, ૧ સિંહણ અને ૨ અર્ધ-વયસ્કો (બચ્ચા) નું આખું ટોળું ખોરાકની શોધમાં વાડી વિસ્તારમાં ધસી આવ્યું હતું. આ સિંહ પરિવારે અચાનક ઝૂંપડા બહાર સૂતેલા ૭ વર્ષના બાળક પર હુમલો કરી દીધો હતો. પરિવાર કંઈ સમજે કે બૂમાબૂમ કરે તે પહેલા જ સિંહ અને સિંહણ બાળકને મોઢામાં દબોચીને અંધારામાં ગાયબ થઈ ગયા હતા.</p><h3><b>જૂનાગઢ જિલ્લાની સીમમાંથી મૃતદેહ મળી આવ્યો</b></h3><p>બનાવની જાણ થતાં જ વાડી માલિક અને આસપાસના ખેડૂતો લાકડીઓ અને ટોર્ચ લઈને બાળકની શોધમાં નીકળ્યા હતા અને વન વિભાગને પણ કટોકટીની જાણ કરી હતી. વન વિભાગની ટીમે રાત્રે જ ટ્રેકિંગ શરૂ કર્યું હતું. સિંહ પરિવાર બાળકને અમરેલી જિલ્લાની સરહદ ઓળંગાવીને અંદાજે દોઢ કિલોમીટર દૂર જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના શોભાવડલા ગામની સીમમાં લઈ ગયો હતો. ત્યાંથી સર્ચ ટીમને માસૂમ બાળકનો લોહિયાળ મૃતદેહ મળી આવ્યો હતો. સિંહોએ બાળકને ફાડી ખાધો હોવાનું જોઈને વનકર્મીઓ અને પરિવારજનોની આંખો ભીની થઈ ગઈ હતી.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/crime/himatnagar/sabarkantha-lcb-busted-interstate-burglary-gang-two-from-uttarakhand-arrested-for-himmatnagar-thefts" target="_blank">આ પણ વાંચો: Himatnagar: દેશભરમાં 41 ગુના આચરનાર ઉત્તરાખંડની ગેંગના 2 સાગરીત ઝડપાયા</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/phhF2h7UI0gG7ztEoL5xNgAbE1fyktbf3DPCgXHs.webp'/></item><item><title><![CDATA[Golden Shatabdi એક્સપ્રેસ પર પથ્થરમારો, RSS વડા મોહન ભાગવત હતા હાજર, માંડ માંડ બચ્યા ]]></title><link>https://sandesh.com/india/news/stone-pelting-on-golden-shatabdi-express-rss-chief-mohan-bhagwat-was-present-barely-escaped</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/stone-pelting-on-golden-shatabdi-express-rss-chief-mohan-bhagwat-was-present-barely-escaped</guid><pubDate>Fri, 12 Jun 2026 08:40:43 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુરુવારે સાંજે લખનૌથી નવી દિલ્હી જતી ગોલ્ડન શતાબ્દી એક્સપ્રેસ (ટ્રેન નંબર 12003) પર થયેલા પથ્થરમારાની ઘટનાથી રેલવે મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ટ્રેનના કોચને નુકસાન થયું હતું. મહત્વની વાત એ છે કે આ ટ્રેનના E1 કોચમાં આરએસએસ (RSS) ના વડા મોહન ભાગવત પણ મુસાફરી કરી રહ્યા હતા, જેઓ આ હુમલામાં આબાદ બચી ગયા હતા.</p><h2 style="text-align: justify; "><b>અજાણ્યા શખ્સે કર્યો પથરાવ</b></h2><p style="text-align: justify; ">પ્રાપ્ત વિગતો અનુસાર, ઘટના ગુરુવારે સાંજે લગભગ 7.45  વાગ્યાના સુમારે બની હતી. જ્યારે ટ્રેન ઈટાવા-ટુંડલા રેલવે લાઈન પરથી પસાર થઈ રહી હતી, ત્યારે ફિરોઝાબાદ અને માખણપુરની વચ્ચે કોઈ અજાણ્યા શખ્સે ટ્રેન પર જોરદાર પથ્થર ફેંક્યો હતો. પથ્થર સીધો કોચ E1 માં સીટ નંબર ૫૩-૫૪ પાસે વાગતા બારીનો કાચ તૂટીને ચકનાચૂર થઈ ગયો હતો. જે સમયે આ ઘટના બની, તે સમયે મોહન ભાગવત પણ તે જ કોચમાં સવાર હતા. તેઓ કાનપુરથી દિલ્હી એક કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા.<br><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANINewsUP/status/2065216537502564748"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></p><h3 style="text-align: justify; "><b>ઘટના બાદ ટ્રેનમાં સવાર મુસાફરોમાં ગભરાટ</b></h3><p style="text-align: justify; ">પથ્થરમારાની ઘટના બાદ ટ્રેનમાં સવાર મુસાફરોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. સાવચેતીના ભાગરૂપે ટુંડલા સ્ટેશન પહોંચતા પહેલા ટ્રેનને બાહ્ય ટ્રેક પર થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ, જેમાં પોલીસ અધિક્ષક આદિત્ય લગાહ, રેલવે પોલીસના અધિકારી અનિલ ઝા અને અન્ય પોલીસ દળના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અધિકારીઓએ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી છે.</p><h4 style="text-align: justify; "><b>ટ્રેનમાં આરએસએસ મોહન ભાગવત હતા હાજર</b></h4><p style="text-align: justify; ">પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મામલે એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે અને તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. ઘટનાને કારણે ટ્રેન મોડી દિલ્હી પહોંચી હતી. રેલવે અધિકારીઓએ જણાવ્યું છે કે આ સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે અને રિપોર્ટ સબમિટ થયા બાદ જ હુમલા પાછળનો ચોક્કસ ઈરાદો અને સંપૂર્ણ વિગતો સામે આવશે. આરએસએસ વડા મોહન ભાગવત આ ઘટનામાં સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું પોલીસે સ્પષ્ટ કર્યું છે.<br><br><b><a href="https://sandesh.com/india/breakingnews/massive-fire-breaks-out-in-parked-vehicles-in-delhis-tughlakabad-3-people-killed" target="_blank">આ પણ વાંચોઃ Delhi ના તુગલકાબાદમાં પાર્ક કરેલા વાહનોમાં લાગી ભીષણ આગ, 3 લોકોના મોત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/Vw5628JxlDJZ9iT7ZQgVg982cf16bW7sCqSahEjz.webp'/></item><item><title><![CDATA[Surat: સરકારી કોન્ટ્રાક્ટના નામે વેપારીઓ સાથે કરોડોની ઠગાઈ, શૂઝ ટેન્ડર કૌભાંડમાં વધુ એક આરોપી પશ્ચિમ બંગાળથી ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/eco-cell-arrests-third-accused-sayan-sen-from-west-bengal-in-7-crore-shoes-tender-scam</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/eco-cell-arrests-third-accused-sayan-sen-from-west-bengal-in-7-crore-shoes-tender-scam</guid><pubDate>Fri, 12 Jun 2026 08:20:05 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત શહેર Eco Cellએ ટેન્ડરિંગ અને સપ્લાય ચેઇનના નામે ચાલતા એક બહુ મોટા રેકેટનો પર્દાફાશ કરીને આંતરરાજ્ય ઠગ ટોળકીના વધુ એક સાગરીતને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. સુરતના એક પ્રતિષ્ઠિત હોલસેલ વેપારીને સરકારી વિભાગોમાં રૂપિયા 36 કરોડનું માતબર શૂઝ સપ્લાય કરવાનું ભાડૂતી ટેન્ડર અપાવવાની લાલચ આપીને આ આખી છેતરપિંડી આચરવામાં આવી હતી. આ કેસની ગંભીરતાને જોતાં ઇકો સેલના ઉચ્ચ અધિકારીઓએ પશ્ચિમ બંગાળમાં ઓપરેશન હાથ ધરીને આરોપી સાયન સેન નિમાઈને રાઉન્ડઅપ કર્યો છે.</p><h2><b>16 ટકા કમિશન અને માલની ઉઘાડી લૂંટ</b></h2><p>સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, ઠગ ટોળકીએ સુરતના વેપારીનો સંપર્ક કરીને પોતાની મોટી સરકારી વગ હોવાનો દાવો કર્યો હતો. તેમણે વેપારીને વિશ્વાસમાં લીધા હતા કે તેઓ સહેલાઈથી 36 કરોડનું ટેન્ડર પાસ કરાવી દેશે. આ ડીલ નક્કી કરવા માટે આરોપીઓએ કુલ રકમના 16 ટકા કમિશનની માંગણી કરી હતી. લાલચમાં આવી ગયેલા વેપારીએ ટેન્ડર પાસ થવાની આશાએ જુદા-જુદા બેંક ખાતાઓ અને આંગડિયા મારફતે ટુકડે-ટુકડે કુલ 2.49 કરોડ કમિશન પેટે આરોપીઓને ચૂકવી દીધા હતા.