<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[વાંચો બપોરે 12થી 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/read-important-news-from-12-pm-to-03-pm-19-june-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/read-important-news-from-12-pm-to-03-pm-19-june-2026</guid><pubDate>Fri, 19 Jun 2026 14:55:46 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/world/news/west-asia-tension-israel-lebanon-war-hibzullah-iran-us-islamabad-mou-tension" target="_blank">1. West Asia Tension: ઇઝરાયેલે અમેરિકા-ઈરાનના 'ઇસ્લામાબાદ કરાર'ને ફગાવ્યો, લેબનોન પર ભીષણ હુમલામાં 18નાં મોત</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/crime/surat/sog-police-seized-hybrid-ganja-worth-17-lakhs-from-adajan-diamond-worker-arrested" target="_blank">2. Surat: SOG પોલીસે અડાજણમાંથી 17.39 લાખનો હાઇબ્રીડ ગાંજો ઝડપ્યો, હીરા ઘસતો રત્નકલાકાર એરેસ્ટ</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/entertainment/news/shraddha-kapoor-eetha-movie-teaser-viral-new-avatar" target="_blank">3. Shraddha Kapoorનો આવો ખતરનાક અવતાર પહેલાં ક્યારેય નહીં જોયો હોય, ઈથાના ટીઝરે મચાવી ધૂમ!</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-weather-update-heavy-rain-forecast-9-districts-yellow-alert" target="_blank">4. Weather Update : સાચવજો,સાંજના 4 વાગ્યા સુધી મધ્ય ગુજરાત સહિતના આ 9 જિલ્લાઓમાં 'યલો એલર્ટ' જાહેર</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/-political-news/brics-news-global-diplomacy-forum-to-be-held-in-delhi-india-to-meet-with-3-enemies-of-america" target="_blank">5. BRICS News: દિલ્હીમાં જામશે ગ્લોબલ કૂટનીતિનો મંચ, અમેરિકાના 3 'દુશ્મન' સાથે ભારત કરશે બેઠક</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/palanpur/palanpur-banaskantha-civil-hospital-mongoose-bite-rabies-death-rajasthan-woman" target="_blank">6. Palanpur-Banaskantha : નોળિયો કરડ્યા બાદ રસીનો માત્ર એક જ ડોઝ લેવો ભારે પડ્યો,હડકવાના લક્ષણો દેખાતાં મહિલાનું કરુણ મોત</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/world/news/social-media-banned-for-children-under-15-in-uae" target="_blank">7. UAEમાં 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/world/news/japan-massive-fire-breaks-out-at-tokyo-elementary-school-10-injured-330-children-rescued" target="_blank">8. Japan: ટોક્યોની પ્રાથમિક શાળામાં ભીષણ આગ, 10 ઘાયલ, 330 બાળકોને બચાવાયા</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/crime/gondal/daiya-wife-and-lover-attack-husband-juned-kabir-dies-case-turned-into-murder" target="_blank">9. Gondal: પ્રેમમાં આંધળી બનેલી પત્નીએ જ ઉજ્જડ કર્યો પોતાનો સુહાગ, LCB પોલીસે હત્યારાને દબોચ્યા</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/business/news/world/pakistan-bangladesh-upset-by-india-uk-deal-indian-goods-will-dominate-british-markets" target="_blank">10. India-UK ડીલથી પાકિસ્તાન-બાંગ્લાદેશ હેરાન, બ્રિટિશની બજારોમાં છવાશે ભારતનો સામાન</a>&nbsp;</b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/19/MYrwbelEDPGafvjKUdBsVVX0UKgmmeFyEWQc3pvn.webp'/></item><item><title><![CDATA[Surat: SOG પોલીસે અડાજણમાંથી 17.39 લાખનો હાઇબ્રીડ ગાંજો ઝડપ્યો, હીરા ઘસતો રત્નકલાકાર એરેસ્ટ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/sog-police-seized-hybrid-ganja-worth-17-lakhs-from-adajan-diamond-worker-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/sog-police-seized-hybrid-ganja-worth-17-lakhs-from-adajan-diamond-worker-arrested</guid><pubDate>Fri, 19 Jun 2026 14:30:15 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત શહેરને ડ્રગ્સ મુક્ત કરવાના અભિયાન અંતર્ગત સુરત પોલીસ કમિશનરની કડક સૂચના બાદ SOGની ટીમ સતત સક્રિય છે. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે અડાજણ વિસ્તારમાં પ્રતિબંધિત મોંઘા ડ્રગ્સ અને વિદેશી ગાંજાની હેરફેર થઈ રહી છે. બાતમીના આધારે SOGના પી.આઈ. અને તેમની ટીમે અડાજણના ચોક્કસ લોકેશન પર વોચ ગોઠવીને દરોડો પાડ્યો હતો. આ ઓપરેશન દરમિયાન શંકાસ્પદ હાલતમાં મળી આવેલા રવિ મારવણીયા નામના યુવકની તલાશી લેતા તેની પાસેથી લાખો રૂપિયાનો વિદેશી હાઇબ્રીડ ગાંજો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.</p><h2><b>રત્નકલાકારની આડમાં ચાલતું હતું ડ્રગ્સનું નેટવર્ક</b></h2><p>પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, પકડાયેલો આરોપી રવિ મારવણીયા મૂળ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલો રત્નકલાકાર છે. હીરાના વ્યવસાયની આડમાં તે રાતોરાત અમીર બની જવાના ચક્કરમાં કેફી પદાર્થોના વેપાર તરફ વળ્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે. પોલીસે તેની પાસેથી જે ગાંજો જપ્ત કર્યો છે, તેનું વજન અને આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂ. 17.39 લાખ આંકવામાં આવી છે. આ ગાંજો સામાન્ય ભારતીય ગાંજો નથી, પરંતુ લેબોરેટરીમાં ખાસ ટેકનિકથી ઉગાડવામાં આવતો હાઇબ્રીડ ગાંજો છે, જે સામાન્ય રીતે અમેરિકા, થાઈલેન્ડ કે યુરોપિયન દેશોમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં સ્મગલ કરવામાં આવે છે. આ નશાની કિંમત સામાન્ય ગાંજા કરતા દસ ગણી વધારે હોય છે અને તે મેટ્રો સિટીઝના હાઇ પ્રોફાઇલ કલ્ચરમાં સપ્લાય થતો હોય છે.