<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Vadodara: L&Tઅને સ્કોર ફાઉન્ડેશન દ્વારા નવીન શાળા ભવનનું લોકાર્પણ કરાયું ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-lt-and-score-foundation-inaugurates-new-school-building</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-lt-and-score-foundation-inaugurates-new-school-building</guid><pubDate>Mon, 08 Jun 2026 06:07:32 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વાઘોડિયા : વાઘોડિયા તાલુકાના શ્રીપોર ટીંબી ગામે આધુનિક સુવિધા સજ્જ નવનિર્મિત શ્રી પોરટીંબી પ્રાથમિક શાળાનું લોકાર્પણ અને હસ્તાંતરણ સમારોહ યોજાયો હતો. લાર્સન એન્ડ ટુબ્રો એનર્જી હાઇડ્રોકાર્બન ઓનશોરના CSR કાર્યક્રમ હેઠળ અને સ્કોર લવલી હુડ ફઉન્ડેશનના અમલીકરણથી તૈયાર થયેલું આ શાળાભવન ગ્રામ્ય વિસ્તારના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ આપવાના હેતુથી બનાવાયું છે. મહાનુભાવોના હસ્તે રિબિન કાપી અને સ્મૃતિફ્લકના અનાવરણ સાથે કાર્યક્રમ શરૂ થયો હતો. જેમાં L&amp;T અને SCOREના પ્રતિનિધિઓ, શાળા પરિવાર, SMC સભ્યો, વાલીઓ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. નવી શાળામાં હવાદાર વર્ગખંડો, સ્વચ્છતા સુવિધા, શુદ્ધ પીવાનું પાણી, દિવ્યાંગમિત્ર રેમ્પ સહિતની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને રમતગમત અને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ પણ કરાયું હતું. શાળા પરિવારે જણાવ્યું કે, આ શાળાભવન માત્ર ઇંટ-સિમેન્ટનું માળખું નથી. પરંતુ ગામના બાળકોના સપના સાકાર કરતું જ્ઞાનમંદિર છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/08/9LhO0B3FLymY3O8jBseD48DmcuqsRTykjT1DmIiQ.webp'/></item><item><title><![CDATA[Chhotaudepur: નસવાડી પોલીસે 14 ખોવાયેલા મોબાઇલ ફોન માલિકોને પરત કર્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-naswadi-police-return-14-lost-mobile-phones-to-their-owners</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-naswadi-police-return-14-lost-mobile-phones-to-their-owners</guid><pubDate>Mon, 08 Jun 2026 06:06:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">નસવાડી : નસવાડી પોલીસ સ્ટેશને તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત વધુ એક પ્રશંસનીય કામગીરી કરી છે.CEIR (સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર) પોર્ટલની મદદથી ખોવાયેલા અને ગુમ થયેલા કુલ 14 મોબાઇલ ફેન શોધી કાઢી તેમના મૂળ માલિકોને પરત સોંપ્યા હતા. પરત અપાયેલા મોબાઇલની કુલ કિં. રૂા.2,47,783 જેટલી થાય છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/08/FkmyPbz4fin9BCVeC402IXeBrKEfQPJrVnFR0JvU.webp'/></item><item><title><![CDATA[Vadodara: કરજણ કોસ્મો ફાઉન્ડેશન દ્વારા ભૂલકાંઓ માટે સમર કૅમ્પ યોજાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-karjan-cosmo-foundation-organized-a-summer-camp-for-children</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-karjan-cosmo-foundation-organized-a-summer-camp-for-children</guid><pubDate>Mon, 08 Jun 2026 06:05:34 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કરજણ : ઉનાળુ વેકેશનમાં બાળકો ગમ્મત સાથે સહજ જ્ઞાન મેળવે તે હેતુથી કોસ્મો ફઉન્ડેશન દ્વારા કરજણ તાલુકાનાં 9 ગામ (કંડારી, સીમળી, કોઠીયા, કરજણ, કરમડી, ચોરંદા, કણભા, બોડકા, સંભોઈ)નાં ભૂલકા માટે 10 દિવસીય બાળ સહજ પ્રવૃત્તિનું આયોજન કરાયું હતું. જેમાં 700થી વધુ બાળકોએ ભાગ લઇ યોગ, ધ્યાન, વૈજ્ઞાનિક પ્રવૃત્તિ, દૈનિક અંગ્રેજી સંવાદ, શબ્દરમત, વેસ્ટમાંથી બેસ્ટ આર્ટ એન્ડ ક્રાફ્ટ, લખોટી અને ભમરડા જેવી પ્રાચીન રમતો, મોબાઇલ મેનર્સ, સાઇબર સેફ્ટી, નકશાની સમજ, માટીકામ, પોપેટ બનાવટ, ઊનમાંથી ફૂલો બનાવવાની કળા તેમજ વિવિધ સર્જનાત્મક અને શૈક્ષણિક પ્રવૃત્તિના પાઠ શીખ્યા હતા. કેમ્પના અંતિમ દિવસે બાળકો દ્વારા શીખેલ વિવિધ પ્રવૃત્તિનું પ્રદર્શન સાથે જ આનંદમેળો યોજાયો હતો. જેમાં બાળકો દ્વારા નાની- નાની વાનગીઓની દુકાનો ખોલીને વ્યવસાય, આયોજન, ગ્રાહક વ્યવહાર, જવાબદારી અને નાણાકીય સમજના પ્રાથમિક પાઠ શીખ્યા હતા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/08/PgwkOaY0sMMb2bw6I0DasImovXYnWsyuOcpUNsV4.webp'/></item><item><title><![CDATA[Vadodara: ગુજરાત 28 ગામ માછી સમાજનું ગૌરવ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-28-</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-28-</guid><pubDate>Mon, 08 Jun 2026 06:04:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ચાંદોદ : મૂળ ચાંદોદ અને હાલ કરજણ સ્થિત કિરીટકુમાર સોમાભાઈ માછીના પુત્ર ડો. ભૌમિક માછીને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા પીએચડીની પદવી એનાયત કરાઇ છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા ડો. ભૌમિક માછીને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ક્ષેત્રમાં પીએચડીની પદવી એનાયત કરાઇ છે. જીટીયુ ક્ષેત્રમાં વાયરલેસ સેન્સર નેટવર્ક ક્ષેત્રમાં પ્રચંડ પુરુષાર્થ અને લક્ષ્ય પ્રાપ્તિની એકાગ્રતા સાથે ઊંડાણપૂર્વકના અભ્યાસ થકી સંશોધન કાર્યની અવિરતતાથી ડો.ભૌમિક માછીએ પીએચડીની સિદ્ધિ હાંસલ કરી છે.</p><p style="text-align: justify; ">તેના આ સંશોધન કાર્ય દ્વારા આધુનિક સંચાર વ્યવસ્થા અને સેન્સર આધારિત ટેકનોલોજીના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાનની અસરકારકતા રહેશે. તેની આ સિદ્ધિ તેના પરિવારજનો, સ્નેહીજનો, મિત્ર મંડળ સહ કર્મચારીઓ તેમજ સમગ્ર માછી સમાજ માટે ગૌરવ અને આનંદનો વિષય બની છે. જેથી ઉપરોક્ત તમામ દ્વારા તેમને હાર્દિક અભિનંદન શુભેચ્છા પાઠવી તેમના ઉજ્વળ ભવિષ્ય અને દીર્ઘાયુષ્ય માટે શુભકામના વ્યક્ત કરી છે.
