<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Rajkot: ચૌધરી હાઇસ્કુલ નજીક કારચાલકે કાબૂ ગુમાવતાં 2 વાહનોને લીધા અડફેટે ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/car-accident-near-chowdhary-high-school-cctv-footage-viral</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/car-accident-near-chowdhary-high-school-cctv-footage-viral</guid><pubDate>Mon, 10 Aug 2026 22:01:40 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ શહેરના માર્ગો પર અકસ્માતોની શ્રેણી યથાવત જોવા મળી રહી છે. શહેરના વ્યસ્ત ગણાતા ચૌધરી હાઇસ્કુલ પાસે આજે એક અનિયંત્રિત કારે અકસ્માત સર્જ્યો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે અચાનક સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો, જેના કારણે કાર રસ્તા પરથી પસાર થઈ રહેલા અન્ય બે વાહનો સાથે ધડાકાભેર અથડાઈ હતી.</p><h2><b>રાજકોટમાં કારચાલકે કાબૂ ગુમાવતાં અકસ્માત</b></h2><p>કારની ટક્કર એટલી જોરદાર હતી કે અડફેટે આવેલા વાહનોને નુકસાન પહોંચ્યું હતું અને માર્ગ પર થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા. સદ્ભાગ્યે આ ઘટનામાં મોટો જાનમાલનો ખરો હોનારત ટળી હતી, પરંતુ વાહનોને ભારે નુકસાન થયું છે.</p><h3><b>કારે 2 વાહનોને લીધા અડફેટે</b></h3><p>આ સમગ્ર અકસ્માતના દ્રશ્યો નજીકના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગયા છે. CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કારચાલક કેવી રીતે બેફામ રીતે કાર ચલાવીને અન્ય વાહનોને અડફેટે લે છે. આ ઘટના અંગે સ્થાનિક પોલીસે CCTV ફૂટેજના આધારે કાનૂની કાર્યવાહી અને કારચાલક સામે તપાસ શરૂ કરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dahod/police-attacked-stone-pelting-world-tribal-day-aap-leader-krishna-charel-13-arrested" target="_blank">આ પણ વાંચો: Dahod: વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં વાતાવરણ ડહોળાયું, 14 નામજોગ અને 200ના ટોળા વિરુદ્ધ FIR દાખલ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/QgI9d7r3lzi78qtivVNby3T40BiomVsR3KtP0rkJ.webp'/></item><item><title><![CDATA[Banaskantha News: ગૌરક્ષકોએ પશુઓથી ભરેલી આઇસર ટ્રક ઝડપી, 23 પશુઓને ક્રૂરતાપૂર્વક લઈ જવાતા હતા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/vav-tharad/23-cattle-rescued-from-isuzu-truck-in-tharad</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/vav-tharad/23-cattle-rescued-from-isuzu-truck-in-tharad</guid><pubDate>Mon, 10 Aug 2026 22:01:31 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બનાસકાંઠા જિલ્લાના થરાદ વિસ્તારમાં ગૌરક્ષકોની સજાગતાને કારણે પશુઓની ગેરકાયદેસર અને ક્રૂરતાપૂર્વકની હેરાફેરીનો પર્દાફાશ થયો છે.ગૌરક્ષકો દ્વારા શંકાસ્પદ હાલતમાં જઈ રહેલી એક આઇસર ટ્રકને રોકીને તપાસ કરવામાં આવતાં તેમાંથી મોટી સંખ્યામાં પશુઓ મળી આવ્યા હતા.આ મામલે 112 નંબર પર જાણ કરાતાં થરાદ પોલીસની ટીમ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.</p><h2 style="text-align: justify; "><b>20  ગાયો અને 3 વાછરડાં ખીચોખીચ ભરેલાં મળ્યાં</b></h2><p style="text-align: justify; ">ઝડપાયેલી આઇસર ટ્રકમાં તપાસ કરતા તેમાંથી 20 ગાયો અને 3 વાછરડાં મળીને એકંદર 23 પશુઓ ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા. પશુઓને કોઈ પણ પ્રકારની દયા-માયા રાખ્યા વિના ખીચોખીચ ભરીને લઈ જવામાં આવી રહ્યા હતા.સૌથી ગંભીર બાબત એ હતી કે આટલી મોટી સંખ્યામાં રહેલા પશુઓ માટે આઇસરમાં ઘાસચારા કે પીવાના પાણીની કોઈ પણ પ્રકારની સુવિધા કે વ્યવસ્થા રાખવામાં આવી ન હતી. જેના કારણે પશુઓની હાલત અત્યંત કફોડી બની ગઈ હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં આઇસર ટ્રકમાં ભરેલાં કુલ 23 પશુઓની અંદાજિત કિંમત રૂ.4.15 લાખ હોવાનું સામે આવ્યું છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>પશુઓ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી</b></h2><p style="text-align: justify; ">પોલીસે વાહન તેમજ પશુઓ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.થરાદ પોલીસે આઇસર ટ્રકના ચાલક અને ખલાસીની અટકાયત કરી તેમની સઘન પૂછપરછ શરૂ કરી દીધી છે.