<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Rajkot મનપામાં ગાડી કૌભાંડ મુદ્દે મહાસંગ્રામ, મેયર નેહલ શુક્લે આપ્યા તપાસના આદેશ ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-rmc-car-scam-mayor-nehal-shukla-investigation-health-officer-jayesh-vakani-congress</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-rmc-car-scam-mayor-nehal-shukla-investigation-health-officer-jayesh-vakani-congress</guid><pubDate>Wed, 01 Jul 2026 14:50:38 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ મહાનગરપાલિકામાં વાહનોના દુરુપયોગની ફાળવણીને લઈને એક મોટું ગાડી કૌભાંડ સપાટી પર આવ્યું છે. આ ચકચારી મામલો ગરમાતાં રાજકોટના મેયર નેહલ શુક્લએ સત્તાવાર નિવેદન આપીને કડક તપાસની ખાતરી આપી છે.&nbsp;</p><h2><b>15 દિવસ પહેલાં જ તમામ કાર કોન્ટ્રાક્ટ રદ્દ&nbsp;</b></h2><p>મેયરે સ્પષ્ટ કર્યું હતું કે મનપામાં 15 દિવસ પહેલાં જ તમામ કાર કોન્ટ્રાક્ટ રદ્દ કરી દેવામાં આવ્યા છે. જો કોઈ અધિકારી 15 દિવસ પહેલાં કાર વાપરતા હશે તો ચોક્કસ તપાસ થશે. નિયમ મુજબ ક્લાસ- 2 ના કર્મચારીઓને ઓફિશિયલ કાર આપવામાં આવતી જ નથી.</p><h3><b>&nbsp;જયેશ વાકાણીએ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા</b></h3><p>બીજી તરફ, આ કૌભાંડમાં જેમના પરિવારનું નામ ઉછળ્યું છે તેવા મનપાના આરોગ્ય અધિકારી જયેશ વાકાણીએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવી ફગાવ્યા છે. તેમણે જણાવ્યું કે મેડિકલ ઓફિસર ધૃતિ વાકાણી મારા ધર્મપત્ની છે, પરંતુ તેઓ મનપાના કોન્ટ્રાક્ટની કારનો કોઈ ઉપયોગ કરતા નથી. કોર્પોરેશન આરોગ્ય કામગીરી માટે ઇકો ગાડી ફાળવે છે, કોઈ લક્ઝુરિયસ સેડાન કાર નહીં. ધૃતિ જે કાર વાપરે છે તેના વપરાશની તમામ ચૂકવણી હું પોતે કરું છું.  જોકે, આ કેસમાં ડ્રાઈવરે કેમેરા સામે કબૂલાત કરી હતી કે આ કાર મનપાના કોન્ટ્રાક્ટની જ છે, જેના લીધે રહસ્ય ઘેરાયું છે.</p><h3><b>રાજકીય ગરમાવો વ્યાપી ગયો</b></h3><p>આ મામલે રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે અને શહેર કોંગ્રેસ પ્રમુખે શાસકો પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે મનપામાં ભાજપના શાસકો અને ઉચ્ચ અધિકારીઓ મળીને ટેક્સપેયર્સના કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. કોંગ્રેસે માગ કરી છે કે આ ગાડી કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક કાયમી ધોરણે રદ્દ થવો જોઈએ અને જે ઓફિસર ગેરકાયદે ગાડી વાપરે છે તેનો હિસાબ મેળવવો જોઈએ. ગાડી કોના નામે છે અને તેના પેટ્રોલ તથા ડ્રાઈવરના રૂપિયા કોણ ચૂકવે છે તેની હાઈલેવલ તપાસ થવી જ જોઈએ.</p><p><br></p><p>આ પણ વાંચો----&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-india-weather-driest-june-in-100-years-monsoon-delay-july-forecast" target="_blank"><b>Sandesh Digital Explainer: છેલ્લા 100 વર્ષમાં સૌથી સૂકો જૂન મહિનો કેમ રહ્યો ? હવે જુલાઈમાં શું થશે? તમારા પ્રશ્નના તમામ જવાબ વાંચો</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/UsWDMrNUkkO58QwLAeevm79mBibSCWothNILhwX1.webp'/></item><item><title><![CDATA[TV Actress : 'તે બાયસેક્સ્યુઅલ છે...' લોકઅપ 2માં આકાંક્ષા ચમોલાને લઈને શ્રેયા કાલરાનો ચોંકાવનારો દાવો! ]]></title><link>https://sandesh.com/entertainment/news/lock-upp-2-shreya-kalra-claims-akanksha-chamola-is-bisexual-reality-show-controversy</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/lock-upp-2-shreya-kalra-claims-akanksha-chamola-is-bisexual-reality-show-controversy</guid><pubDate>Wed, 01 Jul 2026 14:49:13 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રિયાલિટી શો લોકઅપ સીઝન 2માં એકથી વધુ એક ખુલાસા સામે આવી રહ્યા છે. જ્યાં શોમાં આકાંક્ષા ચમોલાએ ગૌરવ ખન્ના સાથે પોતાના છૂટાછેડાનો ખુલાસો કરીને બધાને હેરાન કરી દીધા હતા, હવે તેને લઈને શોની કન્ટેસ્ટન્ટ શ્રેયા કાલરાએ એક શોકિંગ સ્ટેટમેન્ટ આપ્યું છે. શ્રેયા કાલરાનું કહેવું છે કે આકાંક્ષા ચમોલા બાયસેક્સ્યુઅલ છે.