<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Bharuch Rain: સિલુડી ગામમાં કમર સુધી પાણી ભરાતા પૂર જેવી સ્થિતિ, 10 થી વધુ મકાનોમાં પાણી ઘૂસતા ભારે તારાજી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/bharuch/valia-siludi-village-flood-like-situation-waterlogging-houses-collapsed-people-evacuated</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/bharuch/valia-siludi-village-flood-like-situation-waterlogging-houses-collapsed-people-evacuated</guid><pubDate>Sat, 04 Jul 2026 12:31:34 +05:30</pubDate><description><![CDATA[<p>ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસાના તોફાની ઇનિંગના કારણે પૂરની ભયાવહ સ્થિતિ પેદા થઈ છે. વાલિયા તાલુકાના સિલુડી ગામમાં આભ ફાટ્યું હોય તેમ વરસેલા અતિભારે વરસાદના લીધે સ્થાનિક કોતરોના પાણી આખા ગામમાં ફરી વળ્યા છે. જોતજોતામાં ગામના તમામ રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા અને ઘરોની આસપાસ કમર સુધીના પાણી ભરાઈ જતાં ગ્રામજનો પોતાના જ ઘરોમાં કેદ થઈ ગયા હતા.</p><h2><b>કાચા મકાનો ધરાશાયી, 15 લોકોનો ચમત્કારિક બચાવ</b></h2><p>પૂરના પાણીના સતત ભેજ અને દબાણના કારણે ગામમાં આવેલા ૩થી વધુ જુના અને કાચા મકાનોની દિવાલો અચાનક પત્તાના મહેલની જેમ તૂટી પડી હતી. સદનસીબે દિવાલ તૂટવાના સમયે જાનહાનિ ટળી હતી અને અંદર હાજર 15થી વધુ લોકોનો આબાદ બચાવ થયો હતો. જોકે, 10થી વધુ મકાનોમાં પૂરના ગંદા પાણી ઘૂસી જતાં અનાજ, કપડાં, ગાદલાં અને ઘરવખરીનો તમામ સામાન સંપૂર્ણપણે પલળી જતાં કફોડી હાલત થઈ છે.</p><h3><b>શાળામાં આશ્રય અને સહાયની પોકાર</b></h3><p>સ્થિતિ વણસતી જોઈને સ્થાનિક સરપંચ અને વાલિયા મામલતદારની ટીમ એક્શનમાં આવી હતી. ટ્રેક્ટર અને દોરડાની મદદથી પૂરના પાણીમાં ફસાયેલા બાળકો અને મહિલાઓ સહિત ૫૦ જેટલા લોકોને સુરક્ષિત બહાર કાઢી ગામની સરકારી શાળામાં શિફ્ટ કરવામાં આવ્યા છે. શાળા આશ્રયસ્થાન ખાતે લોકો માટે રહેવા અને જમવાની પ્રાથમિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પૂરના કારણે બધું જ ગુમાવી ચૂકેલા પીડિત પરિવારોએ ભારે આક્રોશ સાથે તંત્ર પાસે માંગ કરી છે કે, તેમના નુકસાનનો વહેલી તકે સર્વે કરવામાં આવે અને ખાવા-પીવા તેમજ રહેવા માટે તાત્કાલિક સરકારી સહાય (કેશડોલ્સ) પૂરી પાડવામાં આવે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ashwini-vaishnaw-ahmedabad-visit-sanand-semiconductor-plant-omnagar-underpass-bullet-train-progress" target="_blank">આ પણ વાંચો:&nbsp; Ahmedabad: કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદમાં મેગા પ્રોજેક્ટ્સની કરી સમીક્ષા, સાણંદમાં બંધાશે દેશનો 3જો સેમિકન્ડક્ટર પ્લાન્ટ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/04/YkBBmUtgz9VRicu8ds5mg73d4UABcbENdJUcyRHO.webp'/></item><item><title><![CDATA[Fifa World Cup 2026 : કોલંબિયાએ ઘાનાને 1-0 થી હરાવ્યું, રાઉન્ડ ઓફ 16માં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-colombia-beats-ghana-1-0-secures-place-in-round-of-16</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-colombia-beats-ghana-1-0-secures-place-in-round-of-16</guid><pubDate>Sat, 04 Jul 2026 12:29:51 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કેન્સાસ સિટી સ્ટેડિયમ ખાતે ફિફા વર્લ્ડ કપ 2026ના રાઉન્ડ ઓફ 32ની ફાઇનલ મેચ કોલંબિયા અને ઘાના વચ્ચે રમાઈ હતી.કોલંબિયાએ આ મેચ 1-0 થી જીતીને પ્રી-ક્વાર્ટર ફાઇનલ અથવા રાઉન્ડ ઓફ 16 માં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું.પહેલા હાફની 14મી મિનિટે જોન એરિયાસનો ગોલ કોલંબિયા માટે નિર્ણાયક સાબિત થયો. હવે,ફિફા વર્લ્ડ કપ 2026 જીતવાની રેસમાં ફક્ત 16 ટીમો બાકી છે,અને તેમની વચ્ચે જોરદાર સ્પર્ધાની અપેક્ષા છે.કોલંબિયા હવે રાઉન્ડ ઓફ 16માં સ્વિટ્ઝર્લેન્ડ સામે ટકરાશે.</p><h5 style="text-align: justify; "><b>પ્રી-ક્વાર્ટર ફાઇનલની શરૂઆત કેનેડા અને મોરોક્કો વચ્ચેની મેચથી થશે.</b></h5><p style="text-align: justify; ">રાઉન્ડ ઓફ 16 માટે નામાંકિત બધી ટીમો સાથે, ચાહકો મેચ શરૂ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પહેલી મેચ 4 જુલાઈએ રાત્રે 10:30 વાગ્યે કેનેડા અને મોરોક્કો વચ્ચે રમાશે. બીજી મેચ 5 જુલાઈએ સવારે 2:30 વાગ્યે પેરાગ્વે અને ફ્રાન્સ વચ્ચે રમાશે. ત્રીજો પ્રી-ક્વાર્ટર ફાઇનલ મુકાબલો 6 જુલાઈના રોજ ભારતીય સમય મુજબ સવારે 1:30 વાગ્યે બ્રાઝિલ અને નોર્વે વચ્ચે રમાશે, જ્યારે ચોથો મુકાબલો મેક્સિકો અને ઇંગ્લેન્ડ વચ્ચે સવારે 5:30 વાગ્યે રમાશે.