<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Vijayapuram-3 : અંદમાનના દરિયામાંથી ભારતને મળ્યો ખજાનો, હવે ગેસની સમસ્યા બનશે ભૂતકાળ ]]></title><link>https://sandesh.com/business/news/india/vijayapuram-3-india-got-a-treasure-from-the-andaman-sea-now-the-problem-of-gas-will-become-a-thing-of-the-past</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/vijayapuram-3-india-got-a-treasure-from-the-andaman-sea-now-the-problem-of-gas-will-become-a-thing-of-the-past</guid><pubDate>Fri, 05 Jun 2026 22:01:30 +05:30</pubDate><description><![CDATA[<p>ઓઈલ ઈન્ડિયા લિમિટેડ (OIL) ને અંદમાન દરિયાઈ ક્ષેત્રમાં પ્રાકૃતિક ગેસ (Natural Gas) ની શોધમાં વધુ એક મોટી સફળતા મળી છે. આ બ્લોકનો આ બીજો એવો કૂવો છે જ્યાં ગેસ હોવાની પુષ્ટિ થઈ છે. આ શોધથી ભવિષ્યમાં દેશમાં સ્થાનિક ગેસનું ઉત્પાદન વધશે અને અન્ય દેશો પરથી આયાતની નિર્ભરતા ઘટશે તેવી પ્રબળ આશા જાગી છે.</p><h2>તેલ અને ગેસના સંકેત આપતો આ બીજો કૂવો છે
</h2><p>સરકારી તેલ અને ગેસ કંપની ઓઈલ ઈન્ડિયા લિમિટેડે શુક્રવારે જણાવ્યું હતું કે, અંદમાનના છીછરા દરિયાઈ વિસ્તારમાં (Shallow Offshore Block) ખોદવામાં આવેલા ત્રીજા શોધખોળ કૂવામાં કુદરતી ગેસ મળી આવ્યો છે. આ બ્લોકમાં હાઇડ્રોકાર્બન (તેલ અને ગેસ) ના સંકેત આપતો આ બીજો કૂવો છે.
</p><h3>અંદમાન તટથી માત્ર 15 કિલોમીટર દૂર મળ્યો ભંડાર
</h3><p>કંપનીના જણાવ્યા અનુસાર, 'વિજયપુરમ-3' (Vijayapuram-3) નામનો આ કૂવો અંદમાન દ્વીપસમૂહના પૂર્વીય કિનારાથી અંદાજે 15 કિલોમીટર દૂર ખોદવામાં આવ્યો છે. આ કૂવો 355 મીટર ઊંડા દરિયાઈ વિસ્તારમાં આવેલો છે અને તેને ઓપન એક્રેજ લાયસન્સિંગ પોલિસી (OALP) હેઠળ વિકસાવવામાં આવી રહેલા ઓફશોર અંદમાન બ્લોક AN-OSHP-2018/1 માં ડ્રિલ કરવામાં આવ્યો છે.
</p><h4>પરીક્ષણ દરમિયાન થઈ ગેસની પુષ્ટિ
</h4><p>ઓઈલ ઈન્ડિયાએ માહિતી આપી છે કે, આશરે 1,900 મીટરથી વધુની ઊંડાઈએ આવેલા ઈઓસીન (Eocene) માળખામાં કરાયેલા પ્રારંભિક ઉત્પાદન પરીક્ષણ દરમિયાન સતત ગેસ નીકળવા અને ફ્લેરિંગ દ્વારા નેચરલ ગેસની હાજરીની પુષ્ટિ થઈ હતી. કૂવામાં છિદ્રીકરણ કર્યા પછી દબાણ ઝડપથી વધ્યું તેમજ ગેસનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે. હાલ ગેસના સેમ્પલની તપાસ કરવામાં આવી રહી છે, જેથી તેની ક્ષમતા (Calorific Value) અને ગુણવત્તા જાણી શકાય.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2062880075511697465"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p>
</p><h5>પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ આપી માહિતી
</h5><p>કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (ટ્વિટર) પર અંદમાનમાં ઓઈલ ઈન્ડિયાને મળેલી આ મોટી સફળતાની વિગતો શેર કરી છે.
</p><h6>અગાઉ પણ મળ્યા હતા સંકેતો
</h6><p>આ પહેલા સપ્ટેમ્બર 2025માં ઓઈલ ઈન્ડિયાએ આ જ બ્લોકના બીજા કૂવા 'વિજયપુરમ-2' માં નેચરલ ગેસ મળવાની જાહેરાત કરી હતી. અત્યાર સુધી આ બ્લોકમાં કુલ ત્રણ કૂવા ખોદવામાં આવ્યા છે, જેમાંથી બેમાં હાઇડ્રોકાર્બનની હાજરી મળી છે. કંપનીનું માનવું છે કે આ શોધથી આ વિસ્તારમાં તેલ અને ગેસના મોટા ભંડાર હોવાની શક્યતા મજબૂત થઈ છે.
</p><h6>આગામી પ્લાન: 3D સિસ્મિક સર્વે
</h6><p>સપ્ટેમ્બર 2025ની સફળતા બાદ કંપનીએ આ વિસ્તારમાં વધુ મૂલ્યાંકન શરૂ કર્યું હતું. આ અંતર્ગત વધારાના 600 ચોરસ કિલોમીટર વિસ્તારમાં 3D સિસ્મિક સર્વે પણ પૂર્ણ કરવામાં આવ્યો છે. આ ડેટા પ્રોસેસિંગનું કામ ચાલી રહ્યું છે, જે પૂરૂ થયા બાદ કંપની નવા કૂવાઓનું ડ્રિલિંગ શરૂ કરશે.
