<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Deesa: કરજાપુરા શાળામાં મહિલા આચાર્યનું હાર્ટ એટેકથી મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/deesa/deesa-female-principal-dies-of-heart-attack-at-karjapura-school</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/deesa/deesa-female-principal-dies-of-heart-attack-at-karjapura-school</guid><pubDate>Sat, 01 Aug 2026 06:11:19 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ડીસા તાલુકાના આસેડા ગામે આવેલા પગાર કેન્દ્ર શાળા ખાતે ચાલી રહેલી ધોરણ 1 થી 5 ની શિક્ષકોની તાલીમ દરમિયાન કરજાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય મંજુલાબેન ઈૃરભાઈ રાઠોડનું હાર્ટ એટેક આવવાથી દુઃખદ અવસાન થયું છે. આ આકસ્મિક ઘટનાથી સમગ્ર શિક્ષણ જગતમાં ભારે શોક વ્યાપી ગયો છે. આસેડા પ્રાથમિક શાળા ખાતે ધોરણ 1 થી 5 ના શિક્ષકોની તાલીમ ચાલી રહી હતી. આ તાલીમમાં કરજાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવતા 52 વર્ષીય મંજુલાબેન ઈૃરભાઈ રાઠોડ પણ ઉપસ્થિત હતા. તાલીમ ચાલુ હતી તે દરમિયાન અચાનક તેમની તબિયત લથડી હતી અને તેઓને હાર્ટ એટેક હ્ય્દયરોગનો હુમલો આવ્યો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/01/8q3ziAjmEd4ofd080RGOzO6cA9TyFM0SE3jk4H0t.webp'/></item><item><title><![CDATA[Deesa: ડીસામાં દિવસભર ઉકળાટ બાદ વરસાદી ઝાપટું ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/deesa/deesa-rain-showers-after-a-day-of-heat-in-deesa</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/deesa/deesa-rain-showers-after-a-day-of-heat-in-deesa</guid><pubDate>Sat, 01 Aug 2026 06:10:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ડીસામાં અસહ્ય બફારા બાદ બપોરના સમય વરસાદી ઝાપટું થતા ગરમીમાં રાહત મળી હતી. જોકે આ વરસાદી ઝાપટુંથી અનેક માર્ગો પર પાણી ભરાયા હતા જેમાં ડીસાના જલારામથી રાણપુર રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા જોકે સામાન્ય વરસાદથી ડીસાના માર્ગો પર પાણી જ પાણી થઈ જવા પામ્યું હતું.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/01/1R04pi3UoXrTM54zIw4jUZsBldoEGPrgb8Zu33pa.webp'/></item><item><title><![CDATA[Vadodara: સંખેડા તાલુકામાં વહેલી સવારે બે કલાકમાં અઢી ઇંચ વરસાદ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-two-and-a-half-inches-of-rain-in-two-hours-in-sankheda-taluka-early-in-the-morning</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-two-and-a-half-inches-of-rain-in-two-hours-in-sankheda-taluka-early-in-the-morning</guid><pubDate>Sat, 01 Aug 2026 05:49:43 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સંખેડા તાલુકામાં ભારે વરસાદને પગલે સવારે 6થી 8 સુધી બે કલાકમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. છીપાવડમાં ખાલી મકાન ધરાશાયી થયું હતું કોઈ જાનહાનિ થઇ નહતી. હેરણ અને ઉચ્છ નદીમાં પાણી આવ્યા હતા. લોકટોળા જોવા ઊમટયાં હતા. તાલુકા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવ્યું હતું. સંખેડા મામલતદારે સ્થળ નિરીક્ષણ કર્યુ હતું. સંખેડા તાલુકામાં ભારે વરસાદની આગાહીને લઈ સંખેડા સહિત સમગ્ર તાલુકામાં વહેલી સવારના 6થી 8 વાગ્યા સુધીમાં બેકલાકમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં વરસાદના પાણી ભરાયા હતા. સંખેડા છીપવાડમાં બિનરહેણાંક મકાન ધરાશાયી થયું હતું. ત્યારે એરણ અને ઉચ્છ નદીમાં પાણીની આવક વધી હતી. જ્યારે ઓરસંગ નદી યથા સ્થિતિમાં જોવા મળી હતી. ઉચ્છ નદીમાં પાણીની આવક વધતા કોઈ અઘટિત ઘટના ન બને તે માટે સંખેડા મામલતદાર દિનેશ પટેલે સ્થળ સ્થિતિની મુલાકાત કરી નિરીક્ષણ કર્યું હતું.