<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Bhavnagar: પાલીતાણાનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા 9,440 ક્યુસેક પાણી છોડાયું, નદીકાંઠાના 20થી વધુ ગામોને એલર્ટ કરાયા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/bhavnagar/palitana-shetrunji-dam-overflows-all-59-gates-opened-bhavnagar-flood-alert</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/bhavnagar/palitana-shetrunji-dam-overflows-all-59-gates-opened-bhavnagar-flood-alert</guid><pubDate>Tue, 07 Jul 2026 08:10:43 +05:30</pubDate><description><![CDATA[<p>ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર માટે ઉત્સાહ અને આનંદના મોટા સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના પિયત અને પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત ગણાતો પાલીતાણાનો શેત્રુંજી ડેમ ચાલુ સીઝનમાં ઓવરફ્લો થયો છે. જળગ્રહણ વિસ્તાર (કેચમેન્ટ એરિયા) અને ઉપરવાસના ગ્રામીણ પંથકોમાં થયેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક સતત વધી રહી હતી. ડેમની સપાટી નિયત મર્યાદા વટાવી જતાં ફ્લડ કંટ્રોલ રૂમના એન્જિનિયરો દ્વારા વહેલી સવારે જ ડેમના તમામ 59 દરવાજા તબક્કાવાર ખોલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.</p><h2><b>9,440 ક્યુસેક પ્રવાહથી નદીઓ બે કાંઠે</b></h2><p>સિંચાઈ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, હાલમાં ડેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ 59 દરવાજામાંથી કુલ 9,440 ક્યુસેક પાણી શેત્રુંજી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડાવાના કારણે નદીના જળસ્તરમાં પણ નોંધપાત્ર વધારો થયો છે અને નદી બે કાંઠે વહેતી થઈ છે. આ પાણી આગળ જઈને તળાજા અને મહુવાના વિસ્તારો તરફ વહેશે, જેનાથી આજુબાજુના ભૂગર્ભ જળના સ્તર પણ ખૂબ ઊંચા આવશે, જે આગામી શિયાળુ અને ઉનાળુ પાક માટે ખેડૂતોને મોટો આર્થિક ફાયદો કરાવશે.</p><h3><b>નદીકાંઠાના 20 થી વધુ ગામો સાવચેત</b></h3><p>ડેમમાંથી પાણી છોડાતાં જ ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું છે. પાલીતાણા, તળાજા અને નીચાણવાળા વિસ્તારમાં આવતા 20 થી વધુ ગામોના સરપંચો અને તલાટીઓને વહીવટી તંત્ર દ્વારા વીડિયો કોન્ફરન્સ અને ઇમરજન્સી મેસેજ દ્વારા સાવચેત રહેવાની તાકીદ કરવામાં આવી છે. નદીના પટમાં પશુઓને ન લઈ જવા, માછીમારી ન કરવા અને સ્થાનિક લોકોને નદી કિનારે સેલ્ફી લેવા કે નહાવા ન જવા માટે સખત ચેતવણી આપવામાં આવી છે. આપત્તિ વ્યવસ્થાપનની ટીમો કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/valsad/school-college-closed-heavy-rain-red-alert-education-department-order" target="_blank">આ પણ વાંચો: Valsad Rain: ભારે વરસાદ અને 'રેડ એલર્ટ' ને પગલે તમામ શાળા-કોલેજોમાં શૈક્ષણિક રજા જાહેર</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/gbAKrm8UyEHejCpWgGSR1jVImJjQiuw8uuM6Ptvp.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026 : ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની વર્લ્ડ કપ સફરનો અંત, પોર્ટુગલ સ્પેન સામે હારી ગયું ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-cristiano-ronaldos-world-cup-journey-ends-portugal-loses-to-spain</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-cristiano-ronaldos-world-cup-journey-ends-portugal-loses-to-spain</guid><pubDate>Tue, 07 Jul 2026 08:06:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">FIFA World Cup 2026ના રાઉન્ડ ઓફ 16 મેચમાં હારી પોર્ટુગલને 1-0થી હરાવી સ્પેને ક્વાર્ટર ફાઈનલની ટિકિટ મેળવી હતી. પોર્ટુગલ બહાર થતાં જ ફીફા વર્લ્ડકપમાં તેના સ્ટાર સ્ટ્રાઈકર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની સફર પણ પૂર્ણ થઈ છે. રોનાલ્ડોએ રાઉન્ડ ઓફ 16ની મેચમાં પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતુ કે, તેનો આ છેલ્લો વર્લ્ડકપ છે. પરંતુ તેમણે ઈન્ટરનેશનલ ફુટબોલમાંથી પોતાના સંન્યાસને લઈ અત્યારસુધી કાંઈ કહ્યું નથી.FIFA world Cupમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોર્ટુગલ માટે માત્ર 3 ગોલ કર્યા છે.