<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Vadodara: હૃદયરોગથી પીડાતા ધોરણ 5 ના વિદ્યાર્થીને મેદાનના 6 રાઉન્ડ દોડાવ્યા, શું શાળાએ ભૂલ સ્વીકારી શિક્ષકનો બચાવ કર્યો ? ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/rosary-school-pt-teacher-punishes-heart-patient-student-deo-complaint</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/rosary-school-pt-teacher-punishes-heart-patient-student-deo-complaint</guid><pubDate>Sat, 11 Jul 2026 11:44:43 +05:30</pubDate><description><![CDATA[<p>વડોદરા શહેરની શાળાઓમાં વિદ્યાર્થીઓ પર શિક્ષકો દ્વારા ગુજારવામાં આવતી માનસિક અને શારીરિક ક્રૂરતાના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. હજુ થોડા સમય પહેલા જ બનેલી આવી જ એક ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં ફતેગંજની પ્રતિષ્ઠિત ગણાતી રોઝરી સ્કૂલમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શાળાના પી.ટી. ટીચરે ધોરણ 5 માં અભ્યાસ કરતા એક માસૂમ વિદ્યાર્થીને માત્ર એટલા માટે ગંભીર શારીરિક સજા આપી કારણ કે તે પોતાના વાળમાં નિયમ મુજબ તેલ લગાવીને શાળાએ આવ્યો નહોતો. શિક્ષકે માનવતા ભૂલીને આ માસૂમ બાળકને કડક તડકામાં સ્કૂલના મેદાનના એક-બે નહીં પરંતુ પૂરા 6 રાઉન્ડ દોડવાની ફરજ પાડી હતી.</p><h2><b>બીમારીથી અજાણ શિક્ષક અને લથડતી તબિયત</b></h2><p>સૌથી ગંભીર અને ચિંતાજનક બાબત એ છે કે ભોગ બનનાર વિદ્યાર્થી હૃદયરોગની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે, અને તબીબી નિયમો અનુસાર તેને વધુ પડતો શારીરિક શ્રમ કે દોડધામ કરવાની સખત મનાઈ છે. 6 રાઉન્ડ દોડવાના કારણે બાળકની તબિયત લથડી ગઈ હતી અને તે અત્યંત ગભરાઈ ગયો હતો. બાળકે ઘરે જઈને વાલીને આ અંગે વાત કરતા વાલીના હોશ ઉડી ગયા હતા. બાળકના ભવિષ્ય અને સ્વાસ્થ્ય સાથે થયેલા આ ગંભીર ચેડાં મામલે વાલીએ તુરંત જ વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરીનો સંપર્ક કરી લેખિત ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત, બાળ અધિકાર સુરક્ષા માટે કાર્યરત 'ચાઈલ્ડ હેલ્પ લાઈન' ની પણ સત્તાવાર મદદ લેવામાં આવી છે.</p><h3><b>શાળા પ્રશાસનની કબૂલાત અને એક્શન પ્લાન</b></h3><p>આ વિવાદ વ્યાપક બનતા રોઝરી સ્કૂલના આચાર્ય દિપક જયસ્વાલે મીડિયા અને તંત્ર સમક્ષ સત્તાવાર નિવેદન જારી કર્યું છે. આચાર્યએ જણાવ્યું હતું કે, "શાળા મેનેજમેન્ટ પોતાની આ મોટી ભૂલનો સ્વીકાર કરે છે. જોકે, જે શિક્ષકે આ સજા આપી છે તે તાજેતરમાં જ શાળામાં નવા જોડાયા છે, અને બાળકની તબીબી હિસ્ટ્રી કે તેને હૃદયરોગની બીમારી છે તે અંગે આ નવા શિક્ષક માહિતગાર નહોતા. તેમના દ્વારા અજાણતામાં આ ગંભીર ભૂલ થઈ ગઈ છે." આચાર્યએ વધુમાં ઉમેર્યું હતું કે શાળામાં કોઈપણ પ્રકારની શારીરિક સજાને પ્રોત્સાહન આપવામાં આવતું નથી. આ ઘટનાને પગલે આજે જ રોઝરી સ્કૂલ મેનેજમેન્ટ અને ટ્રસ્ટી મંડળની એક હાઇ-લેવલ કટોકટી બેઠક બોલાવવામાં આવી છે, જેમાં ડેપ્યુટેશનના નિયમોના ભંગ અને બાળકના જીવને જોખમમાં મૂકવા બદલ સંબંધિત પી.ટી. શિક્ષક સામે કડક શિસ્તભંગના પગલાં લેવા અથવા તેમને સેવામાંથી બરતરફ કરવા અંગે આખરી નિર્ણય લેવામાં આવશે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/vav-tharad/tharad-ganeshpura-wife-kills-husband-with-farm-owner-illicit-affair-exposed" target="_blank">આ પણ વાંચો: Vav-Tharad: આડા સંબંધોમાં પત્ની જ બની પતિની કાતિલ, ખેતર માલિક સાથે મળી ગમા ઠાકોરની કરી નાખી ક્રૂર હત્યા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/niccqezulZzRnxQW8cPAmiL4OC3mOK0sVhRjxcto.webp'/></item><item><title><![CDATA[Lock Upp 2માં ગોવિંદાની ધમાકેદાર એન્ટ્રી, અફેરના વિવાદો વચ્ચે પત્ની સુનિતા માટે એવું શું કહ્યું કે ફેન્સ ચોંકયા ]]></title><link>https://sandesh.com/entertainment/news/govindas-explosive-entry-in-lock-up-2-what-did-he-say-about-his-wife-sunita-amidst-the-controversy-over-the-affair</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/govindas-explosive-entry-in-lock-up-2-what-did-he-say-about-his-wife-sunita-amidst-the-controversy-over-the-affair</guid><pubDate>Sat, 11 Jul 2026 11:32:19 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રિયાલિટી શો "લોક અપ - ૨" હાલમાં ભારે ટ્રેન્ડ કરી રહ્યો છે. શોમાં બોલીવુડ સુપરસ્ટાર ગોવિંદાની પત્ની સુનિતા આહુજાની બોલ્ડ અને સ્પષ્ટવક્તા શૈલી દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. તાજેતરમાં જ શો દરમિયાન દબંગ ગણાતા સુનિતા ભાવનાત્મક રીતે તૂટી ગયા હતા. પત્નીને આ રીતે મુશ્કેલ સમયમાં જોઈને ગોવિંદા તમામ વિવાદોને બાજુ પર મૂકીને તેને સપોર્ટ કરવા શોના સ્ટેજ પર પહોંચી ગયા હતા. લોકઅપ-2માં પત્ની સુનિતાને લઈને ગોવિંદાએ જે વાત કહી તે સાંભળી ફેન્સ ચોંકી ગયા. બંનેના સંબંધોમાં તિરાડની અફવા વચ્ચે ગોવિંદા પત્ની સુનિતાની પ્રસંશા કરતા જોવા મળ્યા.