<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Auto News: આ નવી ઇલેક્ટ્રિક SUV ટૂંક સમયમાં થશે લોન્ચ, ગ્રાહકો માટે એક ગેમ-ચેન્જર ઓફર! ]]></title><link>https://sandesh.com/business/news/automobile/auto-news-this-new-electric-suv-will-be-launched-soon-a-game-changer-offer-for-customers</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/auto-news-this-new-electric-suv-will-be-launched-soon-a-game-changer-offer-for-customers</guid><pubDate>Fri, 10 Jul 2026 23:37:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કિયા ઈન્ડિયા ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં ધમાકો કરવા માટે તૈયાર છે. કંપની જુલાઈ 2026ના અંતિમ સપ્તાહમાં પોતાની નવી Kia Syros EV રજૂ કરવા જઈ રહી છે, ત્યારબાદ ઓગસ્ટ 2026માં તેને સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવી શકે છે. ભારતમાં લોન્ચ થયા પછી આ શાનદાર ઇલેક્ટ્રિક કારનો સીધો મુકાબલો Tata Nexon EV અને Mahindra XUV 3XO EV જેવી લોકપ્રિય ઇલેક્ટ્રિક SUV સાથે થશે. ખાસ વાત એ છે કે આ કાર ભારતમાં કંપનીની સૌથી નાની અને સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર હશે.</p><h2 style="text-align: justify; "><b>પેટ્રોલ મોડલ પર આધારિત ડિઝાઇન અને આધુનિક ફીચર્સ</b></h2><p style="text-align: justify; ">કિયા સાયરોસ EVને તેના પેટ્રોલ મોડલને ઇલેક્ટ્રિક વર્ઝનમાં બદલીને તૈયાર કરવામાં આવી રહી છે. આ જ કારણે તેના એક્સટેરિયર (બહાર) અને ઇન્ટિરિયર (અંદર)માં કેટલાક ખાસ ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) સંબંધિત ફેરફારો જોવા મળશે. આ કારમાં આધુનિક લુક આપવા માટે બંધ ગ્રીલ, નવા ડિઝાઇનના એરો-ફ્રેન્ડલી એલોય વ્હીલ્સ અને ડાબી બાજુના ફ્રન્ટ ફેન્ડર પર ચાર્જિંગ ફ્લેપ આપવામાં આવશે. કારની અંદર ગ્રાહકોને ખાસ EV સોફ્ટવેર અપડેટ્સની સાથે વ્હીકલ-ટુ-લોડ (V2L) અને વ્હીકલ-ટુ-વ્હીકલ (V2V) જેવી અદભૂત ટેક્નોલોજી પણ મળી શકે છે.</p><h3 style="text-align: justify; "><b>કેરેન્સ ક્લેવિસ EV સાથે પાવરટ્રેન શેરિંગ</b></h3><p style="text-align: justify; ">આ નવી ઇલેક્ટ્રિક એસયુવી પાવરફુલ K1 પ્લેટફોર્મ પર આધારિત હશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાયરોસ EVમાં આપવામાં આવનારા 42kWh અને 51.4kWhના બેટરી પેક આગામી Kia Carens Clavis EV સાથે શેર કરવામાં આવે તેવી અપેક્ષા છે. કંપની આગામી અઠવાડિયામાં આ કારના ફીચર્સ અને કિંમત અંગેની સત્તાવાર માહિતી જાહેર કરશે, પરંતુ શરૂઆતી અહેવાલો મુજબ આ પાવરટ્રેન કારને ખૂબ જ દમદાર બનાવશે.</p><h4 style="text-align: justify; "><b>નાની સાઇઝના કારણે મળશે શાનદાર રેન્જ</b></h4><p style="text-align: justify; ">સાયરોસ EV તેના નાના કદ અને હળવા વજનના કારણે, સમાન બેટરી પેક હોવા છતાં કેરેન્સ ક્લેવિસ EV કરતા વધુ લાંબી રેન્જ આપશે. માહિતગાર કરી દઈએ કે કેરેન્સ ક્લેવિસ EV 42kWhની બેટરી સાથે 404 કિમી અને 51.4kWhની બેટરી સાથે 490 કિમીની ARAI-પ્રમાણિત રેન્જનો દાવો કરે છે. જ્યારે તેનાથી વિપરીત, સાયરોસ EV નાના બેટરી પેક સાથે 443 કિમી સુધીની અને મોટા 51.4kWh બેટરી પેક સાથે 520 કિમી સુધીની શાનદાર રેન્જ પ્રદાન કરશે. જો આ આંકડા સાચા સાબિત થશે, તો તે પોતાની કેટેગરીમાં સૌથી વધુ રેન્જ આપતી ઇલેક્ટ્રિક કાર બની જશે.</p><h5 style="text-align: justify; "><b>લાઇફટાઇમ બેટરી વોરંટીની મોટી યોજના</b></h5><p style="text-align: justify; ">ગ્રાહકોનો ભરોસો જીતવા માટે કિયા ઈન્ડિયા આ કાર સાથે એક ક્રાંતિકારી ઓફર લાવવાની યોજના બનાવી રહી છે. કંપની સાયરોસ EV સાથે 15 વર્ષ અથવા આજીવન (લાઈફટાઈમ) બેટરી વોરંટી આપવાનું વિચારી રહી છે, જે આ સેગમેન્ટમાં અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ અને ગ્રાહકો માટે ફાયદાકારક ઓફર સાબિત થશે.