</p><h2 style="text-align: justify; "><b>શ્રેયા કાલરાએ આકાંક્ષા ચમોલાને જણાવી બાયસેક્સ્યુઅલ</b></h2><p style="text-align: justify; ">સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર શ્રેયા કાલરાએ તાજેતરના એપિસોડમાં કહ્યું કે આકાંક્ષા ચમોલા બાયસેક્સ્યુઅલ છે. શ્રેયા કાલરાને આકાંક્ષા ચમોલા, સુનિતા આહુજા અને હર્ષદ ચોપરાએ આ વીક નોમિનેટ કરી દીધી. તેની સાથે-સાથે સૂફી મોતીવાલા પણ નોમિનેટ હતો. એવામાં શ્રેયા કાલરાએ સૂફી મોતીવાલા સાથેની વાતચીતમાં કહ્યું કે આકાંક્ષાનું એક સિક્રેટ મને ખબર છે. શ્રેયા કાલરાએ સિક્રેટ રિવિલ કરતા કહ્યું, તે એટલે કે આકાંક્ષા ચમોલા બાયસેક્સ્યુઅલ છે. તેણે મને જણાવ્યું હતું અને હવે આનો ઉપયોગ થઈ ચૂક્યો છે. તેની બે લાઇફલાઇન ખતમ થઈ ગઈ, હવે માત્ર એક જ બચી છે. શ્રેયા કાલરાની આ વાત સાંભળીને સૂફી મોતીવાલાના હોશ જ ઉડી ગયા અને તે ખૂબ જ શૉક્ડ થઈ ગયો.</p><h3 style="text-align: justify; "><b>આકાંક્ષા ચમોલાએ કર્યો હતો છૂટાછેડાનો ખુલાસો</b></h3><p style="text-align: justify; ">આકાંક્ષા ચમોલા લોકઅપમાં પોતાની પર્સનલ લાઇફને લઈને ખૂબ ચર્ચામાં છે. શોના પ્રીમિયર એપિસોડમાં આકાંક્ષા ચમોલાએ એક સિક્રેટ રિવિલ કરતા જણાવ્યું કે તે અને ગૌરવ ખન્ના છૂટાછેડા લઈ રહ્યા છે. બંને 1 વર્ષથી અલગ રહી રહ્યા છે. આકાંક્ષા ચમોલાએ એવું પણ કહ્યું કે આ બંનેનો મ્યુચ્યુઅલ ડિસિઝન છે. આકાંક્ષાએ એવો પણ ખુલાસો કર્યો કે ગૌરવ ખન્નાને બાળકો જોઈએ છે અને તે બાળક આપી શકતી નથી. તેને એવું લાગે છે કે તે આના માટે નથી બની.</p><h4 style="text-align: justify; "><b>શોની શરૂઆતથી જ થઈ રહ્યા છે ચોંકાવનારા ખુલાસા</b></h4><p style="text-align: justify; ">શોની શરૂઆતમાં જ કેટલાય ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. એવામાં શોને લઈને દર્શકો વચ્ચે એક્સાઇટમેન્ટ પણ વધતો જઈ રહ્યો છે. લોકઅપ 2 માં આકાંક્ષા ચમોલા, રામ કપૂર, સુનિતા આહુજા, શિવાંગી જોશી, ધીરજ ધૂપર, હર્ષદ ચોપરા, માધુરી જૈન ગ્રોવર, રિયાઝ અલી, યોગેશ રાવત, આકાંક્ષા ચૌધરી, પમેલા સેરેના, શ્રેયા કાલરા, સૂફી મોતીવાલા, વરુણ યાદવ અને શ્રેષ્ઠા અય્યર નજરે આવી રહ્યા છે. આ શોને તમે નેટફ્લિક્સ પર જોઈ શકો છો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/akshay-kumars-welcome-3-tsunami-swept-away-all-the-films-broke-8-major-records-on-the-fifth-day" target="_blank">આ પણ વાંચો-Akshay Kumarની વેલકમ 3ની સુનામી આગળ બધી ફિલ્મો ધોવાઈ, પાંચમા દિવસે તોડ્યા 8 મોટા રેકોર્ડ્સ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/QaRFN1QlzKhB9b7ZJ2m2nRpDJgFuHMfGNCE3tnhd.webp'/></item><item><title><![CDATA[Rohit Yadav New Record : ભાલા ફેંકમાં રોહિતે નીરજ ચોપડાને પાછળ છોડી રચ્યો ઈતિહાસ ]]></title><link>https://sandesh.com/sports/news/rohit-yadav-new-record-rohit-created-history-by-surpassing-neeraj-chopra-in-javelin-throw</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/rohit-yadav-new-record-rohit-created-history-by-surpassing-neeraj-chopra-in-javelin-throw</guid><pubDate>Wed, 01 Jul 2026 14:46:27 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">65મી રાષ્ટ્રીય આંતર-રાજ્ય સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના અંતિમ દિવસે ભાલા ફેંકમાં એક નવો રેકોર્ડ બન્યો. ભારતીય ખેલાડી રોહિત યાદવે 87.05મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો. તેણે 2026એશિયન ગેમ્સ માટે પણ ક્વોલિફાય કર્યું. એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ કલિંગા સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી. રવિવારે રોહિત યાદવ આ સિઝનમાં ભારતનો સૌથી લાંબો થ્રોઅર બન્યો.</p><h4 style="text-align: justify; "><b>રોહિત યાદવ વિશ્વ ફેંકનારાઓની યાદીમાં ક્યાં સ્થાન ધરાવે છે?</b></h4><p style="text-align: justify; ">આ સાથે, તે શ્રીલંકાના ખેલાડી રમેશ થરંગા પથિરાજેના 92.62 મીટરના રેકોર્ડ થ્રો પછી વિશ્વ ફેંકનારાઓની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. ભારતના સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરાનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. નીરજ 85.69 મીટરના થ્રો સાથે ચોથા સ્થાને છે.