<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Surat: દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુમુલ ડેરીની 9 બેઠકો માટે આવતીકાલે યોજાશે મતદાન, 17 જુલાઈએ થશે મતગણતરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/sumul-dairy-election-tomorrow-for-nine-seats-counting-on-july-17</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/sumul-dairy-election-tomorrow-for-nine-seats-counting-on-july-17</guid><pubDate>Tue, 14 Jul 2026 08:25:06 +05:30</pubDate><description><![CDATA[<p>દક્ષિણ ગુજરાતની આર્થિક જીવાદોરી સમાન અને અબજો રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી સુમુલ ડેરીના સંચાલક મંડળની ચૂંટણીનો રોમાંચ વધી રહ્યો છે. લાંબા સમયના પ્રચાર-પ્રસાર અને રાજકીય ખેંચતાણ બાદ આવતીકાલે સુમુલ ડેરીની બાકી રહેલી 9 બેઠકો માટે લોકશાહી ઢબે મતદાન યોજાવા જઈ રહ્યું છે. સહકારી ક્ષેત્ર પર પોતાનું વર્ચસ્વ જમાવવા માટે ભાજપ અને કોંગ્રેસ પ્રેરિત પેનલો તેમજ અપક્ષ ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવ્યું છે, જેના કારણે આ ચૂંટણી વિધાનસભા જેવી રસાકસી ભરી બની ગઈ છે.</p><h2><b>સુમુલ ડેરીના સંચાલક મંડળની ચૂંટણી</b></h2><p>ચૂંટણી તંત્રના જણાવ્યા અનુસાર, આવતીકાલે સવારે 9:00 વાગ્યાથી મતદાન મથકો પર પ્રક્રિયા શરૂ થશે જે સાંજે 4:00 વાગ્યા સુધી ચાલશે. આ ચૂંટણીમાં રસપ્રદ આંકડા સામે આવ્યા છે, જેમાં સુરત જિલ્લાની ઓલપાડ બેઠક પર સૌથી ઓછી રસાકસી જોવા મળી શકે છે કારણ કે ત્યાં સૌથી ઓછા માત્ર 42 મતદારો જ નોંધાયેલા છે. તેની સામે આદિવાસી બહુલ વિસ્તાર ધરાવતી તાપી જિલ્લાની સોનગઢ બેઠક પર સૌથી મોટો જંગ ખેલાશે, જ્યાં સૌથી વધુ 176 મતદારો ઉમેદવારોના ભાવીનો ફેંસલો કરશે.</p><h3><b>17 જુલાઈએ મતગણતરી</b></h3><p>આવતીકાલે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ બેલેટ બોક્સને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સુરક્ષિત રાખવામાં આવશે. ત્યારબાદ આગામી 17 જુલાઈના રોજ સુરત સ્થિત સુમુલ ડેરીના અદ્યતન બેન્કવેટ હોલ ખાતે સવારથી જ મતગણતરી હાથ ધરવામાં આવશે. આ જ દિવસે બપોર સુધીમાં સુમુલની સત્તાની ચાવી કોના હાથમાં જશે તે સ્પષ્ટ થઈ જશે. ડેરીના વર્તમાન શાસકો સત્તા ટકાવી રાખે છે કે પછી વિપક્ષ કોઈ મોટો ઉલટફેર કરે છે, તેના પર દક્ષિણ ગુજરાતના લાખો પશુપાલકોની નજર મંડાયેલી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/rajkot/madhapar-chokdi-horrific-accident-trailer-crushed-uday-waghela-clash-with-police" target="_blank">આ પણ વાંચો: Rajkot: માધાપર ચોકડી પાસે રેતી ભરેલા બેફામ ટ્રેલરે રોડ ક્રોસ કરતા યુવકને કચડ્યો, ચાલક વાહન મૂકી સ્થળ પરથી ફરાર</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/8OLgb9FqcA9pPtOLu7mfbXR7nlAOlohh3Qwn9iWt.webp'/></item><item><title><![CDATA[Patan : માત્ર 5 હજારના વ્યાજની ઉઘરાણીમાં નરાધમે મહિલાને જીવતી સળગાવી, સારવાર દરમિયાન મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/patan/patan-loan-shark-burns-woman-alive-pinky-patni-five-thousand-rupees</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/patan/patan-loan-shark-burns-woman-alive-pinky-patni-five-thousand-rupees</guid><pubDate>Tue, 14 Jul 2026 08:21:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં વ્યાજખોરોનો ત્રાસ અને તેમની દાદાગીરી કઈ હદે વધી ગઈ છે, તેનો એક અત્યંત દર્દનાક અને હચમચાવી દેતો કિસ્સો પાટણ શહેરમાંથી સામે આવ્યો છે. અહીં માત્ર રૂ. 5 હજાપ જેવી નજીવી રકમની વ્યાજની ઉઘરાણી બાબતે થયેલા વિવાદમાં એક વ્યાજખોરે ક્રૂરતાની તમામ હદો વટાવીને એક નિર્દોષ મહિલાને જીવતી સળગાવી દીધી છે.  ગંભીર રીતે દાઝી ગયેલી 35 વર્ષીય મહિલાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરુણ મોત નીપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે રોષ ફાટી નીકળ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>ઘરખર્ચ માટે સ્થાનિક વ્યાજખોર બાબુ રાવળ પાસેથી પૈસા વ્યાજે લીધા</b></h2><p style="text-align: justify; ">પ્રાપ્ત વિગતો અનુસાર, પાટણની રહેવાસી પિંકીબેન પટણી (ઉંમર 35 વર્ષ) નામના મહિલાએ પોતાના ઘરખર્ચ માટે સ્થાનિક વ્યાજખોર બાબુ રાવળ પાસેથી પૈસા વ્યાજે લીધા હતા.