<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Mehsana: CDHOની આકસ્મિક તપાસમાં 12 કર્મચારીઓ લપેટામાં, ગેરહાજર અને મોડા આવનારાઓને ફટકારી શો-કોઝ નોટિસ! ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mahesana/mehsana-health-department-surprise-checking-cdho-action-show-cause-notice-to-absent-employees</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/mahesana/mehsana-health-department-surprise-checking-cdho-action-show-cause-notice-to-absent-employees</guid><pubDate>Tue, 16 Jun 2026 11:03:33 +05:30</pubDate><description><![CDATA[<p>
</p><div style="text-align: justify; ">સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં જનતાની સેવા પ્રત્યે બેદરકારી દાખવતા કર્મચારીઓ સામે મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. મહેસાણાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી  દ્વારા તાજેતરમાં જ જુદા જુદા આરોગ્ય કેન્દ્રો પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીના આ અચાનક સપાટાથી ફરજમાં બેદરકારી દાખવતા અને કચેરીએ મોડા આવતા કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.</div><div style="text-align: justify; "><br></div><h2 style="text-align: justify;"><b>&nbsp;ટીમ જ્યારે તપાસ માટે પહોંચી</b></h2><div style="text-align: justify;"><br></div><div style="text-align: justify;"> 
</div><div style="text-align: justify;">મળતી માહિતી મુજબ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમ જ્યારે તપાસ માટે પહોંચી ત્યારે ઓફિસના વાસ્તવિક દ્રશ્યો સામે આવ્યા હતા. આકસ્મિક ચેકિંગ દરમિયાન કુલ 45 અધિકારીઓ અને કર્મચારીઓ સમયસર પોતાની ફરજ પર હાજર મળી આવ્યા હતા.</div><div style="text-align: justify;"><br></div><div style="text-align: justify;"> 
</div><h3 style="text-align: justify;"><b>4 કર્મચારીઓ ગેરહાજર જોવા મળ્યા</b></h3><div style="text-align: justify;"><br></div><div style="text-align: justify;">
</div><div style="text-align: justify;">પરંતુ, નિયત સમય વીતી ગયો હોવા છતાં 8 કર્મચારીઓ કચેરીએ મોડા પહોંચ્યા હતા, જ્યારે 4 કર્મચારીઓ કોઈપણ પૂર્વ મંજૂરી વગર તદ્દન ગેરહાજર હોવાનું સામે આવ્યું હતું. આમ, કુલ 12 કર્મચારીઓ શિસ્તભંગના દાયરામાં ઝડપાયા છે.</div><div style="text-align: justify;"><br></div><div style="text-align: justify;">
</div><h4 style="text-align: justify;"><b>કારણ દર્શક નોટિસ ફટકારાઇ</b></h4><div style="text-align: justify;"><br></div><div style="text-align: justify;">
</div><div style="text-align: justify;">આ ગંભીર બેદરકારીને પગલે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ સખત નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે સ્થળ પર જ એક્શન મોડમાં આવીને મોડા આવનારા અને ગેરહાજર રહેનારા તમામ કર્મચારીઓને કારણદર્શક  નોટિસ ફટકારવાના આદેશ આપ્યા છે. આ સાથે જ સંબંધિત તાલુકા આરોગ્ય અધિકારીને આવા આળસુ કર્મચારીઓ સામે નિયમોનુસાર કડક પગલાં લેવા માટે લેખિત સૂચના આપી દેવામાં આવી છે.</div><div style="text-align: justify;"><br></div><div style="text-align: justify;">
</div><h4 style="text-align: justify;"><b>આળસ કે બેદરકારી સહેજ પણ ચલાવી લેવાશે નહીં</b></h4><div style="text-align: justify;"><br></div><div style="text-align: justify;">
</div><div style="text-align: justify; ">આરોગ્ય વિભાગે કડક શબ્દોમાં ચીમકી આપતા જણાવ્યું છે કે, "પ્રજાના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આરોગ્ય સેવાઓમાં કોઈપણ પ્રકારની આળસ કે બેદરકારી સહેજ પણ ચલાવી લેવાશે નહીં." જનતાને સમયસર અને ગુણવત્તાસભર તબીબી સેવાઓ મળી રહે તે માટે આગામી દિવસોમાં પણ આ પ્રકારની સરપ્રાઈઝ વિઝીટ ચાલુ રાખવામાં આવશે, જેથી તમામ સ્ટાફ સમયસર હાજર રહીને પોતાની ફરજ નિભાવે.&nbsp;</div><div style="text-align: justify; "><br></div><div style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp; &nbsp; <a href="https://sandesh.com/india/news/sandesh-digital-explainer-india-monsoon-pause-imd-alert" target="_blank"><b>Sandesh Digital Explainer: મેઘરાજા આકાશી ચક્રવ્યૂહમાં ફસાયા..! કેમ અચાનક ગાયબ થઈ ગયા ચોમાસાના વાદળો? જાણો વિન્ડ વોરની ઇનસાઇડ સ્ટોરી</b></a></div><div>
</div><div>
</div><div>
</div><div>
</div><div>
</div><div>
</div><div>
</div><div>
</div><div>
</div><div>
</div><div>
</div><div>
