<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[Chhotaudepur: રાજ્યસભા સાંસદનું નસવાડી ખાતે તાલુકા પ્રા. શિક્ષક સંઘ દ્વારા સન્માન ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-rajya-sabha-mp-honored-by-taluka-pvt-teachers-union-at-naswadi</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-rajya-sabha-mp-honored-by-taluka-pvt-teachers-union-at-naswadi</guid><pubDate>Fri, 26 Jun 2026 05:57:31 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">આજરોજ નસવાડી તાલુકામાં યોજાયેલ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન પધારેલા નવનિયુક્ત રાજ્યસભાના સાંસદ મુકેશભાઈ રાઠવાનું નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શાલ ઓઢાડી અને બુકે અર્પણ કરી સન્માન કરાયું હતું.</p><p style="text-align: justify; ">આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ વતી નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો દ્વારા સાંસદને TET પરીક્ષા અંગેનું આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. 29 મે 2026ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા TET શિક્ષક યોગ્યતા કસોટી ફ્રજિયાત કરવા અંગે આપેલા ચુકાદાને પગલે સેવારત પ્રાથમિક શિક્ષકોમાં ભારે અસંતોષની લાગણી વ્યાપી છે. ઓલ ઇન્ડિયા પ્રાઇમરી ટીચર્સ ફેડરેશન અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ સાથે જોડાયેલા છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે જણાવ્યું કે, વર્ષોથી નિષ્ઠાપૂર્વક સેવા આપતા અનુભવી શિક્ષકોની નોકરી અને બઢતી માટે મુશ્કેલી થઈ છે.</p><p style="text-align: justify; ">શિક્ષક સંઘે જણાવ્યું કે જો કાયદાકીય કે નીતિગત ઉકેલ નહીં આવે તો શિક્ષકોના મનોબળ અને શાળાના શૈક્ષણિક કાર્ય પર પ્રતિકૂળ અસર પડશે. જે પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રી દિનેશ કે. રાઠવા, નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પરસોત્તમ આર. રાઠવા, મહામંત્રી મુકેશ વી. ભીલ, મહેશ રાઠવા, સુરેશ પંચોલી, રાજેશ વસાવા સહિતના શિક્ષક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ન્ નીતિગત ઉકેલ લાવવા તાકીદે હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/N9XOd2gbahnskA8J6Lk6fMNsDcVVpZRkJcxbpSKM.webp'/></item><item><title><![CDATA[Vadodara: સાવલી પાલિકા વૉર્ડ 1માં ગટરના પાણી કાંસમાં છોડાતા દુર્ગંધ ફેલાઇ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-a-foul-smell-spread-due-to-sewage-being-discharged-into-the-canal-in-savli-municipality-ward-1</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/vadodara-a-foul-smell-spread-due-to-sewage-being-discharged-into-the-canal-in-savli-municipality-ward-1</guid><pubDate>Fri, 26 Jun 2026 05:56:48 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સાવલી નગરપાલિકાના વોર્ડ નં. 1માં ગટરના દૂષિત પાણી વરસાદી કાંસમાં પાલિકા દ્વારા છોડાતા ભારે દુર્ગંધથી કંટાળીને રોગચાળો ફટવાની ભીતિ વ્યક્ત કરી જો નિકાલ નહીં આવે તો આંદોલનની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારતા ફ્રી એકવાર પાલિકાની કાર્યપધ્ધતિ સામે સવાલો ઉભા થયા છે.