<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Gandhinagar : 449 નવનિયુક્ત PSIને CM અને Dy.CMના હસ્તે નિમણૂંક પત્રો અપાયા, 2033 સુધીમાં વધુ 50 હજાર ભરતીનું મોટું આયોજન ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-police-449-new-psi-appointment-letter-cm-bhupendra-patel-harsh-sanghavi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-police-449-new-psi-appointment-letter-cm-bhupendra-patel-harsh-sanghavi</guid><pubDate>Wed, 08 Jul 2026 14:47:29 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાત પોલીસ દળને ટેક્નોલોજી અને આધુનિકતાથી વધુ સજ્જ બનાવવાના હેતુથી આજે ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી ખાતે એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ડે.સીએમ હર્ષ સંઘવીના હસ્તે 449 નવનિયુક્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટરને સત્તાવાર નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બંને મહાનુભાવોએ નવા પોલીસ અધિકારીઓને પ્રજાની સેવા અને સુરક્ષા માટે નિષ્ઠાપૂર્વક કામ કરવાની પ્રેરણા આપી હતી.</p><h2 style="text-align: justify; "><b>ફરજમાં કડકાઈ અત્યંત અનિવાર્ય</b></h2><p style="text-align: justify; ">મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવનિયુક્ત પીએસઆઈને સંબોધતા જણાવ્યું હતું કે, શાંતિ અને સલામતી વગર રાજ્ય કે દેશના વિકાસની કલ્પના અશક્ય છે. તેમણે 'નાગરિક દેવો ભવ' અને 'વસુધૈવ કુટુમ્બકમ'ની ભાવના સાથે લોકોને ન્યાય અપાવવા અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, પ્રેમમાં શક્તિશાળીને પણ પીગળાવવાની તાકાત છે, છતાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ફરજમાં કડકાઈ અત્યંત અનિવાર્ય છે. તેમણે 2008ના સિરિયલ બ્લાસ્ટ કેસના ઐતિહાસિક ચુકાદાને યાદ કરીને ગુજરાત પોલીસની નિષ્ઠાવાન કામગીરીની પ્રશંસા કરી હતી અને કહ્યું કે આતંકીઓ ગમે તેટલા સમય પછી પણ કાયદાથી બચી શકશે નહીં.</p><h3 style="text-align: justify; "><b>છેલ્લા 5 વર્ષમાં 15653 મહિલા પોલીસની ભરતી  કરાઇ</b></h3><p style="text-align: justify; ">કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ મહત્વનું સંબોધન કર્યું હતું. તેમણે નવનિયુક્ત અધિકારીઓને સલાહ આપી હતી કે, હંમેશા ‘જમીનથી નીચે રહેવાના વિચાર સાથે નોકરી કરજો’ અને ટેક્નોલોજીની સાથે માનવ ઇન્ટેલિજન્સ ડેવલપ કરવાની આવડત શીખજો. હર્ષ સંઘવીએ સરકારના ભરતીના આંકડા જાહેર કરતા જણાવ્યું કે, છેલ્લા 10 વર્ષમાં 54 હજાર કરતા વધુ જગ્યા પર સંપૂર્ણ પારદર્શિતાથી ભરતી કરવામાં આવી છે, જેમાં છેલ્લા 5 વર્ષમાં 15653 મહિલા પોલીસની ભરતી સામેલ છે.</p><h4 style="text-align: justify; "><b>2033 સુધીમાં વધુ 50 હજાર પોલીસકર્મીઓની ભરતી કરાશે</b></h4><p style="text-align: justify; ">હર્ષ સંઘવીએ એક મોટી જાહેરાત કરતા જણાવ્યું કે, વર્ષ 2008થી અત્યાર સુધીમાં 1 લાખ લોકો પોલીસમાં જોડાયા છે અને સરકારનું આગામી આયોજન વર્ષ 2033 સુધીમાં વધુ 50 હજાર પોલીસકર્મીઓની ભરતી કરવાનું છે. આ પારદર્શક ભરતી પ્રક્રિયા બદલ તેમણે ભરતી બોર્ડને અભિનંદન પાઠવ્યા હતા.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો---&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-gujarat-latest-news-live-and-samachar-08july-2026-politics-weather-updates-daily-breaking-news-#google_vignette" target="_blank"><b>Gujarat Latest News Live: રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનું એલર્ટ</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/08/1cdGFKL2LQCA47GUA6xXCKV88RB9RZM3WtAUhKz6.webp'/></item><item><title><![CDATA[EPFO : PF ખાતા ધારકો માટે ગૂડ ન્યુઝ, 15 જુલાઇ સુધીમાં સભ્યોના ખાતામાં જમા થશે વ્યાજ! ]]></title><link>https://sandesh.com/business/news/epfo-good-news-for-pf-account-holders-interest-will-be-credited-to-members-accounts-by-july-15</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/epfo-good-news-for-pf-account-holders-interest-will-be-credited-to-members-accounts-by-july-15</guid><pubDate>Wed, 08 Jul 2026 14:15:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દેશભરના લાખો ઇપીએફઓ (EPFO) ખાતાધારકો માટે એક ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2025-26 માટે પીએફ ખાતામાં વ્યાજની રકમ જમા કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અંદાજે 34  કરોડ સક્રિય અને નિવૃત્ત ખાતાધારકોને આગામી ૧૫ જુલાઈ સુધીમાં કુલ ₹૧.