<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Mahisagar News: મહીસાગરમાં જમીનનો કલહ લોહીયાળ બન્યો: ધામોદ ગામે કાકાએ સગા ભત્રીજાને મોતને ઘાટ ઉતાર્યો, સમગ્ર પંથકમાં ભારે ચકચાર! ]]></title><link>https://sandesh.com/crime/news/mahisagar/godhar-dhamod-uncle-killed-nephew-land-dispute</link><guid isPermaLink="true">https://sandesh.com/crime/news/mahisagar/godhar-dhamod-uncle-killed-nephew-land-dispute</guid><pubDate>Sat, 27 Jun 2026 20:24:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">મહીસાગર જિલ્લામાંથી સંબંધોને તાર-તાર કરતી ક્રાઈમ ઘટના સામે આવી છે. જ્યાં માત્ર જમીનના એક ટુકડાના વિવાદમાં લોહીના સંબંધો એવા તો એળે ગયા કે કાકાએ પોતાના જ સગા ભત્રીજાની ઘાતકી હત્યા કરી નાખી છે. આ લોહીયાળ ખેલને પગલે ગ્રામ્ય પંથકમાં અરેરાટી સાથે ભારે ચકચાર મચી ગઈ છે.</p><h2 style="text-align: justify; "><b>ગોધર તાલુકાના ધામોદ ગામે બની ઘટના</b></h2><p style="text-align: justify;">મળતી માહિતી મુજબ, આ ચકચારી ઘટના મહીસાગર જિલ્લાના ગોધર તાલુકા હેઠળ આવતા ધામોદના મોહિલા ગામમાં બની છે. ગામમાં રહેતા કાકા અને ભત્રીજા વચ્ચે છેલ્લા લાંબા સમયથી જમીનની માલિકી અને સરહદને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો હતો. આ બાબતને લઈને બંને પરિવારો વચ્ચે અવારનવાર ઝઘડા અને બોલાચાલી પણ થતી હતી. દરમિયાન, આ વિવાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા કાકાએ આવેશમાં આવી ભત્રીજા પર જીવલેણ હુમલો કરી દીધો હતો, જેમાં ભત્રીજાનું મોત નીપજ્યું હતું.</p><h2 style="text-align: justify;"><b>સંતરામપુર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ</b></h2><p style="text-align: justify;">હત્યાની આ ઘટના અંગે ગ્રામજનો દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા સંતરામપુર પોલીસ મથકનો કાફલો તાબડતોબ ઘટના સ્થળે એટલે કે ધામોદના મોહિલા ગામે દોડી ગયો હતો. પોલીસે ગુના વાળી જગ્યાનું બારીકાઈથી નિરીક્ષણ કરી કાયદેસરની કાર્યવાહીના ચક્રો ગતિમાન કર્યા છે.</p><p style="text-align: justify;"><img title="Mahisagar" src="https://epapercdn.sandesh.com/images/2026/06/27/vE1AGTA395y7P0GCkSTbyVNmzs5RNTTFQ5ZoIlLL.webp" style="width: 100%;"><br></p><h2 style="text-align: justify;"><b>મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો</b></h2><p style="text-align: justify;">પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદાકીય પંચનામું કર્યા બાદ મૃતક ભત્રીજાના શવને પોસ્ટ મોર્ટમ અર્થે તાત્કાલિક સંતરામપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ હત્યા કયા હથિયારથી અને કેવી રીતે કરવામાં આવી તેની સત્તાવાર વિગતો બહાર આવશે.</p><h2 style="text-align: justify;"><b>આરોપી કાકાને પકડવા પોલીસની કવાયત</b></h2><p style="text-align: justify;">જમીનના વિવાદમાં ભત્રીજાની હત્યા કરીને આરોપી કાકા ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. સંતરામપુર પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને ફરાર આરોપી કાકાને ઝડપી લેવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે પોલીસ આસપાસના લોકો અને પરિવારજનોની પણ પૂછપરછ કરી રહી છે.</p><p style="text-align: justify;"><br></p><p style="text-align: justify;">આ પણ વાંચો -&nbsp; <a href="https://sandesh.com/gujarat/news/mahisagar/professor-alleges-assault-by-lunawada-pi-vilam-ghorada" target="_blank">Mahisagar News: દારૂની બાતમીની શંકા રાખી કોલેજના પ્રોફેસરને PI વિલમ ઘોરડાએ માર માર્યો હોવાનો આક્ષેપ</a></p><p style="text-align: justify;"><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/RkBrLnQqq4SDliCZy4T01T23NbyZ3mjljgQkIqYY.webp'/></item><item><title><![CDATA[PM Modi In Seychelles: વડાપ્રધાન મોદીએ 194 વર્ષના કાચબા 'જોનાથન' સાથે કરી મુલાકાત, જાણો તેના વિશે ]]></title><link>https://sandesh.com/world/news/india/pm-modi-seychelles-jonathan-194-year-old-tortoise-visit</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/india/pm-modi-seychelles-jonathan-194-year-old-tortoise-visit</guid><pubDate>Sat, 27 Jun 2026 20:07:53 +05:30</pubDate><description><![CDATA[<p>વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે સેશેલ્સ પહોંચ્યા છે, જ્યાં તેઓ નેશનલ ડેના સ્વર્ણ જ્યંતી સમારોહ સહિત અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. મુલાકાત દરમિયાન શનિવારે તેમણે સેશેલ્સ નેશનલ બોટનિકલ ગાર્ડનની મુલાકાત લીધી.