<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Tharad News: થરાદની મુખ્ય નર્મદા કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળતા ચકચાર ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/tharad/narmada-canal-jamda-bridge-youth-dead-body-found</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/tharad/narmada-canal-jamda-bridge-youth-dead-body-found</guid><pubDate>Sun, 19 Jul 2026 20:47:06 +05:30</pubDate><description><![CDATA[<p>થરાદ પંથકમાં એક ચકચારી ઘટના સામે આવી છે. થરાદ વિસ્તારમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચી ગઈ છે. જમડા પુલ પાસે કેનાલના પાણીમાં એક યુવકનો મૃતદેહ તરતી હાતલમાં મળી આવ્યો હતો. જેની માહિતી મળતા જ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા.</p><h2><b>ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કઢાયો</b></h2><p>આ બનાવની જાણ થતાં જ સ્થાનિક બચાવ ટીમ અને લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. પાણીના વહેણ વચ્ચે ટીમના સભ્યોએ ભારે જહેમત ઉઠાવીને યુવકના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ યુવક કેનાલમાં ડૂબી ગયો હોવાનું કે આત્મહત્યા કર્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.</p><h2><b>હોસ્પિટલ ખસેડી પોલીસે તપાસ શરૂ કરી</b></h2><p>ઘટના અંગે થરાદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતકની ઓળખ વિધિની પ્રક્રિયા હાથ ધરીને તેના પરિવારજનોને આ દુઃખદ બનાવની જાણ કરી છે. ત્યારબાદ યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ યુવક કેનાલમાં કેવી રીતે પડ્યો તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/crime/news/tharad/sog-police-raid-banned-drugs-seized-medical-store" target="_blank">Vav Tharad News: મેડિકલ સ્ટોરમાંથી 6.89 કરોડની પ્રતિબંધિત નશીલી દવાઓ ઝડપાઈ, 2ની ધરપકડ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/19/TLCDeKgEHWRgx1QQRb2uOYfeGTX7YPiRo73bcEVp.webp'/></item><item><title><![CDATA[Navsari News: નેશનલ હાઈવે 48 પર અજાણ્યા વાહનની ટક્કરે બે યુવાનોના કમકમાટીભર્યા મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/navsari/navsari-news-two-youths-die-in-horrific-collision-with-unknown-vehicle-on-national-highway-48</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/navsari/navsari-news-two-youths-die-in-horrific-collision-with-unknown-vehicle-on-national-highway-48</guid><pubDate>Sun, 19 Jul 2026 20:38:19 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નવસારી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર એક અત્યંત કરુણ અને ગમખ્વાર હિટ એન્ડ રનની દુર્ઘટના સામે આવી છે. હાઈવે પર આવેલા ધોળાપીપળા ગામ નજીકથી એક મોટરસાઇકલ પસાર થઈ રહી હતી, તે દરમિયાન કોઈ અજાણ્યા વાહનના ચાલકે પોતાના વાહનને પૂરપાટ ઝડપે દોડાવીને બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે બાઇક પર સવાર બંને યુવાનો રોડ પર પટકાયા હતા અને અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી તુરંત નાસી છૂટ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>બંને યુવાનોના ઘટનાસ્થળે જ નીપજ્યા મોત</b></h2><p style="text-align: justify; ">આ ગમખ્વાર અકસ્માતમાં બાઇક સવાર બંને આશાસ્પદ યુવાનોને શરીરે અને માથાના ભાગે જીવલેણ ઇજાઓ પહોંચી હતી, જેના કારણે બંનેના ઘટનાસ્થળે જ કરુણ અને કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. મળતી માહિતી મુજબ, મૃત્યુ પામેલા બંને યુવાનો નજીકના ઉન ગામ પાસે આવેલી એક સોલાર કંપનીમાં નોકરી કરતા હતા અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે કાળનો પંજો ત્રાટક્યો હતો. અકસ્માતની જાણ થતાં જ યુવાનોના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોતાના વ્હાલસોયા દીકરાઓના મૃતદેહ જોઈને પરિજનોના ભારે આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.