<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Bigg Boss 19 ફેમ નેહલ ચુડાસમાએ કર્યા લગ્ન? વેડિંગ લુક જોઈને ચોંકી ગયા ફેન્સ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/bigg-boss-19-fame-nehal-chudasama-wedding-look-sparks-marriage-rumors</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/bigg-boss-19-fame-nehal-chudasama-wedding-look-sparks-marriage-rumors</guid><pubDate>Mon, 08 Jun 2026 16:16:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બિગ બોસ 19માં તમે નેહલ ચુડાસમાને ચોક્કસ જોઈ હશે. તે મિસ દિવા યુનિવર્સ 2018 રહી ચૂકી છે. ઇન્સ્ટાગ્રામ પર તેણે લાલ જોડામાં કેટલીક તસવીરો શેર કરી છે, જેના પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તેણે ગુપચુપ રીતે લગ્ન કરી લીધા છે.
</p><h2 style="text-align: justify; "><b>નેહલ ચુડાસમાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ
</b></h2><p style="text-align: justify; ">બિગ બોસ 19 ફેમ નેહલ ચુડાસમાએ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી, જેના પછી સોશિયલ મીડિયા પર ભૂકંપ આવી ગયો. આ તસવીરોમાં નેહલ લાલ ચટાક જોડામાં જોવા મળી રહી છે.
</p><h3 style="text-align: justify; "><b>નેહલ ચુડાસમાએ કર્યા લગ્ન
</b></h3><p style="text-align: justify; ">બિગ બોસ 19 ફેમ અને મિસ દિવા યુનિવર્સ 2018 રહી ચૂકેલી નેહલ ચુડાસમાએ તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, હું હજી પણ આ દિવસને પ્રોસેસ કરી રહી છું. આ તસવીરો જોઈને ફેન્સ હેરાન રહી ગયા.
</p><h4 style="text-align: justify; "><b>નેહલનો દુલ્હન લુક
</b></h4><p style="text-align: justify; ">નેહલે ઇન્સ્ટાગ્રામ પર લગ્નની કેટલીક ઝલક શેર કરી છે, જેમાં તે ક્યારેક તૈયાર થઈ રહી છે, તો ક્યારેક એન્ટ્રી લેતી જોવા મળી રહી છે. તેની આ પોસ્ટ પર કેટલાય લોકોએ લગ્નની શુભેચ્છાઓ પણ આપી. ફેન્સ નેહલને લગ્નના અભિનંદન આપી રહ્યા છે. આ જ કોમેન્ટ્સ વચ્ચે એક એવી કોમેન્ટ આવી, જેણે તેના બોયફ્રેન્ડની ઓળખ દુનિયા સામે લાવી દીધી.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DZS1m2TE7Zr/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DZS1m2TE7Zr/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DZS1m2TE7Zr/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DZS1m2TE7Zr/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>કેવી રીતે ઓળખાયા નેહલના હમસફર?
</b></h4><p style="text-align: justify; ">તો, કોમેન્ટમાં uzcsay નામની એક યુઝરે લખ્યું કે, અમીન ઘેશ્મતી પ્લીઝ આનું ધ્યાન રાખજે, અને નેહલ તું પણ અમીન જીજુનું ધ્યાન રાખજે. આ કોમેન્ટથી નેહલના પતિની ઓળખ જાહેર થઈ ગઈ.
</p><h5 style="text-align: justify; "><b>કોણ છે અમીન ઘેશ્મતી (Amin Ghesmati)?
</b></h5><p style="text-align: justify; ">મોહમ્મદ અમીન ઘેશ્મતી એક આંતરરાષ્ટ્રીય ફેશન અને ફિટનેસ મોડલ, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને ઉદ્યોગસાહસિક છે. તેઓ મુંબઈ સ્થિત 'AGMODELS' નામની મોડલિંગ એજન્સીના ફાઉન્ડર અને સીઈઓ છે.
</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/why-jennifer-winget-and-karan-singh-grover-divorced-actor-reveals-reason" target="_blank">આ પણ વાંચો-Jennifer Winget અને કરણ સિંહ ગ્રોવરના લગ્ન કેમ તૂટ્યા હતા? એક્ટરે પોતે જ જણાવી દીધું હતું સાચું કારણ!</a></p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/08/dgdo7YPVeiTXegl2rtFugy6EtgK3BNbIGpxFvxMv.webp'/></item><item><title><![CDATA[Stock Market Closing: શેરબજારે રોકાણકારોને રડાવ્યા, સેન્સેક્સ 719.09 પોઇન્ટ તૂટ્યો ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-closing-the-stock-market-made-investors-cry-sensex-fell-by-71909-points</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-closing-the-stock-market-made-investors-cry-sensex-fell-by-71909-points</guid><pubDate>Mon, 08 Jun 2026 15:44:02 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય શેરબજારની શરૂઆત સપ્તાહમાં તીવ્ર ઘટાડા સાથે થઈ હતી. પશ્ચિમ એશિયામાં વધતા ભૂ-રાજકીય તણાવને કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટમાં ઘટાડો થયો હતો, જેના કારણે શરૂઆતના ટ્રેડિંગમાં વેચવાલીનો માહોલ જોવા મળ્યો હતો. સેન્સેક્સ 700 પોઈન્ટથી વધુ ગગડ્યો હતો, જ્યારે નિફ્ટી 23,150 ની આસપાસ સરકી ગયો હતો.</p><h2><b>શેરબજાર ઘટાડા સાથે બંધ&nbsp;</b></h2><p>બપોરે 3.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં જ બંધ થયા. સેન્સેક્સ 719 પોઇન્ટના ઘટાડા સાથે 73,524.26 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 243 પોઇન્ટના ઘટાડા સાથે 23,123.00</p><p>અંકે બંધ થયો.&nbsp;</p><p><b>ઈરાન-ઈઝરાયલ તણાવની બજાર પર અસર
</b></p><p>બજારમાં ઘટાડાનું મુખ્ય કારણ પશ્ચિમ એશિયામાં વધતો તણાવ હતો. અહેવાલો અનુસાર, ઈરાને ઈઝરાયલ પર મિસાઈલ છોડ્યા છે. આ ઘટનાક્રમથી અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત શાંતિ કરારની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. વધુમાં, આ ક્ષેત્રમાં યુદ્ધવિરામ અંગે ચિંતાઓ વધુ તીવ્ર બની છે. આ ઘટનાઓની અસર વૈશ્વિક બજારોની જેમ ભારતીય બજારમાં પણ જોવા મળી હતી.
