<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Gandhinagar News: ખેડૂતો સાથે વિમર્શ બાદ નિર્ણય લીધો, હવે એકસાથે 100 ટકા વળતર ચૂકવાશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/one-time-compensation-for-farmers-under-new-power-pole-policy</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/one-time-compensation-for-farmers-under-new-power-pole-policy</guid><pubDate>Fri, 03 Jul 2026 21:40:35 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇન, વીજ ટાવર ઉભા કરવા બદલ ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં સરકારે વધારો જાહેર કર્યો છે.આ નિર્ણયથી રાજ્યના લાખો ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય અને બજાર આધારિત વળતર મળશે. મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે,ગુજરાત સરકાર હંમેશા ખેડૂતોની સુખાકારી માટે કટિબદ્ધ છે. ખેડૂતો સાથે વિસ્તૃત ચર્ચા-વિમર્શ કર્યા બાદ અને તેમની વાસ્તવિક મુશ્કેલીઓને સમજીને સરકારે વીજ પોલ વળતરની નવી પોલિસી જાહેર કરી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>કાંતિ અમૃતિયાએ આવકારી રાજ્ય સરકારનો આભાર માન્યો</b></h2><p style="text-align: justify; ">આ નિર્ણય મુજબ, હવે જમીનની વાસ્તવિક બજાર કિંમત નક્કી કરવા માટે MRCની રચના કરવામાં આવશે અને ખેડૂતોને એકસાથે 100% વળતર ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ નિર્ણયને મંત્રી કાંતિ અમૃતિયાએ આવકારી રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. તેમણે સ્વીકાર્યું હતું કે,વીજ પોલ નાખવાની પ્રક્રિયા દરમિયાન મોરબી સહિતના અનેક વિસ્તારોમાં ખેડૂતોને મળતું વળતર ખૂબ જ ઓછું હતું, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં હતા અને તેમને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ખેડૂતોનો સહયોગ વધુ મજબૂત બનશે</b></h2><p style="text-align: justify; ">મંત્રીએ સ્પષ્ટપણે સ્વીકાર્યું કે ખેડૂતોની વળતર વધારવાની માંગણી તદ્દન વાજબી હતી અને છેલ્લા બે મહિનામાં ખેડૂતોની આ વેદનાને રાજ્ય સરકારે ખૂબ જ સંવેદનશીલતાથી ધ્યાને લીધી છે.રાજ્ય સરકારનો આ નવો નિર્ણય ખેડૂતોને કાયમી ન્યાય અપાવનારો સાબિત થશે. વળતરની રકમમાં વધારો અને પારદર્શક રીતે બજાર કિંમત નક્કી કરવાની પ્રક્રિયાને કારણે ખેડૂતોને આર્થિક નુકસાનમાંથી મુક્તિ મળશે.મંત્રી કાંતિ અમૃતિયાના મતે, આ પગલું સરકારની ખેડૂતલક્ષી અભિગમનું ઉત્તમ ઉદાહરણ છે, જેનાથી ખેડૂતોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે અને કૃષિ ક્ષેત્રે વિકાસકામોમાં પણ ખેડૂતોનો સહયોગ વધુ મજબૂત બનશે.</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/ahwa/41-migrant-workers-rescued-safely-after-heavy-rain-traps-them-in-forest-area" target="_blank">આ પણ વાંચોઃ Dang News: ડાંગમાં વરસાદને પગલે ફસાઈ ગયેલા 41 પરપ્રાંતિય શ્રમિકોનું સફળ રેસ્ક્યુ</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/03/ggv9kiVb5Vw2oOBYUyOGuw2VhXtfAyehrcGdGQVz.webp'/></item><item><title><![CDATA[Dang News: ડાંગમાં વરસાદને પગલે ફસાઈ ગયેલા 41 પરપ્રાંતિય શ્રમિકોનું સફળ રેસ્ક્યુ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/ahwa/41-migrant-workers-rescued-safely-after-heavy-rain-traps-them-in-forest-area</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/ahwa/41-migrant-workers-rescued-safely-after-heavy-rain-traps-them-in-forest-area</guid><pubDate>Fri, 03 Jul 2026 21:25:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે જંગલ વિસ્તારમાં 41 પરપ્રાંતિય શ્રમિકો ફસાઈ ગયા હતા.આ શ્રમિકો અતિવૃષ્ટિને કારણે સુરક્ષિત સ્થળે જવા માટે લાચાર બન્યા હતા.પરિસ્થિતિની ગંભીરતાને પારખીને ડાંગ કલેક્ટર અને પોલીસ વિભાગની ટીમોએ તાત્કાલિક અસરથી સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. દુર્ગમ જંગલ અને ખરાબ હવામાન હોવા છતાં બચાવ ટીમોએ સમયસૂચકતા વાપરીને શ્રમિકો સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.</p><h2 style="text-align: justify; "><b>41 લોકોને સહીસલામત રીતે બહાર કાઢવામાં આવ્યા</b></h2><p style="text-align: justify; ">આ સફળ ઓપરેશનમાં કુલ 41 લોકોને સહીસલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાં 21 પુરુષો, 9 મહિલાઓ અને 11 નાના બાળકોનો સમાવેશ થાય છે. સમયસર કરવામાં આવેલા આ બચાવ કાર્યને કારણે મોટી જાનહાનિ ટળી હતી.