<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Gir Somnath News: વેરાવળમાં મોહરમ પર્વને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gir-somnath/moharram-peace-committee-meeting-veraval-police-foot-patrolling</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gir-somnath/moharram-peace-committee-meeting-veraval-police-foot-patrolling</guid><pubDate>Mon, 22 Jun 2026 20:58:14 +05:30</pubDate><description><![CDATA[<p>આગામી મોહરમ પર્વને ધ્યાનમાં રાખીને ગીર સોમનાથ જિલ્લાનું વેરાવળ પોલીસ તંત્ર સંપૂર્ણપણે એલર્ટ થઈ ગયું છે. વેરાવળ શહેરમાં શાંતિ, સુમેળ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે એક મહત્વપૂર્ણ 'શાંતિ સમિતિ'ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.</p><h2><b>ડીવાયએસપીની અધ્યક્ષતામાં બેઠક</b></h2><p>આ બેઠક ડીવાયએસપી ચેતન ખટાણાની અધ્યક્ષતામાં સંપન્ન થઈ હતી, જેમાં શહેરના હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના અગ્રણીઓ અને પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન આગામી તહેવારને પરંપરાગત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવવા માટે પોલીસે તમામ આગેવાનોને સહકાર આપવા અપીલ કરી હતી. સાથોસાથ સ્થાનિક પ્રશ્નો અને વ્યવસ્થાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.</p><h2><b>અસામાજિક તત્વોને કડક ચેતવણી અને ફૂટ પેટ્રોલિંગ</b></h2><p>શાંતિ સમિતિની બેઠક પૂર્ણ થયા બાદ પોલીસ એક્શન મોડમાં જોવા મળી હતી. વેરાવળ શહેરના સંવેદનશીલ વિસ્તારો, મુખ્ય માર્ગો અને ગીચ બજારોમાં પોલીસ કાફલા દ્વારા કડક 'ફૂટ પેટ્રોલિંગ' હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસે અસામાજિક તત્વોને સ્પષ્ટ અને કડક શબ્દોમાં સંદેશ આપતાં જણાવ્યું હતું કે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. તહેવાર દરમિયાન કોઈપણ પ્રકારની અફવા ફેલાવનારા કે માહોલ બગાડનારા સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gir-somnath/sutrapada-electricity-infrastructure-project" target="_blank">Gir Somnath News: દરિયાકાંઠાને મળશે અવિરત વીજળી, 93 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/22/YjSTCpp8E2tN0tdcF9tdiIvBhKqQNh8jWPUlPUDr.webp'/></item><item><title><![CDATA[Auto News: મેડ-ઈન-ઈન્ડિયાનો વૈશ્વિક ડંકો; ભારતમાં બનેલી નવી SUVની વિદેશોમાં નિકાસ શરૂ ]]></title><link>https://sandesh.com/business/news/automobile/auto-news-global-success-of-made-in-india-new-suv-made-in-india-starts-exporting-abroad</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/auto-news-global-success-of-made-in-india-new-suv-made-in-india-starts-exporting-abroad</guid><pubDate>Mon, 22 Jun 2026 20:39:48 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફ્રાન્સની કાર કંપની રેનો (Renault) એ પોતાની તદ્દન નવી Duster SUVની નિકાસ શરૂ કરી દીધી છે. કંપનીએ ચેન્નઈ પ્લાન્ટથી નવી Dusterની 750 ગાડીઓનો પહેલો જથ્થો દક્ષિણ આફ્રિકા મોકલ્યો છે. આ સાથે જ રેનો ઈન્ડિયાએ નવી ડસ્ટર માટે પોતાનો ગ્લોબલ એક્સપોર્ટ પ્રોગ્રામ પણ શરૂ કરી દીધો છે. કંપનીનું કહેવું છે કે આગામી મહિનાઓમાં નવી ડસ્ટરને અન્ય કેટલાક આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ મોકલવામાં આવશે. આ પગલું રેનો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે, કારણ કે તેનાથી કંપનીના વૈશ્વિક ઉત્પાદન અને નિકાસ નેટવર્કમાં ભારતની ભૂમિકા વધુ મજબૂત થશે.