<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Rhea Chakraborty: સુશાંત સિંહ રાજપૂતના અવસાન અને ધરપકડના ટ્રોમા પર રિયા ચક્રવર્તીનો મોટો ખુલાસો ]]></title><link>https://sandesh.com/entertainment/news/rhea-chakrabortys-big-revelation-on-the-trauma-of-sushant-singh-rajputs-death-and-arrest</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/rhea-chakrabortys-big-revelation-on-the-trauma-of-sushant-singh-rajputs-death-and-arrest</guid><pubDate>Fri, 26 Jun 2026 15:56:46 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તીએ વર્ષ ૨૦૨૦ માં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના આકસ્મિક અને દુઃખદ અવસાન બાદ પોતાના જીવનમાં આવેલા ભયાનક તોફાન વિશે ફરી એકવાર ખુલીને વાત કરી છે. તાજેતરમાં આપેલા એક વિગતવાર ઈન્ટરવ્યુમાં રિયાએ તે સમયગાળા દરમિયાન અનુભવેલા માનસિક આઘાત (Trauma), મીડિયા ટ્રાયલ અને જેલના દિવસોના પોતાના કડવા અનુભવો શેર કર્યા છે. રિયાએ જણાવ્યું કે તે સમયે જે પરિસ્થિતિઓ સર્જાઈ હતી, તેમાંથી બહાર નીકળવું તેના માટે કેટલું માનસિક અને ભાવનાત્મક રીતે પીડાદાયક હતું.</p><h2 style="text-align: justify; "><b>રિયા ને ભારે ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો</b></h2><p style="text-align: justify; ">સુશાંત સિંહ રાજપૂતના અવસાન બાદ રિયા ચક્રવર્તીને ભારે ટ્રોલીંગ અને આક્ષેપોનો સામનો કરવો પડ્યો હતો, જે બાદ ડ્રગ્સ સંબંધિત એક એન્ગલમાં તેની ધરપકડ પણ કરવામાં આવી હતી અને તેણે જેલમાં સમય વિતાવવો પડ્યો હતો. આ ઘટનાઓ પર વાત કરતા રિયાએ કહ્યું કે, "જ્યારે તમે આવા કોઈ મોટા આઘાતમાંથી પસાર થાઓ છો, ત્યારે આખી દુનિયા તમારી સામે થઈ જાય છે. લોકો તમને દોષી ઠેરવવા લાગે છે. તે સમયે જેલની અંદર જવું અને ત્યાં રહેવું મારા જીવનનો સૌથી મુશ્કેલ તબક્કો હતો."</p><h3 style="text-align: justify; "><b>સામાન્ય જીવન જીવવું સરળ નહોતું</b></h3><p style="text-align: justify; ">રિયાએ આગળ ઉમેર્યું કે, જેલમાંથી બહાર આવ્યા પછી પણ સામાન્ય જીવન જીવવું સરળ નહોતું. સમાજ અને લોકોનો નજરિયો સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો. આ માનસિક આઘાતમાંથી બહાર આવવા માટે તેણે થેરાપી (Therapy) નો સહારો લેવો પડ્યો હતો. રિયાએ સ્વીકાર્યું કે માનસિક સ્વાસ્થ્યને સુધારવા અને પોતાની જાતને ફરીથી બેઠી કરવા માટે તેણે લાંબો સંઘર્ષ કરવો પડ્યો છે.</p><p style="text-align: justify; ">હવે રિયા ચક્રવર્તી પોતાના જીવનમાં આગળ વધી રહી છે અને તેણે પોડકાસ્ટિંગ તેમજ અન્ય ડિજિટલ પ્લેટફોર્મ્સ દ્વારા કામ પર વાપસી કરી છે. રિયાના મતે, આ દુઃખદ અનુભવોએ તેને અંદરથી વધુ મજબૂત બનાવી છે અને હવે તે માનસિક સ્વાસ્થ્ય અને ટ્રોમામાંથી બહાર આવવા માટે અન્ય લોકોને પણ પ્રેરણા આપી રહી છે. બોલિવૂડ અને સોશિયલ મીડિયા પર રિયાના આ નિવેદનની અત્યારે ખૂબ ચર્ચા થઈ રહી છે.</p><p style="text-align: justify;"><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/world/news/agriculture-which-crops-are-grown-in-pakistan-during-the-monsoon-why-are-farmers-expenses-higher-there-than-in-india" target="_blank">આ પણ વાંચો:Agriculture: પાકિસ્તાનમાં ચોમાસા દરમિયાન કયા પાકની થાય છે ખેતી? ભારત કરતાં ત્યાં કેમ વધી જાય છે ખેડૂતોનો ખર્ચ</a></p><p style="text-align: justify;"><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/Vf7HcpRys3icMlpWqgkOBMrYY3h7fF8jLhP8tuJL.webp'/></item><item><title><![CDATA[Operation Amistad: ભૂકંપ પીડિત વેનેઝુએલાની મદદે આવ્યું ભારત, મોકલી અદ્યતન મેડિકલ ટીમ ]]></title><link>https://sandesh.com/india/news/operation-amistad-india-came-to-the-aid-of-earthquake-hit-venezuela-sent-an-advanced-medical-team</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/operation-amistad-india-came-to-the-aid-of-earthquake-hit-venezuela-sent-an-advanced-medical-team</guid><pubDate>Fri, 26 Jun 2026 15:40:02 +05:30</pubDate><description><![CDATA[<p>ભારત હંમેશા પોતાની નૈતિક ફરજ નિભાવતુ આવ્યુ છે. મુશ્કેલીના સમયે ભારતે હંમેશા મદદનો હાથ લંબાવ્યો છે. ત્યારે વેનેઝુએલામાં આવેલા ભયંકર ભૂકંપ બાદ પણ ભારતે રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરી છે.