</p><h3 style="text-align: justify; "><b>પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી</b></h3><p style="text-align: justify; ">હાઇવે પર અકસ્માતની અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા સ્થાનિક લોકોએ તુરંત જ પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને બંને મૃતકોના શબને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. નવસારી પોલીસે આ મામલે કાયદાની કડક કલમો હેઠળ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરી છે. હાઇવે પર આવેલા આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ અને ટોલ પ્લાઝાની વિગતોના આધારે નાસી છૂટેલા વાહન અને તેના ચાલકને દબોચી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/19/LUk9yxOBzspJOke6EhdElT2qwsN6LK4X6YTHnPjF.webp'/></item><item><title><![CDATA[Surat News: લાલગેટ પોલીસના PI અને સ્ટાફ સામે મહિલાને વીજળીના ઝટકા આપ્યાનો અને મારપીટનો ગંભીર આક્ષેપ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-news-serious-allegations-of-electric-shock-and-beating-of-a-woman-against-the-pi-and-staff-of-lalgate-police</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-news-serious-allegations-of-electric-shock-and-beating-of-a-woman-against-the-pi-and-staff-of-lalgate-police</guid><pubDate>Sun, 19 Jul 2026 20:13:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની રક્ષા કરતી ખાખી વર્દી ફરી એકવાર વિવાદના ઘેરામાં આવી છે. સુરતના વરીયાવી બજાર વિસ્તારમાં રહેતા પુષ્પાબેન નામના મહિલાએ લાલગેટ પોલીસ સ્ટેશનના પી.આઈ. (PI) એચ.જે. સોલંકી અને તેમના સ્ટાફ સામે ગંભીર અને ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. પીડિતાનો આરોપ છે કે વિસ્તારમાં ગેરકાયદેસર જુગારના અડ્ડા ચલાવતા અસામાજિક તત્વોનો પક્ષ લઈને પોલીસે રાત્રિના સમયે મહિલા પોલીસ (લેડીઝ પોલીસ) ને સાથે રાખ્યા વિના તેમના ઘરમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો અને મહિલાના વાળ ખેંચીને તેમની સાથે બેરહેમીપૂર્વક મારપીટ કરી હતી.</p><h2 style="text-align: justify; "><b>પોલીસ સ્ટેશનમાં વીજળીના ઝટકા આપ્યાનો દાવો</b></h2><p style="text-align: justify; ">પીડિત મહિલાએ કરેલી ફરિયાદ અનુસાર, જ્યારે પોલીસ ઘરમાં અત્યાચાર ગુજારી રહી હતી ત્યારે તેમનો 14 વર્ષનો સગીર દીકરો આ સમગ્ર ઘટનાનો મોબાઈલમાં વીડિયો ઉતારી રહ્યો હતો. આ જોઈને લાલગેટના પી.આઈ. એચ.જે. સોલંકીએ સગીર બાળકને 6 થી 7 તમાચા ઝીંકી દીધા હતા અને તેનો મોબાઈલ ફોન ઝૂંટવી લીધો હતો. એટલું જ નહીં, મહિલા અને તેના પરિવારને પોલીસ મથકે લઈ જઈને ખોટા કેસમાં ફસાવી દેવાની, પાસા (PASA) હેઠળ જેલમાં મોકલવાની અને રિમાન્ડ દરમિયાન વીજળીના ઝટકા આપવાની ધમકીઓ આપવામાં આવી હતી. આ દરમિયાન પોલીસના મારથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી મહિલાની બહેન પોલીસ સ્ટેશનમાં જ બેભાન થઈ જતાં અંતે એમ્બ્યુલન્સ બોલાવવાની ફરજ પડી હતી.</p><h3 style="text-align: justify; "><b>પીડિતાએ ગૃહ વિભાગ અને CP પાસે ન્યાય માંગ્યો</b></h3><p style="text-align: justify; ">આ ચકચારી ઘટનાના લાઈવ વીડિયો તેમજ વિસ્તારમાં ધમધમતા જુગારના અડ્ડાઓના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. ભયભીત બનેલી પીડિત મહિલા પુષ્પાબેને આ મામલે સુરત પોલીસ કમિશનર (CP), રાજ્યના ગૃહ વિભાગ, મુખ્યમંત્રી અને માનવ અધિકાર આયોગ સુધી લેખિતમાં ફોજદારી અરજી કરીને ન્યાયની ગુહાર લગાવી છે. મહિલાએ પડકાર ફેંકતા જણાવ્યું છે કે જો લાલગેટ પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજની તટસ્થ તપાસ કરવામાં આવે તો પોલીસનો અમાનુષી અત્યાચાર આપોઆપ સામે આવી જશે. "રક્ષક જ ભક્ષક બને તો ક્યાં જવું?" તેવા સવાલો સાથે પીડિતાએ ગૃહ રાજ્યમંત્રી પાસે દોષિત પોલીસ અધિકારીઓ સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/19/VrTaLUdbOZbqpNqstLyrrmbMBWYIQIgxlyyYeyUo.webp'/></item><item><title><![CDATA[Highway Hypnosis: વળાંકવાળા હાઇવે અને એક્સપ્રેસવે બનાવવા પાછળનું વૈજ્ઞાનિક કારણ જાણો ]]></title><link>https://sandesh.com/knowledge/news/india/highway-hypnosis-know-the-scientific-reason-behind-building-curved-highways-and-expressways</link><guid