<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Crime News: વાવ-થરાદના ગણેશપુરા ગામે ખેતરમાંથી યુવકનો મૃતદેહ મળ્યો, પરિવારે લગાવ્યો હત્યાનો આક્ષેપ ]]></title><link>https://sandesh.com/crime/news/vav-tharad/ganeshpura-youth-suspicious-death-murder-allegation</link><guid isPermaLink="true">https://sandesh.com/crime/news/vav-tharad/ganeshpura-youth-suspicious-death-murder-allegation</guid><pubDate>Thu, 09 Jul 2026 18:45:20 +05:30</pubDate><description><![CDATA[<p>વાવ-થરાદ જિલ્લાના થરાદ સરહદી પંથકના ગણેશપુરા ગામેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. થરાદ તાલુકાના ગણેશપુરા ગામની સીમમાં આવેલા એક ખેતરમાંથી એક યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. મૃતક યુવક છેલ્લા ચાર વર્ષથી આ ખેતરમાં ભાગીયા તરીકે ખેતમજૂરીનું કામ કરતો હતો. યુવકની આ રીતે શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.</p><h2><b>પરિવારજનોનો ન્યાય માટે આક્રોશ</b></h2><p>ઘટનાની જાણ થતાં જ મૃતક યુવકના પરિવારજનો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. યુવકના શરીર પરના નિશાનો અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પરિવારજનોએ તેની કરપીણ હત્યા કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. રોષે ભરાયેલા પરિવારજનોએ આ મામલે તટસ્થ તપાસ થાય અને જવાબદારો સામે કડક પગલાં ભરીને તેમને વહેલી તકે ન્યાય આપવામાં આવે તેવી ઉગ્ર માગ કરી છે.</p><h2><b>પોલીસ ઘટના સ્થળે</b></h2><p>ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને થરાદ પોલીસનો કાફલો તાત્કાલિક ગણેશપુરા ગામે ખેતરમાં પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળીને તેને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે પોસ્ટ મોર્ટમ અર્થે મૃતદેહને હોસ્પિટલ ખસેડ્યો છે. પોલીસે જણાવ્યું છે કે, આ ઘટના હત્યા છે કે આત્મહત્યા, તે પોસ્ટ મોર્ટમનો વિગતવાર રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આસપાસના લોકોની પૂછપરછ સાથે આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/tharad/tharad-shivshakti-society-heavy-wind-short-circuit-power-cable-blast-fire-ugvcl" target="_blank">Tharad: ભારે પવનના લીધે શિવશક્તિ સોસાયટીમાં વીજ કેબલ વિસ્ફોટ સાથે તૂટ્યો, સળગતો વાયર રસ્તા પર પડતા મચી અફડાતફડી</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/09/83gqVVUhpC48HvwQ8ziB8VwZbYsXHbEjLHlHJafN.webp'/></item><item><title><![CDATA[Aravalli News: ચોમાસામાં ઝાંઝરી ધોધથી ગંગેશ્વર મહાદેવ ચેકડેમ સુધી પ્રવાસીઓ પર પ્રતિબંધ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/aravalli/entry-banned-at-jhanzhari-waterfall-till-september-6</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/aravalli/entry-banned-at-jhanzhari-waterfall-till-september-6</guid><pubDate>Thu, 09 Jul 2026 18:40:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં ચોમાસાની સિઝન જામી છે. ભારે વરસાદ થવાથી જળાશયોમાં પાણીનો ભરપુર જથ્થો ઉપલબ્ધ થયો છે. બીજી બાજુ ધોધ અને નાના જળાશયોમાં પણ નવા નીરની આવક થતાં રળિયામણાં દ્રશ્યો સામે આવી રહ્યા છે. જેથી પ્રવાસીઓ પણ આ પ્રકારના જાણિતા સ્થળો પર ફરવા માટે જઈ રહ્યાં છે. અરવલ્લી જિલ્લામાં પ્રવાસીઓમાં ફેવરિટ રહેલા ઝાંઝરી ધોધને લઈને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>અકસ્માતો અને જાહેર સલામતીને ધ્યાને રાખી નિર્ણય</b></h2><p style="text-align: justify; ">અરવલ્લી જિલ્લાના જાણિતા પ્રવાસન સ્થળ ઝાંઝરી ધોધ ખાતે અકસ્માતો અટકાવવા અને જાહેર જનતાની સલામતી સુનિશ્ચિત કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.આ જાહેરનામા અનુસાર, 9 જુલાઈથી આગામી 6 સપ્ટેમ્બર સુધી પ્રવાસીઓ માટે આ વિસ્તારમાં જવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.