</p><h3 style="text-align: justify; "><b>રોનાલ્ડોનું વર્લ્ડકપ કરિયર</b></h3><p style="text-align: justify; ">સ્પેન વિરુદ્ધ રાઉન્ડ ઓફ 16ની મેચમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરની છેલ્લી મેચ રહી હતી. આ તેના વર્લ્ડકપ કરિયરની ઓવરઓલ 27મી મેચ હતી. રોનાલ્ડો ફુટબોલના ઈતિહાસનો પહેલો એવો ખેલાડી છે. જેમણે 6 ફીફા વર્લ્ડકપમાં ગોલ કર્યા છે. જે ફીફા વર્લ્ડકપની નોક આઉટ મેચમાં પહોંચવા માટે રમાયેલા સૌથી મોટી ઉંમરનો ખેલાડી પણ છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ફીફા વર્લ્ડકપમાં પોર્ટુગલ માટે સૌથી વધારે 11 ગોલ કરનાર ખેલાડી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://x.com/FIFAWorldCup/status/2074200372441186414?s=20" target="_blank">https://x.com/FIFAWorldCup/status/2074200372441186414?s=20</a></p><h4 style="text-align: justify; "><b>FIFA world Cupમાં રોનાલડોની સફર</b></h4><p style="text-align: justify; ">રોનાલ્ડોએ ફીફા વર્લ્ડકપમાં ડેબ્યુ 2006માં કર્યું હતુ. ત્યારે પોર્ટુગલને સેમિફાઈનલમાં હાર મળી હતી. 2010ના વર્લ્ડકપમાં રોનાલ્ડોએ પોર્ટુગલની ટીમ સાથે રાઉન્ડ ઓફ 16 સુધી સફર કરી હતી. 2014માં ગ્રુપ સ્ટેજમાંથી બહાર થવું પડ્યું હતુ. 2018માં વર્લ્ડકપમાં ફરી રાઉન્ડ ઓફ 16માં સફર પૂર્ણ થઈ હતી. 2022ના વર્લ્ડકપમાં રોનાલ્ડોએ ક્વાર્ટર ફાઈનલમાં રમ્યો અને હવે 2026માં પોતાની છેલ્લી ફીફા વર્લ્ડકપની મેચમાં રાઉન્ડ ઓફ 16માંથી આગળ વધી શક્યો નહી. આ રીતે તેમણે વર્લ્ડકપ જીતવાનું તેનું સપનું અધરું રહ્યું હતુ.</p><h4 style="text-align: justify; "><b>ઈન્ટરનેશનલ કરિયરમાંથી હજુ સંન્યાસ લીધો નથી</b></h4><p style="text-align: justify; ">રોનાલ્ડોએ અત્યારસુધી ઈન્ટરનેશનલ ફુટબોલમાંથી સંન્યાસ લીધો નથી. ઈન્ટરનેશનલ કરિયર પર છેલ્લો નિર્ણય તે પોતાના પરિવારની સાથે વાતચીત કર્યા બાદ લેશે. રોનાલ્ડોએ કહ્યું ઈન્ટરનેશનલ કરિયરને લઈ નિર્ણય કરવામાં તે જલ્દી કરશે નહી.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-england-defeats-mexico-to-secure-quarter-final-spot" target="_blank">FIFA World Cup 2026 : ઇંગ્લેન્ડે મેક્સિકોને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/Q4aTQD5cmqjimGURU2fMpwnkw40IK7Kwiu7GWT6T.webp'/></item><item><title><![CDATA[Anand: આણંદ શહેરમાં દબાણ હટાવવાને લઈ બેધારી નીતિ સામે રોષ ફેલાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/anand/anand-outrage-spreads-against-double-edged-policy-to-relieve-pressure-in-anand-city</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/anand/anand-outrage-spreads-against-double-edged-policy-to-relieve-pressure-in-anand-city</guid><pubDate>Tue, 07 Jul 2026 01:20:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આણંદ શહેરની ટૂંકી ગલી અને તેની આસપાસના વિસ્તારમાં બેસુમાર દબાણો ખડકાતા શહેરનો આ હાર્દ સમો વિસ્તાર દબાણોના પ્રશ્નો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. કરમસદ આણંદ મહાનગરપાલિકાની ચૂંટણી પૂરી થયા અને સવા બે માસ વીતી જવા છતાં તેમજ મેયર, ડેપ્યુટી મેયર અને કારોબારી ચેરમેનની વરણી થઈ જવા છતાં હજુ પણ મનપાના નવનિયુક્ત તંત્રને દબાણો હટાવવાની ફુરસદ મળતી નથી. અગાઉ મ્યુનિસિપલ કમિશ્નરના કાર્યકાળમાં ટૂંકી ગલી સહિત આસપાસના કેટલાક વિસ્તારોમાંથી સઘન ઝંબેશ ચલાવીને દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પરંતુ હવે ચૂંટાયેલી પાંખ આવ્યા પછી જાણે વોટ બેંકની લાલચમાં લારી-પાથરણાંવાળાઓને છૂટો દોર મળી ગયો હોય તેમ દબાણોનો અજગરભરડો ફરી વધ્યો છે. જેના કારણે રસ્તાઓ અત્યંત સાંકડા થવાથી ગંભીર ટ્રાફિક સમસ્યા સર્જાવાની સાથેસાથે રાહદારીઓને ત્યાંથી પસાર થવામાંભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્રણ દાયકા જૂની દબાણોની આ જટીલ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં સ્થાનિક વહીવટી તંત્ર નિષ્ફળ સાબિત થયું છે. અગાઉ પોલીસ બંદોબસ્ત સાથે કરાયેલી કેટલીક કામગીરી પોલીસ હટતાં જ ફરી જૈસે થે સ્થિતિમાં આવી ગઈ છે. જેના કારણે પાલિકાની સમગ્ર કાર્યવાહી માત્ર એક કાગળ પરની ઔપચારિકતા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. બજારના મુખ્ય માર્ગો રોકીને ઉભા રહેતા લારી ગલ્લા તથા પાથરણાવાળા વગેરે જેવા દબાણકારોના કારણે હવે