<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Yeh Rishta Kya Kehlataનો નવો ટ્રેક જોઈ મેકર્સ પર ભડક્યા ફેન્સ, સોશિયલ મીડિયા પર ઓફ-એર કરવાની ઉઠી માગ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/yeh-rishta-kya-kehlata-hai-fans-angry-on-new-track-reports-of-show-going-off-air</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/yeh-rishta-kya-kehlata-hai-fans-angry-on-new-track-reports-of-show-going-off-air</guid><pubDate>Sat, 06 Jun 2026 16:15:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ટીવીની પોપ્યુલર સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈને લઈને એક નવા સમાચાર સામે આવ્યા છે. જ્યાં શોની સ્ટોરી સ્લો અને અલગ વળાંક પર જતી દેખાઈ રહી છે, ત્યાં જ શો બંધ થવાની ચર્ચા પણ શરૂ થઈ ચૂકી છે. ફેન્સ શોનો નવો ટ્રેક જોઈને મેકર્સ પર ભડકી રહ્યા છે અને તેમની આલોચના કરી રહ્યા છે.
</p><h2 style="text-align: justify; "><b>અભીરાની જિંદગીમાં આવી નવી મુશ્કેલી
</b></h2><p style="text-align: justify; ">શોમાં અત્યાર સુધી તમે જોયું કે માયરાનો પ્રેમ મેળવવા માટે અભીરા મહેનત કરે છે. પરંતુ હવે સ્ટોરી પલટાતી જોવા મળે છે. શોનો ટ્રેક અને ફોકસ અરમાન પર ચાલ્યો ગયો છે. તેને બ્રેન ટ્યુમર થઈ ગયું છે અને તેની યાદશક્તિ પણ જવાની છે. આ સમાચાર સાંભળતા જ અભીરાની જિંદગીમાં નવી મુશ્કેલી ઊભી થઈ જાય છે અને તે અરમાનને બધું યાદ અપાવવાની કોશિશ કરે છે. પોતાના સુહાગને બચાવવા માટે તે દરેક લડાઈ લડવા માટે તૈયાર થઈ જાય છે.
</p><h3 style="text-align: justify; "><b>ફેન્સનો ફૂટ્યો ગુસ્સો
</b></h3><p style="text-align: justify; ">બોલીવુડ હંગામા અનુસાર, લેટેસ્ટ એપિસોડમાં અભીરા અને અરમાન એકબીજાને ગળે લગાવીને રડતા જોવા મળે છે, જે જોઈને ફેન્સ પણ ઇમોશનલ થઈ રહ્યા છે. આ દરમિયાન ફેન્સનો ગુસ્સો પણ વધી જાય છે અને તેઓ કહેવા લાગે છે કે જો અભીરા અને અરમાન સાથે નથી થઈ શકતા, તો શોને જ બંધ કરી દો. જો શોનો ટ્રેક આવો જ બતાવવામાં આવશે, તો અમે પણ શો જોવાનું બંધ કરી દઈશું.
<br><h4><b>TRP બચાવવા આવશે લીપ</b></h4></p><p style="text-align: justify; ">પરંતુ જો દર્શકો શો જ નહીં જુએ, તો આની TRP ગબડી જશે. આ દરમિયાન સાંભળવામાં એવું પણ આવી રહ્યું છે કે રાજન શાહી શોમાં લીપ લાવી શકે છે. જો કે શોમાં આગળ જોવું રસપ્રદ રહેશે કે અભીરા અને અરમાન આમાંથી બહાર કેવી રીતે આવે છે. અભીરાની જિંદગીમાં આવેલું નવું તોફાન તેની જિંદગી માટે એક નવો પડકાર છે.
</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gallery/news/entertainment/bollywood-actresses-who-spent-nights-in-jail-rhea-chakraborty" target="_blank">આ પણ વાંચો-ગ્લેમરથી લઈને જેલના સળિયા પાછળ સુધી... કાયદાના સકંજામાં ફસાઈ ચૂકી છે બોલીવુડની આ ટોપ એક્ટ્રેસીસ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/BzwIX3nleLSJTLrw33OhcwnCvhcxfReWeH6u7RI2.webp'/></item><item><title><![CDATA[R Praggnanandhaaએ ચેસની દુનિયામાં રચ્યો ઈતિહાસ, નોર્વે ચેસ જીતનાર પ્રથમ ભારતીય બન્યો ]]></title><link>https://sandesh.com/sports/news/r-praggnanandhaa-wins-norway-chess-first-indian-champion</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/r-praggnanandhaa-wins-norway-chess-first-indian-champion</guid><pubDate>Sat, 06 Jun 2026 16:04:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનાનંદાએ પ્રતિષ્ઠિત નોર્વે ચેસ ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તેને અંતિમ રાઉન્ડમાં જર્મનીના વિન્સેન્ટ કીમરને હરાવીને આ સિદ્ધિ મેળવી અને આ ટાઈટલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો.