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>બાબુએ મહિલાને જીવતી સળગાવી</b></h3><p style="text-align: justify; ">પિંકીબેને વ્યાજખોર બાબુ રાવળ પાસે નાણાં ચૂકવવા માટે થોડી મુદત માંગી હતી. પરંતુ વ્યાજના નશામાં અંધ બનેલા આરોપી બાબુ રાવળે ઉશ્કેરાઈ જઈને મહિલા પર હુમલો કરી દીધો હતો. વિવાદ એટલો વધ્યો કે નરાધમ બાબુએ મહિલા પર જ્વલનશીલ પ્રવાહી રેડીને ક્રૂરતાપૂર્વક આગ ચાંપી દીધી હતી.</p><h4 style="text-align: justify; "><b>મહિલાનું સારવાર દરમિયાન મોત&nbsp;</b></h4><p style="text-align: justify; ">આ જીવલેણ હુમલામાં ગંભીર રીતે દાઝી ગયેલા પિંકીબેનને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનો જીવ બચી શક્યો ન હતો.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>આરોપી પણ દાઝ્યો</b></h4><p style="text-align: justify; ">આ જઘન્ય કૃત્ય આચરતી વખતે આરોપી બાબુ રાવળ પોતે પણ આશરે 40 ટકા જેટલો દાઝી ગયો હોવાના અહેવાલ છે, જે હાલ પોલીસ જાપતા હેઠળ સારવાર હેઠળ છે.</p><h5 style="text-align: justify; "><b>પોલીસે તપાસ શરુ કરી&nbsp;</b></h5><p style="text-align: justify; ">ઘટનાની ગંભીરતાને જોતાં પાટણ પોલીસે તાત્કાલિક કડક પગલાં લીધા છે. મહિલાના મોત બાદ પોલીસે આ ગુનામાં કાયદેસરની હત્યાની કલમ નો ઉમેરો કર્યો છે. વ્યાજખોરીના આ દૂષણે વધુ એક હસતા-રમતા પરિવારનો માળો વિખેરી નાખ્યો છે, ત્યારે સ્થાનિક લોકો આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><b>&nbsp; &nbsp;આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-indepth-gujarat-monsoon-2026-rain-deficit-paresh-goswami-weather-forecast-july-round" target="_blank">Sandesh Indepth : ચોમાસું ખોટકાયું, ગુજરાતમાં ગત વર્ષ કરતાં અડધો જ વરસાદ; 24.64% સાથે ખેડૂતો ચિંતિત, જળસંકટની ભીતિ!</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/2x5TxrwWUNLziYQn62gtVqG0XlqFU70VLKIfXPnH.webp'/></item><item><title><![CDATA[Rajkot: માધાપર ચોકડી પાસે રેતી ભરેલા બેફામ ટ્રેલરે રોડ ક્રોસ કરતા યુવકને કચડ્યો, ચાલક વાહન મૂકી સ્થળ પરથી ફરાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/madhapar-chokdi-horrific-accident-trailer-crushed-uday-waghela-clash-with-police</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/madhapar-chokdi-horrific-accident-trailer-crushed-uday-waghela-clash-with-police</guid><pubDate>Tue, 14 Jul 2026 08:15:03 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટના પ્રવેશદ્વાર સમાન અને સતત ટ્રાફિકથી ધમધમતી માધાપર ચોકડી પાસે હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. ચોકડી પાસેથી પસાર થઈ રહેલા ઉદય વાઘેલા નામના નાગરિક જ્યારે પગપાળા રોડ ક્રોસ કરી રહ્યા હતા, તે દરમિયાન રેતી ભરેલા એક તોતિંગ ટ્રેલરના ચાલકે પોતાના વાહનને પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે દોડાવી ઉદયભાઈને અડફેટે લીધા હતા. ટ્રેલરના વ્હીલ નીચે આવી જતાં ઉદય વાઘેલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.</p><h2><b>માધાપર ચોકડી પાસે અકસ્માત&nbsp;</b></h2><p> અકસ્માત એટલો ભયાનક હતો કે સ્થળ પર જ લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા અને આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. અકસ્માત સર્જ્યા બાદ પકડાઈ જવાના ડરે ટ્રેલર ચાલક વાહન રસ્તા પર જ મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટનાની જાણ થતાં જ મૃતકના પરિવારજનો અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોતાના સ્વજનનું કરુણ મોત જોઈને પરિવારજનોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ માધાપર ચોકડી પર ચક્કાજામ કરી દીધો હતો, જેના કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.</p><h3><b>પોલીસ અને આક્રોશિત પરિવાર વચ્ચે ઘર્ષણ</b></h3><p> જ્યારે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે સિવિલ હોસ્પિટલ ખસેડવાનો પ્રયાસ કર્યો ત્યારે પરિવારે ન્યાય અને ચાલકની તાત્કાલિક ધરપકડની માંગ સાથે મૃતદેહ ઉપાડવા દીધો ન હતો. આ દરમિયાન પોલીસ અને પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.