આટલી મોટી સંખ્યામાં પશુઓને કયા વિસ્તારમાંથી લાવવામાં આવ્યા હતા અને તેમને કયા સ્થળે કે કયા હેતુસર લઈ જવામાં આવી રહ્યા હતા તે અંગે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે.આ ઘટના બાદ વિસ્તારના ગૌરક્ષકો અને પશુપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને પશુઓ પ્રત્યે ક્રૂરતા દાખવનારા તત્વો સામે આકરામાં આકરી કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી ઉઠવા પામી છે.<br><br><a href="https://sandesh.com/sports/news/pm-modi-boxer-narender-pakistani-opponent-funny-story" target="_blank">આ પણ વાંચોઃ PM મોદી સામે બોક્સર નરેન્દ્રએ સંભળાવ્યો પાકિસ્તાની બોક્સરનો કિસ્સો, વાત સાંભળીને હસી પડ્યા વડાપ્રધાન</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/YKamdgLcQ3k4iU8TsomzjV50Wp3Qmm9wG6sqLsyQ.webp'/></item><item><title><![CDATA[PM મોદી સાથે સુપ્રિયા સુલેની મુલાકાત, NCP-SPના 8 સાંસદો સાથે કરી બેઠક ]]></title><link>https://sandesh.com/india/news/political-news/supriya-sule-ncp-sp-mps-meet-pm-modi-key-issues</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/political-news/supriya-sule-ncp-sp-mps-meet-pm-modi-key-issues</guid><pubDate>Mon, 10 Aug 2026 21:56:10 +05:30</pubDate><description><![CDATA[<p>રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP-શરદ પવાર જૂથ)ના સાંસદ સુપ્રિયા સુલેએ સોમવારે પાર્ટીના 8 સાંસદો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. લગભગ 20 મિનિટ સુધી ચાલેલી આ બેઠક બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ડિલિમિટેશન બિલને લઈને ચર્ચા તેજ બની છે. જોકે, સુપ્રિયા સુલે અને NCP-SPના સાંસદોએ સ્પષ્ટ કર્યું કે બેઠક દરમિયાન ડિલિમિટેશનનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો નહોતો.</p><h2><b>જનહિતના વિવિધ મુદ્દાઓ વડાપ્રધાન સમક્ષ રજૂ કર્યા</b></h2><p>NCP-SP સાંસદોએ પોતાના મતવિસ્તાર સાથે જોડાયેલા વિકાસ અને જનહિતના વિવિધ મુદ્દાઓ વડાપ્રધાન સમક્ષ રજૂ કર્યા હતા. બીડના સાંસદ બજરંગ સોનવણેએ સોલાપુરના ઉજની ડેમથી બીડ જિલ્લા સુધી પાણી પહોંચાડવાની માંગ કરી હતી.</p><p>શિરુરના સાંસદ અમોલ કોલ્હેએ નાસિક-પુણે રેલવે લાઇન સાથે જોડાયેલા વિવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. જ્યારે ભિવંડીના સાંસદ બાલુ મામા મ્હાત્રેએ નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ સ્થાનિક નેતા ડી.બી. પાટીલના નામે રાખવાની માંગ કરી હતી. આ ઉપરાંત ખેડૂતો સાથે જોડાયેલા અનેક મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.</p><h3><b>સંજય રાઉતે સરકાર પર નિશાન સાધ્યું</b></h3><p>મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સુપ્રિયા સુલે અને NCP-SP સાંસદોની વડાપ્રધાન સાથેની મુલાકાતનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે વડાપ્રધાન સમગ્ર દેશનું પ્રતિનિધિત્વ કરે છે, તેથી કોઈપણ પક્ષના સાંસદો તેમની સાથે મુલાકાત કરે તેમાં કંઈ ખોટું નથી. બીજી તરફ, શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે સરકાર પર નિશાન સાધતા કહ્યું કે સાંસદોને વડાપ્રધાન સાથે વ્યક્તિગત મુલાકાત કરવી પડી રહી છે કારણ કે તેઓ સંસદમાં સરળતાથી ઉપલબ્ધ નથી.</p><h4><b>સુપ્રિયા સુલેએ પ્રસ્તાવિત FCRA બિલનો પણ વિરોધ કર્યો</b></h4><p>સુપ્રિયા સુલેએ પ્રસ્તાવિત FCRA બિલનો પણ વિરોધ કર્યો છે. તેમણે બિલ પરત ખેંચવાની અથવા તેને સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલવાની માંગ કરી છે. આ મુલાકાત અને ત્યારબાદ સામે આવેલી રાજકીય પ્રતિક્રિયાઓને કારણે મહારાષ્ટ્રમાં નવા રાજકીય સમીકરણો અંગેની ચર્ચાએ ફરી જોર પકડ્યું છે.<br><br><a href="https://sandesh.com/india/news/political-news/jharkhand-protest-rahul-gandhi-lathi-charge-students" target="_blank">આ પણ વાંચો : Jharkhand Protest: વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જનો રાહુલ ગાંધીએ કર્યો વિરોધ, કહ્યું 'વાતચીતથી ઉકેલ લાવો'</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/bDzOlxAWe1PPPvDD75YFH7QDHX07Uwg7DAEZI8iH.webp'/></item><item><title><![CDATA[Botad News : મહિલા સભ્યના પતિ સામે નગરપાલિકાની લાલ આંખ, વહિવટમાં દખલ નહીં કરવા ચેતવણી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/botad/municipality-warns-women-councillors-husbands-against-interfering</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/botad/municipality-warns-women-councillors-husbands-against-interfering</guid><pubDate>Mon, 10 Aug 2026 21:47:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોટાદ નગરપાલિકાના વહીવટમાં મહિલા સભ્યોના પતિઓની વધતી જતી દખલગીરી સામે પાલિકા તંત્રે આકરું વલણ અપનાવ્યું છે.