</p><h6 style="text-align: justify; "><b>સ્ટાન્ડર્ડ વોરંટી અને એક્સટેન્શનના વિકલ્પો</b></h6><p style="text-align: justify; ">લાઇફટાઇમ બેટરી વોરંટી સિવાય ગ્રાહકોની સુરક્ષા માટે આ ઇલેક્ટ્રિક SUV પર 3 વર્ષની સ્ટાન્ડર્ડ (સ્ટાન્ડર્ડ) વોરંટી પણ આપવામાં આવશે. એટલું જ નહીં, ગ્રાહકો પાસે આ સ્ટાન્ડર્ડ વોરંટીને વધારીને 7 વર્ષ અથવા 1.6 લાખ કિલોમીટર સુધી લંબાવવાનો (એક્સટેન્ડ કરવાનો) વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે, જે કાર ખરીદનારાઓ માટે ચિંતામુક્ત સવારીની ખાતરી આપશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/automobile" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/ajoFws8ntEg0UHmFZ4NYcP0rRMy0QD7hdOFDU99I.webp'/></item><item><title><![CDATA[Kheda જિલ્લામાં ભયજનક 'ચાંદીપુરા' વાયરસની એન્ટ્રી: કપડવંજના સાલોડમાં 1 વર્ષનું બાળક બન્યું ભોગ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kheda/entry-of-the-dreaded-chandipura-virus-in-kheda-district-a-1-year-old-child-became-a-victim-in-salod-kapadvanj</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/kheda/entry-of-the-dreaded-chandipura-virus-in-kheda-district-a-1-year-old-child-became-a-victim-in-salod-kapadvanj</guid><pubDate>Fri, 10 Jul 2026 23:24:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ખેડા જિલ્લામાં માસૂમ બાળકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકતા ખતરનાક એવા ચાંદીપુરા (ચાંદીપુરમ) વાયરસનો પ્રથમ કેસ સત્તાવાર રીતે નોંધાતા ભારે હાહાકાર મચી ગયો છે. મળતી માહિતી મુજબ, આ ચિંતાજનક કેસ કપડવંજ તાલુકાના સાલોડ ગ્રામ પંચાયત અંતર્ગત આવતા સીમ વિસ્તારમાં સામે આવ્યો છે, જ્યાં માત્ર 1 વર્ષનું એક માસૂમ બાળક આ વાયરસનો ભોગ બન્યું છે. બાળકની તબિયત લથડતાં તેને સૌપ્રથમ કપડવંજની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી, પરંતુ સ્થિતિ વધુ ગંભીર જણાતાં તેને તાત્કાલિક વધુ સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>અધિકારીની બદલી થતાં જ દબાયેલી હકીકતો બહાર આવી</b></h2><p style="text-align: justify; ">આ કેસ પ્રકાશમાં આવ્યા બાદ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની કાગળ પર ચાલતી કામગીરીની પોલ ખુલી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અગાઉના અધિકારી વી. એસ. ધ્રુવેની બદલી થતાં જ આરોગ્ય વિભાગ દ્વારા દબાવી રાખવામાં આવેલી આ ગંભીર હકીકતો અને કેસની વિગતો સપાટી પર આવી છે. વાયરસની એન્ટ્રી થતાં જ હવે ઊંઘતું ઝડપાયેલું આરોગ્ય તંત્ર સફાળું જાગીને દોડતું થયું છે. સાલોડ ગામમાં સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આવતીકાલ સવારથી જ આરોગ્ય ટીમો દ્વારા યુદ્ધના ધોરણે ખાસ સર્વે અને જંતુનાશક દવાઓના છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવશે.</p><h3 style="text-align: justify; "><b>ઇન્ચાર્જ CDHO સામે એક મોટો પડકાર</b></h3><p style="text-align: justify; ">ખેડા જિલ્લાના ઇન્ચાર્જ સીડીએચઓ શાલિની ભાટિયા સામે આ વાયરસના સંક્રમણને અટકાવવાનો પડકાર આવીને ઊભો રહ્યો છે. ખેડાની સાથે મહીસાગર અને સાબરકાંઠામાં પણ ચાંદીપુરા વાયરસના કેસો સતત વધી રહ્યા હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. કાગળ પરની કાર્યવાહી બતાવીને સંતોષ માનતા અધિકારીઓની નીતિ વચ્ચે, આ ભયાનક સ્થિતિને પહોંચી વળવા માટે ખેડા જિલ્લામાં તાત્કાલિક ધોરણે કોઈ સક્ષમ અને કાયમી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની નિમણૂંક કરવામાં આવે તેવી લોકમુખે પ્રબળ માંગ ઉઠી રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/4NDw0B8aTeoURRWDhdRVgv54wdK1mhXw5fqGGszH.webp'/></item><item><title><![CDATA[Nadiadમાં વન મહોત્સવના સ્ટેજ પરથી એન્કરની ભૂલ અને ધારાસભ્યનો સણસણતો જવાબ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/nadiad/anchors-mistake-and-mlas-scathing-response-from-the-stage-of-the-van-mahotsav-in-nadiad</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/nadiad/anchors-mistake-and-mlas-scathing-response-from-the-stage-of-the-van-mahotsav-in-nadiad</guid><pubDate>Fri, 10 Jul 2026 23:08:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ખેડા જિલ્લાના નડિયાદ નજીક આવેલા કમળા ખાતે સોમીલ ઓનર્સ એસોસિએશન દ્વારા 27મા વન મહોત્સવ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સરકારી અને સામાજિક કાર્યક્રમ દરમિયાન સ્ટેજ સંચાલન કરી રહેલા એન્કર દ્વારા નડિયાદના સિનિયર અને વર્તમાન ધારાસભ્ય પંકજ દેસાઈને ભૂલથી 'માજી ધારાસભ્ય' તરીકે સંબોધવામાં આવ્યા હતા. પોતાની લોકપ્રિયતા અને સક્રિયતા માટે જાણીતા ધારાસભ્ય પંકજ દેસાઈએ આ સાંભળતા જ મંચ પરથી માઈક હાથમાં લઈને એન્કરને અત્યંત રસપ્રદ અને સણસણતો વળતો જવાબ આપ્યો હતો જે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.