<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Gandhinagar News:  ભાટ કેબલ સ્ટેડ બ્રિજનું આજે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ, બે લાખ વાહનચાલકોને ફાયદો થશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/cm-bhupendra-patel-to-inaugurate-bhat-cable-stayed-bridge-today</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/cm-bhupendra-patel-to-inaugurate-bhat-cable-stayed-bridge-today</guid><pubDate>Sun, 05 Jul 2026 09:06:48 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ-ગાંધીનગર વચ્ચે બનેલા જિલ્લાના પ્રથમ કેબલ સ્ટેડ બ્રીજનું આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાશે. અમદાવાદ-ગાંધીનગર હાઈવે ઉપર આવતી ભાટ ચોકડી ઉપર દૈનિક બે લાખ જેટલા વાહનોની અવરવજર રહે છે. જેને પગલે ટ્રાફિકને હળવો કરવા માટે એપોલો સર્કલ ઉપર 175 કરોડના ખર્ચે કેબલ સ્ટ્રેઈડ બીજ તૈયાર કરાયો છે. એપોલો સ્ટેડ બીજના લોકાર્પણ સાથે જ આગળ કોબા-ભાટ વચ્ચે નર્મદા કેનાલ બીજને પહોળો કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવશે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>પ્રથમ કેબલ સ્ટેડ ઓવરબીજ હવે ધમધમતો થઈ જશે</b></h2><p style="text-align: justify; ">એપોલો સર્કલ ખાતે ગાંધીનગરનો પ્રથમ કેબલ સ્ટેડ ઓવરબીજ હવે ધમધમતો થઈ જશે. જેની લંબાઈ 1483 મીટર એટલે દોઢેક કિલોમીટર જેટલી છે. જ્યારે પહોળાઈ 27 મીટર તેમજ બંને સાઈડ દોઢ મીટરની ફૂટપાથ અને ક્રેશ બેરીયર બનાવવામાં આવ્યા છે.બીજ માટે કેબલ ખાસ અમેરિકાથી મંગાવવામાં આવ્યા છે. બીજના આઠ ગાળામાં 100 મીટરના બે સ્પાન કેબલના સહારે લટકતા રખાયા છે. બીજને સમાંતર 6 લેનના સવીસ રોડ બનાવવામાં આવ્યા છે. જ્યારે આગામી સમયે બીજની નીચે અંડરપાસ બનાવવામાં આવશે. જેને પગલે આગામી સમયે અહીં વૈષ્ણોદેવી ચોકડીની જેમ થ્રી લેયર ટ્રાફિક જોવા મળશે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>બે લાખ જેટલા વાહનો ચાલકોને તેનો ફાયદો મળશે</b></h3><p style="text-align: justify; ">સમગ્ર પ્રોજેક્ટ પાછળ 175 કરોડના ખર્ચ કરવામાં આવશે.  જેને પગલે દૈનિક પોણા બે લાખ જેટલા વાહનો ચાલકોને તેનો ફાયદો મળશે. આ બ્રિજના લોકાર્પણ પહેલાં તેનો લોડ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. જે માટે 700 ટન વજન ધરાવતા કુલ 18 ટ્રક ઉભા રાખવામાં આવ્યા હતા. જયારે કેબલના સહારે રહેલાં બીજના 200 મીટરના ગાળાનો અલગથી લોડ ટેસ્ટ કરાયો હતો. કેબલ સ્ટેડ બીજના લોકાર્પણ સાથે આજ હાઈવે ઉપર ભાટ પાસે આવેલા નર્મદા કેનાલ બ્રીજને પહોળો કરવાની કામગીરીનું ખાતમૂહૂર્ત કરાશે. હાલ અહીં હયાત 6 લેન બીજ ઉપર બોટલનેક ટ્રાફીકની સમસ્યા સર્જાય છે. જેને પગલે બીજને બંને તરફ 3 લેનના બે નવા બીજ બનાવશે<br></p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/red-alert-for-6-districts-heavy-rain-expected-across-state-in-next-hour" target="_blank">આ પણ વાંચોઃ Gujarat Weather: રાજ્યમાં આગામી એક કલાક ભારે, 6 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/05/LakzHpLOdR1RJcBFWjg9bxEEhhL00ZODq6mxBMrp.webp'/></item><item><title><![CDATA[Teejan Bai : પદ્મ વિભૂષણ પંડવાણી લોકગાયિકા તીજન બાઈનું 70 વર્ષની વયે નિધન, રાયપુર AIIMSમાં લીધા અંતિમ શ્વાસ ]]></title><link>https://sandesh.com/entertainment/news/teejan-bai-padma-vibhushan-pandavani-folk-singer-teejan-bai-passes-away-at-the-age-of-70-breathed-her-last-at-raipur-aiims</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/teejan-bai-padma-vibhushan-pandavani-folk-singer-teejan-bai-passes-away-at-the-age-of-70-breathed-her-last-at-raipur-aiims</guid><pubDate>Sun, 05 Jul 2026 09:05:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">70 વર્ષની વયે તેમનું નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને સારવાર હેઠળ હતા. શનિવારે વહેલી સવારે 3:15 વાગ્યે રાયપુર AIIMS હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનના સમાચાર સામે આવતા જ સમગ્ર ભારતીય લોકકલા અને સાંસ્કૃતિક જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.