<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Bharuch News: અંકલેશ્વરમાં બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે 25 હજારની લાંચ લેતો હેડ કોન્સ્ટેબલ ઝડપાયો ]]></title><link>https://sandesh.com/crime/news/bharuch/ankleshwar-bhadkodra-police-head-constable-acb-trap-bribe</link><guid isPermaLink="true">https://sandesh.com/crime/news/bharuch/ankleshwar-bhadkodra-police-head-constable-acb-trap-bribe</guid><pubDate>Wed, 24 Jun 2026 20:40:24 +05:30</pubDate><description><![CDATA[<p>ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક ગઢ ગણાતા અંકલેશ્વરમાંથી ખાખી વર્દીને દાગ લગાડતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કાયદાના રક્ષક જ ભક્ષક બન્યા હોય તેમ અંકલેશ્વરની ભાડકોદ્રા પોલીસ ચોકીનો હેડ કોન્સ્ટેબલ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના સકંજામાં આવી ગયો છે. વડોદરા એસીબીની ટીમે આયોજનબદ્ધ રીતે છટકું ગોઠવીને લાંચિયા પોલીસકર્મીને જાહેરમાં લાંચ લેતા દબોચી લેતા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.</p><h2><b>ફ્રીઝ થયેલું બેંક એકાઉન્ટ ચાલુ કરવા માટે માંગી હતી લાંચ</b></h2><p>આ હાઈપ્રોફાઈલ કેસની વિગતો એવી છે કે, ફરિયાદીનું કોઈ કારણોસર બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું હતું. આ ફ્રીઝ થયેલું બેંક એકાઉન્ટ ફરીથી અનફ્રીઝ કરાવવા માટે ફરિયાદીએ ભાડકોદ્રા પોલીસ ચોકીનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન ત્યાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સુનીલ પરમારે એકાઉન્ટ ફરી ચાલુ કરી આપવાની અવેજીમાં ફરિયાદી પાસે રૂપિયા 25,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આ લાંચના નાણાં આપવા ઈચ્છુક ન હોવાથી તેમણે વડોદરા એસીબી સમક્ષ આખી ઘટનાની ફરિયાદ કરી હતી.</p><h2><b>વાલિયા ચોકડી પાસે ચાની કીટલી પર એસીબીએ ગોઠવ્યું સફળ છટકું</b></h2><p>ફરિયાદના આધારે વડોદરા એસીબીની ટીમે તાત્કાલિક એક્શન પ્લાન તૈયાર કર્યો હતો અને અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલા એક ટી સ્ટોલની બહાર લાંચનું છટકું ગોઠવ્યું હતું. પ્લાન મુજબ હેડ કોન્સ્ટેબલ સુનીલ પરમાર જેવો જ ફરિયાદી પાસેથી જાહેરમાં રૂપિયા 25,000ની લાંચની રકમ સ્વીકારવા ગયો, કે તરત જ વોચમાં ગોઠવાયેલી એસીબીની ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો હતો. એસીબીએ લાંચની રકમ જપ્ત કરી આરોપી હેડ કોન્સ્ટેબલ સુનીલ પરમારની ધરપકડ કરી છે અને તેની સામે કાયદેસરનો ગુનો નોંધી આગળની સઘન તપાસ શરૂ કરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bharuch/bharuch-states-ad-chief-secretary-conducts-school-entrance-ceremony-for-student" target="_blank">Bharuch: રાજયના એડી. ચીફ સેક્રેટરીએ વિદ્યાર્થીને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/NbtCRVUSfp3KJWVwUhgRZfG03IMykrGbcxoHx4a7.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના યાત્રાધામોના વિકાસ કામો માટે 3.28 કરોડ મંજૂર કર્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/harsh-sanghavi-approves-rs-3-28-crore-for-gujarat-pilgrimage-and-tourism-development</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/harsh-sanghavi-approves-rs-3-28-crore-for-gujarat-pilgrimage-and-tourism-development</guid><pubDate>Wed, 24 Jun 2026 20:37:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતને વૈશ્વિક પ્રવાસન નકશા પર વધુ મજબૂત બનાવવા અને રાજ્યના પવિત્ર યાત્રાધામો ખાતે આવતા લાખો શ્રદ્ધાળુઓની સુખાકારી માટે રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે.રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે રાજ્યના પ્રવાસન અને યાત્રાધામોના સર્વાંગી વિકાસ માટે વિવિધ મહત્વની દરખાસ્તોને મંજૂરી આપી છે.રાજ્યના વિકાસ મોડલમાં પ્રવાસન ઉદ્યોગ અને યાત્રાધામોનો વિકાસ એ સરકારની પ્રાથમિકતા રહી છે. પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને શ્રેષ્ઠત્તમ સુવિધાઓ મળી રહે તે હેતુથી આજે વિવિધ પ્રવાસન પ્રોજેક્ટ્સ અને આસ્થાના કેન્દ્રોના વિકાસ કાર્યોને વહીવટી મંજૂરી આપવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>પ્રવાસન અને યાત્રાધામોના વિકાસ માટે મંજૂરી</b></h2><p style="text-align: justify; ">વલસાડ જિલ્લાના કોસંબા ખાતેના અક્ષરપુરષોત્તમ સ્વામીનારાયણ મંદિરમાં સુવિધાઓ ઉમેરવા માટે,ડાંગ જિલ્લાના સાપુતારા પ્રવાસન સ્થળે પ્રવાસીઓના આકર્ષણ સમાન સનરાઈઝ અને સનસેટ પોઈન્ટ પર જતા રસ્તા માટે ગ્રાન્ટ મંજૂર કરાઈ છે.તે ઉપરાંત રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે સ્થિત સ્વામીનારાયણ મંદિર ખાતે ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે સોલર રૂફ ટોપ પ્રોજેક્ટ મંજૂર કરાયો છે.જ્યારે અમદાવાદ જિલ્લાના ભોંયણી ખાતે આવેલા મલ્લીનાથજી મહારાજ ઐતિહાસિક જૈન તીર્થ ખાતે યાત્રિકોની સુવિધા માટે પણ ખર્ચ મંજૂર કરાયો છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>વિકાસ કામો માટે 3.28 કરોડ મંજૂર કર્યા</b></h3><p style="text-align: justify; ">વડોદરા જિલ્લાના સિધ્ધનાથ મહાદેવ મંદિરના પૌરાણિક મંદિરના મુખ્ય જીણોદ્વાર,બોરવેલ, કોટા સ્ટોન ફ્લોરીંગ, સુશોભન દરવાજા અને ઇલેક્ટ્રીફીકેશન સહિતના વિવિધ વિકાસ કામો માટે પણ ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે.તેવી જ રીતે સુરતના અડાજણ ખાતે આવેલા હાટકેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સિવિલ તેમજ સોલારના વિવિધ વિકાસ કામો હાથ ધરવા માટે વહીવટી મંજૂરી આપવામાં આવી છે.