<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Chhotaudepur: બોડેલીમાં રથયાત્રામાં શ્રાદ્ધા સાગરમાં ભાવિકોની આસ્થાભરી ડૂબકી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-devotees-take-a-religious-dip-in-the-shraddha-sagar-during-the-rath-yatra-in-bodeli</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-devotees-take-a-religious-dip-in-the-shraddha-sagar-during-the-rath-yatra-in-bodeli</guid><pubDate>Fri, 17 Jul 2026 04:30:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોડેલી નગરમાં આજે સતત પાંચમાં વર્ષે અષાઢી બીજના પાવન પર્વે પ્રભુ જગન્નાથજી બોડેલી અલીપુરા અને ઢોકળીયાના રાજમાર્ગો પર ફરી નગર ચર્યાએ નીકળ્યાં હતા. ત્યારે ઢોકળીયા ગરબીચોક ખાતે નગરના 21 અગ્રણી દ્વારા જગન્નાથજી પ્રભુની સંપૂર્ણ શાસ્ત્રોક્તવિધિ સાથે પૂજા અર્ચના આરતી કરી પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારે બોડેલી BAPS સંસ્થાના સંતો મુળધર કબીર મંદિરના મહંત નરેશદાસ મહારાજ સાથે MLA અભયસિંહ તડવી, બોડેલી પ્રાંત અધિકારી ભૂમિકા રાઓલ, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા મહામંત્રી પુષ્કર પટેલ બોડેલી નગરપાલિકા પ્રમુખ ઉમેશ રાઠવા સહિત નગર પાલિકાના સદસ્યો જિલ્લા તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો અને બોડેલી નગરના આગ્રણીઓ દ્વારા પહિંદવિધી સાથે ભગવાન જગન્નાથજીને ભવ્ય પ્રસ્થાન કરાવાયું હતું. જે પ્રસંગે વાતાવરણ જય જગન્નાથ જય રણછોડના ભક્તિના નાદથી ગુંજી ઉઠયું હતું. નગરચર્યાએ નીકળેલ ભ્રાતા બલરામ, ભગિની સુભદ્રા ભગવાન જગન્નાથજીના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જામી હતી.</p><p style="text-align: justify; ">ભક્તોને મગ, જાંબુ, દાડમ અને શીરો સાથે સાકર વગેરના પ્રસાદનું વિતરણ કરાયું હતું. ઢોકલીયા ગરબીચોકથી બહેન સુભદ્રાજી ,ભાઈ બલરામ અને ભગવાન જગન્નાથજી ને ફૂલો થી શણગારેલા રથ માં બિરાજી ઢોકલીયા ગરબીચોકથી નગર ચર્યા સ્વરૂપે રથયાત્રા પ્રસ્થાન થતા સમસ્ત હિન્દુ સમાજે પોતાની દુકાનો બંધ રાખી મોટી સંખ્યામા ભક્તો રથયાત્રામાં જોડાયા હતા. રથયાત્રામાં બેન્ડવાજા, ડીજે, નાસિક ઢોલ-તાસાના તાલ, શહેનાઈ, બરેલી ના પ્રખ્યાત કલાકારો દ્વારા નૃત્ય, વિવિધ ઝાંખી, વેશભૂષા, ફયર-શો સહીતની વિવિધ ભગવાનની ઝાંખીનું આકર્ષણ જોવા મળ્યું હતું. સમગ્ર રથયાત્રાના માર્ગ ઉપર ભક્તોનો મહેરામણ ઊમટયો હતો. ભક્તો દ્વારા ઠંડા પીણા, પ્રસાદની સહીતની વ્યવસ્થાઓ પણ કરાઇ હતી. સમાજ અને સંગઠનો દ્વારા ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત કરાયું હતું. રથયાત્રા દરમિયાન જય રણછોડ માખણ ચોર ' મંદિરમાં કોણ છે રાજા રણછોડ છેના ગગન ભેદી નાદ સાથે ભક્તો ઝુમી ઉઠયા હતા. બોડેલી નગર જય જગન્નાથના રંગમાં રંગાયું હતું. નગરના મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરી પ્રસાદ રૂપિ બિસ્કીટનું વિતરણ કરાયું હતું. જે પ્રસંગે બોડેલી નગરમાં કોમી એકતા અને ભાઈચારાનું ઉદાહરણ જોવા મળ્યું હતું બોડેલી રથયાત્રા દરમિયાનDySp,LCB,PI. તેમજ પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડઝ જવાનૉ ખડેપગે રહ્યા હતા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/t5E672rSnTYivM965Quc794BBtmdzWJMKd7xAmcK.webp'/></item><item><title><![CDATA[Chhotaudepur: નસવાડીમાં પ્રથમવાર ભવ્ય શ્રી જગન્નાથજીની રથયાત્રા સંપન્ન ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur--1-1-1-1-1-1-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur--1-1-1-1-1-1-1</guid><pubDate>Fri, 17 Jul 2026 04:30:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નસવાડી નગરમાં પ્રથમ વખત નવનંદ ગ્રામ કૃષિ સમુદાય અને ધર્મપ્રેમી જનતાના ઉપક્રમે ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું પ્રથમવાર આયોજન કરાયું હતું. જેને લઈને નગરમાં ઉત્સવમય વાતાવરણ હતું.