<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[હેમા માલિની કેમ નથી કરી રહી ફિલ્મોમાં કામ? કહ્યું- 'આજકાલ જે રીતે ફિલ્મો બની રહી છે તેનાથી...' ]]></title><link>https://sandesh.com/entertainment/news/why-is-hema-malini-not-working-in-films-she-said-the-way-films-are-being-made-these-days</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/why-is-hema-malini-not-working-in-films-she-said-the-way-films-are-being-made-these-days</guid><pubDate>Sat, 11 Jul 2026 18:30:36 +05:30</pubDate><description><![CDATA[<p>1970 અને 11980ના દાયકામાં બોલીવૂડ અભિનેત્રી અને રાજકારણી હેમા માલિનીએ બોલીવુડમાં રાજ કર્યું. તે ભારતીય સિનેમાના સૌથી મોટા સ્ટાર્સમાંના એક હતા, જેમણે તેમની સુંદરતા અને શોલે, સીતા ઔર ગીતા, બાગબાન અને સત્તે પે સત્તા જેવી બેસ્ટ ફિલ્મોને કારણે બોલિવૂડની 'ડ્રીમ ગર્લ'નું બિરુદ મેળવ્યું. ભારતીય સિનેમામાં બેસ્ટ ફિલ્મો આપ્યા પછી હેમા માલિનીએ રાજકારણમાં પ્રવેશ કર્યો અને ધીમે ધીમે ફિલ્મ ઉદ્યોગથી દૂર થઈ ગયા. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, તેમણે કારણ જણાવ્યું કે તેઓ હવે ફિલ્મોમાં કેમ કામ નથી કરતી.</p><p><b style="font-size: 2rem;">હેમા માલિની હવે ફિલ્મોમાં કેમ કામ કરતા નથી?</b></p><p>હેમાએ સિનેમાના સુવર્ણ યુગની યાદ તાજી કરી જ્યારે તેમની કારકિર્દી તેની ટોચ પર હતી. તેમણે કહ્યું, "તે યુગ સંપૂર્ણપણે અલગ હતો. હું કહીશ કે તે ફિલ્મ ઉદ્યોગનો સુવર્ણ યુગ હતો અને હું તે સફરનો ભાગ બનવામાં ભાગ્યશાળી હતી. તે સમયે ઘણી બેસ્ટ ફિલ્મો બનાવવામાં આવી હતી, ખાસ કરીને તે મહિલાઓ પર કેન્દ્રિત હતી. મને સીતા ઔર ગીતા જેવી ભૂમિકાઓ તેમજ મારી પહેલી ફિલ્મ સપનો કા સૌદાગર, ખુશ્બુ, અને બીજી ઘણી ફિલ્મો મળી.</p><p>આજે જ્યારે હું પાછળ ફરીને જોઉં છું, ત્યારે મને ખ્યાલ આવે છે કે મેં લગભગ 200 ફિલ્મોમાં કામ કર્યું છે. મોટાભાગના નિર્માતાઓએ મને તેમના પ્રોજેક્ટ્સમાં વારંવાર કાસ્ટ કરી હતી. તે દિવસોમાં દરેક ફિલ્મમાં પાંચ કે છ ગીતો હતા અને નિર્માતાઓ માટે હિટ ગીતો હોવા ખૂબ જ મહત્વપૂર્ણ હતા."</p><h3><b>આજની ફિલ્મોમાં ઢળી જવું  મુશ્કેલ- હેમા</b></h3><p>તેમણે વધુમાં કહ્યું કે, આજે ફિલ્મ નિર્માણ પહેલા જેવું નથી રહ્યું. "આજે ફિલ્મો બનાવવાની રીત સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. ઘણા લોકો મને પૂછે છે કે હું હવે કેમ કામ નથી કરી રહી, પરંતુ મારા માટે ફિલ્મ નિર્માણની વર્તમાન શૈલીમાં ઢળી જવું ખૂબ મુશ્કેલ છે."</p><p>હેમા માલિની ભારતીય સિનેમાની સૌથી પ્રખ્યાત મહિલા સ્ટાર્સમાંની એક છે. બોલિવૂડની 'ડ્રીમ ગર્લ' તરીકે જાણીતી હેમાએ સપનો કા સૌદાગર (૧૯૬૮) થી હિન્દી ફિલ્મમાં પ્રવેશ કર્યો અને સીતા ઔર ગીતા, શોલે, ડ્રીમ ગર્લ, સત્તે પે સત્તા અને બાગબાન જેવી અનેક યાદગાર હિટ ફિલ્મો આપી. અભિનેત્રી છેલ્લે 2020માં આવેલી ફિલ્મ શિમલા મિર્ચી માં જોવા મળ્યા હતા. રમેશ સિપ્પી દ્વારા દિગ્દર્શિત આ રોમેન્ટિક ડ્રામામાં રકુલ પ્રીત સિંહ અને રાજકુમાર રાવ પણ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મને ખરાબ રિવ્યુ મળ્યા અને બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરવામાં નિષ્ફળ ગઈ.<br><br><a href="https://sandesh.com/entertainment/news/mandira-bedi-emotional-at-trailer-launch--remembers-husband-raj-kaushal#google_vignette" target="_blank"><b>આ પણ વાંચો: 'પતિના મોત બાદ...', રાજ કૌશલને યાદ કરી કહ્યું- કોણ બન્યું તેનો સહારો</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/zMwyrEtHmzhUymwqNyVbcLyIyg2CBJySS8Nvn35A.webp'/></item><item><title><![CDATA[Bihar : CM સમ્રાટ ચૌધરીના હેલિકોપ્ટરે હવામાં 4 મિનિટ સુધી લગાવ્યા ચક્કર, સુરક્ષાકર્મીઓ VIP સ્થળ ખાલી કરાવવામાં લાગ્યા ]]></title><link>https://sandesh.com/india/news/bihar-cm-samrat-choudhary-helicopter-hovered-4-minutes-hajipur-security-alert</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/bihar-cm-samrat-choudhary-helicopter-hovered-4-minutes-hajipur-security-alert</guid><pubDate>Sat, 11 Jul 2026 18:25:04 +05:30</pubDate><description><![CDATA[<p>બિહારના હાજીપુરમાં મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને ઉપમુખ્યમંત્રી વિજય ચૌધરી પેપરલેસ નિબંધન કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પહોંચ્યા. બંને નેતાઓ કાર્યક્રમ સ્થળે હેલિકોપ્ટર દ્વારા આવ્યા હતા અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પરત જવા માટે હેલિકોપ્ટરમાં સવાર થયા હતા.</p><h2><b>હેલીકોપ્ટર ચાર મિનિટ સુધી એક જ જગ્યાએ હવામાં ફરતું રહ્યું</b></h2><p>પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ઉડાન ભર્યા બાદ મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર લગભગ 150 ફૂટની ઊંચાઈએ પહોંચ્યું હતું. પરંતુ આગળ વધવાને બદલે લગભગ ચાર મિનિટ સુધી એક જ જગ્યાએ હવામાં ફરતું રહ્યું હતું. આ દરમિયાન હેલિકોપ્ટરની દિશામાં પણ ફેરફાર જોવા મળ્યો હતો અને તે થોડા સમય માટે ફરી હેલિપેડ તરફ આવતું હોવાનું જણાયું હતું.</p><h3><b>હેલિપેડની આસપાસ રહેલા લોકોને દૂર કરવામાં આવ્યા&nbsp;</b></h3><p>હેલિકોપ્ટર લાંબા સમય સુધી હવામાં એક જ જગ્યાએ રહેતાં કાર્યક્રમ સ્થળે હાજર અધિકારીઓ અને સુરક્ષા કર્મચારીઓમાં ચિંતા ફેલાઈ હતી. સાવચેતીના ભાગરૂપે સુરક્ષા જવાનો દ્વારા હેલિપેડની આસપાસ રહેલા લોકોને દૂર કરવામાં આવ્યા હતા. કેટલાક સમય માટે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી કે હેલિકોપ્ટર ફરીથી હેલિપેડ પર ઉતરી શકે છે, પરંતુ આવું થયું નહોતું. લગભગ ચાર મિનિટ સુધી હવામાં રહ્યા બાદ હેલિકોપ્ટરે ફરી ઉડાન ભરી અને પોતાના આગામી ગંતવ્ય તરફ રવાના થયું. માહિતી મુજબ, હેલિકોપ્ટરના વિલંબનું કારણ રૂટ લાઈનની પુષ્ટિ ન થવું હોવાનું જણાવાયું હતું. રૂટ ક્લિયરન્સ મળ્યા બાદ જ આગળની મુસાફરી શરૂ કરવામાં આવી હતી.</p><h4><b>મુખ્યમંત્રીએ સરકારી સેવાઓમાં આધુનિક ટેક્નોલોજીના વધુ ઉપયોગ પર ભાર મૂક્યો</b></h4><p>મુખ્યમંત્રી બન્યા બાદ સમ્રાટ ચૌધરી પ્રથમ વખત હાજીપુર પહોંચ્યા હતા. તેમના આગમન પર NDAના નેતાઓ અને કાર્યકર્તાઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન તેમણે જિલ્લા નિબંધન કાર્યાલયમાં પેપરલેસ નિબંધન વ્યવસ્થા સહિત અનેક નવી પહેલોનું ઉદ્ઘાટન કર્યું. મુખ્યમંત્રીએ સરકારી સેવાઓમાં આધુનિક ટેક્નોલોજીના વધુ ઉપયોગ પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે ડિજિટલ વ્યવસ્થાથી લોકોને ઝડપી, પારદર્શક અને સરળ સેવાઓ મળી શકશે. કાર્યક્રમમાં જનપ્રતિનિધિઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હાજર રહ્યા હતા.</p><p><b><a href="https://sandesh.com/india/news/ins-mahendragiri-indian-navy-indigenous-stealth-frigate-commissioned" target="_blank">આ પણ વાંચો : INS Mahendragiri : ભારતીય નૌકાદળનાની શક્તિમાં વધારો, સ્વદેશી સ્ટેલ્થ ફ્રિગેટ INS મહેન્દ્રગિરિ થયું સામેલ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/TdlcXgEHZUeOTjCVoOZnSF1aF97631m3aB0i3cTg.webp'/></item><item><title><![CDATA[Share Marketમાં વિદેશી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો, FIIએ એક જ દિવસમાં રૂપિયા 2,603 કરોડના શેર ખરીદ્યા ]]></title><link>https://sandesh.com/business/news/share-market-fii-buy-shares-worth-2603-crore-foreign-investors-confidence-indian-market</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/share-market-fii-buy-shares-worth-2603-crore-foreign-investors-confidence-indian-market</guid><pubDate>Sat, 11 Jul 2026 17:24:34 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય શેરબજાર માટે સારા સંકેતો મળી રહ્યા છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)નો ભારતીય બજાર પ્રત્યેનો અભિગમ ફરી સકારાત્મક બન્યો છે. 