<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[UAE BrahMos Missile Supply: પાકિસ્તાન, ઈરાન અને બ્રહ્મોસ ડીલ મામલે ભારતે શુ કહ્યુ?, જાણો ]]></title><link>https://sandesh.com/india/news/uae-brahmos-missile-supply-what-did-india-say-about-pakistan-iran-and-the-brahmos-deal-know</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/uae-brahmos-missile-supply-what-did-india-say-about-pakistan-iran-and-the-brahmos-deal-know</guid><pubDate>Tue, 23 Jun 2026 19:20:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">અમે જ્યાંથી સસ્તું તેલ મળશે ત્યાંથી તેલ ખરીદીશું. સંરક્ષણ મંત્રાલય જાણ કરશે કે અમે યુએઈને બ્રહ્મોસ આપીશું કે નહીં.</p><h2 style="text-align: justify; ">વિદેશ મંત્રાલયની પ્રેસ બ્રિફીંગ&nbsp;</h2><p style="text-align: justify; ">શું ભારત યુએઈને બ્રહ્મોસ આપી રહ્યું છે? શું ભારત ઈરાન પાસેથી તેલ ખરીદશે કે નહીં? પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ જંગ આટલા ગુસ્સે કેમ છે? અને કતારમાં માર્યા ગયેલા ભારતીયોના મૃતદેહ ક્યારે પરત લવાશે? વિદેશ મંત્રાલયે આ તમામ પ્રશ્નોના જવાબ આપ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, પાકિસ્તાન પીઓકેમાં પોતાની નિષ્ફળતા છુપાવવા માટે ભારત સામે બનાવટી આરોપો લગાવી રહ્યું છે. અમે તેમના દ્વારા કરવામાં આવેલા દરેક નિવેદનને નકારી કાઢીએ છીએ.&nbsp;</p><h3 style="text-align: justify; ">પાકિસ્તાનની દાયકાઓ જૂની નીતિ</h3><p style="text-align: justify; ">પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા મુહમ્મદ આસિફના નિવેદન અંગે, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, આવા નિવેદનો પાકિસ્તાન દ્વારા તેની નિષ્ફળતાઓ છુપાવવા અને માનવાધિકાર ઉલ્લંઘનોથી ધ્યાન હટાવવા માટે કરવામાં આવી રહ્યા છે. અમે આ બનાવટી દાવાઓને સંપૂર્ણપણે નકારી કાઢીએ છીએ. પાકિસ્તાનના ગેરકાયદેસર અને બળજબરીથી કબજે કરેલા પ્રદેશ હેઠળના વિસ્તારોમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો પાકિસ્તાનની દાયકાઓ જૂની નીતિઓનું પરિણામ છે. જેમાં વ્યવસ્થિત આર્થિક શોષણ, મૂળભૂત અધિકારોનો ઇનકાર અને વહીવટી દમનનો સમાવેશ થાય છે.&nbsp;</p><h4 style="text-align: justify; ">ઊર્જા ખરીદી ભારતીયોના હિત પર આધારિત</h4><p style="text-align: justify; ">ઈરાન સાથેના સોદા બાદ અમેરિકાએ તેનો તેલ પ્રતિબંધ ઉઠાવી લીધો છે. જ્યારે વિદેશ મંત્રાલયને પૂછવામાં આવ્યું કે, શું ભારત હવે ઈરાન પાસેથી તેલ ખરીદશે, ત્યારે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જવાબ આપ્યો કે, અમારી ઊર્જા ખરીદી ભારતીયોના હિત પર આધારિત હશે. તેમણે હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની પરત ફરવાની પણ ચર્ચા કરી. તેમણે જણાવ્યું કે 17 જૂનથી, 11 ભારતીય જહાજો હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ચૂક્યા છે અને ભારત તરફ આગળ વધી રહ્યા છે.&nbsp;</p><h5 style="text-align: justify; ">યુએઈ સાથે ગાઢ સંરક્ષણ સંબંધઃ એમઇએ</h5><p style="text-align: justify; ">યુએઈને બ્રહ્મોસ મિસાઇલ વેચાણના અહેવાલો અંગે, વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમારો યુએઈ સાથે ગાઢ સંરક્ષણ સંબંધ છે અને અમે આ સંબંધને મજબૂત બનાવવા માંગીએ છીએ. ચોક્કસ પ્લેટફોર્મ માટે, સંરક્ષણ મંત્રાલય વધુ વિગતો આપી શકે છે. અહેવાલો બહાર આવ્યા હતા કે ભારત યુએઈને બ્રહ્મોસ અને આકાશ એરો વેચવા જઈ રહ્યું છે.</p><h6 style="text-align: justify; ">ભારતીયોના મોત દુઃખદ ઘટના: એમઇએ&nbsp;</h6><p style="text-align: justify; ">કતારમાં રાસ લાફાન ઇન્ડસ્ટ્રીયલ સિટી ગેસ સુવિધામાં થયેલા વિસ્ફોટ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, 12 ભારતીય નાગરિકોના મોત ખૂબ જ દુઃખદ છે. અન્ય દેશોના પણ ઘણા લોકોના મૃત્યુ થયા છે. પરંતુ રાસ લાફાનમાં થયેલા આ દુ:ખદ વિસ્ફોટમાં અમે અમારા 12 નાગરિકો ગુમાવ્યા છે. ઘણા લોકો ઘાયલ પણ થયા છે. મને કહેવામાં આવ્યું છે કે વિવિધ દેશોના આશરે 66 લોકો ઘાયલ થયા છે. અમને ચોક્કસ ખબર નથી કે તેમાંથી કેટલા ભારતીય નાગરિકો છે. પરંતુ બધા ઘાયલો સુરક્ષિત છે. અમે મૃતદેહોની ઓળખ કરવા અને તેમને ભારત પાછા લાવવા માટે સ્થાનિક અધિકારીઓ સાથે કામ કરી રહ્યા છીએ.