<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Shehnaaz Gill કે રાઘવ જુયાલ, કોણ છે વધુ અમીર? જાણો ચર્ચિત કપલની નેટવર્થ ]]></title><link>https://sandesh.com/entertainment/news/shehnaaz-gill-or-raghav-juyal-who-is-richer-know-the-net-worth-of-the-famous-couple</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/shehnaaz-gill-or-raghav-juyal-who-is-richer-know-the-net-worth-of-the-famous-couple</guid><pubDate>Sun, 12 Jul 2026 11:54:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">શહનાઝ ગિલ અને રાઘવ જુયાલ આજકાલ પોતાના પર્સનલ લાઈફને લઈને ચર્ચાઓમાં છે. તાજેતરમાં જ રાઘવના બર્થડે સેલિબ્રેશન પછી બંનેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા. આફ્ટર પાર્ટીમાં બંનેને સાથે જોવામાં આવ્યા, જેના પછી તેમના રિલેશનશિપને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>કેટલી છે શહનાઝ ગિલની નેટવર્થ?</b></h2><p style="text-align: justify; ">એક્ટ્રેસ શહનાઝ ગિલે બિગ બોસ 13 થી ખુબ પોપ્યુલારિટી મેળવી હતી. આ પછી તેણે ટીવી, ફિલ્મો, મ્યુઝિક વીડિયોના માધ્યમથી પોતાની અલગ ઓળખ બનાવી છે. તેણે પોતાના દમ પર ઇન્ડસ્ટ્રીમાં ખાસ ઓળખ બનાવી છે અને કરોડોની સંપત્તિ ઊભી કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેની નેટવર્થ 30 કરોડ રૂપિયાની આસપાસ બતાવવામાં આવે છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DapB_qwmhFW/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DapB_qwmhFW/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DapB_qwmhFW/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DapB_qwmhFW/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h3 style="text-align: justify; "><b>કેટલા અમીર છે રાઘવ જુયાલ?</b></h3><p style="text-align: justify; ">રાઘવ જુયાલ એક ફેમસ ડાન્સર, કોરિયોગ્રાફર, ટીવી હોસ્ટ અને એક્ટર છે. તેણે પોતાના અનોખા ડાન્સ સ્ટાઇલથી લોકોને ખુબ ઇમ્પ્રેસ કર્યા. તેની નેટવર્થ પણ કરોડોમાં છે. મની મિન્ટના રિપોર્ટ અનુસાર, રાઘવ જુયાલની કુલ સંપત્તિ આશરે 33 કરોડ રૂપિયા છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DXY2elJCPvx/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DXY2elJCPvx/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DXY2elJCPvx/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DXY2elJCPvx/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><p style="text-align: justify; ">તાજેતરમાં જ રાઘવના બર્થડેનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે શહનાઝને પ્રોટેક્ટ કરતો નજરે આવ્યો હતો. બંને એકબીજાનો હાથ પકડેલા પણ દેખાયા. બાદમાં બંનેને એક જ કારમાં જતા જોવામાં આવ્યા હતા.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DaosghhzfpH/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DaosghhzfpH/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DaosghhzfpH/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DaosghhzfpH/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>પહેલાં પણ હતી ડેટિંગની અફવાઓ</b></h4><p style="text-align: justify; ">આ પહેલાં પણ બંનેના અફેરની ચર્ચાઓ વર્ષ 2022 માં ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન દરમિયાન શરૂ થઈ હતી. આ પછી કેટલાય મોકા પર બંનેને સાથે જોવામાં આવ્યા, જેનાથી ડેટિંગની અટકળોને વધુ વેગ મળ્યો. જો કે, શહનાઝ અને રાઘવ હંમેશા એકબીજાને સારા મિત્ર ગણાવતા આવ્યા છે. સોશિયલ મીડિયા પર તેમના સંબંધને લઈને જાતજાતના દાવા કરવામાં આવી રહ્યા છે. જો કે, બંનેએ અત્યાર સુધી પોતાના સંબંધ પર કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gallery/news/entertainment/ananya-panday-stuns-in-red-hot-chic-look-at-wimbledon-2026-london-photos-viral" target="_blank">આ પણ વાંચો-વિમ્બલ્ડનમાં જોવા મળ્યો અનન્યા પાંડેનો અલ્ટ્રા સ્ટાઇલિશ અંદાજ, લાલ પરી બનીને છવાઈ ચંકી પાંડેની લાડલી!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/12/j6cj9PelVBoqTqePIXT3d0BEfpt02M8xszs9qNsV.webp'/></item><item><title><![CDATA[Surat News: કાપોદ્રામાં રચના રોડ પર 35 ફૂટ ઊંડો અને 50 ફૂટ પહોળો ભુવો પડ્યો, BRTS બસનું ટાયર ફસાયું ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/35-foot-deep-sinkhole-opens-in-kapodara-brts-bus-gets-stuck</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/35-foot-deep-sinkhole-opens-in-kapodara-brts-bus-gets-stuck</guid><pubDate>Sun, 12 Jul 2026 11:45:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા રચના રોડ પરથી પસાર થતા BRTS રૂટમાં એક વિશાળકાય ભુવો પડવાની ઘટના સામે આવી છે.