<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Tharad News: થરાદ મામલતદાર કચેરીનો પટાવાળો રૂ. 200ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો ]]></title><link>https://sandesh.com/crime/news/tharad/tharad-mamlatdar-office-acb-trap-peon-bribe-arrest</link><guid isPermaLink="true">https://sandesh.com/crime/news/tharad/tharad-mamlatdar-office-acb-trap-peon-bribe-arrest</guid><pubDate>Fri, 10 Jul 2026 18:11:19 +05:30</pubDate><description><![CDATA[<p>વાવ-થરાદ જિલ્લામાં લાંચિયા કર્મચારીઓ સામે બનાસકાંઠા એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. થરાદ ખાતે આવેલી મામલતદાર કચેરીમાં ભ્રષ્ટાચાર આચરતા એક સરકારી કર્મચારીને બનાસકાંઠા એસીબીની ટીમે છટકું ગોઠવીને રંગેહાથ ઝડપી લીધો છે. આ સરપ્રાઈઝ રેડને પગલે કચેરીના અન્ય સ્ટાફમાં ફફડાટ વ્યાપી ગયો છે.</p><h2><b>રેકોર્ડ રૂમમાં નોંધની નકલ આપવા માંગી લાંચ</b></h2><p>મળતી માહિતી અનુસાર, થરાદ મામલતદાર કચેરીના રેકોર્ડ રૂમમાં જમીનની નોંધો મંજૂર કરવા અને તેની નકલો આપવા માટે અરજદારો પાસે લાંચની માંગણી કરવામાં આવતી હતી. આ દરમિયાન એક ફરિયાદી પાસે કચેરીમાં કરાર આધારિત પટાવાળા તરીકે ફરજ બજાવતા કિરીટભાઈ વાઘજીભાઈ સોનીએ નોંધની નકલ કાઢી આપવાના અવેજ પેટે માત્ર રૂ. 200ની લાંચ માંગી હતી.</p><h2><b>રૂ. 200ની લાંચ સ્વીકારતા જ રંગેહાથ ઝડપાયો</b></h2><p>ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે બનાસકાંઠા એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે એસીબીની ટીમે થરાદ મામલતદાર કચેરીના રેકોર્ડ રૂમમાં જ એક આયોજનબદ્ધ છટકું ગોઠવ્યું હતું. ટ્રેપ દરમિયાન આરોપી પટાવાળા કિરીટ સોનીએ જેવી ફરિયાદી પાસેથી રૂ. 200ની લાંચની રકમ સ્વીકારી, કે તુરંત જ ત્યાં ટાંપા મારીને ઉભેલી એસીબીની ટીમે તેને રંગેહાથ દબોચી લીધો હતો.</p><h2><b>ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ</b></h2><p>એસીબીએ લાંચના નાણાં જપ્ત કરીને આરોપી કિરીટભાઈ સોની વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી છે. કચેરીઓમાં નાનામાં નાના કામ માટે પણ સામાન્ય જનતા પાસેથી પૈસા પડાવતા તત્વો સામે એસીબીની આ કાર્યવાહીને સ્થાનિક અરજદારોએ આવકારી છે. હાલ આ મામલે આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/tharad/tharad-shivshakti-society-heavy-wind-short-circuit-power-cable-blast-fire-ugvcl" target="_blank">Tharad: ભારે પવનના લીધે શિવશક્તિ સોસાયટીમાં વીજ કેબલ વિસ્ફોટ સાથે તૂટ્યો, સળગતો વાયર રસ્તા પર પડતા મચી અફડાતફડી</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/meFwqjYhWRvufpo000USRHbyW9Day5UUYjxN1m1n.webp'/></item><item><title><![CDATA[ડોક્ટર સાથે મારપીટ કરનાર શિવસેના કોર્પોરેટર રમેશ મ્હાત્રેની વધી મુશ્કેલી, 13 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યા ]]></title><link>https://sandesh.com/india/news/shiv-sena-corporator-ramesh-mhatre-sent-to-police-custody-till-july-13</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/shiv-sena-corporator-ramesh-mhatre-sent-to-police-custody-till-july-13</guid><pubDate>Fri, 10 Jul 2026 18:05:19 +05:30</pubDate><description><![CDATA[<p>ડોમ્બિવલીની શાસ્ત્રીનગર હોસ્પિટલમાં ડોકટરો અને નર્સો પર હુમલો કરવાના મામલે હવે વિવાદ વકર્યો છે. આ મામલે હવે આરોપી શિવસેનાના કોર્પોરેટર રમેશ મ્હાત્રેને 13 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.</p><p><br></p><p>મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રના ડોમ્બિવલીની શાસ્ત્રીનગર હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાની સારવાર અંગેનો વિવાદમાં ડોકટરો અને તબીબી સ્ટાફ પર હુમલો કરવામાં આવ્યો હતો. દર્દીના પરિવાર, સાધના કરંડે, શિવસેનાના કોર્પોરેટર રમેશ મ્હાત્રે અને હોસ્પિટલના ડોક્ટરોએ પોતપોતાની રીતે ઘટનાનું વર્ણન રજૂ કર્યું હતું. જોકે, દર્દીની માતાએ જણાવ્યું હતું કે તેની મોટી પુત્રી ગર્ભવતી હતી અને સોનોગ્રાફી અને જરૂરી ટેસ્ટ પછી તેઓ તેને શાસ્ત્રીનગર હોસ્પિટલમાં લાવ્યા હતા.