<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Surat News: ડિંડોલીમાં સાડા 4 વર્ષનો માસૂમ રમતા-રમતા કાચની લખોટી ગળી ગયો! ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/dindoli-child-swallowed-glass-marble</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/dindoli-child-swallowed-glass-marble</guid><pubDate>Wed, 10 Jun 2026 17:48:10 +05:30</pubDate><description><![CDATA[<p>નાના બાળકો ઘરમાં રમતા હોય, ત્યારે તેમના પર સતત નજર રાખવી કેટલી જરૂરી છે, તે દર્શાવતો એક ચોંકાવનારો કિસ્સો સુરત શહેરમાંથી સામે આવ્યો છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં એક સાડા ચાર વર્ષનું માસૂમ બાળક રમતા-રમતા કાચની લખોટી ગળી ગયું હતું. આ ઘટનાને પગલે બાળકના પરિવારજનોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા અને ઘરમાં ભારે દોડધામ મચી ગઈ હતી.</p><h2><b>રમતમાં બની મોટી બેદરકારી</b></h2><p>ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતો સાડા ચાર વર્ષનો બાળક ઘરમાં કાચની લખોટીઓથી રમી રહ્યો હતો. આ દરમિયાન રમતમાં ને રમતમાં તેણે એક લખોટી મોઢામાં મૂકી દીધી હતી, અને જોતજોતામાં તે લખોટી ગળી ગયો હતો. બાળક લખોટી ગળી ગયું હોવાની જાણ થતાં જ માતા-પિતા ભારે ગભરાઈ ગયા હતા, કારણ કે લખોટી શ્વાસનળીમાં અટકી જવાનો મોટો ખતરો હતો.</p><h2><b>નવી સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર</b></h2><p>પરિવારજનોએ જરાય સમય બગાડ્યા વિના બાળકને તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો. સિવિલ હોસ્પિટલના તબીબોએ પણ ઘટનાની ગંભીરતા સમજીને બાળકને તાત્કાલિક ઇમરજન્સી સારવાર આપી હતી. સમયસર તબીબી સારવાર મળી જતાં એક મોટી દુર્ઘટના ટળી હતી અને હાલ બાળકની સ્થિતિ સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.</p><h2><b>તબીબોની વાલીઓને ખાસ અપીલ</b></h2><p>આ ઘટના બાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ નાના બાળકોના માતા-પિતાને ખાસ અપીલ કરી છે કે, ઘરમાં સિક્કા, કાચની લખોટી, નાના રમકડાં કે સોય-બટન જેવી નાની વસ્તુઓ બાળકોના હાથમાં ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું. આવા કિસ્સાઓમાં જો વસ્તુ શ્વાસનળીમાં ફસાઈ જાય તો બાળકનો જીવ જોખમમાં મુકાઈ શકે છે, જેથી વાલીઓએ હંમેશા સતર્ક રહેવું જરૂરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/crime/surat/nasir-nagar-demolition-controversy-questions-raised-over-builder-link-and-smc-officials-role" target="_blank">Surat News: ભૂતિયા ડિમોલિશનનો ખેલ કયા અધિકારીએ કર્યો?, બિલ્ડર વૃદ્ધાના ઘરમાં ગયા બાદ એક વીડિયો વાયરલ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/10/VuFIxnuu8HLHCMH2xw5Xmbn8OPW6WBkYMxN0ABEs.webp'/></item><item><title><![CDATA[Amitabh Bachchanએ રેખા સાથેના સંબંધો પર કર્યો હતો પોતે જ ખુલાસો, કહ્યું- 'અમે એકબીજાને મળતા હતા...!' ]]></title><link>https://sandesh.com/entertainment/news/amitabh-bachchan-broke-silence-relationship-rumors-rekha</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/amitabh-bachchan-broke-silence-relationship-rumors-rekha</guid><pubDate>Wed, 10 Jun 2026 17:46:21 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમિતાભ બચ્ચન અને રેખાના પ્રેમના કિસ્સા ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ ચર્ચાયા હતા અને આજે પણ ચર્ચાતા રહે છે. બંનેના અફેરના સમાચારોએ 70ના દાયકામાં ખૂબ હેડલાઇન્સ મેળવી હતી. જો કે રેખાએ ક્યારેય પણ અમિતાભ બચ્ચન સાથેના પોતાના સંબંધને જાહેરમાં સ્વીકાર્યો નહોતો. અમિતાભ બચ્ચને પણ ક્યારેય આ અંગે ખુલીને વાત કરી નહોતી. પરંતુ એકવાર તેમણે પોતાની પત્ની જયા બચ્ચનની સામે આ મુદ્દે વાત કરતા જણાવ્યું હતું કે આખરે તેમના અને રેખાના સંબંધનું સત્ય શું હતું?
</p><h2 style="text-align: justify; "><b>રેખા સાથેના સંબંધ પર અમિતાભે શું કહ્યું હતું?
</b></h2><p style="text-align: justify; ">રેખાએ એક્ટ્રેસ સિમી ગ્રેવાલના શો પર વર્ષો પહેલાં અમિતાભ સાથેના સંબંધ વિશે વાત કરતા જણાવ્યું હતું કે તેમનો અને અમિતાભનો અંગત રીતે કોઈ સંબંધ નહોતો. અમિતાભ બચ્ચને પણ સિમીના શો પર કંઈક આવું જ કહ્યું હતું. એકવાર તેઓ પોતાની પત્ની જયા બચ્ચન સાથે સિમીના શો પર પહોંચ્યા હતા.
