<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[બાપુનગરમાં એજન્ટે બે ક્રેડિટકાર્ડ જનરેટ કરી કુલ રૂ. 22.71 લાખની ખરીદી કરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/an-agent-in-bapunagar-generated-two-credit-cards-and-made-purchases-worth-a-total-of-rs-2271-lakh</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/an-agent-in-bapunagar-generated-two-credit-cards-and-made-purchases-worth-a-total-of-rs-2271-lakh</guid><pubDate>Fri, 05 Jun 2026 01:02:17 +05:30</pubDate><description><![CDATA[<p>બાપુનગરમાં વીમા પોલીસી એજન્ટે વૃધ્ધને વિશ્વાસમાં લઇને ક્રેડિટ કઢાવી આપીને તે કાર્ડ બંધ કરાવીને તેમના નામે બે કાર્ડ જનરેટ કરીને કુલ રૂ. 22.71 લાખની ખરીદી કરીને ઠગાઇ આચરી છે. જેમાં વૃધ્ધે એજન્ટને ઓળખતા હોવાથા એક કરોડની પોલિસી પણ લીધી હતી. જ્યારે બેન્કમાંથી હપ્તા બાબતે આવતા સમગ્ર કૌભાંડની જાણ થઇ હતી. આ અંગે વૃધ્ધે એજન્ટ સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફ્રિયાદ નોધાવી છે.</p><p>બાપુનગરમાં રહેતા 63 વર્ષીય કિશોરભાઇ પરમાર નિવૃત જીવન જીવે છે. જેમાં તેમને લાંભામાં રહેતા તુષારભાઇ મહાપાત્ર જે વીમાપોલીસી એજન્ટનું કામ કરે છે તેમની પાસે રૂ. 1 કરોડનો વીમો લીધો હતો. તેના પાંચ હપ્તા પણ ભર્યા હતા. જે બાદ તુષારે કિશોરભાઇને આશ્રામ રોડ ખાતે બેન્કમાંથી ક્રેડિટકાર્ડ કઢાવી આપ્યુ હતુ. પરંતુ વૃધ્ધને કાર્ડની જરૂર ન હોવાથી તુષારને બંધ કરાવવા માટે આપ્યુ હતુ. ત્યારે તુષારે બેન્કમાં જઇને મોબાઇલ નંબર અને ઇમેઇલ આઇડી ચેન્જ કરાવીને કાર્ડ બંધ કરાવ્યુ હતુ. જે બાદ તુષારે કિશોરભાઇના નામે બે કાર્ડ લઇને બારોબાર કુલ રૂ. 22.71 લાખની ખરીદી કરીને ઠગાઇ આચરી હતી. ત્યારે હપ્તા બાબતે કિશોરભાઇના ત્યાં બેન્કમાંથી આવતા સમગ્ર કૌભાંડની જાણ થઇ હતી. આ અંગે વૃધ્ધે વિમા પોલીસી એજન્ટ સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફ્રિયાદ નોધાવી છે.
</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/AUb4FnLOAlnaeYWPBycVdpf3qLidiPIyoK6HlZFi.webp'/></item><item><title><![CDATA[ઓઢવમાં ખાનગી કંપનીના મેનેજરે સહકર્મી સાથે મળી કુલ રૂ.18.45 લાખની ચોરી કરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/in-odhav-a-private-company-manager-along-with-his-colleague-stole-a-total-of-rs-1845-lakhs</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/in-odhav-a-private-company-manager-along-with-his-colleague-stole-a-total-of-rs-1845-lakhs</guid><pubDate>Fri, 05 Jun 2026 01:01:18 +05:30</pubDate><description><![CDATA[<p>ઓઢવમાં વિશાલા એસ્ટેટમાં આવેલી ખાનગી કંપનીમાં છેલ્લા આઠ વર્ષથી કામ કરતા કર્મચારીએ સહકર્મી સાથે મળીને રૂ. 18.45 લાખની ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં પોલીસે ગુનો નોધીને ત્રણ આરોપીઓને ઝડપી પાડયા છે. આરોપીઓની પૂછપરછ કરતા મેનેજરે પોતાનો ધંધો શરૂ કરવા સહકર્મી સાથે મળીને ચોરી કરી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.