<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Gujarat Weather Update: અંબાલાલ પટેલની ચોમાસા અંગે મોટી આગાહી, સપ્ટેમ્બરમાં અલ નીનોની અસર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-weather-update-ambalal-patel-monsoon-forecast-al-nino-effect-rain-alert</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-weather-update-ambalal-patel-monsoon-forecast-al-nino-effect-rain-alert</guid><pubDate>Sat, 13 Jun 2026 16:25:14 +05:30</pubDate><description><![CDATA[<p>રાજ્યમાં ચોમાસાના આગમનની આતુરતાથી રાહ જોઈ રહેલા નાગરિકો અને જગતના તાત માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે દેશ અને રાજ્યમાં ચોમાસાની વર્તમાન સ્થિતિને લઈને એક અત્યંત ચિંતાજનક નિવેદન આપ્યું છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, હાલમાં ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ વાતાવરણ નથી અને સપ્ટેમ્બર મહિનામાં ઘાતક 'અલ-નીનો' સક્રિય થવાની મોટી ભીતિ સેવાઈ રહી છે.</p><h2><b>કેમ અટકી ગયું ચોમાસું?</b></h2><p>સામાન્ય રીતે જૂન મહિનાની શરૂઆતમાં મહારાષ્ટ્ર અને મુંબઈ સુધી પહોંચી જતું ચોમાસું હાલ પૂરતું અટકી ગયું છે. અંબાલાલ પટેલે ખુલાસો કર્યો છે કે, હાલમાં અરબ સાગર જોઈએ તેટલો સક્રિય નથી. અરબ દેશોમાંથી આવી રહેલા ગરમ અને સૂકા પવનોના કારણે ચોમાસાની જે સિસ્ટમ બની હતી તે નબળી પડી ગઈ છે. આ જ કારણ છે કે, મુંબઈમાં ચોમાસાની ગતિ થંભી ગઈ છે.</p><h2><b>ગુજરાતમાં ભેજનું પ્રમાણ ઘટ્યું</b></h2><p>અરબ દેશોના સૂકા અને ગરમ પવનોની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર પણ જોવા મળી રહી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટી ગયું છે. ભેજ ઘટવાના કારણે વરસાદ લાવતા વાદળો બંધાવામાં મુશ્કેલી પડી રહી છે, જેને લીધે ગરમી અને અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડી રહ્યો છે.</p><h2><b>સપ્ટેમ્બરમાં 'અલ-નીનો'નો મોટો ખતરો</b></h2><p>અંબાલાલ પટેલે ચોમાસાના પાછલા નિત્યક્રમ અંગે મોટી ચેતવણી આપતા જણાવ્યું છે કે, સપ્ટેમ્બર મહિનામાં 'અલ-નીનો'ની ઘાતક અસર જોવા મળી શકે છે. જો સપ્ટેમ્બરમાં અલ-નીનો સક્રિય થશે, તો ચોમાસાના અંતિમ ચરણમાં વરસાદ ખેંચાવાની અથવા નબળો પડવાની પૂરેપૂરી આશંકા છે, જે કૃષિ ક્ષેત્ર માટે ચિંતાનો વિષય બની શકે છે.</p><h2><b>15 જૂન પછી આશાનું કિરણ</b></h2><p>જોકે, ચિંતાની આ સ્થિતિ વચ્ચે અંબાલાલ પટેલે રાહતના સમાચાર પણ આપ્યા છે. વર્તમાન હવામાન પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે, અને એવી આશા છે કે 15 જૂન પછી વાતાવરણમાં ફરી પલટો આવશે અને ચોમાસું ધીમે-ધીમે આગળ વધશે. 15 જૂન બાદ સાનુકૂળ સિસ્ટમ સક્રિય થતાં જ ગુજરાત તરફ ચોમાસાની પ્રગતિ ફરી શરૂ થઈ શકે છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/gujarat-weather-forecast-rain-alert-saurashtra-june-16-heatwave" target="_blank">Weather Update: અસહ્ય ઉકળાટ વચ્ચે આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો 16 જૂનથી ક્યાં તૂટી પડશે વરસાદ?</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/MRRWeFuVhdeRGPpxPZSF1sArxp1Ul8OibvY7Yr7a.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup: ઈંગ્લેન્ડના ખેલાડીના શુઝ ચોરાયા, અમેરિકાની સુરક્ષા પર ઉઠ્યા સવાલ ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-england-players-shoes-stolen-us-security-questioned</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-england-players-shoes-stolen-us-security-questioned</guid><pubDate>Sat, 13 Jun 2026 15:57:52 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફિફા વર્લ્ડ કપ 2026 યુનાઇટેડ સ્ટેટ્સ,મેક્સિકો અને કેનેડાની શાનદાર શરૂઆત થઈ ગઈ છે.ફેન્સ ફૂટબોલનો ઉત્સાહ જોઈ રહ્યા છે.જોકે તેની સાથે કેટલાક વિવાદો પણ સામે આવ્યા છે.યુનાઇટેડ સ્ટેટ્સમાં ખાસ કરીને વિઝા અને ખેલાડીઓની શોધને લગતા મુદ્દાઓ ઉભા થયા છે.આ બધા વચ્ચે એક ચોંકાવનારી ઘટના બની છે. ઇંગ્લેન્ડ ફૂટબોલ ટીમના સ્ટાર ખેલાડીઓ જેઓ તેમની વર્લ્ડ કપ મેચો માટે યુનાઇટેડ સ્ટેટ્સમાં હતા તેમના જૂતા અને મેચ બોલ ચોરાઈ ગયા છે.