<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Surat News: સીઆર પાટીલ અને હર્ષ સંઘવીના હસ્તે 98 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ, હીરાબાગ બ્રિજનો રેમ્પ ખુલ્લો મુકાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/surat/smc-98-crore-development-projects-inauguration-cr-patil-harsh-sanghavi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/surat/smc-98-crore-development-projects-inauguration-cr-patil-harsh-sanghavi</guid><pubDate>Sat, 20 Jun 2026 20:53:46 +05:30</pubDate><description><![CDATA[<p>ડાયમન્ડ સિટી અને ટેક્સટાઇલ હબ ગણાતા સુરત શહેરમાં વિકાસની ગતિને વધુ વેગ આપતા કરોડો રૂપિયાના પ્રકલ્પો જનતાને સમર્પિત કરવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ ઝોનમાં 98 કરોડના ખર્ચે સાકારિત થયેલા વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. કતારગામના ડભોલી ખાતે આવેલા ઓડિટોરિયમમાં આયોજિત એક વિશેષ સમારોહમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ્દહસ્તે આ પ્રોજેક્ટ્સ ખુલ્લા મૂકવામાં આવ્યા હતા.</p><h2><b>વાહનચાલકોને મોટી રાહત: હીરાબાગ બ્રિજનો એન્ટ્રી રેમ્પ શરૂ</b></h2><p>સુરત મનપા દ્વારા ખુલ્લા મુકવામાં આવેલા આ પ્રકલ્પોમાં સૌથી મહત્વનો પ્રોજેક્ટ વરાછા રોડ પરનો હિરાબાગ બ્રિજ છે. હિરાબાગ જંકશન ક્રોસ કરી કાપોદ્રા જંકશન પહેલા સુધીના બ્રિજનો એન્ટ્રી રેમ્પ આજથી વાહનચાલકો માટે લોકાર્પિત કરી દેવાયો છે, જેનાથી વરાછા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યામાં મોટી રાહત મળશે. આ ઉપરાંત પૂર્વ સરથાણા ઝોનના પાસોદરા ખાતે સુરત સીટીલિંક લિમિટેડની બસો માટે સુવિધાજનક નવો ડેપો અને આધુનિક વર્કશોપ તૈયાર કરી કાર્યરત કરાયો છે.</p><h2><b>પાણીની સુવિધામાં વધારો અને વેન્ડિંગ માર્કેટનું રિડેવલપમેન્ટ</b></h2><p>સુરતના શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓ મજબૂત કરવાના ભાગરૂપે રાંદેર અને કતારગામ ઝોનમાં કરોડો રૂપિયાના ખર્ચે નવી ભૂગર્ભ અને ઓવરહેડ પાણીની ટાંકીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનાથી હજારો પરિવારોને શુદ્ધ પાણી મળી રહેશે. આ સાથે જ અઠવા ઝોનના અલથાણ-ભટાર ખાતે રૂ. 10.52 કરોડના ખર્ચે હયાત વેન્ડિંગ માર્કેટનું ભવ્ય રિડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે, જે સ્થાનિક વેપારીઓ અને ગ્રાહકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.</p><h2><b>આરોગ્ય અને વહીવટી સેવાઓ વધુ સુદ્રઢ કરાઈ</b></h2><p>સામાન્ય નાગરિકોને ઘરઆંગણે જ સ્વાસ્થ્ય અને વહીવટી સેવાઓ મળી રહે તે માટે વરાછા અને અંજના ખાતે પ્રજાની સુવિધા અર્થે નવા હેલ્થ સેન્ટર તેમજ હાઈટેક વોર્ડ ઓફિસનું નિર્માણ કરવામાં આવ્યું છે. લોકાર્પણ પ્રસંગે મહાનુભાવોએ જણાવ્યું હતું કે, સુરત શહેર જે ઝડપે આગળ વધી રહ્યું છે, તેને આ પ્રકલ્પોથી વધુ ઊર્જા મળશે અને નાગરિકોનું જીવનધોરણ વધુ સુવિધાજનક બનશે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/surat/elderly-couple-seeks-euthanasia-smc-harassment-shops-sealed" target="_blank">Surat News: SMC તંત્રની હેરાનગતિથી કંટાળ્યું વૃદ્ધ દંપતી, માંગી ઇચ્છામૃત્યુની મંજૂરી</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/NtxSK3UuMifroPK7zGdNeqTTrbqpNNDa8lV3cE5b.webp'/></item><item><title><![CDATA[Maharashtra Politics : રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ ઠાકરેની મોટી જાહેરાત, યવતમાલમાં કરશે શક્તિ પ્રદર્શન ]]></title><link>https://sandesh.com/india/news/maharashtra-politics-uddhav-thackeray-yavatmal-visit-show-of-strength</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/maharashtra-politics-uddhav-thackeray-yavatmal-visit-show-of-strength</guid><pubDate>Sat, 20 Jun 2026 20:05:44 +05:30</pubDate><description><![CDATA[<p>મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો વચ્ચે શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે)ના વડા ઉદ્ધવ ઠાકરે 27 જૂને યવતમાલા જિલ્લાના પ્રવાસે રહેશે. આ દરમિયાન તેઓ પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકરો સાથે સીધો સંવાદ કરશે અને સંગઠનની સ્થિતિની સમીક્ષા કરશે.