isPermaLink="true">https://sandesh.com/knowledge/news/india/highway-hypnosis-know-the-scientific-reason-behind-building-curved-highways-and-expressways</guid><pubDate>Sun, 19 Jul 2026 20:06:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">જોકે સીધો રસ્તો ઝડપી અને વધુ અનુકૂળ લાગે છે, હાઇવે એન્જિનિયરો ઇરાદાપૂર્વક ડિઝાઇનમાં વળાંકોનો સમાવેશ કરે છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">ધ્યાન જાળવવામાં મદદ</h2><p style="text-align: justify; ">હાઇવેને સંપૂર્ણ સીધી રેખામાં ન બનાવવાનું મુખ્ય કારણ હાઇવે હિપ્નોસિસ નામની સ્થિતિને રોકવા માટે છે. જ્યારે ડ્રાઇવરો કોઈ ફેરફાર વિના રસ્તા પર લાંબા અંતરની મુસાફરી કરે છે. ત્યારે આસપાસનું દૃશ્ય લગભગ સમાન રહે છે. આના કારણે મગજ ખુલ્લી આંખો સાથે પણ અર્ધ-સભાન જાગૃતિની સ્થિતિમાં આવી જાય છે. માનસિક થાક ધ્યાન અને પ્રતિક્રિયા ગતિ ઘટાડે છે. જેનાથી અકસ્માતોનું જોખમ વધે છે. સહેજ વળાંકો માટે ડ્રાઇવરોને સ્ટીયરિંગમાં થોડો ફેરફાર કરવાની જરૂર પડે છે. આ તેમને રસ્તા પર તેમનું ધ્યાન જાળવવામાં મદદ કરે છે.&nbsp;</p><h3 style="text-align: justify; ">નિયંત્રણની ખોટી ભાવના</h3><p style="text-align: justify; ">સીધા હાઇવે ઘણીવાર નિયંત્રણની ખોટી ભાવના બનાવે છે. આનાથી ડ્રાઇવરો માટે તેમની ગતિનું ચોક્કસ મૂલ્યાંકન કરવું મુશ્કેલ બને છે. આ જ કારણ છે કે ઘણા ડ્રાઇવરો અજાણતાં નિર્ધારિત ગતિ મર્યાદા કરતા વધુ ઝડપથી વાહન ચલાવે છે, જેનાથી અકસ્માતોનું જોખમ વધે છે. વળાંકો કુદરતી ગતિ નિયંત્રણ પદ્ધતિ તરીકે કાર્ય કરે છે. ડ્રાઇવરો કુદરતી રીતે વળાંકોની નજીક આવતાની સાથે ગતિ ધીમી કરે છે અને તેમને પાર કર્યા પછી જ ગતિ વધારે છે.</p><h4 style="text-align: justify; ">રસ્તાની ટકાઉપણું વધારે</h4><p style="text-align: justify; ">જમીનનો દરેક વિસ્તાર હાઇવે બાંધકામ માટે યોગ્ય નથી. કળણવાળા વિસ્તારો, છૂટક માટી, પૂરગ્રસ્ત વિસ્તારો અને સ્થિર જમીન રસ્તાના બાંધકામને અસુરક્ષિત અને ખર્ચાળ બનાવી શકે છે. તેથી, ઇજનેરો મજબૂત માટી અને સારી ભૂસ્તરશાસ્ત્રીય સ્થિરતાવાળા વિસ્તારોમાંથી પસાર થવા માટે હાઇવેને ફરીથી રૂટ કરે છે. જ્યારે આ વધુ વળાંકો રજૂ કરી શકે છે, તે રસ્તાની ટકાઉપણું વધારે છે.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/-political-news/jambusar/us-iran-war-donald-trump-reacted-to-tehrans-decision-to-reject-the-us-iran-agreement-know-what-he-said" target="_blank">તેહરાન દ્વારા યુએસ-ઈરાન સમજૂતી કરારને નકારવાના નિર્ણય પર ડોનાલ્ડ ટ્રમ્પે પ્રતિક્રિયા આપી, જાણો શુ કહ્યુ?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/19/6I3dVNotbnW1kahiqa5sNwip9SFbkBxILwTsDMte.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: ફટાકડા બ્લાસ્ટ હોનારતમાં અડ્ડાઓ પર એએમસીનું બુલડોઝર, સ્ટેટ FSL એ વિસ્ફોટક કેમિકલ મટીરિયલ જપ્ત કર્યું ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ramol-firework-factory-blast-sit-formed-bulldozer-demolition-sadik-seyed-connection</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ramol-firework-factory-blast-sit-formed-bulldozer-demolition-sadik-seyed-connection</guid><pubDate>Sun, 19 Jul 2026 19:52:11 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદના રામોલ વિસ્તારમાં ગઈકાલે ફટાકડા બનાવતી એક ગેરકાયદેસર ફેક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટે 9 નિર્દોષ શ્રમિકોના જીવ લીધા બાદ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો છે. ઘટનાની ગંભીરતાને પગલે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર કડક વલણ અપનાવી રહ્યું છે. આ ચકચારી કેસની ઊંડાણપૂર્વક અને વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવા માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે. આ સીટ (SIT) માં ડીસીપી ઝોન 8, એસીપી એસ-ડિવિઝન અને રામોલ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેઓ દૈનિક રિપોર્ટ સરકારને સોંપશે.