<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Nita Ambaniનું વૈશ્વિક સન્માન: અમેરિકામાં મળ્યો પ્રતિષ્ઠિત 'AAPI હ્યુમેનિટેરિયન એવોર્ડ' અને 'ટામ્પા શહેરની ચાવી' ]]></title><link>https://sandesh.com/world/news/india/nita-ambanis-global-honor-received-the-prestigious-aapi-humanitarian-award-and-key-to-the-city-of-tampa-in-america</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/india/nita-ambanis-global-honor-received-the-prestigious-aapi-humanitarian-award-and-key-to-the-city-of-tampa-in-america</guid><pubDate>Fri, 03 Jul 2026 18:55:28 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નીતા અંબાણીને વૈશ્વિક સ્તરે વધુ એક મોટું સન્માન મળ્યું છે. અમેરિકાના ફ્લોરિડા રાજ્યના ટામ્પા શહેરમાં આયોજિત એક ભવ્ય સમારંભમાં તેમને 'અમેરિકન એસોસિએશન ઑફ ફિઝિશિયન્સ ઑફ ઇન્ડિયન ઑરિજિન' દ્વારા પ્રતિષ્ઠિત 'AAPI હ્યુમેનિટેરિયન એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો છે. નીતા અંબાણીને આ પુરસ્કાર ભારત અને વૈશ્વિક સ્તરે આરોગ્યસંભાળ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, રમતગમતનો પ્રસાર, કલા-સંસ્કૃતિની જાળવણી અને વ્યાપક સમુદાય વિકાસ ક્ષેત્રે તેમના દ્વારા કરવામાં આવેલા અસાધારણ અને નિરંતર યોગદાન બદલ આપવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; ">અમેરિકાનું પ્રતિષ્ઠિત નાગરિક સન્માન એનાયત કરાયું</h2><p style="text-align: justify; ">આ જ ગૌરવશાળી સમારંભ દરમિયાન નીતા અંબાણીને અમેરિકાના સૌથી સર્વોચ્ચ અને પ્રતિષ્ઠિત નાગરિક સન્માનોમાંનું એક એવું વિશેષ બહુમાન પણ પ્રાપ્ત થયું હતું. ટામ્પા શહેરના મેયર જેન કેસ્ટર દ્વારા નીતા અંબાણીને પ્રતીકાત્મક રીતે 'ટામ્પા શહેરની ચાવી' (Key to the City) અર્પણ કરવામાં આવી હતી. આ આંતરરાષ્ટ્રીય સન્માન વૈશ્વિક મંચ પર ભારતનું ગૌરવ વધારે છે અને દર્શાવે છે કે સામાજિક કલ્યાણ અને માનવતાવાદી કાર્યો માટેનું તેમનું વિઝન ભૌગોલિક સીમાઓ વટાવીને વિશ્વભરમાં સરાહના મેળવી રહ્યું છે.</p><h3 style="text-align: justify; ">માનવતાવાદી કાર્યો અને સામાજિક પરિવર્તનની સ્વીકૃતિ</h3><p style="text-align: justify; ">AAPI એ અમેરિકામાં ભારતીય મૂળના તબીબોનું સૌથી મોટું અને પ્રભાવશાળી સંગઠન છે, જે વિશ્વસ્તરે આરોગ્ય અને સામાજિક ક્ષેત્રે મોટું યોગદાન આપે છે. આ મંચ પરથી નીતા અંબાણીના નેતૃત્વમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ચાલતા પરોપકારી કાર્યો, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં તબીબી સુવિધાઓ પહોંચાડવી અને લાખો વંચિત બાળકોને શિક્ષણ પૂરું પાડવાના ભગીરથ પ્રયાસોને બિરદાવવામાં આવ્યા હતા. આ પુરસ્કાર મળ્યા બાદ દેશ-વિદેશમાંથી તેમને શુભકામનાઓ મળી રહી છે, જે ભારતીય પરોપકારની ભાવનાને વૈશ્વિક સ્તરે મજબૂત કરે છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/world" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/03/x9DQ5AVPYIucGIpszwNxmgnchoWTOEziQHcCqoOO.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: ભાવનગર કો-ઓપરેટિવ બેંકમાં 802 કરોડનું કૌભાંડ, 55 લોકોની ધરપકડ ]]></title><link>https://sandesh.com/crime/news/gandhinagar/cyber-crime-operation-mule-hunt-bhavnagar-cooperative-bank-hacking-scam</link><guid isPermaLink="true">https://sandesh.com/crime/news/gandhinagar/cyber-crime-operation-mule-hunt-bhavnagar-cooperative-bank-hacking-scam</guid><pubDate>Fri, 03 Jul 2026 18:49:46 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતમાં ઓનલાઈન આર્થિક ગુનાખોરી આચરતા તત્વો સામે ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે અત્યાર સુધીની સૌથી મોટી ઓપરેશનલ કાર્યવાહી કરી છે. રાજ્યમાં નાણાં ગેરકાયદે ટ્રાન્સફર કરવાનું એક મસમોટું આંતરરાજ્ય કૌભાંડ સાયબર ટીમે શોધી કાઢ્યું છે. 'ઓપરેશન મ્યુલ હન્ટ 2.0' અંતર્ગત પોલીસ સંસ્થાઓએ માત્ર એક જ મહિનાના ટૂંકા ગાળામાં દેશભરમાંથી કુલ 55 જેટલા શાતિર આરોપીઓની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.</p><h2><b>ભાવનગર કો-ઓપરેટિવ બેંકનું સર્વર હેક કરી 7.34 કરોડનું ફેક બેલેન્સ ઊભું કરાયું</b></h2><p>આ સમગ્ર કૌભાંડના તાર 'ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક' સાથે જોડાયેલા છે. સાયબર ગુનેગારોએ ડિજિટલ સેંધ મારીને બેંકના મેઈન સર્વરને જ હેક કરી લીધું હતું. સર્વર હેક કર્યા બાદ આરોપીઓએ કોઈ પણ વાસ્તવિક ડિપોઝિટ વિના જ સીધું બેંક ખાતામાં 7,34,91,682 રૂપિયાનું બોગસ અને ફેક બેલેન્સ ઊભું કરી દીધું હતું. આ ફેક બેલેન્સના આધારે કરોડો રૂપિયા અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેવાનું આયોજનબદ્ધ કૌભાંડ આચરવામાં આવ્યું હતું.