</p><h3 style="text-align: justify; "><b>રેખા સાથેના સંબંધો અંગે ખુલાસો
</b></h3><p style="text-align: justify; ">સિમી ગ્રેવાલે અમિતાભને રેખા સાથે નામ જોડાવાના સમાચારોને લઈને સવાલ કર્યો હતો. આના પર દિગ્ગજ અભિનેતાએ કહ્યું હતું, તેઓ મારા કો-સ્ટાર અને સાથે કામ કરનારા સહકર્મી રહ્યા છે. જ્યારે અમે સાથે કામ કરતા હતા, ત્યારે સ્વાભાવિક છે કે અમે એકબીજાને મળતા હતા. પરંતુ સામાજિક રીતે અમારી વચ્ચે કંઈપણ એક સરખું નથી, બસ આ જ વાત છે. ક્યારેક-ક્યારેક કોઈ કાર્યક્રમમાં મુલાકાત થઈ જાય છે, જેમ કે કોઈ એવોર્ડ ફંક્શન હોય કે કોઈ સોશિયલ ગેટ-ટુગેધર હોય. બસ આટલું જ છે.
</p><h4 style="text-align: justify; "><b>1981 પછી રેખા-અમિતાભે સ્ક્રીન શેર નથી કરી
</b></h4><p style="text-align: justify; ">મોટા પડદા પર રેખા અને અમિતાભ બચ્ચનની જોડીને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળ્યો હતો. આ બંને દિગ્ગજોએ સાથે મળીને દો અનજાને, મુકદ્દર કા સિકંદર, મિસ્ટર નટવરલાલ, ખૂન પસીના, સિલસિલા, નમક હરામ, આલાપ, ઈમાન ધરમ અને સુહાગ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. છેલ્લી વખત બંને 1981ની ફિલ્મ 'સિલસિલા' માં સાથે જોવા મળ્યા હતા. 45 વર્ષ જૂની આ ફિલ્મનું નિર્દેશન દિવંગત અને દિગ્ગજ ડાયરેક્ટર યશ ચોપરાએ કર્યું હતું. સિલસિલાનો હિસ્સો જયા બચ્ચન પણ હતા. ફિલ્મ તો બોક્સ ઓફિસ પર સફળ નહોતી રહી, પરંતુ તેના ગીતો ખૂબ જ લોકપ્રિય થયા હતા.
</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/alia-bhatt-alpha-teaser-trolled-fans-compare-with-hollywood-ballerina" target="_blank">આ પણ વાંચો-Alia Bhattની આલ્ફા છે હોલીવુડ ફિલ્મની COPY? સોશિયલ મીડિયા પર મચ્યો હોબાળો!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/10/Od5xqPtJuV1WRNITOnmAb37KleWr8iXv2Q1k6bbi.webp'/></item><item><title><![CDATA[Vav-Tharad News: આકોલી ગામમાં પાણી માટે મહિલાઓનો ઉગ્ર વિરોધ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vav-tharad/akoli-village-women-protest-drinking-water-scarcity-matla-fodi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vav-tharad/akoli-village-women-protest-drinking-water-scarcity-matla-fodi</guid><pubDate>Wed, 10 Jun 2026 17:34:29 +05:30</pubDate><description><![CDATA[<p>વાવ થરાદ જિલ્લાના વાવ-થરાદ પંથકમાં આવેલા આકોલી ધરણીધર તાલુકા ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. છેલ્લા ઘણા સમયથી પીવાના પાણી માટે ટીપા-ટીપા વલખાં મારી રહેલા ગ્રામજનોના ધીરજનો અંત આવતા બુધવારે ગામમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. પાણી ન મળતા રોષે ભરાયેલી મહિલાઓ મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવી હતી.</p><h2><b>મહિલાઓએ માટલા ફોડી વિરોધ દર્શાવ્યો</b></h2><p>લાંબા સમયથી પાણીની તંગી વેઠી રહેલી મહિલાઓએ તંત્ર સામે પોતાનો આક્રોશ ઠાલવવા માટે રસ્તા પર જ માટલા ફોડીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગ્રામજનોનો આક્ષેપ છે કે, આ બાબતે સ્થાનિક સરપંચથી લઈને પાણી પુરવઠા વિભાગ સુધી અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ વહીવટી તંત્રના પેટનું પાણી પણ હલતું નથી.</p><h2><b>દલિતવાસ અને ઠાકોરવાસમાં હાલાકી</b></h2><p>ગામની ભૌગોલિક સ્થિતિ અંગે સ્થાનિકોએ જણાવ્યું કે, આકોલી ગામના દલિતવાસ અને ઠાકોરવાસ વિસ્તારમાં પીવાના પાણીની સ્થિતિ સૌથી વધુ દયનીય છે. આ વિસ્તારોમાં અઠવાડિયા સુધી પાણીના દર્શન થતા નથી, જેના કારણે ગરીબ અને શ્રમિક પરિવારોને પૈસા ખર્ચીને પાણીના ટેન્કરો મંગાવવા અથવા દૂર-દૂર સુધી પાણી લેવા જવાની ફરજ પડી રહી છે.</p><h2><b>માસૂમ બાળકો અને મૂંગા પશુઓ પણ તરસ્યા</b></h2><p>ગામમાં પાણીની કટોકટી એટલી હદે વણસી છે કે, ગામની આંગણવાડીમાં આવતા નાના બાળકો માટે પણ પૂરતું પીવાનું પાણી ઉપલબ્ધ નથી, જે અત્યંત ચિંતાનો વિષય છે. બીજી તરફ, ગામના હવાડા ખાલીખમ પડ્યા હોવાથી ગાયો સહિતના મૂંગા પશુઓ પણ તરસ્યા રહેવા મજબૂર બન્યા છે, જેના કારણે પશુપાલકોમાં પણ ભારે ચિંતા જોવા મળી રહી છે.