સ્થાનિક વેપારીઓ અને વાહનચાલકોમાં ભારે રોષ પ્રવર્તે છે. સ્થાનિક સ્તરે એવા ગંભીર આક્ષેપો પણ થઈ રહ્યા છે કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પાછળ મનપા અને પોલીસના કેટલાક જવાબદાર કર્મચારીઓ તેમજ વચેટીયાઓની મિલીભગત સક્રિય છે. જેમના આશીર્વાદથી જ ટૂંકી ગલીનું બજાર ફરી ધમધમતુંથયું છે. તંત્ર દ્વારા માત્ર થોડા દિવસો પૂરતી દેખાડાની કામગીરી કરવાને બદલે આ હાર્દસમા વિસ્તારને કાયમી ધોરણે દબાણમુક્ત કરવામાં આવે અને નાગરિકોને ટ્રાફિક તથા સંભવીત અકસ્માતોના ભયમાંથી મુક્તિ અપાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/06/jOs0eulqlCl7yVlLpZu66qNLpNGxN3S0QFYGD1ae.webp'/></item><item><title><![CDATA[Anand: નાપાના આદર્શ કેમ્પસમાં રાષ્ટ્ર નિર્માણ અંગે પરિસંવાદ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/anand/anand-seminar-on-nation-building-at-napas-ideal-campus</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/anand/anand-seminar-on-nation-building-at-napas-ideal-campus</guid><pubDate>Tue, 07 Jul 2026 01:19:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આણંદ : આણંદ જીલ્લાના નાપા સ્થિત આદર્શ એજ્યુકેશનલ કોમ્પલેક્સ ખાતે વિકસીત ભારત@2047નાનિર્માણમાં એકતા સાંસ્કૃતિક વિવિધતા અને લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓની ભૂમિકા વિષય પર પરિસંવાદ યોજાઈ ગયો. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળના રાષ્ટ્રીય લઘુમતી શૈક્ષણિક સંસ્થા આયોગના કાર્યકારી અધ્યક્ષ પ્રો. ડો. શાહિત અખ્તર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાવરિષ્ઠ નેતા ઈન્દ્રેશ કુમારની વિશેષ ઉપસ્થિતિમાં આ વર્કશોપ યોજાયો હતો. પ્રો. શાહિત અખ્તરે પોતાના સંબોધનમાં જણાવ્યું કે દેશની લઘુમતી શાળાઓમાં 68.4 લઘુમતી અને 31.6 ટકા અન્ય જ્ઞાતિના વિદ્યાર્થીઓ સાથે મળીને અભ્યાસ કરે છે જે વિવિધતામાં એકતાનું પ્રતીક છે. તેમણે વર્તમાન સમયમાં સમાજને કટ્ટરતાથી બચાવી ભાઈચારા તરફ વાળાવાની જરૂરિયાત પર ભાર મુકતાં ઉમેર્યું કે શિક્ષણ સાથે ઈન્સાનિયત અનિવાર્ય છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/06/EkuwsVf9JybJfYbr5XsTO9WUOUd7JRHniWTF2q3s.webp'/></item><item><title><![CDATA[જોધપુર વોર્ડમાં નિર્માણાધીન બાંધકામ સાઈટની દીવાલ ધસી પડતાં મોટા ખાડામાં કાર ખાબકી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/car-falls-into-a-large-pit-after-wall-of-under-construction-construction-site-collapses-in-jodhpur-ward</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/car-falls-into-a-large-pit-after-wall-of-under-construction-construction-site-collapses-in-jodhpur-ward</guid><pubDate>Tue, 07 Jul 2026 00:38:00 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદના જોધપુર વોર્ડમાં સ્ટાર બજાર પાછળ નિર્માણાધીન 'ત્રિનયન' રહેણાંક સ્કીમની કન્સ્ટ્રક્શન સાઈટની દીવાલ ધસી પડતાં રસ્તા પર પાર્ક કરેલી એક કાર મસમોટા ખાડામાં ખાબકી હતી. શનિવારે રાત્રે પડેલા વરસાદને કારણે બનેલી આ ઘટનામાં ડાયાફ્રેમ વોલ તૂટવાની સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રેનેજ લાઈન અને રોડને પણ નુકસાન થયું હતું. બે બેઝમેન્ટ અને ૧૦ માળના બાંધકામ માટે વર્ષ-૨૦૨૫માં આ પ્લાન મંજૂર કરાયો હતો.</p><p>અધિકારીઓએ દબાવી રાખેલી આ ઘટના સોમવારે બહાર આવતાં, એસ્ટેટ વિભાગે બાંધકામ સ્થગિત કરી ડેવલપરની رજાચિઠ્ઠી રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. ટી.પી. કમિટીના ચેરમેન અને કોર્પોરેટર પણ સ્થળ પર પહોંચ્યા હતા. ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફ્સિરના જણાવ્યા મુજબ, ઇજનેર અને એસ્ટેટ વિભાગની સંયુક્ત તપાસ બાદ ડેવલપરને કરવામાં આવનારી પેનલ્ટીની રકમ નક્કી કરાશે, જ્યારે ડ્રેનેજ પ્રોજેક્ટના અધિકારીઓ આ અંગે મ્યુનિસિપલ કમિશનરને રિપોર્ટ સોંપશે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/UrqXe9SmaoElHHF5tjt4zs4g6MmZboLyvvgxoK6V.webp'/></item><item><title><![CDATA[સાયન્સ સિટી સહિતના પોશ વિસ્તારોમાંથી નીકળતા ઈ-વેસ્ટના સોર્સ સેગ્રીગેશનમાં AMC સદંતર ફ્લોપ! ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/amc-is-a-complete-flop-in-source-segregation-of-e-waste-coming-from-posh-areas-including-science-city</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/amc-is-a-complete-flop-in-source-segregation-of-e-waste-coming-from-posh-areas-including-science-city</guid><pubDate>Tue, 07 Jul 2026 00:37:13 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદના પિૃમ વિસ્તારના પોશ અને હાઈપ્રોફાઈલ ગણાતા બોપલ, શેલા, સિંધુ ભવન રોડ અને સાયન્સ સિટી જેવા વિસ્તારો વૈભવી લાઈફ્સ્ટાઈલ માટે જાણીતા છે, પરંતુ આ જ વિસ્તારો હવે शहर માટે ઈ-વેસ્ટ (ઇલેક્ટ્રોનિક કચરો)ના સૌથી મોટા હબ બની રહ્યા છે. એક તરફ્ આ પોશ વિસ્તારોની આસપાસ કોઈ સત્તાવાર ડમ્પિંગ સાઈટ નથી અને મ્યુનિ.ના ઈ-વેસ્ટ  સેગ્રીગેશનમાં આયોજનના અભાવથી સૌથી વધુ ખતરનાક ઈ-વેસ્ટ અને સૂકો કચરો પેદા થઈ રહ્યો છે. સંદેશ દ્વારા કરાયેલા ગ્રાઉન્ડ સર્વે અને વિશ્લેષણ મુજબ, આ વિસ્તારોમાં વસતા ઉચ્ચ મધ્યમ વર્ગ અને ધનિકોમાં દર છ મહિને કે વર્ષે મોબાઈલ, લેપટોપ, સ્માર્ટ વોચ, ટીવી અને એરકન્ડિશનર જેવા ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ બદલવાનો ટ્રેન્ડ ખૂબ વધારે છે. જેના કારણે આ વિસ્તારોમાંથી દૈનિક ટનબંધ ઈલેક્ટ્રોનિક કચરો નીકળે છે. સામે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પણ માત્ર કાગળ પર ઈ-વેસ્ટ સોર્સ સેગ્રીગેશન હોય તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે. જ્યારે ઈ-વેસ્ટ માટે કરવામાં આવતા કોલ્સ ૫૨ ખાનગી એજન્સીઓ દ્વારા રિસ્પોન્સ ન મળતો હોવાની અને જો ડોર ટુ ડોર ઈ-વેસ્ટ કચરો પીકઅપ બૂક કરવામાં આવે છતાં પણ સમયસર કચરો ઉપડાવા માટે ગાડીઓ આવતી ન હોવાની ફરિયાદ વધી છે. સુપ્રીમ કોર્ટના કડક આદેશ બાદ ૪-વે સેગ્રીગેશનની મ્યુનિ. દ્વારા ફરજિયાત કરાયું છે. પણ ગ્રાઉન્ડ ૫૨ હકિકત કઈ અલગ જ દેખાય છે. હેલ્પલાઈન પર નો રિસ્પોન્સ , નબળા કલેક્શન અને જાગૃતિના અભાવે ઈ-વેસ્ટ પીરાણાના ઢગલામાં હોમાઈ રહ્યો છે. કચરો કલેક્ટ કરવા આવતી કેટલીક ગાડીના તાલીમ વગરના ડ્રાઈવરોને ખબર જ નથી હોતી કે, ઈ-વેસ્ટ કઈ જગ્યા પર મુકવો પરિણામે કચરો મીક્સ થઈને રીફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન પહોંચી જાય છે. શરૂઆતના સ્ટેજ પર ડ્રાઈવરની આળસ કે બેદરકારીના કારણે જે કચરો મિક્સ થાય છે, તેને છેલ્લે પ્લાન્ટ પર કરોડો રૂપિયાના મશીનો લગાડવા છતાં ૧૦૦% અલગ કરવો અશક્ય બની જાય છે. પોશ વિસ્તારોમાંથી અંદાજે ૮૦૦થી ૧,૦૦૦ ટન કચરો દરરોજ ડમ્પિંગ સાઈટ પર જાય છે. પોશ વિસ્તારોમાં પેકેજ્ડ ફૂડ, ઓનલાઈન ડિલિવરી (પ્લાસ્ટિક/કાર્ડબોર્ડ) અને ઈ-વેસ્ટનું પ્રમાણ મધ્યમ વર્ગીય વિસ્તારો કરતા ૨૦-૩૦% વધારે જોવા મળે છે. અમદાવાદ શહેરની સૌથી મોટી  પીરાણા ડમ્પિંગ સાઈટ કે જેની મૂળ કેપેસિટી વર્ષો પહેલા પૂરી થઈ ગઈ છે. અત્યારે ત્યાં 'બાયો-માઈનિંગ' દ્વારા જૂના કચરાના ડુંગરો હટાવવાની કામગીરી પૂરી થવાના આરે છે. અમદાવાદ આખું વર્ષમાં અંદાજે ૧૦થી ૧૨ લાખ ટન કચરો પેદા કરે છે. એટલે કે છેલ્લા ૩ વર્ષમાં અંદાજે ૩૦થી ૩૫ લાખ ટન કચરો એકઠો થયો હશે. હાલમાં શહેર 'ઝીરો વેસ્ટ' મોડેલ તરફ્ આગળ વધી રહ્યું છે, જેમાં કચરાને ડમ્પ કરવાને બદલે તેમાંથી વીજળી બનાવવાનું આયોજન છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/EeOgGIWqqSmzGbdUKVaciooAIypQf91PxRsiiqJq.webp'/></item><item><title><![CDATA[Anshula Kapoor Wedding : બોની કપૂરની દીકરી અંશુલા કપૂર રોહન ઠક્કર સાથે લગ્નના બંધનમાં બંધાઈ, ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી લગ્નની તસવીરો ]]></title><link>https://sandesh.com/entertainment/news/anshula-kapoor-wedding-rohan-thakkar-private-ceremony-instagram-photos</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/anshula-kapoor-wedding-rohan-thakkar-private-ceremony-instagram-photos</guid><pubDate>Mon, 06 Jul 2026 23:35:23 +05:30</pubDate><description><![CDATA[<p>બોલિવૂડના જાણીતા ફિલ્મમેકર બોની કપૂરની મોટી દીકરી અંશુલા કપૂરે પોતાના જીવનના નવા અધ્યાયની શરૂઆત કરી છે. 6 જુલાઈ 2026ના રોજ તેણે પોતાના લાંબા સમયના બોયફ્રેન્ડ રોહન ઠક્કર સાથે લગ્ન કર્યા છે. બંનેએ એક પ્રાઇવેટ વેડિંગ સેરેમનીમાં લગ્ન કર્યા, જેમાં માત્ર પરિવારજનો અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા.</p><p><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DadRPxeik9o/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DadRPxeik9o/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DadRPxeik9o/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DadRPxeik9o/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a></p><h2><b>કપૂર પરિવારમાં ખુશીનો માહોલ&nbsp;</b></h2><p>લગ્ન સમારોહ દરમિયાન કપૂર પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બોની કપૂર, અર્જૂન કપૂર, જાહ્નવી કપૂર અને ખુશી કપૂર સહિત પરિવારના તમામ સભ્યો આ ખાસ ક્ષણે હાજર રહ્યા હતા અને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા. અંશુલા અને રોહન લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. લગ્ન પછી અંશુલાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર લગ્નની તસવીરો શેર કરી હતી, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ. તસવીરોમાં અંશુલા સુંદર લહેંગામાં જોવા મળે છે, જ્યારે રોહન ઠક્કર શેર્વાનીમાં દેખાય છે. બંનેની જોડી ખૂબ જ આકર્ષક લાગી રહી હતી.</p><h3><b>અંશુલાએ એક ભાવુક પોસ્ટ લખી&nbsp;</b></h3><p>તસવીરો શેર કરતી વખતે અંશુલાએ એક ભાવુક પોસ્ટ લખી હતી જેમાં તેણે રોહનને પોતાની 'સૌથી સુરક્ષિત જગ્યા' અને 'સૌથી સરળ પસંદ' ગણાવ્યો હતો. તેણે લખ્યું કે દરેક વળાંક અને દરેક આશ્ચર્ય વચ્ચે રોહન હંમેશા તેના જીવનનો ભાગ રહ્યો છે. લગ્નની તસવીરો સામે આવતા જ ફેન્સ અને સેલિબ્રિટીઝ તરફથી બંનેને શુભેચ્છાઓનો વરસાદ થયો હતો. સોશિયલ મીડિયા પર બંનેના લગ્નની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે અને ફેન્સ તેમને નવા જીવન માટે શુભકામનાઓ પાઠવી રહ્યા છે.</p><p><b><a href="https://sandesh.com/entertainment/news/ranveer-singh-birthday-special-from-being-a-waiter-at-starbucks-to-becoming-a-superstar-here-is-ranveer-singhs-struggle-story" target="_blank">આ પણ વાંચો : Ranveer Singh Birthday Special: સ્ટારબક્સમાં વેઈટરથી લઈને સુપરસ્ટાર બનવા સુધી, આવી છે રણવીર સિંહની સંઘર્ષગાથા</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/06/oSSBM8hB7o8OydeALdJ9LimjjEUONvculipY6jM1.webp'/></item><item><title><![CDATA[Ram Mandir Donation Row : ખિસ્સામાં અને પગરખામાં નોટો છુપાવતા જોવા મળ્યા કર્મચારીઓ, SITના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો ]]></title><link>https://sandesh.com/india/news/ram-mandir-donation-row-sit-report-cash-counting-irregularities</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ram-mandir-donation-row-sit-report-cash-counting-irregularities</guid><pubDate>Mon, 06 Jul 2026 22:41:04 +05:30</pubDate><description><![CDATA[<p>અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં દાનની રકમની ગણતરી દરમિયાન થયેલી કથિત ચોરી અને ગેરવહીવટ મામલે વિશેષ તપાસ ટીમ (SIT)ની પ્રાથમિક તપાસમાં અનેક ગંભીર અનિયમિતતાઓ સામે આવી છે. ઉત્તર પ્રદેશ સરકારે 25 જૂન, 2026ના રોજ આ અહેવાલ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને મોકલી આપ્યો છે.</p><h2><b>70 શંકાસ્પદ બનાવો નોંધાયા</b></h2><p>SITના અહેવાલ મુજબ 27 એપ્રિલથી 5 જૂન, 2026 દરમિયાનના CCTV ફૂટેજમાં ગણતરી રૂમમાં કેટલાક કર્મચારીઓ નોટોના બંડલ અને રોકડ રકમ કપડાં, ખિસ્સા, જૂતા તથા અન્ય જગ્યાએ છુપાવતા જોવા મળ્યા હતા. તપાસમાં આવા અંદાજે 70 શંકાસ્પદ બનાવો નોંધાયા છે. તપાસમાં જાણવા મળ્યું કે આ એકાદ ઘટના નહોતી, પરંતુ અનેક દિવસો સુધી ચાલતી વ્યવસ્થિત ગેરરીતિ હતી. ગણતરી રૂમમાં સુરક્ષાના નિયમોનું યોગ્ય પાલન થયું નહોતું. કર્મચારીઓની પ્રવેશ-નિકાસ સમયે તપાસ કરવામાં આવતી નહોતી, વ્યક્તિગત સામાન પર નિયંત્રણ ન હતું અને અનેક દાનપેટીઓની રકમ એકસાથે ગણાતી હતી.&nbsp;</p><h3><b>કર્મચારીઓ પાસેથી 78.94 લાખ રૂપિયા મળ્યાનો ઉલ્લેખ</b></h3><p>SITએ અવનીશ શુક્લા, અનુકૂલ મિશ્ર, લવકુશ મિશ્ર, મનીષ કુમાર યાદવ, કરુણેશ પાંડે અને રામશંકર મિશ્ર સહિત છ લોકોની પ્રાથમિક સંડોવણી દર્શાવી છે. તપાસ પહેલાં કેટલાક કર્મચારીઓ પાસેથી આશરે 78.94 લાખ રૂપિયા અને 4 જૂનના રોજ ગણતરી રૂમમાંથી વધારાના 2.25 લાખ રૂપિયા મળ્યાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.