<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Morbi Farmer Protest: 19મા દિવસે ખેડૂતોના આમરણાંત ઉપવાસનો આવશે અંત, હવે શરૂ થશે 'ઝબ્બા ફાડ' આંદોલન! ]]></title><link>https://sandesh.com/gujarat/news/morbi/farmers-protest-unto-death-ends-19th-day-nilesh-aghara</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/morbi/farmers-protest-unto-death-ends-19th-day-nilesh-aghara</guid><pubDate>Mon, 06 Jul 2026 18:18:35 +05:30</pubDate><description><![CDATA[<p>મોરબીમાં પોતાની પડતર માંગણીઓને લઈને છેલ્લા 19 દિવસથી મક્કમતાપૂર્વક લડી રહેલા ખેડૂતોના આમરણાંત ઉપવાસ આંદોલનનો સોમવારની રાત્રે અંત આવવા જઈ રહ્યો છે. મેદાને પડેલા તમામ 8 ઉપવાસી ખેડૂતો સોમવારે રાત્રે પારણાં કરશે અને પોતાના 19 દિવસ લાંબા આંદોલનને વિરામ આપશે. જોકે, આ આંદોલનનો અંત એ સરકાર સામેની લડાઈનો અંત નથી, પરંતુ ખેડૂતોએ હવે સરકાર સામે આરપારની લડાઈ લડવા માટે આંદોલનના 'પાર્ટ-3' ની સત્તાવાર જાહેરાત કરવાની ચીમકી આપી દીધી છે.</p><h2><b>સરકારની અધૂરી જાહેરાત સામે ખેડૂતોમાં ભારે નારાજગી</b></h2><p>મળતી માહિતી અનુસાર, ખેડૂત આંદોલનને સમેટવા માટે સરકાર દ્વારા તાજેતરમાં કેટલીક જાહેરાતો કરવામાં આવી હતી, પરંતુ આ જાહેરાતો અધૂરી હોવાનું કહીને ઉપવાસી ખેડૂતોએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. ખેડૂત અગ્રણીઓનું કહેવું છે કે, સરકારની આ જાહેરાતોથી ખેડૂતો બિલકુલ નાખુશ છે, કારણ કે તેમની મૂળ અને મુખ્ય માંગણીઓ હજુ પણ સ્વીકારવામાં આવી નથી. આથી જ આંદોલનની પૂર્ણાહુતિની સાથે જ આગામી રણનીતિ ઘડવામાં આવી રહી છે.</p><p><br><img alt="Morbi Farmer Protest: Fast Ends on 19th Day, Warning of 'Zabba Phad' Agitation to Govt" src="https://epapercdn.sandesh.com/images/2026/07/06/EByFVkO9FujuhIlTl3kRqzEwF000nDIgW8Oi3EPo.webp"></p><h2><b>નેતાઓ સાનમાં સમજી જાય, નહીં તો થશે 'ઝબ્બા ફાડ' આંદોલન</b></h2><p>આંદોલનની આગેવાની કરી રહેલા ખેડૂત નેતા નિલેશ અઘારાએ સરકાર અને રાજકીય નેતાઓને આકરા શબ્દોમાં ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું છે કે, રાજકીય નેતાઓ સાનમાં સમજી જાય તો સારું, બાકી જો સરકાર અમારી ન્યાયિક માંગણીઓ વહેલી તકે સ્વીકારશે નહીં, તો આગામી દિવસોમાં 'ઝબ્બા ફાડ' આંદોલન શરૂ કરવામાં આવશે. સોમવારની રાત્રે પારણાં કર્યા બાદ ખેડૂતો પોતાના આંદોલનના ત્રીજા તબક્કાની જાહેરાત કરશે, જે સરકાર માટે નવી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.</p><p><br></p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2074107276546445467"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p><br></p><p>આ પણ વાંચો -&nbsp;</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/06/DwG6yDxWQKlEbdZ1LnvNp2qmwsISGFpW4rW3nCl1.webp'/></item><item><title><![CDATA[Ram Mandir Donation Row: 'અહિંયા બચી જશો, ચિત્રગુપ્ત તમને તાવડામાં તળશે' સ્વામી ચક્રપાણીના ટ્રસ્ટ પર આકરા પ્રહારો ]]></title><link>https://sandesh.com/india/news/ram-mandir-donation-row-you-will-survive-here-chitragupta-will-fry-you-in-a-frying-pan-swami-chakrapanis-trust-comes-under-severe-attack</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ram-mandir-donation-row-you-will-survive-here-chitragupta-will-fry-you-in-a-frying-pan-swami-chakrapanis-trust-comes-under-severe-attack</guid><pubDate>Mon, 06 Jul 2026 17:53:41 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં પ્રસાદ અને દાનની ચોરીની ઘટનાએ સમગ્ર દેશમાં ભારે ચકચાર જગાવી છે. આ મામલે હિન્દુ મહાસભાના પ્રમુખ સ્વામી ચક્રપાણીએ ટ્રસ્ટ મેનેજમેન્ટ, કર્મચારીઓ અને સમગ્ર સિસ્ટમ સામે ગંભીર સવાલો ઉઠાવતા તેને રામ ભક્તોની આસ્થા પરનો મોટો પ્રહાર ગણાવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>આ ઘટના શરમજનક કહેવાય</b></h2><p style="text-align: justify; ">સ્વામી ચક્રપાણીએ આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, જે રામરાજ્યમાં ચોરીની કલ્પના પણ ન કરી શકાય, ત્યાં જ આ પ્રકારની ઘટના બનવી તે અત્યંત શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે. આ ઘટનાએ સનાતન ધર્મના વિરોધીઓને હિન્દુઓ અને રામ મંદિરની મજાક ઉડાવવાની તક આપી છે. તેમણે મીમ્સ અને સોશિયલ મીડિયા પર થઈ રહેલી ટીકાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, પ્રસાદ ચોરનારાઓએ સમગ્ર હિન્દુ સમાજનું માથું નીચું કર્યું છે.