</div> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/psEAlNxNgOMpoFdD4EFJgisCm6fG8C5oapHgmm3b.webp'/></item><item><title><![CDATA[Actress સંચિતાની આત્મહત્યા પર આંચલ ખુરાનાનો આક્રોશ, ઇન્ડસ્ટ્રીના વર્ક કલ્ચર પર ઉઠાવ્યા સવાલ ]]></title><link>https://sandesh.com/entertainment/news/aanchal-khuranas-anger-over-actress-sanchitas-suicide-questions-raised-over-the-industrys-work-culture</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/aanchal-khuranas-anger-over-actress-sanchitas-suicide-questions-raised-over-the-industrys-work-culture</guid><pubDate>Tue, 16 Jun 2026 10:57:05 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">"કુમકુમ ભાગ્ય", "વાગલે કી દુનિયા" અને આગામી ફિલ્મ "છાવા" માં પોતાના અભિનય માટે જાણીતી યુવા અને ઉભરતી અભિનેત્રી સંચિતા ઉગલેનું ૧૪ જૂન, ૨૦૨૬ ના રોજ મુંબઈ સ્થિત તેમના ઘરે આત્મહત્યાના કારણે અવસાન થયું છે. આ સમાચાર વાયરલ થતાં જ તેમના ચાહકો, સહ-કલાકારો અને સમગ્ર મનોરંજન ઉદ્યોગ સ્તબ્ધ થઈ ગયો છે. માત્ર 22 વર્ષની ઉંમરે અભિનેત્રી સંચિતાએ કેમ આત્મહત્યા કરી તેના કારણોને લઈને પણ ચર્ચાઓ તેજ થઈ છે. આ દરમિયાન ટીવી અભિનેત્રી આંચલ ખુરાનાએ ઇન્ડસ્ટ્રીની કડવી વાસ્તવિકતા અને ગ્લેમર પાછળના દબાણને લઈને અનેક સવાલો ઉઠાવ્યા છે.</p><h2 style="text-align: justify; "><b>સંચિતા નિધન પર આંચલ ખુરાનાએ ઉઠાવ્યા સવાલ</b></h2><p style="text-align: justify; ">સંચિતાના આકસ્મિક નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરવા સાથે આંચલ ખુરાનાએ ટેલિવિઝન ઉદ્યોગની કેટલીક ખોટી પ્રથાઓ અને વ્યાવસાયિક દબાણ સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે એક સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરીને ઇન્ડસ્ટ્રીની કાળા સચ્ચાઈને ઉજાગર કરી છે. આંચલે જણાવ્યું કે, જ્યારે ચેનલો માત્ર TRP ની પાછળ દોડે છે અને નિર્માતાઓ ખર્ચ ઘટાડવા (Budget Cuts) પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે, ત્યારે કલાકારો કયા માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા છે તે વિશે કોઈ વિચારતું નથી.</p><h3 style="text-align: justify; "><b>કલાકારો પર કાસ્ટિંગ પ્રેશરનું દબાણ, આંચલનો આક્રોશ</b></h3><p style="text-align: justify; ">અભિનેત્રી આંચલ ખુરાનાએ પોતાની પોસ્ટમાં ઇન્ડસ્ટ્રીમાં વર્કકલ્ચરને લઈને આક્રોશ ઠાલવતા લખ્યું કે કલાકારોની લાઈફને લઈને કોઈ વિચારતું નથી. ચેનલો માત્ર TRP ની પાછળ દોડે છે અને નિર્માતાઓ ખર્ચ ઘટાડવા (Budget Cuts) પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે, ત્યારે કલાકારો કયા માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા છે. કલાકારોને કોઈ પણ નાના કારણોસર, અસંમતિ દર્શાવવા બદલ, કોઈ બાબતમાં સમાધાન કરવાનો ઇનકાર કરવા બદલ કે માત્ર લોકપ્રિયતામાં થોડો ઘટાડો થવા જેવા નજીવા બહાના હેઠળ શોમાંથી રાતોરાત બદલી (Replace) દેવામાં આવે છે.</p><h4 style="text-align: justify; "><b>'કલાકારોના દિવસો ઓડિશનમાં અને રાતો અસ્વીકારમાં વીતે છે'</b></h4><p style="text-align: justify; ">આ ગ્લેમરસ વ્યવસાયની અનિશ્ચિતતા વિશે વાત કરતા આંચલે ઉમેર્યું કે, કલાકારો પોતાના દિવસો ઓડિશન આપવામાં અને રાતો રિજેક્શન (અસ્વીકાર) નો સામનો કરવામાં વિતાવે છે. લોકો કલાકારોને 'મજબૂત' રહેવાની સલાહ આપે છે, પરંતુ સતત મળતી અસફળતા અને અનિશ્ચિતતા માનસિક રીતે થકવી નાખે છે, તે કોઈ નથી સમજતું. તેમણે આક્ષેપ કર્યો કે આજે કાસ્ટિંગના નિર્ણયોમાં પ્રતિભા કરતાં પૈસા વધુ મહત્વ ધરાવે છે, જેના કારણે સારા કલાકારોને પણ નાના ખર્ચના તફાવત કે ખોટા વર્તન સામે અવાજ ઉઠાવવા બદલ બહારનો રસ્તો બતાવી દેવાય છે.</p><h4 style="text-align: justify; "><b>ડિપ્રેશનનો સામનો કરી રહેલા કલાકારોને આંચલની ખાસ સલાહ</b></h4><p style="text-align: justify; ">પોતાના અંગત અનુભવો શેર કરતા આંચલ ખુરાનાએ ખુલાસો કર્યો કે તે પોતે પણ ડિપ્રેશન અને ભારે તણાવના સમયમાંથી પસાર થઈ ચૂકી છે. તેમણે તમામ કલાકારોને અપીલ કરી છે કે ગમે તેવી પરિસ્થિતિમાં આત્મહત્યા જેવું આત્યંતિક પગલું ક્યારેય ન ભરો. તેમણે સલાહ આપી કે જો ગ્લેમર વર્લ્ડનું દબાણ અસહ્ય બની જાય, તો આ માયાનગરી છોડીને પોતાના પરિવાર પાસે પાછા ફરી જવું જોઈએ, કારણ કે જીવનથી વધુ કિંમતી કંઈ નથી.</p><h4 style="text-align: justify; "><b>સંચિતા ઉગલેએ કરી આત્મહત્યા</b></h4><p style="text-align: justify; ">'કુમકુમ ભાગ્ય' અને 'વાગલે કી દુનિયા' જેવા લોકપ્રિય શોમાં કામ કરનાર સંચિતા ઉગલે સોમવારે મુંબઈના નાલાસોપારા વિસ્તારમાં તેના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના 14 જૂનની સાંજે નાલાસોપારા પૂર્વના અચોલે ગામમાં આવેલી સાઈ સંતોષી બિલ્ડીંગમાં બની હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે સંચિતા તેના બેડરૂમમાં સાડી સાથે છતના પંખાથી લટકતી હાલતમાં મળી આવી હતી. જો કે પોલીસને તેના મૃતદેહ પાસેથી કોઈ નોટ ના મળતા આ મામલો વધુ રહસ્યમય બન્યો છે. પોલીસ સંચિતાના આત્મહત્યાના કારણોની તપાસ કરશે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/bollywood-dawood-ibrahim-killed-a-producer-for-this-bollywood-actress-he-was-madly-in-love" target="_blank">આ પણ વાંચો : Dawood ibrahim : બોલિવૂડની આ અભિનેત્રી માટે દાઉદ ઇબ્રાહિમે કરી હતી પ્રોડ્યુસરની હત્યા! ગળાડૂબ પ્રેમમાં હતો પાગલ.