<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Sabarkantha News: હિંમતનગર પાલિકાના કોર્પોરેટરે સામાન્ય સભામાં હોબાળા બાદ અમિત શાહને પત્ર લખ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/himatnagar/himmatnagar-bjp-corporator-writes-to-amit-shah-alleging-syndicate-system-in-municipality</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/himatnagar/himmatnagar-bjp-corporator-writes-to-amit-shah-alleging-syndicate-system-in-municipality</guid><pubDate>Thu, 04 Jun 2026 19:08:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હિંમતનગર નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી પ્રથમ સામાન્ય સભામાં વિવિધ કમીટીઓની રચનાની જાહેરાત કરાયા બાદ પાલિકાના એક સિનીયર કોર્પોરેટરે ચાલુ સામાન્ય સભામાં બળાપો કાઢીને મનોવ્યથા ઠાલવી હતી. નારાજ થયેલા આ કોર્પોરેટરે હિંમતનગરમાં ભાજપમાં ચાલતી સિન્ડીકેટ સિસ્ટમ અંગેના આક્ષેપ સાથેની રજૂઆત તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને કરી છે.જેમાં વોર્ડ નં.1,8,11,9ના તથા સંગઠનના હોદેદારો પર કરેલા આક્ષેપો બુધવારે સોશિયલ મીડીયામાં વાયરલ થયા બાદ હિંમતનગર નગરપાલિકામાં ભાજપના રાજકારણમાં ભડકો શરૂ થવાના એંધાણ છે.
</p><h2 style="text-align: justify; "><b>કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહને કરેલી લેખિત રજૂઆત
</b></h2><p style="text-align: justify; ">હિંમતનગર પાલિકામાં સતત ત્રણ ટર્મથી ચૂંટાતા નારાજ કોર્પોરેટર ગોવિંદસિંહ રાઠોડે કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહને કરેલી લેખિત રજૂઆતમાં એવા આક્ષેપ કર્યા છે કે,તાજેતરમાં નગરપાલિકાની ચૂંટણીમાં જે ટીકીટો આપવામાં આવી હતી તેમાં વર્ષ 2022માં કોંગ્રેસમાંથી ધારાસભ્યની સાથે આવેલા કોંગ્રેસીઓને ટીકીટ અપાઈ છે. વોર્ડ નં.1માં ચૂંટાયેલા ગોપાલસિંહ રાઠોડ આજીવન કોંગ્રેસના કાર્યકર હતા અને હવે તેમને નગરપાલિકાના ઉપપ્રમુખ બનાવી દેવાયા છે.તેજ પ્રમાણે તેજલબેન રાવલના સસરા કોંગ્રેસમાંથી આવ્યા છે. તેઓ પ્રાથમિક સભ્ય પણ નથી.વોર્ડ નં.8માં ચૂંટાયેલા ધર્મરાજસિંહ દેવડાના પિતા કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા બાદ ધર્મરાજસિંહને ભાજપે ટીકીટ આપી છે.વોર્ડ નં.11માં ભાનુભાઈ પટેલ સાબરકાંઠા જિલ્લા પ્રમુખના ગામના છે.હિંમતનગરમાં બે વર્ષથી રહેવા આવ્યા પછી સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ સીધા કોર્પોરેટર બની ગયા છે.
</p><h3 style="text-align: justify; "><b>પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં પુરાવા સાથે રજૂઆત
</b></h3><p style="text-align: justify; ">ટીપી ચેરમેન ગોપાલ પ્રજાપતિ ઉપર ચેક રિર્ટનની અનેક ફરિયાદો થઈ છે.ટીકીટ વહેંચણી વખતે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં પુરાવા સાથે રજૂઆત કરાઈ હોવા છતાં જિલ્લા સેંગઠનના મહામંત્રી બિપીન ઓઝાએ ગોપાલ પ્રજાપતિની તરફેણ કરી હોવાનો રજૂઆતમાં આક્ષેપ કરાયો છે.વોર્ડ નં.6માં ચૂંટાયેલા અને બિલ્ડર હિતેશ પટેલ ભાજપના કાર્યકર કે પ્રાથમિક સભ્ય નથી.છતાં તેમને સંગઠનના આ પદાધિકારીએ ટીકીટ અપાવી હોવાનું શહેરમાં ચર્ચાઈ રહ્યું છે.નગરપાલિકામાં ચૂંટાયેલા જતિન કહાર તેમના પિતાના અવસાન બાદ ભાજપના કોઇ કાર્યક્રમમાં આવ્યા નથી છતાં તેમને ટીકીટ મળી છે.વોર્ડ નં.9માં દિનેશ પરમાર અને જિલ્લા સંગઠનના એક પદાપિકારી વ્યવસાયમાં ભાગીદાર હોવાને નાતે કોર્પોરેટરની ટીકીટ મળી છે.રૂચી શાહને પણ સંબધી હોવાને નાતે ટીકીટ મળી હતી.તેવું જ ભૂમિબેન મહેતા, દર્શનાબેન પંચાલ, વૈદેહી સોનીને પણ આ પદાધિકારીએ વગ વાપરીને કોર્પોરેટરની ટીકીટ અપાવી વિજયી બનાવવા માટે અથાગ પ્રયાસ કર્યા હતા
</p><h2 style="text-align: justify; "><b>તાલુકામાથી એકપણ કાર્યકરને મહત્વનો હોદ્દો અપાયો નથી
</b></h2><p style="text-align: justify; ">ગોવિંદસિંહ રાઠોડે એવો પણ આક્ષેપ કર્યો છે કે, દક્ષાબેન રાઠોડ પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાના મિત્રના બહેન છે.તેઓ ગાંધીનગર રહે છે.તેમને પણ ટીકીટ મળી, હિરવાબેન સાધુને પણ ટીકીટ મળી હતી.આમ ભાજપના પાયાના કાર્યકરોને સાઇડલાઇન કરી દેવાયા છે અને મુળ કોંગ્રેસીઓને ટીકીટ અપાઈ છે જેના લીધે હિંમતનગરમાં કોંગ્રેસ મુક્ત ભારત બનાવવા નિકળેલ રાજકારણીઓ ભાજપને કોગ્રેસ યુકત ભાજપ બનાવી રહ્યા છે.હિંમતનગર તાલુકામાં અને શહેરમાં ઠાકોર સમાજની સૌથી વધુ વસ્તી હોવા છતાં તાલુકામાથી એકપણ કાર્યકરને મહત્વનો હોદ્દો અપાયો નથી.<br><br><a href="https://sandesh.com/gujarat/breakingnews/-political-news/gandhinagar/bjp-announces-four-candidates-for-rajya-sabha-election-2026" target="_blank">આ પણ વાંચોઃ Gujarat News: ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે ગુજરાતમાંથી ચાર ઉમેદવારો જાહેર કર્યા</a></p><p style="text-align: justify; "><br></p><p>