</p><h5 style="text-align: justify; "><b>રોહિતે સંઘર્ષ કરવો પડ્યો</b></h5><p style="text-align: justify; ">રોહિત માટે આ થ્રો પણ ખાસ હતો કારણ કે તેનો અગાઉનો શ્રેષ્ઠ થ્રો 83.04 મીટર હતો. તેણે 2023 માં આ થ્રો હાંસલ કર્યો. રોહિત યાદવે ફેંક્યો (77.71), (77.63), એક ફાઉલ (કોઈ નિશાન નહીં), (77.51), (79.40), અને પછી તેના અંતિમ પ્રયાસમાં, તેણે ફેંક્યો (87.05). રોહિતે સમજાવ્યું કે તેને ફેંકતી વખતે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો, પરંતુ છેલ્લા થ્રોમાં, તેણે પોતાની લય શોધી કાઢી અને પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું. મેચ પછી, તેણે કહ્યું કે આ પ્રદર્શનથી તેનો આત્મવિશ્વાસ ઘણો વધ્યો છે. રોહિતે વધુમાં સમજાવ્યું કે તાલીમ દરમિયાન, તે 86-87 મીટર ફેંકી રહ્યો હતો, પરંતુ તેના શરૂઆતના પ્રદર્શનમાં, તે પોતાની લય શોધી શક્યો ન હતો. હવે તે આગામી મેચોમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવાની આશા રાખે છે.</p><h5 style="text-align: justify; "><b>યશવીર અને સચિને પણ ક્વોલિફિકેશન હાંસલ કર્યો</b></h5><p style="text-align: justify; ">રોહિત યાદવે ખુશી વ્યક્ત કરી કે તેઓ મોટી સ્પર્ધા પહેલા એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરવામાં સફળ રહ્યા. પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં, યશવીર સિંહ 83.72 મીટરના થ્રો સાથે બીજા સ્થાને રહ્યો, અને સચિન યાદવ 82.32 મીટરના થ્રો સાથે ત્રીજા સ્થાને રહ્યો. બંને ખેલાડીઓએ એશિયન ગેમ્સ ક્વોલિફિકેશન માર્ક પણ હાંસલ કર્યો છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/cricket/news/vaibhav-sooryavanshi-vaibhav-sooryavanshis-storm-before-the-match-he-rained-sixes-in-the-nets" target="_blank"> Vaibhav Sooryavanshi : મેચ પહેલા વૈભવ સૂર્યવંશીનું તોફાન! નેટ્સમાં કર્યો સિક્સરનો વરસાદ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/lLEnyRsOsNV3MTxuKaboywOWunEABMh1uwMl1VoK.webp'/></item><item><title><![CDATA[Gujarat weather Update: રાજ્યમાં મેઘરાજાની જામશે જમાવટ, હવામાન વિભાગે કરી મોટી આગાહી ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-weather-update-rain-forecast-red-alert</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-weather-update-rain-forecast-red-alert</guid><pubDate>Wed, 01 Jul 2026 14:45:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહેલા ધરતીપુત્રો અને નાગરિકો માટે ચિંતા અને રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં આગામી દિવસોમાં ચોમાસું પૂરી તાકાત સાથે આગળ વધવાનું છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, સમગ્ર રાજ્યમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરવા માટે તૈયાર છે. આગામી 7 દિવસ સુધી રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં હળવાથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેને પગલે વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે.</p><h2 style="text-align: justify; "><b>એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય</b></h2><p style="text-align: justify; ">હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, હાલમાં ગુજરાત અને તેની આસપાસના વિસ્તારો પર એકસાથે 4 શક્તિશાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમોમાં મહારાષ્ટ્રથી ઉત્તર કેરળ સુધી વિસ્તરેલી ઓફ-શોર ટ્રફ, મધ્યપ્રદેશથી કોંકણ સુધીની ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બંગાળની ખાડીમાં સર્જાનારું લો-પ્રેશર સામેલ છે. આ ચારેય સિસ્ટમ્સના સંયુક્ત પ્રભાવને કારણે આગામી એક સપ્તાહ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામશે અને કેટલાક વિસ્તારોમાં આકાશી આફત પણ વરસી શકે છે.</p><h2 style="text-align: justify; "><b>દક્ષિણ ગુજરાતમાં આગામી 5 દિવસ 'રેડ એલર્ટ'</b></h2><p style="text-align: justify; ">આગાહીમાં સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ દક્ષિણ ગુજરાતની જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે દક્ષિણ ગુજરાતમાં 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. વલસાડ, નવસારી, સુરત, તાપી અને ડાંગ જેવા જિલ્લાઓમાં અત્યંત ભારેથી આભ ફાટે તેવો વરસાદ પડવાની સંભાવના છે. નદી-નાળાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે તેવી આશંકાને પગલે સ્થાનિક તંત્ર અને NDRFની ટીમોને એલર્ટ કરી દેવામાં આવી