<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Jailer 2: 40 વર્ષ બાદ રજનીકાંત અને હૃતિક રોશન ફરી મોટા પડદા પર મચાવશે ધૂમ ]]></title><link>https://sandesh.com/entertainment/news/jailer-2-after-40-years-rajinikanth-and-hrithik-roshan-will-create-a-sensation-on-the-big-screen-again</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/jailer-2-after-40-years-rajinikanth-and-hrithik-roshan-will-create-a-sensation-on-the-big-screen-again</guid><pubDate>Fri, 12 Jun 2026 12:05:56 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સાઉથ સિનેમાના થલાઈવા રજનીકાંતની બ્લોકબસ્ટર ફિલ્મ 'જેલર'ની સિક્વલ 'જેલર 2' ને લઈને સિનેમા જગતમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આ મોસ્ટ અવેટેડ ફિલ્મને લઈને હવે એક એવા સત્તાવાર સમાચાર સામે આવ્યા છે, જેણે દેશભરના સિનેમા પ્રેમીઓને ચોંકાવી અને રોમાંચિત કરી દીધા છે. બોલિવૂડના ગ્રીક ગોડ ગણાતા હૃતિક રોશનની આ ફિલ્મમાં ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે.</p><h2 style="text-align: justify; "><b>રજનીકાંતની જેલર-2માં ઋતિક રોશનનું આગમન</b></h2><p style="text-align: justify; ">દિગ્દર્શક નેલ્સન દિલીપકુમારના નિર્દેશનમાં બની રહેલી 'જેલર 2'માં બોલીવુડ સુપરસ્ટાર હૃતિક રોશન એક અત્યંત શક્તિશાળી અને ખાસ કેમિયો ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે. સન પિક્ચર્સના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મમાં હૃતિકનું પાત્ર વાર્તામાં એક નવો વળાંક લાવશે. આ ફિલ્મમાં ફક્ત ઋતિક રોશન જ નહીં અન્ય દિગ્ગજ એકટર કેમિયો કરશે. રજનીકાંતની સાથે કામ કરવા દરેક લોકો આતુર હોય છે. મોહનલાલ, શિવ રાજકુમાર, વિજય સેતુપતિ, મિથુન ચક્રવર્તી, હૃતિક રોશન ફિલ્મમાં ગેસ્ટ એપિયરન્સ કરશે. જયારે મુખ્ય કલાકારોની વાત કરીએ તો એસ.જે. સૂર્યા, રામ્યા કૃષ્ણન, વિદ્યા બાલન, યોગી બાબુ ફિલ્મમાં અભિનય કરી રહ્યા છે.</p><h3 style="text-align: justify; "><b>શાહરુખ ખાને કેમ છોડી થલાઈવાની ફિલ્મ</b></h3><p style="text-align: justify; ">શરૂઆતમાં આ શક્તિશાળી પાત્ર માટે મેકર્સની પહેલી પસંદ કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન હતા. નિર્માતાઓ રજનીકાંત અને શાહરૂખને એકસાથે મોટા પડદા પર લાવવા આતુર હતા. જોકે, કિંગ ખાન પોતાની આગામી ફિલ્મ 'કિંગ' (King) અને અન્ય પ્રોજેક્ટ્સના અત્યંત બિઝી શેડ્યૂલ તેમજ તારીખોની ખેંચતાણને કારણે આ પ્રોજેક્ટમાંથી ખસી ગયા હતા. ત્યારબાદ નિર્માતાઓએ હૃતિક રોશનનો સંપર્ક સાધ્યો હતો અને હૃતિકે આ મેગા પ્રોજેક્ટ માટે તુરંત જ લીલી ઝંડી આપી દીધી હતી.</p><h4 style="text-align: justify; "><b>40 વર્ષ પછી સ્ક્રીન પર ઐતિહાસિક 'રિયુનિયન'</b></h4><p style="text-align: justify; ">રજનીકાંત અને હૃતિક રોશનનું એકસાથે સ્ક્રીન શેર કરવું એ ભારતીય સિનેમા માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હશે. બરાબર ૪૦ વર્ષ પહેલાં, વર્ષ ૧૯૮૬ માં આવેલી ફિલ્મ 'ભગવાન દાદા' માં આ બંને કલાકારો સાથે દેખાયા હતા. તે સમયે હૃતિકે એક બાળ કલાકાર તરીકે રજનીકાંતના સાવકા પુત્રની ભૂમિકા ભજવી હતી. હૃતિકે અગાઉ પણ ઘણીવાર ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે તેઓ રજનીકાંતના કેટલા મોટા પ્રશંસક છે અને બાળપણમાં શૂટિંગ દરમિયાન રજનીકાંત તેમની કેટલી કાળજી રાખતા હતા. 'જેલર 2' વર્ષ ૨૦૨૬ ની સૌથી મોટી એક્શન-ડ્રામા ફિલ્મ બનવા જઈ રહી છે, જેમાં ભારતીય સિનેમાના દિગ્ગજોનો મેળાવડો જોવા મળશે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/rekha-never-wanted-to-become-actress-in-bollywood" target="_blank">આ પણ વાંચો : Rekha : ફિલ્મોમાં કામ કરવા નહોતી માગતી રેખા, આ મોટી મજબૂરીના કારણે લીધો હતો એક્ટ્રેસ બનવાનો નિર્ણય!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/xO6B8yAaiTZGPOFRdTmwwk7WCF1IExKmCNHGIXyR.webp'/></item><item><title><![CDATA[El-Nino: અલ નિનોના ખતરાથી PMનું રાજ્યોને એલર્ટ કર્યુ, કહ્યું તૈયાર રહો ]]></title><link>https://sandesh.com/india/news/el-nino-pm-warns-of-threat-of-el-nino-asks-states-to-be-prepared</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/el-nino-pm-warns-of-threat-of-el-nino-asks-states-to-be-prepared</guid><pubDate>Fri, 12 Jun 2026 11:52:36 +05:30</pubDate><description><![CDATA[<p>પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી. આ વર્ષની બેઠકનો વિષય "2047 સુધીમાં વિકસિત ભારત માટે સમાવિષ્ટ માનવ વિકાસ" હતો. 