<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Vadodara: કરજણ તાલુકામાં ધો.1થી 5ની પ્રા.શાળામાં માત્ર એક જ શિક્ષક ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-1-5-</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-1-5-</guid><pubDate>Mon, 06 Jul 2026 05:11:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">એક તરફ્ સરકાર શિક્ષણનું સ્તર ઊંચુ લાવવા માટે કન્યા કેળવણી અને શાળા પ્રવેશ મહોત્સવના કાર્યક્રમો યોજે છે. જ્યારે બીજી બાજુ તાલુકાની 185 શાળામાં 85 શિક્ષકની અછત હોવાથી તાલુકાની ધો. 1થી 5ની 11 શાળામાં ફ્ક્ત એક જ શિક્ષક છે. જેની બાળકોના પાયાના ભણતર પર અસર પડે છે. જે શિક્ષણ વિભાગ માટે શરમજનક બાબત છે.</p><p style="text-align: justify; ">કરજણ તાલુકામાં પ્રા.શાળાઓમાં શિક્ષણની સ્થિતિ ચિંતાજનક સામે આવેલ છે. તાલુકામાં 105 પ્રાથમિક શાળામાં 85 શિક્ષકની અછત છે. 105 શાળામાંથી 11 શાળામાં ધો.1થી પ સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. તે 11 શાળા જાણે રામ ભરોસે છે. માત્ર એક જ શિક્ષક ફરજ બજાવે છે. લતીપુર ટીંબી, આલમપુરા કોલોની, કલા, હીરજીપુરા, રોપા, સોમજ, દેલવાડા, કરણ, નાનીકોરલ, લીલીપુરા અને ભરથાલી ગામની શાળામાં એક જ શિક્ષક ફરજ બજાવતા વિદ્યાર્થીઓને ધોરણ વાઇઝ એક જ રૂમમાં વારાફરતી ભણાવે છે. કોઈક શાળામા બે રૂમ હોય તો શિક્ષક અલગ અલગ રૂમોમાં ભણાવવા માટે જાય છે. તો વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ મળતું નથી. તાલુકાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછતને કારણે બાળકો શિક્ષણના મૂળભૂત હકોથી વંચિત રહેવું પડે છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/05/cAt3WMxut3RWusTtoJpHRZfuhvnvNAHzdlxtf8nx.webp'/></item><item><title><![CDATA[Vadodara: BAPSનાં 759થી વધુ બાળકોનું ચાણસદ ખાતે શાનદાર સન્માન કરાયું ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-more-than-759-baps-children-were-felicitated-at-chansad</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-more-than-759-baps-children-were-felicitated-at-chansad</guid><pubDate>Mon, 06 Jul 2026 05:09:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વિશ્વવ્યાપી બીએપીએસ સંસ્થા દ્વારા પ.પૂ. મહંત સ્વામી મહારાજ રચિત ગ્રંથ સત્સંગ દીક્ષાના 315 સંસ્કૃત શ્લોકોનો એકસાથે મુખપાઠ કરીને અનોખો વિશ્વવિક્રમ સર્જાયો હતો. આ અભૂતપૂર્વ સિદ્ધિની નોંધ ગિનિસ બુક ઓફ્ વર્લ્ડ રેકોર્ડમાં લેવાઈ છે.</p><p style="text-align: justify; ">આ વિશ્વવિક્રમમાં વિશ્વભરના 15,000થી વધુ બાળ-બાલિકા સહિત વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના 759થી વધુ બાળ-બાલિકાએ પણ સફ્ળતાપૂર્વક મુખપાઠ કરી જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. આ પ્રસંગે BAPSના સ્થાપક પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના પ્રાગટય સ્થાન ચાણસદ ખાતે વિશેષ સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં વિશ્વવિક્રમમાં સહભાગી બનેલા તમામ બાળ-બાલિકાઓને ગિનિસ બુક ઓફ્ વર્લ્ડ રેકોર્ડના પ્રમાણપત્રો એનાયત કરી સન્માનિત કરાયા હતા.