</p><h6>દેશની ઉર્જા સુરક્ષા મજબૂત બનશે
</h6><p>પેટ્રોલિયમ મંત્રાલય હેઠળ કામ કરતી મહારત્ન કંપની ઓઈલ ઈન્ડિયાની આ શોધ ભારતની ઉર્જા સુરક્ષા (Energy Security) માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો ભવિષ્યમાં અહીં મોટા પાયે ગેસના ભંડારની સત્તાવાર પુષ્ટિ થશે, તો ભારતની અખાતી અને અન્ય દેશો પરની ગેસ આયાતની નિર્ભરતા ઘણી ઓછી થઈ જશે.
</p><p><a href="https://sandesh.com/india" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/37n4SchiL6IgHCJqoBn84JabNTOR4p0bfx0gXa4I.webp'/></item><item><title><![CDATA[Vijayapuram-3 : અંદમાનના દરિયામાંથી ભારતને મળ્યો ખજાનો, હવે ગેસની સમસ્યા બનશે ભૂતકાળ ]]></title><link>https://sandesh.com/business/news/india/vijayapuram-3-india-got-a-treasure-from-the-andaman-sea-now-the-problem-of-gas-will-become-a-thing-of-the-past</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/india/vijayapuram-3-india-got-a-treasure-from-the-andaman-sea-now-the-problem-of-gas-will-become-a-thing-of-the-past</guid><pubDate>Fri, 05 Jun 2026 22:01:30 +05:30</pubDate><description><![CDATA[<p>ઓઈલ ઈન્ડિયા લિમિટેડ (OIL) ને અંદમાન દરિયાઈ ક્ષેત્રમાં પ્રાકૃતિક ગેસ (Natural Gas) ની શોધમાં વધુ એક મોટી સફળતા મળી છે. આ બ્લોકનો આ બીજો એવો કૂવો છે જ્યાં ગેસ હોવાની પુષ્ટિ થઈ છે. આ શોધથી ભવિષ્યમાં દેશમાં સ્થાનિક ગેસનું ઉત્પાદન વધશે અને અન્ય દેશો પરથી આયાતની નિર્ભરતા ઘટશે તેવી પ્રબળ આશા જાગી છે.</p><h2>તેલ અને ગેસના સંકેત આપતો આ બીજો કૂવો છે
</h2><p>સરકારી તેલ અને ગેસ કંપની ઓઈલ ઈન્ડિયા લિમિટેડે શુક્રવારે જણાવ્યું હતું કે, અંદમાનના છીછરા દરિયાઈ વિસ્તારમાં (Shallow Offshore Block) ખોદવામાં આવેલા ત્રીજા શોધખોળ કૂવામાં કુદરતી ગેસ મળી આવ્યો છે. આ બ્લોકમાં હાઇડ્રોકાર્બન (તેલ અને ગેસ) ના સંકેત આપતો આ બીજો કૂવો છે.
</p><h3>અંદમાન તટથી માત્ર 15 કિલોમીટર દૂર મળ્યો ભંડાર
</h3><p>કંપનીના જણાવ્યા અનુસાર, 'વિજયપુરમ-3' (Vijayapuram-3) નામનો આ કૂવો અંદમાન દ્વીપસમૂહના પૂર્વીય કિનારાથી અંદાજે 15 કિલોમીટર દૂર ખોદવામાં આવ્યો છે. આ કૂવો 355 મીટર ઊંડા દરિયાઈ વિસ્તારમાં આવેલો છે અને તેને ઓપન એક્રેજ લાયસન્સિંગ પોલિસી (OALP) હેઠળ વિકસાવવામાં આવી રહેલા ઓફશોર અંદમાન બ્લોક AN-OSHP-2018/1 માં ડ્રિલ કરવામાં આવ્યો છે.
</p><h4>પરીક્ષણ દરમિયાન થઈ ગેસની પુષ્ટિ
</h4><p>ઓઈલ ઈન્ડિયાએ માહિતી આપી છે કે, આશરે 1,900 મીટરથી વધુની ઊંડાઈએ આવેલા ઈઓસીન (Eocene) માળખામાં કરાયેલા પ્રારંભિક ઉત્પાદન પરીક્ષણ દરમિયાન સતત ગેસ નીકળવા અને ફ્લેરિંગ દ્વારા નેચરલ ગેસની હાજરીની પુષ્ટિ થઈ હતી. કૂવામાં છિદ્રીકરણ કર્યા પછી દબાણ ઝડપથી વધ્યું તેમજ ગેસનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે. હાલ ગેસના સેમ્પલની તપાસ કરવામાં આવી રહી છે, જેથી તેની ક્ષમતા (Calorific Value) અને ગુણવત્તા જાણી શકાય.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2062880075511697465"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p>
</p><h5>પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ આપી માહિતી
</h5><p>કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (ટ્વિટર) પર અંદમાનમાં ઓઈલ ઈન્ડિયાને મળેલી આ મોટી સફળતાની વિગતો શેર કરી છે.
</p><h6>અગાઉ પણ મળ્યા હતા સંકેતો
</h6><p>આ પહેલા સપ્ટેમ્બર 2025માં ઓઈલ ઈન્ડિયાએ આ જ બ્લોકના બીજા કૂવા 'વિજયપુરમ-2' માં નેચરલ ગેસ મળવાની જાહેરાત કરી હતી. અત્યાર સુધી આ બ્લોકમાં કુલ ત્રણ કૂવા ખોદવામાં આવ્યા છે, જેમાંથી બેમાં હાઇડ્રોકાર્બનની હાજરી મળી છે. કંપનીનું માનવું છે કે આ શોધથી આ વિસ્તારમાં તેલ અને ગેસના મોટા ભંડાર હોવાની શક્યતા મજબૂત થઈ છે.
