<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[TCS Q1 Results : કંપનીને થયો 13,000 કરોડથી વધુનો નફો, રોકાણકારો માટે ડિવિડન્ડની કરી જાહેરાત ]]></title><link>https://sandesh.com/business/news/tcs-q1-results-profit-13349-crore-12-rupees-interim-dividend</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/tcs-q1-results-profit-13349-crore-12-rupees-interim-dividend</guid><pubDate>Thu, 09 Jul 2026 17:57:18 +05:30</pubDate><description><![CDATA[<p>ટાટા ગ્રુપની અગ્રણી આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)એ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ સારા નાણાકીય પરિણામો સાથે શેરધારકો માટે પ્રતિ ઈક્વિટી શેર ₹12ના અંતરિમ ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે.</p><h2><b>કંપનીની આવકમાં પણ નોંધપાત્ર વધારો</b></h2><p>કંપની દ્વારા શેરબજારને આપવામાં આવેલી માહિતી મુજબ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 30 જૂન, 2026ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળાના ઓડિટેડ સ્ટેન્ડઅલોન અને કન્સોલિડેટેડ નાણાકીય પરિણામોને મંજૂરી આપી છે. TCSનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 4.62 ટકા વધીને ₹13,349 કરોડ રહ્યો છે. ગયા વર્ષે સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીનો નફો ₹12,760 કરોડ હતો. બીજી તરફ કંપનીની આવકમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે. પ્રથમ ત્રિમાસિક દરમિયાન કંપનીની આવક 13.93 ટકા વધીને ₹72,275 કરોડ થઈ છે, જે ગયા વર્ષે ₹63,437 કરોડ હતી.</p><h3><b>અંતરિમ ડિવિડન્ડ  માટે કઈ છે રેકોર્ડ ડેટ?</b></h3><p>કંપનીના આ પરિણામો વૈશ્વિક પડકારો વચ્ચે પણ આઈટી ક્ષેત્રની મજબૂત સ્થિતિ દર્શાવે છે. આવક અને નફામાં થયેલો વધારો રોકાણકારો માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે. TCSએ અંતરિમ ડિવિડન્ડ માટે 15 જુલાઈ, 2026ને રેકોર્ડ ડેટ જાહેર કરી છે. આ તારીખ સુધી કંપનીના શેર ધરાવતા રોકાણકારોને 31 જુલાઈ, 2026ના રોજ ડિવિડન્ડની ચુકવણી કરવામાં આવશે.</p><p>શેરબજારમાં ગુરુવારે TCSનો શેર નજીવા વધારા સાથે ₹2,059 પર બંધ થયો હતો. જોકે, ચાલુ વર્ષ દરમિયાન કંપનીના શેરમાં આશરે 36 ટકાનો ઘટાડો નોંધાયો છે. છેલ્લા એક વર્ષમાં શેર લગભગ 40 ટકા ઘટ્યો છે, જ્યારે પાંચ વર્ષના ગાળામાં પણ શેરે રોકાણકારોને અંદાજે 35 ટકા નકારાત્મક વળતર આપ્યું છે.</p><p><b><a href="https://sandesh.com/business/news/sebi-changes-fpi-fvci-registration-fee-rules-rupee-payment" target="_blank">આ પણ વાંચો : SEBIએ વિદેશી રોકાણકારો માટે નિયમમાં કર્યો ફેરફાર, હવે રજિસ્ટ્રેશન ફી ડોલરમાં નહીં પણ રૂપિયામાં ચૂકવવી પડશે</a></b></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/09/lVzW1VMFPRim2VkkK22rw3Xs7hoqYf7dPoOleBmF.webp'/></item><item><title><![CDATA[વાંચો બપોરે 03થી સાંજે 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-03-pm-to-06-pm-09-july-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/read-important-news-from-03-pm-to-06-pm-09-july-2026</guid><pubDate>Thu, 09 Jul 2026 17:56:59 +05:30</pubDate><description><![CDATA[<p><b>સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર</b></p><p><a href="https://sandesh.com/india/news/ram-mandir-donation-row-after-champat-rais-resignation-govind-devgiri-said-something-important" target="_blank"><b>1. Ram Mandir Donation Row: ચંપત રાય રાજીનામુ આપ્યા બાદ... ગોવિંદ દેવગિરિએ કહી મહત્વની વાત</b></a></p><p><a href="https://sandesh.com/india/news/i-am-innocent-sonam-raghuvanshi-files-affidavit-in-sc-in-raja-raghuvanshi-murder-case" target="_blank"><b>2. Raja Raghuvanshi Murder Case: 'મને ફસાવવામાં આવી', રાજા રઘુવંશી હત્યાકાંડમાં સોનમ રઘુવંશીએ SCમાં દાખલ કર્યું સોગંદનામું</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/hydroponic-ganja-seized-at-ahmedabad-airport" target="_blank"><b>3. Ahmedabad News: બેંગકોકથી અમદાવાદ એરપોર્ટ પર ઉતરેલા મુસાફરની બેગમાંથી હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો</b></a></p><p><a href="https://sandesh.com/tech/news/trais-new-rule-now-truecaller-will-not-be-able-to-block-spam-calls" target="_blank"><b>4. TRAIનો નવો નિયમ: હવે SPAM કોલ બ્લોક નહીં કરી શકે Truecaller!