<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Porbandar News: કાળમુખી કારે મહિલા કોન્સ્ટેબલને કચડ્યા, ફરજ પર જતાં રેખાબેન ગોસ્વામીનું મોત ]]></title><link>https://sandesh.com/crime/news/maru-saher-maru-gaam/porbandar/navibandar-woman-police-constable-road-accident-death</link><guid isPermaLink="true">https://sandesh.com/crime/news/maru-saher-maru-gaam/porbandar/navibandar-woman-police-constable-road-accident-death</guid><pubDate>Thu, 02 Jul 2026 18:12:34 +05:30</pubDate><description><![CDATA[<p>પોરબંદર જિલ્લામાંથી એક અત્યંત આઘાતજનક અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. નવીબંદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક મહિલા પોલીસ કોન્સ્ટેબલનું માર્ગ અકસ્માતમાં કનિષ્ઠ મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ, નવીબંદર પોલીસ મથકના મહિલા કોન્સ્ટેબલ રેખાબેન ગોસ્વામી જ્યારે પોતાના બાઈક પર માધવપુરથી નવીબંદર ખાતે ફરજ બજાવવા માટે જઈ રહ્યા હતા, ત્યારે કાળ બનીને આવેલી એક ફોરવ્હીલર કારના ચાલકે તેમને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.</p><h2><b>ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટના સ્થળે જ તોડ્યો દમ</b></h2><p>અકસ્માત એટલો ભયાનક હતો કે, કારની જોરદાર ઠોકર વાગવાના કારણે રેખાબેન બાઈક પરથી ફગાવીને રોડ પર પટકાયા હતા. તેમને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા, તેમણે ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા અને તુરંત જ સ્થાનિક પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી.</p><h2><b>જિલ્લા પોલીસ બેડામાં ભારે શોક, મૃતદેહ પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડાયો</b></h2><p>એક નીડર અને ફરજનિષ્ઠ મહિલા કોન્સ્ટેબલના આ રીતે આકસ્મિક અવસાનના સમાચાર વાયુવેગે પ્રસરતા જ સમગ્ર પોરબંદર જિલ્લા પોલીસ બેડામાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતના કાફલાએ ઘટના સ્થળે દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ મૃતક મહિલા કોન્સ્ટેબલ રેખાબેનના મૃતદેહને પોસ્ટ મોર્ટમની વિધિ માટે પોરબંદરની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે.</p><h2><b>કાર ચાલક ઝડપાયો, માધવપુર પોલીસ મથકે ગુનો નોંધવાની તજવીજ</b></h2><p>આ અકસ્માત સર્જીને ભાગી છૂટવાનો પ્રયાસ કરનાર કાર ચાલક સામે પોલીસે તાત્કાલિક નાકાબંધી કરીને કડક એક્શન લીધા છે. પોલીસે અકસ્માત સર્જનાર કાળમુખી કારના ચાલકને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો છે. આ મામલે માધવપુર પોલીસ સ્ટેશનમાં કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની ફરિયાદ દાખલ કરવા તેમજ આગળની કડક તપાસ હાથ ધરવા માટેની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/weather/monsoon-2026/news/ahmedabad/gujarat-rain-update-weather-imd-rainfall-statistics" target="_blank">Gujarat Rain Update: ગુજરાતમાં સરેરાશ કરતાં 93% ઓછો વરસાદ, વાંચો IMD રિપોર્ટ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/qWdmPiwvcbfr83EzFGzUzRyBfZyMOmMMBRzDqCCb.webp'/></item><item><title><![CDATA[Mumbai માં ભારે વરસાદને કારણે 5 લોકોના મોત, મેનહોલમાં મોતને  મામલે વિધાનસભામાં ભારે હોબાળો ]]></title><link>https://sandesh.com/india/news/5-people-died-due-to-heavy-rains-in-mumbai-huge-uproar-in-the-assembly-over-deaths-in-manholes</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/5-people-died-due-to-heavy-rains-in-mumbai-huge-uproar-in-the-assembly-over-deaths-in-manholes</guid><pubDate>Thu, 02 Jul 2026 18:10:50 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મુંબઈમાં છેલ્લા 48 કલાકથી વરસી રહેલા મુશળધાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. ભારે વરસાદને કારણે વિવિધ ઘટનાઓમાં અત્યાર સુધીમાં પાંચ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેણે હવે ગંભીર રાજકીય વળાંક લીધો છે. ચેમ્બુરમાં શાળાની વાન પર ઝાડ પડવાથી એક વિદ્યાર્થીના મોતનો આઘાત તાજો જ હતો, ત્યાં સાકીનાકાના ચાંદિવલી વિસ્તારમાં ૬૦ વર્ષીય અસલમ શેખના ખુલ્લા મેનહોલમાં પડી જવાથી થયેલા મોતને કારણે વહીવટીતંત્ર સામે રોષ ફાટી નીકળ્યો છે.