</p><p><b>મિડકેપ અને સ્મોલકેપ શેરો પર પણ દબાણ
</b></p><p>બજારમાં નબળાઈ ફક્ત લાર્જ-કેપ શેરો પૂરતી મર્યાદિત ન હતી; વ્યાપક બજારમાં પણ વેચાણનું દબાણ સ્પષ્ટ હતું. નિફ્ટી મિડકેપ અને નિફ્ટી સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે આશરે 1.51% અને 1.52% ના નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા હતા, જે સ્પષ્ટપણે રોકાણકારોની જોખમ લેવાની ક્ષમતામાં ઘટાડો દર્શાવે છે.
</p><p><b>રિયલ્ટી અને મેટલ શેરોમાં સૌથી તીવ્ર ઘટાડો જોવા મળ્યો
</b></p><p>ક્ષેત્રીય સૂચકાંકોની દ્રષ્ટિએ, રિયલ્ટી અને મેટલ શેરોએ સૌથી નોંધપાત્ર દબાણનો સામનો કરવો પડ્યો, જેમાં ભારે વેચવાલી જોવા મળી. તેનાથી વિપરીત, ફાર્મા અને હેલ્થકેર શેરો પ્રમાણમાં સ્થિતિસ્થાપક રહ્યા, વ્યાપક બજાર મંદી વચ્ચે પણ આઉટપર્ફોર્મિંગ કર્યું. 
</p><p>આ પણ વાંચો- આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/04/22/ImEoH8XVKSpwKohsEtbZTWR6IaJ4XBQ4dmVVsfy6.webp'/></item><item><title><![CDATA[Monsoon 2026: ક્યાં પહોંચ્યુ ચોમાસુ? જાણો કયા રાજ્યોમાં થશે વરસાદની એન્ટ્રી ]]></title><link>https://sandesh.com/india/news/monsoon-2026-where-has-the-monsoon-reached-know-in-which-states-will-rains-enter</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/monsoon-2026-where-has-the-monsoon-reached-know-in-which-states-will-rains-enter</guid><pubDate>Mon, 08 Jun 2026 15:35:54 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હવે પશ્ચિમ-મધ્ય અને પૂર્વ-મધ્ય અરબી સમુદ્રના વધુ કેટલાક વિસ્તારો તેમજ મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં પહોંચી ગયું છે. આ સાથે જ 8 જૂનના રોજ તેલંગાણાના કેટલાક ભાગોમાં પણ ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. ચાલો જાણીએ કે હવે વાદળો કયા રાજ્યો તરફ આગળ વધી રહ્યા છે. 
</p><h2><b>ચોમાસુ ક્યાં છે? 
</b></h2><p>ભારતીય હવામાન વિભાગે માહિતી આપી છે કે ચોમાસું હવે પૂરતી ગતિ પકડી ચૂક્યું છે અને ઝડપથી આગળ વધી રહ્યું છે. મધ્ય અને દક્ષિણ ભારતના ખેડૂતો તેમજ સામાન્ય નાગરિકો માટે ચોમાસાની આ ઝડપ ખુશીના સમાચાર લઈને આવી છે. આગામી ચાર મહિનાની ચોમાસાની સીઝનની શરૂઆત યોગ્ય સમયે થઈ રહી છે, જેનાથી કૃષિ ક્ષેત્રને મોટો ફાયદો થશે.
</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/Indiametdept/status/2063584438832034224"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p>
</p><h3><b>અત્યાર સુધી ક્યાં-ક્યાં પહોંચ્યું ચોમાસું?
</b></h3><p>IMD દ્વારા જાહેર કરાયેલા નકશા (Map) મુજબ, 8 જૂન 2026 સુધીમાં ચોમાસાની ઉત્તરીય રેખા (Northern Limit of Monsoon) નોંધપાત્ર રીતે આગળ વધી છે
</p><p>અરબી સમુદ્ર અને દક્ષિણ ભારત: ચોમાસાની લાઇન હાલમાં હરનાઈ, સોલાપુર, કલબુરગી (ગુલબર્ગા), નંદ્યાલ અને ચેન્નાઈ થઈને આગળ વધી રહી છે.
</p><p>બંગાળની ખાડી અને પૂર્વોત્તર: બંગાળની ખાડી તરફથી પણ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. પૂર્વોત્તર રાજ્યોમાં તે કૈલાશહર અને નોર્થ લખીમપુર સુધી પહોંચી ગયું છે. હવામાન વૈજ્ઞાનિકોના મતે ચોમાસું તેની સામાન્ય ગતિએ અથવા અમુક સ્થળોએ તેનાથી પણ ઝડપથી આગળ વધી રહ્યું છે.
</p><h4><b>આગામી 2-3 દિવસમાં ચોમાસું વધુ વેગ પકડશે
</b></h4><p>હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દરિયાઈ પવન અને વાતાવરણની સ્થિતિ ચોમાસા માટે ખૂબ જ સાનુકૂળ છે. આગામી બે થી ત્રણ દિવસમાં ચોમાસું મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશના બાકીના ભાગોને પણ સંપૂર્ણપણે આવરી લેશે. આ સાથે જ તમિલનાડુ અને બંગાળની ખાડીના ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં પણ ચોમાસું દસ્તક દેશે.