</p><p style="text-align: justify; ">ચેન્નાઈના 20 વર્ષના યુવાન ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનાનંદાએ આ ટાઈટલ જીતીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ટુર્નામેન્ટના છેલ્લા દિવસે તે 15 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને હતો, પરંતુ અંતિમ અને નિર્ણાયક મેચમાં તેને ક્લાસિકલ રાઉન્ડ જીતીને સંપૂર્ણ 3 પોઈન્ટ મેળવ્યા. આ સાથે તેને કુલ 18 પોઈન્ટ સાથે ચેમ્પિયનશિપ ટ્રોફી જીતી.
</p><h2 style="text-align: justify; "><b>PM મોદીએ પ્રજ્ઞાનાનંદાને અભિનંદન આપ્યા
</b></h2><p style="text-align: justify; ">નોર્વે ચેસ ચેમ્પિયનશિપ જીત્યા બાદ પીએમ મોદીએ પ્રજ્ઞાનાનંદાને અભિનંદન પણ આપ્યા. તેમને લખ્યું છે કે "આ નોંધપાત્ર સિદ્ધિ બદલ પ્રજ્ઞાનાનંદાને અભિનંદન! આ ખરેખર એક જબરદસ્ત સિદ્ધિ છે જે તેમના સતત કાર્યને પ્રતિબિંબિત કરે છે. ભવિષ્યની મેચો માટે મારી તેમને શુભેચ્છાઓ."</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/narendramodi/status/2063172045777862885"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p style="text-align: justify; ">
</p><h3 style="text-align: justify; "><b>પ્રજ્ઞાનાનંદાએ ટુર્નામેન્ટના બીજા રાઉન્ડમાં શાનદાર વાપસી કરી
</b></h3><p style="text-align: justify; ">બીજી વખત નોર્વે ચેસમાં ભાગ લેનારા પ્રજ્ઞાનાનંદાની ટુર્નામેન્ટની શરૂઆત ધીમી રહી હતી પરંતુ સ્પર્ધાના બીજા ભાગમાં તેને નોંધપાત્ર વાપસી કરી. તેમની યાત્રાનો તાજ ત્યારે આવ્યો જ્યારે તેમને ક્લાસિકલ ચેસમાં વિશ્વના નંબર 1 અને 7 વખતના નોર્વે ચેસ ચેમ્પિયન મેગ્નસ કાર્લસનને 2 વાર હરાવ્યો. ઉમેદવારો ટુર્નામેન્ટમાં ખરાબ પ્રદર્શન પછી તેનું કમબેક પ્રશંસનીય છે.
</p><p style="text-align: justify; ">ફાઈનલ રાઉન્ડ શરૂ થાય તે પહેલાં અમેરિકન વેસ્લી સો 15.5 પોઈન્ટ સાથે ટાઈટલ રેસમાં આગળ હતો. પરંતુ અલીરેઝા ફિરોઝા સામેનો તેમનો અંતિમ ક્લાસિક ડ્રોમાં સમાપ્ત થયો, જેના કારણે મેચ આર્માગેડન ટાઈબ્રેકરમાં ગઈ. આ મેચે પ્રજ્ઞાનાનંદા માટે માર્ગ મોકળો કર્યો, જે જાણતો હતા કે વિન્સેન્ટ કીમર સામેનો ક્લાસિક જીતવાથી તેઓ ટોપનું સ્થાન મેળવી શકશે.
</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/ipl-2026/vaibhav-sooryavanshi-ipl-2026-awards-orange-cap-mvp" target="_blank">Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા</a></b></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/Mme6sxgB8I1MGW696caGcArbAvNmnweNJ3zFD3En.webp'/></item><item><title><![CDATA[2026માં અત્યાર સુધીમાં અમેરિકાએ કેટલા ભારતીયોને કર્યા ડિપોર્ટ? વિદેશ મંત્રાલયે આપી જાણકારી ]]></title><link>https://sandesh.com/india/news/world/us-deports-1076-indians-in-2026-mea-update-illegal-immigration</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/world/us-deports-1076-indians-in-2026-mea-update-illegal-immigration</guid><pubDate>Sat, 06 Jun 2026 15:55:53 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતના વિદેશ મંત્રાલય (MEA)એ જણાવ્યું છે કે આ વર્ષે અત્યાર સુધી અમેરિકાથી કુલ 1,076 ભારતીય નાગરિકોને ભારત પરત મોકલવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે 5 જૂને આ અંગે માહિતી આપતાં જણાવ્યું કે વર્ષ 2025 દરમિયાન અમેરિકાથી કુલ 3,567 ભારતીયોને પરત મોકલવામાં આવ્યા હતા.</p><h2><b>અમેરિકાની ગેરકાયદે ઈમિગ્રેશન સામે કડક કાર્યવાહી
</b></h2><p>વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારત અને અમેરિકા બંને દેશો ગેરકાયદે ઈમિગ્રેશન સામે કડક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છે. હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસન દ્વારા અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા ઈમિગ્રન્ટ્સ વિરુદ્ધ વ્યાપક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આવા લોકોને તેમના મૂળ દેશમાં પરત મોકલવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ ભારતીય નાગરિક વિદેશમાં ગેરકાયદે રીતે રહેતો હોય તો તેની નાગરિકતાની પુષ્ટિ થયા બાદ તેને પરત સ્વીકારવાની જવાબદારી સંબંધિત દેશ સાથે સંકલન કરીને નિભાવવામાં આવે છે. જોકે, વ્યક્તિ ભારતીય નાગરિક છે તેની સત્તાવાર પુષ્ટિ જરૂરી ગણવામાં આવે છે.
