<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Big B : 'મને કેરોસીન છાંટી સળગાવી...' KBC 18ના મંચ પર મહિલાનું દર્દ છલકાતાં ભાવુક થયા બિગ બી, આપ્યું મોટું નિવેદન ]]></title><link>https://sandesh.com/entertainment/news/kbc-18-kapila-taneja-story-amitabh-bachchan-emotional</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/kbc-18-kapila-taneja-story-amitabh-bachchan-emotional</guid><pubDate>Fri, 18 Sep 2026 18:11:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કૌન બનેગા કરોડપતિ 18ના તાજેતરના એપિસોડમાં એક કન્ટેસ્ટન્ટે પોતાના જીવનની એવી દર્દનાક ઘટના જણાવી, જેને સાંભળીને અમિતાભ બચ્ચન પણ ભાવુક થઈ ગયા. છત્તીસગઢના બિલાસપુરની રહેવાસી કપિલા તનેજાએ જણાવ્યું કે તેમના સાસરિયાઓએ તેમને જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ તેમણે એ પણ જણાવ્યું કે છેલ્લા 24 વર્ષથી તેઓ પોતાની દીકરીથી દૂર છે.</p><h2 style="text-align: justify; "><b>કપિલા તનેજાએ ખોલ્યાં જીવનના દર્દભર્યા પાનાં</b></h2><p style="text-align: justify; ">શો દરમિયાન કપિલા તનેજાએ પોતાના જીવનની દર્દભરી વાતો જણાવી. તેમણે કહ્યું કે તેમના લવ મેરેજ થયા હતા, જેનાથી સાસરિયાં ખુશ નહોતા અને તેઓ દહેજ ઇચ્છતા હતા. જ્યાં સુધી તેમની સાસુ ઘરની બહાર હતી, ત્યાં સુધી બધું ઠીક હતું. પરંતુ તે પાછી આવતાં જ ત્રાસ અને ટોણા વધવા લાગ્યા. ત્યારબાદ તેમણે બધી તૈયારી કરી લીધી અને કેરોસીન નાખીને મીણબત્તીઓ સળગાવી દીધી. શિયાળાની ઋતુ હતી, તેથી મારી સાડીનો છેડો અને સ્વેટર મારા શરીર સાથે ચોંટી ગયા હતા. કોઈક રીતે મેં તેમને શરીરથી અલગ કર્યા અને પાણીની ટાંકીમાં કૂદી ગઈ. ત્યારબાદ મને હોસ્પિટલ લઈ જવામાં આવી.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DdYYl-2ABIs/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DdYYl-2ABIs/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DdYYl-2ABIs/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DdYYl-2ABIs/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h3 style="text-align: justify; "><b>કપિલાની કહાની સાંભળી બિગ બીની આંખો થઈ ભીની</b></h3><p style="text-align: justify; ">કપિલાની કહાની સાંભળીને અમિતાભ બચ્ચન ભાવુક થઈ ગયા. તેમણે કહ્યું, તમારી સાથે અન્યાય થયો છે, એટલું કહેવું પણ ઘણું ઓછું છે. અમે માત્ર પ્રાર્થના કરી શકીએ કે કોઈ પણ મહિલાએ ક્યારેય આવી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે કે આવી પીડામાંથી પસાર ન થવું પડે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DdZIqhoAQwK/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DdZIqhoAQwK/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DdZIqhoAQwK/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DdZIqhoAQwK/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>24 વર્ષથી દીકરીને નથી મળી</b></h4><p style="text-align: justify; ">કપિલાએ એ પણ જણાવ્યું કે તેમની એક દીકરી છે, જેને તેમણે છેલ્લી વાર હોસ્પિટલમાં જોઈ હતી. કપિલાએ કહ્યું કે છેલ્લા 24 વર્ષમાં તેમણે ન તો પોતાની દીકરીને જોઈ છે અને ન તો તેનો અવાજ સાંભળ્યો છે. કપિલાએ એ પણ જણાવ્યું કે તેમના પતિ અને સાસરિયાઓએ તેમને પોતાની દીકરીને મળવા દીધી નથી. ત્યારબાદ તેમણે અમિતાભ બચ્ચનને પોતાની દીકરીને આશીર્વાદ આપવા વિનંતી કરી.</p><p style="text-align: justify; "><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DdZBzf4jRJd/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DdZBzf4jRJd/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DdZBzf4jRJd/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DdZBzf4jRJd/?utm_source=ig_web_copy_link&amp;stkn=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h5 style="text-align: justify; "><b>અમિતાભ બચ્ચને કહી આ વાત</b></h5><p style="text-align: justify; ">કપિલાની વાત સાંભળીને અમિતાભ બચ્ચને તેમને ભાવુક જવાબ આપ્યો. તેમણે કહ્યું, હું તેમને આશીર્વાદ આપવાની સ્થિતિમાં નથી, પરંતુ આ કાર્યક્રમ દ્વારા તેઓ કોઈને કોઈ રીતે આપણા સંપર્કમાં આવી રહી હશે. તેથી હું માત્ર એટલું જ કહીશ, કૃપા કરીને એકલા ન રહો. તમારી માતા જીવિત છે. એક બાળક માટે સૌથી જરૂરી, લાભદાયક અને પ્રેમભર્યો શબ્દ મા હોય છે. જ્યારે તમે મા કહેશો, ત્યારે ખબર પડશે કે સમાજમાં એક માતાનું સ્થાન કેટલું મોટું હોય છે. બસ એક વાર મા કહો અને તમારી માતા તમારો સંપર્ક કરશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/neena-gupta-pregnancy-rumour-truth" target="_blank">આ પણ વાંચો-Veteran Actress  : 67 વર્ષની ઉંમરે પ્રેગ્નેન્ટ છે નીના ગુપ્તા? આખરે એક્ટ્રેસે તોડ્યું મૌન અને જણાવી હકીકત!