<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Popular Actress : 3 લગ્ન કરવા છતાં પણ પ્રેમ માટે તરસતી રહી આ હસીના, પછી ડ્રગ્સના ઓવરડોઝથી થયું કરુણ મોત! ]]></title><link>https://sandesh.com/entertainment/news/marilyn-monroe-tragic-life-story-three-failed-marriages</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/marilyn-monroe-tragic-life-story-three-failed-marriages</guid><pubDate>Thu, 04 Jun 2026 15:15:08 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડથી લઈને હોલીવુડ સુધી ઘણી એવી અભિનેત્રીઓ રહી છે, જેમણે ભલે ઇન્ડસ્ટ્રીમાં ખૂબ નામ કમાયું હોય, પરંતુ પર્સનલ લાઇફમાં તેમને અસહ્ય દર્દ વેઠવું પડ્યું છે. એટલું જ નહીં પરંતુ અનેક લગ્ન કર્યા પછી પણ તેઓ આખી જિંદગી પ્રેમ માટે સરસતી રહી. આજે અમે તમને એક એવી જ એક્ટ્રેસ વિશે જણાવી રહ્યા છીએ, જેમણે પોતાની એક સ્માઇલથી લોકોના દિલ તો જીતી લીધા, પરંતુ તેમની અંગત જિંદગી દર્દથી ભરેલી રહી. 
</p><h2 style="text-align: justify; "><b>ફેમસ હિરોઈન મર્લિન મુનરો
</b></h2><p style="text-align: justify; ">અમે જેમની વાત કરી રહ્યા છીએ, તેઓ કોઈ અન્ય નહીં પરંતુ હોલીવુડની ફેમસ હિરોઈન મર્લિન મુનરો છે. ભલે મર્લિન મુનરો આજે આપણી વચ્ચે નથી, પરંતુ એક સમય એવો હતો જ્યારે તેઓ અત્યંત પોપ્યુલર હતા. મર્લિન મુનરો માત્ર હોલીવુડની સુંદર અભિનેત્રી નહોતા, પરંતુ તેમણે હંમેશા પોતાના કામથી લોકોના દિલ પર રાજ કર્યું છે.
</p><h3 style="text-align: justify; "><b>માતા-પિતાના થયા છૂટાછેડા
</b></h3><p style="text-align: justify; ">સાઇડવોક પર હવામાં ઊડતી સ્કર્ટ અને દિલ ખોલીને હસતી મુનરોની અસલી જિંદગી પડદાની લાઇફ કરતા તદ્દન અલગ હતી. નોર્મા જીન બેકર એટલે કે મર્લિન મુનરોના માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા હતા અને તેમના બે બાળકોની જવાબદારી તેમના પિતાને સોંપવામાં આવી હતી અને નોર્મા પોતાની માતા સાથે આવી ગઈ હતી.
</p><h4 style="text-align: justify; "><b>માતા મેન્ટલ હેલ્થ ઇન્સ્ટિટ્યુશનમાં ગઈ
</b></h4><p style="text-align: justify; ">માતા-પિતાના છૂટાછેડા પછી નોર્માની માતા તેને એક એટકિન્સન પરિવારમાં લઈ ગઈ અને તે લાંબા સમય સુધી ત્યાં રહી. જો કે, થોડા સમય પછી નોર્માની માતાનું ઇમોશનલ બ્રેકડાઉન થઈ ગયું અને તેમને મેન્ટલ હેલ્થ ઇન્સ્ટિટ્યુશનમાં મોકલી દેવામાં આવ્યા, જેના પછી નોર્મા એકલી પડી ગઈ અને પછી તેને પણ અનાથાશ્રમમાં મોકલી દેવામાં આવી.
</p><h5 style="text-align: justify; "><b>મોડેલિંગ કરિયરની શરૂઆત
</b></h5><p style="text-align: justify; ">આ પછી નોર્માની લાઇફમાં એવો વળાંક આવ્યો જે દરેક છોકરી માટે ખૂબ જ ખાસ હોય છે અને તેણે જીમ ડોએર્ટી નામના વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા, પરંતુ ચાર વર્ષમાં જ આ લગ્ન તૂટી ગયા. ત્યારબાદ તેને એક ફોટોગ્રાફર મળ્યા અને અહીંથી તેના મોડેલિંગ કરિયરની શરૂઆત થઈ.
<br><img title="Marilyn Monroe, Hollywood (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/06/04/RsI74ftPgTlhiJqoLOJ9UtQwavcQfmXAzVMBNVho.webp"><br></p><h5 style="text-align: justify; "><b>ઘણી વખત લગ્ન માટે પ્રપોઝ કર્યું
</b></h5><p style="text-align: justify; ">નોર્માને મોડેલિંગ પછી ટ્વેન્ટીએથ સેન્ચુરી ફોક્સ તરફથી કોલ આવ્યો અને અહીં તેણે પોતાનું નામ બદલીને મર્લિન મુનરો રાખવું પડ્યું. આ પછી તેની લાઇફમાં જોની હાઇડ નામના વ્યક્તિની એન્ટ્રી થઈ, જેણે ઘણી વખત તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું, પરંતુ મર્લિને દરેક વખતે ના પાડી દીધી અને પછી તે વ્યક્તિ આ દુનિયાને અલવિદા કહી ગયો.
