<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[PM Modiએ સ્ટેજ પરથી ‘બ્રૂમ વોરિયર’ના ભારોભાર વખાણ કરતાં પૂર્વ IPS ઈન્દરજીત સિંહ થયા ભાવુક ]]></title><link>https://sandesh.com/india/news/pm-modi-praises-former-ips-inderjit-singh-broom-warrior</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/pm-modi-praises-former-ips-inderjit-singh-broom-warrior</guid><pubDate>Sat, 18 Jul 2026 09:32:10 +05:30</pubDate><description><![CDATA[<p>ચંદીગઢમાં આયોજિત એક જાહેર મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે પંજાબ પોલીસના નિવૃત્ત ડીઆઈજી (DIG) અને 'બ્રૂમ વોરિયર' (સાવરણી યોદ્ધા) તરીકે જાણીતા ઈન્દરજીત સિંહ સિદ્ધુની પ્રશંસા કરી, ત્યારે વયસ્ક પૂર્વ અધિકારી પોતાના આંસુ રોકી શક્યા નહીં અને ભાવુક થઈ ગયા હતા.</p><h2><b>પીએમ મોદીની પ્રશંસાથી પૂર્વ આઈપીએસ રડી પડયા</b></h2><p>વડાપ્રધાનના આ આદરભાવ બદલ આભાર વ્યક્ત કરતા ઈન્દરજીત સિંહે જણાવ્યું કે: "મને આટલું મોટું સન્માન આપવા બદલ હું મોદીજીનો હૃદયપૂર્વક આભારી છું. આ પહેલા દિલ્હીમાં પણ તેમણે મને કહ્યું હતું કે, 'તમે આખું ચંદીગઢ સાફ કરી દીધું.' ત્યારે મેં ખૂબ જ નમ્રતાથી કહ્યું હતું કે હું તો એક નાનો માણસ છું, મારાથી બને એટલું યોગદાન આપું છું, મેં કોઈ બહુ મોટું કામ નથી કર્યું. પરંતુ આજે તેમણે ફરી એકવાર જાહેરમાં મને યાદ કર્યો, જે મારા માટે ગૌરવની ક્ષણ છે."</p><h3><b>પીએમ મોદીએ દેશ સામે મૂક્યું પ્રેરણાદાયી ઉદાહરણ</b></h3><p>ટ્રાઈસિટી માટે રૂ. ૪,૭૦૦ કરોડથી વધુના વિકાસ કાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ સમારોહ દરમિયાન પીએમ મોદીએ ખાસ ઈન્દરજીત સિંહના સમર્પણનો ઉલ્લેખ કર્યો હતો. પીએમે જણાવ્યું કે, સ્વચ્છતા પ્રત્યેના તેમના આ અપ્રતિમ સેવાભાવને સન્માનિત કરવા માટે જ કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષે તેમને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. વડાપ્રધાને ભારપૂર્વક કહ્યું કે: સ્વચ્છતા એ માત્ર એક સરકારી અભિયાન નથી, પરંતુ જીવન જીવવાની એક ઉત્તમ શૈલી છે. સિદ્ધુજીના છેલ્લા ત્રણ દાયકાના અથાણું પ્રયાસોએ સાબિત કર્યું છે કે સ્વચ્છતા એ માત્ર તંત્રની નહીં, પણ સમાજના પ્રત્યેક નાગરિકની નૈતિક જવાબદારી છે.</p><h4><b>ખાખી વર્દીથી લઈને સાવરણી સુધીની અદભુત સફર</b></h4><p>વર્ષ ૧૯૬૩માં પંજાબ પોલીસમાં એક ઇન્સ્પેક્ટર તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર ઈન્દરજીત સિંહ સિદ્ધુ ૧૯૯૬માં ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (DIG) ના ઉચ્ચ પદેથી નિવૃત્ત થયા હતા. નિવૃત્તિ પછી આરામ કરવાને બદલે તેમણે જાહેર સ્થળોને સ્વચ્છ બનાવવાનું પોતાનું જીવનકાળનું મિશન બનાવી દીધું. ૩૦ વર્ષનો અવિરત સેવા યજ્ઞ: છેલ્લા ૩૦ વર્ષથી, વહેલી સવારે ૬ વાગ્યાના ટકોરે તેઓ હાથમાં સાવરણી અને કચરાપેટી લઈને નીકળી પડે છે અને શહેરના રસ્તાઓ, સોસાયટીઓ તથા જાહેર બગીચાઓ જાતે સાફ કરે છે.</p><h4><b>વર્ષ ૨૦૨૬માં પદ્મશ્રીથી કરાયા સન્માનિત</b></h4><p>સ્વચ્છતાના ક્ષેત્રમાં આપેલા આ અભૂતપૂર્વ યોગદાન બદલ ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬માં તેમને પદ્મશ્રી એવોર્ડ જાહેર કરાયો હતો. ગત ૨૩ જૂનના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે તેમને આ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પીએમ મોદીએ ચંદીગઢના નાગરિકો અને લોકપ્રતિનિધિઓની પણ પ્રશંસા કરી હતી, જેમણે સ્વચ્છતાના આ મિશનને એક સફળ 'જન આંદોલન' બનાવી દીધું છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/18/PLw2JnvIKc63BQfFLxJzAGN0DHfl6fGbWbh6qsiu.webp'/></item><item><title><![CDATA[Tamilnadu Bus Fire : ચેન્નાઈ-તિરુચિરાપલ્લી હાઈવે પર સ્લીપર બસમાં લાગી ભીષણ આગ, 23 મુસાફરોનો આબાદ બચાવ ]]></title><link>https://sandesh.com/india/news/tamilnadu-sleeper-bus-fire-chennai-tiruchirappalli-highway-23-passengers-safe</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/tamilnadu-sleeper-bus-fire-chennai-tiruchirappalli-highway-23-passengers-safe</guid><pubDate>Sat, 18 Jul 2026 09:30:43 +05:30</pubDate><description><![CDATA[<p>તમિલનાડુના પેરમ્બલુર જિલ્લામાં શનિવારે વહેલી સવારે એક ખાનગી સ્લીપર કોચ બસમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. ચેન્નાઈથી મદુરાઈ જઈ રહેલી આ બસમાં આગ લાગતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ડ્રાઈવરની સતર્કતાને કારણે બસમાં સવાર તમામ 23 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2078324796199510075"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>સમયસર બસ ખાલી કરાવી દેવાતા મોટી જાનહાનિ ટળી</b></h2><p>મળતી માહિતી મુજબ, ચેન્નાઈ-તિરુચિરાપલ્લી નેશનલ હાઈવે પર મંગલમેડુ નજીક સવારે લગભગ 5:30 વાગ્યે બસમાં અચાનક આગ લાગી હતી. આગ લાગ્યાની જાણ થતાં જ ડ્રાઈવરે તરત જ બસને રોકી દીધી હતી અને મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા હતા. સમયસર બસ ખાલી કરાવી દેવામાં આવતા કોઈ જાનહાનિ થઈ નહોતી. બસમાં આગ ઝડપથી ફેલાતા વાહનમાં ભારે નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ પર કાબુ મેળવ્યા બાદ ફાયર કર્મચારીઓએ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.</p><h3><b>હાઈવે પર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ</b></h3><p>બસમાં લાગેલી આગના કારણે ચેન્નાઈ-તિરુચિરાપલ્લી હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. વાહનોની અવરજવર પર અસર પડી હતી અને પોલીસ દ્વારા માર્ગ પર વ્યવસ્થા જાળવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસે ઘટનાની નોંધ લઈને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. અધિકારીઓ દ્વારા બસની ટેક્નિકલ તપાસ સહિત વિવિધ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં ડ્રાઈવરની સમયસૂચકતા મહત્વપૂર્ણ સાબિત થઈ હતી.<br><br><b><a href="https://sandesh.com/india/news/kedarnath-yatra-trek-route-reopens-after-landslide-debris-cleared" target="_blank">આ પણ વાંચો : Kedarnath Yatra : કેદારનાથ પગપાળા યાત્રામાર્ગ ફરી શરૂ, કાટમાળ હટતા શ્રદ્ધાળુઓને રાહત</a></b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/18/jzgTd66pNfQ0R0wOQm35620gjsXoA0kFppXkiotZ.webp'/></item><item><title><![CDATA[Petrol Diesel Price Today: અઠવાડિયામાં 11 ટકા ક્રૂડ ઓઇલ મોંઘુ, જાણો 18 જુલાઇએ શું છે પેટ્રોલ ડીઝલનો ભાવ ]]></title><link>https://sandesh.com/business/news/petrol-diesel-price-today-crude-oil-is-11-percent-more-expensive-in-a-week-know-what-is-the-price-of-petrol-and-diesel-on-july-18</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/petrol-diesel-price-today-crude-oil-is-11-percent-more-expensive-in-a-week-know-what-is-the-price-of-petrol-and-diesel-on-july-18</guid><pubDate>Sat, 18 Jul 2026 09:19:24 +05:30</pubDate><description><![CDATA[<p>અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એક વાર સંઘર્ષ શરૂ થયો છે. પરિણામે ચાલુ સપ્તાહ દરમિયાન WTI ક્રૂડ ઓઈલના ભાવમાં 11% થી વધુનો વધારો થયો છે.&nbsp; જે મહિનાનો સૌથી મોટો સાપ્તાહિક વધારો દર્શાવે છે. ક્રૂડ ઓઈલ બજાર લગભગ 5% ના વધારા સાથે બંધ થયું હતું. જો કે ભારતમાં સરકારી તેલ કંપનીઓએ આજે ​​એટલે કે 18 જુલાઇએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. 25 મે, 2026 થી આ ભાવમાં કોઈ સુધારો થયો નથી.</p><h2><b>53 દિવસથી કોઈ ફેરફાર થયો નથી</b></h2><p>પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ પૂર્ણ થયા પછી, પેટ્રોલિયમ કંપનીઓએ આ વર્ષના મે મહિનામાં ચાર વખત ભાવ વધારો કર્યો હતો. આ વધારો ફક્ત 11 દિવસના સમયગાળામાં થયો હતો. સરકારી પેટ્રોલિયમ કંપનીઓએ સૌપ્રથમ ૧૫ મે, ૨૦૨૬ ના રોજ પેટ્રોલના ભાવમાં ૩ રૂપિયા અને ડીઝલના ભાવમાં ૩.