<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Sonam Wangchuk Hunger Strike: માનવ જીવન કિંમતી, ભૂખ હડતાળ અંગે દિલ્હી HCએ ચિંતા વ્યક્ત કરી ]]></title><link>https://sandesh.com/india/news/sonam-wangchuk-hunger-strike-human-life-is-precious-delhi-hc-expresses-concern-over-sonam-wangchuks-hunger-strike</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/sonam-wangchuk-hunger-strike-human-life-is-precious-delhi-hc-expresses-concern-over-sonam-wangchuks-hunger-strike</guid><pubDate>Thu, 16 Jul 2026 11:53:41 +05:30</pubDate><description><![CDATA[<p>સોનમ વાંગચુકની સલામતી અને સ્વાસ્થ્ય સંબંધિત અરજીની સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે સરકારને ડોક્ટરોના રિપોર્ટના આધારે નિયમિત તબીબી તપાસ કરાવવા અને જરૂર પડ્યે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાનો નિર્દેશ આપ્યો હતો.&nbsp;</p><h2><b>19 દિવસથી જંતર મંતર પર ભૂખ હડતાળ&nbsp;</b></h2><p>દિલ્હી હાઈકોર્ટ દ્વારા ક્લાઈમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની સલામતી અને સ્વાસ્થ્ય સંબંધિત જાહેર હિતની અરજી (PIL) પર સુનાવણી કરવામાં આવી હતી. વાંગચુક છેલ્લા 19 દિવસથી જંતર-મંતર પર ભૂખ હડતાળ પર છે. સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ હાજર થયા અને કોર્ટને જાણ કરી કે આ મામલે ગઈકાલે જ નોટિસ આપવામાં આવી. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સરકારી ડોક્ટરો દ્વારા નિયમિત તબીબી તપાસ કરાવવી જોઈએ અને જરૂર પડે તો તેમના રિપોર્ટના આધારે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ કારણ કે દરેક માનવ જીવન કિંમતી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2077608122253000791"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3><b>સ્વાસ્થ્ય અંગે દેખરેખ રાખવા વ્યવસ્થા છે?&nbsp;</b></h3><p>સુનાવણી દરમિયાન કોર્ટે પહેલા પૂછ્યું કે શું સોનમ વાંગચુકના સ્વાસ્થ્ય પર દેખરેખ રાખવા માટે કોઈ સ્થાપિત વ્યવસ્થા છે. જવાબમાં સોલિસિટર જનરલે જણાવ્યું કે તેઓ દરરોજ તપાસ કરાવે છે અને તેમના સ્વાસ્થ્ય સંબંધિત તમામ જરૂરી વિગતોથી તેમને માહિતગાર રાખવામાં આવે છે.&nbsp; તેમણે નોંધ્યું કે જ્યારે પણ તેમણે પરવાનગી આપી છે ત્યારે સરકારી ડોકટરો તેમની મુલાકાત લે છે અને ખાનગી ડોકટરોએ પણ તેમની તપાસ કરી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2077602287447642150"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3><b>HCએ શું આપ્યો નિર્દેશ ?&nbsp;</b></h3><p>હાઇકોર્ટે નિર્દેશ આપ્યો કે સોનમ વાંગચુકની તબીબી તપાસ સરકારી ડોકટરો દ્વારા કરવામાં આવે અને જો જરૂરી હોય તો તબીબી અહેવાલોના આધારે તાત્કાલિક હસ્તક્ષેપ કરવામાં આવે. કોર્ટે ભાર મૂક્યો કે દરેક નાગરિકનું જીવન મૂલ્યવાન છે અને તેને સુરક્ષિત રાખવા માટે દરેક શક્ય પ્રયાસો કરવા જોઈએ.</p><p>સોલિસિટર જનરલે સંમતિ દર્શાવી, સ્વીકાર્યું કે દરેક નાગરિકનું જીવન અમૂલ્ય છે. તેમણે કોર્ટને ખાતરી આપી કે તબીબી સલાહ અનુસાર જરૂરી કોઈપણ સહાય પૂરી પાડવામાં આવશે.</p><p>કોર્ટે નોંધ્યું કે સોનમ વાંગચુકના બગડતા સ્વાસ્થ્યની ચિંતામાં અરજી દાખલ કરવામાં આવી હતી. સોલિસિટર જનરલે કોર્ટને માહિતી આપી કે સરકારી ડોકટરો અને ક્ષેત્રના નિષ્ણાતો તેમના સ્વાસ્થ્ય પર સતત દેખરેખ રાખશે. તેમણે કોર્ટને વધુમાં ખાતરી આપી કે ડોકટરોની સલાહ અનુસાર તમામ જરૂરી પગલાં લેવામાં આવશે.