</p><h2 style="text-align: justify; "><b>એન્કરે ધારાસભ્ય પંકજ દેસાઈને 'માજી' કહ્યા</b></h2><p style="text-align: justify; ">એન્કરની ભૂલ સુધારતા અને પોતાની ક્ષમતાનો પરચો આપતા ધારાસભ્ય પંકજ દેસાઈએ મંચ પરથી ગર્જના કરી હતી કે, "હું નડિયાદના વિકાસ માટે હજુ પણ મેદાનમાં અડીખમ ઊભો છું. આજે પણ મારી અંદર 22 વર્ષના નવયુવાન છોકરાને પણ શરમ આવી જાય તેવો અદભુત ઉત્સાહ છે અને હું એ રીતે જ જનતા વચ્ચે દોડું છું." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તેઓ દિવસના 24 કલાકમાંથી 18 કલાકથી પણ વધુ સમય પ્રજાના કામો માટે સખત મહેનત કરે છે અને લોકસેવામાં સતત સક્રિય રહે છે.</p><h3 style="text-align: justify; "><b>ધારાસભ્ય પંકજ દેસાઈએ મંચ પરથી આપ્યો જવાબ</b></h3><p style="text-align: justify; ">પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, કોઈપણ સામાન્ય વ્યક્તિ ક્યારેય મારા ઘરેથી નિરાશ થઈને ખાલી હાથે પાછો જતો નથી. લોકો જે પણ આશા અને અપેક્ષા લઈને મારી પાસે આવે છે, તેને પૂર્ણ કરવાની પવિત્ર જવાબદારી લઈને હું હંમેશા ચાલતો હોઉં છું. પ્રજા સાથેના અંગત જોડાણ અંગે તેમણે કહ્યું કે, માત્ર કોઈ એક સામાન્ય નાગરિકે પણ જો મને ફોન કર્યો હોય, તો તે ફોનનો સામેથી પરત રિપ્લાય આપવાની મારી વર્ષો જૂની ટેવ આજે પણ અકબંધ છે અને આ જ લોકપ્રિયતાના કારણે હું આટલો લાંબો રાજકીય પંથ કાપી શક્યો છું અને હજુ પણ આગળ ચાલવાનો છું.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/4yY6pzBgc8oTIGPMqJH2uoHta0GePol5Uai942ai.webp'/></item><item><title><![CDATA[Vadodara News: સાવલીના પરથમ પુરા ગામે ડમ્પરે વૃધ્ધાને કચડી નાખ્યાં ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/vadodara/old-woman-killed-after-being-crushed-by-dumper-in-savli</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/vadodara/old-woman-killed-after-being-crushed-by-dumper-in-savli</guid><pubDate>Fri, 10 Jul 2026 22:04:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં બેફામ દોડતા ભારે વાહનોના આતંક વચ્ચે વધુ એક નિર્દોષ નાગરિકે પોતાનો જીવ ગુમાવ્યો છે.તાલુકાના પરથમપુરા ગામે માતેલા સાંઢની માફક દોડતા એક ડમ્પરે માર્ગ પરથી પસાર થઈ રહેલા 60 વર્ષીય વૃદ્ધા શારદાબેન પરમારને અડફેટે લઈને કચડી નાખ્યા હતા. શારદાબેન પોતાના ખેતરેથી કામ પતાવીને પરત ઘરે જઈ રહ્યા હતા, ત્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ડમ્પરનું વ્હીલ ફરી વળતાં ગંભીર ઈજાઓના કારણે મહિલાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>ખેતરમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા તે સમયે બની ઘટના</b></h2><p style="text-align: justify; ">આ હૃદયદ્રાવક ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અકસ્માતના કારણે મુખ્ય માર્ગ પર બંને બાજુ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સાવલી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવીને મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી અકસ્માત અંગે કાયદેસરની તપાસ શરૂ કરી છે.</p><h3 style="text-align: justify; "><b>ઘટનાને પગલે માર્ગ પર ટ્રાફિક જામ થયો&nbsp;</b></h3><p style="text-align: justify; ">સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સાવલી તાલુકાના ગ્રામ્ય રસ્તાઓ ઉપર ખનીજ તેમજ અન્ય સામાન ભરીને દોડતા ઓવરસ્પીડ ડમ્પરો ચાલકો માટે યમદૂત સમાન સાબિત થઈ રહ્યા છે. અવારનવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આ બેફામ ડમ્પરોની ગતિ પર કોઈ નિયંત્રણ રાખવામાં આવતું નથી, જેના કારણે રોજેરોજ નાના વાહનચાલકો અને રાહદારીઓનો જીવ જોખમમાં મુકાય છે. આ અકસ્માત બાદ સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને બેફામ દોડતા ડમ્પરોની ગતિ પર રોક લગાવવા માટે તંત્ર સામે લોક માંગ પ્રબળ બની છે.