<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Petrol Diesel Price Today: મંગળવારે ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવને લઇને રાહતના સમાચાર ]]></title><link>https://sandesh.com/business/news/petrol-diesel-price-today-relief-news-regarding-petrol-diesel-prices-in-gujarat-on-tuesday-1-1-1-1-1</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/petrol-diesel-price-today-relief-news-regarding-petrol-diesel-prices-in-gujarat-on-tuesday-1-1-1-1-1</guid><pubDate>Tue, 07 Jul 2026 09:01:33 +05:30</pubDate><description><![CDATA[<p>ક્રૂડ ઓઇલના ભાવમાં વધારા વચ્ચે સરકારી માલિકીની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ  IOCL, HPCL અને ઇન્ડિયન ઓઇલએ આજે 7 જુલાઈ, પેટ્રોલ અને ડીઝલ માટે નવા દર જાહેર કર્યા છે. ઇંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. યુએસ WTI ક્રૂડ $0.41 વધીને $68.83 પ્રતિ બેરલ પર પહોંચ્યું છે. બ્લૂમબર્ગ અનુસાર બ્રેન્ટ ક્રૂડ પણ $0.42 મોંઘુ થયું છે જે $72.29 પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું છે. ત્યારે જાણીએ પેટ્રોલ ડીઝલના ભાવ આજે શું છે. </p><h2><b>ક્રૂડ ઓઇલના ભાવ કેમ વધ્યા ?</b></h2><p>સોમવારે ઓમાનના દરિયાકાંઠે કરવામાં આવેલા હુમલા બાદ તેલના ટેન્કરમાં આગ લાગવાથી ભૌગોલિક રાજકીય ચિંતાઓ વધી ગઈ. અમેરિકા અને ઈરાન વચ્ચે કાયમી શાંતિ કરાર સુધી પહોંચવાના ચાલુ પ્રયાસો છતાં આ હુમલો થયો. આ ઘટનાક્રમને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં થોડો વધારો થયો.</p><p>ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો એ આશાઓને ફટકો આપે છે કે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. નોંધનીય છે કે ક્રૂડ ઓઇલના બેરલના ભાવમાં $10 નો વધારો કંપનીઓને પ્રતિ લિટર આશરે ₹6 નું નુકસાન પહોંચાડે છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીના જણાવ્યા મુજબ, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ હજુ પણ ભારે નુકસાન સહન કરી રહી છે.</p><h3><b>નાયરા પછી કોઈએ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડ્યા નથી</b></h3><p>જ્યારે સંઘર્ષ દરમિયાન કાચા તેલના ભાવ આસમાને પહોંચ્યા, ત્યારે નાયરા ભારતમાં પેટ્રોલના ભાવમાં ₹5 અને ડીઝલના ભાવમાં ₹3 પ્રતિ લિટર વધારો કરનારી પહેલી કંપની હતી. ત્યારબાદ, મે મહિનામાં, સરકારી માલિકીની કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં પ્રતિ લિટર ₹7.50નો વધારો કર્યો. હાલમાં, ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ મંત્રણા ચાલી રહી છે, યુદ્ધવિરામ અમલમાં છે અને કાચા તેલના ભાવ પ્રતિ બેરલ $126 થી ઘટીને $72–$73 ની રેન્જમાં આવી ગયા છે.</p><p>નાયરાના આ પગલા પછી ભારતમાં કોઈ પણ કંપનીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો નથી. બેંગલુરુના નાયરા પંપ પર પ્રતિ લિટર ₹5 ના ઘટાડા પછી પણ પેટ્રોલનો ભાવ ₹111.20 પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ ₹98.80 પ્રતિ લિટર છે. દરમિયાનઆજે (7 જુલાઈ) ઇન્ડિયન ઓઇલ પંપ પર, ડીઝલનો ભાવ ₹98.80 પ્રતિ લિટર અને પેટ્રોલનો ભાવ ₹110.91 પ્રતિ લિટર છે.</p><p><b style="font-size: 1.5rem;">પડોશી દેશોમાં શું છે પરિસ્થિતિ ?&nbsp;</b></p><p>GlobalPetrolPrices.com મુજબ, આજે ચીનમાં ઇંધણના ભાવ 15.6% વધારે છે, જ્યારે પાકિસ્તાનમાં પેટ્રોલ 16% અને ડીઝલ 13% વધારે છે. આ બધા દેશોમાં યુદ્ધ પહેલાના ભાવ કરતાં ઇંધણ નોંધપાત્ર રીતે મોંઘુ રહ્યું છે, જ્યારે ભારતમાં ભાવમાં માત્ર 8%નો વધારો થયો છે.&nbsp;<br><br><b>દેશના મોટા શહેરોમાં પેટ્રોલ ડીઝલનો ભાવ&nbsp;</b></p><p><b><br></b></p><table class="table table-bordered"><tbody><tr><td>શહેર&nbsp;</td><td>પેટ્રોલ (₹/લિટર)&nbsp;</td><td>ડીઝલ (₹/લિટર)</td></tr><tr><td>નવી દિલ્હી</td><td>&nbsp;102.12&nbsp;</td><td>95.20</td></tr><tr><td>કોલકાતા&nbsp;</td><td>113.51&nbsp;</td><td>99.82</td></tr><tr><td>મુંબઈ&nbsp;</td><td>111.21</td><td>&nbsp;97.83</td></tr><tr><td>ચેન્નઈ</td><td>&nbsp;107.76&nbsp;</td><td>99.55&nbsp;</td></tr><tr><td>બેંગલુરુ</td><td>&nbsp;110.93&nbsp;</td><td>98.80</td></tr></tbody></table><p><b>ગુજરાતના મોટા શહેરોમાં આજે પેટ્રોલ ડીઝલનો ભાવ&nbsp;</b></p><p><b><br></b></p><table class="table table-bordered"><tbody><tr><td>શહેર&nbsp;</td><td>પેટ્રોલ (₹/લિટર)&nbsp;</td><td>ડીઝલ (₹/લિટર)</td></tr><tr><td>અમદાવાદ&nbsp;</td><td>₹101.83&nbsp;</td><td>₹97.92&nbsp;</td></tr><tr><td>ગાંધીનગર&nbsp;</td><td>₹101.83&nbsp;<br></td><td>₹97.92&nbsp;</td></tr><tr><td>રાજકોટ&nbsp;</td><td>₹102.03&nbsp;</td><td>₹98.35&nbsp;&nbsp;</td></tr><tr><td>સુરત&nbsp;</td><td>₹102.22&nbsp;</td><td>₹98.02</td></tr><tr><td>વડોદરા&nbsp;</td><td>₹101.46&nbsp;</td><td>₹97.57</td></tr></tbody></table><p><b><br></b></p><p><a