<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Passport નાગરિકતાનો પુરાવો નથી, તે માત્ર ટ્રાવેલ ડોક્યુમેન્ટ: વિદેશ મંત્રાલય ]]></title><link>https://sandesh.com/india/news/passport-is-travel-document-not-proof-of-citizenship-mea-statement</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/passport-is-travel-document-not-proof-of-citizenship-mea-statement</guid><pubDate>Wed, 24 Jun 2026 18:30:24 +05:30</pubDate><description><![CDATA[<p>જો તમે પાસપોર્ટને ભારતીય નાગરિકતાનો અંતિમ પુરાવો માનો છો તો વિદેશ મંત્રાલયનું તાજેતરનું નિવેદન તમારા માટે મહત્વપૂર્ણ છે. મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે પાસપોર્ટ મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય મુસાફરી માટેનું દસ્તાવેજ છે, નાગરિકતાનો પુરાવો નહીં.</p><h2><b>પાસપોર્ટ મેળવવામાં 6 કાર્યકારી દિવસનો સમય લાગે છે</b></h2><p>અધિકારીના જણાવ્યા અનુસાર વર્ષ 2025 દરમિયાન 1.5 કરોડથી વધુ પાસપોર્ટ અને સંબંધિત સેવાઓ પૂરી પાડવામાં આવી હતી, જેમાંથી 1.39 કરોડ માત્ર પાસપોર્ટ હતા. પોલીસ વેરિફિકેશન સિવાય સામાન્ય રીતે પાસપોર્ટ મેળવવામાં 6 કાર્યકારી દિવસનો સમય લાગે છે, જ્યારે પાસપોર્ટ સેવા કેન્દ્ર (PSK) અને પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર (POPSK) પરની પ્રક્રિયા 45 મિનિટથી પણ ઓછી સમયમાં પૂર્ણ થઈ શકે છે. દેશભરમાં હાલમાં 545 પાસપોર્ટ કેન્દ્રો કાર્યરત છે, જ્યારે 10 વર્ષ પહેલાં તેમની સંખ્યા માત્ર 77 હતી. સરકારે ગયા વર્ષે 10 નવા POPSK શરૂ કર્યા હતા અને આ વર્ષે વધુ 10 કેન્દ્રો શરૂ કરવાની યોજના છે.</p><h3><b>ભારતીય નાગરિકતા અંગે શું કહે છે કાયદો?</b></h3><p>વિદેશ મંત્રાલયે જણાવ્યું કે 1 જુલાઈ, 1987 પછી ભારતમાં જન્મેલા વ્યક્તિ માટે માત્ર જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ અથવા આધાર કાર્ડ નાગરિકતાનો પૂરતો પુરાવો નથી. કાયદા મુજબ આવા વ્યક્તિને ભારતીય નાગરિકતા મેળવવા માટે તેના માતા-પિતામાંથી ઓછામાં ઓછા એક ભારતીય નાગરિક હોવા જરૂરી છે.</p><h4><b>બોમ્બે હાઈકોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય</b></h4><p>વર્ષ 2013માં બોમ્બે હાઈકોર્ટે એક કેસમાં ચાર લોકોને રાહત આપવાનો ઈનકાર કર્યો હતો. અરજદારોએ પાસપોર્ટ, આધાર કાર્ડ અને જન્મ પ્રમાણપત્ર રજૂ કર્યા હોવા છતાં કોર્ટએ જણાવ્યું હતું કે ભારતીય નાગરિકતા સાબિત કરવા માટે માતા-પિતાની નાગરિકતાના પુરાવા જરૂરી છે. કાયદા અનુસાર 26 જાન્યુઆરી, 1950થી 1 જુલાઈ, 1987 પહેલાં ભારતમાં જન્મેલા લોકો જન્મથી ભારતીય નાગરિક ગણાય છે. જોકે 1 જુલાઈ, 1987 પછી જન્મેલા લોકો માટે માતા-પિતામાંથી ઓછામાં ઓછા એક ભારતીય નાગરિક હોવું આવશ્યક છે. આ કારણે પાસપોર્ટ હોવો અને ભારતીય નાગરિક હોવું બંને બાબતો કાયદાકીય રીતે હંમેશા સમાન માનવામાં આવતી નથી.</p><p><b><a href="https://sandesh.com/india/news/business/kerala-vizhinjam-international-seaport-welcomes-1000th-commercial-vessel" target="_blank">આ પણ વાંચો : Keral : વિઝિન્ઝમ ઈન્ટરનેશનલ સીપોર્ટની ઐતિહાસિક સિદ્ધિ, 1000મા કોમર્શિયલ જહાજનું કર્યું સ્વાગત</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/EhBB1sGCo5r6Ss7vv2k6RhTEtdPvZLOfBBk3gBes.webp'/></item><item><title><![CDATA[Surendranagar News: ધ્રાંગધ્રાની નર્મદા કેનાલમાં પગ લપસી જતાં યુવક ડૂબ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/surendranagar/dhrangadhra-rajgadh-narmada-canal-hitesh-thora-drowned-death</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/surendranagar/dhrangadhra-rajgadh-narmada-canal-hitesh-thora-drowned-death</guid><pubDate>Wed, 24 Jun 2026 18:28:24 +05:30</pubDate><description><![CDATA[<p>સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાંથી વધુ એક કરૂણ ઘટના સામે આવી છે. ધ્રાંગધ્રાના રાજગઢ ગામ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં એક યુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. આ અકસ્માતને પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતક યુવકના પરિવારમાં ભારે માતમ છવાયો છે.