ચોમાસાની ઋતુમાં પાણીનો પ્રવાહ વધવાના કારણે સર્જાતા જોખમોને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા આ કડક નિર્ણય લેવાયો છે. તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ ઝાંઝરી ધોધથી લઈને ગંગેશ્વર મહાદેવ ચેકડેમ સુધીના આશરે 5 કિલોમીટરના વિસ્તારને સંપૂર્ણપણે પ્રતિબંધિત ઝોન જાહેર કરવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>ન્હાવા,પાણીમાં ઉતરવા અને કિનારે જવા પર રોક</b></h2><p style="text-align: justify; ">આ સમયગાળા દરમિયાન પ્રવાસીઓ માટે ધોધના પાણીમાં ન્હાવા, પાણીમાં ઉતરવા કે નદીના કિનારે જવા પર સખત મનાઈ રહેશે. આ ઉપરાંત, અવારનવાર જોખમી સાબિત થતી પ્રવૃત્તિઓ જેવી કે નદી કિનારાની શીલાઓ કે પથ્થરો પર ઊભા રહીને ફોટોગ્રાફી અથવા સેલ્ફી લેવા પર પણ સંપૂર્ણ રોક લગાવી દેવામાં આવી છે.વરસાદી માહોલમાં કોઈપણ અનિચ્છનીય ઘટના કે જાનહાનિ ન થાય તે માટે પોલીસ અને સ્થાનિક તંત્રને આ જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરાવવાની સૂચના આપવામાં આવી છે. જો કોઈ પ્રવાસી કે નાગરિક નિયમોનું ઉલ્લંઘન કરશે અને પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશવાનો પ્રયાસ કરશે તો તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/traffic-advisory-issued-for-tiranga-yatra-today" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: વાહનચાલકો આજે સાંજે 7 વાગ્યા સુધી આ રસ્તેથી પસાર થતાં ચેતજો, જાણો શું છે ટ્રાફિકનું જાહેરનામું</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/09/pFhkybXyVilzzKuwgwvWAFApLyrmX9M6mV8NZONG.webp'/></item><item><title><![CDATA[Uttarakhand : ભારે વરસાદથી અનેક જગ્યાએ ભૂસ્ખલન, ગંગોત્રી નેશનલ હાઈવે બંધ ]]></title><link>https://sandesh.com/india/news/uttarakhand-heavy-rain-landslide-gangotri-national-highway-closed</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/uttarakhand-heavy-rain-landslide-gangotri-national-highway-closed</guid><pubDate>Thu, 09 Jul 2026 18:25:38 +05:30</pubDate><description><![CDATA[<p>ઉત્તરાખંડમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે. ઉત્તરકાશી જિલ્લામાં નાગુણ નજીક થયેલા મોટા ભૂસ્ખલનને કારણે ગંગોત્રી નેશનલ હાઈવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. હાઈવે બંધ થતાં ગંગોત્રી તરફ જતો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે અને મુસાફરો તેમજ સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANINewsUP/status/2075177822830874828"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>વાહનોની અવરજવર સંપૂર્ણપણે અટકી</b></h2><p>માર્ગ પર મોટા પ્રમાણમાં કાટમાળ અને પથ્થરો ખાબકતાં વાહનોની અવરજવર સંપૂર્ણપણે અટકી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO)ની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ભારે મશીનોની મદદથી કાટમાળ દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી. માર્ગને વહેલી તકે ફરી શરૂ કરી શકાય તે માટે સતત બચાવ અને સફાઈ કામગીરી ચાલી રહી છે.</p><h3><b>સંવેદનશીલ વિસ્તારોમાં સતત નજર</b></h3><p>આ દરમિયાન ઉત્તરકાશીના જિલ્લા કલેક્ટર પ્રશાંત આર્યાએ પણ અસરગ્રસ્ત સ્થળની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે BROના અધિકારીઓને માર્ગ ઝડપથી સાફ કરીને વાહનવ્યવહાર વહેલી તકે પુનઃસ્થાપિત કરવા સૂચના આપી હતી. સાથે જ સ્થાનિક વહીવટી તંત્રને સંવેદનશીલ વિસ્તારોમાં સતત નજર રાખવા અને જરૂરિયાત મુજબ સુરક્ષા વ્યવસ્થા વધારવા પણ જણાવ્યું હતું.