<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Anand News: મહીસાગર નદીમાં નાહવા પડેલા બાજીપુરાના યુવકનું ડૂબી જતાં કરુણ મોત ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/anand/anand-news-a-young-man-from-bajipura-drowned-while-bathing-in-the-mahisagar-river-and-tragically-died</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/anand/anand-news-a-young-man-from-bajipura-drowned-while-bathing-in-the-mahisagar-river-and-tragically-died</guid><pubDate>Mon, 15 Jun 2026 20:20:08 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાંથી એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મહીસાગર નદીના લાલપુરા કિનારે નાહવા પડેલા બાજીપુરા ગામના એક આશાસ્પદ યુવકનું ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં કરુણ મોત નીપજ્યું છે. આ અકસ્માતને પગલે સ્થાનિક પંથકમાં અને યુવકના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.</p><h2 style="text-align: justify; ">બાજીપુરાના મહેશકુમારનું મોત નીપજયું</h2><p style="text-align: justify; ">મળતી માહિતી મુજબ, બાજીપુરાનો રહેવાસી મહેશકુમાર નામનો યુવક લાલપુરા નજીક વહેતી મહીસાગર નદીમાં નાહવા માટે ગયો હતો. નાહતી વખતે અચાનક પગ લપસતાં અથવા પાણીના પ્રવાહનો અંદાજ ન આવતાં યુવક નદીના ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો. આસપાસના લોકોએ બૂમાબૂમ કરતાં આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગના તરવૈયાઓએ નદીના ઊંડા પાણીમાં ભારે શોધખોળ આદરી હતી અને અંતે યુવકના મૃતદેહને બહાર કાઢવામાં સફળતા મળી હતી.</p><h3 style="text-align: justify; ">ઉમરેઠ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી</h3><p style="text-align: justify; ">આ કમનસીબ ઘટના અંગે સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરાતા ઉમરેઠ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો સંભાળીને અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે. યુવકના શબને પોસ્ટમોર્ટમ અર્થે ઉમરેઠની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. ચોમાસાની શરૂઆતમાં નદીઓ અને જળાશયોમાં પાણીની આવક વધતી હોવાથી વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને નદી કિનારે ન જવા અને જોખમી રીતે નાહવા ન પડવા અપીલ કરવામાં આવી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/06Mqys8eoQn35nYcMkrg3LgSkC8ivOGiMHg8mTrV.webp'/></item><item><title><![CDATA[JIO Platformsનો WIPO પેટન્ટ્સ રેન્કિંગમાં ગ્લોબલ ટોપ 20માં દબદબાભેર પ્રવેશ, શું કહ્યું આકાશ અંબાણીએ? ]]></title><link>https://sandesh.com/business/news/jio-platforms-wipo-top-20-patent-ranking-akash-ambani-statement</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/jio-platforms-wipo-top-20-patent-ranking-akash-ambani-statement</guid><pubDate>Mon, 15 Jun 2026 20:15:00 +05:30</pubDate><description><![CDATA[<p>રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની ટેકનોલોજી ક્ષેત્રની પેટાકંપની જિયો પ્લેટફોર્મ્સે (JPL) તાજેતરમાં વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન (WIPO) દ્વારા બહાર પાડવામાં આવેલા પેટન્ટ કો-ઓપરેશન ટ્રિટી (PCT) રેન્કિંગમાં વૈશ્વિક સ્તરે ટોચના 20 રેન્કિંગમાં સ્થાન મેળવી લીધું છે. પ્રકાશિત થયેલા ડેટાના આધારે ટોચના પી.સી.ટી. અરજદારોને આ રિપોર્ટ રેન્ક આપે છે.</p><h2><b>JPLએ વર્ષ 2025ની યાદીમાં 320 સ્થાનની છલાંગ લગાવી</b></h2><p>JPLએ વર્ષ 2025ની યાદીમાં 320 સ્થાનની છલાંગ લગાવી છે, જે તેને વૈશ્વિક સ્તરે સૌથી તેજ ગતિએ આગળ વધી રહેલા ઇનોવેટર્સમાં સ્થાન અપાવે છે. આના થકી તેણે હુવાવે, સેમસંગ, ક્વાલકોમ, LG, પેનાસોનિક, નોકિયા, ગૂગલ, એપલ અને માઇક્રોસોફ્ટ જેવા વૈશ્વિક ટેકનોલોજી લીડર્સના એક ચુનંદા જૂથમાં સ્થાન હાંસલ કર્યું છે. જિયોનો પેટન્ટ પોર્ટફોલિયો નેક્સ્ટ-જનરેશન ડિજિટલ ટેકનોલોજી પર મજબૂત રીતે ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં 5G, 5G એડવાન્સ્ડ, 6G, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), AI નેટિવ નેટવર્ક્સ, ક્લાઉડ નેટિવ પ્લેટફોર્મ્સ, ઇન્ટેલિજન્ટ ઓટોમેશન, રેડિયો એક્સેસ, કોર નેટવર્ક સોફ્ટવેર, એજ ઇન્ટેલિજન્સ, ફિક્સ્ડ વાયરલેસ એક્સેસ, નેટવર્ક સ્લાઇસિંગ અને ડિજિટલ સર્વિસિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે.</p><h3><b>આકાશ અંબાણીએ શું કહ્યું?