<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ahmedabad News: ઓગણજમાંથી MD ડ્રગ્સ અને ગાંજા સાથે મહિલા સહિત બે પેડલરોને ઝડપાયા ]]></title><link>https://sandesh.com/crime/news/ahmedabad/sola-high-court-police-md-drugs-ganja-seized-oganaj</link><guid isPermaLink="true">https://sandesh.com/crime/news/ahmedabad/sola-high-court-police-md-drugs-ganja-seized-oganaj</guid><pubDate>Sat, 20 Jun 2026 19:00:18 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરમાં નશાના કારોબાર સામે પોલીસે લાલ આંખ કરી છે. સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનની ટીમે એક ચોક્કસ બાતમીના આધારે ઓગણજ ગામમાં રેડ કરીને એમડી ડ્રગ્સ અને ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓમાં એક મહિલા પેડલરનો પણ સમાવેશ થાય છે. પોલીસે બંને વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.</p><h2><b>એમડી ડ્રગ્સ, ગાંજો અને રોકડ સહિત 1.29 લાખનો મુદ્દામાલ જપ્ત</b></h2><p>પોલીસ રેડ દરમિયાન આરોપીઓ પાસેથી ગેરકાયદે નશીલો પદાર્થ મળી આવ્યો હતો. જેમાં પોલીસે 23.10 ગ્રામ એમડી ડ્રગ્સ અને 194.87 ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે. આ ઉપરાંત, આરોપીઓ પાસેથી ડ્રગ્સના વેચાણના વ્યવહારો માટે વપરાતા મોબાઇલ ફોન, રોકડ રકમ તેમજ હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતા વાહનો પણ કબજે લેવાયા છે. પોલીસે ડ્રગ્સ, ગાંજો અને અન્ય સાહિત્ય મળીને કુલ રૂપિયા 1.29 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.</p><h2><b>ડ્રગ્સ સપ્લાય ચેઇન નેટવર્ક તોડી પાડવા પોલીસની તપાસ તેજ</b></h2><p>સોલા હાઇકોર્ટ પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરીને તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં આ ડ્રગ્સ અને ગાંજાનો જથ્થો તેઓ ક્યાંથી લાવ્યા હતા અને અમદાવાદમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં તપાસ લંબાવવામાં આવી છે. આ નશાના નેટવર્કમાં અન્ય કયા શખ્સો સંડોવાયેલા છે, તેની સપ્લાય ચેઇન સુધી પહોંચવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને વધુ તપાસ હાથ ધરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/moraiya-village-sarpanch-husband-son-attacked" target="_blank">Ahmedabad News: મોરૈયા ગામના સરપંચના પતિ અને પુત્ર પર 5થી વધુ શખ્સોનો સશસ્ત્ર હુમલો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/42LPKVvLjLALUthMq2TMVYF5aOegEbRgqX7IcHsb.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: CID ક્રાઈમ DGPની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક, આર્થિક ગુનાઓની તપાસમાં ડિજિટલ ફોરેન્સિકના ઉપયોગ પર અપાયો ભાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/cid-crime-dgp-dr-kln-rao-review-meeting</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/cid-crime-dgp-dr-kln-rao-review-meeting</guid><pubDate>Sat, 20 Jun 2026 18:51:51 +05:30</pubDate><description><![CDATA[<p>ગાંધીનગર સ્થિત CID ક્રાઈમ કચેરી ખાતે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. સીઆઈડી ક્રાઈમ કચેરીના DGP ડૉ. કે. એલ. એન. રાવે આર્થિક ગુના નિવારણ શાખાની ખાસ મુલાકાત લીધી હતી અને અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ મુલાકાત દરમિયાન ડૉ. રાવ દ્વારા આર્થિક ગુના નિવારણ શાખામાં તપાસ હેઠળ રહેલા વિવિધ મહત્વના અને અતિ સંવેદનશીલ ગુનાઓની ઝીણવટભરી અને વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.</p><h2><b>જટિલ નાણાકીય વ્યવહારો અને પુરાવાઓની થઈ ચકાસણી</b></h2><p>બેઠક દરમિયાન ડીજીપીએ વિવિધ હાઈ-પ્રોફાઈલ કેસોની તપાસમાં અત્યાર સુધી થયેલી પ્રગતિની વિગતો મેળવી હતી. તેમણે કેસોમાં એકત્રિત કરવામાં આવેલા પુરાવાઓનું સંકલન, જટિલ નાણાકીય વ્યવહારોના વિશ્લેષણ તેમજ આરોપીઓ વિરૂદ્ધ હાથ ધરવામાં આવેલી કાયદાકીય કાર્યવાહીની સઘન સમીક્ષા કરી હતી. કેસોની તપાસ પ્રક્રિયાને વધુ સુદ્રઢ અને સચોટ બનાવવાના ઉદ્દેશ્ય સાથે ડૉ. કે. એલ. એન. રાવે ઉપસ્થિત અધિકારીઓને મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.