</p><p style="text-align: justify; ">કાર્યક્રમમાં BAPS સંસ્થાના વરિષ્ઠ સંતો તથા સિગ્મા યુનિવર્સિટીના ડિરેક્ટર હર્ષભાઈ શાહ દ્વારા પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા. ઉપસ્થિત સંતો અને આગેવાનોએ બાળકોની આ યાદગાર સિદ્ધિને ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને આધ્યાત્મિક શિક્ષણનું જીવંત ઉદાહરણ ગણાવી અભિનંદન પાઠવ્યા હતા. વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના 759થી વધુ બાળ-બાલિકાઓની આ નોંધપાત્ર સિદ્ધિ સમગ્ર જિલ્લા માટે ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક બની હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/05/jAvQZPOvDhWS3dQFqetLaoSKCRyJsqTPO1x17dUr.webp'/></item><item><title><![CDATA[Dahod: જ્યોત સખી મંડળને બે દિવસમાં રૂપિયા 50 હજારનું વેચાણ થયું ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dahod/dahod-jyot-sakhi-mandal-sold-rs-50-thousand-in-two-days</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dahod/dahod-jyot-sakhi-mandal-sold-rs-50-thousand-in-two-days</guid><pubDate>Mon, 06 Jul 2026 05:08:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2026માં દાહોદ જિલ્લાના પરંપરાગત બામ્બુ ક્રાફ્ટે મુલાકાતીઓનું વિશેષ ધ્યાન આકર્ષ્યું છે. જ્યોત સખી મંડળ દ્વારા તૈયાર કરવામાં આવેલા વાંસમાંથી બનેલા વિવિધ હસ્તકલાના ઉત્પાદનોને ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે. સમિટ દરમિયાન માત્ર બે દિવસમાં રૂ. 50 હજારનું વેચાણ નોંધાયું છે, જ્યારે રૂ. 30 હજારના નવા ઓર્ડર પણ પ્રાપ્ત થયા છે.</p><p style="text-align: justify; ">સમિટ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જ્યોત સખી મંડળના સ્ટોલની મુલાકાત લીધી હતી. તેમણે વાંસમાંથી તૈયાર કરાયેલા વિવિધ ઉત્પાદનોનું નિરીક્ષણ કરી કારીગરોના પ્રયાસોની પ્રશંસા કરી હતી.</p><p style="text-align: justify; ">વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2026માં દાહોદ જિલ્લાના પરંપરાગત બામ્બુ ક્રાફ્ટે મુલાકાતીઓનું વિશેષ ધ્યાન આકર્ષ્યું છે. જ્યોત સખી મંડળ દ્વારા તૈયાર કરવામાં આવેલા વાંસમાંથી બનેલા વિવિધ હસ્તકલાના ઉત્પાદનોને ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે.</p><p style="text-align: justify; ">સમિટ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જ્યોત સખી મંડળના સ્ટોલની મુલાકાત લીધી હતી. તેમણે વાંસમાંથી તૈયાર કરાયેલા વિવિધ ઉત્પાદનોનું નિરીક્ષણ કરી કારીગરોના પ્રયાસોની પ્રશંસા કરી હતી તેમજ આવા પરંપરાગત હસ્તકલા ઉદ્યોગોનેપ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. જ્યોત સખી મંડળના સંચાલક ચંચલબહેન છેલ્લા 18 વર્ષથી વાંસકામની પરંપરાગત કળાને જીવંત રાખવા માટે કાર્યરત છે. સખી મંડળ દ્વારા વાંસમાંથી ઘરગથ્થુ ઉપયોગની વસ્તુઓ, શણગારાત્મક ઉત્પાદનો અને હસ્તકલાની વિવિધ કૃતિઓ તૈયાર કરવામાં આવે છે. ગુણવત્તા, આકર્ષક ડિઝાઇન અને પરંપરાગત કારીગરીના સમન્વયને કારણે ઉત્પાદનોને સ્થાનિક તેમજ બહારથી આવેલા મુલાકાતીઓ તરફ્થી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/05/fDsx1ZR8LUxOBsbcUVpcARAS5y5XHEqqG6epNKJ1.webp'/></item><item><title><![CDATA[Mahisagar: ગ્રામ સડક યોજનાના માર્ગમાં બન્ને તરફ માટી ધસી પડતા જોખમ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/mahisagar/mahisagar-risk-of-landslides-on-both-sides-of-the-gram-sadak-yojana-route</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/mahisagar/mahisagar-risk-of-landslides-on-both-sides-of-the-gram-sadak-yojana-route</guid><pubDate>Mon, 06 Jul 2026 05:07:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ તૈયાર કરાયેલા ઘોઘાવાડા ગામના સીમડા કેનાલથી મરજીવા ફ્ળીયા થઈ ચણાસેરો પ્રાથમિક શાળા સુધીના આશરે 2000 મીટર લાંબા માર્ગ પર આવેલા કલ્વર્ટમાં ગંભીર ક્ષતિ જોવા મળતા સ્થાનિકોમાં ભારે ચિંતા વ્યાપી છે.