</p><h6>આગામી પ્લાન: 3D સિસ્મિક સર્વે
</h6><p>સપ્ટેમ્બર 2025ની સફળતા બાદ કંપનીએ આ વિસ્તારમાં વધુ મૂલ્યાંકન શરૂ કર્યું હતું. આ અંતર્ગત વધારાના 600 ચોરસ કિલોમીટર વિસ્તારમાં 3D સિસ્મિક સર્વે પણ પૂર્ણ કરવામાં આવ્યો છે. આ ડેટા પ્રોસેસિંગનું કામ ચાલી રહ્યું છે, જે પૂરૂ થયા બાદ કંપની નવા કૂવાઓનું ડ્રિલિંગ શરૂ કરશે.
</p><h6>દેશની ઉર્જા સુરક્ષા મજબૂત બનશે
</h6><p>પેટ્રોલિયમ મંત્રાલય હેઠળ કામ કરતી મહારત્ન કંપની ઓઈલ ઈન્ડિયાની આ શોધ ભારતની ઉર્જા સુરક્ષા (Energy Security) માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો ભવિષ્યમાં અહીં મોટા પાયે ગેસના ભંડારની સત્તાવાર પુષ્ટિ થશે, તો ભારતની અખાતી અને અન્ય દેશો પરની ગેસ આયાતની નિર્ભરતા ઘણી ઓછી થઈ જશે.
</p><p><a href="https://sandesh.com/india" target="_blank">વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/37n4SchiL6IgHCJqoBn84JabNTOR4p0bfx0gXa4I.webp'/></item><item><title><![CDATA[FIFA WC 2026: આર્જેન્ટિના ફરીથી બનશે વર્લ્ડ ચેમ્પિયન? બની રહ્યો છે ખાસ સંયોગ ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-wc-2026-will-argentina-become-world-champions-again-a-special-coincidence-is-happening</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-wc-2026-will-argentina-become-world-champions-again-a-special-coincidence-is-happening</guid><pubDate>Fri, 05 Jun 2026 21:59:27 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">FIFA વર્લ્ડ કપ 2026 11 જૂનથી શરૂ થવાનો છે.જ્યાં આર્જેન્ટિના પોતાના ખિતાબનો બચાવ કરશે.આર્જેન્ટિનાએ ગત વર્લ્ડ કપની ફાઈનલમાં ફ્રાન્સને હરાવીને ત્રીજી વખત ખિતાબ જીત્યો હતો.આ વખતે પણ એક અનોખો સંયોગ સામે આવી રહ્યો છે.જેનાથી ચાહકોને આશા જાગી છે કે આર્જેન્ટિના પોતાના ખિતાબનો બચાવ કરી શકશે.ખરેખર.નાઈજીરીયા અને આર્જેન્ટિના વચ્ચેના FIFA વર્લ્ડ કપ સાથે એક પેટર્ન જોડાયેલી છે,જે ઈતિહાસમાં વારંવાર સાચી સાબિત થઈ છે.
</p><h4 style="text-align: justify; "><b>આર્જેન્ટિના ફરી વર્લ્ડ ચેમ્પિયન બનશે?
</b></h4><p style="text-align: justify; ">ફૂટબોલની દુનિયા વિચિત્ર સંયોગો અને રસપ્રદ આંકડાઓથી ભરેલી છે.આવો જ એક સંયોગ નાઈજીરીયા અને આર્જેન્ટિનાની ટીમોનો છે.નાઈજીરીયાની વર્લ્ડ કપ માટે ક્વોલિફાય ન થવાથી આર્જેન્ટિનાના ચાહકોમાં ખુશીનો માહોલ છે.ખરેખર ઈતિહાસ દર્શાવે છે કે જ્યારે પણ નાઈજીરીયાની ફૂટબોલ ટીમ ફિફા વર્લ્ડ કપની મુખ્ય ટુર્નામેન્ટમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ ગઈ છે.ત્યારે આર્જેન્ટિના ચેમ્પિયન બનીને ઉભરી આવી છે અને ટ્રોફી જીતી છે.
</p><h5 style="text-align: justify; "><b>નાઈજીરીયા બહાર, આર્જેન્ટિના ચેમ્પિયન
</b></h5><p style="text-align: justify; ">નોંધનીય છે કે નાઈજીરીયા 1978ના વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થવામાં નિષ્ફળ ગયું હતું.જયારે આર્જેન્ટિનાએ શાનદાર પ્રદર્શન કર્યું અને તેમનો પ્રથમ વર્લ્ડ કપ જીત્યો.1986ના વર્લ્ડ કપમાં ફરી એકવાર ઈતિહાસનું પુનરાવર્તન થયું નાઈજીરીયા ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું,અને ડિએગો મેરાડોનાના જાદુને કારણે,આર્જેન્ટિનાએ બીજી વખત વર્લ્ડ કપ ટ્રોફી જીતી.આ પછી નાઈજીરીયા પણ 2022ના વર્લ્ડ કપમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ ગયું,અને લિયોનેલ મેસ્સીની કેપ્ટનશીપ હેઠળ આર્જેન્ટિનાએ 36 વર્ષના દુષ્કાળનો અંત લાવ્યો અને ત્રીજી વખત વિશ્વ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું.
</p><h5 style="text-align: justify; "><b>શું 2026માં ઈતિહાસનું પુનરાવર્તન થશે?
