<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[FIFA World Cup 2026: સ્પેન સામે ઓસ્ટ્રિયાની ટક્કર, પોર્ટુગલનો રાઉન્ડ ઓફ 32માં ક્રોએશિયા સામે મેચ ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-round-of-32-day-22-schedule</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-round-of-32-day-22-schedule</guid><pubDate>Thu, 02 Jul 2026 17:01:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફિફા વર્લ્ડકપ 2026 માટે હાલમાં 32 રાઉન્ડની મેચો ચાલી રહી છે, જેમાં 10 ટીમો રાઉન્ડ ઓફ 16માં પોતાનું સ્થાન મેળવી ચૂકી છે. 6 ટીમો હજુ નક્કી થવાની બાકી છે.</p><p style="text-align: justify; ">વર્લ્ડકપના 22મા દિવસના શેડ્યૂલ પર નજર કરીએ તો કુલ 3 મેચો શેડ્યૂલ કરવામાં આવી છે, જેમાં સૌથી વધુ ફેન્સનું ધ્યાન સ્પેન અને ઓસ્ટ્રિયા વચ્ચેની મેચ તેમજ પોર્ટુગલ અને ક્રોએશિયા વચ્ચેની મેચ પર કેન્દ્રિત છે. ત્રીજી મેચ સ્વિટ્ઝર્લેન્ડ અને અલ્જીરિયા વચ્ચે રમાશે.</p><h2 style="text-align: justify; "><b>સ્પેન પોતાનું ફોર્મ જાળવી રાખવાનો કરશે પ્રયાસ</b></h2><p style="text-align: justify; ">ગ્રુપ Hનો ભાગ રહેલા સ્પેને પોતાના અભિયાનની શરૂઆત અપેક્ષા મુજબ કરી ન હતી, અને તેમની પહેલી મેચ ડ્રો રહી હતી. ત્યારબાદ સ્પેને પોતાની આગામી બંને મેચ જીતીને રાઉન્ડ ઓફ 32 માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું.&nbsp;</p><p style="text-align: justify; ">ગ્રુપ Jનો ભાગ રહેલા ઓસ્ટ્રિયાએ 1 જીત, 1 ડ્રો અને 1 હારી. તેથી આ મેચ તેમના માટે સરળ રહેશે નહીં. સ્પેન અને ઓસ્ટ્રિયા વચ્ચેનો આ રાઉન્ડ ઓફ 32 મેચ 3 જુલાઈએ ભારતીય સમય મુજબ રાત્રે 12:30 વાગ્યે રમાશે.</p><h3 style="text-align: justify; "><b>પોર્ટુગલ માટે ક્રોએશિયાનો પડકાર સરળ નહીં હોય</b></h3><p style="text-align: justify; ">જ્યારે પોર્ટુગલ રાઉન્ડ ઓફ 32 માં ક્રોએશિયા સામે ટકરાશે ત્યારે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સૌથી મોટી જવાબદારી નિભાવશે. ગ્રુપ સ્ટેજમાં પોર્ટુગલે ફક્ત 1 જ મેચ જીતી હતી, જ્યારે 2 મેચ ડ્રો રહી હતી. આ દરમિયાન ક્રોએશિયાએ ગ્રુપ સ્ટેજમાં 2 મેચ જીતી હતી અને 1 હારી હતી. પોર્ટુગલ અને ક્રોએશિયા વચ્ચે રાઉન્ડ ઓફ 32 ની મેચ 3 જુલાઈના રોજ ભારતીય સમય મુજબ સવારે 4:30 વાગ્યે રમાશે.</p><h4 style="text-align: justify; "><b>બધાની નજર સ્વિટ્ઝર્લેન્ડ અને અલ્જીરિયા વચ્ચેની મેચ પર પણ રહેશે</b></h4><p style="text-align: justify; ">સ્વિટ્ઝર્લેન્ડ રાઉન્ડ ઓફ 32માં અલ્જીરિયા સામે ટકરાશે. 2 જીત અને 1 ડ્રો સાથે ગ્રુપ Bમાં ટોપ પર રહેનાર સ્વિટ્ઝર્લેન્ડનો ગ્રુપ Jમાં ત્રીજા નંબરે રહીને અલ્જીરિયા સામે થોડો સરળ પડકાર રહેશે. બંને ટીમો વચ્ચેની મેચ 3 જુલાઈએ ભારતીય સમય મુજબ સવારે 8:30 વાગ્યે રમાશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/ishan-kishan-run-out-abhishek-sharma-stump-mic-video" target="_blank">Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/UlOMYKHll7TbOBQCUz0ohyMqWKRBH0PxqtOl9ZK0.webp'/></item><item><title><![CDATA[Surat News: માંગરોળના કંટવા ગામે વીજપોલ ધરાશાયી, કોસાડીના યુવકનું મોત ]]></title><link>https://sandesh.com/weather/monsoon-2026/news/gujarat/surat/mangrol-kantva-electric-pole-collapse-youth-death-heavy-rain</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/monsoon-2026/news/gujarat/surat/mangrol-kantva-electric-pole-collapse-youth-death-heavy-rain</guid><pubDate>Thu, 02 Jul 2026 16:55:32 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાંથી એક અત્યંત દિલધડક અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. માંગરોળના કંટવા ગામ પાસેથી પસાર થતા રોડ પર એક વીજપોલ (ઈલેક્ટ્રિક થાંભલો) અચાનક ધરાશાયી થઈ ગયો હતો. કંટવા તરફથી દિનોદ ગામ તરફ જતા રસ્તા પર બનેલી આ ઘટનામાં એક આશાસ્પદ યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. અકસ્માતને પગલે સ્થાનિકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા.</p><h2><b>કોસાડી ગામના સુફિયાન મામજી તરીકે થઈ ઓળખ</b></h2><p>આ ગમખ્વાર દુર્ઘટનામાં ભોગ બનનાર મૃતક યુવકની ઓળખ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, મૃતક યુવક મૂળ માંગરોળ તાલુકાના જ કોસાડી ગામનો વતની હતો અને તેનું નામ સુફિયાન મામજી હતું. સુફિયાન રોજની જેમ પોતાના કામ અર્થે મોટરસાઇકલ લઈને ભરૂચ તરફ જઈ રહ્યો હતો, તે દરમિયાન કાળમુખો વીજપોલ તેના પર તૂટી પડ્યો હતો, જેના કારણે તેને સંભળાવવાનો મોકો પણ ન મળ્યો.</p><h2><b>ભારે પવન અને વરસાદ બન્યા કાળનું કારણ</b></h2><p>દુર્ઘટના પાછળ હવામાનનો મિજાજ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. ચોમાસાની મધ્યે પંથકમાં વહેલી સવારથી જ ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો અને મુસળધાર વરસાદ પડી રહ્યો હતો. ભારે વરસાદ અને વાવાઝોડા જેવા પવનના કારણે કંટવા ગામના રસ્તા પર આવેલો લોખંડનો વીજપોલ એકાએક જમીનદોસ્ત થઈ ગયો હતો. બરાબર એ જ સમયે સુફિયાન ત્યાંથી પસાર થઈ રહ્યો હોવાથી વીજપોલ સીધો તેના પર પડ્યો હતો.</p><p><img alt="Surat News: Youth Killed as Electric Pole Collapses Due to Heavy Rain in Mangrol" src="https://epapercdn.sandesh.com/images/2026/07/02/bqi0lshLUZ1IUjJ93HzPUY4sgPJowfQ96NDjePLA.webp"><br></p><h2><b>પરિવારમાં માતમ, તંત્રની કામગીરી સામે સવાલો</b></h2><p>આ અકસ્માતની જાણ થતાં જ કોસાડી ગામ અને યુવકના પરિવારમાં અરેરાટી સાથે ભારે રોકકળ મચી ગઈ છે. આશાસ્પદ યુવકના આકસ્મિક અવસાનથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બીજી તરફ, સ્થાનિક લોકોમાં વીજ કંપની અને તંત્ર સામે પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ચોમાસા પૂર્વે પ્રી-મોન્સૂન કામગીરી હેઠળ જર્જરિત વીજપોલ કેમ ચેક કરવામાં ન આવ્યા, તેવા ગંભીર સવાલો પણ ઉઠી રહ્યા છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/weather/monsoon-2026/news/ahmedabad/gujarat-rain-update-weather-imd-rainfall-statistics" target="_blank">Gujarat Rain Update: ગુજરાતમાં સરેરાશ કરતાં 93% ઓછો વરસાદ, વાંચો IMD રિપોર્ટ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/w7qSnBeTmk3oqMQOuQYS0HpQSs1t7QPFSkqHNkbD.webp'/></item><item><title><![CDATA[Mumbai : સાકીનાકામાં ખુલ્લા મેનહોલમાં પડવાથી એક વૃદ્ધનું મોત ]]></title><link>https://sandesh.com/india/news/mumbai-sakinaka-elderly-man-dies-after-falling-into-open-manhole</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/mumbai-sakinaka-elderly-man-dies-after-falling-into-open-manhole</guid><pubDate>Thu, 02 Jul 2026 16:50:49 +05:30</pubDate><description><![CDATA[<p>મુંબઈમાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે ગુરુવારે સાકીનાકાના ખૈરાણી રોડ પર એક હૃદયદ્રાવક ઘટના બની હતી. યાદવ નગરમાં રહેતા 60 વર્ષીય અસલમ ઇશાક શેખ બપોરે આશરે 12:26 વાગ્યે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર તેઓ મોબાઇલ ફોન પર વાત કરવામાં વ્યસ્ત હોવાથી તેમનું ધ્યાન ભટકી ગયું અને તેઓ ખુલ્લા મેનહોલમાં પડી ગયા.</p><h2><b>પાણીના પ્રચંડ પ્રવાહમાં વૃદ્ધ તણાઈ</b></h2><p>મળતી માહિતી મુજબ ઘટના સમયે ખાનગી કોન્ટ્રાક્ટરના ત્રણ કર્મચારીઓ મેનહોલનું ઢાંકણું ખોલીને સફાઈ અને સમારકામનું કામ કરી રહ્યા હતા. વૃદ્ધને પડતા જ કર્મચારીઓએ તરત જ મેનહોલમાં સીડી ઉતારી તેમને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ વરસાદી પાણીના પ્રચંડ પ્રવાહમાં તેઓ તણાઈ ગયા. બચાવ દરમિયાન માત્ર તેમની છત્રી અને ચપ્પલ જ મળી શક્યા.