</p><p style="text-align: justify; ">સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ કરાયેલા આ માર્ગના કલ્વર્ટની બંને બાજુએ માટી ધસી ગઈ હોવાનું તેમજ કાંકરીટના ભાગો તૂટી પડતાં તેની મજબૂતી સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ હાલ વરસાદી મોસમ ચાલી રહી હોવાથી કલ્વર્ટને વધુ નુકસાન પહોંચવાની શક્યતા નકારી શકાય તેમ નથી. જો સમયસર સમારકામ નહીં કરવામાં આવે તો વાહનચાલકો, શાળાએ જતા વિદ્યાર્થીઓ અને રાહદારીઓ માટે અકસ્માતનું મોટું જોખમ ઊભું થઈ શકે છે. માર્ગની બાજુનો ભાગ પણ નબળો બનતા લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/05/uj248o3AftueRX9cb3spsThYWtnrJvtK4EYssFIf.webp'/></item><item><title><![CDATA[વાંકલમાં શિબિર : 58 યુનિટ રક્ત એકત્ર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/camp-in-wankal-58-units-of-blood-collected</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/camp-in-wankal-58-units-of-blood-collected</guid><pubDate>Mon, 06 Jul 2026 01:31:31 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત : વાંકલ ગામ ખાતે ડૉ. શ્યામ પ્રસાદ મુખર્જીના 125 મી જન્મજયંતિ વર્ષ (સ્મૃતિ પખવાડિયું) નિમિતે આયોજિત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં 58 યુનિટ જેટલું રક્ત એકત્રિત થયું હતું. આ રક્તદાન શિબિરને સફ્ળ બનાવવા તમામ કાર્યકતા હોદેદારો, સરપંચ, વડીલો અને ગ્રામજનો અને સરદાર હોસ્પિટલ બારડોલીના સ્ટાફે સહયોગ આપ્યો હતો.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/06/1GiQXHEcS1hXabt9UlkXeHAW0izUW4rNaqtAJ1YO.webp'/></item><item><title><![CDATA[Bareilly Accident News: બરેલીમાં કાળ બનીને તૂટી ઘરની બાલ્કની, દાદી અને પૌત્રીનું મોત ]]></title><link>https://sandesh.com/india/news/bareilly-accident-news-balcony-of-house-collapses-due-to-hail-in-bareilly-grandmother-and-granddaughter-die</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/bareilly-accident-news-balcony-of-house-collapses-due-to-hail-in-bareilly-grandmother-and-granddaughter-die</guid><pubDate>Sun, 05 Jul 2026 18:42:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આર્થિક રીતે સંઘર્ષ કરી રહેલા પરિવાર પાસે ઘરનું સમારકામ કરવા માટે પૈસા નહોતા. તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કાયમી ઘરની રાહ જોઈ રહ્યા હતા.&nbsp;</p><h2 style="text-align: justify; ">કાળ બનીને આવી મુસીબત&nbsp;</h2><p style="text-align: justify; ">ઉત્તર પ્રદેશના બરેલીના શાહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા તુર્સા ગામમાં જર્જરિત ઘરની બાલ્કની અચાનક તૂટી પડી હતી. જેમાં 70 વર્ષીય નાથો દેવી અને તેમની છ વર્ષની પૌત્રી દીપાંજલિ કાટમાળ નીચે દબાયા હતા. બંનેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ડોકટરો તેમને બચાવી શક્યા નહીં. અકસ્માત સમયે તેમની સાથે બેઠેલા 10 વર્ષીય પૌત્ર  પેન્સિલ લેવા માટે હાથ લંબાવ્યો હતો, જેનાથી તેનો જીવ બચી ગયો હતો.</p><h3 style="text-align: justify; ">પરિવારના સભ્યોનો ખુલાસો&nbsp;</h3><p style="text-align: justify; ">હકીકતમાં, પરિવારના સભ્યોએ ખુલાસો કર્યો કે આનંદ સ્વરૂપ, યશપાલ અને વિજયપાલના પરિવારો એક જ ઘરમાં રહેતા હતા. ઘરનો એક ભાગ પહેલેથી જ તૂટી પડ્યો હતો, અને બાકીની બાલ્કની ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતી. નાથો દેવી તેના પૌત્ર સંદેશ અને પૌત્રી દીપાંજલી સાથે ખાટલા પર બેઠી હતી. સંદેશ તેના અભ્યાસ માટે પેન્સિલ લેવા ગયો હતો. તે જતાની સાથે જ બાલ્કની તૂટી પડી, જેના કારણે દાદી અને પૌત્રી કાટમાળ નીચે દટાઈ ગઈ હતી.&nbsp;</p><h4 style="text-align: justify; ">દાદી અને પૌત્રી કાટમાળ નીચે દટાઈ&nbsp;</h4><p style="text-align: justify; ">ઘણી મહેનત પછી પરિવાર અને ગ્રામજનો ઘટનાસ્થળે દોડી ગયા. તેમને પહેલા સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પછી તેમની હાલત વધુ ખરાબ થતાં બરેલી રિફર કરવામાં આવ્યા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. અકસ્માતની માહિતી મળતાં, શાહી પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા. પોલીસે તપાસ શરૂ કરી છે. પરિવારના સભ્યો કહે છે કે પરિવાર પાસે આશરે નવ એકર જમીન છે અને ખેતી અને મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. આર્થિક તંગીને કારણે, જર્જરિત ઘરનું સમારકામ થઈ શક્યું નહીં.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/india/news/-political-news/mamata-banerjees-nephew-abhishek-banerjee-faces-tough-action-another-new-fir-for-fraud-of-crores-in-sevashray-controversy" target="_blank">મમતા બેનર્જીના ભત્રીજા Abhishek Banerjee પર કસાયો સંકજો, 'સેવાશ્રય' વિવાદમાં કરોડોના ફ્રોડ બદલ વધુ એક નવી FIR</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/05/9KWlbiOhSmbm9X06i9VDaXZUoE3RizHFiFhVO0F5.webp'/></item><item><title><![CDATA[મમતા બેનર્જીના ભત્રીજા Abhishek Banerjee પર કસાયો સંકજો, 'સેવાશ્રય' વિવાદમાં કરોડોના ફ્રોડ બદલ વધુ એક નવી FIR ]]></title><link>https://sandesh.com/india/news/-political-news/mamata-banerjees-nephew-abhishek-banerjee-faces-tough-action-another-new-fir-for-fraud-of-crores-in-sevashray-controversy</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/-political-news/mamata-banerjees-nephew-abhishek-banerjee-faces-tough-action-another-new-fir-for-fraud-of-crores-in-sevashray-controversy</guid><pubDate>Sun, 05 Jul 2026 18:30:24 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">કરોડોની છેતરપિંડી અને સરકારી પરવાનગી વિના સુવિધા ચલાવવાનો આરોપ લગાવી નવી FIR કરાઇ છે.</p><h2 style="text-align: justify; ">અભિષેક બેનર્જી ફરી વિવાદમાં&nbsp;</h2><p style="text-align: justify; ">તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને સાંસદ અભિષેક બેનર્જી પર સેવાશ્રય અંગે દબાણ વધ્યું છે. બિષ્ણુપુર પોલીસ સ્ટેશનમાં તૃણમૂલ સાંસદ સામે બીજી FIR દાખલ કરવામાં આવી છે. ડાયમંડ હાર્બર પોલીસ સ્ટેશનમાં અગાઉ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ભાજપના નેતા અભિજીત દાસ બોબીએ બિષ્ણુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. FIRમાં અભિષેક બેનર્જી ઉપરાંત સુમિત રોય અને જહાંગીર ખાન સહિત અનેક વ્યક્તિઓના નામ છે.</p><h3 style="text-align: justify; ">નાણાકીય છેતરપિંડીના આરોપ&nbsp;</h3><p style="text-align: justify; ">રાજ્યમાં સત્તા પરિવર્તન બાદ, સેવાશ્રય સામે અનેક સનસનાટીભર્યા આરોપો મૂકવામાં આવ્યા છે. કરોડો રૂપિયાના નાણાકીય છેતરપિંડીના આરોપો મૂકવામાં આવ્યા છે. વહીવટીતંત્રે જણાવ્યું છે કે ડાયમંડ હાર્બર સેવાશ્રય પાસે કોઈ સરકારી પરવાનગી નહોતી. આરોગ્ય વિભાગે સેવાશ્રયમાં અનિયમિતતાના આરોપોની પોતાની તપાસ શરૂ કરી છે. નવાન્ના પાસેથી પણ રિપોર્ટ માંગવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ તરફથી કોઈ મંજૂરી કે લાઇસન્સ ન હોવા છતાં આ આશ્રયસ્થાન ખુલ્લેઆમ કેવી રીતે કાર્યરત હતું તેની તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.