28 રાજ્યો અને પાંચ કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતા મુખ્યમંત્રીઓ, ઉપરાજ્યપાલો અને વહીવટકર્તાઓએ ભાગ લીધો હતો. આ પહેલી વાર હતું જ્યારે તમામ 28 રાજ્યોના મુખ્યમંત્રીઓએ નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં ભાગ લીધો હતો.</p><h2><b>પીએમ મોદીએ અલનીનોને લઇને આપી ચેતવણી&nbsp;</b></h2><p>પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અલ નીનો પરિસ્થિતિઓથી ઉદ્ભવતા જોખમો વિશે ચેતવણી આપી હતી અને મજબૂત જળ સંરક્ષણ પગલાં લેવાની હાકલ કરી હતી. તેમણે રાજ્યોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની તકો અને સાયબર છેતરપિંડી અને ડ્રગના દુરુપયોગ જેવા ઉભરતા સામાજિક પડકારોનો સામનો કરવા માટેના પગલાં વચ્ચે સંતુલન જાળવવા વિનંતી કરી હતી.</p><p><b style="font-size: 1.75rem;">નીતિ આયોગની બેઠકની કરી અધ્યક્ષતા&nbsp;</b></p><p>નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરતા, પ્રધાનમંત્રી મોદીએ એમ પણ કહ્યું કે જ્યારે ઘણી મોટી અર્થવ્યવસ્થાઓ અનિશ્ચિતતા અને આર્થિક પડકારોનો સામનો કરી રહી છે, ત્યારે ભારતની વિકાસગાથા વિશ્વને પ્રેરણા આપી રહી છે. તેમણે આત્મનિર્ભરતા તરફ દેશના સંકલ્પને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને વૈશ્વિક સ્તરે અપનાવવામાં આવેલી શ્રેષ્ઠ પ્રથાઓને અપનાવવા અને અમલમાં મૂકવાના મહત્વ પર ભાર મૂક્યો.</p><h4><b>વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા સાથે મળીને કામ કરવુ- પીએમ મોદી&nbsp;</b></h4><p>ભારતના ઘણા દેશો સાથેના તાજેતરના વેપાર કરારોનો ઉલ્લેખ કરતા, પીએમ મોદીએ રાજ્યોને યુવાનો અને MSME માટે તકો ઊભી કરવા અને આ કરારોનો લાભ લેવા માટે હિસ્સેદારોને તૈયાર કરવા કહ્યું. તેમણે રાજ્યોને ભાગીદાર દેશોમાંથી રોકાણ આકર્ષવાની પણ સલાહ આપી. સરકારી નિવેદન અનુસાર, સહકારી સંઘવાદના મહત્વ પર ભાર મૂકતા, મોદીએ કહ્યું કે કેન્દ્ર અને રાજ્યોએ 'વિકસિત ભારત' ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ.&nbsp;</p><p><br></p><p><a href="https://sandesh.com/gallery/news/lifestyle/this-district-is-considered-the-litchi-capital-of-india-know-which-one" target="_blank">આ પણ વાંચો-  આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?&nbsp;</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/Fvi6jFCn1Z1QS1MIrgK2JJsQzm63b23CGtOmXVbw.webp'/></item><item><title><![CDATA[Rajkot: હિંગળાજનગરમાં વેસ્ટ ઝોન દ્વારા ડિમોલિશનની નોટિસથી સ્થાનિકોમાં રોષ, 15 દિવસમાં જગ્યા ખાલી કરવા આદેશ ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/municipal-corporation-issues-15-days-demolition-notice-to-70-slums-at-amin-marg-hinglajnagar</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/municipal-corporation-issues-15-days-demolition-notice-to-70-slums-at-amin-marg-hinglajnagar</guid><pubDate>Fri, 12 Jun 2026 11:45:01 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ શહેરમાં સરકારી અને મનપા હસ્તકની અબજો રૂપિયાની જમીનોને દબાણ મુક્ત કરવા માટે કમિશનરના આદેશથી એસ્ટેટ અને વિજીલન્સ વિભાગ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ કવાયતના ભાગરૂપે રાજકોટ વેસ્ટ ઝોન હેઠળ આવતા સ્માર્ટ અને પોશ વિસ્તાર એવા અમીન માર્ગ પર વર્ષો જૂના દબાણો પર બુલડોઝર ફેરવવાની આખરી નોટિસ ઇશ્યૂ કરવામાં આવી છે. હિંગળાજનગરમાં આવેલી કિંમતી સરકારી જમીન પર લાંબા સમયથી ખડકાયેલા અંદાજે 70 જેટલા ઝૂંપડાં અને કાચા બાંધકામો હવે રાજકોટ મહાનગરપાલિકાના રડારમાં આવ્યા છે.