<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[બોડેલી અર્બન કો-ઓપની 69મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bodeli/69th-annual-general-meeting-of-bodeli-urban-co-op-held</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bodeli/69th-annual-general-meeting-of-bodeli-urban-co-op-held</guid><pubDate>Sun, 07 Jun 2026 01:24:12 +05:30</pubDate><description><![CDATA[<p>બોડેલી નગર સહિત વિસ્તારના નાના-મોટા વેપારીઓને મદદરૂપ થવાના આશય સાથે તા. 8-8-1957ના રોજ સ્થપાયેલ ધી બોડેલી અર્બન કોપરેટીવ બેંક લિમિટેડની આજે 69મી સાધારણ સભા બેંકના મેનેજિંગ ડિરેક્ટર રજનીકાંત રસિકલાલ ગાંધીના અધ્યક્ષ સ્થાને મળી હતી. ત્યારે બેંકના ચેરમેન કાર્તિકુમાર દિલીપ શાહ, ડિરેક્ટરો આકાશ વિજય ઠક્કર, ડૉ. કિશોરકાંત રસિકલાલ ગાંધી ગીરીશ રસિકલાલ શાહ દિનેશચંદ્ર જીવનલાલ શાહ જીગ્નેશ મહેશચંદ્ર અગ્રવાલ નીતિનકુમાર શાંતિલાલ ચોકસી, પ્રો. ડિરેક્ટર ઉદય સતીશચંદ્ર શાહની ઉપસ્થિતિમાં બોડેલી વૈષ્ણવવાડી ખાતે યોજાઇ હતી.</p><p>5668 સભાસદો ધરાવતી બોડેલી અર્બન કો-ઓપરેટીવ બેંકની બોડેલી વૈષ્ણવવાડી ખાતે મળેલી 69મી સાધારણ સભામાં ઉપસ્થિત સભાસદો સમક્ષ બેંકનો ચિતાર રજૂ કરતા બેંકના સીઈઓ શૈલેષકુમાર તલાટીએ ગત વર્ષ દરમિયાન બેંકે રૂા.50,75,606નો ચોખ્ખો નફે કર્યો છે. બેંકની ડિપોઝિટ 27.65 કરોડ અને 31-3- 26 સુધીનું બેંકનું ધિરાણ 15.83 કરોડ જેટલું હોવાનું કહી નિયમ મુજબ બેંકના મહિલા કોપ્ટ ડિરેક્ટર છાયાબેન વિઠ્ઠલભાઈ રાઠવા તેમજ વીણાબેન રાકેશકુમાર ગાંધી અને બેંકના પ્રોફેશનલ ડિરેક્ટર સીએ ઉદય સતીશકુમાર શાહ તેમજ મૈત્રીબેન જૈમીન કુમાર શાહ નિવૃત્ત થતા હોય આગામી 26-27ના વર્ષ માટે નવી નિમણૂક કરવાની સત્તા બોર્ડ ઓફ્ ડિરેક્ટરને આપે છે તેમ જણાવ્યું હતું. 5668 સભાસદો ધરાવતી બોડેલી અર્બન કો-ઓપરેટીવ એટલું જ નહીં બેકનો સીડી રેશિયો 57.24 ટકા છે. બેંકનું સીઆરએઆર 9 ટકા હોવું જોઈએ તેની જગ્યાએ બેંકનું સીઆરએઆર 38.02 ટકા છે તેમ જણાવી બેંકનો સંપૂર્ણ ચિતાર રજૂ કર્યો હતો. ગત સાધારણ સભાની કાર્યવાહીને વાંચી બહાલી અપાઇ હતી. તા.31-3-26ના રોજ પૂરા થતા વર્ષનો બોર્ડ ઓફ્ ડિરેક્ટરનો રિપોર્ટ સરવૈયું મંજૂર કરાયું હતું,
</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/07/NPvyDdZZctdKKjgpn8p5IBiOggnX6OO1KsOutq4w.webp'/></item><item><title><![CDATA[પૂર્વ વિસ્તારમાંથી પાણીના ભૂતિયા 48 જોડાણ મળ્યાં, 12 મોટર જપ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/48-water-ghost-connections-found-in-eastern-area-12-motorcycles-seized</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/48-water-ghost-connections-found-in-eastern-area-12-motorcycles-seized</guid><pubDate>Sun, 07 Jun 2026 01:23:08 +05:30</pubDate><description><![CDATA[<p>શહેરમાં ઓછા પ્રેશરથી પાણી આવતુ હોવાની બૂમો ઉઠતા કોર્પોરેશને ઠેરઠેર ચેકિંગ હાથ ધર્યુ હતુ. જેમાં પાણીના ગેરકાયદે 71 જોડાણો મળી આવ્યા હતા.જેથી તે કનેક્શનો કાપવામાં આવ્યા હતાં. જ્યારે પાણીની લાઈ પર લગાવેલી ઈલેક્ટ્રીક 71 મોટરો પકડાઈ હતી.</p><p>મોગલવાડા બકરીપોળમાંથી પાણીના ગેરકાયદે 11 જોડાણો મળી આવ્યા હતાં. જ્યારે ભાથુજીનગરમાંથી 10, કિશનવાડી ઝંડા ચોક ખાતે 6, મોટી વ્હોરવાડમાંથી 2 ગેરકાયદે જોડાણ તેમજ પૂનમ કોમ્પલેક્ષ, સરસ્વતિ કોમ્પલેક્ષ વિગેરે જગ્યાએથી મળીને પૂર્વ વિસ્તારમાં કુલ 48 ગેરકાયદે જોડાણો મળી આવ્યા હતા. જેને કોર્પોરેશનના તંત્રએ કાપી નાખ્યા હતાં. તેમજ ઉકાજીનુ વાડીયુ, આજવા રોડ અંબિકા દર્શન, ગાયત્રી પાર્ક અને શ્રી હરી ટાઉનશીપમાંથી 12 પાણીની ઈલેક્ટ્રીક મોટરો લગાવેલી પકડાઈ હતી. જેને કોર્પોરેશને જમા લીધી હતી.
