<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[તહેવારો પહેલા Railway કર્મચારીઓ માટે ખુશખબર,  ₹18,000 થી વધીને ₹53,000 સુધી વધી શકે છે બોનસ! ]]></title><link>https://sandesh.com/india/news/railway-employee-bonus-hike-demand-festival-update</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/railway-employee-bonus-hike-demand-festival-update</guid><pubDate>Fri, 18 Sep 2026 10:04:36 +05:30</pubDate><description><![CDATA[<p>તહેવારોની સિઝન નજીક આવતાની સાથે જ દેશભરના રેલવે કર્મચારીઓ માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ખુશામતભર્યા સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે રેલવે કર્મચારીઓના વાર્ષિક બોનસની રકમમાં તીવ્ર વધારો થવાની સંભાવના છે. કર્મચારી સંગઠનો દ્વારા બોનસની રકમ ₹17,951 થી વધારીને ₹53,855 કરવાની સત્તાવાર દરખાસ્ત રજૂ કરવામાં આવી છે, જેને લઈને આગામી 21 સપ્ટેમ્બરે મોટી તૈયારીઓ ચાલી રહી છે.</p><h2><b>બોનસ વધારવા પાછળનું મુખ્ય કારણ</b></h2><p>છેલ્લા 10 વર્ષોથી રેલવે કર્મચારીઓને ઉત્પાદકતા સાથે જોડાયેલ બોનસ (PLB) ની ગણતરી માટે લઘુત્તમ વેતન ₹7,000 માનવામાં આવતું હતું, જેના આધારે દર વર્ષે આશરે ₹17,951 ચૂકવવામાં આવતા હતા. પરંતુ હવે શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા 25 ઓગસ્ટના રોજ જારી કરાયેલા ગેઝેટ નોટિફિકેશન મુજબ લઘુત્તમ વેતનમાં ફેરફાર કરવામાં આવ્યો છે.</p><p>પૂર્વ મધ્ય રેલવે કર્મચારી સંઘ (ECREU) અને ભારતીય રેલવે કર્મચારી ફેડરેશન (IREF) નું માનવું છે કે જ્યારે સરકારે નવું લઘુત્તમ વેતન ₹21,000 નક્કી કર્યું છે, ત્યારે કર્મચારીઓના બોનસની ગણતરી પણ આ નવા વેતનના આધારે જ થવી જોઈએ. જો આ નિયમ લાગુ થાય તો કર્મચારીઓનું બોનસ ત્રણ ગણું વધીને સીધું ₹53,855 સુધી પહોંચી શકે છે.</p><h3><b>કર્મચારી સંઘોની સરકારને ચીમકી</b></h3><p>આ મામલે ECREU દ્વારા કેન્દ્ર સરકાર અને કેબિનેટ સચિવને પત્ર લખીને ગણતરીની સ્પષ્ટતા સાથે માંગણી મૂકવામાં આવી છે. જો સરકાર દ્વારા આ અંગે સંતોષકારક પગલાં લેવામાં નહીં આવે, તો આગામી 21 સપ્ટેમ્બરે સંગઠનો દ્વારા ઉગ્ર રજૂઆતો અને વિરોધની તૈયારીઓ કરવામાં આવી રહી છે. દુર્ગા પૂજા અને દિવાળી જેવા મોટા તહેવારો પહેલા રેલવે કર્મચારીઓની આ માંગણી સ્વીકારાય છે કે નહીં, તે તરફ અત્યારે સમગ્ર દેશના લાખો કર્મચારીઓની નજર ટકેલી છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/neet-paper-leak-swatantra-bhardwaj-released-tihar-jail-bail" target="_blank">આ પણ વાંચોઃ NEET Paper Leak:  જામીન મળ્યા બાદ તિહાર જેલ બહાર હાઈ-વોલ્ટેજ ડ્રામા, મીડિયાથી બચીને ભાગ્યા સ્વતંત્ર ભારદ્વાજ!</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/6OX16KVoCh0Th7lKa5fEyrIcGpnjB0Eg2srb3ySV.webp'/></item><item><title><![CDATA[Gujarat Rain Update: ઉત્તર ગુજરાતના અરવલ્લી અને પાટણ જિલ્લામાં ભારે વરસાદ, આ તાલુકામાં બે કલાકમાં અઢી ઈંચ ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/aravalli/heavy-rain-in-aravalli-and-patan</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/aravalli/heavy-rain-in-aravalli-and-patan</guid><pubDate>Fri, 18 Sep 2026 09:36:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ અને સુરત સહિતના મોટા શહેરોમાં ભારે વરસાદ વરસ્યો છે. બીજી તરફ જ્યાં ઓછો વરસાદ નોંધાયો હતો તેવા ઉત્તર ગુજરાતમાં હવે મેઘરાજા અનરાધાર વરસી રહ્યાં છે. સાબરકાંઠા, પાટણ અને બનાસકાંઠ સહિત અરવલ્લી જિલ્લામાં મોડી રાતથી જ વરસાદ શરૂ થયો છે. વહેલી સવારથી અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે અંબાજી પદયાત્રીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો છે.&nbsp;</p><p style="text-align: justify; "><img alt="સાબર વરસાદ" src="https://epapercdn.sandesh.com/images/2026/09/18/dpcfjjpP6WZ3PtuD1WQU5DBtqrIq7ZJBI87he1Lx.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>અરવલ્લીમાં અંબાજી પદયાત્રીઓ વરસાદને કારણે મુશ્કેલીમાં&nbsp;</b></h2><p style="text-align: justify; ">અરવલ્લી જિલ્લાના શામળાજીની મેશ્વો નદીના ઉપરવાસમાં સારો વરસાદ વરસવાને કારણે નદીમાં નવા નીર આવ્યા છે. આ સિઝનમાં પ્રથમ વખત મેશ્વો નદીમાં પાણીની આવક થતાં સ્થાનિક ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ છવાઈ ગયો છે.અરવલ્લી જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદને કારણે મોડાસા-ગોધરા હાઈવે પર પાણી ભરાવાથી વાહનવ્યવહાર અને જનજીવન પ્રભાવિત થયું છે,જ્યારે બીજી બાજુ અંબાજી તરફ જઈ રહેલા માઈભક્ત પદયાત્રીઓ ધોધમાર વરસાદમાં ભીંજાઈ ગયા છે.