<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Bollywoodના ફેમસ સંગીતકાર આદિત્ય રામ શંકર વિરુદ્ધ હોટલમાં દુષ્કર્મનો આરોપ, જુહુ પોલીસે નોંધી FIR ]]></title><link>https://sandesh.com/entertainment/news/bollywoods-famous-music-composer-aditya-ram-shankar-accused-of-rape-in-a-hotel-juhu-police-registers-fir</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/bollywoods-famous-music-composer-aditya-ram-shankar-accused-of-rape-in-a-hotel-juhu-police-registers-fir</guid><pubDate>Thu, 25 Jun 2026 10:45:43 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મુંબઈની જુહુ પોલીસે મનોરંજન જગતના જાણીતા ગાયક અને સંગીતકાર આદિત્ય રામ શંકર વિરુદ્ધ ગંભીર ગુના હેઠળ FIR નોંધી છે. એક મહિલાએ આદિત્ય પર લગ્નના ખોટા વચનો આપીને તેનું જાતીય શોષણ કરવાનો સનસનાટીભર્યો આરોપ લગાવ્યો છે. આ હાઇ-પ્રોફાઇલ કેસ સામે આવ્યા બાદ સંગીત ઉદ્યોગ અને સોશિયલ મીડિયા પર ભારે ખળભળાટ મચી ગયો છે. જુહુ પોલીસ સ્ટેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ ટૂંક સમયમાં જ આદિત્ય રામ શંકરને પૂછપરછ માટે હાજર રહેવા સમન્સ પાઠવશે અને નોટિસ જારી કરશે.</p><h2 style="text-align: justify; "><b>આદિત્ય રામ શકંર પર જાતીય શોષણનો આક્ષેપ</b></h2><p style="text-align: justify; ">જુહુ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર, પીડિત મહિલા આશરે એક વર્ષ પહેલા એક કોમન ફ્રેન્ડ (પરસ્પર મિત્ર) ના માધ્યમથી આદિત્ય રામ શંકરના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થઈ હતી. આરોપ છે કે આદિત્ય મહિલાને મુંબઈના જુહુ વિસ્તારની એક હોટલમાં લઈ ગયો હતો અને લગ્ન કરવાનું વચન આપીને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ સિવાય તેણે અલગ-અલગ સમયે મહિલાનું વારંવાર જાતીય શોષણ કર્યું હતું. જોકે, જ્યારે પણ મહિલા તેના પર લગ્ન માટે દબાણ કરતી ત્યારે આદિત્ય વાતને ટાળી દેતો હતો.</p><h3 style="text-align: justify; "><b>BNS ની કલમ 69 હેઠળ ગુનો દાખલ</b></h3><p style="text-align: justify; ">મહિલાની ફરિયાદના આધારે જુહુ પોલીસે સંગીતકાર આદિત્ય રામ શંકર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 69 હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પીડિતાના જણાવ્યા અનુસાર, ૨૫ મેના રોજ જ્યારે તેણે આદિત્ય અને તેના પરિવારને લગ્નની તારીખ અંગે પૂછ્યું, ત્યારે આદિત્યએ ચોંકાવનારો જવાબ આપતા કહ્યું કે, "તમે અમારી જાતિના નથી, તેથી આપણે લગ્ન ન કરી શકીએ." આ સાંભળીને પીડિતાને અહેસાસ થયો કે તેની સાથે છેતરપિંડી થઈ છે, જેથી તેણે તુરંત પોલીસનો સંપર્ક કરીને કડક કાર્યવાહીની માંગ કરી હતી.</p><h4 style="text-align: justify; "><b>પ્રોડક્શન ડિઝાઇનર સૈની એસ. જોહરે પણ આંતરિક તપાસમાં દોષિત</b></h4><p style="text-align: justify; ">મનોરંજન જગતમાં જાતીય સતામણીનો આ કોઈ પહેલો કિસ્સો નથી. આ પહેલા ૨૬ મેના રોજ ચંદીગઢ પોલીસે ફિલ્મ "ધુરંધર" ના પ્રોડક્શન ડિઝાઇનર સૈની એસ. જોહરે વિરૂદ્ધ પણ સેક્ટર 17 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો. એક મહિલાએ આરોપ લગાવ્યો હતો કે સૈની તેને કામના બહાને ચંદીગઢની ફાઇવ સ્ટાર હોટેલમાં લઈ ગયો હતો, જ્યાં તેને નશીલું પીણું પીવડાવીને તેની પર જાતીય હુમલો કર્યો હતો અને આખી રાત બંધક બનાવી રાખી હતી. પોલીસ ધરપકડ કરે તે પહેલાં જ ફિલ્મના પ્રોડક્શન હાઉસ (B62 સ્ટુડિયો) ની આંતરિક સમિતિએ સૈની જોહરેને જાતીય સતામણીના કેસમાં દોષિત જાહેર કર્યો હતો અને તેનું નામ ફિલ્મ તેમજ તેની સિક્વલના ક્રેડિટ્સમાંથી હટાવી દીધું હતું.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/entertainment-guru-randhawa-gym-firing-case-major-action-by-delhi-police-2-shooters-of-lawrence-gang-arrested" target="_blank">આ પણ વાંચો : Entertainment: ગુરુ રંધાવા જીમ ફાયરિંગ કેસ, દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, લોરેન્સ ગેંગના 2 શૂટરની ધરપકડ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/VwqUamQDVqfTHNhMM6so7saQl6KLMRwsx1QjsA70.webp'/></item><item><title><![CDATA[Amreli: ખાંભાના ચતુરી ગામે દાદાની નજર સામેથી 5 વર્ષના માસૂમ બાળકને સિંહણ ઉઠાવી ગઈ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/khamba-chaturi-village-lioness-attacks-5-year-old-child-jiyan-sidha-missing</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/khamba-chaturi-village-lioness-attacks-5-year-old-child-jiyan-sidha-missing</guid><pubDate>Thu, 25 Jun 2026 10:39:36 +05:30</pubDate><description><![CDATA[<p>અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હવે સિંહો અને સિંહણો માનવભક્ષી બની રહ્યા હોય તેવા ચિંતાજનક લાઈવ પુરાવા મળી રહ્યા છે. ખાંભા તાલુકાના ચતુરી ગામે આજે વહેલી સવારે એક એવી કમકમાટીભરી ઘટના બની છે જેને સાંભળીને કોઈ પણ માતા-પિતાનું કાળજું ધ્રુજી ઉઠે. ગામના સીમ વિસ્તાર અને રહેણાંકની નજીકથી ૫ વર્ષનો માસૂમ જીયાન દેવકુંભાઈ સીધા પોતાના દાદાની આંગળી પકડીને સામાન્ય રીતે ચાલીને જઈ રહ્યો હતો. આ દરમિયાન ઝાડીઓમાં મોકો જોઈને છુપાઈને બેઠેલી એક સિંહણે અચાનક ત્રાટક મારી હતી અને દાદા કંઈ સમજે તે પહેલા જ 5 વર્ષના જીયાનને ગળાના ભાગેથી પકડીને સીધી ઝાડીઓ તરફ ખેંચી ગઈ હતી.</p><h2><b>દાદા નજર સામે જોતા રહ્યા અને સિંહણ શિકાર કરી ગઈ</b></h2><p>બાળકના દાદાએ પોતાના પૌત્રને સિંહણના મોંમાંથી બચાવવા માટે બૂમાબૂમ કરી હતી અને પાછળ દોડ્યા હતા, પરંતુ સિંહણ પળવારમાં માસૂમ બાળકને લઈને ગીચ જંગલ અને ઝાડીઓ તરફ ગાયબ થઈ ગઈ હતી. આ લાઈવ હોનારતની જાણ થતાં જ આખું ચતુરી ગામ લાકડીઓ અને હથિયારો સાથે ઘટનાસ્થળે દોડી આવ્યું હતું અને ખાંભા વન વિભાગને ઇમરજન્સી એલર્ટ મોકલવામાં આવ્યો હતો. વન વિભાગનો મોટો કાફલો શૂટર અને ટ્રેકર્સ સાથે ચતુરી ગામે પહોંચ્યો છે અને લોહીના નિશાન તેમજ સિંહણના પગેરાના આધારે માસૂમ જીયાનની શોધખોળ લાઈવ શરૂ કરી છે.</p><h3><b>અમરેલી જિલ્લામાં જનતા ભયના ઓથાર હેઠળ</b></h3><p>સ્થાનિક અહેવાલો મુજબ, અમરેલી જિલ્લામાં સિંહ અને દીપડા દ્વારા માનવો પર હુમલો કરવાની ઘટનાઓ ચિંતાજનક હદે વધી ગઈ છે. છેલ્લા એક જ મહિનામાં સિંહના હુમલાની આ ત્રીજી મોટી ઘટના છે. હજુ થોડા દિવસો પહેલા જ રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક આવેલી અલ્ટ્રાટેક ખાનગી કંપનીની કોલોની પંથકમાં એક સિંહે ઘૂસીને એક આશાસ્પદ યુવાન પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં ખાંભામાં 5 વર્ષના બાળકને સિંહણ ઉઠાવી ગઈ છે. વારંવાર બનતી આ ઘટનાઓના કારણે અમરેલી, ખાંભા, સાવરકુંડલા અને રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં સાંજના 7 વાગ્યા પછી લોકો બહાર નીકળતા ડરી રહ્યા છે. સીમમાં જતા ખેડૂતો અને મજૂરોના જીવ પણ અધ્ધર થઈ ગયા છે. વન વિભાગ તાત્કાલિક આ સિંહણને પાંજરે પૂરી 'માનવભક્ષી' જાહેર કરે તેવી લોકમાગ ઉઠી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/himatnagar/bypass-road-hit-and-run-police-constable-arvind-gamar-injured-car-seized" target="_blank">આ પણ વાંચો: Himmatnagar: બાઇક સવાર પોલીસકર્મીને અડફેટે લઈ કાર ચાલક ફરાર, માથામાં ગંભીર ઇજા</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/ynCveTuxLjXPFuCgjjeTlaeRzQec3BmSGPqR4SRr.webp'/></item><item><title><![CDATA[Ram Mandir Donation Row: રામ મંદિર દાન ચોરી મામલે PMOએ લીધી નોંધ, મંદિર ટ્રસ્ટ પાસે માગ્યો દાનનો હિસાબ ]]></title><link>https://sandesh.com/india/news/ram-mandir-donation-row-pmo-takes-note-of-ram-mandir-donation-theft-asks-temple-trust-for-donation-account</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ram-mandir-donation-row-pmo-takes-note-of-ram-mandir-donation-theft-asks-temple-trust-for-donation-account</guid><pubDate>Thu, 25 Jun 2026 10:39:31 +05:30</pubDate><description><![CDATA[<p>અયોધ્યા રામ મંદિરનું નિર્માણ થતા વિશ્વ ભરમાંથી દાનની સરવાણી વહી. લોકો એટલા ઉત્સાહિત હતા આ પળ માટે કે જેમના જે થયુ એટલુ યોગદાન આપ્યુ. દાન આપ્યુ. ફુલ નહી તો ફુલની પાંખડી. પરંતુ હવે એવુ સામે આવ્યું કે દાનની ચોરી થઇ રહી છે. બસ ત્યારથી શ્રદ્ધાળુઓ વિચલિત થઇ ગયા. એફઆઇઆર નથી થઇ પરંતુ SITની રચના થઇ અને ટીમે તપાસ કરીને પ્રાથમિક રિપોર્ટ સોંપ્યો. ત્યારે હવે સમગ્ર મામલે PMOએ નોંધ લીધી છે.&nbsp;</p><h2><b>PMOએ માગી વિગતો&nbsp;</b></h2><p>પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) એ અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં દાનની ચોરી અને જમીન ખરીદીમાં અનિયમિતતાના આરોપો અંગે ટ્રસ્ટ પાસેથી સંપૂર્ણ નાણાકીય વિગતો માંગી હતી. પીએમઓના પત્ર પર કાર્યવાહી કરતા, જિલ્લા વહીવટીતંત્રે રામ મંદિર ટ્રસ્ટનો સંપર્ક કર્યો, પરંતુ ટ્રસ્ટે ચાલી રહેલી વિશેષ તપાસ ટીમ (SIT) તપાસને ટાંકીને માહિતી આપવાનો ઇનકાર કર્યો.</p><h3><b>મંદિર ટ્રસ્ટે માહિતી આપવાનો કર્યો ઇનકાર&nbsp;</b></h3><p>અયોધ્યા રામ મંદિરમાં દાન અને પ્રસાદના કથિત ગેરરીતિ અને ચોરી અંગે નવા ખુલાસા થયા છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પીએમઓ તરફથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મોકલવામાં આવેલા પત્રના જવાબમાં SIT તપાસને ટાંકીને&nbsp; નાણાકીય માહિતી જાહેર કરવાનો ઇનકાર કર્યો છે.