</p><p style="text-align: justify; ">સાવલી નગરના વોર્ડ 1માં નગરનું ગંદુ પાણી ગટરના સંપનું દૂષિત પાણી વરસાદી કાંસમાં છોડાતું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ સાથે નારેબાજી કરીને વિરોધ કર્યો છે. દુર્ગંધ અને રોગચાળાની ભીતિ વચ્ચે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. મોટી સંખ્યામાં રહીશો એકત્રિત થયા હતા. નગરપાલિકા વિરુદ્ધ નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ઘણા સમયથી ગટરના ગંદા પાણીના કારણે વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાય છે. જેના કારણે મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. દુષિત પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો હોવાનું રહીશોએ જણાવ્યું હતું. નગરજનોએ આક્ષેપ કર્યો હતો કે, ગટરના પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે વરસાદી કાંસમાં સીધું જ દૂષિત પાણી છોડાઇ છે. જેના કારણે પર્યાવરણને નુકસાન સાથે જાહેર આરોગ્ય માટે પણ ગંભીર ખતરો ઉભો થયો છે. હાલ ચોમાસાની ઋતુ શરૂ થઈ રહી હોવાથી રોગચાળો ફેલાવાની ભીતિ છે. વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થાનિકોએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, આ સમસ્યા અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ અસરકારક પગલાં લેવાયા નથી. કેટલાક રહીશોએ આક્ષેપ કર્યો હતો કે વિસ્તારના નગરસેવકોને ફેન કરવામાં આવે ત્યારે તેઓ ફેન ઉપાડતા નથી. અથવા યોગ્ય જવાબ આપતા નથી આપતા એવો આક્ષેપ કર્યો છે. આ મામલે સાવલી નગરપાલિકાના ચીફ્ ઓફ્સિરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ તેમનો કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. જેના કારણે સ્થાનિકોમાં વધુ અસંતોષ જોવા મળ્યો હતો.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/sgrWKWw795ohRNaSNjJVFhVkjER5fh5IOIgcHAaC.webp'/></item><item><title><![CDATA[Chhotaudepur: રતનપુર ગામની સીમમાંથી માદા દીપડીનું સફ્ળ રેસ્ક્યૂ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-successful-rescue-of-a-female-leopard-from-the-outskirts-of-ratanpur-village</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/chhota-udepur/chhotaudepur-successful-rescue-of-a-female-leopard-from-the-outskirts-of-ratanpur-village</guid><pubDate>Fri, 26 Jun 2026 05:56:04 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">પાવીજેતપુર તાલુકાના ભેંસાવહી નજીક આવેલા રતનપુર ગામની સીમ વિસ્તારમાંથી વન વિભાગે એક માદા દીપડીનું સફ્ળતાપૂર્વક રેસ્ક્યુ કરતાં સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોમાં રાહતની લાગણી ફેલાઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં દીપડીની અવરજવર જોવા મળતી હતી, જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.</p><p style="text-align: justify; ">તા. 20 જૂનના રોજ આ જ વિસ્તારમાં શૈલેષભાઈ રાયસીંગભાઈ રાઠવાની 11 વર્ષની દીકરી ઉપર દીપડા દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો અને વન વિભાગ દ્વારા દીપડીને પકડવા માટે વિશેષ કામગીરી શરૂ કરવામાં આવી હતી.</p><p style="text-align: justify; ">પ્રાપ્ત માહિતી મુજબ રતનપુર ગામની સીમમાં આવેલા શૈલેષભાઈ રાયસીંગભાઈ રાઠવાની ઓરડી નજીક દીપડીની હિલચાલ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પાંજરું ગોઠવી દીપડીને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. લાંબી દેખરેખ અને આયોજન બાદ વન વિભાગની ટીમે માદા દીપડીને સુરક્ષિત રીતે પાંજરે પકડી રેસ્ક્યુ ઓપરેશન સફ્ળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું.વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર પકડાયેલી માદા દીપડીની અંદાજિત ઉંમર એક વર્ષ જેટલી હોવાનું જાણવા મળ્યું છે. દીપડી સ્વસ્થ હાલતમાં હોવાનું પણ અધિકારીઓએ જણાવ્યું હતું. રેસ્ક્યુ બાદ તેને યોગ્ય સ્થળે ખસેડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.</p><p style="text-align: justify; ">દીપડી પાંજરે પુરાતા રતનપુર ગામ તેમજ આસપાસના વિસ્તારોના લોકો અને ખેડૂતોમાં હાશકારો જોવા મળ્યો હતો. ગ્રામજનોએ વન વિભાગની ઝડપી કામગીરીને બિરદાવી હતી અને ભવિષ્યમાં પણ જંગલી પ્રાણીઓની અવરજવર પર નજર રાખવાની માંગ કરી હતી.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/dthMdZk7OoQb7hciKmb900pdors0UNrzarMCX6br.webp'/></item><item><title><![CDATA[Ahmedabad: સાણંદ તાલુકાના પીંપણ ગામે તેમજ મોડેલ સ્કૂલમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ ઉજવાયો ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-inauguration-ceremony-celebrated-in-pippan-village-of-sanand-taluka-and-at-model-school-in-the-presence-of-the-chief-minister</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/ahmedabad-inauguration-ceremony-celebrated-in-pippan-village-of-sanand-taluka-and-at-model-school-in-the-presence-of-the-chief-minister</guid><pubDate>Fri, 26 Jun 2026 05:38:20 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સાણંદ : સાણંદ તાલુકાનાં પીંપણ ગામની સરકારી પ્રાથમિક શાળા તેમજ મોડલ સ્કૂલનાં શાળા પ્રવેશોત્સવમાં ગુરુવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે જ્યારે સાણંદ સેમીકન્ટક્ટરનું હબ બની રહ્યું છે ત્યારે આપણા દીકરા-દીકરીઓ પણ ગ્લોબલ સ્તરનું શિક્ષણ મેળવે તે જરૂરી છે. મુખ્યમંત્રીએ સ્કૂલ પરિસરની મુલાકાત લીધી હતી તેમજ સ્માર્ટ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું સાથે - સાથે શાળામાં વ્યવસ્થાપન સમિતિનાં સભ્યો તથા વાલીઓ સાથે બેઠક યોજી હતી. આ પ્રસંગે અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ સુરજીતસિંહ ગોહીલ, ધારાસભ્ય કનુભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા, ડીડીઓ, એસપી, જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેશભાઈ દાવડા, સાણંદ પાલિકા પ્રમુખ ધ્રુમીનભાઈ દોશી, શિક્ષણ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ, શિક્ષકો તેમજ વાલીઓ હાજર રહ્યા હતા.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/KKUr285jfDlaAhEyW9wQZShl8duC74QtnfPyFr5c.webp'/></item><item><title><![CDATA[અણીતામાં વિદ્યાદીપ ટ્રસ્ટની શાળાઓમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ અર્પણ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/educational-kits-were-presented-to-students-in-vidyadeep-trust-schools-in-anita</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/educational-kits-were-presented-to-students-in-vidyadeep-trust-schools-in-anita</guid><pubDate>Fri, 26 Jun 2026 01:15:11 +05:30</pubDate><description><![CDATA[<p>કીમ : કીમ નજીક અણીતા ગામે આવેલી વિદ્યાદિપ ટ્રસ્ટ સંચાલિત જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, સ્વામી વિવેકાનંદ ટ્રાયબલ સ્કૂલ અને રક્ષા શક્તિ સ્કૂલ ખાતે પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગાંધીનગર સાયબર સેન્ટરનાં આઇપીએસ વિવેક ભેડા, ઓલપાડનાં પીઆઇ સી.