રસ્તામાં ભારે વરસાદ પડવાથી માતાજીના રથને સુરક્ષિત રાખવા માટે પદયાત્રીઓએ તેના પર પ્લાસ્ટિક ઢાંકીને ચાલવાની ફરજ પડી છે જેના કારણે આ વરસતા વરસાદ વચ્ચે પદયાત્રીઓની સ્થિતિ મુશ્કેલીભરી બની ગઈ છે.</p><p style="text-align: justify; "><img alt="સાબરકાંઠા વરસાદ" src="https://epapercdn.sandesh.com/images/2026/09/18/b7eD6e0LYg6S20QDsy4ByqhsAgmWLgPPxsu0iiMG.webp" style="width: 100%;"><br></p><h3 style="text-align: justify; "><b>સાબરકાંઠા જિલ્લામાં મધ્યરાત્રી બાદ સાર્વત્રિક વરસાદ</b></h3><p style="text-align: justify; ">સાબરકાંઠા જિલ્લામાં મધ્યરાત્રી બાદ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, જેમાં ખેડબ્રહ્મામાં બે ઇંચથી વધુ અને વિજયનગર, પોશીના, વડાલી તેમજ ઈડર સહિતના વિસ્તારોમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ વરસાદથી મગફળી, કપાસ અને સોયાબીન જેવા પાકોને જીવનદાન મળવાની સાથે તળાવોમાં પાણીની આવક થવાની અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવાથી લોકોને રાહત મળી છે, જોકે હજુ પણ નદી, તળાવ અને ચેકડેમોમાં પાણીની અછત હોવાથી જિલ્લામાં વધુ વરસાદની તાતી જરૂરિયાત છે. બીજી તરફ, ઈડરથી શાંતિપુરા, હસનપુરા, શેરપુર, લાલોડા અને સિવિલ હોસ્પિટલ તેમજ કોલેજ તરફનો માર્ગ પાણીમાં ગરકાવ થઈ જવાથી વાહનચાલકો, એમ્બ્યુલન્સ, વિદ્યાર્થીઓ અને રાહદારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અને થોડા જ વરસાદમાં પાણી ભરાતા ડ્રેનેજ વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.</p><p style="text-align: justify; "><img alt="અરવલ્લી" src="https://epapercdn.sandesh.com/images/2026/09/18/MXDK9ITk7ASxV048Kqs7l8y8wocm47it9Ou5qWL6.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી</b></h2><p style="text-align: justify; ">બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું પુનરાગમન થયું છે,જ્યાં ડીસા, ધાનેરા, દાંતીવાડા, કાંકરેજ અને ઓગડ સહિતના વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો છે. આ પૈકી માત્ર ડીસામાં જ સવા ઇંચ જેટલો વરસાદ ખાબકવાને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.ખાસ કરીને ડીસામાં આવેલા જલારામ મંદિર સર્કલ પાસેની કિડ્સ સ્કૂલ આગળ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જવાના કારણે નાના બાળકો અને વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને સ્થાનિક લોકો અને સ્કૂલ સંચાલકો દ્વારા વહેલી સવારે ત્વરિત પાણીનો નિકાલ કરવામાં આવે તેવી જોડદાર માંગ કરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><img alt="મેઘરજમાં ધોધમાર" src="https://epapercdn.sandesh.com/images/2026/09/18/PXVbQfUsT9gHmtzEhOBE9AhOl0RnEQ87sld3I0rB.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>પાટણ જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ</b></h2><p style="text-align: justify; ">પાટણ જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. આ ભારે વરસાદના કારણે પાટણ શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેમાં ખાસ કરીને શહેરના સિદ્ધપુર ચાર રસ્તાથી બગવાળા તરફ જતો માર્ગ બંધ થઈ ગયો છે. તેમજ રેલવે ઘરનાળું પણ પાણીમાં ડૂબી જવાને કારણે વાહનચાલકો અને રાહદારીઓને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહેસાણા જિલ્લાના વિસનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે, જ્યાં ધીમીધારે વરસાદ વરસવાને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જોકે, આ વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ યથાવત રહી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/prayagraj-special-train-shifted-to-sabarmati-terminal" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: ગાંધીગ્રામનું ટર્મિનલ બદલાયું હવે સાબરમતીથી પ્રયાગરાજ ટ્રેન દોડશે</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/5xn1j0TBbllrguCkqX3K3pUKeXQehxy1qFrbg9at.webp'/></item><item><title><![CDATA[Pune Ganpati Bappa: ચોકલેટ બાદ હવે પાણીપુરીના બાપ્પા, પુણેમાં અનોખી ગણપતિ પ્રતિકૃતિ જોવા ઉમટી ભીડ, Video ]]></title><link>https://sandesh.com/india/news/pune-ganpati-bappa-after-chocolate-now-panipuris-bappa-crowd-gathers-to-see-unique-ganpati-replica-in-pune-video</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/pune-ganpati-bappa-after-chocolate-now-panipuris-bappa-crowd-gathers-to-see-unique-ganpati-replica-in-pune-video</guid><pubDate>Fri, 18 Sep 2026 09:31:56 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દર વર્ષે લોકો કંઈક નવું અને અલગ કરવાનો પ્રયાસ કરે છે. આ વખતે પુણેમાં પાણીપુરીથી તૈયાર કરવામાં આવેલી ગણપતિ બાપ્પાની વિશાળ અને અનોખી પ્રતિકૃતિ ચર્ચાનું કેન્દ્ર બની છે. પાણીપુરી જેવી નાજુક વસ્તુમાંથી ગણપતિ બાપ્પાનું આટલું સુંદર સ્વરૂપ તૈયાર કરવું સરળ કામ નહોતું. આ માટે આયોજકો અને કલાકારોએ લગભગ ત્રણ મહિના સુધી સતત મહેનત કરી હતી.