<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Dhandhuka: ધંધૂકા સરકારી હોસ્પિટલ પરિસરમાં મોતનો ખાડો! ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dhandhuka/dhandhuka-death-pit-in-dhandhuka-government-hospital-premises</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dhandhuka/dhandhuka-death-pit-in-dhandhuka-government-hospital-premises</guid><pubDate>Sat, 11 Jul 2026 01:01:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ધંધૂકા સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના પ્રાંગણમાં છેલ્લા કેટલાય મહિનાઓથી ચાલી રહેલા બાંધકામના કામને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલ પરિસરમાં કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલા મોટા ખાડામાં હાલ વરસાદી પાણી ભરાઈ જતાં અકસ્માતનો ભય ઊભો થયો છે. ખાડામાં બાંધકામ માટેના લોખંડના સળિયા ખુલ્લા હાલતમાં ઊભા જોવા મળી રહ્યા છે, જે કોઈપણ સમયે જીવલેણ સાબિત થઈ શકે છે.</p><p style="text-align: justify; ">ખાસ ચિંતાજનક બાબત એ છે કે આ ખાડાની બાજુમાં જ હોસ્પિટલનો અદ્યતન ઓક્સિજન પ્લાન્ટ આવેલો છે. હોસ્પિટલમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ, તેમના સગાં, વૃદ્ધો, બાળકો તેમજ હોસ્પિટલનો સ્ટાફ્ અવરજવર કરતો હોય છે. તેમ છતાં સ્થળ પર કોઈ પ્રકારની સલામતીની આડશ, બેરિકેડિંગ, ચેતવણીનું બોર્ડ કે જોખમ દર્શાવતી સૂચના લગાવવામાં આવી નથી.</p><p style="text-align: justify; ">સ્થાનિકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે અકસ્માત સર્જાય પછી જ તંત્ર જાગશે કે પછી અગાઉથી જ જરૂરી સલામતીના પગલાં ભરાશે? વરસાદી પાણીના ભરાવાને કારણે ખાડાની ઊંડાઈનો અંદાજ પણ આવતો નથી, જેના કારણે જોખમ વધુ વધી ગયું છે.</p><p style="text-align: justify; ">સ્થાનિક લોકોએ તેમજ દર્દીઓએ માંગ કરી છે કે હોસ્પિટલ પરિસરમાં ચાલી રહેલા બાંધકામને ઝડપથી પૂર્ણ કરવામાં આવે, ખાડાની આસપાસ તાત્કાલિક બેરિકેડિંગ અને ચેતવણીના બોર્ડ લગાવવામાં આવે તેમજ દર્દીઓ અને મુલાકાતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જવાબદાર તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/UsZsARJiKwxf9ztbMfwsw1baUDLK1ESy6W06ukY5.webp'/></item><item><title><![CDATA[માંગરોળનાં બોરિયા ગામે આદિવાસી સમાજે નાંદુરવા દેવની પરંપરાગત પૂજા-અર્ચના કરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/mangrol/tribal-community-in-boria-village-of-mangrol-performed-traditional-worship-of-nandurva-dev</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/mangrol/tribal-community-in-boria-village-of-mangrol-performed-traditional-worship-of-nandurva-dev</guid><pubDate>Sat, 11 Jul 2026 00:57:22 +05:30</pubDate><description><![CDATA[<p>માંગરોળનાં બોરિયા ગામે આદિવાસી સમાજનાં ખેડૂતો દ્વારા પરંપરાગત રીતે નાંદુરવા દેવની ભક્તિભાવપૂર્વક પૂજા કરવામાં આવી હતી. ચોમાસામાં વરસાદનાં આગમન બાદ જમીન પર ઉગી નિકળતા નવા ઘાસને ચૌધરી સમાજમાં નંદુરવ તરીકે ઓળખવામાં આવે છે. આ આદિવાસી ખેડૂતો નવા ઘાસને જ દેવ માનીને પ્રકૃતી પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આ વિશેષ પૂજાનું આયોજન કરે છે.</p><p>ખેડૂતોની ગાઢ આસ્થા અનુસાર, સારો વરસાદ થવાથી ઉગી નિકળતુ નવું ઘાસ પશુપક્ષીઓ માટે ચારાનો મુખ્ય સ્ત્રોત બને છે અને વાવણી શરૂ થવાથી આગામી સમયમાં સૌનાં માટે અનાજનો સારો પાક પાકશે તેવી આશા સાથે પ્રકૃતીનો આભાર માનવામાં આવે છે. આ સાથે જ, વર્ષોથી ચાલી આવતી ગામની પરંપરાઓ અને કેટલાક સામાજિક નીતિ નિયમોની સમીક્ષા પણ આ દિવસે કરવામાં આવે છે. નંદુરવા દેવની પૂજાનો દિવસ નક્કી થયા પછી સમગ્ર ગામલોકોને તેની જાણ કરવાનું મહત્ત્વપૂર્ણ કામ વેઠિયા દ્વારા કરવામાં આવે છે. પૂજાનાં આગલા દિવસે ગામનાં પુરૂષો નિર્ધારીત જગ્યાએ જનઔષધિઓ લેવા માટે જાય છે, જેમાં વનસ્પતિઓ અને ઔષધિઓની સાચી ઓળખ કરનારા ભગતોને પણ ફરજિયાત સાથે રાખવામાં આવે છે. જંગલમાંથી આ વનઔષધિઓ ગામમાં લાવ્યા બાદ દેવસ્થાને તેની વિધિવત પૂજા કરવામાં આવે છે. ત્યાર બાદ તેને વિશિષ્ટ રીતે છુંદીને પાણી ભરેલા મોટા વાસણોમાં નાંખવામાં આવે છે, જેથી ઔષધિઓનો ગુણકારી અર્ક તૈયાર થઇ શકે. આ દેવપૂજા પૂર્ણ થયા પછી, ગ્રામજનો ભેગા મળીને ખેતીકામ માટે આખા વર્ષ દરમ્યાન અપાતા મહેનતાણાનાં દરની સમીક્ષા કરીને નવા દરો નક્કી કરે છે. આ તહેવાર સાથે પશુ ચરાવવાનાં નિયમો પણ જોડાયેલા છે.</p><p>નાંદુરવો પૂજાય ત્યાં સુધી છૂટક ચરતા ઢોરોને ગમે તે વ્યક્તિનાં ખેતરનાં શેઢા પર ચારવાની સંપૂર્ણ છૂટ રહે છે. પરંતુ પૂજા પૂર્ણ થયા બાદ પશુઓને બીજાની માલિકીની જગ્યાએ ચરાવવાનું કડકપણે બંધ કરવામાં આવે છે. આ નવા નીતિ નિયમો નક્કી થયા બાદ તમામ ઢોરોને પોતપોતાની કોઢમાં બાંધી દેવાય છે. પૂજાનાં સ્થળેથી લાવવામાં આવેલી પવિત્ર ખૂંટીને કોઢનાં બારણાની બંને તરફ મજબૂત રીતે ખોસી દેવામાં આવે છે અને ત્યાર બાદ પૂજામાંથી લાવવામાં આવેલા વચન અને વનઔષધિઓનો અર્ક આખી કોઢમાં તથા તમામ પશુઓ પર આસ્થા પૂર્વક છાંટવામાં આવે છે જેથી તેઓ રોગ મુક્ત રહે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/z77WDtlnRPapUpBXjji6Mz4vwdARP3AamQubnGc0.webp'/></item><item><title><![CDATA[ઉમરપાડાનો પ્રખ્યાત દેવઘાટ ધોધ જીવંત થયો : સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/umarpadas-famous-devghat-waterfall-comes-alive-a-center-of-attraction-for-tourists</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/umarpadas-famous-devghat-waterfall-comes-alive-a-center-of-attraction-for-tourists</guid><pubDate>Sat, 11 Jul 2026 00:56:23 +05:30</pubDate><description><![CDATA[<p>કીમ : ઉમરપાડા તાલુકામાં છેલ્લા 6-7 દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે સમગ્ર પંથકનું કુદરતી સૌંદર્ય અદ્ભુત રીતે ખીલી ઉઠયુ છે. આ હર્ષોલ્લાસ લાવનારી મેઘમહેરનાં પરીણામે સુરત જીલ્લાનો પ્રખ્યાત દેવઘાટ ધોધ ફરી એકવાર સંપૂર્ણ ક્ષમતા સાથે જીવંત બન્યો છે. નવા પાણીનાં આગમન સાથે ધોધનો આ નજારો સહેલાણીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર સાબિત થઇ રહ્યો છે. ઉમરપાડા તાલુકો તેનાનાં ઘટાદાર અને હરિયાળા જંગલો તેમજ નયનરમ્ય કુદરતી વાતાવરણ માટે વિશેષ ઓળખ ધરાવે છે. ભારે વરસાદની લાક્ષણિકતાને કારણે જ તેને સુરત જીલ્લાનું મિની ચેરાપુંજી તરીકે પણ ઓળખવામાં આવે છે. હીચ જંગલ વિસ્તારની વચ્ચેથી વહેતુ શુદ્ધ પાણી જ્યારે પહાડો ઉપરથી દેવઘાટ ધોધ સ્વરૂપે નીચે પડે છે, ત્યારે ત્યાં અત્યંત સુંદર અને મનમોહક દ્રશ્યો સર્જાય છે. હાલમાં નવા નીરની સતત આવક થવાથી અહીંનું સમગ્ર વાતાવરણ અત્યંત રમણીય અને આહલાદક બની ગયુ છે. ધોધમં પાણીની ભરપૂર આવક થતા જ પ્રકૃતિ પ્રેમીઓ અને સહેલાણીઓનો ધસારો વ્યાપક પ્રમાણમાં વધી ગયો છે. ઉપરોક્ત અદ્ભુત દ્રશ્યને માણવા માટે દૂર-દૂરનાં વિસ્તારોમાંથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમરપાડા પહોંચી રહ્યા છે. આ વિસ્તારની સતત વધતી જતી લોકપ્રિયતા અને ભૌગોલિક મહત્ત્વને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા પણ આ સ્થળને એક સુવ્યવસ્થિત પ્રવાસન ધામ તરીકે વિક્સાવવામાં આવ્યુ છે, જેનાથી અહીં આવતા સહેલાણીઓને વધુ સારી સુવિધાઓ પ્રાપ્ત થઇ શકે. વરસાદી મોસમનાં કારણે આ સમગ્ર પંથકની પ્રાકૃતિક સુંદરતા અત્યારે ચરમસીમા પર જોવા મળી રહી છે. સુરત શહેરનાં રોજિંદા કોલાહલ અને વ્યસ્ત દિનચર્યાથી દૂર જઇને, શાંતિપૂર્વક કુદરતનાં સાનિધ્યમાં સમય પસાર કરવા માંગતા લોકો માટે દેવઘાટ ધોધ હાલમાં એક આદર્શ અને સર્વશ્રોષ્ઠ વિકલ્પ પૂરો પાડી રહ્યો છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/TxdNJcUGiLJC0SKrF7KG1G7o9ydNYTApORvWTmFh.webp'/></item><item><title><![CDATA[સેગવા નજીક પીકઅપમાંથી પોલીસે 2.57 