<br></p><h2 style="text-align: justify; "><b>વિધાનસભામાં ગરમાગરમી</b></h2><p style="text-align: justify; ">ગુરુવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં આ ઘટનાએ ભારે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષે સરકાર અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ની કામગીરી સામે આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ નેતા નાના પટોલેએ સરકારને નિશાન બનાવતા કહ્યું કે, સરકાર વહીવટ ચલાવવાને બદલે રાજકીય દાવપેચમાં વ્યસ્ત છે. તેમણે આક્રોશ વ્યક્ત કરતા પૂછ્યું કે, લોકોના જીવ જઈ રહ્યા છે, તો સરકાર હજુ કેટલા મૃત્યુની રાહ જોઈ રહી છે? ભૂતપૂર્વ મંત્રી અસલમ શેખે પણ આ મૃત્યુ માટે સીધી રીતે સરકાર અને વહીવટીતંત્રને જવાબદાર ઠેરવ્યા હતા.<br><br><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PTI_News/status/2072620538556801026"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></p><h3 style="text-align: justify; "><b>વહીવટીતંત્રની ભૂમિકા પર પ્રશ્નો</b></h3><p style="text-align: justify; ">ચાંદિવલીના ધારાસભ્ય દિલીપ લાંડેએ આ ઘટનામાં કાવતરાની આશંકા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે સીસીટીવી તપાસ થવી જોઈએ કે મેનહોલનું ઢાંકણું કુદરતી રીતે ખુલ્લું હતું કે તેને કોઈએ જાણીજોઈને હટાવ્યું હતું. બીજી તરફ, ભાજપના નેતા અમિત સાટમ અને રામ કદમે સત્તા પક્ષના હોવા છતાં વહીવટી બેદરકારીની ટીકા કરી હતી અને દોષિત અધિકારીઓ સામે તાત્કાલિક FIR દાખલ કરવાની માંગ કરી હતી.</p><h4 style="text-align: justify; "><b>સરકારની પ્રતિક્રિયા અને તપાસના આદેશ</b></h4><p style="text-align: justify; ">વિધાનસભા અધ્યક્ષે આ સમગ્ર ઘટનાક્રમનો સાંજ સુધીમાં વિગતવાર અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જે કોઈ અધિકારી કે કર્મચારીની બેદરકારી સાબિત થશે, તેમની સામે 'સદોષ માનવવધ' (Culpable Homicide) નો કેસ દાખલ કરવામાં આવશે. રાજ્ય સરકારે આ મામલે નિષ્કર્ષ સુધી પહોંચવા માટે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશો આપ્યા છે. સાંસદ સુનીલ તટકરેએ પણ આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી નાગરિકોની સલામતી માટે વહીવટીતંત્રને જરૂરી સૂચનાઓ આપી હોવાનું જણાવ્યું હતું.</p><h5 style="text-align: justify; "><b>હવામાનની સ્થિતિ અને પડકારો</b></h5><p style="text-align: justify; ">મુંબઈ અને ઉપનગરોમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૦ મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી ૨૪ કલાક માટે 'ઓરેન્જ એલર્ટ' જારી કર્યું છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા અને ખુલ્લા મેનહોલ જેવા જોખમો સામે લડવું હવે વહીવટીતંત્ર માટે સૌથી મોટો પડકાર છે. આવી સ્થિતિમાં પ્રજાની સલામતી માત્ર કાગળ પર નહીં, પણ જમીની સ્તરે સુનિશ્ચિત કરવી અનિવાર્ય બની ગઈ છે. મુંબઈકર હવે માત્ર રાજકીય નિવેદનો નહીં, પણ નક્કર સુરક્ષા અને સુધારેલી વ્યવસ્થાની અપેક્ષા રાખી રહ્યા છે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/lifestyle/news/vegetables-and-fruits-will-remain-very-fresh-in-monsoon-adopt-this-trick" target="_blank">આ પણ વાંચોઃ Monsoon માં શાકભાજી અને ફળો રહેશે એકદમ ફ્રેશ, અપનાવો આ ટ્રીક</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/gioWe42DkJsP6P8ANL64dcUpscl79GqcEWfufL6K.webp'/></item><item><title><![CDATA[Flop To Hit : ફ્લોપ થવાના આરે પહોંચેલી આ ફિલ્મે કરી શાનદાર વાપસી, બોક્સ ઓફિસ પર પલટી ગઈ બાજી! ]]></title><link>https://sandesh.com/entertainment/news/main-vaapas-aaunga-movie-box-office-miracle-turn-around-from-flop-to-hit</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/main-vaapas-aaunga-movie-box-office-miracle-turn-around-from-flop-to-hit</guid><pubDate>Thu, 02 Jul 2026 18:05:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">કેટલીક ફિલ્મો એવી હોય છે, જે બોક્સ ઓફિસ પર આવતાની સાથે જ કમાલ કરી દે છે, પરંતુ કેટલીક મૂવીઝ ટિકિટ બારી પર કમાણી કરવામાં સમય લે છે. એવો જ કંઈક હાલ ફિલ્મ મેં વાપસ આઉંગાનો છે. ફિલ્મ મેં વાપસ આઉંગાની વાત કરીએ તો રિલીઝના પહેલા અઠવાડિયે એવું લાગી રહ્યું હતું કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ થઈ જશે, પરંતુ એવું થયું નહીં અને ફિલ્મે ધમાકો કરી દીધો.