<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Banaskanthaમાં સર્જાયો ગોઝારો અકસ્માત: અમીરગઢ ચેકપોસ્ટ નજીક બાઇક ટેન્કરમાં ઘૂસી જતાં યુવકનું કરુણ મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/a-horrific-accident-occurred-in-banaskantha-a-young-man-tragically-died-after-his-bike-crashed-into-a-tanker-near-amirgarh-checkpost</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/a-horrific-accident-occurred-in-banaskantha-a-young-man-tragically-died-after-his-bike-crashed-into-a-tanker-near-amirgarh-checkpost</guid><pubDate>Fri, 26 Jun 2026 16:45:34 +05:30</pubDate><description><![CDATA[<p>બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા અમીરગઢ પંથકમાંથી એક અત્યંત ગમખ્વાર અને ભયાનક માર્ગ અકસ્માત સામે આવ્યો છે. અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ નજીક નેશનલ હાઇવે પર એક બાઇક અને ટેન્કર વચ્ચે કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોખમી અને ભયંકર હતો કે બાઇક ધડાકાભેર ટેન્કરના આગળના ભાગમાં ઘૂસી ગઈ હતી અને વ્હીલ વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગઈ હતી. ટક્કરનો અવાજ સાંભળીને આસપાસના લોકો તેમજ ચેકપોસ્ટ પર હાજર પોલીસકર્મીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.</p><h2>રાજસ્થાનના યુવકનું ઘટનાસ્થળે જ નીપજ્યું મોત</h2><p>આ ગોઝારી દુર્ઘટનામાં બાઇક ચાલક યુવાનને શરીરે અને માથાના ભાગે અત્યંત ગંભીર ઇજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ અને કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પોલીસે હાઇવે પર ફસાયેલી બાઇક અને ટેન્કરને બાજુ પર ખસેડીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. મૃતક યુવકના શવને કબજે કરીને પીએમની કાર્યવાહી માટે અમીરગઢ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. મરણજનાર યુવકની ઓળખ વિધિ કરતાં તે પાડોશી રાજ્ય રાજસ્થાનના ખારા ગામનો હોવાનું સામે આવ્યું છે.</p><h3>હાઇવે પર ચાલતા રોડના કામના કારણે સર્જાઈ દુર્ઘટના</h3><p>અકસ્માત અંગેની પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, નેશનલ હાઇવે પર હાલ રોડ રિપેરિંગ અથવા ડાયવર્ઝનનું કામ ચાલી રહ્યું હતું. રોડની કામગીરીના કારણે હાઇવેના માર્ગને વન-વે કરવામાં આવ્યો હતો. સામસામેથી આવી રહેલા વાહનો એક જ રોડ પરથી પસાર થવાના કારણે બંને ચાલકો વાહન પરનો કાબૂ ગુમાવી બેઠા હતા અને આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પોલીસે આ મામલે ટેન્કર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને અકસ્માતના કારણો અંગે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. </p><p><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/5XqryylHqRvI4RHTo2VTSD8gi9DuX9QSgrH8wPrM.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: મધ્યાહન ભોજનના કર્મચારીઓ ફરી મેદાને, લઘુત્તમ વેતન મામલે કોર્ટમાં જવાની ચીમકી ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-mid-day-meal-workers-protest-minimum-wage-demand</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-mid-day-meal-workers-protest-minimum-wage-demand</guid><pubDate>Fri, 26 Jun 2026 16:31:41 +05:30</pubDate><description><![CDATA[<p>સમગ્ર ગુજરાતમાં સરકારી શાળાઓના બાળકોને પૌષ્ટિક ભોજન પૂરું પાડતા મધ્યાહન ભોજન યોજનાના લાખો કર્મચારીઓ ફરી એકવાર સરકાર સામે મેદાને ઉતર્યા છે. લાંબા સમયથી પડતર માંગણીઓ પ્રત્યે સરકાર ઉદાસીન વલણ દાખવી રહી હોવાના આક્ષેપ સાથે કર્મચારીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન કર્મચારી મંડળના પ્રમુખ કિશોર જોશીએ સરકારને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી દીધી છે.</p><h2><b>નિયમ મુજબ લઘુત્તમ વેતન ચૂકવવાની માગ</b></h2><p>કર્મચારીઓની સૌથી મોટી અને મુખ્ય માંગણી એ છે કે, તેમને કાયદા મુજબનું લઘુત્તમ વેતન (Minimum Wage) આપવામાં આવે. હાલમાં તેમને જે માનદ વેતન મળે છે તે ખૂબ જ ઓછું છે, જેના કારણે આ મોંઘવારીના જમાનામાં ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. કર્મચારીઓનું કહેવું છે કે તેઓ દરરોજ 6 થી 7 કલાક સખત કામગીરી કરે છે, તેથી તેમના કામના કલાકો અને મહેનતના આધારે યોગ્ય વેતનની ચૂકવણી થવી જ જોઈએ.</p><p><img title="Gandhinagar News: Mid-Day Meal Workers Protest in Gujarat: Demand Minimum Wage &amp; Job Security" src="https://epapercdn.sandesh.com/images/2026/06/26/6JJVr2jGXR5HutHduv8ZnXqziZNG09OH63TlBkdG.webp" style="width: 100%;"><br></p><h2><b>પગાર કરતાં તો મધ્યાહન ભોજનનો વધારાનો ખર્ચ વધુ!