</p><h2><b>તંત્રને આખરી ચીમકી</b></h2><p>મહિલાઓએ મીડિયા સમક્ષ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું છે કે, જો આગામી દિવસોમાં આકોલી ગામના તમામ વિસ્તારોમાં નિયમિત અને પૂરતું પીવાનું પાણી પૂરું પાડવામાં નહીં આવે તો આગામી સમયમાં આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને સરકારી કચેરીઓનો ઘેરાવ કરવામાં આવશે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/tharad/tharad-in-dhanera-panthak-the-husband-of-the-elder-daughter-chased-away-the-minor-sister-in-law-and-absconded" target="_blank">Tharad: ધાનેરા પંથકમાં મોટી દીકરીનો પતિ સગીર સાળીને ભગાડી ફરાર થઇ ગયો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/10/acZJf5D6Jct9K8XCzNL7XqzjzfgyrokeNw8qjUKn.webp'/></item><item><title><![CDATA[Porbandar News: સમુદ્ર કિનારેથી મળ્યું બિનવારસી ચરસ, SOG પોલીસ એક્શન મોડમાં! ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/porbandar/sog-police-seized-charas-drugs-sea-coast-odadar-rambai</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/porbandar/sog-police-seized-charas-drugs-sea-coast-odadar-rambai</guid><pubDate>Wed, 10 Jun 2026 17:08:15 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતના દરિયાકિનારેથી અવારનવાર નશીલા પદાર્થો મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. પોરબંદરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસને ઓડદરથી રાંબાઈ વચ્ચેના દરિયાકિનારેથી બિનવારસુ હાલતમાં નશીલા પદાર્થ ચરસનો મોટો જથ્થો મળી આવ્યો છે.</p><h2><b>લાખોની કિંમતનો જથ્થો જપ્ત</b></h2><p>ઘટનાની મળતી માહિતી અનુસાર, પોરબંદર SOGની ટીમને બાતમી મળી હતી કે, દરિયાકિનારે શંકાસ્પદ પેકેટો પડ્યા છે. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતા ત્યાંથી બિનવારસી હાલતમાં ચરસ મળી આવ્યું હતું. પોલીસે આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે રૂ. 5.57 લાખની કિંમત ધરાવતો કુલ 2.23 કિલો ચરસનો જથ્થો સ્થળ પરથી જપ્ત કરી લીધો છે.</p><h2><b>ડ્રગ્સ માફિયાઓનું આંતરરાષ્ટ્રીય કનેક્શન?</b></h2><p>દરિયાકિનારેથી આ પ્રકારે ચરસ મળી આવવાને કારણે સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે. અગાઉ પણ ગુજરાતના જુદા જુદા દરિયાકિનારે પાકિસ્તાન કે અન્ય દેશોમાંથી વહીને આવેલા ડ્રગ્સના પેકેટો મળી ચૂક્યા છે, ત્યારે આ જથ્થો પણ કોઈ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ દ્વારા અહીં ફેંકવામાં આવ્યો હતો કે, કેમ તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.</p><h2><b>પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ</b></h2><p>પોરબંદર SOG દ્વારા આ સમગ્ર મામલે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ચરસનો જથ્થો ક્યાંથી આવ્યો અને તેને કોણ લેવાનું હતું, તે અંગે આસપાસના વિસ્તારના સ્થાનિક માછીમારો અને સીસીટીવી ફૂટેજના આધારે પણ તપાસ તેજ કરવામાં આવી છે. તેમજ દરિયાકિનારાના અન્ય વિસ્તારોમાં પણ સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/porbandar/porbandar-jetty-iran-lpg-ship-cmd23-arrived-fuel-shortage-relief" target="_blank">Porbandar બંદરે ઈરાનથી 4000 મેટ્રિક ટન LPG ભરેલું જહાજ પહોંચ્યું, સપ્લાય લાઇન શરૂ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/10/ifBdQZWWMfStUSjTynn8nMNA2VaqLkDwj3dkNVlt.webp'/></item><item><title><![CDATA[Vaishno Devi: વૈષ્ણોદેવીમાં ભક્તોનું ઘોડાપૂર, અઠવાડિયામાં જ 3 લાખ ભક્તોએ કર્યા દર્શન ]]></title><link>https://sandesh.com/india/news/vaishno-devi-a-flood-of-devotees-in-vaishno-devi-3-lakh-devotees-visited-in-a-week</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/vaishno-devi-a-flood-of-devotees-in-vaishno-devi-3-lakh-devotees-visited-in-a-week</guid><pubDate>Wed, 10 Jun 2026 16:51:39 +05:30</pubDate><description><![CDATA[<p>યાત્રામાં વધતી ભીડને કારણે હેલિકોપ્ટર સેવા, બેટરી કાર, રોપવે તેમજ ભવન ખાતે રહેવાની સુવિધાઓ લગભગ સંપૂર્ણપણે બુક થઈ ગઈ છે. તેથી યાત્રાળુઓને પ્રવાસ પહેલાં ઉપલબ્ધ સુવિધાઓ અને હાલની સ્થિતિ અંગે માહિતી મેળવીને જ પ્રવાસનું આયોજન કરવાની સલાહ આપવામાં આવી રહી છે.