અંતે, ઉચ્ચ પોલીસ અધિકારીઓની લાંબી સમજાવટ અને કાયદેસરની કડક કાર્યવાહીની ખાતરી આપ્યા બાદ પરિવાર શાંત પડ્યો હતો અને મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવા સંમતિ આપી હતી. પોલીસે ફરાર ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/new-ranip-youth-brutally-attacked-by-mob-sabarmati-police-arrested-akash-waghela" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: રાણીપમાં મોડી રાત્રે લોહીયાળ જંગ, 8 થી 10 લોકોના હિંસક ટોળાએ યુવકને જાહેરમાં નિર્દયતાથી ફટકાર્યો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/WhaFHawtXAzbkvB9ksWoLqtZDTTMQkiItRiMr4I6.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: રાણીપમાં મોડી રાત્રે લોહીયાળ જંગ, 8 થી 10 લોકોના હિંસક ટોળાએ યુવકને જાહેરમાં નિર્દયતાથી ફટકાર્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/new-ranip-youth-brutally-attacked-by-mob-sabarmati-police-arrested-akash-waghela</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/new-ranip-youth-brutally-attacked-by-mob-sabarmati-police-arrested-akash-waghela</guid><pubDate>Tue, 14 Jul 2026 07:58:00 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરમાં આગામી ઐતિહાસિક રથયાત્રાને લઈને પોલીસ તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા, કોમ્બિંગ અને નાઇટ પેટ્રોલિંગના દાવા કરવામાં આવી રહ્યા છે, ત્યારે ગઈકાલે મોડી રાત્રે ન્યૂ રાણીપ વિસ્તારમાં બનેલી એક હિંસક ઘટનાએ પોલીસની સક્રિયતા સામે મોટા સવાલો ખડા કર્યા છે. મોડી રાત્રે કોઈ અગમ્ય કારણોસર 8 થી 10 લોકોના એક હિંસક ટોળાએ એક યુવકને નિશાન બનાવ્યો હતો. ટોળાએ યુવકને ઘેરીને નિર્દયતાથી ઢોર માર મારવાનું શરૂ કર્યું હતું.</p><h2><b>ન્યૂ રાણીપ વિસ્તારમાં યુવકને માર માર્યો</b></h2><p>વાત આટલેથી ન અટકતા, હુમલાખોરોએ પોતાની પાસે રહેલા તીક્ષ્ણ હથિયારો વડે યુવક પર આડેધડ ઘા ઝીંકવાનું શરૂ કરી દીધું હતું. જાહેર રોડ પર હથિયારો ઉછળતા જોઈને આસપાસના રહીશોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલો યુવક પોતાનો જીવ બચાવવા માટે લોહીલુહાણ હાલતમાં જ રસ્તાની વચ્ચે જીવ હથેળીમાં મૂકીને દોડતો જોવા મળ્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક રહીશોએ તુરંત જ કંટ્રોલ રૂમમાં પોલીસને જાણ કરી હતી, પરંતુ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ હુમલાખોરો અંધારાનો લાભ લઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.</p><h3><b>સાબરમતી પોલીસની ત્વરિત એક્શન</b></h3><p>આ ગંભીર અને સંવેદનશીલ ઘટનાની જાણ થતાં જ રાણીપ અને સાબરમતી પોલીસ સ્ટેશનનો સ્ટાફ એક્શન મોડમાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ હિંસક હુમલાના કેસમાં સાબરમતી પોલીસે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરીને ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી 20 વર્ષીય આકાશ વાઘેલાની ધરપકડ કરી લીધી છે. આ સાથે જ આ ગુનામાં સામેલ કાયદાના સંઘર્ષમાં આવેલા એક સગીર સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ હાલ આકાશ વાઘેલાની પૂછપરછ કરી રહી છે કે આ હુમલો કઈ અદાવતમાં કરવામાં આવ્યો હતો અને ટોળામાં સામેલ અન્ય ફરાર 7 થી 8 હુમલાખોરો કોણ હતા.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/amreli-lion-attack-case-two-accused-sent-to-jail-for-illegal-lion-sighting-and-video-call#google_vignette" target="_blank">આ પણ વાંચો: Amreli સિંહ હુમલો કેસ: ગેરકાયદેસર સિંહ દર્શન અને વીડિયો કોલ મામલે બે આરોપીઓ જેલ હવાલે</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/sehb7opIkFYee9SawDYZqMtWPtEAfv1C4WmaAh12.webp'/></item><item><title><![CDATA[Nadiad: ઘરે આવી ઈસમે ધમાલ મચાવી, ગાડીમાં તોડફોડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/nadiad/nadiad-isma-created-a-ruckus-after-coming-home-vandalized-the-car</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/nadiad/nadiad-isma-created-a-ruckus-after-coming-home-vandalized-the-car</guid><pubDate>Tue, 14 Jul 2026 01:20:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">માતરના