</b></h2><p>કર્મચારીઓએ પોતાની વ્યથા ઠાલવતા એક ચોંકાવનારી વિગત પણ સામે મૂકી છે. મધ્યાહન ભોજન કેન્દ્રો ચલાવવા માટે જે પરચૂરણ અને વધારાનો ખર્ચ કરવો પડે છે, તે ઘણી વખત કર્મચારીઓના પગાર કરતાં પણ વધી જાય છે. આ પરિસ્થિતિમાં કર્મચારીઓએ પોતાના ગજવાના પૈસા વાપરવા પડે છે અથવા દેવું કરવું પડે છે. આ આર્થિક શોષણ હવે અસહ્ય બન્યું હોવાનું કર્મચારીઓ જણાવી રહ્યા છે.</p><p><img title="Gandhinagar News: Mid-Day Meal Workers Protest in Gujarat: Demand Minimum Wage &amp; Job Security" src="https://epapercdn.sandesh.com/images/2026/06/26/cWbCxktf8shK1WmE8fKdaC5zdQ7AVsEBvhjgWEOe.webp" style="width: 100%;"><br></p><h2><b>નોકરીનું રક્ષણ આપવા અને કાયમી કરવા ઉગ્ર માગ</b></h2><p>વેતન ઉપરાંત કર્મચારીઓએ પોતાની નોકરીના રક્ષણ અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કોઈપણ સમયે નોકરીમાંથી છૂટા કરી દેવાના ડર વચ્ચે કામ કરતા આ કર્મચારીઓએ માગ કરી છે કે, સરકાર તેમને નોકરીનું કાયદાકીય રક્ષણ પૂરું પાડે, જેથી તેઓ સુરક્ષિત ભાવિ સાથે પોતાની ફરજ બજાવી શકે.</p><p><img title="Gandhinagar News: Mid-Day Meal Workers Protest in Gujarat: Demand Minimum Wage &amp; Job Security" src="https://epapercdn.sandesh.com/images/2026/06/26/Fx4AN2Sa90yQ3gUaQDoEzN48HT2K4kONfR1v5ieq.webp" style="width: 100%;"><br></p><h2><b>માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલન અને કોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી</b></h2><p>ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન કર્મચારી મંડળના પ્રમુખ કિશોર જોશીએ જણાવ્યું છે કે, જો સરકાર આગામી દિવસોમાં વેતન વધારા અને નોકરીના રક્ષણ સહિતની બાબતો પર હકારાત્મક નિર્ણય નહીં લે, તો સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. આ સાથે જ કર્મચારીઓએ આ ન્યાયની લડાઈ માટે હાઈકોર્ટ અથવા સંબંધિત કોર્ટના દ્વાર ખખડાવવાની પણ ખુલ્લી ચીમકી ઉચ્ચારી દીધી છે. વહીવટી તંત્ર હવે આ મામલે શું વચલો રસ્તો કાઢે છે તેના પર સૌની નજર છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gandhinagar/kalol-taluka-police-seized-five-kg-ganja-dhedhu-char-rasta-two-arrested" target="_blank">Gandhinagar: ધેધુ ચાર રસ્તા પાસેથી બાઈક પર 5 કિલો ગાંજો લઈ જતા 2 પેડલર ઝડપાયા</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/WcctFAlmTB1XcLb9FzuIwhAvGgcNaa4SkbWgev2A.webp'/></item><item><title><![CDATA[Jaishankar South Korea Visit: વેપાર, સંરક્ષણ અને ટેક્નોલોજી ક્ષેત્રે ભાગીદારી મજબૂત કરવા પર અપાયો ભાર ]]></title><link>https://sandesh.com/india/news/-political-news/jaishankar-south-korea-visit-emphasis-placed-on-strengthening-partnership-in-trade-defense-and-technology-sectors</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/-political-news/jaishankar-south-korea-visit-emphasis-placed-on-strengthening-partnership-in-trade-defense-and-technology-sectors</guid><pubDate>Fri, 26 Jun 2026 16:30:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે તેમના સમકક્ષ ચો હ્યુન સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી.&nbsp;</p><h2 style="text-align: justify; ">મુખ્ય પાસાઓની સમીક્ષા&nbsp;</h2><p style="text-align: justify; ">વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે 24-25 જૂન, 2026 ના રોજ દક્ષિણ કોરિયાની સત્તાવાર મુલાકાત લીધી હતી. આ મુલાકાત દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રી ચો હ્યુનના આમંત્રણ પર થઈ હતી.  બંને વિદેશ મંત્રીઓ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો સિઓલમાં યોજાઈ હતી. જેમાં ભારત-દક્ષિણ કોરિયા સંબંધોના તમામ મુખ્ય પાસાઓની સમીક્ષા કરવામાં આવી હતી. બંને નેતાઓએ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિગતવાર ચર્ચા કરી હતી.&nbsp;</p><h3 style="text-align: justify; ">પ્રાદેશિક અને વૈશ્વિક સુરક્ષા પર ચર્ચા</h3><p style="text-align: justify; ">બંને વિદેશ મંત્રીઓ ભારત-દક્ષિણ કોરિયા વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીને નવી ગતિ આપવા અને તાજેતરની ઉચ્ચ-સ્તરીય બેઠકોના નિર્ણયોને આગળ વધારવા સંમત થયા. જયશંકરે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રીય સુરક્ષા નિર્દેશક, વી સુંગ-લાક સાથે પણ મુલાકાત કરી અને પ્રાદેશિક અને વૈશ્વિક સુરક્ષા અંગે ચર્ચા કરી. 