</p><h2 style="text-align: justify; ">ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા પર ફોકસ</h2><p style="text-align: justify; ">રેનો લાંબા સમયથી ભારતને એક મોટા મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ હબ તરીકે વિકસાવવા પર કામ કરી રહી છે. નવી રેનો ડસ્ટરની નિકાસ શરૂ થવી એ જ રણનીતિનો એક ભાગ માનવામાં આવે છે. કંપનીનું માનવું છે કે ભારતમાં વિશ્વસ્તરીય ઉત્પાદન સુવિધાઓ, કુશળ ઈજનેરો અને ઉત્તમ લોજિસ્ટિક્સ નેટવર્ક ઉપલબ્ધ છે, જે તેને ઓટોમોબાઈલ નિકાસ માટે એક મજબૂત કેન્દ્ર બનાવી શકે છે.</p><h3 style="text-align: justify; ">ભારતમાં ઉત્પાદન વધારશે રેનો</h3><p style="text-align: justify; ">આ પ્રસંગે રેનો ગ્રુપ ઈન્ડિયાના CEO સ્ટીફન ડેબ્લેસે જણાવ્યું હતું કે, નવી ડસ્ટરની નિકાસ શરૂ થવી એ રેનો ઈન્ડિયા માટે એક મોટી ઉપલબ્ધિ છે. આનાથી સાબિત થાય છે કે ચેન્નઈ પ્લાન્ટમાં બનતી ગાડીઓની ગુણવત્તા અને ઉત્પાદન ક્ષમતા વૈશ્વિક સ્તરની છે. તેમણે ઉમેર્યું કે રેનોની ભવિષ્યની યોજનાઓમાં ભારતની ભૂમિકા સતત વધતી રહેશે. કંપનીએ એ પણ જણાવ્યું કે તેમનો લક્ષ્યાંક વર્ષ 2030 સુધીમાં ભારતમાંથી દર વર્ષે 2 અબજ યુરોની નિકાસનો આંકડો હાંસલ કરવાનો છે. આ માટે રેનો આગામી સમયમાં ભારતમાં પોતાની ઉત્પાદન અને નિકાસ પ્રવૃત્તિઓને વધુ મજબૂત કરશે.</p><h4 style="text-align: justify; ">કેમ ખાસ છે નવી રેનો ડસ્ટર?</h4><p style="text-align: justify; ">આ ભારતમાં રેનોની પહેલી કાર છે જેને 'રેનો ગ્રુપ મોડ્યુલર પ્લેટફોર્મ' (RGMP) પર તૈયાર કરવામાં આવી છે. આ એક આધુનિક અને ફ્લેક્સિબલ પ્લેટફોર્મ છે, જેના પર અલગ-અલગ પ્રકારના એન્જિન અને પાવરટ્રેનવાળી ગાડીઓ બનાવી શકાય છે.</p><h5 style="text-align: justify; ">નવી ડસ્ટર ઘણી રીતે ખાસ છે:</h5><p style="text-align: justify; ">સુરક્ષાની દ્રષ્ટિએ પણ નવી ડસ્ટર ખૂબ જ મજબૂત છે. આ SUVને તમામ વેરિઅન્ટ્સ અને પાવરટ્રેન વિકલ્પોમાં 5-સ્ટાર Bharat NCAP સેફ્ટી રેટિંગ મળ્યું છે. આનાથી સાબિત થાય છે કે આ કાર માત્ર ભારતીય ગ્રાહકો જ નહીં, પરંતુ વૈશ્વિક બજારોની જરૂરિયાતોને પણ પૂરી કરવા માટે સંપૂર્ણ સક્ષમ છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/automobile" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/22/kIac06d5Cmjskza9xyvPhzIljta2msE9VYxR4nTX.webp'/></item><item><title><![CDATA[Gir Somnath News: દરિયાકાંઠાને મળશે અવિરત વીજળી, 93 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gir-somnath/sutrapada-electricity-infrastructure-project</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gir-somnath/sutrapada-electricity-infrastructure-project</guid><pubDate>Mon, 22 Jun 2026 20:39:41 +05:30</pubDate><description><![CDATA[<p>દરિયાકાંઠાના ગીર સોમનાથ જિલ્લામાં વીજ પુરવઠાને વધુ સુદ્રઢ અને આધુનિક બનાવવા માટે એક ઐતિહાસિક કદમ ઉઠાવવામાં આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં વીજ માળખાના વિકાસ માટે કુલ 93 કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા એક ભવ્ય કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ્સથી દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડા જેવી આપત્તિઓ દરમિયાન પણ વીજળી ગુલ થવાની સમસ્યા ભૂતકાળ બની જશે.</p><h2><b>સૂત્રાપાડામાં MVCC પ્રોજેક્ટનું લોકાર્પણ અને લેટિસ પોલનું ખાતમુહૂર્ત</b></h2><p>આ કાર્યક્રમ અંતર્ગત સૂત્રાપાડા ખાતે 60.43 કરોડના ખર્ચે તૈયાર થયેલા MVCC કેબલ પ્રોજેક્ટનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 43 ફીડર પર 607 સર્કિટ કિલોમીટર સુધી એમ.વી.સી.સી.ની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવાઈ છે. આ સાથે જ ભવિષ્યમાં કુદરતી આપત્તિઓ સામે રક્ષણ મેળવવા 33 કરોડના ખર્ચે વાવાઝોડા પ્રતિરોધક 'લેટિસ પોલ નેટવર્ક'નું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત જિલ્લાના 137 કિલોમીટરના વિસ્તારમાં મજબૂત લેટિસ પોલ નાખવામાં આવશે.