</p><h3><b>આ માત્ર ભારતની નીતિ નથી પણ આંતરરાષ્ટ્રીય સિદ્ધાંત છે 
</b></h3><p>વિદેશ મંત્રાલયે અગાઉ સંસદમાં પણ જણાવ્યું હતું કે આ માત્ર ભારતની નીતિ નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સ્વીકારવામાં આવેલ સામાન્ય સિદ્ધાંત છે. સરકાર એવા લોકોની ઓળખ અને વતન વાપસી માટે અમેરિકા સાથે સતત સહયોગ કરી રહી છે, જેઓ ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશ્યા હતા, જેમના વિઝા સમાપ્ત થઈ ગયા હતા અથવા જે જરૂરી દસ્તાવેજો વગર ત્યાં રહેતા હતા.
</p><p>મંત્રાલયના જણાવ્યા અનુસાર, અમેરિકાની તરફથી મોકલવામાં આવેલી યાદીની ભારતીય એજન્સીઓ દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવે છે. માત્ર તે જ લોકોને ભારત પરત લાવવામાં આવે છે જેમની ભારતીય નાગરિકતા સત્તાવાર રીતે પ્રમાણિત થાય છે. આ પ્રક્રિયા પારદર્શક અને નિયમબદ્ધ રીતે હાથ ધરવામાં આવે છે.<br><br><a href="https://sandesh.com/india/news/pm-modi-economic-advisory-council-meeting-growth-strategy-global-uncertainty" target="_blank">આ પણ વાંચો : PM Modiએ આર્થિક સલાહકાર પરિષદ બેઠક યોજી, વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે વ્યૂહરચના પર મંથન</a><b></b></p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/wBGTmhlgy5s3R3QnnceQd0qhJHRXMaQmZX1VBwST.webp'/></item><item><title><![CDATA[PM Modiએ આર્થિક સલાહકાર પરિષદ બેઠક યોજી, વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે વ્યૂહરચના પર મંથન ]]></title><link>https://sandesh.com/india/news/pm-modi-economic-advisory-council-meeting-growth-strategy-global-uncertainty</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/pm-modi-economic-advisory-council-meeting-growth-strategy-global-uncertainty</guid><pubDate>Sat, 06 Jun 2026 15:25:23 +05:30</pubDate><description><![CDATA[<p>વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્થિક સલાહકાર પરિષદ (EAC)ના સભ્યો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી. બેઠક દરમિયાન દેશના આર્થિક વિકાસને વધુ ગતિ આપવા માટે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. વૈશ્વિક સ્તરે સર્જાઈ રહેલી આર્થિક અને ભૂરાજકીય ઉથલપાથલ વચ્ચે ભારતની વિકાસયાત્રાને મજબૂત બનાવવા માટે જરૂરી વ્યૂહરચનાઓ પર મંથન કરવામાં આવ્યું.</p><h2><b>નીતિગત સુધારાઓ અંગે વિચારવિમર્શ થયો
</b></h2><p>બેઠકમાં ભારતની અર્થવ્યવસ્થાને વધુ સશક્ત બનાવવા માટેના સંભવિત પગલાંઓ અને નીતિગત સુધારાઓ અંગે વિચારવિમર્શ થયો હતો. ખાસ કરીને સામાન્ય નાગરિકોના જીવનને વધુ સરળ બનાવવા માટે 'ઈઝ ઓફ લિવિંગ' સંબંધિત સુધારાઓ અને વેપાર-ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે 'ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ' ક્ષેત્રે અમલમાં મૂકી શકાય તેવા નવા સુધારાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
</p><h3><b>ભારતની સ્થિતિ વધુ મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા
</b></h3><p>આર્થિક સલાહકાર પરિષદના સભ્યોએ વિવિધ ક્ષેત્રોમાં વિકાસને વેગ આપવા માટે પોતાના સૂચનો અને ભલામણો રજૂ કર્યા હતા. બેઠક દરમિયાન ટેકનોલોજી, રોકાણ, ઉત્પાદન, રોજગાર સર્જન તેમજ વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં ભારતની સ્થિતિ વધુ મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા થઈ હતી. આ ઉપરાંત પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની ભારત અને વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પડી રહેલી અસરનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. સભ્યોએ ઊર્જા સુરક્ષા, વેપાર માર્ગો, વૈશ્વિક સપ્લાય ચેઈન અને આંતરરાષ્ટ્રીય બજારો પર સંઘર્ષના સંભવિત પ્રભાવ અંગે પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા હતા. 
