<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabad News: ક્રિપ્ટો અને હવાલાથી 3 હજાર કરોડની હેરાફેરી, EDના ગુજરાત સહિત 17 સ્થળોએ દરોડા ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ed-raids-17-locations-over-3000-crore-crypto-hawala-money-trail</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ed-raids-17-locations-over-3000-crore-crypto-hawala-money-trail</guid><pubDate>Tue, 08 Sep 2026 08:16:38 +05:30</pubDate><description><![CDATA[<p>ઓનલાઇન સટ્ટા પ્લેટફોર્મ પારીમેચ સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ઈડીએ કડક કાર્યવાહી કરી છે.આ તપાસના ભાગરૂપે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન,દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત દેશનાં 17 સ્થળો પર મોટા પાયે તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ઈડી દ્વારા હાથ ધરાયેલા આ સર્ચ ઓપરેશન દરમિયાન આશરે રૂ.2.11 કરોડની ચલ સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે. જેમાં રૂ.1 લાખની રોકડ, 1 કિલોગ્રામ સોનાની બાર તેમજ વિવિધ વાંધાજનક દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત,અંદાજે રૂ.37 કરોડની બેંક સિલક પણ ફ્રીઝ કરવામાં આવી છે.આ સમય પ્રકરણમાં અત્યાર સુધીમાં ઈડી દ્વારા કુલ રૂ.150 કરોડથી વધુની સંપત્તિઓ ફ્રીઝ કે જપ્ત કરવાની કાર્યવાહી કરાઈ ચૂકી છે.</p><h2><b>ઓનલાઇન સટ્ટાબાજીના માધ્યમથી યુઝર્સ સાથે ઠગાઈ</b></h2><p>મુંબઈના સાયબર પોલીસ સ્ટેશન દ્વારા પારીમેચ ડોટ કોમ વિરુદ્ધ ઓનલાઇન સટ્ટાબાજીના માધ્યમથી યુઝર્સ સાથે ઠગાઈ કરવાના આરોપસર નોંધાયેલી ફરિયાદના આધારે ઈડીએ આ તપાસ શરૂ કરી હતી.પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ પ્લેટફોર્મે યુઝર્સને ઊંચા રિટર્ન અને નફાની લાલચ આપીને માત્ર એક જ વર્ષમાં રૂ.3 હજાર કરોડથી વધુની જંગી રકમ એકત્ર કરી હતી.ઈડીની તપાસમાં બહાર આવ્યું છે કે સટ્ટાબાજીથી મેળવેલા નાણાંની હેરાફેરી કરવા માટે એક જટિલ અને મલ્ટી-લેવલ તંત્ર ગોઠવવામાં આવ્યું હતું.શરૂઆતમાં આ રકમ મર્ચન્ટ ખાતા તરીકે ઓળલાવાયેલાં અનેક મ્યુલ ખાતાઓ દ્વારા રૂટ કરવામાં આવતી હતી. ત્યારબાદ તેને કેશ મેનેજમેન્ટ સિસ્ટમ અને ડોમેસ્ટિક મની ટ્રાન્સફર એજન્સીઓની મદદથી લેયરિંગ કરવામાં આવતી હતી.&nbsp;</p><h2><b>500 કરોડ વિદેશ મોકલવામાં આવ્યા હતા</b></h2><p>આ પ્રક્રિયા દ્વારા બોર્કિંગ સિસ્ટમમાં નાણાંનું ચક્ર ફેરવીને તેના બદલે ભૌતિક રોકડ સટ્ટા નેટવર્ક સાથે સંકળાયેલા શાખાઓને ઉપલબ્ધ કરાતી હતી.આ રોકડ રકમને હવાલા અને ક્રિપ્ટો ઓપરેટરોની મદદથી યુએસડીટીમાં રૂપાંતરિત કરીને પારીમેચના વિદેશી ક્રિપ્ટો વોલેટમાં ટ્રાન્સફર કરાતી હતી.આ ઉપરાંત, પેમેન્ટ મિડિયેટર્સ દ્વારા આ નાણાં ભારતીય ટૂર એન્ડ ટ્રાવેલ ઓપરેટરોનાં બેંક ખાતાઓમાં પણ રૂટ કરવામાં આવ્યા હતા. જેની સામે કોઈ વાસ્તવિક સેવાઓ પૂરી પાડવામાં આવી ન હતી. આવા બે ઓપરેટરો દ્વારા જ ઓછામાં ઓછા રૂ.200 કરોડના વ્યવહારો કરાયા હોવાનું સામે આવ્યું છે.સાથો સાથ હેફાડા માટેના વિદેશી પ્રત્યક્ષ રોકાણો અને સેવાઓની નકલી આયાત જેવા સમાંતર માધ્યમો દ્વારા પણ રૂ.500 કરોડ વિદેશ મોકલવામાં આવ્યા હતા.<br><br><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bharuch/mega-camp-organized-to-bring-benefits-of-government-schemes-to-citizens" target="_blank">આ પણ વાંચોઃ નાગરિકો સુધી સરકારી યોજનાનો લાભ પહોંચાડવા મેગા કૅમ્પ યોજાયો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/VKFosoVpD5R9nKfc9X8F9qRBs4UZ0Ny7sEU3ALTH.webp'/></item><item><title><![CDATA[UP: બાગપતમાં ભયાનક અકસ્માત, ગોગામેડી દર્શન કરી પરત ફરી રહેલા બદાયૂંના 13 શ્રદ્ધાળુઓના મોત ]]></title><link>https://sandesh.com/india/news/baghpat-road-accident-13-pilgrims-killed-up</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/baghpat-road-accident-13-pilgrims-killed-up</guid><pubDate>Tue, 08 Sep 2026 08:07:39 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે પર સોમવારે મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનના ગોગામેડી ખાતે જહરવીર બાબાના દર્શન કરીને પોતાના વતન બદાયૂં પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની પિકઅપ ગાડીને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટનામાં બદાયૂં જિલ્લાના 13 શ્રદ્ધાળુઓનાં ઘટનાસ્થળે જ કે સારવાર દરમિયાન કમનસીબ મોત નીપજ્યાં હતાં, જ્યારે 20 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.