</p><h3><b>ડ્રગ્સ ક્યાંથી આવ્યું અને કોને આપવાનું હતું?&nbsp;</b></h3><p>શાતિર આરોપી રવિ આ વિદેશી નશાનો જથ્થો સુરતના સ્થાનિક પેડલર્સ અને કોલેજના યુવકો સુધી પહોંચાડે કે મોટી પાર્ટીઓમાં સપ્લાય કરે તે પહેલા જ SOG પોલીસે તેને દબોચી લીધો હતો. આ સફળતા બાદ હવે પોલીસ સમક્ષ સૌથી મોટો સવાલ એ છે કે, સુરતમાં રહેતા એક સામાન્ય રત્નકલાકાર સુધી આટલો મોંઘો અને વિદેશી હાઇબ્રીડ ગાંજો કોણે પહોંચાડ્યો? શું આ નેટવર્ક પાછળ મુંબઈ કે ગોવાના કોઈ મોટા ડ્રગ લોર્ડ્સનો હાથ છે? અથવા તો ડાર્ક વેબ અને કુરિયર સર્વિસ મારફતે આ જથ્થો મંગાવાયો હતો? આ તમામ દિશાઓમાં એસઓજી પોલીસે એન.ડી.પી.એસ. (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીના મોબાઈલ ડેટા અને આર્થિક વ્યવહારોની તપાસ શરૂ કરી દીધી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/crime/dwarka/jam-kalyanpur-visa-fraud-case-30-lakh-cheated-by-vadodara-agents" target="_blank">આ પણ વાંચો: Dwarka: ગોરાણા ગામના યુવક સાથે 30 લાખથી વધુની ઠગાઈ, જામ કલ્યાણપુર પોલીસે વડોદરાની ઠગ ટોળકી સામે આદરી તપાસ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/19/3Nj70ntFsMJXE2gVDMzzYpmB6CVCvqVk6BVKERDp.webp'/></item><item><title><![CDATA[West Bengal Politics : મમતા બેનર્જીને મોટો ઝટકો! પૂર્વ મંત્રી JP મલ્લિકે TMCના તમામ પદો પરથી આપ્યું રાજીનામું! ]]></title><link>https://sandesh.com/india/news/mamata-banerjee-setback-former-minister-jp-mallick-leaves-tmc</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/mamata-banerjee-setback-former-minister-jp-mallick-leaves-tmc</guid><pubDate>Fri, 19 Jun 2026 14:24:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પશ્ચિમ બંગાળના પૂર્વ મંત્રી જ્યોતિ પ્રિયા મલ્લિકે શુક્રવારે જાહેરાત કરી કે તેમણે ખરાબ તબિયતનો હવાલો આપતા TMCના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. પોતાનું રાજીનામું જાહેર કરતા પૂર્વ મંત્રીએ કહ્યું કે તેમણે પાર્ટી નેતૃત્વને પોતાના નિર્ણય વિશે પહેલાથી જ જણાવી દીધું હતું. તેમણે આગળ કહ્યું કે મેં મારી અત્યંત ખરાબ તબિયતના કારણે TMCના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે.</p><h2 style="text-align: justify; "><b>2011 થી 2021 સુધી રાજ્યના ખાદ્ય અને પુરવઠા મંત્રી રહ્યા મલ્લિક</b></h2><p style="text-align: justify; ">આ ઘટનાક્રમ TMC દ્વારા સંગઠનમાં મોટા ફેરફાર અને મલ્લિકને નવી વર્કિંગ કમિટીમાં સામેલ કરવાના થોડા જ દિવસો બાદ થયો છે. મલ્લિકને મમતા બેનર્જીના ખૂબ જ ખાસ માનવામાં આવતા રહ્યા છે. તેમણે મમતા સરકારમાં એક દાયકા સુધી મહત્વના મંત્રાલયો સંભાળ્યા. મલ્લિક 2011 થી 2021 સુધી રાજ્યના ખાદ્ય અને પુરવઠા મંત્રી રહ્યા હતા.</p><h3 style="text-align: justify; "><b>ED ની ધરપકડથી લાગ્યો રાજકીય ઝટકો</b></h3><p style="text-align: justify; ">જો કે એવું નથી રહ્યું કે મલ્લિકને ક્યારેય મુશ્કેલીઓનો સામનો ન કરવો પડ્યો હોય. ઓક્ટોબર 2023 માં કથિત રાશન વિતરણ કૌભાંડના સિલસિલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ તેમના રાજકીય કરિયરને મોટો ઝટકો લાગ્યો હતો. ધરપકડ બાદ મલ્લિકે વારંવાર સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો હવાલો આપ્યો અને કસ્ટડીમાં રહેતા તબીબી તપાસ કરાવી. હવે તેમના રાજીનામા બાદથી જ ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/cricket/news/harshit-rana-added-india-squad-3rd-odi-vs-afghanistan" target="_blank">આ પણ વાંચો-BCCI એ અચાનક કરી મોટી જાહેરાત, ભારત-અફઘાનિસ્તાન સીરિઝમાં હર્ષિત રાણાની એન્ટ્રી</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/19/zuccEcK9hNel1M2iCTQtWMb7Xk9egtQZnHXGSqwv.webp'/></item><item><title><![CDATA[Young TV Actors : કોઈ 19માં તો કોઈ 24માં વર્ષે ચાલ્યા ગયા, આ ટીવી સ્ટાર્સની અકાળે મોતે સૌને રડાવ્યા! ]]></title><link>https://sandesh.com/entertainment/news/tv-stars-who-died-young-pratyusha-banerjee-sanchita-ugle</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/tv-stars-who-died-young-pratyusha-banerjee-sanchita-ugle</guid><pubDate>Fri, 19 Jun 2026 14:08:35 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ટીવી એક્ટ્રેસ સંચિતા ઉગલેના મોતના સમાચારે બધાને હેરાન કરી દીધા છે. સંચિતા ઉગલે સિવાય એવા ઘણા એક્ટર્સ છે, જે નાની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી ગયા. તેમનું જવું પ્રશંસકો માટે કોઈ મોટા સદમાથી કમ રહ્યું નથી. ગ્લેમર અને સફળતાની વચ્ચે આ સિતારાઓના અચાનક મોતે ઇન્ડસ્ટ્રીને પણ હચમચાવી દીધી. સંચિતા ઉગલેથી લઈને તુનિષા શર્મા સુધી, એવા ઘણા નામ છે જેમની યાદો આજે પણ દર્શકોના દિલમાં જીવંત છે.</p><p style="text-align: justify; "><h2><b>સંચિતા ઉગલે</b></h2><img title="Tunisha Sharma, Pratyusha Banerjee (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/06/19/7rLO4kFjHeVEC3iMYG9EuZ9cSI1ZvzSbJZFqJNkL.webp"><b><br></b></p><p style="text-align: justify; ">કુમકુમ ભાગ્ય ફેમ એક્ટ્રેસ સંચિતા ઉગલેએ 14 જૂનના રોજ ફાંસી લગાવીને સુસાઇડ કરી લીધું. તેમના અચાનક મોતના સમાચારે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. ઘણા ટીવી સેલેબ્સે પણ સંચિતાના મોતથી સદમામાં છે. તેમના પરિવાર અને મિત્રોનો આરોપ છે કે તેઓ છેલ્લા કેટલાક સમયથી કામના પ્રેશર અને ડિપ્રેશનનો સામનો કરી રહ્યા હતા.