</p><h2 style="text-align: justify; "><b>એક્શન કે મસાલાવાળી ફિલ્મ નથી</b></h2><p style="text-align: justify; ">આ ફિલ્મમાં કોઈ એક્શન કે મસાલા નથી, પરંતુ તેમ છતાં આની સ્ટોરી દર્શકોને ખુબ પસંદ આવી રહી છે. ફિલ્મમાં ભારત અને પાકિસ્તાનના ભાગલાના દર્દને પડદા પર બતાવવામાં આવ્યું છે. આ એક ઇમોશનલ ફિલ્મ છે.</p><h3 style="text-align: justify; "><b>ફિલ્મની સ્ટારકાસ્ટ</b></h3><p style="text-align: justify; ">ફિલ્મમાં નસીરુદ્દીન શાહ અને દિલજીત દોસાંજ સિવાય શરવરી વાઘ, વેદાંગ રૈના, બાનીતા સંધુ, રજત કપૂર, સંજય સુરી અને અંજના સુખાની જેવા શાનદાર કલાકારોએ કામ કર્યું છે.</p><h4 style="text-align: justify; "><b>ટ્રેડ એક્સપર્ટ્સે માની હતી ફ્લોપ</b></h4><p style="text-align: justify; ">શરૂઆતમાં ફિલ્મનું કલેક્શન જોઈને ટ્રેડ એક્સપર્ટ્સે આને ફ્લોપ માની લીધી હતી. પહેલા દિવસે આ ફિલ્મે માત્ર 1.15 કરોડ રૂપિયા કમાયા હતા. શરૂઆતના આખા અઠવાડિયામાં ફિલ્મ માત્ર 12.25 કરોડ રૂપિયાનો જ બિઝનેસ કરી શકી હતી, પરંતુ અસલી ટ્વિસ્ટ આના પછી આવ્યો.</p><h5 style="text-align: justify; "><b>અચાનક વધી ફિલ્મની કમાણી</b></h5><p style="text-align: justify; ">બીજા અઠવાડિયે ફિલ્મનું કલેક્શન અચાનક 80% કરતાં પણ વધુ વધી ગયું અને આણે સીધા 22.55 કરોડ રૂપિયા કમાઈ લીધા. સેકનિલ્કના આંકડા અનુસાર, ત્રીજા અઠવાડિયાના બુધવારે ફિલ્મે 1.40 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું, જે લગભગ સોમવારની કમાણી એટલે કે 1.50   કરોડ રૂપિયાની બરાબર છે.</p><h5 style="text-align: justify; "><b>ફિલ્મનું બજેટ</b></h5><p style="text-align: justify; ">ફિલ્મના ટોટલ બજેટની વાત કરીએ તો આને આશરે 70 કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવી છે. ફિલ્મનું કુલ નેટ કલેક્શન 50.95 કરોડ રૂપિયા સુધી પહોંચી ચૂક્યું છે. હવે જોવાનું એ રહેશે કે ફિલ્મની કમાણી ક્યાં જઈને અટકશે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/urvashi-rautela-bought-2-bugatti-turbillion-hypercars-at-once-you-will-be-amazed-to-hear-the-price" target="_blank">આ પણ વાંચો-Urvashi Rautela એ એક સાથે ખરીદી 2 બુગાટી ટર્બિલિયન હાઇપરકાર, કિંમત સાંભળીને હોશ ઊડી જશે!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/faErwtniU8MYuRogObDTvgQsR0KVmsASKdcUjblQ.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: ફિલ્મ અભિનેત્રી જુહી ચાવલાએ સચિવાલયમાં મંત્રી અર્જુન મોઢવાડીયા સાથે મુલાકાત કરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/juhi-chawla-meets-minister-arjun-modhwadia-at-gandhinagar</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/juhi-chawla-meets-minister-arjun-modhwadia-at-gandhinagar</guid><pubDate>Thu, 02 Jul 2026 18:01:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી જુહી ચાવલાએ આજે ગાંધીનગરમાં સચિવાલય ખાતે એક મહત્વપૂર્ણ મુલાકાત કરી હતી.તેમણે રાજ્યના મંત્રી અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા સાથે સૌજન્યપૂર્ણ મુલાકાત કરી હતી. આ બેઠક રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બની હતી.જુહી ચાવલાનો પોરબંદર સાથે અતૂટ અને સીધો સંબંધ છે. અભિનેત્રીના પતિ અને રાજ્યના દિગ્ગજ ઉદ્યોગપતિ જય મહેતાનું વતન પોરબંદર છે.</p><h2 style="text-align: justify; "><b>મંત્રી અર્જુન મોઢવાડીયા સાથે મુલાકાત કરી</b></h2><p style="text-align: justify; ">અર્જુન મોઢવાડિયા પોરબંદરના ધારાસભ્ય હોવાથી આ શુભેચ્છા મુલાકાતને પ્રાદેશિક વિકાસ અને સામાજિક વિષયો પરની ચર્ચા તરીકે પણ જોવામાં આવી રહી છે. સચિવાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ એક સૌજન્યપૂર્ણ મુલાકાત હતી. મંત્રી અર્જુન મોઢવાડિયાએ અભિનેત્રીનું સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ બંને વચ્ચે વિવિધ વિષયો પર સકારાત્મક વાતચીત થઈ હતી. જુહી ચાવલાએ પણ ગુજરાત સરકારની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.