</p><p>ભારતના હિતોને સુરક્ષિત રાખવા અને વૈશ્વિક પડકારોનો અસરકારક સામનો કરવા માટે જરૂરી પગલાંઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ઉદ્ભવેલા વિચારો અને સૂચનો ભારતના દીર્ઘકાલીન આર્થિક વિકાસને વધુ મજબૂત બનાવવા તેમજ વૈશ્વિક પડકારો વચ્ચે દેશને નવી તકોનો લાભ અપાવવામાં મદદરૂપ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
<br><br><b><a href="https://sandesh.com/lifestyle/news/knowledge/lpg-gas-cylinder-hack-if-your-gas-cylinder-is-emptying-quickly-be-careful-check-for-leakage-in-just-5-minutes" target="_blank">આ પણ વાંચો : LPG Gas Cylinder Hack: તમારો ગેસ સિલિન્ડર ઝડપથી ખાલી થઈ જતો હોય તો સાવધાન, માત્ર 5 મિનિટમાં લીકેજ ચેક કરો</a></b></p><p><br></p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/bdHWl00kh9bA281nCLCyIfBuiiZQS6cftRiw3lIx.webp'/></item><item><title><![CDATA[વાંચો બપોરે 12થી 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/read-important-news-from-12-pm-to-03-pm-06-june-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/read-important-news-from-12-pm-to-03-pm-06-june-2026</guid><pubDate>Sat, 06 Jun 2026 14:55:13 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/world/news/justice-surya-kant-london-event-disruption-indian-high-commission-protests-security-lapse" target="_blank">1. Londonમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંતના કાર્યક્રમમાં જોરદાર હંગામો, ભારતીય હાઈકમિશને વ્યક્ત કર્યો ભારે રોષ</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/gujarat-monsoon-2026-forecast-june-15-rain-alert-imd" target="_blank">2. Weather : ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રીની તારીખ જાહેર: 15 જૂન બાદ ધમાકેદાર ચોમાસું બેસશે</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/cricket/news/team-india-selection-team-india-announced-for-ireland-england-tour-shreyas-iyer-becomes-captain" target="_blank">3. Team India Selection : આયર્લેન્ડ-ઇંગ્લેન્ડના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર,શ્રેયસ ઐયર કેપ્ટન બન્યા</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/himachal-earthquake-three-major-earthquake-tremors-damage-to-many-houses-roof-of-hospital-collapses-in-palampur" target="_blank">4. Himachal Earthquake: ત્રણ મોટા ભૂકંપના આંચકા,અનેક ઘરોને નુકસાન,પાલમપુરમાં હોસ્પિટલની છત ધરાશાયી</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/gandhinagar/gandhinagar-randheja-maganji-thakor-murder-case-pethapur-police-arrest-3-lalji-thakor" target="_blank">5. Gandhinagar : રાંધેજા મર્ડર કેસમાં મોટો ખુલાસો, મહિલા સાથે આડો સંબંધ રાખવા આરોપીએ કરી હતી પતિની હત્યા</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/entertainment/news/neha-kakad-who-earns-only-500-rupees-while-her-father-sells-samosas-becomes-a-rockstar-under-the-watchful-eye-of-her-mother-know-the-story-of-the-bollywood-singers-struggle" target="_blank">6. Happy Birthday Neha Kakkar: માતાના જાગરતામાં ફક્ત 500 કમાતી નેહા ક્કકર બની રોકસ્ટાર, જાણો સંઘર્ષની કહાની</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/kalol/gandhinagar-kalol-jethlaj-village-love-jihad-sheikh-jakwan-imran-satej-police" target="_blank">7. Gandhinagar: કલોલમાં 'લવ જેહાદ', વિધર્મી યુવક હિન્દુ દીકરીને ભગાડી જતાં રોષે ભરાયેલા ગ્રામજનો સાતેજ પોલીસ સ્ટેશને ઉમટ્યા</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/valsad/valsad-pardi-palsana-village-acid-attack-on-stray-animals-cruelty" target="_blank">8. Valsad : પલસાણામાં અબોલ પશુઓ પર નરાધમોનો એસિડ એટેક, પીઠ-પેટની ચામડી ઉખડી જતાં પશુઓ લોહીલુહાણ</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bhuj/kutch-bhuj-gk-general-hospital-head-clerk-balbhadra-jadeja-crores-scam" target="_blank">9. Bhuj : જી.કે. જનરલ હોસ્પિટલમાં હેડ ક્લાર્કની 'લીલા', ખોટા ખાતા ખોલાવી 1.76 કરોડ સરકારી નાણાં સ્વાહા</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gallery/news/india/you-will-be-shocked-to-know-the-educational-qualifications-of-the-famous-teacher-khan-sir-who-was-involved-in-the-patna-firing-controversy" target="_blank">10. પટના ફાયરિંગ વિવાદથી વધુ ફેમસ થનાર શિક્ષક 'ખાન સર'ની શૈક્ષણિક લાયકાત જાણીને ચોંકી જશો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/S0FvpysnM4VKKsYvnGqpYqY1tCFucBXFddv2qZMq.