<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[સાધલીમાં પોલીસની વિશાળ જગ્યા કચરાના ઢગલાથી ઉકરડો બન્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/a-large-police-station-in-sadhli-has-become-a-mess-due-to-a-pile-of-garbage</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/a-large-police-station-in-sadhli-has-become-a-mess-due-to-a-pile-of-garbage</guid><pubDate>Sun, 07 Jun 2026 01:44:21 +05:30</pubDate><description><![CDATA[<p>શિનોર તાલુકાના મુખ્ય મથક સાધલી મુકામે જાહેર સ્થળ ઉપર પોલીસ તંત્રની વિશાળ જગ્યા આવેલ છે, જે 6 વર્ષ પહેલાં તોડી પાડયા પછી હજુ સુધી નવીન ના બનતા તે જગ્યાએ કચરાના ઢગલા જોવા મળે છે. તો નવીન આઉટ પોસ્ટ પોલીસ ચોકી બનાવવા માંગ ઉઠી છે.</p><p>સાધલી મુકામે પંચવટી બાગની બાજુમાં કરોડો રૂપિયાની ખુલ્લી જમીન પોલીસ તંત્રના હસ્તક છે, અગાઉ 6 વર્ષ પહેલા આ સ્થળે આઉટપોસ્ટ પોલીસ ચોકી કસ્ટડી રૂમ અને સ્ટાફ્ માટે રૂમો બનાવેલ હતી, તે જર્જરિત થતાં તંત્ર દ્વારા તોડી પાડવામાં આવેલ હતી. આ સ્થળે પોલીસે અગાઉ તાર બાંધી જગ્યા બંધ કરી હતી તે હાલમાં ખુલ્લી કરાતાં આજુબાજુના લોકો ત્યાં જાહેરમાં કચરો નાખી જાય છે અને આ જગ્યા હાલ જાહેર કચરાપેટી બનેલ છે. અને ગંદકીનું ઉભ્દવ સ્થાન બનેલ છે. અને સાથોસાથ વગર પૈસે પાર્કિંગ બનેલ છે. તાજેતરમાં નારેશ્વર મુકામે જિલ્લા પોલીસ વડા દ્વારા નવા બનેલા નારેશ્વર પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું જે આનંદની વાત છે, પરંતુ છેલ્લા 6 વર્ષથી મુખ્ય જગ્યા ઉપર સાધલી મુકામે 6 વર્ષ પહેલાં તોડી પડાયેલ આઉટ પોસ્ટ પોલીસ ચોકી ,કસ્ટડી રૂમ અને સ્ટાફ્ રૂમો આજ દિન સુધી બન્યા નથી.
</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/07/nHMKvUvG81q2CZeoOGaD9fkR2Kvt8PwoZiixDrj4.webp'/></item><item><title><![CDATA[બોડેલી ન.પાલિકા વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ વીજલાઇન યોજનાનો પ્રારંભ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bodeli/underground-power-line-project-launched-in-bodeli-municipality-area</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bodeli/underground-power-line-project-launched-in-bodeli-municipality-area</guid><pubDate>Sun, 07 Jun 2026 01:41:34 +05:30</pubDate><description><![CDATA[<p>બોડેલી નગરપાલિકા વિસ્તારમાં વીજ વાયરોને અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે. બોડેલીને નગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ નગરને આધુનિક સુવિધાઓનો વધુ એક લાભ મળવા જઈ રહ્યો છે. નગરમાં લટકતા વીજ વાયર અને વીજ લાઈનોના કારણે સર્જાતી સમસ્યાને દૂર કરવા માટે આ મહત્વાકાંક્ષી કામગીરી હાથ ધરાઇ છે. બોડેલીના ચાચક વિસ્તારથી કામગીરીની શરૂઆત કરાઇ છે.HDD મશીન દ્વારા જમીનમાં PVC પાઇપો દબાવી વીજ વાયરોને અંડરગ્રાઉન્ડ કરાશે. આ કામગીરી પૂર્ણ થતાં શહેરની સુરક્ષા, સૌંદર્ય અને વીજ વ્યવસ્થામા સુધારો થવાની સાથે નાગરિકોને પણ મોટી રાહત મળશે.</p><p>બોડેલી નગરમાં વર્ષોથી રસ્તા ઉપર અને થાંભલા પર લટકતા વીજ વાયર નાગરિકો માટે મુશ્કેલીનું કારણ બનતા હતા. ખાસ કરીને ચોમાસામાં વીજ પુરવઠો ખોટકાવાની ઘટના અનેઅકસ્માતોની શક્યતા વધી જતી હતી. જેના કાયમી ઉકેલ માટે હવે વીજ વાયરોને અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરી શરૂ કરાઇ છે. કાર્યગીરીના પ્રથમ તબક્કામાં ચાચક વિસ્તારમાં ડ્રિલ મશીન દ્વારા જમીનમાં PVC પાઇપો દબાવવાની કામગીરી હાથ ધરાઇ છે. ત્યારબાદ આ પાઇપોમાંથી વીજ વાયરો પસાર કરી હાલ થાંભલા પર લટકતા વાયરોને તબક્કાવાર અંડરગ્રાઉન્ડ કરાશે. નગર પાલિકા બન્યા બાદ બોડેલીમાં આધુનિક સુવિધાના વિકાસને વધુ વેગ મળ્યો છે. અંડરગ્રાઉન્ડ વીજ વાયરોની આ યોજના નગરની સુંદરતા વધારવાની સાથે સુરક્ષિત અને વિશ્વસનીય વીજ પુરવઠો સુનિશ્ચિત કરવામાં પણ મહત્વની સાબિત થશે. બોડેલીમાં અંડરગ્રાઉન્ડ વીજ વાયરોની કામગીરી શરૂ થતાં નગરજનોમાં આનંદની લાગણી જોવા મળે છે. આગામી સમયમાં સમગ્ર શહેરમાં આ કામગીરી પૂર્ણ થતાં વીજ વ્યવસ્થામાં સુધારો અને શહેરના વિકાસને નવી દિશા મળશે.
