<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Share Marketમાં વિદેશી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો, FIIએ એક જ દિવસમાં રૂપિયા 2,603 કરોડના શેર ખરીદ્યા ]]></title><link>https://sandesh.com/business/news/share-market-fii-buy-shares-worth-2603-crore-foreign-investors-confidence-indian-market</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/share-market-fii-buy-shares-worth-2603-crore-foreign-investors-confidence-indian-market</guid><pubDate>Sat, 11 Jul 2026 17:24:34 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય શેરબજાર માટે સારા સંકેતો મળી રહ્યા છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)નો ભારતીય બજાર પ્રત્યેનો અભિગમ ફરી સકારાત્મક બન્યો છે. 10 જુલાઈના રોજ FIIએ ભારતીય શેરબજારમાં ₹2,603.72 કરોડની નેટ ખરીદી કરી છે. આ સાથે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII)એ પણ ₹2,019.68 કરોડના શેર ખરીદ્યા છે. સ્ટોક એક્સચેન્જના પ્રોવિઝનલ ડેટા મુજબ, બંને પ્રકારના રોકાણકારોની ખરીદીએ બજારમાં તેજીનું વાતાવરણ બનાવ્યું હતું.</p><h2><b>સેક્ટોરલ ઈન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા&nbsp;</b></h2><p>10 જુલાઈએ બજારના મુખ્ય સૂચકાંકોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટી 244.10 પોઈન્ટ એટલે કે 1.02 ટકા વધીને 24,206ના સ્તરે બંધ થયો, જ્યારે સેન્સેક્સ 827 પોઈન્ટ એટલે કે 1.08 ટકા વધીને 77,569 પર બંધ રહ્યો. બેન્ક નિફ્ટીમાં પણ 1.39 ટકાનો વધારો નોંધાયો હતો. મોટાભાગના સેક્ટોરલ ઈન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા હતા.</p><h3><b>FIIએ ભારતીય બજારમાં કુલ ₹1,968.81 કરોડની નેટ ખરીદી કરી</b></h3><p>આ દિવસે FIIએ કુલ ₹15,318.07 કરોડના શેર ખરીદ્યા, જ્યારે ₹12,714.35 કરોડના શેર વેચ્યા હતા. પરિણામે તેમની નેટ ખરીદી ₹2,603.73 કરોડ રહી. બીજી તરફ DIIએ ₹17,171.75 કરોડના શેર ખરીદ્યા અને ₹15,152.07 કરોડના શેર વેચ્યા, જેથી તેમની નેટ ખરીદી ₹2,019 કરોડ રહી. જુલાઈ મહિનામાં અત્યાર સુધી FIIએ ભારતીય બજારમાં કુલ ₹1,968.81 કરોડની નેટ ખરીદી કરી છે, જ્યારે DIIની ખરીદી ₹9,245.91 કરોડ રહી છે. નિષ્ણાતોના મતે, જો વિદેશી રોકાણકારોની ખરીદી આગળ પણ ચાલુ રહેશે તો શેરબજારમાં વધુ રિકવરી જોવા મળી શકે છે.</p><p>હાલ રોકાણકારોની નજર કંપનીઓના જૂન ત્રિમાસિક પરિણામો પર છે. બજારની આગળની દિશા કોર્પોરેટ પરિણામો, રૂપિયાની સ્થિરતા, ક્રૂડ ઓઈલના ભાવ અને વૈશ્વિક પરિસ્થિતિઓ પર નિર્ભર રહેશે. અમેરિકા-ઈરાન સંબંધિત અનિશ્ચિતતા હજુ પણ બજાર માટે એક જોખમ બની શકે છે.</p><p><b><a href="https://sandesh.com/business/news/3-new-ipos-opening-next-week-sbi-funds-management-alpine-texworld-millworks-technologies" target="_blank">આ પણ વાંચો : IPO : આવતા અઠવાડિયે ખુલશે 3 નવા IPO, રોકાણકારો માટે મોટી તક</a></b></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/jL7FJPzgf1xABoJB2PuoqlXIB1IAn0hklIp4FTmb.webp'/></item><item><title><![CDATA[Shah Rukh Khan: ગૌરી ખાન સાથે લગ્ન બાદ જે ઘરમાં રહ્યો, હવે એજ ઘર કિંગ ખાને ખરીદ્યું ]]></title><link>https://sandesh.com/entertainment/news/shah-rukh-khan-buys-delhi-house-for-rs-37-crore-where-he-lived-with-gauri-khan</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/shah-rukh-khan-buys-delhi-house-for-rs-37-crore-where-he-lived-with-gauri-khan</guid><pubDate>Sat, 11 Jul 2026 17:15:15 +05:30</pubDate><description><![CDATA[<p>શાહરૂખ ખાન બોલિવૂડના કિંગને કોઈ પરિચયની જરૂર નથી. તેમણે તેમના જીવનમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે અને હવે, 'કિંગ ખાન' એ તેમનું દિલ્હીનું ઘર સંપૂર્ણ રીતે મેળવી લીધું છે. આ તે જ ઘર છે જ્યાં તેઓ અને ગૌરી રહેતા હતા અને લગ્ન પછી તે બન્ને અહીં રહેતા હતા. દિલ્હીના પંચશીલ પાર્ક વિસ્તારમાં સ્થિત આ મિલકત હવે સંપૂર્ણપણે તેમની માલિકી હેઠળ આવી ગઈ છે, કારણ કે તેમણે બીજા અને ત્રીજા માળે ખરીદી લીધા છે. આ પહેલા તેમની પાસે આ ઈમારતનું બેસમેન્ટ અને પહેલો ફ્લોર હતો. પરંતુ હવે બાકીના ભાગને ખરીદ્યા પછી તે આખા ઘરના માલિક બની ગયા છે. શાહરૂખ-ગૌરી માટે આ ઘર ખૂબ જ ખાસ છે. કારણકે અહીં લગ્ન પછીનો ઘણો સમય અહીં પસાર કર્યો છે.