<br><img title="Tunisha Sharma, Pratyusha Banerjee (2)" src="https://epapercdn.sandesh.com/images/2026/06/19/BnDvAtEfrtzE3rvpWm0ExMMwTIOdGgVwd2bQptOU.webp"><br></p><h3 style="text-align: justify; "><b>તુનિષા શર્મા</b></h3><p style="text-align: justify; ">તુનિષા શર્માના મોતે બધાને હેરાન કરી દીધા હતા. 20 વર્ષની ઉંમરે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું હતું. તેમનું નિધન વર્ષ 2022 માં તેમના ટીવી શો 'અલી બાબા - દાસ્તાન-એ-કાબુલ' ના સેટ પર થયું હતું. તેમને સુસાઈડ કર્યું હતું.<br><img title="Tunisha Sharma, Pratyusha Banerjee (3)" src="https://epapercdn.sandesh.com/images/2026/06/19/EYgDtZdEpx250DtQb4jkmC424WnWfhikvcHFyPk3.webp"><br></p><h3 style="text-align: justify; "><b>નિતિન ચૌહાણ</b></h3><p style="text-align: justify; ">'દાદાગીરી 2' ના વિનર નિતિન ચૌહાણનું નિધન નવેમ્બર 2024 માં થયું હતું. 35 વર્ષની ઉંમરે તેમણે સુસાઇડ કરી લીધું હતું. તેમના મોતે પ્રશંસકોને ચોંકાવી દીધા હતા.<br><img title="Tunisha Sharma, Pratyusha Banerjee (4)" src="https://epapercdn.sandesh.com/images/2026/06/19/Il54mRKOlThWdS2rJvYhz2y61oIEPCzBH4NFOup5.webp"><br></p><h3 style="text-align: justify; "><b>વૈશાલી ઠક્કર</b></h3><p style="text-align: justify; ">ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરનું નિધન 16 ઓક્ટોબર 2022 ના રોજ થયું હતું. 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' અને 'સસુરાલ સિમર કા' જેવા શોઝમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ ઇન્દોર સ્થિત પોતાના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી.<br><img title="Tunisha Sharma, Pratyusha Banerjee (5)" src="https://epapercdn.sandesh.com/images/2026/06/19/V31od4HQyOYnwt4ztLqVBCe0vCIhA4AVClLJDq2x.webp"><br></p><h4 style="text-align: justify; "><b>મનમીત ગ્રેવાલ</b></h4><p style="text-align: justify; ">એક્ટર મનમીત ગ્રેવાલનું મે 2020 માં 32 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું હતું. કોવિડ દરમિયાન તેમણે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.<br><img title="Tunisha Sharma, Pratyusha Banerjee (6)" src="https://epapercdn.sandesh.com/images/2026/06/19/73Vs9rejgVgGMGvJRTEEeq2dfoR4YLYjRGrO57Vl.webp"><br></p><h3 style="text-align: justify; "><b>સમીર શર્મા</b></h3><p style="text-align: justify; ">સમીર શર્માના નિધને બધાને હેરાન કરી દીધા હતા. 44 વર્ષની ઉંમરે તેઓ દુનિયાને અલવિદા કહી ગયા. વર્ષ 2020 માં તેઓ મુંબઈ સ્થિત પોતાના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમણે 'કહાની ઘર ઘર કી', 'ક્યોંકી સાસ ભી કભી બહૂ થી' અને 'યે રિશ્તે હૈ પ્યાર કે' જેવા શોઝમાં કામ કર્યું હતું.<br><img title="Tunisha Sharma, Pratyusha Banerjee (7)" src="https://epapercdn.sandesh.com/images/2026/06/19/tvc6id5iyad8NJ6QMFua73nVvUj82psGCpZS4tsg.webp"><br></p><h3 style="text-align: justify; "><b>પ્રત્યુષા બેનર્જી</b></h3><p style="text-align: justify; ">ટીવી શો 'બાલિકા વધૂ' માં આનંદીનો રોલ ભજવનારી એક્ટ્રેસ પ્રત્યુષા બેનર્જીનું એપ્રિલ 2016 માં કથિત રીતે આત્મહત્યાથી મોત થયું હતું. તેઓ મુંબઈના ગોરેગાંવ સ્થિત પોતાના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.<br><img title="Tunisha Sharma, Pratyusha Banerjee (8)" src="https://epapercdn.sandesh.com/images/2026/06/19/NuDLaShcHTO6MWVnDqPsYGmKuuKhXSjyA4V2SWfF.webp"><br></p><h4 style="text-align: justify; "><b>કુશલ પંજાબી</b></h4><p style="text-align: justify; ">કુશલ પંજાબીએ 42 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું. 'ઇશ્ક મેં મરજાવાં' અને 'કસોટી જિંદગી કી' જેવા શોમાં કામ કરનારા એક્ટરનું 2019 માં નિધન થઈ ગયું. તેમના મૃત્યુનું કારણ સુસાઇડ જણાવવામાં આવ્યું હતું.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/shraddha-kapoor-eetha-movie-teaser-viral-new-avatar" target="_blank">આ પણ વાંચો-Shraddha Kapoorનો આવો ખતરનાક અવતાર પહેલાં ક્યારેય નહીં જોયો હોય, ઈથાના ટીઝરે મચાવી ધૂમ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/19/s7R2WPSjveNWzVNxEe5Cnx1PmwEEzklm2UZl6I0r.webp'/></item><item><title><![CDATA[Weather Update : સાચવજો,સાંજના 4 વાગ્યા સુધી મધ્ય ગુજરાત સહિતના આ 9 જિલ્લાઓમાં 'યલો એલર્ટ' જાહેર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-weather-update-heavy-rain-forecast-9-districts-yellow-alert</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-weather-update-heavy-rain-forecast-9-districts-yellow-alert</guid><pubDate>Fri, 19 Jun 2026 13:47:39 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હવામાન વિભાગ દ્વારા રાજ્યના નાગરિકો અને ખેડૂતો માટે મહત્વનું નાઉ કાસ્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગની તાજી આગાહી અનુસાર, આજે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળશે. ખાસ કરીને આજે સાંજના 4 વાગ્યા સુધીના સમયગાળા માટે રાજ્યના જુદા-જુદા ૯ જિલ્લાઓમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેને પગલે આ તમામ વિસ્તારોમાં સત્તાવાર રીતે 'યલો એલર્ટ' જાહેર કરી દેવાયું છે.</p><h2 style="text-align: justify; "><b>અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ 