</b></a></p><p><a href="https://sandesh.com/india/news/e20-petrol-engine-damage-nitin-gadkari-clarification" target="_blank"><b>5. E20 પેટ્રોલથી વાહનોના એન્જિન ખરાબ થાય છે? કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કરી સ્પષ્ટતા</b></a></p><p><a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/traffic-advisory-issued-for-tiranga-yatra-today" target="_blank"><b>6. Ahmedabad News: વાહનચાલકો આજે સાંજે 7 વાગ્યા સુધી આ રસ્તેથી પસાર થતાં ચેતજો, જાણો શું છે ટ્રાફિકનું જાહેરનામું</b></a></p><p><a href="https://sandesh.com/india/news/-political-news/mamata-banerjee-political-crisis-how-mamata-banerjees-political-world-changed-in-just-65-days-know-what-is-the-reason" target="_blank"><b>7. Mamata Banerjee Political Crisis: માત્ર 65 દિવસમાં જ મમતા બેનર્જીની રાજકીય દુનિયા કેવી રીતે બદલાઈ, જાણો શુ છે કારણ?</b></a></p><p><a href="https://sandesh.com/sports/news/arnav-paparkar-wimbledon-junior-quarterfinal-india" target="_blank"><b>8. Wimbledon ક્વાર્ટર ફાઈનલમાં 36 વર્ષ પછી પહોંચ્યો ભારતીય ખેલાડી, કોણ છે અર્ણવ પાપરકર?</b></a></p><p><a href="https://sandesh.com/cricket/news/india-vs-england-t20-icc-ranking-shreyas-iyer" target="_blank"><b>9. ICC Rankingsમાં ટીમ ઈન્ડિયાને નુકસાન, શ્રેયસ ઐયર પોતાની કેપ્ટનશીપમાં નંબર 1નું સ્થાન ગુમાવશે ભારત!</b></a></p><p><a href="https://sandesh.com/india/news/supreme-court-illegal-unsafe-buildings-strict-action-order" target="_blank"><b>10. Supreme Courtનો કડક આદેશ, ગેરકાયદે અને જોખમી ઈમારતો સામે તાત્કાલિક કાર્યવાહી કરો</b></a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/05/30/ci0PwfUyHcao4H4ziwpdhMLnO6QMfKyI3jwCPvfh.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: ખાત્રજમાં ગટર સાફ કરતા સમયે સફાઈકર્મીનું કરંટ લાગતા મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gandhinagar/arvind-mill-cleaner-electrocuted-kalol-civil-hospital</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gandhinagar/arvind-mill-cleaner-electrocuted-kalol-civil-hospital</guid><pubDate>Thu, 09 Jul 2026 17:54:00 +05:30</pubDate><description><![CDATA[<p>ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ખાત્રજ વિસ્તારમાં આવેલી જાણીતી અરવિંદ મીલમાંથી એક અત્યંત દૂખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અરવિંદ મીલની ગટર સાફ કરવા માટે અંદર ઉતરેલા 54 વર્ષીય સફાઈ કામદાર શૈલેષભાઈ સોમાભાઈનું અચાનક કરંટ લાગવાના કારણે મોત નિપજ્યું છે. આ અકસ્માતને પગલે સમગ્ર ફેક્ટરી પરિસરમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ ઘટનાની જાણ તાત્કાલિક પોલીસ તેમજ તંત્રને કરવામાં આવી હતી.</p><h2><b>કંપની અને કોન્ટ્રાક્ટરની બેદરકારીનો આક્ષેપ</b></h2><p>ઘટના બાદ મૃતક શૈલેષભાઈના દેહને પોસ્ટ મોર્ટમ અર્થે કલોલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ અન્ય સફાઈ કામદારો, પરિવારજનો અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં કલોલ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પરિવારજનોએ કોન્ટ્રાક્ટર અને કંપની પ્રશાસન પર સુરક્ષાના સાધનો ન આપવાનો અને ઘોર બેદરકારી દાખવવાનો ગંભીર આક્ષેપ કરીને હોસ્પિટલ પરિસરમાં જ ભારે હોબાળો મચાવ્યો હતો.</p><p><img alt="Gandhinagar News: Kalol: Sanitation Worker Electrocuted in Arvind Mill, Family Protests" src="https://epapercdn.sandesh.com/images/2026/07/09/ySChQ5kT2HPjWFwUtpCIpkDecYSZbl3L4e0ZqcsV.webp" style="width: 100%;"><br></p><h2><b>ન્યાયની માગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર</b></h2><p>મૃતક શૈલેષભાઈ પોતાના પાછળ ત્રણ પુત્રીઓ અને એક પુત્ર મૂકી ગયા છે. ઘરના મોભીના અકાળે અવસાનથી માસૂમ બાળકો અને પત્ની પર જાણે આભ તૂટી પડ્યું છે. કલોલ સિવિલ હોસ્પિટલમાં પરિવારજનોના હૈયાફાટ રુદનથી અત્યંત હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. </p><p><img alt="Gandhinagar News: Kalol: Sanitation Worker Electrocuted in Arvind Mill, Family Protests" src="https://epapercdn.sandesh.com/images/2026/07/09/QvnbOs0kiXJd9x6AkuTJ9Xj0kda8nGoYprlmPFib.webp" style="width: 100%;"><br></p><p>આક્રોશિત પરિવારજનોએ સ્પષ્ટ ચિમકી આપી છે કે, જ્યાં સુધી કંપની અને કોન્ટ્રાક્ટર સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં નહીં આવે અને પરિવારને ન્યાય તેમજ વળતર નહીં મળે, ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gandhinagar/gujarat-data-center-policy-launched-bhupendra-patel-mahatma-mandir-green-energy" target="_blank">Gandhinagar: સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી’નું ભવ્ય લોન્ચિંગ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/09/dY6ULy2jRWUWesiPfRfUczXtmeCOrYIsfMP3IfXA.webp'/></item><item><title><![CDATA[Ram Mandir Donation Row: ચંપત રાય રાજીનામુ આપ્યા બાદ... ગોવિંદ દેવગિરિએ કહી મહત્વની વાત ]]></title><link>https://sandesh.com/india/news/ram-mandir-donation-row-after-champat-rais-resignation-govind-devgiri-said-something-important</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ram-mandir-donation-row-after-champat-rais-resignation-govind-devgiri-said-something-important</guid><pubDate>Thu, 09 Jul 2026 17:46:48 +05:30</pubDate><description><![CDATA[<p>અયોધ્યા રામ મંદિરમાં દાનચોરી મામલે રામ મંદિર ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવ ગિરી ચંપત રાયને મળ્યા હતા. તેમણે ચંપત રાયને લઇને પત્રકાર સાથે વાતચીત કરી. જેમાં તેઓએ જણાવ્યું કે&nbsp; ચંપત રાય દાન ચોરીના આરોપોને પગલે મહાસચિવ પદ પરથી રાજીનામું આપવાથી નારાજ નથી અને મંદિરની નવી વ્યવસ્થાપન પ્રણાલીને સંપૂર્ણ સમર્થન આપે છે. ગિરીએ પત્રકારોને જણાવ્યું હતું કે "હું ગઈકાલે મુખ્યત્વે તેમની તબિયત જાણવા માટે ચંપત રાયને મળ્યો હતો. તેમની તબિયત સારી છે, તેઓ સમસ્યાનું નિરાકરણ લાવે છે અને તેમના રાજીનામા અંગે કોઈ ફરિયાદ નથી.</p><h2><b>6 જૂને યોજાઇ ટ્રસ્ટની બેઠક</b></h2><p>6 જુલાઈના રોજ યોજાયેલી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠકથી ગોવિંદ દેવ ગિરી અહીં રહ્યા છે. આ બેઠક દરમિયાન જ ચંપત રાય અને સાથી ટ્રસ્ટી અનિલ મિશ્રાના રાજીનામા સ્વીકારવામાં આવ્યા હતા.</p><p>બેઠકના બીજા દિવસે, ચંપત રાયે 'રામ ભક્તો' ને સંબોધિત પત્રમાં જણાવ્યું હતું કે દાનના કથિત દુરુપયોગની તપાસ કરી રહેલી વિશેષ તપાસ ટીમ (SIT) તેનો અંતિમ અહેવાલ રજૂ કરે તે પછી જ તેઓ તેમના પરના આરોપોનો જવાબ આપશે. 'સંતો અને દ્રષ્ટાઓ નવી વ્યવસ્થાથી ખુશ છે...'</p><h3><b>નવી વ્યવસ્થાપન પ્રણાલીને સંપૂર્ણ સમર્થન- ચંપતરાય&nbsp;</b>&nbsp;</h3><p>બુધવારે ચંપત રાય સાથેની તેમની મુલાકાત વિશે મીડિયા સાથે વાત કરતા, ગોવિંદ દેવ ગિરીએ કહ્યું કે ચંપત રાય એક અનુભવી વ્યક્તિ છે જેમણે પોતાનું જીવન રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. તેઓ નવી મંદિર વ્યવસ્થાપન પ્રણાલીને સંપૂર્ણ સમર્થન આપે છે અને તેઓ નારાજ કે ગુસ્સે નથી." તેમણે ઉમેર્યું કે "હું અયોધ્યાના સંતો અને દ્રષ્ટાઓ સાથે પણ મળ્યો. તેઓ નવી મંદિર વ્યવસ્થાપન પ્રણાલી સાથે સંમત છે અને તેનાથી ખુશ છે."ગિરીએ જણાવ્યું હતું કે ટ્રસ્ટ મંદિરની વ્યવસ્થાપન પ્રણાલીમાં સુધારો કરવા માટે ફેરફારો લાગુ કરવા માટે પ્રતિબદ્ધ છે, અને દરેક વ્યક્તિ આ સાથે સહમત હતા.