</p><h2><b>'ચામુંડા કોમ્યુનિકેશન'ના નામે 161 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન</b></h2><p>તપાસ દરમિયાન પોલીસને 'ચામુંડા કોમ્યુનિકેશન' નામની એક ડમી પેઢી હાથ લાગી હતી. આ ડમી પેઢીના બેંક ખાતાઓ અને દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરતા સાયબર સેલના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ એક જ પેઢીના નામે માત્ર થોડા જ સમયમાં 161 કરોડથી વધુના શંકાસ્પદ અને છેતરપિંડીના ટ્રાન્ઝેક્શન્સ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત, નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર તપાસ કરતા સમગ્ર દેશમાં આ કૌભાંડ સંબંધિત 1117 જેટલી સાયબર ફ્રોડની અરજીઓ મળી આવી છે, જેમાં કુલ 802 કરોડના ટ્રાન્ઝેક્શનના સ્કેમની કડીઓ જોડાયેલી છે.</p><h2><b>અમદાવાદ અને સુરતથી મુખ્ય સૂત્રધારોની ધરપકડ</b></h2><p>સાયબર પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે આ નેટવર્ક ચલાવતા મુખ્ય ચાર સાગરીતોની ધરપકડ કરી છે.</p><ul><li>વિશાલ સુરેશભાઈ ડોડીયા (રહે. વસ્ત્રાલ, અમદાવાદ) - જે બોગસ દસ્તાવેજોના આધારે ફેક પેઢીઓ બનાવતો હતો.</li><li>મોહમ્મદ ખાલીક ગુલામ હુસેન (ઉં.વ. 40, રહે. લિંબાયત, સુરત) - જે ભાવનગર બેંક હેકિંગ કેસમાં મુખ્ય મ્યુલ (ડમી) ખાતાધારક છે.</li><li>સોયબ ગુલાબનબી રાણા (ઉં.વ. 38, રહે. ઉધના, સુરત) - જે આ તમામ કૌભાંડી બેંક ખાતાઓને ઓપરેટ કરતો હતો.</li><li>અફઝલ પીર મોહમ્મદ મન્સૂરી (રહે. ગોમતીપુર, અમદાવાદ) - જે મ્યુલ એકાઉન્ટમાં આવેલા નાણાંને સગેવગે કરવાનું કામ કરતો હતો.</li></ul><h2><b>જાણો કેવી હતી ગુનાની મોડસ ઓપરેન્ડી&nbsp;</b></h2><p>પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, પકડાયેલા આરોપીઓ કોઈ ચોક્કસ ધંધો-રોજગાર કરતા નથી. તેઓ ગરીબ, મધ્યમવર્ગીય કે અજ્ઞાત અજણાયા લોકોની લાચારીનો ફાયદો ઉઠાવીને અથવા તેમના બોગસ આઈડી પ્રૂફ મેળવી ડમી પેઢીઓ રજિસ્ટર કરાવતા હતા. ત્યારબાદ મૂળ ખાતાધારકોને કમિશનની લાલચ આપી તેમના બેંક એકાઉન્ટ અને કીટ પોતે મેળવી લેતા હતા. દેશભરના નાગરિકો સાથે ઓનલાઈન છેતરપિંડી કરી મેળવેલા નાણાં આ 'મ્યુલ એકાઉન્ટ્સ'માં જમા કરાતા અને ત્યારબાદ તે નાણાં ઉપાડીને સગેવગે કરી દેવાતા હતા. હાલમાં આ સમગ્ર મામલે ભારતીય ન્યાય સંહિતા અને આઈટી એક્ટની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ આંતરરાષ્ટ્રીય કે આંતરરાજ્ય રેકેટ હોવાની અને તેમાં દેશના અન્ય મોટા માથાઓ સામેલ હોવાની આશંકા સાથે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.</p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/4-more-accused-arrested-under-mule-hunt-2-0-in-bhavnagar-cooperative-bank-hacking-case" target="_blank"> Bhavnagar સહકારી બેંક હેકિંગ કેસ મામલે ‘મ્યુલ હંટ 2.0’ અંતર્ગત વધુ 4 આરોપીઓની ધરપકડ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/03/PiEdXyaT0vH49EoRTlLQq53bCD3qSEUSxn5L21VA.webp'/></item><item><title><![CDATA[National Film Awards 2026: કોણ જીતશે પ્રતિષ્ઠિત એવોર્ડ? મામૂટી અને સાઇ પલ્લવી રેસમાં આગળ.. ]]></title><link>https://sandesh.com/entertainment/news/national-film-awards-2026-who-will-win-the-prestigious-award-mammootty-and-sai-pallavi-ahead-in-the-race</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/national-film-awards-2026-who-will-win-the-prestigious-award-mammootty-and-sai-pallavi-ahead-in-the-race</guid><pubDate>Fri, 03 Jul 2026 18:34:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય સિનેમા પ્રેમીઓ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. આજે, 3 જુલાઈ, 2026ના રોજ, 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોના વિજેતાઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આ પુરસ્કારો વર્ષ ૨૦૨૪ દરમિયાન સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા પ્રમાણિત ફિલ્મોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કલાકારો અને ટેકનિશિયનોને સન્માનિત કરશે.</p><h2 style="text-align: justify; "><b>આજે થશે નામાંકન જાહેર</b></h2><p style="text-align: justify; ">રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં અગાઉથી કોઈ નામાંકન (Nominations) જાહેર કરવામાં આવતા નથી. વિજેતાઓની જાહેરાત સીધી સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ દ્વારા કરવામાં આવે છે, જેના કારણે ફિલ્મ ઉદ્યોગ અને પ્રેક્ષકોમાં પરિણામોને લઈને ભારે ઉત્કંઠા અને અટકળોનું વાતાવરણ જળવાઈ રહે છે. આ પુરસ્કારો ફીચર ફિલ્મ, નોન-ફીચર, અભિનય, દિગ્દર્શન અને ટેકનિકલ શ્રેણીઓમાં આપવામાં આવે છે.