<br><br><br><a href="https://sandesh.com/india/news/16-ivp-councillors-join-bjp-after-raghav-chadha-exit" target="_blank">આ પણ વાંચોઃ Delhi: રાઘવ ચઢ્ઢા બાદ IVPના 16 કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ ગયા</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/qu1nTVWnr4ebpFreCdsWWEn60mIZalz3cbhBbNk4.webp'/></item><item><title><![CDATA[Ahmedabadમાં 149મી રથયાત્રા પૂર્વે કોમી એકતાનો સંદેશ: જગન્નાથ મંદિર સુધી ભવ્ય બાઈક રેલી યોજાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/a-message-of-communal-unity-ahead-of-the-149th-rath-yatra-in-ahmedabad-a-grand-bike-rally-was-held-up-to-the-jagannath-temple</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/a-message-of-communal-unity-ahead-of-the-149th-rath-yatra-in-ahmedabad-a-grand-bike-rally-was-held-up-to-the-jagannath-temple</guid><pubDate>Fri, 10 Jul 2026 21:51:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભગવાન જગન્નાથની 149મી ભવ્ય રથયાત્રા પૂર્વે અમદાવાદ શહેરમાં કોમી એકતા, શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી એક વિશેષ એકતા બાઇક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેર પોલીસ અને સ્થાનિક શાંતિ સમિતિના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરીજનોમાં કોમી ભાઈચારો જાળવી રાખવાનો અને શાંતિપૂર્ણ રીતે ઉત્સવ ઉજવવાનો છે. આ ભવ્ય બાઇક રેલી શહેરના સંવેદનશીલ ગણાતા પ્રેમ દરવાજા વિસ્તારથી શરૂ થઈને જમાલપુર સ્થિત ઐતિહાસિક જગન્નાથ મંદિર સુધી પહોંચી હતી.</p><h2 style="text-align: justify; "><b>સાયબર સ્કેમ અને મહિલા સુરક્ષાના બેનરો આકર્ષણનું કેન્દ્ર</b></h2><p style="text-align: justify; ">અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાતે ઉપસ્થિત રહીને લીલી ઝંડી બતાવી આ એકતા બાઇક રેલીનું ઉત્સાહભેર પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીમાં પોલીસ વિભાગના જવાનો અને અધિકારીઓ ૭૫થી વધુ બાઇક સવાર થઈને જોડાયા હતા. રેલીમાં માત્ર કોમી એકતા જ નહીં, પરંતુ વર્તમાન સમયની મોટી સમસ્યાઓ જેવી કે સાયબર સ્કેમ (Cyber Scam) થી બચવાની જાગૃતિ, મહિલા સુરક્ષા, ટ્રાફિક નિયમો અને નશાબંધી સહિતના સામાજિક જાગૃતિ ફેલાવતા વિવિધ આકર્ષક સ્લોગન અને બેનરો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.</p><h3 style="text-align: justify; "><b>12 જેટલા સ્થળોએ વિવિધ સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત</b></h3><p style="text-align: justify; ">પ્રેમ દરવાજાથી શરૂ થયેલી આ બાઇક રેલી જેમ-જેમ આગળ વધી તેમ રસ્તામાં આવતા વિવિધ વિસ્તારોના નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રેલીના નિર્ધારિત રૂટ પર અલગ-અલગ 12 જેટલા મુખ્ય સ્થળોએ હિન્દુ, મુસ્લિમ સહિતના તમામ વિવિધ સમાજના અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા એકતાના પ્રતીક રૂપે અમદાવાદ પોલીસ કમિશનરનું ફૂલહાર પહેરાવીને ભવ્ય સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રેલીએ સાબિત કર્યું છે કે અમદાવાદ હંમેશા શાંતિ અને ભાઈચારાના રંગે રંગાયેલું શહેર છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/AsYWLHK5UVJIihbKt9el3jYk9mieqYR3jJwYX97I.webp'/></item><item><title><![CDATA[Delhi: રાઘવ ચઢ્ઢા બાદ IVPના 16 કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ ગયા ]]></title><link>https://sandesh.com/india/news/16-ivp-councillors-join-bjp-after-raghav-chadha-exit</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/16-ivp-councillors-join-bjp-after-raghav-chadha-exit</guid><pubDate>Fri, 10 Jul 2026 21:19:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાની આગેવાનીમાં સાત સાંસદો ભાજપમાં જોડાયા બાદ દિલ્હીમાં આમ આદમી પાર્ટીથી અલગ થયેલા વધુ એક મોટા જૂથે ભગવો ધારણ કરી લીધો છે.આશરે દોઢ વર્ષ પહેલાં આપમાંથી બગાવત કરીને અલગ થયેલી ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટીના તમામ 16 કોર્પોરેટરો શુક્રવારે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે.દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ હર્ષ મલ્હોત્રાની હાજરીમાં આ વિલીનીકરણ પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.