</p><h2><b>ટૂંક સમયમાં બુલડોઝર ગર્જશે</b></h2><p>આગામી દિવસોમાં યોજાનારા મોટા ડિમોલિશનના પ્લાનિંગ માટે રાજકોટ મનપાની એસ્ટેટ શાખા અને કોર્પોરેશનની સ્પેશિયલ વિજીલન્સ પોલીસની ટીમે હિંગળાજનગર પ્લોટની સંયુક્ત મુલાકાત લીધી હતી. સરકારી રેકોર્ડ મુજબ પ્લોટની ચોક્કસ સરહદો નક્કી કરવા માટે ટીમે સ્થળ પર જઈને આખા લોકેશનનું 'ડિમાર્કેશન' (જમીનની માપણી અને સીમાકન) કર્યું હતું. આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તંત્ર દ્વારા તમામ 70 ઝૂંપડાધારકોને કાયદેસરની નોટિસ પાઠવીને ૧૫ દિવસમાં પોતાના સામાન સાથે જગ્યા ખાલી કરી દેવા અલ્ટીમેટમ આપી દેવાયું છે. જો મુદત પૂરી થયા બાદ જગ્યા ખાલી નહીં થાય તો મનપા જેસીબી (JCB) મશીનો સાથે ત્રાટકીને દબાણો તોડી પાડશે.</p><h3><b>શ્રમિક પરિવારો રસ્તા પર આવી જવાની ભીતિ</b></h3><p>બીજી તરફ, મનપાની આ કડક કાર્યવાહી સામે હિંગળાજનગરના રહીશોમાં ભારે આક્રોશ અને રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે તેઓ અહીં કોઈ બે-ચાર વર્ષથી નહીં, પરંતુ છેલ્લા 50 વર્ષથી વધુ સમયથી પેઢીઓથી વસવાટ કરી રહ્યા છે. અત્યારે રાજ્યમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને ગમે ત્યારે ધોધમાર વરસાદ વરસી શકે છે. આવા અતિ કપરા સમયે તંત્ર દ્વારા ઘર ખાલી કરવાની નોટિસ અપાતા નાના બાળકો અને વડીલો સાથે તેઓ ક્યાં જશે તે મોટો સવાલ છે. આથી, સ્થાનિકો દ્વારા એવી ઉગ્ર માંગણી કરવામાં આવી છે કે તંત્ર દબાણ હટાવે તેની સામે વાંધો નથી, પરંતુ માનવતાના ધોરણે પહેલા તેમના પરિવાર માટે રહેણાંકની વૈકલ્પિક વ્યવસ્થા અથવા આવાસ યોજના અંતર્ગત મકાનની ફાળવણી કરી આપવામાં આવે.</p><p><br><b><a href="https://sandesh.com/gujarat/news/crime/junagadh/husband-bhola-solanki-arrested-for-killing-wife-over-minor-dispute-in-dharanagar" target="_blank">આ પણ વાંચો: Junagadh: ધરાનગરમાં સોપારી ખાવા જેવી બાબતે હિંસક બનેલા પતિએ પત્નીને માર મારી પતાવી દીધી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/OmlVuoYCfyJJUjAQjuM7PeHWf2HMmzMCCWGBlyPB.webp'/></item><item><title><![CDATA[Gondal : હનીટ્રેપ ગેંગ પકડાઈ, ખેડૂતને ફસાવી 5 લાખ અને કાર પડાવનાર 4 આરોપીઓ જેલભેગા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gondal/gondal-honeytrap-gang-busted-farmer-kidnapping-four-arrested-by-police-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gondal/gondal-honeytrap-gang-busted-farmer-kidnapping-four-arrested-by-police-2026</guid><pubDate>Fri, 12 Jun 2026 11:38:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગોંડલ બી ડિવિઝન પોલીસે હનીટ્રેપમાં ફસાવી, ખેડૂતનું અપહરણ કરી અને બળજબરીથી પૈસા પડાવતી એક શાતિર ગેંગના ચાર આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. પકડાયેલા આરોપીઓમાં મહિલા સહિત ટોળકીના મુખ્ય સાગરીતોનો સમાવેશ થાય છે.</p><h2 style="text-align: justify; "><b>સંગીતા નામની મહિલાએ ખેડૂતને પ્રેમ જાળમાં ફસાવ્યો 
</b></h2><p style="text-align: justify; ">મળતી વિગતો મુજબ, સંગીતા નામની મહિલાએ એક ખેડૂતને પોતાની પ્રેમ જાળમાં ફસાવીને ગોંડલ બોલાવ્યો હતો. ખેડૂત જેવા ત્યાં પહોંચ્યા કે તરત જ પૂર્વ આયોજિત કાવતરા મુજબ ઇમરાન અને તેની માતા હસીનાબેન ત્યાં ધસી આવ્યા હતા. આ ટોળકીએ ખેડૂતને છરી બતાવી જાનથી મારી નાખવાની તેમજ ખોટા રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી એક રૂમમાં બંધ કરી દીધા હતા.
</p><h3 style="text-align: justify; "><b>ક્રેટા કાર પડાવી</b></h3><h3 style="text-align: justify; "><span style="font-size: 14px;">આરોપીઓએ ખેડૂત પાસેથી તુરંત જ 4,000 રોકડા પડાવી લીધા હતા અને વધુ 5 લાખની ખંડણી માંગી હતી. ખેડૂત પાસે આટલી મોટી રકમ ન હોવાથી આરોપીઓએ તેમની₹4 લાખની કિંમતી ક્રેટા કાર બળજબરીથી પડાવી લીધી હતી.</span></h3><h3 style="text-align: justify; "><b>કોરા કાગળો પર બળજબરીથી સહીઓ કરાવી 
</b></h3><p style="text-align: justify; ">આટલેથી ન અટકતા, આ ટોળકીએ દશરથ નામના અન્ય એક આરોપીને બોલાવ્યો હતો. આ ચારેય જણાએ ખેડૂતનું તેમની જ ક્રેટા કારમાં અપહરણ કર્યું હતું અને રસ્તામાં ધમકાવીને કેટલાક કોરા કાગળો પર બળજબરીથી સહીઓ કરાવી લીધી હતી. આ ઘટનાની જાણ થતાં જ ગોંડલ બી ડિવિઝનના પીઆઈ જે.આર. ઝાલા અને તેમની ટીમે એક્શન મોડમાં આવી તપાસ શરૂ કરી હતી. પોલીસે ટેકનિકલ સોર્સ, સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગણતરીના કલાકોમાં જ ચારેય આરોપીઓને દબોચી લીધા હતા.
