<?xml version='1.0' encoding='UTF-8' ?><rss xmlns:image="http://purl.org/rss/1.0/modules/image/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title>SANDESH | RSS</title><link>https://sandesh.com/</link><atom:link href="https://sdplcms.sandesh.com/rss/top-10.xml" rel="self" type="application/rss+xml" /><description>Top ten Gujarati news</description><language>gu</language><item><title><![CDATA[ઉમરગામ ભીલાડ રેલવે ફાટક પાસે ટ્રકે 3 વાહનોને ટક્કર મારી, સેલવાસની મહિલાનું મોત ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/valsad/truck-hits-3-vehicles-near-umargam-bhilad-railway-gate-woman-from-selvas-dies</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/valsad/truck-hits-3-vehicles-near-umargam-bhilad-railway-gate-woman-from-selvas-dies</guid><pubDate>Tue, 16 Jun 2026 00:58:09 +05:30</pubDate><description><![CDATA[<p>ભીલાડ રેલવે ફાટક પાસે નેશનલ હાઈવે-48ના સર્વિસ</p><p>રોડ પર સર્જાયેલા અકસ્માતમાં ટ્રકે ડસ્ટર કારને ટક્કર માર્યા બાદ ઊભેલી ઇનોવા કાર</p><p>તથા અન્ય એક ટેમ્પોને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલાનું કરુણ</p><p>મોત નીપજ્યું હતું.</p><p>સેલવાસના આંબલી ફુવારા ખાતે રહેતા ભાવેશભાઈ</p><p>નટુભાઈ પટેલ રવિવારે પરિવારના સભ્યો સાથે ઇનોવા કાર લઈને કનાડુ-બિલીયા ગામે જવા</p><p>નીકળ્યા હતા. બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં તેઓ ભીલાડ ફાટક પાસે સર્વિસ રોડ પર</p><p>ઊભા હતા. તે સમયે મુંબઈ તરફ્થી વાપી તરફ્ આવતી ટાટા ટ્રક (GJ 02 BT 3988)ના ચાલક અખિલેશ પ્રભુભાઈ પાલે (રહે. ઊંઝા, મહેસાણા, મૂળ રહે. યુ.પી.) પોતાની ટ્રકને ગફલતભરી રીતે હંકારી</p><p>લાવી સર્વિસ રોડ પરથી હાઈવે પર આવતી ડસ્ટર કારને ટક્કર મારી હતી. જે બાદ ચાલકે ટ્રકના સ્ટેયરિંગ પરનો</p><p>કાબૂ ગુમાવી સર્વિસ રોડ પર ઊભેલી ભાવેશભાઈની ઇનોવા કાર તેમજ કેરી ભરેલા ટેમ્પોને જોરદાર</p><p>ટક્કર વાગી હતી. આ ટક્કરને કારણે ઇનોવા કારમાં બેસેલા પરિવારના સભ્યોને નાની-મોટી ઈજાઓ થતાં તાત્કાલિક વાપીની હોસ્પિટલ</p><p>ખાતે સારવાર માટે લઈ જવાયા હતા. જ્યારે, ભાવેશભાઈના ફોઈ મંજુબેનને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમને તાત્કાલિક ભીલાડ સરકારી</p><p>દવાખાને લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/VvaHlij0sAqegdbcxUgSk6k5SJwPriCYFDN8kRwS.webp'/></item><item><title><![CDATA[બારડોલીના જ્યોતિ ઉત્કર્ષ સંસ્થાન દ્વારા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bardoli/free-notebook-distribution-to-students-by-jyoti-utkarsh-sansthan-bardoli</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/bardoli/free-notebook-distribution-to-students-by-jyoti-utkarsh-sansthan-bardoli</guid><pubDate>Tue, 16 Jun 2026 00:56:55 +05:30</pubDate><description><![CDATA[<p>બારડોલી : બારડોલી તાલુકાના ભુવાસણ-ઝાંખરડા</p><p>ખાતે કાર્યરત જ્યોતિ ઉત્કર્ષ સંસ્થાન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવાકીય</p><p>પરંપરા જાળવી રાખવામાં આવી છે. સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિના</p><p>મૂલ્યે નોટબુક વિતરણ કરવાનો એક સરાહનીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.</p><p>સેવાકાર્યમાં જ્યોતિ ઉત્કર્ષ સંસ્થાનના પ્રમુખ અલ્પેશભાઈ માહ્યાવંશી , ઉપપ્રમુખ નરેશભાઈ માહ્યાવંશી, હિતેશ માહ્યાવંશી,મંત્રી ભરતભાઈ માહ્યાવંશી, સહમંત્રી હેમાન્સુ</p><p>માહ્યાવંશી, પ્રમોદભાઈ માહ્યાવંશી તેમજ ખજાનચી નિમેષ</p><p>માહ્યાવંશી સહિતના તમામ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દાતા મોહનભાઈ</p><p>માહ્યાવંશી અને સંસ્થાના હોદ્દેદારોના વરદ હસ્તે વિદ્યાર્થીઓને નોટબુકનું વિરતણ</p><p>કરવામાં આવ્યું હતું. સંસ્થાના આ ભાગીરથ લાભ કુલ 242 જેલા જરૂરિયામંદ</p><p>વિદ્યાર્થીઓને મળ્યો છે. આ વિતરણ વ્યવસ્થામાં સમાજના તમામ વર્ગોનો સમાવેશ કરવામાં</p><p>આવ્યો હતો. જેમાં મુખ્યત્વે 13 અનુસૂચિત જાતિ, 223 અનુસૂચિત</p><p>જનજાતિ, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ અને ઓપન</p><p>કેટેગરીના 1 વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક પૂરી પાડીને પ્રોત્સાહિત કરવામાં</p><p>આવ્યા હતા.