<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Ram Mandir Donation Row: દાનચોરી પર સવાલ ઉઠાવનારા વક્ફ ચોરી મુદ્દે ચૂપ કેમ? વિપક્ષ પર વરસ્યા CM યોગી ]]></title><link>https://sandesh.com/india/news/ram-mandir-donation-row-why-are-those-who-raised-questions-about-donation-theft-silent-on-the-issue-of-waqf-theft-cm-yogi-lashed-out-at-the-opposition</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ram-mandir-donation-row-why-are-those-who-raised-questions-about-donation-theft-silent-on-the-issue-of-waqf-theft-cm-yogi-lashed-out-at-the-opposition</guid><pubDate>Tue, 07 Jul 2026 12:59:10 +05:30</pubDate><description><![CDATA[<p>હાલમાં અયોધ્યા રામ મંદિર દાનચોરીનો મુદ્દો ચર્ચામાં છે. આ મામલે એસઆઇટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.&nbsp; તો બીજી તરફ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ બેઠકોનો ધમધમાટ તેજ કરાયો હતો. આ મામલે સીએમ યોગીનું નિવેદન સામે આવ્યું છે. તેમનું કહેવુ છે કે એસઆઇટી તેનું કામ કરી રહી છે.&nbsp; જે લોકો વિરુદ્ધ પુરાવા મળ્યા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.&nbsp;<br></p><h2><b>સપા અને કોંગ્રેસ પાસે મુદ્દાઓનો અભાવ- સીએમ યોગી&nbsp;</b></h2><p>ઉલ્લેખનીય છે કે આજે પ્રતાપગઢમાં ₹384 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સંબોધન કરતા&nbsp; મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પાસે નવા મુદ્દાઓનો અભાવ છે. તેથી તેઓ તેઓ જાતિ અને શ્રદ્ધાના આધારે સમાજને વિભાજીત કરવાના હેતુથી રાજકારણમાં વ્યસ્ત છે. મુખ્યમંત્રીએ ટિપ્પણી કરી કે કોંગ્રેસ પહેલા ભગવાન રામ અને ભગવાન કૃષ્ણના અસ્તિત્વનો ઇનકાર કરતી હતી, પરંતુ હવે તે પોતાને એક આસ્તિક તરીકે રજૂ કરવાનું શરૂ કરી દીધું છે.</p><p>તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ સરકારો ધાર્મિક સ્થળોના પુનર્જીવન માટે ભંડોળને કબ્રસ્તાનોના વિકાસ તરફ વાળતી હતી અને ભગવાન રામના ભક્તો પર ગોળીબાર કરવાનો આદેશ આપતી હતી. યોગીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશ હવે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીની જાળમાં નહીં આવે.&nbsp;</p><p><b style="font-size: 2rem;">વક્ફની ચોરી પર વિપક્ષ ચૂપ કેમ ?&nbsp;</b></p><p>સીએમ યોગીએ જણાવ્યું કે&nbsp; SIT રિપોર્ટને આધારે કાર્યવાહી થઇ છે. રામ મંદિર ટ્રસ્ટે એસઆઇટી તપાસની માગ કરી હતી. એસઆઇટીએ દૂધનું દૂધ અને પાણીનું પાણી કર્યુ.&nbsp; આ સાથે જ સીએમ યોગીએ વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે&nbsp; વક્ફની લૂંટ પર કેમ કોઇ નથી બોલતુ ?&nbsp; આ મામલે એસપી અને કોંગ્રેસ ચૂપ કેમ છે ? વક્ફના નામે હજારો કરોડોની લૂંટ થઇ છે. તે વિશે કેમ નથી બોલતા. . વક્ફની વાત આવે ત્યારે મોંઢા પર ફેવિકોલ લાગી જાય છે. એસપી ફરીથી ષડયંત્રો કરવા એકજૂથ થઇ ગઇ છે.&nbsp;</p><h3><b>SP કાચિંડાની જેમ રંગ બદલે છે.- સીએમ યોગી&nbsp;</b></h3><p>&nbsp;અયોધ્યા દાનચોરીની બાબતને&nbsp; વધારી વધારી બતાવવામાં આવી, દાનચોરી પર સવાલ ઉઠાવનારા વક્ફ ચોરી પર પર ચૂપ કેમ છે. એસઆઇટી પોતાનું કામ કરી રહી છે. ભક્તની સુવિધા માટે ટ્રસ્ટ કામ કરે છે. આ ઘટનાથી અયોધ્યાને બદનામ કરવાનો પ્રયાસ થયો છે. પહેલા મંદિરનો પૈસો કબ્રસ્તાનમાં વપરાતો હતો.&nbsp; પરંતુ ડબલ એન્જિનની સરકારમાં તેજીથી વિકાસ થયો.&nbsp; આ લોકોનું ડબલ સ્ટાન્ડર્ડ લોકોને ખબર છે.&nbsp; SP કાચિંડાની જેમ રંગ બદલે છે.&nbsp; કોંગ્રેસ અને એસપી આસ્થા પર સવાલો ઉઠાવે છે.ચૂંટણી પહેલા વિપક્ષ ષડયંત્રો કરી રહ્યુ છે. સનાતન પર પ્રહારના પ્રયાસો થઇ રહ્યા છે.&nbsp; &nbsp;પરંતુ એસઆઇટી તેનું કામ કરી રહી છે. વક્ફની લૂંટ પર તમારી આસ્થા સાથે છેડછાડ ન થઇ તેવો સવાલ યોગીએ વિપક્ષને કર્યો.&nbsp;</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2074393448615203018"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><a  target="_blank"></a></p><p><b style="font-size: 1.25rem;">કાવડ યાત્રા પર થવા દેતા ન હતા- સીએમ યોગી&nbsp;</b></p><p>સીએમ યોગીએ આરોપ લગાવ્યો કે વક્ફ જમીનોની કથિત લૂંટ અંગે સપા અને કોંગ્રેસ ચૂપ રહ્યા છે&nbsp; ? જાણે તેમના મોં ફેવિકોલથી બંધ હોય. તેમણે પ્રશ્ન કર્યો કે જ્યારે કોંગ્રેસ ભગવાન રામ અને ભગવાન કૃષ્ણને કાલ્પનિક વ્યક્તિઓ તરીકે ફગાવી દેતી હતી ત્યારે શું હિન્દુઓની શ્રદ્ધાને ઠેસ પહોંચી ન હતી. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રામ ભક્તો પર ગોળીઓ ચલાવવામાં આવી હતી, કાવડ યાત્રા અવરોધવામાં આવી હતી અને કૃષ્ણ જન્માષ્ટમી ઉજવણીના માર્ગમાં અવરોધો મૂકવામાં આવ્યા હતા ત્યારે હિન્દુ લાગણીઓને પણ ઇજા થઈ હતી, છતાં વિપક્ષ તે સમયે મૌન રહ્યો હતો.