</b></h5><p style="text-align: justify; ">નાઈજીરીયા પણ 2026 ફિફા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થવામાં નિષ્ફળ ગયું,જેનાથી આર્જેન્ટિનાના ચાહકોમાં આશા જાગી છે.આર્જેન્ટિના 16 જૂને અલ્જેરિયા સામે ગ્રુપ J અભિયાનની શરૂઆત કરશે,જ્યાં તેનો સામનો ઑસ્ટ્રિયા અને જોર્ડન સાથે થશે.આર્જેન્ટિનાની 26 સભ્યોની ટીમમાં 2022 કતાર વર્લ્ડ કપ વિજેતા ટીમના 17 ખેલાડીઓનો સમાવેશ થાય છે.આમ ટીમમાં અનુભવનો ભંડાર ધરાવે છે.લિયોનેલ મેસ્સી આ ટીમનું નેતૃત્વ કરશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/u18-asia-cup-hockey-india-crushes-pakistan-in-semi-finals-now-faces-japan-in-final" target="_blank">U18 Asia Cup Hockey: સેમિફાઇનલમાં ભારતે પાકિસ્તાનને કચડ્યું, હવે ફાઇનલમાં જાપાન સાથે ટક્કર</a>
</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">
</p><p style="text-align: justify; "><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/hzqEtwuAQG3g5E8epO5qW6xUP9DlTNFG15p9QAWk.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News : શહેરની હોટલોમાં સરપ્રાઈઝ ચેકિંગ, ફાયર સેફ્ટીમાં ખામીઓ બદલ 37 નોટિસ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/fire-department-issues-notices-to-37-hotels-over-fire-safety</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/fire-department-issues-notices-to-37-hotels-over-fire-safety</guid><pubDate>Fri, 05 Jun 2026 21:58:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દિલ્હીમાં બનેલી અગ્નિકાંડની ગંભીર ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા મોટો એક્શન પ્લાન શરૂ કરવામાં આવ્યો છે.ફાયર બ્રિગેડની ટીમો દ્વારા શહેરની વિવિધ હોટલોમાં અચાનક જ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.આ તપાસ દરમિયાન હોટલોમાં ફાયર સેફ્ટીની સિસ્ટમ, ફાયર NOC અને ઈમરજન્સી એક્ઝિટની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. જેમાં મોટાપાયે બેદરકારી અને ખામીઓ સામે આવતા તંત્ર દ્વારા કુલ 37 હોટલોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.
</p><h2 style="text-align: justify; "><b>ફાયર સેફ્ટીમાં ખામીઓ બદલ 37 નોટિસ
</b></h2><p style="text-align: justify; ">આ સઘન ઝુંબેશ અંતર્ગત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે.જેમાં સૌથી વધુ સાઉથ ઝોનની 12 હોટલોને ફાયર સેફ્ટીના નિયમોના ઉલ્લંઘન બદલ નોટિસ આપવામાં આવી છે.આ ઉપરાંત સેન્ટ્રલ ઝોનમાં 9,વેસ્ટ ઝોનમાં 6, નોર્થ-વેસ્ટ ઝોનમાં 5 અને સાઉથ-વેસ્ટ ઝોનની 4 હોટલો સામે લાલ આંખ કરીને નોટિસ બજાવવામાં આવી છે.ફાયર વિભાગની આ આકરી કાર્યવાહીથી હોટલ સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
</p><h3 style="text-align: justify; "><b>નોર્થ-વેસ્ટ ઝોનમાં 5 હોટલોને નોટિસ
</b></h3><p style="text-align: justify; ">એમ.સી.ફાયર વિભાગના સત્તાધીશોના જણાવ્યા અનુસાર,નાગરિકોની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારના ચેડાં ચલાવી લેવામાં નહીં આવે.હોટલોમાં આગ જેવી દુર્ઘટના સમયે લોકોના જીવ બચાવી શકાય તે માટે ફાયર સિસ્ટમ હંમેશા કાર્યરત હોવી અનિવાર્ય છે.તંત્ર દ્વારા સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે, આગામી દિવસોમાં આ ફાયર સેફ્ટી ચેકિંગનું અભિયાન હજુ વધુ સઘન અને વ્યાપક બનાવવામાં આવશે અને નિયમોનું પાલન ન કરનારાઓ સામે સીલિંગ સહિતના કડક પગલાં લેવાશે.
<br><br><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/amreli/amreli-news-mysterious-death-of-lioness-in-lathi-panthak-investigation-entrusted-to-three-officers" target="_blank">આ પણ વાંચોઃ Amreli News: લાઠી પંથકમાં સિંહણનું રહસ્યમય મોત, ત્રણ અધિકારીઓને સોંપાઈ તપાસ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/AuVKtSEQJuIoeRC8N6lTUM0XpbA7aXcHFCRcXsqP.webp'/></item><item><title><![CDATA[Maharashtra Policy : મારાઠા આરક્ષણ અંગે મોટા સમાચાર, મહારાષ્ટ્ર સરકારે લીધો મોટો નિર્ણય ]]></title><link>https://sandesh.com/india/news/maharashtra-policy-big-news-regarding-maratha-reservation-maharashtra-government-takes-a-big-decision</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/maharashtra-policy-big-news-regarding-maratha-reservation-maharashtra-government-takes-a-big-decision</guid><pubDate>Fri, 05 Jun 2026 21:35:41 +05:30</pubDate><description><![CDATA[<p>મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકારે મરાઠા સમુદાય માટે એક મોટો નિર્ણય લીધો છે. હવે, મરાઠા સમુદાયને OBC સમુદાય જેવા જ લાભો મળશે. આમાં શૈક્ષણિક છૂટછાટો અને લાભોનો સમાવેશ થાય છે. સરકારે મરાઠા સમુદાય માટે આઠ યોજનાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે, જે OBC સમુદાય માટે ઉપલબ્ધ યોજનાઓ જેવી જ છે. ચાલો જાણીએ મરાઠા સમુદાય માટે આ લાભો વિશે.