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/9xSkqZMhMFrM6wGL4sfePz3DHxLlnAADCFCHn1bS.webp'/></item><item><title><![CDATA[કીમ કાર રોંગ સાઇડ જઇ ટ્રક સાથે અથડાઈ : ભરૂચના 4ને ઈજા ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/kims-car-went-on-the-wrong-side-and-collided-with-a-truck-4-people-from-bharuch-were-injured</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/kims-car-went-on-the-wrong-side-and-collided-with-a-truck-4-people-from-bharuch-were-injured</guid><pubDate>Tue, 16 Jun 2026 00:54:09 +05:30</pubDate><description><![CDATA[<p>મોટી નરોલી નજીક ટોલનાકા પર એક્સપ્રેસ વે પર</p><p>રોંગ સાઇડથી જઇ રહેલી ઇનોવા કાર ધડાકાભેર સામેથી આવતા ટ્રક-ટ્રેલર સાથે અથડાઈ હતી.</p><p>આ અકસ્માતમાં ઇનોવામાં સવાર ચાર લોકોને ઇજા થતાં કીમની હોસ્પિટલમાં ખસેડવામાં</p><p>આવ્યા હતા.પાલોદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ મોટી નરોલી ગામ નજીક એક્સપ્રેસ વે પર</p><p>મુંબઇથી પેસેન્જરો ભરીને ભરૂચ તરફ જઇ રહેલી ઇનોવા કારના ચાલકે નિયમ વિરુદ્ધ રોંગ</p><p>સાઇડ તરફ હાંકતા સામેથી આવી રહેલા ટ્રેલર ટ્રક સાથે ધડાકાભેર અકસ્માત થયો હતો. આ</p><p>બાદ એક્સપ્રેસ વે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. બનાવની જાણ થતા જિલ્લા ટ્રાફિક પોલીસ</p><p>સહિત સ્થાનિક પાલોદ પોલીસ બનાવના સ્થળે દોડી ગઇ હતી. અને બંને અકસ્માતગ્રસ્ત</p><p>વાહનોને ટ્રેલરના માધ્યમથી રોડની સાઇડમાં ખસેડી ટ્રાફિક હળવો કરાવ્યો હતો.</p><p>અકસ્માતની ઘટનામાં ઇનોવામાં સવાર ભરૂચના મુસ્લિમ પરિવારના ચાર જેટલા લોકોને ઇજા</p><p>થતાં કીમ સ્થિત સાધના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/s8nFaoVaoz0BoaboYPuR3QhEWCDYLt5JBmqqeGPX.webp'/></item><item><title><![CDATA[નકલી નકાબઃ કડીના કરીમે હિન્દુ ઉદ્યોગપતિ બનીને 100થી વધુ વિધવા મહિલાઓને પ્રેમજાળમાં ફસાવી ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/fake-niqab-kadina-karim-lured-more-than-100-widows-into-love-trap-by-posing-as-a-hindu-businessman</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/ahmedabad/fake-niqab-kadina-karim-lured-more-than-100-widows-into-love-trap-by-posing-as-a-hindu-businessman</guid><pubDate>Tue, 16 Jun 2026 00:33:25 +05:30</pubDate><description><![CDATA[<p>મેટ્રિમોનિયલ સાઇટ પર આદિત્ય પટેલ નામ ધારણ કરી જીવનસાથીની શોધમાં રહેલી મહિલાઓને પ્રેમ, લગ્ન અને વૈભવી જીવનના સપના બતાવી ફ્સાવનાર કરીમ રફીક સિપાહી અત્યાર સુધીમાં 100થી વધુ વિધવા મહિલાઓને શિકાર બનાવી હોવાની વિગતો સામે આવી છે. હાલમાં ધરપકડ કરાયેલા આરોપીને કોર્ટે રિમાન્ડ ન આપતાં સાબરમતી જેલમાં મોકલી આપ્યો છે. હવે વિધવા મહિલાઓને ટારગેટ કરવા માટે ફેક આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ જેવા દસ્તાવેજો કયા બનાવ્યા, કઈ રીતે બનાવ્યા તે દિશામાં તપાસ શરુ કરાઈ છે. મહત્વનું છે કે, નકલી ડોકયુમેન્ટ અંગે કરીમ વિરૂદ્ધમાં ક્રાઇમ બ્રાન્ચ આગામી દિવસોમાં અલગથી ગુનો નોંધવાની તજવીજ હાથધરશે. મહેસાણાના કડી વિસ્તારનો રહેવાસી કરીમ રફીક સિપાહી મેટ્રિમોનિયલ સાઇટ પર આદિત્ય પટેલ નામે પ્રોફાઇલ બનાવી પોતે સફ્ળ ઉદ્યોગપતિ, જમીનદાર અને વિધુર હોવાનું દર્શાવતો હતો. ખાસ કરીને વિધવા અને છૂટાછેડા લીધેલી મહિલાઓને ટાર્ગેટ કરીને તેમની સાથે સતત સંપર્ક સાધતો, લાગણીસભર વાતો કરતો અને વિશ્વાસ જીત્યા બાદ પ્રેમજાળમાં ફ્સાવતો હતો.