</p><p><br></p><p>પ્રતાપગઢના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસા પર પ્રકાશ પાડતા, મુખ્યમંત્રીએ નોંધ્યું કે તે તે ભૂમિ છે જ્યાં 1857 માં પ્રથમ સ્વતંત્રતા યુદ્ધ માટે ઘોષણા કરવામાં આવી હતી અને તે પંડિત મુનીશ્વર દત્ત ઉપાધ્યાય, બાબુ લાલ ગૌર અને હરિવંશ રાય બચ્ચન જેવી પ્રતિષ્ઠિત હસ્તીઓ માટે *કર્મભૂમિ* (કાર્યક્ષેત્ર) તરીકે સેવા આપી છે. તેમણે ટિપ્પણી કરી કે પ્રતાપગઢ એક સમયે પછાત જિલ્લાઓમાં ગણાતો હતો, પરંતુ હવે તે વિકાસના માર્ગ પર ઝડપથી આગળ વધી રહ્યો છે.</p><p><br></p><p><a href="https://sandesh.com/astrology/news/bhakti/budh-gochar-2026-bank-balance-of-3-zodiac-signs-will-increase-mercury-will-change-its-course" target="_blank">આ પણ વાંચો-Budh Gochar 2026: 3 રાશિનું બેંક બેલેન્સ વધશે ! બુધ બદલશે ચાલ&nbsp;</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/Jj28ItsctxOYpVEqffEnXJc6L7EyEI5AvVxbXQyE.webp'/></item><item><title><![CDATA[100 Rupee Note: :શું તમારી પાસે રહેલી 100ની નોટ અસલી છે? RBI એ આપી મહત્વની ચેતવણી ]]></title><link>https://sandesh.com/india/news/100-rupee-note-is-the-100-rupee-note-you-have-genuine-rbi-has-given-an-important-warning</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/100-rupee-note-is-the-100-rupee-note-you-have-genuine-rbi-has-given-an-important-warning</guid><pubDate>Tue, 07 Jul 2026 12:56:27 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આજના સમયમાં જ્યારે બજારમાં નકલી નોટોનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે સામાન્ય નાગરિકો માટે પોતાની મહેનતની કમાણીને સુરક્ષિત રાખવી એક મોટો પડકાર બની ગયો છે. ખાસ કરીને 100 રૂપિયાની નોટ, જેનો ઉપયોગ આપણે રોજિંદા વ્યવહારમાં સૌથી વધુ કરીએ છીએ, તેમાં છેતરપિંડી થવાની સંભાવના વધુ રહેલી છે. આ બાબતને ગંભીરતાથી લેતા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ નાગરિકોને જાગૃત કરવા માટે એક મહત્વપૂર્ણ ચેતવણી જારી કરી છે. અસલી અને નકલી નોટ વચ્ચેનો તફાવત પારખવા માટે RBI એ 7  મુખ્ય સુરક્ષા ફીચર્સની ઓળખ સમજાવી છે.</p><h2 style="text-align: justify; "><b>7  બાબતો તપાસી લો</b></h2><p style="text-align: justify; ">1. પારદર્શક રજિસ્ટર: નોટને પ્રકાશ તરફ પકડતા, ડાબી બાજુએ પારદર્શક સુરક્ષા ચિહ્નમાં '100' લખેલું સ્પષ્ટ દેખાવું જોઈએ.</p><p style="text-align: justify; ">2. દેવનાગરી લિપિ: અસલી નોટ પર '100'નું મૂલ્ય દેવનાગરી લિપિ (હિન્દી) માં લખાયેલું હોય છે, જે નકલી નોટોમાં ઘણીવાર ગેરહાજર હોય છે.</p><p style="text-align: justify; ">3. ગાંધીજીનું ચિત્ર: નોટના આગળના ભાગમાં મહાત્મા ગાંધીજીનું સ્પષ્ટ અને આબેહૂબ ચિત્ર હોય છે.</p><p style="text-align: justify; ">4.. સત્તાવાર ચિહ્નો: જમણી બાજુએ ગવર્નરની સહી, ગેરંટી ક્લોઝ અને ભારતીય રિઝર્વ બેંકનું પ્રતીક હોય છે, જે ખૂબ જ ઝીણવટપૂર્વક છાપવામાં આવે છે.</p><p style="text-align: justify; ">5. નંબર પેનલ: નોટના નીચેના જમણા ખૂણામાં અને ઉપરના ડાબા ખૂણામાં નંબર પેનલ હોય છે, જેમાં મોટા અક્ષરોમાં નંબર છપાયેલા હોય છે. અસલી નોટમાં આ ફોન્ટ એકદમ ચોકસાઈપૂર્વક હોય છે.</p><p style="text-align: justify; ">6. અશોક સ્તંભ: નોટની જમણી બાજુએ નીચેની તરફ અશોક સ્તંભનું રાષ્ટ્રીય પ્રતીક છાપેલું હોય છે.</p><p style="text-align: justify; ">7.. સુરક્ષા અને સ્પષ્ટતા: આ તમામ ચિહ્નો અને પ્રિન્ટિંગની ગુણવત્તા અસલી નોટમાં ખૂબ જ ઉચ્ચ સ્તરની હોય છે.</p><p style="text-align: justify; ">RBI ની આ સલાહ આપણને આર્થિક છેતરપિંડીથી બચાવવા માટે ખૂબ જ જરૂરી છે. કોઈ પણ અજાણી વ્યક્તિ પાસેથી પૈસા સ્વીકારતી વખતે ઉતાવળ કરવાને બદલે આ સાત સુરક્ષા ફીચર્સ તપાસવાની આદત પાડો. જો તમને કોઈ પણ નોટ શંકાસ્પદ જણાય, તો તેનો ઉપયોગ કરવાનું ટાળો. જાગૃત નાગરિક બનીને આપણે માત્ર આપણી જ નહીં, પરંતુ દેશની અર્થવ્યવસ્થાને પણ નકલી નોટોના દૂષણથી બચાવી શકીએ છીએ. હંમેશા યાદ રાખો કે, તમારી એક નાનકડી સાવધાની તમને મોટા આર્થિક નુકસાનથી બચાવી શકે છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/tech/news/microsofts-big-decision-to-lay-off-3200-employees-at-xbox" target="_blank">આ પણ વાંચોઃ Xbox માં 3200 કર્મચારીઓની છટણી, માઇક્રોસોફ્ટનો મોટો નિર્ણય</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/0ksMAGe4qJYgcacO7lBNZoJ61oHG4xUt18hYtJsl.webp'/></item><item><title><![CDATA[Rajkot: વરસાદી માહોલમાં ભજીયા ખાવા મોંઘા પડશે, સિંગતેલમાં રૂ. 