</p><p>જ્યારે ઉત્તર ઝોન વિસ્તારમાં ફતેગંજ જનતા શેરીમાંથી 2, સદર બજારમાંથી 1, કમાટીપુરામાંથી 1 અને નવાપુરા ગોદડીયાવાસમાંથી 2 મળીને કુલ 6 મોટર જમા લેવાઈ હતી. તેમજ કારેલીબાગ દીપીકા સોસાયટીમાંથી 2 અને મચ્છીપીઠ નવાબના વાડામાંથી 1 મળીને 3 ગેરકાયદે જોડાણો મળી આવતા તેને કાપી નાખ્યા હતાં. ગોદડીયાવાસમાં કોર્પોરેશનની ટીમે મોટરો જમા લેવા ગઈ હતી ત્યારે લોકોએ આક્રોશ ઠાલવ્યો કે, તમે પાણી ઓછુ આપો છો એટલે અમારે પાણી મેળવવા માટે નાછૂટકે મોટરો લાગવી પડે છે તેવા આક્રોશ ઠાલવ્યો હતો અને કોર્પોરેશનના સ્ટાફ સાથે શાબ્દીક ટપાટપી સર્જાઈ હતી. આવી જ રીતે, દક્ષિણ ઝોનમાં આવતા એરફોર્સ પાછળ રોયલ ગાર્ડન સોસાયટીમાંથી 13 અને અલવાનાકા મનહર નગર-1માંથી 7 મળીને પાણીના 20 ગેરકાયદે જોડાણો મળી આવ્યા હતાં. તેમજ ઘાઘરેટીયાના કૃષ્ણ નગરમાંથી 2, માંજલપુર શિવમ સોસાયટી, સાંઈધામ સોસાયટી અને મકરપુરા બાદશાહ નગરમાંથી 1-1 મળીને 3 એમ કુલ પાંચ મોટરો જમા લીધી હતી. તેમજ પશ્ચિમ વિસ્તારમાં ગોત્રી ગોકુલનગરમાંથી 3 અને ગોરવા આર્શિવાદ સોસાયટીમાંથી 3 મોટર જમા લીધી હતી.
</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/07/Axai1qUEY82rzSOCPpdiCfG8fgQtVYZlojjlRQfx.webp'/></item><item><title><![CDATA[પક્ષીતીર્થ વઢવાણા તળાવની પાળ પરના આઠ વૃક્ષો કાપી નખાતાં હડકંપ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dabhoi/eight-trees-on-the-bank-of-the-bird-sanctuary-wadhwana-lake-were-not-cut-down-causing-panic</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dabhoi/eight-trees-on-the-bank-of-the-bird-sanctuary-wadhwana-lake-were-not-cut-down-causing-panic</guid><pubDate>Sun, 07 Jun 2026 01:22:10 +05:30</pubDate><description><![CDATA[<p>ડભોઇ તાલુકાના વઢવાણા તળાવમાં 8 વૃક્ષ કાપી નાખતા ગામજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો. પર્યાવરણ પ્રેમી ઈશ્વરભાઈ મણિલાલ વસાવા જણાવ્યું હતું કે, 8 ઝાડ પક્ષીઓ માટે આશીર્વાદ રૂપ હતા. દેશવિદેશના પક્ષીઓ તેના પર બેસતા હતા. લાકડા ચોરોને પકડવા માટે ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે.</p><p>વઢવાણા તળાવમાં પક્ષીઓના આશરા સમાન 8 મોટા વૃક્ષોનો સોથ વળી ગયો હતો. વિશ્વભરમાં 5મી જૂનને વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવાય છે. જ્યાં કરોડો રૂપિયાના ખર્ચે વૃક્ષારોપણના કાર્યક્રમો થાય છે. પરંતુ ડભોઈ તાલુકામાં આવેલી પ્રખ્યાત રામસર સાઇટ વઢવાણા તળાવ ખાતે આ જ દિવસે પર્યાવરણના લીરેલીરા ઉડયા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. કેટલાક અસામાજિક તત્વો અથવા લાકડા ચોરો દ્વારા તળાવની મધ્યમાં આવેલા પક્ષીઓના આશ્રાયસ્થાન સમાન 8 જેટલા મોટા અને જૂના વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે. પક્ષીઓનો હક છીનવાયો છે. ?વઢવાણા તળાવ એ માત્ર જળાશય નથી. પરંતુ દેશ-વિદેશથી આવતા હજારો યાયાવર (પ્રવાસી) પક્ષીઓ માટેનું એક સુરક્ષિત ઘર છે. ?જ્યારે તળાવ પાણીથી ભરાયેલું હોય છે. ત્યારે આ વૃક્ષો પક્ષીઓ માટે બેસવા, આરામ કરવા અને માળો બાંધવા માટેનો મુખ્ય સહારો બને છે. હવે આ વૃક્ષો કપાઈ જતાં, આગામી ચોમાસા અને શિયાળાની ઋતુમાં આવનારા પક્ષીઓ માટે બેસવાની મોટી કટોકટી સર્જાશે.
