<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabad News: બ્લાસ્ટ કેસનો ચુકાદો આપનાર નિવૃત્ત જજે કહ્યું, મને અનેક ધમકી મળી અને મારા ઘરની રેકી થતી ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/retired-judge-says-he-received-threats-after-delivering-2008-serial-blast-verdict</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/retired-judge-says-he-received-threats-after-delivering-2008-serial-blast-verdict</guid><pubDate>Tue, 07 Jul 2026 16:53:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદને હચમચાવી દેનારા વર્ષ 2008ના શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટ તરફથી ખૂબ જ મહત્વપૂર્ણ ચુકાદો સામે આવ્યો છે.હાઈકોર્ટે આ ચકચારી કેસમાં ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલા અગાઉના ચુકાદાને સંપૂર્ણપણે યથાવત રાખ્યો છે. કોર્ટે ચુકાદા સામે કરવામાં આવેલી તમામ 3 કાનૂની અરજીઓને પણ ફગાવી દીધી છે. ટ્રાયલ કોર્ટમાં આ ચુકાદો આપનાર નિવૃત્ત જજ અંબાલાલ પટેલે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાત કરી હતી.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ડેથ વોરન્ટ પર સહી કરવાનો અફસોસ નથી</b></h2><p style="text-align: justify; ">અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો ચુકાદો આપનારા નિવૃત જજ અંબાલાલ પટેલે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે,આ જટિલ કેસના ચુકાદામાં સાયન્ટિફિક પુરાવા અને પાવાગઢમાં આરોપીઓને મળેલી ટ્રેનિંગના પુરાવા સૌથી વધુ નિર્ણાયક સાબિત થયા હતા.આ કેસ દરમિયાન 1175 સાક્ષીઓની જુબાની લેવી એ ખૂબ જ અઘરો ટાસ્ક હતો.જેમાં 300 જુબાનીના 500 પાનાનો ઊંડો અભ્યાસ કરવામાં આવ્યો હતો.તમામ મજબૂત પુરાવાઓ રેકોર્ડ પર હોવાને કારણે ચુકાદો આપવામાં સરળતા રહી હતી અને ડેથ વોરન્ટ પર સહી કરવાનો તેમને સહેજ પણ અફસોસ નથી.</p><h2 style="text-align: justify; "><b>ચુકાદો આપ્યા બાદ તેમને સતત અનેક ધમકીઓ મળી</b></h2><p style="text-align: justify; ">નિવૃત જજ અંબાલાલ પટેલે ન્યાયિક પ્રક્રિયા દરમિયાન અસુરક્ષા અંગે પણ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.તેમણે જણાવ્યું કે કેસની સુનાવણી દરમિયાન જેલમાં પાંચ વર્ષ સુધી આરોપીઓ તેમને રોજ ગાળો બોલતા હતા.ચુકાદો આપ્યા બાદ પણ તેમને સતત અનેક ધમકીઓ મળી હતી અને અવારનવાર તેમના ઘરની રેકી કરવામાં આવતી હતી.આ તમામ જોખમો અને પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ નિવૃત્ત જજ અંબાલાલ પટેલે નીડરતા પૂર્વક કાયદાનું પાલન કરીને બ્લાસ્ટ કેસમાં ન્યાય તોળ્યો હતો.<br><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/valsad/madhuban-dam-gates-opened-damanganga-river-flood-alert" target="_blank">આ પણ વાંચોઃ Valsad: ઉપરવાસમાં ભારે વરસાદથી મધુબન ડેમમાં પાણીની આવક, દમણગંગા નદીમાં પાણી છોડાતા નદી બંને કાંઠે</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/Aar7oiHEaXScVEIkR6IBRKhFzUInRFuslgLpKNyO.webp'/></item><item><title><![CDATA[Banaskanthaના દિયોદરમાં વીડિયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરનાર યુવક સામે ફરિયાદ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/complaint-filed-against-youth-who-raped-girl-in-deodar-banaskantha-threatening-to-make-video-viral</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/complaint-filed-against-youth-who-raped-girl-in-deodar-banaskantha-threatening-to-make-video-viral</guid><pubDate>Tue, 07 Jul 2026 16:40:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બનાસકાંઠા જિલ્લાના દિયોદર પંથકમાં સોશિયલ મીડિયાના માધ્યમથી બ્લેકમેલિંગ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક નરાધમે પીડિત યુવતીને સોશિયલ મીડિયા પર તેની અંગત પળોનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું હતું. ત્યારબાદ આ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ કરવાની સતત ધમકીઓ આપીને યુવતીની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો સનસનાટીભર્યો આરોપ લગાવવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; ">કોટડા ગામના આદિત્ય સામે ગુનો દાખલ&nbsp;</h2><p style="text-align: justify; ">પીડિતાએ હિંમત ભેગી કરીને આખરે દિયોદર પોલીસ મથકે ન્યાય માટે નરાધમ યુવક વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો અનુસાર, દિયોદર તાલુકાના કોટડા (ફો) ગામના રહેવાસી આદિત્ય ચૌધરી નામના યુવક સામે આ ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપી યુવકે માત્ર ધમકી જ નહોતી આપી, પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો વાયરલ પણ કરી દીધો હોવાના ગંભીર આક્ષેપો યુવતી દ્વારા કરવામાં આવ્યા છે.