<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Alka Yagnik: પદ્મ ભૂષણ એવોર્ડ લેવા પહોંચેલા અલ્કા યાજ્ઞિક કેમ સહારો લઈને ચાલ્યા, ગાયિકાએ શેર કરી ઇમોશનલ નોટ ]]></title><link>https://sandesh.com/entertainment/news/alka-yagnik-why-did-alka-yagnik-who-arrived-to-receive-the-padma-bhushan-award-walk-with-a-support-the-singer-shared-an-emotional-post</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/alka-yagnik-why-did-alka-yagnik-who-arrived-to-receive-the-padma-bhushan-award-walk-with-a-support-the-singer-shared-an-emotional-post</guid><pubDate>Wed, 24 Jun 2026 09:49:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">23 જૂનના રોજ પદ્મ એવોર્ડ સમારોહ યોજાયો હતો. ગાયિકા અલકા યાજ્ઞિકને પદ્મ ભૂષણ મળ્યું. અલકા યાજ્ઞિકનો એવોર્ડ સ્વીકારતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એવોર્ડ સ્વીકારતા પહેલા અલકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચરણ સ્પર્શ કર્યા હતા . એવોર્ડ સ્વીકારતી વખતે, અલકાને એક સહાયક પર ઝૂકેલી જોવા મળી હતી. ફેમસ ગાયિકાનો આ વીડિયો વાયરલ થતા ચાહકો ચિંતિત થયા હતા. સોશિયલ મીડિયામાં ફેન્સ સવાલ પૂછવા લાગ્યા કે અલકા યાજ્ઞિકને આખરે શું થયું છે. ચાહકોનો આ પ્રેમ બદલ અલકા યાજ્ઞિકે ફેન્સ માટે ઇમોશનલ પોસ્ટ શેર કરી પોતાનું સ્વાસ્થ્ય અપડેટ આપ્યું.</p><h2 style="text-align: justify; "><b>એવોર્ડ સ્વીકારતી વખતે અલ્કા યાજ્ઞિક નબળા દેખાયા</b></h2><p style="text-align: justify; ">આ ખાસ સમારોહ દરમિયાનનો ૬૦ વર્ષીય ગાયિકા અલ્કા યાજ્ઞિકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એવોર્ડ સ્વીકારવા સ્ટેજ પર જતા પહેલાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. જોકે, તે શારીરિક રીતે ખૂબ જ નબળા દેખાતા હતા અને સ્ટેજ પર આગળ વધવા માટે તેમણે એક પરિચારિકા (સહાયક)નો સહારો લેવો પડ્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ તેમના લાખો ચાહકોએ તેમની તબિયતને લઈને ભારે ચિંતા વ્યક્ત કરી છે.</p><h3 style="text-align: justify; "><b>અલકા યાજ્ઞિકની ઇમોશનલ પોસ્ટ</b></h3><p style="text-align: justify; ">રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા ભવ્ય પદ્મ એવોર્ડ સમારોહમાં બોલિવૂડના દિગ્ગજ પ્લેબેક સિંગર અલ્કા યાજ્ઞિકને સંગીત ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાન બદલ દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંના એક 'પદ્મ ભૂષણ'થી સન્માનિત કરવામાં આવ્યા છે.&nbsp; વાયરલ વીડિયો અને ચાહકોની ચિંતા વચ્ચે, અલ્કા યાજ્ઞિકે સોશિયલ મીડિયા પર એક લાગણીસભર નોંધ શેર કરીને સરકારનો આભાર માન્યો છે અને પોતાના સ્વાસ્થ્ય અંગે વાત કરી છે. તેમણે લખ્યું "છેલ્લા બે વર્ષથી હું લાઈમલાઈટ અને જાહેર કાર્યક્રમોથી દૂર રહી છું, કારણ કે હું સ્વાસ્થ્ય સંબંધી મોટા પડકારોનો સામનો કરી રહી છું. આ મુશ્કેલ સમયમાં તમારા બધાનો પ્રેમ, પ્રાર્થના અને અવિરત સમર્થન દરેક પગલે મારી સાથે રહ્યા છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>ફેન્સનો અલકા યાજ્ઞિકને આભાર માન્યો</b></h3><p style="text-align: justify; ">તેમણે વધુમાં ઉમેર્યું કે, તેઓ હવે ધીમે ધીમે વાપસી કરી રહ્યા છે. આ સન્માન બદલ તેમણે માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રાલય અને ભારત સરકારનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણ પ્રાપ્ત કરતી વખતે મારું હૃદય કૃતજ્ઞતાથી ભરાઈ ગયું છે. આ સન્માન માત્ર મારું નથી, પરંતુ એ તમામ શ્રોતાઓનું છે જેમણે પેઢીઓથી મારા ગીતોને પ્રેમ આપ્યો છે."</p><h4 style="text-align: justify; "><b>અલ્કા યાજ્ઞિક કઈ બીમારીનો સામનો કરી રહ્યા છે?</b></h4><p style="text-align: justify; ">અલ્કા યાજ્ઞિક વાયરલ ઇન્ફેક્શનના કારણે થતી 'સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ' (સાંભળવાની શક્તિ ગુમાવવી) નામની ગંભીર સમસ્યાથી પીડાઈ રહ્યા છે, જેનો ખુલાસો તેમણે વર્ષ ૨૦૨૪માં કર્યો હતો. તાજેતરમાં જ આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે સ્વીકાર્યું હતું કે તેઓ હજી સંપૂર્ણપણે સ્વસ્થ થયા નથી અને આ પરિસ્થિતિને કારણે તેમના કામ પર પણ મોટી અસર પડી છે. સંગીતકારો કામ માટે તેમનો સંપર્ક કરે છે, પરંતુ તબિયત સરી ન હોવાને કારણે તેઓ હાલ રેકોર્ડિંગ કરી શકતા નથી.