25 જૂનના રોજ, જયશંકરે જેજુમાં આયોજિત જેજુ ફોરમ ફોર પીસ એન્ડ પ્રોસ્પેરિટીના ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય ભાષણ આપ્યું. વિદેશ મંત્રી જયશંકરે તેમના સમકક્ષ, ચો હ્યુનને ભારત-દક્ષિણ કોરિયા સંયુક્ત કમિશનની આગામી બેઠક માટે ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતુ.&nbsp;</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PTI_News/status/2069995680979157204"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; "><span style="font-size: 1.5rem;">ગ્લોબલ સાઉથને વધુ તકો આપવી જોઈએ</span></p><p style="text-align: justify; ">ભારત અને કોરિયા પ્રજાસત્તાકને વધુ નજીકથી સહયોગ કરવો જોઈએ, વિદેશ મંત્રીએ કહ્યું હતુ. આપણી પાસે જહાજ નિર્માણ, ડિજિટલ, આરોગ્ય, માળખાગત સુવિધાઓ અને સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં ક્ષમતાઓ છે જેનો હજુ સુધી સંપૂર્ણ ઉપયોગ થયો નથી. મંત્રીએ કહ્યું કે, પ્રભાવશાળી દેશોએ વૈશ્વિક વ્યવસ્થાને સ્થિર કરવા અને ચોક્કસ એજન્ડાના આધારે સહયોગ દ્વારા મુદ્દાઓ અને સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે નવી સમજણ અને ગાઢ સંબંધો બનાવવા જોઈએ. તેમણે ઉમેર્યું, ગ્લોબલ સાઉથને વધુ ક્ષમતાઓ અને તકો પૂરી પાડવી જોઈએ. આ વૈશ્વિક વિકાસના નવા પ્રેરક પરિબળો પણ બનાવશે."</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/world/news/king-charles-and-queen-camilla-will-not-live-in-buckingham-palace-know-what-is-the-reason" target="_blank"> King Charles અને Queen Camilla બકિંગહામ પેલેસમાં નહીં રહે, જાણો શું છે કારણ?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/gVJCnPPVVhA8PP0TcHxrZpgLPkD4J0g86BDe3g1i.webp'/></item><item><title><![CDATA[Ketan Agarwal Murder Case: ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં ટ્રાયલ ચાલશે, કેતનના પિતા મુખ્યમંત્રી ફડણવીસને મળ્યા ]]></title><link>https://sandesh.com/india/news/ketan-agarwal-murder-case-trial-to-be-held-in-fast-track-court-ketans-father-meets-chief-minister-fadnavis</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ketan-agarwal-murder-case-trial-to-be-held-in-fast-track-court-ketans-father-meets-chief-minister-fadnavis</guid><pubDate>Fri, 26 Jun 2026 16:21:09 +05:30</pubDate><description><![CDATA[<p>મહારાષ્ટ્રના ગ્રામીણ લોનાવાલા વિસ્તારમાં હત્યા કરાયેલા તેમના પુત્ર કેતન અગ્રવાલ માટે ન્યાયની માંગ કરવા માટે વિશાલ અગ્રવાલ પુણેમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળ્યા. મુખ્યમંત્રીએ તેમને ખાતરી આપી હતી કે ગુનેગારોને શક્ય તેટલી કડક સજા મળશે. તેમણે કેસની સુનાવણી ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં કરાવવા અને સિનિયર એડવોકેટ ઉજ્જવલ નિકમને ખાસ સરકારી વકીલ તરીકે નિયુક્ત કરવાની વિનંતીઓ તાત્કાલિક સ્વીકારી.</p><h2><b>કેતનના પિતા વિશાલ સીએમ ફડણવીસને મળ્યા&nbsp;</b></h2><p>મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે કેતન અગ્રવાલના પિતા વિશાલ અગ્રવાલ આજે પુણેમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા અને ન્યાયની માંગણી કરી હતી. અમે આ કેસમાં દોષિતોને કડક સજા મળે તે સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમને ખાતરી આપી હતી કે પરિવારને ન્યાય અપાવવામાં કોઈ કસર છોડવામાં આવશે નહીં.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2070402903723200974"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p>પોસ્ટમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તાત્કાલિક ફાસ્ટ-ટ્રેક કોર્ટ ટ્રાયલ અને ઉજ્જવલ નિકમની ખાસ સરકારી વકીલ તરીકે નિમણૂક માટેની વિનંતીઓ સ્વીકારી હતી, અને કાયદા અને ન્યાય વિભાગના સચિવને તે મુજબ સૂચનાઓ આપી હતી. વરિષ્ઠ વકીલ ઉજ્જવલ નિકમે પણ આ કેસમાં ખાસ સરકારી વકીલ તરીકે સેવા આપવા માટે સંમતિ આપી છે.</p><h4><b>26 વર્ષીય કેતન અગ્રવાલનું મોત</b></h4><p>મહારાષ્ટ્રના પુણેના 26 વર્ષીય ઉદ્યોગપતિ કેતન અગ્રવાલનું 18 જૂન, 2026 ના રોજ લોહાગઢ કિલ્લા પર ટ્રેકિંગ કરતી વખતે ઊંડી ખીણમાં પડી જવાથી મૃત્યુ થયું હતું. શરૂઆતમાં તેને અકસ્માત માનવામાં આવ્યો હતો, પરંતુ પોલીસ તપાસમાં બાદમાં તેમની હત્યાનું શંકાસ્પદ કાવતરું બહાર આવ્યું હતું.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/CMOMaharashtra/status/2070430431749751232"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b style="font-size: 1.5rem;">ચેતન સાથે પ્રેમસંબંધમાં હતી સિયા&nbsp;</b></p><p>કેતનની સગાઈ સિયા ગોયલ સાથે થઈ હતી અને આ દંપતી નવેમ્બર 2026 માં લગ્ન કરવાના હતા. પોલીસના જણાવ્યા અનુસાર, સિયા ગોયલ ચેતન ચૌધરી સાથે પ્રેમ સંબંધમાં હતી. બંને ભાગી જવાના હતા પરંતુ પરિવારોની બદનામીના લીધે તેમ ન કર્યુ. બંનેએ કથિત રીતે કેતનને મારી નાખવાનું કાવતરું ઘડ્યું હતું.