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/4DORRVqwdcI4IA6Uv4Sq3F9S01RExlRc3lguvYO7.webp'/></item><item><title><![CDATA[Maithili Thakur: માત્ર મંત્રી પદથી સંતુષ્ટ નથી..યુવા ધારાસભ્ય મૈથિલી ઠાકુરે કહી મનની વાત, જાણો શું છે ફ્યુચર પ્લાન? ]]></title><link>https://sandesh.com/india/news/maithili-thakur-not-satisfied-with-just-being-a-ministeryoung-mla-maithili-thakur-spoke-her-mind-know-what-is-her-future-plan</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/maithili-thakur-not-satisfied-with-just-being-a-ministeryoung-mla-maithili-thakur-spoke-her-mind-know-what-is-her-future-plan</guid><pubDate>Fri, 18 Sep 2026 18:09:58 +05:30</pubDate><description><![CDATA[<p>બિહારના ભાજપના ધારાસભ્ય અને યુવા લોક ગાયિકા મૈથિલી ઠાકુર ફરી એકવાર ચર્ચામાં છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું હતું કે બિહારમાં પાર્ટીના યુવા ચહેરા તરીકે જોવામાં આવવા વિશે અને ભવિષ્યમાં તેઓ પોતાને ક્યાં જુએ છે તે વિશે તેમનું શું માનવું છે. આના જવાબમાં, ભાજપના ધારાસભ્યએ કહ્યું કે તેઓ માત્ર મંત્રી પદથી સંતુષ્ટ નહીં થાય.&nbsp;</p><h2><b>2025માં બિહારના યુવા ધારાસભ્ય&nbsp;</b></h2><p>2025ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં ચૂંટાયેલા સૌથી યુવા ધારાસભ્ય, લોક ગાયિકા મૈથિલી ઠાકુરે mla પદના શપથ લીધા હતા. ભાજપની ટિકિટ પર દરભંગાના અલી નગર મતવિસ્તારમાંથી પહેલી વાર ધારાસભ્ય બનેલા મૈથિલી ઠાકુરે શપથ લેતા પહેલા કહ્યું હતું કે તેમના જીવનમાં એક નવો અધ્યાય શરૂ થવાનો છે. ત્યારે હવે લાગે છે કે મૈથિલી માત્ર મંત્રી પદથી સંતુષ્ટ નથી.</p><p>તેઓ ખૂબ જ મહત્વાકાંક્ષી છે. જોકે તેમણે ઉમેર્યું હતું કે તેમણે મૂળભૂત રીતે ધારાસભ્ય બનવાની પણ ઈચ્છા રાખી ન હતી, પરંતુ પાર્ટીના કહેવાથી ચૂંટણી લડી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું કે પાર્ટી તેમને જે પણ કામ સોંપશે તે તેઓ કરશે.</p><h2><b>હું પાર્ટીએ આપેલુ કામ પૂર્ણ કરીશ- મૈથિલી&nbsp;</b></h2><p>મીડિયા સાથે વાતચીત દરમિયાન&nbsp; જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ મંત્રી પદ ઈચ્છે છે, ત્યારે તેમણે જવાબ આપ્યો, "મેં ધારાસભ્ય બનવાની પણ ઈચ્છા રાખી ન હતી. પાર્ટી મને જે પણ કામ સોંપશે તે હું પૂરું કરીશ." વધુ વિગત આપતા મૈથિલીએ કહ્યું, "હું ખરેખર ખૂબ જ મહત્વાકાંક્ષી છું; હું માત્ર મંત્રી પદથી સંતુષ્ટ નહીં થાઉં." તેમણે આશા વ્યક્ત કરી કે તેમને સોંપવામાં આવેલું કોઈપણ કાર્ય તેઓ સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશે.</p><p><b style="font-size: 1.75rem;">મૈથિલી ઠાકુર સોશિયલ મીડિયા પર થતી ટીકા&nbsp;</b></p><p><br></p><p>મૈથિલી ઠાકુરે ચૂંટણી લડતી વખતે સોશિયલ મીડિયા પર થયેલી ટીકાઓ વિશે પણ પોતાના વિચારો રજૂ કર્યા. તેમણે ભારપૂર્વક કહ્યું કે ચૂંટણી લડવી ક્યારેય સરળ હોતી નથી, અને આજના યુગમાં સોશિયલ મીડિયાએ આ પ્રક્રિયાને વધુ પડકારજનક બનાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ 'મખાના' (ફોક્સ નટ્સ) અંગેના એક વાયરલ વીડિયોને કારણે બિહાર અને મિથિલાના ભોજનનું અપમાન કરવાનો આરોપ તેમના પર લાગ્યો હતો, જેના કારણે સોશિયલ મીડિયા પર તેમને ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/IS0cVjH6uSOgtlfZXeyLSO836hTlUEVjNteOWT6y.webp'/></item><item><title><![CDATA[Jamnagar News: ઉંડ-1 કેનાલમાંથી પાણી છોડવાની માગ સાથે ખેડૂતો મેદાને, ધારાસભ્યના ઘર સામે ધરણા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/jamnagar/aundh-1-canal-falla-section-farmers-protest</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/jamnagar/aundh-1-canal-falla-section-farmers-protest</guid><pubDate>Fri, 18 Sep 2026 18:05:28 +05:30</pubDate><description><![CDATA[<p>જામનગર પંથકમાંથી ખેડૂતોના પ્રશ્ને એક મોટા સમાચાર સામે આવ્યા છે. જામનગર ઉંડ-1 સિંચાઈ યોજનાની ડાબા કાંઠાની કેનાલના ફલ્લા સેક્શન હેઠળ આવતા ગામોમાં તાત્કાલિક સિંચાઈનું પાણી છોડવાની પ્રબળ માગ સાથે ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે. પૂરતા પાણીના અભાવે ખેડૂતોની મુશ્કેલીઓ વધતા તેઓ આક્રમક મિજાજમાં જોવા મળી રહ્યા છે.