</p><h3><b>ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો</b></h3><p>ઘટનાની જાણ થતાં મુંબઈ ફાયર બ્રિગેડ અને બચાવ ટીમે તરત જ શોધખોળ શરૂ કરી હતી. લગભગ અઢી કલાક બાદ બપોરે 2:15 વાગ્યે ડ્રેનેજ સિસ્ટમની અંદરથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો. હાલ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.</p><p>મુંબઈમાં સતત વરસતા વરસાદને ધ્યાનમાં રાખીને તંત્રએ લોકોને ખાસ સાવચેતી રાખવા અપીલ કરી છે. ખાસ કરીને પાણી ભરાયેલા વિસ્તારો, ખુલ્લા મેનહોલ અને તેજ પ્રવાહવાળા સ્થળોથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે, જેથી આવી દુર્ઘટનાઓ ટાળી શકાય.</p><p><b><a href="https://sandesh.com/india/news/business/noida-international-airport-air-travel-will-increase-from-noida-international-airport-indigo-and-akasa-air-start-new-flights" target="_blank">આ પણ વાંચો : Noida International Airport: નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટથી હવાઈ સફર વધશે, ઈન્ડિગો અને અકાસા એરે શરૂ કરી નવી ફ્લાઈટ્સ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/jrzB9lJqeGAXV00R7Mgmom7o0hB23qcHXwnh03tS.webp'/></item><item><title><![CDATA[Suratના જહાંગીરપુરામાં વૃદ્ધને લાકડાના ફટકા મારી કરપીણ હત્યા નિપજાવી, પોલીસ પોતે બની ફરિયાદી ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/elderly-man-brutally-murdered-by-beating-him-with-a-wooden-stick-in-jahangirpura-surat-police-themselves-become-complainant</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/elderly-man-brutally-murdered-by-beating-him-with-a-wooden-stick-in-jahangirpura-surat-police-themselves-become-complainant</guid><pubDate>Thu, 02 Jul 2026 16:38:51 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત શહેરમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ માનવતાને શર્મસાર કરતી એક અત્યંત સનસનીખેજ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં વહેલી સવારે એક અજાણ્યા સાઇકો જેવા યુવકે અસહાય વૃદ્ધ પર લાકડાના ફટકા વડે ઘાતકી હુમલો કરી તેમની નિર્મમ હત્યા નિપજાવી છે. આ ચોંકાવનારી ઘટનાના લાઈવ દ્રશ્યો નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.</p><h2 style="text-align: justify; ">4 મિનિટ સુધી આડેધડ ફટકા વરસાવ્યા</h2><p style="text-align: justify; ">આ હિચકારી ઘટના જહાંગીરપુરા વિસ્તારમાં વહેલી સવારે બની હતી. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે એક ક્રૂર અને અજાણ્યો યુવક રસ્તા પર 60 વર્ષીય વૃદ્ધ બાબુભાઈ સાવંત પર તૂટી પડ્યો હતો. આ નરાધમે સતત 4 મિનિટ સુધી માસૂમ વૃદ્ધ પર લાકડાના ફટકા વડે આડેધડ અને અરેરાટીભર્યા ઘા ઝીંક્યા હતા. હુમલા બાદ ગંભીર રીતે લોહિયાળ હાલતમાં બાબુભાઈને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમણે દમ તોડી દીધો હતો.</p><h3 style="text-align: justify; ">વાલીવારસ ન મળતાં પોલીસ પોતે જ બની ફરિયાદી</h3><p style="text-align: justify; ">આ ચકચારી મર્ડર કેસમાં એક કરુણ બાબત એ પણ સામે આવી છે કે મૃતક બાબુભાઈ સાવંતનો કોઈ સગા-સંબંધી કે વાલીવારસ મળી આવ્યો ન હતો. આથી, જહાંગીરપુરા પોલીસ મથકના અધિકારીઓએ સંવેદનશીલતા દાખવીને પોતે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો છે. પોલીસે અજાણ્યા હત્યારા યુવક વિરૂદ્ધ આઈપીસી/બીએનએસની ગંભીર કલમો હેઠળ હત્યાનો ગુનો નોંધી લીધો છે. હાલ પોલીસની અલગ-અલગ ટીમો સીસીટીવી ફૂટેજના આધારે આ ક્રૂર હત્યારાનું સ્કેચ અને ઓળખ મેળવી તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/Heb7qfLtqgIgBB8D9ubSiMlU1S7kGCw1LibOs5kG.webp'/></item><item><title><![CDATA[Dhurandhar 2 કરતાં 10 ગણી વધુ જોરદાર છે આ ફિલ્મ, ક્લાઇમેક્સ જોઈને દંગ રહી જશો! ]]></title><link>https://sandesh.com/entertainment/news/ranveer-singh-dhurandhar-2-vs-8-2-imdb-rated-suspense-thriller-movie-shocking-climax</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/ranveer-singh-dhurandhar-2-vs-8-2-imdb-rated-suspense-thriller-movie-shocking-climax</guid><pubDate>Thu, 02 Jul 2026 16:35:33 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રણવીર સિંઘ સ્ટારર ફિલ્મ ધુરંધર 2 વર્ષ 2026 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની લિસ્ટમાં સામેલ છે. આ ફિલ્મને દેશમાં જ નહીં પણ દુનિયામાં પણ ખુબ પસંદ કરવામાં આવી હતી. આ મૂવી આજકાલ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ અને પ્રાઇમ વિડીયો પર જમકર જોવામાં આવી રહી છે. ફિલ્મમાં રણવીર સિંઘ સિવાય સંજય દત્ત, આર. માધવન, અર્જુન રામપાલ, સારા અર્જુન અને સૌમ્યા ટંડને મહત્વના પાત્રો ભજવ્યા હતા.</p><h2 style="text-align: justify; "><b>રણવીર સિંહની ફિલ્મ ધુરંધર 2</b></h2><p style="text-align: justify; ">ધુરંધર 2 19 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ મૂવીએ દુનિયાભરમાં 1800 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું છે. પરંતુ આજે અમે તમને એક એવી ફિલ્મ વિશે જણાવીશું, જે 'ધુરંધર 2' કરતાં 10 ગણી વધુ દમદાર છે. આ ફિલ્મને દરેક વ્યક્તિ ખુબ જ પસંદ કરી રહી છે. આ મૂવી વર્ષ 2026 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની લિસ્ટમાં શુમાર થઈ ગઈ છે.</p><h3 style="text-align: justify; "><b>આ ફિલ્મ કઈ છે?</b></h3><p style="text-align: justify; ">અમે જે ફિલ્મની વાત કરી રહ્યા છીએ, તે ત્રણ મહિના પહેલાં સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ ભારતીય થિયેટર્સમાં 6 દિવસ લેટ રિલીઝ થઈ હતી. આ મૂવીએ ભારતીય બોક્સ ઓફિસ પર 90 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો હતો.</p><h4 style="text-align: justify; "><b>પ્રોજેક્ટ હેલ મેરી ફિલ્મ OTT રિલીઝ</b></h4><p style="text-align: justify; ">આ ફિલ્મે દુનિયાભરમાં 683.પર 5 મિલિયન ડોલર (આશરે 6500 કરોડ રૂપિયા) ની કમાણી કરી છે. આ મૂવીમાં એક સ્કૂલ ટીચરની સ્ટોરી જોવા મળે છે. એક દિવસ જ્યારે આ ટીચરની આંખો ખુલે છે, ત્યારે તે પોતાને એક ઇન્ટરસ્ટેલર સ્પેસક્રાફ્ટમાં જુએ છે. આ ફિલ્મનું નામ પ્રોજેક્ટ હેલ મેરી છે. આ ફિલ્મ 3 જુલાઈના રોજ OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડીયો પર સ્ટ્રીમ થવાની છે. ફિલ્મને IMDb પર 8.2 ની શાનદાર રેટિંગ મળી છે. આ મૂવી જોઈને તમે ધુરંધર 2ને ભૂલી જશો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/urvashi-rautela-bought-2-bugatti-turbillion-hypercars-at-once-you-will-be-amazed-to-hear-the-pricec" target="_blank">આ પણ વાંચો-Urvashi Rautela એ એક સાથે ખરીદી 2 બુગાટી ટર્બિલિયન હાઇપરકાર, કિંમત સાંભળીને હોશ ઊડી જશે!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/xn3vDyw3SYCKQmxOriqfa36YwrGSXgV3ikkPEh8I.webp'/></item><item><title><![CDATA[Noida International Airport: નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટથી હવાઈ સફર વધશે, ઈન્ડિગો અને અકાસા એરે શરૂ કરી નવી ફ્લાઈટ્સ ]]></title><link>https://sandesh.com/india/news/business/noida-international-airport-air-travel-will-increase-from-noida-international-airport-indigo-and-akasa-air-start-new-flights</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/noida-international-airport-air-travel-will-increase-from-noida-international-airport-indigo-and-akasa-air-start-new-flights</guid><pubDate>Thu, 02 Jul 2026 16:27:25 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ હાંસલ કરવા માટે, એરલાઇને એક જ દિવસમાં રેકોર્ડ 31 નવી ફ્લાઇટ્સ શરૂ કરી છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">ઈન્ડિગોએ કયા નવા શહેરો ઉમેર્યા ?