</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/08/DWoGEVCgnBSdXMbhtRmXVTT8vNVJRSywsiEvHL21.webp'/></item><item><title><![CDATA[Mahisagar: કડાણા ડેમમાં ગત વર્ષ કરતાં 11 ફૂટ વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/mahisagar/mahisagar-11-feet-more-water-available-in-kadana-dam-than-last-year</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/mahisagar/mahisagar-11-feet-more-water-available-in-kadana-dam-than-last-year</guid><pubDate>Mon, 08 Jun 2026 06:03:01 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાત રાજ્યના ત્રીજા નંબરના સૌથી મહત્વના ગણાતા કડાણા ડેમમાંથી ઉનાળાની આ સિઝનમાં રાહતના અને સારા સમાચાર મળી રહ્યા છે. ડેમમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 11 ફૂટ પાણી વધુ ઉપલબ્ધ છે. હાલમાં ડેમ 52% થી વધુ ભરેલો હોવાથી, જો આગામી ચોમાસું થોડું મોડું થાય અથવા ખેંચાય તો પણ સંબંધિત વિસ્તારોમાં પાણીની કોઈ તંગી સર્જાશે નહીં તેમ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.</p><p style="text-align: justify; ">કડાણા ડેમના મદદનીશ ઈજનેર પાસેથી મળેલી માહિતી મુજબ, આ ડેમ મહીસાગર સહિત રાજ્યના અન્ય 7 જિલ્લાઓ માટે જીવાદોરી સમાન છે. સુજલામ સુફ્લામ નહેર યોજના દ્વારા (1) મહીસાગર, (2) અરવલ્લી, (3) મહેસાણા, (4) ગાંધીનગર, (5) ખેડા, (6) સાબરકાંઠા, (7) પાટણ અને (8) બનાસકાંઠા જિલ્લાને પીવાનું તથા સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે.સિંચાઈ અને પીવાના પાણીની વર્તમાન સ્થિતિ ઉપર નજર નાખીએ તો ડાબા કાંઠાની કેનાલમાં મહીસાગર જિલ્લાના 11,059 હેક્ટર વિસ્તારમાં પિયત માટે પાણી અપાય છે. જમણા કાંઠાની કેનાલઃ 3,344 હેક્ટર વિસ્તારમાં સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે.દાહોદ સુધી પીવાનું પાણી તેમજ તળાવો ભરવા માટે મહીસાગર નદીનું 120 ક્યુસેક પાણી હાલમાં છોડવામાં આવી રહ્યું છે.
</p><p style="text-align: justify; ">ડેમમાંથી હાલ પાવર હાઉસ મારફ્તે 1500 ક્યુસેક પાણી વણાકબોરી વિયર ખાતે મોકલાઈ રહ્યું છે, જે ખેડા, નડિયાદ અને આણંદ સુધી પીવા તેમજ સિંચાઈ માટે ઉપયોગમાં લેવાય છે. પાણી પુરવઠાની સાથે-સાથે ડેમ ખાતે જળવિદ્યુત મથક (પાવર હાઉસ) પણ ધમધમી રહ્યું છે. હાલમાં પાવર હાઉસનું એક યુનિટ રોજનું 7 કલાક કાર્યરત રાખવામાં આવે છે, જેના દ્વારા દરરોજ અંદાજે 365 થી 385 મેગા વોટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.
</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/08/TTHFy14hBpTAX88pBn0etrsk5HKUGRfhjC9iN8m4.webp'/></item><item><title><![CDATA[Dholiwood News: ગુજરાતી અભિનેત્રી સુધા ત્રિપાઠીનું નિધન, વિક્રમ ઠાકોર સાથે આપી છે સુપરહિટ ફિલ્મ ]]></title><link>https://sandesh.com/entertainment/news/gujarat/ahmedabad/gujarati-actress-sudha-tripathi-passed-away-vikram-thakor-tribute</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/gujarat/ahmedabad/gujarati-actress-sudha-tripathi-passed-away-vikram-thakor-tribute</guid><pubDate>Sun, 07 Jun 2026 22:25:12 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાંથી એક અત્યંત માઠા અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. લોકપ્રિય ગુજરાતી ફિલ્મ ‘સોરી સાજણા’માં પોતાના શાનદાર અને યાદગાર અભિનયથી પ્રીતની મધુરતા વેરનાર અને દર્શકોના દિલ જીતનાર જાણીતી અભિનેત્રી સુધા ત્રિપાઠીનું નિધન થયું છે. તેમના અકાળે અવસાનના સમાચાર વહેતા થતાં જ સમગ્ર ગુજરાતી ફિલ્મ જગત, સાથી કલાકારો અને તેમના અસંખ્ય ચાહકોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.</p><p><br></p><h2><b>સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે ભાવુક પોસ્ટ દ્વારા આપી માહિતી</b></h2><p>ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને જાણીતા ગાયક વિક્રમ ઠાકોરે પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ મારફતે સુધા ત્રિપાઠીના નિધનની સત્તાવાર માહિતી આપી હતી. ફિલ્મમાં તેમની સાથે મુખ્ય ભૂમિકા ભજવનાર વિક્રમ ઠાકોરે એક હૃદયસ્પર્શી અને ભાવુક પોસ્ટ શેર કરીને અભિનેત્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.