&nbsp;</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/mdGSnXKE4eKoEkAszYeVbHRLmVDZuxvLzsCnOixV.webp'/></item><item><title><![CDATA[Kutch: રાપરમાં કચ્છી નવા વર્ષ અને ભવ્ય રથયાત્રા વચ્ચે મેઘરાજાની શુકનવંતી પધરામણી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/kutch/rapar-ashadhi-bij-kutchi-new-year-rathyatra-rain-trikam-saheb-virda-mela</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/kutch/rapar-ashadhi-bij-kutchi-new-year-rathyatra-rain-trikam-saheb-virda-mela</guid><pubDate>Thu, 16 Jul 2026 11:49:08 +05:30</pubDate><description><![CDATA[<p>કચ્છીયત અને પ્રાદેશિક સંસ્કૃતિના પ્રતીક સમાન કચ્છી નવા વર્ષ એટલે કે આષાઢી બીજના પાવન અવસરે આજે સરહદી જિલ્લા કચ્છમાં ભક્તિ, ઉલ્લાસ અને પ્રકૃતિનો ત્રિવેણી સંગમ રચાયો હતો. વાગડના મુખ્ય મથક રાપર ખાતે આજે સવારથી જ ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. અહીંના ઐતિહાસિક દરિયાસ્થાન મંદિર ખાતેથી સવારે પરંપરાગત ઢોલ-નગારા અને ભક્તિસભર માહોલ વચ્ચે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાંવામાં આવ્યું હતું. આ રથયાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.</p><h2><b>નવા વર્ષના શુકનવંતા વરસાદને વધાવી લીધો</b></h2><p>આ ધાર્મિક મહોત્સવ વચ્ચે કચ્છવાસીઓ માટે સૌથી મોટા ખુશીના સમાચાર કુદરત તરફથી આવ્યા હતા. લાંબા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે મેઘરાજાએ બરાબર રથયાત્રાના મુહૂર્તે જ રાપર અને સમગ્ર વાગડ વિસ્તારમાં ધમાકેદાર પધરામણી કરી હતી. વરસાદના આગમનની સાથે જ રથયાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકો આનંદથી ઝૂમી ઉઠ્યા હતા અને નવા વર્ષના શુકનવંતા વરસાદને વધાવી લીધો હતો.</p><h3><b>કચ્છી નવા વર્ષની રથયાત્રામાં મેઘરાજાની એન્ટ્રી</b></h3><p>નગર ભ્રમણ કરીને આ ભવ્ય રથયાત્રા ત્રિકમ સાહેબના વિરડા ખાતે ભક્તિસભર માહોલમાં સંપન્ન થઈ હતી. અષાઢી બીજના આ પર્વે ત્રિકમ સાહેબ વિરડા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાગડ પંથકની લોકસંસ્કૃતિના દર્શન થયા હતા. આ ધાર્મિક મહોત્સવમાં પંથકના જાણીતા સંતો-મહંતો આશીર્વચન પાઠવવા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સામાજિક કાર્યકરો, અગ્રણીઓ અને વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કચ્છી નવા વર્ષની પરસ્પર શુભકામનાઓ પાઠવી હતી.<br><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ankleshwar/ankleshwar-nh-48-hit-and-run-accident-pp-savani-university-african-student-died" target="_blank">આ પણ વાંચો: Ankleshwar: નેશનલ હાઈવે 48 પર ગમખ્વાર અકસ્માત, પી.પી. સવાણી યુનિવર્સિટીના આફ્રિકન છાત્રનું મોત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/QEiukz0R80KPZ7BfuwpRnjf8HOjP2zB472Mf93BD.webp'/></item><item><title><![CDATA[Govindaના કારણે બરબાદ થઈ ગયું દીકરી ટીના આહુજાનું કરિયર? એક્ટ્રેસે પોતે કર્યો ખુલાસો ]]></title><link>https://sandesh.com/entertainment/news/tina-ahuja-govinda-daughter-bollywood-career-struggle-debut</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/tina-ahuja-govinda-daughter-bollywood-career-struggle-debut</guid><pubDate>Thu, 16 Jul 2026 11:48:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">'હીરો નંબર 1' એટલે કે ગોવિંદા ભલે એક્ટિંગથી એક લાંબા સમયથી દૂર છે, પરંતુ તેમનો જલવો આજે પણ અકબંધ છે. સાત વર્ષથી તેમણે કોઈ ફિલ્મ કરી નથી, છતાં પણ તેઓ ફેન્સ વચ્ચે છવાયેલા રહે છે. જો કે બીજી તરફ તેમની જેમ તેમની દીકરી ટીના આહુજાની કરિયર ચાલી શકી નહીં. કેટલીક ફિલ્મોમાં જ તેની કરિયર સીમિત થઈ ગઈ. આખરે ટીના આહુજા કેમ બોલીવુડમાં લાંબી ઇનિંગ ન રમી શકી? આનો ખુલાસો પોતે તેણે એક શોમાં કર્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>37 વર્ષની થઈ ગોવિંદાની લાડલી</b></h2><p style="text-align: justify; ">ગો વિંદાએ વર્ષ 1987 માં સુનીતા આહુજા સાથે લગ્ન કર્યા હતા. હવે બંને બે બાળકોના પેરેન્ટ્સ છે. કપલના દીકરાનું નામ યશવર્ધન આહુજા છે જે એક્ટિંગ ડેબ્યૂ કરવાનો છે. કપલની દીકરી ટીના આહુજાએ એક દાયકા પહેલા જ પોતાના પગલાં ઇન્ડસ્ટ્રીમાં મૂકી દીધા હતા. ટીના આજે પોતાનો 37 મો જન્મદિવસ ઉજવી રહી છે. તેનો જન્મ 16 જુલાઈ 1989 ના રોજ મુંબઈમાં થયો હતો.