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/narendramodi/status/2070835214969123267"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>આ કાચબાઓ સેશેલ્સના મૂળ નિવાસી</b></h2><p>અહીં તેમણે દુનિયાની સૌથી મોટી અને લાંબા સમય સુધી જીવતી કાચબાની પ્રજાતિ અલ્ડાબ્રા જાયન્ટ ટોર્ટોઈઝનું નિરીક્ષણ કર્યું. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે આ પ્રજાતિના કેટલાક કાચબાઓએ બે સદીથી વધુ સમય જીવ્યો છે. આ કાચબાઓ સેશેલ્સના મૂળ નિવાસી છે અને દેશની વિશેષ ઓળખ માનવામાં આવે છે.</p><h3><b>PMએ વૃક્ષારોપણ કર્યું</b></h3><p>વડાપ્રધાન મોદીએ સેશેલ્સના રાષ્ટ્રપતિ ડૉ. પેટ્રિક હર્મિની સાથે મળીને બોટનિકલ ગાર્ડનમાં સંયુક્ત વૃક્ષારોપણ પણ કર્યું. તેમણે ખાસ 'કોકો ડી મેર' નામના વૃક્ષનું રોપણ કર્યું, જે સેશેલ્સની ઓળખ છે અને દેશના કોટ ઓફ આર્મ્સમાં પણ સ્થાન ધરાવે છે. આ વૃક્ષ તેના વિશાળ બીજ અને ભારે ફળો માટે વિશ્વપ્રસિદ્ધ છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી દુનિયાના સૌથી વૃદ્ધ જીવિત સ્થલચર જીવ 'જોનાથન'ને પણ મળ્યા, જે અલ્ડાબ્રા જાયન્ટ ટોર્ટોઇઝ છે અને તેની ઉંમર અંદાજે 194 વર્ષ માનવામાં આવે છે.</p><h4><b>બંને દેશોના સંબંધો વધુ મજબૂત બનશે</b></h4><p>પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે ભારત અને સેશેલ્સ જૈવવિવિધતા સંરક્ષણ, પર્યાવરણ સુરક્ષા અને આવનારી પેઢીઓ માટે હરિત અને સ્વસ્થ પૃથ્વી બનાવવાના સંકલ્પ સાથે જોડાયેલા છે. આ મુલાકાતને બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવતી મહત્વપૂર્ણ કડી તરીકે જોવામાં આવી રહી છે, જેમાં સમુદ્રી સહયોગ, પર્યાવરણ અને સંસ્કૃતિ સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની શક્યતા છે.<br><br><b><a href="https://sandesh.com/world/news/india/pm-modi-seychelles-patrick-herminie-botanical-garden-tree-plantation" target="_blank">આ પણ વાંચો : PM Modi In Seychelles : વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિનીએ બોટાનિકલ ગાર્ડનમાં કર્યું વૃક્ષારોપણ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/4q0XcVH4N0NolBFauN5DZrCPLtB8N38YkcUwsNfO.webp'/></item><item><title><![CDATA[Gujarat weather Update: આગામી 3 કલાક રાજ્ય માટે ભારે, અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી ]]></title><link>https://sandesh.com/weather/monsoon-2026/news/gujarat/ahmedabad/gujarat-weather-update-forecast-heavy-rain-alert</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/monsoon-2026/news/gujarat/ahmedabad/gujarat-weather-update-forecast-heavy-rain-alert</guid><pubDate>Sat, 27 Jun 2026 19:57:55 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા વધુ એક ડરામણી અને તાત્કાલિક આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ 'વેધર બુલેટિન' જાહેર કરવામાં આવ્યું છે, જેમાં જણાવાયું છે કે, આગામી 3 કલાક ગુજરાત માટે અત્યંત ભારે સાબિત થઈ શકે છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે અને મેઘરાજા ગમે ત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે.</p><h2><b>11 વાગ્યા સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી</b></h2><p>હવામાન વિભાગની આગાહી મુજબ, 11 વાગ્યા સુધીના આગામી 3 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ તૂટી પડવાની પૂરેપૂરી સંભાવના છે. આ સમયગાળા દરમિયાન લોકોને સુરક્ષિત સ્થળે રહેવા અને કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે. વીજળી પડવાની અને ઝાડ પડવાની ઘટનાઓ બની શકે છે, તેથી સાવચેતી જરૂરી છે.