</p><p><br></p><h2><b>વિક્રમ ઠાકોરે દુઃખ વ્યક્ત કર્યું</b></h2><p>વિક્રમ ઠાકોરે દુઃખ વ્યક્ત કરતા લખ્યું હતું કે, મારી ફિલ્મ સોરી સાજણાની હિરોઇન અને ખૂબ જ સારી અભિનેત્રી સુધા ત્રિપાઠી દેવલોક પામ્યા છે. ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ આપે ૐ શાંતિ. સુપરસ્ટારની આ પોસ્ટ જોતજોતામાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી, અને લોકો ભીની આંખે પ્રતિક્રિયા આપી રહ્યા છે.</p><p><br></p><p><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DZQLH4GNBH1/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DZQLH4GNBH1/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DZQLH4GNBH1/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DZQLH4GNBH1/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><p><br></p><h2><b>અવસાનનું કારણ હજુ અકબંધ</b></h2><p>અભિનેત્રી સુધા ત્રિપાઠીના આકસ્મિક વિદાયથી તેમના પરિવારજનો અને નજીકના સ્વજનો સ્તબ્ધ થઈ ગયા છે, અને પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. જોકે, અત્યાર સુધી તેમના નિધન પાછળનું ચોક્કસ કારણ શું છે તે અંગે કોઈ સત્તાવાર વિગતો બહાર આવી નથી.</p><p><br></p><p><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DZH16IUp6RG/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DZH16IUp6RG/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DZH16IUp6RG/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DZH16IUp6RG/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><p><br></p><p>સોશિયલ મીડિયા પર ઢોલિવૂડના અન્ય દિગ્ગજ કલાકારો, દિગ્દર્શકો અને ચાહકો સતત તેમની તસવીરો શેર કરીને તેમને યાદ કરી રહ્યા છે. 'સોરી સાજણા' ફિલ્મમાં તેમના અભિનયના વખાણ આજે પણ લોકોના મોઢે સાંભળવા મળે છે, ત્યારે તેમનું આ રીતે ચાલ્યા જવું એ ગુજરાતી સિનેમા માટે ક્યારેય ન પુરાનારી ખોટ છે. સમગ્ર ડિજિટલ પ્લેટફોર્મ પર ચાહકો તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/sabarkantha-news-controversy-over-dj-playing-in-chandrana-village-of-poshina" target="_blank">Sabarkantha News: પોશીનાના ચંદ્રણા ગામે ડીજે વગાડવા બાબતે જામ્યું ધીંગાણું</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/07/5g1I8dBDj3ZNnxnTU8kb2oOhgSZIgIwm8cp3wHoy.webp'/></item><item><title><![CDATA[Train Spare Parts: બજારમાં ટ્રેનના સ્પેરપાર્ટ્સ કેમ નથી ઉપલબ્ધ, જાણો શું છે કારણ? ]]></title><link>https://sandesh.com/knowledge/news/india/train-spare-parts-why-are-train-spare-parts-not-available-in-the-market-know-what-is-the-reason</link><guid isPermaLink="true">https://sandesh.com/knowledge/news/india/train-spare-parts-why-are-train-spare-parts-not-available-in-the-market-know-what-is-the-reason</guid><pubDate>Sun, 07 Jun 2026 21:22:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ટ્રેનના વ્હીલ્સ, બ્રેક્સ, બોગી અને એન્જિન જેવા ભાગો ક્યાં બને છે. અને તે બજારમાં કેમ મળતા નથી.
</p><h2 style="text-align: justify; ">વિશિષ્ટ ટેકનોલોજીનો ઉપયોગ 
</h2><p style="text-align: justify; ">રેલ્વે દેશની સૌથી મહત્વપૂર્ણ અને સલામત પરિવહન સેવાઓમાંની એક છે. લાખો લોકો દરરોજ ટ્રેનમાં મુસાફરી કરે છે, તેથી ટ્રેનમાં વપરાતા દરેક ભાગની ગુણવત્તા અને ટકાઉપણું પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. આ જ કારણ છે કે રેલ્વે સ્પેરપાર્ટ્સ ફક્ત અધિકૃત કંપનીઓ દ્વારા અને રેલ્વેની દેખરેખ હેઠળ બનાવવામાં આવે છે અને ખરીદવામાં આવે છે. રેલ્વે એક કેન્દ્રિય અને અત્યંત સુરક્ષિત સિસ્ટમ છે. રેલ્વેમાં વપરાતા મોટાભાગના ભાગો ખૂબ જ વિશિષ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. 