</p><p>જ્યારે જિલ્લા વહીવટીતંત્રએ&nbsp; સ્થાનિક અયોધ્યા ભાજપના નેતા રજનીશ સિંહના પત્ર પર કાર્યવાહી કરતા&nbsp; રામ મંદિર ટ્રસ્ટ પાસેથી આવક અને ખર્ચ, દાન, બેંક ખાતા, જમીન વ્યવહારો અને સંપત્તિઓ અંગે વિગતો માંગી, ત્યારે ટ્રસ્ટે તપાસનો હવાલો આપીને તેની સંપત્તિઓ વિશે માહિતી આપવાનો ઇનકાર કર્યો.</p><h3><b>ભાજપના નેતાએ પીએમને લખ્યો હતો પત્ર&nbsp;</b></h3><p>રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના નાણાકીય વ્યવહારો, દાન અને જમીન વ્યવહારોમાં કથિત અનિયમિતતાઓ અંગે ભાજપના નેતા રજનીશ સિંહે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. સિંહે પીએમઓને વિનંતી કરી હતી કે તેઓ મંદિર ટ્રસ્ટને તેના નાણાકીય વ્યવહારો અને સંપત્તિઓ અંગેની તમામ વિગતો જાહેર કરવા નિર્દેશ આપે.સ્થાનિક ભાજપ નેતા ડૉ. રજનીશ સિંહે રામ મંદિરમાં પ્રસાદની ચોરીના મુદ્દા અંગે વડા પ્રધાન કાર્યાલયને બે વાર પત્ર લખ્યો હતો. તેમણે 9 જૂને પીએમઓને પોતાનો પહેલો પત્ર લખ્યો હતો.</p><p>તેમણે માંગ કરી હતી કે મંદિર ટ્રસ્ટને તેની સ્થાપનાથી અત્યાર સુધીના તેના નાણાકીય વ્યવહારો અને સંપત્તિઓની સંપૂર્ણ વિગતો જાહેર કરવા નિર્દેશ આપવામાં આવે. ત્યારબાદ, તેમણે 12 જૂને બીજો પત્ર લખ્યો, જેમાં રામ મંદિરને આપવામાં આવેલા પ્રસાદ અંગે જાહેરમાં ખુલાસો કરવાની માંગ કરવામાં આવી. </p><p>ઉલ્લેખનીય છે કે&nbsp; 13 જૂને એક SIT ની રચના કરવામાં આવી હતી. પીએમઓએ ટ્રસ્ટના દાનની વિગતો માંગી.&nbsp; ભાજપના નેતાના પત્રની નોંધ લેતા, વડા પ્રધાન કાર્યાલય (PMO) એ આ મામલો જિલ્લા વહીવટીતંત્રને મોકલ્યો. પીએમઓ દ્વારા મળેલી ફરિયાદ અયોધ્યા જિલ્લા વહીવટીતંત્રને મોકલવામાં આવી હતી, જેણે ત્યારબાદ આ મુદ્દા અંગે શ્રી રામ મંદિર ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો.</p><p><br></p><h4><b>ચંપત રાયે દાનની વિગતો કેમ ન આપી ?&nbsp;</b></h4><p>અયોધ્યાના એડીએમ (કાયદો અને વ્યવસ્થા) ઇન્દ્રકાંત દ્વિવેદીના જણાવ્યા અનુસાર, ચાલી રહેલી એસઆઈટી તપાસને ટાંકીને ચંપત રાયે કોઈપણ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તપાસ પેનલ હાલમાં તમામ જરૂરી રેકોર્ડ અને માહિતી એકત્રિત કરી રહી છે; તેથી, આ તબક્કે વિનંતી કરેલી વિગતો પ્રદાન કરી શકાતી નથી. ઉલ્લેખનીય છે કે ભાજપે પીએમઓને લખેલી ફરિયાદમાં 'સમર્પણ નિધિ' (દાન) અભિયાન દ્વારા એકત્રિત ભંડોળ,&nbsp; વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત દાન; સોના, ચાંદી અને દાગીનાના રૂપમાં યોગદાન; બેંક ખાતાઓ અને નાણાકીય વ્યવહારો તથા&nbsp; જમીન ખરીદી અને વેચાણ,&nbsp; મંદિર બાંધકામ અને વહીવટ પરનો ખર્ચ;,અને ઓડિટ અને નિરીક્ષણ અહેવાલો જાહેર કરવાની માગ કરવામાં આવી હતી.&nbsp;</p><p><a href="https://sandesh.com/gallery/news/india/why-are-potatoes-and-chickpeas-the-filling-in-panipuri?2" target="_blank">આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/hSG2kemfAah2mY82Ta8XRHrdwchMoEwupPyYKhzL.webp'/></item><item><title><![CDATA[Himmatnagar: બાઇક સવાર પોલીસકર્મીને અડફેટે લઈ કાર ચાલક ફરાર, માથામાં ગંભીર ઇજા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/himatnagar/bypass-road-hit-and-run-police-constable-arvind-gamar-injured-car-seized</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/himatnagar/bypass-road-hit-and-run-police-constable-arvind-gamar-injured-car-seized</guid><pubDate>Thu, 25 Jun 2026 10:09:51 +05:30</pubDate><description><![CDATA[<p>હિંમતનગર લોકલ હાઇવે અને બાયપાસ રોડ પર રાત્રિના સમયે ભારે વાહનો અને બેફામ દોડતી કાર ચાલકોના કારણે અકસ્માતનો ગ્રાફ સતત વધી રહ્યો છે. ગઈકાલે મોડી રાત્રે હિંમતનગર બાયપાસ રોડ પરથી પોતાના બાઇક પર સવાર થઈને પસાર થઈ રહેલા પોલીસ જવાન અરવિંદભાઈ ગમાર એક ભયાનક હિટ એન્ડ રન અકસ્માતનો ભોગ બન્યા છે. એક અજાણ્યા કાર ચાલકે પોતાના વાહનની સ્પીડ પરનો કાબૂ ગુમાવી દેતા રસ્તા પર જતા પોલીસકર્મીના મોટરસાયકલને પાછળથી જોરદાર ટક્કર મારી દીધી હતી.