<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[NEET UG 2026: રિ એક્ઝામમાં ગેરરીતિઓ યથાવત, બિહારમાં સોલ્વર ગેંગના 9 લોકો ઝડપાયા, ]]></title><link>https://sandesh.com/india/news/neet-ug-2026-irregularities-persist-in-re-exam-9-people-of-solver-gang-arrested-in-bihar</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/neet-ug-2026-irregularities-persist-in-re-exam-9-people-of-solver-gang-arrested-in-bihar</guid><pubDate>Mon, 22 Jun 2026 13:00:50 +05:30</pubDate><description><![CDATA[<p>21 જૂને શાંતિપૂર્ણ માહોલમાં NEET-UGની પરીક્ષા યોજાઇ. પહેલાની તુલનામાં આ વખતે ખાસ સુરક્ષા વ્યવસ્થા જોવા મળી.  આ વખતે 20 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જોકે આની પહેલા 22 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષામાં કાંકરીચાળો કરનારા 9 લોકોને અરેસ્ટ કરાયા છે. આવો જાણીએ શું છે તેઓ પર આરોપ.&nbsp;</p><h2><b>સોલ્વર ગેંગના 9 લોકો ઝડપાયા&nbsp;</b></h2><p>પરીક્ષાના બીજા દિવસે બિહારમાં એક મોટી 'સોલ્વર ગેંગ'નો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.  બિહારના લખીસરાયમાં સોલ્વર ગેંગના સભ્યોએ પરીક્ષામાં ચેડા કરવાનો પ્રયાસ કર્યો. તેઓ નકલી નીટ સ્ટુડન્ટ બનીને એક્ઝામ સેન્ટર પહોંચ્યા હતા.  સોલ્વર ગેંગના 9 લોકોને પોલીસે ઝડપી લીધા છે. આ ઉપરાંત પોલીસે અનેક જગ્યાએ રેડ પણ પાડી છે.&nbsp; </p><p>તપાસ દરમિયાન, કેન્દ્રીય વિદ્યાલયમાંથી સાત, હસનપુરમાંથી એક અને કેઆરકે સ્કૂલમાંથી એક નકલ કરનારાઓની ધરપકડ કરવામાં આવી હતી. દસ્તાવેજો, ફોટોગ્રાફ્સ અને ફિંગરપ્રિન્ટ્સ મેળ ખાતા ન હોવાથી અધિકારીઓને શંકા ગઈ. ત્યારબાદ એક વ્યાપક તપાસ શરૂ કરવામાં આવી, જેમાં સમગ્ર મામલો બહાર આવ્યો.&nbsp;</p><p>ઉલ્લેખનીય છે કે આ સ્કેમમાં ચોવીસ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં બાયોમેટ્રિક વેરિફિકેશન કંપનીના 14&nbsp; કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. આ ગેંગ વાસ્તવિક અરજદારોને બદલે પરીક્ષા આપવા માટે પ્રોક્સી ઉમેદવારો એટલે કે "સોલ્વર્સ" - નો ઉપયોગ કરવાની સુવિધા આપે છે, અને આ સેવા માટે વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા વસૂલ કરે છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2068935485108723907"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p><b style="font-size: 1.75rem;">કેવી રીતે કામ કરતી હતી આ ગેંગ ?&nbsp;</b></p><p>આ ગેંગે MBBS વિદ્યાર્થીઓ અને અન્ય યુવાનોને 'સોલ્વર્સ' તરીકે કામ કરવા માટે ભરતી કર્યા - એવા વ્યક્તિઓ કે જેઓ વાસ્તવિક ઉમેદવારોની જગ્યાએ કેન્દ્ર પર પરીક્ષા આપતા હતા. આને સરળ બનાવવા માટે સાચા ઉમેદવારોની બાયોમેટ્રિક વિગતો સાથે છેડછાડ કરવામાં આવી હતી.&nbsp; બાયોમેટ્રિક એજન્સીના કર્મચારીઓ સાથે મળીને, આ ગેંગ વાસ્તવિક ઉમેદવારોના ફિંગરપ્રિન્ટ્સ અને ફોટોગ્રાફ્સને સોલ્વર્સ સાથે બદલી નાખતી હતી. આ પ્રક્રિયા દરમિયાન મોટી રકમના પૈસાની લેવડદેવડ થઈ હતી. એવું જાણવા મળ્યું છે કે ગેંગનું નેટવર્ક દેશના વિવિધ ભાગોમાં ફેલાયેલું છે.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2068891200971800669"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br>NEET-UG પુનઃપરીક્ષા દરમિયાન છેતરપિંડીના કિસ્સાઓ પર ટિપ્પણી કરતા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ના DG અભિષેક સિંહે જણાવ્યું હતું કે બિહારના લખીસરાયમાંથી કેટલાક કેસ નોંધાયા છે. કેટલાક કિસ્સાઓમાં, વિદ્યાર્થીઓએ મોબાઇલ ફોન અંદર લઈ જવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે અન્ય કિસ્સાઓમાં, વ્યક્તિઓએ બીજા ઉમેદવારની જગ્યાએ પરીક્ષા આપવાનો પ્રયાસ કર્યો હતો. આવી ગેરરીતિઓને રોકવા માટે અમે દરેક સ્તરે શોધ, તપાસ, CCTV સર્વેલન્સ અને બાયોમેટ્રિક પ્રમાણીકરણ જેવા પગલાંનો ઉપયોગ કરીએ છીએ.