</p><h3 style="text-align: justify; ">દિયોદર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી</h3><p style="text-align: justify; ">આ ચકચારી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને દિયોદર પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયા છે. પોલીસે પીડિત યુવતીની ફરિયાદના આધારે આદિત્ય ચૌધરી વિરુદ્ધ આઈપીસી અને આઈટી એક્ટની વિવિધ કડક કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદાકીય તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પરથી એ વીડિયો હટાવવા તથા ફરાર આરોપીને વહેલી તકે ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><b><br></b></p><p style="text-align: justify; "><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/w42wVHzP1Hbx6TbpWLkcCFT4srI9Ky1QYRszWv95.webp'/></item><item><title><![CDATA[Gujarat Rain: સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે જાણો આ ત્રણ જિલ્લાની શું છે સ્થિતિ ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/gandhinagar/government-reviews-heavy-rain-situation-in-amreli--rajkot-and-bhavnagar</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/gandhinagar/government-reviews-heavy-rain-situation-in-amreli--rajkot-and-bhavnagar</guid><pubDate>Tue, 07 Jul 2026 16:30:32 +05:30</pubDate><description><![CDATA[<p>સૌરાષ્ટ્ર પંથકમાં વરસેલા અનરાધાર વરસાદ અને પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજ્ય સરકાર એલર્ટ મોડ પર છે.અમરેલી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ આજે સવારે ગાંધીનગર ખાતેથી અમરેલી,રાજકોટ અને ભાવનગર જિલ્લાના વહીવટી તંત્ર સાથે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજી હતી.આ બેઠકમાં મંત્રી તેમણે ત્રણેય જિલ્લામાં પ્રવર્તમાન પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે ત્રણેય જિલ્લાના કલેક્ટરો પાસેથી નીચાણવાળા વિસ્તારો, નદી-નાળાની પ્રવર્તમાન સ્થિતિ અને જળાશયોમાં પાણીની આવક અંગેનો લાઈવ રિપોર્ટ મેળવ્યો હતો.&nbsp;</p><h2><b>મંત્રી જીતુ વાઘાણીએ અધિકારીઓને સૂચનાઓ આપી</b></h2><p>મંત્રી જીતુ વાઘાણીએ ભારે વરસાદને કારણે વીજ પુરવઠો કે પાણી પુરવઠો ખોરવાવો કે રસ્તાઓ બ્લોક થવા જેવી તાત્કાલિક સમસ્યાઓના ત્વરિત નિકાલ માટે PGVCL,પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગ તથા માર્ગ મકાન વિભાગને સ્ટેન્ડબાય રહેવા આદેશ આપ્યા છે.આ ઉપરાંત મંત્રીશ્રીએ તાકીદ કરી હતી કે,ફરી એકવાર ભયજનક મકાનો અને હોર્ડિંગ્સની ચકાસણી કરીને હજુ પણ ક્યાંય આવા જોખમી એકમો રહી ગયા હોય તો તેને તાત્કાલિક ધોરણે દૂર કરવા પણ સૂચના અપાઈ હતી. સંભવિત રોગચાળો અટકાવવા માટે ક્લોરિન ટેબ્લેટ્સ અને ORSનો પૂરતો જથ્થો રાખવા તેમજ તાલુકા કક્ષાએ રેપિડ રિસ્પોન્સ ટીમ કાર્યરત કરવા આરોગ્ય વિભાગને તાકીદ કરાઈ છે.&nbsp;</p><h3><b>અમરેલી જિલ્લામાં 12 ઇંચ જેટલો વરસાદ વરસ્યો</b></h3><p>અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે સરેરાશ 12 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જે કુલ સરેરાશ વરસાદના 42 ટકાથી પણ વધુ છે.જેમાં છેલ્લા 24 કલાક દરમિયાન જ જિલ્લામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.આકસ્મિક પરિસ્થિતિમાં રાહત-બચાવની કામગીરી માટે અમરેલીમાં હાલમાં 2 NDRFની ટીમો તૈનાત છે.જિલ્લામાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ 76 નાગરિકને રેસ્ક્યુ અને 641 નાગરિકોનું સ્થળાંતર કરીને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે.રાજ્ય હસ્તકના કુલ 25 જેટલા રસ્તાઓ બંધ થયા હતા જેમાંથી 19  રસ્તાઓને હાલ પૂર્વવત કરવામાં આવ્યા છે.