href="https://sandesh.com/astrology/news/bhakti/budh-gochar-2026-bank-balance-of-3-zodiac-signs-will-increase-mercury-will-change-its-course" target="_blank">આ પણ વાંચો-Budh Gochar 2026: 3 રાશિનું બેંક બેલેન્સ વધશે ! બુધ બદલશે ચાલ&nbsp;</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/05/xdfkzVt1PdUa2rXLdkVgSCGnj1iicrEt8OHKgxuO.webp'/></item><item><title><![CDATA[Bhavnagar: બે કલાકના વિરામ બાદ કાળિયાબીડ અને નિલમબાગ સહિતના વિસ્તારોમાં ફરી વરસાદ શરૂ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/bhavnagar/rain-restarts-kaliyabid-nilambaug-jewellers-circle-weather-update</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/bhavnagar/rain-restarts-kaliyabid-nilambaug-jewellers-circle-weather-update</guid><pubDate>Tue, 07 Jul 2026 08:46:46 +05:30</pubDate><description><![CDATA[<p>ભાવનગર શહેરમાં મેઘરાજાએ ધામા નાખ્યા છે. ગઈકાલે મોડી રાત્રે શહેરમાં વાદળ ફાટ્યું હોય તેમ માત્ર બે કલાકમાં સાડા ચાર ઇંચ (4.5 ઇંચ) જેટલો મુશળધાર વરસાદ ખાબકી ગયો હતો. જેના કારણે શહેરના અનેક રાજમાર્ગો અને સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા. આજે સવારે મેઘરાજાએ બે કલાકનો વિરામ લેતા વહીવટી તંત્ર અને નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને પાણી ઓસરવાનું શરૂ થયું હતું, પરંતુ સવારના નવ વાગ્યા આસપાસ અચાનક ફરી આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને ઝરમર વરસાદી ઇનિંગ શરૂ થઈ ગઈ છે.</p><h2><b>મુખ્ય હબ અને સર્કલો પર વરસાદની અસર</b></h2><p>શહેરના સૌથી મોટા રહેણાંક વિસ્તાર ગણાતા કાળિયાબીડ અને હરિઓમ નગરમાં અત્યારે સતત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત, શહેરની આર્થિક અને સામાજિક ગતિવિધિના કેન્દ્ર સમાન જ્વેલર્સ સર્કલ, શિવાજી સર્કલ અને નિલમબાગ પેલેસ રોડ પર પણ વરસાદી માહોલ જામ્યો છે. ઝરમર વરસાદના કારણે રસ્તાઓ પર ચીકાશ થતાં દ્વિચક્રી વાહનચાલકો સ્લિપ ન થઈ જાય તે માટે સાવચેતીપૂર્વક વાહન ચલાવી રહ્યા છે. શાળાએ જતા બાળકો અને ઓફિસે જતા કર્મચારીઓ રેઈનકોટ અને છત્રી સાથે ઘરની બહાર નીકળતા જોવા મળ્યા હતા.</p><h3><b>તંત્ર દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા</b></h3><p>મહાનગરપાલિકાની ફ્લડ કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ, ગત રાત્રિના ભારે વરસાદના કારણે જ્વેલર્સ સર્કલ અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ભરાયા હતા, તેને કમ્પ્રેશર મશીનો અને સક્શન પંપ દ્વારા નિકાલ કરવાની કામગીરી ચાલુ હતી, ત્યાં જ ફરી વરસાદ શરૂ થતાં કામગીરી નડી રહી છે. જો આગામી કલાકોમાં આ ઝરમર વરસાદ ધોધમાર વરસાદમાં ફેરવાશે, તો શહેરમાં ફરી એકવાર પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. હાલ પૂરતી તો આ વરસાદી હેલીએ ભાવનગરમાં અસહ્ય ગરમી અને બફારાને ગાયબ કરી દીધો છે, જેથી પ્રજા રોમેન્ટિક અને આહલાદક વાતાવરણનો આનંદ માણી રહી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/aravalli/meghraj-malpur-heavy-rain-midnight-maize-soybean-crop-benefit" target="_blank">આ પણ વાંચો: Aravalli Rain: મેઘરજ અને માલપુર પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, ધરતીપુત્રોમાં હર્ષની હેલી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/myJ9u8LfwozI9AGIJ4B62yAKwkZQgzS0j89GaLbW.webp'/></item><item><title><![CDATA[Aravalli Rain: મેઘરજ અને માલપુર પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, ધરતીપુત્રોમાં હર્ષની હેલી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/aravalli/meghraj-malpur-heavy-rain-midnight-maize-soybean-crop-benefit</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/aravalli/meghraj-malpur-heavy-rain-midnight-maize-soybean-crop-benefit</guid><pubDate>Tue, 07 Jul 2026 08:38:14 +05:30</pubDate><description><![CDATA[<p>અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે મેઘરાજાએ અમીદ્રષ્ટિ કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી આકાશમાં વાદળો બંધાતા હોવા છતાં વરસાદ ન પડવાને કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે, મોડી રાત્રે અંધારપટ વચ્ચે અચાનક આકાશમાં વીજળીના કડાકા-ભડાકા શરૂ થયા હતા અને મેઘરજ તેમજ માલપુર તાલુકા સહિતના મોટાભાગના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.