</p><h2><b>જમીન માલિક ધરપકડના ડરે ભૂગર્ભમાં ઉતરી ગયો</b></h2><p>બીજી તરફ, લોકલ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા જે જમીન પર ગેરકાયદેસર શેડ બનાવીને આ મોતની ફેક્ટરી ચલાવવામાં આવતી હતી, તેના પર ભારે સુરક્ષા વચ્ચે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ ફેક્ટરી ભાડાની જમીન રાખીને ચલાવવામાં આવી રહી હતી. બ્લાસ્ટની ઘટના બાદ જમીન માલિક ધરપકડના ડરે ભૂગર્ભમાં ઉતરી ગયો છે, જેને શોધવા પોલીસ ટીમો રવાના કરાઈ છે.</p><h3><b>આરોપી રમીલાનું નિવેદન અને એફએસએલ ઓડિટ</b></h3><p>હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી આ કેસની આરોપી રમીલા ડોડીયાનું પોલીસે સત્તાવાર નિવેદન નોંધ્યું છે. રમીલાએ જણાવ્યું કે બ્લાસ્ટ થયો તે પહેલાં મેહુલ નામનો શખ્સ બહાર કોઈ વસ્તુ લેવા માટે ગયો હતો. પોલીસે હોસ્પિટલમાં જ તેની કડક પૂછપરછ કરીને ઘટના સમયે ફેક્ટરીની અંદર હાજર અન્ય મજૂરો અને સંચાલકો અંગેની વિગતો કઢાવી છે. આ સાથે જ 'સ્ટેટ એફએસએલ (FSL)' ની ઉચ્ચ સ્તરીય ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચીને વિસ્ફોટ કયા કેમિકલના કારણે થયો તેની ઝીણવટભરી તપાસ કરીને ફટાકડા બનાવવાનું જીવંત રો-મટીરિયલ જપ્ત કર્યું છે. મયુર પાટીલ - નાયબ પોલીસ કમિશનર,ઝોન 8,વાય.એ.ગોહિલ - મદદનીશ પોલીસ કમિશનર, એસ ડિવિઝન,વી.ડી.મોરી - પોલીસ ઈન્સપેકટરશ્રી, રામોલ પોલીસ સ્ટેશન,મયુર પાટીલ,વાય.એ.ગોહિલ,વી.ડી.મોરી SIT ટીમ મેમ્બર,જયપાલસિંહ રાઠોડ - અધિક પોલીસ કમિશનર , સેક્ટર 2 ( Addi CP,સેક્ટર 2 ) જયપાલસિંહ ઈન્ચારર્જ જેમને રીપોર્ટ સોંપવાનો છે.</p><h4><b>અમદાવાદથી કપડવંજ સુધી ફેલાયેલું સાદીક સૈયદનું નેટવર્ક</b></h4><p>આ કેસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો સાદીક સૈયદ નામના વ્યક્તિના કનેક્શનથી થયો છે. બ્લાસ્ટ સ્થળથી માત્ર 500 મીટર દૂર આવેલા સાદીકના ‘કરીમી ફાર્મ’ પર પોલીસે તાળા મારી દીધા છે. આ ફાર્મના બોર્ડ પર ‘રામોલ વાળા’ અને એક મોબાઈલ નંબર લખેલો મળ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે થોડા સમય પહેલાં ખેડાના કપડવંજમાં થયેલા ફટાકડા બ્લાસ્ટની ગેરકાયદેસર ફેક્ટરીની જમીન પણ સાદીકની જ હતી. સાદીક સૈયદ ફટાકડાના કાળા કમાણીના નાણાંથી મોંઘીદાટ જમીનો ખરીદતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પોલીસ હવે અમદાવાદ અને કપડવંજ બંને ફેક્ટરીઓ વચ્ચેના આર્થિક અને વ્યાપારી સંબંધોની કડીઓ જોડી રહી છે.</p><h5><b>ગેરકાયદેસર રીતે ફટાકડાનું મોટું સ્ટોરેજ બનાવાયું</b></h5><p>વધતી જતી જનતાની નારાજગી વચ્ચે, ફાયર વિભાગે મોડી રાત્રે જ શહેરમાં કોમ્બિંગ કરીને વિરાટનગર વિસ્તારમાં આવેલા 'મહાવીર સીઝનેબલ સ્ટોર' ને સીલ કરી દીધું છે. આ દુકાનમાં ગેરકાયદેસર રીતે ફટાકડાનું મોટું સ્ટોરેજ બનાવાયું હતું અને તેનું પોલીસ લાયસન્સ લાંબા સમયથી એક્સપાયર થઈ ગયું હોવા છતાં નિયમ મુજબ રિન્યુ કરાવવામાં આવ્યું નહોતું. આ ઉપરાંત ગ્યાસપુરમાં ચાલતી અન્ય બે શંકાસ્પદ ફટાકડા ફેક્ટરીઓ પર પણ તાળા મારી દેવાયા છે. તંત્રની આ દોડાદોડ પર સ્થાનિક રહીશો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો આટલી કડક કાર્યવાહી પહેલાં જ કરી દેવાઈ હોત તો 9 લોકોના જીવ બચી શક્યા હોત.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/vanch-village-firework-factories-reality-check-sandesh-news-expired-cylinders-found" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: વાંચ ગામે ફટાકડા ફેક્ટરીઓમાં નિયમોના લીરેલીરા, તપાસના ડરે ઓપરેટરો વિસ્ફોટકો મૂકી ભાગ્યા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/19/t35Sq29FhOIj5lTWwuejgY4iT1ccLwYNtT2x7ilJ.webp'/></item><item><title><![CDATA[Jammu Kashmir Weather: પૂંચમાં કુદરતનું રોદ્ર સ્વરૂપ, પૂર અને ભૂસ્ખલનથી 15ના મોત, અનેક લોકો લાપતા ]]></title><link>https://sandesh.com/india/news/monsoon-2026/jammu-kashmir-weather-natures-fury-in-poonch-15-dead-many-missing-due-to-floods-and-landslides</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/monsoon-2026/jammu-kashmir-weather-natures-fury-in-poonch-15-dead-many-missing-due-to-floods-and-landslides</guid><pubDate>Sun, 19 Jul 2026 19:36:19 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">પૂંચમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે, જેમાંથી 7 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 8 હજુ પણ ગુમ છે.