<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Banaskantha: પાલનપુર સિનેમાગૃહમાં સાંજના શો ટાણે પાણી ટપકતાં પ્રેક્ષકોનો હોબાળો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/banaskantha/banaskantha--1-1-1-1-1-1-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/banaskantha/banaskantha--1-1-1-1-1-1-1</guid><pubDate>Mon, 06 Jul 2026 04:15:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પાલનપુર શહેરમાં બપોરના સુમારે પિક્ચર જોવા ગયેલા દર્શકોને મુશ્કેલી વેઠવી પડી હતી. જે અંગે પિક્ચર જોવા ગયેલા દર્શકોના જણાવ્યા અનુસાર બપોરે 3:30 વાગ્યાથી 6:00 વાગ્યા દરમ્યાન શોમાં સાંજના ઈન્ટરવેલ પછીના સમયે વરસાદના કારણે થિયેટરની અંદર છતમાંથી પાણી પડવા લાગ્યું હતું અને થિયેટરમાં પાણી પડવાને કારણે સ્પીકર તેમજ વાયર અને ગાલીચા પાણીમાં પડયા હતા. સાથે સાથે અહીં વીજ કરંટનો ભય પણ હતો. આમ દર્શકોના જીવ જોખમમાં મુકાતા કેટલાક દર્શકો બહાર દોડી ગયા હતા અને પિક્ચરના સમયના અંતિમ દસ મિનિટ બાકી હતી. તે સમયે સમસ્યા વધુ જણાતાં દર્શકો બહાર નીકળી ગયા હતા અને પેમેન્ટ રિટર્ન બાબતે હોબાળો મચાવ્યો હતો. જો કે આ બાબતે કેટલાક દર્શકોને પેમેન્ટ રિટર્ન કરવામાં આવ્યું હતું. જે લોકોએ ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું તેમને ઓનલાઈન પેમેન્ટ રિટર્ન થશે તેમ ખાતરી આપવામાં આવી હતી. ત્યારે વરસાદ દરમ્યાન થિયેટરમાં પાણી ક્યાંથી આવ્યું અને થિયેટરમાં લોકોના જીવ જોખમાય તેવી પરિસ્થિતિ હોવા છતાં શો ચાલુ રાખવામાં આવતા આ અંગે દર્શકોએ સવાલ ઉઠાવ્યા છે. આ અંગે સુરમંદિર થિયેટરના મેનેજર વિનોદભાઈ પટેલનો સંપર્ક કરતા તેમ જણાવ્યું હતું કે વરસાદના કારણે પીઓપીનો પટ્ટો પડી ગયો હતો અને અન્ય કોઈ નુકશાન થયું નથી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/05/6Pntd87APfacT2Zen6HagBnFhGydFYqVVEaIQeTy.webp'/></item><item><title><![CDATA[Dahod: કોલકોતા ખાતે દાહોદની બે દીકરીએ રાષ્ટ્રીય વંદેમાતરમ્ કૅમ્પમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dahod/dahod--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dahod/dahod--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</guid><pubDate>Mon, 06 Jul 2026 04:06:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ખેલ અને યુવા મંત્રાલય, ભારત સરકારના માર્ગદર્શન હેઠળ માય ભારત દ્વારા તા. 24 જૂનથી 30 જૂન, 2026 દરમિયાન પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતે રાષ્ટ્રીય કક્ષાના વંદેમાતરમ્ કેમ્પનું આયોજન કરાયું હતું.</p><p style="text-align: justify; ">કેમ્પમાં ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ, અંદમાન અને નિકોબાર તથા મેઘાલય સહિત ભારતના વિવિધ રાજ્યમાંથી આશરે 150 જેટલા પ્રતિભાશાળી યુવાનોની પસંદગી કરાઇ હતી. જેમાં ગુજરાત રાજ્યમાંથી દાહોદ જિલ્લાની બે દીકરી કુ. રાજવી વિજયકુમાર કડિયા અને કુ. ડિંકી કૈલાશભાઈ ઉપાધ્યાયની પસંદગી થતાં જિલ્લાભરમાં ગૌરવની લાગણી પ્રસરી હતી. કેમ્પમાં બંને દીકરીએ વિવિધ નેતૃત્વ વિકાસ સત્રો, રાષ્ટ્ર નિર્માણ વિષયક ચર્ચા, સાંસ્કૃતિક કાર્યક્રમો, ટીમ બિલ્ડિંગ પ્રવૃત્તિઓ, પ્રેરણાત્મક વર્કશોપ, સમૂહ પ્રસ્તુતિ તેમજ વિવિધ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને તેમના ઉત્કૃષ્ટ યોગદાન અને નોંધપાત્ર સિદ્ધિને બિરદાવતા ભારત સરકારના પ્રતિનિધિઓ દ્વારા બંને દીકરીનું વિશેષ સન્માન કરાયું હતું. આ સિદ્ધિ સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત બની છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/05/N9SZXgoRPOXpJOdiAUgM98d2CiJqP6Fd0y7iikfq.webp'/></item><item><title><![CDATA[વાંકલમાં શિબિર : 58 યુનિટ રક્ત એકત્ર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/camp-in-wankal-58-units-of-blood-collected</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/camp-in-wankal-58-units-of-blood-collected</guid><pubDate>Mon, 06 Jul 2026 01:31:31 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત : વાંકલ ગામ ખાતે ડૉ. શ્યામ પ્રસાદ મુખર્જીના 125 મી જન્મજયંતિ વર્ષ (સ્મૃતિ પખવાડિયું) નિમિતે આયોજિત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં 58 યુનિટ જેટલું રક્ત એકત્રિત થયું હતું. આ રક્તદાન શિબિરને સફ્ળ બનાવવા તમામ કાર્યકતા હોદેદારો, સરપંચ, વડીલો અને ગ્રામજનો અને સરદાર હોસ્પિટલ બારડોલીના સ્ટાફે સહયોગ આપ્યો હતો.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/06/1GiQXHEcS1hXabt9UlkXeHAW0izUW4rNaqtAJ1YO.webp'/></item><item><title><![CDATA[ભાટ ખાતે રાજ્યના શહેરી વિસ્તારનો રૂ.175 કરોડનો પહેલો કેબલ સ્ટેઈડ બ્રિજ ખૂલ્લો મૂકાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/the-states-first-cable-stayed-bridge-worth-rs-175-crores-in-the-urban-area-was-inaugurated-at-bhat</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/the-states-first-cable-stayed-bridge-worth-rs-175-crores-in-the-urban-area-was-inaugurated-at-bhat</guid><pubDate>Mon, 06 Jul 2026 01:27:42 +05:30</pubDate><description><![CDATA[<p>પાટનગર ગાંધીનગરને અમદાવાદ એરપોર્ટ સાથે જોડતા ભાટ ચાર રસ્તા ઉપર નવા તૈયાર થયેલો કેબલ સ્ટેઈડ ફ્લાય ઓવરબ્રિજ રવિવારે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મૂકાયો છે. રૂ.175 કરોડના ખર્ચે નિર્માણ પામેલો આ 1.48 કિલોમીટર લંબાઈ ધરાવતો બ્રિજ રાજ્યમાં શહેરી વિસ્તારનો પ્રથમ કેબલ સ્ટેઈડ ફ્લાયઓવર બ્રિજ છે. આ ફ્લાયઓવર સાથે કોબા સર્કલથી ભાટ સર્કલ વચ્ચે નર્મદા મુખ્ય કેનાલના બ્રિજની બન્ને બાજુ ત્રણ-ત્રણ લેનના નવા બ્રિજના નિર્માણનો પ્રોજેક્ટ રૂ.48 કરોડના ખર્ચે હાથ ધરવાનું નક્કી થયું છે, જેનું ખાતમૂહુર્ત પણ કરવામાં આવ્યું છે. ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે આ પ્રોજેક્ટ હાથ ઉપર લેવાયો છે. ભાટ સર્કલ ખાતે કેબલ સ્ટેઈડ બ્રિજ કાર્યરત થવાથી એસપી રિંગ રોડનો ટ્રાફિક બ્રિજની નીચેથી અને અમદાવાદ-ગાંધીનગર વચ્ચેનો ટ્રાફિક બ્રિજની ઉપરથી જશે, પરિણામે ટ્રાફિક જામની સમસ્યા હળવી થશે એવું તંત્ર માને છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/06/h9HBT0UtimwzvIh7tcO0QdsoZLEZGhF8LtJEEPao.webp'/></item><item><title><![CDATA[વટવાના ચાર માળિયા સરકારી આવાસ યોજના કે જીવતું જાગતું નરકાગાર? ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/a-four-story-government-housing-project-in-vatwa-or-a-living-hell</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/a-four-story-government-housing-project-in-vatwa-or-a-living-hell</guid><pubDate>Mon, 06 Jul 2026 01:24:23 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદના વટવા વિસ્તારમાં ગરીબો અને શ્રમિકો માટે બનાવવામાં આવેલા ચાર માળિયા આવાસો આજે માનવ વસવાટ માટે લાયક રહ્યા નથી. અહીંની પરિસ્થિતિ નર્ક કરતા પણ બદતર બની ચຸકી છે. તંત્રની ઘોર ઉદાસીનતાના કારણે સ્થાનિક રહીશો પ્રાથમિક સુવિધાઓ તો દૂર, સુરક્ષા અને સ્વાસ્થ્યના ન્યૂનતમ અધિકારોથી પણ વંચિત રહી ગયા છે.