<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Surat: ખાડીપૂર પ્રભાવિત ઝોનમાં રોગચાળો અટકાવવા આરોગ્ય ટીમોએ કમર કસી, મચ્છરોના 7,057 બ્રીડિંગ સ્પોટનો નાશ કરાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/smc-massive-health-drive-after-khadi-flood-mosquito-breeding-destroyed-fine-imposed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/smc-massive-health-drive-after-khadi-flood-mosquito-breeding-destroyed-fine-imposed</guid><pubDate>Tue, 14 Jul 2026 12:16:41 +05:30</pubDate><description><![CDATA[<p>દક્ષિણ ગુજરાતમાં વરસેલા અવિરત વરસાદ અને ત્યારબાદ ખાડીઓમાં આવેલા પૂરના પાણી શહેરી વિસ્તારોમાં ઘૂસી જતાં મોટો રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઊભી થઈ હતી. ખાસ કરીને ખાડીપૂર ઓસર્યા બાદ કાદવ-કીચડ અને ઠેર-ઠેર જમા થયેલા પાણીના કારણે મચ્છર અને માખીઓનો ઉપદ્રવ ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને સુરત મહાનગરપાલિકા (SMC) ના કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ શહેરના તમામ આઠેય ઝોનમાં એક વ્યાપક હેલ્થ ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યું છે.</p><h2><b>પૂરના પાણી ઓસરતા જ રોગચાળાનો ભય</b></h2><p>આરોગ્ય વિભાગની વિશેષ ટીમોએ છેલ્લા 9 દિવસથી બાંધકામ સાઇટો, રહેણાંક સોસાયટીઓ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને ખુલ્લા પ્લોટ્સમાં ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધર્યું છે. આ સમયગાળા દરમિયાન ટીમોએ 1,161 જેટલી નાની-મોટી બાંધકામ સાઇટોની આકસ્મિક મુલાકાત લીધી હતી. પાણી ભરાયેલા સ્થાનો અને મચ્છરોના લાર્વા (પોરા) મળી આવતા આરોગ્ય વિભાગે મચ્છરોની ઉત્પત્તિ માટે જવાબદાર એવા 7,057 જેટલા બ્રીડિંગ સ્પોટનો રાસાયણિક પ્રવાહી નાખીને અને દવા છાંટીને નાશ કર્યો હતો. નિયમોનું પાલન ન કરનાર અને ઘોર બેદરકારી દાખવનાર બિલ્ડરો તેમજ મિલકતધારકો સામે લાલ આંખ કરી કાયદેસરના નોટિસ આપીને કુલ રૂ. 2.66 લાખનો રોકડ દંડ સ્થળ પર જ ફટકારવામાં આવ્યો છે.</p><h3><b>ઘરે-ઘરે આરોગ્ય સર્વે અને દવાઓનું વિતરણ</b></h3><p>ચોમાસામાં પાણીજન્ય રોગો જેવા કે કમળો, ટાઈફોઈડ, ગેસ્ટ્રો અને મચ્છરજન્ય ડેન્ગ્યુ-મેલેરિયાથી સુરતીઓને બચાવવા માટે 32,508 થી વધુ ઘરોમાં ડોર-ટુ-ડોર હેલ્થ સર્વે હાથ ધરાયો હતો. આ સર્વેક્ષણ દરમિયાન પૂર અસરગ્રસ્ત નીચાણવાળા વિસ્તારો અને સ્લમ વિસ્તારોના નાગરિકોને તાવ-શરદીની પ્રાથમિક સારવાર કીટ, પાણી શુદ્ધ કરવાની હેલોજન/ક્લોરિન ટેબ્લેટ્સ તેમજ ડીહાઇડ્રેશન બચાવવા ઓ.આર.એસ. (ORS) પેકેટનું જંગી માત્રામાં મફત વિતરણ કરવામાં આવ્યું છે. મનપા પ્રશાસને લોકોને અપીલ કરી છે કે તેઓ પોતાના સ્તરે પણ સફાઈ રાખે અને ક્યાંય પણ બિનજરૂરી પાણી જમા થવા ન દે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/ambaji/ambaji-temple-donation-theft-case-collector-dismissed-three-employees-new-sop" target="_blank">આ પણ વાંચો: Ambaji: ભંડારા ચોરી કેસમાં 3 કર્મચારીઓ ઘરભેગા, હવે ચાચર ચોકમાં LED પર ગણતરી લાઈવ દેખાડાશે</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/uFjZ4FFAyDAuAY9kcVn9gaLhnUXw1FnCrhxmGFhT.webp'/></item><item><title><![CDATA[Hafiz Saeed: પહલગામ આતંકી હુમલાનો માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદ વિરુદ્ધ NIA કોર્ટની કાર્યવાહી, બિન-જામીનપાત્ર વોરંટ જાહેર ]]></title><link>https://sandesh.com/india/news/jammu-nia-court-takes-action-against-pahalgam-terror-attack-mastermind-hafiz-saeed-issues-non-bailable-warrant</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/jammu-nia-court-takes-action-against-pahalgam-terror-attack-mastermind-hafiz-saeed-issues-non-bailable-warrant</guid><pubDate>Tue, 14 Jul 2026 12:10:24 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આતંકવાદ વિરુદ્ધ ભારતીય એજન્સીઓએ ફરી એકવાર સકંજો મજબૂત કર્યો છે. વર્ષ 2025માં જમ્મુ-કાશ્મીરના પહલગામ (બૈસરન) ખાતે થયેલા ભયાનક આતંકવાદી હુમલાના કેસમાં જમ્મુની વિશેષ NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) કોર્ટે પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) ના ચીફ હાફિઝ સઈદ સામે 'નોન-બેલેબલ વોરંટ' (બિન-જામીનપાત્ર વોરંટ) જાહેર કર્યું છે.</p><p style="text-align: justify; ">નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા કોર્ટમાં હાફિઝ સઈદ વિરુદ્ધ પૂરક ચાર્જશીટ (Supplementary Chargesheet) દાખલ કરાયાના બે દિવસ બાદ, કોર્ટે 8 જુલાઈના રોજ આ કડક આદેશ આપ્યો હતો. ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર થઈ ચૂકેલો 76 વર્ષીય હાફિઝ સઈદ આ કેસમાં જાણીજોઈને ધરપકડથી બચી રહ્યો છે અને પાકિસ્તાનમાં છુપાયેલો છે.</p><h2 style="text-align: justify; "><b>ન્યાયિક પ્રક્રિયા અને તપાસમાં વળાંક</b></h2><p style="text-align: justify; ">વિશેષ કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે આ કેસની નિષ્પક્ષ, સંપૂર્ણ અને અસરકારક તપાસ માટે આતંકી હાફિઝ સઈદની ધરપકડ અને કસ્ટોડિયલ પૂછપરછ અત્યંત અનિવાર્ય છે. NIA ના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ નોન-બેલેબલ વોરંટ (NBW) ના આધારે હવે હાફિઝ સઈદને ઔપચારિક રીતે 'ભાગેડુ ગુનેગાર' (Proclaimed Offender) જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.</p><p style="text-align: justify; ">આ વોરંટ સત્તાવાર માધ્યમો દ્વારા પાકિસ્તાન મોકલવામાં આવશે. જોકે, પાકિસ્તાન આ મામલે કોઈ સહકાર નહીં આપે તે નિશ્ચિત હોવાથી, ભારત સરકાર નવા ફોજદારી કાયદા 'ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા' (BNSS) ની કલમ 356 હેઠળ તેની ગેરહાજરીમાં (In Absentia) કેસ ચલાવવાની તૈયારી કરી રહી છે.</p><h3 style="text-align: justify; "><b>શું હતો પહલગામ આતંકી હુમલો?</b></h3><p style="text-align: justify; ">22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામના બૈસરન મેદાનમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ નિર્દોષ પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ક્રૂર હુમલામાં 26 લોકોના મોત થયા હતા. NIA ની તપાસમાં ખુલાસો થયો છે કે આ હુમલો સંપૂર્ણપણે પાકિસ્તાનથી ઓપરેટ અને પ્લાન કરવામાં આવ્યો હતો, જેમાં ધર્મના આધારે નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા હતા.</p><p style="text-align: justify; ">NIA એ કોર્ટમાં વૈજ્ઞાનિક પુરાવા અને ડિજિટલ પુરાવા રજૂ કરીને સાબિત કર્યું છે કે આ હુમલાનું કાવતરું ઘડવામાં હાફિઝ સઈદ અને તેની પ્રોક્સી ગેંગ 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' (TRF) ની મુખ્ય ભૂમિકા હતી. આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવતા ભારતે હવે આ વૈશ્વિક આતંકીને કાનૂની રીતે ઘેરવાની પૂરી તૈયારી કરી લીધી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/world/news/trump-claims-irans-new-supreme-leader-mojtaba-khamenei-is-90-percent-dead" target="_blank">આ પણ વાંચો: Iranના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામિનેઇ 90 ટકા ખતમ થયાનો ટ્રમ્પનો દાવો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/WwaqD2BRaIYnQjtT80GfuTzYn3APXViXJFfsQeAU.webp'/></item><item><title><![CDATA[Zareen Khan on Paparazzi : અસભ્ય કમેન્ટ પર ભડકી ઝરીન ખાન, કેમેરા સામે જ પાપારાઝીનો ક્લાસ લગાવ્યો ]]></title><link>https://sandesh.com/entertainment/news/zareen-khan-got-angry-over-paparazzi-rude-comment-actress-warns-paparazzi</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/zareen-khan-got-angry-over-paparazzi-rude-comment-actress-warns-paparazzi</guid><pubDate>Tue, 14 Jul 2026 11:59:51 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">બોલીવુડ સેલેબ્સ અને પાપારાઝી વચ્ચેના વિવાદો હવે સામાન્ય બની રહ્યા છે. ક્યારેક પાપારાઝી દ્વારા સ્ટાર્સની પર્સનલ લાઈફને કરાતા સવાલો તો ક્યારેક અસભ્ટ ટિપ્પણીઓ કલાકારોને ગુસ્સે કરી દે છે. તાજેતરમાં જ સોનાક્ષી સિંહા અને નેહા ધૂપિયાએ પાપારાઝીના વર્તન સામે નારાજગી વ્યક્ત કરી હતી, અને હવે આ લિસ્ટમાં અભિનેત્રી ઝરીન ખાનનું નામ પણ જોડાઈ ગયું છે. એક ઈવેન્ટ દરમિયાન પાપારાઝીની હરકતથી ઝરીન ખાનની ધીરજ ખૂટી ગઈ હતી અને તેણે કેમેરા સામે જ&nbsp; પાપારાઝીને જોરદાર ઠપકો આપ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>શું છે સમગ્ર ઘટના? કેમ ગુસ્સે થઈ ઝરીન ખાન?</b></h2><p style="text-align: justify; ">સોમવારે ઝરીન ખાન મુંબઈમાં એક ક્લોધિંગ (કપડાંની) બ્રાન્ડના લોન્ચિંગ ઈવેન્ટમાં પહોંચી હતી. જ્યાં તે બ્રાન્ડના કલેક્શન સાથે કેમેરા સામે પોઝ આપી રહી હતી. પ્રમોશનના ભાગરૂપે તેના હાથમાં એક ડેનિમ જેકેટ અને ડ્રેસ હતો. આ દરમિયાન ત્યાં હાજર એક ફોટોગ્રાફરે મજાકિયા અંદાજમાં ઝરીનને બધાની સામે જ એ ડ્રેસ ટ્રાય (પહેરી જોવા) કરવા માટે કહ્યું. પાપારાઝીની આ અસભ્ય ટિપ્પણી સાંભળીને ઝરીનનો પારો સાતમા આસમાને પહોંચી ગયો હતો. કોઈપણ ખચકાટ વિના તેણે તરત જ સણસણતો જવાબ આપ્યો, "તમારા બધાની સામે? એવું બિલકુલ નથી થઈ રહ્યું."