</p><h2 style="text-align: justify; ">પૂંચ જિલ્લામાં પરિસ્થિતિ વધુ ગંભીર&nbsp;</h2><p style="text-align: justify; ">ગઈકાલે રાત્રે પડેલા મુશળધાર વરસાદ અને વાદળ ફાટવાથી જમ્મુ અને કાશ્મીરના રાજૌરી અને પૂંચ જિલ્લામાં ભારે તબાહી મચી છે. રાજૌરીમાં ડઝનબંધ વાહનો કાટમાળમાં ફેરવાયા છે. ઘણા ઘરો સંપૂર્ણપણે નાશ થયા છે અને જાનહાનિ થઈ છે. પૂંચ જિલ્લામાં પરિસ્થિતિ વધુ ગંભીર છે. અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે. જેમાંથી 7 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે બાકીના 8 લોકોની શોધખોળ ચાલુ છે.</p><h3 style="text-align: justify; ">આઠ સભ્યો કાટમાળ નીચે દટાયા&nbsp;</h3><p style="text-align: justify; ">એક જ પરિવારના આઠ સભ્યો વાદળ ફાટવાથી અટવાઈ ગયા હતા. અત્યાર સુધીમાં ફક્ત ત્રણ જ મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે પાંચ હજુ પણ ગુમ છે. ગુમ થયેલા લોકોમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. પૂંચના ઘણા વિસ્તારોમાં રસ્તાઓ સંપૂર્ણપણે ધોવાયા છે. જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થયો છે. મલ્હારના રહેવાસી હાજી લતીફનું પાંચ માળનું ઘર વાદળ ફાટવાથી જમીનદોસ્ત થઈ ગયું. તેમના પરિવારના આઠ સભ્યો કાટમાળ નીચે દટાઈ ગયા હતા.&nbsp;</p><h4 style="text-align: justify; ">માત્ર કાદવ અને કાટમાળનો ઢગલો&nbsp;</h4><p style="text-align: justify; ">ફક્ત કાદવ અને કાટમાળનો મોટો ઢગલો જ દેખાતો હતો. સ્થાનિકો અને બચાવ ટીમો કાટમાળ નીચે કોઈ દટાયેલું છે કે કેમ તે નક્કી કરવા માટે સતત ખોદકામ કરી રહી છે. પૂંચ જિલ્લામાં હજુ પણ સાત લોકો ગુમ થયાના અહેવાલ છે, અને NDRF, SDRF, પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા તેમને શોધવા માટે સંયુક્ત શોધ કામગીરી ચાલી રહી છે. જોકે, મુશ્કેલીઓ અહીં સમાપ્ત થતી નથી. હવામાન વિભાગે વિસ્તારમાં ભારે વરસાદ માટે ચેતવણી જારી કરી છે, જેનાથી વહીવટીતંત્રની ચિંતાઓમાં વધારો થયો છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ&nbsp; <a href="https://sandesh.com/india/news/ayodhya-saryu-river-controversy-beer-and-non-veg-party-on-a-boat-in-the-saryu-river-3-accused-arrested" target="_blank">સરયૂ નદીમાં હોડી પર બીયર અને નોનવેજ પાર્ટી, 3 આરોપીની કરાઇ ધરપકડ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/19/nQEVA3Bdki3jKBbGyWkbTOR8xK4HWvRHq1LfThj1.webp'/></item><item><title><![CDATA[Bhavnagar News: સિહોરના ભાણગઢ ગામેથી નશાકારક સિરપનો મોટો જથ્થો ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/bhavnagar-news-a-large-quantity-of-intoxicating-syrup-was-seized-from-bhangarh-village-in-sehore</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/bhavnagar-news-a-large-quantity-of-intoxicating-syrup-was-seized-from-bhangarh-village-in-sehore</guid><pubDate>Sun, 19 Jul 2026 19:24:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભાવનગર જિલ્લામાં નશાના કાળા કારોબાર અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. સિહોર તાલુકાના ભાણગઢ ગામે નશાકારક આયુર્વેદિક સિરપનું ગેરકાયદે વેચાણ થતું હોવાની ચોક્કસ બાતમીના આધારે ભાવનગર SOG અને સિહોર પોલીસની ટીમે સંયુક્ત રીતે દરોડો પાડ્યો હતો. આ સફળ ઓપરેશન દરમિયાન પોલીસે ભાણગઢ ગામેથી હસમુખ પરમાર નામના એક શખ્સને નશાકારક સિરપના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>184 બોટલ નશાકારક સિરપ સહિત&nbsp;</b></h2><p style="text-align: justify; ">પોલીસે પકડાયેલા આરોપી હસમુખ પરમારના ઠેકાણા પર સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન પોલીસને ત્યાંથી પ્રતિબંધિત અને નશાકારક ગણાતી સિરપની કુલ 184 બોટલો મળી આવી હતી. પોલીસે આ તમામ બોટલો તેમજ અન્ય સામગ્રી મળીને કુલ રૂપિયા 41,432ની કિંમતનો મુદ્દામાલ સત્તાવાર રીતે જપ્ત (કબ્જે) કરી લીધો છે. આ સિરપનો ઉપયોગ યુવાધનને નશાના માર્ગે ધકેલવા માટે થતો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવ્યું છે.