</p><h3><b>10મા ધોરણ પછી શિષ્યવૃત્તિ</b></h3><p>જે વિદ્યાર્થીઓ 10મું ધોરણ પાસ કરીને આગળ ભણવા માંગે છે, તેમને સરકાર તરફથી આગળના અભ્યાસ માટે આર્થિક સહાય એટલે કે સ્કોલરશીપ આપવામાં આવશે.</p><h4><b>ડ્રાઈવર અને કંડક્ટરની ટ્રેનિંગ
</b></h4><p>મરાઠા સમાજના લોકો હવે સરકારી વાહનોના ડ્રાઈવર અને કંડક્ટર બનવા માટેની ટ્રેનિંગ પણ લઈ શકશે, જેમાં સરકાર તેમને આર્થિક અને અન્ય તમામ મદદ કરશે.</p><h5><b>10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ
</b></h5><p>માધ્યમિક (10મું ધોરણ) અને ઉચ્ચતર માધ્યમિક (12મું ધોરણ) માં ભણતા મરાઠા સમાજના તમામ પાત્ર વિદ્યાર્થીઓને પણ સરકાર તરફથી સ્કોલરશીપનો લાભ મળશે.</p><h5><b>16 પ્રકારની રિઇમ્બર્સમેન્ટ (ખર્ચ વાપસી) યોજના
</b></h5><p>અભ્યાસ દરમિયાન થતા 16 અલગ-અલગ પ્રકારના ખર્ચ (જેમ કે ટ્યુશન ફી, પુસ્તકો વગેરે) ના પૈસા સરકાર પાછા આપશે. જેને 'રિઇમ્બર્સમેન્ટ' કહેવાય છે, એટલે કે વિદ્યાર્થીએ કરેલો ખર્ચ સરકાર ચૂકવશે.</p><h5><b>મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં પ્રોફેશનલ કોર્સની સુવિધા
</b></h5><p>મરાઠા સમાજના જે વિદ્યાર્થીઓ મહારાષ્ટ્રમાં અથવા દેશના અન્ય કોઈ રાજ્યમાં પ્રોફેશનલ કોર્સમાં એડમિશન લે છે, પછી ભલે તે કોલેજ સરકારી ગ્રાન્ટ વાળી (અનુદાનિત) હોય કે ગ્રાન્ટ વગરની (સ્વનિર્ભર), તેમને પણ આ તમામ સુવિધાઓનો લાભ મળશે.</p><h5><b>OBC કેટેગરીના તમામ કોર્સમાં પાત્રતા
</b></h5><p>અત્યાર સુધી ઓબીસી (OBC) વિદ્યાર્થીઓ જે-જે કોર્સમાં સરકારી છૂટછાટો અને ફાયદાઓ સાથે એડમિશન મેળવી શકતા હતા, હવે તે તમામ કોર્સમાં મરાઠા સમાજના બાળકો પણ સમાન રીતે પાત્ર ગણાશે.</p><h4><b>CAP પછીની ખાલી બેઠકો પર પણ લાભ
</b></h4><p>CAP (સેન્ટ્રલાઈઝ્ડ એડમિશન પ્રોસેસ) એટલે કે કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા પછી પણ જે બેઠકો ખાલી રહી જાય છે, તે બેઠકો પર અત્યાર સુધી જે રીતે OBC બાળકોને સરકારી સવલતો મળતી હતી, તે જ તમામ સુવિધાઓ હવે મરાઠા સમાજને પણ મળશે.</p><h5><b>ભવિષ્યની તમામ નવી યોજનાઓનો આપમેળે લાભ
</b></h5><p>આ સૌથી મહત્વનો નિર્ણય છે. હાલમાં OBC કેટેગરીને જે સુવિધાઓ મળી રહી છે અને ભવિષ્યમાં જે પણ નવી સુવિધાઓ મળશે, તે બધી જ યોજનાઓ કોઈ પણ અલગ આદેશ વિના આપમેળે મરાઠા સમાજ પર પણ લાગુ થઈ જશે, જ્યાં સુધી સરકાર કોઈ નવો આદેશ જાહેર ન કરે.</p><h6><b>
CMએ મરાઠા સમુદાયને ન્યાય અપાવવાનું કામ કર્યું: ગિરીશ મહાજન
</b></h6><p>રાજ્ય સરકારના નિર્ણય અંગે મંત્રી ગિરીશ મહાજને કહ્યું, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને જાણી જોઈને મરાઠા વિરોધી ગણાવીને બદનામ કરવામાં આવ્યા હતા. ઉદ્ધવ ઠાકરેના કાર્યકાળ દરમિયાન, કોઈએ આ મુદ્દા પર ધ્યાન આપ્યું ન હતું. પરંતુ હવે દેવેન્દ્ર ફડણવીસે મરાઠા સમુદાયને ન્યાય અપાવ્યો છે. હું તેમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. મરાઠા સમુદાયને ન્યાય અપાવીને તેમણે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.</p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/india/news/business/so-far-149-crore-people-have-been-excluded-from-atal-pension-yojana-this-big-revelation-was-made-in-rti" target="_blank">Atal Pension Yojana માંથી અત્યાર સુધીમાં 1.49 કરોડ લોકો થયા બહાર, RTI માં થયો આ મોટો ખુલાસો!</a>