</p><h3><b>વેપારી સાથે 7 કરોડની છેતરપિંડી&nbsp;</b></h3><p>આટલાથી પણ પેટ ન ભરાતા, કૌભાંડીઓએ ટેન્ડરના એડવાન્સ સપ્લાય અને સેમ્પલિંગના બહાને સુરતના વેપારી પાસેથી અલગ-અલગ બ્રાન્ડના કુલ 4.50 કરોડની કિંમતના શૂઝનો જથ્થો ઓર્ડર આપીને મંગાવી લીધો હતો. આ શૂઝનો જથ્થો સગેવગે કરીને અને કમિશનના 2.49 કરોડ પચાવી પાડીને આખી ટોળકી રાતોરાત પોતાના ફોન બંધ કરીને અંડરગ્રાઉન્ડ થઈ ગઈ હતી. આમ, વેપારી સાથે કુલ રૂપિયા 7 કરોડની બહુ મોટી છેતરપિંડી આચરવામાં આવી હતી.</p><h4><b>અગાઉ બે જેલમાં, હવે ત્રીજો પણ સકંજામાં</b></h4><p>જ્યારે ભોગ બનનાર વેપારીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો, ત્યારે તેમણે સુરત ઇકો સેલ પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધીને અગાઉ આ રેકેટમાં સામેલ બે મુખ્ય સાગરીતોની ધરપકડ કરી લીધી હતી. તેમની પૂછપરછમાં પશ્ચિમ બંગાળના સાયન સેન નિમાઈનું નામ સામે આવ્યું હતું. સાયન સેન પોલીસથી બચવા માટે સતત બંગાળમાં પોતાના લોકેશન બદલી રહ્યો હતો, પરંતુ સુરત ઇકો સેલની હાઇટેક ટીમે છેવટે તેને ટ્રેસ કરીને ટ્રાન્ઝિટ રિમાન્ડના આધારે સુરત લાવી ધરપકડ કરી છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ 7 કરોડના કૌભાંડના નાણાં ક્યાં ઇન્વેસ્ટ કરાયા છે અને આ ટોળકીએ દેશના અન્ય કેટલા વેપારીઓને શૂઝ ટેન્ડરના નામે ચૂનો લગાવ્યો છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/crime/surat/acb-arrests-home-guard-shivaji-ugale-after-8-years-in-10k-bribery-case-fsl-voice-match" target="_blank">આ પણ વાંચો: Surat: 10 હજારની લાંચ માંગનાર હોમગાર્ડ જવાન શિવાજી ઉગલેની ACB દ્વારા ધરપકડ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/38PqMdvjN59udRCabbofwxNSw2OAoU0IG5A6iV01.webp'/></item><item><title><![CDATA[Surat : જિલ્લા પંચાયતના નિવૃત્ત સિનિયર ક્લાર્ક દિલીપ પટેલ સામે રૂ. 31 લાખની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-acb-registers-case-retired-senior-clerk-dilip-patel-disproportionate-assets</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-acb-registers-case-retired-senior-clerk-dilip-patel-disproportionate-assets</guid><pubDate>Fri, 12 Jun 2026 08:18:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા સરકારી કર્મચારીઓ સામે લાલ આંખ કરવામાં આવી રહી છે, જે અંતર્ગત સુરતમાં એક મોટો કિસ્સો સામે આવ્યો છે. સુરત જિલ્લા પંચાયતના પૂર્વ કર્મચારી અને નિવૃત્ત સિનિયર ક્લાર્ક દિલીપભાઈ નારણભાઈ પટેલ વિરુદ્ધ એસીબી પોલીસે અપ્રમાણસર મિલકત  અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નિવૃત્ત કર્મચારી સામે આટલી મોટી રકમનો ગુનો નોંધાતા સરકારી આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>વધુ સંપત્તિ હોવા અંગેની એક અરજી મળી હતી
</b></h2><p style="text-align: justify; ">એસીબીના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વર્ષ 2019માં આરોપી દિલીપભાઈ પટેલ વિરુદ્ધ આવક કરતાં વધુ સંપત્તિ હોવા અંગેની એક અરજી મળી હતી. આ અરજીના આધારે એસીબીની ટીમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી હતી.