</p><h2><b>માથામાં ગંભીર ઇજા અને મેડિકલ ઇમરજન્સી</b></h2><p>ટક્કર એટલી સજ્જડ હતી કે પોલીસ જવાન અરવિંદભાઈ બાઇક પરથી ફગાવીને સીધા રોડના ડિવાઇડર કે પાકા રસ્તા પર પટકાયા હતા, જેના કારણે તેમના માથાના ભાગે કમકમાટીભરી અને ગંભીર લાઈવ ઇજાઓ થઈ હતી અને લોહી વહેવા લાગ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ માનવતા દાખવવાના બદલે કાર ચાલક પોતાનું વાહન લઈને અંધારાનો લાભ ઉઠાવી ઘટનાસ્થળેથી પૂરપાટ ઝડપે ફરાર થઈ ગયો હતો. આસપાસના સ્થાનિકો અને રાત્રિ પેટ્રોલિંગની ટીમે તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં અરવિંદભાઈને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જોકે, માથામાં ગંભીર ઇજાના કારણે ઇન્ટર્નલ બ્લીડિંગની આશંકા હોવાથી વહેલી સવારે તેમને વધુ લાઈવ ક્રિટિકલ સારવાર માટે હિંમતનગરની પ્રખ્યાત 'પ્લુટો હોસ્પિટલ'માં વેન્ટિલેટર/આઇસીયુ હેઠળ દાખલ કરવામાં આવ્યા છે.</p><h2><b>સીસીટીવીથી ટ્રેક થઈ કાર</b></h2><p>પોતાના જ વિભાગના કર્મચારી પર હિટ એન્ડ રન થતાં હિંમતનગર પોલીસ તંત્ર સફાળું જાગ્યું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીઓના આદેશથી ગુના શોધક શાખા અને લોકલ ટ્રાફિક પોલીસે હિંમતનગર બાયપાસ તેમજ મોતીપુરા સર્કલ અને ટોલ ટેક્સ આસપાસના તમામ કનેક્ટિંગ નેટવર્કના લાઈવ સીસીટીવી (CCTV) કેમેરા ખંખેરવાનું શરૂ કર્યું હતું. કલાકોની જહેમત બાદ અકસ્માત કરીને ભાગેલી શંકાસ્પદ કારનો નંબર અને મોડલ સીસીટીવી સ્ક્રીન પર સ્પષ્ટ ટ્રેક થઈ ગયું હતું. પોલીસે લોકેશન મેળવીને એ કારને કાયદેસર રીતે કબ્જે કરી લીધી છે. જોકે, કાર ચાલક હજુ પણ પોલીસ પકડથી દૂર હોવાથી તેને પકડવા માટે અલગ-અલગ ટીમો દ્વારા તપાસ લાઈવ તેજ કરવામાં આવી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/upleta/bhayavadar-youth-ravi-makwana-suicide-loan-sharks-harassment-police-fir" target="_blank">આ પણ વાંચો: Upleta: ભાયાવદરમાં વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી યુવકનો આપઘાત, માતાની ફરિયાદ પર 4 સામે ગુનો દાખલ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/HcqlDeqYiA2EBcG6RDooArjA6OnxrsAoOagxUsGl.webp'/></item><item><title><![CDATA[Mumbai Rains: આહ્લાદક બન્યુ મુંબઇ, થાણે પાલઘર સહિતના વિસ્તારોમાં વરસાદ ]]></title><link>https://sandesh.com/india/news/mumbai-rains-rains-became-pleasant-in-areas-including-mumbai-thane-palghar</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/mumbai-rains-rains-became-pleasant-in-areas-including-mumbai-thane-palghar</guid><pubDate>Thu, 25 Jun 2026 09:57:13 +05:30</pubDate><description><![CDATA[<p>આખરે મુંબઇમાં ચોમાસુ એક્ટિવ થઇ ગયુ છે.&nbsp; મુંબઈ, થાણે અને પાલઘર સહિત મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં ચોમાસુ વરસાદ વરસી રહ્યો છે. પરિણામે તાપમાનમાં ઘટાડો થયો છે. ખુશનુમા હવામાન જોવા મળી રહ્યું છે. </p><h2><b>આગામી 2-3 દિવસ ભારે !&nbsp;</b></h2><p>ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી 2-3 દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના તમામ પ્રદેશોમાં ચોમાસુ વધુ તીવ્ર બન્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત ભારે વરસાદને કારણે શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા છે. IMD એ આજે ​​પણ મુંબઈ, થાણે, પાલઘર અને પડોશી જિલ્લાઓને આવરી લેતા વરસાદની ચેતવણી આપી છે.</p><h3><b>આજે ક્યાં પડશે વરસાદ?</b>&nbsp;</h3><p>હવામાન વિભાગ અનુસાર, મુંબઈ, થાણે, રાયગઢ અને પાલઘરમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે સિંધુદુર્ગ અને આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ માટે 'પીળો' અથવા 'નારંગી' ચેતવણી આપવામાં આવી છે. ત્યારે આજે મુંબઈના ઘણા ભાગોમાં વહેલી સવારે વરસાદ જોવા મળ્યો છે; મરીન ડ્રાઇવ અને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે જેવા વિસ્તારોમાં ઝરમર અને હળવો વરસાદ પડ્યો છે.</p><h3><b>મુંબઇકરોને ગરમીથી મળી રાહત&nbsp;</b></h3><p>મુંબઈવાસીઓને ગરમીથી રાહત મળી છે, તાપમાનમાં ઘટાડો થવાથી હવામાન ખુશનુમા બન્યું છે. આજની આગાહી (૨૫ જૂન) મુજબ, મુંબઈમાં મહત્તમ તાપમાન 29 થી 31&nbsp; ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 25 થી 26 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની ધારણા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી થોડા દિવસો સુધી આવી જ હવામાન પરિસ્થિતિઓ ચાલુ રહેશે.</p><h3><b>બુધવારે ટ્રેન સેવામાં વિક્ષેપ&nbsp;</b></h3><p>નોંધનીય છે કે બુધવારે સવારે પડેલા મોસમના પહેલા ભારે વરસાદને કારણે મુંબઈમાં નોંધપાત્ર વિક્ષેપ પડ્યો હતો. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, લોકલ ટ્રેન સેવાઓ મોડી પડી હતી અને ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે સવારના પીક અવર્સ દરમિયાન બહાર નીકળતા મુસાફરો અટવાઈ ગયા હતા.