<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Porbandar News: મંજૂરી વિના બાલવાટિકાના વર્ગો શરૂ કર્યા, શિક્ષણ વિભાગે શાળાને 15 હજારનો દંડ ફટકાર્યો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/porbandar/school-fined-15000-for-running-balvatika-classes-without-approval</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/porbandar/school-fined-15000-for-running-balvatika-classes-without-approval</guid><pubDate>Fri, 17 Jul 2026 21:19:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પોરબંદરની જાણીતી કે.બી.તાજાવાલા સ્કૂલ વિરુદ્ધ શિક્ષણ વિભાગ દ્વારા એક મોટી અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી છે.શાળા વહીવટી તંત્ર દ્વારા સરકારની આગોતરી મંજૂરી મેળવ્યા વિના જ ગેરકાયદેસર રીતે બાલવાટિકાના વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા હતા.શાળાની આ ઘોર બેદરકારીના કારણે 20 કરતા પણ વધુ નિર્દોષ બાળકોનું આખું શૈક્ષણિક વર્ષ બગડ્યું છે જેને પગલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીએ કડક વલણ અપનાવી શાળાને રૂપિયા 15000નો દંડ ફટકાર્યો છે.</p><h2 style="text-align: justify; "><b>જાગૃત વાલીઓએ એક થઈને લાંબી લડત ચલાવી</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ,શાળા સત્તાધીશોએ વાલીઓ પાસેથી નિયમ મુજબ ફીની ઉઘરાણી તો કરી લીધી હતી.પરંતુ બાલવાટિકાની સત્તાવાર મંજૂરી ન હોવાના કારણે તેઓ સરકારી પોર્ટલ પર વિદ્યાર્થીઓનું ચાઇલ્ડ યુઆઇડી જનરેટ કરી શક્યા નહોતા.સરકારી ચોપડે બાળકોની એન્ટ્રી જ ન થતાં તેમનું ભવિષ્ય અધ્ધરતાલ થઈ ગયું હતું.શાળાની આ છેતરપિંડી સામે જાગૃત વાલીઓએ એક થઈને લાંબી લડત ચલાવી હતી.જેના દબાણ હેઠળ આખરે પોરબંદર શિક્ષણ વિભાગે આ કડક પગલું ભરવું પડ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>દંડનાત્મક કાર્યવાહીથી વાલીઓ હજુ સંપૂર્ણ સંતુષ્ટ નથી</b></h3><p style="text-align: justify; ">શિક્ષણ વિભાગની આ દંડનાત્મક કાર્યવાહીથી વાલીઓ હજુ સંપૂર્ણ સંતુષ્ટ નથી.વાલીઓનો આક્ષેપ છે કે શાળાની બેદરકારીથી બાળકોનું આખું વર્ષ બગડ્યું છે.તેથી માત્ર દંડ પૂરતો નથી.વાલીઓએ માગ કરી છે કે શાળા દ્વારા લેવામાં આવેલી તમામ ફી તાત્કાલિક ધોરણે પરત અપાવવામાં આવે અને આવી ગેરરીતિ આચરનાર શાળા સંચાલકો વિરુદ્ધ ભવિષ્યમાં વધુ કડક કાનૂની પગલાં ભરવામાં આવે જેથી અન્ય કોઈ શાળા બાળકોના ભવિષ્ય સાથે આવા ચેડાં ન કરે.<br><br><a href="https://sandesh.com/india/news/gujarat/pm-modi-targets-aap-in-punjab-indirectly-refers-to-chaitar-vasava-conviction" target="_blank">આ પણ વાંચોઃ India News: વડાપ્રધાન મોદીએ પંજાબમાં આડકતરી રીતે ચૈતર વસાવા પર પ્રહારો કર્યા, જુઓ Video</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/KACuP1KIP0UZj8NEdrJlkskHFqkLBxMwbsuJwMyB.webp'/></item><item><title><![CDATA[Surat News: 61 વર્ષીય વૃદ્ધા પર ત્રીજી વાર આચર્યું દુષ્કર્મ, પીડિતાએ નોંધાવી ફરિયાદ ]]></title><link>https://sandesh.com/crime/news/surat/man-darwaja-61-year-old-woman-raped-by-irfan-sheikh</link><guid isPermaLink="true">https://sandesh.com/crime/news/surat/man-darwaja-61-year-old-woman-raped-by-irfan-sheikh</guid><pubDate>Fri, 17 Jul 2026 21:16:29 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત શહેરના માનદરવાજા વિસ્તારમાંથી એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક 61 વર્ષીય વૃદ્ધા નરાધમની હેવાનીયતનો ભોગ બની છે. આરોપી ઈરફાન શેખ નામના શખ્સે વૃદ્ધાની લાચારીનો ફાયદો ઉઠાવીને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.