</p><p>મહત્વનું છે કે સમગ્ર સોસાયટીમાં રોડ-રસ્તા જેવું કંઈ બચ્યું જ નથી. ચોતરફ્ ધૂળ, કાદવ-કીચડ અને ગંદકીના ગંજ ખડકાયેલા છે.ગમે ત્યારે મોટી હોનારત સર્જાવાનો ભય સ્થાનિકોને છે.</p><p>સ્થાનિકોનું કહેવું છે કે આ આવાસોની ઇમારતો એટલી હદે જર્જરીત થઈ ગઈ છે કે ગમે ત્યારે કોઈ મોટી દુર્ઘટના ઘટી શકે છે. દીવાલોના પોપડા  ઉખડી ગયા છે અને અંદરના લોખંડના સળિયા પૂરેપૂરા બહાર આવી ગયા છે, જે બિલ્ડિંગ નબળી પડી ગઈ હોવાની ગવાહી આપે છે.  मुख्य સ્ટ્રક્ચરમાં ઊંડી તિરાડો અને જર્જરીત બારીઓ દેખાય છે, જ્યારે  ઇમારતની દીવાલો પર વનસ્પતિ ઉગી નીકળી છે જે પાયાને વધુ  નબળો પાડી રહી છે.</p><p>સ્થાનિકોનું વધુમાં કહેવું છે કે અહીં હજારો પરિવાર વસે છે છતાં આ સોસાયટીની વચ્ચોવચ કેમિકલયુક્ત અને ગટરના કાળા માથું ફાડી નાખે તેવા પાણીના ખાબોચિયા ભરાયેલા રહે છે. પ્લાસ્ટિકના કચરા અને એઠવાડ વચ્ચે ભરાયેલા આ દૂષિત પાણીના કારણે મચ્છરો અને જીવાતોનો ભારે ત્રાસ છે, જેના લીધે અહીં માસૂમ બાળકો અને સ્થાનિક લોકો સતત રોગચાળાના ભોગ બની રહ્યા છે. રહીશો પોતાની નજરે આ વિનાશક સ્થિતિ રોજ વેઠી રહ્યા છે</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/06/lrkW6hWP2YWOA4Kxcq35Lch4sOGR8MQKKIk2UvRJ.webp'/></item><item><title><![CDATA[Bareilly Accident News: બરેલીમાં કાળ બનીને તૂટી ઘરની બાલ્કની, દાદી અને પૌત્રીનું મોત ]]></title><link>https://sandesh.com/india/news/bareilly-accident-news-balcony-of-house-collapses-due-to-hail-in-bareilly-grandmother-and-granddaughter-die</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/bareilly-accident-news-balcony-of-house-collapses-due-to-hail-in-bareilly-grandmother-and-granddaughter-die</guid><pubDate>Sun, 05 Jul 2026 18:42:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આર્થિક રીતે સંઘર્ષ કરી રહેલા પરિવાર પાસે ઘરનું સમારકામ કરવા માટે પૈસા નહોતા. તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કાયમી ઘરની રાહ જોઈ રહ્યા હતા.&nbsp;</p><h2 style="text-align: justify; ">કાળ બનીને આવી મુસીબત&nbsp;</h2><p style="text-align: justify; ">ઉત્તર પ્રદેશના બરેલીના શાહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા તુર્સા ગામમાં જર્જરિત ઘરની બાલ્કની અચાનક તૂટી પડી હતી. જેમાં 70 વર્ષીય નાથો દેવી અને તેમની છ વર્ષની પૌત્રી દીપાંજલિ કાટમાળ નીચે દબાયા હતા. બંનેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ડોકટરો તેમને બચાવી શક્યા નહીં. અકસ્માત સમયે તેમની સાથે બેઠેલા 10 વર્ષીય પૌત્ર  પેન્સિલ લેવા માટે હાથ લંબાવ્યો હતો, જેનાથી તેનો જીવ બચી ગયો હતો.</p><h3 style="text-align: justify; ">પરિવારના સભ્યોનો ખુલાસો&nbsp;</h3><p style="text-align: justify; ">હકીકતમાં, પરિવારના સભ્યોએ ખુલાસો કર્યો કે આનંદ સ્વરૂપ, યશપાલ અને વિજયપાલના પરિવારો એક જ ઘરમાં રહેતા હતા. ઘરનો એક ભાગ પહેલેથી જ તૂટી પડ્યો હતો, અને બાકીની બાલ્કની ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતી. નાથો દેવી તેના પૌત્ર સંદેશ અને પૌત્રી દીપાંજલી સાથે ખાટલા પર બેઠી હતી. સંદેશ તેના અભ્યાસ માટે પેન્સિલ લેવા ગયો હતો. તે જતાની સાથે જ બાલ્કની તૂટી પડી, જેના કારણે દાદી અને પૌત્રી કાટમાળ નીચે દટાઈ ગઈ હતી.