</p><h2><b>યવતમાલાના કાર્યકરો સાથે પ્રથમ વખત ઉદ્ધવ ઠાકરે સીધો સંપર્ક કરશે</b></h2><p>તાજેતરના રાજકીય ફેરફારો અને સાંસદ સંજય દેશમુખના બગાવતી વલણ બાદ આ મુલાકાતને ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે. ઉદ્ધવ ઠાકરેનો આ પ્રવાસ મુખ્યત્વે સ્થાનિક સ્તરે પાર્ટી સંગઠનને વધુ મજબૂત બનાવવાનો અને કાર્યકરોમાં નવો ઉત્સાહ જગાવવાનો છે. પાર્ટીમાં ઉભી થયેલી આંતરિક અસંતોષની સ્થિતિ વચ્ચે યવતમાલાના કાર્યકરો સાથે પ્રથમ વખત ઉદ્ધવ ઠાકરે સીધો સંપર્ક કરશે. તેઓ સંગઠનમાં ઉભી થયેલી ગેરસમજ દૂર કરવા અને જમીની સ્તરે પાર્ટીની હાજરી મજબૂત કરવા પ્રયાસ કરશે.</p><p>આ અગાઉ યવતમાલાના સાંસદ સંજય દેશમુખના બગાવતી વલણને લઈને શિવસેના (UBT) કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી હતી. કાર્યકરોએ તેમના વિરોધમાં રસ્તા પર ઉતરીને પ્રદર્શન કર્યું હતું અને પતળા દહન સહિતના આંદોલન પણ કરવામાં આવ્યા હતા.</p><h3><b>MNS પ્રમુખ રાજ ઠાકરેએ શું કહ્યું?</b></h3><p>આ ઉપરાંત મહારાષ્ટ્રના રાજકારણમાં અન્ય એક નિવેદનમાં MNS પ્રમુખ રાજ ઠાકરેએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે સત્તાની લાલચમાં રાજકીય પક્ષો પોતાના જ પ્રતિનિધિઓને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આત્મસન્માન ગુમાવ્યા પછી માત્ર 'જીવતી લાશો' જ બાકી રહે છે. આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે ઉદ્ધવ ઠાકરેનો યવતમાલા પ્રવાસ પાર્ટી માટે સંગઠનાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/delhi-jantar-mantar-police-action-students-protest-eviction-exam-issues" target="_blank">આ પણ વાંચો : Delhi : જંતર-મંતર પર દિલ્હી પોલીસ એક્શન મોડ પર, વિદ્યાર્થીઓને પ્રદર્શન સ્થળેથી હટાવવાનું કર્યું શરૂ</a></b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/uN4ewvmsAT7TwT27JQxt5O2EEdpGDOqLTWxDSYds.webp'/></item><item><title><![CDATA[Maharashtra : રત્નાગીરીમાં મોટી દુર્ઘટના, 5 પ્રવાસીઓ દરિયામાં ડુબ્યા, શોધખોળ ચાલુ ]]></title><link>https://sandesh.com/india/news/maharashtra-ratnagiri-ganpatipule-5-tourists-drown-search-operation</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/maharashtra-ratnagiri-ganpatipule-5-tourists-drown-search-operation</guid><pubDate>Sat, 20 Jun 2026 19:48:07 +05:30</pubDate><description><![CDATA[<p>મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારના રત્નાગિરી જિલ્લાના પ્રસિદ્ધ પર્યટન સ્થળ ગણપતિપુલેમાં શનિવારે મોટો અકસ્માત સર્જાયો છે. છત્રપતિ સંભાજીનગર જિલ્લાના 5 પર્યટકો દરિયામાં ડૂબી જતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પ્રશાસન, પોલીસ અને બચાવ દળ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા છે.</p><h2><b>11 વાગ્યે દરિયામાં ઉતર્યા હતા</b></h2><p>પ્રાથમિક માહિતી મુજબ, છત્રપતિ સંભાજીનગરથી કુલ 21 લોકોનું એક ગ્રુપ ગણપતિપુલે ફરવા આવ્યું હતું. સવારે લગભગ 11 વાગ્યાની આસપાસ કેટલાક યુવાનો દરિયામાં ઉતર્યા હતા, ત્યારે અચાનક ઊંચી લહેરો અને તેજ પ્રવાહને કારણે 5 પ્રવાસી પાણીમાં ખેંચાઈ ગયા હતા. દરિયાની પરિસ્થિતિનો યોગ્ય અંદાજ ન લગાવી શકવાને કારણે આ દુર્ઘટના બની હોવાનું જણાવાયું છે.