</p><h6 style="text-align: justify; "><b>પતિ સાથે થયા ઝઘડો</b></h6><p style="text-align: justify; ">મર્લિન મુનરોની લાઇફના ટ્વિસ્ટ અહીં જ ખતમ ન થયા, પરંતુ તેમણે વર્ષ 1953માં જો ડીમેગિઓ સાથે લગ્ન કરી લીધા. પરંતુ તેની સ્કર્ટ ઊડવાનો સીન અને ફોટો જોયા પછી તેના પતિને ખૂબ ગુસ્સો આવ્યો અને બંને વચ્ચે ભારે દલીલબાજી થઈ, જેના પછી બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો અને બંને અલગ થઈ ગયા.
</p><h6 style="text-align: justify; "><b>ડ્રગ્સના ઓવરડોઝથી થયું મોત
</b></h6><p style="text-align: justify; ">પછી આવે છે વર્ષ 1956, જ્યાં તેમની મુલાકાત પ્લેરાઇટર આર્થર મિલર સાથે થઈ અને તેમની સાથે મર્લિને ત્રીજા લગ્ન કર્યા. પરંતુ તેમના આ લગ્ન પણ વધુ સમય ન ચાલી શક્યા અને પછી થોડા સમય બાદ વર્ષ 1962માં મર્લિન પોતાના ઘરમાં જ મૃત હાલતમાં મળી આવી. એક્ટ્રેસના મોતનું કારણ ડ્રગ્સનો ઓવરડોઝ જણાવવામાં આવ્યું હતું. ભલે મુનરોએ પોતાની પ્રોફેશનલ લાઇફમાં ખૂબ નામ કમાયું, પરંતુ અંગત જિંદગીમાં ઘણું દર્દ જોયું હતું.
</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/juhi-chawla-indias-richest-actress-secret-marriage-jay-mehta-career-fear" target="_blank">આ પણ વાંચો-Indiaની સૌથી અમીર એક્ટ્રેસ, જેણે એક અજાણ્યા ડરના કારણે વર્ષો સુધી છુપાવી રાખી હતી પોતાના લગ્નની વાત!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/04/BSSAVuc5j2a8g1tVrlurxhGyKURzQP98dBLUmFqk.webp'/></item><item><title><![CDATA[Morbi News: હળવદ નગરપાલિકાની ઘોર બેદરકારી, 40 ગામોમાં રોગચાળાનું જોખમ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/morbi/halvad-narmada-canal-polluted-with-gutter-water</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/morbi/halvad-narmada-canal-polluted-with-gutter-water</guid><pubDate>Thu, 04 Jun 2026 15:14:27 +05:30</pubDate><description><![CDATA[<p>મોરબી જિલ્લાના હળવદ પંથકમાંથી તંત્રની એક શરમાજનક અને લોકોના જીવ જોખમમાં મૂકતી ગંભીર બેદરકારી સામે આવી છે. હળવદ નગરપાલિકા દ્વારા લાખો લોકોના પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત સમાન નર્મદા કેનાલમાં ગટરનું ગંદુ અને દૂષિત પાણી છોડવામાં આવ્યું છે. તંત્રની આ કાળી કરતૂત સામે આવ્યા બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લાખો લોકોના માથે ગંભીર રોગચાળો ફાટી નીકળવાનો ખતરો મંડરાઈ રહ્યો છે.</p><h2><b>કેનાલને ગટર લાઈન બનાવી દેવામાં આવી
</b></h2><p>ઘટનાની મળતી વિગતો અનુસાર, ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી બ્રાહ્મણી ડેમ-2 ભરીને પીવાના પાણીની સપ્લાય પૂરી પાડવામાં આવે છે. આ જ પાણી હળવદ શહેર અને આસપાસના 40 ગામોને પહોંચાડવામાં આવે છે. એટલું જ નહીં, આ મુખ્ય કેનાલ દ્વારા રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકા સુધી પણ પીવાનું પાણી સપ્લાય કરવામાં આવે છે, પરંતુ હળવદ નગરપાલિકાના સત્તાધીશોની ઘોર બેદરકારીના કારણે આ શુદ્ધ પીવાના પાણીની કેનાલને ગટર લાઈન બનાવી દેવામાં આવી છે.
</p><h2><b>પીવાનું પાણી ઝેરી બનશે
</b></h2><p>સ્થાનિકોના જણાવ્યા અનુસાર, જો આ કેનાલનું દૂષિત પાણી બ્રાહ્મણી ડેમ અને અન્ય જળાશયોમાં પહોંચશે તો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પીવાનું પાણી ઝેરી બનશે, જેના કારણે કોલેરા, ટાઈફોઈડ અને કમળા જેવો ભયાનક રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવના છે. કરોડો લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ થઈ રહેલા આ ચેડાં બદલ જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે તેવી લોક માગ ઉઠી છે. હવે જોવાનું એ રહેશે કે ઉચ્ચ તંત્ર આ ગંભીર મુદ્દે ક્યારે જાગે છે.
</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/morbi/morbi-civil-hospital-collector-swapnil-khare-surprise-inspection-fire-safety" target="_blank">Morbi : સિવિલ હોસ્પિટલમાં કલેક્ટર સ્વપ્નિલ ખરેના વહેલી સવારે આકસ્મિક ધામા, ફાયર સેફ્ટી અને ટોયલેટ જોઇ આપી કડક સૂચના</a>
</p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/04/E9QxwJ73e0215e7t0b744t1s4JfJBR4Qzq9lK585.webp'/></item><item><title><![CDATA[West Bengal News: મમતા બેનર્જીના સૌથી મજબૂત કિલ્લામાં તિરાડ! આ 17 મુસ્લિમ ધારાસભ્ય નક્કી કરશે દીદીનું ભવિષ્ય ]]></title><link>https://sandesh.com/india/news/-political-news/west-bengal-news-crack-in-mamata-banerjees-strongest-fortress-these-17-muslim-mlas-will-decide-didis-future</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/-political-news/west-bengal-news-crack-in-mamata-banerjees-strongest-fortress-these-17-muslim-mlas-will-decide-didis-future</guid><pubDate>Thu, 04 Jun 2026 15:10:28 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ટીએમસીમાં 17 મુસ્લિમ ધારાસભ્યોની આસપાસ છે. જેમની અસંમતિના કારણે દીદીની સૌથી મજબૂત વોટ બેંકમાં તિરાડની શક્યતા છે. 