</b></h2><p style="text-align: justify; ">જો જિલ્લાવાર વિગતો પર નજર કરીએ તો, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના બે પ્રમુખ જિલ્લાઓ અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 
</p><h3 style="text-align: justify; "><b>મધ્ય અને પૂર્વ ગુજરાતના પંથકોમાં પણ મેઘરાજા જોર પકડશે
</b></h3><p style="text-align: justify; ">આ ઉપરાંત મધ્ય અને પૂર્વ ગુજરાતના પંથકોમાં પણ મેઘરાજા જોર પકડશે, જેમાં મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લાનો સમાવેશ થાય છે. આ પટ્ટામાં પણ વહીવટી તંત્રને સાબદું રહેવા અને લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.
</p><h4 style="text-align: justify; "><b>છોટાઉદેપુર, વડોદરા અને ભરૂચ જિલ્લામાં વરસાદ
</b></h4><p style="text-align: justify; ">દક્ષિણ અને મધ્ય ગુજરાતના અન્ય વિસ્તારોની વાત કરીએ તો, છોટાઉદેપુર, વડોદરા અને ભરૂચ જિલ્લામાં પણ સાંજના 4 વાગ્યા સુધી વરસાદનું યલો એલર્ટ રહેશે
</p><h5 style="text-align: justify; "><b>આણંદ જિલ્લામાં પણ કાળાડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ 
</b></h5><p style="text-align: justify; ">આ સાથે ચરોતર પંથકના આણંદ જિલ્લામાં પણ કાળાડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ તૂટી પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અગમચેતીના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવા અને સામાન્ય લોકોને વીજળીના થાંભલા કે મોટા વૃક્ષો નીચે આશ્રય ન લેવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">
</p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-gujarat-latest-news-live-and-samachar-19-june-2026-politics-weather-updates-daily-breaking-news-nation" target="_blank"><b> Gujarat Latest News Live :ભારત માટે રાહત, હોર્મુઝ પાર કરીને LNG જહાજ ગુજરાત પહોંચ્યું</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/19/balODV1gh2JYiFbiJ6mZIsjlOYS0rP6emA0FoWMn.webp'/></item><item><title><![CDATA[BRICS News: દિલ્હીમાં જામશે ગ્લોબલ કૂટનીતિનો મંચ, અમેરિકાના 3 'દુશ્મન' સાથે ભારત કરશે બેઠક ]]></title><link>https://sandesh.com/india/news/-political-news/brics-news-global-diplomacy-forum-to-be-held-in-delhi-india-to-meet-with-3-enemies-of-america</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/-political-news/brics-news-global-diplomacy-forum-to-be-held-in-delhi-india-to-meet-with-3-enemies-of-america</guid><pubDate>Fri, 19 Jun 2026 13:45:39 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક ભારતની રાજધાનીમાં યોજાશે.&nbsp;&nbsp;</p><h2 style="text-align: justify; ">ચીન, રશિયા અને ઈરાન સાથે ભારત કરશે મંથન</h2><p style="text-align: justify; ">પ્રથમ નજરે, તે એક સરળ બહુપક્ષીય બેઠક જેવું લાગે છે. પરંતુ તેના સમય અને ભાગ લેનારા દેશોને ધ્યાનમાં લેતા, ચિત્ર ઘણું મોટું બને છે. ચીન, રશિયા અને ઈરાનના ટોચના પ્રતિનિધિઓ દિલ્હી આવશે. આ ત્રણ દેશોના યુનાઇટેડ સ્ટેટ્સ સાથે અત્યંત તણાવપૂર્ણ સંબંધો છે. આ બેઠક ડોનાલ્ડ ટ્રમ્પને ચિંતિત કરશે. વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે, ભારત એક જ ટેબલ પર ચીન, રશિયા અને ઈરાનનો સામનો કરશે. આનો અર્થ એ છે કે, અમેરિકાના ત્રણ દુશ્મનો ભારતમાં એકત્ર થશે. ભારત આ બેઠકનું નેતૃત્વ કરશે.&nbsp;</p><h3 style="text-align: justify; ">ડોનાલ્ડ ટ્રમ્પની વધી ચિંતા!</h3><p style="text-align: justify; ">હકીકતમાં, પશ્ચિમ એશિયામાં તણાવ ચાલુ છે. રશિયા-ક્રોએશિયા યુદ્ધ ચાલુ છે. અમેરિકા અને ચીન વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે. ભારત પણ પોતાનો વૈશ્વિક પ્રભાવ વધારી રહ્યું છે. તે અમેરિકા અને પશ્ચિમના વર્ચસ્વને તોડવા માટે નવા સંતુલનનો પ્રયાસ કરી રહ્યું છે. આવા વાતાવરણમાં, દિલ્હીમાં બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. આ બ્રિક્સ બેઠક માત્ર એક ઔપચારિક ઘટના નથી, પરંતુ બદલાતી વૈશ્વિક રાજનીતિનું મુખ્ય સૂચક માનવામાં આવી રહી છે. આ બેઠક બ્રિક્સના NSAની છે. તે જ બ્રિક્સ ફોરમ જેને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર નિશાન બનાવી ચૂક્યા છે.</p><h4 style="text-align: justify; ">બેઠક કેમ છે ખાસ ?</h4><p style="text-align: justify; ">&nbsp;આ બેઠક 22-23 જૂને નવી દિલ્હીમાં યોજાવાની છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યી, રશિયન સુરક્ષા પરિષદના અધ્યક્ષ સેરગેઈ શોઇગુ અને ઈરાનના સુપ્રીમ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના ઉપસચિવ નેજામીપુર ભાગ લેશે. ભારત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ દ્વારા યજમાનપદ સંભાળશે. આ બેઠકનું મહત્વ ફક્ત ઘણા મુખ્ય દેશોની ભાગીદારીમાં જ નથી. હકીકત એ છે કે BRICS વિશ્વમાં પશ્ચિમી વર્ચસ્વને પડકારતા સૌથી મોટા મંચોમાંનું એક બન્યુ છે. આ જ કારણ છે કે યુનાઇટેડ સ્ટેટ્સ અને ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પે સતત આ જૂથ વિશે ચિંતા વ્યક્ત કરી છે.