<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Limbdi: ચુડાની KGB વિદ્યાલયમાં 70 થી વધુ વિદ્યાર્થીનીઓને થઈ ફૂડ પોઈઝનિંગની અસર,તંત્રમાં મચી ગઈ ભારે દોડધામ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/surendranagar/chuda-kgbv-school-food-poisoning-70-girls-hospitalized</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/surendranagar/chuda-kgbv-school-food-poisoning-70-girls-hospitalized</guid><pubDate>Fri, 17 Jul 2026 13:57:59 +05:30</pubDate><description><![CDATA[<p>ચુડા પંથકમાં આવેલી સરકારી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV) માં આજે કાળજું કંપાવી દે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. શાળામાં અભ્યાસ કરતી અને ત્યાં જ હોસ્ટેલમાં રહેતી દીકરીઓને મધ્યાહન ભોજન અથવા રાત્રિના ભોજન દરમિયાન આપવામાં આવેલું ખાવાનું ઝેરી સાબિત થયું છે. ભોજન આરોગ્યાના થોડા જ સમયમાં એક પછી એક વિદ્યાર્થીનીઓને પેટમાં અસહ્ય દુખાવો, ચક્કર આવવા અને ઉલ્ટીઓ થવાની ફરિયાદો શરૂ થઈ ગઈ હતી.</p><h2><b>મધ્યાહન ભોજન ઝેરી સાબિત થયું</b></h2><p>જોતજોતામાં માંદી પડતી બાળાઓની સંખ્યા 70ને પાર પહોંચી જતાં શાળાના સત્તાધીશોના હોશ ઊડી ગયા હતા. સ્થાનિક આરોગ્ય કેન્દ્ર અને 108 ની ટીમોને તાત્કાલિક જાણ કરવામાં આવતા જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તમામ ઇજાગ્રસ્ત અને બીમાર વિદ્યાર્થીનીઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી છે, જ્યાં તબીબોની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. પ્રાથમિક અનુમાન મુજબ, ભોજનમાં કોઈ કેમિકલ પ્રતિક્રિયા અથવા વાસી સામગ્રીના ઉપયોગને કારણે ફૂડ પોઈઝનિંગ થયું હોવાની પૂરેપૂરી આશંકા છે.</p><h3><b>શાળા પરિસરમાં વાલીઓ ઉમટી પડ્યા</b></h3><p>આ ઘટના વાયુવેગે પ્રસરતા જ હોસ્પિટલ અને શાળા પરિસરમાં વાલીઓના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. દીકરીઓના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થતાં વાલીઓમાં ભારે રોષ અને આક્રોશ ફાટી નીકળ્યો છે. આટલી મોટી સંખ્યામાં બાળાઓ એકસાથે ભોજનથી પ્રભાવિત થાય તે બાબત જ દર્શાવે છે કે વિદ્યાલયના રસોડામાં સ્વચ્છતાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. ઘટનાની ગંભીરતાને જોતાં ઉચ્ચ સરકારી અધિકારીઓ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ ચુડા ખાતે દોડી આવ્યા છે. સ્થાનિકોએ માંગ કરી છે કે આ સમગ્ર પ્રકરણમાં જે પણ એજન્સી કે કોન્ટ્રાક્ટર દોષિત સાબિત થાય તેની સામે તાત્કાલિક ફોજદારી ગુનો દાખલ કરી કડકમાં કડક સજા કરવામાં આવે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ahwa/dang-district-receives-heavy-rain-saputara-ahwa-waghai-farmers-happy" target="_blank">આ પણ વાંચો: Dang: અસહ્ય ઉકળાટ અને ગરમીથી પરેશાન સાપુતારાના સ્થાનિક રહીશોને વરસાદી માહોલથી મળી મોટી રાહત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/Blo0tliisbIChbuHqLoU4r3Bn4ftGOwq3YPxiKhs.webp'/></item><item><title><![CDATA[Gen Z VS વૃદ્ધ, કેમ AI પર ભડકી રહ્યા છે Gen Z, શું AI લોકો માટે સૌથી મોટો ખતરો! ]]></title><link>https://sandesh.com/india/news/tech/gen-z-vs-the-elderly-why-are-gen-z-raving-about-ai-is-ai-the-biggest-threat-to-people</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/tech/gen-z-vs-the-elderly-why-are-gen-z-raving-about-ai-is-ai-the-biggest-threat-to-people</guid><pubDate>Fri, 17 Jul 2026 13:46:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કૃત્રિમ બુદ્ધિ (AI) આજે માત્ર એક ટેકનોલોજી નથી, પરંતુ માનવ જીવનના દરેક પાસામાં ઘર કરી ગયેલી એક શક્તિ બની ગઈ છે. તે ડેટાનું વિશ્લેષણ કરી, ભાષાઓના અનુવાદથી લઈને કલાત્મક છબીઓ બનાવવા સુધીના કાર્યોમાં સક્ષમ છે. જો કે, આ ક્રાંતિએ સમાજને બે ભાગમાં વહેંચી દીધો છે. જ્યાં જૂની પેઢી તેને આશીર્વાદ અને કાર્યક્ષમતા વધારવાનું સાધન માને છે, ત્યાં જ યુવા પેઢી (Gen Z) તેમાં રોજગાર ગુમાવવાનો અને માનવીય સંવેદનાઓના વિનાશનો ડર જુએ છે. માર્ટિન સ્કોર્સીસ જેવા દિગ્ગજો જ્યારે AI અપનાવે છે, ત્યારે સિનેમા જગત અને યુવાનોમાં તેને લઈને ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળે છે.</p><h2 style="text-align: justify; "><b>કેમ માર્ટિન સ્કોર્સીસનો નિર્ણય વિવાદમાં</b></h2><p style="text-align: justify; ">વિશ્વવિખ્યાત દિગ્દર્શક માર્ટિન સ્કોર્સીસ દ્વારા સ્ટોરીબોર્ડિંગ માટે AI ના ઉપયોગની જાહેરાત એક મોટા વિવાદનું કેન્દ્ર બની છે. સ્ટોરીબોર્ડિંગ એ ફિલ્મની વાર્તાને દ્રશ્યોમાં રૂપાંતરિત કરવાની સર્જનાત્મક પ્રક્રિયા છે. આ નિર્ણય પર સોશિયલ મીડિયા પર ચાહકો અને કલાકારોએ તીવ્ર પ્રતિક્રિયા આપી છે. ટીકાકારોનું માનવું છે કે સર્જનાત્મક કાર્યોમાં AI નો હસ્તક્ષેપ માનવ કલાની મૌલિકતાને મારી નાખશે. તેઓ દલીલ કરે છે કે જો ફિલ્મોના પાયામાં જ મશીનો હશે, તો સિનેમાની જે આત્મા છે, તે કાયમ માટે નષ્ટ થઈ જશે.