<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[ભારતીય સ્પ્રિન્ટર અનિમેષ કુજુરે વિદેશી ટ્રેક પર મચાવી ધૂમ, 10.14 સેકન્ડમાં 100 મીટર દોડીને રચ્યો ઈતિહાસ ]]></title><link>https://sandesh.com/sports/news/animesh-kujur-india-second-fastest-100m-sprinter</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/animesh-kujur-india-second-fastest-100m-sprinter</guid><pubDate>Sat, 11 Jul 2026 15:58:06 +05:30</pubDate><description><![CDATA[<p>અનિમેષ કુજુરે વર્લ્ડ એથ્લેટિક્સ કોન્ટિનેન્ટલ ટૂર ચેલેન્જર ટુર્નામેન્ટમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો. અનિમેષ ભારતના સૌથી ઝડપી દોડવીરોમાંનો એક છે, અને કોમનવેલ્થ ગેમ્સ પહેલા તેના પ્રદર્શને તેને ફેન્સમાં ચર્ચાનો વિષય બનાવ્યો છે.&nbsp;</p><p>અનિમેષ કુજુરે બીજા નંબરની સૌથી ઝડપી 100 મીટર દોડ હાંસલ કરી છે. તમને જણાવી દઈએ કે અનિમેષની સફર સરળ ન હતી, અને તે કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી નથી.</p><h2><b>અનિમેષ કુજુરે રેકોર્ડ બનાવ્યો</b></h2><p>છત્તીસગઢના અનિમેષ કુજુરે તાજેતરમાં જર્મનીમાં વર્લ્ડ એથ્લેટિક્સ કોન્ટિનેન્ટલ ટૂર ચેલેન્જર (ફાસ્ટ આર્મ્સ ફાસ્ટ લેગ્સ ઈવેન્ટ) માં શાનદાર પ્રદર્શન કર્યું. તેને 100 મીટર સ્પ્રિન્ટમાં માત્ર 10.14 સેકન્ડમાં બીજા સ્થાને રહ્યો. આ તેના કરિયરનું બેસ્ટ પ્રદર્શન છે, જેના કારણે તે 100 મીટર સ્પ્રિન્ટ દોડનાર બીજો સૌથી ઝડપી ભારતીય ખેલાડી બન્યો.&nbsp;</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/TheKhelIndia/status/2075785987184357855"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p>હાલમાં રાષ્ટ્રીય રેકોર્ડ ગુરિન્દરવીર સિંહના નામે છે, જેમણે મે 2026 માં 100 મીટર સ્પ્રિન્ટ 10.09 સેકન્ડમાં દોડી હતી. અનિમેષ તેમને પાછળ છોડી દેવાથી માત્ર 0.05 સેકન્ડ દૂર રહ્યો. આ વિદેશી ધરતી પર કોઈપણ ભારતીય દ્વારા સૌથી ઝડપી 100 મીટર સ્પ્રિન્ટ છે.</p><h3><b>અનિમેષની રસપ્રદ સફર</b></h3><p>અનિમેષ કુજુરનો જન્મ 2 જૂન, 2003 ના રોજ છત્તીસગઢના જશપુર જિલ્લાના ઘુઈટાંગર ગામમાં થયો હતો. તેની માતા ભૂતપૂર્વ હોકી ખેલાડી હતી, અને તેના પિતા ફૂટબોલ રમતા હતા. બાદમાં બંનેએ ઘણા વર્ષો સુધી પોલીસ દળમાં સેવા આપી હતી. તે હંમેશા ફૂટબોલ પ્રત્યે ઉત્સાહી હતો અને તે તેનું સ્વપ્ન હતું. પરંતુ તે બાળપણથી જ ઉસૈન બોલ્ટનો પણ ખૂબ શોખીન હતો.</p><p>અંડર-18 ટુર્નામેન્ટમાં એક કોચે અનિમેષ કુજુરની દોડવાની ક્ષમતા જોઈ. 2020ના લોકડાઉન દરમિયાન અનિમેષનું નસીબ બદલાઈ ગયું. તેને કોલેજ અને અભ્યાસમાં ખાસ રસ ન હતો. પરિણામે તેને દોડમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું. ત્યારબાદ તેને રાષ્ટ્રીય સ્તરે પોતાનું નામ બનાવ્યું અને હવે, તેને જર્મનીમાં 10.14 સેકન્ડમાં 100 મીટર દોડ પૂરી કરીને કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફાય કર્યું છે.</p><p><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/ishan-kishan-run-out-abhishek-sharma-stump-mic-video" target="_blank">Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/MraLWUKmuXfMvTLTz6h9oPEUXs1meHK1afd8btRI.webp'/></item><item><title><![CDATA[Ujjain : બાબા મહાકાલના ખજાનામાં જબરદસ્ત વધારો, 1 વર્ષમાં કેટલી થઈ આવક? ]]></title><link>https://sandesh.com/india/news/ujjain-mahakaleshwar-temple-income-rises-rs-142-crore-fy26-assets-fd-donations</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ujjain-mahakaleshwar-temple-income-rises-rs-142-crore-fy26-assets-fd-donations</guid><pubDate>Sat, 11 Jul 2026 15:52:06 +05:30</pubDate><description><![CDATA[<p>મધ્ય પ્રદેશના ઉજ્જૈન સ્થિત વિશ્વપ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિરની સંપત્તિ અને આવકના આંકડા જાહેર થતાં સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે. શ્રી મહાકાલેશ્વર પ્રબંધ સમિતિના અહેવાલ મુજબ, હાલમાં મંદિર પાસે વિવિધ બેન્કોમાં કુલ ₹472 કરોડની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) છે. ઉપરાંત, મંદિરના નામે આશરે ₹90 કરોડની જમીન અને વિવિધ બેંકોમાં ₹16 કરોડની રોકડ જમા છે.