</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/4A4uTQE3KkOQYV4C50w5SrMbnyMQSnfuJYGgDNzK.webp'/></item><item><title><![CDATA[UP Madrasa: હવે મદરેસામાં પણ બાયોમેટ્રિક હાજરી, મદરેસા શિક્ષણ બોર્ડનો આદેશ જાહેર ]]></title><link>https://sandesh.com/india/news/up-madrasa-now-biometric-attendance-in-madrasas-too-madrasa-education-board-orders-issued</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/up-madrasa-now-biometric-attendance-in-madrasas-too-madrasa-education-board-orders-issued</guid><pubDate>Tue, 16 Jun 2026 10:33:00 +05:30</pubDate><description><![CDATA[<p>ઉત્તર પ્રદેશ મદરેસા શિક્ષણ બોર્ડે રાજ્યના તમામ સહાયિત અને માન્ય મદરેસાઓ માટે આધાર-આધારિત બાયોમેટ્રિક હાજરી સિસ્ટમ ફરજિયાત બનાવી છે. શિક્ષકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓની હાજરી હવે આ ડિજિટલ મશીનો દ્વારા સીધી નોંધવામાં આવશે. </p><h2><b>નવી સિસ્ટમની મુખ્ય વિશેષતાઓ</b></h2><p><b>પગાર જોડાણ</b>: શિક્ષકો અને કર્મચારીઓ માટે પગાર હવે ફક્ત તેમની બાયોમેટ્રિક હાજરીના આધારે જાહેર કરવામાં આવશે. </p><p><b>વિદ્યાર્થી હાજરી:</b> શિક્ષકોની હાજરીની સાથે વિદ્યાર્થીઓની હાજરીની ચકાસણી પણ બાયોમેટ્રિક ડેટા દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.</p><p><b> દેખરેખ અને સીસીટીવી</b>: સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ જિલ્લા લઘુમતી કલ્યાણ અધિકારીઓ (ડીએમઓ) દ્વારા કરવામાં આવી રહ્યું છે. વધુમાં, કોઈપણ પ્રકારની છેતરપિંડી અટકાવવા માટે મશીનોની નજીક સીસીટીવી કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે. </p><p><b>ઉદ્દેશ્ય: </b>આ સિસ્ટમ લાગુ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય મદરેસામાં 'ભૂતિયા શિક્ષકો'નો ઉપયોગ કરીને પગાર મેળવવાની પ્રથાને રોકવાનો અને વહીવટી પારદર્શિતા લાવવાનો છે.</p><p>રાજ્યના સહાયિત મદરેસામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓએ આધાર-આધારિત બાયોમેટ્રિક સિસ્ટમનો ઉપયોગ કરીને તેમની હાજરી રેકોર્ડ કરવાની રહેશે. આ ડેટાના આધારે પગારની પ્રક્રિયા કરવામાં આવશે. વિદ્યાર્થીઓની હાજરી રેકોર્ડ કરવામાં આવશે, અને જિલ્લા લઘુમતી અધિકારીઓ (DMOs) આ પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે જવાબદાર રહેશે.</p><p><b style="font-size: 1.5rem;">ડીએમઓને આપી સૂચના&nbsp;</b></p><p>મદરેસા શિક્ષણ બોર્ડના રજિસ્ટ્રાર અંજના સિરોહીએ DMOs ને મોકલેલી સૂચનાઓમાં જણાવ્યું હતું કે સરકારે 23 મેના રોજ મદરેસામાં બાયોમેટ્રિક હાજરી લાગુ કરવાનો નિર્દેશ આપ્યો હતો.  જોકે, આ નિર્દેશનું હજુ સુધી સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું નથી. પરિણામે, મદરેસામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની વાસ્તવિક હાજરી ચકાસવામાં આવી રહી નથી. DMOs ને  નિર્દેશ આપવામાં આવ્યો છે કે જે&nbsp;</p><p>મદરેસામાં બાયોમેટ્રિક સિસ્ટમ નથી તેઓ પોતાની દેખરેખ હેઠળ આવી સિસ્ટમ  ઇન્સ્ટોલ કરાવે. આ પ્રણાલીની સતત દેખરેખ કરવામાં આવશે.&nbsp;</p><p><br></p><h3><b>યુપી મદ્રેસા બોર્ડ કાયદો શું છે ?</b></h3><p>યુપી મદરેસા બોર્ડ શિક્ષણ અધિનિયમ 2004 એ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા પસાર કરાયેલ કાયદો હતો. જે રાજ્યમાં મદરેસાઓની શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે બનાવવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ મદરેસાઓ ન્યૂનતમ ધોરણોને પૂર્ણ કરે તો બોર્ડ તરફથી માન્યતા પ્રાપ્ત થતી હતી.&nbsp;</p><p><b style="font-size: 1.5rem;">મદરેસા અધિનિયમનો ઉદ્દેશ્ય ?</b></p><p>યુપી મદરેસા બોર્ડ એજ્યુકેશન એક્ટનો ઉદ્દેશ મદરેસામાં શિક્ષણની ગુણવત્તા સુધારવા અને એને આધુનિક શિક્ષણ પ્રણાલી સાથે સાંકળવાનો છે. આ ઉપરાંત એનો હેતુ વિદ્યાર્થીઓને રોજગારીની વધુ સારી તકો પૂરી પાડવાનો પણ છે. જોકે આ કાયદાનો વિરોધ પણ થયો છે. કેટલાક લોકો માને છે કે આ કાયદો મદરેસાને બિનસાંપ્રદાયિક શિક્ષણ આપતા અટકાવે છે.</p><p><b style="font-size: 1.5rem;">સર્વેમાં 8441 મદરેસા માન્યતા વગરની</b></p><p>10 સપ્ટેમ્બર 2022થી 15 નવેમ્બર 2022 દરમિયાન મદરેસાનો સર્વે કરવામાં આવ્યો હતો. આ સમય મર્યાદા બાદમાં 30 નવેમ્બર સુધી લંબાવવામાં આવી હતી. આ સર્વેમાં રાજ્યમાં લગભગ 8441 મદરેસા મળી આવી હતી, જેને માન્યતા મળી નથી. મુરાદાબાદમાં સૌથી વધુ 550 મદરેસા, બસ્તીમાં 350 અને મુઝફ્ફરનગરમાં 240 મદરેસા ગેરકાયદે મળી આવી હતી.</p><p>રાજધાની લખનઉમાં 100 મદરેસાને માન્યતા મળી નથી. આ સિવાય પ્રયાગરાજ-મઉમાં 90 મદરેસા, આઝમગઢમાં 132 અને કાનપુરમાં 85થી વધુ મદરેસા માન્યતા વગર મળી આવી હતી.</p><p>સરકારના જણાવ્યા અનુસાર, હાલમાં રાજ્યમાં 15, 613 માન્ય મદરેસા છે. ઓક્ટોબર 2023માં યુપી સરકારે મદરેસાની તપાસ માટે SITની રચના કરી હતી. SIT મદરેસાને આપવામાં આવતા વિદેશી ફંડની તપાસ કરી રહી છે.