</p><p style="text-align: justify; "><a href="https://x.com/FIFAWorldCup/status/2073248936622805003?s=20" target="_blank">https://x.com/FIFAWorldCup/status/2073248936622805003?s=20</a></p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>બધાની નજર સ્પેન અને પોર્ટુગલની મેચ પર</b></h4><p style="text-align: justify; ">છેલ્લા ચાર પ્રી-ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાંથી ત્રણ 7 જુલાઈના રોજ રમાશે, જેમાં સૌથી વધુ ધ્યાન પોર્ટુગલ અને સ્પેન વચ્ચેના મુકાબલા પર કેન્દ્રિત છે. આ મહત્વપૂર્ણ મુકાબલો 12:30 વાગ્યે શરૂ થશે. ત્યારબાદ, ભારતીય સમય મુજબ સવારે 5:30 વાગ્યે, યજમાન યુએસએ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં બેલ્જિયમનો સામનો કરશે, જ્યારે આર્જેન્ટિના અને ઇજિપ્ત વચ્ચે પ્રી-ક્વાર્ટર ફાઇનલ મુકાબલો રાત્રે 9:30 વાગ્યે રમાશે. આ પછી, સ્વિટ્ઝર્લેન્ડ અને કોલંબિયા વચ્ચે રાઉન્ડ ઓફ 16નો છેલ્લો મુકાબલો 8 જુલાઈના રોજ ભારતીય સમય મુજબ સવારે 1:30 વાગ્યે શરૂ થશે.</p><h5 style="text-align: justify; "><b>મેસી પાસે ઇતિહાસ બદલવાની તક</b></h5><p style="text-align: justify; ">રસપ્રદ વાત એ છે કે લિયોનેલ મેસીએ પોતાના કરિયરમાં ક્યારેય ગોલ્ડન બૂટ જીત્યો નથી. 2022ના વર્લ્ડ કપમાં મેસીએ 7 ગોલ કર્યા હતા, પરંતુ એમ્બાપ્પે 8 ગોલ સાથે બાજી મારી ગયો હતો. જ્યારે 2014માં મેસી 4 ગોલ સાથે સંયુક્ત રીતે ત્રીજા સ્થાને રહ્યો હતો. પરંતુ આ વખતે મેસી જે પ્રચંડ ફોર્મમાં છે, તે જોતા પહેલીવાર ગોલ્ડન બૂટ જીતવાની તેની પાસે સુવર્ણ તક છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/lionel-messis-great-record-created-history-by-scoring-in-the-8th-consecutive-world-cup-match-overtaking-mbappe" target="_blank">Lionel Messiનો મહારેકોર્ડ, સતત 8મી વર્લ્ડ કપ મેચમાં ગોલ કરી રચ્યો ઇતિહાસ, એમ્બાપ્પેને પછાડ્યો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/04/oqnvOsTq9obJ9EJL1JMV20CeAxoy6KsHGMvSUxzG.webp'/></item><item><title><![CDATA[Alpha: નાના ભાઈ બોબી દેઓલની ફિલ્મ માટે ભાવુક થયા સની દેઓલ, સ્પેશિયલ પોસ્ટ શેર કરી ]]></title><link>https://sandesh.com/entertainment/news/alpha-sunny-deol-gets-emotional-for-younger-brother-bobby-deols-film-shares-special-post</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/alpha-sunny-deol-gets-emotional-for-younger-brother-bobby-deols-film-shares-special-post</guid><pubDate>Sat, 04 Jul 2026 12:25:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડના "હી-મેન" ધર્મેન્દ્રના બંને પુત્રો—સની દેઓલ અને બોબી દેઓલ વચ્ચેનો પરસ્પર પ્રેમ અને મજબૂત બોન્ડિંગ કોઈનાથી છુપાયેલું નથી. રીલ લાઈફ હોય કે રિયલ લાઈફ, આ બંને ભાઈઓ અવારનવાર એકબીજા પર પ્રેમ વરસાવતા અને સપોર્ટ કરતા જોવા મળે છે. હવે જ્યારે બોબી દેઓલની મોસ્ટ અવેટેડ સ્પાય થ્રિલર ફિલ્મ 'આલ્ફા' (Alpha) સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે, ત્યારે મોટા ભાઈ સની દેઓલે તેમના નાના ભાઈને પ્રોત્સાહિત કરવા માટે એક ખાસ પોસ્ટ શેર કરી છે.</p><h2 style="text-align: justify; "><b>સની દેઓલે આલ્ફાનું પોસ્ટર શેર કર્યું</b></h2><p style="text-align: justify; ">સની દેઓલે સોશિયલ મીડિયા પર ફિલ્મનું દમદાર પોસ્ટર શેર કરીને બોબી દેઓલ પ્રત્યે પોતાનો ટેકો જાહેર કર્યો છે, જેને જોઈને ચાહકો આ દેઓલ બ્રધર્સની જોડીના દિલ ખોલીને વખાણ કરી રહ્યા છે. સની દેઓલે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મ 'આલ્ફા' નું એક પાવરફુલ પોસ્ટર શેર કર્યું છે. આ પોસ્ટર સાથે ભાઈ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતા તેમણે કેપ્શનમાં લખ્યું: "ઓલ ધ બેસ્ટ, બોબ (બોબી). આ ફિલ્મ જોવા માટે હવે હું વધુ રાહ જોઈ શકતો નથી."</p><h3 style="text-align: justify; "><b>મોટા ભાઈની પોસ્ટ પર બોબીની પ્રતિક્રિયા</b></h3><p style="text-align: justify; ">મોટા ભાઈની આ પ્રેમાળ પોસ્ટ પર બોબી દેઓલે પણ તરત જ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કોમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ ઇમોજીસનો વરસાદ કરીને ભાઈ પ્રત્યે પોતાનો આભાર અને પ્રેમ વ્યક્ત કર્યો હતો. દેઓલ ભાઈઓ જ્યારે પણ એકબીજાના પ્રોજેક્ટ્સને આ રીતે ખુલ્લેઆમ પ્રમોટ કરે છે, ત્યારે તે અંદાજ ચાહકોના દિલ જીતી લે છે.