</p><h3><b>તમામ પર્યટકો છત્રપતિ સંભાજીનગર જિલ્લાના રહેવાસી</b></h3><p>ઘટનાની માહિતી મળતાં જ લાઈફગાર્ડ, પોલીસ, પ્રશાસન અને સ્થાનિક માછીમારોની મદદથી તરત જ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. હાલ પાંચેય પર્યટકોની શોધખોળ યુદ્ધસ્તરે ચાલી રહી છે, પરંતુ ખરાબ દરિયાઈ પરિસ્થિતિ બચાવ કામગીરીમાં અવરોધ ઉભો કરી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ, લાપતા થયેલા પર્યટકોની ઓળખ આદિત્ય રાઉત, યશ કાંબલે, અનિકેત હિવરાલે, પ્રેમ આદમે અને આનંદ નવરાડે તરીકે થઈ છે. તમામ પર્યટકો છત્રપતિ સંભાજીનગર જિલ્લાના રહેવાસી છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચિંતા અને શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રશાસન દ્વારા પર્યટકોના પરિવારજનોને જાણ કરી દેવામાં આવી છે અને રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલુ છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/delhi-jantar-mantar-police-action-students-protest-eviction-exam-issues" target="_blank">આ પણ વાંચો : Delhi : જંતર-મંતર પર દિલ્હી પોલીસ એક્શન મોડ પર, વિદ્યાર્થીઓને પ્રદર્શન સ્થળેથી હટાવવાનું કર્યું શરૂ</a></b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/PpZCRq15mihjCjdAyZ9VP4yId3DROII0x4qR8VwH.webp'/></item><item><title><![CDATA[AVC મેન્સ વોલીબોલ કપ 2026નો અમદાવાદમાં ભવ્ય પ્રારંભ, 11 દેશની ટીમો વચ્ચે થશે જંગ ]]></title><link>https://sandesh.com/sports/news/gujarat/ahmedabad/avc-mens-volleyball-cup-2026-ahmedabad-tournament</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/gujarat/ahmedabad/avc-mens-volleyball-cup-2026-ahmedabad-tournament</guid><pubDate>Sat, 20 Jun 2026 19:45:08 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં વધુ એક આંતરરાષ્ટ્રીય રમતગમત ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. AVC મેન્સ વોલીબોલ કપ 2026નો આજથી વિધિવત પ્રારંભ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે થયો છે. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ 20 જૂનથી 28 જૂન સુધી યોજાશે, જેમાં એશિયાના 11 દેશની ટીમો ખિતાબ માટે સ્પર્ધા કરશે.</p><h2 style="text-align: justify;"><b>આ ટુર્નામેન્ટમાં 11 દેશની ટીમો ભાગ લઈ રહી છે</b></h2><p style="text-align: justify;">આ ટુર્નામેન્ટમાં ભારત સિવાય બહેરિન, થાઈલેન્ડ, કતાર, ચાઈનીઝ તાઈપેઈ, ઈન્ડોનેશિયા સહિત કુલ 11 દેશની ટીમો ભાગ લઈ રહી છે. તમામ ટીમો વચ્ચે જોરદાર અને રોમાંચક મુકાબલા જોવા મળશે, જેના કારણે રમતપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.</p><p style="text-align: justify;">વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ તૈયાર કરવામાં આવ્યું છે, જ્યાં ખેલાડીઓ માટે જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સ્પર્ધા દરમિયાન સુરક્ષા, ટ્રાન્સપોર્ટ અને રહેવા જેવી વ્યવસ્થાઓને પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.</p><h3 style="text-align: justify;"><b>અમદાવાદ શહેરને વૈશ્વિક રમતગમતના નકશા પર નવી ઓળખ મળવાની આશા</b></h3><p style="text-align: justify;">આ ઈવેન્ટના આયોજનથી અમદાવાદ શહેરને વૈશ્વિક રમતગમતના નકશા પર નવી ઓળખ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. શહેરમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ આયોજિત થવાથી રમતગમતના વિકાસને પણ નવી દિશા મળશે અને સ્થાનિક ખેલાડીઓને પણ પ્રેરણા મળશે.</p><p style="text-align: justify;">આ ટુર્નામેન્ટ દરમિયાન દરરોજ અનેક મેચો રમાશે અને અંતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટીમને ખિતાબ એનાયત કરવામાં આવશે. સમગ્ર એશિયાથી આવેલા ખેલાડીઓ વચ્ચેનો આ મુકાબલો રમતપ્રેમીઓ માટે યાદગાર અનુભવ બનશે તેવી અપેક્ષા છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/entertainment/virat-kohli-photos-with-son-akaay-anushka-sharma" target="_blank">Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/EDZ6ZM4Zq4NGtlcmLCkQ1bjdoCzEZ0YUnnL4away.webp'/></item><item><title><![CDATA[AVC મેન્સ વોલીબોલ કપ 2026નો અમદાવાદમાં ભવ્ય પ્રારંભ, 11 દેશની ટીમો વચ્ચે થશે જંગ ]]></title><link>https://sandesh.com/sports/news/gujarat/ahmedabad/avc-mens-volleyball-cup-2026-ahmedabad-tournament</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/gujarat/ahmedabad/avc-mens-volleyball-cup-2026-ahmedabad-tournament</guid><pubDate>Sat, 20 Jun 2026 19:45:08 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં વધુ એક આંતરરાષ્ટ્રીય રમતગમત ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. AVC મેન્સ વોલીબોલ કપ 2026નો આજથી વિધિવત પ્રારંભ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે થયો છે. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ 20 જૂનથી 28 જૂન સુધી યોજાશે, જેમાં એશિયાના 11 દેશની ટીમો ખિતાબ માટે સ્પર્ધા કરશે.</p><h2 style="text-align: justify;"><b>આ ટુર્નામેન્ટમાં 11 દેશની ટીમો ભાગ લઈ રહી છે</b></h2><p style="text-align: justify;">આ ટુર્નામેન્ટમાં ભારત સિવાય બહેરિન, થાઈલેન્ડ, કતાર, ચાઈનીઝ તાઈપેઈ, ઈન્ડોનેશિયા સહિત કુલ 11 દેશની ટીમો ભાગ લઈ રહી છે. તમામ ટીમો વચ્ચે જોરદાર અને રોમાંચક મુકાબલા જોવા મળશે, જેના કારણે રમતપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.</p><p style="text-align: justify;">વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ તૈયાર કરવામાં આવ્યું છે, જ્યાં ખેલાડીઓ માટે જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સ્પર્ધા દરમિયાન સુરક્ષા, ટ્રાન્સપોર્ટ અને રહેવા જેવી વ્યવસ્થાઓને પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.</p><h3 style="text-align: justify;"><b>અમદાવાદ શહેરને વૈશ્વિક રમતગમતના નકશા પર નવી ઓળખ મળવાની આશા</b></h3><p style="text-align: justify;">આ ઈવેન્ટના આયોજનથી અમદાવાદ શહેરને વૈશ્વિક રમતગમતના નકશા પર નવી ઓળખ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. શહેરમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ આયોજિત થવાથી રમતગમતના વિકાસને પણ નવી દિશા મળશે અને સ્થાનિક ખેલાડીઓને પણ પ્રેરણા મળશે.</p><p style="text-align: justify;">આ ટુર્નામેન્ટ દરમિયાન દરરોજ અનેક મેચો રમાશે અને અંતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટીમને ખિતાબ એનાયત કરવામાં આવશે. સમગ્ર એશિયાથી આવેલા ખેલાડીઓ વચ્ચેનો આ મુકાબલો રમતપ્રેમીઓ માટે યાદગાર અનુભવ બનશે તેવી અપેક્ષા છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/entertainment/virat-kohli-photos-with-son-akaay-anushka-sharma" target="_blank">Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા</a></b></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/EDZ6ZM4Zq4NGtlcmLCkQ1bjdoCzEZ0YUnnL4away.webp'/></item><item><title><![CDATA[Gujarat Police Bharti: LRD પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર, આ તારીખ સુધી કરી શકશે ઓનલાઇન વાંધા અરજી ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-police-lrd-exam-provisional-answer-key-released</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/gujarat-police-lrd-exam-provisional-answer-key-released</guid><pubDate>Sat, 20 Jun 2026 19:36:17 +05:30</pubDate><description><![CDATA[<p>ગુજરાત પોલીસમાં ભરતીમાં લોકરક્ષક દળની પરીક્ષા 14 જૂનના રોજ લેવાઈ હતી. પરીક્ષા આપનારા ઉમેદવારો માટે એક સૌથી મહત્વના અને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક સત્તાવાર પોસ્ટ કરીને LRDની લેખિત પરીક્ષા અંગે ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ જાહેર કરવામાં આવી છે.</p><h2><b>14 જૂને લેવાયેલી પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર</b></h2><p>ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ગત 14 જૂનના રોજ રાજ્યભરમાં યોજાયેલી લોકરક્ષક દળની લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે. પરીક્ષા આપીને પરિણામની રાહ જોઈ રહેલા ઉમેદવારો હવે ઓફિશિયલ વેબસાઈટ પર જઈને આ આન્સર કી ચેક કરી શકે છે, અને પોતાના ગુણનું પ્રાથમિક મૂલ્યાંકન કરી શકે છે.