પાલિકા કચેરીમાં મહિલા સદસ્યોના પતિઓની દખલગીરી બંધ કરવા અને તેમના બિનજરૂરી પ્રવેશ પર નો એન્ટ્રી દર્શાવતી કડક સૂચના આપતી જાહેર નોટિસ ફટકારવામાં આવી છે.આ નિર્ણયને પગલે સ્થાનિક રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો માહોલ ગરમાયો છે.</p><h2 style="text-align: justify; "><b>કર્મચારીઓની ખુરશી પર બેસી વહીવટમાં દખલ કરવાનો આરોપ</b></h2><p style="text-align: justify; ">બોટાદ નગરપાલિકાની વિવિધ શાખાઓમાં ચૂંટાયેલી મહિલા સભ્યોના પતિઓ બિનજરૂરી રીતે આવીને બેસી રહેતા હોવાની અને પાલિકાના અધિકારીઓ તથા કર્મચારીઓની ખુરશીઓ પર બેસીને વહીવટી કામગીરીમાં દખલગીરી કરતા હોવાની બાબત તંત્રના ધ્યાને આવી હતી.મહિલા પ્રતિનિધિઓના સ્થાને તેમના પતિઓ જ આખો વહીવટ ચલાવતા હોવાની અને કર્મચારીઓને હેરાન-પરેશાન કરતા હોવાની વ્યાપક ફરિયાદો ઊભી થઈ હતી.જેને ધ્યાને રાખીને ચીફ ઓફિસર દ્વારા આકરી કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો છે.</p><h2 style="text-align: justify; "><b>કચેરીની દીવાલો પર નોટિસ ચોંટાડાઈ</b></h2><p style="text-align: justify; ">બોટાદ નગરપાલિકા કચેરીની મુખ્ય દીવાલો તેમજ નોટિસ બોર્ડ પર જાહેર નોટિસ લગાવીને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે મહિલા સભ્યોના પતિઓએ પાલિકાની શાખાઓમાં બિનજરૂરી બેસવું નહીં તેમજ વહીવટી પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની દખલગીરી કરવી નહીં. જો કોઈ પતિ કે સગા-સંબંધી વહીવટમાં દખલગીરી કરતા જણાશે તો તેમની સામે ગુજરાત નગરપાલિકા અધિનિયમ હેઠળ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવી સીધી ચીમકી પણ આપવામાં આવી છે. તંત્રના આ કડક નિર્ણય બાદ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ambaji/banaskantha-rain-update-weather-change-relief-to-pilgrims-and-farmers" target="_blank">આ પણ વાંચોઃAmbaji: પ્રસિદ્ધ યાત્રાધામમાં મેઘરાજાની પધરામણી, આસપાસના સીમ વિસ્તારોમાં વરસાદથી હવામાન બન્યું સોહામણું</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/X1Ugpq6CRM11LSZxCvw7bUtPMTabQZ7ZPdjEgpBj.webp'/></item><item><title><![CDATA[Agriculture News: આગામી 15 ઓગસ્ટથી સમગ્ર ગુજરાતમાં થશે ડિજિટલ ક્રોપ સર્વેનો રાજ્યવ્યાપી પ્રારંભ ]]></title><link>https://sandesh.com/gujarat/agriculture/news/gujarat/ahmedabad/gujarat-to-launch-statewide-digital-crop-survey-from-august-15</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/agriculture/news/gujarat/ahmedabad/gujarat-to-launch-statewide-digital-crop-survey-from-august-15</guid><pubDate>Mon, 10 Aug 2026 21:27:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારત સરકારના ‘એગ્રીસ્ટેક’ પ્રોજેક્ટ હેઠળ વર્ષ 2024-25થી સમગ્ર ગુજરાતમાં ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે ચાલુ ખરીફ-2026 સીઝન માટે આગામી તા. 15 ઓગસ્ટ, 2026થી સમગ્ર રાજ્યમાં 45 દિવસીય ‘ડિજિટલ ક્રોપ સર્વે’નો વિધિવત પ્રારંભ કરવામાં આવશે.</p><h2 style="text-align: justify; "><b>95 લાખથી વધુ સર્વે પ્લોટને આવરી લેવાશે</b></h2><p style="text-align: justify; ">ગુજરાતના તમામ જિલ્લાઓના 18,197 ગામોમાં આવેલા તમામ ખેતીલાયક વિસ્તારના આશરે 95 લાખથી વધુ સર્વે પ્લોટને આ સર્વેમાં આવરી લેવામાં આવશે. જેમાં, સત્તાવાર સર્વેયરો દ્વારા દરેક ખેતર/સર્વે નંબર પર રૂબરૂ જઈને ખેડૂતોએ વાવેતર કરેલા પાકના જીઓ-ટેગ્ડ ફોટોગ્રાફ્સ સાથેની સચોટ માહિતી ડિજિટલ એપ્લિકેશન મારફત અપલોડ કરાશે.'ફાર્મર રજિસ્ટ્રી'માં નોંધાયેલા ખેડૂતો સર્વેયરની રાહ જોયા વગર પોતાના મોબાઈલ ફોનમાં 'ડિજિટલ ક્રોપ સર્વે' એપ્લિકેશન ડાઉનલોડ કરીને જાતે જ પોતાના પાકની નોંધણી કરી શકશે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>સતત 45 દિવસ સુધી કાર્યરત રહેશે</b></h3><p style="text-align: justify; ">આ સમગ્ર સર્વે અભિયાન આગામી તા.15 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર, 2026 સુધી સતત 45 દિવસ સુધી કાર્યરત રહેશે.