</b></h3><p>જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર આકાશ અંબાણીએ આ સિદ્ધિ વિશે જણાવ્યું હતું કે WIPO PCT રેન્કિંગમાં જિયો પ્લેટફોર્મ્સનું વૈશ્વિક ટોપ 20માં આગમન એ અમારી ડીપ ટેક કંપનીમાં પરિવર્તિત થવાની વર્ષોની મહેનતનું પરિણામ છે. વિવિધ અદ્યતન ટેકનોલોજીના ક્ષેત્રમાં જિયોના ઇનોવેશન્સનો વેગ આ સિદ્ધિ થકી જોવા મળી રહ્યો છે અને તે આગામી વર્ષોમાં સતત વધતો રહેશે. હું આ સિદ્ધિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભર ભારત'ના વિઝનને સમર્પિત કરવા માગુ છું, જે ભારતને વિશ્વ માટે ટેકનોલોજીના સર્જક, માલિક અને નિકાસકાર બનાવવાની પરિકલ્પના કરે છે. ભારતને વૈશ્વિક ડીપ ટેક પાવરહાઉસ બનાવવાની દિશામાં યોગદાન આપવા બદલ અમને ગર્વ છે." સૌથી નોંધપાત્ર બાબત એ છે કે, જિયોની 320 સ્થાનનો કૂદકો મારીને 20મું સ્થાન હાંસલ કરવાની સિદ્ધી એવા વર્ષમાં આવી છે જ્યારે વૈશ્વિક સ્તરે PCT ફાઈલિંગમાં 1% કરતાં પણ ઓછી વૃદ્ધિ નોંધાઈ છે.</p><h4><b>જિયો પ્લેટફોર્મ્સે 31 માર્ચ 2026 સુધીમાં કુલ મળીને 6,817 પેટન્ટ ફાઇલ કરી</b></h4><p>WIPO રેન્કિંગ એ જિયો પ્લેટફોર્મ્સની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પ્રોડક્ટિવટી અને બૌદ્ધિક સંપદાની ગહનતાને બાહ્ય જગતે આપેલી એક મહત્વપૂર્ણ સ્વીકૃતિ છે. તે વિવિધ અદ્યતન ટેકનોલોજીના ક્ષેત્રમાં વૈશ્વિક ટેકનોલોજી નિર્માણના પટલ પર ભારતીય મૂળની નવીનતાને મજબૂત રીતે સ્થાપિત કરે છે. જિયો પ્લેટફોર્મ્સે 31 માર્ચ 2026 સુધીમાં કુલ મળીને 6,817 પેટન્ટ ફાઇલ કરી છે. આમાંથી 2393 પેટન્ટ ભારતમાં અને 4424 વિદેશી અધિકારક્ષેત્રોમાં ફાઇલ કરાઈ છે. વૈશ્વિક સ્તરે કુલ 1009 પેટન્ટ મંજૂર કરાઈ છે, જેમાં ભારતમાં 538 અને આંતરરાષ્ટ્રીય બજારોમાં 471 પેટન્ટની મંજૂરનો સમાવેશ થાય છે.</p><h4><b>કેવી ટેક્નોલોજી વિકસાવી રહ્યું છે જિયો પ્લેટફોર્મ્સ?</b></h4><p>જિયોએ હંમેશા એ સુનિશ્ચિત કર્યું છે કે તેના ઇનોવેશન એવી ટેકનોલોજી અને પ્લેટફોર્મ પર આધારિત હોય જેને તેણે પોતે વિકસાવ્યા હોય અને મોટાપાયે કોમર્શિયલ ધોરણે અમલમાં મૂક્યા હોય. જિયો પ્લેટફોર્મ્સ એવી ઉભરતી ટેકનોલોજી પણ વિકસાવી રહ્યું છે જે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આગામી લહેરની વ્યાખ્યાઓનું આલેખન કરશે. તેમાં 5G/6G રેડિયો, 5G/6G કોર, સેટેલાઇટ કોમ્યુનિકેશન્સ અને એજેન્ટિક AI ક્ષેત્રે નવું સીમાચિહ્ન ગણાતાં જિયોબ્રેઇનનો સમાવેશ થાય છે. આ ભવિષ્યલક્ષી ટેકનોલોજીનો એજન્ડા કંપનીના બૌદ્ધિક સંપદા પોર્ટફોલિયોને ભવિષ્યના વ્યાપારી ઉપયોગ સાથે જોડાયેલી વૃદ્ધિની દશા-દિશા પૂરી પાડે છે. વૈશ્વિક ટેક IP લીડર તરીકે જિયોનો આ ઉદય ભારતના ટેકનોલોજી પરિદૃશ્યમાં મોટાપાયે ટેકનોલોજીના અમલીકરણથી લઈને મૂળ ટેકનોલોજીના સર્જન તરફના મોટા પરિવર્તનનો સંકેત આપે છે.<br><br><a href="https://sandesh.com/business/news/adani-group-jabil-partnership-india-ai-hardware-global-hub" target="_blank"><b>આ પણ વાંચો : Adani Group-Jabil વચ્ચે મોટી ભાગીદારી, AI હાર્ડવેરનું ગ્લોબલ હબ બનશે ભારત&nbsp;</b></a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/MqEv8Cdt3HyXhDiUiW537jqY7woEua3ZT86XlCRj.webp'/></item><item><title><![CDATA[Indian Army Uniform 2026: ભારતીય સેનાએ બ્રિટિશ યુગનો ડ્રેસ કોડ કર્યો નાબૂદ, હવે સૈનિકો 'બંદી જેકેટ' અને નવા લુકમાં દેખાશે ]]></title><link>https://sandesh.com/india/news/indian-army-uniform-2026-indian-army-abolishes-british-era-dress-code-now-soldiers-will-be-seen-in-bandi-jackets-and-new-look</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/indian-army-uniform-2026-indian-army-abolishes-british-era-dress-code-now-soldiers-will-be-seen-in-bandi-jackets-and-new-look</guid><pubDate>Mon, 15 Jun 2026 20:05:23 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ નવા ડ્રેસ કોડને લાગુ કરવાનો હેતુ બ્રિટિશ યુગની ગુલામીના પ્રતીકોને દૂર કરવાનો અને ભારતીય સંસ્કૃતિ અને કાર્યક્ષમતાને સ્વીકારવાનો છે.</p><h2 style="text-align: justify; ">વ્યાવસાયિક મૂલ્યોને જાળવવાના પ્રયાસ&nbsp;</h2><p style="text-align: justify; ">સેનાના અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, આ ફેરફારો સેનાની ઓળખને મજબૂત બનાવવા અને તેના રેજિમેન્ટલ વારસા અને વ્યાવસાયિક મૂલ્યોને જાળવવાના પ્રયાસનો ભાગ છે. નવા ડ્રેસ નિયમોમાં શિયાળાના જેકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવા ડ્રેસ નિયમોમાં 3B નામનો શિયાળુ ડ્રેસ કોડ સામેલ છે. આમાં શિયાળાના જેકેટનો સમાવેશ થાય છે. આ પ્રકારનો શિયાળુ જેકેટ હાલમાં વાયુસેના અને નૌકાદળના ગણવેશમાં હાજર છે. હવે, તે આર્મી યુનિફોર્મમાં પણ સામેલ કરવામાં આવ્યો છે.&nbsp;</p><h3 style="text-align: justify; ">નવા ડ્રેસ કોડથી વધશે મનોબળ&nbsp;</h3><p style="text-align: justify; ">શિયાળાની ઔપચારિક ફરજો માટે 7A અને 1C નામનો ડ્રેસ કોડ ઉમેરવામાં આવ્યો છે. લડાયક ગણવેશમાં 7A નામનો નવો ડ્રેસ કોડ ઉમેરવામાં આવ્યો છે. તેમાં ટી-શર્ટનો સમાવેશ થાય છે. 7B ગણવેશ શિયાળાની ઔપચારિક ફરજો માટે અધિકારીઓ માટે 1C નામનો નવો ડ્રેસ કોડ ઉમેરવામાં આવ્યો છે. પહેલાં, આ ડ્રેસ સૈનિકો અને JCO માટે હતો. હવે, તે અધિકારીઓ માટે કરવામાં આવ્યો છે.