<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Rajkot News: શુદ્ધ પનીરના નામે ‘એનાલોગ પનીર’ વેચતા 8 એકમો સીલ, મોરબી રોડથી ઝડપાયો 500 કિલો જથ્થો ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/rmc-seals-analog-paneer-hubs-morbi-road-raid</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/rmc-seals-analog-paneer-hubs-morbi-road-raid</guid><pubDate>Wed, 01 Jul 2026 14:52:21 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ શહેરમાં ખાણી-પીણીના શોખીનોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થતા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સપાટો બોલાવીને શુદ્ધ પનીરના નામે નકલી અને સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક એવા ‘એનાલોગ પનીર’નું વેચાણ કરતા તત્વો પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ મનપાની ફૂડ સેફ્ટી ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં પનીર અને એનાલોગ પનીરના વિક્રેતાઓને ત્યાં વ્યાપક અને સઘન ચેકિંગ હાથ ધરતાં સમગ્ર વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.</p><h2><b>મોરબી રોડ સેટેલાઇટ ચોકમાંથી 500 કિલો શંકાસ્પદ પનીર ઝડપાયું</b></h2><p>આ રેડ દરમિયાન મનપાની ટીમને એક મોટી સફળતા મળી છે. મોરબી રોડ પર આવેલા સેટેલાઇટ ચોક વિસ્તારમાં ફૂડ વિભાગે બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી. જે દરમિયાન એક રહેણાંક રૂમમાંથી આશરે 500 કિલો જેટલો શંકાસ્પદ પનીરનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે, પ્રકાશ પ્રવિણભાઇ હરસોડા નામનો વ્યક્તિ કોઈપણ પ્રકારના ફૂડ લાઇસન્સ કે રજિસ્ટ્રેશન વિના આ પનીર ક્યુબ્સનું ગેરકાયદે વેચાણ કરતો હતો. તંત્ર દ્વારા આ તમામ જથ્થો જપ્ત કરી કાયદેસરના પગલાં ભરવામાં આવ્યા છે.</p><h2><b>અમદાવાદ કનેક્શન ખુલ્યું</b></h2><p>આરોગ્ય વિભાગની પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં આ કૌભાંડના તાર છેક અમદાવાદ સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલા વેપારી પ્રકાશ હરસોડાની પૂછપરછમાં ખુલાસો થયો છે કે, આ જથ્થો અમદાવાદના પોશ ગણાતા સેટેલાઇટ વિસ્તારમાંથી રાજકોટ ખાતે સપ્લાય કરવામાં આવતો હતો. અમદાવાદથી મંગાવવામાં આવેલું આ કેમિકલયુક્ત એનાલોગ પનીર રાજકોટની સ્થાનિક હોટલો, ઢાબા અને ડેરીઓમાં ‘શુદ્ધ મિલ્ક પનીર’ના નામે ઊંચા ભાવે પધરાવી દેવામાં આવતું હોવાની આશંકા સેવાઈ રહી છે.</p><h2><b>આરોગ્ય અધિકારીની કડક ચેતવણી</b></h2><p>રાજકોટ મનપાના મુખ્ય આરોગ્ય અધિકારીએ આ મામલે કડક વલણ અપનાવતા જણાવ્યું છે કે, ગ્રાહકોને અંધારામાં રાખીને એનાલોગ પનીર વેચનારાઓ સામે ગુનો નોંધી કડક પગલાં લેવાશે. અત્યાર સુધીમાં મનપા દ્વારા સપાટો બોલાવીને આવા કુલ 8 પનીરના એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે, તમામ ડેરી અને પનીર વિક્રેતાઓએ પોતાના એકમ પર ગ્રાહકો સ્પષ્ટ જોઈ શકે તે રીતે ‘મિલ્ક પનીર’ અને ‘એનાલોગ પનીર’નું અલગથી સાઇનબોર્ડ દર્શાવવું ફરજિયાત રહેશે. જો આ નિયમનું ઉલ્લંઘન જણાશે, તો તે દુકાન કે એકમને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવશે.</p><h2><b>એનાલોગ પનીરથી થતી ગંભીર બીમારીઓ</b></h2><p>આરોગ્ય નિષ્ણાતો અને તબીબોના જણાવ્યા અનુસાર, એનાલોગ પનીર કોઈ દૂધમાંથી નહીં પરંતુ કેમિકલ, પામ ઓઈલ, સ્ટાર્ચ અને ઘાતક વનસ્પતિ ફેટના મિશ્રણથી બનાવવામાં આવે છે. આ નકલી પનીરના નિયમિત સેવનથી માનવ શરીરમાં ગંભીર અને જીવલેણ બીમારીઓ ઘર કરી જાય છે.</p><ul><li><b>મેદસ્વીતા: </b>શરીરમાં અકુદરતી ફેટનું પ્રમાણ ઝડપથી વધારે છે.</li><li><b>હૃદય રોગનો હુમલો: </b>ધમનીઓમાં નકામી ચરબી જામી જતાં હાર્ટ એટેકનું જોખમ અનેકગણું વધી જાય છે.</li><li><b>હાઈ બ્લડ પ્રેશર:</b> લોહીનું દબાણ અનિયંત્રિત બને છે જે બ્રેઈન સ્ટ્રોક તરફ દોરી શકે છે.</li><li><b>ડાયાબિટીસ: </b>શરીરમાં મેટાબોલિઝમ બગડવાથી અને ગ્લુકોઝ લેવલ ખોરવાતા ડાયાબિટીસ થવાની પૂરેપૂરી સંભાવના રહે છે.