</p><h3 style="text-align: justify; "><b>"હું એવા લોકોમાંથી નથી જે વાહિયાત વાતો સહન કરે..."</b></h3><p style="text-align: justify; ">આટલેથી ન અટકતા ઝરીને ફોટોગ્રાફર્સને કડક શબ્દોમાં ચેતવણી આપતા આગળ કહ્યું, "મારી સાથે આવી વાહિયાત વાતો ના કરો, કારણ કે હું એવા લોકોમાંથી નથી જે આવી બકવાસ સહન કરે, સમજી ગયા? બધા પોતાની મર્યાદામાં રહો." ઝરીનનો આ કડક મિજાજ જોઈને ત્યાં હાજર તમામ લોકો એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયા હતા.</p><h4 style="text-align: justify; "><b>સોશિયલ મીડિયા પર યુઝર્સે કર્યા ઝરીનના વખાણ</b></h4><p style="text-align: justify; ">આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગયો છે અને લોકો ઝરીનના સપોર્ટમાં આવ્યા છે. એક યુઝરે લખ્યું, "ઝરીન બિલકુલ સાચી છે, કોઈને પણ આવી ટિપ્પણી કરવાનો અધિકાર નથી." બીજા યુઝરે ગુસ્સો વ્યક્ત કરતા લખ્યું, "પાપારાઝી સેલેબ્સ સાથે આવી વાત કેવી રીતે કરી શકે?" જ્યારે અન્ય એક યુઝરે કહ્યું, "શું તેઓ એવી આશા રાખતા હતા કે ઝરીન ત્યાં જ કપડાં બદલશે? આ સંપૂર્ણપણે ખોટું અને શરમજનક છે."</p><h4 style="text-align: justify; "><b>લાંબા સમયથી મોટા પડદાથી દૂર છે ઝરીન</b></h4><p style="text-align: justify; ">ઝરીન ખાનના કરિયરની વાત કરીએ તો, તેણે વર્ષ ૨૦૧૦ માં સલમાન ખાનની ફિલ્મ 'વીર' થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ ભલે બોક્સ ઓફિસ પર ન ચાલી પરંતુ ઝરીનને એક મોટી ઓળખ મળી હતી. આ પછી તે સલમાન ખાનની જ ફિલ્મ 'રેડી' ના સુપરહિટ ગીત 'કેરેક્ટર ધીલા' માં જોવા મળી હતી. આ સિવાય તેણે 'હાઉસફુલ ૨', 'હેટ સ્ટોરી ૩', '૧૯૨૧', 'અક્સર ૨' અને પંજાબી ફિલ્મ 'જટ જેમ્સ બોન્ડ' માં કામ કર્યું છે. ઝરીન છેલ્લા કેટલાક સમયથી ફિલ્મી પડદાથી દૂર છે અને તે છેલ્લે વર્ષ ૨૦૨૧ માં JioHotstar પર રિલીઝ થયેલી ફિલ્મ "હમ ભી અકેલે તુમ ભી અકેલે" માં નજરે પડી હતી.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/tmkoc-is-jethalal-leaving-the-show-makers-give-big-statement-on-dilip-joshis-exit-rumours" target="_blank">આ પણ વાંચો : TMKOC: શું જેઠાલાલ શો છોડી રહ્યા છે? સોશિયલ મીડિયા પર વાયરલ સમાચાર પર મેકર્સે તોડ્યું મૌન</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/pHwDgUDUuqziVqZu9Glc5HMfDJv4lg7jvuyPPszu.webp'/></item><item><title><![CDATA[Strait Of Hormuz: હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય નાવિકનું મોત, સરકારે ઇરાની દૂતાવાસને પાઠવ્યુ સમન્સ ]]></title><link>https://sandesh.com/india/news/strait-of-hormu-indian-sailor-dies-in-hormuz-strait-government-summons-iranian-embassy</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/strait-of-hormu-indian-sailor-dies-in-hormuz-strait-government-summons-iranian-embassy</guid><pubDate>Tue, 14 Jul 2026 11:57:08 +05:30</pubDate><description><![CDATA[<p>હોર્મુઝ સ્ટ્રેટમાં સંયુક્ત આરબ અમીરાત (UAE) ના ટેન્કરો પર થયેલા હુમલામાં એક ભારતીય નાવિકનું મોત થયું છે, જેના કારણે ભારત સરકારે કડક કાર્યવાહી કરવાની ફરજ પડી છે. ભારતે આ ઘટના અંગે સ્પષ્ટતા માંગવા માટે દિલ્હીમાં ઈરાની દૂતાવાસને સમન્સ પાઠવ્યુ.&nbsp;</p><p><b style="font-size: 1.75rem;">વિદેશ મંત્રાલયે ઇરાન પાસે માગ્યો જવાબ&nbsp;</b></p><p>હોર્મુઝ સ્ટ્રેટમાં ગઈકાલે થયેલા હુમલા અંગે વિદેશ મંત્રાલયે ઈરાની રાજદ્વારીઓને સમન્સ પાઠવ્યા હતા. ડેપ્યુટી ચીફ ઓફ મિશન મોહમ્મદ જાવદ હુસેની સહિત ઈરાની રાજદ્વારીઓ વિદેશ મંત્રાલય પહોંચ્યા હતા. ગઈકાલે ઈરાની હુમલામાં એક ભારતીય નાવિકનું મોત થયું હતું અને છ અન્ય ઘાયલ થયા હતા. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં તેલ ટેન્કરો પર હુમલો કર્યો હતો. આ ઘટના પર ઊંડી ચિંતા વ્યક્ત કરતા ભારતે ઈરાન પાસેથી જવાબ માંગ્યો છે. વિદેશ મંત્રાલયે આ ઘટનાની સખત નિંદા કરી છે અને ભારતીય નાગરિકોની સુરક્ષા પર ભાર મૂક્યો છે.</p><p><b style="font-size: 2rem;">ઇરાની દૂતાવાસને સમન્સ પાઠવ્યુ</b></p><p>ઈરાને યુએઈના ટેન્કર પર હુમલો કર્યો હતો, જેમાં એક ભારતીય ક્રૂ મેમ્બરનું મોત નીપજ્યું હતું અને આઠ અન્ય ઘાયલ થયા હતા - જેમાં છ ભારતીય અને બે યુક્રેનિયનનો સમાવેશ થાય છે. ઘાયલોમાંથી ચારની હાલત ગંભીર છે. ઈરાની હુમલા બાદ બંને ટેન્કરોમાં આગ લાગી હતી, જોકે આગને બાદમાં કાબુમાં લેવામાં આવી હતી.