</p><h3 style="text-align: justify; "><b>ફ્લોરિડાથી કેન્સાસ સિટી જતા સમયે થઈ ચોરી</b></h3><p style="text-align: justify; ">મીડિયા રિપોર્ટ અનુસાર વર્લ્ડ કપ શરૂ થાય તે પહેલાં ઇંગ્લેન્ડની ટીમ ફ્લોરિડામાં કેમ્પિંગ કરી રહી હતી.કેમ્પ પૂર્ણ કર્યા પછી ટીમ ફ્લોરિડાથી કેન્સાસ સિટીના સ્વૂપ સોકર વિલેજ બેઝ કેમ્પ માટે રવાના થઈ.જોકે ખેલાડીઓ કોઈપણ સમસ્યા વિના પહોંચ્યા ત્યારે ચોરોએ તેમનો સામાન લઈ જતા વાહનને નિશાન બનાવ્યું.ત્યારે આ મામલે કેન્સાસ સિટી પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને અનેક ધરપકડો કરી.કેન્સાસ પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે તપાસ ઝડપથી આગળ વધી રહી છે, અને અત્યાર સુધીમાં બે શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે.ઇંગ્લિશ ફૂટબોલનું સંચાલન કરતી સંસ્થા ફૂટબોલ એસોસિએશન (FA) પણ વસ્તુઓ મેળવવા માટે કેન્સાસ કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે કામ કરી રહી છે.</p><h4 style="text-align: justify; "><b>ઇંગ્લેન્ડ પહેલી મેચ ક્યારે રમશે?</b></h4><p style="text-align: justify; ">ગ્રુપ Lમાં રહેલ ઇંગ્લેન્ડ 17 જૂનના રોજ ડલ્લાસમાં ક્રોએશિયા સામે તેની પહેલી મેચ રમવાનું છે.જો કે,મેચ પહેલા થયેલી આ ચોરીએ થોમસ તુશેલની ટીમને નવી મુશ્કેલીમાં મૂકી દીધી છે.જો કે ટીમની તૈયારીઓમાં કોઈ અવરોધ ન આવે તે માટે મેનેજમેન્ટ વૈકલ્પિક વ્યવસ્થા કરવા અને નવા બૂટની વ્યવસ્થા કરવા માટે કામ કરી રહ્યું છે. થોડા દિવસો પહેલા,ફ્લોરિડામાં ઇંગ્લેન્ડ ટીમના તાલીમ શિબિરથી દૂર ગોળીબારની ઘટના બની હતી.જેનાથી સુરક્ષા ચિંતાઓ વધી ગઈ હતી.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો-<a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-day-3-today-these-four-teams-will-clash-know-what-time-the-match-will-start" target="_blank"> FIFA World Cup 2026,Day 3 : આજે આ ચાર ટીમ વચ્ચે ટક્કર,જાણો કેટલા વાગ્યે શરૂ થશે મેચ</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/Qcz1BB75yLHvQyB4VQYYctkymQXKuLTRbGlhkdLe.webp'/></item><item><title><![CDATA[New Army Chief : લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ બનશે દેશના નવા આર્મી ચીફ, 30 જૂને કમાન સંભાળશે ]]></title><link>https://sandesh.com/india/news/lt-gen-dhiraj-seth-new-army-chief-india-takes-charge-30-june-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/lt-gen-dhiraj-seth-new-army-chief-india-takes-charge-30-june-2026</guid><pubDate>Sat, 13 Jun 2026 15:53:02 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય સેનાના નેતૃત્વમાં મહત્વપૂર્ણ ફેરફાર થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠને ભારતીય સેનાના આગામી આર્મી ચીફ તરીકે નિયુક્ત કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. સંરક્ષણ ક્ષેત્રમાં લાંબો અને સમૃદ્ધ અનુભવ ધરાવતા લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ 30 જૂન, 2026થી નવા આર્મી ચીફ તરીકે કાર્યભાર સંભાળશે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2065729199848202606"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><br></p><h2><b>કયા સુધી ચાલશે તેમનો કાર્યકાળ?
</b></h2><p>રક્ષા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ, રાષ્ટ્રપતિએ લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠની ભારતીય સેનાના આગામી વડા તરીકે નિમણૂકને મંજૂરી આપી છે. તેઓ જનરલના સ્થાયી દરજ્જા સાથે 30 જૂન, 2026ના રોજ વર્તમાન આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદ્રીનું સ્થાન લેશે. તેમનો કાર્યકાળ 31 ઓગસ્ટ, 2028 સુધી રહેશે. હાલના આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ 30 જૂન, 2024ના રોજ પદભાર સંભાળ્યો હતો. નિયમો અનુસાર આર્મી ચીફનો કાર્યકાળ ત્રણ વર્ષ અથવા 62 વર્ષની ઉંમર સુધી, જેમાંથી જે પહેલું પૂર્ણ થાય ત્યાં સુધીનો હોય છે.
</p><h3><b>કોણ છે લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ?
</b></h3><p>ધીરજ શેઠ પુણે સ્થિત નેશનલ ડિફેન્સ એકેડેમીના પૂર્વ વિદ્યાર્થી છે. ડિસેમ્બર 1986માં તેમને આર્મર્ડ કોર્પ્સમાં કમિશન મળ્યું હતું. તેમણે રણપ્રદેશમાં આર્મર્ડ રેજિમેન્ટ, વિકસિત વિસ્તારોમાં આર્મર્ડ બ્રિગેડ તેમજ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરોધી દળનું સફળ નેતૃત્વ કર્યું છે. લેફ્ટનન્ટ જનરલ તરીકે બઢતી મળ્યા બાદ તેમણે સુદર્શન ચક્ર કોર્પ્સની કમાન સંભાળી હતી. ત્યારબાદ તેઓ દિલ્હી ક્ષેત્રના જનરલ ઓફિસર કમાન્ડિંગ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે, જ્યાં તેમણે અનેક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કામગીરીઓનું નેતૃત્વ કર્યું હતું.
</p><h4><b>સંયુક્ત રાષ્ટ્ર મિશનનો પણ અનુભવ
</b></h4><p>લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠે અર્ધ-વિકસિત વિસ્તારોમાં ઈન્ફેન્ટ્રી બટાલિયનનું નેતૃત્વ કર્યું છે અને UNના દક્ષિણ સુદાન મિશનમાં પણ સેવા આપી છે. તેમણે સ્ટ્રાઈક કોર્પ્સમાં ઈન્ફેન્ટ્રી બ્રિગેડ, કાઉન્ટર ઇન્સર્જન્સી ફોર્સ અને નોર્ધર્ન કમાન્ડમાં પિવટ કોર્પ્સનું પણ નેતૃત્વ કર્યું છે. તેમના સૈન્ય અનુભવમાં ઓપરેશન પાવનમાં ભાગીદારી, ઈથિઓપિયામાં યુએન મિશનમાં સૈન્ય નિરીક્ષક તરીકે સેવા તેમજ નિયંત્રણ રેખા (LoC), ઉત્તર-પૂર્વીય વિસ્તારો અને ઊંચાઈવાળા સરહદી વિસ્તારોમાં અનેક મહત્વપૂર્ણ કામગીરીઓનો સમાવેશ થાય છે.
</p><h4><b>સેનાને મળશે અનુભવી નેતૃત્વ
</b></h4><p>લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠની નિમણૂકને ભારતીય સેનાના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તેમના વિશાળ કામગીરી અનુભવ અને નેતૃત્વ ક્ષમતાને ધ્યાનમાં લેતા તેઓ દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
<br><br><a href="https://sandesh.com/india/news/drdo-ballistic-missile-defence-nasm-mr-successful-test-india-defense-strength" target="_blank">આ પણ વાંચો : DRDOએ બતાવી ભારતની આધુનિક સંરક્ષણ તાકાત, બેલેસ્ટિક મિસાઈલ ડિફેન્સ અને એન્ટી-શિપ મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ</a><b></b></p><p><br></p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/sXKZE3O7ByW2vRT7BCU9VpgmxQv3ONl6LTd8S4Ew.webp'/></item><item><title><![CDATA[Ram Mandir Donation Row: SIT તપાસ કરવામાં આવે, દાન ચોરી અંગે ટ્રસ્ટે CM યોગી પાસે કરી માગ ]]></title><link>https://sandesh.com/india/news/ram-mandir-donation-row-sit-should-investigate-trust-demands-from-cm-yogi</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ram-mandir-donation-row-sit-should-investigate-trust-demands-from-cm-yogi</guid><pubDate>Sat, 13 Jun 2026 15:46:48 +05:30</pubDate><description><![CDATA[<p>અયોધ્યા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રમાં આવેલા દાનની ચોરી મામલે સવાલો ઉઠતા હવે મંદિર ટ્રસ્તે SIT તપાસની માગ કરી છે.&nbsp; સમાજવાદી પાર્ટી અને આમ આદમી પાર્ટી સહિત વિપક્ષી નેતાઓએ દાનપેટીઓની ગણતરી અને પ્રસાદની ગણતરીમાં અનિયમિતતાનો આરોપ લગાવ્યો છે. મંદિરમાંથી કરોડો રૂપિયાના ગેરરીતિના આરોપો ઉભા થઈ રહ્યા છે. ત્યારે હવે મંદિર ટ્રસ્ટે સીએમ યોગી પાસે SIT તપાસની માગ કરી છે.&nbsp;</p><h2><b>દાનમાં આપેલા પૈસાની કથિત ચોરીનો આરોપ&nbsp;</b></h2><p>ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરમાં ભક્તો દ્વારા દાનમાં આપેલા પૈસાની કથિત ચોરી અંગે એક મોટો વિવાદ ફાટી નીકળ્યો છે. આ વિવાદ એટલો ઝડપથી વકર્યો કે રામ મંદિર ટ્રસ્ટ પોતે જ દખલગીરી કરી ચૂક્યું છે. ટ્રસ્ટે સીધા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને વિનંતી કરી છે કે સમગ્ર મામલાની તપાસ ખાસ તપાસ ટીમ (SIT) દ્વારા કરવામાં આવે.