</p><p style="text-align: justify; ">રથયાત્રાનો પ્રારંભ બપોરે 3 વાગ્યે મહાઆરતી સાથે થયો હતો. ત્યારબાદ 3.15 વાગ્યે પહિંદવિધિ પૂર્ણ કરી 3.20 વાગ્યે જય અંબે ટ્રેડર્સથી ભગવાન શ્રી જગન્નાથજી, ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજીને સુશોભિત રથમાં બિરાજમાન કરીને ભવ્ય રથયાત્રા પ્રસ્થાન કરી હતી. સમગ્ર માર્ગ પર જય જગન્નાથના ગગનભેદી જયઘોષ, ભજન-કીર્તન અને ભક્તિમય વાતાવરણ વચ્ચે રથયાત્રા આગળ વધી હતી. રથયાત્રા સાગર ગેરેજ રોડ, શ્રીજી ફ્ર્નિચર,SBI, શિવમ તબલા સ્ટોર, જલારામ કિરણા સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ સાંજે અંદાજે 6:30 વાગ્યે બાપા સીતારામ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. આ પ્રસંગે નસવાડીના ધારાસભ્ય અભેસિંહ તડવી, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ, એસ.ટી. નિગમના પૂર્વ ચેરમેન જશુભાઈ, પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ લક્ષ્મણસિંહ સોલંકી, પૂર્વ મહામંત્રી ડી. એફ્. પરમાર, ચેતન મેવાસી, જિલ્લા આદિવાસી મોરચા મંત્રી મહેશ ભીલ સહિત અનેક આગેવાનો સહિત તાલુકામાંથી ઉમટેલા હજારો ભક્તજનોએ ભગવાનના રથને ખેંચી શ્રાદ્ધા અને ભક્તિનો લાભ લીધો હતો. નગરના વિવિધ સમાજો, વેપારીઓ અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા સ્થળે સ્થળે રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું. ભાવિકો માટે પાણી, શરબત અને મહાપ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરાઇ હતી. રથયાત્રા દરમિયાન નસવાડી પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી સમગ્ર કાર્યક્રમને શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/qTAgyMjk3OEff1JwDmURzYEeD4DRxArrVFt8951E.webp'/></item><item><title><![CDATA[પૂર્વ વિસ્તારમાં ભક્તિમય માહોલ : શાળાઓ અને સંસ્થાઓ દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/devotional-atmosphere-in-the-eastern-region-schools-and-institutions-organize-grand-rath-yatra</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/devotional-atmosphere-in-the-eastern-region-schools-and-institutions-organize-grand-rath-yatra</guid><pubDate>Fri, 17 Jul 2026 01:37:00 +05:30</pubDate><description><![CDATA[<p>અષાઢી બીજના પાવન પર્વે અમદાવાદમાં પરંપરાગત જગન્નાથજીની રથયાત્રાનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે शहरના પૂર્વ વિસ્તારમાં પણ ભક્તિનો અનોખો રંગ જોવા મળ્યો હતો. પૂર્વ વિસ્તારની વિવિધ શાળાઓ અને સામાજિક સંસ્થાઓ દ્વારા બાળ રથયાત્રા અને ભવ્ય નગરચર્યાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો શ્રદ્ધાળુઓ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. પૂર્વ વિસ્તારની અનેક પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વહેલી સવારથી જ ઉત્સવનો માહોલ હતો. નાના-નાના બાળકો ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને આવ્યા હતા. શાળાઓના સંકુલમાંથી નાની અને આકર્ષક રીતે શણગારેલી ટ્રોલીઓ અને રથ તૈયાર કરવામાં આવ્યા હતા. આ રથયાત્રા શાળાની આસપાસના સોસાયટી વિસ્તારોમાં ફરી હતી. બાળકો દ્વારા જ આ રથને ખેંચવામાં આવ્યો હતો. રથની આગળ અખાડાના કરતબો, મંજીરા મંડળી અને ભજન કીર્તન કરતા બાળકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.સ પરંપરાગત રીતે મગ, જાંબુ અને બુંદીના પ્રસાદનું વિતરણ કરીને બાળકોને રથયાત્રાના સાંસ્કૃતિક મહત્વ વિશે સમજાવવામાં આવ્યું હતું. માત્ર શાળાઓ જ નહીં, પરંતુ પૂર્વ વિસ્તારના વિવિધ સેવાભાવી મંડળો અને સંસ્થાઓ દ્વારા પણ વિશાળ રથયાત્રાનું આયોજન કરાયું હતું.