<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[NEET, JEE અને CUETની પરીક્ષા પદ્ધતિમાં થઈ શકે મોટો ફેરફાર, શિક્ષણ મંત્રાલયની કમિટીએ સોંપ્યો રિપોર્ટ ]]></title><link>https://sandesh.com/india/news/neet-jee-cuet-exam-pattern-change-education-ministry-panel-report</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/neet-jee-cuet-exam-pattern-change-education-ministry-panel-report</guid><pubDate>Wed, 01 Jul 2026 16:18:05 +05:30</pubDate><description><![CDATA[<p>દેશની મુખ્ય પ્રવેશ પરીક્ષાઓ NEET-UG, JEE મેઇન, CUET સહિત અન્ય એન્ટ્રન્સ પરીક્ષાઓની પદ્ધતિમાં ટૂંક સમયમાં મોટા ફેરફારો થઈ શકે છે. આ દિશામાં કેન્દ્રના શિક્ષણ મંત્રાલય દ્વારા રચાયેલી 9 સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિએ પોતાનો અહેવાલ સોંપ્યો છે. હવે આ અહેવાલના આધારે શિક્ષણ મંત્રાલય અંતિમ નિર્ણય લેશે, ત્યારબાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) નવી પરીક્ષા પદ્ધતિને અંતિમ સ્વરૂપ આપશે.&nbsp;</p><h2><b>શું છે સમિતિનો મુખ્ય હેતુ?</b></h2><p>જૂન 2025માં ઉચ્ચ શિક્ષણ સચિવ વિનિત જોષીના અધ્યક્ષસ્થાને આ સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની કોચિંગ પરની વધતી નિર્ભરતા ઘટાડવાનો, ડમી સ્કૂલોની પ્રવૃત્તિ પર નિયંત્રણ લાવવાનો તેમજ NEET, JEE અને CUET જેવી પરીક્ષાઓને વધુ પારદર્શક અને નિષ્પક્ષ બનાવવાનો હતો.</p><h3><b>વિદ્યાર્થીઓની ક્ષમતાનું મૂલ્યાંકન થાય તેવું મોડેલ અપનાવવાની જરૂર</b></h3><p>સમિતિએ પોતાની ભલામણોમાં પ્રવેશ પરીક્ષાઓની રચનામાં ફેરફાર કરવાની સલાહ આપી છે. સમિતિનું માનવું છે કે હાલની પરીક્ષા પદ્ધતિ વિદ્યાર્થીઓને કોચિંગ પર વધુ નિર્ભર બનાવે છે. તેથી પ્રશ્નપત્ર અને મૂલ્યાંકન પદ્ધતિમાં ફેરફાર કરીને વિદ્યાર્થીઓની વાસ્તવિક સમજ અને ક્ષમતાનું મૂલ્યાંકન થાય તેવું મોડેલ અપનાવવાની જરૂર છે. સાથે જ કોચિંગ સંસ્થાઓને નિયમિત કરવા માટે કાયદો બનાવવાની સંભાવના પર પણ વિચારણા ચાલી રહી છે.</p><h4><b>એપ્ટિટ્યુડ આધારિત પ્રશ્નોને વધુ મહત્વ આપવામાં આવી શકે</b></h4><p>બીજી તરફ, IITમાં પ્રવેશ માટે લેવાતી JEE એડવાન્સ્ડ પરીક્ષાના પેટર્નમાં પણ ફેરફાર કરવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. નવા મોડેલમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથેમેટિક્સ (PCM) આધારિત પ્રશ્નોની જગ્યાએ એપ્ટિટ્યુડ આધારિત પ્રશ્નોને વધુ મહત્વ આપવામાં આવી શકે છે. જુલાઈ દરમિયાન દેશની તમામ 23 IITમાં પ્રથમ વર્ષના B.Tech વિદ્યાર્થીઓ પર નવા પેટર્નનો ટ્રાયલ લેવામાં આવશે. ટ્રાયલના પરિણામોના આધારે IIT કાઉન્સિલ આગળનો નિર્ણય લેશે અને બધું અનુકૂળ રહ્યું તો JEE એડવાન્સ્ડ 2027 નવી પદ્ધતિ મુજબ યોજાઈ શકે છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/india-qrsam-deal-approval-army-air-defence-indigenous-missile-system" target="_blank">આ પણ વાંચો : QRSAM ડીલને ટુંક સમયમાં જ મળી શકે છે મંજૂરી, સેનાની સંરક્ષણ ક્ષમતા બનશે વધુ મજબૂત</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/YHS0Anzv1HqFMACFnqGzRRWAth009quM1ekPMFlv.webp'/></item><item><title><![CDATA[Tamilnadu: ગૌહત્યા પર સંપૂર્ણ રોક બાબતે સરકાર SCના શરણે, HCનો આદેશ પડકાર્યો ]]></title><link>https://sandesh.com/india/news/tamil-nadu-government-surrenders-to-sc-regarding-complete-ban-on-cow-slaughter-challenges-hc-order</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/tamil-nadu-government-surrenders-to-sc-regarding-complete-ban-on-cow-slaughter-challenges-hc-order</guid><pubDate>Wed, 01 Jul 2026 16:16:44 +05:30</pubDate><description><![CDATA[<p>તમિલનાડુ સરકારે રાજ્યમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાના મદ્રાસ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. રાજ્ય સરકારે પોતાની અરજીમાં દલીલ કરી હતી કે હાઈકોર્ટે ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો આદેશ આપીને તેના કાનૂની અધિકારક્ષેત્રને ઓળંગી દીધું છે. સરકારના મતે આ આદેશ તમિલનાડુ પશુ સંરક્ષણ અધિનિયમ, 1958માં નિર્ધારિત જોગવાઈઓના અવકાશની બહાર આવે છે.</p><h2><b>શું કહે છે સરકાર ?