</p><p>તળાવની સુરક્ષા અને દેખરેખ માટે વનવિભાગ અને સ્થાનિક તંત્ર તૈનાત હોવા છતાં, તળાવની વચ્ચોવચ આટલા મોટા વૃક્ષો કપાઈ ગયા અને કોઈને ખબર પણ ન પડી આ સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા કરે છે.
</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/07/WxovUhiftRN2DcrUaZprgQSuirqyjivbo7bIpaKG.webp'/></item><item><title><![CDATA[દૂધના ભાવ વધતા શ્રીખંડનો ભાવ રૂા.440થી 460 થયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/as-milk-prices-increase-the-price-of-shrikhand-has-increased-from-rs-440-to-rs-460</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/as-milk-prices-increase-the-price-of-shrikhand-has-increased-from-rs-440-to-rs-460</guid><pubDate>Sun, 07 Jun 2026 01:21:16 +05:30</pubDate><description><![CDATA[<p>દૂધના ભાવમાં વધારો નોંધાતા શ્રીખંડ-મઠ્ઠાના ભાવમાં પણ 5 થી 7 ટકા વધારો નોંધાયો છે. વડોદરામાં સામાન્ય સંજોગોમાં સરેરાશ 2500 કિલો શ્રીખંડ-મઠ્ઠો વેચાય છે. દાયકાઓ પૂર્વે માત્ર એલચી યુક્ત શ્રીખંડની બોલબાલા હતી. હવે, 15 પ્રકારનો શ્રીખંડ-મઠ્ઠો બજારમાં ઉપલબ્ધ છે.</p><p>દૂધના ભાવમાં થયેલા વધારાને કારણે દૂધ આધારિત તમામ ઉત્પાદનોના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. શ્રીખંડ અને મઠ્ઠાના ઉત્પાદનમાં દૂધ મુખ્ય કાચો માલ હોવાથી તેની સીધી અસર ઉત્પાદન ખર્ચ પર પડી છે. શહેરભરમાં સ્વીટમાર્ટની અસંખ્ય દુકાનોમાં એલચી, કેસર-પિસ્તા, રાજભોગ, અમેરિકન ડ્રાયફ્રુટ્સ, મેંગો મસ્તાની, જામ્બુ, સુગર ફ્રી, મિક્સ ફ્રુટ્સ, બટરસ્કોચ, માવા-બદામ, રસમલાઇ, આલ્મન્ડ બ્રાઉની, જાંબુ સહિત ઋતુજન્ય ફળફળાદિ, દેશ-વિદેશના સૂકામેવા સહિત 15 કરતા વધુ ફ્લેવર્સનો શ્રીખંડ-મઠ્ઠો રૂ.440ના ભાવે 1 કિલો મળતો હતો જે હવે રૂ.460ના ભાવે મળે છે. ખાસ કરીને વારે-તહેવારે, લગ્નસરા, ધાર્મિક-સામાજિક સમારોહ સહિત અનેક શુભપ્રસંગે લાખો રૂપિયાનો શ્રીખંડ વેચાય છે. શહેરમાં 100 વર્ષ કરતા વધુ સમયથી દૂધ આધારિત ઉત્પાદનોના વ્યવસાય સાથે સંકળાયેલી પેઢીના નવલ અનિલભાઇ બુમિયાએ ઉમેર્યું હતું કે ડેરી પ્રોડક્ટના પાર્લરો, ખાનગી ડેરીઓ, મીઠાઇની દુકાનો-સ્વીટમાર્ટ, દૂધ-દહીં વેચતી દુકાનોમાં ઉનાળામાં શ્રીખંડ-મઠ્ઠો ખરીદવા ગ્રાહકોનો ધસારો અવિરત જારી રહે છે.