</p><h4 style="text-align: justify; "><b>પોલીસ તપાસ શરુ
</b></h4><p style="text-align: justify; ">પોલીસે આરોપીઓ પાસેથી 4 લાખની ક્રેટા કાર, સીએનજી રીક્ષા, એક્ટીવા, 5 મોબાઈલ ફોન, છરી, રોકડા રૂપિયા અને લખાણના કાગળો સહિત કુલ 5,51,050/- નો મુદ્દામાલ રિકવર કર્યો છે. પોલીસે જણાવ્યું છે કે જો અન્ય કોઈ નાગરિક પણ આ ગેંગનો ભોગ બન્યા હોય, તો તેઓ નીડર થઈને ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પર સંપર્ક કરી શકે છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp;<a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-gujarat-latest-news-live-and-samachar-12-june-2026-politics-weather-updates-daily-breaking-news-natio-1" target="_blank"><b> Gujarat Latest News Live: ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી, કેદારનાથ યાત્રા કરીને આવેલી ગાંધીનગરની મહિલાને કોરોના</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/dW8GT66AbyDRp7lB5CngHuM3Zr2LZBwN63PGk8Cx.webp'/></item><item><title><![CDATA[S Jaishankar:"તમારા હથિયારોથી ભારત પર હુમલા થાય છે",જયશંકરે યુરોપને બરાબરનું ઝાટક્યું ]]></title><link>https://sandesh.com/india/news/sjaishankar-india-is-being-attacked-with-your-weapons-jaishankar-slams-europe</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/sjaishankar-india-is-being-attacked-with-your-weapons-jaishankar-slams-europe</guid><pubDate>Fri, 12 Jun 2026 11:37:21 +05:30</pubDate><description><![CDATA[<p>વિદેશ મંત્રી એસ. જયશંકરે ફરી એકવાર વૈશ્વિક મંચ પર ભારતના રાષ્ટ્રીય હિતો અને વિદેશ નીતિને મજબૂત રીતે રજૂ કરી છે. ફિનલેન્ડમાં આયોજિત 'કુલતારંતા ટોક્સ' (Kultaranta Talks) દરમિયાન રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઇલ ખરીદવાના પશ્ચિમી દેશોના સવાલો પર વિદેશ મંત્રીએ યુરોપિયન દેશોની બેવડી નીતિઓ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે યુરોપ એવા દેશોને હથિયારો વેચે છે જેનો ઉપયોગ ભારત પર હુમલા કરવા માટે થાય છે અને આ સિલસિલો વર્ષોથી ચાલી રહ્યો છે.</p><h2><b>યુરોપના હથિયારો અને ભારતની સુરક્ષા</b></h2><p>પેનલ ચર્ચા દરમિયાન જ્યારે એક પત્રકારે ભારતની રશિયા પ્રત્યેની કથિત 'સહાનુભૂતિ' અને તેલ ખરીદવાની ઉત્સુકતા પર સવાલ ઉઠાવ્યો, ત્યારે જયશંકરે જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે યુરોપની ઐતિહાસિક અને નૈતિક વિસંગતતાઓ તરફ ઈશારો કરતા કહ્યું, "કોઈપણ યુરોપિયન દેશ પર ભારતીય હથિયારોથી ક્યારેય હુમલો થયો નથી. કાશ, હું યુરોપના હથિયારો અંગે પણ ભારત માટે આવું કહી શકતો હોત!" તેમણે ઉમેર્યું કે ભારતીયોએ ક્યારેય યુરોપના હિતોને જોખમમાં મૂકવાનું કામ કર્યું નથી, પરંતુ યુરોપ લાંબા સમયથી ભારતના દુશ્મનોને હથિયાર સપ્લાય કરતું આવ્યું છે.</p><h3><b>તેલ ખરીદી પાછળનું વ્યવહારુ ગણિત</b></h3><p>પોતાના કડક વલણને યથાવત રાખતા વિદેશ મંત્રીએ ઊર્જા સુરક્ષા (Energy Security) અને દેશના બજારની સ્થિતિ સ્પષ્ટ કરી હતી. તેમણે કહ્યું, "હું તેલની કિંમત અને તેની ઉપલબ્ધતાના આધારે ખરીદી કરું છું. તે સમયે બજારમાં રશિયન તેલ વધુ ઉપલબ્ધ હતું, કારણ કે યુરોપિયન દેશો પોતે મધ્ય પૂર્વ (Middle East) માંથી તેલ ખરીદી રહ્યા હતા, જે અમારો પરંપરાગત સપ્લાયર રહ્યો છે. પરિસ્થિતિએ અમને આ દિશામાં આગળ વધવા મજબૂર કર્યા હતા."</p><h4><b>અમેરિકાની નીતિઓ પર કટાક્ષ</b></h4><p>વર્ષ 2022ની વૈશ્વિક પરિસ્થિતિઓનો ઉલ્લેખ કરતા એસ. જયશંકરે અમેરિકાના વલણ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ખુલાસો કર્યો કે વૈશ્વિક બજારમાં તેલના ભાવ નિયંત્રણમાં રાખવા અને મોંઘવારી અટકાવવા માટે ખુદ અમેરિકાએ ભારતને રશિયન તેલ ખરીદવા પ્રોત્સાહિત કર્યું હતું. પરંતુ બાદમાં પશ્ચિમી દેશોએ પોતાના હિત સાધવા માટે પ્રતિબંધોની રમત રમી. જયશંકરે કટાક્ષ કરતા કહ્યું, "આવો કોઈ મોટો સિદ્ધાંત કે નૈતિકતા હોવાનો દેખાવો ન કરો. જ્યારે પોતાના માટે યોગ્ય હોય ત્યારે નીતિ લાગુ કરવી અને ન હોય ત્યારે હટાવી દેવી – અમે બધા સમજદાર છીએ અને આ રમત સારી રીતે સમજીએ છીએ."