</p><h2><b>પગ લપસી જતાં 25 વર્ષનો યુવકનો ઊંડા પાણીમાં ગરકાવ</b></h2><p>પ્રાપ્ત વિગતો અનુસાર, રાજગઢ ગામમાં રહેતો 25 વર્ષીય આશાસ્પદ યુવક હિતેશભાઈ રાયસીંગભાઈ થોરા કેનાલ નજીકથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન અગમ્ય કારણોસર અચાનક તેનો પગ લપસી ગયો હતો. પગ લપસી જવાના કારણે હિતેશ સીધો કેનાલના ઊંડા અને વેગવંતા પાણીમાં ખાબક્યો હતો. પાણીનો પ્રવાહ તેજ હોવાના લીધે તે પોતાની જાતને બચાવી શક્યો ન હતો અને જોતજોતામાં પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.</p><h2><b>તરવૈયાઓ અને ફાયરની ટીમે મૃતદેહ બહાર કાઢ્યો</b></h2><p>ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો કેનાલ કાંઠે એકઠા થઈ ગયા હતા અને સ્થાનિક વહીવટી તંત્ર તેમજ ફાયર બ્રિગેડની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી ફાયર ફાઇટર્સની ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ કેનાલના પાણીમાં ભારે શોધખોળ આદરી હતી. કલાકોની જહેમત બાદ યુવકનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. સ્થાનિક પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળીને તેને પોસ્ટ મોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/surendranagar/thangadh-illegal-mining-raid-morthala-mamlatdar-action" target="_blank">Surendranagar News: ખનન માફિયાઓ પર તવાઈ, થાનગઢના મોરથળામાં રૂ. 25 લાખનો મુદ્દામાલ જપ્ત</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/04ik9YgDaqXjUyRmS69wD84cEDKcL5vkgpz05XYR.webp'/></item><item><title><![CDATA[Cloud Kitchen:5 લાખના રોકાણ સામે 1 કરોડના રેસ્ટોરન્ટ ફેઈલ! જાણો દેશમાં કેવી રીતે વધી રહ્યું છે 'ક્લાઉડ કિચન'નું માયાજાળ ]]></title><link>https://sandesh.com/business/news/cloud-kitchen-restaurant-worth-rs-1-crore-fails-against-rs-5-lakh-investment-know-how-the-cloud-kitchen-craze-is-growing-in-the-country</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/cloud-kitchen-restaurant-worth-rs-1-crore-fails-against-rs-5-lakh-investment-know-how-the-cloud-kitchen-craze-is-growing-in-the-country</guid><pubDate>Wed, 24 Jun 2026 18:08:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતમાં ફૂડ બિઝનેસનું ગણિત અને લોકોની ખાવા-પીવાની આદતો ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે. એક સમય હતો જ્યારે શહેરના મુખ્ય બજારોમાં મોંઘા લોકેશન પર મોટું રેસ્ટોરન્ટ ખોલવું એ ફૂડ બિઝનેસની સફળતાની ગેરંટી ગણાતું હતું. પરંતુ આજે આ ટ્રેન્ડ બદલાયો છે. દેશમાં હવે પરંપરાગત ડાઈન-ઈન રેસ્ટોરન્ટ્સનો ગ્રોથ વાર્ષિક માત્ર 5 થી 7 ટકાની ઝડપે થઈ રહ્યો છે, જ્યારે તેની સામે 'ક્લાઉડ કિચન' (Cloud Kitchen) 25 થી 30 ટકાની તોફાની ઝડપે વિસ્તરી રહ્યા છે. ભારતીય ફૂડ ટેક માર્કેટમાં ક્લાઉડ કિચનનો હિસ્સો હવે 35 ટકાથી વધુ થઈ ગયો છે.</p><h2 style="text-align: justify; "><b>શું છે આ ક્લાઉડ કિચન મોડેલ?</b></h2><p style="text-align: justify; ">ક્લાઉડ કિચનને 'ડાર્ક કિચન' પણ કહેવામાં આવે છે. આ એવા રેસ્ટોરન્ટ્સ છે જ્યાં ગ્રાહકોને બેસીને જમવા માટે કોઈ ટેબલ, ખુરશી, વેટર કે મોંઘા ઈન્ટિરિયરની વ્યવસ્થા નથી હોતી. અહીં માત્ર ઓર્ડર મુજબ ઓનલાઈન ખાવાનું તૈયાર કરવામાં આવે છે અને તેને ઝોમેટો (Zomato) કે સ્વિગી (Swiggy) જેવા ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ્સ દ્વારા ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે છે. જ્યાં એક મોટું રેસ્ટોરન્ટ શરૂ કરવા માટે ₹20 લાખથી લઈને ₹1 કરોડ સુધીનો જંગી ખર્ચ થાય છે, ત્યાં ક્લાઉડ કિચન માત્ર ₹2 થી ₹5 લાખના નાના રોકાણથી શરૂ કરી શકાય છે.