</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/07/ARHPpG44i7nmRogLkVHdSoBmlAmdhjjpKrKtsykn.webp'/></item><item><title><![CDATA[તાત્કાલિક સારવાર વિભાગ બહાર મૂકેલ વ્હિલચેરને તાળા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/wheelchair-locked-outside-emergency-department</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/wheelchair-locked-outside-emergency-department</guid><pubDate>Sun, 07 Jun 2026 01:18:30 +05:30</pubDate><description><![CDATA[<p>વડોદરા :SSGમાં દર્દીઓની સુવિધામાં વધારો કરાય છે કે અસુવિધામાં ? તે એક ચર્ચાનો વિષય બન્યો છે. તાજેતરમાં જ તંત્ર દ્વારા ગરમીમાં રાહત થાય તે માટે સેન્ટ્રલ એ.સી. વૉર્ડ તૈયાર કરાયો છે. પરંતુ બીજી તરફ તાત્કાલિક સારવાર વિભાગ બહાર દર્દી આવે તો તેને વૉર્ડમાં લઈ જવા માટે સમયસર વ્હિલચેર તો મળતી જ નથી અને વ્હિલચેર ખાલી શોભાના ગાઠયાં સમાન વિભાગની બહાર તાળા મારીને મૂકી રાખી છે. તાત્કાલિક સારવાર વિભાગમાં છેલ્લાં કેટલાય સમયથી એક વ્હિલચેર મૂકાઇ છે. પરંતુ તે જાણે શો-પીસ હોય તેમ તાળા મારીને મૂકાઈ છે. કેટલાય દર્દીઓ વ્હિલચેર કે સ્ટ્રેચર ન મળતા ચાલીને, સગાઓ દર્દીને ઊંચકીને કે પછી સ્ટ્રેચર આવે તેની રાહ જોઈને ઊભા રહે છે. ગુરુવારે સવારે એક વૃદ્ધ દર્દી કેથેટર નાખેલી હાલતમાં તાત્કાલિક સારવાર વિભાગ ખાતે આવ્યા હતા. પરંતુ દર્દીને વિભાગમાં લઈ જવા માટે કોઈ સુવિધા ન હતી. વ્હિલચેર હતી પરંતુ તાળું મારેલી હાલતમાં હતી. જેથી દર્દી 20 મિનિટ સુધી ઊભા રહેવા માટે મજબૂર બન્યાં હતા. જેની જાણ સિક્યૉરિટી સુપરવાઈઝરેને થતાં તે દોડી આવ્યા હતા અને વ્હિલચેરનું તાળું ખોલાવ્યું હતું અને ત્યારબાદ દર્દીને તેમાં બેસાડીને સારવાર માટે લઈ જવાયા હતા.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/07/iZ0hxl4YWbMcBvhvamr3uz2N8RUkHaCaHBzC1fgA.webp'/></item><item><title><![CDATA[શિવરાજ્યાભિષેક દિને ઐતિહાસિક જાહેરાત, ઇઝરાયેલમાં સ્થાપાશે છત્રપતિ શિવાજી મહારાજનું સ્ટેચ્યુ ]]></title><link>https://sandesh.com/india/news/consul-general-yaniv-revach-chhatrapati-shivaji-maharaj-statue-in-israel</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/consul-general-yaniv-revach-chhatrapati-shivaji-maharaj-statue-in-israel</guid><pubDate>Sat, 06 Jun 2026 23:44:52 +05:30</pubDate><description><![CDATA[<p>છત્રપતિ શિવાજી મહારાજના શિવરાજ્યાભિષેક દિનના પાવન અવસરે વૈશ્વિક સ્તરે એક અત્યંત ગર્વ લેવા જેવા અને ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે. મુંબઈમાં સ્થિત ઇઝરાયેલના કોન્સ્યુલ જનરલ યાનિવ રેવાચે જાહેરાત કરી છે કે, તેઓ ભારતના મહાન શાસક છત્રપતિ શિવાજી મહારાજની એક ભવ્ય પ્રતિમા બનાવીને તેને ઇઝરાયેલના એક મોટા શહેરમાં સ્થાપિત કરવા જઈ રહ્યા છે. આ પ્રસ્તાવ માટે તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી મંજૂરી માંગી હતી, જેને સીએમ દ્વારા તુરંત સ્વીકારી લેવામાં આવી છે.</p><p><br></p><h2><b>ભારત અને ઇઝરાયેલના ઇતિહાસ વચ્ચે અદ્ભુત સમાનતા</b></h2><p>યાનિવ રેવાચે જણાવ્યું કે, થોડા મહિનાઓ પહેલા જ્યારે તેઓ ભારત આવ્યા ત્યારે તેમણે ભારત અને ઇઝરાયેલના ઇતિહાસ વચ્ચેની સમાનતાઓ વિશે જાણ્યું હતું. તેમણે કહ્યું, બંને દેશો અને પ્રજાએ પોતાની માતૃભૂમિ માટે દાયકાઓ સુધી સંઘર્ષ કરવો પડ્યો છે અને લડવું પડ્યું છે. અમે બરાબર સમજીએ છીએ કે, ભારતના ઇતિહાસમાં છત્રપતિ શિવાજી મહારાજનો પ્રભાવ અને તેમનું સ્થાન કેટલું મહત્વપૂર્ણ છે.