<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Dahod: ઝાલોદના અનવરપુરા ગામે માતાએ બે માસૂમ બાળકીઓ સાથે કૂવામાં કૂદીને આત્મહત્યા કરી ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dahod/zalod-anwarpura-tragic-suicide-mother-two-daughters-jump-in-well</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/dahod/zalod-anwarpura-tragic-suicide-mother-two-daughters-jump-in-well</guid><pubDate>Fri, 17 Jul 2026 07:50:02 +05:30</pubDate><description><![CDATA[<p>ઝાલોદ તાલુકાના અનવરપુરા ગામે આજે એક એવી ઘટના ઘટી છે, જેને સાંભળીને પથ્થર હૃદયના માણસની આંખમાંથી પણ આંસુ સરી પડે. પોતાના કાળજાના ટુકડા સમાન બે માસૂમ બાળકીઓને ખોળામાં લઈને એક માતાએ ગામના કૂવામાં ઝંપલાવી સામૂહિક આત્મહત્યા કરી લેતા આખું ગામ આઘાતમાં સરી પડ્યું છે.</p><h2><b>કૂવામાં ઝંપલાવી સામૂહિક આત્મહત્યા</b></h2><p>મળતી વિગતો અનુસાર, અનવરપુરા ગામે રહેતા 23 વર્ષીય સુનીતાબેન પપ્પુભાઈ કલારાએ આજે કોઈ અગમ્ય કારણોસર પોતાની 3 વર્ષની દીકરી પ્રાચી અને દોઢ વર્ષની દીકરી વંશી સાથે ગામમાં આવેલા કૂવામાં છલાંગ લગાવી દીધી હતી. ત્રણેય જણા કૂવાના ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ગ્રામજનોને આ અંગેની જાણ થતાં જ ઘટનાસ્થળે લોકોના ટોળે-ટોળા એકઠા થઈ ગયા હતા અને સ્થાનિક વહીવટી તંત્ર તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી.</p><h3><b>એકસાથે ત્રણ જિંદગીઓ હોમાઈ</b></h3><p>માહિતી મળતા જ ઝાલોદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઇટરોએ સ્થાનિક તરવૈયાઓની મદદથી કૂવામાં શોધખોળ આદરી હતી, જેમાં કલાકોની જહેમત બાદ માતા સુનીતાબેન અને એક બાળકીનો મૃતદેહ કૂવામાંથી લોહી થીજી જાય તેવી હાલતમાં બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે અન્ય એક બાળકી હજુ સુધી મળી ન હોવાથી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કૂવાના ઊંડા પાણીમાં સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ૨૩ વર્ષની નાની ઉંમરે સુનીતાબેને આટલું મોટું અને આત્મઘાતી પગલું કેમ ભર્યું? ઘરકંકાસ, આર્થિક તંગી કે અન્ય કોઈ પારિવારિક કારણ છે? તે અંગે ઝાલોદ પોલીસ દ્વારા પરિવારના સભ્યોની પૂછપરછ કરી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. એકસાથે ત્રણ જિંદગીઓ હોમાઈ જતાં અનવરપુરા સહિત સમગ્ર ઝાલોદ પંથકમાં માતમ છવાઈ ગયો છે.</p><p><b><a href="https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/monsoon-2026-gujarat-rain-update-monsoon-round-starts-weather-forecast-heavy-rainfall-news" target="_blank">આ પણ વાંચો: Monsoon 2026 : ગુજરાતમાં મેઘરાજાનું ધમાકેદાર ‘કમબેક’, 24 કલાકમાં 112 તાલુકા જળમગ્ન, જાણો ક્યાં કેવો પડશે વરસાદ</a></b></p><p><b><br></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/QBaF3NQrtghSnDwOAagTrOBQjosCITJXOxm2FJSU.webp'/></item><item><title><![CDATA[Vadodara: જરોદ ગામે કપિરાજનો આંતક, 3 દિવસમાં 4ને બચકાં ભર્યા, અંતે કપિરાજ ઝડપાયા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-3-4-</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-3-4-</guid><pubDate>Fri, 17 Jul 2026 05:46:58 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">જરોદ : જરોદ ગામે છેલ્લા ત્રણ દિવસથી ડેરી ફ્ળિયામાં તેમજ વિસ્તારમાં કપિરાજે આંતક મચાવ્યો છે. જેમાં ગત તા.14મીએ બારીયા મનીષ કમલેશભાઈને કપિરાજે બચકું ભર્યું હતું. જ્યારે તા.15મીએ મંજુલાબેન ઈશ્વર પાટણવાડીયા અને વિવેકકુમાર સિંગને કપિરાજે બચકું ભર્યું હતું. જ્યારે આજે ભાવનાબેન શૈલેષ પટેલને તેઓ ફ્ળિયામાંથી નોકરી જતા ત્યારે કપિરાજે પગે બચકું ભર્યું હતું. તમામે જરોદ રેફરલ હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. આ બાબતે વડોદરા ફેરેસ્ટ ખાતાને જાણ કરતાં ફેરેસ્ટ ખાતાની ટીમ જરોદ આવી પહોંચી વાંદરાને પાંજરે પુરવા પાંજરું મૂક્યું છે. પરંતુ આ લખાય છે. ત્યાં સુધી વાંદરો પાંજરે પુરાયો નથી. ટ્રાન્કવી લાયસર (ડાર્ક ઘ્ાન) ઘન સાથે ફેરેસ્ટ ખાતાની ટીમ કપિને પાંજરે પુરવા પ્રયાસ કર્યા હતા. ત્યારે મોડીસાંજે જરોદ ગામના પરમાર ફળિયામાંથી વનવિભાગની ટીમે તોફાની કપિરાજને પાંજરે પુરવા સફળતા પ્રાપ્ત કરી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/fBkPQ7v5kcmLIdDOxoAAsEl8Nh2U0B4lcpilYK6s.webp'/></item><item><title><![CDATA[Vadodara: સાઠોદ ગામેથી 7 ફૂટનો ઇન્ડિયન રોક પાયથન ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-7-foot-indian-rock-python-caught-from-sathod-village</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-7-foot-indian-rock-python-caught-from-sathod-village</guid><pubDate>Fri, 17 Jul 2026 05:46:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ડભોઇ તાલુકાના સાઠોદ ગામમાં આવેલીMPવસાહત વિસ્તારમાં આશરે 7 ફૂટ લાંબો ઇન્ડિયન રોક પાયથન (ભારતીય અજગર) હોવાનું માલૂમ પડયું હતું. રહેણાંક વિસ્તારની નજીક આટલો મોટો અજગર દેખાતા જ સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. પરંતુ લોકોએ ધીરજ રાખીને વન વિભાગ તેમજ સ્થાનિક રેસ્ક્યુ ટીમનો તાત્કાલિક સંપર્ક કર્યો હતો. બાતમી મળતાની સાથે જ વન વિભાગના અધિકારી અને વાઇલ્ડ લાઇફ્ ટ્રસ્ટની ટીમના અર્જુન રાઠવા અને જયદીપ રાવલે સાવચેતીપૂર્વક 7 ફૂટના અજગરનું રેસ્ક્યુ કર્યું હતું.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/qjiSghGACrLvmxz4bWrCwAPXHUTAAL3YFNUVrkwB.webp'/></item><item><title><![CDATA[Vadodara: ડભોઇના પ્રખ્યાત બહુચરાજી મંદિર પાસે વહેતા ગટરના ગંદા પાણી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-sewage-water-flowing-near-the-famous-bahucharaji-temple-in-dabhoi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-sewage-water-flowing-near-the-famous-bahucharaji-temple-in-dabhoi</guid><pubDate>Fri, 17 Jul 2026 05:45:28 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ડભોઈ શહેરના ઐતિહાસિક અને આસ્થાના કેન્દ્ર સમાન બહુચરાજી માતાજી મંદિર નજીક છેલ્લા એક મહિનાથી ગટરના ગંદા પાણી જાહેર રોડ પર વહી રહ્યાં છે. તંત્રની ઘોર ઉદાસીનતાને કારણે સ્થાનિક રહીશો, વેપારી અને રાહદારીઓને હાલાકી વેઠવી પડે છે.</p><p style="text-align: justify; ">પવિત્ર યાત્રાધામ અને રહેણાંક વિસ્તારમાં ફેલાયેલી આ ગંદકીને પગલે લોકોમાં નગરપાલિકા વિરુદ્ધ ભારે આક્રોશ છે. તંત્રને અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ ગંભીર સમસ્યા અંગે ડભોઈ નગરપાલિકામાં એકવાર નહીં પરંતુ અનેક વખત મૌખિક તેમજ લેખિતમાં રજૂઆતો કરાઇ છે. છતાં, કુંભકર્ણની નિદ્રામાં પોઢેલા પાલિકા તંત્ર દ્વારા હજુ સુધી કોઈ જ નકકર કે અસરકારક કામગીરી કરી નથી. અહીં માત્ર ગટરની જ સમસ્યા નથી, પરંતુ વિસ્તારમાં કચરો ઉપાડવા માટે પણ ગાડીઓ નિયમિત આવતી નથી. સફઈ કામગીરી સદંતર ઠપ થઈ છે. જેના કારણે રોડ પર કચરાના ઢગલા ખડકાયા છે. હાલમાં રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસ અને મચ્છરજન્ય રોગોનો ભય મંડરાઈ રહ્યો છે. ત્યારે આ વિસ્તારમાં 24 કલાક ભરાઈ રહેતા ગંદા પાણી અને ગંદકીને કારણે અસહ્ય દુર્ગંધ ફેલાય છે. આ ભયાનક ગંદકી મચ્છરો અને ઝેરી જીવાતોનું સંવર્ધન કેન્દ્ર બની છે. જેનાથી સ્થાનિકોમાં ગંભીર રોગચાળો ફટીનીકળવાની દહેશત છે. જો આ ગંદકીને કારણે વિસ્તારમાં કોઈ જીવલેણ રોગચાળો ફટી નીકળશે, કોઈ નાગરિક જાન ગુમાવશે, તો તેની જવાબદારી કોની આ ધાર્મિક સ્થાનની પવિત્રતા જોખમાઈ છે. અને લોકોનું જીવવું દુષ્કર બન્યું છે. ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો આ બાબતને ગંભીરતાથી લે અને તાત્કાલિક ધોરણે ગટર લાઈનનું સમારકામ કરાવી, વિસ્તારમાં સઘન સફાઈ ઝુંબેશ શરૂ કરે તેવી સ્થાનિકોની ઉગ્ર માંગ છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/69d6DxCZAXrcfaRNzigTVLCSFpeQpfvOfJfvfa3R.webp'/></item><item><title><![CDATA[Chhotaudepur: કવાંટના ધનીવાડામાં રસ્તો બનાવવા યુવાનો માંઝી બન્યાં ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-youths-became-volunteers-to-build-a-road-in-dhaniwada-kwant</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-youths-became-volunteers-to-build-a-road-in-dhaniwada-kwant</guid><pubDate>Fri, 17 Jul 2026 05:44:43 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વિકાસના મોટા દાવા વચ્ચે ક્યારેક કોઈ ગામ એવી પ્રેરણાદાયી કથા લખી જાય છે. જે સરકારી અહેવાલોમાં નહીં પરંતુ સીધા લોકોના હૃદયમાં સ્થાન પામે છે. કવાંટ તાલુકાની સમલવાટ ગ્રામ પંચાયતના ધનીવાડા ગામે પણ આવી જ ગૌરવશાળી અને પ્રેરણાદાયી ગાથા રચાઈ છે. જ્યાં તંત્રની નિષ્ક્રિયતા સામે ગામની જાગૃત યુવાની વિજયી બની છે.</p><p style="text-align: justify; ">ધનીવાડા ગામના ઉચલા ફ્ળિયાના મુખ્ય કોન્ક્રીટ માર્ગમાં છેલ્લા 4 વર્ષથી મોટું પોલાણ પડયું હતું. આ માર્ગ માત્ર એક રસ્તો નથી. પરંતુ ગામની સાચી જીવનરેખા છે. ખેડૂતો પોતાના પાક સાથે, પશુપાલકો દૂધ લઈને, માસૂમ વિદ્યાર્થી ભવિષ્યના સપનાઓ સાથે અને સામાન્ય ગ્રામજનો પોતાના રોજિંદા કામો માટે આ જ માર્ગેથી પસાર થાય છે. પરંતુ રસ્તાની બાજુએ પડેલા આ જોખમી પોલાણ અને ધોવાણે દરેક સફરને અકસ્માતના ભયના ઓથાર હેઠળ લાવી દીધી હતી. છેલ્લા 4 વર્ષ દરમિયાન ગ્રામજનો દ્વારા સ્થાનિક સુધરાઈથી લઈને ઉચ્ચ વહીવટી તંત્ર સુધી અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરાઇ હતી. દરેક વખતે તંત્ર તરફ્થી આશાનું આશ્વાસન મળ્યું હતું. પરંતુ વાસ્તવમાં કામનો એક પણ કંકર રસ્તા પર પડયો નહીં. અનેક રજૂઆતો છતાં તંત્રના કાન પર જૂં ન રેંગી. અંતે ગામના યુવાનો વચ્ચે એક જ સવાલ ઉઠયો કે, જ્યારે આપણું ગામ આપણું છે, તો રસ્તો પણ આપણે જ કેમ નહીં સુધારીએ ? આ એક જ વિચાર ગામમાં ચિનગારી બન્યો હતો. અને જોતજોતામાં આખું ગામ એક મંચ પર આવ્યું હતું. યુવાનોએ પોતાના રોજગાર, ખેતી અને અંગત કામોને થોડા સમય માટે વિરામ આપ્યો હતો. કોઈએ કામ માટે મશીનરી આપી તો, કોઈએ આર્થિક સહયોગ આપ્યો હતો તો કોઈએ પોતાના હાથનો પરસેવો વહાવ્યો હતો. પાવડા, કોદાળી અને તગારાં સાથે શરૂ થયેલો આ શ્રામયજ્ઞ થોડા જ સમયમાં લોકસહભાગિતાના ઉત્સવમાં પરિવર્તિત થયો હતો. ગામના યુવાનોએ પોતાના અંગત ખર્ચે પાંચ ટ્રેક્ટર મેટલ અને જરૂરી પુરાણ સામગ્રી મંગાવી હતી. સામૂહિક શ્રામદાન કરીને રસ્તાના પોલાણને વ્યવસ્થિત ભરી માર્ગને ફરી એકવાર સંપૂર્ણ સલામત બનાવી દીધો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/17/QEwILy2D5GX59lUIBNeIHiqgjjy6OxEmVw9DeiXt.webp'/></item><item><title><![CDATA[NEET UG 2026નું પરિણામ જાહેર, પંજાબ અને હરિયાણાના વિદ્યાર્થીઓએ કર્યું ટોપ ]]></title><link>https://sandesh.com/india/breakingnews/neet-ug-2026-results-declared-punjab-haryana-students-top-ranks</link><guid isPermaLink="true">https://sandesh.com/india/breakingnews/neet-ug-2026-results-declared-punjab-haryana-students-top-ranks</guid><pubDate>Thu, 16 Jul 2026 23:06:09 +05:30</pubDate><description><![CDATA[<p>નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ NEET UG 2026નું પરિણામ જાહેર કર્યું છે. દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષામાં પંજાબના આર્યન ગુપ્તા અને હરિયાણાના પંશુલ બંસલે સંયુક્ત રીતે પ્રથમ સ્થાન મેળવ્યું છે. બંનેએ 720માંથી 715 ગુણ મેળવી સમગ્ર દેશમાં ટોપ કર્યું છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2077802014080466971"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p></p><div><b