&nbsp;</p><h4 style="text-align: justify; ">દાદી અને પૌત્રી કાટમાળ નીચે દટાઈ&nbsp;</h4><p style="text-align: justify; ">ઘણી મહેનત પછી પરિવાર અને ગ્રામજનો ઘટનાસ્થળે દોડી ગયા. તેમને પહેલા સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પછી તેમની હાલત વધુ ખરાબ થતાં બરેલી રિફર કરવામાં આવ્યા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. અકસ્માતની માહિતી મળતાં, શાહી પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા. પોલીસે તપાસ શરૂ કરી છે. પરિવારના સભ્યો કહે છે કે પરિવાર પાસે આશરે નવ એકર જમીન છે અને ખેતી અને મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. આર્થિક તંગીને કારણે, જર્જરિત ઘરનું સમારકામ થઈ શક્યું નહીં.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/india/news/-political-news/mamata-banerjees-nephew-abhishek-banerjee-faces-tough-action-another-new-fir-for-fraud-of-crores-in-sevashray-controversy" target="_blank">મમતા બેનર્જીના ભત્રીજા Abhishek Banerjee પર કસાયો સંકજો, 'સેવાશ્રય' વિવાદમાં કરોડોના ફ્રોડ બદલ વધુ એક નવી FIR</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/05/9KWlbiOhSmbm9X06i9VDaXZUoE3RizHFiFhVO0F5.webp'/></item><item><title><![CDATA[મમતા બેનર્જીના ભત્રીજા Abhishek Banerjee પર કસાયો સંકજો, 'સેવાશ્રય' વિવાદમાં કરોડોના ફ્રોડ બદલ વધુ એક નવી FIR ]]></title><link>https://sandesh.com/india/news/-political-news/mamata-banerjees-nephew-abhishek-banerjee-faces-tough-action-another-new-fir-for-fraud-of-crores-in-sevashray-controversy</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/-political-news/mamata-banerjees-nephew-abhishek-banerjee-faces-tough-action-another-new-fir-for-fraud-of-crores-in-sevashray-controversy</guid><pubDate>Sun, 05 Jul 2026 18:30:24 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">કરોડોની છેતરપિંડી અને સરકારી પરવાનગી વિના સુવિધા ચલાવવાનો આરોપ લગાવી નવી FIR કરાઇ છે.</p><h2 style="text-align: justify; ">અભિષેક બેનર્જી ફરી વિવાદમાં&nbsp;</h2><p style="text-align: justify; ">તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને સાંસદ અભિષેક બેનર્જી પર સેવાશ્રય અંગે દબાણ વધ્યું છે. બિષ્ણુપુર પોલીસ સ્ટેશનમાં તૃણમૂલ સાંસદ સામે બીજી FIR દાખલ કરવામાં આવી છે. ડાયમંડ હાર્બર પોલીસ સ્ટેશનમાં અગાઉ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ભાજપના નેતા અભિજીત દાસ બોબીએ બિષ્ણુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. FIRમાં અભિષેક બેનર્જી ઉપરાંત સુમિત રોય અને જહાંગીર ખાન સહિત અનેક વ્યક્તિઓના નામ છે.</p><h3 style="text-align: justify; ">નાણાકીય છેતરપિંડીના આરોપ&nbsp;</h3><p style="text-align: justify; ">રાજ્યમાં સત્તા પરિવર્તન બાદ, સેવાશ્રય સામે અનેક સનસનાટીભર્યા આરોપો મૂકવામાં આવ્યા છે. કરોડો રૂપિયાના નાણાકીય છેતરપિંડીના આરોપો મૂકવામાં આવ્યા છે. વહીવટીતંત્રે જણાવ્યું છે કે ડાયમંડ હાર્બર સેવાશ્રય પાસે કોઈ સરકારી પરવાનગી નહોતી. આરોગ્ય વિભાગે સેવાશ્રયમાં અનિયમિતતાના આરોપોની પોતાની તપાસ શરૂ કરી છે. નવાન્ના પાસેથી પણ રિપોર્ટ માંગવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ તરફથી કોઈ મંજૂરી કે લાઇસન્સ ન હોવા છતાં આ આશ્રયસ્થાન ખુલ્લેઆમ કેવી રીતે કાર્યરત હતું તેની તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.