</li></ul><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/rajkot/rajkot-ahmedabad-highway-road-accident" target="_blank"> Rajkot Ahmedabad Highway Accident: કોલેજથી પરત ફરી રહેલા વિદ્યાર્થીનું ટ્રકની ટક્કરે મોત</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/GpDZ2fEZ1dQ7v0HIbbTfVvIUyWFMnpNg9NWfpvN4.webp'/></item><item><title><![CDATA[TV Actress : 'તે બાયસેક્સ્યુઅલ છે...' લોકઅપ 2માં આકાંક્ષા ચમોલાને લઈને શ્રેયા કાલરાનો ચોંકાવનારો દાવો! ]]></title><link>https://sandesh.com/entertainment/news/lock-upp-2-shreya-kalra-claims-akanksha-chamola-is-bisexual-reality-show-controversy</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/lock-upp-2-shreya-kalra-claims-akanksha-chamola-is-bisexual-reality-show-controversy</guid><pubDate>Wed, 01 Jul 2026 14:49:13 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રિયાલિટી શો લોકઅપ સીઝન 2માં એકથી વધુ એક ખુલાસા સામે આવી રહ્યા છે. જ્યાં શોમાં આકાંક્ષા ચમોલાએ ગૌરવ ખન્ના સાથે પોતાના છૂટાછેડાનો ખુલાસો કરીને બધાને હેરાન કરી દીધા હતા, હવે તેને લઈને શોની કન્ટેસ્ટન્ટ શ્રેયા કાલરાએ એક શોકિંગ સ્ટેટમેન્ટ આપ્યું છે. શ્રેયા કાલરાનું કહેવું છે કે આકાંક્ષા ચમોલા બાયસેક્સ્યુઅલ છે.</p><h2 style="text-align: justify; "><b>શ્રેયા કાલરાએ આકાંક્ષા ચમોલાને જણાવી બાયસેક્સ્યુઅલ</b></h2><p style="text-align: justify; ">સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર શ્રેયા કાલરાએ તાજેતરના એપિસોડમાં કહ્યું કે આકાંક્ષા ચમોલા બાયસેક્સ્યુઅલ છે. શ્રેયા કાલરાને આકાંક્ષા ચમોલા, સુનિતા આહુજા અને હર્ષદ ચોપરાએ આ વીક નોમિનેટ કરી દીધી. તેની સાથે-સાથે સૂફી મોતીવાલા પણ નોમિનેટ હતો. એવામાં શ્રેયા કાલરાએ સૂફી મોતીવાલા સાથેની વાતચીતમાં કહ્યું કે આકાંક્ષાનું એક સિક્રેટ મને ખબર છે. શ્રેયા કાલરાએ સિક્રેટ રિવિલ કરતા કહ્યું, તે એટલે કે આકાંક્ષા ચમોલા બાયસેક્સ્યુઅલ છે. તેણે મને જણાવ્યું હતું અને હવે આનો ઉપયોગ થઈ ચૂક્યો છે. તેની બે લાઇફલાઇન ખતમ થઈ ગઈ, હવે માત્ર એક જ બચી છે. શ્રેયા કાલરાની આ વાત સાંભળીને સૂફી મોતીવાલાના હોશ જ ઉડી ગયા અને તે ખૂબ જ શૉક્ડ થઈ ગયો.</p><h3 style="text-align: justify; "><b>આકાંક્ષા ચમોલાએ કર્યો હતો છૂટાછેડાનો ખુલાસો</b></h3><p style="text-align: justify; ">આકાંક્ષા ચમોલા લોકઅપમાં પોતાની પર્સનલ લાઇફને લઈને ખૂબ ચર્ચામાં છે. શોના પ્રીમિયર એપિસોડમાં આકાંક્ષા ચમોલાએ એક સિક્રેટ રિવિલ કરતા જણાવ્યું કે તે અને ગૌરવ ખન્ના છૂટાછેડા લઈ રહ્યા છે. બંને 1 વર્ષથી અલગ રહી રહ્યા છે. આકાંક્ષા ચમોલાએ એવું પણ કહ્યું કે આ બંનેનો મ્યુચ્યુઅલ ડિસિઝન છે. આકાંક્ષાએ એવો પણ ખુલાસો કર્યો કે ગૌરવ ખન્નાને બાળકો જોઈએ છે અને તે બાળક આપી શકતી નથી. તેને એવું લાગે છે કે તે આના માટે નથી બની.</p><h4 style="text-align: justify; "><b>શોની શરૂઆતથી જ થઈ રહ્યા છે ચોંકાવનારા ખુલાસા</b></h4><p style="text-align: justify; ">શોની શરૂઆતમાં જ કેટલાય ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. એવામાં શોને લઈને દર્શકો વચ્ચે એક્સાઇટમેન્ટ પણ વધતો જઈ રહ્યો છે. લોકઅપ 2 માં આકાંક્ષા ચમોલા, રામ કપૂર, સુનિતા આહુજા, શિવાંગી જોશી, ધીરજ ધૂપર, હર્ષદ ચોપરા, માધુરી જૈન ગ્રોવર, રિયાઝ અલી, યોગેશ રાવત, આકાંક્ષા ચૌધરી, પમેલા સેરેના, શ્રેયા કાલરા, સૂફી મોતીવાલા, વરુણ યાદવ અને શ્રેષ્ઠા અય્યર નજરે આવી રહ્યા છે. આ શોને તમે નેટફ્લિક્સ પર જોઈ શકો છો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/akshay-kumars-welcome-3-tsunami-swept-away-all-the-films-broke-8-major-records-on-the-fifth-day" target="_blank">આ પણ વાંચો-Akshay Kumarની વેલકમ 3ની સુનામી આગળ બધી ફિલ્મો ધોવાઈ, પાંચમા દિવસે તોડ્યા 8 મોટા રેકોર્ડ્સ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/QaRFN1QlzKhB9b7ZJ2m2nRpDJgFuHMfGNCE3tnhd.webp'/></item><item><title><![CDATA[Rajkot Ahmedabad Highway Accident: કોલેજથી પરત ફરી રહેલા વિદ્યાર્થીનું ટ્રકની ટક્કરે મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/rajkot/rajkot-ahmedabad-highway-road-accident</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/rajkot/rajkot-ahmedabad-highway-road-accident</guid><pubDate>Wed, 01 Jul 2026 14:46:55 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ફરી એકવાર પૂરપાટ ઝડપે દોડતા વાહનોએ માસૂમનો જીવ લીધો છે. હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયેલા એક ભયાનક અકસ્માતમાં એક આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું છે. અકસ્માત એટલો જોરદાર હતો કે, બાઈક સવાર યુવાને ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. આ ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.