</p><p><br></p><h2><b>PM મોદીની જેરૂસલેમ મુલાકાત બાદ સંબંધો વધુ મજબૂત બન્યા</b></h2><p>ઇઝરાયેલના કોન્સ્યુલ જનરલે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેરૂસલેમની મુલાકાત બાદ ભારત અને ઇઝરાયેલ વચ્ચેના સંબંધોને વિવિધ ક્ષેત્રોમાં વધુ ઊંડા બનાવવાનો નિર્ણય લેવાયો હતો. આ અંતર્ગત બંને દેશોના ઈતિહાસ અને સંસ્કૃતિને જોડવા માટે અમે આ સદ્ભાવના પ્રોજેક્ટ તરીકે છત્રપતિ શિવાજી મહારાજની પસંદગી કરી છે. આ અંતર્ગત ભારતમાં એક મોટું સ્ટેચ્યુ તૈયાર કરી ઇઝરાયેલ મોકલવામાં આવશે, જે લાંબા ગાળા સુધી બંને દેશોના નાગરિકોને ભાવનાત્મક રીતે જોડી રાખશે.</p><p><br></p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/Dev_Fadnavis/status/2063237800481452495"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p><br></p><h2><b>મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આપ્યા આશીર્વાદ અને પૂર્ણ સહયોગ</b></h2><p>આ પ્રોજેક્ટ અંગે ચર્ચા કરવા માટે યાનિવ રેવાચ મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસની ઓફિસે પહોંચ્યા હતા. સીએમ ફડણવીસે આ પ્રસ્તાવને તત્કાલ મંજૂરી આપીને પોતાના આશીર્વાદ આપ્યા હતા અને મહારાષ્ટ્ર સરકાર તરફથી જરૂરી તમામ સહયોગ આપવાની ખાતરી આપી હતી. આ અંગે દેવેન્દ્ર ફડણવીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું, આ ખૂબ જ મોટા સમાચાર છે! શિવરાજ્યાભિષેક દિનના પાવન અવસરે, ઇઝરાયેલના સીજી યાનિવ રેવાચનો ઇઝરાયેલમાં છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવાની આ ઐતિહાસિક જાહેરાત માટે હૃદયપૂર્વક આભાર. મહારાષ્ટ્ર સરકાર આ ઐતિહાસિક પહેલને પૂર્ણ સહયોગ આપશે. જય ભવાની, જય શિવાજી!</p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/world/news/iran-war-president-donald-trump-makes-a-big-claim-amid-venezuela-iran-dispute" target="_blank"> Iran War: વેનેઝુએલા અને ઈરાન વિવાદ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો મોટો દાવો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/jPIChOsipjLKHFxLmvQ0XS0BIl1zbPtQVncvtJWd.webp'/></item><item><title><![CDATA[Ramalingam Murder Case : હત્યા કેસમાં NIAની મોટી કાર્યવાહી, PFIના ચાર પૂર્વ સભ્યો સામે ચાર્જશીટ દાખલ ]]></title><link>https://sandesh.com/india/news/crime/ramalingam-murder-case-nia-chargesheet-four-former-pfi-members</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/crime/ramalingam-murder-case-nia-chargesheet-four-former-pfi-members</guid><pubDate>Sat, 06 Jun 2026 21:59:22 +05:30</pubDate><description><![CDATA[<p>હાઈ-પ્રોફાઈલ રામલિંગમ હત્યા કેસમાં NIAએ પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના ચાર પૂર્વ સભ્યો સામે વિશેષ NIA કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આરોપ છે કે આ ચારેય લોકોએ હત્યાકાંડમાં સામેલ ફરાર અને જાહેર ગુનેગારોને લાંબા સમય સુધી આશ્રય આપીને કાયદાની પકડથી બચાવવામાં મદદ કરી હતી.</p><h2><b>સાંપ્રદાયિક તણાવ અને ભયનું વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ હતો
</b></h2><p>NIA દ્વારા પૂનમલ્લી સ્થિત વિશેષ કોર્ટમાં દાખલ કરાયેલી ચાર્જશીટમાં કે. મોહિદીન, મોહમ્મદ ઈમરાન, તમીમ અંસારી અને અસમતને આરોપી બનાવવામાં આવ્યા છે. તપાસ એજન્સી અનુસાર આ ચારેય લોકોએ થિરુભુવનમ વિસ્તારમાં રામલિંગમ પર થયેલા જીવલેણ હુમલામાં સામેલ આરોપીઓ અને કાવતરાખોરોને જાણતા હોવા છતાં આશ્રય આપ્યો હતો. એજન્સીએ ચાર્જશીટમાં Unlawful Activities (Prevention) Actની કલમ 19 તેમજ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 61(2) અને 249નો ઉલ્લેખ કર્યો છે. NIAનું માનવું છે કે આ માત્ર હત્યાનો કેસ નહોતો, પરંતુ વિસ્તારમા સાંપ્રદાયિક તણાવ અને ભયનું વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ હતો.