</p><h2><b>ભાવનગર જિલ્લામાં 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો</b></h2><p>ભાવનગર જિલ્લામાં ચાલુ વર્ષે સરેરાશ 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.જેમાં છેલ્લા 24 કલાક દરમિયાન જ જિલ્લામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાહત-બચાવની કામગીરી માટે ભાવનગરમાં હાલમાં 1 NDRFની ટીમ તૈનાત છે.રેસ્ક્યુ અથવા સ્થળાંતર કરાયેલા નાગરિકોને રહેવા માટે જિલ્લામાં કુલ 982આશ્રય સ્થળો નિયત કરવામાં આવ્યા છે.જિલ્લામાં પંચાયત હસ્તકના 918 રસ્તાઓ પૈકી 7 રસ્તાઓ બંધ છે. જેમાંથી 6 રસ્તાઓને ડાયવર્ઝન અને એક રસ્તાને વૈકલ્પિક રસ્તો ચાલુ કરવામાં આવ્યો છે.</p><h2><b>રાજકોટ જિલ્લામાં 5 ઈંચથી વધુ વરસાદ</b></h2><p>રાજકોટ જિલ્લામાં ચાલુ વર્ષે સરેરાશ 5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.જે કુલ સરેરાશ વરસાદના 18 ટકાથી વધુ છે.જેમાં છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.આકસ્મિક પરિસ્થિતિમાં રાહત-બચાવની કામગીરી માટે રાજકોટમાં હાલમાં 1 NDRF અને 1 SDRFની ટીમ તૈનાત છે.આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટ જિલ્લાના દરેક તાલુકામાં રેપિડ રિસ્પોન્સ ટીમની રચના કરવામાં આવી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/bhavnagar/heavy-rain-damages-3-houses-in-jesar" target="_blank">આ પણ વાંચોઃ Bhavnagar News: જેસરના તાતણીયા અને બીલા ગામમાં 3 મકાનોની દિવાલ ધરાશાયી, ઘરવખરીને ભારે નુકસાન</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/5ga7pZBuI8AKNeoPEEr9VoQ4h2fPbEbDy7Gceqj6.webp'/></item><item><title><![CDATA[Vande Bharat Express : નોર્થ ઈસ્ટના આ રાજ્યને ટૂંક સમયમાં મળશે વંદે ભારત એક્સપ્રેસ, રેલવે કનેક્ટિવિટીને મળશે નવી ગતિ ]]></title><link>https://sandesh.com/india/news/vande-bharat-express-tripura-northeast-rail-connectivity-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/vande-bharat-express-tripura-northeast-rail-connectivity-2026</guid><pubDate>Tue, 07 Jul 2026 16:04:20 +05:30</pubDate><description><![CDATA[<p>ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ જાહેરાત કરી છે કે રાજ્યમાંથી ટૂંક સમયમાં વંદે ભારત એક્સપ્રેસ શરૂ થવાની શક્યતા છે. અગરતલાના બદરઘાટ રેલવે સ્ટેશન ખાતે અગરતલા-કરીમગંજ-અગરતલા MEMU ટ્રેન સેવાના પ્રારંભ પ્રસંગે તેમણે આ માહિતી આપી હતી. તેમના જણાવ્યા મુજબ, વંદે ભારત ટ્રેન શરૂ થવાથી ઉત્તર-પૂર્વ ભારતમાં રેલવે કનેક્ટિવિટીને વધુ મજબૂતી મળશે અને મુસાફરોને ઝડપી તેમજ આરામદાયક મુસાફરીનો લાભ મળશે.</p><h2><b>ત્રિપુરામાં રેલવેનો ઈતિહાસ 1964થી શરૂ થયો</b></h2><p>મુખ્યમંત્રીએ જણાવ્યું કે ત્રિપુરામાં રેલવેનો ઈતિહાસ 1964થી શરૂ થયો હતો, જ્યારે પ્રથમ મીટર ગેજ ટ્રેને આસામના કલકલીઘાટને ધર્મનગર સાથે જોડ્યું હતું. ત્યારબાદ 1990માં રેલવે નેટવર્ક કુમારઘાટ સુધી વિસ્તર્યું હતું. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ દરમિયાન ત્રિપુરાની રેલવે યોજના રાષ્ટ્રીય પ્રોજેક્ટ જાહેર કરવામાં આવી હતી. વર્ષ 2008માં રેલવે સેવા અગરતલા સુધી પહોંચી અને 2014 બાદ 'એક્ટ ઈસ્ટ પોલિસી' હેઠળ મીટર ગેજને બ્રોડ ગેજમાં રૂપાંતરિત કરવાની કામગીરીને વેગ મળ્યો.</p><h3><b>કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી</b></h3><p>માણિક સાહાએ જણાવ્યું કે તેમણે તાજેતરમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી હતી અને રાજ્યમાં વધુ સારી રેલવે સુવિધા તેમજ મુસાફરો માટે નવી સેવાઓ શરૂ કરવાની માગ કરી હતી. રેલવે મંત્રીએ રાજ્યને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી છે. તેમણે વધુમાં જણાવ્યું કે ચુરાઈબારીથી શરૂ થતા આશરે 271 કિલોમીટર લાંબા રેલવે ટ્રેકનું વિદ્યુતીકરણ 2026 સુધી પૂર્ણ થવાની આશા છે.&nbsp;</p><p>આ કામગીરી પૂર્ણ થયા બાદ ત્રિપુરાથી વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવાની યોજના છે. ઉપરાંત, સબરૂમ સુધી ડબલ રેલવે લાઈન, જિરાનિયાથી બોધજંગનગર ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ સુધી નવી રેલવે લાઈન અને ત્રિપુરાને જમ્મુ, પુરી તથા ગયા સાથે નવી એક્સપ્રેસ ટ્રેનો દ્વારા જોડવાના પ્રસ્તાવ પણ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે.</p><p><b><a href="https://sandesh.com/world/news/india/pm-modis-address-to-the-indonesian-parliament-said-india-believes-in-the-policy-of-development-not-expansionism" target="_blank">આ પણ વાંચો : Indonesia ની સંસદમાં પીએમ મોદીનું સંબોધન, કહ્યું "ભારત વિસ્તરણવાદમાં નહીં, પણ વિકાસની નીતિમાં માને છે"</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/NXNPXPG1JaBQO8fKHHVZgudqAiVxYrgr1FDBfOwF.webp'/></item><item><title><![CDATA[Monsoon 2026 : સુરતના કામરેજમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સવારથી 6 ઇંચ વરસાદથી નેશનલ હાઈવે જળબંબાકાર ]]></title><link>https://sandesh.com/weather/news/gujarat/surat/monsoon-2026-6surat-kamrej-highway-flooded-heavy-rain-six-inches-traffic-jam</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/news/gujarat/surat/monsoon-2026-6surat-kamrej-highway-flooded-heavy-rain-six-inches-traffic-jam</guid><pubDate>Tue, 07 Jul 2026 15:45:46 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યા છે, ત્યારે સુરતના કામરેજ તાલુકામાં આજે સવારથી જ આકાશી આફત તૂટી પડી છે. કામરેજ અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા માત્ર થોડા જ કલાકોમાં 6 ઇંચથી વધુ મુસલધાર વરસાદ ખાબક્યો છે. આ આક્રમક વરસાદને કારણે સમગ્ર કામરેજ પંથક પાણી-પાણી થઈ ગયો છે અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.</p><h2 style="text-align: justify; "><b>હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો&nbsp;</b></h2><p style="text-align: justify; ">સૌથી ગંભીર સ્થિતિ કામરેજ નેશનલ હાઈવે પર જોવા મળી રહી છે. ધોધમાર વરસાદને કારણે મુખ્ય હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અનેક નાની ગાડીઓ અને ટુ-વ્હીલર્સ પાણીમાં બંધ પડી જતાં હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વાહનચાલકો જીવના જોખમે પાણીના જોરદાર પ્રવાહમાંથી પોતાના વાહનો પસાર કરવા મજબૂર બન્યા છે.</p><h3 style="text-align: justify; "><b>તંત્ર અને પોલીસ વિભાગ એક્શનમાં&nbsp;</b></h3><p style="text-align: justify; ">આ કપરી પરિસ્થિતિ વચ્ચે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ વરસતા વરસાદમાં પણ એક્શન મોડમાં જોવા મળ્યું હતું. ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં તે માટે પોલીસ જવાનો હાઈવે પર તૈનાત થઈ ગયા હતા અને પાણીની વચ્ચે ઉભા રહીને વાહનોને સલામત રીતે પસાર કરાવવાની પ્રશંસનીય કામગીરી હાથ ધરી હતી.</p><h4 style="text-align: justify; "><b>સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓમાં ભારે રોષ&nbsp;</b></h4><p style="text-align: justify; ">બીજી તરફ, સામાન્ય વરસાદમાં પણ નેશનલ હાઈવે જેવી મહત્વની સડક પર પાણી ભરાઈ જતાં સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રજાનો આક્રોશ છે કે હાઈવે ઓથોરિટી દ્વારા ચોમાસા પહેલા પ્રી-મોન્સૂન કામગીરી કે ડ્રેનેજ સફાઈ યોગ્ય રીતે કરવામાં આવી નથી. હાઈવે ઓથોરિટીની આ ગંભીર બેદરકારીનો ભોગ દર વર્ષની જેમ આ વખતે પણ સામાન્ય જનતા અને વાહનચાલકોએ બનવું પડ્યું છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો-----&nbsp; &nbsp; <a href="https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-ujarat-rain-forecast-red-alert-surat-navsari-valsad-port-signal-3" target="_blank"><b>&nbsp; Monsoon 2026 : ગુજરાતમાંથી ચોમાસાની સિસ્ટમ પસાર.. 23 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/9gv0akwvtZEQfilgjJDFmXhR5fY9MB8xt1OEF0Qd.webp'/></item><item><title><![CDATA[Ahmedabad Rain: શહેરના અનેક વિસ્તારોમાં મેઘમહેર, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં અડધો ઈંચ વરસાદ ખાબક્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/heavy-showers-lash-city-east-and-south-zones-receive-half-inch-rain</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/heavy-showers-lash-city-east-and-south-zones-receive-half-inch-rain</guid><pubDate>Tue, 07 Jul 2026 15:41:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં મેઘ મહેર શરૂ થઈ ગઈ છે.લાંબા સમયની પ્રતીક્ષા બાદ શહેરમાં ધીમીધારે વરસાદી માહોલ જામ્યો છે.જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.હળવા વરસાદને કારણે નાગરિકોને અસહ્ય ગરમી અને બફારામાંથી મોટી રાહત મળી છે અને આખું શહેર વરસાદી માહોલનો આનંદ માણી રહ્યું છે. આ વરસાદમાં શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને છેડા ભીંજાયા છે.અમદાવાદમાં થન્ડરસ્ટ્રોમ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>શહેરમાં સરેરાશ 0.32 ઇંચ વરસાદ નોંધાયો છે</b></h2><p style="text-align: justify; ">અમદાવાદ શહેરના લાલ દરવાજા, ખોખરા અને હાટકેશ્વર જેવા પૂર્વના વિસ્તારોની સાથે-સાથે એસ.જી. હાઇવે, માનસી સર્કલ અને બોડકદેવ જેવા પશ્ચિમના પોશ વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં સરેરાશ 0.32 ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં ઉત્તર ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આશરે પોણો ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનમાં અંદાજે અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.આ તરફ ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે.</p><h2 style="text-align: justify; "><b>સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની શક્યતાઓ&nbsp;</b></h2><p style="text-align: justify; ">હવામાન વિભાગના ડાયરેક્ટ ડોક્ટર એ. કે. દાસે કહ્યું હતું કે,  વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની શક્યતાઓ છે.આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર વહેલી, તાપી ડાંગ અને ભાવનગરમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.જ્યારે અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, ખેડા, અરવલ્લીમાં અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ દાહેર કરાયું છે. છે. આજે  જુનાગઢ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં ભારે વરસાદને કારણે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.&nbsp;<br></p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/valsad/madhuban-dam-gates-opened-damanganga-river-flood-alert" target="_blank">આ પણ વાંચોઃ Valsad: ઉપરવાસમાં ભારે વરસાદથી મધુબન ડેમમાં પાણીની આવક, દમણગંગા નદીમાં પાણી છોડાતા નદી બંને કાંઠે</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/raACYSalUO29cOWrcE6pKbFv71OmTbht24DrMk0f.webp'/></item><item><title><![CDATA[Defense Production : રક્ષા ક્ષેત્રે આત્મનિર્ભર ભારતને વેગ, ઉત્પાદન રૂપિયા 1.78 લાખ કરોડને પાર ]]></title><link>https://sandesh.com/business/news/india/defense-production-india-record-rs-1-78-lakh-crore-fy2025-26</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/defense-production-india-record-rs-1-78-lakh-crore-fy2025-26</guid><pubDate>Tue, 07 Jul 2026 15:38:04 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન દેશનું કુલ સંરક્ષણ ઉત્પાદન પ્રથમ વખત ₹1.78 લાખ કરોડના રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે, જે ગયા વર્ષની સરખામણીએ 15.6 ટકાનો વધારો દર્શાવે છે. આ સિદ્ધિમાં ખાનગી સંરક્ષણ કંપનીઓનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. કુલ ઉત્પાદનમાંથી આશરે ₹42,000 કરોડનો ફાળો ખાનગી ક્ષેત્રનો રહ્યો, જે અત્યાર સુધીનો સૌથી મોટો હિસ્સો છે.</p><h2><b>ખરીદી પ્રક્રિયા વધુ સરળ બનાવી</b></h2><p>'ઓપરેશન સિંદૂર' બાદ ભારતીય સેનાને આધુનિક અને સ્વદેશી હથિયારોની માગમાં વધારો થયો છે. આ સાથે સરકારે નવી રક્ષા ખરીદી પ્રક્રિયા (DAP-2026) હેઠળ સ્વદેશી સામગ્રીનો ફરજિયાત હિસ્સો વધારીને 60 ટકા કર્યો છે અને ખરીદી પ્રક્રિયા વધુ સરળ બનાવી છે, જેના કારણે ખાનગી કંપનીઓને નવા અવસર મળ્યા છે.</p><h3><b>MALE ડ્રોન યોજનામાં અનેક કંપનીઓ રસ દાખવી રહી છે</b></h3><p>ખાનગી કંપનીઓ હવે માત્ર હથિયારોના ભાગો નહીં, પરંતુ સંપૂર્ણ હથિયાર પ્રણાલીઓ વિકસાવી રહી છે. ભારત ફોર્જને 2.55 લાખથી વધુ CQB કાર્બાઈન સપ્લાય કરવા માટે ₹1,661.9 કરોડનો ઓર્ડર મળ્યો છે. ઉપરાંત 184 ATAGS તોપોની સપ્લાય માટે ₹4,140 કરોડનો કરાર પણ મળ્યો છે. ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ અને ભારત ફોર્જ મળીને લગભગ ₹6,900 કરોડની ATAGS યોજના પર કામ કરી રહ્યા છે. ડ્રોન અને અદ્યતન યુદ્ધ ટેક્નોલોજી ક્ષેત્રે પણ ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ, એલએન્ડટી અને અદાણી ડિફેન્સ વચ્ચે સ્પર્ધા વધી રહી છે. લગભગ ₹30 હજાર કરોડની MALE ડ્રોન યોજનામાં અનેક કંપનીઓ રસ દાખવી રહી છે.</p><h4><b>MSME કંપનીઓ પણ સંરક્ષણ ઉત્પાદન સાથે જોડાઈ</b></h4><p>નાણાકીય વર્ષ 2025-26માં ભારતનું સંરક્ષણ નિકાસ ₹38,424 કરોડના રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે, જેમાં ખાનગી ક્ષેત્રનો લગભગ 45 ટકા ફાળો રહ્યો છે. ઉપરાંત સરકારની iDEX યોજના હેઠળ સ્ટાર્ટઅપ્સ અને MSME કંપનીઓ પણ સંરક્ષણ ઉત્પાદન સાથે જોડાઈ રહી છે. નિષ્ણાતોના મતે ખાનગી ક્ષેત્રની વધતી ભાગીદારી ભારતને વૈશ્વિક સંરક્ષણ ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રમાં વધુ મજબૂત સ્થાન અપાવશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/ram-mandir-donation-row-champatraiyas-only-mistake-was-treasurer-govind-devgiris-statement-on-donation-theft" target="_blank">આ પણ વાંચો : Ram Mandir Donation Row: ચંપતરાયની એકમાત્ર ભૂલ હતી કે.. દાનચોરી મામલે કોષાધ્યક્ષ ગોવિંદ દેવગિરીનું નિવેદન</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/QJ3Jk13RZKXxC5J6hNbewevbBDtLbbIcNI7J2Mvd.webp'/></item><item><title><![CDATA[Defense Production : રક્ષા ક્ષેત્રે આત્મનિર્ભર ભારતને વેગ, ઉત્પાદન રૂપિયા 1.78 લાખ કરોડને પાર ]]></title><link>https://sandesh.com/business/news/india/defense-production-india-record-rs-1-78-lakh-crore-fy2025-26</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/defense-production-india-record-rs-1-78-lakh-crore-fy2025-26</guid><pubDate>Tue, 07 Jul 2026 15:38:04 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન દેશનું કુલ સંરક્ષણ ઉત્પાદન પ્રથમ વખત ₹1.78 લાખ કરોડના રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે, જે ગયા વર્ષની સરખામણીએ 15.6 ટકાનો વધારો દર્શાવે છે. આ સિદ્ધિમાં ખાનગી સંરક્ષણ કંપનીઓનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. કુલ ઉત્પાદનમાંથી આશરે ₹42,000 કરોડનો ફાળો ખાનગી ક્ષેત્રનો રહ્યો, જે અત્યાર સુધીનો સૌથી મોટો હિસ્સો છે.</p><h2><b>ખરીદી પ્રક્રિયા વધુ સરળ બનાવી</b></h2><p>'ઓપરેશન સિંદૂર' બાદ ભારતીય સેનાને આધુનિક અને સ્વદેશી હથિયારોની માગમાં વધારો થયો છે. આ સાથે સરકારે નવી રક્ષા ખરીદી પ્રક્રિયા (DAP-2026) હેઠળ સ્વદેશી સામગ્રીનો ફરજિયાત હિસ્સો વધારીને 60 ટકા કર્યો છે અને ખરીદી પ્રક્રિયા વધુ સરળ બનાવી છે, જેના કારણે ખાનગી કંપનીઓને નવા અવસર મળ્યા છે.</p><h3><b>MALE ડ્રોન યોજનામાં અનેક કંપનીઓ રસ દાખવી રહી છે</b></h3><p>ખાનગી કંપનીઓ હવે માત્ર હથિયારોના ભાગો નહીં, પરંતુ સંપૂર્ણ હથિયાર પ્રણાલીઓ વિકસાવી રહી છે. ભારત ફોર્જને 2.55 લાખથી વધુ CQB કાર્બાઈન સપ્લાય કરવા માટે ₹1,661.9 કરોડનો ઓર્ડર મળ્યો છે. ઉપરાંત 184 ATAGS તોપોની સપ્લાય માટે ₹4,140 કરોડનો કરાર પણ મળ્યો છે. ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ અને ભારત ફોર્જ મળીને લગભગ ₹6,900 કરોડની ATAGS યોજના પર કામ કરી રહ્યા છે. ડ્રોન અને અદ્યતન યુદ્ધ ટેક્નોલોજી ક્ષેત્રે પણ ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ, એલએન્ડટી અને અદાણી ડિફેન્સ વચ્ચે સ્પર્ધા વધી રહી છે. લગભગ ₹30 હજાર કરોડની MALE ડ્રોન યોજનામાં અનેક કંપનીઓ રસ દાખવી રહી છે.</p><h4><b>MSME કંપનીઓ પણ સંરક્ષણ ઉત્પાદન સાથે જોડાઈ</b></h4><p>નાણાકીય વર્ષ 2025-26માં ભારતનું સંરક્ષણ નિકાસ ₹38,424 કરોડના રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે, જેમાં ખાનગી ક્ષેત્રનો લગભગ 45 ટકા ફાળો રહ્યો છે. ઉપરાંત સરકારની iDEX યોજના હેઠળ સ્ટાર્ટઅપ્સ અને MSME કંપનીઓ પણ સંરક્ષણ ઉત્પાદન સાથે જોડાઈ રહી છે. નિષ્ણાતોના મતે ખાનગી ક્ષેત્રની વધતી ભાગીદારી ભારતને વૈશ્વિક સંરક્ષણ ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રમાં વધુ મજબૂત સ્થાન અપાવશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/ram-mandir-donation-row-champatraiyas-only-mistake-was-treasurer-govind-devgiris-statement-on-donation-theft" target="_blank">આ પણ વાંચો : Ram Mandir Donation Row: ચંપતરાયની એકમાત્ર ભૂલ હતી કે.. દાનચોરી મામલે કોષાધ્યક્ષ ગોવિંદ દેવગિરીનું નિવેદન</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/QJ3Jk13RZKXxC5J6hNbewevbBDtLbbIcNI7J2Mvd.webp'/></item><item><title><![CDATA[Lock Upp Season 2: ગોવિંદા ગમે ત્યાં જાય....50 અફેર કરે...