</p><h2><b>વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવા અને સમયમર્યાદા જાળવવા તાકીદ</b></h2><p>DGP ડૉ. રાવે અધિકારીઓને કડક સૂચના આપતા જણાવ્યું હતું કે, ગુનેગારો સામે અદાલતમાં ઝડપી અને અસરકારક કાયદાકીય કાર્યવાહી સુનિશ્ચિત કરવા તમામ કેસોની તપાસ વૈજ્ઞાનિક અને મજબૂત પુરાવા આધારિત પદ્ધતિથી થવી જોઈએ. તેમણે તમામ તપાસ અધિકારીઓને દરેક કેસની તપાસ સંપૂર્ણ નિષ્પક્ષતા અને પારદર્શિતા સાથે નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા તેમજ ગુનાની ગંભીરતાને અનુરૂપ જરૂરી ઝડપી કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. આ ઉપરાંત તેમણે ભોગ બનનાર પીડિતોને ઝડપી ન્યાય મળે તે માટે થઈ રહેલા પ્રયાસોની પણ સમીક્ષા કરી હતી.</p><h2><b>ડિજિટલ ફોરેન્સિક ટેકનોલોજી અને બેંકો સાથે સંકલન પર ભાર</b></h2><p>વર્તમાન સમયમાં આર્થિક ગુનાઓના બદલાતા સ્વરૂપ અને ડિજિટલ માધ્યમોના વધતા દુરૂપયોગ અંગે ચિંતા વ્યક્ત કરતા ડૉ. રાવે તપાસમાં આધુનિક ટેકનોલોજી અને ડિજિટલ ફોરેન્સિક સાધનોના મહત્તમ ઉપયોગ પર વિશેષ ભાર મૂક્યો હતો. સાયબર અને ડિજિટલ ફ્રોડના યુગમાં વૈજ્ઞાનિક પુરાવાઓ ખૂબ મહત્વના સાબિત થતા હોય છે. આ ઉપરાંત, આર્થિક છેતરપિંડીના કેસોમાં ઝડપી ઉકેલ લાવવા માટે વિવિધ નાણાકીય સંસ્થાઓ અને બેંકો સાથેના સંકલનને વધુ અસરકારક અને સક્રિય બનાવવા માટે પણ તેમણે જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/gandhinagar-gujarat-bayad-land-scam-yuvrajsinh-jadeja-exposes-dead-farmer-alive-news" target="_blank">Gandhinagar : ગુજરાતમાં ભૂમાફિયાઓનો 'અલૌકિક ચમત્કાર', 53 વર્ષ પહેલાં ગુજરી ગયેલા ખેડૂતને 2025માં જીવતા કરી કરોડોની 9 વીઘા જમીન હડપી લીધી</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/9RLn0i1GQtbFvexOY30dp67Db6LW1vgZNaRHyJqH.webp'/></item><item><title><![CDATA[NEET-UG 2026: અબુધાબી સેન્ટર વિવાદ પર NTAનું સ્પષ્ટીકરણ, કહ્યું 'વિદ્યાર્થીના લોગિનથી બદલાયું હતું શહેર' ]]></title><link>https://sandesh.com/india/news/neet-ug-2026-abu-dhabi-centre-nta-clarification-student-login-change-nagpur</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/neet-ug-2026-abu-dhabi-centre-nta-clarification-student-login-change-nagpur</guid><pubDate>Sat, 20 Jun 2026 18:29:27 +05:30</pubDate><description><![CDATA[<p>નાગપુરના એક NEET-UG 2026 ઉમેદવારને અબુ ધાબીમાં પરીક્ષા સેન્ટર ફાળવવામાં આવ્યા બાદ ઉભા થયેલા વિવાદ પર નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ પોતાનું સ્પષ્ટીકરણ આપ્યું છે. NTA મુજબ તેની સત્તાવાર વેબસાઈટના વેબ-એક્ટિવિટી રેકોર્ડમાં દર્શાવવામાં આવ્યું છે કે ઉમેદવારના રજિસ્ટર્ડ લોગિન મારફતે જ એક્ઝામ સિટી બદલવામાં આવી હતી.</p><h2><b>99.5 ટકા વિદ્યાર્થીઓને તેમની પસંદગીની સિટી મળી</b></h2><p>એજન્સીએ જણાવ્યું કે પરીક્ષા 21 જૂને રીશેડ્યૂલ થયા બાદ વિદ્યાર્થીઓની સુવિધા માટે એક્ઝામ સિટી કરેકશન વિન્ડો ફરીથી ખોલવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન લગભગ 3.2 લાખ ઉમેદવારોએ તેનો ઉપયોગ કર્યો હતો, જેમાંથી 99.5 ટકા વિદ્યાર્થીઓને તેમની પસંદગીની સિટી મળી ગઈ હતી.</p><h3><b>ઉમેદવારના લોગિનમાં ત્રણ અલગ અલગ વખત અબુ ધાબી સેન્ટર દેખાયું</b></h3><p>NTAના જણાવ્યા મુજબ ઉમેદવારના લોગિનમાં ત્રણ અલગ અલગ વખત અબુ ધાબી સેન્ટર દેખાયું હતું. એક વખત તેમના ID મારફતે જ સિટી બદલીને અબુ ધાબી કરવામાં આવી હતી અને અન્ય બે વખત પણ અબુ ધાબી સેન્ટરનું પ્રીવ્યુ જોવા મળ્યું હતું. ત્યારબાદ 19 જૂનની સાંજે, પરીક્ષાના લગભગ 48 કલાક પહેલા, અબુ ધાબીથી નાગપુર સેન્ટર બદલવા માટે અનૌપચારિક વિનંતી મળી હતી.</p><h4><b>પરિવાર દ્વારા ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા</b></h4><p>એજન્સીએ કહ્યું કે આ વિનંતી મળ્યા બાદ તાત્કાલિક કાર્યવાહી કરીને ઉમેદવારને નાગપુરમાં સેન્ટર ફાળવવામાં આવ્યું હતું. NTAએ સ્પષ્ટ કર્યું કે તેની નીતિ 'સ્ટુડન્ટ-ફર્સ્ટ' છે અને કોઈપણ વિદ્યાર્થી પરીક્ષા પ્રક્રિયાથી વંચિત ન રહે તે તેની પ્રાથમિકતા છે. આ વિવાદ ત્યારે સામે આવ્યો જ્યારે નાગપુરના વિદ્યાર્થીને શરૂઆતમાં અબુ ધાબી સેન્ટર ફાળવવામાં આવ્યું હતું, જેને લઈને પરિવાર દ્વારા ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. હવે NTAના સ્પષ્ટીકરણ બાદ સમગ્ર મામલો વધુ ચર્ચામાં છે.