</p><p><br></p><p><br></p><p><a href="https://sandesh.com/gallery/news/lifestyle/this-district-is-considered-the-litchi-capital-of-india-know-which-one" target="_blank">આ પણ વાંચો-  આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/kVlQd2ERbJVTvRpumJnldwxcEGUqyVs6mNXw9jVr.webp'/></item><item><title><![CDATA[Strait of Hormuz: ખુશીના સમાચાર, હોર્મુજ પાર કરી આવશે ભારતના 34 જહાજ ]]></title><link>https://sandesh.com/india/news/strait-of-hormuz-good-news-34-indian-ships-will-cross-hormuz</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/strait-of-hormuz-good-news-34-indian-ships-will-cross-hormuz</guid><pubDate>Tue, 16 Jun 2026 10:13:35 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફારસની ખાડી વિસ્તારમાં અટવાયેલા ભારત અને અન્ય દેશોના ધ્વજ ધરાવતા 34 વધુ જહાજો ભારતીય બંદરો સુધી સુરક્ષિત અને ઝડપથી પહોંચી શકશે તેવી આશા વધી છે.&nbsp; આ આશાવાદનું કારણ અમેરિકા અને ઈરાને શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવાનો નિર્ણય લીધો હોવાનો છે. ભારત તરફ આવી રહેલા આ જહાજોમાંથી 15 જહાજોમાં ક્રૂડ ઓઇલ, LNG અને LPG ભરેલું છે, જ્યારે બાકીના જહાજોમાં અન્ય માલસામાન છે.</p><h2 style="text-align: justify; ">દિશા હોર્મુઝ પાર કરી ગયુ</h2><p style="text-align: justify; ">પશ્ચિમ એશિયાની તાજેતરની પરિસ્થિતિ અંગે માહિતી આપતા શિપિંગ મંત્રાલયના નિર્દેશક ઓપેશ કુમાર શર્માએ જણાવ્યું કે, LNG કેરિયર ‘દિશા’ હોર્મુઝ જળસંધિમાંથી સુરક્ષિત રીતે પસાર થઈ ગયું છે અને તેમાં 62,370 ટન LNG કાર્ગો ભરાયેલો છે. આ જહાજ 18 જૂને દહેજ બંદરે પહોંચે તેવી શક્યતા છે.</p><h3 style="text-align: justify; ">આ જહાજોમાંથી 16 જહાજ ખાતર (ફર્ટિલાઇઝર) લઈને આવી રહ્યા છે</h3><p style="text-align: justify; ">આ જહાજોમાંથી 16 જહાજ ખાતર (ફર્ટિલાઇઝર) લઈને આવી રહ્યા છે, જેના કારણે ખેતી માટે જરૂરી પોષક તત્વોની સપ્લાયમાં વધારો થવાની આશા છે. જોકે નીતિ નિર્માતાઓ હજુ પણ સાવચેતી રાખી રહ્યા છે, કારણ કે ઊર્જા પુરવઠામાં સુધારો તરત જ જોવા નહીં મળે. ખાતર વિભાગની સંયુક્ત સચિવ વંદના પ્રેયશીએ જણાવ્યું કે હોર્મુઝ વિસ્તારમાં રહેલા 16 જહાજોમાંથી 8માં યુરિયા, 4માં ડાય-એમોનિયમ ફોસ્ફેટ (DAP), 3માં સલ્ફર અને 1માં અમોનિયા ભરાયેલું છે.</p><h4 style="text-align: justify; ">ભારત પોતાની જરૂરિયાતનું 88 ટકા કરતાં વધુ ક્રૂડ ઓઇલ આયાત કરતું હતું</h4><p style="text-align: justify; ">ભારત-ઈરાન યુદ્ધ પહેલાં ભારત પોતાની જરૂરિયાતનું 88 ટકા કરતાં વધુ ક્રૂડ ઓઇલ આયાત કરતું હતું, જેમાંથી લગભગ અડધો હિસ્સો પશ્ચિમ એશિયામાંથી આવતો હતો. આયાત થતી LNGમાંથી 60 ટકા કરતાં વધુ સપ્લાય હોર્મુઝ જળસંધિ મારફતે આવતી હતી. ઉપરાંત ભારત પોતાની LPG જરૂરિયાતનો લગભગ 60 ટકા હિસ્સો પશ્ચિમ એશિયામાંથી મેળવે છે અને તેમાંની 90 ટકા સપ્લાય હોર્મુઝ જળસંધિમાંથી પસાર થાય છે.</p><h4 style="text-align: justify; ">કતારમાં આવેલી રાસ લાફાન જેવી મહત્વપૂર્ણ ઊર્જા સુવિધાઓને નુકસાન પહોંચ્યું</h4><p style="text-align: justify; ">કતારમાં આવેલી રાસ લાફાન જેવી મહત્વપૂર્ણ ઊર્જા સુવિધાઓને પણ નુકસાન પહોંચ્યું છે. આ નુકસાનને કારણે ઊર્જા પુરવઠામાં તરત રાહત મળવી મુશ્કેલ બની છે. સુવિધાઓને થયેલા ભારે નુકસાનના કારણે સામાન્ય કામગીરી ક્યારે સંપૂર્ણપણે શરૂ થશે તે અંગે અનિશ્ચિતતા યથાવત છે. ભારતનો કતાર એનર્જીની રાસ લાફાન સુવિધા સાથે ગેસ સપ્લાય માટે લાંબા ગાળાનો કરાર છે.</p><h4 style="text-align: justify; ">UAEના હબશાન ગેસ પ્લાન્ટને નુકસાન થયું</h4><p style="text-align: justify; ">યુદ્ધ દરમિયાન UAEના હબશાન ગેસ પ્લાન્ટને પણ નુકસાન થયું હતું, જેના કારણે કામગીરીમાં વિક્ષેપ આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ, પ્લાન્ટની આશરે 60 ટકા ક્ષમતા ફરી શરૂ કરવામાં આવી છે. તેમને આશા છે કે 2026ના અંત સુધીમાં પુનઃપ્રાપ્તિ 80 ટકા સુધી પહોંચી જશે અને 2027માં સંપૂર્ણ માળખાકીય પુનઃસ્થાપન થઈ જશે.</p><p style="text-align: justify; ">અધિકારીઓના જણાવ્યા અનુસાર, કતાર એનર્જીની રાસ લાફાન LNG સુવિધામાં આવેલી બે લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) પ્રોસેસિંગ યુનિટ્સને નુકસાન થયું હતું, જેના કારણે તેની લગભગ 17 ટકા ઉત્પાદન ક્ષમતા અસરગ્રસ્ત થઈ છે.</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/Xrn8oZnYX1yBytMBmpxmZWVfxvQlub741FMEjJEY.webp'/></item><item><title><![CDATA[Ahmedabad:  રબારી કોલોની પાસે મોડી રાત્રે અકસ્માત, કારના આગળના ભાગનો કુરચો બોલી ગયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/rabari-colony-crossroad-overspeed-car-crashes-into-brts-railing-driver-safe</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/rabari-colony-crossroad-overspeed-car-crashes-into-brts-railing-driver-safe</guid><pubDate>Tue, 16 Jun 2026 09:57:16 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરમાં સીજી રોડ, એસજી હાઇવે બાદ હવે પૂર્વ વિસ્તારના જાહેર માર્ગો પર પણ નબીરાઓ અને બેફામ વાહન ચલાવનારાઓનો આતંક વધી રહ્યો છે. મોડી રાત્રે પૂર્વ અમદાવાદને જોડતા રબારી કોલોની ચાર રસ્તા પાસે રફતારનો કહેર જોવા મળ્યો હતો. એક અજાણ્યો કાર ચાલક પોતાની વૈભવી કાર લઈને સખત સ્પીડમાં પસાર થઈ રહ્યો હતો. રબારી કોલોની ચાર રસ્તા નજીક ટર્નિંગ પર અથવા સ્પીડ કંટ્રોલ ન થવાના કારણે કાર સીધી જ રોડની વચ્ચે આવેલા BRTS (બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ) ના પ્રોટેક્શન ટ્રેકની લોખંડની મજબૂત રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી.</p><h2><b>રેલિંગ તોડીને કાર અંદર ઘૂસી ગઈ</b></h2><p>અકસ્માત એટલો જોરદાર હતો કે લોખંડના જાડા એંગલ અને રેલિંગના કટકા થઈ ગયા હતા અને કારનો આગળનો બોનેટનો ભાગ સંપૂર્ણપણે રેલિંગની અંદર ખૂંપી ગયો હતો. રાત્રિનો સમય હોવાથી અને સામાન્ય રીતે તે સમયે BRTS બસો બંધ હોવાથી ટ્રેકની અંદર કોઈ અન્ય વાહન કે બસ નહોતી, જેથી મોટી હોનારત ટળી હતી. ધડાકો સાંભળીને આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.</p><h3><b>કોઈ જાનહાનિ નહીં, કાનૂની કાર્યવાહી શરૂ</b></h3><p>આ ભયાનક અકસ્માતમાં કારના એન્જિન અને આગળના વ્હીલના ભાગને ભારે નુકસાન થયું હતું, પરંતુ સદનસીબે કાર ચાલક સુરક્ષિત રીતે બહાર નીકળી આવ્યો હતો. તેનો આબાદ બચાવ થતાં સ્થાનિક નાગરિકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક રબારી કોલોની ચાર રસ્તા પર પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતને કારણે ખોરવાયેલા ટ્રાફિકને હળવો કરવા ક્રેન મંગાવીને કારને ટ્રેકમાંથી બહાર કાઢી પોલીસ સ્ટેશને ખસેડી હતી. પોલીસે સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ અકસ્માતનો ગુનો નોંધીને ચાલકની પૂછપરછ અને સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવવાની કવાયત હાથ ધરી છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/gujarat-police-operation-childhood-freedom-84-child-labourers-rescued-26-arrested-dgp-gs-malik" target="_blank">આ પણ વાંચો: Surat: ગુજરાત પોલીસનું ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ હેઠળ પ્રથમ 14 દિવસમાં જ 84 બાળમજૂરો મુક્ત, 26 શોષણખોરો સામે ગુનો દાખલ</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/ApxWzM2A0ETg9QpOAU522AzjCNiJehy4sxaG498d.webp'/></item><item><title><![CDATA[Surat: ગુજરાત પોલીસનું ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ હેઠળ પ્રથમ 14 દિવસમાં જ 84 બાળમજૂરો મુક્ત, 26 શોષણખોરો સામે ગુનો દાખલ ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/gujarat-police-operation-childhood-freedom-84-child-labourers-rescued-26-arrested-dgp-gs-malik</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/gujarat-police-operation-childhood-freedom-84-child-labourers-rescued-26-arrested-dgp-gs-malik</guid><pubDate>Tue, 16 Jun 2026 09:46:06 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતના મુખ્ય ઔદ્યોગિક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં સસ્તી મજૂરી મેળવવાની લાલચે માસૂમ બાળકોના બાળપણને કચડી નાખનારા તત્વો સામે ગુજરાત પોલીસે યુદ્ધના ધોરણે મોરચો માંડ્યો છે. કારખાનાઓ, હોટેલો, રાઇસ મિલો અને નાના ઉદ્યોગોમાં બાળકોનું થતું આર્થિક અને માનસિક શોષણ અટકાવવા માટે ‘ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ’ શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને માત્ર મજૂરીમાંથી છોડાવવા પૂરતો નથી, પરંતુ તેમને શિક્ષણ આપીને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવાનો છે.</p><h2><b>સુરતના જય અંબે ટેક્સટાઇલ્સમાં દરોડો અને ક્રૂરતાનો પર્દાફાશ</b></h2><p>આ અભિયાન અંતર્ગત સુરત શહેરના કામરેજ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ એક સચોટ બાતમીના આધારે ‘જય અંબે ટેક્સટાઇલ્સ’ નામના કારખાનામાં આકસ્મિક દરોડો પાડ્યો હતો. પોલીસે ત્યાંથી ભારે શોષણનો ભોગ બની રહેલા બે માસૂમ બાળકોને સુરક્ષિત રીતે મુક્ત કરાવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જે વિગતો ખુલી તે કાળજું કંપાવી દે તેવી હતી. કારખાનાનો માલિક આ બાળકો પાસે સવારે 8:00 વાગ્યાથી લઈને રાત્રે 7:00 વાગ્યા સુધી (સતત 11 કલાક) દબાણપૂર્વક કામ કરાવતો હતો અને આખા દિવસમાં માત્ર 1 કલાકનો જ જમવાનો વિરામ આપતો હતો. આ ભયાનક શારીરિક અને માનસિક શોષણ સામે બાળકોને રોજના માત્ર 200 જેટલું નજીવું વેતન અપાતું હતું અને જો બાળકો કામ કરવાની ના પાડે તો તેમની સાથે બળજબરી અને મારપીટ કરવામાં આવતી હતી. પોલીસે આ માલિક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.