</p><h2 style="text-align: justify; "><b>સુનિતાએ કોઈ લોભ વગર મારી સેવા કરી છે"&nbsp; ગોવિંદા</b></h2><p style="text-align: justify; ">મીડિયા અહેવાલ અનુસાર, ગોવિંદાએ પોતાના સંબંધોની તિરાડ અને પત્ની દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓને નજરઅંદાજ કરીને સુનિતાની મન ભરીને પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું: "વર્ષો વર્ષ સુનિતાએ અવિરતપણે અને કોઈ પણ લોભ વિના મારી સેવા કરી છે. તે હંમેશાં ખૂબ જ દયાળુ રહી છે અને તેણે દરેક સંબંધને ખૂબ જ તીવ્રતાથી પોષ્યો છે. સુનિતામાં ખરેખર માતૃત્વનો સ્નેહ છે, જે લોકોને તેની તરફ આકર્ષિત કરે છે." સાથે જ ગોવિંદાએ મુશ્કેલ સમયમાં હંમેશા તેમની અને તેમના પરિવારની સાથે ઉભા રહેવા બદલ પોતાના તમામ ચાહકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>'ગોળી' ની વાત પર ફરાહે લીધી ચુટકી</b></h3><p style="text-align: justify; ">શોના નિર્માતાઓએ ગોવિંદાની ભવ્ય એન્ટ્રીનો એક પ્રોમો રિલીઝ કર્યો છે, જેમાં શોની હોસ્ટ ફરાહ ખાન સાથે ગોવિંદા તેની શૂટિંગ દરમિયાન પગમાં ગોળી વાગવાની વાસ્તવિક ઘટના વિશે વાત કરતા જોવા મળે છે. ફરાહ ખાને અનોખી શૈલીમાં ગોવિંદાનું સ્વાગત કર્યું અને મજાકમાં પૂછ્યું, "તમને તેને મારવાનો કોન્ટ્રાક્ટ કેમ આપ્યો?" ત્યારે ગોવિંદાએ કહ્યું, "હું તે મારા ખિસ્સામાં જ લાવ્યો હતો. હું એક ગોળી લાવ્યો છું. મેં કહ્યું, જો તમે મને છાતી પર મારવા માંગતા હો, તો કરો." વધુમાં કહ્યું કે, "આ તો લોક-અપ છે જે દુનિયાને દેખાય છે, પરંતુ એવા ઘણા લોક-અપ છે જે દેખાતા નથી; હું બરાબર ત્યાંથી જ આવી રહ્યો છું."</p><p style="text-align: justify; "><b>પતિના અફેરના વિવાદ પર સુનિતાનો કટાક્ષ</b></p><p style="text-align: justify; ">ગોવિંદા અને સુનિતાની પર્સનલ લાઈફ છેલ્લા કેટલાક સમયથી ઉતાર-ચઢાવમાંથી પસાર થઈ રહી છે. સુનિતાએ અગાઉ પણ અને આ શો દરમિયાન પણ વારંવાર ગોવિંદાના અફેર વિશે ચર્ચા કરી છે. જોકે, આ વિવાદો વચ્ચે પણ સુનિતાએ સ્પષ્ટ કર્યું છે કે તે ગોવિંદાને ક્યારેય છોડશે નહીં અને હંમેશા તેની સાથે જ રહેશે. આ ફેમસ જોડી વચ્ચે ચાલી રહેલો તણાવ ચાહકો માટે આઘાતજનક છે અને તેમના તમામ શુભેચ્છકો ઈચ્છી રહ્યા છે કે આ હિટ જોડી ફરી એકવાર જૂના અંદાજમાં સાથે જોવા મળે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/aBADXUbngT3UZlQHKJpVVAsVWXofCzshcbi2Zqna.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026 : રોનાલ્ડો-મેસ્સી કે નેમાર નહીં... આ છે વિશ્વનો સૌથી ધનિક ફૂટબોલર ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-not-ronaldo-messi-or-neymar-this-is-the-richest-footballer-in-the-world</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-not-ronaldo-messi-or-neymar-this-is-the-richest-footballer-in-the-world</guid><pubDate>Sat, 11 Jul 2026 10:44:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">2026ના ફિફા વર્લ્ડ કપમાં ફૂટબોલનો ઉત્સાહ ચરમસીમાએ છે ત્યારે આ વિશ્વવિખ્યાત ખેલાડીઓની અઢળક સંપત્તિ પણ બધાને આશ્ચર્યચકિત કરી રહી છે.આ સ્ટાર ખેલાડીઓ ફક્ત તેમની રમત દ્વારા જ નહીં,પરંતુ મુખ્ય બ્રાન્ડ્સ સાથેના સમર્થન,તેમના વ્યક્તિગત વ્યવસાયો અને નોંધપાત્ર રોકાણો દ્વારા પણ અબજો કમાઈ રહ્યા છે. રમતના મેદાનથી લઈને નાણાકીય બજાર સુધી,આ ખેલાડીઓએ પોતાના સામ્રાજ્ય બનાવ્યા છે.ચાલો જાણીએ કે આ વર્ષના વર્લ્ડ કપમાં ભાગ લેનારા વિશ્વના સૌથી ધનિક ફૂટબોલરોની યાદીમાં કોણ શામેલ છે અને તેમની પાસે કેટલી સંપત્તિ છે.</p><h4 style="text-align: justify; "><b>રોનાલ્ડો અને મેસ્સીની સંપત્તિ તમારા મનને ચકરાવે ચડાવી દેશે.</b></h4><p style="text-align: justify; ">પોર્ટુગીઝ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો હાલમાં કમાણીની દ્રષ્ટિએ આગળ છે. સાઉદી અરેબિયન ક્લબ અલ નાસર માટે રમે છે, તેની કુલ સંપત્તિ $૧.૨ થી $૧.૪ બિલિયન (₹1ટ્રિલિયનથી વધુ) છે. તેના રમતના પગાર ઉપરાંત, તેનો નાઇકી સાથે આજીવન કરાર છે, જે હોટેલ ચેઇન, જીમ અને રિયલ એસ્ટેટમાં ફેલાયેલું વિશાળ વ્યવસાયિક સામ્રાજ્ય છે.બીજી બાજુ, આર્જેન્ટિનાને વિશ્વ ચેમ્પિયનનો દરજ્જો અપાવનાર લિયોનેલ મેસ્સી પણ પાછળ નથી. ઇન્ટર મિયામી માટે રમતા મેસ્સીની કુલ સંપત્તિ આશરે $850 મિલિયન છે. મેસ્સીની નોંધપાત્ર આવક તેના ક્લબ કરારો, એડિડાસ સાથેની ભાગીદારી અને હોટલ અને રિયલ એસ્ટેટમાં નોંધપાત્ર રોકાણોમાંથી પ્રાપ્ત થાય છે.</p><h5 style="text-align: justify; "><b>નેમાર અને એમબાપ્પે અબજોપતિઓમાં સામેલ છે.