</p><h2><b>41 થી 61 કિમીની ઝડપે ફૂંકાશે તોફાની પવન</b></h2><p>માત્ર વરસાદ જ નહીં, પરંતુ આ સિસ્ટમ સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. આગામી 3 કલાક દરમિયાન વાતાવરણમાં મોટો પલટો આવશે અને 41 થી 61 કિમી પ્રતિ કલાકની પ્રચંડ ગતિમાં તોફાની પવન ફૂંકાશે. આટલી તેજ ગતિના પવનને કારણે કાચા મકાનો, હોર્ડિંગ્સ અને વૃક્ષો ધરાશાયી થવાનું મોટું જોખમ રહેલું છે, જેને પગલે તંત્ર પણ એલર્ટ મોડ પર છે.</p><h2><b>અમદાવાદ અને મધ્ય-ઉત્તર ગુજરાતમાં મેઘમહેર</b></h2><p>આગામી 3 કલાક માટે જે જિલ્લાઓમાં રેડ એલર્ટ જેવી સ્થિતિ છે, તેમાં રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદ અને પાટનગર ગાંધીનગરનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા તેમજ મધ્ય-પૂર્વ ગુજરાતના દાહોદ, અરવલ્લી, છોટાઉદેપુર, પંચમહાલ અને વડોદરામાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે મેઘરાજા ધડબડાટી બોલાવશે તેવી આગાહી કરવામાં આવી છે.</p><h2><b>દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ એલર્ટ</b></h2><p>ઉત્તર અને મધ્ય ગુજરાત ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોને પણ હવામાન વિભાગે પોતાના નાઉકાસ્ટ બુલેટિનમાં આવરી લીધા છે. જે મુજબ, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, નર્મદા અને તાપી જિલ્લામાં ભારે વરસાદ નોંધાઈ શકે છે. જ્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ અને ભાવનગર જિલ્લામાં પણ આગામી 3 કલાકમાં પવન સાથે મુશળધાર વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા સત્તાવાર આગાહી કરવામાં આવી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/gir-somnath/somnath-food-poisoning-case-food-department-raid-shiv-shakti-restaurant" target="_blank">Gir Somnath News: 10 બાળકોને ફૂડ પોઇઝનિંગનો મામલો, ‘સંદેશ ન્યૂઝ’ના અહેવાલ બાદ ફૂડ વિભાગની રેડ, શિવ શક્તિ રેસ્ટોરન્ટમાંથી મળી આવી વાસી પાઉંભાજી!</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/IFgbIJrTuDCtOePVKrQTtP7ltZBSnNr6npCZeeMD.webp'/></item><item><title><![CDATA[Banaskantha News: અંબાજી-દાંતા પંથકના વાતાવરણમાં પલટો, પવન સાથે વરસાદ પડતાં ઠંડક પ્રસરી ]]></title><link>https://sandesh.com/weather/monsoon-2026/news/banaskantha/ambaji-danta-weather-change-rain-brings-relief-farmers</link><guid isPermaLink="true">https://sandesh.com/weather/monsoon-2026/news/banaskantha/ambaji-danta-weather-change-rain-brings-relief-farmers</guid><pubDate>Sat, 27 Jun 2026 19:25:22 +05:30</pubDate><description><![CDATA[<p>બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી અને આસપાસના દાંતા પંથકમાં અચાનક વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. છેલ્લા કેટલાય દિવસોથી સ્થાનિક લોકો અસહ્ય ગરમી, ઉકળાટ અને બફારાથી પરેશાન થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને જોતજોતામાં મેઘરાજાએ પોતાની હાજરી પુરાવી હતી. વાતાવરણમાં આવેલા આ અચાનક બદલાવથી સમગ્ર પંથક ખુશખુશાલ થઈ ગયો છે.</p><h2><b>પવન સાથે વરસાદ આવતા સર્જાઈ ઠંડક</b></h2><p>આકાશમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે જોરદાર પવન ફૂંકાયો હતો અને તેની સાથે જ વરસાદની એન્ટ્રી થઈ હતી. અંબાજી અને દાંતા તાલુકાના અનેક ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. પવનના સુસવાટા અને વરસાદી ઝાપટાંને કારણે વાતાવરણમાં મિશ્ર અહેસાસ વચ્ચે એકાએક ગુલાબી ઠંડક પ્રસરી ગઈ હતી, જેને કારણે લાંબા સમયથી ગરમીમાં શેકાતા લોકોને મોટી રાહત મળી છે.</p><p><img title="Banaskantha News: Rain Lashes Ambaji and Danta Regions, Bringing Relief From Heat" src="https://epapercdn.sandesh.com/images/2026/06/27/c6vbtucfPkt0wMI4pIiITiq2IPdyzCLDOB1W4Zih.webp" style="width: 100%;"><br></p><h2><b>ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ</b></h2><p>ચોમાસાની ઋતુમાં વરસાદની કાગડોળે રાહ જોતા સ્થાનિક ખેડૂતો માટે આ વરસાદ અમૃત સમાન સાબિત થયો છે. અંબાજી અને દાંતા પંથકના પહાડી તેમજ અંતરિયાળ વિસ્તારોમાં વરસાદ પડતાં જ ધરતીપુત્રોના ચહેરા પર હરખની હેલી જોવા મળી રહી છે. આ વરસાદથી ખેતીના પાકને મોટો ફાયદો થશે, જેના કારણે ખેડૂતોમાં આગામી સીઝનને લઈને સારો આશાવાદ જાગ્યો છે.