આર.જાદવ, વિદ્યાદિપ ટ્રસ્ટનાં ચેરમેન જ્યંતીભાઇ પટેલ, કેમ્પસ ડિરેક્ટર મુકુંદભાઇ પટેલ, વહીવટી અધિકારી મુકેશભાઇ પટેલ, આચાર્ય નરેશભાઇ પટેલ, આચાર્ય દયાશંકર ઠાકુર, સીઆરસી પરેશભાઇ તેમજ ગામનાં સરપંચ અને તલાટી સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શાળામાં નવા પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને મહાનુભાવોનાં હસ્તે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા આકર્ષક રંગોળી તેયાર કરવામાં આવી હતી સાથે મહેમાનોનાં હસ્તે શાળા પરીસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/26/CrPzOwbrFle0pbGVj90uqtu8egrYoqKc6z7kMqp2.webp'/></item><item><title><![CDATA[Iran માટે ભારતે નવી ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી, બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ ]]></title><link>https://sandesh.com/india/news/world/india-revised-travel-advisory-iran-avoid-non-essential-travel-security-alert</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/world/india-revised-travel-advisory-iran-avoid-non-essential-travel-security-alert</guid><pubDate>Thu, 25 Jun 2026 22:46:00 +05:30</pubDate><description><![CDATA[<p>ઈરાનમાં સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ફરી એકવાર સુધારેલી ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. એક અઠવાડિયામાં આ બીજી વખત છે જ્યારે ભારતે પોતાના નાગરિકો માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. એમ્બેસી ઓફ ઈન્ડિયા ઈન તેહરાને જણાવ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં સુરક્ષા સ્થિતિમાં સુધારાના સકારાત્મક સંકેતો જોવા મળ્યા છે, છતાં પરિસ્થિતિ હજુ સંપૂર્ણપણે સામાન્ય નથી.</p><h2><b>વિશેષ સાવચેતી રાખવા અપીલ&nbsp;</b></h2><p>ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને આગામી સૂચના સુધી ઈરાનની બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે. જોકે જેમના માટે ઈરાન જવું અનિવાર્ય હોય અથવા જે પહેલેથી ત્યાં રહેતા હોય, તેમને વિશેષ સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે. દૂતાવાસે ઈરાનમાં રહેલા ભારતીયોને સ્થાનિક સત્તાધિકારીઓના સૂચનોનું પાલન કરવા અને વિશ્વસનીય સ્ત્રોતો પાસેથી સુરક્ષા સંબંધિત માહિતી મેળવતા રહેવા અપીલ કરી છે.&nbsp;</p><h3><b>અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઘટાડવાના પ્રયાસો&nbsp;</b></h3><p>સાથે જ ઈરાનમાં હાજર અને નવા પહોંચતા તમામ ભારતીય નાગરિકોને દૂતાવાસમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. ઈમરજન્સી માટે હેલ્પલાઈન નંબર અને ઈમેલ સુવિધા પણ જાહેર કરવામાં આવી છે. આ એડવાઈઝરી એવા સમયે બહાર પાડવામાં આવી છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઘટાડવાના પ્રયાસો ચાલી રહ્યા છે. બંને દેશો વચ્ચે તાજેતરમાં કતાર અને પાકિસ્તાન જેવા મધ્યસ્થી દેશોની મદદથી ચર્ચાનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે. બંને પક્ષોએ આગામી 60 દિવસમાં વ્યાપક સમજૂતી તરફ આગળ વધવા માટે માર્ગનકશો તૈયાર કરવા સંમતિ દર્શાવી હોવાનું જણાવાયું છે.