</p><h2 style="text-align: justify; ">લોકકલાજગતમાં શોકની લાગણી</h2><p style="text-align: justify; ">તીજન બાઈએ પંડવાણી લોકગાયનની પરંપરાને માત્ર છત્તીસગઢ પૂરતી મર્યાદિત રાખી નહોતી, પરંતુ તેને આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચાડી હતી. મહાભારતની કથાઓને અનોખી શૈલીમાં ગાયન અને અભિનય સાથે રજૂ કરવાની તેમની કળાએ તેમને વિશ્વભરમાં વિશેષ ઓળખ અપાવી હતી. તેમના અવાજ, અભિવ્યક્તિ અને જીવંત રજૂઆતના કારણે લાખો લોકો તેમના ચાહક બન્યા હતા.</p><h3 style="text-align: justify; ">અનેક પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સન્માનોથી નવાજવામાં આવ્યા હતા</h3><p style="text-align: justify; ">ભારતીય લોકકલાના સંવર્ધન અને પ્રચારમાં તેમના અદ્વિતીય યોગદાન બદલ તેમને અનેક પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સન્માનોથી નવાજવામાં આવ્યા હતા. વર્ષ 1988માં તેમને દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વર્ષ 1995માં તેમને સંગીત નાટક અકાદમી એવોર્ડ મળ્યો હતો, જે ભારતીય રંગભૂમિ અને સંગીત ક્ષેત્રનું પ્રતિષ્ઠિત સન્માન માનવામાં આવે છે.</p><h4 style="text-align: justify; ">વર્ષ 2003માં ભારત સરકારે તેમને પદ્મભૂષણથી સન્માનિત કર્યા</h4><p style="text-align: justify; ">વર્ષ 2003માં ભારત સરકારે તેમને પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા. એ જ વર્ષે બિલાસપુર યુનિવર્સિટી દ્વારા તેમને માનદ **ડી.લિટ્ (Hon. D.Litt.)**ની ઉપાધિ પણ એનાયત કરવામાં આવી હતી. તેમના કલા ક્ષેત્રના અસાધારણ યોગદાનને ધ્યાનમાં રાખીને વર્ષ 2016માં તેમને એમ.એસ. સુબ્બુલક્ષ્મી શતાબ્દી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.</p><h4 style="text-align: justify; ">2019માં ભારત સરકારે તેમને દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી નવાજ્યા&nbsp;</h4><p style="text-align: justify; ">ત્યારબાદ વર્ષ 2019માં ભારત સરકારે તેમને દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી નવાજ્યા હતા. આ સન્માન તેમના દાયકાઓ સુધીના લોકકલાના યોગદાનની સર્વોચ્ચ કદર તરીકે જોવામાં આવે છે.</p><h5 style="text-align: justify; ">સમગ્ર જીવન દરમિયાન પંડવાણી કળાને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડી</h5><p style="text-align: justify; ">તીજન બાઈએ પોતાના સમગ્ર જીવન દરમિયાન પંડવાણી કળાને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડી. તેમણે દેશ-વિદેશમાં અનેક કાર્યક્રમો કરીને ભારતીય લોકસંસ્કૃતિનો પરિચય વિશ્વ સમક્ષ કરાવ્યો હતો. તેમની રજૂઆતમાં મહાભારતના પાત્રો જીવંત બની જતા અને દર્શકો મંત્રમુગ્ધ થઈ જતા.</p><h5 style="text-align: justify; ">લોકસંસ્કૃતિ પ્રત્યેનું સમર્પણ હંમેશા યાદ રહેશે.&nbsp;</h5><p style="text-align: justify; ">તેમના નિધનથી માત્ર છત્તીસગઢ જ નહીં પરંતુ સમગ્ર દેશના લોકકલા જગતે એક અમૂલ્ય ધરોહર ગુમાવી છે. તેમની કલા, અવાજ અને લોકસંસ્કૃતિ પ્રત્યેનું સમર્પણ હંમેશા યાદ રહેશે. આવનારી પેઢીઓ માટે તેઓ પ્રેરણાસ્ત્રોત બની રહેશે અને ભારતીય લોકકલાના ઇતિહાસમાં તેમનું નામ સદાય અવિસ્મરણીય રહેશે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/05/sLJTJPiidCo1PN1kqBmWOfafF8VF1tcP8dB6EBlc.webp'/></item><item><title><![CDATA[Ahmedabad Rain : સામાન્ય વરસાદે જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી, મકરબા