</p><h4><b>ચંપતરાયના સ્થાને કોણ આવ્યું ?&nbsp;</b></h4><p>ચંપત રાયના સ્થાને ભૂતપૂર્વ IFS અધિકારી અને ટ્રસ્ટી કૃષ્ણ મોહનને લાવવામાં આવ્યા છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ના પ્રારંભિક અહેવાલ બાદ, મોહને આઠ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમની પાછળથી ધરપકડ કરવામાં આવી હતી.</p><p>ટ્રસ્ટે CEO ની પસંદગી માટે ત્રણ સભ્યોની સમિતિની પણ રચના કરી છે. આ પેનલમાં નિવૃત્ત ન્યાયાધીશ પ્રમોદ કોહલી, નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ વિષ્ણુકાંત ચતુર્વેદી અને ટ્રસ્ટી સુરેશ હાવરેનો સમાવેશ થાય છે. ટ્રસ્ટ 22 જુલાઈના રોજ આ અને અન્ય પગલાંની ચર્ચા કરવા માટે તેની આગામી બેઠક યોજશે. આ બેઠક દાનની કથિત ચોરી તરફ દોરી જતી ખામીઓને દૂર કરવાની યોજનાનો એક ભાગ છે.</p><p>અયોધ્યામાં રામ મંદિરમાં દાનની ગણતરીમાં કથિત અનિયમિતતાઓ પ્રકાશમાં આવ્યા બાદ જૂનના પ્રથમ અઠવાડિયામાં એક મોટો વિવાદ ફાટી નીકળ્યો હતો. ટ્રસ્ટની ભલામણ પર કાર્યવાહી કરતા, ઉત્તર પ્રદેશ સરકારે SIT ની રચના કરી.</p><p>SIT ને ઉચાપતના પ્રારંભિક પુરાવા મળ્યા, જેના પગલે FIR નોંધવામાં આવી અને મંદિરના દાનની ગણતરીમાં સામેલ આઠ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી.</p><p><br></p><p><a href="https://sandesh.com/astrology/news/bhakti/budh-gochar-2026-bank-balance-of-3-zodiac-signs-will-increase-mercury-will-change-its-course" target="_blank">આ પણ વાંચો:  Budh Gochar 2026: 3 રાશિનું બેંક બેલેન્સ વધશે ! બુધ બદલશે ચાલ&nbsp;</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/09/DxHlF1TXzvdhI351jyjIsBnS9Prvb9Q8H0iV0xuR.webp'/></item><item><title><![CDATA[Raja Raghuvanshi Murder Case: 'મને ફસાવવામાં આવી', રાજા રઘુવંશી હત્યાકાંડમાં સોનમ રઘુવંશીએ SCમાં દાખલ કર્યું સોગંદનામું ]]></title><link>https://sandesh.com/india/news/i-am-innocent-sonam-raghuvanshi-files-affidavit-in-sc-in-raja-raghuvanshi-murder-case</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/i-am-innocent-sonam-raghuvanshi-files-affidavit-in-sc-in-raja-raghuvanshi-murder-case</guid><pubDate>Thu, 09 Jul 2026 17:46:07 +05:30</pubDate><description><![CDATA[<p>મેઘાલયના હાઇ-પ્રોફાઇલ 'હનીમૂન મર્ડર કેસ'ની મુખ્ય આરોપી સોનમ રઘુવંશીને આપવામાં આવેલા જામીન રદ કરવાની માંગ કરતી અરજી પર આગામી સુનાવણી 14 જુલાઈના રોજ થવાની છે. સુપ્રીમ કોર્ટ તે તારીખે મેઘાલય સરકારની અરજી પર સુનાવણી કરશે જેમાં તેના પતિ રાજા રઘુવંશીની હત્યાના સંદર્ભમાં તેને આપવામાં આવેલા જામીનને પડકારવામાં આવ્યો છે.</p><p><br></p><p>જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ શ્રી ચંદ્રશેખરની બનેલી બેન્ચે મેઘાલય સરકારને સોનમ રઘુવંશીને આપવામાં આવેલા ધરપકડના કારણોની નકલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. મેઘાલયની એક કોર્ટે સોનમને જામીન આપ્યા હતા કારણ કે ધરપકડ સમયે તેને 'ધરપકડના કારણો' વિશે જાણ કરવામાં આવી ન હતી. જોકે, ફરિયાદ પક્ષનો દાવો છે કે તેને ખરેખર આ કારણો વિશે જાણ કરવામાં આવી હતી.</p><p>મેઘાલય સરકારના મતે, એકમાત્ર મુદ્દો એ પણ છે કે, દસ્તાવેજમાં એક ટાઇપિંગની ભૂલ હતી. હત્યાના ગુના માટે સજાની જોગવાઈ કરનારી ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 103(1)  બદલે કલમ 403(1) ભૂલથી ઉલ્લેખ થઈ ગયો હતો. નોંધનીય છે કે, કલમ ૪૦૩(૧) વાસ્તવમાં અસ્તિત્વમાં નથી. આગામી સુનાવણીમાં સર્વોચ્ચ અદાલત વિગતવાર તપાસ કરશે કે કાયદા અનુસાર સોનમને ધરપકડના કારણો વિશે જાણ કરવામાં આવી હતી કે નહીં.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2075100864310915198"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><br></p><h3><b>સોનમે પોતાના સોગંદનામામાં શું જણાવ્યું?