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/india/news/-political-news/west-bengal-news-iskcon-will-manage-mid-day-meal-in-government-schools-of-bengal-children-will-get-pure-and-nutritious-food" target="_blank">બંગાળની સરકારી શાળાઓમાં Mid Day Mealનું સંચાલન કરશે ISKCON, બાળકોને મળશે શુદ્ધ-પૌષ્ટિક ખોરાક</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/23/M7WObu1MwdReC3dahMUFYnP6kBlh1aG7PEvlpjMw.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: લોકપ્રિયતાથી ડરીને કાવતરૂ ઘડી ચૈતર વસાવાને જેલમાં મોકલાયા: અરવિંદ કેજરીવાલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/arvind-kejriwal-alleges-political-conspiracy-behind-chaitar-vasavas-jail-sentence</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/arvind-kejriwal-alleges-political-conspiracy-behind-chaitar-vasavas-jail-sentence</guid><pubDate>Tue, 23 Jun 2026 19:19:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજપીપળા સેશન્સ કોર્ટે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકોને 7 વર્ષની સજા અને 25 હજારનો દંડ ફટકાર્યો છે. હવે ચૈતર વસાવાને વડોદરાની સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવશે. ચૈતર વસાવા હવે પાકા કામના કેદી બન્યાં છે. કોર્ટે સજા ફટકાર્યા બાદ ચૈતર વસાવા અને તેમના વકીલે નિવેદન આપ્યું હતું કે, તેઓ હવે આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારશે. આ કેસને લઈને આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી અને સંયોજક અરવિંદ કેજરીવાલનું પણ નિવેદન સામે આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>ગોપાલ ઈટાલિયાએ કહ્યું રાજકિય કિન્નાખોરી રાખવામાં આવી</b></h2><p style="text-align: justify; ">સજા જાહેર થયા બાદ ચૈતર વસાવાએ કહ્યું હતું કે, આજે મને સાત વર્ષની જેલની સજા મળી છે. મને ન્યાય તંત્ર પર પૂરો ભરોસો છે. કોર્ટના ચુકાદાનો આદર કરીએ છીએ. હવે અમે ઉપલી કોર્ટમાં અપીલ કરીશું. તેમના વકીલ સુરેશ જોશીએ કહ્યું હતું કે, આ રાજકીય કિન્નાખોરી રાખીને ખોટી રીતે ઉભો કરેલો કેસ છે. આ કેસમાં હવે સજાનો ચુકાદો આવ્યો છે. હવે અમે હાઈકોર્ટમાં અપીલ કરીશું.આ અંગે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે, ચૈતર વસાવા આદિવાસી સમાજના પ્રશ્નો ઉઠાવતા આવ્યા છે. તેમની સામે રાજકીય કિન્નાખોરી રાખવામાં આવી છે. તેમને રાજકીય રીતે નબળા પાડવા આ પ્રકારના કેસો કરાયા છે. અમારા પક્ષની લીગલ ટીમ સમગ્ર મામલાનો અભ્યાસ કરી રહી છે. હવે સુપ્રીમ કોર્ટ સુધી અમે આ ચુકાદા સામે લડીશું.&nbsp;&nbsp;</p><h3 style="text-align: justify; "><b>AAPના સંયોજક અરવિંદ કેજરીવાલ અને ઈસુદાનનું નિવેદન</b></h3><p style="text-align: justify; ">આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે, ચૈતર વસાવાએ વન કર્મચારી અને ખેડૂતો વચ્ચે સમાધાન કરાવ્યું હતું. પરંતુ ભાજપે ડરાવી ધમકાવીને રાજકીય અદાવતમાં આ કેસ કરાવ્યો છે. હવે ન્યાય માટે હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવશે. બીજી તરફ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, ઈડી પાર્ટી ચૈતર વસાવાની લોકપ્રિયતાથી ડરી ગઈ છે. ED પાર્ટી આદિવાસી સમાજના તમામ પૈસા ચોરી લે છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે કાવતરૂ કરીને જેલમાં ધકેલવામાં આવ્યા છે. હવે આદિવાસી સમાજ અને ગુજરાતની જનતા ભાજપને જવાબ આપશે.&nbsp;&nbsp;</p><h2 style="text-align: justify; "><b>કોંગ્રેસે પણ ચૈતર વસાવાને સમર્થન આપ્યું</b></h2><p style="text-align: justify; ">વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે પણ ચૈતર વસાવાની સજા સામે અવાજ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, સરકાર સામે અવાજ ઉઠાવનાર આદિવાસી સમાજના લોકો સામે અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. આ લડાઈ હવે સમગ્ર આદિવાસી સમાજની બની ગઈ છે. તેમણે કહ્યું હતું કે, આગામી દિવસોમાં પણ તેઓ ચૈતર વસાવાની સાથે રહેશે.