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2076906037651837337"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h3><b>ઓમાનના દરિયાઈ વિસ્તારમાં હુમલો</b></h3><p>UAEના સંરક્ષણ મંત્રાલયે મંગળવારે આ હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, ઓમાનના પ્રાદેશિક જળસીમામાં આવેલા સ્ટ્રેટ ઓફ હોર્મુઝના દક્ષિણી માર્ગ પર તેમના ધ્વજવાળા બે ઓઈલ ટેન્કર 'મોમ્બાસા' (Mombasa) અને 'અલ બહિયાહ' (Al Bahiyah) પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ઈરાની ક્રૂઝ મિસાઈલો સીધી 'મોમ્બાસા' ટેન્કર સાથે અથડાઈ હતી, જેના કારણે જહાજ પર તૈનાત એક ભારતીય નાવિકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘાયલોમાં છ ભારતીય અને બે યુક્રેનિયન નાગરિકો સામેલ છે, જેમાંથી ચારની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે. મિસાઈલ અથડાતા જ બંને જહાજોમાં ભીષણ આગ લાગી ગઈ હતી, જેને ભારે જહેમત બાદ કાબૂમાં લેવામાં આવી હતી.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/PTI_News/status/2076909079604437011"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><b style="font-size: 1.5rem;">UAE દ્વારા કડક શબ્દોમાં નિંદા</b></p><p>UAEના વિદેશ મંત્રાલયે આ હુમલાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના પ્રસ્તાવ 2817નું ખુલ્લું ઉલ્લંઘન ગણાવ્યું છે. UAE સરકારે આ દુર્ઘટનામાં ભારતીય નાવિકના મોત પર ભારત સરકાર અને ભારતીય જનતા પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. સાથે જ ચેતવણી આપી છે કે તેઓ આ હુમલાનો જવાબ આપવાનો સંપૂર્ણ અધિકાર અનામત રાખે છે અને પોતાના સાર્વભૌમત્વ તેમજ રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે તેમની સશસ્ત્ર સેના હાઈ એલર્ટ પર છે.</p><h4><b>ઈરાનનો દાવો અને અમેરિકા સાથેનો ટકરાવ</b></h4><p>બીજી તરફ, ઈરાને દાવો કર્યો છે કે તેના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા આ જહાજો ગેરકાયદેસર રીતે પસાર થઈ રહ્યા હોવાથી તેમને રોકવા માત્ર ચેતવણીરૂપ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે હોર્મુઝ પર નિયંત્રણ મેળવવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. આ હુમલાના થોડા સમય પહેલા જ અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ ઈરાની સૈન્ય ઠેકાણાઓ પર હવાઈ હુમલા શરૂ કર્યા હતા જેથી વ્યાપારી જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. આ તાજા ઘટનાક્રમ બાદ સમગ્ર અખાતી ક્ષેત્રમાં યુદ્ધની સ્થિતિ વધુ વણસી ગઈ છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/Vmlug9irhyIxjNeMqPu3Y3JYkyFnwOcBjtnxOxNi.webp'/></item><item><title><![CDATA[Gir Somnath: ગીરગઢડાના જુના ઉગલા ગામમાં તસ્કરોનો આતંક, 10 દિવસમાં બીજી ચોરીથી ફફડાટ ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gir-somnath/gir-gadhada-juna-ugla-village-theft-cases-unsolved-police-patrolling</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gir-somnath/gir-gadhada-juna-ugla-village-theft-cases-unsolved-police-patrolling</guid><pubDate>Tue, 14 Jul 2026 11:27:09 +05:30</pubDate><description><![CDATA[<p>ગીર સોમનાથ જિલ્લાના સરહદી અને ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે. ગીરગઢડા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરોએ જાણે પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંક્યો છે. ગીરગઢડાના જુના ઉગલા ગામમાં ગઈકાલે રાત્રે તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરો મકાનના તાળા તોડી અંદર પ્રવેશ્યા હતા અને ઘરમાં રાખેલી રૂ. 1,60,000 ની રોકડ રકમ તેમજ કિંમતી સોના-ચાંદીના દાગીના ચોરી કરીને આસાનીથી રફુચક્કર થઈ ગયા હતા. સવારે જ્યારે પરિવાર પરત ફર્યો ત્યારે ચોરી થઈ હોવાની જાણ થતાં સ્થાનિક પોલીસને વાકેફ કરવામાં આવી હતી.</p><h2><b>માત્ર 10 દિવસમાં બીજી ઘટનાથી ભય</b></h2><p>સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, જુના ઉગલા ગામમાં જ માત્ર 10 દિવસ પહેલાં પણ તસ્કરો ત્રાટક્યા હતા અને એક મકાનમાંથી રૂ. 2.21લાખની ચોરી કરી ગયા હતા. આ અગાઉની ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસ હજુ ફાંફા મારી રહી છે, ત્યાં જ તસ્કરોએ બીજા બંધ મકાનને સાફ કરી નાખતા પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. આટલું જ નહીં, આજુબાજુના વડવિયાળા ગામમાં આશરે એક વર્ષ પહેલાં થયેલી રૂ. 10 લાખથી વધુની મોટી ચોરીનો ભેદ પણ આજદિન સુધી અકબંધ છે.