<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Vadodara-Shinor : રાત્રે ઘર બહાર ખાટલામાં સૂતેલી 5 વર્ષની માસૂમ દિવ્યા રહસ્યમય રીતે ગુમ, પિતાએ વ્યક્ત કરી અપહરણની શંકા! ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/vadodara/vadodara-shinor-5-year-old-girl-divya-missing-from-bed-outside-home</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/vadodara/vadodara-shinor-5-year-old-girl-divya-missing-from-bed-outside-home</guid><pubDate>Tue, 16 Jun 2026 12:16:13 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના એક ગામમાંથી હૃદય કંપાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં પોતાના ઘરની બહાર ખાટલામાં શાંતિથી સૂતેલી 5 વર્ષની એક માસૂમ બાળકી અચાનક રહસ્યમય રીતે ગુમ થઈ જતાં પરિવાર સહિત સમગ્ર પંથકમાં ચિંતા વ્યાપી ગઈ છે. બાળકીના ગુમ થવાના આ અકળ સમાચારને પગલે સ્થાનીય ગ્રામજનો અને પોલીસ કાફલો તેને શોધવા માટે કાર્યરત બન્યા છે.</p><h2 style="text-align: justify; "><b>બહાર ખાટલામાં સૂતેલી જોવા મળી હતી
</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, ગુમ થયેલી બાળકીનું નામ દિવ્યા ઉર્ફે દિવુ (ઉંમર વર્ષ 5) છે. પરિવારજનોએ જણાવ્યું કે, દિવ્યા છેલ્લે રાત્રે આશરે 11:30 વાગ્યે ઘરની બહાર ખાટલામાં સૂતેલી જોવા મળી હતી. 
</p><h3 style="text-align: justify; "><b>વહેલી સવારે દિવ્યા ના મળી
</b></h3><p style="text-align: justify; ">જોકે, વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ જ્યારે પરિવારની આંખ ખૂલી ત્યારે માસૂમ દિવ્યા ખાટલામાં ન હોવાનું માલૂમ પડ્યું હતું. બાળકીને આસપાસ ન જોતાં પરિવારોના જીવ તાળવે ચોંટ્યા હતા. તુરંત જ પરિવાર અને ગ્રામજનો દ્વારા ગામ, ફળિયા અને આજુબાજુના સીમ-ખેતરોમાં વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ બાળકીનો કોઈ પત્તો લાગ્યો નહોતો.
</p><h4 style="text-align: justify; "><b>કોઇએ અપહરણ કર્યું હોવાની આશંકા
</b></h4><p style="text-align: justify; ">બાળકીના પિતાએ આ મામલે ભારે આશંકા વ્યક્ત કરતા જણાવ્યું છે કે, કોઈ અજાણ્યો શખ્સ તેમની માસૂમ દીકરીને કોઈ લોભ-લાલચ આપીને ઉઠાવી ગયો હોઈ શકે છે. આ ઘટના અંગે શિનોર પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેના આધારે પોલીસે અલગ-અલગ દિશાઓમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
</p><h4 style="text-align: justify; "><b>બાળકીની ઓળખ અને અપીલ
</b></h4><p style="text-align: justify; ">ગુમ થયેલી 5 વર્ષની દિવ્યાએ છેલ્લે લાલ રંગનું ટી-શર્ટ અને કેસરી રંગની ચડ્ડી પહેરેલી છે. પોલીસે સાર્વજનિક અપીલ કરી છે કે, જો કોઈ પણ નાગરિકને આ માસૂમ બાળકી અંગે કોઈ પણ શંકાસ્પદ માહિતી કે સગડ મળે, તો તેમણે તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">
</p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/india/news/sandesh-digital-explainer-india-monsoon-pause-imd-alert" target="_blank"><b>Sandesh Digital Explainer: મેઘરાજા આકાશી ચક્રવ્યૂહમાં ફસાયા..! કેમ અચાનક ગાયબ થઈ ગયા ચોમાસાના વાદળો? જાણો વિન્ડ વોરની ઇનસાઇડ સ્ટોરી</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/wPN4MYRH3qNacpD9mNOCBB4p51wMQm9saTkBAaT8.webp'/></item><item><title><![CDATA[Gold Silver Price Today: સોના ચાંદીના ભાવ 16જૂને કેટલા બદલાયા ? જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ ]]></title><link>https://sandesh.com/business/news/gold-silver-price-today-how-much-did-the-price-of-gold-and-silver-change-on-june-16-know-the-latest-rate-of-10-grams</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/gold-silver-price-today-how-much-did-the-price-of-gold-and-silver-change-on-june-16-know-the-latest-rate-of-10-grams</guid><pubDate>Tue, 16 Jun 2026 12:14:04 +05:30</pubDate><description><![CDATA[<p>સોના અને ચાંદીના વાયદામાં હાલમાં નરમાઈનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. મંગળવાર (16 જૂન) ના રોજ બંને ધાતુઓના વાયદાના ભાવ નીચા સ્તરે ખુલ્યા. આ લખાઈ રહ્યું છે ત્યારે સ્થાનિક બજારમાં સોનાના વાયદાના ભાવ ₹1,52,900 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના વાયદાના ભાવ ₹2,50,450 ની નજીક ટ્રેડ થઈ રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ બંને ધાતુઓના ભાવ નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે.</p><p><b style="font-size: 2rem;">આજે સોના ચાંદીનો ભાવ શું ?&nbsp;</b></p><p>સોનાના વાયદા ઘટાડા સાથે ખુલ્યા. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર, ઓગસ્ટ ડિલિવરી માટેનો બેન્ચમાર્ક ગોલ્ડ કોન્ટ્રેક્ટ ₹1,52,891 પર ખુલ્યો, જે અગાઉના બંધ ₹1,52,916 થી ₹25 ઘટીને બંધ થયો હતો. લખાઈ રહ્યું છે ત્યારે, કોન્ટ્રેક્ટ ₹1,52,901 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે ₹15 નો ઘટાડો દર્શાવે છે. સત્ર દરમિયાન, તે ₹1,53,046 ની ઊંચી સપાટી અને ₹1,52,827 ની નીચી સપાટીને સ્પર્શ્યો. આ વર્ષની શરૂઆતમાં સોનાના વાયદાના ભાવ ₹1,80,779 ના વિક્રમી ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યા હતા.</p><p><b style="font-size: 2rem;">ઇમ્પોર્ટ ડ્યૂટીમાં કર્યો વધારો&nbsp;</b></p><p>સોના અને ચાંદી ખરીદદારો માટે ખરાબ સમાચાર છે. સરકારે સોનાના મૂળ આયાત ભાવમાં પ્રતિ 10 ગ્રામ 5 ડોલર અને ચાંદીના મૂળ આયાત ભાવમાં પ્રતિ કિલોગ્રામ 83 ડોલરનો વધારો કર્યો છે. પરિણામે, સોનાનો નવો મૂળ આયાત ભાવ 10 ગ્રામ 1,348 ડોલર થયો છે, જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ 2,175 ડોલર થયો છે. રસપ્રદ વાત એ છે કે, માત્ર ત્રણ દિવસ પહેલા જ કેન્દ્ર સરકારે સોનાના મૂળ આયાત ભાવમાં 80 ડોલર અને ચાંદીના 276 ડોલરનો ઘટાડો કર્યો હતો. આ પૃષ્ઠભૂમિમાં, ચાલો આજે, 16 જૂનના સોના અને ચાંદીના તાજેતરના દરો જોઈએ.</p><p><b style="font-size: 1.75rem;">શું સોના અને ચાંદી માટે આયાત નિયમો પણ કડક બન્યા છે?</b></p><p>હા, સરકારે વિદેશી હૂંડિયામણ અનામત બચાવવા અને વેપાર ખાધ ઘટાડવા માટે સોના અને ચાંદી માટે આયાત નિયમોમાં નોંધપાત્ર કડકતા લાવી છે. ઉદાહરણ તરીકે, 99.9% કે તેથી વધુ શુદ્ધતા ધરાવતી ચાંદી, તેના ઉત્પાદનો સાથે, 'મુક્ત' શ્રેણીમાંથી 'પ્રતિબંધિત' શ્રેણીમાં ખસેડવામાં આવી છે. સોના અને ચાંદી બંને પર આયાત જકાત વધારવામાં આવી છે, અને ચાંદીની આયાત હવે ફક્ત અધિકૃત બેંકો અથવા RBI દ્વારા મંજૂર કરાયેલી એજન્સીઓ દ્વારા જ કરી શકાય છે.</p><p><br></p><h3><b>મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)</b></h3><table class="table table-bordered"><tbody><tr><td>શહેર</td><td>&nbsp;24 કેરેટ સોનાની કિંમત ( રૂપિયા/10 ગ્રામ)&nbsp;</td><td>22 કેરેટ સોનાની કિંમત( રૂપિયા/10 ગ્રામ)&nbsp;</td></tr><tr><td>દિલ્હી&nbsp;</td><td>1,51,520&nbsp;</td><td>1,38,750&nbsp;</td></tr><tr><td>મુંબઈ&nbsp;</td><td>1,51,370&nbsp;</td><td>1,38,750&nbsp;&nbsp;<br></td></tr><tr><td>કોલકાતા</td><td>&nbsp;1,51,530&nbsp;</td><td>1,38,900</td></tr><tr><td>ચેન્નઈ</td><td>&nbsp;1,53,380</td><td>&nbsp;1,40,600&nbsp;</td></tr><tr><td>અમદાવાદ</td><td>&nbsp;1,51,420&nbsp;</td><td>1,38,800&nbsp;&nbsp;</td></tr><tr><td>રાજકોટ&nbsp;</td><td>1,51,420&nbsp;</td><td>1,38,800&nbsp;</td></tr><tr><td>વડોદરા</td><td>1,51,420&nbsp;</td><td>1,38,800&nbsp;</td></tr></tbody></table>Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.<p><br></p><p><br></p><p><a href="https://sandesh.com/gallery/news/lifestyle/this-district-is-considered-the-litchi-capital-of-india-know-which-one" target="_blank">આ પણ વાંચો-  આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?&nbsp;</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/04/22/sj3kYhdprAnYCIkRD3MYD1uLtQbMZCQQ7jEOzPYq.webp'/></item><item><title><![CDATA[Gandhinagar: ગુજરાતના બાળકોને મળશે રસીકરણનું સુરક્ષા કવચ! 36 લાખ બાળકોને સુરક્ષિત કરવાનો લક્ષ્યાંક ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/gandhinagar/gujarat-health-department-launches-mega-vaccination-drive-for-36-lakh-children-phc-schedule</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/gandhinagar/gujarat-health-department-launches-mega-vaccination-drive-for-36-lakh-children-phc-schedule</guid><pubDate>Tue, 16 Jun 2026 12:09:07 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યના નવજાત અને નાના બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા તથા બાળ મૃત્યુદરમાં ઘટાડો લાવવાના ઉદ્દેશ્ય સાથે આજથી રાજ્યવ્યાપી રસીકરણ ઝુંબેશનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંગે મીડિયા સમક્ષ સત્તાવાર નિવેદન આપતા રાજ્યના આરોગ્ય મંત્રીએ તમામ વાલીઓને પોતાના બાળકોને અચૂક રસી અપાવવા માટે આગ્રહભરી વિનંતી કરી છે.</p><h2><b>36 લાખ બાળકો પર સીધું ફોકસ</b></h2><p>આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, આ વર્ષના વાર્ષિક રસીકરણ કેલેન્ડર મુજબ ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને કોર્પોરેશન વિસ્તારોમાં થઈને કુલ ૩૬ લાખ બાળકોને આ ડ્રાઇવ અંતર્ગત આવરી લેવામાં આવશે. મેડિકલ સાયન્સના આધારે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, બાળપણમાં આપવામાં આવતી બીસીજી, ઓરી, રૂબેલા અને પોલિયો જેવી રસીઓ આપવાથી બાળકોને ભવિષ્યમાં થનારા અપંગતા કે મૃત્યુ તરફ દોરી જતા ગંભીર રોગો લાગુ પડતા નથી. જેવી રીતે સામૂહિક પ્રયાસો અને રસીકરણના કારણે આજે ભારતમાંથી પોલિયો જેવી ગંભીર બીમારી જડમૂળમાંથી નાબૂદ થઈ શકી છે, તેવી જ રીતે અન્ય રોગોને પણ ડામી દેવાનો સરકારનો સંકલ્પ છે.