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/chaitar-vasava-convicted-can-mla-save-his-seat-after-7-year-sentence" target="_blank">આ પણ વાંચોઃGujarat News: 7 વર્ષની સજા બાદ ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ બચી શકશે? જાણો શું કહે છે કાયદાવિદ</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/23/lkFON86j6hYLTMhxlcKio7wka99HxOWDcBbvkgBo.webp'/></item><item><title><![CDATA[Padma Awards 2026 : મલયાલમ સુપરસ્ટાર મમૂટી અને સિંગર અલકા યાજ્ઞિકને રાષ્ટ્રપતિએ પદ્મ ભૂષણથી કર્યા સન્માનિત ]]></title><link>https://sandesh.com/entertainment/news/padma-awards-2026-mammootty-alka-yagnik-padma-bhushan-rashtrapati-bhavan</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/padma-awards-2026-mammootty-alka-yagnik-padma-bhushan-rashtrapati-bhavan</guid><pubDate>Tue, 23 Jun 2026 19:16:20 +05:30</pubDate><description><![CDATA[<p>રાષ્ટ્રપતિ ભવનમાં 23 જૂન 2026ના રોજ યોજાયેલા પદ્મ પુરસ્કાર 2026ના બીજા સન્માન સમારોહમાં દેશના અનેક પ્રતિષ્ઠિત કલાકારો અને વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા. દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આ સમારોહમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર હસ્તીઓને પદ્મ પુરસ્કારોથી નવાજ્યા.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/rashtrapatibhvn/status/2069384068953980945"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>મમૂટી પોતાના પુત્ર દુલ્કર સલમાન સાથે સમારોહમાં હાજર રહ્યા&nbsp;</b></h2><p>આ પ્રસંગે મલયાલમ સુપરસ્ટાર મમૂટી, પ્રખ્યાત ગાયિકા અલકા યાજ્ઞિક અને અભિનેતા આર. માધવનને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. મમૂટી પોતાના પુત્ર દુલ્કર સલમાન સાથે સમારોહમાં હાજર રહ્યા હતા. તેમના નામની જાહેરાત થતાં જ દુલ્કરે તેમને પ્રોત્સાહન આપ્યું. પાંચ દાયકાથી વધુ લાંબા કારકિર્દીમાં મમૂટીએ 400થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને તેઓ સામાજિક કાર્યમાં પણ સક્રિય રહ્યા છે.</p><h3><b>દક્ષિણ ભારતના અનેક કલાકારોને પણ પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા</b></h3><p>જાણીતી ગાયિકા અલકા યાજ્ઞિકને પણ પદ્મ ભૂષણ આપવામાં આવ્યો. શ્રવણ ક્ષમતા સંબંધિત સમસ્યા હોવા છતાં તેઓ મંચ પર પહોંચ્યા અને રાષ્ટ્રપતિ દ્વારા સન્માન પ્રાપ્ત કર્યું. તેમણે ચાર દાયકાથી વધુ સમય દરમિયાન 1000થી વધુ ગીતોને અવાજ આપ્યો છે. અભિનેતા આર. માધવનને પણ પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. તેમણે અનેક ભાષાઓની ફિલ્મોમાં અભિનય કરીને ભારતીય સિનેમામાં વિશેષ ઓળખ બનાવી છે. આ ઉપરાંત દક્ષિણ ભારતના અનેક કલાકારોને પણ પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા, જેમાં તેલુગુ અભિનેતા મગંતી મુરલી મોહન અને નાગાલેન્ડના લોકકલાકાર ગુરુ સાંગ્યુસાંગ પોંગેનેરનો સમાવેશ થાય છે.</p><h4><b>સતીશ શાહને મરણોત્તર પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા</b></h4><p>થિયેટર અને ટેલિવિઝન ક્ષેત્રના દિગ્ગજ અનિલ કુમાર રસ્તોગીને પણ પદ્મ શ્રી મળ્યો. તેમજ જાણીતા અભિનેતા સતીશ શાહને મરણોત્તર પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા. તેમના ભાઈએ તેમની તરફથી આ સન્માન સ્વીકાર્યું. પ્રથમ સત્રમાં ધર્મેન્દ્ર અને પ્રસેનજીત ચટ્ટોપાધ્યાય જેવા દિગ્ગજોને પણ સન્માન મળ્યું હતું. સમગ્ર સમારોહમાં દેશના વિવિધ ક્ષેત્રોના યોગદાનને માન આપીને વિશેષ ઉજવણી કરવામાં આવી.</p><p><b><a href="https://sandesh.com/entertainment/news/welcome-to-the-jungle-censor-boards-scissors-on-akshay-kumars-film-18-cuts-made-including-disha-jacquelines-bikini-scenes" target="_blank">આ પણ વાંચો : Welcome to the Jungle : અક્ષય કુમારની ફિલ્મ પર સેન્સર બોર્ડની કાતર, દીશા-જેક્લીનના બિકીની સીન્સ સહિત ૧૮ કટ લગાવાયા!</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/23/ipm4r8x7ST7hns7oB49WiUhDNfW0Oewva0JgGxYq.webp'/></item><item><title><![CDATA[Mehsanaના ઊંઝામાં કેમિકલવાળી નકલી વરિયાળીનું કૌભાંડ ઝડપાયું, રૂ.8.57 લાખનો મુદ્દામાલ કરાયો સીઝ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/scam-of-fake-fennel-containing-chemicals-busted-in-unjha-mehsana-goods-worth-rs-8-lakh-seized</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/scam-of-fake-fennel-containing-chemicals-busted-in-unjha-mehsana-goods-worth-rs-8-lakh-seized</guid><pubDate>Tue, 23 Jun 2026 19:04:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મહેસાણા જિલ્લાના એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટ ગણાતા ઊંઝા શહેરમાંથી એક ચોંકાવનારું ભેળસેળ કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. ઊંઝામાં નકલી અને ઝેરી કલરવાળી વરિયાળી બનાવવામાં આવી રહી હોવાની પાકી બાતમી મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને મળી હતી. આ બાતમીના આધારે ફૂડ સેફ્ટી ઓફિસર્સની ટીમે ઊંઝાના શિવગંગા એસ્ટેટમાં આવેલા વેપારી નીમ કુમાર ગોવિંદભાઈ પટેલના ગોડાઉન પર આકસ્મિક દરોડો પાડ્યો હતો. આ રેડ દરમિયાન તંત્રએ કેમિકલ અને કલરની ભેળસેળ કરતા તત્વોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.