કહેતાં ધ્રુસકે-ધ્રુસકે રોઈ પડી સુનિતા આહુજા, જાણો મામલો ]]></title><link>https://sandesh.com/entertainment/news/lock-upp-season-2-sunita-ahuja-bursts-into-tears-saying-govinda-goes-anywherehas-an-affair-know-the-matter</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/lock-upp-season-2-sunita-ahuja-bursts-into-tears-saying-govinda-goes-anywherehas-an-affair-know-the-matter</guid><pubDate>Tue, 07 Jul 2026 14:49:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલિવૂડ સુપરસ્ટાર ગોવિંદાની પત્ની સુનિતા આહુજા હાલમાં રિયાલિટી શો 'લોક અપ'માં પોતાના વન-લાઇનર્સ અને બિન્દાસ અંદાજને કારણે ભારે ચર્ચામાં છે. શોમાં પોતાના દિલ ખોલીને વાત કરનારી સુનિતાએ તાજેતરમાં જ પતિ ગોવિંદા સાથેના સંબંધો અને તેમના કથિત અફેરને લઈને એવા ખુલાસા કર્યા છે, જેણે સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી છે. વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી શિલ્પા શિંદે સાથેની તકરાર અને સુનિતાના ચોંકાવનારા નિવેદનો સમાચોરની હેડલાઈન બન્યા છે. જાણો સુનિતા આહુજા આખરે કેમ લોકઅપ સિઝન 2માં રોવા લાગી.</p><h2 style="text-align: justify; "><b>સુનિતા- શિલ્પા શિંદેની થઈ ઉગ્ર બોલાચાલી</b></h2><p style="text-align: justify; ">શોમાં વાઇલ્ડ કાર્ડ તરીકે એન્ટ્રી કરનારી અભિનેત્રી શિલ્પા શિંદે સાથે વાતચીત દરમિયાન મામલો ગરમાયો હતો. શિલ્પાએ જ્યારે સુનિતાને કહ્યું કે લોકો તેને ખોટી સમજે છે અને તે એટલી સ્પષ્ટવક્તા નથી, ત્યારે સુનિતાએ જડબાતોડ જવાબ આપતા કહ્યું, "હું લોકોને કહેવા માંગુ છું કે પહેલા તેઓ મારી જગ્યાએ પોતાને મૂકે અને પછી મારો ન્યાય કરે. મારું જીવન, મારા નિયમો છે. ગોવિંદા મારા પતિ છે, ભલે તે ૧૦ અલગ-અલગ જગ્યાએ જાય, હું તેમને છોડવાની નથી. હું મારા મૃત્યુ સુધી ગોવિંદાને પ્રેમ કરતી રહીશ."</p><h4 style="text-align: justify; "><b>"૫૦ વર્ષની મહિલા સાથે અફેર..." સુનિતાનો શિલ્પા પર પલટવાર</b></h4><p style="text-align: justify; ">બાદમાં રામ કપૂર સાથે વાત કરતી વખતે સુનિતાએ શિલ્પા પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેણે શિલ્પા પર કટાક્ષ કરતા કહ્યું કે, તેને અહીં માત્ર લોકોને ઉશ્કેરવા માટે મોકલવામાં આવી છે. જો તે હદ પાર કરશે તો તેણે મારી ખરીખોટી સાંભળવી પડશે. સુનિતાએ ગુસ્સામાં શિલ્પા પર પ્રહાર કરતા વધુમાં કહ્યું, "મારા પરિવાર વિશે વાત ના કર. મારા પતિનું ૫૦ વર્ષની મહિલા સાથે અફેર છે, તારા પિતા શું કરશે? તે મારા પતિ છે, તેમને જે કરવું હોય તે કરવા દો. કોઈને પણ તેમના પર ટિપ્પણી કરવાનો અધિકાર નથી."</p><h4 style="text-align: justify; "><b>શોમાં ભાવુક થઈને રડી પડી સુનિતા</b></h4><p style="text-align: justify; ">આ આક્રમક અંદાજ સિવાય શોમાં સુનિતાનો એક એકદમ નરમ અને ભાવુક ચહેરો પણ જોવા મળ્યો હતો. શોના નિયમો મુજબ જ્યારે તેને ખાવાનું ન મળ્યું ત્યારે તે ખૂબ જ રડી પડી હતી અને તેણે પોતાના બાળકો પાસે ઘરે પાછા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તે સમયે સહ-સ્પર્ધક રિતેશે તેને સાંત્વના આપીને શાંત પાડી હતી. જોકે, ચાહકો માટે સારા સમાચાર એ છે કે સુનિતા આ અઠવાડિયે એલિમેનેશનથી સંપૂર્ણ સુરક્ષિત છે. તેના દમદાર પર્ફોર્મન્સને કારણે શોને જોરદાર ટીઆરપી (TRP) મળી રહી છે, જેને જોતા મેકર્સ તેને કોઈ પણ સંજોગોમાં ઘરે મોકલવાનું જોખમ લઈ શકે તેમ નથી.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/ranveer-singh-birthday-special-from-being-a-waiter-at-starbucks-to-becoming-a-superstar-here-is-ranveer-singhs-struggle-story" target="_blank">આ પણ વાંચો : Ranveer Singh Birthday Special: સ્ટારબક્સમાં વેઈટરથી લઈને સુપરસ્ટાર બનવા સુધી, આવી છે રણવીર સિંહની સંઘર્ષગાથા</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/UKMR8JYuIyZhcVFyLOKMPAk0IVffrjHDYX2PAOml.webp'/></item><item><title><![CDATA[Kylian Mbappeને કોણે આપી લીગલ એક્શનની ધમકી, જાણો શું છે આખો વિવાદ ]]></title><link>https://sandesh.com/sports/news/who-threatened-kylian-mbappe-with-legal-action-know-what-the-whole-controversy-is-about</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/who-threatened-kylian-mbappe-with-legal-action-know-what-the-whole-controversy-is-about</guid><pubDate>Tue, 07 Jul 2026 12:41:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફૂટબોલ વર્લ્ડ કપની રોમાંચક મેચો બાદ હવે મેદાનની બહાર પણ એક મોટો વિવાદ છેડાયો છે.