</b></h3><p>સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં સોનમે જણાવ્યું હતું કે તે ટ્રાયલમાં સંપૂર્ણ સહકાર આપી રહી છે અને કોઈપણ વિલંબ માટે જવાબદાર નથી. સોનમે કોર્ટમાં એ પણ રજૂઆત કરી હતી કે તેને 27 એપ્રિલ, 2026ના રોજ જામીન આપવામાં આવ્યા હતા અને 28 એપ્રિલ, 2026ના રોજ જેલમાંથી મુક્ત કરી દેવામાં આવી હતી. પરિણામે, તેને પાછા જેલમાં મોકલવાનું કોઈ વાજબીપણું નથી, કારણ કે જામીન રદ કરવા માટે જરૂરી કાયદાકીય આધાર આ કેસમાં અસ્તિત્વમાં નથી.</p><p><br></p><h4><b>"મને ખોટી રીતે ફસાવવામાં આવી છે" - સોનમ રઘુવંશી</b></h4><p>પોતાના બચાવમાં સોનમે પણ ભારપૂર્વક જણાવ્યું છે કે તેને ખોટી રીતે ફસાવવામાં આવી છે. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે અગાઉ કહ્યું હતું કે સોનમ પહેલેથી જ જામીન પર હોવાથી તે તેના જામીન રદ કરવા ઇચ્છતી નથી. જોકે, કોર્ટે સોનમને નોટિસ પાઠવી જવાબ માંગ્યો હતો.</p><p><br></p><p><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/tech/news/trais-new-rule-now-truecaller-will-not-be-able-to-block-spam-calls#google_vignette" target="_blank">TRAIનો નવો નિયમ: હવે SPAM કોલ બ્લોક નહીં કરી શકે Truecaller!</a></b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/09/9jBprhAhE81ol7xyirTBVp7bbKLMsKibaQP1aodt.webp'/></item><item><title><![CDATA[Mehsanaના કડીમાં ટ્રેનની અડફેટે આવતાં દાહોદના યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/a-young-man-from-dahod-died-on-the-spot-after-being-hit-by-a-train-in-mehsana</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mehsana/a-young-man-from-dahod-died-on-the-spot-after-being-hit-by-a-train-in-mehsana</guid><pubDate>Thu, 09 Jul 2026 17:29:48 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મહેસાણા જિલ્લાના કડી પંથકમાંથી એક હૃદયદ્રાવક અને મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. કડીના ચંડીગઢ વિસ્તારની પાછળથી પસાર થતા રેલ્વે પાટા પર એક અજાણ્યો યુવાન ટ્રેનની અડફેટે આવી ગયો હતો. કડીથી કટોસણ તરફ જઈ રહેલી રેલ્વે ટ્રેનની જોરદાર ટક્કર વાગવાને કારણે આ યુવાન રેલ્વે ટ્રેક પર જ જોરભેર નીચે પછડાયો હતો, જેમાં તેને માથા તેમજ શરીરના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું કરુણ મોત નીપજ્યું હતું.</p><h2 style="text-align: justify; "><b>ફોન પર વાતચીત કરવી યુવાનને ભારે પડી</b></h2><p style="text-align: justify; ">આ ગોઝારો અકસ્માત યુવકની ઘોર બેદરકારીના કારણે સર્જાયો હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવાન રેલ્વે ટ્રેક ઓળંગતી વખતે અથવા પાટાની નજીકથી પસાર થતી વખતે પોતાના મોબાઈલ ફોન પર વાતચીત કરવામાં મશગૂલ હતો, જેને કારણે તેને સામેથી આવી રહેલી ટ્રેનનો અવાજ કે સિગ્નલ સંભળાયા ન હતા. જોતજોતામાં ટ્રેને યુવકને અડફેટે લઈ લેતા ત્યાંથી પસાર થતા અન્ય લોકોમાં ભારે અરેરાટી અને નાસભાગ મચી ગઈ હતી.</p><h3 style="text-align: justify; "><b>મૂળ દાહોદનો યુવાન વર્ષોથી કડીમાં રહેતો હતો</b></h3><p style="text-align: justify; ">સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, અકસ્માતનો ભોગ બનનાર મૃતક યુવાન મૂળ દાહોદ જિલ્લાના વતનનો વતની હતો, પરંતુ તે આજીવિકા અર્થે છેલ્લા ઘણા વર્ષોથી કડી પંથકમાં જ સ્થાયી થયો હતો અને અહીં જ રહેતો હતો. ઘટનાની જાણ થતાં જ રેલ્વે પોલીસ અને સ્થાનિક પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતકના શવને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડી અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે અને તેના પરિવારજનોને કડી ખાતે જાણ કરવા માટેની આગળની કાયદાકીય તજવીજ હાથ ધરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/09/IdqEdJEaKoUWsboEsMV5AXxQ6jnuJ6NZGJwLcI4l.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: બેંગકોકથી અમદાવાદ એરપોર્ટ પર ઉતરેલા મુસાફરની બેગમાંથી હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/hydroponic-ganja-seized-at-ahmedabad-airport</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/hydroponic-ganja-seized-at-ahmedabad-airport</guid><pubDate>Thu, 09 Jul 2026 17:28:17 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફરી એકવાર ડ્રગ્સની હેરાફેરીનો મોટો પર્દાફાશ થયો છે.એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) અને અમદાવાદ કસ્ટમ્સ વિભાગે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી 5.368 કિલો હાઇડ્રોપોનિક ગાંજો ઝડપી પાડ્યો છે.પકડાયેલો આરોપી થાઈ એરવેઝની ફ્લાઇટ મારફતે બેંગકોકથી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>અમદાવાદ એરપોર્ટ પરથી હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો</b></h2><p style="text-align: justify; ">એરપોર્ટ પર તૈનાત સુરક્ષા એજન્સીઓએ પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે આ મુસાફરને અટકાવ્યો હતો અને તેની પૂછપરછ શરૂ કરી હતી.ત્યારબાદ જ્યારે તેની ટ્રોલી બેગની ઝીણવટભરી તલાશી લેવામાં આવી ત્યારે તેમાંથી કાળા કલરની પોલિથિનમાં ખૂબ જ ચાલાકીપૂર્વક પેક કરીને છુપાવેલા પાંચ શંકાસ્પદ પેકેટો મળી આવ્યા હતા. તેની બેગમાં લિંબુ પણ ભરેલા હતાં.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>ટ્રોલી બેગમાં પાંચ કાળા પેકેટ છુપાવ્યા હતા</b></h3><p style="text-align: justify; ">કસ્ટમ્સ વિભાગની ટીમે જ્યારે ફિલ્ડ ટેસ્ટ કિટ દ્વારા આ જપ્ત કરાયેલા પદાર્થની તપાસ કરી ત્યારે તે ઉચ્ચ ગુણવત્તાનો હાઇડ્રોપોનિક ગાંજો હોવાનું સત્તાવાર રીતે સામે આવ્યું હતું.આ ગેરકાયદેસર નશીલા પદાર્થની હેરાફેરી બદલ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આરોપીની ધરપકડ કરી લેવાઈ છે.આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટના મૂળ ક્યાં સુધી જોડાયેલા છે તે અંગે અમદાવાદ કસ્ટમ્સ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/surat/mp-mukesh-dalal-calls-18-inch-rain-a-natural-disaster" target="_blank">આ પણ વાંચોઃ Surat News: સુરતમાં 18 ઈંચ વરસાદ ખાબક્યો તે કુદરતનો કહેર છે એમાં કોઈ શું કરી શકે: સાંસદ મુકેશ દલાલ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/09/CigWo6E4P0JMpPwCOwL0vFnEt2ZqCnwjtLiNtisk.webp'/></item><item><title><![CDATA[Wimbledon ક્વાર્ટર ફાઈનલમાં 36 વર્ષ પછી પહોંચ્યો ભારતીય ખેલાડી, કોણ છે અર્ણવ પાપરકર? ]]></title><link>https://sandesh.com/sports/news/arnav-paparkar-wimbledon-junior-quarterfinal-india</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/arnav-paparkar-wimbledon-junior-quarterfinal-india</guid><pubDate>Thu, 09 Jul 2026 17:00:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">18 વર્ષની ભારતીય ટેનિસ ખેલાડી અર્ણવ પાપરકરનું નામ હાલમાં ટેનિસ જગતમાં ચર્ચાનો વિષય છે, જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે કોઈ ભારતીય 36 વર્ષ પછી જુનિયર વિમ્બલ્ડનના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યો છે.</p><p style="text-align: justify; ">અર્ણવ પાપરકરે જાપાની ખેલાડી ર્યો તાબાટા સામે રાઉન્ડ ઓફ 16માં 52 મિનિટમાં સતત 2 સેટ જીતીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. અર્ણવ પાપરકર હવે 1990માં લિએન્ડર પેસ પછી માત્ર બીજો ખેલાડી છે જે ક્વાર્ટર ફાઈનલમાં પહોંચવામાં સફળ રહ્યો છે. પેસે તે વર્ષે પણ આ ખિતાબ જીત્યો હતો.</p><h2 style="text-align: justify; "><b>અર્ણવ પાપરકરે બંને સેટમાં જાપાની ખેલાડીને વાપસી કરવાની તક ન આપી</b></h2><p style="text-align: justify; ">પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં અર્ણવ પાપરકરે કોર્ટ પર એકતરફી પ્રદર્શન કર્યું, જાપાનના રિયો તાબાટા સામે પહેલો સેટ 6-2 ના માર્જિનથી જીત્યો. બધાની નજર બીજા સેટ પર હતી, જ્યાં અર્ણવે પોતાનું પ્રભાવશાળી ફોર્મ ચાલુ રાખ્યું અને 6-1 ના માર્જિનથી જીતીને છેલ્લા આઠમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. અર્ણવ પાપરકરે હવે ક્વાર્ટર ફાઈનલમાં અમેરિકન ખેલાડી જોર્ડન લીનો સામનો કરવો પડશે.