</p><p>નિકોલમાં રહેતા 40 વર્ષીય વિજયકુમાર ડોબરિયા ઓઢવમાં વિશાલા એસ્ટેટમા ખાનગી કંપની ધરાવે છે. છેલ્લા ઘણા સમયથી વિજયભાઈની કંપનીમાં પ્રોડક્શન ઓછુ થતુ હતુ. શંકા જતા ગત 28 મેંએ કંપનીના માલિકોએ રજીસ્ટર ચેક કર્યા અને ખબર પડી કે સ્ટોકની સામે પ્રોડક્શન ઓછુ થતુ દેખાઈ આવે છે. ત્યારબાદ નવેમ્બર 2025થી મેં 2026 સુધીના સમયગાળા દરમ્યાન કંપનીમાંથી ડીજીટલ સ્ટાર્ટર મીટર, પેનલ તથા અન્ય રો-મટીરીયલના જથ્થામાં રૂ.18.45 લાખની અછત જોવા મળી હતી. આ અંગે કંપનીના માલિકે તપાસ કરતા મેનેજર તરીકે કામ કરતા સાહિલ ગજેરા વારંવાર કંપનીમાં આવતા હતા. અને તેમને જ મટીરીયલ્સની ચોરી કરી હોવાનુ સામે આવ્યુ હતુ. આ અંગે ઓઢવ પોલીસે સાહિલ સામે ગુનો નોધીને સાહિલ ગજેરા, સાગર રૈયાણી અને સંકેતકુમાર પટેલની ધરપકડ કરી હતી. જેમાં સાગર અને સાહિલ પોતાની નવી કંપની બનાવવા માંગતા હતા. તે માટે કંપનીમાંથી મટીરીય્લ્સની તથા અન્ય ચીજવસ્તુ મળીને કુલ રૂ.18.45 લાખની ચોરીને અંજામ આપ્યો હતો. અને આરોપીઓ પોતાની જે નવી કંપનીના શરુ કરવાના હતા તેના માટે જે ગોડાઉન ભાડેથી રાખ્યું હતુ ત્યાંઆગળ જઈને આ ચોરીનો મુદ્દામાલ મૂકી આવતા હતા.
</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/o4fCQbyxUowZLpo3oJysP9J9HTwDzYfzzbjiVI2F.webp'/></item><item><title><![CDATA[પ્લાસ્ટિક બન્યું પર્યાવરણનું સૌથી મોટું દુશ્મન 'નો પ્લાસ્ટિક ઝુંબેશ' વધુ ઉગ્ર બનાવવી જરૂરી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/plastic-has-become-the-biggest-enemy-of-the-environment-the-no-plastic-campaign-needs-to-be-intensified</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/plastic-has-become-the-biggest-enemy-of-the-environment-the-no-plastic-campaign-needs-to-be-intensified</guid><pubDate>Fri, 05 Jun 2026 00:58:46 +05:30</pubDate><description><![CDATA[<p>એક વખત માનવજીવનને સરળ બનાવનાર પ્લાસ્ટિક આજે સમગ્ર વિશ્વ માટે પર્યાવરણીય સંકટનું કારણ બની ગયું છે. દરિયા, નદીઓ, જંગલો, ખેતીની જમીન અને શહેરોના કચરાના ઢગલાઓમાં પ્લાસ્ટિકનો વધતો જથ્થો કુદરત માટે ગંભીર ખતરો બની રહ્યો છે. વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે જો પ્લાસ્ટિકના વપરાશ પર નિયંત્રણ નહીં લાવવામાં આવે તો આગામી દાયકાઓમાં પર્યાવરણ, માનવ સ્વાસ્થ્ય અને જૈવવિવિધતા પર તેની વિનાશક અસર જોવા મળશે.</p><p>પ્લાસ્ટિકની સૌથી મોટી સમસ્યા એ છે કે તે કુદરતી રીતે ઝડપથી નષ્ટ થતું નથી. એક પ્લાસ્ટિકની બોટલને સંપૂર્ણપણે વિઘટિત થવામાં સેંકડો વર્ષ લાગી શકે છે. પ્લાસ્ટિકના કચરાથી જમીનની ફ્ળદ્રુપતા ઘટે છે, ગટરો અને ડ્રેનેજ સિસ્ટમો ચોખ્ખી રહેતી નથી, નદીઓ અને તળાવો પ્રદૂષિત થાય છે, પશુઓ અને પક્ષીઓના જીવ જોખમમાં પડે છે, દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન થાય છે, માઇક્રોપ્લાસ્ટિક ખોરાક અને પાણી દ્વારા માનવ શરીરમાં પ્રવેશે છે. ગુજરાતનો લાંબો દરિયાકિનારો, ઔદ્યોગિક વિકાસ અને ઝડપી શહેરીકરણ પ્લાસ્ટિક પ્રદૂષણની સમસ્યાને વધુ ગંભીર બનાવે છે. સાબરમતી, નર્મદા, તાપી જેવી નદીઓ તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્લાસ્ટિક કચરો પર્યાવરણ માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. પર્યાવરણવિદોના મતે પ્લાસ્ટિકના કારણે માત્ર કુદરત જ નહીં પરંતુ પર્યટન, માછીમારી અને કૃષિ ક્ષેત્રને પણ અસર થઈ રહી છે. વિશ્વ પર્યાવરણ દિવસ માત્ર ઉજવણીનો દિવસ નથી. તે પોતાની જીવનશૈલીમાં પરિવર્તન લાવવાનો સંકલ્પ લેવાનો દિવસ છે. સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ત્યાગ કરવો જોઇએ. પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ બંધ કરવો, કપડાની અથવા જૂટની થેલીનો ઉપયોગ કરવો, ડિસ્પોઝેબલ કપ, પ્લેટ અને ચમચીના ઉપયોગમાં ઘટાડો કરવો જરૂરી છે. ઘરેથી જ ભીનો અને સૂકો કચરો અલગ કરવાથી રિસાયક્લિંગ સરળ બને છે.
</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/gPp2IFvvkAuOtZ9ZJBTHA5XLN9vDaKTgauYa4Ii9.webp'/></item><item><title><![CDATA[હરિયાળી બચાવો નહીં તો ગરમીની આગમાં ગુજરાત ભઠ્ઠીની જેમ તપશે ! ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/gandhinagar/save-the-greenery-otherwise-gujarat-will-burn-like-a-furnace-in-the-heat</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/gandhinagar/save-the-greenery-otherwise-gujarat-will-burn-like-a-furnace-in-the-heat</guid><pubDate>Fri, 05 Jun 2026 00:55:45 +05:30</pubDate><description><![CDATA[<p>દર વર્ષે તા. 5 જૂને સમગ્ર વિશ્વમાં ' વિશ્વ પર્યાવરણ દિવસ' ઉજવવામાં આવે છે. 1972માં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા શરૂ કરાયેલા આ દિવસનો હેતુ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને કુદરતી સંસાધનોના સંરક્ષણ માટે વૈશ્વિક સ્તરે પ્રયાસો વધારવાનો છે. 2026માં વિશ્વ પર્યાવરણ દિવસનો મુખ્ય વિષય ક્લાઈમેટ એક્શન રાખવામાં આવ્યો છે, જે આબોહવા પરિવર્તન સામે તાત્કાલિક પગલાં ભરવાની જરૂરિયાત પર ભાર મૂકે છે.</p><p>ગુજરાત આજે દેશના સૌથી ઝડપથી વિકસતા રાજ્યોમાં સામેલ છે. એક તરફ્ ઉદ્યોગો, બંદરો, હાઈવે, મેટ્રો અને શહેરી વિકાસના પ્રોજેક્ટો ઝડપથી આગળ વધી રહ્યા છે, તો બીજી તરફ્ પર્યાવરણનું સંતુલન જાળવવાનો પડકાર પણ વધતો જાય છે.
</p><p>તાજેતરના ઉપલબ્ધ આંકડા મુજબ ગુજરાતમાં આશરે 15,017 ચોરસ કિલોમીટર વિસ્તાર જંગલોથી આવરાયેલો છે, જે રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના લગભગ 7.65 ટકા જેટલો થાય છે. રાજ્યનું ટ્રી કવર 6,632 ચોરસ કિલોમીટર એટલે કે 3.38 ટકા છે. આમ ગુજરાતનું કુલ ગ્રીન કવર હજુ પણ રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછું છે. વન અને પર્યાવરણ વિભાગે 2035 સુધીમાં રાજ્યનું ગ્રીન કવર 12.71 ટકા વધારવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. તેના માટે જંગલ વિસ્તાર, ટ્રી કવર અને મેન્ગ્રોવ્સમાં વધારો કરવાનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે.
</p><p>પર્યાવરણવિદો માટે સૌથી મોટી ચિંતા રાજ્યના ટ્રી કવરમાં થયેલો ઘટાડો છે. ઉપલબ્ધ અભ્યાસો દર્શાવે છે કે 2015-16 અને 2021-22 વચ્ચે ગુજરાતના ટ્રી કવરમાં લગભગ 17 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ સમયગાળા દરમિયાન ટ્રી કવર 8,034 ચોરસ કિલોમીટરમાંથી ઘટીને 6,632 ચોરસ કિલોમીટર થયું હતું. નિષ્ણાતોના મતે ઔદ્યોગિક વિકાસ, સોલાર પ્રોજેક્ટ, શહેરીકરણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ આ ઘટાડાના મુખ્ય કારણો રહ્યા છે.