</p><h2><b>વાવાઝોડા સામે મજબૂત કવચ</b></h2><p>ભૂતકાળમાં આવેલા 'તૈકતે' જેવા વિનાશક વાવાઝોડાથી વીજ માળખાને ભારે નુકસાન થયું હતું. આ નવા આધુનિકીકરણથી દરિયાકાંઠાના વિસ્તારોનું વીજ માળખું અત્યંત મજબૂત બનશે. વધુમાં, સૂત્રાપાડા અને તાલાલા જેવા વિસ્તારોમાં અંડરગ્રાઉન્ડ વીજ નેટવર્ક ઊભું કરવાની તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ છે. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવ માનસિંહ પરમારે જણાવ્યું હતું કે, જ્યોતિગ્રામ યોજનાના લીધે આજે છેવાડાના ગામો સુધી 24 કલાક અવિરત વીજળી પહોંચી રહી છે, અને આ નવો પ્રોજેક્ટ ગીર સોમનાથના વિકાસને નવી ગતિ આપશે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/amreli/lion-cub-dies-in-savarkundla-fencing-trap-acts-against-illegal-lion-show" target="_blank">Gujarat News: સાવરકુંડલામાં ફેન્સિંગ તારમાં ફસાયેલા સિંહબાળનું મોત, વેરાવળમાં ગેરકાયદે સિંહ દર્શન સામે કાર્યવાહી</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/22/xHORkRc3mZawEq0rxwrc7ejjWDslcbgoACqqtPe1.webp'/></item><item><title><![CDATA[Mata Kheer Bhawani Temple: માતા ખીર ભવાની મંદિરે પહોંચ્યા Mehbooba Mufti, કાશ્મીરી પંડિતો વિશે આપ્યું મોટું નિવેદન ]]></title><link>https://sandesh.com/india/news/-political-news/mata-kheer-bhawani-temple-mehbooba-mufti-reached-mata-kheer-bhawani-temple-gave-a-big-statement-about-kashmiri-pandits</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/-political-news/mata-kheer-bhawani-temple-mehbooba-mufti-reached-mata-kheer-bhawani-temple-gave-a-big-statement-about-kashmiri-pandits</guid><pubDate>Mon, 22 Jun 2026 20:36:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">મહેબૂબા મુફ્તીએ વાર્ષિક મેળા દરમિયાન મંદિરમાં પ્રાર્થના કરી હતી અને કહ્યુ હતુ કે, ભૂતકાળને ભૂલી જવો જોઈએ.</p><h2 style="text-align: justify; ">ભૂતકાળના બંધનોમાંથી મુક્ત થાઓઃ મહેબૂબા મુફ્તી&nbsp;&nbsp;</h2><p style="text-align: justify; ">ખીર ભવાની મંદિરમાં કાશ્મીરી પંડિતો સાથે વાતચીત કર્યા પછી પત્રકારો સાથે વાત કરતા, પીડીપીના વડાએ કહ્યું કે કાશ્મીરી પંડિતોએ ખીણમાં એક સામાન્ય ભવિષ્ય બનાવવા માટે કામ કરવું જોઈએ અને ભૂતકાળના બંધનોમાંથી મુક્ત થઈને આગળ વધવું જોઈએ.મીડિયા સાથે વાત કરતા મહેબૂબા મુફ્તીએ કહ્યું, આપણા કાશ્મીરી પંડિત ભાઈઓ અને બહેનોને અહીં આવતા જોઈને મને ખૂબ આનંદ થાય છે. તેમણે ભવિષ્ય તરફ જોવું જોઈએ અને ભૂતકાળમાં શું થયું તે ભૂલી જવું જોઈએ.</p><h3 style="text-align: justify; ">મહેબૂબા મુફ્તીની પ્રતિક્રિયા&nbsp;</h3><p style="text-align: justify; ">તેમણે વધુમાં કહ્યું કે, મારું માનવું છે કે યુવા કાશ્મીરી પંડિત ડોક્ટરોએ કાશ્મીરમાં આવીને અહીંના લોકો સાથે જોડાવું જોઈએ. જમ્મુ અને કાશ્મીર સરકારે તેમને સુવિધાઓ પૂરી પાડવી જોઈએ. ભાઈચારો જાળવી રાખવો જોઈએ. કાશ્મીરી પંડિતોની મુશ્કેલીઓનો લાભ લેવા માંગતા બળોને હાંસિયામાં ધકેલી દેવા જોઈએ.</p><h4 style="text-align: justify; ">ભાજપે કરી ટીકા&nbsp;</h4><p style="text-align: justify; ">જમ્મુ અને કાશ્મીર ભાજપના નેતા જહાંઝૈબ સિરવાલે પીડીપીના વડા મહેબૂબા મુફ્તીના નિવેદનની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે કેન્દ્રશાસિત પ્રદેશમાં, આપણે એવી પરિસ્થિતિઓ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જે વિશ્વાસને પ્રોત્સાહન આપે, ઘાવને રૂઝાય અને ખાતરી કરે કે દરેક સમુદાય આદર અને સુરક્ષિત અનુભવે. જહાંઝૈબ સિરવાલે કહ્યું કે, જ્યારે જમ્મુ અને કાશ્મીરનું ભવિષ્ય સમાધાન, પરસ્પર આદર અને ઉપચાર પર આધારિત હોવું જોઈએ, ત્યારે કાશ્મીરી પંડિત સમુદાયના દુઃખ અને વેદનાને ફક્ત ભૂતકાળ ભૂલી જવાનું કહીને અવગણી શકાય નહીં.