<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Chhotaudepur News: બોડેલીની શિરોલાવાલા હાઈસ્કૂલના આચાર્ય અને બે ટ્રસ્ટી સામે પોલીસ ફરિયાદ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/chhota-udepur/bodeli-shirolawala-high-school-principal-trustees-police-complaint</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/chhota-udepur/bodeli-shirolawala-high-school-principal-trustees-police-complaint</guid><pubDate>Sun, 14 Jun 2026 16:30:13 +05:30</pubDate><description><![CDATA[<p>છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરમાં આવેલી જાણીતી શૈક્ષણિક સંસ્થા શેઠ એચ. એચ. શિરોલાવાલા હાઈસ્કૂલ ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. શાળાના પૂર્વ આચાર્ય દ્વારા હાલના આચાર્ય અને બે ટ્રસ્ટીઓ સામે બોડેલી પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવતા શૈક્ષણિક આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.</p><h2><b>શું છે સમગ્ર મામલો?</b></h2><p>ઘટનાની મળતી માહિતી અનુસાર, શેઠ એચ. એચ. શિરોલાવાલા હાઈસ્કૂલના પૂર્વ આચાર્ય જીગ્નેશ રમેશચંદ્ર શાહે વર્ષ 2023માં પોતાના પદ પરથી રાજિનામું આપ્યું હતું. પૂર્વ આચાર્યનો આક્ષેપ છે કે, રાજિનામું આપ્યા બાદ પણ ટ્રસ્ટ સાથે સંકળાયેલા હોદ્દેદારો અને હાલના સ્ટાફ દ્વારા તેમને વારંવાર કાયદાકીય નોટિસો મોકલીને માનસિક રીતે અત્યંત હેરાન કરવામાં આવી રહ્યા છે.</p><h2><b>રૂ. 11.40 લાખની ગેરરીતિના આક્ષેપ અને NOC આપવા દબાણ</b></h2><p>પૂર્વ આચાર્ય જીગ્નેશ શાહે નોંધાવેલી ફરિયાદ અનુસાર, ટ્રસ્ટીઓ દ્વારા તેમના પર રૂ. 11.40 લાખની નાણાકીય ગેરરીતિના ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, આ આક્ષેપો હેઠળ જરૂરી પ્રમાણપત્રો અને એનઓસી (NOC) આપવા માટે તેમના પર સતત દબાણ કરવામાં આવી રહ્યું હતું. </p><p>વર્ષ 2025થી અત્યાર સુધી તેમને વિવિધ નોટિસો મોકલીને નાણાકીય ઉચાપત, મસ્ટર રોલમાં ચેડાં કરવા તેમજ શાળાને મોટું આર્થિક અને સામાજિક નુકસાન પહોંચાડવાના ગંભીર આરોપો લગાવાયા છે, જેના કારણે સમાજમાં તેમની પ્રતિષ્ઠાને મોટું નુકસાન પહોંચ્યું છે. પૂર્વ આચાર્યએ આ આક્ષેપોના લેખિત પુરાવા માંગ્યા હોવા છતાં સામે પક્ષે કોઈ પુરાવા રજૂ કરાયા નથી.</p><h2><b>આ 3 લોકો સામે નોંધાઈ ફરિયાદ</b></h2><p>માનસિક ત્રાસ અને ખોટા આક્ષેપોથી કંટાળીને આખરે પૂર્વ આચાર્ય જીગ્નેશ શાહે ન્યાય મેળવવા પોલીસના દ્વાર ખખડાવ્યા છે. તેમણે બોડેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં સુરેશ પટેલ (હાલના આચાર્ય), ભાવેશ જગદીશચંદ્ર શિરોલાવાલા (ટ્રસ્ટી) અને કંચન પટેલ (ટ્રસ્ટી) સામે ફરિયાદ નોંધાઈ છે.</p><h2><b>સ્થાનિક પંથકમાં ચર્ચાનો વિષય બન્યો  વિવાદ</b></h2><p>બોડેલી પોલીસે પૂર્વ આચાર્યની મૌખિક અને લેખિત રજૂઆતના આધારે હાલના આચાર્ય અને બંને ટ્રસ્ટીઓ વિરૂદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. શૈક્ષણિક સંસ્થામાં આ પ્રકારના આંતરિક વિવાદ અને પોલીસ ફરિયાદને પગલે સ્થાનિક પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-traffic-jam-due-to-falling-tree-branches-on-the-highway-near-pavi-village" target="_blank">Chhotaudepur: પાવી ગામ પાસે ધોરીમાર્ગ ઉપર તોતિંગ વૃક્ષની ડાળી તૂટતા ટ્રાફિકજામ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/14/WoTh9a0IO3G2x8HkHolqDNbjlO94sbaBsms3lYtY.webp'/></item><item><title><![CDATA[Sushant Singh Rajput જ નહીં, આ કલાકારોના મોતે પણ આખી ઇન્ડસ્ટ્રીને હચમચાવી દીધી હતી! ]]></title><link>https://sandesh.com/entertainment/news/sushant-singh-rajput-5-bollywood-celebrities-unsolved-mysterious-deaths</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/sushant-singh-rajput-5-bollywood-celebrities-unsolved-mysterious-deaths</guid><pubDate>Sun, 14 Jun 2026 16:07:26 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આજના જ દિવસે સુશાંત સિંહ રાજપૂતના અવસાનના સમાચારે આખા દેશને હચમચાવી દીધો હતો. તેમના રહસ્યમય મૃત્યુ પરથી આજે પણ પડદો ઉઠ્યો નથી. પરંતુ બોલીવુડમાં આ પહેલો એવો કેસ નહોતો. આ પહેલાં પણ ઘણા સ્ટાર્સના મોતને લઈને આવો જ ભારે હોબાળો મચ્યો હતો.