</p><h2><b>મકાઈ અને સોયાબીનના વાવેતરને અમૃત મળ્યું</b></h2><p>અરવલ્લી જિલ્લો એ દેશભરમાં મકાઈ અને સોયાબીનના ગુણવત્તાયુક્ત ઉત્પાદન માટે જાણીતો છે. ચાલુ ખરીફ સીઝનની શરૂઆતમાં વાવણી કર્યા બાદ વરસાદ ગાયબ થઈ જતાં પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી હતી. કૃષિ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, મોડી રાત્રે પડેલો આ ગાજવીજ સાથેનો વરસાદ ખાસ કરીને મકાઈ અને સોયાબીનના છોડ માટે 'ટોનિક' નું કામ કરશે. વરસાદી પાણી જમીનમાં ઉતરતા જ પાકને જરૂરી નાઇટ્રોજન અને ભેજ મળી રહેશે, જેથી ઉત્પાદન વધવાની આશા જીવંત થઈ છે.</p><h3><b>સ્થાનિક નદીઓ અને ચેકડેમોમાં નવા નીર</b></h3><p>મેઘરજ તાલુકાના ખાસ કરીને રેલ્લાવાડા, જીતપુર અને માલપુરના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. ડુંગરાળ વિસ્તારોમાંથી વહીને આવતા પાણીને કારણે સ્થાનિક કોઝવે અને નાના ચેકડેમોમાં નવા પાણીની આવક નોંધાઈ છે. આ વરસાદના કારણે માત્ર ખરીફ પાકને જ ફાયદો નથી થયો, પરંતુ પશુધનના ઘાસચારાની સમસ્યા પણ હલ થશે. રાત્રિના ધોધમાર વરસાદ બાદ સવારથી જ ખેડૂતો ખેતરોમાં ઉત્સાહભેર કૃષિ કાર્યો અને નિંદામણની કામગીરીમાં જોતરાઈ ગયા છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/valsad/udvada-bridge-nh48-highway-road-repair-during-rain-contractor-negligence" target="_blank">આ પણ વાંચો: Valsad: ઉદવાડા ઓવરબ્રિજ પર ચાલુ વરસાદે જ ડામર રોડનું કામ કરી નાખ્યું! પેચવર્ક 24 કલાક પણ નહીં ટકવાની સ્થાનિકોને આશંકા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/YIT0QBRlNvS94T8grfzocQ6HeZPpG3YIwXzf224n.webp'/></item><item><title><![CDATA[Valsad: ઉદવાડા ઓવરબ્રિજ પર ચાલુ વરસાદે જ ડામર રોડનું કામ કરી નાખ્યું! પેચવર્ક 24 કલાક પણ નહીં ટકવાની સ્થાનિકોને આશંકા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/valsad/udvada-bridge-nh48-highway-road-repair-during-rain-contractor-negligence</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/valsad/udvada-bridge-nh48-highway-road-repair-during-rain-contractor-negligence</guid><pubDate>Tue, 07 Jul 2026 08:29:36 +05:30</pubDate><description><![CDATA[<p>વલસાડમાં નેશનલ હાઈવે 48 (NH-48) ની દશા ચાલુ ચોમાસાના પ્રથમ વરસાદે જ બગાડી નાખી છે. વલસાડથી શરૂ કરીને વાપી સુધીના સમગ્ર હાઈવે પર એટલા મોટા ખાડા પડી ગયા છે કે વાહનચાલકો માટે જીવના જોખમે પસાર થવું પડી રહ્યું છે. આ બિસ્માર હાઈવેની વ્યાપક ફરિયાદો વચ્ચે, મોડી રાત્રે ઉદવાડા નજીક ઓવરબ્રિજ પર હાઈવે ઓથોરિટીના કોન્ટ્રાક્ટર દ્વારા વિજ્ઞાન અને એન્જિનિયરિંગના તમામ નિયમોને નેવે મૂકીને રોડ રિપેરિંગની અનોખી કામગીરી હાથ ધરવામાં આવી હતી.</p><h2><b>રાત્રિના અંધારામાં ભ્રષ્ટાચારનું પેચવર્ક</b></h2><p>સ્થાનિક લોકો અને ત્યાંથી પસાર થતા જાગૃત વાહનચાલકોના જણાવ્યા અનુસાર, મોડી રાત્રે એકતરફ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને બ્રિજની સપાટી પાણીથી લથબથ હતી. આવી સ્થિતિમાં કોન્ટ્રાક્ટરના માણસોએ ટ્રેક્ટર અને મશીનરી લાવીને પાણીની ઉપર જ ગરમ ડામર અને મિક્સ કપચી પાથરવાનું શરૂ કરી દીધું હતું. ડામરના રોડ માટે પાયાની શરત એ છે કે સપાટી બિલકુલ સૂકી હોવી જોઈએ, કારણ કે પાણીના સંપર્કમાં આવતા જ ડામર પોતાની પકડ ગુમાવી દે છે. આ જાણવા છતાં રાત્રિના સમયે થયેલું આ કામ માત્ર સરકારી ચોપડે કાગળો સરખા કરવાનો ખેલ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.</p><h3><b>ટેક્સના કરોડો રૂપિયા પાણીમાં ગયા</b></h3><p>પ્રથમ વરસાદે જ કરોડોના ખર્ચે બનેલો હાઈવે ધોઈ નાખ્યો અને હવે ચાલુ વરસાદે કરાયેલું આ તકલાદી પેચવર્ક આગામી 24 કલાકમાં વાહનોના વજનથી ફરી ઉખડી જશે તે નક્કી છે. વલસાડથી વાપી વચ્ચે રોજ હજારો ભારે માલવાહક ટ્રકો પસાર થાય છે, જે આ ખાડાઓના કારણે બ્રેક મારતા હોવાથી હાઈવે પર કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાય છે. વાહનચાલકોએ આ નકામી કામગીરીનો લાઈવ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર NHAI ના ઉચ્ચ અધિકારીઓ અને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયને ટેગ કરીને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ કડક કાનૂની પગલાં લેવાની માંગ કરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/bhavnagar/palitana-shetrunji-dam-overflows-all-59-gates-opened-bhavnagar-flood-alert" target="_blank">આ પણ વાંચો:Bhavnagar: પાલીતાણાનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા 9,440 ક્યુસેક પાણી છોડાયું, નદીકાંઠાના 20થી વધુ ગામોને એલર્ટ કરાયા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/AjDC640XXuemZMPV9mB4mrUiTXyV5aJu8hYK2p11.webp'/></item><item><title><![CDATA[Bhavnagar: પાલીતાણાનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા 9,440 ક્યુસેક પાણી છોડાયું, નદીકાંઠાના 20થી વધુ ગામોને એલર્ટ કરાયા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/bhavnagar/palitana-shetrunji-dam-overflows-all-59-gates-opened-bhavnagar-flood-alert</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/bhavnagar/palitana-shetrunji-dam-overflows-all-59-gates-opened-bhavnagar-flood-alert</guid><pubDate>Tue, 07 Jul 2026 08:10:43 +05:30</pubDate><description><![CDATA[<p>ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર માટે ઉત્સાહ અને આનંદના મોટા સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના પિયત અને પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત ગણાતો પાલીતાણાનો શેત્રુંજી ડેમ ચાલુ સીઝનમાં ઓવરફ્લો થયો છે. જળગ્રહણ વિસ્તાર (કેચમેન્ટ એરિયા) અને ઉપરવાસના ગ્રામીણ પંથકોમાં થયેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક સતત વધી રહી હતી. ડેમની સપાટી નિયત મર્યાદા વટાવી જતાં ફ્લડ કંટ્રોલ રૂમના એન્જિનિયરો દ્વારા વહેલી સવારે જ ડેમના તમામ 59 દરવાજા તબક્કાવાર ખોલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.</p><h2><b>9,440 ક્યુસેક પ્રવાહથી નદીઓ બે કાંઠે</b></h2><p>સિંચાઈ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, હાલમાં ડેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ 59 દરવાજામાંથી કુલ 9,440 ક્યુસેક પાણી શેત્રુંજી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડાવાના કારણે નદીના જળસ્તરમાં પણ નોંધપાત્ર વધારો થયો છે અને નદી બે કાંઠે વહેતી થઈ છે. આ પાણી આગળ જઈને તળાજા અને મહુવાના વિસ્તારો તરફ વહેશે, જેનાથી આજુબાજુના ભૂગર્ભ જળના સ્તર પણ ખૂબ ઊંચા આવશે, જે આગામી શિયાળુ અને ઉનાળુ પાક માટે ખેડૂતોને મોટો આર્થિક ફાયદો કરાવશે.</p><h3><b>નદીકાંઠાના 20 થી વધુ ગામો સાવચેત</b></h3><p>ડેમમાંથી પાણી છોડાતાં જ ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું છે. પાલીતાણા, તળાજા અને નીચાણવાળા વિસ્તારમાં આવતા 20 થી વધુ ગામોના સરપંચો અને તલાટીઓને વહીવટી તંત્ર દ્વારા વીડિયો કોન્ફરન્સ અને ઇમરજન્સી મેસેજ દ્વારા સાવચેત રહેવાની તાકીદ કરવામાં આવી છે. નદીના પટમાં પશુઓને ન લઈ જવા, માછીમારી ન કરવા અને સ્થાનિક લોકોને નદી કિનારે સેલ્ફી લેવા કે નહાવા ન જવા માટે સખત ચેતવણી આપવામાં આવી છે. આપત્તિ વ્યવસ્થાપનની ટીમો કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/valsad/school-college-closed-heavy-rain-red-alert-education-department-order" target="_blank">આ પણ વાંચો: Valsad Rain: ભારે વરસાદ અને 'રેડ એલર્ટ' ને પગલે તમામ શાળા-કોલેજોમાં શૈક્ષણિક રજા જાહેર</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/gbAKrm8UyEHejCpWgGSR1jVImJjQiuw8uuM6Ptvp.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026 : ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની વર્લ્ડ કપ સફરનો અંત, પોર્ટુગલ સ્પેન સામે હારી ગયું ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-cristiano-ronaldos-world-cup-journey-ends-portugal-loses-to-spain</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-cristiano-ronaldos-world-cup-journey-ends-portugal-loses-to-spain</guid><pubDate>Tue, 07 Jul 2026 08:06:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">FIFA World Cup 2026ના રાઉન્ડ ઓફ 16 મેચમાં હારી પોર્ટુગલને 1-0થી હરાવી સ્પેને ક્વાર્ટર ફાઈનલની ટિકિટ મેળવી હતી. પોર્ટુગલ બહાર થતાં જ ફીફા વર્લ્ડકપમાં તેના સ્ટાર સ્ટ્રાઈકર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની સફર પણ પૂર્ણ થઈ છે. રોનાલ્ડોએ રાઉન્ડ ઓફ 16ની મેચમાં પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતુ કે, તેનો આ છેલ્લો વર્લ્ડકપ છે. પરંતુ તેમણે ઈન્ટરનેશનલ ફુટબોલમાંથી પોતાના સંન્યાસને લઈ અત્યારસુધી કાંઈ કહ્યું નથી.FIFA world Cupમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોર્ટુગલ માટે માત્ર 3 ગોલ કર્યા છે.</p><h3 style="text-align: justify; "><b>રોનાલ્ડોનું વર્લ્ડકપ કરિયર</b></h3><p style="text-align: justify; ">સ્પેન વિરુદ્ધ રાઉન્ડ ઓફ 16ની મેચમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરની છેલ્લી મેચ રહી હતી. આ તેના વર્લ્ડકપ કરિયરની ઓવરઓલ 27મી મેચ હતી. રોનાલ્ડો ફુટબોલના ઈતિહાસનો પહેલો એવો ખેલાડી છે. જેમણે 6 ફીફા વર્લ્ડકપમાં ગોલ કર્યા છે. જે ફીફા વર્લ્ડકપની નોક આઉટ મેચમાં પહોંચવા માટે રમાયેલા સૌથી મોટી ઉંમરનો ખેલાડી પણ છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ફીફા વર્લ્ડકપમાં પોર્ટુગલ માટે સૌથી વધારે 11 ગોલ કરનાર ખેલાડી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://x.com/FIFAWorldCup/status/2074200372441186414?s=20" target="_blank">https://x.com/FIFAWorldCup/status/2074200372441186414?s=20</a></p><h4 style="text-align: justify; "><b>FIFA world Cupમાં રોનાલડોની સફર</b></h4><p style="text-align: justify; ">રોનાલ્ડોએ ફીફા વર્લ્ડકપમાં ડેબ્યુ 2006માં કર્યું હતુ. ત્યારે પોર્ટુગલને સેમિફાઈનલમાં હાર મળી હતી. 