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PTI_News/status/2069016559822258525"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; "><span style="font-size: 1.25rem;">જ્યેષ્ઠ અષ્ટમી પર લોકમેળો</span></p><p style="text-align: justify; ">&nbsp;આ મેળો દર વર્ષે જ્યેષ્ઠ અષ્ટમી પર માતા ખીર ભવાની મંદિરમાં યોજાય છે. આ વર્ષે હજારો કાશ્મીરી પંડિતોએ ભાગ લીધો હતો. માતા ખીર ભવાની મંદિરને કાશ્મીરી પંડિતો માટે સૌથી પવિત્ર તીર્થસ્થળ માનવામાં આવે છે. આ મંદિર હિન્દુ દેવી માતા રાગ્ન્યા (માતૃદેવી) ને સમર્પિત છે અને તે એક ધોધ ઉપર બનેલ છે.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/knowledge/news/india/lucknow-gaming-zone-fire-why-does-fire-spread-so-quickly-in-the-gaming-zone-what-is-the-reason-know" target="_blank">ગેમિંગ ઝોનમાં કેમ આટલી ઝડપથી લાગે છે આગ, શું છે કારણ?, જાણો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/22/uxv1e4cBvXqpDF8Qt9koH6Ad25X8bzp83iAy1ZUo.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup: મેસ્સી પાસે ઈતિહાસ રચવાની તક, ઓસ્ટ્રિયા સામે ગોલ કરતા બનશે 3 મોટા રેકોર્ડ ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/lionel-messi-close-to-multiple-fifa-wc-records-vs-austria</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/lionel-messi-close-to-multiple-fifa-wc-records-vs-austria</guid><pubDate>Mon, 22 Jun 2026 20:10:50 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આર્જેન્ટિનાના ફિફા વર્લ્ડકપ 2026ના કેપ્ટન લિયોનેલ મેસ્સી સોમવારે ઓસ્ટ્રિયા સામે ગ્રુપ J મેચમાં ફૂટબોલ ઈતિહાસના ઘણા મોટા રેકોર્ડ તોડવાની ખૂબ નજીક છે. આ પહેલા આર્જેન્ટિનાએ અલ્જેરિયા સામે રમાયેલી મેચમાં 3-0 થી શાનદાર વિજય નોંધાવ્યો હતો.&nbsp;</p><p style="text-align: justify; ">તે મેચમાં મેસ્સીએ તેના કરિયરની પ્રથમ વર્લ્ડકપ હેટ્રિક ફટકારી હતી અને આર્જેન્ટિના માટે તેની 200મી મેચ પણ પૂર્ણ કરી હતી. હવે 38 વર્ષનો મેસ્સી ઓસ્ટ્રિયા સામેની મેચમાં 3 નવા રેકોર્ડ બનાવવા પર નજર રાખી રહ્યો છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>મેસ્સી પાસે વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરવાની તક છે</b></h2><p style="text-align: justify; ">લિયોનેલ મેસ્સીએ સતત 5 વર્લ્ડકપ મેચોમાં ગોલ કર્યા છે. જો તે ઓસ્ટ્રિયા સામે ઓછામાં ઓછો 1 ગોલ કરે છે, તો તે સતત 6 વર્લ્ડકપ મેચોમાં ગોલ કરવાના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરશે. હાલમાં આ રેકોર્ડ સંયુક્ત રીતે ફ્રાન્સના જસ્ટ ફોન્ટેન અને બ્રાઝિલના જૈરઝિન્હો પાસે છે. આ મેચમાં મેસ્સી પાસે આ વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરવાની તક હશે.</p><h3 style="text-align: justify; "><b>મેસ્સી સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બની શકે છે</b></h3><p style="text-align: justify; ">ઓસ્ટ્રિયા સામે ફક્ત 1 ગોલ કરીને, મેસ્સી ફિફા વર્લ્ડકપના ઈતિહાસમાં સર્વકાલીન ટોપ સ્કોરર બની જશે. તે હાલમાં 16 ગોલ સાથે જર્મન દિગ્ગજ મિરોસ્લાવ ક્લોઝ સાથે રેકોર્ડ શેર કરે છે. વધુમાં જો મેસ્સી પેનલ્ટી બોક્સની બહાર (લાંબા અંતરથી) આ ગોલ કરે છે, તો તે વર્લ્ડકપ ઈતિહાસમાં બોક્સની બહારથી સૌથી વધુ ગોલ કરવાનો નવો રેકોર્ડ પણ બનાવશે. મેસ્સીએ અત્યાર સુધી બોક્સની બહારથી 5 ગોલ કર્યા છે.