&nbsp;</p><h2><b>મેડિકલ ટીમ વેનેઝુએલા મોકલી</b></h2><p>ભારતે રાહત અને બચાવ કામગીરી માટે ભારતીય સેનાની એક ખાસ મેડિકલ ટીમ મોકલી છે. આ માનવતાવાદી મિશનને 'ઓપરેશન અમિસ્તાદ નામ આપવામાં આવ્યું છે. ભારતીય સેનાની 60 પેરા ફિલ્ડ હોસ્પિટલની એક મેડિકલ ટીમ ગઈકાલે (ગુરુવારે) બે એરફોર્સ એરક્રાફ્ટમાં હિંડન એરબેઝથી વેનેઝુએલા જવા રવાના થઈ હતી. આ ટીમ ભૂકંપથી પ્રભાવિત લોકોને સારવાર અને આવશ્યક તબીબી સહાય પૂરી પાડશે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/adgpi/status/2070426563108360596"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3><b>9 ડોક્ટર્સ સહિત 41 કર્મચારીઓ ટીમમાં&nbsp;</b></h3><p>ખાસ મેડિકલ ટીમમાં નવ ડોકટરો સહિત 41 કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ ટીમ કટોકટી સારવાર, ટ્રોમા કેર, સર્જરી અને અન્ય આવશ્યક આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે સજ્જ છે. તેઓ વિદેશ મંત્રાલય દ્વારા પૂરી પાડવામાં આવતી આશરે છ ટન દવાઓ, તબીબી સાધનો અને રાહત પુરવઠો પણ લઈ ગયા છે.</p><h3><b>બે સ્વદેશી ભીષ્મ ક્યુબ્સ પણ મોકલવામાં આવ્યા</b></h3><p>મિશનના ભાગ રૂપે બે સ્વદેશી ભીષ્મ ક્યુબ્સ&nbsp; (BHISHM Cube) પણ વેનેઝુએલા મોકલવામાં આવ્યા છે. કે જે આધુનિક મોબાઇલ હોસ્પિટલો છે. તે આપત્તિઓ દરમિયાન ઝડપથી તૈનાત કરી શકાય છે; ભીષ્મ ક્યુબને ખૂબ જ ઓછા સમયમાં ફિલ્ડ હોસ્પિટલમાં રૂપાંતરિત કરી શકાય છે.</p><p>એક ભીષ્મ ક્યુબમાં આશરે 200 દર્દીઓની સારવાર કરવાની ક્ષમતા છે. તે વેન્ટિલેટર, મોનિટર, સર્જિકલ સાધનો, ઓક્સિજન પુરવઠો અને અન્ય આવશ્યક તબીબી સુવિધાઓથી સજ્જ છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/DrSJaishankar/status/2070424891841454113"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h3><b>મુશ્કેલ સમયમાં મદદ કરવા તૈયાર: જયશંકર</b></h3><p>વિદેશ મંત્રી એસ. જયશંકરે X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કર્યું કે ઓપરેશન એમિસ્ટાડ ચાલી રહ્યું છે. ભારતીય વાયુસેનાના બે C-17 વિમાન આજે વેનેઝુએલા માટે રવાના થયા છે. જે ભૂકંપ પછીની રાહત કામગીરીમાં મદદ કરવા માટે આવશ્યક સહાય સામગ્રી લઈને ગયા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આ સહાયમાં ભારતીય સેનાનું ફિલ્ડ હોસ્પિટલ યુનિટ અને 35 ટનથી વધુ રાહત સામગ્રી, દવાઓ અને તબીબી સાધનોનો સમાવેશ થાય છે, જેમાં બે 'ભીષ્મ ક્યુબ'નો સમાવેશ થાય છે. ભારત આ મુશ્કેલ સમયમાં વેનેઝુએલાની સરકાર અને લોકોને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે.</p><p><a href="https://sandesh.com/gallery/news/india/why-are-potatoes-and-chickpeas-the-filling-in-panipuri?2" target="_blank">આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/sI8SUzv0P2wKBFgQlw82hiSH48ZB5ABY5m33bBew.webp'/></item><item><title><![CDATA[Junagadh : સિંહ બાળની ક્રૂર હત્યા કરનારો શખ્સ આખરે દબોચાયો, વન વિભાગની મોટી સફળતા ]]></title><link>https://sandesh.com/gujarat/news/junagadh/junagadh-lion-cub-killer-arrested-forest-department-investigation</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/junagadh/junagadh-lion-cub-killer-arrested-forest-department-investigation</guid><pubDate>Fri, 26 Jun 2026 15:09:55 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતના ગૌરવ સમાન એશિયાટિક સિંહોની ભૂમિ જૂનાગઢમાંથી વન્યજીવ પ્રેમીઓને હચમચાવી નાખે તેવા એક સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢ શહેરમાં બે દિવસ પહેલાં નિર્મમ રીતે કરવામાં આવેલી સિંહબાળની હત્યાનો ભેદ વન વિભાગે ઉકેલી નાખ્યો છે. સિંહબાળની હત્યા કરીને નાસતા ફરતા મુખ્ય આરોપીને વન વિભાગની ટીમે સચોટ બાતમીના આધારે ઝડપી પાડ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>માસૂમ સિંહ બાળનો મૃતદેહ મળી આવ્યો હતો</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, બે દિવસ પહેલાં જૂનાગઢની વાણંદ સોસાયટી વિસ્તારમાંથી એક માસૂમ સિંહબાળનો મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોઈને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં જ આ સિંહબાળનું કુદરતી મોત નહીં, પરંતુ કોઈ અજ્ઞાત શખ્સ દ્વારા તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.</p><h3 style="text-align: justify; "><b>હત્યા બાદ આરોપી થયો હતો ફરાર</b></h3><p style="text-align: justify; ">આ નરાધમ કૃત્યને અંજામ આપ્યા બાદ પકડાઈ જવાની બીકે આરોપી વન વિભાગને થાપ આપીને ફરાર થઈ ગયો હતો. જોકે, વન વિભાગે અલગ-અલગ ટીમો બનાવીને આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. આખરે વન વિભાગને આ ગુનેગારને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે. હાલમાં વન વિભાગની ટીમ આરોપીની અટકાયત કરીને તેને આગળની કાયદેસરની કાર્યવાહી અને પૂછપરછ માટે જૂનાગઢ લાવી રહી છે.