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/KyfSUkdPZ5GvE9f3NL4VdoSxrQaR2nVMCYSAgIIw.webp'/></item><item><title><![CDATA[શ્રીમદ સ્કૂલ ઓફ્ એજ્યુકેશનમાં રથયાત્રા પર્વની ભવ્ય ઉજવણી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/grand-celebration-of-rath-yatra-festival-at-shrimad-school-of-education</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/grand-celebration-of-rath-yatra-festival-at-shrimad-school-of-education</guid><pubDate>Fri, 17 Jul 2026 01:37:00 +05:30</pubDate><description><![CDATA[<p>શ્રીમદ સ્કૂલ ઓફ્ એજ્યુકેશન ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની પવિત્ર રથયાત્રાની ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર શાળા પરિસર 'જય જગન્નાથ'ના જયઘોષથી ગુંજી ઉઠયું હતું અને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા આરતી, ભક્તિમય ભજન, સાંસ્કૃતિક નૃત્ય અને ઉત્સાહભર્યા નારાઓ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ત્યારબાદ ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી હતી. શાળાના ડ્રમ બેન્ડના તાલ, પરંપરાગત બગી અને શણગારેલા ઘોડાની આગેવાનીમાં નીકળેલી રથયાત્રામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, અને સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પરંપરાગત વેશભૂષામાં સજ્જ વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું સુંદર દર્શન કરાવ્યું હતું. રથયાત્રા પૂર્ણ થયા બાદ સૌને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે સિનિયર વિદ્યાર્થીઓએ ઈકો ક્લબ પોસ્ટર મેકિંગ જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા પોતાની પ્રતિભા અને આત્મવિશ્વાસનું પ્રદર્શન કર્યું હતું.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/3C5kr5jC2zuBhJjGKn7KSGGcx9nTyrhQDVM6OEO5.webp'/></item><item><title><![CDATA[ભક્તિ, આસ્થા અને એકતાના ત્રિવેણી સંગમ સાથે રથયાત્રા હર્ષોલ્લાસભેર સંપન્ન ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/rath-yatra-concludes-with-joy-and-celebration-with-the-threefold-confluence-of-devotion-faith-and-unity</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/rath-yatra-concludes-with-joy-and-celebration-with-the-threefold-confluence-of-devotion-faith-and-unity</guid><pubDate>Fri, 17 Jul 2026 01:36:00 +05:30</pubDate><description><![CDATA[<p>અષાઢી બીજીના પાવન પર્વે નીકળેલી નગરચર્યા બાદ, ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી ભક્તજનોને દર્શન આપીને મોડી સાંજે નિજ મંદિર પરત ર્ફ્યા હતા.. આ સાથે જ અમદાવાદની પરંપરાગત રથયાત્રા ભારે હર્ષોલ્લાસ અને ભક્તિસભર માહોલમાં સંપન્ન થઈ છે. આ વર્ષની રથયાત્રા માત્ર ધાર્મિક ઉત્સવ જ નહીં, પરંતુ કોમી એકતા, સાંસ્કૃતિક ધરોહરની જાળવણી અને નાગરિક જાગૃતિનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ બની રહી. દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા જ્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારોમાંથી પસાર થઈ, ત્યારે વાતાવરણ જય રણછોડ, માખણ ચોરના નારાઓથી ગુંજી ઉઠયું હતું.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/v9DZEGDyujkAPcbGeMf7Ti3kRwB8ieYJQ5q2Un3L.webp'/></item><item><title><![CDATA[Mumbai : મીરા રોડમાં નિર્માણાધીન ઈમારત પરથી ક્રેન તૂટી પડી, 1 યુવકનું મોત, અનેક વાહનોને નુકસાન ]]></title><link>https://sandesh.com/india/news/mumbai-mira-road-crane-collapse-under-construction-building-one-dead</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/mumbai-mira-road-crane-collapse-under-construction-building-one-dead</guid><pubDate>Thu, 16 Jul 2026 22:32:59 +05:30</pubDate><description><![CDATA[<p>મુંબઈના મીરા રોડ પૂર્વ વિસ્તારમાં આવેલી જેપી નોર્થ સોસાયટીમાં ગુરુવારે સાંજે ગંભીર અકસ્માત સર્જાયો હતો. નિર્માણાધીન ઈમારતના 11મા માળે કાર્યરત એક વિશાળ ક્રેન અચાનક તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં 22 વર્ષીય યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.