</p><h3><b>તસ્કરોએ જાણે પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંક્યો&nbsp;</b></h3><p>ગામલોકોનો આક્ષેપ છે કે આ વિસ્તારમાં અવારનવાર પી.આઈ. ની બદલીઓ થાય છે, પરંતુ તપાસ શૂન્ય રહે છે. રાત્રિના સમયે પોલીસનું કોઈ જ પેટ્રોલિંગ ન હોવાથી તસ્કરો બેફામ બન્યા છે અને એક પછી એક બંધ મકાનોને નિશાન બનાવી રહ્યા છે. વારંવાર બનતી ચોરીની ઘટનાઓથી ગ્રામજનો રાત ઉજાગરા કરવા મજબૂર બન્યા છે અને પોલીસ વડા આ મામલે તાત્કાલિક કડક પગલાં ભરે તેવી માંગ કરી રહ્યા છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/sachin-gidc-minor-girl-raped-by-lawyer-pranayraj-ranveer-video-shot" target="_blank">આ પણ વાંચો:&nbsp; Surat: સચિન GIDCમાં 13 વર્ષની માસૂમ સગીરા પર 43 વર્ષના વકીલે આચર્યું દુષ્કર્મ, વીડિયો ઉતારી;ધમકી આપી હોવાની આશંકા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/SOUT7x5K2x3GakmWuQSeGz3m1s784AhgYMAlz4Be.webp'/></item><item><title><![CDATA[HCLTech: પહેલા 3300 કર્મચારીઓની કરાઇ છટણી અને હવે 3500 કરોડના રોકાણ સાથે AI ડેટા સેન્ટર ક્ષેત્રમાં એન્ટ્રી ]]></title><link>https://sandesh.com/business/news/hcltech-first-laid-off-3300-employees-and-now-entering-the-ai-data-center-space-with-an-investment-of-3500-crores</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/hcltech-first-laid-off-3300-employees-and-now-entering-the-ai-data-center-space-with-an-investment-of-3500-crores</guid><pubDate>Tue, 14 Jul 2026 10:50:41 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આજના ઝડપથી બદલાતા ટેક્નોલોજીના યુગમાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માત્ર કંપનીઓની કામ કરવાની પદ્ધતિ જ નહીં, પરંતુ તેમની રોકાણની પ્રાથમિકતાઓ પણ બદલી રહ્યું છે. આ દિશામાં એક મોટું પગલું ભરતા, દિગ્ગજ IT કંપની HCLTech એ આગામી સમયમાં AI ડેટા સેન્ટર્સમાં આશરે ૩,૫૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી છે.</p><h2 style="text-align: justify; "><b>કંપનીએ પહેલા કરી હતી છટણી</b></h2><p style="text-align: justify; ">એક તરફ કંપની આ આધુનિક ક્ષેત્રમાં મોટું રોકાણ કરી રહી છે, તો બીજી તરફ માનવબળના આંકડામાં ઘટાડો પણ નોંધાયો છે. તાજેતરના અહેવાલો મુજબ, જૂન મહિનાના અંત સુધીમાં HCLTech ના કુલ કર્મચારીઓની સંખ્યા 2,23,889 થઈ છે, જે માર્ચ મહિનાના અંતમાં 2,27,181 હતી. એટલે કે, છેલ્લા ત્રણ મહિનામાં કંપનીએ આશરે 3,300 કર્મચારીઓની છટણી કરી છે. કંપનીનું માનવું છે કે AI ના આગમન સાથે કમ્પ્યુટિંગના અર્થશાસ્ત્રમાં સંપૂર્ણ પરિવર્તન આવ્યું છે, જેણે આ નિર્ણય લેવા માટે મજબૂર કર્યા છે.</p><h3 style="text-align: justify; "><b>નવા સ્ટાર્ટ અપમાં કર્યુ રોકાણ</b></h3><p style="text-align: justify; ">HCLTech ના CEO જણાવ્યા અનુસાર, સરકારો અને વિવિધ સાહસોમાં ડેટાની માંગ સતત વધી રહી છે, જેના કારણે સાર્વભૌમ ડેટા સેન્ટર્સ અનિવાર્ય બન્યા છે. કંપની માત્ર ડેટા સેન્ટર્સ સુધી મર્યાદિત નથી, પરંતુ તે ફુલ-સ્ટેક AI સેવાઓ પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જેમાં GPUs, AI મોડેલ્સ અને એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન્સનો સમાવેશ થાય છે. આ વ્યૂહરચનાના ભાગરૂપે HCLTech એ ભારતીય AI સ્ટાર્ટઅપ 'Sarvam AI' માં 150 મિલિયન ડોલર (આશરે 1,438 કરોડ રૂપિયા) નું રોકાણ કર્યું છે અને OpenAI સાથે પણ ભાગીદારી કરી છે.</p><h4 style="text-align: justify; "><b>એઆઇમાં રોકાણ કરી ભવિષ્ય બનાવશે ઉજળું</b></h4><p style="text-align: justify; ">આમ જોવા જઈએ તો, AI ટૂલ્સના વધતા પ્રભાવને કારણે ભારતીય IT ક્ષેત્રમાં એક પ્રકારની અનિશ્ચિતતાનો માહોલ છે. ટીકાકારો દલીલ કરે છે કે AI ટેક્નોલોજી પરંપરાગત IT સેવાઓ માટે ખતરો બની શકે છે. જોકે, HCLTech જેવી કંપનીઓ આને 'અંત' તરીકે નહીં, પરંતુ 'વિકાસના નવા માર્ગ' તરીકે જોઈ રહી છે. કંપનીઓ માને છે કે AI માં રોકાણ કરીને તેઓ ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા માટે વધુ સક્ષમ બનશે.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/world/news/external-affairs-minister-s-jaishankar-sounded-the-alarm-in-new-york-launched-a-campaign-for-temporary-membership-of-the-unsc" target="_blank">આ પણ વાંચોઃ New York માં વિદેશ મંત્રી એસ.