2010ના વર્લ્ડકપમાં રોનાલ્ડોએ પોર્ટુગલની ટીમ સાથે રાઉન્ડ ઓફ 16 સુધી સફર કરી હતી. 2014માં ગ્રુપ સ્ટેજમાંથી બહાર થવું પડ્યું હતુ. 2018માં વર્લ્ડકપમાં ફરી રાઉન્ડ ઓફ 16માં સફર પૂર્ણ થઈ હતી. 2022ના વર્લ્ડકપમાં રોનાલ્ડોએ ક્વાર્ટર ફાઈનલમાં રમ્યો અને હવે 2026માં પોતાની છેલ્લી ફીફા વર્લ્ડકપની મેચમાં રાઉન્ડ ઓફ 16માંથી આગળ વધી શક્યો નહી. આ રીતે તેમણે વર્લ્ડકપ જીતવાનું તેનું સપનું અધરું રહ્યું હતુ.</p><h4 style="text-align: justify; "><b>ઈન્ટરનેશનલ કરિયરમાંથી હજુ સંન્યાસ લીધો નથી</b></h4><p style="text-align: justify; ">રોનાલ્ડોએ અત્યારસુધી ઈન્ટરનેશનલ ફુટબોલમાંથી સંન્યાસ લીધો નથી. ઈન્ટરનેશનલ કરિયર પર છેલ્લો નિર્ણય તે પોતાના પરિવારની સાથે વાતચીત કર્યા બાદ લેશે. રોનાલ્ડોએ કહ્યું ઈન્ટરનેશનલ કરિયરને લઈ નિર્ણય કરવામાં તે જલ્દી કરશે નહી.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-england-defeats-mexico-to-secure-quarter-final-spot" target="_blank">FIFA World Cup 2026 : ઇંગ્લેન્ડે મેક્સિકોને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/Q4aTQD5cmqjimGURU2fMpwnkw40IK7Kwiu7GWT6T.webp'/></item><item><title><![CDATA[Monsoon 2026 : મોડી રાત્રે મેઘતાંડવ, વાપી-ભાવનગર જળબંબોળ, અમરેલીમાં ટ્રેન વ્યવહાર ઠપ્પ અને મકાન ધરાશાયી, Video ]]></title><link>https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-vapi-bhavnagar-waterlogged-amreli-train-service-stopped-gujarat-rain-updates</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-vapi-bhavnagar-waterlogged-amreli-train-service-stopped-gujarat-rain-updates</guid><pubDate>Tue, 07 Jul 2026 07:53:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજ્યમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આભ ફાટતાં જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે. વલસાડ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે, જ્યારે વહીવટી તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા છે.</p><h2 style="text-align: justify; "><b>વાપી જળબંબાકાર</b></h2><p style="text-align: justify; ">વલસાડના વાપીમાં મોડી રાત્રે તૂટી પડેલા ધોધમાર વરસાદને કારણે ચલા રોડ, કસ્ટમ રોડ અને સ્ટેશન રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વાપીના બંને મુખ્ય અંડરપાસ પાણીમાં ડૂબી જતાં વાહનવ્યવહાર ઠપ્પ થયો છે અને વરસાદી પાણી લોકોના ઘરો તેમજ દુકાનોમાં ઘૂસી જતાં મોટું નુકસાન થયું છે.&nbsp;</p><p style="text-align: justify; "><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2074184848370241884"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>&nbsp;</p><h3 style="text-align: justify; "><b>ઘોઘા પંથકમાં માત્ર 4 કલાકમાં 6 ઇંચ વરસાદ&nbsp;</b></h3><p style="text-align: justify; ">આવી જ સ્થિતિ ભાવનગર જિલ્લાની છે, જ્યાં 4.5 ઇંચ અને ઘોઘા પંથકમાં માત્ર 4 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકતાં રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે. ભાવનગર-રાજકોટ હાઇવે અને નીલમબાગ-ડેરી રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં અનેક વાહનો બંધ પડ્યા છે અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. વડોદરામાં પણ માત્ર દોઢ ઇંચ વરસાદમાં પાલિકાની પોલ ખુલી ગઈ છે અને પરશુરામ ભઠ્ઠા વિસ્તાર તેમજ રેલવે અંડરપાસ પાણી-પાણી થઈ ગયા છે.</p><h4 style="text-align: justify; "><b>અમરેલી જિલ્લામાં બારે મેઘ ખાંગા&nbsp;</b></h4><p style="text-align: justify; ">બીજી તરફ, અમરેલી જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા છે. લાઠી-અમરેલી હાઇવે ટોડા ગામ નજીક બંધ થતાં વાહનવ્યવહાર અટકી ગયો છે. લાઠીના ચાવંડ ગામે પૂરના પાણી ઘૂસી જતાં એક કાચું મકાન ધરાશાયી થયું છે, જેમાં એક બાળક ઇજાગ્રસ્ત થતાં તેને હોસ્પિટલ ખસેડાયો છે. દેવીપૂજક વાસમાં પૂરની સ્થિતિ સર્જાતા મામલતદાર અને પોલીસ કાફલાએ તાત્કાલિક ૫૦ જેટલા લોકોનું રેસ્ક્યુ કરી સરકારી શાળામાં આશરો આપ્યો છે. આ ઉપરાંત, લીલીયાના હરિપર પાસે રેલવે ટ્રેક પર પાણી ફરી વળતાં મહુવા-સુરત રૂટની ટ્રેનને સાવરકુંડલા ખાતે રોકી દેવાની ફરજ પડી છે, જેને કારણે રેલવે સેવા પ્રભાવિત થઈ છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; <a href="https://sandesh.com/explainer/news/india/ahmedabad/sandesh-digital-explainer-amarnath-yatra-ice-shivling-melting-reasons-global-warming-route-guide" target="_blank"><b>&nbsp;Sandesh Digital Explainer : અમરનાથ ગુફામાં હિમ શિવલિંગ વહેલા ઓગળવા પાછળના 5 ઇનસાઇડ કારણો..!