</p><p><img title="Banaskantha News: Rain Lashes Ambaji and Danta Regions, Bringing Relief From Heat" src="https://epapercdn.sandesh.com/images/2026/06/27/ICGhHrvTx843wwoiFaLo6F4JeUJvl6fwdrVZhJyp.webp" style="width: 100%;"><br></p><h2><b>આગામી કલાકોમાં વધુ વરસાદની શક્યતા</b></h2><p>હવામાનમાં આવેલા આ પલટા બાદ સમગ્ર અંબાજી-દાંતા પંથકમાં હજુ પણ આકાશ કાળા વાદળોથી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે. વાતાવરણની વર્તમાન સ્થિતિને જોતા હવામાન નિષ્ણાતો અને સ્થાનિક સૂત્રોના મતે આગામી કલાકોમાં આ પંથકમાં હજુ પણ વધુ વરસાદ ખાબકે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. હાલ તો આ પંથકના લોકો ગરમીને બાય-બાય કહીને ખુશનુમા વાતાવરણની મજા માણી રહ્યા છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/sandeshnews/status/2070864661466222829"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><a  target="_blank"></a></p><p><br><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/banaskantha-news-body-of-an-unidentified-man-found-in-narmada-main-canal-between-vav-tharad" target="_blank">Banaskantha News: વાવ-થરાદ વચ્ચે નર્મદા મુખ્ય કેનાલમાંથી મળ્યો અજાણ્યા પુરુષનો મૃતદેહ</a></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/uZTIO0HhfOE3ehTUO6mqsc4k0F3wdWfXrDCuc2yG.webp'/></item><item><title><![CDATA[Suratના ઓલપાડમાં મેઘરાજાને રીઝવવા અનોખો પ્રયાસ: શેરડી ગામની મહિલાઓએ કરી પરંપરાગત આજીજી ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/a-unique-attempt-to-appease-megharaja-in-olpad-surat-women-of-sherdi-village-make-a-traditional-plea</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/a-unique-attempt-to-appease-megharaja-in-olpad-surat-women-of-sherdi-village-make-a-traditional-plea</guid><pubDate>Sat, 27 Jun 2026 19:25:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સુરતના ઓલપાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસાની ઋતુ શરૂ થવા છતાં હજુ સુધી સંતોષકારક વરસાદ ન પડતાં જગતનો તાત ભારે ચિંતામાં મુકાયો છે. કૃષિ પ્રધાન એવા આ પંથકમાં દર વર્ષે આ સમયે વાવણીની કામગીરી પૂરજોશમાં શરૂ થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે હજુ સુધી મેઘરાજા મન મૂકીને વરસ્યા નથી. આકાશમાં માત્ર વાદળોની અવરજવર વચ્ચે ખેડૂતો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે. જો હજુ પણ વરસાદ લાંબો સમય ખેંચાશે તો ખેતીના પાકને મોટું નુકસાન થવાની અને વાવણી મોડી થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ધરતીપુત્રોના જીવ અધ્ધર થઈ ગયા છે.</p><h2 style="text-align: justify; ">શેરડી ગામમાં મહિલાઓએ ગાયા લોકગીતો</h2><p style="text-align: justify; ">વરસાદ ખેંચાવાના કારણે સર્જાયેલી આ ચિંતાજનક પરિસ્થિતિ વચ્ચે ઓલપાડ તાલુકાના શેરડી ગામમાં કુદરતને રીઝવવા માટે એક અનોખો અને ભક્તિમય પ્રયોગ કરવામાં આવ્યો હતો. ગામના ખેડૂતો જ્યારે નિરાશ થઈને બેઠા હતા, ત્યારે ગામની અબાલ-વૃદ્ધ મહિલાઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈ હતી. વર્ષો જૂની ભારતીય સંસ્કૃતિ અને ગ્રામીણ પરંપરાને જીવંત રાખતા ગામની મહિલાઓએ સાથે મળીને ભગવાન સમક્ષ "મેહુલો" માંગ્યો હતો. મહિલાઓએ માથે કળશ મૂકીને, પરંપરાગત લોકગીતો અને આજીજી કરતા ભજનો ગાઈને મેઘરાજાને ધરતી પર પધારવા માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી.</p><h3 style="text-align: justify; ">પરંપરાગત આજીજીથી ખેડૂતોમાં જાગી નવી આશા</h3><p style="text-align: justify; ">ગ્રામીણ સંસ્કૃતિમાં એવી દ્રઢ માન્યતા છે કે જ્યારે પણ ધરતી પર સંકટ આવે અને લોકમાતાઓ કે બહેનો સાચા દિલથી પ્રાર્થના કરે ત્યારે મેઘરાજાને વરસે જ છૂટકો થાય છે. શેરડી ગામની બહેનો દ્વારા પરંપરાગત રીતે કરવામાં આવેલી આ આજીજી અને ભક્તિમય વાતાવરણના કારણે આસપાસના સમગ્ર વિસ્તારમાં એક સકારાત્મક ઉર્જા પ્રસરી ગઈ છે. આ અનોખી પ્રાર્થનાના પગલે પંથકના નિરાશ થયેલા ખેડૂતોમાં પણ ફરી એકવાર સારો વરસાદ થવાની અને ધરતી લીલીછમ થવાની નવી આશા જાગી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/kJXYNAETriDUexlcDnoD3ebQviQLNUGtaIg7omHt.webp'/></item><item><title><![CDATA[Kotak Mahindra Bankને પડશે મોટો ફટકો, CEO અશોક વાસવાણી પોતાનું પદ છોડશે, જાણો કારણ ]]></title><link>https://sandesh.com/business/news/kotak-mahindra-bank-ceo-ashok-vaswani-steps-down-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/kotak-mahindra-bank-ceo-ashok-vaswani-steps-down-2026</guid><pubDate>Sat, 27 Jun 2026 19:01:42 +05:30</pubDate><description><![CDATA[<p>કોટક મહિન્દ્રા બેન્કના મેનેજિંગ ડિરેક્ટર અને CEO અશોક વાસવાણીએ વર્ષ 2026ના અંતે પોતાનું પદ છોડવાનો નિર્ણય કર્યો છે. બેન્કે 27 જૂને સ્ટોક એક્સચેન્જને આ અંગે માહિતી આપી. કંપનીએ જણાવ્યું છે કે વાસવાણીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ તેમના કાર્યકાળ 31 ડિસેમ્બર 2026 બાદ ફરીથી નિયુક્તિ સ્વીકારશે નહીં.</p><h2><b>CEOની શોધ માટે સત્તાવાર પ્રક્રિયા શરૂ</b></h2><p>બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં આ નિર્ણય પર ચર્ચા કરવામાં આવી હતી અને નવા મેનેજિંગ ડિરેક્ટર અને CEOની શોધ માટે સત્તાવાર પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. બેન્કે આશા વ્યક્ત કરી છે કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા નક્કી કરાયેલી સમયમર્યાદામાં નવા નેતૃત્વની નિમણૂક પૂર્ણ કરી લેવામાં આવશે, જેથી કામગીરી અને વ્યૂહાત્મક દિશામાં કોઈ અસર ના થાય.</p><h3><b>2024માં પદ સંભાળ્યું હતું&nbsp;</b></h3><p>અશોક વાસવાણીએ જાન્યુઆરી 2024માં ઉદય કોટકની જગ્યાએ CEO તરીકે પદ સંભાળ્યું હતું. તેમના નેતૃત્વ દરમિયાન ભારતીય ફાઈનાન્શિયલ સેક્ટરમાં મોટાપાયે બદલાવ જોવા મળ્યો હતો. બેન્કે સ્પર્ધાત્મક બજાર અને નિયમનકારી પરિવર્તનો વચ્ચે પોતાનું સ્થાન મજબૂત રાખ્યું હતું. હજુ સુધી નવા CEO માટે કોઈ નામ પર ચર્ચા થઈ નથી, પરંતુ બોર્ડે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે યોગ્ય ઉમેદવાર સમયસર પસંદ કરવામાં આવશે.</p><h4><b>સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એક્ઝિક્યુટિવ એજ્યુકેશન પૂર્ણ કર્યું</b></h4><p>અશોક વાસવાણી અગાઉ સિટી ગ્રુપમાં લગભગ ત્રણ દાયકાથી વધુ સમય સુધી કાર્યરત રહ્યા છે. તેઓ બાર્કલેઝમાં પણ મહત્વપૂર્ણ પદ પર રહી ચૂક્યા છે, જ્યાં તેઓ ગ્લોબલ કન્ઝ્યુમર, પ્રાઈવેટ, કોર્પોરેટ અને પેમેન્ટ બિઝનેસના CEO તરીકે કાર્યરત હતા. તેઓ ગ્રુપ એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય પણ હતા. તેમણે મુંબઈની યુનિવર્સિટી હેઠળ સિડનહેમ કોલેજમાંથી કોમર્સમાં અભ્યાસ કર્યો છે અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એક્ઝિક્યુટિવ એજ્યુકેશન પૂર્ણ કર્યું છે. તેઓ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અને કંપની સેક્રેટરી પણ છે.</p><p><b><a href="https://sandesh.com/business/news/tata-group-tata-sons-fy26-32000-crore-net-profit-growth" target="_blank">આ પણ વાંચો : Tata Groupનો જલવો યથાવત, FY26માં અંદાજે 32,000 કરોડનો કર્યો નફો</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/806Uv1YgakDKeD9h1m4U697iOccKxMXblLhbLTnt.webp'/></item><item><title><![CDATA[Jasdanમાં હડકાયા શ્વાનનો આતંક: છત્રી બજારમાં એક યુવકને 10 જગ્યાએ ભર્યા બચકા! ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/rajkot/terror-of-rabid-dogs-in-jasdan-youth-bitten-in-10-places-in-chhatri-bazaar</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/rajkot/terror-of-rabid-dogs-in-jasdan-youth-bitten-in-10-places-in-chhatri-bazaar</guid><pubDate>Sat, 27 Jun 2026 18:05:12 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જસદણના મુખ્ય વેપારી વિસ્તાર ગણાતા છત્રી બજારની થોળેશ્વર શેરીમાં એક હડકાયા શ્વાને એક યુવક પર હિંસક હુમલો કરી દીધો હતો. શેરીમાંથી પસાર થઈ રહેલા વસીમભાઈ યુસુફભાઈ પરીયાણી નામના સ્થાનિક યુવકને શ્વાને ચારેય તરફથી ઘેરી લીધો હતો અને શરીરના અલગ-અલગ ભાગો પર એક-બે નહીં પરંતુ પૂરા 10 જગ્યાએ આડેધડ ઘાતકી બચકા ભરી લીધા હતા. આ સમગ્ર હૃદયધબકાવી દેનારી ઘટનાના લાઈવ સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં શ્વાન યુવકને ફાડી ખાતો સ્પષ્ટ દેખાય છે.</p><h2 style="text-align: justify; ">છેલ્લા 15 દિવસથી ત્રાસ, બાળકોમાં ભારે ભય</h2><p style="text-align: justify; ">હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા વસીમભાઈ પરીયાણીને સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ શ્વાનના ચુંગાલમાંથી છોડાવ્યા હતા અને તેમને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી 3 થી 4 હડકાયા શ્વાનનો ભારે ત્રાસ વર્તાઈ રહ્યો છે. શ્વાનના સતત આતંક અને ડરના માર્યા નાના બાળકો અને વૃદ્ધોએ ઘરની બહાર નીકળવાનું સાવ બંધ કરી દીધું છે. સમગ્ર છત્રી બજાર પંથકમાં હાલ ભય અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.</p><h3 style="text-align: justify; ">નગરપાલિકાની બેદરકારી સામે સ્થાનિકોનો આક્રોશ</h3><p style="text-align: justify; ">સ્થાનિક રહીશોએ મીડિયા સમક્ષ આક્ષેપ કર્યો છે કે આ જોખમી શ્વાનો અંગે જસદણ નગરપાલિકાના તંત્રને થોડા સમય પહેલાં જ લેખિત અને મૌખિક જાણ કરવામાં આવી હતી. આમ છતાં, પાલિકાના સત્તાધીશો દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા નથી, જેના પરિણામે આજે એક નિર્દોષ યુવક તેનો ભોગ બન્યો છે. રહીશોએ ઉગ્ર માંગ કરી છે કે તંત્ર દ્વારા વિલંબ કર્યા વિના તાત્કાલિક ધોરણે આ 3 થી 4 હડકાયા શ્વાનને પકડી પાંજરે પૂરવામાં આવે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/gujarat" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a>&nbsp;</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/ntQotYQiwa0wcjhTuJXFuPiMl2m63vCaaGssgJc5.webp'/></item><item><title><![CDATA[Ram Mandir Donation Row : મહામંત્રી ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામાની ટ્રસ્ટે કરી પુષ્ટી, જાણો શું કહ્યું? ]]></title><link>https://sandesh.com/india/news/ram-mandir-donation-row-champat-rai-anil-mishra-resignation-trust-confirmation</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ram-mandir-donation-row-champat-rai-anil-mishra-resignation-trust-confirmation</guid><pubDate>Sat, 27 Jun 2026 17:59:32 +05:30</pubDate><description><![CDATA[<p>ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર સાથે જોડાયેલા ચઢાવા અને વ્યવસ્થાપન મુદ્દે વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા રાજકીય અને ધાર્મિક વિવાદ વચ્ચે ટ્રસ્ટે આ રાજીનામાની પુષ્ટિ કરી છે.</p><h2><b>બંને અધિકારીઓના રાજીનામા પ્રાપ્ત થઈ ગયા: ટ્રસ્ટ&nbsp;</b></h2><p>ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર પ્રેસ રિલીઝ મુજબ, છેલ્લા કેટલાક દિવસોમાં મંદિર પરિસરમાં બનેલી કેટલીક અપ્રિય ઘટનાઓથી સમગ્ર ટ્રસ્ટ દુઃખી અને આશ્ચર્યચકિત છે. ટ્રસ્ટે જણાવ્યું છે કે બંને અધિકારીઓના રાજીનામા પ્રાપ્ત થઈ ગયા છે અને તેની અંતિમ ચર્ચા આગામી બેઠકમાં કરવામાં આવશે. ટ્રસ્ટની આગામી બેઠક 11 જુલાઈએ યોજાવાની છે, જેમાં નવા મહામંત્રીની નિમણૂક અને ટ્રસ્ટના અન્ય મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી શકે છે.</p><h3><b>કિંમતી સામગ્રી સંપૂર્ણ રીતે સુરક્ષિત</b></h3><p>આ ઉપરાંત ટ્રસ્ટે સ્પષ્ટતા કરી છે કે ભક્તો દ્વારા અર્પણ કરાયેલી ચાંદીની ઈંટો, સોનાના આભૂષણો અને અન્ય કિંમતી સામગ્રી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. દરેક વસ્તુનો યોગ્ય હિસાબ રાખવામાં આવ્યો છે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ થઈ નથી. દાનપાત્રમાંથી રકમ ગાયબ થવાના મામલે ઉત્તર પ્રદેશ સરકારની SIT દ્વારા પ્રાથમિક તપાસ રિપોર્ટ આપવામાં આવ્યો છે. આ આધારે પોલીસ દ્વારા FIR નોંધવામાં આવી છે અને દોષિતો સામે કડક કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.