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/police-seize-foreign-liquor-worth-rs-257-lakh-from-pickup-near-segwa</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/police-seize-foreign-liquor-worth-rs-257-lakh-from-pickup-near-segwa</guid><pubDate>Sat, 11 Jul 2026 00:55:21 +05:30</pubDate><description><![CDATA[<p>કીમ : એલસીબી પોલીસે પૂર્વ બાતમીનાં આધારે સેગવા ગામની સીમમાં એક્સપ્રેસ હાઇવે પરથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી પીકઅપ ઝડપી પાડી કુલ 2 લાખ 57 હજાર 346 રૂપિયાનાં મુદ્દામાલ સાથે ચાલકની અટક કરી હતી.</p><p>એક બોલેરો પીકઅપ નં.જીજે-36-વી-7756 નો ચાલક પીકઅપમાં સેલવાસ ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરી ભરૂચ તરફ જનાર હોવાની એલસીબી પોલીસને બાતમી મળી હતી. પોલીસે સેગવા ગામની સીમમાં મુંબઇ થી દિલ્હી જતા એક્સપ્રેસ હાઇવે રોડ પર નાકાબંધી ગોઠવી હતી. જે દરમ્યાન સદર બાતમી વાળી પીકઅપ ત્યાં આવી પહોંચતા પોલીસે જેને અટકાવી ચાલકને સાથે રાખી પીકઅપમાં તપાસ કરતા પોલીસને વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી 2 લાખ 57 હજાર 136 કિંમતની 1776 નંગ વિદેશી દારૂની બોટલો, 5 લાખ કિંમતની પીકઅપ, 210 રોકડા, પ હજાર કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ 7 લાખ 62 હજાર 346 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે પીકઅપ ચાલક ભુપત રણછોડ ચોસલા ઉ.વ.24 ધંધો-ડ્રાઇવીંગ રહે સિયાલજ ભરવાડવાસ તા.માંગરોળમુળ રહે હેબતપુર તા.જી.બોટાદ) ની અટક કરી (1) વિદેશી દારૂનો જથ્થો ભરવા મોકલનારઃ- રતનલાલ જગુલાલ ગુર્જર (રહે પાનસરા મોટા બોરસરા તા.માંગરોળ), (2) સેલવાસ ખાતેથી વિદેશી દારૂનો જથ્થા ભરીને મોપેડ લઇને આપી જનાર અજાણ્યો ઇસમને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/i8RBnqdEMzMPQ5N123Lct0oroDtHGyN2nNIYctD3.webp'/></item><item><title><![CDATA[સુરત જિલ્લાના ગામડાઓમાં વરાપ નીકળતા ખેડૂતોએ વાવણી શરૂ કરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/farmers-in-villages-of-surat-district-start-sowing-seeds-in-droves</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/farmers-in-villages-of-surat-district-start-sowing-seeds-in-droves</guid><pubDate>Sat, 11 Jul 2026 00:50:38 +05:30</pubDate><description><![CDATA[<p>બારડોલી : સુરત જિલ્લાના તમામ વિસ્તારોમાં 10 દિવસ સારો વરસાદ પડયા બાદ વરાપ નીકળતા ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ ચોમાસા પાકની પ્રાથમિક વાવણીની કામગીરી શરૂ કરી છે. ખાસ કરીને બિન પિયત વિસ્તારોમાં આદિવાસી ખેડૂતો વરસાદ આધારિત ખેતિ કરતા હોય છેલ્લા ત્રણેક દિવસથી ધાન્ય અને કઠોળ પાકોની વાવણી બળદ હળ સાથે શરૂ કરતા ખેતરોમાં કુદરતી દ્રષ્યો જોવા મળી રહ્યા છે.</p><p>સુરત જિલ્લાના બારડોલી, મહુવા, અંબિકા, અરેઠ, પલસાણા, કામરેજ, માંગરોળ, માંડવી, umarpara, ઓલપાડ અને બાજુના વાલોડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો ચોમાસા પાકની વાવણીમાં જોતરાયેલા જોવા મળે છે. ખેડૂતોએ પોતાના હળ, બળદ સાથે ખેડાણ તેમજ કેટલાક ખેડુતોએ મીની ટ્રેક્ટરોથી પાકો અને ધાન્યોની વાવણી પણ શરૂ કરી દિધી છે. ડાંગરપાક માટે ખેડૂતોએ ધરૂવાડીયા અગાઉથી જ તૈયાર કર્યા છે. તો કેટલાક વિસ્તારોમાં હમણાં પણ તે કામ થઈ રહ્યુ છે. સુરત જિલ્લાના મહુવા અને અંબિકા તાલુકાના કેટલાક વિસ્તારો, બાજુના વાલોડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત માંડવી, માંગરોળ અને ઉમરપાડા તાલુકાના સેંકડો એકર જમીન સિંચાઈની કોઈ સવલત નથી. આવી બિનપિયત વાળી જમીનમાં વરસાદ આધારિત ખેતી આદિવાસી ખેડૂતો કરે છે. ખેડૂતોએ ઓરાણ ડાંગર, રોપાણ ડાંગર માટે ધરૂવાડીયા, તે સિવાય કઠોળ પાકોમાં મગ, અડદ, તુવર, ચોળી, ઉપરાંત મકાઈ અને તેલીબિયાંમાં સુર્યમુખી, દિવેલા તેમજ ચોમાસુ શાકભાજી પાકનું વાવેતર શરૂ કરાયુ છે. ઉપરાંત ખેડૂતો