વહીવટી તંત્ર અને પોલીસની સક્રિયતા અને ત્વરિત પ્રતિભાવને કારણે આ તમામ લોકોના જીવ બચાવી શકાયા હતા, જેની લોકો દ્વારા ભારે પ્રશંસા કરવામાં આવી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>41 શ્રમિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા&nbsp;</b></h2><p style="text-align: justify; ">સહીસલામત બહાર કાઢવામાં આવ્યા બાદ, તમામ 41 શ્રમિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.તંત્ર દ્વારા તેમના માટે તાત્કાલિક આશ્રયની વ્યવસ્થા કરવામાં આવી હતી,તેમજ તેમને ભોજન અને તબીબી સહાય પણ પૂરી પાડવામાં આવી હતી.મુશ્કેલ સમયમાં તંત્ર દ્વારા દાખવવામાં આવેલી આ માનવીય અભિગમ અને ત્વરિત કામગીરીએ અનેક પરિવારોના જીવ બચાવી લેતા રાહતની લાગણી પ્રસરી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/agriculture/ahmedabad/ahmedabad-news-understand-in-these-7-points-how-farmers-will-get-compensation-for-electricity-poles" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: આ 7 મુદ્દામાં સમજો કેવી રીતે ખેડૂતોને વીજ પોલ માટેનું વળતર મળશે?</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/03/A1Xu3x6b25XSzczP9fRBLQgaZLPdWSuzkfL72P0S.webp'/></item><item><title><![CDATA[India News: તમામ સરકારી સંસ્થાઓ અને લોકતંત્ર ખતરામાં, રાહુલ ગાંધી સહિત 23 નેતાઓએ ચીફ જસ્ટીસને પત્ર લખ્યો ]]></title><link>https://sandesh.com/india/news/23-opposition-leaders-write-to-cji-claim-democracy-and-institutions-under-threat</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/23-opposition-leaders-write-to-cji-claim-democracy-and-institutions-under-threat</guid><pubDate>Fri, 03 Jul 2026 20:34:35 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઈન્ડિયા ગઠબંધનના નેતાઓએ ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતને પત્ર લખીને દાવો કર્યો છે કે દેશમાં લોકશાહી ખતરામાં છે.તેમણે ચૂંટણી પ્રક્રિયા અને એસઆઈઆર અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે જ્યારે તમામ સરકારી સંસ્થાઓ નિષ્ફળ જાય છે ત્યારે નાગરિકો માટે અંતિમ આશા માત્ર ન્યાયતંત્ર જ હોય છે.ગત 28 જૂનના રોજ વિપક્ષના 23 પક્ષોના નેતાઓએ આ પત્ર લખ્યો હતો.કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે,લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી,મમતા બેનર્જી, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ અને અન્ય ઘણા નેતાઓએ આ પત્ર પર હસ્તાક્ષર કર્યા છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>નિષ્પક્ષ ચૂંટણીઓને લોકશાહી વ્યવસ્થાનો પાયો</b></h2><p style="text-align: justify; ">આ પત્રમાં  નેતાઓએ કહ્યું કે તેઓ સામાન્ય સંજોગોમાં ન્યાયતંત્રને આ પ્રકારનો પત્ર નથી લખતા પરંતુ તેમને લાગે છે કે દેશની લોકશાહી ખતરામાં છે અને તેથી જ તેમણે આ અસાધારણ પગલું ભર્યું છે. તેમણે કહ્યું કે સંસદ, ન્યાયતંત્ર, મીડિયા અને કાર્યપાલિકા લોકશાહીના મુખ્ય સ્તંભો છે અને આ સંસ્થાઓ વચ્ચે સહયોગી વ્યવસ્થાથી જ લોકશાહી મજબૂત રહી શકે છે.તેમણે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીઓને લોકશાહી વ્યવસ્થાનો પાયો ગણાવતા કહ્યું કે ચૂંટણી પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ જનતાની સાચી ઈચ્છાને પ્રભાવિત કરી શકે છે.</p><h3 style="text-align: justify; "><b>મતદારો તેમના મતાધિકારથી વંચિત રહેવાની આશંકા</b></h3><p style="text-align: justify; ">પત્રમાં ચૂંટણી પંચ અને ખાસ કરીને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર દ્વારા હાથ ધરવામાં આવી રહેલી મતદાર યાદીઓની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.વિપક્ષી નેતાઓએ આરોપ લગાવ્યો કે બિહારમાં શરૂ કરાયેલી આ પ્રક્રિયાનો હેતુ મતદાર યાદીની શુદ્ધતા સુનિશ્ચિત કરવાનો હોવાનું જણાવાયું હતું.પરંતુ તેના અમલીકરણને કારણે મોટી સંખ્યામાં મતદારો તેમના મતાધિકારથી વંચિત રહેવાની આશંકા ઊભી થઈ છે.પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે દસ્તાવેજ આધારિત વેરિફિકેશન પ્રક્રિયા ગરીબો,અભણ, દલિતો, આદિવાસીઓ, લઘુમતીઓ અને સ્થળાંતરિત મજૂરો માટે બહિષ્કાર કરનારી સાબિત થઈ છે.