</p><h4 style="text-align: justify; ">ભારતીય સેનાના ગણવેશમાં આ મુખ્ય ફેરફારો&nbsp;</h4><p style="text-align: justify; ">1. અધિકારીઓને તેમના ઔપચારિક ડ્રેસ કોડના ભાગ રૂપે સ્વદેશી રીતે બનાવેલા બંદી જેકેટ પહેરવાની મંજૂરી આપવામાં આવી છે.</p><p style="text-align: justify; ">2. મહિલા અધિકારીઓ માટે સાડી, કુર્તા-સલવાર અને સીધા પેન્ટ પહેરવાનો વિકલ્પ ઉમેરવામાં આવ્યો છે.</p><p style="text-align: justify; ">3. મેસ ગણવેશમાંથી ચળકતો પાઉચ બેલ્ટ દૂર કરવામાં આવ્યો છે.</p><p style="text-align: justify; ">4. શિસ્તને વધુ કડક બનાવવા માટે, ટેટૂ, મૂછની લંબાઈ અને પરફ્યુમના ઉપયોગ અંગે નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.</p><h5 style="text-align: justify; ">ભારતીય સેનાનો ગણવેશ ક્યારે બદલાયો?</h5><p style="text-align: justify; ">આઝાદી પહેલા, બ્રિટિશ યુગ દરમિયાન, ભારતીય સૈનિકોનો ગણવેશ લાલ હતો. જે પાછળથી ખાખી રંગમાં બદલાઈ ગયો હતો. 1947માં સ્વતંત્રતા પછી, ભારતીય સેનાએ પાકિસ્તાની સૈનિકોથી અલગ પાડવા માટે ઓલિવ ગ્રીન ગણવેશ અપનાવ્યો છે. 2000ના દાયકાની શરૂઆતમાં, ફ્રેન્ચ જંગલ ડિઝાઇનથી પ્રેરિત નવી અને વધુ અસરકારક છદ્માવરણ પેટર્ન અપનાવવામાં આવી છે.</p><h6 style="text-align: justify; ">નવો ડિજિટલ લડાઇ ગણવેશ&nbsp;</h6><p style="text-align: justify; ">2022માં આર્મીએ આધુનિક ટેકનોલોજી સાથે એક નવો ડિજિટલ લડાઇ ગણવેશ અપનાવ્યો હતો. તેની વિશિષ્ટ પિક્સેલ પેટર્ન સૈનિકોને રણ, પર્વતો અને જંગલોમાં સરળતાથી છદ્માવરણ કરવામાં મદદ કરે છે. આર્મીએ બ્રિટિશ યુગની પરંપરાઓને દૂર કરીને સૈનિકો માટે એક નવો 3B શિયાળુ ગણવેશ અને ઔપચારિક કાર્યક્રમો માટે બંદી જેકેટ રજૂ કર્યુ છે.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/world/news/iran-deal-protest-uproar-in-iran-over-agreement-with-america-people-protest-on-the-streets" target="_blank">અમેરિકા સાથેના કરાર મામલે ઈરાનમાં હોબાળો, જનતાએ રસ્તા પર કર્યા વિરોધ પ્રદર્શન</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/19FK9j94rnNfQzITeAaRBHuraEFFP5mmdaEOPawS.webp'/></item><item><title><![CDATA[Weather Update: શું ખરેખર ચોમાસા પર સંકટ છે? જાણો કેમ ખેંચાઈ રહ્યો છે વરસાદ? ]]></title><link>https://sandesh.com/india/news/gujarat/ahmedabad/monsoon-2026-super-el-nino-effect-rain-forecast-weather-update</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/gujarat/ahmedabad/monsoon-2026-super-el-nino-effect-rain-forecast-weather-update</guid><pubDate>Mon, 15 Jun 2026 20:04:27 +05:30</pubDate><description><![CDATA[<p>હાલ રાજ્યમાં ખેડૂત કે સામાન્ય જનતા દરેકના મનમાં એક જ સવાલ છે, ચોમાસું ક્યારે બેસશે? વરસાદ ક્યારે થશે? રાજ્યમાં સામાન્ય રીતે જૂન 15 સુધીમાં ચોમાસુ બેસી જતુ હોય છે. જોકે, ચાલુ વર્ષે પરિસ્થિતિમાં પરિવર્તન જોવા મળ્યું છે. આ વર્ષે જૂનના 15 દિવસ વીત્યા બાદ પણ વરસાદ ન પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હાલ વરસાદ ખેંચાતા લોકોને કાળઝાળ ગરમી સહન કરવી પડી રહી છે. આ સાથે સાથે ખેડૂતોને દુષ્કાળનો ભય પણ સતાવી રહ્યો છે.&nbsp;</p><p>આ પરિસ્થિતિ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશના અન્ય ભાગોમાં પણ દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું નોંધપાત્ર રીતે ધીમું પડી ગયું છે. 15 જૂનની સેટેલાઇટ ઈમેજ સ્પષ્ટ કરે છે કે, દેશના મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે ચોમાસાના વાદળો ગાયબ છે.</p><h2><b>16 રાજ્યોમાં વરસાદની લાંબી રાહ</b></h2><p>દક્ષિણ ભારતમાં આગળ વધ્યા પછી મોન્સૂન સિસ્ટમ મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્રપ્રદેશની આસપાસ આવીને અટકી ગઈ છે. બીજી તરફ, ઉત્તરપૂર્વના રાજ્યોને આવરી લીધા બાદ ચોમાસું બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં પણ આગળ વધી શક્યું નથી. હવામાન વિભાગના આંકડા મુજબ, 4 જૂનથી 15 જૂન દરમિયાન દેશમાં સામાન્ય 53.7 મિલિમીટરની સરખામણીએ માત્ર 19.2 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સીધી 64 ટકા વરસાદની ખાધ દર્શાવે છે. સર્જાયેલી નબળી પ્રવૃત્તિને લીધે ગુજરાત સાથે સાથે અન્ય રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દિલ્હી&nbsp; અને છત્તીસગઢ સહિત 16 રાજ્યોમાં વરસાદની રાહ વધુ લાંબા સમય સુધી જોવી પડી શકે છે.</p><h2><b>ઉપરના વાતાવરણમાં પવનોની અસામાન્ય પેટર્ન</b></h2><p>હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ચોમાસું નબળું પડવાનું કારણ સમુદ્રમાં ભેજનો અભાવ નથી. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પૂરતો ભેજ હોવા છતાં વાદળો બંધાતા નથી, કારણ કે ઉપરના વાતાવરણમાં પવનોની અસામાન્ય પેટર્ન સર્જાઈ છે. આ વર્ષે પશ્ચિમી જેટ સ્ટ્રીમ સામાન્ય કરતાં વધુ દક્ષિણ તરફ વળી ગયો છે, જે ચોમાસાને આગળ ધપાવતા પવનોને રોકી રહ્યો છે. આગામી દિવસોમાં પરિસ્થિતિ સુધરે તેવી આશા રાખવામાં આવી રહી છે.