<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Dwarka News: ભાણવડના રોજીવાડા ગામે તસ્કરોનો તરખાટ, રૂ. 11.14 લાખની મતા ચોરાઈ ]]></title><link>https://sandesh.com/crime/news/dwarka/bhanvad-rojiwada-village-mega-theft-lakhs-stolen</link><guid isPermaLink="true">https://sandesh.com/crime/news/dwarka/bhanvad-rojiwada-village-mega-theft-lakhs-stolen</guid><pubDate>Mon, 29 Jun 2026 10:58:14 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાંથી તસ્કરોના આતંકના મોટા સમાચાર સામે આવ્યા છે. ભાણવડ તાલુકાના રોજીવાડા ગામે તસ્કરોએ ધોળે દિવસે એક રહેણાંક મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરીને અંજામ આપ્યો છે. ઘરનો પરિવાર જ્યારે દ્વારકાધીશના દર્શન કરવા માટે બહાર ગયો હતો, બરાબર એ જ સમયે મોકાનો ફાયદો ઉઠાવી તસ્કરોએ આખા ઘરને ફંગોળી નાખ્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>15 તોલા સોનું અને રોકડ મળી કુલ રૂ. 11.14 લાખની લૂંટ</b></h2><p style="text-align: justify; ">તસ્કરોએ બંધ મકાનનો તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરીમાં રાખેલા કિંમતી સામાન પર હાથ સાફ કર્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, ચોર ટોળકી ઘરમાંથી 15 તોલા સોનાના દાગીના, 150 ગ્રામ ચાંદીના દાગીના અને મોટી રકમની રોકડ સરકાવી ગઈ છે. તસ્કરો કુલ રૂ. 11.14 લાખની માતબર કિંમતનો મુદ્દામાલ ઉઠાવીને રફુચક્કર થઈ જવામાં સફળ રહ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો રોજીવાડા દોડી આવ્યો</b></h2><p style="text-align: justify; ">પરિવાર જ્યારે દર્શન કરીને ઘરે પરત ફર્યો, ત્યારે ઘરના તાળા તૂટેલા અને સામાન વેરવિખેર જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ મોટી ચોરીની જાણ વાયુવેગે ગામમાં પ્રસરતા જ સ્થાનિકોમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ઘટના અંગે પોલીસને જાણ કરાતા જ ભાણવડ પોલીસનો ઉચ્ચ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>ડોગ સ્કવોડ અને એફએસએલની મદદથી તપાસનો ધમધમાટ શરૂ</b></h2><p style="text-align: justify; ">પોલીસે ઘટના સ્થળેથી ફિંગરપ્રિન્ટ્સ અને અન્ય મહત્વના પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે. અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને સીસીટીવી ફૂટેજ ફંગોળવાનું અને શંકાસ્પદોની પૂછપરછ કરવાનું શરૂ કર્યું છે. જોકે, ધોળે દિવસે બનેલી આ ઘટનાએ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ પોલીસ પેટ્રોલિંગ સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કરી દીધા છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dwarka/jam-khambhaliya-salaya-dv-nagar-house-breaking-theft" target="_blank">Dwarka News: જામ ખંભાળીયાના સલાયામાં બે બંધ મકાનોના તાળા તૂટ્યા, રૂ. 60 હજારથી વધુની મતા સાફ!</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/29/8BGSpJlivPAKet7pruI12uFAdATcjFP6WP7dWCdB.webp'/></item><item><title><![CDATA[Banaskantha: આંતરરાજ્ય વાહનચોર ગેંગના 4 શાતિર આરોપીઓ હથિયારો સાથે ઝડપાયા, 8 લાખનો મુદ્દામાલ જપ્ત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/amirgarh-police-busts-interstate-vehicle-theft-gang-four-arrested-eight-lakh-recovery</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/amirgarh-police-busts-interstate-vehicle-theft-gang-four-arrested-eight-lakh-recovery</guid><pubDate>Mon, 29 Jun 2026 10:57:14 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાત અને રાજસ્થાન સરહદને જોડતો અમીરગઢ નેશનલ હાઈવે પર છેલ્લા કેટલાક સમયથી વાહનચોરીની વધતી ફરિયાદોને પગલે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી લોકલ ક્રાઇમ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસ એલર્ટ મોડ પર હતી. આ દરમિયાન અમીરગઢ પોલીસ સ્ટેશનના ઇકબાલગઢ વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ જમાદારોને એક શંકાસ્પદ ગેંગ મૂવમેન્ટ કરી રહી હોવાની ખાનગી રાહે સચોટ બાતમી મળી હતી.