</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/07/BXae7I6ToAc2dv3dQt7cOO6hKkE23dKDY8KKtB6w.webp'/></item><item><title><![CDATA[મધ્યપ્રદેશથી પાટણ મજૂરીઅર્થે જતાં 8 પૈકી બેના નીપજેલા મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/two-of-the-8-people-who-went-to-patan-from-madhya-pradesh-for-labor-died</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/two-of-the-8-people-who-went-to-patan-from-madhya-pradesh-for-labor-died</guid><pubDate>Sun, 07 Jun 2026 01:38:47 +05:30</pubDate><description><![CDATA[<p>છોટાઉદેપુર જિલ્લાને અડીને આવેલ મધ્યપ્રદેશ રાજ્ય અને ગુજરાત રાજ્યની બોર્ડર પર ગતરાત્રિના ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં જ્ઞાનસિંહ તકસિંહ વેધલીયા (ઉં આ. 50) તથા સુરેશ જ્ઞાનસિંહ વેધલીયા (ઉં.આ.20)નું મોત થયું છે. અન્ય 6 વ્યક્તિ ઘાયલ થયા છે. છોટાઉદેપુર અને અલીરાજપુર જિલ્લાની બોર્ડર પર ઘાસ ભરેલું ટ્રેક્ટર અને તુફન ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા બેના મોત નીપજ્યા હતા. જે અંગે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી હતી</p><p>ઉલ્લેખનીય છે કે, ગત તા. 5-6-26ના રાતે 9 કલાકે ફેરકુવા ગામની સીમમાં છોટાઉદેપુરથી અલીરાજપુર તરફ્ જતા માર્ગ પર તુફન ગાડી ભરીને મધ્યપ્રદેશના ખુટાજા પીપરી ફ્ળિયા તા. જોબટ જિલ્લો અલીરાજપુરના જાબવા ગામથી ગાડીચાલક બીજા પેસેન્જરને સાથે લઈ ગુજરાતના ગોંડલ ખાતે ખેતીવાડીમાં મજૂરી કરવા જતા હતા. ત્યારે રાત્રિના 9 કલાકે અલીરાજપુરથી છોટાઉદેપુર તરફ્ના હાઇવે રોડ પર ફેરકૂવા ગામની સીમમા તુફન ગાડીની આગળ ઘાસ ભરેલું ટ્રોલીવાળુ ટ્રેક્ટર જતું હોય જેની પાછળ તુફન ગાડીનો ડ્રાઇવર પોતાની ગાડીને પૂર ઝડપે ગફ્લત ભરી રીતે બેદરકારીથી ચલાવી ટ્રેક્ટર ટ્રોલીની પાછળના ભાગે અથાડી દઈ એક્સિડન્ટ કર્યો હતો. તુફન ગાડી રોડની બીજી સાઈડ પલટી હતી. જે બનેલ ઘટના અંગે ગાડીમાં બેસેલ અન્ય પેસેન્જરને માથાના ભાગે જડબાના ભાગે તથા શરીરે ઇજા થઈ હોય જ્યારે અકસ્માતમાં સ્થળ પર જ્ઞાનસીહ તકસીહ વેધલિયાનું મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘાયલ સુરેશ જ્ઞાનસિંહ વેધલીયાને સારવાર અર્થે ખસેડાતા સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 6 વ્યક્તિ ઘાયલ થયા હોય જેઓને સારવાર અર્થે ખસેડાયા હતા.
</p><p>અકસ્માતમાં વેસ્તીબેન જ્ઞાનસિંહ વેઘલીયા (ઉં.45), મલખીબેન સુરેશ વેઘલીયા (ઉં.25), સંજય સુમેશ વેધલીયા (ઉં.7, તમામ રહે. ખુટાજા તા.જોબટ) જ્યારે મંજુબેન ભેરુભાઈ રાવત (રહે.આબુઆ તા.જોબટ) મનીષાબેન વેસ્તાભાઈ રાવત (રહે.દેકાલકુવા તા. જોબટ) અને પૂજાબેન મગનસિંહ બામણીયા (રહે.કોલાબેડા તા.જોબટ જિ. અલીરાજપુર) ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા હતા.