</p><h3 style="text-align: justify; "><b>મુખ્ય સપ્લાયરની શોધખોળ માટે ચક્રો ગતિમાન</b></h3><p style="text-align: justify; ">આરોપી હસમુખ પરમારની પ્રાથમિક પૂછપરછ દરમિયાન નશાના આ નેટવર્કને લઈને મોટો ખુલાસો થયો છે. પકડાયેલા શખ્સે કબૂલાત કરી હતી કે આ નશાકારક સિરપનો જથ્થો મોકલનાર મુખ્ય સૂત્રધાર ભાવનગરનો રહેવાસી નાગજી કાનજી ચુડાસમા છે. આ ખુલાસા બાદ પોલીસે સિરપ મોકલનાર નાગજી ચુડાસમા વિરુદ્ધ ગુનો નોંધી તેને વોન્ટેડ જાહેર કર્યો છે. સિહોર પોલીસ અને SOG ની ટીમોએ મુખ્ય આરોપીને દબોચી લેવા માટે અલગ-અલગ ઠેકાણે ચક્રો ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify; "><a href="http://" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/19/3lFmqhkluWA0NEW9oFBmLEzAsx7doZ0rzQwsx1vc.webp'/></item><item><title><![CDATA[Arun Govil: રામાનંદ સાગરની રામાયણમાં રિજેક્ટ થઈ ગયા હતા અરુણ ગોવિલ, પછી આ રીતે મળ્યો શ્રીરામનો રોલ ]]></title><link>https://sandesh.com/entertainment/news/arun-govil-was-rejected-for-ram-role--then-got-it-in-ramayan</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/arun-govil-was-rejected-for-ram-role--then-got-it-in-ramayan</guid><pubDate>Sun, 19 Jul 2026 18:29:27 +05:30</pubDate><description><![CDATA[<p>અરુણ ગોવિલે ફરી એકવાર ચર્ચામાં છે. તેમણે શ્રીરામના રોલને લઈને એક ખુલાસો કર્યો છે. શનિવારે રાત્રે ફિલ્મ "રામાયણ: ભાગ 1" માટે એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ટ્રેલર બતાવવામાં આવ્યું હતું. અરુણ ગોવિલ પણ હાજર હતા. તેઓ ફિલ્મમાં મહારાજ દશરથની ભૂમિકા ભજવશે. તેમણે આ કાર્યક્રમમાં પોતાના પાત્ર વિશે વાત કરી અને રામાનંદ સાગરની રામાયણમાં ભજવેલા શ્રી રામના રોલ પર પણ પ્રતિક્રિયા આપી છે.</p><p>તમને જણાવી દઇએ કે અરુણ ગોવિલ રામાનંદ સાગરની રામાયણમાં શ્રી રામની ભૂમિકા માટે જાણીતા છે. આ ભૂમિકાએ તેમને ખૂબ જ ખ્યાતિ અપાવી. હવે, તેઓ નિતેશ તિવારીની રામાયણમાં દશરથની ભૂમિકા ભજવશે.
</p><h2><b>અરુણ ગોવિલે "રામ" શબ્દ વિશે શું કહ્યું?
</b></h2><p>આ કાર્યક્રમમાં અરુણ ગોવિલે કહ્યું, "હું ફિલ્મમાં શ્રી રામના પિતા મહારાજ દશરથની ભૂમિકા ભજવું છું. હું જ્યારે જ્યારે સેટ પર હતો, જ્યારે પણ કોઈ સીન થતો હતો ત્યારે રામ મારી સામે હોય કે ન હોય, પરંતુ હું હંમેશા મારી સામે જ હોત." અરુણે કહ્યું, "રામ એક નાનો શબ્દ હોઈ શકે છે, પરંતુ તેમણે આપણા જીવનને ગૂંથ્યું છે." જીવનના કોઈપણ તબક્કામાંથી આપણે પસાર થઈ રહ્યા હોઈએ, ગમે તે લાગણી વ્યક્ત કરી રહ્યા હોઈએ, આ શબ્દ પોતાનો માર્ગ શોધી કાઢે છે. આપણે કહીએ છીએ હે રામ, અરે રામ, રામ રામ, અને રામ દુહાઈ પણ. બધું રામથી ભરેલું છે.
</p><h3><b>રામાનંદ સાગરની રામાયણમાં રામની ભૂમિકા તેમને કેવી રીતે મળી?
</b></h3><p>અભિનેતા અરુણે એ પણ ખુલાસો કર્યો કે રામાનંદ સાગરની રામાયણમાં રામની ભૂમિકા તેમને કેવી રીતે મળી. અરુણે જણાવ્યું કે તેમણે રામાયણ માટે રામાનંદ સાગરનો સંપર્ક કર્યો. તેમણે કહ્યું, "મેં બે વાર વિચાર્યા વિના તેમનો સંપર્ક કર્યો અને કહ્યું કે હું શ્રી રામની ભૂમિકા ભજવવા માંગુ છું. તેમણે મારું ઓડિશન લીધું અને તેમણે મને રિજેક્ટ કર્યો. પછી મેં તેમને કહ્યું કે જો તેમને લાગતું નથી કે હું રામની ભૂમિકા માટે યોગ્ય છું, તો મને જવા દો કારણ કે હું બીજી કોઈ ભૂમિકા નહીં કરું. થોડા મહિના પછી, તેમણે મને ફોન કરીને કહ્યું, 'અમને તમારા જેવો રામ મળ્યો નથી.'"
</p><h4><b>રણબીર કપૂરે તેમની ખૂબ પ્રશંસા કરી
</b></h4><p>રણબીરે પણ કાર્યક્રમમાં અરુણ ગોવિલની પ્રશંસા કરી. રણબીરે કહ્યું, "સાહેબ, તમે વર્ષોથી આ જવાબદારી ખૂબ જ સુંદર અને સત્યતાથી નિભાવી છે. મારા જેવા અભિનેતા સાથેની તમારી આ સફર, ફક્ત મને જ નહીં પરંતુ રામાનંદ સાગરની રામાયણ જોનાર દરેક વ્યક્તિને આત્મવિશ્વાસ અને પ્રેરણા આપી છે. જેમ તમે ભગવાન શ્રી રામને તમારામાં લાવ્યા છો, જો હું આટલું પણ કરી શકું, તો મારી મહેનત રંગ લાવશે. સાહેબ, બાળપણથી જ હું ભગવાન શ્રી રામના આશીર્વાદ, તેમના ઉપદેશો અને તમારા ચહેરાને મારા હૃદયમાં રાખીને મોટો થયો છું. આઈ લવ યૂ."