&nbsp;</b></h2><p>આ કાયદાની કલમ 4 હેઠળ, ગાયની કતલ ફક્ત ત્યારે જ માન્ય છે જો પ્રાણી 10 વર્ષથી વધુ ઉંમરનું હોય, કામ કરવા અથવા સંવર્ધન માટે અયોગ્ય હોય અને સક્ષમ અધિકારી દ્વારા પ્રમાણિત હોય. રાજ્ય સરકારનો દાવો છે કે હાઈકોર્ટના નિર્દેશોએ ચુકાદાને સ્વયં-વિરોધાભાસી બનાવ્યો છે.</p><h3><b>મદ્રાસ હાઈકોર્ટનો આદેશ શું હતો?</b></h3><p>મદ્રાસ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ, જેમાં જસ્ટિસ જી.આર. સ્વામીનાથન અને ન્યાયાધીશ વી. લક્ષ્મીનારાયણનની બેન્ચે 27 મેના રોજ ગૌહત્યા અંગે આ આદેશ જાહેર કર્યો હતો. કોર્ટે રાજ્યના મુખ્ય સચિવ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓને બકરી ઇદ પર "અથવા અન્ય કોઈ દિવસે" ગાય કે વાછરડાની કતલ ન થાય તેની ખાતરી કરવા નિર્દેશ આપ્યો હતો. બેન્ચે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે પશુહત્યા ફક્ત નિયુક્ત કતલખાનાઓમાં જ કરી શકાય છે. કોર્ટે રાજ્યભરના અધિકારીઓને આ આદેશનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે યોગ્ય નિર્દેશો જાહેર કરવા સૂચના આપી હતી.</p><h4><b>કોની અરજી પર ચુકાદો આપવામાં આવ્યો હતો?</b></h4><p>'ઇન્દુ મક્કલ કાચી'ના પ્રદેશ મહાસચિવ સૂર્યા દ્વારા દાખલ કરાયેલી અરજીના જવાબમાં હાઇકોર્ટે આ આદેશ આપ્યો હતો. અરજદારે જાહેર સ્થળોએ પશુઓની ગેરકાયદેસર કતલ અટકાવવા માટે માર્ગદર્શિકા માંગી હતી અને દાવો કર્યો હતો કે ફરિયાદો છતાં અધિકારીઓ કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યા છે.</p><h4><b>બકરી ઇદ, ધાર્મિક પ્રથા અને કલમ 48 પર કોર્ટના મહત્વપૂર્ણ અવલોકનો</b></h4><ul><li>સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ટાંકીને હાઇકોર્ટે જણાવ્યું હતું કે ગાય હત્યા બકરી ઇદ સાથે સંકળાયેલી આવશ્યક ધાર્મિક પ્રથા નથી. બેન્ચે અવલોકન કર્યું કે માનનીય સુપ્રીમ કોર્ટે શોધી કાઢ્યું છે કે ઘણા મુસ્લિમો બકરી ઇદના દિવસે ગાયની બલિદાન આપતા નથી. તે દિવસે ગાયની બલિદાન આપવી એ મુસ્લિમ માટે તેમની ધાર્મિક શ્રદ્ધા દર્શાવવા માટે ફરજિયાત કાર્ય નથી.</li><li>કોર્ટે જણાવ્યું હતું કે બકરી ઇદ પર પ્રાણીઓની ધાર્મિક બલિદાન માટે ગાયની કતલ એકમાત્ર પદ્ધતિ નથી. ધાર્મિક પાલનના ભાગ રૂપે તે આવશ્યક કે ફરજિયાત નથી.</li><li>કોર્ટે ઠરાવ્યું હતું કે બંધારણની કલમ 48 ના પ્રકાશમાં જોગવાઈઓનું કડક અર્થઘટન કરવું જોઈએ, અને નિર્ધારિત પ્રમાણપત્ર મેળવ્યા પછી જ કતલની મંજૂરી આપી શકાય છે.</li><li>&nbsp;આ ઉપરાંત હાઇકોર્ટે સરકારી આદેશ પર પોતાનો ચુકાદો આપ્યો હતો જેમાં જણાવાયું હતું કે દૂધ ઉત્પાદન સુધારવા અને ગ્રામીણ અર્થતંત્રને ટેકો આપવા માટે ગાયની કતલ પર પ્રતિબંધ જરૂરી છે.</li></ul> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/kRjHZy7G8t0NK5Nf5lUW0v1f7vstJzHFeuukPGLm.webp'/></item><item><title><![CDATA[Microsoft માં ફરી છટણીના એંધાણ: 5,000 કર્મચારીઓ પર જોખમ! ]]></title><link>https://sandesh.com/world/news/business/microsoft-faces-fresh-layoffs-5000-employees-at-risk</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/business/microsoft-faces-fresh-layoffs-5000-employees-at-risk</guid><pubDate>Wed, 01 Jul 2026 15:37:03 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વૈશ્વિક ટેક જગત ફરી એકવાર ચિંતામાં મુકાયું છે. અહેવાલો અનુસાર, અમેરિકન ટેક જાયન્ટ માઈક્રોસોફ્ટ તેના કાર્યબળમાં વધુ એક મોટો ઘટાડો કરવાની તૈયારી કરી રહ્યું છે.મીડિયા રિપોર્ટના અહેવાલ પ્રમાણે આગામી થોડા દિવસોમાં કંપની લગભગ 5,000 જેટલા કર્મચારીઓને છૂટા કરી શકે છે. જોકે, માઈક્રોસોફ્ટ તરફથી આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.</p><h2 style="text-align: justify; "><b>છટણીનું કારણ: AI તરફ ઝુકાવ અને ખર્ચમાં ઘટાડો</b></h2><p style="text-align: justify; ">માઈક્રોસોફ્ટ છેલ્લા કેટલાક સમયથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર પોતાનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. OpenAI સાથેની ભાગીદારી અને 'Copilot' જેવા અદ્યતન AI ટૂલ્સના વિકાસ પાછળ કંપનીએ અબજો ડોલરનું રોકાણ કર્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે કંપની હવે તેના ઓપરેશનલ ખર્ચને ઘટાડવા માંગે છે અને AI ટેક્નોલોજી દ્વારા કામગીરીને વધુ કાર્યક્ષમ બનાવવા માંગે છે. જે કામો AI અથવા ઓટોમેશન દ્વારા થઈ શકે છે, તેવા વિભાગોમાં કર્મચારીઓની સંખ્યા ઘટાડવી એ માઈક્રોસોફ્ટની વ્યૂહરચનાનો એક ભાગ છે.