</p><h5><b>પૂર્વ અને પૂર્વોત્તર ભારતમાં ટૂંક સમયમાં આગમન
</b></h5><p>બંગાળની ખાડીમાંથી ઉત્તર તરફ આગળ વધી રહેલા ચોમાસાને કારણે આગામી 48 થી 72 કલાકમાં પૂર્વ અને પૂર્વોત્તર ભારતના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે. છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક ભાગોમાં ચોમાસું ટૂંક સમયમાં જ સક્રિય થઈ જશે. બીજી તરફ, પૂર્વોત્તરના રાજ્યોમાં પહેલેથી જ સારો વરસાદ થઈ રહ્યો છે, જે હવે આગામી દિવસોમાં વધુ તીવ્ર બનશે અને લોકોને ગરમીથી રાહત મળશે.
</p><p><b>ખેડૂતો માટે એડવાઇઝરી: </b>ચોમાસાની પ્રારંભિક ગતિ સારી હોવા છતાં, ખેડૂતોને વાવણીના આયોજન માટે હવામાન વિભાગની સત્તાવાર માર્ગદર્શિકાને અનુસરવાની સલાહ આપવામાં આવી છે. દક્ષિણ અને મધ્ય ભારત બાદ હવે ઉત્તર ભારતના લોકો પણ ચોમાસાના ઠંડા પવનો અને વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.</p><p><a href="https://sandesh.com/gallery/news/lifestyle/this-district-is-considered-the-litchi-capital-of-india-know-which-one" target="_blank">આ પણ વાંચો-  આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?</a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/08/jrCrzlE14iCrzI6y7DqbBPgSRBPMnkmO7vtTHS8g.webp'/></item><item><title><![CDATA[વાંચો બપોરે 12થી 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/read-important-news-from-12-pm-to-03-pm-08-june-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/read-important-news-from-12-pm-to-03-pm-08-june-2026</guid><pubDate>Mon, 08 Jun 2026 14:58:57 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/amc-demolition-drive-for-new-road-construction-in-mahadevnagar-chandlodia-ahmedabad" target="_blank">1. Ahmedabad: ચાંદલોડિયામાં નવા રોડના પ્રોજેક્ટ માટે AMCએ સેંકડો દબાણો જમીનદોસ્ત કર્યા</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/rajkot/rajkot-baba-bageshwar-divya-darbar-concludes-vigyan-jatha-mangesh-desai-controversy" target="_blank">2. Rajkot : બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર વિવાદો વચ્ચે સંપન્ન, આયોજકો અને અંધશ્રદ્ધા વિરોધીઓ વચ્ચે આરપારની જંગ</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/amidst-the-iran-israel-conflict-the-indian-government-took-a-big-step-declaring-high-alert-for-indians-living-in-iran" target="_blank">3. Iran-Israel conflict વચ્ચે ભારત સરકારનું મોટું પગલું, ઈરાનમાં રહેતા ભારતીયો માટે જાહેર કર્યું હાઈ એલર્ટ!</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/weather/ahmedabad/gujarat-weather-update-imd-predicts-rain-in-south-gujarat-from-12-to-14-june" target="_blank">4. Ahmedabad: રાજ્યમાં ગરમી અને અસહ્ય બફારાથી જનતા બેહાલ, આગામી દિવસોમાં તાપમાનનો પારો 40 થી 41 ડિગ્રી રહેવાની શક્યતા</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/lifestyle/news/weather-monsoon-gains-momentum-in-the-country-cloudy-skies-in-many-states-including-maharashtra-and-telangana" target="_blank">5. Weather : દેશમાં ચોમાસાએ ગતિ પકડી, મહારાષ્ટ્ર અને તેલંગાણા સહિત અનેક રાજ્યોમાં મેઘમહેર!</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/cricket/news/manav-suthar-who-is-manav-suthar-he-created-new-history-by-taking-6-wickets-in-his-debut-test-match" target="_blank">6. Manav Suthar: કોણ છે માનવ સુથાર? ડેબ્યૂ ટેસ્ટ મેચમાં જ 6 વિકેટ ઝડપી રચ્યો નવો ઇતિહાસ</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/gandhinagar/gujarat-rajya-sabha-election-2026-bjp-candidates-filing-nomination-gandhinagar" target="_blank">7. Gujarat Rajya Sabha Election 2026: : રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ચારેય ઉમેદવારોએ ભર્યા ફોર્મ, તમામ બિનહરીફ જીતે તેવી પ્રબળ શક્યતા!</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/entertainment/news/dimple-kapadia-birthday-love-story-rajesh-khanna-marriage-sunny-deol" target="_blank">8. 16 વર્ષની ઉંમરે 15 વર્ષ મોટા સુપરસ્ટાર સાથે કર્યા લગ્ન, પછી સની દેઓલ સાથે જોડાયું નામ, આવી રહી ડિમ્પલ કપાડિયાની લવ સ્ટોરી!