&nbsp;</p><p><br></p><p>પરિવારે ડોકટરોને કહ્યું હતું કે ઈમરજન્સી પરિસ્થિતિ છે, પરંતુ હોસ્પિટલે દર્દીને સાયન હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી હતી. માતાએ કહ્યું કે તે વારંવાર ડોકટરોને વિનંતી કરી હતી, કે તેની પુત્રીની હાલત ગંભીર છે અને ભારે વરસાદ અને બહાર પાણી ભરાઈ જવાને કારણે બીજી હોસ્પિટલમાં પહોંચવામાં ઘણો સમય લાગી શકે છે. તેને ડર વ્યક્ત કર્યો હતો કે સારવારમાં કોઈપણ વિલંબ તેની પુત્રી અને ગર્ભમાં રહેલ બાળક બંનેના જીવને જોખમમાં મૂકી શકે છે.</p><p><br></p><p>ઉલ્લેખનીય છે કે, આ ઘટના સોમવારે (6 જુલાઈ) સાંજે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના શાસ્ત્રીનગર મ્યુનિસિપલ હોસ્પિટલમાં બની હતી. શિવસેનાના કોર્પોરેટર રમેશ મ્હાત્રે અને તેમના સાથીઓ બે ડોક્ટરો અને અન્ય સ્ટાફ સભ્યો પર હુમલો કરતા જોવા મળતો એક વીડિયો વાયરલ થયો હતો. મ્હાત્રેએ ફરજ પરના ડોક્ટરોને ખૂબ માર માર્યો કારણ કે તેમણે એક ગર્ભવતી મહિલાને સારવાર માટે તેમના વોર્ડમાંથી બીજી હોસ્પિટલમાં ખસેડવાનું સૂચન કર્યું હતું; તેઓએ તર્ક આપ્યો હતો કે નવજાત શિશુને ડિલિવરી પછી તરત જ NICU બેડની જરૂર પડશે, પરંતુ તે સમયે આવો કોઈ બેડ ઉપલબ્ધ નહોતો.<br><br>આ પણ વાંચો: <b><a href="https://sandesh.com/world/news/china-performed-the-worlds-first-net-recovery-launched-a-rocket-from-space-into-the-sea" target="_blank">ચીને કર્યું વિશ્વનું પહેલું નેટ રિકવરી, સ્પેસથી રોકેટને સમુદ્રમાં ઉતાર્યું</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/f3DkTXVhczyaF4oy0L0DL30HQtYtPJVdbE16T45T.webp'/></item><item><title><![CDATA[Gir Somnath News: સોરઠ મહિલા મંડળીની 15મી વાર્ષિક સભા યોજાઈ, 17 હજાર મહિલાઓ બની આત્મનિર્ભર ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gir-somnath/sorath-mahila-vikas-cooperative-annual-meeting</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gir-somnath/sorath-mahila-vikas-cooperative-annual-meeting</guid><pubDate>Fri, 10 Jul 2026 17:58:03 +05:30</pubDate><description><![CDATA[<p>ગીર સોમનાથ જિલ્લામાં મહિલાઓના આર્થિક અને સામાજિક સશક્તિકરણનું એક અનન્ય અને સફળ મોડેલ આજે સૌના ધ્યાનનું કેન્દ્ર બન્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં કાર્યરત 'સોરઠ મહિલા વિકાસ સહકારી મંડળી'ની 15મી વાર્ષિક સાધારણ સભા ભવ્ય રીતે યોજાઈ ગઈ છે. આ સભામાં હજારો મહિલાઓની પ્રેરણાદાયી હાજરી વચ્ચે સંસ્થાની અત્યાર સુધીની ગૌરવશાળી વિકાસયાત્રા, સિદ્ધિઓ અને ભવિષ્યના આયોજનોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.</p><h2><b>1997ના એક નાના ગામથી શરૂ થયેલી સફર આજે વટવૃક્ષ બની</b></h2><p>આ મંડળીના પાયાની વાત કરીએ તો, મહિલા બચત મંડળોની શરૂઆત વર્ષ 1997માં સાંઢણીધાર ગામથી અંબુજા ફાઉન્ડેશનના વિશેષ સહયોગ સાથે થઈ હતી. ત્યારબાદ મહિલાઓનો વ્યાપ અને ઉત્સાહ વધતા વર્ષ 2012માં તેને સહકારી મંડળી તરીકે સત્તાવાર સ્થાપના આપવામાં આવી છે. આજે આ સંસ્થા ગીર સોમનાથ જિલ્લાના 140 જેટલા ગામોમાં સફળતાપૂર્વક કાર્યરત છે. સંસ્થા સાથે હાલ 1,336 મહિલા બચત મંડળો અને આશરે 17 હજાર જેટલી મહિલાઓ સક્રિય રીતે જોડાયેલી છે.</p><h2><b>વાર્ષિક ટર્નઓવર 10 કરોડ સુધી પહોંચ્યું, સભાસદોને આકર્ષક વ્યાજ-ડિવિડન્ડ</b></h2><p>મહિલાઓ દ્વારા સંચાલિત આ મંડળીનું વાર્ષિક ટર્નઓવર અંદાજે 8 થી 10 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, જે તેની આર્થિક સક્ષમતા દર્શાવે છે. સંસ્થા દ્વારા તેના સભાસદોને આર્થિક રીતે મજબૂત કરવા માટે 10 ટકા ડિવિડન્ડ અને બચત પર 8 ટકા જેટલું આકર્ષક વ્યાજ આપવામાં આવે છે. મહિલાઓને શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને સ્વરોજગાર જેવા ક્ષેત્રો માટે ખૂબ જ સરળ શરતો પર ધિરાણ પૂરું પાડવામાં આવે છે.</p><h2><b>મહિલાઓ માટે ઈ-રિક્ષા સેવાનું લોકાર્પણ અને રોજગારીની તકો</b></h2><p>આ વાર્ષિક સાધારણ સભા દરમિયાન મહિલાઓના પરિવહન અને સ્વનિર્ભરતાને પ્રોત્સાહન આપવા માટે 'ઈ-રિક્ષા' સેવાનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ખાસ કાર્યક્રમમાં સાંસદ દીનુભાઈ સોલંકી સહિતના અનેક રાજકીય અને સામાજિક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને મહિલાઓની આ કામગીરીને બિરદાવી હતી. મંડળી દ્વારા પશુપાલન, સિલાઈ, બ્યુટી પાર્લર અને પાપડ ઉદ્યોગ સહિતની અનેક આવકવર્ધક પ્રવૃત્તિઓને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.