</p><h4><b>અનિલ મિશ્રા સામે અનેક સવાલો</b></h4><p>અહેવાલમાં જણાવાયું છે કે કેટલાક કર્મચારીઓના બેન્ક ખાતામાં તેમની જાહેર આવક કરતાં વધુ રોકડ જમા થઈ હોવાનું પણ સામે આવ્યું છે. ઉપરાંત ટ્રસ્ટના વરિષ્ઠ ટ્રસ્ટી ડૉ. અનિલ મિશ્રાની દેખરેખ અને સુરક્ષા વ્યવસ્થાના અમલીકરણ અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. જોકે, ચાંદીની ઈંટો સહિતની કિંમતી વસ્તુઓ ગુમ થયાના સોશિયલ મીડિયા પરના દાવાઓની પ્રાથમિક તપાસમાં પુષ્ટિ થઈ નથી. આ મામલે વધુ તપાસ અને કાયદાકીય કાર્યવાહી ચાલુ છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/ayodhya-news-ram-temple-trust-makes-gold-ramcharitmanas-and-foot-mark-public-krishna-mohan-becomes-general-secretary" target="_blank">આ પણ વાંચો : Ayodhya News: રામ મંદિર ટ્રસ્ટે સાર્વજનિક કર્યા સોનાના રામચરિતમાનસ અને ચરણ ચિહ્ન, કૃષ્ણ મોહન બન્યા મહાસચિવ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/06/3z0Q1kXN68gELf3QozyVBBaCNkqAJ1XDRmEHhasK.webp'/></item><item><title><![CDATA[વાંચો 7 જુલાઈના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે ]]></title><link>https://sandesh.com/india/news/gujarat/read-about-important-events-happening-on-july-7th</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/gujarat/read-about-important-events-happening-on-july-7th</guid><pubDate>Mon, 06 Jul 2026 22:00:54 +05:30</pubDate><description><![CDATA[<p>6 જુલાઈનો દિવસ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યંત મહત્વનો છે.એક તરફ જ્યાં હવામાન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે, ત્યાં બીજી તરફ દેશના 21 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વડાપ્રધાન મોદીનો કાલે વિદેશ પ્રવાસનો બીજો દિવસ છે. દિલ્હીમાં ઈ વ્હિકલની શરૂઆત થશે.<br><br><h2><b>વર્ષ 2008 સિરિયલ બ્લાસ્ટ કેસ મામલે 7 જુલાઈએ ગુજરાત હાઇકોર્ટ આપશે ચુકાદો</b></h2></p><p>વર્ષ 2008ના અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં મહત્વના વળાંક સમાન ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો આવતીકાલે ૭ જુલાઈના રોજ આવવાની શક્યતા છે. આ કેસમાં સ્પેશિયલ કોર્ટ દ્વારા ૩૮ દોષિતોને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી, જેના 'ડેથ સેન્ટેન્સ કન્ફર્મેશન' (સજાની પુષ્ટિ) માટેની અપીલ પર ગુજરાત હાઈકોર્ટમાં લાંબી સુનાવણી ચાલી હતી. આ આતંકવાદી ઘટનાના વર્ષો પછી આજે જ્યારે ન્યાયિક પ્રક્રિયા તેના અંતિમ તબક્કે છે, ત્યારે સૌની નજર હાઈકોર્ટના આ સંવેદનશીલ ચુકાદા પર ટકેલી છે.</p><h2><b>વડાપ્રધાન મોદીની ઈન્ડોનેશિયા મુલાકાત</b></h2><p></p><p>વડાપ્રધાન મોદીની ઈન્ડોનેશિયા મુલાકાતનો આવતીકાલે બીજો દિવસ છે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન રાષ્ટ્રપતિ પ્રબોવો સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે અને ભાગીદારીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે.જકાર્તામાં વડાપ્રધાન ભારતીય પ્રવાસી સમુદાયની એક વિશાળ સભાને સંબોધિત કરશે.વડાપ્રધાન ઈન્ડોનેશિયાના એક મુખ્ય યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ,યોગ્યાકાર્તા સ્થિત પ્રમ્બાનન મંદિર પરિસરની પણ મુલાકાત લેશે.</p><h3><b>દિલ્હીમાં દોડશે 300 નવી ઈલેક્ટ્રિક બસો</b></h3><p>દિલ્હીમાં દોડશે 300નવી ઈલેક્ટ્રિક બસો, ગૃહમંત્રી અમિત શાહ લીલી ઝંડી બતાવશે, લોકોનો પ્રવાસ સરળ બનશે.</p><h2><b>કોકરોચ જનતા પાર્ટી અંગે કાલે સુનાવણી</b></h2><p>કોકરોચ જનતા પાર્ટીના X હેન્ડલને બ્લોક કરવા સામે દાખલ કરવામાં આવેલી અરજી પર આવતીકાલે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થશે.</p><h2><b>7 જુલાઈએ યુપીના મુખ્યમંત્રીનો પ્રતાપગઢ પ્રવાસ</b></h2><p>7 જુલાઈએ યુપીના મુખ્યમંત્રીનો પ્રતાપગઢ પ્રવાસ. તેઓ 380 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.સાથે જ જનસભાને સંબોધિત પણ કરશે.</p><h2><b>બ્રિક્સ વિમેન વર્કિંગ ગ્રુપની બેઠક</b></h2><p>બ્રિક્સ વિમેન વર્કિંગ ગ્રુપની બેઠકનો આવતીકાલે છેલ્લો દિવસ છે.ભારત અધ્યક્ષતા કરી રહ્યું છે. 11 બ્રિક્સ દેશો ભાગ લઈ રહ્યા છે.બેઠક કોચીમાં ચાલી રહી છે.