</p><h4 style="text-align: justify; ">FIRમાં કોના નામ ?</h4><p style="text-align: justify; ">પહેલી FIRમાં અભિષેક બેનર્જીનું નામ છે. તેમના ઉપરાંત, અભિષેક બેનર્જીના પીએ સુમિત રોય, અભિષેકના નજીકના સહયોગી અયાન ઘોષ દસ્તીદાર, ફાલ્ટાના પુષ્પા જહાંગીર ખાન, શમીમ અહેમદ, ગૌતમ અધિકારી, મહેબૂબ ગાયન, નબાકુમાર બેતાલ, દિલીપ મંડલ અને બબન ગાઝી પણ આરોપી છે. વધુમાં, દર્દીનું પરીક્ષણ કરનારા ડોકટરો, ટેકનિશિયનો, લેબ સ્ટાફ અને નર્સો સામે બિષ્ણુપુર પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે.</p><h5 style="text-align: justify; ">શુ હતો વિવાદ ?&nbsp;</h5><p style="text-align: justify; ">અભિષેકે જાન્યુઆરી 2025 માં પોતાનો પહેલો સેવાશ્રય કાર્યક્રમ શરૂ કર્યો. તે તેમના લોકસભા મતવિસ્તાર, ડાયમંડ હાર્બરમાં અઢી મહિના સુધી ચાલ્યો હતો. ત્યારબાદ, ડિસેમ્બર 2025 માં, સેવાશ્રય કેમ્પ ફરીથી શરૂ કરવામાં આવ્યા. આ વખતે, નંદીગ્રામ તેમજ ડાયમંડ હાર્બરમાં પણ કેમ્પ શરૂ કરવામાં આવ્યા. વિધાનસભા ચૂંટણી પહેલા નંદીગ્રામમાં સેવાશ્રય કેમ્પ અંગે વિવાદ ફાટી નીકળ્યો. રાજ્યવ્યાપી પરિવર્તન બાદ, સેવાશ્રય પર અનેક આરોપો લગાવવામાં આવ્યા હતા.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/lifestyle/news/health-fitness/healthy-sleep-diet-want-a-deep-and-peaceful-sleep-then-make-these-changes-to-your-plate" target="_blank"> ગાઢ અને શાંતિપૂર્ણ ઊંઘ જોઈએ છે? તો તમારી થાળીમાં કરો આ ફેરફારો!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/05/MplM51tq7374moDoraBVzPlnw4E2EeTHAsJEmbqe.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026 : ઈંગ્લેન્ડ ટીમની હોટલ બહાર રાતભર હોબાળો, જાણો કારણ ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-there-was-a-ruckus-outside-the-england-teams-hotel-all-night-know-the-reason</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-there-was-a-ruckus-outside-the-england-teams-hotel-all-night-know-the-reason</guid><pubDate>Sun, 05 Jul 2026 17:47:35 +05:30</pubDate><description><![CDATA[<p>ફૂટબોલ એક એવી રમત છે જ્યાં બે ટીમો વચ્ચેની હરીફાઈ ચાહકોને ચરમસીમા સુધી પહોંચાડે છે.સામાન્ય રીતે,રાષ્ટ્રીય લીગમાં રમતી ક્લબો વચ્ચે આવી હરીફાઈ જોવા મળે છે.જો કે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં પણ જ્યારે દાવ વધારે હોય છે.ત્યારે ચાહકો કોઈપણ જોખમ લેવા તૈયાર હોય છે.FIFA વર્લ્ડ કપ 2026 દરમિયાન મેક્સિકો સિટીમાં પણ આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું,જ્યાં મેક્સીકન ચાહકોએ આખી રાત ઇંગ્લેન્ડ ટીમની હોટલની બહાર ભારે હંગામો મચાવ્યો હતો.</p><h4><b>ક્સિકો અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે મેચ&nbsp;</b></h4><p>યજમાન મેક્સિકો અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રી-ક્વાર્ટર ફાઇનલ મેચ મેક્સિકો સિટીના પ્રખ્યાત એઝટેકા સ્ટેડિયમમાં રમાનારી છે. આ મેચ રવિવાર રાત્રે, 5 જુલાઈ (ભારતમાં સવારે 5:30 વાગ્યે, 6 જુલાઈ) ના રોજ રમાશે.યજમાન તરીકે,આ વર્લ્ડ કપ અને આ મેચ મેક્સીકન ચાહકો માટે ખૂબ જ ખાસ છે, કારણ કે ટીમ ફરીથી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી શકે છે. પરંતુ આ પડકાર તેમના માટે સરળ રહેશે નહીં.