<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[સપામાં પડશે મોટું ભંગાણ! ઓપી રાજભરના કરેલા મોટા દાવાથી રાજકારણમાં ખળભળાટ ]]></title><link>https://sandesh.com/india/news/-political-news/there-will-be-a-big-rift-in-sp-political-turmoil-due-to-big-claims-made-by-op-rajbhar</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/-political-news/there-will-be-a-big-rift-in-sp-political-turmoil-due-to-big-claims-made-by-op-rajbhar</guid><pubDate>Wed, 17 Jun 2026 14:52:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઉત્તર પ્રદેશની રાજનીતિમાં ફરી એકવાર ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. યોગી સરકારમાં કેબિનેટ મંત્રી અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના વડા ઓમ પ્રકાશ રાજભરે સમાજવાદી પાર્ટીને લઈને એક મોટો દાવો કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર, સમાજવાદી પાર્ટીમાં ટૂંક સમયમાં મોટો ભાગલા પડી શકે છે અને ઘણા નેતાઓ ભાજપમાં જોડાવાની તૈયારીમાં છે.</p><h2 style="text-align: justify; "><b>રામગોપાલ યાદવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને લખ્યો પત્ર</b></h2><p style="text-align: justify; ">ઓપી રાજભરે દાવો કર્યો છે કે સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા રામગોપાલ યાદવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને એક પત્ર લખ્યો છે. રાજભરના કહેવા મુજબ, આ પત્રમાં કેટલાક એવા નેતાઓના નામ છે, જેઓ ભાજપમાં જોડાવા માંગે છે. જોકે, અત્યાર સુધી આ દાવા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ રાજભરના નિવેદનથી ઉત્તર પ્રદેશની રાજનીતિમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઓમ પ્રકાશ રાજભરે સમાજવાદી પાર્ટી પર હુમલો કરતા કહ્યું કે જેમ જેમ તપાસ એજન્સીઓ ખાણકામ કૌભાંડ અને ગોમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ જેવા કેસોમાં કાર્યવાહી તેજ કરી રહી છે, તેમ તેમ સપાના નેતાઓમાં ગભરાટ વધી રહ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે આ કેસોમાં ઘણા મોટા નામો સામેલ છે.</p><h3 style="text-align: justify; "><b>ઉત્તર પ્રદેશમાં જોવા મળશે મોટું રાજકીય પરિવર્તન</b></h3><p style="text-align: justify; ">રાજભરે વધુમાં કહ્યું કે “લોકો ત્યારે જ ખરીદાય છે જ્યારે તેઓ વેચાવા માટે તૈયાર હોય.” તેમણે મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળના રાજકીય ઘટનાક્રમનો ઉલ્લેખ કરતા કહ્યું કે હવે ઉત્તર પ્રદેશમાં પણ મોટું રાજકીય પરિવર્તન જોવા મળી શકે છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઉત્તર પ્રદેશમાં 2027ની વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ સક્રિય બની ગઈ છે. ભાજપ અને સમાજવાદી પાર્ટી બંને પોતાની રાજકીય સ્થિતિ મજબૂત કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે. આવી સ્થિતિમાં ઓપી રાજભરના દાવાએ રાજકીય તાપમાન વધુ વધારી દીધું છે.</p><h4 style="text-align: justify; "><b>સપામાં પડશે ભંગાણ!</b></h4><p style="text-align: justify; ">હવે સૌથી મોટો સવાલ એ છે કે શું ખરેખર સમાજવાદી પાર્ટીમાં મોટો ભાગલા પડશે? શું રામગોપાલ યાદવે ખરેખર અમિત શાહને કોઈ પત્ર લખ્યો છે? કે પછી આ માત્ર રાજકીય દબાણ બનાવવાનો પ્રયાસ છે? આ સવાલોના જવાબ આવનારા દિવસોમાં જ સ્પષ્ટ થશે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/world/news/hormuz-strait-crisis-money-first-security-later-now-vip-pass-entry-to-allow-oil-tankers-to-pass" target="_blank">આ પણ વાંચોઃ Hormuz Strait Crisis: પહેલા પૈસા પછી સુરક્ષા, ઓઇલ ટેન્કરો પસાર કરાવવા માટે હવે  'VIP પાસની એન્ટ્રી ?</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/2N053OKI5gzpIEfIy2TFny9vBUyZIZPmkF6yRsI5.webp'/></item><item><title><![CDATA[Uddhav Thackeray Shiv Sena : ફરી તૂટી ઉદ્ધવ ઠાકરેની શિવસેના! 9માંથી 6 સાંસદો શિંદેના શરણે ]]></title><link>https://sandesh.com/india/news/uddhav-thackeray-shiv-sena-crisis-rebel-mps-shinde</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/uddhav-thackeray-shiv-sena-crisis-rebel-mps-shinde</guid><pubDate>Wed, 17 Jun 2026 14:50:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઉદ્ધવ ઠાકરેની શિવસેના UBTમાં બળવાની અટકળો આખરે સાચી સાબિત થઈ અને પાર્ટીના 9 માંથી 6 સાંસદ એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થઈ ગયા છે. બીજી તરફ સંજય રાઉતે આ બળવાખોર સાંસદોને ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે જે સાંસદ પાર્ટી છોડશે, તેમને છોડવામાં નહીં આવે.