</p><h2><b>અગાઉ બે વાર દુષ્કર્મ આચરી આપી હતી ધમકી</b></h2><p>મળતી માહિતી અનુસાર, નરાધમ આરોપી ઈરફાન શેખે આ અગાઉ પણ બે વખત આ 61 વર્ષીય વૃદ્ધાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. નરાધમના આ કૃત્યથી વૃદ્ધા અત્યંત ગભરાઈ ગઈ હતી. બદનામી અને ડરના કારણે તેઓ અગાઉ આ મામલે કોઈને કશું કહી શક્યા ન હતા અને મૂંગા મોઢે અત્યાચાર સહન કરતા રહ્યા હતા.</p><h2><b>14 જુલાઈએ ફરી અત્યાચાર થતા હિંમત દાખવી</b></h2><p>ગભરાયેલી વૃદ્ધા મૌન રહી તેનો લાભ ઉઠાવીને આરોપી ઈરફાન શેખે ગત 14 જુલાઈના રોજ ફરી એકવાર વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેનું શારીરિક શોષણ કર્યું હતું. વારંવાર થતા આ ત્રાસથી કંટાળીને આખરે વૃદ્ધાએ હિંમત ભેગી કરી હતી. તેઓએ આ મામલે પોતાના પરિવાર અને પોલીસને જાણ કરવાનો મોટો નિર્ણય લીધો હતો.</p><h2><b>સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ</b></h2><p>પીડિત વૃદ્ધાએ હિંમત દાખવીને આખરે સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નરાધમ ઈરફાન શેખ વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે પીડિતાની ફરિયાદના આધારે તાત્કાલિક ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીની શોધખોળ અને તેની સામે કડક કાનૂની પગલાં લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/crime/surat/crime-61-year-old-woman-raped-by-irfan-sheikh-in-salabatpura-arrested" target="_blank">Surat: માનદરવાજામાં લાચાર વૃદ્ધા પર 30 વર્ષના નરાધમ ઇરફાન શેખે ગુજાર્યું દુષ્કર્મ, પોલીસે આરોપીને દબોચી લીધો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/WtVuDM16J8sBuSWkxijFc0JzM8YKYRRhL1bBp84W.webp'/></item><item><title><![CDATA[Vadodara News: કરચિયા ગામે કેનાલમાંથી મળી વૃદ્ધનો મૃતદેહ, બકરા લૂંટવા કરાઈ હત્યા ]]></title><link>https://sandesh.com/crime/news/vadodara/savli-karachiya-elderly-man-murdered-goats-looted</link><guid isPermaLink="true">https://sandesh.com/crime/news/vadodara/savli-karachiya-elderly-man-murdered-goats-looted</guid><pubDate>Fri, 17 Jul 2026 21:13:38 +05:30</pubDate><description><![CDATA[<p>વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કરચિયા ગામેથી એક કમકમાટીભરી ઘટના સામે આવી છે. જ્યાં માત્ર બકરાની લૂંટ ચલાવવાના ઈરાદે એક 64 વર્ષીય વૃદ્ધની ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. હત્યારાઓ વૃદ્ધની હત્યા કરી તેમના બકરા લૂંટીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે, અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.</p><h2><b>સાંજે ઘરે પરત ન ફરતા ભાંડો ફૂટ્યો</b></h2><p>મળતી માહિતી અનુસાર, કરચિયા ગામે રહેતા 64 વર્ષીય રમણભાઈ રયજીભાઈ રાઠોડિયા રોજની જેમ બપોરે પોતાના બકરા ચરાવવા માટે સીમમાં નીકળ્યા હતા. જોકે, સાંજ થવા છતાં તેઓ ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતાતુર બન્યા હતા. પરિવારે તેમની શોધખોળ શરૂ કરી હતી. આ શોધખોળ દરમિયાન ગામની કેનાલના ઢાળિયામાંથી રમણભાઈનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.</p><h2><b>માથાના ભાગે ફટકા મારી કેનાલમાં ફેંકી દીધો મૃતદેહ</b></h2><p>પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, અજાણ્યા લૂંટારુઓએ રમણભાઈને એકલા જોઈને તેમના પર હુમલો કર્યો હતો. હત્યારાઓએ તેમના માથાના પાછળના ભાગે કોઈ ભારે બોથડ પદાર્થના ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ આરોપીઓ રમણભાઈના બકરા લૂંટીને નાસી ગયા હતા અને પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને કેનાલના ઢાળિયામાં ફેંકી દીધો હતો.