</p><h3 style="text-align: justify; "><b>લોકોના બજેટ અને આદતોમાં મોટો ફેરફાર</b></h3><p style="text-align: justify; ">રિપોર્ટ્સ અનુસાર, ભારતીય પરિવારોમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવાનું ચલણ ઝડપથી વધ્યું છે. વર્ષ 2021-22માં સરેરાશ શહેરી પરિવાર મહિનામાં માત્ર 1 કે 2 વાર ઓનલાઈન ખાવાનું મગાવતો હતો, જે હવે વધીને દર મહિને 5 થી 8 વખત થઈ ગયું છે. મેટ્રો સિટીઝમાં તો વર્કિંગ કપલ્સ મહિનામાં 12 થી 15 વાર ઓનલાઈન ઓર્ડર કરે છે અને દર મહિને ₹10,000 થી ₹15,000 માત્ર ફૂડ ડિલિવરી પાછળ ખર્ચે છે. પહેલાં લોકો પોતાની કમાણીના 3 થી 5 ટકા બહારના ખાવા પાછળ ખર્ચતા હતા, જે આંકડો હવે વધીને 12 થી 15 ટકા પર પહોંચી ગયો છે.</p><h4 style="text-align: justify; "><b>કમિશન વધુ છતાં વોલ્યુમનો મોટો ખેલ</b></h4><p style="text-align: justify; ">ઝોમેટો અને સ્વિગી જેવા પ્લેટફોર્મ દરેક ઓર્ડર પર 22 થી 30 ટકા સુધીનું મોટું કમિશન લે છે. આ ઉપરાંત એપ પર ઉપર દેખાવા માટે ક્લાઉડ કિચને 5 થી 8 ટકા જાહેરાતનો ખર્ચ પણ કરવો પડે છે. સામાન્ય રીતે ડાઈન-ઈન રેસ્ટોરન્ટમાં પ્રોફિટ માર્જિન વધુ હોય છે, પણ તેમની પાસે બેઠક વ્યવસ્થા મર્યાદિત હોય છે. બીજી તરફ, ક્લાઉડ કિચન એક નાની જગ્યાએથી પણ દિવસના 500 થી 1000 ઓર્ડર સરળતાથી પૂરા કરી શકે છે. ઓછા માર્જિન હોવા છતાં આટલા મોટા વોલ્યુમને કારણે ક્લાઉડ કિચનનો કુલ નફો પરંપરાગત રેસ્ટોરન્ટ કરતા વધી જાય છે. વધતા ભાડા અને સ્ટાફના ખર્ચથી પરેશાન ફૂડ ઈન્ડસ્ટ્રી માટે આ નવું મોડેલ ગેમ ચેન્જર સાબિત થઈ રહ્યું છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/lifestyle/news/skin-care-neem-is-a-boon-for-the-skin-it-will-provide-permanent-relief-from-these-5-major-problems-from-pimples-to-pigmentation" target="_blank">આ પણ વાંચો:Skin Care: ત્વચા માટે વરદાન છે લીમડો: પિમ્પલ્સથી લઈને પિગ્મેન્ટેશન સહિતની આ 5 મોટી સમસ્યાઓથી અપાવશે કાયમી છુટકારો!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/AP4viIg2DyCqsompA1hJ6CVJBkTlRwPngpZ9VxYO.webp'/></item><item><title><![CDATA[Keral : વિઝિન્ઝમ ઈન્ટરનેશનલ સીપોર્ટની ઐતિહાસિક સિદ્ધિ, 1000મા કોમર્શિયલ જહાજનું કર્યું સ્વાગત ]]></title><link>https://sandesh.com/india/news/business/kerala-vizhinjam-international-seaport-welcomes-1000th-commercial-vessel</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/business/kerala-vizhinjam-international-seaport-welcomes-1000th-commercial-vessel</guid><pubDate>Wed, 24 Jun 2026 17:54:38 +05:30</pubDate><description><![CDATA[<p>કેરળ સ્થિત વિઝિન્ઝમ ઈન્ટરનેશનલ સીપોર્ટે દરિયાઈ વેપાર ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. બુધવારે બંદરે તેના 1000મા કોમર્શિયલ જહાજનું સ્વાગત કર્યું હતું. MSC Luciana નામનું મધરશિપ સાંજે લગભગ 4:30 વાગ્યે બંદરે પહોંચ્યું, જે આ ઐતિહાસિક સિદ્ધિનું પ્રતિક બન્યું.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2069751911109255217"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>1000 કોમર્શિયલ જહાજોની અવરજવરનો આંકડો પાર</b></h2><p>આ સિદ્ધિ સાથે વિઝિન્ઝમ બંદર વિશ્વના એવા બંદરોમાં સામેલ થઈ ગયું છે, જેણે કામગીરી શરૂ કર્યા પછી બે વર્ષથી પણ ઓછા સમયમાં 1000 કોમર્શિયલ જહાજોની અવરજવરનો આંકડો પાર કર્યો છે. બંદરની ઝડપી વૃદ્ધિ અને આધુનિક સુવિધાઓને કારણે આંતરરાષ્ટ્રીય શિપિંગ કંપનીઓનો વિશ્વાસ સતત વધી રહ્યો છે.</p><h3><b>પ્રથમ કોમર્શિયલ જહાજ 2024માં આવ્યું હતું&nbsp;</b></h3><p>વિઝિન્ઝમ બંદરે તેનું પ્રથમ કોમર્શિયલ જહાજ San Fernando 11 જુલાઈ, 2024ના રોજ આવકાર્યું હતું. ત્યારબાદ 3 ડિસેમ્બર, 2024થી બંદરે સંપૂર્ણ વ્યાવસાયિક કામગીરી શરૂ કરી હતી. ટૂંકા ગાળામાં જ બંદરે વૈશ્વિક ટ્રાન્સશિપમેન્ટ હબ તરીકે પોતાની મજબૂત ઓળખ ઉભી કરી છે. ભારતના દક્ષિણ છેડે આવેલા આ ડીપ-વોટર બંદરની વિશેષતા એ છે કે અહીં મોટા કદના કન્ટેનર જહાજો સરળતાથી લંગર નાખી શકે છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય વેપાર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા બની રહી છે.