</p><h2><b>જૂન મહિનામાં યાત્રાળુઓની સંખ્યા વધી&nbsp;</b></h2><p>શ્રાઇન બોર્ડના આંકડા મુજબ જૂન મહિનાની શરૂઆતથી જ યાત્રાળુઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. 1 જૂને 37,100 ભક્તોએ દર્શન કર્યા હતા, જ્યારે 2 જૂને આ આંકડો વધીને 40,200 થયો હતો. ત્યારબાદ 3 જૂને 40,300, 4 જૂને 40,000, 5 જૂને 42,500, 6 જૂને 47,500, 7 જૂને 48,300 અને 8 જૂને 48,500 શ્રદ્ધાળુઓ માતાના દર્શન માટે પહોંચ્યા હતા. આ વધતી સંખ્યા છેલ્લા કેટલાક વર્ષોના રેકોર્ડને પડકારતી જોવા મળી રહી છે.</p><p><br></p><h3><b>વધતી ભીડને કારણે નોંધણી કેન્દ્રો સમય પહેલાં બંધ</b></h3><p>યાત્રાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને અનેક વખત નોંધણી કેન્દ્રો નિર્ધારિત સમય પહેલાં બંધ કરવાની ફરજ પડી હતી. 6 જૂને નોંધણી પ્રક્રિયા રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખવાની હતી, પરંતુ ભારે ભીડને કારણે તેને રાત્રે 8 વાગ્યે જ બંધ કરી દેવામાં આવી. એ જ રીતે રવિવારે પણ તમામ નોંધણી કેન્દ્રો સાંજે લગભગ 7 વાગ્યે બંધ કરવામાં આવ્યા હતા.</p><p>ઉલ્લેખનીય છે કે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)ના માર્ગદર્શિકા મુજબ એક દિવસમાં 50 હજારથી વધુ યાત્રાળુઓને યાત્રા માર્ગ પર મોકલવાની મંજૂરી નથી. આ કારણે જ્યારે સંખ્યા નિર્ધારિત મર્યાદાની નજીક પહોંચે છે ત્યારે નોંધણી પ્રક્રિયા અટકાવવામાં આવે છે.</p><p><br></p><h3><b>સુવિધાઓ પર પણ ભીડની અસર</b></h3><p>યાત્રાળુઓની રેકોર્ડબ્રેક સંખ્યાની સીધી અસર વિવિધ સુવિધાઓ પર જોવા મળી રહી છે. હેલિકોપ્ટર સેવા, બેટરી કાર, રોપવે તેમજ ભવન ખાતે રહેવા માટેના રૂમ આગામી ઘણા દિવસો સુધી લગભગ સંપૂર્ણપણે બુક થઈ ગયા છે. પરિણામે પૂર્વ બુકિંગ વગર પહોંચતા ભક્તોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.</p><p>શ્રાઇન બોર્ડ દ્વારા ભીડનું યોગ્ય સંચાલન કરવા માટે દર્શન માટે ઉપલબ્ધ ત્રણેય ગુફાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી વધુમાં વધુ ભક્તોને ઝડપથી દર્શન કરાવી શકાય અને લાંબી કતારોને નિયંત્રિત કરી શકાય.</p><p><br></p><h4><b>કટરાના વેપારીઓમાં ખુશીની લહેર</b></h4><p>વૈષ્ણો દેવી યાત્રામાં વધેલી ભીડનો સૌથી મોટો લાભ કટરાના સ્થાનિક વેપારીઓને મળી રહ્યો છે. હોટલ, ગેસ્ટ હાઉસ, ઢાબા, રેસ્ટોરન્ટ અને અન્ય વેપારી એકમોમાં સારી એવી ચહલપહલ જોવા મળી રહી છે.</p><p>સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે ગયા વર્ષે વિવિધ કારણોસર યાત્રા પર અસર પડી હતી, જેના કારણે વ્યવસાયને નુકસાન થયું હતું. જોકે, આ વર્ષે મોટી સંખ્યામાં આવી રહેલા શ્રદ્ધાળુઓએ વેપારમાં ફરીથી નવી ઊર્જા ભરી છે. વેપારીઓને આશા છે કે આગામી દિવસોમાં પણ આ જ ગતિ યથાવત રહેશે, જેના કારણે પ્રવાસન અને સ્થાનિક અર્થતંત્રને વધુ મજબૂતી મળશે.</p><p><br></p><p><a href="https://sandesh.com/gallery/news/lifestyle/this-district-is-considered-the-litchi-capital-of-india-know-which-one" target="_blank">આ પણ વાંચો-  આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?&nbsp;</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/10/LbG74mOiuIoSxRT7RuOmJbc3bEIRNqfB1LVydcsg.webp'/></item><item><title><![CDATA[Strait of Hormuz: ભારતે બનાવી 40 હજાર કરોડની મેગા યોજના, તેલ અને ગેસની સમસ્યા ફરી નહીં સર્જાય ]]></title><link>https://sandesh.com/world/news/business/strait-of-hormuz-india-has-made-a-mega-project-worth-40-thousand-crores-oil-and-gas-problem-will-not-arise-again</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/business/strait-of-hormuz-india-has-made-a-mega-project-worth-40-thousand-crores-oil-and-gas-problem-will-not-arise-again</guid><pubDate>Wed, 10 Jun 2026 16:39:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">હોર્મુઝના નાકાબંધીને કારણે તેલ અને ગેસના સંકટ વચ્ચે, ભારત મેગા પ્રોજેક્ટ પર ગંભીરતાથી આગળ વધી રહ્યું છે. 