આરોપી પાસે આદિત્ય પટેલ નામના આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટ સહિતના દસ્તાવેજો મળી આવ્યા છે. એટલું જ નહીં, પત્નીનું અવસાન થયું હોવાનું દર્શાવતું ખોટું ડેથ સર્ટિફ્કિેટ પણ તેણે તૈયાર કરાવ્યું હોવાનું સામે આવ્યું છે.પોલીસે આરોપીના મોબાઇલ ફોનમાંથી હજારો ફોટોગ્રાફ્સ, વીડિયો અને અનેક મહિલાઓ સાથેની ચેટ્સ કબજે કરી છે. અંદાજે 8 હજારથી વધુ ડિજિટલ ફાઇલોની તપાસ ચા રહી છે.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/CFTC67O1D9jRixrsVdrkIXeabHjCzgU5RQ9N0FJ7.webp'/></item><item><title><![CDATA['જેટલું મોડું કરશો એટલો દંડ વધશે': વડોદરાના પ્લોટ પર કથિત ગેરકાયદે કબજા મુદ્દે HCની ટકોર ]]></title><link>https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/the-more-you-delay-the-more-the-fine-will-increase-hc-slams-vadodara-over-alleged-illegal-possession-of-plot</link><guid isPermaLink="true">https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/vadodara/the-more-you-delay-the-more-the-fine-will-increase-hc-slams-vadodara-over-alleged-illegal-possession-of-plot</guid><pubDate>Tue, 16 Jun 2026 00:32:38 +05:30</pubDate><description><![CDATA[<p>વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ટીપી સ્કીમ નંબર-22ના ફાઇનલ પ્લોટ નંબર-90ના પ્લોટ પર ગેરકાયદે કબજો કરવાના વિવાદમાં પશ્ચિમ બંગાળના TMC સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ્પઠાણ દ્વારા આજે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી સમયની માંગણી કરાઈ હતી. ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એ. રેની ખંડપીઠે યુસુફ્ પઠાણને જરૂરી જવાબ કે રજૂઆત કરવા માટે ચાર સપ્તાહનો સમય આપ્યો હતો. સાથે સાથે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, અદાલત તમને સમય આપે છે પરંતુ તમે જેટલું મોડું કરશો એટલો દંડ વધારે થશે, કારણ કે વર્ષ 2014થી તમારો જમીન પર અનઅધિકૃત કબજો છે. પૂર્વ ક્રિકેટર યુસુફ્ પઠાણ તરફ્થી અરજી કરી જણાવાયું હતું કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોને જમીન ફાળવણી અંગે સરકારની જે નીતિઓ છે તે સહિતની કેટલીક બાબતો તેઓ અદાલતના ધ્યાન પર મૂકવા માંગે છે અને આ કેસમાં પોતાનો જરૂરી પક્ષ રજૂ કરવા ઇચ્છે છે તેથી થોડો સમય આપવામાં આવે. તેથી હાઇકોર્ટે યુસુફ્ પઠાણને ચાર સપ્તાહનો સમય આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પૂર્વ ક્રિકેટર યુસુફ્ પઠાણ દ્વારા વડોદરામાં જમીન મેળવવા માટે અરજી કરાતાં વર્ષ 2012માં મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ ઠરાવ પસાર કરીને માર્કેટ કિંમતે જમીન આપવા અંગે પ્રસ્તાવ કર્યો હતો. વડોદરા મનપાની સામાન્ય સભાએ તેને મંજૂરી આપી પરંતુ રાજ્ય સરકારે વર્ષ 2024માં જમીન આપવાની અરજી નકારી કાઢી હતી.</p><p><a href="https://sandesh.com/maru-saher-maru-gaam" target="_blank">ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો</a></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/16/QbIs9SK9CcPFqiYygJ6AQOLvSNZU6abA7kaKEWOX.webp'/></item><item><title><![CDATA[Education : વિદ્યાર્થીઓને નહીં પડે કોઈ મુશ્કેલી, જલ્દી જ મળશે પુસ્તકો : NCERT ]]></title><link>https://sandesh.com/india/news/education-ncert-assures-timely-availability-of-updated-textbooks-nep-2020</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/education-ncert-assures-timely-availability-of-updated-textbooks-nep-2020</guid><pubDate>Mon, 15 Jun 2026 22:50:48 +05:30</pubDate><description><![CDATA[<p>દેશભરના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. NCERTએ સ્પષ્ટતા કરી છે કે નવીનતમ અભ્યાસક્રમ અનુસાર તૈયાર કરાયેલી તમામ પાઠ્યપુસ્તકો ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. પુસ્તકોની અછત અંગે ઊભી થયેલી ચિંતાઓ વચ્ચે NCERTએ જણાવ્યું છે કે સપ્લાય વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં તમામ વિદ્યાર્થીઓ સુધી પુસ્તકો પહોંચાડવામાં આવશે.