</p><h2 style="text-align: justify; "><b>તેમનો હેતુ કોઈ પેન્ડિંગ કેસને પ્રભાવિત કરવાનો નથી</b></h2><p style="text-align: justify; ">તેમાં એવો પણ આરોપ છે કે SIR પ્રક્રિયા દરમિયાન વહીવટી મૂંઝવણ, પારદર્શિતાનો અભાવ અને નિયમોમાં વારંવાર ફેરફાર જેવી સમસ્યાઓ સામે આવી છે. ઈન્ડિયા ગઠબંધનના નેતાઓએ પત્રમાં કહ્યું છે કે જ્યારે અન્ય તમામ સંસ્થાકીય વ્યવસ્થાઓ નિષ્ફળ જાય છે ત્યારે લોકો ન્યાયતંત્રમાં અંતિમ વિશ્વાસ રાખે છે.તેમણે ન્યાયતંત્ર પર વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે તેમનો હેતુ કોઈ પેન્ડિંગ કેસને પ્રભાવિત કરવાનો નથી પરંતુ લોકશાહી સંસ્થાઓમાં જનતાનો વિશ્વાસ મજબૂત કરવાનો છે. પત્રના અંતમાં નેતાઓએ કહ્યું કે જો ન્યાયતંત્ર પણ લોકોની ચિંતાઓના ઉકેલ લાવવામાં નિષ્ફળ રહે તો એ પ્રશ્ન ઊભો થાય છે કે નાગરિકો આખરે કઈ સંસ્થા તરફ ધ્યાન આપશે?<br><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/red-alert-for-extremely-heavy-rain-in-4-districts-till-10-pm" target="_blank">આ પણ વાંચોઃ Gujarat Weather: આજે રાત્રે 10 વાગ્યા સુધીમાં ચાર જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/03/K4yYCoNArCyAm3gHqbZkSE8L1GGduwjv6rPCJG4h.webp'/></item><item><title><![CDATA[Gujarat Weather: આજે રાત્રે 10 વાગ્યા સુધીમાં ચાર જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/red-alert-for-extremely-heavy-rain-in-4-districts-till-10-pm</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/red-alert-for-extremely-heavy-rain-in-4-districts-till-10-pm</guid><pubDate>Fri, 03 Jul 2026 20:25:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું વિધિવત રીતે પહોંચી ગયું છે. હવામાન વિભાગ અનુસાર, મેઘરાજાની સવારી હવે જામનગર અને દ્વારકા સુધી પણ પહોંચી ગઈ છે.હાલમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસાના આગળ વધવા માટે સાનુકૂળ અને અતિ ઉત્તમ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે.ગઈકાલે જૂનાગઢ અને આજે વલસાડ જિલ્લા સહિત ગીર સોમનાથમાં બારે મેંઘ ખાંગા થયા છે.બીજી બાજુ હવામાન વિભાગે રાત્રે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 04 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.&nbsp;&nbsp;</p><h2 style="text-align: justify; "><b>રાજ્યના આ વિસ્તારોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ</b></h2><p style="text-align: justify; ">હવામાન વિભાગ દ્વારા રાત્રે 10 વાગ્યા સુધીમાં રાજ્યમાં જૂનાગઢ, ગીર સોમનાથ, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, દ્વારકા, જામનગર, પોરબંદર, અમરેલી, બોટાદ, ભાવનગર, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ,દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.&nbsp;&nbsp;</p><h3 style="text-align: justify; "><b>ગુજરાત તરફ ચોમાસુ આગળ વધ્યું</b></h3><p style="text-align: justify; ">ભારતીય હવામાન વિભાગ ના જણાવ્યા અનુસાર, દેશભરમાં ચોમાસાની ગતિ ખૂબ જ તીવ્ર બની છે. ચોમાસું ઉત્તર અરબી સમુદ્રના કેટલાક ભાગો, ગુજરાતના બાકીના વિસ્તારો તેમજ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને હરિયાણાના કેટલાક વધારાના વિસ્તારો તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. સત્તાવાર અહેવાલ મુજબ, ચોમાસાની રેખા આજે જામનગર ઉપરાંત ઉદયપુર, અજમેર, ઝુનઝુનુ, હિસાર અને ભટિંડા સુધી પહોંચી ગઈ છે, જે દેશભરમાં સાર્વત્રિક મેઘમહેરના સંકેત આપે છે.</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/news/agriculture/ahmedabad/ahmedabad-news-understand-in-these-7-points-how-farmers-will-get-compensation-for-electricity-poles" target="_blank">આ પણ વાંચો: Ahmedabad News: આ 7 મુદ્દામાં સમજો કેવી રીતે ખેડૂતોને વીજ પોલ માટેનું વળતર મળશે?</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/03/G4cJS8MX5HS4qgvuemkdTcKVLw25aKIsMVeXIxbX.webp'/></item><item><title><![CDATA[Rajkot ક્રાઇમ બ્રાન્ચનો સપાટો, ફિરોઝ ફિરીયા ગેંગના 20 સાગરીત સામે ગુજસીટોક દાખલ, 10ની ધરપકડ ]]></title><link>https://sandesh.com/crime/news/gujarat/rajkot/crime-branch-gujctoc-registered-against-firoz-firiya-gang</link><guid isPermaLink="true">https://sandesh.com/crime/news/gujarat/rajkot/crime-branch-gujctoc-registered-against-firoz-firiya-gang</guid><pubDate>Fri, 03 Jul 2026 19:25:22 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા માટે ક્રાઇમ બ્રાન્ચે વધુ એક સપાટો બોલાવ્યો છે. રાજકોટ શહેરમાં સંગઠિત ગુનાખોરી આચરતી વધુ એક ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ કમિશનરની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચે સૌરાષ્ટ્રભરમાં કુખ્યાત એવા દારૂના સપ્લાયર ફિરોઝ ઉર્ફે ફિરીયા સંઘી સહિત તેની ગેંગના કુલ 20 સાગરીતો સામે ગુજસીટોકનો ગુનો નોંધી કાયદાનું ભાન કરાવ્યું છે.