</p><h3 style="text-align: justify; "><b>ટીના આહુજાએ 2015માં કર્યું હતું ડેબ્યૂ</b></h3><p style="text-align: justify; ">ટીના આહુજાએ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 2015 માં કરી હતી. તે સમયે ટીના આશરે 26 વર્ષની હતી. તેની પહેલી ફિલ્મ 'સેકન્ડ હેન્ડ હસબન્ડ' હતી. જો કે આ ડિઝાસ્ટર સાબિત થઈ હતી. આ સિવાય તેની ડ્રાઇવિંગ મી ક્રેઝી (2020) જેવી ફિલ્મ પણ પીટાઈ ગઈ હતી. ફિલ્મો સિવાય 'મિલો ના તુમ' જેવા મ્યુઝિક વીડિયોમાં પણ તે નજરે આવી હતી. જો કે તેનું કરિયર ખૂબ જ નાનું અને અસફળ રહ્યું.</p><h3 style="text-align: justify; "><b>કેમ બરબાદ થયું ટીના આહુજાનું કરિયર?</b></h3><p style="text-align: justify; ">ટીનાની કરિયર પર સ્ટારકિડ હોવાનો પ્રભાવ પણ પડ્યો. તેણે એક શો દરમિયાન જણાવ્યું હતું કે મેકર્સ તેને કામ આપવામાં અચકાતા હતા અથવા તેમને ડર રહેતો હતો કે તેના પિતા અને સુપરસ્ટાર ગોવિંદા સેટ પર આવીને કોઈ સમસ્યા ઊભી ન કરી દે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DZ18CU2jaNg/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DZ18CU2jaNg/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DZ18CU2jaNg/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DZ18CU2jaNg/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><p style="text-align: justify; ">ટીનાએ રિયાલિટી શો માં હૈ ના માં કહ્યું હતું, મેકર્સે મારા વિશે પહેલાથી જ એવો અભિપ્રાય બનાવી રાખ્યો હતો કે હું ગોવિંદાની દીકરી છું તો હું ઓડિશન કે સ્ક્રીન ટેસ્ટ નહીં આપું. જ્યારે કે હું આના માટે તૈયાર રહેતી હતી. તેઓ વિચારતા હતા કે ગોવિંદા જી સેટ પર આવીને કોઈ મુશ્કેલી ન ઊભી કરી દે. આ વિચારના કારણે તેઓ મને કાસ્ટ કરવાથી બચતા હતા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/ranbir-kapoor-ramayana-two-trailers-approved-cbfc-runtime-release-date" target="_blank">આ પણ વાંચો-Ramayana Trailer : એક નહીં, બે ટ્રેલરથી ધમાકો કરશે રણબીર કપૂરની રામાયણ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/vzLhJBg0KHvhEfpeJBCLZdviirBRhybFT6J7jcWF.webp'/></item><item><title><![CDATA[Dollar vs Rupees: ક્રૂડ ઓઇલ 85 ડોલરને પાર, ડોલરના મુકાબલે રૂપિયો નીચા સ્તરે ]]></title><link>https://sandesh.com/business/news/dollar-vs-rupees-crude-oil-crosses-85-rupee-at-low-level-against-dollar</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/dollar-vs-rupees-crude-oil-crosses-85-rupee-at-low-level-against-dollar</guid><pubDate>Thu, 16 Jul 2026 11:28:51 +05:30</pubDate><description><![CDATA[<p>અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવની અસર હવે ભારતના નાણાંકીય મૂલ્ય પર પણ પડી રહી છે. ગુરુવારે, ભારતીય રૂપિયો ડોલર સામે 96.2475 પર ખુલ્યો. તે મે મહિનામાં નોંધાયેલા તેના અત્યાર સુધીના સૌથી નીચા 96.96 ની નજીક પહોંચી ગયો છે. આ મહિનામાં અત્યાર સુધીમાં, રૂપિયો લગભગ 1.7% નબળો પડ્યો છે.</p><p><b style="font-size: 2rem;">રૂપિયો કેમ નબળો પડી રહ્યો છે?</b></p><p>મુખ્ય કારણ ક્રૂડ ઓઇલની વધતી કિંમત છે. યુએસ-ઈરાન તણાવમાં વધારો થયા પછી, બ્રેન્ટ ક્રૂડના ભાવ પ્રતિ બેરલ $85 ને વટાવી ગયા છે. એવી આશંકા છે કે જો પરિસ્થિતિ વધુ વણસે તો, હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા તેલ પુરવઠો વધુ ખોરવાઈ શકે છે - આ માર્ગ વિશ્વના તેલના નોંધપાત્ર ભાગને પરિવહન કરવા માટે વપરાય છે. ભારત તેની ક્રૂડ ઓઇલની જરૂરિયાતોના 85% થી વધુ આયાત કરે છે, તેથી તેલના ભાવમાં વધારો ડોલરની માંગમાં વધારો કરે છે, જેના કારણે રૂપિયો નબળો પડે છે.</p><p><b style="font-size: 1.75rem;">વધતા તણાવ પર બજારે શા માટે ગભરાટથી પ્રતિક્રિયા આપી?</b></p><p>બુધવારે, યુએસએ ઈરાનના દરિયાકાંઠાના સંરક્ષણ અને મિસાઇલ સ્થળો પર હુમલા શરૂ કર્યા. ત્યારબાદ ઈરાને ચેતવણી આપી હતી કે તે ઊર્જા નિકાસમાં વધુ ઘટાડો કરી શકે છે. આનાથી તેલ પુરવઠામાં સંભવિત વિક્ષેપો અંગે વૈશ્વિક ચિંતાઓ વધી છે. પરિણામે, રોકાણકારો યુએસ ડોલર તરફ વળ્યા છે.&nbsp; જેને સલામત-હેવન સંપત્તિ તરીકે જોવામાં આવે છે.&nbsp; જેના કારણે રૂપિયા પર દબાણ વધી રહ્યું છે.