૪૪ લાખ કરોડથી વધુની વ્યાજની રકમ તેમના ખાતામાં મળી જશે.</p><h2 style="text-align: justify; "><b>ઝડપી વ્યાજ ક્રેડિટિંગની નવી સિસ્ટમ</b></h2><p style="text-align: justify; ">અગાઉની સિસ્ટમમાં પીએફનું વ્યાજ ખાતાધારકો સુધી પહોંચતા ઓક્ટોબર કે નવેમ્બર મહિના સુધીનો સમય લાગતો હતો. પરંતુ, EPFO દ્વારા અમલમાં મૂકવામાં આવેલી નવી 'ઓટો-પ્રોસેસ' સિસ્ટમને કારણે આ પ્રક્રિયા ઘણી ઝડપી બની છે. શ્રમ મંત્રાલયના સૂત્રોના મતે, હાલમાં ફિલ્ડ વેરિફિકેશનની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે, જેમાં માત્ર 1 થી 2 દિવસનો સમય લાગશે. આ પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ વ્યાજની રકમ ખાતામાં જમા થઈ જશે.</p><h3 style="text-align: justify; "><b>વ્યાજ દર અને ગણતરીની પદ્ધતિ</b></h3><p style="text-align: justify; ">સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે પીએફ થાપણો પર 8.25 % ના દરે વ્યાજ આપવાનો મહત્વનો નિર્ણય લીધો છે. ઘણીવાર ખાતાધારકોને વ્યાજની ગણતરી કેવી રીતે થાય છે તે અંગે મૂંઝવણ હોય છે. પીએફ વ્યાજની ગણતરી માસિક ધોરણે ખાતામાં રહેલા બેલેન્સના આધારે કરવામાં આવે છે. દરેક નાણાકીય વર્ષના અંતે, એટલે કે 31 માર્ચે, એકત્રિત થયેલું કુલ વ્યાજ ખાતામાં જમા કરવામાં આવે છે.</p><h4 style="text-align: justify; "><b>કોને મળશે લાભ?</b></h4><p style="text-align: justify; ">આ લાભ માત્ર વર્તમાન સક્રિય ખાતાધારકોને જ નહીં, પરંતુ એવા નિવૃત્ત સભ્યોને પણ મળશે જેમણે તેમનું યોગદાન પૂરું કર્યાના ત્રણ વર્ષ પૂર્ણ નથી કર્યા. EPFO ના કુલ સભ્યોમાંથી લગભગ 9  કરોડ સક્રિય ખાતાધારકો છે, જ્યારે બાકીના નિવૃત્ત સભ્યો છે. આમ કુલ ૩૪ કરોડ લોકોને આ મોટી રકમનો લાભ મળશે. આ નવી સિસ્ટમથી એ સ્પષ્ટ થાય છે કે EPFO ભવિષ્યમાં વ્યાજ જમા કરવાની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા માટે કટિબદ્ધ છે. ખાતાધારકો માટે આ ચોક્કસપણે રાહતની વાત છે કે તેમને આ વખતે અગાઉની સરખામણીએ વહેલું વ્યાજ મળી રહ્યું છે.<br><br><b><a href="https://sandesh.com/entertainment/news/akanksha-chamola-lock-upp-2-gaurav-khanna-separation-plans" target="_blank">આ પણ વાંચોઃ Lock Upp 2: ગૌરવ ખન્ના સાથેના છૂટાછેડા બાદ શું આકાંક્ષા ચમોલા ફરી લગ્ન કરશે? જાણો શું છે તેનો પ્લાન!</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/08/HQUASQXU4COZmkfHGp9nBu7MZIIeP0pG8zjRaAw6.webp'/></item><item><title><![CDATA[Lock Upp 2: ગૌરવ ખન્ના સાથેના છૂટાછેડા બાદ શું આકાંક્ષા ચમોલા ફરી લગ્ન કરશે? જાણો શું છે તેનો પ્લાન! ]]></title><link>https://sandesh.com/entertainment/news/akanksha-chamola-lock-upp-2-gaurav-khanna-separation-plans</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/akanksha-chamola-lock-upp-2-gaurav-khanna-separation-plans</guid><pubDate>Wed, 08 Jul 2026 13:54:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નેટફ્લિક્સનો ચર્ચિત શો 'લોક અપ 2' હાલમાં નાટકીય વળાંકો થી ભરેલો છે. આ શોમાં જે વ્યક્તિએ સૌથી વધુ ચર્ચાઓ જગાવી છે તે અભિનેત્રી આકાંક્ષા ચમોલા છે. ગૌરવ ખન્ના સાથેના તેના સંબંધો અને જીવનના અંગત પાસાઓ વિશેના ખુલાસાઓએ ચાહકોને ચોંકાવી દીધા છે. આકાંક્ષાએ માત્ર તેના અને ગૌરવના અલગ થવા વિશે જ વાત નથી કરી, પરંતુ પોતાની જીવનશૈલી અને ભવિષ્યના લક્ષ્યો વિશે પણ સ્પષ્ટતા કરી છે.</p><h2 style="text-align: justify; "><b>શોમાં આકાંક્ષાનો ખુલાસો</b></h2><p style="text-align: justify; ">શોમાં પોતાની એન્ટ્રી સાથે જ આકાંક્ષાએ એક મોટો ધડાકો કર્યો કે તે છેલ્લા એક વર્ષથી તેના પતિ ગૌરવ ખન્નાથી અલગ રહે છે. આ વાતથી ફેન્સ ચોંકી ગયા હતા, કારણ કે આ જોડી હંમેશા એકબીજાને ટેકો આપતી જોવા મળી છે. આકાંક્ષાએ પોતાની અંગત ઓળખ વિશે પણ ખુલાસો કર્યો છે અને જણાવ્યું છે કે તે બાયસેક્સ્યુઅલ છે. તે કહે છે કે ગૌરવ સાથેના લગ્ન પહેલાં પણ તે સ્ત્રીઓ સાથે સંબંધમાં રહી ચૂકી છે. આકાંક્ષા અને ગૌરવ વચ્ચેના સંબંધો વિશે એક વાત ખાસ છે કે બંનેએ બાળકના મુદ્દે પણ સહમતી સાધી હતી; આકાંક્ષા ક્યારેય બાળક ઈચ્છતી ન હતી અને ગૌરવે પણ આ નિર્ણયનો સ્વીકાર કર્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>છુટાછેટા પછીના જીવન વિશે વાત કરતા ભાવુક થઇ</b></h3><p style="text-align: justify; ">છૂટાછેડા પછીના જીવન વિશે વાત કરતા આકાંક્ષા પામેલા સેરેના સાથેની વાતચીતમાં ખૂબ જ ભાવુક અને સ્પષ્ટ જણાઈ હતી. પામેલાના પ્રશ્નનો જવાબ આપતા તેણે કહ્યું હતું કે તે ફરી ક્યારેય લગ્ન કરવા માંગતી નથી. તેનું માનવું છે કે તે લગ્નના બંધન માટે નથી બની. તેણે કહ્યું, "હું 24 વર્ષની ઉંમરે પરણી ગઈ હતી, પણ હવે હું એકલી રહેવા માંગુ છું."