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: પતિની અટકાયતથી રોષે ભરાયેલી મહિલાએ ફિનાઈલ પીધું, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/motera-demolition-tension-woman-drinks-phenyl-after-husbands-detention-in-ahmedabad</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/motera-demolition-tension-woman-drinks-phenyl-after-husbands-detention-in-ahmedabad</guid><pubDate>Sat, 06 Jun 2026 13:56:36 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા જુના ગામતળમાં ગેરકાયદે મકાનો પર મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હાથ ધરવામાં આવેલા બુલડોઝર એક્શન દરમિયાન એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. તંત્રની આ કામગીરીનો સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો હતો, તે દરમિયાન પોલીસ અને કાયદાકીય કાર્યવાહીથી નારાજ થઈને એક સ્થાનિક મહિલાએ ઝેરી ફિનાઈલ ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે ડિમોલિશન સાઇટ પર ભારે અફરાતફરી અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો હતો.</p><h2><b>મહિલાએ ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો</b></h2><p>મળતી માહિતી મુજબ, મોટેરા ગામતળમાં વર્ષો જૂના બાંધકામો અને સાધકોના મકાનો તોડવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે સ્થાનિક પરિવારો તંત્ર સામે આક્રોશ ઠાલવી રહ્યા હતા. વહીવટી કામગીરીમાં અવરોધ ઊભો થતો અટકાવવા માટે પોલીસે વિરોધ કરી રહેલા કેટલાક પુરુષોની અટકાયત કરી હતી. આ દરમિયાન એક સ્થાનિક વ્યક્તિની પોલીસે ધરપકડ કરતાં તેની પત્ની આઘાતમાં સરી પડી હતી. પતિની અટકાયતથી રોષે ભરાયેલી અને ઘર તૂટવાના ડરથી વ્યાકુળ બનેલી નીતા નામની આ મહિલાએ તુરંત જ ત્યાં પડેલું ફિનાઈલ પી લીધું હતું.</p><h3><b>પતિની અટકાયત થતા આ પગલું ભર્યું</b></h3><p>મહિલાએ ફિનાઈલ પીતા જ તેની તબિયત લથડી હતી અને તે ઢળી પડી હતી. ત્યાં હાજર પોલીસકર્મીઓ અને અન્ય સ્થાનિક લોકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નીતાબેનને સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તબીબો દ્વારા તેમની કટોકટીની સારવાર શરૂ કરવામાં આવી છે. અગાઉ પણ સ્થાનિકોએ તંત્રને આત્મવિલોપનની ચીમકી આપી હતી, અને આજે આ ઘટના ઘટતાં મોટેરા પંથકમાં ભારે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. હાલમાં ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની બાકીની પ્રક્રિયા પર નજર રાખવામાં આવી રહી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/weather/gandhinagar/ambalal-patel-rain-forecast-severe-heatwave-before-monsoon-gujarat-entry-date-announced" target="_blank">આ પણ વાંચો: Gandhinagar: ચોમાસા પહેલા ગુજરાતમાં પડશે આકરી ગરમી, જાણો જૂનની કઈ તારીખથી ધમાકેદાર વરસાદની થશે એન્ટ્રી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/Qq1tgGL7c7QlcmH3yOsMwiqiZlgZUnXxIxW8829D.webp'/></item><item><title><![CDATA[Weather : ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રીની તારીખ જાહેર: 15 જૂન બાદ ધમાકેદાર ચોમાસું બેસશે ]]></title><link>https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/gujarat-monsoon-2026-forecast-june-15-rain-alert-imd</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/gujarat-monsoon-2026-forecast-june-15-rain-alert-imd</guid><pubDate>Sat, 06 Jun 2026 13:44:29 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વાવેતરની રાહ જોઈને બેઠેલા ગુજરાતના ખેડૂતો અને કાળઝાળ ગરમીથી તોબા પોકારી ઉઠેલા નાગરિકો માટે હવામાન વિભાગ તરફથી ચોમાસાને લઈને સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં વિધિવત રીતે ચોમાસું ક્યારે બેસશે તેની સત્તાવાર જાહેરાત હવામાન વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>15 જૂન બાદ ચોમાસુ શરુ થશે
</b></h2><p style="text-align: justify; ">હવામાન વિભાગની નવીનતમ આગાહી અનુસાર, ગુજરાતમાં આગામી 15 જૂન બાદ ગમે ત્યારે સત્તાવાર ચોમાસાનો પ્રારંભ થઈ જશે. જો કે, ચોમાસું બેસે તે પહેલાં જ રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જોરદાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
</p><h3 style="text-align: justify; "><b>હાલ બે સિસ્ટમ સક્રિય 
</b></h3><p style="text-align: justify; ">હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં અરબી સમુદ્ર અને તેની આસપાસ એકસાથે બે શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થઈ છે. આ ડબલ સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી 3 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે. આ સિસ્ટમની સૌથી વધુ અને વ્યાપક અસર સૌરાષ્ટ્રના પંથકો અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળશે, જ્યાં તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબકી શકે છે. જ્યારે બીજી તરફ, રાજ્યના અન્ય ભાગોમાં વરસાદી માહોલ વચ્ચે પણ ગરમી અને અસહ્ય ઉકળાટનું પ્રમાણ યથાવત રહેશે.