</p><h2><b>મહાકાલ મંદિરના નામે 90 એકર જમીન</b></h2><p>સમિતિના જણાવ્યા અનુસાર, બેન્ક ઓફ ઇન્ડિયા અને યુનાઈટેડ બેન્કમાં મંદિરની FD જમા છે, જેના પર દર વર્ષે નોંધપાત્ર વ્યાજની આવક થાય છે. મહાકાલના નામે ઉજ્જૈન અને આસપાસના વિસ્તારોમાં લગભગ 90 એકર જમીન પણ નોંધાયેલી છે, જે મંદિરની મૂલ્યવાન સંપત્તિનો મહત્વપૂર્ણ હિસ્સો છે. વર્ષ 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 'શ્રી મહાકાલ લોક' કોરિડોરના લોકાર્પણ બાદ મંદિર ખાતે ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.&nbsp;</p><h3><b>ગયા વર્ષે 107 કરોડની થઈ હતી આવક</b></h3><p>દેશ-વિદેશથી આવતા લાખો શ્રદ્ધાળુઓ રોકડ, UPI, નેટ બેન્કિંગ તેમજ સોનું-ચાંદી સહિતની કિંમતી વસ્તુઓનું દાન કરી રહ્યા છે. પરિણામે નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન મંદિરની કુલ આવક ₹142 કરોડ સુધી પહોંચી છે, જ્યારે અગાઉના વર્ષમાં આ આવક આશરે ₹107 કરોડ હતી. એટલે કે માત્ર એક વર્ષમાં આવકમાં ₹35 કરોડથી વધુનો વધારો નોંધાયો છે.</p><h4><b>ભક્તોની સંખ્યા સાથે આવકમાં પણ થયો વધારો</b></h4><p>મંદિરની પ્રસિદ્ધ શુદ્ધ ઘીની લાડુની પ્રસાદી માટે આવકનો મહત્વપૂર્ણ સ્ત્રોત બની છે. લાખો ભક્તો પ્રસાદીની ખરીદી કરતા હોવાથી તેની વેચાણ આવક સતત વધી રહી છે. આવકમાં વધારો થતાં મંદિરની સુરક્ષા, સ્વચ્છતા, મહાકાલ લોકના જાળવણી કાર્ય અને ભક્તોને સુવિધાસભર દર્શન કરાવવા માટેનો ખર્ચ પણ વધ્યો છે. હાલમાં મંદિર સમિતિ દર મહિને આશરે ₹11 કરોડ વિવિધ વ્યવસ્થાઓ પાછળ ખર્ચી રહી છે. ભક્તોની સતત વધતી સંખ્યાને જોતા આગામી વર્ષોમાં મંદિરની આવક અને સંપત્તિમાં વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/ram-mandir-donation-row-cash-donations-in-the-temple-decrease-100-500-notes-decrease" target="_blank">આ પણ વાંચો : Ram Mandir Donation Row: મંદિરમાં રોકડ દાનમાં ઘટાડો, 100-500ની નોટો ઘટી</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/tXNpbRZ368qTfdogO3iCtTTa2iMos5P9lESIpLq7.webp'/></item><item><title><![CDATA[Aamir Khan Gauri Spratt: 61 વર્ષની ઉંમરે ત્રીજા લગ્ન, હવે ત્રીજી પત્ની સાથે Honeymoon પર રવાના થયો આમિર ખાન ]]></title><link>https://sandesh.com/entertainment/news/aamir-khan-3rd-marriage--goes-on-honeymoon-to-melbourne-with-gauri-spratt</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/aamir-khan-3rd-marriage--goes-on-honeymoon-to-melbourne-with-gauri-spratt</guid><pubDate>Sat, 11 Jul 2026 15:48:17 +05:30</pubDate><description><![CDATA[<p>બોલીવુડના 'મિસ્ટર પરફેક્શનિસ્ટ' આમિર ખાન તાજેતરમાં તેમના ત્રીજા લગ્નને લઈને હેડલાઇન્સમાં છે. અભિનેતાએ 5 જુલાઈના રોજ ગૌરી સ્પ્રેટ સાથે તેમના ઘરે લગ્ન કર્યા. અહેવાલો અનુસાર આ કપલ ટૂંક સમયમાં ₹100 કરોડના નવા ઘરમાં રહેવા જઈ શકે છે. જોકે, આમિરે તેની નવી દુલ્હન ગૌરી સાથે તેની પહેલી સફર શરૂ કરી છે. લગ્ન પછી તરત જ આ કપલ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન માટે રવાના થયું છે. આ સફર ખાસ હોવાની અપેક્ષા છે, જે ફક્ત વ્યાવસાયિક હેતુઓ માટે જ નહીં પરંતુ ફેમિલી ટાઇમ માટે પણ ખાસ છે.</p><p>બાંદ્રા નિવાસસ્થાને તેમના ખાનગી લગ્ન પછી તરત જ, આમિર ખાન અને તેની નવી પત્ની, ગૌરી સ્પ્રેટ મેલબોર્ન જવા રવાના થયા. જ્યારે આ સફર દેખીતી રીતે કામ માટે છે, ત્યારે આ દંપતી તેને એક આનંદપ્રદ કૌટુંબિક રજામાં ફેરવવાની યોજના ધરાવે છે, કારણ કે તેમના પુત્રો તેમની સાથે આવ્યા છે.</p><p><b style="font-size: 2rem;">આમિર ખાન હનીમૂન માટે રવાના થયા છે?</b></p><p>એક અહેવાલ મુજબ, આમિર અને ગૌરી તેમના પુત્રો સાથે આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર છે. તેઓ એકલા મુસાફરી કરી રહ્યા નથી. બાળકો તેમની સાથે જોડાયા છે. આઝાદ (આમીરનો પુત્ર અને તેની ભૂતપૂર્વ પત્ની કિરણ રાવ) અને ક્વિન (ગૌરી સ્પ્રેટનો પુત્ર) પણ સાથે સમય વિતાવશે. અહેવાલમાં જણાવાયું છે કે આ પ્રવાસનો હેતુ બંને છોકરાઓને એકબીજા સાથે ગાઢ સંબંધ બાંધવાની તક આપવાનો અને આમિરને ક્વિન સાથે ક્વોલિટી સમય વિતાવવાનો મોકો પણ છે.</p><h3><b>આમિર મેલબોર્નના ભારતીય ફિલ્મ મહોત્સવમાં હાજરી આપશે</b></h3><p>મળતી માહિતી અનુસાર આમિર ખાન પ્રોફેશનલ કમિટમેન્ટ્સ માટે મેલબોર્ન આવ્યો છે પરંતુ તેણે આ વર્ક ટ્રિપને લગ્ન પછીના હનીમૂન અને ફેમિલી હોલીડેમાં ફેરવી દીધી છે. વેકેશન પછી આમિર ખાન મેલબોર્નના ભારતીય ફિલ્મ મહોત્સવમાં હાજરી આપશે. ફિલ્મ સિતારે જમીન પર માં અભિનય માટે તેને 'શ્રેષ્ઠ પ્રદર્શન (પુરુષ)' શ્રેણીમાં નામાંકિત કરવામાં આવ્યો છે. તે આ કેટેગરીમાં આહાન પાંડે, ભૂમન ભાર્ગવ દાસ, દુલ્કર સલમાન, મામૂટી, રણવીર સિંહ, ઋષભ શેટ્ટી અને સંજય મિશ્રા પણ રેસમાં છે.