10 જુલાઈના રોજ FIIએ ભારતીય શેરબજારમાં ₹2,603.72 કરોડની નેટ ખરીદી કરી છે. આ સાથે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII)એ પણ ₹2,019.68 કરોડના શેર ખરીદ્યા છે. સ્ટોક એક્સચેન્જના પ્રોવિઝનલ ડેટા મુજબ, બંને પ્રકારના રોકાણકારોની ખરીદીએ બજારમાં તેજીનું વાતાવરણ બનાવ્યું હતું.</p><h2><b>સેક્ટોરલ ઈન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા&nbsp;</b></h2><p>10 જુલાઈએ બજારના મુખ્ય સૂચકાંકોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટી 244.10 પોઈન્ટ એટલે કે 1.02 ટકા વધીને 24,206ના સ્તરે બંધ થયો, જ્યારે સેન્સેક્સ 827 પોઈન્ટ એટલે કે 1.08 ટકા વધીને 77,569 પર બંધ રહ્યો. બેન્ક નિફ્ટીમાં પણ 1.39 ટકાનો વધારો નોંધાયો હતો. મોટાભાગના સેક્ટોરલ ઈન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા હતા.</p><h3><b>FIIએ ભારતીય બજારમાં કુલ ₹1,968.81 કરોડની નેટ ખરીદી કરી</b></h3><p>આ દિવસે FIIએ કુલ ₹15,318.07 કરોડના શેર ખરીદ્યા, જ્યારે ₹12,714.35 કરોડના શેર વેચ્યા હતા. પરિણામે તેમની નેટ ખરીદી ₹2,603.73 કરોડ રહી. બીજી તરફ DIIએ ₹17,171.75 કરોડના શેર ખરીદ્યા અને ₹15,152.07 કરોડના શેર વેચ્યા, જેથી તેમની નેટ ખરીદી ₹2,019 કરોડ રહી. જુલાઈ મહિનામાં અત્યાર સુધી FIIએ ભારતીય બજારમાં કુલ ₹1,968.81 કરોડની નેટ ખરીદી કરી છે, જ્યારે DIIની ખરીદી ₹9,245.91 કરોડ રહી છે. નિષ્ણાતોના મતે, જો વિદેશી રોકાણકારોની ખરીદી આગળ પણ ચાલુ રહેશે તો શેરબજારમાં વધુ રિકવરી જોવા મળી શકે છે.</p><p>હાલ રોકાણકારોની નજર કંપનીઓના જૂન ત્રિમાસિક પરિણામો પર છે. બજારની આગળની દિશા કોર્પોરેટ પરિણામો, રૂપિયાની સ્થિરતા, ક્રૂડ ઓઈલના ભાવ અને વૈશ્વિક પરિસ્થિતિઓ પર નિર્ભર રહેશે. અમેરિકા-ઈરાન સંબંધિત અનિશ્ચિતતા હજુ પણ બજાર માટે એક જોખમ બની શકે છે.</p><p><b><a href="https://sandesh.com/business/news/3-new-ipos-opening-next-week-sbi-funds-management-alpine-texworld-millworks-technologies" target="_blank">આ પણ વાંચો : IPO : આવતા અઠવાડિયે ખુલશે 3 નવા IPO, રોકાણકારો માટે મોટી તક</a></b></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/jL7FJPzgf1xABoJB2PuoqlXIB1IAn0hklIp4FTmb.webp'/></item><item><title><![CDATA[Ahmedabad રથયાત્રા માટે લોખંડી બંદોબસ્ત: 30 હજારથી વધુ જવાનો અને 65 ડ્રોન કેમેરાથી રખાશે હાઈટેક નજર ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ironclad-arrangements-for-ahmedabad-rath-yatra-more-than-30-thousand-personnel-and-high-tech-surveillance-will-be-maintained-with-65-drone-cameras</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ironclad-arrangements-for-ahmedabad-rath-yatra-more-than-30-thousand-personnel-and-high-tech-surveillance-will-be-maintained-with-65-drone-cameras</guid><pubDate>Sat, 11 Jul 2026 17:08:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઐતિહાસિક રથયાત્રાની સુરક્ષાને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે 'સંદેશ ન્યૂઝ' સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે, રથયાત્રાના રૂટ પર કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે શહેર પોલીસ સજ્જ છે. આ ભવ્ય બંદોબસ્તમાં 1,000થી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત કુલ 30,000 કરતાં પણ વધારે પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. આ ઉપરાંત, સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે એસઆરપી (SRP)ની 15 કંપનીઓ અને પેરા મિલિટરી ફોર્સની 9 કંપનીઓ પણ સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરી દેવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>હાઈટેક ઉપકરણોથી થશે મોનિટરિંગ</b></h2><p style="text-align: justify; ">આ વર્ષે રથયાત્રામાં સુરક્ષાના ભાગરૂપે આધુનિક ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. કમિશનરે જણાવ્યું કે, સમગ્ર રૂટ પર બાજ નજર રાખવા માટે 65 ડ્રોન, સેંકડો સીસીટીવી (CCTV) કેમેરા, ફેસ રેકોગ્નિશન કેમેરા અને જવાનો માટે બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરાશે. શંકાસ્પદ અસામાજિક તત્વો અને અગાઉના ગુનેગારોને ત્વરિત ઓળખવા માટે તેમના ફોટા સાથેનો એક ખાસ ડિજિટલ ડેટા તૈયાર કરવામાં આવ્યો છે. જેનાથી કંટ્રોલ રૂમ દ્વારા દરેક હિલચાલ પર સીધી નજર રાખી શકાશે.