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/welcome-to-the-jungle-censor-boards-scissors-on-akshay-kumars-film-18-cuts-made-including-disha-jacquelines-bikini-scenes" target="_blank">આ પણ વાંચો : Welcome to the Jungle : અક્ષય કુમારની ફિલ્મ પર સેન્સર બોર્ડની કાતર, દીશા-જેક્લીનના બિકીની સીન્સ સહિત ૧૮ કટ લગાવાયા!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/d2WYJENPGTqZYrn2Cii8Y2X7J81JX4Iu7uLS77ce.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : સુભાષબ્રિજના પિલ્લર નબળા પડ્યા, રિપોર્ટમાં મોટો ખુલાસો, હવે આખો બ્રિજ તોડી નવો બનાવાશે! ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-subhash-bridge-to-be-demolished-new-bridge-amc-updates</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-subhash-bridge-to-be-demolished-new-bridge-amc-updates</guid><pubDate>Wed, 24 Jun 2026 09:41:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના સાબરમતી નદી પરના સૌથી વ્યસ્ત એવા સુભાષબ્રિજને લઈને એક અત્યંત મહત્વના અને મોટા સમાચાર સામે આવ્યા છે. કન્સલ્ટન્ટ એજન્સી અને ટેક્નિકલ ટીમ દ્વારા સુભાષબ્રિજ અંગે સાદર કરવામાં આવેલા લેટેસ્ટ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ બ્રિજના પિલ્લર સમય જતાં ટેક્નિકલ રીતે નબળા પડી ગયા છે. સુરક્ષાના આ ગંભીર મુદ્દાને ધ્યાને રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે આ જૂના બ્રિજને સંપૂર્ણપણે તોડી પાડવાનો મોટો નિર્ણય લેવાઈ શકે તેમ છે.</p><h2 style="text-align: justify; "><b>પોતાનો કડક અભિપ્રાય આપતા જણાવ્યું&nbsp;</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, કન્સલ્ટન્ટ એજન્સીએ AMCને પોતાનો કડક અભિપ્રાય આપતા જણાવ્યું છે કે, લાંબા ગાળાના આયોજન અને જનતાની સલામતીના ભાગરૂપે આ નબળા પડી ગયેલા જૂના પિલ્લર તોડીને તેની જગ્યાએ નવો અને વધુ પહોળો બ્રિજ બનાવવો જ એકમાત્ર શ્રેષ્ઠ વિકલ્પ છે. સુરક્ષા એજન્સીના આ રિપોર્ટ બાદ મનપા તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે.</p><h3 style="text-align: justify; "><b>&nbsp;સુપર સ્ટ્રક્ચરને તોડી પાડવામાં આવ્યું</b></h3><p style="text-align: justify; ">ઉલ્લેખનીય છે કે, હાલ પૂરતી બ્રિજની ઉપરની છત એટલે કે સુપર સ્ટ્રક્ચરને તોડી પાડવામાં આવ્યું છે. બ્રિજની ક્ષતિઓ અને તેની આંતરિક નબળાઈઓ તપાસવા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં પિલ્લરનું આયુષ્ય પૂરું થઈ ગયું હોવાનું અને તે નબળા પડ્યા હોવાનું સાબિત થયું છે.</p><h4 style="text-align: justify; "><b>બ્રિજ આખો તોડીને નવો બનાવવાનો નિર્ણય&nbsp;</b></h4><p style="text-align: justify; ">સુભાષબ્રિજ એ આશ્રમ રોડ, વાડજ અને શાહીબાગ તથા આરટીઓ સર્કલને જોડતો મુખ્ય માર્ગ છે. જો આ બ્રિજ આખો તોડીને નવો બનાવવાનો નિર્ણય સત્તાવાર રીતે લાગુ થશે, તો આગામી સમયમાં આ રૂટ પર મોટા પાયે ટ્રાફિક ડાયવર્ઝન આપવું પડશે. જો કે, લાખો વાહનચાલકોની રોજિંદી સલામતી માટે પેચવર્ક કરવાને બદલે નવો આધુનિક બ્રિજ બનાવવાનો એજન્સીનો આ અભિપ્રાય આવકારદાયક માનવામાં આવી રહ્યો છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; <a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/sandesh-digital-explainer-gujarat-monsoon-10-years-history" target="_blank"><b>&nbsp;Sandesh Digital Explainer : મેઘરાજાની એન્ટ્રીનું કાઉન્ટડાઉન..! જાણો છેલ્લા 10 વર્ષમાં ક્યારે વહેલા પધાર્યા અને ક્યારે કરાવ્યો ભારે ઈન્તેઝાર?