</p><h3><b>સોમ અને બુધવારે PHC ખાતે મળશે સુવિધા</b></h3><p>આરોગ્ય વિભાગ દ્વારા શ્રમિક અને ગ્રામીણ પરિવારોને ધ્યાનમાં રાખીને રસીકરણની પ્રક્રિયાને અત્યંત સરળ બનાવવામાં આવી છે. રાજ્યના તમામ ગ્રામ્ય અને અર્બન વિસ્તારોમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC Centers) પર દર સોમવાર અને બુધવારના દિવસો રસીકરણ માટે ખાસ અનામત રાખવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રીએ ઉમેર્યું કે, આપણું હેલ્થ ડિપાર્ટમેન્ટ દર વર્ષે આ અભિયાન સુઆયોજિત રીતે ચલાવે છે. આ અંતર્ગત આશા વર્કર બહેનો અને નર્સિંગ સ્ટાફ દ્વારા ગામેગામ સર્વે કરીને એક પણ બાળક રસી વગર વંચિત ન રહી જાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/amreli/rajula-kovaya-village-lioness-hunted-hotel-worker-prakash-chandra-body-eaten" target="_blank">આ પણ વાંચો: Amreli: રાજુલાના કોવાયા ગામે પરપ્રાંતીય યુવકને સિંહણે ફાડી ખાધો, સ્થળ પરથી માત્ર ખોપરી અને પાસળીના ટૂકડા મળ્યા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/cwzdcWodWP0QLLfURguNiVdBwOTkxl7zSN1TAdxK.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup વચ્ચે બ્રુનાએ આપ્યા સારા સમાચાર,નેમાર 5મી વખત બનશે પિતા! ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/amidst-the-fifa-world-cup-bruna-gave-good-news-neymar-will-become-a-father-for-the-5th-time</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/amidst-the-fifa-world-cup-bruna-gave-good-news-neymar-will-become-a-father-for-the-5th-time</guid><pubDate>Tue, 16 Jun 2026 12:09:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફિફા વર્લ્ડ કપ 2026ના રોમાંચની વચ્ચે બ્રાઝિલના સ્ટાર ફૂટબોલર નેમાર જુનિયરના ચાહકો માટે એક મોટા અને ખુશીના સમાચાર આવ્યા છે.નેમાર ટૂંક સમયમાં જ ૫મી વખત પિતા બનવા જઈ રહ્યો છે.આ મહત્વપૂર્ણ સમાચાર તેની ગર્લફ્રેન્ડ બ્રુના બિયાનકાર્ડીએ પોતાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર એક ખાસ વીડિયો અપલોડ કરીને જાહેર કર્યા છે.વર્લ્ડ કપ દરમિયાન બ્રુના પણ નેમારની સાથે જ છે.</p><h4 style="text-align: justify; "><b>યુટ્યુબ વીડિયો દ્વારા આખો પરિવાર આવ્યો સામે</b></h4><p style="text-align: justify; ">બ્રુનાએ શેર કરેલા આ વીડિયોમાં નેમાર અને બ્રુના ઉપરાંત તેમની બે પુત્રીઓ માવી અને મેલ, તેમજ નેમારનો મોટો પુત્ર ડેવી લુકા પણ જોવા મળી રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે, નેમારની પુત્રી મેલના જન્મના હજુ એક વર્ષથી પણ ઓછો સમય થયો છે, ત્યાં જ કપલે તેમના ઘરે આવી રહેલા નવા મહેમાનની જાહેરાત કરી દીધી છે. જોકે નેમાર ૫મી વખત પિતા બની રહ્યો છે, પરંતુ બ્રુના સાથે તેનું આ ત્રીજું બાળક હશે. નેમારને બ્રુનાથીનની બે દીકરી છે, જ્યારે અન્ય બે બાળકોમાં મોડેલ અમાન્ડા કિમ્બ્રેલીથી એક દીકરી હેલેના અને પૂર્વ ગર્લફ્રેન્ડથી પુત્ર ડેવી લુકા છે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DXuo80YkUFI/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DXuo80YkUFI/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a></p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>ઇજા બાદ મેદાન પર નેમાર ક્યારે વાપસી કરશે?</b></h4><p style="text-align: justify; ">વ્યક્તિગત જીવનની ખુશીઓ વચ્ચે મેદાન પર નેમાર હાલ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. ઇજાના કારણે તે મોરોક્કો સામેની બ્રાઝિલની પ્રથમ મેચ રમી શક્યો ન હતો. અહેવાલો અનુસાર, નેમાર ચાલુ વર્લ્ડ કપમાં બ્રાઝિલની ત્રીજી મેચ દ્વારા મેદાન પર વાપસી કરી શકે છે. સતત ઇજાઓથી પરેશાન હોવાને કારણે ૨૦૨૬ નો આ ફિફા વર્લ્ડ કપ નેમારની કારકિર્દીનો છેલ્લો વર્લ્ડ કપ માનવામાં આવી રહ્યો છે. તેવામાં ફેન્સ આશા રાખી રહ્યા છે કે પિતા બનવાના આ ગુડ ન્યૂઝ નેમારને મેદાન પર શાનદાર પ્રદર્શન કરવા માટે નવી ઉર્જા આપશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-cape-verdes-match-with-spain-draws-a-major-upset-at-the-start-of-the-tournament" target="_blank"> FIFA World Cup 2026 : સ્પેન સાથે કેપ વર્ડેની મેચ ડ્રો, ટૂર્નામેન્ટની શરૂઆતમાં જ સર્જાયો મોટો ઉલટફેર</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/mcY8gsh1FqwjB1c1vNMoufZucP6W0VH82iHgUlbz.webp'/></item><item><title><![CDATA[RSS: ઘણી વસ્તુઓ રજિસ્ટર્ડ નથી, હિંદુ ધર્મ પણ નહી..