</p><h3 style="text-align: justify; "><b>ટ્રસ્ટની રચના પર ઉઠાવ્યા ગંભીર સવાલો</b></h3><p style="text-align: justify; ">તેમણે રામ મંદિર ટ્રસ્ટની રચના પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. સ્વામી ચક્રપાણીએ આરોપ લગાવ્યો કે, જે લોકોએ મંદિર માટે લાંબી કાનૂની લડાઈ લડી અને જમીન-મિલકત આપી, તેમને ટ્રસ્ટમાં સ્થાન કે ઉદ્ઘાટનમાં આમંત્રણ મળ્યું નથી. તેના બદલે, બોલિવૂડના ગૌમાંસ ખાનારાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું, "જો ટ્રસ્ટમાં સાધુ-સંતો અને ધાર્મિક લોકોને સ્થાન મળ્યું હોત, તો આ પ્રકારની ઘટનાઓ ક્યારેય ન બનત."</p><h4 style="text-align: justify; "><b>કૌભાંડને લઇને થયા લાલ ઘૂમ</b></h4><p style="text-align: justify; ">નૃપેન્દ્ર મિશ્રા દ્વારા વ્યવસ્થાના અભાવનો સ્વીકાર કર્યા બાદ, ચક્રપાણીએ ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવ ગિરી પર પણ નિશાન સાધ્યું. તેમણે પૂછ્યું કે જો તેમને દાનની ગણતરી સાથે લેવાદેવા ન હોય, તો તેમનું પદ શું કામનું? માત્ર 45 દિવસમાં CCTV ફૂટેજમાં ચોરીના 90 વીડિયો મળી આવવા તે દર્શાવે છે કે આ કૌભાંડ કેટલું મોટું હોઈ શકે છે.</p><h5 style="text-align: justify; "><b>ચિત્રગુપ્ત નરકના તાવડામાં તળવાની કરી વાત</b></h5><p style="text-align: justify; ">છેલ્લે, તેમણે ચેતવણી આપતા કહ્યું કે પવિત્ર સામગ્રીની ચોરી કરનારાઓ ગમે તેટલા પ્રયત્ન કરે, તેઓ કાયદાથી ભલે બચી જાય પણ ભગવાન ચિત્રગુપ્તના દરબારમાં તેમનો ન્યાય ચોક્કસ થશે. તેમણે કટાક્ષમાં કહ્યું કે જે લોકોએ ભગવાનના ભોગની ચોરી કરી છે, તેમને ભગવાન ચિત્રગુપ્ત નરકની તપેલીમાં તળશે. સ્વામી ચક્રપાણીએ ટ્રસ્ટને આ મામલે તાત્કાલિક નૈતિક જવાબદારી સ્વીકારીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/ram-mandir-donation-row-champat-rais-resignation-accepted-temple-trust-to-give-statement-at-530-pm" target="_blank">આ પણ વાંચોઃ Ram Mandir Donation Row: ચંપત રાયનું રાજીનામું મંજૂર, સાંજે 5:30 કલાકે મંદિર ટ્રસ્ટ નિવેદન આપશે</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/06/3eYRVGTpqgWDA1dqGmHzRobVxFVol6gx0AgKiVVI.webp'/></item><item><title><![CDATA[Gujarat Weather: આજે બપોરે 2થી 4 વાગ્યા સુધીમાં ઉમરગામમાં સૌથી વધુ 1.26 ઇંચ વરસાદ નોંધાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/heavy-rain-recorded-in-umargam-valsad-tops-with-1-26-inches</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/heavy-rain-recorded-in-umargam-valsad-tops-with-1-26-inches</guid><pubDate>Mon, 06 Jul 2026 17:52:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં મેઘરાજાની સક્રિયતાને પગલે આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે.રાજ્યના હવામાન વિભાગ દ્વારા બપોરે 2થી 4 વાગ્યા દરમિયાન નોંધાયેલા વરસાદના આંકડા જાહેર કરવામાં આવ્યા છે.જે મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વિશેષ જોવા મળ્યું છે.આ સમયગાળા દરમિયાન વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 1.26 ઇંચ વરસાદ નોંધાયો છે.</p><h2 style="text-align: justify; "><b>વરસાદ ખાબકતા જનજીવન પર અસર</b></h2><p style="text-align: justify; ">જ્યારે ડાંગ પંથકમાં 0.94 ઇંચ અને નવસારીના જલાલપોરમાં 0.87 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન પર તેની અસર જોવા મળી છે.સુરતના અંબિકા વિસ્તારમાં 0.83 ઇંચ, મહીસાગરના ખાનપુરમાં 0.79 ઇંચ અને તાપીના ડોલવણમાં 0.71 ઇંચ વરસાદ નોંધાયો છે.આ ઉપરાંત સુરતના પલસાણા અને મહેસાણાના સતલાસણામાં સમાન રીતે 0.67 ઇંચ વરસાદ નોંધાયો છે. ભાવનગરના ગારીયાધારમાં 0.59 ઇંચ અને છોટાઉદેપુરના કવાંટમાં 0.51 ઇંચ વરસાદ નોંધાતા ખેતીના કામોને નવી ગતિ મળી છે.</p><h2 style="text-align: justify; "><b>વરસાદની અસર રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ જોવા મળી</b></h2><p style="text-align: justify; ">આંકડાકીય માહિતી મુજબ,તાપી, મહેસાણા અને અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પણ મેઘમહેર યથાવત રહી છે.સાબરકાંઠા સહિત રાજ્યના અન્ય કેટલાય જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યા છે, જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સમગ્ર રાજ્યમાં વરસાદનું આ પ્રમાણ ખેડૂતો માટે રાહતરૂપ સાબિત થઈ રહ્યું છે, કારણ કે લાંબા સમયથી વાવણી માટે આતુર ખેડૂતોને આ વરસાદથી મોટી આશા બંધાઈ છે.