50 અને કપાસિયા તેલમાં 30નો વધારો ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/edible-oil-price-hike-groundnut-oil-cottonseed-oil-rates-up</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/edible-oil-price-hike-groundnut-oil-cottonseed-oil-rates-up</guid><pubDate>Tue, 07 Jul 2026 12:48:43 +05:30</pubDate><description><![CDATA[<p>સૌરાષ્ટ્રના તેલ બજારના મુખ્ય કેન્દ્ર ગણાતા રાજકોટમાંથી સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે ચિંતાજનક અહેવાલ આવ્યા છે. ચોમાસાની સીઝન જામી છે અને આગામી સમયમાં તહેવારોની હારમાળા શરૂ થઈ રહી છે, બરાબર એ જ સમયે ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર તેજીનો કરંટ જોવા મળ્યો છે. હોલસેલ અને રીટેલ માર્કેટમાં સિંગતેલના 15 કિલોના નવા ડબ્બાના ભાવમાં સીધો રૂ. 50નો તોતિંગ વધારો જીંકી દેવામાં આવ્યો છે. આ વધારા સાથે સિંગતેલ સામાન્ય માણસની પહોંચથી વધુ દૂર થઈ ગયું છે.</p><h2><b>કપાસિયા તેલમાં પણ બળતામાં ઘી હોમાયું</b></h2><p>માત્ર સિંગતેલ જ નહીં, પરંતુ ગુજરાતના મોટાભાગના ઘરોમાં વપરાતા કપાસિયા તેલના ભાવમાં પણ રૂ. 30નો વધારો નોંધાયો છે. સામાન્ય રીતે સિંગતેલના ભાવ વધે ત્યારે મધ્યમ વર્ગ કપાસિયા તેલ તરફ વળતો હોય છે, પરંતુ કપાસિયામાં પણ ભાવ વધતા હવે રસોઈ બનાવવી મોંઘી સાબિત થશે. બજારના વેપારીઓના મતે, મિલોમાં કાચા માલની (કપાસિયા અને સિંગદાણા) ઓછી આવક અને આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિને કારણે ચાલુ વર્ષે સિંગતેલમાં શરૂઆતથી જ તેજીનો ટોન રહ્યો છે, જે અત્યારે પણ યથાવત છે.</p><h3><b>તહેવારોની મજા ફિક્કી, ગૃહિણીઓમાં રોષ</b></h3><p>ચોમાસાના ખુશહાલ વાતાવરણમાં ગુજરાતીઓ હોંશે-હોંશે ભજીયા, ગાંઠિયા અને અન્ય તળેલી વાનગીઓની મોજ માણતા હોય છે, પરંતુ તેલના આસમાને પહોંચેલા ભાવોને કારણે હવે ચોમાસામાં ભજીયા ખાવા પણ મોંઘા પડશે. ગૃહિણીઓનો આક્ષેપ છે કે દર વર્ષે તહેવારો નજીક આવે એટલે ઓઇલ મિલર્સ અને સટ્ટાખોરો દ્વારા તેલના ભાવ વધારી દેવામાં આવે છે, જેના પર સરકાર કે તંત્રનું કોઈ નિયંત્રણ હોતું નથી. આગામી દિવસોમાં જો સિંગતેલના ભાવ પર કાબૂ નહીં મેળવાય, તો તહેવારોની સીઝનમાં તેલ પકવાનના સ્વાદને બગાડી નાખશે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/kheda/kapadvanj-heavy-rain-nadiad-kathlal-mahemdavad-monsoon-updates" target="_blank">આ પણ વાંચો: Kheda Rain: જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ, વાવણીલાયક વરસાદથી ધરતીપુત્રો ખુશખુશાલ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/caYWZzmdnYmEUE8lSEjRGiisgZPbDMCN4NNMfMtF.webp'/></item><item><title><![CDATA[Kylian Mbappeને કોણે આપી લીગલ એક્શનની ધમકી, જાણો શું છે આખો વિવાદ ]]></title><link>https://sandesh.com/sports/news/who-threatened-kylian-mbappe-with-legal-action-know-what-the-whole-controversy-is-about</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/who-threatened-kylian-mbappe-with-legal-action-know-what-the-whole-controversy-is-about</guid><pubDate>Tue, 07 Jul 2026 12:41:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફૂટબોલ વર્લ્ડ કપની રોમાંચક મેચો બાદ હવે મેદાનની બહાર પણ એક મોટો વિવાદ છેડાયો છે.ફ્રાન્સના સ્ટાર ફૂટબોલર અને કેપ્ટન કાઈલિયન એમ્બાપ્પે (Kylian Mbappe) અને પરાગ્વેના મહિલા સીનેટર સેલેસ્ટે અમરિલા (Celeste Amarilla) સામસામે આવી ગયા છે. આ વિવાદ એટલો વધી ગયો છે કે પરાગ્વેના સીનેટરે એમ્બાપ્પે સામે કાનૂની પગલાં લેવાની અને જેન્ડર વાયોલન્સનો કેસ કરવાની ધમકી આપી દીધી છે.</p><h3 style="text-align: justify; "><b>વિવાદની શરૂઆત કેવી રીતે થઈ?</b></h3><p style="text-align: justify; ">આ સમગ્ર વિવાદની શરૂઆત વર્લ્ડ કપના રાઉન્ડ ઓફ 16ની મેચમાં ફ્રાન્સની પરાગ્વે સામેની જીત બાદ થઈ હતી. મેચ પછી પરાગ્વેના સીનેટર સેલેસ્ટે અમરિલાએ એમ્બાપ્પે પર આકરા પ્રહારો કરતા તેને કોલોનાઇઝ્ડ કેમરૂનિયન અને ફ્રેન્ચ હોવાનો ડોળ કરનારો,ઘમંડી,નવો અમીર અને કદરૂપો કહ્યો હતો.અમરિલાએ એવો પણ દાવો કર્યો હતો કે આખી મેચ દરમિયાન એમ્બાપ્પે અને તેની ટીમ ડરેલી હતી.</p><h4 style="text-align: justify; "><b>એમ્બાપ્પેનો પલટવાર</b></h4><p style="text-align: justify; ">સીનેટરની આ નસ્લવાદી (Racist) ટિપ્પણી પર એમ્બાપ્પેએ આકરા શબ્દોમાં વળતો પ્રહાર કર્યો હતો.એમ્બાપ્પેએ અમરિલાને ઘૃણાસ્પદ મહિલા ગણાવીને કહ્યું કે તમે આ પદ માટે લાયક નથી.