</p><h5 style="text-align: justify; ">BRICSમાં કોનો સમાવેશ ?</h5><p style="text-align: justify; ">BRICSમાં હવે ફક્ત બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા જ નહીં, પરંતુ ઈરાન, સાઉદી અરેબિયા, UAE, ઇજિપ્ત, ઇથોપિયા અને ઇન્ડોનેશિયા જેવા દેશોનો પણ સમાવેશ થાય છે. આ વિસ્તરણથી તેની આર્થિક અને રાજકીય શક્તિમાં નોંધપાત્ર વધારો થયો છે. વધુમાં, ભારત આ વર્ષે BRICS જૂથનું ફરતું પ્રમુખપદ ધરાવે છે. તેના સભ્યોમાં બ્રાઝિલ, ચીન, ઇજિપ્ત, ઇથોપિયા, ભારત, ઇન્ડોનેશિયા, ઈરાન, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા અને સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થાય છે.</p><h6 style="text-align: justify; ">ભારત-ચીનની બેઠક&nbsp;</h6><p style="text-align: justify; ">ચીનના વિદેશ મંત્રી વાંગ યી આ મુલાકાત દરમિયાન NSA અજિત ડોભાલ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરે તેવી અપેક્ષા છે. ગયા મહિને વાંગ બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠકમાં હાજરી આપી શક્યા ન હતા કારણ કે તેમને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત દરમિયાન બેઇજિંગમાં રોકાવાનું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ વાંગની મુલાકાત એ પણ સૂચવે છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 12-13 સપ્ટેમ્બરના રોજ બ્રિક્સ નેતાઓના સમિટ માટે ભારતની મુલાકાત લે તેવી શક્યતા છે. રશિયાએ પહેલાથી જ જાહેરાત કરી છે કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બેઠકમાં હાજરી આપશે.</p><h2 style="text-align: justify; ">ટ્રમ્પ બ્રિક્સથી કેમ અસ્વસ્થ ?</h2><p style="text-align: justify; ">ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ બ્રિક્સ દેશો દ્વારા પોતાનું ચલણ બનાવવા અને ડોલરને પડકારવાના પ્રયાસોની ટીકા કરી છે. તેમનું માનવું છે કે તેઓ ડોલર પરની તેમની નિર્ભરતા ઘટાડવા અને વૈશ્વિક સંસ્થાઓમાં પશ્ચિમી દેશોના પ્રભાવને ઘટાડવાનો પ્રયાસ કરશે. જોકે, બ્રિક્સ ચલણ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર અપડેટ નથી. પરંતુ ચીન અને રશિયા લાંબા સમયથી એક વૈશ્વિક વ્યવસ્થાની હિમાયત કરી રહ્યા છે જે યુએસ પ્રભાવ ઘટાડે છે. દરમિયાન, ઈરાન યુએસ પ્રતિબંધોનો સામનો કરી રહ્યું છે. તેથી, જ્યારે ચીન, રશિયા અને ઈરાન જેવા દેશો એક જ પ્લેટફોર્મ પર ભેગા થાય છે, ત્યારે તેને યુએસ માટે વ્યૂહાત્મક સંદેશ તરીકે જોવામાં આવશે.</p><h3 style="text-align: justify; ">ભારતનો શું છે સંદેશ ?</h3><p style="text-align: justify; ">દિલ્હીમાં આ બેઠક ભારતની સ્વતંત્ર વિદેશ નીતિ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ભારત અમેરિકા સાથે મજબૂત સંબંધો જાળવી રાખે છે, પરંતુ તે BRICS, SCO અને અન્ય બહુપક્ષીય મંચો દ્વારા ચીન, રશિયા અને ઈરાન જેવા દેશો સાથે પણ વાતચીત જાળવી રાખે છે. ભારત આ વર્ષે BRICSનું અધ્યક્ષપદ સંભાળી રહ્યું છે. તેથી, આ બેઠક સપ્ટેમ્બરમાં યોજાનારી BRICS સમિટ માટે સેમિફાઇનલ માનવામાં આવે છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ 12-13 સપ્ટેમ્બરના રોજ યોજાનારી આ સમિટ માટે ભારતની મુલાકાત લે તેવી અપેક્ષા છે.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/india/news/mumbai-news-court-grants-bail-to-rape-accused-for-neet-re-examination-victim-gives-conditional-permission" target="_blank">કોર્ટે NEET પુનઃપરીક્ષા માટે દુષ્કર્મના આરોપીને આપ્યા જામીન, પીડિતાએ જ આપી શરતી મંજૂરી</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/19/IvgIHGVoTHsWp1j8bjkmy0vA8aapXWxLPF3451ke.webp'/></item><item><title><![CDATA[Palanpur-Banaskantha : નોળિયો કરડ્યા બાદ રસીનો માત્ર એક જ ડોઝ લેવો ભારે પડ્યો,હડકવાના લક્ષણો દેખાતાં મહિલાનું કરુણ મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/palanpur/palanpur-banaskantha-civil-hospital-mongoose-bite-rabies-death-rajasthan-woman</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/palanpur/palanpur-banaskantha-civil-hospital-mongoose-bite-rabies-death-rajasthan-woman</guid><pubDate>Fri, 19 Jun 2026 13:34:41 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરથી એક અત્યંત ચોંકાવનારી અને લોકો માટે લાલબત્તી સમાન ઘટના સામે આવી છે. સામાન્ય રીતે કૂતરા કે બિલાડી કરડવાથી હડકવા થતો હોવાનું આપણે સાંભળ્યું છે, પરંતુ અહીં એક નોળિયો કરડવાના દોઢ મહિના બાદ મહિલામાં હડકવાના ઘાતક લક્ષણો દેખાતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે તબીબી જગતમાં ચકચાર મચી ગઈ છે અને મૃતક મહિલાના પરિવારમાં ભારે શોકનો માહોલ વ્યાપી ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>રાજસ્થાનની મહિલાને દોઢ મહિના પહેલા એક નોળિયો કરડ્યો
</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, મૂળ પાડોશી રાજ્ય રાજસ્થાનની વતની આ મહિલાને આશરે દોઢ મહિના પહેલા એક નોળિયો કરડ્યો હતો. તે સમયે મહિલાએ બેદરકારી દાખવીને હડકવા વિરોધી રસીનો માત્ર એક જ ડોઝ લીધો હતો અને ત્યાર બાદ કોર્સ અધૂરો છોડી દીધો હતો. દોઢ માસનો સમય વીત્યા બાદ અચાનક મહિલાના શરીરમાં હડકવાના ગંભીર અને ભયજનક લક્ષણો દેખાવા લાગ્યા હતા. તબિયત લથડતાં તેમને તાત્કાલિક બનાસકાંઠાની પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.