</b></h5><p style="text-align: justify; ">બ્રાઝિલિયન ફોરવર્ડ નેમાર પણ તેની પ્રભાવશાળી કમાણી માટે હેડલાઇન્સમાં રહ્યા છે. સાઉદી પ્રો લીગ ક્લબ અલ હિલાલમાં જોડાયા પછી તેની સંપત્તિમાં નોંધપાત્ર વધારો થયો છે. નેમારની કુલ સંપત્તિ હાલમાં $450 થી $500 મિલિયનની વચ્ચે હોવાનો અંદાજ છે. તેની રમતગમત કારકિર્દી ઉપરાંત, તે પુમા, રેડ બુલ અને ગેમિંગ કંપનીઓ પાસેથી નોંધપાત્ર રકમ મેળવે છે.</p><h5 style="text-align: justify; "><b>એમબાપ્પે વિશ્વના સૌથી મોંઘા ખેલાડી</b></h5><p style="text-align: justify; ">ફ્રાન્સના યુવા સ્ટાર કાયલિયન એમબાપ્પેએ રીઅલ મેડ્રિડમાં જોડાયા પછી વિશ્વના સૌથી મોંઘા ખેલાડીઓમાં પોતાને મજબૂત રીતે સ્થાપિત કરી દીધા છે. વિવિધ અંદાજો અનુસાર, એમબાપ્પેની કુલ સંપત્તિ $250 થી $700 મિલિયનની વચ્ચે હોવાનો અંદાજ છે. તેણે આ સંપત્તિ તેના મોટા ક્લબ પગાર, બોનસ પર હસ્તાક્ષર અને નાઇકી અને હુબ્લોટ જેવી પ્રખ્યાત કંપનીઓ સાથેના સમર્થન દ્વારા મેળવી છે.</p><h4 style="text-align: justify; "><b>આ સ્ટાર ફૂટબોલરો પાસે પણ અઢળક સંપત્તિ&nbsp;</b></h4><p style="text-align: justify; ">ઇજિપ્તના મોહમ્મદ સલાહ અને ઇંગ્લેન્ડના હેરી કેન પણ આ યાદીમાં અગ્રણી સ્થાન ધરાવે છે. લિવરપૂલના સ્ટાર મોહમ્મદ સલાહની કુલ સંપત્તિ આશરે $140 મિલિયન હોવાનો અંદાજ છે, જે તેમને આફ્રિકાના સૌથી ધનિક ફૂટબોલરોમાંના એક બનાવે છે. બેયર્ન મ્યુનિકના હેરી કેન પાસે પણ લગભગ $140 મિલિયનની કુલ સંપત્તિ છે. માન્ચેસ્ટર સિટીના કેવિન ડી બ્રુયને કુલ સંપત્તિ $130 મિલિયન છે, અને તે જ ક્લબના યુવા સેન્સેશન, એર્લિંગ હાલેન્ડની કુલ સંપત્તિ લગભગ $100 મિલિયન છે.</p><h4 style="text-align: justify; "><b>રીઅલ મેડ્રિડની $80 મિલિયન&nbsp;</b></h4><p style="text-align: justify; ">આ ઉપરાંત, લોસ એન્જલસ એફસીના સન હ્યુંગ-મીન પાસે કુલ સંપત્તિ $100 મિલિયન છે અને તે એશિયાના સૌથી મોટા રમતગમતના ચિહ્નોમાંનો એક છે. અલ ​​નાસરના સાદિયો માને પણ કુલ સંપત્તિ $100 મિલિયન છે. રીઅલ મેડ્રિડના ઉભરતા સ્ટાર વિનિસિયસ જુનિયર $80 મિલિયન છે, અને ક્લબના અનુભવી મિડફિલ્ડર લુકા મોડ્રિક, $75 મિલિયનની કુલ સંપત્તિ સાથે, વિશ્વના સૌથી ધનિક ખેલાડીઓની આ વિશિષ્ટ યાદી પૂર્ણ કરે છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-spain-beat-belgium-2-1-in-the-quarter-finals-now-they-will-face-this-team-in-the-semi-finals" target="_blank">FIFA World Cup 2026 : સ્પેને ક્વાર્ટર ફાઇનલમાં બેલ્જિયમને 2-1થી હરાવ્યું,હવે સેમિફાઇનલમાં આ ટીમ સાથે ટક્કર</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/oJp3pMl7Qy0DM7ymFUwaEtbzLYYfvbzAf5IpgpUF.webp'/></item><item><title><![CDATA[Ahmedabad RathYatra 2026: 149મી રથયાત્રાનો ઉત્સાહ, 25 વર્ષ બાદ 'જૂના મોસાળ' વાસણ શેરીમાં પણ ભરાશે ભગવાનનું મામેરું, Video ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-rathyatra-2026--149th-rath-yatra-saraspur-vasan-sheri-mamera-amc-alert-news</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-rathyatra-2026--149th-rath-yatra-saraspur-vasan-sheri-mamera-amc-alert-news</guid><pubDate>Sat, 11 Jul 2026 10:43:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં અષાઢી બીજના પાવન પર્વે યોજાનારી ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ભવ્ય રથયાત્રાને લઈને હવે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અખાત્રીજથી શરૂ થયેલી આ ધાર્મિક તૈયારીઓ હવે આખરી ઓપ તરફ છે. ચોમાસાની સિઝન અને વરસાદી માહોલ વચ્ચે પણ જમાલપુર જગન્નાથ મંદિર પરિસરમાં ભક્તો માટે એક વિશાળ શમિયાણો તૈયાર કરવામાં આવ્યો છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>મંદિર પરિસરમાં 18 ગજરાજોનું આગમન&nbsp;</b></h2><p style="text-align: justify; ">રથયાત્રાની પરંપરા મુજબ મંદિર પરિસરમાં 18 ગજરાજોનું આગમન થઈ ચૂક્યું છે. આગામી ૧૪ જુલાઈએ નગરચર્યા બાદ મહાપ્રભુ ભક્તિસભર માહોલમાં નીજ મંદિરે પરત ફરશે, જેના સ્વાગત માટે જમાલપુર મંદિરમાં જોરશોરથી આયોજન ગોઠવાઈ રહ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>25 વર્ષ બાદ વાસણ શેરીમાં અદ્ભુત મામેરું</b></h3><p style="text-align: justify; ">આ વર્ષની ૧૪૯મી રથયાત્રા અનેક રીતે ઐતિહાસિક બનવા જઈ રહી છે, કારણ કે આ વખતે ભગવાન જગન્નાથજીના બે મામેરા ભરાશે. સૌથી વિશેષ વાત એ છે કે, 25  વર્ષના લાંબા ગાળા બાદ સરસપુરની 'વાસણ શેરી' માં ભગવાનનું મામેરું યોજાશે. વાસણ શેરીને ભગવાનનું 'જૂનું મોસાળ' માનવામાં આવે છે. વાસણ શેરીના પ્રાચીન રણછોડરાય મંદિરમાં ભક્તો બે દિવસ સુધી આ દિવ્ય મામેરાના દર્શન કરી શકશે. મોસાળ પક્ષ તરફથી ભગવાનને સુદર્શન ચક્ર, મોરલી, ચાંદીના કિંમતી ઘરેણાં, કલાત્મક વાઘા, અલંકારો અને માતા પાર્વતીના વિશેષ શણગાર અર્પણ કરવામાં આવશે, જેના દર્શન માટે ભક્તોમાં ભારે ઉમંગ છે.