</p><h3 style="text-align: justify; ">બજારમાં દુરુપયોગ થવાનો ભય 
</h3><p style="text-align: justify; ">ટ્રેન સામાન્ય વાહનોમાં વપરાતા ભાગોથી વિપરીત છે. ટ્રેનના વ્હીલ્સ, બ્રેક સિસ્ટમ્સ, એક્સલ્સ, બોગી ફ્રેમ્સ અને કપ્લર્સ જેવા ભાગો અત્યંત કડક સલામતી ધોરણો અનુસાર બનાવવામાં આવે છે. જો આવા ભાગો ખુલ્લા બજારમાં ઉપલબ્ધ થાય તો બજારમાં દુરુપયોગ અથવા નકલી ઉત્પાદનોનો પ્રવેશ થવાનું જોખમ વધી શકે છે. આ જ કારણ છે કે ફક્ત ભારતીય રેલ્વે અને તેના અધિકૃત ઉત્પાદકો જ આ ભાગોનું ઉત્પાદન અને સપ્લાય કરે છે.
</p><h4 style="text-align: justify; ">શું છે કારણ ?
</h4><p style="text-align: justify; ">રેલ્વે ઉદ્યોગમાં વપરાતા મોટાભાગના ભાગો વિશિષ્ટ ડિઝાઇન અને ટેકનોલોજી પર આધારિત છે. તેનું ઉત્પાદન કરતી કંપનીઓ મર્યાદિત સંખ્યામાં છે. રેલ્વે માટે ભાગોનું ઉત્પાદન કરતા ઉત્પાદકો અસંખ્ય ગુણવત્તા પરીક્ષણોમાંથી પસાર થાય છે. દરેક ભાગનું મજબૂતાઈ, ટકાઉપણું અને સલામતી માટે પરીક્ષણ કરવામાં આવે છે. આ જ કારણ છે કે રેલ્વે સ્પેરપાર્ટ્સનું ઉત્પાદન સામાન્ય ઓટોમોબાઈલ ભાગોના ઉત્પાદન કરતાં ઘણું મુશ્કેલ માનવામાં આવે છે. 
</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/israel-lebanon-conflicts-israels-major-attack-on-lebanon-hezbollahs-command-center-in-beirut-destroyed" target="_blank">ઇઝરાયલનો લેબેનાન પર મોટો હુમલો, બેરૂતમાં હિઝબુલ્લાહનું કમાન્ડ સેન્ટર ધ્વસ્ત</a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/07/CZdfCQeFi154A9FGSJYzlEIq9Isz263nsajZ21vB.webp'/></item><item><title><![CDATA[West Bengal : સત્તા ગુમાવ્યા બાદ TMCના નેતાની હાલત કફોડી, જનતાએ દોરડાથી બાંધી કર્યા આવા હાલ ]]></title><link>https://sandesh.com/india/news/after-losing-power-the-condition-of-the-tmc-leader-deteriorated-the-public-tied-him-up-with-ropes-and-made-him-suffer-like-this</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/after-losing-power-the-condition-of-the-tmc-leader-deteriorated-the-public-tied-him-up-with-ropes-and-made-him-suffer-like-this</guid><pubDate>Sun, 07 Jun 2026 20:48:24 +05:30</pubDate><description><![CDATA[<p>
</p><div>પશ્ચિમ બંગાળના રાજકારણમાં હિંસા અને બદલાની ભાવનાનો સિલસિલો રોકાવાનું નામ નથી લેતો. તાજેતરમાં એક ખૂબ જ ચોંકાવનારી ઘટના હાવડા જિલ્લામાંથી સામે આવી છે.જ્યાં ટીએમસીના એક સ્થાનિક અને કદ્દાવર નેતા સંન્યાસી મન્નાને ઉગ્ર ભીડના ગુસ્સાનો સામનો કરવો પડ્યો.સ્થાનિક લોકોએ ન ફક્ત કાયદો હાથમાં લીધો,પણ ટીએમસી નેતાને એવી તાલિબાની સજા આપી,જેણે આખા રાજ્યના પ્રશાસનિક અધિકારીઓને દોડતા કરી દીધા.ટીએમસી સુપ્રીમ મમતા બેનર્જીની સત્તા જતાં જ ટીએમસી નેતાઓ પર આફત આવી ગઈ છે.ધારાસભ્યોના બળવા બાદ પાર્ટીના સ્થાનિક નેતાઓને પણ જનતાના ગુસ્સાનો સામનો કરવો પડે છે.