<br><h4><b>સ્વતંત્રતાને આપશે પ્રાથમિકતા</b></h4></p><p style="text-align: justify; ">તેની યોજનાઓ વિશે વાત કરતા આકાંક્ષાએ જણાવ્યું કે, તે છૂટાછેડા પછી ન તો તેના માતાપિતાના ઘરે જશે કે ન તો તેના પતિના ઘરમાં રહેશે. તે ખૂબ જ આત્મનિર્ભર બનીને પોતાનું નવું ઘર ખરીદવા માંગે છે. તે પોતાની સ્વતંત્રતાને પ્રાથમિકતા આપી રહી છે અને પોતાની શરતો પર જીવન જીવવા માંગે છે. આકાંક્ષાના આ મક્કમ નિર્ણયે સાબિત કરી દીધું છે કે તે જીવનના આ નવા તબક્કાને પોતાની રીતે માણવા તૈયાર છે. તે ગૌરવ પર કોઈ પણ પ્રકારનો બોજ બનવા માંગતી નથી અને બંને આત્મ-સન્માન સાથે પોતાના રસ્તાઓ અલગ કરી રહ્યા છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/entertainment/news/sourav-ganguly-biopic-trolling-has-started-on-social-media-over-rajkummar-raos-look-in-sourav-gangulys-biopic-dada" target="_blank">આ પણ વાંચોઃ Sourav Ganguly Biopic: સૌરવ ગાંગુલીની બાયોપિક 'દાદા'માં રાજકુમાર રાવના લુક પર સોશિયલ મીડિયામાં શરૂ થયું ટ્રોલિંગ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/08/bN8wXh7q29FQ7o2NaGVcfPcknB6JAadl75vm78lM.webp'/></item><item><title><![CDATA[Ram Mandir Donation Scam: ભક્તોના દાનનો ખોટો ઉપયોગ કરી ટિન્નુ એન્ડ ટીમે ખરીદી જમીનો અને વૈભવી ગાડીઓ ]]></title><link>https://sandesh.com/india/news/ram-mandir-donation-scam-tinnu-and-team-misused-devotees-donations-to-buy-lands-and-luxury-cars</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ram-mandir-donation-scam-tinnu-and-team-misused-devotees-donations-to-buy-lands-and-luxury-cars</guid><pubDate>Wed, 08 Jul 2026 13:53:56 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ નકલી રસીદ બુકનો ઉપયોગ દાતાઓ સાથે છેતરપિંડી કરવા માટે કરવામાં આવતો હતો. આરોપીઓએ ચોરાયેલા પૈસાથી જમીન અને વાહનો ખરીદ્યા હતા.&nbsp;</p><h2 style="text-align: justify; ">દાતાઓ સાથે છેતરપીંડી</h2><p style="text-align: justify; ">અયોધ્યા રામ મંદિર દાન ચોરીનો મામલો જેમ જેમ આગળ વધી રહી છે. તેમ તેમ કૌભાંડ અંગે નવા ખુલાસા થઈ રહ્યા છે. તપાસ દરમિયાન અનેક ખામીઓ બહાર આવી છે. દરમિયાન, રામ મંદિરના નામે બનાવેલી નકલી રસીદો અંગે એક મોટો ખુલાસો થયો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીઓના કહેવા પર રામ મંદિરના નામે બનાવેલી જૂની નકલી દાન રસીદ પુસ્તકો જપ્ત કરવામાં આવી છે. પોલીસ તપાસ દરમિયાન, આરોપીઓએ માત્ર દાન ચોરી કરવાની જ નહીં પરંતુ નકલી રસીદો આપીને દાતાઓ પાસેથી પૈસા પડાવવાની પણ કબૂલાત કરી છે.</p><h3 style="text-align: justify; ">આરોપીઓએ કર્યો ખુલાસો&nbsp;</h3><p style="text-align: justify; ">આરોપી પાસેથી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની જૂની નકલી રસીદ બુક મળી આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શરૂઆતમાં, જ્યારે કોઈ મંદિરમાં દાન આપવા માંગતું હતું. ત્યારે ટિન્નુ  યાદવ, લવ કુશ, કરુણેશ, અનુકુલ અને અન્ય ધરપકડ કરાયેલા આરોપીઓ જપ્ત કરાયેલી નકલી રસીદો રસીદ તરીકે આપતા હતા, જેથી કોઈને શંકા ન થાય અને પૈસા તેમના ખિસ્સામાં જતા રહે. અયોધ્યા પોલીસ અનુકુલ, લવ કુશ અને કરુણેશની પૂછપરછ કરી રહી છે. ચોરી રેકેટમાં રામાશંકર યાદવ ઉર્ફે તિનુ યાદવ અને અવિનાશ શુક્લાને મુખ્ય આરોપી માનવામાં આવે છે. અવિનાશ શુક્લા પાસેથી એક વાહન મળી આવ્યું છે. તપાસમાં બહાર આવ્યું છે કે 14 કોસી પરિક્રમા રૂટ પર પૈસા વહેંચવામાં આવ્યા હતા.</p><h4 style="text-align: justify; ">પોલીસ પૂછપરછ યથાવત્&nbsp;</h4><p style="text-align: justify; ">અનુકુલે ચોરાયેલા પૈસાથી ડિઝાયર કાર ખરીદી હતી અને સ્કોર્પિયો પણ બુક કરાવી હતી. દરમિયાન, આરોપી લવકુશે તેની પત્ની સુપ્રિયા મિશ્રાના નામે જમીન ખરીદી હતી, જેના પર તે ત્રણ માળનું મકાન બનાવી રહ્યો છે. પોલીસ બધા આરોપીઓની તેમની મિલકત, સંપત્તિ અને બેંક ખાતાઓ વિશે પૂછપરછ કરી રહી છે. પૂછપરછ પછી, આરોપીઓને તેમના છુપાયેલા સ્થળોએ લઈ જવામાં આવી શકે છે.