</p><h2><b>નાકાબંધી કરીને ઘેરો ઘાલવામાં આવ્યો</b></h2><p>બાતમી મળતા જ ઈકબાલગઢ પોલીસની ટીમે હાઈવે અને આસપાસના ગ્રામ્ય માર્ગો પર વહેલી સવારથી જ કડક નાકાબંધી અને વ્હીકલ ચેકિંગ ઓપરેશન ગોઠવી દીધું હતું. બાતમી મુજબના ચોક્કસ વાહનો પસાર થતાં જ પોલીસે ફિલ્મી ઢબે ઘેરો ઘાલીને ૪ શંકાસ્પદ ઇસમોને અટકાવ્યા હતા. ગાડીઓની તલાશી લેતા તેમની પાસેથી વાહનોના કોઈ કાયદેસરના કાગળો મળ્યા નહોતા, વળી ગાડીઓમાંથી બિનકાયદેસર હથિયારો મળી આવતા પોલીસ સ્ટાફે તાત્કાલિક તમામ ૪ શખ્સોને કસ્ટડીમાં લઈ લીધા હતા.</p><h3><b>મોટી ગેંગના નેટવર્કની ખુલશે પોલ</b></h3><p>પોલીસ સ્ટેશન લાવી કડકાઈથી પૂછપરછ શરૂ કરાતા આરોપીઓએ પોપટની જેમ ગુનાની કબૂલાત કરી હતી. આ શાતિર ગેંગે અમીરગઢ, પાલનપુર અને આસપાસના આંતરરાજ્ય વિસ્તારોમાંથી ૫ જેટલા વાહનોની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસે આ તમામ ચોરાયેલા વાહનો અને હથિયારો મળી ₹૮ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અમીરગઢ પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ, પકડાયેલા આરોપીઓ હિસ્ટ્રીશીટર હોવાની આશંકા છે. આ ટોળકી અન્ય કયા-કયા રાજ્યોમાં ચોરીના વાહનો સસ્તા ભાવે પધરાવતી હતી અને આ રેકેટમાં સીએનજી કે અન્ય ગેંગ સામેલ છે કે કેમ, તે અંગે પૂછપરછનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/crime/surat/mahidharpura-sandha-jewels-bengali-worker-theft-thirty-lakh-gold-diamonds-in-thirty-seconds-cctv" target="_blank">આ પણ વાંચો: Surat: મહીધરપુરામાં બંગાળી કારીગરે માત્ર 30 સેકન્ડમાં કર્યો ખેલ, 30.42 લાખનું સોનું-હીરા ચોરીને શખ્સ રફુચક્કર</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/29/JFOMwz5oBVbHqpqyH9goMY9p8UkYREh3C2Njg9W8.webp'/></item><item><title><![CDATA[Ram Mandir Donation Row: ચંપત રાયનું નિવેદન નોંધ્યુ, પોલીસે કરી પૂછપરછ ]]></title><link>https://sandesh.com/india/news/ram-mandir-donation-row-champat-rais-statement-recorded-police-interrogated</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ram-mandir-donation-row-champat-rais-statement-recorded-police-interrogated</guid><pubDate>Mon, 29 Jun 2026 10:53:49 +05:30</pubDate><description><![CDATA[<p>રામ મંદિરમાં પ્રસાદ ચોરીના કેસમાં એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. તપાસના ભાગ રૂપે પોલીસે ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયનું નિવેદન નોંધ્યું છે. તપાસની પ્રગતિના આધારે પોલીસ અનિલ મિશ્રા અને ટ્રસ્ટના અન્ય અધિકારીઓના નિવેદનો પણ નોંધી શકે છે. ઉલ્લેખનીય છે કે, ચંપત રાયે તાજેતરમાં રામ મંદિર ટ્રસ્ટના મહામંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું.</p><h2><b>પોલીસે નોંધ્યુ ચંપતરાયનું નિવેદન&nbsp;</b></h2><p>રાજકીય અને ધાર્મિક ચર્ચાના દિવસો વચ્ચે ટ્રસ્ટે બે દિવસ પહેલા એક પ્રેસ રિલીઝ દ્વારા ચંપત રાયના રાજીનામાની સત્તાવાર પુષ્ટિ કરી હતી. સૂત્રો સૂચવે છે કે મંદિર ટ્રસ્ટ દાન અને પ્રસાદ સંબંધિત કથિત ગેરરીતિઓથી પહેલાથી જ વાકેફ હતું, અને પોલીસે ઔપચારિક ફરિયાદ દાખલ થાય તે પહેલાં જ પ્રાથમિક કાર્યવાહી શરૂ કરી દીધી હતી.</p><h3><b>અવિનાશ શુક્લા પાસેથી રોકડ કબ્જે કરી&nbsp;</b></h3><p>સૂત્રોના જણાવ્યા અનુસાર 5 જૂનના રોજ, ટ્રસ્ટના પ્રતિનિધિઓ, પોલીસ ટીમ સાથે, ચંપત રાયના નિર્દેશ પર કાર્ય કરતા આરોપી અવિનાશ શુક્લાના સ્થાનની મુલાકાત લીધી હતી. તે જ દિવસે, પોલીસે દરોડો પાડ્યો, અવિનાશ શુક્લાને કસ્ટડીમાં લીધો અને તેના કબજામાંથી રોકડ રકમ જપ્ત કરી.</p><p>જોકે તે સમયે ટ્રસ્ટ દ્વારા કોઈ સત્તાવાર FIR નોંધવામાં આવી ન હતી. અહેવાલો સૂચવે છે કે શરૂઆતની કાર્યવાહી અનૌપચારિક રીતે થઈ હતી. જ્યારે આ મામલો ફક્ત 7 જૂનના રોજ&nbsp; લોકોના ધ્યાન પર આવ્યો હતો. આરોપી અવિનાશ શુક્લાનું વિશિષ્ટ CCTV ફૂટેજ પણ સામે આવ્યું છે. આ 24-સેકન્ડની ક્લિપ 5 જૂન, 2026 ના રોજ રાત્રે 8:13 વાગ્યાની છે.