</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/9UuWkXgXv7LqPEOz7vTaQ1RtMcpy0xPiu2qqWI7M.webp'/></item><item><title><![CDATA[Gir Somnath: ગુજરાત પોલીસનો દેશવ્યાપી ઐતિહાસિક સપાટો, ગીર સોમનાથમાં 310 કરોડના મેગા સાયબર ફ્રોડનો પર્દાફાશ ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/gir-somnath/cyber-crime-police-busted-310-crore-international-scam-under-operation-mule-hunt-two</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/gir-somnath/cyber-crime-police-busted-310-crore-international-scam-under-operation-mule-hunt-two</guid><pubDate>Fri, 12 Jun 2026 10:44:30 +05:30</pubDate><description><![CDATA[<p>ગીર સોમનાથ જિલ્લા સાયબર ક્રાઇમ સેલે દેશવ્યાપી કડીઓ જોડીને રૂપિયા 310 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. આ આખું ઓપરેશન વન-મેન આર્મીની જેમ લીડ કરી રહેલા એસપી જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.૦’ અંતર્ગત પાર પાડવામાં આવ્યું છે. આ ઓપરેશનમાં પોલીસે વેરાવળ, રાજકોટ અને દ્વારકાથી ગેંગના ૫ સભ્યોને દબોચી લીધા છે જેઓ ગુનાખોરીના પૈસા છુપાવવા માટે ભાડે ખાતા પૂરા પાડતા હતા.</p><h2><b>&nbsp;આ મ્યુલ એકાઉન્ટ કૌભાંડ કઈ રીતે આચરાતું ?</b></h2><p>સાયબર પોલીસે તપાસ દરમિયાન જોયું કે, ઇન્ટરનેશનલ સાયબર ઠગો સીધા પોતાના બેંક ખાતા વાપરતા નથી. તેઓ ભારતમાં રહેલા આવા સ્થાનિક એજન્ટોનો સંપર્ક કરે છે. પકડાયેલા ૫ આરોપીઓ ગરીબ, મધ્યમવર્ગીય અથવા અજ્ઞાત લોકોના નામે ખોટા ડોક્યુમેન્ટ્સ ઉભા કરીને અથવા લાલચ આપીને જુદી જુદી બેંકોમાં કરન્ટ અને સેવિંગ એકાઉન્ટ ખોલાવતા હતા. આ ખાતાના કંટ્રોલ (નેટ બેંકિંગ, એટીએમ કાર્ડ અને સિમ કાર્ડ) તેઓ સાયબર ગુનેગારોને સોંપી દેતા હતા. જેના બદલામાં તેમને ટ્રાન્ઝેક્શનના આધારે 1 થી 5 ટકા સુધીનું તગડું કમિશન મળતું હતું.</p><h3><b>કુલ 310 કરોડના શંકાસ્પદ અને ગેરકાયદેસર વ્યવહારો</b></h3><p>જ્યારે પણ દેશમાં કોઈ વ્યક્તિ સાથે ઓનલાઇન છેતરપિંડી થતી, ત્યારે તે પૈસા સીધા આ 'મ્યુલ એકાઉન્ટ્સ' માં જમા થતા હતા. ગીર સોમનાથ પોલીસે જ્યારે આ આરોપીઓના એકાઉન્ટ સ્ટેટમેન્ટ્સ કઢાવ્યા ત્યારે ટેકનિકલ ટીમની આંખો ફાટી ગઈ હતી. ગેંગના બેંક ઓફ ઇન્ડિયા (BOI) ના ખાતાઓમાંથી 282 કરોડ અને કેનરા બેંકના ખાતાઓમાંથી 37 કરોડ મળીને કુલ 310 કરોડના શંકાસ્પદ અને ગેરકાયદેસર વ્યવહારો મળી આવ્યા છે. આ નાણાં દેશભરના હજારો ભોગ બનનારાઓ પાસેથી ટ્રાન્સફર કરાવાયા હતા અને નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર નોંધાયેલી 290 થી વધુ ફરિયાદોના તાર સીધા આ ખાતાઓ સાથે જોડાયેલા છે.</p><h4><b>એસપી જયદીપસિંહ જાડેજાની જનતાને કડક અપીલ</b></h4><p>આ ઐતિહાસિક સફળતા બાદ ગીર સોમનાથના એસપી જયદીપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, "સાયબર ગુનેગારો સામે પોલીસનું આ ઓપરેશન હજુ વધુ તેજ બનશે. આ કેસમાં હજુ ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT Act) અને મની લોન્ડરિંગના પાસાઓ પર તપાસ ચાલી રહી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/suspicious-dead-body-of-youth-found-inside-wagonr-car-near-uttran-police-station-mota-varachha-surat" target="_blank">&nbsp;આ પણ વાંચો: Surat: મોટા વરાછામાં ઉત્રાણ પોલીસ સ્ટેશન નજીક વેગનઆર કારમાંથી મળ્યો યુવકનો શંકાસ્પદ મૃતદેહ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/Pj9D0zgmuktg8JuQGG3x38XDILS4gU18RcsOMwDm.webp'/></item><item><title><![CDATA[Surat: મોટા વરાછામાં ઉત્રાણ પોલીસ સ્ટેશન નજીક વેગનઆર કારમાંથી મળ્યો યુવકનો શંકાસ્પદ મૃતદેહ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/suspicious-dead-body-of-youth-found-inside-wagonr-car-near-uttran-police-station-mota-varachha-surat</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/suspicious-dead-body-of-youth-found-inside-wagonr-car-near-uttran-police-station-mota-varachha-surat</guid><pubDate>Fri, 12 