<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Varanasi : 'મુસ્કુરાયે તો નજાકત...' ડાયલોગ સાથે પ્રિયંકા ચોપરાનો 'મંદાકિની' ફર્સ્ટ લુક રિવીલ ]]></title><link>https://sandesh.com/entertainment/news/priyanka-chopra-mandakini-look-varanasi-birthday-first-look</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/priyanka-chopra-mandakini-look-varanasi-birthday-first-look</guid><pubDate>Sat, 18 Jul 2026 13:01:43 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અપકમિંગ ફિલ્મ 'વારાણસી' માં નજરે પડવાની છે. દર્શકો મોટા પડદા પર તેને જોવા માટે બેતાબ છે. ફિલ્મમાં પ્રિયંકા 'મંદાકિની' નો રોલ પ્લે કરી રહી છે. આજે પ્રિયંકા ચોપરા પોતાનો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. આ ખાસ પ્રસંગે મેકર્સે તેની ફિલ્મ વારાણસી માંથી તેનો નવો લુક રિવીલ કરી દીધો છે.</p><h2 style="text-align: justify; "><b>મંદાકિનીનો નવો લુક રિવીલ</b></h2><p style="text-align: justify; ">ડાયરેક્ટર એસએસ રાજામૌલીએ બર્થડેના પ્રસંગે ઇન્સ્ટાગ્રામ પર પ્રિયંકા ચોપરાના નવા લુકની બે તસવીરો શેર કરી છે. પહેલી તસવીરમાં પ્રિયંકા 'મંદાકિની' ના પાત્રમાં અત્યંત દમદાર અને બેબાક અંદાજમાં નજરે આવી રહી છે. ફોટોમાં પ્રિયંકા ચોપરા ઓલ-બ્લેક લુકમાં જોવા મળી રહી છે. તેનો અંદાજ ઘણો દમદાર દેખાઈ રહ્યો છે.<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/Da6zwLXkjBZ/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/Da6zwLXkjBZ/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/Da6zwLXkjBZ/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/Da6zwLXkjBZ/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><p style="text-align: justify; ">બીજી તસવીરમાં પ્રિયંકા ચોપરાનો બિલકુલ અલગ અંદાજ જોવા મળ્યો. તે સ્મિત આપતા જોશથી ભરેલી નજરે આવી રહી છે. આ લુકને શેર કરતા એસએસ રાજામૌલીએ લખ્યું, મુસ્કુરાયે તો નઝાકત, ખામોશ રહે તો આગ.</p><h2 style="text-align: justify; "><b>મહેશ બાબુ સાથે ડાન્સ નંબર</b></h2><p style="text-align: justify; ">રિપોટ્સ અનુસાર, પ્રિયંકા ચોપરા અને મહેશ બાબુ ફિલ્મમાં એક ડાન્સ નંબર કરતા નજરે પડશે. આ પહેલા પ્રિયંકાએ ખુલાસો કર્યો હતો કે તેણે પોતે એસએસ રાજામૌલી પાસે ફિલ્મમાં એક ડાન્સ સિક્વન્સની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેના પછી તેણે મહેશ બાબુ સાથે એક મોટા અને હાઇ-એનર્જી ગીતનું શૂટિંગ પણ કર્યું. ફિલ્મ વારાણસીમાં પ્રિયંકા ચોપરાની સાથે મહેશ બાબુ લીડ રોલમાં રુદ્રના પાત્રમાં દેખાશે. રિપોટ્સ અનુસાર, મહેશ બાબુ ફિલ્મમાં ભગવાન શ્રીરામનું પાત્ર પણ ભજવશે અને રામાયણ યુદ્ધ પર આધારિત અંદાજે 20 મિનિટનો એક સિક્વન્સ ફિલ્મનો મહત્વનો હિસ્સો હશે. મલયાળમ સ્ટાર પૃથ્વીરાજ સુકુમારન ફિલ્મના મુખ્ય વિલન કુંભની ભૂમિકામાં નજરે પડશે.</p><h3 style="text-align: justify; "><b>ક્યારે રિલીઝ થશે ફિલ્મ?</b></h3><p style="text-align: justify; ">વારાણસી એ RRRની સફળતા પછી એસએસ રાજામૌલીની પહેલી ઓરિજિનલ ફીચર ફિલ્મ છે. રિપોટ્સ અનુસાર, આ એક એક્શન-એડવેન્ચર ફિલ્મ હશે. ફિલ્મની વાર્તા કેટલાય મહાદ્વીપોમાં ફરતી નજરે પડશે, જેમાં એન્ટાર્કટિકા, આફ્રિકા અને વારાણસી જેવી જગ્યાઓ પણ મહત્વનો ભાગ હશે. આ ફિલ્મ 7 એપ્રિલ 2027 ના રોજ દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/kbc-18-new-format-amitabh-bachchan" target="_blank">આ પણ વાંચો-Amitabh Bachchan : 'સોચના પડેગા' થીમ સાથે પરત ફર્યા બિગ બી, KBC 18ના નવા ફોર્મેટે બદલ્યો આખો ખેલ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/18/4Nx5XDvOKa1Ea6Dn7flDdApq0Ymg59noL1ZC498w.webp'/></item><item><title><![CDATA[Gold Silver Price Today: 4900 સુધી ઘટ્યા ભાવ, જાણો અઠવાડિયામાં સોના ચાંદીના ભાવમાં કેટલો ફેરફાર ]]></title><link>https://sandesh.com/business/news/gold-silver-price-today-prices-dropped-to-4900-know-how-much-change-in-gold-and-silver-prices-in-a-week</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/gold-silver-price-today-prices-dropped-to-4900-know-how-much-change-in-gold-and-silver-prices-in-a-week</guid><pubDate>Sat, 18 Jul 2026 12:48:12 +05:30</pubDate><description><![CDATA[<p>આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. જેના પરિણામે સોનાના ભાવમાં ₹2,200 થી વધુ અને ચાંદીના ભાવમાં ₹4,900 નો ઘટાડો થયો. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર આ અઠવાડિયે 24 કેરેટ સોનાનો ભાવ ₹2,209 ઘટીને ₹1,41,159 પ્રતિ 10 ગ્રામ થયો જે અગાઉના સ્તર ₹1,43,368 પ્રતિ 10 ગ્રામ હતો. 22 કેરેટ સોનાનો ભાવ ₹1,31,325 પ્રતિ 10 ગ્રામથી ઘટીને ₹1,29,302 પ્રતિ 10 ગ્રામ થયો. જ્યારે 18 કેરેટ સોનાનો ભાવ ₹1,07,526 પ્રતિ 10 ગ્રામથી ઘટીને ₹1,05,869 પ્રતિ 10 ગ્રામ થયો.</p><p><b style="font-size: 2rem;">અઠવાડિયામાં સોના ચાંદીના ભાવમાં શું ફેરફાર ?&nbsp;</b></p><p>આ અઠવાડિયામાં સોનાનો સૌથી ઓછો ભાવ 17 જુલાઈના રોજ સાંજના સત્ર દરમિયાન ₹1,41,159 પ્રતિ 10 ગ્રામ નોંધાયો હતો જ્યારે 13 જુલાઈના રોજ સવારના સત્ર દરમિયાન સૌથી વધુ ભાવ ₹1,42,289 પ્રતિ 10 ગ્રામ હતો.આ દરમિયાન MCX પર, 5 ઓગસ્ટ, 2026 ના રોજ સોનાનો કોન્ટ્રેક્ટ શુક્રવારે ₹1,40,348 પર બંધ થયો જે ₹658 નો વધારો દર્શાવે છે.</p><p><b style="font-size: 1.75rem;">ચાંદીના ભાવમાં ઘટાડો</b></p><p>સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો. ચાંદીનો ભાવ ₹4,917 ઘટીને ₹2,15,474 પ્રતિ કિલોગ્રામ થયો, જે અગાઉના ₹2,20,390 પ્રતિ કિલોગ્રામ હતો.</p><p>આ અઠવાડિયે ચાંદીનો સૌથી વધુ ભાવ 15 જુલાઈના રોજ સવારના સત્ર દરમિયાન ₹2,20,391 પ્રતિ કિલોગ્રામ નોંધાયો હતો, જ્યારે 17 જુલાઈના રોજ સાંજના સત્ર દરમિયાન સૌથી ઓછો ભાવ ₹2,15,474 પ્રતિ કિલોગ્રામ હતો. શુક્રવારે, 4 સપ્ટેમ્બર, 2026 માટે ચાંદીનો કોન્ટ્રેક્ટ MCX પર ₹216,403 પર બંધ થયો જે ₹46 નો વધારો દર્શાવે છે.</p><p><b style="font-size: 1.5rem;">વૈશ્વિક સ્તરે સોના અને ચાંદીના ભાવ</b></p><p>આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાનો ભાવ ઔંસ દીઠ $4,000 ની નજીક પહોંચી ગયો જ્યારે ચાંદીનો ભાવ ઔંસ દીઠ $57 ની નજીક પહોંચી ગયો છે. નિષ્ણાતોના મતે, સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે થયો છે. અમેરિકા ઈરાન પર સતત હુમલા કરી રહ્યું છે, જ્યારે ઈરાન મધ્ય પૂર્વમાં યુએસ બેઝને પણ નિશાન બનાવી રહ્યું છે.</p><p><br></p><h3><b>દેશના મોટા શહેરોમાં સોના ચાંદીના ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)&nbsp;</b></h3><table class="table table-bordered"><tbody><tr><td>શહેર&nbsp;</td><td>24 કેરેટ સોનાની કિંમત ( રૂપિયા/10 ગ્રામ) )</td><td>&nbsp;22 કેરેટ સોનાની કિંમત( રૂપિયા/10 ગ્રામ)</td></tr><tr><td>દિલ્હી</td><td>&nbsp;1,43,440&nbsp;</td><td>1,31,450&nbsp; &nbsp; &nbsp;&nbsp;</td></tr><tr><td>કોલકાતા&nbsp;</td><td>1,43,290&nbsp;</td><td>1,31,350&nbsp;&nbsp;</td></tr><tr><td>ચેન્નઈ&nbsp;</td><td>1,43,290</td><td>&nbsp;1,31,350&nbsp; &nbsp;</td></tr><tr><td>બેંગ્લોર&nbsp;</td><td>1,43,290&nbsp;</td><td>1,31,350&nbsp;&nbsp;</td></tr><tr><td>અમદાવાદ</td><td>&nbsp;1,43,340</td><td>&nbsp;1,31,400&nbsp; &nbsp;&nbsp;</td></tr><tr><td>વડોદરા&nbsp;</td><td>1,43,340&nbsp;</td><td>1,31,400&nbsp; &nbsp;&nbsp;</td></tr></tbody></table><p><br></p><div><a href="https://sandesh.com/astrology/news/bhakti/surya-guru-yuti-2026-mahalakshmi-rajyoga-has-been-formed-the-luck-of-4-zodiac-signs-will-shine-due-to-the-union-of-sun-and-guru" target="_blank">આ પણ વાંચો: Surya Guru Yuti 2026: બન્યો મહાલક્ષ્મી રાજયોગ ! સૂર્ય ગુરુની યુતિથી 4 રાશિની કિસ્મત ચમકશે</a></div><div><br></div> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/JHOHg1mlQKWSZJo3d1waBR7jFXs777mhgIbKTMdv.webp'/></item><item><title><![CDATA[Sonam Wangchuk Health Update: કેવી છે સોનમ વાંગચુકની તબિયત? સફદરજંગ હોસ્પિટલે જણાવ્યું ]]></title><link>https://sandesh.com/india/news/sonam-wangchuk-health-update-how-is-sonam-wangchuks-health-safdarjung-hospital-said</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/sonam-wangchuk-health-update-how-is-sonam-wangchuks-health-safdarjung-hospital-said</guid><pubDate>Sat, 18 Jul 2026 12:09:21 +05:30</pubDate><description><![CDATA[<p>ભૂખ હડતાળના 21મા દિવસે કાર્યકર્તા સોનમ વાંગચુકને સૌપ્રથમ સફદરજંગ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં લાવવામાં આવ્યા હતા. તેમના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી. હોસ્પિટલ વહીવટીતંત્રે મેડિસિન, એન્ડોક્રિનોલોજી, નેફ્રોલોજી અને કાર્ડિયોલોજી વિભાગના ડોકટરોનો સમાવેશ કરીને એક મેડિકલ બોર્ડની રચના કરી છે.</p><h2><b>સોનમ વાંગચુકની કેવી છે તબિયત ?</b>&nbsp;</h2><p> </p><p>હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનમ વાંગચુકનુ બીપી, નાડી, શરીરનું તાપમાન અને શ્વાસોચ્છવાસ સામાન્ય છે. તેમનામાં હાયપોટેન્શન (લો બ્લડ પ્રેશર) અને હાઈપોગ્લાયકેમિઆ (લો બ્લડ સુગર) ના ચિહ્નો દેખાઈ રહ્યા છે જોકે તેમનો ECG સામાન્ય છે. હોસ્પિટલ વહીવટીતંત્ર આજે બપોરે તેમની સ્થિતિ અંગે મેડિકલ બુલેટિન બહાર પાડે તેવી અપેક્ષા છે. તેમને હોસ્પિટલમાં ખાસ સુરક્ષા કવચ હેઠળ રાખવામાં આવ્યા છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2078350866873262356"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><br></p><h3><b>'હળવુ ડિહાઇડ્રેશન છે'</b></h3><p>સફદરજંગ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. ચારુ બામ્બાએ જણાવ્યું હતું કે "સોનમ વાંગચુક સવારે 7:40 વાગ્યે અમારી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. લાંબા ઉપવાસને કારણે તેઓ થોડા નબળા પડી ગયા છે અને હળવા ડિહાઇડ્રેશનથી પીડાઈ રહ્યા છે. આ ઉપરાંત તેમના બધા જ મહત્વપૂર્ણ પરિમાણો સ્થિર છે. તેમનું સતત નિરીક્ષણ અને સારવાર ચાલી રહી છે.</p><p>તેમણે ઉમેર્યું હતું કે તેઓ સંપૂર્ણપણે સભાન અને સ્થિર છે.&nbsp; હોસ્પિટલમાં પહોંચ્યા પછી, શરૂઆતમાં તેમની ઇમરજન્સી મેડિસિન વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને હવે તેમને મેડિસિન વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. "અમે તેમને થોડા સમય માટે નિરીક્ષણ હેઠળ રાખીશું, કારણ કે એવા સંકેતો છે કે ડિહાઇડ્રેશનથી તેમના ઇલેક્ટ્રોલાઇટ સ્તર પર અસર થઈ છે. અમે આનો ઉકેલ લાવીશું અને પછી તેમની સ્થિતિનું ફરીથી મૂલ્યાંકન કરીશું."</p><h4><b>પત્નીએ શું કહ્યું ?&nbsp;</b></h4><p>ક્લાયમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકના પત્ની ગીતાંજલી જે એંગ્મોએ શનિવારે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલના ડોકટરોને વિનંતી કરી હતી કે તેઓ તેમના પતિને તેમના પરિવાર અને 20 દિવસની ભૂખ હડતાળ દરમિયાન તેમના સ્વાસ્થ્યનું નિરીક્ષણ કરી રહેલી તબીબી ટીમની સંમતિ વિના કોઈપણ ન તો મોઢેથી કંઇ આપવામાં આવે કે ન તો નસ દ્વારા આપવામાં આવે.&nbsp;</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2078318730183123068"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h4><b>મારી સંમત્તિ વિના કંઇ આપવુ નહી- સોનમ વાંગચુકના પત્ની</b></h4><p>X પર શેર કરેલી એક પોસ્ટમાં, એંગ્મોએ કહ્યું, "હું દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં છું જ્યાં @Wangchuk66 ને દાખલ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે મારી, પરિવારની અને 20 દિવસથી તેમના સ્વાસ્થ્યનું નિરીક્ષણ કરી રહેલી ડોક્ટરોની સંમતિ વિના મુખેથી અથવા નસમાં કંઇ પણ આપવુ જોઇએ નહીં.  ઉલ્લેખનીય છે કે  શનિવારે સવારે દિલ્હી પોલીસ દ્વારા જંતર-મંતર વિરોધ સ્થળ પરથી વાંગચુકને દૂર કરવામાં આવ્યા બાદ તેમને સફદરજંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા બાદ તેમનું નિવેદન આવ્યું.