</p><h2><b>શિક્ષણ અને સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર</b></h2><p>સોરઠ મહિલા વિકાસ સહકારી મંડળીએ માત્ર આર્થિક વ્યવહારો પૂરતું સીમિત ન રહેતા સામાજિક જવાબદારી પણ સુખરૂપ નિભાવી છે. સંસ્થા દ્વારા અનેક વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે આર્થિક સહાય, વિધવા મહિલાઓને પગભર થવા માટે સ્વરોજગાર સહકાર, અને પશુપાલન માટે ગાય-ભેંસનું વિતરણ કરવામાં આવ્યું છે. </p><p>આ ઉપરાંત ગામડાની લગભગ એક હજાર જેટલી દીકરીઓને આત્મનિર્ભર બનાવવા માટે સિલાઈ તાલીમ આપીને સિલાઈ મશીનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે. મહિલાઓને માત્ર ઘરની બચત સુધી સીમિત ન રાખી, તેમને વેપાર-રોજગાર સાથે જોડીને સમાજમાં એક સશક્ત સ્થાન અપાવવામાં આ સંસ્થા સમગ્ર ગુજરાત માટે એક આદર્શ ઉદાહરણ સાબિત થઈ રહી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/veraval/police-crackdown-in-veraval-gambling-den-firing-case-33-accused-jailed-in-lcb-sog-mega-operation" target="_blank">Veraval જુગારધામ-ફાયરિંગ કેસમાં પોલીસનો સપાટો: LCB-SOGના મેગા ઓપરેશનમાં 33 આરોપીઓ જેલભેગા</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/v75GEtKujR3iaRdC1Tb0j7bSei4viM5phrya4j2S.webp'/></item><item><title><![CDATA[Maharashtra Political News: શરદ પવારની પાર્ટી NDAમાં થશે સામેલ?, રાજકીય ગરમાવા વચ્ચે પુત્રી સુપ્રિયા સુલેનો ચોંકાવનારો જવાબ ]]></title><link>https://sandesh.com/india/news/-political-news/maharashtra-political-news-will-sharad-pawars-party-join-nda-daughter-supriya-sules-shocking-reply-amidst-political-heat</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/-political-news/maharashtra-political-news-will-sharad-pawars-party-join-nda-daughter-supriya-sules-shocking-reply-amidst-political-heat</guid><pubDate>Fri, 10 Jul 2026 17:50:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">રોહિત પવારે કહ્યું હતું કે, એક વિપક્ષી પક્ષ તરીકે, અમે સામાન્ય લોકો, ખેડૂતો, વિદ્યાર્થીઓ અને મજૂરોના મુદ્દાઓ ઉઠાવતા રહીશું.</p><h2 style="text-align: justify; ">શું શરદ પવારનો પક્ષ NDAમાં જોડાશે?&nbsp;</h2><p style="text-align: justify; ">રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી પ્રમુખ અને લોકસભા સાંસદ સુપ્રિયા સુલેએ એવી અફવાઓને ફગાવી દીધી હતી કે તેમના પક્ષના વરિષ્ઠ નેતા જયંત પાટિલ અને ભાજપના રાજ્યસભા સાંસદ વિનોદ તાવડે વચ્ચે કોઈ સોદો થઈ રહ્યો છે, જેના હેઠળ NCP-SP કેન્દ્રમાં તેમજ મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના ગઠબંધનને ટેકો આપશે. સુલેએ પત્રકારોને કહ્યું કે, મને પાટિલ અને તાવડે વચ્ચે આવી કોઈ બેઠકની કોઈ જાણકારી નથી. મને ફક્ત મીડિયાના લોકો પાસેથી જ આ વિશે ખબર પડી છે. તાવડે અને હું વારંવાર મળીએ છીએ.</p><h3 style="text-align: justify; ">સુપ્રિયા સુલેએ શું કહ્યુ ?&nbsp;</h3><p style="text-align: justify; ">શરદ પવારને NDAને ટેકો આપવાની કે જોડાવાની કોઈ યોજના છે કે કેમ તે પૂછવામાં આવતા, તેમણે કહ્યું કે, હું છેલ્લા 12 વર્ષથી આવી ચર્ચાઓ સાંભળી રહી છું. મને પાટિલ અને તાવડે વચ્ચે આવી કોઈ મુલાકાત વિશે ખબર નથી. તાવડે અને હું ઘણી વખત મળ્યા છીએ, કારણ કે અમે બંને સંયુક્ત સંસદીય સમિતિમાં સેવા આપીએ છીએ. છેલ્લા મહિનામાં જ, અમે ઓછામાં ઓછા 21 વખત મળ્યા હશે. તેથી, હું ફક્ત અફવાઓ પર હસી રહી છું.</p><h4 style="text-align: justify; ">બહારથી NDAને ટેકો આપવાનો વિકલ્પ</h4><p style="text-align: justify; ">શરદ પવાર જૂથના વરિષ્ઠ નેતા જયંત પાટીલે શુક્રવારે ભાજપના રાજ્યસભા સાંસદ વિનોદ તાવડે સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં શરદ પવારની પાર્ટી ભાજપની આગેવાની હેઠળના ગઠબંધનમાં જોડાય તો NCPને શું રાજકીય લાભ મળી શકે છે તેની ચર્ચા કરવામાં આવી હતી. શરદ પવારની NCP પાસે NDAમાં જોડાવાનો અથવા બહારથી ટેકો આપવાનો વિકલ્પ છે. આ બેઠકમાં સરકારમાં જોડાવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે શરદ પવારના NCP-SPને BJPના નેતૃત્વ હેઠળના ગઠબંધનમાં સામેલ કરવાના પ્રયાસો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના સ્તરે નહીં, પરંતુ કેન્દ્રીય સ્તરે થઈ રહ્યા છે.</p><h5 style="text-align: justify; ">મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો કેમ ?