<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Surat : નાસીર નગર ડિમોલિશનમાં મોટો ગરબડ ઘોટાળો? કમિશનરને રિપોર્ટ ન આપતા અધિકારીઓ સામે આખરે 6 સભ્યોની તપાસ કમિટી રચાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-nasirnagar-demolition-case-smc-commissioner-forms-investigation-committee</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-nasirnagar-demolition-case-smc-commissioner-forms-investigation-committee</guid><pubDate>Wed, 10 Jun 2026 09:26:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતના નાસીરનગર વિસ્તારમાં થયેલા વિવાદાસ્પદ ડિમોલિશનનો મામલો હવે ભારે ગરમાયો છે. આ સમગ્ર ઓપરેશનમાં સુરત મહાનગરપાલિકાના કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકા હોવાના સવાલો ઉઠ્યા બાદ હવે તપાસનો દોર અત્યંત તેજ કરવામાં આવ્યો છે. અગાઉ ખુદ એસએમસી કમિશનર એમ. નાગરાજન આ મામલે સીધી તપાસ ચલાવી રહ્યા હતા, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે પાલિકાના જવાબદાર અધિકારીઓ કમિશનરને જ ડિમોલિશન અંગેનો સાચો રિપોર્ટ સોંપવામાં આનાકાની કરી રહ્યા હતા. અધિકારીઓની આ આડોડાઈને પગલે આખરે કમિશનરે એક કડક પગલું ભરીને ખાસ તપાસ સમિતિની જાહેરાત કરી છે.</p><h2 style="text-align: justify; "><b>&nbsp;હાઈપાવર તપાસ કમિટીની રચના 
</b></h2><p style="text-align: justify; ">પાલિકા કમિશનર એમ. નાગરાજન દ્વારા એસએમસીના ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં એક હાઈપાવર તપાસ કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં કુલ 6 સભ્યોની નિયુક્તિ કરાઈ છે. આ સમિતિ ડિમોલિશન દરમિયાન કયા નિયમો નેવે મૂકાયા અને કયા કર્મચારીઓની શું લિંક હતી તેની ઝીણવટભરી તપાસ કરશે. 
</p><h3 style="text-align: justify; "><b>કોઈ ચોક્કસ ડેડલાઈન ના અપાતા શંકા
</b></h3><p style="text-align: justify; ">જોકે, પાલિકા વર્તુળોમાં ચર્ચા છે કે આ કમિટી માત્ર મામલો થાળે પાડવા અને જનતાના આક્રોશને શાંત કરવા માટેનો એક દેખાડો માત્ર છે. આ શંકા એટલા માટે દ્રઢ બને છે કારણ કે કમિશનર દ્વારા જાહેર કરાયેલી આ કમિટીને રિપોર્ટ સોંપવા માટે કોઈ ચોક્કસ ડેડલાઈન કે સમયમર્યાદા આપવામાં આવી નથી.
</p><h4 style="text-align: justify; "><b>નિષ્પક્ષ તપાસ કરી શકશે ખરી? 
</b></h4><p style="text-align: justify; ">નાસીરનગરના સ્થાનિકો અને જાગૃત નાગરિકોમાં હવે એ સવાલ જોરશોરથી પૂછાઈ રહ્યો છે કે, શું આ 6 સભ્યોની તપાસ કમિટી પોતાના જ સાથી અધિકારીઓ વિરુદ્ધ જઈને કોઈ નિષ્પક્ષ તપાસ કરી શકશે ખરી? કે પછી અગાઉની પરંપરા મુજબ આ મામલા પર પણ ઠંડુ પાણી રેડી દેવામાં આવશે? આ ડિમોલિશન પાછળ કોઈ મોટું લેન્ડ સ્કેમ કે આર્થિક સેટિંગ હતું કે કેમ તે હવે તપાસનો મુખ્ય વિષય બન્યો છે. આગામી દિવસોમાં આ કમિટીની કામગીરી અને શાસક પક્ષના વલણ પર સૌની નજર મંડાયેલી રહેશે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો---&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-gujarat-latest-news-live-and-samachar-10-june-2026-politics-weather-updates-daily-breaking-news-natio-1" target="_blank"><b>&nbsp;Gujarat Latest News Live : મોદી સરકારના સફળ 12 વર્ષ: ગુજરાતના મંદિરોમાં મહાઆરતીના કાર્યક્રમ</b></a></p><p style="text-align: justify; "><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/10/Utr6fbl2bttd0pDPWht5uCYzqrKSy3B1cJLxC8jg.webp'/></item><item><title><![CDATA[Sapna Choudharyના પતિ પર કોર્ટે કેમ લગાવ્યો મોટો પ્રતિબંધ? જાણો દિલ્હી કોર્ટનો કડક ચુકાદો ]]></title><link>https://sandesh.com/entertainment/news/why-did-the-court-impose-a-major-ban-on-sapna-choudharys-husband-know-the-verdict-of-the-delhi-court</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/why-did-the-court-impose-a-major-ban-on-sapna-choudharys-husband-know-the-verdict-of-the-delhi-court</guid><pubDate>Wed, 10 Jun 2026 09:22:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જાણીતી અભિનેત્રી અને ગાયિકા સપના ચૌધરીને દિલ્હીની એક અદાલતે ઘરેલુ હિંસાથી મહિલાઓના રક્ષણ કાયદા હેઠળ વચગાળાનો રક્ષણ આદેશ (Interim Protection Order) આપ્યો છે. દ્વારકા કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (મહિલા અદાલત) એ આ મામલે સુનાવણી હાથ ધરી સપનાના પતિ પર કડક પ્રતિબંધો લાદી દીધા છે. કોર્ટના આદેશ અનુસાર, આગામી સુનાવણી સુધી તેના પતિ સપનાનો કોઈ પણ પ્રકારે સંપર્ક કરી શકશે નહીં, તેમજ તેના ઘર, કાર્યસ્થળ કે ફિલ્મ પ્રીમિયરના સ્થળોએ જવા પર પણ રોક લગાવી દેવામાં આવી છે.