</p><h2><b>ક્રેન પડતાં જ જોરદાર ધડાકો થયો</b></h2><p>પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર જેપી નોર્થ કોમ્પ્લેક્સમાં આવેલી RERS નામની નિર્માણાધીન ઈમારતમાં નિયમિત કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન ભારે સામાન ઊંચકવા માટે ઉપયોગમાં લેવાતી ક્રેન અચાનક સંતુલન ગુમાવી નીચે ધરાશાયી થઈ હતી. ક્રેન પડતાં જ જોરદાર ધડાકો થયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.</p><h3><b>15થી 16 કાર અને ટુ-વ્હીલર વાહનોને ભારે નુકસાન&nbsp;</b></h3><p>ક્રેન સોસાયટીના પાર્કિંગ વિસ્તારમાં પડતાં ત્યાં પાર્ક કરેલી અંદાજે 15થી 16 કાર અને ટુ-વ્હીલર વાહનોને ભારે નુકસાન થયું હતું. અનેક વાહનો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને બચાવ દળની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. કાટમાળમાં કોઈ ફસાયું હોવાની આશંકાને ધ્યાનમાં રાખીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું. બાદમાં એક યુવકના મોતની પુષ્ટિ કરવામાં આવી હતી.</p><h4><b>પોલીસે તપાસ શરૂ કરી&nbsp;</b></h4><p>પ્રાથમિક તપાસમાં ક્રેન તૂટી પડવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. તકનીકી નિષ્ણાતોની ટીમ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે કે ક્રેનમાં કોઈ તકનીકી ખામી હતી કે સુરક્ષા નિયમોના ભંગના કારણે અકસ્માત સર્જાયો હતો. પ્રશાસને લોકોને ઘટનાસ્થળની આસપાસ ભીડ ન કરવા અને બચાવ કામગીરીમાં સહયોગ આપવા અપીલ કરી છે. હાલ પોલીસ અને સંબંધિત વિભાગો અકસ્માતના કારણોની વિગતવાર તપાસ કરી રહ્યા છે. ઘટનાએ સ્થાનિકોમાં ભારે રોષ અને ચિંતા ફેલાવી છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/tirupati-temple-record-donation-record-breaking-donation-of-rs-97-crores-received-in-just-24-hours-at-tirupati-temple-1" target="_blank">આ પણ વાંચો : Tirupati Temple Record Donation: તિરુપતિ મંદિરમાં માત્ર 24 કલાકમાં આવ્યું 97 કરોડનું રેકોર્ડબ્રેક દાન</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/ZmE48yjIC3WpuPkXHYNiMB1hlSKbmm2b5iohWG78.webp'/></item><item><title><![CDATA[Indian Navyમાં 22 જુલાઈએ સામેલ થશે 'માલવણ' યુદ્ધજહાજ, આત્મનિર્ભર ભારતને મળશે વધુ મજબૂતી ]]></title><link>https://sandesh.com/india/news/indian-navy-ins-malvan-commissioning-mahe-class-asw-swc-july-22</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/indian-navy-ins-malvan-commissioning-mahe-class-asw-swc-july-22</guid><pubDate>Thu, 16 Jul 2026 21:37:44 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય નૌકાદળ 22 જુલાઈ 2026ના રોજ પોતાની ક્ષમતામાં વધુ એક આધુનિક યુદ્ધજહાજનો સમાવેશ કરવા જઈ રહી છે. માહે-ક્લાસ એન્ટી-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ (ASW-SWC) શ્રેણીનું બીજું જહાજ 'માલવણ' સત્તાવાર રીતે ભારતીય નૌસેનામાં કમિશન કરવામાં આવશે. આ સમારોહમાં ભારતીય વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ એ.પી. સિંહ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.&nbsp;</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2077777152175747154"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>કયા થયું 'માલવણ'નું નિર્માણ?</b></h2><p>પશ્ચિમ નૌસેના કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ વાઈસ એડમિરલ સંજય વત્સાયન પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. 