<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Chhotaudepur: નસવાડીના અમરોલી, ગઢબોરિયાદ PHC માં PMSMA કૅમ્પ યોજાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-pmsma-camp-held-at-amroli-gadhboriyad-phc-in-naswadi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-pmsma-camp-held-at-amroli-gadhboriyad-phc-in-naswadi</guid><pubDate>Fri, 10 Jul 2026 04:56:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નસવાડી : કેન્દ્ર સરકારના પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) અંતર્ગત નસવાડી તાલુકાના અમરોલી PHC અને ગઢબોરિયાદ ખાતે વિશેષ સગર્ભા આરોગ્ય કેમ્પ યોજાયા હતા. બંને સ્થળે કેમ્પમાં 100થી વધુ સગર્ભાની નિઃશુલ્ક તપાસ કરાઇ હતી. જેમાં આરોગ્ય વિભાગની ટીમ, તબીબો, CHO અને ANM દ્વારા સગર્ભાઓના હીમોગ્લોબીન, બ્લડ ગ્રુપ, HIV, HBsAg સહિતના જરૂરી બ્લડ ટેસ્ટ કરાયા હતા. ઉપરાંત બ્લડ પ્રેશર, વજન, પેટની તપાસ તેમજ ગર્ભસ્થ શિશુના ધબકારા ચકાસી માતા અને બાળકના આરોગ્યનું મૂલ્યાંકન કરાયું હતું. સગર્ભાઓને સંતુલિત પોષણ, આયર્ન-કેલ્શિયમની ગોળીઓના નિયમિત સેવન, સમયસર પ્રસૂતિ પૂર્વ તપાસ અને પ્રસૂતિના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. કેમ્પ દરમિયાન ઉચ્ચ જોખમ ધરાવતી સગર્ભા મહિલાઓની ઓળખ કરી તેમને વધુ સારવાર અને અનુસરણ માટે રિફ્ર કરાઇ હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/09/hiwi06NJy92XlAutpZ2dG8bL1D7tphw3RCLWwYrP.webp'/></item><item><title><![CDATA[Chhotaudepur: નસવાડીના સાંકળ (ત) ગામે જનસંવાદમાં કલેક્ટરની ઉપસ્થિતિ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur--1-1-1-1-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur--1-1-1-1-1</guid><pubDate>Fri, 10 Jul 2026 04:55:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નસવાડી : આજરોજ સાંકળ (ત) ગામ ખાતે જનસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, નસવાડી મામલતદાર, TDO અને આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. ગ્રામજનોએ પીવાના પાણી, રસ્તા, આવાસ, આરોગ્ય, શિક્ષણને લગતા પ્રશ્નો અંગે રજૂઆતો રજૂ કરી હતી. કલેક્ટરે સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. સાથે જ દરેક પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે વહીવટીતંત્ર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. જે બાદ કલેક્ટરે ગામની મુલાકાત લઈને વિવિધ વિકાસકાર્યોની સ્થળ પર સમીક્ષા કરી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/09/1cdlk7FKt9s6TDQnWjuPGc3A5pqmSF6zB4Hw0aht.webp'/></item><item><title><![CDATA[Vadodara: વાઘોડિયાની શાળામાં બાળકોને હાઇજીન કિટ-ટિફિન બોક્સ વિતરણ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-hygiene-kits-and-tiffin-boxes-distributed-to-children-in-a-school-in-vaghodia</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-hygiene-kits-and-tiffin-boxes-distributed-to-children-in-a-school-in-vaghodia</guid><pubDate>Fri, 