<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Surat: ક્યાંક ધીમી ધારે તો ક્યાંક વરસાદી ઝાપટાં, અષાઢી બીજે મેઘરાજાએ આપ્યા શુકનવંતા મંડાણ ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/surat/gujarat-rain-updates-ashadhi-bij-surat-city-amreli-bagasra-junagadh-farmers-happy</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/surat/gujarat-rain-updates-ashadhi-bij-surat-city-amreli-bagasra-junagadh-farmers-happy</guid><pubDate>Thu, 16 Jul 2026 10:17:22 +05:30</pubDate><description><![CDATA[<p>રાજ્યમાં ચોમાસાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ મેઘરાજાએ લાંબો વિરામ લીધો હતો. જો કે, અષાઢી બીજના પવિત્ર દિવસે ફરી એકવાર રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે અને મેઘરાજાએ શુકનવંતા મંડાણ કર્યા છે. સૌરાષ્ટ્રના અમરેલી અને જૂનાગઢ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના સુરતમાં વરસાદની ધમાકેદાર રી-એન્ટ્રી થઈ છે.</p><h2><b>બગસરા પંથકમાં વિરામ બાદ વરસાદ&nbsp;</b></h2><p>અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં લાંબા સમયના વિરામ બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ ખાબક્યો હતો. અષાઢી બીજના પર્વે જ વરસાદ પડતાં સ્થાનિક ખેડૂતો તેને શુકનવંતો ગણાવી રહ્યા છે. બીજી તરફ જૂનાગઢ જિલ્લામાં પણ સવારથી જ કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા. જૂનાગઢના કેશોદ અને વંથલી પંથકમાં વરસાદી ઝાપટાં શરૂ થતાં કપાસ અને મગફળીના પાકને મોટો ફાયદો થવાની આશાએ ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.</p><h3><b>મેઘરાજા સુરત પર મહેરબાન થયા</b></h3><p>સુરત શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદ ગાયબ થતાં નાગરિકો અસહ્ય ગરમી અને ઉકળાટથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આજે વહેલી સવારથી જ મેઘરાજા સુરત પર મહેરબાન થયા છે. શહેરના ખટોદરા, અઠવા, રીંગ રોડ, અડાજણ, ભટાર, વેડ રોડ અને વરાછા સહિતના વિસ્તારોમાં ધીમી તેમજ મધ્યમ ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ તરફ સુરત ગ્રામ્યના ઓલપાડ તાલુકામાં પણ લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટાં પડતાં ખેતીના પાકને મોટું જીવનદાન મળ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં વરસાદનું જોર હજુ વધી શકે છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/rajkot/jam-tower-road-accident-crusher-truck-hits-woman-death-driver-absconding" target="_blank">આ પણ વાંચો: Rajkot: જામ ટાવર પાસે ટ્રક ચાલકે મહિલાને અડફેટે લેતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત, ચાલક વાહન મૂકી ઘટનાસ્થળેથી ફરાર</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/4xrIjOJDsbB6cFgYRP1Q9rExkGcyXUqX2z0atyww.webp'/></item><item><title><![CDATA[7 મિનિટમાં બદલાઈ ગઈ મેચ! ઇંગ્લેન્ડને હરાવી FIFA World Cupની ફાઇનલમાં પહોંચ્યું અર્જેન્ટીના ]]></title><link>https://sandesh.com/sports/fifa-world-cup/news/fifa-world-cup-2026-argentina-beats-england-semi-final-messi</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/fifa-world-cup/news/fifa-world-cup-2026-argentina-beats-england-semi-final-messi</guid><pubDate>Thu, 16 Jul 2026 10:11:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફૂટબોલના ઇતિહાસની સૌથી મોટી પ્રતિદ્વંદ્વિત્તાઓમાંથી એકે આજે એક નવો સુવર્ણ અધ્યાય લખી દીધો છે. ફીફા વર્લ્ડ કપ 2026ના બીજા સેમિફાઇનલ મુકાબલામાં લિયોનેલ મેસીની આગેવાની હેઠળની અર્જેન્ટીનાએ ઇંગ્લેન્ડના વર્લ્ડ કપ જીતવાના સપનાને ચકનાચૂર કરતા સતત બીજી વાર ફાઇનલમાં પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે.</p><h2 style="text-align: justify; "><b>છેલ્લી 7 મિનિટે પલટાઈ મેચ</b></h2><p style="text-align: justify; ">એક સમયે એવું લાગી રહ્યું હતું કે ઇંગ્લેન્ડ ફાઇનલની ટિકિટ પાક્કી કરી ચૂક્યું છે, પરંતુ મેચની છેલ્લી 7 મિનિટમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન અર્જેન્ટીનાએ સાબિત કરી દીધું કે તે કેમ ચેમ્પિયન છે. લિયોનેલ મેસીના બે જાદુઈ પાસની મદદથી અર્જેન્ટીનાએ ઇંગ્લેન્ડને 2-1 થી શિકસ્ત આપીને સતત બીજી વાર ફીફા વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે રવિવારે ન્યૂ જર્સીમાં અર્જેન્ટીનાની ખિતાબી ટક્કર સ્પેન સામે થશે.