</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/hJyEuwXNUtOeHreeJJdmuzl5E6qbPee0ucewsBt4.webp'/></item><item><title><![CDATA[Anshula Kapoor Wedding : બોની કપૂરની દીકરી અંશુલા કપૂર રોહન ઠક્કર સાથે લગ્નના બંધનમાં બંધાઈ, ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી લગ્નની તસવીરો ]]></title><link>https://sandesh.com/entertainment/news/anshula-kapoor-wedding-rohan-thakkar-private-ceremony-instagram-photos</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/anshula-kapoor-wedding-rohan-thakkar-private-ceremony-instagram-photos</guid><pubDate>Mon, 06 Jul 2026 23:35:23 +05:30</pubDate><description><![CDATA[<p>બોલિવૂડના જાણીતા ફિલ્મમેકર બોની કપૂરની મોટી દીકરી અંશુલા કપૂરે પોતાના જીવનના નવા અધ્યાયની શરૂઆત કરી છે. 6 જુલાઈ 2026ના રોજ તેણે પોતાના લાંબા સમયના બોયફ્રેન્ડ રોહન ઠક્કર સાથે લગ્ન કર્યા છે. બંનેએ એક પ્રાઇવેટ વેડિંગ સેરેમનીમાં લગ્ન કર્યા, જેમાં માત્ર પરિવારજનો અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા.</p><p><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DadRPxeik9o/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DadRPxeik9o/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DadRPxeik9o/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DadRPxeik9o/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a></p><h2><b>કપૂર પરિવારમાં ખુશીનો માહોલ&nbsp;</b></h2><p>લગ્ન સમારોહ દરમિયાન કપૂર પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બોની કપૂર, અર્જૂન કપૂર, જાહ્નવી કપૂર અને ખુશી કપૂર સહિત પરિવારના તમામ સભ્યો આ ખાસ ક્ષણે હાજર રહ્યા હતા અને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા. અંશુલા અને રોહન લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. લગ્ન પછી અંશુલાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર લગ્નની તસવીરો શેર કરી હતી, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ. તસવીરોમાં અંશુલા સુંદર લહેંગામાં જોવા મળે છે, જ્યારે રોહન ઠક્કર શેર્વાનીમાં દેખાય છે. બંનેની જોડી ખૂબ જ આકર્ષક લાગી રહી હતી.</p><h3><b>અંશુલાએ એક ભાવુક પોસ્ટ લખી&nbsp;</b></h3><p>તસવીરો શેર કરતી વખતે અંશુલાએ એક ભાવુક પોસ્ટ લખી હતી જેમાં તેણે રોહનને પોતાની 'સૌથી સુરક્ષિત જગ્યા' અને 'સૌથી સરળ પસંદ' ગણાવ્યો હતો. તેણે લખ્યું કે દરેક વળાંક અને દરેક આશ્ચર્ય વચ્ચે રોહન હંમેશા તેના જીવનનો ભાગ રહ્યો છે. લગ્નની તસવીરો સામે આવતા જ ફેન્સ અને સેલિબ્રિટીઝ તરફથી બંનેને શુભેચ્છાઓનો વરસાદ થયો હતો. સોશિયલ મીડિયા પર બંનેના લગ્નની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે અને ફેન્સ તેમને નવા જીવન માટે શુભકામનાઓ પાઠવી રહ્યા છે.</p><p><b><a href="https://sandesh.com/entertainment/news/ranveer-singh-birthday-special-from-being-a-waiter-at-starbucks-to-becoming-a-superstar-here-is-ranveer-singhs-struggle-story" target="_blank">આ પણ વાંચો : Ranveer Singh Birthday Special: સ્ટારબક્સમાં વેઈટરથી લઈને સુપરસ્ટાર બનવા સુધી, આવી છે રણવીર સિંહની સંઘર્ષગાથા</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/06/oSSBM8hB7o8OydeALdJ9LimjjEUONvculipY6jM1.webp'/></item><item><title><![CDATA[Ram Mandir Donation Row : ખિસ્સામાં અને પગરખામાં નોટો છુપાવતા જોવા મળ્યા કર્મચારીઓ, SITના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો ]]></title><link>https://sandesh.com/india/news/ram-mandir-donation-row-sit-report-cash-counting-irregularities</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ram-mandir-donation-row-sit-report-cash-counting-irregularities</guid><pubDate>Mon, 06 Jul 2026 22:41:04 +05:30</pubDate><description><![CDATA[<p>અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં દાનની રકમની ગણતરી દરમિયાન થયેલી કથિત ચોરી અને ગેરવહીવટ મામલે વિશેષ તપાસ ટીમ (SIT)ની પ્રાથમિક તપાસમાં અનેક ગંભીર અનિયમિતતાઓ સામે આવી છે. ઉત્તર પ્રદેશ સરકારે 25 જૂન, 2026ના રોજ આ અહેવાલ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને મોકલી આપ્યો છે.