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/01/YBe6RIZMbZD2No72dxTvTl2P3ueLiaNjXDR5VlP7.webp'/></item><item><title><![CDATA[Vadodara: લૉ-ડિપ્રેશનની આગાહીને પગલે ડેસર તાલુકા તંત્ર એલર્ટ મોડ પર ? ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</guid><pubDate>Sat, 01 Aug 2026 05:47:56 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હવામાન વિભાગ દ્વારા લૉ-ડિપ્રેશન અને ભારે વરસાદની આગાહીને પગલે ડેસર તાલુકાનું સમગ્ર વહીવટી તંત્ર ગુરુવારે અને શુક્રવારે એલર્ટ મોડ પર જોવા મળ્યું હતું. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ, મામલતદાર કચેરી તથા પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે સંભવિત આપત્તિને પહોંચી વળવા માટે તૈયારી પૂર્ણ કરાઇ હતી.</p><p style="text-align: justify; ">બચાવ કામગીરી માટે બોટ, લાઇફ્ જેકેટ સહિતના જરૂરી સાધનો સ્ટેન્ડબાય રાખ્યાં હતા. ઉપરાંત તમામ રેસ્ક્યૂ ટીમોને ઇમરજન્સી પરિસ્થિતિ માટે તૈયાર રખાઇ હતી. નીચાણવાળા વિસ્તારો તેમજ નદી-નાળાં પર તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. તંત્ર દ્વારા નાગરિકોને નદી-નાળાં, પાણી ભરાયેલા વિસ્તારો તથા જોખમી સ્થળોએ ન જવા વારંવાર અપીલ કરાઇ હતી. ડેસર તાલુકાના નદીકાંઠાના ગામોને વિશેષ સાવચેત રહેવા સૂચના અપાઇ હતી. સાથે જ તમામ ગ્રામ પંચાયતોના તલાટી કમ મંત્રી, સરપંચ અને ગ્રામ સેવકોને પણ એલર્ટ રહેવા માટે સૂચના અપાઇ હતી.</p><p style="text-align: justify; ">ડેસર તાલુકામાં સવારે 6 વાગ્યા સુધી તાલુકામાં 35 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ચાલુ મોસમનો કુલ વરસાદ 339 મીમી પર પહોંચ્યો છે. તંત્ર દ્વારા આગામી સૂચના સુધી રેડ એલર્ટ યથાવત્ રાખવાની માહિતી અપાઇ હતી. ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ, શનિવાર, 1 ઓગસ્ટના રોજ પણ જિલ્લાની શાળા, કોલેજો, ITI સહિત તમામ શૈક્ષણિક સંસ્થામાં રજા જાહેર કરાઇ છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/01/iy4cBl07bk1HdZdn8oQ4aiYxvf7FJDk0CQA6VuQx.webp'/></item><item><title><![CDATA[Vadodara: સાવલી નગરમાં મોડીસાંજે ધમાકેદાર દોઢ ઇંચ વરસાદ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-savli-nagar-received-heavy-rain-of-one-and-a-half-inches-in-the-evening</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-savli-nagar-received-heavy-rain-of-one-and-a-half-inches-in-the-evening</guid><pubDate>Sat, 01 Aug 2026 05:47:13 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સાવલી નગરમાં આજે સાંજના સમયે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા નગરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. 35 મીમી વરસાદમાં પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી હતી.