૨૯ રૂપિયાનો વધારો કર્યો હતો. ત્યારબાદ 19મે ના રોજ (પેટ્રોલમાં 87 પૈસા, ડીઝલમાં 91 પૈસા), 23 મે ના રોજ (પેટ્રોલમાં 87 પૈસા, ડીઝલમાં 91 પૈસા) અને 25 મે ના રોજ (પેટ્રોલમાં ₹2.61, ડીઝલમાં ₹2.71) ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ભાવમાં કોઈ ફેરફાર કર્યા વિના આજે 53મો દિવસ છે.</p><h3><b>4 મહાનગરોમાં પેટ્રોલના ભાવ</b></h3><p>સરકારી તેલ કંપનીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર, આજે દિલ્હીમાં પેટ્રોલ 102.12&nbsp; પ્રતિ લિટરના ભાવે છૂટક વેચાણ કરી રહ્યું છે. કોલકાતામાં ભાવ ₹113.51&nbsp; મુંબઈમાં ₹111.21 અને ચેન્નાઈમાં ₹107.77 છે.</p><p><b style="font-size: 1.75rem;">ડીઝલના ભાવ</b></p><p>સરકારી તેલ કંપનીઓ અનુસાર, દિલ્હીમાં ડીઝલનો ભાવ ₹95.20 પ્રતિ લિટર છે. કોલકાતામાં તેની કિંમત ₹99.02 મુંબઈમાં ₹97.83&nbsp; અને ચેન્નાઈમાં ₹99.55 પ્રતિ લિટર છે. તાજેતરમાં ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ઇરાન સાથે સંઘર્ષ શરૂ થયા પછી તે લગભગ 50 ટકા મોંઘા થઈ ગયા છે.</p><p><b style="font-size: 1.5rem;">ક્રૂડ ઓઇલના ભાવ ફરી વધ્યા</b></p><p>યુએસ અને ઇરાન વચ્ચે દુશ્મનાવટ ફરી શરૂ થઈ છે, બંને દેશો ખાસ કરીને એકબીજાના સ્થાપનોને નિશાન બનાવી રહ્યા છે. આના કારણે ક્રૂડ ઓઇલ સાથે સંકળાયેલા ભૂ-રાજકીય જોખમ પ્રીમિયમમાં નોંધપાત્ર વધારો થયો છે. પરિણામે, આ અઠવાડિયે WTI ક્રૂડના ભાવમાં 11% થી વધુનો વધારો થયો છે - જે મહિનાનો સૌથી મોટો સાપ્તાહિક વધારો દર્શાવે છે. ક્રૂડ ઓઇલ બજાર પણ ગઈકાલે (શુક્રવારે) લગભગ 5% વધીને બંધ થયું હતું. ટ્રેડિંગ બંધ થતાં સુધીમાં, બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 4.59% (અથવા $3.87) વધીને $88.10 પ્રતિ બેરલ પર પહોંચી ગયું હતું. યુએસ WTI ક્રૂડ પણ 4.28% (અથવા $3.54) ના વધારા સાથે બંધ થયું હતું, જે પ્રતિ બેરલ $82.49 પર પહોંચી ગયું હતું.<br></p><h4><b><br></b></h4><h4><b>દેશના મોટા શહેરોમાં પેટ્રોલ ડીઝલનો ભાવ&nbsp;</b></h4><p></p><ul><li>દિલ્હીમાં, ઇન્ડિયન ઓઇલ પંપો પર પેટ્રોલ ₹102.12 પ્રતિ લિટર અને ડીઝલ ₹95.20 પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.</li><li>મુંબઈમાં પેટ્રોલ ₹111.21 પ્રતિ લિટર અને ડીઝલ ₹97.83 પ્રતિ લિટર છે.</li><li>અયોધ્યામાં પેટ્રોલ ₹102.40 પ્રતિ લિટર અને ડીઝલ ₹99.27 પ્રતિ લિટર છે.</li><li>લખનૌમાં પેટ્રોલ ₹102.05 પ્રતિ લિટર અને ડીઝલ ₹99.28 પ્રતિ લિટર છે.</li><li>ભોપાલમાં પેટ્રોલ ₹114.65 પ્રતિ લિટર અને ડીઝલ ₹99.74 પ્રતિ લિટર છે.</li><li>ઇન્દોરમાં પેટ્રોલ ₹114.61 પ્રતિ લિટર (ભોપાલ કરતાં 4 પૈસા ઓછું) અને ડીઝલ ₹99.70 પ્રતિ લિટર છે.</li><li>કોલકાતામાં પેટ્રોલ ₹113.51 પ્રતિ લિટર અને ડીઝલ ₹99.82 પ્રતિ લિટર છે.</li><li>ચેન્નાઈમાં પેટ્રોલ ₹107.77 પ્રતિ લિટર અને ડીઝલ ₹99.55 પ્રતિ લિટર છે.</li><li>જયપુરમાં પેટ્રોલ ₹112.66 પ્રતિ લિટર અને ડીઝલ ₹97.78 પ્રતિ લિટર છે.</li><li>પટણામાં પેટ્રોલ ₹112.70 પ્રતિ લિટર અને ડીઝલ ₹99.87 પ્રતિ લિટર છે.<br></li></ul><h5><b>ગુજરાતના મોટા શહેરોમાં આજે પેટ્રોલ ડીઝલનો ભાવ</b></h5><p><br></p><table class="table table-bordered"><tbody><tr><td><b>શહેર&nbsp;</b></td><td><b>પેટ્રોલ (₹/લિટર)&nbsp;</b></td><td><b>ડીઝલ (₹/લિટર)</b></td></tr><tr><td>અમદાવાદ&nbsp;</td><td>₹102.15&nbsp;</td><td>₹98.27</td></tr><tr><td>ગાંધીનગર&nbsp;</td><td>₹102.04&nbsp;</td><td>₹98.15</td></tr><tr><td>રાજકોટ&nbsp;</td><td>₹101.85&nbsp;</td><td>₹97.99</td></tr><tr><td>સુરત&nbsp;</td><td>₹101.82</td><td>&nbsp;₹97.95</td></tr><tr><td>વડોદરા&nbsp;</td><td>₹101.46</td><td>&nbsp;₹97.57&nbsp;</td></tr></tbody></table><p><br></p><p><br></p><p><br></p><p><br></p><p><br></p><p><br></p><p><br></p><p><br></p><p><br></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/03/02/gFFmPCNzDdlSeXcFtLoDeI8jFhhpj76CwBRAR3d4.webp'/></item><item><title><![CDATA[Surat: મનપા દ્વારા બાંધકામ સાઇટ્સ પર ચેકિંગ હાથ ધરી મચ્છરોના બ્રીડિંગ મળતા નોટિસ, 2.35 લાખનો દંડ ઝીંકાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/smc-fines-120-construction-sites-2-35-lakh-for-mosquito-breeding-navkar-heaven</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/smc-fines-120-construction-sites-2-35-lakh-for-mosquito-breeding-navkar-heaven</guid><pubDate>Sat, 18 Jul 2026 08:48:36 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત શહેરમાં ચોમાસાની શરૂઆત થતાં જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો માથું ન ઉંચકે તે માટે સુરત મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે. સામાન્ય રીતે કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર પાયા ખોદવાના કારણે અથવા મટીરિયલ મિક્સિંગ માટે રાખવામાં આવતા પાણીના કૂંડા અને ખુલ્લા ખાડાઓમાં લાંબા સમય સુધી પાણી ભરાઈ રહે છે. આ સ્થિર પાણીમાં ડેન્ગ્યુ ફેલાવતા એડીસ ઇજિપ્તી અને મલેરિયાના એનોફિલિસ મચ્છરો ખૂબ જ ઝડપથી ઇંડા મૂકે છે, જે આસપાસના સમગ્ર રહેણાંક વિસ્તારના લોકોના આરોગ્ય માટે જોખમ ઊભું કરે છે.</p><h2><b>સુરત મનપાનો બિલ્ડરો પર મોટો કોરડો</b></h2><p>આ બાબતની ગંભીરતાને સમજી SMC ની મેલેરિયા વિભાગની જુદી-જુદી ટીમોએ કતારગામ, વરાછા, રાંદેર, અને ઉધના સહિતના તમામ ઝોનમાં આવેલી બાંધકામ સાઇટો પર આકસ્મિક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન 120 જેટલા પ્રોજેક્ટ્સ પર મચ્છરોના જીવંત બ્રીડિંગ જોવા મળ્યા હતા, જેને જંતુનાશક દવાઓ છાંટી તુરંત નાશ કરાયો હતો. પ્રશાસને નમૂના લઈ તમામ સાઇટ મેનેજરોને નોટિસ પાઠવી સ્થળ પર જ કુલ 2.35 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો.</p><h3><b>સુરત હેલ્થ ડિપાર્ટમેન્ટની કડક ટાસ્ક ફોર્સ ડ્રાઇવ</b></h3><p>આ ડ્રાઇવમાં સૌથી ગંભીર ક્ષતિ વરાછા-સરથાણા ઝોન હેઠળ આવતી 'નવકાર હેવન' સાઇટ પર જોવા મળી હતી. અહીં ગાઇડલાઇનનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરીને મચ્છરોના ઉત્પત્તિ સ્થાનોને વધવા દેવામાં આવ્યા હતા, જેના કારણે તંત્રએ કડક વલણ અપનાવી બિલ્ડર પાસેથી 22,000 રૂપિયાનો સ્પોટ ફાઇન વસૂલ કર્યો છે. આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે કે, આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. જો કોઈપણ સ્કૂલ, મોલ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ કે બાંધકામ સાઇટ પર મચ્છરોના બ્રીડિંગ મળશે તો દંડની સાથે સીલિંગ સુધ્ધાંની આકરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/godadra-crime-7-arrested-for-vandalism-and-attack-over-horn-dispute" target="_blank">આ પણ વાંચો: Surat:  ગોડાદરામાં હોર્ન મારવા બાબતે આતંક મચાવી વાહનો તોડનારી ગેંગના 7 સાગરીતો હથિયારો સાથે ગિરફ્તાર</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/18/jHQIy9miXB1llsWoJeFiUn0SwV3e62sz09QPTDQL.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026ની ફાઈનલ પહેલા ટ્રમ્પે વ્યક્ત કરી ઈચ્છા, કહ્યું- "યુએસને ફરીથી FIFAનું યજમાન બનાવો" ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/donald-trump-fifa-world-cup-2026-hosting-comments</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/donald-trump-fifa-world-cup-2026-hosting-comments</guid><pubDate>Sat, 18 Jul 2026 08:23:27 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફિફા વર્લ્ડકપ 2026 ફાઈનલ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર પોતાના નિવેદનથી ચર્ચામાં છે. ન્યૂયોર્કના ટ્રમ્પ ટાવર ખાતે આયોજિત ફિફા રિસેપ્શન દરમિયાન ટ્રમ્પે કહ્યું કે ભવિષ્યમાં યુનાઈટેડ સ્ટેટ્સે ફરીથી વર્લ્ડકપનું આયોજન કરવું જોઈએ, પરંતુ આ વખતે કેનેડા અને મેક્સિકોનો સમાવેશ ન કરવો જોઈએ.