</p><p>હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મંગળવારે સવારે 8 વાગ્યાથી બુધવારે સવારે ૮ વાગ્યા સુધી શહેરના ઘણા ભાગોમાં 300 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો. કોલાબામાં 248&nbsp; મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે સાંતાક્રુઝમાં 225&nbsp; મીમી વરસાદ નોંધાયો હતો. દરમિયાન, માલવાણી (340 મીમી) અને પરેલ (334 મીમી)માં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો.</p><p><b>મુંબઇમાં ચોમાસુ 13 દિવસ મોડુ</b></p><p>હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 2-3 દિવસ સુધી મુંબઈ અને કોંકણ ક્ષેત્રમાં ભારે વરસાદ ચાલુ રહેવાની ધારણા છે. ત્યારબાદ વરસાદની તીવ્રતા થોડી ઓછી થઈ શકે છે, પરંતુ ચોમાસુ સંપૂર્ણપણે સક્રિય રહેશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સામાન્ય તારીખ કરતાં 13 દિવસ મોડા મુંબઈમાં પહોંચ્યું.&nbsp;</p><p><br></p><p><a href="https://sandesh.com/gallery/news/india/why-are-potatoes-and-chickpeas-the-filling-in-panipuri?2" target="_blank">આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/9ieCT2hQrz5g5n7LRo2xmroocxPPahYB0f8Ad23o.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup Day 13 Result: રોનાલ્ડોના જાદુથી પોર્ટુગલની ભવ્ય જીત, ઈંગ્લેન્ડની મેચ ડ્રો, ક્રોએશિયાની જીત, કોલંબિયા નોકઆઉટમાં પહોંચ્યું ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-day-13-result-ronaldos-magic-leads-portugal-to-a-grand-victory-england-draws-croatia-wins-colombia-reaches-knockout-stage</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-day-13-result-ronaldos-magic-leads-portugal-to-a-grand-victory-england-draws-croatia-wins-colombia-reaches-knockout-stage</guid><pubDate>Thu, 25 Jun 2026 09:35:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફિફા વર્લ્ડ કપ 2026 નો 13મો દિવસ અત્યંત રોમાંચક રહ્યો.&nbsp; ફિફા કપના 13માં દિવસે કુલ 4 મેચો રમાઈ હતી. આજના દિવસની મુખ્ય હાઈલાઈટ્સમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો વર્લ્ડ રેકોર્ડ, કોલંબિયાની નોકઆઉટ ટિકિટ અને પનામાની સફરનો અંત સામેલ છે. 24 જૂનના રોજ પોર્ટુગલનો મુકાબલો ઉઝબેકિસ્તાન સામે, ઇંગ્લેન્ડનો મુકાબલો ઘાના સામે, ક્રોએશિયાનો મુકાબલો પનામા સામે અને કોલંબિયાનો મુકાબલો ડીઆર કોંગે સામે હતો. પહેલી મેચમાં પોતાની ટીમની નિષ્ફળતા માટે ટીકાનો સામનો કરનાર રોનાલ્ડોએ બે ગોલ કર્યા. ફિફાકપના 13મો દિવસે પોર્ટુગલ વિ. ઉઝબેકિસ્તાન વચ્ચે રમાયેલ મેચમાં રોનાલ્ડોએ શાનદાર વાપસી કરી ટીમની જીત અપવવા સાથે મોટો વર્લ્ડ રેકોર્ડ કર્યો. જાણો 24 જૂનના રોજ ફિફા વર્લ્ડકપ 2026માં કઈ ટીમોએ બાજી મારી.</p><h2 style="text-align: justify; "><b>૧. પોર્ટુગલ વિ. ઉઝબેકિસ્તાન (5-0): રોનાલ્ડોનો નવો ઇતિહાસ</b></h2><p style="text-align: justify; ">પહેલી મેચમાં ટીકાઓનો સામનો કરનાર સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ શાનદાર વાપસી કરીને બે ગોલ ફટકાર્યા અને પોર્ટુગલને ઉઝબેકિસ્તાન સામે 5-0 થી ભવ્ય વિજય અપાવ્યો. મેચની 6ઠ્ઠી મિનિટે ગોલ કરીને રોનાલ્ડોએ પોર્ટુગલને 1-0 ની લીડ અપાવી. આ સાથે જ તે છ જુદા જુદા વર્લ્ડ કપમાં ગોલ કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. જયારે 17મી મિનિટે નુનો મેન્ડેસે સ્કોર 2-0 કર્યો. ત્યારબાદ 39મી મિનિટે રોનાલ્ડોએ પોતાનો બીજો ગોલ કરીને પ્રથમ હાફ સુધી સ્કોર 3-0 કરી દીધો. બીજા હાફમાં ઉઝબેકિસ્તાનના ગોલકીપર નેમાટોવના આત્મઘાતી (Own) ગોલથી પોર્ટુગલ 4-0 થી આગળ થયું અને 87મી મિનિટે રાફા લીઓએ પાંચમો ગોલ કરીને જીત પર મહોર લગાવી. આ જીત સાથે પોર્ટુગલના 2 મેચમાં 4 પોઈન્ટ થયા છે અને રાઉન્ડ ઓફ 32 માં પહોંચવાની આશા મજબૂત થઈ છે.</p><h3 style="text-align: justify; "><b>૨. ઇંગ્લેન્ડ વિ. ઘાના (0-0): રોમાંચક મેચ ગોલરહિત ડ્રો</b></h3><p style="text-align: justify; ">મજબૂત દાવેદાર ગણાતી ઇંગ્લેન્ડની ટીમ ઘાનાના અભેદ્ય ડિફેન્સને ભેદવામાં નિષ્ફળ રહી અને મેચ 0-0 થી ડ્રો પર સમાપ્ત થઈ. પ્રથમ હાફમાં ડેક્લાન રાઈસની ફ્રી-કિક ક્રોસબાર પર વાગી અને જુડ બેલિંગહામનો શોટ બ્લોક થયો. કેપ્ટન હેરી કેન પણ ઘાનાના ડિફેન્સને તોડી શક્યો નહીં. બીજા હાફમાં ઈંગ્લેન્ડે આક્રમણ વધાર્યા, પરંતુ ઘાનાના ગોલકીપર બેન્જામિન અસારેએ એન્થોની ગોર્ડન અને હેરી કેનના શાનદાર શોટ્સ બચાવી લીધા.&nbsp; આ ડ્રો છતાં બંને ટીમો ગ્રુપ L માં મજબૂત સ્થિતિમાં છે અને આગામી મેચમાં માત્ર 1 પોઈન્ટ પણ તેમને રાઉન્ડ ઓફ 32 માં લઈ જશે.