10 Jul 2026 04:53:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વાઘોડિયા : વાઘોડિયા ગેલ ઇન્ડિયાના જનરલ મેનેજર બલરામ ડાભીના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે ગુરુવારે વાઘોડિયાની એકલવ્ય મોડેલ રેસીડેન્સી શાળા ખાતે વિદ્યાર્થીઓમાં વ્યક્તિગત સ્વચ્છતા અને સ્વસ્થ જીવનશૈલી અંગે જાગૃતિ લાવવા માટે હાઈજીન કિટ અને ટિફ્નિ બોક્સનું ગેલ કંપનીના જનરલ મેનેજર આશિષ ગુપ્તા તથા સિનિયર ઓફ્સિર એચ આર સૌરભ ગાયકવાડ દ્વારા 300થી વધુ બાળકોને હાયજીન કિટ અને ટિફ્નિ બોક્સનું વિતરણ કરાયું હતું.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/09/QCLbDDGDc4ZDRNtBUWKT0oZyIvfXe4qLlk2s2Uww.webp'/></item><item><title><![CDATA[Vadodara: શિનોરના તાલુકાના અવાખલ ગામે ગાંડાબાવળના વૃક્ષોની હરાજી મોકૂફા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara--1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1-1</guid><pubDate>Fri, 10 Jul 2026 04:51:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">શિનોર તાલુકાના અવાખલ ગામે ગ્રામ પંચાયતની હદમાં નમી ગયેલા અને પડી ગયેલા ગાંડા બાવળના વૃક્ષોના લાકડાની હરાજીનું આયોજન કરાયું હતું. પરંતુ હાલમાં ચોમાસુ હોવાથી વૃક્ષો કાપવા તેમજ લાકડાનો ઉપાડ કરવો શક્ય ન હોવાનું હરાજીમાં ભાગ લેનાર વેપારીઓ દ્વારા રજૂઆત કરાતાં અવાખલ ગ્રામ પંચાયત દ્વારા લાકડાની હરાજી હાલ પૂરતી સ્થગિત રાખવાનો નિર્ણય કરાયો હતો.</p><p style="text-align: justify; ">અવાખલ ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં નમી ગયેલા અને પડી ગયેલા 45 નંગ ગાડા બાવળના વૃક્ષોના લાકડાની રૂા.1,10,510 અપસેટ વેલ્યુ નક્કી કરી તા. 9 જુલાઈ-26ને ગુરુવારના રોજ અવાખલ ગ્રામ પંચાયત કચેરી ખાતે સવારે 11 કલાકે સરપંચ, ઉપસરપંચ ગ્રામ પંચાયતના સભ્ય અને તલાટી કમ મંત્રીની ઉપસ્થિતિમાં જાહેર હરાજીનું આયોજન કરાયું હતું. જેમાં લગભગ 28 જેટલા વેપારીએ ભાગ લીધો હતો. જો કે હરાજીમાં ભાગ લેનાર વેપારીઓએ રજૂઆત કરી હતી કે, હાલમાં ચોમાસુ હોવાથી વૃક્ષો કાપવા તેમજ લાકડાનો ઉપાડ કરવો શકય નથી. વેપારીઓની રજૂઆત ને ધ્યાનમાં રાખીને અવાખલ ગ્રામ પંચાયત દ્વારા લાકડાની હરાજી હાલ પૂરતી સ્થગિત રાખવાનો નિર્ણય કરાયો હતો. જે અંગે અવાખલ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ જણાવ્યું હતું કે હાલ હરાજી સ્થગિત રાખવામાં આવી છે. આગામી સમયમાં મામલતદારની મંજૂરી મેળવ્યા બાદ નવી તારીખ નક્કી કરીને ફરીથી હરાજીનું આયોજન કરાશે. જો કે સમગ્ર મામલે એક મહત્વનો સવાલ પણ ઉભો થયો છે. જ્યારે ચોમાસા દરમિયાન વૃક્ષોની કાપણી અને લાકડાનો ઉપાડ મુશ્કેલ બને છે તે બાબત સૌ કોઈ જાણે છે, ત્યારે આ પરિસ્થિતિમાં ગ્રામ પંચાયત દ્વારા હરાજીનું આયોજન કેમ કરાયું ? તે અંગે સ્થાનિકોમાં ચર્ચા સાથે અનેક સવાલો ઉઠી રહ્યાં છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/09/NTXqvLZcsEYHyd1FalIOdJUFF8hQE7dFL62CnLrq.webp'/></item><item><title><![CDATA[Vadodara: પાદરા પાલિકાની સભામાં 85 ઠરાવ બહુમતીથી મંજૂર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-85-resolutions-approved-by-majority-in-the-padra-municipal-council-meeting</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-85-resolutions-approved-by-majority-in-the-padra-municipal-council-meeting</guid><pubDate>Fri, 10 Jul 2026 04:50:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પાદરા નગરપાલિકાની સામાન્ય સભામાં વિવિધ વિકાસલક્ષી અને લોકઉપયોગી ઠરાવો બહુમતીથી મંજૂર કરવામાં આવ્યા. પાદરા નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ દીપેશ પંચાલ, ઉપપ્રમુખ ઇલાબેન જોશી તથા કારોબારી સમિતિના ચેરમેન સંતોષભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી.બેઠકમાં એજન્ડાના 61 તથા પુરવણી એજન્ડાના 24 મળી કુલ 85 ઠરાવોને બહુમતીથી મંજૂરી આપવામાં આવી હતી. જે નગરના વિકાસને વેગ આપશે. સભાની શરૂઆતમાં એક વર્ષ પૂર્વે બનેલી ગંભીરા પુલ દુર્ઘટનામાં અકાળે મૃત્યુ પામેલ 22 નિર્દોષ લોકોને બે મિનિટનું મૌન પાળીને શ્રાદ્ધાંજલિ અર્પણ કરાઇ હતી. ત્યારબાદ સભાની કાર્યવાહી આગળ વધારતા વિવિધ લોકઉપયોગી નિર્ણયો લેવાયા હતા. જેમાં મિલકત નામફેર માટે આવેલી 17 અરજી અને ઝૂંપડા વીજળીકરણ યોજના અંતર્ગત ગરીબ પરિવારો માટેની 240 અરજીને ત્વરિત મંજૂરી અપાઇ હતી. નગરની સફાઈ અને સુશોભન અંગે પણ મહત્વના નિર્ણયો લેવાયા હતા. આગામી ગણેશ મહોત્સવ દરમિયાન મૂર્તિ વિસર્જનની સુવિધા માટે અંબાજી તળાવની સફાઈની કામગીરી કોન્ટ્રાક્ટરને સોંપવાનું નક્કી કરાયું હતું. ઉપરાંત, રામેશ્વર તળાવ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ બ્યુટીફ્કિેશનના કામો તેમજ શહેરના મધ્યભાગમાં શંકરદાનજીની પ્રતિમા સ્થાપવા માટે મંજૂરી અપાઈ હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/09/TUc98ukdNqeIDOfU0WgF5AHJWnREBZim37DUfJ9q.webp'/></item><item><title><![CDATA[Delhi : ઘૂસણખોરી, ડ્રગ્સ અને ડ્રોન ખતરાને રોકવા સરકારનો મોટો એક્શન પ્લાન, અમિત શાહે સરહદી જિલ્લાઓના SP સાથે યોજી બેઠક ]]></title><link>https://sandesh.com/india/news/amit-shah-border-security-meeting-sps-action-plan-infiltration-drugs-drones-delhi</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/amit-shah-border-security-meeting-sps-action-plan-infiltration-drugs-drones-delhi</guid><pubDate>Thu, 09 Jul 2026 23:37:12 +05:30</pubDate><description><![CDATA[<p>કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં આયોજિત લેન્ડ બોર્ડર ડિસ્ટ્રિક્ટ્સના પોલીસ અધિક્ષકોના કોન્ફરન્સ-2026ને સંબોધતા દેશની સરહદ સુરક્ષાને વધુ મજબૂત અને આધુનિક બનાવવાનો સરકારનો સંકલ્પ વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે મોદી સરકાર સરહદ સુરક્ષાને વધુ અસરકારક બનાવવા માટે સતત પગલાં લઈ રહી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/AmitShah/status/2075271427088069092"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>ગૃહમંત્રીએ વસ્તી વિષયક પરિવર્તન પર ચિંતા વ્યક્ત કરી</b></h2><p>અમિત શાહે કહ્યું કે આ પરિષદે સરહદ સુરક્ષાને લઈને વ્યાપક અને સંકલિત અભિગમને સંસ્થાગત સ્વરૂપ આપ્યું છે. અગાઉની અલગ-અલગ આઉટપોસ્ટ આધારિત વ્યવસ્થાને હવે એકીકૃત સુરક્ષા ગ્રીડમાં પરિવર્તિત કરવામાં આવી રહી છે, જેના કારણે સુરક્ષા વ્યવસ્થા માત્ર પ્રતિક્રિયાત્મક નહીં પરંતુ પૂર્વસજ્જ અને સક્રિય બની રહી છે.