રસ્તા પર અચાનક ભુવો પડવાના કારણે ત્યાંથી મુસાફરો ભરીને પસાર થઈ રહેલી એક BRTS બસ તેમાં ફસાઈ ગઈ હતી અને બસના પાછળના બંને ટાયર ભુવાની અંદર ઊંડે સુધી ખૂપી ગયા હતા.આ ભુવો આશરે 30 થી 35 ફૂટ ઊંડો અને 45 થી 50 ફૂટ જેટલો પહોળો હોવાનું સામે આવ્યું છે.તંત્રની નબળી કામગીરીથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે.</p><h2 style="text-align: justify; "><b>મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના ધજાગરા</b></h2><p style="text-align: justify; ">સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર,હજુ થોડા સમય પહેલા જ તંત્ર દ્વારા આ જ જગ્યા પર ડ્રેનેજ લાઈનની કામગીરી કરવામાં આવી હતી.નબળા કામકાજના કારણે જ્યાં ડ્રેનેજની કામગીરી થઈ હતી તે આખો રસ્તો બેસી ગયો છે અને આ મોટો અકસ્માત સર્જાયો છે.આ ગંભીર બેદરકારી અંગે રોષે ભરાયેલા લોકોએ સુરતના મેયરને પણ રજૂઆત કરી હોવા છતાં તેઓ હજુ સુધી ઘટનાસ્થળની મુલાકાત લેવા સુદ્ધાં ન આવતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.ચોમાસાની શરૂઆતમાં જ મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી જતાં વાહનચાલકોમાં પણ ભયનો માહોલ છે.</p><h3 style="text-align: justify; "><b>ભારે વરસાદને કારણે તબાહીના દ્રશ્યો સામે આવ્યા</b></h3><p style="text-align: justify; ">સુરતમાં છેલ્લા ત્રણેક દિવસથી ખાડી પૂર અને ભારે વરસાદને કારણે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. સુરત શહેર અને તેને અડીને આવેલા ગામડાંઓમાં વરસાદી પૂરના પાણીએ ભારે તારાજી સર્જી છે. ઘરવખરીના સામાનની સાથે લોકોના વાહનો પણ પાણીમાં ગરકાઉ થઈ જતાં વાહનોને ભારે નુકસાન થયું છે. શહેરના સરથાણા, વરાછા, મોટા વરાછા, કતારગામ, સ્ટેશન, રાંદેર, અડાજણ, વેડરોડ, વેસુ, રિંગરોડ, ઉધના, અલથાણ, ભટાર, પરવટ પાટિયા, સણિયા હેમાદ, લિંબાયત, ડિંડોલી, સણિયા-કણદે, ખરવાસા, ઉન, ભેસ્તાન, સચિન સહિતના વિસ્તારોમાં સંખ્યાબંધ ટુવ્હીલર અને કારને પૂરના પાણીથી નુકસાન થયું છે. એક અંદાજ પ્રમાણે 5000 કાર અને 1 લાખ ટુવ્હિલરને પૂરના પાણીથી નાનું-મોટું થયું છે.&nbsp;</p><p style="text-align: justify; "><br><a href="http://Ahmedabad News: બકરી ઇદ પર ધાર્મિક વેસ્ટ ભેગો કરવા 69.34 લાખના ખર્ચે ખરીદા શે 2.25 લાખ પ્લાસ્ટિક બેગ" target="_blank">Ahmedabad News: બકરી ઇદ પર ધાર્મિક વેસ્ટ ભેગો કરવા 69.34 લાખના ખર્ચે ખરીદા શે 2.25 લાખ પ્લાસ્ટિક બેગ</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/12/mITdx5NSYtYMCqsjT9NjhM2FnfpUufnN6KQp1qxC.webp'/></item><item><title><![CDATA[Gujarat News : હિંમતનગર સિવિલમાં ચાંદીપુરા વાયરસથી પાંચ દર્દીના મોત, ખેડા અને અરવલ્લીમાં પગપેસારો ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-faces-a-chandipura-virus-alert-as-five-patients-die-at-himmatnagar-civil</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-faces-a-chandipura-virus-alert-as-five-patients-die-at-himmatnagar-civil</guid><pubDate>Sun, 12 Jul 2026 11:44:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર સ્થિત સિવિલ હોસ્પિટલમાં નાના બાળકો માટે જીવલેણ ગણાતા ચાંદીપુરા વાયરસનો ભોગ બનેલા સાત દર્દીઓ પૈકી પાંચ દર્દીઓના મોત થયા છે. ત્યારે શનિવાર સુધીમાં એક બાળક સારવાર હેઠળ છે. જેને લઈને જિલ્લાનું આરોગ્ય તંત્ર ટેન્શનમાં આવી ગયું છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ચાંદીપુરાના રોગને અટકાવવા માટે અટકાયતી પગલા લેવા માટે વિવિધ ટીમોને કામે લાગી ગઈ છે. દરમિયાન પોશીના તાલુકામાં એક દર્દીના થયેલા મોત બાદ 46 કાચા ઘરોમાં ફોગીંગની કામગીરી શરૂ કરાઇ છે. હવે અરવલ્લી જિલ્લાની એક ત્રણ વર્ષની બાળકીને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>હાલમાં બે બાળકીઓ વેન્ટિલેટર પર સારવાર હેઠળ</b></h2><p style="text-align: justify; ">હિંમતનગર સિવિલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા સાત બાળકોને સારવાર માટે લવાયા હતા. બીજી તરફ રાજ્યમાં ચાંદીપુરા વાયરસના ફફડાટ વચ્ચે આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયેલું છે. ગાંધીનગર સિવિલમાં હાલ બીજા જિલ્લામાંથી આવેલા ચાંદીપુરાના લક્ષણો ધરાવતા બે બાળકો સારવાર હેઠળ છે. જેમાં એક બાળક સાબરકાંઠા જયારે એક બાળકને ખેડા બાજુથી સારવાર માટે ગાંધીનગર લવાયો છે. બંને બાળકોને શંકાસ્પદ ચાંદીપુરા હોવાથી તેઓના સેમ્પલ લઈને મોકલી અપાયા છે. અરવલ્લી જિલ્લાની એક ત્રણ વર્ષની બાળકીને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.  