</p><h2><b>હોમિયોપેથીક કોલેજના વિદ્યાર્થીનું મોત</b></h2><p>ઘટનાની મળતી માહિતી અનુસાર, આ જીવલેણ અકસ્માતનો ભોગ બનેલો યુવક મેડિકલનો વિદ્યાર્થી હતો. તે હોમિયોપેથીકનો અભ્યાસ કરતો હતો અને પોતાની કોલેજ પત્યા બાદ બાઈક પર પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન હાઈવે પરથી પસાર થતી એક બેકાબૂ ટ્રકે તેની મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાના કારણે વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.</p><h2><b>મૃતક વિદ્યાર્થી નિખિલના પરિવારમાં આક્રંદ</b></h2><p>અકસ્માતમાં જીવ ગુમાવનાર આશાસ્પદ વિદ્યાર્થીની ઓળખ નિખિલ તરીકે થઈ છે. ડોક્ટર બનીને દેશની સેવા કરવાનું સપનું જોતા 20-22 વર્ષના નિખિલના અકાળે અવસાનથી તેના મિત્રો અને કોલેજ સ્ટાફ સ્તબ્ધ થઈ ગયો છે. હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી આવેલા પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.</p><h2><b>પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી</b></h2><p>આ અકસ્માત અંગેની જાણ થતાં જ સ્થાનીક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતક નિખિલના શબને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ કરી હતી. અકસ્માત સર્જી ભાગી છૂટેલા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસે હાઈવેના સીસીટીવી (CCTV) ફૂટેજના આધારે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/breakingnews/rajkot/rajkot-rmc-jangleshwar-demolition-expense-proposal-rejected-mayor-cancels-rate-contract" target="_blank">Rajkot : જંગલેશ્વર ડિમોલિશન મામલે શંકાસ્પદ 27 લાખના ખર્ચની દરખાસ્ત ફગાવાઈ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/zYT1fIf1itcKGjWE7zeyuCxZOpa81BvxIhcKkOjB.webp'/></item><item><title><![CDATA[Rohit Yadav New Record : ભાલા ફેંકમાં રોહિતે નીરજ ચોપડાને પાછળ છોડી રચ્યો ઈતિહાસ ]]></title><link>https://sandesh.com/sports/news/rohit-yadav-new-record-rohit-created-history-by-surpassing-neeraj-chopra-in-javelin-throw</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/rohit-yadav-new-record-rohit-created-history-by-surpassing-neeraj-chopra-in-javelin-throw</guid><pubDate>Wed, 01 Jul 2026 14:46:27 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">65મી રાષ્ટ્રીય આંતર-રાજ્ય સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના અંતિમ દિવસે ભાલા ફેંકમાં એક નવો રેકોર્ડ બન્યો. ભારતીય ખેલાડી રોહિત યાદવે 87.05મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો. તેણે 2026એશિયન ગેમ્સ માટે પણ ક્વોલિફાય કર્યું. એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ કલિંગા સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી. રવિવારે રોહિત યાદવ આ સિઝનમાં ભારતનો સૌથી લાંબો થ્રોઅર બન્યો.</p><h4 style="text-align: justify; "><b>રોહિત યાદવ વિશ્વ ફેંકનારાઓની યાદીમાં ક્યાં સ્થાન ધરાવે છે?</b></h4><p style="text-align: justify; ">આ સાથે, તે શ્રીલંકાના ખેલાડી રમેશ થરંગા પથિરાજેના 92.62 મીટરના રેકોર્ડ થ્રો પછી વિશ્વ ફેંકનારાઓની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. ભારતના સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરાનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. નીરજ 85.69 મીટરના થ્રો સાથે ચોથા સ્થાને છે.</p><h5 style="text-align: justify; "><b>રોહિતે સંઘર્ષ કરવો પડ્યો</b></h5><p style="text-align: justify; ">રોહિત માટે આ થ્રો પણ ખાસ હતો કારણ કે તેનો અગાઉનો શ્રેષ્ઠ થ્રો 83.04 મીટર હતો. તેણે 2023 માં આ થ્રો હાંસલ કર્યો. રોહિત યાદવે ફેંક્યો (77.71), (77.63), એક ફાઉલ (કોઈ નિશાન નહીં), (77.51), (79.40), અને પછી તેના અંતિમ પ્રયાસમાં, તેણે ફેંક્યો (87.05). રોહિતે સમજાવ્યું કે તેને ફેંકતી વખતે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો, પરંતુ છેલ્લા થ્રોમાં, તેણે પોતાની લય શોધી કાઢી અને પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું. મેચ પછી, તેણે કહ્યું કે આ પ્રદર્શનથી તેનો આત્મવિશ્વાસ ઘણો વધ્યો છે. રોહિતે વધુમાં સમજાવ્યું કે તાલીમ દરમિયાન, તે 86-87 મીટર ફેંકી રહ્યો હતો, પરંતુ તેના શરૂઆતના પ્રદર્શનમાં, તે પોતાની લય શોધી શક્યો ન હતો. હવે તે આગામી મેચોમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવાની આશા રાખે છે.