અંડરપાસ ડ્રેનેજના પાણીથી ભરાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/makraba-underpass-flooded-with-drainage-water-after-overnight-showers</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/makraba-underpass-flooded-with-drainage-water-after-overnight-showers</guid><pubDate>Sun, 05 Jul 2026 08:12:56 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદે જ વહીવટી તંત્રના ચોમાસા પૂર્વેના દાવાઓની પોલ ખોલી નાખી છે. શહેરના મકરબા અંડરપાસમાં વરસાદી પાણીને બદલે ગટરના પાણી ઉભરાઈને ભરાતા સ્થાનિકો અને વાહનચાલકોની મુશ્કેલીમાં મોટો વધારો થયો છે. સૌથી ગંભીર બાબત તો એ છે કે, અંડરપાસમાં ડ્રેનેજના દૂષિત પાણી ભરાયેલા હોવા છતાં તેને બંધ કરવાને બદલે તંત્ર દ્વારા તેને વાહન વ્યવહાર માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, પાણીના યોગ્ય નિકાલના અભાવે આ અંડરપાસ હાલ વાહનચાલકો માટે અત્યંત જોખમી બની ગયો છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>અંડરપાસને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો</b></h2><p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં મોડી રાત્રે વરસેલા વરસાદને પગલે જનજીવન પર તેની અસર જોવા મળી છે. હવામાન વિભાગ દ્વારા સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી હતી, તેમ છતાં રાત્રિ દરમિયાન પડેલા વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ વરસાદી સ્થિતિને જોતા સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા અખબારનગર અંડરપાસને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહનચાલકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>શહેરમાં મોડી રાત્રે મેઘરાજાએ ધબધબાટી બોલાવી</b></h2><p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં મોડી રાત્રે મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. રાત્રિ દરમિયાન પડેલા ધોધમાર વરસાદને પગલે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેમાં ખાસ કરીને વસ્ત્રાલ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાથી વાહનચાલકો અને સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ધોધમાર વરસાદના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું હતું.શહેરના અન્ય વિવિધ વિસ્તારોમાં પણ પાણી ભરાવાના સમાચાર મળી રહ્યા છે, જેનાથી વાહન વ્યવહાર પર થોડી અસર પડી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/amreli/khambha-receives-8-inches-rajula-7-inches-as-heavy-rain" target="_blank">આ પણ વાંચોઃ Amreli Rain: અમરેલી જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ, ખાંભામાં 8 અને રાજુલામાં 7 ઈંચ વરસાદ ખાબક્યો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/05/FDUMbotYkRfs9zCmXo0BTsPc69dawVWdWvcn11ws.webp'/></item><item><title><![CDATA[બોડેલી તાલુકામાં શુક્રવારે રાતે 2થી સવારે 6 સુધી ધોધમાર વરસાદ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bodeli/heavy-rain-in-bodeli-taluka-on-friday-from-2-pm-to-6-am</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bodeli/heavy-rain-in-bodeli-taluka-on-friday-from-2-pm-to-6-am</guid><pubDate>Sun, 05 Jul 2026 02:16:02 +05:30</pubDate><description><![CDATA[<p>બોડેલી પંથકમાં લાંબા વિરામ બાદ શુક્રવારની રાત્રે 2થી સવારના 6 વાગ્યા દરમિયાન ધોધમાર વરસાદ વરસતા 35 એમએમ જેટલો નોંધાયો હતો. જેના પગલે પંથકના જગતના તાત ગણાતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી ફેલાઈ હતી.