</p><h3 style="text-align: justify; "><b>જયરાજની અધ્યક્ષતામાં 11 સભ્યોની જ્યુરીએ કરી પસંદગી</b></h3><p style="text-align: justify; ">આ વર્ષે પસંદગી પ્રક્રિયાનું નેતૃત્વ પ્રખ્યાત ફિલ્મ નિર્માતા જયરાજની અધ્યક્ષતામાં 11 સભ્યોની જ્યુરીએ કર્યું છે. જ્યુરીએ દેશભરમાંથી આવેલી અનેક વિવિધ ભાષાઓની ફિલ્મોનું ઝીણવટપૂર્વક મૂલ્યાંકન કર્યું છે. જોકે આ જાહેરાત આજે થશે, પરંતુ મુખ્ય પુરસ્કાર સમારોહ પાછળથી નવી દિલ્હીમાં ભવ્ય રીતે યોજાશે.</p><h4 style="text-align: justify; "><b>વર્ષ 2024ની ફિલ્મો પર રહેશે નજર</b></h4><p style="text-align: justify; ">સ્પર્ધાના દાવેદારો પર નજર કરીએ તો, વર્ષ 2024  મલયાલમ સિનેમા માટે ખૂબ જ યાદગાર રહ્યું છે. ‘બ્રમયુગમ’, ‘મંજુમ્મેલ બોયઝ’ અને ‘કિષ્કિંધા કાંડમ’ જેવી ફિલ્મો ચર્ચાના કેન્દ્રમાં છે, જેમાં મામૂટીના અભિનયની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે. તે જ રીતે, હિન્દીમાંથી ‘શ્રીકાંત’ અને ‘ચંદુ ચેમ્પિયન’, તમિલમાંથી ‘મહારાજા’ અને તેલુગુમાંથી ‘કલ્કી ૨૮૯૮ એડી’ જેવી ફિલ્મો વિવિધ કેટેગરીમાં મજબૂત સ્પર્ધક માનવામાં આવે છે.</p><h5 style="text-align: justify; "><b>અનેક અભિનેતાના નામ મોખરે</b></h5><p style="text-align: justify; ">અભિનયની શ્રેણીમાં શિવકાર્તિકેયન, વિજય સેતુપતિ, કાર્તિ અને સાઈ પલ્લવી જેવા કલાકારોના નામો ચાહકોની અટકળોમાં મોખરે છે. સત્તાવાર રીતે વિજેતાઓના નામની જાહેરાત PIB ઇન્ડિયા અને DD ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ પર કરવામાં આવશે. આ પુરસ્કારો માત્ર કલાકારોનું સન્માન જ નથી કરતા, પરંતુ ભારતીય સિનેમાની વૈવિધ્યસભર અને સર્જનાત્મક સફરને પણ નવી ઊંચાઈઓ પર લઈ જાય છે. આજે સાંજે જ્યારે જ્યુરી તેમના અંતિમ નિર્ણય જાહેર કરશે, ત્યારે એ સ્પષ્ટ થશે કે કઈ ફિલ્મોએ ૨૦૨૪ના વર્ષને ભારતીય સિનેમાના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત કર્યું છે.<br><br><b><a href="https://sandesh.com/entertainment/news/alpha-advance-booking-alia-bhatts-first-female-lead-spy-film-set-to-explode-at-the-box-office#google_vignette" target="_blank">આ પણ વાંચોઃ Alpha Advance Booking : આલિયા ભટ્ટની પ્રથમ ફીમેલ-લીડ સ્પાય ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાકો કરવા તૈયાર</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/03/ESF6AxSppv7WLNuQhIsIAt2Fpt0NAs2Ue65FsSzQ.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના નારોલ હાઇવે પર રિક્ષાચાલકની જીવલેણ બેદરકારી: જાહેર રોડ પર જોખમી સ્ટંટનો વીડિયો આવ્યો સામે ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/fatal-negligence-of-rickshaw-driver-on-narol-highway-ahmedabad-video-of-dangerous-stunt-on-public-road-surfaced</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/fatal-negligence-of-rickshaw-driver-on-narol-highway-ahmedabad-video-of-dangerous-stunt-on-public-road-surfaced</guid><pubDate>Fri, 03 Jul 2026 18:25:48 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના માર્ગો પર ટ્રાફિક નિયમોના લીરેલીરા ઉડાડતો અને લોકોના જીવ જોખમમાં મૂકતો વધુ એક સ્ટંટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ચોંકાવનારી ઘટના અમદાવાદના વ્યસ્ત એવા નારોલ રોડ નજીકની હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં એક રિક્ષાચાલક જાહેર હાઇવે પર અન્ય વાહનોની વચ્ચે અત્યંત બેદરકારી અને ગંભીર રીતે રિક્ષા હંકારીને જોખમી સ્ટંટ કરતો સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ પ્રકારના જોખમી ડ્રાઇવિંગથી માત્ર રિક્ષાચાલકનો જ નહીં, પરંતુ રસ્તા પરથી પસાર થતા અન્ય વાહનચાલકોના જીવ પણ જોખમમાં મુકાયા હતા.</p><h2 style="text-align: justify; ">ન્સ્ટાગ્રામ પર વીડિયો અપલોડ કરાયો</h2><p style="text-align: justify; ">આ આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થતાં જ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વિગતો મુજબ, આ જોખમી સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર સસ્તા પ્રમોશન અને લાઇક્સ મેળવવાના આશયથી 'Rishi Thakur001' નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી અપલોડ કરવામાં આવ્યો હતો. રીલ બનાવવાના ચક્કરમાં રિક્ષાચાલકે ટ્રાફિકના તમામ કાયદાઓને નેવે મૂકી દીધા હતા. વીડિયો વાયરલ થતાં જ નેટીઝન્સ દ્વારા આવા બેજવાબદાર ચાલકો સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે.</p><h3 style="text-align: justify; ">વીડિયો વાયરલ થતાં પોલીસ તપાસની માગ</h3><p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં અવારનવાર યુવાનો અને વાહનચાલકો દ્વારા સ્ટંટના વીડિયો બનાવીને વાયરલ કરવાનો ટ્રેન્ડ વધતો જાય છે. નારોલ રોડ પર બનેલી આ ઘટનાનો વીડિયો હવે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ઝડપથી શેર થઈ રહ્યો છે, જે સીધો પોલીસ તંત્રના જાહેરનામાને પડકાર ફેંકી રહ્યો છે. આ મામલો ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસના ધ્યાને આવતા જ વીડિયોના આધારે રિક્ષાના રજીસ્ટ્રેશન નંબર અને ઇન્સ્ટાગ્રામ આઇડીની વિગતો મેળવીને સ્ટંટબાજ ચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/03/bCc8d9lMpjKgsnX1xFjzLjSAmiDsjutuAswjwptH.webp'/></item><item><title><![CDATA[Jamnagar News: જામજોધપુરમાં ધોધમાર વરસાદ, બે બાળકો તણાયાનો Video વાયરલ ]]></title><link>https://sandesh.com/weather/monsoon-2026/news/jamnagar/jamjodhpur-heavy-rain-flood-two-children-rescued-video</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/monsoon-2026/news/jamnagar/jamjodhpur-heavy-rain-flood-two-children-rescued-video</guid><pubDate>Fri, 03 Jul 2026 17:47:35 +05:30</pubDate><description><![CDATA[<p>જામનગર જિલ્લાના જામજોધપુરમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જામનગરના જામજોધપુર શહેરમાં ગાજવીજ સાથે પડેલા ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે. આ દરમિયાન જામજોધપુરના ખરાવાડ વિસ્તારમાંથી એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી હતી, જ્યાં પૂરના ધસમસતા પ્રવાહમાં બે માસૂમ બાળકો અચાનક તણાયા હતા. </p><p>બાળકોને તણાતા જોઈ આસપાસના લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા, પરંતુ સ્થાનિક યુવક કમલેશભાઈએ પોતાની જાનની પરવા કર્યા વિના પાણીના જોરદાર પ્રવાહમાં ઝંપલાવ્યું હતું અને ભારે જહેમત બાદ બંને બાળકોને હેમખેમ બહાર કાઢી નવું જીવનદાન આપ્યું હતું.</p><h2><b>જામજોધપુરની સડકો પર વહી નદીઓ, પૂરના પ્રવાહમાં છકડો રિક્ષા તણાઈ</b></h2><p>શહેર અને ગ્રામ્ય પંથકમાં ચોમાસાના પ્રારંભે જ મેઘતાંડવ જેવી સ્થિતિ સર્જાઈ છે. જામજોધપુરના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે અને રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે. પાણીનો વેગ એટલો તીવ્ર હતો કે, ખરાવાડ વિસ્તારમાં ઉભેલી એક છકડો રિક્ષા પણ આ ધસમસતા પ્રવાહમાં રમકડાની જેમ તણાઈ ગઈ હતી. પ્રથમ વરસાદે જ તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે.</p><p><b style="font-size: 2rem;"><br></b></p><p><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DaTPHC1gKNx/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DaTPHC1gKNx/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DaTPHC1gKNx/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DaTPHC1gKNx/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><b style="font-size: 2rem;"><br></b></p><p><b style="font-size: 2rem;"><br></b></p><p><b style="font-size: 2rem;">સીદસર ઉમિયા સાગર ડેમના 2 દરવાજા ખોલાયા, વેણુ નદી કિનારે એલર્ટ</b></p><p>ઉપરવાસમાં અને જામજોધપુર પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે જળાશયોમાં પાણીની તોતિંગ આવક થઈ રહી છે. પ્રખ્યાત યાત્રાધામ સીદસર ખાતે આવેલા ઉમિયા સાગર ડેમમાં પાણીનું સ્તર ભયજનક સપાટીએ પહોંચતા તંત્ર દ્વારા ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડાતા વેણુ નદી બે કાંઠે વહી રહી છે અને નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઉમિયા માતાજીના મંદિર પાસેથી પસાર થતી નદીમાં પૂરના અદ્ભુત અને ડરામણા દ્રશ્યો સામે આવ્યા છે. તંત્ર દ્વારા આસપાસના ગામના લોકોને વેણુ નદીના પટમાં ન જવા કડક સૂચના આપવામાં આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2072915396823306326"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>આકાશી આફત વચ્ચે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ</b></h2><p>એકતરફ શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે મુશ્કેલીઓ ઊભી થઈ છે, તો બીજી તરફ આ વરસાદ ગ્રામ્ય વિસ્તારો માટે આશીર્વાદ સમાન સાબિત થયો છે. જામજોધપુર પંથકમાં આ પ્રથમ વાવણી લાયક જોરદાર વરસાદ હોવાથી ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે. લાંબા સમયથી વરસાદની કાગડોળે રાહ જોતા ધરતીપુત્રો હવે વાવણીના કામમાં જોતરાઈ ગયા છે અને સમગ્ર પંથકમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.