<br></p><h2 style="text-align: justify; "><b>શિવસેના (UBT)માં મોટું બળવો</b></h2><p></p><p style="text-align: justify; ">મહારાષ્ટ્રના રાજકારણમાં ઓપરેશન ટાઈગરને લઈને હલચલ ચરમસીમાએ પહોંચી ગઈ છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટીમાં બળવાની અટકળો આખરે સાચી સાબિત થઈ અને પાર્ટીના 9 માંથી 6 સાંસદ એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થઈ ગયા છે. આ દરમિયાન આ બળવાખોર સાંસદોને સંજય રાઉતે ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે જે સાંસદ પાર્ટી છોડશે, તેમને છોડવામાં નહીં આવે.<br></p><h2 style="text-align: justify; "><b>6 સાંસદોએ બદલ્યો પક્ષ</b></h2><p></p><p style="text-align: justify; ">વાસ્તવમાં શિવસેના યુબીટીના તમામ 6 બળવાખોર સાંસદો મંગળવારે દિલ્હી પહોંચી ગયા હતા. તેમણે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને પોતાને અલગ જૂથ ગણાવતા એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થવાની માહિતી આપી હતી. આ બળવાખોર સાંસદોમાં સંજય દેશમુખ, દીના પાટિલ, નાગેશ પાટિલ અષ્ટીકર, ઓમરાજે નિંબાલકર, ભાઉસાહેબ વાકચૌરે અને સંજય જાધવના નામ સામેલ છે. બીજી તરફ શિવસેના (UBT) ના વરિષ્ઠ નેતા પ્રિયંકા ચતુર્વેદીએ પાર્ટીમાં બળવા પર એક પ્રકારે મહોર મારતા ભાજપને ચેતવણી આપી છે. તેમણે આ બળવાખોરોની સરખામણી સાપ સાથે કરતા ભાજપને ચેતવ્યું છે કે કાલે આ લોકો તેને પણ ડંખ મારશે.</p><h2 style="text-align: justify; "><b>અરવિંદ સાવંતે કરી રજૂઆત</b></h2><p style="text-align: justify; ">બીજી તરફ શિવસેના UBTએ પણ આ બળવાને રોકવા માટે ચાલ ચાલી દીધી છે. ઉદ્ધવ ઠાકરેના વફાદાર શિવસેના (UBT) ના સાંસદ અરવિંદ સાવંતે લોકસભા અધ્યક્ષને પત્ર લખીને વિનંતી કરી છે કે પાર્ટીના કોઈ પણ સાંસદના અલગ જૂથ બનાવવા કે અન્ય કોઈ પક્ષમાં વિલીનીકરણને માન્યતા આપવામાં ન આવે. સાવંતે આ પત્રમાં લખ્યું છે કે શિવસેના યુબીટી એક જ રાજકીય પક્ષ છે અને કાયદાની નજરમાં તે જ માન્ય છે. શિવસેના UBTએ કહ્યું કે સંસદમાં પાર્ટીનું અસ્તિત્વ મૂળ રાજકીય પક્ષથી આવે છે, તેથી અલગ-અલગ જૂથ બનાવીને તે જ પાર્ટીનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરી શકાય નહીં.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/rautsanjay61/status/2066940812504727906"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3 style="text-align: justify; "><b>'અપના સપના મની..મની..!' ઉદ્ધવ સાથે દગાબાજી માટે સાંસદોને મળ્યા 15-15 કરોડ, સંજય રાઉતનો દાવો</b></h3><p style="text-align: justify; ">ઓપરેશન ટાઈગરની ચર્ચા વચ્ચે શિવસેના UBT સાંસદ સંજય રાઉતે મોટો આરોપ લગાવ્યો છે. રાઉતે સોશિયલ મીડિયા પર કરેલી પોતાની પોસ્ટમાં દાવો કર્યો છે કે શિવસેના (UBT) ના સાંસદોને ખરીદવા માટે 15-15 કરોડ રૂપિયા એડવાન્સ આપવામાં આવી રહ્યા છે. સંજય રાઉતનું કહેવું છે કે ઉદ્ધવ જૂથના તમામ 9 સાંસદો એકજૂથ છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/bundelkhand-iconic-bollywood-song-15-years" target="_blank">આ પણ વાંચો-Folk Song : બુંદેલખંડની માટીમાંથી જન્મેલું એ ગીત, જેણે 15 વર્ષ પહેલાં જીતી લીધા હતા દેશવાસીઓના દિલ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/G3hWo7ASTF8cgHBWQ7MUdnB78tf3VPu0qzbth1FA.webp'/></item><item><title><![CDATA[Kala Hiran  Filmના ડાયરેક્ટર અમિત જાની અભિનેતા ગોવિંદ નામદેવ પર ભડક્યા, સ્ક્રિપ્ટ વાંચી, પૈસા લીધા..