</p><p> 
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/04/GBRpYoW9YtuK2maG12DslO5B6pTNDnipcw8erPm8.webp'/></item><item><title><![CDATA[Surat News: વેસુમાં શોપિંગ સેન્ટરની લિફ્ટમાં રૂ. 17,500ની લૂંટ, CCTVના આધારે શાતિર લૂંટારુ ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-news-rs-17500-looted-in-lift-of-shopping-centre-in-vesu-cunning-robber-caught-on-cctv</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-news-rs-17500-looted-in-lift-of-shopping-centre-in-vesu-cunning-robber-caught-on-cctv</guid><pubDate>Thu, 04 Jun 2026 18:50:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરના પોશ ગણાતા વેસુ વિસ્તારમાંથી લૂંટની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આવેલા એક જાણીતા શોપિંગ સેન્ટરની લિફ્ટમાં અજાણ્યા શખ્સોએ એક વ્યક્તિને આંતરીને લૂંટ ચલાવી હતી. જોકે, ઘટનાની જાણ થતાં જ એક્શનમાં આવેલી વેસુ પોલીસે સીસીટીવી (CCTV) ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપીને દબોચી લીધો છે, જ્યારે તેના અન્ય બે સાગરીતો નાસી છૂટવામાં સફળ રહ્યા છે.</p><h2 style="text-align: justify; ">લિફ્ટમાં એક વ્યક્તિને આંતરીને ચલાવી લૂંટ&nbsp;</h2><p style="text-align: justify; ">વેસુ વિસ્તારમાં આવેલા 'મની આર્કેડ શોપિંગ સેન્ટર'ની લિફ્ટમાં આ લૂંટનો બનાવ બન્યો હતો. ત્રણ લૂંટારુઓની ટોળકીએ લિફ્ટની અંદર એક વ્યક્તિને એકલતાનો લાભ લઈને આંતર્યો હતો. લૂંટારુઓએ તેને ડરાવી-ધમકાવીને તેની પાસેથી રોકડા રૂપિયા તેમજ ઓનલાઇન ટ્રાન્સફર કરાવીને કુલ રૂ. 17,500ની મતા લૂંટી લીધી હતી અને ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા. ભોગ બનનારે આ અંગે તાત્કાલિક વેસુ પોલીસ મથકનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી.
</p><h3 style="text-align: justify; ">અન્ય બે ફરાર આરોપીઓની શોધખોળ તેજ
</h3><p style="text-align: justify; ">લૂંટની ગંભીર ઘટનાને પગલે વેસુ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે શોપિંગ સેન્ટરના સીસીટીવી ફૂટેજ ચકાસતા લૂંટારુઓની ઓળખ મળી ગઈ હતી. ફૂટેજના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી મુખ્ય આરોપી અજય લાખાણેની ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલો આરોપી અજય અગાઉ પણ અનેક ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે.&nbsp;</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/04/LdxTgpnb6UEbZqgiIi8FyxG4RtW5un4tj4mhuRG2.webp'/></item><item><title><![CDATA[Navsari News: પાપી પિતાએ સગી દીકરીને ત્રણ દિવસ સુધી પીંખી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/navsari/navsari-news-sinful-father-beat-his-biological-daughter</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/navsari/navsari-news-sinful-father-beat-his-biological-daughter</guid><pubDate>Thu, 04 Jun 2026 18:29:45 +05:30</pubDate><description><![CDATA[<p>નવસારી જિલ્લામાંથી માનવતા અને પવિત્ર સંબંધોને લજવતો એક અત્યંત ઘૃણાસ્પદ અને કાળજા કંપાવતો કિસ્સો સામે આવ્યો છે. જે પિતાના સાયડામાં દીકરી સુરક્ષિત અનુભવતી હોય છે, તે જ પિતા રાક્ષસ બન્યો હોવાની શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. નવસારીમાં એક નરાધમ પિતાએ પોતાની જ 14 વર્ષની સગીર દીકરી પર સતત ત્રણ દિવસ સુધી બળાત્કાર ગુજાર્યો હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે. આ મામલે પીડિતાની માતાએ હિંમત દાખવી નરાધમ પતિ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.</p><h2><b>સગીરા પોતાની માતા આગળ રડી પડી
</b></h2><p>ઘટનાની મળતી વિગતો અનુસાર, પાપી પિતાની હવસનો ભોગ બનેલી 14 વર્ષીય માસૂમ સગીરા આ અસહ્ય અત્યાચારથી અંદરથી તૂટી ગઈ હતી. આખરે નરાધમ પિતાની હેવાનિયત સામે સગીરા પોતાની માતા આગળ રડી પડી હતી અને આખી આપવીતી જણાવી દીધી હતી. દીકરીના મોઢે સગા પિતાના જ આ કાળા કરતૂતો સાંભળીને માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. માતાએ સહેજ પણ મોડું કર્યા વિના તાત્કાલિક પોલીસ મથકે પહોંચીને પોતાના જ પતિ વિરૂદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.