&nbsp;<br><h2><b>સુશાંત સિંહ રાજપૂતનું મૃત્યુ આજે પણ એક રહસ્ય</b></h2></p><p style="text-align: justify; ">અગાઉ 14 જૂન 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂતે પોતાના અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અવસાનથી પૂરી ઇન્ડસ્ટ્રીમાં ભારે હોબાળો મચી ગયો હતો. પ્રશંસકોના દબાણને કારણે બોલીવુડના ઘણા કલાકારો તપાસના દાયરામાં આવ્યા હતા. મીડિયા ટ્રાયલ્સમાં પણ લોકો ખરાબ રીતે ફસાયા હતા. તેમ છતાં સુશાંતનું અવસાન આજ સુધી એક રહસ્ય બનેલું છે.</p><h3 style="text-align: justify; "><b>અન્ય બોલીવુડ કલાકારોના અવસાન</b></h3><p style="text-align: justify; ">સુશાંત એવા પહેલા એક્ટર નહોતા. તેમના સિવાય આ 5 સેલિબ્રિટીઝ બીજા છે, જેમના અવસાન સાથે જોડાયેલા ઘણા સવાલો આજે પણ વણઉકેલાયેલા છે. જાણો આ 5 પ્રખ્યાત લોકો વિશે, જેમને મોટા પડદા પર જોયા, પરંતુ અચાનક થયેલા અવસાને બધું જ ખતમ કરી દીધું.</p><h3 style="text-align: justify; "><b>દિવ્યા ભારતી</b></h3><p style="text-align: justify; ">દિવ્યા ભારતી 90ના દાયકામાં ઉભરતી કલાકાર હતી. માત્ર 19 વર્ષની ઉંમરે તેણે બોલીવુડમાં પોતાનું ખાસ સ્થાન બનાવી લીધું હતું. પરંતુ આ ખ્યાતિ વધુ દિવસો સુધી ટકી ન શકી અને 5 એપ્રિલ 1993ના રોજ પોતાના મુંબઈ સ્થિત એપાર્ટમેન્ટના 5મા માળની બાલ્કનીમાંથી નીચે પડવાને કારણે તેનું ઘટનાસ્થળે જ અવસાન થયું હતું. તેના અવસાનને લઈને ષડયંત્ર, હત્યા અને આત્મહત્યા જેવી ઘણી અટકળો લગાવવામાં આવી હતી. મુંબઈ પોલીસને કોઈ નક્કર પુરાવા ન મળ્યા અને વર્ષ 1998માં આ કેસને એક અકસ્માત માનીને બંધ કરી દેવામાં આવ્યો, પરંતુ પ્રશંસકોના મનમાં આજે પણ શંકા યથાવત છે.</p><h3 style="text-align: justify; "><b>શ્રીદેવી</b></h3><p style="text-align: justify; ">ભારતીય સિનેમાની પહેલી મહિલા સુપરસ્ટાર શ્રીદેવીનું અવસાન 24 ફેબ્રુઆરી 2018ના રોજ દુબઈની એક હોટેલના રૂમમાં થયું હતું. ફોરેન્સિક રિપોર્ટમાં અવસાનનું કારણ બાથટબમાં અકસ્માતે ડૂબી જવું જણાવવામાં આવ્યું હતું. અચાનક થયેલા અવસાન પર ભારતીય મીડિયા અને પ્રશંસકો વચ્ચે ઘણા દિવસો સુધી અવનવી વાતો ચાલતી રહી. પરંતુ ઘણા લોકો આજે પણ તેમના અવસાનને એક રહસ્યમય કોયડો માને છે.</p><h4 style="text-align: justify; "><b>જીયા ખાન</b></h4><p style="text-align: justify; ">ફિલ્મ નિશબ્દ અને ગજની ફેમ જીયા ખાન 3 જૂન 2013ના રોજ પોતાના મુંબઈ સ્થિત ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસને મળેલી 6 પાનાની સુસાઈડ નોટના આધારે તેના મિત્ર સૂરજ પંચોલી પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લાગ્યો હતો.</p><h4 style="text-align: justify; "><b>જીયાની માતાએ લગાવ્યા ઘણા આરોપો</b></h4><p style="text-align: justify; ">એક્ટ્રેસ જીયાની માતાએ આને મર્ડર ગણાવીને વર્ષો સુધી લાંબી કાનૂની લડાઈ લડી. કોર્ટે અંતે સૂરજ પંચોલીને નિર્દોષ જાહેર કર્યો, પરંતુ જીયાના અવસાન પાછળના ઘણા સવાલો હંમેશા માટે દફનાવવામાં આવી ગયા.</p><h4 style="text-align: justify; "><b>પરવીન બાબી</b></h4><p style="text-align: justify; ">બોલીવુડની ગ્લેમર ક્વીન કહેવાતી પરવીન બાબીની લાશ પણ 22 જાન્યુઆરી 2005ના રોજ તેમના મુંબઈ સ્થિત ફ્લેટમાંથી મળી આવી હતી. અહેવાલો અનુસાર, તે પોતાના અંતિમ દિવસોમાં દુનિયાથી પૂરી રીતે કપાઈ ચૂકી હતી. ડોક્ટરોના જણાવ્યા મુજબ પરવીન બાબીનું અવસાન ભૂખ અને અંગો કામ ન કરવાને કારણે થયું હતું, પરંતુ તેના માનસિક સ્વાસ્થ્ય અને એકલતા પાછળ છુપાયેલું બોલીવુડનું કડવું સત્ય આજે પણ એક રહસ્ય છે.</p><h5 style="text-align: justify; "><b>ગુરુ દત્ત</b></h5><p style="text-align: justify; ">બોલીવુડના મહાન નિર્દેશક અને અભિનેતા ગુરુ દત્તની ફિલ્મો આજે પણ કલ્ટ ક્લાસિક માનવામાં આવે છે. પરંતુ તેમનું અવસાન આજે પણ રહસ્યોથી ઘેરાયેલું છે. 10 ઓક્ટોબર 1964 ના રોજ માત્ર 39 વર્ષની ઉંમરે તેઓ પોતાના ભાડાના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.</p><h4 style="text-align: justify; "><b>ગુરુ દત્તનું રહસ્યમય અવસાન</b></h4><p style="text-align: justify; ">અહેવાલો અનુસાર, ગુરુ દત્તનું અવસાન અતિશય માત્રામાં ઊંઘની ગોળીઓ અને દારૂના મિશ્રણને કારણે થયું હતું. તેઓ પોતાની અંગત જિંદગી અને વૈવાહિક સંબંધોને લઈને ખૂબ જ તણાવમાં હતા. પરંતુ આજ સુધી એ પૂરી રીતે સ્પષ્ટ થઈ શક્યું નથી કે તેમણે જાણીજોઈને આત્મહત્યા કરી હતી કે અજાણતામાં દવાનો ઓવરડોઝ થઈ ગયો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/singer-vishal-dadlani-real-life-story-divorce-loneliness" target="_blank">આ પણ વાંચો-Bollywood Singer : 52 વર્ષનો એ સિંગર, જેના 43ની ઉંમરે થયા છૂટાછેડા, પછી ક્યારેય ન થયો પ્રેમ...!