</p><p style="text-align: justify; "><img alt="સ્કોર્સીસનો નિર્ણય વિવાદમાં" src="https://epapercdn.sandesh.com/images/2026/07/17/OsnuJiuGq8zM9JnssTvFh3TGSKwiSj3gaY1dgAxF.webp"><br></p><h3 style="text-align: justify; "><b>શૈક્ષણિક પરિસરોમાં વધતો વિરોધ</b></h3><p style="text-align: justify; ">વિરોધ હવે સોશિયલ મીડિયા સુધી મર્યાદિત નથી રહ્યો; તે યુનિવર્સિટીઓના દીક્ષાંત સમારોહ સુધી પહોંચ્યો છે. ફ્લોરિડા યુનિવર્સિટી હોય કે અન્ય શૈક્ષણિક સંસ્થાઓ, જ્યારે મહેમાનો AI ની પ્રશંસા કરે છે ત્યારે વિદ્યાર્થીઓ તેનો વિરોધ કરે છે. આ વિદ્યાર્થીઓ હાલમાં શૈક્ષણિક દેવું, વધતી બેરોજગારી અને નોકરીની અસુરક્ષા જેવી વાસ્તવિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જ્યારે ભવિષ્ય અનિશ્ચિત હોય, ત્યારે AI જેવી ટેકનોલોજીનું મહિમાગાન તેમને તેમના અસ્તિત્વ પરના હુમલા સમાન લાગે છે.</p><p style="text-align: justify; "><img alt="એઆઇ ઝેનઝી માટે ખતરો" src="https://epapercdn.sandesh.com/images/2026/07/17/uJWQ6tPeCkOaMuRAnc1rNv1Ik41kpUO6YWpc1ZuB.webp"><br></p><h3 style="text-align: justify; "><b>બેબી બૂમર્સ અને AI પ્રત્યેનો આશાવાદ</b></h3><p style="text-align: justify; ">તદ્દન વિરોધાભાસી રીતે, જૂની પેઢી કે જેને 'બેબી બૂમર્સ' કહેવાય છે, તેઓ AI ને એક તક તરીકે જુએ છે. આ પેઢીએ ટાઇપરાઇટરથી કમ્પ્યુટર સુધીનું સંક્રમણ જોયું છે, જ્યાં નાના કાર્યો માટે પણ કલાકોનો સમય લાગતો હતો. તેમના માટે AI એ એક જાદુઈ સાધન છે જે જટિલ કાર્યોને સરળ બનાવે છે અને સમય બચાવે છે. ટેકનોલોજીમાં આવેલો આ બદલાવ તેમને ઉત્પાદકતા વધારનાર લાગે છે, જ્યારે યુવાનો તેને એક સ્પર્ધક તરીકે જુએ છે જે તેમની કુશળતાને બિનજરૂરી બનાવી શકે છે.</p><p style="text-align: justify; "><img alt="એઆઇ ઝેનઝી માટે ખતરો" src="https://epapercdn.sandesh.com/images/2026/07/17/R1oylpJvPZziHhgzuGi5CsJDCXNuB0LvE7T56Iva.webp"><br></p><h4 style="text-align: justify; "><b>યુવાનો શા માટે ડરે છે? આર્થિક સામાજિક કટોકટી</b></h4><p style="text-align: justify; ">યુવાનોનો ડર માત્ર ટેકનોલોજીથી નથી, પરંતુ બદલાતી આર્થિક વ્યવસ્થાથી છે. જૂની પેઢી જે આર્થિક સ્થિરતામાં મોટી થઈ, આજે તેવી સુરક્ષા યુવાનો પાસે નથી. જ્યારે કોઈ CEO યુવાનોને કહે છે કે "AI ને તમારા માટે કામ કરવા દો," ત્યારે તે સલાહ તેમને પોકળ લાગે છે. આજે માનવ શ્રમની કિંમત ઘટી રહી છે અને અલ્ગોરિધમ્સ માનવોનું સ્થાન લઈ રહ્યા છે. યુવાનો અનુભવે છે કે તેમને સતત પરિવર્તિત થવા માટે મજબૂર કરવામાં આવે છે, પરંતુ અંતે તો તેઓ સિસ્ટમમાંથી બહાર થઈ રહ્યા છે.</p><p style="text-align: justify; "><img alt="એઆઇ ઝેનઝી માટે ખતરો" src="https://epapercdn.sandesh.com/images/2026/07/17/S6VawtulY45Y9tVkhbhAT2EGLz58o54IdM5wn3bb.webp"><br></p><h5 style="text-align: justify; "><b>અલ્ગોરિધમ્સ અને જીવન પર નિયંત્રણ</b></h5><p style="text-align: justify; ">આજના અલ્ગોરિધમ્સ માત્ર નોકરીઓ જ નહીં, પણ આપણા નિર્ણયો પર પણ અસર કરે છે. તમે શું જોશો, શું ખરીદશો કે કોને પસંદ કરશો, તે અલ્ગોરિધમ્સ નક્કી કરે છે. સામાજિક મનોવૈજ્ઞાનિક શોશાના ઝુબોફના મતે, આ એક એવી વ્યવસ્થા છે જ્યાં માનવ નિયંત્રણ અને આત્મસન્માન સતત ઘટી રહ્યું છે. એક જમાનામાં ટેકનોલોજી વિકલ્પ હતી, આજે તે જીવનનો અનિવાર્ય ભાગ બની ગઈ છે. આ જ કારણ છે કે યુવાનો AI-સંચાલિત ભવિષ્યમાં પોતાની સ્વાયત્તતા ગુમાવવાનો ડર અનુભવે છે.</p><p style="text-align: justify; "><img alt="એઆઇ ઝેનઝી માટે ખતરો" src="https://epapercdn.sandesh.com/images/2026/07/17/BpjXzTo59zO5ftvaYRJGFej78tdPLbusFYXM1liF.webp"><br><br></p><h6 style="text-align: justify; "><b>ભવિષ્યનો માર્ગ: સંતુલન જરૂરી છે</b></h6><p style="text-align: justify; ">AI નું આગમન અનિવાર્ય છે, પરંતુ તે ભવિષ્ય કેવું હશે તે નક્કી કરવાનો અધિકાર માત્ર ટેક કંપનીઓને ન હોવો જોઈએ. યુવા પેઢીનો વિરોધ સૂચવે છે કે તેઓ એક એવા ભવિષ્યની માંગ કરે છે જ્યાં ટેકનોલોજી માનવ સર્જનાત્મકતા અને નોકરીઓની પૂરક બને, ન કે તેમનો વિકલ્પ. હવે સમય આવી ગયો છે કે નીતિ નિર્ધારકો અને ટેક કંપનીઓ યુવાનોની ચિંતાઓને ગંભીરતાથી લે. ટેકનોલોજીના વિકાસની રેસમાં માનવ મૂલ્યોને બાજુ પર મૂકવા એ લાંબા ગાળે સમાજ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/world/news/tariff-threat-of-100-tariff-on-russian-oil-americas-tough-stance-against-india-and-china" target="_blank">આ પણ વાંચોઃ Tariff :  રશિયન તેલ પર 100% ટેરિફનો ખતરો,ભારત અને ચીન સામે અમેરિકાનું કડક વલણ!