&nbsp;</h5><p style="text-align: justify; ">જો શરદ પવારના નેતૃત્વ હેઠળના NCP-SP NDAમાં જોડાય છે. તો તેને કેન્દ્ર સરકારમાં એક કેબિનેટ મંત્રી પદ અને મહારાષ્ટ્ર સરકારમાં ત્રણ કેબિનેટ મંત્રી પદ મળવાની શક્યતા છે. મહારાષ્ટ્રમાં આ પોર્ટફોલિયોમાંથી એક નાણા મંત્રાલય હોઈ શકે છે, જે મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને હાલમાં તે પોતે મુખ્યમંત્રી ફડણવીસ પાસે છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી સુનેત્રા અજિત પવાર પહેલાથી જ નાણા મંત્રાલય પર પોતાનો દાવો રજૂ કરી ચૂક્યા છે, જે એક સમયે તેમના સ્વર્ગસ્થ પતિ અજિત પવાર પાસે હતું. નિષ્ણાતો માને છે કે નાણા મંત્રાલય કદાચ શરદ પવાર જૂથના નેતા જયંત પાટિલ માટે અનામત રાખવામાં આવી રહ્યું છે અને કદાચ આ જ કારણ છે કે આ વિભાગ અત્યાર સુધી નાયબ મુખ્યમંત્રી સુનેત્રા અજિત પવાર સહિત અન્ય કોઈ નેતાને સોંપવામાં આવ્યો નથી.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/india/news/petitioner-throws-papers-in-the-air-after-making-obscene-remarks-against-cji-in-supreme-court-court-orders-immediate-custody" target="_blank">Supreme Courtમાં CJI વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી અરજદારે હવામાં ઉડાવ્યા કાગળ, કોર્ટે તરત જ કસ્ટડીમાં લેવાનો આપ્યો આદેશ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/Sx4kkZKQS08XpMRbgmzv6ZlrRWZCqRXBmW13i8DP.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: ચાંદખેડા મર્ડર કેસનો ફરાર આરોપી ઝડપાયો, 10 લાખની લેતીદેતીમાં કરી હતી હત્યા ]]></title><link>https://sandesh.com/crime/news/ahmedabad/chandkheda-murder-case-accused-arrested-mansingh-police</link><guid isPermaLink="true">https://sandesh.com/crime/news/ahmedabad/chandkheda-murder-case-accused-arrested-mansingh-police</guid><pubDate>Fri, 10 Jul 2026 17:08:14 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં થયેલા ચકચારી હત્યા કેસમાં પોલીસે ગણતરીના દિવસોમાં મોટી સફળતા મેળવી છે. જશમતસિંગ ઉર્ફે પિલ્લુસિંગ નામના વ્યક્તિની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ ગુનો આચરીને ફરાર થઈ ગયેલા મુખ્ય આરોપીને ચાંદખેડા પોલીસે તીક્ષ્ણ નજર અને સચોટ આયોજનબદ્ધ ઓપરેશન દ્વારા ઝડપી પાડ્યો છે.</p><h2><b>10 લાખની લેતીદેતીમાં થઈ હતી હત્યા</b></h2><p>પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક અને આરોપી વચ્ચે રૂપિયા 10 લાખની લેતીદેતી ચાલતી હતી. આ નાણાકીય બાબતને લઈને શરૂઆતમાં બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. જોકે, આ વિવાદ ઉગ્ર બનતા આરોપી માનસિંગ ઉર્ફે બાદલસિંગ કરણસિંગ ઉર્ફે પવનસિંગ ઉર્ફે લલ્લાસિંગ ટાંક ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે છરીના ઉપરાછાપરી ઘા મારીને જશમતસિંગની હત્યા કરી નાખી હતી અને ત્યાંથી નાસી છૂટ્યો હતો.</p><h2><b>મોબાઈલ વગર ફરતા આરોપીને પકડવા પોલીસે ગોઠવી વોચ</b></h2><p>હત્યા બાદ આરોપીની શોધખોળ પોલીસ માટે મોટો પડકાર બની હતી, કારણ કે આરોપી કોઈ પણ પ્રકારના મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો ન હતો. પોલીસથી બચવા તે અલગ-અલગ સગા-સંબંધીઓને ત્યાં આશરો લઈ રહ્યો હતો. આ દરમિયાન પોલીસને પાકી બાતમી મળી હતી કે, ચાંદખેડા વિસ્તારમાં આવેલી વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજની બાજુમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા અને ફુગ્ગાનો વ્યવસાય કરતા તેના માસીને મળવા માટે આરોપી આવી શકે છે. આ શંકાના આધારે પોલીસે ત્યાં ગુપ્ત વોચ ગોઠવી હતી અને જેવો આરોપી ત્યાં પહોંચ્યો કે તુરંત તેને દબોચી લીધો હતો.</p><h2><b>આરોપી અગાઉ મહારાષ્ટ્રમાં પણ મર્ડર કેસમાં જેલ જઈ ચૂક્યો છે</b></h2><p>પકડાયેલા આરોપી માનસિંગનો ગુનાહિત ઈતિહાસ ઘણો મોટો છે. પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે, તે એક રીઢો ગુનેગાર છે. આ અગાઉ વર્ષ 2021માં મહારાષ્ટ્રના તુલીંજ પોલીસ સ્ટેશનમાં તેની સામે આઈપીસી કલમ 302 હેઠળ હત્યાનો ગુનો નોંધાયો હતો, જેમાં તે જેલવાસ પણ ભોગવી ચૂક્યો છે. આ ઉપરાંત, વર્ષ 2016માં અમદાવાદના માધવપુરા પોલીસ સ્ટેશનમાં પણ તેની સામે આઈપીસી કલમ 379 હેઠળ ચોરીનો ગુનો નોંધાયેલો છે.