</p><h2><b>હત્યાની કોશિશ અને આર્મ્સ એક્ટ સહિતના ગંભીર ગુનાઓની યાદી</b></h2><p>આ ગેંગ માત્ર દારૂની હેરાફેરી પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ શહેરમાં આતંક ફેલાવવાનું અને સંગઠિત ગુનાઓ કરવાનું કામ કરતી હતી. ફિરોઝ સંઘી અને તેની ગેંગ સામે પ્રોહિબિશન, હત્યાની કોશિશ, તેમજ આર્મ્સ એક્ટ જેવા અનેક ગંભીર ગુનાઓ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા છે. આ ગેંગ સંગઠિત થઈને આખું ગુનાહિત સામ્રાજ્ય ચલાવતી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.</p><h2><b>20 આરોપીઓમાંથી 10ની ધરપકડ</b></h2><p>ગુજસીટોક હેઠળ ગુનો દાખલ થતાં જ પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને રેડ શરૂ કરી હતા. આ કેસમાં કુલ 20 આરોપીઓ વિરુદ્ધ નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાંથી પોલીસે અત્યાર સુધીમાં 10 સાગરીતોની ધરપકડ કરી લીધી છે. અન્ય 6 આરોપીઓ અગાઉથી જ અલગ-અલગ ગુનાઓમાં જેલના સળિયા પાછળ ધકેલાયેલા છે, જ્યારે આ ટોળકીના અન્ય 4 સભ્યો હજુ પોલીસ પકડથી દૂર છે, જેમને પકડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે.</p><h2><b>મુખ્ય સૂત્રધાર ફિરોઝ ફિરીયા સામે 20 વર્ષમાં 35 ગુના નોંધાયા</b></h2><p>ગેંગનો મુખ્ય સૂત્રધાર ફિરોઝ ઉર્ફે ફિરીયો સંઘી સૌરાષ્ટ્રભરમાં મોટા પાયે વિદેશી દારૂનો સપ્લાય કરવાનું નેટવર્ક ચલાવતો હતો. તાજેતરમાં જ તેની દારૂના એક મોટા કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જો ફિરોઝના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો, છેલ્લા 20 વર્ષમાં તેની સામે પ્રોહિબીશનના 35 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે અને અસામાજિક પ્રવૃત્તિઓના કારણે પોલીસ દ્વારા તેના પર 7 વખત પાસા હેઠળ કાર્યવાહી કરીને જેલમાં મોકલવામાં આવ્યો છે.</p><h2><b>વર્ષભરમાં ક્રાઇમ બ્રાન્ચનો સપાટો: 9 ગેંગના 109 આરોપીઓ જેલ ભેગા</b></h2><p>રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુનેગારો સામે આકરી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. છેલ્લા માત્ર એક વર્ષના ટૂંકા ગાળામાં જ ક્રાઇમ બ્રાન્ચે આવી 9 સંગઠિત ગુનાહિત ગેંગ વિરુદ્ધ ગુજસીટોક સહિતની કડક કલમો હેઠળ ગાળિયો કસ્યો છે. આ 9 ગેંગના અત્યાર સુધીમાં કુલ 109 જેટલા હિસ્ટ્રીશીટર અને માથાભારે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે, જેનાથી ગુનાહિત તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dwarka/major-twist-in-jam-khambhaliya-murder-case-police-reconstruct-the-crime-scene-with-the-killer" target="_blank">Jam Khambhaliya હત્યા કેસમાં મોટો વળાંક: પોલીસે હત્યારાને સાથે રાખી ઘટનાસ્થળે કરાવ્યું રી-કન્સ્ટ્રક્શન</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/03/A0hT0Oi1Xk2VVm1wkM5eovLmqXoFJlWtPYKxn9yC.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: આ 7 મુદ્દામાં સમજો કેવી રીતે ખેડૂતોને વીજ પોલ માટેનું વળતર મળશે? ]]></title><link>https://sandesh.com/gujarat/news/agriculture/ahmedabad/ahmedabad-news-understand-in-these-7-points-how-farmers-will-get-compensation-for-electricity-poles</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/agriculture/ahmedabad/ahmedabad-news-understand-in-these-7-points-how-farmers-will-get-compensation-for-electricity-poles</guid><pubDate>Fri, 03 Jul 2026 19:21:48 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇન, વીજ ટાવર ઉભા કરવા બદલ ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં સરકારે વધારો જાહેર કર્યો છે.આ નિર્ણયથી રાજ્યના લાખો ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય અને બજાર આધારિત વળતર મળશે. ત્યારે જાણો આ સાત મુદ્દામાં ખેડૂતોને કેવી રીતે વળતર મળી શકશે.</p><p style="text-align: justify; "><b>1.</b>અત્યાર સુધી ખેડૂતોના ખેતરમાં વીજ પોલ કે લાઇન નાખવા માટે ખેડૂતોને જંત્રીના બમણા દર 200% લેખે વળતર ચૂકવવામાં આવતું હતું. તેમાં મોટો સુધારો કરીને જંત્રી આધારિત નહીં પરંતુ જમીનના પ્રવર્તમાન બજાર ભાવના બમણા ભાવ ચૂકવવાનો નિર્ણય કરાયો છે.