</p><h2 style="text-align: justify; ">પશ્ચિમ બંગાળના રાજકારણમાં બળવો
</h2><p style="text-align: justify; ">ટીએમસીમાં જૂથવાદ અને પક્ષપલટો જોવા મળ્યો છે. પરંતુ આ વખતે, તે ફક્ત અસંમતિનો મુદ્દો નથી. તૃણમૂલ કોંગ્રેસની અંદરના ઉથલપાથલે મમતા બેનર્જીની સૌથી મજબૂત વોટ બેંકને સીધી ચર્ચામાં લાવી છે. જ્યારે ઋતાબ્રત બેનર્જીનો દાવો કે 60 ટીએમસી ધારાસભ્યો અલગ લાઇન અપનાવવા તૈયાર છે. તે ચોક્કસપણે રાજકીય રીતે મહત્વપૂર્ણ છે. પરંતુ 17 મુસ્લિમ ધારાસભ્યોમાંથી વાસ્તવિક રાજકીય સંદેશ બહાર આવી રહ્યો છે જેમની વફાદારી પર પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે. 
</p><h3 style="text-align: justify; ">દીદીના વિશ્વસનીય વ્યક્તિઓ હવે અસ્વસ્થ 
</h3><p style="text-align: justify; ">પશ્ચિમ બંગાળના રાજકારણમાં મુસ્લિમ વોટ બેંક ફક્ત એક ચૂંટણી બળ નથી. તેને લાંબા સમયથી મમતા બેનર્જીની સૌથી મોટી તાકાત માનવામાં આવે છે. આ જ કારણ છે કે, પક્ષમાં આ તિરાડ હવે એક સરળ રાજકીય વિવાદ નથી. જો આ અસંતોષ વધુ વધશે. તો તેની અસર વિધાનસભા ચૂંટણીઓ સુધી મર્યાદિત રહેશે નહીં પરંતુ 2026ના ચૂંટણી વાતાવરણ પર પણ અસર કરી શકે છે. રાજકારણમાં સંકેતો ઘણીવાર સંખ્યાઓ કરતાં વધુ મહત્વ ધરાવે છે અને હાલમાં, બંગાળના રાજકારણમાં સૌથી મોટો સંકેત એ છે કે દીદીના કેટલાક સૌથી વિશ્વસનીય વ્યક્તિઓ હવે અસ્વસ્થ થયા છે. 
</p><h4 style="text-align: justify; ">રાજકીય નિષ્ણાતોની પ્રતિક્રિયા 
</h4><p style="text-align: justify; ">મુર્શિદાબાદ, માલદા, દક્ષિણ 24 પરગણા અને કેટલાક લઘુમતી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોના લગભગ 17 થી 18 મુસ્લિમ ધારાસભ્યો ઋતાબ્રત બેનર્જીના "વાસ્તવિક તૃણમૂલ" અભિયાન સાથે ઉભા હોવાનું કહેવાય છે. આ સંખ્યા હવે ટીએમસી નેતૃત્વ માટે ચિંતાનું કારણ બની રહી છે. રાજકીય નિષ્ણાતો માને છે કે, મમતા બેનર્જી સંગઠનનું પુનર્નિર્માણ કરી શકે છે અને બળવાખોર નેતાઓને હાંકી કાઢશે, પરંતુ જો મુસ્લિમ વિસ્તારોમાં વિશ્વાસ નબળો પડશે, તો તેની ભરપાઈ કરવી મુશ્કેલ બનશે. 
</p><h5 style="text-align: justify; ">પક્ષના મુસ્લિમ નેતાઓના પ્રશ્નો  
</h5><p style="text-align: justify; ">તૃણમૂલ કોંગ્રેસમાં સૌથી મોટી ચિંતા એ છે કે, પાર્ટીના મુસ્લિમ નેતાઓ હવે ખુલ્લેઆમ પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. આ એ જ નેતાઓ છે જેમને ભૂતકાળની ચૂંટણીઓમાં મમતા બેનર્જીના સૌથી મજબૂત સૈનિકો માનવામાં આવ્યા છે. જો આ નેતાઓ અલગ વલણ અપનાવતા જોવા મળે છે, તો તેની સીધી અસર પાયાના કાર્યકરો અને મતદારો પર પડી શકે છે. રાજકીય વિશ્લેષકો માને છે કે બંગાળના રાજકારણમાં, મુસ્લિમ નેતૃત્વને ફક્ત પ્રતિનિધિત્વ જ નહીં પરંતુ સંગઠનની કરોડરજ્જુ માનવામાં આવે છે. તેથી, 17 ધારાસભ્યોનો અસંતોષ ટીએમસી માટે સામાન્ય ઘટના નથી.