</p><p style="text-align: justify; ">FIFA પ્રમુખ ગિયાની ઈન્ફેન્ટિનોની હાજરીમાં ટ્રમ્પે કહ્યું કે "તમારે આગામી વર્લ્ડકપ યુનાઈટેડ સ્ટેટ્સને પાછો આપવો જોઈએ. આ વખતે અમે કેનેડા અને મેક્સિકોને બહાર રાખીશું." પરંતુ તેમને આ વાત હળવાશથી કહી હતી, તેમનું નિવેદન તરત જ ચર્ચાનો વિષય બની ગયું.</p><p style="text-align: justify; ">ટ્રમ્પે મજાકમાં એવું પણ સૂચન કર્યું કે જો અમેરિકા એકલા આ કાર્યક્રમનું આયોજન ન કરી શકે, તો તે ચીન સાથે ભાગીદારી કરી શકે છે. તેમને વધુમાં કહ્યું કે "તો મેચ વચ્ચેની ફ્લાઈટ્સ ટૂંકી થશે." તેમના નિવેદનથી પ્રેક્ષકોમાં હાસ્ય છવાઈ ગયું.</p><h2 style="text-align: justify; "><b>2026નો વર્લ્ડકપ "અમેરિકન ડ્રીમ"નું પ્રતિક છે!</b></h2><p style="text-align: justify; ">FIFA પ્રમુખ ગિયાની ઈન્ફેન્ટિનોએ પણ ટ્રમ્પની પ્રશંસા કરતા કહ્યું કે 2026નો વર્લ્ડ કપ "અમેરિકન ડ્રીમ"નું પ્રતીક બની ગયો છે અને ટ્રમ્પના સમર્થને ટુર્નામેન્ટના સફળ આયોજનમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.</p><p style="text-align: justify; ">ટ્રમ્પ અને ઈન્ફેન્ટિનોના ગાઢ સંબંધોની ચર્ચા પહેલા પણ થઈ ચૂકી છે. તાજેતરમાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમને ઈન્ફેન્ટિનો સાથે વાત કરી હતી અને અમેરિકન ફૂટબોલર ફોલારિન બાલોગુન પર લાદવામાં આવેલા રેડ કાર્ડ સસ્પેન્શનને રદ્દ કરવાની વિનંતી કરી હતી. બાદમાં બાલોગુનને આગામી મેચમાં રમવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ યુનાઈટેડ સ્ટેટ્સ બેલ્જિયમ સામે 4-1થી હારી ગયું હતું અને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હતું.</p><h3 style="text-align: justify; "><b>યુએસએ, કેનેડા અને મેક્સિકોએ ફિફાનું આયોજન કર્યું</b></h3><p style="text-align: justify; ">ફિફા વર્લ્ડકપ 2026નું આયોજન યુનાઈટેડ સ્ટેટ્સ, કેનેડા અને મેક્સિકો સંયુક્ત રીતે કરી રહ્યા છે. આ ટુર્નામેન્ટ હવે તેના અંતિમ તબક્કામાં છે, રવિવારે ન્યુ જર્સીના મેટલાઈફ સ્ટેડિયમ ખાતે આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે ફાઈનલ મેચ યોજાવાની છે. ટ્રમ્પે કહ્યું કે તેઓ ફાઈનલ મેચમાં હાજર રહેશે.</p><p style="text-align: justify; ">ફિફાએ પહેલાથી જ 2030 વર્લ્ડકપ મોરોક્કો, પોર્ટુગલ અને સ્પેનને અને 2034 વર્લ્ડકપ સાઉદી અરેબિયાને સોંપી દીધો છે. પરંતુ 2038 વર્લ્ડકપ માટે હજુ સુધી યજમાનની પસંદગી કરવામાં આવી નથી. ટ્રમ્પના નિવેદનથી ભવિષ્યની યજમાની તકો અંગે નવી ચર્ચા શરૂ થઈ છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/ishan-kishan-run-out-abhishek-sharma-stump-mic-video" target="_blank">Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/18/NrbrR0NnDTFUWLeLQnJAEApSh51JnkYlYevjxGW3.webp'/></item><item><title><![CDATA[Surat:  ગોડાદરામાં હોર્ન મારવા બાબતે આતંક મચાવી વાહનો તોડનારી ગેંગના 7 સાગરીતો હથિયારો સાથે ગિરફ્તાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/godadra-crime-7-arrested-for-vandalism-and-attack-over-horn-dispute</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/godadra-crime-7-arrested-for-vandalism-and-attack-over-horn-dispute</guid><pubDate>Sat, 18 Jul 2026 08:23:24 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. રસ્તા પરથી પસાર થતી વખતે માત્ર હોર્ન મારવા જેવી તદ્દન નજીવી બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય ઝઘડો જોતજોતામાં લોહિયાળ ખેલમાં ફેરવાઈ ગયો હતો. એક પક્ષના માથાભારે યુવકોએ પોતાના અન્ય સાગરીતોને હથિયારો સાથે ઘટનાસ્થળે બોલાવી લીધા હતા અને સમગ્ર વિસ્તારમાં આતંક મચાવવાનું શરૂ કર્યું હતું.