રાજ્યના તમામ ખેડૂતોને રાજ્ય સરકારની ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે કે, પોતાના ગામના નિયુક્ત સર્વેયર મારફત અથવા જાતે મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને 30 સપ્ટેમ્બર, 2026 સુધીમાં તમામ સર્વે નંબરનો ડિજિટલ ક્રોપ સર્વે અવશ્ય પૂર્ણ કરાવે/કરે.<br><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ambaji/banaskantha-rain-update-weather-change-relief-to-pilgrims-and-farmers" target="_blank">આ પણ વાંચોઃ Ambaji: પ્રસિદ્ધ યાત્રાધામમાં મેઘરાજાની પધરામણી, આસપાસના સીમ વિસ્તારોમાં વરસાદથી હવામાન બન્યું સોહામણું</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/PRb7YXx0mo6pf55CQ5piDcSJsbVq4gNJsL4zruK6.webp'/></item><item><title><![CDATA[4 બાળકો, 2 દિવસની રાહ, પણ અંતે તો મળ્યો બિનવારસી સ્વરૂપે અગ્નિદાહ, પરિવારને જોઈએ છે માત્ર ડેથ સર્ટિફિકેટ! ]]></title><link>https://sandesh.com/india/news/indore-father-ghanshyam-abandoned-by-children-dies-in-bhopal-old-age-home</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/indore-father-ghanshyam-abandoned-by-children-dies-in-bhopal-old-age-home</guid><pubDate>Mon, 10 Aug 2026 21:13:31 +05:30</pubDate><description><![CDATA[<p>ઈન્દોરના એક નાના ઘરમાં સાયકલના ટાયર-ટ્યુબનું કામ કરતા 70 વર્ષીય ઘનશ્યામજીની સ્ટોરી આજના આધુનિક સંબંધોની વરવી વાસ્તવિકતા છતી કરે છે. વર્ષો પહેલા તેમની પત્નીનું અવસાન થયું, ત્યારે સૌથી નાની પુત્રી માત્ર 2 વર્ષની હતી. ઘનશ્યામજીએ પોતે જ પિતા અને માતા બંનેની ભજવીને બે દીકરા અને બે દીકરીઓને મોટા કર્યા. પોતાના પેટના કટકા કરીને સંતાનોની દરેક જરૂરિયાત પૂરી કરી, પરંતુ જ્યારે જીવનના આખરી પડાવ પર તેમને સંભાળની જરૂર હતી, ત્યારે ચારેય સંતાનોમાંથી કોઈએ પણ તેમની સામે જોયું નહીં.</p><h2><b>અડધા શરીરે લકવો, તોય બસ સ્ટેન્ડથી પહોંચ્યા વૃદ્ધાશ્રમ</b></h2><p>જીવનના છેલ્લા 4 વર્ષ ઘનશ્યામજીએ ભોપાલના 'અપના ઘર' વૃદ્ધાશ્રમમાં વિતાવ્યા હતા. શરીરના અડધા ભાગમાં લકવો હોવાથી તેમને બોલવામાં અને ચાલવામાં તકલીફ પડતી હતી. સૌથી દુઃખદ વાત એ છે કે, તેમને વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે પણ કોઈ દીકરો કે દીકરી આવ્યા ન હતા. તેઓ પોતે જ ઈન્દોરથી બસમાં બેસીને ભોપાલના ISBT બસ સ્ટેન્ડ પહોંચ્યા હતા. ત્યાં કેટલાક સામાજિક કાર્યકરોની નજર તેમના પર પડી અને તેમણે ઘનશ્યામજીને વૃદ્ધાશ્રમ પહોંચાડ્યા હતા.</p><h2><b>4 ઓગસ્ટ 2026ના રોજ નિધન, 2 દિવસ સુધી મૃતદેહ સ્વજનોની રાહ જોતો રહ્યો</b></h2><p>ઘનશ્યામજીનું નિધન 4 ઓગસ્ટ 2026ના રોજ થયું હતું. વૃદ્ધાશ્રમ સંચાલકોએ તુરંત જ તેમના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. ક્યારેક ટ્રેનની ટિકિટ નથી તો ક્યારેક બસમાં જગ્યા નથી તેવા બહાના સંતાનો આપતા રહ્યા. વૃદ્ધાશ્રમ પાસે મૃતદેહને લાંબો સમય રાખવાની સુવિધા ન હોવા છતાં, કોઈ આવી પહોંચશે તે આશાએ 2 દિવસ સુધી મૃતદેહ રાખવામાં આવ્યો, પરંતુ ન તો કોઈ દીકરો આવ્યો કે ન તો કોઈ દીકરી. આખરે પોલીસે કાયદાકીય પ્રક્રિયા પૂરી કરીને વૃદ્ધાશ્રમે જ તેમના અંતિમ સંસ્કાર કર્યા.</p><p><img alt="Heartbreaking Story of 70-Year-Old Father Abandoned by 4 Children in MP" src="https://epapercdn.sandesh.com/images/2026/08/10/KQPRikASkUQ9MGQrmj7dSZqRsc6Pw9sW8qSnNstZ.webp" style="width: 100%;"><br></p><h2><b>"અમે આમને ઓળખતા નથી..." - સંતાનોએ મિલકત વહેંચીને પિતાને ત્યજી દીધા</b></h2><p>વૃદ્ધાશ્રમના સંચાલિકા માધુરી મિશ્રા જણાવે છે કે, ઘનશ્યામજીનું ઈન્દોરમાં એક નાનું મકાન હતું, જે વેચીને આશરે 2 થી 3 લાખ રૂપિયા ભાઈ-બહેનોએ પરસ્પર વહેંચી લીધા હતા. જ્યારે આશ્રમમાંથી સંતાનોને ફોન કરવામાં આવ્યો ત્યારે સાંભળવા મળ્યું કે, હું આમને ઓળખતો નથી, અમે એમનો ત્યાગ કરી ચૂક્યા છીએ. અમારે એમની સાથે કોઈ લેવાદેવા નથી. દીકરીઓનું કહેવું હતું કે, પિતાએ મિલકત દીકરાઓને આપી એટલે અમે કેમ જઈએ, જ્યારે દીકરાઓનું કહેવું હતું કે, પિતાએ અમારા માટે કર્યું જ શું છે!</p><h2><b>જીવતા જીવ મોં ન બતાવ્યું, હવે પરિવારને માત્ર ડેથ સર્ટિફિકેટ જોઈએ છે!