જયશંકરે ફૂંક્યું રણશિંગું, UNSC કામચલાઉ સભ્યપદ માટે ઝુંબેશ શરૂ કરી</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/cR3aGN4cWu9LyRPBZEtCrVyibxS5joORvOMwEbqQ.webp'/></item><item><title><![CDATA[Rajkot : જસદણમાં વિદ્યાર્થિનીના મોત બાદ મોટો વિસ્ફોટ, આલ્ફા સંકુલમાં ચાલતા દેશવ્યાપી ‘ડમી સ્કૂલિંગ’ નેટવર્કનો પર્દાફાશ, Video ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/jasdan-alpha-sankul-student-death-dummy-schooling-scam-rajkot-deo-report</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/jasdan-alpha-sankul-student-death-dummy-schooling-scam-rajkot-deo-report</guid><pubDate>Tue, 14 Jul 2026 10:37:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જસદણની ચકચારી આલ્ફા સંકુલ હોસ્ટેલમાં ચિકનપોક્સના કારણે માસૂમ વિદ્યાર્થિની આયુષી બલદાણીયાના શંકાસ્પદ મોતના મામલે તપાસ કરી રહેલી પોલીસ અને શિક્ષણ વિભાગના હાથે એક અત્યંત ચોંકાવનારો અને દેશવ્યાપી કહી શકાય તેવો સ્કેમ લાગ્યો છે. વિદ્યાર્થિનીના મોતની તપાસ દરમિયાન આલ્ફા સંકુલમાં ચાલી રહેલા બહુમોટા ‘ડમી સ્કૂલિંગ રેકેટ’ નો ભાંડો ફૂટી ગયો છે. જિલ્લા શિક્ષણ અધિકારી  ના પ્રાથમિક રિપોર્ટ બાદ આ સમગ્ર મામલો હવે ગાંધીનગર શિક્ષણ વિભાગના ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>આખું ડમી નેટવર્ક ધમધમી રહ્યું હતું</b></h2><p style="text-align: justify; ">મળતી વિગતો અનુસાર, નવોદય અને સૈનિક સ્કૂલની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવવાના બહાને અહીં આખું ડમી નેટવર્ક ધમધમી રહ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી  અન્ય શાળાઓમાં પુરાતી હતી, જ્યારે તેઓ પ્રત્યક્ષ રીતે જસદણના આલ્ફા સંકુલમાં રહીને અભ્યાસ કરતા હતા.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>કુલ 697 ડમી વિદ્યાર્થીઓ અહીં ગેરકાયદેસર રીતે અભ્યાસ કરતા હતા</b></h3><p style="text-align: justify; ">તપાસમાં બહાર આવ્યું છે કે, રાજ્યના 31 શહેરોની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી મળીને અસંખ્ય શાળાઓના કુલ 697 ડમી વિદ્યાર્થીઓ અહીં ગેરકાયદેસર રીતે અભ્યાસ કરી રહ્યા હતા. જેમાં માત્ર રાજકોટ જિલ્લાની જ ૩૦ થી વધુ શાળાઓ સીધી રીતે આલ્ફા કોચિંગના સંપર્કમાં હોવાનું ખુલ્યું છે.</p><p style="text-align: justify; ">https://youtu.be/0Fg1uJdLx-I&nbsp;</p><h3 style="text-align: justify; "><b>અગાઉ આલ્ફા સંકુલના બે ટ્રસ્ટીઓની અટકાયત કરાઇ હતી</b></h3><p style="text-align: justify; ">આ કૌભાંડમાં શાળાઓની સાથે-સાથે વાલીઓ પણ ગોલમાલના ભાગીદાર હોવાનું સામે આવ્યું છે. આયુષીના મોતમાં સંચાલકોની ઘોર બેદરકારી સામે આવ્યા બાદ અગાઉ આલ્ફા સંકુલના બે ટ્રસ્ટીઓ સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વહીવટી તંત્રે કડક કાર્યવાહી કરીને આ સ્કૂલ અને હોસ્ટેલને એક મહિના માટે તાળા મારી દીધા છે.</p><h4 style="text-align: justify; "><b>30 થી વધુ શાળાઓ સામે કડક કાર્યવાહી થઇ શકે&nbsp;</b></h4><p style="text-align: justify; ">શિક્ષણ વિભાગે તમામ 697 ડમી વિદ્યાર્થીઓની યાદી ગાંધીનગર મુખ્ય મથકે મોકલી આપી છે. આ રેકેટમાં સંડોવાયેલી તમામ 30 થી વધુ શાળાઓના લાયસન્સ રદ કરવા સહિતની કડક કાનૂની કાર્યવાહી તોળાઈ રહી છે. આ ઘટનાએ ગુજરાતના શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો&nbsp; :&nbsp; <a href="https://sandesh.com/explainer/news/gujarat/ahmedabad/sandesh-indepth-gujarat-monsoon-2026-rain-deficit-paresh-goswami-weather-forecast-july-round" target="_blank"><b>Sandesh Indepth : ચોમાસું ખોટકાયું, ગુજરાતમાં ગત વર્ષ કરતાં અડધો જ વરસાદ; 24.64% સાથે ખેડૂતો ચિંતિત, જળસંકટની ભીતિ!</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/z11UkmSQ8Uffwx4IYO3tgj9WxfmpPPJd7WhWDXLG.webp'/></item><item><title><![CDATA[Surat: સચિન GIDCમાં 13 વર્ષની માસૂમ સગીરા પર 43 વર્ષના વકીલે આચર્યું દુષ્કર્મ, વીડિયો ઉતારી;ધમકી આપી હોવાની આશંકા ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/sachin-gidc-minor-girl-raped-by-lawyer-pranayraj-ranveer-video-shot</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/sachin-gidc-minor-girl-raped-by-lawyer-pranayraj-ranveer-video-shot</guid><pubDate>Tue, 14 Jul 2026 10:25:29 +05:30</pubDate><description><![CDATA[<p>શહેરના ઔદ્યોગિક હબ ગણાતા સચિન GIDC વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને શિરોવેદના કરાવતી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં કાયદાનું જ્ઞાન ધરાવતા અને સમાજને ન્યાય અપાવતા વ્યવસાય સાથે જોડાયેલા એક વકીલે જ કાયદાના લીરેલીરા ઉડાડી દીધા છે. મળતી વિગતો અનુસાર, સચિન GIDC વિસ્તારમાં રહેતી એક શ્રમિક પરિવારની 13 વર્ષની માસૂમ દીકરીને પ્રણયરાજ રણવીર નામના 43 વર્ષીય વકીલે પોતાની જાળમાં ફસાવી હતી. વકીલે સગીરાના પરિવારની નબળી સ્થિતિનો લાભ ઉઠાવી તેને સારી નોકરી અપાવવાની અને આર્થિક મદદ કરવાની લાલચ આપી હતી.