તેના સેમ્પલ લઈને લેબ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. હાલમાં બે બાળકીઓ વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>કપડવંજના 1 વર્ષના બાળકની હાલત ગંભીર</b></h3><p style="text-align: justify; ">બીજી તરફ ખેડા જિલ્લામાંથી ચાંદીપુરા વાયરસનો એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. કપડવંજના એક વર્ષના બાળકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. સાલોડના બાળ દર્દીનો હવે એમઆરઆઈ કરવામાં આવશે. કઠલાલના અન્ય બાળકની સ્થિતિ હાલ સ્થિર હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં બંને બાળકોની સારવાર ચાલુ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા સર્વે અને ફોગિંગની પ્રોસેસ શરૂ કરાઈ છે. આ ઉપરાંત અન્ય 9 તાલુકાઓમાં પણ તંત્ર એલર્ટ મોડમાં આવઈ ગયું છે.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/69-lakh-proposal-for-plastic-waste-bags-ahead-of-bakri-eid" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: બકરી ઇદ પર ધાર્મિક વેસ્ટ ભેગો કરવા 69.34 લાખના ખર્ચે ખરીદા શે 2.25 લાખ પ્લાસ્ટિક બેગ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/12/EeuxIHLwNFZqslNx3PggWJeMNhr7lRF5AngmX6Qy.webp'/></item><item><title><![CDATA[Ahmedabad:  ભગવાન જગન્નાથજીના 'રજવાડી વાઘા'ની વાજતે-ગાજતે મંદિરમાં પધરામણી, શોભાયાત્રામાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/jagannath-temple-welcomes-lord-rajwadi-vagha-with-grand-procession</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/jagannath-temple-welcomes-lord-rajwadi-vagha-with-grand-procession</guid><pubDate>Sun, 12 Jul 2026 11:39:15 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદની શાન સમાન જગન્નાથજીની વાર્ષિક રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે સમગ્ર જમાલપુર મંદિર પરિસર ભક્તિના રંગે રંગાઈ ગયું છે. રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી જે પવિત્ર અને ભવ્ય પોશાક પહેરીને નગરચર્યાએ નીકળવાના છે, તે વિશેષ 'રજવાડી વાઘા' આજે વિધિવત રીતે મંદિરમાં લાવવામાં આવ્યા છે. દર વર્ષની પરંપરા મુજબ, આ વાઘાને સીધા ગર્ભગૃહમાં લઈ જવાના બદલે સૌપ્રથમ એક સુંદર શોભાયાત્રાના સ્વરૂપમાં મંદિરની આસપાસ ફેરવીને વાજતે-ગાજતે પધરામણી કરાવવામાં આવી હતી.</p><h2><b>શોભાયાત્રામાં ગજરાજો અને ભક્તોનો ભવ્ય ઉત્સાહ</b></h2><p>આ વાઘા યાત્રામાં મંદિરના શણગારેલા ગજરાજો (હાથીઓ) સૌથી આગળ ચાલતા હતા, જેમના આશીર્વાદ લેવા સ્થાનિકો ઉમટ્યા હતા. તેમની પાછળ પરંપરાગત પોશાકમાં સજ્જ ભજન મંડળીઓ કરતાલ અને પખવાજના તાલે હરિનામ સંકીર્તન કરતી જોડાણી હતી. મંદિરના પૂજ્ય મહંતશ્રીએ સ્વહસ્તે ભગવાનના વાઘા અને મુખ્ય અલંકારોની પેટી મસ્તક પર ધારણ કરીને શોભાયાત્રાની આગેવાની કરી હતી. સમગ્ર રૂટ પર ભક્તો દ્વારા ગુલાબના ફૂલોની વર્ષા કરીને વાઘાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 'જય રણછોડ, માખણચોડ' અને 'જગન્નાથજીની જય' ના નારાઓથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.</p><h3><b>બપોર પછી વાઘાના દર્શન માટે દર્શનાર્થીઓનો ધસારો</b></h3><p>મંદિરના મુખ્ય સભાખંડમાં વાઘા અને રજવાડી અલંકારોને ભક્તોના પ્રત્યક્ષ દર્શન માટે ખુલ્લા મૂકવામાં આવતા જ હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ચાલુ વર્ષે ભગવાન માટે અત્યંત બારીક કસબી વર્ક અને રેશમી દોરાના મિશ્રણથી તૈયાર થયેલા મરૂન, પીળા અને લીલા રંગના રજવાડી વાઘા તૈયાર કરવામાં આવ્યા છે, જેની સાથે સોના અને ડાયમંડ લુક ધરાવતા વિશેષ મુંગટ તેમજ કાનના કુંડળ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ભક્તોએ ભજન-કીર્તનની રમઝટ વચ્ચે ભાવવિભોર થઈને ઠાકોરજીના આ દિવ્ય પોશાકના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિર પ્રશાસન દ્વારા રથયાત્રાના મુખ્ય દિવસ માટે સુરક્ષા અને દર્શનની વ્યવસ્થાના ભાગરૂપે બેરિકેડિંગ પણ વધારી દેવામાં આવ્યું છે.