<br><br><b><a href="https://sandesh.com/india/breakingnews/maharashtra-maruti-temple-hall-roof-collapse-over-30-trapped-under-debris" target="_blank">આ પણ વાંચો : Maharashtra: પરભણીમાં મારૂતિ મંદિરના સભા મંડપની છત થઈ ધરાશાયી, 7 લોકોના થયા મોત</a></b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/c1tIznjo3zDsy8gUBhVKniXx281mMxGRUfANqRNd.webp'/></item><item><title><![CDATA[Surat News: SMC તંત્રની હેરાનગતિથી કંટાળ્યું વૃદ્ધ દંપતી, માંગી ઇચ્છામૃત્યુની મંજૂરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/elderly-couple-seeks-euthanasia-smc-harassment-shops-sealed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/elderly-couple-seeks-euthanasia-smc-harassment-shops-sealed</guid><pubDate>Sat, 20 Jun 2026 18:21:48 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત શહેરમાંથી એક અત્યંત હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે, જેમાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની કથિત હેરાનગતિથી પરેશાન થઈને 75 વર્ષના એક વૃદ્ધ દંપતીએ ઇચ્છામૃત્યુ માટે કલેક્ટર કચેરીમાં અરજી કરી છે. તંત્ર દ્વારા વારંવાર કરવામાં આવતી હેરાનગતિના કારણે કંટાળીને આખરે આ દાદા-દાદીએ જીવવા કરતાં મૃત્યુ પસંદ કરવાનો મોટો નિર્ણય લીધો છે. કલેક્ટર કચેરી દ્વારા આ ઇચ્છામૃત્યુની અરજીને સ્વીકારી લેવામાં આવી છે.</p><h2><b>10 વર્ષ પહેલા અકસ્માતમાં આખો પરિવાર ગુમાવ્યો હતો</b></h2><p>આ વૃદ્ધ દંપતી ભૂતકાળમાં ભારે મોટી કુદરતી આફત સહન કરી ચૂક્યું છે. દસ વર્ષ પહેલાં પાવાગઢથી પરત ફરતી વખતે આ દાદા-દાદીનો આખો પરિવાર એક ભયાનક કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. આ અકસ્માતમાં તેમનો પુત્ર, વહુ, બે પૌત્ર, દીકરી, જમાઈ, તેમના બે બાળકો અને એક સાળા સહિત પરિવારના તમામ સભ્યોનો માળો વિખેરાઈ ગયો હતો. આ અકસ્માત બાદથી જ વૃદ્ધ દંપતી તદ્દન એકલું પડી ગયું હતું અને પાંડેસરા વિસ્તારમાં આવેલી પોતાની મિલકતોના ભાડાની આવક પર ગુજારો કરતું હતું.</p><h2><b>રાજકીય ઇશારે દુકાનો પચાવી પાડવાનો આક્ષેપ</b></h2><p>વૃદ્ધ દંપતીનો ગંભીર આક્ષેપ છે કે, પાંડેસરામાં આવેલી તેમની કરોડોની મિલકતો ભાજપના કેટલાક મળતિયાઓ તંત્રનો દુરૂપયોગ કરીને પચાવી પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. પાંચ વર્ષ પહેલા સુજલ પ્રજાપતિ નામના અધિકારી દ્વારા ફાયર સેફ્ટીના અભાવનું બહાનું બતાવીને દાદા-દાદીની 9 જેટલી દુકાનો ખોટી રીતે સીલ કરી દેવામાં આવી હતી. </p><p>આ મામલે વૃદ્ધ દંપતીએ હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. સાડા પાંચ વર્ષની લાંબી કાનૂની લડત બાદ હાઇકોર્ટના આદેશથી આ દુકાનો ખોલી આપવામાં આવી હતી. આ દરમિયાન ફાયર વિભાગે પણ સત્તાવાર લેટર આપીને સ્પષ્ટ કર્યું હતું કે, આ દુકાનોમાં કોઈ પણ પ્રકારની ફાયર સેફ્ટીની જરૂરિયાત ઊભી થતી નથી.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2067958522256748737"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>કારણ વગર ફરી સીલ મારતા જીવવું મુશ્કેલ બન્યું</b></h2><p>હાઈકોર્ટમાંથી ન્યાય મળ્યાને હજુ થોડો સમય જ થયો હતો ત્યાં 20 દિવસ પહેલા, એટલે કે 30 મેના રોજ, ઉધના ઝોનના અધિકારીઓએ કોઈ પણ જાતનું કારણ દર્શાવ્યા વગર કે નોટિસ આપ્યા વગર આ તમામ 9 દુકાનોને ફરીથી સીલ મારી દીધું છે. આ દુકાનોમાંથી આવતા ભાડાના રૂપિયાથી જ આ દંપતીનું ગુજરાત ચાલતું હતું અને દવા-પાણીનો ખર્ચ નીકળતો હતો. </p><p>હવે ભાડાની આવક સંપૂર્ણ બંધ થઈ જતાં આ ઉંમરે ગુજારો ચલાવવો અશક્ય બન્યો છે. કોઈના ઇશારે અધિકારીઓ દુકાનો પચાવવા માટે વારંવાર હેરાન કરી રહ્યા હોવાથી, હવે ન્યાય મેળવવાની હિંમત ન બચતા દાદા-દાદીએ આખરે કલેક્ટર પાસે ઇચ્છામૃત્યુની માંગણી કરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/surat/mangrol-pipodra-gidc-massive-fire-plastic-waste-dumping-yard-sumilon-rajhans-fire" target="_blank">Surat: પીપોદરા GIDCમાં પ્લાસ્ટિકના સ્ક્રેપમાં લાગી ભીષણ આગ, ફાયરની ટીમો ઘટનાસ્થળે</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/AJSbt36QEGjen2wgTPCQeHFGse9dpLmnthMpkcHz.webp'/></item><item><title><![CDATA[વાંચો બપોરે 03થી સાંજે 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/read-important-news-from-3-pm-to-6-pm-20-june-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/read-important-news-from-3-pm-to-6-pm-20-june-2026</guid><pubDate>Sat, 20 Jun 2026 18:00:00 +05:30</pubDate><description><![CDATA[<p>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર</p><ol><li><a href="https://sandesh.com/india/news/agriculture/pm-kisan-yojana-23rd-installment-pm-modi-west-bengal-release" target="_blank">PM Kisan Yojana 23rd Installment : PM મોદીએ પશ્ચિમ બંગાળથી રિલિઝ કર્યો પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો</a></li><li><a href="https://sandesh.com/cricket/news/ind-vs-afg-3rd-odi-chennai-prasidh-krishna-5-wickets" target="_blank">Team Indiaએ 219 રનનો મળ્યો ટાર્ગેટ, પ્રસિદ્ધ કૃષ્ણાએ લીધી 5 વિકેટ, અફઘાન કેપ્ટને ફટકારી ઐતિહાસિક સદી</a></li><li><a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/pm-kisan-samman-nidhi-installment-release-cm-bhupendra-patel-jitu-vaghani" target="_blank">PM Kisan Installment Released: ખેડૂતો અંગે કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીએ આપ્યું મોટું નિવેદન</a></li><li><a href="https://sandesh.com/world/news/pakistan-has-once-again-been-disgraced-globally-us-vice-president-jd-vance-made-a-cruel-joke-know-what-the-controversy-is-about" target="_blank">Pakistanની વૈશ્વિક સ્તરે ફરી થઈ ભારે બદનામી! અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે ઉડાવી ક્રૂર મજાક, જાણો શું છે વિવાદ</a></li><li><a href="https://sandesh.com/india/breakingnews/maharashtra-maruti-temple-hall-roof-collapse-over-30-trapped-under-debris" target="_blank">Maharashtra: પરભણીમાં મારૂતિ મંદિરના સભા મંડપની છત થઈ ધરાશાયી, 5 લોકોના થયા મોત</a></li><li><a href="https://sandesh.com/india/news/amit-shah-on-shiv-sena-now-there-is-no-group-shiv-sena-is-one-amit-shahs-big-statement-on-uddhav-thackeray" target="_blank">Amit Shah On Shiv Sena: હવે કોઇ જૂથ નથી, શિવસેના એક જ છે, અમિત શાહનો ઉદ્ધવ ઠાકરેને ટોણો</a></li><li><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/moraiya-village-sarpanch-husband-son-attacked" target="_blank">Ahmedabad News: મોરૈયા ગામના સરપંચના પતિ અને પુત્ર પર 5થી વધુ શખ્સોનો સશસ્ત્ર હુમલો</a></li><li><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/weather-update-gujarat-weather-forecast-next-7-days-rain-alert-cyclonic-circulation-news" target="_blank">Weather Update : 21થી 25 જૂન દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી</a></li><li><a href="https://sandesh.com/gujarat/breakingnews/kutch/anjar-pgvcl-office-record-room-fire-documents-damaged" target="_blank">Kutch News: અંજાર PGVCL કચેરીના રેકોર્ડ રૂમમાં ભીષણ આગ</a></li><li><a href="https://sandesh.com/india/news/world-yoga-day-2026/international-yoga-day-2026-water-yoga-in-prayagraj-great-enthusiasm-for-international-yoga-day-from-kashmir-to-rajasthan" target="_blank">International Yoga Day 2026: કાશ્મીરથી રાજસ્થાન સુધી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે દેશભરમાં ભારે ઉત્સાહ</a></li></ol> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/05/30/ci0PwfUyHcao4H4ziwpdhMLnO6QMfKyI3jwCPvfh.webp'/></item><item><title><![CDATA[PM Kisan Yojana 23rd Installment : PM મોદીએ પશ્ચિમ બંગાળથી રિલિઝ કર્યો પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો ]]></title><link>https://sandesh.com/india/news/agriculture/pm-kisan-yojana-23rd-installment-pm-modi-west-bengal-release</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/agriculture/pm-kisan-yojana-23rd-installment-pm-modi-west-bengal-release</guid><pubDate>Sat, 20 Jun 2026 17:48:20 +05:30</pubDate><description><![CDATA[<p>20 જૂનનો દિવસ દેશના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સાબિત થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-Kisan) યોજનાનો 23મો હપ્તો રિલિઝ કર્યો છે. આ હપ્તા હેઠળ પાત્ર ખેડૂતોના ખાતામાં સીધા ₹2000 ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. સમગ્ર પ્રક્રિયા ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT) મારફતે કરવામાં આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2068298459988582803"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><br></p><h2><b>દેશભરમાં 9.44 કરોડથી વધુ ખેડૂતોના બેન્ક ખાતામાં પૈસા જમા થયા&nbsp;</b></h2><p>સરકારી માહિતી મુજબ આ હપ્તા હેઠળ દેશભરમાં 9.44 કરોડથી વધુ ખેડૂતોના બેન્ક ખાતામાં કુલ ₹18,880 કરોડથી વધુ રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. આ પગલાથી ખેડૂતોને સીધી આર્થિક સહાય મળી છે, જે તેમના કૃષિ કાર્ય અને રોજિંદા ખર્ચમાં મદદરૂપ બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. તેઓ હુગલી જિલ્લાના તારકેશ્વર ખાતે યોજાયેલા ‘પશ્ચિમ બંગ દિવસ’ સમારોહમાં હાજર રહ્યા હતા, જે કોલકાતાથી લગભગ 62 કિમી દૂર છે. આ કાર્યક્રમ દરમિયાન તેમણે અનેક કેન્દ્ર સરકારની યોજનાઓનો શુભારંભ કર્યો અને વિકાસ પ્રોજેક્ટ્સની શિલાન્યાસ પણ કરી.