</p><h3 style="text-align: justify; "><b>બોબીએ પણ 'પાર્ટીશન 1947' ને આપ્યો હતો પૂરો સપોર્ટ</b></h3><p style="text-align: justify; ">આ પહેલીવાર નથી જ્યારે બંને ભાઈઓએ એકબીજાની ફિલ્મ માટે આટલો ઉત્સાહ બતાવ્યો હોય. આ અગાઉ, જ્યારે સની દેઓલની આગામી ફિલ્મ 'પાર્ટીશન 1947' નું ટીઝર રિલીઝ થયું હતું, ત્યારે બોબી દેઓલે મોટા ભાઈને ચિયર-અપ કરતા ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું: "ભૈયા, તમે બેસ્ટ છો! હું આ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત છું. તમને અને આખી ટીમને ઓલ ધ બેસ્ટ, ટીઝર અદ્ભુત છે."</p><h4 style="text-align: justify; "><b>આલિયા ભટ્ટ અને શર્વરી વાઘની 'આલ્ફા' રિલીઝ</b></h4><p style="text-align: justify; ">યશરાજ ફિલ્મ્સ (YRF) ના સ્પાય યુનિવર્સની આ હાઇ-ઓક્ટેન એક્શન થ્રિલર ફિલ્મ શુક્રવાર, ૩ જુલાઈના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ, શર્વરી વાઘ અને બોબી દેઓલ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની વાર્તામાં પાત્રોના નામ પાછળ પણ એક રસપ્રદ કનેક્શન છે. ટ્રેલર અનુસાર, ફિલ્મમાં આલિયા ભટ્ટના પાત્રનું નામ "સીતા" છે. ખાસ વાત એ છે કે, ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવી રહેલા બોબી દેઓલના પાત્રે જ આલિયાનું નામ સીતાની માતા જાનકીના નામ પરથી "સીતા" રાખ્યું છે, જે વાર્તાને વધુ રોમાંચક બનાવે છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/taarak-mehta-fame-shailesh-lodha-daughter-wedding-viral-video-dancing-singing-performance" target="_blank">આ પણ વાંચો : Taarak Mehta ફેમ શૈલેષ લોઢાએ પોતાની દીકરીના લગ્નમાં કર્યો જોરદાર ડાન્સ, સિંગિંગથી પણ જમાવી મહેફિલ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/04/Hfzt6pUwUbYO6NtGgGx0b1Zwa7rFXAHXsyOeIrEp.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : હુક્કાબાર પર ત્રાટકી પોલીસ, છારોડીના કાફેમાં નશીલી ફ્લેવરનું વેચાણ ઝડપાયું, સંચાલક અને મેનેજર સામે ગુનો દાખલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-chharodi-elysium-cafe-illegal-hookah-bar-raid-sola-police-action</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-chharodi-elysium-cafe-illegal-hookah-bar-raid-sola-police-action</guid><pubDate>Sat, 04 Jul 2026 12:23:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને નશાના કારોબાર સામે અમદાવાદ પોલીસે લાલ આંખ કરી છે. અમદાવાદના હબ ગણાતા એસ.જી. હાઈવે નજીક છારોડી વિસ્તારમાં આવેલા 'એલીઝીયમ કાફે' માં ધમધમતા ગેરકાયદેસર હુક્કાબાર પર સોલા હાઈકોર્ટ પોલીસે ઓચિંતા દરોડા પાડીને મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો&nbsp;</b></h2><p style="text-align: justify; ">પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આ કાફેમાં યુવાધનને નશાના રવાડે ચડાવવા માટે પ્રતિબંધિત અને નિકોટીનયુક્ત નશીલી ફ્લેવરના હુક્કાનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે સોલા પોલીસે રેઇડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.</p><h3 style="text-align: justify; "><b>નિકોટીનયુક્ત તમાકુવાળા હુક્કા</b></h3><p style="text-align: justify; ">પોલીસના દરોડા દરમિયાન કાફેમાં મોટાપાયે નિકોટીનયુક્ત તમાકુવાળા હુક્કા પીરસવામાં આવી રહ્યા હોવાનું રંગેહાથ ઝડપાયું હતું. પોલીસે ઘટનાસ્થળેથી  મુદ્દામાલ જપ્ત કર્યો છે. જપ્ત કરવામાં આવેલા મુદ્દામાલમાં 7 નંગ ફેન્સી હુક્કા, ફિલ્ટર, પ્રતિબંધિત કેમિકલયુક્ત ફ્લેવર્સ અને હુક્કાબાર ચલાવવા માટે વપરાતી અન્ય ગુનાહિત સામગ્રીનો સમાવેશ થાય છે. આ આખી રેઇડ બાદ કાફે પરિસરમાં ગ્રાહકો અને સંચાલકો વચ્ચે ભારે નાસભાગ મચી ગઈ હતી.</p><h4 style="text-align: justify; "><b>સંચાલકો સામે ગુનો</b></h4><p style="text-align: justify; ">આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવવા બદલ સોલા હાઈકોર્ટ પોલીસે કાફેના સંચાલક હર્ષદકુમાર પ્રજાપતિ અને તેના મેનેજર વિવેક શર્માની અટકાયત કરીને કડક કાયદાકીય સકંજો કસ્યો છે. પકડાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન અને સિગારેટ તેમજ અન્ય તમાકુ ઉત્પાદન પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદમાં મોડી રાત સુધી ચાલતા કાફે કલ્ચરની આડમાં નશાનો વેપાર કરતા તત્વો સામે આ કાર્યવાહીથી ફફડાટ વ્યાપી ગયો છે. સોલા હાઈકોર્ટ પોલીસે આ કાફેમાં નશાની સામગ્રી ક્યાંથી સપ્લાય થતી હતી તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-gujarat-latest-news-live-and-samachar-04-july-2026-politics-weather-updates-daily-breaking-news-nation" target="_blank"><b>Gujarat Latest News Live : બપોરે એક વાગ્યા સુધી ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરાતમાં 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/04/iROZXlNgKUXyWQPZ30ZKg2tehz6nkHdgJnbtbsrd.webp'/></item><item><title><![CDATA[Ram Mandir Donation Row: દાનની ગણતરી પ્રણાલીમાં કરાયો ફેરફાર, નો પોકેટ ડ્રેસ કોડ લાગુ ]]></title><link>https://sandesh.com/india/news/ram-mandir-donation-row-change-in-donation-calculation-system-no-pocket-dress-code-implemented</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ram-mandir-donation-row-change-in-donation-calculation-system-no-pocket-dress-code-implemented</guid><pubDate>Sat, 04 Jul 2026 12:06:15 +05:30</pubDate><description><![CDATA[<p>પ્રસાદ ચોરીના અહેવાલો બાદ રામ મંદિર ખાતે દાન ગણતરી પ્રણાલીમાં સુધારો કરવામાં આવ્યો છે. પારદર્શિતા અને સુરક્ષા વધારવા માટે આ સુધારો કરાયો છે.  હવેથી  બે લેયરના  સ્ક્રીનીંગ પ્રક્રિયામાંથી પસાર થયા પછી જ ગણતરી ખંડમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.&nbsp;</p><h2><b>હવે નિયમો બનાવ્યા કડક !&nbsp;</b></h2><p>સુરક્ષા અને પારદર્શિતા વધારવા માટે રામ મંદિરની દાન ગણતરી પ્રણાલીમાં નોંધપાત્ર ફેરફારો કરવામાં આવ્યા છે. સ્ટાફ સભ્યોને હવે કડક સુરક્ષા પગલાં અને બે વાર તપાસ પ્રક્રિયામાંથી પસાર થયા પછી જ ગણતરી ખંડમાં પ્રવેશ આપવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર,ગણતરી ખંડમાં પ્રવેશતા સ્ટાફ માટે એક નવો ડ્રેસ કોડ રજૂ કરવામાં આવ્યો છે.</p><h3><b>દાનની ગણતરી કરનાર માટે ડ્રેસકોડ&nbsp;</b></h3><ul><li>હવે સ્ટાફ માટે ઘેરા વાદળી રંગનો ગણવેશ પહેરવો ફરજિયાત છે જેમાં ખિસ્સા નહી હોય. વધુમાં દરેક કર્મચારીએ ગણતરી ખંડમાં પ્રવેશતા પહેલા બે-તબક્કાની સુરક્ષા તપાસમાંથી પસાર થવું પડશે.</li><li>ગણતરી પ્રક્રિયા હવે ટેબલ અને ખુરશીઓને બદલે ફ્લોર પર બેસીને હાથ ધરવામાં આવશે.&nbsp;</li><li>ગણતરી ખંડની અંદર મોબાઇલ ફોન, કેમેરા, બેગ અને અન્ય વ્યક્તિગત સામાન લઈ જવા પર સખત પ્રતિબંધ છે.</li><li>સ્ટાફ સભ્યોએ હોલમાં પ્રવેશતા પહેલા બહાર તેમના પગરખાં કાઢવા પણ જરૂરી છે.</li></ul><h4><b>પાસના આધારે તેણે દાનની ગણતરીમાં લીધી એન્ટ્રી&nbsp;</b></h4><p>તો બીજી તરફ રામ મંદિરમાં પ્રસાદની ચોરીની ઘટના નવા ખુલાસા સાથે હેડલાઇન્સમાં ચમકતી રહે છે. આરોપી અનુકલ્પ મિશ્રા વિશે મહત્વપૂર્ણ માહિતી બહાર આવી છે. અહેવાલો સૂચવે છે કે અનુકલ્પ મિશ્રાના નામે એક એન્ટ્રી પાસ જારી કરવામાં આવ્યો હતો, જેમાં તેને મંદિરમાં  લોજિસ્ટિક્સ/મેનેજમેન્ટ સ્વયંસેવક તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો.</p><p>એવો આરોપ છે કે મંદિરમાં યોજાતા દરેક ખાસ કાર્યક્રમ માટે અનુકલ્પ મિશ્રાના નામે એન્ટ્રી પાસ જનરેટ કરવામાં આવતો હતો. દાવાઓ સૂચવે છે કે તેણે આ ચોક્કસ સ્વયંસેવક પાસનો ઉપયોગ કરીને મંદિર પરિસરમાં પ્રવેશ મેળવ્યો હતો. આરોપો એમ પણ કહે છે કે આ પાસના આધારે, તેણે દાનની રકમની ગણતરીની પ્રક્રિયામાં ભાગ લીધો હતો.</p><p>કથિત ચોરીના પગલે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય મહંત દિનેન્દ્ર દાસ મહારાજે ગુનેગારો માટે કડક સજાની માંગ કરી છે. તેમણે કહ્યું, ભગવાનના ધામમાં ગુનો કરનારાઓને સીધા ફાંસી પર લટકાવી દેવા જોઈએ. રામ મંદિરમાં જમીન પર બેસીને ચઢાવેલા પ્રસાદની ગણતરી, મોબાઈલ ફોન, બેગ અને કેમેરા પર પ્રતિબંધ સહિતના નિયમો બદલાયા છે.&nbsp;</p><p><br></p><p><a href="https://sandesh.com/astrology/news/bhakti/budh-gochar-2026-bank-balance-of-3-zodiac-signs-will-increase-mercury-will-change-its-course" target="_blank">આ પણ વાંચો-Budh Gochar 2026: 3 રાશિનું બેંક બેલેન્સ વધશે ! બુધ બદલશે ચાલ&nbsp;</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/04/ggLbm5EJEN8DWBZQ5zHM2mHjWcwRBU8tFRY2XrCa.webp'/></item><item><title><![CDATA[MBA Chaiwalaના મોતની અફવા..