આ સાથે જ દિલ્હી નગર નિગમમાં ભાજપની પકડ વધુ મજબૂત બની ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>MCDમાં ભાજપ બહુમતીથી ઘણું આગળ</b></h2><p style="text-align: justify; ">250 સભ્યોની દિલ્હી નગર નિગમમાં આ 16 કોર્પોરેટરોના આગમન સાથે જ ભાજપના સભ્યોની સંખ્યા વધીને 139 થઈ ગઈ છે.જ્યારે સત્તા ગુમાવ્યા બાદ આમ આદમી પાર્ટી પાસે હવે માત્ર 123 કોર્પોરેટરો જ બચ્યા છે.વર્ષ 2022માં યોજાયેલી એમસીડી ચૂંટણીમાં ભાજપે માત્ર 104 બેઠકો જીતી હતી.પરંતુ સમય જતાં આપમાં ગાબડાં પડતાં ભાજપનું કદ સતત વધતું રહ્યું.આઈવીપીના કોર્પોરેટરોને પક્ષમાં આવકારતા મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે,આ તમામ નેતાઓએ દિલ્હીના વિકાસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.આ એક બહુ સારો સંકેત છે અને હવે તેમના વોર્ડમાં વિકાસ કાર્યો ઝડપી બનશે. શહેરનો વિકાસ એ ભાજપ સરકારની સૌથી મોટી પ્રાથમિકતા છે.</p><h3 style="text-align: justify; "><b>તમામ 16 સભ્યો ભાજપ પરિવારનો ભાગ બન્યા</b></h3><p style="text-align: justify; ">તે જ સમયે ભાજપ પ્રદેશ અધ્યક્ષ હર્ષ મલ્હોત્રાએ માહિતી આપી હતી કે, દોઢ વર્ષ પહેલાં જ્યારે મુકેશ ગોયલ અને હેમચંદ ગોયલની આગેવાનીમાં આપ સરકારના નબળા વહીવટથી કંટાળીને આ જૂથ અલગ પડ્યું હતું ત્યારે IVP ની સ્થાપના થઈ હતી.આજે આ તમામ 16 સભ્યો ભાજપ પરિવારનો ભાગ બન્યા છે.આઈવીપીના પ્રમુખ મુકેશ ગોયલે સ્પષ્ટ કર્યું હતું કે,અમે દોઢ વર્ષ સુધી ભાજપની કાર્યશૈલી જોઈ છે અને અમને સામૂહિક રીતે વિશ્વાસ છે કે સત્તાધારી પક્ષમાં જોડાવાથી અમારા વિસ્તારોનો વિકાસ ઝડપી બનશે.પક્ષમાં કોઈ પદ મેળવવા અંગે કોઈ ચર્ચા થઈ નથી.નિગમમાં જે પણ ભૂમિકા અપાશે તે અમે દિલથી નિભાવીશું.</p><h2 style="text-align: justify; "><b>સેન્ટ્રલ ઝોનની સ્ટેન્ડિંગ કમિટીમાં નામાંકિત થઈ શકે</b></h2><p style="text-align: justify; ">MCDમાં આપ નેતૃત્વ સાથેના મતભેદો બાદ મે 2025માં આ 16 કોર્પોરેટરોએ ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટી નામે અલગ જૂથ બનાવ્યું હતું.આ નેતાઓ એવા સમયે ભાજપમાં જોડાયા છે જ્યારે આગામી વર્ષે જ એમસીડીની ચૂંટણીઓ યોજાવાની છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપમાં જોડાનાર મુકેશ ગોયલને MCDની કોઈ સ્પેશિયલ કમિટીના ચેરમેન બનાવવામાં આવી શકે છે. જ્યારે હેમચંદ ગોયલને સેન્ટ્રલ ઝોનની સ્ટેન્ડિંગ કમિટીમાં નામાંકિત કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે.<br><br><a href="https://sandesh.com/explainer/news/pm-modi-rsquo-s-historic-new-zealand-visit-after-40-years" target="_blank">આ પણ વાંચોઃ Sandesh Digital Explainer: 40 વર્ષ બાદ ભારતના PMનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ, જાણો શું બંને દેશો સંબંધો કેવા છે?</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/xBEwZglSS3eSIPzYlQo9XgfdTowdpiCW9IqG70dv.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: AMCમાં મોટું કૌભાંડ? નીતિના અભાવે મનફાવે તેમ પ્લોટ ભાડે અપાયા, નિયમ વિરુદ્ધ પાકા બાંધકામ થતા સ્ટેન્ડિંગ કમિટી લાલચોળ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-plot-lease-scam-negligence-standing-committee-new-policy</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-plot-lease-scam-negligence-standing-committee-new-policy</guid><pubDate>Fri, 10 Jul 2026 20:38:06 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ મહાનગરપાલિકા હસ્તકના કિંમતી પ્લોટોને ભાડે આપવાના મામલામાં તંત્રની ઘોર બેદરકારી અને અધિકારીઓની મનસ્વી કામગીરી સામે આવી છે. અમદાવાદ મનપા હસ્તકના પ્લોટ ભાડે આપવા માટે હાલ કોઈ ચોક્કસ કે નક્કર નીતિ અમલમાં ન હોવાના કારણે અધિકારીઓ કોઈપણ હેતુ માટે ગમે તેને પ્લોટ ભાડે ચડાવી રહ્યા હોવાની ગંભીર ફરિયાદો ઉઠી છે. નીતિના આ અભાવે અમદાવાદ મનપાની તિજોરીને નુકસાન અને વ્યવસ્થા ખોરવવાનો મોટો વિવાદ સર્જ્યો છે.</p><h2><b>ત્રણ વર્ષથી સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી જ ન લેવાઈ</b></h2><p>આ સમગ્ર મામલામાં સૌથી ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે, છેલ્લા ત્રણ વર્ષથી આ પ્લોટો ભાડે આપવા માટે ઉચ્ચ સત્તાધિકારી એવી સ્ટેન્ડિંગ કમિટીની કોઈ મંજૂરી જ લેવામાં આવી નથી. અગાઉ પ્લોટ ભાડે આપવા માટે એક નીતિ બનાવવામાં આવી ખરી, પરંતુ તે દર છ મહિને બદલવી પડતી હતી. છેલ્લે ફેબ્રુઆરી મહિનામાં આ નીતિની મુદત પૂર્ણ થઈ ગયા બાદ, હાલના તબક્કે કોર્પોરેશનમાં કોઈ પણ પ્રકારની સ્ટાન્ડર્ડ પોલિસી અમલમાં નથી, જેના કારણે અધિકારીઓ બેફામ બન્યા છે.