</p><h2><b>સોશિયલ સાયન્સનું પુસ્તક પણ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે</b></h2><p>NCERTના જણાવ્યા અનુસાર નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 (NEP 2020) હેઠળ નવા અભ્યાસક્રમને અનુરૂપ પુસ્તકો તબક્કાવાર પ્રકાશિત કરવામાં આવી રહી છે. આ વર્ષે ધોરણ 9ના નવ વિષયોની 90 લાખથી વધુ પાઠ્યપુસ્તકો પ્રકાશિત કરીને દેશભરમાં પહોંચાડવામાં આવી છે. સોશિયલ સાયન્સના પુસ્તક સિવાય મોટાભાગની પુસ્તકો વિદ્યાર્થીઓ સુધી પહોંચી ચૂકી છે, જ્યારે સોશિયલ સાયન્સનું પુસ્તક પણ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે.</p><h3><b>સ્થાનિક સ્તરે પુસ્તકોની અછત સર્જાઈ</b></h3><p>નવી પુસ્તકોની સપ્લાય માટે NCERT પોતાના વેચાણ કેન્દ્રો, અધિકૃત વિક્રેતાઓ, ઓનલાઈન પોર્ટલ, વિવિધ ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન (CWC)ના સહયોગથી સ્થાપિત સ્ટ્રેટેજિક ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર્સ (SDCs)નો ઉપયોગ કરી રહી છે. કાઉન્સિલે સ્વીકાર્યું છે કે નવા અભ્યાસક્રમના અમલીકરણને કારણે કેટલાક વિસ્તારોમાં તાત્કાલિક અને સ્થાનિક સ્તરે પુસ્તકોની અછત સર્જાઈ શકે છે. જોકે, પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને માગ મુજબ સપ્લાય વધારવાના પ્રયાસો ચાલી રહ્યા છે.</p><h4><b>ટૂંક સમયમાં તમામ સમસ્યાઓનું નિરાકરણ આવશે</b></h4><p>NCERTએ જણાવ્યું કે વિલંબનું મુખ્ય કારણ NEP 2020 આધારિત નવા કરિક્યુલમનો અમલ છે. વિવિધ ધોરણોની પુસ્તકો તબક્કાવાર પ્રકાશિત થઈ રહી હોવાથી શરૂઆતમાં કેટલીક મુશ્કેલીઓ ઊભી થઈ હતી. તેમ છતાં, દરેક વિદ્યાર્થીને સમયસર ગુણવત્તાયુક્ત શિક્ષણ સામગ્રી ઉપલબ્ધ કરાવવાની પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરતાં NCERTએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ટૂંક સમયમાં તમામ સમસ્યાઓનું નિરાકરણ આવી જશે.<br><br><b><a href="https://sandesh.com/india/news/agriculture/pm-kisan-yojana-23rd-installment-release-date-june-20-2026-ekyc-required" target="_blank">આ પણ વાંચો : PM Kisan Yojana : આ અઠવાડિયે ખેડૂતોને મળશે 23મો હપ્તો, સરકારે તારીખની કરી જાહેરાત</a></b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/OYblXvOdD5Par36jH331tWl1Yk4ChxzgrJ89GfL6.webp'/></item><item><title><![CDATA[PM Kisan Yojana : આ અઠવાડિયે ખેડૂતોને મળશે 23મો હપ્તો, સરકારે તારીખની કરી જાહેરાત ]]></title><link>https://sandesh.com/india/news/agriculture/pm-kisan-yojana-23rd-installment-release-date-june-20-2026-ekyc-required</link><guid isPermaLink="true">https://sandesh.com/india/news/agriculture/pm-kisan-yojana-23rd-installment-release-date-june-20-2026-ekyc-required</guid><pubDate>Mon, 15 Jun 2026 21:42:45 +05:30</pubDate><description><![CDATA[<p>દેશના કરોડો ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે PM કિસાન સન્માન નિધિ યોજનાના 23મા હપ્તાની સત્તાવાર તારીખ જાહેર કરી છે. યોજના હેઠળ 20 જૂન, 2026ના રોજ દેશભરના 9 કરોડથી વધુ ખેડૂતોના બેન્ક ખાતામાં સીધા 2,000 રૂપિયા જમા કરવામાં આવશે. જોકે, આ વખતે હપ્તાનો લાભ મેળવવા માટે ઈ-કેવાયસી (e-KYC) પૂર્ણ કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.</p><p><a  target="_blank"><blockquote class="twitter-tweet">
  <a href="https://twitter.com/pmkisanofficial/status/2066493594433999284"></a> 
</blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></a></p><p><br></p><h2><b>ખેડૂતોને ખેતી સંબંધિત ખર્ચમાં સહાયરૂપ થાય છે રકમ&nbsp;</b></h2><p>યોજનાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 23મો હપ્તો 20 જૂને ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. અગાઉ 22મો હપ્તો 13 માર્ચ, 2026ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. આ યોજના ખેડૂતોને ખેતી સંબંધિત ખર્ચમાં સહાયરૂપ બને અને તેમની આર્થિક સ્થિતિ મજબૂત થાય તે હેતુથી શરૂ કરવામાં આવી હતી.</p><h3><b>2019માં શરૂ થઈ હતી યોજના&nbsp;</b></h3><p>પીએમ કિસાન યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર ચાર મહિને 2,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ રીતે વર્ષ દરમિયાન ત્રણ હપ્તામાં કુલ 6,000 રૂપિયા સીધા ખેડૂતોના બેન્ક ખાતામાં જમા થાય છે. આ રકમ બીજ, ખાતર, સિંચાઈ અને અન્ય કૃષિ જરૂરિયાતો પૂરી કરવામાં મદદરૂપ બને છે. વર્ષ 2019માં શરૂ કરાયેલી આ યોજના આજે દેશના કરોડો નાના અને સીમાંત ખેડૂતો માટે મહત્વપૂર્ણ આર્થિક આધાર બની છે.</p><h4><b>આ ખેડૂતોને નહીં મળે રકમ</b></h4><p>22મા હપ્તા દરમિયાન સરકારે 9.32 કરોડ ખેડૂતોના ખાતામાં કુલ 18,640 કરોડ રૂપિયાની સહાય જમા કરાવી હતી. સરકારનું કહેવું છે કે ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT) વ્યવસ્થાના કારણે સહાય સીધી લાભાર્થી સુધી પહોંચે છે અને વચેટિયાઓની ભૂમિકા સમાપ્ત થાય છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે જે ખેડૂતોની ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ નહીં હોય તેમને 23મા હપ્તાની રકમ મળશે નહીં. તેથી ખેડૂતોને 20 જૂન પહેલાં પોતાની ઈ-કેવાયસી ઓનલાઈન અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) મારફતે પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી છે.<br><br><b><a href="https://sandesh.com/india/news/char-dham-yatra-2026-badrinath-record-11-lakh-devotees-darshan" target="_blank">આ પણ વાંચો : Char Dham Yatra 2026 : બદ્રીનાથ ધામમાં વર્ષ 2026માં આસ્થાનો નવો રેકોર્ડ, 11 લાખ ભક્તોએ કર્યા દર્શન</a></b></p><p><br></p><p><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/FpBME2zZxlPe9p4tZfJBO8cJNh3h5qNZ8QTeetpe.webp'/></item><item><title><![CDATA[PM Modi Slovakia Visit: પ્રધાનમંત્રી મોદીએ ઐતિહાસિક યાત્રા દરમિયાન 11 કરાર અને 3 મોટી જાહેરાત કરી ]]></title><link>https://sandesh.com/world/news/business/pm-modi-slovakia-visit-prime-minister-modi-made-11-agreements-and-3-major-announcements-during-the-historic-visit</link><guid isPermaLink="true">https://sandesh.com/world/news/business/pm-modi-slovakia-visit-prime-minister-modi-made-11-agreements-and-3-major-announcements-during-the-historic-visit</guid><pubDate>Mon, 15 Jun 2026 20:40:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; "><br></p><p style="text-align: justify; ">આ ઐતિહાસિક મુલાકાતમાં 11 કરારો પર હસ્તાક્ષર થયા અને 3 મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી.</p><h2 style="text-align: justify; ">પીએમ મોદીનું ઉષ્માભર્યુ સ્વાગત&nbsp;</h2><p style="text-align: justify; ">પીએમ મોદીની 14-15 જૂન 2026ના રોજ સ્લોવાકિયાની મુલાકાત દરમિયાન, બંને દેશોએ તેમના દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈએ લઈ ગયા છે. 11 કરારો પર હસ્તાક્ષર કર્યા અને 3 મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. સૌથી મહત્વપૂર્ણ નિર્ણય એ હતો કે, સંબંધોને વ્યાપક ભાગીદારી સુધી પહોંચાડવામાં આવે. બેઠકો પછી બ્રાતિસ્લાવામાં એક સંયુક્ત પ્રેસ નિવેદનમાં, પીએમ મોદીએ ફિકોનો ઉષ્માભર્યો સ્વાગત બદલ આભાર માન્યો અને તેમને ભારતના નજીકના મિત્ર ગણાવ્યા હતા.</p><h3 style="text-align: justify; ">સંબંધોને મજબૂત બનાવવા કરાર</h3><p style="text-align: justify; ">આ મુલાકાતના મહત્વ પર ભાર મૂકતા પીએમ મોદીએ આપણા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાની જાહેરાત કરી. તેમણે કહ્યું, આ કોઈ ભારતીય વડા પ્રધાનની સ્લોવાકિયાની પ્રથમ મુલાકાત છે. મને આનંદ છે કે આ ઐતિહાસિક પ્રસંગે, આપણે આપણા સંબંધોને વ્યાપક ભાગીદારી સુધી પહોંચાડવાનો નિર્ણય લીધો છે. આ આપણી સહિયારી વિશ્વાસ, સામાન્ય પ્રાથમિકતાઓ અને સહિયારી ભવિષ્યનું પ્રતીક છે.