</p><h3 style="text-align: justify; ">&nbsp;<b>સારવાર દરમિયાન જ મહિલાએ દમ તોડી દીધો 
</b></h3><p style="text-align: justify; ">મહિલામાં હડકવાના ચિહ્નો જણાતાં હોસ્પિટલના તબીબોની ટીમ દ્વારા તાત્કાલિક યુદ્ધના ધોરણે સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી. આ સાથે જ હડકવાના સત્તાવાર પરીક્ષણ માટે મહિલાના જરૂરી સેમ્પલ લઈને લેબોરેટરીમાં રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જોકે, હડકવાના લક્ષણો એકવાર શરીરમાં દેખાયા બાદ દર્દીને બચાવવો અત્યંત મુશ્કેલ બની જાય છે. આ કિસ્સામાં પણ તમામ પ્રયાસો છતાં સારવાર દરમિયાન જ મહિલાએ દમ તોડી દીધો હતો. તબીબો આ ઘટના બાદ લોકોને અપીલ કરી રહ્યા છે કે વન્યજીવ કે કોઈપણ શંકાસ્પદ પ્રાણી કરડે ત્યારે હડકવાની રસીનો સંપૂર્ણ કોર્સ કરવો અનિવાર્ય છે, સહેજ પણ બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-gujarat-latest-news-live-and-samachar-19-june-2026-politics-weather-updates-daily-breaking-news-nation" target="_blank"><b>Gujarat Latest News Live :ભારત માટે રાહત, હોર્મુઝ પાર કરીને LNG જહાજ ગુજરાત પહોંચ્યું</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/19/uaN4Q5ZyLkYINIMPhNlloYR0zOXFwV93ECr3xt6C.webp'/></item><item><title><![CDATA[Manika Batraએ PM મોદી પાસે લગાવી ગુહાર,ટીમ સિલેક્શન સામે ઉઠાવ્યા સવાલ ]]></title><link>https://sandesh.com/sports/news/manika-batra-appeals-to-pm-modi-raises-questions-about-team-selection</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/manika-batra-appeals-to-pm-modi-raises-questions-about-team-selection</guid><pubDate>Fri, 19 Jun 2026 13:06:18 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય ટેબલ ટેનિસ સ્ટાર મનિકા બત્રાએ 2026 એશિયન ગેમ્સ માટે જાહેર કરાયેલી મહિલા ટીમમાં પસંદગી ન થવા પર નિરાશા વ્યક્ત કરી છે. તેણીએ પસંદગી પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા હતા અને સ્પષ્ટ જવાબ માંગ્યો હતો.મનિકાને ટીમમાં સામેલ કરવામાં આવી ન હતી અને તેને સ્વસ્તિકા ઘોષ સાથે રિઝર્વ ખેલાડી તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. તેણીનો દાવો છે કે સ્થાનિક ટુર્નામેન્ટમાં તેની ગેરહાજરીને કારણે તે ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા (TTFI) ના રાષ્ટ્રીય રેન્કિંગમાં સ્થાન મેળવી શકી ન હતી, જેના કારણે તેની પસંદગી પર અસર પડી હતી.</p><h4><b>મણિકા બત્રાએ પસંદગી ન થવા અંગે પ્રશ્ન ઉઠાવ્યો&nbsp;</b></h4><p>માનિકા વિશ્વ રેન્કિંગમાં ભારતની નંબર બે મહિલા ખેલાડી છે અને આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ફેડરેશન (ITTF) રેન્કિંગમાં 51મા ક્રમે છે. તેનાથી ઉપર, વિશ્વ ક્રમાંક 45 પર, દેશની નંબર એક ખેલાડી શ્રીજા અકુલા છે. મણિકાએ જણાવ્યું હતું કે તે વિશ્વ રેન્કિંગમાં ટોચના 50 ની બહાર છે, અને આ અંતર ખૂબ જ નાનું છે. આ પરિસ્થિતિ રેન્કિંગ ચક્રમાં બદલાઈ શકે છે. પોતાના નિવેદનમાં, મનિકાએ જણાવ્યું હતું કે પસંદગીના માપદંડો કેવી રીતે લાગુ કરવામાં આવ્યા તે અંગે તેમને સ્પષ્ટ માહિતી આપવામાં આવી ન હતી. અગાઉના એશિયન ગેમ્સની પસંદગીનો ઉલ્લેખ કરીને, તેમણે પ્રશ્ન કર્યો હતો કે કેટલાક ખેલાડીઓને તેમના નબળા વિશ્વ અને રાષ્ટ્રીય રેન્કિંગ હોવા છતાં ખાસ છૂટ કેમ આપવામાં આવી હતી.