</p><p><br></p><p><a href="https://sandesh.com/astrology/news/bhakti/surya-guru-yuti-2026-mahalakshmi-rajyoga-has-been-formed-the-luck-of-4-zodiac-signs-will-shine-due-to-the-union-of-sun-and-guru" target="_blank">આ પણ વાંચો: Surya Guru Yuti 2026: બન્યો મહાલક્ષ્મી રાજયોગ ! સૂર્ય ગુરુની યુતિથી 4 રાશિની કિસ્મત ચમકશે</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/18/bDaKE0vNJ25z9CJZeBVsrrAfsEC5sur6mxUit25a.webp'/></item><item><title><![CDATA[Opration Sindoor બાદ સૌથી મોટું સીઝફાયર ઉલ્લંઘન, રાજૌરીમાં મોડી રાતે ફાયરિંગ ]]></title><link>https://sandesh.com/india/news/rajouri-loc-firing--biggest-ceasefire-violation-after-operation-sindoor</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/rajouri-loc-firing--biggest-ceasefire-violation-after-operation-sindoor</guid><pubDate>Sat, 18 Jul 2026 12:05:52 +05:30</pubDate><description><![CDATA[<p>જમ્મુ અને કાશ્મીરમાંથી ફરી એકવાર શંકાસ્પદ ગતિવિધિઓ અને ગોળીબારના અહેવાલો સામે આવ્યા છે. રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા (નિયંત્રણ રેખા) પર શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળ્યા બાદ સેનાના જવાનોએ જોરદાર ગોળીબાર કર્યો. રાજૌરી સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીક તારકુંડી વિસ્તારમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે ગોળીબાર થયો. આ ગોળીબારની આડમાં  પાકિસ્તાની દળોએ આતંકવાદીઓની ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારતીય સૈનિકોએ વળતો જવાબ આપ્યો અને તેમના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. ગોળીબાર લગભગ બે કલાક સુધી ચાલુ રહ્યો હતો.</p><p>મળતી માહિતી અનુસાર અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે રાજૌરીના તારકુંડી ફોરવર્ડ વિસ્તારમાં શુક્રવારે રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ નાના હથિયારોથી ગોળીબાર શરૂ થયો હતો અને લગભગ દોઢ કલાક સુધી ચાલુ રહ્યો. જોકે, કોઈ જાનહાનિ થઈ નથી. ઓપરેશન સિંદૂર પછી આ સીઝફાયર ઉલ્લંઘનની પહેલી મોટી ઘટના હતી.
</p><p>અધિકારીઓએ જણાવ્યું હતું કે સરહદ પર તૈનાત સૈનિકોએ શંકાસ્પદ આતંકવાદી ગતિવિધિઓ જોઈ હતી, જેના કારણે સેનાએ ગોળીબાર શરૂ કર્યો હતો. આનો જવાબ સરહદ પારથી નાના હથિયારોથી ગોળીબાર કરવામાં આવ્યો. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, ગોળીબારનો હેતુ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરવાનો હતો.જોકે,  સતર્ક ભારતીય સૈનિકોએ તેમની ગતિવિધિઓ શોધી કાઢી અને ઝડપથી જવાબી કાર્યવાહી કરીને તેમના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો.
</p><p>અધિકારીઓએ જણાવ્યું કે શનિવારે સવારે કોઈ ઘૂસણખોરો હાજર છે કે નહીં તે નક્કી કરવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સમગ્ર વિસ્તારમાં સુરક્ષા કડક કરવામાં આવી છે, અને સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
</p><h3><b>ગોળીબારથી આ વિસ્તારમાં ભયનો માહોલ
</b></h3><p>ખરેખર, શુક્રવારે રાત્રે 9:50 વાગ્યે પાકિસ્તાની સેનાએ કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો, જે લગભગ બે કલાક સુધી ચાલુ રહ્યો. આખો વિસ્તાર ગોળીબારથી ગુંજી ઉઠ્યો. ભારતીય સૈનિકોએ જડબાતોડ જવાબ આપ્યો અને પાકિસ્તાની તોપોને શાંત કરી દીધી. સુરક્ષા નિષ્ણાતો માને છે કે પાકિસ્તાન પોતાના દેશમાં વધતી જતી અશાંતિ પરથી ધ્યાન હટાવવા માટે નિયંત્રણ રેખા પર ગોળીબાર કરી રહ્યું છે.
</p><h4><b>પીઓકે અને બલુચિસ્તાનમાં ભારે આક્રોશ
</b></h4><p>પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીર (પીઓકે) માં ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, જેમાં લાખો લોકો પાકિસ્તાનથી સ્વતંત્રતાની માંગણી કરી રહ્યા છે. મૂળભૂત સુવિધાઓની માંગણીથી શરૂ થયેલી ઘટના હિંસક બની જ્યારે પાકિસ્તાની સેનાએ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો, જેમાં અનેક લોકો માર્યા ગયા. આ ઘટનાથી ફિલ્ડ માર્શલ જનરલ અસીમ મુનીર અને તેમની સેના સામે વ્યાપક આક્રોશ ફેલાયો છે. બલુચિસ્તાનમાં પણ દબાણ વધી રહ્યું છે. બળવાખોર જૂથ બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) એ તાજેતરમાં એક સૈન્ય કાફલા પર હુમલો કર્યો હતો. બલુચ જૂથો વ્યવસ્થિત ભેદભાવનો આરોપ લગાવી રહ્યા છે અને સ્વતંત્રતાની માંગ કરી રહ્યા છે.