</a></b></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/WkEJNEuoLVFmcETX9igQA907VS0kebXLmEAXpXdF.webp'/></item><item><title><![CDATA[Dang: અસહ્ય ઉકળાટ અને ગરમીથી પરેશાન સાપુતારાના સ્થાનિક રહીશોને વરસાદી માહોલથી મળી મોટી રાહત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ahwa/dang-district-receives-heavy-rain-saputara-ahwa-waghai-farmers-happy</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ahwa/dang-district-receives-heavy-rain-saputara-ahwa-waghai-farmers-happy</guid><pubDate>Fri, 17 Jul 2026 13:44:34 +05:30</pubDate><description><![CDATA[<p>દક્ષિણ ગુજરાતના સરહદી અને ડુંગરાળ ડાંગ જિલ્લા પર કુદરત ફરી એકવાર મન મૂકીને વરસી છે. ડાંગના વનરાજીથી ઘેરાયેલા વિસ્તારોમાં સવારથી જ કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને જોતજોતામાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ઉપરાંત વઘઈ અને સુબીર તાલુકાઓમાં મુશળધાર વરસાદ વરસતાં માર્ગો પાણી-પાણી થઈ ગયા હતા.</p><h2><b>સાપુતારા ખાતે વરસાદને પગલે અદભુત નજારો</b></h2><p>ખાસ કરીને ગુજરાતના પ્રખ્યાત ટુરિસ્ટ સ્પોટ સાપુતારા ખાતે વરસાદને પગલે અદભુત નજારો સર્જાયો હતો. અહીં ધુમ્મસની ચાદર સાથે વરસી રહેલા હળવાથી ભારે વરસાદી ઝાપટાંનો આનંદ માણવા માટે પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. ડાંગની ગિરિમાળાઓ અને ઘાટ માર્ગો પરથી પસાર થવું હવે વાહનચાલકો માટે રોમાંચક બન્યું છે. સમગ્ર વન્ય સરહદ લીલીછમ ચાદર ઓઢીને ખીલી ઉઠી છે.</p><h3><b>વાતાવરણ વાહનચાલકો માટે રોમાંચક બન્યું&nbsp;</b></h3><p>આ વરસાદ માત્ર પ્રવાસીઓ માટે મનોરંજન લાવ્યો નથી, પરંતુ અહીંના સ્થાનિક આદિવાસી ખેડૂતો માટે સોનાની મોહર સાબિત થયો છે. ડાંગ જિલ્લામાં મુખ્યત્વે ડાંગર (ભાત), નાગલી અને વરાઈ જેવા પરંપરાગત પાકો લેવામાં આવે છે, જેના માટે આ વરસાદ અત્યંત ફાયદાકારક સાબિત થશે. ઘણા દિવસોથી ગરમી અને પિયતની ચિંતામાં ડૂબેલા ખેડૂતોએ હવે ખેતરોમાં ઉત્સાહભેર વાવણી અને રોપણીની પ્રવૃત્તિઓ તેજ કરી દીધી છે. વન વિભાગ અને સ્થાનિક તંત્ર પણ ચોમાસા દરમિયાન સહેલાણીઓની ભીડને ધ્યાનમાં રાખીને એલર્ટ મોડ પર આવી ગયું છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/monsoon-road-damage-rajpath-rangoli-road-caves-in-amc-patchwork-fails" target="_blank">આ પણ વાંચો:&nbsp; Ahmedabad:  રાજપથ રંગોલી રોડ પર કાર ખાડામાં ફસાઈ, શહેરમાં 30થી વધુ સ્થળોએ જોખમી ખાડાઓ યથાવત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/2VLMTe7qGa5ZO4DsFXaQXFDEbbocU4hOJPAIgium.webp'/></item><item><title><![CDATA[UPI Tax: 2000થી વધારે ડિજિટલ પેમેન્ટ પર લાગશે ટેક્સ, સરકાર લઈ શકે છે મોટો નિર્ણય ]]></title><link>https://sandesh.com/business/news/upi-tax-digital-payments-above-2000-government-merchant-discount-rate</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/upi-tax-digital-payments-above-2000-government-merchant-discount-rate</guid><pubDate>Fri, 17 Jul 2026 13:28:19 +05:30</pubDate><description><![CDATA[<p>ડિજિટલ પેમેન્ટના આવ્યા બાદ લોકો માટે ઘણા કામ સરળ બન્યા છે. પ્રથમ હવે પહેલાની જેમ રોકડ લઈ જવાની જરૂર નથી, કારણ કે હવે દરેક વ્યક્તિ UPI પેમેન્ટનો ઉપયોગ કરે છે. જો તમે પણ UPI પેમેન્ટનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. UPI નો ઉપયોગ કરીને પેમેન્ટ કરનારાઓમાં આગામી દિવસોમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી શકે છે.</p><h2><b>કયા ફેરફારો આવી રહ્યા છે?
</b></h2><p>મળતી માહિતી અનુસાર, કેન્દ્ર સરકાર ₹2000 કે તેથી વધુના UPI વેપારી વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ફરીથી લાગુ કરવાનું વિચારી રહી છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ કોને લાગુ પડશે?
</p><h3><b>તે કોને લાગુ પડશે?
</b></h3><p>નોંધનીય છે કે ₹1.5 કરોડ સુધીના વાર્ષિક ટર્નઓવર ધરાવતા વેપારીઓ અથવા વ્યવસાયોને આ ચાર્જમાંથી મુક્તિ મળી શકે છે. આનો અર્થ એ છે કે તે ફક્ત મોટા વ્યવસાયોને અસર કરશે. સરકાર એક મહિનાની અંદર આ પ્રસ્તાવ પર નિર્ણય લે તેવી અપેક્ષા છે.
</p><h4><b>MDR શું છે?
</b></h4><p>MDR ની વાત કરીએ તો, તે ડિજિટલ પેમેન્ટ પ્રાપ્ત કર્યા પછી વેપારીઓ ચુકવણી કંપનીઓ અથવા બેંકોને ચૂકવે છે તે ફી છે. આ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમના સંચાલન અને જાળવણીના ખર્ચને આવરી લેવામાં મદદ કરે છે.
</p><h5><b>MDRના કેટલા ટકાનું આયોજન કરવામાં આવી રહ્યું છે?
</b></h5><p>અહેવાલો અનુસાર, મોટા વ્યવસાયો માટે ₹2000 કે તેથી વધુના UPI વ્યવહારો પર 0.5 ટકા MDR વસૂલવામાં આવી શકે છે.