</b></h2><p>સૌથી શરમજનક બાબત તો એ છે કે, પિતાના નિધન પછી સંતાનોએ સ્પષ્ટ કહી દીધું કે, અંતિમ સંસ્કાર તમે જ કરી દો અને અમને ડેથ સર્ટિફિકેટ મોકલી આપો. જે પિતાને જીવતા જીવ ઘરમાં જગ્યા ન મળી, તેની મોત પછી પરિવારને માત્ર કાગળના ટુકડાની જરૂર છે. આ વાતથી નારાજ થઈને સંચાલિકા માધુરી મિશ્રાએ ડેથ સર્ટિફિકેટ આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. તેમણે માગ કરી છે કે, આવા સંતાનોનો સામાજિક બહિષ્કાર થવો જોઈએ.</p><p><img alt="Heartbreaking Story of 70-Year-Old Father Abandoned by 4 Children in MP" src="https://epapercdn.sandesh.com/images/2026/08/10/Jw9EHD27raba5CPtQiBg5yLIoffA7U2uEUwTOX6B.webp" style="width: 100%;"><br></p><h2><b>પેન્શન માટે જ યાદ આવે છે મા બાપ!</b></h2><p>માધુરી મિશ્રા જણાવે છે કે, તેમના આશ્રમમાં 24 થી 25 વડીલો રહે છે. તેઓ કોઈ જ સરકારી મદદ વગર આ સંસ્થા ચલાવે છે. ઘણી વખત સંતાનો અચાનક પ્રેમ બતાવીને માતા-પિતાને ઘરે લઈ જવા આવે છે, પરંતુ તેની પાછળનું કડવું સત્ય એ હોય છે કે, તેઓ બેંકમાં લઈ જઈને વૃદ્ધોના ખાતામાંથી આખી પેન્શનની રકમ ઉપાડી લે છે અને ફરી તેમને ત્યજી દે છે. આ ઘટનાએ આજે સમાજમાં વિખૂટા પડી રહેલા કળિયુગી સંબંધો પર મોટો સવાલ ઊભો કર્યો છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/explainer/news/gujarat/ragging-laws-punishment-statistics-gujarat-explainer" target="_blank">Explainer: રેગિંગનો રાક્ષસ - વ્યાખ્યા, કોર્ટ, કાયદો, સજા અને તમારા અધિકારો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/p6sylnP8cIwlR7zFU72Ocq3VHYLmbNcKyUNi1xwf.webp'/></item><item><title><![CDATA[Agriculture News: ચાલુ ખરીફ સિઝનમાં 85 ટકા વાવેતર સંપન્ન, સૌથી વધુ કપાસની વાવણી થઈ ]]></title><link>https://sandesh.com/gujarat/agriculture/news/gujarat/ahmedabad/gujarat-completes-85--kharif-sowing-cotton-leads-with-21-22-lakh-hectares</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/agriculture/news/gujarat/ahmedabad/gujarat-completes-85--kharif-sowing-cotton-leads-with-21-22-lakh-hectares</guid><pubDate>Mon, 10 Aug 2026 21:11:07 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં ચાલુ ખરીફ સિઝન-2026 દરમિયાન વાવેતરની કામગીરી પૂર્ણતા તરફ આગળ વધી રહી છે. રાજ્યના સામાન્ય સરેરાશ વાવેતર વિસ્તારની સામે અત્યાર સુધીમાં 72.47 લાખ હેક્ટર એટલે કે આશરે 85 ટકા વિસ્તારમાં વાવેતર સંપન્ન થઈ ચૂક્યું છે. જેમાં ગુજરાતના કૃષિ અર્થતંત્રમાં મહત્વનો ભાગ ભજવતા કપાસ અને મગફળીનું કુલ વાવેતરમાં 57 ટકાથી વધુ યોગદાન રહ્યું છે.રાજ્યમાં કપાસનું સૌથી વધુ 21.22 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, જે સામાન્ય વિસ્તારના 89% છે અને ત્યારબાદ બીજા ક્રમે મગફળીનું 20.41 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, જે સામાન્ય વિસ્તારની સરખામણીએ 107% વાવેતર પૂર્ણ થયું દર્શાવે છે.</p><h2 style="text-align: justify; "><b>સામાન્ય વાવેતર વિસ્તારના 100 ટકાને વટાવી ગયું&nbsp;</b></h2><p style="text-align: justify; ">ચાલુ ખરીફ સિઝનમાં સોયાબીન, મગફળી અને અડદના વાવેતરમાં પણ અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો છે અને આ પાકોનું વાવેતર સામાન્ય વાવેતર વિસ્તારના 100 ટકાને વટાવી ગયું છે. સોયાબીનનું સામાન્ય વાવેતર વિસ્તાર સામે સૌથી વધુ 3 લાખ હેક્ટરમાં (107%) વાવેતર નોંધાયું છે. આ ઉપરાંત અડદનું વાવેતર 84,510 હેક્ટરમાં (103%) સંપન્ન થયું છે.સામાન્ય વાવેતર વિસ્તારની સરખામણીએ અન્ય પાકોમાં મકાઈનું 2.68 લાખ હેક્ટરમાં (95%), તુવેરનું 2.38 લાખ હેક્ટરમાં (93%), ડાંગરનું 7.61 લાખ હેક્ટરમાં (86 ટકા), બાજરીનું 1.51 લાખ હેક્ટરમાં (84 ટકા) અને શાકભાજીનું 2.17 લાખ હેક્ટરમાં (81 ટકા) વાવેતર થઈ ચૂક્યું છે.</p><h3 style="text-align: justify; "><b>અડદનું 84,510 હેક્ટર (103%) વાવેતર થયું&nbsp;</b></h3><p style="text-align: justify; ">રાજ્યમાં ધાન્ય પાકોનું કુલ 11.99 લાખ હેક્ટર એટલે કે, સામાન્ય વાવેતરની સરખામણીએ 87 ટકા વાવેતર નોંધાયું છે. જેમાં 7.61 લાખ હેક્ટર વાવેતર સાથે ડાંગર મોખરે અને 2.68 લાખ હેક્ટર વાવેતર સાથે મકાઈ દ્વિતીય ક્રમે છે. જુવારનું વાવેતર 12,402 હેક્ટરમાં થયું છે, જે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન થયેલા 6,581 હેક્ટર વાવેતર કરતાં લગભગ બમણું છે. કઠોળ પાકોનું કુલ વાવેતર 3.57 લાખ હેક્ટર એટલે કે, સામાન્ય વાવેતરની સરખામણીએ 86 ટકા સુધી પહોંચ્યું છે. જેમાં મુખ્યત્વે