</p><h5 style="text-align: justify; "><b>યશવીર અને સચિને પણ ક્વોલિફિકેશન હાંસલ કર્યો</b></h5><p style="text-align: justify; ">રોહિત યાદવે ખુશી વ્યક્ત કરી કે તેઓ મોટી સ્પર્ધા પહેલા એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરવામાં સફળ રહ્યા. પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં, યશવીર સિંહ 83.72 મીટરના થ્રો સાથે બીજા સ્થાને રહ્યો, અને સચિન યાદવ 82.32 મીટરના થ્રો સાથે ત્રીજા સ્થાને રહ્યો. બંને ખેલાડીઓએ એશિયન ગેમ્સ ક્વોલિફિકેશન માર્ક પણ હાંસલ કર્યો છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/cricket/news/vaibhav-sooryavanshi-vaibhav-sooryavanshis-storm-before-the-match-he-rained-sixes-in-the-nets" target="_blank"> Vaibhav Sooryavanshi : મેચ પહેલા વૈભવ સૂર્યવંશીનું તોફાન! નેટ્સમાં કર્યો સિક્સરનો વરસાદ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/lLEnyRsOsNV3MTxuKaboywOWunEABMh1uwMl1VoK.webp'/></item><item><title><![CDATA[Venezuela માં મૃત્યુ પામેલા નાવિકના મૃતદેહ ભારત આવ્યો ,પણ અંગો ક્યાં ગાયબ થયા? ]]></title><link>https://sandesh.com/india/news/the-body-of-a-sailor-who-died-in-venezuela-arrived-in-india-but-the-organs-are-missing</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/the-body-of-a-sailor-who-died-in-venezuela-arrived-in-india-but-the-organs-are-missing</guid><pubDate>Wed, 01 Jul 2026 14:24:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વિદેશમાં કામ કરતા ભારતીયોની સલામતી પર એક ગંભીર પ્રશ્નચિહ્ન મૂકતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના રહેવાસી 33 વર્ષીય નાવિક રાકેશ ચૌહાણ, જેઓ નવેમ્બર 2025 માં મર્ચન્ટ નેવીમાં કામ કરવા માટે વેનેઝુએલા ગયા હતા, તેમનું મે 2026માં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું. જ્યારે તેમનો મૃતદેહ એક મહિના પછી ભારત પહોંચ્યો, ત્યારે પરિવારને જે જાણવા મળ્યું તે કોઈ હોરર ફિલ્મથી ઓછું નહોતું. બીજા પોસ્ટમોર્ટમ દરમિયાન ખુલાસો થયો કે રાકેશના શરીરના મગજ, હૃદય, ફેફસાં, કિડની, લીવર સહિતના તમામ મહત્વના આંતરિક અંગો ગાયબ હતા.</p><h2 style="text-align: justify; "><b>પરિવારને શંકા જતા ઘટના સામે આવી</b></h2><p style="text-align: justify; ">આ ઘટનાની શરૂઆત ખૂબ જ શંકાસ્પદ રહી છે. કંપની અને વેનેઝુએલાના અધિકારીઓએ શરૂઆતમાં મૃત્યુનું કારણ હાર્ટ એટેક જણાવ્યું હતું, પરંતુ અગાઉ કંપનીના અધિકારીઓએ પરિવારને ફોન પર અલગ-અલગ વાર્તાઓ જણાવી હતી.પહેલા અકસ્માત અને ઈજાની વાત કરી, ત્યારબાદ મૃત્યુની પુષ્ટિ કરી. દસ્તાવેજોમાં મૃત્યુનું કારણ બદલી નાખવાની આ હરકત પરિવારની શંકાને વધુ મજબૂત બનાવે છે. પોસ્ટમોર્ટમ કરનાર ડોકટરો પણ સ્તબ્ધ હતા, કારણ કે શરીર પર માથાથી પેટ સુધી ડઝનબંધ ટાંકા હતા, જે દર્શાવે છે કે આંતરિક અંગોને વ્યવસ્થિત રીતે દૂર કરવામાં આવ્યા હતા.</p><h3 style="text-align: justify; "><b>અંગ તસ્કરીની ઘટના આવી સામે</b></h3><p style="text-align: justify; ">સામાન્ય તબીબી પ્રક્રિયામાં મૃત્યુનું કારણ જાણવા માટે નમૂના લેવામાં આવે છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં અંગોની ગેરહાજરી અને કોઈ રિપોર્ટ ન મળવો એ અંગ તસ્કરી (Organ Trafficking) અથવા કોઈ મોટા ગુનાને છુપાવવાની આશંકા જન્માવે છે. ફેડરેશન ઓફ સીફેરર્સ યુનિયન્સ (FSUI) એ આ મામલાને ગંભીર ગણાવીને વિદેશી જમીન પર ભારતીય કામદારોની સુરક્ષા માટે અવાજ ઉઠાવ્યો છે.</p><h4 style="text-align: justify; "><b>ભારતીય નાગરિકો સાથે થતા ખરાબ વ્યહાર પર ગંભીર સવાલો</b></h4><p style="text-align: justify; ">પરિવાર આજે એક તરફ પુત્રના ગુમાવ્યાનું દુઃખ ભોગવી રહ્યો છે, તો બીજી તરફ તેમને તેમનો મૃતદેહ પણ સંપૂર્ણ સ્વરૂપમાં મળ્યો નથી. આ ઘટનાએ વિદેશી કંપનીઓની કામગીરી અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય નાગરિકો સાથે થતા વ્યવહાર પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. ભારત સરકાર પાસે ન્યાયની માંગ કરી રહેલા રાકેશના પરિવારનો પ્રશ્ન અત્યંત વ્યાજબી છે.