</p><p><b style="font-size: 1.75rem;">RBI ના પ્રયાસો શા માટે પરિણામ આપી રહ્યા નથી?</b></p><p>થોડા અઠવાડિયા પહેલા, જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ ઓછા હતા, ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ ડોલરના પ્રવાહને વધારવા માટે ઘણા પગલાં લીધાં. જ્યારે આ પગલાંથી રૂપિયાને મજબૂત બનાવવાની અપેક્ષા હતી, ત્યારે તેલના ભાવ ફરી વધ્યા છે. ડોલરની બજારમાં માંગમાં વધારાએ RBI ના પગલાંની અસરને ઓછી કરી દીધી છે.</p><p><b style="font-size: 1.5rem;">આ તમારા ખિસ્સા પર કેવી અસર કરશે?</b></p><ul><li>નબળા રૂપિયા અને મોંઘા તેલનું મિશ્રણ સામાન્ય માણસ માટે ખર્ચ વધારી શકે છે:</li><li>પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી શકે છે.</li><li>ઉચ્ચ ઉડ્ડયન ઇંધણના ખર્ચ ફ્લાઇટ ટિકિટોને વધુ મોંઘા બનાવી શકે છે.</li><li>મોબાઇલ ફોન, લેપટોપ અને અન્ય આયાતી માલના ભાવ વધી શકે છે.</li><li>વિદેશમાં અભ્યાસ અથવા મુસાફરી સાથે સંકળાયેલા ખર્ચમાં વધારો થઈ શકે છે.</li><li>ઘણી આયાતી ખાદ્ય ચીજવસ્તુઓ પણ વધુ મોંઘા થઈ શકે છે. જો તેલના ભાવ અને રૂપિયા બંને પર દબાણ લાંબા સમય સુધી ચાલુ રહે તો ફુગાવો વધી શકે છે. આવી સ્થિતિમાં, RBI માટે વ્યાજ દરોમાં ઘટાડો કરવો મુશ્કેલ બની શકે છે, જેની લોન અને EMI પર અસર પડી શકે છે.</li></ul><p><b style="font-size: 1.5rem;">આગળ શું થશે?</b></p><p>હવે આખી દુનિયા અમેરિકા અને ઈરાનના આગામી પગલાં પર નજર રાખી રહી છે. જો તણાવ વધશે તો ક્રૂડ ઓઈલના ભાવ વધુ વધી શકે છે અને રૂપિયા પર દબાણ ચાલુ રહી શકે છે. જો રૂપિયો 96.96 ની નીચે જાય છે, તો તે ડોલર સામે અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચી જશે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/Q9W7sGtplTS6do4UkddH475PlZDMMMFzEDsiQRHI.webp'/></item><item><title><![CDATA[Lionel Messi સાથે બોલાચાલી બાદ અર્જેન્ટીનાના ખેલાડીને લાફો માર્યો! હાર પછી જુડ બેલિંગહમે ગુમાવ્યો આપો : Video ]]></title><link>https://sandesh.com/sports/fifa-world-cup/news/jude-bellingham-slaps-argentina-player-valentin-barco-messi-clash-video</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/fifa-world-cup/news/jude-bellingham-slaps-argentina-player-valentin-barco-messi-clash-video</guid><pubDate>Thu, 16 Jul 2026 11:00:35 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફીફા વર્લ્ડ કપ 2026 ના બીજા સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડની હાર પછી જુડ બેલિંગહમે વેલેન્ટિન બાર્કોને લાફો મારી દીધો, જેઓ અર્જેન્ટીનાની જીતની ઉજવણી કરી રહ્યા હતા. આ પછી બંને ટીમોના ખેલાડીઓ આપસમાં ભિડાઈ ગયા. બેલિંગહમને ખૂબ જ ગુસ્સામાં જોવામાં આવ્યા, તેમની લિયોનેલ મેસી સાથે પણ તીખી ચર્ચા થઈ હતી.</p><h2 style="text-align: justify; "><b>છેલ્લી મિનિટોમાં ગરમાયું વાતાવરણ</b></h2><p style="text-align: justify; ">અટલાન્ટાના મર્સિડીઝ-બેન્ઝ સ્ટેડિયમમાં રમાયેલા બીજા સેમિફાઇનલની 84 મી મિનિટ સુધી ઇંગ્લેન્ડ 1-0 થી આગળ હતું, લાગી રહ્યું હતું કે અર્જેન્ટીના હવે કદાચ અહીંથી મેચ ટાઇમમાં જીતી ન શકે. 6 મિનિટનો સમય બાકી હતો, એક્સ્ટ્રા ટાઈમ 7-8 મિનિટનો મળત. પરંતુ અર્જેન્ટીનાએ શાનદાર કમબેક કર્યું અને 7 મિનિટની અંદર 2 ગોલ ફટકારી દીધા. મેચની અંતિમ પળોમાં જુડ બેલિંગહમે લિયોનેલ મેસીને ફાઉલ કર્યો હતો, જેના પછી તેમની તીખી ચર્ચા થઈ હતી. આ પછી બંને ટીમોના ખેલાડીઓ આવી ગયા તો વાતાવરણ ઘણું ગરમ થઈ ગયું. મેચ પૂરી થયા પછી તો બેલિંગહમ એટલો ગુસ્સામાં આવી ગયો કે તેણે અર્જેન્ટીનાના સબ્સ્ટિટ્યૂટ પ્લેયરને લાફો મારી દીધો.<br><a href="https://x.com/ellarguero/status/2077514185819202046" target="_blank">https://x.com/ellarguero/status/2077514185819202046</a><br></p><h3 style="text-align: justify; "><b>જુડ બેલિંગહમે અર્જેન્ટીનાના ખેલાડીને કેમ માર્યો લાફો?