પ્રિયાંક ખડગેને મોહન ભાગવતનો વળતો જવાબ ]]></title><link>https://sandesh.com/india/news/rss-many-things-are-not-registered-not-even-hinduism-mohan-bhagwats-reply-to-priyanka-kharge</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/rss-many-things-are-not-registered-not-even-hinduism-mohan-bhagwats-reply-to-priyanka-kharge</guid><pubDate>Tue, 16 Jun 2026 11:49:21 +05:30</pubDate><description><![CDATA[<p>રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની કાનૂની સ્થિતિ અને આર્થિક વ્યવહારો પર સવાલ ઉઠાવતા કર્ણાટકના મંત્રી પ્રિયાંક ખડગેના પત્રને સંઘ પ્રમુખ મોહન ભાગવતે સ્પષ્ટ શબ્દોમાં ફગાવી દીધો છે. મોહન ભાગવતે આ માંગણીને માત્ર એક 'રાજકીય પબ્લિસિટી સ્ટંટ' ગણાવીને તેના પર કોઈ પણ સત્તાવાર પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો છે. તેમણે ઉમેર્યું કે સંઘ હંમેશાં પારદર્શક રીતે કામ કરે છે અને આવા રાજકીય હુમલાઓ આરએસએસ માટે નવા નથી.&nbsp;</p><h2><b>આવા વિવાદોથી અમે ટેવાયેલા છીએ</b></h2><p>કર્ણાટકના મંત્રી પ્રિયાંક ખડગેના ખુલ્લા પત્ર અંગે વાત કરતા સરસંઘચાલક મોહન ભાગવતે જણાવ્યું હતું કે, સંગઠનની સ્થાપનાના પ્રારંભિક દાયકાઓથી જ આવા આક્ષેપો અને વિવાદો સામે આવતા રહ્યા છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, "આ કેવળ રાજકારણ પ્રેરિત યુક્તિઓ છે અને સંઘ આવા હુમલાઓથી ટેવાઈ ચૂક્યો છે. જો ક્યારેક આવા વિવાદો ન થાય, તો અમને લાગે છે કે કંઈક ખૂટે છે.</p><p>તેમણે સ્પષ્ટ કર્યું કે લોકોમાં ભ્રમ અને શંકા પેદા કરવાના હેતુથી આવા નિવેદનો કરવામાં આવે છે, પરંતુ જનતા સંઘના કાર્યોથી સારી રીતે વાકેફ હોવાથી હવે આવા પ્રયાસો સફળ થઈ શકે તેમ નથી. આરએસએસની પ્રવૃત્તિઓ ક્યારેય ગુપ્ત હોતી નથી.&nbsp; સ્વયંસેવકો સમાજની વચ્ચે રહે છે અને દેશભરમાં સંઘની શાખાઓ ખુલ્લા મેદાનોમાં જ યોજાય છે.</p><h3><b>હિન્દુ ધર્મ પણ ક્યાંય રજિસ્ટર્ડ નથી</b></h3><p>સંઘની કાનૂની નોંધણી (Registration) અંગે ઉઠેલા સવાલોનો જવાબ આપતા મોહન ભાગવતે તર્ક આપ્યો કે દેશમાં એવી ઘણી પવિત્ર અને મહત્વપૂર્ણ બાબતો છે જે સત્તાવાર રીતે નોંધાયેલી નથી, જેમાં 'હિન્દુ ધર્મ' પોતે પણ સામેલ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે:</p><ul><li>સરકારી ગ્રાન્ટ કે આર્થિક મદદ લેવા ઈચ્છતી સંસ્થાઓ માટે નોંધણી કરાવવી જરૂરી હોય છે, જે યોગ્ય પણ છે.</li><li>આરએસએસ ક્યારેય કોઈ સરકારી ફંડ લેતું નથી.</li><li>સરકાર સંઘના અસ્તિત્વ અને તેની પ્રવૃત્તિઓથી સંપૂર્ણપણે પરિચિત છે.</li></ul><p>મોહન ભાગવતે યાદ અપાવ્યું કે બ્રિટિશ કાળથી કાર્યરત આ સંગઠન પર ભૂતકાળમાં બે વાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જે બાદમાં કાનૂની પ્રક્રિયા અને સત્યાગ્રહના માધ્યમથી હટાવી લેવાયો હતો. પ્રતિબંધ મૂકવો એ જ સાબિત કરે છે કે સરકાર સંઘના અસ્તિત્વથી અજાણ નહોતી. વધુમાં, 1950ના દાયકામાં જ સંઘે પોતાનું લેખિત બંધારણ સરકારને સોંપ્યું હતું અને વિતેલા 100 વર્ષમાં ક્યારેય અલગ રજિસ્ટ્રેશનની જરૂરિયાત ઊભી થઈ નથી.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2066702755557978274"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p><p></p></p><h4></h4><h3><b>પ્રિયાંક ખડગેએ પત્રમાં શું માંગ કરી હતી?</b></h3><p>ઉલ્લેખનીય છે કે, કર્ણાટકના આઈટી-બીટી અને ગ્રામીણ વિકાસ મંત્રી પ્રિયાંક ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક ખુલ્લો પત્ર શેર કરીને આરએસએસની આર્થિક ઓડિટ અને કાનૂની સ્થિતિ પર સવાલો ઉઠાવ્યા હતા.&nbsp;</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PriyankKharge/status/2066458794276913211"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h4><b>ખડગેની મુખ્ય દલીલો શું હતી ?&nbsp;</b></h4><p><b>પારદર્શિતાની માંગ:</b> જો આરએસએસ દેશનું આટલું મોટું સંગઠન છે, તો તેણે સામાન્ય નાગરિકો, ટ્રસ્ટો અને એનજીઓની જેમ જ બંધારણીય માપદંડો, ઓડિટ અને નાણાકીય પારદર્શિતાનું પાલન કરવું જોઈએ.</p><p><b>આવક-ખર્ચની વિગતો:</b> સંઘે તેની કુલ સંપત્તિ, ભંડોળના સ્ત્રોતો અને ટેક્સ સ્ટેટસની વિગતો જાહેર કરવી જોઈએ.</p><p><b>વિશાળ નેટવર્કનો હવાલો:</b> ખડગેએ સંઘના વર્ષ 2025-26&nbsp; 'અખિલ ભારતીય પ્રતિનિધિ સભા'ના અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે, એકલા કર્ણાટકમાં જ આરએસએસ 4127 દૈનિક શાખાઓ અને 1389 સાપ્તાહિક મિલન (મેળાવડા) ચલાવે છે. આટલો વ્યાપક સામાજિક પ્રભાવ ધરાવતી સંસ્થાએ તેના પદાધિકારીઓ અને આર્થિક સ્ત્રોતોની વિગતો સાર્વજનિક કરવી જ જોઈએ.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/lHVBAWHMxuK6g8QLgGpVPKF0WSAvOVVZ89n9NhJb.webp'/></item><item><title><![CDATA[Maa Inti Bangaram ફિલ્મ પ્રમોશન દરમિયાન સામંથા રૂથ પ્રભુએ ખોલ્યા કરિયર અને અંગત જીવનના અનેક રાઝ ]]></title><link>https://sandesh.com/entertainment/news/samantha-ruth-prabhu-revealed-many-secrets-about-her-career-and-personal-life-during-the-promotion-of-maa-inti-bangaram-film</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/samantha-ruth-prabhu-revealed-many-secrets-about-her-career-and-personal-life-during-the-promotion-of-maa-inti-bangaram-film</guid><pubDate>Tue, 16 Jun 2026 11:45:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દક્ષિણ ભારતીય સિનેમાની સુપરસ્ટાર સામંથા રૂથ પ્રભુ હાલમાં તેની આગામી ફિલ્મ "Maa Inti Bangaram" ને લઈને ભારે ચર્ચામાં છે. આ મોસ્ટ-અવેઇટેડ ફિલ્મ ૧૯ જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે, જેને લઈને ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ છે. ફિલ્મની રિલીઝ પહેલાં પ્રમોશન દરમિયાન સામંથાએ તેની કારકિર્દી, અંગત જીવન અને ગંભીર બીમારીના ગાળા વિશે અત્યંત ચોંકાવનારા અને ખુલ્લા મનના ખુલાસા કર્યા છે.