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>કડકમાં કડક પગલાં લેવાની તૈયારીઓ</b></h4><p style="text-align: justify; ">આરોપીએ આ માસૂમ સિંહબાળની હત્યા કયા કારણોસર કરી અને આ ગુનામાં અન્ય કોઈ શિકારી કે શખ્સો સામેલ છે કે નહીં, તે દિશામાં વન વિભાગે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ આરોપી સામે કડકમાં કડક પગલાં લેવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; <a href="https://sandesh.com/india/news/ayodhya-ram-mandir-donation-theft-case-8-arrested-sandesh-digital-explainer" target="_blank"><b>&nbsp;Sandesh Digital Explainer : રામ મંદિરમાં દાનની ચોરી, જેના પર આખા દેશે ભરોસો કર્યો, એ જ 'ખાસ' માણસે પાછળથી ભોંક્યું ખંજર</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/WCeUNX7Et87gzCAfXOSa1nhKJHLJuZkaXck1JGbE.webp'/></item><item><title><![CDATA[વાંચો બપોરે 12થી 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/read-important-news-from-12-pm-to-03-pm-26-june-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/read-important-news-from-12-pm-to-03-pm-26-june-2026</guid><pubDate>Fri, 26 Jun 2026 14:56:52 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-weather-forecast-next-7-days-cyclonic-circulation-active-rain-update" target="_blank">1. Weather Update : આગામી 7 દિવસ આ વિસ્તારોમાં સામાન્ય વરસાદની અગાહી, તાપમાન અંગે પણ મોટું અપડેટ</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/world/news/venezuela-earthquake-miracle-miracle-amidst-destruction-in-venezuela-amazing-rescue-of-newborn-baby-from-rubble-watch-video" target="_blank">2. Venezuela Earthquake Miracle: વેનેઝુએલામાં વિનાશ વચ્ચે ચમત્કાર, ભૂકંપના કાટમાળમાંથી નવજાત શિશુનો અદ્ભૂત બચાવ, જુઓ વીડિયો</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/world/news/business/canada-student-visa-60-decrease-in-the-number-of-foreign-students-in-canada-know-what-is-the-reason" target="_blank">3. Canada Student Visa: કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં 60%નો ઘટાડો, જાણો શુ છે કારણ?</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/modi-cabinet-may-undergo-changes-on-june-29-or-30-major-reshuffle-discussed" target="_blank">4. PM Cabinet: 29 કે 30 જૂને મોદી કેબિનેટમાં થઇ શકે છે પરિવર્તન, મોટા ફેરબદલની ચર્ચા</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-khadia-firing-robbery-airforce-officer-deepak-bhuker-arrested" target="_blank">5. Ahmedabad : ખાડિયામાં કરોડોની લૂંટ અને ફાયરિંગનો ભેદ ઉકેલાયો, એરફોર્સનો અધિકારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/ram-mandir-donation-row-champat-rai-resigns-from-the-post-of-general-secretary-of-ram-mandir-trust" target="_blank">6. Ram Mandir Donation Row: ચંપત રાયનું રાજીનામુ, ચાંદીની ઇંટ ક્યાં ગઇ? સંજય રાઉતનુ નિવેદન</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/explainer/ayodhya-ram-mandir-donation-theft-case-8-arrested-sandesh-digital-explainer" target="_blank">7. Sandesh Digital Explainer : રામ મંદિરમાં દાનની ચોરી, જેના પર આખા દેશે ભરોસો કર્યો, એ જ 'ખાસ' માણસે પાછળથી ભોંક્યું ખંજર</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/entertainment/news/chauhaan-film-teaser-big-gift-on-father-veeru-devgans-birthday-ajay-devgans-chauhaan-announced" target="_blank">8. Chauhaan Film : પઠાણો સે કહો... 