</p><p>હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની તેમજ વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/cbi-files-chargesheet-in-mahadev-app-betting-scam-against-6-accused" target="_blank">આ પણ વાંચો : Ahmedabad News: મહાદેવ APP કેસમાં CBIએ વધુ 6 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/09/8MxG5Iw7QjVywpJz0dOD7zfSKxAG1pDYcYSkYNuN.webp'/></item><item><title><![CDATA[TCS Q1 Results : કંપનીને થયો 13,000 કરોડથી વધુનો નફો, રોકાણકારો માટે ડિવિડન્ડની કરી જાહેરાત ]]></title><link>https://sandesh.com/business/news/tcs-q1-results-profit-13349-crore-12-rupees-interim-dividend</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/tcs-q1-results-profit-13349-crore-12-rupees-interim-dividend</guid><pubDate>Thu, 09 Jul 2026 17:57:18 +05:30</pubDate><description><![CDATA[<p>ટાટા ગ્રુપની અગ્રણી આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)એ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ સારા નાણાકીય પરિણામો સાથે શેરધારકો માટે પ્રતિ ઈક્વિટી શેર ₹12ના અંતરિમ ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે.</p><h2><b>કંપનીની આવકમાં પણ નોંધપાત્ર વધારો</b></h2><p>કંપની દ્વારા શેરબજારને આપવામાં આવેલી માહિતી મુજબ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 30 જૂન, 2026ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળાના ઓડિટેડ સ્ટેન્ડઅલોન અને કન્સોલિડેટેડ નાણાકીય પરિણામોને મંજૂરી આપી છે. TCSનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 4.62 ટકા વધીને ₹13,349 કરોડ રહ્યો છે. ગયા વર્ષે સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીનો નફો ₹12,760 કરોડ હતો. બીજી તરફ કંપનીની આવકમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે. પ્રથમ ત્રિમાસિક દરમિયાન કંપનીની આવક 13.93 ટકા વધીને ₹72,275 કરોડ થઈ છે, જે ગયા વર્ષે ₹63,437 કરોડ હતી.</p><h3><b>અંતરિમ ડિવિડન્ડ  માટે કઈ છે રેકોર્ડ ડેટ?</b></h3><p>કંપનીના આ પરિણામો વૈશ્વિક પડકારો વચ્ચે પણ આઈટી ક્ષેત્રની મજબૂત સ્થિતિ દર્શાવે છે. આવક અને નફામાં થયેલો વધારો રોકાણકારો માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે. TCSએ અંતરિમ ડિવિડન્ડ માટે 15 જુલાઈ, 2026ને રેકોર્ડ ડેટ જાહેર કરી છે. આ તારીખ સુધી કંપનીના શેર ધરાવતા રોકાણકારોને 31 જુલાઈ, 2026ના રોજ ડિવિડન્ડની ચુકવણી કરવામાં આવશે.</p><p>શેરબજારમાં ગુરુવારે TCSનો શેર નજીવા વધારા સાથે ₹2,059 પર બંધ થયો હતો. જોકે, ચાલુ વર્ષ દરમિયાન કંપનીના શેરમાં આશરે 36 ટકાનો ઘટાડો નોંધાયો છે. છેલ્લા એક વર્ષમાં શેર લગભગ 40 ટકા ઘટ્યો છે, જ્યારે પાંચ વર્ષના ગાળામાં પણ શેરે રોકાણકારોને અંદાજે 35 ટકા નકારાત્મક વળતર આપ્યું છે.</p><p><b><a href="https://sandesh.com/business/news/sebi-changes-fpi-fvci-registration-fee-rules-rupee-payment" target="_blank">આ પણ વાંચો : SEBIએ વિદેશી રોકાણકારો માટે નિયમમાં કર્યો ફેરફાર, હવે રજિસ્ટ્રેશન ફી ડોલરમાં નહીં પણ રૂપિયામાં ચૂકવવી પડશે</a></b></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/09/lVzW1VMFPRim2VkkK22rw3Xs7hoqYf7dPoOleBmF.webp'/></item><item><title><![CDATA[વાંચો બપોરે 03થી સાંજે 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-03-pm-to-06-pm-09-july-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-03-pm-to-06-pm-09-july-2026</guid><pubDate>Thu, 09 Jul 2026 17:56:59 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર</b></p><p><a href="https://sandesh.com/india/news/ram-mandir-donation-row-after-champat-rais-resignation-govind-devgiri-said-something-important" target="_blank"><b>1. Ram Mandir Donation Row: ચંપત રાય રાજીનામુ આપ્યા બાદ... ગોવિંદ દેવગિરિએ કહી મહત્વની વાત</b></a></p><p><a