</p><h2 style="text-align: justify;"><b>સપના ચૌધરી, પતિ હુમલા કરે તેવો ભય</b></h2><p style="text-align: justify;">સપના ચૌધરી વતી કોર્ટમાં હાજર રહેલા એડવોકેટ પ્રીતિ સિંહે દલીલ કરી હતી કે, પતિના ત્રાસદાયક વર્તનને કારણે સપના પોતાનું ઘર છોડવા મજબૂર થઈ હતી અને હાલમાં તે નવી દિલ્હીના નજફગઢ ખાતે તેના માતા-પિતાના ઘરે રહે છે. વકીલે તાત્કાલિક સુરક્ષાની માંગ કરતા જણાવ્યું હતું કે, ૧૦ જૂન, ૨૦૨૬ના રોજ સપનાની ફિલ્મ "મોમાકુ" નું પ્રીમિયર યોજાવાનું છે. સપનાને ભય છે કે તેનો પતિ આ જાહેર સ્થળે આવીને તેને ધમકી આપી શકે છે, તેના પર હુમલો કરી શકે છે અથવા હોબાળો મચાવીને તેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે. તેથી સપનાની સુરક્ષા માટે આ વચગાળાનો આદેશ અત્યંત જરૂરી હતો.</p><h3 style="text-align: justify;"><b>સપના ચૌધરીના પતિ પર પ્રતિબંધ</b></h3><p style="text-align: justify; ">અદાલતે સપના ચૌધરી દ્વારા રજૂ કરાયેલા સોગંદનામા, ઈજાઓ દર્શાવતા ફોટોગ્રાફ્સ અને ઘરેલુ હિંસાના આરોપોને સમર્થન આપતી ઓડિયો રેકોર્ડિંગ ધરાવતી પેન ડ્રાઇવ સહિતના તમામ પ્રાથમિક પુરાવાઓની ગંભીરતાથી સમીક્ષા કરી હતી. કોર્ટે સપના ચૌધરીના પતિ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો. કોર્ટના આદેશ મુજબ સપના ચૌધરીનો પતિ તેના ઘર, ઓફિસ (કાયમી કે કામચલાઉ) અથવા ફિલ્મ પ્રીમિયરના સ્થળે જઈ શકશે નહીં અને કોઈ પણ પ્રકારની હિંસા આચરી શકશે નહીં.&nbsp;</p><h4 style="text-align: justify;"><b>સપના ચૌધરીને પ્રોટેકશન આપવાો કોર્ટનો આદેશ</b></h4><p style="text-align: justify; ">સ્થાનિક SHO અને પ્રોટેક્શન ઓફિસરને આ આદેશનું ચુસ્તપણે પાલન કરાવવા અને જરૂર પડે સપના ચૌધરીને પૂરતી સુરક્ષા પૂરી પાડવા આદેશ આપ્યો છે. કોર્ટે પ્રોટેક્શન ઓફિસરને આ મામલે ઘરેલુ ઘટના અહેવાલ (Domestic Incident Report - DIR) દાખલ કરવા નિર્દેશ આપ્યો છે અને પતિને સમન્સ પાઠવ્યું છે. આ હાઈ-પ્રોફાઈલ કેસની આગામી સુનાવણી ૨૫ જુલાઈ, ૨૦૨૬ ના રોજ નિયત કરવામાં આવી છે, જેમાં સંબંધિત વધુ દસ્તાવેજો રજૂ કરવામાં આવશે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/sapna-chaudhary-was-beaten-up-by-her-husband-the-court-delivered-a-big-verdict-after-looking-at-the-evidence" target="_blank">આ પણ વાંચો : Sapna Chaudhary સાથે તેના પતિએ કરી મારઝૂડ, પુરાવા જોઈ અદાલતે સંભળાવ્યો મોટો ચુકાદો!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/10/Z8ZZcQ60YKNmPu5wNpzzklS5sfRW1gERFy6cQZao.webp'/></item><item><title><![CDATA[PM મોદીનો મેગા રેકોર્ડ, 4399 દિવસનો કાર્યકાળ કર્યો પૂર્ણ, અનેક શહેરોમાં ઉજવણી ]]></title><link>https://sandesh.com/india/news/pm-modis-mega-record-completes-4399-days-in-office-celebrated-in-many-cities</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/pm-modis-mega-record-completes-4399-days-in-office-celebrated-in-many-cities</guid><pubDate>Wed, 10 Jun 2026 08:48:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતના લોકશાહી ઇતિહાસમાં 9 જૂન, 2026 નો દિવસ એક સુવર્ણ અક્ષરે લખાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનો 4398 દિવસનો રેકોર્ડ તોડીને, સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા વડાપ્રધાન તરીકેનો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આજે તેમનો કાર્યકાળ 4399 દિવસ પર પહોંચ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>62 વર્ષ જૂના રેકોર્ડનું નિર્માણ</b></h2><p style="text-align: justify; ">26 મે, 2014ના રોજ પ્રથમવાર વડાપ્રધાન તરીકે પદભાર સંભાળ્યા બાદ, પીએમ મોદીએ સતત ત્રણ ટર્મ સુધી દેશનું નેતૃત્વ કર્યું છે. પંડિત નેહરુ મે 1952 માં દેશના પ્રથમ ચૂંટાયેલા વડાપ્રધાન બન્યા હતા અને 27 મે, 1964 સુધી તેમણે પદ સંભાળ્યું હતું. આ 62 વર્ષ બાદ, પીએમ મોદીએ આ આંકડાને પાછળ છોડીને એક નવો અધ્યાય શરૂ કર્યો છે.