'માલવણ'નું નિર્માણ કેરળના કોચીમાં આવેલી કોચિન શિપયાર્ડ લિમિટેડ (CSL) દ્વારા કરવામાં આવ્યું છે. આ યુદ્ધજહાજ ભારતના 'આત્મનિર્ભર ભારત' અભિયાનનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે. જહાજમાં 80 ટકાથી વધુ સ્વદેશી સામગ્રી અને ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે દેશની સ્વદેશી નૌકાનિર્માણ ક્ષમતાને દર્શાવે છે.</p><h3><b>આધનિક ટેક્નોલોજીથી સજજ છે જહાજ</b></h3><p>આધુનિક ટેક્નોલોજીથી સજ્જ 'માલવણ' ખાસ કરીને દરિયાઈ વિસ્તારોમાં દુશ્મન સબમરીનની શોધ, નજર રાખવા અને જરૂરી કાર્યવાહી કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ જહાજ ભારતીય સમુદ્રી સીમાઓની સુરક્ષા વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ભારત છેલ્લા કેટલાક વર્ષોથી રક્ષણ ક્ષેત્રમાં સ્વદેશી ઉત્પાદન પર ભાર મૂકી રહ્યું છે.&nbsp;</p><p>'માલવણ'નું કમિશનિંગ માત્ર નૌસેનાની શક્તિમાં વધારો નહીં કરે પરંતુ ભારતીય શિપબિલ્ડિંગ અને રક્ષણ ઉત્પાદન ક્ષેત્રની વધતી ક્ષમતાનું પણ પ્રતિક બનશે. આ જહાજના સમાવેશથી ભારતીય નૌસેના પોતાની દરિયાઈ સુરક્ષા અને એન્ટી-સબમરીન કામગીરીને વધુ અસરકારક બનાવી શકશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/vikram-1-launch-skyroot-aerospace-indias-first-private-orbital-rocket" target="_blank">આ પણ વાંચો : Vikram-1 Launching : 18 જુલાઈએ દેશનું પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-1 કરાશે લોન્ચ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/2g1SF8rerUYM6W1VJSKqL5aZDO83bXMCQLVkiT9T.webp'/></item><item><title><![CDATA[Iran US Conflict 2026: લાલ સમુદ્રનો તેલ માર્ગ બંધ કરવા હુથીને આદેશ, દુનિયામાં તોળાશે તેલ કટોકટી ]]></title><link>https://sandesh.com/world/news/business/usa/iran-us-conflict-2026-houthis-ordered-to-close-the-red-sea-oil-route-oil-crisis-will-hit-the-world</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/business/usa/iran-us-conflict-2026-houthis-ordered-to-close-the-red-sea-oil-route-oil-crisis-will-hit-the-world</guid><pubDate>Thu, 16 Jul 2026 20:26:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવની અસર હવે વિશ્વના તેલ પુરવઠા પર પડી શકે છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">વૈશ્વિક ઉર્જા બજારમાં સંકટ&nbsp;</h2><p style="text-align: justify; ">ઈરાને યમનના હુથી બળવાખોરોને કહ્યું છે કે જો અમેરિકા તેના પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરે તો મહત્વપૂર્ણ લાલ સમુદ્રી સમુદ્રી માર્ગ બંધ કરવા માટે તૈયાર રહે. જો આવું થાય, તો વિશ્વના બે મુખ્ય તેલ માર્ગો એકસાથે પ્રભાવિત થઈ શકે છે, જેનાથી વૈશ્વિક ઉર્જા બજારમાં સંકટ સર્જાઈ શકે છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતો તણાવ હવે સમગ્ર વિશ્વ માટે ચિંતાનું કારણ બની શકે છે.</p><h3 style="text-align: justify; ">લાલ સમુદ્રી માર્ગ બંધ કરવા તૈયારી&nbsp;</h3><p style="text-align: justify; ">ઈરાને યમનના હુથી બળવાખોરોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જો અમેરિકા તેના પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરે તો લાલ સમુદ્રી સમુદ્રી માર્ગ બંધ કરવા માટે તૈયાર રહે. ઈરાન અને પ્રદેશની નજીકના ત્રણ સ્ત્રોતોને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે આ યોજના પર તેહરાનમાં ચર્ચા કરવામાં આવી છે અને હુથી નેતૃત્વને જાણ કરવામાં આવી છે. જોકે, ઈરાનના વિદેશ મંત્રાલય કે હુથી પ્રવક્તાએ કોઈ સત્તાવાર પ્રતિભાવ આપ્યો નથી. હુથી બળવાખોરોએ બાબ અલ-મંડેબ સ્ટ્રેટ નજીક મિસાઇલો અને ડ્રોન તૈનાત કર્યા છે, જે દરિયાઈ માર્ગ દ્વારા જહાજો લાલ સમુદ્રમાં પરિવહન કરે છે. તેઓ હાલમાં અંતિમ આદેશોની રાહ જોઈ રહ્યા છે. આ વિકાસ મહત્વપૂર્ણ છે કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ પહેલાથી જ તણાવનું કેન્દ્ર છે.