તુવેરનું 2.38 લાખ હેક્ટર (93%) અને અડદનું 84,510 હેક્ટર (103%) વાવેતર થયું છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ઘાસચારાનું 7.21 લાખ હેક્ટરમાં વાવેતર થયું&nbsp;</b></h2><p style="text-align: justify; ">જ્યારે મગનું વાવેતર 25,301 હેક્ટર (45%) અને મઠનું વાવેતર 8,673 હેક્ટર (59%) નોંધાયું છે. તેલીબિયાં પાકોનું કુલ વાવેતર 25.93 લાખ હેક્ટર એટલે કે, સામાન્ય વાવેતર વિસ્તારની સરખામણીએ 88% નોંધાયું છે. જેમાં, મગફળી અને સોયાબીન ઉપરાંત દિવેલાનું વાવેતર હાલ 2.38 લાખ હેક્ટર અને તલનું વાવેતર 14,581 હેક્ટરમાં થયું છે. અન્ય પાકોમાં, ઘાસચારાનું 7.21 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, જે સામાન્ય વાવેતર વિસ્તારના 71% થાય છે. જ્યારે, ગુવાર સીડનું 34,762 હેક્ટરમાં એટલે કે, 40% વાવેતર પૂરું થયું છે.<br><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ambaji/banaskantha-rain-update-weather-change-relief-to-pilgrims-and-farmers" target="_blank">આ પણ વાંચોઃ Ambaji: પ્રસિદ્ધ યાત્રાધામમાં મેઘરાજાની પધરામણી, આસપાસના સીમ વિસ્તારોમાં વરસાદથી હવામાન બન્યું સોહામણું</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/769sx6yjs6JELYW3plfrVIy9HbVRLuO6jLGQpPPv.webp'/></item><item><title><![CDATA[PM મોદી સામે બોક્સર નરેન્દ્રએ સંભળાવ્યો પાકિસ્તાની બોક્સરનો કિસ્સો, વાત સાંભળીને હસી પડ્યા વડાપ્રધાન ]]></title><link>https://sandesh.com/sports/news/pm-modi-boxer-narender-pakistani-opponent-funny-story</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pm-modi-boxer-narender-pakistani-opponent-funny-story</guid><pubDate>Mon, 10 Aug 2026 20:09:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગ્લાસગો ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતે કુલ 39 મેડલ સાથે મેડલ ટેબલમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. ગેમ્સ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પોતાના નિવાસસ્થાને ભારતીય મેડલ વિજેતા ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ખેલાડીઓએ PM મોદી સાથે ખુલ્લા દિલે વાતચીત કરી હતી અને પોતાના અનુભવો પણ શેર કર્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>નરેન્દ્રએ સિલ્વર મેડલ જીત્યો</b></h2><p style="text-align: justify; ">આ મુલાકાત દરમિયાન ભારતીય હેવીવેઈટ બોક્સર નરેન્દ્ર બેરવાલે PM મોદીને એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો હતો. નરેન્દ્રે કોમનવેલ્થ ગેમ્સમાં 90+ કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેમને જણાવ્યું કે વર્ષ 2015માં મિલિટરી ગેમ્સ દરમિયાન તેમની પ્રથમ બાઉટ પાકિસ્તાની બોક્સર સામે હતી. તેમને મિલિટરી તરફથી ફોન કરીને પાકિસ્તાન સામે ન હારવાની વાત કહેવામાં આવી હતી.</p><h3 style="text-align: justify; "><b>મને નરેન્દ્ર નામથી નફરત થઈ ગઈ છે</b></h3><p style="text-align: justify; ">નરેન્દ્રે જણાવ્યું કે તેમણે પ્રથમ બાઉટ 4-1થી અને બીજી બાઉટ 3-2થી જીતી હતી. આ દરમિયાન બંને બોક્સરના માથા પણ અથડાયા હતા અને બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2086683661504843813"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p style="text-align: justify; "> </p><p style="text-align: justify; ">નરેન્દ્રે આગળ જણાવ્યું કે તેમના કોચનું નામ પણ નરેન્દ્ર રાણા હતું અને તે સમયે ભારતના વડાપ્રધાનનું નામ પણ નરેન્દ્ર હતું. આ સંયોગને લઈને પાકિસ્તાની બોક્સરે તેમને કહ્યું હતું કે, “તમારું નામ નરેન્દ્ર છે, તમારા કોચનું નામ પણ નરેન્દ્ર છે અને તમારા PMનું નામ પણ નરેન્દ્ર છે. હવે મને નરેન્દ્ર નામથી નફરત થઈ ગઈ છે.” આ વાત સાંભળીને PM મોદી હસતા જોવા મળ્યા હતા.