પોતાની જમીનોના પાળા પર પણ થાણા તૈયાર કરીને તેના પર તુવર, પાપડી જેવા તુલનુ વાવેતર કરી રહ્યા છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/PprnvqgdWLHGD4PvirmrhiBmuFfDjSFPBO7mLD6P.webp'/></item><item><title><![CDATA[Auto News: આ નવી ઇલેક્ટ્રિક SUV ટૂંક સમયમાં થશે લોન્ચ, ગ્રાહકો માટે એક ગેમ-ચેન્જર ઓફર! ]]></title><link>https://sandesh.com/business/news/automobile/auto-news-this-new-electric-suv-will-be-launched-soon-a-game-changer-offer-for-customers</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/automobile/auto-news-this-new-electric-suv-will-be-launched-soon-a-game-changer-offer-for-customers</guid><pubDate>Fri, 10 Jul 2026 23:37:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કિયા ઈન્ડિયા ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં ધમાકો કરવા માટે તૈયાર છે. કંપની જુલાઈ 2026ના અંતિમ સપ્તાહમાં પોતાની નવી Kia Syros EV રજૂ કરવા જઈ રહી છે, ત્યારબાદ ઓગસ્ટ 2026માં તેને સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવી શકે છે. ભારતમાં લોન્ચ થયા પછી આ શાનદાર ઇલેક્ટ્રિક કારનો સીધો મુકાબલો Tata Nexon EV અને Mahindra XUV 3XO EV જેવી લોકપ્રિય ઇલેક્ટ્રિક SUV સાથે થશે. ખાસ વાત એ છે કે આ કાર ભારતમાં કંપનીની સૌથી નાની અને સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર હશે.</p><h2 style="text-align: justify; "><b>પેટ્રોલ મોડલ પર આધારિત ડિઝાઇન અને આધુનિક ફીચર્સ</b></h2><p style="text-align: justify; ">કિયા સાયરોસ EVને તેના પેટ્રોલ મોડલને ઇલેક્ટ્રિક વર્ઝનમાં બદલીને તૈયાર કરવામાં આવી રહી છે. આ જ કારણે તેના એક્સટેરિયર (બહાર) અને ઇન્ટિરિયર (અંદર)માં કેટલાક ખાસ ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) સંબંધિત ફેરફારો જોવા મળશે. આ કારમાં આધુનિક લુક આપવા માટે બંધ ગ્રીલ, નવા ડિઝાઇનના એરો-ફ્રેન્ડલી એલોય વ્હીલ્સ અને ડાબી બાજુના ફ્રન્ટ ફેન્ડર પર ચાર્જિંગ ફ્લેપ આપવામાં આવશે. કારની અંદર ગ્રાહકોને ખાસ EV સોફ્ટવેર અપડેટ્સની સાથે વ્હીકલ-ટુ-લોડ (V2L) અને વ્હીકલ-ટુ-વ્હીકલ (V2V) જેવી અદભૂત ટેક્નોલોજી પણ મળી શકે છે.</p><h3 style="text-align: justify; "><b>કેરેન્સ ક્લેવિસ EV સાથે પાવરટ્રેન શેરિંગ</b></h3><p style="text-align: justify; ">આ નવી ઇલેક્ટ્રિક એસયુવી પાવરફુલ K1 પ્લેટફોર્મ પર આધારિત હશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાયરોસ EVમાં આપવામાં આવનારા 42kWh અને 51.4kWhના બેટરી પેક આગામી Kia Carens Clavis EV સાથે શેર કરવામાં આવે તેવી અપેક્ષા છે. કંપની આગામી અઠવાડિયામાં આ કારના ફીચર્સ અને કિંમત અંગેની સત્તાવાર માહિતી જાહેર કરશે, પરંતુ શરૂઆતી અહેવાલો મુજબ આ પાવરટ્રેન કારને ખૂબ જ દમદાર બનાવશે.</p><h4 style="text-align: justify; "><b>નાની સાઇઝના કારણે મળશે શાનદાર રેન્જ</b></h4><p style="text-align: justify; ">સાયરોસ EV તેના નાના કદ અને હળવા વજનના કારણે, સમાન બેટરી પેક હોવા છતાં કેરેન્સ ક્લેવિસ EV કરતા વધુ લાંબી રેન્જ આપશે. માહિતગાર કરી દઈએ કે કેરેન્સ ક્લેવિસ EV 42kWhની બેટરી સાથે 404 કિમી અને 51.4kWhની બેટરી સાથે 490 કિમીની ARAI-પ્રમાણિત રેન્જનો દાવો કરે છે. જ્યારે તેનાથી વિપરીત, સાયરોસ EV નાના બેટરી પેક સાથે 443 કિમી સુધીની અને મોટા 51.4kWh બેટરી પેક સાથે 520 કિમી સુધીની શાનદાર રેન્જ પ્રદાન કરશે. જો આ આંકડા સાચા સાબિત થશે, તો તે પોતાની કેટેગરીમાં સૌથી વધુ રેન્જ આપતી ઇલેક્ટ્રિક કાર બની જશે.</p><h5 style="text-align: justify; "><b>લાઇફટાઇમ બેટરી વોરંટીની મોટી યોજના</b></h5><p style="text-align: justify; ">ગ્રાહકોનો ભરોસો જીતવા માટે કિયા ઈન્ડિયા આ કાર સાથે એક ક્રાંતિકારી ઓફર લાવવાની યોજના બનાવી રહી છે. કંપની સાયરોસ EV સાથે 15 વર્ષ અથવા આજીવન (લાઈફટાઈમ) બેટરી વોરંટી આપવાનું વિચારી રહી છે, જે આ સેગમેન્ટમાં અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ અને ગ્રાહકો માટે ફાયદાકારક ઓફર સાબિત થશે.