</p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/gallery/news/irctc-new-rule--scan-qr-code-on-train-food-before-eating?1" target="_blank"><b>ટ્રેનનું ખાવાનું વાસી છે કે તાજું? જમતા પહેલા આ રીતે કરો ચેક</b></a>
</p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/18/cV5A1ONSf9zwjqtMe9K7h5S6NgohptAUvFGroTAM.webp'/></item><item><title><![CDATA[Jamnagar: ચાંદીપુરા વાયરસની આશંકાથી જી.જી. હોસ્પિટલમાં 3 માસૂમ બાળકો ગંભીર હાલતમાં દાખલ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/jamnagar/dwarka-chandipura-virus-scare-3-children-admitted-to-gg-hospital</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/jamnagar/dwarka-chandipura-virus-scare-3-children-admitted-to-gg-hospital</guid><pubDate>Sat, 18 Jul 2026 11:47:41 +05:30</pubDate><description><![CDATA[<p>દક્ષિણ અને મધ્ય ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થઈ હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. જામનગરની ગુરુ ગોવિંદસિંઘ (જી.જી.) સરકારી હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં તીવ્ર તાવ, ઉલટી અને મગજના સોજા (એન્સેફાલીટીસ) જેવા ગંભીર લક્ષણો ધરાવતા ત્રણ બાળ દર્દીઓને લાવવામાં આવ્યા છે. આ બાળકોમાં જામનગર ગ્રામ્ય પંથકનો એક 11 મહિનાનો માસૂમ બાળક અને એક 2 વર્ષની બાળકી સામેલ છે, જ્યારે ત્રીજું બાળક પાડોશી જિલ્લા દેવભૂમિ દ્વારકાનું છે જેની ઉંમર 6 વર્ષની છે.</p><h2><b>ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થઈ હોવાની પ્રબળ આશંકા</b></h2><p>બાળકોમાં જોવા મળેલા ક્લિનિકલ લક્ષણો સીધા ચાંદીપુરા વાયરસ તરફ ઈશારો કરતા હોવાથી હોસ્પિટલના બાળરોગ વિભાગ ના વડા અને તબીબોની એક વિશેષ પેનલ દ્વારા તાકીદે ટ્રીટમેન્ટ પ્રોટોકોલ શરૂ કરી દેવામાં આવ્યો છે. જી.જી. હોસ્પિટલના તબીબી અધીક્ષકે જણાવ્યું છે કે, ત્રણેય બાળકોની હાલત હાલ ગંભીર છે અને તેમને ઓક્સિજન તથા સપોર્ટિવ કેર પર રાખવામાં આવ્યા છે. વાયરસની સત્તાવાર પુષ્ટિ કરવા માટે જરૂરી સેમ્પલો એકત્રિત કરીને ખાસ પ્રક્રિયા હેઠળ લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આગામી 24 થી 48 કલાકમાં આવવાની સંભાવના છે.</p><h3><b>ત્રણેય બાળકોની હાલત હાલ ગંભીર</b></h3><p>બીજી તરફ, આ કેસો સામે આવતા જ જામનગર અને દ્વારકા જિલ્લાનું આરોગ્ય તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. જે ગ્રામ્ય વિસ્તારોમાંથી આ બાળકો આવ્યા છે ત્યાં આરોગ્ય વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા તુરંત મુલાકાત લેવામાં આવી છે. આ વાયરસ મુખ્યત્વે કાચા મકાનોની તિરાડોમાં રહેતી 'સેન્ડફ્લાય' કરડવાથી બાળકોમાં ફેલાતો હોવાથી, પ્રભાવિત ગામોમાં માખીઓનો નાશ કરવા માટે મેલાથિયોન પાવડરનું ડસ્ટિંગ (છંટકાવ) કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાઈ છે. આરોગ્ય અધિકારીઓએ લોકોને અપીલ કરી છે કે ઘરમાં સ્વચ્છતા રાખે, બાળકોને આખી બાયના કપડાં પહેરાવે અને જો કોઈ બાળકને અચાનક તીવ્ર તાવ સાથે આંચકી (ખેંચ) આવે તો સમય બગાડ્યા વિના નજીકના આરોગ્ય કેન્દ્ર પર પહોંચે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-ats-busts-jaish-e-mohammed-terror-module-sp-k-siddharth-reveals-details" target="_blank">આ પણ વાંચો: Ahmedabad:  જૈશ-એ-મોહમ્મદના ખતરનાક આતંકી મોડ્યુલ નાકામ, કાશ્મીરથી વડોદરા સુધી ફેલાયેલા તારનો ATSએ કર્યો પર્દાફાશ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/18/C0w0UehQ3MGXMMuMRdGcR0QommrZ1Gxlyq799Edd.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: SG હાઇવે પર આગામી 6 મહિના સુધી ભારે વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/sg-highway-major-traffic-changes-heavy-vehicles-banned-till-january-2027</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/sg-highway-major-traffic-changes-heavy-vehicles-banned-till-january-2027</guid><pubDate>Sat, 18 Jul 2026 09:56:29 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતના સૌથી વ્યસ્ત અને વીઆઈપી ગણાતા અમદાવાદ-ગાંધીનગર એસ.જી. હાઇવે પર મુસાફરી કરતા વાહનચાલકો માટે આગામી ૬ મહિના ભારે કસોટીપૂર્ણ રહેવાના છે. હાઇવે પર નર્મદા કેનાલ ક્રોસિંગ નજીક ટ્રાફિકની ગીચતા ઘટાડવા માટે સરકાર દ્વારા 32 કરોડના ખર્ચે નવો ફોર-લેન (ચાર માર્ગીય) રોડ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. હાલ આ જગ્યાએ ડાયવર્ઝન પ્રોજેક્ટની સિવિલ કામગીરી ખૂબ જ મોટા પાયે ચાલી રહી છે, જેના કારણે રોડની પહોળાઈ કામચલાઉ ધોરણે ઘટી ગઈ છે.