</p><h2 style="text-align: justify; ">ઝેરી કેમિકલથી વરિયાળીને ગ્રીન બનાવવાનું કૌભાંડ</h2><p style="text-align: justify; ">ગોડાઉનમાં હલકી ગુણવત્તાની વરિયાળીના પાલામાં પ્રતિબંધિત લીલો કલર અને ચમકદાર કેમિકલ મિક્સ કરવામાં આવી રહ્યું હતું. વરિયાળી વધુ પડતી ગ્રીન, તાજી અને આકર્ષક દેખાય તે માટે આ જોખમી પ્રક્રિયા કરી તેને 1 કિ.ગ્રા.ના આકર્ષક પેકિંગમાં પેક કરવામાં આવી રહી હતી. આ નકલી વરિયાળી બજારમાં ગ્રાહકો સુધી વેચાણ અર્થે પહોંચે તે પહેલા જ ફૂડ વિભાગે તેને પકડી પાડી ગંભીર સ્વાસ્થ્ય જોખમ ટાળ્યું હતું. ગોડાઉનમાંથી કુલ 4,766 કિલોગ્રામ વરિયાળીનો જથ્થો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂપિયા 8,57,880/- આંકવામાં આવી છે.</p><h3 style="text-align: justify; ">નમૂના લેબોરેટરીમાં મોકલાયા, કડક કાર્યવાહીની તૈયારી</h3><p style="text-align: justify; ">ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ આખો રૂ.8.57 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ તાત્કાલિક ધોરણે સીઝ કરી દેવામાં આવ્યો છે. અધિકારીઓએ સ્થળ પરથી શંકાસ્પદ વરિયાળી અને ઉપયોગમાં લેવાતા કેમિકલના નમૂના (સેમ્પલ) લઈને તેને ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરીમાં ઝીણવટભરી તપાસ માટે મોકલી આપ્યા છે. લેબનો રિપોર્ટ આવ્યા બાદ આરોગ્ય સાથે ચેડાં કરનારા વેપારી નીમ કુમાર પટેલ સામે કાયદેસરનો ગુનો નોંધી કોર્ટમાં કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ દરોડાથી ભેળસેળિયા વેપારીઓમાં ભારે ફફડાટ મચી ગયો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/23/T9Oif6IHIRa80U8Sgrwq98hSUNoPP9ESbLsZylkE.webp'/></item><item><title><![CDATA[ED Raid on Rajesh Exports : રાજેશ એક્સપોર્ટના બેંગલુરૂ સહિત અન્ય ઠેકાણાઓ પર EDના દરોડા ]]></title><link>https://sandesh.com/business/news/ed-raids-rajesh-exports-bengaluru-offices-financial-irregularities-sebi-case</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/ed-raids-rajesh-exports-bengaluru-offices-financial-irregularities-sebi-case</guid><pubDate>Tue, 23 Jun 2026 18:54:43 +05:30</pubDate><description><![CDATA[<p>સોનાની નિકાસ સાથે જોડાયેલી કંપની રાજેશ એક્સપોર્ટ્સ ફરી એકવાર ચર્ચામાં આવી છે. માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા કંપની પર લગાવવામાં આવેલા ગંભીર આક્ષેપો બાદ હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કંપનીના અનેક ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી મંગળવાર સવારથી શરૂ થઈ હતી અને બેંગલુરુ સહિત અનેક સ્થળોએ એકસાથે હાથ ધરાઈ હતી.</p><h2><b>સેબીએ રાજેશ મહેતા પર ટ્રેડિંગ કરવાનો લગાવ્યો પ્રતિબંધ&nbsp;</b></h2><p>સેબીના આરોપ મુજબ રાજેશ એક્સપોર્ટ્સે છેલ્લા કેટલાક વર્ષોમાં લગભગ 15.15 લાખ કરોડ રૂપિયાનું ફેક એક્સપોર્ટ બતાવ્યું હતું, જે કંપનીના કુલ નિકાસ આંકડાના લગભગ 99 ટકા જેટલું છે. નિયમનકારી સંસ્થાએ આને ગંભીર નાણાકીય ગડબડી ગણાવી હતી. આ મામલે સેબીએ 3 જૂને એક અંતરિમ આદેશ જાહેર કરી કંપનીના પ્રમોટર અને ચેરમેન રાજેશ મેહતાને શેરબજારમાં ટ્રેડિંગથી રોકી દીધા હતા.</p><h3><b>તપાસમાં મોટાપાયે અનિયમિતતાઓ સામે આવી</b></h3><p>સેબી અનુસાર FY21થી FY25 વચ્ચે કંપનીએ પોતાની વિદેશી સહાયક કંપનીઓ મારફતે આવકને ખોટી રીતે વધારીને દર્શાવી હતી. આ આંકડાઓની ચકાસણી દરમિયાન મોટાપાયે અનિયમિતતાઓ સામે આવી હતી, જેના કારણે સમગ્ર મામલો તપાસના ઘેરામાં આવ્યો હતો. આ આક્ષેપો બાદ કંપનીના શેરમાં ભારે અસ્થિરતા જોવા મળી હતી. 3 જૂનના સેબીના આદેશ બાદ શેરોમાં ભારે ઘટાડો નોંધાયો હતો અને 12 જૂન સુધીમાં 30 ટકાથી વધુનો ઘટાડો આવ્યો હતો. ત્યારબાદ થોડો સુધારો જોવા મળ્યો હતો અને શેરમાં લગભગ 40 ટકાનો ઉછાળો પણ નોંધાયો હતો.