આ તમામ યાત્રાધામો અને પ્રવાસન સ્થળોના વિકાસ કાર્યો માટે નાયબ મુખ્યમંત્રીશ્રી દ્વારા રૂ.3.28 કરોડથી વધુ રકમના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/orange-alert-for-heavy-rain-in-16-districts-over-next-three-hours" target="_blank">આ પણ વાંચોઃ Gujarat Weather: આગામી ત્રણ કલાકમાં 16 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/obq6h2qviSsqP3WkZ01JXuJX4WY8WTd6Kc3ZSdjK.webp'/></item><item><title><![CDATA[Passport Citizenship Proof: પાસપોર્ટ મામલે વિદેશ મંત્રાલયનું નવીનતમ નિવેદન, જાણો શુ કહ્યુ? ]]></title><link>https://sandesh.com/india/news/passport-citizenship-proof-latest-statement-of-the-ministry-of-external-affairs-on-passport-issue-know-what-it-said</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/passport-citizenship-proof-latest-statement-of-the-ministry-of-external-affairs-on-passport-issue-know-what-it-said</guid><pubDate>Wed, 24 Jun 2026 20:32:24 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">મંત્રાલયે જણાવ્યું હતું કે, તાજેતરમાં 13.9 મિલિયનથી વધુ પાસપોર્ટ જારી કરાયા હતા અને કેન્દ્રોની સંખ્યા 77થી વધીને 545 થઈ ગઈ છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">વિદેશ મંત્રાલયનું નિવેદન&nbsp;</h2><p style="text-align: justify; ">જો તમે પાસપોર્ટને નાગરિકતાનો પુરાવો માનો છો, તો તમારે વિદેશ મંત્રાલયનું નવીનતમ નિવેદન વાંચવું જોઈએ. વિદેશ મંત્રાલયના એક અધિકારીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે પાસપોર્ટ મુખ્યત્વે એક મુસાફરી દસ્તાવેજ છે, નાગરિકતાનો પુરાવો નથી. તેમણે એમ પણ કહ્યું કે 2025માં 15 મિલિયન પાસપોર્ટ અને સંબંધિત સેવાઓ જારી કરવામાં આવી હતી. જેમાંથી 13.9 મિલિયન પાસપોર્ટ જ હતા. ભારતીયો માટે વિઝા-મુક્ત દેશોની સંખ્યા 27 થઈ ગઈ છે.</p><h3 style="text-align: justify; ">મંત્રાલયના અધિકારીની પ્રતિક્રિયા&nbsp;</h3><p style="text-align: justify; ">મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસ વેરિફિકેશનને બાદ કરતાં, પાસપોર્ટ પ્રક્રિયામાં છ કાર્યકારી દિવસો લાગે છે. PSK અને POPSK પર પ્રક્રિયા કરવામાં 45 મિનિટથી ઓછા સમય લાગે છે. દેશભરમાં 545 પાસપોર્ટ કેન્દ્રો છે. જે દસ વર્ષ પહેલાં ફક્ત 77 હતા. કેન્દ્રોની સંખ્યા છ ગણી વધી છે. અમે ગયા વર્ષે 10 POPSK ખોલ્યા હતા. આ વર્ષે બીજા 10 ખોલવામાં આવશે.</p><h4 style="text-align: justify; ">મંત્રાલયે અન્ય શુ જાહેર કર્યું?</h4><p style="text-align: justify; ">અધિકારીએ જણાવ્યું હતું કે ભારતીયો માટે વિઝા-મુક્ત પ્રવેશ ધરાવતા દેશોની સંખ્યા 27 છે. જે 2019માં 16 હતી. 47 દેશો ભારતીયો માટે વિઝા-ઓન-અરાઇવલ ઓફર કરે છે અને 66 દેશ ભારતીયોને ઇલેક્ટ્રોનિક વિઝા આપે છે. મોબિલિટી કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જેમાં મોટાભાગે યુરોપ સાથે. આ શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ, એપ્રેન્ટિસ, પ્રવાસીઓ અને ઉદ્યોગપતિઓની સરળ હિલચાલને સરળ બનાવે છે. તેઓ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના સરળતાથી પાછા ફરવા માટે એક સિસ્ટમ પણ બનાવે છે.</p><h5 style="text-align: justify; ">કાયદો શું કહે છે?</h5><p style="text-align: justify; ">જો તમારો જન્મ 1 જુલાઈ, 1987 પછી થયો હોય, તો જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ અથવા આધાર કાર્ડ જ તમને ભારતીય નાગરિક હોવાનું સાબિત કરવા માટે પૂરતું ન હોઈ શકે. કાયદા મુજબ, 1 જુલાઈ, 1987 પછી ભારતમાં જન્મેલા કોઈપણ વ્યક્તિ, જ્યાં સુધી તેમના માતાપિતામાંથી એક ભારતીય ન હોય ત્યાં સુધી આપમેળે નાગરિકતાનો દાવો કરી શકતા નથી.</p><h6 style="text-align: justify; ">કયા દસ્તાવેજ જરુરી ?&nbsp;</h6><p style="text-align: justify; ">2013માં, બોમ્બે હાઈકોર્ટે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ હોવાના આરોપ હેઠળના ચાર લોકોને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો, જોકે તેઓએ તેમની ભારતીય નાગરિકતા સાબિત કરવા માટે પાસપોર્ટ, આધાર કાર્ડ અને જન્મ પ્રમાણપત્ર રજૂ કર્યા હતા. ન્યાયાધીશ કેયુ ચાંડીવાલે તેમની અરજીઓ ફગાવી દેતા જણાવ્યું હતું કે કાયદા હેઠળ, આવા અરજદારોએ સાબિત કરવું જરૂરી છે કે તેમના માતાપિતા ભારતીય નાગરિક હતા. આવા કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી.</p><h2 style="text-align: justify; ">માતા-પિતામાંથી કોઈ એક નાગરિક ભારતીય હોવું જરુરી&nbsp;</h2><p style="text-align: justify; ">કાયદા હેઠળ, 26 જાન્યુઆરી, 1950ના રોજ અથવા તે પછી, પરંતુ 1 જુલાઈ, 1987 પહેલા ભારતમાં જન્મેલા વ્યક્તિને જન્મથી ભારતીય ગણવામાં આવે છે. જુલાઈ 1987 પછી જન્મેલા લોકો ફક્ત ત્યારે જ નાગરિકતાનો દાવો કરી શકે છે જો તેમના માતાપિતામાંથી કોઈ એક નાગરિક હોય.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/israel-plan-for-murder-asif-munir-mossad-plotted-to-kill-pakistan-army-chief-asif-munir-brazilian-journalist-claims" target="_blank">મોસાદે પાકિસ્તાનના આર્મી ચીફ આસિફ મુનીરની હત્યાનું કાવતરું ઘડ્યું! બ્રાઝિલિયન પત્રકારે કર્યો દાવો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/iTKAHdI2GVn18P0TNlxg8IgS7PBuTvjqDyad7Yol.webp'/></item><item><title><![CDATA[Sandesh Explainer: નવું જીવન શરૂ કરવા જીવનસાથીનો જ ખેલ ખતમ! ]]></title><link>https://sandesh.com/india/news/sandesh-explainer-the-game-of-starting-a-new-life-with-your-spouse-is-over</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/sandesh-explainer-the-game-of-starting-a-new-life-with-your-spouse-is-over</guid><pubDate>Wed, 24 Jun 2026 19:55:51 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ ત્રણેય કિસ્સાઓમાં મહિલાઓએ પોતાની નવી જિંદગી કે પ્રેમ સંબંધને આગળ વધારવા માટે પોતાના જ લાઈફ પાર્ટનરની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">સરળ છે પ્રેમમાં ખૂની બનવુ ?