</p><h3 style="text-align: justify; "><b>કયા વિભાગો સૌથી વધુ પ્રભાવિત થશે?</b></h3><p style="text-align: justify; ">રિપોર્ટ્સ મુજબ, આ વખતે છટણીની સૌથી મોટી અસર કંપનીના વેચાણ, કન્સલ્ટિંગ અને ખાસ કરીને Xbox ગેમિંગ વિભાગ પર પડી શકે છે. Xbox માં લાંબા સમયથી પુનર્ગઠનની ચર્ચાઓ ચાલી રહી છે, અને નવા નેતૃત્વ હેઠળ ગેમિંગ બિઝનેસને નવેસરથી ગોઠવવાની તૈયારીઓ છે. કંપનીના વૈશ્વિક કર્મચારીઓની સંખ્યા લગભગ 2,20,000 છે, જેની સામે આ 5,000 નો આંકડો લગભગ 2.5 ટકાથી પણ ઓછો છે, પરંતુ અસરગ્રસ્ત કર્મચારીઓ માટે આ એક મોટો આંચકો સાબિત થઈ શકે છે.</p><h4 style="text-align: justify; "><b>વૈશ્વિક ટેક સેક્ટરમાં ટ્રેન્ડ</b></h4><p style="text-align: justify; ">માઈક્રોસોફ્ટ એકલી એવી કંપની નથી જે આ પ્રકારના નિર્ણયો લઈ રહી છે. વર્ષ 2026 માં મેટા, એમેઝોન, ઓરેકલ અને લિંક્ડિન જેવી અનેક દિગ્ગજ ટેક કંપનીઓએ પણ તેમના કાર્યબળમાં ઘટાડો કર્યો છે અથવા યોજના બનાવી છે. આ કંપનીઓનું માનવું છે કે ભવિષ્ય 'AI-સંચાલિત' છે, જેમાં ઓછા કર્મચારીઓ સાથે વધુ ઉત્પાદકતા મેળવી શકાય છે.</p><h5 style="text-align: justify; "><b>ઉદ્યોગમાં સ્થિરતા સામે પ્રશ્નાર્થ&nbsp;</b></h5><p style="text-align: justify; ">માઈક્રોસોફ્ટનો આ સંભવિત નિર્ણય ફરી એકવાર ટેક ઉદ્યોગમાં સ્થિરતા સામે પ્રશ્નાર્થ ચિન્હ મૂકે છે. કર્મચારીઓ અને ઉદ્યોગ જગત હવે કંપનીની સત્તાવાર જાહેરાતની રાહ જોઈ રહ્યા છે, જેથી સ્પષ્ટ થઈ શકે કે કોના પર આ છટણીની સીધી અસર પડશે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/business/news/gst-collection-government-treasury-filled-in-june-gst-collection-surges" target="_blank">આ પણ વાંચોઃ GST Collection: જૂન મહિનામાં સરકારી તિજોરી ભરાઇ, GST કલેક્શનમાં જોરાદર ઉછાળો</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/sNFaGZPs838t5dZP3y3Yf1snZdwpicwojqMcEGNy.webp'/></item><item><title><![CDATA[Kutch News: ભચાઉના ASI સુભાષચંદ્ર રાજગોરનું હાર્ટ એટેકથી નિધન ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kutch/bhachau-police-asi-subhashchandra-rajgor-dies-heart-attack</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kutch/bhachau-police-asi-subhashchandra-rajgor-dies-heart-attack</guid><pubDate>Wed, 01 Jul 2026 15:35:18 +05:30</pubDate><description><![CDATA[<p>કચ્છ જિલ્લાના પોલીસ વિભાગમાંથી એક અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. ભચાઉ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર સુભાષચંદ્ર લાલજીભાઈ રાજગોરનું હૃદયરોગના હુમલાને કારણે આકસ્મિક અવસાન થયું છે. કર્તવ્યનિષ્ઠ પોલીસ અધિકારીના આ રીતે અકાળે અવસાન થતાં જ સમગ્ર કચ્છ પોલીસ બેડામાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે. સાથી કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓએ એક નિષ્ઠાવાન સાથી ગુમાવ્યાનું દુઃખ વ્યક્ત કર્યું છે.</p><h2><b>51 વર્ષીય જવાનનો દેહ વતન શિવલખા ગામે લવાયો</b></h2><p>માત્ર 51 વર્ષની નાની ઉંમરે હાર્ટ એટેકનો ભોગ બનેલા એએસઆઈ સુભાષચંદ્ર રાજગોરનો મૃતદેહ પંચભૂતમાં વિલીન થવા માટે તેમના વતન શિવલખા ગામે લાવવામાં આવ્યો હતો. જ્યારે તેમનો દેહ ગામમાં પહોંચ્યો હતો, ત્યારે પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. શિવલખા ગામના પનોતા પુત્ર અને ખાખી વરદીનું ગૌરવ વધારનાર જવાનને અંતિમ વિદાય આપવા માટે આખું ગામ હિબકે ચડ્યું હતું.</p><h2><b>પોલીસ સન્માન સાથે અપાયા અંતિમ સંસ્કાર</b></h2><p>સ્વ. સુભાષચંદ્ર રાજગોરની અંતિમ યાત્રા તેમના વતન શિવલખા ગામે સન્માનપૂર્વક કાઢવામાં આવી હતી. ગુજરાત પોલીસના નિયમાનુસાર, તેમના દેહને તિરંગામાં લપેટીને પૂરા રાષ્ટ્રીય અને પોલીસ સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પોલીસ જવાનોએ હવામાં ફાયરિંગ કરીને અને હથિયાર નમાવીને શહીદ સમાન વીર જવાનને આદરપૂર્વક વિદાય આપી હતી.