</p><p style="text-align: justify; "><b>2.</b>અત્યાર સુધી ખેતરમાં નંખાતા વીજ ટાવરના બેઝ વિસ્તારના વાસ્તવિક માપ પ્રમાણે જ વળતર અપાતું હતું.હવેથી ખેડૂતોના ફાયદા માટે ટાવરના બેઝ વિસ્તારની દરેક બાજુએ વધારાના એક મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. ઉદાહરણ તરીકે; 765 કે.વી.લાઇનમાં અગાઉ 625 ચોરસ મીટર લેખે વળતર અપાતું હતું. જેમાં હવેથી દરેક બાજુએ વધારાના એક મીટરની ગણતરી કરી તે મુજબ વધારીને 729 ચોરસ મીટર લેખે ચૂકવવામાં આવશે.</p><p style="text-align: justify; "><b>3.</b>અગાઉ જમીનમાલિકોને વળતર અંગે ફાઉન્ડેશન તબક્કે 40%, ઇરેક્શન વખતે 40% તથા વાયર લગાડ્યા બાદ 20% રકમ મુજબની ચુકવણી થતી હતી.તેના બદલે જમીનમાલિકોને એક સાથે અને અગાઉથી વળતર ચૂકવાશે. અગાઉ ત્રણ તબક્કામાં ચુકવણાના બદલે એકી સાથે શરૂઆતમાં જ 100 % ચુકવણું થશે.</p><p style="text-align: justify; "><b>4. </b>ખેડૂતોની જમીનની વાસ્તવિક બજાર કિંમત નક્કી કરવા રાજ્ય સરકાર દ્વારા MRCની રચના કરવામાં આવશે.આ સમિતિમાં અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ અને ખેડુતોના ઓથોરાઇઝ્ડ માર્કેટ વેલ્યુઅરને સ્થાન આપવામાં આવશે. માર્કેટ રેટ નિર્ધારણ કરવાની સમિતિમાં કલેક્ટર, જમીનમાલિકોના પ્રતિનિધિ અને ટ્રાન્સમીશન સર્વિસ પ્રોવાઈડરના પ્રતિનિધિ પણ હશે.</p><p style="text-align: justify; "><b>5. </b>વીજ લાઇનના રાઇટ ઓફ વે કોરિડોર માટે MRC દ્વારા નિર્ધારીત થયેલ બજાર કિંમતના આધારે વિસ્તાર મુજબ વળતર અપાશે.જેમાં ગ્રામ્ય વિસ્તારમાં બજાર કિંમતના 30%, નગરપાલિકા વિસ્તારમાં બજાર કિંમતના 45% અને મહાનગરપાલિકા વિસ્તારમાં બજાર કિંમતના 60% મુજબ વળતર આપવામાં આવશે.</p><p style="text-align: justify; "><b>6. </b>જે ખેડૂતોએ અગાઉ જૂના ભાવ પ્રમાણે વળતર મેળવી લીધું હોય પરંતુ વીજ લાઇનનું કામ હજી પ્રગતિમાં હોય તેવા તમામ ખેડૂતોને આ નીતિનો લાભ મળવાપાત્ર રહેશે.</p><p style="text-align: justify; "><b>7. </b>જો વળતર અપૂરતું લાગે તો કોર્ટ કે સિવિલ કોર્ટમાં અપીલ થઈ શકશે. અગાઉ જે લોકોના વિવાદ ચાલે છે તે માટે સરકાર વિચારણા કરીને વિગતવાર ગાઈડ લાઈન નક્કી કરીને ઠરાવમાં જાણ કરાશે</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/breakingnews/gandhinagar/gandhinagar-news-increase-in-assistance-for-farms-through-which-electricity-lines-pass" target="_blank">આ પણ વાંચોઃ Gandhinagar News : જે ખેતરમાંથી વીજ લાઈન જતી હોય તેની સહાયમાં વધારો, જમીનના વર્તમાન ભાવ કરતાં બમણો ભાવ અપાશે</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/03/YVIbhEcvvo5ikiWsaMVn8rxIg1HZDKhsNXEwV5hH.webp'/></item><item><title><![CDATA[Nita Ambaniનું વૈશ્વિક સન્માન: અમેરિકામાં મળ્યો પ્રતિષ્ઠિત 'AAPI હ્યુમેનિટેરિયન એવોર્ડ' અને 'ટામ્પા શહેરની ચાવી' ]]></title><link>https://sandesh.com/world/news/india/nita-ambanis-global-honor-received-the-prestigious-aapi-humanitarian-award-and-key-to-the-city-of-tampa-in-america</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/india/nita-ambanis-global-honor-received-the-prestigious-aapi-humanitarian-award-and-key-to-the-city-of-tampa-in-america</guid><pubDate>Fri, 03 Jul 2026 18:55:28 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નીતા અંબાણીને વૈશ્વિક સ્તરે વધુ એક મોટું સન્માન મળ્યું છે. અમેરિકાના ફ્લોરિડા રાજ્યના ટામ્પા શહેરમાં આયોજિત એક ભવ્ય સમારંભમાં તેમને 'અમેરિકન એસોસિએશન ઑફ ફિઝિશિયન્સ ઑફ ઇન્ડિયન ઑરિજિન' દ્વારા પ્રતિષ્ઠિત 'AAPI હ્યુમેનિટેરિયન એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો છે. નીતા અંબાણીને આ પુરસ્કાર ભારત અને વૈશ્વિક સ્તરે આરોગ્યસંભાળ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, રમતગમતનો પ્રસાર, કલા-સંસ્કૃતિની જાળવણી અને વ્યાપક સમુદાય વિકાસ ક્ષેત્રે તેમના દ્વારા કરવામાં આવેલા અસાધારણ અને નિરંતર યોગદાન બદલ આપવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; ">અમેરિકાનું પ્રતિષ્ઠિત નાગરિક સન્માન એનાયત કરાયું</h2><p style="text-align: justify; ">આ જ ગૌરવશાળી સમારંભ દરમિયાન નીતા અંબાણીને અમેરિકાના સૌથી સર્વોચ્ચ અને પ્રતિષ્ઠિત નાગરિક સન્માનોમાંનું એક એવું વિશેષ બહુમાન પણ પ્રાપ્ત થયું હતું. ટામ્પા શહેરના મેયર જેન કેસ્ટર દ્વારા નીતા અંબાણીને પ્રતીકાત્મક રીતે 'ટામ્પા શહેરની ચાવી' (Key to the City) અર્પણ કરવામાં આવી હતી. આ આંતરરાષ્ટ્રીય સન્માન વૈશ્વિક મંચ પર ભારતનું ગૌરવ વધારે છે અને દર્શાવે છે કે સામાજિક કલ્યાણ અને માનવતાવાદી કાર્યો માટેનું તેમનું વિઝન ભૌગોલિક સીમાઓ વટાવીને વિશ્વભરમાં સરાહના મેળવી રહ્યું છે.