</p><h3><b>ટ્રસ્ટે કરી સીએમ યોગીને વિનંતી</b></h3><p>રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા દાન કરાયેલા પૈસા દાન પેટીઓમાં જમા કરવામાં આવે છે. આ પેટીઓમાંથી પૈસા ચોરાઈ રહ્યા હોવાના આરોપો સામે આવ્યા છે. આ કથિત ચોરી અંગે વિવિધ અફવાઓ ફેલાવા લાગી, જેમાં લોકોએ વિરોધાભાસી હિસાબો આપ્યા. આ અફવાઓએ પરિસ્થિતિને વધુ જટિલ બનાવી અને લોકોમાં મૂંઝવણ ઊભી કરી. આ કારણોસર, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ - રામ મંદિરની દેખરેખ રાખતી સરકાર દ્વારા નિયુક્ત સંસ્થા - એ નિર્ણય લીધો કે હવે ચૂપ રહેવું કોઈ વિકલ્પ નથી. ટ્રસ્ટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સીધી વિનંતી કરી.</p><h4><b>ટ્રસ્ટે મુખ્યમંત્રી યોગીને શું વિનંતી કરી?</b></h4><p>ટ્રસ્ટે મુખ્યમંત્રી યોગીને ત્રણ ચોક્કસ વિનંતીઓ કરી છે. પહેલી એ છે કે સમગ્ર મામલાની તપાસ SIT (ખાસ તપાસ ટીમ) દ્વારા કરવામાં આવે. SIT એ એક વિશિષ્ટ તપાસ એકમ છે જેને બાહ્ય દબાણથી મુક્ત, મુખ્ય કેસોની ઊંડાણપૂર્વક તપાસ કરવાનું કામ સોંપવામાં આવે છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/6Ebd8sYhcxWSDzTvJwbsI6w1Q7m4VP2j9vntsztS.webp'/></item><item><title><![CDATA[Kutchના ટપ્પર ગામમાં LCBનો મેગા દરોડો: વાડીમાં ચાલતા દારૂના 'કટિંગ' પર ત્રાટકી પોલીસ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/kutch/lcbs-mega-raid-in-tappar-village-of-kutch-police-raid-on-liquor-cutting-running-in-the-farm</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/kutch/lcbs-mega-raid-in-tappar-village-of-kutch-police-raid-on-liquor-cutting-running-in-the-farm</guid><pubDate>Sat, 13 Jun 2026 15:40:24 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે એક બહુ મોટી અને સફળ કામગીરી પાર પાડી છે. કચ્છ જિલ્લાના અંજાર તાલુકા હેઠળ આવતા ટપ્પર ગામની સીમમાં આવેલી એક વાડીમાં પોલીસે પૂર્વ બાતમીના આધારે આયોજનબદ્ધ દરોડો પાડ્યો હતો. આ મેગા ઓપરેશન દરમિયાન પોલીસે વાડી પરિસરમાંથી ગેરકાયદેસર રીતે છુપાવીને રાખવામાં આવેલો ઇંગ્લિશ દારૂ અને બિયરનો આશરે રૂ.1 કરોડની કિંમતનો તોતિંગ મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ દરોડાને પગલે સરહદી જિલ્લામાં બુટલેગરો અને નશાના કારોબારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.</p><h2 style="text-align: justify; ">કટિંગના સમયે જ પોલીસ ત્રાટકી, 1277 પેટી દારૂ જપ્ત</h2><p style="text-align: justify; ">પૂર્વ કચ્છ LCBની ટીમને ચોક્કસ ખતમી મળી હતી કે ટપ્પર ગામ પાસે આવેલી એક ખાનગી વાડીમાં મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે અને તેનું અન્ય નાના વાહનોમાં વિતરણ એટલે કે 'કટિંગ' કરવાની તૈયારીઓ ચાલી રહી છે. બાતમી હકીકતના આધારે પોલીસ કાફલાએ મોડી રાત્રે જ વાડીને ચારેય તરફથી ઘેરી લીધી હતી અને કટિંગના સમયે જ ત્રાટકીને રંગેહાથ દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી પોલીસને અલગ-અલગ બ્રાન્ડના ઇંગ્લિશ દારૂ અને બિયરની કુલ 1277 પેટીઓનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો, જેને કાયદેસર રીતે જપ્ત કરવામાં આવ્યો છે.</p><h3 style="text-align: justify; ">બુટલેગરોના નેટવર્કને તોડવા પોલીસની કવાયત</h3><p style="text-align: justify; ">પોલીસે કરોડો રૂપિયાના દારૂ-બિયરના જથ્થા સાથે વાડીમાંથી અન્ય કિંમતી મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આટલી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો અન્ય રાજ્યમાંથી વાયા રાજસ્થાન થઈને કચ્છના આંતરિક વિસ્તારોમાં સપ્લાય કરવા માટે લાવવામાં આવ્યો હતો. પૂર્વ કચ્છ પોલીસે આ મામલે ગુનો નોંધીને વાડીના માલિક તેમજ દારૂ મંગાવનાર અને સપ્લાય કરનાર મુખ્ય બુટલેગરો વિરુદ્ધ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ દરોડાથી સ્થાનિક સ્તરે ચાલતા મોટા ગેરકાયદેસર નેટવર્કનો પર્દાફાશ થવાની પૂરી સંભાવના સેવાઈ રહી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/GCLCRyRLYEH16TlSv6C6y36sBshkypLuZyHdVGM2.webp'/></item><item><title><![CDATA[Big B : 1 દિવસમાં 12 શોર્ટ ફિલ્મ અને 2 ફોટોશૂટ, અમિતાભ બચ્ચન 83 વર્ષની ઉંમરે પણ કરી રહ્યા છે તનતોડ મહેનત! ]]></title><link>https://sandesh.com/entertainment/news/amitabh-bachchan-83-shoots-12-short-films-two-photoshoots-one-day</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/amitabh-bachchan-83-shoots-12-short-films-two-photoshoots-one-day</guid><pubDate>Sat, 13 Jun 2026 15:22:41 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનના ખાતામાં આ સમયે એક મોટી ફિલ્મ છે, જેના પર તેઓ કામ કરી રહ્યા છે. પ્રભાસની કલ્કિમાં તેમણે અશ્વત્થામાનું પાત્ર ભજવ્યું હતું, જેને લોકોનો ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો. હવે તેઓ ભાગ 2 નું કામ પણ શરૂ કરી ચૂક્યા છે, જેની માહિતી એક્ટરે પોતે પોતાના બ્લોગ દ્વારા આપી હતી. તેઓ ત્યારે કમલ હાસન સાથે સેટ પર જોવા મળ્યા હતા. બીજી તરફ, ટીવી શો કૌન બનેગા કરોડપતિની દરેક સીઝનને તે જ હાઈ જોશ સાથે હોસ્ટ કરતા દેખાય છે. પરંતુ હવે એક્ટરે નવા બ્લોગમાં કંઈક એવું જણાવ્યું છે, જેણે બધાને હેરાન કરી દીધા છે. અમિતાભ બચ્ચને એક જ દિવસમાં 12 શોર્ટ ફિલ્મોનું શૂટિંગ કર્યું છે, તે સિવાય 2 ફોટોશૂટ પણ કરાવ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>12 શોર્ટ ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત</b></h2><p style="text-align: justify; ">12 જૂનની રાત્રે અમિતાભ બચ્ચને પોતાનો લેટેસ્ટ બ્લોગ લખ્યો. તેઓ લખે છે- કામ એ કામ છે, કામ એ કામ છે, કામ એ કામ છે… આજે 12 શોર્ટ ફિલ્મો શૂટ કરી… 2 સ્ટિલ શૂટ પૂરા થયા અને હવે તમારા પર કામ કરી રહ્યો છું… કોઈપણ વિલંબ વગર જોડાવાની આ પ્રક્રિયા, આખા દિવસનું કામ છે.. બાકી બધું તો ચાલતું રહેશે, આ અટકવું ન જોઈએ. તે પછી એક્ટરે સ્ક્રિપ્ટ વાંચતા સમયની કેટલીક તસવીરો શેર કરી, જેની સાથે લખ્યું- કામના દિવસ પહેલાના ઘણા દિવસોની તૈયારી પછી પણ, પૂરી લગનથી અભ્યાસ કરવો.</p><h3 style="text-align: justify; "><b>અમિતાભ બચ્ચનનો જલવો</b></h3><p style="text-align: justify; ">આ પછી અમિતાભ બચ્ચન એક નમકીનના પેકેટની જાહેરાત કરતા જોવા મળી રહ્યા છે. કેટલાક ફોટોશૂટ પણ કરાવતા નજર આવ્યા, જેની સાથે તેઓ લખે છે- અને પરિસ્થિતિ કે દ્રષ્ટિકોણના કારણે ક્યારેય બાંધછોડ ન થાય… એર-કન્ડિશન્ડ પાયજામા હોવા છતાં… તો ઠીક છે, હવે હું જાઉં છું. આ સાથે તેમણે એક ઈમોજી શેર કરી. વાસ્તવમાં અમિતાભ બચ્ચન X પર પણ ખૂબ એક્ટિવ રહે છે. 9 કલાક પહેલા તેમણે ટ્વિટ કરતા લખ્યું કે- T 5770 – બોલો વિચારો – વિચારો બોલો. જેણે ફરી એકવાર પ્રશંસકોને મૂંઝવણમાં મૂકી દીધા અને લોકો તેમને ટ્રોલ કરતા જોવા મળ્યા. લોકો કોમેન્ટ્સ કરીને કહી રહ્યા છે- તમે કોને કહો છો આ વાતો, તે પણ જણાવતા રહો.<br><img title="Amitabh Bachchan, Bollywood (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/06/13/sRZ2tLgRHLSSi5gqK06YXlVVlVwoSatmgPdc07ay.webp"><br></p><h4 style="text-align: justify; "><b>અમિતાભ બચ્ચનનો બ્લોગ</b></h4><p style="text-align: justify; ">અમિતાભ બચ્ચનની આગામી ફિલ્મ કલ્કિ 2 જ છે, જેમાં ફરી એકવાર તેઓ મહત્વપૂર્ણ પાત્ર ભજવતા જોવા મળશે. કારણ કે પહેલી ફિલ્મમાં પણ તેઓ હિરોઈનની રક્ષા કરતા જોવા મળ્યા હતા. બની શકે કે આ વખતે તેઓ વિલન સાથે સીધી ટક્કર લેતા જોવા મળે. પરંતુ ફિલ્મને ક્યારે રિલીઝ કરવામાં આવશે, તે અંગે હજી સુધી કોઈ નવું અપડેટ મળ્યું નથી. એક્ટરનો ભાગ 2 માંથી ફર્સ્ટ લુક જોવા માટે પ્રશંસકો પણ ખૂબ જ ઉત્સાહિત છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/disha-patani-success-story-ms-dhoni-film-net-worth" target="_blank">આ પણ વાંચો-Bollywood Diva : 500 રૂપિયા લઈને મુંબઈ આવી હતી આ હસીના, ધોની ફિલ્મના કારણે રાતોરાત બની ગઈ સ્ટાર!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/BtNilsiGVLBNIo2tG8g2iYtNW9K9yTRU4uHXjTDY.webp'/></item><item><title><![CDATA[Junagadh: કુકસવાડામાં ખુલ્લા કૂવામાં ખાબકેલા સિંહબાળનું સફળ રેસ્ક્યુ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/junagadh/kukaswada-village-open-well-lion-cub-successful-rescue-operation-by-forest-department</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/junagadh/kukaswada-village-open-well-lion-cub-successful-rescue-operation-by-forest-department</guid><pubDate>Sat, 13 Jun 2026 14:22:49 +05:30</pubDate><description><![CDATA[<p>જૂનાગઢના કુકસવાડા ગામે સામે આવી હતી, જ્યાં સીમ વિસ્તારમાંથી પસાર થઈ રહેલું એક નાનું સિંહબાળ અચાનક માર્ગ ભૂલીને એક ખેડૂતના ખુલ્લા કૂવામાં ખાબક્યું હતું.