&nbsp;</p><p style="text-align: justify; "><a href="https://youtu.be/wt0nDZOJ85c" target="_blank">https://youtu.be/wt0nDZOJ85c</a>&nbsp; &nbsp;</p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>જોખમી મકાનો અને સુરક્ષા અંગે AMC એલર્ટ</b></h4><p style="text-align: justify; ">બીજી તરફ, લાખોની જનમેદની વચ્ચે રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન  સંપૂર્ણ એક્શન મોડમાં છે. રથયાત્રાના સમગ્ર રૂટ પર નિરીક્ષણ કર્યા બાદ તંત્ર દ્વારા ભારે તકેદારી રાખવામાં આવી રહી છે. રથયાત્રાના રૂટ પર કુલ 544 જર્જરિત અને ભયજનક મકાનોની ઓળખ કરવામાં આવી છે. આ તમામ મકાનો પર સુરક્ષા માટે 'લીલી નેટ' બાંધી દેવાઈ છે, જ્યારે 31 લજેટલા અત્યંત જોખમી મકાનોના ભાગોને અગાઉથી જ ઉતારી લેવામાં આવ્યા છે. કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ જોખમી ઇમારતો પાસે મનપાના કર્મચારીઓ અને તબીબી ટીમો સ્ટેન્ડબાય રહેશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો :&nbsp;&nbsp;<a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/surat-khadipur-bhestan-bodies-found-smc-failure-deaths-news" target="_blank"><b>Sandesh Indepth : સુરતમાં સંકોચાતી ખાડી બની 'ડેથ ટ્રેપ', 1 હજાર કરોડની જાહેરાતો માત્ર કાગળ પર, 9.23 લાખ નાગરિકો આજે પણ જોખમમાં&nbsp;</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/hCmjbJfX8snZwRoiH0VxZaVM591ceyNCCR0FmuUo.webp'/></item><item><title><![CDATA[Vadodara: બિલ ટાંકી વિસ્તારમાં રોડ બેસી જતા જનતા ત્રાહિમામ, પાલિકા અને કોર્પોરેટરો સામે જનઆક્રોશ ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/bill-tanki-area-road-collapses-pre-monsoon-work-exposed-citizens-protest</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/bill-tanki-area-road-collapses-pre-monsoon-work-exposed-citizens-protest</guid><pubDate>Sat, 11 Jul 2026 10:28:47 +05:30</pubDate><description><![CDATA[<p>વડોદરાને સ્માર્ટ સિટી બનાવવાની ગુલબાંગો વચ્ચે વડોદરા મહાનગરપાલિકાના રોડ એન્જિનિયરિંગ વિભાગની ઘોર બેદરકારી ફરી એકવાર સપાટી પર આવી છે. ચોમાસાની ઋતુ શરૂ થતાં પહેલાં પાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ કરવામાં આવી હોવાના દાવા કરવામાં આવ્યા હતા. પરંતુ, વાસ્તવિક ચિત્ર તદ્દન જુદું છે. વડોદરાના બિલ ટાંકી વિસ્તારનો મુખ્ય માર્ગ અચાનક જમીનમાં બેસી ગયો છે અને મોટો ખાડો કે ભૂવો પડી ગયો છે. આ વ્યસ્ત રોડ પરથી રોજ હજારો વાહનચાલકો અને શાળાએ જતા બાળકો પસાર થાય છે, જેના કારણે હવે અહીં મોટું શારીરિક જોખમ અને અકસ્માતનો ભય ઉભો થયો છે.</p><h2><b>ચૂંટણી પછી નેતાઓ ગાયબ, નાગરિકોમાં રોષ</b></h2><p>આ ભયજનક રસ્તાને કારણે રોષે ભરાયેલા બિલ ટાંકી વિસ્તારના રહીશો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તંત્ર તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ (કોર્પોરેટરો) વિરુદ્ધ ભારે નારેબાજી કરી હતી. સ્થાનિક મહિલાઓ અને વડીલોએ રોષપૂર્વક જણાવ્યું હતું કે, "અમે દર વર્ષે કોર્પોરેશનને મિલકત વેરો, પાણી વેરો અને સફાઈ વેરો નિયમિત અને સમયસર ચૂકવીએ છીએ. તો વળતરમાં અમને આવા જીવલેણ ખાડાવાળા રસ્તા કેમ મળી રહ્યા છે?" સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે મતોની ભીખ માંગવા માટે કોર્પોરેટરો અને રાજકીય પક્ષોના નેતાઓ સોસાયટીઓમાં હાથ જોડીને લાઈનો લગાવે છે, પરંતુ આજે જ્યારે રસ્તો બેસી ગયો છે અને લોકો પરેશાન છે ત્યારે એક પણ કોર્પોરેટર વિસ્તારની મુલાકાત લેવા કે લોકોની ફરિયાદ સાંભળવા ફરકતો નથી.</p><h3><b>થીગડાં મારવાની નીતિ અને પાણીની બેવડી આફત</b></h3><p>સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ કોઈ નવી સમસ્યા નથી, દર વર્ષે ચોમાસામાં અહીં આ જ પ્રકારની 'રામાયણ' સર્જાય છે. જ્યારે પણ ફરિયાદ કરવામાં આવે ત્યારે પાલિકાનું તંત્ર માત્ર સસ્તું મટીરિયલ કે કપચી નાખીને 'કામચલાઉ થીગડાં' (પેચવર્ક) મારીને સંતોષ માની લે છે, જે પ્રથમ વરસાદમાં જ ફરી ધોવાઈ જાય છે. આ બિસ્માર રસ્તાની આફતની સાથે-સાથે આ પંથકમાં છેલ્લા ઘણા સમયથી પીવાના શુદ્ધ પાણીની પણ વિકટ સમસ્યા ચાલી રહી છે. દૂષિત અથવા અપૂરતું પાણી મળવાના કારણે લોકો રોગચાળાના ભય નીચે જીવી રહ્યા છે. રહીશોએ વહીવટી તંત્રને અલ્ટીમેટમ આપતા સ્પષ્ટ માંગ કરી છે કે માત્ર એર-કંડિશન્ડ ઓફિસોમાં બેસીને કાગળ પર પ્રિ-મોન્સૂન કામગીરી બતાવવાનું બંધ કરો અને તાત્કાલિક ધોરણે આ વિસ્તારના રોડનું ડામર-કોંક્રિટથી મજબૂત અને કાયમી સમારકામ કરવામાં આવે, અન્યથા આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન અને મનપા કચેરીનો ઘેરાવ કરવામાં આવશે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/crime/surat/salabatpura-minor-girl-assault-case-80-year-old-mansuri-musa-arrested" target="_blank">આ પણ વાંચો: Surat: સલાબતપુરામાં 80 વર્ષના નરાધમ મન્સૂરી મુસાએ 6 વર્ષની બાળકી પર આચર્યું