ફેક ન્યૂઝ જોઈને ભડક્યા MBA ચાયવાલા પ્રફુલ્લ બિલોર, શેર કર્યો સ્ક્રીનશોટ ]]></title><link>https://sandesh.com/india/news/mba-chaiwala-prafulla-bilor-got-angry-after-seeing-fake-news-about-mba-chaiwalas-death-rumour-shared-a-screenshot</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/mba-chaiwala-prafulla-bilor-got-angry-after-seeing-fake-news-about-mba-chaiwalas-death-rumour-shared-a-screenshot</guid><pubDate>Sat, 04 Jul 2026 11:56:13 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">"એમબીએ ચાયવાલા" (MBA Chaiwala) તરીકે દેશભરમાં જાણીતા ઇન્દોરના યુવા ઉદ્યોગસાહસિક પ્રફુલ્લ બિલોર ઓનલાઈન ફેલાઈ રહેલી ખોટી અફવાઓનો ભોગ બન્યા છે. સોશિયલ મીડિયા પર તેમના અચાનક અવસાનના ભ્રામક અને સંવેદનશીલ દાવાઓ વાયરલ થયા બાદ, પ્રફુલ્લે પોતે સામે આવીને આ અહેવાલોને સખત શબ્દોમાં નકારી દીધા છે અને સ્પષ્ટ કર્યું છે કે તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત અને જીવંત છે.</p><h2 style="text-align: justify; "><b>MBA Chaiwalaએ ગૂગલ સર્ચનો સ્ક્રીનશોટ શેર કર્યો</b></h2><p style="text-align: justify; ">પોતાના મૃત્યુની ખોટી ખબરોથી વ્યથિત થયેલા પ્રફુલ્લ બિલોરે ઇન્સ્ટાગ્રામ પર ગૂગલ સર્ચનો એક સ્ક્રીનશોટ શેર કર્યો છે, જેમાં સર્ચ એન્જિન અને એક અજ્ઞાત વેબસાઇટ પર તેમના મૃત્યુના ખોટા અહેવાલો દેખાઈ રહ્યા છે. આ સ્ક્રીનશોટ સાથે પોતાની પીડા વ્યક્ત કરતા પ્રફુલ્લે લખ્યું: "આ ખૂબ જ પીડાદાયક, સંપૂર્ણપણે વાહિયાત અને અપમાનજનક છે. કૃપા કરીને આવા ફેક ન્યૂઝ ફેલાવવાનું બંધ કરો. હું જીવિત છું."</p><h3 style="text-align: justify; "><b>કેવી રીતે ફેલાઈ અફવા અને કેવો રહ્યો યુઝર્સનો પ્રતિસાદ?</b></h3><p style="text-align: justify; ">હકીકતમાં, માઇક્રોબ્લોગિંગ સાઇટ X (ટ્વિટર) પર કેટલાક નકલી એકાઉન્ટ્સ દ્વારા પ્રફુલ્લ બિલોરના નિધન અંગેની ખોટી પોસ્ટ્સ શેર કરવામાં આવી હતી. કોઈપણ સત્તાવાર પુષ્ટિ કે વિશ્વસનીય માહિતી વિના આ ભ્રામક દાવાઓ ઝડપથી વાયરલ થઈ ગયા અને લોકોએ અજાણતામાં શોક સંદેશાઓ પણ શેર કરવાનું શરૂ કરી દીધું હતું. જોકે, પ્રફુલ્લની સ્પષ્ટતા બાદ તેમના ચાહકો અને સમર્થકો ફેક ન્યૂઝ ફેલાવનારાઓ પર તૂટી પડ્યા હતા. એક યુઝરે પ્રફુલ્લને હિંમત આપતા લખ્યું, "ભાઈ, મજબૂત રહો, આ આજની ડિજિટલ દુનિયામાં નફરત ફેલાવવી સામાન્ય થઈ ગઈ છે." જ્યારે અન્ય એક યુઝરે આને ઈર્ષ્યાખોરોનું કામ ગણાવ્યું હતું.</p><h3 style="text-align: justify; "><b>કોણ છે 'એમબીએ ચાયવાલા' પ્રફુલ્લ બિલોર?</b></h3><p style="text-align: justify; ">મધ્યપ્રદેશના વતની પ્રફુલ્લ બિલોરે પરંપરાગત નોકરી કે કારકિર્દીનો માર્ગ છોડીને માત્ર ₹૮,૦૦૦ ના મામૂલી રોકાણથી ચાની નાની લારી શરૂ કરી હતી. MBA ડ્રોપઆઉટ હોવા છતાં, પ્રફુલ્લે પોતાની અનોખી માર્કેટિંગ શૈલી, મહેનત અને પ્રેરણાદાયી સ્પીચના જોરે 'MBA ચાયવાલા' ને આજે એક રાષ્ટ્રવ્યાપી ફ્રેન્ચાઇઝ બ્રાન્ડ તરીકે સ્થાપિત કરી દીધી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/india/news/crime/kashi-vishwanath-temple-firing-pac-jawan-gun-misfire-varanasi-injured" target="_blank">આ પણ વાંચો : Varanasi: કાશી વિશ્વનાથ મંદિરમાં હડકંપ, ગેટ નંબર 4 પર PAC જવાનની બંદૂકમાંથી અચાનક ફૂટી ગોળી, 3 લોકો ઘાયલ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/04/SxbZZ9PMwUwxomyhfYwR2ZByUVdOfngQ347XLQme.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન, છરી-ચપ્પા સાથે 3ની અટકાયત ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/isanpur-police-mega-combing-operation-rathyatra-security-criminals-arrested-fine</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/isanpur-police-mega-combing-operation-rathyatra-security-criminals-arrested-fine</guid><pubDate>Sat, 04 Jul 2026 11:45:36 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદની ઐતિહાસિક રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે સમગ્ર શહેરમાં સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવવામાં આવી રહી છે. રથયાત્રા દરમિયાન લો એન્ડ ઓર્ડરની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાથી ઇસનપુર પોલીસ સ્ટેશને કમર કસી છે. ઇસનપુર પોલીસના પી.આઇ. સહિત 36 જેટલા મજબૂત પોલીસ અધિકારીઓ અને જવાનોની અલગ-અલગ ટીમો બનાવી સમગ્ર વિસ્તારમાં મોડી રાત્રે સરપ્રાઇઝ કોમ્બિંગ ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી.</p><p><b>રથયાત્રા પૂર્વે ઇસનપુર પોલીસનું મેગા કોમ્બિંગ</b></p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2073292441650864320"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>હથિયારધારીઓ અને નશાખોરો સામે કડક પગલાં</b></h2><p>આ મેગા ઓપરેશન દરમિયાન પોલીસે વિસ્તારના જાહેર રસ્તાઓ, અવાવરું જગ્યાઓ અને નાકાબંધી કરીને સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન જાહેર સ્થળો પર ગેરકાયદેસર રીતે તીક્ષ્ણ છરી અને ચપ્પા જેવા ઘાતક હથિયારો રાખીને ફરતા ૩ ઇસમોને પોલીસે ઝડપી પાડી તેમની સામે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી જેલભેગા કર્યા હતા. આ ઉપરાંત નશાબંધી કાયદાનો ભંગ કરનારા તત્વો સામે લાલ આંખ કરીને ૨ પ્રોહિબિશનના કેસ કરવામાં આવ્યા છે, જ્યારે દારૂ પીને બેફામ વાહન ચલાવતા એક શખ્સ સામે મોટર વાહન અધિનિયમ (MV Act) ની કલમ-૧૮૫ (ડ્રંકન ડ્રાઇવ) હેઠળ ગુનો નોંધી તેનું વાહન જપ્ત કરવામાં આવ્યું છે.</p><h3><b>અસામાજિક તત્વોની યાદી ચકાસાઈ, હોટલોનું સ્કેનિંગ</b></h3><p>પોલીસ કાફલાએ ઇસનપુર વિસ્તારના લિસ્ટેડ 11 જેટલા અસામાજિક તત્વોના આશ્રયસ્થાનો પર જઈને તેમની હાજરી અને પ્રવૃત્તિઓની ચકાસણી કરી હતી અને તેમને રથયાત્રા સુધી શાંતિ જાળવવા કડક તાકીદ કરી હતી. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા 10 જેટલા વાહનોને રોકીને તેમની તલાશી લેવાઈ હતી, જેમાં નિયમભંગ બદલ સ્પોટ પર વાહન ડિટેન્શન મેમો ફાડીને કુલ રૂ. 4,500નો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો. આ ડ્રાઇવ દરમિયાન બહારથી આવતા શંકાસ્પદ લોકો પર નજર રાખવા માટે વિસ્તારની તમામ નાની-મોટી હોટલોના રજિસ્ટર ચેક કરાયા હતા અને મોડી રાત સુધી ધમધમતી ચાની કિટલીઓ પર એકત્ર થતા અસામાજિક તત્વોને વિખેરી દઈ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/rajkot/heavy-rain-road-damaged-virani-aghat-ward-18-kothariya-sub-water-system-line-issues" target="_blank">આ પણ વાંચો: Rajkot: વોર્ડ 18ના કોઠારીયા અને વિરાણી અઘાટમાં દોઢ ઇંચ વરસાદમાં રોડ તૂટ્યા, અકસ્માતનું જોખમ વધ્યું</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/04/r2TLxOEbWIffceAlOk5cF0nINKlYKkn9oZCjPKl1.webp'/></item><item><title><![CDATA[Banaskantha : ઈકબાલગઢ-બનાસ બ્રિજના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ટોળાએ એન્જિનિયર-કોન્ટ્રાક્ટરને ઘેર્યા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/banaskantha-amirgadh-iqbalgadh-banas-bridge-corruption-protest-engineer-contractor</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/banaskantha-amirgadh-iqbalgadh-banas-bridge-corruption-protest-engineer-contractor</guid><pubDate>Sat, 04 Jul 2026 11:39:07 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલા ઈકબાલગઢ-બનાસ બ્રિજની રિપેરિંગ કામગીરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો સાથે સ્થાનિક રહીશોમાં પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે. બ્રિજના સમારકામની કથળતી ગુણવત્તા અને તંત્રની લાપરવાહી સામે લાવવા માટે આજુબાજુના ગામોના આશરે 500 જેટલા લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું. આ રોષે ભરાયેલા ગ્રામજનોએ ઘટનાસ્થળે જઈને કામ કરી રહેલા એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરને ઘેરી લીધા હતા અને ત્યાં જ તેમનો ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.</p><h2 style="text-align: justify; "><b>અત્યંત હલકી કક્ષા મટીરિયલ વાપરવામાં આવી રહ્યું છે</b></h2><p style="text-align: justify; ">ગ્રામજનોનો સીધો આક્ષેપ છે કે ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે અને બ્રિજ પરથી હજારો વાહનો પસાર થાય છે, તેમ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા રિપેરિંગ કામમાં અત્યંત હલકી કક્ષા મટીરિયલ વાપરવામાં આવી રહ્યું છે. કામની ગુણવત્તા અંગે અનેક ગંભીર સવાલો ઉઠાવતા લોકોએ જણાવ્યું કે, જો આ પ્રકારે જ લોટ પાણી ને લાકડા જેવું કામ ચાલશે, તો ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે અને લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે. સ્થાનિકોએ એન્જિનિયરની હાજરી પર પણ સવાલ ઉઠાવ્યા હતા કે તેમની દેખરેખ હેઠળ આ પ્રકારનું નબળું કામ કેવી રીતે મંજૂર કરવામાં આવી