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/14/vXXuYhJcPQinXTlVQpwfIJW5JkhipSUEzMK0IrWK.webp'/></item><item><title><![CDATA[Business News : ICICI બેન્કે 5 દિવસમાં જ રોકાણકારોને કરાવી 56,000 કરોડની કમાણી, જાણો અન્ય ટોપ 9 કંપનીઓની સ્થિતિ ]]></title><link>https://sandesh.com/business/news/icici-bank-investors-gain-56000-crore-in-5-days-top-10-companies-market-cap-update</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/icici-bank-investors-gain-56000-crore-in-5-days-top-10-companies-market-cap-update</guid><pubDate>Sun, 14 Jun 2026 16:03:20 +05:30</pubDate><description><![CDATA[<p>ગયા સપ્તાહે શેરબજારના રોકાણકારો માટે ખૂબ જ સકારાત્મક સાબિત થયું. સેન્સેક્સની ટોપ-10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી 8 કંપનીઓની કુલ માર્કેટ વેલ્યૂમાં લગભગ ₹1.90 લાખ કરોડનો વધારો નોંધાયો. સૌથી વધુ લાભ ખાનગી ક્ષેત્રની ICICI બેન્કને થયો, જેના રોકાણકારોએ માત્ર પાંચ ટ્રેડિંગ દિવસોમાં ₹56,000 કરોડથી વધુની સંપત્તિમાં વધારો થયો. સપ્તાહ દરમિયાન બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના 30 શેરો ધરાવતો સેન્સેક્સ 1,285 અંક વધ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી 256 અંકની તેજી સાથે બંધ રહ્યો હતો.</p><h2><b>ICICI બેન્ક રહી સૌથી આગળ</b></h2><p>ગયા સપ્તાહ દરમિયાન ICICI બેન્કના શેરોમાં જોરદાર તેજી જોવા મળી. બેન્કનું માર્કેટ કેપિટલાઇઝેશન વધીને ₹9.61 લાખ કરોડ પર પહોંચી ગયું. પરિણામે રોકાણકારોની સંપત્તિમાં અંદાજે ₹56,223 કરોડનો વધારો થયો. બીજી તરફ HDFC બેન્કનું માર્કેટ કેપ વધીને ₹11.89 લાખ કરોડ થયું, જેના કારણે રોકાણકારોની સંપત્તિમાં ₹38,571 કરોડનો વધારો થયો. સરકારી ક્ષેત્રની સૌથી મોટી બેન્ક SBIનું માર્કેટ કેપ ₹36,138 કરોડ વધીને ₹9.39 લાખ કરોડ થયું. બેન્કિંગ ક્ષેત્રે સમગ્ર સપ્તાહ દરમિયાન મજબૂત પ્રદર્શન કર્યું.</p><h3><b>અન્ય કંપનીઓમાં પણ તેજી</b></h3><ul><li>Bajaj Financeનું માર્કેટ કેપ ₹18,366 કરોડ વધીને ₹5.72 લાખ કરોડ થયું.</li><li>Bharti Airtelની માર્કેટ વેલ્યૂ ₹14,380 કરોડ વધીને ₹11.10 લાખ કરોડ પર પહોંચી.</li><li>Larsen &amp; Toubro (L&amp;T)નું માર્કેટ કેપ ₹13,241 કરોડ વધીને ₹5.57 લાખ કરોડ થયું.</li><li>FMCG ક્ષેત્રની Hindustan Unilever (HUL)ની માર્કેટ વેલ્યૂમાં ₹10,984 કરોડનો વધારો થયો અને તે ₹5.09 લાખ કરોડ પર પહોંચી.</li><li>Reliance Industriesનું માર્કેટકેપ ₹2,097 કરોડ વધીને ₹17.49 લાખ કરોડ થયું.</li></ul><h4><b>TCS અને LICને ઝટકો</b></h4><p>જ્યાં 8 કંપનીઓના રોકાણકારોએ જબરદસ્ત કમાણી કરી, ત્યાં બે કંપનીઓના રોકાણકારોને નુકસાન પણ થયું. ટાટા ગ્રુપની IT કંપની TCSનું માર્કેટ કેપ ₹13,296 કરોડ ઘટીને ₹7.82 લાખ કરોડ પર આવી ગયું. ઉપરાંત LICના માર્કેટ કેપમાં ₹822 કરોડનો ઘટાડો નોંધાયો અને તે ₹5.05 લાખ કરોડ પર આવી ગયું. માર્કેટ વેલ્યૂના આધારે દેશની સૌથી મૂલ્યવાન કંપની તરીકે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું પ્રભુત્વ યથાવત રહ્યું.<br><br><b><a href="https://sandesh.com/business/news/petrol-diesel-price-today-did-petrol-and-diesel-prices-decrease-know-the-latest-rates-of-your-city-today" target="_blank">આ પણ વાંચો : Petrol Diesel Price Today: શું પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા? જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ</a></b></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/14/BYI7dZvxYBcpsMxGX63LLMzw07ljw97RFo1SFML2.webp'/></item><item><title><![CDATA[Kheda News: પુરૂષોત્તમ માસની પૂર્ણાહુતિ પર ડાકોરમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kheda/dakor-ranchhodraiyan-temple-rush-purushottam-maas-crowd</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kheda/dakor-ranchhodraiyan-temple-rush-purushottam-maas-crowd</guid><pubDate>Sun, 14 Jun 2026 15:46:48 +05:30</pubDate><description><![CDATA[<p>હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર ગણાતા પુરૂષોત્તમ માસની પૂર્ણાહુતિ આડે હવે માત્ર એક જ દિવસ બાકી રહ્યો છે, ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભગવાન રણછોડરાયના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓનું કીડીયારું ઉભરાયું છે. ડાકોર આજે 'જય રણછોડ, માખણચોર'ના નારાઓથી ગુંજી ઉઠ્યું છે. કાળઝાળ ગરમી પર ભક્તોનો ભગવાન પ્રત્યેનો પ્રેમ ભારે પડતો જોવા મળી રહ્યો છે.