</b></h3><p style="text-align: justify; ">વાયરલ વીડિયોમાં નજરે આવી રહ્યું છે કે અર્જેન્ટીનાના પ્લેયર્સ જીતની ઉજવણી કરી રહ્યા હોય છે, ત્યાં નિરાશ થઈને ઉભેલા જુડ બેલિંગહમ અર્જેન્ટીનાના સબ્સ્ટિટ્યૂટ પ્લેયર વેલેન્ટિન બાર્કોને પાછળથી માથા પર લાફો મારી દે છે. આ પછી તેઓ પણ બેલિંગહમને ધક્કો મારે છે, પછી બંને ટીમોના ખેલાડીઓ આવી જાય છે અને મામલો ગરમ થઈ જાય છે. વીડિયો જોવાથી લાગી રહ્યું છે કે વેલેન્ટિને તેને ઉશ્કેર્યા હતો, તે સતત તેને જોઈને કંઈક બોલી રહ્યા હતા અને આનાથી જ ગુસ્સે થઈને બેલિંગહમ આપો ગુમાવી બેસે છે.<br><a href="https://x.com/Msn_sis0/status/2077528712375902426" target="_blank">https://x.com/Msn_sis0/status/2077528712375902426</a><br></p><p style="text-align: justify; ">અન્ય એક વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે જીત બાદ અર્જેન્ટીનાના ખેલાડીઓ ઉત્સાહમાં જુડ બેલિંગહમને જોઈને સતત કંઈક બોલી રહ્યા હતા. આ આક્રમક ઉજવણીને કારણે મામલો વધુ ગરમાયો. અર્જેન્ટીનાના ખેલાડીઓ આક્રમક અંદાજમાં હતા, કારણ કે થોડા સમય પહેલાં જ જુડ બેલિંગહમની લિયોનેલ મેસી સાથે પણ તીખી બોલાચાલી થઈ હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/sports/fifa-world-cup/news/fifa-world-cup-2026-argentina-beats-england-semi-final-messi" target="_blank">આ પણ વાંચો-7 મિનિટમાં બદલાઈ ગઈ મેચ! ઇંગ્લેન્ડને હરાવી FIFA World Cupની ફાઇનલમાં પહોંચ્યું અર્જેન્ટીના</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/Yfls61TLxfb8dddceBKZIfeuirRlnVpZ8pFSGtsm.webp'/></item><item><title><![CDATA[Indian Health care: 'આ માત્ર ભારતમાં જ શક્ય છે',બ્લડ ટેસ્ટની હોમ સર્વિસ જોઈ અમેરિકન મહિલા દંગ ]]></title><link>https://sandesh.com/india/news/indian-health-care-this-is-only-possible-in-india-american-woman-amazed-by-home-blood-test-service</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/indian-health-care-this-is-only-possible-in-india-american-woman-amazed-by-home-blood-test-service</guid><pubDate>Thu, 16 Jul 2026 11:00:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઘણીવાર વિદેશીઓ ભારતમાં નબળાઈઓ શોધતા હોય છે, પરંતુ જ્યારે તેઓ અહીંની અદભુત સુવિધાઓનો અનુભવ કરે છે ત્યારે આશ્ચર્યચકિત થઈ જાય છે. આવો જ એક કિસ્સો મુંબઈમાં રહેતી એક અમેરિકન મહિલા સાથે બન્યો છે. અમેરિકાની મોંઘી અને ધીમી હેલ્થકેર સિસ્ટમથી ટેવાયેલી આ મહિલાને જ્યારે ભારતમાં બ્લડ ટેસ્ટ કરાવવાની જરૂર પડી, ત્યારે તેને ભારતની ડિજિટલ સ્પીડ અને સસ્તી સેવાનો એવો અનુભવ થયો કે તે પોતાની આંખો પર વિશ્વાસ ન કરી શકી. સોશિયલ મીડિયા પર ભારતની હેલ્થકેર સિસ્ટમના વખાણ કરતો તેનો આ વીડિયો હવે ઇન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.</p><p style="text-align: justify; ">અમેરિકન મહિલાએ જણાવ્યું કે જ્યારે તેને બ્લડ ટેસ્ટ કરાવવો હતો, ત્યારે તેણે મુંબઈના એક ક્લિનિકમાં ફોન કર્યો. તેને લાગ્યું કે અમેરિકાની જેમ અહીં પણ ક્લિનિકે જઈને લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડશે. પરંતુ ક્લિનિકના સ્ટાફે તેને ઘરે જ રહેવા કહ્યું અને જણાવ્યું કે લેબ ટેકનિશિયન તેના ઘરે આવીને સેમ્પલ લઈ જશે. થોડી જ વારમાં એક હેલ્થકેર વર્કર પૂરી સુરક્ષા સાથે તેના ઘરે પહોંચ્યો અને માત્ર 5 મિનિટમાં સેમ્પલ લઈને જતો પણ રહ્યો.</p><h2 style="text-align: justify; "><b>આ સુવિધા માત્ર ભારતમાં જ શક્ય છે</b></h2><p style="text-align: justify; ">મહિલાના હોશ તો ત્યારે ઊડી ગયા જ્યારે તેની સામે ટેસ્ટનું બિલ આવ્યું. ભારતમાં આ બ્લડ ટેસ્ટનો ખર્ચ અમેરિકા કરતા માત્ર 10 ટકા એટલે કે 10 ગણો ઓછો હતો. આટલું જ નહીં, જ્યારે તેને ખબર પડી કે આ હોમ વિઝિટ સર્વિસ તદ્દન મફત (ફ્રી) હતી, ત્યારે તેના મોંમાંથી નીકળી ગયું કે, "આ સુવિધા માત્ર ભારતમાં જ શક્ય છે." સોશિયલ મીડિયા પર આ વીડિયોને 15 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. ભારતીય યુઝર્સ પણ ગર્વભેર કમેન્ટ કરી રહ્યા છે કે હોમ ટેસ્ટિંગની આ સુવિધા વડીલો અને સગર્ભા મહિલાઓ માટે આશીર્વાદરૂપ છે અને મેડિકલ ક્ષેત્રે ભારત આજે દુનિયાનું સુપરપાવર બની રહ્યું છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/world/news/pakistan-surrounded-on-all-sides-administration-worried-about-afghanistan-balochistan-and-pok" target="_blank">આ પણ વાંચો: Pakistan ચાર તરફ ઘેરાયું, અફઘાનિસ્તાન, બલૂચિસ્તાન અને POKને લઈને પ્રશાસન ચિંતામાં</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/0DvNJ7JbSqvFvopCLhegbPaMe7DMwiHSITPvvJoJ.webp'/></item><item><title><![CDATA[Ankleshwar: નેશનલ હાઈવે 48 પર ગમખ્વાર અકસ્માત, પી.