</p><h6 style="text-align: justify; "><b>સ્ટાન્ડર્ડ વોરંટી અને એક્સટેન્શનના વિકલ્પો</b></h6><p style="text-align: justify; ">લાઇફટાઇમ બેટરી વોરંટી સિવાય ગ્રાહકોની સુરક્ષા માટે આ ઇલેક્ટ્રિક SUV પર 3 વર્ષની સ્ટાન્ડર્ડ (સ્ટાન્ડર્ડ) વોરંટી પણ આપવામાં આવશે. એટલું જ નહીં, ગ્રાહકો પાસે આ સ્ટાન્ડર્ડ વોરંટીને વધારીને 7 વર્ષ અથવા 1.6 લાખ કિલોમીટર સુધી લંબાવવાનો (એક્સટેન્ડ કરવાનો) વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે, જે કાર ખરીદનારાઓ માટે ચિંતામુક્ત સવારીની ખાતરી આપશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/automobile" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/ajoFws8ntEg0UHmFZ4NYcP0rRMy0QD7hdOFDU99I.webp'/></item><item><title><![CDATA[Delhi: રાઘવ ચઢ્ઢા બાદ IVPના 16 કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ ગયા ]]></title><link>https://sandesh.com/india/news/16-ivp-councillors-join-bjp-after-raghav-chadha-exit</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/16-ivp-councillors-join-bjp-after-raghav-chadha-exit</guid><pubDate>Fri, 10 Jul 2026 21:19:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાની આગેવાનીમાં સાત સાંસદો ભાજપમાં જોડાયા બાદ દિલ્હીમાં આમ આદમી પાર્ટીથી અલગ થયેલા વધુ એક મોટા જૂથે ભગવો ધારણ કરી લીધો છે.આશરે દોઢ વર્ષ પહેલાં આપમાંથી બગાવત કરીને અલગ થયેલી ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટીના તમામ 16 કોર્પોરેટરો શુક્રવારે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે.દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ હર્ષ મલ્હોત્રાની હાજરીમાં આ વિલીનીકરણ પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.આ સાથે જ દિલ્હી નગર નિગમમાં ભાજપની પકડ વધુ મજબૂત બની ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>MCDમાં ભાજપ બહુમતીથી ઘણું આગળ</b></h2><p style="text-align: justify; ">250 સભ્યોની દિલ્હી નગર નિગમમાં આ 16 કોર્પોરેટરોના આગમન સાથે જ ભાજપના સભ્યોની સંખ્યા વધીને 139 થઈ ગઈ છે.જ્યારે સત્તા ગુમાવ્યા બાદ આમ આદમી પાર્ટી પાસે હવે માત્ર 123 કોર્પોરેટરો જ બચ્યા છે.વર્ષ 2022માં યોજાયેલી એમસીડી ચૂંટણીમાં ભાજપે માત્ર 104 બેઠકો જીતી હતી.પરંતુ સમય જતાં આપમાં ગાબડાં પડતાં ભાજપનું કદ સતત વધતું રહ્યું.આઈવીપીના કોર્પોરેટરોને પક્ષમાં આવકારતા મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે,આ તમામ નેતાઓએ દિલ્હીના વિકાસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.આ એક બહુ સારો સંકેત છે અને હવે તેમના વોર્ડમાં વિકાસ કાર્યો ઝડપી બનશે. શહેરનો વિકાસ એ ભાજપ સરકારની સૌથી મોટી પ્રાથમિકતા છે.</p><h3 style="text-align: justify; "><b>તમામ 16 સભ્યો ભાજપ પરિવારનો ભાગ બન્યા</b></h3><p style="text-align: justify; ">તે જ સમયે ભાજપ પ્રદેશ અધ્યક્ષ હર્ષ મલ્હોત્રાએ માહિતી આપી હતી કે, દોઢ વર્ષ પહેલાં જ્યારે મુકેશ ગોયલ અને હેમચંદ ગોયલની આગેવાનીમાં આપ સરકારના નબળા વહીવટથી કંટાળીને આ જૂથ અલગ પડ્યું હતું ત્યારે IVP ની સ્થાપના થઈ હતી.આજે આ તમામ 16 સભ્યો ભાજપ પરિવારનો ભાગ બન્યા છે.આઈવીપીના પ્રમુખ મુકેશ ગોયલે સ્પષ્ટ કર્યું હતું કે,અમે દોઢ વર્ષ સુધી ભાજપની કાર્યશૈલી જોઈ છે અને અમને સામૂહિક રીતે વિશ્વાસ છે કે સત્તાધારી પક્ષમાં જોડાવાથી અમારા વિસ્તારોનો વિકાસ ઝડપી બનશે.પક્ષમાં કોઈ પદ મેળવવા અંગે કોઈ ચર્ચા થઈ નથી.નિગમમાં જે પણ ભૂમિકા અપાશે તે અમે દિલથી નિભાવીશું.</p><h2 style="text-align: justify; "><b>સેન્ટ્રલ ઝોનની સ્ટેન્ડિંગ કમિટીમાં નામાંકિત થઈ શકે</b></h2><p style="text-align: justify; ">MCDમાં આપ નેતૃત્વ સાથેના મતભેદો બાદ મે 2025માં આ 16 કોર્પોરેટરોએ ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટી નામે અલગ જૂથ બનાવ્યું હતું.