</p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/rain-reported-in-134-talukas-waghai-receives-12-99-inches" target="_blank"> Gujarat Rain : આજે સાંજે 4 વાગ્યા સુધીમાં 134 તાલુકામાં વરસાદ નોંધાયો, ડાંગના વઘઈમાં 12.99 ઈંચ ખાબક્યો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/03/GdPrxw3Afunei8pAXsdFrMp9TAZr8EOjWTsSstN1.webp'/></item><item><title><![CDATA[MEA on Indus Water Treaty: આતંકવાદ નાબૂદ ન થાય ત્યાં સુધી સિંધુ જળ સંધિ પુનઃસ્થાપિત થશે નહીં, MEAનો કડક જવાબ ]]></title><link>https://sandesh.com/india/news/mea-on-indus-water-treaty-indus-water-treaty-will-not-be-restored-until-terrorism-is-eliminated-meas-strong-reply</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/mea-on-indus-water-treaty-indus-water-treaty-will-not-be-restored-until-terrorism-is-eliminated-meas-strong-reply</guid><pubDate>Fri, 03 Jul 2026 17:41:03 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ભારતીય વિદેશ મંત્રાલયે સિંધુ જળ સંધિ અંગે પાકિસ્તાનને મજબૂત અને સ્પષ્ટ સંદેશ જારી કર્યો છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">પાડોશી દેશ પાકિસ્તાનને ચેતવણી&nbsp;</h2><p style="text-align: justify; ">પ્રવક્તા રણધીર જયસ્વાલે પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે, જ્યાં સુધી સરહદ પાર આતંકવાદ નાબૂદ ન થાય ત્યાં સુધી સિંધુ જળ સંધિની કોઈ વાતચીત કે પુનઃસ્થાપના થશે નહીં, કારણ કે આતંકવાદ અને ચર્ચાઓ સાથે રહી શકે નહીં. ચીનના કોરિડોર પ્રસ્તાવ અંગે, ભારતે સ્પષ્ટ કર્યું કે, તે દરેક વ્યૂહાત્મક વિકાસ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી પગલાં લેવામાં અચકાશે નહીં. ભારતે અફઘાન સરહદ પર પાકિસ્તાનના હવાઈ હુમલાની પણ ટીકા કરી હતી.</p><h3 style="text-align: justify; ">પાકિસ્તાન તરફથી ઉશ્કેરણીજનક નિવેદનો&nbsp;</h3><p style="text-align: justify; ">તાજેતરના દિવસોમાં, પાકિસ્તાની નેતાઓ અને સૈન્યએ સંધિ અંગે અનેક ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યા છે. જેનો ભારતે જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સિંધુ જળ સંધિ અથવા તેના સામાન્ય પુનઃસ્થાપન સંબંધિત વાટાઘાટો સરહદ પાર આતંકવાદ સંપૂર્ણપણે નાબૂદ ન થાય ત્યાં સુધી આગળ વધશે નહીં. ભારતે સ્પષ્ટ કર્યું કે આતંકવાદ અને ચર્ચાઓ સાથે રહી શકે નહીં, અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં.</p><h4 style="text-align: justify; ">ચીનના પ્રસ્તાવ પર કડક વલણ&nbsp;</h4><p style="text-align: justify; ">ભારતીય વિદેશ મંત્રાલયે BRI હેઠળ ચીન-મ્યાનમાર-બાંગ્લાદેશ કોરિડોર માટેના ચીનના પ્રસ્તાવ પર કડક વલણ અપનાવ્યું છે. તેની સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગમાં, વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે, ભારત આ ક્ષેત્રમાં તમામ વ્યૂહાત્મક અને રાજદ્વારી વિકાસ પર નજીકથી નજર રાખે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે આવા તમામ મુદ્દાઓ અને વિકાસ પર સતત નજર રાખીએ છીએ. જ્યારે પણ અને જ્યાં પણ અમને આપણા રાષ્ટ્રીય હિતો અને સુરક્ષાના રક્ષણ માટે પગલાં લેવાની જરૂર લાગે છે, ત્યારે અમે વિલંબ કર્યા વિના જરૂરી પગલાં લઈએ છીએ.</p><h5 style="text-align: justify; ">પાકિસ્તાનના હવાઈ હુમલાની નિંદા&nbsp;</h5><p style="text-align: justify; ">વિદેશ મંત્રાલયે અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાં પાકિસ્તાનના હવાઈ હુમલાની સખત નિંદા કરી છે. રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારત આ લશ્કરી હુમલાની સંપૂર્ણ નિંદા કરે છે, જેમાં મહિલાઓ અને બાળકો સહિત ઘણા નિર્દોષ નાગરિકો માર્યા ગયા છે. પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા, ભારતે સ્પષ્ટ કર્યું કે તે કાબુલની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને સંપૂર્ણ સમર્થન આપે છે. ભારતે પીડિત અફઘાન લોકોને માનવતાવાદી સહાય અને વિકાસ પ્રોજેક્ટ્સ પૂરા પાડવાની તેની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો છે. આ તીક્ષ્ણ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બે પડોશી દેશો વચ્ચે તણાવ ઉચ્ચ સ્તરે છે. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 28 નાગરિકો માર્યા ગયા છે અને 49 ઘાયલ થયા છે.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/lifestyle/news/health-fitness/headache-reasons-what-is-the-relationship-between-migraine-and-anemia-why-do-headaches-occur-frequently-know" target="_blank">માઇગ્રેન અને એનિમિયા વચ્ચે શુ છે સંબંધ, કેમ થાય છે વારંવાર દુઃખાવો?, જાણો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/03/VVqaC5sDQuKUAeLZPhZsKfntRf7OO1eVWWpU5ygP.