</p><h2><b>ભાડાના પ્લોટમાં નિયમ વિરુદ્ધ પાકા બાંધકામ અને ઇન્ડસ્ટ્રીયલ શેડ</b></h2><p>ચોક્કસ નીતિ અને સુપરવિઝનના અભાવે ભાડે આપવામાં આવેલા પ્લોટો પર મોટા પાયે નિયમોનું ઉલ્લંઘન થયું છે. અમદાવાદ કોર્પોરેશનના નિયમ મુજબ ભાડાના પ્લોટ પર ટેમ્પરરી ધોરણે જ ઉપયોગ થઈ શકે, પરંતુ અહીં ભાડે આપેલા પ્લોટોમાં પાકા બાંધકામો થઈ ગયા હોવાની રજૂઆતો થઈ છે. એટલું જ નહીં, કિંમતી જમીનો પર મોટા-મોટા ઇન્ડસ્ટ્રીયલ શેડ પણ ચણાઈ ગયા છે. આ સિવાય અનેક પ્લોટો ખાણીપીણીની બજારો અને ફૂડ સ્ટોલ માટે આડેધડ ફાળવી દેવામાં આવ્યા છે.</p><h2><b>સ્ટેન્ડિંગ કમિટીની કડક સૂચના</b></h2><p>આડેધડ પ્લોટ ફાળવણી અને તેના પર થયેલા ગેરકાયદે બાંધકામો અંગેની ફરિયાદો સ્ટેન્ડિંગ કમિટી સુધી પહોંચતા કમિટી લાલચોળ થઈ છે. વહીવટી તંત્રની આ બેદરકારી પર રોક લગાવવા માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા તાત્કાલિક અસરથી નવી અને કડક નીતિ બનાવવા માટે આદેશ આપવામાં આવ્યા છે.</p><h2><b>નવી નીતિમાં કમિટીની મંજૂરી લેવી ફરજિયાત બનશે</b></h2><p>નવી બનનારી નીતિ અંતર્ગત હવે પ્લોટ કયા હેતુ માટે આપવો, કેટલા સમયગાળા માટે આપવો અને તેનો ભાડાનો દર શું રહેશે તે બધું જ અગાઉથી નક્કી કરવામાં આવશે. સૌથી મહત્વની બાબત એ છે કે, નવી પોલિસી લાગુ થયા બાદ અધિકારીઓ પોતાની મરજીથી પ્લોટ ફાળવી શકશે નહીં, પરંતુ કોઈપણ પ્લોટ ભાડે આપતા પહેલાં ફરજિયાતપણે સ્ટેન્ડિંગ કમિટીની પૂર્વ મંજૂરી લેવી પડશે. તંત્રના આ કડક વલણથી આગામી દિવસોમાં મનસ્વી કામગીરી કરતા અધિકારીઓ પર લગામ કસાશે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-action-dilapidated-houses-rath-yatra-2026-route" target="_blank">Ahmedabad News: રથયાત્રા પહેલા 544 જર્જરિત મકાનો અંગે AMCની કાર્યવાહી, 44 મકાનો તોડી પડાયા</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/kkBA9DlXI48k32IRKMwIX6bg0vIF194XhdwHRUbd.webp'/></item><item><title><![CDATA[Automobile: નિસાન ઇન્ડિયાએ ગ્લોબલ સ્ટેજ પર રજૂ કરી All-New Nissan Tekton SUV ]]></title><link>https://sandesh.com/business/automobile/news/india/automobile-nissan-india-launches-all-new-nissan-tekton-suv-on-the-global-stage</link><guid isPermaLink="true">https://sandesh.com/business/automobile/news/india/automobile-nissan-india-launches-all-new-nissan-tekton-suv-on-the-global-stage</guid><pubDate>Fri, 10 Jul 2026 20:26:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય ઓટોમોટિવ જગત માટે આજનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે.અગ્રણી કાર નિર્માતા કંપની નિસાન ઇન્ડિયાએ વૈશ્વિક સ્તરે અસાધારણ વિઝન સાથે પોતાની મોસ્ટ અવેટેડ એસયુવી ઓલ-ન્યૂ નિસાન ટેક્ટોનનું ભવ્ય વર્લ્ડ પ્રીમિયર કર્યું છે.આટલા મોટા પાયે આયોજિત થયેલા ગ્લોબલ લોન્ચિંગે ઓટોમોટિવ સેક્ટરમાં શ્રેષ્ઠતા અને લીડરશિપના તમામ જૂના માપદંડો બદલી નાખ્યા છે.આ શાનદાર સિદ્ધિ બદલ નિસાન ઇન્ડિયા પર હાલ ચારેય તરફથી ખૂબજ સમર્થન મળી રહ્યું છે.&nbsp;&nbsp;</p><h2 style="text-align: justify; "><b>એસયુવી સેક્ટરમાં નવા યુગનું આગમન</b></h2><p style="text-align: justify; ">નિસાન ઇન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવેલી આ નવી એસયુવી માત્ર એક વાહન નથી પરંતુ ઓટોમોટિવ એન્જિનિયરિંગનો એક અદ્ભુત નમૂનો છે.કંપનીએ તેને અજોડ અને અદ્ભુત ટેગલાઈન સાથે રજૂ કરી છે.નિસાનની આ પ્રીમિયમ કાર પહેલા જ દિવસથી તમામ સીમાઓને પાર કરીને ગ્લોબલ માર્કેટમાં એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરવા માટે તૈયાર છે.આ એસયુવી પોતાની અદ્યતન ડિઝાઇન અને પાવરફુલ લુકના કારણે ગ્રાહકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહી છે.</p><h2 style="text-align: justify; "><b>નિસાન ઇન્ડિયાની આ અવિશ્વસનીય સિદ્ધિની ઉજવણી</b></h2><p style="text-align: justify; ">ઓટો જગતના નિષ્ણાતો આ લોન્ચિંગને ભારતીય ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી માટે એક ગર્વની ક્ષણ ગણાવી રહ્યા છે.