</p><h2><b>8 ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણીની તાત્કાલિક જરૂરિયાત</b></h2><p>ફલ્લા સેક્શન અંતર્ગત સોયલ, મજોઠ, નેસડા, વાવડી અને લીંબુડા સહિતના કુલ 8 જેટલા ગામોના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ ગામોના સ્થાનિક ડેમો તથા નાના ચેકડેમોમાં પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ ન હોવાને કારણે ખેડૂતોને પાક સંરક્ષણ અને સિંચાઈ માટે પાણીની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ છે.</p><p><img alt="Jamnagar News: Farmers Protest at MLA Raghavjibhai Patel's House Demanding Water for Irrigation" src="https://epapercdn.sandesh.com/images/2026/09/18/YBe6kY689TrLAxzYlDdcHIRgtB4xhw2lAsIfYl8d.webp"><br></p><h2><b>ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલના ઘરે પહોંચી ખેડૂતો દ્વારા ધરણા</b></h2><p>ખેડૂતોની આ ગંભીર સમસ્યાને લઈને ફલ્લા સેક્શનના ખેડૂતો સ્થાનિક ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલના ઘરે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં માંગણીઓ સંતોષવામાં આવે તે માટે ખેડૂતો દ્વારા ધારાસભ્યના ઘર સામે જ બેસીને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ખેડૂતોની સ્પષ્ટ માગ છે કે, સૌની યોજના અથવા અન્ય ઉપલબ્ધ ડેમમાંથી ફલ્લા સેક્શનની કેનાલમાં વહેલી તકે પાણી છોડવામાં આવે, જેથી તેમના ઊભા પાકને બચાવી શકાય.</p><p><img alt="Jamnagar News: Farmers Protest at MLA Raghavjibhai Patel's House Demanding Water for Irrigation" src="https://epapercdn.sandesh.com/images/2026/09/18/EEDYdbnQZNVQzUS2pkOfG6et7NSoTXhkZoXHiWvM.webp"><br></p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/jamnagar/dared-minor-sagar-khara-murdered-over-minor-dispute" target="_blank">Jamnagar: દરેડમાં 17 વર્ષીય સાગર ખરા પર પાઇપ-ધોકાથી હુમલો, સારવાર દરમિયાન નીપજ્યું મોત</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/Yqj1bB78NaJORrxpwhzJVQKBFrIjus6fxa18tJZB.webp'/></item><item><title><![CDATA[Nithari case: કેમ કરી સુરેન્દ્ર કોલીએ આત્મહત્યા? થયો હવે મસમોટો ખુલાસો ]]></title><link>https://sandesh.com/india/news/crime/nithari-case-why-did-surendra-koli-attempt-suicide</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/crime/nithari-case-why-did-surendra-koli-attempt-suicide</guid><pubDate>Fri, 18 Sep 2026 18:02:54 +05:30</pubDate><description><![CDATA[<p>આખા દેશને હચમચાવી નાખનાર ચકચારી નિઠારી કેસના આરોપી સુરેન્દ્ર કોલીએ આત્મહત્યા કરી લીધી છે. કોલીનો મૃતદેહ હરિદ્વારમાં ફાંસી ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. એવું જાણવા મળ્યું છે કે તે છેલ્લા કેટલાક સમયથી હરિદ્વારમાં ચા વેચીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. સુરેન્દ્ર કોલી ૨૦૦૬ના કુખ્યાત નિઠારી હત્યાકાંડ સાથે સંકળાયેલો હતો; મહિલાઓ અને બાળકોના ગુમ થવા અને તેમની હત્યાની ઘટનાઓને કારણે આ કેસે દેશભરમાં ભારે ચકચાર મચાવી હતી. જોકે, ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે તેને રાહત આપી હતી અને આ કેસમાં તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.</p><p><br></p><h4><b>સુરેન્દ્ર કોલી ચાની દુકાન ચલાવતો હતો</b></h4><p>અહેવાલો અનુસાર, સુરેન્દ્ર કોલી હરિદ્વારના ભૂપતવાલા વિસ્તારમાં સપ્તર્ષિ રોડ પર ચાની દુકાન ચલાવતો હતો, જ્યાં તેણે આજે છતના પંખા સાથે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. તેની આત્મહત્યાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે; પોલીસે જણાવ્યું હતું કે તેણે માત્ર ત્રણ દિવસ પહેલા જ ચાની દુકાન ભાડે લીધી હતી અને તપાસમાં જાણવા મળ્યું છે કે તે ડિપ્રેશન (માનસિક તણાવ)થી પીડાતો હતો. તેના પરિવારને જાણ કરવામાં આવી છે. પરિવારની પૂછપરછ બાદ જ આત્મહત્યા પાછળનું કારણ જાણી શકાશે. ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી.</p><p><br></p><h4><b>'તે ડિપ્રેશનમાં હતો અને આજે આત્મહત્યા કરી લીધી'</b></h4><p>સુરેન્દ્રને દુકાન ભાડે લેવામાં મદદ કરનાર ધર્મેન્દ્રએ જણાવ્યું હતું કે સુરેન્દ્ર કોલી ગઈકાલે સાંજે ભારે માનસિક તણાવમાં હતો. તેના પરિવારમાં એક બાળકની વર્ષગાંઠ હતી અને કોલીએ કહ્યું હતું કે તેની પાસે પૈસા નથી. ધર્મેન્દ્રએ તે સાંજે તેને ₹ 2000 આપ્યા હતા; ધર્મેન્દ્રના જણાવ્યા અનુસાર, કોલી ગઈકાલે ગંભીર માનસિક તણાવમાં હતો અને આજે તેણે આત્મહત્યા કરી લીધી.</p><p><br></p><h4><b>સુરેન્દ્ર કોલીએ પોતાનું નામ બદલી નાખ્યું હતું</b></h4><p>સુરેન્દ્ર કોલી ખોટી ઓળખ સાથે હરિદ્વારમાં રહેતો હતો. એવું જાણવા મળ્યું છે કે તેણે પોતાનું નામ બદલીને 'સદારામ' રાખી લીધું હતું અને તે તે જ નામથી રહેતો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને તેની પાસેથી ઓળખના કોઈ દસ્તાવેજો મળ્યા ન હતા, જેના કારણે તેની ઓળખ કરવી મુશ્કેલ બની હતી. જોકે, તેના સામાનની તપાસ દરમિયાન એક આધાર કાર્ડ મળી આવ્યું હતું, જેના આધારે તેની ઓળખ નિઠારી કેસના આરોપી સુરેન્દ્ર કોલી તરીકે થઈ હતી. પોલીસ હાલમાં આ મામલે તપાસ કરી રહી છે અને આત્મહત્યા પાછળના કારણો જાણવાનો પ્રયાસ કરી રહી છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/business/news/sugar-price-drops-to-rs-58-50-kg-govt-changes-stock-limit-rules" target="_blank"><b>Sugar Price: જલદી જ ખાંડના ભાવમાં થશે ઘટાડો! સરકારના માસ્ટર પ્લાનથી સામાન્ય જનતાને મળશે રાહત</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/3L8ChgvQXaD3RBSgxc8SR9ddXmQvVeGVMrEaSuhM.webp'/></item><item><title><![CDATA[Bharuch LCBની પાલેજમાં મોટી કાર્યવાહી, રૂ.19.28 લાખના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે એક ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/bharuch/bharuch-lcb-seizes--19-28-lakh-worth-liquor-and-beer-in-palej--1-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/bharuch/bharuch-lcb-seizes--19-28-lakh-worth-liquor-and-beer-in-palej--1-arrested</guid><pubDate>Fri, 18 Sep 2026 17:50:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભરૂચ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે ગુનાખોરી અને ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે લાલ આંખ કરી છે. ભરૂચ LCBએ પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડી બુટલેગિંગના નેટવર્ક પર સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને કુલ રૂ. 19,28,240 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સફળ કામગીરીને પગલે સમગ્ર ભરૂચ જિલ્લાના બુટલેગરોમાં આંતંક અને ફફડાટ વ્યાપી ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>4,920 બિયરના ટીન, વાહન અને મોબાઈલ જપ્ત</b></h2><p style="text-align: justify; ">દરોડા દરમિયાન પોલીસે ટાટા એસ પિક-અપ વાહનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો અને 4,920 નંગ બિયરના ટીન સહિતનો જથ્થો જપ્ત કર્યો હતો. આ ઘટનામાં પોલીસે હેમચંદ શ્યામલાલ તોતૂરામ કૌશલ નામના આરોપીની સ્થળ પરથી અટકાયત કરી છે. પોલીસે દારૂ-બિયરના જથ્થા ઉપરાંત ગુનામાં ઉપયોગમાં લેવાયેલ ટાટા એસ પિક-અપ વાહન અને મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે.</p><h2 style="text-align: justify; "><b>ફરાર આરોપીની શોધખોળ શરૂ</b></h2><p style="text-align: justify; ">પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂના નેટવર્કમાં અન્ય એક સાગરીત પણ સામેલ છે, જે હાલ પોલીસની પકડથી ફરાર થઈ ગયો છે. પાલેજ પોલીસ સ્ટેશનમાં કાયદેસરનો પ્રોહિબિશનનો ગુનો નોંધીને ફરાર આરોપીને ઝડપી પાડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે અંગે LCB દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો : <a href="https://sandesh.com/gujarat/news/morbi/morbi--mystery-behind-hot-air-emerging-from-ground-solved-in-halvad--gsi-issues-findings" target="_blank">Morbiના હળવદમાં જમીનમાંથી ગરમ હવા નીકળવાનું રહસ્ય ઉકેલાયું, GSIની તપાસમાં મોટો ખુલાસો</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/tJmcrpAXit096fwvOxaXMho3qtY3i1AZZCdRsT7Q.webp'/></item><item><title><![CDATA[Sugar Price: જલદી જ ખાંડના ભાવમાં થશે ઘટાડો! સરકારના માસ્ટર પ્લાનથી સામાન્ય જનતાને મળશે રાહત ]]></title><link>https://sandesh.com/business/news/sugar-price-drops-to-rs-58-50-kg-govt-changes-stock-limit-rules</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/sugar-price-drops-to-rs-58-50-kg-govt-changes-stock-limit-rules</guid><pubDate>Fri, 18 Sep 2026 17:41:44 +05:30</pubDate><description><![CDATA[<p>છેલ્લા કેટલાક મહિનાઓથી ખાંડના વધતા ભાવને કારણે લોકો ખૂબ જ પરેશાન હતા, ખાસ કરીને તહેવારોની મોસમ દરમિયાન ખાંડનો વપરાશ વધતો હોવાથી ભાવવધારાને કારણે ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ હતી. આ પરિસ્થિતિ વચ્ચે, સરકારે ખાંડના સંગ્રહ (સ્ટોક) અંગેના નિયમોમાં ફેરફાર કર્યા છે, જેનાથી સંકેત મળે છે કે નજીકના ભવિષ્યમાં ભાવમાં વધુ ઘટાડો થઈ શકે છે.</p><p><br></p><h4><b>ખાંડના સંગ્રહના નિયમોમાં ફેરફાર</b></h4><p>સરકારે જથ્થાબંધ ખાંડ ખરીદનારાઓ માટે સ્ટોક રાખવાની મર્યાદા 15 દિવસથી વધારીને 30 દિવસ કરી છે. આમાં એક મુખ્ય શરત એ છે કે વધારાનો સ્ટોક માત્ર આયાતી ખાંડનો જ હોવો જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો, કેન્દ્ર સરકારે "જથ્થાબંધ ગ્રાહકો" (એટલે ​​કે મોટી માત્રામાં ખાંડનો ઉપયોગ કરતી કંપનીઓ) માટે ઇન્વેન્ટરી મર્યાદામાં વધારો કર્યો છે.</p><p><br></p><p>અગાઉ, આવી કંપનીઓને માત્ર 15 દિવસના વપરાશ જેટલી જ ખાંડનો સંગ્રહ કરવાની મંજૂરી હતી; હવે આ મર્યાદા વધારીને 30 દિવસ કરવામાં આવી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે શરૂઆતની 15 દિવસની મર્યાદાથી ઉપરનો કોઈપણ સ્ટોક ફક્ત આયાતી ખાંડનો જ હોવો જોઈએ. ખાસ કરીને 'એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ' અથવા 'ટેરિફ રેટ ક્વોટા' હેઠળ મેળવેલી ખાંડ. ખુલ્લા બજારમાંથી ખરીદેલી ખાંડ માટેની સ્ટોક મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જે 15 દિવસના વપરાશ જેટલી જ રહેશે.</p><p><br></p><h4><b>મર્યાદા કેમ વધારવામાં આવી?</b></h4><p>સરકારે જણાવ્યું કે આ પગલું છૂટક બજારમાં ખાંડના ભાવમાં થતી વધઘટને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે; ઓગસ્ટમાં ભાવ વધીને ₹65 પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચ્યા હતા, જે હવે ઘટીને અંદાજે ₹58.50 પ્રતિ કિલોગ્રામ થઈ ગયા છે એટલે કે ભાવમાં લગભગ 10 ટકાનો ઘટાડો થયો છે. જોકે, મિલ સ્તરે ખાંડના ભાવમાં લગભગ 25 ટકાનો ઘટાડો થયો છે. સરકારે જણાવ્યું છે કે મિલ સ્તરે થયેલા ભાવ ઘટાડાનો સંપૂર્ણ લાભ હજુ સુધી સામાન્ય ગ્રાહક સુધી પહોંચ્યો નથી.</p><p><br></p><h4><b>છૂટક બજારમાં ખાંડના ભાવમાં ઘટાડો</b></h4><p>બજારમાં ખાંડના છૂટક ભાવમાં અંદાજે 10 ટકાનો ઘટાડો થયો છે. પરિણામે, સરકારે વેપારીઓ અને જથ્થાબંધ વિક્રેતાઓને અપીલ કરી છે કે તેઓ ફેક્ટરી-ગેટ (મિલ) સ્તરે ઘટેલા ભાવનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડે. સરકારની આ યોજના પરથી જણાય છે કે ટૂંક સમયમાં ખાંડના ભાવમાં વધુ ઘટાડો થશે, જેનાથી જનતાને થોડી રાહત મળશે.</p><p><br>આ પણ વાંચો:<a href="https://sandesh.com/india/news/nandigram-by-election-twist-mamata-camp-candidate-sanchita-withdraws" target="_blank"><b> Nandigram By-Election: નંદીગ્રામ પેટાચૂંટણીમાં નવો વળાંક, મમતાના ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/JzN76o9fL68osPGlTzE4ZQq2lyoViaTfMtJIe5Te.webp'/></item><item><title><![CDATA[Bhavnagar SOGએ દેશી બનાવટની પિસ્તોલ સાથે નવાપરામાંથી એક શખ્સની કરી ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/bhavnagar-sog-navapara-pistol-5-cartridges-one-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/bhavnagar-sog-navapara-pistol-5-cartridges-one-arrested</guid><pubDate>Fri, 18 Sep 