તમે પરાગ્વેનું પ્રતિનિધિત્વ નથી કરતા,કારણ કે તે દેશે આખા ટૂર્નામેન્ટમાં જુસ્સા અને સન્માન સાથે રમત બતાવી છે. તમારા ખુલ્લેઆમ નસ્લવાદને કારણે દુનિયા પરાગ્વેના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન ભૂલી ગઈ છે અને તમારા જેવી અયોગ્ય મહિલાની છબી સામે આવી છે.હું દુનિયામાં નફરત ફેલાવવાની આઝાદી કોઈને નહીં આપું.</p><p style="text-align: justify; "><a href="https://x.com/CelesteSenadora/status/2074328338580025478?s=20" target="_blank">https://x.com/CelesteSenadora/status/2074328338580025478?s=20</a></p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>સીનેટર અમરિલાનો બચાવ અને એમ્બાપ્પે સામે નારાજગી</b></h4><p style="text-align: justify; ">એમ્બાપ્પેના જવાબ પછી, સીનેટર અમરિલાએ સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શેર કરીને પોતાનો બચાવ કર્યો હતો.તેમણે સ્પષ્ટતા કરી કે તેમને ફ્રાન્સ દેશ સામે કોઈ વાંધો નથી,પરંતુ સમસ્યા માત્ર એમ્બાપ્પેના ઘમંડ સામે છે.અમરિલાએ લખ્યું,સમસ્યા તમારી અને મારી વચ્ચે છે.મેં ફ્રાન્સ સામે ક્યારેય કંઈ નથી કહ્યું.હું તો નાનપણથી ફ્રેન્ચ સ્કૂલમાં ભણી છું,ફ્રેન્ચ બોલું છું અને ફ્રાન્સમાં રજાઓ ગાળવી મને ગમે છે.તેમણે એમ્બાપ્પે પર આરોપ લગાવ્યો કે મેચ પહેલા એમ્બાપ્પેએ પરાગ્વેની ટીમની મજાક ઉડાવી હતી,જેના કારણે ગુસ્સામાં આવીને તેમણે એ પોસ્ટ લખી હતી,જોકે બાદમાં તેમણે એ પોસ્ટ ડીલીટ પણ કરી દીધી હતી.</p><h4 style="text-align: justify; "><b>લૈંગિક હિંસાનો આરોપ અને કાનૂની ધમકી</b></h4><p style="text-align: justify; ">અમરિલાએ હવે એમ્બાપ્પે પાસે સાર્વજનિક માફીની માંગ કરી છે.તેમણે કહ્યું કે,તમે મને ઓળખતા નથી,તો તમે મને ઘટિયા કે નાકાબિલ કેવી રીતે કહી શકો? હું પરાગ્વેના હજારો લોકોના વોટથી ચૂંટાયેલી સીનેટર છું. આ સીધેસીધી લૈંગિક હિંસા અને રાજકીય હિંસા છે. તમે એક મહિલા હોવાના કારણે મારી નફરત કરી રહ્યા છો.સીનેટર અમરિલાએ અંતમાં ચીમકી આપતા લખ્યું છે કે,એમ્બાપ્પે પોતાનું નિવેદન પાછું ખેંચે અને માફી માંગે,નહીંતર તેઓ આ લૈંગિક હિંસા બદલ ફ્રેન્ચ કેપ્ટન સામે કાનૂની કાર્યવાહી કરશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-spain-scores-last-minute-goal-to-beat-portugal-1-0" target="_blank">FIFA World Cup 2026 : સ્પેને છેલ્લી ઘડીએ ગોલ કરીને પોર્ટુગલને 1-0 થી હરાવ્યું</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/NCPUH7Mzda99BfUaXviZRkXFXe4pAvn7k39ep8KW.webp'/></item><item><title><![CDATA[Baruipurમાં 12 વર્ષની બાળકી સાથે ક્રૂરતા, TMKC ફેમ મુનમુન દત્તા અને જયા ભટ્ટાચાર્યએ વ્યક્ત કર્યો ભારે આક્રોશ ]]></title><link>https://sandesh.com/entertainment/news/cruelty-to-a-12-year-old-girl-in-baruipur-tmkc-fame-munmun-dutta-and-jaya-bhattacharya-expressed-extreme-outrage</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/cruelty-to-a-12-year-old-girl-in-baruipur-tmkc-fame-munmun-dutta-and-jaya-bhattacharya-expressed-extreme-outrage</guid><pubDate>Tue, 07 Jul 2026 12:40:56 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પશ્ચિમ બંગાળના બરુઈપુર વિસ્તારમાં ૧૨ વર્ષની માસૂમ બાળકી સાથે ઘટેલી ક્રૂર ઘટનાને પગલે સમગ્ર દેશમાં આક્રોશનો માહોલ છે. ૪ જુલાઈથી ગુમ થયેલી આ સગીર બાળકીનો મૃતદેહ ૫ જુલાઈના રોજ એક તળાવમાંથી મળી આવ્યો હતો. બાળકીના પરિવારે આરોપ લગાવ્યો છે કે તેની સાથે બળાત્કાર ગુજારીને ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. આ હૃદયદ્રાવક ઘટના પર હવે બોલિવૂડ અને ટીવી જગતના સેલિબ્રિટીઝે પણ પોતાનો રોષ ઠાલવ્યો છે.</p><p style="text-align: justify; "><b>મુનમુન દત્તા અને જયા ભટ્ટાચાર્યએ વ્યક્ત કર્યો ભારે આક્રોશ</b></p><p style="text-align: justify; "><b>મુનમુન દત્તા:</b> "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" ફેમ અભિનેત્રી મુનમુન દત્તાએ આ ઘટના પર ઊંડા દુઃખ સાથે ભારે ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેણીએ સોશિયલ મીડિયા પર "બરુઈપુર માટે ન્યાય" (Justice for Baruipur) નું પોસ્ટર શેર કરતા લખ્યું, "૧૨ વર્ષની બાળકી, એક નાની માસૂમ છોકરી પર બળાત્કાર કરી તેની હત્યા કરી દેવાઈ. આ નરાધમોને ગમે ત્યાંથી શોધી કાઢો." તેણીએ પ્રશાસનને ગુનેગારોને વહેલી તકે પકડી ન્યાય અપાવવા અપીલ કરી છે.</p><p style="text-align: justify; "><b>જયા ભટ્ટાચાર્ય: </b>ટીવી અભિનેત્રી જયા ભટ્ટાચાર્યએ પણ આ મામલે તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે દેશમાં મહિલાઓ અને બાળકીઓ પર વધતા અત્યાચારની આકરા શબ્દોમાં નિંદા કરી છે. જયા ભટ્ટાચાર્યએ પોલીસ તંત્ર અને પ્રશાસનની નબળી કામગીરીની ટીકા કરતા ગુનેગારોને સખતમાં સખત સજા આપવાની માંગ કરી છે.