</p><h2><b>'સુપર અલ નીનો'નું મોટું જોખમ</b></h2><p>આ તમામ કુદરતી પડકારો પાછળ 'અલ નીનો' જવાબદાર માનવામાં આવે છે, અને આ વખતે તો ચોમાસા પર 'સુપર અલ નીનો'નું જોખમ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા ચાલુ વર્ષે લાંબા સમયની સરેરાશ ઘટાડીને 870 મિલિમીટર વરસાદનું પૂર્વાનુમાન કર્યું છે. પેસિફિક મહાસાગરની સપાટી અસામાન્ય ગરમ થવાની આ પ્રક્રિયા (અલ નીનો) જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે તેની ટોચ પર હશે, જે મુખ્ય ચોમાસાનો સમયગાળો છે. આ સ્થિતિ જો લાંબી ખેંચાશે, તો કૃષિ ઉત્પાદન ઘટશે, જેનાથી દેશના સમગ્ર અર્થતંત્ર પર માઠી અસર પડી શકે છે.</p><h2><b>કેન્દ્રના નવા નિર્દેશોએ ચિંતા વધારી</b></h2><p>કેન્દ્ર સરકારના નવા નિર્દેશો મુજબ, દેશના કેટલાક ભાગોમાં પાણી મોડું આવશે, જેના કારણે ઉત્તર અને મધ્ય ભારતના વરસાદ આધારિત વિસ્તારોમાં ચિંતા વધી છે. ઇતિહાસ પર નજર કરીએ તો, વર્ષ 2002માં મજબૂત અલ નીનોને કારણે ગંભીર દુકાળ પડ્યો હતો, જ્યારે 2009માં નબળું મોન્સૂન રહ્યું હતું. વૈજ્ઞાનિકોના મત અનુસાર, વૈશ્વિક ક્લાઇમેટ ચેન્જના કારણે આગામી વર્ષોમાં અલ નીનોની તીવ્રતા હજુ વધશે, તેથી અત્યારથી જ જળ વ્યવસ્થાપન અને કૃષિ આયોજન પર વિશેષ ધ્યાન આપવું અનિવાર્ય બન્યું છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/gujarat-weather-forecast-unseasonal-rain-and-heatwave-updates" target="_blank">Weather Update: આગામી 2 દિવસ આ શહેરોમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/W9zBCztcTzxbonaEhGsL6zDUM5LsCh8WBlo08r2E.webp'/></item><item><title><![CDATA[Weather Update: શું ખરેખર ચોમાસા પર સંકટ છે? જાણો કેમ ખેંચાઈ રહ્યો છે વરસાદ? ]]></title><link>https://sandesh.com/india/news/gujarat/ahmedabad/monsoon-2026-super-el-nino-effect-rain-forecast-weather-update</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/gujarat/ahmedabad/monsoon-2026-super-el-nino-effect-rain-forecast-weather-update</guid><pubDate>Mon, 15 Jun 2026 20:04:27 +05:30</pubDate><description><![CDATA[<p>હાલ રાજ્યમાં ખેડૂત કે સામાન્ય જનતા દરેકના મનમાં એક જ સવાલ છે, ચોમાસું ક્યારે બેસશે? વરસાદ ક્યારે થશે? રાજ્યમાં સામાન્ય રીતે જૂન 15 સુધીમાં ચોમાસુ બેસી જતુ હોય છે. જોકે, ચાલુ વર્ષે પરિસ્થિતિમાં પરિવર્તન જોવા મળ્યું છે. આ વર્ષે જૂનના 15 દિવસ વીત્યા બાદ પણ વરસાદ ન પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હાલ વરસાદ ખેંચાતા લોકોને કાળઝાળ ગરમી સહન કરવી પડી રહી છે. આ સાથે સાથે ખેડૂતોને દુષ્કાળનો ભય પણ સતાવી રહ્યો છે.&nbsp;</p><p>આ પરિસ્થિતિ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશના અન્ય ભાગોમાં પણ દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું નોંધપાત્ર રીતે ધીમું પડી ગયું છે. 15 જૂનની સેટેલાઇટ ઈમેજ સ્પષ્ટ કરે છે કે, દેશના મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે ચોમાસાના વાદળો ગાયબ છે.</p><h2><b>16 રાજ્યોમાં વરસાદની લાંબી રાહ</b></h2><p>દક્ષિણ ભારતમાં આગળ વધ્યા પછી મોન્સૂન સિસ્ટમ મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્રપ્રદેશની આસપાસ આવીને અટકી ગઈ છે. બીજી તરફ, ઉત્તરપૂર્વના રાજ્યોને આવરી લીધા બાદ ચોમાસું બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં પણ આગળ વધી શક્યું નથી. હવામાન વિભાગના આંકડા મુજબ, 4 જૂનથી 15 જૂન દરમિયાન દેશમાં સામાન્ય 53.7 મિલિમીટરની સરખામણીએ માત્ર 19.2 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સીધી 64 ટકા વરસાદની ખાધ દર્શાવે છે. સર્જાયેલી નબળી પ્રવૃત્તિને લીધે ગુજરાત સાથે સાથે અન્ય રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દિલ્હી&nbsp; અને છત્તીસગઢ સહિત 16 રાજ્યોમાં વરસાદની રાહ વધુ લાંબા સમય સુધી જોવી પડી શકે છે.</p><h2><b>ઉપરના વાતાવરણમાં પવનોની અસામાન્ય પેટર્ન</b></h2><p>હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ચોમાસું નબળું પડવાનું કારણ સમુદ્રમાં ભેજનો અભાવ નથી. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પૂરતો ભેજ હોવા છતાં વાદળો બંધાતા નથી, કારણ કે ઉપરના વાતાવરણમાં પવનોની અસામાન્ય પેટર્ન સર્જાઈ છે. આ વર્ષે પશ્ચિમી જેટ સ્ટ્રીમ સામાન્ય કરતાં વધુ દક્ષિણ તરફ વળી ગયો છે, જે ચોમાસાને આગળ ધપાવતા પવનોને રોકી રહ્યો છે. આગામી દિવસોમાં પરિસ્થિતિ સુધરે તેવી આશા રાખવામાં આવી રહી છે.</p><h2><b>'સુપર અલ નીનો'નું મોટું જોખમ</b></h2><p>આ તમામ કુદરતી પડકારો પાછળ 'અલ નીનો' જવાબદાર માનવામાં આવે છે, અને આ વખતે તો ચોમાસા પર 'સુપર અલ નીનો'નું જોખમ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા ચાલુ વર્ષે લાંબા સમયની સરેરાશ ઘટાડીને 870 મિલિમીટર વરસાદનું પૂર્વાનુમાન કર્યું છે. પેસિફિક મહાસાગરની સપાટી અસામાન્ય ગરમ થવાની આ પ્રક્રિયા (અલ નીનો) જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે તેની ટોચ પર હશે, જે મુખ્ય ચોમાસાનો સમયગાળો છે. આ સ્થિતિ જો લાંબી ખેંચાશે, તો કૃષિ ઉત્પાદન ઘટશે, જેનાથી દેશના સમગ્ર અર્થતંત્ર પર માઠી અસર પડી શકે છે.