છે, અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આશંકા</b></h2><p style="text-align: justify; ">દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ મેઘતાંડવ જોવા મળી શકે છે. જામનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તેજ પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે. ચોમાસાના આ રાઉન્ડથી સૌરાષ્ટ્રના જળાશયોમાં નવા નીરની ભારે આવક થવાની આશા છે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/IMDAHMEDABAD/status/2071923460293771616"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2 style="text-align: justify; "><b>અમદાવાદમાં કેવો રહેશે માહોલ? મધ્યમ વરસાદની આગાહી</b></h2><p style="text-align: justify; ">જો અમદાવાદ અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો, આ વિસ્તારમાં રહેતા નાગરિકોને અસહ્ય બફારા અને ગરમીથી મોટી રાહત મળવા જઈ રહી છે. સુપરસિટી અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આકાશ વાદળછાયું રહેશે, અને સમયાંતરે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી ઝાપટાં પડતા રહેશે, જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરશે. જોકે, કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા થઈ શકે છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-monsoon-advances-gujarat-porbandar-daman-diu-jammu-punjab-weather-update" target="_blank">Monsoon 2026 : ચોમાસુ દમણ-દીવ અને પોરબંદર પહોંચ્યું, આગામી 48 કલાકમાં આખું ગુજરાત ઘમરોળાશે</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/dI1s6tbcAeB9lModiT3rugvPeDWLfUEJXBTxGKAP.webp'/></item><item><title><![CDATA[Venezuela માં મૃત્યુ પામેલા નાવિકના મૃતદેહ ભારત આવ્યો ,પણ અંગો ક્યાં ગાયબ થયા? ]]></title><link>https://sandesh.com/india/news/the-body-of-a-sailor-who-died-in-venezuela-arrived-in-india-but-the-organs-are-missing</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/the-body-of-a-sailor-who-died-in-venezuela-arrived-in-india-but-the-organs-are-missing</guid><pubDate>Wed, 01 Jul 2026 14:24:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વિદેશમાં કામ કરતા ભારતીયોની સલામતી પર એક ગંભીર પ્રશ્નચિહ્ન મૂકતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના રહેવાસી 33 વર્ષીય નાવિક રાકેશ ચૌહાણ, જેઓ નવેમ્બર 2025 માં મર્ચન્ટ નેવીમાં કામ કરવા માટે વેનેઝુએલા ગયા હતા, તેમનું મે 2026માં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું. જ્યારે તેમનો મૃતદેહ એક મહિના પછી ભારત પહોંચ્યો, ત્યારે પરિવારને જે જાણવા મળ્યું તે કોઈ હોરર ફિલ્મથી ઓછું નહોતું. બીજા પોસ્ટમોર્ટમ દરમિયાન ખુલાસો થયો કે રાકેશના શરીરના મગજ, હૃદય, ફેફસાં, કિડની, લીવર સહિતના તમામ મહત્વના આંતરિક અંગો ગાયબ હતા.</p><h2 style="text-align: justify; "><b>પરિવારને શંકા જતા ઘટના સામે આવી</b></h2><p style="text-align: justify; ">આ ઘટનાની શરૂઆત ખૂબ જ શંકાસ્પદ રહી છે. કંપની અને વેનેઝુએલાના અધિકારીઓએ શરૂઆતમાં મૃત્યુનું કારણ હાર્ટ એટેક જણાવ્યું હતું, પરંતુ અગાઉ કંપનીના અધિકારીઓએ પરિવારને ફોન પર અલગ-અલગ વાર્તાઓ જણાવી હતી.પહેલા અકસ્માત અને ઈજાની વાત કરી, ત્યારબાદ મૃત્યુની પુષ્ટિ કરી. દસ્તાવેજોમાં મૃત્યુનું કારણ બદલી નાખવાની આ હરકત પરિવારની શંકાને વધુ મજબૂત બનાવે છે. પોસ્ટમોર્ટમ કરનાર ડોકટરો પણ સ્તબ્ધ હતા, કારણ કે શરીર પર માથાથી પેટ સુધી ડઝનબંધ ટાંકા હતા, જે દર્શાવે છે કે આંતરિક અંગોને વ્યવસ્થિત રીતે દૂર કરવામાં આવ્યા હતા.</p><h3 style="text-align: justify; "><b>અંગ તસ્કરીની ઘટના આવી સામે</b></h3><p style="text-align: justify; ">સામાન્ય તબીબી પ્રક્રિયામાં મૃત્યુનું કારણ જાણવા માટે નમૂના લેવામાં આવે છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં અંગોની ગેરહાજરી અને કોઈ રિપોર્ટ ન મળવો એ અંગ તસ્કરી (Organ Trafficking) અથવા કોઈ મોટા ગુનાને છુપાવવાની આશંકા જન્માવે છે. ફેડરેશન ઓફ સીફેરર્સ યુનિયન્સ (FSUI) એ આ મામલાને ગંભીર ગણાવીને વિદેશી જમીન પર ભારતીય કામદારોની સુરક્ષા માટે અવાજ ઉઠાવ્યો છે.