હવે સલમાનના ડરથી જૂઠું બોલે છે... ]]></title><link>https://sandesh.com/entertainment/news/kala-hiran-film-controversy-read-the-script-took-the-moneynow-lying-out-of-fear-of-salman-director-amit-jani-furious-at-govind-namdev</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/kala-hiran-film-controversy-read-the-script-took-the-moneynow-lying-out-of-fear-of-salman-director-amit-jani-furious-at-govind-namdev</guid><pubDate>Wed, 17 Jun 2026 14:30:08 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફિલ્મ 'કાલા હિરન' (Kala Buck) ને લઈને ચાલી રહેલો વિવાદ હવે કાનૂની લડાઈ અને ગંભીર આરોપો તરફ વળી ગયો છે. ફિલ્મમાં વકીલની ભૂમિકા ભજવતા જાણીતા અભિનેતા ગોવિંદ નામદેવે તાજેતરમાં નિવેદન આપ્યું હતું કે ફિલ્મના નિર્માતા-દિગ્દર્શકે તેમને અંધારામાં રાખ્યા હતા અને તેમને ખબર નહોતી કે આ વાર્તા સલમાન ખાનના ૧૯૯૮ના બ્લેકબક (કાળા હરણ) શિકાર કેસ પર આધારિત છે. આ નિવેદન બાદ ફિલ્મના નિર્માતા અમિત જાનીએ નામદેવને કરાર ભંગની કાનૂની નોટિસ ફટકારી છે. એક મીડિયા ચેનલના ઇન્ટરવ્યુમાં અમિત જાનીએ ગોવિંદ નામદેવ પર આકરા પ્રહારો કર્યા છે.</p><h2 style="text-align: justify; "><b>સ્ક્રિપ્ટ વાંચ્યા પછી ગોવિંદ નામદેવે ફિલ્મ સાઇન કરી હતી..</b></h2><p style="text-align: justify; ">અમિત જાનીએ નામદેવના દાવાઓને સદંતર ફગાવી દેતા જણાવ્યું કે, "તેઓ કોઈ દૂધ પીતા બાળક નથી. તેમને આખી સ્ક્રિપ્ટ, વાર્તાનો સારાંશ અને કેરેક્ટર સ્કેચ આપવામાં આવ્યા હતા. તેમણે સતત પાંચ દિવસ હોટલના રૂમમાં અને વેનિટી વેનમાં બેસીને સ્ક્રિપ્ટ વાંચી હતી." જાનીએ ઉમેર્યું કે કોર્ટરૂમના દ્રશ્યોમાં બિશ્નોઈ સમુદાયના વકીલ મહિપાલ તરીકે અભિનય કરતી વખતે તેઓ પોતે કાકાની ગામમાં થયેલા શિકાર અને અયાન ખાન (સલમાન ખાનનું કાલ્પનિક પાત્ર) ના સંવાદો બોલી રહ્યા હતા, તેથી તેમને ખબર નહોતી એ વાત તદ્દન ખોટી છે.</p><h3 style="text-align: justify; "><b>ગોવિંદ નામદેવે 'કાલા હિરણ 2' માટે પણ એડવાન્સ લીધું&nbsp;</b></h3><p style="text-align: justify; ">દિગ્દર્શકે મોટો ખુલાસો કરતા કહ્યું કે ગોવિંદ નામદેવ સાથે માત્ર એક ફિલ્મનો નહીં, પરંતુ તેની સિક્વલ 'કાલા બક ૨' (Black Buck 2) નો પણ કરાર થયેલો છે અને તેમણે બંને ફિલ્મો માટે એડવાન્સ પેમેન્ટના ચેક લીધા છે. અમિત જાનીના મતે, મુંબઈ પહોંચતા જ નામદેવ ફરી ગયા છે. કાં તો સલમાન ખાનના કોઈ નજીકના વ્યક્તિએ તેમને ધમકાવ્યા છે અથવા ફોન કરીને દબાણ કર્યું છે, જેના કારણે પોતાની વિશ્વસનીયતા ગુમાવીને તેઓ આવું કરોડરજ્જુ વગરનું નિવેદન આપી રહ્યા છે.</p><h4 style="text-align: justify; "><b>વોટ્સએપ પર માંગી માફી, પણ પબ્લિક માફી જરૂરી</b></h4><p style="text-align: justify; ">અમિત જાનીએ જણાવ્યું કે મીડિયામાં વિવાદ થયા બાદ નામદેવે તેમનો ફોન ઉપાડ્યો નહોતો, પરંતુ વોટ્સએપ ચેટ પર સ્વીકાર્યું હતું કે તેમને પહેલા દિવસથી જ સલમાન ખાન કેસની પ્રેરણા વિશે ખબર હતી અને અમર ઉજાલા અખબારે તેમનું નિવેદન મરોડીને છાપ્યું છે. નામદેવે વોટ્સએપ પર અંગત રીતે માફી પણ માંગી છે. જો કે, જાનીએ સ્પષ્ટ કર્યું કે તેઓ આ ચેટ સોશિયલ મીડિયા પર વાયરલ કરીને કોઈની પ્રાઇવસી છીનવવા નથી માંગતા, પરંતુ બદનામી પબ્લિક પ્લેટફોર્મ પર થઈ હોવાથી માફી પણ જાહેરમાં જ હોવી જોઈએ.</p><h4 style="text-align: justify; "><b>અમિત જાનીએ ગોવિંદ નામદેવની ફટકારી નોટિસ</b></h4><p style="text-align: justify; ">પ્રોડક્શન હાઉસને થયેલા નુકસાન અને બદનામી બદલ ગોવિંદ નામદેવને ₹૫૦ લાખનું વળતર ચૂકવવા અને ૭ દિવસની અંદર ANI કે અન્ય ન્યૂઝ એજન્સીઓ સમક્ષ જાહેરમાં માફી માંગવાની નોટિસ આપવામાં આવી છે. કરાર મુજબ તેમણે ફિલ્મનું ડબિંગ અને પ્રમોશન કરવું જ પડશે. અમિત જાનીએ છેલ્લે ઉમેર્યું કે બોલીવુડ પર હંમેશા અંડરવર્લ્ડનું દબાણ રહ્યું છે, પરંતુ તેઓ નોઈડાની વાસ્તવિક કોર્ટના સીન સાથે આ કાલ્પનિક ક્રાઇમ થ્રિલરને દર્શકો સમક્ષ લાવીને જ રહેશે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/deepika-padukone-out-of-kalki-2898-ad-sequel-this-bollywood-actress-will-replace-her" target="_blank">આ પણ વાંચો : Kalki 2898 ADની સિક્વલમાંથી દીપિકા પાદુકોણ બહાર, બોલીવુડની કઈ અભિનેત્રી લેશે તેની જગ્યા</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/6a11EaCUM0eIjYJE9kj5oVgdX01k87vAvaQKZB4c.webp'/></item><item><title><![CDATA[Iran Vs USA: ઈરાન જ્યારે ઈચ્છે ત્યારે Hormuz Strait બંધ કરશે! અમેરિકાએ સ્વીકાર્યુ કે, તેહરાને મેળવ્યું છે 'બ્રહ્માસ્ત્ર' ]]></title><link>https://sandesh.com/world/news/business/usa/iran-vs-usa-iran-will-close-the-strait-of-hormuz-whenever-it-wants-america-admits-that-tehran-has-acquired-brahmastra</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/business/usa/iran-vs-usa-iran-will-close-the-strait-of-hormuz-whenever-it-wants-america-admits-that-tehran-has-acquired-brahmastra</guid><pubDate>Wed, 