</p><h4 style="text-align: justify; "><b>૩. ક્રોએશિયા વિ. પનામા (1-0): ક્રોએશિયાનું ખાતું ખુલ્યું, પનામા બહાર</b></h4><p style="text-align: justify; ">ગ્રુપ L ની મેચમાં 2018 ના રનર્સ-અપ ક્રોએશિયાએ પનામાને 1-0 થી હરાવીને ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ જીત નોંધાવી છે. આ હાર સાથે પનામાની નોકઆઉટમાં પહોંચવાની આશાઓ હવે સમાપ્ત થઈ ગઈ છે. મેચના 54મી મિનિટે સબસ્ટિટ્યુટ ખેલાડી એન્ટે બુડિમિરે જોસિપ સ્ટેનિસિકના ક્રોસને ગોલમાં ફેરવી ક્રોએશિયાને 1-0 ની વિજયી લીડ અપાવી. ક્રોએશિયાના ગોલકીપર ડોમિનિક લિવાકોવિકે અદભુત બચાવ કર્યા. આ મેચ ક્રોએશિયાના અનુભવી કેપ્ટન લુકા મોડ્રિક માટે યાદગાર રહી, જે તેની 200મી આંતરરાષ્ટ્રીય મેચ રમી રહ્યો હતો.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>૪. કોલંબિયા વિ. ડીઆર કોંગો (1-0): કોલંબિયા નોકઆઉટમાં</b></h4><p style="text-align: justify; ">ડેનિયલ મુનોઝના નિર્ણાયક ગોલની મદદથી કોલંબિયાએ ડીઆર કોંગોને 1-0 થી હરાવીને વર્લ્ડ કપના નોકઆઉટ સ્ટેજમાં પ્રવેશ મેળવી લીધો છે. કોલંબિયા નોકઆઉટમાં પહોંચનારો 7મો દેશ બન્યો છે. કોંગોના ગોલકીપર લિયોનેલ મ્પાસીએ શાનદાર પ્રદર્શન કરીને કોલંબિયાને લાંબો સમય રોકી રાખ્યું, પણ 76મી મિનિટે મુનોઝે ડાબા પગથી શાનદાર ગોલ કર્યો. કોલંબિયા અત્યારે ગ્રુપ K માં બે મેચમાં 6 પોઈન્ટ સાથે ટોચ પર છે (પોર્ટુગલ કરતા 2 પોઈન્ટ વધુ). હવે ગ્રુપમાં ટોપ પર રહેવા માટે આગામી શનિવારે કોલંબિયાએ પોર્ટુગલ સામે માત્ર ડ્રો મેચ રમવાની જરૂર રહેશે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/iran-breaks-60-year-record-vs-belgium" target="_blank">આ પણ વાંચો : FIFA World Cupમાં ઈરાનની ઐતિહાસિક સિદ્ધિ, અમેરિકા ધરતી પર 60 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/AQVZRcXdFcfDLfgjOcbJaogfp32XU1C6cI7W8mv3.webp'/></item><item><title><![CDATA[Stock Market Opening: શેરબજારમાં તેજી, સેન્સેક્સ 405 પોઇન્ટ ઉછળ્યો ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-opening-stock-market-booms-sensex-rises-405-points</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-opening-stock-market-booms-sensex-rises-405-points</guid><pubDate>Thu, 25 Jun 2026 09:34:03 +05:30</pubDate><description><![CDATA[<p>વૈશ્વિક બજારોમાંથી મળેલા સકારાત્મક સંકેતોને કારણે ભારતીય શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું છે. સવારે 9.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ 405.95 પોઇન્ટના વધારા સાથે 77,397 અંકે ખૂલ્યો જ્યારે નિફ્ટી 122.55 પોઇન્ટના વધારા સાથે 24,144 અંકે ખૂલ્યો.&nbsp;&nbsp;</p><p><b style="font-size: 2rem;">એશિયન બજારોમાં મજબૂત તેજી</b></p><p>એશિયા-પેસિફિક ક્ષેત્રના મોટાભાગના શેરબજારોમાં ઉછાળો જોવા મળ્યો. આ મુખ્યત્વે અપેક્ષા કરતાં વધુ સારા ત્રિમાસિક પરિણામો અને યુએસ ચિપમેકર માઇક્રોન તરફથી વર્તમાન ક્વાર્ટર માટે મજબૂત આવક આગાહીને કારણે પ્રેરિત હતું. જાપાનનો નિક્કી 225 આશરે 3.37% ના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો હતો, અને દક્ષિણ કોરિયાનો કોસ્પી લગભગ 4.89% ના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો હતો.</p><p><b style="font-size: 1.75rem;">અમેરિકન બજારોમાં પણ વધારો</b></p><p>એશિયન ટ્રેડિંગ કલાકો દરમિયાન, S&amp;P 500 ફ્યુચર્સ 1.68% વધ્યા હતા, અને Nasdaq 100 ફ્યુચર્સ 0.48% વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.જોકે, બુધવારે યુએસ શેરબજારો મિશ્ર વલણ સાથે બંધ થયા હતા. Nasdaq Composite અને S&amp;P 500 અનુક્રમે 0.43% અને 0.10% ઘટીને બંધ થયા હતા, જ્યારે ડાઉ જોન્સ 0.35% વધ્યા હતા.</p><p><b style="font-size: 1.5rem;">ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો</b></p><p>બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ઘટાડો ચાલુ છે. પુરવઠાની ચિંતાઓ ઓછી થવાને કારણે અને હોર્મુઝ સ્ટ્રેટમાંથી ટેન્કરોના સતત પસાર થવાને કારણે તેલ બજાર દબાણ હેઠળ છે.જૂન ડિલિવરી માટે બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ $72.68 પ્રતિ બેરલ પર રહ્યા, જે 1.44 ટકા ઘટીને છે.</p><p><br></p><h4><b>સોના અને ચાંદીમાં પણ ઘટાડો</b></h4><p>કોમોડિટી બજારમાં સોના અને ચાંદીના ભાવમાં પણ નબળાઈ જોવા મળી. સોનાના વાયદા 0.24 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના વાયદા 1.63 ટકા ઘટ્યા હતા.