</p><h3 style="text-align: justify; "><b>મર્સિડીઝ-બેન્ઝ સ્ટેડિયમમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા</b></h3><p style="text-align: justify; ">મર્સિડીઝ-બેન્ઝ સ્ટેડિયમમાં મેચની શરૂઆતથી જ બંને દેશોના ફેન્સ વચ્ચે જબરદસ્ત અવાજ અને મેદાન પર તીવ્ર તણાવ જોવા મળ્યો. પહેલા હાફમાં રમત મોટેભાગે ફાઉલના કારણે ખોરવાયેલી રહી. ત્રીજી મિનિટમાં જ એન્ઝો ફર્નાન્ડેઝના એક ફાઉલ પછી ખેલાડીઓ વચ્ચે તીખી બોલાચાલી થઈ. ઇંગ્લેન્ડે લિયોનેલ મેસીને ઘેરીને રાખ્યો અને મુક્તપણે રમવાની કોઈ તક ન આપી. અર્જેન્ટીનાના માર્ટિનેઝ અને ઇંગ્લેન્ડના ઇલિયટ એન્ડરસનને યેલો કાર્ડ પણ જોવું પડ્યું. મર્યાદિત તકો વચ્ચે પહેલો હાફ 0-0 ની બરાબરી પર છૂટ્યો.</p><h4 style="text-align: justify; "><b>બીજા હાફમાં ઇંગ્લેન્ડનો દબદબો</b></h4><p style="text-align: justify; ">બીજા હાફમાં વાર્તા પૂરી રીતે બદલાઈ ગઈ. 55 મી મિનિટમાં ઇંગ્લેન્ડના મોર્ગન રોજર્સે એક જાદુઈ પાસ આપ્યો, જેના પર એન્થોની ગોર્ડને શાનદાર ફિનિશિંગ કરતા બોલને ગોલપોસ્ટમાં નાખી દીધો. આ ગોલની મદદથી ઇંગ્લેન્ડ 1-0 થી આગળ થઈ ગયું. આ પછી અર્જેન્ટીના પર દબાણ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું અને ઘડિયાળના કાંટા પસાર થવાની સાથે ઇંગ્લેન્ડની જીત નક્કી લાગતી હતી.</p><h4 style="text-align: justify; "><b>85 મી મિનિટથી શરૂ થયું મેસી અને અર્જેન્ટીનાનું 'રૌદ્ર સ્વરૂપ'</b></h4><p style="text-align: justify; ">જ્યારે અર્જેન્ટીનાના ફેન્સ આશા ગુમાવી રહ્યા હતા, ત્યારે 'ગોડ ઓફ ફૂટબોલ' લિયોનેલ મેસીએ કમાન સંભાળી. 85 મી મિનિટમાં મેસીએ ડિફેન્ડર્સને થાપ આપીને એન્ઝો ફર્નાન્ડેઝને પાસ આપ્યો. ફર્નાન્ડેઝે બોક્સની બરાબર બહારથી એક બુલેટ શોટ ફટકારીને સ્કોર 1-1 કરી દીધો. મેચ જ્યારે એક્સ્ટ્રા ટાઈમ તરફ વધી રહી હતી, ત્યારે જ ઇન્જરી ટાઈમમાં મેસીએ એક વધુ સચોટ પાસ આપ્યો, જેને લાઉતારો માર્ટિનેઝે કોઈ પણ ભૂલ કર્યા વિના ગોલમાં ફેરવી દીધો. માત્ર 7 મિનિટની અંદર સ્કોર 1-0 થી 2-1 થઈ ગયો.</p><h5 style="text-align: justify; "><b>જીત બાદ ભાવુક બન્યા મેસી</b></h5><p style="text-align: justify; ">ફાઇનલ વ્હીસલ વાગતા જ લિયોનેલ મેસી અટલાન્ટાના મેદાન પર ઘૂંટણિયે બેસી ગયા અને તેમની આંખોમાંથી આંસુ સરી પડ્યા. આ પછી તેઓ પોતાના સાથીઓને ગળે લગાવતા નજરે આવ્યા. એક વધુ યાદગાર વાપસીથી ટીમને જીત અપાવનારા 39 વર્ષીય મેસી હવે સતત બીજી વાર ફીફા વિશ્વ કપ જીતવાથી માત્ર એક ડગલું દૂર છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/sports/fifa-world-cup/news/fifa-world-cup-2026-argentina-banner-controversy-fifa-action" target="_blank">આ પણ વાંચો-FIFA WC 2026 : જીતનો જશ્ન પડશે ભારે! અર્જેન્ટિનાએ બતાવ્યું વિવાદિત બેનર, ફિફા લઈ શકે છે મોટું એક્શન</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/WKsrvvxEcuQ2U4WabI7ikLWuUt5uAS7L53Wb2FMO.webp'/></item><item><title><![CDATA[Rajkot: જામ ટાવર પાસે ટ્રક ચાલકે મહિલાને અડફેટે લેતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત, ચાલક વાહન મૂકી ઘટનાસ્થળેથી ફરાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/jam-tower-road-accident-crusher-truck-hits-woman-death-driver-absconding</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/jam-tower-road-accident-crusher-truck-hits-woman-death-driver-absconding</guid><pubDate>Thu, 16 Jul 2026 10:02:26 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ શહેરમાં ભારે અને કોમર્શિયલ વાહનોની બેફામ ગતિ અવારનવાર નિર્દોષ નાગરિકો માટે કાળ સાબિત થઈ રહી છે. આજે આવી જ એક હૃદયદ્રાવક ઘટના શહેરના ભરચક ગણાતા જામ ટાવર પાસે ઘટી છે. એક ઓવરસ્પીડ કન્સ્ટ્રક્શન ક્રશર ટ્રકના ચાલકે ટ્રાફિક નિયમો અને માર્ગ સલામતીને નેવે મૂકીને રોડ ક્રોસ કરી રહેલી અથવા પસાર થઈ રહેલી એક અજાણી મહિલાને અડફેટે લીધી હતી.</p><h2><b>જામ ટાવર પાસે હિટ એન્ડ રન</b></h2><p>ટ્રકની સ્પીડ એટલી વધારે હતી કે મહિલાને બચવાની તક સુધ્ધાં નહોતી મળી. ટ્રકની ટક્કર વાગતા જ મહિલા રોડ પર પછડાઈ હતી અને તેના શરીર પરથી ક્રશર ટ્રકનું વ્હીલ ફરી વળ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે ગંભીર ઈજાઓ થવાના કારણે મહિલાનું ઘટનાસ્થળે જ તરફડિયા મારીને મોત નીપજ્યું હતું.