</p><h4><b>વિઝિન્ઝમ માટે વિકાસના નવા દ્વાર ખુલ્યા</b></h4><p>બંદર સત્તાધીશોના જણાવ્યા મુજબ 1000મા જહાજના આગમન સાથે વિઝિન્ઝમ માટે વિકાસના નવા દ્વાર ખુલ્યા છે. આગામી સમયમાં વધુ શિપિંગ લાઈન્સ અને વૈશ્વિક વેપાર રૂટ્સ સાથે જોડાણ વધતા બંદર ભારતના સમુદ્રી વેપારનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની શકે છે. આ સિદ્ધિ ભારતના બંદર વિકાસ અને વૈશ્વિક વેપાર ક્ષેત્રમાં વધતી હાજરીનું પ્રતિબિંબ માનવામાં આવી રહી છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/air-india-flight-air-india-plane-entered-pakistani-airspace-later-diverted-to-delhi" target="_blank">આ પણ વાંચો : Air India Flight: એયર ઇન્ડિયાનું વિમાન પાકિસ્તાની એરસ્પેસમાં પ્રવેશ્યુ, બાદમાં દિલ્હી ડાયવર્ટ કરાયું</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/z1qi8zyaSqch3X7SS2Uhte2rjAcGqlcZXUGL03SR.webp'/></item><item><title><![CDATA[Anand News: ખંભાતની પીપળોઈ પંચાયતનો તલાટી 6 હજારની લાંચ લેતા ACB છટકામાં ઝડપાયો ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/anand/piploi-gram-panchayat-talati-caught-by-acb-accepting-bribe</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/crime/anand/piploi-gram-panchayat-talati-caught-by-acb-accepting-bribe</guid><pubDate>Wed, 24 Jun 2026 17:50:00 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના પીપળોઈ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી અને VCE ઓપરેટરને લાંચ લેતા એસીબીની ટીમે રંગેહાથ ઝડપી લેતા ખળભળાટ મચી ગયો છે.સરકારી કામકાજ માટે લાંચની માંગણી કરનાર લાંચિયા કર્મચારીઓ સામે એસીબીએ કડક કાર્યવાહી હાથ ધરી છે.ફરિયાદીની ખેતીની જમીનના રેકોર્ડમાં વારસાઈ હક મુજબ નામ ચઢાવવા માટે પેઢીનામાની જરૂર હતી.આ કામ માટે ફરિયાદી પીપળોઈ ગ્રામ પંચાયત કચેરીએ ગયા હતા. જ્યાં તલાટી કૈવન શાહ અને VCE ઓપરેટર શૈલેષ મકવાણાએ પેઢીનામું બનાવી આપવાના બદલામાં 10 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>પેઢીનામા માટે 10 હજારની માંગ, 8 હજારમાં સોદો</b></h2><p style="text-align: justify; ">અરજદારે લાંચ આપવાની અનિચ્છા દર્શાવતા અંતે રકઝક બાદ લાંચની રકમ 8 હજાર રૂપિયા નક્કી કરવામાં આવી હતી.લાંચ આપવા ન માંગતા ફરિયાદીએ આ અંગે આણંદ એસીબીનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી.આ ફરિયાદના આધારે એસીબીના પી.આઈ.આર.એન.વિરાણી અને તેમની ટીમે પીપળોઈ ગ્રામ પંચાયત કચેરી ખાતે લાંચનું છટકું ગોઠવ્યું હતું. છટકા દરમિયાન VCE ઓપરેટર શૈલેષ મકવાણાએ ફરિયાદી પાસેથી  લાંચની રકમ સ્વીકારી હતી.</p><h2 style="text-align: justify; "><b>6 હજારની લાંચ લેતા ACB છટકામાં ઝડપાયો</b></h2><p style="text-align: justify; ">તે સમયે તલાટી કૈવન શાહના કહેવાથી VCE ઓપરેટરે 2 હજાર રૂપિયા પરત આપ્યા હતા અને અંતે 6 હજાર રૂપિયાની લાંચની રકમ સ્વીકારતી વખતે બંને આરોપીઓને એસીબીની ટીમે રંગેહાથ દબોચી લીધા હતા.એસીબીની આ કાર્યવાહીને પગલે ગ્રામ પંચાયત કચેરીમાં ભારે દોડધામ મચી ગઈ હતી.એસીબીએ બંને આરોપીઓની અટકાયત કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/kutch/coastline-marine-commando-foot-patrolling-pipar-to-rodasar" target="_blank">આ પણ વાંચોઃ Kutch News: સરહદે અભેદ્ય કિલ્લેબંધી, દરિયાકાંઠાના પીપરથી રોડાસર સુધી મરીન કમાન્ડોનું 5 કિમીથી વધુનું સઘન ફૂટ પેટ્રોલિંગ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/42dObQoXJPTR9QLHGWC6lvcXEdh6mOItcv1PReuG.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: ચોમાસા પહેલા રોગચાળાએ માથું ઉચક્યું, વધ્યા પાણીજન્ય રોગોના કેસ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-monsoon-waterborne-diseases-cases-rise</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-monsoon-waterborne-diseases-cases-rise</guid><pubDate>Wed, 24 Jun 2026 17:42:42 +05:30</pubDate><description><![CDATA[<p>અમદાવાદ શહેરમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થાય તે પહેલા જ પ્રદૂષિત પાણી અને મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળામાં વધારો થવાને કારણે આરોગ્ય તંત્ર દોડતું થયું છે. કાળઝાળ ગરમી બાદ વાતાવરણમાં આવી રહેલા પલટા વચ્ચે શહેરમાં તાવ, ઝાડા-ઊલટી અને કમળાના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, જેને પગલે અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગની ચિંતામાં પણ વધારો થયો છે.