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/world/news/crime/hardeep-singh-nijjar-murder-case-no-evidence-against-india-in-nijjar-murder-case-canadian-police" target="_blank"> નિજ્જર હત્યા કેસમાં ભારત સામે કોઈ પુરાવા નથી: કેનેડા પોલીસ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/08/r7qYyJVkrFsjzFKhsA3U84jiy5tYTDMehp1tbYqP.webp'/></item><item><title><![CDATA[Patan : રથયાત્રા પૂર્વે ગેરકાયદેસર હથિયારો બનાવતી ફેક્ટરી ઝડપાઈ, 5 દેશી કટ્ટા અને કારતૂસ સાથે 6 ની ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/patan/patan-police-lcb-illegal-weapons-factory-busted-rathyatra-security-arrest</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/patan/patan-police-lcb-illegal-weapons-factory-busted-rathyatra-security-arrest</guid><pubDate>Wed, 08 Jul 2026 13:41:26 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આગામી સમયમાં યોજાનારી પવિત્ર રથયાત્રા પૂર્વે પાટણ પોલીસ અને એલસીબીની ટીમે એક અત્યંત મહત્વપૂર્ણ ઓપરેશન પાર પાડીને મોટી સફળતા મેળવી છે. પાટણ જિલ્લામાં ગેરકાયદેસર રીતે હથિયારો બનાવતી એક આખી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>હથિયાર ઉત્પાદન નેટવર્ક પોલીસના હાથે ઝડપાઈ ગયું&nbsp;</b></h2><p style="text-align: justify; ">રથયાત્રા દરમિયાન શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને વોચ રાખવામાં આવી રહી હતી, જે દરમિયાન આ ગેરકાયદેસર હથિયાર ઉત્પાદન નેટવર્ક પોલીસના હાથે ઝડપાઈ ગયું છે. આ મોટી કાર્યવાહીને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.</p><h3 style="text-align: justify; "><b>દેશી કટ્ટા (તમંચા), 4 જીવતા કારતૂસ મળ્યા</b></h3><p style="text-align: justify; ">પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પાટણ એલસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને ઘટનાસ્થળેથી 5 દેશી કટ્ટા (તમંચા), 4 જીવતા કારતૂસ અને ફેક્ટરીમાં હથિયારો બનાવવા માટે વપરાતો લોખંડનો તમામ કાચો માલ અને સરસામાન જપ્ત કર્યો છે.</p><h4 style="text-align: justify; "><b>6 જેટલા આરોપીઓની સ્થળ પરથી જ ધરપકડ કરી</b></h4><p style="text-align: justify; ">પોલીસે આ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ 6 જેટલા આરોપીઓની સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી છે. જોકે, આ આખી ગેરકાયદે ફેક્ટરી ચલાવતો મુખ્ય સૂત્રધાર સહિત અન્ય બે આરોપીઓ પોલીસ રેડ દરમિયાન નાસી છૂટવામાં સફળ રહ્યા છે, જેમને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.</p><h4 style="text-align: justify; "><b>મુખ્ય આરોપી ફરાર</b></h4><p style="text-align: justify; ">આ કેસની ચોંકાવનારી વિગત એ છે કે, જે મુખ્ય આરોપી હાલ ફરાર છે તે અગાઉ પણ હથિયારો બનાવવાના ગંભીર ગુનામાં પકડાઈ ચૂક્યો છે અને જેલના સળિયા પાછળ જઈ આવ્યો છે. આ સિવાય ફરાર થયેલા બંને ગુનેગારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેમની સામે અલગ-અલગ પોલીસ મથકોમાં અનેક ગુનાઓ નોંધાયેલા છે.</p><h4 style="text-align: justify; "><b>પોલીસ તપાસ શરુ&nbsp;</b></h4><p style="text-align: justify; ">હાલમાં પાટણ પોલીસે પકડાયેલા તમામ 6 આરોપીઓના નામદાર કોર્ટમાંથી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ આ હથિયારો કોને સપ્લાય કરવાના હતા, તેની પાછળ કોઈ મોટું ષડયંત્ર છે કે કેમ અને અત્યાર સુધી ક્યાં-ક્યાં હથિયારો વેચવામાં આવ્યા છે, તે તમામ સપ્લાય ચેઇનની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. રથયાત્રા પૂર્વે આ ઓપરેશન સફળ થતાં પાટણ જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દેવામાં આવી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-gujarat-latest-news-live-and-samachar-08july-2026-politics-weather-updates-daily-breaking-news-" target="_blank"><b>આ પણ વાંચો :&nbsp; &nbsp;Gujarat Latest News Live : સુરતની ભયાવહ સ્થિતી, અનેક વિસ્તારો ડુબી ગયા, જનજીવન અસ્ત વ્યસ્ત</b></a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/08/X5LzLXGHFr9KEEtywoX67luF6rvENrrOPrLtp33h.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026 : ક્વાર્ટર ફાઇનલ મેચ પહેલા ટિકિટના ભાવમાં મોટો ઘટાડો,જાણો શું છે અસલી કારણ ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-big-drop-in-ticket-prices-before-the-quarter-final-match-know-what-is-the-real-reason</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-big-drop-in-ticket-prices-before-the-quarter-final-match-know-what-is-the-real-reason</guid><pubDate>Wed, 08 Jul 2026 13:37:27 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">2026 ફૂટબોલ વર્લ્ડ કપ હવે તેના સૌથી રોમાંચક તબક્કામાં પહોંચી ગયો છે.