&nbsp;</p><p style="text-align: justify; ">અર્ણવ પાપરકરે વિમ્બલ્ડન બોયઝ સિંગલ્સ ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવનાર લિએન્ડર પેસ, રામનાથન કૃષ્ણન અને રમેશ કૃષ્ણન સાથે મળીને માત્ર ચોથો ખેલાડી બન્યો. યુકી ભામ્બરીએ 2009માં યુએસ જુનિયર ચેમ્પિયનશિપ જીતી ત્યારથી તે જુનિયર ગ્રાન્ડ સ્લેમના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચનાર પ્રથમ ખેલાડી પણ છે.</p><h3 style="text-align: justify; "><b>જુનિયર રેન્કિંગમાં અર્ણવ 19મા નંબરે</b></h3><p style="text-align: justify; ">18 વર્ષનો અર્ણવ પાપરકર ઈન્ટરનેશનલ ટેનિસ ફેડરેશનના જુનિયર રેન્કિંગમાં 19મા નંબરે છે. અર્ણવે 14 વર્ષની ઉંમરે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયન ઓપન અંડર-14 એશિયા પેસિફિક એલીટ ટ્રોફી જીતીને તેનું પહેલું મુખ્ય ટાઈટલ જીત્યું. તે વર્ષે પછી તેને વાઈલ્ડકાર્ડ એન્ટ્રી તરીકે નેશનલ અંડર-16 ટાઈટલ જીત્યું.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/ishan-kishan-run-out-abhishek-sharma-stump-mic-video" target="_blank">Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/09/luChwjbTi98XDgg5rIPNU1Ldb0FwzHIBuBZA0KXC.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: RTO સર્કલથી ચાંદખેડા જતો માર્ગ 10 જુલાઈથી બંધ, 31 જાન્યુઆરી 2027 સુધી ટ્રાફિક ડાયવર્ઝન ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/rto-to-chandkheda-road-closed-from-july-10-for-bullet-train</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/rto-to-chandkheda-road-closed-from-july-10-for-bullet-train</guid><pubDate>Thu, 09 Jul 2026 16:48:45 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત પિલર નિર્માણની કામગીરીને વેગ આપવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા એક મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટના કામકાજને કારણે વાહનચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 10 જુલાઈથી 31 જાન્યુઆરી 2027 સુધી લાંબા સમય માટે ટ્રાફિક ડાયવર્ઝન અમલી રહેશે. આ સમયગાળા દરમિયાન RTO સર્કલથી ચાંદખેડા તરફ જતો મુખ્ય માર્ગ તેમજ RTOથી UGVCL સુધીનો માર્ગ સામાન્ય વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.</p><h2 style="text-align: justify; "><b>સ્થાનિક રહેવાસીઓ માટે માત્ર ટુ-વ્હીલરની મંજૂરી</b></h2><p style="text-align: justify; ">નવા જાહેરનામા અનુસાર બંધ કરવામાં આવેલા આ માર્ગ પરથી માત્ર સ્થાનિક રહેવાસીઓને જ રાહત આપવામાં આવી છે.જેઓ માત્ર પોતાના ટુ-વ્હીલર લઈને પસાર થઈ શકશે.અન્ય તમામ વાહનચાલકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.સાબરમતી અને ચાંદખેડા તરફ જવા માંગતા નાગરિકો હવે ચિમનભાઈ બ્રિજ થઈને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકશે, જેથી બુલેટ ટ્રેનનું કામ પણ અવરોધ વિના પૂરજોશમાં ચાલી શકે.</p><h3 style="text-align: justify; "><b>એમ્બ્યુલન્સ,ફાયર અને સરકારી ફરજના વાહનોને છૂટ&nbsp;</b></h3><p style="text-align: justify; ">આ ડાયવર્ઝનને કારણે વૈકલ્પિક માર્ગો પર ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ડાયવર્ઝન રૂટને 'નો પાર્કિંગ ઝોન' જાહેર કરવામાં આવ્યો છે. આ રૂટ પર કોઈપણ વાહન પાર્ક કરવા પર સખત મનાઈ રહેશે. જો કે, કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે માનવતાવાદી અભિગમ સાથે એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને સરકારી ફરજ પરના વાહનોને આ પ્રતિબંધિત માર્ગ પરથી પણ પસાર થવાની ખાસ છૂટછાટ આપવામાં આવી છે.