</p><p><a href="https://x.com/HLTCO/status/2073690892246942136?s=20" target="_blank">https://x.com/HLTCO/status/2073690892246942136?s=20</a></p><p><br></p><h4><b>મેક્સીકન ચાહકો ઇંગ્લેન્ડ પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો</b></h4><p>મેચનું પરિણામ હવે 90 મિનિટમાં નક્કી થશે, અને ખેલાડીઓ તેનો નિર્ણય લેશે. જોકે, મેક્સીકન ચાહકોએ તેમની ટીમને આગળ વધારવા અને અંગ્રેજી ખેલાડીઓને હેરાન કરવા માટે પોતાનો ભાગ ભજવી ચૂક્યા છે. આ માટે, મેચની આગલી રાત્રે, મેક્સીકન ચાહકોએ સાન્ટા ફેમાં ઇંગ્લેન્ડ ફૂટબોલ ટીમની હોટલની બહાર ભારે હંગામો મચાવ્યો.</p><h4><b>મેક્સીકન ચાહકો આખી રાત કર્યો હંગામો&nbsp;</b></h4><p>હજારો મેક્સીકન ચાહકો ઢોલ, ટ્રમ્પેટ, લાઉડસ્પીકર અને ફટાકડા સાથે પહોંચ્યા. એકસાથે, તેઓએ આખી રાત ઘણો અવાજ કર્યો, મોટેથી ગાતા અને મંત્રોચ્ચાર કરતા. આ ચાહકોનો એકમાત્ર હેતુ ઇંગ્લેન્ડના ખેલાડીઓને મેચની આગલી રાત્રે શાંતિથી સૂતા અટકાવવાનો અને મેચના દિવસે તેમને માનસિક અને શારીરિક રીતે થાકેલા રાખવાનો હતો.</p><h5><b>આયોજકોના પ્રયાસો નિષ્ફળ ગયા</b></h5><p>આ સમગ્ર ઘટનાની નોંધપાત્ર વાત એ છે કે આયોજકોને આ વાતની અગાઉથી જાણ હતી, અને તેથી, ઇંગ્લેન્ડ ટીમની હોટલનું નામ અને સ્થાન જાહેર કરવામાં આવ્યું ન હતું. જો કે, કોઈક રીતે, મેક્સીકન ચાહકોને આ વાતની જાણ થઈ ગઈ અને તેઓ હોટલની બહાર ભેગા થવા લાગ્યા. જોકે, હોટલની બહાર મોટી સંખ્યામાં હુલ્લડ વિરોધી પોલીસ પહેલેથી જ તૈનાત કરવામાં આવી હતી. આની અસર મેચ દરમિયાન બહાર આવશે.</p><p>આ પણ વાંચો -</p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/05/K7i8uCG2tIK9fP8NmnO6JlQ4Y4XRclSK8xu5VjOb.webp'/></item><item><title><![CDATA[Aamir Khan ગૌરી સ્પ્રેટ સાથે લગ્નના બંધનમાં બંધાયા, ફોટો વાયરલ ]]></title><link>https://sandesh.com/entertainment/news/aamir-khan-tied-the-knot-with-gauri-spratt-photo-goes-viral</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/aamir-khan-tied-the-knot-with-gauri-spratt-photo-goes-viral</guid><pubDate>Sun, 05 Jul 2026 14:06:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલિવૂડના 'મિસ્ટર પરફેક્શનિસ્ટ' તરીકે જાણીતા અભિનેતા આમિર ખાને પોતાના જીવનના એક નવા અધ્યાયની શરૂઆત કરી છે. 5 જુલાઈ, 2026ના રોજ આમિર ખાને પોતાની લાંબા સમયની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે લગ્ન કરી લીધા છે. આ લગ્ન સમારોહ ખૂબ જ સાદગીપૂર્ણ રીતે આમિરના ઘરે યોજાયો હતો, જેમાં માત્ર પરિવારના સભ્યો અને ખાસ મિત્રો જ ઉપસ્થિત રહ્યા હતા. આ દંપતીએ કાયદેસર રીતે રજિસ્ટર્ડ મેરેજ કર્યા છે.</p><h2 style="text-align: justify; "><b>લગ્નનો ફોટો થયો વાયરલ</b></h2><p style="text-align: justify; ">લગ્નના પ્રથમ એક્સક્લુઝિવ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં આમિર અને ગૌરી અત્યંત સુંદર અને ખુશ દેખાઈ રહ્યા છે. આમિર ખાને લગ્ન માટે સફેદ રંગની ક્લાસિક શેરવાની પસંદ કરી હતી, જેની સાથે તેમણે ચશ્મા અને બ્રેસલેટ પહેરીને પોતાના લુકને પૂર્ણ કર્યો હતો. બીજી તરફ, દુલ્હન બનેલી ગૌરી પણ સફેદ ડ્રેસમાં ખૂબ જ આકર્ષક લાગતી હતી. તેણે ભારે ગળાનો હાર, સુંદર કાનની બુટ્ટીઓ અને સાઈડ-પાર્ટેડ વેણી સાથે પોતાનો બ્રાઈડલ લુક પૂર્ણ કર્યો હતો. હળવા મેકઅપમાં ગૌરીનું સૌંદર્ય ખીલી ઉઠ્યું હતું.