&nbsp;</p><h4 style="text-align: justify; ">નિર્ણય IRGCના આદેશ પર લેવાશે</h4><p style="text-align: justify; ">એક સ્ત્રોતે દાવો કર્યો હતો કે બાબ અલ-મંડેબ ક્યારે બંધ કરવો તે અંગેનો નિર્ણય યમનમાં તૈનાત ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના પ્રતિનિધિઓ દ્વારા લેવામાં આવશે. દરમિયાન, હુથીઓના નજીકના લોકો કહે છે કે તેઓ કોઈપણ કાર્યવાહી માટે સંપૂર્ણપણે તૈયાર છે. દરમિયાન, હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયા પર મિસાઇલ હુમલા પણ કર્યા છે. તેમનો આરોપ છે કે સાઉદી અરેબિયાએ તેમના નિયંત્રણ હેઠળના એક એરપોર્ટ પર બોમ્બમારો કર્યો હતો. આનાથી બંને પક્ષો વચ્ચે ચાર વર્ષનો યુદ્ધવિરામ તૂટી ગયો છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/world/news/-political-news/awami-league-workers-beat-up-police-after-announcing-on-microphone-amid-rumours-of-sheikh-hasinas-return" target="_blank"> Sheikh Hasinaના પાછા ફરવાની અફવા વચ્ચે આવામી લીગના કાર્યકરોએ માઇક્રોફોન પર જાહેરાત કર્યા પછી પોલીસને માર માર્યો!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/ab1h7Ewcv4AgXkls9SizeHZu2zi06kkTuPoyv075.webp'/></item><item><title><![CDATA[સોનમ વાંગચુકના સમર્થનમાં આવ્યા ઇમરાન ખાન અને સોનાક્ષી સિંહા, કહ્યું- 'હું ચુપ રહી શકતી નથી' ]]></title><link>https://sandesh.com/entertainment/news/imran-khan-and-sonakshi-sinha-came-in-support-of-sonam-wangchuk-said-i-cannot-remain-silent</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/imran-khan-and-sonakshi-sinha-came-in-support-of-sonam-wangchuk-said-i-cannot-remain-silent</guid><pubDate>Thu, 16 Jul 2026 17:39:06 +05:30</pubDate><description><![CDATA[<p>દિલ્હીના જંતર-મંતર પર લગભગ 18 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકને હવે ફિલ્મ સ્ટાર્સ પોતાનો ટેકો આપી રહ્યા છે. સોનમ વાંગચુકનું સ્વાસ્થ્ય સતત બગડી રહ્યું છે અને તેમનું વજન પણ ઘણું ઘટી ગયું છે. આ દરમિયાન અભિનેત્રી સોનાક્ષી સિંહાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને સોનમ વાંગચુકને સપોર્ટ કર્યો છે. તેણે કહ્યું, "જે થવાનું છે તે થશે, પણ હું ચૂપ રહી શકતી નથી." તેણે એમ પણ ઉમેર્યું, "હું પણ આ દેશની યુવા છું. હું પણ આ દેશ માટે બેસ્ટ ઇચ્છું છું."</p><p>ઇન્સ્ટાગ્રામ પર રિલીઝ થયેલા એક વીડિયોમાં સોનાક્ષી સિંહા કહે છે, "મેં ક્યારેય આવું નિવેદન આપ્યું નથી, પણ આજે હું મારી જાતને રોકી શકતી નથી. સોનમ વાંગચુક આપણે બધા તેમને જાણીએ છીએ કે તેમણે આપણા દેશ માટે શું કર્યું છે. તેમની સિદ્ધિઓ શું છે. તેમણે કેટલા પુરસ્કારો જીત્યા છે. તેઓ 18 દિવસથી ભૂખ્યા છે અને કંઈ ખાધું નથી. તેઓ અહીં શા માટે બેઠેલા છે? તેઓ અહીં તે બાળકોના ભવિષ્ય માટે બેઠેલા છે, જેને તેઓ વિનાશ તરફ આગળ વધતા જુએ છે. તેઓ એવા બાળકો માટે લડી રહ્યા છે જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે. તેઓ એવી સિસ્ટમ સામે લડી રહ્યા છે જે યોગ્ય રીતે કામ કરી રહી નથી. તમે પણ જાણો છો, મને પણ ખબર છે અને બધા જાણે છે."</p><p><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Da2Qsu0ib3-/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Da2Qsu0ib3-/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a></p><p><b style="font-size: 2rem;">"હું ચૂપ રહી શકતી નથી."</b></p><p>સોનાક્ષી કહે છે, "આપણે બધા તેમને ઓળખીએ છીએ. તેઓ આપણને ઓળખતા નથી. છતાં દેશ ખાતર આ દેશના બાળકોના ભવિષ્ય ખાતર, તેમણે 18 દિવસથી ખાધું નથી અને ઘણા લોકો ચૂપ છે. તેથી હું તે સહન કરી શકી નહીં. જે કંઈ થવાનું છે તે થશે, કોઈ વાંધો નહીં. પણ હું ચૂપ રહી શકતી નથી."