</p><h4><b>મેલબોર્નનો ભારતીય ફિલ્મ મહોત્સવ ક્યારે શરૂ થશે?</b></h4><p>મેલબોર્નનો ભારતીય ફિલ્મ મહોત્સવ 13 ઓગસ્ટથી 23 ઓગસ્ટ, 2026 દરમિયાન યોજાશે. વિજેતાઓની પસંદગી ઓસ્ટ્રેલિયાના ફિલ્મ અને સાંસ્કૃતિક ક્ષેત્રોના જ્યુરી સભ્યો દ્વારા કરવામાં આવશે. પુરસ્કારો ઉપરાંત, મહોત્સવમાં ફિલ્મ પ્રીમિયર, ખાસ સ્ક્રીનીંગ, પેનલ ચર્ચાઓ, માસ્ટરક્લાસ અને ઈન્ડસ્ટ્રી કાર્યક્રમોનો સમાવેશ થશે.</p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/entertainment/news/where-is-alok-nath-now-after--metoo--friend-rajesh-puri-reveals" target="_blank"><b>Alok Nath:: #MeToo વિવાદ બાદ ક્યાં ગાયબ છે બોલીવુડના 'સંસ્કારી બાબુજી', મિત્રએ કર્યો ખુલાસો</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/gGfGEopVXLC2ktxNW5kVihJ9uJq7RFwAZG8UDla8.webp'/></item><item><title><![CDATA[IPO : આવતા અઠવાડિયે ખુલશે 3 નવા IPO, રોકાણકારો માટે મોટી તક ]]></title><link>https://sandesh.com/business/news/3-new-ipos-opening-next-week-sbi-funds-management-alpine-texworld-millworks-technologies</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/3-new-ipos-opening-next-week-sbi-funds-management-alpine-texworld-millworks-technologies</guid><pubDate>Sat, 11 Jul 2026 15:33:29 +05:30</pubDate><description><![CDATA[<p>આવતા અઠવાડિયે શેરબજારમાં IPOમાં રોકાણ કરવા ઈચ્છુક રોકાણકારો માટે ત્રણ નવા અવસર ઉપલબ્ધ થશે. 14 જુલાઈથી 16 જુલાઈ, 2026 દરમિયાન SBI ફંડ્સ મેનેજમેન્ટ, અલ્પાઈન ટેક્સવર્લ્ડ અને મિલવર્ક્સ ટેક્નોલોજીસના IPO સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. આ ત્રણેય કંપનીઓ મળીને અંદાજે ₹11,980 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે.</p><h2><b>SBI ફંડ મેનેજમેન્ટનો IPO સૌથી મોટો</b></h2><p>આમાં સૌથી મોટો IPO SBI ફંડ મેનેજમેન્ટનો છે. કંપનીએ પ્રતિ શેર ₹545થી ₹574નો પ્રાઈસ બેન્ડ નક્કી કર્યો છે. એક લોટમાં 26 શેર હશે અને ઉપરના ભાવ મુજબ રિટેલ રોકાણકારે એક લોટ માટે આશરે ₹14,924નું રોકાણ કરવું પડશે. આ IPO સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (OFS) આધારિત છે, એટલે કે કંપની નવા શેર ઈસ્યુ નહીં કરે અને IPOમાંથી મળનારી રકમ હાલના શેરધારકોને મળશે. કંપનીના શેર 21 જુલાઈએ BSE અને NSE પર લિસ્ટ થવાની શક્યતા છે.</p><h3><b>કંપની રકમનો ઉપયોગ વ્યવસાયના વિસ્તરણ માટે કરશે</b></h3><p>અલ્પાઈન ટેક્સવર્લ્ડનો IPO પણ 14થી 16 જુલાઈ દરમિયાન ખુલશે. કંપનીએ પ્રતિ શેર ₹100થી ₹105નો ભાવ નક્કી કર્યો છે. એક લોટમાં 142 શેર હશે અને એક લોટ માટે આશરે ₹14,910નું રોકાણ કરવું પડશે. આ ₹126.25 કરોડનો ફ્રેશ ઈશ્યૂ છે, જેના દ્વારા મળનારી રકમ કંપની પોતાના વ્યવસાયના વિસ્તરણ માટે ઉપયોગમાં લેશે. કંપની અમદાવાદમાં નવી ઉત્પાદન એકમ સ્થાપવાની યોજના ધરાવે છે.</p><h4><b>SME સેગમેન્ટમાં આ કંપનીનો આવશે આઈપીઓ</b></h4><p>SME સેગમેન્ટમાં મિલવર્ક્સ ટેક્નોલોજીસનો IPO પણ એ જ તારીખોમાં ખુલશે. કંપનીએ પ્રતિ શેર ₹315થી ₹331નો પ્રાઈસ બેન્ડ નક્કી કર્યો છે અને લગભગ ₹160.34 કરોડ એકત્ર કરવાનો લક્ષ્ય રાખ્યો છે. ગ્રે માર્કેટમાં આ IPOને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને શેર ઈશ્યૂ પ્રાઈસ કરતાં 100 ટકાથી વધુ પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો હોવાનું કહેવાય છે. જોકે, નિષ્ણાતો રોકાણકારોને યાદ અપાવે છે કે ગ્રે માર્કેટ પ્રીમિયમ માત્ર અંદાજ હોય છે અને લિસ્ટિંગ પર નફાની કોઈ ખાતરી આપતું નથી.