</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/ltfIZGzwZwSPo4iGKuceAele0GKYEwbn3huek8Fh.webp'/></item><item><title><![CDATA[કડીની ઇન્દ્રશીલ યુનિવર્સિટી 'કેમ્પસ ટુ કોર્પોરેટ' પહેલથી વિદ્યાર્થીઓને કોર્પોરેટ જગત માટે સજ્જ બનાવશે ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/kadi/kadinis-indrasheel-university-to-equip-students-for-the-corporate-world-with-campus-to-corporate-initiative</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/kadi/kadinis-indrasheel-university-to-equip-students-for-the-corporate-world-with-campus-to-corporate-initiative</guid><pubDate>Fri, 05 Jun 2026 00:52:37 +05:30</pubDate><description><![CDATA[<p>કડી : કડીના રાજપુર સ્થિત ઇન્દ્રશીલ યુનિવર્સિટી વિદ્યાર્થીઓની કારકિર્દી સફ્ળતા અને રોજગાર ક્ષમતા વધારવાના હેતુથી 'કેમ્પસ ટુ કોર્પોરેટ' નામના વિશેષ કાર્યક્રમનું સફ્ળ આયોજન કરી રહી છે. આ પ્લેસમેન્ટ-કેન્દ્રિત પહેલનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને આજના સ્પર્ધાત્મક કોર્પોરેટ અને વ્યાવસાયિક જગત માટે જરૂરી કૌશલ્ય, આત્મવિશ્વાસ અને ઉદ્યોગજ્ઞાનથી સજ્જ બનાવવાનો છે. કાર્યક્રમ શૈક્ષણિક અભ્યાસ અને ઉદ્યોગજગતની વાસ્તવિક જરૂરિયાતો વચ્ચે એક મજબૂત સેતુ તરીકે કાર્ય કરે છે. તેના માધ્યમથી વિદ્યાર્થીઓ કેમ્પસ જીવનમાંથી વ્યાવસાયિક જીવનમાં સરળતાથી પ્રવેશ મેળવી શકે છે. આ કાર્યક્રમ અંગે યુનિવર્સિટીના પ્રો-વોસ્ટ ડૉ. ધર્મેશ જે. શાહે જણાવ્યું હતું કે, 'કેમ્પસ ટુ કોર્પોરેટ' કાર્યક્રમ વિદ્યાર્થીઓને કારકિર્દી-સક્ષમ, કોર્પોરેટ-સજ્જ અને ભવિષ્યના પડકારોનો આત્મવિશ્વાસપૂર્વક સામનો કરી શકે તેવા વ્યાવસાયિકો તરીકે ઘડવાની યુનિવર્સિટીની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. ઇન્દ્રશીલ યુનિવર્સિટી ગુણવત્તાસભર શિક્ષણ, ઉદ્યોગ જોડાણ અને કૌશલ્ય વિકાસના સમન્વય દ્વારા વિદ્યાર્થીઓને ઉજ્જવળ અને સફ્ળ કારકિર્દી માટે તૈયાર કરવાની દિશામાં સતત કાર્યરત છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/05/M0OpwgGhnxGVXCqSjeazI8aFAhhVOHgchqrMn7Xa.webp'/></item><item><title><![CDATA[Mumbai એરપોર્ટ પર મોટી કરન્સી સ્મગલિંગનો પર્દાફાશ, બેગમાંથી 1.45 લાખ અમેરિકી ડોલર જપ્ત ]]></title><link>https://sandesh.com/india/news/crime/mumbai-airport-currency-smuggling-usd-145000-seized-cisf-action</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/crime/mumbai-airport-currency-smuggling-usd-145000-seized-cisf-action</guid><pubDate>Thu, 04 Jun 2026 23:45:18 +05:30</pubDate><description><![CDATA[<p>મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર CISF (સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ)ની સતર્કતાના કારણે મોટી કરન્સી સ્મગલિંગનો પર્દાફાશ થયો છે. સુરક્ષા તપાસ દરમિયાન એક વિદેશી મુસાફર પાસેથી મોટા પ્રમાણમાં વિદેશી ચલણ જપ્ત કરવામાં આવ્યું છે.</p><h2><b>કરન્સી જાહેર કર્યા વિના લઈ જતો હતો
</b></h2><p>મળતી માહિતી અનુસાર, X-BIS સ્કેનિંગ દરમિયાન મુસાફરના બેગેજમાં શંકાસ્પદ ઈમેજ દેખાતા CISFના અધિકારીઓએ તાત્કાલિક બેગની વિગતવાર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન હેન્ડ બેગેજમાંથી મોટી માત્રામાં વિદેશી ચલણ મળી આવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા મુજબ કુલ USD 1,45,000 (આશરે ₹1.39 કરોડ)ની વિદેશી કરન્સી જપ્ત કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મુસાફરે આ કરન્સી અંગે કોઈ પણ પ્રકારની માહિતી અથવા જાહેરાત કરી નહોતી, જે નિયમોના ઉલ્લંઘન તરીકે ગણાય છે.