</p><h2><b>સાવલી પોલીસે હત્યારાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા</b></h2><p>ઘટનાની જાણ થતાં જ સાવલી પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી તેને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. લૂંટ વિથ મર્ડરનો ગુનો નોંધીને પોલીસે અજાણ્યા હત્યારાઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આસપાસના વિસ્તારો અને સંભવિત માર્ગોના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/vadodara/vadodara-savli-manjusar-youth-suicide-attempt-firing-revolver-canal" target="_blank">Vadodara: મંજુસર કેનાલ પાસે યુવકે પોતે જ ગોળી મારી કર્યો આત્મહત્યાનો પ્રયાસ, રિવોલ્વર પાણીમાં ફેંકી</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/RqYAC3LwxepzeEykqs9wd80QfBDvphS8VxqPdzP0.webp'/></item><item><title><![CDATA[West Bengal Politics News: 'હવે તમારી પાસે ઘણો સમય છે, હું સરકારી હેલિકોપ્ટર આપીશ', સુવેન્દુએ મમતા બેનર્જીને કેમ આપી આ ઓફર? ]]></title><link>https://sandesh.com/india/news/-political-news/west-bengal-politics-news-now-you-have-a-lot-of-time-i-will-give-you-a-government-helicopter-why-did-suvendu-give-this-offer-to-mamata-banerjee</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/-political-news/west-bengal-politics-news-now-you-have-a-lot-of-time-i-will-give-you-a-government-helicopter-why-did-suvendu-give-this-offer-to-mamata-banerjee</guid><pubDate>Fri, 17 Jul 2026 20:22:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">મમતાને પ્લાન્ટની મુલાકાત લેવા આમંત્રણ આપતાં, સુવેન્દુએ કહ્યું કે તેઓ તેમના પ્રવાસ માટે સરકારી હેલિકોપ્ટરની પણ વ્યવસ્થા કરશે.</p><h2 style="text-align: justify; ">બંગાળના રાજકારણમાં ગરમાવો&nbsp;</h2><p style="text-align: justify; ">પશ્ચિમ બંગાળના રાજકારણમાં ચેકમેટનો ખેલ શમવાના કોઈ સંકેત દેખાતા નથી. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચેની રાજકીય દુશ્મનાવટ ફરી એકવાર જાહેર થઈ ગઈ છે. બાંકુરાના મેજિયામાં શ્યામ સ્ટીલ ફેક્ટરીના નવા યુનિટના શિલાન્યાસ સમારોહમાં, મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ મમતા બેનર્જી પર સીધો અને આકરો હુમલો કર્યો. સુવેન્દુએ મમતા બેનર્જીને નવા પ્લાન્ટ જોવા માટે બાંકુરા આવવાની સલાહ આપી જ નહીં, પરંતુ કટાક્ષમાં કહ્યું કે હવે તેમની પાસે પુષ્કળ ખાલી સમય હોવાથી, જો તેઓ ઈચ્છે તો તેઓ તેમને સરકારી હેલિકોપ્ટર પણ આપશે.</p><h3 style="text-align: justify; ">રાજકીય આક્રમક પ્રસ્તાવ</h3><p style="text-align: justify; ">આ અનોખા અને રાજકીય રીતે આક્રમક પ્રસ્તાવથી બંગાળના રાજકારણમાં બહારના લોકો વિરુદ્ધ અંદરના લોકોનો જૂનો મુદ્દો ફરી એકવાર ઉભો થયો છે. શિલાન્યાસ સમારોહને સંબોધતા, મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને આડે હાથ લેવામાં કોઈ સમય બગાડ્યો નહીં. તેમણે કહ્યું, "હું ભૂતપૂર્વ મુખ્યમંત્રીને કહીશ કે તમારી પાસે હવે પુષ્કળ સમય છે. તમારે આ ફેક્ટરી જોવા આવવું જોઈએ. શું તમે જાણો છો કે હું આ શા માટે કહી રહ્યો છું? તેઓ હિન્દીભાષી લોકો અને મારવાડી સમુદાયને નાની નાની બાબતોમાં 'બહારના' ગણાવે છે અને દાવો કરે છે કે તેઓ બંગાળને ગુજરાત કે ઉત્તર પ્રદેશ નહીં બનવા દે. તેમણે આવીને જોવું જોઈએ કે જેમને તેઓ બહારના લોકો કહે છે તેમણે બંગાળના વિકાસમાં શું યોગદાન આપ્યું છે."</p><h4 style="text-align: justify; ">સ્ટીલ પ્લાન્ટના પરિસર ચર્ચામાં&nbsp;</h4><p style="text-align: justify; ">મુખ્યમંત્રીએ જણાવ્યું કે તેઓ સ્ટીલ પ્લાન્ટના પરિસરમાં ગોઠવણ અને સંસ્કૃતિથી ખૂબ પ્રભાવિત થયા છે. ફેક્ટરી પરિસરમાં રાધા-કૃષ્ણ અને ભગવાન શિવના ભવ્ય મંદિરો સ્થાપિત કરવામાં આવ્યા છે. એક મોટી ગૌશાળા પણ બનાવવામાં આવી છે, અને સમગ્ર વિસ્તારમાં હરિયાળી પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. ફેક્ટરીમાં બંગાળના બે મહાન વ્યક્તિઓ, કવિ રવીન્દ્રનાથ ટાગોર અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝની વિશાળ પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/world/news/crime/pakistan-balochistan-attack-45-pakistani-soldiers-killed-in-balochistan-attack-emergency-like-situation-in-the-country-highways-also-closed" target="_blank"> બલુચિસ્તાનના હુમલામાં 45 પાકિસ્તાની સૈનિકના મોત, દેશમાં કટોકટી જેવી સ્થિતિ, હાઇવે પણ બંધ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/PgMNoSrhHMM7baHSzKIFTdv1HmJVYAcLTddumNCe.webp'/></item><item><title><![CDATA[Surat News: ઉધનામાંથી 6 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે મહિલા ઝડપાઈ, લાખોનો મુદ્દામાલ જપ્ત ]]></title><link>https://sandesh.com/crime/news/surat/udhana-police-arrested-woman-puja-with-ganja-ndps-act</link><guid isPermaLink="true">https://sandesh.com/crime/news/surat/udhana-police-arrested-woman-puja-with-ganja-ndps-act</guid><pubDate>Fri, 17 Jul 2026 20:05:08 +05:30</pubDate><description><![CDATA[<p>હીરા નગરી સુરતમાં નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. સુરતના ઉધના વિસ્તારમાંથી નશાના કાળા કારોબાર સાથે જોડાયેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉધના પોલીસની ટીમે બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને ગાંજાના મોટા જથ્થા સાથે એક મહિલા પેડલરને રંગેહાથ દબોચી લીધી છે. નશાના આ નેટવર્કમાં મહિલાની ધરપકડ થતાં સ્થાનિક સ્તરે ચકચાર મચી ગઈ છે.</p><h2><b>6 કિલોથી વધુનો ગાંજો અને લાખોનો મુદ્દામાલ જપ્ત</b></h2><p>ઉધના પોલીસ સ્ટેશનની ટીમે પેટ્રોલિંગ અને ખાનગી બાતમીના આધારે ઘેરાબંધી કરીને પૂજા નામની મહિલાને અટકાયતમાં લીધી હતી. પોલીસ દ્વારા તેની ઝડતી લેવામાં આવતા તેની પાસેથી ગેરકાયદે રાખવામાં આવેલો માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે મહિલા પાસેથી કુલ 6 કિલો અને 080 ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે. આ આંતરબજારમાં જપ્ત કરાયેલા ગાંજાની અંદાજિત કિંમત 3,04,000 આંકવામાં આવી છે.</p><h2><b>NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તપાસ તેજ કરાઈ</b></h2><p>લાખો રૂપિયાની કિંમતના ગાંજાના જથ્થા સાથે પકડાયેલી આરોપી મહિલા પૂજા વિરૂદ્ધ ઉધના પોલીસે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તેની સત્તાવાર ધરપકડ કરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ ચલાવી રહી છે કે, આ મહિલા આટલો મોટો ગાંજાનો જથ્થો ક્યાંથી લાવી હતી અને સુરત શહેરમાં તે કોને સપ્લાય કરવાની હતી. આ નેટવર્કની પાછળ અન્ય કયા મોટા માથાઓ સંડોવાયેલા છે, તેની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/surat/surat-deladva-school-illegal-khadi-construction-suda-irrigation-department-action" target="_blank">Surat : ખાનગી સ્કૂલે સુરક્ષાના બહાને આખી ખાડી પર કરી દીધું પાકું બાંધકામ, હોબાળો મચતાં સુડા અને સિંચાઈ વિભાગની તપાસ શરુ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/ukQkjLeOEQunqrJZMiJxNPOSuQOGSwu1k8ukAgWo.webp'/></item><item><title><![CDATA[India News: જે એક લગ્ન કરશે તેને મધ્યપ્રદેશમાં કાયદેસર રહેવાનો અધિકાર મળશે: CM મોહન યાદવ ]]></title><link>https://sandesh.com/india/news/mp-cm-mohan-yadav-says-only-monogamous-marriages-will-be-legally-recognized</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/mp-cm-mohan-yadav-says-only-monogamous-marriages-will-be-legally-recognized</guid><pubDate>Fri, 17 Jul 2026 20:00:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે શુક્રવારે એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જે વ્યક્તિ એક જ લગ્ન કરશે તેને જ રાજ્યમાં રહેવાનો કાયદાકીય અધિકાર રહેશે.