</p><p style="text-align: justify; ">સાવલી નગરમાં સાંજના સમયે ભારે વરસાદના પગલે પોલીસ સ્ટેશન-જન્મોત્રી હોસ્પિટલ માર્ગ પર ઘૂંટણ સમાં પાણી ભરાયા હતા. સમગ્ર માર્ગ પાણીમાં ગરકાવ થયો હતો તેના પગલે રાહદારીઓને અને હોસ્પિટલ જતા દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડી હતી. દર્દીને પાણીમાંથી પકડીને બહાર લાવવાની ફ્રજ પડી હતી. નગરના જશોદાનગર ચોકડી ગોકુળ વાટીકા પોલીસ મથકથી સાવલી હાઇસ્કુલ રોડ જૂની શાકમાર્કેટ વિસ્તાર જેવા વિસ્તારોમાં પાણી ભરાયું હતું સાવલી નગર અને તાલુકામાં પ્રથમવાર એક સામ તો દોઢ ઈંચ જેટલો વરસાદ પડતા નગરમાં પાણી ભરાઈ ગયા છે તો આગાહી મુજબ જો 8થી 10 ઇંચ વરસાદ પડયો તો નગરની શું હાલત થશે ? તેવી ચર્ચાએ જોર પકડયં હતું.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/08/01/7Z4GN2NHgG8fDhNDb69jhMTClmweMWeKgsHRwHMI.webp'/></item><item><title><![CDATA[Delhi News : PM મોદીએ વધુ એક ઈન્સ્ટા વીડિયો જાહેર કર્યો, કહ્યું, મને ગાળો બોલનારા બાળકોને માફ કરવા માંગુ છું ]]></title><link>https://sandesh.com/india/news/pm-modi-says-i-want-to-forgive-the-children-after-jantar-mantar-protest</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/pm-modi-says-i-want-to-forgive-the-children-after-jantar-mantar-protest</guid><pubDate>Fri, 31 Jul 2026 23:34:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દિલ્હીમાં જંતર મંતર પર થયેલા આંદોલનમાં Gen-Zએ જે પ્રદર્શન કર્યું તેની અસરથી શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવું પડ્યું છે. આ ઘટના બાદ વડાપ્રધાન મોદી ઈન્સ્ટાગ્રામ પર સતત લાઈવ આવીને એક નાના વીડિયોમાં દેશને સંદેશ આપી રહ્યાં છે. આજે પણ તેમણે મોડી રાત્રે ફરી એકવાર મોટો સંદેશ આપ્યો છે. રાત્રે લગભગ 11 વાગ્યા પછી પીએમ મોદી ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવ્યા અને Gen-Zને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે, "હું બાળકોને માફ કરવા માંગુ છું.</p><h2 style="text-align: justify; "><b>જુઓ વડાપ્રધાન મોદીએ વીડિયોમાં શું કહ્યું</b></h2><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dbd25lfFtJp/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA%3D%3D" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Dbd25lfFtJp/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA%3D%3D" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a><br><br><br></p><h2 style="text-align: justify; "><b>આપણી દીકરીઓ આ પ્રકારની ભાષા કેવી રીતે બોલી શકે છે</b></h2><p style="text-align: justify; ">વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, જંતર મંતર પર જે થયું તે સમગ્ર વિશ્વએ જોયું છે. કેટલાક તોફાની બાળકોએ ગંદી ગાળો બોલી, કોઈ પણ સભ્ય સમાજને શોભે નહીં તેવા શબ્દોનો પ્રયોગ કર્યો. મને તો ગાળો આપવામાં આવી પણ મારી માતાને પણ ગાળો આપવામાં આવી. પરંતુ હું આજે એ વાત કરવા માંગુ છું કે બાળપણમાં ભૂલો થતી હોય છે અને તેમાં સૌથી વધુ સુધરવાનો મોકો પણ હોય છે. જેથી હું સમાજની અંદર જો આક્રોશ છે તેને સમજી શકું છું. આ એક સામાજિક શોક છે કે આપણી દીકરીઓ આ પ્રકારની ભાષા કેવી રીતે બોલી શકે છે. પરંતુ હવે સમય છે આ બાળકોને ગળે લગાવીને રાહ દેખાડવાનો.&nbsp;<br></p><h3 style="text-align: justify; "><b>હું તેમને માફ કરવા માંગુ છું</b></h3><p style="text-align: justify; ">વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આ બાળકો ગુમરાહ થયેલા છે તેમને રાહ દેખાડવી આપણું કામ છે. તેમને સજા આપવી, કોર્ટના ધક્કા ખવડાવા અને સમાજમાં તેમને હેરાન કરવાથી આપણે પરિસ્થિતિને નહીં બદલી શકીએ. હું તેમને માફ કરવા માંગુ છું અને સમાજ પણ મારી આ વાતનો સ્વીકાર કરે. ક્યારેક ક્યારેક દાંતની વચ્ચે આપણી જીભ આવી જાય છે અને લોહી પણ નીકળે છે પણ આપણે દાંતને તોડતા નથી. કારણ કે દાંત પણ આપણા છે અને જીભ પણ આપણી છે. આ બાળકો પણ આપણાં જ છે અને તેમને રાહ દેખાડવી એ પણ આપણું જ કામ છે.