</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/07/enUhlmX713QIzI1dpcWXnE77Cn5QBMpITzB7rmAD.webp'/></item><item><title><![CDATA[ડેસરમાં જ્વેલર્સ વિરુદ્ધ રૂા.13.01 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/complaint-registered-against-jewellers-in-desar-for-fraud-of-rs-1301-lakh</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/complaint-registered-against-jewellers-in-desar-for-fraud-of-rs-1301-lakh</guid><pubDate>Sun, 07 Jun 2026 01:37:50 +05:30</pubDate><description><![CDATA[<p>ડેસરના સોનીએ ઘરેણાં બનાવી આપવા અને રીપેરીંગના બહાને અનેક લોકો પાસેથી રોકડ રકમ તેમજ સોનું મેળવી લીધા બાદ ન તો ઘરેણાં તૈયાર કરીને આપ્યાં ના ગ્રાહકોને યોગ્ય જવાબ આપ્યો હતો. ડેસર પોલીસ સ્ટેશનમાં સોની વેપારી સામે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ધમકીની ફરિયાદ નોંધાતા વિસ્તારમાં ચકચાર મચી હતી.</p><p>આરઝુબેન ઘાંચી (ઉં.26, રહે. હાલોલ) દ્વારા ડેસર પોલીસ મથકે નોંધાવાયેલી ફરિયાદ અનુસાર, સંજય ચંપક સોની (રહે. ડેસર) દ્વારા સોનાના ઘરેણાં બનાવવાના બહાને રોકડ અને સોનું સ્વીકાર્યું હતું. બ્રેસલેટ બનાવવા માટે આશરે રૂા.80 હજાર જ્યારે અન્ય ગ્રાહકો પાસેથી પણ અલગ-અલગ કામોના બહાને લાખો રૂપિયાની રકમ અને કિંમતી સોનું મેળવ્યું હતું. તેમાં શૈલેષ ચાવડા, અર્જુન સોલંકી, હરેશ પરમાર, આશાબેન પરમાર, મીનાબેન પરમાર, સંતોકબેન ચૌહાણ, સવીતાબેન દરબાર તથા મહેન્દ્રસિંહ ચૌહાણ સહિતના લોકોનો સમાવેશ થાય છે. ડેસરના સંજય સોનીએ વિવિધ ગ્રાહકો પાસેથી કુલ રૂા.6.58 લાખ રોકડ તથા 10 તોલા 6150 મિલિગ્રામ સોનું, જેની કિંમત આશરે રૂા.6.43 લાખ થાય છે, તે મેળવી લીધું હતું. કુલ મળીને રૂા.13.01 લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરાયો હોવાની ફરિયાદ ડેસર પોલીસ મથકે નોંધાઈ હતી.
</p><p>ભોગ બનનાર ગ્રાહકો ઘણા સમયથી સોનીની દુકાને જઈ પોતાના નાણા અને સોનું પરત માંગતા હતા. જોકે સોની વારંવાર ખોટા વાયદા કરી સમય કાઢતો રહ્યો હતો. લાંબા સમય સુધી આશા રાખ્યા બાદ પણ નાણા કે, સોનું પરત ન મળતાં આખરે પીડિત ગ્રાહકોએ પોલીસનો આશરો લી
</p><p>ધો હતો. બનાવ અંગે ડેસર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 316(2), 318(4), 351(2) અને 352 હેઠળ ગુનો નોંધાયો હતો.
</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/07/NXsHTTKmdqC7d2v5FQKWWj1eeHaasU0w9j1kOAPV.webp'/></item><item><title><![CDATA[પૂર્વ વિસ્તારમાંથી પાણીના ભૂતિયા 48 જોડાણ મળ્યાં, 12 મોટર જપ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/48-water-ghost-connections-found-in-eastern-area-12-motorcycles-seized</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/48-water-ghost-connections-found-in-eastern-area-12-motorcycles-seized</guid><pubDate>Sun, 07 Jun 2026 01:23:08 +05:30</pubDate><description><![CDATA[<p>શહેરમાં ઓછા પ્રેશરથી પાણી આવતુ હોવાની બૂમો ઉઠતા કોર્પોરેશને ઠેરઠેર ચેકિંગ હાથ ધર્યુ હતુ. જેમાં પાણીના ગેરકાયદે 71 જોડાણો મળી આવ્યા હતા.જેથી તે કનેક્શનો કાપવામાં આવ્યા હતાં. જ્યારે પાણીની લાઈ પર લગાવેલી ઈલેક્ટ્રીક 71 મોટરો પકડાઈ હતી.</p><p>મોગલવાડા બકરીપોળમાંથી પાણીના ગેરકાયદે 11 જોડાણો મળી આવ્યા હતાં. જ્યારે ભાથુજીનગરમાંથી 10, કિશનવાડી ઝંડા ચોક ખાતે 6, મોટી વ્હોરવાડમાંથી 2 ગેરકાયદે જોડાણ તેમજ પૂનમ કોમ્પલેક્ષ, સરસ્વતિ કોમ્પલેક્ષ વિગેરે જગ્યાએથી મળીને પૂર્વ વિસ્તારમાં કુલ 48 ગેરકાયદે જોડાણો મળી આવ્યા હતા. જેને કોર્પોરેશનના તંત્રએ કાપી નાખ્યા હતાં. તેમજ ઉકાજીનુ વાડીયુ, આજવા રોડ અંબિકા દર્શન, ગાયત્રી પાર્ક અને શ્રી હરી ટાઉનશીપમાંથી 12 પાણીની ઈલેક્ટ્રીક મોટરો લગાવેલી પકડાઈ હતી. જેને કોર્પોરેશને જમા લીધી હતી.