</p><h3 style="text-align: justify; ">માનવતાવાદી કાર્યો અને સામાજિક પરિવર્તનની સ્વીકૃતિ</h3><p style="text-align: justify; ">AAPI એ અમેરિકામાં ભારતીય મૂળના તબીબોનું સૌથી મોટું અને પ્રભાવશાળી સંગઠન છે, જે વિશ્વસ્તરે આરોગ્ય અને સામાજિક ક્ષેત્રે મોટું યોગદાન આપે છે. આ મંચ પરથી નીતા અંબાણીના નેતૃત્વમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ચાલતા પરોપકારી કાર્યો, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં તબીબી સુવિધાઓ પહોંચાડવી અને લાખો વંચિત બાળકોને શિક્ષણ પૂરું પાડવાના ભગીરથ પ્રયાસોને બિરદાવવામાં આવ્યા હતા. આ પુરસ્કાર મળ્યા બાદ દેશ-વિદેશમાંથી તેમને શુભકામનાઓ મળી રહી છે, જે ભારતીય પરોપકારની ભાવનાને વૈશ્વિક સ્તરે મજબૂત કરે છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/world" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/03/x9DQ5AVPYIucGIpszwNxmgnchoWTOEziQHcCqoOO.webp'/></item><item><title><![CDATA[National Film Awards 2026: કોણ જીતશે પ્રતિષ્ઠિત એવોર્ડ? મામૂટી અને સાઇ પલ્લવી રેસમાં આગળ.. ]]></title><link>https://sandesh.com/entertainment/news/national-film-awards-2026-who-will-win-the-prestigious-award-mammootty-and-sai-pallavi-ahead-in-the-race</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/national-film-awards-2026-who-will-win-the-prestigious-award-mammootty-and-sai-pallavi-ahead-in-the-race</guid><pubDate>Fri, 03 Jul 2026 18:34:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય સિનેમા પ્રેમીઓ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. આજે, 3 જુલાઈ, 2026ના રોજ, 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોના વિજેતાઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આ પુરસ્કારો વર્ષ ૨૦૨૪ દરમિયાન સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા પ્રમાણિત ફિલ્મોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કલાકારો અને ટેકનિશિયનોને સન્માનિત કરશે.</p><h2 style="text-align: justify; "><b>આજે થશે નામાંકન જાહેર</b></h2><p style="text-align: justify; ">રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં અગાઉથી કોઈ નામાંકન (Nominations) જાહેર કરવામાં આવતા નથી. વિજેતાઓની જાહેરાત સીધી સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ દ્વારા કરવામાં આવે છે, જેના કારણે ફિલ્મ ઉદ્યોગ અને પ્રેક્ષકોમાં પરિણામોને લઈને ભારે ઉત્કંઠા અને અટકળોનું વાતાવરણ જળવાઈ રહે છે. આ પુરસ્કારો ફીચર ફિલ્મ, નોન-ફીચર, અભિનય, દિગ્દર્શન અને ટેકનિકલ શ્રેણીઓમાં આપવામાં આવે છે.</p><h3 style="text-align: justify; "><b>જયરાજની અધ્યક્ષતામાં 11 સભ્યોની જ્યુરીએ કરી પસંદગી</b></h3><p style="text-align: justify; ">આ વર્ષે પસંદગી પ્રક્રિયાનું નેતૃત્વ પ્રખ્યાત ફિલ્મ નિર્માતા જયરાજની અધ્યક્ષતામાં 11 સભ્યોની જ્યુરીએ કર્યું છે. જ્યુરીએ દેશભરમાંથી આવેલી અનેક વિવિધ ભાષાઓની ફિલ્મોનું ઝીણવટપૂર્વક મૂલ્યાંકન કર્યું છે. જોકે આ જાહેરાત આજે થશે, પરંતુ મુખ્ય પુરસ્કાર સમારોહ પાછળથી નવી દિલ્હીમાં ભવ્ય રીતે યોજાશે.</p><h4 style="text-align: justify; "><b>વર્ષ 2024ની ફિલ્મો પર રહેશે નજર</b></h4><p style="text-align: justify; ">સ્પર્ધાના દાવેદારો પર નજર કરીએ તો, વર્ષ 2024  મલયાલમ સિનેમા માટે ખૂબ જ યાદગાર રહ્યું છે. ‘બ્રમયુગમ’, ‘મંજુમ્મેલ બોયઝ’ અને ‘કિષ્કિંધા કાંડમ’ જેવી ફિલ્મો ચર્ચાના કેન્દ્રમાં છે, જેમાં મામૂટીના અભિનયની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે. તે જ રીતે, હિન્દીમાંથી ‘શ્રીકાંત’ અને ‘ચંદુ ચેમ્પિયન’, તમિલમાંથી ‘મહારાજા’ અને તેલુગુમાંથી ‘કલ્કી ૨૮૯૮ એડી’ જેવી ફિલ્મો વિવિધ કેટેગરીમાં મજબૂત સ્પર્ધક માનવામાં આવે છે.