</p><p>ટ્રસ્ટે સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે અને જણાવ્યું છે કે કેટલાક તત્વો ધાર્મિક ભાવનાઓને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ટ્રસ્ટે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સમગ્ર સત્ય ટૂંક સમયમાં બહાર આવશે અને પરિસ્થિતિ સામાન્ય બનશે.</p><p><b><a href="https://sandesh.com/india/news/crime/red-fort-blast-case-nia-supplementary-chargesheet-three-more-accused" target="_blank">આ પણ વાંચો : Red Fort Blast Case : NIAએ સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ કરી દાખલ, વધુ 3 આરોપીના નામ સામેલ</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/2FX97W3lkFm3EETViZNLirBNTmPH7HzNN3m19NQN.webp'/></item><item><title><![CDATA[Welcome To The Jungleનું બોક્સ ઓફિસ પર તોફાન, વર્લ્ડવાઇડ કરી રેકોર્ડબ્રેક કમાણી! ]]></title><link>https://sandesh.com/entertainment/news/welcome-to-the-jungle-box-office-collection-record-breaking-worldwide-earnings</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/welcome-to-the-jungle-box-office-collection-record-breaking-worldwide-earnings</guid><pubDate>Sat, 27 Jun 2026 17:42:47 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અક્ષય કુમાર આ દિવસોમાં ફિલ્મ વેલકમ ટુ ધ જંગલની રિલીઝને લઈને ચર્ચામાં છે. આ એક મલ્ટીસ્ટારર ફિલ્મ છે, જેમાં આશરે 30 એક્ટર્સ મુખ્ય રોલમાં છે. આ ફિલ્મ માત્ર ઇન્ડિયામાં જ નહીં પરંતુ દુનિયાભરમાં બમ્પર કમાણી કરી રહી છે. એવામાં આ ફિલ્મે માત્ર ઇન્ડિયા નેટ કલેક્શન જ નહીં પરંતુ વર્લ્ડવાઇડ પણ ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડ્યા છે અને જોરદાર કમાણી કરી છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>વેલકમ ટુ ધ જંગલનું ઓપનિંગ ડે વર્લ્ડવાઇડ કલેક્શન</b></h2><p style="text-align: justify; ">'વેલકમ ટુ ધ જંગલ' ના વર્લ્ડવાઇડ ઓપનિંગ ડે કલેક્શનના આંકડા પણ સામે આવી ગયા છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, ફિલ્મે દુનિયાભરમાં પહેલા દિવસે બોક્સ ઓફિસ પર 27.60 કરોડનો બિઝનેસ કર્યો છે. આની સાથે જ ફિલ્મે ઇન્ડિયન બોક્સ ઓફિસ પર પેઇડ પ્રિવ્યૂઝમાં 4.07 કરોડ તો ફ્રાઇડે પહેલા દિવસે 15.33 કરોડનું કલેક્શન કર્યું. ફિલ્મે ઓવરસીઝમાં 4.70 કરોડનું કલેક્શન કર્યું છે.<br><img title="Welcome to the Jungle (2)" src="https://epapercdn.sandesh.com/images/2026/06/27/e87Ng4hZ1W6hddGUJRnEb9VP0qIV7XQULnbsCJDJ.webp"><br></p><h3 style="text-align: justify; "><b>વેલકમ ટુ ધ જંગલ એ પહેલા દિવસે તોડ્યા મોટા રેકોર્ડ્સ</b></h3><p style="text-align: justify; ">વેલકમ ટુ ધ જંગલ એ બોક્સ ઓફિસ પર પહેલા દિવસે કમાણીની બાબતમાં ઘણી ફિલ્મોને પછાડી દીધી છે, જેમાં ભૂત બંગલા (18.31 કરોડ), રાજા શિવાજી (12.4 કરોડ હિન્દી કલેક્શન) અને પેદ્દી (3 કરોડ હિન્દી કલેક્શન) જેવી ફિલ્મોના નામ સામેલ છે. આ લિસ્ટમાં 2026 ની આશરે 10 ફિલ્મોના નામ સામેલ છે, જેમને વેલકમ ટુ ધ જંગલ એ પાછળ છોડી દીધી છે.</p><h4 style="text-align: justify; "><b>વેલકમ ટુ ધ જંગલ ફિલ્મ</b></h4><p style="text-align: justify; ">જો ફિલ્મ વેલકમ ટુ ધ જંગલ વિશે વાત કરવામાં આવે તો આ હિટ ફ્રેન્ચાઇઝી વેલકમનો ત્રીજો ભાગ છે, જેમાં અક્ષય કુમાર સહિત આશરે 30 એક્ટર્સ મહત્વના રોલમાં છે. ફિલ્મમાં અક્ષય, જેકલીન ફર્નાન્ડીઝ, દિશા પાટની, સુનિલ શેટ્ટી, જેકી શ્રોફ અને રવીના ટંડન જેવા સ્ટાર્સ મુખ્ય ભૂમિકામાં છે. આની સ્ટોરીમાં જંગલમાં બની રહેલી 2000 કરોડની ફિલ્મ પર આધારિત છે, જેમાં ટ્વિસ્ટ અને ટર્ન્સની સાથે જ કોમેડીનો જોરદાર તડકો જોવા મળી રહ્યો છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/netflix-the-glory-revenge-thriller-series-beats-dhurandhar-2" target="_blank">આ પણ વાંચો-Netflixની આ રિવેન્જ થ્રિલર સિરીઝ સામે Dhurandhar 2 પણ ફિક્કી, દરેક એપિસોડમાં આવશે કમકમાટી!