</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/cricket/news/cricket-news-better-than-sachin-and-virat-kangana-ranaut-said-this-big-thing-in-praise-of-vaibhav-suryavanshi" target="_blank">9. Cricket News : "સચિન અને વિરાટથી પણ બેસ્ટ..." વૈભવ સૂર્યવંશીના વખાણમાં કંગના રનૌતે કહી દીધી આ મોટી વાત</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/world/news/ahmedabad/philippines-earthquake-leave-5-dead" target="_blank">10. Earthquake Video : ફિલિપાઇન્સમાં ભયાનક ભૂકંપ, વીડિયો જોયા પછી તમારા રૂંવાટા ઉડી જશે</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/08/7j6Bs3sl5UR69vrfmTllwiTATnlcUhLUcHwUrnOg.webp'/></item><item><title><![CDATA[Bharuch: જુમ્મા મસ્જિદમાં પુરાતત્વ વિભાગનું મોટું એક્શન, વિવાદાસ્પદ વજુખાનું સહિતના અનધિકૃત બાંધકામો તોડી પડાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bhachau/asi-demolition-drive-on-unauthorized-construction-at-historic-jumma-masjid-in-bharuch</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bhachau/asi-demolition-drive-on-unauthorized-construction-at-historic-jumma-masjid-in-bharuch</guid><pubDate>Mon, 08 Jun 2026 14:51:30 +05:30</pubDate><description><![CDATA[<p>ભરૂચ શહેરમાં આવેલી જુમ્મા મસ્જિદમાં આજે વહેલી સવારથી જ વહીવટી તંત્ર અને પુરાતત્વ વિભાગ દ્વારા સંયુક્ત રીતે મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ પુરાતત્વીય ઇમારતની અંદર નિયમોની વિરુદ્ધ જઈને કરવામાં આવેલા અનધિકૃત અને વધારાના બાંધકામોને તોડી પાડવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી છે. પુરાતત્વ વિભાગ દ્વારા અગાઉ આપવામાં આવેલી કડક નોટિસ અને સૂચનાઓનું પાલન કરાવવા માટે તંત્રએ આ આકરું વલણ અપનાવ્યું છે.</p><h2><b>વજુખાનું સહિતના વાંધાજનક બાંધકામો તોડી પડાયા</b></h2><p>મળતી સત્તાવાર વિગતો અનુસાર, ભરૂચની આ જુમ્મા મસ્જિદમાં છેલ્લા કેટલાક સમયથી અંદરના ભાગે વધારાનું બાંધકામ કરવામાં આવ્યું હોવાનો વિવાદ ચાલી રહ્યો હતો. પુરાતત્વ વિભાગ સંરક્ષિત આ સ્મારકમાં કોઈપણ પ્રકારના નવા બાંધકામ પર પ્રતિબંધ હોવા છતાં, ત્યાં વજુખાનું (નમાજ પૂર્વે હાથ-પગ ધોવાનું સ્થાન) અને અન્ય કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હતા. આ મામલે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, આજે ભારે મશીનરી સાથે તંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને વાંધાજનક વધારાના તમામ લોખંડી અને સિમેન્ટના માળખાઓને હટાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી.</p><h3><b>જૂનો ઐતિહાસિક વિવાદ અને દાવાઓ ફરી ચર્ચામાં</b></h3><p>આ ડિમોલેશનને પગલે ભરૂચનો વર્ષો જૂનો ઐતિહાસિક વિવાદ ફરી એકવાર સોશિયલ મીડિયા અને જાહેર પ્લેટફોર્મ પર ટોક-ઓફ-ધી-ટાઉન બન્યો છે. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક હિન્દુ સંગઠનો અને સંશોધકો દ્વારા આ સ્થળ મૂળ રીતે પ્રાચીન 'સમરી જૈન વિહાર' હોવાનો અને મહાનુભાવ 'ચક્રધર સ્વામીનું જન્મ સ્થળ' હોવાનો દાવો સતત કરવામાં આવી રહ્યો છે. આ ધાર્મિક અને ઐતિહાસિક દાવાઓને કારણે આ સ્થળ લાંબા સમયથી સંવેદનશીલ માનવામાં આવે છે.</p><h4><b>તકેદારીના ભાગરૂપે લોખંડી પોલીસ બંદોબસ્ત</b></h4><p>આ ડિમોલેશનની કામગીરી અત્યંત સંવેદનશીલ હોવાથી ભરૂચ જિલ્લા પોલીસ વડાની સૂચના અનુસાર, ઘટનાસ્થળ અને તેની આસપાસના સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. કોઈ અફવા ન ફેલાય અને શાંતિ સમિતિના સભ્યો વચ્ચે સુમેળ જળવાઈ રહે તે માટે પોલીસ ઉચ્ચ અધિકારીઓ પોતે ગ્રાઉન્ડ ઝીરો પર મોનિટરિંગ કરી રહ્યા છે. હાલમાં સ્થિતિ સંપૂર્ણપણે અંકુશ હેઠળ છે અને કોઈપણ અનિચ્છનીય બનાવ વિના તંત્ર દ્વારા કાનૂની ઓપરેશન આગળ વધારવામાં આવી રહ્યું છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/amc-demolition-drive-for-new-road-construction-in-mahadevnagar-chandlodia-ahmedabad" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: ચાંદલોડિયામાં નવા રોડના પ્રોજેક્ટ માટે AMCએ સેંકડો દબાણો જમીનદોસ્ત કર્યા</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/08/NLHrvOjbuezoPVNliJd52EKZbFTJGQYwpxk7V0LF.webp'/></item><item><title><![CDATA[Anand: વિદેશ નોકરીનું મોટું કૌંભાડ, રશિયામાં 20 ભારતીયોને બંધક બનાવનાર એજન્ટ રિમ્પલ પટેલની ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/anand/anand-petlad-russia-job-scam-agent-rimple-patel-arrested-lcb</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/anand/anand-petlad-russia-job-scam-agent-rimple-patel-arrested-lcb</guid><pubDate>Mon, 08 Jun 2026 14:45:27 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આણંદ જિલ્લાના પેટલાદમાં વિદેશમાં ઊંચા પગારની નોકરી અપાવવાના બહાને આચરવામાં આવેલા એક મસમોટા આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ થયો છે. પેટલાદના સુંદરા ગામના કુખ્યાત એજન્ટ રિમ્પલ પટેલ દ્વારા સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા લોકોને ટેલરિંગની નોકરી અને માસિક 1.30 લાખના આકર્ષક પગારની લાલચ આપવામાં આવી હતી. આ જાળમાં ફસાવીને એજન્ટ દ્વારા મહિલાઓ સહિત 20 જેટલા નિર્દોષ ભારતીય નાગરિકોને રશિયા મોકલી દેવાયા હતા, જ્યાં તેઓ ગંભીર મુશ્કેલીમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>તમામ ભારતીયોને ત્યાં બંધક બનાવી દેવામાં આવ્યા 
</b></h2><p style="text-align: justify; ">ભોગ બનનારાઓના પરિવારોનો આક્ષેપ છે કે રશિયા પહોંચ્યા બાદ આ તમામ ભારતીયોને ત્યાં બંધક બનાવી દેવામાં આવ્યા છે અને તેમની સાથે અમાનવીય વર્તન કરવામાં આવી રહ્યું છે. આ કૌભાંડનો ખુલાસો ત્યારે થયો જ્યારે રશિયામાં બંધક બનેલી લાચાર મહિલાઓનો એક હૃદયદ્રાવક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. 