</p><h2 style="text-align: justify; ">હોર્મુઝ ખોલવાની આશા પર પાણી 
</h2><p style="text-align: justify; ">ઈરાનનું અમેરિકા અને ઈઝરાયલ સામેનું યુદ્ધ ફરી એકવાર વધતું દેખાય છે. અમેરિકાએ તેના અપાચે હેલિકોપ્ટર પરના હુમલાનો બદલો લેવા માટે હોર્મુઝ નજીકના મુખ્ય ઈરાની ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે બહેરીનમાં યુએસ ફિફ્થ ફ્લીટને નિશાન બનાવવાનો દાવો કર્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના આ તાજેતરના ગોળીબારથી હોર્મુઝ ઝડપથી ફરી ખોલવાની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.</p><p style="text-align: justify; "> 
</p><h3 style="text-align: justify; ">ઓમાનથી સીધી ગુજરાત સુધી અંડરવોટર પાઇપલાઇન
</h3><div>
</div><p style="text-align: justify;">ભારત પોતાની જરૂરિયાતનો 50 ટકાથી વધુ નેચરલ ગેસ આયાત કરે છે. જેનો મોટો હિસ્સો ખાડી દેશોમાંથી એલએનજી સ્વરૂપે હોર્મુઝ સ્ટ્રેટ થઈને ભારતીય બંદરો પર પહોંચે છે. આ નિર્ભરતા ઘટાડવા માટે હવે ઓમાનથી ગુજરાત સુધી અરબ સાગરમાં અંડરવોટર ડીપ-સી ગેસ પાઇપલાઇન બિછાવવાની યોજનાને ફરી ગતિ મળી છે. લગભગ 2 હજાર કિલોમીટર લાંબી આ પાઈપલાઈન સીધી ઓમાનને ગુજરાત સાથે જોડશે. જેનાથી દરિયાઈ તણાવ છતાં ભારતને ગેસનો સપ્લાય અટકશે નહીં.</p><h4 style="text-align: justify; ">પ્રોજેક્ટની વિશેષતાઓ શુ ?  
</h4><p style="text-align: justify; ">આ પ્રોજેક્ટની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા તેની તકનીકી જટિલતા છે. પાઇપલાઇનના ભાગો સમુદ્ર સપાટીથી 3 હજાર મીટરથી વધુ ઊંડાઈએ નાખવામાં આવશે. આવી ઊંડાઈએ પાઇપલાઇન બનાવવી એ વિશ્વના સૌથી પડકારજનક એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સમાંનો એક માનવામાં આવે છે. જો સફળ થાય, તો તે વિશ્વની સૌથી ઊંડી પાણીની અંદર ગેસ પાઇપલાઇનમાંની એક હશે.
</p><h5 style="text-align: justify; ">સમુદ્રતળ સર્વેક્ષણ પૂર્ણ 
</h5><p style="text-align: justify; ">સાઉથ એશિયા ગેસ એન્ટરપ્રાઇઝ  જે કંપની લાંબા સમયથી આ પ્રોજેક્ટને પ્રોત્સાહન આપી રહી છે, તે પહેલાથી જ ટેકનિકલ અને નાણાકીય અભ્યાસ તેમજ સમુદ્રતળ સર્વેક્ષણ પૂર્ણ કરી ચૂકી હોવાનો દાવો કરે છે. અહેવાલો અનુસાર, પેટ્રોલિયમ મંત્રાલયે હવે GAIL, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ જેવી સરકારી માલિકીની કંપનીઓને વિગતવાર અહેવાલ તૈયાર કરવાનું કામ સોંપ્યું છે.
</p><h6 style="text-align: justify; ">આયાતની પ્રક્રિયા લાંબી અને ખર્ચાળ 
</h6><p style="text-align: justify; ">હાલમાં, LNG આયાતની પ્રક્રિયા લાંબી અને ખર્ચાળ છે. ગેસને પહેલા પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવે છે, પછી વિશિષ્ટ જહાજોમાં હજારો કિલોમીટર પરિવહન કરવામાં આવે છે, અને પછી ભારતમાં આગમન પર તેને ફરીથી ગેસમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ ખર્ચાળ છે. પ્રસ્તાવિત પાઇપલાઇન ગેસને સીધા સ્ત્રોતથી ગ્રાહક સુધી પહોંચાડશે. પ્રારંભિક અંદાજ મુજબ, ગેસ પરિવહનનો ખર્ચ $2 થી $2.25 પ્રતિ MMBtu ની વચ્ચે હોઈ શકે છે, જે ઘણી પરિસ્થિતિઓમાં LNG આયાત સાથે સ્પર્ધાત્મક સાબિત થઈ શકે છે.
</p><h2 style="text-align: justify; ">તકનીકી અને આર્થિક શક્યતા 
</h2><p style="text-align: justify; ">જ્યારે ત્રણ દાયકા પહેલા આ પ્રોજેક્ટ પહેલીવાર રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે તકનીકી અને આર્થિક શક્યતા સૌથી મોટા અવરોધો હતા. પરંતુ હવે, ઊર્જા સુરક્ષા રાષ્ટ્રીય સુરક્ષાનો એક મહત્વપૂર્ણ ઘટક બની ગઈ છે. રશિયા-યુક્રેન યુદ્ધ, લાલ સમુદ્ર કટોકટી અને હવે હોર્મુઝ સ્ટ્રેટમાં વધતા તણાવે દર્શાવ્યું છે કે એક જ દરિયાઈ માર્ગ પર વધુ પડતી નિર્ભરતા કેટલી જોખમી હોઈ શકે છે. નિષ્ણાતો માને છે કે જો આ પ્રોજેક્ટ સફળ થાય છે, તો ભવિષ્યમાં આ જ નેટવર્કનો ઉપયોગ હાઇડ્રોજન જેવા સ્વચ્છ ઇંધણના પરિવહન માટે થઈ શકે છે.