</p><h3><b>અકસ્માત બાદ ચાલક વાહન છોડીને ફરાર</b></h3><p>આ અકસ્માત થતાં જ આસપાસના વેપારીઓ અને રાહદારીઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. જોતજોતામાં જામ ટાવર સર્કલ પર સેંકડો લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. અકસ્માત બાદ ગુસ્સે ભરાયેલા લોકો કઈ એક્શન લે તે પહેલા જ ચાલક વાહન છોડીને ભીડનો લાભ ઉઠાવી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનીય પોલીસ અને ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતક મહિલાના શવને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવાની અને ફરાર ક્રશર ચાલક વિરુદ્ધ હિટ એન્ડ રનનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/rathyatra-2026/ahmedabad/rathyatra-security-30000-police-personnel-deployed-deep-points-control-room-monitoring" target="_blank">આ પણ વાંચો: Ahmedabad Rath Yatra 2026: 30 હજાર પોલીસ જવાનોના લોખંડી સુરક્ષા છત્ર વચ્ચે નગરચર્યાએ નીકળ્યા નાથ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/r6fXReiW4rz07wnZipPU43rrgnYaYMYigKhw081C.webp'/></item><item><title><![CDATA[Puri Rath Yatra 2026: રવિયોગમાં રથયાત્રાનો મંગલારંભ, જાણો મહત્વ અને આખો શેડ્યુલ ]]></title><link>https://sandesh.com/india/news/puri-rath-yatra-2026-auspicious-start-of-rath-yatra-in-raviyoga-know-its-importance-and-complete-schedule</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/puri-rath-yatra-2026-auspicious-start-of-rath-yatra-in-raviyoga-know-its-importance-and-complete-schedule</guid><pubDate>Thu, 16 Jul 2026 09:15:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આજે, 16 જુલાઈ 2026 ના રોજ અષાઢી બીજના પવિત્ર અવસરે ઓડિશાના પુરીમાં વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રાનો મંગલમય આરંભ થયો છે. આ વર્ષે રથયાત્રાનું મહત્વ અનેકગણું વધી ગયું છે, કારણ કે તે અત્યંત શુભ એવા 'રવિયોગ'માં શરૂ થઈ રહી છે. ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે પોતાના મુખ્ય મંદિર (શ્રીમંદિર) થી પ્રસ્થાન કરીને પોતાની કાકીના ઘર એટલે કે 'ગુંડીચા મંદિર' તરફ નગરચર્યાએ નીકળ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>આજે સ્વયં પોતાના ભક્તોને આશીર્વાદ આપવા નીકળ્યા જગન્નાથ</b></h2><p style="text-align: justify; ">આ રથયાત્રાની સૌથી મોટી વિશેષતા એ છે કે, સામાન્ય દિવસોમાં જે ભગવાન ગર્ભગૃહમાં બિરાજમાન રહે છે, તેઓ આજે સ્વયં પોતાના ભક્તોને આશીર્વાદ આપવા રસ્તા પર આવે છે. શાસ્ત્રો મુજબ ગુંડીચા મંદિરમાં ભગવાનના દર્શન કરવા એ સો યજ્ઞ કરવા બરાબર પુણ્યશાળી માનવામાં આવે છે. આ દિવ્ય પ્રવાસ 24 જુલાઈ સુધી ચાલશે, જ્યારે 'બહુડા યાત્રા' દ્વારા પ્રભુ પરત મુખ્ય મંદિરે પધારશે અને 25 જુલાઈએ તેમનું ભવ્ય 'સુનવેષા' થશે.</p><h3 style="text-align: justify; "><b>અદભૂત કારીગરીનું જીવંત ઉદાહરણ ભવ્ય રથો</b></h3><p style="text-align: justify; ">ભગવાનના આ ભવ્ય રથોનું નિર્માણ પ્રાચીન ભારતીય વિજ્ઞાન અને અદભૂત કારીગરીનું જીવંત ઉદાહરણ છે. આ રથ બનાવવા માટે 4,000 થી વધુ લાકડાના ટુકડાઓનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આખા રથના નિર્માણમાં ક્યાંય પણ લોખંડના ખીલા કે ધાતુનો ઉપયોગ કરવામાં આવતો નથી. પેઢીઓથી ચાલ્યા આવતા પરંપરાગત કારીગરો કોઈપણ આધુનિક બ્લુપ્રિન્ટ કે ડિઝાઈન વગર, પોતાની કુશળતા અને આસ્થાના જોરે આ ભવ્ય રથ તૈયાર કરે છે.</p><h4 style="text-align: justify; "><b>'ચેરા પહાડા' વિધિ નમ્રતાનું સર્વોચ્ચ પ્રતીક</b></h4><p style="text-align: justify; ">રથયાત્રા દરમિયાન યોજાતી 'ચેરા પહાડા' વિધિ એ ભક્તિ અને નમ્રતાનું સર્વોચ્ચ પ્રતીક છે. આ વિધિમાં પુરીના ગજપતિ મહારાજા પોતે એક સામાન્ય સેવક બનીને રથની આગળનો માર્ગ સોનાની સાવરણીથી સાફ કરે છે અને સુગંધિત પાણી છાંટે છે. આ દ્રશ્ય દુનિયાને સંદેશ આપે છે કે પરમાત્માના દરબારમાં રાજા હોય કે રંક, દરેક ભક્ત સમાન છે. આ પાવન યાત્રા જાતિ, ધર્મ અને ભેદભાવથી પર છે, જ્યાં દરેક વ્યક્તિ રથના દોરડાને સ્પર્શવા માટે આતુર હોય છે.</p><h4 style="text-align: justify; "><b>દોરડું ખેંચવા પાછળ પણ અલગ ભાવ</b></h4><p style="text-align: justify; ">માન્યતા છે કે, જે ભક્ત પૂરા ભાવથી રથના દોરડાને સ્પર્શે છે કે ત્રણ ડગલાં પણ ખેંચે છે, તેના અનેક જન્મોના પાપોનો નાશ થાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આજે, ગ્રાન્ડ રોડ પર શંખનાદ, ઢોલ-નગારા અને 'જય જગન્નાથ'ના ગુંજારવથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. લાખો ભક્તોની ઉપસ્થિતિ અને તેમની અખૂટ શ્રદ્ધા આ યાત્રાને વિશ્વનો સૌથી મોટો અને પવિત્ર ધાર્મિક ઉત્સવ બનાવે છે. પુરીની આ ધરતી આજે ખરેખર પૃથ્વી પરનું વૈકુંઠ બની ગઈ છે.