</p><h4><b>રોકાણકારોમાં ચિંતા જોવા મળી</b></h4><p>હાલમાં EDની તાજેત્તરની કાર્યવાહી બાદ ફરી એકવાર રોકાણકારોમાં ચિંતા જોવા મળી રહી છે. બજાર નિષ્ણાતોના મતે, આગામી દિવસોમાં કંપનીના શેર પર આ તપાસની સીધી અસર પડી શકે છે. સમગ્ર કેસમાં વધુ વિગતો અને સત્તાવાર માહિતીની રાહ જોવામાં આવી રહી છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/business/india-us-lpg-trade-record-new-record-of-us-lpg-imports-in-india-more-than-1-million-tons-will-be-imported-in-june" target="_blank">આ પણ વાંચો : India US LPG Trade Record: ભારતમાં અમેરિકી LPG આયાતનો નવો રેકોર્ડ, જૂનમાં 10 લાખ ટનથી વધુ આયાત થશે</a></b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/23/OgceFJxYh4axqYKmyj4Mb81mow8SSBphQbyL1W7O.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: ચૈતર વસાવાની સજા પર સ્ટે આવશે તો જ તેઓ ધારાસભ્ય ગણાશે: વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/chaitar-vasava-will-remain-mla-only-if-conviction-is-stayed--says-deputy-speaker-purnesh-modi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/chaitar-vasava-will-remain-mla-only-if-conviction-is-stayed--says-deputy-speaker-purnesh-modi</guid><pubDate>Tue, 23 Jun 2026 18:39:36 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજપીપળા સેશન્સ કોર્ટે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકોને 7 વર્ષની સજા અને 25 હજારનો દંડ ફટકાર્યો છે. હવે ચૈતર વસાવાને વડોદરાની સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવશે. ચૈતર વસાવા હવે પાકા કામના કેદી બન્યાં છે. કોર્ટે સજા ફટકાર્યા બાદ ચૈતર વસાવા અને તેમના વકીલે નિવેદન આપ્યું હતું કે, તેઓ હવે આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારશે. બીજી તરફ વિધાનસભા ઉપાધ્યક્ષ પુર્ણેશ મોદીએ પણ આ કેસને લઈને નિવેદન આપ્યું છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>વિધાનસભા ઉપાધ્યક્ષ પુર્ણેશ મોદીનુ નિવેદન</b></h2><p style="text-align: justify; ">ચૈતર વસાવાને સજાના મુદ્દે વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે,કાયદા પ્રમાણે જ્યારે કોઈ ધારાસભ્ય કે સાંસદને બે વર્ષ કે તેથી વધુની સજા થાય તો તેમનું સભ્યપદ આપોઆપ રદ થઈ જાય છે.આ કાયદાને આધારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ પણ રદ ગણાશે અને ડેડિયાપાડાની બેઠક હવે ખાલી જાહેર કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આ અંગેની પ્રક્રિયા મુજબ કાયદા વિભાગ અને વિધાનસભા અધ્યક્ષને દરખાસ્ત મોકલાશે.જ્યાં સુધી ઉપલી કોર્ટમાંથી આ સજા પર સ્ટે ના આવે ત્યાં સુધી આ બેઠક ખાલી જ ગણાશે.જો તેમને ઉપલી કોર્ટમાંથી રાહત મળે અને સજા પર સ્ટે આવે તો જ તેમને ફરીથી ધારાસભ્ય ગણી શકાશે.</p><h3 style="text-align: justify; "><b>હવે અમે ઉપલી કોર્ટમાં અપીલ કરીશુંઃ ચૈતર વસાવા</b></h3><p style="text-align: justify; ">સજા જાહેર થયા બાદ ચૈતર વસાવાએ કહ્યું હતું કે, આજે મને સાત વર્ષની જેલની સજા મળી છે. મને ન્યાય તંત્ર પર પૂરો ભરોસો છે. કોર્ટના ચુકાદાનો આદર કરીએ છીએ. હવે અમે ઉપલી કોર્ટમાં અપીલ કરીશું. તેમના વકીલ સુરેશ જોશીએ કહ્યું હતું કે, આ રાજકીય કિન્નાખોરી રાખીને ખોટી રીતે ઉભો કરેલો કેસ છે. આ કેસમાં હવે સજાનો ચુકાદો આવ્યો છે. હવે અમે હાઈકોર્ટમાં અપીલ કરીશું. ઉલ્લેખનીય છે કે, ચૈતર વસાવા સહિતના 9 આરોપીઓને વડોદરાની સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવશે. ચૈતર વસાવાને અલગ અલગ ગુનાઓમાં સજા ફટકારવામાં આવી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/news/narmada/chaitar-vasava-says-he-trusts-judiciary-will-challenge-sentence-in-high-court" target="_blank">આ પણ વાંચોઃ Narmada News: સજા બાદ ચૈતર વસાવાએ કહ્યું, મને ન્યાયતંત્ર પર ભરોસો છે હવે ઉપલી કોર્ટમાં અપીલ કરીશું</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/23/wK4jG7u712m7DOCsYQuooh2yusG15oKgBn6EdyHX.webp'/></item><item><title><![CDATA[West Bengal News: બંગાળની સરકારી શાળાઓમાં Mid Day Mealનું સંચાલન કરશે  ISKCON, બાળકોને મળશે શુદ્ધ-પૌષ્ટિક ખોરાક ]]></title><link>https://sandesh.com/india/news/-political-news/west-bengal-news-iskcon-will-manage-mid-day-meal-in-government-schools-of-bengal-children-will-get-pure-and-nutritious-food</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/-political-news/west-bengal-news-iskcon-will-manage-mid-day-meal-in-government-schools-of-bengal-children-will-get-pure-and-nutritious-food</guid><pubDate>Tue, 23 Jun 2026 18:05:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">હવે, કોલકાતાની શાળાઓ વિદ્યાર્થીઓને શુદ્ધ અને પૌષ્ટિક ખોરાક પીરસશે, જેનાથી તેમના સ્વાસ્થ્ય અને શિક્ષણમાં સુધારો થશે.