વરસાદની આ ગતિવિધિ માત્ર દક્ષિણ ગુજરાત પૂરતી મર્યાદિત ન રહેતા રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ પ્રસરી છે.</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/india/news/ram-mandir-donation-row-champat-rais-resignation-accepted-temple-trust-to-give-statement-at-530-pm" target="_blank">આ પણ વાંચોઃ Ram Mandir Donation Row: ચંપત રાયનું રાજીનામું મંજૂર, સાંજે 5:30 કલાકે મંદિર ટ્રસ્ટ નિવેદન આપશે</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/06/leYw3N5Hh48GUEWEN5DD61SXuyC5unjbL9b9pKZp.webp'/></item><item><title><![CDATA[Gujarat Rain Updates: ભારે વરસાદથી ST બસ સેવા પ્રભાવિત, સૌરાષ્ટ્રના 38 રૂટની 90 ટ્રિપ રદ ]]></title><link>https://sandesh.com/weather/monsoon-2026/news/ahmedabad/gujarat-rain-updates-st-bus-service-affected-trips-cancelled</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/monsoon-2026/news/ahmedabad/gujarat-rain-updates-st-bus-service-affected-trips-cancelled</guid><pubDate>Mon, 06 Jul 2026 17:34:02 +05:30</pubDate><description><![CDATA[<p>સમગ્ર રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક અને મુશળધાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદ અને નદી-નાળા છલકાવાને કારણે માત્ર રસ્તાઓ જ બંધ નથી થયા, પરંતુ તેની સીધી અસર ગુજરાતની જીવાદોરી સમાન એસટી બસ સેવા પર પણ પડી છે. સૌરાષ્ટ્ર સહિતના ભારે વરસાદી વિસ્તારોમાં એસટી તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે અનેક બસ રૂટો બંધ કરવાની ફરજ પડી છે. હાલની સ્થિતિએ કુલ 38 રૂટ પરની 90 ટ્રિપો ત્વરિત અસરથી રદ કરી દેવામાં આવી છે.</p><p><b style="font-size: 2rem;">સૌથી વધુ અમરેલી જિલ્લામાં આફત</b></p><p>વરસાદી પૂરના કારણે સૌથી વધુ માઠી અસર અમરેલી જિલ્લાને થઈ છે. અમરેલી પંથકમાં રસ્તાઓ પર પાણી ફરી વળતા એસટીની રેકોર્ડબ્રેક 50  જેટલી ટ્રિપો બંધ રાખવામાં આવી છે. આ સિવાય ભાવનગરમાં 21 ટ્રિપ, જૂનાગઢમાં 14 ટ્રિપ અને ગીર સોમનાથ જિલ્લામાં 5 ટ્રિપો રદ કરાઈ છે.&nbsp;</p><p><b style="font-size: 2rem;">અમદાવાદ કચેરીથી સતત મોનિટરિંગ</b></p><p>સમગ્ર રાજ્યની આ ગંભીર પરિસ્થિતિને પગલે એસટી નિગમની અમદાવાદ સ્થિત મધ્યસ્થ કચેરી એક્શન મોડમાં આવી ગઈ છે. સેન્ટ્રલ કંટ્રોલ રૂમ ખાતેથી તમામ રૂટ અને બસોનું સતત લાઈવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.</p><h3><b>કયા જિલ્લામાં કેટલી ટ્રિપ રદ થઈ?</b></h3><ul><li>અમરેલી: 50 ટ્રિપ (સૌથી વધુ અસરગ્રસ્ત)</li><li>ભાવનગર: 21 ટ્રિપ</li><li>જૂનાગઢ: 14 ટ્રિપ</li><li>ગીર સોમનાથ: 05 ટ્રિપ</li></ul><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2074101246731104342"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>મુસાફરોને ભારે હાલાકી, તંત્રની નજર</b></h2><p>ભરચોમાસે અચાનક મોટી સંખ્યામાં બસ ટ્રિપો રદ થવાના કારણે મુસાફરો એસટી ડેપો પર અટવાઈ પડ્યા છે અને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. જોકે, એસટી તંત્રનું કહેવું છે કે, મુસાફરોની સુરક્ષા તેમની પ્રથમ પ્રાથમિકતા છે. જ્યાં સુધી રસ્તાઓ પરથી પાણી નહીં ઉતરે અને સલામત ડ્રાઇવિંગની સ્થિતિ નહીં સર્જાય, ત્યાં સુધી આ રૂટો શરૂ કરવામાં નહીં આવે. વરસાદની પળેપળની સ્થિતિ પર કંટ્રોલ રૂમ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/weather/monsoon-2026/news/gujarat/ahmedabad/gujarat-rain-updates-saurashtra-roads-closed-photos" target="_blank">Gujarat Rain Updates: રાજ્યમાં ઠેર ઠેર મેઘતાંડવ, જુઓ વિવિધ શહેરમાં તારાજીના Photos</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/06/bsb10qRJPhfCcYuFdt0iz715Mt9SXcq5wq2xH0uy.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના ગોમતીપુર હત્યા કેસનો ભેદ ઉકેલાયો: નજીવી માથાકૂટમાં યુવકની હત્યા કરનારા બે નરાધમોની ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabads-gomtipur-murder-case-solved-two-criminals-arrested-for-killing-a-young-man-in-a-minor-scuffle</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabads-gomtipur-murder-case-solved-two-criminals-arrested-for-killing-a-young-man-in-a-minor-scuffle</guid><pubDate>Mon, 06 Jul 2026 17:33:51 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ગોમતીપુરમાં તાજેતરમાં બનેલી ચકચારી હત્યાની ઘટનામાં પોલીસને મોટી સફળતા મળી છે. અહીં એક મેડિકલ સ્ટોર પર દવા અથવા અન્ય કોઈ સામાન્ય બાબતને લઈને યુવકો વચ્ચે નજીવી માથાકૂટ થઈ હતી. જોતજોતામાં આ સામાન્ય વિવાદે એટલું ઉગ્ર અને હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે, ત્રણ શખ્સોએ ભેગા મળીને એક યુવક પર જીવલેણ હુમલો કરી દીધો હતો અને તેને ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દીધો હતો.