<br><b><a href="https://sandesh.com/gujarat/news/crime/surat/udhna-vicky-tayde-murdered-after-father-dhansraj-killing-javed-accused" target="_blank">આ પણ વાંચો: Surat: ઉધના સ્થિત અશોક નગરમાં પિતા બાદ પુત્ર વિક્કીની પણ ઘાતકી હત્યા, જાવેદ નામના શખ્સને પકડવા પોલીસની દોડધામ</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/12/W3mzjs3Uf3QeogxUs5qN3g5Cdkp3j8D9iOkuo3Hg.webp'/></item><item><title><![CDATA[Bank Holiday: બેંકના કામ પતાવી લેજો,  આવતા અઠવાડિયે બેંકોમાં રજાઓનો માહોલ! ]]></title><link>https://sandesh.com/business/news/bank-holiday-get-your-bank-accounts-settled-bank-holidays-will-be-in-effect-next-week</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/bank-holiday-get-your-bank-accounts-settled-bank-holidays-will-be-in-effect-next-week</guid><pubDate>Sun, 12 Jul 2026 10:31:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify;">જુલાઈ મહિનાના મધ્યમાં પ્રવેશતાની સાથે જ બેંક ગ્રાહકો માટે આ જાણકારી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવતા અઠવાડિયે 13 જુલાઈથી 19 જુલાઈ સુધી બેંકોમાં સ્થાનિક તહેવારો અને સાપ્તાહિક રજાઓને કારણે અલગ-અલગ રાજ્યોમાં કુલ ચાર દિવસ બેંકો બંધ રહેશે. જો તમે બેંકની મુલાકાત લઈને કોઈ જરૂરી કામ પૂર્ણ કરવા માંગતા હોવ, તો આ સમયગાળાનું ધ્યાન રાખવું અનિવાર્ય છે.</p><h2 style="text-align: justify;"><b>આવતા અઠવાડિયે રજાઓની યાદી:</b></h2><p style="text-align: justify;">આ રજાઓ સમગ્ર દેશમાં લાગુ નથી, પરંતુ રાજ્ય અને શહેર મુજબ અલગ-અલગ છે:</p><p style="text-align: justify;">16 જુલાઈ (ગુરુવાર): 'હરેલા' તહેવારના કારણે ઉત્તરાખંડ અને મણિપુરમાં બેંકો બંધ રહેશે. આ જ દિવસે રથયાત્રા હોવાથી ઓડિશામાં, ગુજરાતમાં પણ બેંકોમાં રજા રહેશે.</p><p style="text-align: justify;">17 જુલાઈ (શુક્રવાર): 'યુ તિરોટ સિંહ'ની પુણ્યતિથિ નિમિત્તે મેઘાલયમાં બેંક શાખાઓ બંધ રહેશે.</p><p style="text-align: justify;">18 જુલાઈ (શનિવાર): 'દ્રુકપા ત્શે-ઝી' તહેવારને કારણે સિક્કિમમાં બેંકો કાર્યરત રહેશે નહીં.</p><p style="text-align: justify;">19 જુલાઈ (રવિવાર): સાપ્તાહિક રવિવારની રજા હોવાથી દેશભરની તમામ સરકારી અને ખાનગી બેંકો બંધ રહેશે.</p><h3 style="text-align: justify;"><b>અઠવાડિયાના અન્ય દિવસો:</b></h3><p style="text-align: justify;">સોમવાર (13જુલાઈ) થી બુધવાર (15 જુલાઈ) સુધી દેશના મોટાભાગના ભાગોમાં બેંકો સંપૂર્ણપણે ખુલ્લી રહેશે. જો તમારે રોકડ વ્યવહાર, ચેક ક્લિયરન્સ કે અન્ય કોઈ શાખા-સંબંધિત કામ હોય, તો આ ત્રણ દિવસો દરમિયાન પૂર્ણ કરી લેવા સલાહભર્યું છે.</p><h5 style="text-align: justify;"><b>જુલાઈ મહિનામાં અન્ય રજાઓ:</b></h5><p style="text-align: justify;">22 જુલાઈ: ખારચી પૂજાના કારણે ત્રિપુરામાં બેંકો બંધ રહેશે.</p><p style="text-align: justify;">25 જુલાઈ: ચોથો શનિવાર હોવાથી તમામ બેંકો માટે ફરજિયાત રજા રહેશે.</p><p style="text-align: justify;">26 જુલાઈ: સાપ્તાહિક રવિવારની રજા.</p><h5 style="text-align: justify;"><b>ઓનલાઇન સેવાઓ રહેશે કાર્યરત:</b></h5><p style="text-align: justify;">બેંક શાખાઓ બંધ હોવા છતાં, ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી. બેંકિંગની તમામ ડિજિટલ સેવાઓ જેવી કે ઇન્ટરનેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ એપ્લિકેશન્સ, UPI પેમેન્ટ્સ અને ATM સેવાઓ ૨૪/૭ કાર્યરત રહેશે. તમે ઘરે બેઠા પણ બિલ ચૂકવણી, બેલેન્સ ચેક કે ફંડ ટ્રાન્સફર જેવા વ્યવહારો સરળતાથી કરી શકશો.</p><p style="text-align: justify;">ગ્રાહકોને ખાસ વિનંતી કરવામાં આવે છે કે તેઓ બેંકની મુલાકાત લેતા પહેલા પોતાના વિસ્તારની રજાઓ વિશે ખાતરી કરી લે, જેથી કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે. ડિજિટલ બેંકિંગનો મહત્તમ ઉપયોગ કરીને તમે રજાઓના સમયમાં પણ તમારા નાણાકીય કાર્યોને અવિરત ચાલુ રાખી શકો છો.</p><p style="text-align: justify;"><b><a href="https://sandesh.com/business/news/gold-silver-price-today-has-gold-and-silver-become-cheaper-know-the-latest-prices-of-20-22-and-24-carats" target="_blank">આ પણ વાંચોઃ Gold Silver Price Today: શું સોનું ચાંદી સસ્તું થયું ? જાણો 20, 22 અને 24 કેરેટના લેટેસ્ટ ભાવ..