<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Vadodara: નસવાડીના સાંકળ (ત) ગ્રામ પંચાયત ખાતે જનકલ્યાણ શિબિર યોજાઇ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-public-welfare-camp-held-at-sanka-t-gram-panchayat-naswadi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-public-welfare-camp-held-at-sanka-t-gram-panchayat-naswadi</guid><pubDate>Sat, 13 Jun 2026 06:00:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નસવાડી : નસવાડી તાલુકાના સાંકળ (ત) ગ્રામ પંચાયત ખાતે તાલુકા વહીવટી તંત્ર દ્વારા જનકલ્યાણ શિબિર યોજાઇ હતી. જેમાં બરોલી જિલ્લા પંચાયત હસ્તકના 37 ગામના નાગરિકોએ વિવિધ સરકારી યોજનાનો લાભ મેળવ્યો હતો. જેમાં વિધવા સહાય, વૃદ્ધ પેન્શન, દિવ્યાંગ સહાય યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન કાર્ડ) સહિતની વિવિધ કલ્યાણકારી યોજનાના લાભાર્થીઓને સ્થળ પર જ મંજૂરી હુકમો અને લાભોનું વિતરણ કરાયું હતું. સાથે જ નાગરિકોને વિવિધ યોજનાઓનો લાભ કેવી રીતે મેળવી શકાય તે અંગે માર્ગદર્શન પણ અપાયું હતું. શિબિરમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા મુલાકાત લઇને વિવિધ સ્ટોલ અને કામગીરીનું નિરીક્ષણ કરી કર્મચારીઓને નાગરિકોના પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા સૂચના આપી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/CnBtzCRedA2I6dx3icMDg0eqVTb0ESA9xE6J1WRq.webp'/></item><item><title><![CDATA[Vadodara: કરજણ પાલિકાને ફાળવાયેલ રૂા.39.50 લાખના જેસીબીનું લોકાર્પણ કરાયું ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-jcb-worth-rs-3950-lakhs-allocated-to-karjan-municipality-inaugurated</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-jcb-worth-rs-3950-lakhs-allocated-to-karjan-municipality-inaugurated</guid><pubDate>Sat, 13 Jun 2026 05:59:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કરજણ : ગુજરાત સરકારની યુડીપી 2025 અતર્ગત સ્વરછતા અભિયાન હેઠળ નવું જેસીબી મશીન અપાયું હતું. જેનું નગર પાલિકા બિલ્ડિંગ ખાતે શ્રીફ્ળ વધેરી લોકાર્પણ કરાયું હતું. ગુજરાત સરકારની યુડીપી યોજના 2025 અંતર્ગત નગરજનોની સુવિધા માટે સરકાર દ્વારા વિવિધ ગ્રાન્ટો ફળવાય છે. જેમાં નગરને સ્વચ્છ રાખવા આધુનિક રૂા.39.50 લાખનું જેસીબી મશીન ફાળવાયું હતું. જેનું શ્રીફ્ળ વધેરી કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા નગરપાલિકા બિલ્ડિંગ ખાતે લોકાર્પણ કરાયું હતું. જે પ્રસંગે કરજણ નગર પાલિકાના પ્રમુખ ઇલાબા અટાલિયા, ચીફ્ ઓફ્સિર મહેન્દ્ર સોલંકી સહિત પાલિકા સભ્યો અને કર્મચારી ઉપસ્થિત રહ્યાં હતા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/whbjAQInJKWw2IGNGYTPKFutuqyHOsfaFsVCm0Ir.webp'/></item><item><title><![CDATA[Panchmahal: બોડેલી APMCના પ્રમુખ કૌશિક પટેલ, ઉ.