રહ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>ઉચ્ચસ્તરીય તટસ્થ તપાસ કરવામાં આવે</b></h3><p style="text-align: justify; ">સ્થિતિ તંગ બનતા મામલો વધુ બિચકે તે પહેલા ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી. ગ્રામજનોએ એકસૂરે માંગ કરી છે કે આ સમગ્ર રિપેરિંગ કામની ઉચ્ચસ્તરીય તટસ્થ તપાસ કરવામાં આવે અને ભ્રષ્ટાચાર આચરનારા કોન્ટ્રાક્ટર તેમજ જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે. જ્યાં સુધી કામની ગુણવત્તા સુધારવામાં નહીં આવે અને તપાસના આદેશ નહીં અપાય ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. બ્રિજની આ અધૂરી અને ખામીયુક્ત કામગીરી હાલ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો-----&nbsp;<a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-gujarat-latest-news-live-and-samachar-04-july-2026-politics-weather-updates-daily-breaking-news-nation" target="_blank"><b> &nbsp;Gujarat Latest News Live : બપોરે એક વાગ્યા સુધી ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરાતમાં 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/04/00DRMbenhDQFDDN5RvKfNEFg4CTyzHQDjZvENm9Q.webp'/></item><item><title><![CDATA[Monsoon 2026: સુરતની કિમ નદીમાં ઘોડાપૂર, નદી બે કાંઠે, માંગરોળ અને મોટા બોરસરા બ્રિજ સુધી પાણી પહોંચતા તંત્ર એલર્ટ, Video ]]></title><link>https://sandesh.com/weather/news/gujarat/surat/monsoon-2026-surat-kim-river-flooded-mangrol-mota-borsara-bridge-water-level-rise</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/news/gujarat/surat/monsoon-2026-surat-kim-river-flooded-mangrol-mota-borsara-bridge-water-level-rise</guid><pubDate>Sat, 04 Jul 2026 11:02:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપ અને અવિરત વરસી રહેલા મુશળધાર વરસાદને પગલે નદી-નાળાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ રહી છે. સુરત જિલ્લાની મહત્વની ગણાતી કિમ નદીમાં પાણીની ભારે આવક થતાં તે બે કાંઠે વહેતી થઈ છે. ચાલુ ચોમાસાની સીઝનમાં આ પ્રથમવાર બન્યું છે જ્યારે કિમ નદી પોતાના બંને કાંઠા ઓળંગીને રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>નદીમાં પાણીની સપાટી સતત વધી</b></h2><p style="text-align: justify; ">ઉપરવાસના વિસ્તારો અને કેચમેન્ટ એરિયામાં પડેલા ભારેથી અતિભારે વરસાદના કારણે નદીમાં પાણીની સપાટી સતત અને ઝડપથી વધી રહી છે, જેને પગલે કાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ જેવો માહોલ સર્જાયો છે.</p><h3 style="text-align: justify; "><b>માંગરોળ નજીક આવેલા બ્રિજ સુધી પાણી પહોંચી ગયું</b></h3><p style="text-align: justify; ">નદીમાં આવેલા ઘોડાપૂરના કારણે માંગરોળ નજીક આવેલા બ્રિજ સુધી પાણી પહોંચી ગયા છે. આ ઉપરાંત, મોટા બોરસરા હાઈબ્રેરલ બ્રિજ નજીક પણ નદીના પાણી ટચ થઈ જતાં વહીવટી તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે.&nbsp;</p><p style="text-align: justify; ">https://youtu.be/2WxETvXWSdQ&nbsp;</p><h4 style="text-align: justify; "><b>પોલીસ અને સ્થાનિક પ્રશાસન એલર્ટ</b></h4><p style="text-align: justify; ">નદીની સપાટીમાં થઈ રહેલા સતત વધારાને જોતાં આ બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકોની સુરક્ષા માટે પોલીસ અને સ્થાનિક પ્રશાસન દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પરિસ્થિતિ વધુ વણસે તો વાહનવ્યવહાર ડાયવર્ટ કરવાની પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.</p><h4 style="text-align: justify; "><b>નીચાણવાળા ભાગમાં વસતા તમામ ગામડાઓને સાવચેત રહેવા સૂચના</b></h4><p style="text-align: justify; ">કિમ નદીમાં આવેલા પૂરને પગલે નદી કિનારે આવેલા અને નીચાણવાળા ભાગમાં વસતા તમામ ગામડાઓને સાવચેત રહેવા કડક સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા ગ્રામ પંચાયતો અને આપત્તિ વ્યવસ્થાપનની ટીમોને ખડેપગે રાખવામાં આવી છે, જેથી કોઈપણ કટોકટીની સ્થિતિમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી શકાય. સ્થાનિક રહીશોને નદી કિનારે સેલ્ફી લેવા કે અવરજવર ન કરવા સખત અપીલ કરવામાં આવી છે. ઉપરવાસમાં હજુ પણ વરસાદનું જોર યથાવત હોવાથી આગામી કેટલાક કલાકો કિમ નદીના તટ માટે અત્યંત નાજુક માનવામાં આવી રહ્યા છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-gujarat-latest-news-live-and-samachar-04-july-2026-politics-weather-updates-daily-breaking-news-nation" target="_blank"><b>Gujarat Latest News Live : બપોરે એક વાગ્યા સુધી ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરાતમાં 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/04/XRQjxObcCqogEScM7mL85hJTwV1JBfWBDljQDM1w.webp'/></item><item><title><![CDATA[New EPF Scheme 2026: 31 લાખ PF ખાતામાં પડેલા 9,330 કરોડનો કોઈ દાવેદાર નથી, RTIમાં મોટો ખુલાસો ]]></title><link>https://sandesh.com/business/news/new-epf-scheme-2026-there-is-no-claimant-for-rs-9330-crore-lying-in-31-lakh-pf-accounts-big-revelation-in-rti</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/new-epf-scheme-2026-there-is-no-claimant-for-rs-9330-crore-lying-in-31-lakh-pf-accounts-big-revelation-in-rti</guid><pubDate>Sat, 04 Jul 2026 10:24:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કેન્દ્ર સરકાર દ્વારા 'કર્મચારી ભવિષ્ય નિધિ યોજના, 2026' (EPF Scheme 2026) અંગેનું નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે EPFO સભ્યો માટે એક આધુનિક અને ડિજિટલ યુગની શરૂઆત સમાન છે. આ દરમિયાન, ઇન્ડિયા ટુડે દ્વારા દાખલ કરવામાં આવેલી માહિતી અધિકાર (RTI) વિનંતી હેઠળ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જેમાં સામે આવ્યું છે કે લાખોથી વધુના પીએફ ખાતામાં કરોડો જેટલી રકમ પડી છે જેનો કોઈ દાવેદાર નથી.</p><h2 style="text-align: justify; "><b>દેશમાં ૩૦ લાખથી વધુ PF ખાતા નિષ્ક્રિય</b></h2><p style="text-align: justify; ">અહેવાલ અનુસાર, દેશમાં હાલમાં EPFO હેઠળ અંદાજે 30.91 લાખ નિષ્ક્રિય (Inoperative) ખાતાઓ છે, જેમાં ₹9,330 કરોડથી વધુ રકમ એવી છે જેના પર કોઈએ દાવો કર્યો નથી. આ ફંડ એટલું મોટું છે કે તેના ખર્ચે દેશમાં ત્રણ નવી IIT નું નિર્માણ થઈ શકે છે. નવી EPF યોજના, 2026 ના અમલીકરણના સમયે જ આ નિષ્ક્રિય અને અનક્લેમ્ડ થાપણોનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. જોકે, આધાર-લિંક્ડ અને ઉચ્ચ-મૂલ્ય ધરાવતા ખાતાઓ અંગેની વિગતવાર માહિતી હજુ જાહેર થવાની બાકી છે.</p><h3 style="text-align: justify; "><b>૨૯ જૂનથી અમલમાં આવશે નવી EPF યોજના</b></h3><p style="text-align: justify; ">વર્ષ ૧૯૫૨ની જૂની વ્યવસ્થાના સ્થાને નવી EPF યોજના આગામી ૨૯ જૂનથી દેશભરમાં અમલી બનશે. આ નવી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય પીએફ (PF) સંબંધિત નિયમોને અત્યંત સરળ બનાવવાનો અને સંસ્થા સાથે જોડાયેલા આશરે ૮ કરોડ સક્રિય EPFO સભ્યો માટે સમગ્ર સિસ્ટમને વધુ સુરક્ષિત અને ડિજિટલ બનાવવાનો છે.</p><h4 style="text-align: justify; "><b>જાણો RTI રિપોર્ટના મુખ્ય અંશો&nbsp;</b></h4><p style="text-align: justify; ">RTI માંથી પ્રાપ્ત થયેલા સત્તાવાર ડેટા અનુસાર, EPFO એ જણાવ્યું છે કે ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીમાં દેશમાં કુલ ૩૦,૯૧,૮૬૨ નિષ્ક્રિય ખાતાઓ નોંધાયા છે, જેમાં અંદાજે ₹૯,૩૩૦ કરોડનું ભંડોળ દાવા વગર પડ્યું છે. આ આંકડો પાછલા નાણાકીય વર્ષની તુલનામાં થોડો સુધારો દર્શાવે છે. ૩૧ માર્ચ, ૨૦૨૫ ના રોજ આવા ખાતાઓની સંખ્યા ૩૧.૮૩ લાખ હતી, જે એક વર્ષમાં અંદાજે ૯૨,૦૦૦ જેટલી ઘટીને ૩૦.૯૧ લાખ થઈ છે. આ ખાતાઓમાં જમા થયેલી દાવા વગરની રકમમાં પણ ₹૮૫૧ કરોડનો ઘટાડો નોંધાયો છે. અગાઉ આ આંકડો ₹૧૦,૧૮૧ કરોડ હતો, જે હવે ઘટીને ₹૯,૩૩૦ કરોડ પર પહોંચ્યો છે.</p><h4 style="text-align: justify; "><b>EPF માં નાણાં ઉપાડવા કે ટ્રાન્સફર કરવા સરળ બનશે</b></h4><p style="text-align: justify; ">નવી EPF યોજના લાગુ કર્યા બાદ પીએફ ખાતામાં બિનદાવેદાર પડેલી રકમ સામે આવી. નવી ડિજિટલ સિસ્ટમ અને નિયમોના સરલીકરણને કારણે આગામી સમયમાં સભ્યો માટે પોતાના જૂના અને નિષ્ક્રિય ખાતામાંથી નાણાં ઉપાડવા કે ટ્રાન્સફર કરવા વધુ સરળ બનશે તેવી આશા રાખવામાં આવી રહી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/taarak-mehta-fame-shailesh-lodha-daughter-wedding-viral-video-dancing-singing-performance" target="_blank">આ પણ વાંચો : Taarak Mehta ફેમ શૈલેષ લોઢાએ પોતાની દીકરીના લગ્નમાં કર્યો જોરદાર ડાન્સ, સિંગિંગથી પણ જમાવી મહેફિલ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/04/o44t7faX01Cfn6zpWyR9Irk5vTYMtYW5hDQCsgTJ.webp'/></item></channel></rss>