રતનપુરમાં પતિ-પત્નિ ચાલતા વિખવાદનો મામલો કોર્ટમાં હોઈ દરમિયાન ગામના બે વ્યક્તિઓએ પંચ તરીકે સહી કરી હોય તેમને પતિએ પુછતાછ કરતાં એક ઈસમ ઉશ્કેરાયો હતો. અને ઘરે આવીને તોડફોડ કરી હતી, અને મારામારી કરી હતી, આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. માતરના રતનપુરમાં રહેતા ફીરોજખાન ઈમ્તિયાજખાન પઠાણના પ્રથમ પત્નિએ 2025માં તેમની વિરુદ્ધ શારિરીક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી હતી. જે મામલે કોર્ટમાં કેસ ચાલુ હતો. જે કેસમાં બે પંચો તરીકે મુસ્તુફા ઉર્ફે કિલર યાસીનખાન પઠાણ અને અજગર યુસુફખાન પઠાણે સહી કરી હતી. જેથી ગઈકાલે તા.12 જુલાઈ 2026ના રોજ બંને ઈસમો ગામમાં મળતા ફીરોજખાને તમે બંનેએ કેસમાં પંચ તરીકે સહી કરી હતી કે કેમ તેમ પુછતાછ કરી હતી. જે બાદ રાત્રીના સુમારે મુસ્તુફા કિલર ગાડી લઈને ફિરોજખાનના ઘરે આવ્યો હતો. નશાની હાલતમાં જાહેરમાં મોટા અવાજે અપશબ્દો બોલી, તેની ગાડીથી ફીરોજખાનની બાઈકને ટકકર મારી હતી. બાદમાં ત્યાંથી જતો રહ્યો હતો. થોડીકવાર બાદ ફીરોજખાન તેમની બીજી પત્નિ અને સાળીને ગાડીમાં લઈ ગામમાંથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન મુસ્તુફાએ પથ્થરથી ફીરોજખાનની ગાડીનો કાચ તોડી નાંખી, ઈંટનો ટુકડો મોઢા પર મારી દીધો હતો. તેમની સાળી છોડાવવા પડતા તેને પણ ગાલ પર મુક્કો મારી દઈ ઈજા પહોંચાડી હતી. આ મામલે ફીરોજખાને મુસ્તુફા કિલર વિરુદ્ધ માતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; ">&nbsp; &nbsp; &nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/13/l6ONYMgTb7XG5NNVNvyAuFy6gINWktvpWsFRBECj.webp'/></item><item><title><![CDATA[West Bengalના સેવોક NH-10 હાઈવે પર ભૂસ્ખલન, વાહનો અટવાયા અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો ]]></title><link>https://sandesh.com/india/news/west-bengal-sevoke-nh10-highway-landslide-traffic-jam-vehicles-stranded</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/west-bengal-sevoke-nh10-highway-landslide-traffic-jam-vehicles-stranded</guid><pubDate>Mon, 13 Jul 2026 23:38:33 +05:30</pubDate><description><![CDATA[<p>પશ્ચિમ બંગાળના સિલિગુડી નજીક સેવોક NH-10 હાઈવે પર સોમવારે બપોરે આશરે 4:30 વાગ્યે ભૂસ્ખલનની ઘટના બની છે. આ માર્ગ પશ્ચિમ બંગાળને સિક્કિમ સાથે જોડતો મહત્વપૂર્ણ હાઈવે છે. ભૂસ્ખલનના કારણે હાઈવે પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો અને અનેક વાહનો રસ્તામાં અટવાઈ ગયા.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2076711011567173793"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>રસ્તા પર માટી અને કાટમાળ ફેલાઈ ગયો</b></h2><p>ભૂસ્ખલન બાદ રસ્તા પર માટી અને કાટમાળ ફેલાઈ ગયો હતો, જેના કારણે માર્ગ કાદવવાળો અને લપસણો બની ગયો હતો. આવી સ્થિતિમાં વાહનચાલકો માટે આગળ વધવું મુશ્કેલ અને જોખમી બની ગયું હતું. ઘટનાના કારણે વિસ્તારમાં લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનોની અવરજવર ધીમી પડી હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી હતી. કાટમાળ દૂર કરવા માટે JCB મશીનોને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.&nbsp;</p><h3><b>એજન્સીઓની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી</b></h3><p>માર્ગ સાફ કરવાની સાથે વાહનવ્યવહાર સામાન્ય કરવા માટે પ્રયાસો હાથ ધરાયા હતા. સેવોક પોલીસ, SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) અને અન્ય સંબંધિત એજન્સીઓની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી હતી. સુરક્ષા વ્યવસ્થા જાળવવા અને ટ્રાફિકનું સંચાલન કરવા માટે અધિકારીઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી હતી.