</p><p style="text-align: justify; "><b>પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ</b></p><p style="text-align: justify; ">બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ ૫ જુલાઈની રાત્રે પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. જોકે, પોલીસે હજી સુધી સત્તાવાર રીતે બળાત્કારના આરોપોની પુષ્ટિ કરી નથી. પોલીસ વડાના જણાવ્યા અનુસાર, પોસ્ટમોર્ટમનો વિગતવાર રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું સાચું કારણ અને બળાત્કાર થયો છે કે નહીં તેની સચ્ચાઈ સામે આવશે, જેના આધારે આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે.</p><p style="text-align: justify; "><b>બરુઈપુરમાં તણાવ: કલમ ૧૬૩ લાગુ અને કર્ફ્યુ જેવી સ્થિતિ</b></p><p style="text-align: justify; ">ઘટના સામે આવ્યા બાદ રવિવારે બરુઈપુર વિસ્તારમાં ભારે વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા અને તણાવ ફાટી નીકળ્યો હતો. આક્રોશિત ભીડે બાળકીના હત્યારા હોવાની શંકામાં એક યુવકને કથિત રીતે ઢોર માર માર્યો હતો, જેમાં તેનું મોત નીપજ્યું હોવાની ચર્ચા છે, જોકે આ અંગે હજુ કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સ્થિતિ વધુ ન બગડે તે માટે સોમવાર, ૬ જુલાઈના રોજ પ્રશાસન દ્વારા બરુઈપુર પોલીસ જિલ્લાના ત્રણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), ૨૦૨૩ની કલમ ૧૬૩ હેઠળ પ્રતિબંધિત આદેશો (જૂની કલમ ૧૪૪ મુજબ) લાગુ કરી દેવામાં આવ્યા છે. આગામી આદેશ સુધી આ વિસ્તારોમાં ૫ કે તેથી વધુ લોકોના એકઠા થવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે અને સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/anshula-rohan-wedding-arjun-kapoor-cried-while-bidding-farewell-to-sister-anshula-brother-wrote-a-very-emotional-note-remembering-his-mother" target="_blank">આ પણ વાંચો : Anshula -Rohan Wedding: બહેન અંશુલાને વિદાય આપતા રડી પડયો અર્જુન કપૂર, માતાને યાદ કરી ભાઈએ લખી અત્યંત ભાવુક નોટ</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/YX4GnZJA6FJN3HV84KUv6iMIMKjOjBmqHnxZQsAj.webp'/></item><item><title><![CDATA[Kheda Rain: જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ, વાવણીલાયક વરસાદથી ધરતીપુત્રો ખુશખુશાલ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/kheda/kapadvanj-heavy-rain-nadiad-kathlal-mahemdavad-monsoon-updates</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/kheda/kapadvanj-heavy-rain-nadiad-kathlal-mahemdavad-monsoon-updates</guid><pubDate>Tue, 07 Jul 2026 12:35:39 +05:30</pubDate><description><![CDATA[<p>ખેડા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા સેન્ટ્રલ ગુજરાત માટે જાહેર કરવામાં આવેલી વરસાદની આગાહી અક્ષરસઃ સાચી સાબિત થઈ છે. આજે વહેલી સવારથી જ સમગ્ર ખેડા જિલ્લાના આકાશમાં કાળાડિબાંગ વાદળોની ઘેરાબંધી જોવા મળી હતી, જે બાદ ગણતરીના કલાકોમાં જ વીજળીના ગડગડાટ સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો. મોર્નિંગ અવર્સ દરમિયાન જ કપડવંજ પંથકમાં 1 ઇંચ જેટલો ધોધમાર વરસાદ નોંધાતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા.</p><h2><b>તમામ તાલુકાઓમાં સાર્વત્રિક મેઘમહેર</b></h2><p>માત્ર કપડવંજ જ નહીં પરંતુ જિલ્લાના અન્ય મહત્વના તાલુકા મથકો જેવા કે કઠલાલ, મહેમદાવાદ અને મહુધા પંથકમાં પણ સવારથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના મુખ્ય મથક નડિયાદ શહેરમાં પણ ધોધમાર વરસાદના કારણે વાતાવરણ સંપૂર્ણપણે ખુશનુમા બની ગયું છે. લાંબા સમયથી અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરી રહેલા ચરોતરના નાગરિકોને આ વરસાદથી મોટી રાહત મળી છે અને ઠંડક પ્રસરતા લોકોએ હાસકારો અનુભવ્યો છે.</p><h3><b>જગતના તાત માટે સોનાની અમીવર્ષા</b></h3><p>ચરોતર પંથક મુખ્યત્વે ડાંગર, તમાકુ અને શાકભાજીની ખેતી માટે જાણીતો છે. ડાંગરના પાક માટે ચોમાસાના પ્રારંભિક દિવસોમાં સારો વરસાદ અત્યંત જરૂરી હોય છે. આજના આ સાર્વત્રિક અને વાવણીલાયક વરસાદના કારણે ખેડૂતોમાં ભારે આનંદની લાગણી છવાઈ ગઈ છે. કૃષિ નિષ્ણાતોના મતે, આ વરસાદ સીઝનની ખેતી માટે અમૃત સમાન સાબિત થશે, જેનાથી કુવા-બોરના પાણી રિચાર્જ થશે અને ખરીફ પાકનું વાવેતર ધૂમધામથી શરૂ કરી શકાશે. વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે, જોકે હાલ ક્યાંય જળબંબાકાર કે ચિંતાજનક સ્થિતિ નથી.