<br><br><a href="https://sandesh.com/gallery/news/india/why-are-potatoes-and-chickpeas-the-filling-in-panipuri?2" target="_blank">આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/22/ik42NxntWSrImrkmKxLTCSPoppnf0LteDUEaPYmk.webp'/></item><item><title><![CDATA[Bobby Deolની હિરોઇન બનવાની હતી કરિશ્મા કપૂર, પરંતુ એક નિર્ણયે રાતોરાત બદલી નાખી કારકિર્દી ]]></title><link>https://sandesh.com/entertainment/news/karisma-kapoor-was-supposed-to-be-bobby-deol-first-heroine-career-changing-decision</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/karisma-kapoor-was-supposed-to-be-bobby-deol-first-heroine-career-changing-decision</guid><pubDate>Mon, 22 Jun 2026 12:56:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કપૂર ખાનદાનની દીકરી અને બોલીવુડ એક્ટ્રેસ કરિશ્મા કપૂર આ દિવસોમાં ચર્ચામાં છે. તાજેતરમાં જ તેણે બોલીવુડમાં 35 વર્ષ પૂરા કર્યા છે, જે તેના માટે બહુ મોટી સિદ્ધિ છે. આ દરમિયાન તાજેતરમાં જ કરિશ્મા કપૂરે પોતાની શરૂઆતની કારકિર્દી, પહેલી ફિલ્મ અને સંઘર્ષો પર ખુલીને વાત કરી છે, સાથે જ ઘણી બાબતોનો ખુલાસો કર્યો છે.</p><h2 style="text-align: justify; "><b>16 વર્ષની હતી કરિશ્મા કપૂર</b></h2><p style="text-align: justify; ">સ્ક્રીન સાથેની વાતચીતમાં કરિશ્મા કપૂરે જણાવ્યું કે જ્યારે તેઓ 16 વર્ષના હતા, ત્યારે તેની પહેલી ફિલ્મ પ્રેમ કૈદી રિલીઝ થઈ હતી. તે સમયે તે સ્કૂલમાંથી કોલેજ ગઈ હતી અને થોડા જ દિવસોમાં શૂટિંગ શરૂ કરી દીધું હતું. તેને આજે વિશ્વાસ નથી થતો કે આટલી ઝડપથી 35 વર્ષ વીતી ગયા છે. એટલું જ નહીં, તેણે પહેલાના સંઘર્ષો વિશે કહ્યું કે આજે ટેકનોલોજી ખૂબ આગળ વધી ગઈ છે અને બધું સરળતાથી થઈ જાય છે. પરંતુ અમારા સમયે સેટ્સની લાઇટો ખૂબ તેજ રહેતી હતી, જેની સામે આંખો ખોલવી પણ મુશ્કેલ લાગતી હતી. વળી શૂટિંગ પછી ડબિંગ કરવું પડતું હતું, પરંતુ હવે બધું સરળ છે.</p><h3 style="text-align: justify; "><b>શ્યામ બેનેગલના કર્યા વખાણ&nbsp;</b></h3><p style="text-align: justify; ">તેણે પોતાની ફિલ્મ ઝુબૈદા ને કરિયરની સૌથી ખાસ ફિલ્મ ગણાવતા કહ્યું કે આ ફિલ્મમાંથી તેણે ઘણું શીખ્યું છે. ડિરેક્ટર શ્યામ બેનેગલ ખૂબ સારા માણસ હતા અને શૂટિંગની વચ્ચે સમય કાઢીને તે તેની પાસેથી જૂના કિસ્સા સાંભળતા હતા. શરૂઆતમાં શ્યામ બેનેગલને લાગતું હતું કે કરિશ્મા તેની ફિલ્મમાં કામ નહીં કરે, કારણ કે તેઓ બહુ મોટા સુપરસ્ટાર હતા, પરંતુ તેણે તરત જ હા પાડી દીધી હતી.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DZWrmDzE651/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DZWrmDzE651/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DZWrmDzE651/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DZWrmDzE651/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>કરિશ્માનું કરિયર</b></h4><p style="text-align: justify; ">કરિશ્માની પહેલી ફિલ્મ પ્રેમ કૈદી નહીં, પરંતુ બરસાત બનવાની હતી, જેમાં બોબી દેઓલ લીડ રોલમાં હતા. જો કે ફિલ્મ બનવામાં થયેલા વિલંબના કારણે તેણે પ્રેમ કૈદીથી શરૂઆત કરી. આ પછી તે રાજા બાબુ, કુલી નંબર 1, સાજન ચલે સસુરાલ, જુડવા, હીરો નંબર 1, હસીના માન જાયેગી અને અંદાજ અપના અપના જેવી ફિલ્મોમાં જોવા મળ્યા, જે આજે પણ દર્શકોને ખૂબ પસંદ આવે છે. તેણે 2002 માં બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા અને ફિલ્મોથી દૂર થઈ ગયા હતા. પરંતુ 2012 માં તેણે વાપસી કરી અને ડેન્જરસ ઇશ્કમાં જોવા મળ્યા. એટલું જ નહીં, તેઓ ઓટીટી પર પણ મેન્ટલહૂડ, મર્ડર મુબારક અને તાજેતરમાં આવેલી બ્રાઉનમાં કામ કરી રહ્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/2024-telugu-blockbuster-movie-broke-5-big-budget-records" target="_blank">આ પણ વાંચો-South Cinema : 2024ની એ ફિલ્મ, જેણે કરી હતી જોરદાર કમાણી, તોડ્યા હતા 5 બિગ બજેટ ફિલ્મોના રેકોર્ડ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/22/lXPrPPNyEj1Duh7dcN0r40onUoZafCCRTiNRk1Vn.webp'/></item><item><title><![CDATA[Rajkotમાં તાવ, શરદી-ઉધરસ અને ઝાડા-ઉલટીના કેસોમાં મોટો ઉછાળો, તંત્ર એક્શન સફાળું જાગ્યું ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/epidemic-surge-dengue-typhoid-gastro-cases-rise-amc-action</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/epidemic-surge-dengue-typhoid-gastro-cases-rise-amc-action</guid><pubDate>Mon, 22 Jun 2026 12:54:46 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ શહેરમાં છેલ્લા થોડા સમયથી વાતાવરણમાં આવેલા પલટાની સાથે જ રોગચાળાએ માથું ઉચક્યું છે. રાજકોટ શહેરમાં ડેન્ગ્યુ, મલેરિયા, ટાઈફોઈડ અને કમળા સહિતના કેસોમાં મોટો ઉછાળો નોંઘાયો છે. જે કારણે આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે, જેને પગલે સ્થાનિક રહીશોમાં પણ ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે.</p><h2><b>તાવ, શરદી અને ઝાડા-ઉલટીના આંકડાએ ચિંતા વધારી</b></h2><p>મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરમાં સામાન્ય તાવના રેકોર્ડબ્રેક 830 કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત, બદલાતા હવામાનના કારણે શરદી અને ઉધરસના 724 દર્દીઓ નોંધાયા છે. સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ પાણીજન્ય રોગોની છે, જેમાં ઝાડા-ઉલટીના 359 કેસ પ્રકાશમાં આવતા આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે.</p><p><img title="Rajkot News: Surge in Dengue, Typhoid and Viral Cases; RMC Issues Notices" src="https://epapercdn.sandesh.com/images/2026/06/22/x4BRkZRY6NGTnxbA5pHEcC1CnsbHiFRC8McYIhWb.webp" style="width: 100%;"><br></p><h2><b>ડેન્ગ્યુ, ટાઈફોઈડ અને કમળાના કેસો પણ નોંધાયા</b></h2><p>રાજકોટમાં મચ્છરજન્ય અને પ્રદૂષિત પાણીના કારણે થતા ગંભીર રોગોના કેસોમાં પણ વધારો થયો છે. આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડા અનુસાર, રાજકોટ શહેરમાં ટાઈફોઈડ અને કમળાના 2 કેસ નોંધાયા છે. જ્યારે જીવલેણ ગણાતા મેલેરિયા અને ડેન્ગ્યુનો 1-1 કેસ પોઝિટિવ આવતા તકેદારીના પગલાં ભરવાનું શરૂ કરી દેવાયું છે.</p><p><img title="Rajkot News: Surge in Dengue, Typhoid and Viral Cases; RMC Issues Notices" src="https://epapercdn.sandesh.com/images/2026/06/22/xdd3ETWIrv0ZgAnNHEiT2aH76ADlo0J6yQpjdzQP.webp" style="width: 100%;"><br></p><h2><b>આરોગ્ય વિભાગે ફટકારી 798 એકમોને નોટિસ</b></h2><p>રોગચાળાના આ વકરેલા આંકડા સામે આવ્યા બાદ રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે. રોગચાળો અટકાવવા અને મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો નાબૂદ કરવા માટે તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ગંદકી અને નિયમોના ઉલ્લંઘન બદલ 798 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે.</p><p><img title="Rajkot News: Surge in Dengue, Typhoid and Viral Cases; RMC Issues Notices" src="https://epapercdn.sandesh.com/images/2026/06/22/O7e67jWKLGeUNXJdx0QQCg4WPR7jEVstZCRhtgD1.webp" style="width: 100%;"><br></p><h2><b>પાણીના શુદ્ધિકરણ માટે 1955 સ્થળોએ ક્લોરિન ટેસ્ટ</b></h2><p>પાણીજન્ય રોગચાળા પર કાબૂ મેળવવા માટે કોર્પોરેશનની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં વિતરણ થતા પાણીની શુદ્ધતા ચકાસવા માટે અલગ-અલગ 1955 સ્થળોએ ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા નાગરિકોને ઉકાળેલું પાણી પીવા અને ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહેવા દેવા માટે અપીલ કરવામાં આવી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/rajkot/saurashtra-water-crisis-rajkot-aji-nyari-dam-junagadh-reservoirs-empty" target="_blank">Rajkot : સૌરાષ્ટ્ર તરસ્યું..! આજી-ન્યારી ડેમમાં 15 જુલાઈ સુધીનું જ પાણી, જૂનાગઢના 17 જળાશયો ખાલીખમ થતાં હાહાકાર</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/22/uZ4SEbEkSUHu9hHj9F8ffvcQ7ajeM1vRM90XGTwK.webp'/></item><item><title><![CDATA[30 જૂનથી શરૂ થશે ' Kailash Mansarovar Yatra', યાત્રાળુઓ માટે જાહેર કરાઇ માર્ગદર્શિકા અને નિયમો ]]></title><link>https://sandesh.com/india/news/kailash-mansarovar-yatra-to-begin-from-june-30-guidelines-and-rules-announced-for-pilgrims</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/kailash-mansarovar-yatra-to-begin-from-june-30-guidelines-and-rules-announced-for-pilgrims</guid><pubDate>Mon, 22 Jun 2026 12:48:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતી કૈલાશ માનસરોવર યાત્રાનો આગામી 30 જૂન, 2026 થી પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ પવિત્ર યાત્રા 26 ઓગસ્ટ સુધી ચાલશે. આ મુસાફરીને સુગમ અને સુરક્ષિત બનાવવા માટે ભારત સરકારના વિદેશ મંત્રાલયે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને યાત્રાળુઓ માટે જરૂરી માર્ગદર્શિકા પણ જારી કરી છે. કુમાઉં મંડળ વિકાસ નિગમ (KMVN) ને આ યાત્રામાં રહેવા, ભોજન અને પરિવહનની જવાબદારી સોંપવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>પ્રથમ જૂથની પ્રક્રિયા 30 જૂનથી થશે શરૂ</b></h2><p style="text-align: justify; ">યાત્રાના પ્રથમ જૂથ માટેની પ્રક્રિયા 30 જૂનથી શરૂ થશે. દિલ્હીમાં પાસપોર્ટ, વિઝા અને તબીબી તપાસની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ, આ જૂથ ૪ જુલાઈએ ટનકપુર પહોંચશે. યાત્રા દરમિયાન સુરક્ષા અને સ્વાસ્થ્યના નિયમોનું કડક પાલન કરવાનું રહેશે. યાત્રાળુઓ માટે સામાન વહન કરવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. દરેક મુસાફર ૨૦ કિલોગ્રામ સામાન લઈ જઈ શકશે. વધારાના ૫ કિલોગ્રામ સામાનનો ઉપયોગ ચીનની મુસાફરી દરમિયાન ખોરાક અને પીણાં માટે કરવાની મંજૂરી આપવામાં આવી છે. જો કોઈ મુસાફર ૨૫ કિલોગ્રામથી વધુ વજનનો સામાન લઈ જશે, તો તેમણે વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.