</p><h2><b>43 ડિગ્રી ગરમી વચ્ચે પણ આસ્થા અડીખમ, 2 કિમી લાંબી લાઈનો</b></h2><p>હાલ રાજ્યમાં આકરી ગરમી પડી રહી છે અને ડાકોરમાં પારો 43 ડિગ્રીએ પહોંચ્યો છે. જોકે, આ ભીષણ ગરમી પણ ભક્તોની અડગ આસ્થાને ડગાવી શકી નથી. કાળિયા ઠાકોરની એક ઝલક મેળવવા માટે અત્યાર સુધીમાં 3 લાખથી વધુ ભાવિકો ડાકોર પહોંચી ચૂક્યા છે. મંદિર પરિસરની બહાર બે કિલોમીટર લાંબી દર્શનની લાઈનો જોવા મળી રહી છે, છતાં કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં ભક્તોના ઉત્સાહમાં કોઈ ઓટ આવી નથી.</p><h2><b>પ્રભુને સોનાના આભૂષણો અને ચંદનનો લેપ</b></h2><p>પુરૂષોત્તમ માસના અંતિમ દિવસો નિમિત્તે ભગવાન રણછોડરાયનો અત્યંત દિવ્ય અને અલૌકિક શૃંગાર કરવામાં આવ્યો છે. કાળિયા ઠાકોરને સોનાના કિંમતી અને ભવ્ય આભૂષણો ધારણ કરાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, ભીષણ ગરમીથી પ્રભુને રાહત આપવા માટે ખાસ શીતળ ચંદનનો વિશેષ લેપ કરીને અદ્ભુત શણગાર કરાયો છે, જેના દર્શન કરી ધન્યતા અનુભવવા ભક્તો વ્યાકુળ બન્યા છે. પવિત્ર મહિનાના અંતે ઠાકોરજીના દર્શન કરી અદભુત પુણ્ય ભાથું બાંધવા માટે સમગ્ર ગુજરાતમાંથી માનવમહેરામણ હિલોળે ચડ્યું છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/kheda/kheda-tulsi-wedding-held-at-dakor-ranchhodrai-temple" target="_blank">Kheda: ડાકોર રણછોડરાય મંદિરે તુલસી વિવાહ યોજાયો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/14/603PzMBD0cdj8tgjskgjRncXgKJVNpNl28ceOJUW.webp'/></item><item><title><![CDATA[Rajkot News: બાળ સુરક્ષા ગૃહમાંથી ફરાર થયેલો પાકિસ્તાની બાળક પરત ફર્યો, હજી 10ની શોધખોળ ચાલુ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/rajkot/pakistani-child-returns-after-escaping-child-protection-home</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/rajkot/pakistani-child-returns-after-escaping-child-protection-home</guid><pubDate>Sun, 14 Jun 2026 15:44:51 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારો અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કરતો બનાવ સામે આવ્યો છે. શહેરના બાળ સંરક્ષણ ગૃહમાંથી એકસાથે 11 બાળકો ગાયબ થઈ જતાં ભારે ચકચાર મચી ગઈ છે.મોડી રાત્રે આ બાળકો બાળગૃહમાંથી નાસી છૂટ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.જેના કારણે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં ભારે હડકંપ મચી ગયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી. પોલીસે તપાસમાં એક બાળકને શોધી કાઢ્યો છે. આ અંગે રાજકોટ કલેક્ટર દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું.&nbsp;&nbsp;</p><h2 style="text-align: justify; "><b>હજી ફરાર થયેલા 10 બાળકોની શોધખોળ ચાલુ</b></h2><p style="text-align: justify; ">સમગ્ર ઘટનાને લઈને રાજકોટ કલેક્ટર ઓમ પ્રકાશ દ્વારા જણાવાયું હતું કે, બાળ સુરક્ષા ગૃહમાં કૂલ 54 બાળકો છે. સવારે 9 વાગ્યે આ 54માંથી 11 બાળકો ભાગ્યા હતાં. જેમાથી એક પાકિસ્તાની બાળક પરત ફર્યો છે. હજી ફરાર થયેલા 10 બાળકોની શોધખોળ ચાલુ છે. આ બાળકો પહેલાથી પ્લાનિંગ કરી ગ્રીલ તોડીને ભાગ્યા હતાં. ભાગતી વખતે રૂમનો કેમેરો પણ તોડી નાંખ્યો હતો. અહીં સાત વર્ષથી વધુ સજા હોય તેવા બાળકો રહેતા હતાં. પોલીસ બાળકોને શોધવા કામગીરી કરી રહી છે. પોલીસ દ્વારા સીસીટીવીના આધારે તપાસ કરવામાં આવી રહી છે.&nbsp;&nbsp;</p><h3 style="text-align: justify; "><b>પોલીસે સીસીટીવીથી તપાસ શરૂ કરી</b></h3><p style="text-align: justify; ">પોલીસ દ્વારા આ બાળકોને શોધવા માટે રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને શહેરના તમામ એક્ઝિટ પોઈન્ટ્સ પર વોચ ગોઠવી દેવામાં આવી છે.આ તપાસમાં બાળ સંરક્ષણ ગૃહ અને તેની આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ સૌથી મહત્વની કડી સાબિત થઈ શકે છે.પોલીસ હાલ આ ફૂટેજ ખૂબ જ બારીકાઈથી ચકાસી રહી છે જેથી બાળકો કઈ તરફ ગયા છે તેની ચોક્કસ દિશા જાણી શકાય.આટલી મોટી સંખ્યામાં બાળકો કેવી રીતે અને કોની બેદરકારીથી સંસ્થાની બહાર નીકળી ગયા તે દિશામાં પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા પૂછપરછ અને તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.