</p><p>ગૃહમંત્રીએ સરહદી વિસ્તારોમાં થઈ રહેલા અસામાન્ય જનસાંખ્યિક ફેરફારો અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે અધિકારીઓને સૂચના આપી કે આવા ફેરફારોની માહિતી તળિયાના સ્તરથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધી ઝડપથી પહોંચાડવામાં આવે. તેમના જણાવ્યા મુજબ, આવા પરિવર્તનોનું મુખ્ય કારણ ઘૂસણખોરી છે અને સરકાર તેને કડકાઈથી અટકાવશે.</p><h3><b>ભારત-મ્યાનમાર સરહદ પર 1,610 કિલોમીટર લાંબી ફેન્સિંગનું કામ શરૂ</b></h3><p>અમિત શાહે જણાવ્યું કે ભારત-મ્યાનમાર સરહદ પર 1,610 કિલોમીટર લાંબી ફેન્સિંગનું કામ આશરે ₹31,000 કરોડના ખર્ચે હાથ ધરાયું છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ ઘૂસણખોરી, પ્રોક્સી વોર, નશીલા પદાર્થોની હેરાફેરી, ડ્રોન અને સાયબર ખતરાઓ તેમજ કટ્ટરપંથી પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે કાબૂમાં લેવાનો છે.</p><p>તેમણે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામનો ઉલ્લેખ કરતાં કહ્યું કે સરહદ પર આવેલા અંતિમ ગામને વિકાસની દૃષ્ટિએ પ્રથમ ગામ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સ્થળાંતર અટકાવવું અને તમામ કલ્યાણકારી યોજનાઓનો 100 ટકા લાભ સરહદી વિસ્તારો સુધી પહોંચાડવાનો સરકારનો સંકલ્પ હોવાનું તેમણે જણાવ્યું. સાથે જ આગામી ત્રણ વર્ષમાં નશીલા પદાર્થોના દૂષણ સામે નિર્ણાયક જીત મેળવવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો.</p><p><b><a href="https://sandesh.com/india/news/wildlife-smuggling-racket-busted-in-maharashtra-and-west-bengal" target="_blank">આ પણ વાંચો : India News: CBI અને DRIના મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં દરોડા, વન્યજીવોની તસ્કરીનો પર્દાફાશ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/09/Pzg9PyZv70dBysCeV7JCPkEIbzyTb42iZ7uuSCOP.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026માં ગોલ્ડન બૂટ માટેની રેસ બની રોમાંચક, મેસ્સીને મળી રહી છે જોરદાર ટક્કર ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-golden-boot-race</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-golden-boot-race</guid><pubDate>Thu, 09 Jul 2026 21:31:18 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">FIFA વર્લ્ડકપ 2026માં જ્યાં 64 ટીમો કપ જીતવા માટે સ્પર્ધા કરી હતી, ત્યાં ફક્ત 8 ટીમો બાકી છે, અને 56 ટીમોની સફર સમાપ્ત થઈ ગઈ છે. વર્લ્ડકપનો ક્વાર્ટર-ફાઈનલ તબક્કો 10 જુલાઈથી શરૂ થશે.