</p><p><img title="Gujarat Police Bharti: LRD Exam Provisional Answer Key Released Official Update" src="https://epapercdn.sandesh.com/images/2026/06/20/E0KVioFpYb1FH3mHOlqiOojlQpE4RFMlC0zmHNKM.webp" style="width: 100%;"><br></p><h2><b>આન્સર કી સામે વાંધા રજૂ કરવા માટે ઓનલાઇન સુવિધા</b></h2><p>પોલીસ ભરતી બોર્ડે જણાવ્યું છે કે, જો કોઈ ઉમેદવારને આ પ્રોવિઝનલ આન્સર કીના કોઈ પ્રશ્ન અથવા જવાબ સામે કોઈ પણ પ્રકારનો વાંધો કે વિરોધ હોય, તો તેઓ તેના પુરાવા સાથે પોતાની રજૂઆત કરી શકે છે. આ માટે ઉમેદવારોએ ક્યાંય રૂબરૂ જવાની જરૂર નથી. પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર જ ઓનલાઈન પોર્ટલના માધ્યમથી વાંધા અરજી સબમિટ કરવાની વિશેષ સુવિધા પૂરી પાડવામાં આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/GPRB_GNR/status/2068257633572991074"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a><br></p><h2><b>24 જૂન સુધીમાં વાંધા નોંધાવવા આખરી તક</b></h2><p>ઉમેદવારોએ ખાસ નોંધ લેવી પડશે કે, આન્સર કી સામે ઓનલાઈન વાંધા અરજી સબમિટ કરવા માટે બોર્ડ દ્વારા એક ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. ઉમેદવારો આગામી 24 જૂન સુધીમાં જ પોતાના ઓનલાઈન વાંધા નોંધાવી શકશે. 24 જૂન પછી મળેલી કોઈ પણ અરજી કે રજૂઆતને બોર્ડ દ્વારા ધ્યાને લેવામાં આવશે નહીં. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બોર્ડ દ્વારા આખરી એટલે કે ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવશે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/gujarat-lokrakshak-lrd-written-recruitment-exam-today-for-over-twelve-thousand-posts-two-lakh-candidates" target="_blank">Ahmedabad: રાજ્યભરમાં LRD ભરતીની લેખિત પરીક્ષા, 12,933 જગ્યાઓ માટે ઉમેદવારો આપશે કસોટી</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/xNgJpekPFlE7YcQ95PlEsF3QoaUXRSyIrlmCiV42.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: ઓગણજમાંથી MD ડ્રગ્સ અને ગાંજા સાથે મહિલા સહિત બે પેડલરોને ઝડપાયા ]]></title><link>https://sandesh.com/crime/news/ahmedabad/sola-high-court-police-md-drugs-ganja-seized-oganaj</link><guid isPermaLink="true">https://sandesh.com/crime/news/ahmedabad/sola-high-court-police-md-drugs-ganja-seized-oganaj</guid><pubDate>Sat, 20 Jun 2026 19:00:18 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરમાં નશાના કારોબાર સામે પોલીસે લાલ આંખ કરી છે. સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનની ટીમે એક ચોક્કસ બાતમીના આધારે ઓગણજ ગામમાં રેડ કરીને એમડી ડ્રગ્સ અને ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓમાં એક મહિલા પેડલરનો પણ સમાવેશ થાય છે. પોલીસે બંને વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.</p><h2><b>એમડી ડ્રગ્સ, ગાંજો અને રોકડ સહિત 1.29 લાખનો મુદ્દામાલ જપ્ત</b></h2><p>પોલીસ રેડ દરમિયાન આરોપીઓ પાસેથી ગેરકાયદે નશીલો પદાર્થ મળી આવ્યો હતો. જેમાં પોલીસે 23.10 ગ્રામ એમડી ડ્રગ્સ અને 194.87 ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે. આ ઉપરાંત, આરોપીઓ પાસેથી ડ્રગ્સના વેચાણના વ્યવહારો માટે વપરાતા મોબાઇલ ફોન, રોકડ રકમ તેમજ હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતા વાહનો પણ કબજે લેવાયા છે. પોલીસે ડ્રગ્સ, ગાંજો અને અન્ય સાહિત્ય મળીને કુલ રૂપિયા 1.29 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.