</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/XDj1RKi5QFIE4cH7w58HNsYEXIMbPvMrj36s18wR.webp'/></item><item><title><![CDATA[Ketan Agrawal Death:બહેનની સતર્ક નજરે ખોલી નાખ્યું સિયા-ચેતનનું લોહિયાળ કાવતરું! ]]></title><link>https://sandesh.com/india/news/crime/ketan-agrawal-death-sisters-watchful-eye-exposed-sia-chetans-bloody-conspiracy</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/crime/ketan-agrawal-death-sisters-watchful-eye-exposed-sia-chetans-bloody-conspiracy</guid><pubDate>Wed, 24 Jun 2026 09:29:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મહારાષ્ટ્રમાં બનેલી કેતન અગ્રવાલ હત્યા કેસે ગુનાખોરીની દુનિયામાં ડિજિટલ પુરાવાઓનું મહત્વ ફરી એકવાર સાબિત કર્યું છે. કેતનનું મૃત્યુ શરૂઆતમાં એક અકસ્માત લાગતું હતું, પરંતુ કેતનની બહેનની સતર્કતા અને ત્યારબાદની પોલીસ તપાસે આ કેસને સંપૂર્ણપણે બદલી નાખ્યો. પરિવારના નિવેદનો અને આરોપી સિયાના વિરોધાભાસી જવાબોએ પોલીસ માટે તપાસના નવા દ્વાર ખોલી દીધા હતા.</p><h2 style="text-align: justify; "><b>બહેને પૂછેલા સવાલમાં જ ગભરાઇ સિયા</b></h2><p style="text-align: justify; ">જ્યારે પોતાના ભાઇના મોત બાદ જયારે સિયાને તેણી નણંદ એટલે કે તેની બહેને સવાલ કર્યો કે તેનો ભાઇ કેવી રીતે મોતને ભેટ્યો ત્યારે સિયાના જવાબ આપતા સમયે તેના મોઢાં પર સહેજ પણ અફસોસ નહોતો અને બિનદાસ પણ તે જવાબ આપી રહી હતી. બાદમાં કેતનની બહેને તેના પિતાને આ વાત કરી કે સિયા કંઇક છુપાવી રહી છે. ભાઇ  પહેલા પણ આવી રીતે ટ્રેકિંગ પર ગયો હતો આવું ક્યારેય નથી બન્યું અને કેતનના પિતાએ કેસને ફરી ખોલાવવાનું કહ્યુ અને સિયા અને ચેતન ચૌધરીના આપેલા ગોળ ગોળ જવાબે રહસ્ય વધુ ગૂંચ્વ્યુ છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>જાણીજોઈને પોતાનો ફોન દુકાને છોડી દીધો</b></h3><p style="text-align: justify; ">આ કેસમાં સૌથી વધુ ચર્ચા ચેતન ચૌધરીની ચાલાકીની થઈ રહી છે. ઘટનાના દિવસે એટલે કે 18 જૂને, સવારે 7 વાગ્યાથી સાંજે 5.40 વાગ્યા સુધી ચેતનનો ઇન્ટરનેટ ડેટા સંપૂર્ણ બંધ હતો. તપાસમાં બહાર આવ્યું કે તેણે પોલીસને ગુમરાહ કરવા માટે જાણીજોઈને પોતાનો ફોન પોતાની દુકાનમાં છોડી દીધો હતો. તે પોતાની સાથે દુકાનના એક કર્મચારીનો ફોન લઈને લોહાગઢ પહોંચ્યો હતો, જેથી તેનું લોકેશન ટ્રેસ ન થઈ શકે. પોલીસને જ્યારે શંકા ગઈ ત્યારે તેમણે 18 જૂનના રોજ ચેતનના ફોન પર આવેલા દરેક કોલ કરનાર વ્યક્તિની પૂછપરછ કરી. દરેક વ્યક્તિએ જણાવ્યું કે તે દિવસે ચેતને પોતે કોઈ ફોનનો જવાબ આપ્યો ન હતો, પરંતુ દુકાનના કર્મચારીઓએ જ ફોન ઉઠાવ્યા હતા.</p><h4 style="text-align: justify; "><b>અલગ અલગ આપેલા જવાબે કાવતરૂં ઉઘાડું પાડ્યુ</b></h4><p style="text-align: justify; ">જ્યારે પોલીસે ચેતનની કડક પૂછપરછ કરી અને ઇન્ટરનેટ બંધ હોવાના કારણો વિશે સવાલો કર્યા, ત્યારે તે પોલીસને કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહીં. ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ અને પરિવાર દ્વારા આપવામાં આવેલી માહિતીએ ચેતન અને સિયાના કાવતરાને ઉઘાડું પાડી દીધું. પોલીસ માટે આ સાબિતીઓ પૂરતી હતી કે કેતનની હત્યા એક આયોજનબદ્ધ ગુનો હતો. હાલમાં, આ કેસમાં કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ કેતનના પરિવારે જે રીતે બહેનની સતર્કતા દ્વારા ન્યાય મેળવવાની દિશામાં પહેલું ડગલું ભર્યું છે, તે ખરેખર પ્રશંસનીય છે. આ કેસ એ લોકો માટે એક પાઠ છે જેઓ માને છે કે ડિજિટલ યુગમાં ગુનો કરીને બચી શકાશે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/ketan-agrawal-death-a-death-drama-was-created-in-the-name-of-snake-snake-failed-on-june-14-and-gave-the-final-shock-on-june-18" target="_blank">આ પણ વાંચોઃ Ketan Agrawal Death: "સાપ, સાપ" ના નામે રચ્યું મોતનું નાટક, 14 જૂને નિષ્ફળ તો 18 જૂને આપ્યો અંતિમ આઘાત!</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/Sw1ILgavsFRzRDzwMVv5muiRWyfG3AssKdfFS3mX.webp'/></item><item><title><![CDATA[Uttar Pradesh : લખનઉ અગ્નિકાંડ બાદ અનેક કોચિંગ સીલ, 100થી વધુ સેન્ટર પર તપાસ ]]></title><link>https://sandesh.com/india/news/uttar-pradesh-several-coaching-centres-sealed-after-lucknow-fire-more-than-100-centres-investigated</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/uttar-pradesh-several-coaching-centres-sealed-after-lucknow-fire-more-than-100-centres-investigated</guid><pubDate>Wed, 24 Jun 2026 09:18:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં કોચિંગ સંસ્થામાં લાગેલી આગની દુર્ઘટના બાદ સ્થાનિક તંત્રએ શહેરના વિવિધ કોચિંગ સેન્ટરો અને અભ્યાસ કેન્દ્રોમાં સુરક્ષા વ્યવસ્થાની વિશેષ તપાસ શરૂ કરી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને સુરક્ષિત વાતાવરણ ઉપલબ્ધ કરાવવાનો અને આગ જેવી આપત્તિ દરમિયાન જાનહાનિ ટાળવાનો છે.