</p><h2><b>ફાંસીની સજાની માગ
</b></h2><p>પોલીસ મથકે ગુનો નોંધાતા જ લંપટ અને નરાધમ પિતા ધરપકડના ડરથી ભાગી છૂટ્યો હતો અને ફરાર થઈ ગયો હતો. જોકે, ઘટનાની ગંભીરતાને જોતાં નવસારી પોલીસ તુરંત એક્શનમાં આવી હતી. પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ગણતરીના કલાકોમાં જ નરાધમ પિતાને ઝડપી લીધો હતો. પોલીસે સગીરાને પીંખી નાખનાર પાપી પિતા વિરૂદ્ધ પોક્સો (POCSO) સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. બીજી તરફ, માસૂમ દીકરીને ન્યાય અપાવવા માટે સગીરાની માતાએ નરાધમ પતિને કડક સજા થાય અને કોર્ટ તેને ફાંસીની સજા ફટકારે તેવી ઉગ્ર માગ કરી છે.
</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/weather/navsari/heavy-rain-lashes-navsari-gandevi-bilimora-chikhli-mango-crop-at-risk-power-cut" target="_blank">Navsari: દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં પ્રસરી ઠંડક, ગરમીથી રાહત</a>
</p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/04/TtFODUCOq7ZtvUBrVuiTOci1au68CGN8tLdR70fc.webp'/></item><item><title><![CDATA[Auto News: દેશની પ્રથમ ફ્લેક્સ-ફ્યુઅલ પેસેન્જર કાર થઈ લોન્ચ, ઈકો-ફ્રેન્ડલી વાહનોનો નવો યુગ! ]]></title><link>https://sandesh.com/business/news/automobile/auto-news-the-countrys-first-flex-fuel-passenger-car-launched-a-new-era-of-eco-friendly-vehicles</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/auto-news-the-countrys-first-flex-fuel-passenger-car-launched-a-new-era-of-eco-friendly-vehicles</guid><pubDate>Thu, 04 Jun 2026 18:16:24 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મારૂતિ સુઝુકીએ ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં એક નવો ઈતિહાસ રચતા પોતાની લોકપ્રિય હેચબેક કાર વેગનઆરને ફ્લેક્સ-ફ્યુઅલ (WagonR FFV) અવતારમાં રજૂ કરી છે. આ દેશની પ્રથમ એવી પેસેન્જર કાર છે જે 20 ટકાથી લઈને 85 ટકા (E20 થી E85) સુધીના ઈથેનોલ મિશ્રણવાળા બળતણ પર સરળતાથી ચાલી શકે છે. ભવિષ્યમાં આ કાર 100 ટકા ઈથેનોલ પર ચાલવા માટે પણ સક્ષમ બની રહેશે. દેખાવ અને ડિઝાઇનની દ્રષ્ટિએ તે વર્તમાન મોડલ જેવી જ છે, પરંતુ તેના એન્જિનને અંદરથી સંપૂર્ણપણે અપગ્રેડ કરવામાં આવ્યું છે જેથી તે ઈથેનોલ ઈંધણને સહન કરી શકે.</p><h2 style="text-align: justify; ">પ્રદૂષણમાં ઘટાડો અને ગ્રીન વ્હીકલ્સ પર ભાર
</h2><p style="text-align: justify; ">આ લોન્ચિંગ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો આવવાથી દેશમાં વાયુ પ્રદૂષણમાં મોટો ઘટાડો થશે. પ્રદૂષણ ફેલાવતા જૂના વાહનોને હટાવવા માટે સરકાર વ્હીકલ સ્ક્રેપેજ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવી રહી છે. મારૂતિ સુઝુકીના પાર્થો બેનર્જીએ માહિતી આપી હતી કે ગયા નાણાકીય વર્ષમાં દેશમાં વેચાયેલા કુલ ગ્રીન વાહનોમાં લગભગ 50 ટકા હિસ્સો એકલી મારૂતિ સુઝુકી કંપનીનો રહ્યો છે, જે તેમની પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
</p><h3 style="text-align: justify; ">જૂની કારોને ફ્લેક્સ-ફ્યુઅલમાં બદલવાની અપીલ
</h3><p style="text-align: justify; ">કાર્યક્રમ દરમિયાન નીતિન ગડકરીએ મારૂતિ સુઝુકી અને હીરો મોટોકોર્પ જેવી દિગ્ગજ કંપનીઓને એક ખાસ વિનંતી કરી હતી. તેમણે કંપનીઓને એવી ટેક્નોલોજી વિકસાવવા અપીલ કરી જેનાથી રસ્તા પર દોડતી કરોડો જૂની ગાડીઓને પણ ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોમાં રૂપાંતરિત કરી શકાય અને તેમને યુરો 6 (Euro 6) એમિશન નોર્મ્સને અનુરૂપ બનાવી શકાય. જો આ ટેક્નોલોજી સફળ થશે, તો દેશમાં જૂના વાહનોથી થતા પ્રદૂષણને એક ઝાટકે નિયંત્રિત કરી શકાશે.