</p><h2><b>70 શંકાસ્પદ બનાવો નોંધાયા</b></h2><p>SITના અહેવાલ મુજબ 27 એપ્રિલથી 5 જૂન, 2026 દરમિયાનના CCTV ફૂટેજમાં ગણતરી રૂમમાં કેટલાક કર્મચારીઓ નોટોના બંડલ અને રોકડ રકમ કપડાં, ખિસ્સા, જૂતા તથા અન્ય જગ્યાએ છુપાવતા જોવા મળ્યા હતા. તપાસમાં આવા અંદાજે 70 શંકાસ્પદ બનાવો નોંધાયા છે. તપાસમાં જાણવા મળ્યું કે આ એકાદ ઘટના નહોતી, પરંતુ અનેક દિવસો સુધી ચાલતી વ્યવસ્થિત ગેરરીતિ હતી. ગણતરી રૂમમાં સુરક્ષાના નિયમોનું યોગ્ય પાલન થયું નહોતું. કર્મચારીઓની પ્રવેશ-નિકાસ સમયે તપાસ કરવામાં આવતી નહોતી, વ્યક્તિગત સામાન પર નિયંત્રણ ન હતું અને અનેક દાનપેટીઓની રકમ એકસાથે ગણાતી હતી.&nbsp;</p><h3><b>કર્મચારીઓ પાસેથી 78.94 લાખ રૂપિયા મળ્યાનો ઉલ્લેખ</b></h3><p>SITએ અવનીશ શુક્લા, અનુકૂલ મિશ્ર, લવકુશ મિશ્ર, મનીષ કુમાર યાદવ, કરુણેશ પાંડે અને રામશંકર મિશ્ર સહિત છ લોકોની પ્રાથમિક સંડોવણી દર્શાવી છે. તપાસ પહેલાં કેટલાક કર્મચારીઓ પાસેથી આશરે 78.94 લાખ રૂપિયા અને 4 જૂનના રોજ ગણતરી રૂમમાંથી વધારાના 2.25 લાખ રૂપિયા મળ્યાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.</p><h4><b>અનિલ મિશ્રા સામે અનેક સવાલો</b></h4><p>અહેવાલમાં જણાવાયું છે કે કેટલાક કર્મચારીઓના બેન્ક ખાતામાં તેમની જાહેર આવક કરતાં વધુ રોકડ જમા થઈ હોવાનું પણ સામે આવ્યું છે. ઉપરાંત ટ્રસ્ટના વરિષ્ઠ ટ્રસ્ટી ડૉ. અનિલ મિશ્રાની દેખરેખ અને સુરક્ષા વ્યવસ્થાના અમલીકરણ અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. જોકે, ચાંદીની ઈંટો સહિતની કિંમતી વસ્તુઓ ગુમ થયાના સોશિયલ મીડિયા પરના દાવાઓની પ્રાથમિક તપાસમાં પુષ્ટિ થઈ નથી. આ મામલે વધુ તપાસ અને કાયદાકીય કાર્યવાહી ચાલુ છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/ayodhya-news-ram-temple-trust-makes-gold-ramcharitmanas-and-foot-mark-public-krishna-mohan-becomes-general-secretary" target="_blank">આ પણ વાંચો : Ayodhya News: રામ મંદિર ટ્રસ્ટે સાર્વજનિક કર્યા સોનાના રામચરિતમાનસ અને ચરણ ચિહ્ન, કૃષ્ણ મોહન બન્યા મહાસચિવ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/06/3z0Q1kXN68gELf3QozyVBBaCNkqAJ1XDRmEHhasK.webp'/></item><item><title><![CDATA[વાંચો 7 જુલાઈના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે ]]></title><link>https://sandesh.com/india/news/gujarat/read-about-important-events-happening-on-july-7th</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/gujarat/read-about-important-events-happening-on-july-7th</guid><pubDate>Mon, 06 Jul 2026 22:00:54 +05:30</pubDate><description><![CDATA[<p>6 જુલાઈનો દિવસ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યંત મહત્વનો છે.એક તરફ જ્યાં હવામાન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે, ત્યાં બીજી તરફ દેશના 21 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વડાપ્રધાન મોદીનો કાલે વિદેશ પ્રવાસનો બીજો દિવસ છે. દિલ્હીમાં ઈ વ્હિકલની શરૂઆત થશે.<br><br><h2><b>વર્ષ 2008 સિરિયલ બ્લાસ્ટ કેસ મામલે 7 જુલાઈએ ગુજરાત હાઇકોર્ટ આપશે ચુકાદો</b></h2></p><p>વર્ષ 2008ના અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં મહત્વના વળાંક સમાન ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો આવતીકાલે ૭ જુલાઈના રોજ આવવાની શક્યતા છે. આ કેસમાં સ્પેશિયલ કોર્ટ દ્વારા ૩૮ દોષિતોને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી, જેના 'ડેથ સેન્ટેન્સ કન્ફર્મેશન' (સજાની પુષ્ટિ) માટેની અપીલ પર ગુજરાત હાઈકોર્ટમાં લાંબી સુનાવણી ચાલી હતી. આ આતંકવાદી ઘટનાના વર્ષો પછી આજે જ્યારે ન્યાયિક પ્રક્રિયા તેના અંતિમ તબક્કે છે, ત્યારે સૌની નજર હાઈકોર્ટના આ સંવેદનશીલ ચુકાદા પર ટકેલી છે.</p><h2><b>વડાપ્રધાન મોદીની ઈન્ડોનેશિયા મુલાકાત</b></h2><p></p><p>વડાપ્રધાન મોદીની ઈન્ડોનેશિયા મુલાકાતનો આવતીકાલે બીજો દિવસ છે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન રાષ્ટ્રપતિ પ્રબોવો સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે અને ભાગીદારીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે.જકાર્તામાં વડાપ્રધાન ભારતીય પ્રવાસી સમુદાયની એક વિશાળ સભાને સંબોધિત કરશે.વડાપ્રધાન ઈન્ડોનેશિયાના એક મુખ્ય યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ,યોગ્યાકાર્તા સ્થિત પ્રમ્બાનન મંદિર પરિસરની પણ મુલાકાત લેશે.</p><h3><b>દિલ્હીમાં દોડશે 300 નવી ઈલેક્ટ્રિક બસો</b></h3><p>દિલ્હીમાં દોડશે 300નવી ઈલેક્ટ્રિક બસો, ગૃહમંત્રી અમિત શાહ લીલી ઝંડી બતાવશે, લોકોનો પ્રવાસ સરળ બનશે.</p><h2><b>કોકરોચ જનતા પાર્ટી અંગે કાલે સુનાવણી</b></h2><p>કોકરોચ જનતા પાર્ટીના X હેન્ડલને બ્લોક કરવા સામે દાખલ કરવામાં આવેલી અરજી પર આવતીકાલે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થશે.