</p><h2 style="text-align: justify; "><b>100થી વધુ શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા દર્શને&nbsp;</b></h2><p style="text-align: justify; ">પ્રાપ્ત માહિતી અનુસાર, બદાયૂં જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતા ગામોના 100 થી વધુ શ્રદ્ધાળુઓ ચાર પિકઅપ ટ્રકમાં સવાર થઈને આસ્થાની યાત્રાએ ગયા હતા. દર્શન પૂર્ણ કરી પરત ફરતી વેળાએ બાગપત પાસે આ હોનારત સર્જાઈ હતી. મૃતકોમાં અલાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના અલ્લાપુર ચમારી ગામના સાત લોકોનો સમાવેશ થાય છે, જેમાં જયસિંહ ઉર્ફે સાધુ, તેમના પત્ની મુન્ની દેવી, પ્રેમ સિંહ, ભગવતી (પત્ની ચિત્રપાલ), મૂર્તિ (પત્ની થાન સિંહ), રામેશ્વર અને અવનિશ સામેલ છે.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sirajnoorani/status/2097097175364968842"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h3 style="text-align: justify; "><b>ભયાનક અકસ્માતમાં બદાયૂંના 13 લોકોના મોત</b></h3><p style="text-align: justify; ">આ ઉપરાંત, અન્ય વિસ્તારોમાંથી પણ કેટલાક પરિવારોના સભ્યો ભોગ બન્યા હતા. જેમાં જરીફનગર પોલીસ સ્ટેશન વિસ્તારના મદારપુર ગામના નેમપાલનો 12 વર્ષનો પુત્ર જીતેન્દ્ર અને બીનાવર પોલીસ સ્ટેશન વિસ્તારના રસુલ ગામના આનંદ વીરનો 17 વર્ષનો પુત્ર મુનીમ પણ મૃત્યુ પામનારાઓમાં સામેલ છે. આ અચાનક થયેલી આફતથી મૃતકોના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.</p><h4 style="text-align: justify; "><b>ઘાયલોની સારવાર અને પ્રશાસનિક સહાય</b></h4><p style="text-align: justify; ">આ ભયાનક અકસ્માતમાં ૨૦ થી વધુ શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ થનારાઓમાં માનસી, સુલતાનશ્રી, પ્રેમવતી, નેપાળ, અનમોલ, આનંદ વીર, છત્રપાલ, દિલીપ, યાદરામ, ખુશી, સોની, પ્રદીપ, કુંવરપાલ, મહેશાદેવી, અખિલેશ, સિંધુ, થાન સિંહ, રાજેશ્વર, કલ્લો, જગદીશનો પુત્ર અખિલેશ અને અરુણ કુમારનો સમાવેશ થાય છે.</p><p style="text-align: justify; ">ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને પ્રશાસન તાત્કાલિક ધોરણે હરકતમાં આવ્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની વિશેષ સારવાર ચાલી રહી છે. વહીવટી તંત્ર દ્વારા પીડિત પરિવારજનોને શક્ય તમામ મદદ અને સાંત્વના આપવામાં આવી રહી છે. ધાર્મિક આસ્થા સાથે નીકળેલી આ યાત્રા અંતમાં આખા પરિવાર અને ગામ માટે કાળમીંઢ રાત્રિ સાબિત થઈ, જેને કારણે સમગ્ર બદાયૂં પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/weather-update-heavy-rain-alert-15-states-flood-bihar-mp" target="_blank">આ પણ વાંચોઃ Weather Update : બિહારથી લઇને MP સુધી પૂરની પરિસ્થિતિ, આજે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/UN5ciWynByNj3yHEmWQwBYUU0kbuqJkFiyJ04uJj.webp'/></item><item><title><![CDATA[નાગરિકો સુધી સરકારી યોજનાનો લાભ પહોંચાડવા મેગા કૅમ્પ યોજાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bharuch/mega-camp-organized-to-bring-benefits-of-government-schemes-to-citizens</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bharuch/mega-camp-organized-to-bring-benefits-of-government-schemes-to-citizens</guid><pubDate>Tue, 08 Sep 2026 05:40:52 +05:30</pubDate><description><![CDATA[<p>નાગરિકો સુધી કાનુની સહાય અને વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભો સરળતાથી પહોંચી શકે તે હેતુથી જિલ્લા કાનુની સેવા સત્તામંડળ ભરૂચ તથા જિલ્લા વહીવટી તંત્ર ભરૂચના સંયુકત ઉપક્રમે ગુજરાત રાજય કાનુની સેવા સત્તામંડળના એક્ઝિકયુટીવ ચેરમેન જસ્ટિસ એ.