&nbsp;</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2071455223990886560"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h4><b>સીસીટીવી ફૂટેજ આવ્યા સામે&nbsp;</b></h4><p>ફૂટેજમાં પોલીસ કર્મચારીઓ અને બેંક કર્મચારીઓ અવિનાશ શુક્લાને કસ્ટડીમાં લેતા અને તેને સફેદ કાર તરફ લઈ જતા બતાવે છે. વીડિયોમાં અવિનાશના હાથમાં કાળી બેગ દેખાય છે. સૂત્રોનો દાવો છે કે જપ્ત કરાયેલી રોકડ આ જ બેગમાં રાખવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મંદિરના પ્રસાદની કથિત ચોરીની માહિતી મળ્યા બાદ પોલીસે અવિનાશ શુક્લા પાસેથી આશરે ₹5 લાખ રિકવર કર્યા હતા. CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે પોલીસ આરોપીને પકડીને સફેદ વાહનમાં બેસાડી રહી છે જ્યારે તે કાળી બેગ પકડી રાખે છે. </p><h4><b>&nbsp;આઠ આરોપીઓની ધરપકડ</b></h4><p>આ કેસમાં અત્યાર સુધીમાં ધરપકડ કરાયેલા આરોપીઓમાં અવિનાશ શુક્લા, અનુકલ્પ મિશ્રા, લવ કુશ મિશ્રા, મનીષ કુમાર યાદવ, કરુણેશ પાંડે, રામ શંકર મિશ્રા, સુભાષ શ્રીવાસ્તવ અને રામાશંકર (ઉર્ફે ટીનુ યાદવ)નો સમાવેશ થાય છે. આ બધા રામ મંદિરમાં પ્રસાદ તરીકે મળેલી રોકડ અને કિંમતી વસ્તુઓની ગણતરીના કાર્યમાં સામેલ હતા.&nbsp;<br><br><a href="https://sandesh.com/gallery/news/india/why-are-potatoes-and-chickpeas-the-filling-in-panipuri?" target="_blank">આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/29/IG6ISMLSnIfaeWshumvmeROES48YHr2ZhshvWfls.webp'/></item><item><title><![CDATA[Bank Holidays in July 2026: બેંકના કામ બાકી હોય તો પતાવી લેજો, જુલાઈમાં 12 દિવસ બેંકો રહેશે બંધ ]]></title><link>https://sandesh.com/india/news/bank-holidays-in-july-2026-if-you-have-any-bank-work-get-it-done-banks-will-be-closed-for-12-days-in-july</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/bank-holidays-in-july-2026-if-you-have-any-bank-work-get-it-done-banks-will-be-closed-for-12-days-in-july</guid><pubDate>Mon, 29 Jun 2026 10:44:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જૂન મહિનો પૂર્ણતાના આરે છે અને જુલાઈ મહિનાની શરૂઆત થવા જઈ રહી છે. જો તમારે આવતા મહિને બેંક સાથે જોડાયેલા કોઈ મહત્વપૂર્ણ કામ કરવાના હોય, જેમ કે ચેક ક્લિયરન્સ, લોન પ્રોસેસિંગ અથવા ડ્રાફ્ટ બનાવવાનું કામ, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના સત્તાવાર કેલેન્ડર મુજબ, જુલાઈ ૨૦૨૬માં દેશભરની બેંકો વિવિધ કારણોસર કુલ 12 દિવસ બંધ રહેશે.</p><h2 style="text-align: justify; "><b>રજાઓનું વિભાજન</b></h2><p style="text-align: justify; ">આ 12 દિવસની રજાઓમાં ચાર રવિવાર, બે શનિવાર (બીજો અને ચોથો શનિવાર) અને છ પ્રાદેશિક તહેવારોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, બીજા અને ચોથા શનિવાર તથા રવિવારની રજાઓ સમગ્ર દેશની તમામ ખાનગી અને સરકારી બેંકોમાં એકસરખી રીતે લાગુ પડે છે, જ્યારે તહેવારો પર આધારિત રજાઓ તે ચોક્કસ રાજ્ય કે શહેર પૂરતી મર્યાદિત હોય છે.</p><h3 style="text-align: justify; "><b>પ્રાદેશિક અને તહેવાર આધારિત રજાઓ:</b></h3><p style="text-align: justify; ">6 જુલાઈ (સોમવાર): ઐઝોલ (મિઝોરમ) માં MHIP દિવસ.</p><p style="text-align: justify; ">9 જુલાઈ (ગુરુવાર): શિલોંગ (મેઘાલય) માં બેહ દેનખલામ.</p><p style="text-align: justify; ">16 જુલાઈ (ગુરુવાર): ભુવનેશ્વર (ઓડિશા) માં રથયાત્રા.</p><p style="text-align: justify; ">17 જુલાઈ (શુક્રવાર): ઇમ્ફાલ (મણિપુર) માં યુ તિરોટ સિંહની પુણ્યતિથિ.</p><p style="text-align: justify; ">18 જુલાઈ (શનિવાર): ગંગટોક (સિક્કિમ) માં દ્રુક્પા ત્શે-ઝી.</p><p style="text-align: justify; ">22 જુલાઈ (બુધવાર): અગરતલા (ત્રિપુરા) અને શિલોંગ (મેઘાલય) માં ખારચી પૂજા.</p><h4 style="text-align: justify; "><b>અન્ય રજાઓ:</b></h4><p style="text-align: justify; ">5, 12, 19, અને 26 જુલાઈ: રવિવાર.</p><p style="text-align: justify; ">11 જુલાઈ: બીજો શનિવાર.</p><p style="text-align: justify; ">25 જુલાઈ: ચોથો શનિવાર.</p><h5 style="text-align: justify; "><b>ડિજિટલ બેંકિંગ ચાલુ રહેશે</b></h5><p style="text-align: justify; ">બેંક શાખાઓ ભૌતિક રીતે બંધ હોવા છતાં, ગ્રાહકોએ નાણાકીય કાર્યો માટે ચિંતા કરવાની જરૂર નથી. ઇન્ટરનેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ અને UPI જેવી ડિજિટલ સેવાઓ ૨૪/૭ કાર્યરત રહેશે. આ ઉપરાંત, કેશ ઉપાડવા માટે ATM સેવાઓ પણ રાબેતા મુજબ ચાલુ રહેશે. જોકે, સ્થાનિક સ્તરે કોઈ ચોક્કસ ફેરફાર હોય તો મૂંઝવણ ટાળવા માટે તમારી નજીકની શાખા કે બેંકની વેબસાઈટ પર એકવાર અવશ્ય તપાસ કરી લેવી હિતાવહ છે. અગાઉથી આયોજન કરવાથી તમે તમારા નાણાકીય કામોને કોઈપણ વિક્ષેપ વગર પૂર્ણ કરી શકશો.