</p><h4 style="text-align: justify; ">ડીઝલમાં બ્લેન્ડિંગ અને હવાઈ ઈંધણ માટે રૂ.10,000 કરોડનું ફંડ
</h4><p style="text-align: justify; ">ભવિષ્યના ઈંધણને લઈને કેન્દ્રીય મંત્રીએ વધુ બે મોટી જાહેરાતો કરી હતી. તેમણે જણાવ્યું કે સરકાર ડીઝલના વિકલ્પ તરીકે તેમાં 15 ટકા આઇસોબ્યુટેનોલ (Isobutanol) બ્લેન્ડ કરવાની યોજના પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. આ ઉપરાંત, સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ (SAF) એટલે કે વિમાન માટેના પર્યાવરણ-અનુકૂળ બળતણને પ્રોત્સાહન આપવા માટે સરકારે રૂ.10,000 કરોડનું માતબર ફંડ ફાળવ્યું છે, અને આ હવાઈ ઈંધણ રૂ.115 પ્રતિ લીટરના દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/automobile" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/04/0ybeREca4cN9iVlmv4N3lVmyPwFxW1ntbTQJxk6z.webp'/></item><item><title><![CDATA[વાંચો બપોરે 03થી સાંજે 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/read-important-news-from-03-pm-to-06-pm-04-june-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/read-important-news-from-03-pm-to-06-pm-04-june-2026</guid><pubDate>Thu, 04 Jun 2026 17:57:05 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર</b></p><p>
</p><p><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/patan/patan-municipality-accused-of-constructing-20-lakh-road-on-private-land" target="_blank"><b>1. Patan News: નગરપાલિકાએ ખાનગી માલિકીની જમીન પર 20 લાખના ખર્ચે રોડ બનાવી દીધો</b></a></p><p><a href="https://sandesh.com/india/news/stock-market-closing-stock-market-closed-with-marginal-increase-sensex-at-74360-points" target="_blank"><b>2. Stock Market Closing: નજીવા વધારા સાથે શેરબજાર બંધ, સેન્સેક્સ 74,360 અંકે</b></a></p><p><a href="https://sandesh.com/entertainment/news/hina-khan-slams-shilpa-shinde-calls-bhabhi-ji-ghar-par-hai-producer-real-victim" target="_blank"><b>3. Shilpa Shindeના જુઠ્ઠાણા પર લાલઘૂમ થઈ હિના ખાન, કહ્યું-શરમ આવવી જોઈએ...!</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/massive-sinkhole-opens-near-pm-modis-event-venue" target="_blank"><b>4. Surat news: શહેરમાં PM મોદીના કાર્યક્રમ સ્થળ નજીક ભુવો પડયો, યુદ્ધના ધોરણે ભુવો પૂરવાની કામગીરી શરૂ કરાઈ</b></a></p><p><a href="https://sandesh.com/knowledge/news/india/indian-gold-buyers-to-whom-does-india-sell-gold-know-who-is-the-buyer-amidst-rbis-claims" target="_blank"><b>5. Indian Gold Buyers: ભારત કોને વેચે છે સોનું, RBIના દાવાઓ વચ્ચે જાણો કોણ છે ખરીદદાર?</b></a></p><p><a href="https://sandesh.com/cricket/news/mohammed-siraj-fit-india-vs-afghanistan-test" target="_blank"><b>6. Team India માટે સારા સમાચાર, મોહમ્મદ સિરાજ અફઘાનિસ્તાન સામે રમવા માટે ફિટ</b></a></p><p><a href="https://sandesh.com/india/news/bjp-k-annamalai-will-leave-bjp-in-tamil-nadu-may-announce-new-party-on-june-5" target="_blank"><b>7. BJP:તામિલનાડુમાં ભાજપનો સાથ છોડશે કે. અન્નામલાઈ, 5 જૂને નવી પાર્ટીની કરી શકે છે જાહેરાત!</b></a></p><p><a href="https://sandesh.com/india/news/modi-government-12-years-celebration-bjp-master-plan-campaign" target="_blank"><b>8.Modi Governmentના 12 વર્ષ આગામી અઠવાડિયે થશે પૂર્ણ, જાણો શું છે સેબિબ્રેશનનો માસ્ટર પ્લાન</b></a></p><p><a href="https://sandesh.com/india/news/irctc-food-now-ai-is-used-in-train-food-irctc-in-action-to-maintain-cleanliness-and-quality" target="_blank"><b>9. IRCTC Food: ટ્રેનના ભોજનમાં હવે AIનો પહેરો..સ્વચ્છ અને ગુણવત્તા જાળવવા IRCTC એક્શનમાં</b></a></p><p><a href="https://sandesh.com/india/news/muzaffarpur-hospital-fire-95-year-old-grandmother-becomes-messiah-saves-lives-of-many-patients-by-removing-her-oxygen-mask" target="_blank"><b>10. Muzaffarpur Hospital Fire: 95 વર્ષના દાદી બન્યા 'મસીહા', પોતાનો ઓક્સિજન માસ્ક હટાવી બચાવ્યા અનેક દર્દીના જીવ</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/05/30/ci0PwfUyHcao4H4ziwpdhMLnO6QMfKyI3jwCPvfh.webp'/></item><item><title><![CDATA[Muzaffarpur Hospital Fire: 95 વર્ષના દાદી બન્યા 'મસીહા', પોતાનો ઓક્સિજન માસ્ક હટાવી બચાવ્યા અનેક દર્દીના જીવ ]]></title><link>https://sandesh.com/india/news/muzaffarpur-hospital-fire-95-year-old-grandmother-becomes-messiah-saves-lives-of-many-patients-by-removing-her-oxygen-mask</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/muzaffarpur-hospital-fire-95-year-old-grandmother-becomes-messiah-saves-lives-of-many-patients-by-removing-her-oxygen-mask</guid><pubDate>Thu, 04 Jun 2026 17:51:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આગની ઘટના બાદ, ICUમાં દાખલ દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.
</p><h2 style="text-align: justify; ">ICU બેડ અને સાધનો બળીને ખાખ 
</h2><p style="text-align: justify; ">ICU બેડ, સાધનો અને અન્ય વસ્તુઓ આગમાં બળીને રાખ થયા હતા. જો 95 વર્ષીય મહિલાને સમયસર જાણ ન કરવામાં આવી હોત તો હોસ્પિટલના આઈસીયુમાં લાગેલી આગના કારણે ઘણા વધુ દર્દીઓના મોત થઈ શક્યા હોત. આ 95 વર્ષીય મહિલાને એ જ આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં આગ લાગી હતી. આઈસીયુમાં ધુમાડો ફેલાતા જ દાદીએ પોતાનો ઓક્સિજન માસ્ક કાઢ્યો અને તરત જ તેઓ બહાર નિકળ્યા હતા. ત્યારબાદ તેણે નર્સને આઈસીયુમાં લાગેલી આગ વિશે જાણ કરી હતી. 