</p><h2><b>ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી કાર્યવાહી</b></h2><p>મોબાઈલ વગર લોકેશન ટ્રેસ કરવું અશક્ય હોવા છતાં, ચાંદખેડા પોલીસે હ્યુમન સોર્સ, ટેક્નિકલ સર્વેલન્સની અન્ય પદ્ધતિઓ અને સતત રાઉન્ડ ધ ક્લોક વોચ રાખીને આ ખતરનાક આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. હાલ પોલીસે તેની વિધિવત ધરપકડ કરીને આગળની કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/weather/monsoon-2026/news/ahmedabad/gujarat-weather-update-rain-forecast-july-10-to-16" target="_blank">Gujarat Weather Update: આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા એલર્ટ, જુઓ Video</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/tObqebA4QKjjXkaRisQN9HWU3gFbShInjoTVdxf1.webp'/></item><item><title><![CDATA[Sunny Deol: ફાટેલા જૂતા પર ટ્રોલ થયા હતા સની દેઓલ, હવે જગજાહેર આપ્યો મજેદાર જવાબ ]]></title><link>https://sandesh.com/entertainment/news/sunny-deol-was-trolled-for-his-torn-shoes-now-he-gave-a-funny-answer-publicly</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/sunny-deol-was-trolled-for-his-torn-shoes-now-he-gave-a-funny-answer-publicly</guid><pubDate>Fri, 10 Jul 2026 17:01:59 +05:30</pubDate><description><![CDATA[<p>બોલીવુડના પ્રખ્યાત અભિનેતા સની દેઓલ હાલમાં તેમની નવી ફિલ્મ 'ઈક્કા' ને લઈને ઘણા ચર્ચામાં છે. આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ એક જૂની વાયરલ ક્લિપ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે જેમાં તેઓ ફાટેલા જૂતા પહેરેલા જોવા મળ્યા હતા. અભિનેતાએ તે જૂના વીડિયો પર હળવાશથી પ્રતિક્રિયા આપી હતી.</p><p><br></p><p>'ઈક્કા'નું ટ્રેલર 29 જૂને રિલીઝ થયું હતું, અને તેના માટે એક લોન્ચ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સની દેઓલ આ ઇવેન્ટમાં ચામડાના જૂતા પહેરેલા દેખાયા હતા, પરંતુ એક જૂતાની હીલ તૂટેલી હતી. પાપારાઝીએ આ વિગતો કેમેરામાં કેદ કરી, અને વીડિયો વાયરલ થયો. ઘણા લોકોએ તેમની સાદગીની પ્રશંસા કરી, તો કેટલાક લોકોએ તેમને ટ્રોલ કર્યા અને ફાટેલા જૂતા વિશે મીમ્સ સોશિયલ મીડિયા પર ફરતા થયા.</p><p><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DaK5AQ1MWj4/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DaK5AQ1MWj4/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a></p><p><br></p><h3><b>સની દેઓલની પ્રતિક્રિયા</b></h3><p>તાજેતરમાં, જ્યારે સની દેઓલ અન્ય એક કાર્યક્રમમાં હાજરી આપી, ત્યારે તેમણે ફાટેલા જૂતાના વાયરલ વીડિયો પર રમૂજી પ્રતિક્રિયા આપી. તે ક્લીન-શેવ્ડ દેખાતો હતો અને સ્પોર્ટ્સ જૂતા પહેરેલા હતા. જ્યારે પાપારાઝી તેમના ફોટા લઈ રહ્યા હતા, ત્યારે તેમણે હસીને કહ્યું, "અરે, કોઈ જૂતાનો ફોટો લેવા માંગતું નથી?" પોતાના પગરખાં તરફ ઈશારો કરીને તેમણે ફોટોગ્રાફરોને સ્મિત સાથે પૂછ્યું કે શું તેઓ તેમના જૂતાનો ફોટો નહીં પાડે. પાપારાઝીએ તેમની કોમન્ટનો સ્મિત સાથે જવાબ આપ્યો. જે વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.</p><p><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DakxKaMuj_b/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DakxKaMuj_b/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></p><p><br></p><h4><b>સની દેઓલની નવી ફિલ્મ</b></h4><p>આ દરમિયાન સની દેઓલની નવી ફિલ્મ 'ઈક્કા' અંગે તે 10 જુલાઈના રોજ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. સિદ્ધાર્થ પી. મલ્હોત્રા દ્વારા દિગ્દર્શિત અને નિર્મિત, આ ફિલ્મ કોર્ટરૂમ ડ્રામા છે. સની એક વકીલની ભૂમિકા ભજવે છે અને ફિલ્મમાં અક્ષય ખન્ના પણ છે. ફિલ્મ રિલીઝ થતાં જ પ્રશંસા મળવા લાગી છે, દર્શકો 'ઈક્કા'માં સની દેઓલ અને અક્ષય ખન્ના બંનેના અભિનયની પ્રશંસા કરી રહ્યા છે.