આ નેતાઓ એવા સમયે ભાજપમાં જોડાયા છે જ્યારે આગામી વર્ષે જ એમસીડીની ચૂંટણીઓ યોજાવાની છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપમાં જોડાનાર મુકેશ ગોયલને MCDની કોઈ સ્પેશિયલ કમિટીના ચેરમેન બનાવવામાં આવી શકે છે. જ્યારે હેમચંદ ગોયલને સેન્ટ્રલ ઝોનની સ્ટેન્ડિંગ કમિટીમાં નામાંકિત કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે.<br><br><a href="https://sandesh.com/explainer/news/pm-modi-rsquo-s-historic-new-zealand-visit-after-40-years" target="_blank">આ પણ વાંચોઃ Sandesh Digital Explainer: 40 વર્ષ બાદ ભારતના PMનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ, જાણો શું બંને દેશો સંબંધો કેવા છે?</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/xBEwZglSS3eSIPzYlQo9XgfdTowdpiCW9IqG70dv.webp'/></item><item><title><![CDATA[Automobile: નિસાન ઇન્ડિયાએ ગ્લોબલ સ્ટેજ પર રજૂ કરી All-New Nissan Tekton SUV ]]></title><link>https://sandesh.com/business/automobile/news/india/automobile-nissan-india-launches-all-new-nissan-tekton-suv-on-the-global-stage</link><guid isPermaLink="true">https://sandesh.com/business/automobile/news/india/automobile-nissan-india-launches-all-new-nissan-tekton-suv-on-the-global-stage</guid><pubDate>Fri, 10 Jul 2026 20:26:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય ઓટોમોટિવ જગત માટે આજનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે.અગ્રણી કાર નિર્માતા કંપની નિસાન ઇન્ડિયાએ વૈશ્વિક સ્તરે અસાધારણ વિઝન સાથે પોતાની મોસ્ટ અવેટેડ એસયુવી ઓલ-ન્યૂ નિસાન ટેક્ટોનનું ભવ્ય વર્લ્ડ પ્રીમિયર કર્યું છે.આટલા મોટા પાયે આયોજિત થયેલા ગ્લોબલ લોન્ચિંગે ઓટોમોટિવ સેક્ટરમાં શ્રેષ્ઠતા અને લીડરશિપના તમામ જૂના માપદંડો બદલી નાખ્યા છે.આ શાનદાર સિદ્ધિ બદલ નિસાન ઇન્ડિયા પર હાલ ચારેય તરફથી ખૂબજ સમર્થન મળી રહ્યું છે.&nbsp;&nbsp;</p><h2 style="text-align: justify; "><b>એસયુવી સેક્ટરમાં નવા યુગનું આગમન</b></h2><p style="text-align: justify; ">નિસાન ઇન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવેલી આ નવી એસયુવી માત્ર એક વાહન નથી પરંતુ ઓટોમોટિવ એન્જિનિયરિંગનો એક અદ્ભુત નમૂનો છે.કંપનીએ તેને અજોડ અને અદ્ભુત ટેગલાઈન સાથે રજૂ કરી છે.નિસાનની આ પ્રીમિયમ કાર પહેલા જ દિવસથી તમામ સીમાઓને પાર કરીને ગ્લોબલ માર્કેટમાં એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરવા માટે તૈયાર છે.આ એસયુવી પોતાની અદ્યતન ડિઝાઇન અને પાવરફુલ લુકના કારણે ગ્રાહકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહી છે.</p><h2 style="text-align: justify; "><b>નિસાન ઇન્ડિયાની આ અવિશ્વસનીય સિદ્ધિની ઉજવણી</b></h2><p style="text-align: justify; ">ઓટો જગતના નિષ્ણાતો આ લોન્ચિંગને ભારતીય ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી માટે એક ગર્વની ક્ષણ ગણાવી રહ્યા છે.આ કક્ષાની લક્ઝુરિયસ અને પાવરફુલ એસયુવીને વૈશ્વિક મંચ પર લાવવા પાછળ નિસાન ઇન્ડિયાની ટીમે અવિરત ઉત્સાહ અને સમર્પણ દાખવ્યું છે.આ લોન્ચ સાથે જ એસયુવી સેક્ટરમાં પ્રભુત્વ મેળવવા અને અગ્રણી બનવાના અર્થને નિસાને ફરીથી વ્યાખ્યાયિત કર્યો છે.આ ભવ્ય વર્લ્ડ પ્રીમિયર બાદ સમગ્ર ઓટોમોટિવ ઉદ્યોગ અને કાર પ્રેમીઓ ગર્વભેર નિસાન ઇન્ડિયાની આ અવિશ્વસનીય સિદ્ધિની ઉજવણી કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે ભારતીય અને વૈશ્વિક બજારમાં સત્તાવાર એન્ટ્રી બાદ આ ટેક્ટોન એસયુવી અન્ય હરીફ કાર્સને કેટલી મોટી ટક્કર આપે છે.