</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/entertainment/news/lock-up-2--aakanksha-chamola-saved--opens-up-about-divorce" target="_blank"><b>'લોકો મને એવી નજરથી જોતા...', લોકઅપ 2માં આકાંક્ષાનું છલકાયું દર્દ</b></a></p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/19/FIhbcdXUeDVLFJSo7s7rgf2M3NvgkxIOPKxeDuKb.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup Final : સટ્ટાબજારમાં આ ટીમ છે ફેવરિટ, 5.5 અબજ ડોલરથી વધુનો ખેલાયો સટ્ટો ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-final-this-team-is-the-favorite-in-the-betting-market-bets-worth-more-than-55-billion-have-been-placed</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-final-this-team-is-the-favorite-in-the-betting-market-bets-worth-more-than-55-billion-have-been-placed</guid><pubDate>Sun, 19 Jul 2026 16:45:32 +05:30</pubDate><description><![CDATA[<p>અમેરિકાના ન્યૂ જર્સીમાં આવેલા મેટલાઇફ સ્ટેડિયમમાં રમાનારી, FIFA World Cup 2026 Final પહેલાં સટ્ટા બેટિંગમાં મોખરાના પ્લેટફોર્મમાં ખૂબ જ આશ્ચ્યજનક રીતે એક જ ટીમને વિજેતા તરીકે આગળ રાખે છે. મીડિયા રિપોર્ટ અનુસાર સટ્ટા બેટિંગના પ્લેટફોર્મ પ્રેડિક્શન માર્કેટ પ્લેટફોર્મ પર સ્પેનની જીતની સંભાવના સૌથી વધુ દર્શાવવામાં આવી રહી છે.</p><h4><b>સ્પેનને સૌથી મોટો ટેકો</b></h4><p>&nbsp;વર્લ્ડ કપ વિજેતા માટેના માર્કેટમાં અત્યાર સુધીમાં લગભગ 4.28 અબજ ડોલરનું ટ્રેડિંગ થયું છે. અહીં સ્પેનની જીતની સંભાવના લગભગ 59 ટકા દર્શાવવામાં આવી છે, જ્યારે આર્જેન્ટિનાની જીતની સંભાવના આશરે 40 ટકા દર્શાવવામાં આવી રહી છે. રસપ્રદ વાત એ છે કે, જીતની સંભાવના ઓછી હોવા છતાં આર્જેન્ટિના ઉપર પણ મોટી રકમ લગાવવામાં આવી રહી છે. ટ્રેડર્સે સ્પેન પર અંદાજે 123.5 મિલિયન ડોલર, જ્યારે આર્જેન્ટિના પર લગભગ 158 મિલિયન ડોલરને સટ્ટાના દાવ પર લગાવ્યા છે.</p><h4><b>બીજા સટ્ટા બજારમાં પણ સમાન ટ્રેન્ડ</b></h4><p>બીજા સટ્ટા બજારમાં પણ લગભગ 1.29 અબજ ડોલરનું ટ્રેડિંગ નોંધાયું છે. અહીં પણ સ્પેનને 59 ટકા અને આર્જેન્ટિનાને લગભગ 41 ટકા જીતની સંભાવના દર્શાવવામાં આવી રહી છે અને તેના આધારે જ સટ્ટો રમવામાં આવી રહ્યો છે. સ્પેનની જીત પર દાવ લગાવે તો તેને 1.65 ગણું વળતર મળી શકે છે, જ્યારે આર્જેન્ટિના માટે 2.34 ગણું પેમેન્ટ દર્શાવવામાં આવ્યું છે.</p><h4><b>ગોલ્ડન બૂટ માટે મેસ્સી સૌથી આગળ</b></h4><p>ટૂર્નામેન્ટના ટોપ સ્કોરર એટલે કે ગોલ્ડન બૂટ માટે પણ લિયોનેલ મેસ્સી સૌથી આગળ છે. Polymarket પર મેસ્સીની સંભાવના લગભગ 57 ટકા છે, જ્યારે કિલિયન એમબાપ્પે લગભગ 42 ટકા પર છે. આજે ઈગ્લેન્ડ સામેની ત્રીજા ક્રમાંક માટેની મેચમાં, કિલિયન એમબાપ્પે 2 ગોલ ફટકાર્યા હતા.ગોલ્ડન બોલ એટલે કે ટૂર્નામેન્ટના શ્રેષ્ઠ ખેલાડી માટે મેસ્સીનું પ્રભુત્વ વધુ મજબૂત જોવા મળી રહ્યું છે. બંને પ્લેટફોર્મ પર મેસ્સીને લગભગ 90 ટકાથી વધુ સંભાવના આપવામાં આવી રહી છે.</p><ul><li>સ્પેનની સીધી જીતની સંભાવના: 43%</li><li>ડ્રો થવાની સંભાવના: 32%</li><li>આર્જેન્ટિનાની સીધી જીતની સંભાવના: 28%</li></ul><h5><b>ટ્રમ્પની હાજરી ઉપર પણ સટ્ટો</b></h5><p>ફાઇનલ મેચમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાજરી આપશે કે નહીં તેના પર પણ બંને પ્રેડિક્શન માર્કેટમાં અલગ કોન્ટ્રાક્ટ ઉપલબ્ધ છે. Polymarket પર ટ્રમ્પની હાજરીની સંભાવના લગભગ 97 ટકા દર્શાવવામાં આવી રહી છે.</p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-final-why-the-first-55-minutes-of-the-final-will-be-crucial-for-messi" target="_blank"> FIFA World Cup 2026 Final : ફાઇનલની પ્રથમ 55 મિનિટ મેસ્સી માટે કેમ નિર્ણાયક રહેશે?</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/19/xlM5C7MCVdwJMQl41MU80A008Wqug8Rh2VvdIs6W.webp'/></item><item><title><![CDATA[Gold Price Today : રવિવારે સોનાના ભાવમાં વધારો! જાણો ચાંદીનો તાજો ભાવ ]]></title><link>https://sandesh.com/business/news/india/gold-silver-price-today-city-wise-delhi-mumbai</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/gold-silver-price-today-city-wise-delhi-mumbai</guid><pubDate>Sun, 19 Jul 2026 11:38:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જો તમે આજે સોનું કે ચાંદી ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો પહેલા તાજા રેટ ચોક્કસ જાણી લો. 