આ અઠવાડિયે ક્વાર્ટર ફાઇનલ શરૂ થવાની તૈયારીમાં છે,પરંતુ તે પહેલાં ફૂટબોલ ચાહકો માટે એક મોટા સમાચાર છે.ટુર્નામેન્ટની સૌથી મોટી નોકઆઉટ મેચોમાંની એકની ટિકિટ હવે પહેલા કરતા ઘણી સસ્તી થઈ ગઈ છે.મીડિયા રિપોર્ટ અનુસાર સ્પેન અને બેલ્જિયમ વચ્ચે શુક્રવારે રમાનારી ક્વાર્ટર ફાઇનલ મેચની સૌથી સસ્તી ટિકિટમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.અગાઉ,આ મેચની ટિકિટ લગભગ $2,950 સુધી પહોંચી ગઈ હતી,પરંતુ હવે તેમની શરૂઆતની કિંમત લગભગ $1,200 થઈ ગઈ છે.આ લગભગ 60 ટકાનો ઘટાડો થયો છે.</p><h4 style="text-align: justify; "><b>આ કારણે ટિકિટના ભાવમાં ઘટાડો થયો.</b></h4><p style="text-align: justify; ">આ ઘટાડાનું સૌથી મોટું કારણ યુનાઇટેડ સ્ટેટ્સનું ટુર્નામેન્ટમાંથી બહાર થવું માનવામાં આવે છે. તે FIFA વર્લ્ડ કપ 2026નો સહ-યજમાન દેશ છે. યુનાઇટેડ સ્ટેટ્સ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં બેલ્જિયમ દ્વારા 4-1થી જીત સાથે બહાર થઈ ગયું હતું. જો યુનાઇટેડ સ્ટેટ્સ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું હોત, તો ઘરઆંગણાના ચાહકોની માંગને કારણે ટિકિટના ભાવ વધુ વધી શક્યા હોત.</p><h4 style="text-align: justify; "><b>ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની અસર</b></h4><p style="text-align: justify; ">ટિકિટના ભાવમાં ઘટાડો થવાનું બીજું એક મોટું કારણ પોર્ટુગલનું બહાર થવું છે.સ્પેને પોર્ટુગલને 1-0થી હરાવ્યું અને તેમને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધા.આ હારથી દિગ્ગજ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ફિફા વર્લ્ડ કપ કારકિર્દીનો અંત આવ્યો. રોનાલ્ડોને વિશ્વના સૌથી લોકપ્રિય ખેલાડીઓમાંના એક માનવામાં આવે છે, તેથી તેમના બહાર નીકળવાથી ટિકિટની માંગ પર નોંધપાત્ર અસર પડી છે.મેચ પછી,નિરાશ રોનાલ્ડોએ પુષ્ટિ આપી કે આ તેમનો છેલ્લો વર્લ્ડ કપ દેખાવ હતો.</p><h5 style="text-align: justify; "><b>આ મેચની ટિકિટ સૌથી સસ્તી છે.</b></h5><p style="text-align: justify; ">ઘણા નિષ્ણાતો માનતા હતા કે જો યુનાઇટેડ સ્ટેટ્સ અને પોર્ટુગલ ક્વાર્ટર ફાઇનલમાં આમને-સામને થાય છે, તો તે ટુર્નામેન્ટનો સૌથી ચર્ચિત મેચ બની શકે છે. એક તરફ યજમાન રાષ્ટ્ર અને બીજી તરફ રોનાલ્ડો જેવા સુપરસ્ટારની હાજરી ટિકિટના ભાવને રેકોર્ડ સ્તરે પહોંચાડી શકે છે.દરમિયાન ફ્રાન્સ અને મોરોક્કો વચ્ચેની મેચ હાલમાં અન્ય ક્વાર્ટર ફાઇનલમાં સૌથી સસ્તી માનવામાં આવે છે.મીડિયા રિપોર્ટ અનુસાર, આ મેચની ટિકિટ લગભગ $989 માં ઉપલબ્ધ છે.</p><h5 style="text-align: justify; "><b>આ ટીમ વચ્ચે ટક્કર</b></h5><p style="text-align: justify; ">ક્વાર્ટર ફાઇનલ શુક્રવારે ફ્રાન્સ વિરુદ્ધ મોરોક્કો સાથે શરૂ થશે.ત્યારબાદ સ્પેન અને બેલ્જિયમ રમશે.રવિવારે નોર્વે અને ઇંગ્લેન્ડ રમશે.ત્યારબાદ ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના સ્વિટ્ઝર્લૅન્ડનો સામનો કરશે.ચારેય ક્વાર્ટર ફાઇનલ મેચ અલગ-અલગ સ્ટેડિયમમાં રમાશે.આ મેચોના વિજેતાઓ આગામી સપ્તાહના સેમિફાઇનલમાં જશે. આખી દુનિયા હવે આ રોમાંચક મેચો જોઈ રહી છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-8-teams-decided-for-the-quarter-finals-know-the-complete-schedule" target="_blank"> FIFA World Cup 2026 : ક્વાર્ટર ફાઇનલ માટે 8 ટીમ નક્કી,જાણો સંપૂર્ણ શેડ્યુલ</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/08/UuJQWZeo3OPrvfSXe2WnU8bK86TxHiX8xTfWjidr.webp'/></item><item><title><![CDATA[AMTS ડ્રાઈવરનો જીવલેણ સ્ટંટ, દારૂના ચિક્કાર નશામાં એલિસબ્રિજને બદલે બસ રિવરફ્રન્ટમાં ઘુસાડી ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-amts-bus-driver-drunk-accident-ellisbridge-riverfront-divider-crash</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/ahmedabad-amts-bus-driver-drunk-accident-ellisbridge-riverfront-divider-crash</guid><pubDate>Wed, 08 Jul 2026 13:20:17 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરની જીવાદોરી ગણાતી એએમટીએસ બસ સેવાના એક ડ્રાઈવરની ઘોર બેદરકારી અને શરમજનક કરતૂત સામે આવી છે. મોડી રાત્રે દારૂના ચિક્કાર નશામાં ધૂત એક ડ્રાઈવરે મુસાફરો અને જાહેર જનતાનો જીવ જોખમમાં મૂકીને બસ પૂરઝડપે દોડાવી અકસ્માત સર્જ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>બસને રિવરફ્રન્ટના રોડ પર ઘુસાડી દીધી&nbsp;</b></h2><p style="text-align: justify; ">ચોંકાવનારી વાત એ છે કે  નશાની હાલતમાં ભાન ગુમાવી બેસેલા ડ્રાઈવરે બસને એલિસબ્રિજ નીચે રિવરફ્રન્ટના રોડ પર ઘુસાડી દીધી હતી, જ્યાં બસ ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ગંભીર ઘટનાને પગલે AMTS તંત્રની સુરક્ષા અને ડ્રાઈવરોના સ્ક્રીનિંગ સામે મોટા સવાલો ઊભા થયા છે.