</p><h4><b>"કોઈ કેમ સાંભળતું નથી?"
</b></h4><p>આ દરમિયાન તેણે કોકરોચ જનતા પાર્ટીનો પણ ઉલ્લેખ કર્યો અને દેશના યુવાનોને પોતાનો અવાજ ઉઠાવવા બદલ અભિનંદન આપ્યા. તેણે કહ્યું કે યુવાનો સત્ય અને કંઈક સારા માટે લડી રહ્યા છે. પણ કોઈ કેમ સાંભળતું નથી? તે કહે છે, "ખરેખર, કોઈને ચિંતા નથી. કોઈ સંવાદ નથી. કોઈ વાત કરી રહ્યું નથી. મારો મતલબ છે કે, કોઈ તેમની તરફ જોતું પણ નથી. પછી મેં નક્કી કર્યું કે, હું શા માટે ચૂપ રહીશ? હું પણ આ દેશની યુવાન છું. હું પણ આ દેશનું ભલું ઇચ્છું છું. હું રાષ્ટ્રવિરોધી નથી. તો હું કેમ ચૂપ છું?"
</p><h5><b>"જે થઈ રહ્યું છે તે યોગ્ય નથી."
</b></h5><p>સોનાક્ષીએ સોનમ વાંગચુકના એક નિવેદનને ટાંકીને કહ્યું, "હા, હું તમને ભૂખ હડતાળ સમાપ્ત કરવાનું નહીં કહું. હું ફક્ત એટલું જ પૂછવા માંગુ છું કે તમે ક્યારે જાગશો? તમે ત્યારે જ જાગશો જ્યારે આ માણસ મરી જશે. અને તેના માટે કોણ જવાબદાર હશે? જે થઈ રહ્યું છે તે યોગ્ય નથી. આપણે અવાજ ઉઠાવવો જોઈએ, આપણે આપણી આંખો ખોલવી જોઈએ, પછી ભલે કોઈ બીજું કરે કે ન કરે. જય હિંદ."
</p><h5><b>અભિનેતા ઇમરાન ખાને પણ ઉઠાવ્યા સવાલ
</b></h5><p>આ વિવાદ વચ્ચે, અભિનેતા ઇમરાન ખાને સોશિયલ મીડિયા પર પોતાના ભાવનાત્મક અને મહત્વપૂર્ણ વિચારો વ્યક્ત કર્યા છે, જેમાં વિદ્યાર્થીઓની પીડા વ્યક્ત કરી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં NEET કૌભાંડ અંગે જે કંઈ બન્યું છે અને જે વિવિધ બાબતો સામે આવી છે તે જોવી ખૂબ જ પરેશાન કરે છે. ઇમરાન ખાને સ્પષ્ટતા કરી કે આ કોઈ રાજકીય મુદ્દો નથી, પરંતુ દેશના બાળકોના ભવિષ્ય સાથે સંબંધિત મુદ્દો છે. તેમણે ફક્ત એટલું જ કહ્યું કે જો આપણે અપેક્ષા રાખીએ છીએ કે આપણા વિદ્યાર્થીઓ સંપૂર્ણ પ્રામાણિકતા અને સમર્પણ સાથે પરીક્ષા આપે, તો પરીક્ષાનું સંચાલન કરતી સરકારી એજન્સીઓ પાસેથી સમાન સ્તરની પ્રામાણિકતા અને જવાબદારીની અપેક્ષા કેમ ન રાખવી જોઈએ?