&nbsp;</p><p><b style="font-size: 2rem;">₹37 કરોડમાં ખરીદી આખી પ્રોપર્ટી</b></p><p>શાહરૂખ ખાને તાજેતરમાં દિલ્હીના પોશ વિસ્તાર પંચશીલ પાર્ક વિસ્તારમાં આવેલી મિલકત ખરીદી છે. અહેવાલો અનુસાર, ખરીદી કિંમત આશરે ₹37 કરોડ હતી. આ મિલકત લગભગ 1,200 ચોરસ યાર્ડ (આશરે 10,800 ચોરસ ફૂટ) વિસ્તારમાં ફેલાયેલી છે. કુલ સોદાની કિંમત આશરે ₹37 કરોડ હોવા છતાં, જમીનની કિંમત પ્રતિ ચોરસ ફૂટ આશરે ₹34,260 હોવાનો અંદાજ છે.</p><p><b style="font-size: 1.75rem;">આ ઘરમાં જોડાયેલી છે લગ્નના શરૂઆતના દિવસોની યાદ</b></p><p>આ ઘર શાહરૂખ ખાન અને ગૌરી ખાનના હૃદયમાં એક ખાસ સ્થાન ધરાવે છે. 1991 માં તેમના લગ્ન પછી અહીંથી જ તેઓએ સાથે મળીને પોતાનું નવું જીવન શરૂ કર્યું હતું. જોકે શાહરૂખ પાછળથી પોતાની અભિનય કારકિર્દી બનાવવા માટે મુંબઈ ગયા અને ત્યાં સ્થાયી થયા, પરંતુ દિલ્હીનું આ ઘર તેમની પ્રિય યાદોનો એક અભિન્ન ભાગ રહ્યું છે. ગૌરીએ ઇન્ટરવ્યુમાં ઘર વિશે પણ વાત કરી છે, તેને ફક્ત એક ઇમારત તરીકે જ નહીં, પરંતુ કૌટુંબિક યાદોના ખજાના તરીકે વર્ણવ્યું છે. તેણે જણાવ્યું કે દિલ્હીમાં ઉછરી અને તેણે તેની માતાના નિવાસસ્થાન પાસે આ ઘર ખરીદવાનું અને વ્યક્તિગત રીતે ડિઝાઇન કરવાનું પસંદ કર્યું જેથી તેમની બધી કૌટુંબિક યાદોને એક જગ્યાએ સુરક્ષિત રીતે સાચવી શકાય. ઘરનો દરેક ખૂણો યાદોથી ભરેલો છે.&nbsp;</p><p><br></p><p>ગૌરીએ ઉલ્લેખ કર્યો કે ઘરનો દરેક ભાગ તેમના પરિવારની સુંદર યાદોને સાચવે છે, જે બાળકોના બાળપણથી લઈને તેમના ઉછેરના વર્ષો સુધી ફેલાયેલી છે. તેણે ઘરમાં એક 'નોસ્ટાલ્જિયા વોલ' પણ બનાવી છે, જ્યાં સુહાનાના મેકઅપ બ્રશ, આર્યનનું બેડમિન્ટન રેકેટ, અબરામના પહેલા જન્મદિવસની ભેટ શાહરૂખ દ્વારા બનાવેલા ચિત્રો, પોસ્ટકાર્ડ્સ અને તેના દ્વારા આપવામાં આવેલી વિવિધ ખાસ ભેટો જેવી વસ્તુઓ કાળજીપૂર્વક સાચવવામાં આવી છે. ગૌરીના મતે આ ખૂણો તેનો ઘરનો પ્રિય ભાગ છે.</p><p>આ પણ વાંચો: Rajpal Yadav: <a href="https://sandesh.com/entertainment/news/i-will-go-to-jail-5-times-court-takes-a-stern-view-of-rajpal-yadavs-attitude" target="_blank"><b>5 વખત જેલ જઈશ... અભિનેતાને પોતાનું જ નિવેદન પડ્યું ભારે, હવે ગણશે જેલના સળિયા</b></a></p><p><br></p><p><br></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/UBV5mqmlIVyIL0EM7VwOQuJikwVEAJ3XAdSfa4DK.webp'/></item><item><title><![CDATA[Ahmedabad રથયાત્રા માટે લોખંડી બંદોબસ્ત: 30 હજારથી વધુ જવાનો અને 65 ડ્રોન કેમેરાથી રખાશે હાઈટેક નજર ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/ironclad-arrangements-for-ahmedabad-rath-yatra-more-than-30-thousand-personnel-and-high-tech-surveillance-will-be-maintained-with-65-drone-cameras</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/ironclad-arrangements-for-ahmedabad-rath-yatra-more-than-30-thousand-personnel-and-high-tech-surveillance-will-be-maintained-with-65-drone-cameras</guid><pubDate>Sat, 11 Jul 2026 17:08:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ઐતિહાસિક રથયાત્રાની સુરક્ષાને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે 'સંદેશ ન્યૂઝ' સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે, રથયાત્રાના રૂટ પર કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે શહેર પોલીસ સજ્જ છે. આ ભવ્ય બંદોબસ્તમાં 1,000થી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત કુલ 30,000 કરતાં પણ વધારે પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. આ ઉપરાંત, સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે એસઆરપી (SRP)ની 15 કંપનીઓ અને પેરા મિલિટરી ફોર્સની 9 કંપનીઓ પણ સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરી દેવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>હાઈટેક ઉપકરણોથી થશે મોનિટરિંગ</b></h2><p style="text-align: justify; ">આ વર્ષે રથયાત્રામાં સુરક્ષાના ભાગરૂપે આધુનિક ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. કમિશનરે જણાવ્યું કે, સમગ્ર રૂટ પર બાજ નજર રાખવા માટે 65 ડ્રોન, સેંકડો સીસીટીવી (CCTV) કેમેરા, ફેસ રેકોગ્નિશન કેમેરા અને જવાનો માટે બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરાશે. શંકાસ્પદ અસામાજિક તત્વો અને અગાઉના ગુનેગારોને ત્વરિત ઓળખવા માટે તેમના ફોટા સાથેનો એક ખાસ ડિજિટલ ડેટા તૈયાર કરવામાં આવ્યો છે. જેનાથી કંટ્રોલ રૂમ દ્વારા દરેક હિલચાલ પર સીધી નજર રાખી શકાશે.</p><h3 style="text-align: justify; ">અફવાઓથી બચવા પોલીસની અપીલ</h3><p style="text-align: justify; ">રથયાત્રા શહેરના મુખ્ય 11 જેટલા પોલીસ સ્ટેશનની હદમાંથી પસાર થાય છે, જેથી તે તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સ્થાનિક શાંતિ સમિતિ અને મહોલ્લા કમિટીઓની બેઠકો યોજીને કોમી ભાઈચારો જાળવવા તજવીજ કરાઈ છે. રથયાત્રા દરમિયાન સોશિયલ મીડિયા પર કોઈ ગેરમાર્ગે દોરનારી અફવા ન ફેલાય તે માટે સાયબર ક્રાઈમ સેલને પણ એલર્ટ મોડ પર રખાયો છે. પોલીસ કમિશનરે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ કોઈ પણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન કરે અને શંકાસ્પદ બાબત જણાયે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/7MukCd3njJb8K294PEhSNh6jXSCZPC4LASeVpAlc.webp'/></item><item><title><![CDATA[INS Mahendragiri : ભારતીય નૌકાદળનાની શક્તિમાં વધારો, સ્વદેશી સ્ટેલ્થ ફ્રિગેટ INS મહેન્દ્રગિરિ થયું સામેલ ]]></title><link>https://sandesh.com/india/news/ins-mahendragiri-indian-navy-indigenous-stealth-frigate-commissioned</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ins-mahendragiri-indian-navy-indigenous-stealth-frigate-commissioned</guid><pubDate>Sat, 11 Jul 2026 16:52:32 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય નૌસેનાની શક્તિમાં વધુ એક મોટો વધારો થયો છે. શનિવારે 11 જુલાઈના રોજ રક્ષા મંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમ ડોકયાર્ડ ખાતે આયોજિત સમારોહમાં સ્વદેશી રીતે ડિઝાઈન કરાયેલા સ્ટેલ્થ ફ્રિગેટ INS મહેન્દ્રગિરિને ભારતીય નૌસેનાના કાફલામાં સત્તાવાર રીતે સામેલ કર્યું. આ યુદ્ધજહાજ પ્રોજેક્ટ 17A હેઠળ બનાવવામાં આવેલું છઠ્ઠું સ્વદેશી યુદ્ધપોત છે, જેને નૌસેનાના ઈસ્ટર્ન ફ્લીટમાં સામેલ કરવામાં આવ્યું છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/rajnathsingh/status/2075873361104904650"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>કેટલું છે યુદ્ધપોતનું વજન?</b></h2><p>સમારોહ દરમિયાન રાજનાથ સિંહે તેને ભારતની રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા અને સ્વદેશી યુદ્ધપોત નિર્માણની દિશામાં એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે INS મહેન્દ્રગિરિ હવાઈ હુમલા, દરિયાની સપાટી પરના દુશ્મન જહાજો અને પાણીની અંદરની સબમરીન જેવા અનેક જોખમોનો અસરકારક રીતે સામનો કરવાની ક્ષમતા ધરાવે છે. આ યુદ્ધપોતનું કુલ વજન લગભગ 6,670 ટન છે અને તે મહત્તમ 28 નોટ (લગભગ 52 કિમી પ્રતિ કલાક)ની ઝડપે દોડી શકે છે. સ્ટેલ્થ ટેક્નોલોજીથી સજ્જ આ ફ્રિગેટ રડારમાં ઓછું દેખાય છે અને લાંબા સમય સુધી સમુદ્રમાં તૈનાત રહી શકે છે.