</p><h3><b>2019માં યોજના શરૂ કરાઈ હતી&nbsp;</b></h3><p>PM કિસાન યોજના 24 ફેબ્રુઆરી 2019ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે કુલ ₹6,000ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ રકમ ₹2,000ની ત્રણ સમાન હપ્તામાં સીધા ખેડૂતોના બેન્ક ખાતામાં જમા કરવામાં આવે છે. હાલ સુધીમાં આ યોજનાની 23 હપ્તા સફળતાપૂર્વક જાહેર કરવામાં આવી ચૂક્યા છે, જેના કારણે લાખો ખેડૂતોને નિયમિત આર્થિક સહાય મળી રહી છે અને તેમની કૃષિ પ્રવૃત્તિઓને મજબૂતી મળી રહી છે.<br></p><p><b><a href="https://sandesh.com/india/news/pm-modi-in-west-bengal-bengal-has-now-broken-free-from-its-shackles-pm-attacks-tmc-left" target="_blank">આ પણ વાંચો : PM Modi In West Bengal: બંગાળ બંધનોમાંથી મુક્ત થઈ ગયું, PMનો TMC-ડાબેરીઓ પર પ્રહાર</a></b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/ucYaHQB73rXrjNXFkNxySD7ePNA5VWGP1DaLBHB1.webp'/></item><item><title><![CDATA[Aamir Khan : મોટા પડદા પર જોવા મળશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની કહાની, આમિર ખાન બનાવી રહ્યા છે ડોક્યુમેન્ટ્રી ]]></title><link>https://sandesh.com/entertainment/news/aamir-khan-to-produce-biographical-documentary-on-president-droupadi-murmu</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/aamir-khan-to-produce-biographical-documentary-on-president-droupadi-murmu</guid><pubDate>Sat, 20 Jun 2026 17:33:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આમિર ખાન પ્રોડક્શન્સના બેનર હેઠળ બની રહેલી બંટવારા 1947 ટૂંક સમયમાં જ થિએટરોમાં દસ્તક દેવાની છે, જેનું તાજેતરમાં જ ટીઝર સામે આવ્યું છે. આ દરમિયાન આમિર ખાન એક વધુ મોટો પ્રોજેક્ટ લઈને આવી રહ્યા છે, પરંતુ આ એક્શન કે પાર્ટિશન પર બની રહેલી કોઈ ફિલ્મ નથી, પણ એક ડોક્યુમેન્ટ્રી હોવાની છે. અહેવાલ છે કે આમિર ખાનનું પ્રોડક્શન હાઉસ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પર ડોક્યુમેન્ટ્રી બનાવી રહ્યું છે એટલે કે દ્રૌપદી મુર્મૂની શાનદાર સફરને મોટા પડદા પર ઉતારવામાં આવશે.</p><h2 style="text-align: justify; "><b>રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના જીવન પર બનાવશે ડોક્યુમેન્ટ્રી</b></h2><p style="text-align: justify; ">બંટવારા 1947ની વચ્ચે આમિર ખાને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની જિંદગી પર એક ડોક્યુમેન્ટ્રી બનાવવાનો નિર્ણય લીધો છે. આ ફિલ્મના ડિરેક્શનની કમાન સ્વાતિ ચક્રવર્તી ભટકલા સંભાળશે, જેઓ રૂબરૂ રોશની જેવી ડોક્યુમેન્ટ્રી બનાવી ચૂક્યા છે. અહેવાલ છે કે આ ડોક્યુમેન્ટ્રીનું શૂટિંગ પહેલાથી જ શરૂ થઈ ચૂક્યું છે.</p><h3 style="text-align: justify; "><b>આમિર ખાનના પ્રોજેક્ટની ચર્ચા</b></h3><p style="text-align: justify; ">વેરાયટી ઇન્ડિયાના એક અહેવાલ મુજબ, આમિર ખાન પ્રોડક્શન્સ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના જીવન અને સફર પર બેઝ્ડ એક ડોક્યુમેન્ટ્રી પર કામ કરી રહ્યું છે. આ પ્રોજેક્ટને ફિલ્મમેકર અને રાઇટર સ્વાતિ ચક્રવર્તી ભતકાલ ડિરેક્ટ કરશે. આ ડોક્યુમેન્ટ્રી એ શાનદાર સફરને બતાવશે જેમાં મુર્મૂ ઓડિશાના એક નાના ગામથી ભારતના રાષ્ટ્રપતિ બન્યા. જણાવવામાં આવી રહ્યું છે કે આ ડોક્યુમેન્ટ્રી દ્રૌપદી મુર્મૂની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફના મહત્વના પડાવોને બતાવશે. જો કે, હજી મેકર્સ તરફથી કન્ફર્મેશન બાકી છે અને જો સમાચાર કન્ફર્મ થઈ જાય છે, તો આ આમિર ખાન પ્રોડક્શન્સની એક વધુ સાચી જિંદગી પર આધારિત સ્ટોરી હશે.