</p><p style="text-align: justify; "><b><a href="https://sandesh.com/gallery/news/first-book-who-printed-the-worlds-first-book-and-when-know-the-history" target="_blank">આ પણ વાંચોઃ First Book: વિશ્વનુ પહેલું પુસ્તક કોણે અને ક્યારે છાપ્યુ હતુ? જાણો ઇતિહાસ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/29/KyzSXTghYQSuvESYWxrlqFHD1EDxwNJnUrnVNB29.webp'/></item><item><title><![CDATA[Bollywood : 'ગોવિંદાના ઘણા અફેર્સ રહ્યા હતા...', લગ્નજીવન પર સુનીતા આહુજાનો મોટો ખુલાસો! ]]></title><link>https://sandesh.com/entertainment/news/govinda-wife-sunita-ahuja-makes-shocking-revelations-about-his-past-affairs-and-marriage</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/govinda-wife-sunita-ahuja-makes-shocking-revelations-about-his-past-affairs-and-marriage</guid><pubDate>Mon, 29 Jun 2026 10:41:22 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રિયાલિટી શો લોકઅપ: સચ યા સઝા ગઈકાલથી શરૂ થઈ ગયો છે. શોમાં બોલીવુડ એક્ટર ગોવિંદાની પત્ની સુનીતા આહુજા પણ જોવા મળી રહી છે. શોના પહેલા જ એપિસોડમાં તેણે પોતાના લગ્ન અને સંબંધોને લઈને કેટલાય ખુલાસા કર્યા. તેણે પોતાના પરિણીત જીવનના એક્સપિરિયન્સને શેર કરતા જણાવ્યું કે તેના પતિ ગોવિંદાના કેટલાય અફેર હતા.</p><h2 style="text-align: justify; "><b>લગ્ન પર સુનીતા આહુજાનો મોટો ખુલાસો</b></h2><p style="text-align: justify; ">લોકઅપ 2માં દમદાર એન્ટ્રી કરતાની સાથે જ સુનીતા આહુજાએ પોતાના પરિણીત જીવનને લઈને કેટલાય ચોંકાવનારા ખુલાસા કર્યા. શોના પ્રીમિયર એપિસોડમાં શોની હોસ્ટ ફરાહ ખાને તેને તેના વાયરસ નિવેદન મને ગોવિંદા જેવો દીકરો જોઈએ, પતિ નહીં અંગે સવાલ કર્યો. આના પર સુનીતાએ ખુલીને પોતાની વાત રાખી અને કહ્યું, પ્રેમમાં તો તમારે દરેક વસ્તુ સહન કરવી જોઈએ. ગોવિંદાએ લાઇફમાં આટલા અફેર્સ કર્યા, ઇન્ડસ્ટ્રીમાં આ પ્રકારની વાતો સામાન્ય હોય છે. પણ મને લાગે છે આટલા વર્ષો જે મેં ચી ચી સાથે નિભાવ્યા છે, મને લાગે છે તેના જેવો દીકરો હોવો જોઈએ.<br><h2><b>અફવાઓ પર સુનીતા આહુજાએ તોડ્યું મૌન, કહી આ વાત</b></h2></p><p style="text-align: justify; ">આ પછી શોના કો-હોસ્ટ રિતેશ દેશમુખે સુનીતા આહુજા સાથે જોડાયેલી એક વધુ વાયરલ હેડલાઇન વાંચીને સંભળાવી. હેડલાઇન હતી, જ્યાં સુધી પતિ-પત્ની સાથે હોય, ત્યાં સુધી અંખિયોં સે ગોલી મારે... પરંતુ જ્યારે સંબંધમાં કોઈ ત્રીજું આવી જાય, તો ઘૂંટણ પર ગોલી મારે. આના પર સુનીતાએ પોતાની પ્રતિક્રિયા આપી. સુનીતા આહુજાએ કહ્યું, સાંભળી રહ્યા છો ચીચી તો સાંભળી લેજો. ઘૂંટણ પર ગોળી ત્યારે જ વાગે છે જ્યારે કોઈ લાઇફમાં આવી જાય છે. તે પણ મેં જૂઠું નથી બોલ્યું. મારા વિશે કેટલીય અફવાઓ ફેલાવવામાં આવી, જેમાં ત્યાં સુધી કહેવામાં આવ્યું કે મેં ગોળી ચલાવી હતી. તે સમયે હું મુંબઈમાં નહોતી, પરંતુ ખાટુ શ્યામ મંદિરમાં હતી.<br><img title="Govinda wife Sunita Ahuja (2)" src="https://epapercdn.sandesh.com/images/2026/06/29/TeGQpsgJD4UToT4PizxLfmuLWBG0DL5gyTnfsht5.webp"><br></p><h2 style="text-align: justify; "><b>ટીના આહુજાના જન્મ બાદ જાહેર કર્યા હતા લગ્ન</b></h2><p style="text-align: justify; ">સુનીતા આહુજા અવારનવાર ગોવિંદાને લઈને કટાક્ષ કરતી નજરે પડે છે. તે કેટલીય વાર એક્ટરના અફેર્સ પર વાત કરી ચૂકી છે. વચ્ચે બંનેના છૂટાછેડાને લઈને પણ અહેવાલો સામે આવ્યા હતા. ગોવિંદા અને સુનીતા આહુજાના લગ્ન વર્ષ 1987 માં થયા હતા. તેમણે પોતાના લગ્નને આશરે બે વર્ષ સુધી પ્રાઇવેટ રાખ્યા હતા. પછીથી પોતાની દીકરી ટીના આહુજાના જન્મ બાદ તેમણે પોતાના લગ્નને પબ્લિક કર્યા. આ કપલનો એક દીકરો પણ છે, જેનું નામ યશવર્ધન આહુજા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gallery/news/entertainment/welcome-to-the-jungle-box-office-collection-day-3-weekend-worldwide-93-crore" target="_blank">આ પણ વાંચો-વેલકમ ટુ ધ જંગલના કલેક્શનમાં આવ્યો તોતિંગ ઉછાળો, અક્ષય કુમારની ફિલ્મે માત્ર 3 જ દિવસમાં વર્લ્ડવાઇડ કમાઈ લીધા 93 કરોડ!