રાજ્યના કટની જિલ્લામાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન બોલતા મુખ્યમંત્રી મોહન યાદવે સવાલ ઉઠાવ્યો હતો કે હિન્દુઓ અને મુસ્લિમો માટે અલગ અલગ કાયદા શા માટે હોવા જોઈએ?તેમણે સ્પષ્ટ કર્યું કે દેશના દરેક નાગરિક માટે એક જ સમાન કાયદો હોવો જોઈએ.જો રામ એક જ લગ્ન કરે છે તો રહીમને પણ એક જ લગ્ન કરવાનો અધિકાર હોવો જોઈએ.</p><p style="text-align: justify; "><a href="https://x.com/ANI_MP_CG_RJ/status/2078094835547087322?s=20" target="_blank">https://x.com/ANI_MP_CG_RJ/status/2078094835547087322?s=20</a><br><br><br></p><h2 style="text-align: justify; "><b>એક લગ્ન કરશે તેને જ મધ્યપ્રદેશમાં રહેવાનો અધિકાર</b></h2><p style="text-align: justify; ">યુનિફોર્મ સિવિલ કોડ (UCC)નો ઉલ્લેખ કરતા મોહન યાદવે જણાવ્યું હતું કે, એક દેશમાં એક વિધાન, એક પ્રધાન અને એક નિશાન હોવું જોઈએ.હિન્દુઓનો કાયદો અલગ અને મુસ્લિમોનો કાયદો અલગ આવું શા માટે? હવે જો રામ એક લગ્ન કરશે તો રહીમ બે ત્રણ કે ચાર લગ્ન શું કામ કરશે? મુસ્લિમ બહેનો પણ આપણી માતા બહેનો જ છે.હવે જે એક લગ્ન કરશે તેને જ મધ્યપ્રદેશમાં રહેવાનો અધિકાર મળશે. અમારી સરકાર રાજ્યમાં આ યૂસીસી (UCC)કાયદો લાગુ કરવા જઈ રહી છે. જેથી હવે બધી સિસ્ટમ એક સમાન હશે.</p><h3 style="text-align: justify; "><b>ત્રણ તલાક આપનારને જેલમાં ધકેલી દઈશું</b></h3><p style="text-align: justify; ">મુખ્યમંત્રી મોહન યાદવે કડક શબ્દોમાં ચેતવણી આપતા ઉમેર્યું કે, જો હવે કોઈ એમ કહેશે કે તલાક, તલાક, તલાક તો તેને ઉપાડીને જેલમાં બંધ કરી દેવામાં આવશે.તલાક તલાકનો જમાનો હવે ગયો હવે લોકોને માત્ર એક જ લગ્ન કરવાનો અધિકાર છે.અમે ટૂંક સમયમાં જ રાજ્યમાં આ કાયદો લાવવા જઈ રહ્યા છીએ. જ્યારે અમે સરકારના માધ્યમથી જનતાની વચ્ચે જઈ રહ્યા છીએ ત્યારે આ ભેદભાવ શા માટે હોવો જોઈએ?આ દેશની અંદર આપણે સૌ ભારત માતાના સંતાનો છીએ, તો ભેદભાવનો સવાલ જ ક્યાં ઊભો થાય છે?</p><h2 style="text-align: justify; "><b>ઇસ્લામપુરનું નામ બદલીને જગદીશપુર કરાશે</b></h2><p style="text-align: justify; ">કટની ખાતેના કાર્યક્રમમાં મુખ્યમંત્રી મોહન યાદવે ભોપાલના ઇસ્લામપુરનું નામ બદલીને જગદીશપુર કરવાની પણ સત્તાવાર જાહેરાત કરી હતી.તેમણે જણાવ્યું કે યુસીસી કાયદો લાગુ કરતાં પહેલાં તેમની સરકાર ભોપાલની જૂની રાજધાની જગદીશપુરને તેની અસલી ઓળખ પાછી આપવા જઈ રહી છે.તેમણે ઉમેર્યું કે, ભોપાલની જૂની રાજધાની જગદીશપુર હતી જેનું નામ આક્રમણખોરોએ બદલીને ઇસ્લામપુર કરી દીધું હતું.અમે તેનું નામ ફરીથી બદલીને જગદીશપુર કર્યું છે અને ત્યાંથી જ અમે આ નવો કાયદો પસાર કરીશું.<br><br><a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/terror-suspects-father-seeks-strict-punishment-if-son-found-guilty" target="_blank">આ પણ વાંચોઃ Gujarat ATS Probe : મારો દીકરો દેશદ્રોહી નીકળે તો કડક સજા કરો, ફટાકડા અને ઝાડમાં નાખવાના પાવડરથી પ્રયોગો કરતો : આરોપીના પિતા</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/hoAfpv6swQ1UZfJeej0nKlrKhUbL51m33GCp2qf0.webp'/></item><item><title><![CDATA[Arjun Bijlani: મૌની રોય સાથે નામ જોડાવવા પર ભડક્યો અભિનેતા, અર્જુને આપ્યું મોટું નિવેદન ]]></title><link>https://sandesh.com/entertainment/news/arjun-bijlani-mouni-roy-dating-rumours--actors-team-issues-statement</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/arjun-bijlani-mouni-roy-dating-rumours--actors-team-issues-statement</guid><pubDate>Fri, 17 Jul 2026 19:07:26 +05:30</pubDate><description><![CDATA[<p>ટીવી અને બોલિવૂડ કોરિડોરમાં વારંવાર લિંક-અપ્સ અને અફેર્સના સમાચારો સામે આવતા રહે છે. પરંતુ ક્યારેક આ અફવાઓ એટલી હદે વધી જાય છે કે સ્ટાર્સે પોતે આગળ આવીને સ્પષ્ટતા કરવી પડે છે. ટીવી ઈન્ડસ્ટ્રીના સૌથી પ્રિય કલાકારોમાંના એક અર્જુન બિજલાની સાથે પણ આવું જ થયું છે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા અને વિવિધ મીડિયા રિપોર્ટ્સ દ્વારા અર્જુન બિજલાનીનું નામ તેના નજીકની મિત્ર અને બોલિવૂડ અભિનેત્રી મૌની રોય સાથે જોડવામાં આવી રહ્યું છે.