&nbsp;</p><p style="text-align: justify; ">ફેન્સ પણ ગોલ્ડન બૂટ કોણ જીતશે તે જોવા માટે ઉત્સુક છે. હાલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસ્સી રેસમાં આગળ છે, પરંતુ તેમને કાયલિયન એમબાપ્પે અને એર્લિંગ હાલેન્ડ તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. ગોલ્ડન બૂટ સૌથી વધુ ગોલ કરનાર ખેલાડીને આપવામાં આવે છે, જ્યારે બીજા અને ત્રીજા સ્થાને રહેલા ખેલાડીઓને સિલ્વર અને બ્રોન્ઝ બૂટ મળે છે.</p><h2 style="text-align: justify; "><b>મેસ્સીએ અત્યાર સુધીમાં 8 ગોલ કર્યા</b></h2><p style="text-align: justify; ">આર્જેન્ટિનાએ રાઉન્ડ ઓફ 16 માં શાનદાર પ્રદર્શન કર્યું છે , જેમાં ઈજિપ્ત સામેની તેમની પાછલી મેચમાં 2-0થી પાછળ રહીને અંતિમ ક્ષણોમાં શાનદાર વાપસી કરી 3-2 થી જીત મેળવી અને ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું. લિયોનેલ મેસ્સીનો ગોલ, તેનો ત્રીજો ગોલ, આર્જેન્ટિનાની જીતમાં મહત્વપૂર્ણ સાબિત થયો.&nbsp;</p><p style="text-align: justify; ">આ સાથે તેને ટુર્નામેન્ટના ગોલ્ડન બૂટ માટેની રેસમાં ફરીથી લીડ મેળવી લીધી છે. મેસ્સીએ અત્યાર સુધીમાં 8 ગોલ કર્યા છે, ત્યારબાદ કાયલિયન એમબાપ્પે 7 ગોલ અને 2 આસિસ્ટ સાથે બીજા નંબરે છે. નોર્વેનો એર્લિંગ હાલેન્ડ ત્રીજા નંબરે છે, બંનેએ 7-7 ગોલ કર્યા છે. ક્વાર્ટર ફાઈનલમાં જ્યારે ત્રણેય ખેલાડીઓ તેમની ટીમોને સેમીફાઈનલમાં પહોંચવામાં મદદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, ત્યારે તેઓ ગોલ કરવા અને રેસમાં રહેવા માટે પણ પ્રયત્નશીલ રહેશે.</p><h3 style="text-align: justify; "><b>મેસ્સી હજુ સુધી ગોલ્ડન બૂટ જીતી શક્યો નથી</b></h3><p style="text-align: justify; ">ફૂટબોલની દુનિયાના મહાન ખેલાડીઓમાંના એક ગણાતા લિયોનેલ મેસ્સીએ હજુ સુધી ગોલ્ડન બૂટ જીત્યો નથી. 2022 માં થયેલા છેલ્લા વર્લ્ડકપમાં મેસ્સીએ 7 ગોલ કર્યા હતા અને બીજા સ્થાને રહ્યા હતા. આ દરમિયાન કાયલિયન એમબાપ્પે 8 ગોલ સાથે ગોલ્ડન બૂટ જીત્યો હતો. તેથી આ વર્ષે લિયોનેલ મેસ્સી પાસે આ એવોર્ડ જીતવાની સારી તક છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/ishan-kishan-run-out-abhishek-sharma-stump-mic-video" target="_blank">Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/09/SOYuFLQLZf89qeuEbKFhbqf2QnrgwNyDjELxKrBk.webp'/></item><item><title><![CDATA[India News: CBI અને DRIના મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં દરોડા, વન્યજીવોની તસ્કરીનો પર્દાફાશ ]]></title><link>https://sandesh.com/india/news/wildlife-smuggling-racket-busted-in-maharashtra-and-west-bengal</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/wildlife-smuggling-racket-busted-in-maharashtra-and-west-bengal</guid><pubDate>Thu, 09 Jul 2026 21:05:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા હાથ ધરવામાં આવેલા એક સંયુક્ત ઓપરેશનમાં વન્યજીવોની ગેરકાયદેસર તસ્કરી કરતા એક મોટા આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.