</p><h5><b>માનિકાએ PM મોદીને સમગ્ર પ્રક્રિયાની તપાસ કરવા અપીલ કરી&nbsp;</b></h5><p>માનિકાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રમતગમત મંત્રી મનસુખ માંડવિયા અને ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) ને આ મામલે હસ્તક્ષેપ કરવા અને સમગ્ર પ્રક્રિયાની તપાસ કરવા અપીલ કરી છે. તેમણે પસંદગીના માપદંડ, વજન અને દસ્તાવેજી પુરાવા સહિત લેખિત સમજૂતીની માંગ કરી છે. મણિકા બત્રા ભારતીય ટેબલ ટેનિસમાં સ્ટાર ખેલાડી છે. તેણીએ ભારત માટે અનેક મેડલ જીત્યા છે.</p><p><a href="https://x.com/manikabatra_TT/status/2067821768501522749?s=20" target="_blank">https://x.com/manikabatra_TT/status/2067821768501522749?s=20</a></p><p><br></p><h5><b>TTFIએ પસંદગી ન થવાનું કારણ સમજાવ્યું</b></h5><p>બીજી બાજુ, TTFI એ જણાવ્યું કે 2023 ની નીતિ અનુસાર, 50 ટકા ભાર રાષ્ટ્રીય રેન્કિંગને, 40 ટકા વિશ્વ રેન્કિંગને અને 10 ટકા પસંદગી સમિતિના વિવેકબુદ્ધિને આપવામાં આવે છે. ફેડરેશનનો દાવો છે કે શ્રેષ્ઠ અને સૌથી સુસંગત ખેલાડીઓને પ્રાથમિકતા આપવામાં આવી હતી. પરિણામે, મનિકા બત્રાને ટીમમાં પસંદ કરવામાં આવી ન હતી.</p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/canadas-player-ismail-kon-suffered-a-serious-injury-was-taken-off-the-field-on-a-stretcher-watch-video" target="_blank"> Canadaના પ્લેયર ઇસ્માઇલ કોનને થઈ ગંભીર ઇજા, સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવાયો,જુઓ Video</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/19/XMFgPWZSQ2rLg2FX4Zrkuksv4uqGDSdyT7Bwon6d.webp'/></item><item><title><![CDATA[Waghodia Vadodara : પહેલા જ વરસાદે ખોલી પોલ, અંટોલી રોડ પર નવા નાળામાં તિરાડો, ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરવા માગ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/vaghodia-ina/waghodia-vadodara-antoli-road-pothole-st-bus-stuck-mud-pwd-corruption</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/vaghodia-ina/waghodia-vadodara-antoli-road-pothole-st-bus-stuck-mud-pwd-corruption</guid><pubDate>Fri, 19 Jun 2026 12:49:39 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા જિલ્લાના વાઘોડિયા સહિત સમગ્ર તાલુકામાં રાત્રિ દરમિયાન પડેલા વરસાદે માર્ગ મકાન વિભાગ અને કોન્ટ્રાક્ટરની કામગીરીના ધજાગરા ઉડાવી દીધા છે. વાઘોડિયાના રામેશ્વરપુરાથી અંટોલી જવાના મુખ્ય રોડ પર  માર્ગ મકાન વિભાગ  દ્વારા તાજેતરમાં જ ત્રણથી વધુ નવીન નાળાઓ બનાવવામાં આવ્યા હતા. પરંતુ, કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીના કારણે આ નાળા અને મુખ્ય રોડનું લેવલિંગ યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી. રોડનું લેવલિંગ લગભગ બે ફૂટ જેટલું નીચું રાખવામાં આવતા પહેલા જ વરસાદમાં અહીં માર્ગ બેસી જવાની ભીતિ સેવાઈ રહી છે.</p><h2 style="text-align: justify; "><b>&nbsp;મોટી માત્રામાં ચીકણી માટી અને કાદવ પથરાઈ ગયો 
</b></h2><p style="text-align: justify; ">વરસાદ પડતાંની સાથે જ નવીન બનેલા નાળાના બંને છેડા પર મોટી માત્રામાં ચીકણી માટી અને કાદવ પથરાઈ ગયો છે. આ ચીકણી માટીના કારણે વહેલી સવારથી જ નોકરી-ધંધે જતા અનેક બાઇક ચાલકો સ્લિપ થઈ જતાં નાના-મોટા અકસ્માતોનો ભોગ બન્યા છે. હદ તો ત્યારે થઈ જ્યારે વહેલી સવારે વાઘોડિયાથી અંટોલી જતી બસ આ કાદવ અને ચીકણી માટીમાં ખરાબ રીતે ફસાઈ ગઈ હતી. બસ ફસાઈ જતાં મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા અને આખરે ગામલોકો તેમજ મુસાફરોએ એકઠા થઈને ભારે જહેમત બાદ બસને ધક્કા મારીને કાદવમાંથી બહાર કાઢવી પડી હતી.