&nbsp;</h2><p style="text-align: justify; ">હાલ પુણેની સીયાએ ફરી ઇન્દોરની સોનમ રઘુવંશી અને મેરઠની મુસ્કાનના કેસની યાદો ફરી તાજી કરી છે. ફરી એકવાર સંબંધોનું ખૂન થયુ છે. અને ફરી એકવાર પ્રશ્ન ઉભો થયો છે કે, શું નવા જીવનની શરૂઆત કરવા માટે અન્યનો જીવ લેવો સરળ છે?, શું લગ્નના સંબંધોમાંથી નિકળવાનું અઘરુ અને પોતાના જ પાર્ટનરનું કાસળ કાઢવુ સરળ છે?. આ માનસિકતા કેમ લોકો રાખી રહ્યા છે. શુ આના માટે પરિવારિક વાતાવરણ, શાખ, પ્રતિષ્ઠા જવાબદાર છે?.&nbsp;</p><h3 style="text-align: justify; ">સંબંધોનો લોહિયાળ અંત&nbsp;</h3><p style="text-align: justify; ">પુણેની 20 વર્ષીય સીયાએ પુણેના જ 25 વર્ષના કેતન સાથે સગાઇ કરી હતી. અને આ જ વર્ષે નવેમ્બરમાં તેઓ લગ્ન કરવાના હતા. બન્ને પરિવાર પુણે શહેરના પ્રતિષ્ઠિત પરિવારમાં પોતાનું સ્થાન ધરાવે છે. સીયા અને કેતન બન્નેનું સારુ શિક્ષણ, ઉચ્ચ જીવનશૈલી છતા કોઇને મારી નાંખવાની માનસિકતા કેમ સીયામાં આવી તે પ્રશ્ન છે. સીયાના 22 વર્ષના પુરુષ મિત્ર ચેતન સાથે મળીને તેણે કેતનો જીવ લીધો છે. આ ઘટનાએ સંબંધો પર શંકા ઉપજાવી છે.&nbsp; &nbsp;</p><h4 style="text-align: justify; ">પુણેનો સીયા કેસ અને ઇન્દોરનો સોનમ કેસ આ બન્નેમાં ઘણા પાસા એક સરખા છે.&nbsp;&nbsp;</h4><p style="text-align: justify;"><img title="sonam" src="https://epapercdn.sandesh.com/images/2026/06/24/mNlKKFh5Ck7qGkCKGD1IDU7pRXy9QxELwuMtTTU7.webp"><br></p><p style="text-align: justify; "><b>1. સોનમ રઘુવંશી કેસ&nbsp;</b></p><p style="text-align: justify; ">આ ઘટના મે 2025 દરમિયાન સામે આવી હતી. જેણે લગ્નજીવન અને વિશ્વાસના સંબંધો પર ગંભીર સવાલો ઉભા કર્યા હતા.</p><p style="text-align: justify; "><b>ઘટનાની પૃષ્ઠભૂમિ: </b>ઇન્દોરના 29 વર્ષીય વેપારી રાજા રઘુવંશીના લગ્ન 25 વર્ષીય સોનમ રઘુવંશી સાથે થયા હતા. લગ્ન બાદ તેઓ મે મહિનામાં મેઘાલય ખાતે હનીમૂન માટે ગયા હતા.</p><p style="text-align: justify; "><b>હત્યાનો પ્લાન: </b>ચેરાપુંજી નજીક ટ્રેકિંગ દરમિયાન રાજા અચાનક ગુમ થઈ ગયા હતા. શરૂઆતમાં આ એક સામાન્ય ગુમ થવાનો કેસ લાગતો હતો. પરંતુ જૂન 2025ની શરૂઆતમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના ડ્રોન સર્ચ દરમિયાન રાજાનો અત્યંત સડી ગયેલો મૃતદેહ એક ઉંડી ખીણમાંથી મળી આવ્યો હતો.</p><p style="text-align: justify; "><b>ખુલાસો અને ધરપકડ:</b> પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ કોઈ અકસ્માત નહોતો પરંતુ એક વ્યવસ્થિત કાવતરું હતું. સોનમ તેના કથિત બોયફ્રેન્ડ રાજ સાથે સંબંધમાં હતી અને તેણે પતિને રસ્તામાંથી હટાવવા માટે કોન્ટ્રાક્ટ કિલર્સની મદદથી આ હત્યા કરાવી હતી. સોનમની આ ગુના બદલ ધરપકડ કરવામાં આવી હતી.</p><p style="text-align: justify; "><img title="muskan" src="https://epapercdn.sandesh.com/images/2026/06/24/7ZnxZUzOzhoPTAQYX4lQkKJPdPKEEXVDjQbCotFg.webp"><br></p><p style="text-align: justify; "><b>2. મુસ્કાન બ્લુ ડ્રમ કેસ&nbsp;</b></p><p style="text-align: justify; ">ઉત્તર પ્રદેશના મેરઠમાં બનેલી આ ઘટના ક્રૂરતાની બધી હદો પાર કરનારી હતી.</p><p style="text-align: justify; "><b>ઘટનાની પૃષ્ઠભૂમિ:</b> લંડનમાં રહેતા સૌરભ રાજપૂતના લગ્ન મુસ્કાન રાસ્તોગી સાથે થયા હતા. સૌરભ જ્યારે ભારત આવ્યો ત્યારે આ ભયાનક ઘટના ઘટી હતી.</p><p style="text-align: justify; "><b>ક્રૂરતાપૂર્ણ હત્યા: </b>મુસ્કાન અને તેના પ્રેમી સાહિલ શુક્લાએ મળીને સૌરભની હત્યા કરી હતી. એટલું જ નહીં. પુરાવાનો નાશ કરવા માટે તેમણે સૌરભના શરીરના ટુકડા કર્યા અને તેને પ્લાસ્ટિકના એક વાદળી રંગના ડ્રમમાં ભરીને તેમાં સિમેન્ટ મિક્સ કરીને છુપાવવાનો પ્રયાસ કર્યો.</p><p style="text-align: justify; "><b>મુખ્ય કારણો: </b>તપાસ દરમિયાન સામે આવ્યું કે સૌરભ મુસ્કાનને છૂટાછેડા આપવા તૈયાર નહોતો. જેના કારણે મુસ્કાન અને સાહિલ પોતાના સંબંધો આગળ વધારી શકતા નહોતા. આ ઉપરાંત પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ મુસ્કાનને ડ્રગ્સની લત હતી અને તેને ડર હતો કે સૌરભ તેને આ લત પૂરી કરવા નહીં દે. બંને આરોપીઓ હાલ જેલના સળિયા પાછળ છે.</p><p style="text-align: justify; "><img title="sia pune case" src="https://epapercdn.sandesh.com/images/2026/06/24/eHgXHyFrwc2s0W6Edm7Wl4twlswB95o3blhC4E9V.webp"><br></p><p style="text-align: justify; "><b>3. સીયા ગોયલ કેસ&nbsp;</b></p><p style="text-align: justify; ">મહારાષ્ટ્રના લોહગઢ કિલ્લા પર બનેલી આ ઘટના શરૂઆતમાં માત્ર એક અકસ્માત તરીકે દર્શાવવામાં આવી હતી.</p><p style="text-align: justify; "><b>ઘટનાની પૃષ્ઠભૂમિ:</b> પુણેના એક પ્રતિષ્ઠિત રિયલ એસ્ટેટ બિઝનેસમેનના 25 વર્ષીય પુત્ર કેતન અગ્રવાલની સગાઈ 20 વર્ષીય સીયા ગોયલ સાથે થઈ હતી અને ટૂંક સમયમાં જ ઉદયપુરમાં તેમના ભવ્ય લગ્ન થવાના હતા.</p><p style="text-align: justify; "><b>કાવતરું: </b>જૂન મહિનામાં સીયાના જન્મદિવસ નિમિત્તે બંને લોહગઢ કિલ્લા પર ટ્રેકિંગ માટે ગયા હતા. ત્યાંથી કેતન 400 ફૂટ ઉંડી ખીણમાં પડતા તેનું મોત થયું હતું. સીયાએ પોલીસને જણાવ્યું કે ફોટોગ્રાફ્સ લેતી વખતે કેતનનો પગ લપસી ગયો હતો.</p><p style="text-align: justify; "><b>પોલીસ તપાસ અને સત્ય: </b>કેતનના પરિવારને શંકા જતા પોલીસે સીયાના ફોન રેકોર્ડ્સ અને લોકેશન તપાસ્યા. જેમાં બહાર આવ્યું કે સીયા અન્ય એક યુવક ચેતન ચૌધરી સાથે પ્રેમ સંબંધમાં હતી અને તે કેતન સાથે લગ્ન કરવા નહોતી માંગતી. કેતનને રસ્તામાંથી હટાવવા માટે સીયા અને ચેતને અગાઉ પણ 3 વાર અસફળ પ્રયાસો કર્યા હતા. જેમાં એકવાર સાપ કરડાવવાનો કે ધક્કો મારવાનો પ્રયાસ સામેલ હતો. આખરે કિલ્લા પરથી ધક્કો મારીને તેની હત્યા કરવામાં આવી હતી.</p><h5 style="text-align: justify; ">મહિલાઓ પોતાના લાઇફ પાર્ટનરની હત્યા કેમ કરી રહી છે?