17 Jun 2026 13:56:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">યુએસ ગુપ્તચર એજન્સીઓએ તાજેતરમાં જ તારણ કાઢ્યું છે કે ઈરાન હવે જ્યારે ઈચ્છે ત્યારે હોર્મુઝ સ્ટ્રેટને અસરકારક રીતે બંધ કરી શકે છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">ઈરાનને થયો તેની શક્તિનો અહેસાસ&nbsp;</h2><p style="text-align: justify; ">અમેરિકા અને ઈરાન એક કરાર પર પહોંચ્યા છે, અને શુક્રવારે તેના પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ ફ્રેમવર્ક કરારને સત્તાવાર રીતે મંજૂરી મળે તે પહેલાં જ હોર્મુઝ સ્ટ્રેટ ખુલી ગયો છે. બંને દેશો વચ્ચે પરમાણુ વાટાઘાટો કરારના 60 દિવસની અંદર શરૂ થશે. આનાથી વર્તમાન કટોકટી ટળી ગઈ છે. બીજી બાજુ, આ યુદ્ધ દરમિયાન, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની પોતાની ક્ષમતા દર્શાવી છે. યુએસ ગુપ્તચર એજન્સીઓના મૂલ્યાંકન સૂચવે છે કે ભવિષ્યમાં આવું ફરીથી થઈ શકે છે.</p><h3 style="text-align: justify; ">હોર્મુઝ સ્ટ્રેટ પર વાસ્તવિક નિયંત્રણ&nbsp;</h3><p style="text-align: justify; ">યુએસ ગુપ્તચર મૂલ્યાંકનોથી પરિચિત સૂત્રએ જણાવ્યું હતું કે, અમે હવે ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ પર વાસ્તવિક નિયંત્રણ આપ્યું છે. કોઈપણ પરમાણુ હથિયાર કરતાં વધુ શક્તિશાળી શસ્ત્ર. સૂત્રએ ભાર મૂક્યો હતો કે, આ યુદ્ધે ભવિષ્યમાં આવી પદ્ધતિઓનો ઉપયોગ કરવા અંગે તેહરાનના વિચારને સંપૂર્ણપણે બદલી નાખ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે ફરીથી ખોલવા માટે અમેરિકાએ ઈરાન સાથે લાંબી અને તીવ્ર બેઠકો કરવી પડી હતી.&nbsp;</p><h4 style="text-align: justify; ">ઇરાન સાથે વાત કરાવ અમેરિકાની બેઠકો&nbsp;</h4><p style="text-align: justify; ">આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ઈરાન પાસે હજુ પણ નોંધપાત્ર પ્રભાવ અને દબાણ લાવવાની ક્ષમતા છે. ઈરાન પણ માને છે કે તે ભવિષ્યમાં હોર્મુઝ સ્ટ્રેટનો ઉપયોગ હથિયાર તરીકે કરી શકે છે. આ મુખ્યત્વે ગલ્ફ ક્ષેત્રમાં તેની સતત હાજરીને કારણે છે, જેમાં મિસાઇલો, ડ્રોન, મિસાઇલ લોન્ચર્સ અને સેંકડો નાની હાઇ-સ્પીડ બોટનો મોટો જથ્થો શામેલ છે. અન્ય એક સૂત્રએ જણાવ્યું હતું કે ઇરાને ગલ્ફ દેશોના ઉર્જા માળખા પર પસંદગીયુક્ત હુમલો કરીને પોતાના ફાયદા માટે દબાણનો ઉપયોગ કરવાનું પણ શીખી લીધું છે. તેણે યુદ્ધ દરમિયાન આ અસરકારક રીતે કર્યું હતું, અને હવે તેની પાસે ભવિષ્ય માટે બીજું એક શસ્ત્ર છે.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/india/news/uttarakhand-news-student-who-topped-the-exam-with-967-dies-before-neet-re-exam-serious-questions-raised" target="_blank">96.7% સાથે પરીક્ષામાં ટોચનું સ્થાન મેળવનાર વિદ્યાર્થિનીનું NEETની પુનઃપરીક્ષા પહેલાં મોત, ઉઠ્યા ગંભીર પ્રશ્નો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/qHEw6KHIncBDFQDQEMVK1hZ94oIJNFhxFd2hc5wp.webp'/></item><item><title><![CDATA[Surat News: SMC કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સાયબર ક્રાઇમ ટીમને તપાસ સોંપાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/smc-office-bomb-threat-email-mayor-office</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/smc-office-bomb-threat-email-mayor-office</guid><pubDate>Wed, 17 Jun 2026 13:55:03 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરત મનપાના મેયરની ઓફિસમાં ઓફિશિયલ ઈ-મેલ દ્વારા આખી કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ગર્ભિત ધમકી આપવામાં આવી છે. આ ધમકીભર્યા મેલને પગલે તંત્ર અને સુરક્ષા એજન્સીઓમાં ભારે દોડધામ મચી ગઈ છે અને તાબડતોબ સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે.</p><h2><b>સવારે 11 વાગ્યે આવ્યો ધમકીભર્યો ઈ-મેલ</b></h2><p>ઘટનાની મળતી વિગતો અનુસાર, બુધવારની સવારે બરાબર 11:00 કલાકે સુરત મનપા કચેરીમાં મેયરની ઓફિસના ઈ-મેલ આઈડી પર એક મેસેજ આવ્યો હતો, જેમાં પરિસરમાં બોમ્બ હોવાનો અને તેને ઉડાવી દેવાનો ઉલ્લેખ હતો. આ ગંભીર ઈ-મેલ વંચાતા જ તાત્કાલિક ધોરણે સુરત પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી.</p><h2><b>પોલીસ, SOG અને બોમ્બ સ્ક્વોડનો કાફલો ઘટના સ્થળે</b></h2><p>મેલની ગંભીરતા જોઈને સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. ઘટનાની ગણતરીની મિનિટોમાં જ સુરત પોલીસની ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ સહિતનો મોટો કાફલો SMC કચેરીએ દોડી આવ્યો હતો.</p><h2><b>સમગ્ર પરિસર ખાલી કરાવી સઘન ચેકિંગ શરૂ</b></h2><p>સુરક્ષાના આગોતરા પગલારૂપે પોલીસે તાત્કાલિક આખા SMC પરિસર અને ઓફિસોને ખાલી કરાવી દીધી હતી. કર્મચારીઓ અને મુલાકાતીઓને સુરક્ષિત બહાર કાઢીને કચેરીના ખૂણે-ખૂણામાં સ્નિફર ડોગ્સ અને મેટલ ડિટેક્ટરની મદદથી સઘન સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. હાલમાં પણ પરિસરમાં ચેકિંગની પ્રક્રિયા યુદ્ધના ધોરણે ચાલી રહી છે.</p><p><img title="Bomb Threat Bomb Threat" src="https://epapercdn.sandesh.com/images/2026/06/17/LUOsjhEh9xk1yFb86LEHaSRpKYBCy5bLnOhswe6n.webp" style="width: 100%;"><br></p><h2><b>સાયબર ક્રાઇમ ટીમે તપાસનો દોર સંભાળ્યો</b></h2><p>બીજી તરફ, આ ધમકીભર્યો ઈ-મેલ કોના દ્વારા અને ક્યાંથી મોકલવામાં આવ્યો છે, તેની ભાળ મેળવવા માટે સુરત સાયબર ક્રાઇમની ટીમને તપાસ સોંપી દેવામાં આવી છે. આઈપી એડ્રેસ ટ્રેસ કરીને ધમકી આપનાર અજાણ્યા શખ્સ સુધી પહોંચવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ભયનું વાતાવરણ ન ફેલાય તે માટે પોલીસ ઉચ્ચ અધિકારીઓ પણ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/surat/surat-school-student-attack-udhna-stabbing-case-police-investigation" target="_blank">Surat : ધોરણ-7ના વિદ્યાર્થીએ ધોરણ-6ના માસૂમ પર ઝીંક્યા છરીના ઘા, પોલીસ તપાસ શરૂ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/Js539M1Asft9h3yaElxiCTT5nGBlBpEAllmjvIx7.webp'/></item><item><title><![CDATA[Kutch News: 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, ભચાઉ નજીક કેન્દ્રબિંદુ ]]></title><link>https://sandesh.com/gujarat/news/kutch/bhachau-earthquake-tremor-magnitude-3-2</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/kutch/bhachau-earthquake-tremor-magnitude-3-2</guid><pubDate>Wed, 17 Jun 2026 13:54:12 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતના સરહદી અને ભૂકંપ પ્રત્યે સંવેદનશીલ ગણાતા કચ્છ જિલ્લામાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. બપોરના સમયે અચાનક જ ધરતી ધ્રુજી ઉઠતા સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને કેટલાક વિસ્તારોમાં લોકો સાવચેતીના ભાગરૂપે ઘરો અને ઓફિસોની બહાર દોડી આવ્યા હતા.</p><h2><b>બપોરે 12:39 કલાકે ધ્રુજી ધરા</b></h2><p>ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના જણાવ્યા અનુસાર, કચ્છમાં આ ભૂકંપનો આંચકો આજે બપોરે બરાબર 12:39 કલાકે અનુભવાયો હતો. આંચકો સામાન્ય કરતાં થોડો વધુ તીવ્ર હોવાથી લોકોએ તેને સ્પષ્ટપણે અનુભવ્યો હતો.</p><h2><b>ભચાઉ નજીક કેન્દ્રબિંદુ અને 3.2ની તીવ્રતા</b></h2><p>સિઝમોલોજી વિભાગના આંકડા મુજબ, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 નોંધાઈ છે. જેનું કેન્દ્રબિંદુ કચ્છના ભચાઉ નજીક નોંધાયું છે. કચ્છમાં વારંવાર આવતા નાના-મોટા આંચકાઓને કારણે સ્થાનિકો માટે આ સ્થિતિ નવી નથી, પરંતુ રિક્ટર સ્કેલ પર 3 કરતાં વધુની તીવ્રતા હોવાને લીધે વહીવટી તંત્ર પણ સતર્ક બન્યું છે.</p><h2><b>કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી</b></h2><p>રાહતની વાત એ છે કે, આ ભૂકંપની તીવ્રતા મધ્યમ કક્ષાની હોવાથી જિલ્લામાં ક્યાંયથી પણ કોઈ જાનહાનિ કે મોટા માલસામાનના નુકસાનના અહેવાલો મળ્યા નથી. આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.</p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kutch/lawlessness-in-kutchs-mandvi-video-of-public-fight-on-laija-highway-goes-viral" target="_blank"> Kutchના માંડવીમાં કાયદાના ઊડ્યા લીરેલીરા: લાયજા હાઈવે પર જાહેરમાં મારામારીનો વીડિયો થયો વાયરલ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/ktvnoksBf5DIDzv5M1F1sI3EladdPA4GKlM8WMM5.webp'/></item><item><title><![CDATA[Rajkot News: નારાજગી દૂર કરવા ભાજપનો મોટો દાવ! ગોંડલમાં યોજાયું ખેડૂત સંમેલન, ઉપવાસ મુદ્દે મંત્રીનું મૌન ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/gondal-bjp-farmers-samelan-jitu-vaghani-farmer-protest</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/gondal-bjp-farmers-samelan-jitu-vaghani-farmer-protest</guid><pubDate>Wed, 17 Jun 2026 13:00:56 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે ખેડૂતોની નારાજગી અને સંભવિત આંદોલન સમેટી લેવા માટે ભાજપ દ્વારા એક મોટો રાજકીય દાવ ખેલવામાં આવ્યો છે. ગોંડલના પ્રખ્યાત BAPS અક્ષર મંદિર ખાતે ભાજપ પ્રેરિત એક ભવ્ય 'ખેડૂત સંમેલન'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલન પાછળનો મુખ્ય હેતુ ખેડૂતોમાં ફેલાયેલી નારાજગીને દૂર કરવાનો અને આગામી આંદોલનની ધાર બૂઠી કરવાનો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.