'ચૌહાન' ફિલ્મનું ટ્રેલર રીલીઝ, અજય દેવગણનો દેખાયો દમદાર લુક</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/cm-yogi-on-ram-mandir-playing-with-the-faith-of-ram-devotees-is-not-acceptable-yogi-spoke-on-the-matter-of-charity-theft" target="_blank">9. CM Yogi On Ram Mandir: રામભક્તોની આસ્થા સાથે રમત સ્વીકાર્ય નહી, દાનચોરી મામલે બોલ્યા યોગી</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/cricket/news/vaibhav-suryavanshis-social-media-post-created-a-stir-he-wrote-before-the-ireland-match-new-chapter" target="_blank">10. Vaibhav Suryavanshiની સોશિયલ મીડિયા પોસ્ટે મચાવ્યો ખળભળાટ, આયર્લેન્ડ મેચ પહેલા લખ્યું "નવો અધ્યાય"</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/ceqk67y8uo90glwBNkzH4Xk5wNqOLuA7z0MjZ7er.webp'/></item><item><title><![CDATA[IOCLમાં જુનિયર કર્મચારીઓના ID વાપરી મેનેજરે આચર્યું 1.53 કરોડનું કૌંભાડ, CBIની એન્ટ્રી ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/cbi-registers-case-against-former-iocl-manager-sejal-kolhatkar-fraud</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/cbi-registers-case-against-former-iocl-manager-sejal-kolhatkar-fraud</guid><pubDate>Fri, 26 Jun 2026 14:46:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન  દ્વારા ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ ની ગુજરાત કચેરીના પૂર્વ સિનિયર ફાઇનાન્સ મેનેજર સેજલ કોલ્હટકર સામે આર્થિક ગેરરીતિ અને ભ્રષ્ટાચાર મામલે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આરોપી અધિકારી પર જુનિયર કર્મચારીઓના લોગઈન આઈડીનો દુરુપયોગ કરીને કરોડો રૂપિયાની હેરાફેરી કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>ખોટી રીતે રૂપિયા 1.53 કરોડની ચૂકવણી મંજૂર કરી</b></h2><p style="text-align: justify; ">મળતી વિગતો અનુસાર, સેજલ કોલ્હટકરે પોતાના પદનો દુરુપયોગ કરીને ચાર જેટલા ખાનગી વેન્ડર્સને ખોટી રીતે રૂપિયા 1.53 કરોડની ચૂકવણી મંજૂર કરી દીધી હતી. આ કૌભાંડને અંજામ આપવા માટે તેણે પોતાની હાથ નીચેના જુનિયર કર્મચારીઓના યુઝર આઈડીનો ગેરકાયદેસર ઉપયોગ કરીને વાઉચર્સ પાસ કરાવ્યા હતા.</p><h3 style="text-align: justify; "><b>પત્નીના ખાતામાં પૈસા મોકલ્યા</b></h3><p style="text-align: justify; ">CBIની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ કૌભાંડના નાણાંમાંથી રૂપિયા 30.50 લાખ સીધા આરોપી સેજલ કોલ્હટકરના વ્યક્તિગત બેંક ખાતામાં અને રૂપિયા ૩.૫૦ લાખ તેની પત્નીના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, આરોપીએ મકાન બનાવવા માટે મળતી રૂપિયા 74 લાખની હાઉસ બિલ્ડિંગ એડવાન્સ લોનનો ઉપયોગ પણ કાયદા વિરુદ્ધ જઈને પોતાના વ્યક્તિગત રોકાણ માટે કર્યો હોવાનો આક્ષેપ છે.</p><h4 style="text-align: justify; "><b>નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા</b></h4><p style="text-align: justify; ">આ આખા કૌભાંડનો ભાંડો ફૂટતાં જ ઉચ્ચ સત્તાધિશો દ્વારા આરોપી અધિકારીને તાત્કાલિક અસરથી નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. હાલમાં સીબીઆઈએ સેજલ કોલ્હટકર વિરુદ્ધ સત્તાવાર એફઆઈઆર નોંધી લીધી છે. આ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના ખેલમાં કંપનીના અન્ય કયા કર્મચારીઓ કે ખાનગી વેન્ડર્સ સંડોવાયેલા છે, તે અંગે સીબીઆઈએ પોતાની તપાસ તેજ કરી દીધી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/india/news/ayodhya-ram-mandir-donation-theft-case-8-arrested-sandesh-digital-explainer" target="_blank"><b>Sandesh Digital Explainer : રામ મંદિરમાં દાનની ચોરી, જેના પર આખા દેશે ભરોસો કર્યો, એ જ 'ખાસ' માણસે પાછળથી ભોંક્યું ખંજર</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/xnjOdqsLSkWfqvaKpJ3efHGvo0eoPMEsLCVT8pmM.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: જૂનના અંત સુધીમાં રાજ્યમાં વરસાદની અધધ 78 ટકાની ઘટ, ડેમ અને જળાશયોના તળિયા દેખાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/weather/ahmedabad/gujarat-rain-deficit-june-seventy-eight-percent-low-rainfall-el-nino-effect</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/weather/ahmedabad/gujarat-rain-deficit-june-seventy-eight-percent-low-rainfall-el-nino-effect</guid><pubDate>Fri, 26 Jun 2026 14:40:56 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતમાં સામાન્ય રીતે જૂન મહિનાના મધ્ય સુધીમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ જતું હોય છે અને જૂનના અંત સુધીમાં વાવણીની કામગીરી જોરશોરથી શરૂ થઈ જતી હોય છે. પરંતુ આ વર્ષે વૈશ્વિક સ્તરે પેસિફિક મહાસાગરમાં સર્જાયેલી ‘અલ નીનો’ ની વિપરીત અસરના કારણે ભારતીય ચોમાસાની સિસ્ટમ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. હવામાન વિભાગના લાઈવ આંકડા દર્શાવે છે કે જૂન મહિનાના અંત સુધીમાં ગુજરાતના માથે મોટું આકાશી સંકટ તોળાઈ રહ્યું છે, કારણ કે રાજ્યમાં અત્યાર સુધીમાં 78% જેટલો ઓછો વરસાદ પડ્યો છે.