વાય. કોગજેના અધ્યક્ષસ્થાને રોટરી કલબ ભરૂચ ખાતે મેગા કેમ્પ યોજાયો હતો.</p><p>આ કેમ્પ દરમ્યાન રાષ્ટ્રીય કાનુની સેવા સત્તામંડળ (નાલ્સા) ની વિવિધ યોજનાઓ તેમજ રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રતિકાત્મક પ્રમાણપત્રો અને લાભોનું વિતરણ કરાયુ હતુ. કાર્યક્રમ બાદ જસ્ટીસ તથા ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ સરકારી વિભાગો દ્વારા બનાવાયેલા પ્રદર્શન સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ગુજરાત રાજય કાનુની સેવા સત્તામંડળના એક્ઝિકયુટીવ ચેરમેન એ.વાય. કોગજેએ જણાવ્યું હતુ કે, નાલ્સાએ રાષ્ટ્રીય સ્તરની સંસ્થા છે જે નવી દિલ્હી ખાતેથી કાર્ય કરે છે. સરકારની સમાજના કલ્યાણ માટેની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચવા માટે સમાજ અને સરકારી યોજનાઓ વચ્ચે કડીરૂપ બનીને કામ કરતી સૌથી મહત્વપુર્ણ વ્યકિત જો કોઈ હોય, તો તે છે પેરા લીગલ વોલન્ટિયર્સ આ પેરા લીગલ વોન્ટિયર્સ બીજું કોઈ નહી. જયારે પણ કોઈ વ્યકિત પર સંકટ કે મુશ્કેલી આવે ત્યારે તેમને એ ખબર હોવી જોઈએ કે મદદ માટે કયો દરવાજો ખટખટાવવો. વોલન્ટિયર્સ એ દરવાજો ખટખટાવવામાં સામાન્ય માણસની પુરેપુરી મદદ કરે છે. મુખ્ય જિલ્લા ન્યાયાધીશ જે.આર.શાહ, ડીએલએસએ સેક્રેટરી પી.પી.મોકશી, જિલ્લા પોલીસ અધિકક્ષ અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેકટર આર.બી.ભોગયતા, પ્રાંત અધિકારી મનિષ મનાણી, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, કાનુની સેવા સત્તામંડળના સભ્યો, પેરા લીગલ વોલન્ટિયર્સ તેમજ સ્થાનિક નાગરિકો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/jLSI8eKaDwqwKvTpGmeWaWAt9wSsch8YrKVKYT58.webp'/></item><item><title><![CDATA[શ્રેષ્ઠ શિક્ષકોનું જિલ્લા અને તાલુકા કક્ષાના પારિતોષિકથી સન્માન ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bharuch/best-teachers-honored-with-district-and-taluka-level-awards</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bharuch/best-teachers-honored-with-district-and-taluka-level-awards</guid><pubDate>Tue, 08 Sep 2026 05:40:05 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતના પુર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ શિક્ષક દિન નિમિત્તે ભરૂચ જિલ્લામાં આત્મીય સંસ્કાર હોલ ભરૂચ ખાતે શ્રોષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો. જિલ્લા પંયત પ્રમુખ ડિમ્પલબા રાજના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના તેજસ્વી અને કર્મઠ શિક્ષકોને સન્માનિત કરાયા હતા.</p><p>આ પ્રસંગે ઉપસ્થિત સૌ શિક્ષણગણને શિક્ષક દિનની શુભકામનાઓ પાઠવતા જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યુ હતુ કે, શિક્ષક એ માત્ર એક વ્યવસાય નથી પરંતુ સમાજ અને રાષ્ટ્રની સેવા કરવાનું પવિત્ર માધ્યમ છે. સમારોહ દરમ્યાન વર્ષ 2026 ના શ્રોષ્ઠ શિક્ષક પારિતોષિકોનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. જેમાં જિલ્લા કક્ષાએ પ્રાથમિક વિભાગમાં પ્રાથમિક શાળા મોરતલાવ, આ.શિ.શિક્ષક નિરવકુમાર દેવજીભાઈ પટેલ, માધ્યમિક વિભાગમાં ચંદ્રકાંત ઠાકોરભાઈ પ્રજાપતિ મદદનીશ શિક્ષક સરકારી માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળા ડેબાર અને મદદનીશ શિક્ષક જી.એન.એફ.સી. નર્મદા વિદ્યાલય સંજયકુમાર મગનભાઈ સુવાગિયાને સન્માનિત કરાયા હતા. ઉપરાંત તાલુકા કક્ષાએ પ્રાથમિક શાળા નોબારીયા, અંકલેશ્વર નમ્રતાબેન કેશવલાલ બારૈયા અને રેલ્વે વિસ્તાર પ્રા.મિ.શા.