</p><h4 style="text-align: justify; "><b>અમદાવાદ સહિતના વિસ્તારોમાં બફારો 
</b></h4><p style="text-align: justify; ">રાજ્યના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદ અને આસપાસના વિસ્તારોની વાત કરીએ તો, અહીં આગામી દિવસોમાં વાદળછાયા વાતાવરણ સાથે અસહ્ય બફારો અને ઉકળાટ લોકોને પરેશાન કરશે. જો કે, બપોર બાદ કે સાંજના સમયે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદી ઝાપટાં પડવાની પણ પૂરેપૂરી સંભાવના છે. હવામાન વિભાગની આ જાહેરાત બાદ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા પણ આગામી 15 જૂનથી શરૂ થનારા ચોમાસાને લઈને પ્રી-મોન્સૂન કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-live--gujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-live-news-and-samachar-06-june-2026-politics-weather-updates-daily-breaking-news-nation" target="_blank"><b> &nbsp;Gujarat Latest News live : ભારત આયર્લેન્ડ ટી20 મેચ માટે શ્રેયસ ઐયર કપ્તાન, વૈભવ સુર્યવંશીની ટીમમા એન્ટ્રી</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/HGIsCrHdBXdv8E75mOIeGSoK2T9wRyVJY0pOYbx1.webp'/></item><item><title><![CDATA[Gandhinagar : રાંધેજા મર્ડર કેસમાં મોટો ખુલાસો, મહિલા સાથે આડો સંબંધ રાખવા આરોપીએ કરી હતી પતિની હત્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/gandhinagar/gandhinagar-randheja-maganji-thakor-murder-case-pethapur-police-arrest-3-lalji-thakor</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/gandhinagar/gandhinagar-randheja-maganji-thakor-murder-case-pethapur-police-arrest-3-lalji-thakor</guid><pubDate>Sat, 06 Jun 2026 13:15:24 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગાંધીનગરના રાંધેજામાં ગત તારીખ 3 જૂનના રોજ રેલવે ફાટક નજીકથી મળી આવેલા મગનજી ઠાકોર નામના વ્યક્તિના શંકાસ્પદ મૃતદેહ મામલે પેથાપુર પોલીસે ગણતરીના દિવસોમાં મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ ચકચારી હત્યા કેસમાં ગાંધીનગર પોલીસના એએસપી આયુષ જૈને સમગ્ર ઘટના પરથી પડદો ઊંચક્યો છે. પોલીસે આ ગુનામાં મુખ્ય સૂત્રધાર સહિત કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં આ ભયાનક હત્યા પાછળ આડા સંબંધો રાખવાની ઘેલછા જવાબદાર હોવાનું સામે આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>આરોપી આડા સંબંધ રાખવાનો કરતો પ્રયાસ</b></h2><p style="text-align: justify; ">એએસપી આયુષ જૈને આપેલી વિસ્તૃત માહિતી અનુસાર, મુખ્ય આરોપી લાલજી ઠાકોર મૃતક મગનજી ઠાકોરની પત્ની સાથે આડા સંબંધો બાંધવા માટે લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યો હતો. આ બાબતે લાલજી અને મગનજી વચ્ચે બોલાચાલી થઇ હતી અને તેની અદાવતમાં લાલજી અને તેના સાથીદારોએ મગનજીને રસ્તામાંથી હટાવવાનો ક્રૂર પ્લાન ઘડ્યો હતો. 
</p><h3 style="text-align: justify; "><b>કપડા વડે તેનું ગળું દબાવીને હત્યા કરી
</b></h3><p style="text-align: justify; ">ઘટનાના દિવસે આરોપીઓએ મગનજીને પોતાની ગાડીમાં બેસાડ્યો હતો અને ચાલુ ગાડીમાં કપડા વડે તેનું ગળું દબાવીને કમકમાટીભરી હત્યા નીપજાવી હતી. હત્યા કર્યા બાદ પાપ છુપાવવા માટે આરોપીઓએ મગનજીના મૃતદેહને રાંધેજા રેલવે ફાટક પાસે આવેલા એક ખુલ્લા ખેતરમાં ફેંકી દીધો હતો અને ફરાર થઈ ગયા હતા.