</p><h2><b>અશ્રુભીની આંખે અંતિમ સલામી</b></h2><p>આ કરુણ પ્રસંગે કચ્છ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ભચાઉ પોલીસ સ્ટેશનના સાથી કર્મચારીઓ શિવલખા ગામે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તમામ અધિકારીઓએ અશ્રુભીની આંખે પોતાના સાથી અધિકારીને અંતિમ સલામી આપી હતી. આ અંતિમ યાત્રામાં મૃતકના સગા-સ્નેહીઓ, ગામના અગ્રણીઓ, ગ્રામજનો તેમજ ખૂબ મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા હતા અને દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.</p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhuj/police-seize-liquor-vehicles-confiscated-in-mundra-raid" target="_blank"> Kachchh News: મુન્દ્રામાં દારૂના કટિંગ સમયે જ પોલીસ ત્રાટકી, વાહનો સહિત 55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/jRKxeG06746i1wTVuEoGGTD44bgsrJQn7TLD4448.webp'/></item><item><title><![CDATA[Dhurandharને પછાડીને નંબર-1 બની આ ફિલ્મ, OTTની ટ્રેન્ડિંગ લિસ્ટમાં જમાવ્યો દબદબો! ]]></title><link>https://sandesh.com/entertainment/news/avatar-movie-beats-dhurandhar-tops-jiohotstar-trending</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/avatar-movie-beats-dhurandhar-tops-jiohotstar-trending</guid><pubDate>Wed, 01 Jul 2026 15:27:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જિયોહોટસ્ટાર પર એકથી વધુ એક નવી ફિલ્મો અને સિરીઝ ટ્રેન્ડ કરી રહી છે. આજે અમે એક એવી ફિલ્મની વાત કરવા જઈ રહ્યા છીએ જેણે રણવીર સિંઘની ધુરંધરને પણ પાછળ છોડી દીધી છે. બોક્સ ઓફિસ પર પણ આ ફિલ્મે ધમાકેદાર કમાણી કરીને ઓડિયન્સને એન્ટરટેઈન કર્યા.</p><h2 style="text-align: justify; "><b>જિયોહોટસ્ટારની ટ્રેન્ડિંગ ફિલ્મ</b></h2><p style="text-align: justify; ">જિયોહોટસ્ટારની આ ટ્રેન્ડિંગ ફિલ્મનું નામ અવતાર: ફાયર એન્ડ એશ છે. આ ફિલ્મે હોલીવુડથી લઈને બોલીવુડ સુધી ઓળખ બનાવી છે. આજે આ ફિલ્મનો દરેક વ્યક્તિ ફેન છે અને આ જ કારણ છે કે તે સિનેમાઘરોમાં છવાયા બાદ OTT પર ટ્રેન્ડ કરી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>કયા નંબર પર કરી રહી છે ટ્રેન્ડ?</b></h3><p style="text-align: justify; ">3 કલાક 17 મિનિટની આ ફિલ્મમાં એક્શનથી ભરેલા સીન્સ જોવા મળશે. જેમ્સ કેમેરોનના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ જિયોહોટસ્ટાર પર છઠ્ઠા નંબર પર ટ્રેન્ડ કરી રહી છે. હોલીવુડની હોવા છતાં પણ આ ફિલ્મને હિન્દી ઓડિયન્સ તરફથી ખૂબ પ્રેમ મળ્યો.</p><h4 style="text-align: justify; "><b>ધુરંધરને છોડી પાછળ</b></h4><p style="text-align: justify; ">અવતાર: ફાયર એન્ડ એશ જ્યાં જિયોહોટસ્ટાર પર ત્રીજા નંબર પર છવાયેલી છે તો બીજી તરફ રણવીર સિંઘની ધુરંધર 8મા નંબર પર ટ્રેન્ડ કરી રહી છે. પોઝિશનના હિસાબથી જોવામાં આવે તો અવતાર: ફાયર એન્ડ એશ એ ધુરંધરને પાછળ છોડી દીધી છે. જિયોહોટસ્ટારની ટોપ ટ્રેન્ડિંગ મૂવી અવતાર: ફાયર એન્ડ એશ 19 ડિસેમ્બર 2025 ના રોજ દુનિયાભરમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 12,380 કરોડની કમાણી કરી. સિનેમાઘરોમાં છવાયા બાદ હવે આ ફિલ્મ જિયોહોટસ્ટાર પર પણ છવાઈ ગઈ છે.</p><h5 style="text-align: justify; "><b>ફિલ્મની સ્ટારકાસ્ટ</b></h5><p style="text-align: justify; ">ફિલ્મની સ્ટારકાસ્ટની વાત કરીએ તો આમાં જોઈ સલ્ડાના, સેમ વર્થિંગટન, સિગોર્ની વીવર, સ્ટીફન લેંગ અને કેટ વિન્સલેટ લીડ રોલમાં છે. જો તમે આ ફિલ્મ સિનેમાઘરોમાં ન જોઈ શક્યા હોય તો હવે તમે આને જિયોહોટસ્ટાર પર બિન્જ વોચ કરી શકો છો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/lock-upp-2-shreya-kalra-claims-akanksha-chamola-is-bisexual-reality-show-controversy" target="_blank">આ પણ વાંચો-TV Actress : 'તે બાયસેક્સ્યુઅલ છે...' લોકઅપ 2માં આકાંક્ષા ચમોલાને લઈને શ્રેયા કાલરાનો ચોંકાવનારો દાવો!