style="font-size: 2rem;">20 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી</b></div><div>આ વર્ષે ભારતના 551 શહેરો તેમજ વિદેશના 14 શહેરોમાં આવેલા કુલ 5,440 પરીક્ષા કેન્દ્રો પર લગભગ 20 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. તેમાંમાંથી 11.21 લાખ ઉમેદવારો એમબીબીએસ, બીડીએસ, આયુષ અને અન્ય અંડરગ્રેજ્યુએટ મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે ક્વોલિફાય થયા છે. NTAના જણાવ્યા અનુસાર, મેડિકલ પ્રવેશ અને કાઉન્સેલિંગ પ્રક્રિયા સમયસર શરૂ થઈ શકે તે માટે પરિણામ સમયસર જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવારો પોતાના સ્કોરકાર્ડ NEET UGની સત્તાવાર વેબસાઇટ પર જોઈ અને ડાઉનલોડ કરી શકે છે.</div><div><b><br></b></div><h3><b>ઉમેદવારોમાં 58 ટકાથી વધુ મહિલાઓ&nbsp;</b></h3><div>આ વર્ષે પરીક્ષામાં મહિલાઓનું પ્રદર્શન ખાસ નોંધપાત્ર રહ્યું છે. કુલ ક્વોલિફાય થયેલા ઉમેદવારોમાં 58 ટકાથી વધુ મહિલાઓ છે. મહિલાઓનો ક્વોલિફિકેશન દર 56.8 ટકા રહ્યો, જ્યારે પુરુષ ઉમેદવારોમાં આ આંકડો 55.1 ટકા નોંધાયો હતો. પરીક્ષામાં 138 ઉમેદવારોએ 720માંથી 690થી વધુ ગુણ મેળવ્યા છે. તેમાંના 93 ટકાથી વધુ ઉમેદવારો પ્રથમ વખત NEET UGમાં બેઠા હતા અને 99 ટકા ઉમેદવારોની ઉંમર 17થી 19 વર્ષની વચ્ચે હતી. રાજ્યવાર પરિણામમાં ઉત્તર પ્રદેશ સૌથી આગળ રહ્યું છે, જ્યાંથી 1.7 લાખથી વધુ ઉમેદવારો ક્વોલિફાય થયા છે. જ્યારે લક્ષદ્વીપમાંથી સૌથી ઓછા 43 ઉમેદવારો સફળ થયા છે.</div><div><br></div><div>NTAના જણાવ્યા મુજબ, 705થી વધુ ગુણ મેળવનારા ટોચના 17 ઉમેદવારો પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, તમિલનાડુ અને તેલંગાણા સહિત 8 રાજ્યોમાંથી છે, જે દેશભરમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કરે છે.</div><div><br></div><div><b><a href="https://sandesh.com/india/news/indian-navy-ins-malvan-commissioning-mahe-class-asw-swc-july-22" target="_blank">આ પણ વાંચો : Indian Navyમાં 22 જુલાઈએ સામેલ થશે 'માલવણ' યુદ્ધજહાજ, આત્મનિર્ભર ભારતને મળશે વધુ મજબૂતી</a></b></div><div><br></div><div><br></div><p></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/8qhCU9mtgGtlBzzIAZRXon18Tcjch2rtbtrqSFEx.webp'/></item><item><title><![CDATA[Mumbai : મીરા રોડમાં નિર્માણાધીન ઈમારત પરથી ક્રેન તૂટી પડી, 1 યુવકનું મોત, અનેક વાહનોને નુકસાન ]]></title><link>https://sandesh.com/india/news/mumbai-mira-road-crane-collapse-under-construction-building-one-dead</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/mumbai-mira-road-crane-collapse-under-construction-building-one-dead</guid><pubDate>Thu, 16 Jul 2026 22:32:59 +05:30</pubDate><description><![CDATA[<p>મુંબઈના મીરા રોડ પૂર્વ વિસ્તારમાં આવેલી જેપી નોર્થ સોસાયટીમાં ગુરુવારે સાંજે ગંભીર અકસ્માત સર્જાયો હતો. નિર્માણાધીન ઈમારતના 11મા માળે કાર્યરત એક વિશાળ ક્રેન અચાનક તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં 22 વર્ષીય યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.</p><h2><b>ક્રેન પડતાં જ જોરદાર ધડાકો થયો</b></h2><p>પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર જેપી નોર્થ કોમ્પ્લેક્સમાં આવેલી RERS નામની નિર્માણાધીન ઈમારતમાં નિયમિત કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન ભારે સામાન ઊંચકવા માટે ઉપયોગમાં લેવાતી ક્રેન અચાનક સંતુલન ગુમાવી નીચે ધરાશાયી થઈ હતી. ક્રેન પડતાં જ જોરદાર ધડાકો થયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.