</p><h3><b>2019માં થઈ હતી હત્યા
</b></h3><p>NIAના જણાવ્યા મુજબ 5 ફેબ્રુઆરી 2019ના રોજ રામલિંગમની હત્યા કરવામાં આવી હતી. તેઓએ કથિત બળજબરીથી ધર્માંતરણની પ્રવૃત્તિઓનો વિરોધ કર્યો હતો, જેના કારણે PFI સાથે જોડાયેલા કેટલાક લોકો સાથે તેમનો વિવાદ થયો હતો. બાદમાં તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન મોહમ્મદ બુરહાનુદ્દીન અને મોહમ્મદ નબીલ હસનની સંડોવણી સામે આવી હતી. NIAનો આરોપ છે કે આરોપીઓને ઓળખતા હોવા છતાં આ ચારેય લોકોએ લગભગ છ વર્ષ સુધી તેમને અલગ-અલગ સ્થળોએ છુપાવી રાખ્યા હતા. આ પહેલાં NIA 18 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે. એજન્સીએ જણાવ્યું છે કે કેસની તપાસ હજુ ચાલુ છે અને નવા પુરાવાઓના આધારે વધુ કાર્યવાહી કરવામાં આવશે.
<br><br><a href="https://sandesh.com/india/news/world/india-pakistan-un-ga-kashmir-issue-rebuttal-india-response" target="_blank">આ પણ વાંચો : UNમાં પાકિસ્તાને ફરી કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો, ભારતે તાત્કાલિક રોકડુ પરખાવ્યું</a><b></b></p><p><br></p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/QwaNPnmHyUXEOs0dAuUvgmxhNxi6x3Y9mDXkT89p.webp'/></item><item><title><![CDATA[Hockey U18 Asia Cup: ભારતે ફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયનને હરાવીને હોકી અંડર-18 એશિયા કપનો ખિતાબ જીત્યો ]]></title><link>https://sandesh.com/sports/news/india-win-u18-hockey-asia-cup-2026-japan-final</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india-win-u18-hockey-asia-cup-2026-japan-final</guid><pubDate>Sat, 06 Jun 2026 19:23:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતે 2026 અંડર-18 હોકી મેન્સ એશિયા કપનો ખિતાબ જીત્યો છે. ફાઈનલમાં ભારતનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન જાપાન સામે થયો હતો. જાપાની ટીમ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી અપરાજિત રહી હતી, તેને પુલ રાઉન્ડમાં ભારતને હરાવ્યું હતું.
</p><p style="text-align: justify; ">ટીમ ઈન્ડિયાએ કાવાસાકી હેવી ઈન્ડસ્ટ્રીઝ હોકી સ્ટેડિયમમાં યજમાન ટીમને કોઈ તક આપી ન હતી, 4-1થી જીત મેળવી હતી. આ જીત સાથે ભારત ટુર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી સફળ દેશ બની ગયો છે. આ ટીમની ત્રીજી ટ્રોફી છે. પાકિસ્તાને 2 વાર ટાઈટલ જીત્યું છે.