</p><h3 style="text-align: justify; ">અફવાઓથી બચવા પોલીસની અપીલ</h3><p style="text-align: justify; ">રથયાત્રા શહેરના મુખ્ય 11 જેટલા પોલીસ સ્ટેશનની હદમાંથી પસાર થાય છે, જેથી તે તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સ્થાનિક શાંતિ સમિતિ અને મહોલ્લા કમિટીઓની બેઠકો યોજીને કોમી ભાઈચારો જાળવવા તજવીજ કરાઈ છે. રથયાત્રા દરમિયાન સોશિયલ મીડિયા પર કોઈ ગેરમાર્ગે દોરનારી અફવા ન ફેલાય તે માટે સાયબર ક્રાઈમ સેલને પણ એલર્ટ મોડ પર રખાયો છે. પોલીસ કમિશનરે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ કોઈ પણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન કરે અને શંકાસ્પદ બાબત જણાયે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/7MukCd3njJb8K294PEhSNh6jXSCZPC4LASeVpAlc.webp'/></item><item><title><![CDATA[Junagadh હાઈવે પર કાળમુખો અકસ્માત: અસ્થિ વિસર્જન કરવા જતાં એક જ પરિવારના 6 સભ્યોના કરુણ મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/a-tragic-accident-on-junagadh-highway-6-members-of-the-same-family-tragically-died-while-going-to-immerse-their-ashes</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/a-tragic-accident-on-junagadh-highway-6-members-of-the-same-family-tragically-died-while-going-to-immerse-their-ashes</guid><pubDate>Sat, 11 Jul 2026 16:59:12 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જૂનાગઢ હાઈવે પર હૃદયના ધબકારા બંધ કરી દે તેવી એક અત્યંત દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. જૂનાગઢના મજેવડી ગામ નજીક હાઈવે પર એક વાહનચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ગંભીર અને કાળમુખો અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક અકસ્માત એટલો જોરદાર હતો કે વાહનમાં સવાર મુસાફરોમાંથી ૫ લોકોના તો ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. અકસ્માતની ભયાનકતા જોઈને હાઈવે પરથી પસાર થતાં વાહનચાલકોના કાળજા પણ કંપી ઉઠ્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>વિરમગામનો પરિવાર કાળનો કોળિયો બન્યો</b></h2><p style="text-align: justify; ">આ કમનસીબ અકસ્માતનો ભોગ બનેલો પરિવાર અમદાવાદ જિલ્લાના વિરમગામનો હોવાનું સામે આવ્યું છે. પરિવારના કોઈ સ્વજનના અવસાન બાદ તેમના અસ્થિ પધરાવવા (વિસર્જન કરવા) માટે આખો પરિવાર કારમાં સવાર થઈને પવિત્ર તીર્થધામ સોમનાથ જઈ રહ્યો હતો, પરંતુ સોમનાથ પહોંચે તે પહેલાં જ કાળે લોહિયાળ ખેલ ખેલ્યો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી વધુ એક મહિલાને હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમણે પણ દમ તોડી દેતા કુલ મૃત્યુઆંક 6 પર પહોંચ્યો છે.</p><h3 style="text-align: justify; "><b>માતા-પિતા અને પુત્રી સહિત 6નાં મોતથી પરિવાર સાફ</b></h3><p style="text-align: justify; ">આ હૃદયદ્રાવક દુર્ઘટનામાં વિરમગામના આ કમનસીબ પરિવારના માતા-પિતા અને તેમની વ્હાલસોયી પુત્રી સહિત કુલ 6 સભ્યોના કરુણ મોત થતાં આખો પરિવાર સાફ થઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જ જૂનાગઢ પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે અને વિરમગામ સ્થિત તેમના સંબંધીઓને આ અંગે જાણ કરી છે. એક જ પરિવારના 6-6 સભ્યોના મોતથી સમગ્ર પંથકમાં ભારે ગમગીની અને માતમ છવાઈ ગયો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/z0F4q9C3DHFKBJyBYcUuKAoDOhiG1rpy28BZbcEd.webp'/></item><item><title><![CDATA[INS