</p><h3 style="text-align: justify; ">દાદીના કારણે બચ્યા અનેક જીવ 
</h3><p style="text-align: justify; ">આ 95 વર્ષીય મહિલા મુઝફ્ફરપુરના છાપરા મેઘની રહેવાસી છે. તેનું નામ રાધા દેવી છે. તેના પરિવારના સભ્યોએ જણાવ્યું કે, તેણીને હાઈ બ્લડ પ્રેશર અને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. રાધાએ સ્થાનિક ભોજપુરી બોલીમાં સમજાવ્યું કે આગ લાગી ત્યારે અંધારું થઈ ગયું હતું. હું તમને કેવી રીતે કહી શકું કે આગ કેવી રીતે લાગી? ધુમાડો ફેલાતો જોઈને, અમે બહાર ગયા અને નર્સને જાણ કરી, જે પછી તે જોવા માટે અંદર ગઈ હતી. 
</p><h4 style="text-align: justify; ">આગ પર મેળવાયો કાબૂ 
</h4><p style="text-align: justify; ">ત્યાં હાજર લોકોએ જણાવ્યું કે જો રાધા દેવીએ સમયસર નર્સને જાણ ન કરી હોત તો જાનહાનિનો આંકડો વધી શક્યો હોત. રાધા દેવીની સાથે આવેલા પરિવારના સભ્યોએ સવારે 3:30 વાગ્યાની આસપાસ આગની જાણ કરી. તેમણે લોકોને ધુમાડો ફેલાતો હોવાની માહિતી આપી. ત્યારબાદ, 3:55 વાગ્યે ફાયર વિભાગને જાણ કરવામાં આવી. મુઝફ્ફરપુરના સબ-ડિવિઝનલ ફાયર ઓફિસર રામનિવાસ પાંડેએ જણાવ્યું કે તેમને 3:55 વાગ્યે આગ લાગવાની માહિતી મળી. ત્યારબાદ, તેઓ તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા. આગ પર કાબુ મેળવ્યો હતો. 
</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/lifestyle/news/health-fitness/exercise-and-fertility-excessive-exercise-can-rob-you-of-the-joy-of-parenthood" target="_blank">વધુ પડતી કસરતથી છીનવાઈ શકે છે માતા-પિતા બનવાનું સુખ</a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/04/etdwxlb2pTg8RCsyCTS98F6vK64ad1B3LU19Rrmy.webp'/></item><item><title><![CDATA[IRCTC Food: ટ્રેનના ભોજનમાં હવે AIનો પહેરો..સ્વચ્છ અને ગુણવત્તા જાળવવા IRCTC એક્શનમાં ]]></title><link>https://sandesh.com/india/news/irctc-food-now-ai-is-used-in-train-food-irctc-in-action-to-maintain-cleanliness-and-quality</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/irctc-food-now-ai-is-used-in-train-food-irctc-in-action-to-maintain-cleanliness-and-quality</guid><pubDate>Thu, 04 Jun 2026 17:37:44 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય રેલ્વે (Indian Railways) મુસાફરોની સુવિધા અને સ્વાસ્થ્યને લઈને સતત હાઈટેક બની રહી છે. ટ્રેનો અને સ્ટેશનો પર મળતા ખોરાકની ગુણવત્તા (Food Quality) સુધારવા માટે IRCTC એ એક મોટું પગલું ભર્યું છે. હવે દેશભરના રેલ્વે કિચન પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) કેમેરા દ્વારા ચોવીસેય કલાક (24x7) કડક નજર રાખવામાં આવી રહી છે.</p><p><br></p><h2><b>ભોજનમાંથી ગુણવત્તા જળવાશે&nbsp;</b></h2><p>
</p><p>ટ્રેનમાં મુસાફરી દરમિયાન ખાવા-પીવાની ચિંતા કરતા મુસાફરો માટે ખૂબ જ સારા સમાચાર છે. IRCTC એ રેલ્વેના બેઝ કિચનમાં ભોજન બનાવવાની પ્રક્રિયાની 'રાઉન્ડ ધ ક્લોક' (ચોવીસ કલાક) દેખરેખ રાખવા માટે એઆઈ-આધારિત મોનિટરિંગ સિસ્ટમ (AI Monitoring System)*લાગુ કરી છે. આ હાઈટેક સિસ્ટમથી ભોજનની સ્વચ્છતા અને ગુણવત્તા પહેલા કરતા ઘણી બહેતર બનશે. એટલે હવે ટ્રેનના ભોજનમાંથી જીવાત નીકળવાના કિસ્સા નહી બને.&nbsp;</p><p><br></p><h2><b>800થી વધુ કિચન પર 2,394 કેમેરાનો ચોકી પહેરો
</b></h2><p>દેશભરમાં આવેલા IRCTC ના 800 થી વધુ મોટા રસોડા (Base Kitchens) પર હાલમાં **2,394 એઆઈ-આધારિત કેમેરા** ગોઠવવામાં આવ્યા છે. આ તમામ કેમેરાનું લાઇવ કનેક્શન દિલ્હીમાં આવેલા સેન્ટ્રલ વોર રૂમ (Central War Room) સાથે છે, જ્યાંથી આખા દેશના રેલ્વે કિચનનું મોનિટરિંગ થાય છે.
</p><h4><b>&nbsp;AI સિસ્ટમ કઈ 9 પ્રકારની ભૂલો પકડી પાડે છે?</b></h4><p>આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ એટલી એડવાન્સ છે કે તે રસોડામાં થતી નાની-નાની ગેરરીતિઓ પણ તુરંત પકડી પાડે છે:
</p><p>1. રસોડામાં અસ્વચ્છતા કે ગંદકી હોવી.
</p><p>2. રસોઈયા (શેફ) દ્વારા માથા પર હેયરનેટ (Hairnet) ન પહેરવું.
</p><p>3. હાથમાં પારદર્શક ગ્લોવ્ઝ (Gloves) ન પહેરવા.
</p><p>4. સમયસર સફાઈ કે પોતું ન થવું.
</p><p>5. રસોડામાં ઉંદર, માખી કે વંદા (Cockroaches) ની હાજરી હોવી.