પ્રમુખ પદે ધર્મેન્દ્રસિંહ રાઠોડ બિનહરીફ્ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/panchmahal/panchmahal-kaushik-patel-elected-as-president-of-bodeli-apmc-dharmendrasinh-rathod-elected-as-vice-president-unopposed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/panchmahal/panchmahal-kaushik-patel-elected-as-president-of-bodeli-apmc-dharmendrasinh-rathod-elected-as-vice-president-unopposed</guid><pubDate>Sat, 13 Jun 2026 05:58:50 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ખેડૂતોના હિતોના રક્ષણ માટે ગુજરાતમાં સૌપ્રથમ સ્થપાયેલ બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આગામી અઢી વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવા માટેની ચૂંટણી પ્રક્રિયા આજે હાથ ધરાઈ હતી જેમાં પ્રમુખ તરીકે કૌશિક મનહરભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે ધર્મેન્દ્રસિહ રાઠોડની સર્વાનુમતે બિનહરીફ્ વરણી કરવામાં આવી હતી.</p><p style="text-align: justify; ">છોટાઉદેપુર જિલ્લા ભાજપા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા બંને મેન્ડેટ લઈને આવ્યા હતા અને પ્રમુખ પદ માટે કૌશિક પટેલ અને ઉપપ્રમુખ પદ માટે ધર્મેન્દ્રસિંહ રાઠોડના નામની જાહેરાત થતા જ ઉપસ્થિત બજાર સમિતિનાં તમામ ડિરેક્ટરોએ બંને હોદ્દેદારોને હર્ષભેર આવકારી વધાવી લીધા હતા. આજની આ બોડેલી બજાર સમિતિનાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી ટાણે 108 તરીકે જાણીતા એવા સંખેડા ધારાસભ્ય ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી, પ્રમુખ વાલજીભાઈ બારીયા, ઉપપ્રમુખ યશપાલસિંહ ઠાકોર સહિત બોર્ડ સભ્યો અને ભાજપાનાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સહકારી ક્ષેત્રે સંકળાયેલા કૌશિકભાઈ પટેલ અગાઉ બે વખત બજાર સમિતિનુ ઉપપ્રમુખ પદ શોભાવી ચૂક્યા છે. સહકારી આગેવાન કૌશિક પટેલ ઢોકલીયા સોસાયટી જીન સાથે જિલ્લા ના સહકારી ક્ષેત્રે પણ અનેક હોદ્દા ધરાવે છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/a40xMKJttW6XHVFsNUAWrFYduf3WL0O205GAOI3q.webp'/></item><item><title><![CDATA[Vadodara: કરજણ તા. પંચાયતમાં કારોબારી સમિતિ હોદ્દેદારોને મેન્ડેટ અપાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-mandate-given-to-executive-committee-office-bearers-in-karjan-t-panchayat</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-mandate-given-to-executive-committee-office-bearers-in-karjan-t-panchayat</guid><pubDate>Sat, 13 Jun 2026 05:57:29 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">શુક્રવારે કરજણ તાલુકા પંચાયતની સામાન્ય સભા તાલુકા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેની શરૂઆતમાં જિલ્લા સંગઠનના હોદ્દેદારો તેમજ તાલુકા પ્રમુખની ઉપસ્થિતિમાં વિવિધ સમિતિના હોદ્દેદારો અને સભ્યોના મેન્ડેટ આપ્યા હતાં. મેન્ડેટ વડોદરા જિલ્લા ભાજપ મહામંત્રી જયદિપસિંહ ચૌહાણ લઈને આવી પહોંચ્યા હતાં.</p><p style="text-align: justify; ">આ સામાન્ય સભામાં તાલુકા પંચાયતની કારોબારી સમિતિની રચના કરાઈ હતી. જેમાં ચેરમેન તરીકે ચિરાગ નવીન પટેલની નિમણૂક કરાઈ હતી. સમિતિના 8 સભ્યમાં અમિતાબેન વસંત પટેલ, હીરાબેન લાલજી વાળંદ, સ્નેહલબેન સંદીપ પ્રજાપતિ, ઈરફન અબ્દુલ દિવાન, ધર્મેન્દ્રસિંહ ઉદેસિંહ પરમાર, જ્યોત્સનાબેન અજીતસિંહ રાજ, ધરા હર્ષ વ્યાસ અને હેતલબેન મહેશ વસાવાની વરણી કરાઈ હતી. જ્યારે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે ઉમેશ રમેશ વસાવા અને સમિતિના ચાર સભ્યોમાં કેસુર ચતુર રાઠોડ, જયેશ વિનુ રોહિત, સંગીતાબેન જયદીપસિંહ વસાવા તેમજ હેતલબેન મહેશ વસાવાની વરણી કરાઇ છે. ચૂંટાયેલા ચેરમેન અને સભ્યોને શુભેચ્છા