<br><br><a href="https://sandesh.com/explainer/news/extreme-heat-threatens-data-centers-and-tech-companies" target="_blank">આ પણ વાંચોઃ Sandesh Digital Explainer: જાણો ભીષણ ગરમીથી ટેક કંપનીઓનું ટેન્શન કેમ વધ્યું, શું હવે AI ખતરામાં છે</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/3eqfb49j6iEJpnBDaOicaWn4Z8nbSdISO5DPuK6W.webp'/></item><item><title><![CDATA[Jaaved Jaaferi: 41 વર્ષથી બોલીવુડમાં... કેમ A-લિસ્ટ ન બની શક્યા જાવેદ જાફરી? સલમાનનું નામ લઈ કહી મોટી વાત ]]></title><link>https://sandesh.com/entertainment/news/jaaved-jaaferi-on-why-he-never-became-an-a-list-star-in-bollywood</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/jaaved-jaaferi-on-why-he-never-became-an-a-list-star-in-bollywood</guid><pubDate>Fri, 10 Jul 2026 18:49:14 +05:30</pubDate><description><![CDATA[<p>બોલીવુડ અભિનેતા જાવેદ જાફરી ધમાલ 4 સાથે ફરી એકવાર મોટા પડદા પર પાછા ફર્યા છે. આ ફિલ્મ આજે 10 જુલાઈએ રિલીઝ થઈ હતી. જાવેદ એક એવો અભિનેતા છે જે છેલ્લા 41 વર્ષથી બોલીવુડનો ભાગ છે. તેમણે 1985 માં આવેલી ફિલ્મ મેરી જંગ થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, જેમાં તેમણે નેગેટિવ ભૂમિકા ભજવી હતી. વર્ષોથી તેમણે ખલનાયકોથી લઈને હાસ્ય કલાકારો સુધીના વિવિધ પાત્રો ભજવ્યા છે. જોકે, તેઓ ક્યારેય એ-લિસ્ટ સ્ટાર બન્યા નથી. તેમણે હવે આ વિશે ખુલીને વાત કરી છે, તેમણે કહ્યું કે આવું કેમ થયું અને તેમને શા માટે મોટું સ્ટારડમ મળ્યું નહીં.</p><p>સલમાન ખાનનું ઉદાહરણ આપતા, જાવેદ જાફરીએ જણાવ્યું કે સફળતા એ અંતિમ પરિબળ છે. તેમણે કહ્યું કે શરૂઆતમાં લોકોએ સલમાનની પહેલી ફિલ્મ બીવી હો તો ઐસી પછી તેને અવગણ્યો હતો, પરંતુ મૈને પ્યાર કિયા હિટ થયા પછી તેની પાછળ ભાગવા લાગ્યા હતા. જાવેદને લાગે છે કે તેમને ક્યારેય આ પ્રકારની મોટી હિટ મળી નથી. તેમણે કહ્યું કે સફળતા મોટી વસ્તુ છે અને આ સિવાય તેમણે PR ગેમનો પણ ઉલ્લેખ કર્યો.&nbsp;</p><h2><b>"હું કોઈ ગ્રુપનો ભાગ નહોતો" - જાવેદ જાફરી</b></h2><p>એક સવાલમાં જાવેદ જાફરીને પૂછવામાં આવ્યું કે તેઓ ક્યારેય એ-લિસ્ટ સ્ટાર કેમ બન્યા નહીં, ત્યારે જાવેદ જાફરીએ કહ્યું, "મને લાગે છે કે તે તમારી છબી કેવી રીતે બનાવવામાં આવે છે તેના પર પણ આધાર રાખે છે. પીઆર આમાં ભૂમિકા ભજવે છે કારણ કે ઈન્ડસ્ટ્રી પાસે પોતાનું નેટવર્ક છે. કેટલીકવાર, તમારા વિશે નકારાત્મક માહિતી ફેલાય છે, અને તમારે સત્ય જાહેર કરવાની અથવા પોઝિટીવ છબી બનાવવાની જરૂર પડે છે. કેટલાક કિસ્સાઓમાં હું તે કરી શક્યો નહીં. હું કોઈ ચોક્કસ ગ્રુપનો ભાગ પણ નહોતો."&nbsp;</p><h3><b>મને મોટી હિટ ફિલ્મ મળી નથી - જાવેદ જાફરી</b></h3><p>તેણે વધુમાં કહ્યું કે, “જો તમને મોટી હિટ મળે છે, તો કોઈ તમારી સાથે દલીલ કરતું નથી. સફળતાથી મોટું કંઈ નથી. સલમાન ખાન સાથે શું થયું તે જુઓ. તેણે બીવી હો તો ઐસી થી શરૂઆત કરી હતી. લોકોએ તેને અવગણ્યો. પછી મૈંને પ્યાર કિયા આવી, અને અચાનક બધા તેની પાછળ દોડવા લાગ્યા. સલમાન ખાન એ જ વ્યક્તિ હતો; એવું નહોતું કે તે બીવી હો તો ઐસી ની તુલનામાં કંઈક અલગ કરી રહ્યો હતો. પરંતુ તે બધું સફળતાને કારણે થયું. સ્વાભાવિક રીતે, તમે તે સફળતા સાથે આગળ વધો છો. તે દ્રષ્ટિકોણથી મને ખરેખર ક્યારેય આટલી મોટી હિટ ફિલ્મ મળી નથી.”</p><h4><b>જાવેદ જાફરીએ તેની પહેલી ફિલ્મ હિટ થવા વિશે શું કહ્યું?</b></h4><p>જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમની પહેલી ફિલ્મ, મેરી જંગ - જેમાં તેમણે ખલનાયકની ભૂમિકા ભજવી હતી - ખરેખર મોટી હિટ સાબિત થઈ હતી, ત્યારે તેમણે કહ્યું, "મને ખલનાયક તરીકે લોન્ચ કરવામાં આવ્યો હતો. તે સમયે, સુભાષ ઘાઈ સૌથી સફળ દિગ્દર્શક હતા અને એન.એન. સિપ્પી એક ટોચના નિર્માતા હતા. તેથી બધાએ ધાર્યું હતું કે કારણ કે તેઓએ મને ખલનાયક તરીકે કાસ્ટ કર્યો છે, મને સમાન ભૂમિકાઓ મળતી રહેશે. અને મેં મારા તરફથી, ખરેખર મારી જાતને તે રીતે સ્થાન આપ્યું ન હતું. પ્રમાણિકપણે હું તેના વિશે વધુ વિચારતો નથી."