<br><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/surendranagar/lakhtar-valbhipur-canal-drowning-accident-youth-death" target="_blank">આ પણ વાંચોઃ Surendranagar News: વલભીપુર કેનાલમાં ન્હાવા પડેલા શ્રમિકનું મોત, પિતાએ બંને દીકરા પાણીમાં ગુમાવ્યા</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/14/T4IrTHzXvyXmSYHikveWufRrNQ7mUDpp3xhQ9Fwt.webp'/></item><item><title><![CDATA[વાંચો બપોરે 12થી 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર ]]></title><link>https://sandesh.com/gujarat/news/india/surat-asi-drunk-driver-hits-bus--amreli-farmer-suicide-gondal-oil-mill-accident--el-nino-effect--less-rain-expected-in-gujarat-important-news-from-12-pm-to-03-pm-14-june-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/india/surat-asi-drunk-driver-hits-bus--amreli-farmer-suicide-gondal-oil-mill-accident--el-nino-effect--less-rain-expected-in-gujarat-important-news-from-12-pm-to-03-pm-14-june-2026</guid><pubDate>Sun, 14 Jun 2026 15:00:00 +05:30</pubDate><description><![CDATA[<p>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર&nbsp;&nbsp;</p><p><a href="https://sandesh.com/gujarat/news/vadodara/savli-yuva-bjp-president-prafulsinh-solanki-suicide-case-dysp-assures-strict-investigation" target="_blank">1. Vadodara: સાવલી યુવા ભાજપ પ્રમુખ આપઘાત કેસ, DYSP ની કડક તપાસ અને ગુનો નોંધવાની ખાતરી બાદ મામલો થાળે</a></p><p><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/surendranagar/lakhtar-valbhipur-canal-drowning-accident-youth-death" target="_blank">2.Surendranagar News: વલભીપુર કેનાલમાં ન્હાવા પડેલા શ્રમિકનું મોત, પિતાએ બંને દીકરા પાણીમાં ગુમાવ્યા</a></p><p><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/monsoon-likely-to-arrive-late-imd-predicts-rainfall-across-state" target="_blank">3.Weather News: રાજ્યમાં 15 જૂન આસપાસ બેસતુ ચોમાસુ મોડું પડશે, જાણો હવામાન વિભાગની આગાહી</a></p><p><a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-day-4-these-four-teams-will-clash-on-super-sunday-know-what-time-the-match-will-start" target="_blank">4.FIFA World Cup 2026,Day 4 : સુપર સન્ડેમાં આ ચાર ટીમ વચ્ચે ટક્કર,જાણો કેટલા વાગ્યે શરૂ થશે મેચ</a></p><p><a href="https://sandesh.com/gujarat/news/rajkot/11-children-missing-from-child-care-home" target="_blank">5.Rajkot News: શહેરના બાળ આશ્રયગૃહમાંથી મોડી રાત્રે 11 બાળકો ગાયબ, શોધખોળ માટે આખું તંત્ર દોડતું થયું</a></p><p><a href="https://sandesh.com/world/news/us-iran-peace-deal-will-the-deal-be-signed-today-big-claims-of-trump-and-pakistan-pm" target="_blank">6.US Iran Peace Deal: શું આજે જ થશે ડીલ પર હસ્તાક્ષર? ટ્રમ્પ અને પાકિસ્તાનના PMના મોટા દાવા</a></p><p><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/rath-yatra-2026-route-development-95--complete" target="_blank">7.Ahmedabad News : રથયાત્રાના રૂટના વિકાસ કાર્યનું 95 ટકા કામ પૂર્ણ, જમાલપુરથી ખમાસા સુધીના રસ્તાને મળશે નવો ઓપ</a></p><p><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/gandhinagar/gujarat-minister-ramesh-katara-sparks-controversy-over-statement-on-teachers-pay-commission" target="_blank">8.Gandhinagar: કૃષિ રાજ્ય મંત્રી રમેશ કટારાના શિક્ષકો પરના આક્ષેપોથી શિક્ષણ જગતમાં ભભૂક્યો આક્રોશ</a></p><p><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kheda/galteshwar-sevaliya-private-bus-road-accident" target="_blank">9.Kheda News: સાણંદથી આવી રહેલી ખાનગી બસ ગળતેશ્વરમાં પલટી, 55થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત</a></p><p><a href="10.Oman Sea Rescue Operation: ઓમાનના દરિયામાં ડૂબી બોટ, 14 ભારતીય હતા સવાર,https://sandesh.com/world/breakingnews/oman-sea-rescue-operation-boat-sinks-in-omani-sea-14-indians-were-on-board" target="_blank">10.Oman Sea Rescue Operation: ઓમાનના દરિયામાં ડૂબી બોટ, 14 ભારતીય હતા સવાર,</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/05/30/WHl4wOHzqJbhb9jZtLt4dJ2tuznnKyyPDEsb1HXK.webp'/></item><item><title><![CDATA[Rajkot News: ગોંડલમાં અવની ઓઈલ મિલમાં મશીનમાં ફસાતા મહિલાનું મોત, જુઓ Video ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/gondal-oil-mill-accident-woman-worker-dies-machine-trapped</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/gondal-oil-mill-accident-woman-worker-dies-machine-trapped</guid><pubDate>Sun, 14 Jun 2026 14:51:01 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાંથી એક અત્યંત કાળજું કંપાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગોંડલના ગુંદાળા રોડ પર આવેલી 'અવની ઓઈલ મિલ'માં કામ કરતા સમયે મશીનની લપેટમાં આવી જતાં એક વયવૃદ્ધ મહિલા શ્રમિકનું ઘટના સ્થળે જ કરૂણ અને કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ સમગ્ર ગોઝારી દુર્ઘટના મિલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.</p><h2><b>ખોળ ધકેલવા જતાં સાડી મશીનમાં વીંટળાઈ ગઈ</b></h2><p>ઘટનાની મળતી માહિતી અનુસાર, મૃતક મહિલા શ્રમિકનું નામ શારદાબેન લક્ષ્મણભાઈ ખાંટ છે, જેઓ મૂળ પંચમહાલ જિલ્લાના ગોલણપુર ગામના વતની હતા. આજે સવારે આશરે 7:30 વાગ્યાની આસપાસ શારદાબેન મિલમાં કામ કરી રહ્યા હતા, તે દરમિયાન મશીનમાં ખોળ અટવાઈ ગયો હતો. આ ખોળને હાથથી ધક્કો મારીને આગળ ધકેલતી વખતે અચાનક શારદાબેનની સાડી કે કપડું મશીનના ફરતા ભાગમાં વીંટળાઈ ગયું હતું. મશીનની ગતિ એટલી ઝડપી હતી કે, ક્ષણભરમાં જ શારદાબેન મશીનની અંદર ખેંચાઈ ગયા હતા અને તેમનું શરીર કચડાઈ જતાં ઘટના સ્થળે જ પ્રાણ પંખેરુ ઊડી ગયું હતું.</p><h2><b>સવારે કાળ ભરખી ગયો</b></h2><p>આ ઘટના પાછળની વધુ એક કરુણતા એ છે કે, મૃતક શારદાબેન, તેમનો દીકરો અને તેમનો ભત્રીજો માત્ર શનિવારની સાંજે આ મિલમાં મજૂરી કામ અર્થે આવ્યા હતા. તેઓ મિલ પરિસરમાં જ રહેતા હતા. હજુ તો કામ શરૂ કર્યાને 24 કલાક પણ નહોતા થયા, ત્યાં જ આ ગોઝારો અકસ્માત થયો હતો, જેને પગલે પરિવારમાં આક્રંદ છવાઈ ગયો છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2066057200586702959"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી</b></h2><p>દુર્ઘટના બાદ મશીનના ભાગોને ખોલીને અત્યંત જહેમત બાદ શારદાબેનના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ 'શિવમ સાર્વજનિક ટ્રસ્ટ'ની એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ગોંડલની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. ઘટનાની જાણ થતાં જ ગોંડલ શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/gujarat/news/rajkot/11-children-missing-from-child-care-home" target="_blank"> Rajkot News: શહેરના બાળ આશ્રયગૃહમાંથી મોડી રાત્રે 11 બાળકો ગાયબ, શોધખોળ માટે આખું તંત્ર દોડતું થયું</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/14/ZRx7y2YhTw4OXuw59UmxE0KRislcS407kT33S3ER.webp'/></item><item><title><![CDATA[Weather News: રાજ્યમાં 15 જૂન આસપાસ બેસતુ ચોમાસુ મોડું પડશે, જાણો હવામાન વિભાગની આગાહી ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/monsoon-likely-to-arrive-late-imd-predicts-rainfall-across-state</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/monsoon-likely-to-arrive-late-imd-predicts-rainfall-across-state</guid><pubDate>Sun, 14 Jun 2026 14:34:51 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂનની આસપાસ ચોમાસું સત્તાવાર રીતે બેસી જતું હોય છે, પરંતુ આ વર્ષે વહેલા વરસાદની આશા રાખતા નાગરિકો અને ખેડૂતો માટે મહત્વના સમાચાર આવ્યા છે.હવામાન વિભાગની આગાહી અનુસાર,આ વર્ષે ગુજરાતમાં ચોમાસાના વિધિવત આગમનમાં થોડો વિલંબ જોવા મળી શકે છે. વૈશ્વિક સ્તરે અલ નીનોની અસર સક્રિય હોવાને કારણે ચોમાસાની ગતિ ધીમી પડી છે.જેના લીધે ચોમાસા માટે હજુ થોડી રાહ જોવી પડશે.</p><h2 style="text-align: justify; "><b>બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ</b></h2><p style="text-align: justify; ">હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન એમ બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે.આ સિસ્ટમોના પ્રભાવ હેઠળ રાજ્યમાં આગામી 7 દિવસ સુધી છૂટોછવાયો વરસાદ ચાલુ રહેશે.સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આકરી આગાહી કરવામાં આવી છે.સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વાતાવરણ વાદળછાયું રહેશે અને પવન ફૂંકાશે.આગામી દિવસોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડવાની પૂરેપૂરી સંભાવના છે.