href="https://sandesh.com/india/news/i-am-innocent-sonam-raghuvanshi-files-affidavit-in-sc-in-raja-raghuvanshi-murder-case" target="_blank"><b>2. Raja Raghuvanshi Murder Case: 'મને ફસાવવામાં આવી', રાજા રઘુવંશી હત્યાકાંડમાં સોનમ રઘુવંશીએ SCમાં દાખલ કર્યું સોગંદનામું</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/hydroponic-ganja-seized-at-ahmedabad-airport" target="_blank"><b>3. Ahmedabad News: બેંગકોકથી અમદાવાદ એરપોર્ટ પર ઉતરેલા મુસાફરની બેગમાંથી હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો</b></a></p><p><a href="https://sandesh.com/tech/news/trais-new-rule-now-truecaller-will-not-be-able-to-block-spam-calls" target="_blank"><b>4. TRAIનો નવો નિયમ: હવે SPAM કોલ બ્લોક નહીં કરી શકે Truecaller!</b></a></p><p><a href="https://sandesh.com/india/news/e20-petrol-engine-damage-nitin-gadkari-clarification" target="_blank"><b>5. E20 પેટ્રોલથી વાહનોના એન્જિન ખરાબ થાય છે? કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કરી સ્પષ્ટતા</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/traffic-advisory-issued-for-tiranga-yatra-today" target="_blank"><b>6. Ahmedabad News: વાહનચાલકો આજે સાંજે 7 વાગ્યા સુધી આ રસ્તેથી પસાર થતાં ચેતજો, જાણો શું છે ટ્રાફિકનું જાહેરનામું</b></a></p><p><a href="https://sandesh.com/india/news/-political-news/mamata-banerjee-political-crisis-how-mamata-banerjees-political-world-changed-in-just-65-days-know-what-is-the-reason" target="_blank"><b>7. Mamata Banerjee Political Crisis: માત્ર 65 દિવસમાં જ મમતા બેનર્જીની રાજકીય દુનિયા કેવી રીતે બદલાઈ, જાણો શુ છે કારણ?</b></a></p><p><a href="https://sandesh.com/sports/news/arnav-paparkar-wimbledon-junior-quarterfinal-india" target="_blank"><b>8. Wimbledon ક્વાર્ટર ફાઈનલમાં 36 વર્ષ પછી પહોંચ્યો ભારતીય ખેલાડી, કોણ છે અર્ણવ પાપરકર?</b></a></p><p><a href="https://sandesh.com/cricket/news/india-vs-england-t20-icc-ranking-shreyas-iyer" target="_blank"><b>9. ICC Rankingsમાં ટીમ ઈન્ડિયાને નુકસાન, શ્રેયસ ઐયર પોતાની કેપ્ટનશીપમાં નંબર 1નું સ્થાન ગુમાવશે ભારત!</b></a></p><p><a href="https://sandesh.com/india/news/supreme-court-illegal-unsafe-buildings-strict-action-order" target="_blank"><b>10. Supreme Courtનો કડક આદેશ, ગેરકાયદે અને જોખમી ઈમારતો સામે તાત્કાલિક કાર્યવાહી કરો</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/05/30/ci0PwfUyHcao4H4ziwpdhMLnO6QMfKyI3jwCPvfh.webp'/></item><item><title><![CDATA[Ram Mandir Donation Row: ચંપત રાય રાજીનામુ આપ્યા બાદ... ગોવિંદ દેવગિરિએ કહી મહત્વની વાત ]]></title><link>https://sandesh.com/india/news/ram-mandir-donation-row-after-champat-rais-resignation-govind-devgiri-said-something-important</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ram-mandir-donation-row-after-champat-rais-resignation-govind-devgiri-said-something-important</guid><pubDate>Thu, 09 Jul 2026 17:46:48 +05:30</pubDate><description><![CDATA[<p>અયોધ્યા રામ મંદિરમાં દાનચોરી મામલે રામ મંદિર ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવ ગિરી ચંપત રાયને મળ્યા હતા. તેમણે ચંપત રાયને લઇને પત્રકાર સાથે વાતચીત કરી. જેમાં તેઓએ જણાવ્યું કે&nbsp; ચંપત રાય દાન ચોરીના આરોપોને પગલે મહાસચિવ પદ પરથી રાજીનામું આપવાથી નારાજ નથી અને મંદિરની નવી વ્યવસ્થાપન પ્રણાલીને સંપૂર્ણ સમર્થન આપે છે. ગિરીએ પત્રકારોને જણાવ્યું હતું કે "હું ગઈકાલે મુખ્યત્વે તેમની તબિયત જાણવા માટે ચંપત રાયને મળ્યો હતો. તેમની તબિયત સારી છે, તેઓ સમસ્યાનું નિરાકરણ લાવે છે અને તેમના રાજીનામા અંગે કોઈ ફરિયાદ નથી.