</div><div><br></div><h4><b>સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવ્યા</b></h4><div>હાવડાના એક વિસ્તારમાં રવિવાર મોડી સાંજે ભારે સંખ્યામાં સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને તેમણે ટીએમસીના નેતા સંન્યાસી મન્નાને ચારે તરફથી ઘેરી લીધા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, લોકોનો ગુસ્સો એટલો વધારે હતો કે તેણે નેતાની એક વાત ન સાંભળી. ભીડે સંન્યાસી મન્નાને સૌથી પહેલા દોરડાથી બાંધી દીધા, જેથી તેઓ ભાગી ન શકે. ત્યાર બાદ તેમની સાથે એવું અમાનવીય વર્તન કર્યું, કે તેનો વીડિયો તાત્કાલિક વાયરલ થઈ ગયો.</div><div><br></div><div>
</div><div><a href="https://x.com/asliarpita/status/2063576990138212799?s=20" target="_blank">https://x.com/asliarpita/status/2063576990138212799?s=20</a></div><div><br></div><h5><b>ટીએમસી નેતાને&nbsp; ચપ્પલની માળા પહેરાવી</b></h5><div>ઉગ્ર સ્થાનિક લોકોએ ટીએમસી નેતા સંન્યાસી મન્નાને સબક શિખવાડવા માટે ખૂબ જ અપમાનજનક રીત અપનાવી. ભીડમાં સામેલ અમુક યુવકોએ બળજબરી તેમના માથાના વાળ કાપી નાખ્યા અને તેમની ગંદી હેરસ્ટાઈલ કરી નાખી.જૂતાની માળા પહેરાવી: એટલું જ નહીં, મહિલાઓ અને પુરુષોની આ ભીડે ટીએમસી નેતાના ગળામાં જૂતા અને ફાટેલા ચપ્પલની એક માળા પહેરાવી દીધી.</div><h4><b>લોકોએ આખા વિસ્તારમાં ફેરવ્યા</b></h4><div>દોરડાથી બાંધેલા અને જૂતાની માળા પહેરાવી સંન્યાસી મુન્નાને સ્થાનિક લોકોએ આખા વિસ્તારમાં ફેરવ્યા અને ટીએમસી વિરુદ્ધ ભારે નારેબાજી કરી. સ્થાનિક લોકોનો આરોપ છે કે સત્તામાં રહેતા આ નેતાઓએ જનતાને ખૂબ હેરાન કરી હતી અને કરોડો રુપિયાની લૂંટ કરી હતી.</div><div><br></div><div>આ પણ વાંચો - <a href="https://sandesh.com/india/news/congress-controversy-ashok-gehlot-makes-big-claim-about-sonia-gandhi-fuel-for-political-earthquake" target="_blank">Ashok Gehlotએ સોનિયા ગાંધી વિશે કર્યો મોટો દાવો, રાજકીય ભૂકંપના એંધાણ</a>
</div><div><br></div><div><br></div><div>
</div><div>
</div> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/07/rqQPU1v2egoWZJM1nb2dMD0jbw9YP2DC9QNNhR0i.webp'/></item><item><title><![CDATA[Mumbai Life:મુંબઈના ઇન્વેસ્ટમેન્ટ બેંકરનો માસિક ખર્ચ સાંભળીને હોશ ઊડી જશે, સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ ]]></title><link>https://sandesh.com/business/news/mumbai-life-you-will-be-shocked-to-hear-the-monthly-expenses-of-a-mumbai-investment-banker-the-post-went-viral-on-social-media</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/mumbai-life-you-will-be-shocked-to-hear-the-monthly-expenses-of-a-mumbai-investment-banker-the-post-went-viral-on-social-media</guid><pubDate>Sun, 07 Jun 2026 18:18:59 +05:30</pubDate><description><![CDATA[<p>&nbsp;દેશની આર્થિક રાજધાની અને સપનાના શહેર ગણાતા મુંબઈમાં રહેવું કેટલું મોંઘું સાબિત થઈ શકે છે, તેનો જીવતો-જાગતો પુરાવો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મુંબઈના અત્યંત પોશ વિસ્તાર વર્લીમાં રહેતા એક ઇન્વેસ્ટમેન્ટ બેંકરે પોતાના માસિક ખર્ચનો એવો હિસાબ કિતાબ રજૂ કર્યો છે, જેણે મોટા મોટા કમાતા પ્રોફેશનલ્સને પણ વિચારતા કરી દીધા છે. હાઈ સેલરી હોવા છતાં મુંબઈની મોંઘવારી આ કમાણીને કેવી રીતે ગળી જાય છે, તેની વિગતવાર પોસ્ટ હાલ ઇન્ટરનેટ પર જોરદાર ચર્ચાનો વિષય બની છે.