</p><h3 style="text-align: justify; "><b>&nbsp;ભારત સરકાર પાસે મદદની ગુહાર 
</b></h3><p style="text-align: justify; ">વીડિયોમાં મહિલાઓ પોતાની આપવીતી સંભળાવી ભારત સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહી છે. એટલું જ નહીં, રશિયાથી પરત આવવા માટે એજન્ટ અને તેના સાગરિતો દ્વારા વ્યક્તિ દીઠ 500 યુએસ ડોલરની ખંડણી જેવી રકમ માંગવામાં આવી રહી છે.
</p><h4 style="text-align: justify; "><b>પેટલાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એજન્ટ સામે ફરિયાદ
</b></h4><p style="text-align: justify; ">આ છેતરપિંડીના ખેલમાં એજન્ટે ભોગ બનનાર પરિવારો પાસેથી પ્રોસેસિંગ ફી અને અન્ય બહાને કુલ ₹21 લાખ જેટલી માતબર રકમ પણ પડાવી લીધી હતી. આખરે મામલો પોલીસ મથકે પહોંચતા પેટલાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એજન્ટ રિમ્પલ પટેલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.&nbsp;</p><p style="text-align: justify; "><a href="https://youtu.be/pbXfQQJiQHU" target="_blank">https://youtu.be/pbXfQQJiQHU</a>&nbsp;</p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>એજન્ટ રિમ્પલ પટેલની ધરપકડ 
</b></h4><p style="text-align: justify; ">ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ  એ તાત્કાલિક એક્શન મોડમાં આવીને  એજન્ટ રિમ્પલ પટેલની ધરપકડ કરી લીધી છે. પોલીસ હવે આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આંતરરાષ્ટ્રીય તત્વો અને એજન્ટોના નેટવર્કને તોડી પાડવા માટે આગળની સઘન પૂછપરછ હાથ ધરી રહી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-live-and-samachar-08-june-2026-politics-weather-updates-daily-breaking-news-natio" target="_blank"><b> Gujarat Latest News live : દેશમાં ચોમાસાએ પકડી સ્પીડ, મહારાષ્ટ્ર, આંધ્ર અને તેલંગાણામાં મેઘરાજાની વિધિવત એન્ટ્રી</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/08/bTJAGMVLciu9my2JOkoie4Qu6NEMgn1rfmaSaH7i.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: ચાંદલોડિયામાં નવા રોડના પ્રોજેક્ટ માટે AMCએ સેંકડો દબાણો જમીનદોસ્ત કર્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/amc-demolition-drive-for-new-road-construction-in-mahadevnagar-chandlodia-ahmedabad</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/amc-demolition-drive-for-new-road-construction-in-mahadevnagar-chandlodia-ahmedabad</guid><pubDate>Mon, 08 Jun 2026 14:43:36 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા અને નવા રસ્તાઓના નેટવર્કને મજબૂત કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એક્શન મોડમાં આવ્યું છે. અમદાવાદના પશ્ચિમ ઝોનમાં આવેલા ચાંદલોડિયા વિસ્તારના મહાદેવનગરમાં આજે સવારથી જ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ (TP) શાખા દ્વારા મેગા ડિમોલેશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. આ વિસ્તારમાં નવા પ્લાન થયેલા રોડના આયોજનમાં અડચણરૂપ બનતા અનેક ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવા માટે એએમસીની ટીમો જેસીબી (JCB) અને બુલડોઝર સાથે ત્રાટકી હતી.</p><h2><b>મકાનો તૂટતા જ રહીશોનો આક્રોશ</b></h2><p>જેવી કોર્પોરેશનની ટીમે કાચા-પાકા મકાનો અને ગેરકાયદેસર શેડ તોડવાની પ્રક્રિયા શરૂ કરી, કે તુરંત જ સ્થાનિક રહીશો અને મહિલાઓ મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. વર્ષો જૂના આશરા છીનવાઈ જતાં લોકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ અને આક્રંદ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ ભેગા મળીને તંત્રની આ કામગીરીનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને “પહેલા અમને વૈકલ્પિક મકાન આપો, પછી અમારા ઘર તોડો” તેવા સૂત્રોચ્ચાર કરીને કામગીરી રોકવાનો પ્રયાસ કર્યો હતો. લોકોનો આક્ષેપ છે કે ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે/ચાલુ છે ત્યારે વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના જ ઘર તોડી પડાતા અનેક ગરીબ પરિવારો ખુલ્લા આકાશ નીચે આવી ગયા છે.