</p><h2 style="text-align: justify; "><b>'નાના શહેરની છોકરી માટે આ બધું એક સપના જેવું હતું' સામંથા</b></h2><p style="text-align: justify; ">પોતાની સફરને યાદ કરતાં સામંથાએ જણાવ્યું કે, "મારા માટે એ ખરેખર અદ્ભુત હતું કે એક નાના શહેરની છોકરીને દર્શકો તરફથી આટલો બધો પ્રેમ મળ્યો. લોકો મને મોટા પડદા પર જોવાનું પસંદ કરતા હતા, મારી ફિલ્મોની આતુરતાથી રાહ જોતા અને થિયેટરોમાં મારા નામની બૂમો પાડતા. આ બધું મારા માટે કોઈ સુંદર સ્વપ્ન જેવું હતું." તેણે સ્વીકાર્યું કે એક સમય એવો હતો જ્યારે તેને સતત કામ કરવાની અને ફિલ્મો હિટ આપવાની આદત પડી ગઈ હતી.</p><h3 style="text-align: justify; "><b>સામંથા, સફળતાના કારણે મારામાં 'અહંકાર' આવી ગયો</b></h3><p style="text-align: justify; ">સામંથાએ ઇન્ડસ્ટ્રીના પોતાના એક સમયના ગોલ્ડન પીરિયડ વિશે વાત કરતા કહ્યું કે, "મેં એક વર્ષમાં બેક-ટુ-બેક પાંચ ફિલ્મો કરી અને તે બધી જ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ. લોકો કહેવા લાગ્યા કે આ મારો સુવર્ણ યુગ છે. મને પણ લાગ્યું કે મારે ગમે તેમ કરીને લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવું જ પડશે, તેથી હું મારી જાતને સતત કામ તરફ ધકેલતી રહી."</p><h4 style="text-align: justify; "><b>કલાકાર પર સફળતાનો નશો ચઢે છે</b></h4><p style="text-align: justify; ">તેણે વધુમાં ઉમેર્યું કે, "એક કલાકાર તરીકે જ્યારે તમને આવી સફળતા મળે છે, ત્યારે તમારામાં એક પ્રકારનો અહંકાર (ઘમંડ) આવી જાય છે. જયારે પણ કલાકારની ફિલ્મો હિટ અને દર્શકો તરફથી પણ આટલો બધો પ્રેમ મળે છે ત્યારે સફળતાનો નશો ચઢી જાય છે. તમને લાગવા માંડે છે કે આ સ્ટારડમ અને સફર ક્યારેય ખતમ નહીં થાય. કલાકારને સ્ટારડમ મળતા તે પોતાને જ ઇન્ડસ્ટ્રી માનવા લાગે છે. તમે એ સ્વીકારવા જ તૈયાર નથી હોતા કે આ બધું એક દિવસ સમાપ્ત પણ થઈ શકે છે."</p><h4 style="text-align: justify; "><b>'ગંભીર બીમારીએ મારું આખું જીવન બદલ્યું</b></h4><p style="text-align: justify; ">પોતાના જીવનના સૌથી મુશ્કેલ તબક્કા અને બીમારી વિશે વાત કરતા સામંથાએ કહ્યું કે, "જ્યારે હું બીમાર પડી, ત્યારે મને એક ક્ષણે એવું લાગવા માંડ્યું હતું કે મારી કારકિર્દી હવે સદંતર સમાપ્ત થઈ ગઈ છે. આ બીમારીએ મારા જીવન પ્રત્યેના દ્રષ્ટિકોણને સંપૂર્ણપણે બદલી નાખ્યો. મને સમજાયું કે જો હું આ બ્રેક પછી ફરીથી કામ પર પાછી ફરીશ, તો મારે ઘણી બધી વસ્તુઓ બદલવી પડશે. મારે મારી જૂની આદતો અને કામ કરવાની શૈલીમાં મોટો ફેરફાર કરવો પડશે."</p><p style="text-align: justify; "><b>'માયોસાઇટિસ' બીમારીની શિકાર થઈ સામંથા</b></p><p style="text-align: justify; ">ઉલ્લેખનીય છે કે, ફિલ્મ "કુશી" ના શૂટિંગ દરમિયાન સામંથા 'માયોસાઇટિસ' નામની ગંભીર ઓટોઇમ્યુન બીમારીનો ભોગ બની હતી, જેના કારણે તેણે ઘણા મહિનાઓ સુધી કામથી દૂર રહેવું પડ્યું હતું. સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા બાદ હવે તે શાનદાર કમબેક કરી રહી છે. નંદિની રેડ્ડીના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ "મા ઇન્તી બંગારામ" માં સામંથા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. લાંબા સમય પછી સામંથાને મોટા પડદા પર એક્શન અને ડ્રામા રોલમાં જોવા માટે ફેન્સ આતુર છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/arshad-warsi-will-rule-the-box-office-in-2026-these-4-big-comedy-films-will-create-a-stir" target="_blank">આ પણ વાંચો : 2026માં બોક્સ ઓફિસ પર રાજ કરશે અરશદ વારસી, આ 4 મોટી કોમેડી ફિલ્મો મચાવશે ધમાલ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/6iUg6ApMEL6zdu3XGLMRQbb5v92kPnwwu0nDGo0Q.webp'/></item><item><title><![CDATA[Mehsana: CDHOની આકસ્મિક તપાસમાં 12 કર્મચારીઓ લપેટામાં, ગેરહાજર અને મોડા આવનારાઓને ફટકારી શો-કોઝ નોટિસ! ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mahesana/mehsana-health-department-surprise-checking-cdho-action-show-cause-notice-to-absent-employees</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mahesana/mehsana-health-department-surprise-checking-cdho-action-show-cause-notice-to-absent-employees</guid><pubDate>Tue, 16 Jun 2026 11:03:33 +05:30</pubDate><description><![CDATA[<p>