&nbsp;</p><h2><b>આવક બમણી કરવા અને પ્રાકૃતિક ખેતી અંગે દાવા</b></h2><p>અક્ષર મંદિર પરિસરમાં યોજાયેલા આ સંમેલનમાં ભાજપના નેતાઓ દ્વારા સરકારની ખેડૂતલક્ષી યોજનાઓની જોરશોરથી રજૂઆત કરવામાં આવી હતી. ખાસ કરીને ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના પ્રયાસો અને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટેના ફાયદાઓ વિશે મોટા-મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા.</p><h2><b>પ્રદેશ નેતાગીરી અને મંત્રીઓની સ્ટેજ પર હાજરી</b></h2><p>આ ખેડૂત સંમેલનમાં ભાજપના ટોચના નેતાઓ અને મંત્રીઓએ ખાસ હાજરી આપી હતી. જેમાં ભાજપ પ્રદેશ અગ્રણી જગદીશ વિશ્વકર્મા, રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી, વિવિધ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સહકારી આગેવાનોની હાજરી વચ્ચે સંગઠનને મજબૂત કરવા અને ખેડૂતોને રિઝવવા માટે મંથન કરવામાં આવ્યું હતું.</p><h2><b>ખેડૂતોના ઉપવાસ મુદ્દે કૃષિ મંત્રીનું મૌન</b></h2><p>આ કાર્યક્રમમાં બધું જ સુમેળભર્યું દેખાડવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ ખેડૂતોની વાસ્તવિક નારાજગી હજુ પણ યથાવત છે. ખેડૂતો દ્વારા 18 જૂનથી જ શરૂ કરવામાં આવી રહેલા ઉપવાસ આંદોલન અંગે જ્યારે મીડિયાએ કૃષિ મંત્રી જીતુ વાઘાણીને સવાલ પૂછ્યો, ત્યારે તેઓ આ મુદ્દે સંપૂર્ણ 'મૌન' સેવી ગયા હતા. મંત્રીશ્ના આ મૌનથી અનેક તર્ક-વિતર્કો શરૂ થયા છે કે, શું ભાજપ ખેડૂતોના આક્રોશને ડામવામાં ખરેખર સફળ રહેશે કે કેમ?</p><p>ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યમાં ખેડૂતોમાં નારાજગી છે. જે કારણે મોટા ખેડૂત આંદોલનના એંધાણ દેખાઈ રહ્યા છે. આવામાં સત્તા પક્ષ દ્વારા ખેડૂતોની નારાજગી દૂર કરવા માટે ખેલાયેલો આ દાવ કેટલો કારગત નીવડશે, એતો આવનારો સમય બતાવશે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/rajkot/nyari-river-pollution-scandal-balaji-wafers-factory-accused-gpcb-role-under-scanner" target="_blank">Rajkot: બાલાજી વેફર ફેક્ટરી દ્વારા ન્યારી નદીમાં દૂષિત પાણી છોડાયાના આક્ષેપ, બચાવમાં ઉતરેલું પ્રદૂષણ બોર્ડ સવાલોના ઘેરામાં</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/Dn3DOu9LQhRxTSMQsdGwPvR0yjSGiODng16KCQpD.webp'/></item><item><title><![CDATA[FIFA વર્લ્ડ કપમાં ઝેરી સાપનો આતંક, માંડ-માંડ બચી જર્મની ટીમ ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/terror-of-poisonous-snakes-in-fifa-world-cup-german-team-barely-survives</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/terror-of-poisonous-snakes-in-fifa-world-cup-german-team-barely-survives</guid><pubDate>Wed, 17 Jun 2026 12:14:21 +05:30</pubDate><description><![CDATA[<p>ફિફા વર્લ્ડ કપ 2026 દરમિયાન એક ચોંકાવનારી અને ડરામણી ઘટના સામે આવી છે. ટૂર્નામેન્ટની વચ્ચે જર્મનીની ફૂટબોલ ટીમની આસપાસ ઝેરી સાપોનો આતંક જોવા મળ્યો છે. હોટેલ અને પ્રેક્ટિસ સેન્ટર નજીક અત્યંત ઝેરી સાપ દેખાવાને કારણે જર્મન ટીમના ખેલાડીઓ અને સ્ટાફ સભ્યોના જીવ તાળવે ચોટયા હતા. જોકે, સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે અને જર્મનીની આખી ટીમ આ ખતરામાંથી આબાદ બચી ગઈ છે.</p><h4><b>જર્મનીની ટીમ સાપનો સામનો&nbsp;</b></h4><p>મીડિયા રિપોર્ટ અનુસાર જર્મન તાલીમ શિબિરમાં દેખાતા સાપ વિશે વાત કરી.તેમણે કહ્યું જર્મનીમાં અમે ફક્ત વિરોધી સામેની વ્યૂહરચના અને અમારી શક્તિ અને નબળાઈઓની ચર્ચા કરીએ છીએ.પરંતુ અહીં આપણે ઘાસ પાછળ છુપાયેલા ભયનું પણ ધ્યાન રાખવું પડશે.જર્મન કેપ્ટને ખુલાસો કર્યો કે તેમણે તાલીમ શિબિરમાં એક સાપ જોયો હતો.તેમને કહેવામાં આવ્યું હતું કે સાપ એટલો ઝેરી હતો કે ડંખ મારવાથી હોસ્પિટલમાં દાખલ થવું પડી શકે છે.