</p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/JxxjwVNYTq6c6sVFebspNxMfbWybCMAiym43nhQv.webp'/></item><item><title><![CDATA[ChhotaUdepur News: પાવીજેતપુરના રેતી યાર્ડમાં ટ્રક ચાલકને લાગ્યો વીજ કરંટ, મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/pavijetpurmira-enterprises-truck-driver-electrocuted-death</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/pavijetpurmira-enterprises-truck-driver-electrocuted-death</guid><pubDate>Fri, 05 Jun 2026 21:21:51 +05:30</pubDate><description><![CDATA[<p>છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના સુસ્કાલ ગામ પાસેથી એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. અહીં આવેલા એક રેતી સ્ટોક યાર્ડમાં ટ્રક લોડ કરતી વખતે સર્જાયેલા અકસ્માતમાં એક પરપ્રાંતીય ટ્રક ડ્રાઈવરનું વીજ કરંટ લાગવાના કારણે ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે રેતી સ્ટોક યાર્ડના સંચાલકોની ઘોર બેદરકારી ફરી એકવાર સપાટી પર આવી છે.</p><p><br></p><h2><b>ટ્રોલી વીજ વાયરને અડતાં કરંટ ફેલાયો</b></h2><p>મળતી માહિતી મુજબ, સુસ્કાલ ગામ પાસે આવેલા 'મીરા એન્ટરપ્રાઇઝ' નામના રેતી સ્ટોક યાર્ડમાં મધ્યપ્રદેશનો એક યુવાન ટ્રક ડ્રાઈવર પ્રતાપસિંહ ચૌહાણ પોતાનું વાહન લઈને આવ્યો હતો. યાર્ડમાં કામગીરી દરમિયાન ટ્રકની પાછળની ટ્રોલી ઉપર જતી હાઈટેન્શન વીજ લાઈનના વાયરને અડકી ગઈ હતી. ટ્રોલી અડકતાની સાથે જ જોરદાર શોર્ટ સર્કિટ થયો હતો અને વીજ વાયર તૂટીને ટ્રક પર પડ્યો હતો. જેના કારણે આખી ટ્રકમાં હાઈવોલ્ટેજ કરંટ પ્રસરી ગયો હતો અને ચાલક પ્રતાપસિંહ ચૌહાણનું વીજ કરંટની ચપેટમાં આવી જતાં સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.</p><p><br></p><h2><b>એક જ સ્થળે 5 મહિનામાં બીજું મોત</b></h2><p>આ રેતી સ્ટોક યાર્ડમાં બેદરકારીનો આ કોઈ પ્રથમ કિસ્સો નથી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આજથી બરાબર પાંચ મહિના પહેલા પણ આ જ મીરા એન્ટરપ્રાઇઝના પરિસરમાં વીજ કરંટ લાગવાના કારણે એક સગીર વયના શ્રમજીવી કામદારનું મોત નીપજ્યું હતું. એક જ સ્થળે ટૂંકા ગાળામાં બે-બે માસૂમ લોકોના જીવ જવા છતાં યાર્ડના માલિક કે તંત્ર દ્વારા કોઈ સુરક્ષાના પગલાં લેવામાં આવ્યા ન હતા, જેને કારણે માલિકની ગંભીર બેદરકારી સામે આવી છે.</p><p><br></p><h2><b>મોતનો મલાજો પણ ન જાળવ્યો, વેચાણ ચાલુ રાખ્યું!</b></h2><p>આ ઘટનામાં ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, પરિસરમાં એક માનવીનું વીજ કરંટથી મોત થયું હોવા છતાં, સ્ટોક યાર્ડના લોભી માલિકે મોતનો લઘુત્તમ મલાજો પણ જાળવ્યો ન હતો. અકસ્માત બાદ પણ યાર્ડમાં રેતીનો સ્ટોક ખાલી કરવાનું અને વેચાણ કરવાનું કામ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવ્યું હતું, જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.</p><p><br></p><h2><b>અકસ્માતે મોતનો ગુનો દાખલ</b></h2><p>ઘટનાની જાણ થતાં જ પાવીજેતપુર પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડીને હાલ પૂરતો અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે આ મામલે મીરા એન્ટરપ્રાઈઝના માલિક સામે કાયદાકીય ગાળિયો કસવા માટે વધુ તપાસ હાથ ધરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-a-young-man-sitting-behind-a-tractor-died-after-being-hit-by-a-truck-in-ghelwant-village" target="_blank">Chhotaudepur:ઘેલવાંટ ગામે ટ્રકની ટક્કરે ટ્રેક્ટર પાછળ બેસેલ યુવાનનું મોત થયું</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/Xpsg7vOVPKfAkv2ketkBfwIkpE8xhwC3wRfOW1O7.webp'/></item><item><title><![CDATA[Surat News: મહિલા મોપેડ ચાલકની બેદરકારીને અકસ્માત, રિક્ષામાં સવાર મુસાફરો થયા ઈજાગ્રસ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/news/crime/surat/moped-turn-causes-major-auto-rickshaw-accident</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/crime/surat/moped-turn-causes-major-auto-rickshaw-accident</guid><pubDate>Fri, 05 Jun 2026 20:45:13 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતમાં કીમ-ઓલપાડ રોડ પર એક મહિલા મોપેડ ચાલકની ગંભીર બેદરકારીના કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર અકસ્માતના લાઈવ દ્રશ્યો નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગયા છે. આ અકસ્માત એટલો જોરદાર હતો કે રસ્તા પરથી પસાર થઈ રહેલી એક રિક્ષા મોપેડ સાથે અથડાયા બાદ ધડાકાભેર પલટી મારી ગઈ હતી.
</p><h2 style="text-align: justify; "><b>કીમ ઓવરબ્રિજ તરફ જઈ રહી હતી રિક્ષા 
</b></h2><p style="text-align: justify; ">મળતી માહિતી અનુસાર, એક પેસેન્જર રિક્ષા કીમ ઓવરબ્રિજ તરફ જઈ રહી હતી, તે જ સમયે આગળ ચાલી રહેલી મહિલા મોપેડ ચાલકે અચાનક જ પાછળ જોયા વગર ટર્ન લીધો હતો. રોડ પર અચાનક વળાંક લેવાના કારણે પાછળથી પૂરઝડપે આવી રહેલી રિક્ષા મોપેડ સાથે ભટકાઈ ગઈ હતી અને રસ્તા પર પલટી ખાઈ ગઈ હતી. અચાનક બનેલી આ ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા.