</p><p style="text-align: justify; ">આ અનોખી પ્રતિકૃતિ તૈયાર કરવા માટે લગભગ 21 હજાર પાણીપુરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પાણીપુરીને ખાસ રીતે એકબીજા સાથે ગોઠવીને ગણપતિ બાપ્પાનું સ્વરૂપ તૈયાર કરવામાં આવ્યું છે. પ્રતિકૃતિની સુંદરતા અને તેની પાછળ કરવામાં આવેલી મહેનત વિશે જાણ થતાં જ લોકો અહીં દર્શન માટે પહોંચવા લાગ્યા છે.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/gauraavkadam/status/2099460245928222769"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; ">બાળકો હોય કે યુવાનો, દરેકમાં પાણીપુરીથી બનેલા બાપ્પાને જોવા માટે ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો અહીં આવીને પ્રતિમા સાથે તસવીરો અને વીડિયો પણ બનાવી રહ્યા છે. આ અનોખી ગણપતિ પ્રતિકૃતિની ચર્ચા માત્ર પુણે પૂરતી મર્યાદિત રહી નથી. આયોજકોના જણાવ્યા અનુસાર, મુંબઈથી પણ કેટલાક લોકો ખાસ પાણીપુરીવાળા બાપ્પાના દર્શન કરવા માટે અહીં પહોંચ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>પાણીપુરીને સુરક્ષિત રાખવી પણ મોટો પડકાર</b></h3><p style="text-align: justify; ">પાણીપુરીથી ગણપતિ બાપ્પાની પ્રતિકૃતિ તૈયાર કર્યા બાદ તેને લાંબા સમય સુધી યોગ્ય સ્થિતિમાં જાળવી રાખવી પણ એક મોટો પડકાર છે. પાણીપુરીને લાંબા સમય સુધી સામાન્ય સ્થિતિમાં રાખવી મુશ્કેલ હોય છે. ખાસ કરીને ભેજ અને વાતાવરણમાં થતા ફેરફારને કારણે પાણીપુરી નરમ પડી શકે છે.</p><p style="text-align: justify; ">આ સમસ્યાથી બચવા માટે પ્રતિકૃતિની આસપાસ હેલોજન લાઇટ્સ લગાવવામાં આવી છે. આ લાઇટ્સથી આસપાસનું વાતાવરણ ગરમ રાખવામાં આવે છે, જેથી પાણીપુરીમાં ભેજની અસર ઓછી થાય અને તે નરમ ન પડે. આ રીતે ગણપતિ બાપ્પાની અનોખી પ્રતિકૃતિને તેની હાલની સ્થિતિમાં જાળવી રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>આસ્થા સાથે સર્જનાત્મકતાનો સંગમ</b></h2><p style="text-align: justify; ">ગણેશોત્સવ દરમિયાન અલગ-અલગ વસ્તુઓમાંથી ગણપતિ બાપ્પાની પ્રતિમાઓ અને પ્રતિકૃતિઓ બનાવવાનો ટ્રેન્ડ લોકોનું સતત ધ્યાન ખેંચી રહ્યો છે. પુણેમાં અગાઉ ચોકલેટથી બનાવવામાં આવેલા ગણપતિ બાપ્પા પણ ચર્ચામાં રહ્યા હતા. હવે 21 હજાર પાણીપુરીથી તૈયાર કરવામાં આવેલા બાપ્પાએ લોકોમાં ઉત્સુકતા વધારી છે.</p><p style="text-align: justify; ">આ પ્રતિકૃતિમાં ધાર્મિક આસ્થા સાથે સર્જનાત્મકતાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. દર્શન કરવા આવતા લોકો માટે પણ આ એક અલગ અનુભવ બની રહ્યો છે. ખાસ કરીને બાળકો અને યુવાનોમાં તેને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.</p><p style="text-align: justify; ">પાણીપુરીથી તૈયાર કરાયેલા આ ગણપતિ બાપ્પાએ ફરી એકવાર બતાવ્યું છે કે ગણેશોત્સવ દરમિયાન ભક્તિ સાથે સર્જનાત્મકતાના નવા પ્રયોગો પણ લોકોને આકર્ષી શકે છે. ચોકલેટથી લઈને પાણીપુરી સુધી, બાપ્પાના અલગ-અલગ સ્વરૂપો તહેવારની ઉજવણીમાં નવી રંગત ઉમેરે છે. હાલ પુણેમાં 21 હજાર પાણીપુરીથી તૈયાર કરવામાં આવેલી આ અનોખી ગણપતિ પ્રતિકૃતિ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/v0fm73gwjBxq2drkPycqq1tiRuKDAYA50aurIlk3.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: ગાંધીગ્રામનું ટર્મિનલ બદલાયું હવે સાબરમતીથી પ્રયાગરાજ ટ્રેન દોડશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/prayagraj-special-train-shifted-to-sabarmati-terminal</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/prayagraj-special-train-shifted-to-sabarmati-terminal</guid><pubDate>Fri, 18 Sep 2026 08:41:52 +05:30</pubDate><description><![CDATA[<p>તહેવારો દરમિયાન મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ગુજરાતમાંથી ઉત્તર ભારતના વિવિધ શહેરો તરફ જતી 18  સ્પેશિયલ ટ્રેનોની સેવા લંબાવવામાં આવી છે.કેટલીક ટ્રેનોની ટ્રીપ નવેમ્બર સુધી વધારવામાં આવી છે.