</p><h2><b>કેન્દ્રના નવા નિર્દેશોએ ચિંતા વધારી</b></h2><p>કેન્દ્ર સરકારના નવા નિર્દેશો મુજબ, દેશના કેટલાક ભાગોમાં પાણી મોડું આવશે, જેના કારણે ઉત્તર અને મધ્ય ભારતના વરસાદ આધારિત વિસ્તારોમાં ચિંતા વધી છે. ઇતિહાસ પર નજર કરીએ તો, વર્ષ 2002માં મજબૂત અલ નીનોને કારણે ગંભીર દુકાળ પડ્યો હતો, જ્યારે 2009માં નબળું મોન્સૂન રહ્યું હતું. વૈજ્ઞાનિકોના મત અનુસાર, વૈશ્વિક ક્લાઇમેટ ચેન્જના કારણે આગામી વર્ષોમાં અલ નીનોની તીવ્રતા હજુ વધશે, તેથી અત્યારથી જ જળ વ્યવસ્થાપન અને કૃષિ આયોજન પર વિશેષ ધ્યાન આપવું અનિવાર્ય બન્યું છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/weather/news/gujarat/ahmedabad/gujarat-weather-forecast-unseasonal-rain-and-heatwave-updates" target="_blank">Weather Update: આગામી 2 દિવસ આ શહેરોમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/W9zBCztcTzxbonaEhGsL6zDUM5LsCh8WBlo08r2E.webp'/></item><item><title><![CDATA[Banaskantha LCBની ઐતિહાસિક સિદ્ધિ, 'મુર્ગન ગેંગ'નો પર્દાફાશ કરવા બદલ DGPના હસ્તે મળ્યો 'બેસ્ટ ડિટેક્શન એવોર્ડ'! ]]></title><link>https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/lcb-police-wins-best-detection-award-dgp-operation-dev-murugan-gang</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/maru-saher-maru-gaam/news/banaskantha/lcb-police-wins-best-detection-award-dgp-operation-dev-murugan-gang</guid><pubDate>Mon, 15 Jun 2026 18:28:40 +05:30</pubDate><description><![CDATA[<p>બનાસકાંઠા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે સમગ્ર ગુજરાત પોલીસનું ગૌરવ વધાર્યું છે. બનાસકાંઠા LCB પોલીસને રાજ્યકક્ષાએથી અત્યંત પ્રતિષ્ઠિત એવો 'બેસ્ટ ડિટેક્શન એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો છે. ગુમ થયેલા માસૂમ બાળકોને શોધી કાઢવા અને બાળ તસ્કરીના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે ચલાવવામાં આવેલા 'ઓપરેશન દેવ'ના શાનદાર ડિટેક્શન બદલ રાજ્યના પોલીસ વડા દ્વારા બનાસકાંઠા એલસીબી ટીમને આ મોટું સન્માન આપવામાં આવ્યું છે.</p><h2><b>એક બાળકના ગુમ થવાના કેસમાંથી ખૂલ્યું મોટું રેકેટ</b></h2><p>વાત જાણે એમ છે કે, બનાસકાંઠા જિલ્લામાંથી એક બાળક ગુમ થયું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસની તપાસ દરમિયાન બનાસકાંઠા એલસીબીની ટીમે ઊંડાણપૂર્વક કડીઓ જોડીને તપાસ લંબાવી હતી. તપાસ દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે આ માત્ર સામાન્ય ગુમશુદગીનો કેસ ન હતો, પરંતુ તેની પાછળ આખા દેશમાં ફેલાયેલું બાળ તસ્કરીનું બહુ મોટું નેટવર્ક કામ કરી રહ્યું હતું.</p><h2><b>કુખ્યાત 'મુર્ગન ગેંગ'નો કર્યો સફાયો</b></h2><p>બનાસકાંઠા એલસીબીની ટીમે દિવસ-રાત એક કરીને આ કેસમાં કડક કાર્યવાહી કરી અને બનાસકાંઠા સહિત ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં સક્રિય એવી આંતરરાજ્ય 'મુર્ગન ગેંગ' નો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ઓપરેશન દેવ અંતર્ગત આ ગેંગના મુખ્ય સૂત્રધાર મુર્ગન સહિતના સાગરીતોની ધરપકડ કરી લીધી હતી અને તસ્કરી કરવામાં આવેલા બાળકોને સુરક્ષિત મુક્ત કરાવ્યા હતા.</p><h2><b>રાજ્ય પોલીસ વડાએ કરી પ્રશંસા</b></h2><p>ગુજરાત પોલીસના ઇતિહાસમાં બાળકોની સુરક્ષા અને ક્રાઇમ ડિટેક્શનના ક્ષેત્રમાં આ ઓપરેશન ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયું છે. કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અને આંતરરાજ્ય ગેંગની કમર તોડવામાં બનાસકાંઠા પોલીસે દાખવેલી આ અપ્રતિમ સૂઝબૂઝ અને બહાદુરીને પગલે રાજ્ય પોલીસ વડાએ ટીમના મુક્તકંઠે વખાણ કર્યા હતા અને આ ગૌરવશાળી એવોર્ડ એનાયત કર્યો હતો. આ સફળતાથી બનાસકાંઠા પોલીસ બેડામાં અત્યારે ખુશી અને ઉત્સાહનો માહોલ છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/banaskantha/amirgadh-sarotra-railway-underbridge-height-gauge-on-verge-of-collapse-dfc-negligence" target="_blank">Banaskantha: અમીરગઢના સરોત્રા અંડરબ્રિજ પર મોતના માંચડાની જેમ લટકતો હાઇટ ગેજ; ગમે ત્યારે મોટી હોનારતની આશંકા</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/rYoE2gawsklDNPcziHW8My1lKRZgE6Mf9rz1LIxE.webp'/></item><item><title><![CDATA[Ahmedabad News: દક્ષિણ ઝોનમાં 11 આવાસ યોજનાના જર્જરિત મકાનો ખાલી કરાવવા મનપા એક્શનમાં આવી ]]></title><link>https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-initiates-action-to-vacate-dilapidated-houses-in-11-housing-schemes-of-south-zone</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/ahmedabad/amc-initiates-action-to-vacate-dilapidated-houses-in-11-housing-schemes-of-south-zone</guid><pubDate>Mon, 15 Jun 2026 18:18:08 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અમદાવાદ શહેરમાં અનેક સરકારી આવાસ યોજનાઓ છે. વર્ષો જૂની આ આવાસ યોજનાઓના મકાનો હવે જર્જરિત થઈ ગયાં છે. જેથી તેને ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે. શહેરના દક્ષિણ ઝોનમાં આ પ્રકારની 11 આવાસ યોજનાઓ જર્જરિત હોવાના રિપોર્ટ બાદ મનપાનું તંત્ર હરકતમાં આવ્યું છે.