જંબુસર, પ્રાથમિક શાળાના શિક્ષિકા નશીમાબેન યુસુફ મુન્શીને પણ પારિતોષિક અને પ્રમાણપત્ર આપીને બિરદાવાયા હતા. વિષયમાં 100 ટકા રિઝલ્ટ લાવતા, સ્પર્ધાત્મક પરીક્ષામાં સારૂ પરિણામ લાવતા, વ્યકિતગત સિદ્ધિઓ ધરાવતા પ્રતિભાશાળી શિક્ષકો અને પ્રતિભાશાળી બાળકો ધરાવતી શાળાઓના શિક્ષકોને પણ અભિનંદન પત્ર એનાયત કરાયા હતા. કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના ચેરમેન કર્મિશા પટેલ, નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, નગર પાલિકા શિક્ષણ સમિતિના ગણેશ અગ્રવાલ, મગન પટેલ, શિક્ષણ વિભાગના અધિકારી-કર્મચારીઓ સહિત શિક્ષણ જગતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/O4YUPFVIsjyEH4VaK4WUyKt1IkcBi6bSB4rvWIAJ.webp'/></item><item><title><![CDATA[એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની (ઈન્ડિયા) લિમિટેડનો આઈપીઓ બુધવાર, 9 સપ્ટેમ્બર, 2026ના રોજ ખુલશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/asset-reconstruction-company-india-limiteds-ipo-will-open-on-wednesday-september-9-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/asset-reconstruction-company-india-limiteds-ipo-will-open-on-wednesday-september-9-2026</guid><pubDate>Tue, 08 Sep 2026 04:38:56 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ : એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની (ઈન્ડિયા) લિમિટેડ બુધવાર, 9 સપ્ટેમ્બર, 2026ના રોજ રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા તેના ઇક્વિટી શેરનો આઈપીઓ શરૂ કરવાની દરખાસ્ત ધરાવે છે. એન્કર ઇન્વેસ્ટર માટે બિડીંગની તારીખ બિડ/ઓફર શરૂ થવાની તારીખના કામકાજના એક દિવસ પહેલા એટલે કે મંગળવાર, 8 સપ્ટેમ્બર, 2026 છે. બિડ/ઓફર બંધ થવાની તારીખ શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026 છે. ઓફર માટેનો પ્રાઇઝ બેન્ડ રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેર માટે રૂ. 132થી રૂ. 139 નક્કી કરવામાં આવ્યો છે. બિડ રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઓછામાં ઓછા 107 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા 107 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/AS5EWF72zERaGyz8huXjDgM1fWg0ua2eq6BcA9LU.webp'/></item><item><title><![CDATA[ડાઇનેમિક અચીવર્સ માટે ડિઝાઈન કરેલ નવી આકર્ષક બલેનો સાથે 'ડેર ટૂ ગો ગ્લેમ' માટે તૈયાર રહો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/get-ready-to-dare-to-go-glam-with-the-new-sleek-baleno-designed-for-dynamic-achievers</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/get-ready-to-dare-to-go-glam-with-the-new-sleek-baleno-designed-for-dynamic-achievers</guid><pubDate>Tue, 08 Sep 2026 04:36:45 +05:30</pubDate><description><![CDATA[<p>મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડે આકર્ષક યુવાઓ, મહત્ત્વાકાંક્ષી અર્બન અચીવર્સ જે તેમનું જીવન તેમના અંદાજમાં જ જીવે છે તેમના માટે નવી આકર્ષક બલેનો તૈયાર કરી છે. તેને 'ડેર ટૂ ગો ગ્લેમ'ની ફિલોસોફી સાથે વિકસિત કરવામાં આવેલ એવી પ્રોગ્રેસિવ ડિઝાઇનવાળી પ્રીમિયમ હેચબેક છે. સુરક્ષા અને સુવિધા એમ બંને દૃષ્ટિએ તેને વધુ સુગમ કરવામાં આવેલ છે. આ નવી બલેનોને પ્રસ્તુત કરતી વેળાએ શ્રી પાર્થો બેનરજી, સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર, માર્કેટિંગ અને સેલ્સ, મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ જણાવે છે કે, આ બલેનો એ એક દાયકા કરતા વધુ સમયથી નેક્સા માટે આધારસ્તંભ છે અને પ્રીમિયમ હેચબેક છે. તે લેવલ 2 એડીએએસ જેવા સેગમેન્ટમાં પ્રથમ વખત પ્રારંભ સાથે ગ્રાહકોની સુરક્ષા અને સુવિધાને વધુ સુનિશ્ચિત કરે છે. તે એડવાન્સ્ડ ઝેડ12ઈ પાવરટ્રેન સાથે 5-સ્પીડ મેન્યુઅલ અને એજીએસ ઓટોમેટિક ટ્રાન્સમિશન વિકલ્પ પૂરા પાડે છે. તેની એક્સ શોરૂમ કિંમત રૂ. 