</p><h3 style="text-align: justify; "><b>પોરબંદર સાથેના જોડાણને કારણે મુલાકાત ચર્ચામાં&nbsp;</b></h3><p style="text-align: justify; ">જુહી ચાવલાએ માત્ર ફિલ્મી દુનિયામાં જ નહીં, પરંતુ પર્યાવરણ જાળવણી અને સામાજિક સેવાના ક્ષેત્રમાં પણ મોટું નામ બનાવ્યું છે. તેમની આ મુલાકાતને ભલે શુભેચ્છા મુલાકાતનું નામ આપવામાં આવ્યું હોય પરંતુ તેમના પોરબંદર સાથેના જોડાણને કારણે સ્થાનિક સ્તરે આ બેઠકને ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. ગાંધીનગરમાં અભિનેત્રીને જોતા સચિવાલય પરિસરમાં કર્મચારીઓ અને મુલાકાતીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.<br></p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/monsoon-2026/junagadh/heavy-rain-has-lashed-junagadh-district" target="_blank">આ પણ વાંચોઃ Gujarat Rain: જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની તોફાની ઈનિંગ, કેશોદ શહેરમાં અનરાધાર વરસાદ, જુઓ Video</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/V34947zGTmw2ES61c8uF2y5dUg78Sm7iQ2ebEx2M.webp'/></item><item><title><![CDATA[Iran Crude Oil Discount: ઈરાન આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી વેચી રહ્યુ છે તેલ, 15 દિવસમાં સાઉદી અરેબિયા અને યુએઈને છોડ્યા પાછળ ]]></title><link>https://sandesh.com/world/news/business/iran-crude-oil-discount-iran-is-selling-oil-using-this-formula-leaving-behind-saudi-arabia-and-uae-in-15-days</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/business/iran-crude-oil-discount-iran-is-selling-oil-using-this-formula-leaving-behind-saudi-arabia-and-uae-in-15-days</guid><pubDate>Thu, 02 Jul 2026 17:59:36 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ઈરાને ક્રૂડ ઓઈલના દરેક બેરલ પર $5 ડિસ્કાઉન્ટ ઓફર કર્યું છે. જેના પરિણામે 15 દિવસમાં 50 મિલિયન બેરલ તેલ વેચાયું છે, જેનાથી $3.5 બિલિયનની કમાણી થઈ છે.</p><h2 style="text-align: justify; ">ઇરાનની યુક્તિ કારગર થઇ સાબિત&nbsp;</h2><p style="text-align: justify; ">હોર્મુઝ સ્ટ્રેટના અંત પછી, ઈરાન મોટા પ્રમાણમાં તેલ વેચી રહ્યું છે. છેલ્લા 15 દિવસમાં, ઈરાને 50 બેરલ તેલ વેચ્યું છે. દૈનિક ધોરણે, ઈરાન દરરોજ 3 મિલિયન બેરલથી વધુ તેલ વેચી રહ્યું છે. આ સાઉદી અરેબિયા, કતાર અને યુએઈ જેવા દેશો કરતાં નોંધપાત્ર રીતે વધારે છે. સાઉદી અરેબિયા અને યુએઈ જેવા દેશો હાલમાં દરરોજ ફક્ત 1-2 મિલિયન બેરલ તેલ વેચે છે. અમેરિકા સાથેના સોદા બાદ ઈરાને તેના તેલ વેચાણમાં વધારો કર્યો છે. ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર કાલિબાફે પણ આ વાતની પુષ્ટિ કરી છે.&nbsp;</p><h3 style="text-align: justify; ">શક્ય તેટલું તેલ વેચવાનો પ્રયાસ&nbsp;</h3><p style="text-align: justify; ">કાલિબાફના મતે, અમે હવે 20 ટકા વધુ ભાવે તેલ વેચી રહ્યા છીએ. આ કરાર હેઠળ, ઈરાનને 60 દિવસ માટે તેલ વેચવાની કામચલાઉ પરવાનગી આપવામાં આવી છે. ઈરાન તેની આર્થિક સ્થિતિ સુધારવા માટે આ 60 દિવસમાં શક્ય તેટલું તેલ વેચવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઈરાને 15 દિવસમાં $3 બિલિયન મૂલ્યનું તેલ વેચી દીધું છે. ઈરાને તેનું તેલ ચીની ચલણમાં વેચ્યું છે જેથી ભવિષ્યમાં તેને અમેરિકા પર નિર્ભર ન રહેવું પડે. અહેવાલ મુજબ, ઈરાન હાલમાં ટેન્કરમાં ભરેલું તેલ વેચી રહ્યું છે. ઈરાને મોટાભાગનું તેલ ખાર્ગ ટાપુ દ્વારા વેચ્યું, જે હોર્મુઝ નજીક સ્થિત એક મુખ્ય ઈરાની તેલ ટેન્કર છે.</p><h4 style="text-align: justify; ">ઇરાનના વેપાર અંગે ચર્ચાઓ વધી&nbsp;</h4><p style="text-align: justify; ">ઈરાનમાં તેલ વેચાણ પ્રક્રિયા અંગે અહેવાલ આપ્યો હતો. તેણે દાવો કર્યો હતો કે ઈરાન મધ્યસ્થીઓ દ્વારા તેલ વેચી રહ્યું છે. આ કરવા માટે, ઈરાની મધ્યસ્થીઓ એશિયન દેશોની મુખ્ય તેલ કંપનીઓનો સીધો સંપર્ક કરી રહ્યા છે. તેઓ દરેક કંપનીને $5 ઓછા ભાવે તેલ વેચવાનું વચન આપી રહ્યા છે. અહેવાલો અનુસાર, ઈરાન પ્રતિ બેરલ $70 ના ભાવે તેલ વેચી રહ્યું છે, જ્યારે જૂનના મધ્યમાં ક્રૂડ ઓઈલનો આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ $76 પ્રતિ બેરલ હતો. ઈરાન ઓપેક સભ્ય છે. યુએસ પ્રતિબંધો પહેલા, ઈરાનને દરરોજ 4 મિલિયન બેરલ તેલ વેચવાની છૂટ હતી.