2026 16:56:02 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભાવનગર શહેર એસઓજી (SOG) પોલીસે ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી સામે મોટું ઓપરેશન પાર પાડીને સફળતા મેળવી છે. ચોક્કસ બાતમીના આધારે એસઓજીની ટીમે દરોડો પાડીને એક શખ્સને દેશી બનાવટની પિસ્તોલ (તમંચો) તથા 5 નંગ જીવતા કારતૂસ સાથે રંગેહાથ ઝડપી પાડ્યો છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલો તેનો અન્ય એક સાગરીત સ્થળ પરથી ફરાર થઈ જવામાં સફળ રહ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>નવાપરામાં ઇન્ડિયા મોટર્સ સામેથી પકડાયો આરોપી</b></h2><p style="text-align: justify; ">બાતમીના આધારે એસઓજીની ટીમે શહેરના નવાપરા વિસ્તારમાં આવેલી ઇન્ડિયા મોટર્સ નામના શોરૂમ/દુકાનની સામે વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં મળી આવેલા નવાપરાના રહીશ જાહિદભાઈ હુસેનભાઈ મકવાણાની તલાશી લેતાં તેની પાસેથી ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ અને 5 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને જાહિદ મકવાણાની અટકાયત કરી લીધી હતી.</p><p style="text-align: justify; "><img alt="Action taken by Bhavnagar SOG" src="https://epapercdn.sandesh.com/images/2026/09/18/c0lXpe9nk94dpuaQlpgIT5hUwK9jOikxcACSRSty.webp"><br></p><h3 style="text-align: justify; "><b>રૂ.3.20 લાખનો મુદ્દામાલ જપ્ત, સાગરીતની શોધખોળ</b></h3><p style="text-align: justify; ">પોલીસે આરોપી પાસે થી દેશી બનાવટની 1 પિસ્તોલ તથા 5 જીવતા કારતૂસ સહિત કુલ રૂ.3,20,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ દરોડા દરમિયાન નવાપરાનો જ ઈશાદભાઈ રફીકભાઈ શેખ નામનો શખ્સ ફરાર થઈ ગયો હતો. ભાવનગર SOG પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી પકડાયેલા આરોપીની ઘનઘોર પૂછપરછ હાથ ધરી છે અને ફરાર આરોપી ઈશાદ શેખને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/olbLeaIkGO51QuLXFjiJDUwATOl9wYmcBzDudnIX.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: પાલડી ઉપાશ્રયના નામે સેટેલાઇટના વૃદ્ધ સાથે 21.79 લાખની છેતરપિંડી, મહારાજ સાહેબના ત્યાંથી બોલું છું' કહી રકમ ટ્રાન્સફર કરાવી ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/satellite-elderly-man-cheated-of-21-lakhs-in-fake-religious-donation-case</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/satellite-elderly-man-cheated-of-21-lakhs-in-fake-religious-donation-case</guid><pubDate>Fri, 18 Sep 2026 16:45:05 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા અશ્વમેઘ બંગલો વિભાગ-૩માં રહેતા અને સાંતેજમાં પી.સી. ઇન્ડસ્ટ્રીઝ નામે ઇલેક્ટ્રિકલ સામાનનો વ્યવસાય કરતા 67 વર્ષીય વૃદ્ધ મયુરભાઈ શાહ સાથે ધાર્મિક આસ્થાના નામે રૂ. 21,79,000 ની મોટી છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગત 23 જુલાઈના રોજ મયુરભાઈ પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાની ઓળખ તેજશ શાહ તરીકે આપી પાલડીના નરરત્ન મહારાજ સાહેબ ઉપાશ્રયમાંથી બોલતો હોવાનું કહી ધાર્મિક કાર્યમાં દાન આપવા અપીલ કરી હતી.</p><h2><b>અમદાવાદમાં ધાર્મિક આસ્થાના નામે મોટી છેતરપિંડી</b></h2><p>મયુરભાઈએ ઉપાશ્રય પ્રત્યેની શ્રદ્ધાને કારણે વિશ્વાસ મૂકી શરૂઆતમાં 23 જુલાઈએ ₹49 હજાર બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાં જમા કરાવ્યા હતા. ત્યારબાદ 24 જુલાઈએ ₹1લાખ, 5 ઓગસ્ટે ₹1 લાખ અને 7 ઓગસ્ટે કલ્પનાબેન શાહના ખાતામાં ₹2 લાખ જમા કરાવ્યા હતા.બેંક ટ્રાન્સફર બાદ આરોપીએ આંગડિયા મારફતે નાણાં મગાવવાનું શરૂ કર્યું હતું. મયુરભાઈએ પોતાના પુત્ર ફાલ્ગુન મારફતે 10 ઓગસ્ટે ₹4 લાખ, 11 ઓગસ્ટે ₹4.30 લાખ, 12 ઓગસ્ટે ₹4 લાખ અને 14 ઓગસ્ટે ₹5 લાખ આંગડિયાથી પ્રાંતિજ અને દ્વારકા ખાતે તેજશ શાહના નામે મોકલાવ્યા હતા. આમ 20 દિવસના ટૂંકા ગાળામાં કુલ રૂ. 21.79 લાખ મેળવ્યા બાદ આરોપીએ બંને મોબાઇલ નંબર બંધ કરી દીધા હતા.