</p><p><br></p><p>આ પણ વાંચો:&nbsp; Kriti Sanon: <a href="https://sandesh.com/entertainment/news/kriti-sanon-believes-in-evil-eye--mom-warns-her-often#google_vignette" target="_blank"><b>'હું પડી જવું છું, મને નજર લાગે છે', અભિનેત્રી કૃતિ સેનને કર્યો રસપ્રદ ખુલાસો</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/ln9Q9Ma7FUspONJ6KaOKX3ozpIzvT7NgqQOvfVCp.webp'/></item><item><title><![CDATA[FIFA World 2026 : ક્વાર્ટર ફાઇનલમાં સ્પેન અને બેલ્જિયમ વચ્ચે ટક્કર, જાણો હેડ ટૂ હેડ રેકોર્ડ ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-2026-spain-and-belgium-clash-in-the-quarter-finals-know-the-head-to-head-record</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-2026-spain-and-belgium-clash-in-the-quarter-finals-know-the-head-to-head-record</guid><pubDate>Fri, 10 Jul 2026 16:50:34 +05:30</pubDate><description><![CDATA[<p>FIFA વર્લ્ડ કપ 2026ની પહેલી ક્વાર્ટર ફાઇનલ ખૂબ જ રોમાંચક રહી,જેમાં ફ્રાન્સે મોરોક્કોને 2-0 થી હરાવીને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું.ટુર્નામેન્ટની બીજી ક્વાર્ટર ફાઇનલ,જે એટલી જ રોમાંચક રહેવાની અપેક્ષા છે.તે લોસ એન્જલસ સ્ટેડિયમ ખાતે સ્પેન અને બેલ્જિયમ વચ્ચે રમાશે.બંને ટીમોએ ક્વાર્ટર ફાઇનલ સુધીની એક અદ્ભુત સફર કરી છે, જેમાં અત્યાર સુધી કોઈ પણ ટીમે સ્પેન સામે એક પણ ગોલ કર્યો નથી,જ્યારે બેલ્જિયમે તેમની બધી મેચ જીતી છે.બંને ટીમો વચ્ચેની આ મેચ 12 જુલાઈના રોજ ભારતીય સમય મુજબ રાત્રે 12:30 વાગ્યે રમાશે.</p><h4><b>બેલ્જિયમ સામે અત્યાર સુધી સ્પેનનો હાથ ઉપર&nbsp;</b></h4><p>સ્પેન અને બેલ્જિયમ વચ્ચેના હેડ-ટુ-હેડ રેકોર્ડને ધ્યાનમાં લેતા, સ્પેન સ્પષ્ટપણે ઉપર છે, તેણે 12 મેચ જીતી છે. બીજી બાજુ, બેલ્જિયમે ફક્ત પાંચ મેચ જીતી છે, જ્યારે પાંચ ડ્રો રહી છે. બંને ટીમો વચ્ચે ફિફા વર્લ્ડ કપની ટક્કરની વાત કરીએ તો, આ ફક્ત ત્રીજી વખત છે જ્યારે તેઓ એકબીજા સામે મળ્યા છે. આ પહેલા, 1986ના વર્લ્ડ કપમાં, બેલ્જિયમે પેનલ્ટી શૂટઆઉટમાં સ્પેનને 5-4થી હરાવ્યું હતું, જ્યારે 1990માં સ્પેને 2-1થી જીત મેળવી હતી.</p><h4><b>બધાની નજર લેમિન યામાલ પર રહેશે</b></h4><p>આ મેચમાં, બધાની નજર 18વર્ષીય સ્પેનિશ ખેલાડી લેમિન યામાલ પર રહેશે, જે બેલ્જિયમ માટે નોંધપાત્ર ખતરો ઉભો કરી શકે છે. લેમિન યામાલે અત્યાર સુધી ફક્ત એક જ ગોલ કર્યો છે, પરંતુ તેના આક્રમક રમતથી, બેલ્જિયમ તેને ઓછો આંકી શકે તેમ નથી. આ મેચમાં સ્પેનને ટોચનો હાથ માનવામાં આવે છે, જે મોટાભાગે તેમના ગોલકીપર ઉનાઈ સિમોનનો આભાર છે, જેમણે કોઈપણ વિરોધી ટીમને એક પણ ગોલ કરવા દીધો નથી.</p><h5><b>સેમિફાઇનલમાં કોની સામે થશે ટક્કર?</b></h5><p>ફિફા વર્લ્ડ કપ 2026ની સેમિફાઇનલમાં પહોંચ્યા બાદ હવે ફ્રાન્સનો મુકાબલો સ્પેન અથવા બેલ્જિયમ સામે થશે. આ બંને ટીમો વચ્ચેની ક્વાર્ટર ફાઇનલ મેચ બાદ વિજેતા ટીમ ફ્રાન્સ સામે ટકરાશે. બુધવાર, 15 જુલાઈના રોજ ભારતીય સમયાનુસાર (IST) રાત્રે 12:30 વાગ્યે મેચ રમાશે. ફિફા વર્લ્ડકપમાં પોર્ટુગલ બહાર થતા રોનાલ્ડોને જોવા આતુર તેના ચાહકોમાં ઉત્સાહ ઘટયો છે. છતાં મેસ્સી અને એમ્બાપ્પેની શાનદાર રમત લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. ફ્રાન્સે મોરોક્કોને હરાવીને સેમીફાઈનલની ટીકીટ મેળવી લીધી છે. હવે તેની સામે કઈ ટીમ આવશે સ્પેન -બેલ્જિયમની મેચના આગામી પરિણામો કહેશે.</p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/cricket/fifa-world-cup-2026-france-beats-morocco-2-0-to-enter-semi-finals-mbappe-and-dembele-excel" target="_blank"> FIFA World Cup 2026: મોરોક્કોને 2-0થી હરાવી ફ્રાન્સની સેમિફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી, એમ્બાપ્પે અને ડેમ્બેલેનો કમાલ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/dH1FMdh8ARtndBhoT9zFOscZxaRyfc9c1esmlCqd.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના શાસ્ત્રીનગરમાં સ્કૂલ બસની હડફેટે EV મોપેડ સવાર 19 વર્ષીય યુવરાજનું ઘટનાસ્થળે જ મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/a-school-bus-crushed-a-young-man-riding-a-bike-in-shastrinagar-ahmedabad-the-driver-tragically-died-on-the-spot</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/a-school-bus-crushed-a-young-man-riding-a-bike-in-shastrinagar-ahmedabad-the-driver-tragically-died-on-the-spot</guid><pubDate>Fri, 10 Jul 2026 16:48:39 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરના ટ્રાફિકથી ધમધમતા શાસ્ત્રીનગર ચાર રસ્તા પાસે એક અત્યંત કમકમાટીભરી અને જીવલેણ માર્ગ દુર્ઘટના સર્જાઈ છે. મૂળ રાજસ્થાનનો રહેવાસી અને આશરે 19થી 20 વર્ષનો યુવરાજ નામનો યુવાન પોતાના ઈલેક્ટ્રિક (EV) મોપેડ પર સવાર થઈને પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી જાણીતી ડીપીએસ (DPS - દિલ્હી પબ્લિક સ્કૂલ) ની બસના ચાલકે ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરીને યુવરાજના મોપેડને જોરદાર હડફેટે લીધું હતું. આ ટક્કર એટલી ભયાનક હતી કે યુવાન રોડ પર ફંગોળાયો હતો.