</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/-political-news/india-nepal-border-dispute-pm-balen-shah-silent-on-border-dispute-this-formula-will-be-used-to-resolve-the-problem" target="_blank">સરહદ વિવાદ મુદ્દે PM Balen Shah મૌન, સમસ્યા ઉકેલવા આ ફોર્મ્યુલાનો કરાશે ઉપયોગ</a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/04/mhjPdlVq73YuFISFIVajJvmbHPR1Ydb2ev3XUAL3.webp'/></item><item><title><![CDATA[TikTok નો કમાલ, મુકેશ અંબાણીને પણ પાછળ છોડીને આ વ્યક્તિ બન્યો એશિયાનો બીજો સૌથી ધનિક ]]></title><link>https://sandesh.com/india/news/business/tiktok-is-amazing-this-person-became-the-second-richest-person-in-asia-leaving-behind-even-mukesh-ambani</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/tiktok-is-amazing-this-person-became-the-second-richest-person-in-asia-leaving-behind-even-mukesh-ambani</guid><pubDate>Thu, 04 Jun 2026 15:06:39 +05:30</pubDate><description><![CDATA[<p>
</p><div style="text-align: justify; ">એશિયાના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં તાજેતરમાં એક મોટું પરિવર્તન જોવા મળ્યું છે. ચીની ટેક દિગ્ગજ 'બાઇટડાન્સ' (ByteDance) ના સહ-સ્થાપક ઝાંગ યિમિંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને પાછળ છોડીને એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિનું સ્થાન હાંસલ કર્યું છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ મુજબ, ઝાંગની નેટવર્થ હવે $92.8 બિલિયન પર પહોંચી ગઈ છે.</div><h2 style="text-align: justify;"><b>ઝડપી વિકાસની ગાથા
</b></h2><div style="text-align: justify;">ઝાંગ યિમિંગની આ સફળતા અવિશ્વસનીય છે. માર્ચ 2019માં તેમની સંપત્તિ માત્ર $13 બિલિયન હતી, જે સાત વર્ષના ટૂંકા ગાળામાં સાત ગણી વધીને $92.8 બિલિયન થઈ ગઈ છે. આ વર્ષે જ તેમણે પોતાની સંપત્તિમાં $27.7 બિલિયનનો જંગી વધારો કર્યો છે. તેની સામે, મુકેશ અંબાણીની નેટવર્થમાં ઘટાડો નોંધાયો છે અને તે $86.4 બિલિયન પર આવી ગઈ છે. આમ, ઝાંગ હવે અંબાણી કરતા $6.4 બિલિયન વધુ સંપત્તિ ધરાવે છે.
</div><h3 style="text-align: justify;"><b>TikTok અને AI નો જાદુ
</b></h3><div style="text-align: justify;">ઝાંગ યિમિંગની આ સંપત્તિમાં વધારો મુખ્યત્વે તેમના બે મોટા પ્રોજેક્ટ્સને આભારી છે: લોકપ્રિય શોર્ટ-વિડિયો એપ 'TikTok' અને તેમનો નવો AI ચેટબોટ 'Doubao'. ખાસ કરીને 'Doubao' એ ચીનના ટેક માર્કેટમાં ભારે લોકપ્રિયતા મેળવી છે અને તેના 300 મિલિયનથી વધુ માસિક વપરાશકર્તાઓ છે. TikTok પર અમેરિકા સહિતના વિવિધ દેશોમાં નિયંત્રણો અને માલિકીના ફેરફારો છતાં, કંપનીનું બજાર મૂલ્ય અકબંધ રહ્યું છે અને તે સતત પ્રગતિ કરી રહી છે.
</div><h4 style="text-align: justify;"><b>અદાણીનું વર્ચસ્વ અકબંધ
</b></h4><div style="text-align: justify; ">આ યાદીમાં જોકે ભારતીય ઉદ્યોગપતિઓનું પ્રભુત્વ હજુ પણ યથાવત છે. મુકેશ અંબાણી હવે ત્રીજા સ્થાને સરકી ગયા હોવા છતાં, એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીનું સ્થાન સુરક્ષિત છે. $117.4 બિલિયનની નેટવર્થ સાથે ગૌતમ અદાણી સમગ્ર એશિયામાં નંબર વન ધનિક વ્યક્તિ તરીકે ટોચનું સ્થાન ધરાવે છે.<br><br><a href="https://sandesh.com/tech/news/amazon-laid-off-30000-employees-and-spent-billions-on-ai" target="_blank">આ પણ વાંચોઃ Amazon માં 30,000 કર્મચારીઓને કર્યા જોબલેસ અને  AI પાછળ અબજોનો ખર્ચ</a><b></b></div><div style="text-align: justify; "><br></div> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/04/JRm7yaXHejabgUmiShBFWvsyYbEiqHhja9ux7ZSi.webp'/></item><item><title><![CDATA[TikTok નો કમાલ, મુકેશ અંબાણીને પણ પાછળ છોડીને આ વ્યક્તિ બન્યો એશિયાનો બીજો સૌથી ધનિક ]]></title><link>https://sandesh.com/india/news/business/tiktok-is-amazing-this-person-became-the-second-richest-person-in-asia-leaving-behind-even-mukesh-ambani</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/tiktok-is-amazing-this-person-became-the-second-richest-person-in-asia-leaving-behind-even-mukesh-ambani</guid><pubDate>Thu, 04 Jun 2026 15:06:39 +05:30</pubDate><description><![CDATA[<p>
</p><div style="text-align: justify; ">એશિયાના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં તાજેતરમાં એક મોટું પરિવર્તન જોવા મળ્યું છે. ચીની ટેક દિગ્ગજ 'બાઇટડાન્સ' (ByteDance) ના સહ-સ્થાપક ઝાંગ યિમિંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને પાછળ છોડીને એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિનું સ્થાન હાંસલ કર્યું છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ મુજબ, ઝાંગની નેટવર્થ હવે $92.8 બિલિયન પર પહોંચી ગઈ છે.</div><h2 style="text-align: justify;"><b>ઝડપી વિકાસની ગાથા
</b></h2><div style="text-align: justify;">ઝાંગ યિમિંગની આ સફળતા અવિશ્વસનીય છે. માર્ચ 2019માં તેમની સંપત્તિ માત્ર $13 બિલિયન હતી, જે સાત વર્ષના ટૂંકા ગાળામાં સાત ગણી વધીને $92.8 બિલિયન થઈ ગઈ છે. આ વર્ષે જ તેમણે પોતાની સંપત્તિમાં $27.7 બિલિયનનો જંગી વધારો કર્યો છે. તેની સામે, મુકેશ અંબાણીની નેટવર્થમાં ઘટાડો નોંધાયો છે અને તે $86.4 બિલિયન પર આવી ગઈ છે. આમ, ઝાંગ હવે અંબાણી કરતા $6.4 બિલિયન વધુ સંપત્તિ ધરાવે છે.