&nbsp;&nbsp;</h5><p style="text-align: justify;"><img title="lagnetar sambahndh" src="https://epapercdn.sandesh.com/images/2026/06/24/7qTo4Tbgh8G0VbMSUXZfcGFie5G9gp2Tulb8ldxn.webp"><br></p><p style="text-align: justify; "><b>1. લગ્નેતર સંબંધો અને પ્રેમ ત્રિકોણ&nbsp;</b></p><p style="text-align: justify; ">ઉપરના ત્રણેય કિસ્સાઓમાં જોવા મળ્યું તેમ, જ્યારે કોઈ સ્ત્રી લગ્ન પછી અથવા સગાઈ પછી અન્ય કોઈ વ્યક્તિ સાથે સંબંધમાં હોય અને પોતાના પાર્ટનરને પોતાના પ્રેમ જીવનમાં અવરોધ સમાન ગણે છે. ત્યારે ગુનાહિત માનસિકતા ધરાવતી મહિલાઓ આવા પગલાં ભરે છે.</p><p style="text-align: justify; "><br><img title="lamba shoshan" src="https://epapercdn.sandesh.com/images/2026/06/24/6XFZ3268dYVWw6dBfIdroOR1qfpsjNUKKYHK7h6V.webp"></p><p style="text-align: justify; "><b>2. લાંબાગાળાનું ઘરેલું શોષણ અને સ્વ-બચાવ&nbsp;</b></p><p style="text-align: justify; ">ઘણા કિસ્સાઓમાં જો કોઈ મહિલા સતત શારીરિક, માનસિક કે જાતીય સિતમનો ભોગ બની રહી હોય અને કાયદાકીય કે સામાજિક મદદ મેળવવામાં અસમર્થ રહે, ત્યારે આ ભયાનક પરિસ્થિતિમાંથી કાયમી છુટકારો મેળવવા અથવા ગુસ્સાના અતિરેકમાં તે પાર્ટનર પર જીવલેણ હુમલો કરી બેસે છે.</p><p style="text-align: justify; "><img title="arthik labh" src="https://epapercdn.sandesh.com/images/2026/06/24/pPnt4zR8RAt7O9Ebj2fakr9WESJc3mgrzcg3ffKp.webp"><br></p><p style="text-align: justify; "><b>3. આર્થિક લાભ અને મિલકતનો વિવાદ&nbsp;</b></p><p style="text-align: justify; ">પતિની મિલકત, વીમાની રકમ અથવા વ્યવસાય પર પોતાનો હક જમાવવા માટે પણ કેટલીક મહિલાઓ ક્રિમિનલ માઇન્ડસેટ સાથે હત્યાનું કાવતરું ઘડે છે.</p><p style="text-align: justify; "><img title="parane lagna" src="https://epapercdn.sandesh.com/images/2026/06/24/NJWrAp6sk1vpTRBTo1Rkx9FsXr6fDgS86UHYURVl.webp"><br></p><p style="text-align: justify; "><b>4. પરાણે કરાવેલા લગ્ન અને સામાજિક દબાણ</b></p><p style="text-align: justify; ">ભારતીય સમાજમાં હજુ પણ ઘણા સ્થળોએ યુવતીઓની મરજી વિરુદ્ધ પારિવારિક દબાણ હેઠળ લગ્ન કરાવી દેવામાં આવે છે. છૂટાછેડા લેવાની સામાજિક સ્વીકૃતિ ન હોવાને કારણે અથવા પરિવારના ડરથી, કેટલીક યુવતીઓ આખી જિંદગીના બંધનમાંથી મુક્ત થવા માટે હિંસક માર્ગ અપનાવે છે.</p><h6 style="text-align: justify; ">આવી ક્રૂર માનસિકતા કેમ ઉદ્ભવે છે?&nbsp;</h6><p style="text-align: justify;"><img title="krur mansikta" src="https://epapercdn.sandesh.com/images/2026/06/24/vGudCUaYkhHCcuXe0YhIcXaQd7jQuzswtJni41J2.webp"><br></p><p style="text-align: justify; ">જ્યારે કોઈ વ્યક્તિ પોતાના કાયદેસરના સાથીને રસ્તામાંથી હટાવવાનો નિર્ણય કરે છે, ત્યારે તેની પાછળ તીવ્ર માનસિક વિકૃતિઓ કામ કરતી હોય છે.&nbsp;</p><p style="text-align: justify; "><b>અત્યંત સ્વાર્થીપણું અને સહાનુભૂતિનો અભાવ:</b> આવા ગુનેગારોમાં 'નાર્સિસિસ્ટિક પર્સનાલિટી ડિસઓર્ડર'ના લક્ષણો જોવા મળે છે. તેઓ માત્ર પોતાના સુખ અને ઈચ્છાઓને મહત્વ આપે છે. સામેની વ્યક્તિ પણ એક જીવ છે અને તેનો પરિવાર છે, તે વિચારવાની સંવેદનશીલતા તેઓ ગુમાવી બેસે છે.</p><p style="text-align: justify; "><b>તાત્કાલિક સુખની ઘેલછા: </b>આજના સમયમાં ધીરજનો અભાવ અને જે જોઈએ તે 'અત્યારે જ અને કોઈપણ ભોગે' મેળવવાની માનસિકતા વધી રહી છે. કાયદાકીય રીતે છૂટાછેડા લેવાની પ્રક્રિયા લાંબી અને સમય માંગી લે તેવી હોય છે, તેથી ટૂંકો રસ્તો અપનાવીને પાર્ટનરને કાયમ માટે રસ્તામાંથી હટાવી દેવાનું કાવતરું ઘડાય છે.</p><p style="text-align: justify; "><b>નૈતિક પતન અને ડિજિટલ પ્રભાવ:</b> ક્રાઈમ સીરિઝ, ઓટીટી પ્લેટફોર્મ્સ પર દર્શાવવામાં આવતી ગુનાહિત વાર્તાઓ અને સોશિયલ મીડિયાના અતિરેકના કારણે યુવા માનસમાં ગુના પ્રત્યેનો ડર ઓછો થઈ રહ્યો છે. ગુનો કરીને કેવી રીતે બચી શકાય, તેના ખોટા આત્મવિશ્વાસમાં આવીને લોકો આવા આત્યંતિક પગલાં ભરે છે.</p><h2 style="text-align: justify; ">પરિવારની પૃષ્ઠભૂમિ અને વાતાવરણ કેટલું જવાબદાર?&nbsp;</h2><p style="text-align: justify; ">કોઈપણ વ્યક્તિની માનસિકતા રાતોરાત ક્રિમિનલ નથી બનતી. તેમાં તેના ઉછેર અને આસપાસના વાતાવરણનો બહુ મોટો હાથ હોય છે.&nbsp;</p><p style="text-align: justify; "><b>બાળપણના સંસ્કાર અને ઉછેર: </b>જો કોઈ બાળકે ઘરમાં સતત જૂઠ બોલવું, છેતરપિંડી કરવી, કે હિંસક વાતાવરણ જોયું હોય, તો તેના અચેતન મનમાં એ વાત ઘર કરી જાય છે કે પોતાની ઈચ્છા પૂરી કરવા માટે ખોટો રસ્તો અપનાવવો સામાન્ય બાબત છે.</p><p style="text-align: justify; "><b>જવાબદારીઓ પ્રત્યે બેદરકારી: </b>ઘણીવાર અતિશય લાડ-કોડમાં ઉછરેલા બાળકોને ક્યારેય 'ના' સાંભળવાની આદત હોતી નથી. જ્યારે લગ્નજીવનમાં એડજસ્ટમેન્ટ અને જવાબદારીઓ સામે આવે છે. ત્યારે તેઓ તેને સહન કરી શકતા નથી અને તેમાંથી ભાગવા માટે ગુનાનો આશરો લે છે.</p><p style="text-align: justify; "><b>નૈતિક મૂલ્યોની કમી: </b>આજના આધુનિક વાતાવરણમાં ભૌતિક સુખ-સુવિધાઓ મેળવવા પર વધુ ભાર મૂકવામાં આવે છે. જ્યારે સંતોષ, પ્રમાણિકતા અને વફાદારી જેવા નૈતિક મૂલ્યો ગૌણ બની જાય છે.</p><p style="text-align: justify; "><img title="hatya j kem" src="https://epapercdn.sandesh.com/images/2026/06/24/nVDp0stcvMmSxO83Zepr8bwrJ20fR8I0KLJAEaqW.webp"><br></p><h4 style="text-align: justify; ">બીજી વ્યક્તિ સાથે જીવન શરૂ કરવા માટે હત્યા જ કેમ?</h4><p style="text-align: justify; ">છૂટાછેડાનો વિકલ્પ હોવા છતાં પણ હત્યા કેમ કરવામાં આવે છે? તેની પાછળ આ કારણો મુખ્ય&nbsp;</p><p style="text-align: justify; "><b>સામાજિક બદનામીનો ડર: </b>આપણા સમાજમાં હજુ પણ છૂટાછેડાને એક કલંક તરીકે જોવામાં આવે છે. પ્રેમ સંબંધની વાત બહાર આવશે તો પરિવાર અને સમાજમાં થનારી થૂ-થૂ થી બચવા માટે, ગુનેગારો એવી ભ્રમણામાં જીવે છે કે જો પાર્ટનર અકસ્માતે કે રહસ્યમય રીતે મૃત્યુ પામશે તો તેઓ 'પીડિત' ગણાશે અને સમાજ તેમની તરફ સહાનુભૂતિ રાખશે.