પી. સવાણી યુનિવર્સિટીના આફ્રિકન છાત્રનું મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ankleshwar/ankleshwar-nh-48-hit-and-run-accident-pp-savani-university-african-student-died</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ankleshwar/ankleshwar-nh-48-hit-and-run-accident-pp-savani-university-african-student-died</guid><pubDate>Thu, 16 Jul 2026 10:50:35 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ-મુંબઈને જોડતા વ્યસ્ત નેશનલ હાઈવે 48 પર અંકલેશ્વર નજીક આજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. ભારે વાહનોની અનિયંત્રિત ગતિએ વધુ એક નિર્દોષ બાઈક સવારનો ભોગ લીધો છે, જે આ વખતે ભારત ભણવા આવેલો એક વિદેશી વિદ્યાર્થી છે. અંકલેશ્વર નજીક હાઈવે પરથી પસાર થઈ રહેલા એક બાઈક સવાર આફ્રિકન યુવાનને એક અજાણ્યા તોતિંગ ટ્રક ચાલકે બેફામ ગતિએ ટક્કર મારી હતી.</p><h2><b>અંકલેશ્વર હાઈવે પર હૃદયદ્રાવક અકસ્માત</b></h2><p>અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક પરથી પટકાતા જ આફ્રિકન યુવાનને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જાયા બાદ હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને સ્થાનિક લોકોના મોટા ટોળા ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. જો કે, અકસ્માત સર્જનાર અજાણ્યો ટ્રક ચાલક ભીડ જમા થાય તે પહેલા જ પોતાના વાહન સાથે તકનો લાભ ઉઠાવીને ફરાર થઈ ગયો હતો.</p><h3><b>અકસ્માતમાં આફ્રિકન યુવાનનું મોત</b></h3><p>ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર પોલીસનો કાફલો તાત્કાલિક હાઈવે પર દોડી આવ્યો હતો અને ટ્રાફિક હળવો કરાવ્યો હતો. પોલીસે મૃતક આફ્રિકન યુવાનના ખિસ્સા અને બાઈકમાંથી મળેલા દસ્તાવેજોના આધારે તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. મૃતક યુવાન કોસંબા નજીક આવેલી પ્રખ્યાત પી.પી. સવાણી યુનિવર્સિટીનો વિદ્યાર્થી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે હાલ મૃતદેહનો કબજો સંભાળીને તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે અને યુનિવર્સિટી પ્રશાસન તેમજ એમ્બેસીને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે. આ સાથે જ હાઈવેના ટોલ પ્લાઝા અને આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરી ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/surat/gujarat-rain-updates-ashadhi-bij-surat-city-amreli-bagasra-junagadh-farmers-happy" target="_blank">આ પણ વાંચો: Surat: ક્યાંક ધીમી ધારે તો ક્યાંક વરસાદી ઝાપટાં, અષાઢી બીજે મેઘરાજાએ આપ્યા શુકનવંતા મંડાણ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/PlR0MwV6LhZ0EQ0bSnjYnVz2d8ZCgZx92Y31KVRD.webp'/></item><item><title><![CDATA[Surat: ક્યાંક ધીમી ધારે તો ક્યાંક વરસાદી ઝાપટાં, અષાઢી બીજે મેઘરાજાએ આપ્યા શુકનવંતા મંડાણ ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/surat/gujarat-rain-updates-ashadhi-bij-surat-city-amreli-bagasra-junagadh-farmers-happy</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/surat/gujarat-rain-updates-ashadhi-bij-surat-city-amreli-bagasra-junagadh-farmers-happy</guid><pubDate>Thu, 16 Jul 2026 10:17:22 +05:30</pubDate><description><![CDATA[<p>રાજ્યમાં ચોમાસાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ મેઘરાજાએ લાંબો વિરામ લીધો હતો. જો કે, અષાઢી બીજના પવિત્ર દિવસે ફરી એકવાર રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે અને મેઘરાજાએ શુકનવંતા મંડાણ કર્યા છે. સૌરાષ્ટ્રના અમરેલી અને જૂનાગઢ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના સુરતમાં વરસાદની ધમાકેદાર રી-એન્ટ્રી થઈ છે.