</p><h5 style="text-align: justify; "><b>રથ ખેંચવાનો મહિમા: ફક્ત 3 પગલાં અને મોક્ષ પ્રાપ્તિ</b></h5><p style="text-align: justify; ">પુરી રથયાત્રામાં જાતિ, ધર્મ, ઊંચ-નીચ કે રંગનું કોઈ સ્થાન નથી. જીવનના તમામ ક્ષેત્રના લોકો રથના દોરડા પકડવા માટે ભેગા થાય છે.</p><p style="text-align: justify; ">સમાનતાનું પ્રતીક: કોઈપણ ભક્ત કોઈપણ ભેદભાવ વિના ભગવાનના રથને ખેંચી શકે છે.</p><p style="text-align: justify; ">પરંપરાગત નિયમો: ભક્તોએ ફક્ત શુદ્ધ હૃદય, પવિત્રતા અને પરંપરાગત પોશાક (જેમ કે ધોતી-કુર્તા) સાથે રથના દોરડાને સ્પર્શ કરવો જોઈએ.</p><p style="text-align: justify; ">ત્રણ પગલાંનું મહત્વ: પૌરાણિક માન્યતાઓ અનુસાર, જો કોઈ ભક્ત સાચા હૃદયથી ભગવાનના રથને ત્રણ પગલાં પણ ખેંચે છે, તો તેના અનેક જન્મોના પાપોનો નાશ થાય છે અને તે મુક્તિ (જીવન અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ) પ્રાપ્ત કરે છે.</p><h6 style="text-align: justify; "><b>લાખો ભક્તોનો પ્રવાહ</b></h6><p style="text-align: justify; ">મુખ્ય મંદિરથી ગુંડીચા મંદિરનું અંતર આશરે 3 કિલોમીટર છે. આ 3 કિલોમીટર લાંબો બડા દંડ (રથ માર્ગ) ફક્ત ભક્તિથી ભરેલો છે. શંખના અવાજ, ઢોલ અને ઝાંઝના ધબકારા અને "જય જગન્નાથ" ના ગર્જના વચ્ચે, પુરીની ભૂમિ સ્વર્ગના સ્વર્ગ જેવી દેખાય છે. દર વર્ષે, વિશ્વભરમાંથી લાખો ભક્તો આ દિવ્ય દર્શનનો ભાગ બનવા માટે પુરી આવે છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/gallery/news/with-the-chants-of-jai-ranchhod-the-lord-went-out-to-roam-the-city-the-city-was-painted-with-the-colors-of-devotion" target="_blank">આ પણ વાંચોઃ જય રણછોડના નાદ સાથે નીકળી પ્રભુની નગરચર્યા,ભક્તિના રંગે રંગાયું શહેર</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/b7z6R1LjbP72ey5lJjAB8NSfZiiAygi9AmUFEGlT.webp'/></item><item><title><![CDATA[Govt Hike Tax: ક્રૂડ ઓઇલમાં તેજી વચ્ચે સરકારનો મોટો નિર્ણય, ડીઝલ અને ATF પર અચાનક વધાર્યો ટેક્સ ]]></title><link>https://sandesh.com/india/news/business/govt-hike-tax-governments-big-decision-amid-rise-in-crude-oil-sudden-increase-in-tax-on-diesel-and-atf</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/govt-hike-tax-governments-big-decision-amid-rise-in-crude-oil-sudden-increase-in-tax-on-diesel-and-atf</guid><pubDate>Thu, 16 Jul 2026 09:10:06 +05:30</pubDate><description><![CDATA[<p>અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે મધ્ય પૂર્વમાં અસ્થિરતા વધી છે. આ નવા સંઘર્ષને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે અને તેલના વધતા ભાવ વચ્ચે ભારત સરકારે પેટ્રોલ અને ડીઝલ અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.&nbsp;</p><h2><b>ATFની નિકાસ પર વિન્ડફોલ ટેક્સમાં તીવ્ર વધારો&nbsp;</b></h2><p>મોદી સરકારે ડીઝલ અને એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (ATF) ની નિકાસ પર વિન્ડફોલ ટેક્સમાં તીવ્ર વધારો કર્યો છે, જેમાં પ્રતિ લિટર ₹7 નો વધારો કરવામાં આવ્યો છે. એક સત્તાવાર આદેશમાં જણાવાયું છે કે કર વધારવાનો આ નિર્ણય ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને કારણે લેવામાં આવ્યો છે.</p><h3><b>નવા કર દર શું છે?</b></h3><p>&nbsp;એક મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ સરકારે ડીઝલ પર નિકાસ ટેક્સ ₹8.5 પ્રતિ લિટરથી વધારીને ₹15.5 પ્રતિ લિટર કર્યો છે. જ્યારે એવિએશન ટર્બાઈન ફ્યુઅલ પર વિન્ડફોલ ટેક્સ ₹7.5 પ્રતિ લિટરથી વધારીને ₹14.5 પ્રતિ લિટર કરવામાં આવ્યો છે. આ સુધારેલા કર દર ગુરુવાર 16 જુલાઈથી અમલમાં આવ્યા છે. જોકે, પેટ્રોલ પર વિન્ડફોલ ટેક્સ ₹4 પ્રતિ લિટર ઘટાડવામાં આવ્યો છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2066579885511066046"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h4><b>તાજેતરમાં કરમાં ઘટાડો</b></h4><p>વૈશ્વિક પરિસ્થિતિઓ અને ક્રૂડ ઓઈલના વધતા ભાવને કારણે સરકારે ભૂતકાળમાં સમાન પગલાં લીધા છે.ઉલ્લેખનીય છે કે જુલાઈમાં જ્યારે યુએસ-ઈરાન તણાવ થોડા સમય માટે ઓછો થયો હતો ત્યારે સરકારે પેટ્રોલ નિકાસ પર વિન્ડફોલ ટેક્સ વધાર્યો હતો જ્યારે ડીઝલ અને એટીએફ માટે તેને ઘટાડ્યો હતો. હવે 16 જુલાઈથી ટેક્સ ફરીથી વધારવામાં આવ્યો છે.</p><p><b style="font-size: 1.5rem;">સરકારી માલિકીની કંપનીઓ આ કર સરકારને ચૂકવે છે.