</p><p>(આ સિવાય અન્ય સુરક્ષા અને હાઈજીન સંબંધિત પ્રોટોકોલનું ઉલ્લંઘન પણ આ કેમેરા પકડી પાડે છે).</p><h4><b>&nbsp;આ હાઈટેક સિસ્ટમ કેવી રીતે કામ કરે છે?</b></h4><p>IRCTC એ આ વ્યવસ્થા આશરે અઢી વર્ષ પહેલા શરૂ કરી હતી, જેને હવે વધુ વ્યાપક અને કડક બનાવવામાં આવી છે.
</p><p>રેલ્વેના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, કેમેરાની પાછળ કામ કરતી AI ટેક્નોલોજી એટલી પાવરફુલ છે કે તે 7-8 મિલીમીટર જેટલા નાના જીવડાં કે કીડા ને પણ સ્ક્રીન પર પકડી પાડે છે.
</p><p>રસોડામાં કોઈ પણ નિયમનું ઉલ્લંઘન થતાં જ સિસ્ટમ આપોઆપ સંબંધિત કિચન મેનેજરના મોબાઈલ પર એલર્ટ મેસેજ મોકલે છે. જો નિયત સમયમાં સુધારો કરવામાં ન આવે, તો મામલો સિનિયર ઓથોરિટી પાસે જાય છે અને સામાન્ય રીતે 2 કલાકની અંદર જ જવાબદાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે.
</p><p>સૌથી વધુ ઉલ્લંઘન ક્યાં નોંધાયા?</p><p>અધિકારીઓએ જણાવ્યું કે કિચનમાં સૌથી સામાન્ય ભૂલ ખાવાનું બનાવતી વખતે માથા પર હેરનેટ ન પહેરવાની જોવા મળે છે.
</p><p>&nbsp;આ સિસ્ટમ દ્વારા દેશભરમાંથી રોજ સરેરાશ 350 એલર્ટ જનરેટ થાય છે.
</p><p>&nbsp;છેલ્લા એક મહિનામાં કુલ 13,550 એલર્ટ મળ્યા છે, જેમાં દેશના અલગ-અલગ ઝોનની સ્થિતિ નીચે મુજબ છે:
</p><p><br></p><table class="table table-bordered"><tbody><tr><td><b>રેલ્વે ઝોન (વિસ્તાર)</b></td><td><b>મળેલા કુલ એલર્ટ (છેલ્લા 1 મહિનામાં)</b></td></tr><tr><td>ઉત્તર ઝોન (Northern Region)</td><td>4,123 (સૌથી વધુ)&nbsp;</td></tr><tr><td>પૂર્વ ઝોન (Eastern Region)</td><td>&nbsp;3,205&nbsp;</td></tr><tr><td>પશ્ચિમ ઝોન (Western Region)&nbsp;</td><td>2,687&nbsp;</td></tr><tr><td>દક્ષિણ-મધ્ય ઝોન (South Central)&nbsp;</td><td>2,226&nbsp;</td></tr><tr><td>દક્ષિણ ઝોન (Southern Region)|&nbsp;</td><td>1,309&nbsp;</td></tr></tbody></table><p>IRCTC ની આ ડિજિટલ ક્રાંતિથી હવે ટ્રેનના પેન્ટ્રી કાર અને સ્ટેશનો પર મુસાફરોને શુદ્ધ, તાજું અને હાઈજીનિક ભોજન મળશે તે નક્કી છે.</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/04/83pwALE2WEsnlC2i8RI0SkQuSiRjCTP9bFv0O0m8.webp'/></item><item><title><![CDATA[FLOP કરિયર છતાં પણ લક્ઝરી લાઈફ જીવે છે 48 વર્ષની આ હસીના! ]]></title><link>https://sandesh.com/entertainment/news/tanishaa-mukerji-luxury-lifestyle-income-kajol-sister-net-worth</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/tanishaa-mukerji-luxury-lifestyle-income-kajol-sister-net-worth</guid><pubDate>Thu, 04 Jun 2026 17:36:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હિન્દી સિનેમાની ઘણી એવી અભિનેત્રીઓ છે, જેમણે એક્ટિંગમાં કદમ તો રાખ્યા, પરંતુ તેમને તે સક્સેસ ન મળી શકી, જેની તેઓ હકદાર હતી. આજે અમે તમને તે એક્ટ્રેસ વિશે જણાવી રહ્યા છીએ, જેનું કરિયર ફ્લોપ રહ્યું, પરંતુ તેમ છતાં તેઓ ખૂબ જ લક્ઝરી લાઇફ જીવે છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>કાજોલની બહેન તનિષા મુખર્જી
</b></h2><p style="text-align: justify; ">અમે જેમના વિશે વાત કરી રહ્યા છીએ, તેઓ કોઈ અન્ય નહીં પરંતુ પોપ્યુલર બોલીવુડ એક્ટ્રેસ કાજોલની બહેન તનિષા મુખર્જી છે. તનિષા મુખર્જીએ હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ તેમને સફળતા મળી શકી નહીં. તનિષાની વાત કરીએ તો તે બોલીવુડ એક્ટ્રેસ તનુજાની પુત્રી છે, જે ફ્લોપ કરિયર પછી પણ લક્ઝરી લાઇફ જીવે છે.
</p><h3 style="text-align: justify; "><b>જીવે છે લક્ઝરી લાઇફસ્ટાઇલ
</b></h3><p style="text-align: justify; ">તનિષાએ માત્ર ફિલ્મો જ નહીં પરંતુ ઘણા શોઝમાં પણ કામ કર્યું છે. જો તેની લક્ઝરી લાઇફસ્ટાઇલની વાત કરીએ તો તાજેતરમાં તનિષાએ ફરાહ ખાનની યુટ્યુબ ચેનલ પર પોતાના ઘરનું ટૂર કરાવ્યું છે. આ દરમિયાન એક્ટ્રેસે જણાવ્યું છે કે આ મોટું ઘર ખરીદવામાં તેની બહેન કાજોલે તેની મદદ કરી છે.