</p><p>ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે પરિસ્થિતિમાં સુધારો જોવા મળ્યો હોવા છતાં સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે. પશ્ચિમ એશિયામાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા તણાવને કારણે ભારત સતત પોતાના નાગરિકોની સુરક્ષા પર નજર રાખી રહ્યું છે અને સમયાંતરે જરૂરી માર્ગદર્શન આપી રહ્યું છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/are-passport--aadhaar-and-voter-id-not-proof-of-indian-citizenship" target="_blank">આ પણ વાંચો : Sandesh Digital Explainer: શું પાસપોર્ટ, આધાર અને ચૂંટણી કાર્ડ નાગરિક હોવાનો પૂરાવો નથી?</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/BWjN4MsQNQaBDrZoUm3boWXEHtPKqaajbKmw9v1y.webp'/></item><item><title><![CDATA[Ram Mandir Donation Row : દાન ચોરી મામલે 8 લોકો સામે નામજોગ FIR દાખલ ]]></title><link>https://sandesh.com/india/news/ram-mandir-donation-row-fir-against-8-accused-ayodhya-donation-theft-case</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/ram-mandir-donation-row-fir-against-8-accused-ayodhya-donation-theft-case</guid><pubDate>Thu, 25 Jun 2026 21:17:05 +05:30</pubDate><description><![CDATA[<p>અયોધ્યાના રામ મંદિરમાં દાનની રકમમાં થયેલી કથિત ગેરરીતિના મામલે ગુરુવારે સત્તાવાર રીતે FIR નોંધવામાં આવી છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની ફરિયાદ અને વિશેષ તપાસ ટીમ (SIT)ની ભલામણ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/ANI/status/2070152157630963907"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><h2><b>કોના કોના નામ છે સામેલ?</b></h2><p>મળતી માહિતી અનુસાર, FIRમાં કુલ 8 લોકોના નામ સામેલ કરવામાં આવ્યા છે. જેમાં લવકુશ મિશ્રા, અનુકલ્પ મિશ્રા, રમાશંકર યાદવ, અવિનાશ શુક્લા, મનીષ યાદવ, રમાશંકર મિશ્રા, સુભાષ અને કરુણેશનો સમાવેશ થાય છે. પોલીસએ મુખ્ય આરોપી લવકુશ મિશ્રા અને અનુકલ્પ મિશ્રાની ધરપકડ કરી છે. બંને મંદિરના દાનમાં મળેલી રોકડની ગણતરી સાથે સંકળાયેલા હોવાનું જણાવવામાં આવ્યું છે.</p><h3><b>વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો&nbsp;</b></h3><p>આ ઉપરાંત કેટલાક અન્ય આરોપીઓને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ સરકારના નિર્દેશ બાદ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે. આરોપોમાં ચોરી, ગબન, છેતરપિંડી, વિશ્વાસઘાત અને ગુનાહિત કાવતરું રચવા જેવા ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે.</p><h4><b>આ કેસ પ્રથમ વખત 7 જૂને ચર્ચામાં આવ્યો</b></h4><p>તપાસ દરમિયાન જેમની પાસેથી રોકડ રકમ મળી આવી છે, તેઓને પણ કેસમાં નામજોગ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, આગામી દિવસોમાં વધુ ધરપકડો થઈ શકે છે. આ કેસ પ્રથમ વખત 7 જૂને ચર્ચામાં આવ્યો હતો, જ્યારે અખિલેશ યાદવે રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા આપવામાં આવેલા કરોડો રૂપિયાના દાનમાં ગેરરીતિના આરોપો લગાવ્યા હતા અને ન્યાયિક તપાસની માગ કરી હતી.