</p><h2 style="text-align: justify; ">તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મઝહરની કરપીણ હત્યા</h2><p style="text-align: justify; ">આ લોહિયાળ સંઘર્ષમાં મઝહર નામના યુવકને નિશાન બનાવવામાં આવ્યો હતો. આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરાની જેમ મઝહર પર તીક્ષ્ણ હથિયારો વડે ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે લોહીલુહાણ થયેલા મઝહરનું ટૂંકી સારવાર દરમિયાન અથવા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ધોળા દિવસે જાહેર વિસ્તારમાં બનેલી આ સનસનાટીપૂર્ણ હત્યાની ઘટનાને પગલે સમગ્ર ગોમતીપુર પંથકના સ્થાનિક રહીશોમાં ભારે અરેરાટી અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.</p><h3 style="text-align: justify; ">આસિફ અને સોહિલ પોલીસ સકંજામાં, મોહસીનની શોધખોળ</h3><p style="text-align: justify; ">ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગોમતીપુર પોલીસની ટીમો તાત્કાલિક એક્શનમાં આવી હતી અને જુદી-જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે આ ગુનામાં સામેલ મુખ્ય બે આરોપીઓ આસિફ શેખ અને સોહિલ અન્સારીને પકડી પાડી કાયદેસરના સકંજામાં લીધા છે. જોકે, આ હત્યાકાંડમાં સામેલ ત્રીજો આરોપી મોહસીન હાલ પોલીસને હાથતાળી આપીને ફરાર થઈ ગયો છે. પોલીસે પકડાયેલા બંને આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી છે અને ફરાર મોહસીનને દબોચી લેવા માટે અલગ-અલગ ટીમો બનાવી દરોડા શરૂ કર્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/06/VQP9qfn761kX1GjQHcmq3tprkBizTOWjgloDYbrD.webp'/></item><item><title><![CDATA[Navsariમાં જલાલપોરની શાળાના બગીચામાં ધોળા દિવસે દીપડાએ મારી લટાર, બાળકોને સ્કૂલમાંથી અપાઈ રજા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/navsari/a-leopard-roamed-in-broad-daylight-in-the-garden-of-a-school-in-jalalpore-navsari-causing-the-children-to-be-dismissed-from-school</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/navsari/a-leopard-roamed-in-broad-daylight-in-the-garden-of-a-school-in-jalalpore-navsari-causing-the-children-to-be-dismissed-from-school</guid><pubDate>Mon, 06 Jul 2026 17:18:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાંથી વન્યજીવ અને માનવ વસ્તી વચ્ચેના સંઘર્ષની એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આવેલા મટવાડ ગામની આદર્શ બુનિયાદી શાળાના પરિસરમાં ધોળા દિવસે એક હિંસક દીપડો અચાનક ઘૂસી આવ્યો હતો. દીપડાએ શાળાના બગીચામાં કોઈ પણ ડર વગર બિન્દાસપણે લટાર મારી હતી. શાળાના સંચાલકોની નજર પડતાં જ સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં ભારે ગભરાટ અને ફફડાટનો માહોલ ફેલાઈ ગયો હતો.</p><h2 style="text-align: justify; ">શાળાના બગીચામાં દીપડાની લટાર CCTVમાં કેદ</h2><p style="text-align: justify; ">શાળાના બગીચામાં મુક્તપણે વિહરતા આ દીપડાના દ્રશ્યો ત્યાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં લાઈવ કેદ થયા છે. માસૂમ બાળકોની સુરક્ષાને સર્વોચ્ચ અગ્રિમતા આપીને શાળા પ્રશાસન દ્વારા તાત્કાલિક ધોરણે તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત ઘરે મોકલીને શાળામાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. બગીચામાં આંટાફેરા માર્યા બાદ આ દીપડો કૂદીને શાળાની બિલકુલ નજીક આવેલા એક અવાવરુ ગરનાળાની અંદર ઘૂસી ગયો હતો, જે ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ છે.