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/29/xUBTJml83dJBOTB1AX56j6ICVWZUOhH5EmRpQW06.webp'/></item><item><title><![CDATA[IND vs ENG : FIH પ્રો લીગ 2026માં ભારતે ઈંગ્લેન્ડને હરાવ્યું, 3-2થી જીતી મેચ ]]></title><link>https://sandesh.com/sports/news/ind-vs-eng-india-defeated-england-in-fih-pro-league-2026-winning-the-match-3-2</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/ind-vs-eng-india-defeated-england-in-fih-pro-league-2026-winning-the-match-3-2</guid><pubDate>Mon, 29 Jun 2026 10:34:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતીય પુરુષ હોકી ટીમે FIH પ્રો લીગ 2025-26 ના તેમના અભિયાનનો અંત શાનદાર રીતે કર્યો. લંડનમાં રમાયેલી ફાઇનલ મેચમાં, ભારતે યજમાન ઇંગ્લેન્ડને રોમાંચક શૂટઆઉટમાં 3-2 થી હરાવ્યું. નિયમન સમય ગોલ રહિત રહ્યા બાદ મેચ 0-0 થી ડ્રો રહી, પરંતુ ભારતીય ખેલાડીઓએ શૂટઆઉટમાં શાનદાર સંયમ દર્શાવીને વિજય મેળવ્યો. લી વેલી હોકી અને ટેનિસ સેન્ટર ખાતે શૂટઆઉટમાં ભારત માટે અભિષેક, શિલાનંદ લાકરા અને હાર્દિક સિંહે ગોલ કર્યા. ભારતીય ડિફેન્સે સમગ્ર મેચ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>ભારતે શૂટઆઉટમાં જીત મેળવી&nbsp;</b></h3><p style="text-align: justify; ">મેચની શરૂઆતમાં ઇંગ્લેન્ડે આક્રમક રમત રમી, શરૂઆતની મિનિટોમાં પેનલ્ટી કોર્નર મેળવ્યો. જોકે, ભારતીય ગોલકીપર મોહિત શશીકુમારે શાનદાર બેવડા બચાવ સાથે ટીમને શરૂઆતની નિષ્ફળતામાંથી બચાવી. ત્યારબાદ તેણે સેમ વોર્ડના બીજા ખતરનાક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો અને ઇંગ્લેન્ડને લીડ લેતા અટકાવ્યું.</p><h4 style="text-align: justify; "><b>ભારતે ગોલ કરવાની ઘણી તકો ગુમાવી</b></h4><p style="text-align: justify; ">ભારત પાસે પ્રથમ ક્વાર્ટરમાં અભિષેક દ્વારા ગોલ કરવાની તક હતી, પરંતુ તેનો લાભ લેવામાં નિષ્ફળ ગયો. બીજા ક્વાર્ટરમાં ઇંગ્લેન્ડે સતત દબાણ જાળવી રાખ્યું. નિકોલસ બંદુરક ગોલ કરવાની નજીક પહોંચ્યો, જ્યારે ભારતના જર્મનપ્રીત સિંહે પણ ગોલકીપરનો અનુભવ કર્યો.</p><p style="text-align: justify; "><a href="https://x.com/TheHockeyIndia/status/2071283697282847117?s=20" target="_blank">https://x.com/TheHockeyIndia/status/2071283697282847117?s=20</a></p><p style="text-align: justify; "><br></p><h3 style="text-align: justify; "><b>હાફ ટાઈમ પછી ભારતીય ટીમનો દબદબો&nbsp;</b></h3><p style="text-align: justify; ">હાફ ટાઈમ પછી, ભારતીય ટીમ વધુ આક્રમક સ્થિતિમાં પાછી આવી. હાર્દિક સિંહે શાનદાર વળતો હુમલો કર્યો અને 37મી મિનિટે પેનલ્ટી કોર્નર મેળવ્યો, પરંતુ અમનદીપ લાકરા તેને કન્વર્ટ કરવામાં નિષ્ફળ ગયા. મેચનો સૌથી મોટો વળાંક ત્રીજા ક્વાર્ટરના અંતે આવ્યો જ્યારે યશદીપ સિંહને હેનરી ક્રોફ્ટને ફાઉલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને ઈંગ્લેન્ડને પેનલ્ટી સ્ટ્રોક આપવામાં આવ્યો. ભારતે તરત જ રેફરલ લીધો, અને વિડીયો રિપ્લેમાં ટેકલ સંપૂર્ણપણે કાયદેસર હોવાનું પુષ્ટિ મળી. ત્યારબાદ અમ્પાયરે પોતાનો નિર્ણય ઉલટાવી દીધો.</p><h4 style="text-align: justify; "><b>ટીમ ઈન્ડિયા શૂટઆઉટમાં જીતી ગઈ</b></h4><p style="text-align: justify; ">ઇંગ્લેન્ડે અંતિમ ક્વાર્ટરમાં હુમલો કરવાનું ચાલુ રાખ્યું અને અંતિમ ક્ષણોમાં પેનલ્ટી કોર્નર મેળવ્યો. મેચમાં ફક્ત બે સેકન્ડ બાકી રહેતાં, યજમાન ટીમને બીજો પેનલ્ટી કોર્નર આપવામાં આવ્યો, પરંતુ ભારતે બીજા સફળ રેફરલ સાથે તે નિર્ણયને સફળતાપૂર્વક ઉલટાવી દીધો. નિયમન સમયના અંતે સ્કોર 0-0 રહ્યા પછી, મેચનો નિર્ણય શૂટઆઉટ દ્વારા લેવામાં આવ્યો. ભારતે 3-2થી જીત મેળવી, FIH પ્રો લીગ 2025-26 અભિયાનનો વિજય સાથે અંત કર્યો.