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/thebi-dam-overflow-gates-opened-flood-alert-fatepur-pratappara" target="_blank">આ પણ વાંચો: Amreli: ઠેબી ડેમ સંપૂર્ણ ઓવરફ્લો થતાં મોડી રાત્રે ખોલાયા દરવાજા, નીચાણવાળા ગામોને હાઇ-એલર્ટ કરાયા</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/KrB0eDk9pKwpudhgHl7GqtIbYirbWLX0iPrb2A0g.webp'/></item><item><title><![CDATA[Amreli: ઠેબી ડેમ સંપૂર્ણ ઓવરફ્લો થતાં મોડી રાત્રે ખોલાયા દરવાજા, નીચાણવાળા ગામોને હાઇ-એલર્ટ કરાયા ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/thebi-dam-overflow-gates-opened-flood-alert-fatepur-pratappara</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/amreli/thebi-dam-overflow-gates-opened-flood-alert-fatepur-pratappara</guid><pubDate>Tue, 07 Jul 2026 12:15:32 +05:30</pubDate><description><![CDATA[<p>અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી મેઘરાજાએ મંડાણ કર્યા છે, જેના કારણે જિલ્લાના જળાશયોમાં પાણીની સ્તર ઝડપથી વધી રહ્યું છે. અમરેલીના ઉપરવાસમાં પડેલા ભારેથી અતિભારે વરસાદને કારણે સ્થાનિક ઠેબી ડેમમાં પાણીની વિપુલ અને અણધારી આવક થઈ હતી. ડેમ તેના નિર્ધારિત સંગ્રહ સ્તરે પહોંચી જતાં અને પૂરના પાણી સતત વધી રહ્યા હોવાથી, સિંચાઈ વિભાગના એન્જિનિયરો દ્વારા મોડી રાત્રે 2:30 કલાકે કટોકટીની બેઠક યોજી ડેમના 6 દરવાજા 0.70 મીટર સુધી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.</p><h2><b>રાત્રિના સમયે તંત્ર દોડતું થયું, હાલ 2 દરવાજા ખુલ્લા</b></h2><p>મધ્યરાત્રિએ ડેમના દરવાજા ખોલવામાં આવતા જ ઠેબી નદીમાં પૂરના પાણી ધસમસતા વહેતા થયા હતા. જોકે, વહેલી સવારથી ઉપરવાસના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદનું જોર ઘટ્યું છે અને પાણીની આવકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. પરિણામે, ફ્લડ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ દ્વારા તબક્કાવાર દરવાજા બંધ કરીને હાલની સ્થિતિએ માત્ર 2 દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા છે, જેથી ડેમની સલામતી અને સપાટી જાળવી શકાય.</p><h3><b>નીચાણવાળા વિસ્તારો અને પ્રતાપપરાને સાવચેત રહેવા સૂચના</b></h3><p>ઠેબી નદીમાં પૂરના પાણી છોડાવાના કારણે અમરેલી શહેરના નીચાણવાળા વિસ્તારો સહિત ફતેપુર, ચાપાથળ અને પ્રતાપપરા ગામના સરપંચ અને સ્થાનિક તંત્રને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા છે. પ્રતાપપરા ગામના નદી કિનારે રહેતા લોકોને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષિત સ્થળોએ આશ્રય લેવા અથવા ઘરની બહાર ન નીકળવા તાકીદ કરાઈ છે. અમરેલી કલેક્ટર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે લોકોને અપીલ કરી છે કે, સેલ્ફી લેવા કે પૂરના દ્રશ્યો જોવા માટે નદીના પટ કે કોઝવે તરફ જવાનું જોખમ બિલકુલ ન ખેડે, નદી કિનારે જવા પર હાલ સખત પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/botad/gadhada-kalubhar-river-water-inflow-patna-village-farmers-relief" target="_blank">આ પણ વાંચો: Botad Rain: ઉપરવાસના ભારે વરસાદથી પાટણા ગામે કાળુભાર નદી બે કાંઠે, બોટાદના ખેડૂતોમાં હર્ષોલ્લાસ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/c6vW8MVjxBVtlpMRpRrtiPQBHTnjoTWM4cXKSzcW.webp'/></item><item><title><![CDATA[વાંચો સવારે 08થી બપોરે 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/read-important-news-from-08-am-to-12-pm-07-july-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/read-important-news-from-08-am-to-12-pm-07-july-2026</guid><pubDate>Tue, 07 Jul 2026 11:56:59 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર&nbsp; &nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/breakingnews/ahmedabad/ahmedabad-2008-bomb-blast-case-gujarat-high-court-verdict-upheld-compensation-victims" target="_blank">1. Ahmedabad 2008 બ્લાસ્ટ કેસ,38ને ફાંસી અને 11ને આજીવન કેદની સજા યથાવત, હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/world/breakingnews/india/highest-honor-bestowed-on-pm-modi-in-indonesia-says-new-chapter-of-understanding-between-india-and-indonesia" target="_blank">2. Indonesiaમાં પીએમ મોદીને સર્વોચ્ય સન્માન, કહ્યુ ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે સમજૂતીનો નવો અધ્યાય</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/jaipur-accident-truck-goes-out-of-control-on-jaipur-ajmer-highway-crushes-5-4-die" target="_blank">3. Jaipur Accident: જયપુર અજમેર હાઇવે પર બેકાબૂ બન્યો ટ્રક, 5ને કચડ્યા, 3ના