</p><h2 style="text-align: justify; ">નગર નિગમ અને પોલીસ વિભાગનું સંયુક્ત ઓપરેશન</h2><p style="text-align: justify; ">નગર નિગમ અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલા આ અભિયાન દરમિયાન અનેક કોચિંગ સંસ્થાઓમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી. અધિકારીઓએ બિલ્ડિંગમાં સ્થાપિત અગ્નિશામક સાધનો, ફાયર એલાર્મ સિસ્ટમ, ઇમરજન્સી એક્ઝિટ, પાણીની સુવિધા તેમજ આગ બુઝાવવા માટેની અન્ય વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું.</p><h3 style="text-align: justify; ">કેટલીક સંસ્થાઓમાં ગંભીર બેદરકારી સામે આવી</h3><p style="text-align: justify; ">તપાસ દરમિયાન કેટલીક સંસ્થાઓમાં ગંભીર બેદરકારી સામે આવી હતી. ક્યાંક અગ્નિશામક સાધનો યોગ્ય સ્થિતિમાં નહોતા તો ક્યાંક ઇમરજન્સી બહાર નીકળવાના રસ્તા અવરોધિત જોવા મળ્યા હતા. કેટલીક જગ્યાએ ફાયર સેફ્ટી સંબંધિત જરૂરી મંજૂરીઓ અને દસ્તાવેજો પણ ઉપલબ્ધ નહોતા. આ પ્રકારની ખામીઓને ગંભીરતાથી લેતા પ્રશાસને અનેક કોચિંગ સંસ્થાઓ અને લાઇબ્રેરીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી.</p><h4 style="text-align: justify; ">આ કોચિંગ સંસ્થાઓને સીલ કરવામાં આવી</h4><p style="text-align: justify; ">કાર્યવાઈ હેઠળ કાર્તિક કોમ્પિટિશન, અરાવલી ક્લાસીસ, મેડ ગુરુ, રાજસ્થાન જાટ ક્લાસીસ, વીજીપી ક્લાસીસ, એએસપી ક્લાસીસ, ક્લાસ-24, કરિયર વિલ ઑફલાઇન, ઇન્ટરનેશનલ ક્લાસીસ, ગુરુકુલ લાઇબ્રેરી, ડી.એન. ક્લાસીસ, મા સરસ્વતી લાઇબ્રેરી, ડી.એન. લાઇબ્રેરી અને કાર્તિક લાઇબ્રેરીનો સમાવેશ થાય છે. આ તમામ સંસ્થાઓ સામે ફાયર સેફ્ટી નિયમોમાં ખામીઓ જણાતા તેમને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.</p><h4 style="text-align: justify; ">નિયમોના ઉલ્લંઘન સામે કડક વલણ</h4><p style="text-align: justify; ">સુરક્ષા ધોરણોનું પાલન ન કરતી કેટલીક સંસ્થાઓને તાત્કાલિક અસરથી બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી. તંત્રનું માનવું છે કે વિદ્યાર્થીઓના જીવન સાથે કોઈપણ પ્રકારનું જોખમ સ્વીકારી શકાય નહીં. તેથી નિયમોના ઉલ્લંઘન સામે કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે.</p><h5 style="text-align: justify; ">કોચિંગ સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી&nbsp;</h5><p style="text-align: justify; ">આ ઉપરાંત અનેક અન્ય કોચિંગ સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી છે. તેમને નિર્ધારિત સમયમર્યાદામાં તમામ ખામીઓ દૂર કરીને સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે સૂચના આપવામાં આવી છે. જો સંસ્થાઓ સમયસર જરૂરી સુધારાઓ નહીં કરે તો તેમના વિરુદ્ધ વધુ કડક કાર્યવાહી થઈ શકે છે.</p><h4 style="text-align: justify; ">સુરક્ષા વ્યવસ્થાનું મહત્વ વધુ વધી જાય છે</h4><p style="text-align: justify; ">અધિકારીઓએ ખાસ કરીને એ પણ તપાસ્યું કે ફાયર ફાઇટિંગ સિસ્ટમ કાર્યરત છે કે નહીં, અગ્નિશામક સિલિન્ડરની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ છે કે નહીં અને આપત્તિ સમયે વિદ્યાર્થીઓ ઝડપથી બહાર નીકળી શકે તેવા માર્ગો ઉપલબ્ધ છે કે નહીં. સાથે જ ફાયર એનઓસી સહિતના દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવી હતી.