જ્યારે કેટલીક ટ્રેનોની વધારાની ટ્રીપ પણ શરૂ કરવામાં આવશે.ગાંધીગ્રામ ખાતે પ્લેટફોર્મની મર્યાદાને કારણે 04112 ગાંધીગ્રામ-પ્રયાગરાજ સ્પેશિયલ હવે 04180 સાબરમતી-પ્રયાગરાજ સ્પેશિયલ તરીકે દોડશે.નવી સેવા 4 ઓક્ટોબરથી 29 નવેમ્બર સુધી રહેશે.</p><h2><b>ગાંધીગ્રામનું ટર્મિનલ બદલાયું</b></h2><p>04111 પ્રયાગરાજ-ગાંધીગ્રામ હવે 04179 પ્રયાગરાજ-સાબરમતી તરીકે 3 ઓક્ટોબરથી 28નવેમ્બર સુધી દોડશે.04179 પ્રયાગરાજથી સાંજે 4 વાગ્યે ઉપડી બીજા દિવસે બપોરે 3.40 વાગ્યે સાબરમતી પહોંચશે.જ્યારે 04180 સાબરમતીથી સાંજે 5.45 વાગ્યે ઉપડશે.ફતેહપુરથી મહેસાણા વચ્ચેના સમય અને સ્ટોપેજમાં ફેરફાર નહીં થાય.પ્લેટફોર્મની મર્યાદાને કારણે 01906 આસારવા-કાનપુર સેન્ટ્રલ સ્પેશિયલના ટુંડલા,ફિરોઝાબાદ અને ઈટાવા સ્ટેશનના સમયમાં ફેરફાર કરાયો છે.આ ફેરફાર 6 ઓક્ટોબરથી અમલમાં આવશે.ગુજરાત સાથે જોડાયેલી આ વિસ્તૃત સ્પેશિયલ ટ્રેનોનું બુકિંગ 19 સપ્ટેમ્બર 2026થી તમામ પીઆરએસ કાઉન્ટર તથા આઈઆરસીટીસી (IRCTC) વેબસાઈટ પર શરૂ થશે.</p><h2><b>આ પ્રમાણે સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે</b></h2><p>ઉધના-આગ્રા કેન્ટ સ્પેશિયલ (09078) 25 નવેમ્બર 2026 સુધી અને પરત આગ્રા કેન્ટ-ઉધના (09077) 24 નવેમ્બર સુધી દોડશે</p><p>ઉધના-પ્રયાગરાજ સ્પેશિયલ (04106) 30 નવેમ્બર સુધી અને પરત પ્રયાગરાજ-ઉધના (04105) 29 નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે</p><p>ઉધના-સુબેદારગંજ સ્પેશિયલ (04146)ની વધારાની ટ્રીપ 20 ઓક્ટોબરથી 27 નવેમ્બર સુધી દર મંગળવાર અને શુક્રવારે દોડશે</p><p>સુબેદારગંજ-ઉધના (04145) 19 ઓક્ટોબરથી 26 નવેમ્બર સુધી દર સોમવાર અને ગુરૂવારે દોડશે</p><p>વલસાડ-સુબેદારગંજ સ્પેશિયલ (04120) 29 નવેમ્બર સુધી અને પરત 04119 28 નવેમ્બર સુધી દોડશે</p><p>બીજી વલસાડ-સુબેદારગંજ સ્પેશિયલ (04178) ૨૫ નવેમ્બર સુધી અને પરત 04177 24 નવેમ્બર સુધી દોડશે</p><p>આસારવા-આગ્રા કેન્ટ સ્પેશિયલ (09097) 24 નવેમ્બર સુધી અને પરત 09098 23 નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે</p><p>જ્યારે આસારવા-કાનપુર સેન્ટ્રલ સ્પેશિયલ (01906) 1 ડિસેમ્બર સુધી અને પરત 01905 30 નવેમ્બર સુધી દોડશે</p><p>વેરાવળ-પ્રયાગરાજ સ્પેશિયલ (04174) 27 નવેમ્બર સુધી અને પરત પ્રયાગરાજ-વેરાવળ (04173) 26 નવેમ્બર સુધી દોડશે</p><p><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-live-news-politics-weather-breaking-updates-18-september-2026" target="_blank">આ પણ વાંચોઃ Gujarat Latest News Live: ગુજરાતમાં આજે વીજળીના કડાકા સાથે ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયુ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/23TSGOYXYPnccAXMGrA7WOGsXB7gieiQvPN8cLTu.webp'/></item><item><title><![CDATA[Sabarkantha News: મોડી રાત્રે ખેડબ્રહ્મા અને ઈડરમાં બે ઈંચથી વધુ વરસાદ ખાબક્યો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/himatnagar/khedbrahma-and-idar-receive-over-2-inches-of-rain-overnight</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/himatnagar/khedbrahma-and-idar-receive-over-2-inches-of-rain-overnight</guid><pubDate>Fri, 18 Sep 2026 08:22:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સાબરકાંઠા જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ આખરે મધ્યરાત્રિ પછી મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવતા સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.મોડી રાતથી શરૂ થયેલા આ ધોધમાર વરસાદને કારણે લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોના મુર્જાતા પાકોને નવજીવન મળ્યું છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોએ ભારે રાહત અનુભવી છે. ખેડબ્રહ્મા પંથકમાં બે ઇંચથી વધુ પાણી વરસ્યું છે.આ ઉપરાંત વડાલી, તલોદ અને ઈડર તાલુકાઓમાં પણ બે ઇંચ જેટલો સારો વરસાદ ખાબક્યો છે.જ્યારે વિજયનગર અને પોશીના તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ વરસાદના પગલે જિલ્લાના અનેક તળાવોમાં પાણીની નવી આવક થવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.</p><p style="text-align: justify; "><img alt="સાબર વરસાદ" src="https://epapercdn.sandesh.com/images/2026/09/18/b2u8strND038flS48BtQeaWqSrXsiDKvxlsudMMV.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify; "><b>સાર્વત્રિક વરસાદથી ખેડૂતોના ચહેરા પર ખુશી</b></h2><p style="text-align: justify; ">વર્તમાન સમયમાં જિલ્લામાં મગફળી,કપાસ અને સોયાબીન જેવા મહત્વના ખરીફ પાકો માટે પાણીની તાતી જરૂરિયાત હતી.