</p><h5><b>શું આનાથી સામાન્ય UPI યૂઝર્સ પર અસર થશે?
</b></h5><p>આવી સ્થિતિમાં એવું પૂછવું સ્વાભાવિક છે કે શું આ ચાર્જ ગ્રાહકો પર લાગુ થશે? તો આ ચાર્જ ગ્રાહકો પર લાગુ થશે નહીં. પરંતુ લાગુ નિયમોના આધારે આ ચાર્જ વેપારીઓ પર લાગુ થશે, ગ્રાહકો પર નહીં. હાલમાં, સામાન્ય ગ્રાહકોને ₹2000 થી વધુની સામાન્ય UPI ચુકવણીઓ માટે કોઈ વધારાનો ચાર્જ લાગશે નહીં. આનો અર્થ એ છે કે જેમ પહેલા પૈસા મોકલવા માટે કોઈ ચાર્જ નહોતો, તેમ પૈસા મોકલવા સંપૂર્ણપણે ફ્રી રહેશે.
</p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/business/news/epfo-universal-pf-scheme--no-job-needed--open-pf-for-freelancers-and-gig-workers#google_vignette" target="_blank">નોકરી નથી તો પણ ખુલશે PF એકાઉન્ટ! ફ્રીલાન્સર હોય કે દુકાનદાર... EPFO લાવી રહ્યું આ સ્કિમ</a>
</p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/wQFh4Mhv0zZl2DSrtUwk4kthPR1sBgvsN3WqAXK6.webp'/></item><item><title><![CDATA[Aamir Khan એ કર્યો ખુલાસો કહ્યું, '3 ઇડિયટ્સ સોનમ વાંગચુકથી પ્રેરિત નહોતી', એક્ટિવિસ્ટને કરી ખાસ વિનંતી ]]></title><link>https://sandesh.com/entertainment/news/aamir-khan-clarifies-3-idiots-sonam-wangchuk-not-inspired</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/aamir-khan-clarifies-3-idiots-sonam-wangchuk-not-inspired</guid><pubDate>Fri, 17 Jul 2026 13:14:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">એજ્યુકેટર અને એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક 20 દિવસથી દિલ્હીના જંતર મંતર પર ભૂખ હડતાળ પર બેઠેલા છે. આ દરમિયાન તેમનું વજન પણ ઘણું ઓછું થઈ ગયું છે. તેઓ કોકરોચ પાર્ટીના સમર્થનમાં ઉપવાસ કરી રહ્યા છે અને એજ્યુકેશન મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી કરી રહ્યા છે. દરેક વ્યક્તિ તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરી રહી છે.</p><h2 style="text-align: justify; "><b>સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ અને ખુલાસો</b></h2><p style="text-align: justify; ">આ બધાની વચ્ચે ઝીનત અમાનથી લઈને સ્વરા ભાસ્કર સુધી બોલીવુડના તમામ સેલેબ્સ સોનમ વાંગચુકના સપોર્ટમાં આગળ આવ્યા છે. 3 ઇડિયટ્સમાં સોનમ વાંગચુકથી ઇન્સપાયર્ડ પાત્ર ભજવીને ખૂબ પ્રશંસા મેળવનારા બોલીવુડના સુપરસ્ટાર આમિર ખાન એજ્યુકેટર અને એક્ટિવિસ્ટને લઈને કંઈ ન બોલવા પર સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થઈ રહ્યા હતા. ફાઇનલી આમિર ખાને આના પર મૌન તોડ્યું છે, સાથે જ તેમણે એ વાત પણ ક્લિયર કરી છે કે 3 ઇડિયટ્સમાં તેમનું પાત્ર રેંચો સોનમ વાંગચુકથી ઇન્સપાયર્ડ ન હતું.</p><h3 style="text-align: justify; "><b>લંડન ફિલ્મ ફેસ્ટિવલમાં વાતચીત</b></h3><p style="text-align: justify; ">ગુરુવારે, આમિરે લગાનના સ્ક્રીનિંગ માટે લંડન ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલના ક્લોઝિંગ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. સ્ક્રીનિંગ પછી, આમિરે ફિલ્મની રિલીઝના 25 વર્ષ પછી તેની અસર અને મહત્વ પર વાતચીત કરી. આ દરમિયાન તેમણે દર્શકોના સવાલોના જવાબ પણ આપ્યા. વાતચીત દરમિયાન, આમિરને સોનમ વાંગચુક વિશે પૂછવામાં આવ્યું. એવું માનવામાં આવે છે કે બ્લોકબસ્ટર ફિલ્મ '3 ઇડિયટ્સ' માં તેમનું પાત્ર 'રેંચો' સોનમ વાંગચુકથી જ ઇન્સપાયર્ડ હતું. ચર્ચામાં સોનમ વાંગચુકની ચાલી રહેલી અનિશ્ચિતકાલીન ભૂખ હડતાળનો ઉલ્લેખ પણ થયો અને એક્ટરને આ મુદ્દે તેમના વિચારો પૂછવામાં આવ્યા.<br><a href="https://x.com/PTI_News/status/2077974406966673900" target="_blank">https://x.com/PTI_News/status/2077974406966673900</a><br></p><h3 style="text-align: justify; "><b>પાત્ર વિશે આમિર ખાનની સ્પષ્ટતા</b></h3><p style="text-align: justify; ">3 ઇડિયટ્સ માટે સોનમ વાંગચુકથી ઇન્સ્પિરેશન લેવાની વાત પર આમિરે કહ્યું, ના, હકીકતમાં આ સાચું નથી. આ એક ગેરસમજ છે. જ્યારે અમે '3 ઇડિયટ્સ' ફિલ્મ બનાવી રહ્યા હતા, ત્યારે મને મિસ્ટર સોનમ વિશે ખબર નહોતી. મેં હાલમાં જ ચતુરનો એક વીડિયો જોયો, જેમાં તેણે એવું કહ્યું હતું, પરંતુ તે ખોટું છે. હોઈ શકે કે ચતુર એવું વિચારતો હોય, પરંતુ હું તમને જણાવવા માગું છું કે ન તો રાજુ કે ન તો અભિજાત (રાજકુમાર હિરાની અથવા અભિજાત જોશી) જે ફિલ્મના બે રાઇટર્સ છે, અમારામાંથી કોઈને પણ મિસ્ટર સોનમ વિશે માહિતી નહોતી. જો કે, મિસ્ટર સોનમ જે કામ કરી રહ્યા છે, તે ખૂબ જ સરસ છે. તેમની અને તેમના કામની ઇજ્જત કરવા માટે એ જરૂરી નથી કે તેઓ 3 ઇડિયટ્સના કોઈ પાત્ર પર આધારિત હોય.