પાઠવી હતી. હોદ્દેદારોએ વિકાસને વેગ આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank" style="background-color: rgb(255, 255, 255);">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/RzzYUURvuF1q2gzdH0QQcYFLtWj9WAcRUcx7p8qo.webp'/></item><item><title><![CDATA[Dabhoi: ડભોઇ પંથકના ખેડૂતો દ્વારા ટેકાના ભાવે જુવાર ખરીદવા કરાયેલી માગ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dabhoi/dabhoi-demand-made-by-farmers-of-dabhoi-parish-to-purchase-sorghum-at-support-price</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dabhoi/dabhoi-demand-made-by-farmers-of-dabhoi-parish-to-purchase-sorghum-at-support-price</guid><pubDate>Sat, 13 Jun 2026 05:54:48 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ડભોઇ પંથકના ખેડૂતો પાસેથી સરકાર દ્વારા જુવારની ખરીદીનો જથ્થો હેકટર દીઠ લેવાતો હોય ડભોઇ એપીએમસી ખાતે વિસ્તારના ખેડૂતોએ એક દિવસીય ધરણા યોજી રેલી સ્વરૂપે પ્રાંત કચેરી ખાતે જઈ આવેદનપત્ર સુપ્રત કરી વહેલી તકે ન્યાય મળે તેવી માગ કરી છે.</p><p style="text-align: justify; ">તાજેતરમાં જ ગુજરાત સરકારના નાગરિક પુરવઠા અને ગ્રાહકોના વિભાગ દ્વારા ખેડૂતો પાસેથી જુવારની ખરીદી હેક્ટર દીઠ કરવાનો ચાલુ કર્યો હતો. આ સરકારનો નિર્ણય ખેડૂત વિરોધી હોય ડબલ પંથકના ખેડૂતોએ આજે એપીએમસી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈ એક દિવસે ધરણાં યોજી સાથે રેલી સ્વરૂપે પ્રાંત કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આવેદનમાં જણાવ્યા પ્રમાણે અગાઉ ઠરાવ ક્રમાંક FCSCADMIS/EFILE-5/ 20 25 /1 466/C સિચવાલય ગાંધીનગર દ્વારા પ્રત્યેક ખેડૂત દીઠ 1000 કિ.ગ્રા.નો જથ્થો ખરીદવા તા.1-6-26ના રોજ હુકમ કરેલ હતો. જેનો વિરોધ થતાં નવો સુધારો ખાતા દીઠ 1700 કિલો ખરીદવાનો ઠરાવ સરકાર દ્વારા કરાયો હતો. પરંતુ આ ઠરાવો પણ ખેડૂતોની કમર તોડતો હોવાનું પુરવાર થયો છે. ત્યારે ખેડૂતોનું કહેવું છે કે, અગાઉ પ્રતિ હેક્ટરએ 1850 નો જથ્થો ખરીદવા માટે હુકમ કર્યો હતો. તે જ આધારે ફરી શરૂ કરવા ખેડૂતોએ માગ કરી છે. અગાઉ પુરવઠા દ્વારા 1થી 30 તારીખ સુધી હેક્ટર દીઠ 1850 કિ.ગ્રા ખરીદી કરાઇ છે.</p><p style="text-align: justify; ">ત્યારે હવે જોવા જઈએ તો ચોમાસુ માથા પર આવીને ઊભું છે. નવી સિઝન માટે ખેડૂતોને આર્થિક સંકળામણ પણ સતાવે છે. ખેડૂતોની આ માંગને વહેલી તકે સરકાર સુધી પહોંચાડી વહેલી તકે નિર્ણય લેવાય તેમ આવેદનપત્રમાં જણાવ્યું છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/13/QE4W20hBwrp5KHmgkpHdGWPEjldS2tQYUEaLrsBB.webp'/></item><item><title><![CDATA[India Gold: જો વિદેશી બેંકો સ્વદેશી સોનું પરત નહીં કરે તો ભારત ક્યાં કરી શકે છે ફરિયાદ?, જાણો ]]></title><link>https://sandesh.com/knowledge/news/india/india-gold-if-foreign-banks-do-not-return-indigenous-gold-where-can-india-complain-know</link><guid isPermaLink="true">https://sandesh.com/knowledge/news/india/india-gold-if-foreign-banks-do-not-return-indigenous-gold-where-can-india-complain-know</guid><pubDate>Fri, 12 Jun 2026 21:07:41 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ઘણા દેશો સુરક્ષા, પ્રવાહિતા અને આંતરરાષ્ટ્રીય નાણાકીય કામગીરી માટે તેમના સોનાના ભંડારનો એક ભાગ વિદેશી કેન્દ્રીય બેંકો પાસે રાખે છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">ભારતનું સોનું વિદેશમાં કેમ છે?