<br><br><b><a href="https://sandesh.com/india/breakingnews/lpg-supply-restrictions-removed-india-government-decision-free-distribution" target="_blank">આ પણ વાંચો : LPG Supply Restrictions : કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, LPG સપ્લાય પર લાગેલા તમામ પ્રતિબંધો હટાવ્યા</a></b></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/J9Zm9MAYr7Zy4NcRFDhs9r8DpUx0EyLkycrDrMDE.webp'/></item><item><title><![CDATA[Samantha Confirm Pregnancy: સમન્થા અને રાજ બનશે માતા-પિતા, અભિનેત્રીએ પ્રસૂતિ વિરામની કરી જાહેરાત ]]></title><link>https://sandesh.com/entertainment/news/india/samantha-confirms-pregnancy-samantha-and-raj-will-become-parents-actress-announces-maternity-leave</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/india/samantha-confirms-pregnancy-samantha-and-raj-will-become-parents-actress-announces-maternity-leave</guid><pubDate>Thu, 25 Jun 2026 18:38:09 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">સમન્થા રૂથ પ્રભુ અને રાજ નિદિમોરુ તેમના પ્રથમ બાળકને આવકારવા માટે તૈયાર છે.&nbsp;</p><h2 style="text-align: justify; ">ચાહકોને ખુશ થવા માટે આપ્યુ કારણ</h2><p style="text-align: justify; ">સમન્થાની 'મા ઇન્તી બંગારામ' બોક્સ ઓફિસ પર જોરદાર સારું પ્રદર્શન કરી રહી છે. ફિલ્મ રિલીઝ થયાના માત્ર છ દિવસમાં જ તેના બજેટમાં બમણી કમાણી કરી ચૂકી છે. 'મા ઇન્તી બંગારામ'ની સફળતાનો આનંદ માણી રહેલી સામન્થા રૂથ પ્રભુએ ચાહકોને ખુશ થવા માટે બીજું કારણ આપ્યું છે. અભિનેત્રીએ તેની ગર્ભાવસ્થાની પુષ્ટિ કરી છે. આ સારા સમાચાર શેર કરતા, સામન્થાએ એ પણ જાહેરાત કરી કે, તે ટૂંક સમયમાં પ્રસૂતિ વિરામ લેશે.</p><h3 style="text-align: justify; ">મેટરનિટી લીવ લેશે સામન્થા</h3><p style="text-align: justify; ">સમન્થા રૂથ પ્રભુએ બુધવારે હૈદરાબાદમાં તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ મા ઇન્તી બંગારામની સફળતાની મીટિંગમાં આ સારા સમાચાર શેર કર્યા. આ કાર્યક્રમમાં મીડિયા સાથે વાત કરતા, સામન્થાએ કહ્યું કે તે તેના વર્તમાન પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા પછી થોડા સમય માટે અભિનયમાંથી વિરામ લેવાની યોજના ધરાવે છે. સામન્થાએ કહ્યું, મા ઇન્તી બંગારામ પછી, મારી તબિયત ખરાબ હોવાથી મારે થોડો સમય વિરામ લેવો પડશે. મારે મેટરનિટી લીવ લેવી પડશે. તે પછી, હું મારા ચાહકો માટે બીજી ફિલ્મ લઈને પાછી આવીશ.</p><h4 style="text-align: justify; ">"મા ઇન્તી બંગારામ"ની સફળતાની ઉજવણી</h4><p style="text-align: justify; ">આ જાહેરાત પછી, હાજર લોકોએ સામન્થાને અભિનંદન પાઠવ્યા. અભિનેત્રીએ બધાનો આભાર પણ માન્યો અને તેમના પ્રેમ અને સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.નોંધનીય છે કે જ્યારે સામન્થાએ તેની ગર્ભાવસ્થાની પુષ્ટિ કરી, ત્યારે તેના પતિ રાજ નિદિમોરુ તેની બાજુમાં બેઠેલા હતા અને હાજર રહેલા લોકો સાથે હસતા હસતા જોવા મળ્યા. સામન્થાની ગર્ભાવસ્થાની પુષ્ટિ "મા ઇન્તી બંગારામ" ના સફળતાના ઉજવણીના ક્લિપ્સ વાયરલ થયા પછી આવી છે, જેમાં ચાહકોએ અભિનેત્રીને તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોઈ હતી.