</p><h5 style="text-align: justify; "><b>અનેક અભિનેતાના નામ મોખરે</b></h5><p style="text-align: justify; ">અભિનયની શ્રેણીમાં શિવકાર્તિકેયન, વિજય સેતુપતિ, કાર્તિ અને સાઈ પલ્લવી જેવા કલાકારોના નામો ચાહકોની અટકળોમાં મોખરે છે. સત્તાવાર રીતે વિજેતાઓના નામની જાહેરાત PIB ઇન્ડિયા અને DD ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ પર કરવામાં આવશે. આ પુરસ્કારો માત્ર કલાકારોનું સન્માન જ નથી કરતા, પરંતુ ભારતીય સિનેમાની વૈવિધ્યસભર અને સર્જનાત્મક સફરને પણ નવી ઊંચાઈઓ પર લઈ જાય છે. આજે સાંજે જ્યારે જ્યુરી તેમના અંતિમ નિર્ણય જાહેર કરશે, ત્યારે એ સ્પષ્ટ થશે કે કઈ ફિલ્મોએ ૨૦૨૪ના વર્ષને ભારતીય સિનેમાના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત કર્યું છે.<br><br><b><a href="https://sandesh.com/entertainment/news/alpha-advance-booking-alia-bhatts-first-female-lead-spy-film-set-to-explode-at-the-box-office#google_vignette" target="_blank">આ પણ વાંચોઃ Alpha Advance Booking : આલિયા ભટ્ટની પ્રથમ ફીમેલ-લીડ સ્પાય ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાકો કરવા તૈયાર</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/03/ESF6AxSppv7WLNuQhIsIAt2Fpt0NAs2Ue65FsSzQ.webp'/></item><item><title><![CDATA[Business: જૂના કપડાંના બદલામાં ચમકતા વાસણો, ભારતનો આ બિઝનેસ બન્યો કરોડોની ગ્લોબલ ઇન્ડસ્ટ્રી ]]></title><link>https://sandesh.com/business/news/business-shiny-utensils-in-exchange-for-old-clothes-this-indigenous-business-from-india-has-now-become-a-global-industry-worth-crores</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/business-shiny-utensils-in-exchange-for-old-clothes-this-indigenous-business-from-india-has-now-become-a-global-industry-worth-crores</guid><pubDate>Fri, 03 Jul 2026 17:01:41 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય ઘરોમાં વર્ષોથી એક અનોખી પરંપરા ચાલી આવે છે, જેમાં મહિલાઓ ઘરના જૂના, ફાટેલા કે નકામા કપડાં એકઠા કરે છે અને શેરીમાં આવતા ફેરિયાઓને આપીને તેના બદલામાં સ્ટીલ કે પ્લાસ્ટિકના નવા ચમકતા વાસણો લે છે. સામાન્ય લાગતી આ દેશી પદ્ધતિ વાસ્તવમાં વેસ્ટ મેનેજમેન્ટ અને રિસાયકલિંગનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તાજેતરના અહેવાલો અનુસાર, ભારતનો આ પરંપરાગત સેકન્ડ હેન્ડ કપડાંનો વ્યવસાય હવે માત્ર શેરીઓ પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ તે કરોડો રૂપિયાના વૈશ્વિક બિઝનેસ મોડલમાં ફેરવાઈ ચૂક્યો છે.</p><h2 style="text-align: justify; "><b>કેવી રીતે કામ કરે છે આ નેટવર્ક?</b></h2><p style="text-align: justify; ">આ બિઝનેસનું નેટવર્ક અત્યંત વ્યવસ્થિત રીતે કામ કરે છે. ફેરિયાઓ ઘરોમાંથી કપડાં એકત્ર કરીને તેને મોટા વેપારીઓને વેચે છે. આ વેપારીઓ કપડાંની ગુણવત્તાના આધારે તેનું વર્ગીકરણ (Sorting) કરે છે. જે કપડાં પહેરવા લાયક અને સારી સ્થિતિમાં હોય છે, તેને સરખા કરીને, ધોઈને અને ઈસ્ત્રી કરીને ભારતના ગ્રામીણ વિસ્તારો અને ગરીબ પરિવારો સુધી ખૂબ જ સસ્તા ભાવે પહોંચાડવામાં આવે છે. આ પ્રક્રિયાથી મધ્યમ અને નીચલા વર્ગના લોકોને સસ્તા કપડાં મળી રહે છે અને કચરાનું પ્રમાણ પણ ઘટે છે.</p><h3 style="text-align: justify; "><b>પાણીપત બન્યું 'ગ્લોબલ રિસાયકલિંગ હબ'</b></h3><p style="text-align: justify; ">તમને જાણીને નવાઈ લાગશે કે જે કપડાં સાવ ફાટેલા અને પહેરવા લાયક નથી હોતા, તેને હરિયાણાના પાણીપત (Panipat) જેવા મોટા ટેક્સટાઈલ હબમાં મોકલવામાં આવે છે. પાણીપતને જૂના કપડાંના રિસાયકલિંગ માટેનું વૈશ્વિક કેન્દ્ર માનવામાં આવે છે. અહીં આ નકામા કપડાં અને ચિથરાંને મશીનો દ્વારા તોડીને ફરીથી તેમાંથી સસ્તું અને મજબૂત યાર્ન (દોરો) તૈયાર કરવામાં આવે છે. આ રિસાયકલ કરેલા દોરામાંથી સસ્તી ચાદરો, ધાબળા (Blankets), કાર્પેટ અને પગલૂછણિયાં બનાવવામાં આવે છે, જેની માંગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ આફ્રિકા અને યુરોપના દેશોમાં પણ ખૂબ વધારે છે.</p><h4 style="text-align: justify; "><b>પર્યાવરણ અને અર્થતંત્ર માટે ડબલ ફાયદો</b></h4><p style="text-align: justify; ">આ બિઝનેસ મોડલ પર્યાવરણના સંરક્ષણમાં બહુ મોટો ફાળો આપે છે. ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રી દુનિયામાં સૌથી વધુ પ્રદૂષણ ફેલાવતા સેક્ટર્સમાંની એક છે. જ્યારે જૂના કપડાં રિસાયકલ થાય છે, ત્યારે કપાસ અને પાણીનો વપરાશ ઘટે છે અને કાપડ લેન્ડફિલ (કચરાના ઢગલા)માં જતું અટકે છે. આ ઉદ્યોગ લાખો અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો, ફેરિયાઓ અને મહિલાઓને રોજગારી પૂરી પાડે છે. ભારતીયોની આ 'બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ' ની માનસિકતા આજે વૈશ્વિક સ્તરે સસ્ટેનેબલ ફેશન (Sustainable Fashion) નું આદર્શ ઉદાહરણ બની ગઈ છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/world/news/will-it-be-easier-to-shoot-down-a-drone-with-an-ak-rifle-russia-has-developed-a-new-bullet-that-splits-into-3-parts" target="_blank">આ પણ વાંચો:AK રાઇફલથી ડ્રોન તોડી પાડવું બનશે સરળ? રશિયાએ બનાવી 3 ભાગમાં વહેંચાઈ જતી નવી ગોળી</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/03/HNUnvcUAYurXw4DMqvUAyYR68L5ki7CnlEbWU3fz.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026 બાદ સંન્યાસ લેશે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો? બહેન કટિયા એવિરોએ કર્યો ઘટસ્ફોટ ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/cristiano-ronaldo-to-retire-after-fifa-world-cup-2026-sister-katia-aveiro-reveals</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/cristiano-ronaldo-to-retire-after-fifa-world-cup-2026-sister-katia-aveiro-reveals</guid><pubDate>Fri, 03 Jul 2026 15:47:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify;">ફૂટબોલ ઇતિહાસના મહાન ખેલાડીઓમાંના એક ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના આંતરરાષ્ટ્રીય કારકિર્દી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે.રોનાલ્ડોની બહેન કાતિયા એવેરોએ સંકેત આપ્યો છે કે ચાલુ FIFA વર્લ્ડ કપ 2026 તેના ભાઈની પોર્ટુગીઝ રાષ્ટ્રીય ટીમ સાથેની છેલ્લી ટુર્નામેન્ટ હશે,અને તે પછી તે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેશે.મેગા-ઇવેન્ટમાં પોર્ટુગલના શાનદાર પ્રદર્શન વચ્ચે આવેલા આ સમાચારે રમતગમતની દુનિયામાં હલચલ મચાવી દીધી છે,અને તેને રોનાલ્ડોનો "છેલ્લો ડાન્સ" માનવામાં આવી રહ્યો છે.</p><h4 style="text-align: justify;"><b>રોનાલ્ડોની બહેને મોટો ખુલાસો કર્યો છે</b></h4><p style="text-align: justify;">ચાહકોને પહેલાથી જ અપેક્ષા હતી કે 41 વર્ષીય અલ-નાસર સ્ટાર આ વર્લ્ડ કપ પછી નિવૃત્તિ લેશે.જોકે તેની બહેન કાતિયાએ મીડિયા સાથે વાત કરતી વખતે આ સમાચારની પુષ્ટિ કરી હતી.જ્યાં સુધી આ સફર ચાલે છે ત્યાં સુધી તેનો આનંદ માણો.તે ખૂબ જ ટૂંક સમયમાં સમાપ્ત થઈ રહી છે,તેણીએ કહ્યું.ખૂબ જ વિશ્વસનીય સ્ત્રોત પાસેથી મને મળેલી માહિતી અનુસાર...આ રોનાલ્ડોનો 'છેલ્લો ડાન્સ' છે.</p><h4 style="text-align: justify;"><b>2030 વર્લ્ડ કપમાં જોવા મળશે</b></h4><p style="text-align: justify;">તાજેતરમાં, પોર્ટુગલના મુખ્ય કોચ રોબર્ટો માર્ટિનેઝે એક પ્રેસ કોન્ફરન્સમાં એક મોટું નિવેદન આપ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે રોનાલ્ડોની ફિટનેસને જોતાં, તે 2030 વર્લ્ડ કપમાં રમી શકે છે. જોકે, પોર્ટુગીઝ ફૂટબોલ ફેડરેશનના વડા પેડ્રો પ્રોએન્કા કોચના નિવેદન સાથે અસંમત હતા. પ્રોએન્કા માનતા હતા કે 2030 વર્લ્ડ કપમાં રોનાલ્ડોની ભાગીદારી એક મોટું આશ્ચર્ય અને અત્યંત અશક્ય હશે. હવે, રોનાલ્ડોની બહેનના આ તાજેતરના ખુલાસાએ તે આશાઓને સંપૂર્ણપણે ઠગારી ઠેરવી દીધી છે.</p><h4 style="text-align: justify;"><b>તેના કરિયારનો છઠ્ઠો વર્લ્ડ કપ</b></h4><p style="text-align: justify;">આ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો છઠ્ઠો ફિફા વર્લ્ડ કપ છે. 2006 માં પોતાનો પહેલો વર્લ્ડ કપ રમનાર રોનાલ્ડોએ દરેક આવૃત્તિમાં પોતાની છાપ છોડી છે. રોનાલ્ડો પુરુષોના આંતરરાષ્ટ્રીય ફૂટબોલના ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર અને સૌથી વધુ કેપ્ડ ખેલાડી છે. આ વખતે પણ, તેણે પોતાની ટીમને વર્લ્ડ કપ રાઉન્ડ ઓફ 16 માં લઈ ગઈ છે. તેણે તાજેતરમાં રાઉન્ડ ઓફ 32 માં ક્રોએશિયા સામે શાનદાર પેનલ્ટી સાથે વર્લ્ડ કપ નોકઆઉટ ઇતિહાસમાં પોતાનો પહેલો ગોલ કરીને લાંબી રાહનો અંત લાવ્યો.</p><p style="text-align: justify;">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/these-13-teams-will-be-in-the-finals-of-the-round-of-16-of-the-fifa-world-cup-2026-a-tough-battle-for-third-place-among-6-teams" target="_blank">FIFA World Cup 2026માં રાઉન્ડ 16માં આ 13 ટીમ ફાઈનલ, ત્રીજા સ્થાન માટે 6 ટીમ વચ્ચે ટક્કર</a></p><p style="text-align: justify;"><br></p><p style="text-align: justify;"><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/03/qJjtPYkdDNnjWAPJO2Vk0lcJgqFM98rFdC2vE7RM.webp'/></item></channel></rss>