</p><h4><b>વાહનવ્યવહાર પુનઃસ્થાપિત કરવા કામગીરી શરૂ</b></h4><p>NH-10 હાઈવે સિક્કિમ અને ઉત્તર બંગાળ વચ્ચેના વેપાર, પ્રવાસન અને દૈનિક મુસાફરી માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભૂસ્ખલન જેવી ઘટનાઓથી આ માર્ગ પર વારંવાર અસર જોવા મળે છે, ખાસ કરીને વરસાદી વાતાવરણ દરમિયાન. તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને માર્ગની સ્થિતિ અંગે માહિતી મેળવીને મુસાફરી કરવાની સલાહ આપવામાં આવી છે. હાલમાં કાટમાળ હટાવવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે અને માર્ગ પર વાહનવ્યવહાર પુનઃસ્થાપિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/lucknow-kanpur-expressway-inauguration-rajnath-singh-elevated-corridor" target="_blank">આ પણ વાંચો : Lucknow-Kanpur Expresswayનું કરાયું ઉદ્ઘાટન, રાજનાથ સિંહે કહ્યું 'એરપોર્ટથી આઉટર રિંગ રોડ સુધી બનશે એલિવેટેડ કોરિડોર'</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/13/Gh3JrM1T8CkS9JmcDrE8yP5d6exhV6UHi7tQd3O0.webp'/></item><item><title><![CDATA[Auto News: દેશની સૌથી મનપસંદ લક્ઝરી ફેમિલી કાર મોટા અપડેટ સાથે થશે લોન્ચ, લુક અને સેફ્ટીમાં થશે મોટો બદલાવ ]]></title><link>https://sandesh.com/business/news/automobile/auto-news-the-countrys-most-loved-luxury-family-car-will-be-launched-with-a-major-update-there-will-be-a-big-change-in-look-and-safety</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/auto-news-the-countrys-most-loved-luxury-family-car-will-be-launched-with-a-major-update-there-will-be-a-big-change-in-look-and-safety</guid><pubDate>Mon, 13 Jul 2026 23:11:29 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતી પ્રીમિયમ MPV (મલ્ટી પર્પઝ વ્હીકલ) કાર ટોયોટા ઈનોવા હાઈક્રોસ (Toyota Innova Hycross)ને ટૂંક સમયમાં જ મોટો અપડેટ મળી શકે છે. તાજેતરમાં જ આ કારનું સંપૂર્ણ રીતે કવર કરેલું (કેમોફ્લાજ) ટેસ્ટિંગ મોડલ ભારતીય રસ્તાઓ પર જોવા મળ્યું છે. આ જોતાં એવું માનવામાં આવી રહ્યું છે કે તે '2027 ટોયોટા ઈનોવા હાઈક્રોસ ફેસલિફ્ટ' હોઈ શકે છે. જો આ વાત સાચી સાબિત થશે, તો લોન્ચ થયા પછી હાઈક્રોસમાં આ પહેલો મોટો બદલાવ હશે.</p><h2><b>ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવી</b></h2><p>ટોયોટાએ ઈનોવા હાઈક્રોસને સૌથી પહેલા નવેમ્બર 2022માં વૈશ્વિક સ્તરે રજૂ કરી હતી, અને ત્યારબાદ ડિસેમ્બર 2022માં તેને ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવી હતી. આ સ્થિતિમાં, લગભગ ચાર વર્ષ બાદ એટલે કે વર્ષ 2027માં તેનું ફેસલિફ્ટ મોડલ લાવવાનો કંપનીનો નિર્ણય સમયના હિસાબે બિલકુલ યોગ્ય માનવામાં આવી રહ્યો છે.</p><h3><b>ડિઝાઇનમાં જોવા મળી શકે છે મોટો ફેરફાર</b></h3><p>મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટોયોટા આ વખતે માત્ર નાના-મોટા નહીં પરંતુ કારની ડિઝાઇનમાં કેટલાક મહત્વપૂર્ણ અપડેટ્સ કરવાની તૈયારી કરી રહી છે. ટેસ્ટિંગ દરમિયાન કારના આગળના ભાગને સંપૂર્ણ રીતે ઢાંકવામાં આવ્યો હતો, જેના પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે નવી કારમાં નવી ફ્રન્ટ ગ્રિલ, નવું બમ્પર અને અપડેટેડ LED હેડલાઇટ્સ જોવા મળી શકે છે. જો કે, આ ફેસલિફ્ટ મોડલમાં પ્લેટફોર્મ કે બોડી સ્ટ્રક્ચરમાં કોઈ મોટા ફેરફારની આશા નથી, પરંતુ નવા લોન્ચિંગમાં નવી ડિઝાઇનની એલોય વ્હીલ્સ અને અન્ય નાના કોસ્મેટિક બદલાવ ચોક્કસ જોવા મળી શકે છે.</p><h4><b>ઇન્ટિરિયર બનશે પહેલા કરતાં વધુ શાનદાર</b></h4><p>નવા મોડલની કેબિન અને ઇન્ટિરિયરને લઈને પણ કેટલીક વિગતો સામે આવી છે. કંપની આ કારના ઇન્ટિરિયરને પહેલા કરતાં વધુ પ્રીમિયમ લુક આપી શકે છે. તેમાં નવું ડેશબોર્ડ ફિનિશ, વધુ સારી ક્વોલિટીનું સોફ્ટ-ટચ મટીરિયલ અને નવી સીટ અપહોલ્સ્ટ્રી (બેઠકોનું કવર) જોવા મળી શકે છે. આ બદલાવ કારની અંદર બેસનારા મુસાફરોને વધુ લક્ઝરી અને આરામદાયક અનુભવ કરાવશે.</p><h5><b>આધુનિક ફીચર્સથી સજ્જ હશે નવી હાઈક્રોસ</b></h5><p>ટોયોટા આ ફેસલિફ્ટ કારમાં ઘણા એડવાન્સ ફીચર્સ ઉમેરવા જઈ રહી છે. જેમાં મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, અપડેટેડ સોફ્ટવેર, બહેતર 360-ડિગ્રી કેમેરા, નવું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે જેવી સુવિધાઓ સામેલ છે. આ સિવાય, મનોરંજન માટે ડોલ્બી એટમોસ સાઉન્ડ સિસ્ટમ, કનેક્ટેડ કાર ટેક્નોલોજી અને ટોપ વેરિઅન્ટમાં બીજી રો (બીજી લાઇન)ની બેઠકો માટે વેન્ટિલેટેડ સીટ્સ જેવા પ્રીમિયમ ફીચર્સ પણ આપવામાં આવી શકે છે.