</p><p style="text-align: justify; "><b>નાણાકીય અને મિલકતના લાભો:</b> છૂટાછેડા લેવાથી મિલકતના ભાગલા પડે છે, ભરણપોષણ આપવું પડે છે અને આર્થિક નુકસાન થાય છે. જ્યારે પાર્ટનરના મૃત્યુ પછી તેની તમામ સંપત્તિ અને વીમાની રકમ પર સીધો અધિકાર મળી જાય છે. આ આર્થિક લાલચ પણ હત્યા પાછળનું મોટું બળ છે.</p><p style="text-align: justify; "><b>પાર્ટનરનો વિરોધ: </b>ઘણા કિસ્સાઓમાં જ્યારે બીજો સાથી છૂટાછેડા આપવા માટે સાફ ના પાડી દે છે. ત્યારે ગુનેગાર વ્યક્તિ પોતાની નવી લાઈફ શરૂ ન કરી શકવાના આક્રોશમાં અને પૂર્વગ્રહમાં આવીને સાથીનો જીવ લેવાનું કાવતરું ઘડે છે.</p><h5 style="text-align: justify; ">વફાદારી, ધૈર્ય અને સમાજદારી જરુરી&nbsp;</h5><p style="text-align: justify; ">સોનમ, મુસ્કાન અને સીયા જેવા કિસ્સાઓ દર્શાવે છે કે જ્યારે સંબંધોમાં વફાદારી, ધૈર્ય અને સામાજિક મર્યાદાઓનો અંત આવે છે. ત્યારે માણસ હિંસક બની જાય છે. આના નિવારણ માટે માત્ર કાયદો પૂરતો નથી. પરિવારોએ બાળકોને ભણતરની સાથે 'નૈતિક સંસ્કારો' આપવા, સંબંધોની ગરિમા સમજાવવી અને સામાજિક સ્તરે માનસિક સ્વાસ્થ્ય અને કાઉન્સેલિંગને પ્રોત્સાહન આપવું અત્યંત અનિવાર્ય બન્યું છે.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ&nbsp;</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/tnzyxCvzMTDjEbbZsTrNFmtyDZU4s7oF403r6mFF.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: ડુપ્લીકેટ બ્લડ પ્લાઝમા કેસમાં આરોપી દિનેશના 5 દિવસના રિમાન્ડ મંજૂર ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/5-day-remand-granted-to-accused-in-duplicate-blood-plasma-racket-case</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/5-day-remand-granted-to-accused-in-duplicate-blood-plasma-racket-case</guid><pubDate>Wed, 24 Jun 2026 18:37:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ લોકોના સ્વાસ્થ્ય અને જિંદગી સાથે સીધો ખેલ કરતા એક અત્યંત ચોંકાવનારા અને કાળજું ધ્રુજાવી દેનારા આંતરરાજ્ય નકલી બ્લડ પ્લાઝ્મા રેકેટનો પર્દાફાશ કર્યો છે.કેન્સર જેવા ગંભીર રોગની દવા બનાવવા માટે વપરાતા કિંમતી બ્લડ પ્લાઝ્માની ચોરી કરી તેના બદલે નકલી પ્લાઝ્મા સપ્લાય કરવાનું ઘૃણાસ્પદ પાપ આચરવામાં આવતું હતું.પોલીસે આ કેસમાં કૌભાંડના મુખ્ય સૂત્રધાર સહિત 4 સાગરીતોની ધરપકડ કરી છે. આ કેસમાં આરોપી દિનેશના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>મહારાષ્ટ્રની એજન્સીઓ તપાસમાં જોડાઈ</b></h2><p style="text-align: justify; ">આ અંગે અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમપ્રકાશ જાટે કહ્યું હતું કે, ડુપ્લીકેટ પ્લાઝમા રેકેટ મામલે તપાસ તેજ કરી દેવાઈ છે. આ કેસના આરોપી દિનેશના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. આ કેસની તપાસમાં મહારાષ્ટ્રની એજન્સીઓ પણ જોડાઈ છે. આ ઉપરાંત રાજ્યનો આરોગ્ય વિભાગ પણ તપાસમાં જોડાયો છે. આરોપીઓ બ્લડ પ્લાઝમાના સેમ્પલ મહારાષ્ટ્રમાં વેચાણ કરતા હતાં. મહારાષ્ટ્રની બે બ્લડ બેંક પણ આ રેકેટમાં સંડોવાયેલી હોવાની વિગતો મળી છે.&nbsp;&nbsp;</p><h2 style="text-align: justify; "><b>બ્લડ બેંકમાં એસઓપી પ્રમાણે કામકાજ થાય છે</b></h2><p style="text-align: justify; ">એસપી ઓમપ્રકાશ જાટે વધુમાં કહ્યું હતું કે, ગુજરાતમાં પણ બ્લડ બેંક આ કૌભાંડમાં સંડોવાયેલી છે કે નહીં તે મુદ્દાના આધારે આરોપીને રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. રાજ્યમાં 700 જેટલી બ્લડ બેંક આવેલી છે. આવી બ્લડ બેંકમાં એસઓપી પ્રમાણે કામકાજ થાય છે. રાજ્યના પોલીસ વડાને રાજ્યની બ્લડ બેંકનો સંપૂર્ણ રિપોર્ટ ટૂંક સમયમાં સોંપવામાં આવશે. મોહન નામથી એક બ્લડ બેંક રજિસ્ટર્ડ છે એ અલગ અલગ હોસ્પિટલમાં પ્લાઝમા સપ્લાય કરતો હતો. ગજાનંદ બ્લડ બેંક મોહનના નામે રજિસ્ટર્ડ થયેલી છે. આ ઉપરાંત અન્ય એક વાસીમ બ્લડ બેંકમાં પણ ડુપ્લીકેટ પ્લાઝમા સપ્લાય કરવામાં આવતા હતાં.&nbsp;&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-03-pm-to-06-pm-24-june-2026" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad : મોતનો વેપાર, બ્લડ બેંકો સાથે દગો કરી ‘બ્લડ પ્લાઝ્મા’ બારોબાર વેચતી ગેંગ પકડાઈ, 11 લાખનો જથ્થો જપ્ત</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/ZireYIyKLhkX9FAMsnjAzyUMqZaZbJ97JjsnDYFf.webp'/></item><item><title><![CDATA[TMKOCના 'બાઘા' પર તૂટ્યો દુ:ખનો પહાડ, પિતા અરવિંદ વેકરિયાનું થયું નિધન ]]></title><link>https://sandesh.com/entertainment/news/tmkoc-bagha-tanmay-father-arvind-vekaria-passes-away</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/tmkoc-bagha-tanmay-father-arvind-vekaria-passes-away</guid><pubDate>Wed, 24 Jun 2026 18:11:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મનોરંજન જગતમાંથી ખાસ કરીને ગુજરાતી રંગભૂમિમાંથી, દુઃખદ સમાચાર આવ્યા છે. દિગ્ગજ ગુજરાતી રંગભૂમિ એક્ટર અને દિગ્દર્શક અરવિંદ વેકરિયાનું નિધન થયું છે. તેઓ એક્ટર તન્મય વેકરિયાના પિતા હતા, જેમણે લોકપ્રિય ટીવી શો "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" માં બાઘાનું પાત્ર ભજવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>ગુજરાતી કલા જગતમાં શોક</b></h2><p style="text-align: justify; ">અરવિંદ વેકરિયાના નિધનથી સમગ્ર ગુજરાતી કલા જગત અને તેમના ફેન્સમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. તેઓ તેમના તેજસ્વી અને બહુમુખી અભિનય કૌશલ્ય માટે જાણીતા હતા. તેમને દાયકાઓ સુધી ગુજરાતી રંગભૂમિની સેવા કરી. એક શાનદાર એક્ટર હોવા સિવાય તેમને અનેક નાટકોનું સફળતાપૂર્વક દિગ્દર્શન અને નિર્માણ પણ કર્યું.