</p><h2 style="text-align: justify; "><b>ગુમરાહને રાહ દેખાડવી કઠીન કામ છે</b></h2><p style="text-align: justify; ">વડાપ્રધાને ઉમેર્યું હતું કે,  ગુમરાહને રાહ દેખાડવી કઠીન કામ છે પણ આ કઠીન કામ આપણે કરવાનું છે. જેથી હું આ બાળકોને કહેવા માંગું છું કે તમે સાથે આવો આપણે દેશ માટે કંઈક કરવા આગળ વધીએ. કંઈક નવું શીખીએ ભૂલોમાંથી પણ શીખીએ અને આપણાં સપનાઓને લઈને નીકળી પડીએ. દેશ ખૂબ આગળ વધી રહ્યો છે અને આગળ વધવાનો છે. અને તમારુ પણ આગળ વધવું નિશ્ચિત હોય એજ મારું સપનું છે. હું તમારા માટે જીવું છું અને તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરુ છું. ચાલો આગળ વધીએ અને ભૂલોમાંથી શીખીએ.&nbsp;&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/weather/navsari/flood-situation-in-three-major-rivers--128-roads-closed" target="_blank">આ પણ વાંચોઃ Navsari News : જિલ્લાની ત્રણેય મુખ્ય નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ, 128 માર્ગો થયા બંધ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/31/yrJbyjwq4DW5fYfaIFwy5nd3khR68NMolYYOhESP.webp'/></item><item><title><![CDATA[CWG 2026 Medal Tally: ઓસ્ટ્રેલિયાનો દબદબો યથાવત, મેડલ ટેલીમાં ભારત ક્યાં નંબરે? ]]></title><link>https://sandesh.com/sports/news/cwg-2026-medal-tally-australias-dominance-continues-where-is-india-in-the-medal-tally</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/cwg-2026-medal-tally-australias-dominance-continues-where-is-india-in-the-medal-tally</guid><pubDate>Fri, 31 Jul 2026 23:18:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગ્લાસગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026નો 9મો દિવસ ભારત માટે સફળતાઓ અને યાદગાર પ્રદર્શનથી ભરેલો રહ્યો. ભારતીય એથ્લેટ્સના શાનદાર પ્રદર્શનના બળે ભારતની કુલ મેડલની સંખ્યા 19 પર પહોંચી ગઈ છે. જોકે, અન્ય દેશોના બહતર પ્રદર્શનને કારણે મેડલ ટેલીમાં ભારતને બે સ્થાનનું નુકસાન વેઠવું પડ્યું છે. 7મા દિવસના અંતે 8મા ક્રમે રહેલું ભારત હવે 3 ગોલ્ડ, 10 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ સાથે 10મા સ્થાને આવી ગયું છે.આ ખેલાડીઓએ બોક્સિંગ અને જુડોમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું. ભારતે અત્યાર સુધીમાં 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ત્રણ ગોલ્ડ, દસ સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ જીત્યા છે. હવે, ભારત માટે વધુ ચાર મેડલ નિશ્ચિત થયા છે.</p><h4 style="text-align: justify;"><b>સિલ્વર મેડલની સંખ્યામાં ઈંગ્લેન્ડ તમામ દેશોમાં સૌથી આગળ</b></h4><p style="text-align: justify;">યજમાન ઈંગ્લેન્ડ બીજા સ્થાને છે, તેમને 15 ગોલ્ડ, 30 સિલ્વર અને 21 બ્રોન્ઝ સહિત કુલ 66 મેડલ જીત્યા છે. ઓસ્ટ્રેલિયા કરતા ઓછા ગોલ્ડ મેડલ હોવા છતાં ઈંગ્લેન્ડે તેના સિલ્વર મેડલને કારણે તેનું બીજું સ્થાન જાળવી રાખ્યું છે. કેનેડાએ પણ સારું પ્રદર્શન કર્યું છે, તેને 15 ગોલ્ડ, 13 સિલ્વર અને 18 બ્રોન્ઝ સહિત કુલ 46 મેડલ જીત્યા છે. સિલ્વર મેડલની સંખ્યામાં ઈંગ્લેન્ડ તમામ દેશોમાં સૌથી આગળ છે.