</p><h4 style="text-align: justify; "><b>ભારતીય નાગરિકો સાથે થતા ખરાબ વ્યહાર પર ગંભીર સવાલો</b></h4><p style="text-align: justify; ">પરિવાર આજે એક તરફ પુત્રના ગુમાવ્યાનું દુઃખ ભોગવી રહ્યો છે, તો બીજી તરફ તેમને તેમનો મૃતદેહ પણ સંપૂર્ણ સ્વરૂપમાં મળ્યો નથી. આ ઘટનાએ વિદેશી કંપનીઓની કામગીરી અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય નાગરિકો સાથે થતા વ્યવહાર પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. ભારત સરકાર પાસે ન્યાયની માંગ કરી રહેલા રાકેશના પરિવારનો પ્રશ્ન અત્યંત વ્યાજબી છે.જો મૃત્યુ કુદરતી હતું, તો રાકેશના અંગો ક્યાં ગયા? આ મામલો હવે તપાસનો વિષય બન્યો છે, પરંતુ તે ભારતીય કામદારોની સલામતી માટે એક મોટી ચેતવણી સમાન છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/cloud-burst-in-doda-jammu-and-kashmir-many-roads-closed-heavy-damage-to-crops-and-property" target="_blank">આ પણ વાંચોઃ Jammu Kashmir ના ડોડામાં વાદળ ફાટ્યું, અનેક રસ્તાઓ બંધ, પાક અને મિલકતને ભારે નુકસાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/TeyBzhNjiY1wwFLp4ZOKvkEe6Fg2fSepk5Fc5qA6.webp'/></item><item><title><![CDATA[India-Pakistan વચ્ચે તણાવ ખતમ કરો, એરસ્પેસ ખોલો... 100થી વધુ દિગ્ગજોએ PM મોદી અને શહબાઝ શરીફને લખ્યો પત્ર ]]></title><link>https://sandesh.com/world/news/india/over-100-dignitaries-write-to-pm-modi-and-shehbaz-sharif-to-reopen-airspace-and-end-tensions</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/india/over-100-dignitaries-write-to-pm-modi-and-shehbaz-sharif-to-reopen-airspace-and-end-tensions</guid><pubDate>Wed, 01 Jul 2026 14:17:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો ફરીથી સામાન્ય થાય, તે માટે બંને દેશોના 100થી વધુ મોટા લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શહબાઝ શરીફને પત્ર લખ્યો છે. આમાં માગ કરવામાં આવી છે કે બંને દેશો વચ્ચે તણાવ ખતમ થાય અને વિઝા સર્વિસ ફરીથી શરૂ કરવામાં આવે. આ સિવાય એરસ્પેસને પણ ફરીથી ખોલવાની માંગ કરવામાં આવી છે. આ પત્રમાં ફારુખ અબ્દુલ્લા અને મનોજ ઝા સહિત 117 લોકોએ હસ્તાક્ષર કર્યા છે.<br></p><h2><b>ભારત-પાકિસ્તાન વચ્ચે સંવાદ અને રાજદ્વારી સંબંધો ફરી શરૂ કરવાની અપીલ</b></h2><p></p><p style="text-align: justify; ">સેન્ટર ફોર પીસ એન્ડ પ્રોગ્રેસ તરફથી પીએમ નરેન્દ્ર મોદી અને શહબાઝ શરીફને ખુલ્લો પત્ર લખવામાં આવ્યો છે. આમાં ભારત-પાકિસ્તાન વચ્ચે સંરચિત વાર્તાલાપ, પૂર્ણ રાજદ્વારી સંબંધો બહાલ કરવા અને લોકોના પરસ્પર સંપર્ક ફરી શરૂ કરવાની માગ છે. આ સિવાય ધાર્મિક અને સાંસ્કૃતિક અવરજવરને પ્રોત્સાહન આપવાની પણ અપીલ કરવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>ભારત તરફથી કોણે કર્યા સાઇન?</b></h3><p style="text-align: justify; ">ભારત તરફથી આ પત્રમાં ફારુખ અબ્દુલ્લા, મીરવાઇઝ ઉમર ફારુખ, મહેબૂબા મુફ્તી, મનોજ ઝા અને હુમાયુ કબીર સહિત 61 હસ્તાક્ષરકર્તાઓ સામેલ છે. આ પત્રમાં નેતાઓએ ડિજિટલ ફોર્મેટમાં હસ્તાક્ષર કર્યા છે.</p><h4 style="text-align: justify; "><b>પાકિસ્તાન તરફથી આ હસ્તીઓએ કર્યા હસ્તાક્ષર</b></h4><p style="text-align: justify; ">આ મુહિમમાં પાકિસ્તાન તરફથી 56 અગ્રણી હસ્તીઓએ ખુલ્લા પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. આમાં પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી ખુર્શીદ મહમૂદ કસૂરી, પૂર્વ રાજદ્વારી અશરફ જહાંમીર કાઝી, નેશનલ એસેમ્બલીના સભ્ય ઇસ્ફનયાર ભંડારા અને પરમાણુ વૈજ્ઞાનિક પરવેઝ હૂદભોય હસ્તાક્ષરકર્તાઓમાં સામેલ છે.</p><h5 style="text-align: justify; "><b>ભારત-PAK સરકાર પાસે શું છે માગણીઓ?</b></h5><ul><li style="text-align: justify;">બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવને ખતમ કરવામાં આવે અને વાતચીત બહાલ થાય.</li><li style="text-align: justify;">દિલ્હી અને ઇસ્લામાબાદમાં હાઇ કમિશનરની ફરીથી નિમણૂકની માગ.</li><li style="text-align: justify;">ભારત-પાકિસ્તાન વચ્ચે સામાન્ય થાય વિઝા સર્વિસ.</li><li style="text-align: justify;">બંને દેશોનું એરસ્પેસ ફરીથી ખોલવામાં આવે.</li><li style="text-align: justify;">ધાર્મિક અને સાંસ્કૃતિક અવરજવરને પ્રોત્સાહન આપવામાં આવે.</li><li style="text-align: justify;">જમ્મુ-કાશ્મીર પર ફરીથી વાતચીત કરવામાં આવે.