ગત વર્ષે પણ નોટીસ આપવા છતાં આવાસમાં રહેતા લોકોએ મકાનો ખાલી નહોતા કર્યા જેથી હવે કાર્યવાહી કરવાની તૈયારીઓ શરૂ કરાઈ છે.&nbsp;</p><h2 style="text-align: justify; "><b>અંદાજે 115 બ્લોક મા 3073 મકાનો આવેલ છે</b></h2><p style="text-align: justify; ">અમદાવાદમાં દક્ષિણ ઝોનમાં સ્થિત આવાસ યોજનાઓ પૈકીની 11 આવાસ યોજનાઓ હાલમાં જર્જરિત હોવાનો રિપોર્ટ ગત વર્ષે આપવામાં આવ્યો હતો. જો કે, મનપાના હાઉસિંગ વિભાગમાં કામગીરી ગોકળગતિ અને ચૂંટણીના કારણે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ નહીં થતાં ચોમાસામાં લોકોએ જર્જરિત થયેલા મકાનોમાં રહેવાની સ્થિતિ ઉભી થઈ છે. મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા કામગીરી પૂર્ણ કરીને પણ હાઉસિંગમાં ટેન્ડર પ્રક્રિયા નહીં થતાં હવે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ તમામ 11 ક્વાટર્સ વિસ્તારમાં અંદાજે 115 બ્લોક મા 3073 મકાનો આવેલ છે.</p><h3 style="text-align: justify; "><b>યોજનાઓમાં svnitના રિપોર્ટ પ્રમાણે નોટીસો અપાઈ</b></h3><p style="text-align: justify; ">આ તમામ આવાસ યોજનાઓમાં રહેતા લોકો મકાનો ખાલી કરવા માટે તૈયાર છે તેમણે મનપાને સંમતિ પણ આપી છે. છતાં મનપાની ધીમી કામગીરીને કારણે લોકોએ ચોમાસામાં પણ હેરાન થવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. દક્ષિણ ઝોનમાં મનપાના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર કિશોર પટેલના જણાવ્યા પ્રમાણે, 11 આવાસ યોજનાઓમાં svnitના રિપોર્ટ પ્રમાણે નોટીસો અપાઈ છે. મકાન ખાલી કરવા માટે ડ્રેનેજ કાપવાની પણ કામગીરી કરીએ છીએ. જાહેર નોટીસ પણ આપવામાં આવી છે. મનપાની કામગીરી વચ્ચે પણ લોકો જર્જરિત મકાનોમાં રહેવા મજબૂર છે. મકાનોની હાલત જોતા વરસાદમાં કોઈ પણ સમયે ધરાશાયી થાય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.&nbsp;&nbsp;<br><br><h2><b>અમદાવાદમાં કઈ આવાસ યોજના જર્જરીત&nbsp;</b></h2></p><p style="text-align: justify; ">દાણીલીમડા પરીક્ષિતલાલ નગર&nbsp;</p><p style="text-align: justify; ">દાણીલીમડામાં બહેરામપુરા હેલ્થ ક્વાર્ટર્સ&nbsp;</p><p style="text-align: justify; ">બહેરામપુરામાં વસંત રજબ કવાર્ટર</p><p style="text-align: justify; ">ડ્રેનેજ પંપીંગ સ્ટેશન ક્વાટર્સ બહેરામપુરા&nbsp;</p><p style="text-align: justify; ">ગંજ સહીદ મ્યુનિસિપલ ક્વાર્ટર્સ બહેરામપુરા</p><p style="text-align: justify; ">લાલ બહાદુર શાસ્ત્રીનગર ક્વોટર્સ બહેરામપુરા&nbsp;</p><p style="text-align: justify; ">ઉત્તમ નગર મ્યુનિસિપલ ક્વાર્ટર્સ મણિનગર&nbsp;</p><p style="text-align: justify; ">ભૈરવનાથ હેલ્થ ક્વાર્ટરસ મણીનગર&nbsp;</p><p style="text-align: justify; ">મીરા સ્લમ ક્વાર્ટરસ મણીનગર&nbsp;</p><p style="text-align: justify; ">સિલ્વર ક્વાર્ટરસ ખોખરા&nbsp;</p><p style="text-align: justify; ">રઘુવીર અપાર્ટમેન્ટ ઇન્દ્રપુરી&nbsp;<br><br><a href="https://sandesh.com/gujarat/news/mehsana/legal-battle-intensifies-over-vadnagar-hatkeshwar-temple-administration" target="_blank">આ પણ વાંચોઃ Mehsana News: વહીવટદાર નિમાયા બાદ હાટકેશ્વર મંદિરનો કબજો મેળવા તજવીજ, પક્ષકારો વચ્ચે કાનૂની લડાઈ તેજ</a></p><p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/GxnUhlmnBBERVT08hJg96Oczgjp8ZLQZp7iqHTu4.webp'/></item><item><title><![CDATA[Rajkot News: મહિલા કારચાલકનો આતંક, પાર્ક કરેલા વાહનો અને લારીઓનો કચ્ચરઘાણ વાળ્યો ]]></title><link>https://sandesh.com/gujarat/news/rajkot/women-driver-loses-control-over-car-hits-parked-vehicles</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/rajkot/women-driver-loses-control-over-car-hits-parked-vehicles</guid><pubDate>Mon, 15 Jun 2026 18:17:19 +05:30</pubDate><description><![CDATA[<p>રાજકોટ શહેરના વ્યસ્ત અને પોશ ગણાતા અમીન માર્ગ પર સોમવારે એક ચોંકાવનારો કાર અકસ્માત સર્જાયો હતો. અમીન માર્ગથી પસાર થઈ રહેલી એક કારચાલક મહિલાએ અચાનક જ પોતાના વાહન પરથી કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલી આ કારે રસ્તાની સાઈડમાં પાર્ક કરેલા બાઈક-સ્કૂટર સહિતના વાહનો અને ખાણીપીણીની લારીઓને જોરદાર ટક્કર મારીને હડફેટે લીધા હતા. આ સમગ્ર ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.