</p><h2><b>ડ્રગ્સ સપ્લાય ચેઇન નેટવર્ક તોડી પાડવા પોલીસની તપાસ તેજ</b></h2><p>સોલા હાઇકોર્ટ પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરીને તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં આ ડ્રગ્સ અને ગાંજાનો જથ્થો તેઓ ક્યાંથી લાવ્યા હતા અને અમદાવાદમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં તપાસ લંબાવવામાં આવી છે. આ નશાના નેટવર્કમાં અન્ય કયા શખ્સો સંડોવાયેલા છે, તેની સપ્લાય ચેઇન સુધી પહોંચવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને વધુ તપાસ હાથ ધરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/moraiya-village-sarpanch-husband-son-attacked" target="_blank">Ahmedabad News: મોરૈયા ગામના સરપંચના પતિ અને પુત્ર પર 5થી વધુ શખ્સોનો સશસ્ત્ર હુમલો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/42LPKVvLjLALUthMq2TMVYF5aOegEbRgqX7IcHsb.webp'/></item><item><title><![CDATA[Gandhinagar News: CID ક્રાઈમ DGPની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક, આર્થિક ગુનાઓની તપાસમાં ડિજિટલ ફોરેન્સિકના ઉપયોગ પર અપાયો ભાર ]]></title><link>https://sandesh.com/gujarat/news/gandhinagar/cid-crime-dgp-dr-kln-rao-review-meeting</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/gandhinagar/cid-crime-dgp-dr-kln-rao-review-meeting</guid><pubDate>Sat, 20 Jun 2026 18:51:51 +05:30</pubDate><description><![CDATA[<p>ગાંધીનગર સ્થિત CID ક્રાઈમ કચેરી ખાતે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. સીઆઈડી ક્રાઈમ કચેરીના DGP ડૉ. કે. એલ. એન. રાવે આર્થિક ગુના નિવારણ શાખાની ખાસ મુલાકાત લીધી હતી અને અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ મુલાકાત દરમિયાન ડૉ. રાવ દ્વારા આર્થિક ગુના નિવારણ શાખામાં તપાસ હેઠળ રહેલા વિવિધ મહત્વના અને અતિ સંવેદનશીલ ગુનાઓની ઝીણવટભરી અને વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.</p><h2><b>જટિલ નાણાકીય વ્યવહારો અને પુરાવાઓની થઈ ચકાસણી</b></h2><p>બેઠક દરમિયાન ડીજીપીએ વિવિધ હાઈ-પ્રોફાઈલ કેસોની તપાસમાં અત્યાર સુધી થયેલી પ્રગતિની વિગતો મેળવી હતી. તેમણે કેસોમાં એકત્રિત કરવામાં આવેલા પુરાવાઓનું સંકલન, જટિલ નાણાકીય વ્યવહારોના વિશ્લેષણ તેમજ આરોપીઓ વિરૂદ્ધ હાથ ધરવામાં આવેલી કાયદાકીય કાર્યવાહીની સઘન સમીક્ષા કરી હતી. કેસોની તપાસ પ્રક્રિયાને વધુ સુદ્રઢ અને સચોટ બનાવવાના ઉદ્દેશ્ય સાથે ડૉ. કે. એલ. એન. રાવે ઉપસ્થિત અધિકારીઓને મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.</p><h2><b>વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવા અને સમયમર્યાદા જાળવવા તાકીદ</b></h2><p>DGP ડૉ. રાવે અધિકારીઓને કડક સૂચના આપતા જણાવ્યું હતું કે, ગુનેગારો સામે અદાલતમાં ઝડપી અને અસરકારક કાયદાકીય કાર્યવાહી સુનિશ્ચિત કરવા તમામ કેસોની તપાસ વૈજ્ઞાનિક અને મજબૂત પુરાવા આધારિત પદ્ધતિથી થવી જોઈએ. તેમણે તમામ તપાસ અધિકારીઓને દરેક કેસની તપાસ સંપૂર્ણ નિષ્પક્ષતા અને પારદર્શિતા સાથે નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા તેમજ ગુનાની ગંભીરતાને અનુરૂપ જરૂરી ઝડપી કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. આ ઉપરાંત તેમણે ભોગ બનનાર પીડિતોને ઝડપી ન્યાય મળે તે માટે થઈ રહેલા પ્રયાસોની પણ સમીક્ષા કરી હતી.</p><h2><b>ડિજિટલ ફોરેન્સિક ટેકનોલોજી અને બેંકો સાથે સંકલન પર ભાર</b></h2><p>વર્તમાન સમયમાં આર્થિક ગુનાઓના બદલાતા સ્વરૂપ અને ડિજિટલ માધ્યમોના વધતા દુરૂપયોગ અંગે ચિંતા વ્યક્ત કરતા ડૉ. રાવે તપાસમાં આધુનિક ટેકનોલોજી અને ડિજિટલ ફોરેન્સિક સાધનોના મહત્તમ ઉપયોગ પર વિશેષ ભાર મૂક્યો હતો. સાયબર અને ડિજિટલ ફ્રોડના યુગમાં વૈજ્ઞાનિક પુરાવાઓ ખૂબ મહત્વના સાબિત થતા હોય છે. આ ઉપરાંત, આર્થિક છેતરપિંડીના કેસોમાં ઝડપી ઉકેલ લાવવા માટે વિવિધ નાણાકીય સંસ્થાઓ અને બેંકો સાથેના સંકલનને વધુ અસરકારક અને સક્રિય બનાવવા માટે પણ તેમણે જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/gandhinagar/gandhinagar-gujarat-bayad-land-scam-yuvrajsinh-jadeja-exposes-dead-farmer-alive-news" target="_blank">Gandhinagar : ગુજરાતમાં ભૂમાફિયાઓનો 