</li><li style="text-align: justify;">2004 અને 2007 ની સમગ્ર વાર્તાલાપ પ્રક્રિયાને આગળ વધારવામાં આવે.</li></ul><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gallery/news/entertainment/dia-mirza-religion-mother-hindu-father-christian-ikka-actress-lifestyle-facts" target="_blank">આ પણ વાંચો-માતા હિન્દુ, પિતા ખ્રિસ્તી, જાણો કયા ધર્મને માને છે ઇક્કાની એક્ટ્રેસ દીયા મિર્ઝા?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/3mAB1WLLi2kAP5t79LciJMyNbSVylNEzUUaciNkR.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક પૂર્ણ, વીજ પોલ અંગે ખેડૂતોના પક્ષમાં સકારાત્મક નિર્ણય ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-cabinet-meeting-cm-bhupendra-patel-farmers-protest</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-cabinet-meeting-cm-bhupendra-patel-farmers-protest</guid><pubDate>Wed, 01 Jul 2026 13:11:11 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય કેબિનેટની મહત્વની બેઠક પૂર્ણ થઈ છે. આ બેઠકમાં રાજ્યના વિકાસ કાર્યો સહિત ખેડૂતોને સ્પર્શતા અનેક મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વખતની બેઠકમાં ખેતરોમાંથી પસાર થતી હાઈટેન્શન લાઈન અને વીજ પોલનો મુદ્દો મુખ્ય કેન્દ્રબિંદુ રહ્યો હતો.</p><h2><b>વીજ પોલ વળતર મુદ્દે તમામ મંત્રીઓ એકમત</b></h2><p>કેબિનેટ બેઠકમાં ખેડૂતોના હિતને લઈને એક મોટો ગરમાવો જોવા મળ્યો હતો. ખેતરોમાં નાખવામાં આવતા વીજ પોલના કારણે ખેડૂતોની કિંમતી જમીનને થતા નુકસાન અંગે તમામ મંત્રીઓએ એકસૂરે અવાજ ઉઠાવ્યો હતો. વીજ પોલ ઊભા કરવાના બદલામાં જગતના તાતને હાલમાં જે વળતર મળે છે, તેના કરતાં ઘણું વધુ વળતર ચૂકવવું જોઈએ તેવી મંત્રીઓએ સામૂહિક માગ કરી છે. આ મામલે કેબિનેટના તમામ સભ્યોમાં સંપૂર્ણ એકમત જોવા મળ્યો હતો.</p><h2><b>ખેડૂત આગેવાનો સાથે ટૂંક સમયમાં બેઠક</b></h2><p>મંત્રીઓની રજૂઆત અને વળતર વધારવાની માગને પગલે સરકારે લોકતાંત્રિક અભિગમ અપનાવવાનું નક્કી કર્યું છે. કેબિનેટમાં લેવાયેલા નિર્ણય મુજબ, હવે આ મામલે વિવિધ ખેડૂત સંગઠનો અને રાજ્યના અગ્રણી ખેડૂત આગેવાનો સાથે સીધી ચર્ચા કરવામાં આવશે. ખેડૂતોની અપેક્ષાઓ અને વહીવટી પ્રક્રિયાને ધ્યાને રાખીને સરકાર વળતરનો નવો ડ્રાફ્ટ તૈયાર કરી શકે છે.</p><h2><b>મુખ્યમંત્રીની સૂચના બાદ આખરી નિર્ણય જાહેર થશે</b></h2><p>ખેડૂત આગેવાનો સાથેની ચર્ચાના દોર બાદ આ સમગ્ર વિગતો મુખ્યમંત્રી સમક્ષ મૂકવામાં આવશે. મુખ્યમંત્રીની અંતિમ સૂચના અને મંજૂરી બાદ જ વળતરની નવી રકમ અંગેનો અંતિમ સત્તાવાર નિર્ણય જાહેર કરાશે. સરકારના આ સકારાત્મક વલણથી રાજ્યના લાખો ખેડૂતોને પોતાની જમીન પર ઊભા કરાતા વીજ પોલનું મોટું અને સંતોષકારક આર્થિક વળતર મળવાની આશા જાગી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/gandhinagar-cm-bhupendra-patel-warning-namo-swachhta-abhiyan-gandhinagar-civil-hospital" target="_blank">Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલની લાલઆંખ, "ગમે ત્યાં પિચકારી મારનારા અને કચરો ફેંકનારાઓની હવે વ્યવસ્થા થશે જ..!</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/LFNOxiAQoNJu97qkwwUFQ0stgjzQk09Vn3cX0Thj.webp'/></item><item><title><![CDATA[Surendranagar News: લીંબડીની નદીમાં ન્હાવા પડેલા બે યુવાનોના ડૂબી જવાથી મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/surendranagar/limbdi-sauka-river-drowning-two-youth-death</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surendranagar/limbdi-sauka-river-drowning-two-youth-death</guid><pubDate>Wed, 01 Jul 2026 12:51:08 +05:30</pubDate><description><![CDATA[<p>સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. લીંબડીના સૌકા ગામ નજીક વહેતી નદીમાં ન્હાવા પડેલા બે યુવાનોના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યા છે. એકસાથે બે-બે યુવાનોના અકાળે મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારોમાં આક્રંદ છવાયું છે.