</p><p style="text-align: justify; ">"બાપા કમલ દિકરા ધમાલ" અને "ગુજ્જુ ભાઈની ગોલમાલ" જેવા નાટકોમાં તેમની ભૂમિકાઓ ખૂબ જ પ્રશંસા પામી હતી. તેને "અજબ કરમત" માં પણ એક્ટિંગ કરી હતી. તેમને કૌટુંબિક નાટક "ઘર ઘરની વાત" માં અભિનય અને દિગ્દર્શન કર્યું હતું. "રિટર્ન ટિકિટ", "ચિંગારી", "જીવન ચોપટ" અને "શિકાર" જેવા નાટકો દ્વારા તેમણે નવી પેઢીના કલાકારોને સતત પ્રેરણા આપી છે. CINTAA એટલે કે સિને અને ટીવી આર્ટિસ્ટ એસોસિએશને એક પોસ્ટ શેર કરીને તેમના મૃત્યુની માહિતી આપી છે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/CintaaOfficial/status/2069709605010108622"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3 style="text-align: justify; "><b>'તારક મહેતા...'માં પણ કર્યો હતો કેમિયો</b></h3><p style="text-align: justify; ">" તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા " માં અરવિંદ વેકરિયાએ એક નાનો પણ મહત્વપૂર્ણ રોલ કર્યો હતો, જેના કારણે તેમના પુત્ર, તન્મય વેકરિયાને "બાઘા" તરીકે દેશભરમાં ઓળખ મળી. તેમને આ શોમાં એક ઝવેરીનો રોલ ભજવ્યો હતો, જેને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો.</p><p style="text-align: justify; ">તન્મયે પણ તેમના પિતાના માર્ગદર્શન હેઠળ થિયેટરમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેમના નિધન બાદ ફેન્સ, ગુજરાતી રંગભૂમિના કલાકારો અને "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" ના કલાકારોએ સોશિયલ મીડિયા પર તન્મય વેકરિયા અને તેમના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને દિવંગત આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી છે.</p><h4 style="text-align: justify; "><b>'બાઘા'નો ઈમોશનલ વીડિયો થયો વાયરલ</b></h4><p style="text-align: justify; ">થોડા દિવસો પહેલા "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" ના સેટ પરથી તન્મય વેકરિયાનો એક વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં તે ખૂબ જ ભાવુક થઈ ગયો હતો અને સેટ પર રડી પડ્યો હતો. તેની હાલત જોઈને, નિર્માતાઓએ શૂટિંગ થોડા સમય માટે બંધ કરવું પડ્યું હતું. તેને પછીથી સમજાવ્યું કે તેને તેની માતાની યાદ આવી રહી હતી, જેના કારણે તે ભાવુક થઈ ગયો હતો.</p><p style="text-align: justify; ">તમને જણાવી દઈએ કે તારક મહેતા શો માટે આ બીજો ઝટકો છે. શોમાં દયાબેનની ભૂમિકા ભજવનાર દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું પણ થોડા સમય પહેલા અવસાન થયું હતું.&nbsp;</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/entertainment/news/sanskriti-jayana-bollywood-debut-satyabhama-anandiben-patel" target="_blank">Anandiben Patelની દોહિત્રી સંસ્કૃતિએ બોલીવુડમાં મચાવી ધૂમ, એક્ટિંગથી જીત્યું નાનીનું દિલ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/FFQsn653KpB94EgfedCJMQYOYjIZeT7j6oA7I1Rg.webp'/></item><item><title><![CDATA[Cloud Kitchen:5 લાખના રોકાણ સામે 1 કરોડના રેસ્ટોરન્ટ ફેઈલ! જાણો દેશમાં કેવી રીતે વધી રહ્યું છે 'ક્લાઉડ કિચન'નું માયાજાળ ]]></title><link>https://sandesh.com/business/news/cloud-kitchen-restaurant-worth-rs-1-crore-fails-against-rs-5-lakh-investment-know-how-the-cloud-kitchen-craze-is-growing-in-the-country</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/cloud-kitchen-restaurant-worth-rs-1-crore-fails-against-rs-5-lakh-investment-know-how-the-cloud-kitchen-craze-is-growing-in-the-country</guid><pubDate>Wed, 24 Jun 2026 18:08:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતમાં ફૂડ બિઝનેસનું ગણિત અને લોકોની ખાવા-પીવાની આદતો ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે. એક સમય હતો જ્યારે શહેરના મુખ્ય બજારોમાં મોંઘા લોકેશન પર મોટું રેસ્ટોરન્ટ ખોલવું એ ફૂડ બિઝનેસની સફળતાની ગેરંટી ગણાતું હતું. પરંતુ આજે આ ટ્રેન્ડ બદલાયો છે. દેશમાં હવે પરંપરાગત ડાઈન-ઈન રેસ્ટોરન્ટ્સનો ગ્રોથ વાર્ષિક માત્ર 5 થી 7 ટકાની ઝડપે થઈ રહ્યો છે, જ્યારે તેની સામે 'ક્લાઉડ કિચન' (Cloud Kitchen) 25 થી 30 ટકાની તોફાની ઝડપે વિસ્તરી રહ્યા છે. ભારતીય ફૂડ ટેક માર્કેટમાં ક્લાઉડ કિચનનો હિસ્સો હવે 35 ટકાથી વધુ થઈ ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>શું છે આ ક્લાઉડ કિચન મોડેલ?</b></h2><p style="text-align: justify; ">ક્લાઉડ કિચનને 'ડાર્ક કિચન' પણ કહેવામાં આવે છે. આ એવા રેસ્ટોરન્ટ્સ છે જ્યાં ગ્રાહકોને બેસીને જમવા માટે કોઈ ટેબલ, ખુરશી, વેટર કે મોંઘા ઈન્ટિરિયરની વ્યવસ્થા નથી હોતી. અહીં માત્ર ઓર્ડર મુજબ ઓનલાઈન ખાવાનું તૈયાર કરવામાં આવે છે અને તેને ઝોમેટો (Zomato) કે સ્વિગી (Swiggy) જેવા ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ્સ દ્વારા ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે છે. જ્યાં એક મોટું રેસ્ટોરન્ટ શરૂ કરવા માટે ₹20 લાખથી લઈને ₹1 કરોડ સુધીનો જંગી ખર્ચ થાય છે, ત્યાં ક્લાઉડ કિચન માત્ર ₹2 થી ₹5 લાખના નાના રોકાણથી શરૂ કરી શકાય છે.</p><h3 style="text-align: justify; "><b>લોકોના બજેટ અને આદતોમાં મોટો ફેરફાર</b></h3><p style="text-align: justify; ">રિપોર્ટ્સ અનુસાર, ભારતીય પરિવારોમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવાનું ચલણ ઝડપથી વધ્યું છે. વર્ષ 2021-22માં સરેરાશ શહેરી પરિવાર મહિનામાં માત્ર 1 કે 2 વાર ઓનલાઈન ખાવાનું મગાવતો હતો, જે હવે વધીને દર મહિને 5 થી 8 વખત થઈ ગયું છે. મેટ્રો સિટીઝમાં તો વર્કિંગ કપલ્સ મહિનામાં 12 થી 15 વાર ઓનલાઈન ઓર્ડર કરે છે અને દર મહિને ₹10,000 થી ₹15,000 માત્ર ફૂડ ડિલિવરી પાછળ ખર્ચે છે. પહેલાં લોકો પોતાની કમાણીના 3 થી 5 ટકા બહારના ખાવા પાછળ ખર્ચતા હતા, જે આંકડો હવે વધીને 12 થી 15 ટકા પર પહોંચી ગયો છે.