</p><h3 style="text-align: justify; "><b>31 લાખથી વધુની અપ્રમાણસર મિલકત 
</b></h3><p style="text-align: justify; ">&nbsp;તપાસ દરમિયાન વર્ષ 2008 થી વર્ષ 2018 સુધીના સમયગાળાના નાણાકીય વ્યવહારોની ચકાસણી કરવામાં આવી હતી. આ 10 વર્ષના સેવાકાળ દરમિયાન તેઓએ પોતાની કાયદેસરની આવકના સ્ત્રોત કરતા 31 લાખથી વધુની અપ્રમાણસર મિલકત એકત્ર કરી હોવાનો પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
</p><h4 style="text-align: justify; "><b>દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ
</b></h4><p style="text-align: justify; ">આ મામલે એસીબી દ્વારા આરોપીની તમામ સ્થાવર અને જંગમ મિલકતો, બેંક ખાતાઓ તેમજ અલગ-અલગ જગ્યાએ કરેલા રોકાણોના દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. પોતાની સત્તાનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે આ સંપત્તિ વસાવી હોવાના પુરાવા મળતા જ એસીબીએ ગુનો દાખલ કર્યો છે. નિવૃત્તિ બાદ પણ ભ્રષ્ટાચારના જૂના મામલામાં કાયદાનો સિંકજો કસાતા આ કેસ સુરતમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-gujarat-latest-news-live-and-samachar-12-june-2026-politics-weather-updates-daily-breaking-news-natio-1" target="_blank"><b>Gujarat Latest News Live: 7 દિવસ દ. ગુજરાતમાં વરસાદની આગાહી</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/5EJpDg6lnm5UPndrXJlpE7PMIHKBQtEFem4lmqlV.webp'/></item><item><title><![CDATA[Delhi ના તુગલકાબાદમાં પાર્ક કરેલા વાહનોમાં લાગી ભીષણ આગ, 3 લોકોના મોત ]]></title><link>https://sandesh.com/india/breakingnews/massive-fire-breaks-out-in-parked-vehicles-in-delhis-tughlakabad-3-people-killed</link><guid isPermaLink="true">https://sandesh.com/india/breakingnews/massive-fire-breaks-out-in-parked-vehicles-in-delhis-tughlakabad-3-people-killed</guid><pubDate>Fri, 12 Jun 2026 08:17:00 +05:30</pubDate><description><![CDATA[<div style="text-align: justify;">શુક્રવાર વહેલી સવારે દક્ષિણપૂર્વ દિલ્હીના તુગલકાબાદ વિસ્તારમાં  એક બહુમાળી રહેણાંક ઇમારતમાં લાગેલી ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.જેમાં ત્રણ લોકોના મોત થયા અને પાંચ મહિલાઓ ગંભીર રીતે દાઝી ગઈ. ફાયર ફાઇટરોએ એક સાહસિક બચાવ કામગીરી હાથ ધરી, કુલ આઠ લોકોને ઇમારતમાંથી બહાર કાઢ્યા અને તેમને અલગ અલગ હોસ્પિટલોમાં દાખલ કર્યા છે.</div><h2 style="text-align: justify; "><b>પાર્ક કરેલા વાહનોમાં લાગી ભીષણ આગ</b></h2><div style="text-align: justify;">દિલ્હી ફાયર સર્વિસ (DFS) દ્વારા મળેલી માહિતી મુજબ, તુગલકાબાદની શેરી નંબર-૧ માં આવેલા 'નયા તારા એપાર્ટમેન્ટ' નજીકની એક ૫ માળની ઈમારતમાં રાત્રે ૨:૨૫ વાગ્યે આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. આગ લાગવાનું પ્રાથમિક કારણ ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્ક કરેલા વાહનો હોવાનું સામે આવ્યું છે. પાર્કિંગમાં લાગેલી આગનું સ્વરૂપ એટલું વિકરાળ હતું કે તેના કારણે નીકળેલા કાળા ધુમાડાના ગોટા ગણતરીની મિનિટોમાં જ આખી ઈમારતમાં ફેલાઈ ગયા હતા. ધુમાડાને કારણે અંદર રહેલા રહીશો ફસાઈ ગયા હતા અને બહાર નીકળવાના તમામ રસ્તાઓ બંધ જેવા થઈ ગયા હતા.