</p><h4 style="text-align: justify; ">મુખ્ય કરારો અને નિર્ણયો</h4><p style="text-align: justify; ">1. શ્રમ સ્થળાંતરને પ્રોત્સાહન આપવા માટે ભારત અને સ્લોવાકિયા વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.</p><p style="text-align: justify; ">2. સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે એક પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.</p><p style="text-align: justify; ">3. ડિજિટલ ટેકનોલોજીના ક્ષેત્રમાં ભાગીદારીને મજબૂત બનાવવા માટે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.</p><p style="text-align: justify; ">4. ઉચ્ચ શિક્ષણ અને સંશોધનમાં સહયોગ વધારવા માટે એક સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.</p><p style="text-align: justify; ">5. ફિલ્મ, ટેલિવિઝન અને અન્ય સર્જનાત્મક ક્ષેત્રોમાં સહયોગ માટે ઑડિઓ-વિઝ્યુઅલ સર્જન પર એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.</p><p style="text-align: justify; ">6. સ્લોવાકિયાની કોસિસે ટેકનિકલ યુનિવર્સિટી ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર પ્રથમ ICCR ચેર સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો.</p><p style="text-align: justify; ">7. ક્વોન્ટમ કોમ્યુનિકેશન અને ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોટેક્શનના ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે એક કરાર થયો.</p><p style="text-align: justify; ">8. આયુષ મંત્રાલયની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેચરોપેથી, પુણે અને હેલ્થ સ્પા પીશાની, સ્લોવાકિયા વચ્ચે એક કરાર થયો.</p><p style="text-align: justify; ">9. IIT દિલ્હી અને સ્લોવાક ટેકનિકલ યુનિવર્સિટી વચ્ચે વિદ્યાર્થી વિનિમય, શિષ્યવૃત્તિ અને સંયુક્ત સંશોધન કાર્યક્રમો પર એક કરાર થયો.</p><p style="text-align: justify; ">10. બંને દેશોના ટૂર ઓપરેટર સંગઠનો વચ્ચે પ્રવાસન સહયોગને પ્રોત્સાહન આપવા માટે એક કરાર થયો.</p><p style="text-align: justify; ">11. ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમી (INSA) અને સ્લોવાક એકેડેમી ઓફ સાયન્સ (SAS) વચ્ચે વૈજ્ઞાનિક સહયોગ પર એક કરાર થયો.</p><h5 style="text-align: justify; ">ત્રણ મુખ્ય જાહેરાતો:</h5><p style="text-align: justify; ">1. ભારત અને સ્લોવાકિયાએ તેમના સંબંધોને વ્યાપક ભાગીદારી સુધી વધારવાની જાહેરાત કરી.</p><p style="text-align: justify; ">2. આતંકવાદ સામે લડવામાં સહયોગ વધારવા માટે આતંકવાદ વિરોધી સંયુક્ત કાર્યકારી જૂથની સ્થાપના કરવામાં આવશે.</p><p style="text-align: justify; ">3. નાગરિક સેવાઓ અને વિઝા સંબંધિત બાબતોમાં સહયોગ માટે કોન્સ્યુલર સંવાદ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.&nbsp;</p><p style="text-align: justify; ">આ પણ વાંચોઃ&nbsp; <a href="https://sandesh.com/world/news/us-iran-peace-deal-israel-furious-over-iran-america-deal-rebels-against-trump" target="_blank">ઇરાન-અમેરિકા ડીલ પર ભડક્યું ઇઝરાયેલ, ટ્રમ્પ સામે બગાવત!</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/3BbuTwQ99ghxgdtRFLa5NW4IaXoDt6vfF0VUOsQT.webp'/></item><item><title><![CDATA[Neeraj Chopra દોહા ડાયમંડ લીગમાં ભાગ લેશે,જાણો ક્યારે થશે મેચ ]]></title><link>https://sandesh.com/sports/news/neeraj-chopra-doha-diamond-league-return-2026</link><guid isPermaLink="true">https://sandesh.com/sports/news/neeraj-chopra-doha-diamond-league-return-2026</guid><pubDate>Mon, 15 Jun 2026 17:45:39 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">ભારતના સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરાએ 2 ઓલિમ્પિક મેડલ જીત્યા છે, તે ફરીથી એક્શનમાં આવવા માટે તૈયાર છે. તે 19 જૂને દોહા ડાયમંડ લીગમાં એક્શનમાં પાછો ફરશે. તે 275 દિવસની ગેરહાજરી પછી એક્શનમાં પાછો ફરશે.