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના CTM ચાર રસ્તા પાસે AMC દબાણ વિભાગની દાદાગીરી: કર્મચારીઓ અને વેપારીઓ વચ્ચે ઉગ્ર ઝપાઝપી ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-pressure-departments-bullying-near-ctm-intersection-in-ahmedabad-fierce-scuffle-between-employees-and-traders</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-pressure-departments-bullying-near-ctm-intersection-in-ahmedabad-fierce-scuffle-between-employees-and-traders</guid><pubDate>Fri, 03 Jul 2026 17:33:39 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દબાણ હટાવ વિભાગના કર્મચારીઓની કથિત દાદાગીરી અને પક્ષપાત સામે આવતા ભારે હોબાળો મચી ગયો હતો. CTM એક્સપ્રેસ હાઈવે પાસે દબાણ શાખાની ટીમ જ્યારે કાર્યવાહી કરવા પહોંચી, ત્યારે વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓ અને સ્થાનિકોનો ગંભીર આક્ષેપ છે કે આ વિસ્તારમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શાકભાજીના વિક્રેતાઓ રસ્તા પર ગેરકાયદેસર રીતે મોટું દબાણ કરે છે. જોકે, તંત્ર આ શાકભાજીના મોટા ગઠબંધન સામે કોઈ કડક પગલાં લેવાના બદલે માત્ર નાના વેપારીઓને જ નિશાન બનાવીને પક્ષપાતભરી કામગીરી કરી રહ્યું છે.</p><h2 style="text-align: justify; ">વિરોધ કરતા કર્મચારીઓ ઉશ્કેરાયા</h2><p style="text-align: justify; ">તંત્રની આ અન્યાયી નીતિનો વેપારીઓએ વિરોધ કરવાનું શરૂ કર્યું, ત્યારે મામલો વધુ બિચક્યો હતો. દબાણ શાખાના કર્મચારીઓએ શાંતિથી વાત સાંભળવાના બદલે ઉદ્ધત વર્તન કર્યું હતું અને જોતજોતામાં વેપારીઓ સાથે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી પર ઉતરી આવ્યા હતા. સરા જાહેર કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા વેપારી સાથે કરવામાં આવેલી આ ઝપાઝપીના દ્રશ્યો જોઈને આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા અને તંત્રની દાદાગીરી સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાને પગલે હાઈવે નજીકના વ્યસ્ત માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી.</p><h3 style="text-align: justify; ">મામલો ખોખરા પોલીસ સ્ટેશન પહોંચ્યો</h3><p style="text-align: justify; ">ઘટનાની ગંભીરતાને જોતા ખોખરા પોલીસની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો. આ હિંસક ઘર્ષણ બાદ સમગ્ર મામલો હવે ખોખરા પોલીસ સ્ટેશને પહોંચ્યો છે, જ્યાં બંને પક્ષો દ્વારા પોતાની રજૂઆતો કરવામાં આવી છે. સ્થાનિક વેપારીઓએ દબાણ વિભાગના કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. ખોખરા પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ અને ઘટનાના વીડિયોના આધારે તપાસ હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/03/1htF1ePbtDdxuhsa1KfYsXYo30TB97AvhhpX6YzO.webp'/></item><item><title><![CDATA[Gujarat Rain :  આજે સાંજે 4 વાગ્યા સુધીમાં 134 તાલુકામાં વરસાદ નોંધાયો, ડાંગના વઘઈમાં 12.99 ઈંચ ખાબક્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/rain-reported-in-134-talukas-waghai-receives-12-99-inches</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/rain-reported-in-134-talukas-waghai-receives-12-99-inches</guid><pubDate>Fri, 03 Jul 2026 17:12:24 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે.  જેના પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં આજે બપોરે 4 વાગ્યા સુધીમાં કુલ 134 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. આ વરસાદી આંકડાઓ પર નજર કરીએ તો, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદ જોવા મળ્યો છે. ડાંગના વઘઈમાં સૌથી વધુ 12.99 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સુરતના અંબિકામાં 11.14 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત તાપીના ડોલવણમાં 9.96 ઈંચ, નવસારીના વાંસદામાં 9.17 ઈંચ અને ડાંગના સુબિરમાં 9.13 ઈંચ વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું છે.</p><h2 style="text-align: justify; "><b>રાજ્યના 2 તાલુકાઓમાં 10 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો</b></h2><p style="text-align: justify; ">વરસાદની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રાજ્યના 2 તાલુકાઓમાં 10 ઈંચ કરતા વધુ, 5 તાલુકાઓમાં 9 ઈંચ કરતા વધુ, 8 તાલુકાઓમાં 8 ઈંચ કરતા વધુ અને 13 તાલુકાઓમાં 7 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત નવસારીના ચિખલીમાં 8.86 ઈંચ, તાપીના વાલોડમાં 8.46 ઈંચ, જૂનાગઢના માળિયા હાટીનામાં 8.31 ઈંચ, વલસાડમાં 7.72 ઈંચ, જૂનાગઢના માંગરોળમાં 7.6 ઈંચ, નવસારીના ગણદેવીમાં 7.4 ઈંચ અને ગીરસોમનાથના વેરાવળમાં 7.2 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે.</p><h3 style="text-align: justify; "><b>રાજ્યના આ વિસ્તારોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ</b></h3><p style="text-align: justify; ">હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આણંદ, દાદરા નગર હવેલી, દમણ, ડાંગ, દીવ, ગીર સોમનાથ, જૂનાગઢ, ખેડા, નવસારી, સૂરત, તાપી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.  જ્યારે અમદાવાદ, અમરેલી, અરાવલ્લી, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ગાંધીનગર, મહેસાણા, મહીસાગર, નર્મદા, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા,સુરેન્દ્રનગર અને વડોદરામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. હવામાન વિભાગે આગામી બેથી ત્રણ કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/acb-catches-bhadra-court-assistant-clerk-accepting-bribe" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: ફરિયાદીની તરફેણમાં ચુકાદો અપાવવા 10 હજારની લાંચ માગી, ACBએ ભદ્ર કોર્ટના આસિસ્ટન્ટ ક્લાર્કને ઝડપ્યો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/03/o6emLTQY8sTswwwTOeUp5L7uHf9aGKt3DsZle8SU.webp'/></item><item><title><![CDATA[Business: જૂના કપડાંના બદલામાં ચમકતા વાસણો, ભારતનો આ બિઝનેસ બન્યો કરોડોની ગ્લોબલ ઇન્ડસ્ટ્રી ]]></title><link>https://sandesh.com/business/news/business-shiny-utensils-in-exchange-for-old-clothes-this-indigenous-business-from-india-has-now-become-a-global-industry-worth-crores</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/business-shiny-utensils-in-exchange-for-old-clothes-this-indigenous-business-from-india-has-now-become-a-global-industry-worth-crores</guid><pubDate>Fri, 03 Jul 2026 17:01:41 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય ઘરોમાં વર્ષોથી એક અનોખી પરંપરા ચાલી આવે છે, જેમાં મહિલાઓ ઘરના જૂના, ફાટેલા કે નકામા કપડાં એકઠા કરે છે અને શેરીમાં આવતા ફેરિયાઓને આપીને તેના બદલામાં સ્ટીલ કે પ્લાસ્ટિકના નવા ચમકતા વાસણો લે છે. સામાન્ય લાગતી આ દેશી પદ્ધતિ વાસ્તવમાં વેસ્ટ મેનેજમેન્ટ અને રિસાયકલિંગનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તાજેતરના અહેવાલો અનુસાર, ભારતનો આ પરંપરાગત સેકન્ડ હેન્ડ કપડાંનો વ્યવસાય હવે માત્ર શેરીઓ પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ તે કરોડો રૂપિયાના વૈશ્વિક બિઝનેસ મોડલમાં ફેરવાઈ ચૂક્યો છે.</p><h2 style="text-align: justify; "><b>કેવી રીતે કામ કરે છે આ નેટવર્ક?</b></h2><p style="text-align: justify; ">આ બિઝનેસનું નેટવર્ક અત્યંત વ્યવસ્થિત રીતે કામ કરે છે. ફેરિયાઓ ઘરોમાંથી કપડાં એકત્ર કરીને તેને મોટા વેપારીઓને વેચે છે. આ વેપારીઓ કપડાંની ગુણવત્તાના આધારે તેનું વર્ગીકરણ (Sorting) કરે છે. જે કપડાં પહેરવા લાયક અને સારી સ્થિતિમાં હોય છે, તેને સરખા કરીને, ધોઈને અને ઈસ્ત્રી કરીને ભારતના ગ્રામીણ વિસ્તારો અને ગરીબ પરિવારો સુધી ખૂબ જ સસ્તા ભાવે પહોંચાડવામાં આવે છે. આ પ્રક્રિયાથી મધ્યમ અને નીચલા વર્ગના લોકોને સસ્તા કપડાં મળી રહે છે અને કચરાનું પ્રમાણ પણ ઘટે છે.</p><h3 style="text-align: justify; "><b>પાણીપત બન્યું 'ગ્લોબલ રિસાયકલિંગ હબ'</b></h3><p style="text-align: justify; ">તમને જાણીને નવાઈ લાગશે કે જે કપડાં સાવ ફાટેલા અને પહેરવા લાયક નથી હોતા, તેને હરિયાણાના પાણીપત (Panipat) જેવા મોટા ટેક્સટાઈલ હબમાં મોકલવામાં આવે છે. પાણીપતને જૂના કપડાંના રિસાયકલિંગ માટેનું વૈશ્વિક કેન્દ્ર માનવામાં આવે છે. અહીં આ નકામા કપડાં અને ચિથરાંને મશીનો દ્વારા તોડીને ફરીથી તેમાંથી સસ્તું અને મજબૂત યાર્ન (દોરો) તૈયાર કરવામાં આવે છે. આ રિસાયકલ કરેલા દોરામાંથી સસ્તી ચાદરો, ધાબળા (Blankets), કાર્પેટ અને પગલૂછણિયાં બનાવવામાં આવે છે, જેની માંગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ આફ્રિકા અને યુરોપના દેશોમાં પણ ખૂબ વધારે છે.</p><h4 style="text-align: justify; "><b>પર્યાવરણ અને અર્થતંત્ર માટે ડબલ ફાયદો</b></h4><p style="text-align: justify; ">આ બિઝનેસ મોડલ પર્યાવરણના સંરક્ષણમાં બહુ મોટો ફાળો આપે છે. ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રી દુનિયામાં સૌથી વધુ પ્રદૂષણ ફેલાવતા સેક્ટર્સમાંની એક છે. જ્યારે જૂના કપડાં રિસાયકલ થાય છે, ત્યારે કપાસ અને પાણીનો વપરાશ ઘટે છે અને કાપડ લેન્ડફિલ (કચરાના ઢગલા)માં જતું અટકે છે. આ ઉદ્યોગ લાખો અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો, ફેરિયાઓ અને મહિલાઓને રોજગારી પૂરી પાડે છે. ભારતીયોની આ 'બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ' ની માનસિકતા આજે વૈશ્વિક સ્તરે સસ્ટેનેબલ ફેશન (Sustainable Fashion) નું આદર્શ ઉદાહરણ બની ગઈ છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/world/news/will-it-be-easier-to-shoot-down-a-drone-with-an-ak-rifle-russia-has-developed-a-new-bullet-that-splits-into-3-parts" target="_blank">આ પણ વાંચો:AK રાઇફલથી ડ્રોન તોડી પાડવું બનશે સરળ? રશિયાએ બનાવી 3 ભાગમાં વહેંચાઈ જતી નવી ગોળી</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/03/HNUnvcUAYurXw4DMqvUAyYR68L5ki7CnlEbWU3fz.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026 બાદ સંન્યાસ લેશે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો? બહેન કટિયા એવિરોએ કર્યો ઘટસ્ફોટ ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/cristiano-ronaldo-to-retire-after-fifa-world-cup-2026-sister-katia-aveiro-reveals</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/cristiano-ronaldo-to-retire-after-fifa-world-cup-2026-sister-katia-aveiro-reveals</guid><pubDate>Fri, 03 Jul 2026 15:47:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify;">ફૂટબોલ ઇતિહાસના મહાન ખેલાડીઓમાંના એક ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના આંતરરાષ્ટ્રીય કારકિર્દી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે.રોનાલ્ડોની બહેન કાતિયા એવેરોએ સંકેત આપ્યો છે કે ચાલુ FIFA વર્લ્ડ કપ 2026 તેના ભાઈની પોર્ટુગીઝ રાષ્ટ્રીય ટીમ સાથેની છેલ્લી ટુર્નામેન્ટ હશે,અને તે પછી તે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેશે.મેગા-ઇવેન્ટમાં પોર્ટુગલના શાનદાર પ્રદર્શન વચ્ચે આવેલા આ સમાચારે રમતગમતની દુનિયામાં હલચલ મચાવી દીધી છે,અને તેને રોનાલ્ડોનો "છેલ્લો ડાન્સ" માનવામાં આવી રહ્યો છે.</p><h4 style="text-align: justify;"><b>રોનાલ્ડોની બહેને મોટો ખુલાસો કર્યો છે</b></h4><p style="text-align: justify;">ચાહકોને પહેલાથી જ અપેક્ષા હતી કે 41 વર્ષીય અલ-નાસર સ્ટાર આ વર્લ્ડ કપ પછી નિવૃત્તિ લેશે.જોકે તેની બહેન કાતિયાએ મીડિયા સાથે વાત કરતી વખતે આ સમાચારની પુષ્ટિ કરી હતી.જ્યાં સુધી આ સફર ચાલે છે ત્યાં સુધી તેનો આનંદ માણો.તે ખૂબ જ ટૂંક સમયમાં સમાપ્ત થઈ રહી છે,તેણીએ કહ્યું.ખૂબ જ વિશ્વસનીય સ્ત્રોત પાસેથી મને મળેલી માહિતી અનુસાર...આ રોનાલ્ડોનો 'છેલ્લો ડાન્સ' છે.</p><h4 style="text-align: justify;"><b>2030 વર્લ્ડ કપમાં જોવા મળશે</b></h4><p style="text-align: justify;">તાજેતરમાં, પોર્ટુગલના મુખ્ય કોચ રોબર્ટો માર્ટિનેઝે એક પ્રેસ કોન્ફરન્સમાં એક મોટું નિવેદન આપ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે રોનાલ્ડોની ફિટનેસને જોતાં, તે 2030 વર્લ્ડ કપમાં રમી શકે છે. જોકે, પોર્ટુગીઝ ફૂટબોલ ફેડરેશનના વડા પેડ્રો પ્રોએન્કા કોચના નિવેદન સાથે અસંમત હતા. પ્રોએન્કા માનતા હતા કે 2030 વર્લ્ડ કપમાં રોનાલ્ડોની ભાગીદારી એક મોટું આશ્ચર્ય અને અત્યંત અશક્ય હશે. હવે, રોનાલ્ડોની બહેનના આ તાજેતરના ખુલાસાએ તે આશાઓને સંપૂર્ણપણે ઠગારી ઠેરવી દીધી છે.</p><h4 style="text-align: justify;"><b>તેના કરિયારનો છઠ્ઠો વર્લ્ડ કપ</b></h4><p style="text-align: justify;">આ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો છઠ્ઠો ફિફા વર્લ્ડ કપ છે. 2006 માં પોતાનો પહેલો વર્લ્ડ કપ રમનાર રોનાલ્ડોએ દરેક આવૃત્તિમાં પોતાની છાપ છોડી છે. રોનાલ્ડો પુરુષોના આંતરરાષ્ટ્રીય ફૂટબોલના ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર અને સૌથી વધુ કેપ્ડ ખેલાડી છે. આ વખતે પણ, તેણે પોતાની ટીમને વર્લ્ડ કપ રાઉન્ડ ઓફ 16 માં લઈ ગઈ છે. તેણે તાજેતરમાં રાઉન્ડ ઓફ 32 માં ક્રોએશિયા સામે શાનદાર પેનલ્ટી સાથે વર્લ્ડ કપ નોકઆઉટ ઇતિહાસમાં પોતાનો પહેલો ગોલ કરીને લાંબી રાહનો અંત લાવ્યો.</p><p style="text-align: justify;">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/these-13-teams-will-be-in-the-finals-of-the-round-of-16-of-the-fifa-world-cup-2026-a-tough-battle-for-third-place-among-6-teams" target="_blank">FIFA World Cup 2026માં રાઉન્ડ 16માં આ 13 ટીમ ફાઈનલ, ત્રીજા સ્થાન માટે 6 ટીમ વચ્ચે ટક્કર</a></p><p style="text-align: justify;"><br></p><p style="text-align: justify;"><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/03/qJjtPYkdDNnjWAPJO2Vk0lcJgqFM98rFdC2vE7RM.webp'/></item></channel></rss>