આ કક્ષાની લક્ઝુરિયસ અને પાવરફુલ એસયુવીને વૈશ્વિક મંચ પર લાવવા પાછળ નિસાન ઇન્ડિયાની ટીમે અવિરત ઉત્સાહ અને સમર્પણ દાખવ્યું છે.આ લોન્ચ સાથે જ એસયુવી સેક્ટરમાં પ્રભુત્વ મેળવવા અને અગ્રણી બનવાના અર્થને નિસાને ફરીથી વ્યાખ્યાયિત કર્યો છે.આ ભવ્ય વર્લ્ડ પ્રીમિયર બાદ સમગ્ર ઓટોમોટિવ ઉદ્યોગ અને કાર પ્રેમીઓ ગર્વભેર નિસાન ઇન્ડિયાની આ અવિશ્વસનીય સિદ્ધિની ઉજવણી કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે ભારતીય અને વૈશ્વિક બજારમાં સત્તાવાર એન્ટ્રી બાદ આ ટેક્ટોન એસયુવી અન્ય હરીફ કાર્સને કેટલી મોટી ટક્કર આપે છે.<br><br><a href="https://sandesh.com/explainer/news/extreme-heat-threatens-data-centers-and-tech-companies" target="_blank">આ પણ વાંચોઃ Sandesh Digital Explainer: જાણો ભીષણ ગરમીથી ટેક કંપનીઓનું ટેન્શન કેમ વધ્યું, શું હવે AI ખતરામાં છે</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/3eqfb49j6iEJpnBDaOicaWn4Z8nbSdISO5DPuK6W.webp'/></item><item><title><![CDATA[Jaaved Jaaferi: 41 વર્ષથી બોલીવુડમાં... કેમ A-લિસ્ટ ન બની શક્યા જાવેદ જાફરી? સલમાનનું નામ લઈ કહી મોટી વાત ]]></title><link>https://sandesh.com/entertainment/news/jaaved-jaaferi-on-why-he-never-became-an-a-list-star-in-bollywood</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/jaaved-jaaferi-on-why-he-never-became-an-a-list-star-in-bollywood</guid><pubDate>Fri, 10 Jul 2026 18:49:14 +05:30</pubDate><description><![CDATA[<p>બોલીવુડ અભિનેતા જાવેદ જાફરી ધમાલ 4 સાથે ફરી એકવાર મોટા પડદા પર પાછા ફર્યા છે. આ ફિલ્મ આજે 10 જુલાઈએ રિલીઝ થઈ હતી. જાવેદ એક એવો અભિનેતા છે જે છેલ્લા 41 વર્ષથી બોલીવુડનો ભાગ છે. તેમણે 1985 માં આવેલી ફિલ્મ મેરી જંગ થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, જેમાં તેમણે નેગેટિવ ભૂમિકા ભજવી હતી. વર્ષોથી તેમણે ખલનાયકોથી લઈને હાસ્ય કલાકારો સુધીના વિવિધ પાત્રો ભજવ્યા છે. જોકે, તેઓ ક્યારેય એ-લિસ્ટ સ્ટાર બન્યા નથી. તેમણે હવે આ વિશે ખુલીને વાત કરી છે, તેમણે કહ્યું કે આવું કેમ થયું અને તેમને શા માટે મોટું સ્ટારડમ મળ્યું નહીં.</p><p>સલમાન ખાનનું ઉદાહરણ આપતા, જાવેદ જાફરીએ જણાવ્યું કે સફળતા એ અંતિમ પરિબળ છે. તેમણે કહ્યું કે શરૂઆતમાં લોકોએ સલમાનની પહેલી ફિલ્મ બીવી હો તો ઐસી પછી તેને અવગણ્યો હતો, પરંતુ મૈને પ્યાર કિયા હિટ થયા પછી તેની પાછળ ભાગવા લાગ્યા હતા. જાવેદને લાગે છે કે તેમને ક્યારેય આ પ્રકારની મોટી હિટ મળી નથી. તેમણે કહ્યું કે સફળતા મોટી વસ્તુ છે અને આ સિવાય તેમણે PR ગેમનો પણ ઉલ્લેખ કર્યો.&nbsp;</p><h2><b>"હું કોઈ ગ્રુપનો ભાગ નહોતો" - જાવેદ જાફરી</b></h2><p>એક સવાલમાં જાવેદ જાફરીને પૂછવામાં આવ્યું કે તેઓ ક્યારેય એ-લિસ્ટ સ્ટાર કેમ બન્યા નહીં, ત્યારે જાવેદ જાફરીએ કહ્યું, "મને લાગે છે કે તે તમારી છબી કેવી રીતે બનાવવામાં આવે છે તેના પર પણ આધાર રાખે છે. પીઆર આમાં ભૂમિકા ભજવે છે કારણ કે ઈન્ડસ્ટ્રી પાસે પોતાનું નેટવર્ક છે. કેટલીકવાર, તમારા વિશે નકારાત્મક માહિતી ફેલાય છે, અને તમારે સત્ય જાહેર કરવાની અથવા પોઝિટીવ છબી બનાવવાની જરૂર પડે છે. કેટલાક કિસ્સાઓમાં હું તે કરી શક્યો નહીં. હું કોઈ ચોક્કસ ગ્રુપનો ભાગ પણ નહોતો."&nbsp;</p><h3><b>મને મોટી હિટ ફિલ્મ મળી નથી - જાવેદ જાફરી</b></h3><p>તેણે વધુમાં કહ્યું કે, “જો તમને મોટી હિટ મળે છે, તો કોઈ તમારી સાથે દલીલ કરતું નથી. સફળતાથી મોટું કંઈ નથી. સલમાન ખાન સાથે શું થયું તે જુઓ. તેણે બીવી હો તો ઐસી થી શરૂઆત કરી હતી. લોકોએ તેને અવગણ્યો. પછી મૈંને પ્યાર કિયા આવી, અને અચાનક બધા તેની પાછળ દોડવા લાગ્યા. સલમાન ખાન એ જ વ્યક્તિ હતો; એવું નહોતું કે તે બીવી હો તો ઐસી ની તુલનામાં કંઈક અલગ કરી રહ્યો હતો. પરંતુ તે બધું સફળતાને કારણે થયું. સ્વાભાવિક રીતે, તમે તે સફળતા સાથે આગળ વધો છો. તે દ્રષ્ટિકોણથી મને ખરેખર ક્યારેય આટલી મોટી હિટ ફિલ્મ મળી નથી.”</p><h4><b>જાવેદ જાફરીએ તેની પહેલી ફિલ્મ હિટ થવા વિશે શું કહ્યું?</b></h4><p>જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમની પહેલી ફિલ્મ, મેરી જંગ - જેમાં તેમણે ખલનાયકની ભૂમિકા ભજવી હતી - ખરેખર મોટી હિટ સાબિત થઈ હતી, ત્યારે તેમણે કહ્યું, "મને ખલનાયક તરીકે લોન્ચ કરવામાં આવ્યો હતો. તે સમયે, સુભાષ ઘાઈ સૌથી સફળ દિગ્દર્શક હતા અને એન.