</p><h3><b>વિદેશી નાગરિક મુંબઈથી ઇથિયોપિયાના અદિસ અબાબા જવાની તૈયારીમાં હતો
</b></h3><p>આ મુસાફર વિદેશી નાગરિક છે અને તે મુંબઈથી ઇથિયોપિયાના અદિસ અબાબા જવાની તૈયારીમાં હતો. એરપોર્ટ પર નિયમિત સુરક્ષા ચેકિંગ દરમિયાન જ આ ગેરકાયદેસર હરકતનો ખુલાસો થયો. ઘટના બાદ CISFએ તરત જ મુસાફરને કસ્ટમ્સ વિભાગને સોંપ્યો હતો, સાથે જ જપ્ત કરાયેલ તમામ વિદેશી કરન્સી પણ કસ્ટમ્સને હવાલે કરવામાં આવી હતી. કસ્ટમ્સ વિભાગ દ્વારા હવે આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
</p><h4><b>વધુ તપાસ શરૂ
</b></h4><p>અધિકારીઓનું કહેવું છે કે આ કરન્સી ક્યાંથી લાવવામાં આવી અને તેનો હેતુ શું હતો તે અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. તેમજ આંતરરાષ્ટ્રીય નેટવર્ક સાથે કોઈ જોડાણ છે કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે. આ ઘટનાએ એરપોર્ટ સુરક્ષા વ્યવસ્થાની અસરકારકતા ફરી એકવાર સાબિત કરી છે. CISFની સતર્કતાના કારણે મોટી સ્મગલિંગ અટકાવવામાં સફળતા મળી છે.
<br><br><a href="https://sandesh.com/india/news/amit-shah-tripura-visit-june-5-border-security-review-bsf" target="_blank">આ પણ વાંચો : Amit Shah 5 જૂને ત્રિપુરાની મુલાકાત લેશે, સરહદ સુરક્ષાની કરશે સમીક્ષા</a><b></b></p><p><br></p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/04/ESXUKZzpLkLcl9MJnPFboqS1INSB8embixXLK57u.webp'/></item><item><title><![CDATA[Haryana : ફરીદાબાદમાં નિર્માણાધીન ફ્લાયઓવર સાઈટ પર ક્રેન પલટી, 3 મજૂરના મોત ]]></title><link>https://sandesh.com/india/news/haryana-faridabad-flyover-site-crane-collapse-three-workers-died</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/haryana-faridabad-flyover-site-crane-collapse-three-workers-died</guid><pubDate>Thu, 04 Jun 2026 21:23:50 +05:30</pubDate><description><![CDATA[<p>હરિયાણાના ફરીદાબાદમાં જ્વેર એરપોર્ટ કનેક્ટિવિટી પ્રોજેક્ટના નિર્માણ કાર્ય દરમિયાન ગુરુવારે મોટો અકસ્માત સર્જાયો છે. પનહેડા ખુર્દ નજીક નિર્માણાધીન ફ્લાયઓવર સાઇટ પર એક ભારે ક્રેન અચાનક બેકાબૂ બની પલટી ગઈ. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ આ દુર્ઘટનામાં 3 મજૂરના મોત થયા છે, જ્યારે ત્રણથી ચાર મજૂરો ક્રેન નીચે દબાઈ ગયા હોવાની માહિતી મળી છે. ઘટનાસ્થળે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2062546191511138644"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><br></p><h2><b>ગર્ડર ઊંચકવાની કામગીરી કરવામાં આવી રહી હતી
</b></h2><p>મળતી માહિતી મુજબ, ગ્રીન કોરિડોર પ્રોજેક્ટ હેઠળ પુલના નિર્માણનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન ભારે ક્રેનની મદદથી ગર્ડર ઊંચકવાની કામગીરી કરવામાં આવી રહી હતી. અચાનક ક્રેનનું સંતુલન બગડતાં તે પલટી ગઈ હતી. અકસ્માત સમયે સ્થળ પર છથી સાત મજૂરો કામ કરી રહ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં તાજેતરમાં ભારે વરસાદ પડ્યો હતો જેના કારણે નિર્માણ સ્થળે કાદવ અને જમીન ધસી જવાની સ્થિતિ સર્જાઈ હતી. માનવામાં આવી રહ્યું છે કે આ કારણે ક્રેનનું સંતુલન બગડ્યું હોઈ શકે છે. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.