</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/world/news/knowledge/india-tops-the-global-peace-index-leaving-behind-america-russia-israel-iran" target="_blank"> Global Peace Indexમાં ભારત સૌથી આગળ, અમેરિકા, રશિયા, ઇઝરાયેલ, ઇરાનને મુક્યા પાછળ</a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/10/V1L0l8ZvmrfNSuygwAe5MlaaAKAJfAxw6S7rJTlJ.webp'/></item><item><title><![CDATA[Rajkot News: કૌટુંબિક ઝઘડાએ લીધો માસુમનો ભોગ, સગા મામાએ કરી 13 વર્ષના ભાણેજની હત્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/rajkot/jasdan-atkot-maternal-uncle-kills-nephew-family-dispute</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/rajkot/jasdan-atkot-maternal-uncle-kills-nephew-family-dispute</guid><pubDate>Wed, 10 Jun 2026 16:38:11 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ પોલીસ સ્ટેશનની હદમાં ગોંડલના કેશવાળા-વાસાવડ રોડ પર સગા સબંધોને લાંછન લગાડતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કૌટુંબિક વિવાદમાં સગા મામાએ પોતાના જ 13 વર્ષના માસૂમ ભાણેજની પથ્થર મારીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.</p><h2><b>પતિ-પત્નીના ઝઘડામાં માસૂમનો ભોગ</b></h2><p>ઘટનાની મળતી માહિતી મુજબ, પરિવારમાં પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા ઝઘડા અને તેના સમાધાન મુદ્દે છેલ્લા કેટલાક સમયથી મોટો વિવાદ ચાલી રહ્યો હતો. આ કૌટુંબિક અદાવતમાં કોઈ વાંક વગર 13 વર્ષનો નિર્દોષ બાળક નરેન્દ્ર ભોગ બન્યો હતો. હુમલાખોર મામા અરવિંદભાઈએ ક્રોધમાં ભાન ભૂલીને ભાણેજ નરેન્દ્રનો બાઈક પર પીછો કર્યો હતો.</p><h2><b>રસ્તા પર આંતરી પથ્થરમારો કર્યો</b></h2><p>કેશવાળા-વાસાવડ રોડ પર બાઈક પાછળ દોડીને મામાએ ભાણેજને આંતરી લીધો હતો અને તેને નીચે પાડી દીધો હતો. ત્યારબાદ ઉશ્કેરાયેલા મામા અરવિંદભાઈએ માસૂમ નરેન્દ્ર પર એક મોટો અને વજનદાર પથ્થર ફેંક્યો હતો. આ પથ્થર સીધો નરેન્દ્રના માથાના ભાગે વાગતા તે ગંભીર રીતે લોહીલુહાણ થઈને ઢળી પડ્યો હતો.</p><h2><b>સારવાર મળે તે પહેલા જ કરૂણ મોત</b></h2><p>ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક એકઠા થઈ ગયા હતા. ગંભીર હાલતમાં લોહીલુહાણ થયેલા નરેન્દ્રને તુરંત જ નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, કમનસીબે તેને યોગ્ય સારવાર મળે તે પહેલા જ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ કરૂણ ઘટનાને પગલે માસૂમ બાળકના પરિવારમાં ભારે આક્રંદ છવાયો છે.</p><h2><b>આટકોટ પોલીસે હત્યારાને ઝડપી લીધો</b></h2><p>બનાવની જાણ થતાં જ આટકોટ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે માસૂમ નરેન્દ્રના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી, હત્યારા મામા અરવિંદભાઈ વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી લીધો હતો. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/rajkot/rajkot-crime-news-widow-forced-head-shaved-by-inlaws-for-property-dispute-police-case" target="_blank">Rajkot : 21મી સદીનું કલંક, પતિના મોત બાદ સાસુ-નણંદે બળજબરીથી વિધવાનું કરાવ્યું મુંડન, મિલકત હડપવા અત્યાચાર ગુજાર્યો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/10/4ckKC9uKU85fC51LyikN7doCyKxQfmRnU7HHBnmw.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બની ધમકીનો ભેદ ઉકેલાયો, સુરતના વેપારીના પુત્રએ ધુરંધર ફિલ્મ જોઈને ખેલ કર્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/sports-club-bomb-threat-solved-surat-businessmans-son-inspired-by-film-behind-hoax</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/sports-club-bomb-threat-solved-surat-businessmans-son-inspired-by-film-behind-hoax</guid><pubDate>Wed, 10 Jun 2026 16:07:55 +05:30</pubDate><description><![CDATA[<p>નવરંગપુરા વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત સ્પોર્ટ્સ ક્લબને બોમ્બથી ઉડાવી દેવાની લેખિત ધમકી મળતાં સમગ્ર પરિસરમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. આ ઘટનાની તપાસ ચાલુ છે ત્યાં જ આજે ફરીવાર અમદાવાદ અને ગાંધીનગરમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેઈલ મળ્યા હતાં. સ્પોર્ટ્સ ક્લબની ઘટનામાં ધુરંધર મૂવી જોઈને બાળકે બોમ્બની ધમકી આપી હોવાનો ખુલાસો થયો છે.