Mahendragiri : ભારતીય નૌકાદળનાની શક્તિમાં વધારો, સ્વદેશી સ્ટેલ્થ ફ્રિગેટ INS મહેન્દ્રગિરિ થયું સામેલ ]]></title><link>https://sandesh.com/india/news/ins-mahendragiri-indian-navy-indigenous-stealth-frigate-commissioned</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ins-mahendragiri-indian-navy-indigenous-stealth-frigate-commissioned</guid><pubDate>Sat, 11 Jul 2026 16:52:32 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય નૌસેનાની શક્તિમાં વધુ એક મોટો વધારો થયો છે. શનિવારે 11 જુલાઈના રોજ રક્ષા મંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમ ડોકયાર્ડ ખાતે આયોજિત સમારોહમાં સ્વદેશી રીતે ડિઝાઈન કરાયેલા સ્ટેલ્થ ફ્રિગેટ INS મહેન્દ્રગિરિને ભારતીય નૌસેનાના કાફલામાં સત્તાવાર રીતે સામેલ કર્યું. આ યુદ્ધજહાજ પ્રોજેક્ટ 17A હેઠળ બનાવવામાં આવેલું છઠ્ઠું સ્વદેશી યુદ્ધપોત છે, જેને નૌસેનાના ઈસ્ટર્ન ફ્લીટમાં સામેલ કરવામાં આવ્યું છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/rajnathsingh/status/2075873361104904650"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>કેટલું છે યુદ્ધપોતનું વજન?</b></h2><p>સમારોહ દરમિયાન રાજનાથ સિંહે તેને ભારતની રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા અને સ્વદેશી યુદ્ધપોત નિર્માણની દિશામાં એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે INS મહેન્દ્રગિરિ હવાઈ હુમલા, દરિયાની સપાટી પરના દુશ્મન જહાજો અને પાણીની અંદરની સબમરીન જેવા અનેક જોખમોનો અસરકારક રીતે સામનો કરવાની ક્ષમતા ધરાવે છે. આ યુદ્ધપોતનું કુલ વજન લગભગ 6,670 ટન છે અને તે મહત્તમ 28 નોટ (લગભગ 52 કિમી પ્રતિ કલાક)ની ઝડપે દોડી શકે છે. સ્ટેલ્થ ટેક્નોલોજીથી સજ્જ આ ફ્રિગેટ રડારમાં ઓછું દેખાય છે અને લાંબા સમય સુધી સમુદ્રમાં તૈનાત રહી શકે છે.</p><h3><b>ભારતની ડિઝાઈન ક્ષમતા અને મજબૂત રક્ષા ઉત્પાદન ક્ષેત્રનું પ્રતિનિધિત્વ</b></h3><p>INS મહેન્દ્રગિરિમાં 75 ટકાથી વધુ સ્વદેશી સામગ્રી અને ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ભારતની ડિઝાઈન ક્ષમતા અને મજબૂત રક્ષા ઉત્પાદન ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે. તેને બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ, લાંબા અંતરની સપાટીથી હવામાં માર કરતી મિસાઈલ સિસ્ટમ, ટોર્પિડો લોન્ચર, સ્વદેશી રોકેટ લોન્ચર અને ઈલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ કરી શકાય છે.</p><p>આ યુદ્ધપોત માત્ર યુદ્ધ કામગીરી જ નહીં, પરંતુ સમુદ્રી સુરક્ષા મિશન, શોધ અને બચાવ કામગીરી, માનવતાવાદી સહાય તથા આપત્તિ રાહત અભિયાનમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકશે. INS મહેન્દ્રગિરિના સામેલ થવાથી હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતની નૌસેનાની ક્ષમતા અને હાજરી વધુ મજબૂત બનશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/west-bengal-ucc-bill-2026-9-member-expert-committee-draft-review" target="_blank">આ પણ વાંચો : West Bengal : UCC લાગુ કરવાની તૈયારીઓ, ડ્રાફ્ટની સમીક્ષા માટે 9 સભ્યોની નિષ્ણાત સમિતિની રચના</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/uqJOwfweYP1JQtaRynW3Ep7DEw3GyfRitlOEgyEw.webp'/></item><item><title><![CDATA[Dahodના ગરબાડામાં ચોપડી લેવા ગયેલી 8 વર્ષની બાળકીને ઝેરી સાપે ડંખ મારતા કરુણ મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dahod/an-8-year-old-girl-who-went-to-buy-a-book-at-a-garbada-in-dahod-tragically-died-after-being-bitten-by-a-poisonous-snake</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dahod/an-8-year-old-girl-who-went-to-buy-a-book-at-a-garbada-in-dahod-tragically-died-after-being-bitten-by-a-poisonous-snake</guid><pubDate>Sat, 11 Jul 2026 16:47:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના બોરીયાલા અંતર્ગત આવતા નાની બોરીયાલી ગામમાંથી માનવતાને હચમચાવી મૂકે તેવી એક અત્યંત દુઃખદ ઘટના પ્રકાશમાં આવી છે. ગામમાં રહેતી એક 8 વર્ષીય માસૂમ બાળકી પોતાના ઘરમાં રાબેતા મુજબ ઉત્સાહભેર અભ્યાસ કરવા માટે બેઠી હતી. ભણતી વખતે પોતાની ચોપડી લેવા માટે તે ઘરના ખૂણામાં રાખેલા લાકડાના પાટિયા તરફ ગઈ હતી, જ્યાં સંતાઈને બેઠેલા એક અત્યંત ઝેરી સાપે બાળકી પર ઓચિંતો હુમલો કરી દીધો હતો.