સમયાંતરે વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. આ મધ્યરાત્રિના સાર્વત્રિક વરસાદથી ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે,કારણ કે આ પાણી પાક માટે અત્યંત ગુણકારી સાબિત થશે. જોકે, કૃષિ નિષ્ણાતોના મતે હજુ પણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદની આવશ્યકતા છે,કેમ કે હજુ પણ ઘણી નદીઓ,તળાવો અને ચેકડેમોમાં પાણીની અછત વર્તાઈ રહી છે. એક તરફ વરસાદે ખેડૂતોને રાહત આપી છે તો બીજી તરફ વહીવટી તંત્ર અને નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલ્લી પડી ગઈ છે.&nbsp;</p><p style="text-align: justify; "><img alt="સાબરકાંઠા વરસાદ" src="https://epapercdn.sandesh.com/images/2026/09/18/z7fMJW7zd9qWVGcWPxBdlepdCQWmxNpxlAPBOho1.webp" style="width: 100%;"><br></p><h3 style="text-align: justify; "><b>ઈડર કોલેજ પાસે આવેલી હોસ્પિટલના આગળના ભાગમાં પાણી ભરાયા</b></h3><p style="text-align: justify; ">ઈડર પંથકમાં થોડા સમયના ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. ઈડરથી શાંતિપુરા, હસનપુરા, શેરપુર, લાલોડા તેમજ સિવિલ હોસ્પિટલ તરફ જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ઈડર કોલેજ પાસે આવેલી હોસ્પિટલના આગળના ભાગમાં પણ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા હતા.આ સ્થિતિના કારણે એમ્બ્યુલન્સ, સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ, વાહનચાલકો અને સામાન્ય રાહદારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. થોડા જ વરસાદમાં રસ્તાઓ બેટમાં ફેરવાઈ જતા સ્થાનિક ડ્રેનેજ અને ગટર વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ ઉપરાંત, ઈડર તરફથી આવતી ડેભોલ નદી તેમજ આસપાસના પહાડો પરથી વહેતા પાણીના પ્રવાહોમાં નવા નીર આવ્યા છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી.</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/ahmedabad-news-heavy-rain-with-thunderstorms-hits" target="_blank">આ પણ વાંચોઃ Ahmedabad News: શહેરના આ વિસ્તારોમાં વહેલી સવારથી કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/Kp2SfFx93qHLJeCxN0vSaRHMwAaRZYlpKF6wEF1E.webp'/></item><item><title><![CDATA[Gujarat Weather News: આજે સવારે 10 વાગ્યા સુધીમાં 5 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ ]]></title><link>https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/red-alert-in-5-districts--heavy-rain-forecast-today</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/red-alert-in-5-districts--heavy-rain-forecast-today</guid><pubDate>Fri, 18 Sep 2026 07:33:21 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ભારે વરસાદની શક્યતા છે.જેને લઈને વિવિધ જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.  સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યના પાંચ જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ વિસ્તારોમાં પ્રતિ કલાક 15 મિલીમીટરથી વધુ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.</p><h2><b>આ વિસ્તારોમાં રેડ અને યલો એલર્ટ જાહેર કરાયું</b></h2><p>ગુજરાતમાં  બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરાવલી એમ કુલ 5 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આ ઉપરાંત, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા-નગરમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.</p><h3><b>રાજ્યના 150 તાલુકાઓમાં સારો વરસાદ</b></h3><p>છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 150 તાલુકાઓમાં સારો વરસાદ નોંધાયો છે, જેમાં મોરબી જિલ્લાના માળિયામાં સૌથી વધુ 5.61 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત, બનાસકાંઠાના દાંતામાં 3.58 ઈંચ, પાલનપુરમાં 2.17 ઈંચ, અમીરગઢમાં 2.48 ઈંચ અને રાધનપુરમાં 2.13 ઈંચ તેમજ પાટણના શંખેશ્વરમાં 3.35 ઈંચ, દેવભૂમિ દ્વારકાના ઓખામંડળમાં 2.8 ઈંચ, મહેસાણાના બેચરાજીમાં 2.56 ઈંચ, ખેડાના મહેમદાવાદમાં 2.28 ઈંચ, ગાંધીનગરના દહેગામમાં 2.28 ઈંચ અને અરવલ્લીના મોડાસામાં 2.28 ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો છે.