</p><h3 style="text-align: justify; "><b>રાજકીય સફર અને સિદ્ધિઓ</b></h3><p style="text-align: justify; ">પીએમ મોદીની આ સફર માત્ર વડાપ્રધાન પદ સુધી મર્યાદિત નથી. 2001 થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના 13 વર્ષના સફળ અનુભવ બાદ, તેમણે ૨૦૧૪માં કેન્દ્રની ધુરા સંભાળી હતી. તેમના 12 વર્ષના પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળમાં દેશમાં અનેક પરિવર્તનકારી નિર્ણયો લેવામાં આવ્યા છે:</p><p style="text-align: justify; ">ઐતિહાસિક નિર્ણયો: જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબૂદી.</p><p style="text-align: justify; ">આર્થિક ક્રાંતિ: ડિજિટલ પેમેન્ટ્સ અને 'આત્મનિર્ભર ભારત' અભિયાન દ્વારા અર્થતંત્રને નવી ગતિ.</p><p style="text-align: justify; ">માળખાગત વિકાસ: દેશભરમાં અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ.</p><h4 style="text-align: justify; "><b>વૈશ્વિક મંચ પર ભારતનો દબદબો</b></h4><p style="text-align: justify; ">વડાપ્રધાન તરીકે પીએમ મોદીએ વૈશ્વિક સ્તરે ભારતની પ્રતિષ્ઠામાં અનેકગણો વધારો કર્યો છે. તેમને વિશ્વના 31 દેશો દ્વારા સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યા છે, જે તેમની મુત્સદ્દીગીરીની સફળતા દર્શાવે છે. એપ્રિલ 2016માં સાઉદી અરેબિયાના 'ઓર્ડર ઓફ કિંગ અબ્દુલઅઝીઝ'થી શરૂ કરીને, તાજેતરમાં નોર્વેના 'રોયલ નોર્વેજીયન ઓર્ડર ઓફ મેરિટ' સુધીના સન્માનો તેમની આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિનો પુરાવો છે. આ ઉપરાંત, તેમણે અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા સહિત ૧૫ દેશોની સંસદોને સંબોધિત કરી છે, જે ભારત માટે એક ગૌરવપૂર્ણ સિદ્ધિ છે.</p><h5 style="text-align: justify; "><b>દેશભરમાં ઉત્સાહનું વાતાવરણ</b></h5><p style="text-align: justify; ">આ ઐતિહાસિક સિદ્ધિ બદલ દેશભરમાં ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દિલ્હીના માર્ગો પર વિશાળ બિલબોર્ડ્સ લગાવવામાં આવ્યા છે, અને પાર્ટીના કાર્યકર્તાઓ તથા નેતાઓ વિવિધ મંદિરોમાં વિશેષ પ્રાર્થના કરી રહ્યા છે. આ ઉજવણી માત્ર એક રેકોર્ડ તોડવાની નથી, પરંતુ દેશની પ્રગતિની એક નવી સફરની ઉજવણી છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/world/news/iran-america-war-america-attacked-iran-one-after-another-iran-retaliated" target="_blank">આ પણ વાંચોઃ Iran America War : અમેરિકાએ ઇરાન પર કર્યો એક બાદ એક હુમલો, ઇરાને કર્યો વળતો પ્રહાર</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/10/8kYOJni78M6LbWnUPsPQV48m5v95cwJZd3HGHvKN.webp'/></item><item><title><![CDATA[Vadodara પર જળસંકટના વાદળો, આજવા સરોવર તળિયાઝાટક થતાં પાલિકા નર્મદા નિગમ પાસેથી ખરીદશે 29 કરોડનું પાણી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-water-crisis-ajwa-lake-dry-vmc-buy-narmada-water</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-water-crisis-ajwa-lake-dry-vmc-buy-narmada-water</guid><pubDate>Wed, 10 Jun 2026 07:55:27 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ચોમાસાની શરૂઆત પહેલા જ વડોદરા વાસીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વડોદરા શહેરની જીવાદોરી સમાન ગણાતા ઐતિહાસિક આજવા સરોવરમાં પાણીનો જથ્થો ચિંતાજનક રીતે ઘટી ગયો છે. સરોવરનું પાણી ખુટી જતાં હવે વડોદરા મહાનગરપાલિકા એ આખા શહેરની તરસ છિપાવવા માટે એક મોટો અને કરોડો રૂપિયાનો આકસ્મિક નિર્ણય લેવાની ફરજ પડી છે. શહેરમાં પાણીનો પોકાર ન પડે તે માટે પાલિકા તંત્ર હવે નર્મદા નિગમ શરણ પહોંચ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>જળસપાટી ગત વર્ષની સરખામણીએ આશરે 1 ફૂટ જેટલી ઓછી 
</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, આજવા સરોવરની વર્તમાન જળસપાટી ગત વર્ષની સરખામણીએ આશરે 1 ફૂટ જેટલી ઓછી નોંધાઈ છે. ઉનાળાની આકરી ગરમીમાં પાણીનો વપરાશ વધવાને કારણે અને ઉપરવાસમાંથી પાણીની આવક ન થતાં આ સ્થિતિ સર્જાઈ છે. 