</h2><p style="text-align: justify; ">કેન્દ્રીય બેંકો ઘણીવાર વૈશ્વિક નાણાકીય વ્યવહારોને સરળ બનાવવા અને સુરક્ષિત સંગ્રહ સુનિશ્ચિત કરવા માટે વિશ્વસનીય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસે સોનું રાખે છે. ભારતે સાર્વભૌમ કરારો હેઠળ તેના અનામતનો એક ભાગ વિદેશી સંસ્થાઓ પાસે રાખ્યો છે, જે માલિકી અને કસ્ટડીના અધિકારોને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરે છે.</p><h3 style="text-align: justify; ">ભારત ક્યાં ફરિયાદ કરી શકે છે?</h3><p style="text-align: justify; ">જો કોઈ વિદેશી કેન્દ્રીય બેંક અથવા નાણાકીય સંસ્થા ભારતનું સોનું પરત કરવાનો ઇનકાર કરે છે, તો દેશ પાસે ઘણા કાનૂની અને રાજદ્વારી વિકલ્પો છે.</p><p style="text-align: justify; "><b>1. આંતરરાષ્ટ્રીય સમાધાન માટે બેંકઃ- </b>સ્વિટ્ઝર્લૅન્ડમાં મુખ્ય મથક ધરાવતી બેંક, કેન્દ્રીય બેંકો વચ્ચે સહકાર માટે એક મહત્વપૂર્ણ મંચ તરીકે સેવા આપે છે. ભારત તેના સંલગ્ન માળખા દ્વારા વિવાદ નિરાકરણનો લાભ લઈ શકે છે.</p><p style="text-align: justify; "><b>2. સંબંધિત દેશની કોર્ટઃ- </b>આરબીઆઈ સીધા તે દેશની કોર્ટનો સંપર્ક કરી શકે છે જ્યાં સોનું રાખવામાં આવ્યું છે. સાર્વભૌમ મિલકત અને કસ્ટડી કરારો સંબંધિત વિવાદો સંબંધિત અધિકારક્ષેત્રની વાણિજ્યિક અદાલતમાં સાંભળી શકાય છે.</p><p style="text-align: justify; "><b>3. આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતઃ- </b>જો વિવાદ દેશો વચ્ચે મોટા સંઘર્ષમાં ફેરવાઈ જાય, તો ભારત આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત સમક્ષ આ મામલો ઉઠાવી શકે છે.</p><h4 style="text-align: justify; ">સોનું પરત કરવાનો ઇનકાર કરવાના પરિણામો&nbsp;</h4><p style="text-align: justify; ">સોનાના ભંડાર પરત ન કરવાથી દ્વિપક્ષીય વિવાદ કરતાં વધુ ગંભીર પરિણામો આવી શકે છે. આવા પગલાથી વૈશ્વિક નાણાકીય વ્યવસ્થામાં વિશ્વાસ ઓછો થશે અને વિદેશમાં સંપત્તિ ધરાવતા દેશોમાં ચિંતાઓ વધશે. સંબંધિત બેંક અને દેશની વિશ્વસનીયતાને ભારે નુકસાન થઈ શકે છે. વિશ્વાસ એ આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થાનો પાયો છે. વધુમાં, સાર્વભૌમ સંપત્તિ રોકી રાખવાથી તે સંસ્થામાં વૈશ્વિક વિશ્વાસ નોંધપાત્ર રીતે ઓછો થઈ શકે છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ&nbsp; <a href="https://sandesh.com/world/news/trump-on-oman-ship-attack-as-india-summons-us-ambassador-donald-trump-makes-statement-accuses-iran" target="_blank">ભારતે અમેરિકી રાજદૂતને તલબ કરતા જ ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપતા ઇરાન પર લગાવ્યા આરોપ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/ojWKBDpuIUiYH6ccCHg1grveALi86knBl3iJLGMp.webp'/></item><item><title><![CDATA[Odisha સરકારનો સૌથી મોટો નિર્ણય, સરકારી સ્કૂલ-કોલેજોમાં KGથી લઈને PG સુધીનું ભણતર હવે તદ્દન મફત! ]]></title><link>https://sandesh.com/india/news/the-biggest-decision-of-the-odisha-government-education-from-kg-to-pg-in-government-schools-and-colleges-is-now-completely-free</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/the-biggest-decision-of-the-odisha-government-education-from-kg-to-pg-in-government-schools-and-colleges-is-now-completely-free</guid><pubDate>Fri, 12 Jun 2026 20:15:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ નિર્ણયથી રાજ્યના તમામ વિદ્યાર્થીઓને ફાયદો થશે અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ પણ વધશે.