</p><p>જ્યારે ઉત્તર ઝોન વિસ્તારમાં ફતેગંજ જનતા શેરીમાંથી 2, સદર બજારમાંથી 1, કમાટીપુરામાંથી 1 અને નવાપુરા ગોદડીયાવાસમાંથી 2 મળીને કુલ 6 મોટર જમા લેવાઈ હતી. તેમજ કારેલીબાગ દીપીકા સોસાયટીમાંથી 2 અને મચ્છીપીઠ નવાબના વાડામાંથી 1 મળીને 3 ગેરકાયદે જોડાણો મળી આવતા તેને કાપી નાખ્યા હતાં. ગોદડીયાવાસમાં કોર્પોરેશનની ટીમે મોટરો જમા લેવા ગઈ હતી ત્યારે લોકોએ આક્રોશ ઠાલવ્યો કે, તમે પાણી ઓછુ આપો છો એટલે અમારે પાણી મેળવવા માટે નાછૂટકે મોટરો લાગવી પડે છે તેવા આક્રોશ ઠાલવ્યો હતો અને કોર્પોરેશનના સ્ટાફ સાથે શાબ્દીક ટપાટપી સર્જાઈ હતી. આવી જ રીતે, દક્ષિણ ઝોનમાં આવતા એરફોર્સ પાછળ રોયલ ગાર્ડન સોસાયટીમાંથી 13 અને અલવાનાકા મનહર નગર-1માંથી 7 મળીને પાણીના 20 ગેરકાયદે જોડાણો મળી આવ્યા હતાં. તેમજ ઘાઘરેટીયાના કૃષ્ણ નગરમાંથી 2, માંજલપુર શિવમ સોસાયટી, સાંઈધામ સોસાયટી અને મકરપુરા બાદશાહ નગરમાંથી 1-1 મળીને 3 એમ કુલ પાંચ મોટરો જમા લીધી હતી. તેમજ પશ્ચિમ વિસ્તારમાં ગોત્રી ગોકુલનગરમાંથી 3 અને ગોરવા આર્શિવાદ સોસાયટીમાંથી 3 મોટર જમા લીધી હતી.
</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/07/Axai1qUEY82rzSOCPpdiCfG8fgQtVYZlojjlRQfx.webp'/></item><item><title><![CDATA[શિવરાજ્યાભિષેક દિને ઐતિહાસિક જાહેરાત, ઇઝરાયેલમાં સ્થાપાશે છત્રપતિ શિવાજી મહારાજનું સ્ટેચ્યુ ]]></title><link>https://sandesh.com/india/news/consul-general-yaniv-revach-chhatrapati-shivaji-maharaj-statue-in-israel</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/consul-general-yaniv-revach-chhatrapati-shivaji-maharaj-statue-in-israel</guid><pubDate>Sat, 06 Jun 2026 23:44:52 +05:30</pubDate><description><![CDATA[<p>છત્રપતિ શિવાજી મહારાજના શિવરાજ્યાભિષેક દિનના પાવન અવસરે વૈશ્વિક સ્તરે એક અત્યંત ગર્વ લેવા જેવા અને ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે. મુંબઈમાં સ્થિત ઇઝરાયેલના કોન્સ્યુલ જનરલ યાનિવ રેવાચે જાહેરાત કરી છે કે, તેઓ ભારતના મહાન શાસક છત્રપતિ શિવાજી મહારાજની એક ભવ્ય પ્રતિમા બનાવીને તેને ઇઝરાયેલના એક મોટા શહેરમાં સ્થાપિત કરવા જઈ રહ્યા છે. આ પ્રસ્તાવ માટે તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી મંજૂરી માંગી હતી, જેને સીએમ દ્વારા તુરંત સ્વીકારી લેવામાં આવી છે.</p><p><br></p><h2><b>ભારત અને ઇઝરાયેલના ઇતિહાસ વચ્ચે અદ્ભુત સમાનતા</b></h2><p>યાનિવ રેવાચે જણાવ્યું કે, થોડા મહિનાઓ પહેલા જ્યારે તેઓ ભારત આવ્યા ત્યારે તેમણે ભારત અને ઇઝરાયેલના ઇતિહાસ વચ્ચેની સમાનતાઓ વિશે જાણ્યું હતું. તેમણે કહ્યું, બંને દેશો અને પ્રજાએ પોતાની માતૃભૂમિ માટે દાયકાઓ સુધી સંઘર્ષ કરવો પડ્યો છે અને લડવું પડ્યું છે. અમે બરાબર સમજીએ છીએ કે, ભારતના ઇતિહાસમાં છત્રપતિ શિવાજી મહારાજનો પ્રભાવ અને તેમનું સ્થાન કેટલું મહત્વપૂર્ણ છે.</p><p><br></p><h2><b>PM મોદીની જેરૂસલેમ મુલાકાત બાદ સંબંધો વધુ મજબૂત બન્યા</b></h2><p>ઇઝરાયેલના કોન્સ્યુલ જનરલે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેરૂસલેમની મુલાકાત બાદ ભારત અને ઇઝરાયેલ વચ્ચેના સંબંધોને વિવિધ ક્ષેત્રોમાં વધુ ઊંડા બનાવવાનો નિર્ણય લેવાયો હતો. આ અંતર્ગત બંને દેશોના ઈતિહાસ અને સંસ્કૃતિને જોડવા માટે અમે આ સદ્ભાવના પ્રોજેક્ટ તરીકે છત્રપતિ શિવાજી મહારાજની પસંદગી કરી છે. આ અંતર્ગત ભારતમાં એક મોટું સ્ટેચ્યુ તૈયાર કરી ઇઝરાયેલ મોકલવામાં આવશે, જે લાંબા ગાળા સુધી બંને દેશોના નાગરિકોને ભાવનાત્મક રીતે જોડી રાખશે.