</p><h3><b>ચાઇલ્ડ ટ્રાફિકિંગના એન્ગલથી તપાસ અને આંતરરાજ્ય કનેક્શન</b></h3><p>ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID મહિલા સેલ) ના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ADGP) અજય ચૌધરીએ આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, રેસ્ક્યૂ કરાયેલા મોટાભાગના બાળકોને બિહાર અને રાજસ્થાન જેવા અન્ય રાજ્યોમાંથી ગેરકાયદેસર રીતે ગુજરાત લાવવામાં આવ્યા છે. આથી, પોલીસ માત્ર ફેક્ટરી માલિકો સામે જ નહીં, પરંતુ આ બાળકોને ગેરકાયદેસર રીતે બોર્ડર પાર કરાવી મજૂરીમાં ધકેલતા એજન્ટો, કોન્ટ્રાક્ટરો અને સમગ્ર ચાઇલ્ડ ટ્રાફિકિંગ (બાળ તસ્કરી) ના નેટવર્ક અને સપ્લાય ચેઇનને તોડી પાડવા માટે સેન્ટ્રલ એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે. પ્રાથમિક વિશ્લેષણમાં બહાર આવ્યું છે કે ગરીબી, અજ્ઞાનતા અને પરિવારોનું સ્થળાંતર આ બાળમજૂરી પાછળના મુખ્ય કારણો છે.</p><h4><b>પોલીસ વડા (DGP) નો મહત્વનો વહીવટી સંકલ્પ</b></h4><p>રાજ્ય પોલીસ વડા (DGP) જી. એસ. મલિકે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, “અમારું આ અભિયાન માત્ર રેડ પાડીને આંકડા બતાવવા પૂરતું સીમિત નથી. અમે મુક્ત કરાયેલા બાળકોનું શ્રમ વિભાગ, બાળ કલ્યાણ સમિતિ (CWC), સ્વૈચ્છિક સંસ્થાઓ (NGOs) અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકલન કરીને યોગ્ય પુનર્વસન કરાવી રહ્યા છીએ.” અત્યાર સુધીમાં 67 બાળકોને નવી જિંદગી આપી સ્કૂલમાં ભણતા કરાયા છે. આગામી દિવસોમાં ગુજરાત પોલીસ રાજ્યભરમાં 50,000 થી વધુ સંભવિત સ્થળોએ સર્ચ ઓપરેશન ચલાવવાની છે અને 5,000 થી વધુ બાળકોને મુક્ત કરાવીને તેમને કલમ પકડાવવાનું ભગીરથ લક્ષ્ય ધરાવે છે.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/surat/kamrej-navagam-shreeji-industrial-estate-fake-ghee-factory-raided-by-police-samples-sent-to-lab" target="_blank">આ પણ વાંચો: Surat: કામરેજના નવાગામમાં શ્રીજી ઇન્ડસ્ટ્રીયલમાંથી શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી પકડાઈ, તેલ અને ક્રીમનો જથ્થો સીલ</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/KbTHlWzmTMJaSSZ0X0sGS4uk8Szh3S1UcIMme1MG.webp'/></item><item><title><![CDATA[Stock Market Opening: શાંતિ સમજૂતીની જાહેરાત બાદ શેરબજારમાં તેજી, સેન્સેક્સ 351 પોઇન્ટ વધ્યો ]]></title><link>https://sandesh.com/business/news/stock-market-opening-stock-market-surges-after-announcement-of-peace-agreement-sensex-rises-351-points</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/stock-market-opening-stock-market-surges-after-announcement-of-peace-agreement-sensex-rises-351-points</guid><pubDate>Tue, 16 Jun 2026 09:34:53 +05:30</pubDate><description><![CDATA[<p>મંગળવારે સ્થાનિક શેરબજારો સકારાત્મક નોંધ સાથે ખુલ્યા. વૈશ્વિક બજારોમાં તાજેતરની તેજી બાદ રોકાણકારોએ થોડી સાવધાની રાખી હતી, પરંતુ ભારતીય બજારમાં ખરીદીનો માહોલ જળવાઈ રહ્યો. શરૂઆતના વેપાર દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી બંને વધારા સાથે ટ્રેડ કરી રહ્યા હતા.</p><h2><b>શેરબજારમાં તેજી&nbsp;</b></h2><p>સવારે 9:17 વાગ્યા સુધીમાં, BSE સેન્સેક્સ 272.09 પોઈન્ટ (0.36%) વધીને 76,536.42 પર પહોંચ્યો હતો. દરમિયાન, નિફ્ટી 50 પણ 68 પોઈન્ટ (0.29%) વધીને 23,921.30 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો. સવારે 9.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં ખૂલ્યા. સેન્સેક્સ +351.17 પોઇન્ટના વધારા સાથે 76,615.50 અંકે ખૂલ્યો. જ્યારે +82.15 પોઇન્ટના વધારા સાથે&nbsp; 23,936.05 અંકે ખૂલ્યો.&nbsp;</p><h3><b>વ્યાપક બજારમાં પણ મજબૂતાઈ જોવા મળી</b></h3><p>મુખ્ય સૂચકાંકો ઉપરાંત, વ્યાપક બજારમાં પણ સકારાત્મક વલણ જોવા મળ્યું. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ લગભગ 0.23% ના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સમાં 0.29% નો વધારો નોંધાયો હતો.</p><h4><b>અમેરિકા-ઈરાન કરારથી આશા જાગી</b></h4><p>અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે શાંતિ કરાર થયો છે. આ કરાર બાદ, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટ શુક્રવાર સુધીમાં ફરી ખુલશે. આનાથી વૈશ્વિક ઉર્જા પુરવઠા અંગેની ચિંતાઓ દૂર થઈ શકે છે.</p><p><br></p><h4><b>એશિયન બજારોમાં મિશ્ર વેપાર</b></h4><p>મંગળવારે સવારે એશિયન શેરબજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું. જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 0.24 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે હોંગકોંગનો હેંગ સેંગ 0.94 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો. બીજી તરફ, દક્ષિણ કોરિયાનો KOSPI મજબૂતાઈ દર્શાવતો હતો, જેમાં 1.22 ટકાનો વધારો થયો હતો.&nbsp;<br><br><br><a href="https://sandesh.com/gallery/news/lifestyle/this-district-is-considered-the-litchi-capital-of-india-know-which-one" target="_blank">આ પણ વાંચો-  આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?