</p><h2 style="text-align: justify; ">શિક્ષણ પ્રણાલીમાં ક્રાંતિકારી પરિવર્તન</h2><p style="text-align: justify; ">પશ્ચિમ બંગાળની શાળા શિક્ષણ પ્રણાલીમાં ક્રાંતિકારી પરિવર્તનનો પાયો નાખવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ઇસ્કોનના વિશ્વ વિખ્યાત અક્ષય પાત્ર ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરી છે. જે મધ્યાહન ભોજન યોજનાને નવી દિશા આપે છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ તાજેતરમાં બંગાળ બજેટ 2026 દરમિયાન આ મહત્વપૂર્ણ પહેલની જાહેરાત કરી હતી. આ મોટા ફેરફાર સાથે, કોલકાતાની આસપાસની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા લાખો બાળકોને હવે શુદ્ધ અને પૌષ્ટિક ખોરાક મળશે.</p><h3 style="text-align: justify; ">પ્રતિ વિદ્યાર્થી ખર્ચ 10 રૂપિયા</h3><p style="text-align: justify; ">પશ્ચિમ બંગાળ સરકારે બાળકોના સ્વાસ્થ્યને સૌથી વધુ પ્રાથમિકતા આપી છે. પરિણામે, મધ્યાહન ભોજન માટે ફાળવણી વધારીને પ્રતિ વિદ્યાર્થી 10 રૂપિયા કરવામાં આવી છે. આ વધેલા બજેટ અને ઇસ્કોનની સંયુક્ત કુશળતા ભોજનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો કરશે. સરકાર સ્પષ્ટપણે જણાવે છે કે, આ પહેલનો હેતુ ફક્ત વર્ગખંડમાં બાળકોની ભૂખ સંતોષવાનો જ નહીં, પરંતુ તેમના શિક્ષણ અને એકંદર વિકાસમાં પણ સુધારો કરવાનો છે.</p><h4 style="text-align: justify; ">સાત્વિક ભોજનમાં શું અપાશે ?</h4><p style="text-align: justify; ">અક્ષય પાત્ર ફાઉન્ડેશનનું નામ જ સ્વચ્છતા અને ગુણવત્તાની ગેરંટી માનવામાં આવે છે. હવે, ઇસ્કોન શાળાઓમાં "સાત્વિક ખોરાક" પૂરો પાડશે. સાત્વિક ખોરાકનો અર્થ સંપૂર્ણપણે શાકાહારી, તાજો, સ્વસ્થ અને અત્યંત સ્વચ્છ ખોરાક થાય છે. આ ખોરાક માત્ર સ્વાદિષ્ટ જ નહીં પણ પોષણની દ્રષ્ટિએ સંતુલિત પણ હશે. ઇસ્કોનના આધુનિક રસોડા અને વિતરણ પ્રણાલી ખાતરી કરશે કે દરેક વિદ્યાર્થીને સમયસર ગરમ, પૌષ્ટિક ખોરાક મળે.</p><h5 style="text-align: justify; ">બાળકોનો મધ્યાહન ભોજન માટે ઉત્સાહ</h5><p style="text-align: justify; ">પોષણ અને અભ્યાસ સીધા જોડાયેલા છે. નિષ્ણાતો માને છે કે બાળકોના બૌદ્ધિક વિકાસ માટે પોષણ મહત્વપૂર્ણ છે. જ્યારે બાળકોને સંપૂર્ણ, પૌષ્ટિક ભોજન મળે છે, ત્યારે તેમની એકાગ્રતા અને શીખવાની ગતિ વધે છે. આ સરકારી પહેલ એવા પરિવારો માટે મોટી રાહત છે જેઓ નાણાકીય કારણોસર તેમના બાળકોને પૌષ્ટિક ભોજન પૂરું પાડી શકતા ન હતા. આ યોજના શાળાઓમાં મધ્યાહન ભોજન માટે બાળકોનો ઉત્સાહ વધારશે અને તેમની હાજરીમાં સુધારો કરશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/india/news/-political-news/japan-pm-india-visit-before-xi-jinpings-visit-to-delhi-india-will-welcome-chinas-enemy-know-what-message-is-there-for-beijing" target="_blank">શી જિનપિંગની દિલ્હી મુલાકાત પહેલા ભારત ચીનના દુશ્મનનું કરશે સ્વાગત, જાણો બેઇજિંગ માટે છે કયો સંદેશ?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/23/0feyjkZr9MmmpgUNQg1r5l6cPAxjWVgl3M7PFm4p.webp'/></item><item><title><![CDATA[વાંચો બપોરે 03થી સાંજે 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-03-pm-to-06-pm-23-june-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-03-pm-to-06-pm-23-june-2026</guid><pubDate>Tue, 23 Jun 2026 17:58:48 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર</b></p><p><a href="https://sandesh.com/cricket/news/aman-rao-perala-record-century-t20" target="_blank"><b>1. 6,6,6,6,6,6,6,6,6,6,6,6,6... વૈભવ સૂર્યવંશીના સાથી ખેલાડીએ 32 બોલમાં સદી ફટકારીને રચ્યો ઈતિહાસ</b></a></p><p><a href="https://sandesh.com/world/news/pakistan-whose-help-did-pakistan-take-to-assert-its-rights-over-the-waters-of-the-indus-river" target="_blank"><b>2. Pakistan: સિંધુ નદીના પાણી પર હક જતાવવા પાકિસ્તાને કોનો લીધો સહારો?