</h2><p style="text-align: justify; ">અકાસા એરે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે નવી ફ્લાઇટ્સ પણ શરૂ કરી છે. જે નોઈડા એરપોર્ટને દેશના આર્થિક કેન્દ્ર મુંબઈ સાથે જોડે છે. નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન 15 જૂન, 2026ના રોજ થયું હતું. તે સમયે, એરલાઇને બેંગલુરુ, હૈદરાબાદ, લખનૌ, જમ્મુ અને અમૃતસર માટે ફ્લાઇટ્સ શરૂ કરી હતી. હવે, 1 જુલાઈથી, જયપુર, જોધપુર, ચંદીગઢ, દેહરાદૂન, ધર્મશાળા, ભોપાલ, બરેલી અને પંતનગર માટે ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવી છે. કિશનગઢને પણ આજથી, 2 જુલાઈથી નેટવર્કમાં ઉમેરવામાં આવી રહ્યું છે. આનાથી નોઈડા એરપોર્ટથી ઈન્ડિગોના સ્થળોની સંખ્યા 15 થશે.</p><h3 style="text-align: justify; ">આકાસા એરનો નવો રૂટ</h3><p style="text-align: justify; ">આકાસા એરના બુકિંગ પોર્ટલ મુજબ, એરલાઈને 2 જુલાઈએ મુંબઈ માટે તેની ફ્લાઇટ સેવા શરૂ કરી હતી. આવતીકાલથી, મુંબઈ માટે દરરોજ બે નવી અકાસા ફ્લાઇટ્સ ઓપરેટ થશે. અગાઉ, અકાસા દેશના બે નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ: નોઈડા એરપોર્ટ અને નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટને જોડનારી ભારતની પ્રથમ એરલાઇન બની હતી.</p><h4 style="text-align: justify; ">નોઈડા એરપોર્ટ ક્ષમતામાં વધારો</h4><p style="text-align: justify; ">ઈન્ડિગો અને અકાસાએ 16 જૂને નોઈડા એરપોર્ટથી 12 દૈનિક ફ્લાઇટ્સ સાથે કામગીરી શરૂ કરી હતી. આમાંથી આઠ ફ્લાઇટ્સ ઈન્ડિગો દ્વારા અને ચાર અકાસા દ્વારા ચલાવવામાં આવે છે. ઈન્ડિગોએ હાલમાં જે આઠ શહેરોમાં ફ્લાઇટ્સ શરૂ કરી છે તેમાંથી બરેલી, જોધપુર અને કિશનગઢની ફ્લાઇટ્સ વૈકલ્પિક દિવસે ઓપરેટ થશે. અન્ય તમામ સ્થળો માટે ફ્લાઇટ્સ દૈનિક હશે. એરલાઈન 13 જુલાઈથી ચંદીગઢ રૂટ પર વધુ બે દૈનિક ફ્લાઇટ્સ પણ શરૂ કરશે. એકસાથે, જુલાઈમાં નોઈડા એરપોર્ટથી દરરોજ 40-42 ફ્લાઇટ્સ ઓપરેટ કરવાનું લક્ષ્ય છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/india/news/crime/haryana-murder-case-news-accused-reaches-police-station-after-killing-live-in-partner-case-was-of-love-triangle" target="_blank">લિવ ઇન પાર્ટનરની હત્યા કરી આરોપી પહોંચ્યો પોલીસ સ્ટેશન, લવ ટ્રાયેંગલનો હતો મામલો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/cJJwSjDZlxBKQ9t0HVOYgEvBH421hZpOcynFv0lh.webp'/></item><item><title><![CDATA[Noida International Airport: નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટથી હવાઈ સફર વધશે, ઈન્ડિગો અને અકાસા એરે શરૂ કરી નવી ફ્લાઈટ્સ ]]></title><link>https://sandesh.com/india/news/business/noida-international-airport-air-travel-will-increase-from-noida-international-airport-indigo-and-akasa-air-start-new-flights</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/noida-international-airport-air-travel-will-increase-from-noida-international-airport-indigo-and-akasa-air-start-new-flights</guid><pubDate>Thu, 02 Jul 2026 16:27:25 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ હાંસલ કરવા માટે, એરલાઇને એક જ દિવસમાં રેકોર્ડ 31 નવી ફ્લાઇટ્સ શરૂ કરી છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">ઈન્ડિગોએ કયા નવા શહેરો ઉમેર્યા ?