</p><h3 style="text-align: justify; "><b>લગ્નના કાગળો પર કર્યા હસ્તાક્ષર</b></h3><p style="text-align: justify; ">વાયરલ થયેલા ફોટામાં દંપતી ફ્લોર પર બેસીને લગ્નના કાગળો પર હસ્તાક્ષર કરતું જોવા મળે છે. આ ભાવુક ક્ષણે તેમની સાથે આમિરનો પુત્ર આઝાદ અને ગૌરીના પુત્રો પણ હાજર હતા. આમિરના પરિવારના સભ્યોની હાજરીમાં આ લગ્ન એક પારિવારિક ઉત્સવ જેવા લાગતા હતા. આ ખાસ પ્રસંગે ફિલ્મ નિર્માતા આશુતોષ ગોવારિકર તેમની પત્ની સાથે પહોંચ્યા હતા, જ્યારે અંબાણી પરિવાર પણ આ સમારોહમાં હાજરી આપી હતી.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PTI_News/status/2073683437815472167"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h4 style="text-align: justify; "><b>આમિરની ભૂતકાળની સફર</b></h4><p style="text-align: justify; ">આમિર ખાનના આ ત્રીજા લગ્ન છે. અગાઉ 1986માં તેમણે રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા, જે 16 વર્ષ બાદ 2002માં છૂટાછેડામાં પરિણમ્યા હતા. ત્યારબાદ 2005માં તેમણે કિરણ રાવ સાથે લગ્ન કર્યા, જે પણ 16 વર્ષ ચાલ્યા. આમિર અને કિરણને આઝાદ નામનો પુત્ર છે. ખાસ વાત એ છે કે આમિર તેમના બંને પૂર્વ જીવનસાથીઓ સાથે ખૂબ જ સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખે છે.<br><h5><b>બંનેની મિત્રતા 25 વર્ષ જૂની</b></h5></p><p style="text-align: justify; ">ગૌરી અને આમિરની મિત્રતા લગભગ 25 વર્ષ જૂની છે. લાંબા સમયની ગાઢ મૈત્રીને પ્રેમમાં બદલીને, આખરે તેઓએ જીવનભર સાથ રહેવાનો નિર્ણય લીધો છે. આમિરે 2025માં પોતાના જન્મદિવસ પર આ સંબંધને સત્તાવાર જાહેર કર્યો હતો, ત્યારથી તેઓ સતત ચર્ચામાં હતા. હવે આ લગ્ન સાથે બંનેએ પોતાની નવી જિંદગીની ખુશીભરી શરૂઆત કરી છે. ચાહકો અને બોલિવૂડ જગત તરફથી આ નવા દંપતીને શુભેચ્છાઓ મળી રહી છે.<br><b><a href="https://sandesh.com/entertainment/news/aamir-khan-net-worth-know-mr-perfectionists-earnings-luxurious-house-worth-crores-and-luxury-car-collection" target="_blank">આ પણ વાંચોઃ Aamir Khan Net Worth: જાણો મિસ્ટર પરફેક્શનિસ્ટની કમાણી, કરોડોનું આલીશાન ઘર અને લક્ઝરી કાર કલેક્શન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/05/xEXou61giBgXzvfUhy6CiYhnLiRi04PXweEEtsF6.webp'/></item><item><title><![CDATA[Gold Silver Price Today: શું સોનું ફરી મોંઘું થયું? જાણો 20, 22 અને 24 કેરેટના લેટેસ્ટ ભાવ.. ]]></title><link>https://sandesh.com/business/news/gold-silver-price-today-has-gold-become-expensive-again-know-the-latest-prices-of-20-22-and-24-carats</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/gold-silver-price-today-has-gold-become-expensive-again-know-the-latest-prices-of-20-22-and-24-carats</guid><pubDate>Sun, 05 Jul 2026 10:11:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">છેલ્લા કેટલાક દિવસોમાં સોના અને ચાંદીના બજારમાં નોંધપાત્ર ઉથલપાથલ જોવા મળી છે. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ અથવા ઘરેણાં લેવાનું આયોજન હોય, તો આ ફેરફારો પર નજર રાખવી અત્યંત આવશ્યક છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) અને સ્થાનિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં જોવા મળેલી વધ-ઘટ આ મુજબ છે.</p><h2 style="text-align: justify; "><b>MCX પર સોના-ચાંદીની સ્થિતિ</b></h2><p style="text-align: justify; ">MCX પર સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો અને તે ₹1,47,365 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. પાંચ દિવસના ગાળામાં સોનાના વાયદાના ભાવમાં લગભગ ₹3,203 નો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ, ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. 