</p><h2><b>સમય બચાવવા માટે દર મહિને 60 હજારનું ભાડું</b></h2><p>આ સોશિયલ મીડિયા પોસ્ટમાં બેંકરે જણાવ્યું છે કે તેનો સૌથી મોટો ખર્ચ ઘરનું ભાડું છે, જે દર મહિને 60,000 રૂપિયા છે. તેણે આ અંગે સ્પષ્ટતા કરતા લખ્યું કે, "હું મારી ઓફિસથી માત્ર 5 મિનિટના અંતરે રહું છું. ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ ક્ષેત્રમાં તમારો સમય જ તમારી સૌથી મોટી મૂડી છે. તેથી હું મુસાફરીના સમય બચાવવા માટે ભાડામાં કોઈ સમજૂતી કરવા માંગતો નથી." અઠવાડિયાના 80 કલાકથી વધુ કામ કરવાના કારણે ઓફિસની નજીક રહેવું એ લક્ઝરી નહીં પણ જરૂરિયાત છે.</p><h3><b>ઘરકામ અને મોડી રાતના ભોજનનો ખર્ચ</b></h3><p>વ્યસ્ત શિડ્યુલના કારણે આ બેંકર ઘરના કામો માટે સમય ફાળવી શકતો નથી, જેથી તે ઘરકામની મદદ (મેડ) માટે દર મહિને 5,000 રૂપિયા ખર્ચ કરે છે. આ ઉપરાંત, મોડી રાત્રે 11 વાગ્યા પછી ઘરે પરત ફરવાના કારણે તે રાતનું ભોજન બહારથી ઓર્ડર કરે છે, જેનો માસિક ખર્ચ આશરે 15,000 રૂપિયા થાય છે.</p><h4><b>અન્ય મૂળભૂત માસિક ખર્ચાઓ પર એક નજર</b></h4><p>મુસાફરી (કેબ/ટેક્સી સેવાઓ): રૂ. 10,000 (ટ્રાફિક અને પાર્કિંગની ઝંઝટથી બચવા પોતાની કાર નથી રાખતા)</p><p>કરિયાણું અને વીજળી બિલ: રૂ. 12,000 (તેમના મતે મુંબઈનું વીજળી બિલ માણસને જમીન પર લાવી દે છે)</p><p>સોશિયલ લાઈફ અને મિત્રો સાથે આઉટિંગ: રૂ. 10,000</p><p>દિલ્હીમાં પરિવારને મળવા માટે ફ્લાઇટ ટિકિટ: રૂ. 12,000</p><p>આ તમામ પ્રાથમિક ખર્ચાઓનો સરવાળો કરવામાં આવે તો દર મહિને આંકડો 1.3 લાખ રૂપિયા પર પહોંચી જાય છે.</p><h5><b>&nbsp;"મુંબઈ કમાણી છૂપી રીતે પાછી ખેંચી લે છે"</b></h5><p>આ આખી પોસ્ટમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ 1.3 લાખ રૂપિયાના તોતિંગ બજેટમાં વેકેશન, લોનનો EMI કે કોઈ મોટો વૈભવી ખર્ચ સામેલ નથી. બેંકરે દિલ્હી અને મુંબઈની સરખામણી કરતા અંતમાં લખ્યું કે, મુંબઈમાં સમાન જીવનશૈલી જીવવા માટે દિલ્હી કરતા 1.5 ગણો વધુ ખર્ચ થાય છે. ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ ક્ષેત્ર ખૂબ સારો પગાર આપે છે, પરંતુ મુંબઈ તે પૈસા એટલી જ ચુપકીદીથી તમારી પાસેથી પાછા છીનવી લે છે.