</p><h3><b>15થી 16 કાર અને ટુ-વ્હીલર વાહનોને ભારે નુકસાન&nbsp;</b></h3><p>ક્રેન સોસાયટીના પાર્કિંગ વિસ્તારમાં પડતાં ત્યાં પાર્ક કરેલી અંદાજે 15થી 16 કાર અને ટુ-વ્હીલર વાહનોને ભારે નુકસાન થયું હતું. અનેક વાહનો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને બચાવ દળની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. કાટમાળમાં કોઈ ફસાયું હોવાની આશંકાને ધ્યાનમાં રાખીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું. બાદમાં એક યુવકના મોતની પુષ્ટિ કરવામાં આવી હતી.</p><h4><b>પોલીસે તપાસ શરૂ કરી&nbsp;</b></h4><p>પ્રાથમિક તપાસમાં ક્રેન તૂટી પડવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. તકનીકી નિષ્ણાતોની ટીમ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે કે ક્રેનમાં કોઈ તકનીકી ખામી હતી કે સુરક્ષા નિયમોના ભંગના કારણે અકસ્માત સર્જાયો હતો. પ્રશાસને લોકોને ઘટનાસ્થળની આસપાસ ભીડ ન કરવા અને બચાવ કામગીરીમાં સહયોગ આપવા અપીલ કરી છે. હાલ પોલીસ અને સંબંધિત વિભાગો અકસ્માતના કારણોની વિગતવાર તપાસ કરી રહ્યા છે. ઘટનાએ સ્થાનિકોમાં ભારે રોષ અને ચિંતા ફેલાવી છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/tirupati-temple-record-donation-record-breaking-donation-of-rs-97-crores-received-in-just-24-hours-at-tirupati-temple-1" target="_blank">આ પણ વાંચો : Tirupati Temple Record Donation: તિરુપતિ મંદિરમાં માત્ર 24 કલાકમાં આવ્યું 97 કરોડનું રેકોર્ડબ્રેક દાન</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/ZmE48yjIC3WpuPkXHYNiMB1hlSKbmm2b5iohWG78.webp'/></item><item><title><![CDATA[Iran US Conflict 2026: લાલ સમુદ્રનો તેલ માર્ગ બંધ કરવા હુથીને આદેશ, દુનિયામાં તોળાશે તેલ કટોકટી ]]></title><link>https://sandesh.com/world/news/business/usa/iran-us-conflict-2026-houthis-ordered-to-close-the-red-sea-oil-route-oil-crisis-will-hit-the-world</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/business/usa/iran-us-conflict-2026-houthis-ordered-to-close-the-red-sea-oil-route-oil-crisis-will-hit-the-world</guid><pubDate>Thu, 16 Jul 2026 20:26:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવની અસર હવે વિશ્વના તેલ પુરવઠા પર પડી શકે છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">વૈશ્વિક ઉર્જા બજારમાં સંકટ&nbsp;</h2><p style="text-align: justify; ">ઈરાને યમનના હુથી બળવાખોરોને કહ્યું છે કે જો અમેરિકા તેના પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરે તો મહત્વપૂર્ણ લાલ સમુદ્રી સમુદ્રી માર્ગ બંધ કરવા માટે તૈયાર રહે. જો આવું થાય, તો વિશ્વના બે મુખ્ય તેલ માર્ગો એકસાથે પ્રભાવિત થઈ શકે છે, જેનાથી વૈશ્વિક ઉર્જા બજારમાં સંકટ સર્જાઈ શકે છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતો તણાવ હવે સમગ્ર વિશ્વ માટે ચિંતાનું કારણ બની શકે છે.</p><h3 style="text-align: justify; ">લાલ સમુદ્રી માર્ગ બંધ કરવા તૈયારી&nbsp;</h3><p style="text-align: justify; ">ઈરાને યમનના હુથી બળવાખોરોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જો અમેરિકા તેના પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરે તો લાલ સમુદ્રી સમુદ્રી માર્ગ બંધ કરવા માટે તૈયાર રહે. ઈરાન અને પ્રદેશની નજીકના ત્રણ સ્ત્રોતોને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે આ યોજના પર તેહરાનમાં ચર્ચા કરવામાં આવી છે અને હુથી નેતૃત્વને જાણ કરવામાં આવી છે. જોકે, ઈરાનના વિદેશ મંત્રાલય કે હુથી પ્રવક્તાએ કોઈ સત્તાવાર પ્રતિભાવ આપ્યો નથી. હુથી બળવાખોરોએ બાબ અલ-મંડેબ સ્ટ્રેટ નજીક મિસાઇલો અને ડ્રોન તૈનાત કર્યા છે, જે દરિયાઈ માર્ગ દ્વારા જહાજો લાલ સમુદ્રમાં પરિવહન કરે છે. તેઓ હાલમાં અંતિમ આદેશોની રાહ જોઈ રહ્યા છે. આ વિકાસ મહત્વપૂર્ણ છે કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ પહેલાથી જ તણાવનું કેન્દ્ર છે.