</p><h2><b>ઝાડા-ઊલટી અને ટાઈફોઈડના સેંકડો કેસોથી શહેરીજનો પ્રભાવિત</b></h2><p>આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડાઓ મુજબ, ચાલુ જૂન મહિનામાં જ અમદાવાદ શહેરમાં ઝાડા-ઊલટીના અધધ 579 કેસો નોંધાઈ ચૂક્યા છે. આ ઉપરાંત, દૂષિત ખોરાક અને પાણીના કારણે થતા ટાઈફોઈડના પણ 151 કેસો સામે આવ્યા છે, જ્યારે લિવરને પ્રભાવિત કરતા કમળાના 47 કેસ નોંધાયા છે. રોગચાળાના આ આંકડા દર્શાવે છે કે, અમદાવાદ શહેરમાં શુદ્ધ પીવાના પાણી અને સ્વચ્છતાને લઈને ગંભીર સ્થિતિ સર્જાઈ રહી છે.</p><h2><b>તંત્રના ચેકિંગમાં પાણીના 59 સેમ્પલ ફેલ, 41માં ક્લોરિન નીલ મળ્યું</b></h2><p>રોગચાળો વકરવા પાછળ મુખ્યત્વે પ્રદૂષિત પાણી જવાબદાર હોવાનું સામે આવ્યું છે. મનપાના આરોગ્ય વિભાગ દ્વારા જૂન મહિના દરમિયાન અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 5,794 પાણીના સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. આ મટીરિયલ ટેસ્ટિંગમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં કુલ 59 નમૂનાઓ ટેસ્ટમાં ફેલ સાબિત થયા છે. એટલું જ નહીં, 41 જેટલા પાણીના નમૂનામાં ક્લોરિનની માત્રા બિલકુલ 'નીલ' જોવા મળી છે, જે દર્શાવે છે કે, પાણીનું યોગ્ય પ્યુરિફિકેશન થઈ રહ્યું નથી.</p><h2><b>મેલેરિયા અટકાવવા AMC દ્વારા ફોગિંગ ડ્રાઇવ અને સઘન કામગીરી શરૂ</b></h2><p>વધતા જતા રોગચાળા અને આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન મોડમાં આવ્યું છે. મચ્છરજન્ય રોગો જેવા કે, મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોને અટકાવવા માટે શહેરના તમામ ઝોનમાં સઘન ફોગિંગ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ સાથે જ પ્રદૂષિત પાણીની ફરિયાદોવાળા વિસ્તારોમાં સુપર ક્લોરિનેશન કરવાની અને પાણીની પાઇપલાઇનોનું સમારકામ કરવાની કામગીરી પણ વેગીલી બનાવવામાં આવી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-fire-department-action-hotels-navkar-institute-sealed" target="_blank">Ahmedabad News: AMCએ 8 હોટેલ અને નવકાર ઇન્સ્ટિટ્યૂટ સીલ કરી, 54થી વધુ એકમોને નોટિસ</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/iYHxQE98JyfRStU01qCBbaPVRKbkYMS1zcqDTQOG.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: શહેરમાં વધી રહેલા અકસ્માતોને પગલે બ્લેક સ્પોટની ઓળખ કરાઈ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/new-accident-black-spots-identified-</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/new-accident-black-spots-identified-</guid><pubDate>Wed, 24 Jun 2026 17:25:30 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદમાં અકસ્માત ઘટાડવા માટે બ્લેક સ્પોટની ઓળખ કરવામાં આવી રહી છે.શહેરમાં નવા બ્લેક સ્પોટ પણ સામે આવ્યા છે. જેમાં ઇસ્કોનથી પકવાન જંક્શન વચ્ચેનો માર્ગ પણ સામેલ કરવામાં આવ્યો છે.તંત્ર દ્વારા કેટલાક સ્થળોએ રિફ્લેક્ટિવ મિરર અને અન્ય સુરક્ષા સાધનો મુકાયા છે પરંતુ અનેક જગ્યાએ તે તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે.પરિણામે અકસ્માતનો ભય યથાવત્ છે.અમદાવાદમાં વધતા અકસ્માતોને પગલે ટ્રાફિક પોલીસ, AMC અને માર્ગ સુરક્ષા એજન્સીઓ દ્વારા અનેક બ્લેક સ્પોટની ઓળખ કરવામાં આવી છે.</p><h2 style="text-align: justify; "><b>નવા હાઇ-રિસ્ક જંક્શન ચિહ્નિત કરાયા</b></h2><p style="text-align: justify; ">શહેરમાં ઇસ્કોન ક્રોસ રોડ,પકવાન ક્રોસ રોડ, નરોલ સર્કલ, CTM ચાર રસ્તા, સોલા ભાગવત, નરોડા પાટિયા, પીરાણા ચાર રસ્તા સહિતના જંક્શન અકસ્માત પ્રવણ સ્થળ તરીકે સામે આવ્યા છે. તાજેતરના રોડ સેફ્ટી ઓડિટમાં પણ અનેક નવા હાઇ-રિસ્ક જંક્શન ચિહ્નિત કરાયા છે. ઇસ્કોન જંકશનમાં જે પ્રમાણે નેશનલ હાઈવે ઓથોરિટી અને મનપા વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો છે. અહીં રોડ પર ખાસ ડિઝાઈન કરવામાં આવી હતી અને રિફ્લેક્ટિવ મીરર પણ લગાવાયો હતો. આજે તેની દુર્દશા સામે આવી છે.