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/pn6ZMfKjhq7H4qM8Yq7nQSODGyNvGSrIaRIuGJMb.webp'/></item><item><title><![CDATA[વાંચો બપોરે 12થી 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/read-important-news-from-12-pm-to-03-pm-01-july-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/read-important-news-from-12-pm-to-03-pm-01-july-2026</guid><pubDate>Wed, 01 Jul 2026 15:03:40 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/rajkot/rmc-seals-analog-paneer-hubs-morbi-road-raid" target="_blank">1. Rajkot News: શુદ્ધ પનીરના નામે ‘એનાલોગ પનીર’ વેચતા 8 એકમો સીલ, મોરબી રોડથી ઝડપાયો 500 કિલો જથ્થો</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/entertainment/news/lock-upp-2-shreya-kalra-claims-akanksha-chamola-is-bisexual-reality-show-controversy" target="_blank">2. TV Actress : 'તે બાયસેક્સ્યુઅલ છે...' લોકઅપ 2માં આકાંક્ષા ચમોલાને લઈને શ્રેયા કાલરાનો ચોંકાવનારો દાવો!</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/sports/news/rohit-yadav-new-record-rohit-created-history-by-surpassing-neeraj-chopra-in-javelin-throw" target="_blank">3. Rohit Yadav New Record : ભાલા ફેંકમાં રોહિતે નીરજ ચોપડાને પાછળ છોડી રચ્યો ઈતિહાસ</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/world/news/india/over-100-dignitaries-write-to-pm-modi-and-shehbaz-sharif-to-reopen-airspace-and-end-tensions" target="_blank">4. India-Pakistan વચ્ચે તણાવ ખતમ કરો, એરસ્પેસ ખોલો... 100થી વધુ દિગ્ગજોએ PM મોદી અને શહબાઝ શરીફને લખ્યો પત્ર</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/world/news/-political-news/israel-election-news-former-army-chief-forms-new-party-to-remove-netanyahu-from-power-launches-election-campaign" target="_blank">5. Israel Election News: નેતન્યાહૂને સત્તા પરથી હટાવવા પૂર્વ સેના પ્રમુખે બનાવી નવી પાર્ટી, લોન્ચ કર્યું ચૂંટણી અભિયાન</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/breakingnews/rajkot/rajkot-rmc-jangleshwar-demolition-expense-proposal-rejected-mayor-cancels-rate-contract" target="_blank">6. Rajkot : જંગલેશ્વર ડિમોલિશન મામલે શંકાસ્પદ 27 લાખના ખર્ચની દરખાસ્ત ફગાવાઈ</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/breakingnews/surat/surat-nasirnagar-demolition-case-5-smc-officials-suspended-high-court-hearing-tomorrow" target="_blank">7. Surat: ડિમોલિશન મામલે કોર્પોરેશનના 5 અધિકારીઓ સીધા સસ્પેન્ડ</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-cabinet-meeting-cm-bhupendra-patel-farmers-protest" target="_blank">8. Gandhinagar News: CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક પૂર્ણ, વીજ પોલ અંગે ખેડૂતોના પક્ષમાં સકારાત્મક નિર્ણય</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-monsoon-advances-gujarat-porbandar-daman-diu-jammu-punjab-weather-update" target="_blank">9. Monsoon 2026 : ચોમાસુ દમણ-દીવ અને પોરબંદર પહોંચ્યું, આગામી 48 કલાકમાં આખું ગુજરાત ઘમરોળાશે</a>&nbsp;</b></p><p><br></p><p><a href="https://sandesh.com/cricket/news/vaibhav-sooryavanshi-vaibhav-sooryavanshis-storm-before-the-match-he-rained-sixes-in-the-nets" target="_blank"><b>10. Vaibhav Sooryavanshi : મેચ પહેલા વૈભવ સૂર્યવંશીનું તોફાન! નેટ્સમાં કર્યો સિક્સરનો વરસાદ!</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/y6oIopGKQkbKCUAwubOUQ80RafvkqAIlR6lMczxD.webp'/></item><item><title><![CDATA[Rajkot News: શુદ્ધ પનીરના નામે ‘એનાલોગ પનીર’ વેચતા 8 એકમો સીલ, મોરબી રોડથી ઝડપાયો 500 કિલો જથ્થો ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/rmc-seals-analog-paneer-hubs-morbi-road-raid</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/rmc-seals-analog-paneer-hubs-morbi-road-raid</guid><pubDate>Wed, 01 Jul 2026 14:52:21 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ શહેરમાં ખાણી-પીણીના શોખીનોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થતા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સપાટો બોલાવીને શુદ્ધ પનીરના નામે નકલી અને સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક એવા ‘એનાલોગ પનીર’નું વેચાણ કરતા તત્વો પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ મનપાની ફૂડ સેફ્ટી ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં પનીર અને એનાલોગ પનીરના વિક્રેતાઓને ત્યાં વ્યાપક અને સઘન ચેકિંગ હાથ ધરતાં સમગ્ર વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.