</p><h2><b>6 જૂને યોજાઇ ટ્રસ્ટની બેઠક</b></h2><p>6 જુલાઈના રોજ યોજાયેલી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠકથી ગોવિંદ દેવ ગિરી અહીં રહ્યા છે. આ બેઠક દરમિયાન જ ચંપત રાય અને સાથી ટ્રસ્ટી અનિલ મિશ્રાના રાજીનામા સ્વીકારવામાં આવ્યા હતા.</p><p>બેઠકના બીજા દિવસે, ચંપત રાયે 'રામ ભક્તો' ને સંબોધિત પત્રમાં જણાવ્યું હતું કે દાનના કથિત દુરુપયોગની તપાસ કરી રહેલી વિશેષ તપાસ ટીમ (SIT) તેનો અંતિમ અહેવાલ રજૂ કરે તે પછી જ તેઓ તેમના પરના આરોપોનો જવાબ આપશે. 'સંતો અને દ્રષ્ટાઓ નવી વ્યવસ્થાથી ખુશ છે...'</p><h3><b>નવી વ્યવસ્થાપન પ્રણાલીને સંપૂર્ણ સમર્થન- ચંપતરાય&nbsp;</b>&nbsp;</h3><p>બુધવારે ચંપત રાય સાથેની તેમની મુલાકાત વિશે મીડિયા સાથે વાત કરતા, ગોવિંદ દેવ ગિરીએ કહ્યું કે ચંપત રાય એક અનુભવી વ્યક્તિ છે જેમણે પોતાનું જીવન રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. તેઓ નવી મંદિર વ્યવસ્થાપન પ્રણાલીને સંપૂર્ણ સમર્થન આપે છે અને તેઓ નારાજ કે ગુસ્સે નથી." તેમણે ઉમેર્યું કે "હું અયોધ્યાના સંતો અને દ્રષ્ટાઓ સાથે પણ મળ્યો. તેઓ નવી મંદિર વ્યવસ્થાપન પ્રણાલી સાથે સંમત છે અને તેનાથી ખુશ છે."ગિરીએ જણાવ્યું હતું કે ટ્રસ્ટ મંદિરની વ્યવસ્થાપન પ્રણાલીમાં સુધારો કરવા માટે ફેરફારો લાગુ કરવા માટે પ્રતિબદ્ધ છે, અને દરેક વ્યક્તિ આ સાથે સહમત હતા.</p><h4><b>ચંપતરાયના સ્થાને કોણ આવ્યું ?&nbsp;</b></h4><p>ચંપત રાયના સ્થાને ભૂતપૂર્વ IFS અધિકારી અને ટ્રસ્ટી કૃષ્ણ મોહનને લાવવામાં આવ્યા છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ના પ્રારંભિક અહેવાલ બાદ, મોહને આઠ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમની પાછળથી ધરપકડ કરવામાં આવી હતી.</p><p>ટ્રસ્ટે CEO ની પસંદગી માટે ત્રણ સભ્યોની સમિતિની પણ રચના કરી છે. આ પેનલમાં નિવૃત્ત ન્યાયાધીશ પ્રમોદ કોહલી, નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ વિષ્ણુકાંત ચતુર્વેદી અને ટ્રસ્ટી સુરેશ હાવરેનો સમાવેશ થાય છે. ટ્રસ્ટ 22 જુલાઈના રોજ આ અને અન્ય પગલાંની ચર્ચા કરવા માટે તેની આગામી બેઠક યોજશે. આ બેઠક દાનની કથિત ચોરી તરફ દોરી જતી ખામીઓને દૂર કરવાની યોજનાનો એક ભાગ છે.</p><p>અયોધ્યામાં રામ મંદિરમાં દાનની ગણતરીમાં કથિત અનિયમિતતાઓ પ્રકાશમાં આવ્યા બાદ જૂનના પ્રથમ અઠવાડિયામાં એક મોટો વિવાદ ફાટી નીકળ્યો હતો. ટ્રસ્ટની ભલામણ પર કાર્યવાહી કરતા, ઉત્તર પ્રદેશ સરકારે SIT ની રચના કરી.</p><p>SIT ને ઉચાપતના પ્રારંભિક પુરાવા મળ્યા, જેના પગલે FIR નોંધવામાં આવી અને મંદિરના દાનની ગણતરીમાં સામેલ આઠ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી.</p><p><br></p><p><a href="https://sandesh.com/astrology/news/bhakti/budh-gochar-2026-bank-balance-of-3-zodiac-signs-will-increase-mercury-will-change-its-course" target="_blank">આ પણ વાંચો:  Budh Gochar 2026: 3 રાશિનું બેંક બેલેન્સ વધશે ! બુધ બદલશે ચાલ&nbsp;</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/09/DxHlF1TXzvdhI351jyjIsBnS9Prvb9Q8H0iV0xuR.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: બેંગકોકથી અમદાવાદ એરપોર્ટ પર ઉતરેલા મુસાફરની બેગમાંથી હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/hydroponic-ganja-seized-at-ahmedabad-airport</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/hydroponic-ganja-seized-at-ahmedabad-airport</guid><pubDate>Thu, 09 Jul 2026 17:28:17 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફરી એકવાર ડ્રગ્સની હેરાફેરીનો મોટો પર્દાફાશ થયો છે.એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) અને અમદાવાદ કસ્ટમ્સ વિભાગે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી 5.368 કિલો હાઇડ્રોપોનિક ગાંજો ઝડપી પાડ્યો છે.