&nbsp;</p><h4 style="text-align: justify; ">નિર્ણય IRGCના આદેશ પર લેવાશે</h4><p style="text-align: justify; ">એક સ્ત્રોતે દાવો કર્યો હતો કે બાબ અલ-મંડેબ ક્યારે બંધ કરવો તે અંગેનો નિર્ણય યમનમાં તૈનાત ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના પ્રતિનિધિઓ દ્વારા લેવામાં આવશે. દરમિયાન, હુથીઓના નજીકના લોકો કહે છે કે તેઓ કોઈપણ કાર્યવાહી માટે સંપૂર્ણપણે તૈયાર છે. દરમિયાન, હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયા પર મિસાઇલ હુમલા પણ કર્યા છે. તેમનો આરોપ છે કે સાઉદી અરેબિયાએ તેમના નિયંત્રણ હેઠળના એક એરપોર્ટ પર બોમ્બમારો કર્યો હતો. આનાથી બંને પક્ષો વચ્ચે ચાર વર્ષનો યુદ્ધવિરામ તૂટી ગયો છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ<a href="https://sandesh.com/world/news/-political-news/awami-league-workers-beat-up-police-after-announcing-on-microphone-amid-rumours-of-sheikh-hasinas-return" target="_blank"> Sheikh Hasinaના પાછા ફરવાની અફવા વચ્ચે આવામી લીગના કાર્યકરોએ માઇક્રોફોન પર જાહેરાત કર્યા પછી પોલીસને માર માર્યો!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/ab1h7Ewcv4AgXkls9SizeHZu2zi06kkTuPoyv075.webp'/></item><item><title><![CDATA[સોનમ વાંગચુકના સમર્થનમાં આવ્યા ઇમરાન ખાન અને સોનાક્ષી સિંહા, કહ્યું- 'હું ચુપ રહી શકતી નથી' ]]></title><link>https://sandesh.com/entertainment/news/imran-khan-and-sonakshi-sinha-came-in-support-of-sonam-wangchuk-said-i-cannot-remain-silent</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/imran-khan-and-sonakshi-sinha-came-in-support-of-sonam-wangchuk-said-i-cannot-remain-silent</guid><pubDate>Thu, 16 Jul 2026 17:39:06 +05:30</pubDate><description><![CDATA[<p>દિલ્હીના જંતર-મંતર પર લગભગ 18 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકને હવે ફિલ્મ સ્ટાર્સ પોતાનો ટેકો આપી રહ્યા છે. સોનમ વાંગચુકનું સ્વાસ્થ્ય સતત બગડી રહ્યું છે અને તેમનું વજન પણ ઘણું ઘટી ગયું છે. આ દરમિયાન અભિનેત્રી સોનાક્ષી સિંહાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને સોનમ વાંગચુકને સપોર્ટ કર્યો છે. તેણે કહ્યું, "જે થવાનું છે તે થશે, પણ હું ચૂપ રહી શકતી નથી." તેણે એમ પણ ઉમેર્યું, "હું પણ આ દેશની યુવા છું. હું પણ આ દેશ માટે બેસ્ટ ઇચ્છું છું."</p><p>ઇન્સ્ટાગ્રામ પર રિલીઝ થયેલા એક વીડિયોમાં સોનાક્ષી સિંહા કહે છે, "મેં ક્યારેય આવું નિવેદન આપ્યું નથી, પણ આજે હું મારી જાતને રોકી શકતી નથી. સોનમ વાંગચુક આપણે બધા તેમને જાણીએ છીએ કે તેમણે આપણા દેશ માટે શું કર્યું છે. તેમની સિદ્ધિઓ શું છે. તેમણે કેટલા પુરસ્કારો જીત્યા છે. તેઓ 18 દિવસથી ભૂખ્યા છે અને કંઈ ખાધું નથી. તેઓ અહીં શા માટે બેઠેલા છે? તેઓ અહીં તે બાળકોના ભવિષ્ય માટે બેઠેલા છે, જેને તેઓ વિનાશ તરફ આગળ વધતા જુએ છે. તેઓ એવા બાળકો માટે લડી રહ્યા છે જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે. તેઓ એવી સિસ્ટમ સામે લડી રહ્યા છે જે યોગ્ય રીતે કામ કરી રહી નથી. તમે પણ જાણો છો, મને પણ ખબર છે અને બધા જાણે છે."</p><p><a  target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/reel/Da2Qsu0ib3-/?utm_source=ig_web_button_share_sheet" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/reel/Da2Qsu0ib3-/?utm_source=ig_web_button_share_sheet" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script></a></p><p><b style="font-size: 2rem;">"હું ચૂપ રહી શકતી નથી."</b></p><p>સોનાક્ષી કહે છે, "આપણે બધા તેમને ઓળખીએ છીએ. તેઓ આપણને ઓળખતા નથી. છતાં દેશ ખાતર આ દેશના બાળકોના ભવિષ્ય ખાતર, તેમણે 18 દિવસથી ખાધું નથી અને ઘણા લોકો ચૂપ છે. તેથી હું તે સહન કરી શકી નહીં. જે કંઈ થવાનું છે તે થશે, કોઈ વાંધો નહીં. પણ હું ચૂપ રહી શકતી નથી."