&nbsp;<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2070414027755593819"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p>તપાસમાં જાણવા મળ્યું છે કે 18 જૂને સિયા કેતનને લોહાગઢ કિલ્લા પર લઈ ગઈ, જ્યાં ચેતન પહેલેથી જ હાજર હતો. પોલીસનો દાવો છે કે સિયાએ સંકેત આપ્યો હતો, જેના કારણે ચેતનને કેતનને ખાડામાં ધકેલી દેવાનું કહેવામાં આવ્યું હતું. આ ઘટના બાદ, તેને અકસ્માત તરીકે દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.</p><h4><b>સિયાએ ઘણી વખત કેતનને મારવાનું કાવતરુ ઘડ્યુ- પોલીસ&nbsp;</b></h4><p>પોલીસના જણાવ્યા અનુસાર, આ પહેલો પ્રયાસ નહોતો આ બંનેએ પહેલા પણ ઘણી વખત કેતનને મારવાનું કાવતરું ઘડ્યું હતું. એક પ્રસંગે, સિયાએ કથિત રીતે કેતનને ખાડા તરફ ધકેલી દીધો હતો, પરંતુ તે કેટલીક ઝાડીઓ પકડીને પોતાને બચાવવામાં સફળ રહ્યો હતો. તે સમયે, સિયાએ 'તેને સાપથી બચાવવા'નું બહાનું કાઢ્યું હતું. પ્રવર્તમાન સંજોગોને કારણે બીજો પ્રયાસ પણ નિષ્ફળ ગયો.&nbsp;</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/khI0VLklv4rx2teOS13SY0w6GBmMZFAbc6jQtzza.webp'/></item><item><title><![CDATA[Rhea Chakraborty: સુશાંત સિંહ રાજપૂતના અવસાન અને ધરપકડના ટ્રોમા પર રિયા ચક્રવર્તીનો મોટો ખુલાસો ]]></title><link>https://sandesh.com/entertainment/news/rhea-chakrabortys-big-revelation-on-the-trauma-of-sushant-singh-rajputs-death-and-arrest</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/rhea-chakrabortys-big-revelation-on-the-trauma-of-sushant-singh-rajputs-death-and-arrest</guid><pubDate>Fri, 26 Jun 2026 15:56:46 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તીએ વર્ષ ૨૦૨૦ માં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના આકસ્મિક અને દુઃખદ અવસાન બાદ પોતાના જીવનમાં આવેલા ભયાનક તોફાન વિશે ફરી એકવાર ખુલીને વાત કરી છે. તાજેતરમાં આપેલા એક વિગતવાર ઈન્ટરવ્યુમાં રિયાએ તે સમયગાળા દરમિયાન અનુભવેલા માનસિક આઘાત (Trauma), મીડિયા ટ્રાયલ અને જેલના દિવસોના પોતાના કડવા અનુભવો શેર કર્યા છે. રિયાએ જણાવ્યું કે તે સમયે જે પરિસ્થિતિઓ સર્જાઈ હતી, તેમાંથી બહાર નીકળવું તેના માટે કેટલું માનસિક અને ભાવનાત્મક રીતે પીડાદાયક હતું.</p><h2 style="text-align: justify; "><b>રિયા ને ભારે ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો</b></h2><p style="text-align: justify; ">સુશાંત સિંહ રાજપૂતના અવસાન બાદ રિયા ચક્રવર્તીને ભારે ટ્રોલીંગ અને આક્ષેપોનો સામનો કરવો પડ્યો હતો, જે બાદ ડ્રગ્સ સંબંધિત એક એન્ગલમાં તેની ધરપકડ પણ કરવામાં આવી હતી અને તેણે જેલમાં સમય વિતાવવો પડ્યો હતો. આ ઘટનાઓ પર વાત કરતા રિયાએ કહ્યું કે, "જ્યારે તમે આવા કોઈ મોટા આઘાતમાંથી પસાર થાઓ છો, ત્યારે આખી દુનિયા તમારી સામે થઈ જાય છે. લોકો તમને દોષી ઠેરવવા લાગે છે. તે સમયે જેલની અંદર જવું અને ત્યાં રહેવું મારા જીવનનો સૌથી મુશ્કેલ તબક્કો હતો."</p><h3 style="text-align: justify; "><b>સામાન્ય જીવન જીવવું સરળ નહોતું</b></h3><p style="text-align: justify; ">રિયાએ આગળ ઉમેર્યું કે, જેલમાંથી બહાર આવ્યા પછી પણ સામાન્ય જીવન જીવવું સરળ નહોતું. સમાજ અને લોકોનો નજરિયો સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો. આ માનસિક આઘાતમાંથી બહાર આવવા માટે તેણે થેરાપી (Therapy) નો સહારો લેવો પડ્યો હતો. રિયાએ સ્વીકાર્યું કે માનસિક સ્વાસ્થ્યને સુધારવા અને પોતાની જાતને ફરીથી બેઠી કરવા માટે તેણે લાંબો સંઘર્ષ કરવો પડ્યો છે.</p><p style="text-align: justify; ">હવે રિયા ચક્રવર્તી પોતાના જીવનમાં આગળ વધી રહી છે અને તેણે પોડકાસ્ટિંગ તેમજ અન્ય ડિજિટલ પ્લેટફોર્મ્સ દ્વારા કામ પર વાપસી કરી છે. રિયાના મતે, આ દુઃખદ અનુભવોએ તેને અંદરથી વધુ મજબૂત બનાવી છે અને હવે તે માનસિક સ્વાસ્થ્ય અને ટ્રોમામાંથી બહાર આવવા માટે અન્ય લોકોને પણ પ્રેરણા આપી રહી છે. બોલિવૂડ અને સોશિયલ મીડિયા પર રિયાના આ નિવેદનની અત્યારે ખૂબ ચર્ચા થઈ રહી છે.