&nbsp;</p><h3 style="text-align: justify; "><b>મિરર લગાવવાથી સમસ્યાનો ઉકેલ આવતો નથી</b></h3><p style="text-align: justify; ">નિષ્ણાતોનું માનવું છે કે માત્ર સાઇનબોર્ડ અથવા રિફ્લેક્ટિવ મિરર લગાવવાથી સમસ્યાનો ઉકેલ આવતો નથી.જ્યાં રોડ ડિઝાઇનમાં ખામી હોય ત્યાં જ્યોમેટ્રિક સુધારા, યોગ્ય લેન માર્કિંગ, સ્પીડ કંટ્રોલ અને સર્વિસ રોડનું વૈજ્ઞાનિક આયોજન જરૂરી બને છે.અનેક સ્થળોએ તૂટેલા રિફ્લેક્ટર અને અસ્પષ્ટ માર્ગદર્શન પણ અકસ્માત માટે જવાબદાર બની રહ્યા છે. શહેરમાં અકસ્માતપ્રવણ જંક્શનને વધુ સુરક્ષિત બનાવવા માટે AMC દ્વારા અનેક જંક્શનના રિડિઝાઇનિંગ અને ટ્રાફિક મેનેજમેન્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે ઇસ્કોન-પકવાન સહિતના નવા બ્લેક સ્પોટ પર તાત્કાલિક અને અસરકારક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.<br><br><a href="https://sandesh.com/gujarat/news/crime/tapi/ashram-school-student-attacks-friend-with-knife" target="_blank">આ પણ વાંચોઃ Tapi News: આશ્રમશાળામાં ભણતી વિદ્યાર્થીનીએ તેની ખાસ બહેનપણી પર ચાકુથી હુમલો કર્યો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/bRX7ewYAgPXtF5P019UXhd7YGaHZSX0Aq4U6jv9Y.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: AMCએ 8 હોટેલ અને નવકાર ઇન્સ્ટિટ્યૂટ સીલ કરી, 54થી વધુ એકમોને નોટિસ ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-fire-department-action-hotels-navkar-institute-sealed</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-fire-department-action-hotels-navkar-institute-sealed</guid><pubDate>Wed, 24 Jun 2026 16:36:30 +05:30</pubDate><description><![CDATA[<p>દેશના અલગ-અલગ રાજ્યોમાં તાજેતરમાં દિલ્હી અને લખનઉ ખાતે બનેલી ભયાનક આગની ઘટનાઓ બાદ અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર સંપૂર્ણપણે હરકતમાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં આવી કોઈ અનિચ્છનીય દુર્ઘટના ન ઘટે તે માટે મનપાના ફાયર વિભાગ દ્વારા કડક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ફાયર સેફ્ટીના સાધનો અને નિયમોના ભંગ બદલ મનપાએ આક્રમક વલણ અપનાવી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.</p><h2><b>ફાયર સેફ્ટી અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ 8 હોટેલો કરાઈ સીલ</b></h2><p>આ મેગા ડ્રાઈવ અંતર્ગત ફાયર વિભાગની અલગ-અલગ ટીમોએ શહેરની અનેક હોટેલોમાં ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન ફાયર એનઓસી ન હોવા બદલ તેમજ અલગ-અલગ ટ્રાફિક અને પાર્કિંગના નિયમોના ઉલ્લંઘન બદલ તંત્રએ લાલ આંખ કરી છે. ફાયર વિભાગે તાત્કાલિક પગલાં લેતા કુલ 37 હોટેલોને વહીવટી નોટિસ ફટકારી છે, જ્યારે નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતી 8 હોટેલોને મોક આઉટ કરી સીલ મારી દીધા છે.</p><h2><b>શૈક્ષણિક સંસ્થાઓ પર પણ ત્રાટકી ટીમ</b></h2><p>હોટેલો ઉપરાંત, વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખીને AMC ફાયર વિભાગે શૈક્ષણિક સંસ્થાઓ, ટ્યુશન ક્લાસીસ અને એકમોમાં પણ સઘન ચકાસણી હાથ ધરી છે. આ તપાસ દરમિયાન સેફ્ટીના માપદંડો યોગ્ય ન જણાતા 17 જેટલા શૈક્ષણિક એકમોને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન શહેરની જાણીતી 'નવકાર ઇન્સ્ટિટ્યૂટ' સામે કડક પગલાં ભરી તેને સીલ કરી દેવામાં આવી છે. અમદાવાદ મનપાના સત્તાધીશોના જણાવ્યા અનુસાર, શહેરીજનોની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારના સમાધાન વગર આ ચેકિંગની કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવશે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/ahmedabad/cg-road-pelican-signal-push-button-signal-glasses-broken" target="_blank">Ahmedabad