</p><h3><b>ભારતની ડિઝાઈન ક્ષમતા અને મજબૂત રક્ષા ઉત્પાદન ક્ષેત્રનું પ્રતિનિધિત્વ</b></h3><p>INS મહેન્દ્રગિરિમાં 75 ટકાથી વધુ સ્વદેશી સામગ્રી અને ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ભારતની ડિઝાઈન ક્ષમતા અને મજબૂત રક્ષા ઉત્પાદન ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે. તેને બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ, લાંબા અંતરની સપાટીથી હવામાં માર કરતી મિસાઈલ સિસ્ટમ, ટોર્પિડો લોન્ચર, સ્વદેશી રોકેટ લોન્ચર અને ઈલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ કરી શકાય છે.</p><p>આ યુદ્ધપોત માત્ર યુદ્ધ કામગીરી જ નહીં, પરંતુ સમુદ્રી સુરક્ષા મિશન, શોધ અને બચાવ કામગીરી, માનવતાવાદી સહાય તથા આપત્તિ રાહત અભિયાનમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકશે. INS મહેન્દ્રગિરિના સામેલ થવાથી હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતની નૌસેનાની ક્ષમતા અને હાજરી વધુ મજબૂત બનશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/west-bengal-ucc-bill-2026-9-member-expert-committee-draft-review" target="_blank">આ પણ વાંચો : West Bengal : UCC લાગુ કરવાની તૈયારીઓ, ડ્રાફ્ટની સમીક્ષા માટે 9 સભ્યોની નિષ્ણાત સમિતિની રચના</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/uqJOwfweYP1JQtaRynW3Ep7DEw3GyfRitlOEgyEw.webp'/></item><item><title><![CDATA[Dahodના ગરબાડામાં ચોપડી લેવા ગયેલી 8 વર્ષની બાળકીને ઝેરી સાપે ડંખ મારતા કરુણ મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dahod/an-8-year-old-girl-who-went-to-buy-a-book-at-a-garbada-in-dahod-tragically-died-after-being-bitten-by-a-poisonous-snake</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dahod/an-8-year-old-girl-who-went-to-buy-a-book-at-a-garbada-in-dahod-tragically-died-after-being-bitten-by-a-poisonous-snake</guid><pubDate>Sat, 11 Jul 2026 16:47:38 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના બોરીયાલા અંતર્ગત આવતા નાની બોરીયાલી ગામમાંથી માનવતાને હચમચાવી મૂકે તેવી એક અત્યંત દુઃખદ ઘટના પ્રકાશમાં આવી છે. ગામમાં રહેતી એક 8 વર્ષીય માસૂમ બાળકી પોતાના ઘરમાં રાબેતા મુજબ ઉત્સાહભેર અભ્યાસ કરવા માટે બેઠી હતી. ભણતી વખતે પોતાની ચોપડી લેવા માટે તે ઘરના ખૂણામાં રાખેલા લાકડાના પાટિયા તરફ ગઈ હતી, જ્યાં સંતાઈને બેઠેલા એક અત્યંત ઝેરી સાપે બાળકી પર ઓચિંતો હુમલો કરી દીધો હતો.</p><h2 style="text-align: justify; ">ડાબા પગના અંગૂઠા પર સર્પદંશ</h2><p style="text-align: justify; ">લાકડાના પાટિયા પરથી ચોપડી ઉતારવા જતાં જ નરાધમ સાપે બાળકીના ડાબા પગના અંગૂઠા પર જોરદાર ડંખ માર્યો હતો. સાપ કરડ્યાની જાણ થતાં જ બાળકીએ જોરજોરથી બૂમાબૂમ કરી મૂકી હતી, જેથી પરિવારના સભ્યો તાત્કાલિક દોડી આવ્યા હતા. બાળકીના શરીરમાં ઝેર ફેલાતું રોકવા માટે તેને અત્યંત ગંભીર હાલતમાં તાબડતોબ નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જો કે, હોસ્પિટલના બિછાને જિંદગી અને મોત વચ્ચેની જંગ લડ્યા બાદ આખરે માસૂમ બાળકીનું સારવાર દરમિયાન કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.</p><h3 style="text-align: justify; ">પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી</h3><p style="text-align: justify; ">આ ગમખ્વાર ઘટનાની સત્તાવાર જાણ હોસ્પિટલ પ્રશાસન દ્વારા સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી. ગરબાડા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ હોસ્પિટલ પહોંચીને બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી અને સમગ્ર મામલે હાલ પૂરતો અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ શરૂ કરી દીધી છે. ભણવાના સમયે જ કાળનો કોળિયો બનેલી આશાસ્પદ દીકરીના અકાળે અવસાનથી કમનસીબ પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે અને સમગ્ર ગામમાં ઘેરા શોકની ગમગીની છવાઈ ગઈ છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/sNbbAZErkBYa4lzZWB2iXZLQKhvWW1l26eIUth5D.webp'/></item><item><title><![CDATA[West