</p><p>હવામાન વિભાગની આગાહી અનુસાર, શુક્રવારે મધરાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવતા બોડેલી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બોડેલીના ધોળીવાવ વિસાડી તેમજ પાંધરા, અમલપુર, ટીંબી, ગડોથ, બુમડી, રણભૂન પાટીયા સહિત ઉંચાપાણ પંથક જબુગામ પંથક માંકણી પંથક સહિતના અનેક વિસ્તારોમાં મેઘો મન મૂકીને વરસ્યો હતો. જેના પગલે સમગ્ર તાલુકાના ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી.</p><p>બોડેલી નગરમાં દોઢ ઈંચ તેમજ વિસાડી, પાંધરા પંથકમાં લગભગ બે ઈંચ ઉપરાંત વરસાદ વરસી પડયો હતો. જેના પગલે આ વિસ્તારના કોતરોમાં પાણી આવ્યું હતું. અને ખેતરોમાં પણ પાણી ભરાયું હતું. આ વિસ્તારમાં ધરતી પુત્રો એ ખેતીલાયક વરસાદ વરસતા મેઘરાજાનો આભાર પણ માન્યો હતો.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/05/cWi8gW5HMq95JZ53ySnWBTFfS19raDBSmkyVev0Q.webp'/></item><item><title><![CDATA[પહેલાં જ વરસાદ ઉદલપુરથી ડેસર અને જાનીપુરા માર્ગની પોલ ખૂલી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/already-the-rains-have-opened-the-road-from-udalpur-to-desar-and-janipura</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/already-the-rains-have-opened-the-road-from-udalpur-to-desar-and-janipura</guid><pubDate>Sun, 05 Jul 2026 02:15:14 +05:30</pubDate><description><![CDATA[<p>ડેસર તાલુકામાં ચોમાસાના પ્રથમ વરસાદે જ માર્ગોની દયનીય સ્થિતિ ઉજાગર કરી છે. ઉદલપુર ચોકડીથી ડેસર તરફ્ તેમજ ઉદલપુરથી જાનીપુરા સુધીના માર્ગ પર મોટા ખાડા પડી જતાં વાહનચાલકોને હાલાકી વેઠવી પડે છે. ભારે વાહનો સહિત રોજિંદા અવરજવર કરતા લોકો માટે આ માર્ગ જોખમી બન્યો છે.</p><p>ઉદલપુર રાજ્યના મહત્વના ક્વોરી ઉદ્યોગ માટે જાણીતું હોવાથી અહીંથી દરરોજ મોટી સંખ્યામાં ભારે વાહનોની અવરજવર રહે છે. માર્ગ પર પડેલા વિશાળ ખાડાઓને કારણે ટ્રકો સહિત અન્ય વાહનોને વારંવાર નુકસાન થઈ રહ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, ક્વોરી ઉદ્યોગમાંથી સરકારને કરોડો રૂપિયાની રોયલ્ટી મળતી હોવા છતાં માર્ગની યોગ્ય જાળવણી કરવામાં તંત્ર નિષ્ફ્ળ રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં વધુ વરસાદ પડશે તો માર્ગ પર પાણી ભરાઈ જવાથી ખાડા દેખાશે નહીં. જેના કારણે ગંભીર અકસ્માત થવાની શક્યતા વધશે. માર્ગ પર આવેલા નાનકડા બ્રિજ પર પણ મોટા ખાડા પડયાં છે. તેની રેલિંગ પણ ક્ષતિગ્રસ્ત છે. સમયસર સમારકામ નહીં થાય તો બ્રિજને પણ નુકસાન પહોંચવાની ભીતિ વ્યક્ત કરાય છે. સ્થાનિક વેપારી કુણાલ પટેલ અને સુનિલ પટેલે જણાવ્યું હતું કે, આ માર્ગ પરથી રોજ પસાર થવું જોખમી બની ગયું છે અને તંત્રએ તાત્કાલિક ખાડા પૂરાવી માર્ગનું સમારકામ કરવું જોઈએ. ઉદલપુર ગ્રામ પંચાયતના સરપંચ નિતેશ ચારણે જણાવ્યું હતું કે, કોઈ જાનહાનિ થાય તે પહેલાં માર્ગનું સમારકામ કરવું અત્યંત જરૂરી છે. તેમણે તંત્રને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરીને જણાવ્યું છે કે સમયસર કામગીરી નહીં થાય તો સ્થાનિકો આગળની લડત અંગે વિચારણા કરાશે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/05/Ocx2vcFdFKCED4yxhVmo1SayNX43hH9QtKJhjaPd.webp'/></item><item><title><![CDATA[પશુપાલન શાખાની બિલ્ડિંગ પાસે ઝાડી- ઝાંખરાનું સામ્રાજ્ય ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/a-thicket-of-bushes-and-shrubs-near-the-animal-husbandry-branch-building</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/a-thicket-of-bushes-and-shrubs-near-the-animal-husbandry-branch-building</guid><pubDate>Sun, 05 Jul 2026 02:10:59 +05:30</pubDate><description><![CDATA[<p>શહેરની મધ્યમાં નાગરવાડા મુખ્ય રસ્તા પર તેમજ કારેલીબાગ પોલીસ સ્ટેશન સામે આવેલી પશુપાલન શાખાની બિલ્ડીંગ પાસે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સ્થાપના થઇ હતી અને જિલ્લા પંચાયત અસ્તિત્વમાં