News : શહેરમાં CG રોડ પર લગાવવામાં આવેલા પેલિકન સિગ્નલના પુશબોક્સના કાચ તૂટ્યા</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/kGvZLHRm7CRYnftdknmORXp1t2ntwUSmdaTCj06u.webp'/></item><item><title><![CDATA[PM Modi Instagram Reel: 'પંચાયત'ની થીમ ટ્યુન સાથે પીએમ મોદીની નવી રીલ વાયરલ, કેપ્શન જોઈને ચાહકો થયા ક્રેઝી ]]></title><link>https://sandesh.com/entertainment/news/pm-modi-instagram-reel-pm-modis-new-reel-with-the-theme-tune-of-panchayat-goes-viral-fans-go-crazy-after-seeing-the-caption</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/pm-modi-instagram-reel-pm-modis-new-reel-with-the-theme-tune-of-panchayat-goes-viral-fans-go-crazy-after-seeing-the-caption</guid><pubDate>Wed, 24 Jun 2026 16:26:10 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">વેબ સિરીઝ 'પંચાયત'ના ચાહકો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર એક અદ્ભુત સરપ્રાઈઝ શેર કર્યું છે. પીએમ મોદીએ તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ખાસ રીલ શેર કરી છે, જેમાં તેઓ 'પંચાયત' સીરીઝના લોકપ્રિય કલાકારો દુર્ગેશ કુમાર (ભૂષણ ઉર્ફે બનરાસ) અને અશોક પાઠક (બિનોદ) સાથે મુલાકાત કરતા જોવા મળી રહ્યા છે. આ રીલ વાયરલ થવાનું કારણ માત્ર પીએમ મોદીની આ કલાકારો સાથેની મુલાકાત જ નહીં, પરંતુ Backgroundમાં વાગી રહેલી 'પંચાયત' સીરીઝની પ્રખ્યાત થીમ ટ્યુન પણ છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.</p><h2 style="text-align: justify; "><b>'બિનોદ' સાથે પીએમ મોદીની ખાસ મુલાકાત અને રમુજી કેપ્શન</b></h2><p style="text-align: justify; ">આ વાયરલ વીડિયો પ્રજાસત્તાક દિવસ સમિટ (Republic Day Summit) નો છે, જ્યાં પીએમ મોદી આમંત્રિત મહેમાનોને મળી રહ્યા હતા. વીડિયોમાં પીએમ મોદી સાઉથના સુપરસ્ટાર રામ ચરણ અને તેમની પત્ની ઉપાસના કોનિડેલાને મળે છે. ત્યારબાદ તેઓ આગળ વધીને દુર્ગેશ કુમાર અને અશોક પાઠક સાથે ખૂબ જ ઉષ્માભેર હાથ મિલાવે છે અને હસતા-હસતા વાતચીત કરે છે. પીએમ મોદીએ આ રીલના કેપ્શનમાં લખ્યું, "વિનોદ સાથે કેટલાક શબ્દો" (જ્યાં શોનો ફેમસ ડાયલોગ 'દેખ રહા હે વિનોદ' યાદ આવી જાય). પીએમ મોદીની આ પોસ્ટ પર કલાકાર અશોક પાઠકે પોતે કમેન્ટ કરીને લખ્યું, "તમારા પ્રેમ અને આશીર્વાદ માટે ખૂબ ખૂબ આભાર."</p><h3 style="text-align: justify; "><b>સોશિયલ મીડિયા પર યુઝર્સે વરસાવ્યો પ્રેમ</b></h3><p style="text-align: justify; ">આ અણધારી અને સુંદર મુલાકાત પર ચાહકો મન મૂકીને રમુજી કમેન્ટ્સ કરી રહ્યા છે. શોના નિર્માતા 'ધ વાયરલ ફીવર'ના સત્તાવાર એકાઉન્ટ પરથી કમેન્ટ કરવામાં આવી કે, "વર્ષની આ સૌથી અનોખી અને મનોહર મુલાકાત જોઈને પ્રેમ થઈ ગયો." એક યુઝરે આને "વર્ષનું સૌથી અણધાર્યું કોલાબોરેશન" ગણાવ્યું. અન્ય એક યુઝરે પંચાયતના અંદાજમાં મજાક કરતા લખ્યું, "હવે ફુલેરા ગામનો પાકો વિકાસ થશે!"</p><h4 style="text-align: justify; "><b>લોકપ્રિયતાના શિખરે 'પંચાયત' સીરીઝ</b></h4><p style="text-align: justify; ">પીએમ મોદી સાથે આ બંને કલાકારોની મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે 'પંચાયત'ની લોકપ્રિયતા દેશભરમાં ચરમસીમાએ છે. સિરીઝની ચોથી સીઝન વર્ષ 2025માં રિલીઝ થઈ હતી, જેને દર્શકો તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો હતો. ચાહકોના આ જબરદસ્ત ક્રેઝને જોતા પ્રાઇમ વિડીયોએ (Prime Video) સત્તાવાર રીતે તેની ૫મી સીઝનની જાહેરાત પણ કરી દીધી છે. ચર્ચા છે કે સિરીઝની નવી સીઝન ટૂંક સમયમાં જ એટલે કે આ વર્ષે (2026 માં) જોવા મળી શકે છે.