</p><h3 style="text-align: justify; "><b>&nbsp;નાળા પર ઠેર-ઠેર મોટી તિરાડો દેખાવા લાગી
</b></h3><p style="text-align: justify; ">સ્થાનિક ગ્રામજનોનો આક્રોશ છે કે હજુ તો નાળાનું કામ પૂરું થયું છે ત્યાં જ નવીન બનેલા નાળા પર ઠેર-ઠેર મોટી તિરાડો દેખાવા લાગી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે નાળાના નિર્માણમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરીને મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. લેવલિંગના અભાવે અને કાદવના સામ્રાજ્ય વચ્ચેથી પસાર થવું વાહનચાલકો માટે જોખમી બન્યું છે. સ્થાનિકોએ આ મામલે ઉચ્ચ સ્તરે તપાસ કરી ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરવા અને તાત્કાલિક રોડનું સરખું લેવલિંગ કરવા ઉગ્ર માંગ કરી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-gujarat-latest-news-live-and-samachar-19-june-2026-politics-weather-updates-daily-breaking-news-nation#google_vignette" target="_blank"><b>&nbsp;Gujarat Latest News Live :ભારત માટે રાહત, હોર્મુઝ પાર કરીને LNG જહાજ ગુજરાત પહોંચ્યું</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/19/gZVpe00WsqnKIbxpEFGBnax4PPWlPJEov8I8lWz0.webp'/></item><item><title><![CDATA[Stock Market Today: IT સ્ટોક્સમાં ભારે ઘટાડો.. રોકાણકારોના 1.25 લાખ કરોડ સ્વાહા ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-today-huge-fall-in-it-stocks-125-lakh-crores-of-investors-wealth</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-today-huge-fall-in-it-stocks-125-lakh-crores-of-investors-wealth</guid><pubDate>Fri, 19 Jun 2026 12:48:24 +05:30</pubDate><description><![CDATA[<p>શુક્રવાર આઈટી ક્ષેત્રના રોકાણકારો માટે બ્લેક ફ્રાઇડે સાબિત થયો. ભારતની અગ્રણી આઈટી કંપનીઓના શેર પત્તાના મહેલની જેમ તૂટી પડ્યા.&nbsp; ઈન્ફોસિસ, ટીસીએસ અને એચસીએલ ટેક જેવા મુખ્ય, વિશ્વસનીય શેરોમાં ભારે વેચવાલી જોવા મળી. આ ઉથલપાથલનું કારણ ભારતમાં કોઈ સ્થાનિક ઘટના નહોતી, પરંતુ વિશ્વની સૌથી મોટી કન્સલ્ટિંગ ફર્મ એક્સેન્ચરની કડક ચેતવણી હતી.</p><h2><b>કેમ શેર માર્કેટ ડગમગ્યુ ?&nbsp;</b></h2><p> </p><p>એક્સેન્ચરના નબળા દેખાવથી રોકાણકારો હચમચી ગયા, જેના કારણે નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં 6.5%નો ઘટાડો થયો અને માત્ર થોડા કલાકોમાં જ ₹1,25,981 કરોડનું બજાર મૂલ્ય ધોવાઈ ગયું. વૈશ્વિક જાયન્ટ એક્સેન્ચરે તેનો સંપૂર્ણ વર્ષનો આવક વૃદ્ધિનો અંદાજ ઘટાડ્યો. કંપનીએ અગાઉ 3-5% વૃદ્ધિની અપેક્ષા રાખી હતી, જે આંકડો તેણે હવે સુધારીને 3-4% કર્યો છે. તેણે ચોથા ક્વાર્ટર માટે નબળા આંકડા પણ નોંધાવ્યા. શેરબજારો ભવિષ્યની અપેક્ષાઓ પર ખીલે છે; જ્યારે એક્સેન્ચર જેવી મોટી કંપની નવા ઓર્ડર મેળવવામાં મંદી દર્શાવે છે, ત્યારે રોકાણકારોને ડર છે કે ભારતીય IT કંપનીઓના વ્યવસાય પર સીધી નકારાત્મક અસર પડશે. આ આશંકાને કારણે, રોકાણકારો તેમના શેર વેચવા દોડી ગયા.</p><p><b style="font-size: 1.75rem;">ઇન્ફોસિસને સૌથી વધુ ફટકો પડ્યો&nbsp;</b></p><p>આ મોટા પાયે વેચવાલીનો પ્રભાવ વ્યાપક બજાર (નિફ્ટી 50) કરતાં IT ક્ષેત્રમાં વધુ સ્પષ્ટ હતો. જ્યારે વ્યાપક બજારમાં માત્ર 1%નો ઘટાડો થયો, ત્યારે IT શેરોએ એકંદર બજારના સેન્ટિમેન્ટને નીચે ખેંચી લીધું. આ મંદીમાં ઇન્ફોસિસને સૌથી મોટો ફટકો પડ્યો, તેના શેરના ભાવમાં 8.34%નો ઘટાડો થયો. ઘટાડો ત્યાં અટક્યો નહીં. એમફેસિસ, ટીસીએસ, ટેક મહિન્દ્રા અને પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ જેવી કંપનીઓના શેર લાલ નિશાનમાં બંધ થયા. આ સેન્ટિમેન્ટ ફક્ત ભારતીય બજાર પૂરતું મર્યાદિત નહોતું.&nbsp; યુએસ માર્કેટમાં, ઇન્ફોસિસ અને વિપ્રોના ADR લગભગ 10 ટકા ઘટ્યા. કોગ્નિઝન્ટ 10 ટકા ઘટ્યો, જ્યારે એક્સેન્ચરના પોતાના શેર 17 ટકાથી વધુ તૂટી ગયા.</p><p><b style="font-size: 1.5rem;">રોકાણકારોએ હવે શું કરવું જોઈએ?</b></p><p>બજારમાં આટલો મોટો ઘટાડો આવે ત્યારે રોકાણકાર ગભરાઈ જાય તે સ્વાભાવિક છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે શું તમારે તમારા IT શેર વેચવા જોઈએ? બજાર નિષ્ણાતોના મતે, એકંદર ચિત્ર હાલમાં દેખાય છે તેટલું ભયાનક નથી. જોકે એક્સેન્ચરે તેની આવકનો અંદાજ ઘટાડ્યો છે, કંપનીએ સ્પષ્ટતા કરી છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને મોટા પાયે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પ્રોજેક્ટ્સની માંગ બજારમાં મજબૂત રહે છે.</p><p><br></p><p>એક્સેન્ચર પોતે આ વર્ષે AI, ડેટા અને ક્લાઉડ સેવાઓમાં તેની ક્ષમતાઓને મજબૂત કરવા માટે આશરે $9 બિલિયન ખર્ચ કરવાની યોજના ધરાવે છે. આનો અર્થ એ થાય કે IT ક્ષેત્ર ટૂંકા ગાળાના દબાણનો સામનો કરી શકે છે, પરંતુ AI અને ક્લાઉડ સેવાઓ માટે લાંબા ગાળાનું ભવિષ્ય ઉજ્જવળ રહે છે. રોકાણકારોએ ગભરાટમાં વેચાણ કરવાનું ટાળવું જોઈએ. હાલમાં, સૌથી સમજદારીભર્યું પગલું એ છે કે કંપનીઓની ઓર્ડર બુક તેમજ તેમના આગામી નાણાકીય પરિણામો પર નજીકથી નજર રાખવી.</p><p><br></p><p><a href="https://sandesh.com/gallery/news/india/why-are-potatoes-and-chickpeas-the-filling-in-panipuri?2" target="_blank">આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2024/12/17/TlyBMXrRqCpIBH4aNtsJVmTsvd2JATtrOngLwsk9.jpg'/></item></channel></rss>