'અલૌકિક ચમત્કાર', 53 વર્ષ પહેલાં ગુજરી ગયેલા ખેડૂતને 2025માં જીવતા કરી કરોડોની 9 વીઘા જમીન હડપી લીધી</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/9RLn0i1GQtbFvexOY30dp67Db6LW1vgZNaRHyJqH.webp'/></item><item><title><![CDATA[Aamir Khan : મોટા પડદા પર જોવા મળશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની કહાની, આમિર ખાન બનાવી રહ્યા છે ડોક્યુમેન્ટ્રી ]]></title><link>https://sandesh.com/entertainment/news/aamir-khan-to-produce-biographical-documentary-on-president-droupadi-murmu</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/aamir-khan-to-produce-biographical-documentary-on-president-droupadi-murmu</guid><pubDate>Sat, 20 Jun 2026 17:33:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આમિર ખાન પ્રોડક્શન્સના બેનર હેઠળ બની રહેલી બંટવારા 1947 ટૂંક સમયમાં જ થિએટરોમાં દસ્તક દેવાની છે, જેનું તાજેતરમાં જ ટીઝર સામે આવ્યું છે. આ દરમિયાન આમિર ખાન એક વધુ મોટો પ્રોજેક્ટ લઈને આવી રહ્યા છે, પરંતુ આ એક્શન કે પાર્ટિશન પર બની રહેલી કોઈ ફિલ્મ નથી, પણ એક ડોક્યુમેન્ટ્રી હોવાની છે. અહેવાલ છે કે આમિર ખાનનું પ્રોડક્શન હાઉસ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પર ડોક્યુમેન્ટ્રી બનાવી રહ્યું છે એટલે કે દ્રૌપદી મુર્મૂની શાનદાર સફરને મોટા પડદા પર ઉતારવામાં આવશે.</p><h2 style="text-align: justify; "><b>રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના જીવન પર બનાવશે ડોક્યુમેન્ટ્રી</b></h2><p style="text-align: justify; ">બંટવારા 1947ની વચ્ચે આમિર ખાને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની જિંદગી પર એક ડોક્યુમેન્ટ્રી બનાવવાનો નિર્ણય લીધો છે. આ ફિલ્મના ડિરેક્શનની કમાન સ્વાતિ ચક્રવર્તી ભટકલા સંભાળશે, જેઓ રૂબરૂ રોશની જેવી ડોક્યુમેન્ટ્રી બનાવી ચૂક્યા છે. અહેવાલ છે કે આ ડોક્યુમેન્ટ્રીનું શૂટિંગ પહેલાથી જ શરૂ થઈ ચૂક્યું છે.</p><h3 style="text-align: justify; "><b>આમિર ખાનના પ્રોજેક્ટની ચર્ચા</b></h3><p style="text-align: justify; ">વેરાયટી ઇન્ડિયાના એક અહેવાલ મુજબ, આમિર ખાન પ્રોડક્શન્સ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના જીવન અને સફર પર બેઝ્ડ એક ડોક્યુમેન્ટ્રી પર કામ કરી રહ્યું છે. આ પ્રોજેક્ટને ફિલ્મમેકર અને રાઇટર સ્વાતિ ચક્રવર્તી ભતકાલ ડિરેક્ટ કરશે. આ ડોક્યુમેન્ટ્રી એ શાનદાર સફરને બતાવશે જેમાં મુર્મૂ ઓડિશાના એક નાના ગામથી ભારતના રાષ્ટ્રપતિ બન્યા. જણાવવામાં આવી રહ્યું છે કે આ ડોક્યુમેન્ટ્રી દ્રૌપદી મુર્મૂની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફના મહત્વના પડાવોને બતાવશે. જો કે, હજી મેકર્સ તરફથી કન્ફર્મેશન બાકી છે અને જો સમાચાર કન્ફર્મ થઈ જાય છે, તો આ આમિર ખાન પ્રોડક્શન્સની એક વધુ સાચી જિંદગી પર આધારિત સ્ટોરી હશે.</p><h4 style="text-align: justify; "><b>શરૂ થઈ ગયું શૂટિંગ</b></h4><p style="text-align: justify; ">અહેવાલોનું માનીએ તો આ ડોક્યુમેન્ટ્રીના કેટલાક ભાગ પહેલાથી જ ઓડિશામાં મુર્મૂના પૈતૃક ગામમાં શૂટ કરવામાં આવી ચૂક્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે મેકર્સે તેમના શરૂઆતી જીવનની મહત્વની ક્ષણોને ફરીથી તૈયાર કરી છે અને તેમની સફરના અલગ-અલગ પડાવોને બતાવવા માટે લોકલ કલાકારોને કાસ્ટ કર્યા છે. આ ડોક્યુમેન્ટ્રી દ્વારા આમિર ખાન પ્રોડક્શન્સ અને સ્વાતિ ચક્રવર્તી ભતકાલ એકવાર ફરી સાથે કામ કરશે. સ્વાતિએ આ પહેલા રૂબરૂ રોશનીને ડિરેક્ટ કરી હતી, જે 2019 માં આવેલી એક ડોક્યુમેન્ટ્રી એન્થોલોજી હતી અને જેને આમિર ખાન અને કિરણ રાવે પ્રોડ્યુસ કરી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/tmkoc-bagha-tanmay-vekaria-shares-real-life-financial-struggle-story" target="_blank">આ પણ વાંચો-Tanmay Vekaria : એક સમયે ખિસ્સામાં હતા ફક્ત 700 રૂપિયા, આજે લોકપ્રિયતાના શિખરે છે TMKOCના બાઘા!