</p><h3 style="text-align: justify;"><b>&nbsp;કોમનવેલ્થ ગેમ્સ 2026 મેડલ ટેલી</b></h3><p style="text-align: justify;"><img alt="CWG 2026 Medal Tally Table" src="https://epapercdn.sandesh.com/images/2026/07/31/qHUG9KzR6g5PIxvtuTU8yMD4bzo4HZgLB1fkZsgg.webp" style="width: 100%;"><br></p><h4 style="text-align: justify;"><b>ભારતે જુડોમાં પણ પોતાની છાપ છોડી</b></h4><p style="text-align: justify;">હર્ષ સિંહે જુડોમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું. તેણે પુરુષોની 60 કિગ્રા વજન શ્રેણીની ક્વાર્ટર ફાઇનલમાં શાનદાર જીત મેળવી. IPPON હાંસલ કરીને, હર્ષે તેના પ્રતિસ્પર્ધીને હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું. જો તે સેમિફાઇનલ હારી જાય તો પણ તેને બ્રોન્ઝ મેડલ મળવાની ખાતરી છે. આ દરમિયાન, અસ્મિતા ડેએ પણ મહિલા 48 કિગ્રા જુડો સેમિફાઇનલમાં મજબૂત એન્ટ્રી કરી, તેના પ્રતિસ્પર્ધીને હરાવ્યો. તે સેમિફાઇનલમાં પહોંચનારી બીજી ખેલાડી બની, આમ તેનો મેડલ સુનિશ્ચિત થયો.</p><h5 style="text-align: justify;"><b>આ બે બોક્સરોએ મેડલ મેળવ્યા</b></h5><p style="text-align: justify;">વિશ્વની ત્રીજા ક્રમાંકની બોક્સર પ્રીતિ પવારે મહિલા 54 કિગ્રા વર્ગના ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. તેણીએ સેમિફાઇનલમાં ઝામ્બિયાની કેથરિન મ્વાપેને સર્વસંમતિથી 5-0થી હરાવી હતી. હવે, સ્કારલેટનો મુકાબલો ગોલ્ડ મેડલ મેચમાં કેનેડાની સવાન્ના ડેલગાડો સામે થશે. ભારતના ઉભરતા યુવાન બોક્સર અંકુશ પંઘાલે પણ શાનદાર પ્રદર્શન કર્યું, પુરુષોની 80 કિગ્રા ઇવેન્ટના ફાઇનલમાં 5-0ના સ્કોર સાથે સ્થાન મેળવ્યું. ફાઇનલમાં પણ તે ગોલ્ડ મેડલ જીતે તેવી અપેક્ષા છે.</p><p style="text-align: justify;">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/commonwealth-games-2026-big-news-4-medals-confirmed-for-india" target="_blank">Commonwealth Games 2026 મોટા સમાચાર, ભારત માટે 4 મેડલ કન્ફર્મ થયા</a></p><p style="text-align: justify;"><br></p><p style="text-align: justify;"><br></p><p style="text-align: justify;"><br></p><p style="text-align: justify;"><br></p><p style="text-align: justify;"><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/31/6iTtHlXo2TKU3jWke2DNIenb67FUcX81qOYwhN7M.webp'/></item><item><title><![CDATA[Auto News: ચોમાસામાં કાર પાણીમાં બંધ થઈ જાય તો ગભરાશો નહીં; આ સ્માર્ટ ટિપ્સ બચાવશે તમારું એન્જિન અને ખિસ્સું! ]]></title><link>https://sandesh.com/business/news/automobile/auto-news-dont-panic-if-your-car-gets-stuck-in-water-during-the-monsoon-these-smart-tips-will-save-your-engine-and-your-pocket</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/auto-news-dont-panic-if-your-car-gets-stuck-in-water-during-the-monsoon-these-smart-tips-will-save-your-engine-and-your-pocket</guid><pubDate>Fri, 31 Jul 2026 22:43:12 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ચોમાસાની ઋતુમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવું સામાન્ય વાત છે, પરંતુ આવી સ્થિતિમાં અચાનક કાર બંધ પડી જાય ત્યારે મોટી મુશ્કેલી ઊભી થાય છે. ઘણીવાર લોકો ગભરાટમાં એવી ભૂલો કરી બેસે છે, જેનાથી કારના એન્જિન અને અન્ય સ્પેરપાર્ટ્સને ભારે નુકસાન પહોંચે છે. જો તમારી કાર પણ પાણીમાં ફસાઈને બંધ થઈ જાય, તો આ મહત્વપૂર્ણ વાતોનું ખાસ ધ્યાન રાખો.