</p><h2><b>મોરબી રોડ સેટેલાઇટ ચોકમાંથી 500 કિલો શંકાસ્પદ પનીર ઝડપાયું</b></h2><p>આ રેડ દરમિયાન મનપાની ટીમને એક મોટી સફળતા મળી છે. મોરબી રોડ પર આવેલા સેટેલાઇટ ચોક વિસ્તારમાં ફૂડ વિભાગે બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી. જે દરમિયાન એક રહેણાંક રૂમમાંથી આશરે 500 કિલો જેટલો શંકાસ્પદ પનીરનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે, પ્રકાશ પ્રવિણભાઇ હરસોડા નામનો વ્યક્તિ કોઈપણ પ્રકારના ફૂડ લાઇસન્સ કે રજિસ્ટ્રેશન વિના આ પનીર ક્યુબ્સનું ગેરકાયદે વેચાણ કરતો હતો. તંત્ર દ્વારા આ તમામ જથ્થો જપ્ત કરી કાયદેસરના પગલાં ભરવામાં આવ્યા છે.</p><h2><b>અમદાવાદ કનેક્શન ખુલ્યું</b></h2><p>આરોગ્ય વિભાગની પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં આ કૌભાંડના તાર છેક અમદાવાદ સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલા વેપારી પ્રકાશ હરસોડાની પૂછપરછમાં ખુલાસો થયો છે કે, આ જથ્થો અમદાવાદના પોશ ગણાતા સેટેલાઇટ વિસ્તારમાંથી રાજકોટ ખાતે સપ્લાય કરવામાં આવતો હતો. અમદાવાદથી મંગાવવામાં આવેલું આ કેમિકલયુક્ત એનાલોગ પનીર રાજકોટની સ્થાનિક હોટલો, ઢાબા અને ડેરીઓમાં ‘શુદ્ધ મિલ્ક પનીર’ના નામે ઊંચા ભાવે પધરાવી દેવામાં આવતું હોવાની આશંકા સેવાઈ રહી છે.</p><h2><b>આરોગ્ય અધિકારીની કડક ચેતવણી</b></h2><p>રાજકોટ મનપાના મુખ્ય આરોગ્ય અધિકારીએ આ મામલે કડક વલણ અપનાવતા જણાવ્યું છે કે, ગ્રાહકોને અંધારામાં રાખીને એનાલોગ પનીર વેચનારાઓ સામે ગુનો નોંધી કડક પગલાં લેવાશે. અત્યાર સુધીમાં મનપા દ્વારા સપાટો બોલાવીને આવા કુલ 8 પનીરના એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે, તમામ ડેરી અને પનીર વિક્રેતાઓએ પોતાના એકમ પર ગ્રાહકો સ્પષ્ટ જોઈ શકે તે રીતે ‘મિલ્ક પનીર’ અને ‘એનાલોગ પનીર’નું અલગથી સાઇનબોર્ડ દર્શાવવું ફરજિયાત રહેશે. જો આ નિયમનું ઉલ્લંઘન જણાશે, તો તે દુકાન કે એકમને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવશે.</p><h2><b>એનાલોગ પનીરથી થતી ગંભીર બીમારીઓ</b></h2><p>આરોગ્ય નિષ્ણાતો અને તબીબોના જણાવ્યા અનુસાર, એનાલોગ પનીર કોઈ દૂધમાંથી નહીં પરંતુ કેમિકલ, પામ ઓઈલ, સ્ટાર્ચ અને ઘાતક વનસ્પતિ ફેટના મિશ્રણથી બનાવવામાં આવે છે. આ નકલી પનીરના નિયમિત સેવનથી માનવ શરીરમાં ગંભીર અને જીવલેણ બીમારીઓ ઘર કરી જાય છે.</p><ul><li><b>મેદસ્વીતા: </b>શરીરમાં અકુદરતી ફેટનું પ્રમાણ ઝડપથી વધારે છે.</li><li><b>હૃદય રોગનો હુમલો: </b>ધમનીઓમાં નકામી ચરબી જામી જતાં હાર્ટ એટેકનું જોખમ અનેકગણું વધી જાય છે.</li><li><b>હાઈ બ્લડ પ્રેશર:</b> લોહીનું દબાણ અનિયંત્રિત બને છે જે બ્રેઈન સ્ટ્રોક તરફ દોરી શકે છે.</li><li><b>ડાયાબિટીસ: </b>શરીરમાં મેટાબોલિઝમ બગડવાથી અને ગ્લુકોઝ લેવલ ખોરવાતા ડાયાબિટીસ થવાની પૂરેપૂરી સંભાવના રહે છે.</li></ul><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/rajkot/rajkot-ahmedabad-highway-road-accident" target="_blank"> Rajkot Ahmedabad Highway Accident: કોલેજથી પરત ફરી રહેલા વિદ્યાર્થીનું ટ્રકની ટક્કરે મોત</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/GpDZ2fEZ1dQ7v0HIbbTfVvIUyWFMnpNg9NWfpvN4.webp'/></item><item><title><![CDATA[Rajkot મનપામાં ગાડી કૌભાંડ મુદ્દે મહાસંગ્રામ, મેયર નેહલ શુક્લે આપ્યા તપાસના આદેશ ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-rmc-car-scam-mayor-nehal-shukla-investigation-health-officer-jayesh-vakani-congress</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-rmc-car-scam-mayor-nehal-shukla-investigation-health-officer-jayesh-vakani-congress</guid><pubDate>Wed, 01 Jul 2026 14:50:38 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ મહાનગરપાલિકામાં વાહનોના દુરુપયોગની ફાળવણીને લઈને એક મોટું ગાડી કૌભાંડ સપાટી પર આવ્યું છે. આ ચકચારી મામલો ગરમાતાં રાજકોટના મેયર નેહલ શુક્લએ સત્તાવાર નિવેદન આપીને કડક તપાસની ખાતરી આપી છે.