</p><p><b><a href="https://sandesh.com/business/news/tcs-q1-results-profit-13349-crore-12-rupees-interim-dividend" target="_blank">આ પણ વાંચો : TCS Q1 Results : કંપનીને થયો 13,000 કરોડથી વધુનો નફો, રોકાણકારો માટે ડિવિડન્ડની કરી જાહેરાત</a></b></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/QDNGjbHsiyoVBgfiWjkNQkvSEx1P64huQPx7Bnok.webp'/></item><item><title><![CDATA[Palanpur : 1 કરોડના ચરસ કેસમાં ડ્રગ્સ માફિયાને 20 વર્ષની સખત કેદ , કોર્ટે કહ્યું,, ડ્રગ્સ યુવાધન માટે ગંભીર ખતરો ]]></title><link>https://sandesh.com/gujarat/news/palanpur/palanpur-ndps-court-verdict-samir-ahmed-nagori-charas-case-ats-gujarat</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/palanpur/palanpur-ndps-court-verdict-samir-ahmed-nagori-charas-case-ats-gujarat</guid><pubDate>Sat, 11 Jul 2026 15:19:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાંથી નશાના કારોબારને નેસ્તનાબૂદ કરવા માટે સુરક્ષા એજન્સીઓ અને ન્યાયતંત્ર કડક વલણ અપનાવી રહ્યું છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાની પાલનપુર સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે એક અત્યંત મહત્વનો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. વર્ષ 2010ના એક ચકચારી ચરસ સ્મગલિંગ કેસમાં કોર્ટે મુખ્ય આરોપી સમિર અહેમદ શેખ નાગોરીને તકસીરવાન ઠેરવીને 20વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે જ અદાલતે ડ્રગ્સના દૂષણ સામે કડક સંદેશ આપતા આરોપીને રૂપિયા બે લાખનો ભારે દંડ પણ ફટકાર્યો છે.</p><h2 style="text-align: justify; "><b>16.57 કિલો ચરસ સાથે ATS એ ઝડપ્યો હતો</b></h2><p style="text-align: justify; ">બનાવની વિગત એવી છે કે, વર્ષ 2010માં ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા એક ગુપ્ત ઓપરેશન હાથ ધરીને એક શંકાસ્પદ વાહનની તલાશી લેવામાં આવી હતી. આ વાહનમાંથી વન વિભાગ અને સુરક્ષા એજન્સીઓને ચોંકાવનારો 16.575 કિલોગ્રામ ઉચ્ચ ગુણવત્તાનો ચરસનો જથ્થો મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા આ ચરસના જથ્થાની બજાર કિંમત રૂપિયા 1 કરોડથી વધુ થવા જતી હતી. આ મામલે એટીએસ દ્વારા ગુનો નોંધી આરોપી સમિર અહેમદ શેખ નાગોરીની ધરપકડ કરવામાં આવી હતી અને પાલનપુરની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>દંડ ન ભરે તો વધુ કેદ અને અન્ય આરોપીઓ સામે ટ્રાયલ ચાલુ</b></h3><p style="text-align: justify; ">પાલનપુર કોર્ટે તમામ પુરાવા અને દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી સમિર અહેમદ શેખ નાગોરીને દોષિત જાહેર કર્યો છે. કોર્ટે ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે જો આરોપી ફટકારવામાં આવેલો 2 લાખનો દંડ નહીં ભરે, તો તેણે વધારાની 1 વર્ષની જેલની સજા ભોગવવી પડશે. આ કેસમાં સંડોવાયેલા અન્ય સહ-આરોપીઓ સામે પણ હજુ કાયદેસરની ટ્રાયલ અને કાનૂની કાર્યવાહી ચાલુ છે.</p><h5 style="text-align: justify; "><b>યુવાધન માટે ડ્રગ્સ મોટો ખતરો: કોર્ટની ગંભીર નોંધ</b></h5><p style="text-align: justify; ">ચુકાદો આપતી વખતે સ્પેશિયલ કોર્ટે દેશની વર્તમાન સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા એક માર્મિક નોંધ કરી હતી. અદાલતે જણાવ્યું હતું કે, "આજકાલ નશાકારક પદાર્થો અને ડ્રગ્સ દેશના યુવાધન માટે સૌથી ગંભીર ખતરો બની રહ્યા છે. નશાના આ કારોબારને કારણે હજારો પરિવારો બરબાદ થઈ રહ્યા છે, જેથી આવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા તત્વો સામે કોઈ પણ પ્રકારની નરમાઈ દાખવી શકાય નહીં અને સમાજમાં દાખલો બેસે તેવી કડક સજા થવી અનિવાર્ય છે."&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો :&nbsp;<a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/surat-khadipur-bhestan-bodies-found-smc-failure-deaths-news" target="_blank"><b>Sandesh Indepth : સુરતમાં સંકોચાતી ખાડી બની 'ડેથ ટ્રેપ', 1 હજાર કરોડની જાહેરાતો માત્ર કાગળ પર, 9.23 લાખ નાગરિકો આજે પણ જોખમમાં</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/aQcyp7slqXzyDjibCdUhXdTfxznCj4s983IjLhER.webp'/></item><item><title><![CDATA[વાંચો બપોરે 12થી 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/today-afternoon-breaking-news-bulletin-gujarat-india-updates-read-important-news-from-12-pm-to-03-pm-10-july-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/today-afternoon-breaking-news-bulletin-gujarat-india-updates-read-important-news-from-12-pm-to-03-pm-10-july-2026</guid><pubDate>Sat, 11 Jul 2026 14:59:18 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર&nbsp; &nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-rath-yatra-dariyapur-police-criminals-oath-acp-reena-rathva-news" target="_blank">1. Ahmedabad : કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, દરિયાપુર પોલીસે રીઢા ગુનેગારો અને ડ્રગ્સ માફિયાઓને લેવડાવ્યા શપથ, Video</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/world/news/pm-modi-i-have-brought-the-best-wishes-of-140-crore-indians-pm-modi-roared-in-new-zealand" target="_blank">2. PM Modi: "કીવી વ્યક્તિએ આપેલું એ મફલર આજે પણ મારી પાસે છે" ન્યૂઝીલેન્ડમાં પોતાના લોકો વચ્ચે ભાવુક થયા PM મોદી</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/entertainment/news/jay-bhanushali-mahhi-vij-divorce--actor-says-living-like-salman-khan" target="_blank">3. છૂટાછેડા બાદ શું જય ભાનુશાલીને છે કોઈ Girl Friend? જગજાહેર કર્યો મોટો ખુલાસો</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/world/news/afghanistan-india-and-our-dna-are-the-same-this-statement-by-the-afghan-minister-will-increase-pakistani-concerns" target="_blank">4. Afghanistan: ભારત અને અમારું DNA એક જ છે,અફઘાન મંત્રીના આ નિવેદનથી પાકિસ્તાની ચિંતા વધશે</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/business/news/gold-silver-price-today-silver-fell-by-13-thousand-while-gold-fell-by-2976-know-how-much-the-price-of-gold-and-silver-fell-this-week" target="_blank">5. Gold Silver Price Today: ચાંદીમાં 13 હજાર જ્યારે સોનામાં 2,976નો ઘટાડો, જાણો આ અઠવાડિયે સોના ચાંદીનો ભાવ કેટલો ઘટ્યો</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/bhavnagar-university-campus-abvp-president-attack-parking-dispute-arrest-news" target="_blank">6. Bhavnagar : યુનિવર્સિટી કેમ્પસમાં પાર્કિંગ બાબતે ABVP કોલેજ પ્રમુખ સહિત બે પર છરી-ધોકાથી જીવલેણ હુમલો, પોલીસ એક્શનમાં</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/amreli/amreli-liliya-lion-harassment-case-illegal-lion-show-arrest-news" target="_blank">7. Amreli : સિંહ પજવણી મામલામાં ઘટસ્ફોટ, સિંહ મેટિંગ દરમિયાન વિડીયો કોલથી 'લાયન શો' કરનારા 2 શખ્સોની ધરપકડ</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/vadodara/rosary-school-pt-teacher-punishes-heart-patient-student-deo-complaint" target="_blank">8. Vadodara: હૃદયરોગથી પીડાતા ધોરણ 5 ના વિદ્યાર્થીને મેદાનના 6 રાઉન્ડ દોડાવ્યા, શું શાળાએ ભૂલ સ્વીકારી શિક્ષકનો બચાવ કર્યો ?</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/khed-brahma/sabarkantha-khedbrahma-girl-climbs-mobile-tower-highway-traffic-jam-news" target="_blank">9. Khedbrahma: અંબાજી હાઇવે પર હાઈવોલ્ટેજ ડ્રામા, 200 ફૂટ ઊંચા મોબાઈલ ટાવર પર ચઢી ગઈ યુવતી, રહસ્ય અકબંધ, Video</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/entertainment/news/muzammil-ibrahim-claims-he-dumped-deepika-padukone---quot-no-regrets" target="_blank">10. Muzammil Ibrahim on Deepika Padukone: દીપિકાને છોડવાનો કોઈ પસ્તાવો નથી... એક્સ બોયફ્રેન્ડનો ચોંકાવનારો દાવો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/cF1UhVL3qjgh9TzIwiEc7eDF0rh6e2YE3bOZyEvH.webp'/></item><item><title><![CDATA[Ram Mandir Donation Row: મંદિરમાં રોકડ દાનમાં ઘટાડો, 100-500ની નોટો ઘટી ]]></title><link>https://sandesh.com/india/news/ram-mandir-donation-row-cash-donations-in-the-temple-decrease-100-500-notes-decrease</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ram-mandir-donation-row-cash-donations-in-the-temple-decrease-100-500-notes-decrease</guid><pubDate>Sat, 11 Jul 2026 14:52:46 +05:30</pubDate><description><![CDATA[<p>રામ મંદિરમાં મળતા રોકડ દાનમાં ઘટાડો જોવા મળ્યો છે. અહેવાલો દર્શાવે છે કે અગાઉ ગણતરીના સમયમાં ₹100, ₹200 અને ₹500 ની નોટોનો મોટો ઢગલો મળતો હતો પરંતુ હવે ₹10, ₹20 અને ₹50 ની નોટોનો જથ્થો વધી ગયો છે. આ માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે હજી સુધી મંદિર ટ્રસ્ટ તરફથી કોઇ સત્તાવાર નિવેદન મળ્યુ નથી.