</p><h4 style="text-align: justify; ">FIRમાં કોના નામ ?</h4><p style="text-align: justify; ">પહેલી FIRમાં અભિષેક બેનર્જીનું નામ છે. તેમના ઉપરાંત, અભિષેક બેનર્જીના પીએ સુમિત રોય, અભિષેકના નજીકના સહયોગી અયાન ઘોષ દસ્તીદાર, ફાલ્ટાના પુષ્પા જહાંગીર ખાન, શમીમ અહેમદ, ગૌતમ અધિકારી, મહેબૂબ ગાયન, નબાકુમાર બેતાલ, દિલીપ મંડલ અને બબન ગાઝી પણ આરોપી છે. વધુમાં, દર્દીનું પરીક્ષણ કરનારા ડોકટરો, ટેકનિશિયનો, લેબ સ્ટાફ અને નર્સો સામે બિષ્ણુપુર પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે.</p><h5 style="text-align: justify; ">શુ હતો વિવાદ ?&nbsp;</h5><p style="text-align: justify; ">અભિષેકે જાન્યુઆરી 2025 માં પોતાનો પહેલો સેવાશ્રય કાર્યક્રમ શરૂ કર્યો. તે તેમના લોકસભા મતવિસ્તાર, ડાયમંડ હાર્બરમાં અઢી મહિના સુધી ચાલ્યો હતો. ત્યારબાદ, ડિસેમ્બર 2025 માં, સેવાશ્રય કેમ્પ ફરીથી શરૂ કરવામાં આવ્યા. આ વખતે, નંદીગ્રામ તેમજ ડાયમંડ હાર્બરમાં પણ કેમ્પ શરૂ કરવામાં આવ્યા. વિધાનસભા ચૂંટણી પહેલા નંદીગ્રામમાં સેવાશ્રય કેમ્પ અંગે વિવાદ ફાટી નીકળ્યો. રાજ્યવ્યાપી પરિવર્તન બાદ, સેવાશ્રય પર અનેક આરોપો લગાવવામાં આવ્યા હતા.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/lifestyle/news/health-fitness/healthy-sleep-diet-want-a-deep-and-peaceful-sleep-then-make-these-changes-to-your-plate" target="_blank"> ગાઢ અને શાંતિપૂર્ણ ઊંઘ જોઈએ છે? તો તમારી થાળીમાં કરો આ ફેરફારો!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/05/MplM51tq7374moDoraBVzPlnw4E2EeTHAsJEmbqe.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026 : ઈંગ્લેન્ડ ટીમની હોટલ બહાર રાતભર હોબાળો, જાણો કારણ ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-there-was-a-ruckus-outside-the-england-teams-hotel-all-night-know-the-reason</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-there-was-a-ruckus-outside-the-england-teams-hotel-all-night-know-the-reason</guid><pubDate>Sun, 05 Jul 2026 17:47:35 +05:30</pubDate><description><![CDATA[<p>ફૂટબોલ એક એવી રમત છે જ્યાં બે ટીમો વચ્ચેની હરીફાઈ ચાહકોને ચરમસીમા સુધી પહોંચાડે છે.સામાન્ય રીતે,રાષ્ટ્રીય લીગમાં રમતી ક્લબો વચ્ચે આવી હરીફાઈ જોવા મળે છે.જો કે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં પણ જ્યારે દાવ વધારે હોય છે.ત્યારે ચાહકો કોઈપણ જોખમ લેવા તૈયાર હોય છે.FIFA વર્લ્ડ કપ 2026 દરમિયાન મેક્સિકો સિટીમાં પણ આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું,જ્યાં મેક્સીકન ચાહકોએ આખી રાત ઇંગ્લેન્ડ ટીમની હોટલની બહાર ભારે હંગામો મચાવ્યો હતો.</p><h4><b>ક્સિકો અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે મેચ&nbsp;</b></h4><p>યજમાન મેક્સિકો અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રી-ક્વાર્ટર ફાઇનલ મેચ મેક્સિકો સિટીના પ્રખ્યાત એઝટેકા સ્ટેડિયમમાં રમાનારી છે. આ મેચ રવિવાર રાત્રે, 5 જુલાઈ (ભારતમાં સવારે 5:30 વાગ્યે, 6 જુલાઈ) ના રોજ રમાશે.