Jun 2026 10:30:44 +05:30</pubDate><description><![CDATA[<p>સુરતના મોટા વરાછા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ ગુનેગારોની બેખોફ મોડસ ઓપરેન્ડી દર્શાવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોટા વરાછાના વીઆઈપી રોડ કનેક્ટિવિટી પાસે આવેલા ઉત્રાણ પોલીસ સ્ટેશનની નજીક એક કાર છેલ્લા કેટલાક સમયથી શંકાસ્પદ હાલતમાં પાર્ક કરેલી હતી. સ્થાનિક લોકો અથવા રાહદારીઓની નજર જ્યારે કારની અંદર પડી ત્યારે અંદર એક યુવક બેભાન અથવા મૃત હાલતમાં પડેલો જોવા મળ્યો હતો. આ અંગે તાત્કાલિક ઉત્રાણ પોલીસને જાણ કરવામાં આવતા પી.આઈ. સહિતનો કાફલો ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.</p><h2><b>બંધ વેગનઆર કાર બની ડેથ બેડ</b></h2><p>પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતા જોવા મળ્યું કે કાર અંદરથી લોક હતી. પોલીસે તાત્કાલિક પ્રક્રિયા કરીને કારમાંથી યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવકના શરીર પર કોઈ દેખીતા ઈજાના નિશાન છે કે કેમ અને તેનું મોત ઝેરી દવા પીવાથી થયું છે, ગૂંગળામણના કારણે થયું છે કે પછી તેની હત્યા કરીને લાશને કારમાં નિકાલ કરવામાં આવી છે, તે તમામ પાસાઓ પર પોલીસે તપાસ કેન્દ્રિત કરી છે. પોલીસ મથકની આટલી નજીક લાશ મળવાના કારણે આસપાસના રહીશોમાં પણ ભારે આશ્ચર્ય અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.</p><h3><b>સીસીટીવી અને કારના નંબરના આધારે કડી મેળવવા પ્રયાસ</b></h3><p>આ મામલે ઉત્રાણ પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે, "અમે મૃતદેહને કબ્જે કરીને સુરત સ્મીમેર અથવા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ (PM) માટે મોકલી આપ્યો છે. પોસ્ટમોર્ટમના સત્તાવાર રિપોર્ટ બાદ જ ખબર પડશે કે યુવકનું મોત કયા સમયે અને કયા ચોક્કસ કારણોસર થયું છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/jamnagar/administration-runs-bulldozer-on-saycha-gangs-illegal-properties-at-bedeshwar-16-crore-land-freed" target="_blank">આ પણ વાંચો: Jamnagar: સાયચા ગેંગના ગેરકાયદે આશરા તોડી પડાયા, બેડેશ્વરમાં 16 કરોડની સરકારી જમીન કરાવાઈ દબાણ મુક્ત</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/VAmWDC2w8XX1PFnQZroFGIKRMpPOeFWSYJftIy6t.webp'/></item><item><title><![CDATA[Vadodara : ફતેપુરામાં સુફિયાન પઠાણે અંગત અદાવતમાં જાહેરમાં કર્યું 4 રાઉન્ડ ફાયરિંગ, પોલીસે 3 ની કરી ધરપકડ ]]></title><link>https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-fatehpura-firing-incident-ramraj-hotel-sufiyan-pathan-three-arrested</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/vadodara/vadodara-fatehpura-firing-incident-ramraj-hotel-sufiyan-pathan-three-arrested</guid><pubDate>Fri, 12 Jun 2026 10:21:27 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠાવતી એક સરેઆમ ફાયરિંગની ઘટના સામે આવી છે. શહેરના ફતેપુરા કુંભારવાડા વિસ્તારમાં આવેલી રામરાજ હોટેલ પાસે અચાનક ફાયરિંગ થતાં ભારે ચકચાર મચી ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>&nbsp;અંગત અદાવત રાખીને આડેધડ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું 
</b></h2><p style="text-align: justify; ">પ્રાથમિક માહિતી અનુસાર, સુફિયાન પઠાણ નામના શખ્સે અંગત અદાવત રાખીને આડેધડ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સદનસીબે આ ભયાનક ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જેનાથી તંત્રે મોટી રાહતનો શ્વાસ લીધો છે.
</p><h2 style="text-align: justify; "><b>સુફિયાન  નશાનો વેપલો ચલાવતો હોવાનો ગંભીર આરોપ
</b></h2><p style="text-align: justify; ">સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, મુખ્ય આરોપી સુફિયાન પઠાણ વિસ્તારમાં નશાનો વેપલો ચલાવતો હોવાનો ગંભીર આરોપ છે. સ્થાનિક લોકો જ્યારે આ અસામાજિક પ્રવૃત્તિઓ સામે અવાજ ઉઠાવે છે કે તેને ટોકે છે, ત્યારે પોતાની ધાક અને દાદાગીરી ફેલાવવા માટે તે આવી હિંસક કરતૂતો કરે છે. 