</p><h2><b>સુરતમાં ગુંડાઓનો ખાતમો</b></h2><p>આ આરોપીઓ હાથમાં તલવાર, પાઇપ અને છરા જેવા ઘાતક હથિયારો લઈને ફરિયાદીના ઘર પાસે ધસી આવ્યા હતા અને તેમના પર જીવલેણ હુમલો કરી દીધો હતો. ફરિયાદીને બચાવવા વચ્ચે પડેલા સ્થાનિકોને પણ આરોપીઓએ હથિયારો બતાવીને ડરાવ્યા હતા. એટલું જ નહીં, આસપાસના લોકોમાં ભયનો માહોલ પેદા કરવા માટે રસ્તા પર અને સોસાયટીના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી અનેક મોટરસાયકલ અને ફોર-વ્હીલર વાહનોમાં લાકડીઓ અને હથિયારો વડે બેફામ તોડફોડ કરી મોટું નુકસાન પહોંચાડ્યું હતું. આ ગુંડાગર્દીના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા હતા.</p><h3><b>આતંક મચાવનાર 7 મુખ્ય સાગરીતોને દબોચી લીધા</b></h3><p>ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કમિશનરની સૂચનાથી ગોડાદરા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો તુરંત એક્શનમાં આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક બાતમીદારોના આધારે તપાસના ચક્રો ગતિમાન કરીને આ આતંક મચાવનારી ટોળકીના 7 મુખ્ય સાગરીતોને રાતોરાત દબોચી લીધા છે. પોલીસે તેમની પાસેથી હુમલામાં વપરાયેલા હથિયારો પણ જપ્ત કર્યા છે. સ્થાનિક રહીશોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધે તે માટે પકડાયેલા ગુંડાઓને જેલ ભેગા કરતા પહેલાં કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે અને તેમની સામે આકરા કાનૂની પગલાં ભરવાની તજવીજ હાથ ધરાઈ છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/vadodara/police-transfers-2-acp-7-psi-placed-in-leave-reserve-ahead-of-bypolls" target="_blank">આ પણ વાંચો: Vadodara: પેટાચૂંટણી અગાઉ ચૂંટણી પંચની ગાઇડલાઇન હેઠળ 2 ACP અને 7 PSI ની સાગમટે બદલી</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/18/LenkhkYhWQUzjafDnA9rQEzvgL2LyfdmHXYKKlyK.webp'/></item><item><title><![CDATA[Vadodara: પેટાચૂંટણી અગાઉ ચૂંટણી પંચની ગાઇડલાઇન હેઠળ 2 ACP અને 7 PSI ની સાગમટે બદલી ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/police-transfers-2-acp-7-psi-placed-in-leave-reserve-ahead-of-bypolls</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/police-transfers-2-acp-7-psi-placed-in-leave-reserve-ahead-of-bypolls</guid><pubDate>Sat, 18 Jul 2026 07:49:25 +05:30</pubDate><description><![CDATA[<p>વડોદરામાં આગામી દિવસોમાં યોજાનારી પેટાચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમ છે, ત્યારે વહીવટી સ્તરે પણ પૂર્વ તૈયારીઓ અને નિયમોનું ચુસ્ત પાલન શરૂ કરી દેવાયું છે. ચૂંટણી પંચના નિયમ મુજબ જે તે વિસ્તારમાં લાંબા સમયથી ફરજ બજાવતા અથવા સ્થાનિક સ્તરે પ્રભાવ ધરાવતા અધિકારીઓની બદલી કરવાની પ્રક્રિયાના ભાગરૂપે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા મોટો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ આદેશ અન્વયે વડોદરાના ૨ એસીપી અને ૭ પીએસઆઈ સહિત કુલ 9 ઉચ્ચ અધિકારીઓની બદલી અને લીવ રિઝર્વના હુકમ કરાયા છે.</p><h2><b>વડોદરા પોલીસ બેડામાં મોટો ભૂકંપ</b></h2><p>આ આંતરિક બદલીઓમાં સૌથી મહત્વની બદલી વડોદરા શહેરના વ્યસ્ત અને સંવેદનશીલ ગણાતા એફ (F) ડિવિઝનની છે. એફ ડિવિઝનના એસીપી પ્રણવ કટારીયાની બદલી કરવામાં આવી છે અને તેમના સ્થાને વી. પી. ગામિતને નવા એસીપી તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત, શહેરમાં કાયદો અને વ્યવસ્થાની દૃષ્ટિએ મહત્વના ગણાતા માંજલપુર, કપુરાઇ અને મકરપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ (PSI) ને કોઈપણ જાતની નવી નિયુક્તિ વગર સીધા લીવ રિઝર્વ (લાઈન હાજર) માં મૂકી દેવામાં આવ્યા છે.