</p><p style="text-align: justify; ">શૈક્ષણિક સંસ્થાઓમાં વધતી વિદ્યાર્થી સંખ્યાને ધ્યાનમાં રાખતા સુરક્ષા વ્યવસ્થાનું મહત્વ વધુ વધી જાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે માત્ર નિયમો બનાવવાથી કામ ચાલતું નથી, પરંતુ તેનું નિયમિત પાલન અને સમયાંતરે તપાસ પણ એટલી જ જરૂરી છે. પ્રશાસનનું આ અભિયાન અન્ય સંસ્થાઓ માટે પણ ચેતવણી સમાન માનવામાં આવી રહ્યું છે, જેથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના સર્જાય નહીં અને વિદ્યાર્થીઓ સુરક્ષિત વાતાવરણમાં અભ્યાસ કરી શકે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/iSahloD4sZxsSP9eMTvuYMkl8Yp26po0pFTlg38v.webp'/></item><item><title><![CDATA[Cristiano Ronaldoએ ફિફા વર્લ્ડ કપમાં રચ્યો ઇતિહાસ, આવું કરનાર પ્રથમ ખેલાડી બન્યો ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/cristiano-ronaldo-created-history-in-the-fifa-world-cup-becoming-the-first-player-to-do-so</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/cristiano-ronaldo-created-history-in-the-fifa-world-cup-becoming-the-first-player-to-do-so</guid><pubDate>Wed, 24 Jun 2026 09:02:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પોર્ટુગલ ફિફા વર્લ્ડ કપમાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આજે પોર્ટુગલ ઉઝબેકિસ્તાનનો સામનો કરી રહ્યું છે. આ મેચની શરૂઆતની મિનિટોમાં રોનાલ્ડોએ પોર્ટુગલને લીડ અપાવી હતી. રોનાલ્ડોએ છઠ્ઠી મિનિટમાં ગોલ કરીને ટીમને 1-0ની લીડ અપાવી હતી. રોનાલ્ડોએ જોઆઓ કેન્સેલોની તકનો લાભ ઉઠાવ્યો અને ગોલ કર્યો. ફિફા વર્લ્ડ કપમાં આ રોનાલ્ડોનો 10મો ગોલ હતો. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો માટે આ એક ઐતિહાસિક ગોલ છે, અને તેણે એક વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો. તે છ વર્લ્ડ કપમાં ગોલ કરનાર પ્રથમ ખેલાડી બન્યો.</p><h4 style="text-align: justify; "><b>રોનાલ્ડો પોર્ટુગલનો સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો</b></h4><p style="text-align: justify; ">આ ગોલ સાથે, રોનાલ્ડો ફિફા વર્લ્ડ કપ ઇતિહાસમાં પોર્ટુગલનો સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બની ગયો છે, તેણે યુસેબિયોની બરાબરી કરી છે. યુસેબિયોએ 1966 વર્લ્ડ કપમાં કુલ નવ ગોલ કર્યા હતા. રોનાલ્ડોએ હવે પોર્ટુગલ માટે 10 ગોલ કર્યા છે. આ સંદર્ભમાં, તેણે યુસેબિયોને પાછળ છોડી દીધો છે. રોનાલ્ડોએ 2006 અને 2026 વર્લ્ડ કપ વચ્ચે આ ગોલ કર્યા હતા.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://x.com/FIFAWorldCup/status/2069496208876278116?s=20" target="_blank">https://x.com/FIFAWorldCup/status/2069496208876278116?s=20</a></p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>પહેલા હાફમાં રોનાલ્ડોએ બે ગોલ કર્યા</b></h4><p style="text-align: justify; ">પોર્ટુગલ અને ઉઝબેકિસ્તાન વચ્ચેની મેચમાં, રોનાલ્ડોએ છઠ્ઠી મિનિટમાં પહેલો ગોલ કર્યો અને પછી 39મી મિનિટે પોતાનો બીજો ગોલ કર્યો. રોનાલ્ડોના શાનદાર રમત અને નુનો મેન્ડેસના ગોલને કારણે, પોર્ટુગલે હાફ ટાઇમ સુધીમાં ઉઝબેકિસ્તાન પર 3-0ની લીડ મેળવી લીધી. પોર્ટુગલ હવે બીજા હાફમાં આ વર્ચસ્વ જાળવી રાખવાનો પ્રયાસ કરશે.</p><h5><div style="text-align: justify;"><b><br></b></div><b><div style="text-align: justify;"><b style="font-size: 1.25rem;">રોનાલ્ડો ટુર્નામેન્ટના પહેલા મેચમાં એક પણ ગોલ કરી શક્યો નહીં</b></div></b></h5><p style="text-align: justify; ">પોર્ટુગલના શરૂઆતના મેચમાં કોંગો સામે 1-1થી ડ્રો થવાથી ટીમ પર ભારે દબાણ આવ્યું. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તે મેચમાં પોતાના નબળા પ્રદર્શન માટે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો. કેટલાક લોકોએ એવો પણ દાવો કર્યો કે ટીમ પ્રથમ મેચ જીતવામાં નિષ્ફળ રહેવાનું કારણ રોનાલ્ડો હતા. જોકે, રોનાલ્ડોએ ફરી એકવાર વર્લ્ડ કપના એક મોટા મેચમાં શાનદાર ગોલ કરીને પોતાના ટીકાકારોને જવાબ આપ્યો.