</div><h3 style="text-align: justify;"><b>TikTok અને AI નો જાદુ
</b></h3><div style="text-align: justify;">ઝાંગ યિમિંગની આ સંપત્તિમાં વધારો મુખ્યત્વે તેમના બે મોટા પ્રોજેક્ટ્સને આભારી છે: લોકપ્રિય શોર્ટ-વિડિયો એપ 'TikTok' અને તેમનો નવો AI ચેટબોટ 'Doubao'. ખાસ કરીને 'Doubao' એ ચીનના ટેક માર્કેટમાં ભારે લોકપ્રિયતા મેળવી છે અને તેના 300 મિલિયનથી વધુ માસિક વપરાશકર્તાઓ છે. TikTok પર અમેરિકા સહિતના વિવિધ દેશોમાં નિયંત્રણો અને માલિકીના ફેરફારો છતાં, કંપનીનું બજાર મૂલ્ય અકબંધ રહ્યું છે અને તે સતત પ્રગતિ કરી રહી છે.
</div><h4 style="text-align: justify;"><b>અદાણીનું વર્ચસ્વ અકબંધ
</b></h4><div style="text-align: justify; ">આ યાદીમાં જોકે ભારતીય ઉદ્યોગપતિઓનું પ્રભુત્વ હજુ પણ યથાવત છે. મુકેશ અંબાણી હવે ત્રીજા સ્થાને સરકી ગયા હોવા છતાં, એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીનું સ્થાન સુરક્ષિત છે. $117.4 બિલિયનની નેટવર્થ સાથે ગૌતમ અદાણી સમગ્ર એશિયામાં નંબર વન ધનિક વ્યક્તિ તરીકે ટોચનું સ્થાન ધરાવે છે.<br><br><a href="https://sandesh.com/tech/news/amazon-laid-off-30000-employees-and-spent-billions-on-ai" target="_blank">આ પણ વાંચોઃ Amazon માં 30,000 કર્મચારીઓને કર્યા જોબલેસ અને  AI પાછળ અબજોનો ખર્ચ</a><b></b></div><div style="text-align: justify; "><br></div> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/04/JRm7yaXHejabgUmiShBFWvsyYbEiqHhja9ux7ZSi.webp'/></item><item><title><![CDATA[Gujarat Weather Update: વાવાઝોડા સાથે તૂટી પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-weather-update-rain-forecast-monsoon-entry</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-weather-update-rain-forecast-monsoon-entry</guid><pubDate>Thu, 04 Jun 2026 14:32:13 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાત સહિત સમગ્ર દેશના ખેડૂતો અને સામાન્ય જનતા જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, તે ચોમાસાને લઈને હવામાન વિભાગે સૌથી મોટા અને આનંદના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે દેશમાં સત્તાવાર રીતે ચોમાસાના આગમનની જાહેરાત કરી દીધી છે. કેરળમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ ચૂક્યું છે, જેને પગલે હવે આગામી દિવસોમાં દેશના અન્ય રાજ્યો સહિત ગુજરાતમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થશે.</p><h2><b>ડબલ સિસ્ટમ એક્ટિવ
</b></h2><p>હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થઈ છે. આ ડબલ સિસ્ટમ એક્ટિવ થવાના કારણે આગામી બે દિવસ દરમિયાન ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન પવનની ગતિ 15 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાની સંભાવના છે, જેથી વાવાઝોડા જેવો માહોલ સર્જાઈ શકે છે.
</p><h2><b>સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતમાં
</b></h2><p>ચોમાસાની આ સિસ્ટમની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને આસપાસના પંથકમાં સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.
</p><h2><b>અસહ્ય ગરમી અને બફારો અકળાવશે
</b></h2><p>બીજી તરફ, ચોમાસા પૂર્વેના આ વાતાવરણમાં લોકોને બેવડી ઋતુનો સામનો કરવો પડશે. એક તરફ પવન સાથે વરસાદી માહોલ રહેશે, તો બીજી તરફ અસહ્ય ગરમી અને બફારો અકળાવશે. ખાસ કરીને અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ભેજનું પ્રમાણ વધતાં લોકોને ભારે ઉકળાટ અને બફારાનો અહેસાસ થશે. જોકે, આ અકળામણ બાદ ટૂંક સમયમાં જ મેઘરાજા ગુજરાતને તરબતર કરશે.