જો મૃત્યુ કુદરતી હતું, તો રાકેશના અંગો ક્યાં ગયા? આ મામલો હવે તપાસનો વિષય બન્યો છે, પરંતુ તે ભારતીય કામદારોની સલામતી માટે એક મોટી ચેતવણી સમાન છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/cloud-burst-in-doda-jammu-and-kashmir-many-roads-closed-heavy-damage-to-crops-and-property" target="_blank">આ પણ વાંચોઃ Jammu Kashmir ના ડોડામાં વાદળ ફાટ્યું, અનેક રસ્તાઓ બંધ, પાક અને મિલકતને ભારે નુકસાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/TeyBzhNjiY1wwFLp4ZOKvkEe6Fg2fSepk5Fc5qA6.webp'/></item><item><title><![CDATA[India-Pakistan વચ્ચે તણાવ ખતમ કરો, એરસ્પેસ ખોલો... 100થી વધુ દિગ્ગજોએ PM મોદી અને શહબાઝ શરીફને લખ્યો પત્ર ]]></title><link>https://sandesh.com/world/news/india/over-100-dignitaries-write-to-pm-modi-and-shehbaz-sharif-to-reopen-airspace-and-end-tensions</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/india/over-100-dignitaries-write-to-pm-modi-and-shehbaz-sharif-to-reopen-airspace-and-end-tensions</guid><pubDate>Wed, 01 Jul 2026 14:17:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો ફરીથી સામાન્ય થાય, તે માટે બંને દેશોના 100થી વધુ મોટા લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શહબાઝ શરીફને પત્ર લખ્યો છે. આમાં માગ કરવામાં આવી છે કે બંને દેશો વચ્ચે તણાવ ખતમ થાય અને વિઝા સર્વિસ ફરીથી શરૂ કરવામાં આવે. આ સિવાય એરસ્પેસને પણ ફરીથી ખોલવાની માંગ કરવામાં આવી છે. આ પત્રમાં ફારુખ અબ્દુલ્લા અને મનોજ ઝા સહિત 117 લોકોએ હસ્તાક્ષર કર્યા છે.<br></p><h2><b>ભારત-પાકિસ્તાન વચ્ચે સંવાદ અને રાજદ્વારી સંબંધો ફરી શરૂ કરવાની અપીલ</b></h2><p></p><p style="text-align: justify; ">સેન્ટર ફોર પીસ એન્ડ પ્રોગ્રેસ તરફથી પીએમ નરેન્દ્ર મોદી અને શહબાઝ શરીફને ખુલ્લો પત્ર લખવામાં આવ્યો છે. આમાં ભારત-પાકિસ્તાન વચ્ચે સંરચિત વાર્તાલાપ, પૂર્ણ રાજદ્વારી સંબંધો બહાલ કરવા અને લોકોના પરસ્પર સંપર્ક ફરી શરૂ કરવાની માગ છે. આ સિવાય ધાર્મિક અને સાંસ્કૃતિક અવરજવરને પ્રોત્સાહન આપવાની પણ અપીલ કરવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>ભારત તરફથી કોણે કર્યા સાઇન?</b></h3><p style="text-align: justify; ">ભારત તરફથી આ પત્રમાં ફારુખ અબ્દુલ્લા, મીરવાઇઝ ઉમર ફારુખ, મહેબૂબા મુફ્તી, મનોજ ઝા અને હુમાયુ કબીર સહિત 61 હસ્તાક્ષરકર્તાઓ સામેલ છે. આ પત્રમાં નેતાઓએ ડિજિટલ ફોર્મેટમાં હસ્તાક્ષર કર્યા છે.</p><h4 style="text-align: justify; "><b>પાકિસ્તાન તરફથી આ હસ્તીઓએ કર્યા હસ્તાક્ષર</b></h4><p style="text-align: justify; ">આ મુહિમમાં પાકિસ્તાન તરફથી 56 અગ્રણી હસ્તીઓએ ખુલ્લા પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. આમાં પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી ખુર્શીદ મહમૂદ કસૂરી, પૂર્વ રાજદ્વારી અશરફ જહાંમીર કાઝી, નેશનલ એસેમ્બલીના સભ્ય ઇસ્ફનયાર ભંડારા અને પરમાણુ વૈજ્ઞાનિક પરવેઝ હૂદભોય હસ્તાક્ષરકર્તાઓમાં સામેલ છે.</p><h5 style="text-align: justify; "><b>ભારત-PAK સરકાર પાસે શું છે માગણીઓ?</b></h5><ul><li style="text-align: justify;">બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવને ખતમ કરવામાં આવે અને વાતચીત બહાલ થાય.</li><li style="text-align: justify;">દિલ્હી અને ઇસ્લામાબાદમાં હાઇ કમિશનરની ફરીથી નિમણૂકની માગ.</li><li style="text-align: justify;">ભારત-પાકિસ્તાન વચ્ચે સામાન્ય થાય વિઝા સર્વિસ.</li><li style="text-align: justify;">બંને દેશોનું એરસ્પેસ ફરીથી ખોલવામાં આવે.</li><li style="text-align: justify;">ધાર્મિક અને સાંસ્કૃતિક અવરજવરને પ્રોત્સાહન આપવામાં આવે.</li><li style="text-align: justify;">જમ્મુ-કાશ્મીર પર ફરીથી વાતચીત કરવામાં આવે.</li><li style="text-align: justify;">2004 અને 2007 ની સમગ્ર વાર્તાલાપ પ્રક્રિયાને આગળ વધારવામાં આવે.