</p><h3><b>2 ACP અને 7 PSI ની સાગમટે બદલી</b></h3><p>પેટાચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની રાજકીય પક્ષપાતની આશંકા ન રહે અને મતદાન પ્રક્રિયા સંપૂર્ણપણે ન્યાયી અને પારદર્શક વાતાવરણમાં સંપન્ન થાય તે માટે આ સફાયો કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે ચૂંટણી જાહેર થતા પૂર્વે અથવા જાહેર થયા બાદ તુરંત જ તંત્ર દ્વારા આવા સંવેદનશીલ પોલીસ સ્ટેશનોના અધિકારીઓને હટાવવામાં આવતા હોય છે. એકસાથે ૭ જેટલા પીએસઆઈને લીવ રિઝર્વમાં મુકાતા વડોદરાના અન્ય પોલીસ અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં હજુ પણ કોર્પોરેશન અને મહેસૂલ વિભાગના અધિકારીઓની પણ મોટી બદલીઓ તોળાઈ રહી હોવાના સંકેતો મળી રહ્યા છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/two-rain-systems-are-active-in-the-state-know-where-and-how-the-rain-will-be-in-the-coming-days" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય, જાણો આગામી દિવસોમાં ક્યાં કેવો રહેશે વરસાદ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/18/rSUjmbyshDYNiSDZDsW2V7IwRCw4Y8CNC963VWsU.webp'/></item><item><title><![CDATA[Himatnagar: નવી ખાતર વિતરણ વ્યવસ્થા સામે ઈડર ધારાસભ્યએ મુખ્યમંત્રીને રજૂઆત કરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/himatnagar/himatnagar-idar-mla-makes-a-representation-to-the-chief-minister-against-the-new-fertilizer-distribution-system</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/himatnagar/himatnagar-idar-mla-makes-a-representation-to-the-chief-minister-against-the-new-fertilizer-distribution-system</guid><pubDate>Sat, 18 Jul 2026 05:58:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કેન્દ્ર સરકારની નેશનલ ફર્ટીલાઇઝર સેલ ફ્રેમવર્ક હેઠળ રાસાયણિક ખાતરના 100 ટકા વિતરણ માટે તાજેતરમાં અમલી બનાવાયેલ નવી પ્રણાલીને લઈને ઈડર તાલુકાના ખેડૂતોએ તેની નોંધણી અને ખરીદી માટે પડી રહેલી મુશ્કેલીઓ દુર કરવા માટે ખેડૂત સંગઠને તાજેતરમાં ઈડરના ધારાસભ્યને કરેલી રજૂઆત બાદ આ ધારાસભ્યે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી યોગ્ય કરવાની માંગ કરી છે. આ અંગે ઇડર ધારાસભ્ય રમણ વોરાએ કરેલી રજૂઆતમાં જણાવાયું છે કે, કૃષિ વિભાગના તા.4મી જૂન 2026ના પરિપત્ર મુજબ સાબરકાંઠા અને નવસારી જિલ્લામાં પ્રાયોગીક ધોરણે નવી ખાતર વિતરણ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. સાબરકાંઠા ખેતીપ્રધાન જિલ્લો હોવાથી અને અગાઉ ડાર્કઝોનની સમસ્યાઓનો સામનો કરી ચૂક્યો હોવાથી ખેડૂતોને આ નવી વ્યવસ્થાથી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વધુમાં કિસાન સંઘની રજૂઆતનો પણ ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે, ચાલુ વર્ષે ઓછા વરસાદને કારણે ખેડૂતોને પહેલેથી જ નુકસાન સહન કરવું પડી રહ્યું છે. આવી સ્થિતિમાં નવી ડિજિટલ આધારિત પ્રણાલી ખેડૂતો માટે વધુ મુશ્કેલી ઉભી થઈ છે. ખેડૂતો દ્વારા 21 પ્રશ્નો અને વાંધાઓ પણ રજૂ કરવામાં આવ્યા છે. અને સ્થાનિક ધારાસભ્યને ખેડૂતોનો અવાજ તથા મુશ્કેલીઓ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરવા કરેલી અપીલ બાદ ધારાસભ્યએ મુખ્યમંત્રીને ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને સાબરકાંઠાને પાયલોટ યોજનામાંથી મુક્તિ આપી અગાઉની જૂની પદ્ધતિથી રાસાયણિક ખાતરનું વિતરણ ચાલુ રાખવા રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સમક્ષ જરૂરી રજૂઆત કરવા વિનંતી કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/18/n2dhzBEGQdMjgG9OYkQTCro3kMPNRz62jZjaHjUl.webp'/></item><item><title><![CDATA[Himatnagar: વકીલો-નોટરી માટે બેસવાની સગવડ આપવા માટે માંગણી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/himatnagar/himatnagar-demand-for-seating-facilities-for-lawyers-and-notaries</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/himatnagar/himatnagar-demand-for-seating-facilities-for-lawyers-and-notaries</guid><pubDate>Sat, 18 Jul 2026 05:57:48 +05:30</pubDate><description><![CDATA[<p>હિંમતનગર- ઈડર રોડ પર પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં અદ્યતન બહુમાળી ન્યાય સંકુલમાં રોજબરોજ અરજદારો, વકીલો તથા જરૂરી સ્ટેમ્પ ટીકીટ તથા સ્ટેમ્પ ખરીદવા માટે અનેક લોકો અવર જવર કરે છે ત્યારે કેટલાક જરૂરીયાતમંદોને નોટરીની કામગીરી કરનારને શોધવા પડે છે, જેથી