</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/12/j3sD5z0M5dWgUCwbhHrX49dNZnRoSsoUUyHdU1wM.webp'/></item><item><title><![CDATA[Wimbledon 2026 : વુમન્સ સિંગલ્સ ફાઇનલમાં 21 વર્ષની લિન્ડા નોસ્કોવા બની ચેમ્પિયન ]]></title><link>https://sandesh.com/sports/news/wimbledon-2026-21-year-old-linda-noskova-becomes-champion-in-womens-singles-final</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/wimbledon-2026-21-year-old-linda-noskova-becomes-champion-in-womens-singles-final</guid><pubDate>Sun, 12 Jul 2026 10:05:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ચેક રિપબ્લિકની 21 વર્ષીય ટેનિસ ખેલાડી લિન્ડા નોસ્કોવાએ વિમ્બલ્ડન 2026નો વુમન્સ સિંગલ્સ ખિતાબ પોતાના નામે કરી લીધો છે. ઓલ ઇંગ્લેન્ડ ક્લબના સેન્ટર કોર્ટ પર રમાયેલી ફાઇનલ મેચમાં નવમી સીડ નોસ્કોવાએ પોતાની જ દેશવાસી અને પેરિસ ઓલિમ્પિકની ડબલ્સ પાર્ટનર કેરોલિના મુહોવાને 6-2, 5-7, 6-3થી હરાવી. વિમ્બલ્ડનના ઇતિહાસમાં આ પહેલીવાર હતું જ્યારે બે ચેક ખેલાડીઓ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ. આ જીત સાથે જ નોસ્કોવાને લગભગ 38.5 કરોડ રૂપિયા (£3.6 મિલિયન)ની ઇનામી રકમ મળી અને તે પોતાના કરિયરની સર્વશ્રેષ્ઠ 7મી રેન્કિંગ પર પહોંચી જશે.</p><h3 style="text-align: justify; "><b>4 વર્ષમાં ત્રીજી ચેક ચેમ્પિયન બની લિન્ડા નોસ્કોવા</b></h3><p style="text-align: justify; ">લિન્ડા નોસ્કોવા છેલ્લા ચાર વર્ષમાં વિમ્બલ્ડન મહિલા સિંગલ્સનો ખિતાબ જીતનારી ત્રીજી ચેક ખેલાડી બની ગઈ છે. આ પહેલા માર્કેટા વોન્ડ્રોસોવાએ 2023 અને બાર્બોરા ક્રેજિકોવાએ 2024માં આ ખિતાબ જીત્યો હતો.</p><p style="text-align: justify; "><a href="https://x.com/Wimbledon/status/2075997653729476883?s=20" target="_blank">https://x.com/Wimbledon/status/2075997653729476883?s=20</a></p><p style="text-align: justify; "><br></p><h3 style="text-align: justify; "><b>મેચ પોઇન્ટ ગુમાવ્યા પછી નોસ્કોવા ધ્રૂજવા લાગી હતી</b></h3><p style="text-align: justify; ">મેચ દરમિયાન એક સમય એવો આવ્યો જ્યારે નોસ્કોવા સરળતાથી જીત તરફ આગળ વધી રહી હતી. તે બીજા સેટમાં 6-2, 5-2થી આગળ હતી. આ પછી 10મી સીડ મુહોવાએ જોરદાર કમબેક કરી અને સતત 5 ગેમ જીતીને બીજો સેટ 7-5થી પોતાના નામે કરી લીધો. આ દરમિયાન દબાણમાં નોસ્કોવાની બોડી લેંગ્વેજ જોવા જેવી હતી. તે ભીડના અવાજથી બચવા માટે કાનોમાં આંગળીઓ નાખતી દેખાઈ અને ચેન્જઓવરના સમયે વિમ્બલ્ડનના ટુવાલમાં પોતાનો ચહેરો છુપાવી લીધો. જોકે, ત્રીજા સેટમાં તેણે પોતાને સંભાળી અને જીતીને ઇતિહાસ રચી દીધો.</p><h4 style="text-align: justify; "><b>બે વર્ષ પહેલાં વિમ્બલ્ડન શરૂ થતા પહેલાં માતાને ગુમાવી હતી</b></h4><p style="text-align: justify; ">જીત બાદ નોસ્કોવા કોર્ટ પર જ બેસી ગઈ અને ભાવુક થઈ ગઈ. ટ્રોફી મળ્યા બાદ સ્પીચ દરમિયાન તે રડી પડી. તેણે આકાશ તરફ જોતા ફ્લાઈંગ કિસ કરી અને પોતાની દિવંગત માતાને યાદ કરી. નોસ્કોવાએ કહ્યું, 'બે વર્ષ પહેલાં વિમ્બલ્ડનની શરૂઆત થતા પહેલાં મારી માતા ઇવાનાનું નિધન થયું હતું. હું તેમના વિના આજે અહીં ન હોત. હું મારા પિતાનો પણ આભાર માનવા માંગુ છું, જે મારા માટે ફ્લાઇટનો ડર હોવા છતાં અહીં મેચ જોવા આવ્યા.</p><h4 style="text-align: justify; "><b>ત્રીજા સેટમાં વાપસી કરી અને પોતાનું પહેલું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું.</b></h4><p style="text-align: justify; ">બધાની નજર ફાઇનલના ત્રીજા સેટ પર હતી, જ્યાં 21 વર્ષીય લિન્ડા નોસ્કોવાએ બીજો સેટ ગુમાવ્યા બાદ આક્રમક રમત રમી અને શાનદાર વાપસી કરી, 6-3ના માર્જિનથી મેચ જીતી. નોસ્કોવા મેચ જીત્યા બાદ ખુશીમાં કોર્ટ પર ઢળી પડી. બધાની નજર હવે વિમ્બલ્ડન 2026 ના પુરુષોના ફાઇનલ પર છે, જ્યાં વિશ્વ નંબર 1 જેનિક સિનરનો મુકાબલો વિશ્વ નંબર 2 એલેક્ઝાન્ડર ઝ્વેરેવ સામે થશે. ટાઇટલ મેચ 12 જુલાઈના રોજ રાત્રે 8:30 વાગ્યે IST પર શરૂ થશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-argentina-defeats-switzerland-in-quarter-finals-to-reach-semi-finals" target="_blank"> FIFA World Cup 2026 : ક્વાર્ટર ફાઇનલમાં આર્જેન્ટિએ સ્વિટ્ઝર્લેન્ડને હરાવી સેમિફાઇનલમાં પહોંચ્યું</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/12/vqlqNVmeJG6HfprZNH9A0dDdkt5c8ERplFnafiyA.webp'/></item><item><title><![CDATA[LPG કનેક્શન ટ્રાન્સફરના બદલાયા નિયમો, હવે ઘર બદલવું થશે વધુ સરળ! ]]></title><link>https://sandesh.com/business/news/india/lpg-connection-transfer-rules-new-update</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/lpg-connection-transfer-rules-new-update</guid><pubDate>Sun, 12 Jul 2026 09:55:42 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આજના સમયમાં નોકરી કે વ્યવસાયના કારણે લોકો વારંવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા હોય છે. આવા સમયે ગેસ કનેક્શન ટ્રાન્સફર કરવું એક મોટી સમસ્યા જણાતી હતી, પરંતુ હવે સરકારે આ પ્રક્રિયાને વધુ સરળ બનાવી દીધી છે. સાથે જ, LPGના વર્તમાન ભાવ અને તેના નિયમો વિશે જાણવું દરેક ગ્રાહક માટે અનિવાર્ય છે.