&nbsp;</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/03/16/gLJ4WtokoymfX6Y0aSSr5fk0mQbgABzBzdoZamiA.webp'/></item><item><title><![CDATA[Gir Somnath: ઉનાની B.Ed કોલેજ 3 વર્ષથી બોગસ મંજૂરી પર ચાલતી હોવાનો પર્દાફાશ, FIRના 4 મહિના છતાં પોલીસ તપાસ ઠન ઠન ગોપાલ! ]]></title><link>https://sandesh.com/gujarat/news/gir-somnath/gir-somnath-una-nandola-bed-college-scam-ncte-fake-approval-investigation</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gir-somnath/gir-somnath-una-nandola-bed-college-scam-ncte-fake-approval-investigation</guid><pubDate>Tue, 16 Jun 2026 09:18:06 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ગુજરાતના શૈક્ષણિક જગતને શર્મસાર કરતી અને સેંકડો વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધકારમાં ધકેલતી એક ચોંકાવનારી ઘટના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાંથી સામે આવી છે. ઉનાની નાંડોળા B.Ed કોલેજ છેલ્લા ત્રણ વર્ષથી સંપૂર્ણપણે બોગસ (ગેરકાયદેસર) રીતે ચાલતી હોવાનો સનસનાટીપૂર્ણ આરોપ લાગ્યો છે. દિલ્હીની નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન  ની કથિત બોગસ મંજૂરીના આધારે આ કોલેજમાં વર્ષ 2023થી ધમધમાટ પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.</p><h2 style="text-align: justify; ">&nbsp;<b>93 જેટલા નિર્દોષ વિદ્યાર્થીઓને પ્રવેશ
</b></h2><p style="text-align: justify; ">સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે, આ ગંભીર કૌભાંડમાં દર વર્ષે અંદાજે 93 જેટલા નિર્દોષ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દેવામાં આવતો હતો. આ મામલે ગત 2 માર્ચના રોજ સત્તાવાર રીતે એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી. પરંતુ, ફરિયાદ નોંધાયાને 4 મહિના જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં, પોલીસ દ્વારા હજુ સુધી એક પણ મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી નથી, જેને પગલે પોલીસ તપાસની ધીમી ગતિ સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.
</p><h3 style="text-align: justify; "><b>&nbsp;માત્ર 8થી 10 લોકોના જ નિવેદનો લેવામાં આવ્યા
</b></h3><p style="text-align: justify; ">સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં માત્ર 8થી 10 લોકોના જ નિવેદનો લેવામાં આવ્યા છે. જોકે, તપાસનો દોર છેક દિલ્હી NCTE હેડક્વાર્ટર સુધી પહોંચ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ, વર્ષો સુધી મહેનત કરીને ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓ હવે મુશ્કેલીમાં મુકાયા છે. યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ અને ડિગ્રીની માન્યતા જળવાઈ રહે તે માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.
</p><h4 style="text-align: justify; "><b>શૈક્ષણિક ભૂમાફિયાઓ સામે ક્યારે કાર્યવાહી
</b></h4><p style="text-align: justify; ">વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ત્રણ-ત્રણ વર્ષ સુધી ખુલ્લેઆમ ખેલ ખેલનારા આ શૈક્ષણિક ભૂમાફિયાઓ અને જવાબદારો સામે તાત્કાલિક કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી રોષે ભરાયેલા વાલીઓ અને સંગઠનો દ્વારા ઉગ્ર માંગણી કરવામાં આવી રહી છે.&nbsp;</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ પણ વાંચો----&nbsp;<a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/gujarat-latest-news-gujarat-latest-news-live-and-samachar-16-june-2026-politics-weather-updates-daily-breaking-news-nation" target="_blank"><b> &nbsp;Gujarat Latest News LIVE : રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી</b></a></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/8rVFDw2u535XAsaxdlNyfHhPme1syN070t5c2C5T.webp'/></item><item><title><![CDATA[Rajkot: ગુલઝાર પાર્કમાંથી MD ડ્રગ્સ સાથે મકસુદ શાહમદાર ઝડપાયો, ગ્રાહકો અને સપ્લાયર્સના લિસ્ટ ખોલવા પોલીસ સક્રિય ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/sog-arrests-one-person-with-md-drugs-in-dhoraji-gulzar-park-investigation-on</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/sog-arrests-one-person-with-md-drugs-in-dhoraji-gulzar-park-investigation-on</guid><pubDate>Tue, 16 Jun 2026 09:14:20 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ જિલ્લામાં યુવાધનને નશાના રવાડે ચડાવતા ડ્રગ્સ માફિયાઓ અને પેડલરો સામે એક્શન મોડમાં આવેલી એસઓજી (SOG) ની ટીમને ધોરાજી પંથકમાંથી એક મહત્વની સફળતા સાંપડી છે. લાંબા સમયથી ધોરાજીના અમુક ચોક્કસ વિસ્તારોમાં સિન્થેટિક કેમિકલ ડ્રગ્સ એટલે કે મેફેડ્રોન (MD) નું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું હોવાની બાતમી પોલીસને મળી રહી હતી. આ નશાના નેટવર્કને તોડી પાડવા માટે એસઓજીની ટીમે ધોરાજી શહેરના સ્થાનિક નેટવર્ક પર વોચ ગોઠવી હતી.