</p><h2 style="text-align: justify; "><b>ઘટના મોડી રાત્રે અંદાજે 12 વાગ્યાની આસપાસ બની&nbsp;</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, આ ઘટના મોડી રાત્રે અંદાજે 12 વાગ્યાની આસપાસ બની હતી. સાળંગપુરથી આવી રહેલી આ AMTS બસને નિયમ મુજબ એલિસબ્રિજ પર ચઢાવવાની હતી. જોકે, ડ્રાઈવર દારૂના નશામાં એટલો ચૂર હતો કે તેને રસ્તાનું ભાન જ ન રહ્યું અને તેણે બસને બ્રિજની નીચે રિવરફ્રન્ટ તરફ જતા રસ્તે વાળી દીધી હતી. પૂરઝડપે જઈ રહેલી બસે કાબૂ ગુમાવતાં તે એલિસબ્રિજ નીચે ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી.</p><h4 style="text-align: justify; "><b>અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી</b></h4><p style="text-align: justify; ">ધડાકો થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જો બસ રિવરફ્રન્ટની નદીમાં ખાબકી હોત કે કોઈ વાહન સાથે અથડાઈ હોત તો મોટો અનર્થ થઈ શકતો હતો. સ્થાનિકોએ ઘટનાની જાણ કરતાં જ બી-ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.</p><h4 style="text-align: justify; "><b>ડ્રાઇવરને પોતાના રૂટ વિશે પણ કંઈ ખબર નહોતી</b></h4><p style="text-align: justify; ">પોલીસે જ્યારે ડ્રાઈવરની અટકાયત કરીને પૂછપરછ કરી, ત્યારે તેનો નશો એટલો ભારે હતો કે તેને પોતાના રૂટ વિશે પણ કંઈ ખબર નહોતી. પોલીસે અકસ્માત સર્જનાર બસને કબજે કરી છે અને ડ્રાઈવર સામે ગુનો નોંધી મેડિકલ ટેસ્ટ સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, આ ઘટના બાદ જનતા પૂછી રહી છે કે આવા નશાખોર ડ્રાઈવરોના ભરોસે મુસાફરોના જીવ કેમ છોડી દેવાય છે?&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો-----&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-gujarat-latest-news-live-and-samachar-08july-2026-politics-weather-updates-daily-breaking-news-#google_vignette" target="_blank"><b>&nbsp;Gujarat Latest News Live : સુરતની ભયાવહ સ્થિતી, અનેક વિસ્તારો ડુબી ગયા, જનજીવન અસ્ત વ્યસ્ત</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/08/GfuOHU13Nrodr60hY3DL6KPV2WkxWA5aCaaqBnLD.webp'/></item><item><title><![CDATA[ભારતમાં Petrol-Diesel થઇ શકે છે સસ્તું, શું અમેરિકાના આ નિર્ણયથી ભારતને થશે ફાયદો? ]]></title><link>https://sandesh.com/india/news/world/us-iran-tensions-impact-on-india-petrol-diesel-prices</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/world/us-iran-tensions-impact-on-india-petrol-diesel-prices</guid><pubDate>Wed, 08 Jul 2026 12:56:02 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મધ્ય-પૂર્વમાં વધતા જતા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટમાં ટેન્કરો પર થયેલા હુમલાઓને પગલે યુએસ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે. આ પરિસ્થિતિમાં અમેરિકાએ ઈરાન પર ફરી એકવાર કડક તેલ પ્રતિબંધો લાદી દીધા છે, જેની સીધી અસર ભારતની ઊર્જા આયાત યોજનાઓ પર પડી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>પરિસ્થિતિ શું છે?</b></h2><p style="text-align: justify; ">અગાઉ યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે ઈરાનને 'જનરલ લાઇસન્સ' હેઠળ 21 ઓગસ્ટ સુધી વિશ્વમાં તેલ વેચવાની મર્યાદિત છૂટ આપી હતી. ભારત માટે આ એક સુવર્ણ તક હતી, કારણ કે ભારતીય રિફાઇનરીઓ લાંબા સમયથી ઈરાન પાસેથી સસ્તા ક્રૂડ ઓઈલની આયાત ફરી શરૂ કરવા માટે વાટાઘાટો કરી રહી હતી. જોકે, હોર્મુઝ સ્ટ્રેટમાં વાણિજ્યિક ટેન્કરો પર થયેલા હુમલા અને તેના જવાબમાં અમેરિકાની સૈન્ય કાર્યવાહી બાદ, આ મંજૂરી તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>ભારત માટે પડકારો અને રાહત</b></h3><p style="text-align: justify; ">ભારતીય સરકારી રિફાઇનરીઓએ ઓગસ્ટ સુધીના શિપમેન્ટ માટે તૈયારીઓ કરી રાખી હતી અને વેપારીઓ સાથે ગંભીર ચર્ચાઓ ચાલી રહી હતી. અમેરિકાના આ નવા આદેશથી ભારતની આ યોજનાઓ હાલ પૂરતી ખોરવાઈ ગઈ છે. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે કંપનીઓને તેમના ચાલુ નાણાકીય વ્યવહારો પૂર્ણ કરવા માટે 17 જુલાઈ, 2026 સુધીનો સમય આપ્યો છે. ત્યારબાદ ઈરાની બંદરો પરથી કોઈ પણ ક્રૂડ ઓઈલની લોડિંગ શક્ય નહીં બને.</p><h4 style="text-align: justify; "><b>ઇરાન સાથે કોઇ મોટી ચુકવણી કે સોદા નથી કર્યા</b></h4><p style="text-align: justify; ">જોકે, રાહતની વાત એ છે કે ભારતે હજુ સુધી ઈરાન સાથે કોઈ મોટી ચુકવણી કે કાયમી સોદા કર્યા નહોતા. જો મોટા પાયે સોદા થઈ ગયા હોત તો ભારતને આર્થિક રીતે મોટું નુકસાન વેઠવું પડત. હાલમાં, ભારત પાસે ઈરાનથી ક્રૂડ ઓઈલ આયાત કરવાની તક હવે બંધ થઈ ગઈ છે, જેના કારણે વૈશ્વિક બજારમાં તેલના ભાવ અને પુરવઠાને લઈને ભારતની વ્યૂહરચના ફરીથી તપાસવી પડશે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/world/news/brazil-buffalo-police-marajo-island-patrolling" target="_blank">આ પણ વાંચોઃ ચોરને પકડવા આ દેશમાં ખુદ ફરે છે યમરાજ, જોઇ લો VIDEO</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/08/FiLhCVClKd1hL2W1WGqJD5HC9q6i5QFRjLIFqHQB.webp'/></item><item><title><![CDATA[Monsoon 2026: સુરતમાં ખાડીપૂર વચ્ચે કુમાર કાનાણીનો તંત્ર પર મોટો પ્રહાર, " કોર્પોરેશનના અધિકારીઓના પાપે જનતા હેરાન " ]]></title><link>https://sandesh.com/weather/news/gujarat/surat/monsoon-2026-surat-khadi-flood-mla-kumar-kanani-slams-smc-officials-illegal-encroachment</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/news/gujarat/surat/monsoon-2026-surat-khadi-flood-mla-kumar-kanani-slams-smc-officials-illegal-encroachment</guid><pubDate>Wed, 08 Jul 2026 12:23:51 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારે વરસાદને પગલે સુરત શહેરમાં સર્જાયેલી ખાડીપૂરની સ્થિતિ હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં ખાડીના પાણી ફરી વળતાં હજારો નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે. આ જળસંકટ વચ્ચે સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ  સુરત મહાનગરપાલિકા ના તંત્ર અને અધિકારીઓ સામે મોરચો ખોલી દીધો છે. કાનાણીએ આકરા શબ્દોમાં આક્ષેપ કર્યો છે કે, સુરતમાં ખાડીપૂરની જે વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે, તે કુદરતી આફત કરતાં વધુ તંત્રના પાપ અને નિષ્ક્રિયતાનું પરિણામ છે.</p><h2 style="text-align: justify; "><b>ગ્રાઉન્ડ ઝીરો પર કોઈ કામગીરી જોવા મળતી નથી</b></h2><p style="text-align: justify; ">ધારાસભ્ય કુમાર કાનાણીએ મીડિયા સમક્ષ મનપાની કામગીરીની પોલ ખોલતા જણાવ્યું હતું કે, સુરત પાલિકાના અધિકારીઓ માત્ર કાગળ પર જ મોટા-મોટા પ્લાન બનાવે છે, પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર કોઈ કામગીરી જોવા મળતી નથી. આયોજન વગર કામ કરવાના કારણે દર વર્ષે જનતાએ ભોગવવું પડે છે.</p><p style="text-align: justify; "><img alt="Surat Khadi Flood: MLA Kumar Kanani Slams SMC, Says Corporation Plans Only On Paper" src="https://epapercdn.sandesh.com/images/2026/07/08/xycvytPhZt3ZMAK7Z2vhyPmssUx3ddu3psbOvb7Y.webp"><br></p><h3 style="text-align: justify; "><b>ગેરકાયદેસર દબાણો હટાવવા તંત્ર નિષ્ફળ</b></h3><p style="text-align: justify; ">તેમણે વધુમાં જણાવ્યું કે, ખાડીની આજુબાજુ મોટાપાયે ગેરકાયદેસર દબાણો થઈ ગયા છે, જેને હટાવવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે. આ દબાણોના કારણે જ ખાડીઓ ઓવરફ્લો થાય છે અને પૂરના પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જાય છે.</p><h4 style="text-align: justify; "><b>મનપાનું તંત્ર ક્યાંય દેખાતું નથી</b></h4><p style="text-align: justify; ">પાલિકાના વલણ સામે નારાજગી વ્યક્ત કરતા કાનાણીએ ઉમેર્યું કે, જ્યારે જનતા મુશ્કેલીમાં હોય છે ત્યારે મનપાનું તંત્ર ક્યાંય દેખાતું નથી. ગઈકાલે પણ પૂરના પાણીમાં ફસાયેલા લોકોની મદદે મનપાના કોઈ અધિકારી નહોતા આવ્યા, પરંતુ અમારા સ્થાનિક કાર્યકરો અને જનતાએ સાથે મળીને લોકોને રેસ્ક્યુ કર્યા હતા અને ભોજનની વ્યવસ્થા કરી હતી.