</p><h4 style="text-align: justify; "><b>શરૂ થઈ ગયું શૂટિંગ</b></h4><p style="text-align: justify; ">અહેવાલોનું માનીએ તો આ ડોક્યુમેન્ટ્રીના કેટલાક ભાગ પહેલાથી જ ઓડિશામાં મુર્મૂના પૈતૃક ગામમાં શૂટ કરવામાં આવી ચૂક્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે મેકર્સે તેમના શરૂઆતી જીવનની મહત્વની ક્ષણોને ફરીથી તૈયાર કરી છે અને તેમની સફરના અલગ-અલગ પડાવોને બતાવવા માટે લોકલ કલાકારોને કાસ્ટ કર્યા છે. આ ડોક્યુમેન્ટ્રી દ્વારા આમિર ખાન પ્રોડક્શન્સ અને સ્વાતિ ચક્રવર્તી ભતકાલ એકવાર ફરી સાથે કામ કરશે. સ્વાતિએ આ પહેલા રૂબરૂ રોશનીને ડિરેક્ટ કરી હતી, જે 2019 માં આવેલી એક ડોક્યુમેન્ટ્રી એન્થોલોજી હતી અને જેને આમિર ખાન અને કિરણ રાવે પ્રોડ્યુસ કરી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/tmkoc-bagha-tanmay-vekaria-shares-real-life-financial-struggle-story" target="_blank">આ પણ વાંચો-Tanmay Vekaria : એક સમયે ખિસ્સામાં હતા ફક્ત 700 રૂપિયા, આજે લોકપ્રિયતાના શિખરે છે TMKOCના બાઘા!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/MUfmnKIuwI9umMX1WfyOSNjgmzILMrwiK7kSkn0V.webp'/></item><item><title><![CDATA[PM Kisan Installment Released: ખેડૂતો અંગે કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીએ આપ્યું મોટું નિવેદન ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/pm-kisan-samman-nidhi-installment-release-cm-bhupendra-patel-jitu-vaghani</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/pm-kisan-samman-nidhi-installment-release-cm-bhupendra-patel-jitu-vaghani</guid><pubDate>Sat, 20 Jun 2026 17:22:35 +05:30</pubDate><description><![CDATA[<p>દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો નવો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો છે. આ નિમિત્તે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાના ‘PM કિસાન ઉત્સવ દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના 51 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં સીધા જ 2000 રૂપિયાનો હપ્તો સહાય રૂપે જમા થશે. સમગ્ર રાજ્યના ખેડૂતો માટે આ ઉત્સવ સમાન પ્રસંગ બની રહ્યો છે.</p><h2><b>ખેડૂતોની સુખાકારી માટે સરકાર કટિબદ્ધ: CM ભૂપેન્દ્ર પટેલ</b></h2><p>કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વિશ્વના લોકપ્રિય નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુશાસનના સફળ વર્ષો પૂર્ણ કર્યા છે, જેમાં ખેડૂતોનું કલ્યાણ હંમેશા કેન્દ્ર સ્થાને રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, ખેડૂતો માટે સૌથી મહત્વની જરૂરિયાત પાણીની છે. આગામી સમયમાં જો ‘અલ નીનો’ની સ્થિતિ સર્જાય તો પણ ખેડૂતોને ઓછી તકલીફ પડે તે માટે સરકારે દૂરંદેશી પગલાં ભર્યા છે અને જ્યાં જરૂર છે, ત્યાં નર્મદાના પાણી પહોંચાડવાનું આયોજન કરાયું છે.</p><h2><b>પાણી સંગ્રહ અને પ્રાકૃતિક ખેતી પર વિશેષ ભાર</b></h2><p>મુખ્યમંત્રીએ પાણીના સંગ્રહ માટેની વ્યવસ્થા અંગે વાત કરતા જણાવ્યું કે, ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાને રાખીને ગુજરાતના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાનું લક્ષ્ય પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત, પહેલા તળાવ ભરવા માટે 5 કિલોમીટર સુધી મંજૂરી અપાતી હતી, જે હવે વધારીને 7 કિલોમીટર કરવામાં આવી છે. ધારાસભ્યોની ગ્રાન્ટમાં પણ વધારો કરાયો છે, જેથી રિચાર્જ બોર બનાવી શકાય. તેમણે ખેડૂતોને DAPનો ઓછો વપરાશ કરવા અને વૈજ્ઞાનિક પરિણામો આપતી પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહવાન કર્યું હતું.</p><h2><b>અલ નીનોની સંભવિત પરિસ્થિતિ સામે ગુજરાત સરકાર સજ્જ: CM ભૂપેન્દ્ર પટેલ</b></h2><p>ચોમાસાની આગાહી વચ્ચે દેશમાં અલ નીનોની સંભવિત પરિસ્થિતિને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર મંચ પરથી મોટું નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રીએ ખેડૂતોને આશ્વાસન આપતા જણાવ્યું કે, આ સંકટ સામે લડવા માટે રાજ્ય સરકારે અગાઉથી જ પોતાની રીતે આગોતરા પગલાં લઈ લીધા છે. ખેડૂતોને પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે સરકારે અત્યારથી જ જરૂરિયાતવાળા વિસ્તારોમાં નર્મદાના પાણી ભરાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. સરકારના આ આગોતરા આયોજનથી સંભવિત દુષ્કાળ કે પાણીની તંગીના પડકાર સામે ખેડૂતોના પાકને મોટું રક્ષણ મળશે.</p><h2><b>કોઈપણ વચેટિયા વિના ખેડૂતોના ખાતામાં ₹1025 કરોડ જમા: જીતુ વાઘાણી</b></h2><p>આ પ્રસંગે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જીતુ વાઘાણીએ સરકારના નિર્ણયોને બિરદાવતા કહ્યું કે, આજના હપ્તા દ્વારા ગુજરાતના ખેડૂતોને કુલ 1025 કરોડ રૂપિયાની સહાય સીધી તેમના ખાતામાં મળશે. વર્ષ 2019થી શરૂ થયેલી આ યોજના અંતર્ગત દેશના 9.5 કરોડથી વધુ ખેડૂતોને પારદર્શક રીતે, કોઈપણ વચેટિયા વગર લાભ મળી રહ્યો છે. મમતા બેનર્જીની સરકારે પશ્ચિમ બંગાળના ખેડૂતો સાથે અન્યાય કર્યો હતો, પરંતુ હવે ત્યાંના ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળી રહ્યો છે.