&nbsp;</p><h2><b>લોકરમાંથી એક અજાણી ચિઠ્ઠી મળી આવી</b></h2><p>સ્પોર્ટ્સ ક્લબના કર્મચારીઓને ચેકિંગ દરમિયાન રૂમ નંબર 119માં આવેલા એક લોકરમાંથી એક અજાણી ચિઠ્ઠી મળી આવી હતી.આ ચિઠ્ઠીને ખોલીને વાંચતા જ સ્ટાફના હોશ ઉડી ગયા હતા.કારણ કે તેમાં ક્લબને બોમ્બથી ઉડાવી દેવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.ક્લબના સંચાલકોએ મોડું કર્યા વિના આ અંગે તાત્કાલિક કંટ્રોલ રૂમ દ્વારા પોલીસને જાણ કરી હતી.પોલીસ દ્વારા ક્લબના ખૂણે ખૂણાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. તેમજ લોકર સુધી આ ચિઠ્ઠી કોણે પહોંચાડી તે જાણવા માટે ત્યાંના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતાં.&nbsp;</p><h3><b>પેન્સિલથી બોમ્બ થ્રેટનો મેસેજ લખ્યો</b></h3><p>આ ઘટનામાં હવે મોટો ખુલાસો સામે આવ્યો છે. તાજેતરમાં જ રીલિઝ થયેલી ધુરંધર ફિલ્મ પરથી પ્રેરણા લઈને સુરતના એક વેપારીના 12 વર્ષના પુત્રએ મજાક કરવા આ ચિઠ્ઠી લખી હતી. તેણે ધુરંધર મૂવી જોયા બાદ પેન્સિલથી બોમ્બ થ્રેટનો મેસેજ લખ્યો હતો. સ્પોર્ટ્સ ક્લબની જે રૂમમાંથી ચિઠ્ઠી મળી તે રૂમમાં 3 વિદેશી વેપારીઓ રોકાયા હતા. ચિઠ્ઠીમાં લશ્કર એ તોયબા તેમજ દાઉદનો  ઉલ્લેખ કરાયો હતો. આ બાળકે પત્ર લખીને લોકરમાં મુક્યો હતો અને આખરે લોકરમાં જ રહી ગયો હતો. હાઉસકિપિંગ સ્ટાફે જ્યારે રૂમની અંદર કામગીરી કરી ત્યારે આ લેટર મળી આવ્યો હતો.&nbsp;&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/breakingnews/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-metro-phase-2-airport-connectivity-union-cabinet-approval-koteshwar-route" target="_blank">આ પણ વાંચોઃ Delhi : હવે અમદાવાદ મેટ્રો એરપોર્ટ સુધી પહોંચશે, કેન્દ્રિય કેબિનેટે આપી મંજૂરી</a></p><p><br></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/10/vNGviAuVlRDGei2REyS969QVphXqRdgTadoA9F57.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026: ટિકટનો ભાવ સાંભળી આવી જશે ચક્કર! ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup-2026-youll-be-dizzy-after-hearing-the-ticket-prices</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup-2026-youll-be-dizzy-after-hearing-the-ticket-prices</guid><pubDate>Wed, 10 Jun 2026 15:44:39 +05:30</pubDate><description><![CDATA[<p>2026 FIFA વર્લ્ડ કપ થોડા કલાકોમાં શરૂ થવાનો છે. આ વખતે, ઉત્તર અમેરિકા ખંડને આ ટુર્નામેન્ટનું આયોજન કરવાની તક આપવામાં આવી છે, જેમાં 48 ટીમોની આ ટુર્નામેન્ટ યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા અને મેક્સિકોમાં યોજાઈ રહી છે. દરેક વર્લ્ડ કપની જેમ, આ ટુર્નામેન્ટ પહેલા કરતાં વધુ નફાકારક બનવાની અપેક્ષા છે, અને તેનું એક મુખ્ય કારણ ટિકિટની કિંમત છે. FIFA વર્લ્ડ કપ 2026 મેચ જોવા માટે, દર્શકોએ પોતાના પૈસા છૂટા કરવા પડશે, કારણ કે નિયમિત ટિકિટ પણ ઓછામાં ઓછા 10,000 રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે ફાઇનલ મેચની કિંમત 600,000 રૂપિયાથી વધુ હશે.</p><h4><b>11-12 જૂનની મધ્યરાત્રિએ શરૂ થશે</b></h4><p>વર્લ્ડ કપ ભારતીય સમય મુજબ 11-12 જૂનની મધ્યરાત્રિએ શરૂ થશે અને 18 જુલાઈ સુધી ચાલુ રહેશે. આ વખતે, વધુ ટીમો, વધુ મેચો અને તેથી, વધુ ઉત્તેજના છે. પરંતુ આ વર્લ્ડ કપની સૌથી ખાસ વાત એ છે કે તેની યુનાઇટેડ સ્ટેટ્સ સુધી પહોંચ છે, કારણ કે આ દેશમાં ફૂટબોલની લોકપ્રિયતા પ્રમાણમાં ઓછી છે. જોકે, ઉત્સાહ તો છે જ, અને આ ઉત્સાહનો લાભ ઉઠાવવા માટે, ટિકિટના ભાવ મનમોહક ભાવે નક્કી કરવામાં આવ્યા છે.</p><h4><b>પહેલી મેચ માટે આટલા પૈસા ખર્ચવા પડશે</b></h4><p>માહિતી અનુસાર, ટુર્નામેન્ટની પહેલી મેચની ટિકિટના ભાવ અન્ય ગ્રુપ મેચો કરતાં નોંધપાત્ર રીતે વધારે છે. કેટેગરી 1ની પહેલી મેચની ટિકિટની કિંમત $2,300 થી વધુ અથવા ₹220,000 સુધી છે. સૌથી સસ્તી કેટેગરી 4ની ટિકિટની કિંમત ફક્ત $560 અથવા લગભગ ₹54,000 છે. ગ્રુપ સ્ટેજની અન્ય મેચો માટે, કેટેગરી 1ની ટિકિટની સરેરાશ કિંમત $575 (આશરે ₹54,000) છે, જ્યારે કેટેગરી 4ની ટિકિટની કિંમત $100 (આશરે ₹10,000) છે. જોકે, આમાં ફેરફાર થઈ શકે છે, કારણ કે મુખ્ય ટીમોની ટિકિટની માંગ વધુ હોય છે અને તેથી તે વધુ મોંઘી હોઈ શકે છે.