</p><h3 style="text-align: justify; "><b>એક્ટ્રેસ તનુજાની પુત્રી છે તનિષા
</b></h3><p style="text-align: justify; ">આ દરમિયાન તનિષાએ જણાવ્યું કે કાજોલે જ ઘર ખરીદ્યું છે અને તે આજે પણ ચેક બુક સાઇન કરે છે. આ ઘર માટે કાજોલે જ પૈસા આપ્યા છે. તનિષા બોલીવુડ એક્ટ્રેસ તનુજાની પુત્રી છે, તો સ્વાભાવિક છે કે એક્ટ્રેસ પાસે કોઈ વસ્તુની કોઈ કમી નહીં હોય અને તેની બહેન પણ હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી છે.
<br><img title="Tanishaa Mukerji luxury lifestyle income sources (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/06/04/d0A14Y0fzkbSISHDZUiXL0G3RCnsBUztWUEWxhbR.webp"><br></p><h5 style="text-align: justify; "><b>2003માં કરિયરની શરૂઆત
</b></h5><p style="text-align: justify; ">જો તનિષાના કરિયરની વાત કરીએ તો વર્ષ 2003માં તેણે પોતાના બોલીવુડ કરિયરની શરૂઆત કરી હતી. તનિષાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ લોકોએ તેને ખાસ મહત્વ ન આપ્યું અને તે કોઈ ખાસ નામ કમાઈ શકી નહીં. તનિષાની મોટાભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી. એટલું જ નહીં પરંતુ તનિષાએ લગ્ન પણ કર્યા નથી અને તે સિંગલ લાઇફ એન્જોય કરી રહી છે.
</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/anushka-sharma-trolled-on-social-media-for-supporting-homeopathy-controversy" target="_blank">આ પણ વાંચો-Bollywood Celebrity : અનુષ્કા શર્મા સોશિયલ મીડિયા પર થઈ રહી છે જોરદાર ટ્રોલ! હોમિયોપેથીના પક્ષમાં બોલવું પડ્યું ભારે!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/04/IVWsDRkx4fMLwFfNlPWTxsIQufyJ2ES01f9EL2u9.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: ઘરમાં જ કોલ સેન્ટર ચલાવી અમેરિકનો સાથે ઠગાઈ, સાહિલ મિર્ઝા ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/danilimda-illegal-home-call-center-scam-busted</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/danilimda-illegal-home-call-center-scam-busted</guid><pubDate>Thu, 04 Jun 2026 17:17:39 +05:30</pubDate><description><![CDATA[<p>સામાન્ય રીતે હાઈટેક કોમ્પ્યુટર્સ, વિશાળ ઓફિસ અને અનેક કર્મચારીઓના મોટા સેટઅપ સાથે ચાલતા ગેરકાયદે કોલ સેન્ટરો પર પોલીસની રેડના કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે, પરંતુ અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાંથી પોલીસે એક એવા અનોખા અને ચોંકાવનારા કોલ સેન્ટર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, જ્યાં કોઈ મોટું સેટઅપ કે સ્ટાફ ન હતો, પરંતુ એક જ યુવક પોતાના ઘરમાં બેસીને છેલ્લા બે વર્ષથી આખું નેટવર્ક ચલાવતો હતો. લોનની લાલચ આપી અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી આચરતા આ 'વન મેન આર્મી' ઠગની દાણીલીમડા પોલીસે ધરપકડ કરી છે.</p><p><br></p><h2><b>અમેરિકન નાગરિકો સાથે ઓનલાઈન છેતરપિંડી
</b></h2><p>મળતી વિગતો મુજબ, દાણીલીમડા પોલીસને બાતમી મળી હતી કે, વિસ્તારમાં આવેલી શ્રીદેવી પાર્ક સોસાયટીના એક ઘરમાંથી અમેરિકન નાગરિકો સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ રહી છે. બાતમીના આધારે પોલીસે રેડ કરીને સાહિલ મુસ્તાકઅલી મિર્ઝા નામના યુવકને રંગેહાથ ઝડપી લીધો છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે, સાહિલ ઓનલાઈન માધ્યમોથી અમેરિકાના એવા નાગરિકોનો ડેટા મેળવતો હતો, જેમનો ક્રેડિટ સ્કોર ખૂબ ઓછો હોય અને તેમને ક્યાંયથી લોન ન મળતી હોય.
</p><h2><b><br></b></h2><h2><b>લોન મંજૂર કરાવવાના બહાને ઠગાઈ
</b></h2><p>આરોપી સાહિલ મિર્ઝા પોતાની ઓળખ અમેરિકાની જાણીતી લોન કંપનીઓ જેવી કે ‘પ્રોસ્પર ફાઇનાન્સ’ અને ‘લેન્ડિંગ ટ્રી’ના પ્રતિનિધિ તરીકે આપતો હતો. તે ગૂગલ વોઇસ ડાયલર સોફ્ટવેરનો ઉપયોગ કરીને અમેરિકાનો જ લોકલ નંબર ડિસ્પ્લે થાય તે રીતે પીડિતોને ઇમેલ અને કોલ કરતો હતો. ગ્રાહકો વિશ્વાસમાં આવી જાય એટલે લોન મંજૂર કરાવવાના બહાને તેમની પાસેથી નામ, બેંક એકાઉન્ટ, મોબાઇલ નંબર અને સોશિયલ સિક્યોરિટી નંબર (SSN) જેવી સંવેદનશીલ વિગતો મેળવી લેતો હતો.