</p><h2><b>સબસિડીમાં વધારો અને આપત્તિ સમયે કરોડોનું પેકેજ</b></h2><p>જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું કે, ભૂપેન્દ્ર પટેલની સરકાર ખેડૂતોની લાગણીઓને સમજનારી સરકાર છે. ખેડૂતો માટે વીજળી વધારવાનો નિર્ણય હોય કે આપત્તિના સમયે મદદ કરવાની વાત હોય, સરકાર હંમેશા અગ્રેસર રહે છે. સરકારે કૃષિ ઓજારો પર કરોડોની સબસિડી આપી છે, સનેડોની સહાયમાં વધારો કર્યો છે, અને ખેતરની ફરતે વાડ બનાવવા માટે ફેન્સિંગ યોજનામાં પણ મોટા નિર્ણયો લીધા છે. દિવાળીના સમયે પણ સરકારે ઉદારતા દાખવી ખેડૂતોને 25 હજાર કરોડ રૂપિયા આપ્યા હતા. કોંઢ ગામના ખેડૂતોની સમસ્યા અંગે પણ સરકારે હકારાત્મક વલણ અપનાવ્યું છે, અને તેનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/gujarat-latest-news-gujarat-latest-news-live-and-samachar-20-june-2026-politics-weather-updates-daily-breaking-news-nation" target="_blank">Gujarat Latest News Live: ખેડૂતોના ખાતામાં આવ્યા પૈસા! PM મોદીએ પશ્ચિમ બંગાળથી રિલિઝ કર્યો પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/OvjfAMZRosa1BT4xbMxeZMRMa8eMnAkEBtmWT4ZG.webp'/></item><item><title><![CDATA[Bharat Forge Share: સરકારનો મળ્યો 425 કરોડનો ઓર્ડર અને...રોકાણકારો માલામાલ ]]></title><link>https://sandesh.com/business/news/bharat-forge-share-government-gets-order-of-rs-425-crore-andinvestors-are-rich</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/bharat-forge-share-government-gets-order-of-rs-425-crore-andinvestors-are-rich</guid><pubDate>Sat, 20 Jun 2026 12:57:07 +05:30</pubDate><description><![CDATA[<p>શેરબજારમાં સતત વધઘટ જોવા મળી રહી છે. ગત અઠવાડિયે તો શેરબજારમાં ઘટાડાનો દોર હતો. પરંતુ આ ઘટાડા વચ્ચે ઘણી કંપનીઓના શેરએ સારુ પ્રદર્શન કર્યુ હતું. જો કે આગામી દિવસોમાં પણ આવો ટ્રેન્ડ જોવા મળી શકે છે. ત્યારે આવો જાણીએ કઇ કંપનીઓના શેર માર્કેટમાં મંદીના માહોલમાં પણ ટોપ પર હતા.&nbsp;</p><h2><b>Bharat Forge નો શેર ટોચ પર&nbsp;</b></h2><p>જે કંપનીનો શેર ટોચ પર હતો તે છે Bharat Forge. જો કે આગામી દિવસોમાં પણ તેના શેર ટોપ પર રહે તેવી શક્યતા છે.&nbsp; સરકાર દ્વારા કંપનીને આપવામાં આવેલા ₹425 કરોડના નોંધપાત્ર ઓર્ડરને કારણે સંરક્ષણ ક્ષેત્રની અગ્રણી કંપની Bharat Forgeના શેર ફોકસમાં રહેવાની તૈયારીમાં છે.</p><h3><b>રોકાણકારો માટે મલ્ટીબેગર સ્ટોક બન્યો Bharat Forge</b></h3><p>Bharat Forge તેના રોકાણકારો માટે મલ્ટીબેગર સ્ટોક તરીકે ઉભરી આવ્યો છે. વળતરની દ્રષ્ટિએ તેણે લાંબા ગાળે રોકાણકારો માટે નોંધપાત્ર સંપત્તિ ઉત્પન્ન કરી છે.  9 એપ્રિલ, 2020 ના રોજ આ  શેરનો ભાવ ₹245 હતો. જે હવે 12 જૂન  શુક્રવારના રોજ  ₹2,036 પર બંધ થયો હતો. એટલે કહી શકાય કે રોકાણકારોને તો તગડી કમાણી કરાવી દીધી.  2020થી 2026 સુધીમાં રોકાણકારોએ  729% નું પ્રભાવશાળી વળતર મેળવ્યું .Bharat Forgeમાં જે  રોકાણ કર્યુ હતું તેના કરતા આઠ ગણાથી વધુનો વધારો થયો છે.</p><p><b style="font-size: 1.5rem;">રોકાણકારોને કેટલું આપ્યું વળતર ?&nbsp;</b></p><p>આ ડિફેન્સ  સ્ટોકનું બજાર મૂડીકરણ ₹97,340 કરોડ છે. તેનો 52 અઠવાડિયાનો ઉચ્ચતમ ભાવ ₹2,059.50 છે, જ્યારે 52 અઠવાડિયાનો નીચો ભાવ ₹1,100.50 છે. છેલ્લા છ મહિનામાં આ શેર નોંધપાત્ર રીતે સારો દેખાવ કરી રહ્યો છે. જે રોકાણકારોને 40% વળતર આપે છે.  છેલ્લા પાંચ વર્ષના વળતરની વાત કરીએ તો તે 180% છે.</p><p><br></p><h4><b>ભારત ફોર્જ કેમ ફોકસમાં છે?</b></h4><p>Bharat Forgeના શેર આગામી સપ્તાહે પણ ચર્ચામાં રહેવાની ધારણા છે. પીટીઆઈના અહેવાલ મુજબ કંપનીએ ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જાહેરાત કરી હતી કે તેણે ભારતીય નૌકાદળ માટે સંરક્ષણ મંત્રાલય પાસેથી એક મોટો કરાર મેળવ્યો છે.</p><p><b style="font-size: 1.5rem;">Bharat Forgeમેળવ્યો ડિફેન્સ સેક્ટર પાસેથી ઓર્ડર&nbsp;</b></p><p>મળતી માહિતી મુજબ આ ઓર્ડર ગેસ ટર્બાઇન જનરેટરના પુરવઠા માટે છે જે ફાઇલિંગ મુજબ ₹425 કરોડ મૂલ્યનો છે. Bharat Forgeને કરારને અમલમાં મૂકવા માટે પાંચ વર્ષનો સમયમર્યાદા આપવામાં આવી છે. આ કરાર હેઠળ, કંપની 1.25 મેગાવોટની ક્ષમતાવાળા ગેસ ટર્બાઇન જનરેટરનું ઉત્પાદન કરશે.