</p><h4 style="text-align: justify; "><b>પ્રી-મોન્સૂન કામગીરીને લઈને સવાલો&nbsp;</b></h4><p style="text-align: justify; ">ધારાસભ્યના આ આકરા પ્રહારોથી સુરત મનપાના વહીવટી તંત્રમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. જનતામાં પણ તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીને લઈને સવાલો ઉઠી રહ્યા છે. એકતરફ લોકો પૂરથી પરેશાન છે, ત્યારે બીજી તરફ સત્તાધારી પક્ષના જ ધારાસભ્યના આ નિવેદને સુરતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-gujarat-latest-news-live-and-samachar-08july-2026-politics-weather-updates-daily-breaking-news-" target="_blank"><b> &nbsp;Gujarat Latest News Live : સુરત શહેરમાં ખાડી પૂરથી ગંભીર સ્થિતિ, ડ્રોન કેમેરામાં પૂરના આકાશી દ્રશ્યો કેદ</b></a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/08/yiLg8eXQrdZtnYov5Ft1V2ynRsYPrWc9xk52G28A.webp'/></item><item><title><![CDATA[વાંચો સવારે 08થી બપોરે 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/read-important-news-from-08-am-to-12-pm-08-july-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/read-important-news-from-08-am-to-12-pm-08-july-2026</guid><pubDate>Wed, 08 Jul 2026 11:56:29 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર&nbsp; &nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/weather/news/gujarat/surat/monsoon-2026surat-flood--in-charge-shalini-agarwal-and-police-commissioner-inspect-affected-areas-in-ndrf-boat" target="_blank">1. Monsoon 2026: સુરતમાં પૂરની ભયાવહ સ્થિતિ,શાલિની અગ્રવાલ અને પોલીસ કમિશનર બોટમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/cricket/news/which-players-slogans-were-raised-against-gautam-gambhir-fans-anger-reached-seventh-heaven-after-the-defeat" target="_blank">2. Gautam Gambhir સામે કયા ખેલાડીના નારા લાગ્યા? હાર બાદ ફેન્સનો ગુસ્સો સાતમા આસમાને</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/ram-mandir-case-closed-door-meeting-with-champataray-krishna-mohan-takes-charge-of-ram-temple-management" target="_blank">3. Ram Mandir Case: બંધ બારણે ચંપતરાય સાથે મુલાકાત, કૃષ્ણ મોહને રામ મંદિર વ્યવસ્થાપનની સંભાળી જવાબદારી</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/world/breakingnews/pm-modi-reaches-1000-year-old-prambanan-temple-in-indonesia" target="_blank">4. PM Modi 1000 વર્ષ જૂના પ્રમ્બાનન મંદિરે પહોંચ્યા, કહ્યુ ઇન્ડોનેશિયાની હવામાં સંસ્કૃતિની ખૂશ્બૂ</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/jammu-kashmir-top-lashkar-terrorist-zakir-gana-killed-in-encounter-in-shopian" target="_blank">5. Jammu Kashmir: લશ્કરનો ટોપ આતંકી જાકીર ગનઇ ઠાર, શોપિયાંમાં એન્કાઉન્ટર</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/world/news/us-italy-ice-melts-in-trump-meloni-relationship-claims-of-cordial-relations-despite-differences" target="_blank">6. US Italy: ટ્રમ્પ અને મેલોનીના સંબંધોનો 'બરફ' ઓગળ્યો, મતભેદ વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધોનો દાવો</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/weather/news/gujarat/valsad/monsoon-2026-valsad-heavy-rain-tan-river-flooded-dharampur-bridge-submerged-roads-closed" target="_blank">7. Monsoon 2026: વલસાડમાં ઉપરવાસના ભારે વરસાદથી નદીઓ ગાંડીતૂર, જિલ્લાના 113 રસ્તાઓ બંધ</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/entertainment/news/deepika-padukone-baby-bump-deepika-padukones-stylish-look-during-pregnancy-dance-video-with-baby-bump-created-a-stir" target="_blank">8. Deepika Padukone Baby Bump: બીજી પ્રેગ્નન્સીમાં દીપિકા પાદુકોણનો સ્ટાઇલિશ અંદાજ, બેબી બમ્પ સાથે 'મસ્તાનીનો' ડાન્સ</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/world/news/pakistani-cargo-plane-missing-pakistani-cargo-plane-going-from-sharjah-to-karachi-missing" target="_blank">9. Pakistani Cargo Plane Missing : શારજાહથી કરાચી જઈ રહેલું પાકિસ્તાની કાર્ગો વિમાન ગુમ</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/business/news/stock-market-opening-sensex-falls-55993-points-stock-market-declines-due-to-us-iran-tensions" target="_blank">10. Stock Market Opening: સેન્સેક્સ 559.93 પોઇન્ટ તૂટ્યો, US-IRAN તણાવની અસરથી શેરબજારમાં ઘટાડો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/08/kuXE1Q2i9PF5ga3QzgKV6ilg8GwTP15ICUh4JqBA.webp'/></item></channel></rss>