&nbsp;</p><h2><b>15 દિવસ પહેલાં જ તમામ કાર કોન્ટ્રાક્ટ રદ્દ&nbsp;</b></h2><p>મેયરે સ્પષ્ટ કર્યું હતું કે મનપામાં 15 દિવસ પહેલાં જ તમામ કાર કોન્ટ્રાક્ટ રદ્દ કરી દેવામાં આવ્યા છે. જો કોઈ અધિકારી 15 દિવસ પહેલાં કાર વાપરતા હશે તો ચોક્કસ તપાસ થશે. નિયમ મુજબ ક્લાસ- 2 ના કર્મચારીઓને ઓફિશિયલ કાર આપવામાં આવતી જ નથી.</p><h3><b>&nbsp;જયેશ વાકાણીએ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા</b></h3><p>બીજી તરફ, આ કૌભાંડમાં જેમના પરિવારનું નામ ઉછળ્યું છે તેવા મનપાના આરોગ્ય અધિકારી જયેશ વાકાણીએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવી ફગાવ્યા છે. તેમણે જણાવ્યું કે મેડિકલ ઓફિસર ધૃતિ વાકાણી મારા ધર્મપત્ની છે, પરંતુ તેઓ મનપાના કોન્ટ્રાક્ટની કારનો કોઈ ઉપયોગ કરતા નથી. કોર્પોરેશન આરોગ્ય કામગીરી માટે ઇકો ગાડી ફાળવે છે, કોઈ લક્ઝુરિયસ સેડાન કાર નહીં. ધૃતિ જે કાર વાપરે છે તેના વપરાશની તમામ ચૂકવણી હું પોતે કરું છું.  જોકે, આ કેસમાં ડ્રાઈવરે કેમેરા સામે કબૂલાત કરી હતી કે આ કાર મનપાના કોન્ટ્રાક્ટની જ છે, જેના લીધે રહસ્ય ઘેરાયું છે.</p><h3><b>રાજકીય ગરમાવો વ્યાપી ગયો</b></h3><p>આ મામલે રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે અને શહેર કોંગ્રેસ પ્રમુખે શાસકો પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે મનપામાં ભાજપના શાસકો અને ઉચ્ચ અધિકારીઓ મળીને ટેક્સપેયર્સના કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. કોંગ્રેસે માગ કરી છે કે આ ગાડી કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક કાયમી ધોરણે રદ્દ થવો જોઈએ અને જે ઓફિસર ગેરકાયદે ગાડી વાપરે છે તેનો હિસાબ મેળવવો જોઈએ. ગાડી કોના નામે છે અને તેના પેટ્રોલ તથા ડ્રાઈવરના રૂપિયા કોણ ચૂકવે છે તેની હાઈલેવલ તપાસ થવી જ જોઈએ.</p><p><br></p><p>આ પણ વાંચો----&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-india-weather-driest-june-in-100-years-monsoon-delay-july-forecast" target="_blank"><b>Sandesh Digital Explainer: છેલ્લા 100 વર્ષમાં સૌથી સૂકો જૂન મહિનો કેમ રહ્યો ? હવે જુલાઈમાં શું થશે? તમારા પ્રશ્નના તમામ જવાબ વાંચો</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/UsWDMrNUkkO58QwLAeevm79mBibSCWothNILhwX1.webp'/></item><item><title><![CDATA[Rohit Yadav New Record : ભાલા ફેંકમાં રોહિતે નીરજ ચોપડાને પાછળ છોડી રચ્યો ઈતિહાસ ]]></title><link>https://sandesh.com/sports/news/rohit-yadav-new-record-rohit-created-history-by-surpassing-neeraj-chopra-in-javelin-throw</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/rohit-yadav-new-record-rohit-created-history-by-surpassing-neeraj-chopra-in-javelin-throw</guid><pubDate>Wed, 01 Jul 2026 14:46:27 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">65મી રાષ્ટ્રીય આંતર-રાજ્ય સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના અંતિમ દિવસે ભાલા ફેંકમાં એક નવો રેકોર્ડ બન્યો. ભારતીય ખેલાડી રોહિત યાદવે 87.05મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો. તેણે 2026એશિયન ગેમ્સ માટે પણ ક્વોલિફાય કર્યું. એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ કલિંગા સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી. રવિવારે રોહિત યાદવ આ સિઝનમાં ભારતનો સૌથી લાંબો થ્રોઅર બન્યો.</p><h4 style="text-align: justify; "><b>રોહિત યાદવ વિશ્વ ફેંકનારાઓની યાદીમાં ક્યાં સ્થાન ધરાવે છે?</b></h4><p style="text-align: justify; ">આ સાથે, તે શ્રીલંકાના ખેલાડી રમેશ થરંગા પથિરાજેના 92.62 મીટરના રેકોર્ડ થ્રો પછી વિશ્વ ફેંકનારાઓની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. ભારતના સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરાનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. નીરજ 85.69 મીટરના થ્રો સાથે ચોથા સ્થાને છે.