&nbsp;</p><p><br></p><p><a href="https://sandesh.com/gallery/news/india/why-are-potatoes-and-chickpeas-the-filling-in-panipuri?2" target="_blank">આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2024/12/23/JsB2qcZ5cqr3IT9RcYmVH8pzPa3QLXmYcmRPlWNx.jpg'/></item><item><title><![CDATA[Ahmedabad: ગાંધીનગર-રાજકોટ ST વોલ્વો હવે અમદાવાદ સિટીમાં નહીં પ્રવેશે, એસ.જી. હાઇવેથી સીધી દોડશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/gsrtc-gandhinagar-rajkot-volvo-bus-bypass-ahmedabad-city-fare-reduced-time-saved</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/gsrtc-gandhinagar-rajkot-volvo-bus-bypass-ahmedabad-city-fare-reduced-time-saved</guid><pubDate>Thu, 25 Jun 2026 08:36:50 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા વાહનોના ભારણ અને પીક-અવર્સમાં સર્જાતા કલાકના ટ્રાફિક જામને નાથવા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) એક્શન મોડમાં આવ્યું છે. નિગમ દ્વારા લેવાયેલા એક મહત્વપૂર્ણ નિર્ણય હેઠળ, ગાંધીનગરથી સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ વચ્ચે દોડતી હાઇ-સ્પીડ એસી વોલ્વો બસોના રૂટમાં મોટો વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થા હેઠળ હવે આ વૈભવી બસો અમદાવાદ શહેરની મધ્યમાં આવેલા ગીતામંદિર કે નહેરુનગર જેવા ગીચ વિસ્તારોમાં જશે નહીં.</p><h2><b>શા માટે લેવાયો આ નિર્ણય?</b></h2><p>અગાઉ, ગાંધીનગરથી ઉપડતી રાજકોટ વોલ્વો બસ કૃષ્ણનગર, ગીતામંદિર બસ પોર્ટ અને ત્યાંથી નહેરુનગર થઈને એસ.જી. હાઇવે તરફ આગળ વધતી હતી. આ આખા રૂટ દરમિયાન અમદાવાદ શહેરના ભયાનક ટ્રાફિક, સિગ્નલો અને ફ્લાયઓવરના બાંધકામોના કારણે બસને અમદાવાદ ક્રોસ કરવામાં જ સરેરાશ ૧ થી ૧.૫ કલાક જેટલો સમય બગડતો હતો. આ સમસ્યાના લાઈવ સોલ્યુશન માટે GSRTC એ નક્કી કર્યું છે કે રાજકોટ જતી બસ હવે એસ.જી. હાઇવે આઉટર રોડ પકડીને સીધી જ સરખેજ હાઇવે તરફ નીકળી જશે, જેથી અમદાવાદ સિટીનો આખો રૂટ બાયપાસ થઈ જશે.</p><h3><b>સમય અને નાણાંની બમણી બચત</b></h3><p>આ નવો રૂટ અમલી બનતા જ ગાંધીનગરથી રાજકોટ અને રાજકોટથી ગાંધીનગરની સીધી મુસાફરી કરતા નોકરીયાતો, પ્રવાસીઓ અને વેપારીઓનો ૧ કલાકનો સમય બચી જશે. એટલું જ નહીં, સિટીની અંદર ન ફરવાના કારણે બસના કુલ કિલોમીટરમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. આ અંતર ઘટવાના કારણે GSRTC એ ટિકિટ ભાડામાં સીધા ૬૨ રૂપિયાનો ઘટાડો મંજૂર કર્યો છે. જોકે, અમદાવાદ શહેરની અંદરથી બેસતા મુસાફરોએ હવે ઇસ્કોન, પકવાન કે એસ.જી. હાઇવેના નિયત પોઇન્ટ પરથી જ આ બસ પકડવી પડશે. એસ.ટી. નિગમના આ નિર્ણયને લાંબી મુસાફરી કરનારા પ્રવાસીઓએ લાઈવ આવકાર્યો છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/crime/surat/mota-varachha-bollywood-live-show-fraud-abhishek-borda-mumbai-directors-case" target="_blank">આ પણ વાંચો: Surat: મોટા વરાછાના ઇવેન્ટ વેપારી સાથે 1.43 કરોડની છેતરપિંડી, સેલિબ્રિટી લાઈવ શોના નામે મુંબઈની કંપનીઓએ ખંખેર્યા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/T8OGWdC0OB8hU0bgE1ERLeyVwrX6oGy2AoYjhmf6.webp'/></item><item><title><![CDATA[Surat: મોટા વરાછાના ઇવેન્ટ વેપારી સાથે 1.43 કરોડની છેતરપિંડી, સેલિબ્રિટી લાઈવ શોના નામે મુંબઈની કંપનીઓએ ખંખેર્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/mota-varachha-bollywood-live-show-fraud-abhishek-borda-mumbai-directors-case</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/mota-varachha-bollywood-live-show-fraud-abhishek-borda-mumbai-directors-case</guid><pubDate>Thu, 25 Jun 2026 08:25:47 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત શહેરમાંથી અવારનવાર વેપારીઓ સાથે છેતરપિંડીના કિસ્સાઓ સામે આવતા રહે છે, પરંતુ આ વખતે ટેક્સટાઈલ કે ડાયમંડ નહીં પણ એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રીના નામે મોટો સપાટો બોલાયો છે. મોટા વરાછા વિસ્તારમાં 'શુભારંભ એન્ટરટેઈનમેન્ટ' નામની ઇવેન્ટ મેનેજમેન્ટ ફર્મ ચલાવતા અભિષેક બોરડા નામના વેપારી મુંબઈની ઠગ ટોળકીનો શિકાર બન્યા છે. મુંબઈ સ્થિત ત્રણ જુદી જુદી લાઈવ એન્ટરટેઈનમેન્ટ કંપનીઓના ડિરેક્ટરોએ સુરતમાં બોલિવૂડના એ-લિસ્ટ કલાકારો અને સિંગર્સના મોટા લાઈવ શો યોજવાની સ્કીમ વેપારી અભિષેકને બતાવી હતી. આ મોટા બોલિવૂડ પ્રોજેક્ટના આધારે સુરતના વેપારીનો વિશ્વાસ જીતીને આરોપીઓએ ટુકડે-ટુકડે કરોડો રૂપિયા એડવાન્સ બુકિંગ પેટે પડાવી લીધા હતા.