</p><h6><b>પાવરફુલ સેફ્ટી અને ફ્લેક્સ ફ્યુઅલ એન્જિનનો સરપ્રાઇઝ</b></h6><p>નવી ઈનોવા હાઈક્રોસ સુરક્ષાના મામલામાં પણ વધુ મજબૂત બનશે, કારણ કે તેમાં પહેલા કરતાં વધુ એડવાન્સ ADAS ફીચર્સ મળવાની આશા છે. જો એન્જિનની વાત કરીએ તો, કંપની તેના વર્તમાન 2.0-લીટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન અને 2.0-લીટર સ્ટ્રોન્ગ હાઇબ્રિડ પેટ્રોલ એન્જિનને યથાવત રાખશે. જો કે, ગ્રાહકો માટે સૌથી મોટો સરપ્રાઇઝ 'ફ્લેક્સ ફ્યુઅલ' વર્ઝન હોઈ શકે છે. ટોયોટા અગાઉ ફ્લેક્સ ફ્યુઅલ ટેક્નોલોજી વાળું હાઈક્રોસ પ્રોટોટાઇપ મોડલ બતાવી ચૂકી છે, તેથી આ ફેસલિફ્ટ સાથે તેને માર્કેટમાં ઉતારવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.</p><p><a href="https://sandesh.com/automobile" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/13/zZtQUc7UcRTlIBwOIgR1hh1k8fZODrHXBRWcWSh5.webp'/></item><item><title><![CDATA[Lucknow-Kanpur Expresswayનું કરાયું ઉદ્ઘાટન, રાજનાથ સિંહે કહ્યું 'એરપોર્ટથી આઉટર રિંગ રોડ સુધી બનશે એલિવેટેડ કોરિડોર' ]]></title><link>https://sandesh.com/india/news/lucknow-kanpur-expressway-inauguration-rajnath-singh-elevated-corridor</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/lucknow-kanpur-expressway-inauguration-rajnath-singh-elevated-corridor</guid><pubDate>Mon, 13 Jul 2026 22:34:42 +05:30</pubDate><description><![CDATA[<p>નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા નિર્મિત લખનૌ-કાનપુર 6-લેન એક્સપ્રેસવે અને લખનૌ-હરદોઈ 4-લેન એક્સપ્રેસવેનું સોમવારે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું. લખનૌમાં આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય રક્ષા પ્રધાન રાજનાથ સિંહ અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉપમુખમંત્રી બ્રજેશ પાઠકની હાજરીમાં 4,850 કરોડ રૂપિયાથી વધુના ખર્ચની ત્રણ રાષ્ટ્રીય રાજમાર્ગ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/rajnathsingh/status/2076653223457468711"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>આધુનિક હાઈવેની લાંબા સમયથી માગ હતી</b></h2><p>આ પ્રસંગે રાજનાથ સિંહે જણાવ્યું કે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ઝડપી વિકાસ થઈ રહ્યો છે અને તેની ચર્ચા માત્ર રાજ્યમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં થઈ રહી છે. તેમણે જણાવ્યું કે લખનૌથી કાનપુર સુધી આધુનિક હાઈવેની લાંબા સમયથી માગ હતી, જેને નિતિન ગડકરીએ તાત્કાલિક મંજૂરી આપી હતી.</p><p>રાજનાથ સિંહે લખનૌમાં વધતી ટ્રાફિક સમસ્યાનો પણ ઉલ્લેખ કર્યો અને લખનૌ એરપોર્ટથી આઉટર રિંગ રોડ સુધી શહીદ પથ પર આશરે 23 કિલોમીટર લાંબા એલિવેટેડ કોરિડોરના નિર્માણની માગ કરી. નિતિન ગડકરીએ આ પ્રોજેક્ટને પણ મંજૂરી આપી છે. સાથે જ આ એલિવેટેડ રોડ ઉપર મેટ્રો રેલ ચલાવવાની યોજનાને પણ લીલી ઝંડી આપવામાં આવી છે, જેથી શહેરના લોકોને વધુ સુવિધા મળી શકે.</p><h3><b>માર્ગ શરૂ થતાં મુસાફરીનો સમય ઘટશે</b></h3><p>રાજનાથ સિંહે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે આશરે 4,200 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો 63 કિલોમીટર લાંબો અને 6-લેનનો આ એક્સપ્રેસવે લખનૌ, કાનપુર અને ઉન્નાવને સીધી રીતે જોડે છે. આ માર્ગ શરૂ થતાં મુસાફરીનો સમય ઘટશે અને લોકો વધુ સુરક્ષિત તેમજ આરામદાયક સફર કરી શકશે. તેમણે ઉમેર્યું કે લખનૌ રાજ્યની સાંસ્કૃતિક અને વહીવટી ઓળખ છે જ્યારે કાનપુર ઔદ્યોગિક અને આર્થિક કેન્દ્ર તરીકે મહત્વ ધરાવે છે. આ એક્સપ્રેસવેના કારણે આસપાસના નાના શહેરો અને ગામડાઓમાં પણ વિકાસને નવી ગતિ મળશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/-political-news/prashant-kishor-property-election-affidavit-assets-income-details" target="_blank">આ પણ વાંચો : Prashant Kishor Property : જન સુરજ પાર્ટીના ઉમેદવાર પ્રશાંત કિશોર પાસે છે કરોડોની મિલકત, ચૂંટણીના એફિડેવિટમાં થયો ખુલાસો</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/13/T72h2Gyox8Lc4El09hHniQFurpVNTXF19cJvYg0F.webp'/></item><item><title><![CDATA[Nita Ambaniની આ બનારસી સાડી તૈયાર કરવામાં લાગ્યા 2 મહિના, જાણો શું છે ખાસ? ]]></title><link>https://sandesh.com/entertainment/news/lifestyle/nita-ambani-royal-banarasi-saree-diamond-jewelry-look</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/lifestyle/nita-ambani-royal-banarasi-saree-diamond-jewelry-look</guid><pubDate>Mon, 