</p><h3 style="text-align: justify; "><b>મોપેડ સવાર મહિલાને સામાન્ય ઈજા પહોંચી 
</b></h3><p style="text-align: justify; ">આ અકસ્માતને કારણે રિક્ષામાં સવાર મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સદનસીબે, અકસ્માત સર્જનાર મોપેડ સવાર મહિલાને માત્ર સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.આ સીસીટીવી ફૂટેજના આધારે સ્થાનિક પોલીસ દ્વારા અકસ્માતને લઈને તપાસ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે.&nbsp;</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/news/crime/ahmedabad/narol-police-arrest-two--seize-nearly-3-kg-cannabis" target="_blank">આ પણ વાંચોઃ&nbsp; Ahmedabad News: નારોલ પોલીસે ગાંજાની હેરાફેરી કરતા બે શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા</a></p><p style="text-align: justify; "><br></p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/XBD19FfDvL5Dy7oL27KiITx0LUfj44zSBVf1u9x1.webp'/></item><item><title><![CDATA[Surat News: વિદ્યાર્થીની અદ્ભુત કલા, PM મોદીને ભેટ આપી ખાસ પેઇન્ટિંગ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/class-12-student-gifts-portrait-painting-to-pm-narendra-modi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/class-12-student-gifts-portrait-painting-to-pm-narendra-modi</guid><pubDate>Fri, 05 Jun 2026 20:28:21 +05:30</pubDate><description><![CDATA[<p>વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરત મુલાકાત દરમિયાન એક અત્યંત પ્રેરણાદાયી અને ગૌરવપૂર્ણ ક્ષણ સામે આવી છે. સુરતમાં ધોરણ-12માં અભ્યાસ કરતા એક હોંશિયાર વિદ્યાર્થીએ પોતાની અનોખી કળાના દર્શન કરાવીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની જ એક ભવ્ય પેઇન્ટિંગ સ્મૃતિ ભેટ તરીકે આપી છે. વડાપ્રધાને પણ આ માસૂમ કલાકારની કલાની કદર કરીને ખુબ જ પ્રેમથી આ પેઇન્ટિંગનો સ્વીકાર કર્યો હતો.</p><p><br></p><h3><b>3 વર્ષથી કરી રહ્યો હતો પ્રયાસ, આજે સપનું પૂરું થયું</b></h3><p>વડાપ્રધાન મોદીને પોતાની કલા કૃતિ ભેટ આપનાર વિદ્યાર્થીએ ભાવુક થઈને જણાવ્યું કે, તે છેલ્લા ત્રણ વર્ષથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ છબી વાળી પેઇન્ટિંગ તેમને રૂબરૂ મળીને સ્મૃતિ ભેટ તરીકે આપવા માટે સતત પ્રયાસો કરી રહ્યો હતો. પરંતુ અગાઉ કોઈને કોઈ કારણોસર તેનો મેળ પડતો ન હતો. આજે આખરે તેની મહેનત અને આતુરતાનો અંત આવ્યો છે. વિદ્યાર્થીએ ગર્વ સાથે જણાવ્યું કે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મારી પેઇન્ટિંગ સ્વીકારીને મને અને મારા પરિવારને ગૌરવિત કર્યો છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2062901049971900826"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>1 વર્ષની મહેનત અને 3x4 ની સાઈઝ</b></h2><p>આ આકર્ષક પેઇન્ટિંગની ખાસિયત એ છે કે, તેને તૈયાર કરવામાં વિદ્યાર્થીને આખા એક વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો છે. વિદ્યાર્થીએ ખૂબ જ ઝીણવટપૂર્વક અને ખંતથી વડાપ્રધાન મોદીની છબીને કેનવાસ પર ઉતારી છે. આ પેઇન્ટિંગ 3x4 સાઈઝનું છે, જે દેખાવમાં અત્યંત ભવ્ય લાગે છે. વડાપ્રધાન મોદીએ પણ આ વિદ્યાર્થીની મહેનત અને કલાના વખાણ કર્યા હતા અને તેને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા હતા. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર પણ આ વિદ્યાર્થીની કલાના ભારે વખાણ થઈ રહ્યા છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/nasirnagar-demolition-controversy-residents-allege" target="_blank">Surat News: નોટિસ વગર સાદા કપડાંમાં આવેલા લોકોએ 100 મકાનો તોડી પાડ્યા, રહીશોએ કર્યા ગંભીર આક્ષેપ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/A5Y1W7v9OiPPyUZcuIJgvqGBxEh8MclqkcxxvsQE.webp'/></item><item><title><![CDATA[Gandhinagar news: રાજ્યના 19 જિલ્લાના 323 કેન્દ્રો પર GPSCની પરીક્ષા યોજાશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/gandhinagar/gpsc-exam-to-be-held-at-323-centers-across-19-districts</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/gandhinagar/gpsc-exam-to-be-held-at-323-centers-across-19-districts</guid><pubDate>Fri, 05 Jun 2026 19:23:29 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આગામી રવિવારના રોજ ચાર મહત્વપૂર્ણ જાહેરાતો માટેની પરીક્ષાનું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા અંતર્ગત અકાઉન્ટ ઓફિસર, ગુજરાત વહીવટી સેવા (GAS) અને આસિસ્ટન્ટ કન્ઝરવેટર ઓફ ફોરેસ્ટ (ACF) જેવી પ્રતિષ્ઠિત જગ્યાઓ માટે ઉમેદવારો કસોટી આપશે. રવિવારે સવારે 11:00 વાગ્યાથી બપોરે 2:00 વાગ્યા સુધી યોજાનારી આ મહત્વની પરીક્ષામાં રાજ્યભરમાંથી કુલ 75,487 ઉમેદવારો ભાગ લેવાના છે, જેને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.
</p><h2 style="text-align: justify; "><b>19 જિલ્લાઓમાં કુલ 323 પરીક્ષા સેન્ટરો
</b></h2><p style="text-align: justify; ">પરીક્ષાને સચોટ અને ગેરરીતિ રહિત સંપન્ન કરાવવા માટે રાજ્યના 19 જિલ્લાઓમાં કુલ 323 પરીક્ષા સેન્ટરો ફાળવવામાં આવ્યા છે. પેપરની સુરક્ષા અને પરીક્ષાની ગુપ્તતા જાળવવા માટે આયોગ દ્વારા પૂરતા અને કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ સંદર્ભે ગઈકાલે જ GPSCના અધ્યક્ષે તમામ જિલ્લાના કલેક્ટરશ્રીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી, જેમાં સુરક્ષા વ્યવસ્થાની ખાસ નોંધ લેવા સૂચના આપવામાં આવી હતી અને અધિકારીઓને પરીક્ષા પદ્ધતિની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SoP)થી વિગતવાર અવગત કરાવાયા હતા.