</p><h4 style="text-align: justify; "><b>ઉપવાસ ખતમ કરવાની કરી અપીલ</b></h4><p style="text-align: justify; ">આ પછી, આમિરને સોનમ વાંગચુકના સ્વાસ્થ્યને લઈને વધતી ચિંતાઓ વિશે પૂછવામાં આવ્યું, કારણ કે તેઓ દિલ્હીના જંતર-મંતર પર અનિશ્ચિતકાલીન ભૂખ હડતાળ પર બેઠા છે. આના પર આમિરે કહ્યું, અમે બધા તેમના સ્વાસ્થ્ય અને જિંદગીને લઈને ખૂબ જ ચિંતિત છીએ, અમને આશા છે કે બધું બરાબર થઈ જશે. અમે બધા એ જ આશા રાખી રહ્યા છીએ કે તેઓ પોતાના ઉપવાસ ખતમ કરી દે. આ પહેલા 3 ઇડિયટ્સમાં ચતુરનું પાત્ર ભજવીને ફેમસ થયેલા એક્ટર ઓમી વૈદ્યએ પણ સોનમ વાંગચુકનો સપોર્ટ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ સોનમ વાંગચુકને મરતા જોઈ શકતા નથી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/arjun-bijlani-reacts-mouni-roy-linkup-rumours" target="_blank">આ પણ વાંચો-Mouni Roy સાથેના અફેરની ચર્ચા પર અર્જુન બિજલાની ગુસ્સે, આપ્યો સ્પષ્ટ જવાબ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/zJbciuTbmSnvoJt08kvB0o7bC9mJ5kuwsReVtO0C.webp'/></item><item><title><![CDATA[SBI Funds Management IPO: એલોટમેન્ટ સ્ટેટસ 17 જુલાઈના જાહેર, જાણો તમારા ખાતામાં શેર આવ્યા કે નહીં અને કેટલું ચાલે છે લેટેસ્ટ GMP ]]></title><link>https://sandesh.com/business/news/india/sbi-funds-management-ipo-allotment-status-announced-on-july-17-know-whether-shares-have-arrived-in-your-account-or-not-and-how-much-is-the-latest-gmp-going-for</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/sbi-funds-management-ipo-allotment-status-announced-on-july-17-know-whether-shares-have-arrived-in-your-account-or-not-and-how-much-is-the-latest-gmp-going-for</guid><pubDate>Fri, 17 Jul 2026 12:38:08 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દેશની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની (AMC) પૈકીની એક એવી SBI ફંડ્સ મેનેજમેન્ટ લિમિટેડ (SBI Funds Management Ltd) ના IPOની રાહ જોઈ રહેલા રોકાણકારો માટે આજે મહત્વનો દિવસ છે. આ રૂ. 9,812.91 કરોડના આઈપીઓ (IPO) માટે શેર એલોટમેન્ટની પ્રક્રિયા આજે એટલે કે શુક્રવાર, 17 જુલાઈ 2026 ના રોજ ફાઇનલ થવાની પૂરેપૂરી શક્યતા છે. આ પબ્લિક ઈશ્યૂને રોકાણકારો તરફથી બમ્પર પ્રતિસાદ મળ્યો છે અને તે કુલ 41.66 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે.</p><p style="text-align: justify;">જો તમે પણ આ આઈપીઓ માટે બિડિંગ કર્યું છે, તો તમે રજિસ્ટ્રાર KFin Technologies અથવા શેરબજાર BSE અને NSE ની સત્તાવાર વેબસાઇટ્સ પર જઈને તમારું એલોટમેન્ટ સ્ટેટસ ઓનલાઇન ચેક કરી શકો છો.</p><h2 style="text-align: justify;"><b>17% પ્રીમિયમ સાથે જોરદાર લિસ્ટિંગના સંકેત&nbsp;</b></h2><p style="text-align: justify;">ગ્રે માર્કેટ પર નજર રાખતી વેબસાઇટ્સ અનુસાર, બિનસત્તાવાર બજારમાં SBI ફંડ્સ મેનેજમેન્ટ આઈપીઓનું ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) હાલમાં રૂ. 97 ની આસપાસ ચાલી રહ્યું છે. રૂ. 574 ની અપર પ્રાઇસ બેન્ડના આધારે જોવામાં આવે તો, ગ્રે માર્કેટ શેરના લિસ્ટિંગમાં આશરે 17 % (16.90%) ના નફાના સંકેતો આપી રહ્યું છે. આ ગણતરી મુજબ કંપનીના શેર રૂ. 671 આસપાસ શેરબજારમાં લિસ્ટ થઈ શકે છે.</p><p style="text-align: justify;"><br></p><h3 style="text-align: justify;"><b>મહત્વની તારીખો પર એક નજર:</b></h3><p style="text-align: justify; ">એલોટમેન્ટ ફાઇનલ થવાની તારીખ: 17 જુલાઈ 2026</p><p style="text-align: justify;">રિફંડ અને ડિમેટ ખાતામાં શેર ક્રેડિટ: 20 જુલાઈ 2026</p><p style="text-align: justify;">શેરબજારમાં લિસ્ટિંગની તારીખ: 21 જુલાઈ 2026 (સવારે 10:00 વાગ્યે)</p><p style="text-align: justify;">BSE પોર્ટલ પર એલોટમેન્ટ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">1, BSE પેજ પર જાઓ</p><p style="text-align: justify; ">પહેલું સ્ટેપ</p><p style="text-align: justify;">સૌથી પહેલા BSE ની સત્તાવાર એલોટમેન્ટ લિંક (https://www.bseindia.com/investors/appli_check.aspx) ઓપન કરો.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">2, ઈશ્યૂનો પ્રકાર પસંદ કરો</p><p style="text-align: justify;">બીજું સ્ટેપ</p><p style="text-align: justify;">ત્યાં 'Issue Type' વિકલ્પમાં Equity સિલેક્ટ કરો.</p><p style="text-align: justify;"><br></p><p style="text-align: justify; ">3, કંપનીનું નામ સિલેક્ટ કરો</p><p style="text-align: justify;">ત્રીજું સ્ટેપ</p><p style="text-align: justify;">ડ્રોપડાઉન મેનૂમાંથી SBI Funds Management Limited પસંદ કરો.</p><p style="text-align: justify;"><br></p><p style="text-align: justify; ">4, વિગતો દાખલ કરો</p><p style="text-align: justify;">ચોથું સ્ટેપ</p><p style="text-align: justify;">તમારો Application Number અથવા તમારો PAN Number દાખલ કરો.</p><p style="text-align: justify;"><br></p><p style="text-align: justify; ">5, સ્ટેટસ જુઓ</p><p style="text-align: justify;">અંતિમ સ્ટેપ</p><p style="text-align: justify;">'I am not a robot' કેપ્ચા વેરિફિકેશન બોક્સ પર ટીક કરો અને ત્યારબાદ Search બટન પર ક્લિક કરો. તમારું સ્ટેટસ સ્ક્રીન પર દેખાશે.