&nbsp;</p><h2 style="text-align: justify; ">પછાત બાળકોને ફાયદો થશેઃ ઓડિશા સીએમ&nbsp;</h2><p style="text-align: justify; ">ઓડિશાના મુખ્યમંત્રીએ રાજ્યમાં ભાજપ સરકારના બે વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે એક પત્રકાર પરિષદ યોજી, મફત શિક્ષણ અંગે આ મોટી જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે આ નિર્ણયથી રાજ્યના તમામ વિદ્યાર્થીઓ, ખાસ કરીને છોકરીઓ અને આર્થિક રીતે પછાત પરિવારોના બાળકોને ફાયદો થશે જે શાળામાં જઈ શકતા નથી.</p><h3 style="text-align: justify; ">યુવાનોના ભવિષ્યને મજબૂત મળશેઃ ઓડિશા સીએમ&nbsp;</h3><p style="text-align: justify; ">મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સરકાર દ્વારા આ નિર્ણય શિક્ષણને સંપૂર્ણપણે મફત અને બધા માટે સુલભ બનાવવા માટે લેવામાં આવ્યો છે. દેશભરમાં શિક્ષણ ક્ષેત્રે આવો નિર્ણય ભાગ્યે જ લેવામાં આવ્યો છે. તેમણે વધુમાં સમજાવ્યું કે તેની ભવિષ્ય પર નોંધપાત્ર અસર પડશે. મફત શિક્ષણ રાજ્યના યુવાનોના ભવિષ્યને મજબૂત બનાવશે અને વિકાસમાં ફાળો આપશે.</p><h4 style="text-align: justify; ">શાળા અને કોલેજ શિક્ષણ મફત&nbsp;</h4><p style="text-align: justify; ">ઓડિશા ઉપરાંત, કેરળમાં પણ શાળા અને કોલેજ શિક્ષણ મફત કરવામાં આવ્યું છે. રાજ્યના શિક્ષણ મંત્રીએ તાજેતરમાં બજેટ સત્ર દરમિયાન આ પ્રસ્તાવ મૂક્યો હતો, જેમાં શાળાથી કોલેજ સુધી મફત શિક્ષણની માંગણી કરવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે સરકારી સંસ્થાઓમાં ગ્રેજ્યુએશન સુધીનું શિક્ષણ મફત આપવામાં આવશે, જેનાથી ગરીબ બાળકો પણ સારું શિક્ષણ મેળવી શકશે.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/iran-elon-musk-warning-elon-musk-warns-iran-says-starlink-and-spacex-may-be-attacked" target="_blank">એલોન મસ્કને ઇરાનની ચેતવણી, કહ્યુ સ્ટારલિંક અને સ્પેસએક્સ પર થઈ શકે છે હુમલો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/Mjra54KyotAcL4Y0zUzf9R6q8mCTVwHIuy59fusa.webp'/></item><item><title><![CDATA[SpaceX નો IPO 4400 કર્મચારીઓને બનાવશે કરોડપતિ, આ રીતે તૂટશે રેકોર્ડ ]]></title><link>https://sandesh.com/business/news/spacexs-ipo-will-make-4400-employees-millionaires-this-is-how-the-record-will-be-broken</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/spacexs-ipo-will-make-4400-employees-millionaires-this-is-how-the-record-will-be-broken</guid><pubDate>Fri, 12 Jun 2026 19:40:38 +05:30</pubDate><description><![CDATA[<p>દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલાન મસ્કે કંપની સ્પેસએક્સ તેનો આઈપીઓ લોન્ચ કરી રહી છે.આ વિશ્વનો સૌથી મોટો આઈપીઓ હશે અને હજારો લોકોનું નસીબ બદલી શકે છે.મીડિયા રિપોર્ટ અનુસાર લોન્ચ થતાં જ 4,400 વર્તમાન અને ભૂતપૂર્વ સ્પેસએક્સ કર્મચારીઓ રાતોરાત કરોડપતિ બની જશે.