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/lifestyle/news/health-fitness/protein-myths-what-do-experts-say-about-the-myths-about-protein-find-out" target="_blank">પ્રોટીન વિશેની માન્યતા અંગે શુ કહે છે નિષ્ણાંતો?, જાણો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/2b0qMV9LNzwwYIZx0n6hhTvrJfBLeqcE6fxF2JDn.webp'/></item><item><title><![CDATA[INS Trikand દરિયાઈ લુંટારાઓ માટે બન્યું કાળ, ભારત માટે માલ લઈ જઈ રહેલા જહાજને બચાવ્યું ]]></title><link>https://sandesh.com/india/news/world/ins-trikand-foils-pirate-attack-saves-india-bound-cargo-ship</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/world/ins-trikand-foils-pirate-attack-saves-india-bound-cargo-ship</guid><pubDate>Thu, 02 Jul 2026 17:19:54 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય નૌસેનાએ ફરી એકવાર દરિયામાં પોતાની સતર્કતા અને શક્તિનો પરિચય આપતા અદનની ખાડીમાં દરિયાઈ લૂંટારુઓના મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. દરિયાઈ લૂંટારુઓએ ભારત માટે મહત્વપૂર્ણ સામાન લઈ જઈ રહેલા વેપારી જહાજ MV ગોલ્ડન આર્સેનલને નિશાન બનાવ્યું હતું. આ જહાજમાં એક ભારતીય ક્રૂ સભ્ય પણ હાજર હતો. ભારતીય નૌસેનાના યુદ્ધજહાજ INS ત્રિકંડ અને મરીન કમાન્ડો 'MARCOS'ની ઝડપી કાર્યવાહીથી જહાજ અને તેમાં સવાર તમામ ક્રૂ સભ્યોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2072596652331028586"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>ક્રૂ સભ્યો જહાજના સુરક્ષિત રૂમમાં પહોંચી ગયા</b></h2><p>માહિતી અનુસાર, હુમલા દરમિયાન જહાજના ક્રૂ સભ્યોએ ગભરાવાના બદલે સમજદારી દાખવી હતી. તેમણે પોતાને જહાજના સુરક્ષિત રૂમમાં બંધ કરી દીધા અને રેડિયો સંચાર દ્વારા તરત જ ભારતીય નૌસેનાને મદદ માટે સંદેશ મોકલ્યો. તેના કારણે દરિયાઈ લૂંટારુઓ જહાજ પર સંપૂર્ણ કબજો જમાવવામાં નિષ્ફળ રહ્યા.</p><h3><b>INS ત્રિકંડ પહોંચતા જ દરિયાઈ લૂંટારુઓ ત્યાંથી ભાગી ગયા</b></h3><p>સંકટનો સંદેશ મળતા જ નજીકમાં તૈનાત યુદ્ધજહાજ INS ત્રિકંડ ઝડપથી ઘટનાસ્થળે પહોંચી ગયું. ભારતીય નૌસેનાની હાજરી અને કાર્યવાહીનો અંદાજ આવતા જ દરિયાઈ લૂંટારુઓ ત્યાંથી ભાગી છૂટ્યા. ત્યારબાદ MARCOS કમાન્ડોએ જહાજ પર ચઢીને સમગ્ર જહાજની સઘન તપાસ કરી હતી. તપાસ દરમિયાન કોઈ પણ લૂંટારો અથવા અન્ય જોખમ ન હોવાનું નિશ્ચિત કર્યા બાદ જહાજને સંપૂર્ણ સુરક્ષિત જાહેર કરવામાં આવ્યું.</p><p>આ સફળ ઓપરેશનથી ફરી એકવાર સાબિત થયું છે કે ભારતીય નૌસેના હિંદ મહાસાગર અને આસપાસના સમુદ્રી વિસ્તારોમાં વેપારી જહાજો તેમજ સમુદ્રી વેપાર માર્ગોની સુરક્ષા માટે સંપૂર્ણપણે સજ્જ છે. INS ત્રિકંડની આ ઝડપી કાર્યવાહીએ ભારતની વધતી દરિયાઈ શક્તિ, સતર્કતા અને વ્યૂહાત્મક ક્ષમતાનો વિશ્વ સમક્ષ વધુ એક વખત પરિચય કરાવ્યો છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/bengaluru-sro-headquarters-threatened-to-be-bombed-threatening-mail-received" target="_blank">આ પણ વાંચો : Bengaluru ISRO હેડ ક્વાર્ટરને ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ધમકી ભર્યો મળ્યો મેઇલ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/W17CjRl45S0hjPrCWfOuAtKUfCFxYDDFU8zBZjme.webp'/></item><item><title><![CDATA[Suratના પનાસ વિસ્તારમાં આવાસના રહીશો પરેશાન: 2 વર્ષથી ગરીબ પરિવારોને ન મળ્યું ભાડું કે ન મળ્યો આશરો ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/residents-of-housing-complex-in-panas-area-of-surat-are-troubled-poor-families-have-not-received-rent-or-shelter-for-2-years</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/residents-of-housing-complex-in-panas-area-of-surat-are-troubled-poor-families-have-not-received-rent-or-shelter-for-2-years</guid><pubDate>Thu, 02 Jul 2026 17:05:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા સ્માર્ટ સિટીના નામે કરવામાં આવતી કામગીરી વચ્ચે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પીસાઈ રહ્યા હોવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના પનાસ વિસ્તારમાં આવેલા પ્રજ્ઞાનગર આવાસના રહીશો હાલ તંત્રની ઉદાસીનતાના કારણે ભારે મુશ્કેલીમાં મુકાયા છે. પાલિકાએ આપેલા વચનો પાળવામાં નિષ્ફળ રહેતાં આવાસના સેંકડો પરિવારો ઘરવિહોણા બનીને દર-દર ભટકી રહ્યા છે.