</p><h3 style="text-align: justify; "><b>નર્મદા નિગમ પાસેથી વધારાનું પાણી ખરીદવાનો નિર્ણય
</b></h3><p style="text-align: justify; ">વડોદરાના મોટાભાગના વિસ્તારોને પાણી પૂરું પાડતા આ મુખ્ય સ્ત્રોતમાં પાણી ખૂટી જતાં પાલિકા વહીવટી તંત્રે તાબડતોબ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં વડોદરા વાસીઓને નિયમિત પાણી મળતું રહે તે માટે નર્મદા નિગમ પાસેથી વધારાનું પાણી ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
</p><h4 style="text-align: justify; "><b>29 કરોડનું પાણી ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું 
</b></h4><p style="text-align: justify; ">આ આયોજન હેઠળ, વડોદરા કોર્પોરેશન આગામી 30 દિવસ એટલે કે એક મહિના સુધી નર્મદા નિગમ પાસેથી પાણી મેળવશે. આ 30 દિવસના ગાળા માટે પાલિકા દ્વારા અધધ 29 કરોડનું પાણી ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું છે. વડોદરા કોર્પોરેશનના આ મોટા આર્થિક બોજ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી દિવસોમાં ચોમાસું વિધિવત રીતે સક્રિય ન થાય ત્યાં સુધી શહેરમાં પાણી કાપ ન મૂકવો પડે અને લોકોને હાલાકી ન ભોગવવી પડે તે છે. જોકે, તંત્ર દ્વારા નાગરિકોને પણ આ કટોકટીના સમયે પાણીનો બગાડ અટકાવવા અને કરકસરપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp;<a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-gujarat-latest-news-live-and-samachar-10-june-2026-politics-weather-updates-daily-breaking-news-natio-1" target="_blank"><b> &nbsp; Gujarat Latest News Live : રાજ્યમાં ગરમી સાથે વરસાદની આગાહી</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/10/imV56e5X3DCcR4Klt1aq6Q7Da9VHHRe6FGlg6zgo.webp'/></item><item><title><![CDATA[Weather Update : અસહ્ય ઉકળાટ વચ્ચે આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો 13 જૂનથી ક્યાં વધશે જોર? ]]></title><link>https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/gujarat-weather-forecast-rain-prediction-south-gujarat-heatwave-temperature-updates</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/gujarat-weather-forecast-rain-prediction-south-gujarat-heatwave-temperature-updates</guid><pubDate>Wed, 10 Jun 2026 07:26:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતભરમાં હાલ બેવડી ઋતુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. એકતરફ રાજ્યમાં અસહ્ય ગરમી અને ઉકળાટ યથાવત છે, તો બીજી તરફ હવામાન વિભાગે વાતાવરણમાં વધેલા ભેજને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની મોટી આગાહી કરી છે. વાતાવરણમાં આવેલા પલટાને કારણે આગામી દિવસોમાં ગરમીથી આંશિક રાહત મળવાની સંભાવના છે, પરંતુ હાલ પૂરતો પારો 40 થી 42  ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યો છે જેને કારણે લોકો બફારાથી તોબા પોકારી ઉઠ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>આજે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે
</b></h2><p style="text-align: justify; ">હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે. ખાસ કરીને તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે. આ દરમિયાન દરિયાકાંઠાના અને આસપાસના વિસ્તારોમાં 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
</p><h3 style="text-align: justify; "><b>&nbsp;સવારથી જ વાદળછાયું વાતાવરણ
</b></h3><p style="text-align: justify; ">વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોવાને લીધે ઘણા જિલ્લાઓમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં, આગામી 13 જૂનથી રાજ્યમાં વરસાદનું જોર વધુ વધશે તેવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
</p><h4 style="text-align: justify; "><b>ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ હજુ પણ યથાવત 