</p><h3><b>ચુસ્ત પોલીસ અને ફાયર પ્રોટેક્શન વચ્ચે કાર્યવાહી પૂર્ણ</b></h3><p>કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વણસે નહીં તે માટે એએમસી દ્વારા અગાઉથી જ પોલીસ પ્રોટેક્શન મંગાવવામાં આવ્યું હતું. સ્થાનિક પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને એસઆરપીના જવાનો સ્થળ પર તૈનાત કરી દેવાયા હતા. આ ઉપરાંત, ઈમરજન્સી સ્થિતિને પહોંચી વળવા માટે ફાયર બ્રિગેડની ટીમો પણ વોટર બ્રાઉઝર સાથે ગ્રાઉન્ડ ઝીરો પર હાજર રહી હતી. ભારે હોબાળા અને વિરોધ વચ્ચે પણ પોલીસે પ્રદર્શનકારીઓને હટાવીને એએમસીની ટીમને સુરક્ષા પૂરી પાડી હતી, જેના કારણે નવા રોડના માર્ગમાં આવતા તમામ નાના-મોટા દબાણોને સંપૂર્ણપણે દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/weather/ahmedabad/gujarat-weather-update-imd-predicts-rain-in-south-gujarat-from-12-to-14-june" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: રાજ્યમાં ગરમી અને અસહ્ય બફારાથી જનતા બેહાલ, આગામી દિવસોમાં તાપમાનનો પારો 40 થી 41 ડિગ્રી રહેવાની શક્યતા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/08/6jfUaI4Cagch343HilHY7zEyuwypNod2qO8ec2KX.webp'/></item><item><title><![CDATA[Rajkot : બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર વિવાદો વચ્ચે સંપન્ન, આયોજકો અને અંધશ્રદ્ધા વિરોધીઓ વચ્ચે આરપારની જંગ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/rajkot/rajkot-baba-bageshwar-divya-darbar-concludes-vigyan-jatha-mangesh-desai-controversy</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/rajkot/rajkot-baba-bageshwar-divya-darbar-concludes-vigyan-jatha-mangesh-desai-controversy</guid><pubDate>Mon, 08 Jun 2026 14:29:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે ચર્ચા અને વિવાદોના કેન્દ્રમાં રહેલો બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો 'દિવ્ય દરબાર' આખરે પૂર્ણ થયો છે. જોકે, કથા અને દરબારની પૂર્ણાહુતિ બાદ પણ વિજ્ઞાન અને ધર્મ વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે. દરબારના છેલ્લા દિવસે મંત્રશક્તિના પ્રયોગો દરમિયાન કેટલાક શ્રદ્ધાળુઓ સ્વયંભૂ ધૂણવા લાગતા અંધશ્રદ્ધા વિરોધી સંસ્થાઓ મેદાને આવી છે, જ્યારે આયોજકો આ ઘટનાઓને સનાતન ધર્મની પરંપરા ગણાવી રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>પિતૃ કાર્યની જેમ અહીં પણ આત્માઓ આવી હોઈ શકે છે
</b></h2><p style="text-align: justify; ">આ સમગ્ર વિવાદ અંગે કથાના મુખ્ય આયોજક મંગેશ દેસાઈએ મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, "આદિ અનાદિ કાળથી મંત્ર શક્તિ દ્વારા આ બધું ચાલતું આવ્યું છે. પિતૃ કાર્યની જેમ અહીં પણ આત્માઓ આવી હોઈ શકે છે. મંત્રોચ્ચાર દરમિયાન આવી ઘટનાઓ બનવી સ્વાભાવિક છે. હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ ભૂત-પિશાચનો સ્વીકાર કરાયો છે અને કોઈના શરીરમાં આવી શક્તિઓ પ્રવેશી શકે છે." તેમણે ઉમેર્યું કે, ચર્ચ અને દરગાહોમાં પણ આવી ઘટનાઓ બને છે. વિજ્ઞાન અને ધર્મને કોઈ સીધો સંબંધ નથી. વિજ્ઞાન પોતે ધર્મમાંથી ઉદ્ભવ્યું છે, ધર્મ વિજ્ઞાનમાંથી નથી આવ્યો.
</p><h3 style="text-align: justify; "><b>વિજ્ઞાન જાથા પણ કાયદાકીય હથિયાર સાથે મેદાને 
</b></h3><p style="text-align: justify; ">બીજી તરફ, આ કાર્યક્રમનો પ્રબળ વિરોધ કરી રહેલા એડવોકેટ પુરુષોત્તમ પીપળીયા અને વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા સામે આયોજકો હવે કાનૂની લડાઈ લડવાના મૂડમાં છે અને આ મામલો કોર્ટ સુધી લઈ જવાની વાત કહી છે. તેની સામે વિજ્ઞાન જાથા પણ કાયદાકીય હથિયાર સાથે મેદાને ઉતર્યું છે. જાથાના મતે ધૂણવું એ કોઈ ચમત્કાર નથી પરંતુ એક માનસિક બીમારી છે.