&nbsp;</p><p style="text-align: justify;">2025 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આઠમા સ્થાને રહ્યા પછી તેને કોઈપણ રમતમાં ભાગ લીધો ન હતો. નીરજ ચોપરાએ 2020 ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ અને 2024 પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો.</p><h2 style="text-align: justify;"><b>નીરજે ગયા વર્ષે દોહા ડાયમંડ લીગમાં 90 મીટર ભાલા ફેંક્યો હતો</b></h2><p style="text-align: justify;">નીરજ ચોપરાની પસંદગી દોહા ડાયમંડ લીગ માટે થઈ છે, જ્યાં તેને ગયા વર્ષે 90 મીટરથી વધુ ભાલા ફેંક્યો હતો. હરિયાણાનો રહેવાસી નીરજ હાલમાં સ્વિટ્ઝર્લેન્ડમાં તેના ફિઝિયો અને કોચ સાથે 47 દિવસની સખત ટ્રેનિંગ લઈ રહ્યો છે. આગામી કોમનવેલ્થ ગેમ્સ માટે તેને ભારતીય ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો છે. પરંતુ આ સ્પર્ધામાં પોતાનું સ્થાન સુરક્ષિત કરવા માટે તેને એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના નિયમો અનુસાર ઓછામાં ઓછા 82.61 મીટર ભાલા ફેંકીને ક્વોલિફાય થવું પડશે.</p><h3 style="text-align: justify;"><b>નીરજ ચોપરા કોમનવેલ્થ ગેમ્સમાં પણ ભાગ લઈ શકે છે</b></h3><p style="text-align: justify;">કોમનવેલ્થ ગેમ્સ આવતા મહિને ગ્લાસગોમાં યોજાવાની છે. જો ભારતના સ્ટાર એથ્લીટ નીરજ ચોપરા ભાગ લે છે, તો ભારત પાસે ભાલા ફેંક સ્પર્ધામાં કુલ 3 એથ્લીટ હશે. બાકી રોહિત યાદવ અને યશવીર સિંહ, પહેલાથી જ ક્વોલિફાય થઈ ગયા છે. વધુમાં, આગામી દોહા ડાયમંડ લીગમાં પણ વિશ્વના બેસ્ટ એથ્લીટો વચ્ચે તીવ્ર સ્પર્ધા જોવા મળશે.&nbsp;</p><p style="text-align: justify;">ભૂતપૂર્વ ઓલિમ્પિક ચેમ્પિયન કેશોર્ન વોલકોટ (ત્રિનિદાદ અને ટોબેગો) અને શ્રીલંકાના રુમેશ તારંગા પથિરાજ જેવા અગ્રણી ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. પરંતુ પેરિસ ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા અને પાકિસ્તાનના સ્ટાર એથ્લીટ અરશદ નદીમ આ વખતે દોહા ડાયમંડ લીગમાં રમતા જોવા મળશે નહીં.</p><h4 style="text-align: justify;"><b>દોહા ડાયમંડ લીગમાં કેટલાક બેસ્ટ ભાલાધારી ખેલાડીઓ ભાગ લેશે</b></h4><p style="text-align: justify;">ટુર્નામેન્ટમાં ભાગ લેનારા ખેલાડીઓના લિસ્ટમાં ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ (આ સિઝનનો શ્રેષ્ઠ થ્રો 86.08 મીટર), યુનાઈટેડ સ્ટેટ્સના કર્ટિસ થોમ્પસન (85.33 મીટર) અને ચેક રિપબ્લિકના જેકબ વેલ્સ (85.24 મીટર)નો સમાવેશ થાય છે. દોહા સ્પર્ધામાં, ભારતના નીરજ ચોપરાએ શાનદાર 90.23 મીટર ફેંક્યો હતો, પરંતુ જર્મનીના જુલિયન વેબરે તેના છેલ્લા (છઠ્ઠા) પ્રયાસમાં 91.06 મીટર ભાલા ફેંકીને ખિતાબ પોતાના નામે કર્યો હતો.</p><p style="text-align: justify;"><b>આ પણ વાંચો: <a href="https://sandesh.com/cricket/news/entertainment/abhishek-mahira-sharma-dating-rumors-matching-bracelet" target="_blank">Abhishek Sharma માહિરા શર્માને કરી રહ્યો છે ડેટ? ઈન્સ્ટાગ્રામની 'સીક્રેટ' પોસ્ટમાં થયો ખુલાસો!</a></b></p><p style="text-align: justify; "><br></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/EqnLHZGTw1ECnw7QCfJKZxKLnBf4nBJQVXBIomC6.webp'/></item><item><title><![CDATA[Arijit Singh બાદ હવે પ્રીતમ પણ લેવા જઈ રહ્યા છે સંન્યાસ? શેર કરી ભાવુક પોસ્ટ ]]></title><link>https://sandesh.com/entertainment/news/music-composer-pritam-hints-at-retirement-break</link><guid isPermaLink="true">https://sandesh.com/entertainment/news/music-composer-pritam-hints-at-retirement-break</guid><pubDate>Mon, 15 Jun 2026 17:37:37 +05:30</pubDate><description><![CDATA[<p style="text-align: justify; ">અરિજીત સિંહે આ વર્ષની શરૂઆતમાં એક પોસ્ટ શેર કરી હતી, જેની સાથે તેમણે પ્લેબેક સિંગિંગમાંથી સંન્યાસની જાહેરાત કરીને પોતાના પ્રશંસકોને નિરાશ કરી દીધા હતા. હવે એવું લાગે છે કે અરિજીત સિંહ બાદ મ્યુઝિક કમ્પોઝર અને સિંગર પ્રીતમ પણ આ જ રસ્તા પર ચાલવા અંગે વિચાર કરી રહ્યા છે. પ્રીતમે પોતાના જન્મદિવસના અવસર પર એક પોસ્ટ શેર કરી, જેને જોયા પછી સોશિયલ મીડિયા યુઝર્સે અટકળો લગાવવાનું શરૂ કરી દીધું છે કે હવે પ્રીતમ દા પણ મેઈનસ્ટ્રીમ મ્યુઝિકમાંથી બ્રેક લેવાના મૂડમાં છે. પ્રીતમની આ પોસ્ટ પછી મોટાભાગના યુઝર્સ તેમને પૂછી રહ્યા છે કે ક્યાંક તેઓ પણ અરિજીત સિંહની જેમ પ્લેબેક સિંગિંગમાંથી સંન્યાસની જાહેરાત કરવાની તૈયારીમાં તો નથી ને?