જર્મન કેપ્ટનના મતે જો સાપનું ઝેર જીવલેણ ન હોય, તો પણ તે ખતરનાક છે.</p><h4><b>નોર્વે અને સ્વિટ્ઝર્લેન્ડે પણ ચિંતા વ્યક્ત કરી&nbsp;</b></h4><p>જર્મન કેપ્ટન અને તેના સાથી ખેલાડીઓ સાપ સાથેના મુકાબલામાં માંડ માંડ બચી ગયા હતા.જોકે ફિફા વર્લ્ડ કપ 2026 દરમિયાન સાપ વિશે ચિંતા વ્યક્ત કરનારી જર્મની એકમાત્ર ટીમ નથી.નોર્વે અને સ્વિટ્ઝર્લેન્ડ પણ ત્યાં સાપ વિશે ચિંતિત છે.સ્વિસ ટીમને તેમના તાલીમ શિબિરમાંથી બિલકુલ ન નીકળવાની કડક સૂચનાઓ પણ મળી છે,કારણ કે તેમના તાલીમ શિબિરની આસપાસનો વિસ્તાર ઝેરી સાપનું ઘર છે.</p><h5><b>સ્વિસ ટીમને આ ચેતવણી મળી હતી</b></h5><p>સાપના ભયને કારણે, સ્વિસ ટીમને પણ કહેવામાં આવ્યું હતું કે જો બોલ લાત માર્યા પછી તાલીમ શિબિરની બહાર જાય છે, તો ખેલાડીઓએ તેને પાછો ન લેવો જોઈએ. સાપથી સાવધાન રહેવા માટે, તેણે બીજા બોલનો ઉપયોગ કરવો જોઈએ.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-argentina-started-with-a-bang-by-defeating-algeria-3-0" target="_blank">FIFA World Cup 2026 : આર્જેન્ટિનાએ અલ્જેરિયાને 3-0 થી હરાવીને ધમાકેદાર શરૂઆત કરી</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/riB33z6woufYfzTRWgtbMe8Prf7R07scP3GnhGjT.webp'/></item><item><title><![CDATA[વાંચો સવારે 08થી બપોરે 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/read-important-news-from-08-am-to-12-pm-17-june-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/read-important-news-from-08-am-to-12-pm-17-june-2026</guid><pubDate>Wed, 17 Jun 2026 12:05:43 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર&nbsp; &nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/world/news/israel-are-benjamin-netanyahus-bad-days-beginning-america-dealt-4-major-blows-to-israel-in-48-hours" target="_blank">1. Israel: બેન્જામિન નેતન્યાહુના ખરાબ દિવસો શરૂ? અમેરિકાએ 48 કલાકમાં ઇઝરાયેલને આપ્યા 4 મોટા ઝટકા</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/world/news/g7-summit-holding-hands-on-stage-and-having-an-in-depth-discussion-at-the-table-moments-of-pm-modi-and-trumps-conversation-captured-on-camera" target="_blank">2. G7 Summit: સ્ટેજ પર હાથ પકડ્યો અને ટેબલ પર ગહન ચર્ચા, કેમેરામાં કેદ થઈ PM મોદી અને ટ્રમ્પની વાતચીતની ક્ષણો!</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/breakingnews/jamnagar/jamnagar-municipal-corporation-bomb-threat-email-lcb-sog-investigation" target="_blank">3. Jamnagar કોર્પોરેશન બિલ્ડિંગને બોમ્બથી ઉડાવવાનો આવ્યો ઈમેલ</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/cricket/news/women-s-t20-world-cup/women-t20-wc-2026-india-netherlands-clash-today-in-leeds-who-will-win" target="_blank">4. Women T20 WC 2026 : લીડ્સમાં ભારત-નેધરલેન્ડ્સ વચ્ચે આજે ટક્કર, કોણ મારશે બાજી?</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/entertainment/news/fir-against-comedian-praneet-more-and-himanshu-jangda-in-gurugram-what-is-370-biryani-controversy" target="_blank">5. Comedian પ્રણિત મોરે અને હિંમાશું જાંગડા વિરૂદ્ધ ગુરુગ્રામમાં FIR, શું છે 370 બિરયાની વિવાદ</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/ed-action-bjp-mlc-bjp-leader-in-eds-clutchesraids-from-up-to-uttarakhand" target="_blank">6. ED Action BJP MLC: EDના સકંજામાં ભાજપના નેતા..UPથી લઇને ઉત્તરાખંડ સુધી દરોડા</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/maharashtra-politics-disruption-in-shiv-sena-ubt-why-did-7-mps-from-uddhav-faction-become-rebels" target="_blank">7. Maharashtra Politics: શિવસેના UBTમાં ભંગાણ ! ઉદ્ધવ જૂથના 7 સાંસદોએ કેમ બન્યા બળવાખોર ?</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-amc-action-fire-safety-hotels-sealed-thaltej-bodakdev" target="_blank">8. Ahmedabad : થલતેજ અને બોડકદેવની 6 જાણીતી હોટલોમાં ફાયર વિભાગનો સપાટો, બેદરકારી બદલ કરી દીધી સીલ</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/entertainment/news/sanchita-ugale-doctor-conversation-reveals-six-months-depression" target="_blank">9. Sanchita Ugale : 'લોકો મારાથી ડરે છે, મારા બધા પૈસા ખર્ચાઈ ગયા', 6 મહિનાથી ડિપ્રેશનમાં હતી સંચિતા ઉગાલે!