6,09,900 છે અને તેનું બુકિંગ હાલમાં માત્ર 11,000 રૂપિયા ભરી કરી શકાશે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/08/qPObRZ8m8rI2oKq7UuQ30BDKR0EmsedbYGxWmy7l.webp'/></item><item><title><![CDATA[Mangaluru : 30 વર્ષથી પોલીસને ચકમો, ક્યારેક NIA તો ક્યારેક RAW અધિકારી બનીને કરોડોની ઠગાઈ કરતો આરોપી ઝડપાયો ]]></title><link>https://sandesh.com/india/news/crime/mangaluru-fake-nia-raw-officer-sam-antony-30-years-identity-fraud-arrest</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/crime/mangaluru-fake-nia-raw-officer-sam-antony-30-years-identity-fraud-arrest</guid><pubDate>Mon, 07 Sep 2026 23:26:43 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">લગભગ 30 વર્ષ સુધી અલગ-અલગ નામ અને ઓળખ સાથે પોલીસને ચકમો આપનાર 64 વર્ષીય સેમ એન્ટની ઉર્ફે સેમ પીટરની આખરે ધરપકડ કરવામાં આવી છે. મંગલુરુ સિટી પોલીસે કેરળના કન્નુરમાંથી આરોપીને ઝડપી લીધો છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી ક્યારેક સેમ પીટર, રાહુલ પીટર, ડેની થરક્કન, રાજેશ રોબિન્સન અને એન્થની ફ્રાન્સિસના નામથી ઓળખાતો હતો. પોલીસને શંકા છે કે તેણે આ સિવાય પણ અનેક નકલી ઓળખનો ઉપયોગ કર્યો હોઈ શકે છે.</p><h2 style="text-align: justify; "><b>ક્યારેક NIA તો ક્યારેક RAWનો અધિકારી!</b></h2><p style="text-align: justify; ">આરોપી અલગ-અલગ સરકારી અને કેન્દ્રીય એજન્સીઓનો અધિકારી હોવાનો દાવો કરીને લોકોને વિશ્વાસમાં લેતો હતો. ક્યારેક તે NIAનો અધિકારી બનતો તો ક્યારેક RAW સાથે જોડાયેલો હોવાનું જણાવતો હતો. પોલીસના જણાવ્યા મુજબ તેની પાસે નકલી પાસપોર્ટ, આધાર કાર્ડ અને PAN કાર્ડ સહિતના અનેક દસ્તાવેજો હતા. તે પોતાની નકલી ઓળખને વિશ્વસનીય બનાવવા માટે અલગ-અલગ નામના દસ્તાવેજોનો ઉપયોગ કરતો હતો.</p><h3 style="text-align: justify; "><b>માત્ર 10 મિનિટમાં સામેના વ્યક્તિને વિશ્વાસમાં લેતો!</b></h3><p style="text-align: justify; ">તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ આરોપીની અંગ્રેજી ભાષા પર સારી પકડ હતી અને તેને કાયદાની પણ સારી સમજ હતી. તેની વાત કરવાની શૈલી, પહેરવેશ અને અધિકારી જેવી બોડી લેંગ્વેજને કારણે લોકો તેને ઉચ્ચ અધિકારી અથવા મોટો બિઝનેસમેન માનવા લાગતા હતા. પોલીસના જણાવ્યા મુજબ આરોપી હંમેશાં વ્યવસ્થિત કપડાં પહેરતો અને પોતાની છબી એક ઉચ્ચ અધિકારી જેવી જાળવતો હતો.</p><h4 style="text-align: justify; "><b>અમીર વેપારીઓને બનાવતો હતો નિશાન</b></h4><p style="text-align: justify; ">પોલીસના જણાવ્યા મુજબ આરોપી બેંક ફ્રોડ, ટેક્સ વિવાદ અને કેન્દ્રીય એજન્સીઓ સાથે જોડાયેલા નાણાકીય કેસોમાં ફસાયેલા વેપારીઓનો સંપર્ક કરતો હતો. પછી તે પૈસાના બદલામાં તેમની કાનૂની મુશ્કેલી દૂર કરવાની ખાતરી આપતો હતો. આરોપી ઘણી વખત પોતાને NCIBનો સિનિયર અધિકારી ગણાવતો અને લોકોને ગેરમાર્ગે દોરતો હતો.</p><h4 style="text-align: justify; "><b>નકલી રેડથી લઈને બનાવટી લેટરહેડ સુધીનો ખેલ</b></h4><p style="text-align: justify; ">પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પોતાની ઓળખ અસલી દેખાડવા માટે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરતો હતો. તેમાં છેડછાડ કરેલા મેસેજ, નકલી રેડના વીડિયો અને વિવિધ એજન્સીઓના બનાવટી લેટરહેડનો સમાવેશ થતો હોવાનું પોલીસનું કહેવું છે.</p><h4 style="text-align: justify; "><b>1997થી ગુનાહિત રેકોર્ડ, અનેક રાજ્યોમાં કેસ</b></h4><p style="text-align: justify; ">પોલીસે આરોપીના જૂના રેકોર્ડની તપાસ કરતાં તેની ગુનાહિત પ્રવૃત્તિઓ 1997 સુધી પહોંચતી હોવાનું સામે આવ્યું છે. છત્તીસગઢ, કર્ણાટક સહિત અનેક રાજ્યોમાં તેની સામે કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. આરોપી એક રાજ્યમાં ગુના કર્યા બાદ નવી ઓળખ સાથે બીજા રાજ્યમાં જતો હતો. પોલીસના જણાવ્યા મુજબ તેણે કર્ણાટક ઉપરાંત બિહાર, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં પણ પોતાની ઓળખ બદલીને ગુનાહિત પ્રવૃત્તિઓ કરી હોવાની શંકા છે.</p><h4 style="text-align: justify; "><b>2007માં ઇન્ટરપોલનું રેડ કોર્નર નોટિસ</b></h4><p style="text-align: justify; ">આરોપીની ગુનાહિત પ્રવૃત્તિઓની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વર્ષ 2007માં તેની સામે ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી. પોલીસે તેની સામે અત્યાર સુધી 17 કેસની વિગતો એકત્રિત કરી છે અને દેશભરના પોલીસ સ્ટેશનોને પત્ર લખીને આરોપી સામે અન્ય કોઈ કેસ નોંધાયેલા છે કે નહીં તેની તપાસ શરૂ કરી છે.