</p><p><br></p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/Dev_Fadnavis/status/2063237800481452495"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p><br></p><h2><b>મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આપ્યા આશીર્વાદ અને પૂર્ણ સહયોગ</b></h2><p>આ પ્રોજેક્ટ અંગે ચર્ચા કરવા માટે યાનિવ રેવાચ મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસની ઓફિસે પહોંચ્યા હતા. સીએમ ફડણવીસે આ પ્રસ્તાવને તત્કાલ મંજૂરી આપીને પોતાના આશીર્વાદ આપ્યા હતા અને મહારાષ્ટ્ર સરકાર તરફથી જરૂરી તમામ સહયોગ આપવાની ખાતરી આપી હતી. આ અંગે દેવેન્દ્ર ફડણવીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું, આ ખૂબ જ મોટા સમાચાર છે! શિવરાજ્યાભિષેક દિનના પાવન અવસરે, ઇઝરાયેલના સીજી યાનિવ રેવાચનો ઇઝરાયેલમાં છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવાની આ ઐતિહાસિક જાહેરાત માટે હૃદયપૂર્વક આભાર. મહારાષ્ટ્ર સરકાર આ ઐતિહાસિક પહેલને પૂર્ણ સહયોગ આપશે. જય ભવાની, જય શિવાજી!</p><p><br></p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/world/news/iran-war-president-donald-trump-makes-a-big-claim-amid-venezuela-iran-dispute" target="_blank"> Iran War: વેનેઝુએલા અને ઈરાન વિવાદ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો મોટો દાવો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/jPIChOsipjLKHFxLmvQ0XS0BIl1zbPtQVncvtJWd.webp'/></item><item><title><![CDATA[Ramalingam Murder Case : હત્યા કેસમાં NIAની મોટી કાર્યવાહી, PFIના ચાર પૂર્વ સભ્યો સામે ચાર્જશીટ દાખલ ]]></title><link>https://sandesh.com/india/news/crime/ramalingam-murder-case-nia-chargesheet-four-former-pfi-members</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/crime/ramalingam-murder-case-nia-chargesheet-four-former-pfi-members</guid><pubDate>Sat, 06 Jun 2026 21:59:22 +05:30</pubDate><description><![CDATA[<p>હાઈ-પ્રોફાઈલ રામલિંગમ હત્યા કેસમાં NIAએ પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના ચાર પૂર્વ સભ્યો સામે વિશેષ NIA કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આરોપ છે કે આ ચારેય લોકોએ હત્યાકાંડમાં સામેલ ફરાર અને જાહેર ગુનેગારોને લાંબા સમય સુધી આશ્રય આપીને કાયદાની પકડથી બચાવવામાં મદદ કરી હતી.</p><h2><b>સાંપ્રદાયિક તણાવ અને ભયનું વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ હતો
</b></h2><p>NIA દ્વારા પૂનમલ્લી સ્થિત વિશેષ કોર્ટમાં દાખલ કરાયેલી ચાર્જશીટમાં કે. મોહિદીન, મોહમ્મદ ઈમરાન, તમીમ અંસારી અને અસમતને આરોપી બનાવવામાં આવ્યા છે. તપાસ એજન્સી અનુસાર આ ચારેય લોકોએ થિરુભુવનમ વિસ્તારમાં રામલિંગમ પર થયેલા જીવલેણ હુમલામાં સામેલ આરોપીઓ અને કાવતરાખોરોને જાણતા હોવા છતાં આશ્રય આપ્યો હતો. એજન્સીએ ચાર્જશીટમાં Unlawful Activities (Prevention) Actની કલમ 19 તેમજ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 61(2) અને 249નો ઉલ્લેખ કર્યો છે. NIAનું માનવું છે કે આ માત્ર હત્યાનો કેસ નહોતો, પરંતુ વિસ્તારમા સાંપ્રદાયિક તણાવ અને ભયનું વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ હતો.