</p><h2 style="text-align: justify; ">વચનો આપીને પાલિકા તંત્રએ 44 બિલ્ડીંગો તોડી પાડી</h2><p style="text-align: justify; ">વર્ષ 2024માં સુરત પાલિકા તંત્ર દ્વારા પ્રજ્ઞાનગર આવાસની 44 જેટલી જર્જરિત બિલ્ડીંગોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ મકાનો ખાલી કરાવતી વખતે તંત્રના અધિકારીઓ દ્વારા રહીશોને વચન આપવામાં આવ્યું હતું કે, તેમને દર મહિને ઘરભાડું ચૂકવવામાં આવશે અને સમયસર નવું મકાન બનાવીને પઝેશન સોંપી દેવાશે. તંત્રના આ આશ્વાસન પર ભરોસો મૂકીને ગરીબ પરિવારોએ પોતાના આશરા ખાલી કરી દીધા હતા.</p><h3 style="text-align: justify; ">બે વર્ષથી સહાય બંધ, પરિવારો આર્થિક ભીંસમાં મૂકાયા</h3><p style="text-align: justify; ">આ ઘટનાને બે વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં, રહીશોનો આક્ષેપ છે કે તેમને હજુ સુધી કોઈ સરકારી સહાય કે ભાડાની રકમ મળી નથી. મોંઘવારીના આ યુગમાં ગરીબ પરિવારો પોતાની મર્યાદિત આવકમાંથી મકાનનું ભાડું ચૂકવીને આર્થિક ભીંસમાં આવી ગયા છે. આ પરિસ્થિતિથી કંટાળીને રહીશોએ પાલિકા કમિશનરને લેખિત રજૂઆત કરી છે અને ટેન્ડર પ્રક્રિયા સત્વરે શરૂ કરી, યોગ્ય બિલ્ડરની નિમણૂક કરીને આવાસનું કામ ઝડપથી પૂરું કરવા આજીજી કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/cJbpBQkfT1A7535dnoXMseLswpUQD2acM9PSwehQ.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026: સ્પેન સામે ઓસ્ટ્રિયાની ટક્કર, પોર્ટુગલનો રાઉન્ડ ઓફ 32માં ક્રોએશિયા સામે મેચ ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-round-of-32-day-22-schedule</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-round-of-32-day-22-schedule</guid><pubDate>Thu, 02 Jul 2026 17:01:57 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફિફા વર્લ્ડકપ 2026 માટે હાલમાં 32 રાઉન્ડની મેચો ચાલી રહી છે, જેમાં 10 ટીમો રાઉન્ડ ઓફ 16માં પોતાનું સ્થાન મેળવી ચૂકી છે. 6 ટીમો હજુ નક્કી થવાની બાકી છે.</p><p style="text-align: justify; ">વર્લ્ડકપના 22મા દિવસના શેડ્યૂલ પર નજર કરીએ તો કુલ 3 મેચો શેડ્યૂલ કરવામાં આવી છે, જેમાં સૌથી વધુ ફેન્સનું ધ્યાન સ્પેન અને ઓસ્ટ્રિયા વચ્ચેની મેચ તેમજ પોર્ટુગલ અને ક્રોએશિયા વચ્ચેની મેચ પર કેન્દ્રિત છે. ત્રીજી મેચ સ્વિટ્ઝર્લેન્ડ અને અલ્જીરિયા વચ્ચે રમાશે.</p><h2 style="text-align: justify; "><b>સ્પેન પોતાનું ફોર્મ જાળવી રાખવાનો કરશે પ્રયાસ</b></h2><p style="text-align: justify; ">ગ્રુપ Hનો ભાગ રહેલા સ્પેને પોતાના અભિયાનની શરૂઆત અપેક્ષા મુજબ કરી ન હતી, અને તેમની પહેલી મેચ ડ્રો રહી હતી. ત્યારબાદ સ્પેને પોતાની આગામી બંને મેચ જીતીને રાઉન્ડ ઓફ 32 માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું.&nbsp;</p><p style="text-align: justify; ">ગ્રુપ Jનો ભાગ રહેલા ઓસ્ટ્રિયાએ 1 જીત, 1 ડ્રો અને 1 હારી. તેથી આ મેચ તેમના માટે સરળ રહેશે નહીં. સ્પેન અને ઓસ્ટ્રિયા વચ્ચેનો આ રાઉન્ડ ઓફ 32 મેચ 3 જુલાઈએ ભારતીય સમય મુજબ રાત્રે 12:30 વાગ્યે રમાશે.</p><h3 style="text-align: justify; "><b>પોર્ટુગલ માટે ક્રોએશિયાનો પડકાર સરળ નહીં હોય</b></h3><p style="text-align: justify; ">જ્યારે પોર્ટુગલ રાઉન્ડ ઓફ 32 માં ક્રોએશિયા સામે ટકરાશે ત્યારે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સૌથી મોટી જવાબદારી નિભાવશે. ગ્રુપ સ્ટેજમાં પોર્ટુગલે ફક્ત 1 જ મેચ જીતી હતી, જ્યારે 2 મેચ ડ્રો રહી હતી. આ દરમિયાન ક્રોએશિયાએ ગ્રુપ સ્ટેજમાં 2 મેચ જીતી હતી અને 1 હારી હતી. પોર્ટુગલ અને ક્રોએશિયા વચ્ચે રાઉન્ડ ઓફ 32 ની મેચ 3 જુલાઈના રોજ ભારતીય સમય મુજબ સવારે 4:30 વાગ્યે રમાશે.