</p><h4 style="text-align: justify; "><b>મેસ્સીએ 16 વર્લ્ડકપ મેચ જીતી</b></h4><p style="text-align: justify; ">જો આર્જેન્ટિના ઓસ્ટ્રિયા સામેની આ મેચ જીતી જાય છે, તો તે મેસ્સીની 17મી વર્લ્ડકપ જીત હશે. આ સાથે તે મિરોસ્લાવ ક્લોઝના સૌથી વધુ વર્લ્ડકપ જીતના રેકોર્ડની બરાબરી કરશે. મેસ્સીએ અત્યાર સુધીમાં 16 વર્લ્ડકપ મેચ જીતી છે, જ્યારે મિરોસ્લાવ ક્લોઝ 17 વર્લ્ડકપ મેચ જીતવામાં સફળ રહ્યો છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/entertainment/virat-kohli-photos-with-son-akaay-anushka-sharma" target="_blank">Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/22/BmvXOxD1GkVAG9sB8PZvg6yqE4atagrdzIp3wJph.webp'/></item><item><title><![CDATA[West Bengal : બળવાખોર ધારાસભ્યોએ TMCની કમાન સંભાળી, મમતા બેનર્જીને અધ્યક્ષ પદથી હટાવ્યા ]]></title><link>https://sandesh.com/india/news/-political-news/west-bengal-tmc-rebel-mlas-take-control-remove-mamata-banerjee-chairperson</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/-political-news/west-bengal-tmc-rebel-mlas-take-control-remove-mamata-banerjee-chairperson</guid><pubDate>Mon, 22 Jun 2026 20:02:20 +05:30</pubDate><description><![CDATA[<p>પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં ચાલી રહેલી આંતરિક રાજકીય ખેંચતાણ હવે વધુ તેજ બની છે. ઋતબ્રત બેનર્જીના નેતૃત્વ હેઠળના બળવાખોર ધારાસભ્યોના સંગઠને મોટો દાવો કર્યો છે કે તેમણે પાર્ટી પર કબજો કરી લીધો છે અને નવા સંગઠનાત્મક ફેરફારો પણ જાહેર કર્યા છે.</p><h2><b>અરૂપ રોયને નવા ચેરમેન બનાવવામાં આવ્યા</b></h2><p>બળવાખોર ધારાસભ્યોના સંગઠન દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, મમતા બેનર્જીને પાર્ટીના ચેરપર્સન પદેથી હટાવવામાં આવ્યા છે અને અભિષેક બેનર્જીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ ધારાસભ્ય અરુપ રોયને નવા ચેરમેન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ નિર્ણય બાદ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.</p><h3><b>બળવાખોર TMC માટે એક મોટો રાજકીય દાવો</b></h3><p>આ સમગ્ર ઘટનાક્રમને બળવાખોર TMC માટે એક મોટો રાજકીય દાવો માનવામાં આવી રહ્યો છે, જેમાં તેઓ પાર્ટીની નેતૃત્વ રચનાને સંપૂર્ણપણે બદલવાનો સંકેત આપી રહ્યા છે. મળતી માહિતી મુજબ, બળવાખોર ધારાસભ્યોના સંગઠન પાસે આશરે 60 ધારાસભ્યો અને 70થી વધુ નગરપાલિકા સભ્યોનું સમર્થન છે, જેના આધારે તેઓ સંગઠન પર કાબૂનો દાવો કરી રહ્યા છે.</p><h4><b>ઋતબ્રત બેનર્જી કરશે આગેવાની</b></h4><p>ઋતબ્રત બેનર્જીની આગેવાની હેઠળ ન્યુટાઉનમાં બાગી કાઉન્સિલરોની બેઠક યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આવનારા સમયમાં કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ રાજકીય હલચલ વધુ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અગાઉ વિધાનસભામાં પણ બળવાખોર ધારાસભ્યોના સંગઠન દ્વારા સહી સંબંધિત વિવાદ ઉભો થયો હતો, જેમાં કેટલાક ધારાસભ્યોએ સહી ન કરવા અને ખોટી સહીના આક્ષેપો કર્યા હતા. ત્યારબાદ મામલો સ્પીકર સુધી પહોંચ્યો હતો.</p><p>ધીમે ધીમે અનેક ધારાસભ્યો ઋતબ્રત બેનર્જીના સમર્થનમાં આવ્યા અને પછી વિપક્ષ નેતા પદને લઈને પણ વિવાદ ઊભો થયો. મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો, પરંતુ અંતે ઋતબ્રત બેનર્જીના પક્ષમાં નિર્ણય આવ્યો હતો. આ નવી ઘટનાથી પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ફરીથી મોટો ભૂકંપ આવ્યો છે.<br><br><b><a href="https://sandesh.com/knowledge/news/india/lucknow-gaming-zone-fire-why-does-fire-spread-so-quickly-in-the-gaming-zone-what-is-the-reason-know" target="_blank">આ પણ વાંચો : Lucknow Gaming Zone Fire: ગેમિંગ ઝોનમાં કેમ આટલી ઝડપથી લાગે છે આગ, શું છે કારણ?, જાણો</a></b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/22/26J16lLzSNmMdsqrsIFHY7pga1oFUfXUnOlAbAhT.