<br><br><h2><b>બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં મોડી રાત્રે વરસાદ</b></h2></p><p>અમીરગઢ પંથકમાં મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા ધોધમાર વરસાદને કારણે અમીરગઢ તેમજ ઇકબાલગઢ સહિત ડાભેલા, વિરમપુર અને ઢોલીયા વિસ્તારમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. આ ભારે વરસાદના પગલે ખેડૂતોને મોટી રાહત મળી છે અને ખાસ કરીને મગફળી તથા કપાસના પાકને ઘણો મોટો ફાયદો થશે.<br><br><br><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-live-news-politics-weather-breaking-updates-18-september-2026" target="_blank">આ પણ વાંચોઃ Gujarat Latest News Live: ગુજરાતમાં આજે વીજળીના કડાકા સાથે ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયુ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/cfTwwkGVYnXd7klbmCAUGSjtAOxWG1OOwIjUSFhd.webp'/></item><item><title><![CDATA[Surat : ઓલપાડ ગ્રૂપ કો. કોટન મંડળીની નવી ઓફિસનું લોકાર્પણ કરાયું ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-olpad-group-co-cotton-mandalis-new-office-inaugurated</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-olpad-group-co-cotton-mandalis-new-office-inaugurated</guid><pubDate>Fri, 18 Sep 2026 02:59:34 +05:30</pubDate><description><![CDATA[<p>સાંધીએર : દેશની આઝાદી પૂર્વે સ્થપાયેલી ઓલપાડ જીન કેમ્પસની ધી ઓલપાડ ગ્રૂપ કો.ઓ.કોટન સેલ સોસાયટીની રૂ.15 લાખના ખર્ચે નવનિર્મિત ઓફિસનું લોકાર્પણ ઓલપાડ ધારાસભ્ય મુકેશભાઈ પટેલના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે મંડળીના પ્રમુખ મનહરભાઈ કે. પટેલે જણાવ્યું હતું કે, આ મંડળીની સ્થાપના તા.17-09-1934માં કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે નવી ઓફિસનું લોકાર્પણ કરાયું છે. આ પ્રસંગે મંડળીની મહિલા ડિરેક્ટરો પૈકી દિવ્યાબેન અને ભાવનાબેન, ઈકફે કંપનીના ફ્લ્ડિ ઓફિસર દર્શન કોરાટ, ક્રિભકો કંપનીના જતિન હિરપરા, સુરત એપીએમસના ચેરમેન અંકુર પટેલ, તળાદ કોટનના પ્રમુખ અરવિંદ પટેલ, સોંદલાખારા દૂધ મંડળીના પ્રમુખ વસંત પટેલ, તુવેર ભોયસિંગ મંડળીના પ્રમુખ મનહર પટેલ, સાયણ સુગરના ડિરેક્ટર યોગેશ પટેલ, અન્ય સહકારી અગ્રણીઓ અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે સભાસદો અને અગ્રણીઓને માટીના દીવડાઓ ઘરે પ્રગટાવવા માટે ભેટમાં આપ્યા હતા.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/xLdZ1bN3JJJjkuxZ1h6qXJGpd54sghpBGGJfnLy2.webp'/></item><item><title><![CDATA[India Russia Oil Trade: અમેરિકાના નવા રશિયા પ્રતિબંધ બિલથી ભડક્યું ક્રેમલિન, યુક્રેન શાંતિ વાર્તા પર ખતરો ]]></title><link>https://sandesh.com/world/news/business/india-russia-oil-trade-kremlin-angered-by-americas-new-russia-sanctions-bill-threat-to-ukraine-peace-talks</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/business/india-russia-oil-trade-kremlin-angered-by-americas-new-russia-sanctions-bill-threat-to-ukraine-peace-talks</guid><pubDate>Thu, 17 Sep 2026 20:24:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ક્રેમલિનએ તેને અમૈત્રીપૂર્ણ પગલું ગણાવ્યું અને યુક્રેન શાંતિ વાટાઘાટો પર અસર થવાની ચેતવણી આપી હતી.&nbsp;</p><h2 style="text-align: justify; ">અમૈત્રીપૂર્ણ પગલું&nbsp;</h2><p style="text-align: justify; ">ક્રેમલિને યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના રશિયા પર મોટા પ્રતિબંધો લાદવાના બિલને એક અમૈત્રીપૂર્ણ પગલું ગણાવ્યું અને ચેતવણી આપી કે વધુ યુએસ પ્રતિબંધો યુક્રેનમાં શાંતિ કરાર સુધી પહોંચવાના પ્રયાસોને જટિલ બનાવી શકે છે. આ નિવેદનો ગૃહ દ્વારા લિન્ડસે ઓ. ગ્રેહામ દ્વારા 262-159 મતોથી રશિયા અને ઈરાન પર પ્રતિબંધ લગાવતા કાયદા 2026ને પસાર કર્યાના એક દિવસ પછી આવ્યા હતા.&nbsp;</p><h3 style="text-align: justify; ">શાંતિ કરાર પર શુ અસર ?&nbsp;</h3><p style="text-align: justify; ">પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે પત્રકારોને જણાવ્યું હતું કે રશિયા કાયદાકીય પ્રક્રિયા પર નજર રાખી રહ્યું છે, અમે ચોક્કસપણે આ દસ્તાવેજની પ્રગતિ પર નજર રાખી રહ્યા છીએ. આ બિનમૈત્રીપૂર્ણ કાર્યવાહીની શ્રેણીમાં આવે છે, અને યુએસ દ્વારા વધુ પ્રતિબંધો નિઃશંકપણે યુક્રેનમાં શાંતિ કરાર સુધી પહોંચવાના પ્રયાસોને જટિલ બનાવશે. આ પગલું હવે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે જશે અને વહીવટને રશિયા પર પ્રતિબંધો અને રશિયન તેલ અથવા કુદરતી ગેસના ટોચના પાંચ ખરીદદારો પર 100 ટકા સુધીના ટેરિફ લાદવાનો અધિકાર આપશે.