</p><h2><b>બગસરા પંથકમાં વિરામ બાદ વરસાદ&nbsp;</b></h2><p>અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં લાંબા સમયના વિરામ બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ ખાબક્યો હતો. અષાઢી બીજના પર્વે જ વરસાદ પડતાં સ્થાનિક ખેડૂતો તેને શુકનવંતો ગણાવી રહ્યા છે. બીજી તરફ જૂનાગઢ જિલ્લામાં પણ સવારથી જ કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા. જૂનાગઢના કેશોદ અને વંથલી પંથકમાં વરસાદી ઝાપટાં શરૂ થતાં કપાસ અને મગફળીના પાકને મોટો ફાયદો થવાની આશાએ ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.</p><h3><b>મેઘરાજા સુરત પર મહેરબાન થયા</b></h3><p>સુરત શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદ ગાયબ થતાં નાગરિકો અસહ્ય ગરમી અને ઉકળાટથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આજે વહેલી સવારથી જ મેઘરાજા સુરત પર મહેરબાન થયા છે. શહેરના ખટોદરા, અઠવા, રીંગ રોડ, અડાજણ, ભટાર, વેડ રોડ અને વરાછા સહિતના વિસ્તારોમાં ધીમી તેમજ મધ્યમ ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ તરફ સુરત ગ્રામ્યના ઓલપાડ તાલુકામાં પણ લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટાં પડતાં ખેતીના પાકને મોટું જીવનદાન મળ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં વરસાદનું જોર હજુ વધી શકે છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/rajkot/jam-tower-road-accident-crusher-truck-hits-woman-death-driver-absconding" target="_blank">આ પણ વાંચો: Rajkot: જામ ટાવર પાસે ટ્રક ચાલકે મહિલાને અડફેટે લેતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત, ચાલક વાહન મૂકી ઘટનાસ્થળેથી ફરાર</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/4xrIjOJDsbB6cFgYRP1Q9rExkGcyXUqX2z0atyww.webp'/></item><item><title><![CDATA[Rajkot: જામ ટાવર પાસે ટ્રક ચાલકે મહિલાને અડફેટે લેતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત, ચાલક વાહન મૂકી ઘટનાસ્થળેથી ફરાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/jam-tower-road-accident-crusher-truck-hits-woman-death-driver-absconding</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/jam-tower-road-accident-crusher-truck-hits-woman-death-driver-absconding</guid><pubDate>Thu, 16 Jul 2026 10:02:26 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ શહેરમાં ભારે અને કોમર્શિયલ વાહનોની બેફામ ગતિ અવારનવાર નિર્દોષ નાગરિકો માટે કાળ સાબિત થઈ રહી છે. આજે આવી જ એક હૃદયદ્રાવક ઘટના શહેરના ભરચક ગણાતા જામ ટાવર પાસે ઘટી છે. એક ઓવરસ્પીડ કન્સ્ટ્રક્શન ક્રશર ટ્રકના ચાલકે ટ્રાફિક નિયમો અને માર્ગ સલામતીને નેવે મૂકીને રોડ ક્રોસ કરી રહેલી અથવા પસાર થઈ રહેલી એક અજાણી મહિલાને અડફેટે લીધી હતી.</p><h2><b>જામ ટાવર પાસે હિટ એન્ડ રન</b></h2><p>ટ્રકની સ્પીડ એટલી વધારે હતી કે મહિલાને બચવાની તક સુધ્ધાં નહોતી મળી. ટ્રકની ટક્કર વાગતા જ મહિલા રોડ પર પછડાઈ હતી અને તેના શરીર પરથી ક્રશર ટ્રકનું વ્હીલ ફરી વળ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે ગંભીર ઈજાઓ થવાના કારણે મહિલાનું ઘટનાસ્થળે જ તરફડિયા મારીને મોત નીપજ્યું હતું.