</p><h2 style="text-align: justify; "><b>LPG સિલિન્ડરના ભાવ</b></h2><p style="text-align: justify; ">આજે, રવિવારે તેલ કંપનીઓ દ્વારા 14.2 કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ઘરેલુ સિલિન્ડરનો ભાવ ₹942.00 છે, જ્યારે ગાઝિયાબાદમાં તે ₹939.50 છે. કોલકાતા જેવા શહેરોમાં ભાવ ₹968.50 પર સ્થિર છે. નોંધપાત્ર છે કે, જુલાઈની શરૂઆતમાં વાણિજ્યિક (કોમર્શિયલ) સિલિન્ડરમાં ₹183.50નો ઘટાડો કરવામાં આવ્યો હતો, ત્યારબાદથી દિલ્હી અને ગાઝિયાબાદમાં વાણિજ્યિક સિલિન્ડરની કિંમત ₹2930.00 પર યથાવત છે.</p><h3 style="text-align: justify; "><b>સ્થળાંતર કરતી વખતે LPG ટ્રાન્સફરના નવા નિયમો</b></h3><p style="text-align: justify; ">જો તમે ઘર અથવા શહેર બદલી રહ્યા હોવ, તો નીચે મુજબના નિયમોનું પાલન કરવું જરૂરી છે.</p><p style="text-align: justify; ">એક જ શહેરની અંદર સ્થળાંતર: જો તમે શહેર બદલ્યા વગર માત્ર રહેઠાણ બદલો છો અને તમારું નવું ઘર જૂની ગેસ એજન્સીના સેવા ક્ષેત્રમાં જ આવે છે, તો કનેક્શન ટ્રાન્સફર કરાવવાની જરૂર નથી. તમારે ફક્ત તમારા નવા સરનામાનો પુરાવો આપીને એજન્સીમાં અપડેટ કરાવવાનું રહેશે.</p><p style="text-align: justify; ">બીજી એજન્સીના સેવા ક્ષેત્રમાં સ્થળાંતર: જો નવું ઘર બીજી એજન્સી હેઠળ આવતું હોય, તો જૂના વિતરક પાસેથી 'e-CTA' (ઇલેક્ટ્રોનિક કસ્ટમર ટ્રાન્સફર એડવાઇસ) કોડ લેવો પડશે, જે ત્રણ મહિના સુધી માન્ય રહેશે. આ કિસ્સામાં તમારે સિલિન્ડર કે રેગ્યુલેટર સરેન્ડર કરવાની જરૂર નથી, તમે તેને તમારી સાથે નવા ઘરે લઈ જઈ શકો છો.</p><h4 style="text-align: justify; "><b>બીજા શહેરમાં સરળતાથી કરી શકાશે</b></h4><p style="text-align: justify; ">બીજા શહેરમાં સ્થળાંતર: જો તમે સંપૂર્ણપણે બીજા શહેરમાં સ્થળાંતર કરી રહ્યા હોવ, તો તમારે તમારા વર્તમાન વિતરકને સિલિન્ડર અને રેગ્યુલેટર પરત કરવા પડશે. એજન્સી તમને 'ટર્મિનેશન વાઉચર' (TV) આપશે અને તમારી સિક્યોરિટી ડિપોઝિટ પરત કરશે. નવા શહેરમાં આ વાઉચર બતાવી તમે સરળતાથી નવું કનેક્શન મેળવી શકશો. આ ફેરફારો ગ્રાહકોની સુવિધા માટે કરવામાં આવ્યા છે જેથી કરીને એક રાજ્ય કે શહેરમાંથી બીજા શહેરમાં જતી વખતે તેમને ગેસ કનેક્શન સંબંધિત કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે.<br><br><b><a href="https://sandesh.com/india/news/amarnath-yatra-2026-is-god-angry-or-are-we-responsible-baba-barfani-melted-in-just-5-days-from-57-days" target="_blank">આ પણ વાંચોઃ&nbsp; Amarnath Yatra 2026: ભગવાન નારાજ કે આપણે જવાબદાર? 57 દિવસથી 5 દિવસમાં જ પીગળ્યા બાબા બર્ફાની</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/12/OKzy0hpF2HUwd9m9MMAmUbieUQvCJk2peg8EuIDJ.webp'/></item><item><title><![CDATA[Petrol Diesel Price Today : વીકએન્ડ પર બહાર જવાનો પ્લાન છે? પહેલા જાણી લો આજના પેટ્રોલ-ડીઝલના નવા ભાવ ]]></title><link>https://sandesh.com/business/news/india/petrol-diesel-rates-today-weekend-fuel-prices-update-ahmedabad-gujarat</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/petrol-diesel-rates-today-weekend-fuel-prices-update-ahmedabad-gujarat</guid><pubDate>Sun, 12 Jul 2026 09:50:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આજે 12 જુલાઈ, રવિવારે દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી. જ્યારે શુક્રવારે તેલના ભાવમાં ઘટાડો આવ્યો હતો. તે દિવસે બ્રન્ટ ક્રૂડ ઘટીને 76.24 ડોલર પ્રતિ બેરલ અને WTI ક્રૂડ 72.04 ડોલર પ્રતિ બેરલ પર બંધ થયું હતું. તેલના ભાવમાં આ ઘટાડો તણાવ છતાં અમેરિકા-ઈરાન વચ્ચે સીઝફાયર અને શાંતિ સમજૂતીને લઈને આવેલા પોઝિટિવ સમાચારો વચ્ચે આવ્યો, જેનાથી હોર્મુઝથી એનર્જી શિપિંગ ફરી શરૂ થવાની આશા જાગી. અમેરિકાએ આ દરમિયાન ઈરાનના મુખ્ય એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવાથી પરહેજ કર્યો. તેમણે એમ પણ કહ્યું કે આ સંઘર્ષ એક લાંબા યુદ્ધમાં નહીં બદલાય.તેમના આવું કહેવાથી રોકાણકારોનો ડર થોડો ઓછો થયો છે.</p><h2 style="text-align: justify; "><b>શું અત્યારે ઘટશે પેટ્રોલ-ડીઝલના ભાવ?