</p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/narottam-mishra-warns-officials--i-remember-friendship-and-enmity" target="_blank"><b>'હું ભૂલી જનારો માણસ નથી'. નરોત્તમ મિશ્રાની ખુલ્લેઆમ પોલીસને ચેતવણી</b></a>
</p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/R5YMICmTzR8NIZUz26R74r6lK9sL2BTr6JVWPeDn.webp'/></item><item><title><![CDATA[Lionel Messi ગોલ્ડન બૂટની રેસમાં સૌથી આગળ, એમબાપ્પે પાસે હજુ પણ ટોપના સ્થાન પર પહોંચવાની તક ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-golden-boot-race-messi-mbappe</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-golden-boot-race-messi-mbappe</guid><pubDate>Thu, 16 Jul 2026 16:20:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફિફા વર્લ્ડકપ 2026ની બીજી સેમીફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ ઈંગ્લેન્ડને 2-1 થી હરાવીને ટાઈટલ મેચમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. આર્જેન્ટિના હવે ફાઈનલમાં સ્પેન સામે ટકરાશે. બધાની નજર ગોલ્ડન બૂટ વિજેતા પર પણ છે, જેમાં લિયોનેલ મેસ્સી બીજી સેમીફાઈનલ પછી ટોપનું સ્થાન મેળવી લીધું છે.&nbsp;</p><p style="text-align: justify;">મેસ્સીએ ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલમાં એક પણ ગોલ કર્યો ન હતો, પરંતુ તેને આર્જેન્ટિના માટે 2 ગોલમાં મદદ કરી, જેનાથી તે ગોલ્ડન બૂટ જીતવાની રેસમાં ટોપના સ્થાને પાછો આવી ગયો.</p><h2 style="text-align: justify;"><b>મેસ્સીએ અત્યાર સુધીમાં 8 ગોલ કર્યા&nbsp;</b></h2><p style="text-align: justify;">લિયોનેલ મેસ્સીએ પોતાના કરિયરમાં એક પણ વાર ગોલ્ડન બૂટ જીત્યો નથી, અને આ વખતે તેની પાસે એક શાનદાર તક રહેવાની છે. મેસ્સીએ અત્યાર સુધી ફિફા વર્લ્ડકપમાં કુલ 8 ગોલ કર્યા છે, જેમાંથી 4 ગોલમાં તેને આસિસ્ટની ભૂમિકા પણ ભજવી છે. આ લિસ્ટમાં બીજા નંબરે ફ્રાન્સના કાયલિયન એમબાપ્પે છે, જેણે કુલ 8 ગોલ પણ કર્યા છે, પરંતુ તેના નામે ફક્ત 3 આસિસ્ટ છે. ત્રીજા નંબરે નોર્વેના ખેલાડી એર્લિંગ હાલેન્ડનું નામ છે, જેની ટીમની સફર ક્વાર્ટર-ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડ સામેની હાર સાથે સમાપ્ત થઈ.</p><h3 style="text-align: justify;"><b>2026 ફિફા વર્લ્ડકપ માટે ગોલ્ડન બૂટની રેસમાં ખેલાડીઓ</b></h3><p style="text-align: justify;">લિયોનેલ મેસ્સી (આર્જેન્ટિના) - 8 ગોલ, 4 આસિસ્ટ</p><p style="text-align: justify;">કાયલિયન એમબાપ્પે (ફ્રાન્સ) - 8 ગોલ, 3 આસિસ્ટ</p><p style="text-align: justify;">એરલિંગ હાલેન્ડ (નોર્વે) - 7 ગોલ</p><p style="text-align: justify;">જુડ બેલિંગહામ (ઈંગ્લેન્ડ) - 6 ગોલ, 1 આસિસ્ટ</p><p style="text-align: justify;">હેરી કેન (ઈંગ્લેન્ડ) - 6 ગોલ, 1 આસિસ્ટ</p><h4 style="text-align: justify;"><b>એમબાપ્પે પાસે હજુ પણ ટોપ સ્થાને પહોંચવાની તક</b></h4><p style="text-align: justify;">ભલે ફ્રાન્સ 2026 ના ફિફા વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ રહ્યું, પરંતુ હવે તેમની પાસે ત્રીજા સ્થાને રહીને ટુર્નામેન્ટ પૂર્ણ કરવાની શાનદાર તક છે. આનાથી કાયલિયન એમબાપ્પે પાસે મેસ્સીને પાછળ છોડીને ગોલ્ડન બૂટની રેસમાં પ્રથમ સ્થાન મેળવવાની તક બાકી છે. ફ્રાન્સ અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજા સ્થાન માટેની મેચ 19 જુલાઈના રોજ ભારતીય સમય મુજબ સવારે 2:30 વાગ્યે રમાશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/ishan-kishan-run-out-abhishek-sharma-stump-mic-video" target="_blank">Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/EWNarws57Dn8jooFWmrzBAw1gRglBgZWwBEB6jjO.webp'/></item></channel></rss>