</p><h2><b>પાર્ક કરેલા વાહનો અને લારીઓ હવામાં ઉડ્યા</b></h2><p>ઘટનાની મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરના અમીન માર્ગ પર સામાન્ય દિવસોની જેમ જ અવરજવર ચાલુ હતી અને રસ્તાની એક બાજુએ કેટલાક વાહનો પાર્ક કરેલા હતા તથા લારીઓ હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી એક લક્ઝુરિયસ કારની મહિલાચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાર એટલી સ્પીડમાં હતી કે પળવારમાં જ તેણે લાઈનસર ઉભેલા વાહનો અને લારીઓનો કચ્ચરઘાણ વાળી દીધો હતો. કારની ટક્કર એટલી જોરદાર હતી કે, વાહનો હવામાં ફંગોળાયા હતા.</p><h2><b>અકસ્માતની સમગ્ર ઘટના કેમેરામાં કેદ</b></h2><p>આ ગમખ્વાર અકસ્માતની આસપાસની દુકાનોમાં લાગેલા સીસીટીવી કેમેરામાં લાઈવ દ્રશ્યો કેદ થયા છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કેવી રીતે એક બેકાબૂ બનેલી કાર ધડાકાભેર પાર્ક કરેલા વાહનો સાથે અથડાય છે. સદનસીબે જે સમયે આ ઘટના બની ત્યારે લારીઓ અને વાહનો પાસે વધુ ભીડ ન હતી, જેના કારણે મોટી જાનહાનિ ટળી ગઈ છે.</p><h2><b>ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા</b></h2><p>અકસ્માતનો જોરદાર અવાજ આવતા જ આસપાસના દુકાનદારો અને સ્થાનિક રાહદારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માત બાદ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક લોકોએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.</p><p><br></p><p>આ પણ વાંચો - <a href="https://sandesh.com/gujarat/news/rajkot/another-city-bus-accident-in-rajkot-it-hit-a-bike-near-swaminarayan-mandir-on-kalavad-road" target="_blank">Rajkotમાં વધુ એક સિટી બસનો અકસ્માત: કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર પાસે બાઇકને મારી ટક્કર</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/IZjmmLlCjlsFcoqOqaUkYHOaZsJIcEH50YA7iFxM.webp'/></item><item><title><![CDATA[Neeraj Chopra દોહા ડાયમંડ લીગમાં ભાગ લેશે,જાણો ક્યારે થશે મેચ ]]></title><link>https://sandesh.com/sports/news/neeraj-chopra-doha-diamond-league-return-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/neeraj-chopra-doha-diamond-league-return-2026</guid><pubDate>Mon, 15 Jun 2026 17:45:39 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતના સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરાએ 2 ઓલિમ્પિક મેડલ જીત્યા છે, તે ફરીથી એક્શનમાં આવવા માટે તૈયાર છે. તે 19 જૂને દોહા ડાયમંડ લીગમાં એક્શનમાં પાછો ફરશે. તે 275 દિવસની ગેરહાજરી પછી એક્શનમાં પાછો ફરશે.&nbsp;</p><p style="text-align: justify;">2025 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આઠમા સ્થાને રહ્યા પછી તેને કોઈપણ રમતમાં ભાગ લીધો ન હતો. નીરજ ચોપરાએ 2020 ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ અને 2024 પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો.</p><h2 style="text-align: justify;"><b>નીરજે ગયા વર્ષે દોહા ડાયમંડ લીગમાં 90 મીટર ભાલા ફેંક્યો હતો</b></h2><p style="text-align: justify;">નીરજ ચોપરાની પસંદગી દોહા ડાયમંડ લીગ માટે થઈ છે, જ્યાં તેને ગયા વર્ષે 90 મીટરથી વધુ ભાલા ફેંક્યો હતો. હરિયાણાનો રહેવાસી નીરજ હાલમાં સ્વિટ્ઝર્લેન્ડમાં તેના ફિઝિયો અને કોચ સાથે 47 દિવસની સખત ટ્રેનિંગ લઈ રહ્યો છે. આગામી કોમનવેલ્થ ગેમ્સ માટે તેને ભારતીય ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો છે. પરંતુ આ સ્પર્ધામાં પોતાનું સ્થાન સુરક્ષિત કરવા માટે તેને એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના નિયમો અનુસાર ઓછામાં ઓછા 82.61 મીટર ભાલા ફેંકીને ક્વોલિફાય થવું પડશે.</p><h3 style="text-align: justify;"><b>નીરજ ચોપરા કોમનવેલ્થ ગેમ્સમાં પણ ભાગ લઈ શકે છે</b></h3><p style="text-align: justify;">કોમનવેલ્થ ગેમ્સ આવતા મહિને ગ્લાસગોમાં યોજાવાની છે. જો ભારતના સ્ટાર એથ્લીટ નીરજ ચોપરા ભાગ લે છે, તો ભારત પાસે ભાલા ફેંક સ્પર્ધામાં કુલ 3 એથ્લીટ હશે. બાકી રોહિત યાદવ અને યશવીર સિંહ, પહેલાથી જ ક્વોલિફાય થઈ ગયા છે. વધુમાં, આગામી દોહા ડાયમંડ લીગમાં પણ વિશ્વના બેસ્ટ એથ્લીટો વચ્ચે તીવ્ર સ્પર્ધા જોવા મળશે.&nbsp;</p><p style="text-align: justify;">ભૂતપૂર્વ ઓલિમ્પિક ચેમ્પિયન કેશોર્ન વોલકોટ (ત્રિનિદાદ અને ટોબેગો) અને શ્રીલંકાના રુમેશ તારંગા પથિરાજ જેવા અગ્રણી ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. પરંતુ પેરિસ ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા અને પાકિસ્તાનના સ્ટાર એથ્લીટ અરશદ નદીમ આ વખતે દોહા ડાયમંડ લીગમાં રમતા જોવા મળશે નહીં.</p><h4 style="text-align: justify;"><b>દોહા ડાયમંડ લીગમાં કેટલાક બેસ્ટ ભાલાધારી ખેલાડીઓ ભાગ લેશે</b></h4><p style="text-align: justify;">ટુર્નામેન્ટમાં ભાગ લેનારા ખેલાડીઓના લિસ્ટમાં ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ (આ સિઝનનો શ્રેષ્ઠ થ્રો 86.08 મીટર), યુનાઈટેડ સ્ટેટ્સના કર્ટિસ થોમ્પસન (85.33 મીટર) અને ચેક રિપબ્લિકના જેકબ વેલ્સ (85.24 મીટર)નો સમાવેશ થાય છે. દોહા સ્પર્ધામાં, ભારતના નીરજ ચોપરાએ શાનદાર 90.23 મીટર ફેંક્યો હતો, પરંતુ જર્મનીના જુલિયન વેબરે તેના છેલ્લા (છઠ્ઠા) પ્રયાસમાં 91.06 મીટર ભાલા ફેંકીને ખિતાબ પોતાના નામે કર્યો હતો.