</p><h3><b>2019માં થઈ હતી હત્યા
</b></h3><p>NIAના જણાવ્યા મુજબ 5 ફેબ્રુઆરી 2019ના રોજ રામલિંગમની હત્યા કરવામાં આવી હતી. તેઓએ કથિત બળજબરીથી ધર્માંતરણની પ્રવૃત્તિઓનો વિરોધ કર્યો હતો, જેના કારણે PFI સાથે જોડાયેલા કેટલાક લોકો સાથે તેમનો વિવાદ થયો હતો. બાદમાં તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન મોહમ્મદ બુરહાનુદ્દીન અને મોહમ્મદ નબીલ હસનની સંડોવણી સામે આવી હતી. NIAનો આરોપ છે કે આરોપીઓને ઓળખતા હોવા છતાં આ ચારેય લોકોએ લગભગ છ વર્ષ સુધી તેમને અલગ-અલગ સ્થળોએ છુપાવી રાખ્યા હતા. આ પહેલાં NIA 18 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે. એજન્સીએ જણાવ્યું છે કે કેસની તપાસ હજુ ચાલુ છે અને નવા પુરાવાઓના આધારે વધુ કાર્યવાહી કરવામાં આવશે.
<br><br><a href="https://sandesh.com/india/news/world/india-pakistan-un-ga-kashmir-issue-rebuttal-india-response" target="_blank">આ પણ વાંચો : UNમાં પાકિસ્તાને ફરી કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો, ભારતે તાત્કાલિક રોકડુ પરખાવ્યું</a><b></b></p><p><br></p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/QwaNPnmHyUXEOs0dAuUvgmxhNxi6x3Y9mDXkT89p.webp'/></item><item><title><![CDATA[Hockey U18 Asia Cup: ભારતે ફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયનને હરાવીને હોકી અંડર-18 એશિયા કપનો ખિતાબ જીત્યો ]]></title><link>https://sandesh.com/sports/news/india-win-u18-hockey-asia-cup-2026-japan-final</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/india-win-u18-hockey-asia-cup-2026-japan-final</guid><pubDate>Sat, 06 Jun 2026 19:23:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતે 2026 અંડર-18 હોકી મેન્સ એશિયા કપનો ખિતાબ જીત્યો છે. ફાઈનલમાં ભારતનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન જાપાન સામે થયો હતો. જાપાની ટીમ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી અપરાજિત રહી હતી, તેને પુલ રાઉન્ડમાં ભારતને હરાવ્યું હતું.
</p><p style="text-align: justify; ">ટીમ ઈન્ડિયાએ કાવાસાકી હેવી ઈન્ડસ્ટ્રીઝ હોકી સ્ટેડિયમમાં યજમાન ટીમને કોઈ તક આપી ન હતી, 4-1થી જીત મેળવી હતી. આ જીત સાથે ભારત ટુર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી સફળ દેશ બની ગયો છે. આ ટીમની ત્રીજી ટ્રોફી છે. પાકિસ્તાને 2 વાર ટાઈટલ જીત્યું છે.