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/cricket/news/big-change-in-wtc-points-table-team-india-benefited-from-west-indies-victory" target="_blank"> WTC પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, વેસ્ટ ઈન્ડિઝની જીતથી ટીમ ઈન્ડિયાને થયો ફાયદો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/29/SQE2CfY2sI36SK981fNykTdkwc4ejbBH9atoPDvS.webp'/></item><item><title><![CDATA[Stock Market Opening: શેરબજાર મિશ્ર પ્રતિસાદ સાથે ખૂલ્યા, સેન્સેક્સ 76,985 અંકે ખૂલ્યો ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-opening-the-stock-market-opened-with-mixed-response-sensex-opened-at-76985-points</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-opening-the-stock-market-opened-with-mixed-response-sensex-opened-at-76985-points</guid><pubDate>Mon, 29 Jun 2026 09:34:44 +05:30</pubDate><description><![CDATA[<p>વૈશ્વિક તણાવ અને નબળા વિદેશી સંકેતો વચ્ચે ભારતીય શેરબજારની શરૂઆત ધીમી રહી.&nbsp; આજે રોકાણ માટે ત્રણ નવા IPO ખુલી રહ્યા છે. ત્યારે સવારે 9.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને મિશ્ર પ્રતિસાદ સાથે ખૂલ્યા.&nbsp;</p><h2><b>શેરબજારમાં મિશ્ર પ્રતિસાદ સાથે ખૂલ્યુ</b></h2><p>સવારે 9.30 કલાકે સેન્સેક્સ 114.96 પોઇન્ટના ઘટાડા સાથે 76,985.51 અંકે ખૂલ્યો. જ્યારે નિફ્ટી 0.70 પોઇન્ટના ઘટાડા સાથે 24,056 અંકે ખૂલ્યો.&nbsp;</p><p><b style="font-size: 1.75rem;">અમેરિકા-ઈરાન તણાવને કારણે એશિયન બજારો દબાણ હેઠળ</b></p><p>સપ્તાહના અંતે અમેરિકાએ ઈરાની લશ્કરી લક્ષ્યો પર હુમલા શરૂ કર્યા, જેનાથી પશ્ચિમ એશિયામાં તણાવ ફરી શરૂ થયો. ત્યારબાદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કડક ચેતવણી આપી, ઈરાન પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો. વધતા ભૂરાજકીય તણાવની અસર એશિયન શેરબજારોમાં પણ અનુભવાઈ. શરૂઆતના વેપારમાં, જાપાનનો નિક્કી 225 લગભગ 0.75 ટકા ઘટ્યો, જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.14 ટકા ઘટ્યો.<br><br></p><h4><b>ફેડના નિર્ણય અંગે આશંકા</b></h4><p></p><p>ફેડરલ રિઝર્વના આગામી નિર્ણય અંગે શેરબજારો પણ આશંકિત છે. એવી ધારણા છે કે ફેડરલ રિઝર્વ તેની આગામી બેઠકમાં વ્યાજ દરમાં વધારો કરી શકે છે, જેનાથી ફુગાવાના દબાણ અંગે ચિંતાઓ વધી શકે છે. આવા પગલાથી કોર્પોરેટ કમાણી પર અસર પડી શકે છે અને શેરબજારોમાં ઘટાડો થઈ શકે છે.</p><h4><b>AI અંગે ચિંતાઓ</b></h4><p>રોકાણકારોને ચિંતા છે કે વર્ષોથી ઝડપી વૃદ્ધિ બજારો પર દબાણ લાવી રહી છે તે પછી AI-સંબંધિત કંપનીઓના મૂલ્યાંકન અતિશય વધી ગયા છે; તે દરમિયાન, માઇક્રોનની મજબૂત કમાણીની આગાહી અને એપલના તાજેતરના ભાવ વધારાએ વિરોધાભાસી પડકારો રજૂ કર્યા છે.<br><a href="https://sandesh.com/gallery/news/india/why-are-potatoes-and-chickpeas-the-filling-in-panipuri?2" target="_blank">આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2025/11/13/ZPkrFhHEdzEZDCgNfZIUAAOLB17mx49LJidnEgmp.webp'/></item><item><title><![CDATA[Rajkot જંગલેશ્વર ડિમોલિશનમાં વીડિયોગ્રાફી કૌભાંડ, મનપા પાસેથી 8 હજાર વસૂલી કેમેરામેનને આપ્યા માત્ર 2 હજાર, પુરાવા સામે આવ્યા ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/rajkot-jangleshwar-demolition-videography-bill-scam-hitesh-bhayani</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/rajkot-jangleshwar-demolition-videography-bill-scam-hitesh-bhayani</guid><pubDate>Mon, 29 Jun 2026 09:34:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">રાજકોટ મહાનગરપાલિકાના જંગલેશ્વર ડિમોલિશન બિલ કાંડમાં દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. હવે આ સમગ્ર મામલે એક મોટું વીડિયોગ્રાફી કૌભાંડ સપાટી પર આવ્યું છે, જેના પાકા પુરાવા પણ હાથ લાગ્યા છે. ડિમોલિશન દરમિયાન વીડિયોગ્રાફી કરવાનો કોન્ટ્રાક્ટ લેનાર બાલાજી સ્ટુડિયોના સંચાલક હિતેષ ભાયાણીએ મનપાના અધિકારીઓ સાથે મેળાપીપણું કરીને ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ઓનલાઈન મની ટ્રાન્સફરના સ્ક્રીનશૉટ્સ સામે આવતા જ આ કૌભાંડનો ભાંડો ફૂટ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>કેમેરામેન દીઠ 6 હજારની કમાણી</b></h2><p style="text-align: justify; ">સામે આવેલા પુરાવા મુજબ, કોન્ટ્રાક્ટર હિતેષ ભાયાણીએ રાજકોટ કોર્પોરેશન પાસેથી એક કેમેરામેન દીઠ 8 હજાર વસૂલ્યા હતા, પરંતુ વાસ્તવમાં ગ્રાઉન્ડ પર કામ કરનારા કેમેરામેનને માત્ર 2 હજાર જ ચૂકવવામાં આવ્યા હતા. આમ, એક જ કેમેરામેન પાછળ સીધી 6 હજારની કમાણી કરીને કોન્ટ્રાક્ટરે આખા ડિમોલિશન દરમિયાન અંદાજે 15 લાખની તગડી કમાણી કરી લીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કોન્ટ્રાક્ટરના દાવા મુજબ આ કામગીરીમાં કુલ 292  કેમેરામેનનો ઉપયોગ કરાયો હતો.