</p><h2 style="text-align: justify; "><b>યુવરાજના માથા પર બસનું કાળમુખું ટાયર ફરી વળ્યું</b></h2><p style="text-align: justify; ">અકસ્માતની આ ગોઝારી ક્ષણે કાળમુખી સ્કૂલ બસનું વજનદાર ટાયર સીધું જ યુવરાજના માથાના ભાગે ફરી વળ્યું હતું, જેને કારણે ગંભીર ઈજાઓ થતાં માસૂમ યુવરાજનું ઘટનાસ્થળે જ અત્યંત કરુણ મોત નીપજ્યું હતું. આ કાળજું કંપાવી દેનારી સમગ્ર દુર્ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં લાઈવ કેદ થઈ ગઈ છે. અકસ્માત સમયે ઘટનાસ્થળ પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા રોડ પર ખોદકામ ચાલી રહ્યું હતું, જેને કારણે રસ્તો સાંકડો થતાં આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>અકસ્માત સર્જી બસ ચાલક થયો ફરાર</b></h3><p style="text-align: justify; ">બીજી તરફ, અકસ્માત સર્જાયા બાદ પકડાઈ જવાના ડરથી નરાધમ બસ ચાલક પોતાની બસને ઘટનાસ્થળે જ બિનવારસી હાલતમાં મૂકીને અંધારામાં નાસી છૂટ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ 'બી' ડીવીઝન ટ્રાફિક પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતક યુવરાજના શવને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. ટ્રાફિક પોલીસે અકસ્માત સર્જનારી સ્કૂલ બસને કબજે કરી, સીસીટીવી ફૂટેજના આધારે ફરાર બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/IGCvJGLkHWvXVeGpJ1rlwcvZ1kMyOkyugjBhqXG2.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : TRP ગેમઝોન અગ્નિકાંડની ઘટના મામલે હાઈકોર્ટનો ચુકાદો, 5 અધિકારીઓને નોકરીમાંથી ડિસમીસ કરાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/rajkot-trp-game-zone-fire-case-gujarat-hc-dismisses-5-officials-from-service</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/rajkot-trp-game-zone-fire-case-gujarat-hc-dismisses-5-officials-from-service</guid><pubDate>Fri, 10 Jul 2026 16:44:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટમાં વર્ષ 2024માં TRP ગેમઝોન અગ્નિકાંડની ઘટના બની હતી. જેમાં 27 જેટલા લોકોના મોત થયા હતાં. ગુજરાત હાઈકોર્ટે આ ઘટનામાં સુઓમોટો આધારે સુનાવણી શરૂ કરી હતી. જેમાં આજની સુનાવમીમાં હાઈકોર્ટમાં રાજકોટ મહાનગર પાલિકા દ્વારા મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે. મનપાએ કહ્યું છે કે, સમગ્ર કેસની તપાસમાં મનપાના જવાબદાર અધિકારીઓ સામે વિભાગીય કાર્યવાહી કરવામાં આવી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>મનસુખ સાગઠિયા પ્રોવિઝન પેન્શનના હકદાર રહેશે</b></h2><p style="text-align: justify; ">રાજકોટ મનપાએ હાઈકોર્ટમાં કહ્યું હતું કે, ગેમઝોન અગ્નિકાંડની ઘટના બાદ જે તપાસ કરવામાં આવી છે તેમાં જવાબદાર અધિકારીઓ સામે વિભાગીય કાર્યવાહી કરાઈ છે. આ અધિકારીઓને સિવિલ સર્વિસ નિયમો હેઠળ સજા ફટકારાઈ છે. અન્ય એક અધિકારીને સેવામાંથી દૂર કરવામાં આવ્યો છે. જ્યારે વર્ગ એકના વરિષ્ઠ અધિકારી સામે સજાની કાર્યવાહી કરાઈ છે.  સુઓ મોટો પીટીશનમાં હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો. જેમાં રાજકોટ મનપા ફાયર ઓફિસર રોહિત વિગોરા, ટીપી વિભાગના અધિકારી ગૌતમ જોશી, મુકેશ મકવાણા, જયદીપ ચૌધરી અને રાજેશ મકવાણાને ડિસમિસ કરવામાં આવ્યા છે. જ્યારે ચીફ ટીપીઓ મનસુખ સાગઠિયા અગાઉથી વય મર્યાદાને કારણે નિવૃત્ત થઈ ગયાં છે. ટીપીઓ મનસુખ સાગઠિયા પ્રોવિઝન પેન્શનના હકદાર રહેશે.</p><h2 style="text-align: justify; "><b>ચુકાદાને પીડિત પરિવારોએ બિરદાવ્યો&nbsp;</b></h2><p style="text-align: justify; ">બીજી તરફ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાને પીડિત પરિવારોએ બિરદાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, અધિકારીઓને ડિસમીસ કર્યા તે સારી વાત છે. હજુ પણ મોટા અધિકારીઓ સામે પગલાં લેવામાં નથી આવ્યા. આજે પણ અમે ગુમાવેલા સ્વજનો અમને યાદ આવે છે.  રાજકોટમાં થયેલી આ દુર્ઘટના બાદ એસીબી, આઈટી અને ઈડી પણ તપાસમાં જોડાઈ હતી. હાઈકોર્ટમાં આગળની સુનાવણી દરમિયાન અન્ય જવાબદારો સામે શું પગલાં લેવાય છે અને અંતિમ કાર્યવાહી અંગે પણ મહત્વપૂર્ણ ચુકાદો આવે તેવી શક્યતાઓ છે.