</p><h4 style="text-align: justify; "><b>પોલીસે ત્રણ આરોપીને ઝડપ્યા 
</b></h4><p style="text-align: justify; ">3 જૂને મગનજીનો મૃતદેહ મળ્યા બાદ પેથાપુર પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો તપાસમાં જોડાયો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે લાલજી ઠાકોર અને તેના મદદગાર અન્ય બે સાથીદારોની અટકાયત કરી લીધી છે. આ હત્યા કેસમાં હજુ ઘણા રહસ્યો સામે આવી શકે તેમ છે. આ કેસમાં કાવતરાનો ભાગ ભજવવામાં મૃતકની પત્નીની કોઈ સંડોવણી છે કે કેમ, તે જાણવા માટે પોલીસ મૃતકની પત્નીની પણ આકરી પૂછપરછ અને તપાસ કરશે. હાલ પેથાપુર પોલીસે હત્યાના ગુનામાં વપરાયેલી ગાડી જપ્ત કરી વધુ કાયદેસરની તપાસ તેજ કરી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-live--gujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-live-news-and-samachar-06-june-2026-politics-weather-updates-daily-breaking-news-nation" target="_blank"><b>Gujarat Latest News live : અંબાલાલ પટેલની આગાહી,ગરમીમાં થશે વધારો , જૂન અંતમાં ચોમાસુ ગુજરાતમાં પ્રવેશશે</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/shBo9VhVRgOh18dR0GOfkEm44KryuCnhcOk5bjeQ.webp'/></item><item><title><![CDATA[Gandhinagar: કલોલમાં 'લવ જેહાદ', વિધર્મી યુવક હિન્દુ દીકરીને ભગાડી જતાં રોષે ભરાયેલા ગ્રામજનો સાતેજ પોલીસ સ્ટેશને ઉમટ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/kalol/gandhinagar-kalol-jethlaj-village-love-jihad-sheikh-jakwan-imran-satej-police</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/kalol/gandhinagar-kalol-jethlaj-village-love-jihad-sheikh-jakwan-imran-satej-police</guid><pubDate>Sat, 06 Jun 2026 12:48:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા જેઠલજ ગામમાં એક ચકચારી અને ભારે તંગદિલી સર્જનારી ઘટના સામે આવી છે. ગામમાં વસવાટ કરતી એક હિન્દુ સમાજની દીકરી ગુમ થવા મામલે 'લવ જેહાદ'ના ગંભીર આક્ષેપો લાગ્યા છે. એક વિધર્મી યુવક હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી ગયો હોવાની વિગતો પ્રકાશમાં આવતા જ સમગ્ર પંથકમાં અને ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ મામલે ન્યાયની માંગ સાથે આખું ગામ રસ્તા પર ઉતરી આવ્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>યુવતી ગત તારીખ 2 જૂનના રોજ  ગાયબ 
</b></h2><p style="text-align: justify; ">મળતી વિગતો મુજબ, જેઠલજ ગામની આશાસ્પદ યુવતી ગત તારીખ 2 જૂનના રોજ વહેલી પરોઢે અચાનક પોતાના ઘરેથી ગુમ થઈ ગઈ હતી. પરિવારજનોની પ્રાથમિક શોધખોળ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, ગામમાં જ રહેતો શેખ જકવાન ઇમરાન નામનો વિધર્મી યુવક આ હિન્દુ દીકરીને ભગાડી ગયો છે. 
</p><h3 style="text-align: justify; "><b>લોકોમાં ભારે રોષ
</b></h3><p style="text-align: justify; ">આ વાતની જાણ વાયુવેગે ગામમાં પ્રસરતા જ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. દીકરીની સુરક્ષા અને વિધર્મી યુવકની કરતૂતને લઈને ગામના હિન્દુ સંગઠનો અને સ્થાનિકો એકજૂથ થયા હતા.
</p><h4 style="text-align: justify; "><b>ટોળાં એકઠા થઈને સીધા સાતેજ પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા
</b></h4><p style="text-align: justify; ">ઘટનાના વિરોધમાં મહિલાઓ અને પુરુષોના મસમોટા ટોળેટોળાં એકઠા થઈને સીધા સાતેજ પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં હાજર ગ્રામજનો અને પીડિત પરિવારે સાતેજ પોલીસ મથકે લેખિત આવેદનપત્ર આપીને દીકરીને તાત્કાલિક અને હેમખેમ પરત લાવવા માટે ઉગ્ર માંગ કરી છે.</p><p style="text-align: justify; ">https://youtu.be/TGUgTEGRNyI&nbsp;</p><p style="text-align: justify; "> 
</p><h4 style="text-align: justify; "><b>સાતેજ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યું
</b></h4><p style="text-align: justify; ">આ સાથે જ ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરતા પોલીસ તંત્ર પાસે એવી બાહેધરી પત્રની માંગણી કરી છે કે ભવિષ્યમાં ગામની કોઈ અન્ય દીકરી સાથે આવી અમાનવીય કે લવ જેહાદની ઘટના ન બને. હાલ સાતેજ પોલીસે આવેદનપત્ર સ્વીકારીને ગુમ થયેલી યુવતી અને વિધર્મી યુવકને ઝડપી પાડવા માટે જુદી-જુદી ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો---&nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-live--gujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-live-news-and-samachar-06-june-2026-politics-weather-updates-daily-breaking-news-nation" target="_blank"><b> Gujarat Latest News live : અંબાલાલ પટેલની આગાહી,ગરમીમાં થશે વધારો , જૂન અંતમાં ચોમાસુ ગુજરાતમાં પ્રવેશશે</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/wVO8lLXObZVOmTh3eba1X9naGaWgJAbJdwlqbZyL.webp'/></item><item><title><![CDATA[Gold Price Today : સસ્તું થયું સોનું! કિંમતમાં મોટો ઘટાડો, ચાંદીની ચમક પણ પડી ફીકી! ]]></title><link>https://sandesh.com/business/news/india/gold-silver-rate-today-big-drop-in-gold-and-silver-prices</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/gold-silver-rate-today-big-drop-in-gold-and-silver-prices</guid><pubDate>Sat, 06 Jun 2026 10:40:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આજે ભારતીય સર્રાફા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે. અમેરિકામાં મજબૂત રોજગારના આંકડા આવવાને કારણે અને ડોલર મજબૂત થવાને લીધે વૈશ્વિક સ્તરે નફાખોરી (પ્રોફિટ બુકિંગ) થઈ છે. આનાથી સ્થાનિક બજાર (MCX) પર બંનેની કિંમતો ઓછી થઈ છે.