યજમાન તરીકે,આ વર્લ્ડ કપ અને આ મેચ મેક્સીકન ચાહકો માટે ખૂબ જ ખાસ છે, કારણ કે ટીમ ફરીથી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી શકે છે. પરંતુ આ પડકાર તેમના માટે સરળ રહેશે નહીં.</p><p><a href="https://x.com/HLTCO/status/2073690892246942136?s=20" target="_blank">https://x.com/HLTCO/status/2073690892246942136?s=20</a></p><p><br></p><h4><b>મેક્સીકન ચાહકો ઇંગ્લેન્ડ પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો</b></h4><p>મેચનું પરિણામ હવે 90 મિનિટમાં નક્કી થશે, અને ખેલાડીઓ તેનો નિર્ણય લેશે. જોકે, મેક્સીકન ચાહકોએ તેમની ટીમને આગળ વધારવા અને અંગ્રેજી ખેલાડીઓને હેરાન કરવા માટે પોતાનો ભાગ ભજવી ચૂક્યા છે. આ માટે, મેચની આગલી રાત્રે, મેક્સીકન ચાહકોએ સાન્ટા ફેમાં ઇંગ્લેન્ડ ફૂટબોલ ટીમની હોટલની બહાર ભારે હંગામો મચાવ્યો.</p><h4><b>મેક્સીકન ચાહકો આખી રાત કર્યો હંગામો&nbsp;</b></h4><p>હજારો મેક્સીકન ચાહકો ઢોલ, ટ્રમ્પેટ, લાઉડસ્પીકર અને ફટાકડા સાથે પહોંચ્યા. એકસાથે, તેઓએ આખી રાત ઘણો અવાજ કર્યો, મોટેથી ગાતા અને મંત્રોચ્ચાર કરતા. આ ચાહકોનો એકમાત્ર હેતુ ઇંગ્લેન્ડના ખેલાડીઓને મેચની આગલી રાત્રે શાંતિથી સૂતા અટકાવવાનો અને મેચના દિવસે તેમને માનસિક અને શારીરિક રીતે થાકેલા રાખવાનો હતો.</p><h5><b>આયોજકોના પ્રયાસો નિષ્ફળ ગયા</b></h5><p>આ સમગ્ર ઘટનાની નોંધપાત્ર વાત એ છે કે આયોજકોને આ વાતની અગાઉથી જાણ હતી, અને તેથી, ઇંગ્લેન્ડ ટીમની હોટલનું નામ અને સ્થાન જાહેર કરવામાં આવ્યું ન હતું. જો કે, કોઈક રીતે, મેક્સીકન ચાહકોને આ વાતની જાણ થઈ ગઈ અને તેઓ હોટલની બહાર ભેગા થવા લાગ્યા. જોકે, હોટલની બહાર મોટી સંખ્યામાં હુલ્લડ વિરોધી પોલીસ પહેલેથી જ તૈનાત કરવામાં આવી હતી. આની અસર મેચ દરમિયાન બહાર આવશે.</p><p>આ પણ વાંચો -</p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/05/K7i8uCG2tIK9fP8NmnO6JlQ4Y4XRclSK8xu5VjOb.webp'/></item><item><title><![CDATA[Aamir Khan ગૌરી સ્પ્રેટ સાથે લગ્નના બંધનમાં બંધાયા, ફોટો વાયરલ ]]></title><link>https://sandesh.com/entertainment/news/aamir-khan-tied-the-knot-with-gauri-spratt-photo-goes-viral</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/aamir-khan-tied-the-knot-with-gauri-spratt-photo-goes-viral</guid><pubDate>Sun, 05 Jul 2026 14:06:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલિવૂડના 'મિસ્ટર પરફેક્શનિસ્ટ' તરીકે જાણીતા અભિનેતા આમિર ખાને પોતાના જીવનના એક નવા અધ્યાયની શરૂઆત કરી છે. 5 જુલાઈ, 2026ના રોજ આમિર ખાને પોતાની લાંબા સમયની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે લગ્ન કરી લીધા છે. આ લગ્ન સમારોહ ખૂબ જ સાદગીપૂર્ણ રીતે આમિરના ઘરે યોજાયો હતો, જેમાં માત્ર પરિવારના સભ્યો અને ખાસ મિત્રો જ ઉપસ્થિત રહ્યા હતા. આ દંપતીએ કાયદેસર રીતે રજિસ્ટર્ડ મેરેજ કર્યા છે.</p><h2 style="text-align: justify; "><b>લગ્નનો ફોટો થયો વાયરલ</b></h2><p style="text-align: justify; ">લગ્નના પ્રથમ એક્સક્લુઝિવ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં આમિર અને ગૌરી અત્યંત સુંદર અને ખુશ દેખાઈ રહ્યા છે. આમિર ખાને લગ્ન માટે સફેદ રંગની ક્લાસિક શેરવાની પસંદ કરી હતી, જેની સાથે તેમણે ચશ્મા અને બ્રેસલેટ પહેરીને પોતાના લુકને પૂર્ણ કર્યો હતો. બીજી તરફ, દુલ્હન બનેલી ગૌરી પણ સફેદ ડ્રેસમાં ખૂબ જ આકર્ષક લાગતી હતી. તેણે ભારે ગળાનો હાર, સુંદર કાનની બુટ્ટીઓ અને સાઈડ-પાર્ટેડ વેણી સાથે પોતાનો બ્રાઈડલ લુક પૂર્ણ કર્યો હતો. હળવા મેકઅપમાં ગૌરીનું સૌંદર્ય ખીલી ઉઠ્યું હતું.