</p><h4><b>"કોઈ કેમ સાંભળતું નથી?"
</b></h4><p>આ દરમિયાન તેણે કોકરોચ જનતા પાર્ટીનો પણ ઉલ્લેખ કર્યો અને દેશના યુવાનોને પોતાનો અવાજ ઉઠાવવા બદલ અભિનંદન આપ્યા. તેણે કહ્યું કે યુવાનો સત્ય અને કંઈક સારા માટે લડી રહ્યા છે. પણ કોઈ કેમ સાંભળતું નથી? તે કહે છે, "ખરેખર, કોઈને ચિંતા નથી. કોઈ સંવાદ નથી. કોઈ વાત કરી રહ્યું નથી. મારો મતલબ છે કે, કોઈ તેમની તરફ જોતું પણ નથી. પછી મેં નક્કી કર્યું કે, હું શા માટે ચૂપ રહીશ? હું પણ આ દેશની યુવાન છું. હું પણ આ દેશનું ભલું ઇચ્છું છું. હું રાષ્ટ્રવિરોધી નથી. તો હું કેમ ચૂપ છું?"
</p><h5><b>"જે થઈ રહ્યું છે તે યોગ્ય નથી."
</b></h5><p>સોનાક્ષીએ સોનમ વાંગચુકના એક નિવેદનને ટાંકીને કહ્યું, "હા, હું તમને ભૂખ હડતાળ સમાપ્ત કરવાનું નહીં કહું. હું ફક્ત એટલું જ પૂછવા માંગુ છું કે તમે ક્યારે જાગશો? તમે ત્યારે જ જાગશો જ્યારે આ માણસ મરી જશે. અને તેના માટે કોણ જવાબદાર હશે? જે થઈ રહ્યું છે તે યોગ્ય નથી. આપણે અવાજ ઉઠાવવો જોઈએ, આપણે આપણી આંખો ખોલવી જોઈએ, પછી ભલે કોઈ બીજું કરે કે ન કરે. જય હિંદ."
</p><h5><b>અભિનેતા ઇમરાન ખાને પણ ઉઠાવ્યા સવાલ
</b></h5><p>આ વિવાદ વચ્ચે, અભિનેતા ઇમરાન ખાને સોશિયલ મીડિયા પર પોતાના ભાવનાત્મક અને મહત્વપૂર્ણ વિચારો વ્યક્ત કર્યા છે, જેમાં વિદ્યાર્થીઓની પીડા વ્યક્ત કરી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં NEET કૌભાંડ અંગે જે કંઈ બન્યું છે અને જે વિવિધ બાબતો સામે આવી છે તે જોવી ખૂબ જ પરેશાન કરે છે. ઇમરાન ખાને સ્પષ્ટતા કરી કે આ કોઈ રાજકીય મુદ્દો નથી, પરંતુ દેશના બાળકોના ભવિષ્ય સાથે સંબંધિત મુદ્દો છે. તેમણે ફક્ત એટલું જ કહ્યું કે જો આપણે અપેક્ષા રાખીએ છીએ કે આપણા વિદ્યાર્થીઓ સંપૂર્ણ પ્રામાણિકતા અને સમર્પણ સાથે પરીક્ષા આપે, તો પરીક્ષાનું સંચાલન કરતી સરકારી એજન્સીઓ પાસેથી સમાન સ્તરની પ્રામાણિકતા અને જવાબદારીની અપેક્ષા કેમ ન રાખવી જોઈએ?