</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/dhandhuka-ranpur-road-accident-near-kishan-gin" target="_blank">Ahmedabad News: ધંધુકા-રાણપુર રોડ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, એકનું મોત, 3ની હાલત ગંભીર</a>
</p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/04/a5cxV6amsmsRitYLpSqGoMCNaP88hqFeUEAZzCQZ.webp'/></item><item><title><![CDATA[Vadodara : ડભોઈમાં અરજીની તપાસે ગયેલા પોલીસ કર્મીઓ પર ઈંટો વડે જીવલેણ હુમલો, 4 હુમલાખોરોની ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/vadodara-dabhoi-police-attacked-injured-asif-husain-arrested-fsl-investigation</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/vadodara-dabhoi-police-attacked-injured-asif-husain-arrested-fsl-investigation</guid><pubDate>Thu, 04 Jun 2026 14:16:46 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા જિલ્લાના ડભોઈ પંથકમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કરતી એક આઘાતજનક ઘટના સામે આવી છે. ડભોઈમાં એક સામાન્ય અરજીની તપાસના અર્થે ગયેલા પોલીસ જવાનો પર અસામાજિક તત્વો દ્વારા એકસંપ થઈને જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો સનસનાટીભર્યો મામલો પ્રકાશમાં આવ્યો છે. હુમલાખોરોએ ખાખી વર્દીનો જરાપણ ડર રાખ્યા વિના પોલીસ જવાનો પર ઈંટો વડે ધાણીપાસી હુમલો કર્યો હતો, જેમાં હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ બંને ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાને પગલે સમગ્ર વડોદરા ગ્રામ્ય પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>અરજીના અનુસંધાને તપાસ કરવા ઘટનાસ્થળે પહોંચ્યા હતા
</b></h2><p style="text-align: justify; ">મળતી વિગતો મુજબ, ડભોઈ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ નવીનભાઈ અને કોન્સ્ટેબલ શુભમભાઈ સરકારી ફરજના ભાગરૂપે એક અરજીના અનુસંધાને તપાસ કરવા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ દરમિયાન ત્યાં હાજર આસિફ અને હુસેન સહિતના શખ્સોએ પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. 
</p><h3 style="text-align: justify; "><b>જવાનો પર ઈંટોના છુટ્ટા ઘા મારવાનું શરૂ કરી દીધું
</b></h3><p style="text-align: justify; ">મામલો એટલો બિચક્યો હતો કે આ શખ્સોએ ઉશ્કેરાઈને કાયદો હાથમાં લીધો અને પોલીસ જવાનો પર ઈંટોના છુટ્ટા ઘા મારવાનું શરૂ કરી દીધું હતું. હુમલામાં લોહીલુહાણ થયેલા બંને પોલીસ જવાનોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
</p><h4 style="text-align: justify; "><b>&nbsp;4 રીઢા આરોપીઓની અટકાયત 
</b></h4><p style="text-align: justify; ">આ હાઈ-પ્રોફાઈલ કેસની ગંભીરતાને જોતાં વડોદરા ગ્રામ્ય પોલીસે તાત્કાલિક એક્શન મોડમાં આવીને આસિફ, હુસેન સહિત કુલ 9 આરોપીઓ સામે ફરજ પરના સરકારી કર્મચારી પર હુમલો અને જાનથી મારી નાખવાના પ્રયાસ હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે દરોડા પાડીને કુલ 9 પૈકી 4 રીઢા આરોપીઓની અટકાયત કરી લીધી છે, જ્યારે ફરાર અન્ય 5 આરોપીઓની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. ઘટનાસ્થળ પરથી પાકા પુરાવા એકત્રિત કરવા માટે એફએસએલ (FSL) ની ટીમની પણ મદદ લેવામાં આવી છે. રક્ષક જ ભક્ષક સામે અસુરક્ષિત બનતા સ્થાનિક સ્તરે સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઉઠી રહ્યા છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો---&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-live-news-and-samachar-04-june-2026-politics-weather-updates-daily-breaking-news-national-news-international-news-sports-news-ipl-2026-in" target="_blank"><b>Gujarat Latest News live: ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞાચક્ષુને માર મારનાર મહિલા PSI સોનલ રાઠોડ સસ્પેન્ડ</b></a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/04/tvXom4xWxmINPZDvJbwPrIYCTVwnxUNSd4Vbqodl.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: ખાખીને શર્મસાર કરનારી PSI સોનલ રાઠોડ સસ્પેન્ડ, પ્રજ્ઞાચક્ષુ આધેડને માર્યો હતો માર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-university-police-station-psi-sonal-rathod-suspended</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-university-police-station-psi-sonal-rathod-suspended</guid><pubDate>Thu, 04 Jun 2026 14:08:15 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરમાંથી ખાખી વર્દીને કલંકિત કરતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં કાયદાના રક્ષક જ ભક્ષક બન્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ સોનલ રાઠોડ દ્વારા એક પ્રજ્ઞાચક્ષુ આધેડ વ્યક્તિને બેરહેમીથી માર મારવામાં આવ્યો હોવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. આ ગંભીર ઘટનાની નોંધ લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તાત્કાલિક કડક પગલાં લેવામાં આવ્યા છે.</p><h2><b>પોલીસ બેડામાં ભારે ખળભળાટ
</b></h2><p>ઘટનાની મળતી વિગતો અનુસાર, ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકમાં મહિલા પીએસઆઈ સોનલ રાઠોડે એક પ્રજ્ઞાચક્ષુ આધેડ સાથે અમાનવીય વર્તન કરી તેમને ઢોર માર માર્યો હતો. આ ઘટના સામે આવતા જ પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. એક લાચાર અને દિવ્યાંગ વ્યક્તિ પર પોલીસ દ્વારા આ પ્રકારે સત્તાનો દુરૂપયોગ કરીને અત્યાચાર ગુજારવામાં આવતા લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો.