</p><p style="text-align: justify;"><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/entertainment/abhishek-mahira-sharma-dating-rumors-matching-bracelet" target="_blank">Abhishek Sharma માહિરા શર્માને કરી રહ્યો છે ડેટ? ઈન્સ્ટાગ્રામની 'સીક્રેટ' પોસ્ટમાં થયો ખુલાસો!</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/EqnLHZGTw1ECnw7QCfJKZxKLnBf4nBJQVXBIomC6.webp'/></item><item><title><![CDATA[Arijit Singh બાદ હવે પ્રીતમ પણ લેવા જઈ રહ્યા છે સંન્યાસ? શેર કરી ભાવુક પોસ્ટ ]]></title><link>https://sandesh.com/entertainment/news/music-composer-pritam-hints-at-retirement-break</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/music-composer-pritam-hints-at-retirement-break</guid><pubDate>Mon, 15 Jun 2026 17:37:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અરિજીત સિંહે આ વર્ષની શરૂઆતમાં એક પોસ્ટ શેર કરી હતી, જેની સાથે તેમણે પ્લેબેક સિંગિંગમાંથી સંન્યાસની જાહેરાત કરીને પોતાના પ્રશંસકોને નિરાશ કરી દીધા હતા. હવે એવું લાગે છે કે અરિજીત સિંહ બાદ મ્યુઝિક કમ્પોઝર અને સિંગર પ્રીતમ પણ આ જ રસ્તા પર ચાલવા અંગે વિચાર કરી રહ્યા છે. પ્રીતમે પોતાના જન્મદિવસના અવસર પર એક પોસ્ટ શેર કરી, જેને જોયા પછી સોશિયલ મીડિયા યુઝર્સે અટકળો લગાવવાનું શરૂ કરી દીધું છે કે હવે પ્રીતમ દા પણ મેઈનસ્ટ્રીમ મ્યુઝિકમાંથી બ્રેક લેવાના મૂડમાં છે. પ્રીતમની આ પોસ્ટ પછી મોટાભાગના યુઝર્સ તેમને પૂછી રહ્યા છે કે ક્યાંક તેઓ પણ અરિજીત સિંહની જેમ પ્લેબેક સિંગિંગમાંથી સંન્યાસની જાહેરાત કરવાની તૈયારીમાં તો નથી ને?</p><h2 style="text-align: justify; "><b>પ્રીતમે બ્રેક લેવા તરફ કર્યો ઈશારો</b></h2><p style="text-align: justify; ">પ્રીતમે પોતાના જન્મદિવસ પર એક બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરી છે, જેમાં તેઓ વિચારોમાં ખોવાયેલા જોવા મળી રહ્યા છે. આ તસવીર શેર કરતા તેમણે એક ભાવુક નોંધ પણ લખી છે, જેમાં લખ્યું છે કે તેઓ હવે પોતાની જિંદગી કંઈક અલગ રીતે જીવવા માગે છે. એવી જિંદગી જે તેમને હંમેશાથી આકર્ષિત કરતી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ જિંદગી પાછળ છૂટી ગઈ. પરંતુ હવે તેઓ એ બધી બાબતો પર ધ્યાન આપવા માગે છે, જેના પર અત્યાર સુધી આપી શક્યા નથી.</p><h3 style="text-align: justify; "><b>પ્રીતમ દાની પોસ્ટ</b></h3><p style="text-align: justify; ">પોતાની પોસ્ટમાં પ્રીતમ દાએ લખ્યું- 'તમારા બધાની શુભેચ્છાઓ માટે ખૂબ ખૂબ આભાર. હું દરેક વ્યક્તિને અલગ-અલગ જવાબ આપી શકું તેમ નથી, તેથી કૃપા કરીને મારો હૃદયપૂર્વકનો આભાર સ્વીકારો. આજે, મેં મારી જાતને થોડા વર્ષો એવી રીતે જીવવાની ભેટ આપવાનું નક્કી કર્યું છે જેમાં જિંદગીને અલગ રીતે જીવી શકાય. એ બાબતોને પૂરી કરવા માટે જે હું અત્યાર સુધી કરી શક્યો નથી. હવે એ નવી સફર પર નીકળવાનો સમય આવી ગયો છે, જેને હું લાંબા સમયથી ટાળી રહ્યો હતો. સામાન્ય રસ્તા પર ચાલવું પણ એક શાનદાર અનુભવ હોય છે. પરંતુ, મને હંમેશા એ રસ્તાઓ વિશે જાણવાની વધુ ઉત્સુકતા રહી છે જેના પર હજી સુધી કોઈ ગયું નથી. તમારા બધાના પ્રેમ અને સાથ માટે ધન્યવાદ. હંમેશા....'<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DZkt-EniGuR/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DZkt-EniGuR/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DZkt-EniGuR/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DZkt-EniGuR/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>અરિજીત સિંહના રસ્તે પ્રીતમ?</b></h4><p style="text-align: justify; ">પ્રીતમની આ પોસ્ટ જોયા પછી તેમના પ્રશંસકોને ચિંતા થવા લાગી છે કે ક્યાંક તેઓ પણ પ્લેબેક સિંગિંગમાંથી બ્રેક લેવાના મૂડમાં તો નથી ને. એવામાં ઘણા લોકોએ તેમની પોસ્ટ પર કોમેન્ટ કરીને સવાલો પૂછવાનું શરૂ કરી દીધું. એક યુઝરે લખ્યું- ક્યાંક તમે પણ અરિજીત સિંહનો રસ્તો પકડવાની તૈયારી તો નથી કરી રહ્યા ને? વળી એકે લખ્યું- લાગે છે હવે પ્રીતમ દા પણ બોલીવુડ મ્યુઝિકમાંથી બ્રેક લેવાની તૈયારીમાં છે. વધુ એક લખે છે - શું પ્રીતમ પણ બોલીવુડ મ્યુઝિકમાંથી રિટાયરમેન્ટ લેવાની જાહેરાત કરવાના છે?' આવી જ કોમેન્ટ્સ કરીને યુઝર્સ પ્રીતમને સવાલ પૂછી રહ્યા છે અને રિટાયરમેન્ટ અંગે આશંકા વ્યક્ત કરી રહ્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/mithun-chakraborty-daughter-dishani-engagement" target="_blank">આ પણ વાંચો-Mithun Chakrabortyની દીકરી દિશાનીએ કરી લીધી સગાઈ, જાણો કોણ છે ડિસ્કો ડાન્સરના જમાઈરાજ?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/56ZNZEtTdr1W93Oq5FOUkEH8VwCqWa8pZcNtz2tk.webp'/></item></channel></rss>