</b></h4><p style="text-align: justify; ">બીજી તરફ, ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ હજુ પણ યથાવત છે. રાજ્યના મુખ્ય શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં ૪૨.૧ ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઈ છે. આ સિવાય ભાવનગરમાં ૪૧.૬, પાટનગર ગાંધીનગરમાં ૪૧.૫, સુરેન્દ્રનગરમાં ૪૧.૩ અને સંસ્કારી નગરી વડોદરામાં ૪૦.૯ ડિગ્રી તાપમાન રહ્યું છે. જ્યારે અમરેલીમાં ૪૦.૧, રાજકોટમાં ૪૦, ડીસામાં ૩૯.૪, કંડલામાં ૩૮.૬ અને ભુજમાં ૩૮.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાતા લોકો અસહ્ય ઉકળાટ અનુભવી રહ્યા છે. વાદળછાયા વાતાવરણ અને ભેજને લીધે આગામી બે દિવસ બફારો હજુ વધશે, પરંતુ ૧૩ જૂન પછી મેઘરાજા ધમાકેદાર બેટિંગ શરૂ કરે તેવી પૂરી સંભાવના છે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો---&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-gujarat-latest-news-live-and-samachar-10-june-2026-politics-weather-updates-daily-breaking-news-natio-1#google_vignette" target="_blank"><b>Gujarat Latest News Live : રાજ્યમાં ગરમી સાથે વરસાદની આગાહી</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/10/BcF2eeHyawYdNyNRthsnGcQ3kLfwGhDAkhuWqKya.webp'/></item><item><title><![CDATA[Tharad: ધાનેરા પંથકમાં મોટી દીકરીનો પતિ સગીર સાળીને ભગાડી ફરાર થઇ ગયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/tharad/tharad-in-dhanera-panthak-the-husband-of-the-elder-daughter-chased-away-the-minor-sister-in-law-and-absconded</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/tharad/tharad-in-dhanera-panthak-the-husband-of-the-elder-daughter-chased-away-the-minor-sister-in-law-and-absconded</guid><pubDate>Wed, 10 Jun 2026 05:53:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ધાનેરા તાલુકાના એક ગામમાં સગાઈના સંબંધને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં મોટી દીકરીના પતિએ પોતાની સગીર સાળીને લલચાવી-ફેસલાવીને ભાગી છૂટતા પરિવારજનોએ ધાનેરા પોલીસ મથકે સગીર દીકરીનું અપહરણ થયાની ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ, ધાનેરા તાલુકાના એક ગામની મોટી દીકરીની સગાઈ ધાનેરા નજીકના જ એક ગામના યુવક સાથે નક્કી કરવામાં આવી હતી. આથી આ યુવક અવારનવાર પોતાના સાસરી પક્ષના ગામમાં મળવા માટે આવતો હતો. ગતરોજ જ્યારે પરિવારના સભ્યો ખેતરે ગયા હતા, ત્યારે આ યુવક ઘરે આવ્યો હતો. ઘરે હાજર તેની નાની સગીર સાળી અને એક નાના સગીર સાળાને તે બજારમાં ચોકલેટ તેમજ દૂધ અપાવવાના બહાને દુકાને લઈ ગયો હતો. આ મામલે સગીરાના પરિવારજનોએ તાત્કાલિક ધાનેરા પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર ઘટના અંગે વિગતવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભોગ બનનાર સગીરાના પરિવારની ફરિયાદના આધારે આરોપી જીજાજી વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા અને સગીરાને હેમખેમ પરત લાવવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/10/O3DuonGkNfOTcYdvcy7403pCtPUWhLTVH9Zot24U.webp'/></item><item><title><![CDATA[Dabhoi: ડભોઇ સ્ટેચ્યૂ ઓફ યુનિટી મુખ્ય માર્ગ પર વરસાદી કાંસનું કામ અધૂરું ? ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dabhoi/dabhoi-rain-gutter-work-on-dabhoi-statue-of-unity-main-road-incomplete</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dabhoi/dabhoi-rain-gutter-work-on-dabhoi-statue-of-unity-main-road-incomplete</guid><pubDate>Wed, 10 Jun 2026 05:52:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વિશ્વભરમાં પ્રખ્યાત સ્ટેચ્યુ ઓફ્ યુનિટીને જોડતા મુખ્ય સ્ટેટ હાઇવે પર વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટરોની ગંભીર બેદરકારી સામે આવી છે. ડભોઇથી વેગા થઈ નાંદોદી ભાગોળ અને ત્યાંથી ચાતરીયા પીર સુધીના વિસ્તારમાં કરોડોના ખર્ચે બની રહેલી વરસાદી કાંસનું કામ હાલ અદ્ધરતાલ જોવા મળે છે. ચોમાસું માથે છે. ત્યારે કોન્ટ્રાક્ટરો કામ અધૂરું મૂકીને રફુચક્કર થયા હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. જેને પગલે સ્થાનિક રહીશોમાં ચિંતાનો માહોલ છે. ડભોઇ વેગાથી લઈને ચાતરીયા પીર સુધી વરસાદી પાણીના નિકાલ માટે કાંસ બનાવવાની કામગીરી શરૂ કરાઇ હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે, કેટલાક સમયથી કોન્ટ્રાક્ટરો કામ અધ વચ્ચે જ છોડીને જતા રહ્યાં છે. ખોદાયેલી કાંસો અને અધૂરા બાંધકામને કારણે સમગ્ર વિસ્તાર બિસ્માર બન્યો છે. ચોમાસા પહેલા આ કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ થવી જોઈતી હતી. પરંતુ હાલમાં સાઇટ પર કોઈ કામગીરી ન થતાં તંત્રના પ્રી-મોન્સૂન કામગ્ના દાવા પોકળ સાબિત થયા છે. જો આગામી દિવસોમાં ભારે વરસાદ પડશે, તો અધૂરી કાંસને કારણે પાણી આગળ વધી શકશે નહીં અને બ્લોકેજ સર્જાશે. આ સ્થિતિમાં ડભોઇની આસપાસની અસંખ્ય રહેણાંક સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસી જવાની 100 ટકા