</p><h2><b>અશોક ગેહલોત આવતીકાલે મીડિયાને સંબોધશે</b></h2><p>રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત આવતીકાલે 07 જુલાઈ 2026ના રોજ બપોરે 12.30 વાગ્યે કોંગ્રેસ કાર્યાલય નવી દિલ્હી ખાતે મીડિયાને સંબોધિત કરશે</p><h2><b>શાકભાજીના ભાવમાં વધારો</b></h2><p>રાજકોટમાં વરસાદી સીઝન શરૂ શાકભાજીના ભાવમાં વધારો થયો, લીલા શાકભાજી ની શોર્ટેજ અને સપ્લાય ચેન ખોરવાઈ જતા ભાવ વધારો&nbsp;</p><h2><b>રાજ્યપાલ આચાર્ય દેવદ્રત અરવલ્લી જિલ્લાની મુલાકાતે</b></h2><p>આવતીકાલે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવદ્રત અરવલ્લી જિલ્લાની મુલાકાતે છે જેમાં જેમાં તેઓ ગઢડા ગામે શાળા ની મુલાકાત લેશે ગામ માં આવતા ખેતરો માં હળ ચલાવી, ગાય નું દૂધ કાઢશે સવારે બાળકો અને ખેડૂતો સાથે યોગ કરશે બીજા દિવસે બીએપીએસ મંદિર હોલ ખાતે ખેડૂતો સાથે સંવાદ કરશે અને પ્રાકૃતિક ખેતી વિશે સમજ આપશે</p><h2><b>21 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી</b></h2><p>આવતીકાલે દેશના 21 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ થવાની સંભાવનાઓ છે. 75 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે</p><h2><b>7 જુલાઈના રોજ જન્મેલી હસ્તીઓ</b></h2><p><b>મહેન્દ્ર સિંહ ધોની&nbsp;</b></p><p>ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને વિશ્વના સર્વશ્રેષ્ઠ ફિનિશર તેમજ વિકેટ કીપર-બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીનો જન્મ ૭ જુલાઈ, ૧૯૮૧ના રોજ થયો હતો. તેમની આગેવાનીમાં ભારતે ૨૦૦૭ (T20) અને ૨૦૧૧ (ODI) વર્લ્ડ કપ જીત્યો હતો.</p><p><b>કૈલાશ ખેર&nbsp;</b></p><p>ભારતીય પ્લેબેક સિંગર અને મ્યુઝિક કમ્પોઝર કૈલાશ ખેરનો જન્મ ૭ જુલાઈ, ૧૯૭૩ના રોજ થયો હતો. તેઓ તેમના અનોખા અને સૂફી અંદાજના ગાયન માટે સમગ્ર વિશ્વમાં જાણીતા છે.</p><p><b>વી. એસ. નાયપોલ&nbsp;</b></p><p>નોબેલ પુરસ્કાર વિજેતા પ્રખ્યાત લેખક સર વિદ્યાધર સૂરજપ્રસાદ નાયપોલનો જન્મ ૭ જુલાઈ, ૧૯૩૨ના રોજ થયો હતો. તેઓ ભારતીય મૂળના બ્રિટિશ લેખક હતા, જેમને સાહિત્યમાં તેમના યોગદાન માટે વર્ષ ૨૦૦૧માં નોબેલ પુરસ્કાર મળ્યો હતો.</p><p><b>સુનીલ ગાવસ્કર&nbsp;</b></p><p>મહાન ભારતીય ક્રિકેટર 'લિટલ માસ્ટર' સુનીલ ગાવસ્કરનો જન્મ પણ ૭ જુલાઈ, ૧૯૪૯ના રોજ થયો હતો. તેઓ ટેસ્ટ ક્રિકેટમાં ૧૦,૦૦૦ રન બનાવનાર વિશ્વના પ્રથમ બેટ્સમેન હતા.</p><p><b>માહૌમાદ ગુલામ&nbsp;</b></p><p>જોકે આ યાદીમાં સૌથી વધુ ચર્ચિત હસ્તીઓ ધોની અને ગાવસ્કર છે, પરંતુ ૭ જુલાઈના દિવસે કલા, સાહિત્ય અને રમતગમત જગતના ઘણા અન્ય નાના-મોટા કલાકારોનો પણ જન્મદિવસ હોય છે.<br><br></p><h2><b>7 જુલાઈના રોજ બનેલી ઐતિહાસિક ઘટનાઓ</b></h2><p></p><p><b>1896 ભારતનું પ્રથમ સિનેમા પ્રદર્શન</b></p><p>મુંબઈના વોટસન હોટલમાં લ્યુમિઅર બ્રધર્સે ભારતમાં સિનેમેટોગ્રાફનું સૌપ્રથમ પ્રદર્શન કર્યું હતું.આ ઘટનાએ ભારતમાં સિનેમાના યુગની શરૂઆત કરી હતી</p><p><b>1985 બોરિસ બેકરે ઈતિહાસ રચ્યો</b></p><p>જર્મનીના ટેનિસ ખેલાડી બોરિસ બેકરે માત્ર 17 વર્ષની ઉંમરે વિમ્બલ્ડન જીતીને ઈતિહાસ રચ્યો હતો. તેઓ વિમ્બલ્ડન જીતનાર સૌથી યુવા ખેલાડી બન્યા હતા</p><p><b>2007 ન્યૂ 7 વન્ડર્સ ઓફ ધ વર્લ્ડની જાહેરાત&nbsp;</b></p><p>પોર્ટુગલની રાજધાની લિસ્બનમાં વિશ્વના નવા સાત અજાયબીઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી જેમાં ભારતના તાજમહેલનો પણ સમાવેશ થયો હતો</p><p><b>2005 લંડનમાં બોમ્બ ધડાકા&nbsp;</b></p><p>લંડનમાં પરિવહન નેટવર્ક (ટ્રેન અને બસ) પર શ્રેણીબદ્ધ આતંકવાદી હુમલા થયા હતા, જેમાં ૫૨ નિર્દોષ લોકોના મોત થયા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા. આ દિવસ ઈતિહાસમાં એક દુઃખદ દિવસ તરીકે નોંધાયેલો છે.</p><p><b>2015 ભારતીય સુરક્ષા દળો દ્વારા મોટી કાર્યવાહી&nbsp;</b></p><p>આ દિવસે જમ્મુ-કાશ્મીરના ગુરદાસપુરના દીનાનગરમાં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં સુરક્ષા દળોએ સાહસિક રીતે આતંકવાદીઓનો સામનો કરી તેમને ઠાર કર્યા હતા.