</p><h2 style="text-align: justify; "><b>પ્રીતમે બ્રેક લેવા તરફ કર્યો ઈશારો</b></h2><p style="text-align: justify; ">પ્રીતમે પોતાના જન્મદિવસ પર એક બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરી છે, જેમાં તેઓ વિચારોમાં ખોવાયેલા જોવા મળી રહ્યા છે. આ તસવીર શેર કરતા તેમણે એક ભાવુક નોંધ પણ લખી છે, જેમાં લખ્યું છે કે તેઓ હવે પોતાની જિંદગી કંઈક અલગ રીતે જીવવા માગે છે. એવી જિંદગી જે તેમને હંમેશાથી આકર્ષિત કરતી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ જિંદગી પાછળ છૂટી ગઈ. પરંતુ હવે તેઓ એ બધી બાબતો પર ધ્યાન આપવા માગે છે, જેના પર અત્યાર સુધી આપી શક્યા નથી.</p><h3 style="text-align: justify; "><b>પ્રીતમ દાની પોસ્ટ</b></h3><p style="text-align: justify; ">પોતાની પોસ્ટમાં પ્રીતમ દાએ લખ્યું- 'તમારા બધાની શુભેચ્છાઓ માટે ખૂબ ખૂબ આભાર. હું દરેક વ્યક્તિને અલગ-અલગ જવાબ આપી શકું તેમ નથી, તેથી કૃપા કરીને મારો હૃદયપૂર્વકનો આભાર સ્વીકારો. આજે, મેં મારી જાતને થોડા વર્ષો એવી રીતે જીવવાની ભેટ આપવાનું નક્કી કર્યું છે જેમાં જિંદગીને અલગ રીતે જીવી શકાય. એ બાબતોને પૂરી કરવા માટે જે હું અત્યાર સુધી કરી શક્યો નથી. હવે એ નવી સફર પર નીકળવાનો સમય આવી ગયો છે, જેને હું લાંબા સમયથી ટાળી રહ્યો હતો. સામાન્ય રસ્તા પર ચાલવું પણ એક શાનદાર અનુભવ હોય છે. પરંતુ, મને હંમેશા એ રસ્તાઓ વિશે જાણવાની વધુ ઉત્સુકતા રહી છે જેના પર હજી સુધી કોઈ ગયું નથી. તમારા બધાના પ્રેમ અને સાથ માટે ધન્યવાદ. હંમેશા....'<br><a href="<blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DZkt-EniGuR/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DZkt-EniGuR/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==" target="_blank"><blockquote class="instagram-media" data-instgrm-permalink="https://www.instagram.com/p/DZkt-EniGuR/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" data-instgrm-version="14">
   <a href="https://www.instagram.com/p/DZkt-EniGuR/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ" target="_blank"> </a>
</blockquote>
<script async src="//www.instagram.com/embed.js"></script>==</a><br></p><h4 style="text-align: justify; "><b>અરિજીત સિંહના રસ્તે પ્રીતમ?</b></h4><p style="text-align: justify; ">પ્રીતમની આ પોસ્ટ જોયા પછી તેમના પ્રશંસકોને ચિંતા થવા લાગી છે કે ક્યાંક તેઓ પણ પ્લેબેક સિંગિંગમાંથી બ્રેક લેવાના મૂડમાં તો નથી ને. એવામાં ઘણા લોકોએ તેમની પોસ્ટ પર કોમેન્ટ કરીને સવાલો પૂછવાનું શરૂ કરી દીધું. એક યુઝરે લખ્યું- ક્યાંક તમે પણ અરિજીત સિંહનો રસ્તો પકડવાની તૈયારી તો નથી કરી રહ્યા ને? વળી એકે લખ્યું- લાગે છે હવે પ્રીતમ દા પણ બોલીવુડ મ્યુઝિકમાંથી બ્રેક લેવાની તૈયારીમાં છે. વધુ એક લખે છે - શું પ્રીતમ પણ બોલીવુડ મ્યુઝિકમાંથી રિટાયરમેન્ટ લેવાની જાહેરાત કરવાના છે?' આવી જ કોમેન્ટ્સ કરીને યુઝર્સ પ્રીતમને સવાલ પૂછી રહ્યા છે અને રિટાયરમેન્ટ અંગે આશંકા વ્યક્ત કરી રહ્યા છે.</p><p style="text-align: justify; "><a href="https://sandesh.com/entertainment/news/mithun-chakraborty-daughter-dishani-engagement" target="_blank">આ પણ વાંચો-Mithun Chakrabortyની દીકરી દિશાનીએ કરી લીધી સગાઈ, જાણો કોણ છે ડિસ્કો ડાન્સરના જમાઈરાજ?</a></p> ]]></description><media:content url='https://epapercdn.sandesh.com/images/2026/06/15/56ZNZEtTdr1W93Oq5FOUkEH8VwCqWa8pZcNtz2tk.webp'/></item></channel></rss>