</p><h4 style="text-align: justify; "><b>કમિશન વધુ છતાં વોલ્યુમનો મોટો ખેલ</b></h4><p style="text-align: justify; ">ઝોમેટો અને સ્વિગી જેવા પ્લેટફોર્મ દરેક ઓર્ડર પર 22 થી 30 ટકા સુધીનું મોટું કમિશન લે છે. આ ઉપરાંત એપ પર ઉપર દેખાવા માટે ક્લાઉડ કિચને 5 થી 8 ટકા જાહેરાતનો ખર્ચ પણ કરવો પડે છે. સામાન્ય રીતે ડાઈન-ઈન રેસ્ટોરન્ટમાં પ્રોફિટ માર્જિન વધુ હોય છે, પણ તેમની પાસે બેઠક વ્યવસ્થા મર્યાદિત હોય છે. બીજી તરફ, ક્લાઉડ કિચન એક નાની જગ્યાએથી પણ દિવસના 500 થી 1000 ઓર્ડર સરળતાથી પૂરા કરી શકે છે. ઓછા માર્જિન હોવા છતાં આટલા મોટા વોલ્યુમને કારણે ક્લાઉડ કિચનનો કુલ નફો પરંપરાગત રેસ્ટોરન્ટ કરતા વધી જાય છે. વધતા ભાડા અને સ્ટાફના ખર્ચથી પરેશાન ફૂડ ઈન્ડસ્ટ્રી માટે આ નવું મોડેલ ગેમ ચેન્જર સાબિત થઈ રહ્યું છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/lifestyle/news/skin-care-neem-is-a-boon-for-the-skin-it-will-provide-permanent-relief-from-these-5-major-problems-from-pimples-to-pigmentation" target="_blank">આ પણ વાંચો:Skin Care: ત્વચા માટે વરદાન છે લીમડો: પિમ્પલ્સથી લઈને પિગ્મેન્ટેશન સહિતની આ 5 મોટી સમસ્યાઓથી અપાવશે કાયમી છુટકારો!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/AP4viIg2DyCqsompA1hJ6CVJBkTlRwPngpZ9VxYO.webp'/></item><item><title><![CDATA[વાંચો બપોરે 03થી સાંજે 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-03-pm-to-06-pm-24-june-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-03-pm-to-06-pm-24-june-2026</guid><pubDate>Wed, 24 Jun 2026 17:57:35 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર</b></p><p><a href="https://sandesh.com/world/news/russia-ukraine-war-ukraines-drone-attack-on-russia-orenburg-gas-plant-destroyed" target="_blank"><b>1. Russia Ukraine War: રશિયા પર યુક્રેનનો ડ્રોન હુમલો, ઓરેનબર્ગ ગેસ પ્લાન્ટ કર્યો તબાહ</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-monsoon-waterborne-diseases-cases-rise" target="_blank"><b>2. Ahmedabad News: ચોમાસા પહેલા રોગચાળાએ માથું ઉચક્યું, વધ્યા પાણીજન્ય રોગોના કેસ</b></a></p><p><a href="https://sandesh.com/cricket/news/vaibhav-sooryavanshi-youngest-cricketer-on-wisden-cover" target="_blank"><b>3. Vaibhav Sooryavanshiએ રચ્યો ઈતિહાસ, આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો સૌથી યુવા ક્રિકેટર બન્યો</b></a></p><p><a href="https://sandesh.com/india/news/andhra-pradesh-private-gold-mining-project-inaugurated-by-chandrababu-naidu" target="_blank"><b>4. Gold Mining in Andhra Pradesh : મુખ્યપ્રધાન નાયડૂએ પ્રાઈવેટ ગોલ્ડ માઈનિંગ પ્રોજેક્ટનું કર્યું ઉદ્ઘાટન, પ્રથમ વર્ષે 400 કિલોનું ઉત્પાદન થવાની આશા</b></a></p><p><a href="https://sandesh.com/world/news/-political-news/iran-us-deal-irans-sharp-attack-amid-trumps-claims-clear-refusal-to-bow-to-missile-program" target="_blank"><b>5. Iran US Deal: ટ્રમ્પના દાવાઓ વચ્ચે ઈરાનનો આકરો પ્રહાર, મિસાઈલ પ્રોગ્રામ પર ઝુકવાનો સાફ ઈનકાર</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/kutch/coastline-marine-commando-foot-patrolling-pipar-to-rodasar" target="_blank"><b>6. Kutch News: સરહદે અભેદ્ય કિલ્લેબંધી, દરિયાકાંઠાના પીપરથી રોડાસર સુધી મરીન કમાન્ડોનું 5 કિમીથી વધુનું સઘન ફૂટ પેટ્રોલિંગ</b></a></p><p><a href="https://sandesh.com/world/news/pakistan-blast-in-girls-school-terrorist-attack-on-girls-school-in-pakistan-entire-building-destroyed-in-blast" target="_blank"><b>7. Pakistan Blast in Girls School: પાકિસ્તાનમાં ગર્લ્સ સ્કૂલ પર આતંકી હુમલો, આખી ઇમારત બ્લાસ્ટમાં તબાહ</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/crime/tapi/ashram-school-student-attacks-friend-with-knife" target="_blank"><b>8. Tapi News: આશ્રમશાળામાં ભણતી વિદ્યાર્થીનીએ તેની ખાસ બહેનપણી પર ચાકુથી હુમલો કર્યો</b></a></p><p><a href="https://sandesh.com/entertainment/news/pm-modi-instagram-reel-pm-modis-new-reel-with-the-theme-tune-of-panchayat-goes-viral-fans-go-crazy-after-seeing-the-caption" target="_blank"><b>9. PM Modi Instagram Reel: 'પંચાયત'ની થીમ ટ્યુન સાથે પીએમ મોદીની નવી રીલ વાયરલ, કેપ્શન જોઈને ચાહકો થયા ક્રેઝી</b></a></p><p><a href="https://sandesh.com/business/news/noel-tata-to-step-down-as-trent-chairman-announces-decision-at-agm" target="_blank"><b>10.&nbsp; Noel Tataનો મોટો નિર્ણય, ટ્રેન્ટનું ચેરમેન પદ છોડશે, AGMમાં કરી જાહેરાત</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/05/30/ci0PwfUyHcao4H4ziwpdhMLnO6QMfKyI3jwCPvfh.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: ચોમાસા પહેલા રોગચાળાએ માથું ઉચક્યું, વધ્યા પાણીજન્ય રોગોના કેસ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-monsoon-waterborne-diseases-cases-rise</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-monsoon-waterborne-diseases-cases-rise</guid><pubDate>Wed, 24 Jun 2026 17:42:42 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થાય તે પહેલા જ પ્રદૂષિત પાણી અને મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળામાં વધારો થવાને કારણે આરોગ્ય તંત્ર દોડતું થયું છે. કાળઝાળ ગરમી બાદ વાતાવરણમાં આવી રહેલા પલટા વચ્ચે શહેરમાં તાવ, ઝાડા-ઊલટી અને કમળાના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, જેને પગલે અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગની ચિંતામાં પણ વધારો થયો છે.