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/dsgWjSUD5N8db9xqWG1h8lVQQfZ2bnw86ELou62F.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup : કેપ વર્ડે રચ્યો ઇતિહાસ, નોકઆઉટમાં પહોંચનાર વિશ્વનો સૌથી નાનો દેશ બન્યો ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-cape-verde-creates-history-becomes-the-smallest-country-in-the-world-to-reach-the-knockout-stages</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-cape-verde-creates-history-becomes-the-smallest-country-in-the-world-to-reach-the-knockout-stages</guid><pubDate>Sat, 27 Jun 2026 10:03:51 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">FIFA વર્લ્ડ કપ 2026 એ ફૂટબોલ ઇતિહાસમાં એક પરીકથા બનાવી છે, જેણે વિશ્વભરના ચાહકોના દિલ જીતી લીધા છે. આફ્રિકાના પશ્ચિમ કિનારે આવેલા 500,000 થી થોડી વધુ વસ્તી ધરાવતા નાના દેશ કેપ વર્ડેએ સાઉદી અરેબિયા સામે ઐતિહાસિક 0-0 ડ્રો બાદ વર્લ્ડ કપ નોકઆઉટ સ્ટેજમાં સ્થાન મેળવ્યું. આ ડ્રો સાથે, કેપ વર્ડે વર્લ્ડ કપના ઇતિહાસમાં નોકઆઉટ સ્ટેજ માટે ક્વોલિફાય થનાર સૌથી નાનો દેશ બન્યો.</p><h4 style="text-align: justify; "><b>હેવીવેઇટ્સના જૂથમાં અજેય રહ્યો.</b></h4><p style="text-align: justify; ">કેપ વર્ડે, જે તેનો પ્રથમ FIFA વર્લ્ડ કપ રમી રહ્યો હતો, તેને ટુર્નામેન્ટના સૌથી મુશ્કેલ જૂથોમાંના એકમાં મૂકવામાં આવ્યો હતો. જોકે, આ અંડરડોગ ટીમ એક પણ મેચ હાર્યા વિના અજેય રહી અને નોકઆઉટ સ્ટેજમાં ટિકિટ મેળવી. તેની પ્રથમ મેચમાં, કેપ વર્ડે 2010 વર્લ્ડ કપ ચેમ્પિયન સ્પેનને 0-0 ડ્રો પર રોકીને સનસનાટી મચાવી. ત્યારબાદ તેઓએ તેમની બીજી મેચમાં એક અદ્ભુત વાપસી કરી, બે વખતના ચેમ્પિયન ઉરુગ્વે સામે રોમાંચક 2-2 ડ્રો મેળવ્યો. તેમણે સાઉદી અરેબિયાને 0-0 થી ડ્રો કરીને ત્રણ પોઈન્ટ સાથે ગ્રુપમાં બીજું સ્થાન મેળવ્યું, જ્યારે સ્પેને ઉરુગ્વેને હરાવીને ગ્રુપમાં ટોચનું સ્થાન મેળવ્યું.</p><p style="text-align: justify; "><a href="https://x.com/FIFAWorldCup/status/2070688565567115656?s=20" target="_blank">https://x.com/FIFAWorldCup/status/2070688565567115656?s=20</a></p><h4 style="text-align: justify; "><b>રાઉન્ડ ઓફ 32 માં તેઓ કોનો સામનો કરશે?</b></h4><p style="text-align: justify; ">કેપ વર્ડે હવે રાઉન્ડ ઓફ 32 માં વધુ એક મોટો પડકારનો સામનો કરશે. તેઓ વર્તમાન વિશ્વ ચેમ્પિયન આર્જેન્ટિનાનો સામનો કરશે. આ મેચ 3 જુલાઈના રોજ મિયામીમાં રમાશે. કેપ વર્ડે માટે આ એક મોટી ક્ષણ હશે, અને અંડરડોગ્સ વધુ એક અપસેટ સર્જીને ટોપ 16 માં સ્થાન મેળવવાનો પ્રયાસ કરશે.</p><h5 style="text-align: justify; "><b>40 વર્ષીય ગોલકીપર વોજિન્હા તારણહાર બન્યા</b></h5><p style="text-align: justify; ">કેપ વર્ડેના ઐતિહાસિક પ્રદર્શનનો સૌથી મોટો હીરો તેમનો 40 વર્ષીય ગોલકીપર વોજિન્હા હતો. આ વર્લ્ડ કપમાં તેના જાદુઈ પ્રદર્શને સોશિયલ મીડિયા પર તેની લોકપ્રિયતાને આસમાને પહોંચાડી દીધી છે, તેના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ 16 મિલિયનને વટાવી ગયા છે. સાઉદી અરેબિયા સામેની મેચમાં, વોઝિન્હાએ ત્રણ આશ્ચર્યજનક બચાવ કર્યા જેણે સાઉદી અરેબિયાને આશ્ચર્યચકિત કરી દીધું. પહેલા હાફના સ્ટોપેજ સમયમાં, તેણે મોહમ્મદ કાનોના શાનદાર હેડરને અવરોધિત કરીને સાઉદી અરેબિયાને લીડ લેતા અટકાવ્યું. પછી, બીજા હાફમાં, તેણીએ મોહમ્મદ અબુ અલ-શમાતના ખતરનાક શોટને ડિફ્લેક્ટ કરવા માટે કૂદકો માર્યો. 92મી મિનિટે, વોઝિન્હાએ અબ્દુલ્લા અલ-હમદાનના ચોક્કસ શોટને બ્લોક કર્યો, જેનાથી તેની ટીમ નોકઆઉટમાં સ્થાન મેળવી શક્યો.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો - <a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-senegal-beat-iraq-5-0-in-knockout-match" target="_blank">FIFA World Cup 2026 : નોકઆઉટ મેચમાં સેનેગલે ઇરાકને 5-0 થી હરાવ્યું</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/27/JWlhHzAZqdwbXfyXnIvPF4MX2fiZKeYvK6PnClEv.webp'/></item></channel></rss>