</p><p style="text-align: justify;"><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/world/news/agriculture-which-crops-are-grown-in-pakistan-during-the-monsoon-why-are-farmers-expenses-higher-there-than-in-india" target="_blank">આ પણ વાંચો:Agriculture: પાકિસ્તાનમાં ચોમાસા દરમિયાન કયા પાકની થાય છે ખેતી? ભારત કરતાં ત્યાં કેમ વધી જાય છે ખેડૂતોનો ખર્ચ</a></p><p style="text-align: justify;"><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/Vf7HcpRys3icMlpWqgkOBMrYY3h7fF8jLhP8tuJL.webp'/></item><item><title><![CDATA[Rajkotના જસદણમાં પિતા-પુત્રી આત્મહત્યા કેસમાં આવ્યો નવો વળાંક: પોલીસે અમદાવાદથી પત્ની અને તેના પ્રેમીની કરી ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/new-twist-in-father-daughter-suicide-case-in-rajkots-jasdan-police-arrest-wife-and-her-lover-from-ahmedabad</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/new-twist-in-father-daughter-suicide-case-in-rajkots-jasdan-police-arrest-wife-and-her-lover-from-ahmedabad</guid><pubDate>Fri, 26 Jun 2026 15:35:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ જિલ્લાના જસદણ શહેરમાં આવેલી ગેબનશાહ સોસાયટીમાં ચાર દિવસ પહેલાં બનેલી પિતા-પુત્રીના મોતના ચકચારી કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. આ કાળજું કંપાવી દેનારી ઘટનાની વિગત એવી છે કે, સ્થાનિક રહીશ ફિયાઝભાઈએ પોતાની અઢી વર્ષની માસૂમ પુત્રીને પાણીમાં ડૂબાડીને પોતે પણ પાણીમાં ડૂબી જઈ આત્મહત્યા કરી લીધી હતી. આ કરુણ આત્મહત્યા પાછળ ફિયાઝભાઈની પત્નીની બેવફાઈ અને તેના પ્રેમી દ્વારા આપવામાં આવતો માનસિક ત્રાસ જવાબદાર હોવાનું સામે આવ્યું છે.</p><h2 style="text-align: justify; ">'દીકરી મને સોંપી દે' કહી પ્રેમી ફોન પર આપતો હતો ધમકીઓ</h2><p style="text-align: justify; ">મળતી વિગતો મુજબ, મૃતક ફિયાઝભાઈની પત્ની ફિરદોષ તેના પ્રેમી લાલા ખીમાણી સાથે ભાગી ગઈ હતી. પત્ની ભાગી ગયા બાદ પણ ફિયાઝભાઈની મુશ્કેલીઓનો અંત આવ્યો ન હતો. તેનો પ્રેમી લાલો ખીમાણી અવારનવાર ફિયાઝભાઈને ફોન કરીને ધમકીઓ આપતો હતો અને "તારી દીકરી મને સોંપી દે" તેવી દબાણપૂર્વક વાત કરતો હતો. પત્નીના આ પ્રકારે ઘર છોડી જવાના આઘાત અને તેના પ્રેમી લાલા દ્વારા સતત મળતી ધમકીઓ તથા અસહ્ય ત્રાસથી કંટાળીને આખરે ફિયાઝભાઈએ પોતાની વ્હાલસોયી દીકરી સાથે જીવ ટૂંકાવી લેવાનો આકરો નિર્ણય કર્યો હતો.</p><h3 style="text-align: justify; ">જસદણ પોલીસે અમદાવાદથી બંને આરોપીઓને દબોચ્યા</h3><p style="text-align: justify; ">આ આત્મહત્યાના પગલે જસદણ પોલીસ સ્ટેશનમાં મૃતકને મરવા માટે મજબૂર કરવા બદલ પત્ની ફિરદોષ અને તેના પ્રેમી લાલા ખીમાણી વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનો નોંધાતા જ એક્શનમાં આવેલી જસદણ પોલીસે ટેકનિકલ સોર્સિસની મદદથી તપાસ હાથ ધરી હતી અને બંને આરોપીઓ અમદાવાદમાં હોવાનું લોકેશન મળ્યું હતું. પોલીસે તાત્કાલિક ટીમ મોકલીને અમદાવાદથી ફિરદોષ અને લાલા ખીમાણીને રાઉન્ડઅપ કરી જસદણ લાવ્યા છે. હાલ પોલીસે બંનેની પૂછપરછ શરૂ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.</p><p style="text-align: justify;"><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/lqWLJXM3FjZtFnIckQqbGYLuUmQAslAT1tnm6n9A.webp'/></item><item><title><![CDATA[વાંચો બપોરે 12થી 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/read-important-news-from-12-pm-to-03-pm-26-june-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/read-important-news-from-12-pm-to-03-pm-26-june-2026</guid><pubDate>Fri, 26 Jun 2026 14:56:52 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-weather-forecast-next-7-days-cyclonic-circulation-active-rain-update" target="_blank">1. Weather Update : આગામી 7 દિવસ આ વિસ્તારોમાં સામાન્ય વરસાદની અગાહી, તાપમાન અંગે પણ મોટું અપડેટ</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/world/news/venezuela-earthquake-miracle-miracle-amidst-destruction-in-venezuela-amazing-rescue-of-newborn-baby-from-rubble-watch-video" target="_blank">2. Venezuela Earthquake Miracle: વેનેઝુએલામાં વિનાશ વચ્ચે ચમત્કાર, ભૂકંપના કાટમાળમાંથી નવજાત શિશુનો અદ્ભૂત બચાવ, જુઓ વીડિયો</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/world/news/business/canada-student-visa-60-decrease-in-the-number-of-foreign-students-in-canada-know-what-is-the-reason" target="_blank">3. Canada Student Visa: કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં 60%નો ઘટાડો, જાણો શુ છે કારણ?