</p><h2><b>આંકડા પાછળની ચોંકાવનારી વાસ્તવિકતા</b></h2><p>હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, જૂન મહિનાના અંત સુધીમાં ગુજરાતમાં સરેરાશ 83.7 MM (મિલીમીટર) એટલે કે આશરે 3.3 ઇંચ વરસાદ નોંધાવો એ સામાન્ય પ્રક્રિયા છે. જો કે, આ વખતે સ્થિતિ સદંતર ઉલટી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશના માત્ર 18.1% એટલે કે માંડ 0.7 ઇંચ જેટલો જ છૂટોછવાયો વરસાદ પડ્યો છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે જો આગામી જુલાઈ મહિનામાં પણ મેઘરાજા મન મૂકીને નહીં વરસે, તો રાજ્યમાં પીવાના અને સિંચાઈના પાણીની લાઈવ તંગી સર્જાઈ શકે છે.</p><h3><b>ખેતીવાડી સેક્ટર પર સીધી માઠી અસર</b></h3><p>આ નહિવત વરસાદના કારણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક જિલ્લાઓમાં ખેડૂતોએ જે વાવણીની તૈયારીઓ કરી રાખી હતી તે લાઈવ અટકી પડી છે. કેટલાક વિસ્તારોમાં જ્યાં મોંઘા બિયારણ લાવીને વહેલી વાવણી કરી દેવામાં આવી હતી, ત્યાં કૂવા અને બોરના પાણી ખૂટી પડતાં પાક બળી જવાની ભીતિ સેવાઈ રહી છે. હવામાન નિષ્ણાતોના મતે, અલ નીનોની અસરને કારણે ચોમાસાના પવનો જે ઝડપે આગળ વધવા જોઈએ તે ગતિ પકડી શક્યા નથી. જો કે, જુલાઈના પ્રથમ સપ્તાહમાં બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે, જેના પર હવે સમગ્ર ગુજરાતની લાઈવ મીટ મંડાયેલી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/rajkot/rmc-food-department-sealed-three-paneer-dairies-fortune-shyam-dairy" target="_blank">આ પણ વાંચો: Rajkot: ફોર્ચ્યુન ફૂડ્સ અને શ્યામ ડેરી પ્રોડક્ટ્સ મનપા દ્વારા સીલ, જનતાના આરોગ્ય સાથે ચેડાં બદલ કડક કાનૂની કાર્યવાહી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/cmkWyU4GldYOL63ZdsD1pU7zVMMXRo7HqG69dxjN.webp'/></item><item><title><![CDATA[Canada Student Visa: કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં 60%નો ઘટાડો, જાણો શુ છે કારણ? ]]></title><link>https://sandesh.com/world/news/business/canada-student-visa-60-decrease-in-the-number-of-foreign-students-in-canada-know-what-is-the-reason</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/business/canada-student-visa-60-decrease-in-the-number-of-foreign-students-in-canada-know-what-is-the-reason</guid><pubDate>Fri, 26 Jun 2026 14:08:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">કેનેડાના પીએમ માર્ક કાર્ને જણાવ્યું હતું કે, તેમની સરકાર ઇમિગ્રેશન પર નિયંત્રણ મેળવી રહી છે અને વધુ ટકાઉ અને વિશ્વસનીય ઇમિગ્રેશન સિસ્ટમ બનાવી રહી છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">કેનેડાના પીએમનું નિવેદન&nbsp;</h2><p style="text-align: justify; ">કેનેડાના પીએમ માર્ક કાર્ને કહ્યું કે, અમે ઇમિગ્રેશન પર ફરીથી નિયંત્રણ મેળવી લીધું છે. આશ્રયના દાવાઓમાં ત્રીજા ભાગનો ઘટાડો થયો છે. કામચલાઉ વિદેશી કામદારોની સંખ્યામાં લગભગ અડધી થઈ ગઈ છે. આ દરમિયાન, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 60% ઘટાડો થયો છે. હવે આપણે કાળજીપૂર્વક કેનેડિયન મૂલ્યો સાથે સુસંગત ટકાઉ ઇમિગ્રેશન સિસ્ટમ બનાવી શકીએ છીએ.</p><h3 style="text-align: justify; ">ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો</h3><p style="text-align: justify; ">વર્ષ 2023માં તમામ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ભારતીયોનો હિસ્સો 51.6% હતો. હવે, કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં તેમનો હિસ્સો ઘટીને માત્ર 8.1% થઈ ગયો છે. આ ઘટાડો મુખ્યત્વે કેનેડિયન સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંને કારણે છે. આ નીતિઓમાં સ્ટડી પરમિટને કડક બનાવવા, ઉચ્ચ નાણાકીય જરૂરિયાતો અને કડક પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ આવશ્યકતાઓનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વિશ્વના ટોચના સ્થળોમાંના એક તરીકે કેનેડાની પ્રતિષ્ઠામાં પણ ઘટાડો થયો છે. કેનેડિયન યુનિવર્સિટીઓ, જે અગાઉ ભારત, ચીન અને અન્ય દેશોના વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં આકર્ષતી હતી, તેમાં નોંધણીમાં તીવ્ર ઘટાડો થઈ રહ્યો છે. આ દેશોના વિદ્યાર્થીઓ હવે કેનેડા કરતાં વિશ્વભરના અન્ય દેશોની યુનિવર્સિટીઓને પસંદ કરી રહ્યા છે.</p><h4 style="text-align: justify; ">વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો કેમ ?