આવ્યુ હશે ત્યારે બિલ્ડીંગના બગીચામાં જે વૃક્ષારોપણ કર્યું હશે તે વૃક્ષોની ડાળીઓ સમયાન્તરે કાપવાની કોઈ તકલીફ્ નહીં લેવાના કારણે હાલમાં પશુપાલનના જૂના બિલ્ડીંગની આસપાસ એક ગીચ જંગલ બની ગયું છે</p><p>આ અંગે જીવન સાધના શાળાના શિક્ષક હસમુખભાઈ પાઠકે ગુરૂવારે વડોદરા જિલ્લા વિકાસ અધિકારીને રૂબરૂ મળીને એક આવેદનપત્ર આપ્યું છે. જેમાં જણાવ્યું હતું કે પશુપાલન શાખાના જૂના બિલ્ડીંગના વૃક્ષો હાલમાં ગીચ જંગલ બની ગયા છે અને આ વૃક્ષોની ડાળીઓ જીવન સાધના શાળાના ક્લાસ રૂમની બારી સુધી પહોંચી ગઈ છે. જેને કારણે ચોમાસામાં મચ્છરોનો અસહ્ય ઉપદ્રવ વધી જાય છે તેમજ સરિસૃપ અને જળચર જીવ જંતુઓ શાળાના ક્લાસ રૂમની બારી સુધી પહોંચવાની દહેશત છે. જેને પગલે કોઈ અકસ્માત સર્જાય તો જવાબદારી કોણ લેશે ? તે સવાલ ખડો થયો છે. પશુપાલન શાખાની જૂની બિલ્ડીંગ જર્જરિત હાલતમાં છે અને ખંડેર બની ગઈ છે તેમજ પશુપાલન શાખાની નવી બિલ્ડીંગ બન્યા બાદ આઠ દશ રૂમ ધરાવતી જૂની બિલ્ડીંગની આસપાસ ઝાડી - ઝાંખરા ઊગી નીકળ્યા છે. આમ વડોદરા જિલ્લા પંચાયતના આરોગ્ય ખાતાનું આરોગ્ય જ કથળેલુ સાબિત થાય છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/05/FoPvoJWIq7LgWx1byGpP4xjQvIeXgY6weuBQ4J4p.webp'/></item><item><title><![CDATA[Americaના 250મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ પાઠવી શુભેચ્છા, ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યો આ ખાસ સંદેશ ]]></title><link>https://sandesh.com/india/news/world/pm-modi-greets-donald-trump-us-250th-independence-day</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/world/pm-modi-greets-donald-trump-us-250th-independence-day</guid><pubDate>Sat, 04 Jul 2026 23:33:10 +05:30</pubDate><description><![CDATA[<p>વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના 250મા સ્વતંત્રતા દિવસના અવસરે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ત્યાંની જનતાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. પોતાના સંદેશમાં તેમણે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવ્યા હતા.&nbsp;</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/narendramodi/status/2073412135770808736"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>શું કહ્યું વડાપ્રધાન મોદી?</b></h2><p>PM મોદીએ કહ્યું કે, “140 કરોડ ભારતીયોની તરફથી હું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાની જનતાને સ્વતંત્રતાની 250મી વર્ષગાંઠની હાર્દિક શુભેચ્છા પાઠવું છું.” તેમણે ઉમેર્યું કે ભારત અને અમેરિકા માત્ર વ્યૂહાત્મક ભાગીદારો જ નથી, પરંતુ બંને દેશો લોકશાહી, કાયદાના શાસન અને માનવ ક્ષમતામાં સમાન વિશ્વાસ ધરાવે છે. વડાપ્રધાન મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી વર્ષોમાં અમેરિકા શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિના નવા શિખરો સર કરશે. સાથે જ ભારત-અમેરિકાની ભાગીદારી વધુ મજબૂત બનશે અને બંને દેશો વૈશ્વિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.&nbsp;</p><p>PM મોદીના શુભેચ્છા સંદેશ બદલ અમેરિકાના રાજદૂત સર્ઝિયો ગોરે સોશિયલ મીડિયા પર આભાર વ્યક્ત કર્યો હતો. તાજેતરમાં ફ્રાન્સમાં યોજાયેલા G7 શિખર સંમેલન દરમિયાન વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે મુલાકાત પણ થઈ હતી. ફેબ્રુઆરી 2025 પછી બંને નેતાઓની આ પ્રથમ રૂબરૂ મુલાકાત હતી, જેમાં દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનાવવાની ચર્ચા થઈ હતી.