</p><h3><b>અન્ય એક મજૂરની હાલત ગંભીર
</b></h3><p>અકસ્માત બાદ સ્થાનિક લોકો અને અન્ય મજૂરો બચાવ કામગીરીમાં જોડાઈ ગયા હતા. જાણ થતાં જ પોલીસ અને પ્રશાસનની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. ક્રેન નીચે દબાયેલા મજૂરોને બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. માહિતી અનુસાર, એક મજૂરને સર્વોદય હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય એક મજૂરની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. હાલમાં બચાવ કામગીરી ચાલુ છે અને પોલીસ તેમજ સંબંધિત વિભાગો અકસ્માતના કારણોની તપાસ કરી રહ્યા છે. તપાસ બાદ સુરક્ષા નિયમોમાં કોઈ બેદરકારી થઈ હતી કે નહીં તે સ્પષ્ટ થશે.
</p><p><a href="https://sandesh.com/india/news/ebola-suspected-case-hyderabad-airport-sudanese-traveler-isolation" target="_blank">આ પણ વાંચો : Ebola Case : હૈદરાબાદ એરપોર્ટ પર સુદાનના એક નાગરિકને ઈબોલાના લક્ષણ, આઈસોલેશન સેન્ટરમાં મોકલાયો</a><b></b></p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/04/rOTPljidnU2ZvKjisWFGlJdh84wksBi3F0zNQ9Ds.webp'/></item><item><title><![CDATA[FIFA WORLD CUP 2026: મેસ્સી અને રોનાલ્ડો ક્યારે આવશે આમને-સામને? જાણો ક્યારે થઈ શકે છે આ મેચ ]]></title><link>https://sandesh.com/sports/news/messi-vs-ronaldo-fifa-world-cup-2026-possible-clash</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/messi-vs-ronaldo-fifa-world-cup-2026-possible-clash</guid><pubDate>Thu, 04 Jun 2026 20:48:49 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફૂટબોલની સૌથી મોટી ટુર્નામેન્ટ ફિફા વર્લ્ડકપ 2026, 12 જૂનથી શરૂ થશે. આ વર્ષે સ્પર્ધાને 48 ટીમોમાં વિસ્તૃત કરવામાં આવી છે, જેનાથી ઉત્સાહમાં વધુ વધારો થશે. 
</p><p style="text-align: justify; ">ઘણા સ્ટાર ખેલાડીઓ મેદાનમાં ઉતરશે, પરંતુ ફેન્સ જેની સૌથી વધુ રાહ જોઈ રહ્યા છે તે લિયોનેલ મેસ્સી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વચ્ચેની મેચ હોવાની શક્યતા છે. આ બંને દિગ્ગજો વચ્ચેની મેચ વર્લ્ડકપની સૌથી ચર્ચિત મેચ બની શકે છે.
</p><h2 style="text-align: justify; "><b>જાણો શું છે સમીકરણ
</b></h2><p style="text-align: justify; ">ફિફા વર્લ્ડ કપમાં મેસ્સી અને રોનાલ્ડો ક્યારે ટકરાશે? ફક્ત પોર્ટુગલ અને આર્જેન્ટિના ટુર્નામેન્ટમાં ક્યારે ટકરાશે તેના પર નિર્ભર છે. જો બધા પરિબળો યોગ્ય જગ્યાએ આવે, તો મેસ્સી અને રોનાલ્ડો 11 જુલાઈએ ટકરાઈ શકે છે.
</p><p style="text-align: justify; ">આગામી સવાલ એ ઊભો થઈ શકે છે કે આ સમીકરણ કેવી રીતે રચાય. તેથી આ ત્યારે જ થશે જ્યારે પોર્ટુગલ અને આર્જેન્ટિના બંને ફિફા વર્લ્ડ કપ 2026માં પોતપોતાના ગ્રુપમાં ટોપ પર રહેશે. તે સ્થિતિમાં પોર્ટુગલ અને આર્જેન્ટિના 11 જુલાઈના રોજ ક્વાર્ટર ફાઈનલમાં એકબીજાનો સામનો કરી શકે છે.</p><h3 style="text-align: justify; "><b>લિયોનેલ મેસ્સી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વચ્ચેની બીજી યાદગાર મેચ!</b></h3><p style="text-align: justify; ">
</p><p style="text-align: justify; ">જો 2026 ફિફા વર્લ્ડકપમાં આર્જેન્ટિના અને પોર્ટુગલ આમને-સામને થાય છે, તો ફેન્સ લિયોનેલ મેસ્સી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વચ્ચેની બીજી યાદગાર મેચ જોઈ શકે છે. આર્જેન્ટિના ગ્રુપ Kનો ભાગ છે. તેથી બંને ટીમો વચ્ચે ટક્કર ફક્ત નોકઆઉટ તબક્કામાં જ શક્ય છે.