</p><h3 style="text-align: justify; "><b>સ્વાસ્થ્યની કાળજી માટે ખડેપગે રહેશે ખાસ ટીમ</b></h3><p style="text-align: justify; ">સ્વાસ્થ્યની કાળજી લેવા માટે દરેક બેચ સાથે પાંચ વ્યક્તિઓની એક ખાસ 'સર્વિસ ટીમ' રહેશે, જેમાં એક ડૉક્ટર અને ચાર રસોઈયાનો સમાવેશ થાય છે. મંત્રાલયે ૧૯ પ્રકારની જીવનરક્ષક અને પ્રાથમિક સારવારની દવાઓ સાથે રાખવાની સલાહ આપી છે, જેમાં પેઈનકિલર્સ, એન્ટિબાયોટિક્સ, ડાયમોક્સ (ઊંચાઈ માટે), વિટામિન સી, ઇલેક્ટ્રોલ અને પ્રાથમિક સારવારની સામગ્રી (બેન્ડેજ, કોટન, બેટાડાઇન વગેરે) સામેલ છે. હોમિયોપેથી દવાઓ લેતા યાત્રાળુઓને તેમની જરૂરી દવાઓ સાથે રાખવાની છૂટ આપવામાં આવી છે.</p><h4 style="text-align: justify; "><b>યાત્રા અધવચ્ચેથી છોડશો તો રિફંડ નહીં મળે</b></h4><p style="text-align: justify; ">સૌથી મહત્વનો નિયમ સ્વાસ્થ્ય વિશે છે; યાત્રા દરમિયાન સાથે રહેલા ડૉક્ટર અને સંપર્ક અધિકારીનો નિર્ણય અંતિમ રહેશે. જો કોઈ યાત્રાળુ શારીરિક રીતે આગળ વધવા માટે સક્ષમ નહીં જણાય, તો તેમને યાત્રા અધવચ્ચેથી છોડવી પડશે અને આવા કિસ્સામાં કોઈ રિફંડ આપવામાં આવશે નહીં. લિપુલેખ રૂટ પર યાત્રા દરમિયાન સાવચેતી રાખવી અને મુસાફરીને સરળ રાખવી તે દરેક માટે હિતાવહ છે. આ પવિત્ર યાત્રા માટે જઈ રહેલા દરેક શ્રદ્ધાળુએ સરકાર દ્વારા જારી કરવામાં આવેલી આ તમામ માર્ગદર્શિકાઓનું પાલન કરવું અનિવાર્ય છે, જેથી તેમની યાત્રા સફળ અને અવરોધમુક્ત રહે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/world/news/america-lifts-ban-on-iranian-oil-new-system-to-be-built-in-hormuz" target="_blank">આ પણ વાંચોઃ America એ ઇરાની ઓઇલ પરનો પ્રતિબંધ હટાવ્યો, હોર્મુઝમાં બનશે નવી સિસ્ટમ</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/22/YdembzWbzYSyWuqryTsjSIUHPVszPLrz8gwyaVWv.webp'/></item><item><title><![CDATA[Messiએ રમાડ્યો, હવે FIFA World Cupમાં મચાવી રહ્યો છે ધૂમ, જાણો કોણ છે આ ખેલાડી ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/messi-played-now-he-is-creating-a-stir-in-the-fifa-world-cup-know-who-this-player-is</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/messi-played-now-he-is-creating-a-stir-in-the-fifa-world-cup-know-who-this-player-is</guid><pubDate>Mon, 22 Jun 2026 12:42:38 +05:30</pubDate><description><![CDATA[<p>સ્પેને ફિફા વર્લ્ડ કપ 2026ની શરૂઆત ડ્રો સાથે કરી હતી.તેની બીજી મેચમાં સાઉદી અરેબિયાને 4-0 થી હરાવ્યું.સ્પેનની જીતમાં લેમિન યમાલે પહેલો ગોલ કર્યો.10 નંબરની જર્સી પહેરેલા યમાલે મેચની 10મી મિનિટે ગોલ કર્યો.લિયોનેલ મેસ્સી લેમિન યમાલ સાથે રમ્યો છે.અને તેણે હવે જે ગોલ કર્યો તે ફિફા વર્લ્ડ કપમાં મેસ્સીના પહેલા ગોલ જેવો જ હતો.બંને ગોલ વચ્ચે ઘણી સમાનતાઓ હતી.</p><h4><b>મેસ્સીએ જેને નાનપણમાં રમાડ્યો તેને ફિફા વર્લ્ડ કપમાં કર્યો કમાલ&nbsp;</b></h4><p>મેસ્સીએ 2006માં પોતાનો પહેલો ફિફા વર્લ્ડ કપ રમ્યો હતો.તે સમયે 18 વર્ષનો મેસ્સી આ ઝડપી રમતમાં એક મુખ્ય સ્ટાર તરીકે ઉભરી રહ્યો હતો.એક વર્ષ પછી 2007માં તેણે યુનિસેફના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી જ્યાં તેને 6 મહિનાના બાળક સાથે ફોટોશૂટ કરાવવાનું કહેવામાં આવ્યું હતું.બાળકનું નામ લેમિન યમાલ હતું. મેસ્સીએ માત્ર બાળકના ખોળામાં રાખીને રમ્યો જ નહીં,પણ તેની સાથે ફોટોશૂટ માટે પોઝ પણ આપ્યો હતો.તે સમયે કોઈને ખબર નહોતી કે તે બાળક એક દિવસ વિશ્વ ફૂટબોલ પર પ્રભુત્વ મેળવશે.તે ફોટો 17 વર્ષ સુધી ખાનગી રાખવામાં આવ્યો હતો.તે 17 વર્ષ દરમિયાન મેસ્સી વિશ્વ ફૂટબોલમાં એક મુખ્ય સ્ટાર બન્યો અને લેમિન યમાલ બાર્સેલોનાની એકેડેમીમાં તૈયાર થઈ રહ્યી હતો.</p><h4><b>મેસ્સીનો છેલ્લો વર્લ્ડ કપ,યમાલનો પહેલો વર્લ્ડ કપ</b></h4><p>લેમિન યમાલે 16 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય સ્તરે એન્ટ્રી કરી.તેણે સ્પેનને યુરો 2024 ટાઇટલ જીતવામાં મદદ કરી.2024માં મેસ્સીનો લેમિન યમાલને ફોટો સૌપ્રથમ જાહેર કરવામાં આવ્યો જેનું કેપ્શન હતું "બે દંતકથાઓની શરૂઆત.હવે 2026માં મેસ્સી તેનો છેલ્લો ફિફા વર્લ્ડ કપ રમી રહ્યો છે.જે લેમિન યમાલનો પ્રથમ વર્લ્ડ કપ છે.</p><h5><b>ફિફા વર્લ્ડ કપમાં મેસ્સી અને યમાલના પહેલા ગોલ વચ્ચે સમાનતા</b></h5><p>સ્પેન માટે લેમિન યમાલનો પહેલો ગોલ,સાઉદી અરેબિયાના ગોલપોસ્ટ પર અથડાયો,ફિફા વર્લ્ડ કપ ઇતિહાસમાં તેનો પહેલો ગોલ હતો.ફિફા વર્લ્ડ કપમાં મેસ્સીના પહેલા ગોલ અને લેમિન યામાલના ગોલ વચ્ચે બે સમાનતાઓ છે.પહેલું,બંનેએ લગભગ સમાન ઉંમરે પોતાનો પહેલો ગોલ કર્યો હતો.મેસ્સીએ ફિફા વર્લ્ડ કપમાં પોતાનો પહેલો ગોલ કર્યો ત્યારે તે 18 વર્ષનો હતો.લેમિન યામાલ 14 દિવસ નાનો હતો.તેણે ફિફા વર્લ્ડ કપમાં પોતાનો પહેલો ગોલ 18 વર્ષ અને 343 દિવસમાં કર્યો હતો</p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-egypt-opens-winning-account-by-beating-new-zealand" target="_blank"> FIFA World Cup 2026 : ન્યૂઝીલેન્ડને પછાડી ઇજિપ્તે ખોલ્યું જીતનું ખાતું</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/22/KI6bP6un3RBme6PonZGycGpJG8WOpJpdYNJgZWlL.webp'/></item><item><title><![CDATA[Vapi: સર્વિસ રોડ પરથી હાઇવે પર ચઢતી વખતે કાળમુખા કન્ટેનરે કારને લીધી અડફેટે ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/vapi/balitha-national-highway-48-container-car-accident-cctv-footage-viral</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/vapi/balitha-national-highway-48-container-car-accident-cctv-footage-viral</guid><pubDate>Mon, 22 Jun 2026 12:25:51 +05:30</pubDate><description><![CDATA[<p>વાપીમાંથી પસાર થતા નેશનલ હાઇવે 48 પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે વાપીના બલિઠા વિસ્તાર નજીક હાઇવે પર એક એવી રૂવાડા ઉભા કરી દે તેવી દુર્ઘટના સર્જાઈ હતી, જેનો વીડિયો જોઈને કોઈપણ વ્યક્તિ કંપી ઉઠે. હાઇવેના સર્વિસ રોડ પરથી એક કાર સત્તાવાર રીતે નેશનલ હાઇવે 48 ના મુખ્ય ટ્રેક પર ચઢવાનો પ્રયાસ કરી રહી હતી, તે જ સમયે પાછળથી પૂરપાટ ઝડપે અને બેદરકારીપૂર્વક આવી રહેલા એક કન્ટેનરના ચાલકે કારને જોરદાર ટક્કર મારી દીધી હતી.</p><h2><b>ડિવાઈડર પર લટકી કાર, લોકો દોડ્યા</b></h2><p>કન્ટેનરની ટક્કર એટલી જોરદાર હતી કે કાર રોડ પર જ થોડે દૂર સુધી ઘસડાઈ હતી અને ત્યારબાદ ફંગોળાઈને બલિઠા ઓવરબ્રિજના ઉંચા ડિવાઈડર ઉપર ફિલ્મી સ્ટાઈલથી લટકી ગઈ હતી. અકસ્માત થતાં જ હાઇવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને સ્થાનિક લોકો તાત્કાલિક કાર સવારોની મદદ માટે દોડી આવ્યા હતા. કારનો આગળનો અને સાઈડનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો. પરંતુ, નસીબ જોગ કારમાં સવાર મુસાફરોને માત્ર સામાન્ય ઇજાઓ થઈ હતી અને કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી. લોકો આ ઘટનાને ભગવાનનો મોટો ચમત્કાર માની રહ્યા છે.</p><h2><b>CCTV ફૂટેજ વાયરલ અને પોલીસ કાર્યવાહી</b></h2><p>આ સમગ્ર ઘટના હાઇવે પર લાગેલી એક દુકાનના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી ડિજિટલ ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે કન્ટેનર કારને કચડતું આગળ નીકળી જાય છે અને કાર બ્રિજના ડિવાઈડર પર ચઢી જાય છે. આ લાઈવ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ વાપી ટ્રાફિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને ક્રેનની મદદથી ડિવાઈડર પર લટકેલી કારને નીચે ઉતારી હાઇવે પરનો ટ્રાફિક હળવો કર્યો હતો. પોલીસે કન્ટેનર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી સીસીટીવીના આધારે કાયદેસરની તપાસ તેજ કરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/dantiwada-dam-water-level-drops-570-feet-canal-irrigation-stopped" target="_blank">આ પણ વાંચો:&nbsp; Banaskantha: દાંતીવાડા ડેમમાં માત્ર 27 ટકા પાણી બચ્યું, કેનાલ દ્વારા ખેડૂતોને અપાતું સિંચાઈનું પાણી બંધ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/22/kkC1qYndUeE9JjpLGdD7IHdDqKOMF1lnB0d101WB.webp'/></item><item><title><![CDATA[Gold Price Today: સોમવારે સોના ચાંદીના ભાવમાં ફેરફાર, જાણો 10 ગ્રામના ભાવ વધ્યા કે