</p><h2><b>SG હાઇવે વાહનચાલકો ખાસ નોંધ લે!</b></h2><p>બાંધકામની આ સાઇટ પર તોતિંગ ક્રેન્સ અને જેસીબી મશીનો કાર્યરત હોવાથી સવાર-સાંજ અકસ્માત થવાનો ભારે ભય રહે છે. આ સાથે જ ભારે વાહનોના કારણે કિલોમીટરો લાંબો ટ્રાફિકજામ ન સર્જાય તે માટે ટ્રાફિક પોલીસ અને માર્ગ-મકાન વિભાગે મોટો નિર્ણય લીધો છે. નવા જાહેરનામા અનુસાર, અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલથી લઈને ગાંધીનગરના ચ-૦ સર્કલ સુધીના મુખ્ય હાઇવે પર સવારના 7 થી રાતના 11 વાગ્યા સુધી તમામ ભારે કમર્શિયલ વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ પ્રતિબંધ ૧૫ જાન્યુઆરી, 2027 સુધી એટલે કે આગામી ૬ મહિના સુધી સતત અમલમાં રહેશે.</p><h3><b>2027 સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ</b></h3><p>ભારે વાહનોને સિટીની બહારના રીંગ રોડ પર ડાયવર્ટ કરવા માટેના વૈકલ્પિક રૂટ ફરજિયાત બનાવવામાં આવ્યા છે. જોકે, સ્થાનિક અહેવાલો મુજબ, પ્રતિબંધનો આદેશ લાગુ થઈ ગયો હોવા છતાં, ગ્રાઉન્ડ લેવલ પર હજુ પણ કડક અમલવારીનો મોટો અભાવ જોવા મળી રહ્યો છે. અનેક ભારે ટ્રકો હજુ પણ નો-એન્ટ્રીના સમયે હાઇવે પર ઘૂસી રહી છે, જેને કારણે નાની કાર અને ટુ-વ્હીલર ચાલકો કલાકો સુધી જામમાં ફસાય છે. ટ્રાફિક પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં વૈષ્ણોદેવી સર્કલ પર પોલીસ પોઇન્ટ્સ વધારીને આ નિયમનો ભંગ કરનારા તમામ ટ્રક ચાલકો અને ટ્રાન્સપોર્ટરો સામે આકરી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને વાહનો ડિટેઈન કરવામાં આવશે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/morbi/charadwa-highway-school-bus-accident-8-students-injured-devipur" target="_blank">આ પણ વાંચો: Morbi: ચરાડવાના દેવીપુર પાસે સ્કૂલનો બસનો અકસ્માત, ટ્રકની પાછળ બસ ઘૂસી જતાં 8 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/18/KiKmqH7c78NsR9CNefxAY9lToq3qFPOFa9Y2KbJ1.webp'/></item><item><title><![CDATA[PV Sindhuની જાપાન ઓપનની ફાઈનલમાં એન્ટ્રી, સેમીફાઈનલમાં ચીનની ચેન યુફેઈને હરાવી ]]></title><link>https://sandesh.com/sports/news/pv-sindhu-reaches-japan-open-2026-final-chen-yufei</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/pv-sindhu-reaches-japan-open-2026-final-chen-yufei</guid><pubDate>Sat, 18 Jul 2026 09:30:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ જાપાન ઓપન સુપર-750 બેડમિન્ટન ટુર્નામેન્ટની સેમીફાઈનલમાં ચીની ખેલાડી ચેન યુફેઈ સામે શાનદાર પ્રદર્શન કરીને ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. આ તેના કરિયરમાં પહેલી વાર છે જ્યારે પીવી સિંધુ જાપાન ઓપનની ફાઈનલમાં પહોંચી છે.&nbsp;</p><p style="text-align: justify; ">ચીની ખેલાડી સામેની સેમીફાઈનલ મેચ સિંધુ માટે સરળ ન હતી, કારણ કે તે અગાઉ 5 મેચ હારી ગઈ હતી. પીવી સિંધુએ મેચનો પહેલો સેટ ટૂંકા અંતરથી જીત્યો હતો, અને બીજા સેટમાં 15-10થી આગળ રહીને, યુફેઈને હેમસ્ટ્રિંગ ઈજાને કારણે બીજી ગેમમાં નિવૃત્તિ લેવાની ફરજ પડી હતી. પીવી સિંધુ હવે 19 જુલાઈના રોજ ફાઈનલમાં અકાને યામાગુચી અને કુસુમા વર્દાની વચ્ચે રમાનારી બીજી સેમીફાઈનલના વિજેતા સામે ટકરાશે.</p><h2 style="text-align: justify; "><b>પીવી સિંધુએ પહેલા સેટથી જ લીડ મેળવી</b></h2><p style="text-align: justify; ">જાપાન ઓપન સેમીફાઈનલના પહેલા સેટમાં પીવી સિંધુએ પ્રભુત્વ જમાવ્યું હતું, એક સમયે તેણે 10-5ની લીડ મેળવી હતી. ત્યારબાદ યુફેઈએ વાપસી કરી, પ્રથમ સેટને રોમાંચક સ્પર્ધામાં ફેરવી દીધો, બંને ખેલાડીઓએ એકબીજાને પોઈન્ટ મેળવવાની કોઈ તક નકારી કાઢી. એક સમયે પહેલો સેટ 19-19 પર બરાબરી પર હતો, પરંતુ સિંધુએ આગામી 2 પોઈન્ટ જીતી લીધા, પહેલો સેટ જીતીને 1-0ની લીડ મેળવી.&nbsp;</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/India_AllSports/status/2078311701695652191"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p style="text-align: justify; ">પીવી સિંધુએ બીજા સેટની શરૂઆતથી જ પોતાની ગતિ ચાલુ રાખી, જ્યારે ચીની ખેલાડી ચેન યુફેઈ હેમસ્ટ્રિંગ ઈજાને કારણે ખસી ગઈ ત્યારે 15-10થી આગળ હતી. આ પહેલા પીવી સિંધુને ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન નાઓમી ઓકુહારા સામેની ક્વાર્ટર ફાઈનલ મેચમાં વોકઓવર મળ્યો હતો .</p><h3 style="text-align: justify; "><b>બે વર્ષ પછી ફાઈનલ મેચ રમશે</b></h3><p style="text-align: justify; ">પીવી સિંધુ 2026 માં શાનદાર ફોર્મમાં રહી છે, તેણે વિશ્વ રેન્કિંગમાં નોંધપાત્ર સુધારો થયો છે અને તે 18મા સ્થાનેથી 9મા સ્થાને પહોંચી ગઈ છે. પીવી સિંધુ 2 વર્ષના વિરામ પછી ટુર્નામેન્ટ ફાઈનલમાં રમશે. આ પહેલા તેણે 2024માં સૈયદ મોદી ઈન્ટરનેશનલ ફાઈનલ જીતી હતી.