</h2><p style="text-align: justify; ">અકાસા એરે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે નવી ફ્લાઇટ્સ પણ શરૂ કરી છે. જે નોઈડા એરપોર્ટને દેશના આર્થિક કેન્દ્ર મુંબઈ સાથે જોડે છે. નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન 15 જૂન, 2026ના રોજ થયું હતું. તે સમયે, એરલાઇને બેંગલુરુ, હૈદરાબાદ, લખનૌ, જમ્મુ અને અમૃતસર માટે ફ્લાઇટ્સ શરૂ કરી હતી. હવે, 1 જુલાઈથી, જયપુર, જોધપુર, ચંદીગઢ, દેહરાદૂન, ધર્મશાળા, ભોપાલ, બરેલી અને પંતનગર માટે ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવી છે. કિશનગઢને પણ આજથી, 2 જુલાઈથી નેટવર્કમાં ઉમેરવામાં આવી રહ્યું છે. આનાથી નોઈડા એરપોર્ટથી ઈન્ડિગોના સ્થળોની સંખ્યા 15 થશે.</p><h3 style="text-align: justify; ">આકાસા એરનો નવો રૂટ</h3><p style="text-align: justify; ">આકાસા એરના બુકિંગ પોર્ટલ મુજબ, એરલાઈને 2 જુલાઈએ મુંબઈ માટે તેની ફ્લાઇટ સેવા શરૂ કરી હતી. આવતીકાલથી, મુંબઈ માટે દરરોજ બે નવી અકાસા ફ્લાઇટ્સ ઓપરેટ થશે. અગાઉ, અકાસા દેશના બે નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ: નોઈડા એરપોર્ટ અને નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટને જોડનારી ભારતની પ્રથમ એરલાઇન બની હતી.</p><h4 style="text-align: justify; ">નોઈડા એરપોર્ટ ક્ષમતામાં વધારો</h4><p style="text-align: justify; ">ઈન્ડિગો અને અકાસાએ 16 જૂને નોઈડા એરપોર્ટથી 12 દૈનિક ફ્લાઇટ્સ સાથે કામગીરી શરૂ કરી હતી. આમાંથી આઠ ફ્લાઇટ્સ ઈન્ડિગો દ્વારા અને ચાર અકાસા દ્વારા ચલાવવામાં આવે છે. ઈન્ડિગોએ હાલમાં જે આઠ શહેરોમાં ફ્લાઇટ્સ શરૂ કરી છે તેમાંથી બરેલી, જોધપુર અને કિશનગઢની ફ્લાઇટ્સ વૈકલ્પિક દિવસે ઓપરેટ થશે. અન્ય તમામ સ્થળો માટે ફ્લાઇટ્સ દૈનિક હશે. એરલાઈન 13 જુલાઈથી ચંદીગઢ રૂટ પર વધુ બે દૈનિક ફ્લાઇટ્સ પણ શરૂ કરશે. એકસાથે, જુલાઈમાં નોઈડા એરપોર્ટથી દરરોજ 40-42 ફ્લાઇટ્સ ઓપરેટ કરવાનું લક્ષ્ય છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/india/news/crime/haryana-murder-case-news-accused-reaches-police-station-after-killing-live-in-partner-case-was-of-love-triangle" target="_blank">લિવ ઇન પાર્ટનરની હત્યા કરી આરોપી પહોંચ્યો પોલીસ સ્ટેશન, લવ ટ્રાયેંગલનો હતો મામલો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/cJJwSjDZlxBKQ9t0HVOYgEvBH421hZpOcynFv0lh.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: વન કર્મી પર હુમલા કેસમાં શકુંતલા બલીરામ વસાવાને હાઈકોર્ટે જામીન આપ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/high-court-grants-bail-to-shakuntala-baliram-vasava-in-chaitar-vasava-case</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/high-court-grants-bail-to-shakuntala-baliram-vasava-in-chaitar-vasava-case</guid><pubDate>Thu, 02 Jul 2026 16:17:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજપીપળા સેશન્સ કોર્ટે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકોને વન કર્મી પર હુમલા કેસમાં 7 વર્ષની સજા અને 25 હજારનો દંડ ફટકાર્યો છે.  કોર્ટે આ તમામ આરોપીઓને વડોદરા જેલ ખાતે મોકલવા હુકમ કર્યો હતો.  આ કેસમાં એક મહિલાને તેની એક નાની બાળકી સાથે જેલમાં મોકલવામાં આવી હતી. આ મહિલાની જામીન અરજી સામે ગુજરાત સરકારે વિરોધ નહીં કરતાં હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા હતાં.&nbsp;&nbsp;</p><h2 style="text-align: justify; "><b>માનવીય અભિગમ દાખવીને જામીન મંજૂર કર્યા</b></h2><p style="text-align: justify; ">ચૈતર વસાવા સહિત 9 લોકોને વન કર્મીના માર મારવાના કેસમાં 7 વર્ષની જેલ અને 25 હજારના દંડની સજા ફટકારવામાં આવી છે. ચૈતર વસાવા સાથે આ કેસમાં તેમની પત્ની શકુંતલા વસાવા, તેમના પી.