Bengal : UCC લાગુ કરવાની તૈયારીઓ, ડ્રાફ્ટની સમીક્ષા માટે 9 સભ્યોની નિષ્ણાત સમિતિની રચના ]]></title><link>https://sandesh.com/india/news/west-bengal-ucc-bill-2026-9-member-expert-committee-draft-review</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/west-bengal-ucc-bill-2026-9-member-expert-committee-draft-review</guid><pubDate>Sat, 11 Jul 2026 16:30:17 +05:30</pubDate><description><![CDATA[<p>પશ્ચિમ બંગાળમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવાની પ્રક્રિયા હવે સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. ઉત્તરાખંડ, ગુજરાત અને આસામ બાદ હવે રાજ્ય સરકારે UCC બિલ-2026ના ડ્રાફ્ટની સમીક્ષા માટે નવ સભ્યોની નિષ્ણાત સમિતિની રચના કરી છે. નિવૃત્ત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈના અધ્યક્ષસ્થાને બનેલી આ સમિતિને ચાર અઠવાડિયામાં પોતાની ભલામણો સાથેનો અહેવાલ સરકારને સોંપવાનો સમય આપવામાં આવ્યો છે.&nbsp;</p><h2><b>વિધાનસભા સત્રમાં UCC બિલ રજૂ થઈ શકે</b></h2><p>અહેવાલના આધારે રાજ્ય સરકાર ઓગસ્ટમાં યોજાનારા વિધાનસભા સત્રમાં UCC બિલ રજૂ કરી શકે છે. સમિતિમાં મેઘાલયના પૂર્વ રાજ્યપાલ તથાગત રોય, વરિષ્ઠ IAS અધિકારીઓ, ગૃહ વિભાગના અધિકારીઓ, કાનૂની નિષ્ણાતો અને શિક્ષણવિદો સહિત કુલ નવ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમિતિ રાજ્યના વિવિધ વિસ્તારોમાં જઈને લોકોના અભિપ્રાયો પણ મેળવશે, જેથી કાયદો તૈયાર કરતી વખતે જનમતને મહત્વ આપવામાં આવે.</p><h3><b>શું છે કડક નિયમો?</b></h3><p>પ્રસ્તાવિત UCC ડ્રાફ્ટમાં એકથી વધુ લગ્ન પર પ્રતિબંધ, પુરુષ અને મહિલાને પિતૃ સંપત્તિમાં સમાન અધિકાર, બાળલગ્ન રોકવા માટેના કડક નિયમો તેમજ લિવ-ઈન રિલેશનશિપ માટે સંભવિત રજિસ્ટ્રેશન વ્યવસ્થા જેવા મુદ્દાઓનો સમાવેશ થઈ શકે છે. રાજ્ય સરકાર ઉત્તરાખંડ, ગુજરાત અને આસામના UCC મોડલનો પણ અભ્યાસ કરી રહી છે. અન્ય રાજ્યોની જેમ આદિવાસી સમુદાયોને કાયદાના દાયરાથી બહાર રાખવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.</p><h4><b>ભાજપે કર્યો હતો વાયદો</b></h4><p>આ મુદ્દે પશ્ચિમ બંગાળમાં રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. ભાજપે ચૂંટણી દરમિયાન સરકાર બન્યાના 6 મહિનામાં UCC અમલમાં લાવવાનો વાયદો કર્યો હતો. બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસે (TMC) આ પ્રસ્તાવનો વિરોધ કર્યો છે. પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પક્ષના નેતાઓને વિધાનસભાની અંદર અને બહાર બિલનો વિરોધ કરવા સૂચના આપી છે. વિરોધ પક્ષનું માનવું છે કે વ્યક્તિગત અને પારિવારિક કાયદાઓને અસર કરતા આવા મહત્વપૂર્ણ કાયદા પહેલાં વ્યાપક જનપરામર્શ જરૂરી છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/ram-mandir-donation-row-cash-donations-in-the-temple-decrease-100-500-notes-decrease" target="_blank">આ પણ વાંચો : Ram Mandir Donation Row: મંદિરમાં રોકડ દાનમાં ઘટાડો, 100-500ની નોટો ઘટી</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/AGoeqKl3DeF3K2uYGMUBiIZt8ZYv92n551NqZUjg.webp'/></item><item><title><![CDATA[ભારતીય સ્પ્રિન્ટર અનિમેષ કુજુરે વિદેશી ટ્રેક પર મચાવી ધૂમ, 10.14 સેકન્ડમાં 100 મીટર દોડીને રચ્યો ઈતિહાસ ]]></title><link>https://sandesh.com/sports/news/animesh-kujur-india-second-fastest-100m-sprinter</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/animesh-kujur-india-second-fastest-100m-sprinter</guid><pubDate>Sat, 11 Jul 2026 15:58:06 +05:30</pubDate><description><![CDATA[<p>અનિમેષ કુજુરે વર્લ્ડ એથ્લેટિક્સ કોન્ટિનેન્ટલ ટૂર ચેલેન્જર ટુર્નામેન્ટમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો. અનિમેષ ભારતના સૌથી ઝડપી દોડવીરોમાંનો એક છે, અને કોમનવેલ્થ ગેમ્સ પહેલા તેના પ્રદર્શને તેને ફેન્સમાં ચર્ચાનો વિષય બનાવ્યો છે.