</p><p style="text-align: justify; ">લિયોનેલ મેસ્સી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 2026ના ફિફા વર્લ્ડ કપમાં મેદાનમાં ઉતરીને ઈતિહાસ રચશે. બંને દિગ્ગજો એક અનોખો રેકોર્ડ હાંસલ કરશે. અન્ય કોઈ પુરુષ ફૂટબોલરે 6 ફિફા વર્લ્ડકપમાં ભાગ લીધો નથી. આ જ કારણ છે કે આ બે મહાન ખેલાડીઓ માટે આ ટુર્નામેન્ટ અત્યંત ખાસ માનવામાં આવે છે.
</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/ipl-2026/vaibhav-sooryavanshi-ipl-2026-awards-orange-cap-mvp" target="_blank">Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા</a></b></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/04/jJGd3nHa3L7YfOOMqDwHNtettr4hgVGsRqj7Sm77.webp'/></item><item><title><![CDATA[EDની તપાસ વચ્ચે Myntraને મળી મોટી રાહત, RBIએ આ રીતે ઉકેલ્યો કેસ ]]></title><link>https://sandesh.com/business/news/myntra-fema-case-rbi-settlement-ed-relief-compounding-order-india</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/myntra-fema-case-rbi-settlement-ed-relief-compounding-order-india</guid><pubDate>Thu, 04 Jun 2026 20:03:49 +05:30</pubDate><description><![CDATA[<p>ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ 20 એપ્રિલ 2026ના રોજ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA), 1999ની કલમ 15 હેઠળ મિંત્રા ડિઝાઈન્સ પ્રાઈવેટ લિમિટેડના કેસમાં કોમ્પાઉન્ડિંગ ઓર્ડર જાહેર કર્યો છે. આ નિર્ણય બાદ કંપની સામે ચાલી રહેલી FEMA સંબંધિત તપાસ પૂર્ણ થઈ ગઈ છે.</p><h2><b>તપાસમાં શું સામે આવ્યું?
</b></h2><p>આ કેસમાં ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તરફથી 'નો ઓબ્જેક્શન' (NOC) મળ્યા બાદ RBI દ્વારા અંતિમ ઓર્ડર આપવામાં આવ્યો છે. અગાઉ EDને મળેલી માહિતીના આધારે FEMA નિયમોના સંભવિત ઉલ્લંઘનની તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કંપની પર બે મુખ્ય આરોપો સામે આવ્યા હતા. પ્રથમ, ફોરેન સિક્યુરિટી સંબંધિત નિયમો હેઠળ આવશ્યક વાર્ષિક પરફોર્મન્સ રિપોર્ટ (APR) સમયસર રજૂ ન કરવો. આ કેસ અંદાજે ₹42.85 કરોડની વિદેશી રોકાણ પ્રતિબદ્ધતા સાથે જોડાયેલો હતો.
</p><p>બીજું, APR રજૂ કર્યા વિના ઓવરસીઝ ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (ODI) મારફતે નાણાકીય પ્રતિબદ્ધતા કરવામાં આવી હોવાનું પણ નોંધાયું હતું, જે FEMA નિયમોના ઉલ્લંઘન તરીકે ગણાયું હતું. આ મામલો લગભગ ₹3.03 કરોડ સાથે સંબંધિત હતો. કંપનીએ FEMAની કલમ 15 હેઠળ RBI સમક્ષ કોમ્પાઉન્ડિંગ માટે અરજી કરી હતી. RBIએ આ અંગે ED પાસેથી અભિપ્રાય માગ્યો હતો, જેમાં EDએ કોઈ વાંધો ન દર્શાવતા સમાધાન માટે મંજૂરી આપી હતી.
</p><h3><b>રૂપિયા 2.88 લાખની રકમથી કેસ સમાપ્ત
</b></h3><p>EDની મંજૂરી બાદ RBIએ 20 એપ્રિલ 2026ના પોતાના આદેશમાં બંને ઉલ્લંઘનોનું સમાધાન કર્યું. કંપનીએ કુલ ₹2.88 લાખની રકમ ચૂકવીને મામલો નિપટાવ્યો છે. આ સાથે મિંત્રા ડિઝાઇન્સ પ્રાઇવેટ લિમિટેડ સામે ચાલી રહેલી FEMA તપાસ સત્તાવાર રીતે પૂર્ણ થઈ ગઈ છે.