</p><h3 style="text-align: justify; ">વન વિભાગે પાંજરા ગોઠવી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું</h3><p style="text-align: justify; ">શાળા સંચાલકોએ આ અંગે તાત્કાલિક વન વિભાગ (Forest Department) ને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોઈને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને શૂટર્સની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી હતી. વન વિભાગ દ્વારા દીપડાને વહેલી તકે પાંજરે પૂરવા માટે ગરનાળાની આસપાસ વ્યૂહાત્મક રીતે લોખંડના મજબૂત પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે. આસપાસના ગ્રામજનોમાં કૌતુક અને ભય હોવાથી, સ્થાનિક પોલીસ બંદોબસ્તની મદદ મેળવીને વન વિભાગે કડક સુરક્ષા વચ્ચે રેસ્ક્યુ કામગીરી તેજ કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/06/vyymkJa2CdlNmptru6RSSiljIGjs9JshMd2K9u8P.webp'/></item><item><title><![CDATA[PM મોદી ઈન્ડોનેશિયાના જાકાર્તા પહોંચ્યા, ફાઈટર જેટ્સે એર સ્પેસમાં આપ્યું એસ્કોર્ટ ]]></title><link>https://sandesh.com/india/news/world/pm-narendra-modi-arrives-jakarta-indonesia-fighter-jet-escort</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/world/pm-narendra-modi-arrives-jakarta-indonesia-fighter-jet-escort</guid><pubDate>Mon, 06 Jul 2026 16:49:47 +05:30</pubDate><description><![CDATA[<p>વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્ડોનેશિયાની રાજધાની જાકાર્તા પહોંચતા તેમનું ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોએ જાતે એરપોર્ટ પર હાજર રહી વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું. બંને નેતાઓએ પરસ્પર અભિવાદન કરીને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2074085641017753750"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>ઈન્ડોનેશિયન એર ફોર્સે એસ્કોર્ટ આપ્યું&nbsp;</b></h2><p>વડાપ્રધાન મોદીના વિમાને ઈન્ડોનેશિયાના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો ત્યારથી જ ઈન્ડોનેશિયન એર ફોર્સના ફાઇટર જેટ્સે તેમના વિમાનને એસ્કોર્ટ આપ્યું. આ સન્માન કોઈ પણ દેશના વડાને વિશેષ રાજકીય અને કૂટનીતિક મહત્ત્વના મહેમાન તરીકે આપવામાં આવે છે. આ દૃશ્ય ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચેના મજબૂત વ્યૂહાત્મક અને મિત્રતાપૂર્ણ સંબંધોનું પ્રતીક માનવામાં આવે છે.</p><h3><b>અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના&nbsp;</b></h3><p>જાકાર્તા એરપોર્ટ પર પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીએ ઈન્ડોનેશિયાની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાને દર્શાવતો વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિહાળ્યો. પરંપરાગત સંગીત, નૃત્ય અને સ્થાનિક કલા દ્વારા ભારતીય મહેમાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેને વડાપ્રધાને પણ પ્રશંસા કરી. વડાપ્રધાન મોદીની આ મુલાકાત દરમિયાન ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે વેપાર, રોકાણ, સંરક્ષણ, દરિયાઈ સુરક્ષા, ડિજિટલ સહકાર તેમજ અન્ય દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. બંને દેશો વચ્ચેના આર્થિક અને વ્યૂહાત્મક સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે ઉચ્ચસ્તરીય બેઠકઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.</p><p>ભારત અને ઈન્ડોનેશિયા લાંબા સમયથી હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં મહત્વના ભાગીદાર રહ્યા છે. વડાપ્રધાન મોદીની આ મુલાકાત બંને દેશો વચ્ચેના સહયોગને નવી દિશા આપશે અને વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારીને વધુ મજબૂત બનાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.</p><p><b><a href="https://sandesh.com/world/news/business/russia-in-the-black-sea-america-on-the-backfoot-in-the-strait-of-hormuz-know-who-currently-rules-the-worlds-largest-sea-routes" target="_blank">આ પણ વાંચો : Black Seaમાં રશિયા તો Strait of Hormuzમાં અમેરિકા બેકફૂટ પર! જાણો દુનિયાના સૌથી મોટા સમુદ્રી માર્ગો પર અત્યારે કોનું રાજ?</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/06/kJso2tQUrTz41Eu4OB5rqyRkaSuxwGyqLwfjbI07.webp'/></item><item><title><![CDATA[Mobile Recharge Price Hike: આગામી દિવસોમાં તમારા ખિસ્સા પર વધશે ભાર, રિચાર્જ પ્લાન 15% સુધી થશે મોંઘા ]]></title><link>https://sandesh.com/business/news/india/mobile-recharge-price-hike-the-burden-on-your-pocket-will-increase-in-the-coming-days-recharge-plans-will-become-up-to-15-more-expensive</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/mobile-recharge-price-hike-the-burden-on-your-pocket-will-increase-in-the-coming-days-recharge-plans-will-become-up-to-15-more-expensive</guid><pubDate>Mon, 06 Jul 2026 16:39:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">4G અને 5Gમાં અપગ્રેડ થવાને કારણે આ ત્રિમાસિક ગાળામાં સરેરાશ આવક પ્રતિ વપરાશકર્તામાં થોડો વધારો થવાની ધારણા છે.