</p><p style="text-align: justify;"><br></p><p style="text-align: justify; ">KFin Technologies (રજિસ્ટ્રાર) પર સ્ટેટસ કઈ રીતે ચેક કરવું?</p><p style="text-align: justify;">રજિસ્ટ્રારની વેબસાઇટ KFinTech (https://ipostatus.kfintech.com/) દ્વારા પણ તમે સ્ટેટસ જાણી શકો છો:</p><p style="text-align: justify; ">1. પોર્ટલ ઓપન કરી લિસ્ટમાંથી SBI Funds Management Limited સિલેક્ટ કરો.</p><p style="text-align: justify; ">2. સર્ચ ટાઈપમાં Application No, Demat Account અથવા PAN માંથી કોઈ એક વિકલ્પ પસંદ કરો.</p><p style="text-align: justify; ">3. પસંદ કરેલા વિકલ્પ મુજબની વિગત અને આપેલ કેપ્ચા કોડ બોક્સમાં ભરો.</p><p style="text-align: justify; ">4. છેલ્લે Submit પર ક્લિક કરતાની સાથે જ તમને શેર લાગ્યા છે કે નહીં તેની માહિતી મળી જશે.</p><p style="text-align: justify; ">જે રોકાણકારોને શેર ફાળવવામાં નહીં આવે, તેમના બ્લોક થયેલા નાણાં 20 જુલાઈએ અનબ્લોક (રીલીઝ) કરી દેવામાં આવશે અને એલોટમેન્ટ મેળવનારાઓના ડિમેટ ખાતામાં તે જ દિવસે શેર જમા થઈ જશે.</p><p><div style="text-align: justify;"><br></div><div style="text-align: justify;"><a href="https://sandesh.com/world/news/balochistans-fierce-attack-on-pakistani-army-bus-blown-up-with-bomb-more-than-45-soldiers-killed-creating-panic" target="_blank"><a href="https://sandesh.com/world/news/balochistans-fierce-attack-on-pakistani-army-bus-blown-up-with-bomb-more-than-45-soldiers-killed-creating-panic" target="_blank" style="background-color: rgb(255, 255, 255);">આ પણ વાંચો: Balochistanનો પાકિસ્તાની સેના પર હુમલો, બસને બોમ્બથી ઉડાવી, 45થી વધુ સૈનિકોના મોતના દાવાથી ખળભળાટ</a></a></div></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/t5qPLIjtO6uNsntEU4r4zZKi5m8KBhK9KfWQlQBM.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026 Final: સ્પેન અને આર્જેન્ટિના વચ્ચે મહામુકાબલો, જાણો ભારતમાં ક્યારે Liveજોઈ શકાશે ]]></title><link>https://sandesh.com/sports/fifa-world-cup/news/fifa-world-cup-2026-final-the-epic-clash-between-spain-and-argentina-know-when-and-where-to-watch-it-live-in-india</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/fifa-world-cup/news/fifa-world-cup-2026-final-the-epic-clash-between-spain-and-argentina-know-when-and-where-to-watch-it-live-in-india</guid><pubDate>Fri, 17 Jul 2026 12:35:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફૂટબોલ પ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આખરે આવી ગઈ છે. ફીફા વર્લ્ડ કપ ૨૦૨૬ (FIFA World Cup 2026) હવે તેના અંતિમ પડાવ પર પહોંચી ગયો છે. આ મહામુકાબલામાં ફૂટબોલ જગતની બે દિગ્ગજ ટીમો સ્પેન અને આર્જેન્ટિના ટ્રોફી જીતવા માટે આમને-સામને ટકરાશે. મેસ્સીની આર્જેન્ટિના પોતાનો ખિતાબ બચાવવામાં સફળ રહેશે કે પછી સ્પેન નવો ઇતિહાસ રચશે? આર્જેન્ટીના ફાઈનલમાં આવતા જ ફીફા વર્લ્ડકપ વધુ રસપ્રદ બન્યો. ગોલ્ડન બૂટનો દાવદેાર ગણાતા મેસ્સીની જીત જોવા ચાહકો ઉત્સાહિત છે. ભારતીય ફૂટબોલ ચાહકો આ ઐતિહાસિક મેચ ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે જોઈ શકશે તેની સંપૂર્ણ વિગતો જાણો.</p><h2 style="text-align: justify; "><b>ફીફા વર્લ્ડકપ ફાઇનલ મેચ ક્યારે રમાશે?&nbsp;</b></h2><p style="text-align: justify; ">ફીફા વર્લ્ડ કપ ૨૦૨૬ ની આ રોમાંચક ફાઇનલ મેચ અમેરિકાના ન્યૂયોર્ક ન્યૂ જર્સીમાં આવેલા પ્રખ્યાત મેટલાઇફ સ્ટેડિયમમાં રમાશે.</p><p style="text-align: justify; "><b>ભારતમાં લાઈવ જોવાનો સમય</b></p><p style="text-align: justify; ">અમેરિકા અને ભારતના સમય ઝોનમાં તફાવત હોવાને કારણે, ભારતીય દર્શકો આ મેચ ૧૯ જુલાઈ, ૨૦૨૬ ના રોજ વહેલી સવારે લાઈવ જોઈ શકશે. ભારતીય સમયાનુસાર (IST) આ ફાઇનલ મેચ વહેલી સવારે ૪:૩૦ વાગ્યે શરૂ થશે.</p><h3 style="text-align: justify; "><b>ભારતમાં ક્યાં અને કેવી રીતે લાઈવ જોઈ શકાશે?</b></h3><p style="text-align: justify; ">જો તમે ભારતમાં રહીને આ મહા મુકાબલાનો આનંદ માણવા માંગો છો, તો તમારી પાસે નીચેના વિકલ્પો ઉપલબ્ધ છે. ભારતમાં ફીફા વર્લ્ડ કપ ૨૦૨૬ ના સત્તાવાર બ્રોડકાસ્ટર ભાગીદાર તરીકે Sports18 નેટવર્ક (Sports18 1 અને Sports18 1 HD) પર આ મેચનું સીધું પ્રસારણ જોઈ શકાશે. જો તમે તમારા સ્માર્ટફોન, લેપટોપ કે સ્માર્ટ ટીવી પર ઓનલાઈન મેચ જોવા માંગો છો, તો JioCinema એપ અથવા તેની વેબસાઈટ પર આ ફાઇનલ મેચનું તદ્દન મફત (Free) લાઈવ સ્ટ્રીમિંગ માણી શકાશે. સ્પેન અને આર્જેન્ટીનાની મેચ વધુ રસપ્રદ બની છે. ફૂટબોલના આ સૌથી મોટા જંગને જોવા માટે તૈયાર થઈ જાઓ!