આની સાથે જ મસ્ક દુનિયાના પ્રથમ ટ્રિલેનિયર બની ગયા છે.</p><h4><b>$1.77 ટ્રિલિયનનું મૂલ્યાંકન</b></h4><p>SpaceXનો IPO $135 પ્રતિ શેરના ભાવે આવી રહ્યો છે.આ ભાવે,કંપનીનું કુલ મૂલ્યાંકન $1.77 ટ્રિલિયન સુધી પહોંચશે. નોંધનીય છે કે ગયા વર્ષે કંપનીનું મૂલ્ય $800 બિલિયન હતું.જોકે, ફેબ્રુઆરીમાં મસ્કની AI કંપની xAI સાથે મર્જ થયા પછી, તેનું મૂલ્યાંકન ખૂબ જ ઝડપથી વધ્યું. કંપની આ IPO દ્વારા $75 બિલિયન એકત્ર કરવાનું લક્ષ્ય રાખે છે. આ ઇતિહાસમાં સૌથી મોટું શેરબજાર ડેબ્યૂ હોઈ શકે છે.</p><h4><b>શું કર્મચારીઓ પર પૈસાનો વરસાદ થશે?</b></h4><p>IPO દ્વારા ફક્ત માલિકો અથવા ટોચના અધિકારીઓને જ ફાયદો થાય તે સામાન્ય છે. જોકે, SpaceXની વાર્તા અલગ છે. કંપનીએ તેના કર્મચારીઓને પગાર કરતાં વધુ ઇક્વિટી આપી છે. Hill.comના CEO એન્ડ્રુ બેન્સનના મતે,IPO માં 400 થી વધુ લોકો માટે $100 મિલિયનની સંપત્તિ હોવી ખૂબ જ દુર્લભ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કંપનીના કર્મચારી ટ્રેવર હેયસ 2011 માં જોડાયા હતા જ્યારે SpaceX એક નાની કંપની હતી. કંપની તરફથી તેમને વળતર તરીકે 100,000 થી વધુ શેર મળ્યા. IPO પછી આ શેર હવે ઓછામાં ઓછા $13.5 મિલિયનના મૂલ્યના થવાની ધારણા છે.</p><p><a href="https://x.com/ani_digital/status/2065440755548827760?s=20" target="_blank">https://x.com/ani_digital/status/2065440755548827760?s=20</a></p><p><br></p><h5><b>મસ્ક SpaceX ના હિસ્સાના આશરે 42% ભાગીદારી&nbsp; ધરાવે છે</b></h5><p>આ IPO ફક્ત કર્મચારીઓને જ નહીં પરંતુ એલોન મસ્કને પણ એવી સ્થિતિમાં પહોંચાડી શકે છે જે કોઈ અન્ય ઉદ્યોગપતિએ ક્યારેય પ્રાપ્ત કર્યું નથી. મસ્ક SpaceX ના હિસ્સાના આશરે 42% હિસ્સો ધરાવે છે. આનો અર્થ એ થયો કે $1.77 ટ્રિલિયનના મૂલ્યાંકન પર, મસ્કના શેર $740 બિલિયનના મૂલ્યના થશે. ટેસ્લા અને X જેવી અન્ય કંપનીઓના મૂલ્યાંકનને ઉમેરીને, મસ્ક વિશ્વના પ્રથમ ટ્રિલિયનેર બની શકે છે.</p><h4><b>સામાન્ય રોકાણકારો માટે એક શાનદાર તક</b></h4><p>SpaceXના IPOની વિશિષ્ટ વિશેષતા એ છે કે 30% સુધીના શેર છૂટક રોકાણકારો માટે અનામત છે. વધુમાં,ફક્ત $2,000 ના એકાઉન્ટ બેલેન્સ ધરાવતા નાના રોકાણકારો પણ ફિડેલિટી દ્વારા આ વિશાળ IPO માં હિસ્સો બનાવી શકે છે.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/world/news/business/how-much-did-iran-earn-from-the-strait-of-hormuz-if-this-route-reopens-how-will-it-collect-toll-tax-know" target="_blank">ઇરાને Hormuz Straitમાંથી કેટલી કરી કમાણી, આ માર્ગ ફરી ખુલશે તો તે કેવી રીતે વસૂલશે ટોલ ટેક્સ?, જાણો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/q09QWqtJcchS0YFJWLtOsdHvBAdaY3ZNRz8uUrtq.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026 : 96 વર્ષ બાદ વર્લ્ડ કપમાં આ ટીમ સાથે ટકરાશે USA, જાણો કેમ ખાસ? ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-usa-will-face-this-team-in-the-world-cup-after-96-years-know-why-it-is-special</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-usa-will-face-this-team-in-the-world-cup-after-96-years-know-why-it-is-special</guid><pubDate>Fri, 12 Jun 2026 18:36:23 +05:30</pubDate><description><![CDATA[<p>ફિફા વર્લ્ડ કપ 2026 ની શરૂઆત શાનદાર રીતે થઈ છે. શાનદાર ઉદ્ઘાટન સમારોહ અને રોમાંચક પ્રથમ દિવસની મેચો પછી, વિશ્વભરના ફૂટબોલ ચાહકો હવે ટુર્નામેન્ટના બીજા દિવસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. બે સહ-યજમાન દેશો, કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સ, જ્યારે કેનેડા બોસ્નિયા અને હર્ઝેગોવિનાનો સામનો કરશે, ત્યારે યુએસએ દિવસની બીજી મોટી મેચમાં દક્ષિણ અમેરિકન ખંડની મજબૂત ટીમ પેરાગ્વેનો સામનો કરશે.</p><h3><b>96 વર્ષ પછી વર્લ્ડ કપમાં રમશે&nbsp;</b></h3><p>યુએસએ અને પેરાગ્વે વચ્ચેની આ મેચ માત્ર એક મેચ નથી, પરંતુ ફૂટબોલ ઇતિહાસમાં એક વળાંક છે, કારણ કે 96 વર્ષની લાંબી રાહ જોયા પછી બંને ટીમો વર્લ્ડ કપ સ્ટેજ પર એકબીજાનો સામનો કરશે. આ ઐતિહાસિક મેચ લોસ એન્જલસ સ્ટેડિયમમાં રમાશે. વર્લ્ડ કપના ઇતિહાસ પર નજર કરીએ તો, બંને ટીમો છેલ્લી વખત 1930 માં પ્રથમ વર્લ્ડ કપમાં મળી હતી. તે મેચ ફિફા ઇતિહાસમાં ખૂબ જ ખાસ માનવામાં આવે છે. 1930ની તે મેચમાં અમેરિકાએ પેરાગ્વેને 3-૦થી હરાવ્યું. તે જ મેચમાં, અમેરિકાના બર્ટ પેટેનાઉડે વર્લ્ડ કપ ફૂટબોલમાં હેટ્રિક ફટકારનાર પ્રથમ ખેલાડી બનીને ઇતિહાસ રચ્યો. લોસ એન્જલસમાં યોજાનારી આ બ્લોકબસ્ટર મેચ&nbsp; 6:૦૦ વાગ્યે શરૂ થશે. ભારતીય ચાહકો 13 જૂને સવારે 6:30 વાગ્યે શરૂ થતી મેચનો આનંદ માણી શકશે. આ ઐતિહાસિક મુકાબલો 9 વર્ષ પછી થઈ રહ્યો છે.</p><h5><b>હેડ-ટુ-હેડ રેકોર્ડમાં યુએસએ આગળ</b></h5><p>જો આપણે બંને દેશો વચ્ચે રમાયેલી કુલ આંતરરાષ્ટ્રીય મેચોની સંખ્યાને ધ્યાનમાં લઈએ, તો યુએસ ટીમ પેરાગ્વે પર ટોચ પર છે. બંને ટીમો વચ્ચે કુલ 9 મેચ રમાઈ છે, જેમાંથી યુએસએ 5જીતી છે. પેરાગ્વેએ 2 જીતી છે. વધુમાં 2 મેચ ડ્રો રહી છે. આંકડા યુનાઇટેડ સ્ટેટ્સની તરફેણમાં હોવા છતાં, પેરાગ્વેને હળવાશથી લઈ શકાય નહીં. પેરાગ્વે, જેણે તેમના વર્લ્ડ કપ ક્વોલિફિકેશન દરમિયાન ક્વોલિફાયરમાં આર્જેન્ટિના અને બ્રાઝિલ જેવી વિશ્વની કેટલીક સૌથી શક્તિશાળી ટીમોને હરાવી હતી, તેણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ યજમાન રાષ્ટ્રને કઠિન લડાઈ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-ticket-prices-skyrocket-thousands-of-seats-remain-empty-in-the-opening-match" target="_blank">Fifa World Cup 2026: ટિકિટના ભાવ આસમાને, ઓપનિંગ મેચમાં હજારો સીટ રહી ખાલી</a></p><p><br></p><p><br></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/oF95bvmYYBQpn25ms5FiVTNsXY68FuN2zS43v3l7.webp'/></item><item><title><![CDATA[Bollywood Friendship : એક ફિલ્મ અને સલમાન ખાન... તૂટી ગઈ હતી રાની-ઐશ્વર્યાની વર્ષો જૂની દોસ્તી! ]]></title><link>https://sandesh.com/entertainment/news/shah-rukh-khan-movie-chalte-chalet-ruined-rany-mukerji-aishwarya-rai-friendship</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/shah-rukh-khan-movie-chalte-chalet-ruined-rany-mukerji-aishwarya-rai-friendship</guid><pubDate>Fri, 12 Jun 2026 17:42:48 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડના બેસ્ટ ફ્રેન્ડ્સની વાત આવે છે, ત્યારે રાની મુખર્જી અને ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ આવવું સ્વાભાવિક છે, પરંતુ વર્ષ 2003 પછીથી આ બંનેના સંબંધો બદલાઈ ગયા હતા અને તેનું કારણ એક ફિલ્મ હતી. 