</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/monsoon-likely-to-enter-gujarat-in-2-days-red-alert-for-gir-somnath-and-diu" target="_blank"><b>3. Gujarat Weather: બે દિવસમાં ચોમાસુ ગુજરાત પહોંચશે, આગામી 3 કલાક માટે દિવ અને ગીર સોમનાથમાં વરસાદનું રેડ એલર્ટ</b></a></p><p><a href="https://sandesh.com/india/news/-political-news/japan-pm-india-visit-before-xi-jinpings-visit-to-delhi-india-will-welcome-chinas-enemy-know-what-message-is-there-for-beijing" target="_blank"><b>4. Japan PM India Visit: શી જિનપિંગની દિલ્હી મુલાકાત પહેલા ભારત ચીનના દુશ્મનનું કરશે સ્વાગત, જાણો બેઇજિંગ માટે છે કયો સંદેશ?</b></a></p><p><a href="https://sandesh.com/india/news/diamond-5-precious-diamonds-worth-crores-found-in-chhattisgarh-signs-of-a-large-treasure-trove" target="_blank"><b>5. Diamond:છત્તીસગઢમાંથી મળી આવ્યા કરોડોની કિંમતના 5 કિંમતી હીરા, મોટા ભંડારના સંકેત</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/chaitar-vasava-convicted-can-mla-save-his-seat-after-7-year-sentence" target="_blank"><b>6. Gujarat News: 7 વર્ષની સજા બાદ ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ બચી શકશે? જાણો શું કહે છે કાયદાવિદ</b></a></p><p><a href="https://sandesh.com/india/news/lucknow-fire-tragedy-khan-global-classes-sealed-prayagraj-safety-violations" target="_blank"><b>7. Lucknow : અગ્નિકાંડ બાદ સરકારની મોટી કાર્યવાહી, ખાન ગ્લોબલ ક્લાસિસને કર્યું સીલ</b></a></p><p><a href="https://sandesh.com/world/news/business/usa/us-green-card-price-hike-drastic-increase-in-green-card-and-citizenship-fees-in-america-new-proposal-from-trump-government" target="_blank"><b>8. US Green Card Price Hike: અમેરિકામાં ગ્રીન કાર્ડ અને નાગરિકતાની ફીમાં ધરખમ વધારો, ટ્રમ્પ સરકારનો નવો પ્રસ્તાવ</b></a></p><p><a href="https://sandesh.com/cricket/news/women-s-t20-world-cup/shree-charani-no-1-t20-bowler-icc-rankings-womens-wc" target="_blank"><b>9. ICC T20I Rankingsમાં શ્રી ચરણીએ મચાવી ધૂમ, વિશ્વની નંબર 1 બોલર બની</b></a></p><p><a href="https://sandesh.com/india/news/business/india-us-lpg-trade-record-new-record-of-us-lpg-imports-in-india-more-than-1-million-tons-will-be-imported-in-june" target="_blank"><b>10. India US LPG Trade Record: ભારતમાં અમેરિકી LPG આયાતનો નવો રેકોર્ડ, જૂનમાં 10 લાખ ટનથી વધુ આયાત થશે</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/05/30/ci0PwfUyHcao4H4ziwpdhMLnO6QMfKyI3jwCPvfh.webp'/></item><item><title><![CDATA[Ahmedabadમાં શ્વાન પકડવાની સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરનાર બે શખ્સો સામે પાલડીમાં ફરિયાદ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/complaint-filed-in-paldi-against-two-people-for-obstructing-government-work-to-catch-dogs-in-ahmedabad</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/complaint-filed-in-paldi-against-two-people-for-obstructing-government-work-to-catch-dogs-in-ahmedabad</guid><pubDate>Tue, 23 Jun 2026 17:40:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં રખડતા શ્વાન (કૂતરા) પકડવાની સત્તાવાર કામગીરી દરમિયાન અવરોધ ઊભો કરવાનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની ટીમ જ્યારે પાલડી વિસ્તારમાં આવેલા વર્ધમાન ફ્લેટમાં રખડતા શ્વાનને પકડવા માટે પહોંચી હતી, ત્યારે ત્યાં સ્થાનિક સ્તરે ભારે હોબાળો મચી ગયો હતો. ફ્લેટમાં રહેતા જીત પંચાલ અને અર્શ બાફના નામના બે વ્યક્તિઓએ કોર્પોરેશનના કર્મચારીઓ સાથે ઉગ્ર દલીલો કરી કામગીરીનો સખત વિરોધ કર્યો હતો અને શ્વાનને પકડતા અટકાવ્યા હતા.</p><h2 style="text-align: justify; ">સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન અને પોલીસ ફરિયાદ</h2><p style="text-align: justify; ">ઉલ્લેખનીય છે કે, શહેરમાં રખડતા ઢોર અને શ્વાન નિયંત્રણની આ સમગ્ર કામગીરી નામદાર સુપ્રીમ કોર્ટના કડક નિર્દેશો અને ગાઈડલાઈન્સ મુજબ કાયદેસર રીતે કરવામાં આવી રહી છે. કોર્ટના આદેશથી થતી આવી મહત્વપૂર્ણ સરકારી કામગીરીમાં જાહેરમાં રૂકાવટ લાવવી એ કાયદાકીય ગુનો બને છે. આથી, કોર્પોરેશનના અધિકારીઓએ આ મામલાને ગંભીરતાથી લીધો હતો અને ફરજમાં અડચણ ઉભી કરનારા બંને શખ્સો 'જીત પંચાલ' અને 'અર્શ બાફના' સામે કાયદાકીય પગલાં ભરવાનું નક્કી કર્યું હતું.