</p><h2 style="text-align: justify; ">ડાબા પગના અંગૂઠા પર સર્પદંશ</h2><p style="text-align: justify; ">લાકડાના પાટિયા પરથી ચોપડી ઉતારવા જતાં જ નરાધમ સાપે બાળકીના ડાબા પગના અંગૂઠા પર જોરદાર ડંખ માર્યો હતો. સાપ કરડ્યાની જાણ થતાં જ બાળકીએ જોરજોરથી બૂમાબૂમ કરી મૂકી હતી, જેથી પરિવારના સભ્યો તાત્કાલિક દોડી આવ્યા હતા. બાળકીના શરીરમાં ઝેર ફેલાતું રોકવા માટે તેને અત્યંત ગંભીર હાલતમાં તાબડતોબ નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જો કે, હોસ્પિટલના બિછાને જિંદગી અને મોત વચ્ચેની જંગ લડ્યા બાદ આખરે માસૂમ બાળકીનું સારવાર દરમિયાન કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.</p><h3 style="text-align: justify; ">પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી</h3><p style="text-align: justify; ">આ ગમખ્વાર ઘટનાની સત્તાવાર જાણ હોસ્પિટલ પ્રશાસન દ્વારા સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી. ગરબાડા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ હોસ્પિટલ પહોંચીને બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી અને સમગ્ર મામલે હાલ પૂરતો અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ શરૂ કરી દીધી છે. ભણવાના સમયે જ કાળનો કોળિયો બનેલી આશાસ્પદ દીકરીના અકાળે અવસાનથી કમનસીબ પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે અને સમગ્ર ગામમાં ઘેરા શોકની ગમગીની છવાઈ ગઈ છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/sNbbAZErkBYa4lzZWB2iXZLQKhvWW1l26eIUth5D.webp'/></item><item><title><![CDATA[ભારતીય સ્પ્રિન્ટર અનિમેષ કુજુરે વિદેશી ટ્રેક પર મચાવી ધૂમ, 10.14 સેકન્ડમાં 100 મીટર દોડીને રચ્યો ઈતિહાસ ]]></title><link>https://sandesh.com/sports/news/animesh-kujur-india-second-fastest-100m-sprinter</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/animesh-kujur-india-second-fastest-100m-sprinter</guid><pubDate>Sat, 11 Jul 2026 15:58:06 +05:30</pubDate><description><![CDATA[<p>અનિમેષ કુજુરે વર્લ્ડ એથ્લેટિક્સ કોન્ટિનેન્ટલ ટૂર ચેલેન્જર ટુર્નામેન્ટમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો. અનિમેષ ભારતના સૌથી ઝડપી દોડવીરોમાંનો એક છે, અને કોમનવેલ્થ ગેમ્સ પહેલા તેના પ્રદર્શને તેને ફેન્સમાં ચર્ચાનો વિષય બનાવ્યો છે.&nbsp;</p><p>અનિમેષ કુજુરે બીજા નંબરની સૌથી ઝડપી 100 મીટર દોડ હાંસલ કરી છે. તમને જણાવી દઈએ કે અનિમેષની સફર સરળ ન હતી, અને તે કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી નથી.</p><h2><b>અનિમેષ કુજુરે રેકોર્ડ બનાવ્યો</b></h2><p>છત્તીસગઢના અનિમેષ કુજુરે તાજેતરમાં જર્મનીમાં વર્લ્ડ એથ્લેટિક્સ કોન્ટિનેન્ટલ ટૂર ચેલેન્જર (ફાસ્ટ આર્મ્સ ફાસ્ટ લેગ્સ ઈવેન્ટ) માં શાનદાર પ્રદર્શન કર્યું. તેને 100 મીટર સ્પ્રિન્ટમાં માત્ર 10.14 સેકન્ડમાં બીજા સ્થાને રહ્યો. આ તેના કરિયરનું બેસ્ટ પ્રદર્શન છે, જેના કારણે તે 100 મીટર સ્પ્રિન્ટ દોડનાર બીજો સૌથી ઝડપી ભારતીય ખેલાડી બન્યો.&nbsp;</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/TheKhelIndia/status/2075785987184357855"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p>હાલમાં રાષ્ટ્રીય રેકોર્ડ ગુરિન્દરવીર સિંહના નામે છે, જેમણે મે 2026 માં 100 મીટર સ્પ્રિન્ટ 10.09 સેકન્ડમાં દોડી હતી. અનિમેષ તેમને પાછળ છોડી દેવાથી માત્ર 0.05 સેકન્ડ દૂર રહ્યો. આ વિદેશી ધરતી પર કોઈપણ ભારતીય દ્વારા સૌથી ઝડપી 100 મીટર સ્પ્રિન્ટ છે.