</p><h2 style="text-align: justify; "><b>ભારતે બીજી જ મિનિટમાં ગોલ કર્યો
</b></h2><p style="text-align: justify; ">સેમીફાઈનલમાં મલેશિયાને 8-1થી હરાવનાર જાપાની ટીમ ફાઈનલમાં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી. મેચની બીજી મિનિટે ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો. આશિષ તાની પૂર્તિએ પેનલ્ટીને ગોલમાં રૂપાંતરિત કરીને ભારતને લીડ અપાવી. બીજા ક્વાર્ટરની 28મી મિનિટે આશિષે ભારતનો બીજો ગોલ કર્યો. 30મી મિનિટે કેતન કુશવાહાએ ફિલ્ડ ગોલ કરીને ટીમની લીડ 3-0 કરી દીધી.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/TheHockeyIndia/status/2063227334459871477"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p style="text-align: justify; ">
</p><h3 style="text-align: justify; "><b>આશિષ તાની પૂર્તિએ હેટ્રિક લીધી હતી
</b></h3><p style="text-align: justify; ">ત્રીજા ક્વાર્ટરની ચોથી મિનિટે આશિષે ભારત માટે બીજો ગોલ કરીને પોતાની હેટ્રિક પૂર્ણ કરી અને ટીમની લીડ 4-0 સુધી લંબાવી. જાપાન માટે નુમાદા ગાકુએ 52મી મિનિટે પેનલ્ટી કોર્નરથી ગોલ કર્યો. ભારતે યજમાન ટીમને વધુ કોઈ તક આપી નહીં, અને મેચ 4-1થી જીતીને ટાઈટલ જીત્યું.</p><p style="text-align: justify; "><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/narendramodi/status/2063233749928808912"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p style="text-align: justify; ">
</p><h4 style="text-align: justify; "><b>PM મોદીએ પાઠવ્યા અભિનંદન
</b></h4><p style="text-align: justify; ">ભારતીય પુરુષ અંડર-18 હોકી ટીમને પુરુષોનો અંડર-18 એશિયા કપ 2026 જીતવા બદલ અભિનંદન. ટીમે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઉત્તમ કૌશલ્ય અને ટીમવર્કનું પ્રદર્શન કર્યું, અંતે ફાઈનલમાં યાદગાર વિજય મેળવ્યો. આ જીત આપણા યુવાનોમાં હોકીની વધતી જતી લોકપ્રિયતાને પણ પ્રતિબિંબિત કરે છે. હું ટીમને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ પાઠવું છું.
</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/ipl-2026/vaibhav-sooryavanshi-ipl-2026-awards-orange-cap-mvp" target="_blank">Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા</a></b></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/Wn6qXxH1bTOkhZ5r3Vek6PfzZEVPzl0TDqXFjwkO.webp'/></item><item><title><![CDATA[Gautam Adani ફરી બન્યા એશિયાના સૌથી અમીર વ્યક્તિ, આ બે દિગ્ગજોને છોડ્યા પાછળ ]]></title><link>https://sandesh.com/business/news/gautam-adani-asia-richest-person-net-worth-rises</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/gautam-adani-asia-richest-person-net-worth-rises</guid><pubDate>Sat, 06 Jun 2026 18:58:32 +05:30</pubDate><description><![CDATA[<p>શેર બજારમાં જોરદાર તેજીના કારણે ગૌતમ અદાણી ફરી એકવાર એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. તેમની કંપનીઓના શેરમાં નોંધપાત્ર વધારો થતાં તેમની કુલ સંપત્તિમાં મોટો ઉછાળો નોંધાયો છે. મળતી માહિતી મુજબ અદાણીની નેટવર્થ હવે વધીને અંદાજે 89.2 અબજ ડોલર પહોંચી ગઈ છે, જેના કારણે તેમણે મુકેશ અંબાણી અને સોફ્ટબેન્કના CEO માસાયોશીના પુત્રને પાછળ છોડી દીધા છે.</p><h2><b>મુકેશ અંબાણીની સંપત્તિ 88 અબજ ડોલર થઈ
</b></h2><p>શુક્રવારે અદાણી ગ્રુપના શેરોમાં વ્યાપક તેજી જોવા મળી. ખાસ કરીને અદાણી ગ્રીન એનર્જીના શેરોમાં લગભગ 7%નો વધારો થયો, જ્યારે અદાણી એનર્જી અને અદાણી પોર્ટ્સ જેવા શેરોમાં પણ 2%થી 4% સુધીનો ઉછાળો નોંધાયો. અદાણી પાવરના શેરોમાં પણ 1%થી વધુ વધારો જોવા મળ્યો હતો. રિપોર્ટ મુજબ 2026ની શરૂઆતથી અત્યાર સુધી અદાણી ગ્રુપના શેરોમાં 23%થી 56% સુધીની વૃદ્ધિ થઈ છે, જેના કારણે રોકાણકારોને મોટો ફાયદો થયો છે.
</p><h3><b>1 મહિનામાં અદાણીની નેટવર્થમાં 10 અબજ ડોલરનો વધારો
</b></h3><p>અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા લગાવવામાં આવેલા કેસના સમાધાન બાદ અદાણી ગ્રુપની સ્થિતિમાં સુધારો થયો છે, જેના કારણે છેલ્લા એક મહિનામાં તેમની સંપત્તિમાં લગભગ 10 અબજ ડોલરનો વધારો થયો છે. ગૌતમ અદાણી હાલમાં વિશ્વના 23મા સૌથી અમીર વ્યક્તિ છે. એક દિવસમાં તેમની સંપત્તિમાં લગભગ 2.5 અબજ ડોલરનો વધારો નોંધાયો છે.