</p><h3><b>સેટેલાઇટના વૃદ્ધ સાથે પાલડી ઉપાશ્રયના નામે ઠગાઈ</b></h3><p>શંકા જતાં મયુરભાઈ અને તેમના પુત્રએ પાલડી ઉપાશ્રયે રૂબરૂ પહોંચી તપાસ કરતાં આવી કોઈ દાનની માંગણી ન કરાઈ હોવાનું સામે આવ્યું હતું. બનાવ અંગે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ચક્રગતિમાન કરી ગાંધીનગરના મહુડી ખાતે સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા આરોપી તેજશ સુભાષ શાહની ધરપકડ કરી છે. પોલીસ હાલમાં આરોપીના અન્ય બેંક વ્યવહારો અને ભૂતકાળના ગુનાહિત ઇતિહાસ અંગે કડક તપાસ ચલાવી રહી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/varachha-police-arrest-absconding-father-son-for-extorting-doctor" target="_blank">આ પણ વાંચો:Surat: તબીબ વેવાઈ પાસે 10 લાખની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપનાર પિતા-પુત્ર અઢી વર્ષે ઝડપાયા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/SxgU0CN7Dw3pSUzkFZmGEKGNVgLEvKOIazSQLDRh.webp'/></item><item><title><![CDATA[Ganesh Mahotsav 2026 : ‘બાપ્પાની ભક્તિ અને સજાવટની ઝલક હવે પહોંચશે કરોડો વાચકો સુધી!’ સંદેશ ડિજિટલ લઈને આવ્યું છે ભક્તો માટે ગોલ્ડન ચાન્સ ]]></title><link>https://sandesh.com/bhakti/news/gujarat/ahmedabad/ganesh-mahotsav-2026-ganpati-photos-3</link><guid isPermaLink="true">https://sandesh.com/bhakti/news/gujarat/ahmedabad/ganesh-mahotsav-2026-ganpati-photos-3</guid><pubDate>Fri, 18 Sep 2026 16:28:39 +05:30</pubDate><description><![CDATA[<p>ગણેશ મહોત્સવ 2026ની ઉજવણીને વધુ ખાસ અને યાદગાર બનાવવા માટે સંદેશ ડિજિટલ લઈને આવ્યું છે એક સુંદર તક. હવે તમારા ઘેર કે સોસાયટીમાં પધારેલા ગણપતિ બાપ્પાની સુંદર તસવીરો અને વીડિયો માત્ર તમારા પરિવાર કે સોસાયટી પૂરતા સીમિત નહીં રહે, પરંતુ તેને દુનિયા સુધી પહોંચાડવાની તક મળશે. આ પાવન પર્વે તમારા ગણપતિ દાદાની સુંદર તસવીરો અને વીડિયો સંદેશ ડિજિટલ દ્વારા પ્રકાશિત કરવામાં આવશે.</p><p>તમારા શ્રીજીની તસવીરો સંદેશ ડિજિટલની વેબસાઇટ sandesh.com તેમજ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ચમકશે. તમારા ઘેર, ફ્લેટમાં કે સોસાયટીમાં પધારેલા શ્રીજીની સુંદર તસવીરો અને વીડિયો અમને મોકલો. સાથે તમારું નામ અને સ્થળ જરૂરથી લખશો, જેથી તમારી તસવીરો યોગ્ય ઓળખ સાથે પ્રકાશિત કરી શકાય. તો આ ગણેશ મહોત્સવમાં તમારા બાપ્પાની ભક્તિ, શ્રદ્ધા અને સુંદર સજાવટની ઝલક દુનિયા સુધી પહોંચાડો. </p><p>આજે જ તમારા શ્રીજીની તસવીરો અને વીડિયો મોકલો આ નંબર પર - 9316724216</p><h2><b>ગંગોત્રી ગ્રીન સોસાયટી ગોત્રી, વડોદરા</b></h2><p><img alt="ganpati photos" src="https://epapercdn.sandesh.com/images/2026/09/18/uchDwN5q0GUCNWtEs5BOIxCUNMqMsjwVrC5CWWvz.webp" style="width: 50%;"><b><br></b></p><h2><b>દેવ શરણમ બંગ્લોસ, કાસિન્દ્રા, અમદાવાદ</b></h2><p><img alt="Ganesh Mahotsav 2026 " src="https://epapercdn.sandesh.com/images/2026/09/18/mWpbzk8AOGe46TEbbN2YZyWy5zbd2CBA5cQnWHqK.webp" style="width: 50%;"><b><br></b></p><h2><b>પાટણ</b></h2><p><img alt="Ganesh Mahotsav 2026 " src="https://epapercdn.sandesh.com/images/2026/09/18/1luXenSFnWkCU7dyOZEcNFpcFWl00ktqwxzv0JoX.webp" style="width: 50%;"><b><br></b></p><h2><b>સામ વિધ્નહર્તા, વરાછા, સુરત</b></h2><p><img alt="Ganesh Mahotsav 2026 " src="https://epapercdn.sandesh.com/images/2026/09/18/FljvhY5ZCe77fRhKMxZbcolb8As4pgvi7VCwTsah.webp" style="width: 50%;"><b><br></b></p><h2><b>સન રાઈઝિંગ હોમ્સ,&nbsp; જગતપુર, અમદાવાદ</b></h2><p><img alt="Ganesh Mahotsav 2026 " src="https://epapercdn.sandesh.com/images/2026/09/18/lkTscLX3i3CRZE4q1kn7OAJMglEUYYZfpeUEHbRU.webp" style="width: 50%;"><b><br></b></p><h2><b>વિજયનગર, વડોદરા</b></h2><p><img alt="Ganesh Mahotsav 2026 " src="https://epapercdn.sandesh.com/images/2026/09/18/9TXu79m9N48VXrx2iIfje1bYgGq27mqlna94CVNg.webp" style="width: 50%;"><b><br></b></p><h2><b>ન્યુ અંજલી, મેમનગર, અમદાવાદ</b></h2><p><img alt="Ganesh Mahotsav 2026 " src="https://epapercdn.sandesh.com/images/2026/09/18/fwSBMs13zrQkJ2BhYzasUWMjtvU3yFJ80erLzeaL.webp" style="width: 50%;"><b><br></b></p><h2><b>નારોલ, અમદાવાદ</b></h2><p><img alt="Ganesh Mahotsav 2026 " src="https://epapercdn.sandesh.com/images/2026/09/18/nI17wC262WgWACJTKAzHbu1PMHHzJnuLWpIcBSB2.webp" style="width: 