</p><p>અર્જુન બિજલાનીની ટીમે હવે આ અફવાઓને લઈને એક નિવેદન બહાર પાડ્યું છે, જેમા અફવા ફેલાવનારાઓને ફટકાર લગાવી છે. અર્જુનનું આ સત્તાવાર નિવેદનમાં કેહવામાં આવ્યું છે કે, અર્જુન અને મૌની રોય વચ્ચેનો સંબંધ માત્રને માત્ર એક સારી મિત્રતાનો છે.
</p><h3><b>અર્જુને નિવેદનમાં શું કહ્યું?
</b></h3><p>અર્જુન બિજલાની અને મૌની રોયને લઈને ચાલી રહેલી પાયાવિહોણી અફવાઓને અમે સંપૂર્ણપણે નકારી કાઢીએ છીએ. દરેક મિત્રતાને કોઈ પણ રોમેન્ટિક અર્થ આપવો અથવા તેને અફેર તરીકે લેવું સંપૂર્ણપણે ખોટું છે. બંને ખૂબ સારા મિત્રો છે અને વર્ષોથી મજબૂત બોન્ડ શેર કરે છે. આવા બનાવટી સમાચાર ફક્ત સ્ટાર્સને જ ખલેલ પહોંચાડતા નથી પરંતુ તેમના અંગત જીવનને પણ અસર કરે છે.
</p><h5><b>"નાગિન" થી શરૂ થયેલી મિત્રતા
</b></h5><p>તમને જણાવી દઇએ કે અર્જુન બિજલાની અને મૌની રોયની મિત્રતા નવી નથી. તેઓએ એકતા કપૂરના સુપરહિટ સુપરનેચરલ શો "નાગિન" માં મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી. ઋત્વિક અને શિવન્યા તરીકેની તેમની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. ઑફસ્ક્રીન તેઓ ઘણીવાર સાથે પાર્ટી કરતા અને મુશ્કેલીઓમાં એકબીજાની પડખે ઉભા રહેતા જોવા મળે છે. અર્જુન પહેલાથી જ પત્ની નેહા સ્વામી સાથે ખુશહાલ જીંદગી જીવી રહ્યો છે અને તેમનો એક પુત્ર છે. નોંધનીય છે કે, મૌની રોય તાજેતરમાં સૂરજ નામ્બિયારથી અલગ થઈ ગઈ છે. અર્જુને તેમની પવિત્ર મિત્રતા વિશે ઉઠાવવામાં આવેલા પ્રશ્નોનો યોગ્ય જવાબ આપ્યો છે.
</p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/entertainment/news/raj-kundra-on-2021-case---quot-ready-to-face-punishment-if-guilty-quot-" target="_blank">'મેં કંઈ ખોટું નથી કર્યું...' રાજ કુન્દ્રાએ કર્યો મોટો ખુલાસો</a>
</p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/uqmxCDz2JzENRtGnK9YgCSpF9Y2jaoiAPEqMtfOi.webp'/></item><item><title><![CDATA[Junagadh News: ગિરનારમાં પાંચ ટૂંક ઉપર લાઉડ સ્પીકર કે વાજિંત્રો વગાડી શકાશે નહીં ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/loudspeakers-and-musical-instruments-banned-on-girnar-five-peaks</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/junagadh/loudspeakers-and-musical-instruments-banned-on-girnar-five-peaks</guid><pubDate>Fri, 17 Jul 2026 18:49:25 +05:30</pubDate><description><![CDATA[<p>જૂનાગઢના ભવનાથ વિસ્તાર તેમજ ગિરનાર ક્ષેત્રમાં શાંતિ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. ગિરનારની પવિત્ર પાંચ ટૂંક ઉપર વહીવટી તંત્ર દ્વારા વિશેષ જાહેરનામું અમલી કરી દેવામાં આવ્યું છે.આ વિસ્તારની ગરિમા જળવાય અને કોઈ પણ સ્તરે ધાર્મિક લાગણી ન દુભાય તે હેતુથી પોલીસ અને પ્રશાસન દ્વારા સુરક્ષા વ્યવસ્થા અભેદ્ય બનાવી દેવામાં આવી છે.</p><h2><b>ગિરનારમાં પાંચ ટૂંક માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું</b></h2><p>જાહેરનામા અનુસાર,ગિરનાર ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારના ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરવા,વિવાદાસ્પદ ભાષણો આપવા તેમજ સક્ષમ અધિકારીની મંજૂરી વિના લાઉડ સ્પીકર કે અન્ય વાજિંત્રો વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.આ ઉપરાંત સમગ્ર ભવનાથ અને ગિરનાર ટૂંક પર કોઈ પણ વ્યક્તિ ઘાતક હથિયારો સાથે રાખી શકશે નહીં.યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક શાંતિ ભંગ ન થાય તે માટે આ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે.</p><h3><b>તાત્કાલિક ધોરણે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે</b></h3><p>વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે આ જાહેરનામાના નિયમોનો ભંગ કરનાર કે કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરનાર કોઈ પણ શખ્સ વિરુદ્ધ સહેજ પણ ચલાવી લેવામાં આવશે નહીં અને તેમની સામે તાત્કાલિક ધોરણે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.સ્થાનિક પોલીસ દ્વારા પણ ભવનાથ અને ગિરનારના રૂટ પર પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે, જેથી અહીં આવતા હજારો શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ માહોલમાં દર્શન કરી શકે.</p><p><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ats-finds-explosive-making-manuals-from-siddhpur-terror-suspects" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: સિદ્ધપુરથી પકડાયેલા શંકાસ્પદ આતંકીઓ પાસેથી મળેલા પુસ્તકોમાં વિસ્ફોટક બનાવવાની માહિતી હતી</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/kIXJIpiJtwubINpC6vQwh0dAuFTjg0vONNp5k1xs.webp'/></item><item><title><![CDATA[FIFA નો ઐતિહાસિક નિર્ણય, આ વખતે ચેમ્પિયન ટીમને ટ્રોફિ અને મેડલ સાથે આપશે ખાસ ભેટ ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifas-historic-decision-this-time-the-champion-team-will-be-given-a-special-gift-along-with-a-trophy-and-medal</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifas-historic-decision-this-time-the-champion-team-will-be-given-a-special-gift-along-with-a-trophy-and-medal</guid><pubDate>Fri, 17 Jul 2026 16:07:22 +05:30</pubDate><description><![CDATA[<p>FIFA વર્લ્ડ કપ 2026 ફાઇનલના વિજેતાઓને પ્રતિષ્ઠિત ટ્રોફી અને ગોલ્ડ મેડલ ઉપરાંત ખાસ ડિઝાઇન કરેલી ચેમ્પિયનશિપ રિંગ આપવામાં આવશે. પ્રાચીન અમેરિકન રમતગમત પરંપરાથી પ્રેરિત FIFA વેબસાઇટ અનુસાર માહિતી આપવામાં આવી છે. રવિવાર, 19 જુલાઈના રોજ ન્યૂ યોર્ક-ન્યૂ જર્સી સ્ટેડિયમ ખાતે સ્પેન અને આર્જેન્ટિના વચ્ચેની ફાઇનલ પછી આ કસ્ટમાઇઝ્ડ રિંગ્સ ટુર્નામેન્ટ ચેમ્પિયનને રજૂ કરવામાં આવશે. ટુર્નામેન્ટની યાદમાં કુલ 2,026 અનન્ય નંબરવાળી રિંગ્સ બનાવવામાં આવશે. આમાંથી ત્રીસ રિંગ્સ વિજેતા ટીમના સભ્યો માટે અનામત રાખવામાં આવશે, જ્યારે બાકીના 1,996 વિશ્વભરના ચાહકો માટે સત્તાવાર લાઇસન્સ પ્રાપ્ત ઉત્પાદનો તરીકે ઉપલબ્ધ રહેશે.</p><h4><b>રિંગમાં FIFA વર્લ્ડ કપ ટ્રોફી ડિઝાઇન જોવા મળશે</b></h4><p>દરેક રિંગમાં એક બાજુ FIFA વર્લ્ડ કપ ટ્રોફી ડિઝાઇન જોવા મળશે.જ્યારે બીજી બાજુ ચેમ્પિયન ટીમને ઓળખવા માટે કસ્ટમાઇઝ કરવામાં આવશે. દરેક રિંગ અનન્ય રીતે નંબરવાળી, કસ્ટમ-ફિટ કરેલી અને પ્રમાણિકતાનું પ્રમાણપત્ર સાથે હશે.ફાઇનલ પછી તરત જ, વિજેતા ટીમના કેપ્ટન અને મુખ્ય કોચને ઉજવણી દરમિયાન કામચલાઉ ચેમ્પિયનશિપ રિંગ્સ પ્રાપ્ત થશે. બાદમાં, 30 વિજેતાઓને સત્તાવાર રીતે કસ્ટમ-મેઇડ રિંગ્સ આપવામાં આવશે જેથી તેઓ સંપૂર્ણ રીતે ફિટ થાય અને તેમની વર્લ્ડ કપ જીતની યાદમાં રમી શકે.</p><h5><b>આર્જેન્ટિનાએ સેમિફાઇનલમાં વિજય મેળવ્યો</b></h5><p>ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ પર 2-1 થી રોમાંચક વિજય મેળવ્યો. તેઓ પહેલા હાફમાં પાછળ રહીને બરાબરી કરી, અને લૌટારો માર્ટિનેઝે સ્ટોપેજ સમયમાં વિજયી ગોલ કરીને ડિફેન્ડિંગ ચેમ્પિયનને સ્પેન સામે ટાઇટલ મુકાબલામાં આગળ ધપાવ્યું. ઇંગ્લેન્ડ પરની આ જીતથી આર્જેન્ટિના 2026 વર્લ્ડ કપ ફાઇનલમાં સ્થાન મેળવી શક્યું, જ્યારે ઇંગ્લેન્ડની 1966 પછી પહેલી વાર વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચવાની આશા દુ:ખદ રીતે ઠગારી નીવડી. બીજી તરફ, સ્પેને શાનદાર