&nbsp;</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/06/8UMIcCfgqJfXgHHVb96wKoPNVtmet6aTOGpZjXHm.webp'/></item><item><title><![CDATA[Auto News: નવા લુક અને માઇલ્ડ-હાઇબ્રિડ એન્જિન સાથે 28 જુલાઈએ લોન્ચ થશે આ નવી પિકઅપ! ]]></title><link>https://sandesh.com/business/news/automobile/auto-news-this-new-pickup-will-be-launched-on-july-28-with-a-new-look-and-mild-hybrid-engine</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/auto-news-this-new-pickup-will-be-launched-on-july-28-with-a-new-look-and-mild-hybrid-engine</guid><pubDate>Mon, 06 Jul 2026 20:39:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જો તમે એક પાવરફુલ પિકઅપ ટ્રક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. Toyota આગામી 28 જુલાઈ 2026ના રોજ પોતાની લોકપ્રિય પિકઅપ Hiluxનું નવું મોડલ લોન્ચ કરવા જઈ રહી છે. આ Hiluxની 9મી જનરેશન હશે, જેમાં પહેલા કરતા ઘણા મોટા ફેરફારો જોવા મળશે. નવી Hiluxને નવું એક્સટીરિયર ડિઝાઇન, મોર્ડન ઇન્ટીરિયર અને ઘણા એડવાન્સ ફીચર્સ સાથે રજૂ કરવામાં આવશે. જો કે, કંપની આમાં પહેલા જેવું જ ભરોસાપાત્ર ડીઝલ એન્જિન ચાલુ રાખી શકે છે.</p><h2 style="text-align: justify; "><b>પહેલા કરતા વધુ આકર્ષક અને દમદાર</b></h2><p style="text-align: justify; ">નવી Toyota Hiluxની ઓવરઓલ ડિઝાઇન પહેલા જેવી જ રહેશે, પરંતુ તેના ફ્રન્ટ લુકમાં ઘણા ફેરફારો કરવામાં આવી શકે છે. તેમાં નવું બોડી-કલર હનીકોમ્બ ગ્રીલ, પહેલા કરતા પાતળી LED હેડલેમ્પ, નવું બમ્પર અને મજબૂત સ્કીડ પ્લેટ મળવાની આશા છે. આનાથી પિકઅપ ટ્રક પહેલા કરતા વધુ આકર્ષક અને દમદાર દેખાશે.</p><h3 style="text-align: justify; "><b>ડિઝાઇનમાં થશે આ ફેરફારો</b></h3><p style="text-align: justify; ">સાઇડ પ્રોફાઇલમાં બહુ વધારે ફેરફાર જોવા નહીં મળે. દરવાજાની ડિઝાઇન અને પહોળા વ્હીલ આર્ચ પહેલા જેવા જ રહી શકે છે. જો કે કંપની આમાં નવી ડિઝાઇનવાળા એલોય વ્હીલ આપી શકે છે, જેનાથી તેનો લુક વધુ પ્રીમિયમ બની જશે. પાછળની તરફ પણ કેટલાક ફેરફારો જોવા મળી શકે છે. નવી Hiluxમાં અપડેટેડ LED ટેલલાઇટ્સ, નવું રિયર બમ્પર અને ટેલગેટ પર Toyotaનું મોટું નામ લખેલું મળી શકે છે. આનાથી ટ્રકનો પાછળનો ભાગ પણ પહેલા કરતા વધુ મોર્ડન દેખાશે.</p><h4 style="text-align: justify; "><b>અંદર મળશે અઢળક ફીચર્સ</b></h4><p style="text-align: justify; ">સૌથી મોટો ફેરફાર કેબિનની અંદર જોવા મળશે. નવી Hiluxમાં 12.3-ઇંચની બે મોટી સ્ક્રીન મળવાની સંભાવના છે. જેમાંથી એક ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને બીજી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ માટે હશે. આ સિવાય નવું સ્ટીયરીંગ વ્હીલ અને નવું સેન્ટર કન્સોલ પણ આપવામાં આવી શકે છે. Toyotaએ આ વખતે પણ ઘણા જરૂરી ફિઝિકલ બટનો જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. આનાથી ઓફ-રોડ ડ્રાઇવિંગ અને રોજિંદા ઉપયોગ દરમિયાન ફીચર્સનો ઉપયોગ કરવો સરળ રહેશે.</p><h5 style="text-align: justify; "><b>સેફ્ટી અને પાવર</b></h5><p style="text-align: justify; ">ફીચર્સની વાત કરીએ તો નવી Hiluxમાં 360 ડિગ્રી કેમેરા, ADAS, પાવર્ડ ફ્રન્ટ સીટ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ, વાયરલેસ કનેક્ટિવિટી અને અન્ય ઘણી પ્રીમિયમ સુવિધાઓ મળવાની આશા છે. આનાથી આ પિકઅપ પહેલા કરતા વધુ સુરક્ષિત અને આરામદાયક બની જશે. એન્જિનમાં મોટો ફેરફાર થવાની સંભાવના નથી. નવી Hiluxમાં એ જ 2.8-લીટર ડીઝલ એન્જિન મળશે, જે 204 હોર્સપાવર અને 500 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 6-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ બંને વિકલ્પોમાં ઉપલબ્ધ હોઈ શકે છે. સાથે જ આમાં 4×4 ડ્રાઇવ સિસ્ટમ પણ મળશે, જેનાથી તે મુશ્કેલ રસ્તાઓ પર પણ શાનદાર પ્રદર્શન કરશે.</p><h6 style="text-align: justify; "><b>હાઇબ્રિડ એન્જિન</b></h6><p style="text-align: justify; ">અહેવાલો અનુસાર, Toyota આ એન્જિન સાથે 48V માઇલ્ડ-હાઇબ્રિડ સિસ્ટમ પણ આપી શકે છે. આ જ ટેકનોલોજી કંપનીએ તાજેતરમાં Fortuner Neo Driveમાં પણ ઉપયોગ કરી છે. આનાથી વધુ સારી માઇલેજ અને સ્મૂધ ડ્રાઇવિંગનો ફાયદો મળી શકે છે. વૈશ્વિક સ્તરે Toyotaએ ઇલેક્ટ્રિક Hilux પણ રજૂ કરી છે, જેમાં 59.2 kWh બેટરી અને ડ્યુઅલ મોટર સેટઅપ આપવામાં આવ્યું છે. જો કે, હાલમાં એ સ્પષ્ટ નથી કે કંપની આ ઇલેક્ટ્રિક મોડલને ભારતમાં લોન્ચ કરશે કે નહીં.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/automobile" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/06/TbMk73QTYgQiwgYsQ49CmbNSwA1LDy3K7N4kth5c.webp'/></item></channel></rss>