&nbsp;</p><p>અનિમેષ કુજુરે બીજા નંબરની સૌથી ઝડપી 100 મીટર દોડ હાંસલ કરી છે. તમને જણાવી દઈએ કે અનિમેષની સફર સરળ ન હતી, અને તે કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી નથી.</p><h2><b>અનિમેષ કુજુરે રેકોર્ડ બનાવ્યો</b></h2><p>છત્તીસગઢના અનિમેષ કુજુરે તાજેતરમાં જર્મનીમાં વર્લ્ડ એથ્લેટિક્સ કોન્ટિનેન્ટલ ટૂર ચેલેન્જર (ફાસ્ટ આર્મ્સ ફાસ્ટ લેગ્સ ઈવેન્ટ) માં શાનદાર પ્રદર્શન કર્યું. તેને 100 મીટર સ્પ્રિન્ટમાં માત્ર 10.14 સેકન્ડમાં બીજા સ્થાને રહ્યો. આ તેના કરિયરનું બેસ્ટ પ્રદર્શન છે, જેના કારણે તે 100 મીટર સ્પ્રિન્ટ દોડનાર બીજો સૌથી ઝડપી ભારતીય ખેલાડી બન્યો.&nbsp;</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/TheKhelIndia/status/2075785987184357855"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><p>હાલમાં રાષ્ટ્રીય રેકોર્ડ ગુરિન્દરવીર સિંહના નામે છે, જેમણે મે 2026 માં 100 મીટર સ્પ્રિન્ટ 10.09 સેકન્ડમાં દોડી હતી. અનિમેષ તેમને પાછળ છોડી દેવાથી માત્ર 0.05 સેકન્ડ દૂર રહ્યો. આ વિદેશી ધરતી પર કોઈપણ ભારતીય દ્વારા સૌથી ઝડપી 100 મીટર સ્પ્રિન્ટ છે.</p><h3><b>અનિમેષની રસપ્રદ સફર</b></h3><p>અનિમેષ કુજુરનો જન્મ 2 જૂન, 2003 ના રોજ છત્તીસગઢના જશપુર જિલ્લાના ઘુઈટાંગર ગામમાં થયો હતો. તેની માતા ભૂતપૂર્વ હોકી ખેલાડી હતી, અને તેના પિતા ફૂટબોલ રમતા હતા. બાદમાં બંનેએ ઘણા વર્ષો સુધી પોલીસ દળમાં સેવા આપી હતી. તે હંમેશા ફૂટબોલ પ્રત્યે ઉત્સાહી હતો અને તે તેનું સ્વપ્ન હતું. પરંતુ તે બાળપણથી જ ઉસૈન બોલ્ટનો પણ ખૂબ શોખીન હતો.</p><p>અંડર-18 ટુર્નામેન્ટમાં એક કોચે અનિમેષ કુજુરની દોડવાની ક્ષમતા જોઈ. 2020ના લોકડાઉન દરમિયાન અનિમેષનું નસીબ બદલાઈ ગયું. તેને કોલેજ અને અભ્યાસમાં ખાસ રસ ન હતો. પરિણામે તેને દોડમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું. ત્યારબાદ તેને રાષ્ટ્રીય સ્તરે પોતાનું નામ બનાવ્યું અને હવે, તેને જર્મનીમાં 10.14 સેકન્ડમાં 100 મીટર દોડ પૂરી કરીને કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફાય કર્યું છે.</p><p><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/ishan-kishan-run-out-abhishek-sharma-stump-mic-video" target="_blank">Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/yUd7tcTToLJb5yrTZtnQWymzPHysn7VPvfxgfAy9.webp'/></item><item><title><![CDATA[Ahmedabadના મેઘાણીનગરમાં પિતાના ઠપકાથી લાગી આવતા ધોરણ 12ની સગીરાએ કર્યો આપઘાત ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/a-12th-standard-girl-committed-suicide-in-meghaninagar-ahmedabad-after-being-scolded-by-her-father</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/a-12th-standard-girl-committed-suicide-in-meghaninagar-ahmedabad-after-being-scolded-by-her-father</guid><pubDate>Sat, 11 Jul 2026 15:44:31 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા મેઘાણીનગર પંથકમાંથી એક અત્યંત ચોંકાવનારી અને કાળજું કંપાવી દે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. મળતી માહિતી મુજબ, મેઘાણીનગર વિસ્તારમાં રહેતી અને ધોરણ 12માં અભ્યાસ કરતી એક 17 વર્ષીય સગીરાએ પોતાના જ ઘરે અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો છે. માસૂમ દીકરીએ અચાનક આ પ્રકારનું અંતિમ પગલું ભરી લેતા આસપાસના રહીશો અને સ્થાનિકોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને સમગ્ર પંથક શોકમાં ડૂબી ગયો છે.</p><h2 style="text-align: justify; ">મૃતકની ઓળખ હિરલ પરમાર તરીકે થઈ</h2><p style="text-align: justify; ">પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાત કરનાર માસૂમ સગીરાની ઓળખ હિરલ પરમાર તરીકે થઈ છે. ઘટનાની વિગતવાર માહિતી અનુસાર, હિરલના પિતાએ કોઈ સામાન્ય બાબતે તેને કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો. પિતા દ્વારા આપવામાં આવેલો આ ઠપકો હિરલને મનમાં ખૂબ જ લાગી આવ્યો હતો. આ સિવાય પરિવારમાં છેલ્લા કેટલાક સમયથી આંતરિક ઘરકંકાસ પણ ચાલતો હોવાનું સામે આવ્યું છે. આ પારિવારિક માનસિક તણાવ અને પિતાના ઠપકાના આઘાતમાં સગીરાએ જીવન ટૂંકાવવાનું આત્મઘાતી પગલું ભર્યું હતું.