</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/modi-cabinet-may-undergo-changes-on-june-29-or-30-major-reshuffle-discussed" target="_blank">4. PM Cabinet: 29 કે 30 જૂને મોદી કેબિનેટમાં થઇ શકે છે પરિવર્તન, મોટા ફેરબદલની ચર્ચા</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-khadia-firing-robbery-airforce-officer-deepak-bhuker-arrested" target="_blank">5. Ahmedabad : ખાડિયામાં કરોડોની લૂંટ અને ફાયરિંગનો ભેદ ઉકેલાયો, એરફોર્સનો અધિકારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/ram-mandir-donation-row-champat-rai-resigns-from-the-post-of-general-secretary-of-ram-mandir-trust" target="_blank">6. Ram Mandir Donation Row: ચંપત રાયનું રાજીનામુ, ચાંદીની ઇંટ ક્યાં ગઇ? સંજય રાઉતનુ નિવેદન</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/explainer/ayodhya-ram-mandir-donation-theft-case-8-arrested-sandesh-digital-explainer" target="_blank">7. Sandesh Digital Explainer : રામ મંદિરમાં દાનની ચોરી, જેના પર આખા દેશે ભરોસો કર્યો, એ જ 'ખાસ' માણસે પાછળથી ભોંક્યું ખંજર</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/entertainment/news/chauhaan-film-teaser-big-gift-on-father-veeru-devgans-birthday-ajay-devgans-chauhaan-announced" target="_blank">8. Chauhaan Film : પઠાણો સે કહો... 'ચૌહાન' ફિલ્મનું ટ્રેલર રીલીઝ, અજય દેવગણનો દેખાયો દમદાર લુક</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/cm-yogi-on-ram-mandir-playing-with-the-faith-of-ram-devotees-is-not-acceptable-yogi-spoke-on-the-matter-of-charity-theft" target="_blank">9. CM Yogi On Ram Mandir: રામભક્તોની આસ્થા સાથે રમત સ્વીકાર્ય નહી, દાનચોરી મામલે બોલ્યા યોગી</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/cricket/news/vaibhav-suryavanshis-social-media-post-created-a-stir-he-wrote-before-the-ireland-match-new-chapter" target="_blank">10. Vaibhav Suryavanshiની સોશિયલ મીડિયા પોસ્ટે મચાવ્યો ખળભળાટ, આયર્લેન્ડ મેચ પહેલા લખ્યું "નવો અધ્યાય"</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/ceqk67y8uo90glwBNkzH4Xk5wNqOLuA7z0MjZ7er.webp'/></item><item><title><![CDATA[IOCLમાં જુનિયર કર્મચારીઓના ID વાપરી મેનેજરે આચર્યું 1.53 કરોડનું કૌંભાડ, CBIની એન્ટ્રી ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/cbi-registers-case-against-former-iocl-manager-sejal-kolhatkar-fraud</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/cbi-registers-case-against-former-iocl-manager-sejal-kolhatkar-fraud</guid><pubDate>Fri, 26 Jun 2026 14:46:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન  દ્વારા ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ ની ગુજરાત કચેરીના પૂર્વ સિનિયર ફાઇનાન્સ મેનેજર સેજલ કોલ્હટકર સામે આર્થિક ગેરરીતિ અને ભ્રષ્ટાચાર મામલે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આરોપી અધિકારી પર જુનિયર કર્મચારીઓના લોગઈન આઈડીનો દુરુપયોગ કરીને કરોડો રૂપિયાની હેરાફેરી કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>ખોટી રીતે રૂપિયા 1.53 કરોડની ચૂકવણી મંજૂર કરી</b></h2><p style="text-align: justify; ">મળતી વિગતો અનુસાર, સેજલ કોલ્હટકરે પોતાના પદનો દુરુપયોગ કરીને ચાર જેટલા ખાનગી વેન્ડર્સને ખોટી રીતે રૂપિયા 1.53 કરોડની ચૂકવણી મંજૂર કરી દીધી હતી. આ કૌભાંડને અંજામ આપવા માટે તેણે પોતાની હાથ નીચેના જુનિયર કર્મચારીઓના યુઝર આઈડીનો ગેરકાયદેસર ઉપયોગ કરીને વાઉચર્સ પાસ કરાવ્યા હતા.</p><h3 style="text-align: justify; "><b>પત્નીના ખાતામાં પૈસા મોકલ્યા</b></h3><p style="text-align: justify; ">CBIની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ કૌભાંડના નાણાંમાંથી રૂપિયા 30.50 લાખ સીધા આરોપી સેજલ કોલ્હટકરના વ્યક્તિગત બેંક ખાતામાં અને રૂપિયા ૩.૫૦ લાખ તેની પત્નીના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, આરોપીએ મકાન બનાવવા માટે મળતી રૂપિયા 74 લાખની હાઉસ બિલ્ડિંગ એડવાન્સ લોનનો ઉપયોગ પણ કાયદા વિરુદ્ધ જઈને પોતાના વ્યક્તિગત રોકાણ માટે કર્યો હોવાનો આક્ષેપ છે.</p><h4 style="text-align: justify; "><b>નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા</b></h4><p style="text-align: justify; ">આ આખા કૌભાંડનો ભાંડો ફૂટતાં જ ઉચ્ચ સત્તાધિશો દ્વારા આરોપી અધિકારીને તાત્કાલિક અસરથી નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. હાલમાં સીબીઆઈએ સેજલ કોલ્હટકર વિરુદ્ધ સત્તાવાર એફઆઈઆર નોંધી લીધી છે. આ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના ખેલમાં કંપનીના અન્ય કયા કર્મચારીઓ કે ખાનગી વેન્ડર્સ સંડોવાયેલા છે, તે અંગે સીબીઆઈએ પોતાની તપાસ તેજ કરી દીધી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/india/news/ayodhya-ram-mandir-donation-theft-case-8-arrested-sandesh-digital-explainer" target="_blank"><b>Sandesh Digital Explainer : રામ મંદિરમાં દાનની ચોરી, જેના પર આખા દેશે ભરોસો કર્યો, એ જ 'ખાસ' માણસે પાછળથી ભોંક્યું ખંજર</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/xnjOdqsLSkWfqvaKpJ3efHGvo0eoPMEsLCVT8pmM.webp'/></item><item><title><![CDATA[Canada Student Visa: કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં 60%નો ઘટાડો, જાણો શુ છે કારણ? ]]></title><link>https://sandesh.com/world/news/business/canada-student-visa-60-decrease-in-the-number-of-foreign-students-in-canada-know-what-is-the-reason</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/business/canada-student-visa-60-decrease-in-the-number-of-foreign-students-in-canada-know-what-is-the-reason</guid><pubDate>Fri, 26 Jun 2026 14:08:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">કેનેડાના પીએમ માર્ક કાર્ને જણાવ્યું હતું કે, તેમની સરકાર ઇમિગ્રેશન પર નિયંત્રણ મેળવી રહી છે અને વધુ ટકાઉ અને વિશ્વસનીય ઇમિગ્રેશન સિસ્ટમ બનાવી રહી છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">કેનેડાના પીએમનું નિવેદન&nbsp;</h2><p style="text-align: justify; ">કેનેડાના પીએમ માર્ક કાર્ને કહ્યું કે, અમે ઇમિગ્રેશન પર ફરીથી નિયંત્રણ મેળવી લીધું છે. આશ્રયના દાવાઓમાં ત્રીજા ભાગનો ઘટાડો થયો છે. કામચલાઉ વિદેશી કામદારોની સંખ્યામાં લગભગ અડધી થઈ ગઈ છે. આ દરમિયાન, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 60% ઘટાડો થયો છે. હવે આપણે કાળજીપૂર્વક કેનેડિયન મૂલ્યો સાથે સુસંગત ટકાઉ ઇમિગ્રેશન સિસ્ટમ બનાવી શકીએ છીએ.</p><h3 style="text-align: justify; ">ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો</h3><p style="text-align: justify; ">વર્ષ 2023માં તમામ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ભારતીયોનો હિસ્સો 51.6% હતો. હવે, કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં તેમનો હિસ્સો ઘટીને માત્ર 8.1% થઈ ગયો છે. આ ઘટાડો મુખ્યત્વે કેનેડિયન સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંને કારણે છે. આ નીતિઓમાં સ્ટડી પરમિટને કડક બનાવવા, ઉચ્ચ નાણાકીય જરૂરિયાતો અને કડક પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ આવશ્યકતાઓનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વિશ્વના ટોચના સ્થળોમાંના એક તરીકે કેનેડાની પ્રતિષ્ઠામાં પણ ઘટાડો થયો છે. કેનેડિયન યુનિવર્સિટીઓ, જે અગાઉ ભારત, ચીન અને અન્ય દેશોના વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં આકર્ષતી હતી, તેમાં નોંધણીમાં તીવ્ર ઘટાડો થઈ રહ્યો છે. આ દેશોના વિદ્યાર્થીઓ હવે કેનેડા કરતાં વિશ્વભરના અન્ય દેશોની યુનિવર્સિટીઓને પસંદ કરી રહ્યા છે.</p><h4 style="text-align: justify; ">વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો કેમ ?</h4><p style="text-align: justify; ">ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડાના અહેવાલ મુજબ, જાન્યુઆરી અને ઓક્ટોબર 2025 દરમિયાન કેનેડા આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 2024 ના સમાન સમયગાળાની તુલનામાં 60% ઘટાડો થયો છે. આ સમયગાળા દરમિયાન કેનેડા આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 150,000 થી વધુનો ઘટાડો થયો છે. ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 2025 માં દર મહિને કેનેડા આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. નવા નિયમોએ અરજી પ્રક્રિયાને વધુ સ્પર્ધાત્મક બનાવી છે. આ નિયમો હેઠળ, વિદ્યાર્થીઓએ વહેલી અરજી કરવી, મજબૂત નાણાકીય ક્ષમતા દર્શાવવી અને સંપૂર્ણ દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર પડશે.</p><h5 style="text-align: justify; ">વૈકલ્પિક સ્થળો શોધી રહ્યા છે વિદ્યાર્થીઓ</h5><p style="text-align: justify; ">IRCC રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે નવી નીતિઓ એવા વિદ્યાર્થીઓને આકર્ષવા માટે બનાવવામાં આવી છે જેઓ ખરેખર કેનેડામાં અભ્યાસ કરવા અને સ્થાયી થવા માટે તૈયાર છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે માર્ગ ખુલ્લો રહે છે, પરંતુ તે વધુને વધુ મુશ્કેલ બન્યો છે. આના કારણે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અન્ય સ્થળો પર વિચાર કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ગતિશીલતા પર નજર રાખતી સંસ્થા ICEF મોનિટર અનુસાર, કેનેડામાં અભ્યાસ પરમિટ માટે અસ્વીકાર દર 2023 માં 38% થી વધીને 2024 માં 52% થયો છે. ભારત જેવા દેશોમાં વિદેશમાં અભ્યાસ કરવા માટે કાળજીપૂર્વક નાણાકીય આયોજનની જરૂર છે. પરિણામે, ભારતીય પરિવારો હવે જોખમ લેતા ખચકાય છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/us-turkey-jet-engine-deal-america-will-supply-fighter-jet-engines-to-indias-enemy" target="_blank">અમેરિકા ભારતના દુશ્મનને પૂરા પાડશે ફાઇટર જેટ એન્જિન</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/oYTJn1mZl26sixxdwKWTel76u5Sp9tWN9Yet64wL.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026: તુર્કી અને USA વચ્ચે રોમાંચક મુકાબલો, છેલ્લી મિનિટે તુર્કીની જીત ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-exciting-match-between-turkey-and-usa-turkey-wins-in-the-last-minute</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-exciting-match-between-turkey-and-usa-turkey-wins-in-the-last-minute</guid><pubDate>Fri, 26 Jun 2026 11:50:08 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફિફા વર્લ્ડ કપ 2026 માં ગ્રુપ ડી ની અંતિમ મેચ તુર્કી અને યુનાઇટેડ સ્ટેટ્સ (USA) વચ્ચે અસામાન્ય સંજોગોમાં રમાઈ હતી. યુએસએની ટીમ પહેલાથી જ ગ્રુપ વિજેતા તરીકે ક્વોલિફાય થઈ ચૂકી હતી, જ્યારે તુર્કી ટૂર્નામેન્ટની રેસમાંથી બહાર થઈ ગયું હતું. જોકે, માનસિક દબાણ વિના રમાયેલી આ મેચમાં બંને ટીમોએ શાનદાર આક્રમક ફૂટબોલનું પ્રદર્શન કરીને ચાહકોને અત્યંત રોમાંચક મુકાબલો આપ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>અમેરિકાની આક્રમક શરૂઆત અને તુર્કીનો પલટવાર</b></h2><p style="text-align: justify; ">મેચની શરૂઆતથી જ ઘરઆંગણે રમી રહેલી અમેરિકન ટીમે દબાણ બનાવ્યું હતું. મેચની માત્ર ત્રીજી જ મિનિટે ડિફેન્ડર ટ્રસ્ટીએ એક શાનદાર કોર્નર કિક પર હેડર વડે ગોલ કરીને યુએસએને 1-0 ની લીડ અપાવી દીધી હતી. શરૂઆતમાં નબળા પ્રદર્શન બાદ તુર્કીની ટીમે મેચમાં શાનદાર વાપસી કરી હતી. 10મી મિનિટે યિલમાઝના પાસ પર સ્ટાર ખેલાડી આર્દા ગુલેરે શાનદાર ગોલ કરીને સ્કોર 1-1 ની બરાબરી પર લાવી દીધો હતો, જેની સાથે જ તેના ગોલ ન કરી શકવાના લાંબા દુકાળનો અંત આવ્યો હતો. ત્યારબાદ તુર્કીએ આક્રમણ ચાલુ રાખ્યું હતું. મેચની 30મી મિનિટે વિંગ તરફથી એલ્માલીએ વીજળીક ઝડપે બોલ આગળ વધારીને કોક્કુને પાસ આપ્યો, જેણે કોઈ ભૂલ કર્યા વિના વન-ટચ શોટ દ્વારા ગોલ કરીને તુર્કીને 2-1 થી આગળ કરી દીધું હતું. આ દરમિયાન VAR ના એક નિર્ણયમાં અમેરિકન ખેલાડી ઓફસાઇડ જાહેર થતાં તુર્કી એક ગોલના નુકસાનથી બચી ગયું હતું.</p><h3 style="text-align: justify; "><b>ડિફેન્સની ભૂલો અને ગોલકીપર કાકીરનું શાનદાર પ્રદર્શન</b></h3><p style="text-align: justify; ">બીજા હાફની શરૂઆતમાં તુર્કી ટીમની નબળાઈઓ ફરી સામે આવી હતી. 49મી મિનિટે યુએસએના એક પાવરફુલ થ્રો-ઇનને તુર્કીનું ડિફેન્સ ક્લિયર ન કરી શક્યું અને અમેરિકાના સેબેસ્ટિયન બર્હાલ્ટરે લાંબા અંતરથી શક્તિશાળી શૉટ ફટકારીને સ્કોર 2-2 ને બરાબરી પર લાવી દીધો હતો. આ ગોલ પછી 50મી થી 75મી મિનિટ વચ્ચે અમેરિકન ટીમે જીત મેળવવા માટે પ્રચંડ હુમલાઓ કર્યા હતા. પરંતુ તુર્કીના ગોલકીપર કાકીરે દીવાલ બનીને અદ્ભુત ચપળતા દર્શાવી હતી અને પોસ્ટ સાથે અથડાઈને આવતા શૉટ્સના શાનદાર બચાવ કરીને અમેરિકાને લીડ મેળવતા અટકાવી રાખ્યું હતું.</p><h4 style="text-align: justify; "><b>તુર્કીનો નાટકીય વિજય અને ગૌરવપૂર્ણ વિદાય</b></h4><p style="text-align: justify; ">જ્યારે મેચ ડ્રો તરફ આગળ વધી રહી હતી, ત્યારે ઇન્જરી ટાઇમની અંતિમ મિનિટોમાં (90+8મી મિનિટે) મોટો ઉલટફેર થયો હતો. ઉઝુનના શાનદાર આક્રમણ બાદ બોલ પેનલ્ટી એરિયામાં પહોંચ્યો, જ્યાં કાન આયહાને તક ઝડપીને નજીકથી ગોલ ફટકરાતા તુર્કીને 3-2 થી રોમાંચક વિજય અપાવ્યો હતો. જોકે આ જીતથી ગ્રુપ ટેબલના પરિણામમાં કોઈ ફેરફાર થયો નથી અને તુર્કી ટૂર્નામેન્ટની બહાર જ રહ્યું છે, પરંતુ કોચ વિન્સેન્ઝો મોન્ટેલા અને તેમની ટીમે આ શાનદાર પ્રદર્શન સાથે 2026 વર્લ્ડ કપને ગર્વ અને ગૌરવ સાથે વિદાય આપી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-day-13-result-ronaldos-magic-leads-portugal-to-a-grand-victory-england-draws-croatia-wins-colombia-reaches-knockout-stage" target="_blank">આ પણ વાંચો : FIFA World Cup Day 13 Result: ઈંગ્લેન્ડની મેચ ડ્રો, ક્રોએશિયાની જીત, કોલંબિયા નોકઆઉટમાં પહોંચ્યું</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/XS8SzXIClrIHYVBAaHbmdUhi4U4K3ryiBxYkXwQs.webp'/></item></channel></rss>