હિંમતનગરના એડવોકેટ અને નોટરીઓ માટે ન્યાય સંકુલમાં ભોયતળીયે બેસવાની સગવડ આપવાની માંગ કરાઈ રહી છે. આ અંગે નોટરી નરેન્દ્રસિંહ રાઠોડના જણાવાયા મુજબ, રોજબરોજ નોટરી કરનારાઓને પ્રજા સાથે સીધો સંપર્ક રહે તે માટે ભોયતળીયે બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવે તો 150થી વધુ નોટરીનું કામ કરતાં વકીલો અને આમ પ્રજાને સંપર્ક કરવામાં કોઈ મુશ્કેલી થશે નહીં. ઉલ્લેખનીય છે કે, મોડાસા, ગાંધીનગર, મહેસાણા અને અમદાવાદમાં એડવોકેટ તથા નોટરી કરનારાઓ માટે ભોયતળીયે બેસવાની તથા ટેબલની વ્યવસ્થા કરાઈ છે. જેથી હિંમતનગર ન્યાય સંકુલમાં પણ આવી વ્યવસ્થા ઉભી થાય તે જરૂરી છે. એટલુ જ નહીં પણ અગાઉ જયાં જુની કોર્ટ ચાલતી હતી તે બિલ્ડીંગનું પઝેશન આપી દીધા પછી એડવોકેટ, નોટરીઓની બેઠક વ્યવસ્થા હવે રહી નથી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/18/6EAKLyx34kR1DqEYP4zQOPJaaM4P6X292RpYRWTT.webp'/></item><item><title><![CDATA[Arjun Bijlani: મૌની રોય સાથે નામ જોડાવવા પર ભડક્યો અભિનેતા, અર્જુને આપ્યું મોટું નિવેદન ]]></title><link>https://sandesh.com/entertainment/news/arjun-bijlani-mouni-roy-dating-rumours--actors-team-issues-statement</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/arjun-bijlani-mouni-roy-dating-rumours--actors-team-issues-statement</guid><pubDate>Fri, 17 Jul 2026 19:07:26 +05:30</pubDate><description><![CDATA[<p>ટીવી અને બોલિવૂડ કોરિડોરમાં વારંવાર લિંક-અપ્સ અને અફેર્સના સમાચારો સામે આવતા રહે છે. પરંતુ ક્યારેક આ અફવાઓ એટલી હદે વધી જાય છે કે સ્ટાર્સે પોતે આગળ આવીને સ્પષ્ટતા કરવી પડે છે. ટીવી ઈન્ડસ્ટ્રીના સૌથી પ્રિય કલાકારોમાંના એક અર્જુન બિજલાની સાથે પણ આવું જ થયું છે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા અને વિવિધ મીડિયા રિપોર્ટ્સ દ્વારા અર્જુન બિજલાનીનું નામ તેના નજીકની મિત્ર અને બોલિવૂડ અભિનેત્રી મૌની રોય સાથે જોડવામાં આવી રહ્યું છે.</p><p>અર્જુન બિજલાનીની ટીમે હવે આ અફવાઓને લઈને એક નિવેદન બહાર પાડ્યું છે, જેમા અફવા ફેલાવનારાઓને ફટકાર લગાવી છે. અર્જુનનું આ સત્તાવાર નિવેદનમાં કેહવામાં આવ્યું છે કે, અર્જુન અને મૌની રોય વચ્ચેનો સંબંધ માત્રને માત્ર એક સારી મિત્રતાનો છે.
</p><h3><b>અર્જુને નિવેદનમાં શું કહ્યું?
</b></h3><p>અર્જુન બિજલાની અને મૌની રોયને લઈને ચાલી રહેલી પાયાવિહોણી અફવાઓને અમે સંપૂર્ણપણે નકારી કાઢીએ છીએ. દરેક મિત્રતાને કોઈ પણ રોમેન્ટિક અર્થ આપવો અથવા તેને અફેર તરીકે લેવું સંપૂર્ણપણે ખોટું છે. બંને ખૂબ સારા મિત્રો છે અને વર્ષોથી મજબૂત બોન્ડ શેર કરે છે. આવા બનાવટી સમાચાર ફક્ત સ્ટાર્સને જ ખલેલ પહોંચાડતા નથી પરંતુ તેમના અંગત જીવનને પણ અસર કરે છે.
</p><h5><b>"નાગિન" થી શરૂ થયેલી મિત્રતા
</b></h5><p>તમને જણાવી દઇએ કે અર્જુન બિજલાની અને મૌની રોયની મિત્રતા નવી નથી. તેઓએ એકતા કપૂરના સુપરહિટ સુપરનેચરલ શો "નાગિન" માં મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી. ઋત્વિક અને શિવન્યા તરીકેની તેમની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. ઑફસ્ક્રીન તેઓ ઘણીવાર સાથે પાર્ટી કરતા અને મુશ્કેલીઓમાં એકબીજાની પડખે ઉભા રહેતા જોવા મળે છે. અર્જુન પહેલાથી જ પત્ની નેહા સ્વામી સાથે ખુશહાલ જીંદગી જીવી રહ્યો છે અને તેમનો એક પુત્ર છે. નોંધનીય છે કે, મૌની રોય તાજેતરમાં સૂરજ નામ્બિયારથી અલગ થઈ ગઈ છે. અર્જુને તેમની પવિત્ર મિત્રતા વિશે ઉઠાવવામાં આવેલા પ્રશ્નોનો યોગ્ય જવાબ આપ્યો છે.
</p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/entertainment/news/raj-kundra-on-2021-case---quot-ready-to-face-punishment-if-guilty-quot-" target="_blank">'મેં કંઈ ખોટું નથી કર્યું...' રાજ કુન્દ્રાએ કર્યો મોટો ખુલાસો</a>
</p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/uqmxCDz2JzENRtGnK9YgCSpF9Y2jaoiAPEqMtfOi.webp'/></item></channel></rss>