</p><h3><b>અકસ્માત બાદ ચાલક વાહન છોડીને ફરાર</b></h3><p>આ અકસ્માત થતાં જ આસપાસના વેપારીઓ અને રાહદારીઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. જોતજોતામાં જામ ટાવર સર્કલ પર સેંકડો લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. અકસ્માત બાદ ગુસ્સે ભરાયેલા લોકો કઈ એક્શન લે તે પહેલા જ ચાલક વાહન છોડીને ભીડનો લાભ ઉઠાવી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનીય પોલીસ અને ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતક મહિલાના શવને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવાની અને ફરાર ક્રશર ચાલક વિરુદ્ધ હિટ એન્ડ રનનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/rathyatra-2026/ahmedabad/rathyatra-security-30000-police-personnel-deployed-deep-points-control-room-monitoring" target="_blank">આ પણ વાંચો: Ahmedabad Rath Yatra 2026: 30 હજાર પોલીસ જવાનોના લોખંડી સુરક્ષા છત્ર વચ્ચે નગરચર્યાએ નીકળ્યા નાથ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/r6fXReiW4rz07wnZipPU43rrgnYaYMYigKhw081C.webp'/></item><item><title><![CDATA[Ahmedabad Rath Yatra 2026: 30 હજાર પોલીસ જવાનોના લોખંડી સુરક્ષા છત્ર વચ્ચે નગરચર્યાએ નીકળ્યા નાથ ]]></title><link>https://sandesh.com/gujarat/news/rathyatra-2026/ahmedabad/rathyatra-security-30000-police-personnel-deployed-deep-points-control-room-monitoring</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rathyatra-2026/ahmedabad/rathyatra-security-30000-police-personnel-deployed-deep-points-control-room-monitoring</guid><pubDate>Thu, 16 Jul 2026 09:35:31 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદની ૧૪૯મી જગન્નાથ રથયાત્રાને શાંતિપૂર્ણ, સૌહાર્દપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં સંપન્ન કરવા માટે હોમ ડિપાર્ટમેન્ટ અને અમદાવાદ સિટી પોલીસ દ્વારા ઇતિહાસનો સૌથી મોટો સુરક્ષા પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. દર વર્ષે લાખોની સંખ્યામાં ઉમટતી જનમેદનીને નિયંત્રિત કરવા અને કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે આ વર્ષે 30,000 જેટલા પોલીસ જવાનોને રથયાત્રાના 14 કિલોમીટર લાંબા રૂટ પર તૈનાત કરી દેવાયા છે.</p><p><b>જગન્નાથ રથયાત્રાની સુરક્ષા</b></p><p><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Da1x-c3CV0d/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Da1x-c3CV0d/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a><br></p><h2><b>નાથની સુરક્ષામાં 30 હજાર જવાનો</b></h2><p>આ વિશાળ સુરક્ષા વ્યવસ્થાના સુપરવિઝન માટે ગુજરાત પોલીસના ટોચના સ્તરના અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં 10 આઈજી (IG) અને ડીઆઈજી (DIG) કક્ષાના અધિકારીઓ, ૨ જોઈન્ટ પોલીસ કમિશનર (JCP) તેમજ 42 ડીસીપી (DCP) કક્ષાના અધિકારીઓ રૂટ પર સીધું મોનિટરિંગ કરી રહ્યા છે. આ ઉપરાંત ગ્રાઉન્ડ લેવલ પર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 93 એસીપી (ACP), 303 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને 673 પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) સતત પેટ્રોલિંગમાં છે.</p><h3><b>અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા</b></h3><p>પોલીસે આ વર્ષે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કર્યો છે. શહેરના મુખ્ય કંટ્રોલ રૂમ ખાતે ખાસ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ઊભું કરાયું છે, જ્યાંથી રૂટ પર લાગેલા સેંકડો હાઈ-ડેફિનેશન સીસીટીવી અને બોડીવોર્ન કેમેરાના લાઈવ ફૂટેજ પર સતત વોચ રાખવામાં આવી રહી છે. રથયાત્રા રૂટના તમામ સંવેદનશીલ અને ઊંચાઈવાળા બિલ્ડિંગો પર 250થી વધુ ખાસ 'ડીપ પોઇન્ટ' ગોઠવવામાં આવ્યા છે, જ્યાં હથિયારધારી જવાનો અને બાયનોક્યુલર સાથેના ઓબ્ઝર્વર્સ તૈનાત છે. પેરામિલીટ્રી ફોર્સ, ચેતક કમાન્ડો અને ક્રાઈમ બ્રાન્ચના જવાનોની હાજરીને કારણે સમગ્ર રથયાત્રા રૂટ અત્યારે એક અભેદ્ય કિલ્લામાં ફેરવાઈ ગયો છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kutch/pm-narendra-modi-wishes-kutchi-new-year-ashadhi-bij-in-kutchi-language" target="_blank">આ પણ વાંચો: Kutch: પીએમ નરેન્દ્ર મોદીએ કચ્છી ભાષામાં સંદેશ પાઠવી કચ્છી નવા વર્ષની આપી શુભકામનાઓ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/8HQHxn845zYscP1bZHAcvs9uiQgfd8JunCpYwTt2.webp'/></item></channel></rss>