ઘટ્યા? ]]></title><link>https://sandesh.com/business/news/gold-price-today-change-in-gold-and-silver-prices-on-monday-know-how-much-the-price-of-10-grams-increased-or-decreased</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/gold-price-today-change-in-gold-and-silver-prices-on-monday-know-how-much-the-price-of-10-grams-increased-or-decreased</guid><pubDate>Mon, 22 Jun 2026 12:17:24 +05:30</pubDate><description><![CDATA[<p>સોના ચાંદીના ભાવમાં રોજબરોજ ફેરફાર જોવા મળે છે. ક્યારેક ભાવ વધે છે તો ક્યારેક ઘટે છે. સોના ચાંદી એ એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ હવે તો રોકાણ કરવા માટે પણ કરવામાં આવે છે. ભારતમાં તો માંગલિક પ્રસંગોમાં સોનુ અનિવાર્ય છે. તેવામાં હવે 22 જૂને સોના ચાંદીના ભાવમાં શું ફેરફાર આવ્યો તે જાણવુ જરૂરી છે.&nbsp;</p><h2><b>22 જૂને સોના ચાંદીનો ભાવ&nbsp;</b></h2><p>ગયા સપ્તાહના ઘટાડા પછી આજે 22 જૂને સોના અને ચાંદીના ભાવમાં થોડી રિકવરી જોવા મળી રહી છે. ગુડરિટર્ન્સ અનુસાર 24 કેરેટ સોનાનો ભાવ આજે ₹43 વધીને ₹14,651 પ્રતિ ગ્રામ થયો છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹40 વધીને ₹13,430 પ્રતિ ગ્રામ થયો છે. જોકે આજે ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ભાવ ₹250 પ્રતિ ગ્રામ પર યથાવત છે, જ્યારે સ્થાનિક બજારમાં 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ ₹2,50,000 છે.</p><p><b style="font-size: 1.75rem;">ફ્યુચર્સ માર્કેટમાં પણ ભાવમાં વધારો</b></p><p>આજે ઓગસ્ટ ડિલિવરી માટેનું સોનું MCX (મલ્ટિ-કોમોડિટી એક્સચેન્જ) પર ₹1,48,040 પ્રતિ 10 ગ્રામ પર મજબૂત ટ્રેડિંગ કરી રહ્યું છે. દરમિયાન, જુલાઈ ડિલિવરી માટે MCX ચાંદી ₹2,36,490 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડિંગ કરી રહી છે, જે લગભગ 1.13% નો વધારો દર્શાવે છે.</p><p><b style="font-size: 1.75rem;">ગયા અઠવાડિયે ભાવમાં કેટલો ઘટાડો થયો?</b></p><p>ગયા અઠવાડિયે, દેશના છૂટક બજારોમાં 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ ₹5,228નો ઘટાડો થયો હતો. તેવી જ રીતે 19 જૂનના રોજ અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ સત્ર દરમિયાન મલ્ટી-કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ ₹2,750નો ઘટાડો થયો હતો.</p><p>આ સમયગાળા દરમિયાન ચાંદીના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો, જે ₹10,609 થી ₹12,000 પ્રતિ કિલોગ્રામ હતો. સોના અને ચાંદીના ભાવમાં આ ઘટાડો યુએસ ફેડરલ રિઝર્વના સંકેતોને કારણે થયો હતો જે દર્શાવે છે કે વ્યાજ દરોમાં ટૂંક સમયમાં ઘટાડો કરવામાં આવશે નહીં. જ્યારે વ્યાજ દર ઊંચા રહે છે ત્યારે રોકાણકારો સોનામાંથી પૈસા ઉપાડવાનું અને બેંકો અથવા સરકારી બોન્ડમાં રોકાણ કરવાનું વલણ ધરાવે છે, કારણ કે આ જોખમ-મુક્ત વ્યાજ કમાણી આપે છે.</p><h4><b>તો આજે ભાવ કેમ વધ્યા?</b></h4><p>ગયા અઠવાડિયે થયેલા તીવ્ર ઘટાડા બાદ, સોનાએ રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયું હતું. ભવિષ્યના નફાની અપેક્ષા રાખીને, રોકાણકારોએ આ નીચા ભાવ સ્તરો પર ધાતુ ખરીદવાનું શરૂ કર્યું. બજારમાં તેની માંગ વધતાં, સ્વાભાવિક રીતે જ ભાવ ફરી વધવા લાગ્યા.</p><p><br></p><h4><b>મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)</b></h4><p><br></p><p><br></p><table class="table table-bordered"><tbody><tr><td>શહેર&nbsp;</td><td>24 કેરેટ સોનાની કિંમત ( રૂપિયા/10 ગ્રામ)&nbsp;</td><td>22 કેરેટ સોનાની કિંમત( રૂપિયા/10 ગ્રામ)</td></tr><tr><td>દિલ્હી</td><td>&nbsp;1,46,660&nbsp;</td><td>&nbsp;1,34,050&nbsp;&nbsp;</td></tr><tr><td>મુંબઈ&nbsp;</td><td>1,46,510&nbsp;</td><td>1,34,300&nbsp;&nbsp;</td></tr><tr><td>કોલકાતા</td><td>&nbsp;1,46,510&nbsp;</td><td>1,34,300</td></tr><tr><td>ચેન્નઈ<br></td><td>&nbsp;1,48,037&nbsp;</td><td>1,36,000&nbsp;</td></tr><tr><td>અમદાવાદ&nbsp;</td><td>1,46,560&nbsp;</td><td>1,34,350&nbsp; &nbsp;&nbsp;</td></tr><tr><td>વડોદરા&nbsp;</td><td>1,46,560</td><td>&nbsp;1,34,350&nbsp; &nbsp;</td></tr><tr><td>રાજકોટ</td><td>&nbsp;1,46,560&nbsp;</td><td>1,34,350&nbsp; &nbsp;&nbsp;</td></tr></tbody></table><p><br></p><p><br></p><p><a href="https://sandesh.com/gallery/news/india/why-are-potatoes-and-chickpeas-the-filling-in-panipuri?2" target="_blank">આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2025/05/28/nBd7ogESYs7R8h6K9PGi9CKdQ4XURxBwdRcBXKCh.jpg'/></item><item><title><![CDATA[Ahmedabad: ભાવનગર પ્રસંગમાંથી પરત ફરતી 25 મુસાફરો ભરેલી બસ પલટી, 1નું કમકમાટીભર્યું મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/bhavnagar-highway-private-bus-accident-koth-kariyana-village-1-dead</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/bhavnagar-highway-private-bus-accident-koth-kariyana-village-1-dead</guid><pubDate>Mon, 22 Jun 2026 11:49:35 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ અને ભાવનગર જિલ્લાને જોડતા વ્યસ્ત એક્સપ્રેસ હાઇવે પરથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. એક ખુશીના સામાજિક પ્રસંગમાં હાજરી આપીને હસતા-રમતા ઘરે પરત ફરી રહેલા પરિવાર અને સ્નેહીજનોની ખાનગી બસને કોઠ પોલીસ સ્ટેશનની હદમાં કાળ નડ્યો છે. હાઇવે પર આવેલા કરિયાણા ગામના વળાંક નજીકથી પસાર થતી વખતે બસના ચાલકે પૂરપાટ ઝડપે જતી બસના સ્ટીયરિંગ પરથી અચાનક કાબૂ ગુમાવી દીધો હતો, જેના કારણે ૨૫ મુસાફરોથી ભરેલી બસ રોડની સાઇડમાં પલટી ખાઈ ગઈ હતી.</p><h2><b>ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત અને બચાવ કાર્ય</b></h2><p>બસ પલટી ખાતાની સાથે જ અંદર બેઠેલા મુસાફરોમાં ભારે કીકિયારીઓ અને ચીસાચીસ મચી ગઈ હતી. રાત્રિના અંધારામાં અકસ્માતનો અવાજ સાંભળીને કરિયાણા ગામના સ્થાનિક ગ્રામજનો અને હાઇવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ બસના કાચ તોડીને અંદર ફસાયેલા પેસેન્જરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. જોકે, આ ભયાનક અકસ્માતમાં એક મુસાફરને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જેને પગલે પ્રસંગની ખુશી પળવારમાં માતમમાં ફેરવાઈ ગઈ હતી.</p><h3><b>ધોળકા હોસ્પિટલમાં એડમિટ અને પોલીસ કાર્યવાહી</b></h3><p>આ દુર્ઘટનામાં અન્ય 4 મુસાફરોને નાની-મોટી અને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક ધોળકા ખાતે આવેલા સીએચસી (CHC) સેન્ટર એટલે કે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરોની ટીમ દ્વારા ઇમરજન્સી સારવાર આપવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ કોઠ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને હાઇવે પર જામ થયેલા ટ્રાફિકને હટાવી ક્રેનની મદદથી બસને રસ્તા પરથી દૂર કરી હતી. પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી બસ ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાનૂની તપાસ હાથધરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/weather/valsad/vapi-rain-water-logging-mograwadi-chhipwad-underpass-vapi-highway-fail" target="_blank">આ પણ વાંચો: Valsad: ધોધમાર વરસાદને કારણે વાપીના સલવાવ હાઇવે પર પાણી ભરાયા, માત્ર 2 કલાકમાં 1.2 ઇંચ ખાબક્યો</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/22/Ha1swejtGnmm17lGaYDXvsHHXmrm7A96ebJ2Vbyl.webp'/></item><item><title><![CDATA[Banaskantha: દાંતીવાડા ડેમમાં માત્ર 27 ટકા પાણી બચ્યું, કેનાલ દ્વારા ખેડૂતોને અપાતું સિંચાઈનું પાણી બંધ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/dantiwada-dam-water-level-drops-570-feet-canal-irrigation-stopped</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/dantiwada-dam-water-level-drops-570-feet-canal-irrigation-stopped</guid><pubDate>Mon, 22 Jun 2026 11:42:40 +05:30</pubDate><description><![CDATA[<p>ઉત્તર ગુજરાતની ખેતી અને પશુપાલન માટે કરોડરજ્જુ સમાન ગણાતા બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસાની ધીમી ગતિ અને ઉપરવાસમાં વરસાદ ન પડવાના કારણે મોટું જળ સંકટ ઊભું થયું છે. જિલ્લાના લાખો ખેડૂતોની આશા જેના પર ટકેલી છે તે દાંતીવાડા ડેમની સ્થિતિ દિવસેને દિવસે ચિંતાજનક બની રહી છે. સત્તાવાર અહેવાલ મુજબ, ડેમની જળ સપાટી ઘટીને 570 ફૂટે પહોંચી ગઈ છે, જે દર્શાવે છે કે ડેમમાં હવે તેની કુલ ક્ષમતાના માત્ર 27 ટકા જ પાણી બચ્યું છે.</p><h2><b>ખેડૂતો માટે કેનાલના દરવાજા બંધ</b></h2><p>ડેમમાં પાણીની આટલી વિકટ પરિસ્થિતિને જોતા સિંચાઈ વિભાગે એક કટોકટીપૂર્ણ નિર્ણય લીધો છે. કેનાલ દ્વારા બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી માટે અપાતું સિંચાઈનું પાણી તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યું છે. તંત્રના આ નિર્ણયથી વાવણીની તૈયારી કરી રહેલા અને આગોતરા પાકનું વાવેતર કરી ચૂકેલા જગતના તાત પર આભ તૂટી પડ્યું છે. જો આગામી દિવસોમાં મુશળધાર વરસાદ નહીં થાય, તો ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની જશે અને ચાલુ સિઝન નિષ્ફળ જવાની પૂરેપૂરી આશંકા છે.