</p><h2><br></h2><h2><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2062519146886418632"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><b><br></b></h2><h2><b><br>'ઘરઘરાઉ' કોલ સેન્ટરનો ભોગ બન્યા અમેરિકન નાગરિક
</b></h2><p>ત્યારબાદ, ઓછા ક્રેડિટ સ્કોરનું બહાનું આગળ ધરીને તે લોન પ્રોસેસિંગ ફી, સિક્યોરિટી ડિપોઝિટ અને ઇન્સ્યોરન્સના નામે અમેરિકન નાગરિકો પાસેથી ડોલરમાં રકમ ટ્રાન્સફર કરાવતો હતો. તે એવી પણ લાલચ આપતો કે લોન પાસ થયા બાદ આ પ્રોસેસિંગ ફી પરત મળી જશે. પ્રાથમિક તપાસમાં જ તેણે એક વિદેશી નાગરિક પાસેથી અંદાજે રૂ 50,000 પડાવ્યા હોવાનું ખુલ્યું છે. પોલીસે સાહિલના ઘરેથી લેપટોપ, બે મોબાઇલ, રાઉટર અને હેડફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, અને તેના ડિજિટલ ડેટાના આધારે અત્યાર સુધી કેટલા અમેરિકનો આ 'ઘરઘરાઉ' કોલ સેન્ટરનો ભોગ બન્યા છે તેની તપાસ શરૂ કરી છે.
</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-weather-update-rain-forecast-monsoon-entry" target="_blank">Gujarat Weather Update: વાવાઝોડા સાથે તૂટી પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી</a>
</p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/04/6jiZslEfaZdUFktHEJn3Nwux1dK7DDZQdHbxh7Sl.webp'/></item><item><title><![CDATA[IND vs AFG: અફઘાનિસ્તાન ટેસ્ટ માટે ભારતની પ્લેઇંગ 11માં આ ખેલાડીઓ બેસ્ટ, ઇરફાન પઠાણ ]]></title><link>https://sandesh.com/sports/news/cricket/ind-vs-afg-these-players-are-the-best-in-indias-playing-11-for-the-afghanistan-test-irfan-pathan</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/cricket/ind-vs-afg-these-players-are-the-best-in-indias-playing-11-for-the-afghanistan-test-irfan-pathan</guid><pubDate>Thu, 04 Jun 2026 11:02:36 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આગામી ૬ જૂનથી નવા ચંદીગઢમાં એકમાત્ર ટેસ્ટ મેચ રમાવાની છે. આ મહત્ત્વની મેચ પહેલા ભારતીય ટીમના ભૂતપૂર્વ સ્ટાર ફાસ્ટ બોલર ઈરફાન પઠાણે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન (Playing 11) ને લઈને મોટો ખુલાસો કર્યો છે. ઈરફાને કહ્યું કે ટેસ્ટ માટે ભારતની પ્લેઇંગ 11માં આ ખેલાડીઓ બેસ્ટ છે. ઇરફાને કહ્યું કે અફઘાનિસ્તાન સામે આ ટીમમાં ૬ નંબરથી લઈને ૧૧ નંબર સુધીના આ ખેલાડીઓ મજબૂત દાવેદાર હોવાનું માનું છું. જો કે ટીમ ઇન્ડીયાની પ્લેઇંગ 11ની યાદી જોઈ લોકોને આશ્ચર્ય થયું કે આમાં ભારતના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવનું નામ કેમ નથી. ઇરફાન પઠાણે પ્લેઇંગ 11માં કયા ખેલાડીઓને મજબૂત દાવેદાર માન્યા અને કુલદીપને કેમ બહાર રાખ્યો આવો જાણીએ.</p><h2 style="text-align: justify; "><b>ઇરફાન પઠાણે આ ખેલાડીની કરી પ્રસંશા</b></h2><p style="text-align: justify; ">યુવા ખેલાડીઓનો પક્ષ લેતા ઈરફાને ઉમેર્યું કે, જ્યારે તમે શ્રીલંકા કે અન્ય મોટી ટીમો સામે રમો છો ત્યારે અનુભવી ખેલાડીઓ જ મેદાનમાં હોય છે. પરંતુ જો આવી મેચોમાં ધ્રુવ જુરેલ અને નીતિશ રેડ્ડી જેવા યુવા ખેલાડીઓ રમશે, તો ટીમમાં લવચીકતા આવશે અને તેમને મોટો અનુભવ મળશે. નીતિશ રેડ્ડીના વખાણ કરતા પઠાણે કહ્યું, "નીતિશે ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન સદી ફટકારી હતી, જે કોઈ નાની સિદ્ધિ નથી. બહુ ઓછા યુવા ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા જઈને સદી ફટકારી શકે છે. તેની પાસે અદભુત ક્ષમતા છે અને જો તે અફઘાનિસ્તાન સામે રન બનાવશે, તો ટીમ મેનેજમેન્ટનો તેના પર ભરોસો ઘણો વધી જશે."</p><p style="text-align: justify; "><b>ઇરફાન પઠાણ પ્લેઇંગ ઇલેવન</b> શુભમન ગિલ, કે.એલ. રાહુલ, સાઈ સુદર્શન, ઋષભ પંત, દેવદત્ત પડિકલ, ધ્રુવ જુરેલ, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, હર્ષ દુબે, ગુરનુર બ્રાર, મોહમ્મદ સિરાજ અથવા પ્રસીદ કૃષ્ણા</p><p style="text-align: justify; "><b>શા માટે કુલદીપ યાદવ પ્લેઇંગ 11 માંથી બહાર?</b></p><p style="text-align: justify; ">સ્ટાર સ્પોર્ટ્સના લોકપ્રિય શો 'ફોલો ધ બ્લૂઝ' માં વાતચીત દરમિયાન ઈરફાન પઠાણે જણાવ્યું કે, ભારતીય ટીમ હાલમાં ૮ નંબર સુધી મજબૂત બેટિંગ લાઈન-અપ રાખવાનું પસંદ કરે છે. આ જ રણનીતિને કારણે કુલદીપ યાદવના સ્થાને લોઅર-મિડલ ઓર્ડરમાં યુવા ખેલાડીઓને તક આપવી જોઈએ. ઇરફાનના જણાવ્યા અનુસાર, ટીમ મેનેજમેન્ટે નંબર ૬, ૭ અને ૮ પર બેટિંગની ઊંડાઈ વધારવા માટે ધ્રુવ જુરેલ, નીતિશ કુમાર રેડ્ડી અને વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કરવા જોઈએ.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/04/OPY1mtaxCEp1yp4r3RBoHrBqFwjL9u5OC9LPDTMM.webp'/></item></channel></rss>