</p><h3 style="text-align: justify; "><b>લગ્નના કાગળો પર કર્યા હસ્તાક્ષર</b></h3><p style="text-align: justify; ">વાયરલ થયેલા ફોટામાં દંપતી ફ્લોર પર બેસીને લગ્નના કાગળો પર હસ્તાક્ષર કરતું જોવા મળે છે. આ ભાવુક ક્ષણે તેમની સાથે આમિરનો પુત્ર આઝાદ અને ગૌરીના પુત્રો પણ હાજર હતા. આમિરના પરિવારના સભ્યોની હાજરીમાં આ લગ્ન એક પારિવારિક ઉત્સવ જેવા લાગતા હતા. આ ખાસ પ્રસંગે ફિલ્મ નિર્માતા આશુતોષ ગોવારિકર તેમની પત્ની સાથે પહોંચ્યા હતા, જ્યારે અંબાણી પરિવાર પણ આ સમારોહમાં હાજરી આપી હતી.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PTI_News/status/2073683437815472167"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h4 style="text-align: justify; "><b>આમિરની ભૂતકાળની સફર</b></h4><p style="text-align: justify; ">આમિર ખાનના આ ત્રીજા લગ્ન છે. અગાઉ 1986માં તેમણે રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા, જે 16 વર્ષ બાદ 2002માં છૂટાછેડામાં પરિણમ્યા હતા. ત્યારબાદ 2005માં તેમણે કિરણ રાવ સાથે લગ્ન કર્યા, જે પણ 16 વર્ષ ચાલ્યા. આમિર અને કિરણને આઝાદ નામનો પુત્ર છે. ખાસ વાત એ છે કે આમિર તેમના બંને પૂર્વ જીવનસાથીઓ સાથે ખૂબ જ સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખે છે.<br><h5><b>બંનેની મિત્રતા 25 વર્ષ જૂની</b></h5></p><p style="text-align: justify; ">ગૌરી અને આમિરની મિત્રતા લગભગ 25 વર્ષ જૂની છે. લાંબા સમયની ગાઢ મૈત્રીને પ્રેમમાં બદલીને, આખરે તેઓએ જીવનભર સાથ રહેવાનો નિર્ણય લીધો છે. આમિરે 2025માં પોતાના જન્મદિવસ પર આ સંબંધને સત્તાવાર જાહેર કર્યો હતો, ત્યારથી તેઓ સતત ચર્ચામાં હતા. હવે આ લગ્ન સાથે બંનેએ પોતાની નવી જિંદગીની ખુશીભરી શરૂઆત કરી છે. ચાહકો અને બોલિવૂડ જગત તરફથી આ નવા દંપતીને શુભેચ્છાઓ મળી રહી છે.<br><b><a href="https://sandesh.com/entertainment/news/aamir-khan-net-worth-know-mr-perfectionists-earnings-luxurious-house-worth-crores-and-luxury-car-collection" target="_blank">આ પણ વાંચોઃ Aamir Khan Net Worth: જાણો મિસ્ટર પરફેક્શનિસ્ટની કમાણી, કરોડોનું આલીશાન ઘર અને લક્ઝરી કાર કલેક્શન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/05/xEXou61giBgXzvfUhy6CiYhnLiRi04PXweEEtsF6.webp'/></item><item><title><![CDATA[Gold Silver Price Today: શું સોનું ફરી મોંઘું થયું? જાણો 20, 22 અને 24 કેરેટના લેટેસ્ટ ભાવ.. ]]></title><link>https://sandesh.com/business/news/gold-silver-price-today-has-gold-become-expensive-again-know-the-latest-prices-of-20-22-and-24-carats</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/gold-silver-price-today-has-gold-become-expensive-again-know-the-latest-prices-of-20-22-and-24-carats</guid><pubDate>Sun, 05 Jul 2026 10:11:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">છેલ્લા કેટલાક દિવસોમાં સોના અને ચાંદીના બજારમાં નોંધપાત્ર ઉથલપાથલ જોવા મળી છે. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ અથવા ઘરેણાં લેવાનું આયોજન હોય, તો આ ફેરફારો પર નજર રાખવી અત્યંત આવશ્યક છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) અને સ્થાનિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં જોવા મળેલી વધ-ઘટ આ મુજબ છે.