</p><h3><b>પીવાના પાણીને અપાઈ સર્વોચ્ચ પ્રાથમિકતા</b></h3><p>વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, ડેમમાં બચેલો 27 ટકા પાણીનો જથ્થો આસપાસના શહેરો અને ગ્રામીણ વિસ્તારોના નાગરિકો માટે પીવાના પાણી તરીકે અનામત રાખવામાં આવ્યો છે. જો ઉપરવાસમાં એટલે કે રાજસ્થાનના કેચમેન્ટ એરિયામાં વહેલી તકે સારો વરસાદ નહીં થાય અને ડેમમાં નવા નીરની આવક નહીં થાય, તો આગામી દિવસોમાં પીવાના પાણીની કટોકટી પણ વધુ ઘેરી બની શકે છે. હાલમાં ખેડૂતો અને તંત્ર બંને માત્ર અને માત્ર મેઘરાજાના સત્તાવાર અને ધમાકેદાર આગમનની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/bhavnagar-highway-private-bus-accident-koth-kariyana-village-1-dead" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: ભાવનગર પ્રસંગમાંથી પરત ફરતી 25 મુસાફરો ભરેલી બસ પલટી, 1નું કમકમાટીભર્યું મોત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/22/vXN6VE2tDSAfWrx8ttKga56IWJSjZ0V6DYz0mlZX.webp'/></item><item><title><![CDATA[Rajkot : સૌરાષ્ટ્ર તરસ્યું..!  આજી-ન્યારી ડેમમાં 15 જુલાઈ સુધીનું જ પાણી, જૂનાગઢના 17 જળાશયો ખાલીખમ થતાં હાહાકાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/saurashtra-water-crisis-rajkot-aji-nyari-dam-junagadh-reservoirs-empty</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/saurashtra-water-crisis-rajkot-aji-nyari-dam-junagadh-reservoirs-empty</guid><pubDate>Mon, 22 Jun 2026 10:40:36 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં વરસાદ ખેંચાતા સૌરાષ્ટ્રના માથે મોટું જળ સંકટ તોળાઈ રહ્યું છે. જૂન મહિનો પૂર્ણ થવા આવ્યો હોવા છતાં ચોમાસાના ઠેકાણાં ન હોવાથી રાજકોટ અને જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં પીવાના પાણીની કટોકટી સર્જાઈ છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>આજી-1 અને ન્યારી-1 ડેમમાં પાણીનો જથ્થો તળિયાઝાટક</b></h2><p style="text-align: justify; ">રાજકોટની તરસ છિપાવતા મુખ્ય સ્ત્રોત એવા આજી-1 અને ન્યારી-1 ડેમમાં પાણીનો જથ્થો તળિયાઝાટક થઈ ગયો છે. હાલની સ્થિતિએ આ ડેમોમાં માત્ર આગામી 15 જુલાઈ સુધી ચાલે તેટલું જ પાણી ઉપલબ્ધ છે. જો આગામી બે સપ્તાહમાં સારો વરસાદ નહીં પડે તો રાજકોટમાં પાણી કાપ ઝીંકાવો નક્કી છે, જેને પગલે વહીવટી તંત્રના જીવ અધ્ધર થઈ ગયા છે.</p><h3 style="text-align: justify; "><b>જૂનાગઢ જિલ્લાના કુલ 17 ડેમોમાંથી મોટાભાગના  ખાલી</b></h3><p style="text-align: justify; ">બીજી તરફ, જૂનાગઢ જિલ્લામાં પરિસ્થિતિ વધુ ચિંતાજનક અને વિકરાળ બની છે. જૂનાગઢના નાના-મોટા જળાશયો અત્યારથી જ સંપૂર્ણપણે ખાલીખમ થઈ ગયા છે. ખાસ કરીને વિસાવદરનો મુખ્ય ગણાતો પ્રેમપરા ડેમ સાવ સુકાઈને રણ જેવો બની ગયો છે. જૂનાગઢ જિલ્લાના કુલ 17 ડેમોમાંથી મોટાભાગના ડેમોમાં હવે નહિવત પાણી બચ્યું છે. ચોમાસું વિલંબિત થતાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પશુધનની સાથે માનવ વસ્તી માટે પણ પીવાના પાણીના સાંસા પડે તેવી ભયજનક સ્થિતિ નિર્માણ થઈ છે.</p><h4 style="text-align: justify; "><b>યુદ્ધના ધોરણે ઇમરજન્સી પ્લાનિંગ શરૂ&nbsp;</b></h4><p style="text-align: justify; ">આ સંભવિત જળ કટોકટીને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા એ યુદ્ધના ધોરણે ઇમરજન્સી પ્લાનિંગ શરૂ કર્યું છે. મનપા દ્વારા તાકીદે નર્મદાના નીર મેળવવા માટે સરકાર સમક્ષ વધારાનો જથ્થો મંગાવવામાં આવ્યો છે. જળ સંકટ ટાળવા માટે 'સની યોજના મારફત સરકારી તંત્ર પાસે અંદાજે 800 મિલિયન ક્યુબિક ફીટ પાણીની આજીજી કરવામાં આવી છે, જેથી ડેમોમાં નર્મદાના નીર ઠાલવીને આગામી ઓગસ્ટ મહિના સુધી જનતાને નિયમિત પાણી આપી શકાય. જો વરસાદ હજુ વધુ એક સપ્તાહ ખેંચાશે, તો આ સંકટ સમગ્ર સૌરાષ્ટ્રને બાનમાં લેશે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/sandesh-explainer-surat-rajkot-ahmedabad-wife-swapping-racket-social-media-groups-explainer" target="_blank"><b>&nbsp;Sandesh Digital Explainer : ગુજરાતના મહાનગરોમાં ‘વાઇફ સ્વેપિંગ’નો કાળો ખેલ, પત્નીઓની અદલાબદલીનું આ દૂષણ કેટલું ઊંડું છે?</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/22/BICTfRYpLXxvDaSRBgecI9aGpaHWLJ4pjjMGYfBT.webp'/></item></channel></rss>