&nbsp;</p><p>શુક્રવારે સંરક્ષણ મંત્રાલયે નવી દિલ્હીમાં પુણે સ્થિત Bharat Forge લિમિટેડ સાથે ભારતીય નૌકાદળ માટે બાર 1.25 મેગાવોટ મરીન ગેસ ટર્બાઇન જનરેટર સેટ ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા. આ દરમિયાન સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ હાજર રહ્યા હતા, આ જનરેટરમાં ઓછામાં ઓછી 60% 'મેડ ઇન ઇન્ડિયા' સામગ્રીનો ઉપયોગ કરવામાં આવશે.</p><p><br></p><p><a href="https://sandesh.com/gallery/news/india/why-are-potatoes-and-chickpeas-the-filling-in-panipuri?2" target="_blank">આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/8gAOmPtUhuQp6cQgCRCresDqJT7KUFfJ9t7F1ztY.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026માં પેરાગ્વેએ સર્જ્યો મોટો અપસેટ, તુર્કીને હરાવીને ટુર્નામેન્ટમાંથી બહાર કરી ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/paraguay-created-a-big-upset-in-fifa-world-cup-2026-defeated-turkey-and-eliminated-them-from-the-tournament</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/paraguay-created-a-big-upset-in-fifa-world-cup-2026-defeated-turkey-and-eliminated-them-from-the-tournament</guid><pubDate>Sat, 20 Jun 2026 12:11:54 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પેરાગ્વેએ ફિફા વર્લ્ડ કપ 2026ના ગ્રુપ ડીના રોમાંચક મેચમાં તુર્કીને 1-0 થી હરાવ્યું.આ હાર સાથે તુર્કી ટુર્નામેન્ટમાંથી બહાર થનારી બીજી ટીમ બની.પોતાની બંને શરૂઆતની મેચ હારી ગયા બાદ,તુર્કી પાસે હવે આગળના રાઉન્ડમાં પહોંચવાની કોઈ શક્યતા નથી.તુર્કી પર પેરાગ્વેની જીતે ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં મોટો અપસેટ સર્જ્યો છે.</p><h4 style="text-align: justify; "><b>મેચનો સૌથી ઝડપી ગોલ</b></h4><p style="text-align: justify; ">પેરાગ્વેએ રમત શરૂ થતાં જ તુર્કીને સ્તબ્ધ કરી દીધું.મેચની બીજી જ મિનિટમાં પેરાગ્વેના મેથિયાસ ગાલાર્ઝાએ પેનલ્ટી બોક્સની બહારથી એક શક્તિશાળી શોટ માર્યો,જે સીધો ગોલમાં ગયો.તુર્કી ગોલકીપર ઉગુરકાન કાકીર શોટ રોકવામાં સંપૂર્ણપણે અસમર્થ રહ્યો.આ ગોલ આ વર્લ્ડ કપનો અત્યાર સુધીનો સૌથી ઝડપી ગોલ પણ બન્યો.શરૂઆતની નિષ્ફળતા પછી તુર્કીએ વાપસી માટે તમામ પ્રયાસો કર્યા.33મી મિનિટે મેર્ટ મુલ્ડુરનો ઉત્તમ હેડર પોસ્ટ પર વાગ્યો અને પાછો ફર્યો.બીજા હાફમાં આર્ડા ગુલર અને કેનન યિલ્ડીઝ જેવા ખેલાડીઓએ ગોલ કરવાની ઘણી તકો બનાવી પરંતુ પેરાગ્વેના મજબૂત ડિફેન્સ અને ગોલકીપર ઓર્લાન્ડો ગિલની સતર્કતાએ તેમને નિષ્ફળ બનાવ્યા.</p><p style="text-align: justify; "><a href="https://x.com/FIFAWorldCup/status/2068199162135409068?s=20" target="_blank">https://x.com/FIFAWorldCup/status/2068199162135409068?s=20</a></p><p style="text-align: justify; "><br></p><h5 style="text-align: justify; "><b>પ્રથમ હાફમાં એક ખેલાડીને લાલ કાર્ડ આપવામાં આવ્યું</b></h5><p style="text-align: justify; ">પ્રથમ હાફની અંતિમ ક્ષણોમાં મેદાન પર નોંધપાત્ર નાટક હતું. VAR ની મદદથી, પેરાગ્વેના સ્ટાર ખેલાડી મિગુએલ અલ્મિરોનને સીધો લાલ કાર્ડ બતાવીને મેદાનમાંથી બહાર મોકલી દેવામાં આવ્યો. તેના પર વિરોધી ખેલાડીઓ સાથે ઝઘડા દરમિયાન ચહેરો ઢાંકવા અંગેના FIFAના નવા નિયમનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પરિણામે, પેરાગ્વેને આખો બીજો હાફ ફક્ત 10 ખેલાડીઓ સાથે રમવો પડ્યો, પરંતુ તુર્કી આ ફાયદાનો લાભ લેવામાં નિષ્ફળ ગયું.</p><h5 style="text-align: justify; "><b>તુર્કીની વર્લ્ડ કપ સફરનો અંત આવ્યો</b></h5><p style="text-align: justify; ">આ હાર સાથે, તુર્કીની વર્લ્ડ કપ સફરનો અંત આવ્યો છે. સતત બે હાર (ઓસ્ટ્રેલિયા અને પેરાગ્વે સામે) બાદ તુર્કી ગ્રુપમાં સૌથી નીચે છે. જો તેઓ તેમની અંતિમ મેચમાં યુનાઇટેડ સ્ટેટ્સને હરાવે તો પણ, તેઓ પોતપોતાની મેચોમાં તેમના ખરાબ રેકોર્ડને કારણે આગામી રાઉન્ડની સ્પર્ધામાંથી બહાર રહેશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/entertainment/fifa-world-cup-2026-this-actress-is-the-most-searched-on-google-leaving-behind-priyanka-chopra-and-alia-bhatt" target="_blank">FIFA World Cup 2026 : આ અભિનેત્રી ગૂગલ પર સૌથી વધુ થઈ સર્ચ, પ્રિયંકા ચોપરા અને આલિયા ભટ્ટને છોડી દીધી પાછળ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/J8SF1E1MovA3v1E40je0dYFqg669E7oPfr9j8h1c.webp'/></item></channel></rss>