13 Jul 2026 18:36:50 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફોર્ચ્યુન મોસ્ટ પાવરફુલ વુમન ઇવેન્ટમાં નીતા અંબાણીનો શાહી અંદાજ ફરી ચર્ચામાં આવ્યો છે. તેમણે પહેરેલી બ્લશ-પિંક બનારસી સિલ્ક સાડી તૈયાર કરવામાં લગભગ બે મહિનાનો સમય લાગ્યો હતો. વારાણસીની ગુલાબ હોળીથી પ્રેરિત આ સાડી ભારતીય હસ્તકલાનું અનોખું ઉદાહરણ છે. હીરાના ઘરેણાં અને નેચરલ ગ્લેમ લુક સાથે નીતા અંબાણીએ સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું.</p><h2 style="text-align: justify; "><b>બનારસી સાડીમાં નીતા અંબાણીનો શાહી અંદાજ ચર્ચામાં</b></h2><p style="text-align: justify; ">રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી પોતાના ભવ્ય ફેશન સેન્સ માટે હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં યોજાયેલા ફોર્ચ્યુન મોસ્ટ પાવરફુલ વુમન ઇવેન્ટમાં તેમણે એવી બનારસી સાડી પહેરી કે જેણે સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું. આ બ્લશ-પિંક તનચોઈ બનારસી સિલ્ક સાડી વારાણસીની પ્રસિદ્ધ ગુલાબ હોળીથી પ્રેરિત હતી, જ્યાં રંગોની સાથે ગુલાબની પાંખડીઓની વર્ષા કરવામાં આવે છે. પરંપરાગત કારીગરી અને શાહી લાવણ્યનું આ અનોખું સંયોજન ભારતીય હેન્ડલૂમની સમૃદ્ધ પરંપરાને સુંદર રીતે રજૂ કરે છે.</p><h3 style="text-align: justify; "><b>બે મહિનાની મહેનતથી તૈયાર થઈ આ ખાસ સાડી</b></h3><p style="text-align: justify; ">નીતા અંબાણીની આ સાડીનું સૌથી મોટું આકર્ષણ તેની ઝીણવટભરી કારીગરી હતી. સમગ્ર સાડી પર હાથીદાંત અને પ્રાચીન સોનાના રંગમાં તૈયાર કરાયેલા ફૂલોના સુંદર મોટિફ્સ અને જાળીદાર ડિઝાઇન બનાવવામાં આવી હતી. તનચોઈ વણાટની ખાસિયત એ છે કે તેની બંને બાજુ લગભગ સમાન ફિનિશ જોવા મળે છે, જે તેને વધુ વિશિષ્ટ બનાવે છે. આ સુંદર સાડી બનારસના કુશળ વણકરો આરુષિ લોહિયા અને કૃષ્ણા લોહિયા દ્વારા હાથથી તૈયાર કરવામાં આવી હતી અને તેને પૂર્ણ કરવામાં લગભગ બે મહિનાનો સમય લાગ્યો હતો. આ સાડી માત્ર એક પોશાક નહીં, પરંતુ બનારસની સદીઓ જૂની વણાટ પરંપરા અને કારીગરોની મહેનતનું જીવંત પ્રતીક છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DasVzwdD_u7/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DasVzwdD_u7/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DasVzwdD_u7/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DasVzwdD_u7/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>હીરાના દાગીનાએ વધારી શાહી ભવ્યતા</b></h4><p style="text-align: justify; ">આ ખાસ સાડી સાથે નીતા અંબાણીએ મેચિંગ બ્લશ-પિંક રંગનું, કોણી સુધીની બાંય અને ક્લાસિક સ્ક્વેર નેકલાઇનવાળું બ્લાઉઝ પહેર્યું હતું, જે સાડીની કારીગરીને વધુ નિખારતું હતું. લુકને વધુ આકર્ષક બનાવવા માટે તેમણે ફ્લોરલ ડિઝાઇનવાળા ડાયમંડ સ્ટડ ઇયરિંગ્સ, હૃદય આકારનું ડાયમંડ પેન્ડન્ટ, ટેનિસ બ્રેસલેટ, સ્ટેટમેન્ટ રિંગ અને લક્ઝરી ઘડિયાળ પહેરી હતી. દાગીનાની પસંદગી એવી હતી કે તેણે સાડીની સુંદરતાને વધુ ઉજાગર કરી, પરંતુ સમગ્ર લુકને ભારે બનાવ્યો નહીં. આ સંતુલિત સ્ટાઇલિંગે તેમના શાહી અંદાજને વધુ આકર્ષક બનાવ્યો.</p><h5 style="text-align: justify; "><b>સોફ્ટ ગ્લેમ મેકઅપે પૂર્ણ કર્યો રોયલ લુક</b></h5><p style="text-align: justify; ">નીતા અંબાણીએ પોતાના મેકઅપમાં પણ સિમ્પલ અને એલિગન્ટ સ્ટાઇલ જાળવી રાખી હતી. હળવો બેઝ, આઈલાઈનર, મસ્કરા, ગુલાબી લિપસ્ટિક અને બ્લશ સાથે તેમણે સોફ્ટ નેચરલ ગ્લેમ લુક પસંદ કર્યો હતો. કપાળ પરની નાની લાલ બિંદી અને મધ્યમાં માંગ કાઢીને બનાવેલા લો બનમાં તાજા ફૂલોની સજાવટે તેમના સમગ્ર લુકમાં પરંપરાગત ભારતીય સૌંદર્યનો શાહી સ્પર્શ ઉમેર્યો હતો. ફેશન અને પરંપરાનું આ સુંદર સંયોજન ફરી એકવાર સાબિત કરે છે કે નીતા અંબાણી ભારતીય હેન્ડલૂમ, હસ્તકલા અને ક્લાસિક એલિગન્સને વૈશ્વિક મંચ પર અનોખી રીતે રજૂ કરવામાં સફળ રહે છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/tmkoc-bapuji-amit-bhatt-shaved-head-283-times-health-issue" target="_blank">આ પણ વાંચો-TMKOCમાં બાપુજી બનવા માટે 283 વખત અમિત ભટ્ટે મુંડાવ્યું માથું, પછી થઈ આ ગંભીર બીમારી!