&nbsp;</p><h4 style="text-align: justify; ">યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાના અમેરિકાના પ્રયાસોને ફટકો</h4><p style="text-align: justify; ">યુક્રેનમાં સાડા ચાર વર્ષના યુદ્ધને સમાપ્ત કરવાના અમેરિકાના મધ્યસ્થી પ્રયાસો મહિનાઓથી અટકી ગયા હતા, પરંતુ ટ્રમ્પે આ પ્રક્રિયા ફરી શરૂ કરવાના પ્રયાસમાં આ મહિનાની શરૂઆતમાં મોસ્કો અને કિવમાં બે રાજદૂતો મોકલ્યા હતા. આ કાયદાને યુએસ હાઉસમાં ડેમોક્રેટિક પાર્ટી તરફથી દ્વિપક્ષીય સમર્થન અને ટીકા બંને મળી છે. સમર્થકોએ કહ્યું કે ટેરિફ જોગવાઈનો હેતુ દેશોને રશિયન ઊર્જા ખરીદવાથી રોકવાનો હતો, જ્યારે ટીકાકારોએ ચેતવણી આપી હતી કે આ પગલું યુએસ સાથીઓને પણ અસર કરી શકે છે અને અમેરિકન ગ્રાહકો માટે કિંમતો વધારી શકે છે.</p><h5 style="text-align: justify; ">પ્રતિબંધો લાદવાના અમેરિકાના પગલાથી તણાવ વધશે</h5><p style="text-align: justify; ">લોકશાહી વિરોધ આ કાયદા દ્વારા ટ્રમ્પને મળતી શક્તિ અંગે ચિંતિત હતો. પ્રતિનિધિ ડોન બેયરે કહ્યું કે જો ટ્રમ્પે યુએસ સાથીઓ સામે નવી સત્તાનો ઉપયોગ કર્યો, તો સમર્થકો આ પગલાનો અફસોસ કરી શકે છે. દરમિયાન, બિલ લખવામાં મદદ કરનાર ડેમોક્રેટિક સેનેટર રિચાર્ડ બ્લુમેન્થલે કહ્યું કે તેમને આશા છે કે પ્રતિબંધો રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને વાટાઘાટો કરવા દબાણ કરશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/lifestyle/news/health-fitness/cancer-physiotherapy-physiotherapy-is-like-sanjeevani-for-cancer-patients-this-is-how-you-will-get-relief-from-fatigue-pain-and-weakness" target="_blank">કેન્સરના દર્દીઓ માટે સંજીવની સમાન ફિઝિયોથેરાપી, થાક, દુખાવો અને નબળાઈથી આ રીતે મળશે મુક્તિ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/NswpkJAtDnYCIkNJJQaC37NU9latxdV3Cf3GEBIe.webp'/></item><item><title><![CDATA[દિશા સાલિયન મામલે સવાલ પૂછતા રિયાએ ચાલતી પકડી! જીમ બહાર જોવા મળી અભિનેત્રી ]]></title><link>https://sandesh.com/entertainment/news/rhea-chakraborty-walked-away-when-asked-about-the-disha-salian-case-</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/rhea-chakraborty-walked-away-when-asked-about-the-disha-salian-case-</guid><pubDate>Thu, 17 Sep 2026 19:09:28 +05:30</pubDate><description><![CDATA[<p>બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયનના મૃત્યુના કેસે ફરી એકવાર વેગ પકડ્યો છે, કારણ કે CBI આ મામલામાં ફરી સક્રિય થઈ છે. બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ CBIએ દિશા સાલિયન કેસ અંગે FIR નોંધી છે. આ મામલામાં સંડોવાયેલા લોકોની યાદીમાં બોલિવૂડની હસ્તીઓથી લઈને રાજકીય વર્તુળો સુધીના લોકોનો સમાવેશ થાય છે, જેમાં રિયા ચક્રવર્તીનું નામ પણ સામેલ છે. આ દરમિયાન દિશા કેસ વિશે પૂછવામાં આવતા રિયાએ મૌન જાળવી રાખ્યું છે.</p><p><br></p><p>તાજેતરમાં રિયા ચક્રવર્તી મુંબઈમાં એક જિમની બહાર જોવા મળી હતી. જ્યારે મીડિયાએ તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે વાતચીત ટાળતી જણાઈ હતી. એક વીડિયોમાં એક રિપોર્ટર તેની પાછળ દોડીને દિશા સાલિયન કેસ વિશે પ્રશ્નો પૂછતા જોવા મળે છે; જોકે, તેણે આ બાબતે કોઈ પણ ટિપ્પણી કર્યા વિના પોતાની કારમાં બેસીને ત્યાંથી નીકળી જવાનું પસંદ કર્યું. તે સ્પષ્ટ છે કે અભિનેત્રીએ આ મુદ્દે મૌન રહેવાનું નક્કી કર્યું છે.</p><p><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DdYGrJyJQ-u/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DdYGrJyJQ-u/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a></p><p><b style="font-size: 1.5rem;"><br></b></p><p><b style="font-size: 1.5rem;">રિયા અને અન્ય લોકો વિરુદ્ધ CBI દ્વારા FIR નોંધાઈ</b></p><p>બોમ્બે હાઈકોર્ટના આદેશના પાલનમાં, CBIએ દિશા સાલિયન કેસમાં રિયા ચક્રવર્તી, ડીનો મોરિયા, સૂરજ પંચોલી, આદિત્ય ઠાકરે, રોહન રોય, આદિત્ય ઠાકરેના અંગરક્ષકો, શોવિક ચક્રવર્તી, સચિન વાઝે, DCP વિશાલ ઠાકુર, ઉદ્ધવ ઠાકરે, પરમબીર સિંહ, અનિલ દેશમુખ અને અન્ય સહિત અનેક વ્યક્તિઓ વિરુદ્ધ FIR નોંધી છે.</p><p><b style="font-size: 1.5rem;">ગેંગ-રેપ અને હત્યાના આરોપો: દિશા સાલિયનના વકીલ</b></p><p>દિશા સાલિયનના વકીલ નીલેશ ઓઝાએ જણાવ્યું હતું કે આદિત્ય ઠાકરે અને અન્ય લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે, જેમાં ગેંગ-રેપ અને હત્યાના આરોપો મૂકવામાં આવ્યા છે. વકીલનો દાવો છે કે તેમની પાસે સચિન વાઝે દ્વારા કરવામાં આવેલી 'એક્સ્ટ્રા-જ્યુડિશિયલ કબૂલાત' (ન્યાયાલયની બહાર કરેલી કબૂલાત) ઉપલબ્ધ છે. તેઓ વધુમાં દાવો કરે છે કે NCB પાસે પુરાવા હોવા છતાં, NCB અધિકારી સંજય સિંહ છેલ્લા છ વર્ષથી આ વ્યક્તિઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં નિષ્ફળ રહ્યા છે.