</p><h3 style="text-align: justify; "><b>વિવાદિત કોન્ટ્રાક્ટર હિતેષ ભાયાણીનો બચાવ</b></h3><p style="text-align: justify; ">બીજી તરફ, આ મામલે ઘેરાયેલા બાલાજી સ્ટુડિયોના માલિક હિતેષ ભાયાણીએ પોતાનું નિવેદન જાહેર કરીને તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. ભાયાણીએ જણાવ્યું કે, વર્ષ ૨૦૨૪થી અમારો મનપા સાથે સત્તાવાર કોન્ટ્રાક્ટ છે અને અમે કોર્ટની ગાઇડલાઇન મુજબ જ વીડિયોગ્રાફી કરી છે. અલગ-અલગ દિવસે ડેઇલી બેઝ પર વીડિયોગ્રાફર્સને બોલાવી કલાકોના હિસાબે કામગીરી સોંપાઈ હતી. આ પ્રોજેક્ટ માટે મેં પોતે 25 લાખની લોન લીધી છે અને અમારો કુલ ખર્ચ 24 લાખ થયો છે, જેનું જ બિલ મૂકવામાં આવ્યું છે." ભાયાણીએ વધુમાં ઉમેર્યું કે તેમણે કોઈ અધિકારીને બચાવવા માટે પૈસા લીધા નથી. જો કે, ઓનલાઈન પેમેન્ટના સ્ક્રીનશૉટ સામે આવ્યા બાદ હવે મનપા તંત્ર આ મામલે કેવા પગલાં ભરે છે તેના પર સૌની નજર છે.&nbsp;</p><h4 style="text-align: justify; "><b>વશરામ સાગઠિયાએ ગંભીર સવાલો ઉઠાવ્યા&nbsp;</b></h4><p style="text-align: justify; ">રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડિમોલેશનના તોતિંગ ખર્ચ અંગે કોંગ્રેસના નેતા વશરામ સાગઠિયાએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ભાજપના નેતાઓ અને અધિકારીઓની મિલીભગતથી જનતાના પૈસાનો વેડફાટ થયો છે, જેમાં મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા પણ શંકાના દાયરામાં છે. સાગઠિયાના મતે, કોઈ મોંઘા લગ્નપ્રસંગની જેમ ડિમોલેશનની વીડિયોગ્રાફી તેમજ ખાણીપીણી અને પાણી પાછળ મોટો ધુમાડો કરવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરીનો કુલ ખર્ચ રૂ. ત્રણ કરોડને પાર પહોંચે તેવી શક્યતા હોવાથી તેમણે આ કરોડોના ખર્ચ પાછળ ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરી સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; <a href="https://sandesh.com/explainer/news/world/sandesh-digital-explainer-europe-heatwave-heat-dome-climate-change-france-paris" target="_blank"><b>&nbsp;Sandesh Digital Explainer : યુરોપના તમામ દેશોમાં ‘હીટ ડોમ’નો કાળો કેર, AC ખરીદવા પડાપડી, જાણો આટલી બધી ભીષણ ગરમીનું અસલી કારણ</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/29/Mea2OMBTepO4lhaEJRRYLk3V3cHUEEGP7PSb8lpV.webp'/></item><item><title><![CDATA[Surat: ચોમાસા પૂર્વે DEOની શાળાઓને ગાઇડલાઇન, જર્જરિત ક્લાસરૂમ તાત્કાલિક તોડી પાડવા આદેશ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/deo-issues-strict-pre-monsoon-guidelines-for-schools-demolish-damaged-classrooms</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/deo-issues-strict-pre-monsoon-guidelines-for-schools-demolish-damaged-classrooms</guid><pubDate>Mon, 29 Jun 2026 09:29:27 +05:30</pubDate><description><![CDATA[<p>ચોમાસાની ઋતુમાં અવારનવાર શાળાઓની દિવાલો ધરાશાયી થવાની, વૃક્ષો પડવાની કે કરંટ લાગવાને કારણે વિદ્યાર્થીઓ ભોગ બનતા હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. આ વર્ષે આવી કોઈ પણ દુર્ઘટના સુરત જિલ્લામાં ન બને તે માટે સુરત DEO પ્રશાસન વહેલા તે પહેલાના ધોરણે એક્શન મોડમાં આવ્યું છે. સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારની તમામ શાળાઓને ઇમરજન્સી સેફ્ટી પ્રોટોકોલનું પાલન કરવા સખત શબ્દોમાં તાકીદ કરવામાં આવી છે.</p><h2><b>ભારે વરસાદમાં શિક્ષકોની જવાબદારી વધી</b></h2><p>નવી ગાઇડલાઇન મુજબ, જો અચાનક ભારે વરસાદ ખાબકે અને શાળાઓમાં પાણી ભરાઈ જાય અથવા ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ખોરવાય, તો આચાર્ય કે શિક્ષકો પોતાની મરજીથી શાળા બંધ કરીને ઘરે જઈ શકશે નહીં. શાળાના નાના-મોટા તમામ વિદ્યાર્થીઓ પોતપોતાના વાલીઓ સાથે કે સુરક્ષિત વાહનો દ્વારા ઘરે ન પહોંચી જાય, ત્યાં સુધી શિક્ષકોએ વાલી તરીકે શાળામાં રોકાવું પડશે અને બાળકોની દેખરેખ રાખવી પડશે.