</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/jamnagar/jamnagar-jodiya-keshiya-youth-sahil-vaghela-suicide-case" target="_blank">10. Jodiya-Jamnagar : સગાઈ તૂટ્યા બાદ પિતાએ આપ્યો ઠપકો, 22 વર્ષના સાહિલે સબ સ્ટેશનમાં ગળેફાંસો ખાઈ લીધો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/YQtl1iAjLXQYt5CIFiR9Q3PYLSEUcCjRi7szvTFc.webp'/></item><item><title><![CDATA[Jamnagar ઉપરાંત સુરત અને વડોદરા કોર્પોરેશન બિલ્ડિંગને બોમ્બથી ઉડાવવાનો આવ્યો ઈમેલ ]]></title><link>https://sandesh.com/gujarat/breakingnews/jamnagar/jamnagar-municipal-corporation-bomb-threat-email-lcb-sog-investigation</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/breakingnews/jamnagar/jamnagar-municipal-corporation-bomb-threat-email-lcb-sog-investigation</guid><pubDate>Wed, 17 Jun 2026 11:51:47 +05:30</pubDate><description><![CDATA[<div style="text-align: justify; ">જામનગર, વડોદરા અને સુરત શહેરમાંથી આજે એક અત્યંત ચોંકાવનારા અને સરકારી તંત્રની ઊંઘ ઉડાડી દે તેવા સમાચાર સામે આવ્યા છે. જામનગર વડોદરા અને સુરત મહાનગરપાલિકાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની એક અનામી ઈમેલ દ્વારા ધમકી મળતા સમગ્ર સરકારી આલમ અને સ્થાનિક પંથકમાં ભારે દોડધામ અને ફફડાટ વ્યાપી ગયો છે. ઘટનાની ગંભીરતાને જોતાં જ સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ છે.</div><h2 style="text-align: justify; "><b><br></b><b>&nbsp;પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી</b></h2><div>
</div><div style="text-align: justify; "><br></div><div>
</div><div style="text-align: justify; ">મળતી પ્રાથમિક વિગતો અનુસાર, ઈમેલ આઈડી પર એક ધમકીભર્યો મેઈલ આવ્યો હતો, જેમાં મનપાના બિલ્ડિંગમાં બોમ્બ હોવાનો અને તેને બ્લાસ્ટ કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ ચોંકાવનારો ઈમેલ જોતાં જ મનપાના ઉચ્ચ અધિકારીઓના હોશ ઊડી ગયા હતા અને તેમણે તાત્કાલિક ધોરણે&nbsp; પોલીસ કંટ્રોલ રૂમને આ અંગે જાણ કરી હતી.</div><div style="text-align: justify; "><br></div><div>
</div><h3 style="text-align: justify; "><b>બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ  અને ડોગ સ્ક્વોડની મદદ</b></h3><div style="text-align: justify; "><br></div><div>
</div><div style="text-align: justify; ">ધમકીના પગલે&nbsp; પોલીસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ સાથે જ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ  અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી છે. સુરક્ષાના ભાગરૂપે મનપા બિલ્ડિંગના તમામ વિભાગો, પાર્કિંગ એરિયા અને આસપાસના પરિસરમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.&nbsp;</div><div style="text-align: justify; "><br></div><h4 style="text-align: justify; "><b>અફરાતફરીનો માહોલ</b></h4><div style="text-align: justify; "><br></div><div> 
</div><div style="text-align: justify; ">કચેરીમાં હાજર કર્મચારીઓ અને મુલાકાતીઓમાં ક્ષણિક માટે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવીને શાંતિપૂર્વક તપાસ શરૂ રાખી છે. હાલમાં આ ધમકીભર્યો ઈમેલ ક્યાંથી આવ્યો, કોણે મોકલ્યો અને તેનો હેતુ શું હતો તે અંગે સાયબર ક્રાઈમની ટીમ પણ સક્રિય થઈ ગઈ છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.&nbsp;</div><div style="text-align: justify; "><br></div><div style="text-align: justify; ">આ પણ વાંચો---&nbsp; &nbsp; <a href="https://sandesh.com/india/news/sandesh-digital-explainer-india-monsoon-pause-imd-alert" target="_blank"><b>Sandesh Digital Explainer: મેઘરાજા આકાશી ચક્રવ્યૂહમાં ફસાયા..! કેમ અચાનક ગાયબ થઈ ગયા ચોમાસાના વાદળો? જાણો વિન્ડ વોરની ઇનસાઇડ સ્ટોરી</b></a></div><div>
</div><div>
</div><div>
</div><div>
</div><div>
</div><div>
</div><div>
</div><div>
</div> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/17/ucd34vLXBjiWpaTaYQimm1WEfoYtggNtKHvLKiPo.webp'/></item></channel></rss>