</p><h2><b>કોઈ શો ન યોજાયો અને કરોડો રૂપિયા અટક્યા</b></h2><p>કરાર મુજબ, નક્કી કરેલા સમયગાળામાં મુંબઈના ડિરેક્ટરો દ્વારા સુરતમાં કોઈ જ બોલિવૂડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ન હતું. આથી છેતરાયા હોવાનો અહેસાસ થતાં ફરિયાદી અભિષેક બોરડાએ પોતાના એડવાન્સ આપેલા રૂપિયા 1.43 કરોડ પરત માંગ્યા હતા. શરૂઆતમાં વાયદાઓ કર્યા બાદ, આરોપીઓએ વેપારીનો લાઈવ વિશ્વાસ કેળવવા માટે સિક્યોરિટી પેટે કરોડો રૂપિયાના ચેક લખી આપ્યા હતા. જોકે, આખી રકમમાંથી માત્ર 1.15 લાખ રૂપિયા જ ફરિયાદીના ખાતામાં પરત આવ્યા હતા. બાકીના રૂા. 1.41 કરોડના ચેક જ્યારે બેંકમાં જમા કરાવવામાં આવ્યા ત્યારે તે સજ્જડ બાઉન્સ થતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.</p><h3><b>પોલીસ એક્શન અને તપાસ</b></h3><p>પોતાની સાથે આયોજનબદ્ધ રીતે કરોડોની છેતરપિંડી થઈ હોવાનું સમજાતા જ અભિષેક બોરડાએ સુરતના ઉત્રાણ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે સમગ્ર મામલાની ગંભીરતા જોઈને તુરંત જ મુંબઈની ત્રણ એન્ટરટેઈનમેન્ટ કંપનીઓના ડિરેક્ટરો સામે કાયદેસરનો ગુનો નોંધી લીધો છે. પોલીસે બેંક ટ્રાન્ઝેક્શન અને કરારના દસ્તાવેજો લાઈવ જપ્ત કરીને મુંબઈના ત્રણેય ડિરેક્ટરોને દબોચી લેવા માટે એક ખાસ ટીમ મુંબઈ રવાના કરી છે. સુરતના ઇવેન્ટ સર્કલમાં આ કરોડોના ફ્રોડના કારણે ભારે ચર્ચા જાગી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/airport-runway-near-miss-air-india-indigo-flights-face-to-face-atc-saves-lives" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: એરપોર્ટના રનવે પર એર ઇન્ડિયા અને ઇન્ડિગોના બે પ્લેન સામસામે આવ્યા, મોટી વિમાની દુર્ઘટના ટળી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/GArOG16117vy6bUwE64JegLcJIqjmejCxIucyNtw.webp'/></item><item><title><![CDATA[Weather Update: ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ ]]></title><link>https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/weather-update-gujarat-weather-cyclonic-circulation-trough-rain-forecast-yellow-alert</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/weather-update-gujarat-weather-cyclonic-circulation-trough-rain-forecast-yellow-alert</guid><pubDate>Thu, 25 Jun 2026 07:48:26 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં ચોમાસાએ એન્ટ્રી કરી લીધી છે. હવામાન વિભાગની તાજી વિગતો અનુસાર, રાજ્યમાં હાલ એક શક્તિશાળી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમ અને મોસમી ટ્રફની સંયુક્ત અસરને કારણે સમગ્ર ગુજરાતમાં આગામી દિવસોમાં તોફાની વરસાદી માહોલ રહેવાની પ્રબળ શક્યતા છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ</b></h2><p style="text-align: justify; ">હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે ભારે વરસાદ ખાબકી શકે છે.</p><h3 style="text-align: justify; "><b>અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આશંકા</b></h3><p style="text-align: justify; ">ચોમાસાની આ સિસ્ટમ સક્રિય થતાં જ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય ઉત્તર ગુજરાતના મહેસાણા અને સાબરકાંઠા સહિતના કેટલાક જિલ્લાઓમાં પણ આકાશ વાદળછાયું રહેશે અને વાતાવરણ વરસાદી બની રહેશે.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>અસહ્ય ઉકળાટ વચ્ચે પવન સાથે વરસાદી ઝાપટાં&nbsp;</b></h4><p style="text-align: justify; ">વહીવટી તંત્ર દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ, અમદાવાદ અને ગાંધીનગર જેવા મધ્ય ગુજરાતના મુખ્ય શહેરોમાં અસહ્ય ઉકળાટ વચ્ચે પવન સાથે વરસાદી ઝાપટાં પડવાની પૂરેપૂરી શક્યતા છે.</p><h4 style="text-align: justify; "><b>માછીમારો માટે કડક ચેતવણી</b></h4><p style="text-align: justify; ">ભૂગોળ અને દરિયાઈ સરહદોને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારો માટે કડક ચેતવણી જારી કરી છે. આગામી દિવસોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં 40થી 50કિલોમીટર પ્રતિકલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. બંદર વિસ્તારોમાં પણ સાવચેતીના પગલાં લેવાનું શરૂ કરી દેવાયું છે. પવન અને ગાજવીજના કારણે લોકોને વીજળીના થાંભલા કે નબળા વૃક્ષો નીચે ઊભા ન રહેવા અને વહીવટી તંત્રની ગાઇડલાઇનનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp;<a href="https://sandesh.com/world/breakingnews/venezuela-earthquake-caracas-destruction-tsunami-alert" target="_blank"><b>Venezuela Earthquake: વેનેઝુએલામાં 7.5 અને 7.1 ની તીવ્રતાના બે પ્રચંડ ભૂકંપ, અનેક ઇમારતો ધરાશાયી, Video</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/CVXlNw9aKhEnrybZ8X5r6adEjrT0yaO2AToHO8sK.webp'/></item></channel></rss>