</b></p><p>સરકાર તેલ કંપનીઓ પર આ અણધાર્યો કર વસૂલ કરે છે. પેટ્રોલ, ડીઝલ અથવા જેટ ઇંધણની નિકાસ કરતી વખતે તેલ કંપનીઓએ સરકારને આ કર ચૂકવવો જરૂરી છે. માર્ચમાં પશ્ચિમ એશિયામાં વધતા તણાવને પગલે કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ પર આ ખાસ કર લાદ્યો હતો, અને ત્યારથી દર પખવાડિયે તેની સમીક્ષા કરવામાં આવે છે. શરૂઆતમાં, આ કર ડીઝલ અને ATF (એવિએશન ટર્બાઇન ફ્યુઅલ) પર લાગુ કરવામાં આવ્યો હતો, જ્યારે મે મહિનામાં તેને પેટ્રોલ પર પણ લંબાવવામાં આવ્યો હતો.</p><p><br></p><h4><b>સામાન્ય માણસ પર શું થશે અસર?</b></h4><p>શું પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ વધારવાના આ નિર્ણયથી સામાન્ય માણસ માટે ઇંધણના ભાવ પર અસર થશે? જવાબ ના છે. વિન્ડફોલ ટેક્સ એ ચોક્કસ કંપનીઓ અથવા ઉદ્યોગો પર સરકાર દ્વારા લાદવામાં આવતી વધારાની વસૂલાત છે. તેનો હેતુ સ્થાનિક બજારમાં ઇંધણની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો અને નિકાસકારોને આંતરરાષ્ટ્રીય ભાવ વધારાથી વધુ પડતો નફો મેળવવાથી અટકાવવાનો છે. બીજા શબ્દોમાં કહીએ તો એ સ્પષ્ટ છે કે આ સરકારના નિર્ણયથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થશે નહીં.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/ivHz6LP922iH4M7PU6acaqe5Qvypg5jfP5beI47w.webp'/></item><item><title><![CDATA[Govt Hike Tax: ક્રૂડ ઓઇલમાં તેજી વચ્ચે સરકારનો મોટો નિર્ણય, ડીઝલ અને ATF પર અચાનક વધાર્યો ટેક્સ ]]></title><link>https://sandesh.com/india/news/business/govt-hike-tax-governments-big-decision-amid-rise-in-crude-oil-sudden-increase-in-tax-on-diesel-and-atf</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/govt-hike-tax-governments-big-decision-amid-rise-in-crude-oil-sudden-increase-in-tax-on-diesel-and-atf</guid><pubDate>Thu, 16 Jul 2026 09:10:06 +05:30</pubDate><description><![CDATA[<p>અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે મધ્ય પૂર્વમાં અસ્થિરતા વધી છે. આ નવા સંઘર્ષને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે અને તેલના વધતા ભાવ વચ્ચે ભારત સરકારે પેટ્રોલ અને ડીઝલ અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.&nbsp;</p><h2><b>ATFની નિકાસ પર વિન્ડફોલ ટેક્સમાં તીવ્ર વધારો&nbsp;</b></h2><p>મોદી સરકારે ડીઝલ અને એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (ATF) ની નિકાસ પર વિન્ડફોલ ટેક્સમાં તીવ્ર વધારો કર્યો છે, જેમાં પ્રતિ લિટર ₹7 નો વધારો કરવામાં આવ્યો છે. એક સત્તાવાર આદેશમાં જણાવાયું છે કે કર વધારવાનો આ નિર્ણય ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને કારણે લેવામાં આવ્યો છે.</p><h3><b>નવા કર દર શું છે?</b></h3><p>&nbsp;એક મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ સરકારે ડીઝલ પર નિકાસ ટેક્સ ₹8.5 પ્રતિ લિટરથી વધારીને ₹15.5 પ્રતિ લિટર કર્યો છે. જ્યારે એવિએશન ટર્બાઈન ફ્યુઅલ પર વિન્ડફોલ ટેક્સ ₹7.5 પ્રતિ લિટરથી વધારીને ₹14.5 પ્રતિ લિટર કરવામાં આવ્યો છે. આ સુધારેલા કર દર ગુરુવાર 16 જુલાઈથી અમલમાં આવ્યા છે. જોકે, પેટ્રોલ પર વિન્ડફોલ ટેક્સ ₹4 પ્રતિ લિટર ઘટાડવામાં આવ્યો છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2066579885511066046"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h4><b>તાજેતરમાં કરમાં ઘટાડો</b></h4><p>વૈશ્વિક પરિસ્થિતિઓ અને ક્રૂડ ઓઈલના વધતા ભાવને કારણે સરકારે ભૂતકાળમાં સમાન પગલાં લીધા છે.ઉલ્લેખનીય છે કે જુલાઈમાં જ્યારે યુએસ-ઈરાન તણાવ થોડા સમય માટે ઓછો થયો હતો ત્યારે સરકારે પેટ્રોલ નિકાસ પર વિન્ડફોલ ટેક્સ વધાર્યો હતો જ્યારે ડીઝલ અને એટીએફ માટે તેને ઘટાડ્યો હતો. હવે 16 જુલાઈથી ટેક્સ ફરીથી વધારવામાં આવ્યો છે.</p><p><b style="font-size: 1.5rem;">સરકારી માલિકીની કંપનીઓ આ કર સરકારને ચૂકવે છે.</b></p><p>સરકાર તેલ કંપનીઓ પર આ અણધાર્યો કર વસૂલ કરે છે. પેટ્રોલ, ડીઝલ અથવા જેટ ઇંધણની નિકાસ કરતી વખતે તેલ કંપનીઓએ સરકારને આ કર ચૂકવવો જરૂરી છે. માર્ચમાં પશ્ચિમ એશિયામાં વધતા તણાવને પગલે કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ પર આ ખાસ કર લાદ્યો હતો, અને ત્યારથી દર પખવાડિયે તેની સમીક્ષા કરવામાં આવે છે. શરૂઆતમાં, આ કર ડીઝલ અને ATF (એવિએશન ટર્બાઇન ફ્યુઅલ) પર લાગુ કરવામાં આવ્યો હતો, જ્યારે મે મહિનામાં તેને પેટ્રોલ પર પણ લંબાવવામાં આવ્યો હતો.</p><p><br></p><h4><b>સામાન્ય માણસ પર શું થશે અસર?