ગુપ્ત બાતમીના આધારે મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળના વિવિધ વિસ્તારોમાં એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા.આ સફળ ઓપરેશન દરમિયાન મહારાષ્ટ્રમાંથી 3 અને કોલકાતામાંથી 3 એમ કુલ મળીને 6 વન્યજીવ તસ્કરોની ધરપકડ કરવામાં આવી છે. જેઓ દેશના અલગ-અલગ ભાગોમાંથી આ દુર્લભ જીવોને લાવીને તેનો ગેરકાયદેસર વેપાર કરતા હતા.</p><h2 style="text-align: justify; "><b>દુર્લભ વન્યજીવોને જીવતા બચાવી લીધા</b></h2><p style="text-align: justify; ">આ સઘન દરોડા દરમિયાન અધિકારીઓએ તસ્કરોના ચુંગાલમાંથી મોટી સંખ્યામાં સુરક્ષિત અને દુર્લભ વન્યજીવોને જીવતા બચાવી લીધા છે.બચાવવામાં આવેલા જીવોમાં 15 સ્લો લોરિસ (Slow Loris), 2 બિન્તુરોંગ (Binturong), 28 સ્ટાર કાચબા, 6 ઇજિપ્તિયન ગીધ અને 2 શિકરા પક્ષીઓનો સમાવેશ થાય છે.આ તમામ પ્રજાતિઓ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ (Wildlife Protection Act) હેઠળ અત્યંત સુરક્ષિત શ્રેણીમાં આવે છે જેમના ગેરકાયદેસર શિકાર અને વેપાર પર કડક પ્રતિબંધ છે.</p><h3 style="text-align: justify; "><b>વન્યજીવ નિષ્ણાતોની દેખરેખ હેઠળ તેમની કાળજી રખાશે</b></h3><p style="text-align: justify; ">CBI અને DRIની ટીમો દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવેલા આ તમામ 53 વન્યજીવો અને પક્ષીઓને તાત્કાલિક સુરક્ષિત આશ્રય આપવા માટે વન વિભાગને સોંપવામાં આવ્યા છે.વન્યજીવોને તેમની ભૌગોલિક સ્થિતિ અને અનુકૂળતા મુજબ સંબંધિત મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળના વન વિભાગના હવાલે કરવામાં આવ્યા છે, જ્યાં વન્યજીવ નિષ્ણાતોની દેખરેખ હેઠળ તેમની કાળજી રાખવામાં આવશે. આ સંયુક્ત કામગીરીથી વન્યજીવોની તસ્કરી કરતા નેટવર્કને મોટો ફટકો પડ્યો છે.</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/weather/news/gujarat/surat/monsoon-2026-surat-dindoli-khadi-flood-3-dead-parvat-patiya-godadara-waterlogging-updates" target="_blank">આ પણ વાંચોઃ Monsoon 2026 : સુરતમાં ખાડી પૂરનો પ્રકોપ, ડૂબી જવાથી 3 ના મોત, 2 દિવસથી અનેક વિસ્તારો સંપર્ક વિહોણા છતાં તંત્ર ગાયબ, Video</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/09/UbaW7Q83ijFJjgwXvhhh8nR1u19G82lfjazmmYOw.webp'/></item><item><title><![CDATA[TCS Q1 Results : કંપનીને થયો 13,000 કરોડથી વધુનો નફો, રોકાણકારો માટે ડિવિડન્ડની કરી જાહેરાત ]]></title><link>https://sandesh.com/business/news/tcs-q1-results-profit-13349-crore-12-rupees-interim-dividend</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/tcs-q1-results-profit-13349-crore-12-rupees-interim-dividend</guid><pubDate>Thu, 09 Jul 2026 17:57:18 +05:30</pubDate><description><![CDATA[<p>ટાટા ગ્રુપની અગ્રણી આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)એ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ સારા નાણાકીય પરિણામો સાથે શેરધારકો માટે પ્રતિ ઈક્વિટી શેર ₹12ના અંતરિમ ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે.</p><h2><b>કંપનીની આવકમાં પણ નોંધપાત્ર વધારો</b></h2><p>કંપની દ્વારા શેરબજારને આપવામાં આવેલી માહિતી મુજબ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 30 જૂન, 2026ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળાના ઓડિટેડ સ્ટેન્ડઅલોન અને કન્સોલિડેટેડ નાણાકીય પરિણામોને મંજૂરી આપી છે. TCSનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 4.62 ટકા વધીને ₹13,349 કરોડ રહ્યો છે. ગયા વર્ષે સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીનો નફો ₹12,760 કરોડ હતો. બીજી તરફ કંપનીની આવકમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે. પ્રથમ ત્રિમાસિક દરમિયાન કંપનીની આવક 13.93 ટકા વધીને ₹72,275 કરોડ થઈ છે, જે ગયા વર્ષે ₹63,437 કરોડ હતી.</p><h3><b>અંતરિમ ડિવિડન્ડ  માટે કઈ છે રેકોર્ડ ડેટ?</b></h3><p>કંપનીના આ પરિણામો વૈશ્વિક પડકારો વચ્ચે પણ આઈટી ક્ષેત્રની મજબૂત સ્થિતિ દર્શાવે છે. આવક અને નફામાં થયેલો વધારો રોકાણકારો માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે. TCSએ અંતરિમ ડિવિડન્ડ માટે 15 જુલાઈ, 2026ને રેકોર્ડ ડેટ જાહેર કરી છે. આ તારીખ સુધી કંપનીના શેર ધરાવતા રોકાણકારોને 31 જુલાઈ, 2026ના રોજ ડિવિડન્ડની ચુકવણી કરવામાં આવશે.</p><p>શેરબજારમાં ગુરુવારે TCSનો શેર નજીવા વધારા સાથે ₹2,059 પર બંધ થયો હતો. જોકે, ચાલુ વર્ષ દરમિયાન કંપનીના શેરમાં આશરે 36 ટકાનો ઘટાડો નોંધાયો છે. છેલ્લા એક વર્ષમાં શેર લગભગ 40 ટકા ઘટ્યો છે, જ્યારે પાંચ વર્ષના ગાળામાં પણ શેરે રોકાણકારોને અંદાજે 35 ટકા નકારાત્મક વળતર આપ્યું છે.</p><p><b><a href="https://sandesh.com/business/news/sebi-changes-fpi-fvci-registration-fee-rules-rupee-payment" target="_blank">આ પણ વાંચો : SEBIએ વિદેશી રોકાણકારો માટે નિયમમાં કર્યો ફેરફાર, હવે રજિસ્ટ્રેશન ફી ડોલરમાં નહીં પણ રૂપિયામાં ચૂકવવી પડશે</a></b></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/09/lVzW1VMFPRim2VkkK22rw3Xs7hoqYf7dPoOleBmF.webp'/></item><item><title><![CDATA[શિલ્પા શિંદેના જુઠ્ઠાણા પર ભડકી હિના ખાન, કહ્યું- જો તે Bigg Bossમાં આવું બોલતી તો... ]]></title><link>https://sandesh.com/entertainment/news/hina-khan-furious-over-shilpa-shindes-lies-said-if-she-had-said-this-in-bigg-boss</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/hina-khan-furious-over-shilpa-shindes-lies-said-if-she-had-said-this-in-bigg-boss</guid><pubDate>Thu, 09 Jul 2026 15:58:53 +05:30</pubDate><description><![CDATA[<p>લોકપ્રિય ટીવી અભિનેત્રી શિલ્પા શિંદેએ તાજેતરમાં એક એવો ખુલાસો કર્યો છે જેની સોશિયલ મીડિયા પર લોકોએ આકરી ટીકા કરી છે. કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા દ્વારા આયોજિત પોડકાસ્ટ પર બોલતા શિલ્પાએ કહ્યું કે તેણે ભાભીજી ઘર પર હૈ શોના નિર્માતા સંજય કોહલી પર જાતીય સતામણીના ખોટા આરોપો લગાવ્યા છે. હિના ખાને અગાઉ ઘણી વખત આ સમગ્ર વિવાદ અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.