</p><h3 style="text-align: justify; ">પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી</h3><p style="text-align: justify; ">આ ચકચારી ઘટના અંગે સ્થાનિક નાગરિકો દ્વારા કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતા જ મેઘાણીનગર પોલીસ સ્ટેશનનો મોટો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળનું ઝીણવટભર્યું પંચનામું કરીને સગીરાના મૃતદેહને કાયદેસરના પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. મેઘાણીનગર પોલીસે આ સમગ્ર મામલે હાલ પૂરતો અકસ્માત મોત (AD) નો ગુનો નોંધી, પરિવારના સભ્યોના નિવેદનો લેવાની અને આપઘાત પાછળના ચોક્કસ કારણો શોધવા માટેની આગળની તપાસ તેજ કરી દીધી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/p6Rp7cWsCLJIIdEWGUFt1KfSbKNiPVrLaoZsXLEH.webp'/></item><item><title><![CDATA[Gondalના રીબડા-અરડોઈ વચ્ચે ટ્રેન નીચે ઝંપલાવી 26 વર્ષીય શ્રમિક યુવાને જીવન ટૂંકાવ્યું ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gondal/a-26-year-old-laborer-ended-his-life-by-jumping-under-a-train-between-ribada-ardoi-in-gondal</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gondal/a-26-year-old-laborer-ended-his-life-by-jumping-under-a-train-between-ribada-ardoi-in-gondal</guid><pubDate>Sat, 11 Jul 2026 15:33:24 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાંથી એક અત્યંત કમકમાટીભરી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગોંડલ પંથકમાં આવેલા રીબડા રેલવે સ્ટેશન અને અરડોઈ રેલવે ટ્રેક વચ્ચે એક શ્રમિક યુવાને દોડતી ટ્રેન નીચે ઝંપલાવીને આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ટ્રેનની ભયાનક ટક્કર વાગવાના કારણે યુવાનનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓ થતાં કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે રેલવે ટ્રેક પર સ્થાનિક લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.</p><h2 style="text-align: justify; ">વેરાવળ-ગાંધીનગર ટ્રેન નીચે ઝંપલાવ્યું</h2><p style="text-align: justify; ">ગત મોડી રાત્રે આશરે 1 વાગ્યાની આસપાસ વેરાવળથી ગાંધીનગર જતી ટ્રેન (નંબર 22958) પસાર થઈ રહી હતી, ત્યારે યુવાને અચાનક જ કાળમુખી ટ્રેનની સામે કૂદકો મારી દીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનની ઓળખ 26 વર્ષીય ધર્મેન્દ્રભાઈ રામભરોસા ચૌહાણ તરીકે થઈ છે, જેઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની હતા અને હાલ રાજકોટમાં રહીને છૂટક મજૂરી કામ કરતા હતા. મૃતક ધર્મેન્દ્રભાઈના લગ્ન હજુ દોઢ વર્ષ પહેલાં જ થયા હતા અને તેમના પરિવારમાં માતા-પિતા, ભાઈ તેમજ બહેન હોવાનું સામે આવ્યું છે.</p><h3 style="text-align: justify; ">પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો</h3><p style="text-align: justify; ">આ ભયાનક અકસ્માત અને આપઘાતની જાણ વાયુવેગે પ્રસરતાં જ રેલવે પોલીસ તેમજ ગોંડલ તાલુકા પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરીને યુવાનના છિન્ન-ભિન્ન થઈ ગયેલા મૃતદેહને પોસ્ટમોર્ટમની કાયદેસરની કાર્યવાહી અર્થે ગોંડલની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. નવપરિણીત અને આશાસ્પદ શ્રમિક યુવાને કયા અગમ્ય કારણોસર કે માનસિક તણાવમાં આવીને આ આત્મઘાતી પગલું ભર્યું છે, તે દિશામાં ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધીને ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/r01kjnGB4m2QKrGOr6jKDWwMqqiJlu6UwRLyaZSL.webp'/></item><item><title><![CDATA[વાંચો બપોરે 12થી 