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/lionel-messi-creates-new-history-becomes-the-highest-scorer-in-the-world-cup" target="_blank"> Lionel Messiએ રચ્યો નવો ઈતિહાસ,વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/bZFkFUWUsiLV7XoMzcB8ZDZ3QVZDjrLIxxPClYdh.webp'/></item><item><title><![CDATA[Surat : જમીન સોદાના નામે ખેડૂતનો વિશ્વાસ જીતી 2.14 કરોડ સેરવી લીધા,પટેલ બંધુઓની મોટી 'ગેમ' ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-land-scam-farmer-cheated-2-crore-patel-brothers-pal-police-complaint</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-land-scam-farmer-cheated-2-crore-patel-brothers-pal-police-complaint</guid><pubDate>Wed, 24 Jun 2026 08:31:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતમાં જમીન કૌભાંડ અને છેતરપિંડીના કિસ્સાઓ રોજેરોજ વધી રહ્યા છે, ત્યારે સુરતના પાલ વિસ્તારમાંથી કરોડો રૂપિયાની ઠગાઈનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં જમીન સોદાના નામે ખરવાસા ગામના એક નિર્દોષ ખેડૂતને પોતાની જાળમાં ફસાવીને પાલ ગામના બે પટેલ બંધુઓએ રૂપિયા 2.14 કરોડની અધધ રકમની છેતરપિંડી આચરી છે. આ મામલે ભોગ બનનાર ખેડૂતે છેવટે ન્યાય મેળવવા માટે પાલ પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>જમીનનો સોદો પાલ ગામના પટેલ બંધુઓ સાથે નક્કી થયો</b></h2><p style="text-align: justify; ">મળતી વિગતો અનુસાર, ખરવાસા ગામના ખેડૂતની કિંમતી જમીનનો સોદો પાલ ગામના પટેલ બંધુઓ સાથે નક્કી થયો હતો. શરૂઆતમાં બધું નિયમ મુજબ ચાલતું હોય તેમ ખેડૂતે કાયદેસરના સ્ટેમ્પ પેપર પર સહમતી કરાર (એગ્રીમેન્ટ) કરીને જમીન આ પટેલ બંધુઓના નામે વેચવા માટેની તૈયારી બતાવી હતી.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>સહી-સિક્કા થઈ ગયા પછી અસલી ખેલ શરૂ&nbsp;</b></h2><p style="text-align: justify; ">જો કે, સોદો પાકો થયા બાદ અને સ્ટેમ્પ પેપર પર સહી-સિક્કા થઈ ગયા પછી અસલી ખેલ શરૂ થયો હતો. કરાર મુજબ નક્કી કરેલી સમયમર્યાદામાં પટેલ બંધુઓએ ખેડૂતને આપવાની થતી બાકીની કરોડોની રકમ ચૂકવી ન હતી.</p><h3 style="text-align: justify; "><b>ખોટા વાયદા આપીને ટલ્લે ચડાવતા હતા</b></h3><p style="text-align: justify; ">ખેડૂત જ્યારે પોતાના રૂપિયાની ઉઘરાણી કરતો, ત્યારે આ ગઠિયાઓ તેને વાયદા બજારના ખોટા વાયદા આપીને ટલ્લે ચડાવતા હતા. આ દરમિયાન, પટેલ બંધુઓએ ખેડૂતને સંપૂર્ણ વિશ્વાસમાં લઈ, તેની જાણ બહાર અથવા ફોસલાવીને આ કિંમતી જમીન ત્રીજી જ વ્યક્તિ (અન્ય ખરીદદાર)ને બારોબાર વેચી મારી હતી. જમીન વેચીને કરોડો રૂપિયા ખિસ્સામાં સેરવી લીધા હોવા છતાં, આ શઠ તત્વોએ મૂળ માલિક એવા ગરીબ ખેડૂતને એક પણ રૂપિયો આપ્યો ન હતો અને 2.14 કરોડની મસમોટી ઠગાઈ આચરી હાથ ઊંચા કરી દીધા હતા.</p><h4 style="text-align: justify; "><b>ખેડૂતે આખરે પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી&nbsp;</b></h4><p style="text-align: justify; ">પોતાની જમીન પણ ગઈ અને રૂપિયા પણ ન મળ્યા, ત્યારે છેતરાયા હોવાનો અહેસાસ થતાં પીડિત ખેડૂતે આખરે પાલ પોલીસ સ્ટેશનમાં બંને આરોપી પટેલ બંધુઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને કરોડો રૂપિયાના જમીન કૌભાંડની આસપાસના અન્ય તાર મેળવવા અને આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp;<a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/sandesh-digital-explainer-gujarat-monsoon-10-years-history" target="_blank"><b> &nbsp; Sandesh Digital Explainer : મેઘરાજાની એન્ટ્રીનું કાઉન્ટડાઉન..! જાણો છેલ્લા 10 વર્ષમાં ક્યારે વહેલા પધાર્યા અને ક્યારે કરાવ્યો ભારે ઈન્તેઝાર?</b></a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/PhrS39081URp0EO0DJpKqdLI7nXQDGHyzf0sHH5O.webp'/></item><item><title><![CDATA[Shinor-Vadodara : બાળકી હત્યા કેસમાં મોટો વળાંક, પોલીસ સાથે આરોપીએ ઝપાઝપી કર્યા બાદ રિવોલ્વરમાંથી ગોળી છૂટી જતાં ઇજા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/vadodara/vadodara-shinor-girl-murder-case-accused-attacks-police-firing-updates</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/vadodara/vadodara-shinor-girl-murder-case-accused-attacks-police-firing-updates</guid><pubDate>Wed, 24 Jun 2026 07:57:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સતીષાણા ગામની 4 વર્ષની માસૂમ બાળકીની ઘાતકી હત્યાના કેસમાં અત્યંત ચોંકાવનારો અને સનસનાટીપૂર્ણ વળાંક આવ્યો છે. આ ચકચારી હત્યા કેસના આરોપીને ગત રાત્રે જ્યારે પોલીસ સેગવાથી શિનોર તરફ લઈ જઈ રહી હતી, ત્યારે ચાલુ વાહનમાં આરોપીએ ફિલ્મી ઢબે પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રતિકાર કર્યો હતો. સીમળી ગામ નજીક પહોંચતા જ આરોપી અને પોલીસ વચ્ચે ઝપાઝપી થતાં તે સમયે પીઆઇની રિવોલ્વરમાંથી ગોળી છૂટી હતી જે આરોપીને વાગી હતી. જો કે આરોપીને સામાન્ય ઇજા થઇ છે.