</p><h3 style="text-align: justify; "><b>ગોળીબાર કરીને ભયનું વાતાવરણ ઊભું કર્યું
</b></h3><p style="text-align: justify; ">ગઈકાલે પણ વાત વધી જતાં તેણે પોતાની બંદૂકમાંથી હવામાં અને આસપાસ ગોળીબાર કરીને ભયનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ વડોદરા પોલીસનો ઉચ્ચ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
</p><h4 style="text-align: justify; "><b>પોલીસે 3 આરોપીની ધરપકડ કરી
</b></h4><p style="text-align: justify; ">પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને તુરંત એક્શન મોડમાં આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કાયદો હાથમાં લેનારા આ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માગ વચ્ચે પોલીસે અત્યાર સુધીમાં મુખ્ય આરોપી સહિત 3 લોકોની ધરપકડ કરી લીધી છે. પોલીસ હાલ આ ગુનામાં વપરાયેલું હથિયાર ક્યાંથી આવ્યું અને આ ઘટના પાછળ અન્ય કયા લોકો સામેલ છે તે દિશામાં ઝીણવટભરી પૂછપરછ ચલાવી રહી છે. સ્થાનિકોએ આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની પણ માગ કરી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; &nbsp; <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-gujarat-latest-news-live-and-samachar-12-june-2026-politics-weather-updates-daily-breaking-news-natio-1" target="_blank"><b>Gujarat Latest News Live: અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, 260 જિંદગીઓ હોમાઇ હતી</b></a></p><p style="text-align: justify; "><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/PhQpP4EWwV43AMX3jFd1PrTkpBK97aW5R7nj9bsq.webp'/></item><item><title><![CDATA[Asian Gamesના ગોલ્ડ મેડલિસ્ટ અને દિગ્ગજ શૂટિંગ કોચ જસપાલ રાણાનું નિધન ]]></title><link>https://sandesh.com/sports/breakingnews/legendary-indian-shooting-coach-jaspal-rana-passes-away</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/breakingnews/legendary-indian-shooting-coach-jaspal-rana-passes-away</guid><pubDate>Fri, 12 Jun 2026 10:05:45 +05:30</pubDate><description><![CDATA[<div style="text-align: justify;">પ્રખ્યાત ભારતીય શૂટિંગ કોચ જસપાલ રાણાનું શુક્રવારે અવસાન થયું છે. રાણા એશિયન ગેમ્સના ભૂતપૂર્વ સુવર્ણ ચંદ્રક વિજેતા છે અને ઓલિમ્પિકમાં બે વાર મેડલ જીતી ચૂકેલી સ્ટાર નિશાનેબાજ મનુ ભાકરના કોચ રહી ચૂક્યા છે. રાણાનું 49 વર્ષની વયે અવસાન થયું છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે જર્મનીથી પરત ફર્યા બાદ અચાનક જ તેમની તબિયત બગડી ગઈ હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, તેમનું નિધન કયા કારણે થયું તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી.</div><h2 style="text-align: justify; "><b>મ્યુનિખ વર્લ્ડ કપથી પરત ફર્યા બાદ તબિયત લથડી
</b></h2><div><div style="text-align: justify;">રાણા મ્યુનિખમાં આઈએસએસએફ (ISSF) વર્લ્ડ કપ પછી જર્મનીથી પરત ફર્યા હતા. તેઓ હાલમાં ભારતીય પિસ્તોલ શૂટર્સના હાઈ પરફોર્મન્સ કોચ તરીકે કાર્યરત હતા. ભારતીય ટીમે આ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને બે સુવર્ણ તેમજ બે રજત ચંદ્રક જીત્યા હતા.</div><div style="text-align: justify;"><img title="Jaspal Rana, Jaspal Rana passes away" src="https://epapercdn.sandesh.com/images/2026/06/12/BhIKYwWl0MOXAmMzW068MEbiwH7aJBMZiilDZkoJ.webp"></div></div><h3 style="text-align: justify; "><b>એરપોર્ટ પરથી સીધા હોસ્પિટલ ખસેડાયા
</b></h3><div style="text-align: justify; ">નેશનલ રાઈફલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (NRAI) ના એક સૂત્રએ જણાવ્યું કે, હા, જસપાલને ફ્લાઈટમાં કેટલીક તકલીફો થઈ રહી હતી અને દિલ્હીમાં ઉતર્યા બાદ તેઓ સીધા હોસ્પિટલ ગયા હતા. ત્યાં, તેમની તપાસ કરવામાં આવી અને સ્ટેન્ટ મૂકવામાં આવ્યું હતું.<br><a href="https://sandesh.com/entertainment/news/jennifer-lopez-office-romance-movie-63-countries-on-ott" target="_blank">આ પણ વાંચો-Trending Movie : 3 દિવસમાં 63 દેશોમાં નંબર વન બની આ ફિલ્મ, દુનિયાભરમાં છવાયો ક્રેઝ!</a></div><div style="text-align: justify; "><br></div><div>