</p><h2><b>નદીમાં સર્જાયો કાળમુખો અકસ્માત</b></h2><p>ઘટનાની મળતી માહિતી અનુસાર, ઉનાળાની ગરમીથી રાહત મેળવવા અથવા મિત્રતાના માહોલમાં આ બંને યુવાનો સૌકા ગામની નદીએ ન્હાવા માટે ગયા હતા. જોકે, નદીના ઊંડા પાણીનો અંદાજ ન આવતા અથવા અચાનક પગ લપસી જતાં બંને યુવાનો નદીના ઊંડા ધરામાં ગરકાવ થઈ ગયા હતા. યુવાનો ડૂબી રહ્યા હોવાની બૂમાબૂમ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.</p><h2><b>સ્થાનિક તરવૈયાઓની ભારે જહેમત</b></h2><p>ઘટનાની જાણ થતાં જ સૌકા ગામના સ્થાનિક તરવૈયાઓ કોઈ પણ વિલંબ વગર નદીના પાણીમાં ઉતરી પડ્યા હતા. ભારે શોધખોળ અને જહેમતના અંતે તરવૈયાઓએ બંને યુવાનોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા, પરંતુ કમનસીબે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું અને બંનેના શ્વાસ થંભી ગયા હતા.</p><h2><b>મૃતક આશાસ્પદ યુવાનોની ઓળખ</b></h2><p>નદીમાં કાળનો કોળિયો બનેલા બંને યુવાનોની ઓળખ થઈ ચૂકી છે, જેઓ ખૂબ જ નાની ઉંમરના હતા. જેમાં જયેન્દ્ર પનારા (ઉંમર વર્ષ 25, રહેવાસી- સૌકા ગામ, તાલુકો લીંબડી) અને જીગ્નેશ પરમાર (ઉંમર વર્ષ 24, રહેવાસી- કૃષ્ણનગર, લીંબડી)નો સમાવેશ થાય છે.</p><h2><b>પોલીસ કાફલો હોસ્પિટલ દોડ્યો</b></h2><p>ઘટના બાદ બંને યુવાનોના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે તાત્કાલિક લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની જાણ થતાં જ લીંબડી પોલીસ સ્ટેશનના પીઆઈ અને પીએસઆઈ સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે ઘટના અંગે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surendranagar/surendranagar-family-accepts-body-of-worker-at-company-near-malvan-on-fourth-day" target="_blank"> Surendranagar: માલવણ પાસેની કંપનીમાં શ્રામિકનો મૃતદેહ પરિવારે ચોથા દિવસે સ્વીકાર્યો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/0ZfEyQg9wDRL0nTJDogQ3gQiBtLcSOBVuGOxIOUg.webp'/></item><item><title><![CDATA[Donald Trump India Property Deal: ડોનાલ્ડ ટ્રમ્પની ભારતમાં પ્રોપર્ટી ડીલથી કરોડોની કમાણી, સામે આવી ચોંકાવનારી વિગતો! ]]></title><link>https://sandesh.com/world/news/business/usa/donald-trump-india-property-deal-donald-trump-earned-crores-from-property-deal-in-india-shocking-details-revealed</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/business/usa/donald-trump-india-property-deal-donald-trump-earned-crores-from-property-deal-in-india-shocking-details-revealed</guid><pubDate>Wed, 01 Jul 2026 12:46:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ડોનાલ્ડ ટ્રમ્પે દિલ્હી અને ગુરુગ્રામ જેવા શહેરોમાં આ સોદા કર્યા હતા. અગાઉ વર્ષ 2024માં, ટ્રમ્પે મિલકતના સોદાઓથી $10 મિલિયન કમાવ્યા હતા.</p><h2 style="text-align: justify; ">કરોડથી વધુની કમાણી</h2><p style="text-align: justify; ">અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની વાર્ષિક સંપત્તિની વિગતો જાહેર કરી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના જણાવ્યા મુજબ, તેમણે ભારત અને વિયેતનામ સહિત અનેક દેશોમાં મિલકતના સોદાઓ અને લાઇસન્સિંગથી $26 મિલિયન કમાવ્યા હતા. રાષ્ટ્રપતિએ એ પણ જાહેર કર્યું કે, તેમણે 2025માં ક્રિપ્ટો ફર્મ દ્વારા $1.2 બિલિયન એટલે કે 11 હજાર કરોડથી વધુની કમાણી કરી હતી. રાષ્ટ્રપતિએ 2025માં કતાર, ભારત, વિયેતનામ, ઓમાન અને દુબઈમાં મિલકત સંબંધિત અનેક સોદાઓ પર હસ્તાક્ષર કર્યા હતા.&nbsp;</p><h3 style="text-align: justify; ">ટ્રમ્પે ભારતમાંથી કેટલી કમાણી કરી?</h3><p style="text-align: justify; ">2025માં, ટ્રમ્પે ભારતમાં પ્રોપર્ટી ડીલ્સમાંથી 81 કરોડ કમાવ્યા હતા. આ આવક ગુરુગ્રામ અને દિલ્હી જેવા શહેરોમાં ટ્રમ્પ ટાવર્સ માટે લાઇસન્સિંગ ફીમાંથી આવી હતી. ટ્રમ્પે વિયેતનામમાં એક પ્રોજેક્ટમાંથી $5 મિલિયન કમાવ્યા હતા. ક્રૂ રિસર્ચ અનુસાર, ટ્રમ્પે અગાઉ 2024માં મુંબઈમાં એક પ્રોજેક્ટ માટે લાઇસન્સ વેચીને $10 મિલિયન કમાવ્યા હતા. ભારતમાં આઠ ટ્રમ્પ-બ્રાન્ડેડ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. આમાંથી બે પ્રોજેક્ટ્સ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે છ વીડિયો જાહેર કરવાના બાકી છે. તેવી જ રીતે, પુણેમાં ટ્રમ્પ ટાવર પ્રોજેક્ટ $289 મિલિયન કમાવવાની અપેક્ષા છે.