</h4><p style="text-align: justify; ">ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડાના અહેવાલ મુજબ, જાન્યુઆરી અને ઓક્ટોબર 2025 દરમિયાન કેનેડા આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 2024 ના સમાન સમયગાળાની તુલનામાં 60% ઘટાડો થયો છે. આ સમયગાળા દરમિયાન કેનેડા આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 150,000 થી વધુનો ઘટાડો થયો છે. ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 2025 માં દર મહિને કેનેડા આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. નવા નિયમોએ અરજી પ્રક્રિયાને વધુ સ્પર્ધાત્મક બનાવી છે. આ નિયમો હેઠળ, વિદ્યાર્થીઓએ વહેલી અરજી કરવી, મજબૂત નાણાકીય ક્ષમતા દર્શાવવી અને સંપૂર્ણ દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર પડશે.</p><h5 style="text-align: justify; ">વૈકલ્પિક સ્થળો શોધી રહ્યા છે વિદ્યાર્થીઓ</h5><p style="text-align: justify; ">IRCC રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે નવી નીતિઓ એવા વિદ્યાર્થીઓને આકર્ષવા માટે બનાવવામાં આવી છે જેઓ ખરેખર કેનેડામાં અભ્યાસ કરવા અને સ્થાયી થવા માટે તૈયાર છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે માર્ગ ખુલ્લો રહે છે, પરંતુ તે વધુને વધુ મુશ્કેલ બન્યો છે. આના કારણે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અન્ય સ્થળો પર વિચાર કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ગતિશીલતા પર નજર રાખતી સંસ્થા ICEF મોનિટર અનુસાર, કેનેડામાં અભ્યાસ પરમિટ માટે અસ્વીકાર દર 2023 માં 38% થી વધીને 2024 માં 52% થયો છે. ભારત જેવા દેશોમાં વિદેશમાં અભ્યાસ કરવા માટે કાળજીપૂર્વક નાણાકીય આયોજનની જરૂર છે. પરિણામે, ભારતીય પરિવારો હવે જોખમ લેતા ખચકાય છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/us-turkey-jet-engine-deal-america-will-supply-fighter-jet-engines-to-indias-enemy" target="_blank">અમેરિકા ભારતના દુશ્મનને પૂરા પાડશે ફાઇટર જેટ એન્જિન</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/oYTJn1mZl26sixxdwKWTel76u5Sp9tWN9Yet64wL.webp'/></item><item><title><![CDATA[PM Cabinet: 29 કે 30 જૂને મોદી કેબિનેટમાં થઇ શકે છે પરિવર્તન, મોટા ફેરબદલની ચર્ચા ]]></title><link>https://sandesh.com/india/news/modi-cabinet-may-undergo-changes-on-june-29-or-30-major-reshuffle-discussed</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/modi-cabinet-may-undergo-changes-on-june-29-or-30-major-reshuffle-discussed</guid><pubDate>Fri, 26 Jun 2026 13:40:39 +05:30</pubDate><description><![CDATA[<p>કેન્દ્ર સરકારમાં ટૂંક સમયમાં મોટા મંત્રીમંડળમાં ફેરફાર થવાની ધારણા છે. એવી અટકળો ચાલી રહી છે કે PM નરેન્દ્ર મોદી આ રવિવાર કે સોમવારે તેમના મંત્રીમંડળમાં ફેરફાર કરી શકે છે. જોકે સરકારે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરી નથી, રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ ચાલી રહી છે,&nbsp;</p><h2><b>કેન્દ્રીય મંત્રીમંડળમાં થશે ફેરફાર ?&nbsp;</b></h2><p>એવી અફવા છે કે પ્રસ્તાવિત ફેરબદલમાં કેન્દ્રીય મંત્રીમંડળમાં નવા ચહેરાઓનો સમાવેશ થઈ શકે છે, સાથે સાથે કેટલાક વર્તમાન મંત્રીઓ માટે પોર્ટફોલિયોમાં ફેરફાર પણ થઈ શકે છે. આ અટકળો એવા સમયે આવી છે જ્યારે ઉત્તર પ્રદેશ જેવા મુખ્ય રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. પરિણામે, ભાજપ ભવિષ્યની રાજકીય વ્યૂહરચનાને ધ્યાનમાં રાખીને જનતાને સંદેશ આપવાનો પ્રયાસ કરી શકે છે.</p><h3><b>કેબિનેટમાં ફેરફાર અંગે ચર્ચા શા માટે?</b></h3><p>તાજેતરના દિવસોમાં PM નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ નેતાઓ અને મુખ્ય પક્ષ સંગઠન પદાધિકારીઓ સાથે અનેક રાઉન્ડની બેઠકો યોજી છે. આનાથી મંત્રીમંડળ વિસ્તરણ અને ફેરબદલ અંગે અટકળોને વધુ વેગ મળ્યો છે. મંત્રીમંડળમાં ચોક્કસ રાજ્યો માટે વધુ પ્રતિનિધિત્વ અંગે વિચારણા કરવાની ચર્ચા થઈ રહી છે. કેટલાક નેતાઓ નવી સંગઠનાત્મક જવાબદારીઓ સંભાળતા સરકારમાંથી પક્ષની ભૂમિકાઓમાં સ્થાનાંતરિત થઈ શકે છે.</p><h4><b>જ્યોર્જ કુરિયને 23 જૂને રાજીનામું આપ્યું</b></h4><p>ઉલ્લેખનીય છે કે&nbsp; 23 જૂને, કેન્દ્રીય રાજ્યમંત્રી જ્યોર્જ કુરિયને રાજીનામું આપ્યું હતું. રાષ્ટ્રપતિ મુર્મુએ તે જ દિવસે તેમનું રાજીનામું સ્વીકાર્યું હતું.