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/13/klUN8n0zK1A8Bxc1LPiQlzATRB8MPjvyq5QcGKqa.webp'/></item><item><title><![CDATA[Fifa world cup 2030માં હવે 64 ટીમ રમશે! શું ભારતીય ફૂટબોલ ટીમ ક્વોલિફાય કરશે? ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2030-will-now-have-64-teams-will-the-indian-football-team-qualify</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2030-will-now-have-64-teams-will-the-indian-football-team-qualify</guid><pubDate>Mon, 13 Jul 2026 14:23:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">FIFA પ્રમુખ ગિયાની ઇન્ફન્ટિનોએ સંકેત આપ્યો છે કે 2030 FIFA મેન્સ વર્લ્ડ કપમાં ટીમોની સંખ્યા વધારીને 64 કરવાના પ્રસ્તાવ પર ગંભીરતાથી વિચાર કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે 2026 ના વર્તમાન વર્લ્ડ કપ પૂર્ણ થયા પછી સંબંધિત FIFA સમિતિઓ આ મુદ્દા પર ચર્ચા કરશે. ઇન્ફન્ટિનોનું માનવું છે કે વિશ્વના દરેક દેશને વર્લ્ડ કપમાં રમવાનું સ્વપ્ન જોવાની તક મળવી જોઈએ, કારણ કે આનાથી નાના રાષ્ટ્રોને પણ વધુ સારું પ્રદર્શન કરવા અને ફૂટબોલનું સ્તર વધારવા માટે પ્રેરણા મળશે.</p><h4 style="text-align: justify; "><b>દરેક દેશને વર્લ્ડ કપમાં રમવાની તક મળવી જોઈએ</b></h4><p style="text-align: justify; ">મીડિયા રિપોર્ટ અનુસાર આ વર્લ્ડ કપ પછી 64 ટીમોના વર્લ્ડ કપના મુદ્દા પર સંબંધિત સમિતિઓમાં ચોક્કસપણે ચર્ચા કરવામાં આવશે.તેમણે વધુમાં ઉમેર્યું,દરેક દેશને વર્લ્ડ કપમાં રમવાનું સ્વપ્ન જોવાનો અધિકાર હોવો જોઈએ. વિશ્વભરની ટીમોનું સ્તર સતત સુધરી રહ્યું છે. જો નાના રાષ્ટ્રોને વર્લ્ડ કપમાં રમવાની તક નહીં મળે, તો તેઓ પ્રગતિ કરવાની પ્રેરણા ગુમાવી દેશે.</p><h4 style="text-align: justify; "><b>2026 માં પહેલી વાર 48 ટીમોનો વર્લ્ડ કપ</b></h4><p style="text-align: justify; ">અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકા, કેનેડા અને મેક્સિકોના સંયુક્ત યજમાનપદે રમાઈ રહેલો ચાલુ 2026 ફિફા વર્લ્ડ કપ ઇતિહાસનો પ્રથમ એવો વર્લ્ડ કપ છે જેમાં 48 ટીમો ભાગ લઈ રહી છે. આ પહેલા 1998થી 2022 સુધીના વર્લ્ડ કપમાં માત્ર 32 ટીમો જ તી હતી.</p><h5 style="text-align: justify; "><b>48 ટીમોનું ફોર્મેટ સંપૂર્ણ સફળતા</b></h5><p style="text-align: justify; ">FIFA પ્રમુખે 32 થી 48 ટીમોના વિસ્તરણને સંપૂર્ણ સફળતા ગણાવી, કહ્યું કે આ નિર્ણય ફૂટબોલના વૈશ્વિક વિકાસ માટે અત્યંત સકારાત્મક સાબિત થયો છે. તેમણે ઉમેર્યું કે જો ભવિષ્યમાં 64 ટીમોનું ફોર્મેટ લાગુ કરવામાં આવે છે, તો તે વધુ દેશોને ભાગ લેવાની મંજૂરી આપશે, જોકે મેચોની સંખ્યા, સંગઠન અને લોજિસ્ટિક્સ જેવા પડકારો પણ વધશે.</p><h4 style="text-align: justify; "><b>ભારતીય ફૂટબોલ ટીમ માટે મોટી તક&nbsp;</b></h4><p style="text-align: justify; ">આ સમાચાર ભારતીય ફૂટબોલ ચાહકો માટે એક મોટો ઉત્સાહ છે. જ્યારે વર્લ્ડ કપમાં 32 ટીમો હતી ત્યારે એશિયા (AFC) પાસે ખૂબ જ મર્યાદિત સ્થાનો હતા, જેના કારણે ભારત માટે ક્વોલિફાય થવું લગભગ અશક્ય હતું. જ્યારે 2026 માં ટીમોની સંખ્યા વધીને 48 થઈ ગઈ, ત્યારે એશિયાનો ક્વોટા વધ્યો, જેનાથી આશાઓ જાગી. હવે, જો 2030 માં કુલ 64 ટીમો ભાગ લે છે, તો એશિયન દેશોનો ક્વોલિફાય ક્વોટા વધુ વધશે.</p><h5 style="text-align: justify; "><b>2030નો વર્લ્ડ કપ કેમ રહેશે ઐતિહાસિક?</b></h5><p style="text-align: justify; ">2030નો ફિફા વર્લ્ડ કપ ફૂટબોલના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે, કારણ કે આ ટુર્નામેન્ટ 3ખંડોના 6 દેશોમાં યોજાવાની છે. જેમાં મોરોક્કો, પોર્ટુગલ, સ્પેન, ઉરુગ્વે, આર્જેન્ટિના અને પેરાગ્વેનો સમાવેશ થાય છે. વર્ષ 1930માં પ્રથમ ફિફા વર્લ્ડ કપનું આયોજન કરનાર ઉરુગ્વે તેની શતાબ્દીનિમિત્તે એક ખાસ ઉદ્ઘાટન મેચની યજમાની કરશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-semi-final-schedule-announced-know-who-will-face-whom" target="_blank"> Fifa World Cup 2026: સેમીફાઈનલનું શેડ્યુલ જાહેર, જાણો કોણ કોની સાથે ટકરાશે?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/13/xeFRs909ugoKN6gGEstb9OR52kBRo56ouAW5w1Yb.webp'/></item></channel></rss>