</p><h2 style="text-align: justify; "><b>MCX પર સોના-ચાંદીની સ્થિતિ</b></h2><p style="text-align: justify; ">MCX પર સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો અને તે ₹1,47,365 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. પાંચ દિવસના ગાળામાં સોનાના વાયદાના ભાવમાં લગભગ ₹3,203 નો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ, ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. 4 સપ્ટેમ્બરની એક્સપાયરી સાથે ચાંદી ₹2,37,499 પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ, જે પાછલા સપ્તાહની સરખામણીમાં ₹14,027 નો વધારો દર્શાવે છે.</p><h3 style="text-align: justify; "><b>સ્થાનિક બજારમાં ભાવનું ચિત્ર</b></h3><p style="text-align: justify; ">ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી છે. 24 કેરેટ સોનાનો ભાવ ₹1,46,344 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયો છે, જે ગયા અઠવાડિયા કરતા ₹6,471 જેટલો વધુ છે. અન્ય કેરેટના ભાવ નીચે મુજબ છે:</p><p style="text-align: justify; ">22 કેરેટ સોનું: ₹1,42,830 પ્રતિ 10 ગ્રામ</p><p style="text-align: justify; ">20 કેરેટ સોનું: ₹1,30,250 પ્રતિ 10 ગ્રામ</p><p style="text-align: justify; ">18 કેરેટ સોનું: ₹1,18,540 પ્રતિ 10 ગ્રામ</p><p style="text-align: justify; ">14 કેરેટ સોનું: ₹94,390 પ્રતિ 10 ગ્રામ</p><p style="text-align: justify; ">ચાંદીના ભાવમાં પણ સ્થાનિક બજારમાં તોતિંગ ઉછાળો આવ્યો છે. ચાંદી પ્રતિ કિલોગ્રામ ₹2,33,858 પર પહોંચી છે, જેનો અર્થ છે કે એક જ સપ્તાહમાં ચાંદીના ભાવમાં ₹17,317 નો મોટો વધારો થયો છે.</p><h4 style="text-align: justify; "><b>ધ્યાનમાં રાખવા જેવી બાબત</b></h4><p style="text-align: justify; ">નોંધનીય છે કે, જાન્યુઆરીમાં સોનાએ ₹2 લાખ અને ચાંદીએ ₹4 લાખની ઐતિહાસિક સપાટી વટાવી હતી. જોકે, હાલના ભાવ તે ઉચ્ચ સ્તર કરતા હજુ પણ ઘણા ઓછા છે. ગ્રાહકોએ એ બાબત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે જ્યારે તમે જ્વેલરી ખરીદો છો, ત્યારે બજારના આ દર ઉપરાંત GST અને મેકિંગ ચાર્જ પણ અલગથી ચૂકવવાના રહે છે, જેના કારણે અંતિમ કિંમતમાં તફાવત આવી શકે છે.</p><h5 style="text-align: justify; "><b>દેશના મોટા શહેરોમાં શું છે સોના ચાંદીનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)&nbsp;</b></h5><p style="text-align: justify; "><br></p><table class="table table-bordered"><tbody><tr><td>શહેર&nbsp;</td><td>24 કેરેટ સોનાની કિંમત ( રૂપિયા/10 ગ્રામ) )&nbsp;</td><td>22 કેરેટ સોનાની કિંમત( રૂપિયા/10 ગ્રામ)</td></tr><tr><td>દિલ્હી&nbsp;&nbsp;</td><td>1,46,880</td><td>1,34,650&nbsp;&nbsp;</td></tr><tr><td>કોલકાતા&nbsp;</td><td>&nbsp;1,46,730</td><td>1,34,500&nbsp;</td></tr><tr><td>ચેન્નઈ&nbsp;&nbsp;</td><td>1,49,460</td><td>1,37,000&nbsp;</td></tr><tr><td>બેંગ્લોર&nbsp;</td><td>1,46,730&nbsp;</td><td>1,34,500&nbsp;&nbsp;</td></tr><tr><td>અમદાવાદ&nbsp;</td><td>&nbsp;1,46,780</td><td>1,34,550&nbsp;&nbsp;</td></tr><tr><td>વડોદરા&nbsp;&nbsp;</td><td>1,46,780</td><td>1,34,550&nbsp;</td></tr></tbody></table><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/business/news/petrol-diesel-price-today-know-whether-the-prices-of-petrol-and-diesel-have-increased-or-decreased-today" target="_blank">આ પણ વાંચોઃ Petrol Diesel Price Today: આજે વધ્યા કે ઘટ્યા પેટ્રોલ-ડીઝલનાં ભાવ જાણીલો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/05/tW057ZvpPe3Ou003yndrsFIGPbuLOySp1Sc4VTtn.webp'/></item></channel></rss>