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે પર વાહન રિપેર અને પંક્ચર સુવિધા અપાશે: NHAIનો નિર્ણય ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/nhai-to-provide-vehicle-repair-and-puncture-services-on-national-highways-and-expressways</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/nhai-to-provide-vehicle-repair-and-puncture-services-on-national-highways-and-expressways</guid><pubDate>Mon, 22 Jun 2026 19:52:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા મુસાફરોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.હવેથી નેશનલ હાઈવે અને એક્સપ્રેસવે પર વાહન રિપેરિંગ અને પંક્ચરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોને મુસાફરી દરમિયાન પડતી મુશ્કેલીઓ ઘટાડવાનો અને ઇમરજન્સીમાં તાત્કાલિક મદદ પહોંચાડવાનો છે.</p><h2 style="text-align: justify; "><b>મુસાફરોને તાત્કાલિક મિકેનિકલ મદદ મળી રહેશે</b></h2><p style="text-align: justify; ">NHAI દ્વારા જારી કરવામાં આવેલી સૂચના મુજબ હાઈવે પર આવેલી વેઈસાઈડ એમેનિટીઝ એટલે કે રસ્તાની બાજુમાં આવેલી સુવિધાઓમાં હવે ખાસ રિપેર શોપ અને પંક્ચરની દુકાનો શરૂ કરવામાં આવશે.અત્યાર સુધી લાંબા અંતરની મુસાફરી દરમિયાન જો વાહન બગડે કે ટાયર પંક્ચર થાય તો વાહનચાલકોએ ઘણીવાર કલાકો સુધી મિકેનિકની રાહ જોવી પડતી હતી અથવા તો દૂર સુધી વાહન ખેંચીને જવું પડતું હતું.નવી વ્યવસ્થાના અમલીકરણથી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.આ નવી વ્યવસ્થાથી વાહન બગડવાની સ્થિતિમાં મુસાફરોને તાત્કાલિક મિકેનિકલ મદદ મળી રહેશે જેથી તેઓ ઝડપથી મુસાફરી ફરી શરૂ કરી શકશે.</p><h3 style="text-align: justify; "><b>સમય વેડફાતો હતો તેમાં નોંધપાત્ર ઘટાડો</b></h3><p style="text-align: justify; ">અગાઉ વાહન રિપેરિંગ માટે જે સમય વેડફાતો હતો તેમાં નોંધપાત્ર ઘટાડો થશે.અકસ્માત કે વાહન બંધ પડવા જેવી સ્થિતિમાં હાઈવે પર ઊભા રહેવું જોખમી બની શકે છે.રિપેરિંગ સુવિધા ઉપલબ્ધ હોવાથી વાહનચાલકો વધુ સુરક્ષિત અનુભવશે.ઘણીવાર હાઈવે પર વાહનો અધવચ્ચે અટવાઈ જવાને કારણે પાછળથી આવતા વાહનો સાથે અકસ્માત થવાની શક્યતા રહે છે. જો રિપેરિંગ સુવિધા નજીકમાં જ ઉપલબ્ધ હશે તો વાહનને જલ્દીથી રસ્તા પરથી દૂર કરી શકાશે. જેનાથી ટ્રાફિક જામની સમસ્યા ઘટશે અને માર્ગ અકસ્માતો પર પણ અંકુશ મેળવી શકાશે.</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/india/news/sandesh-explainer-why-do-major-fire-tragedies-keep-happening-lessons-from-lucknow-and-surat" target="_blank">આ પણ વાંચોઃ Sandesh Explainer: લખનઉમાં અલિગંજના અગ્નિકાંડ બાદ પણ સળગતા સવાલો, આખરે આવી ઘટનાઓ બને છે કેમ?</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/22/pVZNI4MiVY2JIzcdG6r1jzErjcSRBgEByWHnEblt.webp'/></item><item><title><![CDATA[Surat News: સરથાણાની હોટલમાં દંપતીનો આત્મહત્યાનો પ્રયાસ, સારવાર દરમિયાન પત્નીનું મોત, પતિ ગંભીર ]]></title><link>https://sandesh.com/crime/news/surat/sarthana-la-marina-hotel-couple-suicide-attempt-wife-dies</link><guid isPermaLink="true">https://sandesh.com/crime/news/surat/sarthana-la-marina-hotel-couple-suicide-attempt-wife-dies</guid><pubDate>Mon, 22 Jun 2026 19:40:15 +05:30</pubDate><description><![CDATA[<p>આર્થિક નગરી સુરતના સરથાણા વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં આવેલી એક હોટલના રૂમમાં પરિણીત દંપતીએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.</p><h2><b>લા મરિના હોટલમાં આત્મહત્યાનો પ્રયાસ</b></h2><p>મળતી માહિતી અનુસાર, સરથાણા વિસ્તારમાં આવેલી 'લા મરિના હોટલ'ના એક રૂમમાં આ દંપતીએ આ પગલું ભર્યું હતું. ઘટનાની જાણ થતાં જ હોટલ સ્ટાફ અને સ્થાનિક લોકોએ બંનેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન કમનસીબે પત્નીનું મોત નીપજ્યું છે, જ્યારે પતિની સ્થિતિ હજુ ગંભીર હોવાનું કહેવાય છે અને તે હાલ ડોક્ટરોની દેખરેખ હેઠળ સારવાર મેળવી રહ્યો છે.