</p><h3 style="text-align: justify; "><b>હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના</b></h3><p style="text-align: justify; ">હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. હાલમાં ચોમાસું મધ્ય ભારત તરફ આગળ વધી રહ્યું છે અને આગામી 2 થી 3 દિવસમાં તે દક્ષિણ છત્તીસગઢ અને ઓડિશાના વધુ ભાગોમાં પહોંચે તેવી સાનુકૂળ સ્થિતિ સર્જાઈ છે.ગુજરાતમાં હાલમાં નીચલા સ્તરે નૈઋત્યના પવનો ફૂંકાઈ રહ્યા છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય</b></h2><p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં શનિવારે મહત્તમ તાપમાન 41.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું,જે સામાન્ય કરતા 1.6 ડિગ્રી વધુ છે. આગામી દિવસોમાં શહેરમાં સામાન્ય રીતે વાદળછાયું આકાશ રહેવાની અને મહત્તમ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.રાજ્યમાં અન્યત્ર જોઈએ તો ભાવનગરમાં 41.9 ડિગ્રી અને ગાંધીનગરમાં40.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.હવામાન વિભાગે સ્પષ્ટતા કરી છે કે આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/viramgam-dhrangadhra-highway-major-truck-accident-near-vani-overbridge-one-driver-dead" target="_blank">આ પણ વાંચોઃ Viramgam: ધ્રાંગધ્રા હાઇવે પર બે ટ્રકો વચ્ચે ભયાનક ટક્કર, ટ્રક ચાલકનું ઘટનાસ્થળે નીપજ્યું કરુણ મોત</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/14/DSOUnpQbvYceFpihWmJdseVyeOslSTimxK8hskRs.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026,Day 4 : સુપર સન્ડેમાં આ ચાર ટીમ વચ્ચે ટક્કર,જાણો કેટલા વાગ્યે શરૂ થશે મેચ ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-day-4-these-four-teams-will-clash-on-super-sunday-know-what-time-the-match-will-start</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-day-4-these-four-teams-will-clash-on-super-sunday-know-what-time-the-match-will-start</guid><pubDate>Sun, 14 Jun 2026 13:48:24 +05:30</pubDate><description><![CDATA[<p>ફીફા વર્લ્ડ કપ 2026નો ઉત્સાહ દરેક પસાર થતા દિવસ સાથે વધી રહ્યો છે.ટુર્નામેન્ટના ચોથા દિવસે ફૂટબોલ ચાહકો ઘણી મોટી મેચ જોશે,જેમાં ચાર વખતના ચેમ્પિયન જર્મનીનો સમાવેશ થાય છે, જ્યારે નેધરલેન્ડ અને જાપાન હાઇ-વોલ્ટેજ ટક્કરમાં ટકરાશે. વધુમાં, આઇવરી કોસ્ટ વિરુદ્ધ ઇક્વાડોર અને સ્વીડન વિરુદ્ધ ટ્યુનિશિયાની મેચો પણ ચાહકોના ધબકારા વધારશે.</p><h4><b>જર્મની અને કુરાકાઓ વચ્ચે ટક્કર</b></h4><p>દિવસનો પ્રથમ મુખ્ય મેચ જર્મની અને કુરાકાઓ વચ્ચે રમાશે. જર્મની આ ટુર્નામેન્ટમાં મજબૂત વાપસી કરવા માટે ઉત્સુક છે, જે અગાઉના બે વર્લ્ડ કપની નિરાશાઓને ભૂલી ગયો છે. 2014 માં ચેમ્પિયન બન્યા પછી, ટીમ સતત બે વર્લ્ડ કપમાં ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી. તેથી, જર્મન ટીમ પર આ વખતે મજબૂત શરૂઆત કરવાનું દબાણ રહેશે. દરમિયાન, કુરાકાઓ પહેલીવાર ફીફા વર્લ્ડ કપમાં રમી રહ્યું છે. આશરે 156,000 ની વસ્તી ધરાવતો આ નાનો દેશ પહેલીવાર વર્લ્ડ કપમાં રમી રહ્યો છે.</p><h4><b>જાપાન અને&nbsp; નેધરલેન્ડ્સ</b></h4><p>આગામી, દિવસનો સૌથી રોમાંચક મુકાબલો નેધરલેન્ડ્સ અને જાપાન વચ્ચે થશે. ત્રણ વખત વર્લ્ડ કપ ફાઇનલમાં રમી ચૂકેલી ડચ ટીમ ફરી એકવાર ટાઇટલની શોધમાં હશે. નેધરલેન્ડ્સ 1974 થી લગભગ દરેક વર્લ્ડ કપમાં નોકઆઉટ સ્ટેજ સુધી પહોંચી છે. બીજી તરફ, જાપાન એશિયાની સૌથી મજબૂત ટીમોમાંની એક છે. તેઓ સતત આઠમા વર્લ્ડ કપમાં ભાગ લઈ રહ્યા છે. 1998 માં પ્રથમ વર્લ્ડ કપમાં હાજરી આપ્યા પછી, જાપાને ક્યારેય પાછળ વળીને જોયું નથી. તેથી, આ મેચ ખૂબ જ રોમાંચક હોવાની અપેક્ષા છે.</p><h5><b>આઇવરી કોસ્ટ અને ઇક્વાડોર આમને-સામને થશે</b></h5><p>ગ્રૂપ E ની બીજી મેચમાં, આઇવરી કોસ્ટ ઇક્વાડોરનો સામનો કરશે. ઇક્વાડોર તેના સતત બીજા વર્લ્ડ કપમાં ભાગ લઈ રહ્યું છે અને એકંદરે પાંચમા ક્રમે છે. ટીમે દક્ષિણ અમેરિકન ક્વોલિફાયરમાં શાનદાર પ્રદર્શન કર્યું, આર્જેન્ટિના પછી બીજા સ્થાને રહી. દરમિયાન, આઇવરી કોસ્ટ 12 વર્ષ પછી વર્લ્ડ કપમાં પરત ફરી રહ્યું છે. આફ્રિકન ટીમે ક્વોલિફિકેશન પ્રક્રિયામાં મજબૂત પ્રદર્શન સાથે સીધો સ્થાન મેળવ્યો. ૨૦૧૪ પછી પહેલી વાર વર્લ્ડ કપ રમી રહેલી આઇવરી કોસ્ટ આ વખતે વધુ સારું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે.</p><h5><b>સ્વીડન અને ટ્યુનિશિયા વચ્ચે ટક્કર</b></h5><p>સ્વીડન અને ટ્યુનિશિયા દિવસની અંતિમ મેચમાં એકબીજા સામે ટકરાશે. ટ્યુનિશિયા સાતમી વખત વર્લ્ડ કપ રમી રહ્યું છે અને સતત ત્રીજી વખત ટૂર્નામેન્ટમાં ભાગ લીધો છે. જોકે, ટીમ ક્યારેય ગ્રુપ સ્ટેજથી આગળ વધી શકી નથી. બીજી તરફ, સ્વીડન તેનો ૧૩મો ફિફા વર્લ્ડ કપ રમી રહ્યું છે. ટીમ ૧૯૯૪માં યુનાઇટેડ સ્ટેટ્સમાં યોજાયેલા વર્લ્ડ કપમાં ત્રીજા સ્થાને રહી હતી અને આ વખતે તે પ્રદર્શનનું પુનરાવર્તન કરવાની આશા રાખશે.</p><h4><b>ફિફા વર્લ્ડ કપ 2026 દિવસ 4 શેડ્યૂલ</b></h4><p>જર્મની અને&nbsp; કુરાકાઓ - રાત્રે 10.30 (14 જૂન, IST)</p><p>નેધરલેન્ડ અને&nbsp; જાપાન - સવારે 1.30 (15 જૂન, IST)</p><p>આઇવરી કોસ્ટ અને&nbsp; ઇક્વાડોર - સવારે 4.30 (15 જૂન, IST)</p><p>સ્વીડન અને&nbsp; ટ્યુનિશિયા - સવારે 7.30 (15 જૂન, IST)</p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/australia-starts-fifa-wc-with-a-win-defeats-turkey-2-0" target="_blank">FIFA WCમાં ઓસ્ટ્રેલિયાએ કરી જીત સાથે શરૂઆત, 2-0થી તુર્કીને હરાવ્યું</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/14/oYqAhXHRAcZrEWVec2kSV7nfx0QCELOuRWuM4NpL.webp'/></item><item><title><![CDATA[Gyan Bindu Academyના ડાયરેક્ટર Raushan Anandના ભાઈ પ્રિન્સનું નેપાળમાં શંકાસ્પદ મોત ]]></title><link>https://sandesh.com/india/breakingnews/crime/gyan-bindu-academy-director-raushan-anands-brother-prince-dies-under-suspicious-circumstances-in-nepal</link><guid isPermaLink="true">https://sandesh.com/india/breakingnews/crime/gyan-bindu-academy-director-raushan-anands-brother-prince-dies-under-suspicious-circumstances-in-nepal</guid><pubDate>Sun, 14 Jun 2026 12:53:13 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">પ્રિન્સ યાદવનો મૃતદેહ નેપાળની હોટેલમાંથી મળી આવતા મામલાએ વધુ ચર્ચા જગાવી છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">શંકાસ્પદ સંજોગોમાં મોત&nbsp;</h2><p style="text-align: justify; ">જ્ઞાન બિંદુ એકેડેમી અને ખાન ગ્લોબલ સ્ટડીઝ વિવાદમાં એક નવો વળાંક આવ્યો છે. જ્ઞાન બિંદુ એકેડેમીના ડિરેક્ટર રોશન આનંદના ભાઈ પ્રિન્સ યાદવનું નેપાળના બિરાટનગરની હોટલમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. તેમની વિરુદ્ધ FIR દાખલ થયા બાદ, તેઓ ધરપકડથી બચવા માટે નેપાળ ભાગી ગયા હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. નેપાળ પોલીસે તપાસ શરૂ કરી છે અને કસ્ટડીમાં રાખેલા પાંચ લોકોની પૂછપરછ કરાઇ રહી છે. પ્રિન્સ યાદવ જ્ઞાન બિંદુ એકેડેમીના સંચાલન અને વહીવટી કાર્ય સંભાળતા હતા.</p><h3 style="text-align: justify; ">નેપાળ પોલીસની તપાસ તેજ&nbsp;</h3><p style="text-align: justify; ">રોશન આનંદ અને પ્રિન્સ યાદવ સામે FIR દાખલ કરવામાં આવી હતી. પોલીસે રોશન આનંદની ધરપકડ કરી હતી, જ્યારે પ્રિન્સ યાદવ ધરપકડના ડરથી નેપાળ ભાગી ગયો હતો. ઘટનાના થોડા દિવસો પછી, તેમનો મૃતદેહ બિરાટનગરની એક હોટલમાં શંકાસ્પદ સંજોગોમાં મળી આવ્યો હતો. નેપાળ પોલીસ અધિકારીઓએ મૃતદેહનો કબજો લીધો અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. શરૂઆતમાં મૃત્યુનું કારણ નક્કી થયું નથી, અને પોલીસ તમામ દ્રષ્ટિકોણથી આ મામલાની તપાસ કરી રહી છે.&nbsp;</p><h4 style="text-align: justify; ">શંકાસ્પદોની થઇ રહી છે પૂછપરછ&nbsp;</h4><p style="text-align: justify; ">હોટલમાં થયેલા આ શંકાસ્પદ મૃત્યુ બાદ, નેપાળ પોલીસે પાંચ લોકોની અટકાયત કરી છે. પ્રિન્સ યાદવના મૃત્યુની આસપાસના સંજોગો નક્કી કરવા માટે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. રોશન આનંદ મૂળ બિહારના સહરસા જિલ્લાનો છે. તે જ્ઞાન બિંદુ એકેડેમી, એક શૈક્ષણિક સંસ્થા ચલાવે છે. જ્યારે પ્રિન્સ યાદવ સંસ્થાના દૈનિક સંચાલન અને સંચાલન માટે જવાબદાર હતા. પ્રિન્સ યાદવના મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ પછી જ જાણી શકાશે. રોશન આનંદના મૂળ ગામ સહરસા, ધમસેનામાં શોક છવાયો છે.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/knowledge/news/india/india-gold-if-foreign-banks-do-not-return-indigenous-gold-where-can-india-complain-know" target="_blank">જો વિદેશી બેંકો સ્વદેશી સોનું પરત નહીં કરે તો ભારત ક્યાં કરી શકે છે ફરિયાદ?, જાણો</a></p><p>                                    
                                </p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/14/fIUbg08JwRiF9VfUuQsf5aS2VFaN1FkxsqDB8Jyi.webp'/></item></channel></rss>