</b></h4><p>શું પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ વધારવાના આ નિર્ણયથી સામાન્ય માણસ માટે ઇંધણના ભાવ પર અસર થશે? જવાબ ના છે. વિન્ડફોલ ટેક્સ એ ચોક્કસ કંપનીઓ અથવા ઉદ્યોગો પર સરકાર દ્વારા લાદવામાં આવતી વધારાની વસૂલાત છે. તેનો હેતુ સ્થાનિક બજારમાં ઇંધણની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો અને નિકાસકારોને આંતરરાષ્ટ્રીય ભાવ વધારાથી વધુ પડતો નફો મેળવવાથી અટકાવવાનો છે. બીજા શબ્દોમાં કહીએ તો એ સ્પષ્ટ છે કે આ સરકારના નિર્ણયથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થશે નહીં.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/ivHz6LP922iH4M7PU6acaqe5Qvypg5jfP5beI47w.webp'/></item><item><title><![CDATA[Surat: યુએઈ નિયમ ભંગ બદલ 60 ભારતીય શ્રમિકોનો દેશનિકાલ, સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા તમામ મુસાફરો સુરત એરપોર્ટ પહોંચ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/dubai-government-deports-60-indian-laborers-surat-airport-passport-seized</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/dubai-government-deports-60-indian-laborers-surat-airport-passport-seized</guid><pubDate>Thu, 16 Jul 2026 09:01:06 +05:30</pubDate><description><![CDATA[<p>રોજગારી મેળવીને પરિવારનું ગુજરાન ચલાવવાના આશય સાથે સંયુક્ત આરબ અમીરાત (UAE) ગયેલા 60 જેટલા ભારતીય નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. દુબઈ સરકાર દ્વારા સ્થાનિક કાયદા અને નિયમોના ભંગના આરોપસર આ તમામ લોકોને તાત્કાલિક અસરથી ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે. આ કડક એક્શનના કારણે માત્ર નોકરી જ નહીં, પરંતુ શ્રમિકોએ પોતાની વર્ષોની કમાણી પણ ગુમાવવાનો વારો આવ્યો છે.</p><h2><b>ભારતીય નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાયા&nbsp;</b></h2><p>મળતી વિગતો અનુસાર, યુએઈ પ્રશાસન દ્વારા લેવાયેલા કાયદાકીય પગલાંના ભાગરૂપે ડિપોર્ટ કરાયેલા તમામ 60 ભારતીયોના પાસપોર્ટ, મોબાઈલ ફોન અને તેમની પાસે રહેલો અન્ય તમામ સામાન દુબઈમાં જ જપ્ત કરી લેવામાં આવ્યો હતો. વિદેશની ધરતી પર કોઈપણ દસ્તાવેજ કે પૈસા વિના લાચાર બનેલા આ નાગરિકોની વહારે ત્યાંનું ભારતીય દૂતાવાસ આવ્યું હતું. ભારતીય એમ્બેસી દ્વારા તમામ મુસાફરો વતન પરત ફરી શકે તે માટે ખાસ 'ઇમરજન્સી સર્ટિફિકેટ' ઇસ્યુ કરવામાં આવ્યા હતા. આ વન-ટાઇમ ટ્રાવેલ ડોક્યુમેન્ટના આધારે એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ નંબર IX-274 મારફતે તમામ 60 મુસાફરોને સુરત એરપોર્ટ પર લાવવામાં આવ્યા છે.</p><h3><b>લોકોને તાત્કાલિક અસરથી ડિપોર્ટ કરી દેવામાં આવ્યા</b></h3><p>સુરત એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ થતાં જ સ્થાનિક વહીવટી તંત્ર અને ઇમિગ્રેશન વિભાગ સક્રિય થઈ ગયું હતું. એરપોર્ટના ખાસ કક્ષમાં તમામ મુસાફરોનું સઘન વેરિફિકેશન અને દસ્તાવેજોની તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ મુસાફરો મુખ્યત્વે ઉત્તર પ્રદેશ, બિહાર અને પંજાબના વતની છે અને સામાન્ય શ્રમિક વર્ગના છે. તેઓ કયા એજન્ટ મારફતે દુબઈ ગયા હતા અને ત્યાં કયા ચોક્કસ નિયમનો ભંગ થયો છે તે અંગે ઇમિગ્રેશન અને સુરક્ષા એજન્સીઓ વધુ પૂછપરછ કરી રહી છે. વતન પરત ફરેલા શ્રમિકોના ચહેરા પર સામાન અને રોજગાર ગુમાવવાનો આઘાત સ્પષ્ટ જોઈ શકાતો હતો.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gir-somnath/gir-somnath-veraval-heavy-rain-after-long-break-farmers-happy" target="_blank">આ પણ વાંચો: Gir Somnath: વહેલી સવારથી જ વેરાવળ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/EKZWfkQ33n4EZS9b8d4OfSsWK61yIKyMRFQ0XfVG.webp'/></item><item><title><![CDATA[Gir Somnath: વહેલી સવારથી જ વેરાવળ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gir-somnath/gir-somnath-veraval-heavy-rain-after-long-break-farmers-happy</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gir-somnath/gir-somnath-veraval-heavy-rain-after-long-break-farmers-happy</guid><pubDate>Thu, 16 Jul 2026 08:48:48 +05:30</pubDate><description><![CDATA[<p>ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં સારો વરસાદ થયા બાદ ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ લાંબો વિરામ લીધો હતો. વરસાદ ખેંચાવાના કારણે સમગ્ર જિલ્લામાં અસહ્ય બફારો અને ગરમીનું પ્રમાણ વધ્યું હતું, જેનાથી નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. બીજી તરફ, સોમનાથ પંથકના ખેડૂતોએ ખરીફ પાકની વાવણી તો પૂર્ણ કરી દીધી હતી, પરંતુ પાકના વિકાસ માટે બીજા રાઉન્ડના વરસાદની અત્યંત જરૂરિયાત હતી. જો વરસાદ વધુ ખેંચાયો હોત તો વાવણી નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી હતી.