</p><h2 style="text-align: justify; ">મોબાઇલ રિચાર્જ અંગે વધશે ખર્ચ&nbsp;</h2><p style="text-align: justify; ">દેશની અગ્રણી ટેલિકોમ કંપનીઓ ટૂંક સમયમાં તેમના મોબાઇલ ટેરિફમાં 12% થી 15% સુધીનો બીજો મોટો વધારો કરવાની તૈયારી કરી રહી છે. અગાઉના ટેરિફ વધારાના આઘાતમાંથી જનતા હજુ બહાર આવી નથી અને ટેલિકોમ કંપનીઓ પ્રતિ વપરાશકર્તા સરેરાશ આવક સુધારવા અને 5G નેટવર્કમાં કરવામાં આવેલા મોટા રોકાણોની ભરપાઈ કરવા માટે આ પગલું ભરી રહી છે.</p><h3 style="text-align: justify; ">ટેરિફમાં વધુ 12-15%નો વધારો થઈ શકે&nbsp;</h3><p style="text-align: justify; ">સેન્ટ્રમ ઇન્સ્ટિટ્યૂશનલ રિસર્ચના નાણાકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે ટેલિકોમ અને ઇન્ટરનેટ સેક્ટર પ્રીવ્યૂ રિપોર્ટ અનુસાર, ભારતના ટેલિકોમ ક્ષેત્રમાં આગામી ત્રણથી ચાર મહિનામાં ટેરિફમાં વધુ 12-15%નો વધારો થઈ શકે છે. કારણ કે બજાર એકત્રીકરણ પછી ભાવ વધારા માટેનું વાતાવરણ સુધર્યું છે. બ્રોકરેજે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે ફક્ત 3+1 ખેલાડીઓ સાથે, ભાવ વધારા માટેનું વાતાવરણ સુધર્યું છે, અને અમે આગામી ત્રણથી ચાર મહિનામાં ટેરિફમાં વધુ 12-15%નો વધારો થવાની અપેક્ષા રાખીએ છીએ.</p><h4 style="text-align: justify; ">ARPU વધવાની અપેક્ષા</h4><p style="text-align: justify; ">ટેલિકોમ ક્ષેત્રના નાણાકીય પ્રદર્શનનો ઉલ્લેખ કરતા, અહેવાલમાં જણાવાયું છે કે જૂન ક્વાર્ટરમાં ત્રણેય ખાનગી ટેલિકોમ ઓપરેટરોની સરેરાશ આવક પ્રતિ વપરાશકર્તામાં 1-1.5% ક્વાર્ટર-દર-ક્વાર્ટરનો વધારો થવાની ધારણા છે. આ 2G થી 4G અને 5G નેટવર્ક પર સબ્સ્ક્રાઇબર્સના સ્થળાંતર, પોસ્ટપેઇડ ગ્રાહકોના ઉમેરા અને ક્વાર્ટરમાં વધુ દિવસોના કારણે છે. સેન્ટ્રમે જણાવ્યું હતું કે ભારતી એરટેલ અને રિલાયન્સ જિયો વોડાફોન આઈડિયાની સરખામણીમાં સબ્સ્ક્રાઇબર માર્કેટ શેર મેળવવાનું ચાલુ રાખશે.</p><h5 style="text-align: justify; ">સબ્સ્ક્રાઇબર માર્કેટ શેરમાં વધારો</h5><p style="text-align: justify; ">રિપોર્ટમાં જણાવાયું છે કે, ભારતી એરટેલ અને રિલાયન્સ જિયો VILની સરખામણીમાં સબ્સ્ક્રાઇબર માર્કેટ શેર મેળવવાનું ચાલુ રાખશે. રિલાયન્સ જિયો ક્વાર્ટર-દર-ક્વાર્ટરમાં 7 મિલિયન સબ્સ્ક્રાઇબર ઉમેરવાની અપેક્ષા રાખે છે, જ્યારે ભારતી એરટેલ 5 મિલિયન સબ્સ્ક્રાઇબર ઉમેરવાની અપેક્ષા રાખે છે. અમે VIL ક્વાર્ટર-દર-ક્વાર્ટરમાં 0.2 મિલિયન સબ્સ્ક્રાઇબર ઉમેરવાની અપેક્ષા રાખીએ છીએ. બ્રોકરેજ એવી પણ અપેક્ષા રાખે છે કે પ્રતિ ગ્રાહક ડેટા વપરાશ મજબૂત રહેશે કારણ કે દેશભરમાં 4G અને 5G અપનાવવાનું ચાલુ રહે છે.</p><h6 style="text-align: justify; ">5G નેટવર્ક્સ પર ધ્યાન કેન્દ્રિત કરો</h6><p style="text-align: justify; ">રિપોર્ટમાં જણાવાયું છે કે 4G/5G નેટવર્ક્સના વધતા અપનાવવાના કારણે પ્રતિ ગ્રાહક ડેટા વપરાશ મજબૂત રહેશે. રિલાયન્સ જિયો અને એરટેલે 90 ટકાથી વધુ જિલ્લાઓમાં 5G સેવાઓ શરૂ કરી છે અને તેમના નેટવર્કમાં વધુ 5G ઉપકરણો ઉમેરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બંને કંપનીઓ "G FWA અને ફિક્સ્ડ બ્રોડબેન્ડ ઉમેરાઓમાં સારી વૃદ્ધિ જોઈ રહી છે, કારણ કે આ સેગમેન્ટમાં ઉપયોગ ઓછો રહે છે."</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/business/russia-in-the-black-sea-america-on-the-backfoot-in-the-strait-of-hormuz-know-who-currently-rules-the-worlds-largest-sea-routes" target="_blank">Black Seaમાં રશિયા તો Strait of Hormuzમાં અમેરિકા બેકફૂટ પર! જાણો દુનિયાના સૌથી મોટા સમુદ્રી માર્ગો પર અત્યારે કોનું રાજ?