</b></h2><p style="text-align: justify; ">પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ ગયા અઠવાડિયે સંકેત આપ્યો હતો કે અત્યારે ઘરેલું સ્તરે ઇંધણના ભાવ ઘટાડવા પર કોઈ વિચાર થઈ રહ્યો નથી. આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો છે જ્યારે OPEC+ એ ઓગસ્ટ 2026 થી તેલ ઉત્પાદનમાં દરરોજ 1,88,000 બેરલનો વધુ વધારો કરવાની જાહેરાત કરી છે. આ સતત 50મો મહિનો છે, જ્યારે OPEC+ માં સામેલ દેશોએ પોતાની પ્રોડક્શન લિમિટ વધારી છે. જણાવી દઈએ કે ફેબ્રુઆરીના અંતિમ અઠવાડિયામાં અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ શરૂ થયા પછી છેલ્લા ચાર મહિનામાં દેશમાં ઇંધણના ભાવ ચાર વાર વધ્યા છે, જેનાથી આ સમયગાળા દરમિયાન કિંમતો આશરે 7.5-8 રૂપિયા પ્રતિ લીટર સુધી વધી ગઈ છે.</p><h3 style="text-align: justify; "><b>તમારા શહેરમાં આજનો પેટ્રોલ-ડીઝલનો ભાવ</b></h3><table class="table table-bordered" style="text-align: justify;"><tbody><tr><td><b>શહેર</b></td><td><b>પેટ્રોલ</b></td><td><b>ડીઝલ</b></td></tr><tr><td>દિલ્હી</td><td>102.12 રૂપિયા</td><td>95.20 રૂપિયા</td></tr><tr><td>મુંબઈ</td><td>111.21 રૂપિયા</td><td>97.83 રૂપિયા</td></tr><tr><td>કોલકાતા</td><td>113.51 રૂપિયા</td><td>99.82 રૂપિયા</td></tr><tr><td>ચેન્નાઈ</td><td>107.77 રૂપિયા</td><td>99.55 રૂપિયા</td></tr><tr><td>અમદાવાદ</td><td>101.81 રૂપિયા</td><td>97.92 રૂપિયા</td></tr><tr><td>હૈદરાબાદ</td><td>115.69 રૂપિયા</td><td>103.82 રૂપિયા</td></tr></tbody></table><h4 style="text-align: justify; "><b>શા માટે અલગ-અલગ શહેરોમાં ભાવ અલગ-અલગ હોય છે?</b></h4><p style="text-align: justify; ">કેન્દ્ર સરકાર પૂરા દેશમાં એક સમાન એક્સાઈઝ ડ્યુટી લગાવે છે, પરંતુ રાજ્ય સરકારો પેટ્રોલ-ડીઝલ પર પોતાના અલગ-અલગ ટકામાં VAT અથવા સેલ્સ ટેક્સ લગાવે છે. જેમ કે અંડમાન-નિકોબારમાં ટેક્સ ખૂબ ઓછો હોવાના કારણે ત્યાં તેલ સસ્તું છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ટેક્સ વધુ લાગવાના કારણે તેલ મોંઘું થઈ જાય છે. ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ અને માગ-પુરવઠાની વર્તમાન સ્થિતિ પણ એ રિટેલ કિંમત પર અસર કરે છે, જે ગ્રાહકોને પેટ્રોલ પંપ પર દેખાય છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/when-bollywood-superstar-govinda-became-fan-of-jethalal-dilip-joshi-taarak-mehta" target="_blank">આ પણ વાંચો-TMKOC : 'ગલે મિલ યાર...'જ્યારે દિલીપ જોશીના ફેન બની ગયા હતા ગોવિંદા, કર્યા હતા ભરપૂર વખાણ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/12/yhOOuxrdGiukR5tg8hcLhvyIL96AaqHLXgie2pRs.webp'/></item><item><title><![CDATA[Morbi: માળીયા હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત, એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/morbi/maliya-highway-two-trucks-collision-massive-fire-one-dead-road-blocked</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/morbi/maliya-highway-two-trucks-collision-massive-fire-one-dead-road-blocked</guid><pubDate>Sun, 12 Jul 2026 09:42:51 +05:30</pubDate><description><![CDATA[<p>મોરબી-માળીયા નેશનલ હાઈવે પર વિરવિદરકા ગામના પાટીયા પાસે ભયાનક માર્ગ અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. હાઈવે પરથી પુરપાટ ઝડપે પસાર થઈ રહેલી બે મોટી માલવાહક ટ્રકો વચ્ચે કોઈ અગમ્ય કારણોસર જોરદાર ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો. અકસ્માત થયાની ગણતરીની સેકન્ડોમાં જ વાહનોના એન્જિન અથવા ડીઝલ ટેન્કમાં બ્લાસ્ટ થવાના કારણે ભયંકર આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગની જ્વાળાઓએ બંને ટ્રકોને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી અને આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા.</p><h2><b>એકનું કરુણ મોત અને બચાવ કામગીરી</b></h2><p>આ ભયાનક આગની દુર્ઘટનામાં એક ટ્રકના ચાલક અથવા ક્લીનરને બહાર નીકળવાનો મોકો જ ન મળતાં, તે કેબિનની અંદર જ ફસાઈ ગયો હતો અને ઘટનાસ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકોએ તાત્કાલિક પોતાની ગાડીઓ થંભાવી દીધી હતી અને પોલીસ તેમજ ફાયર વિભાગને કટોકટીની જાણ કરી હતી. મોરબી ફાયર બ્રિગેડની ટીમો મલ્ટિપલ વોટર ટેન્ડરો સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ ટ્રકોમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, ત્યાં સુધીમાં બંને ટ્રકો બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગઈ હતી.