મોત</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/business/news/gold-silver-price-today-gold-became-cheaper-on-july-7-silver-also-broke-its-rally-know-the-latest-rate" target="_blank">4. Gold Silver Price Today: 7 જુલાઇએ સોનું સસ્તુ, ચાંદીમાં પણ તેજીને બ્રેક, જાણો લેટેસ્ટ રેટ</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/amreli/rain-savarkundla-car-washed-away-liliya-navli-river-flood-ndrf" target="_blank">5. Amreli: સાવરકુંડલામાં પૂરના પાણીમાં કાર અને લીલીયામાં ગાય તણાઈ, રાહત બચાવ માટે તંત્ર સજ્જ</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/weather/news/gujarat/valsad/monsoon-2026-valsad-heavy-rain-upstream-river-level-rises-117-roads-closed-ndrf-sdrf-alert" target="_blank">6. Monsoon 2026 : વલસાડમાં ઉપરવાસના ભારે વરસાદથી નદીઓ ગાંડીતૂર, જિલ્લાના 117 રસ્તાઓ બંધ, NDRF એલર્ટ પર</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/india/news/haridwar-new-rule-to-increase-transparency-in-the-management-in-mansa-devi-temple-now-priests-will-wear-kurtas-without-pockets" target="_blank">7. Haridwar : મનસા દેવી મંદિરમાં વ્યવસ્થામાં પારદર્શિતા વધારવા નવો નિયમ, હવે પૂજારીઓ ખિસ્સા વગરનો કુર્તો પહેરશે</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/cricket/news/ms-dhoni-45th-birthday-5-unbeatable-world-records-of-mahi-which-are-impossible-for-todays-captains-to-break" target="_blank">8. MS Dhoni 45th Birthday : માહીના 5 અજેય વર્લ્ડ રેકોર્ડ્સ, જેને તોડવા આજના કેપ્ટનો માટે અશક્ય!</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/world/news/pm-receives-grand-welcome-in-indonesia-holds-bilateral-talks-with-president" target="_blank">9. Indonesia માં પીએમનું ભવ્ય સ્વાગત, રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/weather/news/gujarat/vadodara/monsoon-2026-vadodara-shinor-heavy-rain-waterlogging-bikes-washed-away-video-viral" target="_blank">10. Monsoon 2026 : વડોદરાના શિનોરમાં મેઘતાંડવ, 4 કલાકમાં સાડા 3 ઇંચ વરસાદથી બજારોમાં પૂર, ધસમસતા પ્રવાહમાં બાઇકો તણાઈ, Video</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/5Tcqb78qyqQTZQCkZAqBaFl909V18P2CWrcF05fu.webp'/></item><item><title><![CDATA[Gold Silver Price Today: 7 જુલાઇએ સોનું સસ્તુ, ચાંદીમાં પણ તેજીને બ્રેક, જાણો લેટેસ્ટ રેટ ]]></title><link>https://sandesh.com/business/news/gold-silver-price-today-gold-became-cheaper-on-july-7-silver-also-broke-its-rally-know-the-latest-rate</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/gold-silver-price-today-gold-became-cheaper-on-july-7-silver-also-broke-its-rally-know-the-latest-rate</guid><pubDate>Tue, 07 Jul 2026 11:42:33 +05:30</pubDate><description><![CDATA[<p>જો તમે આજે સોનું કે ચાંદી ખરીદવાનું આયોજન કરી રહ્યા છો, તો બહાર નીકળતા પહેલા નવીનતમ ભાવ તપાસવાનું ભૂલશો નહીં. આંતરરાષ્ટ્રીય બજારના વલણો, ડોલરની ગતિવિધિ અને સ્થાનિક માંગના આધારે આ ધાતુઓના ભાવ દેશભરમાં દરરોજ વધઘટ થાય છે.  તેથી ખરીદી કરતા પહેલા નવીનતમ ભાવ ચકાસવા જરૂરી છે. તમારા શહેરમાં ભાવ શોધવામાં મદદ કરવા માટે શહેરવાર સોના અને ચાંદીના ભાવ અહીં આપવામાં આવ્યા છે.&nbsp;</p><h2><b>આજે સોના ચાંદીનો ભાવ&nbsp;</b></h2><p>આજે સોના અને ચાંદીના ભાવમાં ફેરફાર આવ્યો છે.&nbsp; આજે સવારે સોનાનો ભાવ 0.31% ઘટીને ₹146915 પ્રતિ 10 ગ્રામ થયો. ચાંદીના ભાવમાં પણ 0.48 %નો ઘટાડો થયો છે. એટલે કે ₹1135નો ઘટાડો થતા ભાવ પ્રતિ કિલોગ્રામ ₹236275 થયો છે.&nbsp;</p><p>આંતરરાષ્ટ્રીય બજારમાં (કોમેક્સ) ભાવમાં અસ્થિરતા ચાલુ છે. કોમેક્સ પર, સોનું 0.54% ઘટીને લગભગ $4,144 પ્રતિ ઔંસના સ્તરે પહોંચ્યું છે, જ્યારે ચાંદીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.&nbsp; ચાંદી 1.42% ઘટીને $61.445 પ્રતિ ઔંસની આસપાસ ટ્રેડ કરી રહી છે.</p><p>આજે ભારતના મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર દબાણ જોવા મળ્યું. તાજેતરની તેજી બાદ નફા-બુકિંગને કારણે, MCX પર સોનાના ભાવ ઘટીને ₹1.45–₹1.47 લાખ પ્રતિ 10 ગ્રામ થયા છે. ચાંદીના ભાવ પણ ધીમા પડી ગયા છે, જે ₹2.32–₹2.34 લાખ પ્રતિ કિલોગ્રામની નજીક ટ્રેડ કરી રહ્યા છે. એકંદરે, આજે સવારે સોનામાં 0.53% અને ચાંદીમાં 1.01% નો ઘટાડો નોંધાયો હતો.