એ જીતેન્દ્ર વસાવા, રમેશ વસાવા, મોગરા વસાવા, મરિયમ વસાવા, શકુંતલા બલીરામ વસાવા, બલિરામ વસાવા અને રિંકેશ વસાવાને જેલમાં મોકલવામાં આવ્યા હતાં.  આ કેસમાં શકુંતલા બલીરામ વસાવાને નાની બાળકી હોવાથી તે સમયે બાળકીને પણ તેમની સાથે મોકલી દેવાઈ હતી. પરંતુ જામીન અંગે રાજ્ય સરકારે કોઈ વિરોધ નહીં કરતાં હાઈકોર્ટે માનવીય અભિગમ દાખવીને શકુંતલા વસાવાના જામીન મંજૂર કર્યા છે.&nbsp;&nbsp;</p><h3 style="text-align: justify; "><b>વધુ એક કેસમાં ચૈતર સામે તપાસનો ગાળિયો મજબૂત કરાયો</b></h3><p style="text-align: justify; ">બીજી તરફ આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે. તેમની સામે વધુ એક કેસમાં તપાસનો ગાળિયો મજબૂત કરાયો છે. તાજેતરમાં જ ભરૂચની ઝઘડિયા GIDC પોલીસે  ચેતર સહિત આમ આદમી પાર્ટીના ચાર નેતાઓને નોટિસ ફટકારી પોલીસ સ્ટેશન હાજર થવા ફરમાન કર્યું હતું.  આ GIDCમાં આગની ઘટના બાદ ચૈતર વસાવા ત્યાં પહોંચ્યા હતાં. જ્યાં મૃતકના પરિવારજનોએ તેમનો સખત વિરોધ કર્યો હતો. આ દરમિયાન મારામારીની ઘટના પણ બની હતી.<br></p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/ahmedabad/five-rain-systems-active-heavy-rain-alert-for-saurashtra--south-gujarat" target="_blank">આ પણ વાંચોઃ Gujarat Weather : રાજ્યમાં એક સાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને મેઘરાજા ધમરોળશે</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/4ZaE5fCAA29k7UqkIvxvjuuxsDdZVFmm1Vim51hQ.webp'/></item><item><title><![CDATA[Palanpurમાં 6 આંગડિયા પેઢીમાં ચોરીનો ભેદ ઉકેલાયો: મુંબઈથી આંતરરાજ્ય 'સેતાન ગેંગ'ના 3 સાગરીતોની ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/porbandar/theft-in-6-angadiya-families-solved-in-palanpur-3-associates-of-interstate-setaan-gang-arrested-from-mumbai</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/porbandar/theft-in-6-angadiya-families-solved-in-palanpur-3-associates-of-interstate-setaan-gang-arrested-from-mumbai</guid><pubDate>Thu, 02 Jul 2026 16:07:26 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં તાજેતરમાં એક જ રાતમાં 6 જેટલી આંગડિયા પેઢીઓને નિશાન બનાવી તરખાટ મચાવનારી ટોળકીનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે. આંગડિયા પેઢીના સંચાલકો દ્વારા નોંધાવવામાં આવેલી ચોરીની ફરિયાદને આધારે તપાસ ચલાવી રહેલી બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે આંતરરાજ્ય લૂંટારૂ ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ રીઢા તસ્કરોને મુંબઈથી દબોચી લીધા છે.</p><h2 style="text-align: justify; ">સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સથી મળ્યો સગડ</h2><p style="text-align: justify; ">પાલનપુર જેવા શાંત શહેરમાં એકસાથે 6 આંગડિયા પેઢીઓમાં ચોરી થતાં પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. આ હાઈપ્રોફાઈલ કેસનો ભેદ ઉકેલવા માટે એલસીબીની ટીમે આધુનિક ટેકનોલોજી અને પરંપરાગત પોલીસ પદ્ધતિનો આશરો લીધો હતો. પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ખંખાડ્યા હતા. હ્યુમન ઇન્ટેલિજન્સના સચોટ નેટવર્કના આધારે પોલીસ કડીઓ મેળવતા મેળવતા મુંબઈ સુધી પહોંચી હતી અને ત્યાંથી ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા.</p><h3 style="text-align: justify; ">સેતાન ગેંગનો પર્દાફાશ અને મુદ્દામાલ જપ્ત</h3><p style="text-align: justify; ">પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓ આંતરરાજ્ય સ્તરે ગુના આચરતી કુખ્યાત 'સેતાન ગેંગ'ના સભ્યો હોવાનું બહાર આવ્યું છે. આ તસ્કરોએ અગાઉ પણ અન્ય રાજ્યો અને શહેરોમાં આ પ્રકારે અનેક મોટી ચોરી અને લૂંટના ગુનાઓને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી હાલ રૂ.1.10 લાખની કિંમતનો મુદ્દામાલ રિકવર કર્યો છે. આ ગેંગે પાલનપુરમાંથી અન્ય કોઈ કિંમતી દસ્તાવેજો કે મોટી રકમની ચોરી કરી છે કે કેમ, તેમજ આ ગુનામાં અન્ય કેટલા સાગરીતો સામેલ છે તે દિશામાં પોલીસે ત્રણેયની આકરી પૂછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/bMLTlylCfje0N5VN6gN3SPxKeFvSN4Ydayyqf8IX.webp'/></item><item><title><![CDATA[Surendranagar News: ચોટીલા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર પધરામણી, અસહ્ય ઉકળાટ બાદ વરસાદી માહોલ ]]></title><link>https://sandesh.com/weather/monsoon-2026/news/surendranagar/chotila-rain-updates-rural-areas-farmers</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/monsoon-2026/news/surendranagar/chotila-rain-updates-rural-areas-farmers</guid><pubDate>Thu, 02 Jul 2026 15:40:54 +05:30</pubDate><description><![CDATA[<p>સુરેન્દ્રનગર જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા અને તેની આસપાસના વિસ્તારોમાં આખરે મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરી છે. છેલ્લા બે દિવસથી પંથકમાં સતત અસહ્ય ઉકળાટ અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. સ્થાનિક લોકો અને ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આખરે મેઘરાજાએ કૃપા વરસાવતા સમગ્ર પંથક આહલાદક બની ગયો છે.</p><h2><b>ચોટીલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ</b></h2><p>મેઘરાજાની આ પધરામણી માત્ર ચોટીલા શહેર પૂરતી સીમિત નથી રહી, પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે. ચોટીલાના કુંઢડા, ચાણપા, સાંગાણી અને મગરીખડા સહિતના અનેક ગામોમાં ધીમી ધારે અને ઝાપટાં સ્વરૂપે સારો વરસાદ નોંધાયો છે. વરસાદના પગલે ગ્રામીણ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે.</p><h2><b>વરસાદના આગમનથી જગતના તાતમાં હર્ષની લાગણી</b></h2><p>આ વરસાદના આગમનથી સૌથી વધુ ખુશી ધરતીપુત્રોના ચહેરા પર જોવા મળી રહી છે. કૃષિ પાક માટે આ વરસાદ અમૃત સમાન સાબિત થશે. લાંબી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજા મહેરબાન થતાં જ કુંઢડા, ચાણપા અને આસપાસના ગામડાઓના ખેડૂતોમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે. વાવણી લાયક વરસાદ થતાં જ જગતનો તાત હવે જોરશોરથી ખેતીના કામોમાં પરોવાઈ જશે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2072619545777541146"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>અસહ્ય બફારાથી મુક્તિ, વાતાવરણમાં પ્રસરી ઠંડક</b></h2><p>ચોટીલા પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમી અને અસહ્ય બફારાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ડુંગર સમાન ધાર્મિક સ્થળ ધરાવતા આ પંથકમાં યાત્રાળુઓ પણ અકળામણ અનુભવતા હતા, પરંતુ મેઘમહેરના કારણે સમગ્ર પંથકમાં ઠંડો પવન ફૂંકાવા લાગ્યો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરતા સ્થાનિક લોકો સહિત યાત્રિકોએ પણ મોટી રાહત અનુભવી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/weather/monsoon-2026/news/gujarat/ahmedabad/gujarat-weather-update-heavy-rain-in-many-parts-of-state" target="_blank">Gujarat Weather Update: રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ શરૂ, જાણો કયા કેટલો વરસાદ નોંધાયો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/vsqF7zaYg49JgBmw3m7bAi4h0pCovjIiooOxDQDS.webp'/></item></channel></rss>