</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-golden-boot-race-messi-mbappe#google_vignette" target="_blank">આ પણ વાંચો : Lionel Messi ગોલ્ડન બૂટની રેસમાં સૌથી આગળ, એમબાપ્પે પાસે હજુ પણ ટોપના સ્થાન પર પહોંચવાની તક</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/Q8Jvi7BFpo5Ub0HOKbMvlyjacksWiyW77TeEkKjA.webp'/></item><item><title><![CDATA[Surat: સુમુલ ડેરી પર ભાજપનો ભગવો યથાવત, રસાકસીભરી લડાઈમાં 27 મતો સાથે ધનસુખ પટેલ ફરી બન્યા પ્રમુખ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/sumul-dairy-election-results-dhansukh-patel-wins-president-bjp-secures-27-votes</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/sumul-dairy-election-results-dhansukh-patel-wins-president-bjp-secures-27-votes</guid><pubDate>Fri, 17 Jul 2026 12:32:51 +05:30</pubDate><description><![CDATA[<p>દક્ષિણ ગુજરાતની લાખો પશુપાલક મહિલાઓ અને ખેડૂતોની આર્થિક જીવાદોરી સમાન સુરત અને તાપી જિલ્લાની સુમુલ ડેરીના નવા શાસકો ચૂંટવા માટેની ઉત્તેજનાનો આજે સુખદ અંત આવ્યો છે. સવારથી જ સુરત સ્થિત મુખ્ય મથક ખાતે સહકારી આગેવાનો, રાજકીય નેતાઓ અને ટેકેદારોની ભારે ભીડ જામી હતી. સૌની નજર 9 બેઠકો પર નસીબ અજમાવી રહેલા 21 ઉમેદવારોના પરિણામો પર ટકેલી હતી.</p><h2><b>સુમુલ ડેરીમાં ફરી ભાજપનો ડંકો</b></h2><p>નક્કી કરાયેલા સમયપત્રક મુજબ સવારે 11:00 વાગ્યે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. આ ચૂંટણી એટલી રસાકસીભરી હતી કે માત્ર એક કલાકના ટૂંકા ગાળામાં જ તમામ બેઠકોના પરિણામો ક્રમશઃ જાહેર થઈ ગયા હતા. જોકે, ચૂંટણી પૂર્વે જે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી તે સાચી સાબિત થઈ હતી; ભાજપ પ્રેરિત સત્તાધારી પેનલે આંતરિક અસંતોષ અને બળવાના કારણે 16 બેઠકોમાંથી 1 થી 2 બેઠકો ગુમાવવાનો વારો આવ્યો હતો. જેને પગલે વિપક્ષ અને અપક્ષ છાવણીમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.</p><h3><b>ચૂંટણીમાં ભાજપ પ્રેરિત ધનસુખ પટેલનો ભવ્ય વિજય</b></h3><p>બેઠકોના પરિણામો જાહેર થયા બાદ સૌ કોઈની ઉત્સુકતા પ્રમુખ અને ઉપપ્રમુખ પદ પર કોની વરણી થાય છે તેના પર કેન્દ્રિત થઈ હતી. આ માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ખાસ સભા બોલાવવામાં આવી હતી. પ્રમુખ પદ માટે સત્તાધારી ભાજપ તરફથી પીઢ સહકારી નેતા ધનસુખ પટેલનું નામ પ્રસ્તાવિત કરાયું હતું, જેની સામે અપક્ષ અને બળવાખોર જૂથે પણ પોતાનો ઉમેદવાર મેદાનમાં ઉતારીને ચૂંટણી ફરજિયાત બનાવી હતી.</p><h4><b>સહકારી ક્ષેત્રમાં ભગવો લહેરાતા સમર્થકોમાં ભારે ઉત્સાહ</b></h4><p>મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિણામો જાહેર થતાં જ ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ ગયું હતું. ભાજપના સંગઠનાત્મક માઇક્રો પ્લાનિંગ સામે અપક્ષોની વ્યૂહરચના નિષ્ફળ સાબિત થઈ હતી. ભાજપના સત્તાવાર ઉમેદવાર ધનસુખ પટેલને 27 મતો મળ્યા હતા, જ્યારે અપક્ષ ઉમેદવારના ખાતામાં માત્ર 12 મતો જ પડ્યા હતા. 15 મતોના સ્પષ્ટ તફાવત સાથે ધનસુખ પટેલ સુમુલ ડેરીના પ્રમુખ પદે ફરી એકવાર શાનદાર રીતે ચૂંટાઈ આવ્યા છે. આ વિજય સાથે જ સુમુલ ડેરીના પરિસરમાં વિજય ઉત્સવ શરૂ થઈ ગયો હતો અને ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી અને અબીલ-ગુલાલની છોળો ઉડાડીને જીત વધાવી લીધી હતી.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/rajkot/massive-fire-breaks-out-at-uttam-sofa-factory-in-ram-park-rajkot-one-critical" target="_blank">આ પણ વાંચો: Rajkot:  હુડકો ચોકડી પાસે આવેલા સોફાના કારખાનામાં લાગી આગ, એક વ્યક્તિની હાલત ગંભીર</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/eS6QiAosnEovuYhn2keswRsGmPCvw1UiiRfmzrDL.webp'/></item><item><title><![CDATA[Ahmedabad:  રાજપથ રંગોલી રોડ પર કાર ખાડામાં ફસાઈ, શહેરમાં 30થી વધુ સ્થળોએ જોખમી ખાડાઓ યથાવત ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/monsoon-road-damage-rajpath-rangoli-road-caves-in-amc-patchwork-fails</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/monsoon-road-damage-rajpath-rangoli-road-caves-in-amc-patchwork-fails</guid><pubDate>Fri, 17 Jul 2026 12:29:09 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદને સ્માર્ટ સિટી બનાવવાની વાતો વચ્ચે દર વર્ષે ચોમાસામાં કોર્પોરેશનની નબળી કામગીરી ઉજાગર થાય છે. તાજેતરમાં અમદાવાદના પોશ ગણાતા પશ્ચિમ વિસ્તારના એસ.જી. હાઇવે નજીક આવેલા રાજપથ રંગોલી રોડ પર સામાન્ય વરસાદ બાદ રસ્તો અચાનક બેસી ગયો હતો. ચાલુ ટ્રાફિકે રોડ બેસી જતાં એક મોટો ભૂવો પડ્યો અને ત્યાંથી પસાર થતી આઇ-20 કારનો આગળનો મોટો હિસ્સો ભૂવામાં ખાબક્યો હતો. કાર નીચે ધસી જતાં આસપાસના વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સદનસીબે કારની સ્પીડ મર્યાદિત હોવાથી ચાલક સુરક્ષિત બહાર નીકળ્યો હતો, પરંતુ આ ઘટનાએ તંત્રની પોલ ખોલી નાખી છે.