</p><h2><b>આત્મહત્યાનું કારણ હજુ અકબંધ</b></h2><p>ઘટનાની માહિતી મળતા જ સરથાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયો હતો. પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, દંપતીએ કયા કારણોસર આટલું આકરો પગલું ભર્યું તે કારણ હજૂ સુધી જાણી શકાયું નથી. પોલીસ હોટલના સ્ટાફ અને દંપતીના પરિવારજનોની પૂછપરછ કરી વધુ તપાસ ચલાવી રહી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/surat/surat-singer-riddhi-rajpara-jayesh-vaghela-intercaste-marriage-controversy-patidar-samaj" target="_blank">Surat : વધુ એક લોકગાયિકાના આંતરજ્ઞાતીય લગ્નથી ભારે ખળભળાટ, પાટીદાર સમાજ લાલઘૂમ, સ્ટેજ બહિષ્કારની અપીલ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/22/91FF8E9gsFGfNdNgTvhVj0oqMdAMiFOt9V2ChcHS.webp'/></item><item><title><![CDATA[Rajkotમાં સગીરના ભયાનક અકસ્માતના CCTV વાયરલ, પિતા સામે કેસ ન થતાં સોશિયલ મીડિયા પર હોબાળો ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/cctv-of-minors-horrific-accident-in-rajkot-goes-viral-uproar-on-social-media-as-no-case-is-filed-against-father</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/cctv-of-minors-horrific-accident-in-rajkot-goes-viral-uproar-on-social-media-as-no-case-is-filed-against-father</guid><pubDate>Mon, 22 Jun 2026 19:28:08 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ શહેરના રૈયા રોડ પર 21 જૂનના રોજ એક સગીર વયના કાર ચાલકે સર્જેલા ગંભીર અને ભયાનક અકસ્માતનો મામલો હવે ભારે વિવાદોમાં સપડાયો છે. આ ઘટના અંગે ગાંધીગ્રામ પોલીસે ગણતરીના કલાકોમાં કાર ચલાવનાર સગીર વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાનૂની કાર્યવાહીનો સંતોષ માની લીધો છે. જો કે, કાયદાકીય જોગવાઈઓ હોવા છતાં, સગીર વયના પુત્રને આટલી જોખમી રીતે કાર ચલાવવા આપનાર તેના પિતા વિરુદ્ધ હજુ સુધી કોઈ ગુનો નોંધવામાં ન આવતાં સ્થાનીકો અને સોશિયલ મીડિયા પર અનેક તર્કવિતર્કો શરૂ થયા છે.</p><h2 style="text-align: justify; ">દિલધડક સીસીટીવી ફૂટેજ થયા વાયરલ</h2><p style="text-align: justify; ">આ અકસ્માતની સમગ્ર ઘટનાના અત્યંત કાળજું કંપાવનારા અને રુંવાડા ઉભા કરી દે તેવા સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. વિડીયોમાં સગીરની બેફામ કાર જે રીતે ભયાનક અકસ્માત સર્જે છે તે જોતા આ મામલામાં કડક દાખલો બેસાડવો જરૂરી બન્યો છે. લોકમુખે ચર્ચા છે કે શું આ મામલામાં કાર ચાલકના પિતાને બચાવવા માટે પોલીસ પર કોઈ રાજકીય કે આર્થિક દબાણ કામ કરી રહ્યું છે? બીજી તરફ પોલીસ અધિકારીઓ હજુ પણ એવું જ રટણ કરી રહ્યા છે કે "તપાસ દરમિયાન જે કોઈ વ્યક્તિનું નામ કે બેદરકારી ખુલશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે."</p><h3 style="text-align: justify; ">ભવિષ્યમાં આવા બનાવો રોકવા માટે 'ખાસ ડ્રાઇવ'</h3><p style="text-align: justify; ">આ ગંભીર રોડ રેજ અને અકસ્માતની ઘટના બાદ એસીપી દ્વારા સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે સગીર વયના બાળકો વાહનો ન ચલાવે અને વાલીઓ પણ તેમને વાહનો આપવાનું ટાળે તે માટે શહેરમાં કડક ચેકિંગ કરવામાં આવશે. ભવિષ્યમાં આ પ્રકારની કાળજું કંપાવનારી દુર્ઘટનાઓ બીજી વખત ન બને તે માટે રાજકોટ પોલીસ દ્વારા ટૂંક જ સમયમાં એક 'ખાસ ડ્રાઇવ' યોજીને સગીર વાહનચાલકો અને તેમના વાલીઓ સામે આકરી ઝુંબેશ શરૂ કરવામાં આવશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/22/a2fEHs1T3TqeZKdXgfbQBdZCC9NooTAvBAeYY5eP.webp'/></item><item><title><![CDATA[Richest Actor : ક્યારેય દિલ્હીમાં સમોસા સપ્લાય કરતો હતો, આજે છે દુનિયાનો સૌથી અમીર