19 જુલાઈ 2026 ના રોજ સર્રાફા બજારમાં સોનાની કિંમતોમાં ગઈકાલની સરખામણીએ સામાન્ય વધારો નોંધાયો છે, જ્યારે ચાંદીના દામ લગભગ સ્થિર બનેલા છે. એવામાં રોકાણ કે જ્વેલરી ખરીદતા પહેલા પોતાના શહેરના લેટેસ્ટ રેટ અને કિંમતોમાં થયેલા ફેરફારની માહિતી મેળવવી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>આજે શું છે સોનાનો ભાવ?</b></h2><ul><li style="text-align: justify;">24 કેરેટ સોનું- અંદાજે 1,43,440 રૂપિયા પ્રતિ 10 ગ્રામ</li><li style="text-align: justify;">22 કેરેટ સોનું- અંદાજે 1,31,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ</li><li style="text-align: justify;">18 કેરેટ સોનું- અંદાજે 1,07,620 રૂપિયા પ્રતિ 10 ગ્રામ</li></ul><h2 style="text-align: justify;"><b>મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)</b></h2><table class="table table-bordered" style="text-align: justify;"><tbody><tr><td><b>શહેર</b></td><td><b>24 કેરેટ સોનાની કિંમત</b></td><td><b>22 કેરેટ સોનાની કિંમત</b></td></tr><tr><td>દિલ્હી</td><td>1,43,440<br></td><td>1,31,450<br></td></tr><tr><td>મુંબઈ</td><td>1,43,290</td><td>1,31,350</td></tr><tr><td>કોલકાતા</td><td>1,43,290</td><td>1,31,350</td></tr><tr><td>ચેન્નઈ</td><td>1,43,290</td><td>1,31,350</td></tr><tr><td>અમદાવાદ</td><td>1,43,340<br></td><td>1,31,400<br></td></tr><tr><td>રાજકોટ</td><td>1,43,340</td><td>1,31,400</td></tr></tbody></table><h2 style="text-align: justify; "><b>આજે ચાંદી કેટલામાં મળી રહી છે?</b></h2><p style="text-align: justify; ">આજે 999 પ્યોરિટીવાળી ચાંદીનો ભાવ લગભગ 1,68,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામની આસપાસ બનેલો છે. જો કે, અલગ-અલગ શહેરો અને સ્થાનિક ટેક્સના કારણે આમાં થોડો તફાવત જોવા મળી શકે છે.</p><h3 style="text-align: justify; "><b>ગઈકાલની સરખામણીએ આજે શું બદલાયું?</b></h3><p style="text-align: justify; ">આજે 19 જુલાઈએ જાહેર થયેલા રેટ અનુસાર સોનાની કિંમતમાં મામૂલી વધારો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનું અંદાજે 200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘું થઈને લગભગ 1,43,440 રૂપિયા પર પહોંચી ગયું, જ્યારે 22 કેરેટ સોનું પણ અંદાજે 200 રૂપિયા વધીને 1,31,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે. વળી, ચાંદીની કિંમતમાં આજે કોઈ મોટો ફેરફાર થયો નથી અને તે લગભગ 1,68,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામની આસપાસ સ્થિર બનેલી છે. સર્રાફા બજારના નિષ્ણાતોનું કહેવું છે કે વૈશ્વિક બજારમાં સોનાની માગ અને ડૉલરમાં ઉતાર-ચઢાવના કારણે કિંમતોમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે.</p><h4 style="text-align: justify; "><b>સોનું ખરીદતી વખતે રાખો આ બાબતોનું ધ્યાન</b></h4><p style="text-align: justify; ">સોનું હંમેશા BIS હોલમાર્કવાળું જ ખરીદો અને ખરીદી પછી પાકું બિલ ચોક્કસ લો. હંમેશા 22 કેરેટ અને 24 કેરેટના રેટની સરખામણી કરો. મેકિંગ ચાર્જ અને GST ની માહિતી પહેલાથી જ મેળવી લો અને રોકાણ માટે ગોલ્ડ ETF કે ડિજિટલ ગોલ્ડ જેવા ઓપ્શન વિશે પણ જાણી લો.</p><h6 style="text-align: justify; "><b>Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.</b></h6><p style="text-align: justify; "><a href="https://sandesh.com/sports/fifa-world-cup/news/france-vs-england-saka-hat-trick-mbappe-10-goals-world-cup-2026" target="_blank">FIFA World Cup : 10 ગોલની થ્રિલર! ફ્રાન્સ સામે 6-4થી જીત્યું ઇંગ્લેન્ડ, સાકાની શાનદાર હેટ્રિકઆ પણ વાંચો-</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/19/X99LM9wzs3Z6Ac1B4aU9krfYfFAP8s064R8wD5Np.webp'/></item></channel></rss>