</p><h2 style="text-align: justify; "><b>કારને વારંવાર સ્ટાર્ટ કરવાનો પ્રયાસ ન કરો</b></h2><p style="text-align: justify; ">જો પાણીમાં ગયા પછી કાર બંધ થઈ જાય, તો તેને ફરીથી સેલ્ફ મારીને સ્ટાર્ટ કરવાની ભૂલ ક્યારેય ન કરવી. આમ કરવાથી એર ફિલ્ટર અથવા એક્ઝોસ્ટ (સાયલેન્સર)ના રસ્તે પાણી એન્જિનની અંદર પહોંચી શકે છે. આનાથી એન્જિન લોક થઈ શકે છે, જેને હાઈડ્રોલોક (Hydrolock) કહેવામાં આવે છે. આ સ્થિતિમાં એન્જિન રિપેર કરવાનો ખર્ચ ખૂબ જ વધારે આવે છે.</p><h3 style="text-align: justify; "><b>તુરંત ઇગ્નિશન બંધ કરી દો</b></h3><p style="text-align: justify; ">કાર બંધ થતાં જ સૌથી પહેલા ઇગ્નિશન ઓફ કરી દો અને ચાવી બહાર કાઢી લો. આનાથી કારની ઇલેક્ટ્રિકલ સિસ્ટમ, સેન્સર્સ અને અન્ય મહત્વપૂર્ણ પાર્ટ્સને શોર્ટ સરકિટથી બચાવી શકાય છે. જો પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું હોય, તો સમયસર બારીઓના કાચ ખોલી લો જેથી જરૂર પડે ત્યારે બહાર નીકળવું સરળ રહે.</p><h4 style="text-align: justify; "><b>પાણી વધે તો તરત જ બહાર નીકળો</b></h4><p style="text-align: justify; ">જો કારની આસપાસ પાણી સતત વધી રહ્યું હોય, તો અંદર બેસી રહેવાનું જોખમ ન લો. વહેલી તકે સુરક્ષિત જગ્યાએ પહોંચવાનો પ્રયાસ કરો. ઘણીવાર પાણીના દબાણને કારણે કારના દરવાજા ખુલતા નથી, આવી સ્થિતિમાં બારીમાંથી બહાર નીકળીને કોઈ ઊંચી અને સુરક્ષિત જગ્યાએ જતા રહો.</p><h5 style="text-align: justify; "><b>કારને સુરક્ષિત જગ્યાએ ખસેડો</b></h5><p style="text-align: justify; ">જો પાણીનો પ્રવાહ તેજ ન હોય અને પરિસ્થિતિ સુરક્ષિત લાગે, તો કારને ન્યૂટ્રલ ગિયરમાં મૂકીદો અને ધીમે-ધીમે ધક્કો મારીને ઓછા પાણીવાળી જગ્યાએ લઈ જઈ શકો છો. ત્યારબાદ કોઈ વિશ્વસનીય મિકેનિકનો સંપર્ક કરો અને ગાડી ચેક કરાવો.</p><h6 style="text-align: justify; "><b>ટોઇંગ અને ઇન્શ્યોરન્સની મદદ લો</b></h6><p style="text-align: justify; ">જો કાર પાણીમાંથી બહાર નીકળી શકે તેમ ન હોય, તો તેને બળજબરીથી ચલાવવાનો પ્રયાસ ન કરો. આવી સ્થિતિમાં ક્રેન અથવા ટો ટ્રકની મદદ લો. સાથે જ, તમારી ઇન્શ્યોરન્સ કંપનીને આ ઘટનાની જાણ કરો. મિકેનિક પાસે કારનું પૂરતું ચેકિંગ કરાવ્યા વિના એન્જિન ચાલુ ન કરો.</p><h6 style="text-align: justify; "><b>એન્જિનમાં પાણી ગયું છે કે નહીં તે ઓળખો</b></h6><p style="text-align: justify; ">જો ડિપસ્ટિક (Dipstick) બહાર કાઢતી વખતે એન્જિન ઓઇલમાં પાણીના ટીપાં કે સફેદ ફીણ દેખાય, તો તે સંકેત છે કે એન્જિનમાં પાણી પહોંચી ગયું છે. આવા સમયે પહેલા મિકેનિક પાસે સ્પાર્ક પ્લગ અથવા ઇન્જેક્ટરની તપાસ કરાવો અને પાણી પૂરેપૂરું નીકળી જાય તે પછી જ કારને ફરીથી સ્ટાર્ટ કરો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/automobile" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/31/U6IPOHAmT7I7PAdelDlmPS5pl7dNHQz2bXFZZ3zO.webp'/></item><item><title><![CDATA[India News: કાશ્મીરના કુલગામમાં આતંકીઓએ બે શ્રમિકો પર ફાયરીંગ કર્યું, એકનું મોત ]]></title><link>https://sandesh.com/india/news/kulgam-terror-attack--militants-fire-at-two-workers--one-killed-in-kashmir</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/kulgam-terror-attack--militants-fire-at-two-workers--one-killed-in-kashmir</guid><pubDate>Fri, 31 Jul 2026 22:10:08 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલો થયો છે. આતંકીઓએ બે બિન-સ્થાનિક લોકોને નિશાન બનાવીને ફાયરિંગ કર્યું હતું. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે ઘાયલની સારવાર ચાલી રહી છે. સુરક્ષાબળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકીઓની શોધખોળ ચાલુ છે. જમ્મુ-કશ્મીર પોલીસનું કહેવું છે કે સુરક્ષાબળોએ વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે અને હુમલાખોરોની ભાળ મેળવવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.</p><h2 style="text-align: justify;"><b>બહારના મજૂરો પર ફાયરિંગ કરવામાં આવ્યું</b></h2><p style="text-align: justify;">ડીજીપી નલિન પ્રભાતે એલજી મનોજ સિંહાને આ હુમલા વિશે માહિતી આપી હતી.આ દરમિયાન એલજીએ એ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે કે હુમલા માટે જવાબદાર આતંકવાદીઓને વહેલામાં વહેલી તકે ખતમ કરવામાં આવે. અધિકારીઓએ જણાવ્યું કે જિલ્લાના કેલ્લમ વિસ્તારમાં આતંકીઓએ આ કાયરતાપૂર્ણ હુમલો કર્યો છે, જેમાં બહારના મજૂરો પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઘાયલ મજૂરને વધુ સારી સારવાર માટે જીએમસી અનંતનાગ ખસેડવામાં આવ્યો છે.</p><h3 style="text-align: justify;"><b>નિર્દોષ મજૂરની નિર્મમ હત્યા એક ઘૃણાસ્પદ ગુનો</b></h3><p style="text-align: justify;">ભાજપના પ્રવક્તા અલ્તાફ ઠાકુરે આ આતંકી હુમલાની સખત નિંદા કરી હતી. તેમણે આને કાયરતાપૂર્ણ અને અમાનવીય ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે ઈમાનદારીથી રોજી-રોટી કમાવવા માટે જમ્મુ-કશ્મીર આવેલા નિર્દોષ મજૂરની નિર્મમ હત્યા એક ઘૃણાસ્પદ ગુનો છે. આવી બર્બર હરકતો માનવતા અને ભાઈચારા તથા મહેમાનગતિની સદીઓ જૂની પરંપરાઓ પર પ્રહાર છે. દોષિતો અને તેમને સાથ આપનારાઓને વિલંબ કર્યા વિના સજા મળવી જોઈએ. હું પોલીસ નેતૃત્વ અને સુરક્ષા એજન્સીઓને અપીલ કરું છું કે તેઓ ઊંડાણપૂર્વક તપાસ કરે.&nbsp;</p><h2 style="text-align: justify;"><b>દોષિતોને કાયદા હેઠળ કડકમાં કડક સજા મળે</b></h2><p style="text-align: justify;">તેમણે આગળ કહ્યું કે,આ કાયરતાપૂર્ણ હુમલામાં સામેલ દરેક આતંકવાદીની ઓળખ કરે, આની પાછળના સમગ્ર નેટવર્કને ખતમ કરે અને એ સુનિશ્ચિત કરે કે દોષિતોને કાયદા હેઠળ કડકમાં કડક સજા મળે.જમ્મુ-કશ્મીરના લોકોએ હંમેશા હિંસાને નકારી છે. આતંકવાદીઓ લોહીયાળ ખેલ દ્વારા આ વિસ્તારનું ભવિષ્ય નક્કી કરી શકે નહીં. આતંકવાદને હરાવવાનો અને શાંતિ જાળવી રાખવાનો સંકલ્પ પહેલાં કરતા પણ વધુ મજબૂત છે. ભાજપ નેતાએ લોકોને અપીલ કરી કે તેઓ આતંકવાદ સામે એકજૂટ રહે અને શાંતિ જાળવવામાં તથા નિર્દોષ લોકોના જીવ બચાવવામાં સુરક્ષા બળોના પ્રયાસોનું સમર્થન કરે.<br><br><a href="https://sandesh.com/india/news/himachal-monsoon-havoc--landslide-blocks-nh-05--1-dead-in-chamba--red-alert-issued" target="_blank">આ પણ વાંચોઃ Himachalમાં તબાહી! કિન્નૌરમાં NH-05 બંધ, ચંબામાં નાળામાં તણાઈ જવાથી મહિલાનું મોત</a></p><p style="text-align: justify;"><br></p><p style="text-align: justify;"><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/31/OJqyoVAYzM2ItCxCY9yiAK2bnNdjs7PdpIuqKuJz.webp'/></item><item><title><![CDATA[Shehnaaz Gill: 'મુંબઈમાં મારો એક જ સહારો છે...', રાઘવ જુયાલને લઈને શહેનાઝે આ શું કહી