કૂવામાંથી સિંહબાળના અવાજો આવતા વાડી માલિક દોડી ગયા હતા અને કૂવામાં જોતા જ સિંહબાળ પાણીમાં અથવા કૂવાના ગાળામાં ફસાયેલું જોવા મળ્યું હતું. </p><h2><b>ખેડૂતે વન વિભાગને જાણ કરી, સ્ટાફ તાત્કાલિક દોડ્યો</b></h2><p>ખેડૂતે સમય સૂચકતા વાપરી તાત્કાલિક વન વિભાગને આ અંગે લાઈવ લોકેશન સાથે જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને સમજીને જૂનાગઢ વન વિભાગનો રેસ્ક્યુ સ્ટાફ વિશેષ કિટ, પાંજરૂ અને દોરડા સાથે મિનિટોમાં જ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.</p><h3><b>સીમર એનિમલ કેર સેન્ટરમાં નિરીક્ષણ હેઠળ</b></h3><p>વન વિભાગના ચપળ અને અનુભવી સ્ટાફે કૂવામાં ખાટલો અથવા વિશેષ પાંજરૂ ઉતારીને કલાકોની જહેમત બાદ સિંહબાળને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વિના અત્યંત સાવચેતીપૂર્વક કૂવામાંથી બહાર કાઢ્યું હતું. સિંહબાળ બહાર આવતા જ વન વિભાગની ટીમે તેનો પ્રાથમિક મેડિકલ ટેસ્ટ કર્યો હતો, જેમાં તે સદનસીબે સંપૂર્ણ તંદુરસ્ત અને કોઈ પણ આંતરિક ઈજા વિનાનું હોવાનું માલૂમ પડ્યું હતું. વધુ સુરક્ષા અને વૈજ્ઞાનિક ઓબ્ઝર્વેશન માટે સિંહબાળને તુરંત જ 'સીમર એનિમલ કેર સેન્ટર' ખાતે ખસેડવામાં આવ્યું છે. આ સફળ રેસ્ક્યુને કારણે વનપ્રેમીઓએ વન વિભાગની કામગીરીને બિરદાવી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/junagadh/salangpur-hanumanji-statue-trademark-copyright-controversy-gujarat-saints-protest-baba-jyotirnath-sukhramdas-bapu" target="_blank">આ પણ વાંચો: Rajkot: દેવી-દેવતાઓને પેટર્નમાં ન બાંધી શકાય, હનુમાનજી મૂર્તિના કોપીરાઇટ મામલે ગુજરાતના સાધુ-સંતો લાલઘૂમ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/CBFpzvktffkUm11xfVCRfEqTqynXuBsYLfLUITAA.webp'/></item><item><title><![CDATA[World's First Billionaire એલોન મસ્કનું ચોંકાવનારું નિવદેન, ભવિષ્યમાં પૈસાની કિંમત નહીં રહે... ]]></title><link>https://sandesh.com/world/news/business/worlds-first-billionaire-elon-musks-shocking-statement-money-will-have-no-value-in-the-future</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/business/worlds-first-billionaire-elon-musks-shocking-statement-money-will-have-no-value-in-the-future</guid><pubDate>Sat, 13 Jun 2026 14:16:44 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કની સંપત્તિમાં સ્પેસએક્સના IPO પછી રેકોર્ડતોડ વધારો થયો છે. ફોર્બ્સે IPO પહેલા મસ્કની નેટવર્થ આશરે 780 બિલિયન ડોલર અંદાજી હતી, જે હવે 1.1 ટ્રિલિયન ડોલર થઈ ગઈ છે. ઇતિહાસમાં આટલી મોટી સંપત્તિ મેળવનાર તેઓ પ્રથમ વ્યક્તિ છે. એલોન મસ્ક દુનિયાના બિલિયોનર બનતા લોકો ચોંકી ઉઠયા. દુનિયા તેમની સંપત્તિની ગણતરી કરવા લાગી છે. પરંતુ મસ્કનું માનવું છે કે ભવિષ્યમાં પૈસાની કોઈ કિંમત રહેશે નહીં. </p><h2 style="text-align: justify; "><b>એલોન મસ્કના નિવેદનની ભારે ચર્ચા</b></h2><p style="text-align: justify; ">તાજેતરના એક કાર્યક્રમમાં બોલતા, તેમણે કહ્યું હતું કે આવનારા સમયમાં પૈસાનું મહત્વ સમાપ્ત થઈ જશે. એલોન મસ્કે કહ્યું કે અત્યારે ડિજીટલ યુગમાં ઓનલાઈન પેમેન્ટ થવા લાગ્યા છે. જયારે ભવિષ્યમાં પૈસાની કિમંત જ રહેશે નહી. એક કાર્યક્રમમાં એલોન મસ્કે આપેલા આ નિવેદનની ભારે ચર્ચા થઈ રહી છે. આખરે કેમ ઓલન મસ્ક આવું કહી રહ્યા છે. તેને લઈને લોકો વિચારતા થયા છે.</p><h3 style="text-align: justify; "><b>ભવિષ્યમાં પૈસાની કોઈ કિમંત રહેશે નહી, એલોન</b></h3><p style="text-align: justify; ">2026 ના એબ્યુન્ડન્સ સમિટમાં બોલતા, મસ્કે કહ્યું કે ડિજિટલ બાદ અત્યારે AI એ મોટી ક્રાંતિ લાવી છે. ભવિષ્ય AI અને રોબોટ્સનું છે. ભવિષ્યમાં, મશીનો એટલા ઉત્પાદક બનશે કે કામ, આવક અને પૈસા વિશેના પરંપરાગત વિચારો સંપૂર્ણપણે બદલાઈ જશે. આપણી પાસે સાર્વત્રિક ઉચ્ચ આવક હશે. AI અને રોબોટ્સ એટલું બધું કામ કરશે અને સેવાઓ પૂરી પાડશે કે માણસો પૂરતું કરી શકશે. પરિણામે, એક સમય આવશે જ્યારે પૈસા તેનું મહત્વ ગુમાવશે.