</p><h2><b>દાનપેટીમાં રોકડ ઓછી આવતી હોવાના સૂત્રોના અહેવાલ</b></h2><p>અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરમાં કેટલાક કર્મચારીઓ દ્વારા દાન ચોરીને લગતા વિવાદે દેશભરના સમજુ નાગરિકોને દુઃખી કર્યા છે. મંદિરો પવિત્ર સ્થાનો છે, અને દાન ફક્ત દાન જ નહીં પરંતુ દેવતા અને ભક્ત વચ્ચેના વ્યક્તિગત બંધનનું પ્રતિનિધિત્વ કરે છે. મંદિરના પુનર્નિર્માણ પહેલાના પાંચ સદી લાંબા સંઘર્ષને ધ્યાનમાં રાખીને, અયોધ્યા લાખો ભારતીયોના હૃદયમાં એક ખાસ સ્થાન ધરાવે છે.</p><h3><b>દાનચોરીથી લોકોમાં નિરાશા&nbsp;</b></h3><p> જાન્યુઆરી 2024 માં ભવ્ય પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવી. જે દરમિયાન દેશના ખૂણે ખૂણેથી ભગવાન રામ માટે કંઇકને કંઇક ભેટ આવી. લોકોનો ઉત્સાહ અને શ્રદ્ધા સ્પષ્ટ જોવા મળી. પરંતુ&nbsp; હાલમાં ચાલી રહેલા દાનચોરીના&nbsp; સમાચારને કારણે લોકો ખૂબ જ નિરાશાજનક બન્યા.</p><h4><b>જાહેર વિશ્વાસ કેમ ઘટી રહ્યો છે?</b></h4><p>જનતાની નારાજગીનું બીજું એક કારણ છે. મંદિરનું સંચાલન સંઘ પરિવાર સાથે સંકળાયેલા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે છે, જે એક જૂથ છે જે પ્રામાણિકતા, સત્યતા અને શિસ્તના દોષરહિત રેકોર્ડ માટે જાણીતું છે. સંઘ પરિવારમાં આ જાહેર વિશ્વાસ જ અયોધ્યામાં રોકડ અને ભૌતિક ભેટોનો મોટો પ્રવાહ લાવે છે. આ ટ્રસ્ટના ભંગાણથી જાહેર રોષ વધુ તીવ્ર બન્યો છે.</p><h4><b>ગુનેગારોને કડક સજાની માગ&nbsp;</b></h4><p>સંગઠનના નેતાઓએ જનતાના ગુસ્સાની ગંભીરતાને ઓળખી. RSSના મહાસચિવ દત્તાત્રેય હોસાબલેએ એક કડક શબ્દોમાં નિવેદન બહાર પાડીને ગુનેગારોને કડક સજાની માંગ કરી. તેમણે મંદિર ટ્રસ્ટને "યોગ્ય નાણાકીય વ્યવસ્થાપન, ભૂલ-મુક્ત અને પારદર્શક કાર્યકારી પ્રણાલીઓ અને પવિત્રતા, શુદ્ધતા અને વાસ્તવિક ધાર્મિકતા દ્વારા વર્ગીકૃત થયેલ વાતાવરણ" સુનિશ્ચિત કરવા પણ વિનંતી કરી.</p><p> શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ જેમાં સંતો અને પ્રતિષ્ઠિત નાગરિકોનો સમાવેશ થાય છે, તેને મંદિરના સંચાલનની જવાબદારી સોંપવામાં આવી છે. ઝડપથી કાર્યવાહી કરતા, તપાસ રાજ્ય સરકાર દ્વારા રચાયેલી વિશેષ તપાસ ટીમ (SIT) ને સોંપવામાં આવી હતી.</p><p><br><a href="https://sandesh.com/astrology/news/bhakti/shani-dev-2026-saturn-will-move-in-reverse-these-2-zodiac-signs-should-be-especially-careful" target="_blank">આ પણ વાંચો: Shani Dev 2026: શનિની ચાલશે ઉલટી ચાલ, આ 2 રાશિએ ખાસ સાચવવુ !</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/ZjYzA5J5kVyXLh0F3G3rBXPw2CuMHvR4f6Q8e5kU.webp'/></item><item><title><![CDATA[Khedbrahma: અંબાજી હાઇવે પર હાઈવોલ્ટેજ ડ્રામા, 200 ફૂટ ઊંચા મોબાઈલ ટાવર પર ચઢી ગઈ યુવતી, રહસ્ય અકબંધ, Video ]]></title><link>https://sandesh.com/gujarat/news/khed-brahma/sabarkantha-khedbrahma-girl-climbs-mobile-tower-highway-traffic-jam-news</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/khed-brahma/sabarkantha-khedbrahma-girl-climbs-mobile-tower-highway-traffic-jam-news</guid><pubDate>Sat, 11 Jul 2026 14:46:40 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વિસ્તારમાં આજે સવારના સમયે એક ભારે હંગામો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ખેડબ્રહ્મા-કાંઠીયા અંબાજી હાઇવે પર આવેલા બાવડ-કાંઠીયા ગામ નજીક સવારે 10 વાગ્યાની આસપાસ એક યુવતી અચાનક જ 200 ફૂટ ઊંચા મોબાઈલ ટાવર પર ચઢી ગઈ હતી. યુવતીને ટાવર પર ચઢેલી જોઈને સ્થાનિકો અને હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાને પગલે હાઇવે પર લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં.</p><h2 style="text-align: justify; "><b>અંબાજી હાઇવે પર ચક્કાજામ&nbsp;</b></h2><p style="text-align: justify; ">ટાવર પર ચઢેલી યુવતીને જોવા માટે રસ્તા પર સેંકડો લોકો એકઠા થઈ જતાં ખેડબ્રહ્મા-અંબાજી હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. જોતજોતામાં સમગ્ર હાઇવે પર ચક્કાજામ થઈ ગયો હતો અને ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણ ખોરવાઈ ગઈ હતી. આ હાઈવોલ્ટેજ ડ્રામા સતત 3 કલાક સુધી ચાલ્યો હતો. યુવતી ટાવરની ટોચ પર ઊભી રહી હોવાથી કોઈ મોટી દુર્ઘટના ન ઘટે તે માટે પોલીસ, ફાયર વિભાગ અને સ્થાનિક ગ્રામજનોના જીવ સતત 3 કલાક સુધી અધ્ધર થઈ ગયા હતા અને વાતાવરણ ભારે તંગ બની ગયું હતું.