</p><h2><b>ગીર સોમનાથના વાતાવરણમાં પલટો</b></h2><p>પરંતુ આજે વહેલી સવારથી જ ગીર સોમનાથના વાતાવરણમાં પલટો આવ્યો હતો. વેરાવળ, સોમનાથ અને તેની આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ધીમીધારે શરૂ થયેલો વરસાદ જોતજોતામાં ધોધમાર સ્વરૂપમાં ફેરવાઈ ગયો હતો. કલાકો સુધી વરસેલા અનરાધાર વરસાદના કારણે વેરાવળ શહેરના નીચાણવાળા વિસ્તારો અને રહેણાંક સોસાયટીઓની શેરીઓમાં નદીઓની જેમ પાણી વહેવા લાગ્યા હતા.</p><h3><b>સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદની આશા&nbsp;</b></h3><p>આ વરસાદ સોમનાથ પંથકના ઊભા પાક માટે સોના સમાન સાબિત થયો છે. વાવણી બાદ મુરઝાઈ રહેલા કપાસ, મગફળી સહિતના પાકોને આ વરસાદથી નવું જીવન મળ્યું છે, જેને પગલે જગતનો તાત ખુશખુશાલ થઈ ગયો છે. હવામાન વિભાગની સિસ્ટમ સક્રિય થતાં આગામી સમયમાં પણ ગીર સોમનાથ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદની આશા સેવાઈ રહી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/rathyatra-2026/ahmedabad/rath-yatra-2026-crime-branchs-anti-drone-active-direct-action-will-be-taken-against-those-flying-drones-without-permission" target="_blank">આ પણ વાંચો: Ahmedabad Rath Yatra 2026: ક્રાઈમ બ્રાન્ચનું એન્ટી ડ્રોન એક્ટિવ, મંજૂરી વગર ડ્રોન ઉડાડનારાઓ પર થશે સીધી એક્શન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/k51ey5YZFpW9ezMMYztENgie7nRHYz5W4LG1xejj.webp'/></item><item><title><![CDATA[Ramayana Trailer : એક નહીં, બે ટ્રેલરથી ધમાકો કરશે રણબીર કપૂરની રામાયણ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/ranbir-kapoor-ramayana-two-trailers-approved-cbfc-runtime-release-date</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/ranbir-kapoor-ramayana-two-trailers-approved-cbfc-runtime-release-date</guid><pubDate>Thu, 16 Jul 2026 08:31:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રણબીર કપૂરની 'રામાયણ' વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ છે. હાલમાં પ્રશંસકો આના ટ્રેલરની રાહ જોઈ રહ્યા છે. નિતેશ તિવારી નિર્દેશિત ફિલ્મનું પહેલું ઓફિશિયલ ટ્રેલર ટૂંક સમયમાં જ રિલીઝ થવાનું છે. આ બધાની વચ્ચે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન તરફથી રામાયણના ટ્રેલરને મંજૂરી પણ મળી ચૂકી છે. CBFC સર્ટિફિકેટ અનુસાર રામાયણના બે ટ્રેલર રિલીઝ કરવામાં આવશે. આ સાથે જ આનો રનટાઈમ પણ જાહેર થઈ ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>રામાયણના બે ટ્રેલર થશે રિલીઝ</b></h2><p style="text-align: justify; ">CBFC તરફથી મળેલા સર્ટિફિકેટ અનુસાર, ફિલ્મના ટ્રેલરને 15 જુલાઈએ U સર્ટિફિકેટ મળ્યું છે, જેનો અર્થ છે કે આને બાળકોથી લઈને વડીલો સુધી, તમામ ઉંમરના દર્શકો જોઈ શકે છે. રસપ્રદ વાત એ છે કે આ ટ્રેલર મોટાભાગના અન્ય થિયેટ્રિકલ પ્રિવ્યૂની સરખામણીમાં ઘણું લાંબું છે.</p><h3 style="text-align: justify; "><b>ટ્રેલરનો રનટાઈમ થયો જાહેર</b></h3><p style="text-align: justify; ">CBFC ની વેબસાઈટ પર અત્યારે ટ્રેલરના બે વર્ઝન લિસ્ટેડ છે. જ્યાં એક ટ્રેલરનું ટાઈટલ 'ટ્રેલર – રામાયણ 3D' છે. આનો રનટાઈમ 4 મિનિટ 15 સેકન્ડ છે. બીજાનું ટાઈટલ થિયેટ્રિકલ ટ્રેલર રામાયણ 3D છે. આનો રનટાઈમ 4 મિનિટનો છે. હવે એ જોવાનું બાકી છે કે જે ટ્રેલર ઓનલાઈન રિલીઝ થશે, તેમાં પ્રશંસકોને 15 સેકન્ડનું વધારે ફૂટેજ મળશે કે પછી તે ભાગ માત્ર મોટા પડદા પર જોનારાઓ માટે જ રાખવામાં આવશે.</p><h4 style="text-align: justify; "><b>રામાયણનું ટ્રેલર ક્યારે થશે રિલીઝ</b></h4><p style="text-align: justify; ">ટ્રેલરને CBFC સર્ટિફિકેશન ત્યારે મળ્યું છે, જ્યારે મેકર્સે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પરથી જાહેરાત કરી હતી કે ભારતથી દુનિયા સુધી, રામાયણનું ટ્રેલર 24 જુલાઈ, 2026 ના રોજ દુનિયાભરમાં રિલીઝ થશે. ટીમે એક નિવેદન જાહેર કરીને કહ્યું, હજારો વર્ષોથી, રામાયણ એ ધર્મ, મર્યાદા, સાહસ અને કરુણાના પોતાના સદાબહાર આદર્શોથી પેઢીઓને પ્રેરિત કરી છે. હવે, આ એક નવી યાત્રા શરૂ કરી રહી છે. ભારતની સૌથી મહાન સાંસ્કૃતિક મહાગાથાઓમાંની એક, જેને દુનિયાની સામે એવા સ્કેલ પર રજૂ કરવામાં આવી રહી છે, જેવો ભારતીય સિનેમામાં પહેલા ક્યારેય કરવામાં આવ્યો નથી.