</li></ul><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gallery/news/entertainment/dia-mirza-religion-mother-hindu-father-christian-ikka-actress-lifestyle-facts" target="_blank">આ પણ વાંચો-માતા હિન્દુ, પિતા ખ્રિસ્તી, જાણો કયા ધર્મને માને છે ઇક્કાની એક્ટ્રેસ દીયા મિર્ઝા?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/3mAB1WLLi2kAP5t79LciJMyNbSVylNEzUUaciNkR.webp'/></item><item><title><![CDATA[Rajkot : જંગલેશ્વર ડિમોલિશન મામલે શંકાસ્પદ 27 લાખના ખર્ચની દરખાસ્ત ફગાવાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/breakingnews/rajkot/rajkot-rmc-jangleshwar-demolition-expense-proposal-rejected-mayor-cancels-rate-contract</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/breakingnews/rajkot/rajkot-rmc-jangleshwar-demolition-expense-proposal-rejected-mayor-cancels-rate-contract</guid><pubDate>Wed, 01 Jul 2026 13:43:39 +05:30</pubDate><description><![CDATA[<div>રાજકોટ શહેરમાં ચકચારી બનેલા જંગલેશ્વર ડિમોલિશન મામલામાં એક મોટો અને મહત્વનો વળાંક સામે આવ્યો છે. ડિમોલિશનની કામગીરી દરમિયાન થયેલા લાખો રૂપિયાના ખર્ચ અંગે શંકા-કુશંકાઓ ઉપજતાં વહીવટી તંત્ર દ્વારા આ અંગેની ખાણી પીણીની 27 લાખના ખર્ચની દરખાસ્તને સત્તાવાર રીતે નામંજૂર કરી દેવામાં આવી છે. આ વિવાદાસ્પદ મામલે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચાઓ બાદ તંત્રએ કડક વલણ અપનાવ્યું છે અને નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું સ્વીકાર્યું છે.</div><div><br></div><h2><b>તોતિંગ ખર્ચની આંતરિક તપાસ&nbsp;</b></h2><div><br></div><div>મળતી વિગતો મુજબ, રાજકોટના જંગલેશ્વર ખાતે મોટા પાયે ચાલેલી ડિમોલિશન ડ્રાઇવમાં એજન્સી દ્વારા રજૂ કરવામાં આવેલા આ તોતિંગ ખર્ચની આંતરિક તપાસ કરવામાં આવી હતી.  બિનજરૂરી રીતે વધારીને રજૂ કરાયેલા આ બિલિંગને પગલે રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટી અને સત્તાધીશોએ કડક વલણ અપનાવ્યું છે અને સ્પષ્ટ કરી દીધું છે કે ખાણીપીણી અંગે આ પૈસાની હાલ કોઈ પણ પ્રકારની ચુકવણી એજન્સીને કરવામાં આવશે નહીં.</div><h3><b><br></b><b>કેસમાં ગંભીર વિસંગતતાઓ સામે આવી</b></h3><div><br></div><div>આ ચકચારી મામલે રાજકોટના મેયરે મીડિયા સમક્ષ મહત્વનું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, "કાયદાકીય જોગવાઈઓ અને અગાઉના રેટ કોન્ટ્રાક્ટ મુજબ ભૂતકાળમાં ચૂકવાયેલા પૈસા પરત લઈ શકાય તેમ નથી, કારણ કે કાયદાકીય રૂપથી રેટ કોન્ટ્રાક્ટ મુજબ પેમેન્ટ કરવું ફરજિયાત હોય છે. પરંતુ આ કેસમાં ગંભીર વિસંગતતાઓ સામે આવી છે."</div><h4><b><br></b><b>રેટ કોન્ટ્રાક્ટની ગંભીરતાથી સમીક્ષા&nbsp;</b></h4><div><br></div><div>મેયરે રાજકોટના ટેક્સપેયર્સના નાણાંનો દુરુપયોગ રોકવા માટે એક મોટી જાહેરાત કરી છે કે, વિવાદોમાં ઘેરાયેલા હાલના તમામ રેટ કોન્ટ્રાક્ટની ગંભીરતાથી સમીક્ષા કરવામાં આવશે. એટલું જ નહીં, આ શંકાસ્પદ રેટ કોન્ટ્રાક્ટને તાત્કાલિક પ્રભાવથી રદ્દ કરીને સંપૂર્ણ પારદર્શિતા સાથે નવો કોન્ટ્રાક્ટ આપવા માટે નવું ટેન્ડર બહાર પાડવામાં આવશે. રાજકોટ મનપાના આ સપાટાથી ભ્રષ્ટ તત્વો અને એજન્સીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.&nbsp;</div><div><br></div><div>આ પણ વાંચો----&nbsp; <a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-india-weather-driest-june-in-100-years-monsoon-delay-july-forecast" target="_blank"><b>&nbsp;Sandesh Digital Explainer: છેલ્લા 100 વર્ષમાં સૌથી સૂકો જૂન મહિનો કેમ રહ્યો ? હવે જુલાઈમાં શું થશે? તમારા પ્રશ્નના તમામ જવાબ વાંચો</b></a></div> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/GLTVUq0JJRZf0f7xqQMZ8G2T5dDUUMIFQiUinmLb.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક પૂર્ણ, વીજ પોલ અંગે ખેડૂતોના પક્ષમાં સકારાત્મક નિર્ણય ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-cabinet-meeting-cm-bhupendra-patel-farmers-protest</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-cabinet-meeting-cm-bhupendra-patel-farmers-protest</guid><pubDate>Wed, 01 Jul 2026 13:11:11 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય કેબિનેટની મહત્વની બેઠક પૂર્ણ થઈ છે. આ બેઠકમાં રાજ્યના વિકાસ કાર્યો સહિત ખેડૂતોને સ્પર્શતા અનેક મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વખતની બેઠકમાં ખેતરોમાંથી પસાર થતી હાઈટેન્શન લાઈન અને વીજ પોલનો મુદ્દો મુખ્ય કેન્દ્રબિંદુ રહ્યો હતો.