</div><h3 style="text-align: justify; "><b>ફાયરબ્રિગેડે ફસાયેલા 8 લોકોને બચાવ્યા</b></h3><div style="text-align: justify;">ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના અનેક વાહનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. જોકે, ઈમારત સાંકડી ગલીમાં આવેલી હોવાને કારણે ફાયર ફાઈટરોને બચાવ કામગીરી કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અથાગ પ્રયત્નો બાદ ફાયર ફાઈટરોએ ખૂબ જ સાહસપૂર્વક બિલ્ડિંગમાં ફસાયેલા ૮ લોકોને હેમખેમ બહાર કાઢ્યા હતા.</div><h4 style="text-align: justify; "><b>ગંભીર લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા</b></h4><div style="text-align: justify;">બચાવવામાં આવેલા લોકોને તાત્કાલિક અસરથી સફદરજંગ હોસ્પિટલ અને એઈમ્સ (AIIMS) ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. દુર્ભાગ્યવશ, સફદરજંગ હોસ્પિટલમાં બે મહિલાઓને તબીબોએ મૃત જાહેર કરી હતી, જ્યારે એઈમ્સમાં સારવાર દરમિયાન એક પુરુષનું પણ અવસાન થયું હતું. હાલમાં પાંચ મહિલાઓ વિવિધ હોસ્પિટલોના બર્ન વોર્ડમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.</div><h5 style="text-align: justify; "><b>હાલ આગ કાબૂમાં</b></h5><div style="text-align: justify;">ફાયર વિભાગે સવારે ૩:૪૫ વાગ્યા સુધીમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો અને ૪ વાગ્યા સુધીમાં સંપૂર્ણ રીતે આગ ઓલવી નાખી હતી. હાલમાં પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આગ લાગવા પાછળનું સચોટ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરી વિસ્તારોમાં રહેણાંક ઈમારતોમાં ફાયર સેફ્ટીના નિયમો અને પાર્કિંગ વ્યવસ્થા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે.<br><br></div><div style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/business/fuel-security-we-have-two-months-of-stock-government-response-to-reports-of-petrol-diesel-and-gas-shortage" target="_blank">આ પણ વાંચોઃ Fuel Security: અમારી પાસે બે મહિનાનો સ્ટોક છે, પેટ્રોલ, ડીઝલ અને ગેસની અછતના અહેવાલો પર સરકારનો પ્રતિભાવ</a></b></div> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/Zp4nQJt7dcUfYvzNRY6bTahF9JQI29N2p8QrOyZ3.webp'/></item><item><title><![CDATA[Surat: 10 હજારની લાંચ માંગનાર હોમગાર્ડ જવાન શિવાજી ઉગલેની ACB દ્વારા ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/acb-arrests-home-guard-shivaji-ugale-after-8-years-in-10k-bribery-case-fsl-voice-match</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/acb-arrests-home-guard-shivaji-ugale-after-8-years-in-10k-bribery-case-fsl-voice-match</guid><pubDate>Fri, 