50%;"><b><br></b></p><h2><b>રાયપુર ખાડિયા, અમદાવાદ</b></h2><p><img alt="Ganesh Mahotsav 2026 " src="https://epapercdn.sandesh.com/images/2026/09/18/YtQNHZhfx6l8vAP2N90e3fB7OjzmCgbp6hHZpMQL.webp" style="width: 50%;"><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/kKYHgQRnI3TzZwh3tg67FENvoXCkhC8MBf9aNlfI.webp'/></item><item><title><![CDATA[Davis Cup: ભારતને મોટો ઝટકો! ડીકે સુરેશ પ્રથમ મેચ 2-1થી હાર્યા ]]></title><link>https://sandesh.com/sports/news/davis-cup-dk-suresh-vs-sunwoo-kwon-india-korea-result</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/davis-cup-dk-suresh-vs-sunwoo-kwon-india-korea-result</guid><pubDate>Fri, 18 Sep 2026 14:22:13 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે સિઓલના ઓલિમ્પિક કોર્ટમાં ડેવિસ કપના બીજા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે. 18 સપ્ટેમ્બરે સિંગલ્સના પ્રથમ મુકાબલામાં ભારતના ડીકે સુરેશ અને દક્ષિણ કોરિયાના સોનવૂ ક્વોન સામસામે આવ્યા હતા.ડીકે સુરેશે મેચની શરૂઆત શાનદાર રીતે કરી હતી અને પ્રથમ સેટ પોતાના નામે કર્યો હતો. જોકે ત્યારબાદ કોરિયન ખેલાડીએ જોરદાર વાપસી કરી હતી. સોનવૂ ક્વોને સતત બીજા અને ત્રીજા સેટમાં જીત મેળવીને મેચ 2-1થી પોતાના નામે કરી હતી.આ જીત સાથે દક્ષિણ કોરિયાએ ડેવિસ કપના આ રાઉન્ડમાં ભારત સામે 1-0ની સરસાઈ મેળવી લીધી છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>પ્રથમ સેટમાં ડીકે સુરેશનો દબદબો</b></h3><p style="text-align: justify; ">મેચના પ્રથમ સેટમાં ડીકે સુરેશે શરૂઆતથી જ શાનદાર રમત બતાવી હતી.9 ગેમ સુધી ચાલેલા આ સેટમાં તેમણે કુલ 6 ગેમ જીતી હતી. ખાસ કરીને શરૂઆતની 3 ગેમમાં ભારતીય ખેલાડીએ એકતરફી દબદબો જાળવી રાખ્યો હતો.બીજી તરફ સોનવૂ ક્વોન શરૂઆતમાં પોતાની લય મેળવી શક્યા નહોતા. તેઓ માત્ર 3 ગેમ જીતી શક્યા હતા. પરિણામે ડીકે સુરેશે પ્રથમ સેટ 6-3થી જીતીને મેચમાં 1-0ની સરસાઈ મેળવી હતી.પ્રથમ સેટમાં મળેલી જીત બાદ ભારતીય ખેલાડી પાસેથી મેચમાં જીત જાળવી રાખવાની આશા હતી. જોકે બીજા સેટમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://x.com/DavisCup/status/2100854915233169643?s=20"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>બીજા સેટમાં કોરિયન ખેલાડીની વાપસી</b></h4><p style="text-align: justify; ">બીજા સેટની શરૂઆતમાં બંને ખેલાડીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. પ્રથમ 4 ગેમ બાદ સ્કોર 2-2થી બરાબર હતો. ત્યારબાદ સોનવૂ ક્વોને પોતાની રમતનું સ્તર વધાર્યું હતું.કોરિયન ખેલાડીએ સતત 3 ગેમ જીતીને ડીકે સુરેશ પર દબાણ વધાર્યું હતું. સુરેશે ત્યારબાદ એક ગેમ જીતી હતી, પરંતુ સોનવૂ ક્વોને સેટની 9મી ગેમ જીતીને બીજો સેટ 6-3થી પોતાના નામે કરી લીધો હતો.આ સાથે મેચ 1-1ની બરાબરી પર આવી ગઈ હતી અને અંતિમ સેટ નિર્ણાયક બન્યો હતો.</p><h5 style="text-align: justify; "><b>અંતિમ સેટમાં પણ કોરિયન ખેલાડીનો દબદબો</b></h5><p style="text-align: justify; ">ત્રીજા સેટમાં પણ સોનવૂ ક્વોને પોતાની લય જાળવી રાખી હતી. પ્રથમ સેટ ગુમાવ્યા બાદ તેમણે જે રીતે વાપસી કરી તે મેચનું મહત્વનું પાસું રહ્યું હતું.અંતે કોરિયન ખેલાડીએ ત્રીજો સેટ પણ પોતાના નામે કરીને મેચ 2-1થી જીતી લીધી હતી. આ સાથે ડેવિસ કપના બીજા રાઉન્ડમાં દક્ષિણ કોરિયાને ભારત સામે 1-0ની લીડ મળી છે.ડીકે સુરેશે પ્રથમ સેટમાં શાનદાર શરૂઆત કરીને ભારતને આશા જગાવી હતી, પરંતુ ત્યારબાદ કોરિયન ખેલાડીએ સતત બે સેટ જીતીને મેચનું પરિણામ પોતાના પક્ષમાં ફેરવી નાખ્યું.હવે ભારતની નજર બીજા મુકાબલા પર રહેશે, જ્યાં ટીમ ડેવિસ કપના આ રાઉન્ડમાં વાપસી કરીને સ્કોર બરાબર કરવાનો પ્રયાસ કરશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/asian-champions-trophy-pakistan-refuses-to-send-india-team-demands-matches-to-be-held-at-neutral-venue" target="_blank"> Asian Champions Trophy: પાકિસ્તાને ભારત ટીમ મોકલવાનો કર્યો ઇનકાર, તટસ્થ સ્થળ પર મેચો યોજવાની કરી માંગ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/09/18/dVz2uqMsLUVRt2WCGDpvWJWd3w1XmdyKQCBfd3Hv.webp'/></item></channel></rss>