</p><p>જ્યોર્જ કુરિયન કેરળ ભાજપના નેતા છે. તેમનો કાર્યકાળ 21 જૂને સમાપ્ત થયો હતો. ભાજપે પહેલાથી જ સંકેત આપી દીધો હતો કે તેમને રાજ્યસભામાં મોકલવામાં આવશે નહીં. મધ્યપ્રદેશનું પ્રતિનિધિત્વ કરતા તેમનો રાજ્યસભાનો કાર્યકાળ 24 જૂન, 2026 ના રોજ સમાપ્ત થયો. તેઓ હવે સંસદ સભ્ય ન હોવાથી બંધારણીય જોગવાઈઓ અનુસાર તેમને તેમના પદ પરથી રાજીનામું આપવું જરૂરી હતું. પક્ષે તેમના રાજીનામા અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી.</p><h4><b>કોણ છે જ્યોર્જ કુરિયન ?&nbsp;</b></h4><p>કુરિયને 9 જૂન, 2024 ના રોજ કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. 11 જૂને, તેમને લઘુમતી બાબતોના મંત્રાલય અને મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના વિભાગો સોંપવામાં આવ્યા હતા. 65 વર્ષીય કુરિયન ભાજપના એક વરિષ્ઠ નેતા છે જે 1980માં સ્થાપના થયા પછીથી પાર્ટીના સભ્ય છે. તેમણે સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવી છે. ખાસ કરીને તેમણે કેરળમાં પાર્ટીની હાજરીને વિસ્તૃત કરવા માટે કામ કર્યું છે.</p><p>જ્યોર્જ કુરિયન કોટ્ટાયમના છે. તેમને 2024માં મોદી સરકાર 3.0માં મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જે કેરળમાં પાર્ટીની ખ્રિસ્તી પહોંચ વ્યૂહરચનાનો એક ભાગ હતો. તેમણે અગાઉ 2026માં કાંજીરાપલ્લી મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર તરીકે કેરળ વિધાનસભાની ચૂંટણી લડી હતી પરંતુ ચૂંટણી હારી ગયા હતા.<br><br><a href="https://sandesh.com/gallery/news/india/why-are-potatoes-and-chickpeas-the-filling-in-panipuri?2" target="_blank">આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/ymHwnwJK2B3jS6O2ccdBH39B1CoNGFOrmbjabycg.webp'/></item><item><title><![CDATA[Morbi : જેતપરના ખેડૂત આંદોલનના 9મા દિવસે ગ્રામ પંચાયતની સામુહિક રાજીનામાની ચીમકી, સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ ]]></title><link>https://sandesh.com/gujarat/news/morbi/morbi-jetpar-farmers-protest-9th-day-mass-resignation-threat-ultimatum</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/morbi/morbi-jetpar-farmers-protest-9th-day-mass-resignation-threat-ultimatum</guid><pubDate>Fri, 26 Jun 2026 13:08:19 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મોરબી તાલુકાના જેતપર ગામે ખેતરોમાં નાખવામાં આવી રહેલા હાઈટેન્શન વીજપોલના યોગ્ય વળતરની માંગ સાથે શરૂ થયેલું ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન હવે 9મા દિવસે એક અત્યંત ગંભીર અને નિર્ણાયક વળાંક પર પહોંચી ગયું છે. ખેડૂતોની ન્યાયિક લડતને મજબૂત કરવા માટે હવે આદરણા ગ્રામ પંચાયતે પણ મોરચો સંભાળ્યો છે. પંચાયતના સરપંચ, ઉપસરપંચ સહિતના તમામ સભ્યોએ ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે. ખેડૂતોએ  સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ આપી દીધું છે</p><h2 style="text-align: justify; "><b>&nbsp;લેખિતમાં સત્તાવાર નિર્ણય આપવાની માંગ પર મક્કમતા&nbsp;</b></h2><p style="text-align: justify; ">છેલ્લા નવ દિવસથી અડગ રહીને ઉપવાસ પર બેઠેલા ખેડૂતોની એકતા સામે વહીવટી તંત્રના પાયા હચમચી ગયા છે. અત્યાર સુધીમાં સરકારના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિઓ ચારથી વધુ વખત વાર્તાલાપ માટે દોડી આવ્યા છે, પરંતુ ખેડૂતોએ મૌખિક આશ્વાસનો નકારીને માત્ર લેખિતમાં સત્તાવાર નિર્ણય આપવાની માંગ પર મક્કમતા દર્શાવી છે. ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે વળતરનો ઉકેલ તમામ પ્રભાવિત ખેડૂતોના હિતમાં જ હોવો જોઈએ.</p><h3 style="text-align: justify; "><b>મહિલાઓની એક્ટિવા કૂચ અને નાટક દ્વારા આક્રોશ</b></h3><p style="text-align: justify; ">આ આંદોલનને વેગ આપવા માટે ગત રાત્રિએ 'અદાણીના અત્યાચાર અને ખેડૂતોની દુર્દશા' વિષય પર એક વિશેષ જનજાગૃતિ નાટક ભજવવામાં આવ્યું હતું, જેમાં હજારોની મેદની ઉમટી પડી હતી. આ લડતને હવે રાજ્યભરમાંથી વિવિધ ખેડૂત સંગઠનોનું પીઠબળ મળી રહ્યું છે.</p><h4 style="text-align: justify; "><b>&nbsp;મહિલાઓ મોટી સંખ્યામાં પોતાના એક્ટિવા લઇ ગાંધીનગર જશે</b></h4><p style="text-align: justify; ">આંદોલનકારીઓએ રણનીતિ સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે જો આગામી 48 કલાકમાં સરકાર દ્વારા કોઈ હકારાત્મક લેખિત નિર્ણય લેવામાં નહીં આવે, તો આદરણા પંચાયતના તમામ પ્રતિનિધિઓ રાજીનામા આપશે અને બીજા તબક્કામાં ખેડૂત મહિલાઓ મોટી સંખ્યામાં પોતાના એક્ટિવા સ્કૂટર લઈને ગાંધીનગર વિધાનસભા કૂચ કરવા માટે રવાના થશે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; &nbsp;<a href="https://sandesh.com/india/news/cm-yogi-on-ram-mandir-playing-with-the-faith-of-ram-devotees-is-not-acceptable-yogi-spoke-on-the-matter-of-charity-theft" target="_blank"><b>Sandesh Digital Explainer : રામ મંદિરમાં દાનની ચોરી, જેના પર આખા દેશે ભરોસો કર્યો, એ જ 'ખાસ' માણસે પાછળથી ભોંક્યું ખંજર</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/jyPfP8C7dIrF9YxWuZWENLetoA7iASGb6pWKj86n.