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/today-afternoon-breaking-news-bulletin-gujarat-india-updates-read-important-news-from-12-pm-to-03-pm-10-july-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/today-afternoon-breaking-news-bulletin-gujarat-india-updates-read-important-news-from-12-pm-to-03-pm-10-july-2026</guid><pubDate>Sat, 11 Jul 2026 14:59:18 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર&nbsp; &nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-rath-yatra-dariyapur-police-criminals-oath-acp-reena-rathva-news" target="_blank">1. Ahmedabad : કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, દરિયાપુર પોલીસે રીઢા ગુનેગારો અને ડ્રગ્સ માફિયાઓને લેવડાવ્યા શપથ, Video</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/world/news/pm-modi-i-have-brought-the-best-wishes-of-140-crore-indians-pm-modi-roared-in-new-zealand" target="_blank">2. PM Modi: "કીવી વ્યક્તિએ આપેલું એ મફલર આજે પણ મારી પાસે છે" ન્યૂઝીલેન્ડમાં પોતાના લોકો વચ્ચે ભાવુક થયા PM મોદી</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/entertainment/news/jay-bhanushali-mahhi-vij-divorce--actor-says-living-like-salman-khan" target="_blank">3. છૂટાછેડા બાદ શું જય ભાનુશાલીને છે કોઈ Girl Friend? જગજાહેર કર્યો મોટો ખુલાસો</a>&nbsp;&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/world/news/afghanistan-india-and-our-dna-are-the-same-this-statement-by-the-afghan-minister-will-increase-pakistani-concerns" target="_blank">4. Afghanistan: ભારત અને અમારું DNA એક જ છે,અફઘાન મંત્રીના આ નિવેદનથી પાકિસ્તાની ચિંતા વધશે</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/business/news/gold-silver-price-today-silver-fell-by-13-thousand-while-gold-fell-by-2976-know-how-much-the-price-of-gold-and-silver-fell-this-week" target="_blank">5. Gold Silver Price Today: ચાંદીમાં 13 હજાર જ્યારે સોનામાં 2,976નો ઘટાડો, જાણો આ અઠવાડિયે સોના ચાંદીનો ભાવ કેટલો ઘટ્યો</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/bhavnagar/bhavnagar-university-campus-abvp-president-attack-parking-dispute-arrest-news" target="_blank">6. Bhavnagar : યુનિવર્સિટી કેમ્પસમાં પાર્કિંગ બાબતે ABVP કોલેજ પ્રમુખ સહિત બે પર છરી-ધોકાથી જીવલેણ હુમલો, પોલીસ એક્શનમાં</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/amreli/amreli-liliya-lion-harassment-case-illegal-lion-show-arrest-news" target="_blank">7. Amreli : સિંહ પજવણી મામલામાં ઘટસ્ફોટ, સિંહ મેટિંગ દરમિયાન વિડીયો કોલથી 'લાયન શો' કરનારા 2 શખ્સોની ધરપકડ</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/vadodara/rosary-school-pt-teacher-punishes-heart-patient-student-deo-complaint" target="_blank">8. Vadodara: હૃદયરોગથી પીડાતા ધોરણ 5 ના વિદ્યાર્થીને મેદાનના 6 રાઉન્ડ દોડાવ્યા, શું શાળાએ ભૂલ સ્વીકારી શિક્ષકનો બચાવ કર્યો ?</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/gujarat/news/khed-brahma/sabarkantha-khedbrahma-girl-climbs-mobile-tower-highway-traffic-jam-news" target="_blank">9. Khedbrahma: અંબાજી હાઇવે પર હાઈવોલ્ટેજ ડ્રામા, 200 ફૂટ ઊંચા મોબાઈલ ટાવર પર ચઢી ગઈ યુવતી, રહસ્ય અકબંધ, Video</a>&nbsp;</b></p><p><b><br></b></p><p><b><a href="https://sandesh.com/entertainment/news/muzammil-ibrahim-claims-he-dumped-deepika-padukone---quot-no-regrets" target="_blank">10. Muzammil Ibrahim on Deepika Padukone: દીપિકાને છોડવાનો કોઈ પસ્તાવો નથી... એક્સ બોયફ્રેન્ડનો ચોંકાવનારો દાવો</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/11/cF1UhVL3qjgh9TzIwiEc7eDF0rh6e2YE3bOZyEvH.webp'/></item></channel></rss>