</p><h2><b>અમદાવાદ ગ્રામ્ય એસપીએ કરી કડક કાર્યવાહી
</b></h2><p>આ સમગ્ર મામલાની ગંભીરતાને જોતાં અમદાવાદ ગ્રામ્ય એસપી દ્વારા તાત્કાલિક અસરથી મહિલા પીએસઆઈ સોનલ રાઠોડને સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આટલું જ નહીં, કાયદો હાથમાં લેનાર મહિલા પીએસઆઈ વિરૂદ્ધ કાયદેસરનો ગુનો નોંધવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. આ મામલે ટૂંક સમયમાં જ ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવશે. આ કાર્યવાહીથી કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન કરનારા પોલીસ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
</p><p><br></p><p>આ પણ વાંચો -&nbsp; <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/dhandhuka-ranpur-road-accident-near-kishan-gin" target="_blank">Ahmedabad News: ધંધુકા-રાણપુર રોડ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, એકનું મોત, 3ની હાલત ગંભીર</a>
</p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/04/O597T9LmUpJGwvZet9YlxxL5MaVobLZUZIE2IgNW.webp'/></item><item><title><![CDATA[Gandhinagar : ગૃહ વિભાગનો મોટો નિર્ણય, 550 કિમી લાંબી બોર્ડર રેન્જનું કરાયું વિભાજન, નવી બનાસકાંઠા રેન્જ અસ્તિત્વમાં આવી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/gandhinagar/gandhinagar---gujarat-home-department-bifurcated-border-range-new-banaskantha-range-morbi-kutch</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/gandhinagar/gandhinagar---gujarat-home-department-bifurcated-border-range-new-banaskantha-range-morbi-kutch</guid><pubDate>Thu, 04 Jun 2026 13:53:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતની આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સરહદોની સુરક્ષા વ્યવસ્થાને વધુ અભેદ્ય અને સુદ્રઢ બનાવવા માટે ગાંધીનગર ગૃહ વિભાગ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટો વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ મંત્રાલયે વિશાળ ભૌગોલિક વિસ્તાર ધરાવતી 'બોર્ડર રેન્જ'  નું વિભાજન કરીને તદ્દન નવી 'બનાસકાંઠા રેન્જ' ની જાહેરાત કરી છે. પાકિસ્તાન સરહદ અને દરિયાઈ સરહદ પર સુરક્ષા એજન્સીઓનું મોનિટરિંગ વધુ મજબૂત બને અને સંકલન ઝડપી થાય તે આશયથી આ વ્યૂહાત્મક ફેરફાર કરવામાં આવ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>550 કિલોમીટરનો વિશાળ સંવેદનશીલ વિસ્તાર
</b></h2><p style="text-align: justify; ">મળતી વિગતો મુજબ, અગાઉ બોર્ડર રેન્જ હેઠળ આશરે 550 કિલોમીટરનો વિશાળ સંવેદનશીલ વિસ્તાર આવતો હતો, જેનું સંચાલન એક જ આઈજી  કક્ષાના અધિકારી માટે ખૂબ જ પડકારજનક હતું. આ વિસ્તારમાં 406.87 કિલોમીટર લાંબી ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય જમીની સરહદ અને ૨૩૮ કિલોમીટર લાંબો સંવેદનશીલ દરિયાઈ વિસ્તાર સામેલ છે. 
</p><h3 style="text-align: justify; "><b>આ રેન્જમાં આ જિલ્લાનો સમાવેશ 
</b></h3><p style="text-align: justify; ">હવે આ વિશાળ વિસ્તારના વિભાજન બાદ નવી વહીવટી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને નવી બનાસકાંઠા રેન્જ ઉભી કરાઇ છે.  આ નવી રેન્જ હેઠળ બનાસકાંઠા જિલ્લો, વાવ-થરાદનો સરહદી વિસ્તાર અને પાટણ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે.જ્યારે  પુનઃગઠિત બોર્ડર રેન્જમાં હવે પૂર્વ કચ્છ, પશ્ચિમ કચ્છ અને સૌરાષ્ટ્રના મહત્વના મોરબી જિલ્લાને પણ બોર્ડર રેન્જની સુરક્ષા ગ્રીડમાં સામેલ કરી દેવાયો છે.
</p><h4 style="text-align: justify; "><b>રાજકોટ રેન્જમાં આ જિલ્લાનો સમાવેશ
</b></h4><p style="text-align: justify; ">આ ફેરફાર બાદ રાજકોટ રેન્જ હેઠળ હવે રાજકોટ ગ્રામ્ય, જામનગર, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ રહેશે.