</p><h4><b>ફાઇનલ ટિકિટ રૂ.600,000 સુધી</b></h4><p>ફાઇનલ મેચની ટિકિટની વાત કરીએ તો, કેટેગરી 1 ટિકિટ, જે સૌથી વધુ કેટેગરી છે, તેની કિંમત ઓછામાં ઓછી $6,370 અથવા ₹600,000 થી વધુ હશે. કેટેગરી 1 ટિકિટની કિંમત પણ તમારા ખિસ્સામાં કાણું પાડશે. તમારે $2,030 અથવા આશરે ₹1.95 લાખ ખર્ચવા પડશે. નોંધનીય છે કે કતારમાં રમાયેલા વર્લ્ડ કપ ફાઇનલની સૌથી મોંઘી ટિકિટ $1,607 હતી, જ્યારે સૌથી સસ્તી $206 હતી.</p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/prize-money-cricket-world-cup-or-fifa-world-cup-which-tournament-offers-the-most-prize-money" target="_blank"> Prize Money : ક્રિકેટ વર્લ્ડ કપ કે ફીફા વર્લ્ડ કપ, કયા ટૂર્નામેન્ટમાં મળે છે સૌથી વધુ પ્રાઇઝ મની?</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/10/U9Xhhh7hXXTFaqqFDi4HZ1bdZPwcoSF4DiiNbQW1.webp'/></item><item><title><![CDATA[West Bengal News: મમતા બેનર્જી TMCને કોંગ્રેસમાં ભેળવવા તૈયાર!, અભિષેક બેનર્જીએ Rahul Gandhi સમક્ષ મૂકી શરતો ]]></title><link>https://sandesh.com/india/news/-political-news/west-bengal-news-mamata-banerjee-ready-to-merge-tmc-with-congress-abhishek-banerjee-puts-conditions-before-rahul-gandhi</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/-political-news/west-bengal-news-mamata-banerjee-ready-to-merge-tmc-with-congress-abhishek-banerjee-puts-conditions-before-rahul-gandhi</guid><pubDate>Wed, 10 Jun 2026 15:36:59 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">મમતા બેનર્જીએ અભિષેક બેનર્જી દ્વારા રાહુલ ગાંધી સમક્ષ કેટલીક શરતો પણ મૂકવા જણાવ્યુ છે. 
</p><h2 style="text-align: justify; ">કોંગ્રેસના પ્રતિભાવ પર નજર 
</h2><p style="text-align: justify; ">સોનિયા ગાંધીએ મમતા બેનર્જીને પ્રસ્તાવ મૂક્યો કે, ટીએમસી પર ભાજપના રાજકીય હુમલાઓને ધ્યાનમાં રાખીને, તેમણે તેમના પક્ષને કોંગ્રેસમાં ભેળવી દેવો જોઈએ, નહીંતર ભાજપ તેમને આમ આદમી પાર્ટીની જેમ હેરાન કરશે. અભિષેક બેનર્જીએ રાહુલ ગાંધી સાથેની મુલાકાતમાં આ અંગે ચર્ચા કરી હતી. ટીએમસી નેતાએ માંગ કરી છે કે મમતા બેનર્જીને રાજ્યસભામાં મોકલવામાં આવે અને રાજ્યસભામાં વિપક્ષના નેતાનું પદ આપવામાં આવે. જોકે, આ અંગે કોંગ્રેસનો પ્રતિભાવ જાહેર કરવામાં આવ્યો નથી.
</p><h3 style="text-align: justify; ">સોનિયા ગાંધીએ પોતે આ ઓફર કરી
</h3><p style="text-align: justify; ">સોનિયા ગાંધીએ વ્યક્તિગત રીતે મમતા બેનર્જીને ફોન કરીને ટીએમસીનું કોંગ્રેસમાં વિલય કરવાની ઓફર કરી હતી. સોનિયા ગાંધીએ મમતા બેનર્જીને ટીએમસીનું ભેળવવા કહ્યું હતું, જેના બદલામાં તેમને કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવશે. વધુમાં, તેમના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનર્જીને પણ મહાસચિવ પદ આપવામાં આવશે. કોંગ્રેસ સંસદીય પક્ષના નેતાએ મમતા બેનર્જીને પ્રસ્તાવ મૂક્યો હતો કે, TMC પર ભાજપના રાજકીય હુમલાઓને ધ્યાનમાં રાખીને, તેમણે તેમના પક્ષને કોંગ્રેસમાં ભેળવી દેવો જોઈએ, નહીં તો ભાજપ તેમને આમ આદમી પાર્ટીની જેમ હેરાન કરશે. વધુમાં, તેમના પક્ષના આંતરિક સભ્યો પણ અભિષેક બેનર્જીની વિરુદ્ધ છે, જેના કારણે તેમના માટે પરિસ્થિતિ મુશ્કેલ બની છે. 
</p><h4 style="text-align: justify; ">રાહુલ-અભિષેકની મુલાકાત દોઢ કલાક ચાલી હતી
</h4><p style="text-align: justify; ">મમતા બેનર્જીએ છેલ્લા બે દિવસમાં કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીને તેમના નિવાસસ્થાન, 10 જનપથ ખાતે બે વાર મળ્યા ત્યારે કોંગ્રેસમાં TMCના વિલયની અટકળોને જોર મળ્યું. બેઠક દરમિયાન બંને નેતાઓ વચ્ચે ગરજોશી સાથે મુલાકાત થઇ હતી. મમતા અને સોનિયાએ એકબીજાને ગળે પણ લગાવ્યા હતા. બાદમાં, રાહુલ ગાંધી અને અભિષેક બેનર્જી પણ મળ્યા હતા. 10 જનપથ ખાતે રાહુલ ગાંધી અને અભિષેક બેનર્જી વચ્ચેની મુલાકાત લગભગ દોઢ કલાક ચાલી હતી. 
</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/crime/south-africa-shooting-in-cleveland-johannesburg-12-people-killed-nine-injured" target="_blank">જોહાનિસબર્ગના ક્લેવલેન્ડમાં ફાયરિંગ, 12 લોકોના મોત, નવ ઘાયલ</a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/10/gyUDGhjLDOc02zOugHfCx9pFaZzn8GFBuSvLdUtD.webp'/></item></channel></rss>