</p><h2 style="text-align: justify; "><b>ફિલ્મ ચલતે ચલતે
</b></h2><p style="text-align: justify; ">ફિલ્મ ચલતે ચલતે એ બંને હસીનાઓના દોસ્તીના સંબંધોને બદલી નાખ્યા હતા. ફિલ્મ સાથે જોડાયેલા એક નિર્ણયો બંનેને અલગ કરી દીધા. આજે વર્ષો પછી પણ આ વિવાદ ખતમ થયો નથી.
</p><h2 style="text-align: justify; "><b>ઐશ્વર્યા રાય લીડ રોલમાં હતી
</b></h2><p style="text-align: justify; ">આ ફિલ્મમાં શાહરૂખ ખાન લીડ રોલમાં હતો. પહેલા ફિલ્મમાં ઐશ્વર્યા રાય લીડ રોલ ભજવવાની હતી અને શૂટિંગ પણ શરૂ થઈ ચૂક્યું હતું, પરંતુ પછી કંઈક એવું થયું કે ઐશ્વર્યાએ ફિલ્મમાંથી બહાર થવું પડ્યું અને તેમની જગ્યાએ રાનીને સાઇન કરવામાં આવી હતી.
</p><h3 style="text-align: justify; "><b>ઐશ્વર્યા અને સલમાન ખાન
</b></h3><p style="text-align: justify; ">ફિલ્મ ચલતે ચલતે શાહરૂખ ખાનની પ્રોડક્શન કંપની ડ્રીમ્ઝ અનલિમિટેડની મહત્વની ફિલ્મોમાંથી એક માનવામાં આવે છે અને આ એ સમય હતો, જ્યારે ઐશ્વર્યા અને સલમાન ખાનના સંબંધોને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો હતો.
</p><h4 style="text-align: justify; "><b>ઐશ્વર્યાને ફિલ્મમાંથી હટાવી
</b></h4><p style="text-align: justify; ">બોલીવુડના પ્રખ્યાત કિસ્સાઓ અનુસાર, સલમાન કેટલીય વાર ફિલ્મના સેટ પર પહોંચી જતો હતો, જેનાથી શૂટિંગ પ્રભાવિત થતું હતું. સતત વધતા વિવાદ અને પ્રોડક્શન પર પડી રહેલી અસરને જોતા મેકર્સે ઐશ્વર્યાને ફિલ્મમાંથી હટાવી દીધી અને તેમની જગ્યાએ બીજી એક્ટ્રેસને સાઇન કરી લીધી, જે રાની હતી.
</p><h4 style="text-align: justify; "><b>રાનીનો સંપર્ક કર્યો
</b></h4><p style="text-align: justify; ">ફિલ્મ માટે રાનીનો સંપર્ક કરવામાં આવ્યો, પરંતુ તેણે આના માટે ના પાડી દીધી હતી. આ પછી એવું કહેવાય છે કે આ રોલ કાજોલ અને અમીષા પાસે પણ ગયો હતો, પરંતુ કોઈએ આના માટે હા પાડી નહીં અને આખરે રાનીએ ફિલ્મ સાઇન કરી લીધી.
</p><h5 style="text-align: justify; "><b>ઐશ્વર્યાએ નારાજગી વ્યક્ત કરી
</b></h5><p style="text-align: justify; ">રાનીએ ભલે ફિલ્મ સાઇન કરી લીધી હતી, પરંતુ ઐશ્વર્યા આ વાતથી ખૂબ જ નારાજ હતી કે તેની ખાસ મિત્રે તે જ ફિલ્મ સ્વીકારી લીધી, જેમાંથી તેને હટાવવામાં આવી હતી. આ પછી બંને અભિનેત્રીઓના સંબંધોમાં ખટાશ આવવા લાગી અને બંને પહેલાની જેમ ક્યારેય નજીક ન આવી શક્યા.
</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/pardesi-pardesi-jana-nahi-30-year-old-bollywood-sad-song" target="_blank">આ પણ વાંચો-Breakup Song : સમય બદલાયો, યુગ બદલાયો...પણ આજેય તૂટેલા દિલની દવા છે આ 30 વર્ષ જૂનું ગીત!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/CVzj0rOkwJTxyYIdtR4Mngqmg5XaEwl2Lm9XGPSB.webp'/></item></channel></rss>