</p><h2 style="text-align: justify; "><b>ભારતે બીજી જ મિનિટમાં ગોલ કર્યો
</b></h2><p style="text-align: justify; ">સેમીફાઈનલમાં મલેશિયાને 8-1થી હરાવનાર જાપાની ટીમ ફાઈનલમાં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી. મેચની બીજી મિનિટે ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો. આશિષ તાની પૂર્તિએ પેનલ્ટીને ગોલમાં રૂપાંતરિત કરીને ભારતને લીડ અપાવી. બીજા ક્વાર્ટરની 28મી મિનિટે આશિષે ભારતનો બીજો ગોલ કર્યો. 30મી મિનિટે કેતન કુશવાહાએ ફિલ્ડ ગોલ કરીને ટીમની લીડ 3-0 કરી દીધી.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/TheHockeyIndia/status/2063227334459871477"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p style="text-align: justify; ">
</p><h3 style="text-align: justify; "><b>આશિષ તાની પૂર્તિએ હેટ્રિક લીધી હતી
</b></h3><p style="text-align: justify; ">ત્રીજા ક્વાર્ટરની ચોથી મિનિટે આશિષે ભારત માટે બીજો ગોલ કરીને પોતાની હેટ્રિક પૂર્ણ કરી અને ટીમની લીડ 4-0 સુધી લંબાવી. જાપાન માટે નુમાદા ગાકુએ 52મી મિનિટે પેનલ્ટી કોર્નરથી ગોલ કર્યો. ભારતે યજમાન ટીમને વધુ કોઈ તક આપી નહીં, અને મેચ 4-1થી જીતીને ટાઈટલ જીત્યું.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/narendramodi/status/2063233749928808912"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p style="text-align: justify; ">
</p><h4 style="text-align: justify; "><b>PM મોદીએ પાઠવ્યા અભિનંદન
</b></h4><p style="text-align: justify; ">ભારતીય પુરુષ અંડર-18 હોકી ટીમને પુરુષોનો અંડર-18 એશિયા કપ 2026 જીતવા બદલ અભિનંદન. ટીમે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઉત્તમ કૌશલ્ય અને ટીમવર્કનું પ્રદર્શન કર્યું, અંતે ફાઈનલમાં યાદગાર વિજય મેળવ્યો. આ જીત આપણા યુવાનોમાં હોકીની વધતી જતી લોકપ્રિયતાને પણ પ્રતિબિંબિત કરે છે. હું ટીમને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ પાઠવું છું.
</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/ipl-2026/vaibhav-sooryavanshi-ipl-2026-awards-orange-cap-mvp" target="_blank">Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા</a></b></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/Wn6qXxH1bTOkhZ5r3Vek6PfzZEVPzl0TDqXFjwkO.webp'/></item><item><title><![CDATA[Gautam Adani ફરી બન્યા એશિયાના સૌથી અમીર વ્યક્તિ, આ બે દિગ્ગજોને છોડ્યા પાછળ ]]></title><link>https://sandesh.com/business/news/gautam-adani-asia-richest-person-net-worth-rises</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/gautam-adani-asia-richest-person-net-worth-rises</guid><pubDate>Sat, 06 Jun 2026 18:58:32 +05:30</pubDate><description><![CDATA[<p>શેર બજારમાં જોરદાર તેજીના કારણે ગૌતમ અદાણી ફરી એકવાર એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. તેમની કંપનીઓના શેરમાં નોંધપાત્ર વધારો થતાં તેમની કુલ સંપત્તિમાં મોટો ઉછાળો નોંધાયો છે. મળતી માહિતી મુજબ અદાણીની નેટવર્થ હવે વધીને અંદાજે 89.2 અબજ ડોલર પહોંચી ગઈ છે, જેના કારણે તેમણે મુકેશ અંબાણી અને સોફ્ટબેન્કના CEO માસાયોશીના પુત્રને પાછળ છોડી દીધા છે.</p><h2><b>મુકેશ અંબાણીની સંપત્તિ 88 અબજ ડોલર થઈ
</b></h2><p>શુક્રવારે અદાણી ગ્રુપના શેરોમાં વ્યાપક તેજી જોવા મળી. ખાસ કરીને અદાણી ગ્રીન એનર્જીના શેરોમાં લગભગ 7%નો વધારો થયો, જ્યારે અદાણી એનર્જી અને અદાણી પોર્ટ્સ જેવા શેરોમાં પણ 2%થી 4% સુધીનો ઉછાળો નોંધાયો. અદાણી પાવરના શેરોમાં પણ 1%થી વધુ વધારો જોવા મળ્યો હતો. રિપોર્ટ મુજબ 2026ની શરૂઆતથી અત્યાર સુધી અદાણી ગ્રુપના શેરોમાં 23%થી 56% સુધીની વૃદ્ધિ થઈ છે, જેના કારણે રોકાણકારોને મોટો ફાયદો થયો છે.
</p><h3><b>1 મહિનામાં અદાણીની નેટવર્થમાં 10 અબજ ડોલરનો વધારો
</b></h3><p>અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા લગાવવામાં આવેલા કેસના સમાધાન બાદ અદાણી ગ્રુપની સ્થિતિમાં સુધારો થયો છે, જેના કારણે છેલ્લા એક મહિનામાં તેમની સંપત્તિમાં લગભગ 10 અબજ ડોલરનો વધારો થયો છે. ગૌતમ અદાણી હાલમાં વિશ્વના 23મા સૌથી અમીર વ્યક્તિ છે. એક દિવસમાં તેમની સંપત્તિમાં લગભગ 2.5 અબજ ડોલરનો વધારો નોંધાયો છે.