12 Jun 2026 08:09:15 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત મનપા કે પોલીસની આડમાં રોફ જમાવતા હોમગાર્ડના જવાન શિવાજી ઉર્ફે શિવા ગોરખ ઉગલે દ્વારા વર્ષ 2018માં એક મહિલા પાસે લાંચ માંગવામાં આવી હોવાની સત્તાવાર ફરિયાદના આધારે આ ધરપકડ કરવામાં આવી છે. આ કેસ સાબિત કરે છે કે જો તમારી પાસે મજબૂત ડિજિટલ પુરાવા હોય, તો કાયદો ગુનેગારને ગમે ત્યારે પાતાળમાંથી પણ શોધી કાઢે છે.</p><h2><b>આખો મામલો અને લાંચની મજબૂત કડી</b></h2><p>વર્ષ 2018માં સુરતમાં એક મહિલા વિરૂદ્ધ પ્રોહિબિશન (વિદેશી દારૂ) નો ગુનો નોંધાયો હતો. આ કેસની તપાસ અને પ્રક્રિયા દરમિયાન હોમગાર્ડ જવાન શિવાજી ઉગલેએ વચેટિયા અથવા વગદારની ભૂમિકા ભજીને મહિલાના પરિવારનો સંપર્ક કર્યો હતો. શિવાજીએ ધમકી આપી હતી કે જો તેઓ રૂપિયા 10,000 ની લાંચ નહીં આપે, તો પોલીસ મહિલાની ધરપકડ કરશે અને તેને જેલમાં કડક હેરાનગતિ કરવામાં આવશે. જો લાંચ આપી દેશે તો તેને પોલીસ પકડમાંથી બચાવી લેવાશે. મહિલાનો પરિવાર લાંચ આપવા માંગતો ન હોવાથી, મહિલાના જાગૃત પુત્રએ હોમગાર્ડ શિવાજી સાથે થયેલી લાંચની આખી વાતચીત પોતાના મોબાઈલમાં ગુપ્ત રીતે રેકોર્ડ કરી લીધી હતી અને તેની ઓડિયો સીડી (CD) બનાવી સુરત એસીબીને સોંપી દીધી હતી.</p><h3><b>FSL ના વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટથી ખુલી ગઈ પોલ</b></h3><p>એસીબીએ સીડીના આધારે પ્રાથમિક તપાસ શરૂ કરી હતી, પરંતુ આરોપી હોમગાર્ડ શિવાજી ઉગલેએ આ અવાજ પોતાનો હોવાનો સાફ ઈનકાર કરી દીધો હતો. આથી એસીબીએ કાયદાકીય પ્રક્રિયા હેઠળ આરોપીના અવાજના નમૂના લીધા હતા અને તેને ઓડિયો સીડી સાથે મેચ કરવા માટે ગાંધીનગર ખાતે આવેલી ડાયરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સ (FSL) માં મોકલી આપ્યા હતા.</p><h4><b>લાંચ માંગનાર હોમગાર્ડ જવાન 8 વર્ષ બાદ ઝડપાયો</b></h4><p>ગાંધીનગર FSL ખાતે હાઇટેક મશીનો દ્વારા કરવામાં આવેલા 'વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ' નો સત્તાવાર રિપોર્ટ તાજેતરમાં એસીબીને મળ્યો છે. આ વૈજ્ઞાનિક રિપોર્ટમાં અકાટ્ય સાબિત થયું છે કે લાંચ માંગનારો અવાજ સો ટકા હોમગાર્ડ શિવાજીનો જ છે. આ વિજ્ઞાનના મજબૂત પુરાવાની મદદથી સુરત એસીબી પોલીસે 8 વર્ષ જૂના આ કેસમાં કાયદેસરનો ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (PC Act) મુજબ ગુનો નોંધી આરોપી હોમગાર્ડ શિવાજી ગોરખ ઉગલેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/30-year-old-railway-lineman-mayur-parmar-commits-suicide-at-karkathal-village-viramgam" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: કરકથલ ગામના રેલવે કર્મચારીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું,લાઈનમેન તરીકે બજાવતા હતા ફરજ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/x3FyWB35QRm0KtHbybPGtDdArQqE20h9TJa4eWlA.webp'/></item></channel></rss>