</p><h4 style="text-align: justify; "><b>રામાયણ સ્ટારકાસ્ટ</b></h4><p style="text-align: justify; ">નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત રામાયણમાં કેટલાય મોટા કલાકારો છે, જેમાં રણબીર કપૂર ભગવાન રામના રૂપમાં, સાઈ પલ્લવી સીતાના રૂપમાં, યશ રાવણના રૂપમાં, સની દેઓલ ભગવાન હનુમાનના રૂપમાં અને રવિ દુબે લક્ષ્મણના રૂપમાં નજરે પડશે. નમિત મલ્હોત્રા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ મહાગાથાનું મ્યુઝિક એઆર રહમાન અને હંસ ઝિમરે તૈયાર કર્યું છે. અહેવાલો અનુસાર ટ્રેલરને આવતા અઠવાડિયે કોમિક-કોનમાં પણ બતાવવામાં આવશે, જ્યાં સ્ટાર કાસ્ટ, ડાયરેક્ટર અને પ્રોડ્યુસર પેનલ ડિસ્કશનમાં સામેલ થાય તેવી આશા છે.</p><h4 style="text-align: justify; "><b>રામાયણ ક્યારે થશે રિલીઝ?</b></h4><p style="text-align: justify; ">બે ભાગમાં બનેલી આ ફિલ્મી ગાથામાં, રામાયણ: પાર્ટ 1 દિવાળી 2026 ના સમયે રિલીઝ થવાની છે. ફ્રેન્ચાઈઝીનો બીજો ભાગ 'રામાયણ: પાર્ટ 2', દિવાળી 2027 માં રિલીઝ થશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/samantha-ruth-prabhu-pregnant-motherhood-emotional-statement" target="_blank">આ પણ વાંચો-South Actress : 'હું હંમેશાથી માતા બનવા ઇચ્છતી હતી', પ્રેગ્નેન્ટ સામંથા રૂથ પ્રભુએ વ્યક્ત કરી દિલની વાત</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/UJcI4OuloGkiTGpuimTogVGnLAC28lVzpob9HrEB.webp'/></item><item><title><![CDATA[Kheralu: ઇન્દિરાનગરમાં બાળકોના સામાન્ય ઝઘડામાં બે પક્ષો વચ્ચે ભારે પથ્થરમારો, હિંસક ઘટનામાં 4 લોકો લોહીલુહાણ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kheralu/kheralu-indiranagar-group-clash-stone-pelting-four-injured</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kheralu/kheralu-indiranagar-group-clash-stone-pelting-four-injured</guid><pubDate>Thu, 16 Jul 2026 06:59:42 +05:30</pubDate><description><![CDATA[<p>ખેરાલુ શહેરમાં આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં સામાન્ય બાબતમાં બે કોમના લોકો વચ્ચે મોટો ઝઘડો થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ વિસ્તારમાં રમી રહેલા નાના બાળકો વચ્ચે કોઈ બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. જો કે, આ તકરારની અદાવતમાં બંને પક્ષના મોટા વડીલો અને શખ્સો પણ મેદાનમાં આવી ગયા હતા અને જોતજોતામાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.</p><h2><b>સામાન્ય બાબતમાં ઝઘડો થયો</b></h2><p>વાતાવરણ વણસતાં જ બંને પક્ષો તરફથી એકબીજા પર આડેધડ પથ્થરમારો શરૂ કરી દેવામાં આવ્યો હતો. પથ્થરમારાની આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારની બજારો બંધ થઈ ગઈ હતી અને સ્થાનિકોમાં અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. પથ્થરો વાગવાના કારણે બંને પક્ષના મળીને કુલ 4 જેટલા વ્યક્તિઓ લોહીલુહાણ થઈ ગયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી તેમની ગંભીર હાલતને જોતા વધુ સારવાર અર્થે વડનગરની સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.</p><h3><b>ખેરાલુ પોલીસ ઘટનાસ્થળે દોડી</b></h3><p>ઘટનાની ગંભીરતાને પગલે ખેરાલુ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક અસરથી ઇન્દિરાનગર ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે હવામાં લાઠીઓ વીંઝીને પથ્થરમારો કરતી ભીડને વિખેરી નાખી હતી અને સમગ્ર પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પથ્થરમારા બાદ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઇન્દિરાનગરના ચારેય નાકા પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસના આગમન બાદ હાલ વિસ્તારમાં સંપૂર્ણ શાંતિનો માહોલ છે. પોલીસે પથ્થરમારો કરનારા તોફાની તત્વોને ઓળખી કાઢવા અને તેમની સામે કાયદેસરનો ગુનો નોંધી ધરપકડ કરવા માટે આગળની તપાસ હાથ ધરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/botad/mining-officers-whatsapp-recce-case-paliyad-police-filed-complaint-seven-persons" target="_blank">આ પણ વાંચો: Botad: ખાણ-ખનિજ વિભાગના અધિકારીઓની WhatsApp પર રેકી કરતું નેટવર્ક પકડાયું, આ રેકેટમાં 2 શખ્સોની અટકાયત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/3YNf6MBWTxfPBZA58zzO2IOsZP0omBGReut3rkdx.webp'/></item></channel></rss>