</p><h2><b>ઝાડા-ઊલટી અને ટાઈફોઈડના સેંકડો કેસોથી શહેરીજનો પ્રભાવિત</b></h2><p>આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડાઓ મુજબ, ચાલુ જૂન મહિનામાં જ અમદાવાદ શહેરમાં ઝાડા-ઊલટીના અધધ 579 કેસો નોંધાઈ ચૂક્યા છે. આ ઉપરાંત, દૂષિત ખોરાક અને પાણીના કારણે થતા ટાઈફોઈડના પણ 151 કેસો સામે આવ્યા છે, જ્યારે લિવરને પ્રભાવિત કરતા કમળાના 47 કેસ નોંધાયા છે. રોગચાળાના આ આંકડા દર્શાવે છે કે, અમદાવાદ શહેરમાં શુદ્ધ પીવાના પાણી અને સ્વચ્છતાને લઈને ગંભીર સ્થિતિ સર્જાઈ રહી છે.</p><h2><b>તંત્રના ચેકિંગમાં પાણીના 59 સેમ્પલ ફેલ, 41માં ક્લોરિન નીલ મળ્યું</b></h2><p>રોગચાળો વકરવા પાછળ મુખ્યત્વે પ્રદૂષિત પાણી જવાબદાર હોવાનું સામે આવ્યું છે. મનપાના આરોગ્ય વિભાગ દ્વારા જૂન મહિના દરમિયાન અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 5,794 પાણીના સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. આ મટીરિયલ ટેસ્ટિંગમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં કુલ 59 નમૂનાઓ ટેસ્ટમાં ફેલ સાબિત થયા છે. એટલું જ નહીં, 41 જેટલા પાણીના નમૂનામાં ક્લોરિનની માત્રા બિલકુલ 'નીલ' જોવા મળી છે, જે દર્શાવે છે કે, પાણીનું યોગ્ય પ્યુરિફિકેશન થઈ રહ્યું નથી.</p><h2><b>મેલેરિયા અટકાવવા AMC દ્વારા ફોગિંગ ડ્રાઇવ અને સઘન કામગીરી શરૂ</b></h2><p>વધતા જતા રોગચાળા અને આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન મોડમાં આવ્યું છે. મચ્છરજન્ય રોગો જેવા કે, મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોને અટકાવવા માટે શહેરના તમામ ઝોનમાં સઘન ફોગિંગ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ સાથે જ પ્રદૂષિત પાણીની ફરિયાદોવાળા વિસ્તારોમાં સુપર ક્લોરિનેશન કરવાની અને પાણીની પાઇપલાઇનોનું સમારકામ કરવાની કામગીરી પણ વેગીલી બનાવવામાં આવી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-fire-department-action-hotels-navkar-institute-sealed" target="_blank">Ahmedabad News: AMCએ 8 હોટેલ અને નવકાર ઇન્સ્ટિટ્યૂટ સીલ કરી, 54થી વધુ એકમોને નોટિસ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/iYHxQE98JyfRStU01qCBbaPVRKbkYMS1zcqDTQOG.webp'/></item><item><title><![CDATA[Cristiano Ronaldoએ ફિફા વર્લ્ડ કપમાં રચ્યો ઇતિહાસ, આવું કરનાર પ્રથમ ખેલાડી બન્યો ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/cristiano-ronaldo-created-history-in-the-fifa-world-cup-becoming-the-first-player-to-do-so</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/cristiano-ronaldo-created-history-in-the-fifa-world-cup-becoming-the-first-player-to-do-so</guid><pubDate>Wed, 24 Jun 2026 09:02:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પોર્ટુગલ ફિફા વર્લ્ડ કપમાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આજે પોર્ટુગલ ઉઝબેકિસ્તાનનો સામનો કરી રહ્યું છે. આ મેચની શરૂઆતની મિનિટોમાં રોનાલ્ડોએ પોર્ટુગલને લીડ અપાવી હતી. રોનાલ્ડોએ છઠ્ઠી મિનિટમાં ગોલ કરીને ટીમને 1-0ની લીડ અપાવી હતી. રોનાલ્ડોએ જોઆઓ કેન્સેલોની તકનો લાભ ઉઠાવ્યો અને ગોલ કર્યો. ફિફા વર્લ્ડ કપમાં આ રોનાલ્ડોનો 10મો ગોલ હતો. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો માટે આ એક ઐતિહાસિક ગોલ છે, અને તેણે એક વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો. તે છ વર્લ્ડ કપમાં ગોલ કરનાર પ્રથમ ખેલાડી બન્યો.</p><h4 style="text-align: justify; "><b>રોનાલ્ડો પોર્ટુગલનો સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો</b></h4><p style="text-align: justify; ">આ ગોલ સાથે, રોનાલ્ડો ફિફા વર્લ્ડ કપ ઇતિહાસમાં પોર્ટુગલનો સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બની ગયો છે, તેણે યુસેબિયોની બરાબરી કરી છે. યુસેબિયોએ 1966 વર્લ્ડ કપમાં કુલ નવ ગોલ કર્યા હતા. રોનાલ્ડોએ હવે પોર્ટુગલ માટે 10 ગોલ કર્યા છે. આ સંદર્ભમાં, તેણે યુસેબિયોને પાછળ છોડી દીધો છે. રોનાલ્ડોએ 2006 અને 2026 વર્લ્ડ કપ વચ્ચે આ ગોલ કર્યા હતા.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://x.com/FIFAWorldCup/status/2069496208876278116?s=20" target="_blank">https://x.com/FIFAWorldCup/status/2069496208876278116?s=20</a></p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>પહેલા હાફમાં રોનાલ્ડોએ બે ગોલ કર્યા</b></h4><p style="text-align: justify; ">પોર્ટુગલ અને ઉઝબેકિસ્તાન વચ્ચેની મેચમાં, રોનાલ્ડોએ છઠ્ઠી મિનિટમાં પહેલો ગોલ કર્યો અને પછી 39મી મિનિટે પોતાનો બીજો ગોલ કર્યો. રોનાલ્ડોના શાનદાર રમત અને નુનો મેન્ડેસના ગોલને કારણે, પોર્ટુગલે હાફ ટાઇમ સુધીમાં ઉઝબેકિસ્તાન પર 3-0ની લીડ મેળવી લીધી. પોર્ટુગલ હવે બીજા હાફમાં આ વર્ચસ્વ જાળવી રાખવાનો પ્રયાસ કરશે.</p><h5><div style="text-align: justify;"><b><br></b></div><b><div style="text-align: justify;"><b style="font-size: 1.25rem;">રોનાલ્ડો ટુર્નામેન્ટના પહેલા મેચમાં એક પણ ગોલ કરી શક્યો નહીં</b></div></b></h5><p style="text-align: justify; ">પોર્ટુગલના શરૂઆતના મેચમાં કોંગો સામે 1-1થી ડ્રો થવાથી ટીમ પર ભારે દબાણ આવ્યું. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તે મેચમાં પોતાના નબળા પ્રદર્શન માટે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો. કેટલાક લોકોએ એવો પણ દાવો કર્યો કે ટીમ પ્રથમ મેચ જીતવામાં નિષ્ફળ રહેવાનું કારણ રોનાલ્ડો હતા. જોકે, રોનાલ્ડોએ ફરી એકવાર વર્લ્ડ કપના એક મોટા મેચમાં શાનદાર ગોલ કરીને પોતાના ટીકાકારોને જવાબ આપ્યો.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/lionel-messi-creates-new-history-becomes-the-highest-scorer-in-the-world-cup" target="_blank"> Lionel Messiએ રચ્યો નવો ઈતિહાસ,વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/bZFkFUWUsiLV7XoMzcB8ZDZ3QVZDjrLIxxPClYdh.webp'/></item></channel></rss>