</div> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/H8bMFswyQnVxRzyzSnwvfO1HcYZUOawhYs6hZ0LZ.webp'/></item><item><title><![CDATA[Petrol Diesel Today: સરકારનો મોટો નિર્ણય, હવે આ ગ્રાહકોને નહીં મળે પેટ્રોલ ડીઝલ ]]></title><link>https://sandesh.com/business/news/petrol-diesel-today-big-decision-of-the-government-now-these-customers-will-not-get-petrol-diesel</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/petrol-diesel-today-big-decision-of-the-government-now-these-customers-will-not-get-petrol-diesel</guid><pubDate>Fri, 12 Jun 2026 09:42:10 +05:30</pubDate><description><![CDATA[<p>મધ્ય પૂર્વના તણાવ વચ્ચે, મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલ અંગે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે દેશભરના પેટ્રોલ પંપો પરથી મોટા પ્રમાણમાં ઔદ્યોગિક પેટ્રોલ અને ડીઝલની ખરીદી પર પોતાની પકડ કડક બનાવી દીધી છે. સરકારી આદેશ અનુસાર, ઔદ્યોગિક, વાણિજ્યિક અને સંસ્થાકીય વપરાશકર્તાઓને પેટ્રોલ પંપો પરથી પેટ્રોલ અને ડીઝલ ખરીદવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તેમને જથ્થાબંધ વેચાણ બિંદુઓ પરથી તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે કહેવામાં આવ્યું છે.</p><p></p><h2><b>વેચાણ પર નવા નિયંત્રણો&nbsp;</b></h2>સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા જાહેરનામા મુજબ, રિટેલ આઉટલેટ્સમાંથી મોટર સ્પિરિટ અને હાઇ-સ્પીડ ડીઝલ (HSD) ના વેચાણ પર નવા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આ નવા નિયમો હેઠળ, કોઈપણ વાહન કે ગ્રાહક એક જ દિવસમાં પેટ્રોલ પંપ પરથી 200 લિટરથી વધુ હાઇ-સ્પીડ ડીઝલ ખરીદી શકશે નહીં. વાણિજ્યિક અને સંસ્થાકીય ગ્રાહકોને રિટેલ પેટ્રોલ પંપ પરથી સીધા ઇંધણ ખરીદવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સમગ્ર વ્યવસ્થા શરૂઆતમાં આગામી 90 દિવસ સુધી અમલમાં રહેશે.<p></p><h3><b>આ પ્રતિબંધ 90 દિવસ સુધી અમલમાં&nbsp;</b></h3><p>પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ અને ડીઝલની જથ્થાબંધ ખરીદી પર સરકારના પ્રતિબંધો 90 દિવસ સુધી અમલમાં રહેશે, જોકે નવા સરકારી આદેશ દ્વારા તેને લંબાવી શકાય છે. પીટીઆઈના અહેવાલ મુજબ, કેટલાક વિસ્તારોમાં ડીઝલની માંગમાં અસામાન્ય વધારો જોવા મળ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું હતું, કારણ કે જથ્થાબંધ વપરાશકર્તાઓએ ભાવ તફાવતને કારણે પેટ્રોલ પંપ પરથી બળતણ ખરીદવાનું શરૂ કર્યું હતું.</p><p>ડીઝલના ભાવમાં આ તફાવત એટલા માટે ઉભો થયો કારણ કે રાજ્યની માલિકીની તેલ કંપનીઓએ ફેબ્રુઆરીના અંતમાં મધ્ય પૂર્વ કટોકટી પછી થયેલા ખર્ચ વધારાથી સામાન્ય ગ્રાહકોને બચાવવા માટે છૂટક ભાવોને નિયંત્રણમાં રાખ્યા હતા. જ્યારે જથ્થાબંધ વપરાશકર્તાઓ, જેમ કે ટેલિકોમ ટાવર અને વીજ ઉત્પાદન અને અન્ય જરૂરિયાતો માટે ડીઝલનો ઉપયોગ કરતા ઉદ્યોગો, પાસેથી બજાર ભાવ વસૂલવામાં આવે છે, છૂટક પંપ દર ખર્ચ કરતા નોંધપાત્ર રીતે ઓછા છે.&nbsp;</p><p><br></p><p><b style="font-size: 1.5rem;">સરકારે કેમ લીધો આ નિર્ણય ?&nbsp;</b></p><ul><li>11  જૂનના રોજ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે "મોટર સ્પિરિટ અને હાઇ સ્પીડ ડીઝલ (રિટેલ આઉટલેટ્સ દ્વારા સપ્લાયનું કામચલાઉ નિયમન) ઓર્ડર, 2026" જાહેર કર્યો. તેણે પેટ્રોલ અને ડીઝલ રિટેલર્સ અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) ને 90 દિવસના સમયગાળા માટે રિટેલ આઉટલેટ્સમાંથી જથ્થાબંધ ખરીદી પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો.</li><li>સરકારે જણાવ્યું હતું કે વિશ્વના કેટલાક ભાગોને અસર કરતી વર્તમાન ભૂરાજકીય પરિસ્થિતિને કારણે આ કાર્યવાહી જરૂરી હતી, જેણે વૈશ્વિક તેલ પુરવઠા શૃંખલા, શિપિંગ લોજિસ્ટિક્સ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની ઉપલબ્ધતા પર પ્રતિકૂળ અસર કરી છે.</li><li>સરકારે જણાવ્યું હતું કે  રિટેલ સ્ટેશનો દ્વારા મોટા પાયે ખરીદી સામાન્ય ગ્રાહકો માટે પુરવઠો બદલી શકે છે. સ્થાનિક અછત તરફ દોરી શકે છે, જેનાથી સામાન્ય માણસ માટે આવશ્યક સેવાઓમાં વિક્ષેપ પડી શકે છે.</li></ul><p><br></p><h4><b>200 લિટર પ્રતિ દિવસ મર્યાદા</b></h4><p><br></p><p>આ આદેશમાં જણાવાયું છે કે, મધ્ય પૂર્વ તણાવની આસપાસની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, દેશના કેટલાક ભાગોમાં રિટેલ આઉટલેટ્સ દ્વારા તેલના વેચાણમાં તીવ્ર વધારો થયો છે.</p><p>આ મુખ્યત્વે ઔદ્યોગિક, વાણિજ્યિક અને સંસ્થાકીય ગ્રાહકો દ્વારા છૂટક અને જથ્થાબંધ ભાવમાં તફાવતને કારણે રિટેલ આઉટલેટ્સમાંથી તેલ ખરીદીને કારણે છે. તેથી, તેમને છૂટક ઇંધણ સ્ટેશનોમાંથી તેલ ખરીદવાની મનાઈ રહેશે અને તેના બદલે તેઓ પોતાના ગ્રાહક પંપ દ્વારા પુરવઠો મેળવશે.</p><p><br></p><p><a href="https://sandesh.com/gallery/news/lifestyle/this-district-is-considered-the-litchi-capital-of-india-know-which-one" target="_blank">આ પણ વાંચો- આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?&nbsp;</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/12/dBghdPTZoymzrobGD6glfqdFvXneRjGmp62TbXH2.webp'/></item></channel></rss>