</p><h4 style="text-align: justify; "><b>બધાની નજર સ્વિટ્ઝર્લેન્ડ અને અલ્જીરિયા વચ્ચેની મેચ પર પણ રહેશે</b></h4><p style="text-align: justify; ">સ્વિટ્ઝર્લેન્ડ રાઉન્ડ ઓફ 32માં અલ્જીરિયા સામે ટકરાશે. 2 જીત અને 1 ડ્રો સાથે ગ્રુપ Bમાં ટોપ પર રહેનાર સ્વિટ્ઝર્લેન્ડનો ગ્રુપ Jમાં ત્રીજા નંબરે રહીને અલ્જીરિયા સામે થોડો સરળ પડકાર રહેશે. બંને ટીમો વચ્ચેની મેચ 3 જુલાઈએ ભારતીય સમય મુજબ સવારે 8:30 વાગ્યે રમાશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/ishan-kishan-run-out-abhishek-sharma-stump-mic-video" target="_blank">Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/UlOMYKHll7TbOBQCUz0ohyMqWKRBH0PxqtOl9ZK0.webp'/></item><item><title><![CDATA[Surat News: માંગરોળના કંટવા ગામે વીજપોલ ધરાશાયી, કોસાડીના યુવકનું મોત ]]></title><link>https://sandesh.com/weather/monsoon-2026/news/gujarat/surat/mangrol-kantva-electric-pole-collapse-youth-death-heavy-rain</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/monsoon-2026/news/gujarat/surat/mangrol-kantva-electric-pole-collapse-youth-death-heavy-rain</guid><pubDate>Thu, 02 Jul 2026 16:55:32 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાંથી એક અત્યંત દિલધડક અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. માંગરોળના કંટવા ગામ પાસેથી પસાર થતા રોડ પર એક વીજપોલ (ઈલેક્ટ્રિક થાંભલો) અચાનક ધરાશાયી થઈ ગયો હતો. કંટવા તરફથી દિનોદ ગામ તરફ જતા રસ્તા પર બનેલી આ ઘટનામાં એક આશાસ્પદ યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. અકસ્માતને પગલે સ્થાનિકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા.</p><h2><b>કોસાડી ગામના સુફિયાન મામજી તરીકે થઈ ઓળખ</b></h2><p>આ ગમખ્વાર દુર્ઘટનામાં ભોગ બનનાર મૃતક યુવકની ઓળખ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, મૃતક યુવક મૂળ માંગરોળ તાલુકાના જ કોસાડી ગામનો વતની હતો અને તેનું નામ સુફિયાન મામજી હતું. સુફિયાન રોજની જેમ પોતાના કામ અર્થે મોટરસાઇકલ લઈને ભરૂચ તરફ જઈ રહ્યો હતો, તે દરમિયાન કાળમુખો વીજપોલ તેના પર તૂટી પડ્યો હતો, જેના કારણે તેને સંભળાવવાનો મોકો પણ ન મળ્યો.</p><h2><b>ભારે પવન અને વરસાદ બન્યા કાળનું કારણ</b></h2><p>દુર્ઘટના પાછળ હવામાનનો મિજાજ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. ચોમાસાની મધ્યે પંથકમાં વહેલી સવારથી જ ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો અને મુસળધાર વરસાદ પડી રહ્યો હતો. ભારે વરસાદ અને વાવાઝોડા જેવા પવનના કારણે કંટવા ગામના રસ્તા પર આવેલો લોખંડનો વીજપોલ એકાએક જમીનદોસ્ત થઈ ગયો હતો. બરાબર એ જ સમયે સુફિયાન ત્યાંથી પસાર થઈ રહ્યો હોવાથી વીજપોલ સીધો તેના પર પડ્યો હતો.</p><p><img alt="Surat News: Youth Killed as Electric Pole Collapses Due to Heavy Rain in Mangrol" src="https://epapercdn.sandesh.com/images/2026/07/02/bqi0lshLUZ1IUjJ93HzPUY4sgPJowfQ96NDjePLA.webp"><br></p><h2><b>પરિવારમાં માતમ, તંત્રની કામગીરી સામે સવાલો</b></h2><p>આ અકસ્માતની જાણ થતાં જ કોસાડી ગામ અને યુવકના પરિવારમાં અરેરાટી સાથે ભારે રોકકળ મચી ગઈ છે. આશાસ્પદ યુવકના આકસ્મિક અવસાનથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બીજી તરફ, સ્થાનિક લોકોમાં વીજ કંપની અને તંત્ર સામે પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ચોમાસા પૂર્વે પ્રી-મોન્સૂન કામગીરી હેઠળ જર્જરિત વીજપોલ કેમ ચેક કરવામાં ન આવ્યા, તેવા ગંભીર સવાલો પણ ઉઠી રહ્યા છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/weather/monsoon-2026/news/ahmedabad/gujarat-rain-update-weather-imd-rainfall-statistics" target="_blank">Gujarat Rain Update: ગુજરાતમાં સરેરાશ કરતાં 93% ઓછો વરસાદ, વાંચો IMD રિપોર્ટ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/w7qSnBeTmk3oqMQOuQYS0HpQSs1t7QPFSkqHNkbD.webp'/></item><item><title><![CDATA[Gujarat Rain Update: ગુજરાતમાં સરેરાશ કરતાં 93% ઓછો વરસાદ, વાંચો IMD રિપોર્ટ ]]></title><link>https://sandesh.com/weather/monsoon-2026/news/ahmedabad/gujarat-rain-update-weather-imd-rainfall-statistics</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/monsoon-2026/news/ahmedabad/gujarat-rain-update-weather-imd-rainfall-statistics</guid><pubDate>Thu, 02 Jul 2026 16:44:28 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના સત્તાવાર વરસાદી આંકડા અનુસાર, રાજ્યમાં વરસાદની ભારે અછત જોવા મળી રહી છે. સામાન્ય દિવસોમાં જ્યાં ગુજરાતમાં સરેરાશ 6.8 મીમી વરસાદ થવો જોઈએ, તેની સામે માત્ર 0.5 મીમી વરસાદ જ નોંધાયો છે. આ સાથે જ સમગ્ર ગુજરાતમાં વરસાદની 93% જેટલી મોટી ઘટ સામે આવતા જગતના તાત સહિત સામાન્ય નાગરિકોની ચિંતામાં વધારો થયો છે.