</p><h3><b>હાઈવે પર ચક્કાજામ અને પોલીસ કાર્યવાહી</b></h3><p>અકસ્માત અને આગની આ ઘટનાને પગલે મોરબી-માળીયા હાઈવે પર વિરવિદરકા પાટીયા નજીક વન-સાઈડ રોડ સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો હતો. રોડની એક તરફ વાહનોની લાંબી કતારો લાગી જતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. મોરબી હાઈવે પોલીસ અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ક્રેનની મદદથી બળી ગયેલી ટ્રકોને રસ્તાની બાજુ પર હટાવી ટ્રાફિક હળવો કરવાની કવાયત શરૂ કરી હતી. પોલીસે મૃતકના શવને બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને તેની ઓળખ વિધિ હાથ ધરીને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાનૂની તપાસ શરૂ કરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/petlad/petlad-city-police-foot-patrolling-ahead-of-lord-jagannath-rath-yatra" target="_blank">આ પણ વાંચો: Petlad: ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ તંત્ર એલર્ટ, કાયદો અને વ્યવસ્થા જાળવવા યોજાયું સઘન ફૂટ પેટ્રોલિંગ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/12/mfyieHWm5Si59HIvgBp4CVybqy9YT4CwQtEOobrV.webp'/></item><item><title><![CDATA[Petlad: ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ તંત્ર એલર્ટ, કાયદો અને વ્યવસ્થા જાળવવા યોજાયું સઘન ફૂટ પેટ્રોલિંગ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/petlad/petlad-city-police-foot-patrolling-ahead-of-lord-jagannath-rath-yatra</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/petlad/petlad-city-police-foot-patrolling-ahead-of-lord-jagannath-rath-yatra</guid><pubDate>Sun, 12 Jul 2026 09:24:08 +05:30</pubDate><description><![CDATA[<p>પેટલાદ શહેરમાં આગામી ગુરુવારના રોજ પરંપરાગત રૂટ પર ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની રથયાત્રા નીકળનાર છે. આ ધાર્મિક મહોત્સવમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોવાથી અને રથયાત્રા શહેરના મિશ્ર વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી પસાર થતી હોવાથી સુરક્ષા વ્યવસ્થાને ચુસ્ત બનાવવી અનિવાર્ય છે. આ બાબતને ગંભીરતાથી લઈને આણંદ જિલ્લા પોલીસ વડાની સૂચના અનુસાર પેટલાદ શહેર પોલીસ સ્ટેશન દ્વારા રથયાત્રાના સમગ્ર રૂટ પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા અને સ્થાનિક નાગરિકો સાથે સંવાદ સાધવા માટે વિશેષ 'ફૂટ પેટ્રોલિંગ' (પગપાળા માર્ચ) નું આયોજન કરવામાં આવ્યું હતું.</p><h2><b>સંવેદનશીલ વિસ્તારો પર વિશેષ વોચ</b></h2><p>શહેર પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વી. પી. ચૌહાણની સીધી આગેવાની હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને મોટી સંખ્યામાં સશસ્ત્ર પોલીસ જવાનો તેમજ હોમગાર્ડ્સ અને જીઆરડીના જવાનો આ ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા હતા. પોલીસના કાફલાએ રથયાત્રાના મુખ્ય અને સંવેદનશીલ ગણાતા વિસ્તારો જેવા કે પઠાણવાડા, નાગરકુવા, ચાવડી બજાર અને સરદાર ચોક સહિતના તમામ ગલી-મહોલ્લાઓમાં પગપાળા ભ્રમણ કર્યું હતું. આ પેટ્રોલિંગનો મુખ્ય હેતુ રથયાત્રાના રૂટ પર આવતા ઉંચા મકાનો, ધાબા પોઇન્ટ અને સાંકડી ગલીઓનું ભૌગોલિક નિરીક્ષણ કરવાનો હતો, જેથી ઇમરજન્સી સમયે પોલીસ ફોર્સ ત્વરિત એક્શન લઈ શકે.</p><h3><b>નાગરિકોને અપીલ અને ડ્રોન સર્વેલન્સની તૈયારી</b></h3><p>પીઆઇ વી. પી. ચૌહાણે ફૂટ પેટ્રોલિંગ દરમિયાન સ્થાનિક વેપારીઓ અને અગ્રણીઓ સાથે મુલાકાત કરીને સોહાર્દપૂર્ણ વાતાવરણ જાળવી રાખવા અપીલ કરી હતી. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે રથયાત્રાના તહેવાર દરમિયાન કોઈપણ પ્રકારની અફવા ફેલાવનારા અથવા કોમી વૈમનસ્ય ઉભું કરવાનો પ્રયાસ કરનારા તત્વો સામે 'ઝીરો ટોલરન્સ' ની નીતિ અપનાવવામાં આવશે. રથયાત્રાના દિવસે આ વિસ્તારોમાં બોડી વોર્ન કેમેરા અને ડ્રોન કેમેરાથી પણ તીક્ષ્ણ નજર રાખવામાં આવશે. પોલીસના આ કડક પગલાં અને ફ્લેગ માર્ચને પગલે પેટલાદના શાંતિપ્રિય નાગરિકોમાં સુરક્ષા પ્રત્યે આત્મવિશ્વાસ વધ્યો છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/rajkot/pgvcl-raid-unearths-one-point-fifty-crore-power-theft-three-hundred-sixty-five-connections-cut" target="_blank">આ પણ વાંચો: Rajkot: PGVCL નો અત્યાર સુધીનો સૌથી મોટો સપાટો, 5 દિવસના મેગા સર્ચ ઓપરેશનમાં 1.50 કરોડની વીજચોરી ઝડપાઈ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/12/5JP5ZSNQLh5HoYWp19TH4ch5G2XY7h599sCGXdVu.webp'/></item></channel></rss>