</p><h4 style="text-align: justify; "><b>રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ પર કડક નજર
</b></h4><p style="text-align: justify; ">ગૃહ વિભાગના ઉચ્ચ સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન સરહદેથી થતી સંભવિત ઘૂસણખોરી, ડ્રગ્સની હેરાફેરી અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવા માટે પૂરતા પોલીસ કાફલા અને ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ જરૂરી હતી. નવી બનાસકાંઠા રેન્જ બનવાથી સરહદી જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનશે અને સ્થાનિક પોલીસિંગની ક્ષમતામાં પણ મોટો વધારો થશે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-livegujarat-latest-news-livegujarat-latest-live-news-and-samachar-04-june-2026-politics-weather-updates-daily-breaking-news-national-news-international-news-sports-news-ipl-2026-in" target="_blank"><b>&nbsp;Gujarat Latest News live: ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞાચક્ષુને માર મારનાર મહિલા PSI સોનલ રાઠોડ સસ્પેન્ડ</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/04/uWMc1YPYVg1fWDWBqHpzsuGiDb7VDpccjr4ERrPH.webp'/></item><item><title><![CDATA[IND vs AFG: અફઘાનિસ્તાન ટેસ્ટ માટે ભારતની પ્લેઇંગ 11માં આ ખેલાડીઓ બેસ્ટ, ઇરફાન પઠાણ ]]></title><link>https://sandesh.com/sports/news/cricket/ind-vs-afg-these-players-are-the-best-in-indias-playing-11-for-the-afghanistan-test-irfan-pathan</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/cricket/ind-vs-afg-these-players-are-the-best-in-indias-playing-11-for-the-afghanistan-test-irfan-pathan</guid><pubDate>Thu, 04 Jun 2026 11:02:36 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આગામી ૬ જૂનથી નવા ચંદીગઢમાં એકમાત્ર ટેસ્ટ મેચ રમાવાની છે. આ મહત્ત્વની મેચ પહેલા ભારતીય ટીમના ભૂતપૂર્વ સ્ટાર ફાસ્ટ બોલર ઈરફાન પઠાણે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન (Playing 11) ને લઈને મોટો ખુલાસો કર્યો છે. ઈરફાને કહ્યું કે ટેસ્ટ માટે ભારતની પ્લેઇંગ 11માં આ ખેલાડીઓ બેસ્ટ છે. ઇરફાને કહ્યું કે અફઘાનિસ્તાન સામે આ ટીમમાં ૬ નંબરથી લઈને ૧૧ નંબર સુધીના આ ખેલાડીઓ મજબૂત દાવેદાર હોવાનું માનું છું. જો કે ટીમ ઇન્ડીયાની પ્લેઇંગ 11ની યાદી જોઈ લોકોને આશ્ચર્ય થયું કે આમાં ભારતના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવનું નામ કેમ નથી. ઇરફાન પઠાણે પ્લેઇંગ 11માં કયા ખેલાડીઓને મજબૂત દાવેદાર માન્યા અને કુલદીપને કેમ બહાર રાખ્યો આવો જાણીએ.</p><h2 style="text-align: justify; "><b>ઇરફાન પઠાણે આ ખેલાડીની કરી પ્રસંશા</b></h2><p style="text-align: justify; ">યુવા ખેલાડીઓનો પક્ષ લેતા ઈરફાને ઉમેર્યું કે, જ્યારે તમે શ્રીલંકા કે અન્ય મોટી ટીમો સામે રમો છો ત્યારે અનુભવી ખેલાડીઓ જ મેદાનમાં હોય છે. પરંતુ જો આવી મેચોમાં ધ્રુવ જુરેલ અને નીતિશ રેડ્ડી જેવા યુવા ખેલાડીઓ રમશે, તો ટીમમાં લવચીકતા આવશે અને તેમને મોટો અનુભવ મળશે. નીતિશ રેડ્ડીના વખાણ કરતા પઠાણે કહ્યું, "નીતિશે ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન સદી ફટકારી હતી, જે કોઈ નાની સિદ્ધિ નથી. બહુ ઓછા યુવા ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા જઈને સદી ફટકારી શકે છે. તેની પાસે અદભુત ક્ષમતા છે અને જો તે અફઘાનિસ્તાન સામે રન બનાવશે, તો ટીમ મેનેજમેન્ટનો તેના પર ભરોસો ઘણો વધી જશે."</p><p style="text-align: justify; "><b>ઇરફાન પઠાણ પ્લેઇંગ ઇલેવન</b> શુભમન ગિલ, કે.એલ. રાહુલ, સાઈ સુદર્શન, ઋષભ પંત, દેવદત્ત પડિકલ, ધ્રુવ જુરેલ, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, હર્ષ દુબે, ગુરનુર બ્રાર, મોહમ્મદ સિરાજ અથવા પ્રસીદ કૃષ્ણા</p><p style="text-align: justify; "><b>શા માટે કુલદીપ યાદવ પ્લેઇંગ 11 માંથી બહાર?</b></p><p style="text-align: justify; ">સ્ટાર સ્પોર્ટ્સના લોકપ્રિય શો 'ફોલો ધ બ્લૂઝ' માં વાતચીત દરમિયાન ઈરફાન પઠાણે જણાવ્યું કે, ભારતીય ટીમ હાલમાં ૮ નંબર સુધી મજબૂત બેટિંગ લાઈન-અપ રાખવાનું પસંદ કરે છે. આ જ રણનીતિને કારણે કુલદીપ યાદવના સ્થાને લોઅર-મિડલ ઓર્ડરમાં યુવા ખેલાડીઓને તક આપવી જોઈએ. ઇરફાનના જણાવ્યા અનુસાર, ટીમ મેનેજમેન્ટે નંબર ૬, ૭ અને ૮ પર બેટિંગની ઊંડાઈ વધારવા માટે ધ્રુવ જુરેલ, નીતિશ કુમાર રેડ્ડી અને વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કરવા જોઈએ.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/04/OPY1mtaxCEp1yp4r3RBoHrBqFwjL9u5OC9LPDTMM.webp'/></item></channel></rss>