ફ્રાન્સના સ્ટાર ફૂટબોલર અને કેપ્ટન કાઈલિયન એમ્બાપ્પે (Kylian Mbappe) અને પરાગ્વેના મહિલા સીનેટર સેલેસ્ટે અમરિલા (Celeste Amarilla) સામસામે આવી ગયા છે. આ વિવાદ એટલો વધી ગયો છે કે પરાગ્વેના સીનેટરે એમ્બાપ્પે સામે કાનૂની પગલાં લેવાની અને જેન્ડર વાયોલન્સનો કેસ કરવાની ધમકી આપી દીધી છે.</p><h3 style="text-align: justify; "><b>વિવાદની શરૂઆત કેવી રીતે થઈ?</b></h3><p style="text-align: justify; ">આ સમગ્ર વિવાદની શરૂઆત વર્લ્ડ કપના રાઉન્ડ ઓફ 16ની મેચમાં ફ્રાન્સની પરાગ્વે સામેની જીત બાદ થઈ હતી. મેચ પછી પરાગ્વેના સીનેટર સેલેસ્ટે અમરિલાએ એમ્બાપ્પે પર આકરા પ્રહારો કરતા તેને કોલોનાઇઝ્ડ કેમરૂનિયન અને ફ્રેન્ચ હોવાનો ડોળ કરનારો,ઘમંડી,નવો અમીર અને કદરૂપો કહ્યો હતો.અમરિલાએ એવો પણ દાવો કર્યો હતો કે આખી મેચ દરમિયાન એમ્બાપ્પે અને તેની ટીમ ડરેલી હતી.</p><h4 style="text-align: justify; "><b>એમ્બાપ્પેનો પલટવાર</b></h4><p style="text-align: justify; ">સીનેટરની આ નસ્લવાદી (Racist) ટિપ્પણી પર એમ્બાપ્પેએ આકરા શબ્દોમાં વળતો પ્રહાર કર્યો હતો.એમ્બાપ્પેએ અમરિલાને ઘૃણાસ્પદ મહિલા ગણાવીને કહ્યું કે તમે આ પદ માટે લાયક નથી.તમે પરાગ્વેનું પ્રતિનિધિત્વ નથી કરતા,કારણ કે તે દેશે આખા ટૂર્નામેન્ટમાં જુસ્સા અને સન્માન સાથે રમત બતાવી છે. તમારા ખુલ્લેઆમ નસ્લવાદને કારણે દુનિયા પરાગ્વેના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન ભૂલી ગઈ છે અને તમારા જેવી અયોગ્ય મહિલાની છબી સામે આવી છે.હું દુનિયામાં નફરત ફેલાવવાની આઝાદી કોઈને નહીં આપું.</p><p style="text-align: justify; "><a href="https://x.com/CelesteSenadora/status/2074328338580025478?s=20" target="_blank">https://x.com/CelesteSenadora/status/2074328338580025478?s=20</a></p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>સીનેટર અમરિલાનો બચાવ અને એમ્બાપ્પે સામે નારાજગી</b></h4><p style="text-align: justify; ">એમ્બાપ્પેના જવાબ પછી, સીનેટર અમરિલાએ સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શેર કરીને પોતાનો બચાવ કર્યો હતો.તેમણે સ્પષ્ટતા કરી કે તેમને ફ્રાન્સ દેશ સામે કોઈ વાંધો નથી,પરંતુ સમસ્યા માત્ર એમ્બાપ્પેના ઘમંડ સામે છે.અમરિલાએ લખ્યું,સમસ્યા તમારી અને મારી વચ્ચે છે.મેં ફ્રાન્સ સામે ક્યારેય કંઈ નથી કહ્યું.હું તો નાનપણથી ફ્રેન્ચ સ્કૂલમાં ભણી છું,ફ્રેન્ચ બોલું છું અને ફ્રાન્સમાં રજાઓ ગાળવી મને ગમે છે.તેમણે એમ્બાપ્પે પર આરોપ લગાવ્યો કે મેચ પહેલા એમ્બાપ્પેએ પરાગ્વેની ટીમની મજાક ઉડાવી હતી,જેના કારણે ગુસ્સામાં આવીને તેમણે એ પોસ્ટ લખી હતી,જોકે બાદમાં તેમણે એ પોસ્ટ ડીલીટ પણ કરી દીધી હતી.</p><h4 style="text-align: justify; "><b>લૈંગિક હિંસાનો આરોપ અને કાનૂની ધમકી</b></h4><p style="text-align: justify; ">અમરિલાએ હવે એમ્બાપ્પે પાસે સાર્વજનિક માફીની માંગ કરી છે.તેમણે કહ્યું કે,તમે મને ઓળખતા નથી,તો તમે મને ઘટિયા કે નાકાબિલ કેવી રીતે કહી શકો? હું પરાગ્વેના હજારો લોકોના વોટથી ચૂંટાયેલી સીનેટર છું. આ સીધેસીધી લૈંગિક હિંસા અને રાજકીય હિંસા છે. તમે એક મહિલા હોવાના કારણે મારી નફરત કરી રહ્યા છો.સીનેટર અમરિલાએ અંતમાં ચીમકી આપતા લખ્યું છે કે,એમ્બાપ્પે પોતાનું નિવેદન પાછું ખેંચે અને માફી માંગે,નહીંતર તેઓ આ લૈંગિક હિંસા બદલ ફ્રેન્ચ કેપ્ટન સામે કાનૂની કાર્યવાહી કરશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-spain-scores-last-minute-goal-to-beat-portugal-1-0" target="_blank">FIFA World Cup 2026 : સ્પેને છેલ્લી ઘડીએ ગોલ કરીને પોર્ટુગલને 1-0 થી હરાવ્યું</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/NCPUH7Mzda99BfUaXviZRkXFXe4pAvn7k39ep8KW.webp'/></item></channel></rss>