<br><br><a href="https://sandesh.com/business/news/india/fuel-prices-new-fuel-has-come-to-the-market-20-rupees-cheaper-than-petrol-will-be-available-at-48-places-in-the-capital" target="_blank">આ પણ વાંચો : Fuel Prices: પેટ્રોલથી 20 રૂપિયા સસ્તુ માર્કેટમાં આવ્યુ નવુ ઇંધણ, રાજધાનીમાં 48 જગ્યાએ મળશે</a><b></b></p><p><br></p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/lQ5qMFuPVHFMzyCPAOS4o6kTwYlvMpX1jXCGu8j7.webp'/></item><item><title><![CDATA[Bollywood : ક્યારેક વાસણો સાફ કર્યા તો ક્યારેક કરી ચોકીદારી... આજે આ એક્ટર છે કરોડોનો માલિક! ]]></title><link>https://sandesh.com/entertainment/news/from-washing-dishes-and-watchman-to-42-crore-net-worth-inspiring-actor-amit-sadh-story</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/from-washing-dishes-and-watchman-to-42-crore-net-worth-inspiring-actor-amit-sadh-story</guid><pubDate>Sat, 06 Jun 2026 17:33:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હિન્દી સિનેમાના કેટલાય અભિનેતાઓ એવા છે, જેમણે ઇન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવવા માટે ભારે મહેનત કરી છે. આજે અમે તમને એક એવા જ એક્ટર વિશે જણાવી રહ્યા છીએ, જે ક્યારેક વાસણ ઘસતા હતા અને તેમણે ચોકીદારી પણ કરી હતી, પરંતુ આજના સમયમાં તેઓ 42 કરોડના માલિક છે.</p><h2 style="text-align: justify; "><b>અભિનેતા અમિત સાધ
</b></h2><p style="text-align: justify; ">અમે જેમના વિશે વાત કરી રહ્યા છીએ, તેઓ કોઈ અન્ય નહીં પરંતુ અભિનેતા અમિત સાધ છે. આજે એટલે કે 5 જૂન, 1983ના રોજ અમિતનો જન્મ દિલ્હીમાં થયો હતો, પરંતુ તેમનો પરિવાર મૂળ રૂપે પંજાબનો રહેવાસી હતો અને તેમનો અભ્યાસ લખનૌમાં થયો હતો. અમિત જ્યારે 16 વર્ષના હતા, ત્યારે તેમના માથા પરથી પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.
</p><h3 style="text-align: justify; "><b>ઘરોમાં વાસણ પણ ઘસ્યા
</b></h3><p style="text-align: justify; ">પિતાના ગયા પછી તેમના ઘરની પરિસ્થિતિ બગડી ગઈ અને પૈસા માટે તેમણે લોકોના ઘરોમાં વાસણ પણ સાફ કર્યા. આ સિવાય તેઓ રાત્રે ચોકીદારીનું કામ પણ કરતા હતા. કેટલીય વાર તો એવું બનતું કે તેઓ રસ્તા પર સૂઈને રાત વિતાવતા હતા. પોતાની પરિસ્થિતિઓ અને મુશ્કેલીઓના કારણે અમિતે પોતાને ખતમ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ કિસ્મત એવું નહોતી ઈચ્છતી અને એક મિત્રે સમયસર તેમનો જીવ બચાવી લીધો હતો.
<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DZEnDsyjLjX/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DZEnDsyjLjX/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DZEnDsyjLjX/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DZEnDsyjLjX/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>ફિલ્મોમાં ડગ માંડ્યા
</b></h4><p style="text-align: justify; ">ભલે કિસ્મતે ફરી અમિતની પરીક્ષા લીધી, પરંતુ તેમણે હિંમત ન હારી અને સતત મહેનત કરતા રહ્યા. જ્યારે અમિતને ટીવીમાં કામ ન મળ્યું, ત્યારે તેમણે ફિલ્મો તરફ વલણ કર્યું. વર્ષ 2010માં આવેલી ફિલ્મ ‘ફૂંક 2’ થી તેમણે પોતાનું બોલીવુડ ડેબ્યૂ કર્યું હતું અને પછી ક્યારેય પાછળ વળીને જોયું નથી.
</p><h5 style="text-align: justify; "><b>અમિત સાધની નેટવર્થ
</b></h5><p style="text-align: justify; ">ફિલ્મોમાં પોપ્યુલર થયા પછી અમિતે ઓટીટી (OTT) પર પણ નામ કમાયું. પોતાની મહેનતથી તેમણે સાબિત કરી દીધું કે કંઈપણ મુશ્કેલ નથી બસ મહેનત કરવાની વાર છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, અમિતની કુલ સંપત્તિ આશરે 40 થી 42 કરોડ રૂપિયાની વચ્ચે છે અને આજે તેઓ એક શાનદાર લાઇફ જીવી રહ્યા છે.
</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/gauri-spratt-aamir-khan-rumored-third-wife-profession-biography" target="_blank">આ પણ વાંચો-Gauri Spratt કોણ છે અને શું કામ કરે છે? જેના પ્રેમમાં પડ્યા છે આમિર ખાન!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/06/DhME7tbhkvbc4xSSVld2XwGyd3Coc03Tutgbowts.webp'/></item></channel></rss>