દીધું? ]]></title><link>https://sandesh.com/entertainment/news/shehnaaz-gill-calls-raghav-juyal-her-only-support-system-in-mumbai</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/shehnaaz-gill-calls-raghav-juyal-her-only-support-system-in-mumbai</guid><pubDate>Fri, 31 Jul 2026 18:58:36 +05:30</pubDate><description><![CDATA[<p>શહેનાઝ ગિલ અને રાઘવ જુયાલ વચ્ચેના સંબંધો અંગેની અટકળો ઘણા સમયથી  ફરતી થઈ રહી છે. થોડા દિવસો પહેલા જ્યારે શહેનાઝ રાઘવના જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપી ત્યારે આ અફવાઓએ વધુ વેગ પકડ્યો; ભીડ વચ્ચે, રાઘવ શહેનાઝનું રક્ષણ કરતો જોવા મળ્યો અને બંને હાથ પકડીને જોવા મળ્યા. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં શહેનાઝ ગિલે ખુલ્લેઆમ આ ડેટિંગ અફવાઓનો ઉલ્લેખ કર્યો અને અભિનેતા રાઘવની પ્રશંસા પણ કરી.</p><p>પંજાબી અભિનેત્રી શહેનાઝ ગિલ બિગ બોસ 13થી પ્રખ્યાત થઈ અને ત્યારથી તેણે સલમાન ખાન સાથે ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનમાં બોલિવૂડમાં પ્રવેશ કર્યો. રાઘવ જુયાલે પણ આ જ ફિલ્મમાં અભિનય કર્યો. સલમાન ખાને ટિપ્પણી કર્યા પછી બંને વચ્ચેના સંબંધ અંગેની અટકળો શરૂ થઈ, "મેં સેટ પર બે લોકો વચ્ચે કેમિસ્ટ્રી વિકસતી જોઈ. પરંતુ કંઈ થયું નહીં - ઓછામાં ઓછું એક બાજુથી નહીં. બીજી વ્યક્તિ ખૂબ ઉત્સાહિત હતી."</p><p><b>મુંબઈમાં રાઘવ એકમાત્ર સપોર્ટ સિસ્ટમ છે...</b></p><p>એક ઇન્ટરવ્યુમાં બોલતા, શહેનાઝ ગિલે કહ્યું, "મુંબઈમાં મારા કોઈ નજીકના મિત્રો નથી. રાઘવ મારો એકમાત્ર સપોર્ટ સિસ્ટમ છે. જ્યારે પણ મને જીવનમાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, ત્યારે હું સૌથી પહેલા તેને ફોન કરું છું. જો હું બીમાર પડીશ, તો મુંબઈમાં બીજું કોઈ નથી જેને હું ફોન કરી શકું; રાઘવ જ મને હોસ્પિટલ લઈ જશે - નહીં તો, હું ઘરે જ પડી રહીશ."</p><p>અભિનેત્રીએ વધુમાં કહ્યું કે, "રાઘવ હંમેશા મારું રક્ષણ કરે છે અને ઘણી બાબતોમાં માર્ગદર્શન આપે છે. તે જ વ્યક્તિ છે જેણે મને અભિનય કરવા માટે સૌથી વધુ પ્રેરણા આપી છે. બસ જુઓ - એક દિવસ, તે વ્યક્તિ આગામી શાહરૂખ ખાન બનશે."</p><p>અગાઉ, રાઘવ જુયાલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે શહેનાઝ ગિલ તેના માટે પરિવાર જેવી છે, તેને ખૂબ જ નજીકના મિત્ર તરીકે ગણાવી હતી. શહેનાઝે પણ અગાઉ રાઘવને એક સારા મિત્ર તરીકે ઓળખાવી હતી અને લોકોને તેની ફિલ્મ ભાઈ તેરા સ્ટાર હૈ ને સમર્થન આપવા વિનંતી કરી હતી.&nbsp;</p><p>રાઘવ જુયાલની મુખ્ય ભૂમિકામાં પહેલી ફિલ્મ, ‘ભાઈ તેરા સ્ટાર હૈ’ હવે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે; તે એક કોમેડી-ડ્રામા છે જે એક સંઘર્ષશીલ અભિનેતાની વાર્તા કહે છે. આ ફિલ્મમાં અભિનેતા સંજય કપૂર પણ છે. વધુમાં, નિક્કી વાલિયા, બરખા સિંહ, નિહારિકા એનએમ, વિકલ્પ મહેતા, ટીના દેસાઈ, ચંદન રોય સાન્યાલ અને દેવ અગ્રવાલ જેવા સ્ટાર્સ મુખ્ય ભૂમિકાઓ ભજવે છે. આ ફિલ્મનું દિગ્દર્શન અને નિર્માણ વિવેક બી. અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું છે.</p><p><br></p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/lifestyle/news/fashion-beauty/beauty-tips-dark-knees-home-remedies--2-easy-ways-to-remove-blackness" target="_blank"><b>Beauty Tips: ઘૂંટણ થઈ ગયા છે કાળા, તો દેશી ઉપાયથી દૂર કરો કાળાશ</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/31/2sqwkH7pXLQaIHwjiQcs8h6KEaLtexdPqwNrkWGt.webp'/></item></channel></rss>