</p><h3 style="text-align: justify; "><b>દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ સુવિધાઓ
</b></h3><p style="text-align: justify; ">આ વર્ષે આયોગ દ્વારા સંવેદનશીલ અભિગમ અપનાવીને દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે અને નિયમોમાં જરૂરી ફેરફાર પણ કરાયા છે. દિવ્યાંગ પરીક્ષાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે પરીક્ષા કેન્દ્રો પર લિફ્ટ, ભોંયતળિયે (ગ્રાઉન્ડ ફ્લોર) બેઠક વ્યવસ્થા, વ્હીલચેર તેમજ પરીક્ષામાં મદદ માટે 'દિવ્યાંગ મિત્ર' (રાઈટર) જેવી વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તંત્ર દ્વારા લાખો ઉમેદવારોના ભવિષ્યને ધ્યાને રાખીને લોખંડી અને સુવ્યવસ્થિત આયોજન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/dhoraji-jetpur-national-highway-road-accident-one-woman-died" target="_blank">આ પણ વાંચોઃ Rajkot News: ધોરાજી-જેતપુર નેશનલ હાઈવે પર અકસ્માત, એક મહિલાનું મોત</a></p><p style="text-align: justify; "><br></p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/5Dev4DU9BwjI3HdyVu3FspzIH6ZuUkBgHQcBCpPA.webp'/></item><item><title><![CDATA[Disaster Movie : એ ફ્લોપ ફિલ્મ જેના પછી ક્યારેય સાથે ન જોવા મળી સંજય દત્ત અને ઐશ્વર્યા રાયની જોડી! ]]></title><link>https://sandesh.com/entertainment/news/the-flop-movie-after-which-sanjay-dutt-and-aishwarya-rai-never-worked-together</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/the-flop-movie-after-which-sanjay-dutt-and-aishwarya-rai-never-worked-together</guid><pubDate>Fri, 05 Jun 2026 17:33:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સંજય દત્ત અને ઐશ્વર્યા રાય... આ બંને કલાકારો હિન્દી સિનેમામાં પોતાની અમિટ છાપ છોડી ચૂક્યા છે. 90ના દાયકાના છેલ્લા વર્ષોમાં ફિલ્મી દુનિયામાં આવેલી ઐશ્વર્યા હવે ફિલ્મી દુનિયામાં ખૂબ જ ઓછી એક્ટિવ છે. જ્યારે સંજય દત્ત ઇન્ડસ્ટ્રીમાં 45 વર્ષ વિતાવ્યા પછી પણ સતત કામ કરી રહ્યા છે. મોટા પડદા પર ફેન્સ આ બંને કલાકારોને સાથે પણ જોઈ ચૂક્યા છે. બંનેએ સાથે બે ફિલ્મો કરી છે. તેમની સાથે આવેલી છેલ્લી અને બીજી ફિલ્મ 21 વર્ષ પહેલા રિલીઝ થઈ હતી.
</p><h2 style="text-align: justify; "><b>બે ફિલ્મોમાં સાથે દેખાયા સંજય-ઐશ્વર્યા
</b></h2><p style="text-align: justify; ">સંજય દત્તે બોલીવુડમાં પોતાની શરૂઆત  લીડ એક્ટર વર્ષ 1981ની ફિલ્મ રોકીથી કરી હતી. જ્યારે ઐશ્વર્યાનું સિનેમામાં ડેબ્યૂ વર્ષ 1997ની તમિલ ફિલ્મ 'ઇરુવર' થી થયું હતું. ઐશ્વર્યાએ પોતાના એક્ટિંગ કરિયરના શરૂઆતના વર્ષોમાં જ સંજય સાથે સ્ક્રીન શેર કરી લીધી હતી. પહેલા બંને કલાકારો ફિલ્મ હમ કિસી સે કમ નહીંમાં જોવા મળ્યા હતા. આ પછી તેમણે શબ્દ નામની ફિલ્મમાં કામ કર્યું હતું. 
</p><h3 style="text-align: justify; "><b>સંજય-ઐશ્વર્યાની સાથે છેલ્લી ફિલ્મ
</b></h3><p style="text-align: justify; ">બોલીવુડના દિગ્ગજ એક્ટર સંજય અને સદાબહાર એક્ટ્રેસ ઐશ્વર્યા રાયની ફિલ્મ શબ્દ વર્ષ 2005માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં સંજય અને ઐશ્વર્યાએ ઇન્ટિમેટ સીન્સ પણ આપ્યા હતા, જેને લઈને ઘણી ચર્ચા થઈ હતી. જો કે, ફિલ્મ દર્શકોને થિયેટર્સ સુધી લાવવામાં અસફળ રહી હતી.
</p><h4 style="text-align: justify; "><b>બજેટ પણ ન નીકળ્યું
</b></h4><p style="text-align: justify; ">21 વર્ષ જૂની શબ્દ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હતી. લીના યાદવના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં બંને સાથે અભિનેતા ઝાયેદ ખાન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ સિવાય આકાશ પાંડે, રૂચા પાઠક, સાદિયા સિદ્દીકી, કામિની ખન્ના અને બ્રિજેન્દ્ર કાલા પણ શબ્દ માં જોવા મળ્યા હતા.
</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/obsession-horror-movie-budget-9-crore-collected-1400-crore-worldwide-box-office" target="_blank">આ પણ વાંચો-Obsession : બજેટ 9 કરોડ અને કમાણી 1400 કરોડને પાર! આ હોરર ફિલ્મે આખી દુનિયામાં મચાવ્યો હાહાકાર!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/BUGKZg6GJ9fWJn01nJzh6lbHu0KaEf40j26EVwFF.webp'/></item></channel></rss>