શક્યતા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/10/2VXMrpK4QVwFnhktFHu11SSbqdAhd7aWmPzdgOrJ.webp'/></item><item><title><![CDATA[વાંચો 10 જૂનના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે ]]></title><link>https://sandesh.com/india/news/gujarat/read-about-important-events-happening-on-june-10th</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/gujarat/read-about-important-events-happening-on-june-10th</guid><pubDate>Tue, 09 Jun 2026 21:55:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><b>મોદી કેબિનેટની બેઠક, મોદી સરકારના 12 વર્ષની ઉજવણી, ભારત અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય બેઠક, 17 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાની ચેતવણી અને ગુજરાતમાં મહત્વની ઘટનાઓ.</b></p><h2 style="text-align: justify; "><b>1: PM મોદીની NDA રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક</b></h2><p style="text-align: justify; ">આવતીકાલે પીએમ મોદીની અધ્યક્ષતામાં NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજાશે. બપોરે 3 વાગ્યે ભારત મંડપમમાં આ બેઠક થશે. બેઠકમાં મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાની ઉપલબ્ધિઓની સમીક્ષા કરવાની સાથે આગામી રાજકીય અને વિકાસલક્ષી વ્યૂહરચનાઓ પર મંથન કરવામાં આવશે.</p><h3 style="text-align: justify; "><b>2: મોદીના દીર્ધાયુષ્યની કામના માટે મંદિરોમાં પ્રાર્થનાનો કાર્યક્રમ</b></h3><p style="text-align: justify; ">પીએમ મોદીના દીર્ધાયુષ્યની કામના માટે મંદિરોમાં પ્રાર્થના કરવામાં આવશે. રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન ઝંડેવાલાન મંદિરમાં પૂજા અર્ચના કરશે. દિલ્હીના 20 મંદિરોમાં પૂજા કરવામાં આવશે. 10 જૂનના રોજ નરેન્દ્ર મોદીના શાસનકાળને 12 વર્ષ પૂર્ણ થશે. 10 જૂન 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક ઐતિહાસિક કીર્તિમાન સ્થાપિત કરશે, જેમાં સતત 4,399 દિવસ સુધી વડાપ્રધાન પદ પર રહીને તેઓ 64 વર્ષ જૂનો રેકોર્ડ તોડશે. આ સાથે જ મોદી, જવાહરલાલ નેહરુને પાછળ છોડીને ભારતમાં સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા લોકતાંત્રિક વડાપ્રધાન બની જશે.</p><h2 style="text-align: justify; "><b>3: આવતીકાલે મોદી સરકારની કેબિનેટની બેઠક મળશે</b></h2><p style="text-align: justify; ">મોદી કેબિનેટની બેઠક આવતીકાલે મળશે, જેમાં કેટલાક મહત્વના પ્રસ્તાવો અને નીતિગત નિર્ણયો પર મંજૂરીની મહોર લાગી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક આવતીકાલે સવારે 11 વાગ્યે યોજાશે.</p><h3 style="text-align: justify; "><b>4: ભારત અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય બેઠક</b></h3><p style="text-align: justify; ">ઇન્દોરમાં આયોજિત બ્રિક્સ (BRICS) કૃષિ સંમેલનના બીજા દિવસે ભારત અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. બંને દેશોએ કૃષિ સહયોગ, કૃષિ વિસ્તરણ સેવાઓ, ખાદ્ય સુરક્ષા અને કૃષિ વ્યાપાર વધારવા પર ચર્ચા કરી. બેઠકમાં ટેકનોલોજી, સંશોધન, રોકાણ અને ખેડૂતોની આવક વધારવા માટે ભાગીદારી મજબૂત કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>5: ભારતના વિદેશ મંત્રી બલ્ગેરિયા અને ફિનલેન્ડની સત્તાવાર મુલાકાતે</b></h2><p style="text-align: justify; ">વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર 10-11 જૂનના રોજ બલ્ગેરિયા અને ફિનલેન્ડની સત્તાવાર મુલાકાતે રહેશે.10 જૂને સોફિયામાં તેઓ બલ્ગેરિયાના નેતૃત્વ અને તેમના સમકક્ષ સાથે દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરશે.11 જૂને ફિનલેન્ડમાં 14મી કુલ્તારંતા વાર્તાલાપમાં ભાગ લઈને વૈશ્વિક, પ્રાદેશિક અને સ્થાનિક મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કરશે.</p><h2 style="text-align: justify; "><b>6: 17 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાની ચેતવણી</b></h2><p style="text-align: justify; ">10 જૂન હવામાન એલર્ટ: 17 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાની ચેતવણી, 80 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે.10 જૂને દેશના ઘણા ભાગોમાં હવામાનનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે... હવામાન વિભાગે યુપી, બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડું અને વીજળી પડવાનું એલર્ટ જાહેર કર્યું છે.70-80 કિમી/કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની શક્યતા છે.ખેડૂતોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે, જ્યારે પૂર્વીય અને ઉત્તરીય રાજ્યોમાં વીજળી પડવા અને વૃક્ષો ધરાશાયી થવાનું જોખમ તોળાઈ રહ્યું છે.17 રાજ્યો - યુપી, બિહાર, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, અરૂણાચલ પ્રદેશ, આસામ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જાહેર કરવામાં આવી છે, આ દરમિયાન 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું આવવાની શક્યતા છે.</p><h3 style="text-align: justify; "><b>7: આરએસએસ (RSS) પ્રમુખ મોહન ભાગવતનો પ્રવાસ</b></h3><p style="text-align: justify; ">બિહારમાં આરએસએસ (RSS) પ્રમુખ મોહન ભાગવતનો પ્રવાસ, 10 જૂને બરૌની જંક્શન પર આગમન.RSS પ્રમુખ મોહન ભાગવતના 10 જૂને બરૌની જંક્શન આગમનને લઈને વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર છે.સ્ટેશન પરિસર અને આસપાસના વિસ્તારોમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ વિશેષ દેખરેખ વધારી દીધી છે અને સમગ્ર વિસ્તારને સુરક્ષા ઘેરામાં લેવાની તૈયારી કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>8: કેન્દ્રમાં ભાજપની સરકારના 12 વર્ષ પૂર્ણ</b></h2><p style="text-align: justify; ">કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાજપ દ્વારા રાજ્યભરમાં ભવ્ય મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આવતીકાલે ગુજરાતના વિવિધ જાણીતા મંદિરોમાં વિશેષ આરતી કરવામાં આવશે. આ ધાર્મિક મહોત્સવમાં રાજ્ય સરકારના તમામ મોટા નેતાઓ અને મંત્રીઓ જુદા જુદા મંદિરોમાં ખાસ હાજરી આપશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે ૭ વાગ્યે ગાંધીનગરના ત્રિમંદિર ખાતે ઉપસ્થિત રહીને આરતીનો લાભ લેશે, જ્યારે ભાજપ પ્રદેશ અગ્રણી જગદીશ વિશ્વકર્મા સાંજે ૭ વાગ્યે વડનગર ખાતે યોજાનારી મહા આરતીમાં સહભાગી થશે.</p><h2 style="text-align: justify; "><b>9: કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચને મળશે</b></h2><p style="text-align: justify; ">મધ્યપ્રદેશમાં કોંગ્રેસના કદાવર નેતા મીનાક્ષી નટરાજનનું રાજ્યસભાનું ઉમેદવારી ફોર્મ રદ થતાં મામલો ગંભીર બન્યો છે. જેને લઈને આવતીકાલે દિલ્હીમાં કે. સી. વેણુગોપાલની આગેવાની હેઠળ કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ બપોરે 12 વાગ્યે ચૂંટણી પંચને મળશે.</p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/YwqfOQVnuzB8lxMXUe5yeCLH8wHw7lJJjxKPVQFK.webp'/></item><item><title><![CDATA[TCS Share Price: ઘટી રહેલા શેરના ભાવ અંગે શેરધારકે કર્યો સવાલ તો ચેરમેને સમજાવ્યુ ગણિત, જાણો શું કહ્યુ? ]]></title><link>https://sandesh.com/business/news/india/tcs-share-price-when-a-shareholder-asked-about-the-falling-share-price-the-chairman-explained-the-math-know-what-he-said</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/tcs-share-price-when-a-shareholder-asked-about-the-falling-share-price-the-chairman-explained-the-math-know-what-he-said</guid><pubDate>Tue, 09 Jun 2026 19:23:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">એક સમયે, IT જાયન્ટનો શેર 4 હજારને સ્પર્શી રહ્યો હતો. પરંતુ છેલ્લા એક વર્ષમાં, તે ઝડપથી ઘટીને 2200થી 2500ની રેન્જમાં છે. 
</p><h2 style="text-align: justify; ">બે મુખ્ય કારણ જવાબદાર 
</h2><p style="text-align: justify; ">કંપનીની 31મી વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકે પૂછ્યું કે, મજબૂત પરિણામો છતાં શેરનો ભાવ આટલો ઝડપથી કેમ ઘટ્યો. ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને પરિસ્થિતિ સમજાવી. ચંદ્રશેખરને જવાબ આપ્યો અને આ પાછળના બે મુખ્ય કારણો છે. ઓગસ્ટ-સપ્ટેમ્બર 2024માં નેશનલ સ્ટોક એક્સચેન્જ પર TCSના શેર 4289.85ની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. ત્યારથી, આ ઘટાડો ચાલુ રહ્યો છે. અને મંગળવારના રોજ તેનો શેર 0.02% ઘટીને રૂપિયા 2151 પર બંધ થયો. આ ઘટાડો 50 ટકાથી થોડો વધારે દર્શાવે છે. હાલમાં, તે સપ્ટેમ્બર 2020ના ભાવે પહોંચ્યો છે. સ્પષ્ટપણે, રોકાણકારો આનાથી નાખુશ છે.
</p><h3 style="text-align: justify; ">યુદ્ધો અને ભૂ-રાજકીય તણાવ
</h3><p style="text-align: justify; ">ચેરમેન એન. ચંદ્રશેખરને શેરધારકોને ખાતરી આપી હતી કે શેરના ભાવમાં આ ઘટાડો TCS પૂરતો મર્યાદિત નથી. પરંતુ વૈશ્વિક IT ક્ષેત્ર હાલમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. તેમણે પ્રથમ મુખ્ય કારણ વિશ્વના ઘણા ભાગોમાં ચાલી રહેલા યુદ્ધો અને ભૂ-રાજકીય તણાવને કારણે બગડતા વ્યવસાયિક વાતાવરણ તરીકે ટાંક્યું હતું. જેણે સપ્લાય ચેઇન પર ગંભીર અસર કરી છે. કંપનીઓ હાલમાં નવા સાહસો શરૂ કરવાને બદલે તેમના હાલના વ્યવસાયોને સુરક્ષિત કરવા અને તેમની સપ્લાય ચેઇનને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