</p><h3><b>માળખાકીય સુવિધાઓની કડક ચકાસણી</b></h3><p>DEO કચેરીએ સ્પષ્ટ કર્યું છે કે, શાળાના મેદાનમાં કે છત પર ક્યાંય પણ વરસાદી પાણી ભરાવા ન જોઈએ. જો ડ્રેનેજ ચોકઅપ હશે તો તેને તાત્કાલિક સાફ કરાવવાની જવાબદારી શાળા પ્રશાસનની રહેશે. શાળાઓમાં પીવાના પાણીની ટાંકીઓ સાફ રાખવી અને ચોખ્ખું પાણી જ પૂરું પાડવું જેથી રોગચાળો અટકાવી શકાય. આગામી દિવસોમાં શિક્ષણ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા શાળાઓનું સરપ્રાઈઝ ઇન્સ્પેક્શન (આકસ્મિક ચેકિંગ) કરવામાં આવશે, અને જે પણ શાળા આ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરતી જણાશે તેમની સામે કાયદાકીય રાહે ફોજદારી પગલાં પણ લેવાઈ શકે છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/crime-branch-seizes-delhi-stolen-luxury-car-limbayat-resident-arrested-fake-documents-racket" target="_blank">આ પણ વાંચો: Surat: દિલ્હીથી ચોરાયેલી લક્ઝરી કાર સાથે લિંબાયતનો સોયેબ ઝડપાયો, નકલી કાગળો બનાવતી ગેંગ રડારમાં</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/29/mXXbANJsaHK9ewPeS23FpqANXo1wb2uICI3rZaea.webp'/></item><item><title><![CDATA[Surat: દિલ્હીથી ચોરાયેલી લક્ઝરી કાર સાથે લિંબાયતનો સોયેબ ઝડપાયો, નકલી કાગળો બનાવતી ગેંગ રડારમાં ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/crime-branch-seizes-delhi-stolen-luxury-car-limbayat-resident-arrested-fake-documents-racket</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/crime-branch-seizes-delhi-stolen-luxury-car-limbayat-resident-arrested-fake-documents-racket</guid><pubDate>Mon, 29 Jun 2026 09:08:20 +05:30</pubDate><description><![CDATA[<p>સુરત શહેરમાં ક્રાઇમ રેટ પર કાબૂ મેળવવા અને બહારના રાજ્યોમાંથી ગુનો કરીને સુરતમાં આશરો લેતા તત્વોને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચ સક્રિય ભૂમિકા ભજવી રહી છે. આ દરમિયાન લોકલ ઇન્ટેલિજન્સ સોર્સ અને હ્યુમન નેટવર્કિંગના આધારે ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે લિંબાયતનો એક યુવક દિલ્હીથી ચોરી કરીને લવાયેલી મોંઘીદાટ લક્ઝરી કાર સુરતમાં સગેવગે કરવાની ફિરાકમાં છે. જેના આધારે વોચ ગોઠવીને લિંબાયતના મોહમંદ સોયેબને દબોચી લેવાયો હતો.</p><h2><b>અસલીના નામે નકલી દસ્તાવેજો વેચવાનો કારસો</b></h2><p>પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જે વિગતો બહાર આવી છે તે સામાન્ય વાહન ખરીદનારાઓ માટે લાલબત્તી સમાન છે. આ તસ્કર ટોળકી દિલ્હી જેવા મોટા શહેરોમાંથી હાઈટેક ડિવાઈસનો ઉપયોગ કરી લક્ઝરી કારોની ચોરી કરતી હતી. ત્યારબાદ આ કારને પકડાઈ જતી બચાવવા માટે તેનો અસલી નંબર પ્લેટ બદલી નાખવામાં આવતો હતો. એટલું જ નહીં, સુરતમાં કોઈ ગ્રાહક શંકા ન કરે તે માટે તેઓ ખરીદનાર અને વેચનાર વ્યક્તિના નામના તદ્દન ખોટા અને નકલી દસ્તાવેજો ઉભા કરતા હતા. કારની બોગસ આરસી બુક અને આરટીઓ (RTO) ની નકલી નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) પણ આબેહૂબ અસલી જેવી જ પ્રિન્ટ કરી લેતા હતા, જેથી ગ્રાહકોને અસલી કાર હોવાનું કહી લાખો રૂપિયા પડાવીને ઠગાઈ આચરતા હતા.</p><h3><b>મોટા નેટવર્કનો પર્દાફાશ થવાની આશા</b></h3><p>સુરત ડીસીબી (DCB) પોલીસે કાર અને નકલી દસ્તાવેજોનો જથ્થો કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે સોયેબનો દિલ્હીનો કયો સાથીદાર આ ગાડીઓ મોકલતો હતો? અને અત્યાર સુધી ગુજરાત કે સુરતમાં આવી કેટલી લક્ઝરી ગાડીઓ નકલી દસ્તાવેજોના આધારે વેચી મારવામાં આવી છે. વાહન ક્યાંથી ચોરાયું હતું તેની ચોક્કસ કનેક્ટિવિટી મેળવવા માટે કારના એન્જિન અને ચેસિસ નંબરના આધારે તપાસ લંબાવવામાં આવી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/airport-road-up-mla-welcome-convoy-violates-rules-dumas-police-seizes-four-luxury-cars" target="_blank">આ પણ વાંચો: Surat: એરપોર્ટ રોડ પર યુપીના MLAના સ્વાગતમાં કાયદો લજાવાયો, ડુમસ પોલીસે 4 ગાડીઓ કબ્જે કરી વસૂલ્યો મોટો દંડ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/29/e85HjHEc9g8g9tAHvL233AyNfsu8odFKLvhUwfVl.webp'/></item></channel></rss>