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/cocktail-2-created-a-stir-at-the-box-office-on-the-fifth-day-audiences-were-captivated-by-shahid-rashmikas-chemistry" target="_blank">આ પણ વાંચો : Cocktail 2 એ પાંચમા દિવસે બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, શાહિદ-રશ્મિકાની કેમેસ્ટ્રી પર ફિદા થયા દર્શકો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/Hh7ttOdUuvKCUv8GzIhfPHtUqgkn57drewznv2cH.webp'/></item><item><title><![CDATA[Cristiano Ronaldoએ ફિફા વર્લ્ડ કપમાં રચ્યો ઇતિહાસ, આવું કરનાર પ્રથમ ખેલાડી બન્યો ]]></title><link>https://sandesh.com/sports/news/fifa-world-cup/cristiano-ronaldo-created-history-in-the-fifa-world-cup-becoming-the-first-player-to-do-so</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/fifa-world-cup/cristiano-ronaldo-created-history-in-the-fifa-world-cup-becoming-the-first-player-to-do-so</guid><pubDate>Wed, 24 Jun 2026 09:02:15 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પોર્ટુગલ ફિફા વર્લ્ડ કપમાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આજે પોર્ટુગલ ઉઝબેકિસ્તાનનો સામનો કરી રહ્યું છે. આ મેચની શરૂઆતની મિનિટોમાં રોનાલ્ડોએ પોર્ટુગલને લીડ અપાવી હતી. રોનાલ્ડોએ છઠ્ઠી મિનિટમાં ગોલ કરીને ટીમને 1-0ની લીડ અપાવી હતી. રોનાલ્ડોએ જોઆઓ કેન્સેલોની તકનો લાભ ઉઠાવ્યો અને ગોલ કર્યો. ફિફા વર્લ્ડ કપમાં આ રોનાલ્ડોનો 10મો ગોલ હતો. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો માટે આ એક ઐતિહાસિક ગોલ છે, અને તેણે એક વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો. તે છ વર્લ્ડ કપમાં ગોલ કરનાર પ્રથમ ખેલાડી બન્યો.</p><h4 style="text-align: justify; "><b>રોનાલ્ડો પોર્ટુગલનો સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો</b></h4><p style="text-align: justify; ">આ ગોલ સાથે, રોનાલ્ડો ફિફા વર્લ્ડ કપ ઇતિહાસમાં પોર્ટુગલનો સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બની ગયો છે, તેણે યુસેબિયોની બરાબરી કરી છે. યુસેબિયોએ 1966 વર્લ્ડ કપમાં કુલ નવ ગોલ કર્યા હતા. રોનાલ્ડોએ હવે પોર્ટુગલ માટે 10 ગોલ કર્યા છે. આ સંદર્ભમાં, તેણે યુસેબિયોને પાછળ છોડી દીધો છે. રોનાલ્ડોએ 2006 અને 2026 વર્લ્ડ કપ વચ્ચે આ ગોલ કર્યા હતા.</p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><a href="https://x.com/FIFAWorldCup/status/2069496208876278116?s=20" target="_blank">https://x.com/FIFAWorldCup/status/2069496208876278116?s=20</a></p><p style="text-align: justify; "><br></p><h4 style="text-align: justify; "><b>પહેલા હાફમાં રોનાલ્ડોએ બે ગોલ કર્યા</b></h4><p style="text-align: justify; ">પોર્ટુગલ અને ઉઝબેકિસ્તાન વચ્ચેની મેચમાં, રોનાલ્ડોએ છઠ્ઠી મિનિટમાં પહેલો ગોલ કર્યો અને પછી 39મી મિનિટે પોતાનો બીજો ગોલ કર્યો. રોનાલ્ડોના શાનદાર રમત અને નુનો મેન્ડેસના ગોલને કારણે, પોર્ટુગલે હાફ ટાઇમ સુધીમાં ઉઝબેકિસ્તાન પર 3-0ની લીડ મેળવી લીધી. પોર્ટુગલ હવે બીજા હાફમાં આ વર્ચસ્વ જાળવી રાખવાનો પ્રયાસ કરશે.</p><h5><div style="text-align: justify;"><b><br></b></div><b><div style="text-align: justify;"><b style="font-size: 1.25rem;">રોનાલ્ડો ટુર્નામેન્ટના પહેલા મેચમાં એક પણ ગોલ કરી શક્યો નહીં</b></div></b></h5><p style="text-align: justify; ">પોર્ટુગલના શરૂઆતના મેચમાં કોંગો સામે 1-1થી ડ્રો થવાથી ટીમ પર ભારે દબાણ આવ્યું. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તે મેચમાં પોતાના નબળા પ્રદર્શન માટે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો. કેટલાક લોકોએ એવો પણ દાવો કર્યો કે ટીમ પ્રથમ મેચ જીતવામાં નિષ્ફળ રહેવાનું કારણ રોનાલ્ડો હતા. જોકે, રોનાલ્ડોએ ફરી એકવાર વર્લ્ડ કપના એક મોટા મેચમાં શાનદાર ગોલ કરીને પોતાના ટીકાકારોને જવાબ આપ્યો.</p><p style="text-align: justify; ">આ પણ વાંચો -<a href="https://sandesh.com/sports/news/fifa-world-cup/lionel-messi-creates-new-history-becomes-the-highest-scorer-in-the-world-cup" target="_blank"> Lionel Messiએ રચ્યો નવો ઈતિહાસ,વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/24/bZFkFUWUsiLV7XoMzcB8ZDZ3QVZDjrLIxxPClYdh.webp'/></item></channel></rss>