કુકર્મ</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/Dr3ezZAfHl8Ve5QvWTuLCMnQPU0r5iQ0Zswa0yFj.webp'/></item><item><title><![CDATA[Ram Mandir Donation Row: આ કલંક છે, દાન ચોરી મામલે ટ્રસ્ટના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાનું નિવેદન ]]></title><link>https://sandesh.com/india/news/ram-mandir-donation-row-this-is-a-disgrace-statement-of-trust-chairman-nripendra-mishra-on-donation-theft-case</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ram-mandir-donation-row-this-is-a-disgrace-statement-of-trust-chairman-nripendra-mishra-on-donation-theft-case</guid><pubDate>Sat, 11 Jul 2026 10:28:12 +05:30</pubDate><description><![CDATA[<p>&nbsp;અયોધ્યા રામ મંદિરમાં પ્રસાદની ચોરીની ઘટના પર પ્રતિક્રિયા આપતા, ટ્રસ્ટના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ તેને કલંક ગણાવી.&nbsp; તેમણે નોંધ્યું કે લાંબા સમયથી ચાલતા આંદોલન પછી રામ લલ્લાને તેમના ભવ્ય મંદિરમાં પવિત્ર કરવામાં આવ્યા છે, અને આવી ઘટના દરેકને ક્ષતિગ્રસ્ત અનુભવ કરાવે છે. તેમણે ખાતરી આપી કે મંદિરની વ્યવસ્થાપન પ્રણાલીમાં સુધારો કરવામાં આવશે.</p><h2><b>આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે- નૃપેન્દ્ર મિશ્રા&nbsp;</b></h2><p>શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ અયોધ્યા રામ મંદિરમાં ચોરીની ઘટના પર કડક પ્રતિક્રિયા આપી. શુક્રવારે મીડિયા સાથે વાત કરતા, તેમણે આ કેસને "કલંક" ગણાવ્યો. તેમણે ટિપ્પણી કરી કે લાંબા સમયથી ચાલતા રામ મંદિર આંદોલન પછી ભગવાન રામ લલ્લાને તેમના ભવ્ય મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. આ સંદર્ભમાં, મંદિર સાથે જોડાયેલી આવી ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે અને પોતાની જાતને ક્ષતિગ્રસ્ત અનુભવી રહ્યા છીએ.&nbsp;</p><h3><b>ભવિષ્યમાં આવું પુનરાવર્તન નહીં થાય: નૃપેન્દ્ર મિશ્રા</b></h3><p>નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે ટ્રસ્ટે આ બાબતને ગંભીરતાથી લીધી છે અને મંદિરની વ્યવસ્થાપન પ્રણાલીઓને વધુ મજબૂત અને પારદર્શક બનાવવામાં આવશે. તેમણે ખાતરી આપી હતી કે ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે જરૂરી વહીવટી સુધારા અમલમાં મૂકવામાં આવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભક્તોની શ્રદ્ધા સર્વોપરી છે અને તેને જાળવી રાખવી એ ટ્રસ્ટની મુખ્ય જવાબદારી છે.</p><h3><b>જરૂરી પગલા લેવામાં આવશે- નૃપેન્દ્ર મિશ્રા&nbsp;</b></h3><p>રામ મંદિર માટે મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) ની નિમણૂક કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ લાયક ઉમેદવારોના નામો પર વિચાર કરશે, ત્યારબાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અંતિમ નિર્ણય લેશે. મિશ્રાએ જણાવ્યું હતું કે મંદિરની ગરિમા, પારદર્શિતા અને સુગમ વહીવટ સુનિશ્ચિત કરવા માટે દરેક જરૂરી પગલાં લેવામાં આવશે.</p><p>હાલમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ 22 જુલાઈ પછી રામ મંદિરની વ્યવસ્થાપન પ્રણાલીમાં વ્યાપક ફેરફારો લાગુ કરવાની તૈયારી કરી રહ્યું છે. પ્રસ્તાવિત ફેરફારોમાં દર્શન પ્રક્રિયા, પૂજા વિધિઓ,&nbsp; , દાનનું સંચાલન, સુરક્ષા, ભીડ નિયંત્રણ અને ભક્તો માટે સુવિધાઓમાં સુધારો શામેલ છે. ટ્રસ્ટ નવી વ્યવસ્થાઓને વધુ પારદર્શક, સંગઠિત અને ભક્ત-મૈત્રીપૂર્ણ બનાવવા માટે રામાનંદી પરંપરાના સંતો અને વિદ્વાનો પાસેથી સૂચનો માંગી રહ્યું છે.</p><h3><b>22 જુલાઈના યોજાશે ટ્રસ્ટની બેઠક&nbsp;</b></h3><p>સૂત્રોના જણાવ્યા અનુસાર, 22 જુલાઈના રોજ પ્રસ્તાવિત ટ્રસ્ટની બેઠકમાં નવી વ્યવસ્થાઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે. બેઠક દરમિયાન નવા મહાસચિવની નિમણૂક અને ખાલી જગ્યાઓ માટે નવા સભ્યોની પસંદગી અંગેના નિર્ણયો પણ લેવામાં આવે તેવી શક્યતા છે. ટ્રસ્ટનો હેતુ દર્શન પ્રક્રિયાને વધુ સુલભ, પ્રસાદનું સંચાલન વધુ પારદર્શક અને વહીવટી તંત્રને વધુ જવાબદાર બનાવવાનો છે.</p><p>સુરક્ષા વ્યવસ્થા, ભીડ વ્યવસ્થાપન અને સેવા વ્યવસ્થાને સુધારવા માટે પણ યોજનાઓ ચાલી રહી છે. ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવગીરીએ સંકેત આપ્યો છે કે સંતોના સમુદાયના સૂચનોના આધારે સિસ્ટમોમાં વધુ સુધારો કરવામાં આવશે. વિશ્વ હિન્દુ પરિષદના આશ્રયદાતા દિનેશ ચંદ્રાએ નિર્મોહી અખાડાના મહંત દિનેન્દ્ર દાસ પાસેથી પૂજા વિધિઓ અંગે વિગતવાર સૂચનો માંગ્યા હતા, જેઓ ટ્રસ્ટના સભ્ય પણ છે. મહંત દિનેન્દ્ર દાસે રામ મંદિરમાં રામાનંદી પરંપરા અનુસાર શાસ્ત્રોક્ત વિધિઓ અને પૂજા પ્રક્રિયાઓ લાગુ કરવા પર ભાર મૂક્યો હતો.&nbsp;<br><br>આ પણ વાંચો: Shani Dev 2026: શનિની ચાલશે ઉલટી ચાલ, આ 2 રાશિએ ખાસ સાચવવુ !