</p><p><br></p><p>ઉલ્લેખનીય છે કે બોમ્બે હાઈકોર્ટે CBIને દિશા સાલિયન કેસની નવી તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે તપાસની દેખરેખ માટે CBIના એક વરિષ્ઠ અધિકારીની નિમણૂક કરવામાં આવે.<br><br>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/entertainment/disha-salian-father-satish-salian-defamation-notice-aaditya-thackeray-matoshree-500-crore" target="_blank"><b>Disha Salian કેસમાં નવો વળાંક! પિતા સતીશ જશે માતોશ્રી, આદિત્ય ઠાકરેને આપશે 500 કરોડની નોટિસ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/5VyHEUsxM2q4mZ97LWnkMFF7ReDjGB4LKtjt3jYq.webp'/></item><item><title><![CDATA[Asian Games 2026: જાપાનમાં ભારતીય ખેલાડીઓની હાલાકી, ખાવા-પીવા માટે પણ ભટકવું પડ્યું! ]]></title><link>https://sandesh.com/sports/news/asian-games-2026-indian-players-in-japan-face-hardship-had-to-wander-even-for-food-and-drink</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/asian-games-2026-indian-players-in-japan-face-hardship-had-to-wander-even-for-food-and-drink</guid><pubDate>Thu, 17 Sep 2026 18:26:28 +05:30</pubDate><description><![CDATA[<p>હાલમાં ભારતીય ખેલાડીઓ એશિયન ટીમ 2026 રમવા માટે જાપાન પહોંચી છે. જ્યાં ખેલાડીઓને રહેવા, ખાવા-પીવા સહિતની અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોવાનું સામે આવ્યું છે. માત્ર ભારત જ નહીં, પરંતુ અન્ય દેશોના ખેલાડીઓ પણ પોતાના રૂમની ફાળવણી માટે કલાકો સુધી રાહ જોતા જોવા મળ્યા હતા.</p><h2><b>પાણી અને ભીજન માટે ભારે અવ્યવસ્થા&nbsp;</b></h2><p>મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય શૂટિંગ ટીમ સવારે લગભગ 9 વાગ્યે જાપાની શહેર આઈચી-નાગોયા પહોંચી હતી. જો કે, ખેલાડીઓને રહેવા માટેની વ્યવસ્થા મળતા રાત્રિના લગભગ 2 વાગી ગયા હતા. આ દરમિયાન ખેલાડીઓએ વેરિફિકેશન સેન્ટર પર લાંબો સમય રાહ જોવી પડી હતી. ખાસ વાત એ હતી કે આ સમગ્ર સમયગાળા દરમિયાન તેમને પીવા માટે પાણી કે ખાવા માટે ભોજન પણ ઉપલબ્ધ થયું નહોતું. સમસ્યા અહીં પૂરી થઈ નહોતી. એક હોટેલમાં રૂમની સંખ્યા ઓછી પડતાં ભારતીય શૂટિંગ ટીમના સભ્યોને બે અલગ-અલગ હોટેલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેના કારણે ટીમના ખેલાડીઓ એકબીજાથી અલગ થઈ ગયા હતા. બીજી તરફ, સોશિયલ મીડિયા પર સામે આવેલા કેટલાક વીડિયોમાં વિવિધ દેશોના ખેલાડીઓ લાંબા સમય સુધી રાહ જોતા તેમજ જમીન પર આરામ કરતા જોવા મળ્યા છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/TheKhelIndia/status/2100434449104343192"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>અલગ-અલગ હોટેલોમાં વિભાજન</b></h2><p>એશિયન ગેમ્સના ઇતિહાસમાં આ પહેલીવાર છે કે, જ્યારે ખેલાડીઓ માટે અલગથી ડેડિકેટેડ ગેમ્સ વિલેજ તૈયાર કરવામાં આવ્યું નથી. ખર્ચ ઘટાડવાના હેતુથી એશિયન ગેમ્સની ઓર્ગેનાઇઝિંગ કમિટીએ આ પ્રકારની વ્યવસ્થા પસંદ કરી હોવાનું જણાવવામાં આવ્યું છે. ગેમ્સ વિલેજ ન હોવાને કારણે ખેલાડીઓ માટે હોટેલ્સ ઉપરાંત ક્રૂઝ શિપ અને શિપિંગ કન્ટેનર જેવી અસ્થાયી લાકડાની કોટેજમાં પણ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/arunpudur/status/2100556168016109725"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>શૂટિંગમાં ભારતનો શાનદાર ઇતિહાસ</b></h2><p>શૂટિંગ ભારત માટે એશિયન ગેમ્સમાં મેડલ જીતવાની દૃષ્ટિએ મહત્વપૂર્ણ રમત રહી છે. અત્યાર સુધી એશિયન ગેમ્સના ઇતિહાસમાં ભારતીય શૂટર્સે દેશને કુલ 80 મેડલ અપાવ્યા છે. વર્ષ 2023માં હાંગઝોઉ ખાતે યોજાયેલી એશિયન ગેમ્સમાં પણ ભારતીય શૂટિંગ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું, અને કુલ 22 મેડલ જીત્યા હતા.</p><h2><b>ભારતની મજબૂત ટીમ</b></h2><p>આ વખતે જાપાનમાં ભારત તરફથી 30 સભ્યોની મજબૂત શૂટિંગ ટીમ ભાગ લઈ રહી છે. આ ટીમમાં પેરિસ ઓલિમ્પિકની સ્ટાર શૂટર મનુ ભાકર સહિત અનેક અનુભવી અને જાણીતા ખેલાડીઓનો સમાવેશ થાય છે. શરૂઆતમાં સામે આવેલી આ મુશ્કેલીઓ પાછળ છોડીને ભારતીય ખેલાડીઓ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરે અને દેશ માટે મેડલ જીતે તેવી આશા છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/17/JpnXkNSZZRE9tsbeRjnLi9E8fqaAptsHGVSYvDKv.webp'/></item></channel></rss>