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>ભારતે બોક્સિંગમાં 10 મેડલ જીત્યા&nbsp;</b></h4><p style="text-align: justify; ">કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય બોક્સિંગ ટીમનું પ્રદર્શન પણ નોંધપાત્ર રહ્યું હતું. ભારતે બોક્સિંગમાં 10 મેડલ જીત્યા હતા, જ્યારે નરેન્દ્ર બેરવાલે 90+ કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. ફાઇનલમાં તેમને ઇંગ્લેન્ડના ડામાર થોમસ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/abhishek-sharma-233-off-91-balls-punjab-odi" target="_blank">25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/oMWNn5CGUFi7LAuIfgHkI21UFhgy68SNnoD190zK.webp'/></item><item><title><![CDATA[Real Estate: ભારતના ધનિકો હવે ખાનગી જેટ કરતાં પણ ખરીદી રહ્યા છે મોંઘુ ઘર, Gurugramમાં ₹271 કરોડનો થયો સોદો! ]]></title><link>https://sandesh.com/business/news/india/real-estate-indias-rich-are-now-buying-expensive-houses-instead-of-private-jets-a-deal-worth-271-crore-was-made-in-gurugram</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/real-estate-indias-rich-are-now-buying-expensive-houses-instead-of-private-jets-a-deal-worth-271-crore-was-made-in-gurugram</guid><pubDate>Mon, 10 Aug 2026 19:00:41 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">એક તરફ, ભારતમાં એક મોટો વર્ગ એવો છે જે પોતાની જીવનભરની બચતનું રોકાણ કરીને સસ્તા અને સસ્તા ઘર શોધી રહ્યો છે.</p><h2 style="text-align: justify; ">વૈભવી ઘરોની વ્યાખ્યા બદલાઈ&nbsp;</h2><p style="text-align: justify; ">ઉદ્યોગસાહસિક માનવ સરદાના આજકાલ સૌથી વધુ ચર્ચામાં રહેલા વ્યક્તિ છે. તેમણે તાજેતરમાં ₹271 કરોડમાં એક ભવ્ય પેન્ટહાઉસ ખરીદ્યું છે. આ સમાચારમાં સૌથી રસપ્રદ બાબત ખર્ચ કરાયેલી રકમ નથી, પરંતુ હકીકત એ છે કે આ ઘર દરિયા કિનારાના શહેર મુંબઈમાં સ્થિત નથી. માનવ સરદાનાએ દિલ્હીને અડીને આવેલા ગુરુગ્રામના ગગનચુંબી ઇમારતોમાં આ કરોડો રૂપિયાનું ઘર ખરીદ્યું છે. તેમનું પેન્ટહાઉસ ગુરુગ્રામના પોશ પ્રોજેક્ટ "DLF The Dahlias" માં આવેલું છે.</p><h3 style="text-align: justify; ">પ્રોજેક્ટ કેમ થયો પ્રખ્યાત ?&nbsp;</h3><p style="text-align: justify; ">આ જ પ્રોજેક્ટમાં, પ્રખ્યાત રોકાણકાર મધુસુદન કેલાએ પણ આશરે ₹121 કરોડમાં એક વૈભવી એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું. તેમના ઉપરાંત, બર્કશાયર હેથવેના વાઇસ ચેરમેન અજિત જૈને પણ DLF The Dahlias માં ₹85 કરોડમાં એક ઘર ખરીદ્યું હતું. 2025 ના આંકડાઓ પર નજર કરીએ તો, ગુરુગ્રામે ₹10 કરોડ અને તેથી વધુ કિંમતના ઘરોના વેચાણમાં મુંબઈને પાછળ છોડી દીધું. 2025 માં, ગુરુગ્રામમાં ₹10 કરોડથી વધુ કિંમતના 1,494 ઘર વેચાયા હતા, જે કુલ ₹24,120 કરોડ હતા. આ આંકડો 2023 માં નોંધાયેલા ₹4,004 કરોડ કરતા લગભગ છ ગણો વધારે છે. દિલ્હીના લુટિયન્સ વિસ્તારમાં પણ, ભાડાના ઘરોની માંગ એટલી ઊંચી છે કે ત્યાંના બંગલાઓનું ભાડું દર મહિને ₹20 લાખ સુધી પહોંચી ગયું છે.</p><h4 style="text-align: justify; ">મુંબઈનું વર્ચસ્વ યથાવત્&nbsp;</h4><p style="text-align: justify; ">ગુરુગ્રામ લક્ઝરી હાઉસિંગ માર્કેટમાં ઝડપથી વિકાસ પામી રહ્યું હોવા છતાં, જ્યારે ₹100 કરોડથી વધુ કિંમતના સુપર-લક્ઝરી ઘરોની વાત આવે છે, ત્યારે મુંબઈ નિર્વિવાદ રાજા રહે છે. ફક્ત વરલી વિસ્તારમાં જ, છેલ્લા 24 મહિનામાં ₹40 કરોડથી વધુ કિંમતના 30 થી વધુ ઘરો વેચાયા છે. આ સોદાઓની કુલ કિંમત ₹5,500 કરોડથી વધુ હોવાનો અંદાજ છે. મુંબઈના કેટલાક મોટા સોદાઓ પર નજર કરીએ તો આશ્ચર્યજનક આંકડા બહાર આવે છે. 2025 માં, USV ચેરપર્સન લીના ગાંધી તિવારીએ વર્લીના નમન ઝાના પ્રોજેક્ટમાં ₹639 કરોડના મૂલ્યના બે સી-ફેસિંગ ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ખરીદ્યા. પ્રખ્યાત બેંકર ઉદય કોટક અને તેમના પરિવારે મુંબઈના શિવ સાગર વિસ્તારમાં ₹400 કરોડથી વધુ કિંમતના અનેક એપાર્ટમેન્ટ ખરીદ્યા. તાન્યા દુબાશે 2025 માં નમન ઝાનામાં ₹226 કરોડમાં એક ડુપ્લેક્સ અને 2026 માં ₹294 કરોડથી વધુ કિંમતના બે વધુ એપાર્ટમેન્ટ ખરીદ્યા.</p><h5 style="text-align: justify; ">સસ્તા ઘરોનું સ્વપ્ન અધૂરું</h5><p style="text-align: justify; ">આ બધા વચ્ચે, ₹20 કરોડથી ઓછી કિંમતના બજારમાં એક અલગ પરિવર્તન જોવા મળી રહ્યું છે. ૨૦૨૬ ના પહેલા ભાગમાં ₹1 કરોડથી વધુ કિંમતના ઘરો કુલ ઘર વેચાણના 54% હતા. સૌથી વધુ વેચાણ ₹1-₹2 કરોડ સેગમેન્ટમાં થયું હતું, જેમાં 50,488 ઘર વેચાયા હતા. પરંતુ વાર્તાની બીજી બાજુ સામાન્ય માણસ માટે થોડી ચિંતાજનક છે. ₹50 લાખથી ઓછી કિંમતના પરવડે તેવા ઘરોના વેચાણમાં 15 ટકાનો ઘટાડો થયો છે. કુલ વેચાણમાં આ સેગમેન્ટનો હિસ્સો હવે ઘટીને માત્ર 16 ટકા થયો છે.