</p><h4 style="text-align: justify; "><b>પોલીસ કમિશનરને લેખિત અરજી આપશે
</b></h4><p style="text-align: justify; ">વિજ્ઞાન જાથા આ મામલે કાળા જાદુ નિવારણ અને નિર્મૂલન ધારો ૨૦૨૪ની કલમ ૨(૧)A અને કલમ ૩ (ચમત્કારના નામે અંધશ્રદ્ધા ફેલાવવી) હેઠળ ગુનો નોંધવા માટે રાજકોટ પોલીસ કમિશનરને લેખિત અરજી આપશે. જાથાએ બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ ખંડપીઠના ૨૦૨૧ના ચુકાદાનો હવાલો આપી, વૈજ્ઞાનિક મિજાજને નુકસાન પહોંચાડનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ હાઈપ્રોફાઈલ જંગ હવે આગામી દિવસોમાં કાનૂની વળાંક લે તેવા સ્પષ્ટ સંકેતો દેખાઈ રહ્યા છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-live-and-samachar-08-june-2026-politics-weather-updates-daily-breaking-news-natio#google_vignette" target="_blank"><b> Gujarat Latest News live : દેશમાં ચોમાસાએ પકડી સ્પીડ, મહારાષ્ટ્ર, આંધ્ર અને તેલંગાણામાં મેઘરાજાની વિધિવત એન્ટ્રી</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/08/9GX4VKrA3IgRcX1dZ9z0azNVAnTSnAqZkt2KXB0q.webp'/></item><item><title><![CDATA[Iran-Israel conflict વચ્ચે ભારત સરકારનું મોટું પગલું, ઈરાનમાં રહેતા ભારતીયો માટે જાહેર કર્યું હાઈ એલર્ટ! ]]></title><link>https://sandesh.com/india/news/amidst-the-iran-israel-conflict-the-indian-government-took-a-big-step-declaring-high-alert-for-indians-living-in-iran</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/amidst-the-iran-israel-conflict-the-indian-government-took-a-big-step-declaring-high-alert-for-indians-living-in-iran</guid><pubDate>Mon, 08 Jun 2026 14:29:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પશ્ચિમ એશિયામાં સતત વણસી રહેલી પરિસ્થિતિ અને વધતા જતા સૈન્ય તણાવ વચ્ચે, ભારત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ઈરાનમાં વસતા ભારતીય નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારતે એક નવી એડવાઈઝરી (સલાહકાર) જારી કરી છે. આ એડવાઈઝરીમાં ભારતીયોને ઈરાનની મુસાફરી ન કરવાની કડક સૂચના આપવામાં આવી છે, તેમજ જે નાગરિકો હાલ ત્યાં હાજર છે તેમને ઉપલબ્ધ ટ્રાન્સપોર્ટ સુવિધાઓનો ઉપયોગ કરીને તાત્કાલિક ધોરણે ઈરાન છોડી દેવા માટે વિનંતી કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>ભારતીય દૂતાવાસે આપી સત્તાવાર માહિતી</b></h2><p style="text-align: justify; ">ઈરાન સ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ અંગેની સત્તાવાર જાહેરાત કરી છે. દૂતાવાસે જણાવ્યું કે, "સમગ્ર વિસ્તારમાં તાજેતરમાં થયેલા ઘટનાક્રમોને જોતાં, દૂતાવાસ તમામ ભારતીય નાગરિકોને ઈરાનની મુસાફરી ટાળવા માટેની તેની અગાઉની સલાહનો પુનરોચ્ચાર કરે છે. આ ઉપરાંત, જે ભારતીયો અત્યારે ઈરાનમાં છે, તેમને ઉપલબ્ધ પરિવહનના સાધનો દ્વારા વહેલી તકે દેશ છોડી દેવાની સલાહ આપવામાં આવે છે".</p><h3 style="text-align: justify; "><b>ભારતીય દૂતાવાસે કેમ જારી કરવું પડ્યું એલર્ટ?</b></h3><p style="text-align: justify; ">ઇરાનમાં રહેતા નાગરિકો દ્વારા ભારતીય દૂતાવાસ તરફી એલર્ટ જારી કરાયું. આ ગંભીર એલર્ટ પાછળનું મુખ્ય કારણ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે શરૂ થયેલો સીધો સૈન્ય સંઘર્ષ છે. સોમવાર, ૮ જૂનની વહેલી સવારે ઈરાને ઈઝરાયલ પર ત્રીજા તબક્કાના ભયાનક મિસાઈલ હુમલા કર્યા હતા. આ હુમલામાં ઈઝરાયલના બે મોટા સૈન્ય મથકો—નેવાટીમ અને ટેલ નોફ એરબેઝને નિશાન બનાવવામાં આવ્યા છે.</p><p style="text-align: justify; ">ઈરાનની અર્ધલશ્કરી સંસ્થા 'રિવોલ્યુશનરી ગાર્ડ' દ્વારા આ હુમલાને 'ઓપરેશન નાસ્ર' (જેનો અર્થ "વિજય" થાય છે) નામ આપવામાં આવ્યું છે. ગાર્ડના જણાવ્યા અનુસાર, ઈઝરાયલે અગાઉ ત્રણ ઈરાની વિસ્તારોમાં આવેલા તેમના રડાર સ્ટેશનોને નિશાન બનાવ્યા હતા, જેના જવાબી પગલા રૂપે ઈરાને આ મિસાઈલો દાગી છે.