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>AI કામ કરશે, માણસો આરામ, નહીં રહે પૈસાની જરૂર</b></h4><p style="text-align: justify; ">જ્યારે મસ્કને પૂછવામાં આવ્યું કે જો પૈસા નહીં હોય તો દુનિયા કેવી રીતે ચાલશે? ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું કે AI સિસ્ટમ્સને ડોલર કે રૂપિયા જેવા માનવ ચલણની જરૂર નથી હોતી. તેઓ માત્ર પાવર (શક્તિ), વોટેજ (વીજળી) અને ટન (ઉત્પાદન) ની ભાષા જ સમજે છે. એલોન મસ્કે અગાઉ પણ દાવો કર્યો હતો કે આગામી સમયમાં મનુષ્યોએ આજીવિકા મેળવવા માટે કામ કરવાની કોઈ જરૂર નહીં રહે. રોબોટ્સ તમામ જટિલ અને કંટાળાજનક કાર્યો સંભાળી લેશે. માણસો માત્ર પોતાના શોખ ખાતર શાકભાજી ઉગાડવા જેવી પ્રવૃત્તિઓ કરશે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>એલોન મસ્કની કંપની અધધ..રોબોટો બનાવશે</b></h3><p style="text-align: justify; ">મસ્કનો આ ભરોસો તેમની કંપની ટેસ્લાના 'ઓપ્ટીમસ' (Optimus) નામના હ્યુમનોઇડ રોબોટ પર આધારિત છે. ટેસ્લા માનવ શ્રમના વિકલ્પ તરીકે આ રોબોટને ઝડપથી વિકસાવી રહી છે અને કંપનીએ ૨૦૩૦ સુધીમાં ૧ મિલિયન (૧૦ લાખ) ઓપ્ટીમસ રોબોટ્સ તૈનાત કરવાનો મોટો લક્ષ્યાંક રાખ્યો છે. જણાવી દઈએ કેએલોન મસ્કની સંપત્તિનો સૌથી મોટો હિસ્સો સ્પેસએક્સમાં રહેલા તેમના શેર ($866 બિલિયન) માંથી આવે છે. આ ઉપરાંત તેઓ ટેસ્લા (Tesla), એક્સ (X - અગાઉનું ટ્વિટર), ન્યુરાલિંક (Neuralink) અને ધ બોરિંગ કંપની જેવી દિગ્ગજ કંપનીઓના માલિક છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/YyGyeusfXkPE2VfEEVgLyXVFwf0VvxNSPc1JPCjY.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ગુજરાતના આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ, તાપમાનનો પારો 40 થી 41 ડિગ્રી આસપાસ રહેશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/weather/ahmedabad/gujarat-monsoon-big-update-imd-forecasts-good-rain-due-to-el-nino-alert-in-amreli-kutch-bhavnagar</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/weather/ahmedabad/gujarat-monsoon-big-update-imd-forecasts-good-rain-due-to-el-nino-alert-in-amreli-kutch-bhavnagar</guid><pubDate>Sat, 13 Jun 2026 14:02:56 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી અસહ્ય ઉકળાટ અને હીટવેવનો સામનો કરી રહેલી જનતા માટે કુદરતે આખરે રાહતના સંકેત આપ્યા છે. પ્રશાંત મહાસાગરમાં સર્જાતી 'અલ નીનો' ની પેટર્ન હવે ભારતીય ચોમાસાને પૂરક બની રહી હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિકોનું માનવું છે. સામાન્ય રીતે અલ નીનોની શરૂઆતની અસરો ચોમાસાને વધુ મજબૂત બનાવે છે, જેના કારણે આ વર્ષે ગુજરાતના તમામ ઝોનમાં સારો અને સમયસર વરસાદ ખાબકશે, જે કૃષિ ક્ષેત્ર અને જળાશયો માટે સંજીવની સમાન સાબિત થશે.</p><h2><b>આજથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં પ્રિ-મોન્સૂન ધમાકો</b></h2><p>હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, પશ્ચિમ ભારતના આકાશ પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની મજબૂત સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે આજે દરિયાકાંઠાના જિલ્લાઓ જેવા કે અમરેલી અને ભાવનગરના વાતાવરણમાં પલટો આવશે અને ગાજવીજ તથા તેજ પવન સાથે વરસાદી ઝાપટાં પડશે. આ ઉપરાંત, સરહદી જિલ્લા કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે વરસી રહેલા આ વરસાદને પગલે કાળઝાળ ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળશે.</p><h3><b>દક્ષિણ ગુજરાત માટે આગામી 7 દિવસ ભારે</b></h3><p>સૌથી મહત્વના સમાચાર દક્ષિણ ગુજરાત માટે છે. સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં આગામી 7 દિવસ સુધી અવિરત વરસાદ પડવાની સંભાવના છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્ર તરફથી આવતા ભેજવાળા પવનોના કારણે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. જો કે, વરસાદી માહોલ વચ્ચે પણ ભેજનું પ્રમાણ વધવાના કારણે તાપમાનનો પારો 40 થી 41 ડિગ્રીની આસપાસ રહેશે, જેથી નાગરિકોને વરસાદ બાદ અસહ્ય બફારા અને ઉકળાટનો સામનો કરવો પડી શકે છે. વન વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમોને આ સાત દિવસ દરમિયાન એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/vadodara/dabhoi-bhavpura-village-transmission-line-electricity-pole-collapse-three-workers-dead" target="_blank">આ પણ વાંચો: Vadodara: ભાવપુરામાં હાઇટેન્શન વીજ પોલ ધરાશાયી થતાં 3 શ્રમિકોના કરુણ મોત, 3 હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/FLvdYiZxCSI73BGTeogvq0NEXSIsqZCfHweTplUi.webp'/></item><item><title><![CDATA[Vadodara: ભાવપુરામાં હાઇટેન્શન વીજ પોલ ધરાશાયી થતાં 3 શ્રમિકોના કરુણ મોત, 3 હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/dabhoi-bhavpura-village-transmission-line-electricity-pole-collapse-three-workers-dead</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/dabhoi-bhavpura-village-transmission-line-electricity-pole-collapse-three-workers-dead</guid><pubDate>Sat, 13 Jun 2026 13:12:46 +05:30</pubDate><description><![CDATA[<p>વડોદરા સાઉથથી લઈને સુરતના ઓલપાડ સુધી 765 KV ની અત્યંત હાઇ-ટેન્શન ટ્રાન્સમિશન લાઇન નાખવાનો મેગા પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આ હાઇપ્રોફાઇલ પ્રોજેક્ટ અંતર્ગત વડોદરાના ડભોઈ તાલુકાના ભાવપુરા ગામની સીમમાં વિશાળ લોખંડના વીજ ટાવરો અને કેબલિંગ ઉભા કરવાની કામગીરી પાવર ગ્રીડના નેજા હેઠળ ખાનગી કોન્ટ્રાક્ટર ટી.એલ.એલ. (TLL) કંપની દ્વારા કરવામાં આવી રહી છે. ગત 09 જૂનના રોજ રોજિંદી પ્રક્રિયા મુજબ પશ્ચિમ બંગાળથી કમાવા આવેલા ગરીબ શ્રમિકો જમીનથી સેંકડો ફૂટ ઊંચાઈ પર કામ કરી રહ્યા હતા, ત્યારે કલ્પના ન કરી હોય તેવી ગોઝારી દુર્ઘટના ઘટી હતી.</p><h2><b>હાઇટેન્શન ટાવરનો પાયો જ હલી ગયો</b></h2><p>પ્રાથમિક તપાસ અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, હાઇટેન્શન લાઇન માટે કેબલ ખેંચવાની અને વીજ થાંભલાને લોક કરવાની પ્રક્રિયા ચાલુ હતી. તે સમયે અચાનક મસમોટા લોખંડના થાંભલાનો પાયો હલી ગયો હતો અને સંતુલન ખોરવાઈ જતાં આખેઆખો મહાકાય વીજ થાંભલો ધડાકાભેર જમીનદોસ્ત થઈ ગયો હતો. થાંભલા પર અને તેની આસપાસ કામ કરી રહેલા 6 જેટલા શ્રમિકો લોખંડના એંગલો વચ્ચે કચડાઈ ગયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે આસપાસના સીમ વિસ્તારના ખેડૂતો અને મજૂરો લોહીલુહાણ શ્રમિકોને બચાવવા દોડ્યા હતા.</p><h3><b>સારવાર કારગત ન નીવડી, મીડિયા સમક્ષ કંપની સુપર સાઈલન્ટ</b></h3><p>તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક વડોદરાની હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યા હતા. જો કે, ગંભીર આંતરિક અને માથાના ભાગે ઈજાઓ હોવાના કારણે પશ્ચિમ બંગાળના વતની એવા 3 આશાસ્પદ શ્રમિકોએ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો, જ્યારે બાકીના 3 શ્રમિકો હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. ટી.એલ.એલ. કંપની અને પાવર ગ્રીડના જવાબદાર અધિકારીઓ આ ગંભીર લાપરવાહી પર સત્તાવાર નિવેદન આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. ઘટનાની ગંભીરતાને જોતાં ડભોઈ પોલીસનો મોટો કાફલો ભાવપુરા ગામની સીમમાં પહોંચ્યો હતો અને એફએસએલ (FSL) ની મદદથી તપાસ શરૂ કરી છે.&nbsp;</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/vadodara/friendship-tragedy-two-youths-commit-suicide-within-24-hours-over-friends-death-in-bihar" target="_blank">આ પણ વાંચો:Vadodara: માણેજામાં હૃદય ચીરી નાખે તેવી ઘટના, વતનમાં મિત્રના મોતના આઘાતમાં બે મિત્રોએ 24 કલાકમાં કર્યો આપઘાત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/1k0LScJdsyTQFCtksB41YGm3JbNcULkXrKX5moC7.webp'/></item></channel></rss>