</p><h3><b>અનિમેષની રસપ્રદ સફર</b></h3><p>અનિમેષ કુજુરનો જન્મ 2 જૂન, 2003 ના રોજ છત્તીસગઢના જશપુર જિલ્લાના ઘુઈટાંગર ગામમાં થયો હતો. તેની માતા ભૂતપૂર્વ હોકી ખેલાડી હતી, અને તેના પિતા ફૂટબોલ રમતા હતા. બાદમાં બંનેએ ઘણા વર્ષો સુધી પોલીસ દળમાં સેવા આપી હતી. તે હંમેશા ફૂટબોલ પ્રત્યે ઉત્સાહી હતો અને તે તેનું સ્વપ્ન હતું. પરંતુ તે બાળપણથી જ ઉસૈન બોલ્ટનો પણ ખૂબ શોખીન હતો.</p><p>અંડર-18 ટુર્નામેન્ટમાં એક કોચે અનિમેષ કુજુરની દોડવાની ક્ષમતા જોઈ. 2020ના લોકડાઉન દરમિયાન અનિમેષનું નસીબ બદલાઈ ગયું. તેને કોલેજ અને અભ્યાસમાં ખાસ રસ ન હતો. પરિણામે તેને દોડમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું. ત્યારબાદ તેને રાષ્ટ્રીય સ્તરે પોતાનું નામ બનાવ્યું અને હવે, તેને જર્મનીમાં 10.14 સેકન્ડમાં 100 મીટર દોડ પૂરી કરીને કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફાય કર્યું છે.</p><p><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/ishan-kishan-run-out-abhishek-sharma-stump-mic-video" target="_blank">Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/yUd7tcTToLJb5yrTZtnQWymzPHysn7VPvfxgfAy9.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના મેઘાણીનગરમાં પિતાના ઠપકાથી લાગી આવતા ધોરણ 12ની સગીરાએ કર્યો આપઘાત ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/a-12th-standard-girl-committed-suicide-in-meghaninagar-ahmedabad-after-being-scolded-by-her-father</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/a-12th-standard-girl-committed-suicide-in-meghaninagar-ahmedabad-after-being-scolded-by-her-father</guid><pubDate>Sat, 11 Jul 2026 15:44:31 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા મેઘાણીનગર પંથકમાંથી એક અત્યંત ચોંકાવનારી અને કાળજું કંપાવી દે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. મળતી માહિતી મુજબ, મેઘાણીનગર વિસ્તારમાં રહેતી અને ધોરણ 12માં અભ્યાસ કરતી એક 17 વર્ષીય સગીરાએ પોતાના જ ઘરે અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો છે. માસૂમ દીકરીએ અચાનક આ પ્રકારનું અંતિમ પગલું ભરી લેતા આસપાસના રહીશો અને સ્થાનિકોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને સમગ્ર પંથક શોકમાં ડૂબી ગયો છે.</p><h2 style="text-align: justify; ">મૃતકની ઓળખ હિરલ પરમાર તરીકે થઈ</h2><p style="text-align: justify; ">પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાત કરનાર માસૂમ સગીરાની ઓળખ હિરલ પરમાર તરીકે થઈ છે. ઘટનાની વિગતવાર માહિતી અનુસાર, હિરલના પિતાએ કોઈ સામાન્ય બાબતે તેને કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો. પિતા દ્વારા આપવામાં આવેલો આ ઠપકો હિરલને મનમાં ખૂબ જ લાગી આવ્યો હતો. આ સિવાય પરિવારમાં છેલ્લા કેટલાક સમયથી આંતરિક ઘરકંકાસ પણ ચાલતો હોવાનું સામે આવ્યું છે. આ પારિવારિક માનસિક તણાવ અને પિતાના ઠપકાના આઘાતમાં સગીરાએ જીવન ટૂંકાવવાનું આત્મઘાતી પગલું ભર્યું હતું.</p><h3 style="text-align: justify; ">પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી</h3><p style="text-align: justify; ">આ ચકચારી ઘટના અંગે સ્થાનિક નાગરિકો દ્વારા કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતા જ મેઘાણીનગર પોલીસ સ્ટેશનનો મોટો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળનું ઝીણવટભર્યું પંચનામું કરીને સગીરાના મૃતદેહને કાયદેસરના પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. મેઘાણીનગર પોલીસે આ સમગ્ર મામલે હાલ પૂરતો અકસ્માત મોત (AD) નો ગુનો નોંધી, પરિવારના સભ્યોના નિવેદનો લેવાની અને આપઘાત પાછળના ચોક્કસ કારણો શોધવા માટેની આગળની તપાસ તેજ કરી દીધી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/p6Rp7cWsCLJIIdEWGUFt1KfSbKNiPVrLaoZsXLEH.webp'/></item><item><title><![CDATA[વાંચો બપોરે 12થી 