</p><p><br></p><h2><b>હિના ખાને શિલ્પા શિંદે પર સાધ્યું નિશાન&nbsp;</b></h2><p>હવે, હિના ખાને ફરી એકવાર શિલ્પા શિંદે પર પ્રહાર કર્યા છે. તેણે અભિનેત્રી દ્વારા કહેવામાં આવેલા આ જુઠ્ઠાણાને લઈને આકરા પ્રહારો કર્યા છે. હિના તાજેતરમાં રૂબીના દિલૈકના પોડકાસ્ટ પર તેના પાર્ટનર રોકી જયસ્વાલ સાથે જોવા મળી હતી. જ્યાં તેણે શિલ્પા શિંદે પર નિશાન સાધ્યું હતું. રોકીએ કોમેન્ટ કરતા કહ્યું હતું કે, "જે કરન્સી બની છેને, તે છે કોન્ટ્રોવર્સી."</p><p><br></p><h3><b>મેકર્સે મારી જીંદગી ખરાબ કરી</b></h3><p>આ પછી હિનાએ તેની ભૂતપૂર્વ બિગ બોસ સહ-સ્પર્ધક શિલ્પા પર નિશાન સાધતા કહ્યું, "તેણે આ બધું બિગ બોસ પર કહ્યું - 'મારી સાથે આવું થયું,' 'મારી સાથે અન્યાય થયો,' 'મારું બધું બરબાદ થઈ ગયું,' 'નિર્માતાઓએ મારું જીવન બરબાદ કરી દીધું' - શું તેણે એક વાર પણ કહ્યું કે સતામણીના બદલામાં તેણે પ્રોડ્યુસર વિરુદ્ધ કેસ દાખલ કર્યો? કારણ કે તે જાણતી હતી કે જો તેઆવું કહ્યું, તો તે ક્યારેય જીતી શકશે નહીં."</p><p><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DaiCRATtMF7/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DaiCRATtMF7/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a></p><p><br></p><h4><b>ગૌરવ ખન્ના અને આકાંક્ષા ચમોલાના સંબંધો પર ઉઠાવ્યા સવાલ</b></h4><p>પોડકાસ્ટ દરમિયાન રૂબીના દિલૈકે ગૌરવ ખન્ના અને આકાંક્ષા ચમોલા વચ્ચેના સંબંધો અંગે પ્રશ્નો ઉઠાવ્યા. રૂબીનાએ કહ્યું, "લોકો 'સારા પતિ' અથવા 'સારી પત્ની' હોવાનો ઢોંગ કરે છે. 'સારા પતિ' વિશે - અમે એક વાર કેમેરાની બહાર કંઈક સાંભળ્યું હતું; જ્યારે પૂછવામાં આવ્યું કે, 'તમે તમારી પત્નીને સાથે કેમ નથી લઈ જતા?', ત્યારે તેમણે જવાબ આપ્યો, 'હું રૂબીના અને અભિનવની જેમ મારા લગ્નની મજાક ઉડાવવા માંગતો નથી.'</p><p><br></p><h5><b>તમે બસ દેખાડો કરી રહ્યા છો</b></h5><p>આ પછી હિના ખાને કહ્યું, "જો તેઓ એક વર્ષથી અલગ રહી રહ્યા છે, તો પછી ચાર-પાંચ મહિના પહેલા જ યુટ્યુબ પર તેમને એકબીજાને આશ્ચર્યચકિત કરતા વીડિયો કેમ બનાવવામાં આવી રહ્યા હતા? તમે ફક્ત જાહેરમાં સારા પતિ-પત્ની હોવાનો દેખાવ કરી રહ્યા છો." નોંધનીય છે કે આકાંક્ષા ચમોલા હાલમાં રિયાલિટી શો 'લોક-અપ 2' માં જોવા મળી રહી છે. તેના પ્રીમિયર દરમિયાન તેણીએ ખુલાસો કર્યો કે તે ગૌરવ ખન્ના સાથે છૂટાછેડા લેવા જઈ રહી છે. તે બન્ને છેલ્લા એક વર્ષથી અલગ રહી રહ્યું છે.</p><p><br></p><p><b><span style="font-size: 18px;">આ પણ વાંચો: </span><a href="https://sandesh.com/sports/news/cricket/ind-vs-eng-4th-t20-bristol-weather-rain-forecast" target="_blank"><span style="font-size: 18px;">IND vs ENG: વરસાદ બનશે વિલન? આજે ભારત-ઇંગ્લેન્ડની મેચ દરમિયાન કેવું રહેશે બ્રિસ્ટલનું વાતાવરણ</span></a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/09/driNMIKJEmxj0UPEX4zSsjAXIAi5raqNoLgQVtI1.webp'/></item></channel></rss>