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/06/DkqibMfQ3KhvZxHzo8IgarLxeNyBhp5FxEtyqL5K.webp'/></item><item><title><![CDATA[Ranveer Singh Birthday Special: સ્ટારબક્સમાં વેઈટરથી લઈને સુપરસ્ટાર બનવા સુધી, આવી છે રણવીર સિંહની સંઘર્ષગાથા ]]></title><link>https://sandesh.com/entertainment/news/ranveer-singh-birthday-special-from-being-a-waiter-at-starbucks-to-becoming-a-superstar-here-is-ranveer-singhs-struggle-story</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/ranveer-singh-birthday-special-from-being-a-waiter-at-starbucks-to-becoming-a-superstar-here-is-ranveer-singhs-struggle-story</guid><pubDate>Mon, 06 Jul 2026 12:21:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડના સૌથી એનર્જેટિક અને વર્સેટાઈલ સુપરસ્ટાર રણવીર સિંહનો આજે જન્મદિવસ છે. આજે ભલે તેઓ "ધુરંધર", "પદ્માવત" અને "બાજીરાવ મસ્તાની" જેવી અનેક સુપરહિટ ફિલ્મો આપીને સફળતાના શિખરે હોય, પરંતુ ફિલ્મી દુનિયામાં પ્રવેશતા પહેલા તેમણે ભારે સંઘર્ષ વેઠ્યો છે. ફિલ્મોમાં આવ્યા પહેલા તેઓ પ્રખ્યાત એજન્સી O&amp;M માં કોપીરાઇટર તરીકે કામ કરતા હતા. શરૂઆતમાં કાસ્ટિંગ કાઉચથી લઈને અસ્વીકાર (Rejection) સુધીના કઠોર અનુભવોનો સામનો કરનાર રણવીરના જીવનની સફર કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી કમ નથી.&nbsp;</p><h2 style="text-align: justify;"><b>રણવીર સિંહના જન્મદિવસના ખાસ પ્રસંગે જાણીએ તેમના જીવનની રસપ્રદ કહાની</b></h2><p style="text-align: justify;"><b>કિસ્સો-1: ક્રિકેટર બનવાનું સ્વપ્ન તૂટ્યું; મોહિન્દર અમરનાથે કર્યા હતા રિજેક્ટ</b></p><p style="text-align: justify;">બાળપણમાં રણવીર ક્રિકેટર બનવા માંગતા હતા. સાતમા ધોરણમાં સ્કૂલની એક મેચમાં તેમણે માત્ર 46 બોલમાં 71 રન ફટકારી દીધા હતા. આ ઇનિંગથી પ્રેરિત થઈને તેમણે પૂર્વ ભારતીય ક્રિકેટર મોહિન્દર અમરનાથની ક્રિકેટ એકેડમીમાં ટ્રાયલ આપવાનું નક્કી કર્યું. વર્ષ 2017 માં ફિલ્મ '83' ના એક પ્રમોશનલ ઈવેન્ટમાં રણવીરે આ કિસ્સો શેર કરતા કહ્યું હતું, "મારા મિત્રો સમયસર પહોંચી ગયા પણ હું મોડો પડ્યો. અમરનાથ સરે મારી રમત જોઈને મને નકારી કાઢ્યો. સારું થયું કે તેમણે તે દિવસે મને રિજેક્ટ કરવાનો સાચો નિર્ણય લીધો, નહીંતર હું આજે એક અભિનેતા તરીકે અહીં ન હોત." રસપ્રદ વાત એ છે કે, જે ક્રિકેટ એકેડમીમાંથી તેઓ રિજેક્ટ થયા હતા, આગળ જતાં વર્ષ 2021 માં આવેલી ફિલ્મ '83' માં તેમણે ભારતના પૂર્વ કેપ્ટન કપિલ દેવનો આઇકોનિક રોલ ભજવ્યો.</p><p style="text-align: justify;"><b>કિસ્સો-2:અભિનેતા બનવાની પ્રેરણા અને અટક બદલવાનું કારણ</b></p><p style="text-align: justify;">રણવીરના દાદી ચાંદ બુર્ક ૧૯૫૦ અને ૧૯૬૦ ના દાયકાના જાણીતા અભિનેત્રી હતા. તેમણે રાજ કપૂરની પ્રખ્યાત ફિલ્મ "બૂટ પોલિશ" સહિત "બસંત બહાર" અને "અદાલત" જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. રણવીરે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેમની દાદી જ હતા જેમણે તેમનામાં એક્ટર બનવાનું સપનું જગાડ્યું હતું. બોલિવૂડમાં આવ્યા પછી રણવીરે પોતાના નામમાંથી 'ભાવનાની' અટક હટાવી દીધી હતી. તેમનું માનવું હતું કે 'રણવીર સિંહ ભાવનાની' નામ ખૂબ લાંબુ છે અને સ્ક્રીન નેમ તરીકે કદાચ ઘણું મોટું લાગશે.</p><p style="text-align: justify; "><b>કિસ્સો-3: પ્રોડ્યુસરે પાછળ કૂતરો દોડાવ્યો, સંઘર્ષના દિવસોનો કડવો અનુભવ</b></p><p style="text-align: justify;">૧૯મા મરાકેશ ફિલ્મ ફેસ્ટિવલમાં રણવીરે પોતાના સ્ટ્રગલના દિવસોનો એક ચોંકાવનારો કિસ્સો શેર કર્યો હતો. કામની શોધમાં તેઓ પોતાનો પોર્ટફોલિયો લઈને એક નિર્માતાના ઘરે પહોંચ્યા હતા. નિર્માતા અંદર મિત્રો સાથે બીયર પીવામાં મસ્ત હતા અને રણવીર કલાકો સુધી વરંડામાં રાહ જોતા રહ્યા. મજાક ઉડાવવાના ઈરાદે તે પ્રોડ્યુસરે પોતાના પાલતુ કૂતરાને રણવીર પાછળ દોડાવ્યો. રણવીર ડરના માર્યા ત્યાંથી ભાગ્યા હતા. તેમણે કહ્યું કે, "એક સંઘર્ષ કરતા કલાકારની આ રીતે મજાક ઉડાવાતી જોઈ હું ગભરાઈ ગયો હતો." જોકે તેમણે તે પ્રોડ્યુસરનું નામ જાહેર કર્યું ન હતું.</p><p style="text-align: justify; "><b>કિસ્સો-4: અમેરિકામાં સ્ટારબક્સમાં વેઈટર બન્યા અને બટર ચિકન વેચ્યું</b></p><p style="text-align: justify; ">અમેરિકાની ઇન્ડિયાના યુનિવર્સિટી બ્લૂમિંગ્ટનમાં ટેલિકોમ્યુનિકેશનનો અભ્યાસ કરતી વખતે રણવીર પોતાનો ખર્ચ કાઢવા પાર્ટ-ટાઇમ કામ કરતા હતા. તેમણે સ્ટારબક્સમાં વેઈટર અને સર્વર તરીકે નોકરી કરી હતી. "કોફી વિથ કરણ" શોમાં તેમણે મજાકમાં જણાવ્યું હતું કે ત્યાં આવતી છોકરીઓને ઈમ્પ્રેસ કરવા માટે તેઓ વાળ લાંબા રાખતા અને એનિમેટેડ શોના કેરેક્ટર 'અપુ' ની જેમ ભારતીય ઉચ્ચારણ (Accent) માં અંગ્રેજી બોલતા હતા. આ સિવાય વધારાની કમાણી માટે તેમણે અમેરિકામાં બટર ચિકન વેચવાનું કામ પણ કર્યું હતું.