</p><h2><b>વીજ પોલ વળતર મુદ્દે તમામ મંત્રીઓ એકમત</b></h2><p>કેબિનેટ બેઠકમાં ખેડૂતોના હિતને લઈને એક મોટો ગરમાવો જોવા મળ્યો હતો. ખેતરોમાં નાખવામાં આવતા વીજ પોલના કારણે ખેડૂતોની કિંમતી જમીનને થતા નુકસાન અંગે તમામ મંત્રીઓએ એકસૂરે અવાજ ઉઠાવ્યો હતો. વીજ પોલ ઊભા કરવાના બદલામાં જગતના તાતને હાલમાં જે વળતર મળે છે, તેના કરતાં ઘણું વધુ વળતર ચૂકવવું જોઈએ તેવી મંત્રીઓએ સામૂહિક માગ કરી છે. આ મામલે કેબિનેટના તમામ સભ્યોમાં સંપૂર્ણ એકમત જોવા મળ્યો હતો.</p><h2><b>ખેડૂત આગેવાનો સાથે ટૂંક સમયમાં બેઠક</b></h2><p>મંત્રીઓની રજૂઆત અને વળતર વધારવાની માગને પગલે સરકારે લોકતાંત્રિક અભિગમ અપનાવવાનું નક્કી કર્યું છે. કેબિનેટમાં લેવાયેલા નિર્ણય મુજબ, હવે આ મામલે વિવિધ ખેડૂત સંગઠનો અને રાજ્યના અગ્રણી ખેડૂત આગેવાનો સાથે સીધી ચર્ચા કરવામાં આવશે. ખેડૂતોની અપેક્ષાઓ અને વહીવટી પ્રક્રિયાને ધ્યાને રાખીને સરકાર વળતરનો નવો ડ્રાફ્ટ તૈયાર કરી શકે છે.</p><h2><b>મુખ્યમંત્રીની સૂચના બાદ આખરી નિર્ણય જાહેર થશે</b></h2><p>ખેડૂત આગેવાનો સાથેની ચર્ચાના દોર બાદ આ સમગ્ર વિગતો મુખ્યમંત્રી સમક્ષ મૂકવામાં આવશે. મુખ્યમંત્રીની અંતિમ સૂચના અને મંજૂરી બાદ જ વળતરની નવી રકમ અંગેનો અંતિમ સત્તાવાર નિર્ણય જાહેર કરાશે. સરકારના આ સકારાત્મક વલણથી રાજ્યના લાખો ખેડૂતોને પોતાની જમીન પર ઊભા કરાતા વીજ પોલનું મોટું અને સંતોષકારક આર્થિક વળતર મળવાની આશા જાગી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/gandhinagar-cm-bhupendra-patel-warning-namo-swachhta-abhiyan-gandhinagar-civil-hospital" target="_blank">Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલની લાલઆંખ, "ગમે ત્યાં પિચકારી મારનારા અને કચરો ફેંકનારાઓની હવે વ્યવસ્થા થશે જ..!</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/LFNOxiAQoNJu97qkwwUFQ0stgjzQk09Vn3cX0Thj.webp'/></item><item><title><![CDATA[Surendranagar News: લીંબડીની નદીમાં ન્હાવા પડેલા બે યુવાનોના ડૂબી જવાથી મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/surendranagar/limbdi-sauka-river-drowning-two-youth-death</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surendranagar/limbdi-sauka-river-drowning-two-youth-death</guid><pubDate>Wed, 01 Jul 2026 12:51:08 +05:30</pubDate><description><![CDATA[<p>સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. લીંબડીના સૌકા ગામ નજીક વહેતી નદીમાં ન્હાવા પડેલા બે યુવાનોના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યા છે. એકસાથે બે-બે યુવાનોના અકાળે મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારોમાં આક્રંદ છવાયું છે.</p><h2><b>નદીમાં સર્જાયો કાળમુખો અકસ્માત</b></h2><p>ઘટનાની મળતી માહિતી અનુસાર, ઉનાળાની ગરમીથી રાહત મેળવવા અથવા મિત્રતાના માહોલમાં આ બંને યુવાનો સૌકા ગામની નદીએ ન્હાવા માટે ગયા હતા. જોકે, નદીના ઊંડા પાણીનો અંદાજ ન આવતા અથવા અચાનક પગ લપસી જતાં બંને યુવાનો નદીના ઊંડા ધરામાં ગરકાવ થઈ ગયા હતા. યુવાનો ડૂબી રહ્યા હોવાની બૂમાબૂમ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.</p><h2><b>સ્થાનિક તરવૈયાઓની ભારે જહેમત</b></h2><p>ઘટનાની જાણ થતાં જ સૌકા ગામના સ્થાનિક તરવૈયાઓ કોઈ પણ વિલંબ વગર નદીના પાણીમાં ઉતરી પડ્યા હતા. ભારે શોધખોળ અને જહેમતના અંતે તરવૈયાઓએ બંને યુવાનોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા, પરંતુ કમનસીબે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું અને બંનેના શ્વાસ થંભી ગયા હતા.</p><h2><b>મૃતક આશાસ્પદ યુવાનોની ઓળખ</b></h2><p>નદીમાં કાળનો કોળિયો બનેલા બંને યુવાનોની ઓળખ થઈ ચૂકી છે, જેઓ ખૂબ જ નાની ઉંમરના હતા. જેમાં જયેન્દ્ર પનારા (ઉંમર વર્ષ 25, રહેવાસી- સૌકા ગામ, તાલુકો લીંબડી) અને જીગ્નેશ પરમાર (ઉંમર વર્ષ 24, રહેવાસી- કૃષ્ણનગર, લીંબડી)નો સમાવેશ થાય છે.