</p><p><a href="https://sandesh.com/world/news/xi-jinping-chinese-president-xi-jinping-will-reach-north-korea-after-7-years-america-is-worried" target="_blank">આ પણ વાંચો:Xi Jinping: 7 વર્ષ પછી ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ ઉત્તર કોરિયાના પ્રવાસે, અમેરિકા ચિંતામાં</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/07/K9TTwfOF0onkaI40CTYH4NYg3rXArW6H9ByJRcXo.webp'/></item><item><title><![CDATA[World Yoga Championship : આર્જેન્ટિનાની નાબિલા સોલ બારાઝાએ અમદાવાદમાં જીત્યા 5 મેડલ ]]></title><link>https://sandesh.com/sports/news/world-yoga-championship-argentinas-nabila-sol-baraza-wins-5-medals-in-ahmedabad</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/world-yoga-championship-argentinas-nabila-sol-baraza-wins-5-medals-in-ahmedabad</guid><pubDate>Sun, 07 Jun 2026 16:07:46 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતની ધરતી પર રમાઈ રહેલી વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપમાં આર્જેન્ટિનાની નાબિલા સોલ બારાઝા (Nabila Sol Baraza) છવાઈ ગઈ છે. આ ચેમ્પિયનશિપમાં આર્જેન્ટિના તરફથી એકમાત્ર પ્રતિનિધિ તરીકે ભાગ લેવા આવેલી નાબિલાએ જોરદાર પ્રદર્શન કરતા 2ગોલ્ડ અને 2 સિલ્વર સહિત કુલ 5 મેડલ પોતાના નામે કરીને મેદાન મારી લીધું છે.</p><h4><b>લિયોનેલ મેસીના વતન સાથે કનેક્શન</b></h4><p>નાબિલાનો જન્મ ફૂટબોલના જાદુગર લિયોનેલ મેસીના પ્રખ્યાત શહેર રોઝારિયોની નજીક થયો છે. જોકે, ફૂટબોલના ક્રેઝ વાળા દેશમાંથી આવવા છતાં નાબિલાએ ભારતીય સંસ્કૃતિના પ્રતીક સમાન યોગને પોતાની કરિયર બનાવી છે.</p><h5><b>ભારતમાં 5 વર્ષ રહીને શીખી યોગ, બોલિવૂડમાં પણ કર્યું કામ!</b></h5><p>નાબિલાની લાઈફ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. તે ભારતમાં 5વર્ષ સુધી રોકાઈ હતી અને આ દરમિયાન તેણે ઋષિકેશ તેમજ નાશિક જેવા પવિત્ર સ્થળોએ જઈને યોગનું ઊંડાણપૂર્વક શિક્ષણ મેળવ્યું હતું. આ રોકાણ દરમિયાન તે બોલિવૂડ તરફ પણ આકર્ષાઈ હતી. નાબિલાએ બોલિવૂડમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે પણ કામ કર્યું છે અને તે એક્શન સ્ટાર ટાઈગર શ્રોફ સાથે પણ સ્ક્રીન શેર કરી ચૂકી છે. આ સિવાય તે ભારતીય ક્રિકેટના કિંગ વિરાટ કોહલીની પણ બહુ મોટી ફેન છે.</p><h5><b>અમદાવાદ પહોંચવા માટે 48 કલાકની કપરી મુસાફરી</b></h5><p>યોગ પ્રત્યેનો નાબિલાનો સમર્પણ ભાવ એ વાત પરથી જ ખબર પડે છે કે તે હાલમાં કોલંબિયામાં ઓનલાઈન અને ઓફલાઈન યોગ ક્લાસ ચલાવે છે. અમદાવાદની આ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે તેણે બોગોટાથી ફ્લાઈટ પકડી હતી. ત્યાંથી ટોરોન્ટો, લંડન અને મુંબઈ થઈને તે 48 કલાકની લાંબી અને થકવી દેનારી મુસાફરી કરીને અમદાવાદ પહોંચી હતી. પરંતુ તેની આ મહેનત આજે 5મેડલ સાથે રંગ લાવી છે.</p><p>આ પણ વાંચો-<a href="https://sandesh.com/sports/news/world-yoga-championship-india-dominates-on-the-first-day-itself-5-out-of-6-gold-medals-in-the-name-of-the-country" target="_blank">World Yoga Championship: પ્રથમ દિવસે જ ભારતનો દબદબો, 6માંથી 5 ગોલ્ડ મેડલ દેશના નામે</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/07/jdvo15TDYn4jss1Y3oghkqa5FERooOHpFUhSVOHL.webp'/></item></channel></rss>