</p><h4 style="text-align: justify; "><b>2019માં હથિયારો અને નકલી ID સાથે ઝડપાયો હતો</b></h4><p style="text-align: justify; ">વર્ષ 2019માં આરોપી મંગલુરુમાં NCIBના સિનિયર અધિકારી તરીકે રહેતો હોવાની માહિતી પોલીસને મળી હતી. તપાસ દરમિયાન પોલીસે લોજ પર દરોડો પાડી આરોપી અને તેના સાથીઓને ઝડપી લીધા હતા. પોલીસને રિવોલ્વર, પિસ્તોલ, નકલી ID કાર્ડ, રોકડ રકમ, વાહનો, મોબાઇલ ફોન અને મિલકતના દસ્તાવેજો મળી આવ્યા હતા. આ કેસમાં તેની સામે નકલી ઓળખ, ગુનાહિત ષડયંત્ર, આર્મ્સ એક્ટ અને રાજ્યના પ્રતીકના દુરુપયોગ સહિતની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.</p><h4 style="text-align: justify; "><b>જામીન મળ્યા બાદ ફરી ગાયબ, હવે આખરે પકડાયો</b></h4><p style="text-align: justify; ">2023માં જામીન મળ્યા બાદ આરોપી ફરી પોલીસની નજરમાંથી ગાયબ થઈ ગયો હતો. લાંબા સમય સુધી કોઈ ચોક્કસ મોબાઇલ નંબર કે સરનામું ન મળતા પોલીસને તેને શોધવામાં મુશ્કેલી પડી હતી. આખરે મંગલુરુ સિટી પોલીસ અને સિટી ક્રાઇમ બ્રાન્ચની વિશેષ ટીમોએ જૂના સંપર્કો અને અગાઉના સાથીઓ સુધી પહોંચી તપાસ શરૂ કરી હતી. 1 સપ્ટેમ્બરે આરોપીને કેરળના કન્નુરમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો.</p><h4 style="text-align: justify; "><b>ધરપકડ બાદ પણ ચાલતી રહી ઠગની કહાની</b></h4><p style="text-align: justify; ">આરોપીની ધરપકડ બાદ પણ પોલીસ અધિકારીઓને કેટલાક લોકોના ફોન આવ્યા હતા. ફોન કરનારાઓ આરોપીને નિર્દોષ અને ઇમાનદાર વ્યક્તિ ગણાવી રહ્યા હતા. પોલીસ અધિકારીઓને તેની લાંબી ગુનાહિત હિસ્ટ્રી સમજાવીને લોકોને વિશ્વાસ અપાવવો પડ્યો હતો. આ સમગ્ર મામલો બતાવે છે કે આરોપી વર્ષો સુધી પોતાની બનાવટી ઓળખ અને પ્રભાવશાળી વ્યક્તિત્વના આધારે લોકોનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યો હતો.&nbsp;&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp;<a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-gujarat-drowning-deaths-1999-river-lake-check-dam-water-safety" target="_blank"><b> Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/n9qLnjIgkDEhezvJERsGHsyIw5pn6srJ3E4caxbk.webp'/></item><item><title><![CDATA[Malaysia : 72 વર્ષના ફૂટબોલ દિગ્ગજે 20 વર્ષની યુવતી સાથે કર્યા લગ્ન, તસવીરો વાયરલ થતાં પરિવારે કરી પુષ્ટિ ]]></title><link>https://sandesh.com/world/news/sports/malaysia-football-legend-abdul-alif-marriage-72-year-old-20-year-old-wife</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/sports/malaysia-football-legend-abdul-alif-marriage-72-year-old-20-year-old-wife</guid><pubDate>Mon, 07 Sep 2026 23:00:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મલેશિયન ફૂટબોલના દિગ્ગજ અને પૂર્વ હરિમાઉ મલાયા સ્ટાર દાતુક અબ્દુલ અલિફે 72 વર્ષની ઉંમરે પોતાના જીવનનો નવો અધ્યાય શરૂ કર્યો છે. સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો વાયરલ થયા બાદ તેમના પરિવારે લગ્નની સત્તાવાર પુષ્ટિ કરી છે. અહેવાલ મુજબ 27 ઓગસ્ટે યોજાયેલા ખાનગી સમારંભમાં અબ્દુલ અલિફે પોતાની જીવનસંગિની સાથે નિકાહ કર્યા હતા. તેમની પત્નીની ઉંમર 20 વર્ષ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>લગ્નની ખબર કોણે કરી કન્ફર્મ?</b></h2><p style="text-align: justify; ">અબ્દુલ અલિફના નાના ભાઈ અને પૂર્વ ખેલાડી તથા કોચ દાતુક યુનુસ અલિફે લગ્નની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે 27 ઓગસ્ટે બંનેના લગ્ન થયા હતા અને બંને પરિવારોની સંમતિ તથા આશીર્વાદ સાથે આ સંબંધ બંધાયો છે. પરિવાર દ્વારા નવદંપતીના સુખી દાંપત્ય જીવન માટે શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે.</p><h3 style="text-align: justify; "><b>ફોન નહીં ઉઠાવતા ભાઈએ શું કહ્યું?