પકડાયેલો આરોપી થાઈ એરવેઝની ફ્લાઇટ મારફતે બેંગકોકથી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>અમદાવાદ એરપોર્ટ પરથી હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો</b></h2><p style="text-align: justify; ">એરપોર્ટ પર તૈનાત સુરક્ષા એજન્સીઓએ પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે આ મુસાફરને અટકાવ્યો હતો અને તેની પૂછપરછ શરૂ કરી હતી.ત્યારબાદ જ્યારે તેની ટ્રોલી બેગની ઝીણવટભરી તલાશી લેવામાં આવી ત્યારે તેમાંથી કાળા કલરની પોલિથિનમાં ખૂબ જ ચાલાકીપૂર્વક પેક કરીને છુપાવેલા પાંચ શંકાસ્પદ પેકેટો મળી આવ્યા હતા. તેની બેગમાં લિંબુ પણ ભરેલા હતાં.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>ટ્રોલી બેગમાં પાંચ કાળા પેકેટ છુપાવ્યા હતા</b></h3><p style="text-align: justify; ">કસ્ટમ્સ વિભાગની ટીમે જ્યારે ફિલ્ડ ટેસ્ટ કિટ દ્વારા આ જપ્ત કરાયેલા પદાર્થની તપાસ કરી ત્યારે તે ઉચ્ચ ગુણવત્તાનો હાઇડ્રોપોનિક ગાંજો હોવાનું સત્તાવાર રીતે સામે આવ્યું હતું.આ ગેરકાયદેસર નશીલા પદાર્થની હેરાફેરી બદલ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આરોપીની ધરપકડ કરી લેવાઈ છે.આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટના મૂળ ક્યાં સુધી જોડાયેલા છે તે અંગે અમદાવાદ કસ્ટમ્સ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/surat/mp-mukesh-dalal-calls-18-inch-rain-a-natural-disaster" target="_blank">આ પણ વાંચોઃ Surat News: સુરતમાં 18 ઈંચ વરસાદ ખાબક્યો તે કુદરતનો કહેર છે એમાં કોઈ શું કરી શકે: સાંસદ મુકેશ દલાલ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/09/CigWo6E4P0JMpPwCOwL0vFnEt2ZqCnwjtLiNtisk.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: વાહનચાલકો આજે સાંજે 7 વાગ્યા સુધી આ રસ્તેથી પસાર થતાં ચેતજો, જાણો શું છે ટ્રાફિકનું જાહેરનામું ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/traffic-advisory-issued-for-tiranga-yatra-today</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/traffic-advisory-issued-for-tiranga-yatra-today</guid><pubDate>Thu, 09 Jul 2026 17:05:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદમાં 149મી રથયાત્રા પૂર્વે આજે યોજાનારી ભવ્ય તિરંગા યાત્રાને પગલે શહેર પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.આ યાત્રા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સાંજે 5 થી 7 વાગ્યા સુધી શહેરના અનેક મુખ્ય માર્ગો સામાન્ય વાહનવ્યવહાર માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જાહેરનામા અનુસાર, વીજળીઘરથી ભદ્ર,ત્રણ દરવાજા અને પાનકોરનાકા તરફ જતો માર્ગ સંપૂર્ણપણે બંધ રહેશે.જ્યારે રીલીફ રોડ અને ઘીકાંટા વિસ્તારના ટ્રાફિકને અન્ય વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>વાહન ચાલકો માટે આ વૈકલ્પિક માર્ગ જાહેર</b></h2><p style="text-align: justify; ">આ તિરંગા યાત્રામાં સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે 1000 થી વધુ પોલીસકર્મીઓ તૈનાત રહીને જોડાશે.આ ઉપરાંત, યાત્રાને સફળ બનાવવા માટે 200થી વધુ સ્વયંસેવકો અને 500 થી વધુ ઉત્સાહી નાગરિકો પણ આ આયોજનમાં સહભાગી બનવાના છે.ટ્રાફિકજામની સ્થિતિને નિવારવા માટે વહીવટી તંત્ર દ્વારા રૂપાલી સિનેમાથી મિરઝાપુર તરફ જતો માર્ગ તેમજ વિક્ટોરિયા ગાર્ડનથી ખમાસા તરફ જતો માર્ગ વાહનચાલકો માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે જેથી નાગરિકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે.</p><h2 style="text-align: justify; "><b>નિયમો નેવે મૂકનાર વાહનચાલકો સામે કાર્યવાહી થશે</b></h2><p style="text-align: justify; ">નાગરિકોની સુવિધા માટે બહાર પાડવામાં આવેલા આ ટ્રાફિક જાહેરનામામાંથી કટોકટીની સેવાઓ જેવી કે એમ્બ્યુલન્સ,ફાયર બ્રિગેડના વાહનો તેમજ અધિકૃત સરકારી વાહનોને સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે, એટલે કે આ વાહનો પ્રતિબંધિત માર્ગો પરથી પણ પસાર થઈ શકશે. પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે આ જાહેરનામાનો ભંગ કરનાર કે નિયમો નેવે મૂકનાર વાહનચાલકો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/surat/mp-mukesh-dalal-calls-18-inch-rain-a-natural-disaster" target="_blank">આ પણ વાંચોઃ Surat News: સુરતમાં 18 ઈંચ વરસાદ ખાબક્યો તે કુદરતનો કહેર છે એમાં કોઈ શું કરી શકે: સાંસદ મુકેશ દલાલ</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/09/mXCDi0TjspqfNMY3jd9fuiBMCZLVi2PmAPdFazqX.webp'/></item><item><title><![CDATA[Wimbledon ક્વાર્ટર ફાઈનલમાં 36 વર્ષ પછી પહોંચ્યો ભારતીય ખેલાડી, કોણ છે અર્ણવ પાપરકર? ]]></title><link>https://sandesh.com/sports/news/arnav-paparkar-wimbledon-junior-quarterfinal-india</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/arnav-paparkar-wimbledon-junior-quarterfinal-india</guid><pubDate>Thu, 09 Jul 2026 17:00:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">18 વર્ષની ભારતીય ટેનિસ ખેલાડી અર્ણવ પાપરકરનું નામ હાલમાં ટેનિસ જગતમાં ચર્ચાનો વિષય છે, જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે કોઈ ભારતીય 36 વર્ષ પછી જુનિયર વિમ્બલ્ડનના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યો છે.</p><p style="text-align: justify; ">અર્ણવ પાપરકરે જાપાની ખેલાડી ર્યો તાબાટા સામે રાઉન્ડ ઓફ 16માં 52 મિનિટમાં સતત 2 સેટ જીતીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. અર્ણવ પાપરકર હવે 1990માં લિએન્ડર પેસ પછી માત્ર બીજો ખેલાડી છે જે ક્વાર્ટર ફાઈનલમાં પહોંચવામાં સફળ રહ્યો છે. પેસે તે વર્ષે પણ આ ખિતાબ જીત્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>અર્ણવ પાપરકરે બંને સેટમાં જાપાની ખેલાડીને વાપસી કરવાની તક ન આપી</b></h2><p style="text-align: justify; ">પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં અર્ણવ પાપરકરે કોર્ટ પર એકતરફી પ્રદર્શન કર્યું, જાપાનના રિયો તાબાટા સામે પહેલો સેટ 6-2 ના માર્જિનથી જીત્યો. બધાની નજર બીજા સેટ પર હતી, જ્યાં અર્ણવે પોતાનું પ્રભાવશાળી ફોર્મ ચાલુ રાખ્યું અને 6-1 ના માર્જિનથી જીતીને છેલ્લા આઠમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. અર્ણવ પાપરકરે હવે ક્વાર્ટર ફાઈનલમાં અમેરિકન ખેલાડી જોર્ડન લીનો સામનો કરવો પડશે.&nbsp;</p><p style="text-align: justify; ">અર્ણવ પાપરકરે વિમ્બલ્ડન બોયઝ સિંગલ્સ ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવનાર લિએન્ડર પેસ, રામનાથન કૃષ્ણન અને રમેશ કૃષ્ણન સાથે મળીને માત્ર ચોથો ખેલાડી બન્યો. યુકી ભામ્બરીએ 2009માં યુએસ જુનિયર ચેમ્પિયનશિપ જીતી ત્યારથી તે જુનિયર ગ્રાન્ડ સ્લેમના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચનાર પ્રથમ ખેલાડી પણ છે.</p><h3 style="text-align: justify; "><b>જુનિયર રેન્કિંગમાં અર્ણવ 19મા નંબરે</b></h3><p style="text-align: justify; ">18 વર્ષનો અર્ણવ પાપરકર ઈન્ટરનેશનલ ટેનિસ ફેડરેશનના જુનિયર રેન્કિંગમાં 19મા નંબરે છે. અર્ણવે 14 વર્ષની ઉંમરે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયન ઓપન અંડર-14 એશિયા પેસિફિક એલીટ ટ્રોફી જીતીને તેનું પહેલું મુખ્ય ટાઈટલ જીત્યું. તે વર્ષે પછી તેને વાઈલ્ડકાર્ડ એન્ટ્રી તરીકે નેશનલ અંડર-16 ટાઈટલ જીત્યું.