&nbsp;</p><h4 style="text-align: justify; ">અન્ય સ્થળની સંપત્તિથી પણ કમાણી&nbsp;</h4><p style="text-align: justify; ">રિયલ એસ્ટેટ ડીલ્સ ઉપરાંત, ડોનાલ્ડ ટ્રમ્પે ક્રિપ્ટો ફાર્મ્સ, ફિફા વર્લ્ડ કપ ટિકિટો વેચીને અને ગોલ્ફ ક્લબ વેચીને સંપત્તિ એકઠી કરી છે. ટ્રમ્પનો આખો પરિવાર વ્યવસાયમાં સામેલ છે. જ્યારે ટ્રમ્પના જમાઈ રિયલ એસ્ટેટમાં સંકળાયેલા છે. ત્યારે તેમનો પુત્ર ક્રિપ્ટો ફાર્મ વ્યવસાયમાં સક્રિય છે. ફોર્બ્સ મેગેઝિન અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પની કુલ સંપત્તિ $6.5 બિલિયન છે. જેમાં તેમના પરિવારની સંપત્તિનો સમાવેશ થતો નથી. ટ્રમ્પે દુબઈમાં પ્રોપર્ટી ડીલ્સમાંથી $13 મિલિયન કમાવ્યા છે. તેઓ દુબઈમાં 80 ટાવર બનાવી રહ્યા છે. તેમનો રિયલ એસ્ટેટ વ્યવસાય વિશ્વભરના 20 દેશોમાં ફેલાયેલો છે. ટ્રમ્પે તેમના રિયલ એસ્ટેટ વ્યવસાયમાંથી $3 બિલિયનની નેટવર્થ એકત્ર કરી છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/world/news/ayatollah-khamenei-funeral-know-the-complete-process-of-ayatollah-ali-khameneis-funeral" target="_blank"> આયાતુલ્લાહ અલી ખામેનીની દફનવિધિની સંપૂર્ણ પ્રક્રિયા જાણો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/YoC7wOF9Sl7ZIj9lCRajpmq8OphL4QzKiwYfRJty.webp'/></item><item><title><![CDATA[Ahmedabad સુભાષબ્રિજ તોડવાની કામગીરી શરૂ, નદીના પટમાં કડડભૂસ કરાયા 3 સ્પાન, નવો આઇકોનિક બ્રિજ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-subhash-bridge-demolition-starts-three-spans-broken-amc-new-bridge-cost</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-subhash-bridge-demolition-starts-three-spans-broken-amc-new-bridge-cost</guid><pubDate>Wed, 01 Jul 2026 12:15:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા તેમજ એરપોર્ટ તરફ જવા માટે અત્યંત મહત્વપૂર્ણ એવા 53 વર્ષ જૂના સુભાષબ્રિજને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનદ્વારા આ જર્જરિત બ્રિજને સંપૂર્ણપણે નવો બનાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધા બાદ, હવે તોડી પાડવાની પ્રક્રિયા યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. આ કામગીરીના પ્રથમ ચરણમાં બ્રિજના સુપરસ્ટ્રક્ચરના મહત્વના એવા ત્રણ ગંજાવર સ્પાનને સાબરમતી નદીના પટમાં સુરક્ષિત રીતે તોડી પાડવામાં આવ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>નવો બ્રિજ બનાવવાની કડક ભલામણ&nbsp;</b></h2><p style="text-align: justify; ">અત્રે ઉલ્લેખનીય છે કે, આ બ્રિજના પિલ્લરોમાં ગંભીર તિરાડો અને માળખાકીય ખામીઓ સર્જાતા આઈઆઈટી રૂર્કી અને આઈઆઈટી ગાંધીનગરના નિષ્ણાતોએ રિપેરિંગને બદલે નવો બ્રિજ બનાવવાની કડક ભલામણ કરી હતી.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>હયાત બ્રિજના ત્રણ સ્પાન તોડી પડાયા</b></h3><p style="text-align: justify; ">નિષ્ણાતોના ગ્રીન સિગ્નલ બાદ કોર્પોરેશન દ્વારા હયાત બ્રિજના ત્રણ સ્પાન તોડી પડાતા હવે બાકીનું અન્ય તમામ લોખંડ અને સિમેન્ટનું જૂનું સ્ટ્રક્ચર પણ આગામી દિવસોમાં તબક્કાવાર ઉતારી લેવામાં આવશે. સમગ્ર જૂનો ઢાંચો હટાવ્યા બાદ બ્રિજનું પાયામાંથી જ નવનિર્માણ કરાશે.</p><h3 style="text-align: justify; "><b>નવો બ્રિજ આગામી 2 વર્ષના ટૂંકા ગાળામાં તૈયાર થશે</b></h3><p style="text-align: justify; ">હવે અમદાવાદીઓની સુવિધા માટે આ નવો બ્રિજ આગામી 2 વર્ષના ટૂંકા ગાળામાં તૈયાર કરી દેવાનું આયોજન છે. આ ભવ્ય પ્રોજેક્ટ પાછળ ₹૨૩૧ કરોડથી વધુનો તોતિંગ ખર્ચ અંદાજવામાં આવ્યો છે. નવો બ્રિજ માત્ર મજબૂત જ નહીં, પરંતુ ભવિષ્યના ટ્રાફિક અને ૧૦૦ વર્ષના આયુષ્યને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવશે. જોકે, આગામી 1 વર્ષ સુધી વાહનચાલકોને ડાયવર્ઝન અને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવો પડશે, પરંતુ ભવિષ્યમાં આ રૂટ પર ટ્રાફિકની મોટી સમસ્યાનો કાયમી ઉકેલ આવી જશે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-india-weather-driest-june-in-100-years-monsoon-delay-july-forecast" target="_blank"><b> Sandesh Digital Explainer: છેલ્લા 100 વર્ષમાં સૌથી સૂકો જૂન મહિનો કેમ રહ્યો ? હવે જુલાઈમાં શું થશે? તમારા પ્રશ્નના તમામ જવાબ વાંચો</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/01/LcbX4jbx3F081zK6EYOp9IkkH4BvPZids4cupqz0.webp'/></item></channel></rss>