</p><div style="text-align: justify; ">સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં જનતાની સેવા પ્રત્યે બેદરકારી દાખવતા કર્મચારીઓ સામે મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. મહેસાણાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી  દ્વારા તાજેતરમાં જ જુદા જુદા આરોગ્ય કેન્દ્રો પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીના આ અચાનક સપાટાથી ફરજમાં બેદરકારી દાખવતા અને કચેરીએ મોડા આવતા કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.</div><div style="text-align: justify; "><br></div><h2 style="text-align: justify;"><b>&nbsp;ટીમ જ્યારે તપાસ માટે પહોંચી</b></h2><div style="text-align: justify;"><br></div><div style="text-align: justify;"> 
</div><div style="text-align: justify;">મળતી માહિતી મુજબ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમ જ્યારે તપાસ માટે પહોંચી ત્યારે ઓફિસના વાસ્તવિક દ્રશ્યો સામે આવ્યા હતા. આકસ્મિક ચેકિંગ દરમિયાન કુલ 45 અધિકારીઓ અને કર્મચારીઓ સમયસર પોતાની ફરજ પર હાજર મળી આવ્યા હતા.</div><div style="text-align: justify;"><br></div><div style="text-align: justify;"> 
</div><h3 style="text-align: justify;"><b>4 કર્મચારીઓ ગેરહાજર જોવા મળ્યા</b></h3><div style="text-align: justify;"><br></div><div style="text-align: justify;">
</div><div style="text-align: justify;">પરંતુ, નિયત સમય વીતી ગયો હોવા છતાં 8 કર્મચારીઓ કચેરીએ મોડા પહોંચ્યા હતા, જ્યારે 4 કર્મચારીઓ કોઈપણ પૂર્વ મંજૂરી વગર તદ્દન ગેરહાજર હોવાનું સામે આવ્યું હતું. આમ, કુલ 12 કર્મચારીઓ શિસ્તભંગના દાયરામાં ઝડપાયા છે.</div><div style="text-align: justify;"><br></div><div style="text-align: justify;">
</div><h4 style="text-align: justify;"><b>કારણ દર્શક નોટિસ ફટકારાઇ</b></h4><div style="text-align: justify;"><br></div><div style="text-align: justify;">
</div><div style="text-align: justify;">આ ગંભીર બેદરકારીને પગલે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ સખત નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે સ્થળ પર જ એક્શન મોડમાં આવીને મોડા આવનારા અને ગેરહાજર રહેનારા તમામ કર્મચારીઓને કારણદર્શક  નોટિસ ફટકારવાના આદેશ આપ્યા છે. આ સાથે જ સંબંધિત તાલુકા આરોગ્ય અધિકારીને આવા આળસુ કર્મચારીઓ સામે નિયમોનુસાર કડક પગલાં લેવા માટે લેખિત સૂચના આપી દેવામાં આવી છે.</div><div style="text-align: justify;"><br></div><div style="text-align: justify;">
</div><h4 style="text-align: justify;"><b>આળસ કે બેદરકારી સહેજ પણ ચલાવી લેવાશે નહીં</b></h4><div style="text-align: justify;"><br></div><div style="text-align: justify;">
</div><div style="text-align: justify; ">આરોગ્ય વિભાગે કડક શબ્દોમાં ચીમકી આપતા જણાવ્યું છે કે, "પ્રજાના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આરોગ્ય સેવાઓમાં કોઈપણ પ્રકારની આળસ કે બેદરકારી સહેજ પણ ચલાવી લેવાશે નહીં." જનતાને સમયસર અને ગુણવત્તાસભર તબીબી સેવાઓ મળી રહે તે માટે આગામી દિવસોમાં પણ આ પ્રકારની સરપ્રાઈઝ વિઝીટ ચાલુ રાખવામાં આવશે, જેથી તમામ સ્ટાફ સમયસર હાજર રહીને પોતાની ફરજ નિભાવે.&nbsp;</div><div style="text-align: justify; "><br></div><div style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; <a href="https://sandesh.com/india/news/sandesh-digital-explainer-india-monsoon-pause-imd-alert" target="_blank"><b>Sandesh Digital Explainer: મેઘરાજા આકાશી ચક્રવ્યૂહમાં ફસાયા..! કેમ અચાનક ગાયબ થઈ ગયા ચોમાસાના વાદળો? જાણો વિન્ડ વોરની ઇનસાઇડ સ્ટોરી</b></a></div><div>
</div><div>
</div><div>
</div><div>
</div><div>
</div><div>
</div><div>
</div><div>
</div><div>
</div><div>
</div><div>
</div><div>
</div> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/psEAlNxNgOMpoFdD4EFJgisCm6fG8C5oapHgmm3b.webp'/></item><item><title><![CDATA[Telegram Banned: NEET પરીક્ષા પહેલા ટેલિગ્રામ પર રોક, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય ]]></title><link>https://sandesh.com/india/news/telegram-banned-temporary-in-india-ban-on-telegram-before-neet-re-exam--2026-big-decision-of-the-central-government</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/telegram-banned-temporary-in-india-ban-on-telegram-before-neet-re-exam--2026-big-decision-of-the-central-government</guid><pubDate>Tue, 16 Jun 2026 10:39:32 +05:30</pubDate><description><![CDATA[<p>નીટની ફરીથી પરીક્ષા યોજાવાની છે. તે પહેલા કેન્દ્ર સરકારે 22 જૂન સુધી ટેલિગ્રામ પર અસ્થાયી રોક લગાવી છે. 