</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/j9AYT1JYZ9kRCa3FWQ4BPuCXhVSP22ilxEbigHIM.webp'/></item><item><title><![CDATA[Petrol Diesel Price Today: શનિવારે પેટ્રોલ ડીઝલના ભાવ શું છે? જાણો 1 લિટરનો લેટેસ્ટ રેટ ]]></title><link>https://sandesh.com/business/news/petrol-diesel-price-today-what-is-the-price-of-petrol-and-diesel-on-saturday-know-the-latest-rate-of-1-liter</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/petrol-diesel-price-today-what-is-the-price-of-petrol-and-diesel-on-saturday-know-the-latest-rate-of-1-liter</guid><pubDate>Sat, 11 Jul 2026 09:30:45 +05:30</pubDate><description><![CDATA[<p>ઓઇલ માર્કેટિંગ કંપનીઓ HPCL, IOCL અને ભારત પેટ્રોલિયમે આજના પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. એ વાતમાં થોડી રાહત છે કે, ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $76 ને પાર કરી ગયા હોવા છતાં, આજે દિલ્હીથી પટના સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.&nbsp; ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે શનિવારે&nbsp; પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. પરિણામે, ભાવ તેમના અગાઉના સ્તરે જ રહ્યા છે.</p><p><span style="font-size: 32px;"><b>ક્યાં છે પેટ્રોલ સસ્તુ ?&nbsp;</b></span></p><p>દિલ્હીમાં, પેટ્રોલ ₹102.12 પ્રતિ લિટર અને ડીઝલ ₹95.20 પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. હાલમાં, દેશમાં સૌથી સસ્તું ઇંધણ પોર્ટ બ્લેરમાં ઉપલબ્ધ છે, જ્યાં પેટ્રોલનો ભાવ ₹88.66 પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ ₹84.56 પ્રતિ લિટર છે. નોંધનીય છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લો સુધારો 25 મેના રોજ થયો હતો, જ્યારે કંપનીઓએ ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો કર્યો હતો. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દરરોજ સવારે 6:00 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. દેશમાં સૌથી સસ્તું પેટ્રોલ અને ડીઝલ પોર્ટ બ્લેરમાં ઉપલબ્ધ છે.</p><h3><b>ક્રૂડ ઓઇલનો શું છે ભાવ ?&nbsp;</b></h3><p>આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે. WTI ક્રૂડ ફ્યુચર્સ આશરે $71 અને $73 પ્રતિ બેરલની વચ્ચે ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે બ્રેન્ટ ક્રૂડ $84 ના સ્તરની આસપાસ રહે છે. વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ યુએસ-ઈરાન શાંતિ કરાર અને મધ્ય પૂર્વમાં તણાવ જેવા પરિબળોથી પ્રભાવિત થઈ રહ્યા છે.</p><p><br></p><h3><b style="font-size: 1.75rem;">દેશના મોટા શહેરોમાં પેટ્રોલ ડીઝલનો ભાવ&nbsp;</b></h3><ul><li>દિલ્હીમાં, ઇન્ડિયન ઓઇલ પંપો પર પેટ્રોલ ₹102.12 પ્રતિ લિટર અને ડીઝલ ₹95.20 પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.</li><li>મુંબઈમાં પેટ્રોલ ₹111.21 પ્રતિ લિટર અને ડીઝલ ₹97.83 પ્રતિ લિટર છે.</li><li>અયોધ્યામાં પેટ્રોલ ₹102.40 પ્રતિ લિટર અને ડીઝલ ₹99.27 પ્રતિ લિટર છે.</li><li>લખનૌમાં પેટ્રોલ ₹102.05 પ્રતિ લિટર અને ડીઝલ ₹99.28 પ્રતિ લિટર છે.</li><li>ભોપાલમાં પેટ્રોલ ₹114.65 પ્રતિ લિટર અને ડીઝલ ₹99.74 પ્રતિ લિટર છે.</li><li>ઇન્દોરમાં પેટ્રોલ ₹114.61 પ્રતિ લિટર (ભોપાલ કરતાં 4 પૈસા ઓછું) અને ડીઝલ ₹99.70 પ્રતિ લિટર છે.</li><li>કોલકાતામાં પેટ્રોલ ₹113.51 પ્રતિ લિટર અને ડીઝલ ₹99.82 પ્રતિ લિટર છે.</li><li>ચેન્નાઈમાં પેટ્રોલ ₹107.77 પ્રતિ લિટર અને ડીઝલ ₹99.55 પ્રતિ લિટર છે.</li><li>જયપુરમાં પેટ્રોલ ₹112.66 પ્રતિ લિટર અને ડીઝલ ₹97.78 પ્રતિ લિટર છે.</li><li>પટણામાં પેટ્રોલ ₹112.70 પ્રતિ લિટર અને ડીઝલ ₹99.87 પ્રતિ લિટર છે.<br><br></li></ul><h3><p><b>ગુજરાતના મોટા શહેરોમાં આજે પેટ્રોલ ડીઝલનો ભાવ</b></p></h3><div><br></div><table class="table table-bordered"><tbody><tr><td><b>શહેર&nbsp;</b></td><td><b>પેટ્રોલ (₹/લિટર)&nbsp;</b></td><td><b>ડીઝલ (₹/લિટર)</b></td></tr><tr><td>અમદાવાદ&nbsp;</td><td>₹101.83&nbsp;</td><td>₹97.92</td></tr><tr><td>ગાંધીનગર</td><td>&nbsp;₹101.83&nbsp;</td><td>₹97.92</td></tr><tr><td>રાજકોટ</td><td>&nbsp;₹102.03&nbsp;</td><td>₹98.40</td></tr><tr><td>સુરત&nbsp;</td><td>₹102.22&nbsp;</td><td>₹97.96</td></tr><tr><td>વડોદરા&nbsp;</td><td>₹101.46&nbsp;</td><td>₹98.35&nbsp;</td></tr></tbody></table><div><br></div><div><br></div><div><br></div><div><br></div><div><br></div><div><br></div><h3><br></h3> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/05/xdfkzVt1PdUa2rXLdkVgSCGnj1iicrEt8OHKgxuO.webp'/></item><item><title><![CDATA[El Nino: સાવધાન અલ નીનોનો વધતો ખતરો ખેતી પર અસરની આશંકા, CMFRIનો ડરામણો રિપોર્ટ ]]></title><link>https://sandesh.com/india/news/weather/el-nino-be-careful-growing-threat-of-el-nino-fear-of-impact-on-agriculture-scary-report-from-cmfri</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/weather/el-nino-be-careful-growing-threat-of-el-nino-fear-of-impact-on-agriculture-scary-report-from-cmfri</guid><pubDate>Sat, 11 Jul 2026 09:20:51 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR) સાથે સંકળાયેલી કેન્દ્રીય સમુદ્રી માછીમારી સંશોધન સંસ્થા (CMFRI)ના એક નિવેદન બાદ ચિંતા વધુ વધી છે. સંસ્થાના જણાવ્યા અનુસાર અલ નીનોના કારણે સમુદ્રનું તાપમાન ઝડપથી વધી રહ્યું છે, જેના કારણે આગામી સમયમાં ભારતીય ‘ઓઇલ સારડિન’ માછલીઓની સંખ્યામાં ઘટાડો થવાની શક્યતા છે.</p><p style="text-align: justify; ">CMFRIના ડાયરેક્ટર ગ્રિનસન જ્યોર્જે જણાવ્યું કે ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન સમુદ્રની ગરમીમાં વધુ વધારો થઈ શકે છે. આ ગરમીની અસર વર્ષ 2027ના એપ્રિલ-મે સુધી ઉત્તર હિંદ મહાસાગર સુધી જોવા મળી શકે છે. વધતા સમુદ્રી તાપમાનને કારણે દરિયાઈ પર્યાવરણમાં મોટા ફેરફારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; ">માછીમારો પર પડશે અસર</h2><p style="text-align: justify; ">રાષ્ટ્રીય માછલી ખેડૂત દિવસના એક કાર્યક્રમ દરમિયાન ગ્રિનસન જ્યોર્જે જણાવ્યું કે સમુદ્રનું તાપમાન વધવાથી પાણીમાં ખારાશનું પ્રમાણ પણ વધી શકે છે. આ સ્થિતિ માત્ર માછલીઓ માટે જ નહીં પરંતુ સમુદ્રી જીવસૃષ્ટિ માટે પણ નુકસાનકારક બની શકે છે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ICAR_CMFRI/status/2075452379659669726"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; ">તેમણે ચેતવણી આપી કે અલ નીનોની અસરથી કોરલ રીફ્સને પણ નુકસાન પહોંચી શકે છે. કોરલ રીફ્સનું ડિગ્રેડેશન થવાથી દરિયાઈ પર્યાવરણનું સંતુલન બગડી શકે છે. ખાસ કરીને રેડ સૈપર કોરલ રીફ પર તેની સૌથી વધુ અસર થવાની શક્યતા છે.</p><p style="text-align: justify; ">CMFRIના ડાયરેક્ટરે કહ્યું કે અલ નીનોના પડકારોનો સામનો કરવા માટે માછીમારો અને ખેડૂતોને અગાઉથી તૈયાર કરવા જરૂરી છે. આ માટે CMFRI દ્વારા આ વર્ષથી જ તાલીમ કાર્યક્રમો શરૂ કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવનારા જોખમોની અસરને ઓછી કરી શકાય.</p><h3 style="text-align: justify; ">ખેતી ક્ષેત્ર પર પણ અલ નીનોનો પ્રભાવ</h3><p style="text-align: justify; ">અલ નીનો એક વૈશ્વિક હવામાન ઘટના છે, જેમાં ટ્રોપિકલ પેસિફિક મહાસાગરના પાણીના તાપમાનમાં ફેરફાર થાય છે અને તેની અસર વિશ્વના હવામાન પર પડે છે. ભારતમાં અલ નીનોના કારણે સામાન્ય રીતે વરસાદમાં ઘટાડો અને ગરમીના મોજામાં વધારો જોવા મળે છે.</p><p style="text-align: justify; ">આ વર્ષે પણ ચોમાસામાં સામાન્ય કરતા ઓછા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઓછો વરસાદ અને વધતી ગરમીને કારણે ખેતી ક્ષેત્ર પર તેની સીધી અસર પડી રહી છે. ખાસ કરીને ખરીફ પાકોને નુકસાન થવાની ચિંતા વધી છે.</p><p style="text-align: justify; ">કૃષિ મંત્રાલયના આંકડા અનુસાર, આ વર્ષે ધાન સહિતના ખરીફ પાકોના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. કુલ 182.72 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે, જે ગયા વર્ષની સરખામણીએ લગભગ 23 ટકા ઓછું છે.</p><h4 style="text-align: justify; ">સરકાર પણ એલર્ટ મોડમાં</h4><p style="text-align: justify; ">અલ નીનોના વધતા જોખમને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર પણ સક્રિય થઈ છે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા અલ નીનોની સ્થિતિ અને તેની અસર સામેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે બેઠક યોજવામાં આવી હતી.</p><p style="text-align: justify; ">આ બેઠકમાં ખેતી, માછીમારી અને હવામાન સંબંધિત પડકારો પર ચર્ચા કરવામાં આવી હતી. નિષ્ણાતોનું માનવું છે કે અલ નીનોની અસર ઘટાડવા માટે ખેડૂતો, માછીમારો અને સામાન્ય લોકોને સમયસર માહિતી અને યોગ્ય માર્ગદર્શન આપવું ખૂબ જરૂરી છે.</p><p style="text-align: justify; ">આગામી સમયમાં હવામાન પરિવર્તન અને અલ નીનો જેવી ઘટનાઓને કારણે કુદરતી સંસાધનો પર દબાણ વધી શકે છે, તેથી વૈજ્ઞાનિક તૈયારી અને સાવચેતીના પગલાં મહત્વપૂર્ણ બની રહેશે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/StiFMzUew65OjcGmPEdrjpYoLVWRs8FyK3ipoWa6.webp'/></item><item><title><![CDATA[Junagadh : ગિરનાર પર સિંહે બાળક પર કર્યો જીવલેણ હુમલો, મોઢામાં દબોચી જંગલમાં ભાગ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/junagadh/junagadh-girnar-lion-attack-child-death-forest-news</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/junagadh/junagadh-girnar-lion-attack-child-death-forest-news</guid><pubDate>Sat, 