</b></h3><p style="text-align: justify; ">લગ્ન બાદ અબ્દુલ અલિફ મીડિયા સંપર્કમાં ન આવતા તેમના ભાઈ યુનુસ અલિફે જણાવ્યું હતું કે તેઓ સંભવતઃ હનીમૂન પર હોવાથી ફોનનો જવાબ આપી શકતા નથી.જોકે પરિવારે સ્પષ્ટ કર્યું છે કે બંનેના નિકાહ થઈ ચૂક્યા છે અને પરિવાર તરફથી બંનેને શુભકામનાઓ આપવામાં આવી છે.</p><h4 style="text-align: justify; "><b>મલેશિયન ફૂટબોલના દિગ્ગજ રહ્યા છે અબ્દુલ અલિફ</b></h4><p style="text-align: justify; ">અબ્દુલ અલિફ મલેશિયન ફૂટબોલ ઇતિહાસના જાણીતાં ખેલાડીઓમાં સામેલ રહ્યા છે. 1970ના અંતિમ વર્ષો અને 1980ના શરૂઆતના સમયમાં મલેશિયન ફૂટબોલના સફળ સમયગાળામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.તેઓ તે મલેશિયન ટીમના સભ્ય હતા જેણે ક્વોલિફાઇંગ મેચમાં દક્ષિણ કોરિયાને 2-1થી હરાવી 1980ના મોસ્કો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું.</p><h4 style="text-align: justify; "><b>ઓલિમ્પિક રમવાનું સપનું કેમ અધૂરું રહ્યું?</b></h4><p style="text-align: justify; ">મલેશિયાએ સોવિયેત સંઘના અફઘાનિસ્તાન પરના આક્રમણના વિરોધમાં 1980ના મોસ્કો ઓલિમ્પિકનો બહિષ્કાર કર્યો હતો. જેના કારણે અબ્દુલ અલિફ સહિત અનેક ખેલાડીઓનું ઓલિમ્પિકમાં રમવાનું સપનું અધૂરું રહી ગયું હતું. લાંબા સમય સુધી વ્યાવસાયિક ફૂટબોલ અને મીડિયા લાઇમલાઇટથી દૂર રહ્યા બાદ આ દિગ્ગજ ખેલાડી હવે પોતાના અંગત જીવનના નવા નિર્ણયને કારણે ફરી ચર્ચામાં આવ્યા છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">&nbsp; આ પણ વાંચો&nbsp; :&nbsp; &nbsp; <a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-digital-explainer-gujarat-drowning-deaths-1999-river-lake-check-dam-water-safety" target="_blank"><b>Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/oQuxxQEBdhQdWmZFxk2LOPbwDJRpf6zDEmwi2pJ3.webp'/></item><item><title><![CDATA[Auto News: તહેવારો પહેલાં જ ખુલી ગયો ઑફર્સનો પિટારો; આ નવી કારની ખરીદી પર મળશે મહા ડિસ્કાઉન્ટ! ]]></title><link>https://sandesh.com/business/news/automobile/maruti-suzuki-september-2026-car-discount-offers</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/maruti-suzuki-september-2026-car-discount-offers</guid><pubDate>Mon, 07 Sep 2026 18:24:13 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય પેસેન્જર વ્હીકલ માર્કેટમાં તહેવારોની સિઝનની શરૂઆત સાથે જ જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક સરસ સમાચાર છે. મારુતિ સુઝુકી (Maruti Suzuki) એ સપ્ટેમ્બર 2026 માટે પોતાના આકર્ષક ડિસ્કાઉન્ટ ઑફર્સ જાહેર કરી દીધા છે. આ ઑફર્સ હેઠળ 'એરેના' (Arena) નેટવર્કના વિવિધ મોડલ્સ પર ગ્રાહકોને મોટો ફાયદો મળી રહ્યો છે. તમે કન્ઝ્યુમર ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ અને લોયલ્ટી અથવા અપગ્રેડ બેનિફિટ્સ દ્વારા મારુતિની કાર ખૂબ જ ઓછી કિંમતમાં ખરીદી શકો છો.</p><h2 style="text-align: justify; "><b>Victoris પર મળી રહ્યું છે સૌથી મોટું ડિસ્કાઉન્ટ</b></h2><p style="text-align: justify; ">સપ્ટેમ્બર મહિનાનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ મારુતિ સુઝુકી Victoris પર આપવામાં આવી રહ્યું છે. આ કારના પેટ્રોલ અને CNG બંને વર્ઝન પર ગ્રાહકોને મહત્તમ રૂ.85,000 સુધીના ફાયદા મળી રહ્યા છે. જ્યારે તેના Strong Hybrid વેરિઅન્ટ પર કંપની સૌથી મોટો એટલે કે રૂ.1.35 લાખ સુધીનો ધમાકેદાર ફાયદો આપી રહી છે, જે આ કારને અત્યંત આકર્ષક બનાવે છે.</p><h3 style="text-align: justify; "><b>Strong Hybrid માટેની ખાસ ઑફર્સ અને શરતો</b></h3><p style="text-align: justify; ">Victoris Strong Hybrid ના ઑફર માળખામાં રૂ.20,000 નું સીધું કન્ઝ્યુમર બેનિફિટ સામેલ છે. આ ઉપરાંત એક્સચેન્જ, લોયલ્ટી કે અપગ્રેડ અને સ્ક્રેપેજ સંબંધિત એડિશનલ ઈન્સેન્ટિવ્સ પણ ગ્રાહકોને આપવામાં આવી રહ્યા છે. જોકે, ગ્રાહક કઈ યોજનાઓ માટે પાત્ર છે તેના આધારે ડિસ્કાઉન્ટની આખરી રકમ નક્કી થશે. તહેવારોમાં જૂની કાર એક્સચેન્જ અથવા અપગ્રેડ કરવા ઈચ્છતા લોકો માટે આ ઑફર્સ હાઇબ્રિડ કારને એક અત્યંત સસ્તો અને સારો વિકલ્પ બનાવી દે છે.