30 જૂન સુધી ટેલિગ્રામનુ મેસેજિંગ ફીચર બંધ રહેશે, મહત્વનું છે કે 21 જૂને નીટની રિ એક્ઝામ થવાની છે. આ પહેલા કોઇ પેપરલીકની ઘટના ન બને તે માટે સાવચેતીના ધોરણે કેન્દ્ર સરકારે ટેલિગ્રામ પર અસ્થાયી રોક લગાવી છે. NTA એ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે NEET-UG 2026 પુનઃપરીક્ષા સુરક્ષિત અને ન્યાયી રીતે યોજાય તે સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લીધો છે.&nbsp;</p><h3><b style="font-size: 2rem;">કેમ લેવામાં આવ્યો આ નિર્ણય ?&nbsp;</b></h3><p>ઉલ્લેખનીય છે કે NTA અનુસાર કેટલીક વિદ્યાર્થ ગેંગ દ્વારા ટેલિગ્રામ દ્વારા છેતરપિંડી આચરવામાં આવે છે.. પેપર લીક્ડ NEET,” “Re-NEET 2026,” અને “Private Mafia” જેવા નામો ધરાવતી ચેનલો હજારોથી લાખો રૂપિયા સુધીની રકમની માંગણી કરી રહી હતી. એજન્સીએ સ્પષ્ટતા કરી છે કે પરીક્ષાનું પ્રશ્નપત્ર સંપૂર્ણપણે સુરક્ષિત છે અને પરીક્ષા પહેલાં કોઈને પણ ઉપલબ્ધ નથી. NEET-UG 2026 પુનઃપરીક્ષા પહેલા સરકારે એક મોટું પગલું ભર્યું છે. ટેલિગ્રામ પર કામચલાઉ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.&nbsp;&nbsp;</p><p>NTA એ જણાવ્યું હતું કે ટેલિગ્રામ પર 'એડિટ' સુવિધાનો ઘણા કિસ્સાઓમાં દુરુપયોગ થયો હતો. પરીક્ષા થયા પછી, વાસ્તવિક પ્રશ્નપત્ર જૂના સંદેશાઓમાં ઉમેરવામાં આવતું હતું જેથી એવું લાગે કે પેપર પહેલાથી જ લીક થઈ ગયું છે. આવી નકલી 'પેપર લીક' સામગ્રીના પ્રસારને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.</p><p><br></p><h3><b>સમય અને પેટર્નમાં કેટલાક ‘કૅન્ડિડેટ-ફ્રેન્ડલી’ ફેરફારો કર્યા</b></h3><p>આ વર્ષે પરીક્ષા ઘણા અર્થમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે તાજેતરમાં NTAએ વિદ્યાર્થીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને પરીક્ષાના સમય અને પેટર્નમાં કેટલાક ‘કૅન્ડિડેટ-ફ્રેન્ડલી’ ફેરફારો કર્યા છે. એડમિટ કાર્ડ જાહેર થતાં જ વિદ્યાર્થીઓને પોતાની તૈયારી અને પરીક્ષા કેન્દ્ર સંબંધિત તમામ વ્યવસ્થાઓ અંતિમ રૂપ આપવા સલાહ આપવામાં આવી છે.</p><p><br></p><h3><b>એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું?</b></h3><ul><li>સૌપ્રથમ અધિકૃત વેબસાઇટ neet.nta.nic.in પર જાઓ</li><li>હોમપેજ પર આપેલ NEET (UG) 2026 Admit Card લિંક પર ક્લિક કરો</li><li>નવા પેજ પર તમારો એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો</li><li>સિક્યુરિટી પિન ભરી Submit પર ક્લિક કરો</li><li>આ પછી તમારૂં ડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે. તેનો કલર અથવા બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટઆઉટ કાઢી પરીક્ષા કેન્દ્ર પર લઈ જવું જરૂરી રહેશે.</li></ul><h4><b>પરીક્ષાનો સમય વધારીને 195 મિનિટ કરાયો&nbsp;</b></h4><p>આ વર્ષે NEET (UG) પરીક્ષાની સમયસીમા વધારીને 195 મિનિટ (3 કલાક 15 મિનિટ) કરવામાં આવી છે. પરીક્ષા બપોરે 2:00 વાગ્યે શરૂ થઈને સાંજે 5:15 વાગ્યે પૂર્ણ થશે. NTAનું કહેવું છે કે આ વધારાનો સમય વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન બાયોમેટ્રિક હાજરી અને અન્ય પ્રક્રિયાઓમાં થતા સમયના નુકસાનની ભરપાઈ માટે આપવામાં આવ્યો છે. ઉપરાંત, ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના ગણિતીય પ્રશ્નો માટે આ વર્ષે વધુ રફ વર્ક જગ્યા પણ આપવામાં આવી છે.</p><p><br></p><p><a href="https://sandesh.com/gallery/news/lifestyle/this-district-is-considered-the-litchi-capital-of-india-know-which-one" target="_blank">આ પણ વાંચો-  આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?&nbsp;</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/aVAsJbUw130gYxzQK9iTFzKaUdXKtMnc9zT4Isv6.webp'/></item><item><title><![CDATA[Surat: ચોક બજાર દુષ્કર્મ કેસના આરોપીને કડક સજા, અંતિમ શ્વાસ સુધી જેલમાં સડશે નરાધમ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/chowk-bazar-4-year-old-girl-rape-case-accused-ankit-gautam-sentenced-to-life-imprisonment-until-death</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/chowk-bazar-4-year-old-girl-rape-case-accused-ankit-gautam-sentenced-to-life-imprisonment-until-death</guid><pubDate>Tue, 16 Jun 2026 10:29:58 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત શહેરમાં માસૂમ બાળાઓ અને મહિલાઓની સુરક્ષા સામે સવાલિયા ચિહ્નો ઊભા કરતી ઘટનાઓ વચ્ચે ન્યાયતંત્ર દ્વારા આવા રાક્ષસી માનસિકતા ધરાવતા તત્વોને પાઠ ભણાવતો એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. સુરતના ચોક બજાર વિસ્તારમાં અગાઉ એક 4 વર્ષની બાળકી રમી રહી હતી ત્યારે આરોપી અંકિત ગૌતમ તેની માસૂમિયતનો લાભ ઉઠાવી, ફોસલાવીને અપહરણ કરી ગયો હતો. ત્યારબાદ આ નરાધમે બાળકી સાથે હેવાનિયતની તમામ હદો વટાવીને દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં સુરતની સ્પેશિયલ પોક્સો (POCSO) કોર્ટે આરોપીને સમાજ માટે કલંક ગણાવી કડક સજા સંભળાવી છે.