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026: તુર્કી અને USA વચ્ચે રોમાંચક મુકાબલો, છેલ્લી મિનિટે તુર્કીની જીત ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-exciting-match-between-turkey-and-usa-turkey-wins-in-the-last-minute</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-exciting-match-between-turkey-and-usa-turkey-wins-in-the-last-minute</guid><pubDate>Fri, 26 Jun 2026 11:50:08 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફિફા વર્લ્ડ કપ 2026 માં ગ્રુપ ડી ની અંતિમ મેચ તુર્કી અને યુનાઇટેડ સ્ટેટ્સ (USA) વચ્ચે અસામાન્ય સંજોગોમાં રમાઈ હતી. યુએસએની ટીમ પહેલાથી જ ગ્રુપ વિજેતા તરીકે ક્વોલિફાય થઈ ચૂકી હતી, જ્યારે તુર્કી ટૂર્નામેન્ટની રેસમાંથી બહાર થઈ ગયું હતું. જોકે, માનસિક દબાણ વિના રમાયેલી આ મેચમાં બંને ટીમોએ શાનદાર આક્રમક ફૂટબોલનું પ્રદર્શન કરીને ચાહકોને અત્યંત રોમાંચક મુકાબલો આપ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>અમેરિકાની આક્રમક શરૂઆત અને તુર્કીનો પલટવાર</b></h2><p style="text-align: justify; ">મેચની શરૂઆતથી જ ઘરઆંગણે રમી રહેલી અમેરિકન ટીમે દબાણ બનાવ્યું હતું. મેચની માત્ર ત્રીજી જ મિનિટે ડિફેન્ડર ટ્રસ્ટીએ એક શાનદાર કોર્નર કિક પર હેડર વડે ગોલ કરીને યુએસએને 1-0 ની લીડ અપાવી દીધી હતી. શરૂઆતમાં નબળા પ્રદર્શન બાદ તુર્કીની ટીમે મેચમાં શાનદાર વાપસી કરી હતી. 10મી મિનિટે યિલમાઝના પાસ પર સ્ટાર ખેલાડી આર્દા ગુલેરે શાનદાર ગોલ કરીને સ્કોર 1-1 ની બરાબરી પર લાવી દીધો હતો, જેની સાથે જ તેના ગોલ ન કરી શકવાના લાંબા દુકાળનો અંત આવ્યો હતો. ત્યારબાદ તુર્કીએ આક્રમણ ચાલુ રાખ્યું હતું. મેચની 30મી મિનિટે વિંગ તરફથી એલ્માલીએ વીજળીક ઝડપે બોલ આગળ વધારીને કોક્કુને પાસ આપ્યો, જેણે કોઈ ભૂલ કર્યા વિના વન-ટચ શોટ દ્વારા ગોલ કરીને તુર્કીને 2-1 થી આગળ કરી દીધું હતું. આ દરમિયાન VAR ના એક નિર્ણયમાં અમેરિકન ખેલાડી ઓફસાઇડ જાહેર થતાં તુર્કી એક ગોલના નુકસાનથી બચી ગયું હતું.</p><h3 style="text-align: justify; "><b>ડિફેન્સની ભૂલો અને ગોલકીપર કાકીરનું શાનદાર પ્રદર્શન</b></h3><p style="text-align: justify; ">બીજા હાફની શરૂઆતમાં તુર્કી ટીમની નબળાઈઓ ફરી સામે આવી હતી. 49મી મિનિટે યુએસએના એક પાવરફુલ થ્રો-ઇનને તુર્કીનું ડિફેન્સ ક્લિયર ન કરી શક્યું અને અમેરિકાના સેબેસ્ટિયન બર્હાલ્ટરે લાંબા અંતરથી શક્તિશાળી શૉટ ફટકારીને સ્કોર 2-2 ને બરાબરી પર લાવી દીધો હતો. આ ગોલ પછી 50મી થી 75મી મિનિટ વચ્ચે અમેરિકન ટીમે જીત મેળવવા માટે પ્રચંડ હુમલાઓ કર્યા હતા. પરંતુ તુર્કીના ગોલકીપર કાકીરે દીવાલ બનીને અદ્ભુત ચપળતા દર્શાવી હતી અને પોસ્ટ સાથે અથડાઈને આવતા શૉટ્સના શાનદાર બચાવ કરીને અમેરિકાને લીડ મેળવતા અટકાવી રાખ્યું હતું.</p><h4 style="text-align: justify; "><b>તુર્કીનો નાટકીય વિજય અને ગૌરવપૂર્ણ વિદાય</b></h4><p style="text-align: justify; ">જ્યારે મેચ ડ્રો તરફ આગળ વધી રહી હતી, ત્યારે ઇન્જરી ટાઇમની અંતિમ મિનિટોમાં (90+8મી મિનિટે) મોટો ઉલટફેર થયો હતો. ઉઝુનના શાનદાર આક્રમણ બાદ બોલ પેનલ્ટી એરિયામાં પહોંચ્યો, જ્યાં કાન આયહાને તક ઝડપીને નજીકથી ગોલ ફટકરાતા તુર્કીને 3-2 થી રોમાંચક વિજય અપાવ્યો હતો. જોકે આ જીતથી ગ્રુપ ટેબલના પરિણામમાં કોઈ ફેરફાર થયો નથી અને તુર્કી ટૂર્નામેન્ટની બહાર જ રહ્યું છે, પરંતુ કોચ વિન્સેન્ઝો મોન્ટેલા અને તેમની ટીમે આ શાનદાર પ્રદર્શન સાથે 2026 વર્લ્ડ કપને ગર્વ અને ગૌરવ સાથે વિદાય આપી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-day-13-result-ronaldos-magic-leads-portugal-to-a-grand-victory-england-draws-croatia-wins-colombia-reaches-knockout-stage" target="_blank">આ પણ વાંચો : FIFA World Cup Day 13 Result: ઈંગ્લેન્ડની મેચ ડ્રો, ક્રોએશિયાની જીત, કોલંબિયા નોકઆઉટમાં પહોંચ્યું</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/XS8SzXIClrIHYVBAaHbmdUhi4U4K3ryiBxYkXwQs.webp'/></item></channel></rss>