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/today-afternoon-breaking-news-bulletin-gujarat-india-updates-read-important-news-from-12-pm-to-03-pm-10-july-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/today-afternoon-breaking-news-bulletin-gujarat-india-updates-read-important-news-from-12-pm-to-03-pm-10-july-2026</guid><pubDate>Sat, 11 Jul 2026 14:59:18 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર&nbsp; &nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-rath-yatra-dariyapur-police-criminals-oath-acp-reena-rathva-news" target="_blank">1. Ahmedabad : કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, દરિયાપુર પોલીસે રીઢા ગુનેગારો અને ડ્રગ્સ માફિયાઓને લેવડાવ્યા શપથ, Video</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/world/news/pm-modi-i-have-brought-the-best-wishes-of-140-crore-indians-pm-modi-roared-in-new-zealand" target="_blank">2. PM Modi: "કીવી વ્યક્તિએ આપેલું એ મફલર આજે પણ મારી પાસે છે" ન્યૂઝીલેન્ડમાં પોતાના લોકો વચ્ચે ભાવુક થયા PM મોદી</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/entertainment/news/jay-bhanushali-mahhi-vij-divorce--actor-says-living-like-salman-khan" target="_blank">3. છૂટાછેડા બાદ શું જય ભાનુશાલીને છે કોઈ Girl Friend? જગજાહેર કર્યો મોટો ખુલાસો</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/world/news/afghanistan-india-and-our-dna-are-the-same-this-statement-by-the-afghan-minister-will-increase-pakistani-concerns" target="_blank">4. Afghanistan: ભારત અને અમારું DNA એક જ છે,અફઘાન મંત્રીના આ નિવેદનથી પાકિસ્તાની ચિંતા વધશે</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/business/news/gold-silver-price-today-silver-fell-by-13-thousand-while-gold-fell-by-2976-know-how-much-the-price-of-gold-and-silver-fell-this-week" target="_blank">5. Gold Silver Price Today: ચાંદીમાં 13 હજાર જ્યારે સોનામાં 2,976નો ઘટાડો, જાણો આ અઠવાડિયે સોના ચાંદીનો ભાવ કેટલો ઘટ્યો</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/bhavnagar-university-campus-abvp-president-attack-parking-dispute-arrest-news" target="_blank">6. Bhavnagar : યુનિવર્સિટી કેમ્પસમાં પાર્કિંગ બાબતે ABVP કોલેજ પ્રમુખ સહિત બે પર છરી-ધોકાથી જીવલેણ હુમલો, પોલીસ એક્શનમાં</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/amreli/amreli-liliya-lion-harassment-case-illegal-lion-show-arrest-news" target="_blank">7. Amreli : સિંહ પજવણી મામલામાં ઘટસ્ફોટ, સિંહ મેટિંગ દરમિયાન વિડીયો કોલથી 'લાયન શો' કરનારા 2 શખ્સોની ધરપકડ</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/vadodara/rosary-school-pt-teacher-punishes-heart-patient-student-deo-complaint" target="_blank">8. Vadodara: હૃદયરોગથી પીડાતા ધોરણ 5 ના વિદ્યાર્થીને મેદાનના 6 રાઉન્ડ દોડાવ્યા, શું શાળાએ ભૂલ સ્વીકારી શિક્ષકનો બચાવ કર્યો ?</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/khed-brahma/sabarkantha-khedbrahma-girl-climbs-mobile-tower-highway-traffic-jam-news" target="_blank">9. Khedbrahma: અંબાજી હાઇવે પર હાઈવોલ્ટેજ ડ્રામા, 200 ફૂટ ઊંચા મોબાઈલ ટાવર પર ચઢી ગઈ યુવતી, રહસ્ય અકબંધ, Video</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/entertainment/news/muzammil-ibrahim-claims-he-dumped-deepika-padukone---quot-no-regrets" target="_blank">10. Muzammil Ibrahim on Deepika Padukone: દીપિકાને છોડવાનો કોઈ પસ્તાવો નથી... એક્સ બોયફ્રેન્ડનો ચોંકાવનારો દાવો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/cF1UhVL3qjgh9TzIwiEc7eDF0rh6e2YE3bOZyEvH.webp'/></item></channel></rss>