</p><p style="text-align: justify; "><b>કિસ્સો-5: માલદીવના દરિયા કિનારે દીપિકાને કર્યું હતું સિક્રેટ પ્રપોઝ</b></p><p style="text-align: justify; ">રણવીર સિંહે ૨૦૧૫ માં જ દીપિકા પાદુકોણને પ્રપોઝ કરી દીધું હતું અને ૩ વર્ષ સુધી આ સગાઈ પરિવારના થોડા સભ્યો વચ્ચે ગુપ્ત રહી હતી. રણવીરે પોતાની ક્ષમતા કરતાં મોંઘી હીરાની વીંટી ખરીદી હતી. માલદીવમાં વેકેશન દરમિયાન, એક નાનકડા ટાપુ પર જ્યાં આસપાસ માત્ર વાદળી પાણી હતું, રણવીરે ઘૂંટણિયે બેસીને દીપિકાને પ્રપોઝ કર્યું. દીપિકા ભાવુક થઈ ગઈ અને તેણે "હા" પાડી. ત્યારબાદ નવેમ્બર ૨૦૧૮ માં ઇટાલીના લેક કોમોમાં બંનેએ લગ્ન કર્યા અને સપ્ટેમ્બર ૨૦૨૪ માં તેમની પુત્રી 'દુઆ' નો જન્મ થયો. આ રીયલ લાઈફ કપલે પડદા પર પણ 'રામ-લીલા', 'બાજીરાવ મસ્તાની', 'પદ્માવત' અને '83' જેવી શાનદાર ફિલ્મો આપી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/satluj-film-diljits-film-satluj-banned-immediately-after-release-fans-shocked" target="_blank">આ પણ વાંચો : Satluj Film: રિલીઝ થતા જ દિલજીતની ફિલ્મ 'સતલુજ' પર લાગ્યો પ્રતિબંધ? ચાહકો ચોંક્યા</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/06/QT7QBb6KCirDRYuUydrNBsk9gFjrm2USU0AK5rRQ.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026 : ઇંગ્લેન્ડે મેક્સિકોને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-england-defeats-mexico-to-secure-quarter-final-spot</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-england-defeats-mexico-to-secure-quarter-final-spot</guid><pubDate>Mon, 06 Jul 2026 11:12:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફિફા વર્લ્ડ કપ 2026માં ચાહકો એક રોમાંચક મુકાબલા માટે તૈયાર છે.16ના રોમાંચક રાઉન્ડ મેચમાં ઇંગ્લેન્ડે મેક્સિકોને હરાવીને FIFA વર્લ્ડ કપ 2026ના ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું.ઇંગ્લેન્ડની ટીમે નોંધપાત્ર પ્રદર્શન કર્યું.બીજા હાફમાં એક ઇંગ્લેન્ડના ખેલાડીને લાલ કાર્ડને કારણે મેદાનની બહાર મોકલી દેવામાં આવ્યો જેના કારણે ટીમ ફક્ત 10 ખેલાડીઓ સાથે રમી રહી હતી.આમ છતાં ઇંગ્લેન્ડે યજમાન મેક્સિકોને 3-2 થી હરાવ્યું અને તેમને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધા.</p><h3 style="text-align: justify; "><b>ઇંગ્લેન્ડ માટે જુડ બેલિંગહામે બે મિનિટમાં બે ગોલ કર્યા.</b></h3><p style="text-align: justify; ">આ મેચમાં બંને ટીમોમાં ઉત્તમ ખેલાડીઓ હતા, તેથી નજીકની સ્પર્ધાની અપેક્ષા હતી, અને મેદાન પર બરાબર એવું જ થયું. રમતના પહેલા હાફમાં બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી. ઇંગ્લેન્ડના સ્ટાર ખેલાડી, જુડ બેલિંગહામે એક નોંધપાત્ર પ્રદર્શન કર્યું, માત્ર 99 સેકન્ડમાં સતત બે ગોલ કર્યા. આ બંને ગોલ ફક્ત 99 સેકન્ડના અંતરે થયા. ઇંગ્લેન્ડ હજુ પણ આ ગોલની ઉજવણી કરી રહ્યું હતું, ત્યારે માત્ર ચાર મિનિટ પછી&nbsp; મેક્સિકોના ક્વિનોન્સે શાનદાર ગોલ કરીને તેમની ટીમને વાપસી અપાવી. છ મિનિટના અંતરે ત્રણ ગોલ થયા, અને પ્રથમ હાફના અંત સુધીમાં, ઇંગ્લેન્ડ ૨-૧થી આગળ હતું.</p><p style="text-align: justify; "><a href="https://x.com/FIFAWorldCup/status/2073966715495444610?s=20" target="_blank">https://x.com/FIFAWorldCup/status/2073966715495444610?s=20</a></p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>ઇંગ્લેન્ડના 10 ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું.</b></h4><p style="text-align: justify; ">બીજા હાફ દરમિયાન, ઇંગ્લેન્ડના જેરેલ ક્વિન્સાહને 54મી મિનિટે લાલ કાર્ડ મળ્યું. આ પછી, તેમની ટીમ માત્ર 10 ખેલાડીઓ સાથે રમી.આમ છતાં, ઇંગ્લેન્ડે શાનદાર પ્રદર્શન કર્યું, અને 60મી મિનિટે હેરી કેને પેનલ્ટી પર ગોલ કરીને ટીમને 3-1ની લીડ અપાવી. 69મી મિનિટે મેક્સિકોને પણ પેનલ્ટી મળી, જેને રાઉલ જીમેનેઝે રૂપાંતરિત કરીને 3-2ની લીડ બનાવી. અંતિમ 20 મિનિટમાં, મેક્સિકોએ બરાબરી કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પરંતુ ઇંગ્લેન્ડના ગોલકીપર પિકફોર્ડે દરેક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. આ જીત સાથે, ઇંગ્લેન્ડે 1966 પછી બીજી વખત વર્લ્ડ કપ જીતવાની આશા જીવંત રાખી છે. હવે ક્વાર્ટર ફાઇનલમાં ઇંગ્લેન્ડનો મુકાબલો નોર્વે સામે થશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/norway-vs-brazil-one-goal-shattered-brazils-dream-watch-the-video-of-hollands-historic-goal" target="_blank"> Norway vs Brazil :એક ગોલે રોળ્યું બ્રાઝિલનું સપનું, જુઓ હોલેન્ડના ઐતિહાસિક ગોલનો Video</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/06/K2bDAB4ydJTilkMmzxvCMKwHh84RYiInGn76ARYz.webp'/></item></channel></rss>