&nbsp;</p><h5 style="text-align: justify; ">સમન્થા અને રાજનું અંગત જીવન&nbsp;</h5><p style="text-align: justify; ">સમન્થાએ અભિનેતા નાગા ચૈતન્ય સાથે થોડા વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ 2017માં લગ્ન કર્યા હતા. પરંતુ આ દંપતી 2021માં અલગ થયુ હતુ. રાજના પહેલા લગ્ન શ્યામલી ડે સાથે થયા હતા, અને તેઓ ક્યારે અલગ થયા તે જાણી શકાયું નથી. સમન્થાએ રાજ સાથે ધ ફેમિલી મેન સીઝન 2 અને સિટાડેલ: હની બનીમાં કામ કર્યું હતું. ગયા વર્ષે, તેણીએ 1 ડિસેમ્બર, 2025 ના રોજ તેમના લગ્ન પહેલા તેના સોશિયલ મીડિયા પર રાજના ફોટા પોસ્ટ કરવાનું શરૂ કર્યું. જોકે તેમના ડેટિંગની અફવાઓ હતી, પરંતુ તેમના લગ્નના સમાચાર આશ્ચર્યજનક હતા. તેઓએ કોઈમ્બતુરના ઈશા યોગ સેન્ટરમાં લગ્ન કર્યા હતા.</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ <a href="https://sandesh.com/india/news/business/flight-ticket-price-drop-relief-news-for-air-passengers-flight-tickets-may-soon-become-cheaper" target="_blank">હવાઈ ​​મુસાફરો માટે રાહતના સમાચાર, ફ્લાઇટ ટિકિટ ટૂંક સમયમાં થઈ શકે છે સસ્તી</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/Vy6Xl7l3oCADsU3N2dahUNxXe5KysrsUwkvIvD8p.webp'/></item><item><title><![CDATA[Share Market 26 જૂનથી સતત 3 દિવસ રહેશે બંધ, જાણો કારણ ]]></title><link>https://sandesh.com/business/news/share-market-closed-3-days-muharram-holiday-on-june-26</link><guid isPermaLink="true">https://sandesh.com/business/news/share-market-closed-3-days-muharram-holiday-on-june-26</guid><pubDate>Thu, 25 Jun 2026 18:01:01 +05:30</pubDate><description><![CDATA[<p>મુહર્રમના તહેવારને કારણે દેશના શેરબજારમાં આ સપ્તાહે ટ્રેડિંગનો એક દિવસ ઓછો રહ્યો છે. સામાન્ય રીતે પાંચ દિવસ ખુલ્લા રહેતા બજારોમાં આ વખતે માત્ર ચાર દિવસ જ વેપાર થયો. હવે 26 જૂનના રોજ દેશના મુખ્ય શેરબજાર BSE અને NSE સંપૂર્ણ રીતે બંધ રહેશે.</p><h2><b>રોકાણકારોને શેરની ખરીદી અને વેચાણ માટે રાહ જોવી પડશે</b></h2><p>મુહર્રમની રજાને કારણે રોકાણકારોને સતત ત્રણ દિવસ સુધી બજારમાં ટ્રેડિંગનો અવકાશ નહીં મળે. આ દરમિયાન શુક્રવારથી લઈને રવિવાર સુધી બજાર બંધ રહેશે અને ફરી 29 જૂન, સોમવારથી નિયમિત કામગીરી શરૂ થશે. આથી રોકાણકારો માટે ખરીદી અને વેચાણ માટે રાહ જોવી પડશે. આ સાથે કમોડિટી માર્કેટ MCX ઈન્ડિયામાં પણ 26 જૂને ખાસ ફેરફાર રહેશે. અહીં સવારે સત્રનું ટ્રેડિંગ બંધ રહેશે, જ્યારે સાંજનું સત્ર યથાવત ચાલુ રહેશે.</p><p>શેરબજારના હોલિડે કેલેન્ડર મુજબ વર્ષ દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ તહેવારો પર રજાઓ રહે છે. આગામી સમયમાં 15 ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ), 14 સપ્ટેમ્બર (ગણેશ ચતુર્થી), 2 ઓક્ટોબર (મહાત્મા ગાંધી જયંતિ) અને 20 ઓક્ટોબર (દશેરા) પર પણ બજાર બંધ રહેશે. જોકે આ વર્ષે 15 ઓગસ્ટ શનિવાર હોવાથી તે સ્વાભાવિક રજામાં આવી જાય છે.</p><h3><b>બેન્કો અને સરકારી કચેરીઓ પણ 26 જૂને બંધ રહેશે</b></h3><p>બીજી તરફ, દેશના મોટા ભાગના વિસ્તારોમાં બેન્કો અને સરકારી કચેરીઓ પણ 26 જૂને બંધ રહેશે. જોકે અમદાવાદ, ભુવનેશ્વર, ચંડીગઢ, દેહરાદૂન, ગંગટોક, ગુવાહાટી, ઈમ્ફાલ, ઇટાનગર, જયપુર, કોહિમા, શિમલા, શિલોંગ અને તિરુવનંતપુરમ જેવા શહેરોમાં બેન્કો કાર્યરત રહેશે. વધુમાં, 27 જૂને મહિનાનો ચોથો શનિવાર હોવાથી બેન્કો બંધ રહેશે. સામાન્ય રીતે દર મહિનાના બીજા અને ચોથા શનિવારે બેન્કોમાં રજા હોય છે. આ તમામ રજાઓને કારણે રોકાણકારો અને સામાન્ય નાગરિકોએ આગામી દિવસોમાં પોતાના નાણાકીય વ્યવહારોનું આયોજન કરી લેવું જરૂરી બન્યું છે.