</p><h5 style="text-align: justify; "><b>રોહિતે સંઘર્ષ કરવો પડ્યો</b></h5><p style="text-align: justify; ">રોહિત માટે આ થ્રો પણ ખાસ હતો કારણ કે તેનો અગાઉનો શ્રેષ્ઠ થ્રો 83.04 મીટર હતો. તેણે 2023 માં આ થ્રો હાંસલ કર્યો. રોહિત યાદવે ફેંક્યો (77.71), (77.63), એક ફાઉલ (કોઈ નિશાન નહીં), (77.51), (79.40), અને પછી તેના અંતિમ પ્રયાસમાં, તેણે ફેંક્યો (87.05). રોહિતે સમજાવ્યું કે તેને ફેંકતી વખતે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો, પરંતુ છેલ્લા થ્રોમાં, તેણે પોતાની લય શોધી કાઢી અને પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું. મેચ પછી, તેણે કહ્યું કે આ પ્રદર્શનથી તેનો આત્મવિશ્વાસ ઘણો વધ્યો છે. રોહિતે વધુમાં સમજાવ્યું કે તાલીમ દરમિયાન, તે 86-87 મીટર ફેંકી રહ્યો હતો, પરંતુ તેના શરૂઆતના પ્રદર્શનમાં, તે પોતાની લય શોધી શક્યો ન હતો. હવે તે આગામી મેચોમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવાની આશા રાખે છે.</p><h5 style="text-align: justify; "><b>યશવીર અને સચિને પણ ક્વોલિફિકેશન હાંસલ કર્યો</b></h5><p style="text-align: justify; ">રોહિત યાદવે ખુશી વ્યક્ત કરી કે તેઓ મોટી સ્પર્ધા પહેલા એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરવામાં સફળ રહ્યા. પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં, યશવીર સિંહ 83.72 મીટરના થ્રો સાથે બીજા સ્થાને રહ્યો, અને સચિન યાદવ 82.32 મીટરના થ્રો સાથે ત્રીજા સ્થાને રહ્યો. બંને ખેલાડીઓએ એશિયન ગેમ્સ ક્વોલિફિકેશન માર્ક પણ હાંસલ કર્યો છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/cricket/news/vaibhav-sooryavanshi-vaibhav-sooryavanshis-storm-before-the-match-he-rained-sixes-in-the-nets" target="_blank"> Vaibhav Sooryavanshi : મેચ પહેલા વૈભવ સૂર્યવંશીનું તોફાન! નેટ્સમાં કર્યો સિક્સરનો વરસાદ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/lLEnyRsOsNV3MTxuKaboywOWunEABMh1uwMl1VoK.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક પૂર્ણ, વીજ પોલ અંગે ખેડૂતોના પક્ષમાં સકારાત્મક નિર્ણય ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-cabinet-meeting-cm-bhupendra-patel-farmers-protest</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-cabinet-meeting-cm-bhupendra-patel-farmers-protest</guid><pubDate>Wed, 01 Jul 2026 13:11:11 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય કેબિનેટની મહત્વની બેઠક પૂર્ણ થઈ છે. આ બેઠકમાં રાજ્યના વિકાસ કાર્યો સહિત ખેડૂતોને સ્પર્શતા અનેક મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વખતની બેઠકમાં ખેતરોમાંથી પસાર થતી હાઈટેન્શન લાઈન અને વીજ પોલનો મુદ્દો મુખ્ય કેન્દ્રબિંદુ રહ્યો હતો.</p><h2><b>વીજ પોલ વળતર મુદ્દે તમામ મંત્રીઓ એકમત</b></h2><p>કેબિનેટ બેઠકમાં ખેડૂતોના હિતને લઈને એક મોટો ગરમાવો જોવા મળ્યો હતો. ખેતરોમાં નાખવામાં આવતા વીજ પોલના કારણે ખેડૂતોની કિંમતી જમીનને થતા નુકસાન અંગે તમામ મંત્રીઓએ એકસૂરે અવાજ ઉઠાવ્યો હતો. વીજ પોલ ઊભા કરવાના બદલામાં જગતના તાતને હાલમાં જે વળતર મળે છે, તેના કરતાં ઘણું વધુ વળતર ચૂકવવું જોઈએ તેવી મંત્રીઓએ સામૂહિક માગ કરી છે. આ મામલે કેબિનેટના તમામ સભ્યોમાં સંપૂર્ણ એકમત જોવા મળ્યો હતો.</p><h2><b>ખેડૂત આગેવાનો સાથે ટૂંક સમયમાં બેઠક</b></h2><p>મંત્રીઓની રજૂઆત અને વળતર વધારવાની માગને પગલે સરકારે લોકતાંત્રિક અભિગમ અપનાવવાનું નક્કી કર્યું છે. કેબિનેટમાં લેવાયેલા નિર્ણય મુજબ, હવે આ મામલે વિવિધ ખેડૂત સંગઠનો અને રાજ્યના અગ્રણી ખેડૂત આગેવાનો સાથે સીધી ચર્ચા કરવામાં આવશે. ખેડૂતોની અપેક્ષાઓ અને વહીવટી પ્રક્રિયાને ધ્યાને રાખીને સરકાર વળતરનો નવો ડ્રાફ્ટ તૈયાર કરી શકે છે.</p><h2><b>મુખ્યમંત્રીની સૂચના બાદ આખરી નિર્ણય જાહેર થશે</b></h2><p>ખેડૂત આગેવાનો સાથેની ચર્ચાના દોર બાદ આ સમગ્ર વિગતો મુખ્યમંત્રી સમક્ષ મૂકવામાં આવશે. મુખ્યમંત્રીની અંતિમ સૂચના અને મંજૂરી બાદ જ વળતરની નવી રકમ અંગેનો અંતિમ સત્તાવાર નિર્ણય જાહેર કરાશે. સરકારના આ સકારાત્મક વલણથી રાજ્યના લાખો ખેડૂતોને પોતાની જમીન પર ઊભા કરાતા વીજ પોલનું મોટું અને સંતોષકારક આર્થિક વળતર મળવાની આશા જાગી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/gandhinagar-cm-bhupendra-patel-warning-namo-swachhta-abhiyan-gandhinagar-civil-hospital" target="_blank">Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલની લાલઆંખ, "ગમે ત્યાં પિચકારી મારનારા અને કચરો ફેંકનારાઓની હવે વ્યવસ્થા થશે જ..!</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/LFNOxiAQoNJu97qkwwUFQ0stgjzQk09Vn3cX0Thj.webp'/></item></channel></rss>