એન. સિપ્પી એક ટોચના નિર્માતા હતા. તેથી બધાએ ધાર્યું હતું કે કારણ કે તેઓએ મને ખલનાયક તરીકે કાસ્ટ કર્યો છે, મને સમાન ભૂમિકાઓ મળતી રહેશે. અને મેં મારા તરફથી, ખરેખર મારી જાતને તે રીતે સ્થાન આપ્યું ન હતું. પ્રમાણિકપણે હું તેના વિશે વધુ વિચારતો નથી."</p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/entertainment/news/shreya-kalra-claims-kushal-tandon-cheated-on-shivangi-joshi" target="_blank"><b>શિવાંગીને દગો આપી રહ્યો હતો તેનાથી 13 વર્ષ મોટો કુશલ ટંડન! શ્રેયા કાલરાએ કર્યો દાવો</b></a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/DTuwMbPTyD46d8tyFJAjQxCXvhWbM0t1IcPu6UhN.webp'/></item><item><title><![CDATA[FIFA World 2026 : ક્વાર્ટર ફાઇનલમાં સ્પેન અને બેલ્જિયમ વચ્ચે ટક્કર, જાણો હેડ ટૂ હેડ રેકોર્ડ ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-2026-spain-and-belgium-clash-in-the-quarter-finals-know-the-head-to-head-record</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-2026-spain-and-belgium-clash-in-the-quarter-finals-know-the-head-to-head-record</guid><pubDate>Fri, 10 Jul 2026 16:50:34 +05:30</pubDate><description><![CDATA[<p>FIFA વર્લ્ડ કપ 2026ની પહેલી ક્વાર્ટર ફાઇનલ ખૂબ જ રોમાંચક રહી,જેમાં ફ્રાન્સે મોરોક્કોને 2-0 થી હરાવીને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું.ટુર્નામેન્ટની બીજી ક્વાર્ટર ફાઇનલ,જે એટલી જ રોમાંચક રહેવાની અપેક્ષા છે.તે લોસ એન્જલસ સ્ટેડિયમ ખાતે સ્પેન અને બેલ્જિયમ વચ્ચે રમાશે.બંને ટીમોએ ક્વાર્ટર ફાઇનલ સુધીની એક અદ્ભુત સફર કરી છે, જેમાં અત્યાર સુધી કોઈ પણ ટીમે સ્પેન સામે એક પણ ગોલ કર્યો નથી,જ્યારે બેલ્જિયમે તેમની બધી મેચ જીતી છે.બંને ટીમો વચ્ચેની આ મેચ 12 જુલાઈના રોજ ભારતીય સમય મુજબ રાત્રે 12:30 વાગ્યે રમાશે.</p><h4><b>બેલ્જિયમ સામે અત્યાર સુધી સ્પેનનો હાથ ઉપર&nbsp;</b></h4><p>સ્પેન અને બેલ્જિયમ વચ્ચેના હેડ-ટુ-હેડ રેકોર્ડને ધ્યાનમાં લેતા, સ્પેન સ્પષ્ટપણે ઉપર છે, તેણે 12 મેચ જીતી છે. બીજી બાજુ, બેલ્જિયમે ફક્ત પાંચ મેચ જીતી છે, જ્યારે પાંચ ડ્રો રહી છે. બંને ટીમો વચ્ચે ફિફા વર્લ્ડ કપની ટક્કરની વાત કરીએ તો, આ ફક્ત ત્રીજી વખત છે જ્યારે તેઓ એકબીજા સામે મળ્યા છે. આ પહેલા, 1986ના વર્લ્ડ કપમાં, બેલ્જિયમે પેનલ્ટી શૂટઆઉટમાં સ્પેનને 5-4થી હરાવ્યું હતું, જ્યારે 1990માં સ્પેને 2-1થી જીત મેળવી હતી.</p><h4><b>બધાની નજર લેમિન યામાલ પર રહેશે</b></h4><p>આ મેચમાં, બધાની નજર 18વર્ષીય સ્પેનિશ ખેલાડી લેમિન યામાલ પર રહેશે, જે બેલ્જિયમ માટે નોંધપાત્ર ખતરો ઉભો કરી શકે છે. લેમિન યામાલે અત્યાર સુધી ફક્ત એક જ ગોલ કર્યો છે, પરંતુ તેના આક્રમક રમતથી, બેલ્જિયમ તેને ઓછો આંકી શકે તેમ નથી. આ મેચમાં સ્પેનને ટોચનો હાથ માનવામાં આવે છે, જે મોટાભાગે તેમના ગોલકીપર ઉનાઈ સિમોનનો આભાર છે, જેમણે કોઈપણ વિરોધી ટીમને એક પણ ગોલ કરવા દીધો નથી.</p><h5><b>સેમિફાઇનલમાં કોની સામે થશે ટક્કર?</b></h5><p>ફિફા વર્લ્ડ કપ 2026ની સેમિફાઇનલમાં પહોંચ્યા બાદ હવે ફ્રાન્સનો મુકાબલો સ્પેન અથવા બેલ્જિયમ સામે થશે. આ બંને ટીમો વચ્ચેની ક્વાર્ટર ફાઇનલ મેચ બાદ વિજેતા ટીમ ફ્રાન્સ સામે ટકરાશે. બુધવાર, 15 જુલાઈના રોજ ભારતીય સમયાનુસાર (IST) રાત્રે 12:30 વાગ્યે મેચ રમાશે. ફિફા વર્લ્ડકપમાં પોર્ટુગલ બહાર થતા રોનાલ્ડોને જોવા આતુર તેના ચાહકોમાં ઉત્સાહ ઘટયો છે. છતાં મેસ્સી અને એમ્બાપ્પેની શાનદાર રમત લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. ફ્રાન્સે મોરોક્કોને હરાવીને સેમીફાઈનલની ટીકીટ મેળવી લીધી છે. હવે તેની સામે કઈ ટીમ આવશે સ્પેન -બેલ્જિયમની મેચના આગામી પરિણામો કહેશે.</p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/cricket/fifa-world-cup-2026-france-beats-morocco-2-0-to-enter-semi-finals-mbappe-and-dembele-excel" target="_blank"> FIFA World Cup 2026: મોરોક્કોને 2-0થી હરાવી ફ્રાન્સની સેમિફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી, એમ્બાપ્પે અને ડેમ્બેલેનો કમાલ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/dH1FMdh8ARtndBhoT9zFOscZxaRyfc9c1esmlCqd.webp'/></item></channel></rss>