&nbsp;</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DapXK-IiFKe/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DapXK-IiFKe/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a>&nbsp;&nbsp;</p><h3 style="text-align: justify; "><b>ખેરોજ પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે</b></h3><p style="text-align: justify; ">આ ચકચારી ઘટનાની જાણ થતાં જ ખેરોજ પોલીસ સ્ટેશનનો કાફલો અને ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગની ટીમે યુવતીને કોઈ પણ પ્રકારની ઈજા વગર સુરક્ષિત રીતે નીચે ઉતારવા માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું છે. બીજી તરફ, પોલીસ અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા મેગાફોનની મદદથી યુવતીને સમજાવવાના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જોકે, આ યુવતી કયા વિવાદ અથવા કયા કારણોસર આટલા ઊંચા ટાવર પર ચઢી ગઈ છે તેનું અસલી કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ હાલ આ મામલે વધુ તપાસ કરી રહી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો :&nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/surat-khadipur-bhestan-bodies-found-smc-failure-deaths-news" target="_blank"><b>Sandesh Indepth : સુરતમાં સંકોચાતી ખાડી બની 'ડેથ ટ્રેપ', 1 હજાર કરોડની જાહેરાતો માત્ર કાગળ પર, 9.23 લાખ નાગરિકો આજે પણ જોખમમાં</b></a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/oM6S48GLiXKN6eXMa4POY2Eh6KexE5XdN4qsxJ0t.webp'/></item><item><title><![CDATA[Surat: ડિંડોલીમાં રાજમોલ પાસે લોન રિકવરી એજન્ટની નિર્મમ હત્યા, પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/dindoli-loan-recovery-agent-raj-dubey-murdered-near-raj-mall</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/dindoli-loan-recovery-agent-raj-dubey-murdered-near-raj-mall</guid><pubDate>Sat, 11 Jul 2026 14:27:32 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ગુનેગારો બેખોફ બન્યા હોય તેવો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ડિંડોલીના રાજમોલ જેવા વ્યસ્ત અને જાણીતા લોકેશન પાસે મોડી રાત્રે એક યુવકની ઘાતકી હત્યા થતાં સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે. પોલીસ કંટ્રોલ રૂમમાંથી મળતી સત્તાવાર માહિતી અનુસાર, મૃતક યુવકની ઓળખ રાજ અજય દુબે તરીકે થઈ છે. રાજ દુબે રાત્રિના સમયે રાજમોલ પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અંધારાનો લાભ લઈને અગાઉથી જ ઓથ નઈને બેઠેલા અજાણ્યા હુમલાખોરોએ તેના પર અચાનક હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ રાજ પર તીક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે ગંભીર ઇજાઓ થતાં રાજનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું અને હુમલાખોરો અંધારામાં ફરાર થઈ ગયા હતા.</p><h2><b>લોન રિકવરી કનેક્શન અને આર્થિક વિવાદ</b></h2><p>સ્થાનિક લોકોએ લોહીલુહાણ હાલતમાં યુવકનો મૃતદેહ જોતાં જ ડિંડોલી પોલીસને જાણ કરી હતી, જેને પગલે ડિંડોલી પોલીસ સ્ટેશનનો મોટો કાફલો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક રાજ દુબે અલગ-અલગ ફાઇનાન્સ કંપનીઓ અને ખાનગી લોન આપનારાઓ માટે 'લોન રિકવરી એજન્ટ' તરીકે કામ કરતો હતો. આ વ્યવસાયમાં ઘણી વખત લોન ન ભરનારા ગ્રાહકો અથવા ડિફોલ્ટરો સાથે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ થતું હોય છે. તેથી પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે, કોઈ લોન ડિફોલ્ટર સાથે થયેલા વિવાદ અથવા કોઈ મોટી નાણાકીય લેણદેણની અદાવત રાખીને જ આ સોપારી આપીને કે આયોજનબદ્ધ રીતે હત્યાને અંજામ આપવામાં આવ્યો છે.</p><h3><b>આરોપીઓની શોધખોળ માટે ટીમો રવાના</b></h3><p>હત્યાની આ ગંભીર ઘટનાને પગલે સુરત પોલીસ હરકતમાં આવી ગઈ છે. ડિંડોલી પોલીસે અજાણ્યા હત્યારાઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો હેઠળ મર્ડરનો ગુનો નોંધી આગળની કાયદાકીય તપાસ હાથ ધરી છે. રાજમોલની આસપાસની દુકાનો અને હાઇવે પર લાગેલા સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજ મેળવીને હુમલાખોરો કયા વાહન પર આવ્યા હતા અને કઈ દિશામાં ભાગ્યા છે તેની સઘન કડીઓ મેળવવામાં આવી રહી છે. આ ઉપરાંત મૃતક રાજ દુબેના મોબાઇલ ફોનની કોલ ડિટેઇલ્સ (CDR) પણ ચેક કરવામાં આવી રહી છે, જેથી તેની છેલ્લી વાતચીત કોની