4 સપ્ટેમ્બરની એક્સપાયરી સાથે ચાંદી ₹2,37,499 પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ, જે પાછલા સપ્તાહની સરખામણીમાં ₹14,027 નો વધારો દર્શાવે છે.</p><h3 style="text-align: justify; "><b>સ્થાનિક બજારમાં ભાવનું ચિત્ર</b></h3><p style="text-align: justify; ">ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી છે. 24 કેરેટ સોનાનો ભાવ ₹1,46,344 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયો છે, જે ગયા અઠવાડિયા કરતા ₹6,471 જેટલો વધુ છે. અન્ય કેરેટના ભાવ નીચે મુજબ છે:</p><p style="text-align: justify; ">22 કેરેટ સોનું: ₹1,42,830 પ્રતિ 10 ગ્રામ</p><p style="text-align: justify; ">20 કેરેટ સોનું: ₹1,30,250 પ્રતિ 10 ગ્રામ</p><p style="text-align: justify; ">18 કેરેટ સોનું: ₹1,18,540 પ્રતિ 10 ગ્રામ</p><p style="text-align: justify; ">14 કેરેટ સોનું: ₹94,390 પ્રતિ 10 ગ્રામ</p><p style="text-align: justify; ">ચાંદીના ભાવમાં પણ સ્થાનિક બજારમાં તોતિંગ ઉછાળો આવ્યો છે. ચાંદી પ્રતિ કિલોગ્રામ ₹2,33,858 પર પહોંચી છે, જેનો અર્થ છે કે એક જ સપ્તાહમાં ચાંદીના ભાવમાં ₹17,317 નો મોટો વધારો થયો છે.</p><h4 style="text-align: justify; "><b>ધ્યાનમાં રાખવા જેવી બાબત</b></h4><p style="text-align: justify; ">નોંધનીય છે કે, જાન્યુઆરીમાં સોનાએ ₹2 લાખ અને ચાંદીએ ₹4 લાખની ઐતિહાસિક સપાટી વટાવી હતી. જોકે, હાલના ભાવ તે ઉચ્ચ સ્તર કરતા હજુ પણ ઘણા ઓછા છે. ગ્રાહકોએ એ બાબત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે જ્યારે તમે જ્વેલરી ખરીદો છો, ત્યારે બજારના આ દર ઉપરાંત GST અને મેકિંગ ચાર્જ પણ અલગથી ચૂકવવાના રહે છે, જેના કારણે અંતિમ કિંમતમાં તફાવત આવી શકે છે.</p><h5 style="text-align: justify; "><b>દેશના મોટા શહેરોમાં શું છે સોના ચાંદીનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)&nbsp;</b></h5><p style="text-align: justify; "><br></p><table class="table table-bordered"><tbody><tr><td>શહેર&nbsp;</td><td>24 કેરેટ સોનાની કિંમત ( રૂપિયા/10 ગ્રામ) )&nbsp;</td><td>22 કેરેટ સોનાની કિંમત( રૂપિયા/10 ગ્રામ)</td></tr><tr><td>દિલ્હી&nbsp;&nbsp;</td><td>1,46,880</td><td>1,34,650&nbsp;&nbsp;</td></tr><tr><td>કોલકાતા&nbsp;</td><td>&nbsp;1,46,730</td><td>1,34,500&nbsp;</td></tr><tr><td>ચેન્નઈ&nbsp;&nbsp;</td><td>1,49,460</td><td>1,37,000&nbsp;</td></tr><tr><td>બેંગ્લોર&nbsp;</td><td>1,46,730&nbsp;</td><td>1,34,500&nbsp;&nbsp;</td></tr><tr><td>અમદાવાદ&nbsp;</td><td>&nbsp;1,46,780</td><td>1,34,550&nbsp;&nbsp;</td></tr><tr><td>વડોદરા&nbsp;&nbsp;</td><td>1,46,780</td><td>1,34,550&nbsp;</td></tr></tbody></table><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/business/news/petrol-diesel-price-today-know-whether-the-prices-of-petrol-and-diesel-have-increased-or-decreased-today" target="_blank">આ પણ વાંચોઃ Petrol Diesel Price Today: આજે વધ્યા કે ઘટ્યા પેટ્રોલ-ડીઝલનાં ભાવ જાણીલો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/05/tW057ZvpPe3Ou003yndrsFIGPbuLOySp1Sc4VTtn.webp'/></item></channel></rss>