એક્ટર! ]]></title><link>https://sandesh.com/entertainment/news/shah-rukh-khan-richest-actor-in-the-world-12000-crore-net-worth</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/shah-rukh-khan-richest-actor-in-the-world-12000-crore-net-worth</guid><pubDate>Mon, 22 Jun 2026 17:37:29 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડમાં આજના સમયમાં ઘણા એવા એક્ટર્સ છે, જેમણે પોતાની મહેનત અને દમદાર એક્ટિંગથી દુનિયાભરમાં ખૂબ ઓળખ બનાવી છે. એવું જ એક મોટું નામ શાહરૂખ ખાનનું છે, જેઓ ભારતના સૌથી મોટા સુપરસ્ટાર છે. દુનિયાભરમાં તેમના ચાહકો છે. તેમને બોલીવુડના બાદશાહ કહેવામાં આવે છે. તેમની પાસે કોઈ પણ વસ્તુની કોઈ ખામી નથી. અહેવાલો અનુસાર તેમની નેટવર્થ 12 હજાર કરોડ રૂપિયાથી વધારે છે. બોલીવુડના દિગ્ગજ એક્ટર પંકજ કપૂરે તાજેતરમાં જ શાહરૂખ સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો શેર કર્યો છે.</p><p style="text-align: justify; "></p><h2 style="text-align: justify;"><b>NSDની કેન્ટીનમાં સમોસા સપ્લાય કરતા હતા શાહરૂખ ખાન</b></h2><div style="text-align: justify;">પંકજ કપૂર દિલ્હીના નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના સ્ટુડન્ટ રહ્યા છે. તેમણે જણાવ્યું કે 70s ના દાયકામાં જ્યારે તેઓ NSD માં હતા ત્યારે તે સમયે શાહરૂખ પણ ત્યાં આવતા હતા અને તેઓ ઘણીવાર ત્યાં કેન્ટીનમાં સમોસા સર્વ કરતા હતા. પંકજ કપૂરે કહ્યું, NSD માં ઇન્ટરવલ દરમિયાન સમોસા પીરસવામાં આવતા હતા. ઘણી વખત શાહરૂખ ખાન સમોસા સપ્લાય કરતા હતા. શાહરૂખ તે સમયે 10 વર્ષના હતા. પંકજ કપૂરે એ પણ જણાવ્યું કે NSD માં શાહરૂખના પિતા અથવા તેમના અંકલ કેન્ટીન ચલાવતા હતા, એટલા માટે શાહરૂખ અવારનવાર ત્યાં આવતા હતા.</div><p></p><h3 style="text-align: justify; "><b>શાહરૂખ ખાન પણ કરી ચૂક્યા છે NSD નો ઉલ્લેખ</b></h3><p style="text-align: justify; ">શાહરૂખ ખાન પણ આ વિશે જણાવી ચૂક્યા છે. વર્ષ 2016માં એક ઇન્ટરવ્યૂમાં શાહરૂખે કહ્યું હતું, હું નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાનો ભાગ નહોતો, પરંતુ હું ત્યાંના ઘણા એક્ટર્સ સાથે કામ કરતો હતો. મનોજ બાજપેયી પણ ત્યાંના નહોતા, પરંતુ તેમણે અને મેં રઘુબીર યાદવ જેવા એક્ટર્સ સાથે કામ કર્યું, જેઓ NSD નો ભાગ હતા. જ્યારે અમે દિલ્હીમાં થિયેટર કરતા હતા ત્યારે તેઓ અમારા બોલવાની રીત અને ઉચ્ચારણને વધુ સારા બનાવવામાં મદદ કરતા હતા. મેં તેમની પાસેથી ઘણું શીખ્યું છે. મારા પિતા NSD માં કેન્ટીન ચલાવતા હતા અને આ જ કારણે હું ત્યાંના બધા શાનદાર એક્ટર્સને જાણી શક્યો.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DWJ4imrCGFf/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DWJ4imrCGFf/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DWJ4imrCGFf/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DWJ4imrCGFf/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ</b></h4><p style="text-align: justify; ">શાહરૂખ ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેઓ લાંબા સમયથી પોતાની અપકમિંગ ફિલ્મ કિંગ પર બિઝી ચાલી રહ્યા છે. આ ફિલ્મમાં તેઓ તો દેખાશે જ, સાથે જ તેમની દીકરી સુહાના પણ આમાં નજરે પડવાની છે. શાહરૂખ આ ફિલ્મ દ્વારા સુહાનાને સિલ્વર સ્ક્રીન પર લોન્ચ કરી રહ્યા છે. આ જ વર્ષે 24 ડિસેમ્બરના રોજ આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મનું ડાયરેક્શન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/120-crore-budget-bollywood-movie-released-in-2015-turned-out-super-flop" target="_blank">આ પણ વાંચો-Disaster Film : 120 કરોડનું આંધણ! વર્ષ 2015ની બોલીવુડની એ મહાફ્લોપ ફિલ્મ જેણે ડૂબાડી દીધા મેકર્સના કરોડો રૂપિયા!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/22/Vo2VYdYylkxvXwQPqGD9AqgZZbVAd3hc1jTja555.webp'/></item></channel></rss>