</p><h4 style="text-align: justify; "><b>પશ્ચિમ એશિયામાં ભયનો માહોલ, ભારતની ચાંપતી નજર</b></h4><p style="text-align: justify; ">ઈરાન અને ઇઝરાયલ વચ્ચેની આ સીધી અથડામણોને પગલે સમગ્ર પશ્ચિમ એશિયા યુદ્ધના મુખમાં ધકેલાઈ ગયું છે અને તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ભારત સરકાર આ સમગ્ર પરિસ્થિતિ પર ખૂબ જ બારીકાઈથી અને નજીકથી નજર રાખી રહી છે. દૂતાવાસે આ પ્રદેશમાં રહેતા તમામ ભારતીયોને અત્યંત સાવચેત રહેવા, બિનજરૂરી હિલચાલ ટાળવા અને સુરક્ષા સંબંધી અદ્યતન અપડેટ્સ મેળવવા માટે સતત ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવા અપીલ કરી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/india/news/west-bengal-big-blow-to-mamata-banerjee-in-delhi-rajya-sabha-mp-resigns-and-leaves-party" target="_blank">આ પણ વાંચો : Delhi TMC: દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો, રાજ્યસભાના સાંસદે રાજીનામું આપીને પાર્ટી છોડી</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/08/UIGJSeokjmLFypBDqgbfsXBTAAgSSOjOfhl1yeQ5.webp'/></item><item><title><![CDATA[French Open 2026 : એલેક્ઝન્ડર ઝ્વેરેવએ જીત્યો પહેલો ગ્રેંડ સ્લેમ, સચિન તેંડુલકરે કર્યા વખાણ ]]></title><link>https://sandesh.com/sports/news/french-open-2026-alexander-zverev-wins-first-grand-slam-sachin-tendulkar-praises-him</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/french-open-2026-alexander-zverev-wins-first-grand-slam-sachin-tendulkar-praises-him</guid><pubDate>Mon, 08 Jun 2026 12:55:20 +05:30</pubDate><description><![CDATA[<p>જર્મનીના એલેક્ઝાન્ડર ઝ્વેરેવે ફ્રેન્ચ ઓપન 2026નો ખિતાબ જીત્યો છે. આ તેનું પહેલું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે, જે તેણે 7 જૂનના રોજ ફાઇનલમાં ફ્લાવિયો કોબોલીને 6-1, 4-6, 6-4, 6-7 (5), 6-1થી હરાવીને મેળવ્યું હતું. ચાર કલાકથી વધુ ચાલેલી મેચ જીત્યા પછી ઝ્વેરેવ રડી પડ્યો. તે પેરિસના લાલ માટીના કોર્ટ પર જાણે તેને ભેટી રહ્યો હોય તેમ સૂઈ ગયો. તે તેના માટે આનંદની ક્ષણ હતી. તેણે તેની કારકિર્દીની સૌથી મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. ઝ્વેરેવ માટે આ ક્ષણ ખાસ હોવાનું એક મોટું કારણ તેના અંગત જીવન સાથે પણ સંબંધિત છે.
</p><h4><b>ડોકટરે આપ્યો જવાબ, જ્વેરેવે હાર ન માની</b></h4><p>જો ઝ્વેરેવ હિંમત અને દૃઢ નિશ્ચય ન બતાવ્યો હોત તો તે આ સ્થાને પહોંચી શક્યો ન હોત. કારણ કે, ડોકટરો પહેલાથી જ તેને છોડી ચૂક્યા હતા. તેઓએ તેને ટેનિસ રમવાની મનાઈ ફરમાવી દીધી હતી, એમ કહીને કે તેનો જીવ જોખમમાં છે. હવે જ્યારે એલેક્ઝાન્ડર ઝ્વેરેવે ફ્રેન્ચ ઓપનમાં પોતાનો પહેલો ગ્રાન્ડ સ્લેમ જીત્યો છે, ત્યારે સચિન તેંડુલકર તેની પ્રશંસા કર્યા વિના રહી શક્યો નહીં.</p><p>
</p><h5><b>સચિન તેંડુલકરે તેની પ્રશંસા કરી</b></h5><p>સચિન તેંડુલકર હંમેશા ટેનિસનો શોખીન રહ્યો છે. ક્રિકેટના દિવસોમાં તે ઘણીવાર ટેનિસ કોર્ટ પર સમય વિતાવતો જોવા મળતો હતો. ફેડરર અને જોકોવિચ જેવા ખેલાડીઓના પ્રશંસક તેંડુલકર, આ વર્ષે પેરિસના કોર્ટ પર ઝ્વેરેવને રમતા જોયો હતો અને તે કહી શક્યો નહીં કે તે એક ખાસ ખેલાડી છે. એલેક્ઝાન્ડર ઝ્વેરેવને તેનો પહેલો ગ્રાન્ડ સ્લેમ જીતતો જોઈને તે ખુશ થયો. તે હંમેશા માનતો હતો કે તે એક ખાસ ખેલાડી છે. તેણે ફ્લાવિયો કોબોલીની રમતની પણ પ્રશંસા કરી અને કહ્યું કે બંને ખેલાડીઓએ ગ્રાન્ડ સ્લેમ જીતવા માટે પોતાનું સર્વસ્વ આપ્યું હતું.
</p><p><a href="https://x.com/sachin_rt/status/2063687244255494326?s=20" target="_blank">https://x.com/sachin_rt/status/2063687244255494326?s=20</a></p><p><br></p><h4><b>ઝ્વેરેવની હિંમત બીમારીથી દૂર થઈ ગઈ
</b></h4><p>એલેક્ઝાન્ડર ઝ્વેરેવ 4 વર્ષનો હતો ત્યારે તેને ટાઇપ 1 ડાયાબિટીસ હોવાનું નિદાન થયું હતું. જેમ જેમ તે મોટો થતો ગયો, તેના ડૉક્ટરે તેને ટેનિસ અને અન્ય તાકાત માંગતી રમતો રમવાની સલાહ આપી. ડૉક્ટરે કહ્યું કે આમ કરવાથી તેના જીવન માટે ખતરો છે. જો કે, ઝ્વેરેવે પોતાની જાતને વચન આપ્યું હતું કે તે ફક્ત ટેનિસ રમવા માંગે છે. આ વચન પૂરું કરવા માટે, તેણે જરૂરી દરેક સાવચેતી લીધી, અને અંતે, જે રોગ તેના નિશ્ચયમાં અવરોધ હતો તેને હાર માનવી પડી.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup-in-danger-shooting-near-england-team-camp-9-people-injured" target="_blank">FIFA વર્લ્ડકપ પર સંકટ! ઇંગ્લેન્ડ ટીમના કેમ્પ નજીક થયો ગોળીબાર, 9 લોકો ઘાયલ</a>
</p><p><br></p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/08/M4DParQTjQKiAQxu4GKeBKGZ0NsPCdfoJJGJRYis.webp'/></item></channel></rss>