</p><h2><b>પોલીસ કાફલો હોસ્પિટલ દોડ્યો</b></h2><p>ઘટના બાદ બંને યુવાનોના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે તાત્કાલિક લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની જાણ થતાં જ લીંબડી પોલીસ સ્ટેશનના પીઆઈ અને પીએસઆઈ સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે ઘટના અંગે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surendranagar/surendranagar-family-accepts-body-of-worker-at-company-near-malvan-on-fourth-day" target="_blank"> Surendranagar: માલવણ પાસેની કંપનીમાં શ્રામિકનો મૃતદેહ પરિવારે ચોથા દિવસે સ્વીકાર્યો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/0ZfEyQg9wDRL0nTJDogQ3gQiBtLcSOBVuGOxIOUg.webp'/></item><item><title><![CDATA[Donald Trump India Property Deal: ડોનાલ્ડ ટ્રમ્પની ભારતમાં પ્રોપર્ટી ડીલથી કરોડોની કમાણી, સામે આવી ચોંકાવનારી વિગતો! ]]></title><link>https://sandesh.com/world/news/business/usa/donald-trump-india-property-deal-donald-trump-earned-crores-from-property-deal-in-india-shocking-details-revealed</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/business/usa/donald-trump-india-property-deal-donald-trump-earned-crores-from-property-deal-in-india-shocking-details-revealed</guid><pubDate>Wed, 01 Jul 2026 12:46:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ડોનાલ્ડ ટ્રમ્પે દિલ્હી અને ગુરુગ્રામ જેવા શહેરોમાં આ સોદા કર્યા હતા. અગાઉ વર્ષ 2024માં, ટ્રમ્પે મિલકતના સોદાઓથી $10 મિલિયન કમાવ્યા હતા.</p><h2 style="text-align: justify; ">કરોડથી વધુની કમાણી</h2><p style="text-align: justify; ">અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની વાર્ષિક સંપત્તિની વિગતો જાહેર કરી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના જણાવ્યા મુજબ, તેમણે ભારત અને વિયેતનામ સહિત અનેક દેશોમાં મિલકતના સોદાઓ અને લાઇસન્સિંગથી $26 મિલિયન કમાવ્યા હતા. રાષ્ટ્રપતિએ એ પણ જાહેર કર્યું કે, તેમણે 2025માં ક્રિપ્ટો ફર્મ દ્વારા $1.2 બિલિયન એટલે કે 11 હજાર કરોડથી વધુની કમાણી કરી હતી. રાષ્ટ્રપતિએ 2025માં કતાર, ભારત, વિયેતનામ, ઓમાન અને દુબઈમાં મિલકત સંબંધિત અનેક સોદાઓ પર હસ્તાક્ષર કર્યા હતા.&nbsp;</p><h3 style="text-align: justify; ">ટ્રમ્પે ભારતમાંથી કેટલી કમાણી કરી?</h3><p style="text-align: justify; ">2025માં, ટ્રમ્પે ભારતમાં પ્રોપર્ટી ડીલ્સમાંથી 81 કરોડ કમાવ્યા હતા. આ આવક ગુરુગ્રામ અને દિલ્હી જેવા શહેરોમાં ટ્રમ્પ ટાવર્સ માટે લાઇસન્સિંગ ફીમાંથી આવી હતી. ટ્રમ્પે વિયેતનામમાં એક પ્રોજેક્ટમાંથી $5 મિલિયન કમાવ્યા હતા. ક્રૂ રિસર્ચ અનુસાર, ટ્રમ્પે અગાઉ 2024માં મુંબઈમાં એક પ્રોજેક્ટ માટે લાઇસન્સ વેચીને $10 મિલિયન કમાવ્યા હતા. ભારતમાં આઠ ટ્રમ્પ-બ્રાન્ડેડ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. આમાંથી બે પ્રોજેક્ટ્સ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે છ વીડિયો જાહેર કરવાના બાકી છે. તેવી જ રીતે, પુણેમાં ટ્રમ્પ ટાવર પ્રોજેક્ટ $289 મિલિયન કમાવવાની અપેક્ષા છે.&nbsp;</p><h4 style="text-align: justify; ">અન્ય સ્થળની સંપત્તિથી પણ કમાણી&nbsp;</h4><p style="text-align: justify; ">રિયલ એસ્ટેટ ડીલ્સ ઉપરાંત, ડોનાલ્ડ ટ્રમ્પે ક્રિપ્ટો ફાર્મ્સ, ફિફા વર્લ્ડ કપ ટિકિટો વેચીને અને ગોલ્ફ ક્લબ વેચીને સંપત્તિ એકઠી કરી છે. ટ્રમ્પનો આખો પરિવાર વ્યવસાયમાં સામેલ છે. જ્યારે ટ્રમ્પના જમાઈ રિયલ એસ્ટેટમાં સંકળાયેલા છે. ત્યારે તેમનો પુત્ર ક્રિપ્ટો ફાર્મ વ્યવસાયમાં સક્રિય છે. ફોર્બ્સ મેગેઝિન અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પની કુલ સંપત્તિ $6.5 બિલિયન છે. જેમાં તેમના પરિવારની સંપત્તિનો સમાવેશ થતો નથી. ટ્રમ્પે દુબઈમાં પ્રોપર્ટી ડીલ્સમાંથી $13 મિલિયન કમાવ્યા છે. તેઓ દુબઈમાં 80 ટાવર બનાવી રહ્યા છે. તેમનો રિયલ એસ્ટેટ વ્યવસાય વિશ્વભરના 20 દેશોમાં ફેલાયેલો છે. ટ્રમ્પે તેમના રિયલ એસ્ટેટ વ્યવસાયમાંથી $3 બિલિયનની નેટવર્થ એકત્ર કરી છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/world/news/ayatollah-khamenei-funeral-know-the-complete-process-of-ayatollah-ali-khameneis-funeral" target="_blank"> આયાતુલ્લાહ અલી ખામેનીની દફનવિધિની સંપૂર્ણ પ્રક્રિયા જાણો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/YoC7wOF9Sl7ZIj9lCRajpmq8OphL4QzKiwYfRJty.webp'/></item></channel></rss>