</p><p><b><a href="https://sandesh.com/india/news/business/india-government-psu-share-sale-ofs-rs-25491-crore-highest-in-11-years" target="_blank">આ પણ વાંચો : PSUs Share Sale : 11 વર્ષમાં સરકારે સૌથી વધુ શેર વેચ્યા, OFS દ્વારા 25,491 કરોડ એકત્ર કરાયા</a></b></p><p><b>ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.</b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/5EU6pHqbrpBtHnwNkFwnnTmlxXH21F0WPT978IL2.webp'/></item><item><title><![CDATA[FIFA World Cup 2026: બોસ્નિયાએ કતારને હરાવીને નોકઆઉટમાં પહોંચવાની આશા રાખી જીવંત ]]></title><link>https://sandesh.com/sports/news/bosnia-herzegovina-vs-qatar-3-1-win-tournament-hopes</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/bosnia-herzegovina-vs-qatar-3-1-win-tournament-hopes</guid><pubDate>Thu, 25 Jun 2026 16:27:53 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">સિએટલ સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી મેચમાં બોસ્નિયા અને હર્ઝેગોવિનાએ કતારને 3-1થી હરાવીને પોતાની ટુર્નામેન્ટની આશા મજબૂત કરી. બોસ્નિયાએ પહેલા હાફમાં આક્રમક શરૂઆત કરી અને 29મી મિનિટે 18 વર્ષના કેરીમ અલાજબેગોવિચે બોક્સની બહારથી શાનદાર ગોલ કરીને ટીમને લીડ અપાવી.</p><h2 style="text-align: justify; "><b>બોસ્નિયા અને હર્ઝેગોવિનાએ લીડ બમણી કરી</b></h2><p style="text-align: justify; ">34મી મિનિટે બોસ્નિયાની લીડ બમણી થઈ ગઈ જ્યારે કતારના સુલતાન અલ્બ્રેકે (સ્કોરકાર્ડ મુજબ મહમૂદ અબુનાદા) એડિન ડઝેકોના ક્રોસને ક્લિયર કરવાનો પ્રયાસ કરતી વખતે બોલને પોતાના જ ગોલમાં ડિફ્લેક્ટ કર્યો.</p><p style="text-align: justify; ">પરંતુ કતારે વાપસી કરવાનો પ્રયાસ કર્યો અને 42મી મિનિટે અનુભવી હસન અલ્હાયડોસે ગોલ કરીને 2-1નો ફરક બનાવ્યો. પ્રથમ હાફ આ સ્કોર સાથે સમાપ્ત થયો.</p><h3 style="text-align: justify; "><b>એરમિન માહમિકના ડિફ્લેક્ટેડ શોટે કતારની આશાઓ પર પાણી ફેરવ્યું</b></h3><p style="text-align: justify; ">બીજા હાફમાં કતારે બરાબરી માટે દબાણ કર્યું અને કેટલીક સારી તકો બનાવી, પરંતુ બોસ્નિયાએ પોતાનો સંયમ જાળવી રાખ્યો. 80મી મિનિટે સબસ્ટિટ્યૂટ એરમિન માહમિકના ડિફ્લેક્ટેડ શોટે કતારની આશાઓ પર પાણી ફેરવી દીધું. આ જીત સાથે બોસ્નિયાએ 3-1થી નિર્ણાયક વિજય મેળવ્યો.</p><p style="text-align: justify; ">આ જીતથી બોસ્નિયા અને હર્ઝેગોવિનાને 4 પોઈન્ટ પણ મળ્યા, પરંતુ ગોલ તફાવત અને અન્ય માપદંડોને કારણે, ટીમ ત્રીજા સ્થાને રહી. હવે તેઓ અન્ય જૂથોના પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરશે, કારણ કે તેઓ બેસ્ટ ત્રીજા ક્રમાંકિત ટીમોમાં જોડાઈને રાઉન્ડ 32માં સ્થાન મેળવી શકે છે.</p><p style="text-align: justify; "><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/entertainment/virat-kohli-photos-with-son-akaay-anushka-sharma" target="_blank">Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા&nbsp;</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/25/m8FwBuWVmBwMw2qSdCi9Bdthh1IC1o24akZVfjW8.webp'/></item></channel></rss>