</p><p style="text-align: justify; "><br><a href="https://sandesh.com/gujarat/news/monsoon-2026/surat/mp-mukesh-dalal-calls-18-inch-rain-a-natural-disaster" target="_blank">આ પણ વાંચોઃ Surat News: સુરતમાં 18 ઈંચ વરસાદ ખાબક્યો તે કુદરતનો કહેર છે એમાં કોઈ શું કરી શકે: સાંસદ મુકેશ દલાલ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/09/9k0YngTjQGEhJgrqCt3TWqGwq5cGHVneESsRgMYL.webp'/></item><item><title><![CDATA[શિલ્પા શિંદેના જુઠ્ઠાણા પર ભડકી હિના ખાન, કહ્યું- જો તે Bigg Bossમાં આવું બોલતી તો... ]]></title><link>https://sandesh.com/entertainment/news/hina-khan-furious-over-shilpa-shindes-lies-said-if-she-had-said-this-in-bigg-boss</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/hina-khan-furious-over-shilpa-shindes-lies-said-if-she-had-said-this-in-bigg-boss</guid><pubDate>Thu, 09 Jul 2026 15:58:53 +05:30</pubDate><description><![CDATA[<p>લોકપ્રિય ટીવી અભિનેત્રી શિલ્પા શિંદેએ તાજેતરમાં એક એવો ખુલાસો કર્યો છે જેની સોશિયલ મીડિયા પર લોકોએ આકરી ટીકા કરી છે. કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા દ્વારા આયોજિત પોડકાસ્ટ પર બોલતા શિલ્પાએ કહ્યું કે તેણે ભાભીજી ઘર પર હૈ શોના નિર્માતા સંજય કોહલી પર જાતીય સતામણીના ખોટા આરોપો લગાવ્યા છે. હિના ખાને અગાઉ ઘણી વખત આ સમગ્ર વિવાદ અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.</p><p><br></p><h2><b>હિના ખાને શિલ્પા શિંદે પર સાધ્યું નિશાન&nbsp;</b></h2><p>હવે, હિના ખાને ફરી એકવાર શિલ્પા શિંદે પર પ્રહાર કર્યા છે. તેણે અભિનેત્રી દ્વારા કહેવામાં આવેલા આ જુઠ્ઠાણાને લઈને આકરા પ્રહારો કર્યા છે. હિના તાજેતરમાં રૂબીના દિલૈકના પોડકાસ્ટ પર તેના પાર્ટનર રોકી જયસ્વાલ સાથે જોવા મળી હતી. જ્યાં તેણે શિલ્પા શિંદે પર નિશાન સાધ્યું હતું. રોકીએ કોમેન્ટ કરતા કહ્યું હતું કે, "જે કરન્સી બની છેને, તે છે કોન્ટ્રોવર્સી."</p><p><br></p><h3><b>મેકર્સે મારી જીંદગી ખરાબ કરી</b></h3><p>આ પછી હિનાએ તેની ભૂતપૂર્વ બિગ બોસ સહ-સ્પર્ધક શિલ્પા પર નિશાન સાધતા કહ્યું, "તેણે આ બધું બિગ બોસ પર કહ્યું - 'મારી સાથે આવું થયું,' 'મારી સાથે અન્યાય થયો,' 'મારું બધું બરબાદ થઈ ગયું,' 'નિર્માતાઓએ મારું જીવન બરબાદ કરી દીધું' - શું તેણે એક વાર પણ કહ્યું કે સતામણીના બદલામાં તેણે પ્રોડ્યુસર વિરુદ્ધ કેસ દાખલ કર્યો? કારણ કે તે જાણતી હતી કે જો તેઆવું કહ્યું, તો તે ક્યારેય જીતી શકશે નહીં."</p><p><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/DaiCRATtMF7/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/DaiCRATtMF7/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a></p><p><br></p><h4><b>ગૌરવ ખન્ના અને આકાંક્ષા ચમોલાના સંબંધો પર ઉઠાવ્યા સવાલ</b></h4><p>પોડકાસ્ટ દરમિયાન રૂબીના દિલૈકે ગૌરવ ખન્ના અને આકાંક્ષા ચમોલા વચ્ચેના સંબંધો અંગે પ્રશ્નો ઉઠાવ્યા. રૂબીનાએ કહ્યું, "લોકો 'સારા પતિ' અથવા 'સારી પત્ની' હોવાનો ઢોંગ કરે છે. 'સારા પતિ' વિશે - અમે એક વાર કેમેરાની બહાર કંઈક સાંભળ્યું હતું; જ્યારે પૂછવામાં આવ્યું કે, 'તમે તમારી પત્નીને સાથે કેમ નથી લઈ જતા?', ત્યારે તેમણે જવાબ આપ્યો, 'હું રૂબીના અને અભિનવની જેમ મારા લગ્નની મજાક ઉડાવવા માંગતો નથી.'</p><p><br></p><h5><b>તમે બસ દેખાડો કરી રહ્યા છો</b></h5><p>આ પછી હિના ખાને કહ્યું, "જો તેઓ એક વર્ષથી અલગ રહી રહ્યા છે, તો પછી ચાર-પાંચ મહિના પહેલા જ યુટ્યુબ પર તેમને એકબીજાને આશ્ચર્યચકિત કરતા વીડિયો કેમ બનાવવામાં આવી રહ્યા હતા? તમે ફક્ત જાહેરમાં સારા પતિ-પત્ની હોવાનો દેખાવ કરી રહ્યા છો." નોંધનીય છે કે આકાંક્ષા ચમોલા હાલમાં રિયાલિટી શો 'લોક-અપ 2' માં જોવા મળી રહી છે. તેના પ્રીમિયર દરમિયાન તેણીએ ખુલાસો કર્યો કે તે ગૌરવ ખન્ના સાથે છૂટાછેડા લેવા જઈ રહી છે. તે બન્ને છેલ્લા એક વર્ષથી અલગ રહી રહ્યું છે.</p><p><br></p><p><b><span style="font-size: 18px;">આ પણ વાંચો: </span><a href="https://sandesh.com/sports/news/cricket/ind-vs-eng-4th-t20-bristol-weather-rain-forecast" target="_blank"><span style="font-size: 18px;">IND vs ENG: વરસાદ બનશે વિલન? આજે ભારત-ઇંગ્લેન્ડની મેચ દરમિયાન કેવું રહેશે બ્રિસ્ટલનું વાતાવરણ</span></a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/09/driNMIKJEmxj0UPEX4zSsjAXIAi5raqNoLgQVtI1.webp'/></item></channel></rss>