</p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/entertainment/news/shreya-kalra-claims-kushal-tandon-cheated-on-shivangi-joshi" target="_blank"><b>શિવાંગીને દગો આપી રહ્યો હતો તેનાથી 13 વર્ષ મોટો કુશલ ટંડન! શ્રેયા કાલરાએ કર્યો દાવો</b></a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/DTuwMbPTyD46d8tyFJAjQxCXvhWbM0t1IcPu6UhN.webp'/></item><item><title><![CDATA[FIFA World 2026 : ક્વાર્ટર ફાઇનલમાં સ્પેન અને બેલ્જિયમ વચ્ચે ટક્કર, જાણો હેડ ટૂ હેડ રેકોર્ડ ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-2026-spain-and-belgium-clash-in-the-quarter-finals-know-the-head-to-head-record</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-2026-spain-and-belgium-clash-in-the-quarter-finals-know-the-head-to-head-record</guid><pubDate>Fri, 10 Jul 2026 16:50:34 +05:30</pubDate><description><![CDATA[<p>FIFA વર્લ્ડ કપ 2026ની પહેલી ક્વાર્ટર ફાઇનલ ખૂબ જ રોમાંચક રહી,જેમાં ફ્રાન્સે મોરોક્કોને 2-0 થી હરાવીને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું.ટુર્નામેન્ટની બીજી ક્વાર્ટર ફાઇનલ,જે એટલી જ રોમાંચક રહેવાની અપેક્ષા છે.તે લોસ એન્જલસ સ્ટેડિયમ ખાતે સ્પેન અને બેલ્જિયમ વચ્ચે રમાશે.બંને ટીમોએ ક્વાર્ટર ફાઇનલ સુધીની એક અદ્ભુત સફર કરી છે, જેમાં અત્યાર સુધી કોઈ પણ ટીમે સ્પેન સામે એક પણ ગોલ કર્યો નથી,જ્યારે બેલ્જિયમે તેમની બધી મેચ જીતી છે.બંને ટીમો વચ્ચેની આ મેચ 12 જુલાઈના રોજ ભારતીય સમય મુજબ રાત્રે 12:30 વાગ્યે રમાશે.</p><h4><b>બેલ્જિયમ સામે અત્યાર સુધી સ્પેનનો હાથ ઉપર&nbsp;</b></h4><p>સ્પેન અને બેલ્જિયમ વચ્ચેના હેડ-ટુ-હેડ રેકોર્ડને ધ્યાનમાં લેતા, સ્પેન સ્પષ્ટપણે ઉપર છે, તેણે 12 મેચ જીતી છે. બીજી બાજુ, બેલ્જિયમે ફક્ત પાંચ મેચ જીતી છે, જ્યારે પાંચ ડ્રો રહી છે. બંને ટીમો વચ્ચે ફિફા વર્લ્ડ કપની ટક્કરની વાત કરીએ તો, આ ફક્ત ત્રીજી વખત છે જ્યારે તેઓ એકબીજા સામે મળ્યા છે. આ પહેલા, 1986ના વર્લ્ડ કપમાં, બેલ્જિયમે પેનલ્ટી શૂટઆઉટમાં સ્પેનને 5-4થી હરાવ્યું હતું, જ્યારે 1990માં સ્પેને 2-1થી જીત મેળવી હતી.</p><h4><b>બધાની નજર લેમિન યામાલ પર રહેશે</b></h4><p>આ મેચમાં, બધાની નજર 18વર્ષીય સ્પેનિશ ખેલાડી લેમિન યામાલ પર રહેશે, જે બેલ્જિયમ માટે નોંધપાત્ર ખતરો ઉભો કરી શકે છે. લેમિન યામાલે અત્યાર સુધી ફક્ત એક જ ગોલ કર્યો છે, પરંતુ તેના આક્રમક રમતથી, બેલ્જિયમ તેને ઓછો આંકી શકે તેમ નથી. આ મેચમાં સ્પેનને ટોચનો હાથ માનવામાં આવે છે, જે મોટાભાગે તેમના ગોલકીપર ઉનાઈ સિમોનનો આભાર છે, જેમણે કોઈપણ વિરોધી ટીમને એક પણ ગોલ કરવા દીધો નથી.</p><h5><b>સેમિફાઇનલમાં કોની સામે થશે ટક્કર?</b></h5><p>ફિફા વર્લ્ડ કપ 2026ની સેમિફાઇનલમાં પહોંચ્યા બાદ હવે ફ્રાન્સનો મુકાબલો સ્પેન અથવા બેલ્જિયમ સામે થશે. આ બંને ટીમો વચ્ચેની ક્વાર્ટર ફાઇનલ મેચ બાદ વિજેતા ટીમ ફ્રાન્સ સામે ટકરાશે. બુધવાર, 15 જુલાઈના રોજ ભારતીય સમયાનુસાર (IST) રાત્રે 12:30 વાગ્યે મેચ રમાશે. ફિફા વર્લ્ડકપમાં પોર્ટુગલ બહાર થતા રોનાલ્ડોને જોવા આતુર તેના ચાહકોમાં ઉત્સાહ ઘટયો છે. છતાં મેસ્સી અને એમ્બાપ્પેની શાનદાર રમત લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. ફ્રાન્સે મોરોક્કોને હરાવીને સેમીફાઈનલની ટીકીટ મેળવી લીધી છે. હવે તેની સામે કઈ ટીમ આવશે સ્પેન -બેલ્જિયમની મેચના આગામી પરિણામો કહેશે.</p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/cricket/fifa-world-cup-2026-france-beats-morocco-2-0-to-enter-semi-finals-mbappe-and-dembele-excel" target="_blank"> FIFA World Cup 2026: મોરોક્કોને 2-0થી હરાવી ફ્રાન્સની સેમિફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી, એમ્બાપ્પે અને ડેમ્બેલેનો કમાલ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/10/dH1FMdh8ARtndBhoT9zFOscZxaRyfc9c1esmlCqd.webp'/></item></channel></rss>