પ્રદર્શન કરીને ફ્રાન્સને 2-0 થી હરાવ્યું અને 2010 ની જીત પછી પ્રથમ ફિફા વર્લ્ડ કપ ફાઇનલ મેળવી. આ જીતમાં લેમિન યામાલે મુખ્ય ભૂમિકા ભજવી</p><h5><b>છઠ્ઠી ક્લીન શીટ મેળવી</b></h5><p>બ્રેક પછી, પેડ્રો પોરોએ દાની ઓલ્મો સાથે શાનદાર સંકલન કરીને સ્પેનની લીડ બમણી કરી, જ્યારે ફ્રાન્સ સ્પષ્ટ ગોલ કરવાની તકો બનાવવામાં સંઘર્ષ કરી રહ્યું હતું. યામાલનો એક ગોલ ઓફસાઇડ માટે નામંજૂર કરવામાં આવ્યો હતો, અને કાયલિયન એમબાપ્પે અને ઓરેલિયન ચૌમેનીના છેલ્લી ઘડીના પ્રયાસો છતાં, સ્પેનના ડિફેન્સે મજબૂતાઈ જાળવી રાખી, ટુર્નામેન્ટની સાત મેચમાં તેમની છઠ્ઠી ક્લીન શીટ મેળવી.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/fifa-world-cup/news/fifa-world-cup-2026-final-the-epic-clash-between-spain-and-argentina-know-when-and-where-to-watch-it-live-in-india" target="_blank">FIFA World Cup 2026 Final: સ્પેન અને આર્જેન્ટિના વચ્ચે મહામુકાબલો, જાણો ભારતમાં ક્યારે Liveજોઈ શકાશે</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/LqXgHChGgrFPEeJhZ2mS6AMKZWcKsJ2XQPt7WGQS.webp'/></item><item><title><![CDATA[Stock Market Closing: શાનદાર તેજી સાથે માર્કેટ બંધ, સેન્સેક્સ 964 પોઇન્ટના ઉછાળા સાથે 78,151.45 અંકે ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-closing-market-closes-with-a-strong-rally-sensex-jumps-964-points-to-7815145</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-closing-market-closes-with-a-strong-rally-sensex-jumps-964-points-to-7815145</guid><pubDate>Fri, 17 Jul 2026 15:44:04 +05:30</pubDate><description><![CDATA[<p>17 જુલાઇએ&nbsp; ઘરેલુ શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી. આઈટી અને બેંકિંગ ક્ષેત્રો તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા હેવીવેઇટ શેરોમાં જોરદાર ખરીદીને કારણે, સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ટ્રેડિંગ સેશન દરમિયાન 1 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો. મોટી કંપનીઓના પ્રથમ ક્વાર્ટર (Q1) ના પરિણામો પહેલા રોકાણકારોનો રસ લાર્જ-કેપ શેરો તરફ વળ્યો, જેનાથી બજારને મજબૂતી મળી.</p><h2><b>શેરબજારમાં તેજી&nbsp;</b></h2><p>શુક્રવારે સેન્સેક્સ અને નિફ્ટી શાનદાર તેજી સાથે બંધ થયા. સેન્સેક્સ +964.59 પોઇન્ટના વધારા સાથે 78,151.45 અંકે બંધ થયો.. જ્યારે નિફ્ટી +261.55 પોઇન્ટના વધારા સાથે 24,334.30 અંકે&nbsp; બંધ થયો.</p><h3><b>આઇટી અને બેંકિંગ શેરોમાં ખરીદી</b></h3><p>ક્ષેત્રીય સૂચકાંકોની દ્રષ્ટિએ, નિફ્ટી આઇટી સૌથી વધુ વધ્યો હતો, જેમાં 1 ટકાથી વધુનો વધારો નોંધાયો હતો. નિફ્ટી બેંક પણ લગભગ 1 ટકા મજબૂત થયો હતો. જોકે, વ્યાપક બજારમાં સમાન સ્તરની મજબૂતાઈ જોવા મળી ન હતી; નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100 સૂચકાંકોમાં અનુક્રમે 0.61 ટકા અને 0.86 ટકાનો ઘટાડો નોંધાયો હતો.</p><p><b style="font-size: 1.5rem;">RIL સૌથી વધુ વધનાર તરીકે ઉભરી આવ્યો</b></p><p>સેન્સેક્સના શેરોમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) એ સૌથી વધુ વધારો નોંધાવ્યો, જે 2 ટકાથી વધુ વધ્યો. શુક્રવારે જાહેર થનારા કંપનીના પ્રથમ ત્રિમાસિક પરિણામો પહેલા રોકાણકારો શેર પર નજર રાખી રહ્યા છે.</p><p><br></p><p>વધુમાં, TCS, કોટક મહિન્દ્રા બેંક, ટેક મહિન્દ્રા, હિન્દુસ્તાન યુનિલિવર, એક્સિસ બેંક, ઇન્ફોસિસ, HDFC બેંક, મહિન્દ્રા અને મહિન્દ્રા, HCL ટેક અને ICICI બેંકના શેરમાં પણ 1 ટકાથી વધુનો વધારો નોંધાયો. આ હેવીવેઇટ શેરોમાં ખરીદીની પ્રવૃત્તિએ બજારના ઉપરના વેગને પ્રોત્સાહન આપ્યું.</p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/03/16/gLJ4WtokoymfX6Y0aSSr5fk0mQbgABzBzdoZamiA.webp'/></item></channel></rss>