</p><h3><b>બંને દેશો વચ્ચે કેટલાક મતભેદો&nbsp;</b></h3><p>છેલ્લા કેટલાક સમય દરમિયાન વેપાર શુલ્ક, ઈમિગ્રેશન નીતિ અને અન્ય મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે કેટલાક મતભેદો સામે આવ્યા હતા. તેમ છતાં, બંને દેશો વ્યૂહાત્મક અને આર્થિક સહયોગને વધુ ગાઢ બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે. અમેરિકાના 250મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ફિલાડેલ્ફિયા, ન્યૂયોર્ક અને વોશિંગ્ટન સહિત અનેક શહેરોમાં ભવ્ય પરેડ, સંગીત કાર્યક્રમો અને આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરને અમેરિકાના ઇતિહાસ અને લોકશાહી પરંપરાના મહત્વપૂર્ણ ઉજવણી તરીકે જોવામાં આવ્યો.</p><p><b><a href="https://sandesh.com/india/news/pm-modi-australia-visit-melbourne-death-threat-afp-investigation" target="_blank">આ પણ વાંચો : PM મોદીને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં જાનથી મારી નાખવાની મળી ધમકી, મેલબર્ન કાર્યક્રમને લઈને તપાસ શરૂ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/04/43t1yBuNWhP1B3kDAGT0JErYBZc0viq3ehn10p9f.webp'/></item><item><title><![CDATA[Jammu Kashmir : શોપિયાંમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકીને ઘેરી લીધા ]]></title><link>https://sandesh.com/india/news/jammu-kashmir-shopian-encounter-security-forces-surround-two-terrorists</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/jammu-kashmir-shopian-encounter-security-forces-surround-two-terrorists</guid><pubDate>Sat, 04 Jul 2026 22:46:28 +05:30</pubDate><description><![CDATA[<p>જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં શુક્રવારે સાંજે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ. આ એન્કાઉન્ટર સાંજે આશરે 7:45 વાગ્યે ચનપોરા ગામના સૈદપોરા પીન વિસ્તારમાં શરૂ થયું હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. સુરક્ષા એજન્સીઓને વિસ્તારમાં બે આતંકીઓ છુપાયેલા હોવાની બાતમી મળતા સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત રીતે કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.&nbsp;</p><h2><b>આતંકી ઝાકિર અહમદ ગની અને લતીફ ભટ્ટ ફસાયા હોવાની આશંકા</b></h2><p>તપાસ દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કરતાં જવાબી કાર્યવાહી કરવામાં આવી અને અથડામણ શરૂ થઈ ગઈ. પ્રાથમિક માહિતી મુજબ આ એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાનો મોસ્ટ વોન્ટેડ A++ કેટેગરીનો આતંકી ઝાકિર અહમદ ગની અને લતીફ ભટ્ટ ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઝાકિર ગની દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાનો રહેવાસી હોવાનું જણાવાય છે અને તે અનેક આતંકી હુમલાઓ તથા ટાર્ગેટ કિલિંગની ઘટનાઓમાં સંડોવાયેલો હોવાનું તપાસ એજન્સીઓનું કહેવું છે.</p><h3><b>સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો&nbsp;</b></h3><p>આ ઓપરેશનમાં ભારતીય સેનાની 44 આરઆર, 20 આરઆર, 34 આરઆર, 03 પેરા તેમજ જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને શોપિયાં પોલીસની ટીમો સામેલ છે. સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. આ દરમિયાન સુરક્ષા એજન્સીઓએ બે શંકાસ્પદ આતંકીઓના CCTV ફૂટેજ પણ મેળવ્યા છે. આ ફૂટેજની તપાસ કરીને એ વાતની પુષ્ટિ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે એન્કાઉન્ટર સ્થળે હાજર આતંકીઓ ખરેખર ઝાકિર ગની અને લતીફ ભટ્ટ જ છે કે નહીં. અધિકારીઓએ જણાવ્યું કે ઓપરેશન પૂર્ણ થયા બાદ વધુ માહિતી જાહેર કરવામાં આવશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/pm-modi-australia-visit-melbourne-death-threat-afp-investigation" target="_blank">આ પણ વાંચો : PM મોદીને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં જાનથી મારી નાખવાની મળી ધમકી, મેલબર્ન કાર્યક્રમને લઈને તપાસ શરૂ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/04/M66EN0JN69QpYI0gJITo7kXxErGExJ156Wt1ydig.webp'/></item><item><title><![CDATA[Reliance Capitalના પૂર્વ CFO અમિત બાપનાની CBIએ કરી ધરપકડ ]]></title><link>https://sandesh.com/business/news/cbi-arrests-former-reliance-capital-cfo-amit-bapna-bank-fraud-case</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/cbi-arrests-former-reliance-capital-cfo-amit-bapna-bank-fraud-case</guid><pubDate>Sat, 04 Jul 2026 21:57:59 +05:30</pubDate><description><![CDATA[<p>CBIએ રિલાયન્સ ADA ગ્રુપ સાથે સંકળાયેલા કથિત બેન્ક છેતરપિંડી કેસમાં મોટી કાર્યવાહી કરતાં રિલાયન્સ કેપિટલ લિમિટેડના પૂર્વ મુખ્ય નાણાકીય અધિકારી (CFO) અમિત બાપનાની ધરપકડ કરી છે. CBIના જણાવ્યા અનુસાર અમિત બાપના ઓગસ્ટ 2014થી ડિસેમ્બર 2019 સુધી કંપનીના CFO તરીકે કાર્યરત હતા અને નાણાકીય નિર્ણયો લેવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા હતી.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2073419890179162561"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>અમિત બાપના પર શું છે આરોપ?</b></h2><p>તપાસ એજન્સીનો આરોપ છે કે અમિત બાપનાએ એવી અનેક મધ્યસ્થ (ઈન્ટરમિડિયરી) કંપનીઓને લોન મંજૂર કરવામાં અને અપાવવામાં ભૂમિકા ભજવી હતી, જેનો ઉપયોગ કથિત રીતે નાણાંના ગેરવહીવટ માટે કરવામાં આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે રિલાયન્સ કોમર્શિયલ ફાઈનાન્સ લિમિટેડ (RCFL)એ બેન્કો પાસેથી મેળવેલી લોન મધ્યસ્થ કંપનીઓ મારફતે રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિલાયન્સ પાવર જેવી ગ્રુપ કંપનીઓ સુધી પહોંચાડવામાં આવી હતી. CBIનું કહેવું છે કે આ પ્રક્રિયા ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના નિયમો અને બેન્કોની લોન શરતોના વિરુદ્ધ હતી.</p><h3><b>અત્યાર સુધીમાં કુલ છ આરોપીઓની ધરપકડ&nbsp;</b></h3><p>CBIએ જણાવ્યું કે અમિત બાપના અગાઉથી જ EDના એક કેસમાં તિહાર જેલમાં ન્યાયિક કસ્ટડીમાં હતા. સ્પેશિયલ કોર્ટના પ્રોડક્શન વોરંટના આધારે તેમને 4 જુલાઈ, 2026ના રોજ સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તેમને વધુ પૂછપરછ માટે ચાર દિવસની CBI રિમાન્ડ પર મોકલ્યા છે. CBIએ અત્યાર સુધી રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCom), રિલાયન્સ હોમ ફાઈનાન્સ (RHFL), રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ (RCFL) અને રિલાયન્સ ટેલિકોમ (RTL) સંબંધિત કુલ સાત કેસ નોંધ્યા છે. આ કેસો વિવિધ સરકારી બેન્કો અને LICની ફરિયાદોના આધારે દાખલ થયા છે. મળતી માહિતી મુજબ રિલાયન્સ ADA ગ્રુપ સાથે જોડાયેલા આ કેસોમાં અત્યાર સુધી કુલ છ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને સમગ્ર મામલાની તપાસ હજુ પણ ચાલુ છે.</p><p><b><a href="https://sandesh.com/business/news/new-epf-scheme-2026-there-is-no-claimant-for-rs-9330-crore-lying-in-31-lakh-pf-accounts-big-revelation-in-rti" target="_blank">આ પણ વાંચો : New EPF Scheme 2026: 31 લાખ PF ખાતામાં પડેલા 9,330 કરોડનો કોઈ દાવેદાર નથી, RTIમાં મોટો ખુલાસો</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/04/tUrRriyUHenXxnKGUi3CexRAVfidtlb8cRBtU9iB.webp'/></item><item><title><![CDATA[Cristiano Ronaldoએ ગોલ કરતા પહેલા શું કહ્યું? વાયરલ વીડિયોથી શરૂ થઈ અનેક ચર્ચા ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/cristiano-ronaldo-bismillah-viral-video-penalty-debate</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/cristiano-ronaldo-bismillah-viral-video-penalty-debate</guid><pubDate>Sat, 04 Jul 2026 17:23:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઘણા મુસ્લિમ અને આરબ ફેનનો દાવો છે કે રોનાલ્ડો શોટ લેતા પહેલા મુસ્લિમ શબ્દ "બિસ્મિલ્લાહ"નું પુનરાવર્તન કરી રહ્યો હતો. આ દરમિયાન પોર્ટુગીઝ ફેનનો દાવો છે કે તે આવું કંઈ બોલી રહ્યો ન હતો, પરંતુ પોર્ટુગીઝમાં "vais marcar" બોલીને પોતાને પ્રોત્સાહિત કરી રહ્યો હતો, જેનો અર્થ થાય છે "તમે સ્કોર કરશો."