</p><p><a href="https://sandesh.com/business/news/india/rajesh-exports-15-15-lakh-crore-irregularities-lic-canara-bank-impact" target="_blank">આ પણ વાંચો : Rajesh Exports પર 15.15 લાખ કરોડ રૂપિયાની ગેરરીતિનો આરોપ, શું LIC અને કેનરા બેન્કના પૈસા પણ ફસાયા?</a><b></b></p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/04/OpHYhzUhE01HcxDMYAydzAjbtzqOF9WJYWkLXHoN.webp'/></item><item><title><![CDATA[FLOP કરિયર છતાં પણ લક્ઝરી લાઈફ જીવે છે 48 વર્ષની આ હસીના! ]]></title><link>https://sandesh.com/entertainment/news/tanishaa-mukerji-luxury-lifestyle-income-kajol-sister-net-worth</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/tanishaa-mukerji-luxury-lifestyle-income-kajol-sister-net-worth</guid><pubDate>Thu, 04 Jun 2026 17:36:16 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">હિન્દી સિનેમાની ઘણી એવી અભિનેત્રીઓ છે, જેમણે એક્ટિંગમાં કદમ તો રાખ્યા, પરંતુ તેમને તે સક્સેસ ન મળી શકી, જેની તેઓ હકદાર હતી. આજે અમે તમને તે એક્ટ્રેસ વિશે જણાવી રહ્યા છીએ, જેનું કરિયર ફ્લોપ રહ્યું, પરંતુ તેમ છતાં તેઓ ખૂબ જ લક્ઝરી લાઇફ જીવે છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>કાજોલની બહેન તનિષા મુખર્જી
</b></h2><p style="text-align: justify; ">અમે જેમના વિશે વાત કરી રહ્યા છીએ, તેઓ કોઈ અન્ય નહીં પરંતુ પોપ્યુલર બોલીવુડ એક્ટ્રેસ કાજોલની બહેન તનિષા મુખર્જી છે. તનિષા મુખર્જીએ હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ તેમને સફળતા મળી શકી નહીં. તનિષાની વાત કરીએ તો તે બોલીવુડ એક્ટ્રેસ તનુજાની પુત્રી છે, જે ફ્લોપ કરિયર પછી પણ લક્ઝરી લાઇફ જીવે છે.
</p><h3 style="text-align: justify; "><b>જીવે છે લક્ઝરી લાઇફસ્ટાઇલ
</b></h3><p style="text-align: justify; ">તનિષાએ માત્ર ફિલ્મો જ નહીં પરંતુ ઘણા શોઝમાં પણ કામ કર્યું છે. જો તેની લક્ઝરી લાઇફસ્ટાઇલની વાત કરીએ તો તાજેતરમાં તનિષાએ ફરાહ ખાનની યુટ્યુબ ચેનલ પર પોતાના ઘરનું ટૂર કરાવ્યું છે. આ દરમિયાન એક્ટ્રેસે જણાવ્યું છે કે આ મોટું ઘર ખરીદવામાં તેની બહેન કાજોલે તેની મદદ કરી છે.
</p><h3 style="text-align: justify; "><b>એક્ટ્રેસ તનુજાની પુત્રી છે તનિષા
</b></h3><p style="text-align: justify; ">આ દરમિયાન તનિષાએ જણાવ્યું કે કાજોલે જ ઘર ખરીદ્યું છે અને તે આજે પણ ચેક બુક સાઇન કરે છે. આ ઘર માટે કાજોલે જ પૈસા આપ્યા છે. તનિષા બોલીવુડ એક્ટ્રેસ તનુજાની પુત્રી છે, તો સ્વાભાવિક છે કે એક્ટ્રેસ પાસે કોઈ વસ્તુની કોઈ કમી નહીં હોય અને તેની બહેન પણ હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી છે.
<br><img title="Tanishaa Mukerji luxury lifestyle income sources (1)" src="https://epapercdn.sandesh.com/images/2026/06/04/d0A14Y0fzkbSISHDZUiXL0G3RCnsBUztWUEWxhbR.webp"><br></p><h5 style="text-align: justify; "><b>2003માં કરિયરની શરૂઆત
</b></h5><p style="text-align: justify; ">જો તનિષાના કરિયરની વાત કરીએ તો વર્ષ 2003માં તેણે પોતાના બોલીવુડ કરિયરની શરૂઆત કરી હતી. તનિષાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ લોકોએ તેને ખાસ મહત્વ ન આપ્યું અને તે કોઈ ખાસ નામ કમાઈ શકી નહીં. તનિષાની મોટાભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી. એટલું જ નહીં પરંતુ તનિષાએ લગ્ન પણ કર્યા નથી અને તે સિંગલ લાઇફ એન્જોય કરી રહી છે.
</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/anushka-sharma-trolled-on-social-media-for-supporting-homeopathy-controversy" target="_blank">આ પણ વાંચો-Bollywood Celebrity : અનુષ્કા શર્મા સોશિયલ મીડિયા પર થઈ રહી છે જોરદાર ટ્રોલ! હોમિયોપેથીના પક્ષમાં બોલવું પડ્યું ભારે!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/04/IVWsDRkx4fMLwFfNlPWTxsIQufyJ2ES01f9EL2u9.webp'/></item></channel></rss>