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/ishan-kishan-run-out-abhishek-sharma-stump-mic-video" target="_blank">Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/09/luChwjbTi98XDgg5rIPNU1Ldb0FwzHIBuBZA0KXC.webp'/></item><item><title><![CDATA[શિલ્પા શિંદેના જુઠ્ઠાણા પર ભડકી હિના ખાન, કહ્યું- જો તે Bigg Bossમાં આવું બોલતી તો... ]]></title><link>https://sandesh.com/entertainment/news/hina-khan-furious-over-shilpa-shindes-lies-said-if-she-had-said-this-in-bigg-boss</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/hina-khan-furious-over-shilpa-shindes-lies-said-if-she-had-said-this-in-bigg-boss</guid><pubDate>Thu, 09 Jul 2026 15:58:53 +05:30</pubDate><description><![CDATA[<p>લોકપ્રિય ટીવી અભિનેત્રી શિલ્પા શિંદેએ તાજેતરમાં એક એવો ખુલાસો કર્યો છે જેની સોશિયલ મીડિયા પર લોકોએ આકરી ટીકા કરી છે. કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા દ્વારા આયોજિત પોડકાસ્ટ પર બોલતા શિલ્પાએ કહ્યું કે તેણે ભાભીજી ઘર પર હૈ શોના નિર્માતા સંજય કોહલી પર જાતીય સતામણીના ખોટા આરોપો લગાવ્યા છે. હિના ખાને અગાઉ ઘણી વખત આ સમગ્ર વિવાદ અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.</p><p><br></p><h2><b>હિના ખાને શિલ્પા શિંદે પર સાધ્યું નિશાન&nbsp;</b></h2><p>હવે, હિના ખાને ફરી એકવાર શિલ્પા શિંદે પર પ્રહાર કર્યા છે. તેણે અભિનેત્રી દ્વારા કહેવામાં આવેલા આ જુઠ્ઠાણાને લઈને આકરા પ્રહારો કર્યા છે. હિના તાજેતરમાં રૂબીના દિલૈકના પોડકાસ્ટ પર તેના પાર્ટનર રોકી જયસ્વાલ સાથે જોવા મળી હતી. જ્યાં તેણે શિલ્પા શિંદે પર નિશાન સાધ્યું હતું. રોકીએ કોમેન્ટ કરતા કહ્યું હતું કે, "જે કરન્સી બની છેને, તે છે કોન્ટ્રોવર્સી."</p><p><br></p><h3><b>મેકર્સે મારી જીંદગી ખરાબ કરી</b></h3><p>આ પછી હિનાએ તેની ભૂતપૂર્વ બિગ બોસ સહ-સ્પર્ધક શિલ્પા પર નિશાન સાધતા કહ્યું, "તેણે આ બધું બિગ બોસ પર કહ્યું - 'મારી સાથે આવું થયું,' 'મારી સાથે અન્યાય થયો,' 'મારું બધું બરબાદ થઈ ગયું,' 'નિર્માતાઓએ મારું જીવન બરબાદ કરી દીધું' - શું તેણે એક વાર પણ કહ્યું કે સતામણીના બદલામાં તેણે પ્રોડ્યુસર વિરુદ્ધ કેસ દાખલ કર્યો? કારણ કે તે જાણતી હતી કે જો તેઆવું કહ્યું, તો તે ક્યારેય જીતી શકશે નહીં."</p><p><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DaiCRATtMF7/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DaiCRATtMF7/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a></p><p><br></p><h4><b>ગૌરવ ખન્ના અને આકાંક્ષા ચમોલાના સંબંધો પર ઉઠાવ્યા સવાલ</b></h4><p>પોડકાસ્ટ દરમિયાન રૂબીના દિલૈકે ગૌરવ ખન્ના અને આકાંક્ષા ચમોલા વચ્ચેના સંબંધો અંગે પ્રશ્નો ઉઠાવ્યા. રૂબીનાએ કહ્યું, "લોકો 'સારા પતિ' અથવા 'સારી પત્ની' હોવાનો ઢોંગ કરે છે. 'સારા પતિ' વિશે - અમે એક વાર કેમેરાની બહાર કંઈક સાંભળ્યું હતું; જ્યારે પૂછવામાં આવ્યું કે, 'તમે તમારી પત્નીને સાથે કેમ નથી લઈ જતા?', ત્યારે તેમણે જવાબ આપ્યો, 'હું રૂબીના અને અભિનવની જેમ મારા લગ્નની મજાક ઉડાવવા માંગતો નથી.'</p><p><br></p><h5><b>તમે બસ દેખાડો કરી રહ્યા છો</b></h5><p>આ પછી હિના ખાને કહ્યું, "જો તેઓ એક વર્ષથી અલગ રહી રહ્યા છે, તો પછી ચાર-પાંચ મહિના પહેલા જ યુટ્યુબ પર તેમને એકબીજાને આશ્ચર્યચકિત કરતા વીડિયો કેમ બનાવવામાં આવી રહ્યા હતા? તમે ફક્ત જાહેરમાં સારા પતિ-પત્ની હોવાનો દેખાવ કરી રહ્યા છો." નોંધનીય છે કે આકાંક્ષા ચમોલા હાલમાં રિયાલિટી શો 'લોક-અપ 2' માં જોવા મળી રહી છે. તેના પ્રીમિયર દરમિયાન તેણીએ ખુલાસો કર્યો કે તે ગૌરવ ખન્ના સાથે છૂટાછેડા લેવા જઈ રહી છે. તે બન્ને છેલ્લા એક વર્ષથી અલગ રહી રહ્યું છે.</p><p><br></p><p><b><span style="font-size: 18px;">આ પણ વાંચો: </span><a href="https://sandesh.com/sports/news/cricket/ind-vs-eng-4th-t20-bristol-weather-rain-forecast" target="_blank"><span style="font-size: 18px;">IND vs ENG: વરસાદ બનશે વિલન? આજે ભારત-ઇંગ્લેન્ડની મેચ દરમિયાન કેવું રહેશે બ્રિસ્ટલનું વાતાવરણ</span></a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/09/driNMIKJEmxj0UPEX4zSsjAXIAi5raqNoLgQVtI1.webp'/></item></channel></rss>