</p><h3 style="text-align: justify; ">પાલડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ</h3><p style="text-align: justify; ">આ આખી ઘટના અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાલડી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સરકારી કર્મચારીઓની ફરજમાં રુકાવટ તેમજ સુપ્રીમ કોર્ટના આદેશના ઉલ્લંઘન બદલ બંને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહી દ્વારા કોર્પોરેશન અને પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, જાહેર હિતમાં અને કોર્ટના આદેશ મુજબ થતી શ્વાન પકડવાની કામગીરીમાં કોઈપણ પ્રકારની દખલગીરી કે દાદાગીરી ચલાવી લેવામાં આવશે નહીં.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/23/bTvpRCnGjvhhhVzIwOmQp4e7Yj2r7rsYttpbGR7z.webp'/></item><item><title><![CDATA[Lionel Messiએ રચ્યો નવો ઈતિહાસ,વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/lionel-messi-creates-new-history-becomes-the-highest-scorer-in-the-world-cup</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/lionel-messi-creates-new-history-becomes-the-highest-scorer-in-the-world-cup</guid><pubDate>Tue, 23 Jun 2026 09:06:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર અને કેપ્ટન લિઓનેલ મેસીએ ડલાસમાં ઓસ્ટ્રિયા સામે રમાયેલી મેચમાં વર્લ્ડ કપ ઈતિહાસનો સૌથી મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. મેસીએ આ રોમાંચક મેચમાં શાનદાર વાપસી કરતા બે ગોલ ફટકાર્યા અને જર્મનીના મિરોસ્લાવ ક્લોઝનો વર્ષો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ જીત સાથે જ મેસીએ આર્જેન્ટિનાને 2-0 થી વિજય અપાવીને નોકઆઉટ રાઉન્ડમાં પહોંચાડી દીધું છે.</p><h5 style="text-align: justify; "><b>પેનલ્ટી મિસ થતાં ફેન્સ નિરાશ થયા હતા</b></h5><p style="text-align: justify; ">મેચની શરૂઆત આર્જેન્ટિના માટે ખૂબ જ ઉત્સાહજનક રહી હતી. લોટારો માર્ટિનેઝને બોક્સની અંદર ફાઉલ કરવામાં આવતા રેફરીએ આર્જેન્ટિનાને પેનલ્ટી આપી હતી. સ્ટેડિયમમાં હાજર 70 હજારથી વધુ દર્શકોને ખાતરી હતી કે મેસી આ પેનલ્ટી પર ગોલ કરીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવશે. પરંતુ, મેસીની કિક ગોલ પોસ્ટની જમણી બાજુથી બહાર નીકળી ગઈ હતી. આ જોઈને આખું સ્ટેડિયમ સ્તબ્ધ થઈ ગયું અને ફેન્સ નિરાશ થયા હતા.</p><p style="text-align: justify; "><a href="https://x.com/FIFAWorldCup/status/2069135079251538091?s=20" target="_blank">https://x.com/FIFAWorldCup/status/2069135079251538091?s=20</a></p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>ઓપન પ્લેથી કર્યો 17મો ઐતિહાસિક ગોલ</b></h4><p style="text-align: justify; ">આ મેચમાં ઉતરતા પહેલા મેસીના નામે 16 વર્લ્ડ કપ ગોલ હતા (જેમાં થોડા દિવસો પહેલા જ અલ્જીરિયા સામે ફટકારેલી કરિયરની પ્રથમ વર્લ્ડ કપ હેટ્રિક પણ સામેલ છે.પેનલ્ટી મિસ થયા બાદ પણ મેસીએ હિંમત ન હારી.હાફ ટાઈમ પૂરો થવાની બરાબર પહેલાં, મેસીએ બોક્સની ધાર પાસેથી બોલ મેળવીને જગ્યા બનાવી અને ગોલકીપરની ઉપરથી બોલને નેટના ખૂણામાં ધકેલી દીધો. આ શાનદાર 'ઓપન પ્લે' ગોલની સાથે જ મેસી વર્લ્ડ કપ ઈતિહાસમાં સૌથી વધુ ગોલ કરનારા એકમાત્ર ખેલાડી બની ગયા.</p><p style="text-align: justify; "><a href="https://x.com/FIFAWorldCup/status/2069230280377069747?s=20" target="_blank">https://x.com/FIFAWorldCup/status/2069230280377069747?s=20</a></p><p style="text-align: justify; "><br></p><h5 style="text-align: justify; "><b>ટુર્નામેન્ટમાં તેનો પાંચમો ગોલ હતો.</b></h5><p style="text-align: justify; ">મેચના અંત પહેલા, સ્ટોપેજ ટાઇમમાં મેસ્સીએ પોતાનો બીજો ગોલ કર્યો. તેણે જમણી બાજુથી બોલ ઉપાડ્યો, અંદર ડ્રિફ્ટ થયો અને જુલિયન અલ્વારેઝને પાસ કર્યો. અલ્વારેઝ બોલને નેટમાં નાખી શક્યો નહીં, પરંતુ મેસ્સીએ પોતાનો દોડ ચાલુ રાખ્યો. બોલ ઢીલો થતાં જ, મેસ્સીએ તક ઝડપી લીધી અને તેને નેટમાં નાખી દીધો. આ તેનો 18મો વર્લ્ડ કપ ગોલ હતો અને ટુર્નામેન્ટમાં તેનો પાંચમો ગોલ હતો.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/mbappe-created-history-in-his-100th-match-becoming-the-second-player-to-do-so-in-the-fifa-world-cup" target="_blank"> Mbappeએ 100મી મેચમાં રચ્યો ઇતિહાસ,આવું કરનાર ફિફા વર્લ્ડ કપમાં બીજો ખેલાડી બન્યો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/23/wxYR29eugAX2Sru0b8Bf6woBr3m1Rik2uv7rt904.webp'/></item></channel></rss>