</p><h2><b>દક્ષિણ ગુજરાતના ડાંગમાં સામાન્ય કરતાં 81 ટકા વધુ વરસાદ</b></h2><p>સમગ્ર રાજ્યમાં ભલે વરસાદની ખેંચ હોય, પરંતુ દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં કુદરત મહેરબાન થઈ છે. હવામાન વિભાગના રિપોર્ટ પ્રમાણે, ડાંગ જિલ્લામાં સામાન્ય 14.1 મીમી વરસાદની સામે 25.5 મીમી જેટલો ભારે વરસાદ ખાબક્યો છે. આ આંકડો સામાન્ય કરતાં 81% વધુ છે. ડાંગ ઉપરાંત નર્મદા જિલ્લામાં 5.7 મીમી, નવસારીમાં 3.2 મીમી અને તાપીમાં 2.9 મીમી વરસાદ નોંધાયો છે.</p><h2><b>અમદાવાદ સહિત 26 જિલ્લાઓ કોરાધાકોર</b></h2><p>હવામાન વિભાગના આંકડા દર્શાવે છે કે, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હજુ પણ મેઘરાજા રિસાયેલા છે. ગુજરાત રીઝનના અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મહેસાણા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા અને વડોદરા જેવા મુખ્ય જિલ્લાઓમાં 'ઝીરો' મીમી વરસાદ નોંધાયો છે, એટલે કે આ જિલ્લાઓમાં 100% વરસાદની ઘટ છે.</p><p><img alt="Gujarat Rain Update: IMD Reports 93% Less Rainfall, Dang Records Highest" src="https://epapercdn.sandesh.com/images/2026/07/02/v22yWdlEMXTUznBpNuf3d8ez3k8KKpVPMiJhFXjV.webp" style="width: 100%;"><br></p><h2><b>સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મેઘરાજાની ખેંચ</b></h2><p>સૌરાષ્ટ્ર અને કચ્છ સબ-ડિવિઝનની સ્થિતિ પણ ચિંતાજનક છે, જ્યાં સરેરાશ 99% વરસાદની ઘટ જોવા મળી છે. અમરેલી, ભાવનગર, જામનગર, જુનાગઢ, મોરબી, સુરેન્દ્રનગર અને ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં બિલકુલ વરસાદ થયો નથી. માત્ર બોટાદમાં 0.6 મીમી અને રાજકોટમાં 0.4 મીમી જેવા સામાન્ય આંકડા નોંધાયા છે. ખેડૂતો હવે વાવણી લાયક મોટા વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.</p><h2><b>ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની ભારે ખેંચ</b></h2><p>ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની ભારે અછત જોવા મળી રહી છે, જ્યાં સામાન્ય 77.3 મીમીની સામે માત્ર 19.7 મીમી વરસાદ નોંધાયો છે, જે 74.5% જેટલી ઘટ છે; જિલ્લાવાર વાત કરીએ તો પાટણમાં 83.5%, સાબરકાંઠામાં 82.7%, બનાસકાંઠામાં 78%, વાવ-થરાદમાં 75.2%, મહેસાણામાં 73.8% અને અરવલ્લીમાં 52% જેટલી વરસાદની અછત સર્જાઈ છે, જેના કારણે અહીંના ડેમોમાં પાણીનું સ્તર માત્ર 20% જેટલું રહી ગયું છે અને ખેડૂતો વાવણી માટે તેમજ પશુપાલકો ચારા માટે અધીરાઈથી રાહ જોઈ રહ્યા છે, જોકે હવામાન વિભાગની આગાહી મુજબ 2 થી 9 જુલાઈ દરમિયાન કચ્છ સરહદી વિસ્તારોમાં થોડો વરસાદ થઈ શકે છે અને 9 થી 16 જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાતમાં સામાન્ય કે થોડો વધુ વરસાદ થવાની શક્યતા છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2072566438041419790"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>ખેડૂતોની ચિંતા અને આગાહી</b></h2><p>ખેડૂતો હવે વાવણી લાયક મોટા વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, પરંતુ રાજ્યવ્યાપી ઘટ દૂર થવાની સંભાવના હાલ ઓછી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/weather/monsoon-2026/news/gujarat/ahmedabad/gujarat-weather-update-heavy-rain-in-many-parts-of-state" target="_blank">Gujarat Weather Update: રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ શરૂ, જાણો કયા કેટલો વરસાદ નોંધાયો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/02/hDY3eWqnjGnk6NsFtEJHPYE5kpifGNjjgGriwwvD.webp'/></item></channel></rss>