</p><h4 style="text-align: justify; ">AI સૌથી મોટું સંકટ 
</h4><p style="text-align: justify; ">ઘટાડાનું બીજું અને સૌથી મહત્વનું કારણ સમજાવતા, એન. ચંદ્રશેખરન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉલ્લેખ કરે છે. તેમણે કહ્યું કે આજે શેરબજારમાં IT કંપનીઓને ઘેરાયેલો સૌથી મોટો ભય AI છે. રોકાણકારો આશ્ચર્ય પામી રહ્યા છે: જો AI કમ્પ્યુટર કોડ લખી શકે છે, સોફ્ટવેરનું પરીક્ષણ કરી શકે છે અને ઘણા તકનીકી કાર્યો સ્વતંત્ર રીતે સંભાળી શકે છે, તો TCS જેવી IT સેવા કંપનીઓનું ભવિષ્ય શું હશે? આ ડરને કારણે, માત્ર TCS જ નહીં, પરંતુ વિશ્વભરમાં IT સેવાઓ, સોફ્ટવેર અને SaaSમાં સંકળાયેલી લગભગ બધી કંપનીઓ ઇન્ટરનેટ દ્વારા સીધી રીતે પહોંચાડવામાં આવતી સોફ્ટવેર સેવાઓમાં, તેમના શેરમાં 35% થી 45% નો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/israel-was-left-alone-in-the-iran-war-from-uae-to-america-everyone-left-the-alliance-know-why" target="_blank">Iran યુદ્ધમાં Israel થયુ એકલું, UAEથી લઈને America સુધી બધાએ છોડ્યો સાથ, જાણો કેમ?</a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/cVESxsnsxqYCanjViXQmQURWEHi3M5tzcIYNxpiy.webp'/></item><item><title><![CDATA[Prize Money : ક્રિકેટ વર્લ્ડ કપ કે ફીફા વર્લ્ડ કપ, કયા ટૂર્નામેન્ટમાં મળે છે સૌથી વધુ પ્રાઇઝ મની? ]]></title><link>https://sandesh.com/sports/news/prize-money-cricket-world-cup-or-fifa-world-cup-which-tournament-offers-the-most-prize-money</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/prize-money-cricket-world-cup-or-fifa-world-cup-which-tournament-offers-the-most-prize-money</guid><pubDate>Tue, 09 Jun 2026 17:27:21 +05:30</pubDate><description><![CDATA[<p>ફિફા વર્લ્ડકપની 23મી આવૃત્તિનું આયોજન યુએસએ,મેક્સિકો અને કેનેડા સંયુક્ત રીતે કરી રહ્યા છે.ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે ત્રણ દેશો એક આવૃત્તિનું આયોજન કરી રહ્યા છે.આ પહેલાં ફક્ત બે દેશોએ એકસાથે તેનું આયોજન કર્યું છે.આ વખતે,ટીમોની સંખ્યા વધારીને 48 કરવામાં આવી છે,જેને ચારના 12 જૂથોમાં વહેંચવામાં આવી છે.આ આવૃત્તિ ઇનામ રકમની દ્રષ્ટિએ પણ ઐતિહાસિક હશે,જેમાં અગાઉની આવૃત્તિની તુલનામાં કુલ ઇનામ રકમમાં 49 ટકાનો વધારો થશે.અહીં અમે ફૂટબોલ વર્લ્ડકપ અને ક્રિકેટ વર્લ્ડ કપની ઇનામ રકમ વચ્ચેનો તફાવત સમજાવીએ છીએ.</p><h4><b>ફિફા વર્લ્ડ કપ 11 જૂનથી પ્રારંભ થશે</b></h4><p>
</p><p>વિશ્વની સૌથી મોટી રમતગમત ઇવેન્ટ,ફિફા વર્લ્ડ કપ 11 જૂનથી શરૂ થાય છે.મહિલા T20 વર્લ્ડ કપ 12 જૂનથી શરૂ થાય છે.મહિલા વર્લ્ડ કપમાં કુલ 12 ટીમો ભાગ લઈ રહી છે.જેમાં ભારત અને પાકિસ્તાન ગ્રુપ 1માં છે.તેમનો મુકાબલો રવિવાર 14 જૂને છે.તેની ઇનામ રકમ સાથે ચાલો તમને જણાવીએ કે ભારતીય મહિલા ટીમને આ વર્ષે ODI વર્લ્ડ કપ જીતવા બદલ ઇનામ રકમ તરીકે કેટલી રકમ મળી.ભારતીય પુરુષ ટીમે આ વર્ષે T20 વર્લ્ડ કપ પણ જીત્યો હતો.જાણો તેમની ઇનામી રકમ કેટલી હતી.</p><h4><b>વુમેન્સ T20 વર્લ્ડ કપ પ્રાઇઝમની કેટલી&nbsp;</b></h4><p>
</p><p>વુમેન્સ T20 વર્લ્ડ કપ 2026 ચેમ્પિયન ટીમ માટે US$2,340,000 ની ઇનામી રકમ જાહેર કરવામાં આવી છે. ભારતીય ચલણમાં, આ આશરે ₹22 કરોડ થાય છે. ભારતીય મહિલા ટીમને ODI વર્લ્ડ કપ 2026 જીતવા બદલ ₹4.48 મિલિયન મળ્યા હતા, જે ભારતીય ચલણમાં આશરે ₹39 કરોડ થાય છે.</p><p>
</p><h5><b>ટીમને T20 વર્લ્ડ કપ જીતવા કેટલા પૈસા મળે છે</b></h5><p>સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમે પુરુષોનો T20 વર્લ્ડ કપ 2026 જીત્યો હતો, અને ટીમ ઇન્ડિયાને ₹3 મિલિયન, અથવા આશરે ₹27 કરોડ, ઇનામી રકમ તરીકે મળ્યા હતા. જોકે, ફૂટબોલ વર્લ્ડ કપ વિજેતાની ઇનામી રકમ આના કરતા ઘણી વધારે છે.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/cricket/news/two-deadly-players-of-team-india-pass-fitness-test-will-take-the-field-against-afghanistan" target="_blank">Team Indiaના બે ઘાતક ખેલાડીઓ ફિટનેસ ટેસ્ટમાં પાસ! અફઘાનિસ્તાન સામે મેદાનમાં ઉતરશે</a>
</p><p><br></p><p>
</p><p><br></p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/09/5WMZtyGRe8qT2AKIV2RP3SWDP09q0hzY5PpdrjYZ.webp'/></item></channel></rss>