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/MUfmnKIuwI9umMX1WfyOSNjgmzILMrwiK7kSkn0V.webp'/></item><item><title><![CDATA[Bharat Forge Share: સરકારનો મળ્યો 425 કરોડનો ઓર્ડર અને...રોકાણકારો માલામાલ ]]></title><link>https://sandesh.com/business/news/bharat-forge-share-government-gets-order-of-rs-425-crore-andinvestors-are-rich</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/bharat-forge-share-government-gets-order-of-rs-425-crore-andinvestors-are-rich</guid><pubDate>Sat, 20 Jun 2026 12:57:07 +05:30</pubDate><description><![CDATA[<p>શેરબજારમાં સતત વધઘટ જોવા મળી રહી છે. ગત અઠવાડિયે તો શેરબજારમાં ઘટાડાનો દોર હતો. પરંતુ આ ઘટાડા વચ્ચે ઘણી કંપનીઓના શેરએ સારુ પ્રદર્શન કર્યુ હતું. જો કે આગામી દિવસોમાં પણ આવો ટ્રેન્ડ જોવા મળી શકે છે. ત્યારે આવો જાણીએ કઇ કંપનીઓના શેર માર્કેટમાં મંદીના માહોલમાં પણ ટોપ પર હતા.&nbsp;</p><h2><b>Bharat Forge નો શેર ટોચ પર&nbsp;</b></h2><p>જે કંપનીનો શેર ટોચ પર હતો તે છે Bharat Forge. જો કે આગામી દિવસોમાં પણ તેના શેર ટોપ પર રહે તેવી શક્યતા છે.&nbsp; સરકાર દ્વારા કંપનીને આપવામાં આવેલા ₹425 કરોડના નોંધપાત્ર ઓર્ડરને કારણે સંરક્ષણ ક્ષેત્રની અગ્રણી કંપની Bharat Forgeના શેર ફોકસમાં રહેવાની તૈયારીમાં છે.</p><h3><b>રોકાણકારો માટે મલ્ટીબેગર સ્ટોક બન્યો Bharat Forge</b></h3><p>Bharat Forge તેના રોકાણકારો માટે મલ્ટીબેગર સ્ટોક તરીકે ઉભરી આવ્યો છે. વળતરની દ્રષ્ટિએ તેણે લાંબા ગાળે રોકાણકારો માટે નોંધપાત્ર સંપત્તિ ઉત્પન્ન કરી છે.  9 એપ્રિલ, 2020 ના રોજ આ  શેરનો ભાવ ₹245 હતો. જે હવે 12 જૂન  શુક્રવારના રોજ  ₹2,036 પર બંધ થયો હતો. એટલે કહી શકાય કે રોકાણકારોને તો તગડી કમાણી કરાવી દીધી.  2020થી 2026 સુધીમાં રોકાણકારોએ  729% નું પ્રભાવશાળી વળતર મેળવ્યું .Bharat Forgeમાં જે  રોકાણ કર્યુ હતું તેના કરતા આઠ ગણાથી વધુનો વધારો થયો છે.</p><p><b style="font-size: 1.5rem;">રોકાણકારોને કેટલું આપ્યું વળતર ?&nbsp;</b></p><p>આ ડિફેન્સ  સ્ટોકનું બજાર મૂડીકરણ ₹97,340 કરોડ છે. તેનો 52 અઠવાડિયાનો ઉચ્ચતમ ભાવ ₹2,059.50 છે, જ્યારે 52 અઠવાડિયાનો નીચો ભાવ ₹1,100.50 છે. છેલ્લા છ મહિનામાં આ શેર નોંધપાત્ર રીતે સારો દેખાવ કરી રહ્યો છે. જે રોકાણકારોને 40% વળતર આપે છે.  છેલ્લા પાંચ વર્ષના વળતરની વાત કરીએ તો તે 180% છે.</p><p><br></p><h4><b>ભારત ફોર્જ કેમ ફોકસમાં છે?</b></h4><p>Bharat Forgeના શેર આગામી સપ્તાહે પણ ચર્ચામાં રહેવાની ધારણા છે. પીટીઆઈના અહેવાલ મુજબ કંપનીએ ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જાહેરાત કરી હતી કે તેણે ભારતીય નૌકાદળ માટે સંરક્ષણ મંત્રાલય પાસેથી એક મોટો કરાર મેળવ્યો છે.</p><p><b style="font-size: 1.5rem;">Bharat Forgeમેળવ્યો ડિફેન્સ સેક્ટર પાસેથી ઓર્ડર&nbsp;</b></p><p>મળતી માહિતી મુજબ આ ઓર્ડર ગેસ ટર્બાઇન જનરેટરના પુરવઠા માટે છે જે ફાઇલિંગ મુજબ ₹425 કરોડ મૂલ્યનો છે. Bharat Forgeને કરારને અમલમાં મૂકવા માટે પાંચ વર્ષનો સમયમર્યાદા આપવામાં આવી છે. આ કરાર હેઠળ, કંપની 1.25 મેગાવોટની ક્ષમતાવાળા ગેસ ટર્બાઇન જનરેટરનું ઉત્પાદન કરશે.&nbsp;</p><p>શુક્રવારે સંરક્ષણ મંત્રાલયે નવી દિલ્હીમાં પુણે સ્થિત Bharat Forge લિમિટેડ સાથે ભારતીય નૌકાદળ માટે બાર 1.25 મેગાવોટ મરીન ગેસ ટર્બાઇન જનરેટર સેટ ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા. આ દરમિયાન સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ હાજર રહ્યા હતા, આ જનરેટરમાં ઓછામાં ઓછી 60% 'મેડ ઇન ઇન્ડિયા' સામગ્રીનો ઉપયોગ કરવામાં આવશે.</p><p><br></p><p><a href="https://sandesh.com/gallery/news/india/why-are-potatoes-and-chickpeas-the-filling-in-panipuri?2" target="_blank">આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/20/8gAOmPtUhuQp6cQgCRCresDqJT7KUFfJ9t7F1ztY.webp'/></item></channel></rss>