&nbsp;</p><h3><b>દેશના મોટા શહેરોમાં શું છે સોના ચાંદીનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)&nbsp;</b></h3><table class="table table-bordered"><tbody><tr><td><b>શહેર&nbsp;</b></td><td><b>24 કેરેટ સોનાની કિંમત ( રૂપિયા/10 ગ્રામ) )</b></td><td><b>&nbsp;22 કેરેટ સોનાની કિંમત( રૂપિયા/10 ગ્રામ)</b></td></tr><tr><td>દિલ્હી</td><td>&nbsp;1,45,410&nbsp;</td><td>1,33,300&nbsp; &nbsp;&nbsp;</td></tr><tr><td>કોલકાતા</td><td>&nbsp;1,45,260</td><td>&nbsp;1,33,150&nbsp;&nbsp;</td></tr><tr><td>ચેન્નઈ&nbsp;</td><td>1,46,180</td><td>&nbsp;1,34,000&nbsp; &nbsp;</td></tr><tr><td>બેંગ્લોર</td><td>&nbsp;1,45,260&nbsp;</td><td>1,33,150&nbsp; &nbsp;&nbsp;<br></td></tr><tr><td>અમદાવાદ</td><td>&nbsp;1,45,310</td><td>&nbsp;1,33,200&nbsp;</td></tr><tr><td>વડોદરા&nbsp;</td><td>1,45,310&nbsp;</td><td>1,33,200&nbsp; &nbsp; &nbsp;</td></tr></tbody></table><p><br></p><p>Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.</p><p><br></p><p><a href="https://sandesh.com/astrology/news/bhakti/budh-gochar-2026-bank-balance-of-3-zodiac-signs-will-increase-mercury-will-change-its-course" target="_blank">આ પણ વાંચો-Budh Gochar 2026: 3 રાશિનું બેંક બેલેન્સ વધશે ! બુધ બદલશે ચાલ&nbsp;</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/03/15/XRZVVuqnnGNl4izHvZiL4oLwNGzcVLHqKUnasgnK.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: ગુજરાત યુનિ. કેમ્પસમાં પાણીનો નિકાલ ન થતાં રોગચાળાની ભીતિ, સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-university-ahmedabad-waterlogging-samras-hostel-drainage-issue</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-university-ahmedabad-waterlogging-samras-hostel-drainage-issue</guid><pubDate>Tue, 07 Jul 2026 10:52:32 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદને સ્માર્ટ સિટી બનાવવાની વાતો વચ્ચે શિક્ષણના સૌથી મોટા ધામ સમાન ગુજરાત યુનિવર્સિટી કેમ્પસની હાલત દયનીય બની ગઈ છે. બે દિવસ અગાઉ શહેરમાં પડેલા ભારે વરસાદ બાદ આખું કેમ્પસ બેટમાં ફેરવાઈ ગયું હતું. આશ્ચર્યની વાત એ છે કે વરસાદ રોકાઈ ગયાને બે દિવસનો સમય વિતી ગયો હોવા છતાં, યુનિવર્સિટી પ્રશાસન કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પાણીના નિકાલ માટે કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. ખાસ કરીને હજારો વિદ્યાર્થીઓના આશ્રયસ્થાન સમાન 'સમરસ હોસ્ટેલ' ની બહાર ચારેકોર માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે.</p><h2><b>ગટરના પાણી ભળતા નરકાગાર જેવી સ્થિતિ</b></h2><p>સ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે કેમ્પસની મુખ્ય ડ્રેનેજ લાઈનો બ્લોક હોવાના કારણે ગટરના ગંદા અને પ્રદૂષિત પાણી આ વરસાદી પાણીમાં ભળી ગયા. અત્યારે સમરસ હોસ્ટેલની બહારથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે કારણ કે આખા વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ મારી રહી છે. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ કમળો, કોલેરા, ટાઈફોઈડ અને ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગચાળાના ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. વિદ્યાર્થીઓને કેન્ટીન સુધી જવામાં કે પોતાના ડિપાર્ટમેન્ટ સુધી પહોંચવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે તેમનું શૈક્ષણિક કાર્ય પણ ખોરવાયું છે.</p><h3><b>કાયમી ઉકેલ માટે વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ</b></h3><p>આ કોઈ આ વર્ષની નવી સમસ્યા નથી, દર ચોમાસે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આ જ પ્રકારે પાણી ભરાય છે. કરોડો રૂપિયાના પ્રી-મોનસૂન કામગીરીના દાવાઓ અહીં તકલાદી સાબિત થાય છે. વિદ્યાર્થીઓએ આક્રોશપૂર્વક સત્તાધીશોને પૂછ્યું છે કે કરોડોની ફી અને ગ્રાન્ટ લેવા છતાં તેમને લઘુત્તમ સુવિધા કેમ નથી મળતી? વિદ્યાર્થી સંગઠનોએ ચીમકી આપી છે કે જો આગામી 24 કલાકમાં પમ્પિંગ સ્ટેશનો શરૂ કરીને પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં નહીં આવે અને ડ્રેનેજ લાઈન સાફ કરીને રોગચાળો અટકાવવા દવાઓનો છંટકાવ નહીં થાય, તો યુનિવર્સિટી વીસી (VC) કચેરીનો ઘેરાવ કરીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/rajkot/rain-entry-race-course-kalawad-road-yagnik-road-weather-update" target="_blank">આ પણ વાંચો: Rajkot Rain: શહેરમાં લાંબા ઉકળાટ બાદ ધીમીધારે મેઘમહેર શરૂ, અસહ્ય બફારા બાદ ઠંડક પ્રસરી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/07/kD2rjYAQJFqyufDRAOoY8yhyk0MMs7q5JOtOefOT.webp'/></item></channel></rss>