</p><h2><b>સુરતમાં કાયદાનો રક્ષક જ બન્યો ભક્ષક</b></h2><p>મદદ અને નોકરીના બહાને આ હેવાન વકીલે સગીરાને એકાંતમાં બોલાવી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. નરાધમ વકીલની હેવાનીયત આટલેથી જ ન અટકી, તેણે આ કૃત્ય આચરતી વખતે સગીરાનો પોતાના મોબાઈલ ફોનમાં વાંધાજનક વીડિયો પણ ઉતારી લીધો હતો, જેથી ભવિષ્યમાં તેને બ્લેકમેઈલ કરી શકાય. આ ગંભીર અકસ્માત અને આઘાતમાંથી બહાર આવ્યા બાદ, ગભરાયેલી સગીરાએ અંતે હિંમત એકઠી કરીને પોતાના માતા-પિતાને નરાધમ વકીલ પ્રણયરાજ રણવીરની તમામ કરતૂતો વિશે વિગતવાર વાત કરી હતી.</p><h3><b>&nbsp;13 વર્ષની માસૂમ દીકરીને વકીલે જાળમાં ફસાવી</b></h3><p>પોતાની દીકરી પર થયેલા આ ભયાનક અત્યાચારની વાત સાંભળતા જ માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેઓ તાત્કાલિક સગીરાને લઈને સચિન GIDC પોલીસ મથકે પહોંચ્યા હતા અને નરાધમ વકીલ વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સગીરાની ઉંમર ધ્યાને રાખીને તુરંત જ પોક્સો એક્ટ અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે પીડિતાને મેડિકલ ચેકઅપ માટે મોકલી આપી છે અને કાયદાનો દુરુપયોગ કરનાર નરાધમ વકીલ પ્રણયરાજ રણવીરને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી દરોડા શરૂ કર્યા છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/ahmedabad-149th-jagannath-rath-yatra-netrotsav-vidhi-completed-harsh-sanghavi-attended" target="_blank">આ પણ વાંચો: Ahmedabad: નેત્રોત્સવ પૂજન બાદ પરંપરાગત શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે જગન્નાથજીના નિજ મંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ કરાયું</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/z7jNVB8qxWQoDribM7QT7miMUZMe4TI6R1Vc1hmv.webp'/></item><item><title><![CDATA[Dwarka: જામ ખંભાળિયા-દ્વારકા હાઈવે પર જીવલેણ સ્ટંટ અને સ્પીડ રેસિંગ કરતા 4 બાઈકર્સ પોલીસના સકંજામાં ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/khambhaliya/dwarka-highway-bike-stunt-viral-video-police-action-four-bikes-detained</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/khambhaliya/dwarka-highway-bike-stunt-viral-video-police-action-four-bikes-detained</guid><pubDate>Tue, 14 Jul 2026 09:51:29 +05:30</pubDate><description><![CDATA[<p>જામ ખંભાળિયા-દ્વારકા હાઈવે પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓથી સતત ધમધમતો રહે છે. આ વ્યસ્ત હાઈવે પર છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયાના રીલ્સ અને શોર્ટ વીડિયો બનાવવા માટે કેટલાક સ્થાનિક અને બહારના બાઈકર્સ જોખમી સ્ટંટ અને ઓવરસ્પીડિંગ કરતા હોવાની ફરિયાદો ઉઠી રહી હતી. તાજેતરમાં જ આવો એક જોખમી બાઈક રેસિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો, જેમાં કેટલાક યુવકો સામાન્ય વાહનચાલકોની વચ્ચે જિંદગીના જોખમે પૂરપાટ ઝડપે બાઈક દોડાવતા અને સ્ટંટ કરતા નજરે પડ્યા હતા.</p><h2><b>સ્ટંટબાજ બાઈકર્સને દબોચી લીધા</b></h2><p>આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થતાં જ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ટ્રાફિક શાખા તાત્કાલિક એક્શનમાં આવી હતી. પોલીસે વીડિયો ફૂટેજનું ઝીણવટભર્યું વિશ્લેષણ કરીને જોખમી ડ્રાઇવિંગ કરી રહેલા બાઈકર્સ અને તેમના વાહનોના રજીસ્ટ્રેશન નંબર ઓળખી કાઢ્યા હતા. ટ્રાફિક પોલીસે તાત્કાલિક દરોડો પાડીને ભયજનક રીતે વાહન હંકારતા 4 સ્ટંટબાજ બાઈકર્સને દબોચી લીધા હતા.</p><h3><b>સ્ટંટ કરનારાઓ સામે કડક પગલાં&nbsp;</b></h3><p>પોલીસે આ ચારેય બાઈક ચાલકોના વાહનોને મોટર વાહન અધિનિયમ હેઠળ ડિટેઈન કર્યા છે અને તેમની સામે કાયદેસરની આકરી દંડનીય કાર્યવાહી હાથ ધરી છે. ટ્રાફિક પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે હાઈવે પર અન્ય લોકોની જિંદગી જોખમમાં મૂકીને સ્ટંટ કરનારાઓ સામે ભવિષ્યમાં આનાથી પણ વધુ કડક પગલાં ભરવામાં આવશે અને જરૂર પડ્યે લાયસન્સ પણ રદ કરવાની પ્રક્રિયા કરાશે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/rajkot/rajkot-as-typhoid-and-jaundice-cases-increase-the-system-is-running-out-of-steam-the-municipal-health-department-has-intensified-the-cleaning-campaign" target="_blank">આ પણ વાંચો: Rajkot: ટાઈફોઈડ અને કમળાના કેસો વધતા તંત્ર દોડતું થયું, મનપાના આરોગ્ય વિભાગે સફાઈ અભિયાન તેજ કર્યું</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/14/fPTpIUWDxHD8JjYxMNUXRx87YbmGUNOUwg3IFlHa.webp'/></item><item><title><![CDATA[Fifa world cup 2030માં હવે 64 ટીમ રમશે! શું ભારતીય ફૂટબોલ ટીમ ક્વોલિફાય કરશે? ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2030-will-now-have-64-teams-will-the-indian-football-team-qualify</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2030-will-now-have-64-teams-will-the-indian-football-team-qualify</guid><pubDate>Mon, 13 Jul 2026 14:23:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">FIFA પ્રમુખ ગિયાની ઇન્ફન્ટિનોએ સંકેત આપ્યો છે કે 2030 FIFA મેન્સ વર્લ્ડ કપમાં ટીમોની સંખ્યા વધારીને 64 કરવાના પ્રસ્તાવ પર ગંભીરતાથી વિચાર કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે 2026 ના વર્તમાન વર્લ્ડ કપ પૂર્ણ થયા પછી સંબંધિત FIFA સમિતિઓ આ મુદ્દા પર ચર્ચા કરશે. ઇન્ફન્ટિનોનું માનવું છે કે વિશ્વના દરેક દેશને વર્લ્ડ કપમાં રમવાનું સ્વપ્ન જોવાની તક મળવી જોઈએ, કારણ કે આનાથી નાના રાષ્ટ્રોને પણ વધુ સારું પ્રદર્શન કરવા અને ફૂટબોલનું સ્તર વધારવા માટે પ્રેરણા મળશે.</p><h4 style="text-align: justify; "><b>દરેક દેશને વર્લ્ડ કપમાં રમવાની તક મળવી જોઈએ</b></h4><p style="text-align: justify; ">મીડિયા રિપોર્ટ અનુસાર આ વર્લ્ડ કપ પછી 64 ટીમોના વર્લ્ડ કપના મુદ્દા પર સંબંધિત સમિતિઓમાં ચોક્કસપણે ચર્ચા કરવામાં આવશે.તેમણે વધુમાં ઉમેર્યું,દરેક દેશને વર્લ્ડ કપમાં રમવાનું સ્વપ્ન જોવાનો અધિકાર હોવો જોઈએ. વિશ્વભરની ટીમોનું સ્તર સતત સુધરી રહ્યું છે. જો નાના રાષ્ટ્રોને વર્લ્ડ કપમાં રમવાની તક નહીં મળે, તો તેઓ પ્રગતિ કરવાની પ્રેરણા ગુમાવી દેશે.</p><h4 style="text-align: justify; "><b>2026 માં પહેલી વાર 48 ટીમોનો વર્લ્ડ કપ</b></h4><p style="text-align: justify; ">અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકા, કેનેડા અને મેક્સિકોના સંયુક્ત યજમાનપદે રમાઈ રહેલો ચાલુ 2026 ફિફા વર્લ્ડ કપ ઇતિહાસનો પ્રથમ એવો વર્લ્ડ કપ છે જેમાં 48 ટીમો ભાગ લઈ રહી છે. આ પહેલા 1998થી 2022 સુધીના વર્લ્ડ કપમાં માત્ર 32 ટીમો જ તી હતી.</p><h5 style="text-align: justify; "><b>48 ટીમોનું ફોર્મેટ સંપૂર્ણ સફળતા</b></h5><p style="text-align: justify; ">FIFA પ્રમુખે 32 થી 48 ટીમોના વિસ્તરણને સંપૂર્ણ સફળતા ગણાવી, કહ્યું કે આ નિર્ણય ફૂટબોલના વૈશ્વિક વિકાસ માટે અત્યંત સકારાત્મક સાબિત થયો છે. તેમણે ઉમેર્યું કે જો ભવિષ્યમાં 64 ટીમોનું ફોર્મેટ લાગુ કરવામાં આવે છે, તો તે વધુ દેશોને ભાગ લેવાની મંજૂરી આપશે, જોકે મેચોની સંખ્યા, સંગઠન અને લોજિસ્ટિક્સ જેવા પડકારો પણ વધશે.</p><h4 style="text-align: justify; "><b>ભારતીય ફૂટબોલ ટીમ માટે મોટી તક&nbsp;</b></h4><p style="text-align: justify; ">આ સમાચાર ભારતીય ફૂટબોલ ચાહકો માટે એક મોટો ઉત્સાહ છે. જ્યારે વર્લ્ડ કપમાં 32 ટીમો હતી ત્યારે એશિયા (AFC) પાસે ખૂબ જ મર્યાદિત સ્થાનો હતા, જેના કારણે ભારત માટે ક્વોલિફાય થવું લગભગ અશક્ય હતું. જ્યારે 2026 માં ટીમોની સંખ્યા વધીને 48 થઈ ગઈ, ત્યારે એશિયાનો ક્વોટા વધ્યો, જેનાથી આશાઓ જાગી. હવે, જો 2030 માં કુલ 64 ટીમો ભાગ લે છે, તો એશિયન દેશોનો ક્વોલિફાય ક્વોટા વધુ વધશે.</p><h5 style="text-align: justify; "><b>2030નો વર્લ્ડ કપ કેમ રહેશે ઐતિહાસિક?</b></h5><p style="text-align: justify; ">2030નો ફિફા વર્લ્ડ કપ ફૂટબોલના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે, કારણ કે આ ટુર્નામેન્ટ 3ખંડોના 6 દેશોમાં યોજાવાની છે. જેમાં મોરોક્કો, પોર્ટુગલ, સ્પેન, ઉરુગ્વે, આર્જેન્ટિના અને પેરાગ્વેનો સમાવેશ થાય છે. વર્ષ 1930માં પ્રથમ ફિફા વર્લ્ડ કપનું આયોજન કરનાર ઉરુગ્વે તેની શતાબ્દીનિમિત્તે એક ખાસ ઉદ્ઘાટન મેચની યજમાની કરશે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-semi-final-schedule-announced-know-who-will-face-whom" target="_blank"> Fifa World Cup 2026: સેમીફાઈનલનું શેડ્યુલ જાહેર, જાણો કોણ કોની સાથે ટકરાશે?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/13/xeFRs909ugoKN6gGEstb9OR52kBRo56ouAW5w1Yb.webp'/></item></channel></rss>