</p><h4 style="text-align: justify; "><b>WagonR પર પણ થઈ રહી છે શાનદાર બચત</b></h4><p style="text-align: justify; ">મારુતિ સુઝુકીની સૌથી વધુ વેચાતી કારોમાંથી એક એવી લોકપ્રિય WagonR પર પણ આ મહિને ભારે ડિસ્કાઉન્ટ ઓફર થઈ રહ્યું છે. WagonR ના પેટ્રોલ વેરિઅન્ટ પર ગ્રાહકોને રૂ.57,500 સુધીનો કુલ ફાયદો મળી રહ્યો છે, જેમાં પાત્ર વેરિઅન્ટ્સ પર રૂ.30,000 સુધીની કન્ઝ્યુમર ઑફર અને એક્સચેન્જ બોનસનો સમાવેશ થાય છે. બીજી તરફ, જો તમે WagonR CNG ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તેના પર પણ મહત્તમ રૂ.47,500 સુધીના વિવિધ લાભ આપવામાં આવી રહ્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/automobile" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/CLh1Sjb8ImfYHEvgOxEhnPJLpr0eXvLKVWlZDyoM.webp'/></item><item><title><![CDATA['Hanuman Ansh' એ બ્રહ્મચારીઓને પણ પહોંચાડી દીધા થિયેટર , જુઓ વાયરલ VIDEO ]]></title><link>https://sandesh.com/entertainment/news/hanuman-ansh-viral-video-gurukul-brahmacharis</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/hanuman-ansh-viral-video-gurukul-brahmacharis</guid><pubDate>Mon, 07 Sep 2026 13:54:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જ્યારે કોઈ ફિલ્મ પાસેથી શરૂઆતમાં બહુ ઓછી અપેક્ષાઓ હોય, પરંતુ તેની રિલીઝ પછી તેનું પ્રદર્શન અપેક્ષાઓ કરતા અનેકગણું વધી જાય, ત્યારે તે ફિલ્મ ખાસ બની જાય છે. નીમ કરોલી બાબાના જીવન અને તેમની પવિત્ર ઉપદેશો પર આધારિત ભક્તિમય ફિલ્મ 'હનુમાન અંશ' સાથે પણ હાલમાં કઈંક આવું જ જોવા મળી રહ્યું છે. દર્શકો તરફથી આ ફિલ્મને અભૂતપૂર્વ પ્રેમ અને સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થયો છે જેણે સૌનું વિશેષ ધ્યાન ખેંચ્યું છે.</p><h2 style="text-align: justify; "><b>પરંપરાગત પોશાકમાં પહોંચ્યા બ્રહ્મચારીઓ</b></h2><p style="text-align: justify; ">આ વાયરલ વીડિયોમાં&nbsp; થિયેટરની અંદર અને બહાર ગુરુકુલના કેટલાક બ્રહ્મચારીઓ પરંપરાગત પોશાકમાં નજરે પડી રહ્યા છે. ગુરુકુળના આ યુવા વિદ્યાર્થીઓ એકસાથે થિયેટરમાં પહોંચ્યા હતા અને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક 'હનુમાન અંશ' ફિલ્મનું સ્ક્રીનિંગ નિહાળ્યું હતું. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ આ બ્રહ્મચારીઓની ઉપસ્થિતિએ સિનેમાઘરમાં ઉપસ્થિત અન્ય દર્શકોનું પણ ધ્યાન આકર્ષિત કર્યું હતું. ફિલ્મનો મુખ્ય વિષય મહાન આધ્યાત્મિક ગુરુ નીમ કરોલી બાબાની જીવનકથા હોવાને કારણે ગુરુકુલના વિદ્યાર્થીઓનું આ રીતે ફિલ્મ જોવા પહોંચવું એ એક અનોખો અને પ્રેરણાદાયી સંયોગ બન્યો છે.<br><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/choga_don/status/2096529724243931474"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h3 style="text-align: justify; "><b>હનુમાન અંશે કરી કરોડોની કમાણી</b></h3><p style="text-align: justify; ">વિશાલ ચતુર્વેદી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં શોભિનવ સત્ય મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે, જ્યારે તેમની સાથે વિહાન શેડગે, ચંદન કે. આનંદ, પૂર્ણિમા તિવારી અને ગુલશન પાંડે જેવા કલાકારો પણ મહત્વના રોલમાં છે. ફિલ્મની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ ફિલ્મને રાજ્યમાં કરમુક્ત (Tax-Free) જાહેર કરી છે. સિનેમાઘરોમાં દર્શકોની ભીડ જામી રહી છે અને ગુરુકુલના વિદ્યાર્થીઓનો આ વીડિયો ઇન્ટરનેટ પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/india/news/delhi-building-collapse-manual-rescue-body-found" target="_blank">આ પણ વાંચોઃ Delhi Building Collapse: કાટમાળ માંથી વધુ એક મૃતદેહ મળ્યો, હવે JCBથી નહીં મેન્યુઅલી કાટમાળ હટાવાશે</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/07/XR1zL2uAIINEHpv6AkalgIT8kOxwlwtjySF4eB2V.webp'/></item></channel></rss>