</p><p>આ પણ વાંચો: <a href="https://sandesh.com/india/news/narottam-mishra-warns-officials--i-remember-friendship-and-enmity" target="_blank"><b>'હું ભૂલી જનારો માણસ નથી'. નરોત્તમ મિશ્રાની ખુલ્લેઆમ પોલીસને ચેતવણી</b></a>
</p><p><br></p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p><p>
</p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/R5YMICmTzR8NIZUz26R74r6lK9sL2BTr6JVWPeDn.webp'/></item><item><title><![CDATA[Lionel Messi ગોલ્ડન બૂટની રેસમાં સૌથી આગળ, એમબાપ્પે પાસે હજુ પણ ટોપના સ્થાન પર પહોંચવાની તક ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-golden-boot-race-messi-mbappe</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/fifa-world-cup-2026-golden-boot-race-messi-mbappe</guid><pubDate>Thu, 16 Jul 2026 16:20:11 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ફિફા વર્લ્ડકપ 2026ની બીજી સેમીફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ ઈંગ્લેન્ડને 2-1 થી હરાવીને ટાઈટલ મેચમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. આર્જેન્ટિના હવે ફાઈનલમાં સ્પેન સામે ટકરાશે. બધાની નજર ગોલ્ડન બૂટ વિજેતા પર પણ છે, જેમાં લિયોનેલ મેસ્સી બીજી સેમીફાઈનલ પછી ટોપનું સ્થાન મેળવી લીધું છે.&nbsp;</p><p style="text-align: justify;">મેસ્સીએ ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલમાં એક પણ ગોલ કર્યો ન હતો, પરંતુ તેને આર્જેન્ટિના માટે 2 ગોલમાં મદદ કરી, જેનાથી તે ગોલ્ડન બૂટ જીતવાની રેસમાં ટોપના સ્થાને પાછો આવી ગયો.</p><h2 style="text-align: justify;"><b>મેસ્સીએ અત્યાર સુધીમાં 8 ગોલ કર્યા&nbsp;</b></h2><p style="text-align: justify;">લિયોનેલ મેસ્સીએ પોતાના કરિયરમાં એક પણ વાર ગોલ્ડન બૂટ જીત્યો નથી, અને આ વખતે તેની પાસે એક શાનદાર તક રહેવાની છે. મેસ્સીએ અત્યાર સુધી ફિફા વર્લ્ડકપમાં કુલ 8 ગોલ કર્યા છે, જેમાંથી 4 ગોલમાં તેને આસિસ્ટની ભૂમિકા પણ ભજવી છે. આ લિસ્ટમાં બીજા નંબરે ફ્રાન્સના કાયલિયન એમબાપ્પે છે, જેણે કુલ 8 ગોલ પણ કર્યા છે, પરંતુ તેના નામે ફક્ત 3 આસિસ્ટ છે. ત્રીજા નંબરે નોર્વેના ખેલાડી એર્લિંગ હાલેન્ડનું નામ છે, જેની ટીમની સફર ક્વાર્ટર-ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડ સામેની હાર સાથે સમાપ્ત થઈ.</p><h3 style="text-align: justify;"><b>2026 ફિફા વર્લ્ડકપ માટે ગોલ્ડન બૂટની રેસમાં ખેલાડીઓ</b></h3><p style="text-align: justify;">લિયોનેલ મેસ્સી (આર્જેન્ટિના) - 8 ગોલ, 4 આસિસ્ટ</p><p style="text-align: justify;">કાયલિયન એમબાપ્પે (ફ્રાન્સ) - 8 ગોલ, 3 આસિસ્ટ</p><p style="text-align: justify;">એરલિંગ હાલેન્ડ (નોર્વે) - 7 ગોલ</p><p style="text-align: justify;">જુડ બેલિંગહામ (ઈંગ્લેન્ડ) - 6 ગોલ, 1 આસિસ્ટ</p><p style="text-align: justify;">હેરી કેન (ઈંગ્લેન્ડ) - 6 ગોલ, 1 આસિસ્ટ</p><h4 style="text-align: justify;"><b>એમબાપ્પે પાસે હજુ પણ ટોપ સ્થાને પહોંચવાની તક</b></h4><p style="text-align: justify;">ભલે ફ્રાન્સ 2026 ના ફિફા વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ રહ્યું, પરંતુ હવે તેમની પાસે ત્રીજા સ્થાને રહીને ટુર્નામેન્ટ પૂર્ણ કરવાની શાનદાર તક છે. આનાથી કાયલિયન એમબાપ્પે પાસે મેસ્સીને પાછળ છોડીને ગોલ્ડન બૂટની રેસમાં પ્રથમ સ્થાન મેળવવાની તક બાકી છે. ફ્રાન્સ અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજા સ્થાન માટેની મેચ 19 જુલાઈના રોજ ભારતીય સમય મુજબ સવારે 2:30 વાગ્યે રમાશે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/ishan-kishan-run-out-abhishek-sharma-stump-mic-video" target="_blank">Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/07/16/EWNarws57Dn8jooFWmrzBAw1gRglBgZWwBEB6jjO.webp'/></item></channel></rss>