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/india/news/political-news/mamata-banerjee-attack-politics-heated-up-after-mahua-moitra-commented-on-the-attack-on-mamata-banerjee" target="_blank"> મમતા બેનર્જી પર થયેલા હુમલા અંગે Mahua Moitraએ ટીપ્પણી કરતા રાજકારણ ગરમાયું</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/hr6S7pa6WbuiqbcbYOEnqiwi7MwJyrR0T8troPx5.webp'/></item><item><title><![CDATA[Varanasiની રિલીઝ પહેલાં સિદ્ધિવિનાયક મંદિર પહોંચી પ્રિયંકા ચોપરા, બાપ્પાના લીધા આશીર્વાદ! ]]></title><link>https://sandesh.com/entertainment/news/priyanka-chopra-siddhivinayak-varanasi-release</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/priyanka-chopra-siddhivinayak-varanasi-release</guid><pubDate>Mon, 10 Aug 2026 17:46:43 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મુંબઈમાં હાજર અભિનેત્રી પ્રિયંકા ચોપરાને તાજેતરમાં સોમવાર, 10 ઓગસ્ટ 2026ના રોજ સિદ્ધિવિનાયક મંદિરમાં બાપ્પાના આશીર્વાદ લેતા જોવા મળી હતી. અભિનેત્રી શહેરના મંદિરે પહોંચી હતી અને મંદિરની બહાર એકઠા થયેલા ફેન્સનું અભિવાદન કરતી જોવા મળી હતી. પ્રિયંકા મંદિરની બહાર એકદમ સાદા અને સિમ્પલ સૂટમાં જોવા મળી હતી. બોલીવુડની દેશી ગર્લે સુંદર એથનિક પિંક સૂટ પહેર્યો હતો અને વાળ ખુલ્લા રાખ્યા હતા, જેના કારણે તેનો લુક સિમ્પલ હોવા છતાં ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો. મંદિર પરિસરમાંથી બહાર નીકળતી વખતે અભિનેત્રી ખુશ મૂડમાં જોવા મળી હતી અને ફેન્સને જોઈને સ્મિત કરતી તેમજ હાથ હલાવતી જોવા મળી હતી.</p><h2 style="text-align: justify; "><b>મંદિરમાંથી બહાર આવતાં જ પ્રિયંકાએ ફેન્સને કહ્યું હેલો</b></h2><p style="text-align: justify; ">પ્રિયંકા ચોપરાનું લોકો સાથેનું ગરમજોશીભર્યું વર્તન સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. આ દરમિયાન ઘણા ફેન્સ તેમની એક ઝલક મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મંદિરની અંદર જતા પહેલાં તેમણે સ્મિત સાથે લોકોનું અભિવાદન કર્યું હતું અને બહાર આવતી વખતે પણ પોતાના ફેન્સને હેલો કહ્યું હતું. સોશિયલ મીડિયા પર અભિનેત્રીનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Db2nGePqfKm/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Db2nGePqfKm/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Db2nGePqfKm/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Db2nGePqfKm/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h3 style="text-align: justify; "><b>પ્રિયંકા ચોપરાની દીકરી માલતી સાથેની પહેલી મુલાકાત</b></h3><p style="text-align: justify; ">પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં પોતાની દીકરી માલતી મેરી ચોપરા જોનસને પહેલીવાર ખોળામાં લેવાના એ દિવસ વિશે વાત કરી હતી, જે તેની જિંદગીનો સૌથી ખાસ દિવસ હતો. તેણે જે શેટ્ટીના પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે, તે પહેલીવાર મારી છાતી પર હતી અને ત્યારે તે લગભગ 27.5 અઠવાડિયાની હતી. તે એટલી નાની હતી કે તેની આંગળીઓ મને પતંગિયા જેવી લાગતી હતી. તેનું વજન 1 પાઉન્ડ 11 ઔંસ હતું. તે સમયે મને લાગ્યું કે તેની સુરક્ષા માટે હું દુનિયામાં કોઈપણ હદ સુધી જઈ શકું છું. આ એવો અહેસાસ હતો જે મેં પહેલાં ક્યારેય અનુભવ્યો નહોતો અને મને લાગે છે કે પહેલીવાર માતા-પિતા બનનાર દરેક વ્યક્તિ આવું જ કહે છે. પરંતુ આ ખરેખર તમારા શરીરની બહાર ધબકતું તમારું હૃદય હોય છે.</p><h4 style="text-align: justify; "><b>વારાણસીમાં મહેશ બાબુ સાથે જોવા મળશે પ્રિયંકા</b></h4><p style="text-align: justify; ">પ્રિયંકા ચોપરાની આગામી ફિલ્મોની યાદીમાં મોટા ઇન્ટરનેશનલ અને પેન-ઇન્ડિયન પ્રોજેક્ટ્સ સામેલ છે. તેમાં એસ. એસ. રાજામૌલીની જબરદસ્ત એડવેન્ચર ફિલ્મ વારાણસી પણ સામેલ છે, જે 7 એપ્રિલ 2027ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં પ્રિયંકા મહેશ બાબુ સાથે જોવા મળશે. આ ઉપરાંત તે રસેલ ક્રો સાથે તાજેતરમાં જાહેર થયેલી સાઇ-ફાઇ એક્શન થ્રિલર 'બ્લૂફ્લાય'માં પણ જોવા મળશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/toxic-bo-prediction-yash-hindi-opening-kgf2-record" target="_blank">આ પણ વાંચો-Toxic બનશે યશની હિન્દી સિનેમાની બીજી સૌથી મોટી ઓપનર? શું તોડી શકશે KGF 2નો રેકોર્ડ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/10/J7OP3D3ufgIBZPMnPreQVEPtVzVxS8yEiyoj2hvo.webp'/></item></channel></rss>