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/ishan-kishan-run-out-abhishek-sharma-stump-mic-video" target="_blank">Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/18/LtU5LfUZmJ67CaCKBEoJEfbKqgGf7kDlNZmUqcBj.webp'/></item><item><title><![CDATA[Morbi: ચરાડવાના દેવીપુર પાસે સ્કૂલનો બસનો અકસ્માત, ટ્રકની પાછળ બસ ઘૂસી જતાં 8 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/news/morbi/charadwa-highway-school-bus-accident-8-students-injured-devipur</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/morbi/charadwa-highway-school-bus-accident-8-students-injured-devipur</guid><pubDate>Sat, 18 Jul 2026 09:21:15 +05:30</pubDate><description><![CDATA[<p>હળવદ તાલુકાના ચરાડવા હાઇવે પર આજે વહેલી સવારે એક મોટી કંપારી છૂટી જાય તેવી દુર્ઘટના ઘટી છે. હળવદની ખાનગી શૈક્ષણિક સંસ્થા 'બ્રિલિયન્ટ સ્કૂલ'ની બસ ચરાડવા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓને બેસાડીને શાળા તરફ જઈ રહી હતી. બસ જ્યારે દેવીપુર ગામના પાટીયા નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક આગળ જઈ રહેલી એક ટ્રકના ચાલકે બ્રેક મારતા અથવા સ્કૂલ બસના ચાલકની બેદરકારીના કારણે બસ પાછળથી ટ્રકમાં જોરદાર ધડાકા સાથે ભટકાઈ હતી.</p><h2><b>હળવદ-ચરાડવા રોડ પર દેવીપુર પાસે અકસ્માત</b></h2><p>ટક્કર એટલી જોરદાર હતી કે સ્કૂલ બસના આગળના ભાગના ફુરચેફુરચા ઉડી ગયા હતા અને વિન્ડશિલ્ડનો કાચ તૂટીને અંદર બેઠેલા બાળકો પર પડ્યો હતો. બસમાં સવાર બાળકો કઈ સમજે તે પહેલાં જ લોહીલુહાણ થઈ ગયા હતા અને હાઇવે પર બાળકોની મરણચીસો ગુંજી ઉઠી હતી. આ અકસ્માત જોઈને આજુબાજુના ખેતરોમાંથી સ્થાનિક ગ્રામજનો અને માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો તાત્કાલિક બાળકોની મદદે દોડી આવ્યા હતા. લોકોએ બસના ઈમરજન્સી દરવાજા અને બારીઓમાંથી બાળકોને એકપછી એક બહાર કાઢ્યા હતા.</p><h3><b>8 માસૂમ વિદ્યાર્થીઓ લોહીલુહાણ</b></h3><p>આ અકસ્માતમાં કુલ 8 વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ઘટનાસ્થળે 108 એમ્બ્યુલન્સની ટીમો દોડી આવી હતી. ઈજાગ્રસ્તો પૈકી 6 બાળકોને તાકીદે નજીકની ચરાડવા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરોની ટીમ તેમની સારવાર કરી રહી છે. જ્યારે અન્ય બે વિદ્યાર્થીઓના માથા અને શરીરના ભાગે વધુ ગંભીર ઈજાઓ હોવાના કારણે તેમને વધુ સારવાર અર્થે મોરબીની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. અકસ્માતના સમાચાર વાયુવેગે પ્રસરતા જ શાળા સંચાલકો અને વાલીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા અને તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. હળવદ પોલીસે ઘટનાની નોંધ લઈ કાનૂની તપાસ શરૂ કરી છે કે અકસ્માત બસ ચાલકની ઓવરસ્પીડના કારણે થયો છે કે અન્ય કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/smc-fines-120-construction-sites-2-35-lakh-for-mosquito-breeding-navkar-heaven" target="_blank">આ પણ વાંચો: Surat: મનપા દ્વારા બાંધકામ સાઇટ્સ પર ચેકિંગ હાથ ધરી મચ્છરોના બ્રીડિંગ મળતા નોટિસ, 2.35 લાખનો દંડ ઝીંકાયો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/18/kParRdkpIblfsYqzrAjlqdNRJ4vwrAuPAxORNgPs.webp'/></item><item><title><![CDATA[Surat: મનપા દ્વારા બાંધકામ સાઇટ્સ પર ચેકિંગ હાથ ધરી મચ્છરોના બ્રીડિંગ મળતા નોટિસ, 2.35 લાખનો દંડ ઝીંકાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/smc-fines-120-construction-sites-2-35-lakh-for-mosquito-breeding-navkar-heaven</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/smc-fines-120-construction-sites-2-35-lakh-for-mosquito-breeding-navkar-heaven</guid><pubDate>Sat, 18 Jul 2026 08:48:36 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત શહેરમાં ચોમાસાની શરૂઆત થતાં જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો માથું ન ઉંચકે તે માટે સુરત મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે. સામાન્ય રીતે કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર પાયા ખોદવાના કારણે અથવા મટીરિયલ મિક્સિંગ માટે રાખવામાં આવતા પાણીના કૂંડા અને ખુલ્લા ખાડાઓમાં લાંબા સમય સુધી પાણી ભરાઈ રહે છે. આ સ્થિર પાણીમાં ડેન્ગ્યુ ફેલાવતા એડીસ ઇજિપ્તી અને મલેરિયાના એનોફિલિસ મચ્છરો ખૂબ જ ઝડપથી ઇંડા મૂકે છે, જે આસપાસના સમગ્ર રહેણાંક વિસ્તારના લોકોના આરોગ્ય માટે જોખમ ઊભું કરે છે.