<br><br><a href="https://sandesh.com/business/news/india/fuel-prices-new-fuel-has-come-to-the-market-20-rupees-cheaper-than-petrol-will-be-available-at-48-places-in-the-capital" target="_blank">આ પણ વાંચો : Fuel Prices: પેટ્રોલથી 20 રૂપિયા સસ્તુ માર્કેટમાં આવ્યુ નવુ ઇંધણ, રાજધાનીમાં 48 જગ્યાએ મળશે</a><b></b></p><p><br></p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/lQ5qMFuPVHFMzyCPAOS4o6kTwYlvMpX1jXCGu8j7.webp'/></item><item><title><![CDATA[Bollywood : ક્યારેક વાસણો સાફ કર્યા તો ક્યારેક કરી ચોકીદારી... આજે આ એક્ટર છે કરોડોનો માલિક! ]]></title><link>https://sandesh.com/entertainment/news/from-washing-dishes-and-watchman-to-42-crore-net-worth-inspiring-actor-amit-sadh-story</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/from-washing-dishes-and-watchman-to-42-crore-net-worth-inspiring-actor-amit-sadh-story</guid><pubDate>Sat, 06 Jun 2026 17:33:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હિન્દી સિનેમાના કેટલાય અભિનેતાઓ એવા છે, જેમણે ઇન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવવા માટે ભારે મહેનત કરી છે. આજે અમે તમને એક એવા જ એક્ટર વિશે જણાવી રહ્યા છીએ, જે ક્યારેક વાસણ ઘસતા હતા અને તેમણે ચોકીદારી પણ કરી હતી, પરંતુ આજના સમયમાં તેઓ 42 કરોડના માલિક છે.</p><h2 style="text-align: justify; "><b>અભિનેતા અમિત સાધ
</b></h2><p style="text-align: justify; ">અમે જેમના વિશે વાત કરી રહ્યા છીએ, તેઓ કોઈ અન્ય નહીં પરંતુ અભિનેતા અમિત સાધ છે. આજે એટલે કે 5 જૂન, 1983ના રોજ અમિતનો જન્મ દિલ્હીમાં થયો હતો, પરંતુ તેમનો પરિવાર મૂળ રૂપે પંજાબનો રહેવાસી હતો અને તેમનો અભ્યાસ લખનૌમાં થયો હતો. અમિત જ્યારે 16 વર્ષના હતા, ત્યારે તેમના માથા પરથી પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.
</p><h3 style="text-align: justify; "><b>ઘરોમાં વાસણ પણ ઘસ્યા
</b></h3><p style="text-align: justify; ">પિતાના ગયા પછી તેમના ઘરની પરિસ્થિતિ બગડી ગઈ અને પૈસા માટે તેમણે લોકોના ઘરોમાં વાસણ પણ સાફ કર્યા. આ સિવાય તેઓ રાત્રે ચોકીદારીનું કામ પણ કરતા હતા. કેટલીય વાર તો એવું બનતું કે તેઓ રસ્તા પર સૂઈને રાત વિતાવતા હતા. પોતાની પરિસ્થિતિઓ અને મુશ્કેલીઓના કારણે અમિતે પોતાને ખતમ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ કિસ્મત એવું નહોતી ઈચ્છતી અને એક મિત્રે સમયસર તેમનો જીવ બચાવી લીધો હતો.
<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DZEnDsyjLjX/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DZEnDsyjLjX/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DZEnDsyjLjX/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DZEnDsyjLjX/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>ફિલ્મોમાં ડગ માંડ્યા
</b></h4><p style="text-align: justify; ">ભલે કિસ્મતે ફરી અમિતની પરીક્ષા લીધી, પરંતુ તેમણે હિંમત ન હારી અને સતત મહેનત કરતા રહ્યા. જ્યારે અમિતને ટીવીમાં કામ ન મળ્યું, ત્યારે તેમણે ફિલ્મો તરફ વલણ કર્યું. વર્ષ 2010માં આવેલી ફિલ્મ ‘ફૂંક 2’ થી તેમણે પોતાનું બોલીવુડ ડેબ્યૂ કર્યું હતું અને પછી ક્યારેય પાછળ વળીને જોયું નથી.
</p><h5 style="text-align: justify; "><b>અમિત સાધની નેટવર્થ
</b></h5><p style="text-align: justify; ">ફિલ્મોમાં પોપ્યુલર થયા પછી અમિતે ઓટીટી (OTT) પર પણ નામ કમાયું. પોતાની મહેનતથી તેમણે સાબિત કરી દીધું કે કંઈપણ મુશ્કેલ નથી બસ મહેનત કરવાની વાર છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, અમિતની કુલ સંપત્તિ આશરે 40 થી 42 કરોડ રૂપિયાની વચ્ચે છે અને આજે તેઓ એક શાનદાર લાઇફ જીવી રહ્યા છે.
</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/gauri-spratt-aamir-khan-rumored-third-wife-profession-biography" target="_blank">આ પણ વાંચો-Gauri Spratt કોણ છે અને શું કામ કરે છે? જેના પ્રેમમાં પડ્યા છે આમિર ખાન!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/DhME7tbhkvbc4xSSVld2XwGyd3Coc03Tutgbowts.webp'/></item></channel></rss>