</p><h2><b>ચોમાસામાં કોર્પોરેશનની નબળી કામગીરી</b></h2><p>બીજી બાજુ, શહેરમાં વરસાદ બંધ થયાને 10 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં, હજુ પણ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના મુખ્ય માર્ગો પર "ખાડારાજ" યથાવત જોવા મળી રહ્યું છે. સત્તાવાર અહેવાલ મુજબ, પશ્ચિમના નારણપુરા, વેજલપુર, વાસણા તેમજ સાબરમતી જેવા ગીચ વિસ્તારો સહિત શહેરમાં હજુ ૩૦થી વધુ સ્થળોએ જોખમી ખાડાઓ પૂરવામાં આવ્યા નથી. વાહનચાલકોની સલામતીને ધ્યાનમાં રાખીને વાસણા અને અન્ય પરા વિસ્તારોના આશરે ૫ જેટલા રસ્તાઓ હાલમાં બંધ કરી દેવાની ફરજ પડી છે, જેને કારણે સવારે અને સાંજના પીક અવર્સમાં લાંબો ટ્રાફિક જામ સર્જાય છે.</p><h3><b>સામાન્ય વરસાદ બાદ રસ્તો અચાનક બેસી ગયો</b></h3><p>નાગરિકો આક્ષેપ કરી રહ્યા છે કે કોર્પોરેશન દ્વારા દર વર્ષે રસ્તાઓ પાછળ કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે છતાં પાણીની પાઇપલાઇન કે ગટર લાઇન નાખ્યા બાદ યોગ્ય પુરાણ ન થવાથી રસ્તાઓ બેસી જાય છે. તંત્ર ભલે 1584 ટન હોટમિક્સ વાપરીને રસ્તાઓ સમથળ કરવાનો મોટો દાવો કરી રહ્યું હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે ખાડાઓની ઉપર માત્ર થીગડા મારીને સંતોષ માનવામાં આવી રહ્યો છે જે સામાન્ય વરસાદમાં ફરી ધોવાઈ જાય છે. સ્થાનિકોએ સત્વરે આ ખાડાઓનું વૈજ્ઞાનિક ઢબે કાયમી સમારકામ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/sumul-dairy-election-results-dhansukh-patel-wins-president-bjp-secures-27-votes" target="_blank">આ પણ વાંચો: Surat: સુમુલ ડેરી પર ભાજપનો ભગવો યથાવત, રસાકસીભરી લડાઈમાં 27 મતો સાથે ધનસુખ પટેલ ફરી બન્યા પ્રમુખ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/X2EzgwiPyFENSLJKDbMYNZSfIuswivA1d3EJlQhc.webp'/></item><item><title><![CDATA[Surat : ખાનગી સ્કૂલે સુરક્ષાના બહાને આખી ખાડી પર કરી દીધું પાકું બાંધકામ, હોબાળો મચતાં સુડા અને સિંચાઈ વિભાગની તપાસ શરુ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/surat-deladva-school-illegal-khadi-construction-suda-irrigation-department-action</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/surat-deladva-school-illegal-khadi-construction-suda-irrigation-department-action</guid><pubDate>Fri, 17 Jul 2026 12:21:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતના ડેલાડવા ગામમાંથી વિકાસ અને નિયમોના નામે ચાલતી સરકારી બેદરકારી અને ખાનગી સંસ્થાઓની દાદાગીરીનો એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. અહીં આવેલી એક દિપ દર્શન નમાની ખાનગી સ્કૂલે બાળકોની સુરક્ષાનું બહાનું ધરીને ગામની મુખ્ય સરકારી ખાડી પર ગેરકાયદેસર રીતે પાકું કન્સ્ટ્રક્શન કરી દીધું છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>ખાડીને ઉપરથી કન્સ્ટ્રક્શન કરીને ઢાંકી દીધી</b></h2><p style="text-align: justify; ">સ્કૂલ સંચાલકોએ કુદરતી જળ પ્રવાહ ધરાવતી આખી ખાડીને ઉપરથી કન્સ્ટ્રક્શન કરીને ઢાંકી દીધી છે અને ત્યાં રમત-ગમતનું મેદાન તથા વાહનો માટેનું મોટું પાર્કિંગ એરિયા ઊભું કરી દીધું છે.</p><h3 style="text-align: justify; "><b>ગામમાં પૂર આવવાનો મોટો ખતરો&nbsp;</b></h3><p style="text-align: justify; ">આ ગંભીર બેદરકારીને કારણે ચોમાસાની ઋતુમાં ખાડીના પાણી બેક મારવાનો અને આસપાસના રહેણાંક વિસ્તારો સહિત સમગ્ર ડેલાડવા ગામમાં પૂર આવવાનો મોટો ખતરો ઊભો થયો છે. નવાઈની વાત એ છે કે, વર્ષ 2015માં આ જગ્યાએ બાંધકામ માટે કેટલીક કડક શરતો સાથે વહીવટી તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ શાળા પ્રશાસને તે તમામ સરકારી શરતો અને નિયમોનો સરેઆમ ઉલાળિયો કરીને પોતાની મનમાની ચલાવી છે. કુદરતી જળપ્રવાહને રોકીને કરાયેલું આ બાંધકામ શાળાના નિર્દોષ બાળકો અને સ્થાનિક ગ્રામજનોની સુરક્ષા સામે પણ એક મોટું જોખમ સાબિત થઈ રહ્યું છે.</p><h4 style="text-align: justify; "><b>તંત્ર દ્વારા તપાસ&nbsp;</b></h4><p style="text-align: justify; ">આ ગંભીર મામલો મીડિયા અને સામાજિક કાર્યકરો દ્વારા ઉજાગર કરવામાં આવતા જ સરકારી તંત્ર પણ સફાળું જાગ્યું છે. તંત્રની અત્યાર સુધીની ઢીલી કામગીરી સામે પણ ગ્રામજનોમાં ઉગ્ર સવાલો ઉઠી રહ્યા છે. હાલમાં ઘટનાની ગંભીરતાને જોતાં સિંચાઈ વિભાગ અને સુરત શહેરી વિકાસ સત્તામંડળ (SUDA) ના ઉચ્ચ અધિકારીઓની સંયુક્ત ટીમ તપાસ અર્થે મેદાનમાં ઉતરી છે. આ ગેરકાયદેસર દબાણ બદલ સ્કૂલ સામે કાર્યવાહી હાથ ધરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp;&nbsp;<a href="https://sandesh.com/explainer/news/india/ahmedabad/sandesh-digital-explainer-india-first-hydrogen-train-launch-pm-modi-green-railway-technology-features-benefits" target="_blank"><b>&nbsp;Sandesh Digital Explainer : રેલવે ક્ષેત્રે ઐતિહાસિક ક્રાંતિ, દેશની પ્રથમ ‘હાઇડ્રોજન ટ્રેન’આજથી દોડશે, વાંચો આ ટ્રેન કઇ રીતે ચાલે છે અને તેના ફાયદા- ગેરફાયદા</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/QOKvhNMLAIHt0XIH8bVTAMiTY6TxU1pTgbaVsV2e.webp'/></item></channel></rss>