11 Jul 2026 07:53:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પવિત્ર યાત્રાધામ જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પરથી એક અત્યંત આઘાતજનક અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ગિરનારની સીડીઓ પર સિંહે એક માસૂમ બાળક પર જીવલેણ હુમલો કર્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકના યાત્રિકો અને સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ અને અરેરાટી વ્યાપી ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>સિંહે માસૂમ બાળક પર તરાપ મારી</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી અનુસાર, એક પરિવાર પોતાના માસૂમ બાળક સાથે ગિરનાર પર્વત ચડવા જઈ રહ્યો હતો. આ દરમિયાન ગિરનારની સીડીઓ પાસે અચાનક એક ખૂંખાર સિંહ આવી ચડ્યો હતો. પરિવાર કઈ સમજે તે પહેલા જ સિંહે માસૂમ બાળક પર તરાપ મારી દીધી હતી.</p><h3 style="text-align: justify; "><b>મોઢામાં દબોચીને સીધો ગિરનારના ગાઢ જંગલ તરફ ભાગી છૂટ્યો</b></h3><p style="text-align: justify; ">સિંહના અચાનક થયેલા આ હુમલાથી આખો પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો અને ચીસાચીસ કરી મૂકી હતી. જોકે, સિંહ બાળકને પોતાના મોઢામાં દબોચીને સીધો ગિરનારના ગાઢ જંગલ તરફ ભાગી છૂટ્યો હતો.</p><h4 style="text-align: justify; "><b>બાળકના માત્ર માનવ અવશેષો જ હાથ લાગ્યા</b></h4><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં જ વન વિભાગનો મોટો કાફલો અને સ્થાનિક સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. વન વિભાગ દ્વારા જંગલના ઊંડાણપૂર્વકના વિસ્તારોમાં બાળકને શોધવા માટે યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ કમનસીબે, જંગલમાંથી માસૂમ બાળકના માત્ર માનવ અવશેષો જ મળી આવ્યા હતા, જે જોઈને વનકર્મીઓ અને પરિવારના સભ્યોના કાળજા ફાટી ગયા હતા.</p><h4 style="text-align: justify; "><b>વન વિભાગની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો&nbsp;</b></h4><p style="text-align: justify; ">ગિરનારના પગથિયાં પર બનેલી આ ઘટનાએ વન વિભાગની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા કર્યા છે. સામાન્ય રીતે ગિરનાર પર શ્રદ્ધાળુઓની સતત અવરજવર હોય છે, ત્યારે આ પ્રકારે સિંહના હુમલાની ઘટનાથી યાત્રિકોની સુરક્ષાને લઈને ભયનો માહોલ સર્જાયો છે. હાલમાં વન વિભાગે આ નરભક્ષી બનેલા સિંહને પાંજરે પૂરવા માટેની તજવીજ અને ચક્રો ગતિમાન કર્યા છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો :&nbsp;&nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-south-gujarat-heavy-rain-floods-reasons-geography-urban-planning-issues-updates" target="_blank"><b>Sandesh Digital Explainer : દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર! આખરે દર વર્ષે આ જ વિસ્તાર સૌથી વધુ કેમ ડૂબે છે? વાંચો એક જ ક્લિકમાં</b></a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/XPn7amYEuO78hoVwzSbF3j4dAeu7jZz8wDhgRHHz.webp'/></item><item><title><![CDATA[Chhotaudepur: છોટાઉદેપુરમાં ફૂડ વિભાગ દ્વારા ખાદ્યપદાર્થોનું દુકાનોમાં ચેકિંગ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-food-department-checks-food-items-in-shops-in-chhotaudepur</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-food-department-checks-food-items-in-shops-in-chhotaudepur</guid><pubDate>Sat, 11 Jul 2026 04:43:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નાગરિકોના આરોગ્યને ધ્યાને રાખી જિલ્લા કલેકટર ગાર્ગી જૈનના માર્ગ દર્શન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર-છોટાઉદેપુરના ડેઝિગ્નેટેડ ઓફ્સિર પી.એમ.શાહની ઉપસ્થિતીમાં છોટાઉદેપુરમાં આવેલી ખાણી-પીણીની હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની જોગવાઈઓ અન્વયે આકસ્મિક તપાસ હાથ ધરાઇ હતી. ઝુંબેશ દરમિયાન ટીમ દ્વારા આધુનિક ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ (FSW) ટેસ્ટિંગ વાનનો ઉપયોગ કરાયો હતો. તંત્રની ટીમ દ્વારા જિલ્લા સેવા સદન રોડ તેમજ તેની આસપાસના વિસ્તારો જેવા કે શાકમાર્કેટ અને મુખ્ય બજારમાં સઘન ચેકિંગ કરીને કુલ 20 જેટલી પેઢીઓની તપાસ કરાઇ હતી. સ્થળ પર જ કુલ 35 જેટલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓનું પરીક્ષણ કરાયું હતું. આ તપાસ દરમિયાન અંદાજીત 10 કિલોગ્રામ જેટલો વાસી તેમજ બિનઆરોગ્યપ્રદ (અનહાઇજેનિક) સ્થિતિમાં સંગ્રહ કરી રાખેલો ખાદ્ય પદાર્થ અને 2 કિલોગ્રામ જેટલો હાનિકારક ફૂડ કલર મળી આવતા તંત્ર દ્વારા આ આખા જથ્થાનો સ્થળ પર જ નાશ કરાયો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/WIxfqJBZ1CUBXK8i6LO1OMKpaEymEmjSuziquFjr.webp'/></item></channel></rss>