સાથે થઈ હતી તે જાણી શકાય. પોલીસે દાવો કર્યો છે કે ખૂબ જ ટૂંક સમયમાં આરોપીઓને આઇડેન્ટિફાય કરીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/bhavsagar-dam-gate-number-15-broken-ten-villages-high-alert-flood-fear" target="_blank">આ પણ વાંચો: Bhavnagar: ભવસાગર ડેમનો દરવાજો તૂટતા પૂરનું જોખમ, લોકોને સલામત અને ઉપરવાસના વિસ્તારોમાં ખસી જવા અપીલ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/wN5YpcZ5KWQsliNRB60OQ8vhv5Wpltd9DeBbYOcQ.webp'/></item><item><title><![CDATA[Ahmedabad : કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, દરિયાપુર પોલીસે રીઢા ગુનેગારો અને ડ્રગ્સ માફિયાઓને લેવડાવ્યા શપથ, Video ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-rath-yatra-dariyapur-police-criminals-oath-acp-reena-rathva-news</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-rath-yatra-dariyapur-police-criminals-oath-acp-reena-rathva-news</guid><pubDate>Sat, 11 Jul 2026 14:22:50 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અષાઢી બીજના પાવન પર્વે નીકળનારી ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રાને લઈને અમદાવાદ શહેર પોલીસ અત્યારથી જ સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. રથયાત્રાના સંવેદનશીલ રૂટ પર કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસે ગુનાહિત તત્વો સામે લાલ આંખ કરી છે. આ અંતર્ગત દરિયાપુર પોલીસ સ્ટેશન દ્વારા રથયાત્રા પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે એક વિશેષ અને પ્રશંસનીય સરાહનીય પગલું ભરવામાં આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>ગુનેગારોને પોલીસ સ્ટેશન બોલાવી લેવડાવ્યા શપથ</b></h2><p style="text-align: justify; ">દરિયાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિસ્તારના રીઢા ગુનેગારો, ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલા પેડલર્સ તેમજ શરીર સંબંધી ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની યાદી તૈયાર કરીને તેમને પોલીસ સ્ટેશન ખાતે હાજર રાખવામાં આવ્યા હતા. રથયાત્રા દરમિયાન શહેરમાં શાંતિ અને કોમી એકતાનો માહોલ જળવાઈ રહે તે માટે આ તમામ ગુનાહિત તત્વો પાસે ભવિષ્યમાં કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ નહીં થવાના અને શાંતિ જાળવવામાં સહકાર આપવાના શપથ  લેવડાવવામાં આવ્યા હતા.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DapYsiBCcUy/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DapYsiBCcUy/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a>&nbsp; &nbsp; &nbsp;</p><p style="text-align: justify; "><br></p><h3 style="text-align: justify; "><b>કાયદો હાથમાં લેશો તો ખેર નથી: ACPની ખુલ્લી ચેતવણી</b></h3><p style="text-align: justify; ">આ શપથ ગ્રહણ દરમિયાન હાજર રહેલા એસીપીરીના રાઠવાએ તમામ આરોપીઓને અને રીઢા ગુનેગારોને સ્પષ્ટ અને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, "જો રથયાત્રા દરમિયાન કોઈ પણ તત્વ દ્વારા કાયદો અને વ્યવસ્થામાં ખલેલ પહોંચાડવાનો સહેજ પણ પ્રયાસ કરવામાં આવશે, અથવા તો કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં કોઈની સંડોવણી સામે આવશે, તો પોલીસ કોઈ પણ શેરમરખ રાખ્યા વિના કાયદાના દાયરામાં રહીને કડકમા કડક કાનૂની કાર્યવાહી કરશે."&nbsp;</p><h4 style="text-align: justify; "><b>સોશિયલ મીડિયાથી લઈને ગ્રાઉન્ડ લેવલ સુધી કડક મોનિટરિંગ</b></h4><p style="text-align: justify; ">અમદાવાદ પોલીસનો એકમાત્ર ઉદ્દેશ્ય ભગવાન જગન્નાથજીની રથયાત્રા એકદમ શાંતિપૂર્ણ, ભક્તિસભર અને સુરક્ષિત માહોલમાં સંપન્ન કરાવવાનો છે, જેના માટે સોશિયલ મીડિયાથી લઈને ગ્રાઉન્ડ લેવલ સુધી કડક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો :&nbsp;<a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/surat-khadipur-bhestan-bodies-found-smc-failure-deaths-news" target="_blank"><b> Sandesh Indepth : સુરતમાં સંકોચાતી ખાડી બની 'ડેથ ટ્રેપ', 1 હજાર કરોડની જાહેરાતો માત્ર કાગળ પર, 9.23 લાખ નાગરિકો આજે પણ જોખમમાં</b></a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/ffkjUQ4JUwjt4veC3Aywsp1qTAwNClqNuLVSXbF9.webp'/></item></channel></rss>