</p><h2><b>7 જુલાઈએ યુપીના મુખ્યમંત્રીનો પ્રતાપગઢ પ્રવાસ</b></h2><p>7 જુલાઈએ યુપીના મુખ્યમંત્રીનો પ્રતાપગઢ પ્રવાસ. તેઓ 380 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.સાથે જ જનસભાને સંબોધિત પણ કરશે.</p><h2><b>બ્રિક્સ વિમેન વર્કિંગ ગ્રુપની બેઠક</b></h2><p>બ્રિક્સ વિમેન વર્કિંગ ગ્રુપની બેઠકનો આવતીકાલે છેલ્લો દિવસ છે.ભારત અધ્યક્ષતા કરી રહ્યું છે. 11 બ્રિક્સ દેશો ભાગ લઈ રહ્યા છે.બેઠક કોચીમાં ચાલી રહી છે.</p><h2><b>અશોક ગેહલોત આવતીકાલે મીડિયાને સંબોધશે</b></h2><p>રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત આવતીકાલે 07 જુલાઈ 2026ના રોજ બપોરે 12.30 વાગ્યે કોંગ્રેસ કાર્યાલય નવી દિલ્હી ખાતે મીડિયાને સંબોધિત કરશે</p><h2><b>શાકભાજીના ભાવમાં વધારો</b></h2><p>રાજકોટમાં વરસાદી સીઝન શરૂ શાકભાજીના ભાવમાં વધારો થયો, લીલા શાકભાજી ની શોર્ટેજ અને સપ્લાય ચેન ખોરવાઈ જતા ભાવ વધારો&nbsp;</p><h2><b>રાજ્યપાલ આચાર્ય દેવદ્રત અરવલ્લી જિલ્લાની મુલાકાતે</b></h2><p>આવતીકાલે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવદ્રત અરવલ્લી જિલ્લાની મુલાકાતે છે જેમાં જેમાં તેઓ ગઢડા ગામે શાળા ની મુલાકાત લેશે ગામ માં આવતા ખેતરો માં હળ ચલાવી, ગાય નું દૂધ કાઢશે સવારે બાળકો અને ખેડૂતો સાથે યોગ કરશે બીજા દિવસે બીએપીએસ મંદિર હોલ ખાતે ખેડૂતો સાથે સંવાદ કરશે અને પ્રાકૃતિક ખેતી વિશે સમજ આપશે</p><h2><b>21 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી</b></h2><p>આવતીકાલે દેશના 21 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ થવાની સંભાવનાઓ છે. 75 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે</p><h2><b>7 જુલાઈના રોજ જન્મેલી હસ્તીઓ</b></h2><p><b>મહેન્દ્ર સિંહ ધોની&nbsp;</b></p><p>ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને વિશ્વના સર્વશ્રેષ્ઠ ફિનિશર તેમજ વિકેટ કીપર-બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીનો જન્મ ૭ જુલાઈ, ૧૯૮૧ના રોજ થયો હતો. તેમની આગેવાનીમાં ભારતે ૨૦૦૭ (T20) અને ૨૦૧૧ (ODI) વર્લ્ડ કપ જીત્યો હતો.</p><p><b>કૈલાશ ખેર&nbsp;</b></p><p>ભારતીય પ્લેબેક સિંગર અને મ્યુઝિક કમ્પોઝર કૈલાશ ખેરનો જન્મ ૭ જુલાઈ, ૧૯૭૩ના રોજ થયો હતો. તેઓ તેમના અનોખા અને સૂફી અંદાજના ગાયન માટે સમગ્ર વિશ્વમાં જાણીતા છે.</p><p><b>વી. એસ. નાયપોલ&nbsp;</b></p><p>નોબેલ પુરસ્કાર વિજેતા પ્રખ્યાત લેખક સર વિદ્યાધર સૂરજપ્રસાદ નાયપોલનો જન્મ ૭ જુલાઈ, ૧૯૩૨ના રોજ થયો હતો. તેઓ ભારતીય મૂળના બ્રિટિશ લેખક હતા, જેમને સાહિત્યમાં તેમના યોગદાન માટે વર્ષ ૨૦૦૧માં નોબેલ પુરસ્કાર મળ્યો હતો.</p><p><b>સુનીલ ગાવસ્કર&nbsp;</b></p><p>મહાન ભારતીય ક્રિકેટર 'લિટલ માસ્ટર' સુનીલ ગાવસ્કરનો જન્મ પણ ૭ જુલાઈ, ૧૯૪૯ના રોજ થયો હતો. તેઓ ટેસ્ટ ક્રિકેટમાં ૧૦,૦૦૦ રન બનાવનાર વિશ્વના પ્રથમ બેટ્સમેન હતા.</p><p><b>માહૌમાદ ગુલામ&nbsp;</b></p><p>જોકે આ યાદીમાં સૌથી વધુ ચર્ચિત હસ્તીઓ ધોની અને ગાવસ્કર છે, પરંતુ ૭ જુલાઈના દિવસે કલા, સાહિત્ય અને રમતગમત જગતના ઘણા અન્ય નાના-મોટા કલાકારોનો પણ જન્મદિવસ હોય છે.<br><br></p><h2><b>7 જુલાઈના રોજ બનેલી ઐતિહાસિક ઘટનાઓ</b></h2><p></p><p><b>1896 ભારતનું પ્રથમ સિનેમા પ્રદર્શન</b></p><p>મુંબઈના વોટસન હોટલમાં લ્યુમિઅર બ્રધર્સે ભારતમાં સિનેમેટોગ્રાફનું સૌપ્રથમ પ્રદર્શન કર્યું હતું.આ ઘટનાએ ભારતમાં સિનેમાના યુગની શરૂઆત કરી હતી</p><p><b>1985 બોરિસ બેકરે ઈતિહાસ રચ્યો</b></p><p>જર્મનીના ટેનિસ ખેલાડી બોરિસ બેકરે માત્ર 17 વર્ષની ઉંમરે વિમ્બલ્ડન જીતીને ઈતિહાસ રચ્યો હતો. તેઓ વિમ્બલ્ડન જીતનાર સૌથી યુવા ખેલાડી બન્યા હતા</p><p><b>2007 ન્યૂ 7 વન્ડર્સ ઓફ ધ વર્લ્ડની જાહેરાત&nbsp;</b></p><p>પોર્ટુગલની રાજધાની લિસ્બનમાં વિશ્વના નવા સાત અજાયબીઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી જેમાં ભારતના તાજમહેલનો પણ સમાવેશ થયો હતો</p><p><b>2005 લંડનમાં બોમ્બ ધડાકા&nbsp;</b></p><p>લંડનમાં પરિવહન નેટવર્ક (ટ્રેન અને બસ) પર શ્રેણીબદ્ધ આતંકવાદી હુમલા થયા હતા, જેમાં ૫૨ નિર્દોષ લોકોના મોત થયા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા. આ દિવસ ઈતિહાસમાં એક દુઃખદ દિવસ તરીકે નોંધાયેલો છે.</p><p><b>2015 ભારતીય સુરક્ષા દળો દ્વારા મોટી કાર્યવાહી&nbsp;</b></p><p>આ દિવસે જમ્મુ-કાશ્મીરના ગુરદાસપુરના દીનાનગરમાં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં સુરક્ષા દળોએ સાહસિક રીતે આતંકવાદીઓનો સામનો કરી તેમને ઠાર કર્યા હતા.&nbsp;</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/06/8UMIcCfgqJfXgHHVb96wKoPNVtmet6aTOGpZjXHm.webp'/></item></channel></rss>