</p><h2><b>સુરત પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો</b></h2><p>સામાન્ય રીતે આજીવન કેદની સજામાં 14 વર્ષ કે ચોક્કસ ગાળા બાદ માફીની અરજી કે વહેલી મુક્તિની જોગવાઈઓ હોતી હોય છે, પરંતુ નામદાર કોર્ટે આ કેસની ક્રૂરતા જોઈને ચુકાદામાં સ્પષ્ટ આદેશ કર્યો છે કે આરોપી અંકિત ગૌતમ જ્યાં સુધી જીવતો રહેશે એટલે કે તેના શરીરના અંતિમ શ્વાસ સુધી તે જેલની અંદર જ રહેશે. તેને સામાન્ય કેદની કોઈ માફીનો લાભ મળશે નહીં. અદાલતે નોંધ્યું હતું કે 4 વર્ષની બાળકી પર આવું કૃત્ય કરનાર વ્યક્તિ સમાજમાં રહેવાને લાયક નથી.</p><h3><b>પીડિતાને આર્થિક આશરો, વહીવટી પ્રક્રિયા શરૂ</b></h3><p>કોર્ટે ચુકાદા દરમિયાન માત્ર સજા જ નથી ફટકારી, પરંતુ ભોગ બનનાર બાળકીના ભવિષ્ય, ભણતર અને તેના માનસિક આઘાત (ટ્રોમા) માંથી બહાર આવવા માટે મેડિકલ સહાયના ભાગરૂપે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી (DLSA) ના માધ્યમથી રૂ. 10.50 લાખનું જંગી વળતર ચૂકવવાનો સરકારને આદેશ કર્યો છે. આ ઉપરાંત આરોપી અંકિત ગૌતમને રૂ. 10,000 નો રોકડ દંડ ફટકાર્યો છે, જો તે દંડ ન ભરે તો તેની સજાના ગાળામાં વધુ વધારો કરવામાં આવશે. ચોક બજાર પોલીસે વૈજ્ઞાનિક પુરાવા, ડીએનએ (DNA) રિપોર્ટ અને મેડિકલ ઓફિસર્સની કડક જુબાનીઓ સમયસર કોર્ટ સમક્ષ રજૂ કરી હોવાથી કેસ વહેલો ચાલ્યો હતો અને પીડિત પરિવારને ઝડપી ન્યાય મળ્યો છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/rabari-colony-crossroad-overspeed-car-crashes-into-brts-railing-driver-safe" target="_blank">આ પણ વાંચો: Ahmedabad:  રબારી કોલોની પાસે મોડી રાત્રે અકસ્માત, કારના આગળના ભાગનો કુરચો બોલી ગયો</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/NYhDc059noT0LW46H6G2rFuNQhQ0nPhgNyISSYfS.webp'/></item><item><title><![CDATA[Ahmedabad:  રબારી કોલોની પાસે મોડી રાત્રે અકસ્માત, કારના આગળના ભાગનો કુરચો બોલી ગયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/rabari-colony-crossroad-overspeed-car-crashes-into-brts-railing-driver-safe</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/rabari-colony-crossroad-overspeed-car-crashes-into-brts-railing-driver-safe</guid><pubDate>Tue, 16 Jun 2026 09:57:16 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરમાં સીજી રોડ, એસજી હાઇવે બાદ હવે પૂર્વ વિસ્તારના જાહેર માર્ગો પર પણ નબીરાઓ અને બેફામ વાહન ચલાવનારાઓનો આતંક વધી રહ્યો છે. મોડી રાત્રે પૂર્વ અમદાવાદને જોડતા રબારી કોલોની ચાર રસ્તા પાસે રફતારનો કહેર જોવા મળ્યો હતો. એક અજાણ્યો કાર ચાલક પોતાની વૈભવી કાર લઈને સખત સ્પીડમાં પસાર થઈ રહ્યો હતો. રબારી કોલોની ચાર રસ્તા નજીક ટર્નિંગ પર અથવા સ્પીડ કંટ્રોલ ન થવાના કારણે કાર સીધી જ રોડની વચ્ચે આવેલા BRTS (બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ) ના પ્રોટેક્શન ટ્રેકની લોખંડની મજબૂત રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી.</p><h2><b>રેલિંગ તોડીને કાર અંદર ઘૂસી ગઈ</b></h2><p>અકસ્માત એટલો જોરદાર હતો કે લોખંડના જાડા એંગલ અને રેલિંગના કટકા થઈ ગયા હતા અને કારનો આગળનો બોનેટનો ભાગ સંપૂર્ણપણે રેલિંગની અંદર ખૂંપી ગયો હતો. રાત્રિનો સમય હોવાથી અને સામાન્ય રીતે તે સમયે BRTS બસો બંધ હોવાથી ટ્રેકની અંદર કોઈ અન્ય વાહન કે બસ નહોતી, જેથી મોટી હોનારત ટળી હતી. ધડાકો સાંભળીને આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.</p><h3><b>કોઈ જાનહાનિ નહીં, કાનૂની કાર્યવાહી શરૂ</b></h3><p>આ ભયાનક અકસ્માતમાં કારના એન્જિન અને આગળના વ્હીલના ભાગને ભારે નુકસાન થયું હતું, પરંતુ સદનસીબે કાર ચાલક સુરક્ષિત રીતે બહાર નીકળી આવ્યો હતો. તેનો આબાદ બચાવ થતાં સ્થાનિક નાગરિકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક રબારી કોલોની ચાર રસ્તા પર પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતને કારણે ખોરવાયેલા ટ્રાફિકને હળવો કરવા ક્રેન મંગાવીને કારને ટ્રેકમાંથી બહાર કાઢી પોલીસ સ્ટેશને ખસેડી હતી. પોલીસે સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ અકસ્માતનો ગુનો નોંધીને ચાલકની પૂછપરછ અને સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવવાની કવાયત હાથ ધરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/gujarat-police-operation-childhood-freedom-84-child-labourers-rescued-26-arrested-dgp-gs-malik" target="_blank">આ પણ વાંચો: Surat: ગુજરાત પોલીસનું ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ હેઠળ પ્રથમ 14 દિવસમાં જ 84 બાળમજૂરો મુક્ત, 26 શોષણખોરો સામે ગુનો દાખલ</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/ApxWzM2A0ETg9QpOAU522AzjCNiJehy4sxaG498d.webp'/></item></channel></rss>