</p><h2 style="text-align: justify; "><b>પોલીસ અને આરોપી વચ્ચે ભારે ઝપાઝપી</b></h2><p style="text-align: justify; ">આરોપીની આ હરકત બાદ ચાલુ વાહનમાં જ પોલીસ અને આરોપી વચ્ચે ભારે ઝપાઝપી થઈ હતી. આ અંધાધૂંધી અને ઝપાઝપી દરમિયાન રિવોલ્વરમાંથી અચાનક બે રાઉન્ડ ફાયરિંગ થઈ ગયું હતું. તેમાંથી એક ગોળી પોલીસ વાહનનો આગળનો કાચ તોડીને સનસનાટીભેર બહાર નીકળી ગઈ હતી, જ્યારે બીજી ગોળી ખુદ આરોપીના ડાબા પગની ટચલી આંગળીમાં વાગતા તેને સામાન્ય ઈજા પહોંચી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ પોલીસ કર્મચારીને ઈજા થઈ નથી.</p><h3 style="text-align: justify; "><b>વડોદરા જિલ્લા પોલીસ બેડામાં ભારે દોડધામ&nbsp;</b></h3><p style="text-align: justify; ">ચાલુ વાહનમાં ફાયરિંગની આ ઘટનાના પગલે સમગ્ર વડોદરા જિલ્લા પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે જ વાહનને કોર્ડન કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.</p><h4 style="text-align: justify; "><b>&nbsp;ઈજાગ્રસ્ત આરોપીને હોસ્પિટલ ખસેડાયો</b></h4><p style="text-align: justify; ">બીજી તરફ, ઈજાગ્રસ્ત આરોપીને તાત્કાલિક ધોરણે મોટા ફોફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે હોસ્પિટલ પરિસર જાણે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>હાલ આરોપીની સ્થિતિ સ્થિર&nbsp;</b></h4><p style="text-align: justify; ">તબીબોના જણાવ્યા અનુસાર હાલ આરોપીની સ્થિતિ સ્થિર છે અને તેના પગમાં સામાન્ય ઈજા જ થઈ છે. જિલ્લા પોલીસ વડાએ હોસ્પિટલની મુલાકાત લઈને સમગ્ર ઘટનાની વિગતો મેળવી હતી. હાલ આરોપીની કસ્ટડી હેઠળ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આ મામલે ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/sandesh-digital-explainer-gujarat-monsoon-10-years-history" target="_blank"><b>Sandesh Digital Explainer : મેઘરાજાની એન્ટ્રીનું કાઉન્ટડાઉન..! જાણો છેલ્લા 10 વર્ષમાં ક્યારે વહેલા પધાર્યા અને ક્યારે કરાવ્યો ભારે ઈન્તેઝાર?</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/diY15vV47enPmoaaYdYbne18hyylTsGylPM3RAJM.webp'/></item><item><title><![CDATA[Chhotaudepur: છોટાઉદેપુર ને.હા. 56 પર બ્રિજમાં ઉગેલા વૃક્ષ દૂર કરવા ઉઠેલી માગ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-56-</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-56-</guid><pubDate>Wed, 24 Jun 2026 05:51:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">છોટાઉદેપુર જિલ્લા સહિત ગુજરાત રાજ્ય અને મધ્યપ્રદેશને જોડતો નેશનલ હાઈવે નંબર 56 ઉપર તથા સ્ટેટ હાઈવે 62 ઉપર નાની મોટી નદીઓની ઉપર તથા ઓરસંગ નદી ઉપર આવેલા બ્રિજની સાઈડોની દિવાલોમાં વૃક્ષની ડાળી ઝાડી ઝાંખરા સહિત અનેક વેલા ઉગી નીકળ્યા છે. જે આ સરકારી સંપતિ અને લોક ઉપયોગી બ્રિજને નુકસાનકારક છે. જેના મૂળિયા બ્રિજની દીવાલો ફડી નાખે તો નવાઈ નહી.</p><p style="text-align: justify; ">જિલ્લામાં નદીઓ પર ના ઘણા બ્રિજો જર્જરિત છે. જેનું સમારકામ હાલ તંત્ર દ્વારા ચાલે છે. પરંતુ બ્રિજની કાળજી યોગ્ય પ્રમાણમાં લેવાતી નથી. બ્રિજની સાઈડોમાં ઊગી નીકળેલા ઝાડી ઝાંખરા દૂર કરાય તો તેની દીવાલોને નુકસાન થાય નહી. આ દીવાલોનું આયુષ વધી જાય. પરંતુ સજાગ તંત્રના ધ્યાને આ વાત આવતી નથી. જે અચરજ પમાડે તેમ છે. આવનારા દિવસોમાં ચોમાસુ આવવાનું હોય ભારે વરસાદ સમયમાં આ મૂળિયાંને પાણી વધુ મળશે. અને મોટા થશે તે પહેલા તેને દૂર કરવા માંગ ઉઠી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/1Qdyn0ji0o0w3gh9KvXrjSUMxLzqRDwjTAPz8tVq.webp'/></item><item><title><![CDATA[Patan: પાટણ પંથકમાં લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/patan/patan-minor-girl-kidnapped-on-the-pretext-of-marriage-in-patan-panthak</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/patan/patan-minor-girl-kidnapped-on-the-pretext-of-marriage-in-patan-panthak</guid><pubDate>Wed, 24 Jun 2026 05:51:17 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પાટણ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારની 17 વર્ષીય સગીરાનું એક શખ્સ દ્વારા લગ્નની લાલચ આપી અપહરણ કરી એક હોટલમાં લઈ જવાતાં સગીરાની માતાએ રણુંજ પોલીસ સ્ટેશનમાં શખ્સ વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા બાલીસણા પોલીસ સ્ટેશનના પીઆઈએ વધું તપાસ હાથ ધરી છે. પાટણ તાલુકાના અને રણુંજ પોલીસ મથકની હદમા આવેલા એક ગ્રામ્ય વિસ્તારની 17 વર્ષીય સગીરાનો પંથકના મીત પટેલ નામના શખ્સે મોબાઈલ ફેનથી પરિચય કેળવીને લગ્નની લાલચ આપી અપહરણ કરી લઈ જવાયાના આક્ષેપ સાથે સગીરાની માતાએ રણુંજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા વધુ તપાસ હાલમાં બાલીસણા પીઆઈ અરૂણા પટેલે હાથ ધરી છે. તેમણે જણાવ્યું હતું કે હાલમાં ફરીયાદના આધારે પંચનામું સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/3kdombG7tY5UTIgATnfFEmFRjC8gV1tvytZkouMq.webp'/></item><item><title><![CDATA[ED Raid on Rajesh Exports : રાજેશ એક્સપોર્ટના બેંગલુરૂ સહિત અન્ય ઠેકાણાઓ પર EDના દરોડા ]]></title><link>https://sandesh.com/business/news/ed-raids-rajesh-exports-bengaluru-offices-financial-irregularities-sebi-case</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/ed-raids-rajesh-exports-bengaluru-offices-financial-irregularities-sebi-case</guid><pubDate>Tue, 23 Jun 2026 18:54:43 +05:30</pubDate><description><![CDATA[<p>સોનાની નિકાસ સાથે જોડાયેલી કંપની રાજેશ એક્સપોર્ટ્સ ફરી એકવાર ચર્ચામાં આવી છે. માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા કંપની પર લગાવવામાં આવેલા ગંભીર આક્ષેપો બાદ હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કંપનીના અનેક ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી મંગળવાર સવારથી શરૂ થઈ હતી અને બેંગલુરુ સહિત અનેક સ્થળોએ એકસાથે હાથ ધરાઈ હતી.</p><h2><b>સેબીએ રાજેશ મહેતા પર ટ્રેડિંગ કરવાનો લગાવ્યો પ્રતિબંધ&nbsp;</b></h2><p>સેબીના આરોપ મુજબ રાજેશ એક્સપોર્ટ્સે છેલ્લા કેટલાક વર્ષોમાં લગભગ 15.15 લાખ કરોડ રૂપિયાનું ફેક એક્સપોર્ટ બતાવ્યું હતું, જે કંપનીના કુલ નિકાસ આંકડાના લગભગ 99 ટકા જેટલું છે. નિયમનકારી સંસ્થાએ આને ગંભીર નાણાકીય ગડબડી ગણાવી હતી. આ મામલે સેબીએ 3 જૂને એક અંતરિમ આદેશ જાહેર કરી કંપનીના પ્રમોટર અને ચેરમેન રાજેશ મેહતાને શેરબજારમાં ટ્રેડિંગથી રોકી દીધા હતા.</p><h3><b>તપાસમાં મોટાપાયે અનિયમિતતાઓ સામે આવી</b></h3><p>સેબી અનુસાર FY21થી FY25 વચ્ચે કંપનીએ પોતાની વિદેશી સહાયક કંપનીઓ મારફતે આવકને ખોટી રીતે વધારીને દર્શાવી હતી. આ આંકડાઓની ચકાસણી દરમિયાન મોટાપાયે અનિયમિતતાઓ સામે આવી હતી, જેના કારણે સમગ્ર મામલો તપાસના ઘેરામાં આવ્યો હતો. આ આક્ષેપો બાદ કંપનીના શેરમાં ભારે અસ્થિરતા જોવા મળી હતી. 3 જૂનના સેબીના આદેશ બાદ શેરોમાં ભારે ઘટાડો નોંધાયો હતો અને 12 જૂન સુધીમાં 30 ટકાથી વધુનો ઘટાડો આવ્યો હતો. ત્યારબાદ થોડો સુધારો જોવા મળ્યો હતો અને શેરમાં લગભગ 40 ટકાનો ઉછાળો પણ નોંધાયો હતો.</p><h4><b>રોકાણકારોમાં ચિંતા જોવા મળી</b></h4><p>હાલમાં EDની તાજેત્તરની કાર્યવાહી બાદ ફરી એકવાર રોકાણકારોમાં ચિંતા જોવા મળી રહી છે. બજાર નિષ્ણાતોના મતે, આગામી દિવસોમાં કંપનીના શેર પર આ તપાસની સીધી અસર પડી શકે છે. સમગ્ર કેસમાં વધુ વિગતો અને સત્તાવાર માહિતીની રાહ જોવામાં આવી રહી છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/business/india-us-lpg-trade-record-new-record-of-us-lpg-imports-in-india-more-than-1-million-tons-will-be-imported-in-june" target="_blank">આ પણ વાંચો : India US LPG Trade Record: ભારતમાં અમેરિકી LPG આયાતનો નવો રેકોર્ડ, જૂનમાં 10 લાખ ટનથી વધુ આયાત થશે</a></b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/23/OgceFJxYh4axqYKmyj4Mb81mow8SSBphQbyL1W7O.webp'/></item></channel></rss>