</p><h2><b>સુરત મનપાનો બિલ્ડરો પર મોટો કોરડો</b></h2><p>આ બાબતની ગંભીરતાને સમજી SMC ની મેલેરિયા વિભાગની જુદી-જુદી ટીમોએ કતારગામ, વરાછા, રાંદેર, અને ઉધના સહિતના તમામ ઝોનમાં આવેલી બાંધકામ સાઇટો પર આકસ્મિક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન 120 જેટલા પ્રોજેક્ટ્સ પર મચ્છરોના જીવંત બ્રીડિંગ જોવા મળ્યા હતા, જેને જંતુનાશક દવાઓ છાંટી તુરંત નાશ કરાયો હતો. પ્રશાસને નમૂના લઈ તમામ સાઇટ મેનેજરોને નોટિસ પાઠવી સ્થળ પર જ કુલ 2.35 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો.</p><h3><b>સુરત હેલ્થ ડિપાર્ટમેન્ટની કડક ટાસ્ક ફોર્સ ડ્રાઇવ</b></h3><p>આ ડ્રાઇવમાં સૌથી ગંભીર ક્ષતિ વરાછા-સરથાણા ઝોન હેઠળ આવતી 'નવકાર હેવન' સાઇટ પર જોવા મળી હતી. અહીં ગાઇડલાઇનનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરીને મચ્છરોના ઉત્પત્તિ સ્થાનોને વધવા દેવામાં આવ્યા હતા, જેના કારણે તંત્રએ કડક વલણ અપનાવી બિલ્ડર પાસેથી 22,000 રૂપિયાનો સ્પોટ ફાઇન વસૂલ કર્યો છે. આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે કે, આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. જો કોઈપણ સ્કૂલ, મોલ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ કે બાંધકામ સાઇટ પર મચ્છરોના બ્રીડિંગ મળશે તો દંડની સાથે સીલિંગ સુધ્ધાંની આકરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/godadra-crime-7-arrested-for-vandalism-and-attack-over-horn-dispute" target="_blank">આ પણ વાંચો: Surat:  ગોડાદરામાં હોર્ન મારવા બાબતે આતંક મચાવી વાહનો તોડનારી ગેંગના 7 સાગરીતો હથિયારો સાથે ગિરફ્તાર</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/18/jHQIy9miXB1llsWoJeFiUn0SwV3e62sz09QPTDQL.webp'/></item><item><title><![CDATA[Surat:  ગોડાદરામાં હોર્ન મારવા બાબતે આતંક મચાવી વાહનો તોડનારી ગેંગના 7 સાગરીતો હથિયારો સાથે ગિરફ્તાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/godadra-crime-7-arrested-for-vandalism-and-attack-over-horn-dispute</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/godadra-crime-7-arrested-for-vandalism-and-attack-over-horn-dispute</guid><pubDate>Sat, 18 Jul 2026 08:23:24 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. રસ્તા પરથી પસાર થતી વખતે માત્ર હોર્ન મારવા જેવી તદ્દન નજીવી બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય ઝઘડો જોતજોતામાં લોહિયાળ ખેલમાં ફેરવાઈ ગયો હતો. એક પક્ષના માથાભારે યુવકોએ પોતાના અન્ય સાગરીતોને હથિયારો સાથે ઘટનાસ્થળે બોલાવી લીધા હતા અને સમગ્ર વિસ્તારમાં આતંક મચાવવાનું શરૂ કર્યું હતું.</p><h2><b>સુરતમાં ગુંડાઓનો ખાતમો</b></h2><p>આ આરોપીઓ હાથમાં તલવાર, પાઇપ અને છરા જેવા ઘાતક હથિયારો લઈને ફરિયાદીના ઘર પાસે ધસી આવ્યા હતા અને તેમના પર જીવલેણ હુમલો કરી દીધો હતો. ફરિયાદીને બચાવવા વચ્ચે પડેલા સ્થાનિકોને પણ આરોપીઓએ હથિયારો બતાવીને ડરાવ્યા હતા. એટલું જ નહીં, આસપાસના લોકોમાં ભયનો માહોલ પેદા કરવા માટે રસ્તા પર અને સોસાયટીના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી અનેક મોટરસાયકલ અને ફોર-વ્હીલર વાહનોમાં લાકડીઓ અને હથિયારો વડે બેફામ તોડફોડ કરી મોટું નુકસાન પહોંચાડ્યું હતું. આ ગુંડાગર્દીના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા હતા.</p><h3><b>આતંક મચાવનાર 7 મુખ્ય સાગરીતોને દબોચી લીધા</b></h3><p>ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કમિશનરની સૂચનાથી ગોડાદરા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો તુરંત એક્શનમાં આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક બાતમીદારોના આધારે તપાસના ચક્રો ગતિમાન કરીને આ આતંક મચાવનારી ટોળકીના 7 મુખ્ય સાગરીતોને રાતોરાત દબોચી લીધા છે. પોલીસે તેમની પાસેથી હુમલામાં વપરાયેલા હથિયારો પણ જપ્ત કર્યા છે. સ્થાનિક રહીશોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધે તે માટે પકડાયેલા ગુંડાઓને જેલ ભેગા કરતા પહેલાં કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે અને તેમની સામે આકરા કાનૂની પગલાં ભરવાની તજવીજ હાથ ધરાઈ છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/vadodara/police-transfers-2-acp-7-psi-placed-in-leave-reserve-ahead-of-bypolls" target="_blank">આ પણ વાંચો: Vadodara: પેટાચૂંટણી અગાઉ ચૂંટણી પંચની ગાઇડલાઇન હેઠળ 2 ACP અને 7 PSI ની સાગમટે બદલી</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/18/LenkhkYhWQUzjafDnA9rQEzvgL2LyfdmHXYKKlyK.webp'/></item></channel></rss>