</p><h2><b>ગુલઝાર પાર્કમાં ઘેરાબંધી અને સફળ ઓપરેશન</b></h2><p>દરમિયાન, SOG ની ટીમને સચોટ બાતમી મળી હતી કે ધોરાજીના બહારપુરા, રબાની કોલોનીની પાછળ આવેલા ગુલઝાર પાર્ક વિસ્તારમાં રહેતો મકસુદ હારૂનશાહ શાહમદાર નામનો શખ્સ પોતાના કબજામાં વેચાણ અર્થે એમડી ડ્રગ્સનો જથ્થો રાખીને ફરી રહ્યો છે. આ બાતમીના આધારે એસઓજીની ટીમે ગુલઝાર પાર્ક વિસ્તારમાં આકસ્મિક રેડ પાડીને મકસુદ શાહમદારને કોર્ડન કરીને ઝડપી લીધો હતો. પોલીસ ટીમે જ્યારે તેની કાયદેસરની તલાશી લીધી, ત્યારે તેની પાસેથી નાની પ્લાસ્ટિકની ઝિપર બેગમાંથી 3.730 ગ્રામ જેટલો અત્યંત ઘાતક મનાતો મેકેડરોન (MD) માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો.</p><h3><b>મોબાઇલ કોલ ડિટેઇલ્સથી ખુલશે રહસ્યો</b></h3><p>પોલીસે આંતરરાષ્ટ્રીય એનડીપીએસ (NDPS) એક્ટના નિયમો મુજબ ડ્રગ્સ કબ્જે કરીને તેની સરકારી વેલ્યુએશન કરાવતા તેની કિંમત 11,190 થઈ હતી. આ ઉપરાંત આરોપી ગુનાહિત પ્રવૃત્તિમાં ગ્રાહકો સાથે સંપર્ક કરવા માટે જે સ્માર્ટફોનનો ઉપયોગ કરતો હતો, તે મોબાઇલ ફોન પણ પોલીસે કબ્જે કર્યો છે. આ સાથે કુલ મુદ્દામાલની કિંમત ₹16,190 આંકવામાં આવી છે. એસઓજી દ્વારા આરોપી મકસુદ સામે ધોરાજી પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવવાની તજવીજ હાથ ધરાઈ છે. પોલીસ હવે આરોપીના મોબાઇલના કોલ ડિટેઇલ્સ (CDR) અને વોટ્સએપ ચેટ્સના આધારે એ તપાસ કરી રહી છે કે, તે આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યો હતો અને ધોરાજીમાં કયા-કયા સ્થાનિક યુવકોને આ નશાનો સામાન સપ્લાય કરવાનો હતો.</p><p><b><a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/amreli/rajula-khera-village-pipavav-marine-police-psi-and-staff-attacked-during-kidnapping-rescue" target="_blank">આ પણ વાંચો: Amreli: રાજુલાના ખેરા ગામે બંધકને છોડાવવા ગયેલા પીપાવાવ મરીન પોલીસના PSI સહિત 4 જવાનો પર હિંસક હુમલો</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/rNjGn3fk7f0GiNj0eJNWBh8p1L4x7oEUR71U2Vki.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026 : સ્પેન સાથે કેપ વર્ડેની મેચ ડ્રો, ટૂર્નામેન્ટની શરૂઆતમાં જ સર્જાયો મોટો ઉલટફેર ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-cape-verdes-match-with-spain-draws-a-major-upset-at-the-start-of-the-tournament</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-cape-verdes-match-with-spain-draws-a-major-upset-at-the-start-of-the-tournament</guid><pubDate>Tue, 16 Jun 2026 08:18:52 +05:30</pubDate><description><![CDATA[<p>FIFA વર્લ્ડ કપ 2026ના ગ્રુપ Hની શરૂઆતની મેચ ફૂટબોલ ઇતિહાસમાં સૌથી મોટા અને સૌથી આઘાતજનક અપસેટમાંની એક જોવા મળી.ભવ્ય મંચ પર પોતાનું ડેબ્યૂ કરી રહેલા કેપ વર્ડેએ ટાઇટલના દાવેદાર અને યુરોપિયન ચેમ્પિયન સ્પેનને 0-0 થી ડ્રો કરીને ઇતિહાસ રચ્યો.આ નાના આફ્રિકન રાષ્ટ્રએ વર્લ્ડ કપ ઇતિહાસમાં પોતાનો પ્રથમ પોઈન્ટ મેળવ્યો.</p><h4><b>ફૂટબોલના સૌથી મોટા મંચ પર સૌથી નાનાસિદ્ધિ</b></h4><p>કેપ વર્ડેની સિદ્ધિ વિશ્વભરમાં ગુંજી ઉઠી કારણ કે તે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ફિફા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થનાર સૌથી નાનો દેશ છે. જ્યારે વિશ્વમાં 64મા ક્રમે રહેલી આ ટીમે ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન સ્પેન જેવી મજબૂત ટીમનો સામનો કર્યો, ત્યારે કોઈએ આવા પરિણામની કલ્પના પણ કરી ન હતી. આશરે 500,000ની વસ્તી ધરાવતા આ દેશના ખેલાડીઓ દ્વારા મેદાન પર પ્રદર્શિત લડાયક ભાવનાએ રમતગમત ચાહકોના દિલ જીતી લીધા.</p><h5><b>40 વર્ષીય ગોલકીપર વોઝિન્હા દિવાલની જેમ ઉભો રહ્યો</b></h5><p>એટલાન્ટાના મર્સિડીઝ-બેન્ઝ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં, સ્પેને શરૂઆતથી જ બોલ પર નિયંત્રણ જાળવી રાખ્યું હતું અને લગભગ 70 ટકા સમય તેમનો કબજો હતો. જોકે, કેપ વર્ડેના 40 વર્ષીય અનુભવી ગોલકીપર વોઝિન્હા સ્પેનિશ ફોરવર્ડ્સ સામે દિવાલની જેમ ઉભો રહ્યો. તેણે પહેલા હાફમાં ફેરન ટોરેસના ત્રણ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા. સમગ્ર મેચ દરમિયાન, કેપ વર્ડેના ડિફેન્સે સ્પેનિશ આક્રમણને સંપૂર્ણપણે તટસ્થ કરી દીધું.</p><h5><b>લેમિન યામાલ અને નિકો વિલિયમ્સ પણ બિનઅસરકારક રહ્યા.</b></h5><p>મેચના નોંધપાત્ર સમયગાળા દરમિયાન સ્પેન કોઈ સફળતા મેળવવામાં નિષ્ફળ ગયા પછી, કોચે બીજા હાફની અંતિમ 20 મિનિટમાં તેના યુવાન સંવેદનાઓ, લેમિન યામાલ અને નિકો વિલિયમ્સને મેદાનમાં રજૂ કર્યા. યામાલે આવતાની સાથે જ કેટલાક સારા પાસ બનાવ્યા, પરંતુ કેપ વર્ડેના ખેલાડીઓએ તેને કોઈ ફ્રી પ્લે આપ્યો નહીં. પરિણામે, બંને ટીમોને પોઈન્ટ વહેંચવા પડ્યા.</p><p>આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/mohamed-salah-world-cup-2026-egypt-struggle-story" target="_blank"> FIFA WC 2026: 9 કલાકની મુસાફરી, 10 બસની ધક્કામુક્કી, પ્રેક્ટિસ માટે પહોંચતો ખેલાડી આ ટીમનો છે કેપ્ટન</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/4xRlST3isLWFnY0KIDEEwwYGJDPZV3v1lz85XC8V.webp'/></item></channel></rss>