</p><h2 style="text-align: justify;"><b>ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો વીડિયો થયો વાયરલ</b></h2><p style="text-align: justify;">પોર્ટુગીઝ ફૂટબોલ દિગ્ગજ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ઘણીવાર મેદાન પરના તેના પ્રદર્શન માટે ચર્ચામાં રહે છે. રોનાલ્ડો તેના શક્તિશાળી પ્રદર્શનથી ફિફા વર્લ્ડકપ 2026માં પણ પ્રભુત્વ મેળવી રહ્યો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક શબ્દને લઈને એક નવી ચર્ચા શરૂ થઈ છે, જેને અનેક દાવાઓ સાથે જોડવામાં આવી રહી છે. આ ઘટના રાઉન્ડ ઓફ 32માં ક્રોએશિયા સામે પોર્ટુગલની 2-1 થી રોમાંચક જીત દરમિયાન બની હતી.&nbsp;</p><p style="text-align: justify;">નિર્ણાયક પેનલ્ટી લેતા પહેલા રોનાલ્ડો કેમેરા સામે કંઈક કહેતો જોવા મળ્યો હતો. આનાથી સોશિયલ મીડિયા પર એક નવી ચર્ચા શરૂ થઈ છે. નજીકથી કેદ થયેલી આ ક્ષણ હવે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે, અને ફેન્સ મૂંઝવણમાં છે કે રોનાલ્ડોએ ખરેખર શું કહ્યું - અરબી પ્રાર્થના કે પોર્ટુગીઝ શબ્દ પોતાને પ્રેરણા આપવા માટે.</p><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/MENACatholics/status/2073109668470173948"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><a href="http://" target="_blank"></a><br></p><h3 style="text-align: justify;"><b>'બિસ્મિલ્લાહ' કે પોર્ટુગીઝ મંત્ર?</b></h3><p style="text-align: justify;">આરબ અને મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાં સોશિયલ મીડિયા યુઝર્સ દાવો કરે છે કે રોનાલ્ડોએ શોટ લેતા પહેલા 2 વાર 'બિસ્મિલ્લાહ' કહ્યું હતું. સાઉદી અરેબિયન ક્લબ અલ નાસ્સર માટે રમ્યા પછી રોનાલ્ડો ત્યાંની સંસ્કૃતિથી ખૂબ પ્રભાવિત દેખાય છે. એક પાકિસ્તાની યુઝર્સે તો એવો પણ દાવો કર્યો હતો કે રોનાલ્ડોએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે પણ તે 'બિસ્મિલ્લાહ' કહે છે, ત્યારે ગોલ થાય છે.</p><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/RmSalih/status/2073024198755197427"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><a  target="_blank"></a></p><p style="text-align: justify;"><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/OfCL_Special/status/2072946172159811635"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p style="text-align: justify;">આ દરમિયાન પોર્ટુગીઝ ફેન દાવો કરે છે કે રોનાલ્ડો પોતાને પ્રેરણા આપવા માટે "વામોસ લા" (ચાલો, આગળ વધો) અથવા "વૈસ માર્કાર" (તમે ગોલ કરશો) કહી રહ્યો હતો. રોનાલ્ડોના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.</p><h4 style="text-align: justify;"><b>રોનાલ્ડોએ નથી આપી કોઈ પ્રતિક્રિયા</b></h4><p style="text-align: justify;">આ વિવાદ અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોતે હજુ સુધી કોઈ સ્પષ્ટતા આપી નથી. મેચ જીત્યા પછી અને પોર્ટુગલને ક્વાર્ટર ફાઈનલમાં પહોંચાડ્યા પછી તે ટીમ હોટલની બહાર ભેગા થયેલા ફેન સાથે સેલિબ્રેશનમાં વ્યસ્ત હતો.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/ishan-kishan-run-out-abhishek-sharma-stump-mic-video" target="_blank">Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?&nbsp;</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/04/s58CAWSKRe47UO9Tciz8fCzNgfgza9kLQusFRCT7.webp'/></item></channel></rss>