<br></p><h2 style="text-align: justify;"><b>સોના-ચાંદીમાં ઘટાડો!</b></h2><p></p><p style="text-align: justify; ">ગઈકાલે એટલે કે શુક્રવારે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અને MCXમાં સોનું અંદાજે 1600 થી 1850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી તૂટીને બંધ થયું. ચાંદીનું ક્લોઝિંગ પણ પ્રતિ કિલોગ્રામ 4000-5800 રૂપિયા સુધીના ઘટાડા સાથે થયું. કારણ કે શનિવાર અને રવિવારે IBJA અને MCX વાયદા બજાર બંને બંધ રહે છે, તેથી કિંમતો ગઈકાલના નીચલા સ્તર પર જ બનેલી છે.
<br></p><h3 style="text-align: justify;"><b>મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)</b></h3><p></p><table class="table table-bordered" style="text-align: justify;"><tbody><tr><td><b>શહેર</b></td><td><b>24 કેરેટ સોનાની કિંમત</b></td><td><b>22 કેરેટ સોનાની કિંમત</b></td></tr><tr><td>દિલ્હી</td><td>1,55,910</td><td>1,40,150</td></tr><tr><td>મુંબઈ</td><td>1,52,730</td><td>1,40,000</td></tr><tr><td>કોલકાતા</td><td>1,52,730</td><td>1,40,000</td></tr><tr><td>ચેન્નઈ</td><td>1,54,910</td><td>1,42,000</td></tr><tr><td>અમદાવાદ</td><td>1,55,810</td><td>1,40,050</td></tr><tr><td>રાજકોટ</td><td>1,55,810</td><td>1,40,050</td></tr></tbody></table><h3 style="text-align: justify; "><b>ચાંદીની કિંમત
</b></h3><p style="text-align: justify; ">આજે ભારતમાં ચાંદીની સરેરાશ રિટેલ કિંમત 2,74,900 થી 2,79,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામની વચ્ચે બનેલી છે. દિલ્હીમાં ચાંદીની કિંમત 10 ગ્રામ માટે 2749 રૂપિયા અને એક કિલોગ્રામની કિંમત 2,79,900 રૂપિયા છે. મુંબઈ અને કોલકાતામાં 10 ગ્રામ અને એક કિલો ચાંદીની કિંમત અનુક્રમે 2750 રૂપિયા અને 2,75,000 રૂપિયા છે. વળી, ચેન્નઈમાં કિંમતો થોડી વધારે એટલે કે પ્રતિ ગ્રામ 2800 રૂપિયા અને પ્રતિ કિલોગ્રામ 2,80,000 રૂપિયા છે.
</p><h4 style="text-align: justify; "><b>કેમ ઘટી સોના-ચાંદીની કિંમત?
</b></h4><ol><li style="text-align: justify;"><b>મજબૂત અમેરિકી લેબર ડેટા:</b> અમેરિકામાં મે દરમિયાન અંદાજ કરતાં ક્યાંય વધુ (1.72 લાખ) નવી નોકરીઓ વધી. આનાથી અમેરિકી અર્થતંત્ર મજબૂત દેખાઈ રહ્યું છે. એવામાં અમેરિકી ફેડરલ રિઝર્વ (US Fed) દ્વારા વ્યાજ દરોમાં ટૂંક સમયમાં કાપ મૂકવાની આશા નથી. ઊંચા વ્યાજ દરોની સંભાવનાઓ વચ્ચે રોકાણકારો સોનામાંથી પૈસા નીકાળી રહ્યા છે.
</li><li style="text-align: justify;"><b>આંતરરાષ્ટ્રીય સ્તરે વેચવાલી:</b> વૈશ્વિક બજાર (Spot Market) માં સોનું 4450 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 73 ડોલર પ્રતિ ઔંસની નીચે આવી ગઈ છે, જેના કારણે ભારતમાં કિંમતો ઘટી છે.
</li><li style="text-align: justify;"><b>મિડલ ઇસ્ટમાં શાંતિની આશાઓ: </b>ઇઝરાયેલ અને લેબેનાન વચ્ચે યુદ્ધવિરામ (સીઝફાયર) ના સમાચારોથી પણ બજારમાં રોકાણકારો વચ્ચે ગભરાટ ઓછો થયો છે અને તેમનું વલણ સુરક્ષિત રોકાણ (Safe Heaven) તરફથી થોડું ઓછું થયું છે.</li></ol><h6 style="text-align: justify;"><b>Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.
</b></h6><p style="text-align: justify;"><a href="https://sandesh.com/gallery/news/entertainment/how-much-land-does-amitabh-bachchan-own-ayodhya-alibaug-gujarat-property" target="_blank">આ પણ વાંચો-અમિતાભ બચ્ચન પાસે છે આટલા કરોડોની જમીન! અયોધ્યાથી અલીબાગ અને ગુજરાત સુધી ફેલાયેલી છે પ્રોપર્ટી!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/e5PLL8r70JqJMB9QZx6NQhcu1EzjovAiK2Zw3eBg.webp'/></item></channel></rss>