&nbsp;&nbsp;<br></p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/surat/heavy-rainfall-and-khadi-flooding-create-havoc-26-people-died-in-three-days" target="_blank">આ પણ વાંચોઃ Surat News: ભારે વરસાદે સુરતની સૂરત બગાડી, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, ત્રણ દિવસમાં 26 લોકોના મોત</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/YfZjrrmuL28sUgtZcSQV8p70wyT3Vl4zWNYnCZZL.webp'/></item><item><title><![CDATA[Indian Railway: ફટાફટ થશે ટિકિટ બુક, નહીં ભરવી પડે કોઈ ડિટેલ્સ; IRCTCની નવી વેબસાઈટમાં 4 મોટા ફેરફાર! ]]></title><link>https://sandesh.com/business/news/new-irctc-website-beta-launched--faster-booking--no-ads</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/new-irctc-website-beta-launched--faster-booking--no-ads</guid><pubDate>Fri, 10 Jul 2026 16:08:49 +05:30</pubDate><description><![CDATA[<p>ટ્રેન ટિકિટ બુક કરાવવાની મુશ્કેલીઓ ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે. ભારતીય રેલ્વે નવી IRCTC વેબસાઇટના બીટા વર્ઝનને લોન્ચ કરવાની તૈયારી કરી રહી હોવાથી ગ્રાહકોને હવે ધીમી વેબસાઇટ્સ, મૂંઝવણભર્યા CAPTCHA અથવા વારંવાર આવતા પોપ-અપ્સનો સામનો કરવો પડશે નહીં. તાજેતરમાં, MNIT જયપુરના રેલ્વે અધિકારીઓ અને વિદ્યાર્થીઓએ બીટા વર્ઝનની સમીક્ષા કરી અને તેમના પ્રતિભાવ શેર કર્યા. થોડા અઠવાડિયા પહેલા MNIT ના વિદ્યાર્થીઓએ વર્તમાન IRCTC વેબસાઇટમાં ઘણી તકનીકી ખામીઓ જણાવી હતી. જેના કારણે રેલ્વે મંત્રાલયે 15 જુલાઈ સુધીમાં સાઇટના યુઝર ઇન્ટરફેસ અને પરફોર્મસમાં નોંધપાત્ર સુધારાની વાત કહી હતી.</p><p><br></p><h2><b>બીટા વર્ઝનમાં 4 મુખ્ય ફેરફારો</b></h2><p>ફેરફારો અંગે બુકિંગ પ્રક્રિયા દરમિયાન આકર્ષક અથવા પરેશાન કરનારા ગ્રાફિક્સ ધરાવતી જાહેરાતો હવે દેખાશે નહીં. લોગિન પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે CAPTCHA ને સરળ અને ટૂંકા કરવામાં આવ્યા છે.&nbsp;</p><p>મુસાફરોને હવે સીટની ઉપલબ્ધતા તપાસવા માટે વ્યક્તિગત વર્ગો - જેમ કે Sleeper, 3AC, અથવા 2AC - પર ક્લિક કરવાની જરૂર રહેશે નહીં; બધા વર્ગોમાં સીટની ઉપલબ્ધતા એક જ સ્ક્રીન પર એક સાથે જોવા મળશે.&nbsp;</p><p>ટિકિટ બુકિંગ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવામાં આવી છે, એટલે કે ટિકિટ હવે પહેલા કરતા ઘણા ઓછા સ્ટેપમાં બુક કરી શકાય છે.</p><p>પહેલાં, મુસાફરોને દરેક બુકિંગ માટે તેમની સંપૂર્ણ વિગતો ફરીથી દાખલ કરવી પડતી હતી. હવે મુસાફરોની માહિતી સાચવવામાં આવશે, જેનાથી વારંવાર વિગતો ભરવાની જરૂરત પડશે નહીં.</p><p><br></p><h3><b>40 વર્ષ જૂની સિસ્ટમ થશે અપગ્રેડ&nbsp;</b></h3><p>આ ફક્ત નાના ફેરફારો નથી; રેલ્વે તેના સમગ્ર માળખાગત સુવિધાઓમાં સુધારો કરી રહ્યું છે. નવી વેબસાઇટ હાલમાં ભારતીય રેલ્વેની પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ સાથે સંકલિત થઈ રહી છે. લગભગ 40 વર્ષ જૂની આ રિઝર્વેશન સિસ્ટમ સંપૂર્ણ અપગ્રેડમાંથી પસાર થઈ રહી છે. વધુમાં, રેલ્વે એક નવું પેસેન્જર રિઝર્વેશન એન્જિન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ આખા અપગ્રેડેશન પછી નવી વેબસાઇટ આગામી મહિનાઓમાં લાઇવ થશે. જે ટિકિટ બુકિંગની ગતિમાં નોંધપાત્ર વધારો કરશે.&nbsp;</p><p><br></p><h4><b>છેતરપિંડીવાળા ઓટોમેટિક બુકિંગ પર લાગશે લગામ</b></h4><p>રેલ્વે મંત્રાલયના જણાવ્યા અનુસાર, તત્કાલ ટિકિટના રિઝર્વેશન દરમિયાન છેતરપિંડીવાળા ઓટોમેટેડ બુકિંગને રોકવા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે તત્કાલ ટિકિટ બુકિંગ સાથે સંકળાયેલી ગેરરીતિઓ નોંધપાત્ર રીતે કાબુમાં આવશે. લાગુ કરાયેલા પગલાંથી તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયાને પહેલા કરતાં વધુ મજબૂત બનાવી છે.</p><p><br></p><p>આ પણ વાંચો:&nbsp; <a href="https://sandesh.com/lifestyle/news/health-fitness/natural-mosquito-repellent-plants-for-monsoon--tulsi--pudina--genda" target="_blank"><b>Health Tips: મચ્છર કરડવાથી હાલત થઈ ગઈ છે ખરાબ? ઘરમાં વાવો આ 3 છોડ, આસપાસ પણ નહીં ભટકે</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/z6Qy24BU7mlpZn1pIvPdWPNVlvB3Yx8rt635jCi1.webp'/></item></channel></rss>